અમદાવાદમાં તહેવાર દરમિયાન ઘર બંધ રાખીને ફરવા જતા પરિવારો માટે ચેતવણીરૂપ એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. આંબાવાડી વિસ્તારમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં રહેતા જાણીતા આંખના ડોક્ટરના ઘરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો છે. ઘર બંધ હોવાથી લાભ ઉઠાવી તસ્કરોએ 1.47 કરોડની ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડોક્ટર પરિવાર સાથે દુબઇ ફરવા ગયા હતા અને તસ્કરોએ ઘરમાં ઘૂસી સેફ લોકરમાંથી સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ નાસી છૂટ્યા હતા. એટલું જ નહીં તસ્કરો CCTV કેમેરાનું ડીવીઆર પણ ચોરી ગયા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા શોધખોળ શરૂ કરવામાં આવી છે. ઉત્તરાયણની રજામાં ડોક્ટર પરિવાર દુબઇ ફરવા ગયોઆંબાવાડીમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં રહેતા આંખના ડોક્ટરના ઘરમાં માતબર રકમની મતાની ચોરી થયાની ઘટના બની છે. આંબાવાડીમાં આવેલી માણેકબાગ સોસાયટીમાં રહેતા સુનિલભાઇ શાહ મણિનગરમાં આંખની હોસ્પિટલ ધરાવે છે. ઉત્તરાયણની રજાઓ હોવાથી આંખના ડોક્ટર ગત 11 તારીખે રાત્રિના સમયે બે વાગ્યે પોતાના પરિવાર સાથે દુબઇ ફરવા માટે ગયા હતા. જોકે તે પહેલા સોનાના દાગીના રોકડ રકમ તિજોરી અને બેડરૂમના વોડ્રોબમાં રાખી હતી. તેમજ કેટલાક દાગીના ગુપ્ત લોકરમાં પણ રાખીને ગયા હતા. તેમજ તમામ ચાવીઓ એક ગુપ્ત લોકર જેનું લોક ખરાબ થઈ ગયું છે તેમાં રાખી હતી. ડોક્ટર પરત ફરતા જ ઘરમાં સામાન વેરવિખેરજે બાદ ડોક્ટર તેમના પત્ની અને પુત્ર સાથે દુબઈથી પરત ફરીને ઘરે પહોંચ્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું લોક તુટેલું હતું. જે બાદ ચોરી થઈ શંકા જતા ઘરમાં જઈને ચેક કરતા સોફા પર એક બેગ ખુલ્લી પડી હતી. તેમજ ઘરમાં તમામ સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. જેથી બંધ ઘર હતું ત્યારે કોઈ અજાણ્યા લોકો આવ્યા હોવાનું ધ્યાને આવતા તરત જ ઘરમાં લગાવેલા CCTV ચેક કરવા માટે ગયા હતા. જોકે CCTVનું ડીવીઆર પણ તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. લોકરમાંથી સોના-ચાંદીના દાગીના ને રોકડ રકમની ચોરીઉત્તરાયણના તહેવાર દરમિયાન બંધ ઘર હોવાથી મુખ્ય દરવાજા પાસે આવેલી લાકડાની બારીની સ્ટોપર કોઈ સાધન વડે તોડી બારીની લોખંડની ગ્રીલ કોઈ સાધન વડે તોડી અજાણ્યા શખસો ધરમાં ઘૂસ્યા હતા. ડોક્ટરે જ્યારે અન્ય રૂમમાં જઈને ચેક કર્યું તો લોકરમાં મૂકેલા સોનાના અને ચાંદીના દાગીના, સિક્કાઓ, રોકડ રકમની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ડોક્ટરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરીમાત્ર એટલું જ નહીં ગુપ્ત લોકરમાંથી પણ તસ્કરોએ સોના અને ચાંદીના દાગીના ચોરી ગયા હતા. 203.5 તોલા સોનાના બિસ્કિટ, 700 ગ્રામ ચાંદીના દાગીના, 45 લાખ રોકડ સહિત 1.47 કરોડની ચોરીની ઘટનાને તસ્કરોએ અંજામ આપ્યો હતો. ડોક્ટરે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાના આટલી મોટી ચોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ટેન્કર-કાર અકસ્માત:ધ્રોલ નજીક જાયવા ગામ પાસે યુવાનનું મૃત્યુ
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક જાયવા ગામના પાટિયા પાસે એક અકસ્માત સર્જાયો હતો. આગળ જઈ રહેલા ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં ધ્રોલના એક યુવાનનું ગંભીર ઈજા થવાથી મૃત્યુ થયું હતું. મૃતક યુવાનની ઓળખ ધ્રોલના 26 વર્ષીય અરબાઝ મુસ્તાકભાઈ તાયાણી તરીકે થઈ છે, જે શાકભાજીનો વેપાર કરતા હતા. તેઓ પોતાના પરિવારના કામ અર્થે રાજકોટ ગયા બાદ GJ 10 DE 4284 નંબરની કારમાં પરત ફરી રહ્યા હતા. આ ઘટના સાંજે જાયવા ગામના પાટિયા પાસે બની હતી. અરબાઝની કાર GJ-3 BW 1516 નંબરના ટેન્કર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે ટેન્કર રોડ પરથી નીચે ઉતરી ગયું હતું, જ્યારે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માત બાદ રસ્તા પર એકઠા થયેલા લોકોએ કારચાલક અરબાઝને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં ધ્રોલ પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા ઘટનાસ્થળે અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલી રહી છે.
હળવદના નવા કડિયાણા ગામે લીવરની બીમારીથી કંટાળીને 47 વર્ષીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. સારવાર દરમિયાન મોરબીની સરકારી હોસ્પિટલમાં તેમનું મોત નીપજ્યું હતું. મૃતક જાદવજીભાઈ કાનજીભાઈ વઢરેકીયા (ઉંમર 47) છેલ્લા એક વર્ષથી લીવરની બીમારીથી પીડાતા હતા. આ બીમારીથી કંટાળીને તેમણે ગત 6 જાન્યુઆરીના રોજ બપોરના સુમારે પોતાના ઘરે ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી. ઝેરી અસર થતાં તેમને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના દીકરા અંકિતભાઈ જાદવજીભાઈ વઢરેકિયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ ઘટનાની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જૂનાગઢ શહેરના બહુચર્ચિત અને કરોડો રૂપિયાના શિષ્યવૃત્તિ કૌભાંડમાં પોલીસને એક મહત્વની સફળતા મળી છે. જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમે આ ગુનામાં છેલ્લા બે વર્ષથી પોલીસની ધરપકડથી બચવા માટે નાસતા ફરતા આરોપી વિપુલ વાલજી જેઠવાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. જૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે ખાસ સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ આદેશ અન્વયે એસ.ઓ.જી. પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ સતત પ્રયત્નશીલ હતી. આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે જૂનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.જેમાં આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ 409, 406, 465, 468, 471 અને 120(બી) હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાની તપાસ આર.કે. પરમાર ચલાવી રહ્યા હતા. તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે આ કૌભાંડમાં સંડોવાયેલ આરોપી વિપુલ વાલજી જેઠવા, જે મૂળ માળીયા હાટીના તાલુકાના બુધેચા ગામનો રહેવાસી છે અને ખાનગી નોકરી કરે છે, તે પોતાના ગામ બુધેચા ખાતે હાજર છે. બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તુરંત ઓપરેશન હાથ ધરી આરોપીને તેના ગામમાંથી ઝડપી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આ કૌભાંડ ખૂબ જ મોટું અને ચોંકાવનારું છે. અગાઉ 17 સપ્ટેમ્બર 2025ના રોજ પણ આ જ મામલે એસ.ઓ.જી. દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કૌભાંડમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળવા પાત્ર શિષ્યવૃત્તિમાં અંદાજે 4.60 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જૂનાગઢમાં કુલ 15 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોએ ભેગા મળીને પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. વર્ષ 2014 થી 2016 દરમિયાન આ સંસ્થાઓએ પોતાની સંસ્થાના બેનર હેઠળ ખોટા વિદ્યાર્થીઓના નામે નકલી દસ્તાવેજો ઉભા કર્યા હતા અને અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીમાંથી કરોડોની રકમ મેળવી લીધી હતી. આ સંચાલકોએ સરકારને અંધારામાં રાખી વિદ્યાર્થીઓના હકની 4,60,38,550 રૂપિયાની રકમ ચાઉં કરી દીધી હતી. તપાસમાં એવું પણ ખુલ્યું હતું કે આ રકમ જે તે વિદ્યાર્થીઓને ક્યારેય મળી જ નહોતી, પરંતુ સંચાલકો અને આચાર્યોએ ખોટા ચેક મેળવીને ઉચાપત કરી લીધી હતી. આ મામલે અત્યાર સુધીમાં કુલ 15 થી વધુ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ તપાસ ચાલુ છે. પકડાયેલ આરોપી વિપુલ જેઠવા આ ગુનામાં સંડોવાયેલ હોવાથી તેને અટક કરવાના ચક્રો ગતિમાન હતા જે અંતર્ગત તેને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર સાથે એ.એસ.આઈ. વિક્રમ ચાવડા, હેડ કોન્સ્ટેબલ મેણસી અખેડ, પોલીસ કોન્સ્ટેબલ રોહિત ધાધલ, કૃણાલસિંહ પરમાર અને મયુર ઓડેદરા સહિતનો સ્ટાફ જોડાયો હતો. હાલમાં પકડાયેલ આરોપીની વધુ પૂછપરછ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ટીંબા જીનિંગ સોસાયટીમાં 35 વર્ષે ચૂંટણી:12 બેઠકો માટે 12 ફોર્મ, બિનહરીફ થવાની શક્યતા
ગોધરા તાલુકાના ટીંબા ખાતે આવેલી 'ધી કૃષ્ણ કો-ઓપરેટિવ કોટન સેલ જીનિંગ એન્ડ પ્રેસિંગ સોસાયટી લિમિટેડ'માં 35 વર્ષ બાદ યોજાનારી વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી બિનહરીફ થવાની શક્યતા છે. આગામી 6 એપ્રિલે યોજાનારી ચૂંટણી માટે તમામ 12 બેઠકો પર માત્ર 12 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. વર્ષ 1965માં સ્થપાયેલી આ જીનિંગ અને પ્રેસિંગ સોસાયટી એક સમયે વિસ્તારના ખેડૂતો માટે મહત્વપૂર્ણ હતી. જોકે, કેટલાક ટેકનિકલ કારણોસર સોસાયટી ફડચામાં ગઈ હતી. લાંબા સમય બાદ, સંસ્થાને ફરીથી કાર્યરત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે અને 35 વર્ષના લાંબા ગાળા પછી પ્રથમ વખત ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સોસાયટીની વ્યવસ્થાપક સમિતિની કુલ 12 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા 16 જાન્યુઆરીના રોજ પૂર્ણ થઈ. ગ્રામ્ય શરાફી મંડળી, સેવા સહકારી મંડળી, વિવિધ કાર્યકારી મંડળી, ખેતી મંડળી અને પિયત મંડળી જેવા કુલ 10 વિભાગો માટે 10 ફોર્મ ભરાયા છે. આ ઉપરાંત, ખેડૂત વ્યક્તિગત સભ્યોની 2 બેઠકો માટે પણ માત્ર 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. નિયત 12 બેઠકો સામે 12 જ ફોર્મ ભરાયા હોવાથી હવે કોઈ હરીફ ઉમેદવાર મેદાનમાં નથી. અગાઉ 5 એપ્રિલે મતદાન અને 6 એપ્રિલે મતગણતરી નિર્ધારિત હતી, પરંતુ વર્તમાન પરિસ્થિતિ જોતા હવે તમામ સભ્યો બિનહરીફ ચૂંટાઈ આવશે તે નિશ્ચિત છે.
