અસારવા ગામનો ભવ્ય દરવાજો રોશનીથી ઝળહળી ઊઠ્યો હતો, અને તેની આકર્ષક ઝગમગાહટે સમગ્ર વાતાવરણને પ્રકાશમય બનાવી દીધું હતું. પ્રકાશની વચ્ચે દરવાજાની ભવ્યતા વધુ નિખરી ઊઠી હતી, જેને નિહાળી ગામજનોમાં આનંદ અને ગર્વની લાગણી છલકાઈ ઊઠી હતી. આ ઐતિહાસિક ક્ષણ અસારવા ગામના વિકાસ અને ગૌરવગાથામાં એક યાદગાર અધ્યાય બની રહેશે.અસારવા ગામનો તોરણ મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો. ગામના તોરણની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતીઆ અંગે અસારવા યુથ સર્કલ પ્રમુખ સંજય પટેલ અને ગામના મુખી હર્ષિલ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે તા. 12મી એપ્રિલ ને રવિવારના રોજ અસારવા ગામના નવ નિર્માણ પામેલા દરવાજાને પરંપરાગત તોરણ મહોત્સવ ભવ્ય અને રંગેચંગે ઉજવાયો હતો. આ પ્રસંગે ગામના તોરણની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી. ધાર્મિક વિધિઓ સાથે ગામ ટોળાના માતાજી શ્રી માતર ભવાની માતાજીના મંદિરે વધામણું આપવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહોત્સવે ગામની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવ્યો આ ઉપરાંત તાજેતરમાં નિર્માણ પામેલા અસારવા ગામના હેરિટેજ દરવાજા પર પરંપરાગત રીતે ગામનું તોરણ બાંધી શુભ પ્રસંગને વિશેષ ગૌરવ આપવામાં આવ્યું હતું. આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક પ્રસંગે ગામના નાના-મોટા તમામ વયના ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગામમાં આનંદ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. અસારવા ગામ પરિવાર દ્વારા આયોજિત આ મહોત્સવે ગામની એકતા, પરંપરા અને સાંસ્કૃતિક વારસાને વધુ મજબૂત બનાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષના સતત સંઘર્ષ, અનેક પડકારો અને લાંબા સમય સુધી ચાલેલા વાદ-વિવાદોની વચ્ચે અંતે અસારવા ગામનો ભવ્ય દરવાજો સફળતાપૂર્વક તૈયાર થઈ ગયો છે. આ દરવાજો માત્ર એક સ્થાપત્ય નથી, પરંતુ ગામજનોની એકતા, ધીરજ અને અડગ સંકલ્પનું પ્રતિક છે. અનેક અવરોધો છતાં સૌના સહકાર અને પ્રયત્નોથી આ કાર્ય પૂર્ણ થયું છે, જે અસારવા ગામ માટે ગૌરવની ક્ષણ સમાન છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. I/C SP વૈદિકા બિહાનીની અધ્યક્ષતામાં આ પેટ્રોલિંગ સુરેન્દ્રનગર, જોરાવરનગર અને વઢવાણ જેવા શહેરી વિસ્તારોમાં કરવામાં આવ્યું. આ કાર્યવાહી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે તે સંદર્ભમાં અને આંબેડકર જયંતિ પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી હતી. પોલીસ કાફલાએ સંવેદનશીલ વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
ગરમી વધારે અને ચોમાસું નબળું! હવામાન વિભાગે જાહેર કર્યું ચિંતાજનક 'મોન્સુન એલર્ટ', અલ નીનો સર્જાશે
IMD Predicts, El Nio: દેશમાં આ વખતે ચોમાસાને લઈને હવામાન વિભાગે ચિંતાજનક એલર્ટ જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ ચોમાસા અંગે ચિંતા વ્યક્ત કરી છે. IMDએ સંભાવના વ્યક્ત કરી છે કે 2026નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતા નબળું રહી શકે છે. જેનો અર્થ એ છે કે વરસાદ ઓછો થશે. હવામાન વિભાગ (IMD) મુજબ, જૂન થી સપ્ટેમ્બર વચ્ચે દેશભરમાં વરસાદ લોંગ પીરિયડ એવરેજ (LPA)ના 92 ટકા રહેવાનો અંદાજ છે, જે 'બિલો નોર્મલ' (સામાન્યથી ઓછું) શ્રેણીમાં આવે છે. સાથે જ હવામાન વિભાગે અલ નીનો સર્જાવાની આશંકા પણ વ્યક્ત કરી છે, જેનાથી ચોમાસા પર વધુ દબાણ વધી શકે છે.
સુરત કોલેજમાં SSIP પ્રોજેક્ટ સ્ક્રિનિંગ યોજાયું:16માંથી 12 પ્રોજેક્ટ PoC ગ્રાન્ટ માટે મંજૂર કરાયા
સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં SSIP (Student Startup and Innovation Policy) અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ લેવલ પ્રોજેક્ટ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં વિદ્યાર્થીઓની ટીમોએ તેમના નવીન પ્રોજેક્ટના Proof of Concept (PoC) ઇન્સ્ટિટ્યૂટ લેવલ કમિટી સમક્ષ રજૂ કર્યા. કુલ 16થી વધુ પ્રોજેક્ટ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ટેકનિકલ કુશળતા જોવા મળી હતી. કમિટી સભ્યોએ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું. કુલ 16 PoC માંથી 12ને મંજૂરી આપવામાં આવી અને તેમને ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવ્યા. કમિટી સભ્યોએ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટના વધુ વિકાસ માટે માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે.
ગઢડામાં એક જ પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગ્યો:એક યુવકનું મોત, ત્રણને ઇજા થતાં હોસ્પિટલ ખસેડાયા
ગઢડા શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક દુઃખદ ઘટના બની છે. અડતાળા રોડ પર એક જ પરિવારના ચાર સભ્યોને વીજ કરંટ લાગ્યો હતો, જેમાં એક યુવકનું મોત થયું છે અને અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઇલેક્ટ્રિક કેબલ ક્રેક થયો હતો. જીમીતભાઈ બટુકભાઈ મકવાણા (ઉં. ૩૨) આ કેબલને ખસેડવા ગયા ત્યારે તેમને વીજ કરંટ લાગ્યો હતો. તેમને બચાવવાના પ્રયાસમાં પરિવારના અન્ય સભ્યોને પણ કરંટ લાગ્યો હતો. આ ઘટનામાં જીમીતભાઈ બટુકભાઈ મકવાણાનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. જ્યારે ભરતભાઈ મકવાણા, હીનાબેન જીમીતભાઈ મકવાણા અને પરસોતમભાઈ મકવાણાને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે બોટાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની માહિતી ગઢડા રેફરલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો. મીલન ઘેવરીયાએ આપી હતી.
પંચમહાલમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:જિલ્લા પંચાયતની 1, તાલુકા પંચાયતની 11 બેઠકો બિનહરીફ જાહેર
પંચમહાલ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં જ જિલ્લા પંચાયતની 1 અને તાલુકા પંચાયતની 11 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ આ ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લા પંચાયતની કુલ 38 બેઠકો પૈકી સાંપા બેઠક બિનહરીફ જાહેર થઈ છે, જ્યારે હાલોલ, કાલોલ અને શહેરા તાલુકા પંચાયતોની કુલ 11 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. જિલ્લા પંચાયતની 38 બેઠકો માટે કુલ 174 ઉમેદવારી ફોર્મ મળ્યા હતા. ચકાસણી પ્રક્રિયા દરમિયાન 115 ફોર્મ માન્ય જ્યારે 59 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. આ પૈકી સાંપા બેઠક પર એકમાત્ર ઉમેદવાર હોવાથી તે બિનહરીફ જાહેર થઈ છે. તાલુકા પંચાયતોની કુલ 174 બેઠકો માટે 688 ફોર્મ ભરાયા હતા. ચકાસણીના અંતે 489 ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા, જ્યારે 200 ફોર્મ અમાન્ય ઠર્યા હતા. કુલ 11 તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, જેમાં શહેરા તાલુકા પંચાયતની 7, હાલોલ તાલુકા પંચાયતની 3 અને કાલોલ તાલુકા પંચાયતની 1 બેઠકનો સમાવેશ થાય છે. ફોર્મ ખેંચવાની અંતિમ મુદત બાદ હવે બાકી રહેલી બેઠકો પર ખરાખરીનો જંગ જામશે. વહીવટી તંત્ર દ્વારા હાલમાં ચૂંટણીની બાકીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગોધરા નગરપાલિકાની વાત કરીએ તો, કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે 186 ઉમેદવારી પત્રો ઉપાડવામાં આવ્યા હતા અને 153 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ચકાસણીના અંતે 142 ઉમેદવારી પત્રો માન્ય જ્યારે 44 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. ગોધરા નગરપાલિકાના 11 વોર્ડ પૈકી 7 વોર્ડમાં ભાજપનો દબદબો જોવા મળ્યો છે, જ્યારે અન્ય 4 વોર્ડમાં અપક્ષ ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો છે. કુલ 142 માન્ય ઉમેદવારી પત્રોમાંથી 77 અપક્ષ ઉમેદવારો માન્ય રહ્યા છે. સૌથી વધુ ઉમેદવારો વોર્ડ-9 માં નોંધાયા છે, જ્યાં 26 માન્ય ઉમેદવારી પત્રો છે. જ્યારે વોર્ડ-3 માં 7 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં સાંજે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અબ્રામા ગામના ટાંકી ફળિયામાં રહેતા 47 વર્ષીય ટીનુબેન કિશોરભાઈ રાઠોડ તેમની બહેનપણીઓ હીનાબેન અને સંગીતાબેન સાથે મોટા વરાછા આઉટર રિંગરોડ પર આવેલા આસ્થા ફાર્મમાં કેટરિંગના કામ માટે ગયા હતા. લગ્ન પ્રસંગમાં કામ દરમિયાન ત્રણેય મહિલાઓ પગપાળા નજીકની દુકાને નાસ્તો લેવા નીકળી હતી. આ દરમિયાન પાછળથી આવતી એક બેફામ સ્કોર્પિયો કારે ત્રણેયને જોરદાર ટક્કર મારી હતી. જેમાં એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બેને ઇજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો કાર પલટી મારીને રસ્તાની સાઈડમાં ઉતરી ગઈ હતી. એક મહિલાનું ઘટનાસ્થળે મોત, બે ઘાયલહરિહર કાઠીયાવાડી રેસ્ટોરન્ટ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને સ્કોર્પિયો કાર રસ્તા પર જ પલટી મારી રસ્તાની બાજુમાં ઉતરી ગઈ હતી. આ અકસ્માતમાં ટીનુબેન રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે રહેલી અન્ય બે મહિલાઓ, હીનાબેન અને સંગીતાબેનને નાની-મોટી ઈજાઓ પહોંચતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે. 19 વર્ષીય કાર ચાલકની ધરપકડઅકસ્માત સર્જનાર કાર ચાલકની ઓળખ 19 વર્ષીય રોશન ચંદુભાઈ માલવિયા તરીકે થઈ છે. રોશન સરથાણાની યોગેશ્વર સોસાયટીમાં રહે છે અને કોસ્મેટિકનો ઓનલાઇન વેપાર કરે છે. ગફલતભરી રીતે ગાડી ચલાવી નિર્દોષ મહિલાનો જીવ લેવા બદલ ઉત્રાણ પોલીસે રોશન વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવીમૃતક ટીનુબેનના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટીનુબેનના પતિનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેઓ કેટરિંગમાં મજૂરીકામ કરીને ઘર ગુજરાન ચલાવતા હતા. ટીનુબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તેમનો પુત્ર ખેત મજૂરી કરીને પરિવારને મદદરૂપ થતો હતો ત્યારે માતાના અચાનક નિધનથી સંતાનોએ પોતાની છત્રછાયા ગુમાવી છે. રોશન માલવિયા તથા તેમના મિત્રો જય જાદવ, વિવેક ગાબાણી, પ્રિત તળાવિયા અને હેત માલવિયાએ એક દિવસના ભાડે સ્કોપિયો કાર લીધી હતી. પાંચેય મિત્રો અખો દિવસ કારમાં ફર્યા હતા. બાદમાં સાંજના સમયે મિત્રો કાર લઇ મોટા વરાછા આઉટર રીંગરોડ ઉપર ગયા હતા. આ દરમિયાન રોશન કાર ચલાવતો હતો ત્યારે આઉટર રીંગરોડ ઉપર પુરઝડપે કાર ચાલક ચલાવી પગપાળા જતી ત્રણ મહિલાને ટક્કર મારતાં કાર દૂર સુધી ફંગોળાઈ બે-ત્રણ વાર પલટી મારી ગઈ હતી. જેમાં ચાલક રોશનને સામાન્ય ઈજા પહોંચી હતી. જ્યારે અન્ય ચાર મિત્રોનો આબાદ બચાવ થયો હતો.
જૂનાગઢ જિલ્લાના કેશોદ નગરપાલિકાની ચૂંટણીનો જંગ અત્યારે ચરમસીમા પર છે પરંતુ, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જે નાટ્યાત્મક ઘટનાક્રમ સર્જાયો તેનાથી સમગ્ર પંથકના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણી દ્વારા આ મામલે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની ગંભીર ફરિયાદ સોંપવામાં આવી છે. આ ફરિયાદમાં ભાજપના ઉમેદવારો અને પાલિકાના જ એક સરકારી કર્મચારી સામે સત્તાનો દુરુપયોગ કરી ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવા માટે દબાણ કરવાના સનસનીખેજ આક્ષેપો કરવામાં આવ્યા છે. ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે સામ, દામ અને દંડની નીતિ સમગ્ર વિવાદની વિગતવાર વાત કરવામાં આવે તો કેશોદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર દક્ષાબેન અનિલભાઈ ચુડાસમા અને વોર્ડ નંબર 8ના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્રભાઈ પોલાભાઈ જોરાએ અચાનક પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા કોંગ્રેસ છાવણીમાં આશ્ચર્ય ફેલાયું હતું. જોકે, કોંગ્રેસના આગેવાનોએ આ બાબતને સ્વેચ્છિક ગણાવવાને બદલે એક પૂર્વ આયોજિત કાવતરું ગણાવ્યું છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આ બંને ઉમેદવારોને મેદાનમાંથી હટાવવા માટે સામ, દામ અને દંડની નીતિ અપનાવવામાં આવી છે. કોંગ્રેસનો આરોપ છે કે લોકશાહીના પર્વમાં મતદારોને વિકલ્પ આપવાને બદલે સત્તાધારી પક્ષના ઉમેદવારોએ ડરાવી-ધમકાવી તેમજ આર્થિક લાલચો આપીને આ ફોર્મ પરત ખેંચાવ્યા છે. સ્થાનિક વહીવટી તંત્ર પર પણ દબાણ વધી રહ્યું છેઆ આક્ષેપોમાં ખાસ કરીને વોર્ડ નંબર 3ના ભાજપના ઉમેદવાર હેતલબેન અનિલભાઈ માવદિયા અને તેમના પતિ લખનભાઈ ભરડા તેમજ વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર મહેશભાઈ નારણભાઈ પરમારને સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. કોંગ્રેસ પ્રમુખે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, આ તમામ વ્યક્તિઓએ ભેગા મળીને કોંગ્રેસના ઉમેદવારોના પરિવારજનો પર દબાણ કર્યું હતું અને ચૂંટણી લડતા અટકાવ્યા છે. આ પ્રકારનું કૃત્ય મુક્ત અને ન્યાયી ચૂંટણીની પ્રક્રિયા સામે પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે છે, જેના કારણે સ્થાનિક વહીવટી તંત્ર પર પણ દબાણ વધી રહ્યું છે. આચારસંહિતાનો સીધો ભંગ હોવાનું કોંગ્રેસ પક્ષ માની રહ્યો છેઆ ઘટનામાં સૌથી મોટો વિવાદ નગરપાલિકાના એક કર્મચારીની ભૂમિકાને લઈને સર્જાયો છે. ફરિયાદ મુજબ કેશોદ નગરપાલિકાના રોશની વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી રાજેન્દ્રભાઈ આંત્રોલિયા જે સરકારી તિજોરીમાંથી પગાર મેળવે છે, તેઓ ખુલ્લેઆમ ભાજપના એજન્ટ તરીકે સક્રિય હોવાનો આરોપ મુકાયો છે. એવો આક્ષેપ છે કે, આ કર્મચારીએ પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી કોંગ્રેસના ઉમેદવારોને ફોસલાવીને અને ધાક-ધમકી આપીને ફોર્મ પરત ખેંચવા મજબૂર કર્યા હતા. સરકારી તંત્રનો કોઈ કર્મચારી રાજકીય પક્ષના સાથીદાર તરીકે કામ કરે તે આચારસંહિતાનો સીધો ભંગ હોવાનું કોંગ્રેસ પક્ષ માની રહ્યો છે. ઉમેદવારી રદ કરવાની માંગ પણ કરવામાં આવી છેકેશોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ લાડાણીએ આ મુદ્દે આક્રમક વલણ અપનાવતા ચીફ ઓફિસર સિવાય મુખ્ય ચૂંટણી પંચ, જિલ્લા કલેક્ટર અને ડેપ્યુટી કલેક્ટરને પણ લેખિતમાં પુરાવાઓ સાથે રજૂઆત કરી છે. તેમની મુખ્ય માંગણી એ છે કે આ સમગ્ર પ્રકરણમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ ઉમેદવારો કે વ્યક્તિઓએ ડરનું વાતાવરણ ઊભું કર્યું છે તેમની સામે આકરી પોલીસ કાર્યવાહી કરવામાં આવે. વધુમાં, નગરપાલિકાના વિવાદિત કર્મચારીને તાત્કાલિક અસરથી નોકરીમાંથી બરતરફ કરવાની અને જે ભાજપના ઉમેદવારો આ ગેરરીતિમાં સામેલ છે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો આચારસંહિતા ભંગની આ ગંભીર ફરિયાદના પગલે કેશોદમાં રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. શહેરમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને સોશિયલ મીડિયા પર પણ લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા એવી ચીમકી પણ આપવામાં આવી છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ મામલે ન્યાયી પગલાં લેવામાં નહીં આવે તો તેઓ જનતાની અદાલતમાં જશે અને ચૂંટણી બાદ પણ આ લડતને કાયદાકીય રીતે ચાલુ રાખશે. હવે જોવાનું એ રહેશે કે ચૂંટણી અધિકારી અને પોલીસ તંત્ર આ ગંભીર આક્ષેપો પર કેવી કાર્યવાહી કરે છે.
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ ખોડિયારપરા શેરી નંબર 7ના ખૂણે ભાડાની રૂમમાં રહેતો શિવમ આત્મારામ વિશ્વકર્મા (ઉ.વ.25)એ ગઈકાલે પોતાના ઘરે પંખામાં ગમછો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આજ રોજ નીચે રહેતા મકાન માલીક લક્ષ્મીબેન ઉપર જઈ દરવાજો ખખડાવતા હતા જો કે યુવક દરવાજો ન ખોલતા દરવાજો તોડી જોતા યુવક લટકતો જોવા મળ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. શિવમ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો રૂમ ભાડે રાખી એકલો રહેતો અને કારખાનામાં મજૂરી કામ કરતો હતો પત્ની એક વર્ષની દીકરી સાથે વતનમાં રહે છે. જો કે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા ન મળતા માલવિયાનગર પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી હતી. બીજા બનાવમાં રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલ આવાસ ક્વાર્ટરમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના અમુલ રામદાસ પાટીલ (ઉ.વ.32)એ ગઈકાલે સાંજે 6 વાગ્યાં આસપાસ પોતાના ઘરે રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘરકામ પૂર્ણ કરી પત્નીએ રૂમમાં જોતા પતિ લટકતો જોવા મળ્યો હતો. બનાવ અંગે 108ને જાણ કરતા 108ના ઇએમટીએ તપાસી તેને મૃત જાહેર કર્યા હતા. મૃતક યુવાન અમુલ કારખાનામાં કામ કરતો હતો અને તેને સંતાનમાં 10 વર્ષનો પુત્ર છે જેને પીતાં છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. હાલ આપઘાતનું કારણ જાણવા માટે બી.ડિવિઝન પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના સૂર્યારામપરામાં કીડીઓ મારવા માટે લાવેલ ઝેરી દવાથી કીડીઓ ન મરતા દવા કામ કરે છે કે નહીં તે ચેક કરવા યુવકે પોતે ઝેરી દવા ચાખત. ઝેરી અસર થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. વિશાલ વિજયભાઈ કંટોડિયા (ઉં.વ.20) પોતે મેલડી માતાજીના મંદિર પાસે હતો ત્યારે રાત્રે 12 વાગ્યા આસપાસ ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિશાલ પોતે ખેતી મજૂરી કરે છે તેમના માતા પિતા હયાત નથી. પોતે બે ભાઈમાં નાનો છે. ઘરમાં કીડીઓનો ઉપદ્રવ વધતા તેણે કીડીઓ મારવા ઝેરી દવા છાંટી હતી જોકે કીડીઓ પર આ દવાની કોઈ અસર દેખાઈ નહીં એટલે દવા કામ કરે છેકે નહીં તે જોવા થોડીક દવા વિશાલે પોતે ચાખી લીધી હતી જેથી તેને ઝેરી અસર થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા હાલ તે સારવાર હેઠળ છે.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીમાં વોર્ડ નંબર 29 (અલ્થાન-બમરોલી-વડોદ) ના કોંગ્રેસના ઉમેદવાર વંદના સાળુંકેના સોગંદનામાએ રાજકીય ખળભળાટ મચાવ્યો છે. દારૂબંધીના મુદ્દે સરકારને ઘેરતી કોંગ્રેસે પ્રોહિબિશન એક્ટ હેઠળ વર્ષ 2023 અને 2026માં બે વખત કોર્ટ દ્વારા સજા પામેલા ઉમેદવારને મેદાનમાં ઉતારતા નૈતિકતાના મુદ્દે ગંભીર સવાલો ઉભા થયા છે. સોગંદનામામાં પ્રોહિબિશનના બે ગુના સજા હોવાની કબૂલાતવોર્ડ નંબર 29ના 49 વર્ષીય ઉમેદવાર વંદના ભીમરાવ સાળુંકેએ પોતાના ચૂંટણી સોગંદનામામાં સ્વીકાર્યું છે કે તેમની સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ બે ગુના નોંધાયા હતા. આ કેસોમાં નામદાર કોર્ટે તેમને કલમ 65-એ, એ હેઠળ તકસીરવાર ઠેરવીને વર્ષ 2023 અને 2026માં સજા ફટકારી હતી. કોર્ટે તેમને 'કોર્ટ ઉઠતા સુધીની જેલ' અને કુલ 200 રૂપિયાનો દંડ કર્યો હતો. નોંધનીય છે કે, ઉમેદવારે આ સજા સામે કોઈ ઉચ્ચ અદાલતમાં અપીલ કરી નથી, જે તેમની સામેના ગુનાની પુષ્ટિ કરે છે. વિપક્ષના આકરા પ્રહાર અને જનતામાં ગણગણાટઆ ઘટસ્ફોટ બાદ ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર પ્રહારો તેજ કર્યા છે. ભાજપ નેતા વિનોદ જૈને આક્ષેપ કર્યો છે કે એક તરફ કોંગ્રેસ રાજ્યમાં દારૂબંધીના કડક અમલની માંગ કરે છે અને બીજી તરફ દારૂના કેસમાં દોષિત ઠરેલા વ્યક્તિને જનપ્રતિનિધિ બનાવવા માંગે છે. અલ્થાન અને બમરોલી વિસ્તારના મતદારોમાં પણ કોંગ્રેસની કથની અને કરણી વચ્ચેના તફાવતને લઈ ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસનો બચાવ અને અનભિજ્ઞતાવિવાદ વધતા કોંગ્રેસના નેતા વિપુલભાઈએ ઉમેદવારનો બચાવ કરતા જણાવ્યું હતું કે, વંદનાબેન એક NGO ચલાવે છે અને જાણીતા સામાજિક કાર્યકર છે. તેમણે ભાજપ પર છબી ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો, પરંતુ જ્યારે તેમને ઉમેદવારના પ્રોહિબિશન કેસોમાં મળેલી સજા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે આ બાબતે કોઈ જાણકારી ન હોવાનું જણાવી મૌન સેવ્યું હતું.
સુરેન્દ્રનગરમાં નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ ટ્રસ્ટ દ્વારા 5 એપ્રિલે 56 વિધવા મહિલાઓ માટે ધાર્મિક દર્શનયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા યુવાન વયે વૈધવ્યનો ભોગ બનેલી વિવિધ જ્ઞાતિની મહિલાઓ માટે હતી. આ દર્શનયાત્રા સુરેન્દ્રનગરથી શરૂ થઈ હતી અને સોમનાથ, તુલસીશ્યામ, પ્રાચીપીપળો, સતાધારધામ (રાત્રી રોકાણ), બિલ્ખા, ચેલૈયાકુંવર ટેમ્પલ, જૂનાગઢ, ભવનાથ, પરબવાવ, કાગવડ, વીરપુરધામ અને સાયલામાં આવેલી લાલજીમહારાજની જગ્યા જેવા ધાર્મિક સ્થળોને આવરી લીધા હતા. યાત્રા સુરેન્દ્રનગર પરત ફરી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય વિધવા મહિલાઓના દુઃખને દૂર કરી તેમને ધર્મમય બનાવવાનો અને ભગવાન પ્રત્યેની આસ્થા વધુ દ્રઢ કરવાનો હતો. આ સમગ્ર આયોજન વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી શક્ય બન્યું હતું. આ દર્શનયાત્રાને સફળ બનાવવા માટે સંસ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલ અને નિર્ધાર ટીમના સભ્યોએ સઘન પ્રયાસો કર્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા નિર્ધાર ટ્રસ્ટે વિધવા કલ્યાણના ક્ષેત્રમાં સમાજને એક વિશેષ સેવા પૂરી પાડી છે.
ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત શહેર હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસિડેન્સીનાં રહેવાસી 55 વર્ષીય અશોકભાઈ નાનુભાઈ ડોંડા (મૂળ વતન. નારી, તા/જિ. ભાવનગર) એ પોતાના જીવનના અંતિમ ક્ષણોમાં માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમના અંગદાનના મહાન નિર્ણયથી કુલ સાત લોકોને નવજીવન પ્રાપ્ત થયું છે. મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના વતની અશોકભાઈ નાનુભાઈ ડોંડા (55 વર્ષ) હાલ મોટા વરાછા વિસ્તારમાં આવેલ આવકાર રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા અને રત્નકલાકાર તરીકે નોકરી કરતા હતા. એપ્રિલ, 2026ના રોજ સવારે તેઓ પોતાની પત્ની રેખાબેનની સારવાર અર્થે અમદાવાદથી સારવાર પૂર્ણ કરી વહેલી સવારે સુરત ઘરે પરત ફર્યા હતા. તબિયત ઠીક નહી જાણતા બપોરે જમવાનું ટાળીને આરામ કરવા ગયા હતા. આશરે 2.30 વાગ્યે અચાનક તેમની તબિયત બગડતા તેઓ સોફા ઉપર બેઠા હતા ને ત્યાં જ ઢળી પડ્યા હતા. તરત જ તેમને સારવાર અર્થે પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સઘન સારવાર આપ્યા બાદ ડૉ. મૌલિક પટેલ (ન્યુરોસર્જન), ડો. નિરવ સુતરીયા (ન્યુરો ફીઝીશ્યન), ડૉ. જીગ્નેશ ગેંગડીયા (એમ.ડી.) અને ડૉ. અનિલ તંતી (એડમિન) દ્વારા તેમને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતોઆ મુશ્કેલ સમયમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પી.એમ. ગોંડલીયા અને વિપુલ તળાવીયા દ્વારા પરિવારને યોગ્ય માર્ગદર્શન અને સમજણ આપવામાં આવી હતી. ડોંડા પરિવારના સભ્યો પત્ની રેખાબેન ડોંડા, પુત્ર મૌલિકભાઈ ડોંડા,પુત્રવધુ હિનલબેન ડોંડા, લલ્લુભાઈ ડોંડા, તેમજ મિલનભાઈ કાનાણી, મહેશભાઈ કાનાણી, ભૌતિકભાઈ સાચપરા, ઉત્સવભાઈ ઘોરી સહિત અન્ય હાજર સ્નેહીજનો દ્વારા માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપતાં અંગદાન માટે સંમતિ આપી મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. અંગદાન થકી કુલ 7 દર્દીઓને નવજીવન મળ્યું અંગદાનની સંમતી મળતાની સાથે સોટોનાં ડાયરેક્ટર ડો.પ્રાંજલભાઈ મોદી, સોટોના પ્રિયાબેન અને હાર્દિકભાઈનો સંપર્ક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરુ કરવામાં આવી હતી. હૃદય યુ.એન. મહેતા હોસ્પિટલ, અમદાવાદ, ફેફસા KD હોસ્પિટલ, અમદાવાદ, લીવર અને બંને કિડની IKDRC હોસ્પિટલ, અમદાવાદ તેમજ બંને આંખોનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું, આ દર્દીના અંગદાન થકી કુલ 7 દર્દીઓને નવજીવન મળ્યું છે. પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયુંપી.પી. સવાણી હોસ્પિટલથી અંગોને વિવિધ હોસ્પિટલ સુધી સમયસર પહોંચાડવા માટે ગુજરાત પોલીસ દ્વારા ત્રણ ગ્રીન કોરિડોરનું ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે સુરતથી અમદાવાદ સુધી અંગો ઝડપથી અને સલામત રીતે પહોંચાડવામાં સફળતા મળી. આ સમગ્ર પ્રક્રિયામાં સુરત અને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ મહત્વપૂર્ણ સહકાર આપ્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી.પી. સવાણી હોસ્પિટલના સંયુક્ત પ્રયાસોથી ડોંડા પરિવારના મોભીનું આ 32મું સફળ અંગદાન સંપન્ન થયું છે, જે સમાજ માટે પ્રેરણાદાયક ઉદાહરણ બની રહેશે.
