સુરત મહાનગરપાલિકાના ઉધના ઝોનમાં ફરજ બજાવતા આકારણી અધિકારી અશ્વિન પટેલને 13 વર્ષ જૂના લાંચના કેસમાં કોર્ટે કડક સજા ફટકારી છે. વર્ષ 2013માં પાંચ હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયેલા આ અધિકારીને સુરતની સ્પેશિયલ કોર્ટે ત્રણ વર્ષની સખત કેદ અને 15 હજાર રૂપિયાનો દંડ ભરવાનો હુકમ કર્યો છે. સરકારી વકીલ નીતિન ચોડવડિયાની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે ભ્રષ્ટાચારને સમાજ માટે કાળચક્ર સમાન ગણાવ્યું હતું. દુકાનની આકારણી માટે 15 હજારની માગણીઆ કેસની વિગત મુજબ, રાંદેર રોડ પર રહેતા અને ઉધના સાઈબાબા કમ્પાઉન્ડમાં ત્રણ દુકાનો ધરાવતા ફરિયાદીએ વર્ષ 2013માં પોતાની મિલકતની આકારણી કરાવવા માટે ઉધના ઝોન ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યાં તેમની મુલાકાત તત્કાલીન આકારણી અધિકારી અશ્વિન પટેલ સાથે થઈ હતી. આરોપીએ ફરિયાદીને જણાવ્યું હતું કે દુકાનની કુલ આકારણી 30 થી 35 હજાર જેટલી થશે, પરંતુ કામ પતાવવા માટે ઉપરથી 15 હજાર રૂપિયા આપવા પડશે. 5 હજાર પર સેટલમેન્ટ અને ટ્રેપફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ મામલે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન, આરોપી અધિકારી અને ફરિયાદી વચ્ચે રકઝક બાદ અંતે 5 હજાર રૂપિયામાં સેટલમેન્ટ થયું હતું. એસીબીએ છટકું ગોઠવ્યું અને જેવી ફરિયાદીની પોતાની દુકાને આરોપી અશ્વિન પટેલે પાંચ હજારની લાંચ સ્વીકારી, કે તરત જ ટીમ ત્રાટકી હતી અને તેને રંગેહાથે ઝડપી પાડી જેલભેગો કર્યો હતો. ભ્રષ્ટાચાર એ નાગરિકોના અધિકારોનું હનનઆ કેસના ચુકાદામાં નામદાર કોર્ટે અત્યંત આકરી અને સૂચક ટિપ્પણી કરી હતી. કોર્ટે નોંધ્યું હતું કે, ભ્રષ્ટાચાર એ દેશના સામાન્ય નાગરિકોના મૌલિક અધિકારોનો વિનાશ કરતું અને માનવ અધિકારોનું હનન કરતું કાળચક્ર છે. આવા કૃત્યોથી માત્ર તંત્રની છબી ખરડાય છે એવું નથી, પરંતુ સામાન્ય જનતાનો લોકશાહી અને કાયદા પરથી વિશ્વાસ પણ ડગમગી જાય છે. કોર્ટે વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર એ લોકશાહીના મૂલ્યોને જડમૂળમાંથી વજ્રઘાત કરતું પરિબળ છે. જ્યારે કોઈ સરકારી અધિકારી પોતાના પદનો દુરુપયોગ કરી લાંચ માંગે છે, ત્યારે સમગ્ર વહીવટી તંત્ર જનતાની નજરમાં શંકાસ્પદ બની જાય છે. ફરિયાદ પક્ષે રજૂ કરેલા પુરાવાઓ પરથી સાબિત થયું હતું કે આરોપીએ જાણીબૂઝીને આર્થિક લાભ મેળવવા માટે પદનો ગેરલાભ ઉઠાવ્યો હતો. દયા બતાવવી એ સમાજ માટે જોખમીસજાના પ્રમાણ અંગે કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો ભ્રષ્ટાચાર સાબિત થયો હોય તેવા કેસમાં જરૂર કરતાં વધુ દયા બતાવવામાં આવે, તો તેનાથી સમાજનું હિત જોખમાય છે. સમાજમાં કાયદાનું શાસન પ્રવર્તમાન રહે અને ભ્રષ્ટાચાર નાબૂદ થાય તે હેતુસર આરોપીને દાખલારૂપ સજા કરવી એ અદાલતની નૈતિક અને કાયદાકીય ફરજ છે. આ ચુકાદાથી લાંચિયા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા અપીલ કરી છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં ક્યાંય પણ ઇંધણની અછત નથી. કલેક્ટરે પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અને પોતાની જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા જણાવ્યું છે. ઘણા લોકો ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે, જે અયોગ્ય છે. આવા બિનજરૂરી સંગ્રહથી કૃત્રિમ અછત જેવી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી શકે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવા ફેલાવતા તત્વોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવા અને પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ કરી અવ્યવસ્થા ન સર્જવા જાહેર જનતાને નમ્ર અપીલ કરવામાં આવી છે.
સુરત શહેરના ધમધમતા રીંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ-1 ટેક્સટાઇલ માર્કેટમાં આજે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કાપડની દુકાનમાં લાગેલી આગને પગલે ધુમાડાના ગોટેગોટા ઉઠતા વેપારીઓ અને ગ્રાહકોમાં નાસભાગ મચી ગઈ હતી. લહેંગા અને શૂટના કિંમતી જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસોમાર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'કપૂર લહેંગા, શૂટ અને સાડી' નામની દુકાનમાં શોર્ટ સર્કિટ અથવા અન્ય અકસ્માતને કારણે અચાનક આગ લાગી હતી. દુકાનમાં કાપડનો જથ્થો હોવાથી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના લોકો અને વેપારીઓએ એકઠા થઈને લહેંગા અને શૂટના કિંમતી જથ્થાને બહાર કાઢી બચાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગની ટીમ એક્શનમાં આવી હતી. નજીકના ત્રણ ફાયર સ્ટેશનની 5થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. 23 દિવસમાં બીજી વખત આગની ઘટનાનોંધનીય છે કે, બરાબર 23 દિવસ પહેલા પણ આ જ મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે માર્કેટના વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે. માર્કેટમાં સુરક્ષાના સાધનો અને ફાયર સેફ્ટીની અમલવારી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આર્થિક નુકસાન મોટા પાયે થયું હોવાની આશંકા છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે ઠારવાની અને 'કુલિંગ' કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
વડોદરા મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓની તૈયારીઓના ભાગરૂપે શહેરના તમામ 19 વોર્ડની વિભાગવાર મુસદ્દારૂપ મતદારયાદીઓ તા. 23 માર્ચ 2026ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા આ યાદીઓ વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતેની ઇલેક્શન શાખા, તમામ વહીવટી વોર્ડ કચેરીઓ, કલેક્ટર કચેરી તેમજ મ્યુનિસિપલ સેક્રેટરી શાખા જેવા વિવિધ જાહેર સ્થળોએ નાગરિકોના અવલોકન માટે મૂકવામાં આવી છે. મનપાની ચૂંટણી માટે 1131 મતદાન મથકઆ પ્રસિદ્ધ કરવામાં આવેલી નવીનતમ આંકડાકીય માહિતી અનુસાર, વડોદરાના કુલ 19 વોર્ડમાં મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યા 1131 નોંધાઈ છે. શહેરના કુલ નોંધાયેલા 12,08,021 મતદારોમાં 6,12,825 પુરુષ મતદારો અને 5,95,099 મહિલા મતદારોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય મતદારોની સંખ્યા 97 અને સર્વિસ મતદારોની સંખ્યા 400 જેટલી છે. આ મતદારો આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 2021ની સરખામણીમાં મોટો ફેરફારનોંધપાત્ર બાબત એ છે કે, સને 2021ની સરખામણીમાં આ વખતે આંકડાઓમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. અગાઉની સરખામણીએ મતદાન મથકોની સંખ્યામાં 164નો ઘટાડો થયો છે, તેમજ કુલ મતદારોની સંખ્યામાં 2,38,191 જેટલો જંગી ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, વિવિધ કારણોસર યાદીમાંથી 10,099 જેટલા મતદારોના નામ કમી કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. નોંધનીય બાબત એ છે એક એસઆઇઆરની કામગીરી બાદ અનેક મતદારોના નામ કમી થયા છે. જેના આધારે આ યાદી બહાર પાડવામાં આવી છે. જો કોઈનું નામ રહી ગયું હોય તો સુધારો કરાવી શકાશેતંત્ર દ્વારા નાગરિકોને ખાસ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ વ્યક્તિનું નામ સંબંધિત વિધાનસભા મતદાર વિભાગની યાદીમાં નોંધાયેલું હોય, પરંતુ મહાનગરપાલિકાની આ નવી મુસદ્દારૂપ યાદીમાં કોઈ કારણોસર રહી ગયું હોય, તો તેઓ સુધારો કરાવી શકે છે. આવા રહી ગયેલા મતદારોએ જરૂરી પુરાવાઓ સાથે ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગના પ્રથમ માળે આવેલી રૂમ નં. 127, ઇલેક્શન શાખા ખાતે નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયા દ્વારા ચૂંટણી પૂર્વે કોઈ પણ લાયક મતદાર વંચિત ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે. નાગરિકોએ પોતાની વિગતો ચકાસી લેવા અને લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. મતદારયાદીમાં પોતાનું નામ કેવી રીતે ચેક કરશો? તંત્ર દ્વારા જાહેર કરાયેલા નીચેના સ્થળોએ જઈને તમે વોર્ડવાર મતદારયાદીમાં તમારું નામ ચકાસી શકો છો. મુખ્ય કચેરી, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, પ્રથમ માળે, ઇલેક્શન શાખા (રૂમ નં. 127).વોર્ડ કચેરી: તમારા વિસ્તારની જે-તે વહીવટી વોર્ડ નં. 1 થી 19 ની કચેરી ખાતે.અન્ય સરકારી કચેરીઓ: કલેક્ટર કચેરી અથવા પાલિકાની મ્યુનિસિપલ સેક્રેટરી શાખા ખાતે પણ આ યાદીઓ નિદર્શન માટે મૂકવામાં આવી છે. ઓનલાઇન નામ ચેક કરવા માટે VMC વેબસાઇટ
વેરાવળમાં શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની યુવા પાંખ ‘એરાઇઝ ક્લબ’ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 150 ફૂટ લાંબા તિરંગા સાથે 300થી વધુ યુવાનો જોડાયા હતા. યાત્રા ચોપાટીથી શહીદચોક સુધી લગભગ ત્રણ કિલોમીટર લાંબી હતી. યાત્રા દરમિયાન “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા ગુંજી ઉઠ્યા હતા. માર્ગમાં અનેક સ્થળોએ સ્થાનિક નાગરિકોએ ફૂલ વરસાવી યાત્રાનું સ્વાગત કર્યું હતું. આ તિરંગા યાત્રા દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે યોજાઈ હતી. યુવાનોના હાથમાં ફરકતો તિરંગો અને તેમના ચહેરા પરનો ઉત્સાહ દેશપ્રેમની ભાવના દર્શાવતો હતો. આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગીર સોમનાથ જિલ્લાના સંઘચાલક પ્રફુલભાઈ હરિયાણીએ જણાવ્યું હતું કે, દેશની સરહદો પર શહીદ થયેલા યુવાનોના બલિદાનને ભૂલી શકાય નહીં. આવા શહીદોની યાદમાં અને તેમની પ્રેરણાથી યુવા પેઢી રાષ્ટ્રધર્મ અને રાષ્ટ્રરક્ષા માટે સજાગ બને તેવા આશયથી આ યાત્રાનું આયોજન કરાયું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “વંદે માતરમ” ગાનને 150 વર્ષ પૂર્ણ થયા છે, જે દેશ માટે ગૌરવની બાબત છે અને તે દરેક ભારતીયના હૃદયમાં દેશપ્રેમની જ્યોત પ્રગટાવે છે. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ આયોજન અને યુવાનોની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી હતી. આ કાર્યક્રમે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને સામાજિક જવાબદારીની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.
પોરબંદર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગે શહેરના પરશુરામ રોડ પર આવેલી ત્રણ ગેરકાયદેસર દુકાનોને સીલ કરી દીધી છે. આ દુકાનોની અંદાજિત 50 લાખ આંકવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમે આ સરકારી જમીન પરના દબાણનો વિધિવત કબજો સંભાળી લીધો છે. ટાઉન પ્લાનિંગ વિભાગના એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસીયાના જણાવ્યા અનુસાર, સંજયભાઈ લગધીરભાઈ ઓડેદરા દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી વિના આ દુકાનોનું બાંધકામ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરના આદેશ બાદ અગાઉ આ દબાણકર્તાને નોટિસ ફટકારીને 30 દિવસમાં દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ કાર્યવાહી ન થતાં તંત્ર દ્વારા કડક પગલાં લેવાનો નિર્ણય કરાયો હતો. આજ રોજ હાથ ધરવામાં આવેલી કામગીરી દરમિયાન, PGVCLની ટીમે દુકાનોના બે વીજ કનેક્શન સ્થળ પર જ કાપી નાખ્યા હતા અને બંને વીજ મીટરો જપ્ત કર્યા હતા. ત્યારબાદ ટાઉન પ્લાનિંગ વિભાગે આ ₹૫૦ લાખની મિલકતનો સત્તાવાર કબજો લીધો હતો. એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં અનધિકૃત બાંધકામ કરનારાઓ સામે આગામી દિવસોમાં પણ આવી જ સખત કાર્યવાહી ચાલુ રહેશે. નાગરિકોને નમ્ર અપીલ છે કે તેઓ કાયદાનું પાલન કરે અને મંજૂરી વિનાના દબાણોથી દૂર રહે. આ સમગ્ર ઓપરેશનમાં એસ્ટેટ ઓફિસર હિતેશભાઈ ગોરસિયા સાથે સિવિલ એન્જિનિયર હાર્દિકભાઈ ઓડેદરા અને હાર્દિકભાઈ બોરીચા સહિતનો સ્ટાફ જોડાયો હતો. તંત્રની આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં કડક સંદેશ ગયો છે.
મોડાસામાં આંતરરાષ્ટ્રીય હાસ્ય કલાકાર, સમાજસેવક અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ડૉ. જગદીશભાઈ ત્રિવેદીનો હાસ્ય દરબાર યોજાયો હતો. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકા સ્થિત લકુલીશ યોગાશ્રમના લાભાર્થે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે મુંબઈના જાણીતા કલાકાર ભાગ્યેશભાઈ તેમજ સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. 23મી માર્ચ, શહીદ દિવસને અનુલક્ષીને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ અને મદનલાલ જેવા યુવાનોના બલિદાનને યાદ કર્યા હતા. તેમણે શહીદોને અંજલિ આપતા તે સમયના ઇતિહાસને તાજો કર્યો હતો, જેમાં ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક સૂર પુરાવ્યો હતો.ડૉ. ત્રિવેદીએ હળવી હાસ્યની વાતો સાથે શ્રોતાઓને સમાજ સેવા અને કરુણાનો સંદેશ આપ્યો હતો. તેમણે હાસ્ય રસ દ્વારા દેશભક્તિ અને સમાજ સેવાનો ભાવ જગાડ્યો હતો. લકુલીશ યોગાશ્રમની સેવાઓથી પ્રભાવિત થઈને ડૉ. જગદીશભાઈ ત્રિવેદીએ સંસ્થા માટે રૂ. એક લાખના દાનની જાહેરાત કરી હતી. સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલે પણ રૂ. એક લાખનું દાન આપવાની ઘોષણા કરી હતી. તેમની અપીલ બાદ પાંચ મિનિટમાં જ સભામાંથી દાનનો પ્રવાહ શરૂ થયો હતો, જેને ઉપસ્થિત પ્રેક્ષકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે સ્વામી પ્રીતમ મુનિએ આશ્રમમાં ચાલતી શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને ધાર્મિક પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી અને જનતાને સહયોગ આપવા હાકલ કરી હતી. સંસ્થાના પ્રમુખ વિનોદભાઈ પંડ્યાએ સૌનું સ્વાગત કરી સંસ્થાની સેવાઓનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના સુરેન્દ્રસિંહ રાઠોડ, મહેશ પટેલ, અમરીશ પંડ્યા ઉપરાંત જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કનુભાઈ આર પટેલ, અરવલ્લી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ પ્રભુદાસ પટેલ, આકરૂંદના મુખ્ય શિક્ષક, સાહિત્યકાર અને લેખક ઈશ્વરભાઈ પ્રજાપતિ, બિપીનભાઈ શાહ, મહેન્દ્રમામા અને અશોક જોષી દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. મોડાસા અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર વિધિ સંસ્થાના ઉપપ્રમુખ મહેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
મોરબી શહેર અને જિલ્લામાં સોમવારે મોડી સાંજથી પેટ્રોલ-ડીઝલની અછત સર્જાવાની અફવા ફેલાઈ હતી. આ અફવાને કારણે વાહનચાલકોએ પેટ્રોલ પંપ પર લાંબી કતારો લગાવી દીધી હતી. જોકે, પેટ્રોલિયમ એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે કોઈ અછત નથી. અફવાએ જોર પકડતા મોરબી શહેર અને જિલ્લાના વિવિધ પેટ્રોલ પંપો પર વાહનોની ભીડ જામી હતી. સ્કૂટર, બાઈક, રિક્ષા અને કાર જેવા વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા માટે લોકો ઉમટી પડ્યા હતા. કેટલીક જગ્યાએ પેટ્રોલ પંપ પર 'પેટ્રોલ-ડીઝલ નથી' તેવા પાટિયા પણ જોવા મળ્યા હતા, જેનાથી લોકોની ચિંતામાં વધારો થયો હતો. છેલ્લા ઘણા દિવસોથી ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે આ અફવાને વેગ મળ્યો હોવાનું મનાય છે. મોરબી શહેરમાં ગાંધીચોક, જુના બસ સ્ટેશન, સનાળા રોડ, ત્રાજપર ચોકડી, મહેન્દ્રનગર ચોકડી અને માળિયા ફાટક ચોકડી સહિતના વિસ્તારોમાં આવેલા પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી હતી. કેટલાક પેટ્રોલ પંપ ધારકોએ ઓર્ડર આપવા છતાં ટેન્કર ન મળતા હોવાનું પણ સામે આવ્યું છે, જેના કારણે જથ્થો ખૂટી પડતા પંપ બંધ કરવા પડ્યા હતા. પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી : એસોસિએશન પ્રમુખઆ અંગે મોરબી જિલ્લા ડીલર પેટ્રોલિયમ એસોસિએશનના પ્રમુખ વિનોદભાઈ ડાભીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. લોકો જરૂર ન હોવા છતાં એકીસાથે મોટી સંખ્યામાં પેટ્રોલ-ડીઝલ ભરાવવા આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે જો લોકો પોતાની જરૂરિયાત મુજબ જથ્થો લે તો કોઈ સમસ્યા નથી, પરંતુ સંગ્રહખોરી અને અફવાઓને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. હાલમાં કોઈ ચિંતાનો વિષય નથી. પેનિક બાઇંગ ન કરવા અને અફવાઓથી દૂર રહેવા કલેકટરની અપીલ મોરબી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થા અંગે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેક્ટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે. કલેક્ટરે લોકોને 'પેનિક બાઇંગ' ન કરવા માટે પણ અનુરોધ કર્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ આ અફવાઓનું સત્તાવાર રીતે ખંડન કર્યું છે. કલેક્ટરે જણાવ્યું કે મોરબી જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે અને હાલમાં કોઈ અછત કે શોર્ટેજ નથી. રાજ્ય સરકારની સીધી દેખરેખ હેઠળ ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની સપ્લાય સુનિશ્ચિત કરવામાં આવી રહી છે. તમામ ઓઇલ કંપનીઓને પેટ્રોલ પંપ પર જથ્થો સતત જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. કલેક્ટરે લોકોને ખોટી અફવાઓથી દૂર રહીને વહીવટી તંત્રને સાથ-સહકાર આપવા માટે અપીલ કરી છે. જિલ્લામાં પેટ્રો પેદાશોનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી 'પેનિક બાઇંગ' ટાળવા વિનંતી કરવામાં આવી છે.
સુરત ભારતની આઝાદીના અમૃતકાળમાં રાષ્ટ્રભક્તિના જ્વાળાને પ્રજ્વલિત રાખવા માટે અને રાષ્ટ્રગાન વંદે માતરમ્ સર્જનના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે (ફેઝ-2) ગુજરાત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના માર્ગદર્શન હેઠળ સુરત મહાપાલિકા દ્વારા એક અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 24મી માર્ચ, 2026 ના રોજ સુરત શહેરની ગલીએ ગલીમાં અને મહાપાલિકાની તમામ કચેરીઓમાં એકસાથે ‘વંદે માતરમ્’ ના સૂર ગુંજી ઉઠશે. સવારે 10:30 કલાકે ગુંજશે રાષ્ટ્રભક્તિનો સૂરસુરત મહાપાલિકા કમિશનર એમ. નાગરાજન દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર પરિપત્ર મુજબ, 24 માર્ચના રોજ સવારે ઠીક 10:30 કલાકે મુખ્ય કચેરી (મુગલીસરા) સહિત શહેરની તમામ 8 ઝોન ઓફિસો, અર્બન હેલ્થ સેન્ટરો, મ્યુનિસિપલ હોસ્પિટલો, લાયબ્રેરીઓ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તેમજ સુમન શાળાઓમાં ‘વંદે માતરમ્’ ના મૂળ સ્વરૂપનું સમૂહગાન કરવામાં આવશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવી પેઢીમાં રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો અને સ્વાતંત્ર્ય સંગ્રામના આ અમર ગીતની ગરિમાને ઉજવવાનો છે. તમામ કર્મચારીઓએ ફરજિયાત હાજર રહેવુંઆ આયોજનને અત્યંત ગંભીરતાથી લેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે મહાપાલિકાના તમામ શ્રેણીના અધિકારીઓ, કાયમી કર્મચારીઓ, ફિક્સ પગારના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા સ્ટાફે પણ આ સામૂહિક ગાનમાં ફરજિયાત હાજર રહેવાનું રહેશે. શિસ્તબદ્ધ આયોજન માટે દરેક કચેરીના વડાને જવાબદારી સોંપવામાં આવી છે. જે તે કચેરીના પટાંગણમાં અથવા નક્કી કરેલા હોલમાં તમામ સ્ટાફે એકત્રિત થઈને ગરિમાપૂર્ણ રીતે રાષ્ટ્રગાન કરવાનું રહેશે. 23 માર્ચથી 31 માર્ચ દરમિયાન ‘વંદે માતરમ્ સપ્તાહ’ ની ઉજવણીમાત્ર એક દિવસના સમૂહગાન પૂરતું આ આયોજન મર્યાદિત નથી. સુરત મહાપાલિકા સંચાલિત તમામ પ્રાથમિક શાળાઓ અને સુમન હાઈસ્કૂલોમાં 23 માર્ચથી 31 માર્ચ દરમિયાન ‘વંદે માતરમ્ સપ્તાહ’ ની ઉજવણી કરવામાં આવશે. આ દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ‘વંદે માતરમ્’ ના 150 વર્ષની ઉજવણીના પ્રથમ તબક્કા બાદ હવે આ બીજા તબક્કામાં વ્યાપક જનભાગીદારી વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સુરત મહાપાલિકા હંમેશા રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં અગ્રેસર રહી છે.