મોરબીના રાજપર ગામે યુવાન તળાવમાં ડૂબ્યો:પાણીમાં ડૂબી જવાથી સંતરામપુરના પ્રકાશ પલાસનું મોત
મોરબી તાલુકાના રાજપર (કુંતસી) ગામે તળાવમાં ડૂબી જવાથી એક યુવાનનું મોત થયું છે. મૃતક યુવાનની ઓળખ 25 વર્ષીય પ્રકાશભાઈ પ્રતાપભાઈ પલાસ તરીકે થઈ છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના રાજપર (કુંતસી) ગામની સીમમાં આવેલા એક તળાવમાં બની હતી. આ તળાવ પુંજાભાઈ થોભણભાઈ સુવરિયાની વાડીની બાજુમાં, ફડસર ગામ તરફ જતા રસ્તા પર આવેલું છે. યુવાન કોઈ અગમ્ય કારણોસર પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક પ્રકાશભાઈ પલાસ મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના વાંકડી ગામ, નાળ ફળિયાના રહેવાસી હતા. ઘટના બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે મૃતક યુવાનના પત્ની સોનલબેન પ્રકાશભાઈ પલાસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે આ બનાવની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
મોરબીમાં પ્રેમસંબંધના મુદ્દે થયેલી મારામારીમાં એક 60 વર્ષીય વૃદ્ધની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ઘટના બુધવારે રાત્રે મયુર બ્રિજ નીચે બની હતી. અજય હઠીલા નામના યુવકને કાસુભાઈ ચાડમિયાની દીકરી સાથે પ્રેમસંબંધ હતો. અજયે કાસુભાઈ અને તેમના દીકરા મનોજભાઈ સાથે દીકરીના લગ્નની વાત કરી હતી. આ દરમિયાન બોલાચાલી અને ઝઘડો થયો હતો. ઝઘડો ઉગ્ર બનતા અજય હઠીલાએ તેના ઝૂંપડાની બાજુમાં રહેતા અન્ય ત્રણ શખ્સોને બોલાવી કાસુભાઈ અને મનોજભાઈને માર માર્યો હતો. આ હુમલામાં કાસુભાઈ ચાડમિયાને સાથળના ભાગે તીક્ષ્ણ હથિયારનો ઘા વાગતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મનોજભાઈ કાસુભાઈ ચાડમિયાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજય રમેશભાઈ હઠીલા (25), અજયભાઈ જાનૈયાભાઈ ખરાડી (25), બંટી હેનરીભાઈ ડામોર (33) અને દીપુ જાનૈયાભાઈ ખરાડી (42) વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. મોરબીના ડીવાયએસપી જે.એમ. આલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ ફરિયાદીના પિતા કાસુભાઈ હોથીભાઈ ચાડમિયા (60)ને પથ્થર અને લાકડાના ધોકા વડે માર માર્યો હતો અને ડાબા પગે તીક્ષ્ણ હથિયારનો ઘા માર્યો હતો. પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરી છે. આ બનાવમાં ક્રોસ ફરિયાદ પણ નોંધાઈ છે, જેમાં અજય હઠીલાએ મૃતક વૃદ્ધ અને તેમના દીકરા સહિત પાંચ શખ્સો સામે મારામારીની ફરિયાદ કરી છે. પોલીસે ક્રોસ ફરિયાદના આરોપીઓને પકડવા પણ તજવીજ શરૂ કરી છે.
ઉત્તરાયણના પર્વ દરમિયાન પતંગ ચગાવવા જેવી સામાન્ય બાબતે થતા ઝઘડાઓમાં વધુ એક કિસ્સો મહેસાણા તાલુકાના અંબાસણ ગામેથી સામે આવ્યો છે. વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાડવા બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે શખ્સોએ પિતા-પુત્ર પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ હિંસક ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા આધેડને સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લાઘણજ પોલીસ મથકે આ મામલે બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાઈ છે. પતંગ ચગાવવા મામલે પાડોશના છોકરાઓએ ગાળાગાળી શરૂ કરીઅંબાસણ ગામના 45 વર્ષીય ગોપાલજી ઠાકોરનો દીકરો તેમના કાકા ભલાજી ઠાકોરના ઘરે પતંગ ઉડાડવા ગયો હતો. આ સમયે પડોશમાં રહેતા મહેશજી બળદેવજી ઠાકોર અને દિનેશજી બળદેવજી ઠાકોરે 'તમે અહીં કેમ પતંગ ઉડાડવા આવ્યા છો' તેમ કહી ગાળાગાળી શરૂ કરી હતી. ગોપાલજી જ્યારે તેમના દીકરાઓને લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે બંને આરોપીઓએ લાકડીઓ લઈ દીકરા જીગર પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલા ગોપાલજી પર આરોપીઓએ આડેધડ લાકડીઓ ફટકારી હતી, જેના કારણે તેમને ડાબા હાથે અને પગના થાપાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. પોલીસે તપાસ હાથ ધરીહુમલા દરમિયાન આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બૂમાબૂમ થતા ગોપાલજીના ભાઈ અને ભાભી દોડી આવ્યા હતા અને તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. ઇજાગ્રસ્ત ગોપાલજીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ છે. પોલીસે ગોપાલજીની ફરિયાદના આધારે મહેશજી અને દિનેશજી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગુજરાત હાઇકોર્ટે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાના અધિકારીઓને સંયુક્ત રીતે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ મામલે આર્કિયોલોજીના અધિકારીઓ દ્વારા કોન્ડોનેશન ઓફ ડીલે માટેની અરજી કરી હતી. પરંતુ હાઇકોર્ટ સમક્ષ એવું સામે આવ્યું હતું કે, કેટલીક હકીકતો દબાવવામાં આવી હતી. તેથી અરજીને રદ કરતાં રૂપિયા 1 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ હુકમ ખુલ્લી અદાલતમાં સંભળાવવામાં આવ્યો હતો. અંડરટેકિંગ આપવા છત્તા જમીન સંપાદનનું વળતર ન ચૂકવ્યુંઆ કેસની મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના ધોળાવીરા ગામમાં જમીન સંપાદન કરવામાં આવ્યું હતું. આ જમીન સંપાદન બાદ યોગ્ય કિંમત મળી રહે એ માટે જમીન ધરાવતી વ્યક્તિઓએ કાનૂની કાર્યવાહી કરી હતી. એમાં 2023માં ભચાઉ કોર્ટે વળતર અંગેનો હુકમ કર્યો હતો. જે હુકમ બાદ દાવા કરનારે વળતર મેળવવા માટે એક્ઝિક્યુશન અરજી કરી હતી. જેમાં આર્કિયોલોજી તરફથી રૂપિયા ચુકવી દેવામાં આવશે એવી ખાતરી આપી હતી. જો કે તેમ છતાંય વળતરની રકમની ચૂકવણી થઇ નહોતી. કોર્ટ સમક્ષ આર્કિયોલોજીના અધિકારીઓએ ચારથી પાંચ વાર અંડર ટેકિંગ આપ્યું હતું કે તેઓ વળતરની ચૂકવણી કરી દેશે. આર્કિયોલોજી તરફથી હાઇકોર્ટમાં અરજી કરાઈ હતીજોકે, આ રકમની ચૂકવણીમાં વિલંબ થઇ જતાં તેને દૂર કરાવવા માટે આર્કિયોલોજી તરફથી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જે અરજીમાં વળતર મેળવવાની પાત્રતા ધરાવતા પ્રતિવાદીઓ તરફથી એડવોકેટ જીજ્ઞેશકુમાર નાયક કોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા અને તેમણે કોર્ટને સોગંદનામા ઉપર વિવિધ હકીકતો જણાવી હતી. અરજદારોને 1 લાખ રૂપિયાનો સંયુક્ત રીતે દંડ ફટકાર્યોહાઇકોર્ટે અરજદાર આર્કિયોલોજી તરફથી થયેલી અરજી ફગાવી કાઢી હતી અને ચુકાદામાં નોંધ્યું હતું કે, એક્ઝિક્યુશન એપ્લિકેશન ફાઇલ કરવાની હકીકતને કોર્ટથી છુપાવવાની વર્તણૂક અને અરજદારો દ્વારા જે બાહેંધરી આપવામાં આવી હતી. એનો અમલ કરવામાં આવ્યો ન હોવાના ગ્રાઉન્ડ પર આ કોર્ટનું માનવું છે કે, આ અરજી રદ થવાને પાત્ર છે. તેથી આ અરજી રદ કરવામાં આવે છે અને તમામ અરજદારોને 1 લાખ રૂપિયાનો સંયુક્ત રીતે દંડ ફટકારવામાં આવે છે. દંડની આ રકમ ત્રણ સપ્તાહની અંદર હાઇકોર્ટ સમક્ષ જમા કરાવી દેવાના રહેશે. આ રકમ વેરિફિકેશન બાદ આ કેસના મૂળ દાવેદારને આપવાની રહેશે.