વર્ષ 2017માં રાજકોટ પોલીસે કેતન દવેની ઓફિસમાંથી 57.60 લાખની 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. ત્યારબાદ સ્કોડા ગાડીમાંથી રૂપિયા 4 કરોડની બીજી 2000ના દરની બનાવટી નોટો પકડી હતી. જે અંગેનો કેસ પાછળથી NIA દ્વારા ઈન્વેસ્ટીગેટ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ NIA કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે. બચાવ પક્ષે સિનિયર એડવોકેટ રાજેશ મોદીએ દલીલો કરી હતી. ફરિયાદી નીતિનભાઈ બાવાભાઈની ફરિયાદને આધારે રાજકોટ પોલીસે આરોપી કેતન દવેની ઓફિસમાંથી 57.60 લાખની 2000ના દરની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી હતી. ત્યારબાદ વર્ષ 2017માં જ સ્કોડા ગાડીમાંથી બીજી 4 કરોડ રૂપિયાની 2000ના દરની બનાવટી ચલણી નોટો ઝડપી પાડી હતી. આ કેસની તપાસ NIAને ટ્રાન્સફર કરવામાં આવી હતી. સાહેદોની જુબાનીમાં મટીરીયલ વિરોધાભાસીજેથી કેસ અમદાવાદની NIA સ્પેશિયલ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવેલો. ફરિયાદ પક્ષે કુલ 46 સાક્ષી તપાસ્યા જ્યારે બચાવ પક્ષે 6 સાક્ષી તપાસ્યા. બચાવ પક્ષની મૂળભૂત રજૂઆત એવી હતી કે મહત્વના સાક્ષીઓ તપાસ્યા નથી. તથા સાહેદોની જુબાનીમાં મટીરીયલ વિરોધાભાસી છે. તમામ પંચો કરિયાદીના પરિચિત છે. જેથી તેઓ ઇન્ટરેસ્ટેડ છે. બચાવ પક્ષની રજૂઆતો ધ્યાને લઈ NIA સ્પેશિયલ કોર્ટે તમામ 6 આરોપીઓને શંકાનો લાભ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો છે.
ગાંધીનગર જિલ્લા પંચાયત તેમજ કલોલ, માણસા અને દહેગામ તાલુકા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીનો જંગ હવે રસપ્રદ વળાંક પર આવી પહોંચ્યો છે. ઉમેદવારી ફોર્મની ચકાસણીના અંતે જે ચિત્ર સામે આવ્યું છે તે કોંગ્રેસ માટે આંચકાજનક અને શાસક પક્ષ ભાજપ માટે વોક ઓવર એટલે કે આગળ વધો જેવી સ્થિતિ સર્જનારું સાબિત થયું છે. ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં કુલ 177 જેટલા ફોર્મ રદ થતા અનેક દિગ્ગજોના રાજકીય સપનાઓ રોળાયા છે. મેદાનમાં માત્ર 476 ઉમેદવારો બાકી રહ્યા છેગાંધીનગર જિલ્લાની કુલ 176 બેઠકો માટે ભરાયેલા 653 ફોર્મમાંથી 177 ફોર્મ ટેકનિકલ ખામીઓ, મેન્ડેટના અભાવ કે અયોગ્યતાને કારણે રદ કરવામાં આવ્યા છે. હવે મેદાનમાં માત્ર 476 ઉમેદવારો બાકી રહ્યા છે. આ આંકડાકીય ફેરફાર આગામી પરિણામો પર સીધી અસર પાડનારું રાજકીય પરિબળ છે. ખાસ કરીને મહત્વની બેઠકો પર કોંગ્રેસના મુખ્ય ઉમેદવારોના ફોર્મ રદ થતા વિપક્ષી છાવણીમાં સોપો પડી ગયો છે. ઉમેદવારની ખરાઈ કર્યા વગર જ ટિકિટ આપતા પક્ષની શિસ્ત પર સવાલો ઉઠ્યાકારણ કે, ગાંધીનગર જિલ્લા પંચાયતની પ્રતિષ્ઠાભરી ગણાતી માણસાની સમૌ બેઠક પર કોંગ્રેસના યશવંતભાઈ ચૌધરીનું ફોર્મ ત્રણ સંતાન હોવાના કારણે રદ થયું છે. આમ, જિલ્લા નેતૃત્વ પર આંધળો વિશ્વાસ રાખી કોંગ્રેસ પક્ષે ઉમેદવારની ખરાઈ કર્યા વગર જ ટિકિટ આપતા પક્ષની શિસ્ત પર સવાલો ઉઠ્યા છે. અહીં કોંગ્રેસના ઉમેદવારને ત્રણ સંતાનો હોવાનું સાબિત થતા તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. આમ ગાંધીનગર કોંગ્રેસ હજી પણ આંતરિક ખેંચતાણમાં વ્યસ્ત રહી ચૂંટણી નિયમોના પાઠ ભણી નહીં હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ચરાડા-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારે જાણે અજાણે કરેલી ભૂલ પક્ષને ભારે પડીગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાયદા મુજબ બેથી વધુ સંતાનો ધરાવતા વ્યક્તિ ચૂંટણી લડી શકતા નથી. આ કાયદાકીય જોગવાઈએ કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. હવે આ બેઠક પર ભાજપ, આમ આદમી પાર્ટી અને અપક્ષો વચ્ચે જ સ્પર્ધા બાકી રહી છે. જેનો સીધો ફાયદો ભાજપને મળવાની શક્યતા રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. એ જ રીતે માણસા તાલુકા પંચાયતની ચરાડા-2 બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારે જાણે અજાણે કરેલી ભૂલ પક્ષને ભારે પડી છે. આ બેઠક માટે ટેકેદાર તરીકે સહી કરનાર મતદાર અન્ય વિભાગના હોવાનું સામે આવતા ફોર્મ અમાન્ય ઠર્યું છે. આ નાટ્યાત્મક ઘટના સ્થાનિક કોંગ્રેસ પક્ષના આંતરિક સંકલન અને ફોર્મ ભરવાની ગંભીરતા પર સવાલો ઉભા કરે છે. કોંગ્રેસ ચૂંટણી જંગ શરૂ થાય તે પહેલા જ અનેક મોરચે પાછળ ધકેલાઈ ગઈબીજી તરફ દહેગામની ખાનપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અગાઉના એક ગુનામાં કોર્ટ દ્વારા સજા પામેલા હોવાથી તેમની ઉમેદવારી રદ થઈ છે. એક તરફ ભાજપ મજબૂત સંગઠન સાથે મેદાનમાં છે ત્યારે કોંગ્રેસના મજબૂત ગણાતા ઉમેદવારોના ફોર્મ રદ થવા તે પક્ષ માટે નામુશી સમાન છે. અનેક બેઠકો પર હવે મુખ્ય લડત ભાજપ અને અન્ય પક્ષો વચ્ચે મર્યાદિત બની ગઈ છે. જોકે, ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ બાદ ખરું ચિત્ર સ્પષ્ટ થશે પરંતુ, હાલના તબક્કે તો કોંગ્રેસ ચૂંટણી જંગ શરૂ થાય તે પહેલા જ અનેક મોરચે પાછળ ધકેલાઈ ગઈ હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. ચૂંટણી તંત્રની આ કડક કાર્યવાહીએ તમામ પક્ષોને કાયદાકીય સજ્જતાના પાઠ ભણાવ્યા હોવાનું કહી શકાય. ઉમેદવારી પત્રો ખેંચવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ છે. ભાજપ દ્વારા હવે એ બેઠકો પર જોર લગાવવામાં આવી રહ્યું છે જ્યાં માત્ર બે જ ઉમેદવારો સામસામે છે. આવતીકાલ સાંજ સુધીમાં ખબર પડશે કે હજુ કેટલી બેઠકો બિનહરીફ થાય છે. હવે ગાંધીનગર જિલ્લા પંચાયતની 28 બેઠકો માટે હવે કુલ 84 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તમામ 28 બેઠકો પર ભાજપના ઉમેદવારો મેદાનમાં છે જ્યારે કોંગ્રેસના 27 ઉમેદવારો રહ્યા છે. આમ આદમી પાર્ટીના 17 ઉમેદવારો મેદાનમાં છે.
સુરતમાં શ્રી સુરત સથવારા કડીયા સમસ્ત પંચ અને શ્રી વિશ્વકર્મા યુવા પ્રગતિ મંડળના સહયોગથી નવચંડી યજ્ઞ અને ચામુંડા માતાજીની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ સંવત ૨૦૮૨ ચૈત્ર વદ દશમ, રવિવાર, ૧૨ એપ્રિલ ૨૦૨૬ ના રોજ શ્રી વિશ્વકર્મા ભવન, નાની કડીયા શેરી, સૈયદપુરા, સુરત ખાતે સંપન્ન થયો હતો. આ આયોજન અંતર્ગત ચામુંડા માતાજીની દિવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રા સથવારા કડીયા સમાજની વાડીથી શરૂ થઈ પારસીવાડ, મોટી કડીયા શેરી, સિંદુરિયા ગણેશ મંદિર અને વાવશેરી માર્ગે વિહાર કરીને શ્રી વિશ્વકર્મા ભવન પરત ફરી હતી. માર્ગમાં ભક્તો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. શોભાયાત્રા બાદ નવચંડી યજ્ઞ અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. યજ્ઞમાં પચ્ચીસ યુગલોએ પૂજન-અર્ચન કર્યું હતું. આ ઉપરાંત, સત્તાવીસ કુંવારીકા કન્યાઓનું પૂજન કરીને તેમને ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ યજ્ઞનો મુખ્ય હેતુ સમાજના સર્વે લોકોમાં સનાતન ધર્મનું પાલન, બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન અને સમાજમાં એકતા તથા સહકારની ભાવના મજબૂત કરવાનો છે. છેલ્લા છ વર્ષથી સતત નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આયોજક ચેતન પથ્થરવાલાએ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમાજજનો, દાતાઓ, સેવાભાવી કાર્યકરો અને ઉપસ્થિત ભક્તજનોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સુરત શહેરમાં ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે ત્યારે આ ગરમીથી રાહત મેળવવા નદીમાં નહાવા પડવાનું એક યુવકને ભારે પડ્યું છે. ડીંડોલીનો 31 વર્ષીય યુવક મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા ગયો હતો. જ્યાં નહાવા પડતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટનાના બીજા દિવસે આજે તેનો મૃતદેહ મળી આવતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ફરવા ગયો ને કાળ ભેટી ગયોમળતી માહિતી મુજબ, શહેરના ડીંડોલી વિસ્તારમાં આવેલી અમીધારા સોસાયટીમાં 31 વર્ષીય વિકાસ રાજુભાઈ નાયકા પરિવાર સાથે રહેતો હતો. વિકાસ ગૌરવ પથ રોડ પર આવેલા એક મોટર્સ વર્કશોપમાં નોકરી કરી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો. રવિવારે ૧૨મી એપ્રિલના રોજ નોકરીમાં રજા હોવાથી વિકાસ તેના મિત્રો સાથે ડભોલી બ્રિજ નીચે તાપી નદીના કિનારે ફરવા માટે ગયો હતો. 'બહુ ગરમી લાગે છે' કહી નદીમાં છલાંગ લગાવીબપોરના સમયે સખત ગરમી હોવાથી વિકાસે તેના મિત્રોને નહાવા જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 'બહુ ગરમી લાગે છે, ચાલને થોડીવાર નદીમાં નહાઈ લઈએ' તેમ કહી વિકાસે તાપી નદીના પાણીમાં કૂદકો માર્યો હતો. જોકે, પાણીના પ્રવાહ અને ઊંડાઈનો અંદાજ ન રહેતા તે જોતજોતામાં મિત્રોની નજર સામે જ પાણીમાં ડૂબવા લાગ્યો હતો. મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી, પરંતુ વિકાસ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ફાયર બ્રિગેડે બીજા દિવસે મૃતદેહ બહાર કાઢ્યોઘટનાની જાણ થતા જ ફાયર ફાઈટરો અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રવિવારે મોડે સુધી શોધખોળ કરવા છતાં વિકાસનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દરમિયાન, આજે સોમવારે સવારે ફરી શોધખોળ હાથ ધરતા જે જગ્યાએ વિકાસ ડૂબ્યો હતો, તે જ સ્થળ નજીકથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયરના જવાનોએ મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. પરિવારનો આર્થિક આધાર છીનવાયોવિકાસ મોટર્સ ગેરેજમાં કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવવામાં મદદ કરતો હતો. જુવાનજોધ દીકરાના મોતના સમાચાર મળતા જ અમીધારા સોસાયટી અને તેના મિત્ર વર્તુળમાં સ્તબ્ધતા છવાઈ ગઈ છે. સિંગણપોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઇકોર્ટમાં સાણંદની 19 વર્ષીય દુષ્કર્મ પીડિતા યુવતીએ પોતાના 21 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. હાઇકોર્ટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલના ગાયનેકોલોજી વિભાગના વડા અને ડોક્ટરોની પેનલને તેણીની તપાસ કરવા અને ગર્ભપાત કરવા માટેના જોખમી પરિબળો અંગે તેમનો અભિપ્રાય આપવા નિર્દેશ આપ્યા હતા. યુવતીને મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરીજેના રિપોર્ટ મુજબ યુવતીને 21 સપ્તાહ અને 6 દિવસનો ગર્ભ છે. મેડિકલ રીતે તેનો ગર્ભપાત શક્ય છે. ગુજરાત હાઇકોર્ટે 13 માર્ચના રોજ યુવતીને મેડિકલ રિપોર્ટના આધારે ગર્ભપાતની મંજૂરી આપી છે. ગર્ભપાત કરતા પહેલા તેની સહમતિ લેવામાં આવશે. તેમાં રહેલ જોખમો વિશે તેને જણાવવામાં આવશે. તેના ગર્ભના DNA સેમ્પલ તપાસ અધિકારીને સોંપવામાં આવશે. પીડિતાની અગાઉ 4 દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર કરાઈ હતીજો બાળક જીવિત જન્મે અને યુવતી તેને રાખવાના માંગે તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અગાઉ યુવતીએ ફરિયાદ કરી હતી કે હોસ્પિટલ તેને દાખલ કરી રહી નથી. સાણંદની આ 19 વર્ષીય દુષ્કર્મ પીડિતાની અગાઉ આ જ હોસ્પિટલમાં ચાર દિવસ સુધી સારવાર કરવામાં આવી હતી. જ્યારે તેણે ડોક્ટરોને તેનો 21 અઠવાડિયાનો ગર્ભ ગર્ભપાત કરવા વિનંતી કરી, ત્યારે હોસ્પિટલ સત્તાધીશોએ તેને સક્ષમ કોર્ટનો ઓર્ડર લાવવા જણાવ્યું હતું. ગર્ભપાત કરવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતીત્યારબાદ તેણીને રજા આપી દેવામાં આવી હતી અને તેણે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની જોગવાઈઓ હેઠળ ગર્ભપાત કરાવવા માટે હોસ્પિટલ સત્તાધીશોને નિર્દેશ આપવાની માંગ કરતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જ્યારે આ અરજી સુનાવણી માટે આવી ત્યારે અરજદારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે પીડિતા હોસ્પિટલમાં છે, પરંતુ હોસ્પિટલ સત્તાધીશો તેને દાખલ કરવાનો ઇનકાર કરી રહ્યા છે. તેને પેટમાં દુ:ખાવો થઈ રહ્યો હતો. ત્રણ વર્ષમાં 25 સગીરાએ ગર્ભપાતની મંજૂરી
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં જન્મદિવસની ઉજવણી દરમિયાન યોજાયેલી દારૂની મહેફિલ પર પોલીસે ત્રાટકીને 10 લોકોની ધરપકડ કરી છે. શ્રીનંદનગર વિ-1ના એફ બ્લોકમાં ભાડેથી રહેતી નાગાલેન્ડની યુવતી કુંધાલી તોસીવીના ઘરે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેફિલ દરમિયાન વધુ પડતો અવાજ અને બૂમાબૂમ થતી હોવાથી પાડોશીઓએ પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી, જેના આધારે વેજલપુર પોલીસે દરોડો પાડ્યો હતો. દારૂની 3 બોટલ અને બિયરના 4 ટીન કબજે કર્યાપોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે યુવક-યુવતીઓ નશાની હાલતમાં ઝડપાયા હતા. પોલીસે સ્થળ પરથી દારૂની 3 બોટલ અને બિયરના 4 ટીન કબજે કર્યા હતા. પકડાયેલા શખ્સોમાં રાજસ્થાનના મોહમદ ઝુબેર આલમ, મોહમદ સઝાદ અબ્બાસી, સાહીલ અલી, મોહમદ યુનુસ સબાંગ તથા નાગાલેન્ડ, આસામ અને થલતેજ વિસ્તારના અન્ય યુવક-યુવતીઓનો સમાવેશ થાય છે. પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, કુંધાલીનો જન્મદિવસ હોવાથી તેણે સેટેલાઇટ વિસ્તારના પિયુષ નામના વ્યક્તિ પાસેથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. પકડાયેલા તમામ લોકો સ્પા અને સલૂનના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આ વિસ્તારમાં ભાડેથી રહે છે. હાલમાં પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 11 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા અને જેની પર રાજસ્થાન પોલીસ દ્વારા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું એવા આરોપી જહાંગીર મલેકને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની મોબાઇલ ચોરી સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. આરોપી જહાંગીર ઇબ્રાહીમ હસન મલેક (ઉંમર વર્ષ 52) ને સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમ પાસેથી દબોચી લેવામાં આવ્યો છે. ભીલવાડા પોલીસે 5 હજારનું ઈનામ જાહેર કર્યું હતુંઆરોપી જહાંગીર મલેકનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો છે, જેમાં વર્ષ 2015માં રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના ગુલાબપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટોયોટા ઇટિયોસ ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. આ ગુનામાં જહાંગીર મલેકની સંડોવણી ખુલતા તે ફરાર થઈ ગયો હતો. આ કેસમાં ભીલવાડા પોલીસ અધિક્ષકે તેના પર રૂપિયા 5,000નું ઇનામ જાહેર કર્યું હતું. આ ધરપકડથી બચવા માટે આરોપી પોતાનું મૂળ વતન ખરોડ (અંકલેશ્વર) છોડીને શરૂઆતમાં મહારાષ્ટ્રના થાણે ખાતે રહેવા જતો રહ્યો હતો અને ત્યારબાદ વડોદરાના તાંદળજા વિસ્તારમાં છુપાઇને રહેતો હતો. આ સિવાય આરોપીએ સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વડીલોપાર્જિત ખેતીની જમીનના બોગસ દસ્તાવેજો બનાવી, સરકારી રેકોર્ડ પર ચેડાં કરી આર્થિક લાભ મેળવવાનો ગુનો પણ આચરેલો છે. આ કેસમાં તેની સામે સુરત ગ્રામ્યમાં ગુનો નોંધાયેલો છે.
પરીક્ષા વચ્ચે જાગૃતિ કાર્યક્રમોનો ભાર:શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેમાં અસંતોષ, મહાસંઘની સરકારને રજૂઆત
ગુજરાતમાં શૈક્ષણિક સત્ર પૂર્ણ થવાના આરે હોય ત્યારે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે બીજી તરફ મતદાન જાગૃતિ જેવા કાર્યક્રમો માટે શાળાઓમાં રેલીઓ, સ્પર્ધાઓ અને અન્ય પ્રવૃત્તિઓ કરાવવા માટેના દબાણને કારણે શિક્ષકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા હોવાનું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ મિતેશ ભટ્ટે જણાવ્યું છે. શિક્ષકોની સ્થિતિ કફોડી બની જાય છેતેમણે સ્પષ્ટ કર્યું કે, પરીક્ષા સમયગાળા દરમિયાન વાલી અને વિદ્યાર્થીઓ બંને ઈચ્છે છે કે વિદ્યાર્થીઓનું સંપૂર્ણ ધ્યાન પરીક્ષાઓ પર જ કેન્દ્રિત રહે, પરંતુ આવી વધારાની પ્રવૃત્તિઓના કારણે અસંતોષ ઉભો થાય છે. એક તરફ ઉપરથી કાર્યક્રમો માટે દબાણ અને બીજી તરફ વાલીઓ-વિદ્યાર્થીઓનો વિરોધ, આ બંને વચ્ચે શિક્ષકોની સ્થિતિ કફોડી બની જાય છે. મહાસંઘે અગાઉ પણ રજૂઆત કરી હતી કે વર્ષભરની આવી પ્રવૃત્તિઓને શૈક્ષણિક કેલેન્ડરમાં સમાવવાથી આયોજનબદ્ધ રીતે કાર્યક્રમો યોજી શકાય અને વિદ્યાર્થીઓને પણ તણાવ વિના પરીક્ષા આપવાની તક મળે. બીજા દિવસે સમયસર શાળાએ હાજર રહેવું મુશ્કેલ બને છેઆ સાથે જ મહાસંઘે ચૂંટણી કામગીરીને લઈને પણ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે. લેખિત રજૂઆતમાં જણાવાયું છે કે, ચૂંટણી દરમિયાન શિક્ષકો અને કર્મચારીઓને મોડી રાત સુધી ફરજ બજાવવી પડે છે, જેના કારણે બીજા દિવસે સમયસર શાળાએ હાજર રહેવું મુશ્કેલ બને છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે મહાસંઘના અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટ અને મહામંત્રી પરેશકુમાર પટેલ દ્વારા સરકાર સમક્ષ કેટલીક માંગણીઓ કરવામાં આવી છે. જેમાં મતદાન કે પુનઃમતદાનના બીજા દિવસે ફરજ પર રહેલા કર્મચારીઓને ફરજિયાત ઓન-ડ્યુટી ગણવા, રવિવાર કે જાહેર રજાના દિવસે ચૂંટણી સંબંધિત તાલીમ કે કામગીરી માટે વળતર રજા આપવાની વ્યવસ્થા કરવાની અને દર વખતે રજૂઆત કરવાની જરૂર ન રહે તે માટે કાયમી પરિપત્ર જાહેર કરવાની માંગનો સમાવેશ થાય છે. મહાસંઘે સરકારને વિનંતી કરી છે કે, પરીક્ષા સમયગાળામાં આવા કાર્યક્રમો યોજતા પહેલાં સંવેદનશીલતા દાખવી યોગ્ય આયોજન કરવામાં આવે.
પવિત્ર અમરનાથ યાત્રાએ જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. યાત્રીઓને એક જ સ્થળે તમામ સુવિધાઓ મળી રહે તે માટે તંત્ર દ્વારા અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્થળ અને સમયની વિગત જરૂરી દસ્તાવેજોની યાદીયાત્રાળુઓએ સર્ટિફિકેટ મેળવવા માટે નીચે મુજબના સાધનિક કાગળો સાથે રૂબરૂ હાજર રહેવું પડશે. તબીબી સુવિધા અને સ્ટાફયાત્રાળુઓની સુવિધા માટે ખાસ ટીમ તૈનાત કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રી સહિત પાટડી તાલુકાના અનેક હોદ્દેદારો અને કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ ઘટના સુરેન્દ્રનગરના નમો કમલમ કાર્યાલય ખાતે બની હતી. ભાજપમાં જોડાનારાઓમાં જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને જિલ્લા પંચાયતની સવલાસ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિક્રમ રબારી મુખ્ય છે. તેમની સાથે પાટડી તાલુકા પંચાયતના બે કોંગ્રેસ ઉમેદવારો અને પાટડી નગરપાલિકાના આઠ કોંગ્રેસ સદસ્યો પણ ભાજપમાં શામેલ થયા છે. ભાજપમાં જોડાયેલા નેતાઓએ જણાવ્યું કે, તેઓ વર્ષોથી કોંગ્રેસમાં રહીને અનેક લોકપ્રશ્નો અને સમસ્યાઓ માટે સંઘર્ષ કરતા રહ્યા હતા, પરંતુ પક્ષ દ્વારા તેમની નોંધ લેવામાં આવી ન હતી. આ કારણોસર તેમણે કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પાટડી તાલુકાના કોંગ્રેસના આટલા મોટા આગેવાનો અને ઉમેદવારો ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના આંતરિક વિખવાદના કારણે વર્ષો જૂના આગેવાનો પક્ષ છોડી રહ્યા હોવાથી પક્ષને મોટો ફટકો પડ્યો છે અને તેની અસર ચૂંટણી પર જોવા મળી શકે છે. આ ઘટના અંગે ભાજપ જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા અને કોંગ્રેસ મહામંત્રી તથા સવલાસ જિલ્લા પંચાયત ઉમેદવાર વિક્રમભાઈ રબારીએ નિવેદનો આપ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટમાં બનાસકાંઠાથી સાયબાભાઈ ડુંગાસિયા દ્વારા જામીન અરજી મુકવામાં આવી હતી. જેમની સામે ડિસેમ્બર મહિનામાં અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ BNS અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત નોંધવામાં આવી હતી. તેઓ દાતાના પાડલીયા ગામના રહેવાસી છે. વન વિભાગના અધિકારીઓ પર 500 લોકોના હુમલોની ફરિયાદઆ કેસમાં વન વિભાગના અધિકારીઓ પોલીસ કર્મચારીઓ સાથે રોપા રોપવા માટે ખાડા ખોદવા ગયા હતા. જ્યાં 500 જેટલા આદિજાતિ લોકોએ તેમની ઉપર ફરિયાદમાં જણાવ્યા મુજબ ધારીયા, તીર, તલવાર, કુહાડી, લાકડી અને ધોકા જેવા સાધનો વડે હુમલો કર્યો હતો. જેમાં સરકારી વાહનોને નુકસાન પહોંચ્યું હતું, તેમજ અધિકારીઓને ઈજા થઈ હતી. ફરિયાદમાં સરકારી અધિકારી પાસેથી લૂંટ કરવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સાથે જ અરજદારે ગામના લોકોને ઉશ્કેરવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. શું પોલીસ ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતી હતી?આજે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનવણી યોજાઈ હતી. જેમાં હાઈકોર્ટના ગત આદેશ મુજબ વન વિભાગના અધિકારીઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. હાઇકોર્ટે સરકારી વકીલને પ્રશ્ન કર્યો હતો કે વન વિભાગ છોડ વાવવા માટે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને સાથે કેમ લઈ ગયા હતા? શું પોલીસ આદિવાસીઓ ઉપર ફાયરિંગ કરવાની મંજૂરી મેળવવા માંગતી હતી? જે પણ પ્રશ્ન હતો તેને વહીવટી લેવલ ઉકેલ શોધવા પ્રયત્ન કેમ કરાયો નહોતો? જે જમીન ઉપર દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું?અરજદારના વકીલે જણાવ્યું હતું કે, આ જંગલની જમીન છે. આ વિસ્તાર બાલારામ સેન્ચુરીમાં આવે છે. અહીં 172 આદિજાતિ લોકોએ ક્લેમ કર્યો છે, જેઓ અહીં ખેતી કરે છે. અહીં ફોરેસ્ટ એક્ટ લાગુ પડે છે. કોર્ટે તેમને પૂછ્યું હતું કે જે જમીન ઉપર તમે દાવો કરો છો તેના હક્ક માટે તમે શું કર્યું? અરજદારે જણાવ્યું હતું કે તેનો ક્લેમ કરવામાં આવ્યો છે અને સરકારના અનુમોદન માટે પેન્ડિંગ છે. પરંતુ તેમ છત્તા સરકારે આદિવાસીઓને ખેતી કરતા રોકવા ક્લેમ વાળી જમીન ઉપર રોપા રોપવાની કોશિશ કરી. એક વિધવા ઝૂંપડી બાંધીને આ જમીન ખેડતી હતીઅરજદારે વધુમાં જણાવ્યું હતું કે, આ મુદ્દો લોકસભામાં પણ ઉઠ્યો હતો. લોકસભામાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રશ્ન કર્યો હતો કે જંગલની જમીન ઉપર આદિજાતિના કેટલા ક્લેમ આવ્યા છે? જેના જવાબમાં જાણવા મળ્યું હતું કે ગુજરાતમાંથી 10 હજાર ક્લેમ આવ્યા હતા. જેમાંના 7000 ક્લેમ મંજૂર કરાયા છે, જ્યારે 2869 ક્લેમ પેન્ડિંગ છે. જે જમીન ઉપર છોડ વાવવા તંત્ર આવ્યું હતું. ત્યાં એક વિધવા ઝૂંપડી બાંધીને આ જમીન ખેડતી હતી. તેઓને કાયદા મુજબ ખેતી કરવાનો અધિકાર છે, તમને ખસેડી શકાય નહીં. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતાકોર્ટે સરકારી વકીલને પૂછ્યું હતું કે, અરજદારના વકીલ જે 172 ક્લેમની વાત કરી રહ્યા છે, તે પાડલીયા ગામના છે? જેનો જવાબ હકારમાં આવ્યો હતો. કોર્ટે આકરા વલણ સાથે અધિકારીઓને ઝાટક્યા હતા કે એક તરફ તમે ક્લેમ વાળી જમીન ઉપર છોડ વાવવા જાઓ છો અને સંસદને ગેરમાર્ગે દોરો છો કે અજાણતા આ ઘટના બની છે! કોણે આ જમીન ઉપર રોપા વાવવા હુકમ કર્યો હતો, જ્યારે તમે આદિજાતિઓ ઉપર પોલીસ ફરિયાદ કરી છે. આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએસંસદને ગેરમાર્ગે દોરવા બદલ આ અધિકારીઓને ઘરભેગા કરવા જોઈએ. તમે આદિજાતિ વિસ્તારમાં જઈને રાજ્યની શક્તિ બતાવવા માંગતા હતા. જો પ્રશ્નો હતા તો ફોર્સ કેમ વાપરી? સિવિલ એડમિનિસ્ટ્રેશન સમક્ષ મુદ્દો કેમ ના મૂક્યો? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની જરૂર કેમ પડી? ગોળી મારવા? આ બોર્ડર નહીં, તમારા નાગરિકો છે. સરકારી વકીલે કહ્યું હતું કે તેઓએ બે દિવસ પહેલા સમજાવ્યા આદિવાસીઓને સમજાવ્યા હતા. સંસદમાં કોણે જવાબ આપ્યો તે જણાવો?જો કે, કોર્ટે પ્રશ્ન પકડી રાખ્યો હતો કે ક્લેમ નક્કી કરતા પહેલા તમે કેમ છોડ વાવવા ગયા હતા? તેની જરૂર શું હતી? તમે ઘોડા આગળ ગાડું કેમ મૂક્યું? બંધારણીય કોર્ટ આંખો બંધ કરી શકે નહીં! સરકારી વકીલે કહ્યું હતું કે અરજદારે આદિવાસીઓને ઉશ્કેર્યા હતા, તેઓ બંધારણમાં અને વ્યવસ્થામાં માનતા નથી, તેઓ દેશને પોતાની માલિકીનો ગણાવે છે. RFO એ પણ તેઓને સમજાવવાની કોશિશ કરી હતી. તેઓ જંગલની બધી જમીન ઉપર હક્ક દાવો કરે છે. જો કે હાઇકોર્ટે કહ્યું હતું કે છોડ વાવવામાં આટલી ઉતાવળ શા માટે કરવામાં આવી? સંસદમાં કોણે જવાબ આપ્યો તે જણાવો? આ મુદ્દે વધુ સુનાવણી 16 એપ્રિલ નાખવામાં આવી છે.