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક યુવતીના ગુમ થયા બાદ વિવાદ સર્જાયો છે. યુવતીના પિતાએ રાજ્ય સરકાર પાસે મદદની માંગ કરી છે. બીજી તરફ, સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી યુવતીએ સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરી પોતે મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાની કબૂલાત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજુલાની નેહા પરમાર નામની યુવતી આશરે 10 દિવસ પૂર્વે સુરતમાં બ્યુટી પાર્લરનો કોર્સ કરવાના બહાને ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી તેનો સંપર્ક ન થતા અને તે પરત ન ફરતા, પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. યુવતી ગુમ થવાના મામલે ચાલી રહેલી તપાસ વચ્ચે નેહા પરમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં તેણે મુહિસ ફિરાણી નામના યુવક સાથે પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હોવાનું જણાવ્યું છે. તેણે દાવો કર્યો છે કે તેના પર કોઈ દબાણ નથી અને તે સુરક્ષિત છે. તેણે પરિવાર અને અન્ય સંગઠનો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ તથા પોલીસ કેસને અયોગ્ય ગણાવ્યા છે. નેહાએ વીડિયોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, જો તેને, તેના પતિ મુહિસને કે તેના સાસરી પક્ષને કોઈ પણ પ્રકારની તકલીફ પડશે અથવા ધમકી આપવામાં આવશે, તો તેની સંપૂર્ણ જવાબદારી તેના પિયર પક્ષની રહેશે. તેણે વધુમાં આક્ષેપ કર્યો છે કે તેના પરિવારને એક વર્ષથી તેના મોઈઝ સાથેના સંબંધોની જાણ હતી. આ સમયગાળા દરમિયાન તેને ઘરમાં ત્રણથી ચાર મહિના સુધી પૂરી રાખી હતી, બહાર જવા દેતા ન હતા, મારપીટ કરતા હતા અને માનસિક રીતે ત્રાસ આપતા હતા. યુવતીના પિતાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, જો તેમની પુત્રી દુનિયાના કોઈ પણ ખૂણેથી પાછી આવી શકે છે, તો ભારતમાં કે ગુજરાતમાં મોટા નેતાઓ હોવા છતાં વિધર્મી યુવક પાસેથી તેમની પુત્રીને કેમ પાછી લાવી શકાતી નથી. તેમણે રાજ્ય સરકાર પાસે આ મામલે તાત્કાલિક મદદની માંગ કરી છે. આ પણ વાંચો : રાજુલાની ગુમ થયેલી યુવતીનો ચોંકાવનારો VIDEO VIRAL:'મેં મારી મરજીથી મુહિસ સાથે લગ્ન કર્યા છે, અમને કઈ પણ થશે તો જવાબદારી મારા પરિવારની'
જુનાગઢ જિલ્લામાં રખડતા ઢોરની સમસ્યા હવે જીવલેણ બની રહી છે. વંથલી હાઈવે પર દિલાવરનગર પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં રખડતા આખલા સાથે બાઈક અથડાતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકના પરિવાર પર આભ ફાટ્યું છે. ગોપાલ વામજા નામનો યુવક પોતાની મોટરસાયકલ લઈને વંથલી હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન દિલાવરનગર પાસે અચાનક એક કદાવર આખલો રસ્તા પર આડો ઉતર્યો હતો. અંધારામાં કે પૂરપાટ ઝડપે જતી બાઈક આખલા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈક ચાલક ગોપાલભાઈ રોડ પર ફંગોળાયા હતા. તેમને માથાના ભાગે અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો. દિલાવરનગર પાસે 'ધણખૂટ' નો આતંક: સ્થાનિકોમાં રોષ આ ઘટના અંગે વંથલી નગરપાલિકાના પૂર્વ સદસ્ય દીપેશ બારૈયાએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રખડતા ઢોર અને ખાસ કરીને ધણખૂટનો એટલો આતંક છે કે વાત પૂછો માં. હજુ ગઈકાલે જ અહીં એક અકસ્માત થયો હતો અને આજે ફરી 45 વર્ષના એક આશાસ્પદ યુવાને જીવ ગુમાવ્યો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. અહીં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે, પરંતુ કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તંત્ર સામે સવાલો: ઢોરને બચાવવા કરતા માણસોને બચાવો સ્થાનિક રહીશો અને અગ્રણીઓની માંગ છે કે હાઈવે પર રખડતા ઢોરના કારણે વારંવાર થતા અકસ્માતો રોકવા માટે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર કડક પગલાં ભરે. મારી માંગ છે કે આ સમસ્યાનું કાયમી નિવારણ લાવવામાં આવે. કોઈનો વંશ ઉજાઈ જાય એ પહેલા તંત્ર જાગે. પશુઓને ડબ્બે પૂરવા કે પાંજરાપોળ મોકલવા માટે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ જેથી અન્ય કોઈ યુવાનનો જીવ ના જાય, તેમ દીપેશ બારૈયાએ ઉમેર્યું હતું. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો અકસ્માતની જાણ થતા જ વંથલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતક ગોપાલ વામજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર આ અકસ્માતને પગલે થોડો સમય ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા.વંથલી હાઈવે પર અગાઉ પણ રખડતા આખલાઓના કારણે અનેક અકસ્માતો થયા છે. ભૂતકાળમાં અનેક લોકોએ અહીં જીવ ગુમાવ્યા છે અથવા કાયમી અપંગતાનો ભોગ બન્યા છે. તેમ છતાં તંત્ર દ્વારા આ આખલાઓને હટાવવા માટે કોઈ પણ જાતની મક્કમ કાર્યવાહી કરવામાં ન આવતા વાહનચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સુરત મહાનગરપાલિકા અત્યારે તેના નાણાકીય વર્ષના અંતિમ તબક્કે મથામણ કરી રહી છે. પાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, આ વર્ષે પ્રોપર્ટી ટેક્સ અને અન્ય વેરાઓની વસૂલાતમાં ધાર્યો લક્ષ્યાંક પ્રાપ્ત થયો નથી. ગત વર્ષની સરખામણીએ આ વખતે ડિમાન્ડમાં મોટો વધારો થયો હોવા છતાં, વાસ્તવિક રિકવરીની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ડિમાન્ડ વધી પણ તિજોરી ખાલી રહીસુરત મહાનગરપાલિકાના ટેક્સ વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો અનુસાર, ચાલુ નાણાકીય વર્ષ માટે કુલ 2559 કરોડની ડિમાન્ડ ઉભી કરવામાં આવી હતી. જેની સામે માર્ચ મહિનાના અંત સુધીમાં માત્ર 1732 કરોડની રિકવરી થઈ શકી છે. જો આ આંકડાઓને ગત વર્ષ સાથે સરખાવવામાં આવે તો ચિત્ર કંઇક આવું જણાય છે ગત વર્ષ 2024-25 2390 કરોડની ડિમાન્ડ સામે 1720 કરોડની વસૂલાત થઈ હતી, જે કુલ ડિમાન્ડના 72 ટકા જેટલી હતી. ચાલુ વર્ષ 2025-26 રુપિયા 2559 કરોડની ડિમાન્ડ સામે રૂપિયા1732 કરોડ વસૂલાયા છે, જેની ટકાવારી આશરે 67.7 ટકા થાય છે. વસૂલાતની ટકાવારીમાં 4.3% નો ઘટાડો નોંધાયોઆમ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે વસૂલાતની ટકાવારીમાં આશરે 4.3% નો ઘટાડો નોંધાયો છે. જોકે, રકમની દ્રષ્ટિએ ગત વર્ષ કરતા 12 કરોડ વધુ વસૂલાયા છે, પરંતુ ડિમાન્ડમાં થયેલા 169 કરોડના તોતિંગ વધારાની સામે આ રિકવરી ખૂબ જ ઓછી માનવામાં આવી રહી છે. રિકવરી ઓછી થવા પાછળ મુખ્ય બે કારણો જવાબદારપાલિકાના વર્તુળોમાં આ ઘટાડા અંગે ચર્ચાઓ તેજ બની છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં પાલિકાનો સ્ટાફ મિલકતો સીલ કરવાની અને નોટિસો ફટકારવાની કામગીરીમાં રાત-દિવસ એક કરી દેતો હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ અલગ જોવા મળી છે. વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા મુજબ રિકવરી ઓછી થવા પાછળ મુખ્ય બે કારણો જવાબદાર છે. ચાલુ વર્ષ દરમિયાન વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે વિવિધ ઝોનના ઉચ્ચ અધિકારીઓ અને વેરા વસૂલાત સાથે સંકળાયેલા સ્ટાફની મોટા પાયે બદલીઓ કરવામાં આવી હતી. નવા અધિકારીઓને જે-તે ઝોનની ભૌગોલિક સ્થિતિ, મોટા ડિફોલ્ટરોની યાદી અને બાકી લેણાંની સમજ મેળવવામાં ઘણો સમય વીતી ગયો. વહીવટી ફેરફારને કારણે રિકવરીની ગતિ જે ફેબ્રુઆરી-માર્ચમાં હોવી જોઈએ તે જળવાઈ શકી નહીં. ટેક્સ વસૂલાત માટે જે 'ડોર-ટુ-ડોર' કેમ્પેઈનપાલિકાનો મોટો સ્ટાફ SIRની અન્ય મહત્વની કામગીરીમાં રોકાયેલા રહ્યા હતા. વહીવટી પ્રોજેક્ટ્સ અને અન્ય સરકારી કાર્યક્રમોમાં સ્ટાફની વ્યસ્તતાને કારણે પ્રોપર્ટી ટેક્સ વસૂલાત માટે જે 'ડોર-ટુ-ડોર' કેમ્પેઈન થવું જોઈએ, તે થઈ શક્યું નથી.
વલસાડ સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.ડી. પરમારની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) માં બદલી થઈ છે. બે વર્ષ અને એક મહિનાના કાર્યકાળ બાદ તેમની બદલી થતા વલસાડના શહેરીજનોએ તેમને ભવ્ય વિદાય આપી હતી. આ વિદાય સમારોહમાં શહેરીજનોએ પીઆઈ પરમારને ખભે બેસાડીને શહેરના રસ્તાઓ પર સરઘસ કાઢ્યું હતું. આ દરમિયાન લોકોએ ફટાકડા ફોડી અને ફૂલહાર કરી તેમનું અભિવાદન કર્યું હતું. સાધુ-સંતો અને અગ્રણીઓની હાજરીમાં તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પોતાની બદલી અંગે પ્રતિક્રિયા આપતા ડી.ડી. પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ અને એક મહિનાથી હું વલસાડ સિટી PI તરીકે કાર્યરત હતો. વલસાડની જનતાએ જે પ્રેમ અને સહકાર આપ્યો છે તે હું આજીવન યાદ રાખીશ. તહેવારો હોય કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ, વલસાડની શાંતિપ્રિય જનતાએ હંમેશા પોલીસને સાથ આપ્યો છે. પીઆઈ પરમારે વધુમાં ઉમેર્યું કે, પોલીસની નોકરીમાં સમયનું કોઈ ઠેકાણું હોતું નથી. આવા સમયે મારા પરિવારે, બાળકોએ અને પત્નીએ જે સહકાર આપ્યો છે તેના કારણે જ હું જનતાની સેવા કરી શક્યો છું. પોલીસ અધિકારી તરીકે ડ્યુટી બજાવવી અને જનતાનો વિશ્વાસ જીતવો એ જ સૌથી મોટી સફળતા છે. વલસાડ જિલ્લામાં જ તેમની બદલી થતા હવે તેઓ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ના પીઆઈ તરીકે કાર્યભાર સંભાળશે. તેમની કામગીરી અને જનતા સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહારને કારણે શહેરીજનોમાં મિશ્ર લાગણી જોવા મળી હતી અને તેમને નવી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાઓ વચ્ચે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી હતી. જેના કારણે મોટી સંખ્યામાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર ચાલકો ઈંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા. સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં, મોડાસાના સહયોગ પેટ્રોલ પંપ સહિત શહેરના વિવિધ પંપો અને સાકરીયા ગામે આવેલા પેટ્રોલ પંપ પર ભારે ભીડ જોવા મળી હતી. આ સ્થિતિ માત્ર અફવાઓના કારણે સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. મોડાસા બાયપાસ પરના સહયોગ પેટ્રોલ પંપના માલિક ચંદ્રકાંતભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. સપ્લાય ચેઇન સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ઓઇલ કંપનીઓ તરફથી સતત જથ્થો મળી રહ્યો છે. તેમણે જણાવ્યું કે પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી ગભરાવાની કોઈ જરૂર નથી. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અપ્રમાણિત માહિતીથી દૂર રહે. માત્ર જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ ભરાવે, જેથી બિનજરૂરી ગભરાટ ટાળી શકાય અને સામાન્ય સ્થિતિ જાળવી શકાય.
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ સ્થિત ઐતિહાસિક હવા મહેલ ખાતે આયોજિત બે દિવસીય 'મિલેટ મહોત્સવ' અને 'પ્રાકૃતિક ફાર્મર માર્કેટ'નું ગતરોજ સફળતાપૂર્વક સમાપન થયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ‘મિલેટ મિશન’ને પ્રોત્સાહન આપવા અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવાના હેતુથી આયોજિત આ મેળાને શહેરીજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો. આ મહોત્સવમાં 20થી વધુ સ્ટોલ્સ દ્વારા ‘શ્રી અન્ન’ અને ઝેરમુક્ત ખેત પેદાશો પ્રદર્શિત કરવામાં આવી હતી. આ ઉત્પાદનોની ખરીદી માટે નાગરિકોનો પ્રવાહ જોવા મળ્યો, જેનાથી ખેડૂતો અને મહિલા સખી મંડળોમાં ઉત્સાહ વધ્યો. ખેતીવાડી વિભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ સીધા ખેતરથી ગ્રાહક સુધીની કડી જોડી. સિદ્ધનાથ પ્રાકૃતિક મોડેલ ફાર્મ-ચુડા, હિંગળાજ પ્રાકૃતિક ફાર્મ-ચોટીલા અને શક્તિ-માધર પ્રાકૃતિક ફાર્મ જેવા વિવિધ સ્ટોલ્સ પરથી બાજરી, જુવાર અને રાગી જેવા મિલેટ પાકોનું વેચાણ થયું. સુરતની એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે જોડાયેલા વિશ્વાબેન ગામીતના રાગી ઉત્પાદનો અને ‘અનુબંધ’ સંસ્થા દ્વારા પીરસવામાં આવેલી મિલેટ ખીચડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું. આ પ્રદર્શનમાં બાજરી, જુવાર અને રાગી જેવા પૌષ્ટિક મિલેટ્સ મુખ્ય આકર્ષણ રહ્યા. મુલાકાતીઓએ માત્ર અનાજ જ નહીં, પરંતુ મિલેટ્સના મૂલ્યવર્ધિત ઉત્પાદનોમાં પણ રસ દાખવ્યો. ખેતીવાડી અને આત્મા વિભાગ દ્વારા મિલેટ્સના પૌષ્ટિક ગુણો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા. મુલાકાતીઓએ જંક ફૂડના બદલે રાગીના લાડુ, પાપડ અને મિલેટ ખીચડી જેવા વિકલ્પો સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોવાનું સ્વીકાર્યું. મિલેટ મહોત્સવની સાથે યોજાયેલા પ્રાકૃતિક ખેત બજારમાં રાસાયણિક ખાતર વગર પકવવામાં આવેલા શાકભાજી, ફળો અને મસાલાઓનું મોટા પાયે વેચાણ થયું. જિલ્લાના ખેડૂતો દ્વારા સ્ટોલ્સ પર પ્રદર્શિત કરાયેલ મધ, હળદર અને તાજા શાકભાજી ગ્રાહકોએ ખરીદ્યા. આ માધ્યમથી ખેડૂતોને તેમના ઉત્પાદનોના યોગ્ય ભાવ અને ગ્રાહકોને વ્યાજબી દરે ગુણવત્તાયુક્ત આહાર મળ્યો. આ મહોત્સવ માત્ર વેપાર પૂરતો મર્યાદિત ન રહેતા એક સાંસ્કૃતિક ઉત્સવ પણ બની રહ્યો. બે દિવસ દરમિયાન બાળકો માટેના પ્લે એરિયા અને રાત્રિના સમયે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું. હુડો રાસ, પઢાર નૃત્ય, ગરબો અને લોકસાહિત્યની રમઝટે ઝાલાવાડની સંસ્કૃતિને જીવંત કરી. આ સાથે જ, મહિલા સખી મંડળો દ્વારા તૈયાર કરાયેલ ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ અને હસ્તકલાના નમૂનાઓને પણ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું. આમ, મુખ્યમંત્રીના ‘મિલેટ મિશન’ અને ‘મેદસ્વિતામુક્ત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં આ મહોત્સવ મહત્વપૂર્ણ સાબિત થશે.
સુરતમાં ફોટોગ્રાફી ક્ષેત્રના પ્રોફેશનલ્સ માટે Perfect Click Photography Learning Institute દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સફળ ફોટોગ્રાફી બિઝનેસના 3 મંત્ર' વિષય પર યોજાયેલા આ સેમિનારમાં સુરત અને આસપાસના વિસ્તારોમાંથી 70થી વધુ ફોટોગ્રાફર્સે ભાગ લીધો હતો. કાર્યક્રમનું સંચાલન જાણીતા ફોટોગ્રાફી મેન્ટર આશિષ સિંધવે કર્યું હતું. Nayan Studio ના સ્થાપક હેતલ કુમાર મુખ્ય મેન્ટર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફોટોગ્રાફી બિઝનેસના ત્રણ મુખ્ય સ્તંભો – મની સેવિંગ (Money Saving), સ્માર્ટ ડીલ્સ (Smart Deals) અને બિઝનેસ ગ્રોથ (Business Growth) વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું. હેતલ કુમારે જણાવ્યું હતું કે ઘણા ફોટોગ્રાફર્સ ઉત્તમ કામ કરતા હોવા છતાં યોગ્ય મની મેનેજમેન્ટના અભાવે પૂરતો નફો મેળવી શકતા નથી. તેમણે ખર્ચનું યોગ્ય આયોજન, બિનજરૂરી ખર્ચમાં ઘટાડો અને યોગ્ય રોકાણ દ્વારા બચત વધારવાના ઉપાયો સમજાવ્યા. સેમિનારમાં ક્લાયન્ટ સાથે સ્માર્ટ ડીલ્સ કેવી રીતે કરવી, અસરકારક પેકેજિંગ અને પ્રાઇસિંગ સ્ટ્રેટેજી કેવી રીતે બનાવવી, તેમજ માર્કેટમાં પોતાની વેલ્યુ કેવી રીતે વધારવી તે અંગે પ્રેક્ટિકલ ઉદાહરણો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું. બિઝનેસ ગ્રોથ માટે માર્કેટિંગનું મહત્વ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સનો અસરકારક ઉપયોગ, ક્લાયન્ટ રિલેશનશિપ મેનેજમેન્ટ અને બ્રાન્ડ બિલ્ડિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ફોટોગ્રાફર્સને પોતાની યુનિક સેલિંગ પ્રપોઝિશન (USP) વિકસાવવા અને ચોક્કસ માર્કેટ સેગમેન્ટમાં કામ કરવા અંગે પણ માર્ગદર્શન અપાયું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ફોટોગ્રાફર્સના પ્રશ્નોના સંતોષકારક જવાબો આપવામાં આવ્યા, જેનાથી સેમિનાર વધુ ઇન્ટરેક્ટિવ બન્યો. ભાગ લેનારાઓએ આ સેમિનારને અત્યંત માહિતીસભર અને વ્યવહારુ ગણાવ્યો હતો.Perfect Click Photography Learning Institute દ્વારા આયોજિત આવા સેમિનારો ફોટોગ્રાફી ક્ષેત્રે નવી પેઢીને માર્ગદર્શન આપવામાં અને તેમના વ્યવસાયિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.
જામનગરમાં શહીદ દિવસ નિમિત્તે NSUI, યુવક કોંગ્રેસ અને જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મશાલ રેલી તળાવની પાળ ગેટ નંબર 1 થી શરૂ થઈને હવાઈ ચોક સુધી યોજાઈ હતી. હવાઈ ચોક ખાતે શહીદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ જામનગરના યુવાનોમાં શહીદો જેવી પ્રેરણા જગાડવાનો અને સમાજમાં થતા અન્યાય કે અત્યાચાર સામે અવાજ ઉઠાવવાની વીરતા કેળવાય તેવો સંદેશ પહોંચાડવાનો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો દેશભક્તિના જોશ સાથે જોડાયા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા કુંભઘાટ પર થોડા દિવસો પહેલા ટ્રકમાં લાગેલી આગની ઘટના એક સુનિયોજિત કાવતરું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. વીમાની રકમ હડપવા માટે ડ્રાઇવરે જ ટ્રક સળગાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો સાથીદાર કમલેશ સરસિયા ફરાર છે. પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. ટ્રકમાં ભરેલા આશરે 900 બેગ પ્લાસ્ટિકના દાણા બારોબાર વેચી દેવામાં આવ્યા હતા. દાણા વેચ્યા બાદ પુરાવા નષ્ટ કરવા માટે, ટ્રકમાં બાકી રહેલા થોડા માલ સાથે તેને કુંભઘાટ પર સળગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને અકસ્માત તરીકે રજૂ કરીને કંપની અને વીમા કંપની પાસેથી લાખો રૂપિયાનો ક્લેમ મેળવવાનો તેમનો ઇરાદો હતો. પ્રારંભિક રીતે અકસ્માત લાગી રહેલી આ ઘટનામાં કપરાડા પોલીસને શંકા જતાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા પુરાવા અને હકીકતોના આધારે આ સમગ્ર કાવતરું બહાર આવ્યું હતું. આ મામલે પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. મુખ્ય આરોપી મનીષ મિસ્ત્રીને ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે તેનો સાથીદાર કમલેશ સરસિયા હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે. કપરાડા પોલીસ હવે આ કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં, તેમજ ચોરી કરાયેલો માલ ક્યાં અને કોને વેચાયો છે તે દિશામાં વધુ તપાસ કરી રહી છે. આ ઘટનાએ ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગ ક્ષેત્રમાં વિશ્વાસઘાત અને વીમા છેતરપિંડી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગભરાટ ન ફેલાવવા ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ભ્રામક માહિતીથી પ્રેરાઈને પેનિક થવાની કોઈ જરૂર નથી. તંત્રએ પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ન કરવા અને માત્ર જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા જણાવ્યું છે. ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડીઝલનો બિનજરૂરી સંગ્રહ કરવાથી કૃત્રિમ અછત સર્જાઈ શકે છે, જેના કારણે સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને સહયોગ આપવા અને અફવા ફેલાવતા તત્વોથી સાવધ રહેવા અનુરોધ કર્યો છે. કોઈપણ ભ્રામક માહિતીની સત્યતા તપાસ્યા વિના તેને આગળ ન ફેલાવવા અને પેટ્રોલ પંપ પર અવ્યવસ્થા ન સર્જવા પણ અપીલ કરવામાં આવી છે.
નવસારીમાં ઇંધણ ખૂટવાની અફવા ફેલાઈ:સાંજે પંપો પર વાહનચાલકોનો જમાવડો, લોકોએ ટાંકી ફૂલ કરાવી
ગુજરાતના અન્ય શહેરોમાં ઇંધણની અછતની અફવા બાદ નવસારીમાં પણ તેની અસર જોવા મળી હતી. ઇંધણ ખૂટી પડવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વાહનચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ અફવાને કારણે સાંજ પડતા જ શહેરના તમામ મુખ્ય પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ઘણા વાહનચાલકોએ ગભરાટમાં આવીને પોતાની વાહનોની ટાંકી ફૂલ કરાવી હતી. દિવસ દરમિયાન બપોર સુધી શહેરમાં ઇંધણની સ્થિતિ સામાન્ય હતી અને પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો. જોકે, અન્ય શહેરોમાં ફેલાયેલી અફવાએ નવસારીમાં પણ અછત સર્જાવાની અફવા ફેલાઈ હતી. સ્થાનિક સૂત્રો અને પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર, હાલમાં નવસારીના પંપો પર ઇંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વહીવટી તંત્રએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને જરૂરિયાત મુજબ જ ઇંધણ પુરાવવા અપીલ કરી છે. આ અફવાઓને કારણે લોકોમાં અસમંજસની સ્થિતિ જોવા મળી હતી, જેના પરિણામે કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં માત્ર 16 વર્ષની કિશોરીએ પિતાના અવસાનના છ મહિના બાદ પણ તે આઘાતમાંથી બહાર ન આવી શકી અને અંતે પિતા પાસે પહોંચી જવા માટે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પિતાના જવાથી દીકરી એકલતા અનુભવવા લાગીડિંડોલીના લક્ષ્મણનગરમાં રહેતા મિસ્ત્રી પરિવારમાં 6 મહિના પહેલા દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘરના મોભી સુનિલભાઈ મિસ્ત્રી લાંબા સમયથી ટીબીની બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. આખરે 6 મહિના પહેલા તેમનું અવસાન થયું હતું. પિતાના અવસાન સમયે 16 વર્ષની દીકરી કવિતા પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. કવિતા તેના પિતાની અત્યંત લાડકી હતી અને તેમના જવાથી તે એકલતા અનુભવવા લાગી હતી. માતાને મદદ કરવા સાડીના કારખાને જતી હતીકવિતાએ ધોરણ 8 સુધીનો અભ્યાસ કર્યો હતો. પિતાના અવસાન બાદ ઘરની આર્થિક જવાબદારી માતા ઉષાબેન પર આવી પડી હતી. ઉષાબેન આંજણા ફાર્મ પાસે આવેલા એક સાડીના કારખાનામાં મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા. કવિતા પણ ઘરની સ્થિતિ સમજીને તેની માતાને એકલી ન મૂકતી અને દરરોજ કારખાને તેમની સાથે મદદ કરાવવા જતી હતી. જોકે, કામમાં વ્યસ્ત હોવા છતાં તેના મનમાંથી પિતાની યાદો જતી નહોતી. ભાઈ કોલેજમાં અને બહેન પિતાના વિરહમાંકવિતાનો 18 વર્ષીય ભાઈ વિજય હાલ આર્ટસ કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. પિતાના ગયા પછી વિજય પર પણ મોટી જવાબદારી હતી, પરંતુ નાની બહેન કવિતા અંદરથી કેટલી હદે તૂટી ગઈ છે તેનો ખ્યાલ કદાચ કોઈને નહોતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, કવિતા સતત પિતાના ફોટા જોતી રહેતી અને અવારનવાર કહેતી કે તેને પપ્પા પાસે જવું છે. પિતાના મૃત્યુનો આઘાત તેના કુમળા માનસ પર ઊંડી અસર કરી ગયો હતો. ઘરે કોઈ નહોતું ત્યારે અંતિમ પગલું ભર્યુંબનાવની વિગત મુજબ, જ્યારે પરિવારના સભ્યો કામ અર્થે બહાર હતા અથવા ઘરમાં હાજર નહોતા, ત્યારે કવિતાએ પિતાની યાદમાં આત્મહત્યાનો માર્ગ પસંદ કર્યો હતો. જ્યારે પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે કવિતાને મૃત હાલતમાં જોઈ પાયમાલ થઈ ગયા હતા. ડિંડોલી પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરત શહેરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક મેસેજ બાદ નાગરિકોમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદ બાદ હવે સુરતમાં પણ અઠવાલાઇન્સ, અડાજણ, રાંદેર, ઉધના, કતારગામ, વરાછા, કાપોદ્રા સરથાણા અને ડીંડોલી સહિતના તમામ વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકોમાં એવી ભીતિ છે કે આગામી સમયમાં પેટ્રોલનો જથ્થો ખૂટી જશે અથવા ભાવમાં તોતિંગ વધારો થશે, જેના કારણે લોકો પોતાની ગાડીની ટેન્ક ફૂલ કરાવવા માટે પડાપડી કરી રહ્યા છે. લોકો માત્ર પેમેન્ટ ડિસ્પ્યુટને 'સ્ટોક ખતમ' થવાની અફવા સમજી બેઠાવહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, આ સ્થિતિ પેટ્રોલની અછતને કારણે નહીં પરંતુ નાણાકીય લેવડદેવડને કારણે સર્જાઈ છે. મુખ્ય ડિસ્ટ્રિબ્યુટર અને પેટ્રોલિયમ કંપનીઓ વચ્ચે ક્રેડિટ અને પેમેન્ટ સેટલમેન્ટ બાબતે પ્રશ્નો ઉભા થયા છે. આ આંતરિક પેમેન્ટ ઇશ્યૂને કારણે સપ્લાય ચેઇનમાં થોડો વિલંબ થયો હોઈ શકે છે, પરંતુ તે જથ્થાની કમી દર્શાવતું નથી. લોકો માત્ર પેમેન્ટ ડિસ્પ્યુટને 'સ્ટોક ખતમ' થવાની અફવા સમજી બેઠા છે. નિવાસી અધિક કલેક્ટરે અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યુંસુરત નિવાસી અધિક કલેક્ટર અને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિજય રબારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ડેપ્યુટી સીએમ સાહેબે અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું તેમ સુરત શહેર કે જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. ડિસ્ટ્રિબ્યુટર અને કંપની વચ્ચે માત્ર ક્રેડિટ કરાવવા માટેના પૈસા બાબતનો ટેકનિકલ મુદ્દો છે. સોશિયલ મીડિયાના આધારે લોકોએ પેનિક થવાની કે ગેરમાર્ગે દોરાવાની જરૂર નથી. ખોટી રીતે ભીડ એકત્ર ન કરોવહીવટી તંત્ર દ્વારા નાગરિકોને નમ્ર અપીલ કરવામાં આવી છે કે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી ખોટી અફવાઓના ડરથી લાઈનોમાં ઉભા રહીને મુશ્કેલી ન સર્જવી. લોકો પોતાની જરૂરિયાત મુજબ શાંતિથી જથ્થો મેળવી શકે છે. ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સપ્લાય રાબેતા મુજબ ચાલુ રહે તે માટે કંપનીઓ સાથે સંપર્કમાં છે. પેનિક બાયિંગથી બચવા નાગરિકોને સૂચનાજ્યારે પણ આવા પેમેન્ટ વિવાદો સામે આવે છે ત્યારે અફવા બજાર ગરમ થાય છે. અત્યારે સુરતના પેટ્રોલ પંપ પર જે સ્થિતિ છે તે 'પેનિક બાયિંગ'નું પરિણામ છે. તંત્રએ ખાતરી આપી છે કે, ઇંધણનો પુરવઠો સતત મળી રહેશે, તેથી નાગરિકોએ અફવા ફેલાવતા મેસેજ ફોરવર્ડ કરવાથી બચવું જોઈએ અને બિનજરૂરી સંગ્રહખોરી કરવી જોઈએ નહીં.
ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસની સર્વેલન્સ ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાઈજીપુરાથી પીડીપીયુ તરફ જતા માર્ગ પર આવેલા લવકુશ રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં ધમધમતા જુગારધામ પર ત્રાટકી પાંચ જુગારીઓને 90 હજારથી વધુની મત્તા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ દરોડા દરમ્યાન ત્રણ જુગારીઓ પોલીસને હાથતાળી આપીને અંધારાનો લાભ લઈ નાસી જવામાં સફળ રહ્યા છે. પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડ્યાગાંધીનગરના ભાઇજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઇકોનિક રોડ પર તાજેતરમાં જ પોલીસે બાઇકર્સ ગેંગ પર ઘોષ બોલાવી દઈ નબીરાઓને કાયદાના પાઠ ભણાવ્યા હતા. ત્યારે અત્રેનો વિસ્તાર એજયુકેશન હબ હોવાથી ઇન્ફોસિટી પીઆઇ વી. આર ખેરે સ્ટાફને સઘન પેટ્રોલિંગ હાથ ધરી દારુ જુગાર અને ખાસ કરીને નાર્કોટિક્સ પ્રવૃતિઓ પર નજર રાખવા સૂચનાઓ આપવામાં આવેલી છે. જે અન્વયે ઇન્ફોસિટી પોલીસ ચોકીના સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે લવ-કુશ રેસીડેન્સીની બાજુમાં આવેલા કાચા છાપરાઓની પાછળ કેટલાક શખસો એકત્રિત થઈને ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જ જુગારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરીજોકે, પોલીસે ભાગવાનો પ્રયાસ કરી રહેલા શખ્સો પૈકી રાજકુમાર રામાભાઈ સલાટ, ટોપજીભાઈ જવાનજી સલાટ, ગુપ્તાજી જગરૂભાઈ સલાટ, મુલતાન જાદુજી મદારી અને સાયર નાગજીભાઈ મદારીને કોર્ડન કરીને પકડી પાડ્યા હતા. પરંતુ ત્રણ જુગારીઓ પોલીસને હાથતાળી આપી અંધારાનો લાભ લઈ નાસી જવામાં રહ્યા હતા. અંગ ઝડતી દરમિયાન કુલ 10,60 ની રોકડ ઉપરાંત જુગારના દાવ પરથી 70,500ની મોટી રોકડ રકમ પણ હાથ લાગી હતી. પોલીસે ઘટનાસ્થળેથી 81,100 ની કુલ રોકડ, બે મોબાઈલ ફોન જેની કિંમત 9,000, ગંજીપાના અને અન્ય સામગ્રી મળીને કુલ 90,100 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મિડલ ઇસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાજ્યના વિવિધ શહેરોમાં ગેસ પુરવઠાને લઈને અસર પહોંચી છે. કોમર્શિયલ અને ઘરેલું ગેસ બંને પુરવઠા પર અસર પહોંચતા ઓછો જથ્થો આવી રહ્યો છે ત્યારે પી.એન.જી. (Piped Natural Gas)ને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ આવે છે. સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નવા પી.એન.જી. કનેક્શન આપવા માટે ઉક્ત ત્રણ એજન્સીઓ દ્વારા રોડ ઓપનીગ પરમિટ (આર.ઓ.) માટે કુલ 820 અરજીઓ કરવામાં આવી છે. જેને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવી છે. રોડ ઓપનીંગ પરમિટ (આર.ઓ.)ની મંજૂરી અપાઈહાલ અમદાવાદમાં અદાણી ગેસ, ગુજરાત ગેસ અને સાબરમતી ગેસ કંપની દ્વારા પી.એન.જી ગેસનું વિતરણ કરવામાં આવે છે. હાલની વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાને લઈ એલ.પી.જી (Liquefied Petroleum Gas) ને સ્થાને પી.એન.જી.ને પ્રાધાન્ય આપવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના જુદા જુદા ઝોન ખાતે સદર અરજીઓ માટેની રોડ ઓપનીંગ પરમિટ (આર.ઓ.)ની મંજૂરી તાત્કાલિક ધોરણે આપવામાં આવી છે. કોઈપણ જાતના ચાર્જીસ વસૂલ્યા સિવાય કામગીરી કરાવવા મંજૂરીજે પૈકી ડિફેક્ટ લાયેબિલીટી પૂર્ણ થઈ હોય તેવા રોડ માટેની મંજુરીની સત્તાઓ જે તે ઝોનના એડી.સિટી ઈજનેરને તથા ડિફેક્ટ લાયેબિલીટી ચાલુ હોય તેવા રોડ માટેની મંજુરીની સત્તા જે તે ઝોનના ડે. મ્યુનિસિપલ કમિશ્નરને આપવામાં આવી છે. હાલની પદ્ધતિ મુજબ પૈસા ભરી અને પરમિશન આપવાની જગ્યાએ કોઈપણ જાતના ચાર્જીસ વસૂલ્યા સિવાય કામગીરી કરાવવા મંજૂરી આપવામાં આવી છે. રોડ રી-ઈન્સેટમેન્ટની કામગીરી AMC દ્વારા એજન્સીના ખર્ચે કરશેડિફેક્ટ લાયેબિલીટી ચાલુ હોય તેવા રોડ ઉપર મિનિમમ ખોદાણ થાય તે મુજબ કામગીરી કરાવવા ખાસ કિસ્સા તરીકે મંજુરી આપવામાં આવી છે. આર.ઓ. પરમિટમાં સમાવેશ કરેલા રોડ ઉપર ખોદાણ બાદ થનાર રોડ રી-ઈન્સેટમેન્ટની કામગીરી એજન્સી દ્વારા કરવાની થાય છે, પરંતુ રોડ રી-ઈન્સેટમેન્ટની કામગીરી AMC દ્વારા એજન્સીના ખર્ચે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનની મીટીંગ બોલાવવામાં આવી હતીઅમદાવાદ શહેરના તમામ હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા એલ.પી.જી.ને બદલે પી.એન.જીનો ઉપયોગ કરવામાં આવે તે બાબત ધ્યાનમાં રાખીને હાલમાં જે હોટલ કે રેસ્ટોરન્ટ એલ.પી.જીનો વપરાશ કરે છે તે માટે તમામ હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનની મીટીંગ બોલાવવામાં આવી હતી. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનનો સાનુકૂળ પ્રતિસાદ મળ્યો હતો. જે હોટલ એલ.પી.જી.નો વપરાશ કરે છે તેને પી.એન.જીમાં રૂપાંતરીત કરવા માટે એસોસિએશન તરફથી સુચના આપવામાં આવી છે.
સુરત હવે વૈશ્વિક સ્તરે સ્વચ્છ શહેર તરીકે પોતાની આગવી ઓળખ મજબૂત કરી રહ્યું છે. વર્ષ 2023થી સ્વચ્છતા સર્વેક્ષણમાં સતત પ્રથમ ક્રમાંકે આવતું સુરત શહેર આ વખતે પણ પોતાની હેટ્રિક જાળવી રાખવા માટે સજ્જ થયું છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના નેતૃત્વ હેઠળ સુરત મહાનગરપાલિકાએ 'સ્વચ્છતા સર્વેક્ષણોમાં પ્રથમ આવવા કમર કસી છે. શહેરના ખૂણે-ખૂણે સફાઈ અભિયાન અને સુશોભનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે કેન્દ્રીય સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ ગમે ત્યારે શહેરમાં ત્રાટકી શકે છે. વરાછા, કતારગામ, અઠવા અને રાંદેરમાં વહેલી સવારથી જ સરપ્રાઈઝ ચેકિંગસ્વચ્છતાના આ મહાકુંભમાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તે માટે ખુદ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાનમાં ઉતર્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કમિશનર દ્વારા શહેરના વિવિધ ઝોન જેમ કે વરાછા, કતારગામ, અઠવા અને રાંદેરમાં વહેલી સવારથી જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. કમિશનરની આ મુલાકાતો માત્ર મુખ્ય માર્ગો પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેઓ આંતરિક ગલીઓ, જાહેર શૌચાલયો, કચરાના ડેપો અને ટ્રાન્સફર સ્ટેશનોની પણ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. જે વિસ્તારોમાં સફાઈમાં બેદરકારી જોવા મળે છે ત્યાં સ્થળ પર જ અધિકારીઓને ખખડાવીને તાત્કાલિક કામગીરી સુધારવા આદેશો આપવામાં આવી રહ્યા છે. સુરત બ્રિજ સિટી તરીકે ઓળખાય છે, અને આ બ્રિજો શહેરની સુંદરતામાં વધારો કરે તે માટે પાલિકાએ વિશેષ આયોજન કર્યું છે. હાલમાં શહેરના બ્રિજો પર રંગ-રોગાનની કામગીરી ચાલી રહી છે. બ્રિજોની નીચેના ભાગમાં થતું દબાણ દૂર કરી ત્યાં પેવર બ્લોક નાખવા અથવા આકર્ષક પેઇન્ટિંગ્સ બનાવવાનું કામ પૂરજોશમાં છે. પાલિકાના દરેક કર્મચારી અને સફાઈ કામદારોએ સુરતને સુઘડ બનાવવા કમર કસીસ્વચ્છતા સર્વેક્ષણની પ્રક્રિયા અત્યંત કડક અને પારદર્શક હોય છે. દિલ્હીથી આવતી ટીમ ક્યારે આવશે અને કયા વિસ્તારની મુલાકાત લેશે, તેની જાણ સ્થાનિક પાલિકાના ઉચ્ચ અધિકારીઓને પણ હોતી નથી. આ ટીમ સામાન્ય નાગરિકો બનીને શહેરમાં ફરે છે, હોટલો, રેસ્ટોરન્ટ્સ, બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોની મુલાકાત લે છે. ગયા વર્ષે પણ આ જ સમયગાળા દરમિયાન ટીમે સુરતની મુલાકાત લીધી હતી અને નાગરિકોના ફીડબેક (અભિપ્રાય) લીધા હતા. આ વર્ષે પણ ટીમ ગમે ત્યારે આવી શકે છે, તેથી પાલિકાના દરેક કર્મચારી અને સફાઈ કામદારો સુરતને સુઘડ બનાવવા કમર કસી રહ્યા છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન શહેરના 100% ઘરોમાંથી કચરો એકઠો કરવામાં આવે છેવર્ષ 2024-25માં સુરતને સ્વચ્છતા પ્રીમિયર લીગમાં સ્થાન મળ્યું છે, જે દર્શાવે છે કે સુરતમાં સ્વચ્છતા હવે માત્ર સરકારી કામ નથી, પરંતુ એક જન-આંદોલન બની ગયું છે. પાલિકા દ્વારા શાળા-કોલેજોના વિદ્યાર્થીઓ, રહેણાંક સોસાયટીઓ અને વિવિધ NGO ને આ અભિયાનમાં જોડવામાં આવ્યા છે. સુરત પાલિકા કચરાના નિકાલ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શન શહેરના 100% ઘરોમાંથી કચરો એકઠો કરવામાં આવે છે. ભીનો અને સૂકો કચરો અલગ કરવાની પ્રક્રિયા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
સુરતના ઈચ્છાપોરમાં ધોરણ 12ની વિદ્યાર્થિનીને સોશ્યલ મીડિયા થકી ફસાવી દુષ્કર્મ ગુજારવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસે મુખ્ય આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણ સહિત તેના 4 સાગરીતોની ધરપકડ કરી છે. જેમાં અભયકુમાર શર્મા નામના શખ્સે AI એપની મદદથી આરોપીનું નામ બદલી 'અભિષેક ગુપ્તા' કરી નકલી આધારકાર્ડ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે પોક્સો અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સગીરાને સોશિયલ મીડિયા પર ફસાવીસુરતના ઈચ્છાપોરમાં રહેતી અને ધોરણ 12માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરાને મૂળ બિહારના અને હાલ સુરતમાં રહેતા મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાને પ્રેમની વાતોમાં ભોળવી વિશ્વાસ જીત્યો હતો. યુપીની વતની એવી આ કિશોરી આરોપીની બદદાનતથી અજાણ હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી શરૂ થયેલી આ વાતચીત અંતે એક ગંભીર ગુનામાં પરિણમી હતી. અભયકુમાર શર્માએ AIથી નકલી આધારકાર્ડ બનાવ્યુંપોલીસ તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે આરોપીને મદદ કરવામાં તેના મિત્ર અભયકુમાર પ્રદીપ શર્માની મુખ્ય ભૂમિકા હતી. અભયકુમાર શર્માએ પોતાના મોબાઈલમાં રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્લિકેશનનો ઉપયોગ કરીને મોહમ્મદ સાજીદના આધારકાર્ડમાં છેડછાડ કરી હતી. તેણે મુસ્લિમ નામ હટાવીને 'અભિષેક ગુપ્તા' જેવું હિન્દુ નામ એડિટ કરી આપ્યું હતું. આ નકલી ઓળખપત્રનો ઉપયોગ કરીને આરોપીએ હોટેલમાં એન્ટ્રી મેળવી હતી અને સગીરાની ઉંમર પણ ખોટી રીતે વધારીને દર્શાવી હતી. હિન્દુ નામ ધારણ કરી હોટેલમાં ગુજાર્યું દુષ્કર્મનકલી આધારકાર્ડમાં 'અભિષેક ગુપ્તા' નામનો ઉપયોગ કરી આરોપી મોહમ્મદ સાજીદ સગીરાને સુરતની એક હોટેલમાં લઈ ગયો હતો. હોટેલ સંચાલકોને હિન્દુ નામનું આઈડી બતાવીને તેણે રૂમ ભાડે રાખ્યો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરુદ્ધ અવાર-નવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરાને અંધારામાં રાખીને અને સમાજમાં ખોટી ઓળખ આપીને આચરવામાં આવેલા આ કૃત્યની જાણ જ્યારે સગીરાના વાલીઓને થઈ, ત્યારે તેઓએ તુરંત જ ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં નરાધમ સામે ફરિયાદ નોંધાવી હતી. બિહાર ભાગે તે પહેલા જ દબોચાયોઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનરે તુરંત તપાસના આદેશ આપ્યા હતા. ઈચ્છાપોર પોલીસ મથકના પી.આઈ. એ.સી. ગોહિલની ટીમે આ મામલે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોને સક્રિય કર્યા હતા. પોલીસને માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ધરપકડના ડરથી પોતાના વતન બિહાર ભાગી જવાની ફિરાકમાં છે. પોલીસે સમયસૂચકતા વાપરીને નાકાબંધી કરી અને આરોપી મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ પઠાણને ટ્રેન પકડવા જાય તે પહેલા જ રવિવારે દબોચી લીધો હતો અને કોર્ટમાં રજૂ કર્યો હતો. મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ બન્યો હતો વચેટીયોઆ ગુનામાં અન્ય એક આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ રાયનની પણ સંડોવણી બહાર આવી છે. ખુરશીદ સગીરા અને આરોપી વચ્ચે મેસેન્જર તરીકે કામ કરતો હતો. જ્યારે સગીરા આરોપી સાથે વાત ન કરતી હોય ત્યારે ખુરશીદ વચેટિયા તરીકે રહીને તેઓનો સંપર્ક કરાવી આપતો હતો. એટલું જ નહીં, તેણે જ આરોપીને દુષ્કર્મ માટે સુરક્ષિત હોટેલ શોધી આપવામાં મદદ કરી હતી. પોલીસે ખુરશીદની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે કે તેણે અગાઉ અન્ય કોઈને મદદ કરી છે કે કેમ. સગા ભાઈએ ગુનેગારને ભગાડવા વાહનની વ્યવસ્થા કરીજ્યારે પોલીસ ફરિયાદ નોંધાઈ ત્યારે મુખ્ય આરોપીને નાસી છૂટવામાં તેના સગા ભાઈ મોહમ્મદ તાબીશ પઠાણે પૂરેપૂરો સાથ આપ્યો હતો. તાબીશને ખબર હતી કે તેના ભાઈએ સગીરા સાથે જઘન્ય અપરાધ કર્યો છે, તેમ છતાં તેણે કાયદાની પકડમાંથી બચાવવા માટે વાહનોની વ્યવસ્થા કરી આપી હતી. ભાઈને સુરતની બહાર સુરક્ષિત રીતે કાઢવા માટે તેણે કરેલી આ મદદ બદલ પોલીસે તેની પણ ધરપકડ કરી છે. લોહીના સંબંધોનો દુરુપયોગ કરી ગુનામાં સાથ આપનાર તાબીશ હવે જેલના સળિયા પાછળ છે. જામીર રાજા શેખની ધરપકડ અને ગુનાહિત ભૂમિકાઆ કેસમાં પાંચમો આરોપી જામીર રાજા શમસુલ શેખ છે, જે પણ ઈચ્છાપોર વિસ્તારમાં જ રહેતો હતો. જામીર રાજાએ મુખ્ય આરોપીને પોલીસની હિલચાલ વિશે અપડેટ આપવાનું અને તેને છુપાઈ રહેવા માટે જગ્યા પૂરી પાડવાનું કામ કર્યું હતું. પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે આ આખી ટોળકી એકબીજાના સંપર્કમાં હતી અને સગીરાને ટાર્ગેટ કરવામાં મોહમ્મદ સાજીદને દરેક તબક્કે મદદ કરતી હતી. જામીરની ધરપકડ સાથે પોલીસે આ કેસમાં મદદગારી કરનારા તમામ કડીઓને જોડી દીધી છે. નકલી દસ્તાવેજો અને આઈટી એક્ટની કલમોનો ઉમેરોપોલીસે આ કેસમાં માત્ર દુષ્કર્મ જ નહીં પરંતુ નકલી દસ્તાવેજો બનાવવા બદલ છેતરપિંડી અને આઈટી એક્ટની કલમો પણ ઉમેરી છે. અભયકુમાર શર્માએ જે રીતે AI ટેકનોલોજીનો ઉપયોગ કરીને સરકારી દસ્તાવેજ ગણાતા આધારકાર્ડમાં છેડછાડ કરી તે અત્યંત ગંભીર બાબત છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપીઓએ આ સિવાય અન્ય કેટલા નકલી આઈડી કાર્ડ બનાવ્યા છે. ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો આવો દુરુપયોગ પોલીસ માટે પણ એક નવા પડકાર સમાન સાબિત થયો છે. સગીરાનું હાલ કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યુંપોલીસે ભોગ બનનાર 16 વર્ષીય સગીરાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. આ સાથે જ સગીરાનું મેડિકલ પરીક્ષણ પણ કરાવવામાં આવ્યું છે, જે રિપોર્ટ કેસમાં મજબૂત પુરાવા તરીકે કામ કરશે. સગીરા હાલ આઘાતમાં છે અને તેને કાઉન્સેલિંગ આપવામાં આવી રહ્યું છે. પોલીસે ખાતરી આપી છે કે સગીરાને ન્યાય અપાવવા માટે તમામ પાસાઓ પર ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવા પ્રયત્નો કોર્ટમાં કરવામાં આવશે. બિહારના નાલંદા અને સિવાન કનેક્શનની તપાસપકડાયેલા તમામ પાંચ આરોપીઓ મૂળ બિહારના અલગ-અલગ જિલ્લાના વતની છે. જેમાં મુખ્ય આરોપીઓ નાલંદા જિલ્લાના છે, જ્યારે નકલી કાર્ડ બનાવનાર અભયકુમાર શર્મા સિવાન જિલ્લાનો વતની છે. સુરતમાં રોજગારી માટે આવેલા આ યુવકો કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થયા તેની વિગતો પોલીસ એકઠી કરી રહી છે. બિહાર પોલીસ સાથે પણ સંપર્ક સાધીને આ આરોપીઓનો કોઈ જૂનો ગુનાહિત ઈતિહાસ છે કે કેમ તે બાબતે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હોવાનું પીઆઈ ગોહિલે જણાવ્યું છે. હાલ પાંચેય આરોપીઓ રિમાન્ડ હેઠળ પીઆઈ અનિરુદ્ધ સિંહ ગોહિલના જણાવ્યા મુજબ, સગીરા સાથે શારીરિક અડપલાં અને દુષ્કર્મ સાંખી લેવામાં આવશે નહીં. આ કેસમાં જે રીતે હિન્દુ નામોનો ઉપયોગ કરી છેતરપિંડી આચરવામાં આવી છે, તેનાથી લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ પોલીસે અપીલ કરી છે. હાલ પાંચેય આરોપીઓ રિમાન્ડ હેઠળ છે અને આગામી દિવસોમાં વધુ સ્ફોટક ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સુંદર અને રોગચાળા મુક્ત રાખવા માટેના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનના સીધા માર્ગદર્શન હેઠળ આજે સુરતના નોર્થ ઝોન (કતારગામ) વિસ્તારમાં સફાઈ અને જનજાગૃતિ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં વહીવટી તંત્રની સાથે સાથે સ્થાનીક નાગરિકો અને સામાજિક સંસ્થાઓએ પણ ખભેખભા મિલાવીને ભાગ લીધો હતો. 53 હજારનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છેનોર્થ ઝોનના ગોટાલાવાડી વોર્ડ વિસ્તારમાં કિરણ હોસ્પિટલથી લઈને દીપુનો ટેકરો, ટોરેન્ટ પાવર અને જૂની ઝોન ઓફિસ રોડ સુધીના મુખ્ય માર્ગો પર ઓપરેશન હેલ્થકેર વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશમાં માત્ર સફાઈ જ નહીં પરંતુ, નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા આ વિસ્તારની અંદાજે 80 જેટલી સંસ્થાઓ અને વ્યાપારી એકમોની ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. પાલિકાએ આશરે 32 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતુંજેમાં કચરાનું યોગ્ય વર્ગીકરણ ન કરતી સંસ્થાઓ અને જરૂરી લાયસન્સ વગર વ્યવસાય કરતા 45 શખસો વિરુદ્ધ સ્થળ પર જ કાર્યવાહી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 35 સંસ્થાઓને ગંદકી બદલ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે અને કુલ 53,000 જેટલી રકમનો વહીવટી ખર્ચ વસૂલવામાં આવ્યો છે. પર્યાવરણ અને જાહેર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડતા પરિબળો સામે લાલ આંખ કરતા પાલિકાએ આશરે 32 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. આ ઉપરાંત, લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અખાદ્ય પદાર્થોના વેચાણ પર પણ તરાપ મારવામાં આવી હતી, જેમાં 13 કિલોગ્રામ જેટલા અયોગ્ય ખાદ્ય પદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. 2860 જેટલા જાગૃત નાગરિકોએ રસ્તા પર ઉતરી શ્રમદાન કર્યું હતું15 જેટલી બિન-સરકારી સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ટીમો જોડાઈ હતી. અને 16 સુપરવાઈઝરી સ્ટાફ અને 118 સફાઈ કામદારોએ સમગ્ર રૂટને ચકાચક કર્યો હતો. આ પ્રસંગે ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરવ અને નોર્થ ઝોનના ઝોનલ ચીફ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓ તેમજ નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. માત્ર સફાઈ કરવાથી શહેર સ્વચ્છ નથી રહેતું, પરંતુ કચરાનો યોગ્ય નિકાલ પણ એટલો જ જરૂરી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને એનજીઓ અને શૈક્ષણિક સંસ્થાઓની ટીમોએ ઘરે-ઘરે અને દુકાને-દુકાને જઈને લોકોને સૂકો અને ભીનો કચરો અલગ પાડવા માટેની વૈજ્ઞાનિક સમજ આપી હતી.