ગાંધીનગરના સેક્ટર-4માં છેલ્લા 10 વર્ષથી સ્થાનિક રહીશો માટે માથાના દુખાવા સમાન બનેલી બિનવારસી જમીન હવે શહેરની સુંદરતામાં વધારો કરશે. વર્ષો અગાઉ ખોદકામ કરીને કાટમાળથી પૂરી દેવાયેલા સ્થળ પર ફરીથી તળાવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમક્ષ સ્થાનિકોએ કરેલી રજૂઆતો રંગ લાવી છે અને પાટનગરના આ વિસ્તારમાં જળસંચયની સાથે પર્યટન જેવું નવું કેન્દ્ર ઊભું થશે. અગાઉ ખોદકામ કરીને કાટમાળથી પૂરી દેવાયેલા સ્થળ પર ફરીથી તળાવ બનશેગાંધીનગરના સેકટર 4માં વર્ષો અગાઉ ખોદકામ કરીને કાટમાળથી પૂરી દેવાયેલા સ્થળ પર ફરીથી તળાવ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષો પહેલા જ્યારે ગાંધીનગરનો વહીવટ પાટનગર યોજના વિભાગ હસ્તક હતો ત્યારે અહીં તળાવ માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. જોકે સેક્ટર-1ના તળાવમાં પાણી ટકતું ન હોવાના તર્ક સાથે તંત્રએ સેક્ટર-4ના આ પ્રોજેક્ટને પડતો મૂકી ખાડામાં કાટમાળ ભરી દીધો હતો. જેના કારણે અહીં ગંદકી, મચ્છર અને વરસાદી પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. સ્થાનિક રહીશોની લાંબા સમયની લડત બાદ આખરે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા અહીં તળાવના નવીનીકરણની કવાયત શરૂ કરાઈ છે. નવું લેક ફ્રન્ટ બનવાથી 1000થી વધુ લોકોને ફાયદો થશેઆ પ્રોજેક્ટની વાત કરીએ તો,આશરે 5.015 કરોડના ખર્ચે સાકાર થનાર આ પ્રોજેક્ટથી સેક્ટર-4 અને આસપાસના અંદાજે 1000થી વધુ નાગરિકોને સીધો ફાયદો થશે. તળાવના નવીનીકરણની માટે 7962.91 ચોરસ મીટરના વિશાળ પ્લોટમાં આ પ્રોજેક્ટ ફેલાયેલો છે. જેમાં 2341.15 ચોરસ મીટરમાં મુખ્ય તળાવ વિકસાવવામાં આવશે. જ્યારે 5621.76 ચોરસ મીટર વિસ્તારમાં નાગરિક સુવિધાઓ ઉભી કરાશે. નવા લેક ફ્રન્ટમાં આ સુવિધાઓ હશેઆ માત્ર એક તળાવ નહીં પરંતુ એક સુંદર પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં બાળકો માટે ખાસ 'પ્લે એરિયા', વરિષ્ઠ નાગરિકો માટે બેસવાની વ્યવસ્થા અને સહેલાણીઓ માટે 'વોકિંગ ટ્રેક' બનાવવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારમાં હરિયાળી જાળવવા ગ્રીન લોન, આકર્ષક સ્કલ્પચર અને ટોઇલેટ બ્લોક જેવી સુવિધાઓનો સમાવેશ કરાયો છે. આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળના નીચા જતા સ્તરમાં સુધારો થશેઆ પ્રોજેક્ટ પાછળનો સૌથી મહત્વનો ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સંગ્રહ અને જળ સંરક્ષણનો છે. તળાવમાં પાણી ભરાવાથી આસપાસના વિસ્તારના ભૂગર્ભ જળના નીચા જતા સ્તરમાં સુધારો થશે. તંત્રના જણાવ્યા અનુસાર, આ કામગીરી 11 માસમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે અને આગામી 5 વર્ષ સુધી તેની જાળવણી સંબંધિત કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવશે.
ભાવનગરમાં નાવડા હેડવર્કસની વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેન્ટેનન્સ અને તરસમિયા ફિલ્ટર પ્લાન્ટમાં નવા પમ્પના ઇન્સ્ટોલેશનને કારણે આવતીકાલે શનિવાર ના રોજ પાણી પુરવઠો બંધ રહેશે, આનાથી વર્ધમાન ESR હેઠળના તળાજા રોડ, શિવનગર, તરસમિયા-અઘેવાડા ગામ અને દિલબહાર ESR હેઠળના કાળિયાબીડ, સાગવાડી, રામનગર અને અવધનગર સહિતના વિસ્તારોમાં પાણી મળશે નહીં. GWIL હસ્તકના નાવડા હેડવર્કસ ખાતે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં મેન્ટેનન્સની કામગીરી માટે તા.17/1/2026 થી તા.19/1/2026 સુધી પાણી સપ્લાય બંધ રહેવાનો હોવાના લીધે તેમજ તરસમીયા ફિલ્ટર પર ફિલ્ટર વિભાગ દ્વારા નવા પમ્પાના ઈસ્ટોલેશનની કામગીરી કરવાની હોવાથી આગામી તા.17/01/2026 ને શનીવારના રોજ ભાવનગર શહેરનાં તરસમિયા ફિલ્ટર આધારિત વિસ્તારોમાં પાણી સપ્લાય બંધ રહેશે. તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ નીચે આવતા વર્ધમાન ESR આધારિત આસ્થા, ઓમ, શ્રીનાથજીનગર, સીતારામ ચોક, સિંગલીયા(ભરતનગર) તખ્તેશ્વર રેસીડેન્સી, વર્ધમાનનગર, દેવરાજનગર, તળાજા રોડ, શિવનગર, શેત્રુંજી રેસીડન્સી-1-2-3-4, તરસમીયા ગામ, અઘેવાડા ગામ વગેરે વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે. ભાવનગરમાં તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ નીચે આવતા દિલબહાર ESR આધારિત કાળીયાબીડ-ડી, કેસરીયા હનુમાન અને તેની આજુબાજુના વિસ્તારો, સાગવાડી અને તેની આજુ-બાજુના વિસ્તાર, રામનગર, ખોડીયાર હોલ અને તેની આજુ-બાજુના વિસ્તાર, શિવપાર્ક, KPES સ્કુલ પાછળના વિસ્તાર અવધનગર, ગોકુળધામ, હરિઓમ નગર, નીલમણી નગર, પટેલ પાર્ક, કબીર આશ્રમ, શાંતિનગર વગેરે સહિતના વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહી.
