SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

પોલીસ કમિશનરે સ્થળ નિરીક્ષણ કર્યું:પીરાણા સહિત અલગ-અલગ જગ્યાના કટ બંધ કરવાથી ટ્રાફિક થતો ઘટ્યો, હવે ટ્રાફિકની સમસ્યાને મહત્વ: CP

અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કટ બંધ કરવામાં આવ્યા છે ત્યારે પોલીસ કમિશનર જી. એસ. મલિક દ્વારા આજે 23 માર્ચના રોજ નારોલ વિશાલા હાઇ-વે પર આવેલા પીરાણા ડમ્પીંગ સાઈડ ચાર રસ્તા પર ટ્રાફિકને લઈને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ દ્વારા હાઇવે પર ખૂબ અવરજવર થતી હોય ટ્રાફિક સરળતાથી ચાલે તેના માટે કિરાણા ચાર રસ્તા પર ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો છે, તેના કારણે થઈને ટ્રાફિક સમસ્યા ઓછી થઈ હોવાનું સામે આવ્યું છે. નારોલ કોઝી હોટલ અને પશ્ચિમ વિસ્તારમાં પણ કેટલીક જગ્યાએ કટ બંધ કરવામાં આવ્યા છે. આવતીકાલે થલતેજના પેલેડિયમ ખાતે પણ સ્થળ નિરીક્ષણ કરીશુંપોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં ક્રાઈમ અને ઓર્ડરની સ્થિતિ કાબૂ હેઠળ છે, જેથી હવે ટ્રાફિકને પ્રાયોરિટી આપવામાં આવી રહી છે. પીરાણા ચાર રસ્તા ખાતે અમે ડિવાઈડર કટ બંધ કર્યા છે. જેના કારણે ટ્રાફિક એકદમ સરળતાથી ચાલી રહ્યો છે. નારોલ હોટલ ખાતે પણ આ પ્રમાણે જ બંધ કર્યું છે, જેના કારણે થઈને અમે ત્યાં પણ મુલાકાત કરવાના છીએ આવતીકાલે થલતેજના પેલેડિયમ ખાતે પણ સ્થળ નિરીક્ષણ કરીશું. સુભાષ બ્રિજથી લઈને અખબાર નગર સુધીના ટ્રાફિક સિગ્નલ પર ફરીથી ચકાસણી કરાશેટ્રાફિક સરળતાથી ચાલે તેના માટે થઈ અને અમે ઘણા પ્રયત્નો કરી રહ્યા છીએ. રોડ પરના કેટલાક ડિવાઇડર ખર્ચ બંધ કરી દઈએ છીએ અને નવા કટ ચાલુ કરવામાં આવે છે. તેનાથી ટ્રાફિક સરળતાથી ચાલે તેને અમે પ્રાયોરિટી આપી રહ્યા છીએ. ટ્રાફિક બ્રિગેડમાં પણ લગભગ 450 જેટલા જવાનોની ભરતી કરવામાં આવી છે. જો જોડાઈ ગયા છે અને 150થી વધારેની ટ્રેનિંગ પણ કરવામાં આવી છે. ટ્રાફિક બંધ થયા પછી ટ્રાફિકમાં વધારો થયો તો પરંતુ હવે વધુ સરળતાથી ચાલી રહ્યું છે. ટ્રાફિક સિગ્નલ ક્યાં રાખવું તેના માટે સર્વે કરવામાં આવે છે કેટલો ટાઈમિંગ રાખો તેનો પણ સર્વે કરી અને ત્યારબાદ ત્યાં સિગ્નલ મૂકવામાં આવે છે સુભાષ બ્રિજથી લઈને અખબાર નગર સુધીના ટ્રાફિક સિગ્નલ પર ફરીથી ચકાસણી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:57 pm

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મતદારયાદી પ્રસિદ્ધ:23 થી 27 માર્ચ સુધી વાંધા-સૂચનો રજૂ કરી શકાશે

પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 1 જાન્યુઆરી 2026ની લાયકાત મુજબની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી અંગે સુધારા-વધારા કે વાંધા રજૂ કરવા માટે 27 માર્ચ 2026 સુધીનો સમયગાળો નક્કી કરાયો છે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ, જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયતો તેમજ પાટણ અને સિદ્ધપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે. આ ઉપરાંત, રાધનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 2ની ખાલી પડેલી બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજાવાની છે. આ પ્રાથમિક યાદીઓ ગુજરાત વિધાનસભાની અદ્યતન અને છેલ્લી પ્રસિદ્ધ થયેલી પુરવણી સહિતની આખરી મતદારયાદીના આધારે તૈયાર કરાઈ છે. 23 માર્ચ 2026ના રોજ આ યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. નાગરિકો આ યાદીઓ જિલ્લા પંચાયત, સંબંધિત તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, પાટણ, સિદ્ધપુર, રાધનપુર નગરપાલિકા અને તમામ મામલતદાર કચેરીઓ ખાતે નિરીક્ષણ માટે જોઈ શકશે. મતદારયાદીમાં નામ નોંધાવવા, કમી કરાવવા અથવા વિગતોમાં સુધારો કરવા માટેના દાવા અને વાંધા અરજીઓ 27 માર્ચ 2026 સુધીમાં સંબંધિત કચેરીએ રજૂ કરી શકાશે. પાટણ જિલ્લાના તમામ મતદારોને પોતાની વિગતો ચકાસી લેવા અને જરૂરી કાર્યવાહી કરવા અપીલ કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:53 pm

બોટાદમાં શહીદ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને શ્રદ્ધાંજલિ અપાઈ:માજી સૈનિક સંગઠને બલિદાન દિવસની ઉજવણી કરી, સેવાઓની જાહેરાત

બોટાદ જિલ્લા માજી સૈનિક સંગઠન દ્વારા 23 માર્ચના રોજ શહેરના ગઢડા રોડ સ્થિત ગુરુકુળ ખાતે શહીદ સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં દેશ માટે બલિદાન આપનાર વીર શહીદો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. 23 માર્ચ, 1931ના રોજ બ્રિટિશ શાસન દ્વારા આ ત્રણ ક્રાંતિકારીઓને ફાંસી આપવામાં આવી હતી. તેમણે ભારતની આઝાદી માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. આ દિવસને તેમની બહાદુરી, દેશપ્રેમ અને ત્યાગને યાદ કરીને શ્રદ્ધાંજલિ દિવસ તરીકે મનાવવામાં આવે છે. આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પ.પૂ. મહંત માધવસ્વામીજી, સૈનિક ગુજરાતના પ્રમુખ જીતેન્દ્ર નિમાવત, બોટાદ જિલ્લા પ્રમુખ રતનસિંહ મકવાણા, હરીશભાઈ અને વિજયભાઈ સાગઠીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હોસ્પિટલો, શાળાઓ અને લેબોરેટરીના પ્રતિનિધિઓ તેમજ સ્થાનિક લોકોએ પણ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે વિવિધ સંસ્થાઓ દ્વારા સૈનિકો અને તેમના આશ્રિત પરિવારો માટે વિશેષ સેવાઓની જાહેરાત કરવામાં આવી હતી. આદર્શ સ્કૂલ (હડદડ), ગુરુકુળ સ્કૂલ (ગઢડા રોડ), જ્ઞાનદીપ સ્કૂલ (શંકરપરા) દ્વારા મફત ફીની સુવિધા જાહેર કરાઈ હતી. વધુમાં, સહયોગ લેબ અને ચામુંડા લેબોરેટરી (પાળીયાદ રોડ) દ્વારા મફત તપાસ, જ્યોત હોસ્પિટલ (પાળીયાદ રોડ) દ્વારા મફત સારવાર અને યુનિટી હોસ્પિટલ (વડોદરિયા હોસ્પિટલ પાસે) દ્વારા 50 % ડિસ્કાઉન્ટની સુવિધા જાહેર કરાઈ હતી. અતિથિ ભવન, બોટાદ દ્વારા સૈનિકોના સમૂહ કાર્યક્રમો માટે મફત આયોજન કરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને સંચાલકોએ જણાવ્યું હતું કે, દેશની રક્ષામાં કાર્યરત સૈનિકો તેમજ નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારો માટે નિ:શુલ્ક અથવા રાહતદરે સેવાઓ પ્રદાન કરવી એ રાષ્ટ્ર પ્રત્યેની તેમની નૈતિક જવાબદારી અને સન્માન છે. તેમણે 'વીર જવાનોનું સન્માન એ જ સાચું રાષ્ટ્ર અભિમાન છે' નો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો, નાગરિકો, ડોકટરો, શિક્ષકો, વકીલો અને પત્રકાર મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ઉપસ્થિત સૌએ સાથે ભોજન પણ લીધું હતું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:50 pm

જામનગર કલેક્ટર કેતન ઠક્કરને વાયુસેનાનો 'કોમેન્ડેશન' મેડલ:એરફોર્સ સ્ટેશન ખાતે શ્રેષ્ઠ વહીવટી કામગીરી બદલ સન્માનિત કરાયા, પ્રશસ્તિ પત્ર એનાયત

જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરને ભારતીય વાયુસેના દ્વારા પ્રતિષ્ઠિત 'કોમેન્ડેશન-Commendation' મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વાયુસેનાના ઉચ્ચ અધિકારીઓના હસ્તે આ મેડલ અને પ્રશસ્તિ પત્ર એનાયત કરાયા હતા. કલેક્ટર ઠક્કરની વહીવટી કુશળતા અને શ્રેષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈને આ સન્માન અપાયું છે. તેમણે જામનગર એરફોર્સ બેઝ, જે દેશનો વ્યૂહાત્મક રીતે મહત્વનો બેઝ છે, ત્યાં સિવિલ એડમિનિસ્ટ્રેશન અને વાયુસેના વચ્ચે મજબૂત કડી તરીકે કાર્ય કર્યું છે. ખાસ કરીને, આપત્તિ વ્યવસ્થાપન, વાવાઝોડા કે પૂર જેવી કુદરતી આફતો દરમિયાન વાયુસેનાના બચાવ કાર્યોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયસર મદદ પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, સંરક્ષણ ક્ષેત્રના પ્રોજેક્ટ્સમાં આવતા વહીવટી અવરોધોનું નિવારણ અને સુરક્ષા સંબંધી બાબતોમાં તેમના સચોટ આયોજન બદલ તેમને આ મેડલ એનાયત કરાયો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કલેક્ટર કેતન ઠક્કરને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:48 pm

હવે 20 સરકારી સેવાઓ માટે કચેરીએ ધક્કા નહી ખાવા પડે:સુગમ ડિજિટલ ગુજરાત હેઠળ આવક-જાતિ પ્રમાણપત્રથી લઈને રાશનકાર્ડ સુધી બધુ જ ડિજિટલ

રાજ્યમાં નાગરિકોને સરળ, ઝડપી અને પારદર્શક સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના નેતૃત્વમાં “સુગમ ડિજિટલ ગુજરાત” પહેલ હેઠળ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સૌથી વધુ અરજીઓ આવતી હોય એવી 20 નાગરિક સેવાઓને સંપૂર્ણ રીતે ઓનલાઇન કરવામાં આવી છે, જેથી હવે આવકના દાખલા, જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડમાં નામ ઉમેરવું કે કમી કરવું જેવી સેવાઓ માટે નાગરિકોને કચેરીઓના ધક્કા ખાવા નહીં પડે અને ઘર બેઠાં જ આ સેવાઓ મેળવી શકાશે. 87 લાખ અરજીઓને અસર કરતી 20 સેવાઓ હવે ઓનલાઇનગુજરાત વહીવટી સુધારા પંચ (GARC)ના અહેવાલ મુજબ ડિજિટલ ગુજરાત પ્લેટફોર્મ પર દર વર્ષે અંદાજે 1.20 કરોડ અરજીઓ પ્રાપ્ત થાય છે, જેમાંથી આશરે 87 લાખ અરજીઓ આ 20 સેવાઓ સાથે સંકળાયેલી છે. આથી સરકાર દ્વારા આ સેવાઓને ઓનલાઇન બનાવવાનો નિર્ણય નાગરિકોની દૈનિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ પહેલના પ્રથમ તબક્કામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, મહેસૂલ વિભાગ, કાયદા વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગની સેવાઓને આવરી લેવામાં આવી છે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ SEBC, SC, EWS પ્રમાણપત્ર, નોન-ક્રિમિલિયર સર્ટિફિકેટ અને આવકના દાખલા જેવી 11 સેવાઓ ઓનલાઇન ઉપલબ્ધ થશે, જ્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ હેઠળ રેશનકાર્ડ સંબંધિત નામ ઉમેરવું, કમી કરવું, સુધારો, નવું, અલગ અને ડુપ્લિકેટ રેશનકાર્ડ જેવી 6 સેવાઓ ઓનલાઇન કરવામાં આવી છે. મહેસૂલ વિભાગની નકલ મેળવવાની સેવા, કાયદા વિભાગની સોગંદનામું સેવા તથા આદિજાતિ વિકાસ વિભાગની ST જાતિ પ્રમાણપત્ર સેવા પણ હવે ડિજિટલ પ્લેટફોર્મ પરથી ઉપલબ્ધ બનશે. સરકાર ગુજરાતી ભાષાના AI મોડલ્સ વિકસાવવા દિશામાં પણ આગળ વધીઆ સેવાઓને વધુ સરળ બનાવવા માટે આધાર આધારિત ઓળખ, API દ્વારા ઓનલાઈન ચકાસણી, DigiLocker ઇન્ટિગ્રેશન, eSign સુવિધા, WhatsApp દ્વારા સેવા વિતરણ, QR કોડ ધરાવતા પ્રમાણપત્રો અને UPI દ્વારા ઓનલાઈન પેમેન્ટ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ ગવર્મેન્ટ પ્રોસેસ રી-એન્જિનિયરિંગ (GPR) દ્વારા મંજૂરીના તબક્કાઓ ઘટાડવામાં આવતા સેવા નિકાલનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટશે. આ પહેલથી નાગરિકોને પારદર્શક અને ફેસલેસ સેવા મળશે, તેમજ કચેરીએ જવાની જરૂર ન રહેતાં સમય અને ખર્ચ બંનેમાં બચત થશે. ડિજિટલ વેરિફિકેશનથી ડેટાની ચોકસાઈ વધશે અને પ્રમાણપત્રોમાં થતી ભૂલો પણ ઘટશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના વિકસિત ભારતના વિઝનને સાકાર કરતી આ પહેલથી રાજ્યમાં ડિજિટલ ગવર્નન્સને વધુ મજબૂતી મળશે. સરકાર આગામી સમયમાં વધુ સેવાઓને આ પ્લેટફોર્મ હેઠળ આવરી લેવા તેમજ ગુજરાતી ભાષાના AI મોડલ્સ વિકસાવવા દિશામાં પણ આગળ વધી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:45 pm

CET-2026 પરીક્ષા માટે જાહેરનામું બહાર પડાયું:પંચમહાલના 10 કેન્દ્રો પર 200 મીટરનો પ્રતિબંધિત વિસ્તાર જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 29 માર્ચ, 2026ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET-2026) યોજાશે. આ પરીક્ષા પંચમહાલ જિલ્લાના વિવિધ કેન્દ્રો પર સવારે 10 થી સાંજે 5 વાગ્યા દરમિયાન લેવાશે. પરીક્ષાના સુચારુ સંચાલન અને ગેરરીતિ અટકાવવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અંતર્ગત, પરીક્ષા કેન્દ્રોથી 200 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર પ્રતિબંધિત જાહેર કરાયો છે. પંચમહાલ જિલ્લાના 10 પરીક્ષા કેન્દ્રો પર 29 માર્ચ, 2026ના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી આ પ્રતિબંધ અમલમાં રહેશે. જાહેરનામા મુજબ, પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સંબંધિત ફરજ પરના અધિકૃત કર્મચારીઓ સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓને પરીક્ષા કેન્દ્રની આસપાસ અવરજવર કરવાની મનાઈ છે. કાયદેસરની ફરજ બજાવતા કર્મચારીઓને અવરોધ કરવા કે પરીક્ષાર્થીઓને ચોરી કરવામાં સીધી કે આડકતરી મદદ કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ અને અન્ય સરકારી કર્મચારીઓ સહિત કોઈ પણ વ્યક્તિને પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવી વસ્તુઓ, જેમ કે મોબાઈલ ફોન, પેજર, કેમેરા, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, પુસ્તકો, કાપલીઓ કે અન્ય કોઈ પરીક્ષાલક્ષી સાહિત્ય પરીક્ષા સ્થળમાં લઈ જવા પર પ્રતિબંધ છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવા માટે, પરીક્ષા વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કોપિયર અને ફેક્સ મશીન સંચાલકોએ પરીક્ષાના દિવસે સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તેમની સેવાઓ બંધ રાખવી પડશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર ઠરશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:42 pm

સુરત મનપાના દબાણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલ:રાયકા સર્કલ પાસે ફેરિયાઓનો હલ્લાબોલ અને તાનાશાહીના આક્ષેપો

ક્લીન સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વહીવટી તંત્ર અને નાના રોજગાર ધરાવતા ફેરિયાઓ વચ્ચેનો સંઘર્ષ સર્જાયો હતો. સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીને લઈને શહેરમાં નવા વિવાદોએ જન્મ લીધો છે. ખાસ કરીને રાયકા સર્કલ અને તેની આસપાસની ગલીઓમાં જે પ્રકારે લારીઓ જપ્ત કરવામાં આવી છે, તેને લઈને ગરીબ અને મધ્યમ વર્ગના શાકભાજી તથા ફળ વિક્રેતાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. શેરીઓમાં ઉભી રહેતી શાકભાજી અને ફળની લારીઓને નિશાન બનાવી હતીછેલ્લા કેટલાક દિવસોથી સુરતના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત રાયકા સર્કલ પાસે મનપાના દબાણ વિભાગનો કાફલો અચાનક ત્રાટક્યો હતો. સામાન્ય રીતે મુખ્ય માર્ગો પર દબાણ દૂર કરવાને બદલે આ વખતે તંત્રએ રહેણાંક વિસ્તારોની અંદરની શેરીઓમાં ઉભી રહેતી શાકભાજી અને ફળની લારીઓને નિશાન બનાવી હતી. દબાણ વિભાગના કર્મચારીઓએ કોઈ પણ પૂર્વ સૂચના આપ્યા વગર રસ્તાના કિનારે ઉભેલી લારીઓ ઉંચકીને ટ્રકમાં ભરી દીધી હતી. તંત્ર માત્ર ગરીબોને જ હેરાન કરવાનું જાણે છેજ્યારે દબાણ વિભાગની ટીમ શેરીઓમાં ઘુસીને લારીઓ ઉંચકવા લાગી ત્યારે સ્થાનિક વિક્રેતાઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. ફેરિયાઓનો આક્ષેપ છે કે, તંત્ર માત્ર ગરીબોને જ હેરાન કરવાનું જાણે છે. રાયકા સર્કલ પાસે વિક્રેતાઓએ મનપાની આ કામગીરીને તાનાશાહી ગણાવી હતી. શું ગરીબ માણસને જીવવાનો હક નથી?એક સ્થાનિક શાકભાજી વિક્રેતાએ રડમસ અવાજે જણાવ્યું હતું કે, અમે રસ્તા પર ટ્રાફિક નથી કરતા, અમે ગલીઓમાં ઉભા રહીને પેટિયું રળીએ છીએ તેમછતાં મનપાના અધિકારીઓ અમારી આખી લારી ઉંચકી ગયા. હવે આખા દિવસની મહેનત અને મૂડી બંને ચાલી ગઈ છે. શું ગરીબ માણસને જીવવાનો હક નથી?

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:39 pm

અમદાવાદ મહેસાણા હાઈવે ફરી રક્ત રંજિત:અડાલજના બટર ફ્લાય બ્રિજ નીચે અજાણ્યા વાહનની ટક્કરે કલોલથી પરત ફરતા બાઇક સવાર દંપતીનું મોત

અમદાવાદ મહેસાણા હાઈવે અડાલજ બટર ફ્લાય બ્રિજ નીચે ગઈકાલે રવિવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં કલોલ ખાતે સંબંધીના ઘરે ખબર પૂછીને પરત અમદાવાદ જઈ રહેલા બાઇક સવાર દંપતીને અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત દંપતીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અડાલજ બટર ફ્લાય બ્રિજ નીચે અકસ્માતમાં અમદાવાદના દંપતીનું મોતઅમદાવાદના કાંકરિયા પુરાણી હાઉસિંગ સોસાયટીમાં રહેતા વિજયભાઈ હરીશભાઈ શ્રીમાળી કઠવાડા ખાતે એલ્યુમીનીયમ ભંગારની દલાલીનુ કરે છે. જ્યારે તેમના નાના ભાઈ જયેશભાઈ અને તેની પત્ની શિલ્પાબેનને સંતાનમાં 12 વર્ષીય પુત્ર આલોક અને છ વર્ષીય પુત્ર કેવલ છે. ગઈકાલે રવિવારે બપોરના બંને ભાઈઓ પોતાની પત્નીઓ સાથે અલગ અલગ બાઇક લઇને કલોલ ખાતે રહેતા તેમના કાકાના ઘરે ખબર અંતર પૂછવા માટે ગયા હતા. અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બંને પટકાયાબાદમાં રાત્રિના સમયે ચારેય જણા ઘરે પરત જવા નીકળ્યા હતાં. તે વખતે આશરે રાત્રીના સવા દસેક વાગે મહેસાણાથી અમદાવાદ શેરથા ટોલટેક્ષ ઉપર ટ્રાફીક વધુ હોવાથી જયેશ અને શિલ્પાબેન બાઇક પર આગળ નીકળી ગયા હતાં. ત્યારે અડાલજ બટર ફ્લાય ઓવરબ્રિજ નીચે જયેશભાઈના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક પર સવાર જયેશભાઈ અને તેમના પત્ની શિલ્પાબેન રોડ પર પટકાયા હતા. 'બંને નિસ્તેજ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા'આ દરમિયાન પાછળ આવી રહેલા વિજયભાઈએ ઘટનાસ્થળે પહોંચીને જોયું તો તેમના ભાઈ અને ભાભીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને બંને નિસ્તેજ લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. જ્યારે ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. મૃતદેહોને પીએમમાં ખસેડાયા, ગુનો નોંધાયોબાદમાં સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર માટે પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ પતિ પત્નીના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતા અડાલજ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. અને મૃતક દંપતીના મૃતદેહોને અડાલજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પોલીસે વિજયભાઈની ફરિયાદના આધારે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:23 pm

મકરપુરા ડેપો પાસે બેફામ સ્પીડે કાર ડિવાઈડર ચડી, CCTV:કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર વીજપોલ સાથે અથડાઈને રોકાઈ, સદનસીબે જાનહાનિ ટળી

વડોદરા શહેરના મકરપુરા ડેપો પાસે મોડી રાત્રે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બેફામ અને બેદરકારીપૂર્વક વાહન ચલાવીને અકસ્માત સર્જ્યો હતો, જેમાં કારચાલક ઇજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી આ મામલે મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગાડી ડિવાઈડર પર ચડીવડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ સરસ્વતી ટાઉનશિપ નજીક પૂરપાટ ઝડપે જઈ રહેલી એક કારને અકસ્માત નડ્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, કારચાલકે અચાનક કારના સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવતા રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી અને કાર વીજ પોલ સાથે જોરદાર અથડાઈ હતી અને આ ઘટનામાં પોલને પણ નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટનામાં જાનહાનિ થઈ નહોતી. કાર વીજપોલ સાથે ભટકાયાના CCTV સામે આવ્યાઆ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં કારની ઝડપી ગતિ અને અકસ્માતની ગંભીરતા સ્પષ્ટપણે જોવા મળે છે. કાર બેફામ સ્પીડમાં આવે છે અને વીજ પોલ સાથે અથડાય છે. ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આ મામલે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં રાત્રિના સમયે વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવે છે. અગાઉ પણ બેફામ રીતે વાહન ચલાવીને અનેક અકસ્માતો થયા છે. આ ઘટનામાં અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. તેમ છતાં વાહન ચાલકો બેફામ રીતે વાહન ચલાવીને પોતાનો અને અન્ય લોકોને જીવ જોખમમાં મૂકે છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:20 pm

દાંતીવાડા કેનાલ પાણી માટે ખેડૂતોની કલેક્ટરને રજૂઆત:15 ગામના ખેડૂતોએ તાત્કાલિક પાણી છોડવા માંગ કરી

બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં સિંચાઈ વિભાગની પેટા કચેરી ગઢ ખાતે 15 ગામના ખેડૂતોએ પાણી છોડવાની માંગ સાથે ધરણા કર્યા હતા. ખેડૂતોએ ત્યારબાદ જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નહેરમાં પૂરતુ પાણી છોડવા માંગ કરી છે. ખેડૂતોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે, ચાલુ વર્ષે દાંતીવાડા ડેમમાં પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સિંચાઈ સમિતિ દ્વારા શિયાળુ અને ઉનાળુ બંને સિઝન માટે પાણી આપવાનું નક્કી કરાયું હતું. શિયાળુ સિઝનમાં પાંચ અને ઉનાળુ સિઝનમાં ત્રણ પાણી પદ્ધતિસર આપવાનું ઠરાવાયું હતું. જોકે, શિયાળુ સિઝનમાં માત્ર ત્રણ પાણી અનિયમિત સમયે આપવામાં આવ્યા હતા, જેના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ ગયા. ખેડૂતોએ આ માટે અધિકારીઓની બેદરકારીને જવાબદાર ઠેરવી, જેના લીધે તેમને મોટું આર્થિક નુકસાન થયું. આ ઉપરાંત, અધિકારીઓની બેદરકારીને કારણે દાંતીવાડાની મુખ્ય નહેર તૂટી ગઈ હતી. સમયસર રિપેરિંગ ન થતાં લગભગ 35 દિવસ સુધી પાણી બંધ રહ્યું, જેના પરિણામે ખેડૂતોના પાક સુકાઈ ગયા. ઉનાળુ સિઝનમાં પણ અધિકારીઓએ ત્રણ પાણી આપવાનું ઠરાવ્યું હતું. આના આધારે ખેડૂતોએ મોંઘા ખાતર-બિયારણ વાપરી મોટા ખર્ચે ઉનાળુ વાવેતર કર્યું. તેમ છતાં, અધિકારીઓની લાપરવાહીના કારણે 21 ફેબ્રુઆરી, 2026 થી છેલ્લા દોઢ મહિનાથી નહેર બંધ કરી દેવામાં આવી છે. હાલમાં દાંતીવાડા ડેમમાં આખી સિઝન ચાલે તેટલો, એટલે કે 885 ફૂટના લેવલ સુધીનો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં, અધિકારીઓ પાણી આપવા આનાકાની કરી રહ્યા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. આના કારણે સિંચાઈ વિભાગના કમાન્ડ વિસ્તારમાં આવેલા ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે અને ખેતી નિષ્ફળ જવાની ભીતિ છે. પશુઓ માટે ઘાસચારાની પણ તીવ્ર અછત ઊભી થઈ શકે છે. ખેડૂતોએ તાત્કાલિક ધોરણે દાંતીવાડા જળાશય યોજનામાંથી મુખ્ય કેનાલમાં પાણી છોડવા અને તેમની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો બે દિવસમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે, તો તેઓ ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન અને આમરણ ઉપવાસ કરશે. આ અંગે સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, 21 ફેબ્રુઆરીએ મુખ્ય કેનાલમાં ભંગાણ થયું હતું, જેના રિપેરિંગમાં બે અઠવાડિયાનો સમય લાગ્યો. રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ પાણી ચાલુ કરવામાં આવ્યું હતું, પરંતુ નવું રિપેરિંગ થયેલું હોવાથી પાણીને રૂટીન થવામાં થોડો સમય લાગે છે. અધિકારીએ વધુમાં જણાવ્યું કે, રિપેરિંગ કામ પૂર્ણ થઈ ગયું છે અને બે થી ત્રણ દિવસમાં પાણી રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ખેડૂતોની માંગ મુજબ તેમને પાણી મળવાનું શરૂ થઈ જશે. ખેડૂત દિનેશભાઈએ જણાવ્યું હતું કે અમે આજે અહીંયા કલેકટર ઓફિસ આવેલા છીએ. અમારો પાણીનો મોટો પ્રશ્ન છે. હવે અમારા અધિકારીઓ જે ઘટ બ્રાન્ચના અધિકારીઓ એવું કહે છે કે ભાઈ તમારે પાણી 150 થી 10 ક્યુસેક પાણી આવશે. હવે અમારી કેપેસીટી છે 400 ક્યુસેકની. 400 ક્યુસેક પાણી આવે તો અમારા ખેડૂતને પાણી મળે. પણ હવે હું તો અધિકારીઓને એ પૂછવા માંગુ છું કે તમે આટલું પાણી ઓછું છોડવાનું કારણ શું? અમને કારણ બતાવો કે ભાઈ તમને શાનો ડર છે? તમને કોઈએ ઉપરથી દબાણ છે કે ભાઈ પાણી ઓછું ખેડૂતોને આપવું અથવા તો તમને તમારી કેનાલ રીપેરીંગ જે કરી છે રિનોવેશન કર્યું છે એ તૂટી જવાનો ડર છે અથવા તો બીજી કોઈ પ્રશ્ન છે એ અમને તમે જણાવો તો અમને ખેડૂતોને ખબર પડે કે ભાઈ અમને પાણી કેમ નથી મળતું. અમારો પાક હાલ નિષ્ફળ જઈ રહ્યો છે. તો અમે આજે કલેકટર સાહેબ જોડે આવ્યા છીએ. તો અમે આશા લઈને આવ્યા છીએ કલેકટર સાહેબ જોડે કે અમારા ખેડૂતો સાથે ન્યાય થશે એવી માંગણી કરવા માટે અમે આવ્યા છીએ.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:13 pm

સાવકા પિતાએ 7 વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ આચર્યું:પિતા-પુત્રીના સંબંધો લજવાયા, લગ્ન પ્રસંગમાં પણ હવસ સંતોષવા દીકરીને નિશાન બનાવી; સુરતમાંથી દબોચાયો

સુરતના ખટોદરા વિસ્તારમાં એક અત્યંત શરમજનક અને ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક સાવકા પિતાએ પવિત્ર સંબંધોની તમામ મર્યાદાઓ ઓળંગી દીધી છે. આ નરાધમે પોતાની જ સગીર વયની દીકરી પર છેલ્લા સાત વર્ષથી સતત શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. પિતાના ઓઠા હેઠળ છુપાયેલા આ હવસખોર શખ્સે કિશોરીનું જીવન નરક બનાવી દીધું હતું. આરોપી સાવકા પિતાની ખટોદરા પોલીસે ત્વરિત ધરપકડ કરી છે. બીજા લગ્ન ને આરોપી સુરતમાં સ્થાયી થયોખટોદરામાં રહેતી એક મહિલાના પ્રથમ પતિનું અવસાન થયું હતું. ત્યારબાદ તે પોતાની માસૂમ દીકરી સાથે એકલી રહેતી હતી. સામાજિક મર્યાદાઓ અને ભવિષ્યના વિચાર સાથે પરિવારજનોએ આ મહિલાના બીજા લગ્ન મૂળ પાટણ જિલ્લાના અમિતપુરના વતની સાથે કરાવી દીધા હતા. લગ્ન બાદ આરોપી સુરતમાં પત્ની અને તેની દીકરી સાથે સ્થાયી થયો હતો, પરંતુ કોઈને અંદાજ નહોતો કે તે રક્ષકને બદલે ભક્ષક સાબિત થશે. સાત વર્ષ સુધી માસૂમ પર બળાત્કાર ગુજાર્યો ઘરમાં જ્યારે પત્ની ઘરકામમાં વ્યસ્ત હોય અથવા બહાર ગઈ હોય, ત્યારે આરોપી પોતાની સાવકી દીકરીની એકલતાનો ગેરલાભ ઉઠાવતો હતો. છેલ્લા સાત વર્ષના લાંબા સમયગાળા દરમિયાન તેણે અનેકવાર દીકરી સાથે શારીરિક અડપલાં કર્યા હતા અને બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતાં. હવસમાં અંધ બનેલા આરોપીએ કિશોરીની મરજી વિરુદ્ધ વારંવાર બળાત્કાર ગુજારી તેનું ગંભીર શારીરિક અને માનસિક શોષણ કર્યું હતું. આ અત્યાચાર સતત ચાલતો રહ્યો અને માસૂમ દીકરી અંદરખાને ડરના કારણે આ પીડા સહન કરતી રહી હતી. પાટણના લગ્ન પ્રસંગમાં પણ આચરી હવસઆ નરાધમની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે બહારગામ પણ પોતાની કુદ્રષ્ટિ ચાલુ રાખી હતી. થોડા સમય અગાઉ આ પરિવાર પાટણ જિલ્લામાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો. ત્યાં રાત્રિના સમયે જ્યારે બધા સૂતા હતા, ત્યારે હવસખોર આરોપીએ ઘરની લાઈટ બંધ કરી દીધી હતી અને પોતાની દીકરી પર ફરી એકવાર બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હતો. લગ્ન જેવા પ્રસંગમાં પણ તેણે પોતાની હવસ સંતોષવા માટે દીકરીને નિશાન બનાવીને માનવતાને નેવે મૂકી દીધી હતી. જાનથી મારી નાખવાની ધમકી આપી મોઢું બંધ રખાવ્યુંપીડિત કિશોરી આ જઘન્ય અપરાધ વિશે કોઈને કહી ન શકે તે માટે આરોપી તેને સતત માનસિક ત્રાસ અને ધમકીઓ આપતો હતો. તે વારંવાર દીકરીને કહેતો હતો કે જો આ વાતની જાણ તે તેની માતાને કે અન્ય કોઈને કરશે, તો તે તેને જાનથી મારી નાખશે અથવા ઘરની બહાર કાઢી મૂકશે. પિતાના આ ડર અને મોતની ધમકીથી ગભરાયેલી દીકરી વર્ષો સુધી મુંગા મોઢે આ નરક સમાન યાતનાઓ સહન કરતી રહી અને સતત ડરના ઓથાર નીચે જીવતી રહી હતી. દીકરીની આપવીતી સાંભળી માતાના હોશ ઊડી ગયા પાટણમાં બનેલી ઘટના અને સતત વધતા અત્યાચાર બાદ કિશોરીની સહનશક્તિનો અંત આવ્યો હતો. તેણે આખરે હિંમત ભેગી કરી અને પોતાની માતા પાસે જઈને રડતા-રડતા નરાધમ સાવકા બાપના તમામ કાળા કરતૂતો વિશે જણાવી દીધું. દીકરીની આપવીતી સાંભળી માતાના હોશ ઊડી ગયા હતા અને તેને પોતાની ભૂલનો પસ્તાવો થયો હતો. માતાએ વિલંબ કર્યા વગર જ પોતાની દીકરીને ન્યાય અપાવવા માટે કાયદાકીય લડત લડવાનો મક્કમ નિર્ણય લીધો અને પોલીસ સ્ટેશન પહોંચી ફરિયાદ નોંધાવવાની હિંમત બતાવી હતી. પોલીસે ગુનો નોંધી સાવકા પિતાની ધરપકડ કરીઆ ગંભીર મામલે માતાએ ગતરોજ ખટોદરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ફરિયાદના આધારે સાવકા પિતા વિરુદ્ધ બળાત્કાર, શારીરિક શોષણ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કર્યો છે. હાલમાં ખટોદરા પોલીસે પીડિત કિશોરીનું મેડિકલ પરીક્ષણ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:09 pm