નવી મતદારયાદી જાહેર:અમદાવાદમાં નાગરિકો AMC ઓફિસો ખાતે લગાવેલી મતદાર યાદીમાં પોતાનું નામ તપાસી શકશે
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે 23 માર્ચના રોજ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. અમદાવાદમાં પણ નવી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે નાગરિકો મતદાર યાદીમાં પોતાનું નામ જોઈ શકે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા અલગ અલગ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસો ખાતે મતદાર યાદીમાં પોતાનું નામ . પ્રસિધ્ધ થયેલી મતદારયાદીમાં મતદારોએ પોતાનું નામ ચકાસી લેવા વિનંતી અમદાવાદ મહાનગરપાલિકાના ઈલે. વોર્ડ નં. 1થી 48ની વોર્ડવાર / ભાગવાર મૂળ મતદારયાદીઓ તૈયાર કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના મસ્ટર સ્ટેશન / સબ-ઝોનલ કચેરી / વોર્ડ ઓફિસ, ઝોનલ કચેરીઓ, મ્યુનિસિપલ કંટ્રોલરૂમ તથા મહાનગરપાલિકાના ઈલેક્શન વિભાગમાં વોર્ડ મુજબ જાહેર જનતાની જાણ માટે પ્રાથમિક પ્રસિધ્ધિ કરવામાં આવી છે. પ્રસિધ્ધ થયેલી મતદારયાદીમાં મતદારોએ પોતાનું નામ ચકાસી લેવા વિનંતી કરવામાં આવી છે.
ભાવનગર મહાનગરપાલિકા ના વોટરપાર્ક વિભાગએ માહિતી આપતા જણાવ્યું હતું કે, બુધેલથી તરસમિયા આવતી મહીપરીએજની પાણીની લાઈન લીકેજ થયેલ હોય જેથી લાઈનનું રીપેરીંગ કામ કરવાનું હોવાથી આગામી તા.25/3 ને બુધવારના રોજ તરસમિયા ફિલ્ટર ખાતે રો વોટર બંધ રહેશે, આનાથી વર્ધમાન ESR હેઠળના તળાજા રોડ, શિવનગર, તરસમિયા-અઘેવાડા ગામ અને દિલબહાર ESR હેઠળના કાળિયાબીડ, સાગવાડી, રામનગર અને અવધનગર તથા બાલયોગીનગર ESRના ગાયત્રીનગર, ઘોઘારોડ, શહેરફરતી સડક, અખિલેશ સોસાયટી, રૂવા ગામ સહિતના વિસ્તારોમાં સવારે 4 કલાકથી બપોરના 12:30 કલાક સુધીનો પાણી પાણી સપ્લાય અનિયમિત રહેશે. તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ નીચે આવતા વર્ધમાન ESR આધારિત આસ્થા, ઓમ, શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા(ભરતનગર), બે માળીયા, હરિઓમ નગર, વૃંદાવન સોસાયટી, કૌશલ્ય પાર્ક, સીતારામ ચોક આજુબાજુનો સમગ્ર વિસ્તાર, તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડન્સી-1-2-3-4, તરસમીયા ગામ, અઘેવાડા ગામ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય અનિયમિત રહેશે. ભાવનગરમાં તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ નીચે આવતા દિલબહાર ESR આધારિત હીલ ડ્રાઈવ, સિંધુનગર, ઇસ્કોન મેગા સિટી, આઝાદનગર, સાગવાડી કાળીયાબીડ-ડી, કેસરિયા હનુમાન, સાગવાડી, રામનગર અને તેની આજુબાજુ ના સહિતના વિસ્તારમાં પાણી પુરવઠો અનિયમિત રહેશે. બાલ યોગીનગર ઈએસઆર આધારિત ગાયત્રીનગર, ખારસી, ધાવડીમાં વાળો ખાંચો, શહેર ફરતી સડક, રૂવા ગામ, પંચવટી ચોક, ગાયત્રીનગર, આવાસ યોજના ઘોઘા રોડ, મારુતિ નગર, બાપુનગર તથા અખિલેશ સોસાયટી વગેરે વિસ્તારોમાં પાણી પુરવઠો અનિયમિત રહેશે.
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયટ) દ્વારા 'પલાશ' મુખપત્ર અંતર્ગત 'વઢવાણની પરકમ્મા' વિશેષાંકનું વિમોચન કરવામાં આવ્યું છે. આ વિશેષાંકનો મુખ્ય હેતુ વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં સ્થાનિક ઇતિહાસ ભણાવવાનો છે. ડાયટના પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડિયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના સેક્શન-4માં વિદ્યાર્થીઓને સ્થાનિક પર્યાવરણ, ઇતિહાસ અને ધરોહર વિશે જ્ઞાત કરવા સૂચવવામાં આવ્યું છે. આ અંક વઢવાણ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓને સ્થાનિક ઇતિહાસ, પર્યાવરણ, ભૌગોલિક બાબતો અને ધરોહર વિશે શીખવશે. આ વિશેષાંકનું વિમોચન જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદભાઈ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ વાઘેલા અને ડાયટના પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. વિમોચન પ્રસંગે 'પલાશ'ના તંત્રી ડૉ. કોમલબેન, વઢવાણ તાલુકાના લિએજન વિમલ દંગી, સમગ્ર શિક્ષામાંથી દિનેશભાઈ સોલંકી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી એમ.જી. રથવી અને વઢવાણ તાલુકાના બીઆરસી નરેશભાઈ બદ્રેશિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. 'વઢવાણની પરકમ્મા' અંકના સંપાદન કાર્યમાં વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકો, જેમાં અસવાર દશરથસિંહનો પણ સમાવેશ થાય છે, તેમનો સહયોગ મળ્યો હતો. ડાયટ દ્વારા સ્થાનિક સાહિત્યની શૃંખલામાં હવે પછી ચોટીલા અને થાન તાલુકાનો સંયુક્ત અંક પડ જૂઓ પાંચાળ બહાર પાડવામાં આવશે. આ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાઓને આવરી લેતું સાહિત્ય તૈયાર કરવાની યોજના છે.
પોરબંદર પેરોલ/ફર્લો સ્કોડે છેતરપિંડીના આરોપીને ઝડપ્યો:ત્રણ માસથી ફરાર આરોપી ભુજમાંથી પકડાયો
પોરબંદર પેરોલ/ફર્લો સ્કોડે સાયબર ક્રાઇમના ગુનામાં ત્રણ મહિનાથી ફરાર આરોપી શુભમકુમાર સુખબીરસિંહ ચૌધરીની ધરપકડ કરી છે. આરોપી મ્યુલ એકાઉન્ટ દ્વારા આર્થિક છેતરપિંડીના ગંભીર ગુનામાં સંડોવાયેલો હતો. કિર્તીમંદિર પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની વિવિધ કલમો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000ની કલમ 66(ડી) હેઠળ ગુનો નોંધાયો હતો. છેલ્લા ત્રણ મહિનાથી તે ફરાર હતો. પોરબંદર પેરોલ/ફર્લો સ્કોડને બાતમી મળી હતી કે આરોપી ભુજ શહેરમાં છુપાયો છે. આ માહિતીના આધારે પોલીસે કાર્યવાહી કરી. બાતમીના આધારે પોલીસ ટીમ તાત્કાલિક ભુજ પહોંચી હતી. પ્રભુ પાર્ક વિસ્તારમાં બી.એસ.એફ. કેમ્પ નજીકથી આરોપી શુભમકુમારને ઝડપી પાડવામાં આવ્યો. પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ તપાસ માટે કિર્તીમંદિર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. પકડાયેલ આરોપીની ઓળખ શુભમકુમાર સુખબીરસિંહ ચૌધરી (ઉંમર 22, જાતે જાટ, રહેવાસી પ્રભુ પાર્ક, કોડકી રોડ, ભુજ, જીલ્લો કચ્છ) તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં આરોપી મ્યુલ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડના અનેક કેસોમાં સંડોવાયેલો હોવાની શક્યતા છે. પોલીસે આરોપીના નેટવર્ક, તેના સાગરીતો અને આર્થિક વ્યવહારો અંગે વિસ્તૃત તપાસ શરૂ કરી છે. આ કાર્યવાહીથી પોરબંદર પોલીસની સાયબર ગુનાઓ સામેની સતર્કતા અને પ્રતિબદ્ધતા પ્રદર્શિત થઈ છે. શહેર અને જિલ્લામાં સાયબર ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
સુરેન્દ્રનગરમાં શહીદ દિવસની ઉજવણી:ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ, પદયાત્રા યોજાઈ
સુરેન્દ્રનગરમાં 23 માર્ચના રોજ 'શહીદ દિવસ' નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના માર્ગદર્શન હેઠળ એમ.પી. શાહ કોમર્સ કોલેજ દ્વારા આ કાર્યક્રમો યોજાયા હતા. આઝાદી માટે પ્રાણની આહુતિ આપનાર શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના હેતુથી યુવાનો અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. મુખ્ય કાર્યક્રમના આગલા દિવસે, યુવાનોમાં નાગરિક જાગૃતિ અને સામૂહિક શ્રમનું મહત્વ સમજાવવા માટે 'શ્રમદાન' પ્રવૃત્તિનું આયોજન કરાયું હતું. ડૉ. રમેશ દાવડાના માર્ગદર્શન હેઠળ વિવિધ યુવા ક્લબોના સહયોગથી બાલ યુવા સંસ્કાર કેન્દ્ર અને જોરાવરનગરના જાહેર બગીચાઓમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ પ્રવૃત્તિનો હેતુ વિદ્યાર્થીઓમાં સ્વચ્છતા અને સામુદાયિક સેવાની ભાવના જાગૃત કરવાનો હતો. શહીદ દિવસની ઉજવણીના ભાગરૂપે માય ભારત, માય રિસ્પોન્સિબિલિટી થીમ પર પદયાત્રાનું આયોજન કરાયું હતું. કોલેજના પ્રાચાર્ય ડૉ. વજાણી, સુશ્રી મીશા, ડૉ. રમેશ દાવડા અને શ્રી ધર્મેશ રાઠોડ દ્વારા પદયાત્રાને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવાયું હતું. યુવાનો સ્વચ્છતા, રાષ્ટ્રીય એકતા અને શહીદોના ગૌરવગાન કરતા પ્લેકાર્ડ્સ સાથે પદયાત્રામાં જોડાયા હતા, જે શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ યાત્રા દ્વારા નાગરિકોમાં દેશપ્રેમ અને સામાજિક જવાબદારી અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એમ.પી. શાહ કોમર્સ કોલેજના સ્ટાફ અને સ્વયંસેવકોના સહયોગથી થયું હતું. કાર્યક્રમના અંતે સામૂહિક રાષ્ટ્રગાન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત યુવાનોએ શહીદોના આદર્શોને જીવનમાં ઉતારી રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અને દેશની એકતા-અખંડિતતા જાળવી રાખવાની પ્રતિજ્ઞા લીધી હતી. આવા આયોજનોથી યુવા પેઢીમાં રાષ્ટ્રપ્રેમ અને જવાબદાર નાગરિકત્વની ભાવના પ્રબળ બને છે.
4 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી પકડાયો:પોરબંદર LCB એ સુરતમાંથી ધરપકડ કરી
પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ચાર વર્ષથી ફરાર છેતરપિંડીના એક આરોપીને સુરતમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી અસ્ફાક અકબરશાહ અબ્દુલ શાહ દિવાનને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં 2022માં નોંધાયેલા ખોટા ટુર પેકેજના નામે છેતરપિંડીના ગુનામાં પકડવામાં આવ્યો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપી અસ્ફાક દિવાને કંસાર હોટલના મીટિંગ હોલમાં ફરિયાદી અને અન્ય લોકોને આકર્ષક ટુર પેકેજની લાલચ આપીને છેતરપિંડી આચરી હતી. આ ગુનો કમલાબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયા બાદ તે ફરાર થઈ ગયો હતો અને છેલ્લા ચાર વર્ષથી પોલીસ પકડથી દૂર હતો. પોરબંદર LCB ને મળેલી ચોક્કસ બાતમીના આધારે જાણવા મળ્યું હતું કે આરોપી હાલ સુરતમાં રહે છે. આ માહિતીના આધારે ASI ઉદય વરુ, મુકેશ માવડીયા અને હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ ઓડેદરાની ટીમને સુરત મોકલવામાં આવી હતી. પોલીસ ટીમે ભરીમાતા રોડ, ફુલવાડી વિસ્તારમાં આવેલી વોટર લીલી બિલ્ડિંગ નજીક નરમાવાલા કોટેજ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલ આરોપી અસ્ફાક અકબરશાહ અબ્દુલ શાહ દિવાન (ઉંમર ૩૩) સુરતમાં A-26, નરમાવાલા કોટેજમાં રહે છે. તેને વધુ પૂછપરછ માટે પોરબંદર LCB ઓફિસ લાવવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીની આ પ્રકારની અન્ય છેતરપિંડીના કેસોમાં પણ સંડોવણી હોવાની શક્યતા છે. પોલીસે તેના નેટવર્ક, સાગરીતો અને આર્થિક વ્યવહારો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
ગીર સોમનાથ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ લાલ આંખ કરતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગેસ રિફીલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેરાવળ તાલુકાના સુપાસી ગામ પાસે વાવડી રોડ પર દરોડો પાડી પોલીસ ટીમે મોટા પ્રમાણમાં ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર તેમજ રિફીલિંગના સાધનો જપ્ત કર્યા છે. ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહીSOG ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે સુપાસી ગામના વાવડી રોડ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી આશરે 30 જેટલા ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, લખમણ વાસા બારડ નામનો શખ્સ આ ગેરકાયદે નેટવર્ક ચલાવતો હતો. સ્થળ પરથી ગેસ ટ્રાન્સફર કરવા માટે વપરાતા જોખમી સાધનો અને નોઝલ પણ કબજે કરવામાં આવ્યા છે. પોલીસ અને પુરવઠા વિભાગની સંયુક્ત તપાસજિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ઇન્ચાર્જ PI ડી.એમ. કાગડા, PSI રીનાબેન સુવા અને તેમની ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. જપ્ત કરાયેલ મુદ્દામાલ મામલતદારને સોંપી પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે. પુરવઠા વિભાગે આ મામલે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાયદેસરની તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષા સામે મોટું જોખમનિષ્ણાતોના મતે, કોઈપણ સુરક્ષા માપદંડો વગર ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગ કરવું અત્યંત જોખમી છે. રહેણાંક વિસ્તારની નજીક ચાલતી આવી પ્રવૃત્તિઓ ગમે ત્યારે મોટા વિસ્ફોટ કે આગ જેવી દુર્ઘટનાને નિમંત્રણ આપી શકે છે. સુપાસી ગામે ઝડપાયેલું આ યુનિટ પણ સ્થાનિક રહીશો માટે મોટો ખતરો સાબિત થઈ શક્યું હોત. કાળાબજારિયાઓ પર તંત્રની નજરઆ ઘટનાએ જિલ્લામાં ગેસના કાળા બજારના નેટવર્કની સક્રિયતા ફરી એકવાર સાબિત કરી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા આગામી દિવસોમાં અન્ય સ્થળોએ પણ તપાસ તેજ કરવામાં આવે તેવી શક્યતા છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ગેસ રિફીલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાને પગલે રાજકોટમાં અંધાધૂંધીનો માહોલ જોવા મળ્યો હતો. ખાનગી નાયરાના કેટલાક પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલનો જથ્થો ખૂટી ગયો હતો જ્યારે સરકારી ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ તેમજ ખાનગી જીઓ અને શેલ સહિતના 361 પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. જોકે આ વચ્ચે જિલ્લા કલેકટર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી કે દરેક પેટ્રોલ પંપ પર ઇંધણનો પૂરતો જથ્થો છે. જેથી લોકો ગભરાટમાં આવી પેટ્રોલ અને ડીઝલ પૂરાવવા ભીડ ન કરે. રાજકોટના અશ્વિનભાઈએ જણાવ્યુ હતુ કે, કોઠારીયા રોડ પર ભારત પેટ્રોલ પંપ પર પેટ્રોલ ખલાસ થઈ ગયુ હતુ. જેથી અહીં સોરઠીયાવાડી પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવવા આવ્યો છું. જેથી હું અહીં પેટ્રોલની ટાંકી ફૂલ કરાવવા આવ્યો છું. અહીં 200 જેટલા લોકોની લાઇન છે. જ્યારે આ જ ઇન્ડિયન ઓઈલના બાલાજી પેટ્રોલ પંપના સંચાલક હરેશભાઈ અણદાણીએ જણાવ્યું હતું કે, અઠવાડિયે 20000 લિટર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો આવે છે. જોકે આજે વહેલી સવારથી પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે લાઇન લાગી છે. અહીં ટુ વ્હીલરમાં રૂ.500 અને ફોર વ્હીલરમાં રૂ.2000 નું પેટ્રોલ પુરાવવા આપીએ છીએ. આ દરમિયાન શહેરના સોરઠીયાવાડી સર્કલ પાસે 80 ફૂટ રોડ પર નાયરાનો પેટ્રોલ પંપ બંધ હાલતમાં જોવા મળ્યો હતો. સંચાલક સચિન પટેલે જણાવ્યું હતું કે, મારે દર બે દિવસે પેટ્રોલ અને ડીઝલનો 20,000 લિટરનો જથ્થો આવે છે જોકે શોર્ટ સપ્લાયને કારણે પેટ્રોલનું વેચાણ બંધ છે. હાલ અહીં ડીઝલનું વેચાણ ચાલુ છે. જોકે 24 માર્ચથી પેટ્રોલનો જથ્થો આવી જતા વેચાણ શરૂ થઈ જશે લોકોએ કોઈ પણ જાતની અફવામાં આવવાની જરૂર નથી. જ્યારે શહેરના મક્કમ ચોક પાસે આવેલા શેલના પેટ્રોલ પંપ પર પણ વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. અહીં ટુ વ્હીલર અને ફોર વ્હીલરની લાંબી લાઇનને લીધે ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાઈ હતી. રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી પેટ્રોલ અને ડીઝલની અછત અંગે વહેતા થયેલા અહેવાલો બાબતે કલેક્ટર ડો. ઓમ પ્રકાશે નાગરિકોને ખાતરી આપતા જણાવ્યુ હતુ કે, જિલ્લાના તમામ પેટ્રોલ પંપો પર ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં 264 અને શહેર વિસ્તારમાં 97 મળીને કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે. જેમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ- ડીઝલનો જથ્થો ઉપલબ્ધ છે. તેલ કંપનીઓ દ્વારા પણ પુરવઠો નિયમિત રીતે પૂરો પાડવામાં આવી રહ્યો છે.નાગરિકોએ ગભરાટમાં આવીને પેટ્રોલ પંપો પર ભીડ કરવાની જરૂર નથી.આ સાથે લોકો ગેરમાર્ગે ન દોરાય તેવી અપીલ કરી હતી.
બોટાદમાં અફવાને કારણે પેટ્રોલ પંપ પર ભીડ:સંચાલકોએ અછત ન હોવાની સ્પષ્ટતા કરી, અફવાઓથી દૂર રહેવા અપીલ
બોટાદ શહેરમાં અફવાઓને કારણે પેટ્રોલ પંપો પર અચાનક ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં વાહનચાલકો પેટ્રોલ ભરાવવા પહોંચી જતાં લાંબી કતારો લાગી ગઈ હતી. શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જોકે, પેટ્રોલ પંપ સંચાલકોએ સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈ પણ પ્રકારની અછત નથી. તેમણે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને ગેરસમજમાં ન આવવા અપીલ કરી છે.
વડોદરા શહેરોમાં આજે સવારના સમયે કેટલાક પેટ્રોલપંપ બંધ જોવા મળ્યા હતા. જેના કારણે પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવા ડરના કારણે વાહનચાલકો પેટ્રોલ પંપ પર પહોંચવા લાગ્યા હતા અને પેટ્રોલ પુરાવવા માટે દોડધામ કરી મુકી છે. સાંજ પડતા જ વડોદરા શહેરના પેટ્રોલ પંપો પર લાંબી લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. વડોદરામાં સાંજ સાંજ પડતા પડતા તમામ વિસ્તારોમાં પેટ્રોલ પુરાવવા માટે વાહન ચાલકોએ પેટ્રોલ પંપો ઉપર લાંબી લાંબી લાઈનો લગાવી છે. વડસર બ્રિજ પાસે તો પેટ્રોલ પુરાવવા લાંબી લાઈન લાગતા ટ્રાફિક જામ થઈ ગયો છે. લોકો પોતાના વાહનોની ટાંકી ફુલ કરાવી રહ્યા છે. લોકોમાં પેટ્રોલ પૂરી થઈ જવાની અફવાને લઈને ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકો પોતાના વાહનોની ટાંકીઓ ફૂલ કરાવી રહ્યા છે. વાહન ચાલક મહિલા જેનિશાએ જણાવ્યું હતું કે, હવે પેટ્રોલ તો પુરાવવું જ પડે ને. ગાડી વાપરવી હોય અને અચાનક કંઈ ઈમરજન્સી આવી જાય, તો એના માટે આપણે પહેલેથી જ તૈયારી રાખવી પડે. મેં ટાંકી ફૂલ કરાવી દીધી છે. જો એકદમ ઈમરજન્સી આવે અને આપણી પાસે ફૂલ ટાંકી હોય તો એ આપણા માટે જ કામ લાગે, બસ એ જ કારણથી અત્યારે પેટ્રોલ પુરાવી લીધું છે. ગભરાટમાં ન આવવું જોઈએ, એ ખોટું છે. પેટ્રોલ તો મળવાનું જ છે. પણ આ તો કેવું છે કે 'નહીં મળે, નહીં મળે' એમ સમજીને બધા લાઈનમાં ઊભા રહી ગયા છે અને પેટ્રોલ પુરાવવા દોડી આવ્યા છે. વાહન ચાલક ઋત્વિક પટેલે જણાવ્યું હતું કે, મોદીજી જે રીતે પગલાં લઈ રહ્યા છે, તે યોગ્ય છે. અગાઉ કોરોના કાળમાં પણ આપણે આ રીતે જ લડત આપી હતી, એટલે અત્યારથી જ સાવચેતી રાખવી એ આપણા સૌના હિતમાં છે. આપણે સરકારને પૂરેપૂરો સહકાર આપવો જોઈએ. અન્ય વાહન ચાલકે જણાવ્યું હતું કે, યુદ્ધની અસરો ખરેખર ખૂબ જ ગંભીર છે. જોકે જે બે દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે તેની સાથે આપણો સીધો કોઈ લેવાદેવા નથી, છતાં તેની અસર આપણા દેશ પર પણ જોવા મળી રહી છે, જે ખરેખર વિચારવા જેવી બાબત છે. આપણે માત્ર એટલું જ પેટ્રોલ લેવું જોઈએ જેટલી આપણને જરૂર હોય. જો આપણે બધું જ પેટ્રોલ લઈ લઈએ તો બીજા લોકોને તકલીફ પડી શકે છે. એટલે આપણે પેનિક થવાની કોઈ જરૂર નથી. વાહન ચાલક સંજયભાઈએ જણાવ્યું હતું કે, મેં એવી વાતો સાંભળી છે કે પેટ્રોલ ખૂટી જશે અને પેટ્રોલની અછત સર્જાશે. એટલે મેં વિચાર્યું કે પેટ્રોલ ભરાવી લઉં, તેથી હું અત્યારે અહીં લાઈનમાં ઊભો રહ્યો છું. પેટ્રોલ વગર તો કેવી રીતે ચાલશે? અમારા રોજિંદા જીવનમાં અને અવરજવરમાં તેનાથી બહુ મોટી તકલીફ પડશે. સરકારે આ બાબતે અગાઉથી જ કોઈ વ્યવસ્થા કરવી જોઈએ અથવા કોઈ બીજો વિકલ્પ વિચારવો જોઈએ, એવી અમે સરકાર પાસે આશા રાખીએ છીએ. શહેરમાં બધે જ લાઈનો લાગેલી છે. હવે શું કરીએ? અત્યારે તો બધાને એવું જ છે કે જલ્દી પેટ્રોલ ભરાવી લઈએ. બસ એ જ માટે અમે અહીં આવ્યા છીએ.
ગોધરા તાલુકાના ઓરવાડા તળાવમાં ડૂબી ગયેલા 40 વર્ષીય યુવાન રાજેશ પગીનો મૃતદેહ માત્ર 10 મિનિટમાં શોધી કાઢવામાં આવ્યો છે. ગોધરા ફાયર વિભાગ દ્વારા ઉપયોગમાં લેવાયેલી AI અંડર વોટર સોનાર સ્કેનર ટેકનોલોજી આ કિસ્સામાં અત્યંત કારગર સાબિત થઈ. ઓરવાડા ગામે અગમ્ય કારણોસર રાજેશભાઈ પગી તળાવના ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે તેમનું કરુણ મૃત્યુ થયું. ઘટનાની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. સામાન્ય રીતે તળાવના ઊંડા પાણીમાં મૃતદેહ શોધવામાં કલાકો કે દિવસો લાગી શકે છે. જોકે, આ કિસ્સામાં ફાયર વિભાગે પ્રથમ વખત 'AI અંડર વોટર સોનાર સ્કેનર'નો ઉપયોગ કર્યો. આ આધુનિક મશીનની મદદથી માત્ર 10 મિનિટના ટૂંકા ગાળામાં મૃતદેહનું ચોક્કસ સ્થાન શોધી કાઢવામાં આવ્યું અને તેને બહાર કાઢવામાં સફળતા મળી. આ 'અંડર વોટર સોનાર સ્કેનર' ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ, ગાંધીનગર દ્વારા ગોધરા ફાયર વિભાગને ફાળવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા પૂરા પાડવામાં આવેલા આવા હાઈ-ટેક ઉપકરણો આપત્તિના સમયે જીવન બચાવવામાં અને રાહત કાર્યમાં કેટલા મદદરૂપ થઈ શકે છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સહિત પ્રાંતિજ અને ઇડર તાલુકામાં સોમવારે સાંજે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. પેટ્રોલ નહીં મળે તેવી અફવાઓ અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી ખોટી માહિતીને કારણે લોકો પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા હતા. હિંમતનગરમાં પ્રતાપગઢ, મહાવીરનગર અને નમસ્કાર સર્કલ પાસે આવેલા સંઘના પેટ્રોલ પંપ સહિતના વિવિધ સ્થળોએ કાર અને મોપેડ ચાલકોની લાંબી લાઈનો લાગી હતી. આ અંગે હિંમતનગરના પ્રતાપગઢ પેટ્રોલ પંપના અતુલ શાહે જણાવ્યું હતું કે, હાલમાં પેટ્રોલ અને ડીઝલના ટેન્કર નિયમિત આવી રહ્યા છે અને ગ્રાહકોને પેટ્રોલ-ડીઝલ પૂરું પાડવામાં આવી રહ્યું છે. જોકે, આજે અચાનક વાહનચાલકો પેટ્રોલ ભરાવવા મોટી સંખ્યામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે, દરેક વાહનચાલક મોપેડની ટાંકી પૂરી ભરાવી રહ્યા છે, જ્યારે કારમાં પણ ડીઝલ ફૂલ કરાવી રહ્યા છે. આ પરિસ્થિતિ અફવાઓને કારણે સર્જાઈ હોવાનું તેમણે જણાવ્યું હતું.