વડોદરા શહેર પોલીસ, ગુજરાત સરકાર તથા SSGHના સંયુક્ત ઉપક્રમે ‘નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત’ના સંકલ્પને સાકાર કરવા વડોદરા શહેર પોલીસ એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં મલ્ટી એજન્સીને સાંકળીને વડોદરા શહેરને નશામુક્ત બનાવવામાં આવશે. આ સાથે સંકલ્પ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ડ્રગ્સ પકડનારથી માંડી રિહેબલેશન ક્ષત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલા અધિકારીઓને વડોદરા મેડિકલ કોલેજ ખાતે પ્રશસ્તિપત્ર એનાયત કરાયા હતા. જોકે, MLAએ કાર્યક્રમમાં નશાને લઈને આકરા તેવર બતાવ્યા હતા. યુવાનોમાં ડ્રગ્સની બદી સતત વધી રહી છેકાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, તાજેતરમાં વડોદરા પોલીસ દ્વારા 'નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, તે માટે વડોદરા પોલીસ કમિશનર અને તેમની સમગ્ર ટીમને હું બિરદાવું છું. હાલમાં યુવાનોમાં ડ્રગ્સની બદી સતત વધી રહી છે, જે ચિંતાનો વિષય છે. આ નશાને લીધે યુવાનો તો બરબાદ થાય જ છે પણ સાથે-સાથે તેમના પરિવારો પણ પાયમાલ થઈ જાય છે. આ બદીને મૂળમાંથી નાબૂદ કરવી અત્યંત આવશ્યક છે. આ માત્ર પોલીસની જ નહીં, પણ સમાજના દરેક નાગરિકની ફરજ છે. કોઈ પાસે ડ્રગ્સ કે નશાના કારોબાર અંગેની માહિતી હોય તો તુરંત જાણ કરોવધુમાં કહ્યું કે, જ્યારે પણ નવી નવી ખાનગી કોલેજો કે યુનિવર્સિટીઓ શરૂ થાય છે અને બહારથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે, ત્યારે આવી પ્રવૃત્તિઓ વધતી જોવા મળે છે. મારું માનવું છે કે આ બાબતે લોકોએ જાગૃત થવાની જરૂર છે. જો કોઈ પાસે ડ્રગ્સ કે નશાના કારોબાર અંગેની કોઈ પણ માહિતી હોય, તો તેમણે તુરંત પોલીસનો સંપર્ક કરવો જોઈએ. જો કોઈ સીધા પોલીસ પાસે ન જઈ શકે, તો તેમણે સામાજિક આગેવાનો કે નેતાઓ સુધી આ માહિતી પહોંચાડવી જોઈએ. જેથી વડોદરા અને આખું ગુજરાત નશામુક્ત રહી શકે. વિભાગના વિકાસ માટે હું ફંડમાંથી 10 લાખ આપીશ આ અંગે સરકારના સિનિયર અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, મેં અગાઉ પણ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરો માટે વાત કરી છે. નશામુક્તિ માટે વડોદરા પોલીસે આજે જે આ સુંદર મીટિંગનું આયોજન કર્યું છે, તેને હું દિલથી આવકારું છું અને તેમને ઘણી શુભેચ્છાઓ પાઠવું છું.વડોદરાની સયાજી હોસ્પિટલમાં ડ્રગ્સની અસરો અને તેની સારવાર માટે એક આખો અલગ ડિપાર્ટમેન્ટ (વિભાગ) શરૂ કરવામાં આવ્યો છે. મેં આજે જાહેરાત કરી છે કે, આ વિભાગના વિકાસ અને વધુ સારી કામગીરી માટે હું મારા ધારાસભ્ય ફંડમાંથી 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપીશ. વધુમાં કહ્યું કે, આજે મેં પોલીસને સ્પષ્ટ સૂચના આપી છે કે ડ્રગ્સના કેસમાં અત્યંત કડકાઈથી કામ લેવામાં આવે. આ સાથે જ મેં આજે એક મહત્વનું એલાન કર્યું છે કે જે કોઈપણ વ્યક્તિ ડ્રગ્સ વેચનારાઓને બચાવવા માટે પ્રયાસ કરશે પછી તે ગમે તે હોય તેના નામ મીડિયા અને અખબારોમાં જાહેર કરવામાં આવે એવી વાત પણ કરી છે. અલગ-અલગ નશાથી પીડિત દર્દીઓની સેન્ટરમાં સારવાર કરીકાર્યક્રમમાં SSGના ડૉ.મહેશ સુથારે હોસ્પિટલ ખાતે કાર્યરત ATF સેન્ટર ખાતે આજદિન સુધી વિવિધ પ્રકારના નશાની સારવાર માટે કુલ મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો છે. જેમાં દારૂના નશાની સારવાર માટે 801 દર્દીઓ, ઓપિઓઇડ નશા માટે 447 દર્દીઓ, તમાકુના નશા માટે 414 દર્દીઓ, ગાંજા/કેનાબિસના નશા માટે 104 દર્દીઓ અને અન્ય બહુવિધ પ્રકારના નશાથી પીડિત 137 દર્દીઓની સારવાર કરવામાં આવી છે એમ જણાવ્યું હતું.આ સાથે સેન્ટર ખાતે આપવામાં આવતી થેરેપી, નશામુક્તિની સારવાર, આરોગ્યલક્ષી સુવિધાઓ તથા તેઓના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ સર્વે અનુસાર શહેરમાં નશાથી પીડિત દર્દીઓની આંકડાકીય રૂપરેખા દર્શાવી હતી. નશામુક્ત ગુજરાતના સંકલ્પને મજબૂત બનાવવાનો હેતુ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નશામુક્તિ ક્ષત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરેલા પોલીસ જવાનો, આરોગ્ય વિભાગ, ફોરેન્સિક વિભાગના અધિકારી કર્મચારીઓ અને વિવિધ NGOના જાગૃત સભ્યોને પ્રશસ્તિપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. સમાજમાં નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવવાનો તથા નશામુક્ત ગુજરાતના સંકલ્પને મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ પદાધિકારીઓ અને સ્થાનિક નાગરિકો,પોલીસ કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના પૂર્વ મહાનગરપાલિકા અધિકારીઓને સજા:શ્રાવણી મેળામાં લાંચ લેવા બદલ એક વર્ષની જેલ
જામનગર મહાનગરપાલિકાના બે પૂર્વ અધિકારીઓને લાંચ કેસમાં એક-એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. જામનગરની મુખ્ય સેશન્સ કોર્ટે આ ચુકાદો આપ્યો હતો. આ કેસ 2013નો છે, જ્યારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી મેળા દરમિયાન એક સ્ટોલધારક પાસેથી રમકડાંના સ્ટોલનો સામાન બહાર રાખવા બદલ લાંચની માંગણી કરવામાં આવી હતી. તે સમયે મહાનગરપાલિકાના અધિકારી સુનિલ ભાનુશાળીએ ₹25,000ની લાંચ માંગી હતી. સ્ટોલધારકે એસીબીમાં ફરિયાદ કરતાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચની રકમ સુનિલ ભાનુશાળીના કહેવાથી અન્ય અધિકારી રાજેન્દ્રસિંહ (રાજભા) ચાવડાએ સ્વીકારી ત્યારે તેમને ઝડપી લેવામાં આવ્યા હતા. લાંચ રૂશ્વત વિરોધી શાખા દ્વારા બંને અધિકારીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જામનગરના મુખ્ય સેશન્સ ન્યાયાધીશ એન.આર. જોષીની કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. ટ્રેપિંગ અધિકારી ઝાલા, દસ્તાવેજી પુરાવા, સરકારી પંચની જુબાની અને સરકારી વકીલ ડી.આર. ત્રિવેદીની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે બંનેને દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે સુનિલ ભાનુશાળી અને રાજભા ચાવડાને એક-એક વર્ષની જેલ અને ₹5,000નો દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરપાઈ કરવાના કિસ્સામાં વધુ બે માસની સાદી કેદની સજાનો પણ હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સરકાર વતી એડવોકેટ ડી.આર. ત્રિવેદી રોકાયા હતા.
રાજકોટના પડધરી તાલુકાના ફતેપર ગામની સીમમાં રાજુભાઈની વાડીએ રહેતા મૂળ ઉત્તર પ્રદેશના વતની કનિયા ગુલાબસીંગ બામણીયા (ઉં.વ.25)એ ગઈકાલે રાત્રે 11 વાગ્યાં આસપાસ વાડીએ ઝેરી દવા પી લેતા પરિવારજનોએ બેભાન હાલતમાં પ્રથમ પડધરી સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો અહીં ઇમરજન્સી વિભાગમાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પડધરી પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ દરમિયાન મૃતકને સંતાનમાં ત્રણ બાળકો હોવાનું સામે આવ્યું છે. અગાઉ કનિયાને પગમાં ઈજા થઈ હતી જેની સારવાર ચાલુ હતી લાંબા સમય સુધી દવા લીધી છતાં પગમાં રૂઝ આવતી ન હતી અને દુ:ખાવો સહન થતો ન હતો જેનાથી કંટાળી આપઘાત કર્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વિજય ધનજીભાઈ કુંવારીયા (ઉં.વ.28) ગઈ તા.11.01.2026ના રોજ રાત્રીના સમયે ખોખડદળ પુલ અને હુડકો ચોકડી વચ્ચે કોઠારીયા રોડ પરથી અકસ્માત સબબ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અહીં સારવાર દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ પુછપરછ દરમિયાન મૃતક મજૂરી કામ કરતો હોવાનું અને અપરણિત હોવાનું સામે આવ્યું છે. તે ખોખડદળ મેલડી માતાજીના મંદિરે દર્શને જતો હતો ત્યારે બાઈક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. રાજકોટના મવડી ચોક પાસે ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતાં ગૌતમભાઈ મગનભાઈ રામાણી (ઉ.