વાપી રેલવે સ્ટેશન પર મુસાફરના મોબાઈલની ચોરી, CCTV:RPFની ટીમે તસ્કરને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો, ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

વાપી રેલવે સ્ટેશન પર ઊંઘી રહેલા મુસાફરનો મોબાઈલ એક શખસ ચોરી ગયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. આ મામલે RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ) એ મોબાઈલ ચોરને ઝડપી પાડ્યો છે. રવિવારે ટિકિટ બુકિંગ ઓફિસ પાસે ઊંઘી રહેલા મુસાફરનો મોબાઈલ ચોરીને ભાગી રહેલા એક શખ્સને RPFની ટીમે પીછો કરીને પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરીનો મોબાઈલ રિકવર કરી આગળની કાર્યવાહી માટે GRPને સોંપવામાં આવ્યો છે. વાપી RPF પોસ્ટના ઇન્ચાર્જના માર્ગદર્શન હેઠળ ASI અશોક કુમાર, હેડ કોન્સ્ટેબલ વિનોદ કુમાર ભારદ્વાજ અને તેમની ટીમ CCTV કેમેરા દ્વારા શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન એક શખ્સ શંકાસ્પદ રીતે ભાગતો જોવા મળ્યો હતો. CPDS સ્ટાફના વિનોદ કુમારે સાથી કર્મચારીઓ સાથે તેનો પીછો કર્યો હતો. પ્લેટફોર્મ નંબર 1 પર ઘેરાબંધી કરીને આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ આકાશ યાદવ (રહે. દાદરા નગર હવેલી, મૂળ યુપી) જણાવ્યું હતું. તેની તલાશી લેતા તેની પાસેથી બે મોબાઈલ મળી આવ્યા હતા. તેમાંથી એક Poco કંપનીનો મોબાઈલ તેણે વાપી સ્ટેશન પરથી જ ચોર્યો હોવાની કબૂલાત કરી હતી. આ દરમિયાન, મૂળ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગરના રાજકુમાર મૌર્ય નામનો મુસાફર RPF ઓફિસે ફરિયાદ લઈને પહોંચ્યો હતો. તેણે જણાવ્યું કે, જ્યારે તે ટિકિટ બુકિંગ ઓફિસ પાસે સૂતો હતો ત્યારે કોઈ તેનો રૂ. 10,000ની કિંમતનો Poco મોબાઈલ ચોરી ગયું છે. RPF એ કબજે કરેલો ફોન બતાવતા મુસાફરે તેને પોતાના પાસવર્ડથી અનલોક કરીને માલિકી પૂરવાર કરી હતી. ચોરીની ઘટનાની પુષ્ટિ થતા, વાપી RPF એ આરોપી આકાશ યાદવને રિકવર કરાયેલા બે મોબાઈલ ફોન અને ફરિયાદી મુસાફર સાથે આગળની કાયદેસરની કાર્યવાહી માટે વાપી GRP (રેલવે પોલીસ) ને સુપરત કર્યો છે. રેલવે પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:06 pm

હિંમતનગરના ભોલેશ્વરમાં ગોગા મહારાજનો બીજો પાટોત્સવ:યજ્ઞ, પૂજા અને 56 ભોગ અન્નકૂટ યોજાયા, રાત્રે જાતરનું આયોજન

હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલી વિરકૃપા સોસાયટીમાં ગોગા મહારાજના મંદિરનો બીજો પાટોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે પૂજન, અર્ચન, પાટોત્સવ યજ્ઞ અને પૂજા જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, ત્યારબાદ આરતી કરવામાં આવી હતી. ભાવિન ભગતના હસ્તે પાટોત્સવ યજ્ઞનો પ્રારંભ થયો હતો. પૂજન-અર્ચન સાથે શરૂ થયેલો આ યજ્ઞ હોમ સાથે સંપન્ન થયો હતો. યજ્ઞ પૂર્ણ થયા બાદ સોનાના ગોગા મહારાજના મંદિરે પાટોત્સવ નિમિત્તે ભવ્ય 56 ભોગનો અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. ગોગા મહારાજની ભવ્ય આરતી પણ કરવામાં આવી હતી. પાટોત્સવની રાત્રીએ જાતરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રેગડી કલાકારો અને ગાયકો હાજર રહેશે. આ અંગે ભાવિન ભગતે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, એક ભક્ત પર ગોગા મહારાજની કૃપા થતાં ભક્તે મંદિરને સોનાનું બનાવ્યું છે. આજે સવારથી જ આનંદ અને ઉત્સાહ સાથે ભક્તિમય ધાર્મિક વાતાવરણમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:05 pm

શું સરકાર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહી છે?:પાખંડી યોગ ગુરૂ પ્રદીપ સામે આયુર્વેદિક ડોક્ટરોનો મોરચો, ડિગ્રી વગરના ઊંટવૈદ્ય સામે કડક કાર્યવાહીની માંગ; આરોગ્ય મંત્રીને રજૂઆત કરશે

સુરતમાં કરોડોની નકલી નોટોના કૌભાંડમાં જેલના સળિયા ગણી રહેલા કથિત યોગ ગુરૂ પ્રદીપ જોટંગીયાની મુશ્લેકીમાં હવે મોટો વધારો થયો છે. અત્યાર સુધી માત્ર પોલીસ તપાસનો સામનો કરી રહેલા આ ઢોંગી બાબા સામે હવે સુરતના આયુર્વેદિક ડોક્ટરો લાલઘૂમ થયા છે. યોગ શીખવવાની આડમાં કોઇપણ મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદિક પ્રેક્ટિસ કરી લોકોના સ્થાસ્થ્ય સાથે ચેડાં કરનાર પ્રદીપ સામે કડક કાર્યવાહી માંગ ઉઠી છે. 'લોકોનો આયુર્વેદ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે'સુરતના આયુર્વેદિક ડોક્ટરોએ એક મહત્વની બેઠક યોજી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે પ્રદીપ પાસે તબીબી ક્ષેત્રની કોઈ જ માન્યતા પ્રાપ્ત ડિગ્રી નથી છતાં તે આયુર્વેદના નામે દવાઓ આપતો અને સારવાર કરતો હતો. આવા તત્વોને કારણે વર્ષો સુધી અભ્યાસ કરી ડિગ્રી મેળવનાર ડોક્ટરોની પ્રતિષ્ઠા ખરડાય છે અને લોકોનો આયુર્વેદ પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. આવતા અઠવાડિયે પ્રફુલ પાનસુરીયાને પ્રતિનિધિમંડળ મળશેસુરતના આયુર્વેદિક ડોક્ટરોએ નક્કી કર્યું છે કે, તેઓ આવતા અઠવાડિયે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસુરીયાની રૂબરૂ મુલાકાત લેશે. આ મુલાકાતમાં તેઓ સુરત સહિત રાજ્યભરમાં ફૂટી નીકળેલા બોગસ આયુર્વેદિક ડોક્ટરોની યાદી આપી તેમની સામે કડક પગલાં ભરવા રજૂઆત કરશે. આયુર્વેદ એ આપણી ભારતીય વિદ્યા છે, તેને આ ઢોંગી બાબાઓથી બચાવવી જરૂરી છે. લોકોને પણ નમ્ર અપીલ છે કે સોશિયલ મીડિયા પરની લલચામણી જાહેરાતો જોઈને ગમે તેની પાસે સારવાર લેવા ન જવું. આયુર્વેદિક ડોક્ટરોની 3 મુખ્ય માંગણીઓ 'બાબાઓ' દ્વારા કરવામાં આવતી સારવાર મેડિકલ ક્ષેત્ર માટે શરમજનકસુરતના ડો. રજનીકાંત પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા કેટલાક વીડિયો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા 'બાબાઓ' દ્વારા કરવામાં આવતી સારવારના વીડિયોને ડોક્ટરે મેડિકલ ક્ષેત્ર માટે અત્યંત ખરાબ અને શરમજનક ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે મેડિકલ ક્ષેત્ર એવું નથી કે જ્યાં કોઈ એક-બે પુસ્તકો વાંચીને સારવાર શરૂ કરી શકે. સરકારના નિયમો મુજબ, BAMS કરવા માટે સાડા પાંચ વર્ષનો અભ્યાસ જરૂરી છે. તે પછી પણ, જો કોઈએ MS (સર્જરી) કર્યું હોય તો જ તે ઓપરેશન કે શસ્ત્રક્રિયા કરી શકે છે. બિનઅનુભવી લોકો દ્વારા થતી પ્રવૃત્તિઓ દર્દીના જીવન માટે જોખમીવીડિયોમાં દેખાતા 'બાબા' કદાચ માત્ર 10 કે 12 પાસ છે અને તેમની પાસે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી નથી. જ્યારે ક્વોલિફાઇડ BAMS ડોક્ટરો પણ અમુક જટિલ શસ્ત્રક્રિયાઓ નથી કરી શકતા, ત્યારે આવા બિનઅનુભવી લોકો દ્વારા થતી પ્રવૃત્તિઓ દર્દીના જીવન માટે જોખમી છે. સુરત અને અન્ય જગ્યાએ ઘણા 'કાકા-દાદાઓ' એવા દાવા કરે છે કે તેઓ એસિડિટી, અસ્થમા કે કેન્સર જેવી બીમારીઓ જડમૂળથી મટાડી દેશે. સરકારી નિયમો મુજબ, એલોપેથી ડોક્ટરો પણ કેન્સર કે અસ્થમા મટાડવાનો આવો સીધો દાવો કરી શકતા નથી. શું સરકાર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહી છે?ડોક્ટરે સરકારને વિનંતી કરી છે કે આવા લોકો જે ડિગ્રી વગર આયુર્વેદના નામે પ્રેક્ટિસ કરી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે. શું સરકાર કોઈ મોટી જાનહાનિની રાહ જોઈ રહી છે? ડો. રજનીકાંત પટેલની સાથે સુરતના અન્ય પ્રતિષ્ઠિત આયુર્વેદિક ડોક્ટરો પણ આ વાતનું સમર્થન કરી રહ્યા છે. આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાયડો. ભાવેશ સિરવીએ જણાવ્યું હતું કે, હું શ્રી આયુર્વેદિક પંચકર્મ હોસ્પિટલ, પર્વત પાટિયા પર પ્રેક્ટિસ કરું છું. અમે આ જે ગંભીર બાબત થઈ છે એના માટે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને મળીને આવેદનપત્ર આપવાના છીએ કે આવા વ્યક્તિ સામે અને આવા બીજા અનેક વ્યક્તિઓ છે કે જે આવી પ્રેક્ટિસ કરે છે ડિગ્રી વગર, એ બધા જ વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે અને આ વ્યક્તિ સામે એવી કડકમાં કડક કાર્યવાહી કરે કે જેનાથી લોકો બીજા લોકો જે આવી પ્રેક્ટિસ કરે છે એ લોકો બંધ કરે. અમારી સરકાર સામે એક જ માંગ રહેશે કે આવા જેવા જેટલા ડિગ્રી વગરના ડૉક્ટરો છે કે જે આયુર્વેદ પ્રેક્ટિસ કરે છે, આયુર્વેદને બદનામ કરે છે અને સાથે સાથે લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાંઓ કરે છે, તો એવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 4:00 pm

કોર્ટે સાસરિયા પક્ષની જામીન અરજી ફગાવી:ત્રણ મહિનાના લગ્નમાં જ સાસરિયાના ત્રાસથી કંટાળીને વડુ ગામની 20 વર્ષીય યુવતીએ આપઘાત કર્યો

કડી તાલુકાના વડુ ગામમાં માત્ર ત્રણ મહિનાના ટૂંકા લગ્નગાળામાં સાસરી પક્ષના ત્રાસથી કંટાળીને 20 વર્ષીય પરિણીતાએ કરેલા આપઘાત મામલે મહેસાણા સેશન્સ કોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે. આ કેસમાં આત્મહત્યા માટે દુષ્પ્રેરણ આપવાના આરોપસર જેલમાં બંધ બે આરોપીઓની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. વડુ પોલીસ મથકે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીકડી તાલુકાના વડુ ગામમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા એક પરિવારની 20 વર્ષીય દીકરીના લગ્ન હજુ ત્રણ માસ પૂર્વે જ થયા હતા. જોકે, લગ્નના ટૂંકા ગાળામાં જ સાસરી પક્ષ તરફથી તેને અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું. આ મામલે વડુ પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. લગ્નના માત્ર ત્રણ જ મહિનામાં યુવતીએ આપઘાત કર્યોઆ કેસમાં પકડાયેલા આરોપીઓ મેડા બાબુભાઇ અને મેડા દિનેશભાઇએ જેલમુક્ત થવા માટે મહેસાણા સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી કરી હતી. આ સુનાવણી દરમિયાન સરકારી વકીલ પરેશકુમાર દવેએ ધારદાર દલીલો રજૂ કરતા જણાવ્યું હતું કે, લગ્નના માત્ર ત્રણ જ મહિનામાં યુવતીએ આપઘાત કર્યો છે જે ગંભીર બાબત છે. આરોપીઓ વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ ગુનો બનતો હોય તેમને જામીન આપવા જોઈએ નહીં. સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી મહેસાણા સેશન્સ જજ એમ.એફ. ખત્રીએ બંને આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:55 pm

સંતરામપુરથી અંબાજી નવી ST બસ સેવા શરૂ:યાત્રાળુઓ, સામાન્ય નાગરિકોને અંબાજી સુધીની મુસાફરી વધુ સરળ અને સુવિધાસભર બનશે

સંતરામપુર બસ ડેપો ખાતેથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા સંતરામપુરથી પવિત્ર યાત્રાધામ અંબાજી સુધી નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે. સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ડૉ.કુબેર ડીંડોરે લીલીઝંડી બતાવી આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ નવી બસ સેવા શરૂ થવાથી યાત્રાળુઓ અને સામાન્ય નાગરિકોને અંબાજી સુધીની મુસાફરી વધુ સરળ અને સુવિધાસભર બનશે. રાજ્ય સરકાર જાહેર પરિવહનને મજબૂત બનાવવા અને લોકો સુધી સરળતાથી પહોંચાડવા સતત પ્રયાસરત છે. ધારાસભ્ય ડૉ.કુબેર ડીંડોરે માત્ર લીલીઝંડી જ નહીં, પરંતુ જાતે બસ ચલાવીને આ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો, જે એક અનોખી પહેલ હતી. આનાથી યાત્રાળુઓને મોટી રાહત મળશે. બસનું સમયપત્રક નીચે મુજબ છે: આ પ્રસંગે મહીસાગર જિલ્લા મંત્રી સંદીપ ભોઈ, સંતરામપુર નગર પ્રમુખ નિતીન રાણા, મહામંત્રી પ્રિતેશ ખાંટ, નગરપાલિકા ઉપાધ્યક્ષ જીતેન્દ્રસિંહ ઝાલા, સચિન શાહ સહિત કોર્પોરેટરો, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:55 pm

નકલી યોગગુરુ ‘પ્રદીપ’ના વધુ કારનામા ખુલ્યાં:આશ્રમમાં 'વાઘ આસન' પર બેસતો, વન વિભાગના દરોડામાં કઈ ન મળ્યું; ChatGPT પાસે નોટો છાપવાની ટ્રેનિંગ, ચાઈનીઝ સપ્લાયર્સ સાથે સંપર્ક

સુરતના સરથાણામાં પકડાયેલા નકલી નોટના રેકેટમાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. નકલી યોગગુરુ પ્રદીપ અને તેના શિષ્ય મુકેશ ઠુંમરે ભારતની અર્થવ્યવસ્થાને તોડવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સહારો લીધો હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ ChatGPT પર સર્ચ કર્યું હતું કે, સુરક્ષિત રીતે નકલી નોટો કેવી રીતે બનાવી શકાય. બીજી તરફ, આ નકલી યોગગુરુ વર્ષોથી વિવાદોમાં રહ્યો છે, જેમાં તેના આશ્રમમાં વન વિભાગની મંજૂરી વગર વાઘના આસન પર બેસીને ભક્તોને છેતરવાનો મામલો પણ ફરી ગરમાયો છે. આ સાથે જ આરોપી પ્રદીપે ગેરકાયદે બાંધકામો પણ કર્યાનું સામે આવ્યું છે. ChatGPT બન્યું નકલી નોટ બનાવવાનું માર્ગદર્શકસુરતમાં ફેક કરન્સીની ફેક્ટરી શરૂ કરવા માટે માસ્ટરમાઇન્ડ પ્રદીપ અને તેની ગેંગે કોઈ નિષ્ણાતની નહીં, પણ આધુનિક ટેકનોલોજી ChatGPTનો સહારો લીધો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ ChatGPT પર અનેક સવાલો પૂછ્યા હતા કે, ફેક કરન્સી કઈ રીતે બનાવી શકાય અને તેના માટે કયા પ્રકારના પેપર અને ઇંકની જરૂર પડે છે. AI ટૂલનો દુરુપયોગ કરીને આ લોકોએ આખું મેન્યુઅલ તૈયાર કર્યું હતું, જેના આધારે તેઓ સુરતમાં બેસીને દેશી અને વિદેશી ચલણી નોટો છાપવાનું કાવતરું ઘડી રહ્યા હતા. ગૂગલ અને AI પર સર્ચ કરી માર્કેટ શોધ્યુંમુકેશ ઠુંમરે માત્ર નોટ છાપવાની રીત જ નહીં, પણ તે બનાવવા માટેની સામગ્રી ક્યાંથી સસ્તી મળી શકે તેનું માર્કેટ પણ ઓનલાઇન શોધ્યું હતું. આરોપીઓએ ChatGPT પર એવું પણ સર્ચ કર્યું હતું કે, ઇન્ટરનેશનલ માર્કેટમાં કયા દેશો નકલી નોટ માટેના પેપર સપ્લાય કરે છે. આ માહિતી મેળવ્યા બાદ તેઓએ ચાઈનીઝ વેબસાઈટ અલીબાબા અને મેડ-ઈન-ચાઈનાનો સંપર્ક કર્યો હતો. ટેકનોલોજીના આ નકારાત્મક ઉપયોગે પોલીસને પણ આશ્ચર્યમાં મૂકી દીધી છે, કારણ કે ગુનેગારો હવે ડિજિટલ ફૂટપ્રિન્ટ છોડ્યા વગર ગુના કરવાની કોશિશ કરી રહ્યા છે. ચાઈનીઝ કનેક્શન અને 17 લાખનું કન્સાઇનમેન્ટઆરોપીઓએ ChatGPT પાસેથી મળેલી માહિતીના આધારે ચીનના હુવાન્ઝુ શહેરથી 17 લાખ રૂપિયાના આઠ મોટા કાર્ટુન મંગાવ્યા હતા. આ કાર્ટુનમાં નકલી નોટ છાપવા માટે વપરાતા હાઈ-ક્વોલિટી પેપર હતા, જે ભારતીય ચલણ જેવા જ દેખાતા હતા. આ કન્સાઇનમેન્ટ દરિયાઈ માર્ગે ભારત લાવવામાં આવ્યું હતું. મુકેશ ઠુંમરના મોબાઈલમાંથી અનેક ચાઈનીઝ લોકોના કોન્ટેક્ટ નંબર અને ચેટ મળી આવી છે, જે દર્શાવે છે કે આ ટોળકી લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સ્મગલરો સાથે સીધા સંપર્કમાં હતી. ટેલિગ્રામ પર ચાઈનીઝ સપ્લાયર્સ સાથે સંપર્કપોલીસ તપાસમાં એ પણ ખુલ્યું છે કે, પ્રદીપ અને તેની ગેંગે ચાઈનીઝ સપ્લાયર્સ સાથે વાત કરવા માટે ટેલિગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય કોલ કે, વ્હોટ્સએપને બદલે ટેલિગ્રામ પસંદ કરવાનું મુખ્ય કારણ પોલીસથી બચવાનું હતું. આ એપ પર તેઓ નોટની ક્વોલિટી, શાહીનો પ્રકાર અને પેપરની જાડાઈ વિશે વિગતો મોકલતા હતા. સુરતમાં બેસીને તેઓએ આખું ડિજિટલ નેટવર્ક ઊભું કર્યું હતું, જેમાં પેમેન્ટ પણ સંભવતઃ ક્રિપ્ટોકરન્સી અથવા હવાલા મારફતે કરવામાં આવતું હોવાની શંકા છે. વાઘ આસન પર બેસીને યોગની વાતોનો ડોળનકલી યોગગુરુ પ્રદીપનો ઈતિહાસ વિવાદાસ્પદ રહ્યો છે. 2019માં સુરતના એક જાગૃત નાગરિકે વન વિભાગને લેખિત ફરિયાદ કરી હતી કે, પ્રદીપ પોતાના આશ્રમમાં વાઘના આસન (વાઘની ચામડી) પર બેસીને લોકોને યોગ અને આયુર્વેદિક સારવારની વાતો કરે છે. તે પોતાની જાતને કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ 'અષ્ટાંગ યોગ'નો જ્ઞાતા ગણાવતો હતો. આ વાઘના આસન પર બેસીને તે લોકો પર પ્રભાવ પાડતો હતો કે તેની પાસે દૈવી શક્તિઓ છે, જેથી ભક્તો તેના નકલી નોટના કાળા કારોબાર પર ક્યારેય શંકા ન કરે. વન વિભાગના દરોડા વખતે આસન ગાયબજ્યારે વન વિભાગ અને પોલીસની ટીમ 11 એપ્રિલ, 2019ના રોજ આશ્રમમાં તપાસ કરવા પહોંચી હતી, ત્યારે પ્રદીપ અત્યંત શાતિર સાબિત થયો હતો. પોલીસ અને વન વિભાગના અધિકારીઓ આશ્રમમાં પહોંચે તે પહેલા જ તેણે કથિત વાઘનું આસન ત્યાંથી ગાયબ કરી દીધું હતું. તપાસ ટીમ આખા આશ્રમમાં ફરી વળી, પરંતુ તેમને આસન હાથ લાગ્યું નહોતું. પોલીસને શંકા છે કે, પ્રદીપ પાસે કોઈ બાતમીદાર હતો, જેણે તેને દરોડાની પૂર્વ જાણકારી આપી દીધી હતી, જેના કારણે તે કાયદાના શકંજામાંથી બચી નીકળ્યો હતો. આશ્રમમાં ગેરકાયદે બાંધકામ અને તાપી પુરાણપ્રદીપ સામે માત્ર વન્યજીવ કે નકલી નોટના જ નહીં, પણ જમીન હડપવાના અને ગેરકાયદે બાંધકામના પણ આક્ષેપો છે. કામરેજ મામલતદારને કરાયેલી ફરિયાદ મુજબ, પ્લોટ નંબર 448/2 અને 415/5માં શ્રી સત્યમ ફાઉન્ડેશન દ્વારા કોઈ પણ જાતની મંજૂરી લીધા વગર બે માળનું પાકું બાંધકામ કરી દેવાયું હતું. આ ઉપરાંત આક્ષેપ છે કે, આશ્રમની જગ્યા વધારવા માટે તાપી નદીના કિનારે પુરાણ કરવામાં આવ્યું હતું, જે પર્યાવરણના નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે. આ મામલે પણ અત્યારે જીણવટભરી તપાસ ચાલી રહી છે. અલીબાબા અને મેડ-ઈન-ચાઈનાનો ઉપયોગજે રીતે ભારતમાં લોકો ઘરવખરીની ચીજો એમેઝોન કે ફ્લિપકાર્ટ પરથી મંગાવે છે, તે જ રીતે આ ગુનેગારોએ નકલી નોટની સામગ્રી મંગાવવા માટે 'અલીબાબા' અને 'મેડ ઈન ચાઈના ડોટ કોમ' જેવી વિદેશી વેબસાઈટનો ઉપયોગ કર્યો હતો. મુકેશ ઠુંમરે આ પોર્ટલ્સ પર 'સિક્યુરિટી પેપર' અને 'સ્પેશિયલ ઇંક' સર્ચ કરીને ઓર્ડર આપ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, ચીનની આ વેબસાઈટ પરથી મળેલું મટિરિયલ એટલું આબેહૂબ હતું કે, સામાન્ય નાગરિક નકલી અને અસલી નોટ વચ્ચેનો તફાવત પારખી ન શકે. 2.10 કરોડની નકલી નોટોનું નેટવર્કઅત્યાર સુધીની તપાસમાં કુલ 2.10 કરોડ રૂપિયાની ફેક કરન્સીના તાર પ્રદીપ અને તેની ગેંગ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. મુકેશ પટેલના મોબાઈલમાંથી મળેલા ડેટા મુજબ, આ લોકોએ અનેકવાર ચાઈનીઝ કંપનીઓ સાથે નાણાકીય વ્યવહાર કર્યા હતા. સુરત ક્રાઈમ બ્રાન્ચ હવે એ તપાસી રહી છે કે, આ 2.10 કરોડમાંથી કેટલી રકમની નોટો બજારમાં ફરી રહી છે. આરોપીઓએ આ નોટોને નાના વેપારીઓ અને શાકભાજી માર્કેટ જેવા ભીડભાડ વાળા વિસ્તારોમાં વટાવવાનું આયોજન કર્યું હતું. પૂર્વ પોલીસ અધિકારીઓ સાથેના ફોટાનો દુરુપયોગનકલી યોગગુરુ પ્રદીપે સમાજમાં પોતાની પકડ મજબૂત કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજનેતાઓ સાથેના સંબંધોનો દુરુપયોગ કર્યો હતો. હાલમાં પૂર્વ IPS ડી.જી. વંઝારાનો એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તેઓ પ્રદીપ સાથે જોવા મળે છે. આવા હાઈ-પ્રોફાઈલ લોકો સાથેના ફોટા અને વીડિયો બતાવીને તે સ્થાનિક વહીવટીતંત્ર પર દબાણ લાવતો હતો અને પોતાના કાળા કારોબારને યોગના ઓઠા હેઠળ ઢાંકી દેતો હતો. સરથાણાના મકાનમાં ચાલતી છૂપી ફેક્ટરીસરથાણા વિસ્તારમાં આવેલા મુકેશ ઠુંમરના રહેણાંક મકાનને જ નકલી નોટની ફેક્ટરી બનાવી દેવામાં આવી હતી. પાડોશીઓને જરા પણ અંદાજ નહોતો કે તેમની બાજુમાં જ દેશ વિરોધી પ્રવૃત્તિ ચાલી રહી છે. આ મકાનમાં હાઈ-ટેક પ્રિન્ટરો અને ચીનથી મંગાવેલું મટિરિયલ રાખવામાં આવ્યું હતું. પ્રદીપ પોતે આશ્રમમાં બેસીને સૂચનાઓ આપતો હતો અને મુકેશ અહીં નોટો છાપવાનું કામ કરતો હતો. આ મકાનમાંથી પોલીસને અનેક કાચી નોટો અને અડધી છાપેલી સીટો મળી આવી છે. યોગના નામે ભક્તો સાથે છેતરપિંડીપ્રદીપ પોતાને ભગવાનનો માણસ ગણાવતો હતો અને ભક્તોને યોગ દ્વારા અસાધ્ય રોગો મટાડવાની લાલચ આપતો હતો. તે અષ્ટાંગ યોગના નામે શિબિરો યોજતો હતો, પરંતુ તેનો અસલી હેતુ ભક્તો પાસેથી મોટી રકમનું દાન મેળવવાનો અને શિષ્યો બનાવીને નકલી નોટના રેકેટમાં તેમનો ઉપયોગ કરવાનો હતો. મુકેશ ઠુંમર પણ તેનો આવો જ એક શિષ્ય હતો જેને તેણે પૈસાની લાલચ આપીને આ ગુનામાં સામેલ કર્યો હતો. તેની ધાર્મિક છબી પાછળ એક રીઢો ગુનેગાર છુપાયેલો હતો. કમ્પ્યુટર અને પ્રિન્ટરની ફોરેન્સિક તપાસસુરત પોલીસે આરોપીઓના ઘરેથી જપ્ત કરેલા લેપટોપ, પ્રિન્ટર અને મોબાઈલ ફોનને ફોરેન્સિક લેબ (FSL) માં મોકલી આપ્યા છે. પોલીસ એ જાણવા માંગે છે કે ChatGPT સિવાય તેમણે અન્ય કઈ વેબસાઈટ કે સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. એફએસએલના રિપોર્ટમાં એ પણ સ્પષ્ટ થશે કે અત્યાર સુધીમાં આ મશીનો દ્વારા કેટલી નોટો છાપવામાં આવી છે. આ ડિજિટલ પુરાવાઓ કોર્ટમાં આરોપીઓને કડક સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તાપી કિનારે આશ્રમમાં ચાલતું રહસ્યમય નેટવર્કપ્રદીપનો આશ્રમ તાપી નદીના કિનારે એકાંતમાં આવેલો હોવાથી ત્યાં થતી પ્રવૃત્તિઓ પર કોઈની નજર પડતી નહોતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આશ્રમમાં મોડીરાત સુધી મોંઘી ગાડીઓની અવરજવર રહેતી હતી. વાઘના આસન પર બેસીને પ્રદીપ અહીં ગુપ્ત મીટિંગો કરતો હોવાની પણ ચર્ચાઓ છે. નદી કિનારે હોવાને કારણે દરિયાઈ માર્ગે આવતા કન્સાઇનમેન્ટ પણ અહીં છુપાવવા સરળ હતા. આ આશ્રમ હવે પોલીસ માટે તપાસનું મુખ્ય કેન્દ્ર બની ગયો છે. મોટા માથાના નામ બહાર આવવાની શક્યતાસુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની ટીમો અત્યારે પ્રદીપ અને મુકેશની સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસને શંકા છે કે આ માત્ર બે વ્યક્તિઓનું કામ નથી, આની પાછળ કોઈ મોટું આંતરરાષ્ટ્રીય સંગઠન અથવા કોઈ મોટા માથાઓનો હાથ હોઈ શકે છે. ChatGPT ના ઉપયોગથી લઈને ચીનથી સીધા કનેક્શન સુધીની કડીઓ જોતા, આગામી દિવસોમાં સુરત અને ગુજરાતના અન્ય શહેરોમાંથી પણ ધરપકડના ભણકારા વાગી રહ્યા છે. એક સમયે આ વાઘના ચામડા ઉપર બેસતોઃ વલ્લભભાઈપ્રદીપ સામે રોષ વ્યકત કરતા એક સમાજ સેવક વલ્લભભાઈએ વાઘ આસનને લઇ જણાવ્યું હતું કે, આવા લુચ્ચા લંપટાઈ કરે, લોકોને છેતરે, આવા ક્રાઈમ કરે આને યોગ ગુરુ કઈ રીતે કહેવાય? આને તો એકદમ ઝીણવટ ભરી રીતે બધી તપાસ કરીને આને ખુલ્લો પાડો. આની સાથે જે લોકો સંકળાયેલા છે એની પણ સખતમાં સખત તપાસ થવી જોઈએ. એક સમયે આ વાઘના ચામડા ઉપર બેસતો. અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી કે, આ વાઘનું ચામડું આવ્યું ક્યાંથી? તમે તપાસ કરો. તો એ લોકો તપાસ કરવા ગયા પણ કંઈ હાથ નહીં આવ્યું કેમ કે, બધું સગે વગે થઈ ગયું. અમે તો બહુ રજૂઆત કરી હતી કે, આ વાઘનું ચામડું આવ્યું ક્યાંથી? કોણે એમને આપ્યું? અત્યારે ક્યાં છે? બધી તપાસ કરો અને આમનો બધો પર્દાફાશ કરો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:52 pm

NDPSના આરોપીને 12 વર્ષની કેદ:8 લાખથી વધુની કિંમતનું 82 ગ્રામ MD ડ્રગ્સ સાથે આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો

અમદાવાદના DCB પોલીસ મથકે માર્ચ, 2024માં બાપુનગરના આરોપી સલીમ શેખ અને ડુંગરપુરના એક આરોપી ભરત સામે NDPS એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોધાઇ હતી. ડુંગરપુરનો આરોપી ફરાર છે. ત્યારે આરોપી સલીમ શેખ સામે અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવલી NDPSની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા જજ વી.બી. રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને આરોપીને 12 વર્ષ કેદની સજા ફટકારી છે. ડ્રગ તસ્કરોને પકડવા માટે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યુંકેસને વિગતે જોતા પોલીસે ડ્રગ્સ સંબંધીત ગુનાહોને રોકવા અને ડ્રગ તસ્કરોને પકડવા માટે બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું છે. જેમાં પોલીસને બાતમી મળી હતી કે, અજીત મીલ ચાર રસ્તા પાસે સુમેળ કોમ્પલેક્ષની દુકાનમાં આરોપી સલીમ શેખ પાસે એમ.ડી ડ્રગ્સ છે. જેના આધારે પોલીસે ત્યાં તપાસ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપીના ખિસ્સામાંથી સફેદ રંગનો પાવડર ભરેલી થેલી મળી આવી હતી. જેમાં 82 ગ્રામ જેટલું MD ડ્રગ્સ હતું. જેની બજાર કિંમત 8.25 લાખ જેટલું થવા જતી હતી. આ ડ્રગ્સની સાથે સહઆરોપી સાથે થયેલ બેંક વ્યવહાર પણ પોલીસને હાથે લાગ્યા છે. કોર્ટે આરોપીને સલીમ શેખને કેદ ઉપરાંત 2 લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:49 pm

રાજકોટમાં આશા વર્કર બહેનોનો વિરોધ:મનપા કચેરીએ 3 વર્ષથી ઇન્સેન્ટિવના ધાંધિયા સહિતના મુદ્દે વિવિધ બેનરો દ્વારા રોષ વ્યક્ત કર્યો, ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા ચીમકી આપી

રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગમાં અર્બન આશા વર્કર તરીકે સેવા આપતી મહિલાઓ આજે મોટી સંખ્યામાં પોતાની પડતર માંગણીઓને લઈને કોર્પોરેશન કચેરીએ પહોંચી હતી. છેલ્લા લાંબા સમયથી બાકી રહેલા ઇન્સેન્ટિવના ચુકવણા મુદ્દે કોઈ નક્કર ઉકેલ ન આવતા આશા વર્કર બહેનોએ મનપા કચેરી ખાતે ઉમટી પડી વિવિધ બેનરો સાથે પોતાનો રોષ વ્યકત કર્યો હતો. મહિલાઓએ ગ્રાન્ટના અભાવે અટકાવવામાં આવેલા નાણાં તાત્કાલિક છૂટા કરવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓને રજુઆત કરી હતી. તેમજ જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડત ચાલુ રાખવા માટે ચીમકી ઉચ્ચારી હતી. રાજકોટના શહેરી વિસ્તારોમાં કાર્યરત આશા વર્કરોનો આક્ષેપ છે કે તેઓ રાત-દિવસ જોયા વગર આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડે છે, છતાં તંત્ર દ્વારા તેમના હકના નાણાં આપવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મે 2025 થી રાજકોટ અર્બન વિસ્તારમાં જે નવા આરોગ્ય કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે, તેમાં છેલ્લા 4-5 મહિનાથી અલગ-અલગ કામગીરીના ઇન્સેન્ટિવની ગ્રાન્ટ જ ફાળવવામાં આવી નથી. જેના કારણે આશા વર્કરો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે. નવા કેન્દ્રો ઉપરાંત જૂના આરોગ્ય કેન્દ્રોમાં પણ પૂરતું ઇન્સેન્ટિવ આપવામાં આવતું નથી. આશા વર્કર વિલાસબેન મકવાણાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અમે ઇન્સેન્ટિવ બેઝ પર કામ કરીએ છીએ, પરંતુ સપ્ટેમ્બર મહિનાથી અમારું ઇન્સેન્ટિવ રોકાયેલું છે. NCD, HBYC અને HBNC જેવી મહત્વની કામગીરીનું વળતર અમને મળ્યું નથી. આ સમસ્યા માત્ર આ વર્ષની નથી, છેલ્લા 3 વર્ષથી દર માર્ચ મહિનામાં અમારે અમારા હકના નાણાં માટે આ રીતે ધરણાં પર બેસવું પડે છે. દરેક આશા વર્કરના અંદાજે રૂ. 8000 થી 10000 બાકી નીકળે છે. અન્ય એક આશાવર્કર અલ્કાબેન ભટ્ટએ દિવ્યભાસ્કર સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે 24 ફેબ્રુઆરીના રોજ કલેક્ટર, કમિશનર, ડેપ્યુટી MOH અને મેડિકલ ઓફિસર સુધી લેખિત રજૂઆત કરી હતી. એટલું જ નહીં, ગાંધીનગર ખાતે ડો. નીલમ પટેલને પણ ઇમેલ અને રજિસ્ટર પોસ્ટ દ્વારા જાણ કરવામાં આવી હતી. આમ છતાં તંત્રના બહેરા કાને અમારી રજૂઆતો અથડાઈને પાછી આવે છે. અમને સંતોષકારક જવાબ મળવાને બદલે માત્ર ગ્રાન્ટ નથી તેવું કહીને હાથ ઊંચા કરી દેવામાં આવે છે. જો આજે કોઈ ઉકેલ નહીં આવે તો અમે દરરોજ ધરણાં કરવા પણ તૈયાર છીએ. ઉલ્લેખનીય છે કે, આ બાબતે અગાઉ મેડિકલ ઓફિસર અને આરોગ્ય અધિકારી જયેશ વાંકાણીને બે-બે વખત લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા ગ્રાન્ટના બહાના હેઠળ આશા વર્કરોને અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. મહિલાઓએ મનપા કચેરીના પટાંગણમાં બેસીને બેનરો સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. અને જ્યાં સુધી બેંક ખાતામાં નાણાં જમા નહીં થાય ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ત્યારે હવે આશાવર્કર બહેનોને ન્યાય ક્યારે મળશે તે તો આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:49 pm

DB REELS: પેટ્રોલ વગર લોકડાઉન જેવી સ્થિતિ આવી શકે:ટાંકી ખાલી થવા આવી અને વડોદરા જવું છે, આજે તકલીફ પડશે; અમદાવાદના પંપો પર ગ્રાહકોની બુમો પડી

ઈરાન અને અમેરિકા-ઈઝરાય વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. મેટ્રોસિટી અમદાવાદ, વડોદરામાં પણ પેટ્રોલ નથી, પેટ્રોલ નથીની બુમો સાંભળવા મળી રહી છે...તો આવો જાણીએ પેટ્રોલ-ડીઝલની સ્થિતિ વિશે શું કહે છે સ્થાનિકો..