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાવાની અફવાઓ વાયુવેગે ફેલાઈ હતી. આ અફવાને કારણે શહેરના વિવિધ પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. જોકે, તંત્રએ જણાવ્યું છે કે, ઈંધણનો પૂરતો સ્ટોક છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. ગોધરાના શહેરા ભાગોળ વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપો પર પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી, જ્યાં વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહીને પોતાના વાહનોમાં ઈંધણ ભરાવી રહ્યા હતા. વાહનચાલકોમાં એવી ચર્ચા હતી કે પેટ્રોલ-ડીઝલનો પુરવઠો ખૂટી પડશે, જેના કારણે લોકો ગભરાઈને પોતાના વાહનોમાં ઈંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા. કેટલાક વાહનચાલકોએ જણાવ્યું કે તેમને અછતની વાત સાંભળીને પેટ્રોલ ભરાવવા આવવું પડ્યું છે. દિવ્ય ભાસ્કરની ટીમે જ્યારે પેટ્રોલ પંપના માલિક સાથે વાતચીત કરી, ત્યારે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. પુરવઠામાં કોઈ જ ખામી નથી અને માત્ર અફવાઓને કારણે લોકો ગભરાઈને એકસાથે પેટ્રોલ પુરાવવા આવી રહ્યા છે. સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પણ લોકોને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોમાં અફવા બાદ હવે મહેસાણા જિલ્લામાં પણ પેટ્રોલ પુરાવવા માટે વાહનચાલકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ ખૂટી જશે અથવા નહીં મળે તેવી સોશિયલ મીડિયા અને લોકમુખે વહેતી થયેલી અફવાઓને પગલે લોકોમાં ફાળ પડી છે.જેના કારણે જિલ્લાના મુખ્ય શહેરો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર મોડી સાંજ સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.ભાસ્કર પણ અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથી. અફવાથી પંપો પર લાઈનો લાગીમહેસાણા શહેરના અનેક સમાન વિસ્તારોથી માંડીને સતલાસણા, ખેરાલુ, વિસનગર અને કડી જેવા તાલુકા મથકોએ પણ સ્થિતિ કંઈક આવી જ જોવા મળી રહી છે. બપોરના સમયથી જ પેટ્રોલ પંપો પર લાઈનો લાગવાની શરૂઆત થઈ હતી જે રાત પડતા સુધી વધુ લાંબી બની હતી. અનેક પંપો પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને વાહનચાલકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે કલાકો સુધી રાહ જોતા નજરે પડ્યા હતા. વાહનોની કતારોને લીધે ટ્રાફિકની સમસ્યા પેટ્રોલ નહીં મળે તેવી ભીતિને કારણે સર્જાયેલી આ અચાનક ભીડને લીધે પંપ સંચાલકોને પણ વ્યવસ્થા જાળવવામાં મુશ્કેલી પડી રહી છે. તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે, છતાં નાગરિકોમાં ગભરાટ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. અફવાઓને કારણે સર્જાયેલી આ કૃત્રિમ ખેંચને પગલે શહેરના મુખ્ય માર્ગો પર પણ વાહનોની કતારોને લીધે ટ્રાફિકની સમસ્યા વકરી છે. ભાસ્કર અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથીરાજ્યભરમાં પેટ્રોલની કટોકટીની ચાલતી અફવા ફેલાતા જ બપોર પડતા જ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે. જો કે સાંજ પડતા સ્થિતિ ગંભીર બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કલેક્ટર, મીડિયા તથા પોલીસ પેનિક ન કરવા માટેની અપીલ કરી રહ્યા છે.
ગુજરાત કોમર્સ કોલેજમાં ઉદિશા પ્રકલ્પ અંતર્ગત અને વેબસંકુલના સંયુક્ત આયોજનથી “Sankalp to Siddhi: Master the Strategy to Crack GPSC, UPSC GSSSB” વિષય પર સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતું.કાર્યક્રમની શરૂઆત પ્રેરણાદાયક સંસ્કૃત સુભાષિત સાથે કરવામાં આવી હતી.“उद्यमेन हि सिध्यन्ति कार्याणि न मनोरथैः।न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥” આ સુક્તિનો અર્થ એ છે કે સફળતા માત્ર ઈચ્છાથી નહીં પરંતુ સતત પ્રયત્ન અને મહેનતથી પ્રાપ્ત થાય છે.આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે બ્રિજરાજસિંહ ગોહિલ અને સુજિત ધનકેચા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે GPSC, UPSC અને GSSSB જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જરૂરી વ્યૂહરચના, અભ્યાસની પદ્ધતિ, સમય વ્યવસ્થાપન અને પ્રેરણાદાયક માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપ્યું. આ કાર્યક્રમમાં કુલ 170 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. જેમાંથી 120થી વધુ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.વિદ્યાર્થીઓએ કાર્યક્રમ પ્રત્યે ઉત્સાહભેર પ્રતિસાદ આપ્યો.વેબસંકુલ સંસ્થા દ્વારા કોલેજ લાઇબ્રેરીને મફત પુસ્તકોનું દાન આપવામાં આવશે તેમજ ગુજરાત કોમર્સ કોલેજ(મોર્નિંગ)ના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહિનાનો મફત ઓનલાઈન ઍક્સેસ પણ આપવામાં આવશે. આ સમગ્ર સેમિનારનું સફળ આયોજન ડૉ. પાર્થ રશ્મિકાંત ભટ્ટ (કોર્ડિનેટર – ઉદિશા) દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એ. એસ. પ્રજાપતિ દ્વારા કાર્યક્રમને માર્ગદર્શન અને આશીર્વાદ આપવામાં આવ્યા હતા. કોલેજના તમામ પ્રાધ્યાપકોની ઉપસ્થિતિએ કાર્યક્રમને વધુ ગૌરવપૂર્ણ અને ગરિમામય બનાવ્યો.અંતે વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સતત પ્રયત્ન, યોગ્ય દિશા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રેરણા આપવામાં આવી.
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ રહી છે. અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મહાનગરો બાદ હવે મહીસાગર જિલ્લામાં પણ તેની અસર જોવા મળી રહી છે. જિલ્લા મથક લુણાવાડા શહેરમાં આવેલા બે પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનોમાં ઇંધણ ભરાવવા માટે ઉમટી પડ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, લોકોએ અફવાઓમાં આવીને લાઇનો લગાવવાની જરૂર નથી. લુણાવાડાના એક પેટ્રોલ પંપના સંચાલક સાથેની મૌખિક વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, 'જથ્થો પૂરતો છે, અછત જેવું કંઈ નથી.' આમ છતાં, અફવાના કારણે વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
રાજ્યના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલની તીવ્ર અછત વર્તાઈ રહી હોવાની અફવા ફેલાઈ હતી. જેમાં ગાંધીનગર શહેરના અનેક પેટ્રોલ પંપ પર 'નો સ્ટોક'ના બોર્ડ લટકી ગયા. ઇંધણની અછતની અફવા વચ્ચે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે સવારથી જ સ્થિતિ ગંભીર જોવા મળી હતી. જે પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ છે, ત્યાં વાહનોની એકથી દોઢ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલ તંત્રએ કહ્યું કે, પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ છે, ગભરવાની જરૂર નથી અને પેનિક થશો નહીં. ભાસ્કર પણ અપીલ કરે છે, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક છે. કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને વાહનમાં ઈંધણ ભરાવા લાઈન લાગીગાંધીનગરમાં આજે સવારથી જ પેટ્રોલ પંપો પર ઇંધણ માટે સ્થિતિ ગંભીર જોવા મળી હતી. જે પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ છે ત્યાં વાહનોની એકથી દોઢ કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને પોતાના વાહનમાં ઈંધણ ભરાવવા માટે મજબૂર બન્યા છે. ખોટી અફવાઓથી ગભરાશો નહીંઆ લાંબી કતારોને કારણે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. જેના કારણે નોકરીયાત વર્ગ અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 'ક્રૂડ ઓઇલની અછતને કારણે આગામી દિવસોમાં પેટ્રોલના ભાવમાં મોટો ઉછાળો આવશે અથવા સપ્લાય સાવ બંધ થઈ જશે' તેવી અફવાઓ અને ડરને કારણે લોકો ઇંધણની પેનિક બાયિંગ જોવા મળી રહી છે. વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે પડાપડી દેખાઈઘણા વાહનચાલકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે પડાપડી કરી રહ્યા છે, જેને કારણે ઉપલબ્ધ સ્ટોક પણ ઝડપથી ખાલી થઈ રહ્યો છે. તો ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતામાં વધારો થયો હતો. માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ રાંધણ ગેસ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધવાની શક્યતાએ ગરીબ પરિવારોની ચિંતા વધારી દીધી. શહેરના સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે તો પરિવહન ખર્ચ વધવાથી શાકભાજી અને અન્ય ચીજો પણ મોંઘી થશે. ત્યારે પેટ્રોલ પંપ પર ઉભેલા નાગરિકોએ સરકારને નમ્ર અપીલ કરી છે કે આ સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. લોકોની માંગ છે કે સરકારે ઈંધણનો પૂરતો જથ્થો પૂરો પાડવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેથી સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓ ઓછી થઈ શકે. જોકે તંત્ર અને ભાસ્કર અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથીરાજ્યભરમાં પેટ્રોલની કટોકટીની ચાલતી અફવા ફેલાતા જ બપોર પડતા જ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે. જો કે સાંજ પડતા સ્થિતિ ગંભીર બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કલેક્ટર, મીડિયા તથા પોલીસ પેનિક ન કરવા માટેની અપીલ કરી રહ્યા છે.
બોટાદ જિલ્લામાં તાંત્રિક વિધિના બહાને ભોળા લોકોને ડરાવી લાખો રૂપિયા પડાવતી ટોળકીનો પર્દાફાશ થયો છે. નાગલપર ગામના 3 શખ્સોએ ભુવાની આડમાં એક રત્નકલાકાર પરિવારને વિશ્વાસમાં લઈ, મેલીવિધિનો ડર બતાવી કુલ 16 લાખથી વધુની રોકડ અને દાગીના હડપ કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે બોટાદ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઓળખાણનો લાભ લઈ જાળ બિછાવીઘટનાની વિગત મુજબ, બોટાદના ગઢડા રોડ પર રહેતા રત્નકલાકાર સોમાભાઈ નાકીયાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. નાગલપર ગામના ઘનશ્યામ રૂપેલીયા, સંજય ચૌહાણ (ભુવો) અને અલ્પેશ રૂપેલીયા નામના શખ્સોએ જૂની ઓળખાણનો ગેરલાભ ઉઠાવ્યો હતો. આરોપીઓએ શરૂઆતમાં ઉછીના નાણાં મેળવ્યા બાદ પરિવાર પર તાંત્રિક વિધિનો પ્રયોગ શરૂ કર્યો હતો. મેલીવિધિ અને ટોટકાનો ભય બતાવી લૂંટ ચલાવીઆરોપી સંજય ચૌહાણે ભુવા તરીકે રત્નકલાકારના પરિવારને મેલીવિધિ, ટોટકા અને વિવિધ ધાર્મિક વિધિઓના નામે ડરાવી પોતાના વશમાં કરી લીધા હતા. પરિવારની મુશ્કેલીઓ દૂર કરવાના બહાને આરોપીઓએ કટકે-કટકે સોનાના દાગીના અને રોકડ મળી કુલ 16 લાખ રૂપિયાની મતા પડાવી લીધી હતી. રત્નકલાકારે જ્યારે પોતાના નાણાં અને દાગીના પરત માંગ્યા ત્યારે આરોપીઓએ ગલ્લાતલ્લા કરતા છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. પોલીસ કાર્યવાહી અને અપીલઆરોપીઓએ વારંવારની માંગણી છતાં મતા પરત ન આપતા અંતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બોટાદ પોલીસે છેતરપિંડી અને તાંત્રિક વિધિ સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. DYSPની જનતાને અપીલ સાવચેત રહોબોટાદના DYSP મહર્ષિ રાવલે જનતાને અપીલ કરી છે કે, કોઈ પણ વ્યક્તિએ અંધશ્રદ્ધા, ભુવા કે તાંત્રિક વિધિના લોભમાં ફસાવવું નહીં. આવી કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.
અમદાવાદ શહેરમાં મહિલા સશક્તિકરણના હેતુથી Grihshobha EmpowerHer Eventનું યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ સિલ્વરક્લાઉડ હોટેલ એન્ડ બેન્ક્વેટ્સ, આશ્રમ રોડ, વાડજ, અમદાવાદ યોજાયો હતો. આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને તેમના સ્વાસ્થ્ય, આત્મવિશ્વાસ અને કારકિર્દી વિકાસ સંબંધિત વિષયો પર માર્ગદર્શન અને પ્રેરણા પૂરીપાડવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ વિષયો પર ખાસ સત્રોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.. જેમાં મહિલાઓનું આરોગ્ય અને વેલનેસ, આત્મવિશ્વાસ અને વ્યક્તિગત વિકાસ, તેમજ મહિલાઓ માટે કારકિર્દીની તકો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી આ કાર્યક્રમમાં જાણીતા નિષ્ણાતો અને પ્રેરણાદાયી વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. તેઓ મહિલાઓને પોતાના જીવનમાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળ્યું ઇવેન્ટમાં વિવિધ પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સ અને સંસ્થાઓ સહયોગ આપ્યો હતો.. આ સહયોગીઓમાં જ્વેલરી, ફાઇનાન્સ અને સલામતી ક્ષેત્રના ભાગીદારોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ મહિલાઓ માટે એક ઉત્તમ મંચ સાબિત થશે, જ્યાં તેઓ નવી જાણકારી મેળવી શકશે, પોતાના અનુભવો શેર કરી શકશે અને અન્ય મહિલાઓ સાથે જોડાઈ શકશે.
વૈશ્વિક સ્તરે ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવની અસર હવે સ્થાનિક સ્તરે જોવા મળી રહી છે. યુદ્ધને કારણે ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલની તંગી સર્જાશે તેવી આશંકા અને સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓને કારણે જૂનાગઢના કાળવા ચોક સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોની ભારે ભીડ ઉમટી પડી છે. લોકોમાં ભય છે કે આગામી દિવસોમાં ઈંધણ મળતું બંધ થઈ જશે, જેના કારણે સવારથી જ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. જૂનાગઢના મુખ્ય ગણાતા કાળવા ચોક વિસ્તારમાં આવેલા બંને પેટ્રોલ પંપ પર વાહનોની કતારો એટલી વધી ગઈ હતી કે સામાન્ય દિવસો કરતા દોઢાથી બમણા વેચાણને કારણે પેટ્રોલનો જથ્થો શૂન્ય થઈ ગયો હતો. સ્ટોક ખાલી થઈ જતાં પંપ સંચાલકોને કામગીરી સ્થગિત કરવાની ફરજ પડી હતી. જોકે, સંચાલકોએ ખાતરી આપી છે કે રાત્રિ સુધીમાં નવી ગાડીઓ આવી જતાં પુરવઠો ફરી રાબેતા મુજબ શરૂ થઈ જશે. શું કહે છે પેટ્રોલ પંપના માલિક ? જૂનાગઢના પેટ્રોલ પંપ માલિક બ્રિજેશ કુકડીયાએ પરિસ્થિતિ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, કંપની તરફથી પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સતત મળી રહ્યો છે, કોઈ અછત નથી. પરંતુ અફવાને કારણે લોકો જરૂર કરતા વધુ ઈંધણ ભરાવી રહ્યા છે, જેને લીધે સ્ટોક જલ્દી ખાલી થઈ જાય છે. અમુક પંપો પર ગાડી પહોંચવામાં વિલંબ થવાથી 2-3 કલાક માટે 'ડ્રાય' જેવી સ્થિતિ સર્જાય છે. હાલ અમારી પાસે ડીઝલ ઉપલબ્ધ છે અને પેટ્રોલની ગાડી રસ્તામાં છે, જે સાંજ સુધીમાં આવી જશે. રાજ્યભરમાં અસરો અને સરકારની એક્શન જૂનાગઢ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. પરિસ્થિતિ વણસતા રાજ્ય સરકાર પણ એક્શનમાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જનતાને સંબોધતા કહ્યું છે કે, રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. સરકારે તમામ પંપો પર સપ્લાય ચાલુ રહે તેવી વ્યવસ્થા કરી છે. નાગરિકોએ પાયાવિહોણી અફવાઓમાં આવીને પંપો પર લાઈનો લગાવવાની જરૂર નથી.
જૂનાગઢ જિલ્લાના માણાવદર ઘટકમાં આવેલા નાકરા ગામે ‘પોષણ સંગમ’ અભિયાનને વધુ વેગવંતું બનાવવાના ઉમદા હેતુ સાથે 1 દિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના બાળક સુધી પોષણક્ષમ સેવાઓ પહોંચાડી સમગ્ર વિસ્તારને કુપોષણની સમસ્યામાંથી મુક્તિ અપાવવાનો છે. ટેકનિકલ માર્ગદર્શન અને વિભાગીય સંકલનઆ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા કર્મયોગીઓને અભિયાનની સફળતા માટે જરૂરી ટેકનિકલ અને વહીવટી પાસાઓનું ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ખાસ કરીને આઈ.સી.ડી.એસ. (ICDS) અને આરોગ્ય વિભાગ વચ્ચે પરસ્પર સંકલન સાધીને કામગીરીને વધુ અસરકારક કઈ રીતે બનાવી શકાય, તે અંગેની વ્યુહરચના પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. CMAM અને EGF કામગીરી પર વિશેષ ભારવર્કશોપ દરમિયાન CMAM (કમ્યુનિટી બેઝ્ડ મેનેજમેન્ટ ઓફ એક્યુટ માલન્યુટ્રીશન) અને EGFની કામગીરીના સુદ્રઢ અમલીકરણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, અગાઉ થયેલી શ્રેષ્ઠ કામગીરીની સાફલ્યગાથાઓ પણ રજૂ કરવામાં આવી હતી, જે ઉપસ્થિત કર્મચારીઓ માટે પ્રેરણારૂપ બની હતી. ભવિષ્યનું આયોજન અને નવો ઉત્સાહઆગામી સમય માટે સચોટ માઇક્રો-પ્લાનિંગ તૈયાર કરી ધરાતલ પરની કામગીરીમાં ગુણાત્મક સુધારો લાવવા માટે કર્મચારીઓ પાસેથી મૂલ્યવાન સૂચનો મેળવવામાં આવ્યા હતા. આ તાલીમબદ્ધ વર્કશોપથી આરોગ્ય અને આઈ.સી.ડી.એસ.ના કર્મચારીઓમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. આ સામૂહિક પ્રયાસો ‘પોષણ સંગમ’ કાર્યક્રમની સફળતામાં પાયાનું યોગદાન આપશે તેવો અતૂટ વિશ્વાસ અખબારી યાદીમાં વ્યક્ત કરવામાં આવ્યો છે.
ભાવનગર સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ મળતું બંધ થઈ જશે તેવી આપવાના કારણે ઠેર ઠેર પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. છેલ્લા થોડા સમયથી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવાઓ વહેતી થઈ છે. ત્યારે આ બાબતે તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઉપલબ્ધઆ અંગે ભાવનગર અધિક કલેકટર એન.ડી.ગોવાણીએ જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો જથ્થો નિયમિત રીતે મળી રહ્યો છે, અફવાઓને કારણે લોકો પેટ્રોલ પંપ પર બિનજરૂરી લાઈનો લગાવી રહ્યા છે, જે ટાળવી જોઈએ, વહીવટી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ‘ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી’તેને વધુમાં કહ્યું, સપ્લાય ચેઈન જાળવી રાખવા માટે પૂરતા પગલાં લેવામાં આવ્યા છે. નાગરિકોએ ગભરાવાની કે ખોટી અફવાઓ પર વિશ્વાસ કરવાની જરૂર નથી. જરૂરિયાત મુજબ જ ઇંધણ ભરાવો અને પંપ પર બિનજરૂરી ભીડ કરવાનું ટાળો. નાગરિકોને નમ્ર અપીલ છે કે જવાબદાર નાગરિક તરીકે માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવી.
રાજકોટ સહિત રાજ્યની મહાપાલિકાઓમાં આગામી 31 માર્ચ સુધીમાં ચૂંટણીના પડઘમ વાગવાની પૂરેપૂરી સંભાવના છે. હાલમાં આ મહાનગરોમાં ચૂંટાયેલી પાંખનું અસ્તિત્વ નથી અને વહીવટદારો દ્વારા શાસન ચલાવાઈ રહ્યું છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આચારસંહિતા લાગુ થઈ ન હોવાથી, રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વિકાસ કાર્યોને વેગ આપી જનતા સમક્ષ નવા પ્રોજેક્ટ્સ મૂકવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. આ ક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાજકોટ તેડાવી કરોડોનાં લોકાર્પણ અને ખાતમુહુર્ત કરાવવા મનપા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર આચારસંહિતા પહેલા અનેક મોટા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાવવા મનપા તંત્ર દ્વારા ગત સપ્તાહે સમય માંગવામાં આવ્યો હતો. પરંતુ સમય ન મળતા લોકાર્પણ અને ખાતમુહૂર્ત પેન્ડીંગ છે. હવે તા.28 શનિવારે સંભવત: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટ આવે તેવી શક્યતા છે. જેને લઈને કોર્પોરેશન ઉપરાંત જિલ્લા કલેકટર તેમજ પોલીસ તંત્ર દ્વારા ફરી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આગામી શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના મહેમાન બને ત્યારે તેમના હસ્તે કોર્પોરેશનના રૂ.751 કરોડના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરવામાં આવશે. સાથે જ મુખ્યમંત્રીની જાહેર સભાનું પણ આયોજન ગોઠવાય તેવી સંભાવના છે. રૂ. 751 કરોડના વિકાસ કામોની ભેટ: લોકાર્પણ અને ખાતમુહુર્ત રાજકોટના મહેમાન બનનારા મુખ્યમંત્રીના હસ્તે કુલ રૂ. 751 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે. આ પૈકી મોટાભાગના કામો તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી બેઠકમાં મંજૂર કરવામાં આવ્યા હતા. 1. અંદાજે રૂ. 190 કરોડના કામોનું લોકાર્પણ:મુખ્યમંત્રીના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં પૂર્ણ થયેલા 5 થી 6 મોટા પ્રોજેક્ટ્સ જનતા માટે ખુલ્લા મુકાશે. જેમાં સૌથી મહત્વનું પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત 1000 થી વધુ આવાસોનું લોકાર્પણ છે. આ સિવાય અન્ય જે કામો પૂર્ણતાના આરે છે તેનું પણ લોકાર્પણ કરી દેવામાં આવશે જેથી આચારસંહિતા પૂર્વે તેનો લાભ નાગરિકોને મળતો થઈ જાય. 2. રૂ. 561 કરોડના કામોના ખાતમુહુર્ત:તંત્ર દ્વારા અંદાજે 40 જેટલા નવા વિકાસ કામોના ખાતમુહુર્તની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબના કામોનો સમાવેશ થાય છે. * વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ: ન્યારી ડેમ ખાતે શહેરની વધતી વસ્તીને ધ્યાને રાખીને 150 MLD ની ક્ષમતાનો વિશાળ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાકાર થશે. * જ્યુબેલી શાકમાર્કેટ: શહેરની ઐતિહાસિક જ્યુબેલી શાકમાર્કેટનું રિનોવેશન અને આધુનિકીકરણ કરવામાં આવશે. * સ્પોર્ટ્સ અને ફાયર સુવિધા: વોર્ડ નં. 4 માં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, કનક રોડ સ્થિત ફાયર સ્ટેશનનું નવીનીકરણ અને વોર્ડ નં. 15 માં અંદાજે રૂ. 30 કરોડના ખર્ચે નવા ફાયર સ્ટેશનના કામનું ખાતમુહુર્ત કરાશે. ચૂંટણી લક્ષી વ્યૂહરચના અને જાહેર સભા રાજકીય વિશ્લેષકોના મતે, વિધાનસભાનું સત્ર પૂર્ણ થયા બાદ અને વડાપ્રધાનની આગામી તા. 31 ની મુલાકાત પછી રાજ્ય ચૂંટણી પંચ ગમે ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ચૂંટણી જાહેર થયા બાદ આચારસંહિતાને કારણે કોઈ પણ નવા કામો શરૂ કરી શકાતા નથી, તેથી રાજ્ય સરકાર વિકાસ કામોના પ્રચાર-પ્રસાર માટે આ તક ઝડપી લેવા માંગે છે. આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની એક વિશાળ જાહેર સભાનું આયોજન પણ વિચારાઈ રહ્યું છે, જે એક રીતે આગામી મહાપાલિકા ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ સમાન બની રહેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીની આ મુલાકાત માટે મનપા કમિશ્નર દ્વારા સીએમઓમાંથી સમય માંગવામાં આવ્યો છે. જોકે હજુસુધી સીએમઓમાંથી ફાઇનલ તારીખની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વિભાગોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને શનિવારના સંભવિત કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્થળ પસંદગી ઉપરાંત અન્ય વહીવટી પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. અને કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એકાદ દિવસમાં સીએમઓમાંથી સત્તાવાર પુષ્ટિ મળતા જ આ અંગે જાહેરાત કરી દેવામાં આવશે.
હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ ના મક્કમ નિર્ધાર સાથે જૂનાગઢ જિલ્લો ક્ષય મુક્ત બનવા તરફ ઝડપભેર આગળ વધી રહ્યો છે. 24 માર્ચ - 'વિશ્વ ક્ષય દિવસ' ના પૂર્વસંધ્યાએ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા ટીબી નાબૂદી માટેના રોડમેપની જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025 સુધીમાં જિલ્લાની કુલ 493 ગ્રામ પંચાયતોમાંથી 329 પંચાયતો (67%) ટીબી મુક્ત જાહેર થઈ ચૂકી છે, જે જિલ્લાની મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. પંચાયતોનું બહુમાન: ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ સર્ટિફિકેટજિલ્લા ક્ષય અધિકારી ચંદ્રેશ વ્યાસના જણાવ્યા અનુસાર, ટીબી મુક્ત જાહેર થયેલી 329 પંચાયતોને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ આવતીકાલે સન્માનિત કરવામાં આવશે. જેમાં 118 પંચાયતોને ગોલ્ડ, 120 ને સિલ્વર અને 91 પંચાયતોને બ્રોન્ઝ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. આ પહેલનો હેતુ ગ્રામીણ સ્તરે જાગૃતિ વધારી અન્ય ગામોને પણ પ્રેરણા પૂરી પાડવાનો છે. 100 દિવસનું ખાસ 'કેસ ડિટેક્શન' અભિયાનવિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લામાં '100 Days TB Case Detection Campaign' નો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન હેઠળ આશા બહેનો અને આરોગ્ય કાર્યકરો દ્વારા 'Vulnerability Mapping' કરી 60 વર્ષથી વધુ વયના લોકો, ડાયાબિટીસના દર્દીઓ અને કુપોષિત વ્યક્તિઓની વિશેષ તપાસ કરવામાં આવશે. જો કોઈને 2 અઠવાડિયાથી વધુ ખાંસી, તાવ કે વજન ઘટવા જેવા લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. અદ્યતન સુવિધાઓ અને નિદાન મફતજિલ્લામાં ટીબીના સચોટ નિદાન માટે દરેક તાલુકા કક્ષાએ 2 CBNAAT અને 8 TRUNAAT મશીનો કાર્યરત છે. સિવિલ હોસ્પિટલ ખાતે 50 બેડનો સ્પેશિયલ ટીબી વોર્ડ પણ ફાળવવામાં આવ્યો છે. દર 1,00,000 ની વસ્તીએ 3,000 થી વધુ ગળફાની તપાસ કરવામાં આવે છે. આ ઉપરાંત, અંતરિયાળ અને જોખમી વિસ્તારોમાં મોબાઈલ એક્સ-રે મશીન દ્વારા ઘરે જઈને નિદાનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ છે. 'નિક્ષય મિત્ર' યોજના: અધિકારીઓ બન્યા સહભાગીઆ જન આંદોલનમાં જનભાગીદારી વધારવા માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ પોતે 'નિક્ષય મિત્ર' બનીને જોડાયા છે. આ યોજના હેઠળ દાતાઓ દર્દીઓને દત્તક લઈ તેમને પોષણયુક્ત આહાર કીટ પૂરી પાડે છે. વર્ષ 2025 દરમિયાન અત્યાર સુધીમાં 892 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થયા છે. મફત સારવાર અને સહાયસરકાર દ્વારા સામાન્ય ટીબી માટે 6 માસ અને હઠીલા ટીબી (BPALM) માટે 6.5 માસની સારવાર સંપૂર્ણ મફત અપાય છે. આ સાથે દર્દીના સંપર્કમાં આવતા લોકોને રોગથી બચાવવા 'Preventive Therapy' (TPT) પણ આપવામાં આવે છે. આમ, વહીવટી તંત્ર અને જનભાગીદારીના સમન્વયથી જૂનાગઢ જિલ્લો ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાકાર કરવા મક્કમ છે.
રાજ્યભરમાં પેટ્રોલની કટોકટીની ચાલતી અફવા ફેલાતા જ બપોર પડતા જ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની લાંબી કતારો લાગી છે. જો કે સાંજ પડતા સ્થિતિ ગંભીર બનતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કલેક્ટર, મીડિયા તથા પોલીસ પેનિક ન કરવા માટેની અપીલ કરી રહ્યા છે. સુરતમાં પેટ્રોલ પંપો પર લાઇનો લાગતા પરિસ્થિતિ ગંભીર બની હતી. જેને પગલે પોલીસ વ્યવસ્થા સંભાળવા મેદાને પડી હતી. પોલીસે કહ્યું કે, ઝઘડા ન કરો, પેનિક થવાની જરૂર નથી. 'આજે પણ પેટ્રોલ મળશે અને કાલે પણ મળશે અને પરમ દિવસે પણ પેટ્રોલ મળશે, સ્ટોક પૂરતો છે'
ભરૂચના ઝાડેશ્વરમાં બંધ મકાનમાં ચોરી:₹1.84 લાખના દાગીના-રોકડ ચોરાયા, પોલીસ તપાસ શરૂ
ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા ઇન્દ્રપુરી સોસાયટીમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રૂ. 1.84 લાખના સોનાના દાગીના અને રોકડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઝાડેશ્વર તુલસીધામ શાકમાર્કેટ નજીક રહેતા નિવૃત્ત નિરંજન મહેતા 20 માર્ચના રોજ તેમની પત્ની સાથે અમદાવાદ એક મરણ પ્રસંગે ગયા હતા. આ દરમિયાન તેમનું મકાન બંધ હતું, જેનો લાભ લઈ અજાણ્યા ચોરોએ મુખ્ય દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ચોરોએ મકાનના બેડરૂમમાં પ્રવેશી કબાટ તોડી અંદર રાખેલો કિંમતી સામાન ચોરી લીધો હતો. 21 માર્ચની સાંજે મહેતા દંપતિ ઘરે પરત ફર્યા ત્યારે તેમને મકાનમાં તોડફોડ અને સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તપાસ કરતાં જાણવા મળ્યું કે ચોરોએ 22 કેરેટ સોનાની આશરે 10 ગ્રામ ચેન, 2 ગ્રામ પેન્ડલ અને રૂ. 25,000 રોકડ સહિત કુલ રૂ. 1,84,306ની ચોરી કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. સી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
દમણ-દીવના અપક્ષ સાંસદ ઉમેશ પટેલે લોકસભામાં વાપી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારો દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે વાપીની કંપનીઓ દ્વારા છોડવામાં આવતા ઝેરી કેમિકલ અને પ્રદૂષિત પાણીને કારણે દમણગંગા, કોલક અને બિલખાડી જેવી નદીઓ આજે ઝેરી નાળા સમાન બની ગઈ છે. સાંસદે ગૃહમાં ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રદૂષણને કારણે જમીન, હવા અને પાણી ત્રણેય ઝેરીલા બન્યા છે. દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થવાથી સ્થાનિક માછીમારોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. એટલું જ નહીં, પ્રદૂષિત પર્યાવરણને કારણે વિસ્તારમાં કેન્સર જેવી જીવલેણ બીમારીઓનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમણે NGT (નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ)ના 2019ના નિર્દેશોના અમલીકરણ અને જીપીસીબી (GPCB)ના અહેવાલો પર સવાલ ઉઠાવ્યા હતા. સાંસદના પ્રશ્નનો જવાબ આપતા પર્યાવરણ રાજ્ય મંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું હતું કે, સરકાર પ્રદૂષણ રોકવા માટે કટિબદ્ધ છે. તેમણે માહિતી આપી હતી કે 1 જાન્યુઆરી 2025 થી 24 ફેબ્રુઆરી 2026 દરમિયાન વાપી વિસ્તારમાં કુલ 1,890 નિરીક્ષણ કરવામાં આવ્યા હતા. નિયમોનું ઉલ્લંઘન કરનાર કંપનીઓને 196 શો-કોઝ નોટિસ અને 36 જેટલી ક્લોઝર નોટિસ આપવામાં આવી છે. આ ઉપરાંત, 33 ઔદ્યોગિક એકમો પાસેથી અંદાજે ₹1.81 કરોડનો પર્યાવરણીય દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે, જેમાંથી ₹1.39 કરોડની રિકવરી કરી લેવામાં આવી છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, સતત મોનિટરિંગને કારણે દમણગંગા અને કોલક નદીના પ્રદૂષણના સ્તરમાં સુધારો જોવા મળ્યો છે. જોકે, સાંસદ ઉમેશ પટેલે સરકારના આ આંકડાઓથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે ગ્રાઉન્ડ રિયાલિટી તપાસવા અને નદીઓના પુનર્જીવન માટે નક્કર સમયમર્યાદા આપવા માંગ કરી હતી.
ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં શિક્ષણ ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચાયો છે. ઓસ્ટ્રેલિયન ડિકીન યુનિવર્સિટીના ગિફ્ટ કેમ્પસની પ્રથમ ગ્રેજ્યુએટ બેચનો દીક્ષાંત સમારોહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે તેમણે ભારતના એજ્યુકેશન સેક્ટરમાં આવેલા વૈશ્વિક પરિવર્તન અને ગુજરાતના વધતા પ્રભાવની વિગતો રજૂ કરી હતી. ગ્લોબલ નોલેજ હબ તરીકે ઉભરતું ગુજરાતમુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનું શિક્ષણ ક્ષેત્ર 'ગ્લોબલ નીડ બેઝ્ડ' બન્યું છે. ગુજરાત હવે માત્ર વેપાર અને પરંપરા (Trade and Tradition) પૂરતું સીમિત નથી રહ્યું, પરંતુ ગ્લોબલ ઇકોનોમિક અને નોલેજ સેન્ટર તરીકે વિશ્વના નકશા પર ઉભરી આવ્યું છે. ડિકીન યુનિવર્સિટીનું ભારતનું આ પ્રથમ ઇન્ટરનેશનલ બ્રાન્ચ કેમ્પસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મજબૂત ભાગીદારીનું પ્રતીક છે. સેક્ટર સ્પેસિફિક યુનિવર્સિટીઓનું વિઝનવડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રીકાળથી જ ગુજરાતે શિક્ષણમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઊભી કરવાનું લક્ષ્ય રાખ્યું હતું. પરિણામે રાજ્યમાં ફોરેન્સિક સાયન્સિસ, એનર્જી, મેરીટાઈમ, રક્ષાશક્તિ અને નેશનલ લો યુનિવર્સિટી જેવી વિશિષ્ટ સંસ્થાઓ શરૂ થઈ છે. આજે ગાંધીનગર NIFT, NID, IIT-ગાંધીનગર, DA-IICT અને નાઈપર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે એક પ્રમુખ 'એજ્યુકેશનલ હબ' બની ગયું છે. શિક્ષણ અને ઉદ્યોગનું અનોખું સંગમગિફ્ટ સિટીમાં ફાઈનાન્સિયલ સર્વિસીસ, ટેકનોલોજી અને શિક્ષણનું સુંદર સંકલન જોવા મળે છે. મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, દેશમાં છેલ્લા 10 વર્ષમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે. તેમણે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે: વર્ષ 2014માં દેશમાં IITની સંખ્યા 16 હતી, જે વધીને આજે 23 થઈ છે.IIMની સંખ્યા 13 થી વધીને 21 થઈ છે.એઈમ્સ (AIIMS) ની સંખ્યા 7 થી વધીને 20 સુધી પહોંચી છે. નવી શિક્ષણ નીતિ અને આત્મનિર્ભર યુવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 (NEP 2020) દ્વારા ભારતીય શિક્ષણને ગ્લોબલ સ્ટાન્ડર્ડ્સ સાથે જોડવામાં આવ્યું છે. 'મેક ઇન ઇન્ડિયા' અને 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' સાથે શિક્ષણનું સંકલન કરીને યુવાનોને ઇન્ટર્નશિપ અને સ્કિલ આધારિત કોર્સ દ્વારા આત્મનિર્ભર બનાવવામાં આવી રહ્યા છે. સ્વયમ અને દીક્ષા જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ તથા 'સ્ટડી ઇન ઇન્ડિયા' જેવા પ્રોજેક્ટ્સે ભારતને વિશ્વ સ્તરે શિક્ષણનું કેન્દ્ર બનાવ્યું છે. અંતમાં, ભૂપેન્દ્ર પટેલે પદવી મેળવનારા યુવાનોને દેશના વિકાસમાં 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.
ગુજરાત વિધાનસભા ખાતે અગરિયા મહાસંઘના પ્રતિનિધિઓએ દસાડાના ધારાસભ્ય પી.કે. પરમાર અને સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તાજેતરમાં આવેલા વિનાશક વાવાઝોડાને કારણે કચ્છના નાના રણ વિસ્તારમાં અગરિયા પરિવારોને થયેલા ભારે નુકસાન અંગે રજૂઆત કરવામાં આવી હતી. પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીને સોલાર પેનલો, મીઠાના ઉત્પાદન, રહેણાંકના છાપરા અને ઘરવખરીમાં થયેલા નુકસાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે અસરગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર ચૂકવવા વિનંતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ મુદ્દાને ગંભીરતાથી લઈ તાત્કાલિક પ્રાથમિક સર્વે કરાવવાની અને સર્વે રિપોર્ટના આધારે નુકસાનગ્રસ્ત અગરિયા પરિવારોને યોગ્ય વળતર આપવાની ખાતરી આપી હતી. આ રજૂઆત સમયે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા, દસાડા-લખતરના ધારાસભ્ય પી. કે. પરમાર, અગરિયા મહાસંઘના પ્રમુખ બચુભાઈ દેગામા અને પ્રહલાદભાઈ સહિતના અગરિયા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, 19મી માર્ચે કચ્છના નાના રણમાં આવેલા વાવાઝોડામાં મીઠું પકવતા અગરિયા સમુદાયની સોલાર પેનલોને ભારે નુકસાન થયું હતું અને મીઠા ઉદ્યોગને મોટો ફટકો પડ્યો હતો. આ ઘટના બાદ મીઠું પકવતા અગરિયા સમુદાયને થયેલી નુકસાનીનો પ્રથમ વખત સર્વે શરૂ કરવામાં આવ્યો છે. શનિવારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કચેરીના સ્ટાફે રણમાં ઝૂંપડે ઝૂંપડે જઈને નુકસાનનો સર્વે શરૂ કર્યો હતો, જેનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને મોકલવામાં આવશે.
વડોદરાના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત આપતા ભાજપના પૂર્વ કોર્પોરેટર આશિષ જોષી કોંગ્રેસમાં જોડાયા છે. હરણી બોટકાંડના પીડિતોના ન્યાય માટે અવાજ ઉઠાવવા બદલ ભાજપમાંથી સસ્પેન્ડ થયેલા જોષીએ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષી નેતા તુષાર ચૌધરીની હાજરીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે તેમની સાથે વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્રી દીપા શ્રીવાસ્તવ પણ કોંગ્રેસમાં જોડાતા વડોદરાના સ્થાનિક રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો છે.અમે અપડેટ કરી રહ્યા છીએ……
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે રબારી નેસમાં આવેલા સિકોતર માતાજીના મંદિરે ચૈત્ર માસ નિમિત્તે રવિવારે રાત્રે રમેલનું આયોજન કરાયું હતું. અમદાવાદ નિવાસી સ્વ. દેસાઈ મૂળજીભાઈ જેઠાભાઈ ખટાણા પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ભુવાજીઓએ ઉપસ્થિત ભક્તોને કુશળ મંગળના આશીર્વાદ આપ્યા હતા. આ રમેણમાં મોટી સંખ્યામાં ભુવાજીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વારાફરતી રમેણ ગાદી ઉપર બેસીને સદકાર્યો કરતા રહેવા માટે ઉપદેશ આપ્યો હતો. સિકોતર માતાજીના ભુવાજી જયરામભાઈ દેસાઈ અને હાર્દિકભાઈ દેસાઈ, તેમજ વિહત માતાના ભુવાજી મફાભાઈ ખટાણા સહિત અન્ય ભુવાજીઓએ હાજરી આપી હતી. રબારી નેશના ભાઈઓ અને બહેનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શન-પૂજનનો લાભ લીધો હતો.
ચાણસ્મા તાલુકાના ઝિલીયા ગામે 15 માર્ચના રોજ ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર હુમલો કરવા અને પોલીસ વાનને નુકસાન પહોંચાડવાના કેસમાં ધરપકડ કરાયેલા તમામ 18 આરોપીઓને સોમવારે જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. પાંચ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પાટણ કોર્ટે આ આદેશ આપ્યો હતો. આ ઘટના 15 માર્ચે બની હતી, જ્યારે આઠ જેટલી ગાડીઓમાં ઘાતક હથિયારો સાથે આવેલા 15 થી 20 લોકોના ટોળાએ ભાવેશ દેસાઈના ફાર્મ હાઉસ પર હંગામો મચાવ્યો હતો. પોલીસને જાણ થતાં 112 અને ચાણસ્મા પોલીસની ફર્સ્ટ મોબાઈલ વાન ઘટના સ્થળે પહોંચી હતી. ટોળાએ પોલીસ વાન પર પથ્થરમારો કર્યો હતો અને તેને નુકસાન પહોંચાડ્યું હતું. આ મામલે રોનક દિનુભાઈ દેસાઈ અને સરકાર તરફે ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ત્રણ નામજોગ સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. ચાણસ્મા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં કુલ 18 આરોપીઓની ધરપકડ કરી હતી. તેમને પાટણ કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલા 3 વાહનો અને 2 હથિયારો કબજે કર્યા હતા. બુધવારે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. સોમવારે રિમાન્ડની મુદત પૂરી થતાં તમામ 18 આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે તેમને જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
જામનગરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો:ગ્રાહકોને માત્ર ₹200નું ઇંધણ મળે છે, અછતની અફવાઓ
જામનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ પંપો પર અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. પેટ્રોલની અછતની અફવાઓ અથવા સપ્લાયમાં વિલંબને કારણે વાહનોની લાંબી કતારો લાગી રહી છે. ગ્રાહકોને કલાકો સુધી રાહ જોવી પડે છે અને ત્યારબાદ પણ નિરાશા સાંપડી રહી છે. પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા હાલમાં મર્યાદિત જથ્થો આપવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. ઘણા પેટ્રોલ પંપ પર ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબનું પેટ્રોલ આપવાને બદલે માત્ર 200 રૂપિયાનું જ પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. આ મર્યાદાને કારણે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો તેમની ટાંકી ફૂલ કરાવવા કે લાંબા અંતરની મુસાફરી માટે પેટ્રોલ મેળવવા માંગે છે, પરંતુ પંપ પર 'સ્ટોક ઓછો છે' તેમ કહીને તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે. ઓફિસ જતા લોકો અને વિદ્યાર્થીઓનો કિંમતી સમય પણ પેટ્રોલ મેળવવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવાથી બગડી રહ્યો છે. સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે, જો પેટ્રોલનો જથ્થો પૂરતો ન હોય તો તંત્ર દ્વારા વહેલી તકે જાણ કરવી જોઈએ અથવા સપ્લાય વ્યવસ્થિત કરવી જોઈએ. અત્યારે જે સ્થિતિ છે તેનાથી સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે. અચાનક ઉભી થયેલી આ સ્થિતિ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે લોકો તંત્રના જવાબની રાહ જોઈ રહ્યા છે. આ અંગે પેટ્રોલ પંપ એસોસિએશન કે સરકારી તંત્ર દ્વારા સત્તાવાર નિવેદન આપવામાં આવે તો જ અફવાઓ અને ગ્રાહકોની ચિંતા દૂર થઈ શકે તેમ છે.
જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, જૂનાગઢ પોલીસે પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપતા ગણતરીના 24 કલાકમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને CCTVના આધારે LCBની ટીમે લાખોના મુદ્દામાલ સાથે એક રીઢા તસ્કરની ધરપકડ કરી છે. પરિવાર વધાવી ગામે હવનના પ્રસંગમાં ગયો હતોજોષીપરા વિસ્તારમાં પટેલ સમાજની સામે આવેલ કેશવ-2 એપાર્ટમેન્ટ પાસે રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા ગઈકાલ પોતાના પરિવાર સાથે વધાવી ગામે હવનના પ્રસંગમાં ગયા હતા. આ સમય દરમિયાન તેમનું મકાન બંધ હતું. ધોળા દિવસે તકનો લાભ લઈ અજાણ્યા તસ્કરે મકાનમાં પ્રવેશ કરી રૂમનું તાળું અને ઉપરની ગ્રીલ તોડી અંદર રાખેલ લોખંડના કબાટોમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. શરૂઆતમાં 5.80 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ બાદમાં વધુ 2 લાખની રોકડ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. LCB અને બી-ડિવિઝન પોલીસની સંયુક્ત કાર્યવાહીચોરીની ગંભીરમાં ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ SP હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. LCB પીઆઈ કુણાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. CCTV તપાસતા પોલીસને મહત્વની કડીઓ મળી હતી, જેના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. આરોપીનો પરિચય અને મુદ્દામાલની રિકવરીપોલીસે આ ગુનામાં મુકેશ ઉર્ફે દડો ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા રહે. જૂનાગઢ નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તેની પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 8,39,000/-નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આરોપીએ સ્વીકાર્યું હતું કે, તેણે મકાન બંધ જોઈને અને ત્યાં પડેલી કટર જેવી સાધન સામગ્રીનો ઉપયોગ કરીને જ આ ચોરીને અંજામ આપ્યો હતો. 12 ગુનાનો ઇતિહાસ ધરાવતો રીઢો ગુનેગારપકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે દડો કોઈ સામાન્ય ચોર નથી પરંતુ, એક રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 4 ગુના, ભાવનગર જિલ્લામાં 3 ગુના અને અમરેલી જિલ્લામાં 5 ગુનાનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા મુજબ આ આરોપી મોટાભાગે એકલો જ ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો અને આ કેસમાં પણ તેની સાથે અન્ય કોઈ સાગરીત હોવાનું જાણવા મળ્યું નથી.હાલ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસે આરોપીનો કબજો મેળવી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ધોળા દિવસે થયેલી આ મોટી ચોરીનો ભેદ ઉકેલાતા સ્થાનિકોએ પણ પોલીસની કામગીરીની પ્રશંસા કરી છે.
ભરૂચ જિલ્લાના કુવાદર ગામમાં અનુસૂચિત જાતિના એક યુવક પર જાહેરમાં હુમલો કરી માર મારવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. માહિતી અનુસાર, કુવાદર ગામના મયુર જગદીશભાઈ પરમાર પર પ્રકાશ દેવજીભાઈ વસાવા અને અન્ય વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા પાછળ અંગત અદાવત કારણભૂત હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સામાન્ય બોલાચાલી દરમિયાન વાતાવરણ ઉગ્ર બનતાં જાહેરમાં મારામારી થઈ હતી. જાણવા મળતી માહિતી મુજબ, આ પ્રકારની ઘટના ગામમાં પ્રથમવાર બની નથી; અગાઉ પણ આવી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. પીડિત પક્ષે જણાવ્યું છે કે, આ મામલે અગાઉ પણ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં, નબીપુર પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં ન આવતા ગામમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે. હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
પાટણ નગરપાલિકાની વર્ષ 2026ની ચૂંટણી પૂર્વેની પ્રાથમિક મતદારયાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ, પાટણ શહેરના કુલ 11 વોર્ડમાં 1,08,999 મતદારો નોંધાયા છે. આ આંકડા 20 માર્ચ, 2026ના રોજ જનરેટ થયેલા રિપોર્ટના આધારે પ્રસિદ્ધ કરાયા છે. પ્રસિદ્ધ થયેલા આંકડાઓ અનુસાર, કુલ મતદારો પૈકી 56,531 પુરુષ મતદારો અને 52,458 સ્ત્રી મતદારોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે પુરુષ મતદારોની સંખ્યા સ્ત્રી મતદારો કરતાં વધુ છે. આ યાદીમાં 10 ત્રીજી જાતિના મતદારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્ડ પ્રમાણે મતદારોની સંખ્યાનું વિશ્લેષણ કરતાં, વોર્ડ નંબર 11માં સૌથી વધુ 11,752 મતદારો નોંધાયા છે. જ્યારે વોર્ડ નંબર 3માં સૌથી ઓછા 8,218 મતદારો છે. અન્ય વોર્ડની વિગતો જોઈએ તો, વોર્ડ નંબર 1માં 9,627, વોર્ડ નંબર 2માં 9,248, વોર્ડ નંબર 4માં 8,517, વોર્ડ નંબર 5માં 10,482, વોર્ડ નંબર 6માં 9,640, વોર્ડ નંબર 7માં 9,776, વોર્ડ નંબર 8માં 9,869, વોર્ડ નંબર 9માં 11,634 અને વોર્ડ નંબર 10માં 10,236 મતદારો નોંધાયા છે. ખાસ કરીને, વોર્ડ નંબર 10ના વિભાગ નંબર 5માં સૌથી વધુ 8 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.
નવસારી પોલીસ વિભાગમાં 15 PSIની આંતરિક બદલી:ચૂંટણી અને વહીવટી સરળતા માટે SP રાહુલ પટેલનો નિર્ણય
નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલે વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કાયદો-વ્યવસ્થા સુદ્રઢ કરવાના હેતુથી મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 15 પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ની આંતરિક બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. આ બદલીઓ પાછળ મુખ્યત્વે વહીવટી સરળતા અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. પોલીસ તંત્રને સજ્જ કરવા અને સંવેદનશીલ વિસ્તારો તેમજ મહત્વના પોલીસ સ્ટેશનોમાં અનુભવી અધિકારીઓની નિમણૂક કરીને કાયદો અને વ્યવસ્થા જાળવવાનો હેતુ છે. બદલી પામેલા અધિકારીઓમાં મરોલી, નવસારી ટાઉન, જલાલપોર અને ચીખલી જેવા મહત્વના સ્ટેશનના PSIનો સમાવેશ થાય છે. મુખ્ય બદલીઓ નીચે મુજબ છે: જિલ્લા પોલીસ અધિક્ષકના આ આદેશ બાદ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી જગ્યાએ ચાર્જ સંભાળી લેવા સૂચના આપવામાં આવી છે. આ બદલીઓથી જિલ્લાના પોલીસિંગમાં નવો વેગ આવશે તેવી અપેક્ષા છે.