વ.38)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અને તેમનો ભાઈ ચિરાગ કારખાને હતા ત્યારે અજાણ્યા નંબર પરથી ચિરાગને વોટ્સએપ કોલ આવ્યો હતો અને કહ્યું કે, હુ કાઠમાંડુ (નેપાળ)થી વિશાલ પટેલ બોલું છું, અમે દરેક દેશમાં એફ.આર.પી. મેવોલ કવરની સપ્લાય કરીએ છીએ તમે એફ.આર.પી, મેવોલ કવર બનાવો છો, અમારે દર મહીને 20થી 22 ગાડી સપ્લાયની જરૂરીયાત છે, અમે તમારી પાસેથી એફ.આર.પી, મેવોલ કવર ખરીદ કરવા માંગીએ છીએ જેથી મોટી સપ્લાય કરવાથી ધંધાને વેગ મળે તેમ વિચારી હા પાડી હતી. આ સપ્લાય ચાલુ કરવા માટે નેપાળ બોર્ડરની સરકારી પરવાનગી લેવા માટે તેમજ સર્ટીફીકેટ કઢાવવા તમારે ગવર્ન્મેન્ટ સાઇટ ઉપર ઓનલાઇન રૂ.5300 પેમેન્ટ કરવું પડશે કહી એક ક્યુ.આર.કોડ મોકલ્યો જેમાં રૂપીયા ટ્રાન્સફર કર્યા બાદ વિશાલ પટેલના નંબર પર અનેક વાર સંપર્ક કર્યો પરંતુ કોઇ સંપર્ક થઈ શક્યો નહી જેથી સાયબર ફ્રોડ થયાનું જણાતા હેલ્પલાઇન નં.1930 ઉપર અરજી કર્યા બાદ શાપર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી શાપર પોલીસે આઈટી એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાયબર ગઠિયાને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
માંડવી કેમ્પમાં NCC કેડેટ્સની પેરાસેઈલિંગ તાલીમ:જામનગર ગ્રુપના 594 કેડેટ્સ 10 દિવસીય શિબિરમાં સામેલ
જામનગર એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સના આર્મી અને નેવી વિંગના 594 કેડેટ્સ માંડવી (કચ્છ) ખાતે ચાલી રહેલા દસ દિવસીય સંયુક્ત વાર્ષિક તાલીમ શિબિરમાં ભાગ લઈ રહ્યા છે. 14 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન 36 ગુજરાત બટાલિયન એનસીસી ભુજ દ્વારા આયોજિત આ શિબિરમાં કેડેટ્સ રોમાંચક પેરાસેઈલિંગ તાલીમ લઈ રહ્યા છે. પ્રમાણિત તાલીમકારની નિષ્ણાત દેખરેખ હેઠળ, કેડેટ્સને પેરાસેઈલિંગના મૂળભૂત સિદ્ધાંતો શીખવવામાં આવી રહ્યા છે. આ તાલીમમાં સલામતીના પગલાં, સાધનોનું સંચાલન અને હવાઈ નેવિગેશનનો સમાવેશ થાય છે. આ સાહસિક અનુભવ કેડેટ્સને ડરને દૂર કરવા અને તેમની મર્યાદાઓનું પરીક્ષણ કરવા પ્રેરિત કરે છે. એનસીસી દ્વારા આ સાહસિક તાલીમનું આયોજન યુવા કેડેટ્સમાં નેતૃત્વશક્તિ અને ટીમવર્કના ગુણો વિકસાવવા માટે કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, શારીરિક તથા માનસિક તંદુરસ્તી પ્રત્યે જાગૃત કરવા અને સાહસિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કરવા પણ આ તાલીમ મહત્વપૂર્ણ છે. દરિયાકિનારાથી ઉપર ઉડાન ભરતા કેડેટ્સનો આત્મવિશ્વાસ વધે છે. 36 ગુજરાત એનસીસી બટાલિયન ભુજના કમાન્ડિંગ ઓફિસર કર્નલ વિકાસ પ્રભાકરે કેડેટ્સના પ્રદર્શન અને ઉત્સાહ પર ગર્વ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ યુવા કેડેટ્સે અસાધારણ હિંમત અને શિસ્તનું પ્રદર્શન કર્યું છે. પેરાસેલિંગ એ માત્ર એક સાહસિક રમત નથી, પરંતુ નેતૃત્વ, નિર્ણય લેવાની ક્ષમતા અને ભયને દૂર કરવા જેવા મહત્વપૂર્ણ જીવન કૌશલ્યો વિકસાવવા માટેનું એક પ્લેટફોર્મ છે. આ કેમ્પમાં યુદ્ધ તથા કટોકટીના સમયે માહિતીનું આદાનપ્રદાન, ડ્રોન સ્પોટિંગ અને ફ્લાઇંગ, નાગરિક સંરક્ષણ અને પ્રાથમિક સારવાર જેવા વિષયો અંગે પણ કેડેટ્સને ખૂબ ઉપયોગી તાલીમ આપવામાં આવી રહી છે.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા આજે કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી. કુલપતિ ડો. કે. સી. પોરીયાના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં 20 જેટલા કામોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં એક વિદ્યાર્થી દ્વારા ખોટું એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ-ABC ID બનાવવામાં આવ્યું હોવાનો અને તેણે પરીક્ષા પણ આપી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ વિદ્યાર્થી એક વિષયમાં પાસ થયો હતો જ્યારે બીજા વિષયમાં નાપાસ થયો હતો. યુનિવર્સિટીને આ બાબતની જાણ થતાં, ખોટું ABC ID બનાવવા બદલ વિદ્યાર્થી પાસેથી એફિડેવિટ લેવાનો અને નિયમ મુજબ દંડની ફી વસૂલવાનો નિર્ણય કરાયો હતો. ભવિષ્યમાં આવા કિસ્સામાં પણ વિદ્યાર્થીએ એફિડેવિટ કરાવવું પડશે. આ ઉપરાંત, યુનિવર્સિટી કેમ્પસ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ગ્રૂપ ઇન્સ્યોરન્સ લેવાનો પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વિઝિટિંગ ફેકલ્ટી તરીકે આવતા અધ્યાપકોને લેક્ચર દીઠ અઢીસો રૂપિયા માનદ વેતન આપવામાં આવે છે. અગાઉ યુનિવર્સિટી દ્વારા આ રકમમાંથી 20% વહીવટી ચાર્જ કાપી લેવામાં આવતો હતો. હવે યુનિવર્સિટીએ આ વહીવટી ચાર્જ ન કાપવાનો અને અધ્યાપકોને પૂરી રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આગામી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને, યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં મનોવિજ્ઞાન કેન્દ્ર શરૂ કરવામાં આવશે. કુલપતિ કે. સી. પોરીયાએ જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીના અંત સુધીમાં આ કેન્દ્ર કાર્યરત થઈ જશે, જ્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા સંબંધિત સલાહ-સૂચન મેળવી શકશે. આ બેઠકમાં યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. રોહિતભાઈ દેસાઈ, આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર કમલભાઈ મોઢ અને ઈસી મેમ્બર મુકેશભાઈ પટેલ સહિતના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
જાપાન અને ચીનમાં લોકો અને વૃદ્ધો મોટા ભાગે એકલવાયું જીવન જીવે છે. ત્યાં એક શબ્દ છે જેનું નામ છે કોડોકુશી. મતલબ કે એકલતામાં તેમનું મૃત્યુ થઈ જાય તો પણ તેમના પરિવારોને અઠવાડિયા કે તેથી વધુ સમય સુધી ખબર નથી પડતી કે તેમના ઘરના વ્યક્તિનું મોત થઈ ગયું છે… કલ્પના કરો કે, અમદાવાદના પ્રહલાદનગર કે સેટેલાઈટ વિસ્તારના કોઈ આલીશાન ફ્લેટમાં એક વૃદ્ધ દંપતી રહે છે. તેમનો દીકરો અમેરિકામાં રહે છે. રવિવારની સવાર છે, પણ ડોરબેલ વાગતી નથી. પાડોશીને ખબર નથી કે બાજુના ઘરમાં શું ચાલે છે. અચાનક દીકરાના મોબાઈલમાં એક નોટિફિકેશન આવે છે, તમારા પિતાએ છેલ્લા 48 કલાકમાં એપમાં લોગ-ઈન કર્યું નથી. મહેરબાની કરીને તેમનો સંપર્ક કરો. ઉદાહરણ અમદાવાદનું છે પણ વાસ્તવિકતા 2026માં ચીનમાં જે ચાલી રહ્યું છે તેની છે. દુનિયાને કોરોના વાયરસ ભેટ આપનાર ચીન હવે દુનિયાને એક નવી એપ આપી રહી છે જેનું નામ છે આર યુ ડેડ એપ. આ એક એપ્લિકેશન નથી પણ 21મી સદીની સૌથી મોટી એકલતા એટલે કે લોન્લીનેસની વૈશ્વિક વાસ્તવિકતા છે. ચીને એકલતાને વેચીને પણ બિઝનેસ મોડલ ઉભું કરી દીધું છે. માટે આપણે જાણવું જરૂરી બની જાય છે કે શું છે આ એપ? કેમ ચીન અને દુનિયામાં આર યુ ડેડ એપનો ટ્રેન્ડ વધી રહ્યો છે? આજે જાણીએ ડિજિટલ મોક્ષની માયાજાળની અને બદલાતી માણસની જીંદગીને નમસ્કાર... સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે દુનિયાના કોઈ પણ ખુણા સાથે તો કનેક્ટ થયા પણ માણસાઈથી ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ. જેનો જીવતો જાગતો પુરાવો છે ચીનની આર યુ ડેડ અથવા તો ડેમુમુ એપ. ચીનના ઝેંગઝોઉ શહેરમાંથી નીકળેલી આ એપ આજે વિશ્વભરમાં ટોપ એપ બની ગઈ છે. તેનો એક જ ઉદ્દેશ્ય છે. જો તમે મરી ગયા હો તો તમારા સંબંધીઓને જાણ કરવી. સાંભળવામાં અજીબ લાગશે પણ આ જ તેનું કામ છે. આ એપમાં એક મોટું લીલા કલરનું બટન આવે છે જેના પર 24થી 48 કલાકમાં ક્લિક કરવાનું હોય છે. જેથી તમારા આસપાસના લોકોને ખબર પડે કે તમે સેફ છો. જો સતત બે દિવસ સુધી ક્લિક ન કરો તો લોકોને મેસેજ જાય છે કે તમે લોગઈન નથી કર્યું માટે કંઈક ગરબડ છે. 