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:46 pm

નવાપરા ફાયરિંગ કેસમાં પકડાયેલા 6 શખસોનું રી-કન્સ્ટ્રક્શન, VIDEO:પોલીસ આરોપી સાથે ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળા ઉમટ્યા, હાલારી બંધુઓ હજુ પણ પોલીસ પકડથી દૂર

ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઇકાલે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ તપાસ તેજ બની છે. જાહિદ લોંડીયા પર થયેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે 8માંથી 6 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે હાલારી બંધુઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફાયરિંગની ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે ત્યારે પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં પહોંચતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ કાફલા સાથે પકડાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યુંભાવનગરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગના બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તા.22 માર્ચના વહેલી સવારના 4.30 દરમિયાન શહેરના નવાપરા ગ્રીન કોમ્પ્લેક્ષમાંમાં રહેતા જાહિદ લોંડીયા પર બે રાઉન્ડ રિવોલ્વર થી ફાયર થતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જે મામલે શહેરના નિલમબાગ પોલીસ મથકમાં 8 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગણતરીની કલાકોમાં નિલમબાગ પોલીસે 6 આરોપીઓ ફારૂક હુસેનભાઈ મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી અને ફેઝાન ફિરોઝભાઈ બેલીમને ઝડપી પાડ્યા હતા. જે બાદ આજે ઝડપાયેલા તમામ 6 શખ્સોને મસમોટા પોલીસ કાફલા સાથે બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા તેમજ ફાયરિંગની ઘટના અંગે રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, પોલીસ ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:44 pm

રાહતના સમાચાર: યુદ્ધ વચ્ચે બે ભારતીય ગેસ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, ભારત આવવા રવાના

US Iran War: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. શિપ ટ્રેકિંગ ડેટા મુજબ ભારતીય ધ્વજ ધરાવતા બે LPG ટેન્કર 'પાઇન ગેસ' અને 'જગ વસંત'એ ફારસની ખાડીથી ભારત આવવા મુસાફરી શરૂ કરી દીધી છે, તેઓ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી દીધું છે. સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું આજે સોમવારે બપોરે આ બંને જહાજો ઈરાનના લારક અને કેશ્મ ટાપુઓ વચ્ચે જોવા મળ્યા હતા, જે બાદ તેઓ સંભવતઃ ઈરાની અધિકારીઓને પોતાની ઓળખ સ્પષ્ટ કરાવી હતી. બાદમાં બંને જહાજોને હોર્મુઝ સ્ટ્રેટ પાર કરવાની પરમીશન મળતા હવે તે ભારતની વાટે નીકળી ચૂક્યા છે.

ગુજરાત સમાચાર 23 Mar 2026 3:41 pm

'AAP રૂપિયા લઈને ટિકિટ આપે છે':આંદોલનના સાથી મનીષ ભ્રમભટ્ટનો અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપ, કહ્યું- જનતાના ચૂંટેલા ઉમેદવારને ટિકિટ નહી તો અલગથી ચૂંટણી લડીશું

સોશિયલ એક્ટિવિસ્ટ અને એક સમયના અરવિંદ કેજરીવાલના આંદોલનના સાથી મનીષ ભ્રમભટ્ટે જનતા સરકાર આંદોલનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે તેમજ અરવિંદ કેજરીવાલ પર ગંભીર આક્ષેપો પણ કર્યા છે. અરવિંદ કેજરીવાલ અને AAP રૂપિયા લઈને ટિકિટ આપતી હોવાનો પણ મનીષ ભ્રમભટ્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. પ્રજાની વાત કરીને કરીને અરવિંદ કેજરીવાલ પ્રજા સાથે વિશ્વાસઘાત કરતી હોવાનો ગંભીર આક્ષેપ પણ કરવામાં આવ્યો છે તેમજ જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અન્ય પાર્ટીઓ મેરીટ પ્રથા લાગુ નહીં કરે તો પ્રજા માટે અલગથી પાર્ટી બનાવી ચૂંટણી લડવાની તૈયારી પણ દર્શાવી છે. કેજરીવાલના ગુૃજરાત પ્રવાસ પહેલા આંદોલનના સાથીએ ખુલાસો કર્યોઆમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તમામ બેઠક પર ઉમેદવાર ઉતારવાની તૈયારી કરી રહી છે. જેને લઈને અરવિંદ કેજરીવાલ 4 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જે પહેલા જ અરવિંદ કેજરીવાલના આંદોલનના સાથીએ મોટો ખુલાસો કર્યો છે. અરવિંદ કેજરીવાલ પ્રજાના બદલે રૂપિયા લઈને ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોને ટિકિટ આપતા હોવાનો દાવો અરવિંદ કેજરીવાલના આંદોલનના સાથી મનીષ ભ્રમભટ્ટે કર્યો છે. આમ આદમી પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરે તે પહેલા જ મોટો ખુલાસો કરવામાં આવતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. તેમજ અરવિંદ કેજરીવાલ પ્રજાના હિત માટે કામ ન કરતા હોવાનો પણ દાવો મનીષ ભ્રમભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. પ્રજાના નક્કી ઉમેદવારને ટિકિટ નહી મળે તો અલગથી પાર્ટી બનાવી લડીશુંસોશિયલ એક્ટિવિસ્ટ મનીષ ભ્રમભટ્ટ દ્વારા માંગ કરવામાં આવી છે કે, તમામ પાર્ટીઓ મેરીટ પ્રથા લાગુ કરે. જે માટે સમાજના આગેવાનો સાથે તમામ પાર્ટીના પ્રમુખ સાથે મુલાકાત કરવાની પણ તૈયારી શરૂ કરી છે. પ્રજા નક્કી કરે તે ઉમેદવાર ચૂંટણી લડે તે માટે જનતા સરકાર આંદોલન દ્વારા તમામ પાર્ટીને રજૂઆત કરશે. જે પાર્ટી મેરીટ પ્રથા લાગુ કરશે તેના સાથે જોડાઈને ચૂંટણી લડવાની જાહેરાત પણ કરવામાં આવી છે તેમજ જો કોઈપણ પાર્ટી મેરીટ પ્રથા લાગુ નહીં કરે કે જે પ્રજા નક્કી તે ઉમેદવારને ટિકિટ નહીં આપે તો અલગથી પાર્ટી બનાવી ચૂંટણી લડવાની પણ તૈયાર દર્શાવવામાં આવી છે. દરેક સરકારી અધિકારી પ્રજાના સેવક અને નોકર છે અને પ્રજા રાજા કહેવાયસોશિયલ એક્ટિવિસ્ટ મનીષ ભ્રમભટ્ટે જણાવ્યું હતું કે, આંદોલન કરવા માટે લોકો મજબૂર કેમ છે તેનું કારણ માત્ર એક જ છે ટિકિટ પ્રથા. આઝાદી સમયે અનેક લોકોએ બલિદાન આપ્યા ત્યારે આઝાદી મળી હતી. આઝાદી મળી અને લોકશાહી દેશની રચના થઈ પરંતુ, હજુ સુધી લોકશાહી લાગુ થઈ નથી, યોગ્ય આઝાદી હજુ પણ મળી નથી. પહેલા ચિન્હ આધારે ચૂંટણીની શરૂઆત થઈ હતી, જે બાદ હવે માત્ર પક્ષના નેતાઓના આશીર્વાદથી લોકો નેતા બનવા લાવ્યા હતા. નેતાના દીકરા નેતા બને છે, પાંચ વર્ષે જાતિના આધારે વોટ આપીને પછતાય છે અને રેલી આંદોલન કરવા મજબૂર બને છે. ચૂંટણી લડવા માટેની લાયકાત ધરાવતા હોય તે તમામ લોકોને પ્રજામાંથી ચૂંટણી લડવી જોઈએ. દરેક સરકારી અધિકારી પ્રજાના સેવક અને નોકર છે અને પ્રજા રાજા કહેવાય છે. અત્યારે પ્રજા આંદોલન કરવા મજબૂર થઈ જાય છે. મેરીટ પ્રથા લાગુ થાય તેવી માંગ છે અને તો જ પ્રજા રાજા બની શકશે. પ્રજા પોતાની પંસદગીથી નેતા નક્કી કરશે અને તેમના આધારે સરકાર ચાલશેઅરવિંદ કેજરીવાલે પર આક્ષેપ કરતા મનીષ ભ્રમભટ્ટે જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટી બનાવવા માટેનો પ્લાન પણ અમે આપ્યો હતો. આંદોલન બંધ કરીને પાર્ટી બનાવવા માટેનું સૂચન કર્યું હતું. પ્રજા પોતાની પંસદગીથી નેતા નક્કી કરશે અને તેમના આધારે સરકાર ચાલશે તેવું કહ્યા બાદ આમ આદમી પાર્ટી બનાવવામાં આવી હતી. 2014માં અરવિંદ કેજરીવાલે રૂપિયા લઈને ગમે તેને ટિકિટ આપવાનું શરૂ કર્યું હતું. આઝાદ ભારતનો સૌથી મોટો વિશ્વાસઘાત નેતા હોય તો તે અરવિંદ કેજરીવાલ છે. પ્રજાનું શાશન ઈચ્છે છે તો પંજાબમાં કાયદો બનાવે, ગુજરાતના તમામ કાર્યકર્તાઓને કહીએ છીએ કે અરવિંદ કેજરીવાલ પ્રજા સાથે વિશ્વાસ કરે છે. પ્રજાનું કામ કરવાના બદલે અરવિંદ કેજરીવાલે પ્રજા સાથે વિશ્વાસઘાત કર્યો છે. અમે દરેક પક્ષ પાસે જઈને માંગ કરીશું કે તમે મેરિટ પ્રથા લાગુ કરોવધુમાં મનીષ ભ્રમભટ્ટે જણાવ્યું હતું કે, આઝાદી પછીથી આજ દિન સુધી પ્રજા લાચાર છે, કેમ પ્રજાની પંસદગીના ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતી નથી. 200 બાયોડેટામાંથી અમુક લોકોને ટિકિટ આપીને કાર્યકર્તાઓ સાથે અન્યાય થાય છે, કોઈપણ યોગ્ય માણસને ટિકિટ આપવામાં આવતી નથી. નેતાઓ બુટલેગર અને ગુંડાઓને ટિકિટ આપીને ચૂંટણી લડાવે છે. કોઈપણ પાર્ટીમાં નેતાઓનો જય જય કાર ન કરતા હોય તેવા લોકોને ટિકિટ આપીને ચૂંટણી લડાવવી જોઈએ. અમે દરેક પક્ષ પાસે જઈને માંગ કરીશું કે તમે મેરિટ પ્રથા લાગુ કરો. મેરીટ પ્રથાના 6 રાઉન્ડ બનાવ્યા છે, જેમાં પેહલા રાઉન્ડમાં મે મહિના સુધી સમય આપીશું. કોઈપણ પક્ષ મેરિટ પ્રથા લાગુ કરશે તો અમે તેને સપોર્ટ કરીશું અને જો કોઈ પાર્ટી લાગુ નહીં કરે તો અમે જનતા સરકાર લાગુ કરીશું અને ચૂંટણી લડવાની લાયકાત ધરાવે છે તેમણે ટિકિટ આપવામાં આવશે. દરરોજ 30 લોકોના ઘર સુધી પહોંચવામાં આવશેપોતાની પાર્ટી બનાવવાની વાતને લઈને મનીષ ભ્રમભટ્ટે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા સિલેકશન આપવામાં આવશે, 10 ટેકેદાર હોય તો તે ઉમેદવારી નોંધાવી શકે છે. એક વિધાનસભામાં એક ઉમેદવાર 10 ટેકેદારને સાથે રાખીને સ્થાનિક લોકોની સમસ્યાને રીલ બનાવશે અને તે સોશિયલ મીડિયામાં મુકવામાં આવશે. દરરોજ 30 લોકોના ઘર સુધી પહોંચવામાં આવશે. જે બાદ બીજા રાઉન્ડમાં સામાજિક પસંદગી આપવામાં આવશે, સમાજના મત ખેંચવા માટે ટિકિટ આપવામાં આવે છે જે પછી કોઈપણ પ્રજાનું સાંભળતા નથી અને તે નેતાઓ પછી પાર્ટીના થઈ જાય છે. દરેક સમાજને પોતાની બેઠક પરના યોગ્ય વ્યક્તિ શ્રેષ્ઠ વ્યક્તિ પસંદ કરવાની તક આપવામાં આવશે, સમાજ નક્કી કરશે તેને ટિકિટ આપવામાં આવશે. ડિજિટલ વોટનો કાયદો બનાવી, પ્રજાના આધારે સરકાર ચાલે એવું આયોજન કરીશુંત્રીજા રાઉન્ડમાં સભા યોજવામાં આવશે અને તેમાં ઉમેદવારો સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવીશું તેના આધારે ઉમેદવાર નક્કી કરવામાં આવશે. જો અન્ય કોઈ પાર્ટી ઉમેદવાર આ રીતે નક્કી નહીં કરે તો જનતા આંદોલન કરીશું અને કોઈ પક્ષ બનાવવો પડશે તો પણ બનાવીશું અને ચૂંટણી લડવા માટે ચિહ્ન પણ લઈશું. ડિજિટલ વોટનો કાયદો બનાવી, પ્રજાના આધારે સરકાર ચાલે એવું આયોજન કરીશું. અધિકારીઓને પ્રજાને ખૂબ હેરાનગતિ છે, ધારાસભ્યનું અધિકારી સાંભળતા નથી તો પ્રજા માટે શું કામ કરતા હશે તે પણ સમજી શકાય. એક એપ્લિકેશન બનાવી અધિકારીઓની કામગીરી કેવી લાગી તેના આધારે રેટિંગ આપવામાં આવે અને તેના આધારે રિપોર્ટ તૈયાર કરી 51 ટકા જો અધિકારીના કામથી સંતુષ્ટ ન હોત તો ટ્રાન્સફર, સસ્પેન્ડ અને ડીસમિસ કરવા જોઈએ.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:34 pm

જામનગરમાં પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાની કાર પર ફાયરિંગ:9 શખ્સોએ થાર, બલેનો સહિતની કારમાં પીછો કરી ટક્કર મારી, તલવાર, પાઇપ જેવા હથિયારોથી હુમલો કરતા 3ને ઈજા

જામનગર નજીક ખંભાળિયા રોડ પર પૂર્વ કોર્પોરેટર અસલમ કરીમ ખિલજીના ભત્રીજાની ગાડીમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જે બાદ ગાડીના કાચ તોડી પૂર્વ કોર્પોરેટરના ભત્રીજા સહિત ત્રણ યુવાનો પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 9 શખસોએ કારનો પીછો કરીને ટક્કર મારી આ હુમલો કર્યો હતો. આ મામલે પૂર્વ વિપક્ષી નેતા સહિત કુલ 9 આરોપીઓ સામે સિક્કા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અગાઉની મારામારીનો ખાર રાખીને હુમલો કરાયોપોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી અસલમ કરીમ ખિલજીએ જણાવ્યું હતું કે, અગાઉ થયેલી મારામારીનો ખાર રાખીને આરોપીઓએ પૂર્વ આયોજન સાથે આ હુમલો કર્યો હતો. આ બનાવ ગઈકાલે રાત્રે લગભગ 11 વાગ્યાના સમયે જામનગર-ખંભાળિયા હાઈવે પર વસઈ ગામ નજીક સ્વાન સ્વીટ ફેક્ટરીના ગેટ પાસે રોડ ઉપર બન્યો હતો. શાહનવાઝની કારને ટક્કર મારી રોડ પરથી નીચે ઉતારી દીધીફરિયાદ મુજબ, શાહનવાઝ પોતાના મિત્રો સાથે મહિન્દ્રા થારમાં જઈ રહ્યા હતા. ત્યારે આરોપીઓએ પોતાની થાર તેમજ બલેનો જેવી કારોમાં તેમનો પીછો કર્યો હતો. આરોપીઓએ શાહનવાઝની કારને ટક્કર મારી રોડ પરથી નીચે ઉતારી દીધી હતી. ત્યારબાદ હાથમાં રિવોલ્વર, પિસ્તોલ, તલવાર અને લોખંડના પાઇપ જેવા મારક હથિયારો સાથે હુમલો કર્યો હતો. શાહનવાઝને કારમાંથી નીચે ઉતારી હાથ, પગ અને શરીરના ભાગોમાં માર મારતા ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી. હુમલા દરમિયાન આરોપીઓમાંથી કેટલાકે અન્ના અને મુખ્તારના કહેવા પર આવ્યા છીએ અને આજે તેને જાનથી મારી નાખવાનો છે એવું પણ બોલ્યા હતા. બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યુંશાહનવાઝ બચવા માટે ભાગતા આરોપીઓએ રિવોલ્વર અને પિસ્તોલમાંથી બે થી ત્રણ રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. આ હુમલામાં શાહનવાઝ ઉપરાંત રઉફ અને અસલમને પણ ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. પૂર્વ વિપક્ષી નેતા સહિતનાઓ સામે ફરિયાદઆ સમગ્ર મામલે જામનગર મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ગફ્ફાર ખફી સહિત અનવર ઉર્ફે અન્ના ગફ્ફાર ખફી, મુખ્તાર ઉર્ફે ટોપી અબ્બાસ કુરેશી, તબરેજ, મહેબુબ ખફી, મોસીન પચાસિયો, હનીફ મુસા ખફી, હુસેન બોદુ ખફી અને હમીદ જાનમામદ ઉર્ફે રાંઝો સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધાયો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1), 118(1), 118(2), 189(2), 189(4), 190, 191(3), 61(2) તેમજ આર્મ્સ એક્ટ કલમ 25(1-A), 27(1) અને જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધ્યો છે. આ બનાવની વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ્પેક્ટર પી.ટી. જયસ્વાલ કરી રહ્યા છે. સમગ્ર મામલે ASPએ શું કહ્યું?જામનગર ASP પ્રતિભાએ જણાવ્યું કે, જામનગર- દ્વારકા હાઈવે પર કાલે રાતે આરોપીઓએ ફરિયાદીની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. જે બાદ ગાડીના કાચ તોડ્યા હતા. આ મામલે ઈજાગ્રસ્ત બે લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફરિયાદમાં હાલ 9 આરોપીઓના નામ નોંધવામાં આવ્યાં છે તેમજ વધુ તપાસ હાલ ચાલું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ફરિયાદી પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજી પર જામનગરમાં જીવલેણ હુમલો કરાયો હતો. આ પ્રકરણમાં પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી હજુ સપ્તાહ પૂર્વે જ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી જેલ હવાલે કરાયા છે, જો કે, આજની ઘટના સમયે પણ જેલમાં છે ત્યારે પોલીસ વધુ એક ગુનાના કામે તેઓનો જેલમાંથી કબજો સંભાળશે. આ પણ વાંચોક્રિકેટ રમતા બોલ વાગ્યો તો ફાયરિંગ કર્યું, VIDEO અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમા ફાયરિંગની ઘટના બની હતી. ક્રિકેટ રમતા બોલ વાગતા ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:29 pm

મોરબીના રાજપરમાં રમકડાની બેટરી ફાટી:કચરામાંથી મળેલા રમકડાથી બાળક દાઝી રાજકોટ ખસેડાયો

મોરબીના રાજપર ગામે કચરામાંથી મળેલા રમકડાની બેટરી ફાટતા આઠ વર્ષનો બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. બાળકને તાત્કાલિક સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટના ગઈકાલે બની હતી. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબી તાલુકાના રાજપર ગામે ધનજીભાઈ પટેલની વાડીમાં મજૂરી કામ કરતા ભેરુભાઈ ગામડનો આઠ વર્ષનો દીકરો બાદલ કચરામાંથી મળેલા રમકડાથી રમી રહ્યો હતો. રમકડામાં રહેલી બેટરી અચાનક ફાટતા બાદલ છાતી અને મોઢાના ભાગે દાઝી ગયો હતો. ઘટના બાદ બાળકને સૌપ્રથમ મોરબીની સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, ગંભીર ઈજાઓને કારણે તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાની નોંધ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:16 pm

નવસારીમાં NPLની ચોથી સીઝન શરૂ:પ્રથમવાર ડે-નાઈટ મેચો, 21 એપ્રિલથી ગાંધી કોલેજમાં જંગ

નવસારી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (NDCA) દ્વારા 'નવસારી પ્રીમિયર લીગ' (NPL) ની ચોથી સીઝનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ 21 એપ્રિલથી શરૂ થશે અને ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. NPLની આ ચોથી સીઝન 21 એપ્રિલથી શરૂ થશે. નવસારીમાં પ્રથમ વખત પ્રોફેશનલ સ્તરે ડે-નાઈટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ મેચો નવસારીની ગાંધી કોલેજના ગ્રાઉન્ડ પર ફ્લડ લાઈટ્સના પ્રકાશમાં રમાશે. ટુર્નામેન્ટના પ્રમુખ તરીકે રાજેશ હિરાણીની ફરી વરણી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ખેલાડીઓનું ઓક્શન (હરાજી) યોજાશે, જેમાં ટીમના માલિકો ખેલાડીઓની પસંદગી કરશે. ગત વર્ષે યોજાયેલી ત્રીજી સીઝનમાં વિશાલ રાવની ટીમ લાઈફ ઈન ચેમ્પિયન બની હતી. ત્રીધી ઇલેવન રનર્સ-અપ રહી હતી. નવસારીમાં પ્રથમવાર ડે-નાઈટ મેચોને કારણે ખેલાડીઓ અને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ છે. આ ટુર્નામેન્ટ સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને નવું પ્લેટફોર્મ પૂરું પાડશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:15 pm

ગીર સોમનાથમાં ટ્રાફિક નિયમ ભંગ પર પોલીસની કાર્યવાહી:એક સપ્તાહમાં 269 કેસ, ₹1.78 લાખનો દંડ વસૂલાયો

ગીર સોમનાથ જિલ્લામાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે પોલીસ તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 16 થી 22 માર્ચ, 2026 દરમિયાન ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત કુલ 269 કેસ નોંધી ₹1,78,300નો દંડ વસૂલવામાં આવતા નિયમભંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સંયુક્ત ટીમોનું હાઈવે અને શહેરોમાં સઘન ચેકિંગજિલ્લા ટ્રાફિક શાખા અને ARTO વિભાગની સંયુક્ત ટીમો દ્વારા નેશનલ હાઈવે, શહેરના મુખ્ય માર્ગો અને ટ્રાફિકની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન ખાસ કરીને વાહનોમાં લગાવાયેલી અનઅધિકૃત LED લાઈટ્સ, કાળા કાચ (ટિન્ટેડ ગ્લાસ) અને રોંગ સાઈડ ડ્રાઈવિંગ જેવા ગંભીર પ્રકારના નિયમભંગ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, વાહનોમાં વપરાતી તેજ LED લાઈટ્સ સામેથી આવતા ચાલકોની દ્રષ્ટિમાં અવરોધ ઊભો કરી અકસ્માત નોતરે છે, જ્યારે કાળા કાચનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિઓ માટે થવાની ભીતિ રહેલી હોય છે. દંડ અને કાર્યવાહીની વિગતોઅભિયાન દરમિયાન નોંધાયેલા કેસ અને વસૂલવામાં આવેલા દંડના આંકડા નીચે મુજબ છે: આ ઉપરાંત, ગંભીર બેદરકારી બદલ BNS કલમ 281 અને 285 હેઠળ 3 ગુના પણ નોંધવામાં આવ્યા છે. આગામી સમયમાં કાર્યવાહી વધુ તેજ બનશેપોલીસ તંત્રએ તાકીદ કરી છે કે માર્ગ સુરક્ષા જાળવવા માટે આવી ડ્રાઈવ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઈ પણ પ્રકારની નરમાઈ રાખવામાં આવશે નહીં. જિલ્લા પોલીસે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને સુરક્ષિત ડ્રાઈવિંગ કરવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:13 pm

ભરૂચમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી:બે પંપ પર સપ્લાય ખૂટતા ગભરાટ, સંચાલકે શાંતિ જાળવવા અપીલ કરી

ભરૂચ શહેર અને જિલ્લામાં આજે પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઇંધણની સપ્લાય પર અસર થશે તેવી અફવાઓ ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો, જેના પગલે મોટી સંખ્યામાં લોકો ઇંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા. ખાસ કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારોને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. લોકોમાં ઇંધણ ખૂટી જવાની ભીતિ સ્પષ્ટપણે જોવા મળી હતી. આ મામલે ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને પેટ્રોલ પંપ સંચાલક દુષ્યંત પટેલે સ્પષ્ટતા કરી હતી કે જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ મોટી ખામી નથી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શહેરના બે પેટ્રોલ પંપ પર તાત્કાલિક રીતે પેટ્રોલ ખૂટી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, અન્ય તમામ પંપો પર પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે લોકોને ગભરાયા વિના સંયમ જાળવવા અને ઉતાવળમાં વધુ પેટ્રોલ ભરાવવા દોડાદોડ ન કરવા અપીલ કરી હતી. દુષ્યંત પટેલે નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવવા જણાવ્યું હતું, જેથી સાચી જરૂરિયાત ધરાવતા લોકોને ઇંધણ સરળતાથી મળી શકે અને અનાવશ્યક ભીડ ટાળી શકાય. હાલ તંત્ર પણ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને લોકોને અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:13 pm

વેરાવળમાં પ્રતિબંધિત માર્ગ પર બેફામ પાણીના ટેન્કરો:અકસ્માતોનો ભય, મુસ્લિમ સેવા સમાજે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી

વેરાવળ શહેરના તાલાળા નાકાથી સોમનાથ ટોકીઝ સુધીનો મુખ્ય માર્ગ પાણીના ટેન્કરોની બેફામ ગતિને કારણે જોખમી બન્યો છે. આ માર્ગ પર હેવી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં ટેન્કરો ધડાધડ દોડતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે સમસ્ત મુસ્લિમ સેવા સમાજે ડેપ્યુટી કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ માર્ગ પર પાણીના ટેન્કરો નિયમોનો ભંગ કરીને પૂર ઝડપે દોડે છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોના જીવ જોખમમાં મુકાય છે. ભૂતકાળમાં પણ આ રસ્તા પર અનેક ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં યુવાનોએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં, પ્રશાસન દ્વારા આ ટેન્કરો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે મોતના ટેન્કરોનો આતંક યથાવત રહ્યો છે. આ ગંભીર મુદ્દે સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પ્રમુખ અફઝલભાઈ પટેલે ડેપ્યુટી કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં ગેરકાયદેસર પાણીના વેપાર સાથે સંકળાયેલા તત્વો દ્વારા ભય વિના ટેન્કરો દોડાવવામાં આવતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રતિબંધિત માર્ગ પર હેવી વાહનોનો ખુલ્લેઆમ ઉપયોગ થઈ રહ્યો છે અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. અફઝલભાઈ પટેલે આવા મોતના સોદાગરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અફઝલભાઈ પટેલે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું છે કે, આ માર્ગ પર પાણીના ટેન્કરો પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે, ગેરકાયદેસર પાણીના વેપાર કરતા તત્વો સામે કાયદેસર કાર્યવાહી થાય અને ટ્રાફિક નિયમોનો કડક અમલ કરવામાં આવે. જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં નહીં લેવાય તો વિસ્તારના લોકો ગાંધી માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે તેવી ચીમકી પણ તેમણે ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:08 pm

ગણપત યુનિવર્સિટીમાં યોજાયો એનિમિયા કેમ્પ:બી. ટી. સવાણી હોસ્પિટલના સહયોગથી 3300 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું કરાયું ફ્રી મેડિકલ ચેકઅપ

ભારતમાં મહિલાઓ અને યુવાનોમાં વધતા જતાં એનિમિયાના જોખમને ધ્યાનમાં રાખીને ગણપત યુનિવર્સિટી દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. યુનિવર્સિટીના આંગણે તાજેતરમાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે વિશેષ 'એનિમિયા ટેસ્ટ અને સારવાર કેમ્પ'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિમાં રાજકોટની સુપ્રસિદ્ધ બી. ટી. સવાણી કિડની હોસ્પિટલનો અમૂલ્ય સહયોગ સાંપડ્યો હતો. સેવા અને મિત્રતાનો સંગમરાજકોટની બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ છેલ્લા 25 વર્ષમાં અંદાજે 10 લાખ દર્દીઓને એનિમિયા સામેની લડાઈમાં મદદરૂપ બની છે. ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપત દાદાના મિત્રો ભાણજીભાઈ કુંડારિયા અને કિશોરભાઈ કુંડારિયાના સૌજન્યથી આ કેમ્પનું આયોજન શક્ય બન્યું હતું. આ કેમ્પમાં માત્ર ટેસ્ટિંગ જ નહીં, પરંતુ કેન્સર અને કિડનીના રોગો પ્રત્યે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. 3300થી વધુ લોકોનું નિશુલ્ક હેલ્થ ચેકઅપકેમ્પ દરમિયાન યુનિવર્સિટીની વિવિધ કોલેજોના 3300થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર્સનું વિનામૂલ્યે હિમોગ્લોબીન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુંડારિયા ફેમિલી રિસોર્સ ફાઉન્ડેશન (અમેરિકા) ઉપરાંત ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, અણમોલ એજ્યુકેશન ટ્રસ્ટ, બોલબાલા ટ્રસ્ટ અને સદભાવના ટ્રસ્ટ જેવી અનેક નામાંકિત સંસ્થાઓએ સહયોગ આપ્યો હતો. શિક્ષણની સાથે સ્વાસ્થ્ય પ્રત્યેની આ સજાગતાએ શૈક્ષણિક જગતમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 3:02 pm

ધ્રાંગધ્રાની ગોકુલ સોસાયટી: વરસાદી પાણીનો સંગ્રહ કરી પીવામાં ઉપયોગ:17 વર્ષથી ભૂગર્ભ ટાંકામાં પાણી સંગ્રહ, આરોગ્ય અને આર્થિક લાભ

ધ્રાંગધ્રાની ગોકુલ સોસાયટીના રહીશો છેલ્લા 17 વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરીને તેનો પીવા માટે ઉપયોગ કરી રહ્યા છે. આ સોસાયટીના પરિવારોએ પોતાના ઘરોમાં ભૂગર્ભ ટાંકા બનાવ્યા છે, જેમાં 12,000થી 15,000 લીટર પાણીનો સંગ્રહ થાય છે. આ પહેલથી તેમને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સોસાયટીના દરેક ઘરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકા બનાવવામાં આવ્યા છે. વરસાદની ઋતુમાં ધાબા પર પડતું પાણી સીધું પાઇપલાઇન દ્વારા આ ટાંકાઓમાં સંગ્રહિત થાય છે. આ પાણીનો ઉપયોગ આખું વર્ષ પીવા માટે કરવામાં આવે છે. પાણીના સંગ્રહ માટે બે પાઇપલાઇન સિસ્ટમ ગોઠવવામાં આવી છે. વરસાદની શરૂઆતમાં, પ્રથમ પાઇપલાઇન દ્વારા ધાબાને ધોઈને સાફ કરવામાં આવે છે. ત્યારબાદ, બીજી પાઇપલાઇન દ્વારા સ્વચ્છ વરસાદી પાણી સીધું ભૂગર્ભ ટાંકામાં સંગ્રહિત થાય છે, જે આખા વર્ષ માટે પૂરતું પડે છે. આ પદ્ધતિ અપનાવવાથી રહીશોને આર્થિક ફાયદો થાય છે, કારણ કે તેમને બહારથી પીવાનું પાણી ખરીદવું પડતું નથી. આ ઉપરાંત, તેમના આરોગ્ય પણ સારું રહે છે. તેમને પાણીજન્ય રોગો જેવા કે સાંધાના દુખાવા કે પથરી જેવી સમસ્યાઓ થતી નથી. તાજેતરમાં 22 માર્ચે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ધ્રાંગધ્રાના આ રહીશો અન્ય લોકોને પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને તેનો સદુપયોગ કરવા અપીલ કરી રહ્યા છે. આ પ્રકારની પહેલથી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય છે અને રાજ્યમાં પાણીનો દુષ્કાળ ટાળી શકાય છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 2:33 pm