વડોદરા શહેરમાં પનીર ઉત્પાદન કરતી એજન્સીઓમાં “એનાલોગ પનીર”ના વેચાણ અંગે તપાસ માટે વડોદરા શહેર SOG દ્વારા વડોદરા મહાનગર પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગ સાથે સંયુક્ત ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરનાં માર્ગદર્શન હેઠળ શહેરમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા, “નશામુક્ત વડોદરા” અભિયાનને સફળ બનાવવા તેમજ નાગરિકોના આરોગ્યને ધ્યાને રાખી ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. આ સૂચનાઓના આધારે એસ.ઓ.જી. પીઆઇ બી.ડી. જીતીયાના નેતૃત્વમાં વિવિધ ટીમો દ્વારા વડોદરા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના સ્ટાફ સાથે વડોદરા મહાનગર પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના સિનિયર ફૂડ સેફટી ઓફિસર સહિતના અધિકારીઓ જોડાયા હતા. જેમાં સોમા તળાવ વિસ્તાર ખાતે ગિરિરાજ રેસિડન્સીમાં આવેલી શ્રી સાંઇનાથ મિલ્ક સપ્લાયર, સરદાર એસ્ટેટ વિસ્તારમાં આવેલી તાજ ડેરી તેમજ ગાયત્રી ફૂડ્સ પ્રોવેગન નામની પનીર ઉત્પાદન કરતી એજન્સીઓમાં તપાસ હાથ ધરી હતી. ચેકિંગ દરમિયાન પનીરના લેબલિંગ (મીડિયમ ફેટ, લો ફેટ વગેરે), દૂધની ખરીદી પ્રક્રિયા, ઉત્પાદન એકમની સ્વચ્છતા (હાઇજિનિક કન્ડિશન) તેમજ ડેરી એનાલોગ ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા કાચા માલની સઘન તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત એનાલોગ પનીરના વેચાણ બિલો તથા વેચાણ પેઢીઓની પણ ચકાસણી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન કોઈપણ એજન્સીમાં એનાલોગ પનીરનો ગેરઉલ્લેખ સાથે વેચાણ થતું હોવાનું સામે આવ્યું નથી. જોકે ફૂડ સેફટી વિભાગના અધિકારીઓ દ્વારા સંબંધિત એજન્સીઓને પનીરના પેકેજિંગ પર નિયમ મુજબ જરૂરી માહિતી દર્શાવવા સૂચનાઓ આપવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે. વધુ પાંચ બેઠકો બિનહરીફ જાહેર થતાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ સાથે મનપાની કુલ 9 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 10 માં બે બેઠકો અને વોર્ડ નંબર 11 માં ત્રણ બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. અગાઉ વોર્ડ નંબર 12 માં ભાજપના ઉમેદવારો સામે એક પણ ફોર્મ ભરાયું ન હોવાથી ચાર બેઠકો બિનહરીફ થઈ હતી.ચૂંટણી પ્રચાર અને ફોર્મ પરત ખેંચવાના દિવસો બાકી છે તે પહેલા જ ભાજપે મનપાની કુલ 9 બેઠકો પર વિજય મેળવી લીધો છે. વોર્ડ નંબર 10 માં હેતલબેન સાણથરા અને દક્ષાબેન માવણી, જ્યારે વોર્ડ નંબર 11 માં ક્રિષ્નાબેન અનિલભાઈ કોટિયા, દેવીબેન દેવા કોડીયાતર અને વનરાજ પરબતભાઈ કેશવાલા બિનહરીફ ચૂંટાયા છે. આ વિજય બદલ કાર્યકરોએ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને શુભેચ્છાઓ પાઠવી ભવ્ય વિજયના વધામણાં કર્યા હતા.
રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ ભારતીય જનતા પાર્ટી (BJP) ના બે મહિલા ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ચૂંટણી અધિકારી દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ કુલ 126 ફોર્મમાંથી 84 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે 42 ફોર્મ રદ કરાયા છે. વોર્ડ નંબર 4 માંથી ઓબીસી કેટેગરીના ભાજપના મહિલા ઉમેદવાર નિધિ આદિત્ય પંચાલ અને વોર્ડ નંબર 6 માંથી ઓબીસી કેટેગરીના ભાજપના મહિલા ઉમેદવાર શિવાની રાહુલ માછી સામે કોઈ અન્ય ઉમેદવારે ફોર્મ ભર્યું ન હતું. આથી, તેઓ ચૂંટણી પહેલા જ બિનહરીફ વિજેતા જાહેર થયા છે. રાજપીપળા નગરપાલિકાની કુલ 28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ સહિત કુલ 126 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા. નર્મદા જિલ્લાની એકમાત્ર રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પક્ષવાર ફોર્મની વિગતો જોઈએ તો, ભાજપમાંથી સૌથી વધુ 64 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 28 માન્ય રખાયા છે. કોંગ્રેસમાંથી 9 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 8 માન્ય થયા છે. જ્યારે આમ આદમી પાર્ટીમાંથી 22 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 21 માન્ય રખાયા છે. હવે રાજપીપળા નગરપાલિકાની 28 બેઠકોમાંથી 2 બેઠકો બિનહરીફ થતા, બાકીની 26 બેઠકો માટે ચૂંટણી યોજાશે. ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ 15મી છે.
સુવિધા નહીં તો મત નહીં:ગોધરામાં જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યાં
ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 3 માં આવેલા ભુરાવા વિસ્તારની જૈન સમ્રાટ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓના અભાવે ચૂંટણી બહિષ્કારનો નિર્ણય લીધો છે. તેમણે 'સુવિધા નહીં તો મત નહીં'ના બેનરો લગાવી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. સોસાયટીના રહીશોના જણાવ્યા અનુસાર, તેમની મુખ્ય સમસ્યાઓમાં રોડ-રસ્તા, પીવાનું સ્વચ્છ પાણી, સ્ટ્રીટ લાઈટ અને સાફ-સફાઈનો સમાવેશ થાય છે. નગરપાલિકા નિયમિતપણે વેરો ઉઘરાવે છે, પરંતુ સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી છે. આ અંગે મહિલા રહીશ અર્પણા રાઠોડે જણાવ્યું હતું કે, અહીં પાણી અને કચરાના નિકાલની મોટી સમસ્યા છે. નગરપાલિકા દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી, તેથી અમે આ વખતે મતદાન ન કરવાનો નિર્ણય લીધો છે. એક વૃદ્ધ રહીશે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, ચોમાસામાં રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે, જે સીધું અમારા ઘરોમાં ઘૂસી જાય છે. કચરો લેવા માટે ટ્રેક્ટર પણ નિયમિત આવતું નથી. સૌથી ગંભીર બાબત એ છે કે નળમાં આવતું પાણી સફેદ અને ગંદુ હોય છે, જે પીવાલાયક નથી. વોર્ડ નંબર 3 ના રહીશોનો આક્ષેપ છે કે નગરપાલિકા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. 'સુવિધા નહીં તો મત નહીં'ના બેનરો સાથે જનતાએ સત્તાધીશો સામે મોરચો માંડ્યો છે. હવે જોવું રહ્યું કે ચૂંટણી પહેલા તંત્ર જાગૃત થાય છે કે પછી જનતા પોતાનો મિજાજ બતાવશે.
બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બરવાળા નગરપાલિકા માટે ભરાયેલા કુલ ફોર્મમાંથી કેટલાક માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે કેટલાક અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. બોટાદ જિલ્લા પંચાયતની કુલ ૨૦ બેઠકો માટે ૯૩ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. ચકાસણી બાદ તેમાંથી ૬૮ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે, જ્યારે ૨૫ ફોર્મ અમાન્ય જાહેર કરવામાં આવ્યા છે. તાલુકા પંચાયતોની વાત કરીએ તો, બોટાદ તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૭૭ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૬૫ માન્ય અને ૧૨ અમાન્ય થયા. ગઢડા તાલુકા પંચાયતની ૨૨ બેઠકો માટે ૯૯ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૭૩ ફોર્મ માન્ય અને ૨૬ ફોર્મ અમાન્ય ઠેરવવામાં આવ્યા છે. આ ઉપરાંત, બરવાળા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો માટે ૫૪ ફોર્મ ભરાયા હતા, જેમાંથી ૪૪ માન્ય અને ૧૦ અમાન્ય થયા. રાણપુર તાલુકા પંચાયતની ૧૮ બેઠકો માટે ૮૪ ફોર્મ ભરાયા હતા, જેમાં ૬૦ ફોર્મ માન્ય અને ૨૪ ફોર્મ અમાન્ય જાહેર કરાયા છે. બરવાળા નગરપાલિકાના ૬ વોર્ડની કુલ ૨૪ બેઠકો માટે ૫૦ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. નોંધનીય છે કે, ચકાસણી પ્રક્રિયામાં આ તમામ ૫૦ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
હાલમાં જ્યારે દેશભરમાં આઈપીએલનો ફીવર ચાલી રહ્યો છે, ત્યારે અનેક યુવાનો રાતોરાત લાખોપતિ બની જવાની લાલચમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના રવાડે ચડીને બરબાદ થઈ રહ્યા છે. સટ્ટાની આ બદીને ડામવા માટે જૂનાગઢ પોલીસ સતર્ક બની છે, જેના ભાગરૂપે જૂનાગઢ ક્રાઈમ બ્રાંચે એક સફળ કામગીરી કરીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. જુનાગઢ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાડલા ફાટક પાસે રાધિકા રેસીડેન્સીમાં રહેતો એક શખ્સ પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચની આઈડી બનાવીને હારજીતનો જુગાર રમી રહ્યો છે.બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વાડલા ફાટક પાસે દરોડો પાડતા ધરમ ઉર્ફે ધવલ મિઠીયા નામનો 24 વર્ષીય યુવાન ઓનલાઈન ક્રિકેટ આઈડી મારફતે આઈપીએલની ચેન્નઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચેની મેચ પર રન ફેર અને હારજીતનો સટ્ટો રમતા અને રમાડતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ શખ્સ હવાલા દ્વારા નાણાંની હારજીત કરતો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા તેની ધરપકડ કરી વંથલી પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.આ દરોડા દરમિયાન પોલીસે આરોપી પાસેથી 500 રૂપિયાની રોકડ રકમ અને 40,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ 40,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં અન્ય 6 શખ્સોના નામ પણ ખુલ્યા છે, જેમાં હિરેન કારીયા, આશિષ કુડડીયા, મૌલિક માણી, ધવલ ઉર્ફે આર્યન ડોલાસીયા, પરેશ પોપટ અને ભગીરથ ભેડાનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચની આ કામગીરીમાં કુશાલ એમ. પટેલ, ડી. પી. ભાટી, જદવભાઈ સુવા અને દેવનભાઈ સિંધવ સહિતની ટીમે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. આ કામગીરીથી સટ્ટાબજારમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે પણ નાગરિકોને અપીલ કરી છે કે ટૂંકા રસ્તે પૈસા કમાવવાની લાલચમાં સટ્ટા જેવી લતથી દૂર રહે, જે પરિવાર અને કરિયર બંને માટે ઘાતક સાબિત થઈ શકે છે...
પાટડીમાં શ્રીમદ્દ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય ઉત્સવ સોમવારે ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પાવન પ્રસંગે મહાપ્રભુજી કાષ્ટ રથમાં બિરાજી રંગેચંગે નગરયાત્રાએ નીકળ્યા હતા. પાટડીની દ્વારકાધીશજી હવેલીને ભક્તો દ્વારા અનોખી રીતે શણગારવામાં આવી હતી. દ્વારકાધીશજી હવેલીએથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ભજન મંડળીઓ દ્વારા ધૂનની રમઝટ બોલાવવામાં આવી હતી. શોભાયાત્રા દરબારી ચોક, મુખ્ય બજાર, ગાડી દરવાજા, ગણપતિ મંદિર અને પાંચહાટડી ચોક વિસ્તારમાંથી પસાર થઈ પરત દ્વારકાધીશની હવેલીએ પહોંચી હતી. યાત્રાના માર્ગમાં ગણપતિ યુવક મંડળ દ્વારા શોભાયાત્રીઓનું ઠંડા સરબતથી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં મહિલાઓ સહિત વિશાળ સંખ્યામાં ભક્તો ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉત્સવ પ્રસંગે દેસાઈ બિપીનભાઈ જયંતીભાઈ પરિવાર દ્વારા ઉપસ્થિત સર્વે વૈષ્ણવોને પાતર પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. આ મનોરથ પાટડી વૈષ્ણવ સમાજ અને વૈષ્ણવ મહિલા મંડળ અમદાવાદ દ્વારા વલ્લભ કૃપાથી સંપન્ન થયો હતો. સર્વે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોએ એકજૂટ થઈને ધોલ પદ અને વધાઈ કીર્તનથી પ્રભુના આશીર્વાદ મેળવ્યા હતા.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ડબલ મેન્ડેટ વિવાદ પર ચૂંટણી તંત્રે મહત્વનો નિર્ણય લીધો છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ સમસાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાની ઉમેદવારી માન્ય રાખી છે. કોંગ્રેસ દ્વારા બે અલગ-અલગ સ્તરે મેન્ડેટ આપવામાં આવતા કુતબુદ્દીન પટેલ અને સમસાદ અલી સૈયદ વચ્ચે ગૂંચવણ સર્જાઈ હતી. આ મુદ્દે શહેર અને જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં છેલ્લા બે દિવસથી ભારે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. આજે સોમવારે ઉમેદવારી પત્રોની ચકાસણી દરમિયાન આ નિર્ણય લેવાયો હતો. આ સાથે કોંગ્રેસના ડબલ મેન્ડેટ કાંડને લઈને ચાલી રહેલી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. આ નિર્ણય બાદ વોર્ડ નંબર 2માં રાજકીય સમીકરણોમાં ફેરફાર થવાની શક્યતા છે. આથી ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરા શહેરમાં મુંબઇ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ કમિશનરે વડસર બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન અને વૈકલ્પિક વ્યવસ્થાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. એલ એન્ડ ટી દ્વારા હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-4 પેકેજ હેઠળ સિવિલ વર્કની કામગીરી ચાલુ છે. આ કામગીરીના ભાગરૂપે તા. 15 અને 16 એપ્રિલ દરમિયાન વડોદરા શહેરના વડસર રેલવે ઓવર બ્રિજ પર ગર્ડર લોન્ચિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી દરમિયાન સલામતીના હેતુસર વડસર રેલવે ઓવર બ્રિજ પરથી પસાર થતાં તમામ પ્રકારના વાહનો માટે અવરજવર સંપૂર્ણપણે પ્રતિબંધિત રાખવાનો નિર્ણય પ્રોજેક્ટ મેનેજર દ્વારા લેવામાં આવ્યો છે. વડોદરા શહેરના નાગરિકોને ઓછામાં ઓછી અસુવિધા થાય અને ટ્રાફિક વ્યવસ્થા સુચારૂ રીતે ચાલુ રહે તે માટે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અમલમાં મુકવા પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ 33(1)(બી) હેઠળ મળેલ સત્તાનો ઉપયોગ કરી તા. 15 એપ્રિલ 2026ના રોજ રાત્રે 23:30 કલાકથી તા. 16 એપ્રિલ 2026 ના રોજ સવારે 04:00 કલાક સુધી અથવા કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ ટ્રાફિક નિયંત્રણ અમલમાં રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ગોધરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 186 ઉમેદવારી પત્રોમાંથી 143 માન્ય અને 43 અમાન્ય ઠર્યા છે. ગોધરા તાલુકા શિક્ષણ વિભાગના નિવૃત્ત સિનિયર ક્લાર્ક સોલંકીએ વોર્ડ નંબર 10 માંથી ઉમેદવારી નોંધાવી હતી, મેન્ડેટ ગુમ હોવાના કારણે તેમનું ફોર્મ પણ રદ્દ કરવામાં આવ્યું છે. ગોધરા નગરપાલિકામાં ચૂંટણી અધિકારી દ્વારા ફોર્મ રદ કરવા પાછળનું મુખ્ય કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે, ઉમેદવારી પત્ર સાથે પક્ષ દ્વારા આપવામાં આવતું અધિકૃત 'મેન્ડેટ' જોડવામાં આવ્યું ન હતું. જોકે, ઉમેદવાર કિરણભાઈ સોલંકીએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે મીડિયાને જણાવ્યું કે, તેમણે ઉમેદવારી પત્ર રજૂ કરતી વખતે તમામ જરૂરી દસ્તાવેજો અને પક્ષનું મેન્ડેટ પણ રજૂ કર્યું હતું. કિરણભાઈ સોલંકીએ આરોપ લગાવ્યો કે મેન્ડેટ ન હોવાના બહાને તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે અને આ મામલે ન્યાયિક તપાસની માંગ કરી છે. બીજી તરફ, ચૂંટણી અધિકારી એન એલ મોદીએ ઉમેદવારના તમામ આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઉમેદવારી પત્ર સાથે મેન્ડેટ આપવામાં આવ્યું ન હતું, જેના કારણે નિયમ મુજબ ફોર્મ રદ કરવામાં આવ્યું છે.
વિધાનસભા અને મહાનગરપાલિકામાં વિપક્ષ તરીકે દબદબો બનાવવાનો પ્રયાસ કરતી આમ આદમી પાર્ટીમાં સુરતમાં મોટું ગાબડું પડ્યું હતું. શહેર મહિલા પ્રમુખ સહિત 8 ટોચના હોદ્દેદારોએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી રાજીનામાં ધરી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે. મહિલા નેતાઓએ આરોપ લગાવ્યો છે કે પાર્ટીમાં વર્ષોથી લોહી-પરસેવો એક કરનારા પાયાના કાર્યકરોની કિંમત રહી નથી અને પૈસાના જોરે નિષ્ક્રિય લોકોને પદ અપાઈ રહ્યા છે. પ્રમુખ સહિત 8 મહિલા હોદ્દેદારો મેદાન છોડ્યુંસુરત મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલની આગેવાનીમાં સંગઠનના પાયાના સ્તંભ ગણાતી મહિલાઓએ એકસાથે રાજીનામું આપી પક્ષની આંતરિક શિસ્તના લીરેલીરા ઉડાડ્યા છે. જેમાં ઉપપ્રમુખ જાસ્મિકા ડાવરા, ગીતાબેન લીંબાચીયા, સોનલબેન પાંડોલ અને પુનમબેન તિવારીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સંગઠન મંત્રી અલકાબેન પાંડે, ઈન્દિરાબેન અને નિતુંબેન ગુપ્તાએ પણ પક્ષ સાથે છેડો ફાડ્યો છે. પૈસા આપો અને હોદ્દો મેળવોનો આક્ષેપરાજીનામું આપનાર મહિલા નેતાઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પક્ષમાં હવે સિદ્ધાંતોની જગ્યાએ પૈસાનો વ્યવહાર ચાલી રહ્યો છે. જે લોકો ક્યારેય ગ્રાઉન્ડ પર દેખાયા નથી, તેમને રાતોરાત પૈસાના જોરે હોદ્દા અને ઉમેદવાર બનાવી દેવામાં આવ્યા હતા. પક્ષ માટે રાત-દિવસ દોડતી મહિલાઓની વારંવાર અવગણના થતી હોવાથી અંતે કંટાળીને આ નિર્ણય લેવો પડ્યો છે. વીડિયો જાહેર કરી રોષ વ્યક્ત કર્યોસામાન્ય રીતે રાજીનામાં પક્ષના કાર્યાલય પર અપાતા હોય છે. પરંતુ સુરતમાં આ મહિલા નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વીડિયો સંદેશ જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેઓની નારાજગી સ્પષ્ટ દેખાઈ રહી છે. તેઓએ જણાવ્યું કે, અમે પાયાના કાર્યકરો છીએ, અમે પાર્ટીને ઉભી કરવા મહેનત કરી, પણ હવે પક્ષમાં કાર્યકરોની નહીં પણ વહાલા-દવલાની નીતિ ચાલે છે. ચૂંટણી પહેલા ‘આપ’ની મુશ્કેલી વધશે?મહાનગરપાલિકામાં ‘આપ’ના અનેક કોર્પોરેટરો અગાઉ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. ત્યારે હવે સંગઠન સ્તરે ખાસ કરીને મહિલા પાંખમાં પડેલું આ ગાબડું પક્ષ માટે ચિંતાનો વિષય છે. આગામી દિવસોમાં આ અસંતોષની જ્વાળા અન્ય વિસ્તારોમાં પણ ફેલાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. રાજીનામું આપનાર મુખ્ય ચહેરાઓનીતાબેન પટેલ, શહેર મહિલા પ્રમુખજાસ્મિકા ડાવરા, શહેર ઉપપ્રમુખગીતાબેન લીંબાચીયા, શહેર ઉપપ્રમુખસોનલબેન પાંડોલ, શહેર ઉપપ્રમુખઅલકાબેન પાંડે, સંગઠન મંત્રી(મહિલા વિંગ)
9 એપ્રિલનો એ દિવસ હતો. ફારસની ખાડીમાં 52 હજાર ફૂટની ઊંચાઇએ અમેરિકાનું સૌથી મોંઘું ડ્રોન ઊડતું હતું. અચાનક બે કોડ આવ્યા. પહેલો હતો 7400-એટલે કે, કમ્યુનિકેશન લિંક લોસનો. અને બીજો હતો 7,700-એટલે કે જનરલ ઇમર્જન્સીનો. બીજો કોડ આવતાં જ ગ્રાઉન્ડ સ્ટેશનમાં હાજર અધિકારીઓના જીવ પડિકે બંધાંઇ ગયા. બીજી જ મિનિટે વ્હાઇટ હાઉસમાં પણ દોડધામ થવા લાગી. દુનિયાની સૌથી શક્તિશાળી સેનાનું ગૌરવ ગણાતું હતું MQ-4C Triton ડ્રોન. 1850 કરોડનું ડ્રોન 10 મિનિટમાં 10 હજાર ફૂટ સુધી નીચે આવ્યું ને પછી ગાયબ થઈ ગયું. યુદ્ધમાં અમેરિકાને અત્યાર સુધીનો આ સૌથી મોટો ફટકો હતો. આ ડ્રોનને ગુમ કરવું એ ઇરાનનાં ગજાં બહારની વાત છે. તો શું આની પાછળ ચીન કે રશિયા છે? બીજી બાજું પાકિસ્તાનમાં 21 કલાક ચર્ચા કર્યા પછી પણ યુદ્ધ રોકવાની વાટાઘાટો ફેલ ગઈ છે. એટલું જ નહીં અમેરિકાએ ઈરાનના દરિયામાં નાકાબંધી કરીને યુદ્ધનું રણશિંગુ ફૂંક્યું છે. શું આ ત્રીજા વિશ્વ યુદ્ધનું ટ્રેલર છે? અને કેવી રીતે ચીન કે રશિયા અમેરિકા સામે યુદ્ધ લડવામાં ઈરાનની મદદ કરી રહ્યું છે? આજે આખી વાતનું પોસ્ટમોર્ટમ કરીશું. નમસ્કાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે બે બાજુથી ઘેરાયા છે. એકબાજુ તેમને ઈરાનને રોકવાનું છે અને બીજી બાજુ તેમને ચીન સામે આર્થિક મોરચો ખોલી રાખવાને છે. એવામાં ટ્રમ્પે ધમકી આપી છે કે જો ચીન ઈરાનને મદદ કરતા પકડાઈ જશે તો તે ચીની માલ પર 50 ટકાનો ટેરિફ લગાવી દેશે. પણ ચીન જાણે છે કે જો તે અત્યારે પાછું હટી જશે તો દુનિયામાં તેનું વર્ષોથી બનેલું ડોમિનેન્સ ઘટી જશે. યુદ્ધનો વળાંક હોર્મુઝના દરિયામાં નહીં આકાશમાં એવામાં આજે અમેરિકાએ ઈરાનના દરિયા કિનારે નાકાબંદીની જાહેરાત કરી છે. ત્યારે આજે સાંજે સાડા સાત વાગ્યા નજીક અમેરિકા ઈરાનના દરિયાઈ રસ્તા સીલ કરવા મથામણ શરુ કરશે. પણ યુદ્ધમાં વળાંક આ વખતે હોર્મુઝ સ્ટ્રેટ પર નહીં પણ ઈરાનના આકાશમાં આવ્યો. ઈરાનનાં આકાશમાં અમેરિકાનું ડ્રોન ગાયબ અમેરિકન નેવીનું સૌથી એડવાન્સ અને મોંઘુદાટ MQ-4C Triton નામનું સર્વેલેન્સ ડ્રોન ગાયબ થઈ ગયું છે. સામાન્ય રીતે કોઈ વિમાન 32 હજાર ફૂટની ઉંચાઈ પર ઉડતું હોય છે પણ આ ડ્રોન 50 હજાર ફૂટ ઉપર પણ જાદુઈ રીતે ઉડી શકે છે. આટલી ઉંચાઈ પરથી પણ તે જમીન પરની પળપળની માહિતી પર બાજ નજર રાખી શકે છે. જે ડ્રોનની આપણે વાત કરવી છે તે હમણા થોડા વર્ષો પહેલા જ એટલે કે વર્ષ 2018માં જ અમેરિકાની નેવીમાં શામેલ થયું હતું. રિપોર્ટ્સ કહે છે કે ત્યારથી અત્યાર સુધી ક્યારેય જમીન પર આવ્યું નથી અને તેમાં કોઈ ટેક્નિકલ પ્રોબ્લમ પણ નથી આવી. અમેરિકી ડ્રોન ધડામ દઈને નીચે પટકાયું પણ ઈરાનના આકાશમાં જે થયું તેણે અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ્સની ઉંઘ હરામ કરી દીધી છે. થયું કંઈક એવું કે આ ડ્રોનનો 7700 નંબરનો ઈમરજન્સી કોડ દેખાયો. આ કોડ ત્યારે દેખાય જ્યારે ડ્રોનમાં કોઈ પ્રોબ્લમ આવે કે કન્ટ્રોલ ન રહે. 52 હજાર ફૂટની ઉંચાઈથી આ ડ્રોન ધડામ દઈને 10 હજાર ફૂટની ઉંચાઈ પર પટકાયું અને રડારમાંથી ગાયબ થઈ ગયું છે. આ વિમાન 24 કલાક 7 દિવસ હવામાં રહી શકે છે અને 7,400 નોટિકલ માઈલના વિશાળ વિસ્તારમાં નજર રાખી શકે છે પણ ક્યાં ગાયબ થયું તેનો કોઈ અત્તોપત્તો નથી. ડ્રોન તોડી પાડવાનું કામ રશિયાનું કે ચીનનું? ડ્રોન ગાયબ થવાથી અમેરિકાનો 1 હજાર 850 કરોડ રૂપિયાનો બહુ મોટો આર્થિક ફટકો પડ્યો છે. આ રકમ એટલે અમેરિકાના સૌથી એડવાન્સ ગણાતા ફાઈટર જેટ F-35 કરતાં પણ બે ગણી થાય. આ ડ્રોન બનાવવા અમેરિકાએ દાયકાઓની મહેનત કરી હતી અને રિસર્ચ માટે અબજો-કરોડો ડોલર ખર્ચ્યા હતા. પણ સવાલ એ ઉઠે કે ગોળી ચલાવ્યા વગર આ વિમાન કેવી રીતે ઈરાનના આકાશમાંથી ગાયબ થઈ ગયું? અમેરિકાને આ રશિયા કે ચીનનું કામ લાગે છે કારણ કે ઈરાન પાસે તો આવી ટેક્નોલોજી જ નથી કે તે કરી શકે. જામિંગ ટેક્નોલોજીથી ગાયબ અમેરિકન શક્તિ અમેરિકાના ડિફેન્સ એક્સપર્ટ્સ માને છે કે આ ડ્રોનને કોઈ પાવરફુલ મિસાઈલથી પણ તોડવામાં નથી આવ્યું કારણ કે જો એવું થયું હોય તો અમેરિકાને ગરમીના સિગ્નલથી ખબર પડી ગઈ હોત. કહેવાય છે કે જામિંગ ટેક્નોલોજીથી ગ્રાઉન્ડ કન્ટ્રોલ તોડીને અમેરિકાના હાઈફાઈ ડ્રોનનો ખેલ પાડી દેવામાં આવ્યો છે. જો આ વિમાન કે તેનો કાટમાળ ઈરાનને મળી જાય તો તે રિવર્સ એન્જિનિયરિંગ કરીને ડ્રોનને સમજીને ફરી ડ્રોન બનાવી શકે છે. પણ અગાઉ વાત કરી તેમ ઈરાન એટલું એડવાન્સ છે જ નહીં કે તે આવું કરી શકે. માટે એવા રિપોર્ટ્સ છે કે ઈરાન આ ડ્રોનને સમજવા માટે ચીનને મોકલી શકે છે જેથી ચીન અમેરિકન ટેક્નોલોજીને સમજી શકે. અને જો ખરેખર આવું થઈ જાય તો અમેરિકાની વર્ષોની મહેનત પાણીમાં મળી જાય તેવી પૂરી શક્યતા છે. શું ચીન ઈરાનને મદદ કરી રહ્યું છે? કૂલ મળીને આ બધી જ વાત કરવાનો મતબલ એ છે કે ચીન ઈરાનને યુદ્ધ લડવામાં મદદ કરી રહ્યું છે તેવું એક્સપર્ટ્સનું કહેવું છે. જે મુજબ ચીન ઈરાનને અમેરિકાના વિમાનો અને જહાજોની રિયલ ટાઈમ લોકેશન ઈરાનને શેર કરી રહ્યું છે, જેથી ઈરાન અમેરિકા પર પળપળની નજર રાખી શકે. આ અમેરિકાના લશ્કરી દબદબાને ચીનની ખુલ્લી ચેલેન્જ છે. મિડલ ઈસ્ટમાં ચીનની ડિપ્લોમેટિક ગેમ આપણે સૌ જાણીએ છીએ કે ચીન મિડલ ઈસ્ટમાં દાયકાઓ સુધી એક વેપારી અને ગ્રાહક તરીકે પોતાને ઓળખાવતું રહ્યું પણ તેનો મતબલ તો કંઈક બીજો જ હતો. આજે ચીને પોતાની સ્ટ્રેટેજીને બિઝનેસ ફર્સ્ટથી ડિપ્લોમસી ફર્સ પર લાવી દીધી છે. જ્યારે ઈરાન યુદ્ધમાં અમેરિકા સૈનિકો-વિમાનો અને જહાજો ગોઠવવામાં જોતરાયેલું હતું ત્યારે ચીન મિડલ ઈસ્ટ દેશો સાથે સંબંધો વધારીને પડદા પાછળ મોટા ખેલ પાડી રહ્યું હતું. મધ્યસ્થીની ચીની માઈન્ડ ગેમ થોડા જ પાછળ જઈએ તો મોટો ધડાકો ત્યારે થયો જ્યારે 2023માં ચીને સાઉદી અરેબિયા અને ઈરાન વચ્ચે દુશ્મનીને દોસ્તીમાં ફેરવી. અમેરિકા માટે આ ઝટકો હતો કારણ કે તેમનું માનવું હતું કે મિડલ ઈસ્ટની શાંતિ તેમનો ઠેકો હતી પણ બેજિંગ મેથડે તેમની ગેમ અને દબબદા પર પાણી ફેરવી દીધું. અમેરિકા જ્યારે હથિયારો અને હુમલાઓ કરીને વાત મનાવે છે ત્યારે ચીને માત્ર વાતચીતથી દુશ્મનોને એક ટેબલ પર લાવી દીધા. આજના સમયમાં તેહરાન-બેઈજિંગ-રિયાધ હોટલાઈન વોશિંગ્ટન માટે માથાનો દુઃખાવો બની ગઈ છે. પેટ્રો ડોલરના સામ્રાજ્યને ચીનનો પડકાર અત્યારના સમયમાં અમેરિકા માટે ચીન તરફથી મોટો ફટકો એ પણ છે કે તેમની પેટ્રો ડોલર સિસ્ટમને ચીને પેટ્રો યુઆન સિસ્ટમથી મોટો ફટકો માર્યો છે. ગયા વર્ષના એપ્રિલ મહિનાથી ચીન ઈરાન પાસેથી પોતાની યુઆન કરન્સીમાં જ ક્રુડ ઓઈલ ખરીદી રહ્યું છે. એક્સપર્ટસ કહે છે કે અમેરિકાની ફાઈનાન્શિયલ દેખરેખ અને સ્વિફ્ટ સિસ્ટમથી બચવા ચીને આ ખેલ પાડ્યો છે. જાણીને ચોંકી જશો કે ઈરાન જેટલું પણ તેલ વેચે છે તેમાંથી 90 ટકા તેલ તો ખાલી ચીન જ લઈ જાય છે. અને એ પણ ડોલરમાં નહીં, યુઆનમાં. જે હોર્મુઝ સ્ટ્રેટ બંધ છે ત્યાંથી જહાજો છોડાવવા જે ફી કે ટોલ ભરવો પડે છે તે પણ યુઆન કે ક્રિપ્ટો કરન્સીમાં ઈરાન ઉઘરાવી રહ્યું છે તેવા રિપોર્ટ છે. ચીન અને ઈરાનની દોસ્તીની દાસ્તાન ચીન અને ઈરાનની દોસ્તીની વાત કરીએ તો 2021માં બંને દેશ માટે 25 વર્ષની અતૂટ દોસ્તી માટે કરાર થયો છે. ચીને ઈરાનમાં 400 અબજ ડોલરના રોકાણની જુબાની આપી હતી. જેમાં ચીન ઈરાનમાં પોર્ટ્સ, રેલવે અને 5G ટેકનોલોજીનો વિકાસ કરવાનું હતું. આ દોસ્તી એટલી પાક્કી છે કે અમેરિકા ઈરાનને ઘૂંટણિયે લાવવા માગે તો પણ ચીનની હાજરી તેમને આવું કરતા રોકી દે છે. ઈઝરાયલ સાથે પણ ચીને સંબંધો રાખ્યા અને ચીન આપણે વિચારીએ છીએ તેનાથી પણ સ્માર્ટ છે. ચીનની ઈરાન સાથે દોસ્તી પણ છે અને ઈઝરાયલ સાથે ધંધાના સંબંધો પણ. ઈઝરાયલના હાઈફા પોર્ટ પર ચીનનો દબદબો આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ છે. ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદ પણ પોતાની જમીન પર ચીનની હાજરીથી પરેશાન છે. ઈઝરાયલના સમાજમાં જે ફાટા છે ચીન તેનો પણ ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યું છે. કારણ કે ચીને ઈઝરાયલ અને લેબનોન વચ્ચે પણ મધ્યસ્થી કરવાની ઓફર કરી હતી. ઈઝરાયલ અમેરિકાનું પાક્કું દોસ્ત છે પણ તેમાં પણ ચીને સેંધ પાડી છે. મૌન મોઢાનું માસ્ટર મેજીક 2023નું ગાઝા યુદ્ધ હોય, હમાસ હોય કે ઈરાન હોય કોઈ પણ વાત પર ચીને શાબ્દિક ટિપ્પણી નથી કરી. કહેવાય છે કે આ મૌન પાછળ ચીનની સીધી ગણતરી પોતાને ગ્લોબલ સાઉથના નેતા તરીકે ચીતરવાની છે. ચીને પોતાને પેલેસ્ટિનિયન મુક્તિના સપોર્ટર તરીકે રજૂ કરીને આરબ અને મુસ્લીમ દેશોમાં પોતાની પોપ્યુલારિટી વધારી છે. બીટવીન ધ લાઈન સમજીએ તો તે અમેરિકાને યુદ્ધખોર અને પોતાને વેપારી કે શાંતિદૂત તરીકે પોટ્રેઈટ કરવામાં સક્સેસફૂલ રહ્યું છે. ચીન બરોબર જાણે છે કે ટ્રમ્પના કારણે આખી દુનિયા પરેશાન છે જેનો તેમને ભરપૂર લાભ ઉઠાવવો જોઈએ. ચીની ડ્રોનના 80% પુરજા ચીની અત્યારના જમાનામાં પાયદળ કરતા માહિતી મહત્વની છે. માટે જ ચીને ઈરાનને પોતાની બેઈડોઉ સેલેટાઈલ નેવિગેશન સિસ્ટમની એક્સેસ આપી છે. જેના કારણે ઈરાની મિસાઈલ્સ અને ડ્રોન અમેરિકાના જહાજોની પર્ફેક્ટ લોકેશન જાણી શકે. ઈરાનનું શાહેદ નામનું એડવાન્સ ડ્રોન છે તેમાં પણ સેમિકન્ડક્ટર કે સેન્સર જેવા 80 ટકાથી વધુ પાર્ટ્સ ચીની જ છે. રિપોર્ટ્સ કહે છે કે ચીને ઈરાનને એવા રડાર આપ્યા છે જે કોઈ પણ સિગ્નલ છોડ્યા વગર અમેરિકન જહાજોને ટ્રેક કરી શકે છે. એટલે જ રડારને પકડવા અમેરિકા માટે લગભગ મિશન ઈમ્પોસિબલ જેવા છે. અફવા હોય કે હકિકત પણ એક વાત એવી પણ ફેલાઈ રહી છે કે યુદ્ધ લડવા માટે ચીને ઈરાનમાં 5 હજાર જેટલા ચીની એક્સપર્ટ્સ મોકલી આપ્યા છે જે ઈરાનને મદદ કરી રહ્યા છે. ચીન-રશિયા અને ઈરાનની ત્રિપુટી આજની પોલોરાઈઝ્ડ દુનિયામાં એકબાજુ અમેરિકા અને ઈઝરાયલ છે જ્યારે બીજી બાજુ ચીન રશિયા અને ઈરાનની ત્રીપુટી. જે માત્ર કાગળ પર નહીં પણ જમીન પર પણ જોવા મળે છે. ચીને ઈરાનને SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન અને BRICS સામેલ કરીને તેને આંતરાષ્ટ્રીય મંચ પર કાયદેસરની ઓળખ અને સિક્યોરિટી આપી છે. રશિયા ઈરાનને એર ડિફેન્સ સિસ્ટમ આપે છે અને ટેક્નોલોજી અને નાણા ચીન પૂરા પાડે છે. આ ત્રણેય દેશોની નૌસેનાએ ગલ્ફ અને ઓમાનમાં કેટલી'ય વાર યુદ્ધાભ્યાસ કર્યો છે જે સીધો જ અમેરિકાની નાકાબંધીને પડકાર છે. વીટો વોટથી ચીનની ઈરાનને મદદ આવી પરિસ્થિતિ વચ્ચે અમેરિકા બીજા દેશની મદદથી ઈરાન સામે કોઈ લશ્કરી પ્રસ્તાવ લાવે છે ત્યારે ચીન તેને વીટો પાવરનો ઉપયોગ કરીને ઈરાનને બચાવી લે છે. 7 એપ્રિલ 2026ના ચીન અને રશિયાએ જ હોર્મુઝની ખાડીમાં બળજબરી કરાવવા સામે વીટો વાપર્યો હતો. જો આ લશ્કરી કાર્યવાહી થઈ હોત તો ઈરાનના હાથમાં હોર્મુઝની સ્ટ્રેટ આજના દિવસમાં ન હોત. તો હવે સવાલ એ થાય છે કે શું અમેરિકા ગોળી વગરના યુદ્ધ અને લશ્કરી શક્તિથી ઈરાનને પાડી દેશે? આ પ્રશ્નનો જવાબ આવનારા સમયમાં જ ખબર પડશે. 21 કલાક પાકિસ્તાનમાં મીટિંગ, પણ પાણી ફર્યું પણ વાત પાકિસ્તાનની પણ કરવી પડે કારણ કે હમણા જ મોટા ઉપાડે ત્યાં યુદ્ધ બંધ કરવા મીટિંગ થઈ હતી. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ અને ઈરાનની સંસદના અધ્યક્ષ ઘાલીબાફ વચ્ચે 21 કલાક લાંબી મીટિંગ ચાલી. દુનિયાને એવું હતું કે પાકિસ્તાન યુદ્ધ રોકાવી દેશે પણ મંત્રણા ફેલ ગઈ. ઈરાને તેના યુરેનિયમના જથ્થાને સોંપી દેવાની અમેરિકાની માગને ફગાવી દીધી. ઈરાનનું કહેવું છે કે ન્યૂક્લિયર કાર્યક્રમ તેમનો અધિકાર છે. સામેની બાજુ અમેરિકાનું માનવું છે કે જો યુરેનિયમનો જથ્થો ઈરાન પાસે રહેશે તો તે ગમે ત્યારે અણુબોમ્બ બનાવી લેશે. છેલ્લે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને આવેલા ટ્રમ્પના માણસોને ઘરે ખાલી હાથ પાછા ફરવું પડ્યું. લેબનોનમાં 2 હજારથી વધુ માસૂમોનાં મોત મીટિંગમાં એક વાત લેબનોનને લઈને પણ હતી. ઈઝરાયલી સેનાએ કહ્યું કે લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા ચાલુ રહેશે. દક્ષિણ લેબનોનમાં તેના જ કારણે અત્યાર સુધીમાં 2 હજારથી વધુ લોકોના મોત થયાના સમાચારો વહી રહ્યા છે. મારૂબ જેવા શહેરો પર થયેલા હુમલાઓએ સાબિત કર્યું છે કે ઈઝરાયલ કોઈ પણ કિંમતે નમતું જોખવા તૈયાર નથી. ઈઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ મોસાદના ચીફ તરીકે મેજર જનરલ રોમન ગોફમેનને મૂકીને ચોખ્ખો મેસેજ આપી દીધો છે કે હવે તે વધુ જોરથી આક્રમણો કરશે. લોઈડ્સ લિસ્ટના રિપોર્ટમાં ધડાકો આ પરિસ્થિતિઓ વચ્ચે દુનિયાના સૌથી જૂના શિપિંગ ન્યૂઝ આઉટલેટ લોઈડ્સ લિસ્ટના રિપોર્ટે ધડાકો કર્યો કે હોર્મુઝની સ્ટ્રેટમાં અત્યારે જહાજોની અવરજવર લગભગ ઝીરો થઈ ગઈ છે. કેપ્ટન્સ અને શિપિંગ કંપનીઓ અમેરિકાની નાકાબંધી અને ઈરાનની ચેતવણીથી ડરી ગયા છે. કારણ કે ઈરાને ધમકી આપી છે કે જો કોઈ પણ જહાજ અહીંથી નીકળશે તો તેને દરિયામાં ડૂબાડી દેવામાં આવશે. આ બધા વચ્ચે ઈરાનમાં લગભગ 50 લોકોની જાસૂસીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, જેમના પર અમેરિકા અને ઈઝરાયલને સિક્રેટ ઈન્ફોર્મેશન શેર કરવાનો આરોપ છે. જો અમેરિકા આજે જાહેરાત કરી છે તે મુજબની નાકાબંધીમાં સફળ થાય છે, તો ઇરાન તૂટી જશે. પણ જો ઇરાન કોઈ અમેરિકન જહાજને નુકસાન પહોંચાડવામાં સફળ રહ્યું, તો દુનિયા એક પાયમાલ કરનારા યુદ્ધ તરફ ધકેલાઈ જશે. અને છેલ્લે... જ્યારે એડવાન્સ ડ્રોન પણ અમેરિકાના સૈન્ય દબદબાને બચાવી શક્યું નથી, ત્યારે ટ્રમ્પે એક ફોટો શેર કર્યો છે જેમાં તે પોતાને મસીહા કે ઈસુ ગણાવી રહ્યા છે. ઈરાન સામે જ્યારે કોઈ પ્રેશર કે ધમકીની રણનીતિ કામ નથી આવી રહી, ત્યારે ધર્મ અને ચમત્કારોનો આ સહારો લેવો એ કદાચ મીડ ટર્મ ઈલેક્શન પહેલાનો છેલ્લો દાવ હોઈ શકે. આ માત્ર એક ફોટો નથી, પણ અમેરિકન લોકશાહીની ઉંડી અશાંતિનો અરીસો છે. સોમવારથી શુક્રવાર રોજ રાત્રે 8 વાગ્યે આપ જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં છેલ્લા કેટલાક દિવસોથી દારૂ અને બિયરની તીવ્ર અછત સર્જાઈ છે. આબકારી વિભાગના ઓનલાઈન પોર્ટલ પર લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબને કારણે સમગ્ર પ્રદેશમાં સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. આ વહીવટી વિલંબને કારણે પ્રવાસન ઉદ્યોગ અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે. IERMS પોર્ટલ પર પ્રક્રિયા અટકીનવા નાણાકીય વર્ષ માટે લાયસન્સ રિન્યુઅલની પ્રક્રિયામાં ટેક્નિકલ ખામી અથવા વહીવટી શિથિલતાને કારણે અવરોધ ઊભો થયો છે. આબકારી વિભાગના ઓનલાઈન પોર્ટલ (IERMS) પર કામગીરી ઠપ્પ થતા ગોડાઉનથી રિટેલર સુધી માલ પહોંચાડવા માટે જરૂરી ‘લોકલ ટ્રાન્સપોર્ટ પરમિટ’ ઇશ્યૂ થઈ રહી નથી. પરિણામે, જથ્થાબંધ વેપારીઓ પાસે સ્ટોક હોવા છતાં તે રિટેલ આઉટલેટ્સ સુધી પહોંચી શકતો નથી. સપ્લાય ખોરવાતા પ્રીમિયમ બ્રાન્ડ્સ ગાયબવર્તમાન સ્થિતિને કારણે બાર, રેસ્ટોરાં અને વાઈન શોપ્સમાં દારૂનો સ્ટોક ખાલી થઈ ગયો છે. બજારમાંથી પ્રીમિયમ બ્રાન્ડ્સ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ છે અને ગ્રાહકોએ માત્ર સ્થાનિક ડિસ્ટિલરીઓની મર્યાદિત પ્રોડક્ટ્સ પર નિર્ભર રહેવું પડે છે. અનેક જાણીતી વાઈન શોપ્સ પર 'સોલ્ડ આઉટ'ના બોર્ડ લાગેલા જોવા મળી રહ્યા છે. પ્રવાસન ઉદ્યોગ અને અર્થતંત્ર પર માઠી અસરદમણ-દીવની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર પ્રવાસન અને આબકારી આવક પર રહેલો છે. ખાસ કરીને ગુજરાત જેવા ડ્રાય સ્ટેટમાંથી હજારો સહેલાણીઓ વીકેન્ડમાં અહીં આવતા હોય છે. પરંતુ લિકરની અછતના સમાચાર ફેલાતા પ્રવાસીઓ નિરાશ થઈને પરત ફરી રહ્યા છે. હોટલ અને રેસ્ટોરાં એસોસિએશનના જણાવ્યા અનુસાર, જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો પ્રદેશની છબી ખરડાશે અને વેપારીઓ પર આર્થિક બોજ વધશે.
કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદ મહાનગરપાલિકાની સંપૂર્ણ યાદી જાહેર કરી છે. અમદાવાદના 48 વોર્ડમાં વોર્ડ વાઈઝ ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર સાથેની યાદી જુઓ…
વાપી મનપા ચૂંટણી:52 બેઠકો માટે 129 ઉમેદવારો, હવે ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર નજર
વાપી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં હવે 52 બેઠકો માટે 129 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ આંકડો સામે આવ્યો છે. હવે સૌની નજર ઉમેદવારી પરત ખેંચવાના દિવસ પર ટકેલી છે, જે ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ કરશે. વાપી મહાનગરપાલિકાની 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે યોજાનારી આ ચૂંટણી માટે કુલ 179 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. આ સાથે રાજકીય માહોલ ગરમાયો છે. ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન ડમી ઉમેદવારો સહિત કુલ 50 ઉમેદવારોના ફોર્મ રદ્દ કરવામાં આવ્યા હતા. જેના પરિણામે હવે 129 ઉમેદવારો જ ચૂંટણી જંગમાં બાકી રહ્યા છે. આવતીકાલે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો મહત્વનો દિવસ છે. આ તબક્કે કેટલા ઉમેદવારો પોતાનું નામ પાછું ખેંચે છે, તેના પર સૌની નજર છે. પરત ખેંચણી પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું ચોક્કસ અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે અંતિમ રણનીતિ ઘડી રહ્યા છે. બીજી તરફ, બાગી અને અપક્ષ ઉમેદવારોની ભૂમિકા પણ પરિણામોને અસરકારક બનાવી શકે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે. ચકાસણી બાદ વોર્ડવાઈઝ ઉમેદવારોની સ્થિતિવોર્ડ 1 માં 13 માંથી 3 રદ્દ થતા 10 ઉમેદવાર, વોર્ડ 2 માં 14 માંથી 3 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 3 માં 11 માંથી 2 રદ્દ થતા 9 ઉમેદવાર, વોર્ડ 4 માં 17 માંથી 6 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 5 માં 12 માંથી 4 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 6 માં 12 માંથી 1 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 7 માં 12 માંથી 4 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 8 માં 16 માંથી 5 રદ્દ થતા 11 ઉમેદવાર, વોર્ડ 9 માં 14 માંથી 4 રદ્દ થતા 10 ઉમેદવાર, વોર્ડ 10 માં 10 માંથી 2 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 11 માં 15 માંથી 7 રદ્દ થતા 8 ઉમેદવાર, વોર્ડ 12 માં 19 માંથી 5 રદ્દ થતા 14 ઉમેદવાર (સૌથી વધુ જંગ), અને વોર્ડ 13 માં 14 માંથી 4 રદ્દ થતા 10 ઉમેદવાર બાકી રહ્યા છે. ચૂંટણીમાં હવે મુખ્ય ટક્કર ઉપરાંત બાગી અને અપક્ષ ઉમેદવારો કેવી અસર કરે છે અને પરત ખેંચણી પછી કયા વોર્ડમાં સીધી ટક્કર રહે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ બોટાદ જિલ્લાના તરઘરા સ્થિત સુપ્રસિદ્ધ આઈ શ્રી મોગલધામની મુલાકાત લીધી હતી. તેમણે મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. મોગલધામના દક્ષાબા દ્વારા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન ભારતીય જનતા પાર્ટીના વનરાજસિંહ ડાભી અને અન્ય કાર્યકર્તાઓ પણ નિમુબેન બાંભણિયા સાથે ઉપસ્થિત રહ્યા હતા. સૌએ દર્શન કરીને આનંદ વ્યક્ત કર્યો હતો.
પાટણ શહેરના ગાયત્રી મંદિર પાસે આવેલા આનંદ સરોવર પાછળની ચિત્રકૂટ સોસાયટીના રહીશોએ વરસાદી પાણી ભરાવાની સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે 'કામ નહીં તો વોટ નહીં'ના બેનરો લગાવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવેલા આ બેનરોથી રાજકીય પક્ષોના ઉમેદવારોમાં સનસનાટી મચી ગઈ છે. સોસાયટી પરિવારે લગાવેલા બેનરમાં જણાવ્યું છે કે, છેલ્લા 20 વર્ષથી તેમની સોસાયટીમાં વરસાદી પાણી ભરાય છે. વરસાદી પાણી ભરાવાને કારણે આજુબાજુની સોસાયટીનો કચરો પણ અહીં આવે છે, જેનું આજદિન સુધી કોઈ નિવારણ થયું નથી. વધુમાં, સોસાયટીના રહીશો મધ્યમવર્ગના હોવાથી સોસાયટીનો અંદરનો રોડ પણ બનાવવામાં આવ્યો નથી. બાજુમાં આનંદ સરોવર આવેલું હોવાથી મચ્છરનો ઉપદ્રવ પણ ખૂબ વધ્યો છે, પરંતુ તેની સફાઈ કરવામાં આવતી નથી. આના કારણે સોસાયટીના બાળકો અને વડીલોને બીમારીઓનો સામનો કરવો પડે છે. સોસાયટી દ્વારા કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના પગલે કલેક્ટરે ચાર માસનો સમય આપ્યો હતો. જોકે, આ વાતને આઠ માસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી, સોસાયટી પરિવારે ઉપરોક્ત સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ સાથે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષે તેમની સોસાયટીમાં વોટ માંગવા ન આવવું તેવો ઉલ્લેખ કર્યો છે. આ માહિતી સોસાયટી પરિવારના પ્રજાપતિ રમેશભાઈ, શૈલેષભાઈ નાયી અને કનુભાઈ સુથારે આપી હતી.
ભરૂચ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. વોર્ડ નંબર 2 માં મેન્ડેટ વિવાદ બાદ કાર્યકરોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના નેતાઓના બેનરો સળગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ વિવાદની શરૂઆત વોર્ડ નંબર 2 માં બે ઉમેદવારોને મેન્ડેટ આપવાથી થઈ હતી. શરૂઆતમાં કુતુબુદ્દીન કરણ પટેલને સત્તાવાર ઉમેદવાર તરીકે મેન્ડેટ મળ્યું હતું. જોકે, બાદમાં સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ ઉમેદવારી નોંધાવતા ગૂંચવણ વધી હતી. ફોર્મ ચકાસણી દરમિયાન ચૂંટણી અધિકારીઓએ સમસાદઅલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાના ફોર્મ માન્ય રાખ્યા હતા, જ્યારે કુતુબુદ્દીન પટેલનું ફોર્મ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયથી કુતુબુદ્દીન પટેલના સમર્થકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આક્રોશિત કાર્યકરોએ જંબુસર બાયપાસ ચોકડી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન દરમિયાન તેમણે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા સહિતના આગેવાનોના બેનરો સળગાવી જાહેરમાં અસંતોષ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ સ્થાનિક કોંગ્રેસ સંગઠનમાં ઊંડા આંતરિક વિખવાદને ઉજાગર કર્યો છે. ચૂંટણી પહેલાં ઊભેલા આ વિવાદની પક્ષના પ્રદર્શન પર શું અસર થશે તે જોવું રહ્યું.
કલોલના કોઠા ગામે હડકાઈ માતાના મંદિરે દર્શન કરીને ઘરે પરત જઈ રહેલા અમદાવાદના નોબલનગરના આધેડનું અડાલજ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નરસિંહભાઈ મિત્ર સાથે માતાજીના દર્શને ગયા હતાઅમદાવાદના નોબલનગર વિસ્તારમાં રહેતા નરસિંહભાઈ ચૌહાણ 11 એપ્રિલના રોજ રાત્રિના સમયે પોતાના મિત્ર શિવાભાઈ પરમાર સાથે કોઠાડ હડકાઈ માતાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. મોડી રાત્રે તેમણે ઘરે ફોન કરીને પોતે મંદિરે પહોંચ્યા હોવાની અને ત્યારબાદ પરત નીકળ્યા હોવાની જાણ પણ કરી હતી. પરિવારને પોલીસે અકસ્માતની જાણ કરીજોકે વહેલી સવાર સુધી તેઓ ઘરે ન પહોંચતા પરિવાર ચિંતામાં મુકાયો હતો.અને પરિવારજનો સતત નરસિંહભાઈનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ફોન રિસીવ થતો ન હતો. આ દરમિયાન 13 એપ્રિલની સવારે જ્યારે ફરી પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે અડાલજ પોલીસ સ્ટેશનના કર્મચારીએ ફોન ઉઠાવી પરિવારને અકસ્માત અંગે જાણ કરી હતી. પોલીસે પરિવારને જણાવ્યું હતું કે, અડાલજથી કોઠા તરફ જતાં રોડ પર રામાપીરના મંદિર પાસે કોઈ અજાણ્યા વાહને નરસિંહભાઈને અડફેટે લીધા હતા.આ અકસ્માતમાં નરસિંહભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં જીવલેણ ઇજાઓ પહોંચી હતી. જેમને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.પરંતુ ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો.આ સાંભળી પરિવારજનો સિવિલ દોડી ગયા હતા. આ અંગે મૃતકના પત્ની રાધાબેન ચૌહાણની ફરિયાદના આધારે અડાલજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
વડોદરાની પ્રતિષ્ઠિત મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના સી.સી.મહેતા ઓડિટોરિયમમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા આયોજિત 'સંસ્કાર સંગમ' કાર્યક્રમમાં એક વિદ્યાર્થિનીનો 'ધક ધક' સોન્ગ પરના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા ખળભળાટ મચી ગયો હતો. જેને પગલે આજે વિદ્યાર્થિનીએ સોશિયલ મીડિયા ઉપર બે વીડિયો પોસ્ટ કર્યા કરી માફી માંગી હતી અને અનેક સવાલો પણ ઉઠાવ્યા હતા. વીડિયોમાં રડતા રડતા વિદ્યાર્થિનીએ કહ્યું હતું કે, મેં અશ્લીલ કપડાં પહેર્યા નહોતા. માત્ર એક સિમ્પલ સાડી પહેરી હતી અને સ્ટેજ પર મારા આર્ટને રજૂ કરી રહી હતી. મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. હું એક સામાન્ય વિદ્યાર્થિની છું. આ ઉપરાંત અન્ય એક વીડિયોમાં અનેક સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, NSUI મારો વીડિયો વાઇરલ કરી રહ્યા હતા, ત્યારે તેમને વાંધો નહોતો, પણ જ્યારે આજે મેં મારો પક્ષ રજૂ કર્યો તો તેમણે મારી આઈડી જ સસ્પેન્ડ કરાવી દીધી. આ આખો મામલો NSUIએ ચગાવ્યો હતો. જો કે આ કોઈ અશ્લીલ સોંગ નહીં પણ માત્ર એક ફિલ્મનું સોંગ છે. જેના પર 'બેટા' ફિલ્મમાં માધુરી દીક્ષિત જેવી સુપરસ્ટાર એક્ટ્રેસ ડાન્સ કરી ચૂકી છે. 'હું એક સામાન્ય સાડી પહેરીને મારા આર્ટને રજૂ કરી રહી હતી'પહેલા વીડિયોમાં યુવતીએ રડતા રડતા કહ્યું હતું કે, જય શ્રી રામ... મેં આ વીડિયો એટલા માટે બનાવ્યો છે. કારણ કે, MSU કલ્ચરલ ફેસ્ટમાં મેં જે ડાન્સ કર્યો હતો, તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખોટી રીતે વાઇરલ કરવામાં આવ્યો છે. લોકો કહી રહ્યા છે કે, મેં વડોદરાની સંસ્કારી નગરીની મર્યાદા ઓળંગી છે અથવા અશ્લીલતા ફેલાવી છે. હું એક સામાન્ય સાડી પહેરીને મારા આર્ટને સ્ટેજ પર રજૂ કરી રહી હતી. 'આ લોકોએ મારી 'મેન્ટલ હેલ્થ' વિશે વિચાર્યું પણ નથી'હા, કદાચ ગીતની પસંદગીમાં ભૂલ હોઈ શકે, જે બદલ હું માફી માંગું છું. પણ શું આ એટલી મોટી વાત છે કે તેને આટલો મોટો મુદ્દો બનાવવામાં આવે? મેં કોઈ દેશદ્રોહ નથી કર્યો. હું એક સામાન્ય વિદ્યાર્થીની છું. મારો વિરોધ એ વાતનો છે કે, આ લોકોએ મારી પરવાનગી વગર મારો પર્સનલ વીડિયો કેમ મૂક્યો? માત્ર રાજકીય રોટલા શેકવા માટે કે બીજી પાર્ટીને ટાર્ગેટ કરવા માટે એક છોકરીનો સહારો લેવો કેટલો યોગ્ય છે? આ લોકોએ મારી 'મેન્ટલ હેલ્થ' વિશે વિચાર્યું પણ નથી. 'લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે, દેશમાં બીજા ઘણા ગંભીર મુદ્દા છે'મારા પર શું વીતતી હશે એ કોઈ નથી સમજી રહ્યું. લોકો મને ટાર્ગેટ કરી રહ્યા છે. વડોદરામાં અને દેશમાં બીજા ઘણા ગંભીર મુદ્દાઓ છે, તેને છોડીને લોકોએ માત્ર મરચું-મસાલો મેળવવા માટે મને નિશાન બનાવી છે. શું આ પહેલા કોઈએ બોલિવૂડ સોંગ પર ડાન્સ નથી કર્યો? તો પછી મારા જ કેસમાં 'સંસ્કાર ભંગ'ની વાતો કેમ કરવામાં આવે છે? 'હું ગીતની પસંદગી માટે માફી માંગું છું'મારી વિનંતી છે કે, કોઈપણ વીડિયો શેર કરતા પહેલા એ વિચારો કે તે વ્યક્તિ પર શું અસર થશે. મેં કોઈ અશ્લીલ કપડાં નહોતા પહેર્યા, મેં માત્ર મારી કલા પ્રદર્શિત કરી હતી. મહેરબાની કરીને કોઈના માનસિક સ્વાસ્થ્ય સાથે ન રમો. હું ફરી એકવાર ગીતની પસંદગી માટે માફી માંગું છું, પણ મને જે રીતે ટ્રોલ કરવામાં આવી રહી છે તે ખોટું છે. 'મેં મારી વાત રજૂ કરી તો મારી આઈડી સસ્પેન્ડ કરાવી દીધી'યુવતી બીજા વીડિયોમાં કહે છે કે, એક તરફ NSUI વાળા 'મહિલા સશક્તિકરણ'ની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ જ્યારે કોઈ છોકરી પોતાના પર લાગેલા ખોટા આરોપોને સાબિત કરવા માટે પોતાની આઈડી પર કોઈ પોસ્ટ મૂકે છે, ત્યારે તેમનો અસલી ચહેરો સામે આવે છે. તેઓ મારી એ પોસ્ટથી ડરી ગયા. તેમણે પોતાની પૂરી તાકાત લગાવી દીધી અને માસ મીડિયાના સંપર્કોનો ઉપયોગ કરીને મારી આઈડી સસ્પેન્ડ કરાવી દીધી. 'ગઈકાલે મારો વીડિયો વાઇરલ કરવામાં તેમને વાંધો નહોતો'જો તેઓ સાચા જ હતા, તો તેઓ ડર્યા કેમ? ગઈકાલે જ્યારે તેઓ મારો વીડિયો વાઇરલ કરી રહ્યાં હતાં, ત્યારે તેમને વાંધો નહોતો, પણ જ્યારે મેં મારો પક્ષ રજૂ કર્યો તો તેમણે મારી આઈડી જ બંધ કરાવી દીધી. હા, ચોક્કસ. આ તેમની માનસિકતા છતી કરે છે કે જ્યારે કોઈ છોકરી પોતાના માટે અવાજ ઉઠાવે છે કે પોતાનો પક્ષ રજૂ કરે છે, ત્યારે તેમને તેનાથી કોઈ લેવા-દેવા નથી હોતું. તેમને માત્ર પોતાનો પ્રોપેગન્ડા અને રાજનીતિ ફેલાવવામાં જ રસ છે. 'તમે સાચા હોવ તો મેદાનમાં આવીને લડો'એક છોકરીના અવાજને દબાવવા માટે તેની આઈડી સસ્પેન્ડ કરાવવી એ ખૂબ જ નીચું સ્તર છે. જો તમે સાચા હોવ તો મેદાનમાં આવીને લડો, આવી રીતે ડરીને કોઈનો અવાજ દબાવવાનો પ્રયત્ન ન કરો. આ બતાવે છે કે તમે અંદરથી ડરેલા છો. “ધક ધક કરને લગા” સોન્ગ પર યુવતીના ડાન્સનો વીડિયો વાઈરલઉલ્લેખનીય છે કે, એમ.એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીની એક વિદ્યાર્થિનીએ ABVPના ત્રિ-દિવસીય 'સંસ્કાર સંગમ' ફેસ્ટ દરમિયાન બોલિવૂડના જાણીતા ગીત “ધક ધક કરને લગા” પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ડાન્સનો વીડિયો વાઇરલ થતા જ લોકોએ તેને યુનિવર્સિટીની ગરિમા અને સંસ્કારી નગરીની ઓળખને લાંછન લગાડનારી ગણાવી હતી.