13 હજારમાં બનેલી એપનું કરોડોમાં વેલ્યુએશન આ એપની શરૂઆત થાય છે મે 2025માં. ચીનની મૂનસ્કેપ ટેક્નોલોજી નામની કંપની, જેમાં ત્રણ જેનઝી યુવાનોએ 1 હજાર યુઆન એટલે કે લગભગ 13 હજાર ભારતીય રૂપિયામાં એપ બનાવી નાખી. શરૂઆતમાં એપનું નામ સિલેમે રાખવામાં આવ્યું હતું જેનો આપણી ભાષામાં અર્થ થાય છે શું તમે મરી ગયા છો? નામ ચીની ફેમસ ફૂડ એપ ઈલેમેથી રાખવામાં આવ્યું જેનો મતલબ થાય છે શું તમે ભૂખ્યા છો? એપને એટલી લોકપ્રિયતા મળી કે કંપનીનું વેલ્યુએશન હાલ 10 મિલિયન યુઆન એટલે કે ભારતીય રૂપિયા મુજબ 13.3 કરોડ થઈ ગયું છે. માનવ જીવની કિંમત હવે માત્ર એક ડિજિટલ બટન જો તમે આ એપમાં બટન નથી દબાવતા તો તમારા સર્કલના લોકો કે સંબંધીઓ સમજી લેશે કે કાં તો તમે બેભાન છો અથવા કાં તો તમે મૃત્યુ પામ્યા છો. તમારા સર્કલના લોકોને ઈમેઈલ મારફતે આ મેસેજ જાય છે. ટૂંકમાં આપણે એવા જમાનામાં આવી ગયા છીએ જેમાં માણસના જીવની કિંમત એક ડિજિટલ બટન બની ગયું છે. દુનિયાભરમાં એકાએક એપ વાયરલ માત્ર ચીનમાં જ નહીં પણ અમેરિકા, સિંગાપોર, ઓસ્ટ્રેલિયામાં પણ એપ ટ્રેન્ડમાં છે. એવું એટલા માટે કારણ કે એક તો તેનું નામ, અને બીજું એકલા રહેવાની સંસ્કૃતિ. ત્રીજું એપની ડિઝાઈન એકદમ સિમ્પલ છે. ચીન-ભારતની સંસ્કૃતિમાં તફાવત આપણા ભારતીય દર્શનશાસ્ત્રમાં મોક્ષ એટલે કે જન્મ મરણના ફેરામાંથી મુક્તિની વાત છે. આપણે ત્યાં શેરી અને બારીની સંસ્કૃતિ છે. કોઈના ઘરે ચૂલો ન સળગે તો પણ પાડોશીને ખબર પડી જાય છે. આપણી સંસ્કૃતિ સંયુક્ત છે અને ચીનમાં વધતી જનસંખ્યાના કારણે સરકારે નિર્ણય લીધો અને એક જ બાળકના કારણે ચીનની સંસ્કૃતિ એકલવાઇ થઈ ગઈ. આપણી સંસ્કૃતિ પણ ધીમે ધીમે આ જ મોડમાં જઈ રહી છે. પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ આપણે જે રીતે વેસ્ટર્ન કલ્ચર તરફ વધી રહ્યા છીએ તેના લીધે એવું લાગે છે કે ભવિષ્યમાં એવો સમય આવશે કે આપણે પણ એકલા પડી જશું. જે સમયગાળો અત્યારે ચીનમાં ચાલી રહ્યો છે. જેના જ કારણે માત્ર મહિનાના 1 ડોલરના ખર્ચે એપ એક બટન દબાવીને બિઝનેસ કરી રહી છે. ચીનમાં કોઈ એકલો રહેતો માણસ મરી જાય તો અઠવાડિયા પછી ખબર પડે છે. ચીનમાં આ એપની જરૂર કેમ પડી? સામાજિક કારણઃ ચીનમાં એક કોન્સેપ્ટ છે... 9-9-6. એટલે કે સવારે 9 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી અઠવાડિયાના 6 દિવસ કામ કરો. ભારતમાં પણ વધતા આધુનિકીકરણે આવી પરિસ્થિતિ લાવી દીધી છે. પૈસાની દોડમાં લોકો પાસે જીવવાનો પણ સમય નથી ખબર કાઢવાની તો વાત જ દૂર રહી. મનોવૈજ્ઞાનિક કારણઃ એક થિયરી છે જેનું નામ છે ટેરર મેનેજમેન્ટ થિયરી. તેનું કહેવું છે કે માણસને સૌથી વધુ ડર મૃત્યુનો છે. આ એપ એ ડરનું મોનિટાઈઝેશન કરે છે. માટે લોકો મહિને એક ડોલર આપીને મેન્ટલ પીસ અને સેફ્ટી ખરીદી રહ્યા છે. લોન્લીનેસ ઈકોનોમીઃ ચીનમાં અત્યારે 12.5 કરોડ ઘર એવા છે જેમાં એક જ વ્યક્તિ રહે છે. 2030 સુધીમાં આ આંકડો 20 કરોડને પાર થઈ જશે. જે ચીનના કુલ ઘરોના 30 ટકા હશે. 2010માં ચીનમાં એક ઘરમાં ત્રણ લોકો રહેતા હતા. ઝડપી શહેરીકરણ, માઈગ્રેશન અને લગ્ન ન કરવા અથવા લગ્ન મોડેથી કરવાના કારણે 2020માં ચીનમાં પરિવારનું કદ 2 થઈ ગયું છે. મતલબ એક ઘરમાં 2 જ લોકો રહે છે. લગ્ન ન કરવાના ટ્રેન્ડનો સતત વધતો વ્યાપ 2013થી 2023 વચ્ચે ચીનમાં લગ્ન કરનારા લોકોની સંખ્યા 75 ટકા ઘટી ગઈ છે. ટૂંકમાં 100માંથી 25 લોકો જ લગ્ન કરે છે. 2024માં પણ ચીનમાં લગ્ન ન કરવાની સંખ્યા વધારે જોવા મળી છે. માટે એકાંત જીવન જીવતા લોકો એક વિશાળ માર્કેટ છે જેને આર યુ ડેટ એપના લોકો લોન્લીનેસ ઈકોનોમી ગણી રહ્યા છે. સિક્કાની બીજી બાજુ પણ ઘણા લોકોનું કહેવું છે કે આવી એપ વૃદ્ધોની સુરક્ષા માટે સારી વાત છે. જો કે તેમાં કંઈ પ્રશ્ન નથી... પણ થોડું ઊંડું ઉતરીને જોઈએ તો અમુક લોકો આવી એપના કારણે વર્ચ્યુઅલ કિડનેપિંગ પણ થઈ શકે. જો કોઈ હેકરને ખબર પડે કે તમે તમારા ફોનને 48 કલાકથી નથી અડ્યો તો તમારા પરિવાર પાસે ફોન કરીને ખંડણી પણ માગી શકે. માટે આ સુરક્ષા પણ છે અને સ્લીપર સેલ પણ... આપણે ત્યાં એપલ સિવાય આ એપ પ્રતિબંધિત છે. કારણ છે ડેટા સોવર્નિટી. તમને યાદ હોય તો ગલવાન ઘાટીમાં સંઘર્ષ બાદ 2020માં ભારતે ટિકટોક, વીચેટ અને પબજી સહિત 50થી વધુ ચીની એપ પર બેન મૂક્યો હતો. જો કે ભલે આ એપ ચીની છે પણ એપના જણાવ્યા મુજબ તે કોઈ વ્યક્તિનો પર્સનલ ડેટા કે લોકેશન નથી માગતી. ડેમુમુ એપ ઈમેઈલ અને ઈમરજન્સી કોન્ટેક્ટ જેવી વિગતો જ યુઝર પાસેથી લે છે. કંપનીના કહ્યા મુજબ ડેટા પણ એન્ક્રિપ્ટેડ છે અને થર્ડ પાર્ટી એપને ડેટા વેચવામાં પણ નથી આપતા. સામેની બાજુ આપણે જોઈએ તો ચીનમાં નેશનલ ઈન્ટેલિજન્સ લો મુજબ ચીની સરકાર ચીનની કોઈ પણ કંપનીને તેનો ડેટા સરકાર સાથે શેર કરવા માટે મજબૂર કરી શકે છે. સિલ્વર બજારનો વધી શકે ટ્રેન્ડ એક સવાલ થાય કે આ એપ અને બજારને શું લેવા દેવા? તો જવાબ મળે છે કે આ એપનું ટ્રેન્ડિંગ હોવું જ દર્શાવે છે કે એપ બજારમાં કેટલી સફળ છે. આ એપ જીવંત સબૂત છે કે સિલ્વર ઈકોનોમી એટલે કે વૃદ્ધો માટેની પ્રોડક્ટમાં ભવિષ્યમાં રોકાણ વધી શકે છે. ટેક્નોલોજી નહીં પાડોશીનો સાથ જરૂરી ભલે આ એપ ભારતમાં એન્ડ્રોઈડમાં નથી ચાલી રહી પણ કોન્સેપ્ટ તો હજુ પણ અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં લાગુ થાય છે. આજની તારીખે પણ ગુજરાતમાં ઘણા વૃદ્ધો સંતાનો વિદેશ કે શહેર કમાવવા ગયા હોવાના કારણે એકલા રહે છે. જો કે આપણું જોઈન્ટ ફેમેલીનું કલ્ચર હજુ સાવ સંસ્કૃતિમાંથી ગયું નથી તે નોંધવું રહ્યું. આવી એપ્સના કારણે ભારતમાં પણ બની શકે કે ભવિષ્યમાં વૃદ્ધો માટેના ગેજેટ્સ કે બિલ્ડર વૃદ્ધોમાટેના અલગ ઘર બનાવવા પાછળ મકાનો બનાવી શકે. અને છેલ્લે... આપણા વડવાઓ કહેતા હતા કે પહેલો સગો એ પાડોશી. વધતા શહેરી કરણ અને ગામડાઓમાંથી થતા માઈગ્રેશનના કારણે આજે ભારતમાં પણ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે આપણે આપણા પાડોશીના ઘરનો દરવાજો ખખડાવવામાં પણ દસવાર વિચારીએ છીએ. સાચો મોક્ષ એ નથી કે તમે મરો પછી કોઈને ખબર પડે સાચો મોક્ષ તો એ છે કે તમે જીવતા હોવ અને ત્યારે તમારો હાથ પકડવાવાળું કોઈ હોય. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. સોમવારે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
ડાંગ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધા અને ડાકણ પ્રથા જેવા કુરિવાજોને કારણે અનેક મહિલાઓ માનસિક અને શારીરિક અત્યાચારનો ભોગ બનતી હતી. શિક્ષણ અને ગરીબીના અભાવે લોકો વૈજ્ઞાનિક સારવારને બદલે ભગત-ભુવા પર વિશ્વાસ રાખતા હતા, જેના પરિણામે નિર્દોષ મહિલાઓને ‘ડાકણ’ ઠેરવી સમાજમાંથી બહિષ્કૃત કરવામાં આવતી હતી. આ કુરિવાજોને નાબૂદ કરવા અને પીડિત મહિલાઓને ન્યાય, સુરક્ષા તથા આત્મવિશ્વાસ આપવા માટે ડાંગ જિલ્લા પોલીસે ‘પ્રોજેક્ટ દેવી’ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ પોલીસની શી ટીમ ભોગ બનેલી અથવા સમાજમાંથી બહિષ્કૃત થયેલી મહિલાઓની ઓળખ કરે છે. પોલીસ ટીમ આવી મહિલાઓની નિયમિત મુલાકાત લઈ તેમની સમસ્યાઓ સાંભળી ઉકેલ લાવે છે. મહિલાઓ પર થતા અત્યાચાર અંગે કાયદાકીય જોગવાઈઓની સમજ આપવામાં આવે છે. જરૂર પડ્યે પોલીસ દ્વારા સંપૂર્ણ રક્ષણ અને કાયદાકીય સહાય પણ પૂરી પાડવામાં આવે છે. આયુષ્માન, ઉજ્જ્વલા, વિધવા સહાય પેન્શન અને આવાસ યોજના સહિત વિવિધ સરકારી યોજનાઓનો લાભ અપાવી મહિલાઓને સ્વાભિમાનપૂર્વક જીવન જીવવા માટે સશક્ત બનાવાય છે. સિનિયર પોલીસ અધિકારીઓ ગામના આગેવાનો અને કુટુંબીજનો સાથે બેઠકો યોજી અંધશ્રદ્ધા દૂર કરવા માટે વ્યાપક સમજણ આપે છે. ડાંગ જિલ્લામાં ઑક્ટોબર 2023થી અમલમાં આવેલા ‘પ્રોજેક્ટ દેવી’ અંતર્ગત અત્યાર સુધીમાં 70થી વધુ મહિલાઓને ‘દેવી’ તરીકે સન્માનિત કરી સમાજમાં ફરીથી માન-સન્માન અપાવવામાં આવ્યું છે. નવરાત્રિ મહોત્સવ દરમિયાન પણ આ મહિલાઓનું વિશેષ સન્માન કરાયું હતું. પોલીસ અધિકારીઓએ પ્રોજેક્ટ દેવીની અસર અંગે જણાવ્યું કે, અગાઉ ડાકણ કહી અપમાનિત થતી મહિલાઓ હવે નિર્ભય બની સમાજમાં જીવી રહી છે. કેટલાક કિસ્સાઓમાં બાળકોને પણ માતા વિશે અપમાનજનક વાતો કહેવામાં આવતી હતી, જે હવે બંધ થઈ ગઈ છે. પોલીસની તાત્કાલિક કાર્યવાહી અને સતત સંપર્કથી ગામના લોકોમાં પણ પરિવર્તન આવ્યું છે. આ સંવેદનાસભર અને સમાજ પરિવર્તન લાવતી કામગીરી બદલ વર્ષ 2024માં ‘પ્રોજેક્ટ દેવી’ને પોલીસ સેફ્ટી, ક્રાઇમ વિક્ટિમ સપોર્ટ અને આસિસ્ટન્સ કેટેગરી હેઠળ પ્રતિષ્ઠિત ગોલ્ડ સ્કોચ એવોર્ડથી સન્માનિત કરાયો છે. ડાંગ જિલ્લા પોલીસ અંધશ્રદ્ધા મુક્ત, સુરક્ષિત અને શિક્ષિત સમાજના નિર્માણ માટે સતત કાર્યરત છે. મહિલાઓની સુરક્ષા, પુનર્વસન અને સામાજિક સ્વીકાર માટે શરૂ કરાયેલો ‘પ્રોજેક્ટ દેવી’ આજે પીડિત મહિલાઓ માટે આશાનો દીવો બની રહ્યો છે.