મહેસાણામાં વેરા વ્યાજ માફી યોજનાનો 1053 લોકોએ લાભ લીધો:1.26 કરોડની વસૂલાત, વેરો નહીં ભર્યો હોય તો મનપા મિલકત સીલ સહિતની કાર્યવાહી કરી શકે

મહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલી મિલકત વેરા વ્યાજ/પેનલ્ટી માફી યોજનાને શહેરીજનો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો હતો. જે યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ 1053 મિલકતધારકોએ પોતાનો બાકી વેરો ભરપાઈ કરી યોજનાનો લાભ લીધો હતો. જેને લઈ પાલિકાની તિજોરીમાં કુલ રૂ.1,26,51,635 ની માતબર રકમ જમા થઈ હતી. આ યોજનાનો લાભ લેવા માટે આગામી 31 માર્ચ, 2026 છેલ્લી તારીખ નક્કી કરવામાં આવી છે. વેરો નહીં ભર્યો હોય તો મનપા મિલકત સીલ કરી શકેહાલમાં આ યોજના અમલમાં હોવા છતાં કેટલાક મિલકતધારકો હજુ પણ વેરો ભરવામાં ઉદાસીનતા દાખવતા હોઈ પાલિકાએ આવા મુખ્ય બાકીદારોની યાદી જાહેર કરી હતી. મહાનગરપાલિકાએ તમામ બાકીદારોને અંતિમ અપીલ કરી છે કે આ તકનો લાભ લઈ તાત્કાલિક વેરો ભરપાઈ કરે. જો નિર્ધારિત સમયમર્યાદામાં વેરો નહીં ભરાય, તો પાલિકા દ્વારા મિલકત સીલ કરવી, નળ કનેક્શન કાપવા અથવા અન્ય દંડાત્મક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વ્યવસાય વેરાની વ્યાજ માફી યોજનાનો 1675 લોકોએ લાભ લીધોમહેસાણા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે જાહેર કરવામાં આવેલી વ્યવસાય વેરા વ્યાજ/પેનલ્ટી માફી યોજનાને લઈ બાકી વેરા પર 50% વ્યાજ અને પેનલ્ટી માફી આપવામાં આવી રહી છે. જેનો અત્યાર સુધીમાં 1675 કરદાતાઓએ લાભ લીધો હતી. 1.26 કરોડની રકમ વસૂલાતપાલિકાની આ ઝુંબેશ હેઠળ તા. 6 માર્ચ 2026થી અત્યાર સુધીમાં કુલ રૂ. 1,45,47,733ની માતબર રકમ વસૂલાત કરવામાં આવી હતી. જોકે આટલી મોટી રાહત છતાં શહેરના કેટલાક રીઢા બાકીદારો હજુ પણ વેરો ભરવામાં આનાકાની કરતા હોવાનો સુર રહ્યો હતો. પાલિકા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી યાદી મુજબ અનિતા વસ્ત્રાલય (રૂ.50,942), રાજશ્રી કોમ્પ્યુટર (રૂ.49,350), પટેલ ઓઈલ ટ્રેડર્સ (રૂ.44,099) અને શિવમ કોમ્પ્યુટર (રૂ.31,711) જેવા અનેક એકમોના લાખો રૂપિયાના વેરા બાકી રહ્યા હતા. તો મહાનગરપાલિકાએ અંતિમ અપીલ કરતા નાગરિકોને તાત્કાલિક વેરો ભરપાઈ કરવા અપીલ કરી હતી. જો નિર્ધારિત સમયમાં વેરો નહીં ભરાય તો મિલકત સીલ કરવી બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવા કે અન્ય દંડાત્મક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 2:27 pm

રાજકોટમાં ડોક્ટરને બ્લેકમેલ કરતો તબીબ ઝડપાયો:ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવી તબીબની અંગત પળોના વિડીયો બનાવી રૂ.25 લાખ માંગ્યા, 11 બોગસ પત્રકારો પોલીસ પકડથી દૂર

રાજકોટમાં ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરો ગોઠવી તેમની અંગત પળોના વીડિયોને રેકોર્ડ કરી રૂ.25 લાખની માંગણીના મામલામાં એક ડોક્ટર તેમજ તોડબાજ પત્રકારો સહિતની ટોળકી સામે સાયબર ક્રાઇમમાં ગૂનો નોંધાયો હતો. જેમાં પોલીસે મુખ્ય આરોપી ડૉ. કમલ નાંઢાની ધરપકડ કરી છે. ડોક્ટરે સ્પાય કેમેરાથી 3000 થી વધુ વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યા અને બોગસ પત્રકારો મારફતે નાણાની માંગણી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જોકે હાલ 11 તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર છે. જેઓને પુરાવાઓના આધારે ઝડપી લેવા માટે તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. રાજકોટ સાયબર ક્રાઇમ ACP ચિંતન પટેલે જણાવ્યું હતું કે, ગત 20 માર્ચના રાજકોટ શહેર સાયબર ક્રાઇમમાં એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં BNS કલમ 308(5), 308(4), 35(2), 356(3), 54, 61 અને IT એક્ટ 66(E), 67 અને 67(A) અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ડૉ. કમલ ચમનલાલ નાંઢા સહિત 12 આરોપીઓ હતા. જેમાં 22 માર્ચના પોલીસે મુખ્ય આરોપી 32 વર્ષીય ડૉ. કમલ નાંઢાની પોલીસે અટકાયત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સાધુવાસવાણી રોડ પર ગૌતમ ક્લિનિકના ડૉ. કમલ નાંઢાનો રોલ એવો હતો કે, તેણે ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો અને તેમના અંગત પળોના વિડીયો રેકોર્ડ કર્યા હતા અને ફરિયાદી પાસેથી રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જોકે કેટલા વીડિયો સ્પાય કેમેરાથી રેકોર્ડ કર્યા હતા તે અંગેની તપાસ ચાલુ છે તેમજ અન્ય 11 આરોપીઓને ઝડપવા માટે પોલીસે પુરાવાઓના આધારે તપાસે તેજ કરી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરમાં ન્યુસન્સ બની પત્રકાર તરીકે ઓળખ આપી સામાન્ય લોકોને બ્લેકમેલ કરી ગેરકાયદે રીતે ખંડણી માંગતા તોડબાજ પત્રકારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક તબીબ સહીત કુલ 12 લોકો સામે ખંડણી તેમજ ધમકી આપી રૂપિયા પડાવવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વિડીયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી કરી 50,000 પડાવવા અંગે ફરિયાદ નોંધી તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આરોપીઓ દ્વારા વર્ષ 2024થી આજ દિન સુધી તબીબને ખોટી રીતે હેરાન કરી બદનામ કરવાના ઇરાદે સતત ત્રાસ આપી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી જેનાથી કંટાળી આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીના ક્લિનિકમાં ડો. કમલ નાંઢા નામનો શખ્સ છે જેના દ્વારા ક્લિનિકમાં લેબર રૂમની અંદર બલ્બ હોલ્ડરમાં એક સ્પાય કેમેરો ફિટ કરવામાં આવ્યો હતો જે કેમેરાની અંદર મેમરી કાર્ડ ઇનબિલ્ટ હતું. જયારે પણ બલ્બ હોલ્ડરની સ્વીચ ચાલુ કરવામાં આવે ત્યારે તે સ્પાય કેમેરામાં રેકોર્ડિંગ ચાલુ થઇ જતું હતું અને મેમરી કાર્ડમાં તે સ્ટોરેજ થતું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડો. કમલ નાંઢા દ્વારા જે ક્લિનિક પર સ્પાય કેમેરો લગાવવામાં આવ્યો હતો તે સ્પાય કેમેરા મારફત ક્લિનિકના માલિક તબીબની અંગત પળોની વિડીયો ફૂટેજ સ્ટોર કરી બાદમાં કેટલાક કહેવાતા પત્રકારો સાથે શેર કરી બાદમાં તેની સાત મળી તબીબને બ્લેકમેલ કરી તેની પાસેથી ખંડણી રૂપે રૂપિયા 25 લાખની માંગણી પણ કરવામાં આવી હતી જે પૈકી રૂપિયા 50,000ની રકમ આરોપી દ્વારા સ્વીકારવામાં પણ આવી હતી. આ ગુનામાં પોલીસે ફરિયાદના આધારે આરોપી તરીકે સત્યની ગર્જના, ભારત ટાઇમ્સ, ભારત હેડલાઇન્સ, રાજકોટ હેડલાઇન્સ નામના મિડીયા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી તબીબ સહીત બોગસ પત્રકારો મળી 12 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું હતું કે, સાધુ વાસવાણી રોડ પર આવેલા ગૌતમ ક્લિનિકમાં કામ કરતા ડો.કમલ નાંઢા નામના તબીબને મહિલા તબીબ સાથે એક તરફી પ્રેમ હતો જેના કારણે તેને ફરિયાદીના ક્લિનિકમાં સ્પાય કેમેરો ઇન્સ્ટોલ કર્યો હતો બાદમાં તેને તબીબ સાથેની અંગત પળોના ફૂટેજ જોતા ખંડણી માટે પ્લાન બનાવ્યો હતો અને ખંડણીની માંગણી કરી હતી. આ તમામ અંગત પળોના વિડીયો 2023ના હતા જેમાં જૂન 2024થી સતત ફરિયાદીને ધાક ધમકીઓ આપી વારંવાર બદનામ કરવાનું કહી રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. તાજેતરમાં પણ આજ રીતે ફરી ફોન મેસેજ અને પેમ્પલેટ બનાવી વાયરલ કરી રૂપિયાની માંગણી સતત ચાલુ રાખવામાં આવતા અંતે કંટાળી ફ્રિયા નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ પાસે કુલ 3000 થી વધુ વિડીયો રેકોર્ડિંગ હોવાનું સામે આવ્યું છે જેમાં ડોક્ટરની અંગત પળોના વિડીયોનો સમાવેશ થાય છે અને સાથે જે દર્દીઓને ઇન્જેક્શન લગાવવામાં આવતા હોય તે વિડીયો ફુટેજનો પણ સમાવેશ થાય છે. આ તોડબાજ પત્રકારો પોલીસ પકડથી દૂર હિરેન મકવાણા, અજય ચુડાસમા, હાર્દિક ડોડીયા, જગદીશ તેરૈયા, જીગર સોઢા, ઘનશ્યામ પટેલ, જતીન નથવાણી, સ્વાતિ નથવાણી, અમિત ઠક્કર, ભરતભાઈ અને એક મોબાઈલ નંબર જેમના છે તે તેમજ તપાસમાં ખુલે તે તમામનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 2:27 pm

ગીર બોર્ડર પર 'નોટિસ રાજ' થી ખેડૂતોમાં ભારે રોષ:ગીરના 0 થી 1 કિમી વિસ્તારમાં હોમસ્ટે મુદ્દે સરકાર અને ખેડૂતો આમને-સામને: અમને વિકાસના નામે ફરી ઝૂંપડામાં ન ધકેલો,વન વિભાગ સામે આક્રોશ અને આંદોલનની ચીમકી

​એક તરફ રાજ્ય સરકાર ગુજરાતને વિશ્વ કક્ષાનું પ્રવાસન હબ બનાવવા માટે નવી હોમસ્ટે અને ઇકો-ટૂરિઝમ પોલિસીના બણગા ફૂંકી રહી છે, ત્યારે બીજી તરફ ગીરના જંગલની બોર્ડર પર વસતા ધરતીપુત્રો તંત્રની કનડગતથી તોબા પોકારી ગયા છે. ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના સરહદી ગામોમાં ખેતીની સાથે નાનો-મોટો હોમસ્ટેનો વ્યવહાર ચલાવતા ખેડૂતો અત્યારે વન વિભાગ અને સરકારી નોટિસોના ચક્રવ્યૂહમાં ફસાયા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ઇકો સેન્સિટિવ ઝોનના નામે તેમને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. ​'0 થી 1' કિલોમીટરમાં હોમસ્ટેની મંજૂરી માટે ઉગ્ર માંગ ​ગીર જંગલની સરહદથી 0 થી 1 કિલોમીટરના અંતરમાં આવતા ખેતરોમાં અનેક ખેડૂતોએ પોતાના ગુજરાન માટે 5-6 રૂમ ધરાવતા નાના હોમસ્ટે બનાવ્યા છે. ખેડૂતોની માંગ છે કે આગામી દિવસોમાં જ્યારે નવી ટૂરિઝમ પોલિસી બની રહી છે, ત્યારે આ 'બફર ઝોન'માં આવતા સ્થાનિકોને કાયદેસરની મંજૂરી આપવામાં આવે. અત્યારે સ્થિતિ એવી છે કે બાંધકામ જંગલની બહાર હોવા છતાં વન વિભાગ દ્વારા અવારનવાર 'ખોટી' નોટિસો ફટકારી ખેડૂતોને ગુનેગારની જેમ જોવામાં આવે છે. ​વન્યપ્રાણી બચ્યા છે તો તેમાં ખેડૂતોનો સિંહફાળો છે: ફાર્મ હાઉસ માલિક ​ફાર્મ હાઉસના માલિક સુધીર ઝાલાએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથથી સાસણ અને જૂનાગઢનો જે ટૂરિઝમ કોરિડોર બની રહ્યો છે તે આવકારદાયક છે. પરંતુ તંત્રએ એ ન ભૂલવું જોઈએ કે જો આજે ગીરમાં જંગલ, પર્યાવરણ અને સિંહ બચ્યા છે, તો તેમાં ખેડૂતોનો બહુ મોટો સિંહફાળો છે.જો સ્થાનિક યુવાનોને હોમસ્ટે કે એગ્રો-ટૂરિઝમ દ્વારા રોજગારી નહીં મળે, તો તેઓએ મજબૂરીમાં રાજકોટ કે અન્ય શહેરોના કારખાનામાં નોકરી કરવા જવું પડશે. 0 થી 1 કિમીમાં જ સૌથી વધુ બાગાયતી ખેતી છે જે પર્યાવરણને ટકાવી રાખે છે. આ ખેડૂતો જ વન વિભાગના સાચા ખબરી છે; વન્ય પ્રાણી બીમાર હોય કે નવા બચ્ચાનો જન્મ થાય, તેની પ્રથમ માહિતી ખેડૂતો જ અધિકારીઓને આપે છે. તો પછી તેમને જ કેમ હેરાન કરવામાં આવે છે ? ​ શું સરકાર અમને ફરી ઝૂંપડામાં ધકેલવા માંગે છે? : ખેડૂત​દેવળીયા નજીક ખેતી ધરાવતા 56 વર્ષીય વરજાંગભાઈ આજાભાઈ ડોડિયાએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, 10 વર્ષ પહેલા મેં કંટાળીને મારા ખેતરના 150 આંબા કાપી નાખ્યા હતા, કારણ કે વાંદરા અને નીલગાય પાક રહેવા દેતા નહોતા અને આર્થિક આવક નહોતી. પણ જ્યારે હોમસ્ટેનો વિચાર આવ્યો ત્યારે મેં ફરી આંબા વાવ્યા છે. હવે વન વિભાગ કહે છે કે 0 થી 1 કિમીમાં ધાબાવાળા મકાન કે હોમસ્ટેને મંજૂરી નહીં મળે. જો અમને અહીં કામ કરવા નહીં દેવાય તો અમારા છોકરાઓ ભૂખે મરશે.અમે મહેનત કરીને નળિયાવાળા ઝૂંપડામાંથી પાકા મકાન બનાવ્યા છે, શું સરકાર અમને ફરી ઝૂંપડામાં ધકેલવા માંગે છે ? પર્યટકો આવશે ક્યાં જો હોમસ્ટે જ નહીં હોય?: ખેડૂત ​જલંધર ગામના ખેડૂત રામશીભાઈ ગોવિંદભાઈ ચૌહાણે તંત્રની કામગીરી પર પ્રહાર કરતા કહ્યું કે અમે દેવળીયા પાર્કની બાજુમાં હોમસ્ટે ટાઈપનું વ્યવસ્થાપન કરીએ છીએ. કલેક્ટર અને વન વિભાગ તરફથી વારંવાર નોટિસો આવે છે. વન વિભાગ NOC આપવામાં ઠાગાઠૈયા કરે છે. જો અહીં રહેવાની વ્યવસ્થા જ નહીં હોય, તો પ્રવાસીઓ સાસણ કે દેવળીયા શું કામ આવશે ? સરકારના ઉચ્ચ અધિકારીઓ હકારાત્મક છે, પણ સ્થાનિક વન વિભાગ ખેડૂતોને સહકાર આપવા તૈયાર નથી. ​​ગીરના આ પંથકમાં ખેડૂતો અને વન વિભાગ વચ્ચેનો સંઘર્ષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. ખેડૂતોનો સીધો આરોપ છે કે વન વિભાગ ઇકો સેન્સિટિવ ઝોનના નિયમોનો હવાલો આપીને માત્ર નાના ખેડૂતોને જ ટાર્ગેટ કરી રહ્યું છે. જો સરકાર આગામી પોલિસીમાં 0 થી 1 કિમીના વિસ્તારમાં હોમસ્ટેને કાયદેસરની મંજૂરી નહીં આપે,તો ગીરના તમામ ગામોના ખેડૂતો એકત્ર થઈને ઉગ્ર આંદોલન છેડશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગીરનું પર્યાવરણ જાળવવું જેટલું જરૂરી છે, તેટલું જ અનિવાર્ય ત્યાંના સ્થાનિકોનું ગુજરાન છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર નોટિસ રાજ ખતમ કરીને ખેડૂતોને આર્થિક આઝાદી આપે છે કે પછી વિકાસની વાતો કાગળ પર જ રહી જાય છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 2:19 pm

શંખેશ્વરમાં જમીન વિવાદમાં જેઠે ભોજાઈ પર હુમલો કર્યો:લેન્ડ ગ્રેબિંગ અરજીના મનદુઃખમાં કવાડાથી હુમલો, મહિલાને માથામાં ઇજા

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામની સીમમાં કૌટુંબિક જમીન વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. લેન્ડ ગ્રેબિંગની અરજીના મનદુઃખમાં જેઠે પોતાની ભોજાઈ પર કવાડા વડે હુમલો કર્યો હતો, જેમાં મહિલાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્ત મહિલાને હાલ શંખેશ્વરની સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. મુજપુર ગામના 52 વર્ષીય ભગીબેન ભગવાનભાઈ નાડોદા દેસાઈએ શંખેશ્વર પોલીસ મથકે આ ઘટના અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, ભગીબેન તેમના પુત્ર પ્રકાશ સાથે સીમમાં આવેલા 'જડીવાળું' નામના ખેતરે કામ કરી રહ્યા હતા. તે સમયે તેમના જેઠ દજા લખમણ દેસાઈ ત્યાં આવી પહોંચ્યા હતા. દજાએ પ્રકાશને ઉદ્દેશીને 'તે કેમ મારા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી કરી છે?' તેમ કહી અપશબ્દો બોલ્યા હતા. જે બાદ બોલાચાલી ઉગ્ર બનતા દજા પોતાના ખેતરમાંથી કવાડું લઈ આવ્યા અને પ્રકાશ પર હુમલો કરવા દોડ્યા હતા. પુત્રને બચાવવા માટે ભગીબેન વચ્ચે પડતા, દજાએ કવાડાનો ફટકો તેમના માથાના ભાગે માર્યો હતો, જેના કારણે ભગીબેન લોહીલુહાણ થઈ ગયા હતા. હુમલો કર્યા બાદ આરોપી દજા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ગામના દીપક હીરા દેસાઈએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત ભગીબેનને ખાનગી વાહન દ્વારા શંખેશ્વર સી.એચ.સી. ખાતે સારવાર માટે ખસેડ્યા હતા. શંખેશ્વર પોલીસે ભગીબેનની ફરિયાદના આધારે આરોપી દજા લખમણ નાડોદા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (B.N.S.) ની કલમ 118(1) તથા જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવાજી બબાજી ઠાકોર કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 2:15 pm

હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો:અમદાવાદમાં કોંગ્રેસના પૂર્વ MLAના દીકરા યુવરાજે પોલીસ સાથે પણ તકરાર કરી, વીડિયો વાઇરલ થતાં તપાસ શરૂ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ શહેર પ્રમુખ હિંમતસિંહ પટેલનો દીકરો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો હતો. હિંમતસિંહ પટેલના દીકરા યુવરાજે દારૂ પીધેલી હાલતમાં પોલીસ સાથે પણ તકરાર કરી હતી, જે બાદ યુવરાજ અને તેના મિત્રને માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. જોકે પોલીસે યુવરાજ સામે ગુનો નોંધવાની જગ્યાએ રાજકીય નેતાનો દીકરો હોવાથી સેટીંગ કરી છોડી દીધો છે. યુવરાજ સામે અત્યાર સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. માધવપુરા પોલીસ સ્ટેશનના પીઆઇએ પણ આ અંગે સમાધાન થયું હોવાનું જણાવ્યું હતું. દૂધેશ્વર સર્કલ ખાતે ઘટના બની હતીઅમદાવાદના દૂધેશ્વર સર્કલ ખાતે ગઇકાલે(22 માર્ચ) રાતે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવની ઘટના બની હતી. જેને લીધે સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને કારમાં સવાર બંને નબીરાને ઝડપીને કારની તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી આવી હતી. આ પછી ત્યાં હાજર ટ્રાફિકના TRB જવાનને બોલાવી 112ને જાણ કરી હતી. કાર્યવાહી કરવાની જગ્યાએ સમાધાન કરી છોડી મૂક્યાઆ દરમિયાન એક કોન્સ્ટેબલ પણ કારમાં બેસીને તપાસ કરતો હતો, જેની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. પોલીસની નજર સામે જ ડ્રાઈવિંગ સીટની બાજુમાં દારૂની બોટલ હતી અને પાછળની સીટમાં પણ દારૂની બોટલ હતી. આ સમગ્ર દૃશ્ય વીડિયોમાં પણ દેખાય છે. ત્યાર પછી સ્થળ પર આવેલી પોલીસ બંનેને વાનમાં બેસાડી માધવપુરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં બંનેની સામે કાર્યવાહી કરવાની જગ્યાએ સમાધાન કરીને છોડી મૂકાયા હતા. રાજકીય નેતાનો દીકરો હોવાથી પોલીસે સમાધાન કરીને આરોપીને છોડી દીધોદારૂ પીધેલા યુવકને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો ત્યારે જાણ થઈ હતી કે દારૂ પીધેલી હાલતમાં બીજું કોઈ નહીં, પરંતુ કોંગ્રેસના નેતા હિંમતસિંહ પટેલનો દીકરો યુવરાજ છે. જોકે રાજકીય નેતાનો દીકરો હોવાથી પોલીસે આ મામલે સમાધાન કરીને આરોપીને છોડી દીધો હતો. વીડિયોના આધારે ગુનો નોંધાશે: PIઆ બાબતે માધવપુરા પીઆઇ સી.આર રાણાએ જણાવ્યું હતું કે રાતે કોલરે સમાધાન કર્યું હતું, પરંતુ હવે વીડિયો વાઇરલ થતા વીડિયોના આધારે ગુનો નોંધવામાં આવશે. સમાધાન કેમ થયું તે બાબતે તપાસ કરાશે: JCPસેક્ટર 1 JCP નીરજ બડગુજરે જણાવ્યું કે સમાધાન કેમ થયું તે બાબતે તપાસ કરવામાં આવશે. ગાડી મારા દીકરાની જ છે: હિંમતસિંહ પટેલતો આ મામલે કોંગ્રેસ નેતા હિંમતસિંહ પટેલે જણાવ્યું કે ગાડી મારા દીકરાની જ છે પણ શું થયું એ નથી ખબર.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 2:05 pm

વલસાડમાં ગુજકેટ પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ:7 હજાર વિદ્યાર્થીઓ 29 કેન્દ્રો પર પરીક્ષા આપશે, તમામ બ્લોકને CCTV કેમેરાથી સજ્જ કરાયા

રાજ્યની મહત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષા GUJCET માટે વલસાડ જિલ્લાનું તંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. પરીક્ષા પારદર્શક અને ગેરરીતિમુક્ત રીતે યોજાય તે માટે શિક્ષણ વિભાગ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ સંદર્ભે ઝોનલ અધિકારી બિપીન પટેલની અધ્યક્ષતામાં બિલ્ડિંગ કંડક્ટરો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વલસાડ જિલ્લામાં આ વર્ષે અંદાજે 7,000 વિદ્યાર્થીઓ ગુજકેટ પરીક્ષા આપશે. પરીક્ષાના આયોજન માટે જિલ્લામાં કુલ 29 બિલ્ડિંગમાં 352 બ્લોક નક્કી કરવામાં આવ્યા છે. તમામ બ્લોકને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે, જેથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકાય. વિદ્યાર્થીઓની ગ્રુપ મુજબની વિગત જોઈએ તો A ગ્રુપમાં 2,934 વિદ્યાર્થીઓ, B ગ્રુપમાં 4,036 વિદ્યાર્થીઓ અને AB ગ્રુપમાં 30 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જાતિવાર આંકડાઓ મુજબ, 3,343 છોકરાઓ અને 3,657 છોકરીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. પરીક્ષા કેન્દ્રના પ્રવેશદ્વાર પર જ વિદ્યાર્થીઓનું સઘન ચેકિંગ કરવામાં આવશે. છોકરાઓનું ચેકિંગ પુરુષ નિરીક્ષકો દ્વારા અને છોકરીઓનું ચેકિંગ મહિલા સ્ટાફ દ્વારા કરાશે. મોબાઈલ સહિત તમામ ઈલેક્ટ્રોનિક સાધનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વર્ગખંડમાં પ્રવેશ સમયે હોલ ટિકિટ અને ફોટાની ચકાસણી ફરજિયાત રહેશે. વિદ્યાર્થીઓને કોઈ અગવડ ન પડે તે માટે તમામ કેન્દ્રો પર પીવાના પાણી, બેઠક વ્યવસ્થા અને અન્ય પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત, દરેક કેન્દ્ર પર CCTV સુપરવાઈઝર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. વલસાડ શિક્ષણ વિભાગની આ તૈયારીઓ દર્શાવે છે કે, ગુજકેટ પરીક્ષા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં યોજાવવા માટે તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:49 pm

ગાંધીનગરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મનપાની ગાંધીગીરી:વેપારીઓને ઇકો ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવા માહિતી સાથે પેપર બેગનું વિતરણ કરાયું

ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા અને પર્યાવરણના જતનના ઉમદા હેતુથી એક વિશેષ ગાંધીગીરી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે દંડનીય કાર્યવાહીને બદલે પાલિકાએ આ વખતે સમજાવટ અને જાગૃતિનો માર્ગ અપનાવી શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં પ્લાસ્ટિક વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. સિંગલ યુઝ પ્લાસ્ટિકથી ગંભીર અસરઆ વિશેષ અભિયાનમાં સ્વસહાય જૂથની બહેનોએ ખભેખભા મિલાવીને સક્રિય ભૂમિકા ભજવી રહી છે. શહેરના ધમધમતા સેક્ટર-21, 24, સેક્ટર-7 અને મીના બજાર જેવા વિસ્તારોમાં આવેલી શાકમાર્કેટમાં બહેનોએ રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓ તેમજ ગ્રાહકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકથી પર્યાવરણ અને સ્વાસ્થ્ય પર થતી ગંભીર અસરો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. પેપર બેગનું વિતરણ કરાયુંઆ અભિયાનની ખાસિયત એ રહી કે વેપારીઓને માત્ર પ્લાસ્ટિક છોડવાની સલાહ જ નહીં પરંતુ તેના વિકલ્પ તરીકે પ્રતિકાત્મક રીતે પેપર બેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પાલિકાની આ નવતર પદ્ધતિને કારણે વેપારીઓએ પણ હકારાત્મક પ્રતિસાદ આપતા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની ખાતરી આપી હતી. ઈકો-ફ્રેન્ડલી વિકલ્પોના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કાર્યક્રમોમહાનગર પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય દંડ વસૂલવાને બદલે નાગરિકોમાં સ્વૈચ્છિક જવાબદારીની ભાવના કેળવવાનો છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોના પ્રચાર-પ્રસાર માટે જાગૃતિ કાર્યક્રમો ચાલુ રાખવામાં આવશે જેથી ગાંધીનગરને સાચા અર્થમાં પ્લાસ્ટિક મુક્ત ગ્રીન સિટી બનાવી શકાય.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:45 pm

આણંદ સાયબર ક્રાઇમે વીઝા ફ્રોડના બે આરોપીઓને ઝડપ્યા:લાંબા સમયથી ફરાર આરોપીઓને જેલ હવાલે કરાયા

આણંદ સાયબર ક્રાઇમ પોલીસે વીઝા ફ્રોડના ગુનામાં લાંબા સમયથી ફરાર બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ જામીન મળ્યા બાદ કોર્ટની મુદતોમાં હાજર રહેવાને બદલે નાસી છૂટ્યા હતા, જેના પગલે કોર્ટે તેમના વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, વર્ષ ૨૦૨૨માં આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનામાં જામીન મળ્યા પછી, આરોપીઓ ઉમરેઠ તાલુકા કોર્ટમાં નિયમિત મુદતોમાં હાજર રહ્યા ન હતા અને ફરાર થઈ ગયા હતા. આથી, કોર્ટે તેમની ધરપકડ માટે વોરંટ બહાર પાડ્યું હતું. પોલીસ ટીમે સંભવિત સ્થળોએ વોચ ગોઠવીને અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી પ્રકાશ ઉર્ફે પકો સુરેશભાઈ ગદાણી અને કોચરબ ગામમાંથી ચિરાગ ઉર્ફે જીગો ઉર્ફે વીરલ દલવાડી નામના બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. હાલ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને કોર્ટના આદેશ મુજબ તેમને જેલ હવાલે કરવાની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:32 pm

સુરતની સુમુલ ડેરીએ આંતરરાષ્ટ્રીય સ્તરની ‘વોટર ક્રેડિટ’ હાંસલ કરી:2.5 કરોડ લીટર જળ સંચય કર્યું, 100 મંડળીઓમાં વરસાદી પાણીના રિચાર્જિંગનો પ્રોજેક્ટ

શ્વેત ક્રાંતિમાં હંમેશા અગ્રેસર રહેતી સુરતની સુમુલ ડેરીએ હવે પર્યાવરણ અને જળ સંચયના ક્ષેત્રમાં પણ સુવર્ણ અક્ષરે નામ અંકિત કર્યું છે. વિશ્વ જળ દિવસના અવસરે સુમુલ ડેરીએ 2.5 કરોડ લીટર જળ સંચય કરી આંતરરાષ્ટ્રીય સ્તરની ‘વોટર ક્રેડિટ’ હાંસલ કરી છે. આ સાથે જ સુમુલ ડેરી આ સિદ્ધિ મેળવનાર સમગ્ર ભારતનો સૌપ્રથમ સહકારી સંઘ બની ગયો છે, જે સુરત અને તાપી જિલ્લા માટે ગર્વની વાત છે. 100 મંડળીઓમાં વરસાદી પાણીના રિચાર્જિંગનો પ્રોજેક્ટસુમુલ ડેરી દ્વારા સુરત અને તાપી જિલ્લાની 100 જેટલી સહકારી દૂધ મંડળીઓ ખાતે જળ સંચય પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક વરસાદી પાણી જમીનમાં ઉતારવાની સિસ્ટમ્સ લગાવવામાં આવી હતી. આ સિસ્ટમ દ્વારા વરસાદના વહી જતા પાણીને આધુનિક ટેકનોલોજીની મદદથી જમીનમાં ઉતારવામાં આવ્યું હતું, જેણે આ મોટી સફળતાનો પાયો નાખ્યો છે. 2.5 કરોડ લીટર જળ સંચય અને 25,000 RoUની પ્રાપ્તિસુમુલ ડેરીના આ ભગીરથ પ્રયાસોને પરિણામે આશરે 2.5 કરોડ લીટર (25 મિલિયન લીટર) જેટલું અમૂલ્ય વરસાદી પાણી ભૂગર્ભમાં સફળતાપૂર્વક રિચાર્જ કરવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કામગીરીના બદલામાં આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ મંડળીઓને અંદાજિત 25,000 RoU (રાઈનવોટર ઓફસેટ યુનિટ્સ) એટલે કે ‘વોટર ક્રેડિટ’ એનાયત કરવામાં આવી છે. વોટર ક્રેડિટ મંડળીઓ માટે નવી આવકનું સાધન બનશે આ વોટર ક્રેડિટ માત્ર એક પ્રશંસા પત્ર નથી, પરંતુ એક કિંમતી આર્થિક સંપત્તિ છે. આ ક્રેડિટ્સનું આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ પ્લેટફોર્મ પર વેચાણ કરી શકાશે, જેનાથી દૂધ મંડળીઓ માટે આવકનો નવો સ્ત્રોત ઊભો થશે. આ કમાણીનો ઉપયોગ ભવિષ્યમાં વોટર રિચાર્જ સિસ્ટમના નિભાવ ખર્ચ માટે કરવામાં આવશે, જેથી આ પ્રોજેક્ટ લાંબા ગાળા સુધી કાર્યરત રહી શકે. ખેડૂતો અને પશુપાલકોને સીધો ફાયદોજળ સંચયના આ પ્રોજેક્ટથી માત્ર પર્યાવરણને જ નહીં, પરંતુ સ્થાનિક પશુપાલકો અને ખેડૂતોને પણ મોટો ફાયદો થશે. ભૂગર્ભમાં આટલી મોટી માત્રામાં પાણી ઉતારવાથી આસપાસના વિસ્તારના બોરવેલ અને કૂવાના જળસ્તર ઊંચા આવશે. પાણીની અછત દૂર થતા પશુપાલન અને ખેતીમાં સિંચાઈની સુવિધા સુધરશે, જે અંતે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવશે. પર્યાવરણ સુરક્ષા માટે સુમુલ ડેરીનો દેશભરમાં ડંકોસુમુલ ડેરીના પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે જણાવ્યું હતું કે, સુમુલ 'શુદ્ધતાની પરંપરા' ના મંત્ર સાથે દૂધની ગુણવત્તા તો જાળવે જ છે, પરંતુ હવે પર્યાવરણ અને જળ સુરક્ષા માટે પણ નવી પરંપરા સ્થાપી રહી છે. આ મોડેલ આગામી સમયમાં દેશના અન્ય સહકારી સંઘો માટે માર્ગદર્શક સાબિત થશે. સુમુલ ડેરીએ આ પ્રોજેક્ટમાં સહભાગી થનાર તમામ 100 દૂધ મંડળીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:25 pm

રાજકોટ મનપાની પ્રાથમિક મતદાર યાદી જાહેર:શહેરનાં 1થી 18 વોર્ડમાં 1 લાખથી વધુ મતદારો ઘટયા, બુથ 991થી વધીને 1016 થયા, તમારું નામ ન હોય કે કાંઈ સુધારા-વધારા કરવા હોય તો જાણો

રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 માટેની વહીવટી પ્રક્રિયામાં આજે એક મહત્વપૂર્ણ તબક્કો પૂર્ણ થયો છે. જેમાં શહેરના તમામ 18 વોર્ડની પ્રાથમિક મતદાર યાદી આજરોજ સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અનુસાર હાથ ધરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) બાદ આ નવા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 1થી 18 વોર્ડમાં ગતવર્ષે, 10,93,991 મતદારો સામે ચાલુવર્ષે 9,85,922 મતદારો નોંધાયા છે. એટલે કે 1 લાખથી વધુ મતદારો ઘટયા છે. જ્યારે બુથ અગાઉના 991થી વધીને 1016 થયા છે. જો મતદાર યાદીમાં નામ ન હોય તો જરૂરી આધાર-પુરાવા સાથે મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાપાલિકા વિસ્તારના 1 થી 18 વોર્ડ માટેની મતદાર યાદી વિધાનસભા મતવિસ્તારની વિગતોના આધારે તૈયાર કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીના શુદ્ધિકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત ડુપ્લીકેશન, સ્થળાંતર અને ગેરહાજર મતદારોના નામ કમી કરવાની સઘન કામગીરી કરવામાં આવી હતી. આ પ્રક્રિયાના અંતે ગત ચૂંટણીની સરખામણીએ મતદારોની સંખ્યામાં ફેરફાર જોવા મળ્યો છે. અગાઉ રાજકોટમાં કુલ 10,93,991 મતદારો હતા, જે શુદ્ધિકરણ પ્રક્રિયા બાદ હવે કુલ 9,85,952 થયા છે. આ કુલ મતદારોમાં 5,10,086 પુરુષો, 4,75,848 સ્ત્રીઓ અને 18 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર, મતદારોની સુવિધા માટે આ વખતે મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરમાં 991 બૂથ હતા, જેમાં 25 બૂથનો વધારો કરીને હવે કુલ 1016 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. ભૌગોલિક રીતે જોતા, સૌથી વધુ 77 બૂથ વોર્ડ નંબર 3 માં અને સૌથી ઓછા 42 બૂથ વોર્ડ નં 5 માં રાખવામાં આવ્યા છે. મતદાનના દિવસે નાગરિકોને સુગમતા રહે તે માટે આ ફેરફાર વધતી જતી વસ્તી અને ભૌગોલિક વિસ્તારને ધ્યાને રાખીને કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાનાં ચુંટણી વિભાગના અધિકારી પ્રણય પંચાલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં આ મામલે જણાવ્યું હતું કે, આજે રાજ્યનાં ચૂંટણી આયોગની સૂચનાથી અને મહાનગરપાલિકાના મતદાર નોંધણી અધિકારી અને કમિશનર સાહેબ તથા રાજકોટ જિલ્લા અને શહેર ચૂંટણી અધિકારી કલેક્ટર સાહેબના સહકાર અને સહયોગથી રાજકોટ મહાનગરપાલિકાની મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી વિધાનસભા પરથી તૈયાર કરીને કુલ 1 થી 18 વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે. મહાપાલિકાની ગત ચૂંટણીમાં અંદાજિત 10,93,991 જેટલા મતદારો નોંધાયેલા હતા. ત્યારબાદ હાલમાં જે સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) થયો છે તેના લીધે ગેરહાજર, સ્થળાંતરિત કે ડુપ્લીકેશન ધરાવતા મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. હવે 18 વોર્ડના મળી કુલ 9,85,952 જેટલા અંદાજિત મતદારો નોંધાયા છે. ચૂંટણીનાં બૂથની વાત કરીએ તો ગત ચૂંટણીમાં અંદાજિત 991 બૂથ હતા, જેમાં વસ્તીના ફેરફાર મુજબ વધારો કરવામાં આવ્યો છે. વર્તમાનમાં કુલ 1016 બૂથ છે એટલે કે ગત વખત કરતા અંદાજે 25 જેટલા બૂથનો વધારો થયો છે. હાલ રાજકોટ શહેરની સેન્ટ્રલ ઝોન કચેરીની સાથે સાથે મનપાનાં તમામ વોર્ડ ઓફોસોમાં પણ આ મતદાર યાદી લોકો માટે ખુલ્લી મુકવામાં આવી છે. ત્યારે લોકોએ આ મતદાર યાદીમાં પોતાનું નામ ચકાસી લેવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિનું નામ મતદાર યાદીમાં ન હોય અથવા આ યાદીમાં કોઈપણ સુધારો-વધારો કરાવવો હોય તો તેઓ જરૂરી આધાર પુરાવા સાથે ચૂંટણી શાખાનો સંપર્ક કરી શકે છે. આ સુધારા-વધારા ફાઇનલ મતદાર યાદી પ્રસિદ્ધ થાય ત્યાં સુધી કરી આપવામાં આવશે. ખાસ સંજોગોમાં ઉમેદવારીનાં 10 દિવસ અગાઉ સુધી પણ સુધારા વધારા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણી અધિકારી પ્રણય પંચાલ દ્વારા આપવામાં આવેલી વિગત મુજબ, આ પ્રાથમિક મતદાર યાદી આજથી જ જાહેર જનતાના અવલોકન માટે મૂકી દેવામાં આવી છે. નાગરિકો ઢેબર રોડ પર આવેલ ડો. આંબેડકર ભવન ખાતે ત્રીજા માળે રૂમ નંબર 11 માં આવેલી મનપાની મુખ્ય ચૂંટણી શાખામાં આ યાદી જોઈ શકશે. ઉપરાંત, શહેરની તમામ 18 વોર્ડ ઓફિસોમાં પણ જે-તે વોર્ડની યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. નાયબ કમિશનરે મતદારોને અપીલ કરી છે કે તેઓ નિયત સ્થળે જઈને પોતાનું નામ અને અન્ય વિગતોની ખાતરી કરી લે. જો કોઈ લાયક મતદાર બાકાત રહી ગયો હોય તો તેઓ જરૂરી આધાર-પુરાવા સાથે સુધારો કરાવી શકશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:18 pm

રાજકોટ શહેરમાં IOC ના 7 પેટ્રોલ પંપ બંધ:યુધ્ધ વચ્ચે પેટ્રોલ - ડિઝલની સપ્લાય ચેનમાં મૂશ્કેલી : એસોસિએશનની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત

ઇઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે રાજકોટમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો રેગ્યુલર પૂરો પાડવા માટે પેટ્રોલ - ડીઝલ ડીલર એસોસિએશન દ્વારા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના 1000 થી વધુ પેટ્રોલ પંપના પ્રતિનિધિઓએ પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટેની માંગ કરવામાં આવી હતી. આ વચ્ચે રાજકોટ શહેરમાં IOC ના 7 પંપ તેમજ નાયરા અને રિલાયન્સના પંપ બંધ હોવાનું જાહેર થયુ છે. રજાઓને કારણે સપ્લાય ચેનમાં થોડી સમસ્યા થઈ હોવાનું સામે આવ્યું છે જોકે એક અઠવાડિયામાં પરિસ્થિતિ પૂર્વવત થઈ જશે તેવી ખાતરી મળતા એસોસિએશનના પ્રતિનિધિઓએ લોકોને કોઈ પણ પ્રકારની ચિંતા ન કરવાની અપીલ કરી છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર - કચ્છમાં IOC સાથે સંકળાયેલા 1000 થી વધુ પેટ્રોલ પંપ છે. જ્યાંથી પેટ્રોલ અને ડીઝલનો રેગ્યુલર જથ્થો મળતો નથી. જે મામલે એસોસિએશન દ્વારા આઈ.ઓ.સી કંપની ખાતે રજૂઆત કરવા આવ્યા છીએ. આઈ.ઓ.સી. અધિકારીઓને રેગ્યુલર જથ્થો મળતો રહે તે માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. જોકે હાલ કોઈ પણ પ્રકારની અછત નથી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત બાદ તેમણે જણાવ્યુ હતુ કે, IOC દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં એક સાથે એક ડીલર 20000 લિટર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ન ઉપાડી શકે તો બે ડીલર જથ્થો ઉપાડી શકશે. જોકે સપ્લાય મળતી રહેશે જેથી કોઈને પણ તકલીફ પડવા નહીં દે તેવી ખાતરી આપવામાં આવી છે. અગાઉ જેબ બ્લોકેજ હતા તે દૂર કરવામાં આવ્યા છે હવે કોઈ બ્લોકેજ નથી. ડીલરો પોતાની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે. જે કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તે રજાને કારણે થયું છે અને આગામી આઠ દિવસમાં તે ક્લિયર થઈ જશે. આ સાથે જ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરું પાડવામાં 57% નો હિસ્સો IOC નો છે. રાજકોટ શહેરમાં IOC ના 7 જેટલા પેટ્રોલ પંપ બંધ છે જ્યારે અન્ય શહેરમાં 2 જેટલા પેટ્રોલ પંપ બંધ છે. પેટ્રોલમાં હાલ કોઈ તકલીફ નથી ડીઝલની વાત કરવામાં આવે તો નાયરા ના વધારે પેટ્રોલ પંપ બંધ છે અને રિલાયન્સના પણ અમુક પંપ બંધ છે. જે લોકો ડાયરેક્ટ કંપની પાસેથી જથ્થો લેતા હતા તેમાં રૂ.22 નો વધારો કરવામાં આવેલો છે જેનો લોર્ડ રિટેલ આઉટલેટ પર પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:13 pm

ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ, ઇ-નગરની જોરદાર સફળતા:2025-26માં 18 લાખ ટ્રાન્ઝેક્શન અને 1,031 કરોડની કમાણી સાથે નાગરિકોની સુવિધા વધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ પરિવર્તનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. ટેક્નોલૉજીના અસરકારક ઉપયોગ દ્વારા દરેક નાગરિકનું જીવન સરળ બને એ ઉદ્દેશથી તેમણે ડિજિટલ ઇન્ડિયા મિશન શરૂ કર્યું હતું. આજે ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને નાગરિક-કેન્દ્રિત ગવર્નન્સ નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સંચાલિત 'ઇ-નગર પોર્ટલ' હવે શહેરીજનો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. એક જ પ્લેટફોર્મ પર 52થી વધુ સેવાઓનગરપાલિકાની વિવિધ સેવાઓને એકીકૃત કરવાના હેતુથી શરૂ કરાયેલા આ પોર્ટલ પર નાગરિકોને અનેક સુવિધાઓ આંગળીના ટેરવે મળે છે. ફરિયાદ નોંધણી, દુકાનનું લાયસન્સ, લગ્ન નોંધણી, મકાન બાંધકામની પરવાનગી, પાણી અને ડ્રેનેજ જોડાણ જેવી પાયાની જરૂરિયાતો માટે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. આ ઉપરાંત, પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, એસ્ટેટ રેન્ટ અને હૉલ બુકિંગ જેવી સેવાઓ પણ 24x7 ઓનલાઇન ઉપલબ્ધ છે. વર્ષ 2025-26ના પ્રભાવશાળી આંકડાતાજેતરના આંકડાઓ મુજબ, વર્ષ 2025-26 દરમિયાન ઇ-નગર પોર્ટલ પર 18,00,000 થી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા છે, જેના થકી સરકારને 1,031 કરોડથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024-25માં 26,00,000 ટ્રાન્ઝેક્શન અને 1,522 કરોડની આવક નોંધાઈ હતી. પોર્ટલની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 1,24,00,000 થી વધુ ટ્રાન્ઝેક્શન અને 6,076 કરોડથી વધુની કુલ આવક થઈ છે, જે નાગરિકોનો આ પ્લેટફોર્મ પરનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે. AI અને 23 ભાષાઓનો સપોર્ટવધતી જતી ટેક્નોલૉજી સાથે કદમ મિલાવવા માટે ઇ-નગર પોર્ટલમાં આધુનિક સુવિધાઓ ઉમેરવામાં આવી છે. યુઝર્સની સહાય માટે હવે પોર્ટલ પર 'AI ચૅટબોટ' ઉપલબ્ધ છે. વળી, 'ભાષિણી' પ્રોજેક્ટના સહયોગથી આ પોર્ટલ હવે 23 વિવિધ ભાષાઓમાં કાર્યરત છે. આ સુવિધાને કારણે ગુજરાતમાં વસતા વિવિધ ભાષાભાષી લોકો માટે સરકારી સેવાઓનો ઉપયોગ કરવો અત્યંત સરળ બન્યો છે. પારદર્શિતા અને સમયની બચતઇ-નગર પોર્ટલને કારણે મ્યુનિસિપલ ઓફિસોમાં જોવા મળતી લાંબી લાઇનો ભૂતકાળ બની ગઈ છે. રિયલ-ટાઇમ એપ્લિકેશન ટ્રેકિંગ, UPI, નેટ બેન્કિંગ અને કાર્ડ દ્વારા પેમેન્ટના વિકલ્પો તેમજ ઓનલાઇન પ્રમાણપત્રો ડાઉનલોડ કરવાની સુવિધાએ વહીવટી પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવી છે. કાગળકામમાં થયેલા ઘટાડાને કારણે પર્યાવરણને પણ ફાયદો થયો છે અને નાગરિકોના અમૂલ્ય સમયની બચત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:05 pm

પોલીસ કોન્સ્ટે.નું દારુ પીને ડીંગલ, લારી વાળા સાથે ધમાલ મચાવી:લોકોએ લમધારી કપડાં ફાડી નાંખ્યા, કારમાંથી શરાબની 3 બોટલ અને ગંજીફા મળ્યા, અમદાવાદના કણભાના કુહા ગામની ઘટના

અમદાવાદ ગ્રામ્યના બોપલ પોલીસ સ્ટેશનના PSIની દાદાગીરીના વિડિયો બાદ હવે કણભા પોલીસ સ્ટેશનની હદના કુહા ગામમાં એક પોલીસકર્મીએ દારૂના નશામાં આતંક મચાવ્યાનો બનાવ સામે આવ્યો છે.પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં ફાસ્ટ ફૂડની લારી પર જઈને ધમાલ કરી હતી.પોલીસકર્મી ગાડીમાંથી પણ ત્રણ દારૂની બોટલ અને ગંજીફા પણ મળી આવ્યા હતા. સમગ્ર મામલે સ્થાનિકોએ હોબાળો કરીને પોલીસને જાણ કરી હતી. સ્થાનિકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર પહોચી હતી.જોકે દીપક સ્થળ પરથી ફરાળ થઈ ગયો હતો.સમગ્ર મામલે કણભા પોલીસે તપાસ હાથ ધરી છે. આ અંગે કણભા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.જે ચૌધરીએ જણાવ્યું હતું કે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.બનાવ બાદ પોલીસકર્મી ફરાર થઈ ગયો છે.પોલીસકર્મીની ગાડી મળી આવી છે જેમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે. આ પણ વાંચો ‘નીકળ લુખ્ખા, મારું પો.સ્ટેશન છે, અહીં મારું ચાલશે’21 માર્ચે બોપલ પોલીસ સ્ટેશનના PSI જયેશ કાલોતરાએ નાગરિક સાથે અસભ્ય વર્તન કર્યું હતું. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે PSIએ અસભ્ય વર્તન એટલા માટે કર્યું કે તે પોતાની ગાડીના બોનેટ પર બેઠો હતો. આ અંગે યુવકનું કહેવું હતું કે પગમાં સર્જરીના કારણે ઊભું ન રહેવાયું હોવાથી ગાડી પર બેઠો હતો. તો યુવકે આ બેફામ વર્તન બાબતે અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટને લેખિતમાં ફરિયાદ કરી તો તેમણે PSIનો બચાવ કરતા કહ્યું કે પોલીસ સ્ટેશનમાં યુવક ગાડી પર બેઠો હતો જે ખોટું છે, આ રીતે ન બેસવું જોઈએ.(વાંચો સંપૂર્ણ અહેવાલ) વડોદરામાં દારૂના નશામાં સિક્યુરિટી ગાર્ડનું ફાયરિંગ13 માર્ચના રોજ વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં દારૂના નશામાં ધૂત એક સિક્યુરિટી ગાર્ડે પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. GST ભવનમાં ફરજ બજાવતા આ ગાર્ડે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) પોલીસકર્મીએ દારૂના નશામાં વેનથી ટક્કર મારી લારી ઊંધી વાળી16 જુલાઈ, 2025ના રોજ અમદાવાદના શાહીબાગમાં સ્થાનિકોએ પોલીસને ઘેરી લીધી અને એ પણ 1 કિલોમીટર જેટલો પીછો કરીને. સ્થાનિકો આક્ષેપ કર્યા હતા કે પોલીસકર્મીએ દારૂના નશામાં પોલીસ વેનથી ટક્કર મારીને લારીને ઊંધી વાળી દીધી. બાદમાં તેઓ જતા રહેતાં લગભગ એકાદ કિલોમીટર જેટલો પીછો કરી લોકોએ પોલીસ વેનને ઘેરી લીધી. આસપાસથી લોકો ભેગા થઈ જતાં અને વાત પહોંચતાં અધિકારીઓ પણ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:05 pm

ગૌવંશને બચાવતા ટેમ્પો આગળ જતી કારે અથડાઈ:દ્વારકાના બરાડિયા પાસે ચાલકે કાબૂ ગુમાવતા કારને અથડાઈને ટેમ્પો પલટી ગયો, રખડતા ઢોરોને કારણે અવારનવાર અકસ્માત

દ્વારકા તાલુકાના બરાડિયા ગામ પાસે આવેલી હોનેસ્ટ હોટલ નજીક ગત સાંજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. રસ્તા પર અચાનક આવી ગયેલા ગૌવંશને બચાવવાના પ્રયાસમાં એક ટેમ્પો ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો કાર સાથે અથડાઈને પલટી મારી ગયો હતો. આ દુર્ઘટનામાં ટેમ્પોમાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. પશુને બચાવતાં ટેમ્પો કારને ટકરાયોપ્રાપ્ત માહિતી અનુસાર, દ્વારકાથી આશરે 10 કિમી દૂર બરાડિયા પાસે ટેમ્પો નંબર GJ 02 XX 7799ના ચાલકે માર્ગ પર ઉતરી આવેલા પશુઓને બચાવવા માટે અચાનક વળાંક લીધો હતો. આ દરમિયાન ટેમ્પો આગળ જઈ રહેલી મોટર કાર નંબર GJ 11 CL 6023 સાથે પાછળથી ધડાકાભેર અથડાયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે ટેમ્પો રસ્તા પર જ પલટી મારી ગયો હતો. સ્થાનિકો દ્વારા બચાવ કામગીરીઅકસ્માત થતાં જ આસપાસના લોકો અને હોટલના કર્મચારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ટેમ્પોમાં ફસાયેલા ઈજાગ્રસ્ત મુસાફરોને બહાર કાઢી, ખાનગી વાહનો મારફતે તાત્કાલિક દ્વારકા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલ તમામ ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે અને તેઓ ભયમુક્ત છે. રખડતા પશુઓ અને અંધારાની સમસ્યાસ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, આ હાઈવે પર રાત્રિના સમયે પૂરતી લાઈટની વ્યવસ્થા ન હોવાથી અંધારું રહે છે. વધુમાં, રસ્તા પર રખડતા પશુઓનો જમાવડો રહેતો હોવાથી અવારનવાર આવા અકસ્માતો સર્જાય છે. ગત સાંજની ઘટનાને પગલે સ્થાનિકોમાં વહીવટી તંત્ર સામે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. પોલીસ તપાસઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને વાહનોને માર્ગ પરથી હટાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:05 pm

ગુજરાત ફાર્મસી કાઉન્સિલના બે મહત્વના MoU:વડાપ્રધાનના આહ્વાન બાદ ફાર્મસી કાઉન્સિલે IPC અને IMA સાથે ઐતિહાસિક સમજૂતી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ડિસેમ્બર, 2025ના રોજ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને ‘એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ’ (AMR)ના ગંભીર ખતરા અંગે સાવધ કર્યા હતા. આ આહ્વાનને ગંભીરતાથી લઈને જાહેર આરોગ્યની સુરક્ષા કાજે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલ દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાજ્યભરમાં AMR અંગે વ્યાપક જાગૃતિ લાવવા માટે કાઉન્સિલે ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન (IPC) અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સાથે બે મહત્વના સમજૂતી કરાર (MoU) કર્યા છે. જાહેર આરોગ્ય માટે ઐતિહાસિક જોડાણઆ સમજૂતી કરારનો મુખ્ય ઉદ્દેશ્ય દવાઓના અવિચારી ઉપયોગને અટકાવવાનો અને એન્ટીબાયોટિક દવાઓ સામે વધતી જતી પ્રતિકારક શક્તિના જોખમો વિશે લોકોને શિક્ષિત કરવાનો છે. આ ઐતિહાસિક ક્ષણે ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલના પ્રમુખ ભરત પટેલ, ઉપપ્રમુખ કશ્યપ પટેલ તેમજ ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ઉપપ્રમુખ જશુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત IMA પ્રેસિડેન્ટ ડૉ. અનિલ નાયક અને IPC સેક્રેટરી ડૉ. કલાપની હાજરીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. શું છે AMR અને તેનું જોખમ?જ્યારે બેક્ટેરિયા, વાયરસ અને ફંગસ જેવા સુક્ષ્મજીવો દવાઓ સામે લડવાની શક્તિ કેળવી લે છે, ત્યારે તેને એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં સામાન્ય રોગોની સારવાર પણ મુશ્કેલ બની જાય છે. આ જોખમને ખાળવા માટે ફાર્મસી કાઉન્સિલ હવે ડોક્ટરો અને ફાર્માસિસ્ટ્સ સાથે મળીને સંયુક્ત અભિયાન ચલાવશે, જેથી ભવિષ્યમાં દવાઓની અસરકારકતા જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 1:03 pm

રાજુલા PGVCL નાયબ ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકી:વીજબીલ ડિસ્કનેક્શન સમયે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં PGVCLના નાયબ ઈજનેરને ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં વીજ વિભાગના અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. રાજુલા PGVCL વિભાગના નાયબ ઈજનેર મહેન્દ્ર શિયાળે આરોપી દાનુભાઈ સાદુળભાઈ ખાચર (રહે. છતડીયા, તા. રાજુલા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના મિશન માર્ચ 2026 અંતર્ગત બાકી વીજબીલની વસૂલાત અને ડિસ્કનેક્શન કામગીરી દરમિયાન બની હતી. ફરિયાદ મુજબ, PGVCL ટીમ ગ્રાહક હંસાબેન ગભરુભાઈ બોરીચાના ખેતીવાડી વીજ કનેક્શનના બાકી રૂ. 4231.44 વસૂલવા વાડીએ ગઈ હતી. તે સમયે આરોપીએ ફોન પર વાતચીત કરી બાકી રકમ ચૂકવવાની ના પાડી અને ફરજમાં અડચણ ઊભી કરી હતી. આરોપીએ અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફરિયાદી તથા અન્ય કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપી PGVCL કચેરી ખાતે રૂબરૂ આવી સરકારી કર્મચારીઓને ધમકી આપી ફરજ બજાવવામાં વિઘ્ન ઊભું કર્યું હતું. આરોપી સામે સરકારી અધિકારીને ફરજ બજાવતા અટકાવવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને કાયદેસરની કામગીરીમાં રૂકાવટ કરવાના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ રાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.બી. જાની દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 12:41 pm

બે મહિનામાં 5000 સ્ક્વેરફૂટ ગ્રાઉન્ડ 45 ફૂટનો કૂવો ખોદ્યો પણ...:સુરતના પુણાના ત્રણ વર્ષથી ગુમ તરૂણની હત્યાની કબૂલાત છતાં ડેડબોડીના અભાવે ત્રણ મિત્ર સામે અપહરણનો ગુનો નોંધાયો

સુરતના પુણા વિસ્તારમાં રહેતા પરિવારનો 17 વર્ષીય પુત્ર ત્રણ વર્ષ અગાઉ ઘર છોડીને ચાલ્યા ગયા બાદ આજ દિન સુધી પરત આવ્યો નથી. જો કે, તેના મિત્રએ તરૂણના ભાઈનો સંર્પક કરી તેના બે મિત્રોએ હત્યા કરી જમીનમાં દાટી દીધો હોવાનું જણાવતા છેલ્લા બે મહિનાથી પોલીસ ડેડબોડી શોધી રહી છે. પોલીસે બે મહિના સુધી 5000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ 45 ફૂટનો કૂવો ખોદ્યો છતાં ડેડબોડી નહિ મળતાં પોલીસે ત્રણેય મિત્રો વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધ વાની ફરજ પડી છે. મળતી માહિતી પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના વતની અને પૂણાગામ ભૈયાનગરમાં રહેતા અનિલ ગૌડને ત્રણ વર્ષથી ગુમ 17 વર્ષીય નાના ભાઇ વિવેક ઉર્ફે ગબ્બરના મિત્ર દિવ્યાંશુ ગત 25મી જાન્યુઆરીએ મળ્યો હતો. વિવેકની હત્યા થઈ હોવાનું જણાવ્યું હતું. ગત 22મી મે-23 પોતે અન્ય બે સાગરીતો કુંદન ઝા અને મોનુ સંતોષ ઠાકુર સાથે મળી તેની હત્યા કરી હોવાનું અને ડેડબોડીને પૂણા કેનાલ રોડ ઉપર રંગઅવધૂત સોસાયટીની બાજુમાં આવેલા ખુલ્લા પ્લોટમાં દાટી દીધાનું જણાવ્યું હતું. આ મામલે પરિવારજનોએ પુણા પોલીસમાં જાણ કરી હતી. હત્યાના થોડાક સમય બાદ ફરી કબર ખોડી માથું બાજુમાં આવેલા કૂવામાં ફેંકી દીધાની સનસનાટીભરી કબૂલાત કરી હતી. પૂણા પોલીસે મામલોને ગંભીરતાથી લીધો હતો. જે ખુલ્લો પ્લોટ જણાવાયો હતો તે 50 બાય 100 ફૂટનો આખો પ્લોટ પાંચ ફૂટ ઊંડે સુધી ખોદી કાઢ્યો હતો. એટલું જ નહિ તે કૂવામાં માથું નાંખ્યું હોવાની વાત જણાવાઇ હતી તે કૂવો તેના માલિકે પુરાવી દીધો હોઈ તેને પણ મજૂરો મારફત 45 ફૂટ સુધી ખોદી નાંખ્યો હતો, પરંતુ એક પણ સ્થળેથી ડેડબોડીના કોઈ અવશેષ મળ્યા ન હતા. પોલીસે માનવ અંગો શોધવા જી.પી.આર. (ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર)નો પણ ઉપયોગ કર્યો હતો. આ ટેકનોલોજી જમીનમાં દટાયેલું હાડપિંજર, લોખંડ સહિતના અવશેષો શોધવામાં મદદરૂપ થાય છે. યુવકોએ બતાવેલી જગ્યાએ સતત બે મહિના સુધી ખોદકામ છતાં કોઈ માનવઅંગ શોધવામાં પોલીસને સફળતાને બદલે હતાશા હાથ લાગી હતી. યુવકોની કબૂલાત છતાં ડેડબોડી નહિ મળે તે સંજોગોમાં સાબિત કરવું મુશ્કેલ હોઈ પોલીસે ગુમ યુવકના ભાઈની ફરિયાદને આધારે અપહરણનો ગુનો નોંધ્યો હતો અને શકદાર તરીકે હત્યા કર્યાની વાત કબૂલાત કરનાર ત્રણેય યુવકોનું નામ લખ્યું હતું. ફરિયાદમાં જણાવ્યું હતું કે, વરાછાની જય અંબે સ્કૂલ નજીક દયા પાર્ક સોસાયટીમાં રહેતો અને એમ્બ્રોઇડરીના કારખાનામાં નોકરી કરતો અનીલ મુન્નાલાલ ગૌડ (ઉ.વ.એપ મૂળ રહે. પાહો બજાર, તા. ચુનાર, મીર્ઝાપુર, યુ.પી)નો ધો.8 સુધીનો અભ્યાસ કરનાર નાનો ભાઈ વિવેક ઉર્ફે ગબ્બર (ઉ.વ.17) તા.22 મે 2023ના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર કયાંક ચાલ્યો ગયો હતો. ગુટખા અને નશીલા પદાર્થનો બંધાણી વિવેક પરિજનો ઠપકો આપતા ઘર છોડીને ચાલ્યો જતો અને પરત પણ આવી જતો હતો. જેથી પરિજનોએ શોધખોળ કરી ન હતી પરંતુ 25 જાન્યુઆરી 2026ના રોજ દિવ્યાંશું લાલબાબુશાહ ગુપ્તા (ઉ.વ.19 રહે. બજરંગનગર, પુણા અને મૂળ. સીતામઢી)એ અનીલનો સંર્પક કરી તમારો ભાઈ વિવેક મારો પણ મિત્ર હતો અને તેના બીજા બે મિત્ર કુંદન અનીલ ઝા ઉ.વ. 18) અને મોનુ સંતોષ ઠાકુર (ઉ.વ.23 બંને રહે. રંગ અવધૂત સોસાયટી, કેનાલ રોડ, પુણા અને મૂળ દરભંગા, બિહરા)એ ક્યાંક ગુમ કર્યો છે. જેથી મામલો પોલીસમાં પહોંચતા પોલીસ તપાસમાં વિવેકને દિવ્યાંશું, કુંદન અને મોનુ સાથે મિત્રતા તથા મોડી રાત સુધી સાથે જ હરતા-ફરતા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી હાલ 20 વર્ષ અને 7 મહિનાના વિવેક ઉર્ફે ગબ્બરનો આજ દિન સુધી પત્તો નહીં મળતા ત્રણેય મિત્ર વિરૂધ્ધ અપહરણની આશંકા વ્યકત કરતી ફરિયાદ નોંધી છે. વિવેક ઉર્ફે ગબ્બર ઘર છોડીને ચાલ્યો ગયો હતો અને પરિજનો તેને ભુલી પણ ગયા હતા. પરંતુ અચાનક જ દિવ્યાંશુ ગુપ્તાએ વિવેકના ભાઈનો સંપર્ક કરી વિવેકને તેના બે મિત્ર કુંદન ઝા અને મોનુ ઠાકુરે ગુમ કર્યાની જાણ કરી હતી. જેથી પરિજનો ચોંકી ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ દિવ્યાંશુને કુંદન અને મોનુ વચ્ચે કોઇક બાબતે ઝઘડો થતા તેમને ફસાવવા કારસો રચ્યો હતો. પરંતુ કુંદન અને મોનુની પુછપરછમાં ખુદ દિવ્યાંશુ જ શંકાના દાયરામાં આવી ગયો છે. હાલ 20 વર્ષની ઉંમરનો વિવેક ગુમ થયો ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી અને આશ્ચર્યની બાબત એ છે કે, તેના જ મિત્ર દિવ્યાશુંએ અન્ય બે મિત્ર કુંદન અને મોનુએ ગુમ કર્યાની આશંકા વ્યકત કરી છે. હાલ ત્રણેય જણા શંકાના દાયરામાં છે. પરંતુ વિવેકની ભાળ મળે એવી કોઈ કડી હાથ નહીં લાગતા પોલીસ આગામી દિવસોમાં ત્રણેયના નાર્કો એનાલીસીસ ટેસ્ટ અથવા તો લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 12:29 pm

પેટ્રોલ પંપને મળતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ:બલ્ક સપ્લાય બંધ કરવામાં આવી, સ્થિતિ ન સુધરે તો 1992 જેવી ક્વોટા સિસ્ટમ લાગુ થવાની ભીતિ

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને માઠી અસર પડી છે.ત્યારે હવે ગુજરાતના પેટ્રોલ પંપ પર પણ તેની અસર દેખાવા લાગી છે. પેટ્રોલિયમ કંપની તરફથી પેટ્રોલ પંપને સપ્લાય થતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે, જે પેટ્રોલ પંપ પર દરરોજની 4 ગાડી માલ આવતો હતો ત્યાં હવે બે જ આવે છે. સાથે સાથે પેટ્રોલ પંપ દ્વારા જે કન્ઝ્યુમરને બલ્ક સપ્લાય કરવામાં આવતી હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે જે ઉદ્યોગો બલ્કમાં માલ ખરીદતા હતા તેના કામકાજ પર અસર થવાની સ્થિતિ છે. પેટ્રોલ સપ્લાયમાં 50% કાપ અને અછતની સ્થિતિસુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી છે. ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ જે પેટ્રોલ પંપ પર દિવસની ત્રણ ગાડીઓ માલ ભરાતો હતો, ત્યાં હવે માત્ર એક કે દોઢ ગાડી જ માલ આપવામાં આવી રહ્યો છે. આ ઘટાડાને કારણે પંપ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બલ્ક કન્ઝ્યુમર્સનો પેટ્રોલ પંપ તરફ ધસારોઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ પહેલા સીધો કંપની પાસેથી માલ ખરીદતા હતા, પરંતુ ભાવમાં અચાનક 12 રૂપિયાનો તોતિંગ વધારો થતાં સમીકરણો બદલાયા છે. હવે આ કન્ઝ્યુમર્સ ડાયરેક્ટ કંપનીને બદલે પેટ્રોલ પંપ પરથી માલ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ ફેરફારને કારણે સામાન્ય જનતા માટેના રિટેલ સ્ટોક પર પણ ભારે દબાણ વધી રહ્યું હોવાનું જણાય છે. બલ્ક સપ્લાય પર પ્રતિબંધ અને ઉદ્યોગો પર અસરસુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી અનિલ દેસાઈના જણાવ્યા મુજબ, કંપનીઓએ એક્સ્ટ્રા કસ્ટમરને માલ આપવાની ના પાડી છે. ઇન્ડસ્ટ્રીમાં જે 2000 થી 5000 લીટર બલ્ક માલ જતો હતો, તેના પર રોક લગાવાઈ છે. આ માલ હવે 20 જેટલી નાની ગાડીઓને વહેંચીને આપવામાં આવશે, જેની સીધી માઠી અસર સ્થાનિક ઉદ્યોગો પર પડશે. 1992 જેવી ક્વોટા સિસ્ટમ લાગુ થવાની ભીતિવર્તમાન પરિસ્થિતિ જોતા પેટ્રોલ પંપ સંચાલકોમાં ફાળ ફેલાઈ છે કે આગામી દિવસોમાં 1992ના યુદ્ધ સમય જેવી ક્વોટા સિસ્ટમ ફરી લાગુ થઈ શકે છે. જો સપ્લાયમાં સુધારો નહીં થાય તો વાહનચાલકોને મર્યાદિત જથ્થામાં જ ઇંધણ આપવાની ફરજ પડી શકે તેમ છે. ઇંધણની આ ખેંચને લીધે ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓઈલ કંપનીઓના કામકાજના સમયમાં ફેરફારસપ્લાય પર નિયંત્રણ રાખવા માટે ઓઈલ કંપનીઓએ તેમના ડેપોના સમયમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ ગાડીઓ વહેલી સવારે 7 વાગ્યે ભરાવવાની શરૂ થઈ જતી હતી, જે હવે સવારે 8 વાગ્યા પછી જ ભરાય છે. કંપનીઓએ કામકાજનો સમય મર્યાદિત કરી દીધો છે જેથી સ્ટોક જળવાઈ રહે અને કોઈને સત્તાવાર રીતે ના પાડવી ન પડે. એસોસિએશન અને કલેક્ટર વચ્ચે મહત્વની બેઠકસપ્લાયની આ કટોકટીને પહોંચી વળવા માટે સુરત પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અને હોદ્દેદારો આજે જિલ્લા કલેક્ટર સાથે બેઠક યોજશે. આ બેઠકમાં ભવિષ્યની પરિસ્થિતિ અને ઇંધણ વિતરણ માટેની નવી માર્ગદર્શિકા અંગે ચર્ચા કરવામાં આવશે. સંચાલકો વહીવટી તંત્ર પાસે યોગ્ય આયોજન અને માર્ગદર્શનની માંગ કરી રહ્યા છે જેથી અંધાધૂંધી ન સર્જાય. યુદ્ધની સ્થિતિ અને ઇંધણ બજારનું ભવિષ્યવૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા સાંકળ પર અસર પડી રહી છે. સુરત જેવા મોટા ઔદ્યોગિક શહેરમાં જો 50% સપ્લાય કાપ લાંબો સમય ચાલશે, તો તેની અસર ચીજવસ્તુઓના ભાવ વધારા પર પણ પડી શકે છે. હાલમાં એસોસિએશન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કલેક્ટરના આદેશની રાહ જોઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 12:24 pm