મહેસાણા શહેરના નાગલપુર હાઈવે પર સ્ટાર લાઈન કારના વર્કશોપમાં આજે 13 એપ્રિલે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કાર સર્વિસ સ્ટેશનના પેઈન્ટ સેક્શનમાં લાગેલી આગ આસપાસના વિસ્તારમાં પણ પ્રસરી ગઈ હતી. જેમાં સર્વિસ માટે આવેલી બે ગાડીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, આ ઘટના બપોરે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયોહાઈવે પર આવેલા આ વર્કશોપમાં ગાડીઓ અને પેઈન્ટના મટીરિયલ વચ્ચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોઈ શકાતા હતા. ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ સતત 14,000 લિટર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. અન્ય ચાર કારને કોઈ નુકસાન નહીંફાયર વિભાગની સતર્કતા અને ત્વરિત કામગીરીને કારણે વર્કશોપમાં પડેલી અન્ય ચાર જેટલી કિંમતી કારને આગની ઝપેટમાં આવતા બચાવી લેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં બે ગાડીઓ બળીને ખાખ થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. પરંતુ સમયસરની કામગીરીથી મોટી દુર્ઘટના ટળી હતી.
બોટાદમાં મહાકાળી માતાજીનો માંડવો યોજાયો:પારેવાની છત્રીના લાભાર્થે ખારા વિસ્તારમાં ભક્તો ઉમટ્યા
બોટાદ શહેરના ખારા વિસ્તારમાં આવેલી વિજય સોસાયટી, સહકાર નગર પાસે શ્રી મહાકાળી માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમ ૧૨ એપ્રિલ, ૨૦૨૬ના રોજ પારેવાની છત્રીના લાભાર્થે યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગે પંચના ભુવાઓ ઉપસ્થિત રહ્યા હતા. માંડવામાં થાંભલી વધાવવાનું મુહૂર્ત ૧૩ એપ્રિલ, ૨૦૨૬, સોમવારે સવારે ૭:૦૦ કલાકે રાખવામાં આવ્યું હતું. રાવળદેવ વિજયભાઈ શિવરાજપુરવાળા અને તેમનું સમગ્ર ગ્રુપ પણ આ માંડવામાં હાજર રહ્યું હતું. માતાજીના માંડવાના દર્શન કરવા, આશીર્વાદ લેવા અને મહાપ્રસાદ ગ્રહણ કરવા માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર આયોજન બોટાદના શ્રી મહાકાળી યુવક મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ જિલ્લામાં ખેતીના મુખ્ય આધારસ્તંભ ગણાતા ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ગુણવત્તાને લઈને હાલ ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જિલ્લાના ખેડૂતોમાં નબળી ગુણવત્તાના કૃષિ ઇનપુટ્સને કારણે ભારે ચિંતા અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ખેડૂત પ્રતિનિધિઓનો આક્ષેપ છે કે બજારમાં મોટા પાયે ઉપલબ્ધ ડુપ્લીકેટ અને નિમ્ન કક્ષાના ઉત્પાદનોને કારણે ખેતીની જમીન ધીમે ધીમે બંજર બની રહી છે અને દર વર્ષે પાક નિષ્ફળ જવાથી ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ રહ્યા છે. આ માત્ર આર્થિક જ નહીં પણ આરોગ્યપ્રદ રીતે પણ નુકસાનકારક છે, કારણ કે નબળી દવાઓનો છંટકાવ ખેત પેદાશો મારફતે મનુષ્યના શરીરમાં જઈ કેન્સર જેવા ગંભીર રોગો નોતરી રહ્યો છે. આ ગંભીર ફરિયાદો વચ્ચે જૂનાગઢ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ગુણવત્તા નિયંત્રણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2025-26 ના આંકડા મુજબ, વિભાગ દ્વારા જિલ્લાભરમાંથી કુલ 1371 નમૂનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓની લેબોરેટરીમાં ઝીણવટભરી તપાસ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. કુલ લીધેલા નમૂનાઓ પૈકી 46 જેટલા નમૂનાઓ બિન-પ્રમાણિત એટલે કે નાપાસ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં જંતુનાશક દવાઓના 10, ખાતરના 29 અને બિયારણના 7 નમૂનાઓનો સમાવેશ થાય છે. આ આંકડો સ્પષ્ટપણે દર્શાવે છે કે ખેતી માટે વપરાતી પાયાની જરૂરિયાતોમાં મોટા પાયે ભેળસેળ થઈ રહી છે. ખેડૂત અગ્રણી મનસુખભાઈ પટોળીયાએ જણાવ્યું હતું કે ડુપ્લીકેટ ખાતર, દવા અને બિયારણના કારણે ખેડૂતોની મહેનત પાણીમાં જઈ રહી છે. જ્યારે ખેડૂત મોંઘા ભાવે ખરીદી કરે છે અને અંતે ઉત્પાદન મળતું નથી ત્યારે તેની આર્થિક કમર તૂટી જાય છે. તેમણે સરકારને નમ્ર અપીલ કરી છે કે જે કંપનીઓના સેમ્પલ ફેઈલ થયા છે, તેમને માત્ર નોટિસ આપીને સંતોષ ન માનવો જોઈએ. આવી કંપનીઓને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી તેમના લાયસન્સ રદ કરવા જોઈએ જેથી અન્ય વિક્રેતાઓમાં કડક સંદેશ જાય અને ખેડૂતોના હિતોનું રક્ષણ થઈ શકે. ખેતીવાડી વિભાગના મદદનીશ ખેતી નિયામક એસ. એન. ગધેસરીયાએ જણાવ્યું હતું કે જ્યારે પણ કોઈ નમૂનો નાપાસ જાહેર થાય છે, ત્યારે તંત્ર દ્વારા તુરંત જ કડક પગલાં લેવામાં આવે છે. સૌ પ્રથમ, જે-તે વિક્રેતા અને ઉત્પાદક કંપનીને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવે છે. આ સાથે જ શંકાસ્પદ જથ્થાના વેચાણ પર 'સ્ટોપ સેલ'નો આદેશ આપી દેવામાં આવે છે, જેથી તે નબળું મટીરીયલ અન્ય કોઈ ખેડૂત સુધી ન પહોંચે. ત્યારબાદ આ તમામ પુરાવાઓ રાજ્ય કક્ષાએ મોકલીને મંજૂરી મેળવ્યા બાદ જવાબદાર વ્યક્તિઓ અને કંપનીઓ સામે ફોજદારી કોર્ટ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાય છે. આવા નમૂના નાપાસ થવાના ધોરણો દરેક વસ્તુ માટે અલગ-અલગ હોય છે. દવામાં કન્ટેન્ટની ટકાવારી મુજબ તેના માપદંડો નક્કી હોય છે, જ્યારે ખાતરમાં તેના પ્રકાર (વોટર સોલ્યુબલ, ઓર્ગેનિક કે નેનો ફર્ટિલાઇઝર) મુજબ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવે છે. બિયારણમાં તેની ઉગવાની ક્ષમતા અને આનુવંશિક શુદ્ધતા તપાસવામાં આવે છે. આ એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે, જેમાં વર્ષની શરૂઆતમાં થયેલા કેસોની કાર્યવાહી વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. હાલમાં જૂનાગઢના ખેડૂતો અને જનતામાં એક જ માંગ ઉઠી રહી છે કે સરકાર માત્ર આંકડાકીય માહિતી ન આપે પરંતુ જે કંપનીઓ લોકસ્વાસ્થ્ય અને ખેડૂતોના નસીબ સાથે ચેડાં કરે છે તેની સામે દાખલારૂપ કાર્યવાહી કરે. જો સરકાર યોગ્ય રસાયણો અને શુદ્ધ બિયારણની ઉપલબ્ધતા સુનિશ્ચિત નહીં કરે, તો આગામી સમયમાં ખેતીના પાક અને જમીનની ફળદ્રુપતા બંને જોખમાઈ શકે છે. વહીવટી તંત્રની આ કામગીરી હાલ તો ખેડૂતોને આશ્વાસન આપી રહી છે, પરંતુ કાયદાકીય લડત ક્યારે અંજામ સુધી પહોંચે છે તે જોવું રહ્યું.
રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગાર્ડન સિટી કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં આજે બપોરે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એક કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં લાગેલી આગમાં ફસાયેલા 6 થી 7 કર્મચારીઓને ફાયર બ્રિગેડે લેડરની મદદથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં લાખોની માલમત્તા બળીને ખાખ થઈ ગઈ છે, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશનગાર્ડન સિટી કોમ્પ્લેક્સની ઓફિસમાં આગ લાગતા કાળા ધુમાડાના ગોટેગોટા પ્રસરી ગયા હતા, જેના કારણે અંદર કામ કરતા કર્મચારીઓ ગૂંગળામણ અનુભવવા લાગ્યા હતા. ફસાયેલા કર્મચારીઓ બારી પાસે આવી બચાવ માટે આક્રંદ કરી રહ્યા હતા. ગભરાટમાં કેટલાક લોકોએ નીચે કૂદી પડવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ટીમો અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર ફાઈટર્સે ભારે જહેમત બાદ લેડર (સીડી) મારફતે તમામ ફસાયેલા લોકોને એકપછી એક સુરક્ષિત રીતે નીચે ઉતાર્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું જણાય છે. આગમાં ઓફિસનું ફર્નિચર અને મહત્વના દસ્તાવેજો બળી ગયા છે. તંત્ર દ્વારા હાલ બિલ્ડિંગના ફાયર NOC અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલના એક્સ-રે વિભાગમાં ભારે હોબાળોરાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે દર્દીઓ અને અમરનાથ યાત્રીઓનો એકસાથે ધસારો વધતા વ્યવસ્થા ખોરવાઈ હતી. રૂટિન દર્દીઓ, અમરનાથ યાત્રાના હેલ્થ સર્ટિફિકેટ અને પોલીસ ફિટનેસ ટેસ્ટ માટે આવનારા લોકોની લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી પ્રતીક્ષા બાદ પણ વારો ન આવતા દર્દીઓએ દેકારો કર્યો હતો, જેને પગલે સ્થિતિ કાબૂમાં લેવા સિક્યોરિટી ગાર્ડ તૈનાત કરવા પડ્યા હતા. રેલવેના 12 જાગૃત કર્મચારીઓનું સન્માનરાજકોટ રેલવે ડિવિઝનના 12 કર્મચારીઓને તેમની સતર્કતા બદલ ડીઆરએમ ગિરિરાજ કુમાર મીના દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કર્મચારીઓએ ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 દરમિયાન ફરજમાં બેદરકારી દાખવવાને બદલે ગંભીર ટેકનિકલ ખામીઓ ઝડપી પાડી હતી ઓઈલ લીકેજ, તૂટેલી નકલ પિન અને ટ્રેક પરના અવરોધો સમયસર શોધી કાઢી સંભવિત રેલ અકસ્માતો ટાળવામાં આ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
બનાસકાંઠા રેન્જ પોલીસે પાલનપુર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે કુલ 91,52,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 66,32,160 રૂપિયાનો દારૂનો જથ્થો સામેલ છે. આ કાર્યવાહીમાં એક ઇસમને પણ પકડી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક પરિક્ષીતા રાઠોડ, બનાસકાંઠા રેન્જ, પાલનપુરની સૂચના હેઠળ કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત અને ન્યાયિક વાતાવરણમાં યોજાય તે સુનિશ્ચિત કરવા માટે રેન્જના જિલ્લાઓમાં પરપ્રાંતિય વિદેશી દારૂની હેરફેર કે વેચાણ કરનારા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.જે.પરમાર, બનાસકાંઠા રેન્જના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને મળેલી સચોટ બાતમીના આધારે પાલનપુર હાઇવે પર એરોમા સર્કલ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન GJ-18-BW-5348 નંબરના આઇસર ટ્રકનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. ટ્રકની તપાસ કરતા, તેમાં પ્લાસ્ટિકના કટ્ટાઓમાં ભરેલા ભુસાની આડમાં પતરાનું પાર્ટેશન બનાવી અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની 662 પેટીઓ છુપાવવામાં આવી હતી. આ પેટીઓમાં કુલ 28,308 બોટલ/ટીન દારૂ હતો, જેની કિંમત 66,32,160 રૂપિયા આંકવામાં આવી છે. આ દારૂની હેરાફેરીમાં જોગારામ રાવ (રહે. બાયતુ, જિ. બાડમેર, રાજસ્થાન) નામના ઇસમને પકડી પાડવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગુજરાત રાજ્યમાં વિદેશી દારૂ ઘુસાડવાના આ ષડયંત્રમાં સામેલ અન્ય પાંચ ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વલસાડમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. ઉમેદવારી ફોર્મની ચકાસણી ચાલી રહી હતી ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના એક ઉમેદવારનું અપહરણ થયું હોવાના આક્ષેપ સાથે 'આપ'ના કાર્યકરો અને આગેવાનોએ હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે વલસાડના રાજકીય વર્તુળોમાં ગરમાવો જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, વલસાડ તાલુકા પંચાયતની વાસણ બેઠક પરથી રોલા ગામના ભીખુભાઈ સુમનભાઈ પટેલે 'આપ' તરફથી ઉમેદવારી નોંધાવી હતી. ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન ભીખુભાઈ મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં હાજર હતા. તે સમયે કેટલાક અજાણ્યા શખ્સો તેમને પોતાની સાથે લઈ ગયા હોવાનું સામે આવ્યું છે. આમ આદમી પાર્ટીના સ્થાનિક આગેવાનોએ મીડિયા સાથે વાતચીત કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે જણાવ્યું કે ભીખુભાઈનું અપહરણ કરીને તેમને ઉમેદવારી ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેમના ભાઈ સાથે થયેલી ટેલિફોનિક વાતચીત મુજબ, રોલા ગામના જ કોઈ વ્યક્તિ તેમને 'સમજાવટ' (દબાણ) માટે લઈ ગયા છે. હાલમાં ઉમેદવારનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે તેમની સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે. આ ઘટનાને પગલે 'આપ'ના કાર્યકરો વલસાડ સિટી પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા હતા. 'આપ'ના આગેવાનોએ પોલીસ ઇન્સ્પેક્ટર (PI) સાથે મુલાકાત કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. ચૂંટણી ટાણે જ ઉમેદવારના કથિત અપહરણની વાત વહેતી થતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાઓ જાગી છે. આ કૃત્ય ખરેખર રાજકીય દબાણ હેઠળ કરવામાં આવ્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
પાટણ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ મુમતાજબાનું અકુભાઈ શેખને પક્ષની શિસ્તભંગ અને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ તાત્કાલિક અસરથી તમામ હોદ્દા પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી પાટણ નગરપાલિકાની ચૂંટણીના ફોર્મ ચકાસણી દરમિયાન પક્ષના કન્વીનર સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કરવા બદલ કરવામાં આવી છે. ઘટના 13 એપ્રિલ, 2026 ના રોજ પાટણ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મની ચકાસણી દરમિયાન બની હતી. મુમતાજબાનું શેખે પાટણ શહેરના કન્વીનર મધુભાઈ કે. પટેલ સાથે જાહેરમાં અશોભનીય વર્તન કર્યું હતું, જેનાથી પક્ષની છબીને નુકસાન પહોંચ્યું હતું. પક્ષના મોવડી મંડળે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. પક્ષના ઉચ્ચ હોદ્દેદારોના ધ્યાને અગાઉ પણ મુમતાજબાનું શેખ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોવાની ફરિયાદો આવી હતી. વારંવારની આવી પ્રવૃત્તિઓ અને તાજેતરમાં કન્વીનર સાથેના ગેરવર્તનને પક્ષના સિદ્ધાંતો વિરુદ્ધ ગણવામાં આવ્યું છે. પક્ષના હિત અને ગૌરવ જાળવવા માટે આ શિસ્તભંગનો નિર્ણય લેવાયો છે. આ મામલે મુમતાજબાનું શેખે પોતાનો પક્ષ રજૂ કરતા જણાવ્યું હતું કે, નગરપાલિકામાં ફોર્મ ભરતી વખતે દીપકભાઈ, મધુભાઈ અને કિરીટભાઈ સહિતના નેતાઓએ તેમને ટિકિટ અને મેન્ડેટ મળ્યાનું કહી ફોર્મ ભરવા જણાવ્યું હતું. જોકે, ફોર્મ ચકાસણી દરમિયાન તેમનું ફોર્મ રદ થયું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યારે તેમણે દીપકભાઈને તેમની ટિકિટ રદ થવા અંગે પૂછ્યું, ત્યારે મધુભાઈ ઉશ્કેરાઈને તેમને 'ચલ એ છાનીમાની ચાલ અહીંયાથી' તેમ કહીને બોલ્યા હતા. આથી તેમને મધુભાઈને કહેવું પડ્યું કે તેઓ દીપકભાઈ સાથે વાત કરી રહ્યા છે અને મધુભાઈએ વચ્ચે ન બોલવું જોઈએ, જેના કારણે માથાકૂટ થઈ અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સાબરકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ભરાયેલા મોટાભાગના ફોર્મ માન્ય ઠર્યા છે, જ્યારે કેટલાક અમાન્ય જાહેર થયા છે. જિલ્લા પંચાયતની 34 બેઠકો માટે કુલ 157 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ચકાસણી બાદ, 45 પત્રો અમાન્ય જાહેર થયા હતા, જ્યારે 115 ઉમેદવારી પત્રો માન્ય રાખવામાં આવ્યા છે. તાલુકા પંચાયત સ્તરે પણ ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી. ખેડબ્રહ્મા તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 98 ઉમેદવારી પત્રોમાંથી 34 અમાન્ય અને 64 માન્ય રહ્યા છે. ઇડરમાં 28 બેઠકો માટે 102માંથી 26 અમાન્ય અને 76 માન્ય પત્રો સ્વીકારાયા છે. તલોદમાં 20 બેઠકો માટે 67માંથી 9 અમાન્ય અને 58 માન્ય ઠર્યા છે. આ ઉપરાંત, પ્રાંતિજ તાલુકામાં 65માંથી 8 અમાન્ય અને 57 માન્ય પત્રો રહ્યા છે. વડાલી તાલુકા પંચાયતની 16 બેઠકો માટે 63માંથી 18 અમાન્ય અને 47 માન્ય થયા છે. પોશીનામાં સૌથી વધુ 132 ઉમેદવારી પત્રોમાંથી 68 અમાન્ય અને 64 માન્ય રહ્યા છે. વિજયનગરમાં 18 બેઠકો માટે 90માંથી 25 અમાન્ય અને 65 માન્ય થયા છે. હિંમતનગર તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 94માંથી 16 અમાન્ય અને 78 માન્ય પત્રો સ્વીકારાયા છે. નગરપાલિકા સ્તરે, હિંમતનગર નગરપાલિકાની 44 બેઠકો માટે 109 ઉમેદવારી પત્રોમાંથી 18 અમાન્ય અને 91 માન્ય જાહેર થયા છે. ઇડર નગરપાલિકાની 28 બેઠકો માટે 97માંથી 6 અમાન્ય અને 91 માન્ય રહ્યા છે, જ્યારે વડાલી નગરપાલિકાની 24 બેઠકો માટે 82માંથી 15 અમાન્ય અને 67 માન્ય ઉમેદવારી પત્રો સ્વીકારાયા છે. હવે 15 એપ્રિલે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો દિવસ છે. આ પછી ચૂંટણીમાં કયા ઉમેદવારો વચ્ચે સ્પર્ધા થશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.
પંચમહાલ જિલ્લાની શહેરા નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ બહુમતી મેળવી લીધી છે. કુલ 28 બેઠકોમાંથી 15 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થતાં ભાજપે સત્તા પર કબજો જમાવ્યો છે. શહેરા નગરપાલિકાના કુલ 7 વોર્ડમાં ફેલાયેલી 28 બેઠકો માટેની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન, ભાજપના 15 ઉમેદવારો સામે કોઈ હરીફ મેદાનમાં ન હોવાથી તેમને બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 5 માં ભાજપનો દબદબો સ્પષ્ટ જોવા મળ્યો હતો, જ્યાં તમામ બેઠકો પર વિરોધ પક્ષના ઉમેદવારો ન હોવાથી ભાજપનો વિજય થયો છે. ચૂંટણી પહેલા જ સ્પષ્ટ બહુમતી મળી જતાં ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પરિણામ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વચ્ચે ભાજપ માટે એક મહત્વપૂર્ણ જીત માનવામાં આવે છે.
હિંમતનગરની શંકરનગર સોસાયટીમાં કમોસમી વરસાદને કારણે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક ઘરોમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે સોસાયટીના રહીશોએ પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કર્યું છે. આ પરિસ્થિતિ ગત ૭ એપ્રિલના રોજ સાબરકાંઠા જિલ્લામાં પડેલા કમોસમી વરસાદને કારણે નિર્માણ પામી હતી. ખાસ કરીને શંકરનગર સોસાયટીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જવાથી સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સમસ્યાના નિરાકરણ માટે સોમવારે શંકરનગર સોસાયટીના રહેવાસીઓ હિંમતનગર નગરપાલિકા કચેરી પહોંચ્યા હતા. તેમણે નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર સુપરત કરીને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે રજૂઆત કરી હતી. રહીશોની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ચીફ ઓફિસરે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સમસ્યાના કાયમી ઉકેલ માટે જરૂરી સૂચનાઓ આપી હતી. હાલ નગરપાલિકા દ્વારા સોસાયટીમાં બ્લોક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ સુનિશ્ચિત થઈ શકે અને આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ટાળી શકાય.
ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસ 'આઉટ' નવસારીમાં કોંગ્રેસને પડ્યો મોટો ફટકો.. મેન્ડેટ મોડા પડતા ગણદેવી નગરપાલિકાની 18 સહિત જિલ્લાની 32 બેઠકો ગુમાવી દીધી..તમામ બેઠકો ભાજપના ફાળે જવાની શક્યતા હોવાથી ભાજપે જીતની તૈયારી શરુ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો શિસ્તબદ્ધ ગણાતી ભાજપમાં ટિકિટ મુદ્દે ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ ન મળતા ભાજપમાં ભડકો. સુરતમાં 300થી વધુ કાર્યકર્તાઓએ કાર્યાલયને ઘેરી વિરોધ કર્યો. તો અમદાવાદમાં પણ નેતાઓએ ડેમેજ કંટ્રોલ માટે મથામણ કરવી પડી રહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ફોર્મ ચકાસણીમાં ધારાસભ્યની હાજરીથી હોબાળો ફોર્મ ચકાસણી વખતે ભાજપના ધારાસભ્ય કૌશિક જૈન કલેક્ટરની કચેરીમાં હાજર રહેતા હોબાળો.. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ કરતા કલેક્ટરે તમામને બહાર કાઢ્યા હતા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાનો ભાજપ-કોંગ્રેસ પર આક્ષેપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ભાજપ -કોંગ્રેસની મિલીભગતનો આક્ષેપ કર્યો. .કહ્યું કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, એટલે ભાજપે ઉમેદવાર આપ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો જે.વી કાકડિયાની પત્નીનું વિવાદીત નિવેદન અમરેલીના ભાજપના ધારાસભ્ય જે.વી કાકડિયાની પત્નીના નિવેદનથી વિવાદ..કોકિલા કાકડીયાએ કહ્યું, ભાજપ સરકારે વિધર્મીઓના નાશ માટે ઝુંબેશ શરુ કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો પદયાત્રીઓ પર ડમ્પર ફરી વળતાં 7ના મોત સુરેન્દ્રનગરના છરાદ અને ભાસ્કરપુરા વચ્ચે પદયાત્રીઓ પર બેફામ સ્પીડે આવતું ડમ્પર ફરી વળ્યું. અકસ્માતમાં 7 લોકોના મોત નીપજ્યા છે. પીએમ મોદીએ પણ આ ગોઝારા અકસ્માતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ઘટના પર દુખ વ્યક્ત કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો SRP જવાનનું ટ્રેનિંગ દરમિયાન મોત વડોદરામાં ટ્રેનિંગ દરમિયાન એસઆરપી જવાનનું મોત થયું. સવારે પીટી બાદ 29 વર્ષના જવાનની તબિયત લથડી હતી. હોસ્પિટલમાં ડોક્ટરની ચેમ્બર બહાર જ જવાન ઢળી પડ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો બાળકીઓના મોતનું રહસ્ય ખૂલશે ઢોસાના ખીરુથી બાળકીઓના મોત મામલે માતાની પૂછપરછ.ભાવના પ્રજાપતિને હોસ્પિટલથી ડિસ્ચાર્જ મળતાં જ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી. મોડી સાંજ સુધી એફએસએલનો રિપોર્ટ આવતા શંકાસ્પદ મોતનું રહસ્ય ઉકેલાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો લાડુમાં ઝેર ભેળવી પાડોશીને મારી નાખવાનું કાવતરું સુરતમાં પાડોશીએ પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને મારી નાખવાનું કાવતરું કર્યું..લાડુ ખાતા જ સસરા અને પુત્રવધુની તબિયત લથડી..સદનસીબે બંનેના જીવ બચી ગયા છે. પોલીસે તપાસ હાથ ધરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો બસ સ્ટેશનની હચમચાવતી દુર્ઘટનાના સીસીટીવી વડોદરા બસ સ્ટેન્ડમાં ચાંદખેડાના વૃદ્ધ પર પડેલા કાટમાળના ભયાનક સીસીટીવી સામે આવ્યા. વૃદ્ધ ડેપોની બહાર નીકળી રહ્યા હતા ત્યારે કાટમાળ પડતો જોઈને સિક્યોરિટીએ તેમને રોક્યા, પરંતું જેવા તેઓ પાછા ફરવા ગયા કે તેમના પર આખું સ્ટ્રક્ચર પડ્યું, અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વિડીયો જોવા ક્લિક કરો
એક તરફ IPL નો જંગ જામ્યો છે તો બીજી તરફ ગુજરાતમાં ચૂંટણીનો જંગ પણ જામ્યો છે. રાજકોટ પોલીસ દ્વારા ક્રિકેટમ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા લોકો પર ખા નજર રાખી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં ગઈકાલે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા IPL મેચ પર જુગાર રમાડતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવતા તેની ઊંડાણ પૂર્વક તપાસ કરતા આરોપીઓને માસ્ટર આઈડી રાજકોટ આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 7ના ઉમેદવાર પરેશ શીંગાળાના પુત્ર વત્સલ શીંગાળાએ આપી હોવાનું ખુલતા પોલીસ બે આરોપીની ધરપકડ કરી આપ નેતા વત્સલ સહીત ફરાર ચાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચ PSI એસ.વી.ચુડાસમા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે 150 ફુટ રીંગ રોડ પર આર.કે. પ્રાઈમ બિલ્ડીંગના બીજા માળે ઓફીસ નં.216માં અમુક શખ્સો IPLની ક્રિકેટ મેચમા જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી મળતાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો ત્યારે ત્યાં બે શખ્સો હાજર મળી આવ્યા હતા જેનું નામ પુછતા જયદીપ દિનેશ જાદવ (ઉ.વ.30) અને દર્પણ હરેશ બારસીયા (ઉ.વ.28) હોવાનું જણાવ્યું હતું. જયદીપ જાદવના હાથમા એક મોબાઈલ હતો જે ચેક કરતાં તેમાં સફારી એપ્લીકેશનમાં ALL PANEL 777 નામનું આઈડી ખુલ્લુ હતું જેમા યુઝર આઈડી 10200 નામની માસ્ટર આઈડી ખુલી હતી. આઈડી બાબતે પુછતા પોતે મોબાઈલ ફોનમાં આ માસ્ટર આઈડીમાંથી અલગ-અલગ ટાઈપના કસીનો ગેમ તથા ક્રિકેટ મેચનો સટ્ટો રમી શકાય તેવી યુઝર આઇડી બનાવી પોતાના ગ્રાહકને આપી જુગાર રમાડતો હોવાની કબૂલાત આપી હતી. આ માસ્ટર આઇ.ડી. તેમને વત્સલ પરેશ શીંગાળા પાસેથી મેળવી હતી અને આ માસ્ટર આઈડીમાથી અલગ અલગ પોઇન્ટ વાળી કુલ 03 યુઝર આઇડી બનાવી બે આઈડી પોતે ઉપયોગ કરે છે અને એક આઈડી રાજકોટના વિજયભાઇ ઉર્ફે વી.એમ.ને આપી હોવાની કબૂલાત આપી હતી. જયારે દર્પણ બારસીયાનો મોબાઈલ ચેક કરતાં જુગારને લગત કોઈ આઈ.ડી. મળી ન હતી પરંતુ ઓફીસના સોફા ઉપરથી એક ચોપડો, બોલપેન તેમજ મોબાઇલ ફોન મળી આવ્યા જે બાબતે આરોપીએ જણાવ્યું કે, IPLની મેચમા ગ્રાહકો પાસેથી સેસન અને ભાવના લીધેલ જુગારના સોદાઓ છે તેમજ ગ્રાહકો બાબતે પુછતા રાજકોટનો દેવાંગ ડાભી તેમજ જે.ડી. હોવાનું જણાવ્યું હતું. પકડાયેલા બંને શખ્સોને ઓફીસ બાબતે પુછતા જણાવ્યું હતું કે, ઓફીસ દર્પણ બારસીયાએ ભાડે રાખી છે અને બન્ને અહીં બેસીને IPLમાં સટ્ટો ભાગીદારીમાં રમાડે છે. હાલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જયદીપ જાદવ અને દર્પણ બારસિયાની ધરપકડ કરી રૂ.65 હજારનો મુદામાલ કબ્જે કરી માસ્ટર આઈડી આપનાર વત્સલ પરેશ શીંગાળા અને આઈડી મેળવી જુગાર રમતાં દેવાંગ ડાભી તેમજ જે.ડી અને વિજય ઉર્ફે વી.એમ.ની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે માસ્ટર આઈડી આપનાર બુકી વત્સલ શીંગાળાના પિતા પરેશ શીંગાળા રાજકોટ મહાનગરપાલીકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી વોર્ડ નં.7ના ઉમેદવાર હોવાનું સામે આવતાં રાજકીય આલમમાં પણ ચકચાર મચી જવા પામી છે.