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરના વિવિધ મહત્વપૂર્ણ વિકાસકાર્યોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં સુમેરા સૌ પ્રથમ પુષ્કરધામ મેઈન રોડ પર સ્થિત હોકર્સ ઝોનનાં સ્થળે પહોંચ્યા હતા. અહીં તેમણે ફેરિયાઓ માટે વ્યવસ્થા, સફાઈ અને ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કરી લોકોને અગવડ ન પડે તે રીતે કામગીરી કરવા સૂચના આપી હતી. ત્યારબાદ તેમણે મવડી ખાતે નવનિર્મિત ઈન્ડોર સ્ટેડિયમની મુલાકાત લીધી હતી. આ આધુનિક સુવિધાઓથી સજ્જ સ્ટેડિયમમાં રમતગમતને પ્રોત્સાહન મળે તે માટે ખેલાડીઓની સુરક્ષા અને ભવન જાળવણી અંગે તેમણે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.અંતમાં, સ્માર્ટ સિટી વિસ્તારમાં આકાર લઈ રહેલી વુમન વર્કિંગ હોસ્ટેલના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું. કામકાજ કરતી મહિલાઓને સુરક્ષિત તેમજ આધુનિક નિવાસસ્થાન મળે તેનાં માટે આ પ્રોજેક્ટ મહત્વનો હોય કમિશનરે આ કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં અને ઉચ્ચ ગુણવત્તા સાથે ઝડપથી પૂર્ણ કરવા માટે એજન્સી અને અધિકારીઓને આદેશો આપ્યા હતા. રાજકોટમાં ફૂડ દ્વારા ઊંધિયું, ફાફડા અને જલેબીના નમૂના લેવાયા, 21 ધંધાર્થીઓની તપાસ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના આનંદ બંગલા ચોકથી મવડી ચોકડી સુધીના વિસ્તારમાં કુલ 21 જેટલા ધંધાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દરમિયાન તહેવારો અને ખાણીપીણીની મોસમને ધ્યાનમાં રાખી ખાસ કરીને ઊંધિયું, ફાફડા અને જલેબી જેવા ખાદ્ય પદાર્થોના નમૂના લેવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 4 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં શ્રી પટેલ ચાઇનીઝ એન્ડ સાઉથ ઇન્ડિયન (કોઠારીયા રોડ) અને મટુકી રેસ્ટોરેન્ટ (કાલાવડ રોડ) ખાતેથી તૈયાર ઊંધિયું સબ્જીના નમૂના લેવાયા હતા. આ ઉપરાંત કોટેચાનગર મેઇન રોડ પર આવેલ બજરંગ ફરસાણમાંથી ફાફડા ગાંઠિયા અને જંકશન પ્લોટ વિસ્તારમાં અમૃત સ્વીટસ નમકીન એન્ડ ડેરી ફાર્મમાંથી જલેબીના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓ ઉપરાંત અન્ય 9 સ્થળો પર સ્થળ પર જ ખાદ્ય ચીજોની ચકાસણી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની આ કાર્યવાહીમાં લાયસન્સ વગર વ્યવસાય કરતા એકમો સામે પણ લાલ આંખ કરી નોટિસો આપવામાં આવી હતી. આ ઉપરાંત મધુભાઈ ગોરધનભાઈ ચેવડાવાળા, સિલ્વર બેકરી, રાજુ ખમણ અને મિલન સ્વીટ માર્ટ જેવા કુલ 21 એકમોમાં સ્વચ્છતા અને સંગ્રહ બાબતે પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રાજકોટ મનપાનાં વેરા વિભાગે 378 મિલકતો સીલ કરી રૂ. 4.92 કરોડ વસુલ્યા રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં બાકી મિલકત વેરા સામે મેગા રિકવરી ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન વેરા વસૂલાત શાખાએ આક્રમક કાર્યવાહી કરતા કુલ 378 મિલકતોને સીલ કરી હતી, જ્યારે 485 મિલકતો સામે રિકવરીની પ્રક્રિયા હાથ ધરી કુલ રૂ. 4.92 કરોડની વસૂલાત કરવામાં આવી હતી. મનપા દ્વારા રહેણાંક, વ્યાવસાયિક તેમજ ઔદ્યોગિક એકમો સહિતના મિલકતધારકોને બાકી વેરો અને પાણી ચાર્જ સત્વરે ભરી દેવા તાકીદ કરવામાં આવી છે. એટલું જ નહીં મહાનગરપાલિકા દ્વારા રૂ. 5,000 કે તેથી વધુ રકમ બાકી હોય તેવા મિલકતધારકોની યાદી સત્તાવાર વેબસાઇટ www.rmc.gov.in પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જે મિલકતધારકો નિર્ધારિત સમયમાં નાણાં નહીં ભરે તેમની સામે GPMC એક્ટની કલમ 128 હેઠળ નળ કનેક્શન કાપવા તેમજ મિલકતની હરરાજી કરવા જેવી કડક કાર્યવાહી આગામી સપ્તાહથી શરૂ કરવામાં આવનાર છે. રાજકોટમાં નવી તૈયાર થયેલી શાળા નં. 76 શરૂ કરવામાં વિલંબ, જાતે ઉદઘાટન કરવાની કોંગ્રેસની ચીમકી રાજકોટના પૂર્વ ઝોનમાં આવેલા વોર્ડ નં. 15માં ખોડીયાર નગર મેઈન રોડ પર ખોડીયાર પ્રાથમિક શાળા (શાળા નં. 76)નું નવું બિલ્ડીંગ લાંબા સમયથી તૈયાર થઈ ગયું હોવા છતાં મનપા તંત્ર દ્વારા તેને કાર્યરત કરવામાં નહીં આવતા વિવાદ સર્જાયો છે. આ વોર્ડના કોંગ્રેસી કોર્પોરેટરોએ શાસકો સામે આકરા પ્રહારો કર્યા છે. કોર્પોરેટર વશરામ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, કોમલબેન ભારાઈ અને ભાનુબેન સોરાણીએ આક્ષેપ કર્યો છે કે બિલ્ડીંગ તૈયાર હોવા છતાં કયા મોટા નેતાની રાહ જોવામાં આવી રહી છે તે સમજાતું નથી. જો આગામી 8 દિવસમાં આ શાળા ચાલુ કરવામાં નહીં આવે તો કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહીશોને સાથે રાખીને જાતે જ ઉદઘાટન કરી નાખવામાં આવશે. વધુમાં જણાવવામાં આવ્યું છે કે શાળાનું નવું બિલ્ડીંગ બનતું હતું તે વચ્ચે આ વિસ્તારના બાળકોને દૂર અભ્યાસ કરવા જવું પડતું હતું, જેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ પણ કોર્પોરેશન દ્વારા આપવામાં આવ્યો નથી. હાલમાં આ વિસ્તારના બાળકોને શાળા નં. 76 અને 29 જ્યાં સંયુક્ત રીતે ચાલે છે ત્યાં સુધી લાંબો ધક્કો ખાવો પડે છે. મનપાએ લાંબા સમય બાદ પોતાની માલિકીનું બિલ્ડીંગ બનાવ્યું હોવા છતાં તેના લોકાર્પણમાં આશ્ચર્યજનક વિલંબ થઈ રહ્યો છે. આ પ્રશ્ન અગાઉ જનરલ બોર્ડમાં પણ ઉછળ્યો હતો, પરંતુ તંત્રની ઉદાસીનતાને કારણે હજુ સુધી બાળકોને નવી સુવિધાનો લાભ મળી શક્યો નથી. રાજકોટમાં આવાસ યોજનાના ફ્લેટમાં રહેવા ન જનારા લાભાર્થીઓના ક્વાર્ટર જપ્ત કરવા માંગ રાજકોટમાં મહાપાલિકા, રૂડા અને હાઉસીંગ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ આવાસ યોજનાઓમાં અનેક લાભાર્થીઓને ફ્લેટ ફાળવવામાં આવ્યા છે, પરંતુ લાંબા સમયથી લાભાર્થીઓ રહેવા આવતા ન હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે સામાજીક કાર્યકર સવજી ભાઇ ફળદુએ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, સાંસદો અને ધારાસભ્યોને પત્ર લખી રજૂઆત કરી છે કે જે લાભાર્થીઓ કવાર્ટર લાગ્યા બાદ પણ ત્યાં રહેતા નથી, તેમના કવાર્ટર જપ્ત કરીને વેઇટીંગમાં રહેલા જરૂરતમંદ લોકોને ફાળવવા જોઈએ. પત્રમાં જણાવાયું છે કે ઘણી યોજનાઓમાં દસ્તાવેજોની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને ચાવી પણ સોંપી દેવામાં આવી છે. તેમ છતાં 6 મહિનાથી લઈને 5 વર્ષ સુધીના લાંબા સમયગાળા બાદ પણ અનેક પરિવારો રહેવા આવ્યા નથી. બીજી તરફ, અનેક ગરીબ પરિવારો આવાસના ડ્રોમાં નામ ન લાગતા હજુ પણ વેઇટીંગ લિસ્ટમાં છે. તંત્ર દ્વારા સ્થળ તપાસ કરીને આવા બંધ રહેતા કવાર્ટર શોધી કાઢવા જોઈએ. સવજીભાઇએ માંગ કરી છે કે કાયદેસરની જોગવાઈ કરીને બિનઉપયોગી ફ્લેટ પરત ખેંચવા જોઈએ જેથી રૂપિયા ખર્ચી મકાન લેવા ઈચ્છતા ખરા હકદારોને આશરો મળી શકે.