પુત્રોએ 94 વર્ષીય માતાનું દેહદાન કર્યું:અમોદરાના કાંતાબેનનું અવસના થતા તેમના પુત્રોએ દેહને મેડિકલ કોલેજને અર્પણ કર્યો

રામપુરાકંપાના નિવાસી ચુનીભાઈ વસરામભાઈ પટેલ અને નરેશભાઈ પટેલે તેમની 94 વર્ષીય માતા કાંતાબેન વશરામભાઈ પટેલના અવસાન બાદ તેમના દેહનું દાન કર્યું છે. આ નિર્ણય દ્વારા તેમણે સમાજમાં દેહદાન પ્રત્યે જાગૃતિ અને પ્રેરણા પૂરી પાડી છે. બંને ભાઈઓએ અગાઉથી જ માતાના દેહદાનનો સંકલ્પ લીધો હતો. આ સંકલ્પને પૂર્ણ કરીને તેમણે મેડિકલ વિદ્યાર્થીઓના અભ્યાસ અને સંશોધન માટે એક મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. કાંતાબેનનો પાર્થિવ દેહ લાયન્સ ક્લબ બાયડ સંચાલિત શ્રીમતી ઈચ્છાબેન રણછોડદાસ ગીરધરદાસ ડેમાઈવાળા પારુલ મેડિકલ કોલેજને સુપરત કરવામાં આવ્યો. આ દેહદાન તબીબી શિક્ષણ અને સંશોધન માટે અત્યંત ઉપયોગી થશે. પરિવારજનો, ગ્રામજનો અને અન્ય મહેમાનોની હાજરીમાં કાંતાબેનને વિદાય આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ પરિવારે આ માનવતાભર્યા કાર્ય બદલ પટેલ પરિવારનો આભાર પત્ર આપીને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 12:20 pm

હિંમતનગર: સહકારી જીન ઓવરબ્રિજ સર્વિસ રોડ પર ટ્રાફિક જામ:વાહનચાલકો અડધો કલાકથી ફસાયા, ઓવરબ્રિજ બન્યા છતાં હાલાકી

હિંમતનગરના સહકારી જીન ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આજે સવારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાહનચાલકોને અડધો કલાકથી વધુ સમય સુધી ફસાઈ રહેવું પડ્યું હતું, જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ટ્રાફિક જામ સવારે 10 વાગ્યાથી શરૂ થયો હતો. કાંકરોલથી મોતીપુરા તરફ જતા સર્વિસ રોડ પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સહકારી જીન ચાર રસ્તાથી અનંતેશ્વર મહાદેવ મંદિર સુધી પણ વાહનોની ભીડ જામી હતી. એક કારચાલક ચિંતન પંચાલે જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે પર સહકારી જીન ચાર રસ્તે ઓવરબ્રિજ બન્યો તે પહેલા પણ ટ્રાફિક રહેતો હતો. હવે ઓવરબ્રિજ ચાલુ હોવા છતાં સર્વિસ રોડ પર ટ્રાફિક જામ રહે છે. હું મેડીસ્ટારથી મોતીપુરા જવાના સર્વિસ રોડ પર અડધો કલાકથી ફસાયેલો છું. વાહનચાલકો હોર્ન વગાડી પરેશાન કરી રહ્યા છે, પરંતુ મારી કાર ખસી નથી. આવા સંજોગોમાં ઓવરબ્રિજ બનાવવાનો શો અર્થ તે સમજાતું નથી. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરામાંથી પસાર થતા અમદાવાદ-ઉદયપુર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સહકારી જીન ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે, સર્વિસ રોડ પરની ટ્રાફિક સમસ્યા યથાવત રહેતા વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 12:18 pm

WIRC હોદ્દેદારોએ આણંદ શાખાની મુલાકાત લીધી:પ્રમુખ સૌરભ અજમેરાએ સભ્યોને માર્ગદર્શન આપ્યું, બેંક ઓડિટ સેમિનાર યોજાયો

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની વેસ્ટર્ન ઇન્ડિયા રીજનલ કાઉન્સિલ (WIRC) ના નવનિયુક્ત હોદ્દેદારોએ 19 માર્ચ, 2026 ના રોજ આણંદ શાખાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, WIRC ના પ્રમુખ CA. સૌરભ અજમેરા અને તેમની કારોબારી ટીમને આણંદ શાખા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મુંબઈથી પધારેલા પ્રમુખ CA. સૌરભ અજમેરા સાથે ઉપ પ્રમુખ CA. રિકીન પટેલ, સચિવ CA. બિશન શાહ અને ખજાનચી CA. રાકેશકુમાર શાહ ઉપસ્થિત રહ્યા હતા. આણંદ શાખાના પ્રમુખ CA. હર્ષિત દેસાઈ અને તેમની ટીમના સભ્યોએ તમામ હોદ્દેદારોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. આણંદ શાખાના પ્રતિનિધિ CA. બિશન શાહ પણ આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. પ્રમુખ CA. સૌરભ અજમેરાએ આણંદ બ્રાન્ચના અંદાજે 70 જેટલા સભ્યોને સંબોધિત કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે સ્થાનિક યુનિવર્સિટીના પ્રોફેસરો અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે પણ બેઠક યોજીને વિવિધ મુદ્દાઓ પર વિચાર-વિમર્શ કર્યો હતો. આ મુલાકાત સાથે સમાંતર, CA સભ્યો માટે ‘બેંક ઓડિટ’ વિષય પર એક સંપૂર્ણ દિવસીય સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં બેંક ઓડિટના વિવિધ જટિલ પાસાઓ અને ત્રણ જુદા જુદા વિષયો પર નિષ્ણાંત વક્તાઓ CA. મહર્ષિ શુક્લા, CA. હિતેશ પોમલ અને CA. નયન કોઠારીએ ઉપસ્થિત તમામ સહભાગીઓને ઊંડાણપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમની સફળતા બાદ, આણંદ બ્રાન્ચના સચિવ CA. પાર્થ પટેલે આભાર વિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 12:13 pm

બાળકો બનશે હવે ડિજિટલ:શાહ પરિવારે 1000 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી શિક્ષણનો નવો રાહ ચીંધ્યો

પોતાની જન્મભૂમિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે લાપાળિયા પ્રાથમિક શાળામાં ‘વતન પ્રેમ ઉત્સવ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માતુશ્રી સુશીલાબેન પરમાનંદ શાહ પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પંથકની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓને આધુનિક સંસાધનો અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી અનોખું વસ્તુદાન કરવામાં આવ્યું હતું. ડિજિટલ શિક્ષણ અને આધુનિક સુવિધાઓઆજના ટેકનોલોજીના યુગમાં ગ્રામીણ બાળકો પણ પાછળ ન રહે તે માટે લાપાળિયા પ્રાથમિક શાળાના વર્ગખંડો માટે સ્માર્ટ TV અર્પણ કરવામાં આવ્યા હતા. આ સાથે નવકારમંત્ર બાલમંદિર-પાલીતાણાને પણ 2 સ્માર્ટ TV ભેટ આપી પાયાનું શિક્ષણ રસપ્રદ બનાવવાનો પ્રયાસ કરાયો છે. દાતા પરિવારના સભ્ય ડૉ. મોનાબેન અમિતભાઈ શાહ અને અન્ય આમંત્રિત મહેમાનોનું શાળા પરિવાર દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. 1000 બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણકાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે પંથકના 1000 થી વધુ જરૂરિયાતમંદ બાળકોને સંપૂર્ણ શૈક્ષણિક કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય શાળાઓની પાયાની જરૂરિયાતોને ધ્યાને રાખીને શેત્રુંજી, વેજોદરી અને તરસરા પ્રાથમિક શાળાઓને વહીવટી કાર્ય માટે 1-1 કબાટ ભેટ અપાયા હતા. કલા અને રમત-ગમતને પ્રોત્સાહનમાત્ર પુસ્તકિયું જ્ઞાન જ નહીં, પણ બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રાવિકાશ્રમ-પાલીતાણાને સંગીતના સાધનો અને પીપરલા પ્રાથમિક શાળાને રમત-ગમતના સાધનો અર્પણ કરવામાં આવ્યા હતા. ડૉ. મોનાબેન શાહે બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી વતન સાથે જોડાયેલા રહેવા અનુરોધ કર્યો હતો. શાળાના આચાર્ય અને ગ્રામજનોએ શાહ પરિવારની આ નિઃસ્વાર્થ સેવા બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 12:02 pm

વલસાડમાં તાપમાન 37°C:3 ડિગ્રીનો વધારો, ઉત્તરના પવનથી બપોરે લૂનો અનુભવ થશે

વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. આજે વલસાડનું મહત્તમ તાપમાન 37C નોંધાયું હતું, જે ગઈકાલ કરતાં 3 ડિગ્રી વધુ છે. આકાશ સ્વચ્છ અને તેજ સૂર્યપ્રકાશને કારણે દિવસભર ગરમીનો અનુભવ થશે. ગૂગલ વેધરના અહેવાલ મુજબ, વલસાડનું મહત્તમ તાપમાન 37C અને લઘુત્તમ તાપમાન 24C નોંધાયું છે. હાલનું તાપમાન 33C છે, જે બપોર સુધીમાં તેના ઉચ્ચતમ સ્તરે પહોંચવાની શક્યતા છે. ઉત્તર દિશામાંથી 11 mphની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી બપોરના સમયે લૂનો અનુભવ થઈ શકે છે. ગઈકાલની સરખામણીમાં આજે તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગઈકાલે મહત્તમ તાપમાન 33C થી 34C ની આસપાસ હતું, જે આજે વધીને 37C પર પહોંચ્યું છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ગરમીનું જોર યથાવત છે. વલસાડ અને ઉમરગામ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં 27% ભેજને કારણે બફારો અનુભવાશે. ધરમપુર અને કપરાડા જેવા પહાડી વિસ્તારોમાં પણ દિવસ દરમિયાન તાપમાન ઊંચું રહેશે, જ્યારે પારડી અને વાપીમાં પણ તેજ સૂર્યપ્રકાશની શક્યતા છે. આરોગ્ય વિભાગ દ્વારા UV ઇન્ડેક્સ 9 (ખૂબ જ ઊંચો) હોવાથી નાગરિકોને બપોરના સમયે સીધા સૂર્યપ્રકાશથી બચવા અને પૂરતું પાણી પીવા સલાહ આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 12:02 pm

ગુજરાતના સેવારત્નોનું રાજકોટમાં ભવ્ય સન્માન સંધ્યા:ભારત વિશ્વગુરુ બનશે જ તે બ્રહ્માકુમારીઝનું વિઝન: રાજયોગી મૃત્યુંજયભાઈજી

પવિત્રતાના હૃદયકુંજમાં જ્યારે પરમાત્માના જ્ઞાનનું પુષ્પ ખીલે છે, ત્યારે તેની સુગંધ સમગ્ર જીવનને સુખ અને શાંતિથી ભરી દે છે. આવા જ દિવ્ય વાતાવરણમાં રાજકોટના હેપ્પી વિલેજ રિટ્રીટ સેન્ટર ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા ‘સમર્પિત સેવા રત્નો’ના સન્માનનો એક ભાવવિભોર કાર્યક્રમ યોજાયો હતો. નવદશકોત્સવના પાવન અવસરે યોજાયેલા આ સમારોહમાં સેવા, સમર્પણ અને આધ્યાત્મિક ઊર્જાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગુજરાતની સેવાઓને સેલ્યુટ: 1984ની યાદો તાજી થઈકાર્યક્રમના મુખ્ય વક્તા રાજયોગી મૃત્યુંજયભાઈજીએ ગુજરાતની સેવાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, ઈશ્વરીય સેવામાં ગુજરાત હંમેશા નંબર વન રહ્યું છે. આજે અહીં સૌરાષ્ટ્રના 100 રાજા-મહારાજાઓનું સન્માન થતું હોય તેવી દિવ્ય અનુભૂતિ થઈ રહી છે. તેમણે 1984ની ઐતિહાસિક યુથ રેલીને યાદ કરતા ઉમેર્યું હતું કે તે સમયે પણ ગુજરાતનો સિંહફાળો હતો. ભારતને વિશ્વગુરુ બનાવવાનું બ્રહ્માકુમારીઝનું વિઝન ચોક્કસપણે સાકાર થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સનું ગૌરવવંતું સન્માનઆ પ્રસંગે એક વિશેષ સિદ્ધિની પણ ઉજવણી કરવામાં આવી હતી. દીપકભાઈ વિરકેએ માહિતી આપી હતી કે અમદાવાદમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ નિમિત્તે 60,000 થી વધુ ભાઈ-બહેનોએ સામૂહિક રાજયોગ મેડિટેશન કરી ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મેળવ્યું છે. આ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર મૃત્યુંજયભાઈજીના હસ્તે ભારતીદીદીજી અને અન્ય વરિષ્ઠ બહેનોને એનાયત કરવામાં આવ્યું હતું, જે ગુજરાતની 60 વર્ષની નિઃસ્વાર્થ સેવાનું પ્રતીક છે. દિવ્ય ઉપસ્થિતિ અને ઊર્જાસભર પ્રસ્તુતિકાર્યક્રમની શરૂઆત ‘પ્રભુ તુમ કો સમર્પિત કરતે હે’ના ભાવપૂર્ણ આહવાન સાથે થઈ હતી. મંચ પર ગુજરાતના ડાયરેક્ટર ભારતીદીદીજી, મૃત્યુંજયભાઈ, સરલાદીદી, નેહા દીદી, ચંદ્રિકાબેન અને અમરબેનની દિવ્ય ઉપસ્થિતિએ વાતાવરણમાં તેજસ્વિતા ભરી દીધી હતી. ‘માસ્ટર હનુમંત’ અને ‘ગણેશ સ્વરૂપા’ થીમ દ્વારા ઉપસ્થિત સૌને શક્તિ અને બુદ્ધિની પ્રેરણા આપવામાં આવી હતી. દીપ પ્રજ્વલન વિધિમાં ભારતીદીદીજી, ચંદ્રિકાદીદી, મૃત્યુંજયભાઈ, દીપકભાઈ વિરકે અને અમિતભાઈ લાઠીગરા જોડાયા હતા. 108 કર્મયોગી ભાઈઓનું સન્માનઆ સમારોહમાં ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા આશરે 108 સમર્પિત ભાઈઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. જયેશભાઇ સોરઠીયા અને દલસુખભાઈ બોડા જેવા અગ્રણીઓની હાજરીમાં આ તપસ્વીઓને શક્તિના પ્રતીક રૂપે દશ પ્રકારની ગદા અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, આર કે યુનિવર્સિટીના વીસી અમિતભાઈ લાઠીગરાનું પણ વિશેષ બહુમાન કરાયું હતું. કોણે શું કહ્યું? ભારતીદીદીજી: લોકો પૂછતા કે અહીં ફક્ત બહેનો જ કેમ છે? પણ આજે ગર્વ છે કે હજારો સમર્પિત ભાઈઓ પણ રાત-દિવસ પ્રભુ સંદેશ ફેલાવી રહ્યા છે. આ 'હનુમાન સમાન' વીર ભાઈઓ સંસ્થાનો મજબૂત આધાર છે. અમિતભાઈ લાઠીગરા: મનને સ્થિર રાખવું એ જ સાચી શક્તિ છે. 'સ્વ પરિવર્તનથી વિશ્વ પરિવર્તન'ના સિદ્ધાંતને અપનાવી જો આપણે વિચારો શુદ્ધ રાખીશું તો જીવન આપોઆપ સુખમય બની જશે. સરલા દીદી: તેમણે તમામ મહાનુભાવોનો આભાર માન્યો અને સૌને સેવા તેમજ એકતાના માર્ગે અડગ રહેવાની પ્રતિજ્ઞા લેવડાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્વાગત અંજુબેને કર્યું હતું, જ્યારે આભારવિધિ નડિયાદના બિપિનભાઈએ કરી હતી. 'ડિવાઇન ગુજરાત ન્યુઝ' દ્વારા કવર કરાયેલ આ કાર્યક્રમ સૌ માટે એક અવિસ્મરણીય આધ્યાત્મિક અનુભૂતિ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:57 am

આણંદમાં સ્વામિનારાયણ ભગવાનનો 245મો પ્રાગટ્ય મહોત્સવ:‘હરિપર્વ’ પંચદિવસીય પારાયણનું આયોજન

આણંદના અક્ષર ફાર્મ ખાતે ભગવાન સ્વામિનારાયણના 245મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પાંચ દિવસીય ‘હરિપર્વ’ પારાયણ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ દ્વારા હરિભક્તોને ભગવાનના ચરણોમાં ભક્તિ અર્પણ કરવાનો વિશેષ લાભ મળશે. કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામીના માર્ગદર્શન હેઠળ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, આણંદના યુવકો દ્વારા અક્ષર ફાર્મ ખાતે મહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મહોત્સવના પ્રથમ દિવસે દીપ પ્રાગટ્ય અને દીપમાળા દ્વારા ભક્તિ અર્પણ કરાશે. બીજા દિવસે ભગવાનને ભવ્ય અન્નકૂટ ધરાવી દિવ્ય દર્શનનો લાભ અપાશે. ત્રીજા દિવસે અખંડ ધૂન અને કીર્તન ભક્તિ દ્વારા વાતાવરણ ભક્તિમય બનશે. ચોથા દિવસે પ્રભુના વૈભવી દર્શન સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું છે, અને પાંચમા દિવસે આ દિવ્ય પારાયણની પૂર્ણાહુતિ થશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામીના સ્વમધુર કંઠે પીરસવામાં આવતી કથા રહેશે. તેઓ “Ancient Scriptures, Modern Inspiration” વિષય હેઠળ ભારતીય વેદો અને શાસ્ત્રોના તત્ત્વોને આધુનિક જીવન સાથે જોડતી પ્રેરણાદાયક વાતો સંગીત અને કીર્તનના સથવારે રજૂ કરશે. આ ઉપરાંત, ભગવાનના જીવન પર આધારિત એક વિશેષ પ્રદર્શન પણ યોજાશે, જેમાં ભાવિકોને નિહાળવા ઉપરાંત સહભાગી થવાનો પણ અવસર મળશે. આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા માટે સમગ્ર સત્સંગ સમાજને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:48 am

નવસારી મનપાનું ₹1286 કરોડનું બજેટ રજૂ:કોઈ ટેક્સ વધારો નહીં, ઈ-વ્હીકલ-સોલર પર ભાર, ઝીરો વેસ્ટ લક્ષ્ય

નવસારી મહાનગરપાલિકા દ્વારા આજે વર્ષ 2026-27 માટે ₹1286 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટાઉન હોલ ખાતે યોજાયેલી વિશેષ સામાન્ય સભામાં આ બજેટ જાહેર કરાયું હતું. ગત વર્ષના ₹847 કરોડના બજેટની સરખામણીએ આ વખતે બજેટની રકમમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ બજેટમાં શહેરીજનો પર કોઈ નવો ટેક્સ લાદવામાં આવ્યો નથી. બજેટની મુખ્ય હાઈલાઈટ્સમાં સામાન્ય જનતા પર કોઈ નવો વેરો નહીં, ઈલેક્ટ્રિક વાહનો (E-Vehicles) પર ટેક્સ મુક્તિ, રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ અને સોલર રૂફટોપ ઇન્સેન્ટિવ સ્કીમની જાહેરાતનો સમાવેશ થાય છે. આ પહેલ 'ગ્રીન નવસારી'ના નિર્માણ પર ભાર મૂકે છે. સ્વચ્છતાના ક્ષેત્રે, શહેરના વોર્ડને 'ઝીરો વેસ્ટ વોર્ડ' તરીકે વિકસાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરની જેમ નવસારીને સ્વચ્છ અને સુંદર બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરાયો છે. ગત બજેટમાં મનપા દ્વારા કુલ 37 વિકાસલક્ષી કામો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાંથી 8 કામો સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયા છે, જેમાં મુખ્ય ટાઉન હોલનું નિર્માણ સામેલ છે. બાકીના 29 કામો હાલમાં પ્રગતિ હેઠળ છે અને આગામી સમયમાં પૂર્ણ થશે. આ વખતે બજેટ પૂર્વે નવસારી મનપાએ લોકોના મંતવ્યો મંગાવ્યા હતા. શહેરના જાગૃત નાગરિકો અને બુદ્ધિજીવીઓ દ્વારા ઈમેલ મારફતે 20થી વધુ રચનાત્મક સૂચનો મોકલવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા આ સૂચનોનો અભ્યાસ કરી ડ્રેનેજ સિસ્ટમ, શુદ્ધ પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સુવિધાઓ માટે કરોડોની જોગવાઈ કરવામાં આવી છે. આ બજેટમાં શહેરના મુખ્ય માર્ગોના સુશોભીકરણ (બ્યુટીફિકેશન) પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાના નવા દરજ્જા મુજબ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે આ બજેટ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. ખાસ કરીને ગ્રીન એનર્જી અને વેસ્ટ મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીને નવસારીને સ્માર્ટ સિટી તરફ લઈ જવાની નેમ વહીવટદારોએ વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:46 am

જામનગરમાં રૂ. 2.55 લાખની સોનાની બંગડીઓનો વિશ્વાસઘાત:મુખ્ય આરોપી ઝડપાયો; કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

જામનગરમાં રૂ. 2.55 લાખની કિંમતની સોનાની બંગડીઓના વિશ્વાસઘાત પ્રકરણમાં મુખ્ય આરોપી કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે તેને લાલ બંગલા પાસેથી પકડી પાડ્યો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અંગે રાજકોટના ગુંદાવાડી વિસ્તારમાં રહેતા અને મૂળ જામનગરના સોની વેપારી હાર્દિકભાઈ અનિલભાઈ ચાવડાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, તેમણે તેમના ગ્રાહક જયપાલસિંહ નરેન્દ્રસિંહ રાણાને આપવા માટે ૬૦.૧૦૦ મિલીગ્રામ વજનની (૨૧.૫૭૦ ગ્રામ શુદ્ધ સોનું) રૂ. ૨,૫૫,૦૦૦ ની કિંમતની કોપર સોનાની બંગડીઓની એક જોડી આરોપી કેયુર નીતિનભાઈ સંઘવીને આપી હતી. જોકે, આરોપી કેયુરે આ બંગડીઓ ગ્રાહકને પહોંચાડવાને બદલે જામનગરના મહાલક્ષ્મી ચોકમાં રહેતા રવિ સોની પાસે રૂ. ૧,૫૦,૦૦૦ માં ગીરવે મૂકી દીધી હતી. રવિ સોનીએ આ બંગડીઓ ઓગાળી નાખી કોઈ પણ આધાર-પુરાવા વગરનું સોનું પોતાની પાસે રાખી લીધું હતું. આ ગુનામાં જામનગરના જીગ્નેશ સોલંકીએ રવિ સોનીને બચાવવા માટે ખોટા નોટરી કરાર કરાવી આપી વિશ્વાસઘાતના ગુનામાં મદદગારી કરી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ગુલાબનગર પોલીસ ચોકીના પી.એસ.આઈ. ડી.જી.રાજ અને સ્ટાફના હેડ કોન્સ. નરેશભાઈ મેર તથા કોન્સ. હરેશભાઈ રંગપરા પેટ્રોલીંગમાં હતા. ટેકનિકલ સોર્સ અને ખાનગી બાતમીદારોની મદદથી મળેલી બાતમીના આધારે પોલીસે મુખ્ય આરોપી કેયુર ઉર્ફે વાણિયો નીતિનભાઈ સંઘવીને જામનગરના લાલ બંગલા નજીકથી પકડી પાડ્યો હતો. પોલીસે આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલ આરોપી કેયુર અગાઉ પણ જામનગર અને રાજકોટમાં અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. આ પ્રકરણમાં હજુ બે શખ્સો પોલીસ પકડથી દૂર છે. જેમાં મહાલક્ષ્મી ચોક, જામનગરનો રવિ સોની, જેણે ગેરકાયદેસર રીતે સોનું ઓગાળ્યું હતું, અને જામનગરનો જીગ્નેશ સોલંકી, જેણે ખોટા દસ્તાવેજો બનાવી ગુનામાં મદદ કરી હતી, તેમની શોધખોળ ચાલુ છે. આ સફળ કામગીરી સીટી બી ડિવિઝનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ડી.જી.રાજ, હેડ કોન્સ. નરેશભાઈ મેર, હરેશભાઈ રંગપરા અને ગુલાબનગર પોલીસ ચોકીના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:45 am

વડોદરા પાસે ન્હાવા ગયેલા 4 યુવાનો તળાવમાં ડૂબ્યા:આલમગઢ ગામના મિત્રો તળાવમાં ન્હાવા ગયા ને અચાનક ડૂબવા લાગ્યા, બે યુવાનો લાપતા, બેનો બચાવ, કીચડમાં ફસાઈ ગયા હોવાની આશંકા, ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ ચાલુ

વડોદરા જિલ્લાના આલમગઢ ગામે ચાર યુવાનો તળાવમાં ન્હાવા જતા દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા બે યુવાનો ડૂબી ગયા હતા. વડોદરા ફાયર બ્રિગેડની ટીમે બંનેની શોધખોળ કરી રહી છે, જોકે હજુ સુધી બંનેનો કોઈ પત્તો લાગ્યો નથી. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના આલમગઢ ગામે ગઈકાલે બપોરે ચાર યુવાનો તળાવમાં ન્હાવા જતા દુર્ઘટના સર્જાઈ હતી. ચાર મિત્રો તળાવમાં ઉતર્યા હતા, ત્યારે અચાનક ઊંડા પાણીમાં જતા બે યુવાનો ડૂબી ગયા હતા.ઘટનામાં બે યુવાનોને તરતા આવડતું હોવાથી તેઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા, જ્યારે અમિત સુરેશ તડવી અને શૈલેશ રમણભાઈ સોલંકી ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે. ગઈકાલે વડોદરા ટીપી 3 ફાયર બ્રિગેડ ટીમે બંનેની શોધખોળ કરી હતી, જોકે સાંજ બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો, જેથી આજે બીજા દિવસે પણ શોધખોળ ચાલી રહી છે. ઘટનાને 24 કલાક જેટલો વીતી ગયો હોવા છતાં બંને લાપતા યુવાનોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તળાવમાં સતત શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ જરોદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તળાવમાં કાદવ કીચડ હોવાથી મૃતદેહો અંદર ફસાઈ ગયા હોવાની શક્યતા છે. જેને કારણે મૃતદેહો શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. ઘટના બાદ બચી ગયેલા યુવાનો પણ નીકળી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:45 am

વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોર ઝડપાયો:ગાઝીપુર એક્સપ્રેસમાં પેસેન્જરનો ફોન ચોરતા RPF-GRPએ રંગેહાથ પકડ્યો

વાપી રેલવે સ્ટેશન પર મોબાઈલ ચોરીના બનાવો અટકાવવા RPF અને GRP દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવારે પ્લેટફોર્મ નંબર 1 પર ગાઝીપુર સિટી સુપરફાસ્ટ એક્સપ્રેસમાં ચઢતી વખતે એક મુસાફરનો મોબાઈલ ચોરીને ભાગી રહેલા સુરતના એક યુવાનને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો હતો. વાપી RPF ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ ASI અશોક કુમાર, CPDS સ્ટાફ અને GRPની ટીમ સ્ટેશન પર શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ દરમિયાન ટ્રેન નંબર 20941 (ગાઝીપુર સિટી એક્સપ્રેસ) પ્લેટફોર્મ પર આવતા જ મુસાફરોની ભારે ભીડ જામી હતી. ભીડનો લાભ ઉઠાવી એક અજાણ્યો શખ્સ એક પેસેન્જરના ખિસ્સામાંથી મોબાઈલ સેરવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, ત્યાં હાજર સતર્ક સ્ટાફે તેને તાત્કાલિક કોર્ડન કરીને પકડી લીધો હતો. પોલીસ પૂછપરછમાં પકડાયેલા શખ્સે પોતાનું નામ અજય કરણ (ઉં.વ. 19, રહે. હરિદર્શન સોસાયટી, અમરોલી, સુરત) હોવાનું જણાવ્યું હતું. તેની તલાશી લેતા તેની પાસેથી વિવો કંપનીનો ચોરાયેલો મોબાઈલ મળી આવ્યો હતો. આરોપીએ ટ્રેનમાં ચઢતી વખતે ભીડનો ફાયદો ઉઠાવી ફોન ચોર્યાની કબૂલાત કરી હતી. ચોરીનો ભોગ બનનાર મુસાફર દેવીપ્રસાદ રામચંદ્ર દુબે (રહે. પારડી, વલસાડ) એ RPF ઓફિસમાં આવી ફરિયાદ નોંધાવી હતી. તેમણે પોતાનો આશરે ₹7,000ની કિંમતનો મોબાઈલ ઓળખી કાઢ્યો હતો. આ ઘટના અંગે GRP વાપીએ આરોપી અજય વિરુદ્ધ BNS ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:44 am

પાટણમાં પદ્મનાભ ભગવાનની 624મી જન્મજયંતિ:શોભાયાત્રા, 28 કીર્તન અને હવન સહિતના કાર્યક્રમો

પાટણમાં પ્રજાપતિ જ્ઞાતિ સમાજ, શ્રી પદ્મનાભ વાડી ટ્રસ્ટ અને શ્રી પદ્મનાભ ભગવાન જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા પદ્મનાભ ભગવાનની 624મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે શહેરમાં શોભાયાત્રા, 28 કીર્તન અને હવન સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સોમવારે સવારે નરસિંહ ભગવાન મંદિરમાં પ્રભુની આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ પદ્મનાભ પ્રભુને રથમાં બિરાજમાન કરીને વાજતે-ગાજતે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. આ શોભાયાત્રામાં નિશાન ડંકો, કળશધારી કુંવારિકાઓ, ભગવાન શ્રી પદ્મનાભજી, શ્રી ગણપતિજી, શ્રી નકળંગજી અને શ્રી હરદેવજી ભગવાનની સુંદર બગીઓ, ધજા દંડ અને વેશભૂષા ધારણ કરેલા બાળકો જોડાયા હતા. આ ઉપરાંત, પ્રથમ વખત નાસિકની મહિલા અને પુરુષ ઢોલ ત્રાસા ગ્રુપ, બેન્ડ, ડી.જે. અને ઊંટલારીઓ પણ આ યાત્રાનો ભાગ બની હતી. ઊંટલારીઓમાં મહિલા મંડળો દ્વારા ભજન-સત્સંગની રમઝટ બોલાવવામાં આવી હતી. યાત્રિકો માટે માર્ગમાં વિવિધ સ્થળોએ સેવા કેમ્પો પણ ગોઠવવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના લોકો આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર ફરીને શોભાયાત્રા પદ્મનાભ મંદિરે પહોંચી હતી. જ્યાં હિંડોળા દર્શન અને હવનનો લાભ સમાજના લોકોએ લેશે. મંદિર પરિસરમાં રાત્રિના સમયે ભજન-સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:43 am

જામનગરમાં ખોડલધામ પરિવાર દ્વારા લોટા ઉત્સવ:હજારો ભક્તોએ દર્શન, પૂજન અને મહાપ્રસાદનો લાભ લીધો

જામનગરમાં શ્રી ખોડલધામ જિલ્લા સમિતિ અને મંદિર સમિતિ દ્વારા ચોથા વાર્ષિક 'રાંદલ માં લોટા ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. રણજીતસાગર રોડ સ્થિત ખોડીયાર પાર્ક સોસાયટીના કોમન પ્લોટ ખાતે યોજાયેલા આ ઉત્સવમાં હજારો ભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ ધાર્મિક મહોત્સવમાં શાસ્ત્રોક્ત પૂજન વિધિ, મહિલા સત્સંગ અને ભવ્ય મહાઆરતી યોજાઈ હતી. ત્યારબાદ ખેલૈયાઓએ મહારાસની રમઝટ બોલાવી ભક્તિમય વાતાવરણ સર્જ્યું હતું. જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં માઇભક્તો આ ઉત્સવમાં ઉમટી પડ્યા હતા. તેમણે માતાજીના દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન-અર્ચનથી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ઉત્સવ દરમિયાન મહિલા સત્સંગ મંડળો દ્વારા ભક્તિ ગીતો અને કીર્તન રજૂ કરવામાં આવ્યા હતા. રાત્રિના સમયે ખેલૈયાઓએ પરંપરાગત ગરબા અને મહારાસની રમઝટ બોલાવી વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું. મહોત્સવના અંતે ખોડલધામ પરિવાર દ્વારા વિશાળ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો ભક્તોએ શાંતિપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો. ખોડલધામ પરિવાર અને મંદિર સમિતિના સ્વયંસેવકોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. સતત ચોથા વર્ષે થયેલું આ આયોજન ખોડલધામ પરિવારની એકતા અને મા શક્તિ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:42 am

ક્રિકેટ રમતા બોલ વાગ્યો તો ફાયરિંગ કર્યું, VIDEO:ધોળકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ, ફાયરિંગ થતાં પોલીસ કાફલો દોડી ગયો

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના ઈંગોલી ગામે ક્રિકેટ રમી રહેલા બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું. સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કરતા જાહેરમા ફાયરિંગની ઘટના બની હતી. ક્રિકેટ રમતા બોલ વાગતા ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ધોળકા રૂરલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ક્રિકેટ રમતા બોલ વાગ્યો તો ફાયરિંગ કર્યુંધોળકાના ઈંગોલી ગામે એક જ કોમના બે જૂથના યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા. ક્રિકેટ રમતા એક શખ્સને બોલ વાગ્યો હતો જેથી બંને પક્ષો સામસામે આવી ગયા હતા. મામલો ઉગ્ર થતા ઉશ્કેરાયેલા વહિદખાન મજીદખાન પઠાણ નામના શખ્સે પોતાની પાસે રહેલા હથિયારમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. જાહેરમાં થયેલા ફાયરિંગને પગલે અફરાતફરી મચી ગઈ હતી. ફાયરિંગ થતાં પોલીસ કાફલો દોડી ગયોઘટનાની જાણ થતા જ ધોળકા ડિવિઝનના ડીવાયએસપી, ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને એલસીબી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઈંગોલી ગામે દોડી ગયો હતો. પોલીસે ગામમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ભોગ બનનાર પક્ષ દ્વારા ધોળકા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવા તજવીજધોળકા રૂરલ પોલીસ સ્ટેશનના પીઆઇ હિતુભા ગોહિલે જણાવ્યું હતું કે બનાવ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે.આરોપીની ધરપકડ બાદ જ હથિયારનું લાયસન્સ હતું કે કેમ તે જાણવા મળશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:40 am