મહીસાગર SOGએ કોઠંબા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં ફરાર આરોપી રાજેશકુમાર કાળુ પગીને રાજકોટ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન ભોગ બનનાર પણ મળી આવી હતી. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા નાસતા ફરતા આરોપીઓ અને ગુમ થયેલા બાળકોને શોધવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.બી. સિસોદીયા અને SOG સ્ટાફની ટીમો બનાવવામાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડાને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમી મુજબ, કોઠંબા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 137(2) અને 87 હેઠળ નોંધાયેલા ગુનાનો ફરાર આરોપી રાજેશકુમાર કાળુ પગી, જે કોલવણ ઝરખલા ફળિયું, તા. લુણાવાડા, જી. મહીસાગરનો રહેવાસી છે, તે હાલ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે એક કારખાનામાં મજૂરી કરી રહ્યો હતો. આ બાતમીના આધારે SOG પીએસઆઈ એચ.બી. સિસોદીયા, એ.એસ.આઈ. કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયકુમાર, કોન્સ્ટેબલ નથુભાઈ અને વુમન પોલીસ કોન્સ્ટેબલ લીલાબેનની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરી હતી. ત્યાંથી આરોપી રાજેશકુમાર પગી અને ભોગ બનનાર બંને મળી આવ્યા હતા. SOG ટીમે આરોપીને કસ્ટડીમાં લીધો હતો અને ભોગ બનનાર સાથે મહીસાગર જિલ્લામાં લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ, આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપી અને ભોગ બનનારને કોઠંબા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સુરત મહાનગરપાલિકાની 120 બેઠકો માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, કલેક્ટર કચેરી ખાતે આ પ્રક્રિયા શાંતિપૂર્ણ રહેવાને બદલે હાઈવોલ્ટેજ ડ્રામામાં ફેરવાઈ ગઈ હતી. સૌથી ચોંકાવનારી ઘટના વોર્ડ નંબર 12માં બની હતી, જ્યાં કોંગ્રેસના પીઢ ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ પોતાનું ફોર્મ ભરતી વખતે પક્ષનું નામ જ લખવાનું ભૂલી જતાં તેમનું ફોર્મ રદ થયું હતું. બીજી તરફ, ભાજપના બળવાખોર નેતા નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ પણ ટેક્નિકલ ખામીના નામે રદ થતા હોબાળો મચ્યો હતો. આ દરમિયાન કલેક્ટર કચેરીના કેમ્પસમાં ભાજપ, આપ અને કોંગ્રેસના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા અને જોતજોતામાં પરિસર જંગના મેદાનમાં ફેરવાઈ ગયું હતું. છગન પટેલને મળ્યું ‘બીજા નિલેશ કુંભાણી’નું ટેગસુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ત્રણ વખત વિજેતા બની ચૂકેલા અને અનુભવી નેતા ગણાતા ભૂપેન્દ્ર પટેલની ઉમેદવારી રદ થતા રાજકીય આલમમાં સન્નાટો વ્યાપી ગયો છે. વોર્ડ નંબર 12ના કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્ર છગન પટેલે પોતાના ફોર્મમાં ‘ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ’ પક્ષનું નામ જ લખ્યું નહોતું. જે પક્ષના ચિહ્ન પર તે દાયકાઓથી રાજકારણ કરે છે, તેનું નામ લખવાનું જ ભૂલી જતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. આ ગંભીર બેદરકારીને કારણે રાજકીય ગલિયારાઓમાં તેમને ‘બીજા નિલેશ કુંભાણી’ તરીકે સરખાવવામાં આવી રહ્યા છે. કાર્યકરોમાં ચર્ચા છે કે શું આ ખરેખર ભૂલ છે કે પછી કોઈ આંતરિક ગોઠવણ? ખેસ ખેંચાખેંચી અને પક્ષના પ્રતીકોનું અપમાનકલેક્ટર કચેરીની બહાર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે અજીબોગરીબ દૃશ્યો જોવા મળ્યા હતા. બંને પક્ષના કાર્યકર્તાઓ એટલી હદે આવેશમાં આવી ગયા હતા કે, એકબીજાને પરાણે પોતાના પક્ષના ખેસ પહેરાવવાની હોડમાં ઉતરી પડ્યા હતા. ભાજપના કાર્યકરે ‘AAP’ના કાર્યકરને ભગવો પહેરાવ્યો તો સામે ‘AAP’ના કાર્યકરે ભાજપના કાર્યકરને ટોપી અને ખેસ પહેરાવી દીધા હતા. વિવાદ વધતા ઉશ્કેરાયેલા કાર્યકરોએ પક્ષના સન્માન ગણાતા ખેસને જમીન પર ફેંકી પગ નીચે કચડ્યા હતા, જેના કારણે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું અને પોલીસને દરમિયાનગીરી કરવી પડી હતી. અપક્ષ ઉમેદવાર નરેન્દ્ર ચૌધરીનો વિસ્ફોટભાજપમાંથી ટિકિટ ન મળતા નારાજ થઈને અપક્ષ ઉમેદવારી નોંધાવનાર નરેન્દ્ર ચૌધરીનું ફોર્મ ટેકેદારોના નામમાં ક્ષતિ હોવાનું જણાવી રદ કરવામાં આવ્યું છે. ફોર્મ રિજેક્ટ થતા જ નરેન્દ્ર ચૌધરી લાલઘૂમ થઈ ગયા હતા. તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે, જ્યારથી મેં ફોર્મ ભર્યું છે ત્યારથી ભાજપના દિગ્ગજ નેતાઓ અને કેન્દ્રીય મંત્રીઓ મારા વિસ્તારમાં દોડતા થઈ ગયા હતા. આ એક સુનિયોજિત ષડયંત્ર છે. સત્તાના જોરે મારું ફોર્મ રદ કરવામાં આવ્યું છે જેથી ભાજપની જીત આસાન બની શકે. SOG પોલીસની દખલગીરી સામે ડો. તુષાર ચૌધરીના ગંભીર આક્ષેપોચૂંટણી પ્રક્રિયામાં પોલીસની કથિત સંડોવણીનો મુદ્દો પણ ગાજ્યો છે. ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ રાજ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને ગંભીર રજૂઆત કરી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, સુરત શહેર SOG પોલીસ દ્વારા વોર્ડ નં. 19માં ભાજપના મુસ્લિમ ઉમેદવારોને ફાયદો કરાવવા માટે સત્તાનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. ડૉ. ચૌધરીએ માગ કરી છે કે જે પોલીસ અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેમની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવે જેથી ચૂંટણીની નિષ્પક્ષતા જળવાઈ રહે. વોર્ડ-13માં મોહિનીબેન રાઠોડનું ફોર્મ માન્યવોર્ડ નંબર 13માં પણ રાજકીય ગરમાવો પરાકાષ્ઠાએ હતો. ભાજપના મહિલા ઉમેદવાર મોહિનીબેન રાઠોડ સામે આમ આદમી પાર્ટીના વકીલ શાહીના મલેકે વાંધા અરજી કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઉમેદવારના પ્રમાણપત્રોમાં મોટી વિસંગતતા છે. જોકે, ભાજપ લીગલ સેલના વકીલ દીપક આફ્રિકાવાળાએ ધારદાર દલીલો કરી આક્ષેપોને ફગાવી દીધા હતા. અંતે, નોડલ ઓફિસરે ટેકનિકલ ગ્રાઉન્ડ પર ‘આપ’ની અરજી ફગાવી દેતા મોહિનીબેનનું ફોર્મ માન્ય રહ્યું હતું, જેનાથી ભાજપ છાવણીમાં રાહત જોવા મળી હતી. ટિકિટના કકળાટમાં કલેક્ટર કચેરી માથે લીધીકોંગ્રેસ પક્ષમાં જૂથબંધી અને ટિકિટના વિતરણને લઈને ચાલતો વિવાદ આજે જાહેરમાં આવ્યો હતો. વોર્ડ-10માં પક્ષના અગાઉના જાહેર કરાયેલા ઉમેદવાર દુર્ગાબેન નિશાદે કલેક્ટર કચેરીએ ભારે હોબાળો કર્યો હતો. તેમણે શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલા પર સીધો આક્ષેપ કર્યો હતો કે, તેમનું મેન્ડેટ જાણીજોઈને જમા કરાવવામાં આવ્યું નથી. બીજી તરફ પ્રમુખે સ્પષ્ટતા કરી હતી કે, પક્ષના આદેશ મુજબ ઉમેદવાર બદલીને મમતાબેન પરમારને ટિકિટ અપાઈ છે. આ આંતરિક લડાઈએ કોંગ્રેસની ફજેતી કરી હતી.
હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. 26 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે ભાજપના 42, કોંગ્રેસના 40, આમ આદમી પાર્ટી (AAP)ના 4, અપક્ષના 4 અને AIMIM પક્ષનું 1 ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે. ચકાસણી પ્રક્રિયા દરમિયાન કુલ 18 ઉમેદવારી પત્રો અમાન્ય ઠર્યા હતા. આમાં ભાજપના 9 અને કોંગ્રેસના 6 ફોર્મ મેન્ડેટના અભાવે રદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ત્રણ અપક્ષ ઉમેદવારોના ફોર્મ દરખાસ્ત અને ટેકેદારના અભાવને કારણે અમાન્ય જાહેર થયા હતા. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ચોરસા ગામ નજીક એક ટ્રેક્ટર પલટી જતાં આઠ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. આ શ્રમિકો મજૂરી કામ કરીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પલટી ગયું હતું. ઇજાગ્રસ્ત થયેલા તમામ શ્રમિકો દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના વતની છે. તેઓ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ઘઉં કાપવાનું મજૂરી કામ પતાવીને પોતાના વતન પરત ફરી રહ્યા હતા. ઇજાગ્રસ્તોમાં મહિલાઓ, પુરુષો અને નાના બાળકોનો સમાવેશ થાય છે. અકસ્માતની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને વિરપુરની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમાંથી ગંભીર ઇજા પામેલા સાત મુસાફરોને વધુ સારવાર માટે પહેલા લુણાવાડા અને ત્યારબાદ ગોધરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. હાલ તમામ ઇજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
મોરબી જિલ્લા પંચાયતની 24 અને મહાનગરપાલિકાની 52 બેઠકો સહિત કુલ 76 બેઠકો માટે ભરાયેલા 321 ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ થઈ છે. આ ચકાસણી પ્રક્રિયામાં કુલ 49 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે ભાજપ, કોંગ્રેસ, અન્ય પક્ષો અને અપક્ષોના કુલ 272 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. મોરબી મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાઈ રહેલી ચૂંટણી માટે 52 બેઠકો પર કુલ 204 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ફોર્મની ચકાસણી દરમિયાન ડુપ્લિકેટ ફોર્મ, ટેકેદારની સહીનો અભાવ જેવા કારણોસર કુલ 23 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. પરિણામે, મોરબી મહાપાલિકાની ચૂંટણી માટે હવે 181 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. મહાપાલિકાના રદ થયેલા ફોર્મના વોર્ડવાર આંકડા જોઈએ તો, વોર્ડ નંબર 1 માં 1, 2 માં 3, 3 માં 4, 4 માં 2, 5 માં 1, 6 માં 1, 7 માં 0, 8 માં 2, 9 માં 1, 10 માં 3, 11 માં 0, 12 માં 2 અને 13 માં 2 ફોર્મ રદ થયા છે. આમ કુલ 23 ફોર્મ રદ થયા છે. જિલ્લા પંચાયતની 24 બેઠકો માટે કુલ 117 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો અને અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પક્ષનું મેન્ડેડ ન હોવા, અન્ય કારણો અને ડુપ્લિકેટ ફોર્મ જેવા મુદ્દાઓને કારણે કુલ 26 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. હવે જિલ્લા પંચાયત માટે કુલ 91 ઉમેદવારો ચૂંટણી જંગમાં છે. ઉમેદવારી પત્ર પાછો ખેંચવાની છેલ્લી તારીખ 15મી છે. ત્યારબાદ બુધવારે સાંજે મોરબી જિલ્લા પંચાયત અને મોરબી મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટેના ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વટવા વિસ્તારમાં વજન કાંટામાં ટેકનિકલ ચેડા કરી સ્ક્રેપ ખરીદીમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરતી એક હાઈટેક ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે 7 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે ગેંગનો માસ્ટર માઈન્ડ સહિત 5 શખ્સો હજુ ફરાર છે. આ ટોળકી છેલ્લા 3 થી 4 વર્ષથી ગુજરાત સહિત મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સક્રિય હતી. ચિપ અને રિમોટ કંટ્રોલનો ખેલક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગેંગ વજન કરવાના ઇલેક્ટ્રોનિક કાંટામાં ખાસ પ્રકારની ગેરકાયદેસર ચિપ ફિટ કરતી હતી. આ ચિપને કારણે મશીન પર સ્ક્રેપનું વાસ્તવિક વજન ઓછું દેખાતું હતું. આરોપીઓ પાસે વિશિષ્ટ રિમોટ કંટ્રોલ હતા, જેના દ્વારા તેઓ પોતાની મરજી મુજબ વજન ઘટાડીને ખોટી વજન ચીઠ્ઠી કઢાવતા હતા. ઓછું વજન બતાવી સસ્તા ભાવે સ્ક્રેપ ખરીદી અન્ય વેપારીઓને વેચી દઈ કંપનીઓ અને સ્ક્રેપયાર્ડને મોટું આર્થિક નુકસાન પહોંચાડતા હતા. ગેંગનું માળખું અને કાર્યવિભાજનઆ ઠગ ગેંગ વ્યવસ્થિત નેટવર્ક દ્વારા કામ કરતી હતી. વોન્ટેડ માસ્ટર માઈન્ડ રજનીશ કશ્યપ જે ચિપ પૂરી પાડતો હતો. હેમંતકુમાર અને સંકેત રાવલ કંપનીઓનો સંપર્ક કરતા, જ્યારે વિજય ઠાકોર અને મનીષ રબારી ટેન્ડર ભરવાનું કામ કરતા હતા. ઠગાઈથી મેળવેલો સામાન વિનોદ, મુકેશ અને સુનિલ પટણી અન્ય વેપારીઓને વેચી દેતા હતા. પોલીસે 19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યોપોલીસે આરોપીઓ પાસેથી કુલ 19 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 80 હજારની કિંમતની 4 ઇલેક્ટ્રોનિક ચિપ, 65 હજારની કિંમતના 13 રિમોટ કંટ્રોલ અને 12 મોબાઈલ ફોન અને એક કાર જપ્ત કરી છે.
ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા અને પોલીસ પ્રશાસન દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જાળવી રાખવા માટે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આવતીકાલે તારીખ 14 એપ્રિલ, 2026ના રોજ શહેરમાં નીકળનારી વિશાળ રેલીઓ અને જાહેર સભાઓને ધ્યાનમાં રાખીને સુરત સિટિ લિંક દ્વારા સંચાલિત BRTS અને સિટી બસ સેવાના અનેક રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જ્યારે કેટલાક રૂટો સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ કમિશનરે ભારે વાહનો માટે જાહેરનામુ બહાર પાડ્યું14મી એપ્રિલના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો રેલી સ્વરૂપે નીકળીને માન દરવાજા ખાતે આવેલી ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે એકત્રિત થશે, જે ત્યારબાદ જાહેર સભામાં પરિવર્તિત થશે. હાલમાં માન દરવાજા રિંગરોડ પર મેટ્રો ટ્રેનનું કામ ગતિમાં હોવાથી રસ્તાઓ સાંકડા થયા છે અને ટ્રાફિકનું ભારણ પહેલેથી જ વધારે રહે છે. આવી સ્થિતિમાં રેલીઓના આગમન સમયે જો ભારે વાહનોની અવરજવર ચાલુ રહે તો મોટી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે તેમ છે. આ બાબતને ગંભીરતાથી લઈને સુરત પોલીસ કમિશનર દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ માનદરવાજા તરફ આવતા ભારે વાહનો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન લાગુ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ શહેરીજનોને અનુરોધ કર્યો છે કે, તેઓ આ ફેરફારોની ખાસ નોંધ લે અને મુસાફરી દરમિયાન પડનારી અગવડતા ટાળવા માટે અગાઉથી આયોજન કરે. તમામ રૂટો સવારે 06:00 વાગ્યાથી ડાયવર્ટ કરવામાં આવશે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ટ્રાફિક પોલીસની સૂચના મળતા જ તમામ બસ સેવાઓ ફરીથી રાબેતા મુજબ કાર્યરત કરી દેવામાં આવશે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
રાજકોટ સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) ખાતે વર્ષ 2026નો પ્રથમ પદવીદાન સમારોહ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ભવ્ય રીતે યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સંસ્થાની પ્રથમ બેચના 49 MBBS વિદ્યાર્થીઓને તબીબી પદવી એનાયત કરી સમાજ સેવા માટે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવ્યા હતા. 2020માં સ્થાપના બાદ ટૂંકા ગાળામાં શૈક્ષણિક અને તબીબી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી AIIMS રાજકોટે આ સિદ્ધિ હાંસલ કરી છે. 10 તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ એનાયતસમારોહ દરમિયાન વિદ્યાર્થીઓની શૈક્ષણિક ઉત્કૃષ્ટતાને બિરદાવવામાં આવી હતી. સફળતાપૂર્વક ઇન્ટર્નશિપ પૂર્ણ કરનાર 49 MBBS સ્નાતકો અને એક PDCC (Post Doctoral Certificate Course) તાલીમાર્થીને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. કુલ 10 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ તેમજ મેરિટ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. જેમાં ત્રણેય પ્રોફેશનલ વર્ષોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાઆ ગરિમામય કાર્યક્રમમાં અંદાજે 1000 જેટલા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે અતિથિ વિશેષ તરીકે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલ હાજર રહ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત જિલ્લા વહીવટી અધિકારીઓ, AIIMS ઇન્સ્ટિટ્યૂટ બોડી અને ગવર્નિંગ બોડીના સભ્યો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાની સફર અને ભવિષ્યનું વિઝનરાજકોટ AIIMSનો પ્રથમ પદવીદાન સમારોહ સંસ્થાની સફરમાં એક નિર્ણાયક ક્ષણ છે જે તબીબી શિક્ષણ, સંશોધન અને દર્દીઓની સંભાળમાં શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે ઝડપથી પરિવર્તિત થઈ છે. 2020માં તેની સ્થાપના પછીના ટૂંકા ગાળામાં સંસ્થાએ શૈક્ષણિક વિસ્તરણ, ક્લિનિકલ સેવાઓ, સંશોધન આઉટપુટ અને સામુદાયિક જોડાણમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે. અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ પ્રોગ્રામ્સ શરૂ કરવાથી લઈને તબીબી શિક્ષણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા નવીન અભિગમોને એકીકૃત કરવા સુધી AIIMS રાજકોટ રાષ્ટ્રીય આરોગ્યસંભાળ પ્રાથમિકતાઓ સાથે જોડાયેલ ભવિષ્યલક્ષી વિઝન પ્રતિબિંબિત કરે છે.
વેરાવળના કાજલી APMC ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા 'વિજયનો વિશ્વાસ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોમનાથ વિધાનસભા વિસ્તાર હેઠળના જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરા, ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ માનસિંગ પરમાર, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. સંજય પરમાર, ધારાસભ્ય ભગવાન બારડ, ગોવિંદભાઈ પરમાર અને તાલુકા ભાજપ પ્રમુખ પ્રદ્યુમનસિંહ ડોડીયા સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતની પાંચ અને તાલુકા પંચાયતની ૨૨ બેઠકોના ભાજપ ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો. ઉપસ્થિત કાર્યકરોને ચૂંટણીમાં સંગઠિત થઈ તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરાઈ હતી. પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને સાંસદ રાજેશ ચુડાસમાએ સંબોધનમાં જણાવ્યું કે, કાર્યકરોમાં અદભૂત ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેના કારણે ભાજપને આ ચૂંટણીમાં પ્રચંડ વિજય મળશે. તેમણે વિરોધ પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, વિરોધ પક્ષ પાસે મજબૂત ઉમેદવારોનો અભાવ છે, જ્યારે ભાજપનો સંગઠિત અને સક્રિય કાર્યકર્તા વર્ગ જ તેની સૌથી મોટી તાકાત છે. સાંસદ રાજેશ ચુડાસમાએ વધુમાં ઉમેર્યું કે, ગીર સોમનાથ જિલ્લાની અનેક તાલુકા પંચાયતોમાં ભાજપનો ઐતિહાસિક વિજય નોંધાશે અને જિલ્લા પંચાયત પણ ભાજપના કબજામાં આવશે તે નિશ્ચિત છે. આ કાર્યક્રમ દરમિયાન ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને વિજયનો વિશ્વાસ જોવા મળ્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકીય માહોલ વધુ ગરમાયો છે.
ભરૂચ જેલમાંથી કેદીને 26 વર્ષે મુક્તિ મળી:આજીવન કેદની સજા ભોગવી રહ્યા હતા કાસુ હઠીલા
ભરૂચ જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કાસુ ભલાભાઇ હઠીલાને 26 વર્ષ બાદ મુક્ત કરવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં ફરજ દરમિયાન નોંધાયેલા ગુનામાં તેમને સજા થઈ હતી. વર્ષ 1986માં હિમાચલ પ્રદેશના કાંગરા જિલ્લાના ધરમશાળા ખાતે નોંધાયેલા એક કેસમાં એડિશનલ સેશન કોર્ટે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી તેઓ ભરૂચ જિલ્લા જેલમાં કેદી નંબર 35355 તરીકે સજા ભોગવી રહ્યા હતા. સરકારી ધોરણો અનુસાર કાસુભાઈ વહેલી મુક્તિ માટે પાત્ર બનતા, ભરૂચ જેલ પ્રશાસન દ્વારા બી.એન.એસ.એસ. કલમ 473 હેઠળ જરૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેલ અધિક્ષકે સંબંધિત અધિકારીઓના અભિપ્રાય મેળવીને આ મામલો ડીજી પ્રિઝન, શિમલા (હિમાચલ પ્રદેશ) સુધી મોકલ્યો હતો. ત્યારબાદ જેલ સલાહકાર સમિતિની બેઠકમાં કાસુભાઈની વહેલી મુક્તિ અંગે સકારાત્મક અભિપ્રાય અપાયો હતો. તેના આધારે હિમાચલ પ્રદેશ સરકારના ગૃહ વિભાગે તેમની બાકી રહેલી સજા માફ કરીને શરતોને આધીન વહેલી મુક્તિનો આદેશ આપ્યો. આદેશ મળ્યા બાદ ભરૂચ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડ દ્વારા કાસુભાઈને જેલમુક્ત કરવામાં આવ્યા. જેલ પ્રશાસને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. ઉમેદવારોના નામની જાહેરાત બાદ ભાજપમાં કાર્યકર્તાની નારાજગી સામે આવ્યા બાદ હવે કોંગ્રેસમાં પણ ધીમેધીમે રોષ બહાર આવી રહ્યો છે. આજ રોજ વોર્ડ નંબર 10ના પ્રમુખે અને પૂર્વ વિપક્ષ નેતાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામુ આપ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસે વોર્ડ નંબર 10માંથી જાણીતો ચહેરો RJ આભાને ટિકિટ આપતા વોર્ડ પ્રમુખ નારાજગી વ્યક્ત કરી સમાજમાં રોષ હોવાથી રાજીનામુ ધરી દીધું છે જયારે મનપાના પૂર્વ વિપક્ષ નેતા અને તેના પતિ દ્વારા પણ ટિકિટ ન મળતા પક્ષમાંથી રાજીનામુ આપી કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગી માટે ટિકિટની વેચની થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસને એક બાદ એક ફટકો પડી રહ્યો છે. કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી થતા કાર્યકર્તાની અંદર રહેલી નારાજગી એક બાદ એક સામે આવી રહી છે. વોર્ડ નંબર 7માં છેલ્લી ઘડીએ મહિલા ઉમેદવાર બદલાતા નારાજગી સામે આવ્યાના ગણતરીની કલાકોમાં વોર્ડ નંબર 15ના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષીનેતા ભાનુબેન સોરાણી અને તેના પતિ પ્રવીણભાઈ સોરાણીએ રાજીનામુ આપ્યું હતું જેની થોડીક જ મિનિટોમાં શહેરના વોર્ડ નંબર 10ના પ્રમુખ દિપક ગોઠીએ પણ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર પ્રવીણ સોરાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે હું અને મારા પત્ની છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ. અમે પતિ પત્ની બન્ને 5 વખત કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા ચુક્યા છીએ. છેલ્લા છ મહિનાથી રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને મારા વિસ્તારના અન્ય આગેવાનો સાથે મારે વાંધા ચાલી રહ્યો છે. જે લોકો આપમાં ગયા હતા અને તેને પછી ફરી કોંગ્રેસમાં આવ્યા ત્યારથી લઈને અમારે વિવાદ ચાલતો આવે છે. વોર્ડ નંબર 15માંથી આ વખતે મેં ટિકિટની માંગણી કરી હતી મારા પત્ની તબિયત સારી નથી માટે મેં ટિકિટ માંગણી કરી હતી. તેમને વધુમાં જણાવ્યું હતું કે, મારે જે નારાજગી છે એ મામલે મેં પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા સાથે પણ ચર્ચા કરી છે. કોળી સમાજના લોકો અમારી સાથે છે હું કોળી સમાજના આગેવાનોને મદદ જરૂર કરીશ પણ કોંગ્રેસના પ્રચારમાં મહી જાવ. ભાજપમાં જોડાવવાની ચાર મહિનાથી અફવા ચાલે છે પણ હાલ હું કોઈ પક્ષમાં જોડાવવાનો નથી. મેં નક્કી કર્યું છે કે જે કોળી સમાજના જે પણ પક્ષના ઉમેદવાર હસે તેને મદદ કરીશ. મેં પહેલા જ કહેલું અને આજે પણ કહું છું કે ટિકિટ ના સોદાઓ થયા છે જેના કારણે કોંગ્રેસને નુકસાન થયું છે અને આગળ પણ થશે. આ ઉપરાંત કોંગ્રેસ પક્ષ દ્વારા રાજકોટના વોર્ડ નંબર 10માં રાજકોટ શહેરમાં જાણીતો ચહેરો બનેલ RJ આભા દેસાઈને ટિકિટ ફાળવી દેવામાં આવતા વોર્ડ નંબર 10ના પ્રમુખ દિપકભાઈ ગોઠીએ શહેર પ્રમુખ રાજદીપસિંહ જાડેજાને રાજીનામુ મોકલી આપ્યું છે. વોર્ડ નંબર10ના પ્રમુખ દ્વારા તેમના પત્ની માટે ટિકિટની માંગણી કરવામાં આવી હતી જો કે છેલ્લી ઘડીએ આભાને ટિકિટ આપવામાં આવતા તેઓ નારાજ થઇ ગયા હતા અને પટેલ સમાજમાં પણ આ નિર્ણયથી રોષ હોવાના કારણે પક્ષમાંથી તેઓએ રાજીનામુ આપી દીધું હતું.
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલ ગ્રાન્ડ મર્ક્યુરી સૂર્યા પેલેસ હોટલમાં 27 વર્ષીય યુવકનું અચાનક મોત થતાં ચકચાર મચી ગઈ છે. આ મામલે સયાજીગંજ પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું જાણવા મળ્યું છે. મૂળ જૂનાગઢના ઉનાના રહેવાસી અને હાલ અમદાવાદમાં રહેતા હરિશ્રેય બાબુભાઈ ચૌહાણ મધ્ય પ્રદેશની રહેવાસી અને વડોદરામાં નોકરી કરતી એક યુવતી સાથે હોટલમાં આવ્યો હતો. બંને ડેટિંગ એપ મારફતે પરિચિત થયા હતા અને આ તેમની બીજી મુલાકાત હતી. હોટલના રૂમમાં ભોજન કર્યા બાદ હરિશ્રેય ચૌહાણને અચાનક ત્રણથી ચાર વાર ઉલ્ટી થઈ હતી. ત્યારબાદ યુવતીની હાજરીમાં જ તેને આંચકી આવતા તબિયત વધુ બગડી ગઈ હતી અને તે બેભાન થઈ ગયો હતો. તરસ લાગતા પાણી પીવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાણી પણ તરત જ બહાર નીકળી જતું હતું. આ પરિસ્થિતિમાં યુવકને તાત્કાલિક એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસ મુજબ યુવકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવ્યું છે.