સુરેન્દ્રનગર ખાતે શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજ અને ખેલ તથા યુવા મંત્રાલય, ભારત સરકાર હેઠળ કાર્યરત “માય ભારત – સુરેન્દ્રનગર” કચેરીના સંયુક્ત ઉપક્રમે 23 માર્ચ, 2026ના રોજ શહીદ દિવસ નિમિત્તે “શહીદ પદયાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશ માટે બલિદાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને યુવા પેઢીમાં દેશપ્રેમ તથા રાષ્ટ્રીય જવાબદારીની ભાવના પ્રેરવાનો હતો. આ કાર્યક્રમની શરૂઆત કોલેજ પ્રાંગણમાંથી દેશભક્તિના નારાઓ સાથે કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, ભાઈઓ-બહેનો અને અધ્યાપકોએ એકતાના ભાવ સાથે આ પદયાત્રામાં ભાગ લીધો હતો. સમગ્ર પદયાત્રા દરમિયાન “શહીદો અમર રહો” અને “ભારત માતા કી જય” જેવા ઉર્જાસભર નારાઓથી વાતાવરણ દેશપ્રેમથી ગુંજી ઉઠ્યું હતું. પદયાત્રા પૂર્ણ થયા બાદ કોલેજના પ્રાંગણમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓએ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના બલિદાનને યાદ કર્યું. ઉપસ્થિત સૌએ દેશસેવા, શિસ્ત અને રાષ્ટ્રપ્રેમના મૂલ્યોને જીવનમાં અપનાવવાનો સંકલ્પ લીધો હતો. આ કાર્યક્રમમાં એમ.પી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. દિલીપભાઈ વજાણી, “માય ભારત – સુરેન્દ્રનગર” જિલ્લા યુથ ઓફિસર મિશાબેન ખટ્ટર, સામાજિક અગ્રણી ધર્મેશભાઈ રાઠોડ તેમજ કોલેજના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવો દ્વારા શહીદોના બલિદાનને વંદન કરી દેશપ્રેમના સંદેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ આયોજન અને નેતૃત્વ ડો. રમેશભાઈ દાવડા દ્વારા કરવામાં આવ્યું હતું, જેમના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ શહીદ પદયાત્રાએ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, શિસ્ત અને સામાજિક જવાબદારીના મૂલ્યો પ્રત્યે નવી જાગૃતિ પેદા કરી છે, જે ભવિષ્યમાં રાષ્ટ્રના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
સુરત શહેરમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવા માટે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ સુરત ટ્રાફિક પોલીસ અને ટ્રુહોમ ફાઈનાન્સના સંયુક્ત ઉપક્રમે નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફ માટે હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અભિયાન અંતર્ગત એલિક્ઝિર ફાઉન્ડેશનના સહયોગથી હોસ્પિટલના 1000 જેટલા કર્મચારીઓને નિઃશુલ્ક હેલ્મેટ એનાયત કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના વિવિધ વિભાગોને મળ્યું સુરક્ષા કવચસંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) સજ્જનસિંહ પરમાર અને નાયબ પોલીસ કમિશનર પન્ના મોમૈયા સહિતના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સિવિલ હોસ્પિટલના સફાઈકર્મીઓ, એક્સ-રે ટેક્નિશિયન, નર્સિંગ સ્ટાફ, ક્લેરિકલ સ્ટાફ અને ડેટા ઓપરેટર જેવા પાયાના કર્મચારીઓને આવરી લેવાયા હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસ વિભાગ દ્વારા ગત વર્ષે પણ 1000 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે પરંપરા આ વર્ષે પણ જાળવી રાખવામાં આવી છે. હેલ્મેટ: બોજ નહીં પણ જીવનનું રક્ષાકવચનર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માથાની ઇજા ઘણીવાર જીવલેણ સાબિત થતી હોય છે. સિવિલ હોસ્પિટલનો સ્ટાફ દરરોજ અકસ્માતના ગંભીર કિસ્સાઓનો સાક્ષી બને છે, ત્યારે તેઓ પોતે હેલ્મેટ પહેરીને સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. જાગૃતિ અભિયાનોને કારણે છેલ્લા 1 વર્ષમાં માથાની ગંભીર ઇજાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ કાર્યક્રમમાં નર્સિંગ એસોસિએશનના નિલેશ લાઠીયા, વિરેન પટેલ, સંજય પરમાર અને ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. ટ્રુહોમ ફાઈનાન્સ કંપનીએ પોતાની CSR પ્રવૃત્તિ હેઠળ આ સામાજિક જવાબદારી નિભાવી સુરતીઓની સુરક્ષામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
ગઢડામાં યુવા ભાજપ દ્વારા શહીદ દિવસની ઉજવણી:શહીદ ભગતસિંહની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં શહીદ દિવસ નિમિત્તે યુવા ભાજપ મોરચા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહીદ ભગતસિંહની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. શહેરના આગેવાનો અને કાર્યકરોએ શહીદ ભગતસિંહની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ દરમિયાન “અમર શહીદો અમર રહો” ના નારા લગાવવામાં આવ્યા હતા, અને વીર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ગઢડા શહેર ભાજપ પ્રમુખ વિક્રમભાઈ બોરીચા, તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી, મહામંત્રી અશોકભાઈ ડેરવાળીયા, વિજયભાઈ શેફાતરા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, બોટાદ જિલ્લા યુવા ભાજપ પ્રભારી પરીક્ષીતભાઈ, યુવા ભાજપ પ્રમુખ કિશનભાઈ ચૌહાણ, યુવા ભાજપ મહામંત્રી કુલદીપભાઈ ડવ, વિજયભાઈ ધોળકિયા અને નગરપાલિકા સભ્ય ગોબરભાઈ મેર સહિતના આગેવાનો અને શહેરીજનો પણ હાજર રહ્યા હતા.
પેટ્રોલ પંપને મળતા સપ્લાયમાં 50 %નો ઘટાડો અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધને પગલે અમદાવાદ,સુરત અને રાજકોટમાં ડીલરોને મળતા પેટ્રોલ પર 50 ટકાનો કાપ મૂકાયો..જેના કારણે કેટલાક પેટ્રોલ પંપ બંધ જોવા મળ્યા, તો ક્યાંક વાહનચાલકો લાઈનોમાં લાગેલા જોવા મળ્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજ પહેલા રાહુલ ગાંધી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતમાં..વડોદરામાં આદિવાસી વિસ્તારમાં કામ કરતી એનજીઓ અને આગેવાનો સાથે ચર્ચા કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ કોંગ્રેસી ધારાસભ્યનો પુત્ર પીધેલી હાલતમાં ઝડપાયો કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલનો દીકરો દારુ પીધેલી હાલતમાં ઝડપાયો.. નશાની હાલતમાં યુવરાજે પોલીસ સાથે તકરાર પણ કરી હતી..જો કે પોલીસે આ મામલે યુવરાજ સામે કોઈ ગુનો નોંધ્યો નથી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશામાં ધૂત પોલીસકર્મીની ધમાલ દારુના નશામાં પોલીસકર્મીએ લારી વાળા સાથે બબાલ કરી.. રોષે ભરાયેલા સ્થાનિકોએ કોન્સ્ટેબલને બરાબરનો મેથીપાક ચખાડી, પોલીસને જાણ કરી.. આ ઘટના અમદાવાદના કણભાના કુહા ગામની છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સગા પિતાએ કર્યો માસૂમનો સોદો સાબરકાંઠાના હિંમતનગરમાથી ઝડપાયું બાળ તસ્કરીનું કૌભાંડ.. પિતાએ પોતાના 9 દિવસના દીકરાને 2 લાખ રુ.માં વેચી દીધું.પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તળાવ અને નદીમાં ત્રણ યુવકો ડૂબ્યાવડોદરાના આલમગઢ ગામે તળાવમાં ન્હાવા ગયેલા ચાર યુવકો ડૂબ્યા..ચારમાંથી બેને બચાવી લેવાયા છે,, જ્યારે બાકીના બેની શોધખોળ ચાલું છે.. તો અંબાલી ગામ નજીક નર્મદા પરિક્રમાં કરવા આવેલો સુરેન્દ્રનગરનો યુવક પણ નદીમાં ડૂબ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4 મહિલા બુટલેગરના ઘરો પર ફરી વળ્યું બુલડોઝર ભાવનગરમાં 4 મહિલા બુટલેગરના ઘરનું ડિમોલિશન કરાયું.આરોપીઓના 5 મકાન સાથે પાલિકાના પ્લોટમાં કરાયેલા 21 દબાણ તોડી પાડી રૂ. 1 કરોડથી વધુની જગ્યા ખુલ્લી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાની કાર પર ફાયરિંગ જામનગરમાં પૂર્વ કોર્પોરેટરના ભત્રીજાની કાર પર ફાયરિંગની ઘટના બની.9 શખ્સોએ થાર, બલેનો સહિતની કારમાં પીછો કરી ટક્કર મારી.. તલવાર, પાઇપ જેવા હથિયારોથી હુમલો કરતા 3ને ઈજા પહોંચી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરીક્ષાના પ્રેશરમાં વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત જૂનાગઢના કેશોદમાં પરીક્ષાના ટેન્શનમાં વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો.વિદ્યાર્થિની ઓમ એજ્યુકેશન કોલેજમાં ડિપ્લોમાનો અભ્યાસ કરતી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્ય પર વધુ એક માવઠાનું સંકટ રાજ્ય પર ફરી એકવાર તોળાયું માવઠાનું સંકટ...હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 28 થી 30 માર્ચ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની આગાહી કરી છે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગોધરા શહેરમાં અમદાવાદ-ઈન્દોર હાઈવે પર બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરી હવે ઝડપ પકડશે. આગામી 30 એપ્રિલથી ચર્ચથી બસ સ્ટેશન સુધીના માર્ગ પર કામગીરી શરૂ થવાની હોવાથી ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બસો માટે નવા ડાયવર્ઝન રૂટ જાહેર કરવામાં આવ્યા છે. આ જાહેરનામાનો અમલ 30 એપ્રિલથી થશે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રિજ નિર્માણ દરમિયાન શહેરમાં સુચારુ ટ્રાફિક વ્યવસ્થા જાળવવાનો છે. દાહોદ-ઈન્દોર-ઝાલોદ તરફથી આવતી બસો પરવડી ચોકડી, કોટડા ગામ, ચંચોપા, કંકુથાંભલા, છબનપુર અંડરબ્રિજ, પંચામૃત ડેરી, SRP-FCI ગોડાઉન થઈ ભુરાવાવ ચોકડીથી હંગામી બસ સ્ટેન્ડ પહોંચશે. જ્યારે અમદાવાદ રોડ તરફથી આવતી બસો ત્રિ-મંદિર, ભામૈયા, શિમલા, સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ થઈ હંગામી બસ સ્ટેન્ડનો ઉપયોગ કરશે. વડોદરા-હાલોલ તરફથી આવતી બસો તૃપ્તી હોટલ, લીલેસરા ચોકડી, ગદુકપુર, બામરોલી, પરવડી, છબનપુર અંડરબ્રિજ થઈ હંગામી બસ સ્ટેન્ડ પહોંચશે. લુણાવાડા-શામળાજી તરફથી આવતી બસો છબનપુર અંડરબ્રિજ, પંચામૃત ડેરી, SRP-FCI ગોડાઉન થઈ ભુરાવાવ ચોકડીનો ઉપયોગ કરશે. સરકારી બસો માટે કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. હાલોલ-વડોદરા તરફની સરકારી બસો 30 એપ્રિલ સુધી સિવિલ લાઇન્સ અને ચર્ચ થઈને જઈ શકશે, પરંતુ લાલબાગ બસ સ્ટેન્ડ પાસે સ્ટોપેજ કરી શકાશે નહીં. 30 એપ્રિલ બાદ તમામ બસોએ ફરજિયાતપણે ડાયવર્ઝન રૂટનો જ ઉપયોગ કરવો પડશે. જો અનિવાર્ય સંજોગોમાં આઈ.ટી.આઈ. પ્રભા કોતરથી બસ સ્ટેન્ડના માર્ગ પર પ્રવેશ લેવો હોય, તો રાત્રે 12:00 થી સવારના 5:00 દરમિયાન પોલીસ અથવા RTOની મંજૂરી લેવી પડશે.
વાપી સ્ટાર્ટઅપ કમ્યુનિટીએ શનિવારે ડુંગરા ખાતે નિર્માણાધીન હાઇ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન સ્ટેશન)ની વિશેષ મુલાકાત લીધી. આ મુલાકાત નવીનતા અને પ્રેક્ટિકલ લર્નિંગને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાઈ હતી. કમ્યુનિટીના સભ્યો અને તેમના પરિવારજનોએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મુલાકાત દરમિયાન, સહભાગીઓએ ભારતના મહત્વાકાંક્ષી હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટ વિશે નજીકથી જાણકારી મેળવી. તેમને ભીલાડ ખાતે આવેલા આ કોરિડોરના એકમાત્ર ટનલ વિશે પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એન્જિનિયરિંગ અને ભવિષ્યની પરિવહન વ્યવસ્થાની માહિતીથી સભ્યોમાં ખાસ રસ જાગ્યો હતો. આ કાર્યક્રમનું આયોજન માસના હોસ્ટ મનીષ જૈન દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રોગ્રામ ચેર એન્જિ. પાર્થિવ મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ મુલાકાતથી સહભાગીઓમાં નવી પેઢીના પરિવહન માધ્યમ પ્રત્યે જાગૃતિ વધી અને દેશના ટેક્નોલોજીકલ વિકાસથી તેમને પ્રેરણા મળી. વાપી સ્ટાર્ટઅપ (SUV)ના સભ્યો અને તેમના પરિવાર માટે આયોજિત આ કાર્યક્રમ કમ્યુનિટીની નવીનતા, જિજ્ઞાસા અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. કમ્યુનિટી ઉદ્યોગસાહસિકો અને પ્રોફેશનલ્સ માટે શીખવા અને આગળ વધવાની વધુ તકો ઊભી કરવામાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે.
હિંમતનગર નગરપાલિકાના બે બોર પરથી કેબલ ચોરીના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. એક સપ્તાહ અગાઉ થયેલી આ ચોરીમાં રૂ. 10,000થી વધુ કિંમતના કેબલ વાયરની ઉઠાંતરી થઈ હતી. હિંમતનગર એ-ડિવિઝન પોલીસે મોતીપુરા વિસ્તારમાંથી આ બંનેને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નગરપાલિકાના કર્મચારી મહેન્દ્રસિંહ ગીરધારીસિંહ રાજપૂતે આ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદ મુજબ, 17 માર્ચની રાત્રે દેવભૂમિ બંગ્લોઝ પાસેના બોર પરથી આશરે રૂ. 10,384ની કિંમતના 14 મીટર કેબલની ચોરી થઈ હતી. આ ઉપરાંત, નવી સિવિલ સામે આવેલી અશ્વમેઘ સોસાયટી સ્થિત પાલિકાના બોર પરથી પણ આશરે રૂ. 5,400ની કિંમતના 36 મીટર કેબલની ચોરી થઈ હતી. મહેન્દ્રસિંહ રાજપૂતે રવિવારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કેબલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ દરમિયાન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાંથી એક રિક્ષામાંથી બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 6 કિલોથી વધુ વજનનો આશરે રૂ. 7,200નો તાંબાનો કેબલ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કેબલ અને રૂ. 1 લાખની રિક્ષા સહિત કુલ રૂ. 1,07,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં મહેશ જીવણ પટ્ટણી (ઉંમર 19, રહે. ગીરધરનગર આવાસ યોજના, બસ સ્ટેન્ડ સામે, હિંમતનગર) અને વિક્રમ ઈશ્વર વાઘરી (ઉંમર 19, રહે. મોદી ગ્રાઉન્ડ ખાતે છાપરામાં, બેરણા રોડ, હિંમતનગર)નો સમાવેશ થાય છે.
અમરેલીમાં આગામી નગરપાલિકા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત સહિત શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ સામાજિક અને રાજકીય સ્થિતિ, સંગઠનાત્મક કાર્યક્રમો તથા ચૂંટણીના આગોતરા આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. કોંગ્રેસ સંગઠનને મજબૂત બનાવીને સત્તાધારી પક્ષ સામે ચૂંટણી લડવા માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, જેમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો સમાવેશ થાય છે, તે ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે. હાલમાં અમરેલી શહેર સહિત સમગ્ર જિલ્લામાં ભાજપનો દબદબો યથાવત છે. સત્તાવિહોણી કોંગ્રેસ ફરી સત્તા મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે અને પ્રજા વચ્ચે જવાનો પ્રયાસ કરશે.
રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને લઈ મહત્વપૂર્ણ પ્રક્રિયા આગળ વધી છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, જેના પગલે ચૂંટણીની તૈયારીને વેગ મળ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેરરાજ્યના વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદાર યાદીઓ જાહેર કરવામાં આવી છે. તેમાં રાજ્યની 15 મહાનગર પાલિકા (મનપા), 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની પ્રાથમિક મતદાર યાદીનો સમાવેશ થાય છે. 27 માર્ચ સુધી સુધારા અરજી મોકલી શકશોઆ પ્રાથમિક યાદી જાહેર થતા હવે મતદારો માટે પોતાના નામ, સરનામા સહિતની વિગતો ચકાસવાની તક મળશે. જો કોઈ ભૂલ અથવા સુધારો કરવાની જરૂર હોય તો નક્કી સમયમર્યાદામાં (27 માર્ચ સુધી) અરજી કરી શકાશે. ચૂંટણી આયોગ દ્વારા આ પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થાય તે માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. ચૂંટણીને લઈ રાજકીય પક્ષોની તૈયારી શરૂઆવનારા દિવસોમાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે, જેના કારણે રાજ્યમાં રાજકીય ગરમાવો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ગીર સોમનાથમાં 5,551 જળસંચયના કામો પૂર્ણ:જનભાગીદારી અભિયાન 2.0 હેઠળ રાજ્યમાં ચોથું સ્થાન મેળવ્યું
ગીર સોમનાથ જિલ્લાએ જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. રાજ્ય સરકારના જળસંચય જનભાગીદારી અભિયાન 2.0 અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5,551 જળસંચયના કામો પૂર્ણ થયા છે. આ કામગીરી બદલ ગીર સોમનાથ જિલ્લાએ રાજ્યમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે, જે જિલ્લાની સંકલિત આયોજન શક્તિ અને જનસહભાગિતાનું પ્રતીક છે. સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર જે. કે. કારાવદરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં વિવિધ વિભાગો વચ્ચે સુમેળ સાધી જળસંચયના કાર્યોને ગતિ આપવામાં આવી રહી છે. નવા બનતા મકાનોમાં રેઈનવોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત શોકપીટ, બોરવેલ અને કૂવાઓનું રિચાર્જિંગ, ખેતરોમાં પાળા બાંધી પાણી રોકવાની પદ્ધતિ, ચેકડેમ, ગામ તળાવો અને પરકોલેશન ટાંકી જેવા કાર્યો દ્વારા વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે પ્રયત્નો થઈ રહ્યા છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે અધિકારીઓ સાથેની બેઠકમાં સ્પષ્ટ સૂચના આપી હતી કે જ્યાં જ્યાં વિકાસ કાર્યો હાથ ધરાય ત્યાં પાણી સંગ્રહની વ્યવસ્થાઓ અનિવાર્યપણે અમલમાં મુકવી. તેમણે ખાસ ભાર મૂક્યો કે માત્ર શાસન દ્વારા નહીં, પરંતુ જનભાગીદારી દ્વારા જ પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ શક્ય બને છે. કલેક્ટર ઉપાધ્યાયે નાગરિકોને પણ અપીલ કરી કે, તેઓ પોતાના ઘરો, ખેતરો અને સંસ્થાઓમાં પાણી જમીનમાં ઉતારવાના ઉપાયો અપનાવે. આનાથી ભૂગર્ભ જળસ્તર ઊંચું આવશે અને આવનારી પેઢી માટે પાણીનો સંકટ ટાળી શકાશે. આ દરમિયાન, રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચે પણ પાણી વ્યવસ્થાપનને મજબૂત બનાવતી દિશામાં મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વિશેષ નોંધનીય છે કે, જળ જીવન મિશનની શરૂઆત 15 ઓગસ્ટ 2019ના રોજ “હર ઘર જળ”ના સંકલ્પ સાથે કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ દેશના દરેક ઘર સુધી નળ દ્વારા શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાનો છે. આ સમગ્ર અભિયાન માત્ર સરકારી યોજનાઓ પૂરતું મર્યાદિત નથી, પરંતુ લોકોની સક્રિય ભાગીદારી અને સંવેદનશીલ અભિગમના કારણે જ ગીર સોમનાથ જિલ્લો આજે જળસંચય ક્ષેત્રે રાજ્યમાં અગ્રણી બની રહ્યો છે. આવનારા સમયમાં પણ આ જ ગતિ જળવાઈ રહેશે તો જિલ્લામાં પાણીની સમસ્યા નોંધપાત્ર રીતે ઘટાડવામાં સફળતા મળશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે.
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાનું વેજમા ગામ આજે મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે. અગાઉ આ ગામની ગરીબ અને સીમાંત ખેડૂત બહેનો માત્ર છૂટક ખેત મજૂરી પર નિર્ભર હતી. આજીવિકાના મર્યાદિત સાધનો અને આર્થિક તંગીને કારણે બાળકોનું શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ હતી. ખેતી માટે ટ્રેક્ટર કે અન્ય સાધનો ભાડે લાવવા માટે બીજા ગામ પર નિર્ભર રહેવું પડતું, જે ખર્ચાળ હોવાની સાથે સમયનો પણ વ્યય કરતું હતું. આ કપરી પરિસ્થિતિમાં બદલાવ ત્યારે આવ્યો જ્યારે ગામમાં ગુજરાત લાઈવલિહૂડ પ્રમોશન કંપની લિ. (GLPC) સંચાલિત મિશન મંગલમ (NRLM) યોજના અંતર્ગત 'ગુરુકૃપા સખી મંડળ'ની રચના થઈ. તાલુકા લાઈવલિહૂડ મેનેજર દ્વારા બહેનોને ખેતીવાડી વિભાગની ‘એગ્રો સર્વિસ પ્રોવાઇડર’ (કસ્ટમ હાઇરીંગ સેન્ટર) યોજનાનું માર્ગદર્શન મળ્યું. બારીઆ સંગીતાબેન વિજયભાઇ અને જૂથના અન્ય સભ્યોએ પંચસૂત્રનું પાલન કરી આ યોજનાનો લાભ લેવાનો મક્કમ નિર્ધાર કર્યો અને આધુનિક ખેતી તરફ ડગ માંડ્યા. સરકાર તરફથી મળેલી વિવિધ આર્થિક સહાય જૂથ માટે સંજીવની સમાન સાબિત થઈ. મિશન મંગલમ હેઠળ રૂ. 15 હજારનું રિવોલ્વિંગ ફંડ, બેંક તરફથી રૂ. 5 લાખની કેશ ક્રેડિટ લોન અને ગ્રામ સંગઠન દ્વારા મળેલ ફંડની મદદથી જૂથ દ્વારા કુલ રૂ. 7,94,713ના ખર્ચે ટ્રેક્ટર, કલ્ટીવેટર અને થ્રેશર જેવા ખેતીના આધુનિક સાધનોની ખરીદી કરવામાં આવી. ખેતીવાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ 5 વર્ષમાં કુલ 75% સહાયની મર્યાદામાં મળનારી રકમથી જૂથનો આર્થિક બોજ હળવો થયો. આ એગ્રો સર્વિસ સેન્ટર શરૂ થવાથી ગામના ખેડૂતોને વ્યાજબી દરે અને સમયસર ખેતીના સાધનો મળવા લાગ્યા. બીજી તરફ, ગુરુકૃપા સખી મંડળને આ પ્રવૃત્તિ દ્વારા વાર્ષિક રૂ.1,00,000થી વધુની આવક થવા લાગી છે. આર્થિક ઉન્નતિ થતા સભ્યોના બાળકોને સારું શિક્ષણ અને આરોગ્ય મળતું થયું છે. બહેનોની સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થયો છે અને તેઓ હવે માત્ર મજૂર મટીને ‘એગ્રો સર્વિસ પ્રોવાઇડર’ તરીકે ઓળખાય છે. ભવિષ્યમાં આ જૂથ ખેતીના વધુ અદ્યતન સાધનો વસાવીને પોતાની આજીવિકામાં વધુ વૃદ્ધિ કરવાનું લક્ષ્ય ધરાવે છે. વેજમા ગામની આ સફળતા આજે આસપાસના અન્ય સખી મંડળો માટે પણ પ્રેરણાનો સ્ત્રોત બની છે. આમ, રાજ્ય સરકારની યોજનાઓ અને નારી શક્તિની મહેનતનો સમન્વય થતા સાચા અર્થમાં 'આત્મનિર્ભરતા'ના દર્શન થઈ રહ્યા છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકાએ ટીપી સ્કીમ 10ના ફાઇનલ પ્લોટ નંબર 260 પરથી દબાણ હટાવીને 177 ચોરસ મીટર જમીનનો કબજો પરત મેળવ્યો છે. આ કાર્યવાહીમાં પાંચ દુકાનો અને એક છાપરાનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર, એસ્ટેટ વિભાગ દ્વારા આ પ્લોટ ખાલી કરવા માટે 15 દિવસ અગાઉ નોટિસ આપવામાં આવી હતી. આ પ્લોટ મહાનગરપાલિકાની માલિકીનો હતો, જેના પર દબાણ કરીને દુકાનો અને છાપરું બનાવવામાં આવ્યું હતું. નોટિસની મુદત પૂરી થતાં જ આજે મહાનગરપાલિકાના એસ્ટેટ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. લોટીયા ભાગોળ પાસે, રાજ શીવાલય ટોકીઝની સામે આવેલા આ મુખ્ય કોર્નર પ્લોટ પરથી દબાણો દૂર કરાયા હતા. એસ્ટેટ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, આ દબાણો હટાવ્યા બાદ 177.00 ચોરસ મીટરનો પ્લોટ સંપૂર્ણપણે ખુલ્લો કરીને મહાનગરપાલિકાએ તેનો કબજો પરત મેળવી લીધો છે.
કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારની 2026ની વસ્તી ગણતરી માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કમિશનરના માર્ગદર્શન હેઠળ, મનપા વિસ્તારના દરેક મકાનોને નંબર આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ રાષ્ટ્રીય કામગીરી માટે મહાનગરપાલિકા દ્વારા કુલ 13 ટીમોની રચના કરવામાં આવી છે. આ ટીમો દ્વારા વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે ઘર નંબર આપવાનું કાર્ય શરૂ કરાયું છે. મહાનગરપાલિકાએ નગરજનોને આ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે કામગીરી માટે આવનાર દરેક કર્મચારીને ઓળખપત્ર આપવામાં આવ્યું છે. આ ઓળખપત્ર કર્મચારીઓ દ્વારા સ્પષ્ટપણે દેખાય તે રીતે લગાવવામાં આવશે, જેથી નગરજનોને કોઈ શંકા ન રહે. આ કામગીરી ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી રાષ્ટ્રીય કવાયત હોવાથી, મહાનગરપાલિકાએ તમામ નગરજનોને આ પ્રક્રિયામાં સક્રિય સહયોગ આપવા વિનંતી કરી છે.
હિંમતનગર ઘરફોડ ચોરીના બે આરોપી પકડાયા:LCBએ ₹6.72 લાખના ચાંદીના દાગીના જપ્ત કર્યા
સાબરકાંઠા LCB એ હિંમતનગર બાયપાસ રોડ પરથી ઘરફોડ ચોરીના બે આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી ₹6,72,500ની કિંમતના ચાંદીના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસવડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, LCBની ટીમ હિંમતનગર બાયપાસ રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બે શંકાસ્પદ વ્યક્તિઓ મળી આવ્યા હતા. તેમની અટકાયત કરી પૂછપરછ કરતાં તેઓ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વિજયા જ્વેલર્સમાંથી થયેલી ચોરીમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેમની પાસેથી ચાંદીના છત્તર, મૂર્તિઓ, કંકાવટી, શિવલિંગ, નાની-મોટી ડીશો, વાડકીઓ, પાયલ, સિક્કા સહિત કુલ ₹6.72 લાખથી વધુ કિંમતના ચાંદીના દાગીના અને ₹5,000 નો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. પકડાયેલા આરોપીઓની ઓળખ આનંદ મલજીભાઈ પારગી (રહે. ઘુઘસ, તા. ફતેપુરા, જિ. દાહોદ) અને નિતિન નગાભાઈ ડોડીયાર (રહે. બોરખેડી ફળિયું, તા. ફતેપુરા, જિ. દાહોદ) તરીકે થઈ છે. પૂછપરછ દરમિયાન, આ બંને અને અન્ય એક શખ્સે અઢી મહિના અગાઉ હિંમતનગરના જલારામ મંદિર રોડ પર આવેલા વિજયા જ્વેલર્સ, ગણેશ બંગ્લોઝમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ગુનામાં દિલીપ માનુ પારગી (રહે. બલવાસા, જિ. ઝાબુઆ, મધ્યપ્રદેશ) નામનો એક આરોપી હજુ ફરાર છે, જેને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સુરતના ઉમરા પોલીસ મથકે ફેબ્રુઆરી મહિનામાં આરોપી પૂનમ ભદોરીયા સામે સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીની પુત્રી તન્વી ઘેલાણીએ તેના પિતાને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને રદ કરાવવા પૂનમ ભંદોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે નકારી નાખી છે. બિલ્ડરે પોતાની દીકરીના લગ્ન પહેલા જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધોપૂનમ ભદોરીયા ઉપર આક્ષેપ છે કે, તેને ફરિયાદીના પિતા તુષાર ઘેલાણીને હેરાન પરેશાન કરતી હતી અને બદનામ કરી નાખવાની ધમકી આપતી હતી. તેને બિલ્ડર પાસેથી તેના પૈસા અને મિલકતો પડાવી લેવા માટે તેને હેરાન કરીને આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી હતી. છેવટે બિલ્ડરે પોતાની દીકરીના લગ્ન પહેલા જ લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. આ કેસની તપાસ મદદનીશ પોલીસ કમિશનર કરી રહ્યા છે. પૂનમે ફરિયાદીના પિતાને બદનામ કરવાની ધમકી આપી હતીમૃતક તુષાર ઘેલાણી જ્યારે તણાવમાં અને ઉદાસ રહેવા લાગ્યા હતા ત્યારે તેમની પુત્રીએ તેમને શાંતિથી ધીરજપૂર્વક પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, તેમનાથી એક ભૂલ થઈ છે અને તેમને છેલ્લા કેટલાક વર્ષોથી પૂનમ ભદોરીયા સાથે લગ્ન બાહ્ય સંબંધો છે. હવે તે તેને હેરાન કરી રહી છે તેમજ તેનું આર્થિક અને માનસિક રીતે શોષણ કરી રહી છે. આરોપી મહિલા તેને છોડવા તૈયાર નથી. બિલ્ડરની બ્લુ પેપેલીઓન પ્રાઇમરી સ્કૂલમાં તેણે 50% ની ભાગીદારી કરાર પણ કરી લીધો છે. તે વારંવાર ફોન કરે છે અને તેને બદનામ કરી નાખવાની ધમકી આપે છે. આથી પુત્રીએ પૂનમ ભદોરીયાને મળવાનું નક્કી કરી તેને સમજાવવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ પૂનમે ફરિયાદીના પિતાને બદનામ કરવાની અને તેઓની 50% મિલકત પડાવી લેવાની પણ ધમકી આપી હતી. બિલ્ડરની શાળામાંથી મહિલાએ 7 વર્ષમાં 1.34 કરોડની રકમ મેળવી હતીઘરના આંગણે જ્યારે દીકરીના લગ્નનો માંડવો બંધાયો હતો. તેવા જ સમયે બિલ્ડર તુષાર ઘેલાણીએ લગ્ન બાહ્ય સંબંધોથી કંટાળીને લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. હોસ્પિટલમાં કેટલાક દિવસો બાદ તેઓએ દમ તોડ્યો હતો. આરોપી મહિલાએ બિલ્ડરને તેમના દીકરીના લગ્નમાં આવીને ભવાડો કરવાની પણ ધમકી આપી હતી અને બિલ્ડરની શાળામાંથી મહિલાએ 7 વર્ષમાં 1.34 કરોડની રકમ મેળવી હતી.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે ભારતીય અર્થતંત્ર પર દેખાઈ રહી છે. આ વૈશ્વિક તણાવને કારણે ગુજરાતના અમદાવાદ અને સુરત જેવા મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાયમાં ઘટાડો થયો છે, જેના પરિણામે અનેક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે નવસારી જિલ્લામાં ઈંધણની સ્થિતિ સામાન્ય હોવાના રાહતના સમાચાર છે. સુરત અને અમદાવાદમાં સર્જાયેલી અછત જેવી સ્થિતિ નવસારીમાં જોવા મળી નથી. નવસારીમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો હાલમાં સંપૂર્ણપણે રાબેતા મુજબ છે. સ્થાનિક પેટ્રોલ પંપો પર ઈંધણની કોઈ અછત નથી અને વાહનચાલકોને સરળતાથી ઈંધણ મળી રહ્યું છે. નવસારીના પેટ્રોલ પંપ સંચાલકોએ જનતાને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓ પર ધ્યાન ન આપવું. સંચાલકોના જણાવ્યા અનુસાર, ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ મળતો ઈંધણનો જથ્થો નિયમિત રીતે મળી રહ્યો છે. દરેક પંપ પર હાલમાં બેથી વધુ દિવસ ચાલે તેટલો પર્યાપ્ત સ્ટોક હાજર છે. સંચાલકોએ કોઈપણ પ્રકારના પેનિક બાઈંગ એટલે કે ગભરાટમાં આવીને સંગ્રહખોરીથી બચવા વિનંતી કરી છે, જેથી બિનજરૂરી ભીડ ટાળી શકાય. ઉલ્લેખનીય છે કે, ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને કારણે ક્રૂડ ઓઈલના ભાવ અને વૈશ્વિક સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ છે. જેના કારણે ઓઈલ કંપનીઓએ મોટા શહેરોમાં સપ્લાય મર્યાદિત કરવાની શરૂઆત કરી છે. આ જ કારણ છે કે અમદાવાદ અને સુરતમાં લોકોમાં ગભરાટ ફેલાતા પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો લાગી રહી છે, પરંતુ નવસારી હજુ પણ આ સ્થિતિથી સુરક્ષિત છે. નવસારી પેટ્રોલિયમ ડીલર એસોસિએશનના પ્રમુખ જસ્મીનભાઇના જણાવ્યા મુજબ હાલમાં નવસારીમાં પરિસ્થિતિ રાબેતા મુજબ છે અહીં બાઇક ચાલકો કે વાહન ચાલકોને જેટલો જોઈએ એટલો પેટ્રોલ ડીઝલનો પુરવઠો મળી રહ્યો છે, લોકોએ બિનજરૂરી પેટ્રોલ ડીઝલનો જથ્થાની સંગ્રહખોરી કરવી નહીં.
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) દ્વારા શૈક્ષણિક ક્ષેત્રના ફેકલ્ટી સભ્યો માટે એક અનોખા શૈક્ષણિક સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 21 માર્ચના રોજ યોજાયેલ આ સેશનનો મુખ્ય વિષય લાઇન પ્રોડક્શન એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ્સ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ AMAની 'ફિલ્મ પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ' શ્રેણીનો એક મહત્વનો હિસ્સો હતો, જેમાં શિક્ષણવિદોએ મનોરંજન ઉદ્યોગની ગૂંચવણો વિશે ઊંડાણપૂર્વક સમજૂતી મેળવી હતી. નિષ્ણાત વક્તાનું માર્ગદર્શનઆ સેશનના મુખ્ય વક્તા તરીકે ફિલ્મ, નાટક અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના જાણીતા નિષ્ણાત ફાલ્ગુન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના બહોળા અનુભવનો ઉપયોગ કરી ઉપસ્થિત ફેકલ્ટીઓને જણાવ્યું હતું કે, ગ્લેમરથી ભરપૂર દેખાતા પડદા પાછળ મેનેજમેન્ટનું કેટલું ચોકસાઈપૂર્વકનું કામ હોય છે. તેમણે બજેટિંગથી લઈને ફિલ્ડ એક્ઝિક્યુશન સુધીના તમામ પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. લાઇન પ્રોડક્શનના મહત્વના અંશો સેશન દરમિયાન લાઇન પ્રોડક્શનના વ્યવહારુ પાસાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. જેમાં: રિસોર્સ મેનેજમેન્ટ: શૂટિંગ લોકેશન અને ટેકનિકલ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ. ક્રૂ મેનેજમેન્ટ: મોટી ટીમને કેવી રીતે હેન્ડલ કરવી અને સમયસર કામ પૂર્ણ કરવું. વાસ્તવિક પડકારો: ફાલ્ગુન ઠાકરે ફિલ્મ અને સિરિયલોના શૂટિંગ દરમિયાન આવતા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ અને તેના મેનેજમેન્ટલ સોલ્યુશન્સ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. શૈક્ષણિક હેતુAMA ના PG પ્રોગ્રામ ઓફિસ દ્વારા આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એકેડેમિક ક્ષેત્રના પ્રોફેસરોને આધુનિક ઉદ્યોગોના વર્તમાન પ્રવાહોથી માહિતગાર કરવાનો હતો. શિક્ષણવિદોએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ફિલ્મ નિર્માણના ટેકનિકલ અને મેનેજમેન્ટલ પાસાઓને સમજ્યા હતા, જેથી તેઓ વિદ્યાર્થીઓને પણ ઉદ્યોગના વાસ્તવિક જ્ઞાનથી અપડેટ કરી શકે.
અરવલ્લીના મેઘરજ પોલીસ મથકે ગત ફેબ્રુઆરી મહિનામાં આરોપી ધર્મેશ પટેલ અને વિનોદ પારગી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેઓએ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. આરોપી ઉપર આક્ષેપ છે કે આરોપીઓએ પોતાના ખેતરમાં પાકને પશુઓથી બચાવવા માટે ખેતર ફરતે કરેલી લોખંડની ફેન્સિંગમાં વીજ કરંટ ચાલુ રાખતા, તેમાં 21 વર્ષીય યુવક કિરણને કરંટ લાગતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપી ઇલેક્ટ્રિક ફેન્સિંગને અડતા મૃત્યુ પામ્યોઆરોપીના વકીલે જણાવ્યું હતું કે, અરવલ્લી પોલીસે મૃતક કિરણને નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો. તેને પોલીસ ચોકી લઈ જવાયો હતો. આરોપીનો ગુનો જામીન પાત્ર હોવાથી તેને પોતાના ઘરેથી જામીન માટે લોકોને બોલાવ્યા હતા. પરંતુ આ દરમિયાન પોલીસના જણાવ્યા મુજબ આરોપી કુદરતી ક્રિયા કરવાનું કહીને પોલીસ ચોકીથી ભાગી છૂટ્યો હતો. ત્યાંથી 7 કિલોમીટર દૂર આવેલા ખેતરના ફેન્સિંગમાં કરંટ લાગવાથી, તેનું મૃત્યુ થયું હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. મૃતકના શરીર ઉપર માર મારવાના નિશાન દેખાયાઆરોપીઓનું કહેવું હતું કે કોઈ વાડ કે ફેન્સિંગ તેઓએ કરી નથી કે તેમાં કોઈ કરંટ પસાર કર્યો નથી. ખેતરની બાજુની ખુલ્લી જમીનમાં લાશ મળી આવ્યું હોવાની જાણ થવાથી તેમને પોલીસે જવાબ નોંધવા બોલાવ્યા હતા અને આરોપી બનાવી દીધા હતા. વળી મૃતકના શરીર ઉપર માર મારવાના નિશાન દેખાઈ રહ્યા છે. પોલીસ 7 કિલોમીટર સુધી કેવી રીતે ન પકડી શકી?હાઇકોર્ટે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, આરોપીને પકદિને ફક્ત દોઢ કલાકમાં તેને કેવી રીતે છોડી દેવામાં આવ્યો? વળી જો તે પોલીસને થાપ આપીને ભાગવાની કોશિશ કરી હોય તો ચિક્કાર નશામાં રહેલા માણસને પોલીસ 7 કિલોમીટર સુધી કેવી રીતે ન પકડી શકી? મૃતક નશાની હાલતમાં 7 કિલોમીટર ચાલીને ગયો કેવી રીતે ગયો? આ સંદર્ભે કોર્ટે તપાસ પેપર મંગાવ્યા છે અને વધુ સુનાવણી 27 માર્ચે રાખી છે.
દહેગામમાં રોટરી ક્લબ-SMVS હોસ્પિટલનો નિદાન કેમ્પ:175 લોકોએ નિષ્ણાત ડોકટરોની સેવાઓનો લાભ લીધો
દહેગામમાં રોટરી ક્લબ ઓફ દહેગામ અને ગાંધીનગરની એસએમવીએસ સ્વામીનારાયણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્રી મેગા નિદાન કેમ્પ દહેગામના રોટરી ફિઝિયોથેરાપી સેન્ટર ખાતે રવિવાર, 22 માર્ચ 2026ના રોજ યોજાયો હતો. આ કેમ્પમાં અંદાજે 175 જેટલા લોકોએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. એસએમવીએસ હોસ્પિટલના સાત નિષ્ણાત ડોકટરોની ટીમે ઉપસ્થિત દર્દીઓની નિઃશુલ્ક તપાસ કરી હતી અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ દહેગામના પ્રમુખ ડો. એસ. કે. પટેલ અને સમગ્ર રોટરી પરિવારે એસએમવીએસ હોસ્પિટલના ડોકટરો અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત, ક. ક. પાટીદાર યુવક મંડળના પ્રમુખ અને તેમની ટીમના સહકાર બદલ પણ કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. દહેગામ નગરમાંથી આ કેમ્પને સારો પ્રતિસાદ મળ્યો હતો. આવા સેવાકીય કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાય તે માટે આ પ્રતિસાદ પ્રોત્સાહન પૂરું પાડશે.
જામનગરમાં શહીદ દિવસ નિમિત્તે પદયાત્રા:મેરા યુવા ભારત દ્વારા યુવાનોમાં દેશભક્તિનો સંદેશ
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત મેરા યુવા ભારત, જામનગર દ્વારા 23 માર્ચ, 2026 ના રોજ શહીદ દિવસ નિમિત્તે એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં દેશભક્તિ અને શહીદો પ્રત્યે આદરની ભાવના જગાડવાનો હતો. આ પદયાત્રા ગવર્નમેન્ટ પોલીટેકનિક કૉલેજથી શરૂ થઈને બેડેશ્વર રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલ પેટ્રોલપંપ સુધી યોજાઈ હતી. તેમાં જામનગર જિલ્લાના વિવિધ સ્વયંસેવકો, નૌસેના અને આર્મી એનસીસી કેડેટ્સ તેમજ વિવિધ કૉલેજોના યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજન યુવાનોમાં દેશભક્તિની ભાવના પ્રબળ બને અને શહીદોના બલિદાનને યાદ રાખવામાં આવે તે હેતુથી કરવામાં આવ્યું હતું. પદયાત્રા દરમિયાન દેશપ્રેમના નારા ગુંજી ઉઠ્યા હતા અને ભાગ લેનાર યુવાનોમાં અનોખો જુસ્સો જોવા મળ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોમાં રાષ્ટ્રીય એકતા અને જવાબદારીની ભાવના વિકસાવવાનો પણ હતો. આ સમગ્ર આયોજન જામનગર જિલ્લાના જિલ્લા યુવાધિકારી સ્વરૂપ દેશભ્રતારના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. મેરા યુવા ભારત, જામનગર દ્વારા તેમાં જોડાયેલા તમામ યુવાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વેડરોડ ગુરુકુળમાં આધ્યાત્મિક મહોત્સવ:સંતો અને હરિભક્તોએ નવ દિવસના કઠિન તપ સાથે વ્રત દીક્ષા ગ્રહણ કરી
સુરતના વેડરોડ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં ભગવાન સ્વામિનારાયણના 245 મા પ્રાગટ્ય પર્વની ઉજવણીના ભાગરૂપે 'બ્રહ્મ મહોત્સવ'નો અત્યંત ભક્તિપૂર્વક પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં 19 થી 27 માર્ચ 2026 સુધી આ આયોજન કરવામાં આવ્યું છે. ગુરૂવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ અને મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણા હેઠળ આ નવ દિવસીય મહોત્સવમાં સાધના, આરાધના અને ઉપાસનાનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. સંકલ્પબદ્ધ વ્રત દીક્ષા અને અનુષ્ઠાનમહોત્સવના પ્રારંભિક ચરણમાં ધર્મવલ્લભદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ સંતો અને હરિભક્તોને વ્રત દીક્ષા આપવામાં આવી હતી. પ્રભુ સ્વામી, ધર્મસંભવ સ્વામી, ભક્તિતનય સ્વામી અને શ્વેત સ્વામી સહિતના સંતોએ ભગવાનનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું. ધર્મવલ્લભદાસજી સ્વામીએ તમામ સાધકોના અનુષ્ઠાન નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવા આશીર્વાદ સાથે રક્ષાપોટલી (નાડાછડી) બાંધી દીક્ષા અર્પણ કરી હતી. કઠિન તપ અને ભક્તિમય વાતાવરણઆ મહોત્સવમાં સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા છે. આરાધકોએ નવ દિવસ માટે વિવિધ કઠિન તપના નિયમો સ્વીકાર્યા છે, જેમાં નકોરડા ઉપવાસ, માત્ર જળ પર રહેવું, ફળાહાર, એકટાણાં અને હરિચંદ્રાયણ જેવા વ્રતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઝૂલા ઉત્સવ જેવા ભક્તિમય આયોજનો દ્વારા સમગ્ર પરિસર દિવ્યતાથી છવાઈ ગયું છે.
ગુજરાતમાં હાલ રસોઈ ગેસ અને કોમર્શિયલ સિલિન્ડરોની ભારે તંગી વચ્ચે કાળાબજારનો ખેલ વ્યાપક બન્યો છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખના જણાવ્યા અનુસાર, સરકાર નિયંત્રિત 14.200 kg ના ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ 920/- રૂપિયા હોવા છતાં, બજારમાં તે 1500/- થી 2000/- રૂપિયામાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે. આ કાળાબજારીયાઓ પોલીસ અને પુરવઠા વિભાગની પકડથી દૂર રહીને સામાન્ય જનતાને લૂંટી રહ્યા છે. સીલબંધ બાટલામાંથી ગેસની ચોરી અને છેતરપિંડીચોંકાવનારી બાબત એ છે કે ગેસ એજન્સીઓના હેલ્પરો અને ડિલીવરી બોય સીલબંધ બાટલામાંથી 'પેન્સિલ-બંસરી' જેવા સાધનો વડે 2 થી 3 કિલો ગેસની ચોરી કરે છે. સરકારી પરિપત્રો મુજબ ગ્રાહકની નજર સામે ડિજિટલ કાંટાથી વજન કરીને બાટલો આપવો ફરજિયાત છે, પરંતુ જમીની સ્તરે આ નિયમનો શૂન્ય અમલ જોવા મળે છે. ગ્રાહકોને ઓછા વજનના અને ઘણીવાર લીકેજ ધરાવતા જોખમી બાટલા પધરાવી દેવામાં આવે છે. તંત્રની નિષ્ક્રિયતા સામે ઉગ્ર રજૂઆતમુકેશ પરીખે મુખ્યમંત્રી, ગ્રાહક બાબતોના મંત્રી અને ઓઈલ કંપનીઓને આવેદનપત્ર પાઠવીને યુદ્ધના ધોરણે પગલાં ભરવા માંગ કરી છે. તેમણે જિલ્લા કલેક્ટરો અને પુરવઠા અધિકારીઓને સૂચના આપી કાળાબજાર કરનારાઓ પર 'પાસા' હેઠળ કાર્યવાહી કરવા અને સંડોવાયેલી એજન્સીઓના લાયસન્સ રદ કરવા આગ્રહ કર્યો છે. વધુમાં, ડિલીવરી મેન માટે ડ્રેસ કોડ, પ્રમાણિત વજન કાંટો અને લીકેજ ટેસ્ટિંગ સાધનો ફરજિયાત બનાવવાની માંગ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારની શિથિલતા અંગે હવે PMO અને CMO માં પણ રજૂઆત કરવામાં આવશે.
પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે નવ દિવસીય બ્રહ્મમહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ભક્તોએ તપ, જપ અને ઝૂલા દ્વારા ભગવાનની સાધના-આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા હતા. ભગવાનને રીઝવવા માટે ભક્તોએ નવ દિવસ સુધી ઉપવાસ, એકટાણું અથવા ફરાળ જેવા તપ કર્યા હતા. પોતાની અનુકૂળતા મુજબ ભક્તોએ આ આરાધના કરી હતી. આ ઉપરાંત, ઘરે ઘરે પારણીયા બાંધી ભગવાનને લાડ લડાવી પૂજન-વંદન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દરરોજ ૨૫૦૦ મંત્ર જાપ કરીને દસ દિવસમાં કુલ ૨૫,૦૦૦ મંત્રજાપનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું. ચૈત્રી નવરાત્રીના આ દિવસો શક્તિ ઉપાસના માટે પણ મહત્વના હોવાથી માતાજીના ભક્તોએ પણ આરાધના કરી હતી. રાજકોટ ગુરુકુલની દરેક શાખામાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજ્ઞ, પૂજન, ઝૂલા, જલાભિષેક યજ્ઞ, સંતોની ઘરે ઘરે પધરામણી અને હાટડી દર્શન જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. મહોત્સવના અંતિમ દિવસે રામનવમી નિમિત્તે સ્વામિનારાયણ ભગવાન અને રામચંદ્ર ભગવાનનો જન્મોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો, જેમાં અનેક ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 14 વર્ષની કિશોરીઓ માટે HPV વેક્સિન એટલે કે સર્વાઇકલ કેન્સર વિરોધી રસીકરણ કેમ્પ ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૫૧ કિશોરીઓને આ રસી આપવામાં આવી છે. હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ. ઉર્વીબેન પટેલના માર્ગદર્શન હેઠળ આ રસીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે. સોમવારે પણ રસીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલા આરોગ્ય કાર્યકર આરતીબેન પટેલ, સીએચઓ વિધીબેન, આરોગ્ય કાર્યકર આનંદભાઈ, સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ, ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલ અને આશાબહેનો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. હોસ્પિટલ સૂત્રો અનુસાર, આ રસીકરણ અભિયાન ગત 9 માર્ચથી શરૂ કરવામાં આવ્યું છે. આરોગ્ય કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતા 19 ગામમાંથી લાભાર્થીઓને સરકારી વાહન દ્વારા હોસ્પિટલ ખાતે લાવીને રસી આપવામાં આવે છે.
ગેસ, ઇન્ડક્શન બાદ હવે પેટ્રોલને લઇને ગુજરાતમાં પેનિક જોવા મળી રહ્યું છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવતા ગુજરાતના પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો જોવા મળી રહી છે. તો આવો જાણીએ પેટ્રોલ પર લાઇનમાં ઉભેલા ગુજ્જુઓ શું કહી રહ્યા છે…..

31 C