રાજકોટને ઉનાળામાં પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ ન મળી:સમર શેડ્યૂલમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે, ગોવાની ફ્લાઇટ

રાજકોટ - અમદાવાદ હાઈવે પર ચોટીલા પાસે આવેલા હીરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 29 માર્ચથી 24 ઓક્ટોબર, 2026 સુધી ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મુંબઈની 7, દિલ્હીની 4, હૈદરાબાદ, બેંગ્લોર, પુણેની 1- 1 ફ્લાઇટ ઉડાન ભરશે. જોકે ઉનાળામાં પણ રાજકોટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના મળતા સૌરાષ્ટ્રવાસીઓમાં નિરાશા ફેલાઈ છે. રાજકોટ એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહે જણાવ્યુ હતુ કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા દેશભરના તમામ એરપોર્ટ પરથી ઉનાળામાં ઉડાન ભરનારી ફ્લાઈટનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુંબઈ જવા માટે 5 તો નવી મુંબઈ માટેની નવી 2 ફ્લાઇટ શરૂ થવાની છે. આ ઉપરાંત દિલ્હીની 4, હૈદરાબાદ અને બેંગ્લોરની 1- 1 ફ્લાઇટ ડેઈલી ઉડાન ભરશે. જ્યારે પુણેની ફ્લાઈટ અઠવાડિયામાં ચાર વખત ઉડાન ભરશે. જ્યારે ઈન્ડિગો એર લાઇન્સની ગોવાની ફ્લાઇટ બંધ થઈ છે. જે બાબતે એરલાઇન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક મહિના બાદ રાજકોટથી ગોવા જવા માટેની ફ્લાઈટ શરૂ થઈ જશે એટલે કે એપ્રિલ અંતથી આ ફ્લાઈટ શરૂ થશે. જોકે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉનાળામાં એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ રહી નથી. જેનું કારણ એ છે કે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કેન્દ્રના મિનિસ્ટ્રી હોમ અફેર્સ વિભાગ સમક્ષ ઇમિગ્રેશન ક્લિયરન્સ માટેની મંજૂરી માગવામાં આવેલી છે. જે હજુ સુધી મળી નથી. આ ઉપરાંત એક પણ એર લાઇન્સ દ્વારા ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રપોઝલ મૂકવામાં આવી નથી. જેને કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટનો લાભ સૌરાષ્ટ્રવાસીઓને આ ઉનાળામાં પણ નહીં મળે. રાજકોટ એરપોર્ટથી 29 માર્ચથી 24 ઓક્ટોબર સુધી 14 ફ્લાઈટ ઉડાન ભરશે ફ્લાઇટ નંબર - રૂટ - રાજકોટથી પ્રસ્થાન6E 6174/5004 - દિલ્હી - 7.55 - દૈનિકAIC 2785/2786 - મુંબઈ - 8.35 - દૈનિક6E 7045/7046 - નવી મુંબઈ - 8.25 - દૈનિક 6E 5156/233 - મુંબઈ - 9.15 - દૈનિક AI 885/886 - દિલ્હી - 10.00 - દૈનિક 6E 956/957 - પુણે - 10.20 - મંગળ, બુધ, ગુરુ, શનિવાર6E 2284/2283 - મુંબઈ - 13.45 - દૈનિક6E 6507/6508 - બેંગ્લોર - 15.55 - દૈનિક 6E 273/5271 - મુંબઈ - 16.20 - દૈનિક 6E 6983/6984 - દિલ્હી - 17.50 - દૈનિક AI 2730/2731 - મુંબઈ - 18.00 - દૈનિક 6E 2100/2104 - નવી મુંબઈ - 19.35 - દૈનિક 6E 2537/2538 - દિલ્હી - 20.00 - દૈનિક 6E 6823/6824 - હૈદરાબાદ - 20.10 - દૈનિક

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:22 am

જૂનાગઢ ભાજપના વોર્ડ-6ના વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વીડિયો લિંક:ગ્રુપમાં મહિલા કાર્યકરો, કોર્પોરેટરો અને પદાધિકારીઓ; સ્ક્રીનશોટ વાઇરલ થતાં સંગઠનની આબરૂના ધજાગરા ઉડ્યા

જૂનાગઢ શહેરના રાજકીય ગલિયારાઓમાં આજે એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટનાએ ભારે જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટીના 'જૂનાગઢ સિટી વોર્ડ નંબર 6' ના સત્તાવાર વોટ્સએપ ગ્રુપમાં ગત(22 માર્ચ) રાત્રે એક સભ્ય દ્વારા અત્યંત બિભત્સ અને અશ્લીલ લખાણ ધરાવતી વીડિયો લિંક શેર કરવામાં આવતા સંગઠનની આબરૂના ધજાગરા ઉડ્યા છે. આ ગ્રુપમાં અનેક પ્રતિષ્ઠિત મહિલા કાર્યકરો, કોર્પોરેટરો અને પક્ષના પદાધિકારીઓ જોડાયેલા હોવા છતાં મધરાતે 1:57 વાગ્યે આ પ્રકારનો મેસેજ આવતા સમગ્ર પક્ષમાં સોપો પડી ગયો છે. હાલ આ ઘટનાના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયુવેગે વાઇરલ થઈ રહ્યા છે, જેના કારણે ભાજપના સ્થાનિક નેતૃત્વ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. મહિલા સભ્યોમાં રોષજૂનાગઢ સિટી વોર્ડ નંબર 6ના આ ગ્રુપમાં મોડી રાત્રે અચાનક એક બિભત્સ લિંક શેર કરવામાં આવી હતી. આ મેસેજ આવતાની સાથે જ ગ્રુપમાં હાજર અન્ય જાગૃત સભ્યો ચોંકી ઉઠ્યા હતા. આ ગ્રુપમાં એક કરતા વધુ એડમિન છે અને જવાબદાર હોદ્દેદારો પણ છે, તેમ છતાં મધરાતના સમયે આવા મેસેજ આવતા મહિલા સભ્યોની સુરક્ષા અને ગરિમા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. અનેક મહિલા સભ્યોએ આ બાબતે ખાનગીમાં ભારે રોષ વ્યક્ત કર્યો છે. ત્યારે હાલ આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. હજુ સુધી આ બાબત મારા ધ્યાને આવી નથી: ભાજપના કોર્પોરેટરઆ સમગ્ર મામલે જ્યારે વોર્ડ નંબર 6ના ભાજપના કોર્પોરેટર પ્રવીણ વાઘેલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, હું સોશિયલ મીડિયાનો બહુ ઓછો ઉપયોગ કરું છું, જેથી મને ખબર નથી કે આ સમગ્ર મામલો શું છે. હજુ સુધી આ બાબત મારા ધ્યાને આવી નથી. જોકે, જેણે પણ આવો અભદ્ર મેસેજ વાઇરલ કર્યો હશે તેને હું તાત્કાલિક ગ્રુપમાંથી મેસેજ ડિલીટ કરવા માટે સૂચના આપી દઉં છું. કોર્પોરેટરના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે પક્ષના જવાબદાર વ્યક્તિઓ આ વિવાદથી બચવા માટે ટેકનોલોજીની અજ્ઞાનતાનો સહારો લઈ રહ્યા છે. મને ખબર નથી કેવી રીતે લિંક સેન્ડ થઈ: મેસેજ મોકલનારબીજી તરફ, જે વ્યક્તિના નંબર પરથી આ અશ્લીલ લિંક ગ્રુપમાં મોકલવામાં આવી હતી, તેનો સંપર્ક સાધતા તેણે અત્યંત વિચિત્ર બચાવ કર્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ પોતાનો બચાવ કરતા કહ્યું કે, મને પણ ખબર નથી કે મોડી રાત્રે આ મેસેજ ગ્રુપમાં કેવી રીતે થઈ ગયો. કદાચ મારો મોબાઈલ હાથમાંથી પડી ગયો હશે અને તેના કારણે અજાણતા જ આ લિંક ગ્રુપમાં સેન્ડ થઈ ગઈ હોય તેવું બની શકે. ‘ભાઈ, આ ગ્રુપમાં આવા વીડિયો ના મૂકો. આમાં લેડીઝ પણ હોઈ શકે’આ ઘટનામાં ગ્રુપના એક મેમ્બર દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો. આ વ્યક્તિ પક્ષના કાર્યોના મેસેજ અન્ય ગ્રુપમાં શેર કરી રહ્યા હતા, ત્યારે રાત્રે 1:57 વાગ્યે વોર્ડ નંબર 6ના ગ્રુપમાં આ અશ્લીલ લિંક જોઈ હતી. તેમણે તરત જ એ જ ગ્રુપમાં વળતો મેસેજ લખીને ટકોર કરી હતી કે, ભાઈ, આ ગ્રુપમાં આવા વીડિયો ના મૂકો. આમાં લેડીઝ પણ હોઈ શકે છે. આ ભારતીય જનતા પાર્ટીનું ગ્રુપ છે, તમે કેવા વીડિયો મૂકો છો એ જરા જોઈ લો. સ્ક્રીનશોટ વાઇરલ થતા જૂનાગઢ ભાજપમાં ખળભળાટહાલમાં તો આ અશ્લીલ મેસેજના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયામાં વાઇરલ થતા જૂનાગઢ ભાજપમાં ભારે ખળભળાટ મચ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ કાર્યકરો અને હોદ્દેદારોમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સંગઠન દ્વારા આવા બેજવાબદાર સભ્ય સામે કોઈ શિસ્તભંગના પગલાં લેવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું. આ ઘટનાએ ડિજિટલ માધ્યમોના ઉપયોગ અને તેમાં જળવાતી મર્યાદાઓ અંગે નવેસરથી ચર્ચા જગાવી છે. ખાસ કરીને જ્યારે સત્તાધારી પક્ષના ગ્રુપમાં આવી ઘટના બને ત્યારે વિપક્ષને પણ મોટું હથિયાર મળી જતું હોય છે. આગામી દિવસોમાં આ મામલે પક્ષના મોટા ગજાના નેતાઓ શું વલણ અપનાવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:19 am

આજે કોર્પોરેશનના 30 વોર્ડની આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે:નાગરિકો તાપી ભવન, તમામ વોર્ડ ઓફિસો સહિત 40 સ્થળે નામની ચકાસણી કરી શકશે, નામ ન હોય તે ઉમેરી શકશે

સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ 11 માર્ચના રોજ પૂર્ણ થયા બાદ હવે મહાનગરપાલિકાઓની ચૂંટણીનો ગરમાવો તેજ બન્યો છે. વહીવટી તંત્ર દ્વારા ચૂંટણી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, જેના પરિણામે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારના 30 વોર્ડની મતદાર યાદી આજે 23 માર્ચના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. આજે વોર્ડ વાઈઝ યાદી જાહેર કરાશેમ્યુનિસિપલ ચૂંટણી શાખા દ્વારા સતત મહેનત બાદ શહેરના અંદાજે 24.72 લાખ મતદારોની યાદી તૈયાર કરવામાં આવી છે. આ યાદી તૈયાર કરવાની જવાબદારી ઇલેક્શન વિભાગના 15 જેટલા કર્મચારીઓ અને બે આસિસ્ટન્ટ એન્જિનિયર સહિતના 20 જેટલા અનુભવી અધિકારીઓને સોંપવામાં આવી હતી. આ ટીમ દ્વારા વિધાનસભાની મતદાર યાદીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને તેના આધારે મહાનગરપાલિકાના વોર્ડ વાઇઝ નવી યાદી તૈયાર કરવામાં આવી છે. ક્યાં જોઈ શકાશે મતદાર યાદી?મતદારોની સુવિધા માટે તંત્ર દ્વારા કુલ 40 જેટલા સ્થળો પર આ યાદી પ્રદર્શિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે તાપીપુરા વિસ્તારમાં આવેલું તાપી ભવન અને શહેરની તમામ વોર્ડ ઓફિસો તેમજ અન્ય મહત્વના 40 જાહેર સ્થળો પર નાગરિકો પોતાની વિગતો અને નામની ચકાસણી કરી શકશે. નામ રહી ગયું હોય તો શું કરવું?તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જો કોઈ નાગરિકનું નામ વિધાનસભાની મતદાર યાદીમાં નોંધાયેલું હોય, પરંતુ મહાનગરપાલિકાની આ નવી યાદીમાં જો નામ જોવા ન મળે, તો તેમણે ગભરાવાની જરૂર નથી. આવા મતદારો જરૂરી પુરાવાઓ સાથે મ્યુનિસિપલ ઇલેક્શન વિભાગમાં જઈને અરજી કરી શકશે અને પોતાનું નામ નોંધાવી શકશે. રાજકીય પક્ષોમાં ઉત્સાહચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થતા જ સુરતના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ તંત્ર વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી રહ્યું છે, તો બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોએ પણ પોતપોતાની રણનીતિ ઘડવાનું શરૂ કરી દીધું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:11 am

પાટણમાં 4થી વધુ વ્યક્તિના ભેગા થવા પર પ્રતિબંધ:ચાણસ્મા ઘટના બાદ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું

પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરાયા છે. ચાણસ્મા તાલુકાના ઝીલાયા ગામે બનેલી ઘટના બાદ આ નિર્ણય લેવાયો છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે 23/03/2026 ના રોજ 24 કલાક માટે ચારથી વધુ વ્યક્તિઓના એકઠા થવા, સભા ભરવા કે સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ પ્રતિબંધાત્મક આદેશો ચાણસ્માના ઝીલાયા ગામની ઘટનાના સંદર્ભમાં આવ્યા છે. આ ઘટનામાં આરોપીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ અભિજિતસિંહ બારડે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તેમણે સોશિયલ મીડિયા અને પ્રેસ કોન્ફરન્સ દ્વારા આ જાહેરાત કરી હતી. અભિજિતસિંહ બારડે પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે 23/03/2026 ના રોજ વામૈયા ગામે સભા યોજવા, કલેક્ટર અને પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપવા તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય પક્ષોના પ્રવેશબંધી જેવા નિર્ણયો લેવાની જાહેરાત કરી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લામાં સુલેહ શાંતિનો ભંગ ન થાય તે હેતુથી પોલીસ અધિક્ષકની દરખાસ્તના આધારે પ્રતિબંધાત્મક પગલાં લેવા જરૂરી બન્યા હતા. પાટણના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ હિરેન ચૌહાણે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 ની કલમ 163 હેઠળ આ આદેશો જારી કર્યા છે. આ આદેશો સમગ્ર જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 23/03/2026 ના 00:00 કલાકથી 24:00 કલાક સુધી અમલમાં રહેશે. જાહેરનામા મુજબ, કોઈપણ મંડળી, સભા કે સરઘસમાં ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થઈ શકશે નહીં. તેમજ કોઈ સભા બોલાવી કે સરઘસ કાઢી શકાશે નહીં. જોકે, સરકારી ફરજ પરના વ્યક્તિઓ, લગ્ન પ્રસંગો અને સ્મશાન યાત્રા જેવી બાબતોમાં પૂર્વ મંજૂરી સાથે આ પ્રતિબંધમાંથી છૂટછાટ મળશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 11:00 am

કાલાવડના ભાજપ નેતા નાજીભાઈ ચોવટીયા AAPમાં જોડાયા:ગોપાલ ઇટાલિયાના હસ્તે ખેસ ધારણ કર્યો; કહ્યું- ભાજપને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે

કાલાવડમાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આયોજિત જાહેર સભામાં ભાજપના અનુભવી નેતા નાનજી ચોવટીયા સત્તાવાર રીતે AAPમાં જોડાયા હતા. ગોપાલ ઇટાલિયાના હસ્તે તેમને પાર્ટીનો ખેસ પહેરાવી આવકારવામાં આવ્યા હતા. તેમની સાથે અનેક કાર્યકર્તાઓ પણ AAPમાં સામેલ થયા હતા. આ રાજકીય ઘટનાથી કાલાવડ તાલુકા સહિત સમગ્ર વિસ્તારમાં નવી રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. નાનજીભાઈ ચોવટીયાએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ વ્યવસાયે ખેતી તથા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ લાંબા સમયથી સામાજિક અને રાજકીય ક્ષેત્રે સક્રિય રહ્યા છે, જેના કારણે તેમનો લોકો સાથે ગાઢ સંપર્ક છે. તેમની સરળતા, કાર્યશૈલી અને લોકસંપર્કને કારણે તેઓ વિસ્તારના પ્રભાવશાળી પાટીદાર નેતા તરીકે જાણીતા છે. તેમની રાજકીય કારકિર્દી 1994માં યુવા ભાજપના પ્રમુખ તરીકે શરૂ થઈ હતી. 1995માં તેઓ કાલાવડ તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની નેતૃત્વ ક્ષમતાને કારણે 1998થી 2005 દરમિયાન તેમણે તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. 2010થી 2015 દરમિયાન તેઓ જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સમયગાળામાં તેમણે જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે પણ ફરજ બજાવી હતી. શિક્ષણ ક્ષેત્રે સુધારા અને વિકાસ માટેના તેમના કાર્યોને કારણે તેમને વિશેષ માન-સન્માન પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત, 2001થી તેઓ કાલાવડ સેવા સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ તરીકે કાર્યરત છે. સહકારી ક્ષેત્રમાં તેમના નેતૃત્વ હેઠળ અનેક વિકાસલક્ષી નિર્ણયો લેવાયા છે, જેનાથી ખેડૂતો અને સભ્યોને સીધો લાભ મળ્યો છે. AAPમાં જોડાતા નાનજીભાઈ ચોવટીયાએ જણાવ્યું હતું કે, તેઓ લોકોની સેવા અને વિકાસ માટે નવી દિશામાં કાર્ય કરવા પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે, તેઓ પારદર્શક અને જવાબદાર શાસન માટે કાર્ય કરશે અને જનતાના પ્રશ્નોને પ્રાથમિકતા આપશે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓએ નાનજીભાઈનું સ્વાગત કર્યું હતું અને તેમના જોડાવાથી પાર્ટી વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, નાનજીભાઈનો વિશાળ અનુભવ અને લોકપ્રિયતા પાર્ટીને ભવિષ્યમાં ચોક્કસ ફાયદો પહોંચાડશે. ગોપાલ ઇટાલિયા અને પ્રકાશ ડોંગાએ જાહેર સભામાં લોકોને ભાજપના ભ્રષ્ટાચાર અને ભયમાંથી મુક્ત થવા માટે AAPને સમર્થન આપવા અપીલ કરી હતી અને આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિશાન ઝાડુમાં મત આપી ભાજપને જાકારો આપવાનો સમય હવે આવી ગયો છે તેવા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ પ્રકાશભાઈ દોંગા, જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, કાલાવડ વિધાનસભાના પ્રભારી કે.પી.બથવાર, તાલુકા પ્રમુખ જેરામભાઈ બુશા, શહેર પ્રમુખ રમેશભાઈ વણપરિયા, દયાબેન મકવાણા, ડૉ કલ્પેશ મકવાણા, ડૉ.જીગ્નેશ સોલંકી, અલ્પાબેન મારકણા, સહદેવ સિંહ જાડેજા, વેલુભા જાડેજા, જે. બી. લશ્કરી, દેવરાજ વૈષ્ણવ સહિત પાર્ટીના અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં કાર્યકરો અને ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર અને ઉમંગ સાથે યોજાયો હતો. નાનજીભાઈ ચોવટીયાના આમ આદમી પાર્ટીમાં જોડાવાના આ ઘટનાક્રમે કાલાવડના રાજકારણમાં નવી દિશા અને ગતિ આપવાની સંભાવનાઓ ઉભી કરી છે, અને આવનારા સમયમાં તેની અસર વધુ સ્પષ્ટ જોવા મળશે તેવું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:51 am

મોરબીમાં રબારી-ભરવાડ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ:શિક્ષણ, સંગઠન અને રાજકારણ પર આગેવાનોનો ભાર

મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની અસ્મિતા તથા એકતાને વધુ મજબૂત કરવા માટે મચ્છુ માતાજીના મંદિરે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં બંને સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગામી સમયમાં સમાજ શિક્ષણ, સંગઠન અને રાજકારણમાં આગળ વધે અને વધુ મજબૂત બને તે વાત પર આગેવાનોએ ભાર મૂક્યો હતો. વર્તમાન સમયમાં સમાજના વિકાસ માટે સંગઠનશક્તિ અનિવાર્ય છે. 'એકલા ચાલવા કરતાં સાથે મળીને ચાલવાથી વધુ દૂર અને મજબૂતીથી પહોંચી શકાય છે' તે ભાવનાને સાર્થક કરવા માટે મોરબીમાં રબારી અને ભરવાડ સમાજ એકતા સમિતિ દ્વારા આ બેઠક યોજાઈ હતી. મોરબી જિલ્લામાંથી સમાજના આગેવાનો, વડીલો અને મોટી સંખ્યામાં યુવાનો આ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં બંને સમાજના આગેવાનોએ એક મજબૂત સંગઠન બનાવવા માટે આહ્વાન કર્યું હતું. મોરબી જિલ્લાથી શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં રબારી અને ભરવાડ સમાજનું મજબૂત સંગઠન બને તેવું આયોજન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, સમાજ રાજકારણમાં પણ મજબૂત રીતે આગળ આવે તે માટે સંગઠન શક્તિને અનિવાર્ય ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે, સંગઠન નિર્માણ માટે યોજાયેલી આ બેઠક માટે કોઈ લેખિત આમંત્રણ અપાયું ન હતું. માત્ર સોશિયલ મીડિયા સંદેશ દ્વારા હજારોની સંખ્યામાં લોકો મચ્છુ માતાજી મંદિરે આ બેઠકમાં ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમમાં મચ્છુ માતાજી મંદિરના મહંત, દેવેનભાઈ રબારી, વિનોદભાઈ ડાભી, હીરાભાઈ ટમારિયા સહિતના રબારી અને ભરવાડ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:38 am

હાલ માવઠાની ઘાત ટળી, હવે ગરમી અકળાવશે:24 કલાકમાં તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો નોંધાશે, બે દિવસથી રાજકોટમાં સૌથી ગરમ

રાજ્યમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની શક્યતા નહીવત છે. ત્રણ દિવસ કમોસમી વરસાદ થયા બાદ વાતાવરણમાં ફરી પલટો આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં તાપમાનમાં ફરી વધારો નોંધાશે. આવતીકાલથી રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. તાપમાનમાં વધારો થતા રાજ્યમાં ગરમીમાં પણ વધારો નોંધાશે. અત્યારે પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે, પરંતુ તેની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશેઃ હવામાનહવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. જે બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તો વાતાવરણમાં બદલાવ જોવા મળશે. ઉત્તર પશ્ચિમથી 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલું મહત્તમ તાપમાનછેલ્લા 24 કલાકમાં નોંધાયેલા તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 36 ડિગ્રી સેલ્સિયસ, વડોદરામાં 35.8 ડિગ્રી સેલ્સિયસ, ભાવનગરમાં 34.9 ડિગ્રી સેલ્સિયસ, ભુજમાં 35.7 ડિગ્રી સેલ્સિયસ, દાહોદમાં 33.7 ડિગ્રી સેલ્સિયસ, દમણમાં 32.2 ડિગ્રી સેલ્સિયસ, ડાંગમાં 35.2 ડિગ્રી સેલ્સિયસ, ડીસામાં 35.3 ડિગ્રી સેલ્સિયસ, દીવમાં 34.1 ડિગ્રી સેલ્સિયસ, દ્વારકામાં 28 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 35.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલામાં 3.5 ડિગ્રી સેલ્સિયસ, નલિયામાં 33.2 ડિગ્રી સેલ્સિયસ, ઓખામાં 30.8 ડિગ્રી સેલ્સિયસ, પોરબંદરમાં 33.3 ડિગ્રી સેલ્સિયસ, રાજકોટમાં 36.5 ડિગ્રી સેલ્સિયસ, સુરતમાં 35.5 ડિગ્રી સેલ્સિયસ, વેરાવળમાં 33.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:35 am

ભાજપના પૂર્વ કાઉન્સિલરના ઘરે અજાણ્યા શખ્સોએ રેકી કરી, CCTV:વડોદરામાં ફોર્ચ્યુનર અને ટેક્સીમાં આવેલા 3 શખ્સ ઘરમાં પ્રવેશ્યા; ગૃહમંત્રી મને ન્યાય અપાવશે: કલ્પેશ પટેલ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા વોર્ડ નં. 18ના ભાજપના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડના નિવાસસ્થાને અજાણ્યા શખ્સોએ રેકી કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને માંજલપુર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ‘અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી રેકી કરી’રવિવારે (22 માર્ચ)બપોરે લગભગ સવા બેથી અઢી વાગ્યાની વચ્ચે એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી કલ્પેશ પટેલના ઘર નજીક આવી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સો તેમના ઘરના કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા. તેઓએ ઘરમાં પ્રવેશીને રેકી કરી ગયા હોવાનો પણ દાવો કલ્પેશ પટેલે કર્યો છે. રેકી કરતા શખ્સો CCTVમાં કેદCCTV ફૂટેજમાં ત્રણ જેટલા અજાણ્યા શખ્સો નજરે પડ્યા હતા. તેમના ચહેરા અને હલચલના આધારે લૂંટ અથવા અન્ય ગુનાહિત ઇરાદાથી આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઘટના બાદ CCTV તપાસતા જાણવા મળ્યું કે અજાણ્યા શખ્સો રેકી કર્યા બાદ સ્થળ પરથી ભાગી ગયા હતા. સમગ્ર મામલો માંજલપુર પોલીસ સુધી પહોંચ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી મારા ઘર પાસે આવી: પૂર્વ કાઉન્સિલરભાજપના પૂર્વ કાઉન્સિલર કલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, રવિવારે બપોરે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે આ ઘટના બની હતી. અચાનક બે ગાડીઓ એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી મારા ઘર પાસે આવી હતી. CCTV ફૂટેજમાં જોતા લગભગ ત્રણ અજાણ્યા શખ્સો મારા ઘરમાં પ્રવેશતા દેખાય છે. તેમના ચહેરા અને હાવભાવ પરથી ચોક્કસપણે એવું લાગે છે કે તેઓ લૂંટના ઈરાદે જ આવ્યા હતા. ‘મને ન્યાયની પૂરી આશા છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મેં આ અંગે માંજલપુર પોલીસમાં અરજી આપી દીધી છે. હવે આ પોલીસ તપાસનો વિષય છે કે તેઓ કોણ હતા અને તેમનો સાચો હેતુ શું હતો. મને ન્યાયની પૂરી આશા છે. અત્યારે રાજ્યમાં ભાજપની સરકાર છે અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ તંત્ર માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે પોલીસ તંત્ર આ મામલે ત્વરિત તપાસ કરીને મને ચોક્કસપણે ન્યાય અપાવશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 10:02 am

ઐતિહાસિક ડિમોલિશન બાદ તંત્ર ઉદાસીન:રાજકોટનાં જંગલેશ્વરમાં એક મહિના બાદ પણ રસ્તાનું કામ માત્ર કાગળ પર ! ફરીથી ગેરકાયદેસર દબાણો ઉભા થવાની દહેશત

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલું ઐતિહાસિક ડિમોલિશન અત્યારે તંત્રની ઉદાસીનતાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. 23 ફેબ્રુઆરીના રોજ એક અભૂતપૂર્વ આયોજન સાથે આજી નદીના પટમાં અને ટી.પી. રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી અંતર્ગત વર્ષો જૂના 1500 જેટલા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રએ તે સમયે એવો દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં રસ્તાઓ પહોળા કરવામાં આવશે અને નદીના પટમાં વિકાસકાર્યો હાથ ધરીને વિસ્તારનો કાયાકલ્પ કરવામાં આવશે. જોકે, આ ઘટનાને આજે 1 મહિનો પૂર્ણ થયો હોવા છતાં, સ્થિતિ જૈસે-થે જોવા મળી રહી છે, જેના કારણે ફરી ગેરકાયદેસર દબાણો ઉભા થવાની દહેશત છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં જંગલેશ્વરમાં થયેલા ઐતિહાસિક ડિમોલિશન સમયે મ્યુનિસિપલ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓએ જાહેરાત કરી હતી કે આ વિસ્તારમાં રસ્તાનું કામ ખૂબ ઝડપથી શરૂ કરવામાં આવશે. પરંતુ વાસ્તવિકતા એ છે કે ઇસ્ટઝોનના બાંધકામ વિભાગ અને ટી.પી. શાખા વચ્ચે સંકલનના અભાવે રસ્તા બનાવવાની પ્રક્રિયા કાગળ પર અટકેલી છે. ઇસ્ટઝોનના ઇન્ચાર્જ સિટી એન્જિનિયર શ્રીવાસ્તવ દ્વારા પણ આ રસ્તાના કામ અંગે કોઈ સ્પષ્ટ વિગતો કે સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી. બીજી તરફ, આજી નદીના પટમાં હજુ પણ કાટમાળના ઢગલા પડ્યા છે, જે વિસ્તારની સુંદરતા બગાડવાની સાથે સાથે ગંદકી અને અવરોધનું કારણ બની રહ્યા છે. તંત્ર દ્વારા કાટમાળ હટાવવાની કે ત્યાં ગાર્ડન અથવા રિવરફ્રન્ટ જેવા કોઈ વિકાસલક્ષી આયોજનની દિશામાં હજુ સુધી કોઈ નક્કર કદમ ઉઠાવવામાં આવ્યા નથી.સૌથી ગંભીર બાબત એ છે કે વિકાસના કામોમાં વિલંબ થવાને કારણે આ વિસ્તાર અત્યારે ખંઢેર જેવી હાલતમાં ફેરવાઈ ગયો છે. અગાઉના અનુભવો મુજબ, મોટા પાયે ડિમોલિશન થયા બાદ ત્યાં તરત ફેન્સિંગ કે બાંધકામ કરવામાં ન આવે, ત્યારે ફરીથી દબાણો થવાની શક્યતા વધી જાય છે. જંગલેશ્વરમાં પણ અત્યારે આવી જ સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યાં કેટલાક સ્થળોએ ફરીથી કાચા કે પાકા બાંધકામો શરૂ થઈ રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. જો તંત્ર વહેલી તકે જાગશે નહીં, તો ગરીબોના આશિયાના તોડીને જે હેતુ માટે જગ્યા ખાલી કરાવવામાં આવી હતી, તે હેતુ માર્યો જશે. આ માટે સીધી રીતે ટી.પી. વિભાગ અને બાંધકામ શાખાની જવાબદારી નક્કી થવી જોઈએ. દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં મ્યુ. કમિશનરે આ મામલે રસ્તાકામને મંજૂરી આપી દીધી હોવાનું જણાવ્યું હતું. જોકે હાલમાં વહીવટી પ્રક્રિયામાં થતો વિલંબ શંકા જન્માવે છે. ત્યારે હવે વહીવટદાર અને કમિશનરે રૂબરૂ મુલાકાત લઈને કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવી જોઈએ. જો ભવિષ્યમાં આ જમીન પર ફરીથી દબાણો થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વિભાગના અધિકારીઓની રહેશે. જનતાના પરસેવાના પૈસા અને તંત્રની મહેનત એળે ન જાય તે માટે યુદ્ધના ધોરણે રસ્તાકામ અને નદીના પટના વિકાસકામો શરૂ કરવામાં આવે તે જરૂરી છે. જોકે વહીવટદાર રેમ્યા મોહન અને મ્યુ. કમિશનર તુષાર સુમેરા આ અંગે ક્યારે અને શું પગલાં લેશે તે આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 9:41 am

પરીક્ષાના પ્રેશરમાં પંખે લટકી ગળાફાંસો ખાધો:​​જૂનાગઢમાં કોલેજની વિદ્યાર્થિનીનો આપઘાત, પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી: PI

​જૂનાગઢ જિલ્લાના કેશોદમાં આવેલી રાધેશ્યામ-2 નગર સોસાયટીમાં એક અત્યંત દુઃખદ ઘટના પ્રકાશમાં આવી છે. અહીં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીએ પોતાના જ મકાનના ઉપરના રૂમમાં પંખા સાથે કપડાનું દોરડું બાંધી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. વિદ્યાર્થિની જૂનાગઢની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, નજીકમાં જ પરીક્ષા હોવાથી તેના ટેન્શન અને દબાણને કારણે સગીરાએ આ આત્મઘાતી પગલું ભર્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. પરીક્ષાના કારણે ટેન્શનમાં હતીમૃતક વિદ્યાર્થિનીના પિતા કેશોદમાં હીરા ઘસવાનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમને સંતાનમાં બે દીકરીઓ છે, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે અને મૃતક નાની દીકરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આકસ્મિક મોતની વિગતો મુજબ, મૃતક ભણવામાં હોશિયાર હતી, પરંતુ પરીક્ષાના ભારને કારણે તે માનસિક રીતે ભાંગી પડી હતી. જ્યારે પરિવારના સભ્યો ઘરે હતા ત્યારે જ તેણે ઉપરના માળે જઈ અંતિમ પગલું ભરી લીધું હતું. પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી: PI​આ મામલે કેશોદ પોલીસ સ્ટેશનના પીઆઈ પી.એ. જાદવે જણાવ્યું હતું કે પરીક્ષા તો જીવનમાં આવતી-જતી રહેશે, પણ જિંદગી ફરી નહીં મળે. આ કેસમાં જાણવા મળ્યું છે કે બાળકી પરીક્ષાનું પ્રેશર સહન નહોતી કરી શકી. મારી તમામ વાલીઓને અપીલ છે કે તમારા સંતાનોની ક્ષમતા સમજો. તેમની ઉપર અતિશય અપેક્ષાઓનો ભાર ન મૂકો. બાળકોને તેમની મનગમતી સ્ટ્રીમ પસંદ કરવા દો જેથી તેઓ દબાણમાં ન આવે. વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે પરીક્ષા એ જીવનની છેલ્લી પરીક્ષા નથી, હિંમત હારીને આવું પગલું ક્યારેય ન ભરો. પરિવારમાં આક્રંદઘટનાની જાણ થતા જ કેશોદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક હસતા-રમતા પરિવારની લાડકવાયી દીકરીએ આ રીતે વિદાય લેતા પરિવાર પર આભ ફાટ્યું છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 9:21 am

ભરૂચના ભોલાવમાં 8 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ:વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થા સુધરશે, રાત્રિ સુરક્ષા વધશે

ભરૂચ જિલ્લા પંચાયત વિસ્તારના ભોલાવમાં 8 હાઈમાસ્ટ ટાવરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટાવર જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટ હેઠળ મંજૂર કરાયા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીના હસ્તે આ ટાવરનું લોકાર્પણ કરાયું હતું. નારાયણ કુંજ વિહાર સોસાયટી નજીક યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ હાઈમાસ્ટ ટાવરની સ્થાપનાથી ભોલાવ અને નંદેલાવ વિસ્તારમાં પ્રકાશ વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. તે રાત્રિના સમયે સુરક્ષા વધારવામાં પણ મદદરૂપ થશે. સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યને આવકાર્યો હતો. તેમણે જણાવ્યું કે, લાંબા સમયથી વિસ્તારમાં મોટી હાઈમાસ્ટ લાઈટિંગની સુવિધા ન હોવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થશે. આ ઉપરાંત, ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં બાંકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે આગામી સમયમાં અલગ અલગ વિસ્તારોમાં મૂકવામાં આવશે. કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા વધુ વિકાસ કામો માટે પણ ખાતરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 9:02 am

નવ દિવસના બાળકની તસ્કરી: પાંચઆરોપી ઝડપાયા:માનવ તસ્કરીનો ગુનો નોંધાયો, ત્રણ જિલ્લાના આરોપીઓ સામે કાર્યવાહી

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા વિસ્તારમાં નવ દિવસના બાળકની તસ્કરીનો પર્દાફાશ થયો છે. આ મામલે સાબરકાંઠા AHTU શાખાએ પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. બાળકની અમદાવાદમાં બે લાખ રૂપિયામાં વેચાણ કરવામાં આવ્યું હતું. ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને બે લાખ રૂપિયામાં વેચી દેવામાં આવ્યું હતું. સાબરકાંઠા AHTU શાખાના વિક્રમસિંહને ખાનગી બાતમી મળી હતી કે, ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી નવજાત બાળકોની તસ્કરીમાં સંડોવાયેલો છે. બાતમીના આધારે, માલજીને ખેડબ્રહ્માના મટોડા ગામ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, માલજીએ કબૂલ્યું કે તેણે લગભગ પંદર દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને રૂ. 2 લાખમાં વેચ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ હકીકત સાચી જણાતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023 ની કલમ 143(4), 61(2)(A), 54 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાબરકાંઠા A.H.T.U ટીમને બાળ તસ્કરીના આ ભેદને ઉકેલવામાં સફળતા મળી છે. પકડાયેલા પાંચ આરોપીઓમાં સાબરકાંઠા જિલ્લાના બે, ઉદેપુર જિલ્લાના બે અને અમદાવાદ જિલ્લાનો એક આરોપી સામેલ છે. તેમના નામ આ મુજબ છે: 1. માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી (રહે. પોણાઈ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા), 2. સુવન ઉર્ફે સોવમ નાનજીભાઇ ડાભી (રહે. દિગ્ધલી ઉપલુ ફળિયુ, ખેડબ્રહ્મા, તા. ખેડબ્રહ્મા), 3. દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. પારધીફળો, મામરે, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન), 4. લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી (રહે. ડાભી ફળો, મેડી ગામ, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન), 5. પ્રમોદભાઈ રાજારામ રાજવંશી (દરબાદ) (રહે. સીટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસાયટી, તા. જિ. અમદાવાદ).