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ચકાસણી દરમિયાન વોર્ડ નંબર 15માં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર રાજેન્દ્ર બારોટનું નામ મતદાર યાદીમાં ન હોવાના ટેકનિકલ કારણોસર તેમનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. હવે તેમના સ્થાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર હિતેશ માછી કોંગ્રેસના નવા ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. તંત્ર અને સત્તા પક્ષ સામે ગંભીર આક્ષેપોરાજેન્દ્ર બારોટનું ફોર્મ રદ થતા કોંગ્રેસના અન્ય ઉમેદવાર આશિષ જોશીએ વહીવટી તંત્ર અને સત્તાધારી પક્ષ ભાજપ પર મિલીભગતનો આરોપ લગાવ્યો છે. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, એસઆઈઆર (SIR) પ્રક્રિયા બાદ નામ ઉમેરવા માટે છેલ્લા 15 દિવસથી ચૂંટણી અધિકારી અને ડેપ્યુટી કમિશનરને વારંવાર રજૂઆત કરવા છતાં નામ ઉમેરાયું નથી. મતદાર યાદીની પુરવણી-2 જાહેર ન થતા માત્ર રાજેન્દ્ર બારોટ જ નહીં, પરંતુ અન્ય 2500 થી 3000 મતદારો પણ મતાધિકારથી વંચિત રહેશે. કોંગ્રેસને અગાઉથી જ ફોર્મ રદ થવાની આશંકા હોવાથી તેમણે સાવચેતીના ભાગરૂપે મજબૂત ડમી ઉમેદવાર ઉતાર્યો હતો. 'સત્તા પક્ષ મારાથી ડરી ગયો': રાજેન્દ્ર બારોટઓબીસી અનામત બેઠક પરથી ફોર્મ ભરનાર રાજેન્દ્ર બારોટે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, સત્તા પક્ષ તેમનાથી ડરી ગયો હોવાથી આ પ્રકારના કાવાદાવા કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, ભલે હું ચૂંટણી નહીં લડી શકું, પરંતુ હવે અમે 'એક અને એક અગિયાર' બનીને ભાજપને હરાવીશું. મારા સ્થાને આવેલા હિતેશ માછીને જીતાડવાની જવાબદારી મારી છે. કોણ છે હિતેશ માછી?નવા જાહેર થયેલા ઉમેદવાર હિતેશ માછીના રાજકીય પ્રવાસમાં રસપ્રદ વળાંક જોવા મળ્યો છે, તેઓ અગાઉ ભાજપમાં સક્રિય હતા અને વોર્ડ 5 તથા 15 માટે ભાજપની સેન્સ પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો. ભાજપમાં ટિકિટ ન મળતા તેઓ આશિષ જોષીના સમર્થનમાં કોંગ્રેસમાં જોડાયા હતા. ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા બાદ હવે તેઓ સીધા જ મુખ્ય ઉમેદવાર બની ગયા છે.
મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 3 ની બેઠક માટે મેન્ડેટની ફાળવણી મુદ્દે કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પૂર્વ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીનું મેન્ડેટ રદ કરી પૂર્વ વિરોધ પક્ષના નેતા કમલેશ સુતરિયાની પસંદગી કરવામાં આવતા, સોલંકીએ પ્રદેશ નેતૃત્વ પર 10 લાખ રૂપિયામાં ટિકિટ વેચી હોવાનો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે. કમલેશ સુતરિયાનું મેન્ડેટ માન્ય રાખતા રાજકીય ગરમાવોવોર્ડ નંબર 3 (SC બેઠક) માટે કોંગ્રેસે પ્રથમ ઘનશ્યામ સોલંકીને મેન્ડેટ આપ્યું હતું, પરંતુ અંતિમ સમયે કમલેશ સુતરિયાનું મેન્ડેટ માન્ય રાખવામાં આવતા રાજકીય ગરમાવો વ્યાપ્યો છે. કોંગ્રેસના નેતાઓએ 15 લાખમાં મેન્ડેટ કમલેશ સુતરિયાને આપ્યોઘનશ્યામ સોલંકીએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પ્રદેશ કોંગ્રેસના નેતાઓએ 10થી 15 લાખ રૂપિયા જેવી માતબર રકમ લઈ 'વેચાતો' મેન્ડેટ કમલેશ સુતરિયાને આપ્યો છે. તેઓ માત્ર RTI કરીને 'તોડ' કરવાનું કામ કરે છે અને પ્રજાની કોઈ સેવા કરી નથી. જે ઉમેદવાર વોર્ડ નંબર 4 માં રહે છે તેમને વોર્ડ 3 માં લડાવવા એ પક્ષની મોટી ભૂલ છે અને આવનારા દિવસોમાં તેનો ભારે વિરોધ થશે. મતદારોની માંગને ધ્યાને રાખી તેમના નામ પર મહોર મારીપોતાની સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારતા કમલેશ સુતરિયાએ પક્ષના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. સુતરિયાએ જણાવ્યું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પાર્ટી છે અને તે હંમેશા સાચા કાર્યકરની કદર કરે છે. રૂપિયા લઈને ટિકિટ આપવાની વાત પાયાવિહોણી છે. RTI કરવી એ કોઈ ગુનો નથી, પરંતુ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડવાનું સાધન છે. ભાજપના શાસનમાં થયેલા કૌભાંડો RTI દ્વારા જ બહાર લવાયા છે, જેની પક્ષે કદર કરી છે. વોર્ડ નંબર 3 ના મતદારોની પ્રબળ માંગને ધ્યાને રાખીને જ પ્રદેશ કાર્યાલયે તેમના નામ પર મહોર મારી છે. કોંગ્રેસની આંતરિક જૂથબંધી છતી થઈચૂંટણી પહેલા જ એક જ બેઠક માટે બે કદાવર નેતાઓ વચ્ચેના આ ગજગ્રાહ અને ભ્રષ્ટાચારના આક્ષેપોએ કોંગ્રેસની આંતરિક જૂથબંધીને છતી કરી દીધી છે. જિલ્લા સંગઠનની ભલામણ અને પ્રદેશ સમિતિના ફેરબદલ વચ્ચે સર્જાયેલી આ સ્થિતિને કારણે સામાન્ય કાર્યકરોમાં ભારે અસમંજસ જોવા મળી રહી છે.
સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં વાહન ચોરીના ગુનામાં પૂછપરછ માટે લાવવામાં આવેલા એક વૃદ્ધ આરોપીએ શૌચાલયમાં રહેલું એસિડ પી લેતા, ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું છે. આ કસ્ટોડિયલ ડેથની ઘટનાને પગલે પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગત અને પોલીસ કાર્યવાહીગત 11 ફેબ્રુઆરી, 2026ના રોજ નોંધાયેલા ફોર વ્હીલ વાહન ચોરીના ગુનામાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ગોધરાના 65 વર્ષીય સૈયદ બદરૂદ્દીન મયુદ્દીનની સંડોવણી સામે આવી હતી. સચિન પોલીસની ટીમ તેને ગોધરાથી સુરત લાવી હતી અને ડી-સ્ટાફની ઓફિસમાં તેની પૂછપરછ ચાલી રહી હતી. ACP નિરવ ગોહિલના જણાવ્યા મુજબ પૂછપરછ દરમિયાન આરોપીએ શૌચાલય જવાનું બહાનું કાઢ્યું હતું. પોલીસ કર્મચારીની હાજરીમાં જ તે અંદર ગયો હતો અને ત્યાં સફાઈ માટે રાખેલું એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ તુરંત તેને ઉલટીઓ અને અસહ્ય દુખાવો થતા તેણે પોતે જ પોલીસને જાણ કરી હતી. ત્રણ હોસ્પિટલ બદલી છતાં જીવ ન બચ્યોગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે તેને સમર્પણ અને અંતે સીડ્સ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. નિષ્ણાંત તબીબોની સઘન સારવાર છતાં ઝેરી અસરને કારણે તેનું મોત નીપજ્યું હતું. આરોપીનો ગુનાહિત ઈતિહાસપોલીસ રેકોર્ડ અનુસાર, મૃતક સૈયદ બદરૂદ્દીન વિરુદ્ધ અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં અંદાજે 15 જેટલા ગુનાઓ નોંધાયેલા હતા. તેની અગાઉ બાયપાસ સર્જરી પણ થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે, તેની વય અને નાજુક તબિયતને ધ્યાનમાં રાખીને તેની સાથે કોઈ પણ પ્રકારની મારઝૂડ કે શારીરિક ટોર્ચર કરવામાં આવ્યું નહોતું. કસ્ટોડિયલ ડેથ હોવાને કારણે નિયમ મુજબ આ કેસમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં સચિન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની પ્રક્રિયા તેજ કરી છે. મોતના ચોક્કસ કારણો જાણવા માટે પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ પણ ચકાસવામાં આવશે.
પાટણ પાસે યુવકનું અપહરણ, છરી મારી ઇજા:આરોપીઓએ ભૂલથી બીજા યુવકને ઉતારી દીધો, પોલીસે ગુનો નોંધ્યો
પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાયડ ગામ નજીક હાઈવે પર એક યુવકનું અપહરણ કરી તેને છરી મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. જોકે, અપહરણકર્તાઓને પોતાની ભૂલ સમજાતા તેમણે યુવકને અધવચ્ચે ઉતારી દીધો હતો. આ ઘટનામાં ભોગ બનનાર પરિવારે પોલીસ કાર્યવાહી કરવાનો ઇનકાર કરતા પોલીસે સામેથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રતનપુરા ગામના 19 વર્ષીય અશ્વિનકુમાર વિનોદજી ઠાકોર 12 એપ્રિલ, 2026ના રોજ બપોરે તેમના પિતરાઈ ભાઈ સાથે વેગનર ગાડીમાં શિહોરીથી પાટણ જઈ રહ્યા હતા. વાયડ અને મેલુસણ ગામ વચ્ચે હાઈવે પર ભૂમિ એન્ટરપ્રાઈઝ નજીક એક સફેદ રંગની આઈ-20 ગાડીએ તેમની કારને આંતરી હતી. મોઢે રૂમાલ બાંધેલા અજાણ્યા શખ્સોએ અશ્વિનકુમારને છરી બતાવી બળજબરીથી પોતાની ગાડીમાં ખેંચી અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ ગાડીમાં અશ્વિનકુમારનો ફોટો પાડી અન્ય વ્યક્તિને મોકલ્યો હતો. તેમને જાણ થઈ કે તેમણે ખોટા યુવકનું અપહરણ કર્યું છે. પોતાની ભૂલ સમજાતા આરોપીઓએ અશ્વિનકુમારને માર માર્યો અને તેમના પેટના ડાબા ભાગે છરીનો ઘા ઝીંકી દૂધારામપુરા પાસે રસ્તામાં ઉતારી દીધો. ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે સરસ્વતી પોલીસે ભોગ બનનાર યુવક અને તેના પરિવારની પૂછપરછ કરી હતી. જોકે, પરિવારે કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ કે કાર્યવાહી કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ધોળે દિવસે હાઈવે પર અપહરણ અને હુમલા જેવો ગંભીર ગુનો બન્યો હોવાથી પોલીસે જાહેર હિતમાં પોતે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે. પોલીસે અજાણ્યા બે શખ્સો વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 140(3), 118(1), 115(2), 126(2), 54 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈ ઉમેદવારી પત્રોની ચકાસણી પ્રક્રિયા દરમિયાન હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. ટેકનિકલ ખામી અને કાયદાકીય ગૂંચવણો વચ્ચે ચૂંટણી અધિકારીએ લીધેલા નિર્ણયોએ રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે. વોર્ડ 5માં મેન્ડેટમાં સહીની વિસંગતતા નડીવોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવાર ગીરીરાજસિંહ જેઠવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. તેમના પક્ષના મેન્ડેટમાં સહી સંબંધિત વિસંગતતા હોવાનું સામે આવ્યું હતું. ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષો દ્વારા લાંબી દલીલો કરવામાં આવી હતી, પરંતુ અંતે આ ટેકનિકલ ખામીને ગંભીર ગણી અધિકારીએ જેઠવાનું ફોર્મ રદ કરવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણીના પ્રારંભિક તબક્કે જ એક બેઠક ગુમાવવી એ કોંગ્રેસ માટે મોટો ઝટકો ગણાઈ રહ્યો છે. વોર્ડ 7માં ત્રણ સંતાનનો મુદ્દો અને ભાજપને રાહતવોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલા સામે ત્રણ સંતાનો હોવા બાબતે વાંધા અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે કાયદાકીય ગૂંચવણ ઉભી થતા ભારે ચર્ચાઓ જાગી હતી. જોકે, રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને કાયદાકીય જોગવાઈઓની સમીક્ષા બાદ ચૂંટણી અધિકારીએ વાંધા અરજી ફગાવી વાઘેલાનું ફોર્મ માન્ય રાખ્યું હતું. આ નિર્ણયથી ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીફોર્મ ચકાસણી સમયે ચૂંટણી અધિકારીની કચેરીમાં બંને પક્ષના દિગ્ગજ નેતાઓ ઉતરી આવ્યા હતા. ભાજપ તરફથી લીગલ સેલના હેમલ ચોટાઈ, રાજુ ગોસાઈ અને શહેર પ્રમુખે મોરચો સંભાળ્યો હતો. કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ વિક્રમ માડમ, જયેન્દ્રસિંહ ઝાલા અને આનંદ ગોહિલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બંને પક્ષોના વકીલો અને નેતાઓ વચ્ચે ઉગ્ર દલીલો અને બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું. બપોરે 3:00 વાગ્યા બાદ ચૂંટણી અધિકારીએ આખરી ચુકાદો આપતા સ્થિતિ સ્પષ્ટ થઈ હતી. કોંગ્રેસે ચૂંટણી પહેલા ઉમેદવાર ગુમાવ્યોજામનગર મનપા ચૂંટણીના મેદાનમાં પ્રચાર શરૂ થાય તે પહેલા જ ભાજપે કાયદાકીય જંગમાં સરસાઈ મેળવી લીધી હોય તેવું ચિત્ર ઉપસ્યું છે, જ્યારે કોંગ્રેસે પોતાની એક મહત્વની બેઠક પરથી ઉમેદવાર ગુમાવતા હવે આગામી રણનીતિ પર ભાર મૂકવો પડશે.
ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પંચાયતની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. સાંતેજ પોલીસ મથકના પીઆઈ સાજન મૂછાળ દ્વારા સત્તાધારી પક્ષના ઈશારે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવા અને ધમકાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. પ્રાંત કક્ષાએ કોઈ ઉકેલ ન આવતા આખરે કોંગ્રેસે કલેક્ટર સમક્ષ ન્યાયની ગુહાર લગાવી છે. સાંતેજ પીઆઈની બદલી છતાં ચાર્જ ન છોડતા વિવાદ વકર્યોજિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરવિંદસિંહ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની આગેવાનીમાં કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે, સાંતેજ પીઆઈ મૂછાળની બદલી થઈ હોવા છતાં છેલ્લા 15 દિવસથી તેઓએ પોતાનો ચાર્જ છોડ્યો નથી. કોંગ્રેસનો ગંભીર આરોપ છે કે તેઓ સત્તાધારી ભાજપના ઈશારે કામ કરી રહ્યા છે અને બદલી થઈ હોવા છતાં તે જ સ્થાને ટકી રહીને ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરી રહ્યા છે. ઉમેદવારોને ધમકાવવાના ગંભીર આક્ષેપોકોંગ્રેસે આવેદનપત્રમાં ચોંકાવનારા દાવા કર્યા છે કે, ભોયણ મોટી બેઠકના ઉમેદવાર અને તેમના પત્નીને પોલીસ સ્ટેશને બોલાવી ચૂંટણી લડવા બાબતે ગર્ભિત ધમકીઓ આપવામાં આવી છે. કલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભનજી ઠાકોરને પણ તેમના મોબાઈલ પર ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચવા બાબતે ધમકીભર્યા ફોન કરવામાં આવ્યા છે. પોલીસ તંત્ર દ્વારા ભાજપના ઉમેદવારોને ફાયદો કરાવવા માટે કોંગ્રેસના ટેકેદારોમાં ભયનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે. નિષ્પક્ષ ચૂંટણી માટે ત્વરિત કાર્યવાહીની માંગકોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, જો પોલીસ જ રાજકીય હસ્તક્ષેપ કરશે તો નિષ્પક્ષ ચૂંટણી યોજવી અશક્ય બનશે. તેમની મુખ્ય માંગણી સાંતેજ પીઆઈને તાત્કાલિક અસરથી ચાર્જમુક્ત કરી તેમની બદલી વાળી જગ્યાએ મોકલવાની છે.
વાપી સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. વાપી મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મોરબીના 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…
સુરત શહેર પોલીસના ઝોન-3 એલ.સી.બી. શાખાએ એક મોટી સફળતા મેળવી છે. વર્ષ 2017માં મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 47.50 લાખ રૂપિયાના બેંક ફ્રોડના ગુનામાં છેલ્લા 9 વર્ષથી નાસતા ફરતા આરોપી જીતેન્દ્ર ઉર્ફે અમર માછીને પોલીસે બાતમીના આધારે કોસંબાથી દબોચી લીધો છે. આ આરોપી વિરુદ્ધ કોર્ટ દ્વારા વોરન્ટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતું. ચૂંટણીને પગલે ખાસ ડ્રાઈવમાં આરોપી આબાદ ઝડપાયોરાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે 7 એપ્રિલથી 21 એપ્રિલ સુધીની સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર અનુપમ ગહલૌત અને નાયબ પોલીસ કમિશ્નર રાઘવ જૈનની સૂચનાથી એલ.સી.બી. ઝોન-3ની ટીમ કાર્યરત હતી. તે દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું હતું કે, આ ગુનાનો વોન્ટેડ આરોપી જીતેન્દ્ર માછી કોસંબાના તરસાડી વિસ્તારમાં છુપાયેલો છે. શું હતો સમગ્ર મામલો?વર્ષ 2017માં મહિધરપુરાની બેંક ઓફ ઈન્ડિયા શાખામાં એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં સહઆરોપીઓએ બેંક ઓફ ઈન્ડિયાની દિલ્હી સ્થિત સાકેત બ્રાન્ચનો ડમી ચેક બનાવ્યો હતો. આ ડમી ચેક દ્વારા 47.50 લાખ રૂપિયાની રકમ મેળવી લેવામાં આવી હતી. જેમાંથી 37 લાખ રૂપિયા અલગ-અલગ બેંક ખાતાઓમાં RTGS મારફતે ટ્રાન્સફર કરીને રોકડમાં ઉપાડી લેવાયા હતા. હિસ્સામાં મળેલા 16 લાખ લઈ 9 વર્ષથી ફરાર હતોપોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, આ છેતરપિંડીના નાણાંમાંથી પકડાયેલા આરોપી જીતેન્દ્ર માછીએ પોતાના હિસ્સા પેટે 16 લાખ રૂપિયા મેળવ્યા હતા. આ ગુનામાં અગાઉ 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી હતી, પરંતુ જીતેન્દ્ર પોતાની ધરપકડ ટાળવા માટે છેલ્લા 9 વર્ષથી સતત નાસતો ફરતો હતો. તેની વિરુદ્ધ CRPC કલમ 70 મુજબનું વોરન્ટ પણ નીકળ્યું હોવા છતાં તે પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. પોલીસની ટીમનું સફળ ઓપરેશનઝોન-03 LCBના પી.એસ.આઈ. એમ.જી. ભાદરકાની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ વિકાસ મધુકર, ભરતભાઈ અને પ્રદિપકુમારની ટીમે ચોક્કસ બાતમીના આધારે તરસાડીથી આરોપીને પકડી પાડ્યો હતો. હાલમાં આ આરોપીનો કબજો મહિધરપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે અને આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી:13 વોર્ડની 52 બેઠક પર ભાજપ ઉમેદવારોની ફોટો સાથેની સંપૂર્ણ યાદી જુઓ
પોરબંદર સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. પોરબંદર મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મોરબીના 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…
જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ છે. વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયા દરમિયાન અનેક બેઠકો પર ટેકનિકલ ખામીઓ અને વિસંગતતાઓને કારણે રાજકીય પક્ષોના ગણિત બગડ્યા છે. ખાસ કરીને ફોર્મ ભરવામાં થયેલી ગંભીર ભૂલોને કારણે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના મુખ્ય ઉમેદવારોના ફોર્મ રદ થતા રાજકીય આલમમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી અધિકારીઓએ કડક વલણ અપનાવી નિયમ મુજબની કાર્યવાહી હાથ ધરી છે. કોયલાણા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદઆજની ચકાસણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ કિસ્સો માણાવદરની 14-કોયલાણા જિલ્લા પંચાયત અને 2-કોયલાણા તાલુકા પંચાયત બેઠક પર જોવા મળ્યો હતો. અહીં કોંગ્રેસના ઉમેદવાર નીતાબેન જેન્તીભાઇ મગરા દ્વારા ફોર્મ ભરવામાં ભયંકર ટેકનિકલ ભૂલ કરવામાં આવી હતી. ઉમેદવારે પોતાના ઉમેદવારી ફોર્મમાં પક્ષના નામ તરીકે 'ભારતીય જનતા પાર્ટી' લખ્યું હતું, જ્યારે તેની સાથે મેન્ડેટ (પક્ષનું સમર્થન પત્ર) 'કોંગ્રેસ'નું રજૂ કર્યું હતું. આ વિસંગતતા સામે આવતા ચૂંટણી અધિકારીએ આકરું વલણ અપનાવ્યું હતું અને નીતાબેન મગરાનું ઉમેદવારી પત્ર રદ કરી દીધું છે. એક જ ફોર્મમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના નામ જોઈને રાજકીય વર્તુળોમાં આશ્ચર્ય સાથે ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસ ઉમેદવારના અન્ય બેઠકો પરના ફોર્મ પણ રદ થયાજિલ્લા પંચાયતની કણઝા બેઠક પર ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપે જાહેર કરેલા મુખ્ય ઉમેદવાર ભીમાભાઈ ડાંગરનું ફોર્મ એફિડેવિટના અભાવે રદ કરવામાં આવ્યું છે. જોકે, ભાજપ માટે રાહતના સમાચાર એ છે કે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર તેમના પુત્રી કિરણબેન ડાંગરનું ફોર્મ માન્ય રહ્યું છે, જેથી હવે આ બેઠક પરથી કિરણબેન ભાજપના સત્તાવાર ઉમેદવાર ગણાશે. બીજી તરફ, તાલુકા પંચાયતની ખડિયા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજશીભાઈ ચૌહાણનું ફોર્મ સોગંદનામામાં ક્ષતિ હોવાને કારણે રદ કરવામાં આવ્યું છે, જેનાથી કોંગ્રેસને એ સીટ પર ફટકો પડ્યો છે. જગદીશ વિશ્વકર્માના કોંગ્રેસ પર આકરા પ્રહારએક તરફ ફોર્મ ચકાસણી ચાલતી હતી, ત્યારે બીજી તરફ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસે હતા. તેમણે અગતરાય, સમઢિયાળા અને ભેંસાણ જેવી જિલ્લા પંચાયત બેઠકો પર 'વિકાસ સંકલ્પ સભા' સંબોધી હતી. જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઈન્ચાર્જઓ સાથે બેઠક કરી તેમણે ચૂંટણી વ્યૂહરચના ઘડી હતી અને બલિયાવાડમાં આઈશ્રી દેવલ માના આશીર્વાદ પણ લીધા હતા. સભાઓ દરમિયાન જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાતના વિકાસને રૂંધવાનું કામ કર્યું છે. તેમણે નર્મદા ડેમના દરવાજાના મુદ્દે કોંગ્રેસને ઘેરતા કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીએ માત્ર 17 દિવસમાં દરવાજાની મંજૂરી આપી ખેડૂતોની વેદના દૂર કરી છે. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના શાસનમાં આરોગ્ય માટે દાગીના ગીરવે મૂકવા પડતા, જ્યારે આજે આયુષ્માન કાર્ડને કારણે ગરીબોને સુરક્ષા મળી છે. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, ગુજરાતીઓને અપમાનિત કરવાની કોંગ્રેસની માનસિકતાનો જવાબ જનતા આગામી ચૂંટણીમાં આપશે. 'ભાજપ-કોંગ્રેસ ભાઈ-ભાઈ' આપના ગંભીર આક્ષેપોઆ તમામ ઘટનાક્રમ વચ્ચે આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્ર ઝોનના પ્રમુખ રાજુ બોરખતરીયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, ભાજપ અને કોંગ્રેસ અંદરખાને એક જ છે અને જનતાને છેતરી રહ્યા છે. કોયલાણા બેઠકનો હવાલો આપતા તેમણે કહ્યું કે, જે રીતે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં ભાજપનું નામ લખાયેલું મળી આવ્યું, તે સાબિત કરે છે કે આ બંને પક્ષો વચ્ચે પરસ્પર સમજૂતી છે. તેમણે આક્ષેપ કર્યો કે જ્યાં ભાજપને બિનહરીફ વિજેતા બનાવી હોય ત્યાં કોંગ્રેસ નબળા ઉમેદવાર ઉતારે છે અથવા જાણીજોઈને ફોર્મમાં ભૂલો કરે છે. બોરખતરીયાએ જનતાને આ 'ગઠબંધન'થી સાવધ રહેવા અપીલ કરી છે. આજે જૂનાગઢમાં ફોર્મ ચકાસણીના દિવસે રાજકીય ડ્રામા, આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વહીવટી પ્રક્રિયાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. હવે મેદાનમાં કોણ બાકી રહે છે તે જોવું રસપ્રદ રહેશે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા આગામી 16થી 18 એપ્રિલ દરમિયાન ગાંધીનગરના હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે વાર્ષિક ટ્રેડ એક્સ્પો GATE-2026 (ગુજરાત એન્યુઅલ ટ્રેડ એક્સ્પો) યોજાશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે સવારે 10 વાગ્યે આ ભવ્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ક્રેડાઈ (CREDAI) નેશનલના પ્રેસિડેન્ટ શેખર પટેલ અને ટોરેન્ટ પાવર લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા જેવા મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. આ એક્સપોમાં આગામી 25 વર્ષનો રોડ મેપ દર્શાવવામાં આવશે. ગુજરાતમાં નાના ઉદ્યોગકારોથી લઈ MSME અને અલગ-અલગ સેક્ટરના ઉદ્યોગોને કેવી રીતે આગળ લઈ જવા તેમજ કેવી રીતે પ્રોત્સાહન પૂરું પાડવું તેનો રોડ મેપ રજૂ કરવામાં આવશે. એક્સપોમાં 450થી વધારે સ્ટોલ, દેશભરમાંથી ઉદ્યોગકારો જોડાશેGCCI પ્રમુખ સંદીપ એન્જિનિયરે જણાવ્યું હતું કે GATE-2025ની અભૂતપૂર્વ સફળતા બાદ GATE-2026નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે યોજાનારા એક્સપોમાં 450થી વધારે સ્ટોલ હશે અને 30,000થી વધુ લોકો જોડાશે. ચાલુ વર્ષે AI, સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક, મોબિલિટી, હેલ્થ કેર સહિત અલગ-અલગ સેક્ટરને પ્રોત્સાહન અપાશેે. માત્ર ગુજરાતના જ નહીં, પરંતુ સમગ્ર ભારતમાંથી એક્સપોમાં ઉદ્યોગકારો જોડાશે. અલગ અલગ સેક્ટરના સેમિનારનું પણ આયોજન કર્યું છે. AI, સેમિકન્ડક્ટરને પ્રોત્સાહન આપવામાં આવનાર છે, જેના ઉપર પણ સેમીનાર યોજાશે. કોમનવેલ્થ ગેમ્સ યોજાનાર છે, ત્યારે અમે તેના ઉપર પણ અલગથી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. લોકોને આધુનિક ટેકનોલોજી અને નવા વેપારી નેટવર્કિંગ શોધવાની તક મળશેવધુમાં તેમણે જણાવ્યું હતું કે MSME અને સ્ટાર્ટઅપ તેમજ નાના ઉદ્યોગકારોને પણ અમે પ્રોત્સાહન આપીશું. સુપ્રસિદ્ધ અભિનેત્રી અને લેખિકા કુ. સોનાલી બેન્દ્રે સાથે સંવાદ થશે. જાણીતા અભિનેતા અને મોટિવેશનલ સ્પીકર રાકેશ બેદી દ્વારા કલા અને પ્રોત્સાહન અંગે માર્ગદર્શન આપવામાં આવશે. GATE-2026માં સહભાગી પ્રદર્શકોને નિર્ણય લેનારાઓ, રોકાણકારો અને ઉદ્યોગ અગ્રણીઓ સમક્ષ પોતાની પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરવાની શ્રેષ્ઠ તક મળશે, જ્યારે મુલાકાત લેનાર લોકોને આધુનિક ટેકનોલોજી અને નવા વેપારી નેટવર્કિંગ શોધવાની તક મળશે. મુખ્ય હાઈ-ઈમ્પેક્ટ સેશન્સ અને ઉદ્યોગ સંવાદો • CEO પાવર પેનલ: વૈશ્વિક સ્તરના વિશાળ સાહસોનું નિર્માણ.• મુખ્ય વક્તવ્ય: ‘શૂન્ય સે શિખર તક’ – સંજય ઘોડાવત ગ્રુપના ચેરમેન શ્રી સંજય ઘોડાવત દ્વારા નેતૃત્વ પર માર્ગદર્શન.• સેમિકોન પેનલ ચર્ચા: વૈશ્વિક સેમિકન્ડક્ટર ક્ષેત્રની તકો અને પડકારો.• AI અને ડીપ ટેક: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રોડક્ટ્સમાં રોકાણ અને ભારતના ટેક ક્ષેત્રનું ભવિષ્ય.• સ્પોર્ટ્સ ઈકોનોમી: રમતગમતના ક્ષેત્રમાં ઉભરતી વ્યાપારી તકો.• સ્ટાર્ટઅપ પિચિંગ: ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે લાઈવ ફંડિંગ સેશન્સ. ગુજરાતની ઔદ્યોગિક શક્તિનું પ્રદર્શન કરવા માટે GATE-2026માં 12 મહત્વના ક્ષેત્રોનો સમાવેશ1. ઓટોમોબાઈલ અને મોબિલિટી 2. બેન્કિંગ, ફાયનાન્શિયલ સર્વિસીસ અને ઈન્સ્યોરન્સ (BFSI) 3. ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AI અને IT 4. શિક્ષણ અને કૌશલ્ય વિકાસ 5. હેલ્થકેર અને ફાર્માસ્યુટિકલ્સ 6. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ 7. લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઈન 8. MSME (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો) 9. રિન્યુએબલ એનર્જી અને ગ્રીન ટેક 10. સ્ટાર્ટઅપ્સ અને ઈનોવેશન 11. ટૂરિઝમ અને હોસ્પિટાલિટી 12. મહિલા ઉદ્યોગસાહસિકતા 13. ઈલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર્સ
મોરબી મહાનગરપાલિકાની ચૂંટણી:જુઓ 13 વોર્ડની 52 બેઠક પર ભાજપ ઉમેદવારોની ફોટો સાથેની સંપૂર્ણ યાદી
મોરબી સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની મુદ્ત પૂર્ણ થઈ ચૂકી છે. મોરબી મહાનગરપાલિકામાં ભાજપ દ્વારા 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારો ઉતારવામાં આવ્યા છે. મોરબીના 13 વોર્ડની કઈ બેઠક પર ભાજપના કયા કયા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તે વોર્ડ અને બેઠક વાઈઝ ફોટો સાથેની યાદી જુઓ…
સુરત શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા અનૈતિક દેહવ્યાપારના કાળા કારોબાર પર સુરત પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે (AHTU) લાલ આંખ કરી છે. પુણા વિસ્તારના એક કોમર્શિયલ બિલ્ડીંગમાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર દરોડા પાડી પોલીસે 6 મહિલાઓને મુક્ત કરાવી છે, જ્યારે સંચાલકો અને ગ્રાહકો સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. બાતમીના આધારે ‘NR સ્પા’ પર દરોડોAHTUના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.બી. શેરગીલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, પુણા-કડોદરા રોડ પર ‘ટાઈમ સ્ક્વેર’ બિલ્ડીંગના પહેલા માળે આવેલા ‘NR સ્પા’માં બહારથી યુવતીઓ લાવી દેહવ્યાપાર કરાવવામાં આવે છે. પોલીસે છટકું ગોઠવીને રેઇડ પાડતા સંચાલકોના આર્થિક ફાયદા માટે ચાલતા આ ગોરખધંધાનો પર્દાફાશ થયો હતો. સ્થળ પરથી પોલીસે 6 ભારતીય મહિલાઓને આ નરક જેવી જિંદગીમાંથી મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી. મુદ્દામાલ અને ધરપકડની વિગતોપુણા વિસ્તારમાં પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન પોલીસે કુલ રૂ. 2,33,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્તીમાં રૂ. 2,100ની રોકડ રકમ, રૂ. 36,500ની કિંમતના 4 નંગ મોબાઈલ ફોન અને રૂ. 1,95,000ની કિંમતની 3 મોટરસાયકલનો સમાવેશ થાય છે. આ અનૈતિક વ્યવસાય ચલાવવા બદલ પોલીસે બે સંચાલકો, ગણેશભાઇ મુકેશભાઇ સોનાર (રહે. લીંબાયત) અને કોમલ નરેન્દ્ર સોનાર (રહે. ડિંડોલી)ની ધરપકડ કરી છે. આ ઉપરાંત, સ્થળ પરથી ત્રણ ગ્રાહકોની પણ ધરપકડ કરવામાં આવી છે, જેમાં ભાવનગરના વતની અને હાલ વરાછામાં રહેતા રત્નકલાકાર રાકેશ જીવરાજભાઇ ગોધાણી, ડ્રાઈવર દેવાંગભાઇ ભીખાભાઇ ત્રિવેદી (રહે. ગારીયાધર) અને વેલન્જામાં રહેતા રત્નકલાકાર બ્રિજેશકુમાર કાંતિભાઇ કાછડીયાનો સમાવેશ થાય છે. વોન્ટેડ આરોપીઓ અને પોલીસ તપાસઆ ગુનામાં સંડોવાયેલા અન્ય ચાર શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસ જેમને શોધી રહી છે તેમાં સ્પાના માલિક કલ્પેશભાઇ દવે, નરેન્દ્ર સોનાર, મહિલાઓ સપ્લાય કરનાર રાજુ પંડિત અને ગ્રાહકોને લાવવાની જવાબદારી સંભાળનાર પ્રવિણ ઉર્ફે મેક્ષનો સમાવેશ થાય છે. હાલમાં પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ‘ઈમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ’ અને ‘ભારતીય ન્યાય સંહિતા’ (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પુણા પોલીસ સ્ટેશનને સોંપી છે.
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલા નાયરા પેટ્રોલ પંપ પર ગાડી ધીમી ચલાવવાની સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જૂની અદાવત રાખી 4 શખસોએ એક યુવક પર લાકડીઓ વડે હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ઘટના સામે આવી છે. આ સમગ્ર મામલે રાધનપુર પોલીસ મથકે 3 નામજોગ અને 1 અજાણ્યા શખસ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આરોપીઓ યુવકને બરહેમીથી લાકડીથી માર માર્યો હતો. સમગ્ર ઘટના શું હતી ?સમી તાલુકાના ચોરાવાસ વિસ્તારમાં રહેતા મોહમદહીલાલ મોહમદહનીફ સૈયદ 8 એપ્રિલે બપોરે 12:00 વાગ્યાના સુમારે પોતાના મિત્રની કાર લઈને સમી બજારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સમી ચાર રસ્તા પાસે ઉભેલા દાઉદ ઇબ્રાહીમ સૈયદે તેમને રોકી, ગાડી કેમ ધીમી ચલાવતો નથી? તેમ કહી બોલાચાલી કરી હતી. આ વિવાદ બાદ મોહમદહીલાલ કામ અર્થે રાધનપુર જવા નીકળી ગયા હતા. CCTVમાં શું દેખાય છે?એક શખસ સાથે યુવક બચાવ કરતો દેખાય છે. તેને બોચીએ પકડીને ઊંધો પટકે છે. દરમિયાન અન્ય શખસ લાકડી લઈને આવીને પગ પર મારવા લાગે છે. આ વચ્ચે ત્રીજો શખસ દોડી આવીને પટકાયેલા યુવકને મારવા લાગે છે. બંને વારાફરતી યુવકના પગ પર લાકડી ફટકારતા દેખાય છે. પેટ્રોલ પંપ પર હાજર લોકો બચાવવા માટે એકબીજા આગળ કરતા દેખાયછે . દરમિયાન એક શખસ આવીને હુમલાખોરોને રોકે છે. પેટ્રોલ પંપ પર હિંસક હુમલોબપોરે આશરે 4:00 વાગ્યે ફરિયાદી જ્યારે રાધનપુર ભીલોટ ત્રણ રસ્તા પાસેના નાયરા પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા ઉભા હતા, ત્યારે સફેદ કલરની અર્ટીકા ગાડીમાં 4 શખસો લાકડીઓ સાથે ત્યાં ધસી આવ્યા હતા. હુમલાખોરોમાં મજીદ ઇસ્માઇલ સૈયદ, ઉમર દાઉદ સૈયદ, સોયેબ હબીબ સૈયદ અને એક અજાણ્યો શખસ સામેલ હતો. આ શખસોએ સવારની બોલાચાલીનો ખાર રાખીને ફરિયાદીને ગાળો આપી હુમલો કર્યો હતો. મજીદ સૈયદે માથાના પાછળના ભાગે, ઉમર સૈયદે જમણા પગે અને સોયેબ તથા અજાણ્યા શખસે ડાબા પગે લાકડીના ફટકા માર્યા હતા. યુવકે બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેના કારણે હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 5 દિવસે ફરિયાદ ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. રાધનપુર પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ BNS કલમ 115(2), 296(b), 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ શંકરભાઈ આ કેસની કાયદેસરની તપાસ ચલાવી રહ્યા છે.
આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને પ્રદેશ પ્રવક્તા યોગેશ જાદવાણીએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની 'મિલીભગત' મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા છે. ઈટાલિયાએ દાવો કર્યો છે કે અનેક બેઠકો પર ભાજપના માણસો કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, જેથી 'આપ'ને જીતતા રોકી શકાય. ભાજપના ઉમેદવારો કોંગ્રેસમાંગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જેવા જિલ્લાઓમાં ભાજપ જે નામ નક્કી કરે છે, તેને કોંગ્રેસ ટિકિટ આપી દે છે. આ એક પૂર્વઆયોજિત ષડયંત્ર છે, જેથી વિરોધ પક્ષના મતો વહેંચાઈ જાય. પુરાવા તરીકે ભાજપના ધારાસભ્યનું નિવેદનઈટાલિયાએ જણાવ્યું કે તેમણે વિસાવદર બેઠક બાબતે કરેલી વાતને ભાજપના જ ધોરાજીના ધારાસભ્યએ સમર્થન આપ્યું છે. ધારાસભ્યએ જાહેરમાં સ્વીકાર્યું હતું કે, અમે કોંગ્રેસને ઉમેદવારો આપીએ છીએ, જે આ મિલીભગતનો સૌથી મોટો પુરાવો છે. બિનહરીફ બેઠકો પર સવાલદક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઘણી નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતોમાં ભાજપ બિનહરીફ જીત્યું છે. ઈટાલિયાએ સવાલ ઉઠાવ્યો કે, અમે તો નવી અને નાની પાર્ટી છીએ, અમારી પાસે કદાચ સંગઠન ન હોય, પણ દાયકાઓ જૂની કોંગ્રેસ પાસે ઉમેદવારો કેમ નથી? ખેડા, નવસારી અને વલસાડમાં કોંગ્રેસે ઉમેદવારો કેમ ન ઉતાર્યા? વિસાવદર પેટાચૂંટણીનું ઉદાહરણતેમણે આક્ષેપ કર્યો કે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપે પોતાના જ માણસોને કોંગ્રેસમાંથી લડાવીને પડદા પાછળ ગઠબંધન કર્યું હતું. ગોપાલ ઈટાલિયાના મતે, આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવથી ડરીને ભાજપ અને કોંગ્રેસે છૂપું ગઠબંધન કર્યું છે. જોકે, તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે જનતા હવે આ કાવાદાવા સમજી ગઈ છે અને 'આપ' હવે લોકોના વિશ્વાસનું કેન્દ્ર બની ચૂકી છે.
સમગ્ર રાજ્યમાં અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારી પત્ર ભરાયા બાદ હવે પ્રચારના શ્રીગણેશ થઈ રહ્યા છે, ત્યારે અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 9માં આ વખતે ચૂંટણીનો જંગ રોમાંચક બન્યો છે, કારણ કે અહીં જંગ કોઈ પારકા વચ્ચે નહીં પણ એક જ પરિવારના બે સભ્યો વચ્ચે છે. ભાજપ અને કોંગ્રેસમાંથી જેઠાણી-દેરાણી સામસામે વોર્ડ નંબર 9માં આ વખતે દેરાણી અને જેઠાણી આમને-સામને ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ભાજપ તરફથી જેઠાણી રેણુકાબેન સોલંકી ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે તેમની સામે કોંગ્રેસ પક્ષમાંથી તેમના જ દેરાણી કાજલબેન સોલંકી મેદાનમાં છે. એક જ પરિવારની બે મહિલાઓ અલગ-અલગ વિચારધારા સાથે સામસામે આવતા અમરેલીની રાજનીતિ ગરમાઈ છે. સંબંધોની મર્યાદા સાથે વિચારધારાની લડાઈચૂંટણી પ્રચાર દરમિયાન બંને ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે કોંગ્રેસ ઉમેદવાર દેરાણી કાજલબેન સોલંકી વિસ્તારના પાયાના પ્રશ્નો જેવા કે પાણી, ગટર અને સફાઈને મુખ્ય મુદ્દા બનાવી રહ્યા છે. તેમનો આક્ષેપ છે કે આ વિસ્તાર લાંબા સમયથી વિકાસમાં પછાત રહ્યો છે. જોકે, તેઓ માને છે કે વિચારધારા અલગ હોઈ શકે પણ તેની અસર પારિવારિક સંબંધો પર નહીં પડે. તો ભાજપ ઉમેદવાર જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપ સરકારના વિકાસ કાર્યો અને શાસનની નીતિઓને આગળ ધરીને મત માંગી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ લડાઈ વ્યક્તિગત નથી પરંતુ સંપૂર્ણપણે વિચારધારાની છે, અને જનતા વિકાસને જોઈને તેમને સમર્થન આપશે. સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષયસામાન્ય રીતે ચૂંટણીમાં વિરોધ પક્ષો વચ્ચે આરોપ-પ્રતિઆરોપ થતા હોય છે, પરંતુ અહીં એક જ પરિવારના સભ્યો પ્રતિસ્પર્ધી હોવાથી આ બેઠક આખા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની છે. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે, ચૂંટણીના પરિણામ ગમે તે આવે, જીત તો સોલંકી પરિવારની જ થશે. હવે જોવાનું એ રહેશે કે વોર્ડ નંબર 9 ના મતદારો વિકાસના નેરેટિવ પર ચાલતા જેઠાણીને પસંદ કરે છે કે પરિવર્તનની આશા સાથે મેદાનમાં ઉતરેલા દેરાણીને. આ મુકાબલો સ્થાનિક રાજકારણમાં લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.
વડોદરા સેન્ટ્રલ બસ ડેપોમાં સર્જાયેલી ગંભીર દુર્ઘટનાના સીસીટીવી (CCTV) ફૂટેજ સામે આવ્યા છે, જે વહીવટી તંત્રની ઘોર બેદરકારીની સાક્ષી પૂરે છે. અંદાજે 40 ફૂટ ઊંચાઈએથી પીઓપી (POP) અને લોખંડનું વિશાળ સ્ટ્રક્ચર ધરાશાયી થતાં અમદાવાદના એક વૃદ્ધ મુસાફરનું કરુણ મોત નીપજ્યું છે. બે સેકન્ડ અટક્યા ને કાળ ભેંટી ગયોCCTV ફૂટેજમાં જોવા મળે છે કે, 72 વર્ષીય વૃદ્ધ મુસાફર ડેપોની બહાર નીકળી રહ્યા હતા. આ દરમિયાન ઉપરથી કાટમાળ પડતો જોઈ સિક્યોરિટી ગાર્ડે બૂમ પાડીને તેમને રોક્યા હતા. વૃદ્ધ ગભરાઈને ક્ષણભર ઊભા રહી ગયા અને જેવા પાછા ફરવા ગયા કે તુરંત જ 40 ફૂટ ઊંચેથી વિશાળ સ્ટ્રક્ચર તેમના પર પડ્યું હતું. સ્ટ્રક્ચર નીચે દબાઈ જવાથી તેમના માથા, મોં અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. દુર્ઘટનાની વિગતો અને જાનહાનિબસ ટર્મિનલ પર બનેલી આ કરુણ દુર્ઘટનામાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહીશ નરસિંહભાઈ ગોવિંદભાઈ દવે (ઉં.વ. 72) નું કરુણ મોત નીપજ્યું છે. અંદાજે 60 ફૂટ લાંબુ અને 20 ફૂટ પહોળું વિશાળ સ્ટ્રક્ચર 40 ફૂટની ઊંચાઈએથી ધરાશાયી થતાં આ જાનહાનિ થઈ હતી. નોંધનીય છે કે, અંદાજે રૂ. 114 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અત્યાધુનિક બસ ડેપોનું લોકાર્પણ વર્ષ 2014માં કરવામાં આવ્યું હતું તેમછતાં માત્ર 12 વર્ષના ટૂંકા ગાળામાં આવી ગંભીર દુર્ઘટના સર્જાતા બાંધકામની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા થયા છે. તંત્રની બેદરકારી અને તપાસનો ધમધમાટઆ દુર્ઘટનામાં તંત્રની ઘોર બેદરકારી પણ સપાટી પર આવી છે, કારણ કે ડેપો સંચાલકોએ સ્વીકાર્યું છે કે તેમની પાસે આ બિલ્ડિંગનું અનિવાર્ય ગણાતું ‘સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ’ ઉપલબ્ધ નહોતું. આ મામલે સત્ય બહાર લાવવા માટે GSRTC દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે. વધુમાં, બાંધકામમાં વપરાયેલા મટિરિયલની ગુણવત્તા ચકાસવા માટે RB વિભાગ, ‘ગેરી’ અને એફએસએલ (FSL) દ્વારા ઘટનાસ્થળેથી નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં સયાજીગંજ પોલીસે આ અંગે ગુનો નોંધીને જવાબદારો વિરુદ્ધ કાયદેસરની તપાસ શરૂ કરી છે. મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલ વચ્ચે જ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) ધોરણે બનેલા આલીશાન બસ સ્ટેન્ડમાં આવી દુર્ઘટના ઘટતા લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં સુરક્ષાના કારણોસર અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે અને બસોની અવરજવર માટે વૈકલ્પિક રસ્તાઓ ખુલ્લા મૂકવામાં આવ્યા છે.
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર આરોપ-પ્રત્યારોપનો માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ અને કોંગ્રેસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. આપ નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી શરૂઆતથી જ કહી રહી છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે અંદરની મિલિભગત છે. તેમણે દાવો કર્યો કે ભાજપના એક નેતાએ સ્વીકાર્યું હતું કે જ્યાં કોંગ્રેસ પાસે ઉમેદવારો નહોતા, ત્યાં ભાજપે પોતાના ઉમેદવારો આપ્યા હતા. આ ઉપરાંત, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના નિવેદનનો ઉલ્લેખ કરતાં ગઢવીએ કહ્યું કે તેઓ લોકોમાં કહી રહ્યા છે કે AAPને મત ન આપતા, જો મત આપવો હોય તો ભાજપને આપો. વિસાવદરની પેટાચૂંટણીને લઈને પણ ગઢવીએ ગંભીર આક્ષેપ કર્યા. તેમણે કહ્યું કે ભાજપના કહેવા પર કોંગ્રેસના નેતાઓ બેફામ રીતે પૈસા વાપરી રહ્યા હતા. ઈસુદાન ગઢવીએ વધુમાં કહ્યું કે ભાજપ અને કોંગ્રેસની આ મિલિભગતના કારણે ખેડૂતો, બેરોજગાર યુવાનો અને કર્મચારીઓના મહત્વના પ્રશ્નો આજે સુધી ઉકેલાયા નથી. તેમણે જનતાને અપીલ કરતાં કહ્યું કે, ભાજપ કે કોંગ્રેસમાં તમારો સગો ભાઈ ઉભો હોય તો પણ મત ‘ઝાડું’ને જ આપજો. ‘એણે તો બાપ-બેટાની રાજનીતિ જ કરવી છે’વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી આમ લોકોની પાર્ટી છે, મુદ્દાઓની વાત કરે છે, કામની રાજનીતિની વાત કરે છે, એ આ લોકોને પોષાતું નથી, ગમતું નથી. એણે તો બાપ-બેટાની રાજનીતિ જ કરવી છે. અને એની સાથે તમે જુઓ કે ભાજપના ધારાસભ્ય છે એમનો પણ વિડિયો વાયરલ થયો કે કોંગ્રેસને જ્યાં ઉમેદવારો ઘટે છે ત્યાં અમે આપીએ છીએ. બંને ખુલ્લા પડી ગયા, એકના એક જ દિવસે ખુલ્લું સત્ય બહાર આવે જ છે. તમે વિસાવદરની ચૂંટણીમાં પણ જુઓ, કઈ રીતે કોંગ્રેસના નેતાઓ બેફામ પણે રૂપિયા ભાજપના કહેવાથી વાપરતા હતા. આજે પણ મેં સાંભળ્યું છે કોંગ્રેસના કેટલાય ઉમેદવારોને ફંડ ક્યાંથી આવે છે ખબર નથી, ઉમેદવારોને નાણાં આપવામાં આવી રહ્યા છે એવી વાતો સંભળાય છે. ‘ભાજપ અને કોંગ્રેસ એક છે’આ બંને એક છે ભાજપ અને કોંગ્રેસ. અને 30 વર્ષથી ભાજપ સત્તા ઉપર છે અને કોંગ્રેસ વિપક્ષમાં રહ્યું. એને કોંગ્રેસને સત્તા જોઈતી નથી અને ભાજપને જવા દેવી નથી, અને બંને મિલિભગતથી કામ કરે છે. અને એટલા માટે તમે જુઓ, નથી ખેડૂતોના મુદ્દા ઉકેલાયા, નથી બેરોજગાર યુવાનોના મુદ્દા ઉકેલાયા, નથી આઉટસોર્સિંગ કર્મચારીઓના મુદ્દા ઉકેલાયા, નથી બહેનોના મુદ્દા ઉકેલાયા નથી . ક્રાઈમ રેટ ઘટ્યો અને તમે જુઓ ગરીબ ગરીબ બનતો જાય છે અને અમીર અમીર બનતો જાય છે. કોંગ્રેસ અને ભાજપ એક છે એટલા માટે. આ બંનેનું ગઠબંધન છે. એટલે જ હું આપને કહી રહ્યો છું, વિનંતી કરી રહ્યો છું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભલે સગો ભાઈ ઊભો હોય ભાજપ કે કોંગ્રેસમાંથી, પણ મત ઝાડુને જ દબાવજો કારણ કે તમારા માટે કોઈ લડી રહ્યું છે, કોઈ જેલમાં જઈ રહ્યું છે, કોઈ એફ.આઈ.આર. પોતાના ઉપર થઈ રહી છે તોય તમારા માટે મજબૂતીથી ઊભું રહ્યું છે, તો એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છે, આમ આદમી પાર્ટીનો સૈનિક છે.
AMCની ચૂંટણી અંતર્ગત ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે, જેમાં અમદાવાદ મહાનગરપાલિકાના 48 વોર્ડમાં 1552 જેટલા ઉમેદવાર નોંધાયા છે. આમ 48 વોર્ડની 196 બેઠક સામે ઉમેદવારોનો આંકડો ઘણો ઊંચો છે. કલેક્ટર કચેરીમાં વિરોધઆજે તમામ ફોર્મની રિટર્નિંગ ઓફિસર દ્વારા ચકાસણી કરવામા આવશે. ફોર્મની ફાઇનલ ચકાસણી બાદ ઉમેદવારોનું ફાઇનલ લિસ્ટ જાહેર થશે. ફાઇનલ લિસ્ટ મુજબના જ ઉમેદવારો ચૂંટણી લડશે. 15 એપ્રિલ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ છે. ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આજે કલેકટર કચેરીએ ફોર્મ ચકાસણીમાં NSUIએ વિરોધ નોંધાવ્યો હતો. નાયબ કલેક્ટરની કેબિનમાં ભાજપના દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈનની ઉપસ્થિતિને લઇ વિવાદ સર્જાયો હતો. NSUI નેતા શાહનવાઝ શેખે વિરોધ નોંધાવતા નાયબ કલેકટરે ઉમેદવાર સિવાય કોઈ દાખલ ન થાય તેવી સૂચના આપી અને બધાને બહાર જવા સૂચના આપી હતી. ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત શાહનવાઝ શેખના જણાવ્યા મુજબ, જ્યારે અંદર ગયા ત્યારે ખબર પડી કે કૌશિક જૈન અંદર જ બેઠા છે. આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. શાહનવાઝે જણાવ્યું હતું કે, આ પ્રકારનો કોઈ ભેદભાવ નહી ચલાવી લેવામાં આવે. સાથે જ તેઓએ ચૂંટણી પંચને લેખિતમાં રજૂઆત કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની ફોર્મ ચકાસણીનો આજે અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 11 અને વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારોના ફોર્મમાં વિસંગતતા હોવાના આક્ષેપ સાથે ફોર્મ રદ કરવા માંગ કરી હતી જો કે ચૂંટણી અધિકારી દ્વારા બન્ને ફોર્મની ઊંડાણપૂર્વક ચકાસણી કરી કોંગ્રેસના આક્ષેપ સાથેના તમામ મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરતા આક્ષેપોમાં તથ્ય ન જણાતા બન્નેના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. આ પછી ભાજપના ઉમેદવારે કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી ખોટા વાંધાઓ ઉભા કરતી હોવાનું જણાવ્યું હતું અને જનતા ભાજપ સાથે છે માટે કોંગ્રેસને જાકારો મળવાનો છે માટે ભાજપની જીત નિશ્ચિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસના વોર્ડ નંબર14ના આગેવાન રાજુભાઈ ચાવડિયાએ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર કેતન પટેલે જે સોગંદનામું રજૂ કર્યું છે તેમાં અનેક ક્ષતિઓ રહેલી છે. તેમના જણાવ્યા અનુસાર, કેતન પટેલે મિલકતોનો પૂરેપૂરો ઉલ્લેખ કર્યો નથી અને મિલકત વેરાના નાણાં પણ ભરપાઈ કરવામાં આવ્યા નથી. ઉપરાંત, સોગંદનામામાં તેમની શૈક્ષણિક લાયકાત અંગે પણ યોગ્ય દસ્તાવેજો કે પ્રમાણપત્રો જોડવામાં આવ્યા નથી. ચૂંટણી પંચના નિયમો મુજબ જો કોઈ ઉમેદવાર ખોટું સોગંદનામું રજૂ કરે અથવા તો મહત્વની વિગતો છુપાવે, તો તેનું ફોર્મ તત્કાલ અસરથી રદ થવું જોઈએ. કોંગ્રેસે માત્ર ઉમેદવાર નહીં પરંતુ ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે પણ સવાલો ઉઠાવ્યા છે. રાજુ ચાવડિયાએ જણાવ્યું કે, કેતન પટેલના ફોર્મમાં સ્પષ્ટ ખામીઓ હોવા છતાં અધિકારીઓ તેમને વધારાનો સમય આપી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે સત્તાધારી પક્ષના દબાણ હેઠળ અધિકારીઓ પક્ષપાતી વલણ અપનાવી રહ્યા છે. કેતન પટેલને અધૂરા સોગંદનામાને પૂર્ણ કરવા અને પુરાવા રજૂ કરવા માટે જે સમય આપવામાં આવ્યો છે, તે નિયમોની વિરુદ્ધ છે. ભાજપના ઉમેદવાર કેતન પટેલએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 14માં અમારી જીત નિશ્ચિત છે કોંગ્રેસ હાર ભાળી ગઈ છે માટે અમારી વિરુદ્ધ ખોટા વાંધાઓ અને આક્ષેપો લગાવી રહી છે. પ્રજા અમારી સાથે છે અને અમારી જીત નિશ્ચિત છે. જયારે વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર રક્ષિત કલોલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મારા સરકારી વકીલ તરીકે નોકરી અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો મેં 11 એપ્રિલના રોજ ફોર્મ ભર્યું હતું એ પહેલા 9 એપ્રિલના રોજ સરકારી વકીલ તરીકે મેં મારી નોકરીમાંથી રાજીનામુ આપી દીધું હતું. મેં પુરાવા સાથે મારી વાત રજૂ કરતા મારુ ફોર્મ મન રાખવામાં આવ્યું છે અને મરીનજીત નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવાર કેતન પટેલ અને હિરેન ખીમાણીયા તેમજ વોર્ડ નંબર 11ના ઉમેદવાર રક્ષિત કલોલા વિરુધ્ધ ફોર્મ રદ કરવા મામલે કોંગ્રેસે કરેલ અરજી ફગાવી દેવામાં આવતા ચૂંટણી અધિકારી દ્વારા બન્ને ભાજપના ઉમેદવારના ફોર્મમાં કોઈ વાંધો ન હોવાનું કહી ફોર્મ માન્ય રાખવામાં આવ્યા છે.
જોરાવરનગરમાં 6 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપાયો:રહેણાંક મકાનમાંથી મળ્યો, 3 પકડાયા, મુખ્ય આરોપી ફરાર
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટેના ખાસ એક્શન પ્લાન હેઠળ જોરાવરનગર પોલીસે મોટી સફળતા મેળવી છે. મહાલક્ષ્મી મંદિર પાસે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડી પોલીસે વિદેશી દારૂની 423 બોટલો સહિત કુલ 6,04,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહીરાજકોટ રેન્જ DIG નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ પ્રોહિબિશનના કેસો શોધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન જોરાવરનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે શેરી નંબર 11માં રહેતો જયદીપસિંહ ઉર્ફે ભયલુ છત્રસિંહ ઝાલા પોતાના મકાનમાં દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. બાતમીના આધારે પ્રોબેશનરી ASP કરણકુમાર પન્નાની આગેવાનીમાં પોલીસે મકાન અને બહાર પાર્ક કરેલી ગ્રાન્ડ i10 કારમાં તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલ મુદ્દામાલની વિગતપોલીસે સ્થળ પરથી દારૂ, વાહનો અને મોબાઈલ સહિત કુલ 6,04,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૂ: કુલ 423 બોટલો/ચપલા (કિંમત 2,09,500) 750 ML ની બોટલ: 95 નંગ 375 ML ની બોટલ: 43 નંગ 180 ML ના ચપલા: 270 નંગ 650 ML ની બોટલ: 15 નંગ વાહનો: ગ્રાન્ડ i10 કાર (GJ 13 AH 1633): કિંમત 2,00,000 મોટરસાયકલ (2 નંગ): કિંમત 1,30,000 અન્ય: 4 મોબાઈલ ફોન (કિંમત 65,000) ઝડપાયેલા અને ફરાર આરોપીઓપોલીસે દરોડા દરમિયાન ત્રણ શખ્સોની ધરપકડ કરી છે, જેઓ કમિશન પર ગ્રાહકો શોધવા અને દારૂ પહોંચાડવાનું કામ કરતા હતા: વિમલ મયુર ખરગીયા (રહે. સર્વોદય સોસાયટી, સુરેન્દ્રનગર) નરેન્દ્રસિંહ હરીશચંદ્રસિંહ ઝાલા (રહે. પ્રતાપપાર્ક, સુરેન્દ્રનગર) ભાવેશ મનોજ મીનાવત (રહે. જોરાવરનગર) જ્યારે મકાન માલિક અને મુખ્ય આરોપી જયદીપસિંહ ઉર્ફે ભયલુ છત્રસિંહ ઝાલા રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો, જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ ટીમઆ સફળ કામગીરીમાં પ્રોબેશનરી ASP કરણકુમાર પન્ના, ASI રવિ રાણા, હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ, અશોકસિંહ તેમજ કોન્સ્ટેબલ વિજયસિંહ અને યુવરાજસિંહ સહિતનો સ્ટાફ જોડાયો હતો.

29 C