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:58 am

હિંમતનગરના ગઢોડામાં અનોખી ચૈત્ર નવરાત્રી:વર્ષો જૂની પરંપરા મુજબ ભક્તિભાવથી ઉજવણી

હિંમતનગર તાલુકાના ગઢોડા ગામમાં ચૈત્ર મહિનાની નવરાત્રીનો અનોખો ઉત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે. સામાન્ય રીતે આસો મહિનામાં નવરાત્રી ઉજવવામાં આવે છે, પરંતુ ગઢોડામાં વર્ષો જૂની પરંપરા મુજબ ચૈત્ર નવરાત્રીનું વિશેષ આયોજન કરવામાં આવે છે. ગામના નવરાત્રી માઈ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. ગઢોડા ગામની માધ્યમ માતાજીની 'ફરતી નવરાત્રી' અહીંનું મુખ્ય આકર્ષણ છે. શુભ મુહૂર્તમાં માતાજીની સ્થાપના કર્યા બાદ માંડવી ફરતી જોવા મળે છે, જે ભક્તોમાં વિશેષ આસ્થા અને ઉત્સાહ જગાવે છે. નવરાત્રી ચોકને આકર્ષક લાઈટિંગ અને શણગારથી સજાવવામાં આવ્યો છે. રાત્રિના સમયે વિવિધ કલાકારોની પાર્ટીઓ દ્વારા ગરબાનું આયોજન થાય છે, જેમાં ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબા રમે છે. ફરતી માંડવી આ નવરાત્રીનું એક વિશિષ્ટ આકર્ષણ બની રહી છે. ગામ ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ગરબા રમવા અને માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે. આના કારણે ગઢોડા ગામમાં ભક્તિમય અને ઉત્સવી માહોલ છવાઈ ગયો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:52 am

ક્રિસ્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ફન ફેયેસ્તાનું આયોજન:પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના પ્રયાસથી વ્યવસાયિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન

ગીર સોમનાથની CBSC ક્ષેત્રે અગ્રેસર ક્રિસ્ટલ સ્કૂલમાં ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓ બહાર લાવવા અને તેમનામાં હુન્નર પારખવા માટે એક અનોખા ફન ફેયેસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના માર્ગદર્શન હેઠળ, વિદ્યાર્થીઓને હાઈજેનિક ફૂડ સ્ટોલ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, ગેમ્સ સ્ટોલ અને વિવિધ એક્ટિવિટીઝના સ્ટોલ ઊભા કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વેરાવળના ગવર્નર રો. ગિરીશ ઠક્કરના હસ્તે રીબીન કાપીને ફન ફેયેસ્તાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સ્કૂલ દ્વારા ફન ફેયેસ્તાની ડિઝાઇન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સ્ટોલમાંથી થતી સંપૂર્ણ આવક વિદ્યાર્થીઓ પોતે રાખી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી તેઓમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે ઉત્સાહ વધે. આ આયોજનનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક પ્રવૃત્તિઓ પ્રત્યે ઉત્સુકતા વધારવાનો અને તેમને વ્યવહારુ બનાવવાનો હતો. પ્રિન્સિપાલ ઉમા પાલીવાલના માર્ગદર્શન હેઠળ, વાઇસ પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને અધ્યાપકોએ આ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ, વાલીઓ અને વેરાવળ શહેરના નાગરિકોએ ફન ફેયેસ્તાની મુલાકાત લીધી હતી અને સ્કૂલના આ વ્યવસાયિક કાર્યને બિરદાવ્યું હતું. વાલીઓએ વિદ્યાર્થીઓને વ્યવસાયિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા બદલ સ્કૂલ મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. ફન ફેયેસ્તામાં ડિંગુ કાર્ટૂન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીઓએ આ ફન ફેયેસ્તાને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, તેમ એક યાદીમાં જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:52 am

વંદે ભારત ટ્રેનને શામળાજીમાં સ્ટોપેજ મળ્યું:અસારવા-ઉદયપુર વંદે ભારતને લીલી ઝંડી, સાંસદ-મંત્રી ઉપસ્થિત રહ્યા

રેલવે વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યો અને શહેરોને જોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત, અમદાવાદના અસારવાથી રાજસ્થાનના ઉદયપુર સુધી જતી વંદે ભારત ટ્રેનને યાત્રાધામ શામળાજી ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું છે. આ સ્ટોપેજથી અરવલ્લી જિલ્લાના રહેવાસીઓ અને શ્રદ્ધાળુઓને લાભ મળશે. શામળાજી રેલવે સ્ટેશન ખાતે આ સ્ટોપેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી, સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવો દ્વારા ટ્રેનને લીલી ઝંડી બતાવીને શામળાજી સ્ટોપેજનું સત્તાવાર પ્રારંભ કરાયો હતો. અગાઉ, અમદાવાદના અસારવાથી ઉદયપુર જતી વંદે ભારત ટ્રેનને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સ્ટોપેજ આપવામાં આવ્યું હતું. જોકે, અરવલ્લી જિલ્લામાં કોઈ સ્ટોપેજ ન હોવાને કારણે યાત્રાધામ શામળાજી ખાતે પણ સ્ટોપેજ આપવાની લાંબા સમયથી માંગ હતી. સ્થાનિક સાંસદની રજૂઆત બાદ રેલવે મંત્રાલય દ્વારા શામળાજી ખાતે સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયથી શામળાજી મંદિરે આવતા દર્શનાર્થીઓ અને આસપાસના વિસ્તારોના લોકોને રેલવે કનેક્ટિવિટીનો સીધો લાભ મળશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:46 am

પાટણ SOGએ ચાણસ્માના ઈટોડાથી દેશી બંદૂક સાથે શખ્સ ઝડપ્યો:ગેરકાયદે હથિયાર રાખવા બદલ ગુનો નોંધાયો, વધુ તપાસ ચાલુ

પાટણ SOG શાખાએ ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક શખ્સને દેશી હાથબનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. ઈટોડા ગામના નેળિયામાંથી આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. SOG પોલીસ કર્મચારીઓ ચાણસ્મા વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, ઈટોડા ગામના બસ સ્ટેન્ડ પાસે તેમને બાતમી મળી હતી કે ઈટોડાથી અંબાલા જતા કાચા નેળિયામાં એક વ્યક્તિ દેશી બંદૂક સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે, પોલીસે બે પંચોને સાથે રાખીને તે સ્થળે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે નેળિયામાં ઉભેલા ગુલમહમદ ઉર્ફે અબ્દુલ હોથભાઇ હયાભાઇ (રહે. ઈટોડા, મૂળ રહે. અમરાપુર પાટી, તા. સમી) ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા, તેના હાથમાંથી એક દેશી હાથબનાવટની બંદૂક મળી આવી હતી. હથિયાર રાખવા અંગે પરવાનો માંગતા, તેની પાસે કોઈ પાસ-પરમીટ ન હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આશરે 2500 રૂપિયાની કિંમતની, 4 ફૂટ 5 ઇંચ લાંબી દેશી બંદૂક જપ્ત કરી હતી. આ મામલે SOGના આર્મ પોલીસ કોન્સ્ટેબલ ભરતજી હમીરજીએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર નવીનચંદ્ર પંડ્યાને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:43 am

ભાવનગરમાં ગુનેગારોના ઘરોનું ડિમોલિશન:200થી વધુ પોલીસના બંદોબસ્ત સાથે 4 જેસીબીથી બાંધકામો તોડવાનું શરૂ, મહિલાઓની રોકકળ

ભાવનગર એસપી નિતેશ પાંડે દ્વારા શહેરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓ, ખાસ કરીને પ્રોહિબિશન અને શરીર સંબંધિત ગુનાઓ સામે કડક પગલાંરૂપે અસામાજિક તત્વોના રહેણાંક મકાનો પર ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ, આજે 23 માર્ચે વહેલી સવારથી ભાવનગર શહેરના આડોડીયા વિસ્તારમાં આવેલા આરોપીઓના રહેણાંક મકાનો પર ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન સિટી DYSP, LCB, ઘોઘારોડ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સહિત 200થી વધુ પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. ચાર જેસીબી મશીનો દ્વારા ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં કોર્પોરેશન, પીજીવીસીએલ અને ફાયર વિભાગનો સ્ટાફ પણ જોડાયો છે. અચાનક હાથ ધરાયેલી આ કાર્યવાહીથી શહેરના અન્ય ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા શખસોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:41 am

પોલીસકર્મીઓ માટે માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ:બ્રહ્મા કુમારીઝ દ્વારા ગીર સોમનાથમાં વર્કશોપ યોજાયો

પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સોમનાથ દ્વારા ગીર સોમનાથ પોલીસ વિભાગના કર્મચારીઓ માટે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમનાથના શ્રીરામ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ વર્કશોપમાં સુરક્ષા દળના જવાનો, પોલીસ વિભાગ, તટ રક્ષક દળ અને આર્મીના કર્મચારીઓને શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા અંગે માર્ગદર્શન અપાયું હતું. બ્રહ્માકુમારી વિશ્વાબેને આ અંગે માહિતી આપી હતી. ઉત્તર પ્રદેશના સારંગપુરથી આવેલા બી.કે. સૌરભ ભાઈએ 'શાંત મન – સક્ત રાષ્ટ્રનું નિર્માણ' વિષય પર વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રસેવામાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રહે તે અત્યંત જરૂરી છે. આ માટે સ્વસ્થ આહાર, દિવસમાં સાત કલાકની પૂરતી ઊંઘ અને પ્રાણાયામ તેમજ વ્યાયામ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. કાર્યક્રમ દરમિયાન, પોલીસ વિભાગના કર્મચારીઓને તેમની ફરજ ઉપરાંત પરિવાર સાથે સંયમ અને શાંત મનથી સંતુલન જાળવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે દરેક વ્યક્તિની માનસિક સ્થિતિ સરખી હોતી નથી, તેથી તેને સમજીને કાઉન્સિલિંગ દ્વારા માનસિક સ્વાસ્થ્ય સુધારી શકાય છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્ર નિર્માણમાં સુરક્ષા દળ અને પોલીસ વિભાગ અવિરતપણે પોતાની ફરજ નિભાવે છે. તેમના માનસિક સંતુલન જળવાઈ રહે તેવા શુભ હેતુથી સમગ્ર ગુજરાતમાં આવા આયોજનો કરવાનું આહ્વાન કરાયું છે. આના ભાગરૂપે, ગીર સોમનાથ જિલ્લાના એસપી જયદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ખેંગાર સાહેબ, પીઆઈ ગોસ્વામી સાહેબ અને પીઆઈ ગઢવી સાહેબ સહિતના અધિકારીઓના સહયોગથી આ વર્કશોપ યોજાયો હતો. જેમાં 300થી વધુ પોલીસ કર્મચારીઓ અને મહિલા પોલીસકર્મીઓએ લાભ લીધો હતો. બી.કે. અસ્મિતા દીદીએ ધ્યાન તકનીક પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે રોજ સવારે 10 મિનિટ માટે મેડિટેશન કરવાથી માનસિક સ્વાસ્થ્ય સ્વસ્થ રાખવું અત્યંત આવશ્યક છે. શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે મેડિટેશન એકમાત્ર એવો ઉપાય છે જેનાથી તણાવમુક્ત જીવન જીવી શકાય છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:39 am

અમદાવાદમાં વિરાટ હિંદુ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન:મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા

અમદાવાદમાં 22 માર્ચ, 2026ના રોજ યોજાયેલ વિરાટ હિંદુ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદુ એકતા, નવી પેઢીમાં જાગૃતિ અને સામાજિક સમરસતાનો સંદેશ આપવાનો હતો. આ પ્રસંગે ડાયરો અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો ઉપસ્થિત લોકોએ ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમ શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક એકતાનું એક સશક્ત ઉદાહરણ પૂરું પાડ્યું.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:26 am

મંડે પોઝિટીવ:જે ગામના પાણીનું સુકાન બહેનોના હાથમાં છે, તે ગામનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય બંને સુરક્ષિત છે

સમગ્ર વિશ્વમાં 22 માર્ચના રોજ ‘વિશ્વ જળ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1992માં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા 22 માર્ચને ‘વિશ્વ જળ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, જેની સૌપ્રથમ ઉજવણી 1993માં થઇ હતી. ત્યારથી આ દિવસ જળ સંરક્ષણ માટેના વૈશ્વિક આંદોલનનું જીવંત પ્રતીક બની ગયો છે. યુનાઈટેડ નેશન્સના નિર્ધારિત લક્ષ્યાંક મુજબ, વર્ષ 2030 સુધીમાં પ્રત્યેક માનવીને ‘સ્વચ્છ પાણી અને સેનિટેશન’ની સુવિધા ઉપલબ્ધ કરાવવાના સંકલ્પને આ દિવસ વેગ આપે છે. જે ગામના પાણીનું સુકાન બહેનોના હાથમાં છે, તે ગામનું ભવિષ્ય અને સ્વાસ્થ્ય બંને સુરક્ષિત છે.’ વિશ્વ જળ દિવસ માત્ર પાણી બચાવવાનો સંદેશ નથી, પરંતુ આ વર્ષની થીમ વોટર એન્ડ જેન્ડર (જળ અને લિંગ) અંતર્ગત પાણી અને મહિલાઓના અતૂટ સંબંધને સમજવાનો અવસર છે. છોટાઉદેપુર જેવા ડુંગરાળ અને આદિવાસી બહુલ જિલ્લામાં પાણી એ માત્ર જીવનની જરૂરિયાત નથી, પણ સ્ત્રીઓના આર્થિક અને સામાજિક ઉત્થાનનું માધ્યમ બન્યું છે. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ, પાવીજેતપુર અને નસવાડી જેવા તાલુકાઓનું ભૂપૃષ્ઠ ડુંગરાળ હોવાથી ઉનાળો આવતાં જ જળસ્તર ઊંડા ઉતરી જતાં હતા. પરિણામે, માતા-બહેનો માટે પીવાનું પાણી મેળવવું એ એક કપરો પડકાર હતો. પરંતુ, ‘જલ જીવન મિશન’ અને ‘નલ સે જલ' યોજનાએ અંતરિયાળ ગામડાઓમાં ઘરે ઘરે પાણી પહોંચાડી સ્થિતિ બદલી નાખી છે. આજે જિલ્લાની હજારો મહિલાઓ માત્ર ‘પાણી લાવનાર’ (Water Carriers) મટીને ‘જળનું સંચાલન કરનાર’ (Water Managers) બની છે. સરકારના ‘વાસ્મો’ દ્વારા જિલ્લાના પ્રત્યેક ગામે ‘પાણી સમિતિ'ની રચના કરવામાં આવી છે, જેમાં 50% થી વધુ મહિલા સભ્યો છે. પાણીના વિતરણનો સમય નક્કી કરવાથી લઇને પાઇપલાઇનના જોડાણ સુધીના મહત્વના નિર્ણયોમાં હવે નારીશક્તિનું નેતૃત્વ દેખાય છે. વપરાયેલા પાણીના વ્યવસ્થાપન દ્વારા‎મહિલાઓ ઘરઆંગણે શાકભાજી ઉગાડે છે‎છોટાઉદેપુરની હજારો મહિલાઓને ‘ફિલ્ડ ટેસ્ટિંગ કિટ'' દ્વારા પાણીની તપાસ‎કરવાની વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવી છે. શુદ્ધ પાણી મળવાને કારણે‎જિલ્લામાં ટાઇફોઇડ અને કોલેરા જેવા જળજન્ય રોગોમાં નોંધપાત્ર ઘટાડો થયો‎છે, જેનો સીધો લાભ ગર્ભવતી મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્યને મળ્યો‎છે. ઉપરાંત, વપરાયેલા પાણીના વ્યવસ્થાપન દ્વારા આદિવાસી મહિલાઓ‎ઘરઆંગણે શાકભાજી ઉગાડી ‘પોષણ યુક્ત’ આહાર મેળવી રહી છે.‎ ગ્રામીણ વિસ્તારોમાં ઘણી જગ્યાએ થતો‎પાણીનો વેડફાટ અટકાવવો જરૂરી છેજળ એ જીવન છે જળ વગર જીવ નથી. ઘણી જગ્યા પર પાણીનો વેડફાટ થતો‎હોય છે અને તેની કિંમત સમજાતી નથી. પરંતુ જ્યારે દુકાળ જેવી સ્થિતિ‎‎સર્જાય તેવા સમયે દરેકને‎‎પાણીનું મહત્વ સમજાય છે.‎‎ગ્રામીણ વિસ્તારોમાં ઘણી‎જગ્યાએ પાણીનો વ્યર્થ વ્યય થતો હોય છે. તળાવમાં સંગ્રહાયેલું પાણી તથા‎બોર અને કૂવાના પાણીની મોટર ચાલતી હોય અને પાણી બહાર ઢોળાતું હોય‎તેવું પણ જોવા મળતું હોય છે. આ પાણીનો વેડફાટ અટકાવવો જોઇએ અને‎દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજી જળનું રક્ષણ કરવું જોઇએ.‎‎

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:13 am

દાહોદવાસીઓએ જીવદયાનું ઉદાહરણ પૂરું પાડ્યું:4 કલાકમાં આકાશી મહેમાનો માટે 500થી વધુ પક્ષીઘર, ફીડરનું વિતરણ

સમગ્ર વિશ્વમાં જ્યારે ચકલીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઘટી રહી છે ત્યારે દાહોદના પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા રવિવારે 22 માર્ચે વિશ્વ ચકલી દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા બે દાયકાથી પક્ષી બચાવો અભિયાન ચલાવતું આ મંડળ આ વર્ષે પણ 20 વર્ષની જૂની પરંપરાને જાળવી રાખવામાં સફળ રહ્યું છે. શહેરના ‘અજય દેસાઈ પ્રકૃતિ ભવન’ ખાતે આયોજિત આ વિશેષ અભિયાનમાં રવિવારની રજા હોવા છતાં નગરજનોનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો હતો. રવિવારે સવારે 9 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં બપોરના 1 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં પક્ષીઓ માટે ઉપયોગી એવી 500થી વધુ ચીજવસ્તુઓનું રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું. ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અબોલ પક્ષીઓને પાણી મળી રહે તે માટે માટીની તાસકોનું વિશેષ વિતરણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. દાહોદના પર્યાવરણ પ્રેમીઓએ મોટી સંખ્યામાં ઉમટી પડીને ચકલીઓના સંવર્ધન માટે પોતાનું યોગદાન આપ્યું હતું. આ અભિયાન અંતર્ગત પક્ષીઓને સુરક્ષિત આશરો મળી રહે તે માટે લાકડાના મજબૂત માળા, પરંપરાગત માટીના માળા, આધુનિક બર્ડ ફીડર અને કુદરતી અનુભવ કરાવતા કાથીના વિવિધ આકારના માળાઓ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. મંડળના સભ્યો દ્વારા ખડેપગે રહીને વ્યવસ્થા સંભાળવામાં આવી હતી અને નગરજનોને પક્ષીઓના સંરક્ષણ અંગે જાગૃત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:08 am

આદિવાસી પરીવારોમાં ખુશીનો માહોલ:જાંબુઘોડા તા.ના જંગલમાં મહુડાના ફૂલની સીઝન શરૂ

પંચમહાલ જિલ્લા સહિત જાંબુઘોડા તાલુકામાં વસવાટ કરતા આદિવાસી પરિવાર માટે આશીર્વાદ ગ્રુપ ગણાતા મહુડાના વૃક્ષ મહુડાના ફૂલ લાગવામાં ચાલુ થતા આદિવાસી પરિવારોમાં આનંદનો માહોલ છવાયો. મહુડાના ફૂલ આખા વર્ષની રોજી આપે છે. હાલ મહુડાના વૃક્ષો ઉપરથી મહુડાના ફૂલ પડવાની શરૂઆત થઈ ચૂકી છે. મહુડાના ફૂલનો ભાવ ગઈ સાલ એક ક્વિન્ટલના 5200થી 5400 રૂા.ભાવ હતો. હાલમાં નવો ભાવ બજારમાં નક્કી નહીં થતા પરિવારો મહુડાને ઘરમાં સંગ્રહ કરી રહ્યા છે. મહુડાના વૃક્ષને આદિવાસીઓનો કમાઉ દીકરો તરીકે ઓળખવામાં આવે છે. આ મહુડાના ફૂલ ઔષધીઓ, દેશી દવામાં તેમજ દારૂમાં પણ વપરાય છે. અહીના આદિવાસીઓ મહુડાની ડોળીને પીલીને તેલ બનાવે છે. જે આખું વર્ષ ખાવામાં ઉપયોગમાં લેવાય છે. તેમજ આ તેલ માલિશ કરવામાં, સાબુ તેમજ શેમ્પુ બનાવવામાં ઉપયોગ થાય છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:07 am

ખાડારાજને લીધે લોકો પરેશાન:મુવાલીયા ક્રોસિંગથી હાઈવેનો માર્ગ બિસમાર થતાં ચાલકોના માથે જોખમ

દાહોદના ગોધરા રોડ પર આવેલા મુવાલીયા ક્રોસિંગથી હાઈવે સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાય મહિનાઓથી અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડાઓ પડી જવાથી વાહનચાલકો તેમજ સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મહત્વના માર્ગની જર્જરિત હાલતને કારણે અકસ્માતનો ભય પણ સતત સતાવી રહ્યો છે. ગોધરા રોડ પર મુવાલીયા ક્રોસિંગથી હાઈવે સુધીનો આ રસ્તો લાંબા સમયથી મરામતની રાહ જોઈ રહ્યો છે. રસ્તા પર અનેક સ્થળોએ એટલા ઊંડા ખાડા પડી ગયા છે કે વાહનચાલકોએ અત્યંત સાવધાનીપૂર્વક અને ધીમી ગતિએ પસાર થવું પડે છે. ખાસ કરીને રાત્રિના સમયે આ ખાડાઓ સ્પષ્ટ દેખાતા ન હોવાથી અકસ્માત થવાની શક્યતા અનેકગણી વધી જાય છે. નોંધનિય છે કે આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે. આ રસ્તો સ્થાનિક રહેવાસીઓ, વેપારીઓ અને વિદ્યાર્થીઓ માટે કડીરૂપ છે. વધુમાં, આ જ માર્ગ પર આણંદ કૃષિ યુનિ. ફાર્મ આવેલું હોવાથી અહીં શૈક્ષણિક અને ખેતીવાડીના કામકાજ અર્થે રોજિંદી અવરજવર રહે છે. આમ છતાં, રસ્તાની આ દયનીય સ્થિતિ પ્રત્યે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકો અને વાહનચાલકોના જણાવ્યા મુજબ, રસ્તા પરના ખાડાઓને કારણે વાહનોના ટાયર, સસ્પેન્શન અને અન્ય ભાગોને ભારે નુકસાન પહોંચી રહ્યું છે. જેના કારણે લોકોને આર્થિક ફટકો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ રસ્તા બાજુ ધ્યાન દોરવામાં આવતુ નથી અને કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. હાલમાં લોકોમાં ભારે અસંતોષ વ્યાપી રહ્યો છે અને જનતા દ્વારા આ માર્ગનું તાત્કાલિક ધોરણે યોગ્ય સમારકામ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:06 am

100 બહેનો શીખી પોષણયુક્ત આહાર બનાવવાની પદ્ધતિ:દે.બારીયામાં આંગણવાડી તેડાગર બહેનો માટે 2 દિવસીય રસોઈ તાલીમ

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ઘટક 1, 2, 3માં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. આશરે 100 જેટલા આંગણવાડી કેન્દ્રોની તેડાગર બહેનો માટે બે દિવસીય રસોઈ શો તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય આંગણવાડીમાં આવતા બાળકો અને માતાઓને વધુ પૌષ્ટિક અને ગુણવત્તાસભર ભોજન પૂરું પાડવાનો છે. આ સમગ્ર કાર્યક્રમ સીડીપીઓના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં બ્લોક ન્યુટ્રિશન મેનેજર તરીકે ઘટક 1માં પારગી રોશનીબેન, ઘટક 2માં મોરી વિભૂતિબેન અને ઘટક 3 માં શેખવા એકતાબેન દ્વારા નોડલ તરીકે વિશેષ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન પોષણયુક્ત અને સ્વચ્છ ભોજન બનાવવાની પ્રાયોગિક માહિતી પૂરી પાડવામાં આવી હતી. તાલીમમાં મુખ્યત્વે 3 થી 6 વર્ષના બાળકો તેમજ પોષણ સુધા યોજના હેઠળ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે સોમવાર થી શનિવાર સુધીના નિયત મેનુ મુજબ વાનગીઓ બનાવવાની રીત સમજાવાઇ હતી. જેમાં સવારના ગરમ નાસ્તા માટે સુખડી, શીરો, પુલાવ અને મુઠીયા જેવી પૌષ્ટિક વાનગીઓ તેમજ બપોરના ગરમ ભોજન માટે દાળ-ભાત, મગના થેપલા, ચણા પરાઠા અને શાક જેવી વિવિધ વાનગીઓ તૈયાર કરવાની પ્રાયોગિક સમજ આપી હતી.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:05 am

મંડે પોઝિટીવ:મહુડો માત્ર વૃક્ષ નથી પણ સંસ્કૃતિ ને અર્થતંત્રનો અભિન્ન હિસ્સો છે

દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના પહાડી અને જંગલ વિસ્તારોમાં કુદરતની અનમોલ ભેટ ગણાતા મહુડાના વૃક્ષો અત્યારે સોના જેવી આવક વરસાવી રહ્યા છે. વસંતની વિદાય અને ઉનાળાના પગરવ સાથે જ આ પંથકમાં મહુડાના ફૂલ પડવાની શરૂઆત થઈ ગઈ છે, જેની સાથે જ ગ્રામીણ જનજીવનમાં એક નવો ઉત્સાહ અને આર્થિક તેજીનો સંચાર થયો છે. અત્યારે વહેલી સવારના ચાર વાગ્યાથી જ અબાલ-વૃદ્ધ સૌ કોઇ તેમના હાથમાં ટોપલા અને પોટલાં લઈને સીમ-વગડા તરફ દોડી જાય છે. આખાય પરિવારો મહુડાના ફૂલ વીણવાની કામગીરીમાં મગ્ન જોવા મળી રહ્યા છે. આ વિસ્તારના લોકો માટે મહુડો એ માત્ર વનસ્પતિ નથી પરંતુ ગરીબ પરિવારોની આર્થિક જરૂરિયાતો પૂરી કરતું સાચું ''કલ્પવૃક્ષ'' છે. સીઝન દરમિયાન એકઠા કરેલા આ ફૂલ ગામડાના અર્થતંત્રને મજબૂત બનાવે છે. ખાસ કરીને ઉનાળામાં આવતા લગ્ન પ્રસંગો, ચાંદલા વિધિ કે અન્ય મોટા સામાજિક ખર્ચાઓને પહોંચી વળવા માટે મહુડાના ફૂલનું વેચાણ એ સ્થાનિકો માટે સૌથી મોટો આશીર્વાદ સાબિત થઇ રહ્યો છે. આમ, દેવગઢબારીયા અને ધાનપુર પંથકમાં મહુડાની આ સીઝન સ્થાનિકોના ચહેરા પર સ્મિત અને ખિસ્સામાં રોકડ લાવીને સકારાત્મક વાતાવરણ ઊભું કરી રહી છે. સમૃદ્ધિનું માપદંડ હતું આ વૃક્ષ20મી સદીમાં જે પરિવાર પાસે વધુ મહુડાના વૃક્ષો હોય તે સૌથી વધુ સુખી અને સમૃદ્ધ ગણાતો હતો. નવાઈની વાત એ છે કે લગ્ન નક્કી કરતી વખતે વર પક્ષ પાસે કેટલા મહુડાના ઝાડ છે તેની ગણતરી કરાતી હતી. જેથી કન્યા સુખી રહેશે તેવો વિશ્વાસ રખાતો હતો. આજે પણ લગ્ન પ્રસંગ કે સામાજિક ખર્ચાઓ માટે મહુડાનું વેચાણ એ પૂરક આવકનો મોટો સ્ત્રોત છે. મહુડાની ફૂલથી ફળ સુધીની સફર‎‎મહુડાના ફૂલને શેકીને પણ ખાઈ શકાય છે.‎‎જે પરંપરાગત ખોરાકનો ભાગ રહ્યો‎છે.ફૂલની સીઝન પૂર્ણ થયાના આશરે દોઢ મહિના પછી વૃક્ષ પર ફળ બેસે છે.‎જેને સ્થાનિકો ‘ડોળી’ તરીકે ઓળખે છે. ડોળીને સૂકવ્યા બાદ ઘાણીમાં પીલીને‎તેમાંથી તેલ કાઢે છે. પ્રાચીન સમયમાં લોકો આ તેલનો જ રસોઈમાં ઉપયોગ‎કરતા હતા અને આખું વર્ષ ખાદ્યતેલ માટે આત્મનિર્ભર રહેતા હતા.‎

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:02 am

ધારાસભ્યએ બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું‎:વાગરા-દહેજથી અમદાવાદ જવું સરળ, ભરૂચ એસટીને બસની ભેટ

મુસાફરોની સુખાકારી અને સલામતી માટે કટિબદ્ધ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભરૂચ વિભાગ હેઠળના ડેપોને નવીનતમ બસોની ભેટ મળી છે. ભરૂચ વિભાગ દ્વારા સંચાલિત વાગરા-અમદાવાદ અને દહેજ-અમદાવાદ રૂટ માટે ફાળવવામાં આવેલી અત્યાધુનિક બસોનો ઉદઘાટન સમારંભ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. આ લોકાર્પણ વિધિમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા તથા માજી જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લીલી ઝંડી બતાવી બસોને પ્રસ્થાન કરાવી હતી. આ પ્રસંગે ભરૂચ એસ.ટી. વિભાગના વિભાગીય નિયામક શ્રી સંજય જોષી, સ્થાનિક આગેવાનો, એસટી કર્મચારીગણ તેમજ મુસાફર જનતા પણ ખાસ ઉપસ્થિત રહી હતી અને મુસાફર સુવિધામાં થઈ રહેલા વધારા બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. વાગરા અને દહેજ જેવા મહત્વના ઔદ્યોગિક હબથી સીધા રાજ્યના મુખ્ય શહેર અમદાવાદ સુધીની આ નવીન બસ સેવા ઉદ્યોગ જગત સાથે જોડાયેલા કર્મચારીઓ અને સામાન્ય જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 8:00 am

ફરાર આરોપી પકડાયો:ભરૂચ સી ડિવિઝન પોલીસે 15 વર્ષથી ફરાર આરોપીને તાપીમાંથી ઝડપ્યો

ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છેલ્લા 15 વર્ષથી ફરાર આરોપીને તાપી જિલ્લાના કુકરમુંડા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે. નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ અભિયાન અંતર્ગત પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે ટીમ રચાઈ હતી. તપાસ દરમિયાન શાકીર યાસીન ઉર્ફે શરીફ ઉર્ફે સફીક ઇસ્માઈલ રહે. કુકરમુંડા, તાપી છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ નામથી ફરાર હોવાની માહિતી મળી હતી. વર્ષ 2011માં ઝાડેશ્વર ચોકડી પાસે પ્રોહીબિશન વોચ દરમિયાન ડુપ્લીકેટ નંબર પ્લેટવાળા આયસર ટેમ્પામાંથી આશરે રૂ. 9.60 લાખના દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વધુ તપાસમાં વાહનનો નંબર ખોટો હોવાનું બહાર આવ્યું હતું. આ કેસમાં અગાઉ બે આરોપીઓને ઝડપી લેવાયા હતા, જ્યારે મુખ્ય આરોપી ફરાર રહ્યો હતો. તાજેતરમાં બાતમીના આધારે પરિવારના સોશિયલ ડેટા એનાલિસિસ થી આરોપીની લોકેશન મળી આવતા પોલીસે ચાર દિવસની વોચ બાદ તેને ઝડપી પાડ્યો હતો.

દિવ્ય ભાસ્કર 23 Mar 2026 7:59 am