ડાંગ જિલ્લાના વઘઇ પોલીસ સ્ટેશને ઓપરેશન મિલાપ અંતર્ગત એક પ્રશંસનીય કામગીરી કરી છે. વર્ષ 2013માં ગુમ થયેલા રણજીતભાઈ ચિંતુભાઈ ચૌધરીને 13 વર્ષ બાદ શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું છે. રણજીતભાઈ મૂળ વઘઇ તાલુકાના વાનરચોંડ ગામના રહેવાસી છે. રણજીતભાઈ વર્ષ 2012-13 દરમિયાન વાપી સ્થિત રાફેલ કોલેજમાં અભ્યાસ કરતા હતા. તે સમયે તેઓ કોઈને જાણ કર્યા વગર હોસ્ટેલમાંથી નીકળી ગયા હતા. ત્યારબાદ તેમના પરિવારે તેમની ગુમશુદાની નોંધ કરાવી હતી. જિલ્લામાં નોંધાયેલી ગુમ તથા અપહરણની ઘટનાઓમાં ગંભીરતાથી કાર્યવાહી કરવાના નિર્દેશ બાદ વઘઇ પોલીસ સ્ટેશનની ટીમે આ કેસને ફરી સક્રિય રીતે હાથ ધર્યો. પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ, ગુમ થયેલા રણજીતની શોધખોળ માટે વાપી કોલેજ ખાતે જઈ તેમના સહાધ્યાયીઓનો સંપર્ક કરવામાં આવ્યો. મળેલી માહિતીના આધારે, પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને તપાસ આગળ વધારી. આ તપાસ દરમિયાન રણજીતભાઈ કચ્છ જિલ્લાના ગાંધીધામ ખાતે હોવાની મહત્વપૂર્ણ માહિતી પ્રાપ્ત થઈ. આ માહિતી મળતાની સાથે જ વઘઇ પોલીસ સ્ટેશનની એક ટીમને તાત્કાલિક કચ્છ મોકલવામાં આવી. ત્યાં રણજીતભાઈનો સંપર્ક કરી તેમને સમજાવટ અને યોગ્ય કાઉન્સેલિંગ આપવામાં આવ્યું. ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે વઘઇ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા. લાંબા સમયથી વિયોગ ભોગવી રહેલા પરિવાર માટે આ ક્ષણ અત્યંત ભાવુક અને આનંદદાયક રહી. વઘઇ પોલીસે રણજીતભાઈનું તેમના પરિવાર સાથે સફળતાપૂર્વક પુનઃમિલન કરાવ્યું. આ માનવિય કામગીરી બદલ મોટી સંખ્યામાં પરિવારજનો અને ગામના લોકોએ વઘઇ પોલીસ સ્ટેશન ખાતે હાજરી આપી પોલીસ ટીમને પુષ્પગુચ્છ અર્પણ કરી આભાર વ્યક્ત કર્યો. ઓપરેશન મિલાપ અંતર્ગત વઘઇ પોલીસની આ કામગીરી સમાજમાં વિશ્વાસ અને સુરક્ષાની ભાવના મજબૂત કરતી એક ઉત્તમ ઉદાહરણ બની છે.
હિંમતનગરમાં ભાજપનો વિજયોત્સવ:મહારાષ્ટ્ર મહાનગરપાલિકા ચૂંટણીમાં જીતની ઉજવણી ફટાકડા ફોડી કરી
હિંમતનગરના ટાવર ચોકમાં શુક્રવારે સાંજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર રાજ્યની મુંબઈ, નાગપુર અને પુણે સહિતની મહાનગરપાલિકા ચૂંટણીઓમાં ભાજપને મળેલી જીતની ખુશીમાં આ ઉજવણી કરવામાં આવી હતી. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કર્યો હતો. આ ઉજવણી કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વિનેન્દ્રસિંહ ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, શહેર ભાજપ પ્રમુખ કુલદિપભાઈ પાઠક, શહેર મહામંત્રી પ્રકાશભાઈ વૈધ, જિલ્લા ઉપપ્રમુખ જયેશભાઈ પટેલ, જિલ્લા કાર્યાલય મંત્રી શિરેશભાઈ મિસ્ત્રી અને નગરપાલિકા ઉપપ્રમુખ સવજીભાઈ ભાટી સહિત નગરપાલિકાના સભ્યો અને ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદમાં સાયબર ઠગાઈના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે, અને હવે સેટેલાઈટ વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત વૃદ્ધ તેનો ભોગ બન્યા છે. સોશિયલ મીડિયા પર દેખાયેલી શેર ટ્રેડિંગની જાહેરાતે તેમને કરોડોની ઠગાઈ તરફ દોરી દીધા. નકલી ટ્રેડિંગ એપ અને ખોટા નફાના આંકડાઓ બતાવી આરોપીઓએ 1.40 કરોડ રૂપિયા ખંખેરી લીધા. હવે આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ખોટા નફાના આંકડાઓ બતાવી 1.40 કરોડ ખંખેર્યાઅમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા નિવૃત્ત વૃદ્ધ સાયબર માફિયાઓની જાળમાં ફસાઈ ગયા હતાં. જેમાં તેમણે પોતાની જીવનભરની કમાણી સમાન 1.40 કરોડ ગુમાવવા પડ્યા છે. સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 68 વર્ષીય નિવૃત્ત વૃદ્ધ 29 સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે ઈન્સ્ટાગ્રામ જોઈ રહ્યા હતા ત્યારે ટાટા મોટર્સના શેરના એનાલિસિસ રિપોર્ટની એક જાહેરાત જોઈ હતી. યુવતીએ વૃદ્ધને ફસાવ્યોઆ લિંક પર ક્લિક કરતા જ વૃદ્ધ એક એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. જ્યાં નૈના વર્મા નામની યુવતીએ તેમની સાથે વાતચીત કરીને વિશ્વાસમાં લીધા હતા. નૈનાએ પોતાની ઓળખ ફાઈયર્સ સિક્યોરિટીઝમાં ઈન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ તરીકે આપી હતી. જે બાદ યુવતીએ વૃદ્ધને વધુ નફા માટે DMA એકાઉન્ટ ખોલાવવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી પાસે એક ફોર્મ ભરાવ્યું અને ‘FYERS DMA’ નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ગઠિયાઓએ આપેલા બેંક ખાતાઓમાં રૂપિયા ટ્રાન્સફર કર્યાવૃદ્ધનો વિશ્વાસ જીતવા માટે આ એપ્લિકેશનમાં ફરિયાદીને વર્ચ્યુઅલ રીતે મોટો નફો બતાવવામાં આવતો હતો. આ નફાની માયાજાળમાં ફસાઈને વૃદ્ધે 4 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન અલગ-અલગ તારીખે ગઠિયાઓએ આપેલા બેંક ખાતાઓમાં કુલ 1.40 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. એપ્લિકેશનમાં તેમનો નફો વધીને 3.12 કરોડ બતાવતો હોવાથી તેઓ વધુ રોકાણ કરતા હતા. IPO લાગ્યો હોવાનું કહી બીજા 1.61 કરોડ રૂપિયા ભરવા દબાણ કર્યુંસાયબર ગઠિયાઓએ તેમને Aequs Ltdનો IPO લાગ્યો હોવાનું કહી બીજા 1.61 કરોડ રૂપિયા ભરવા દબાણ કર્યું. જ્યારે વૃદ્ધે આટલા પૈસા હોવાની ના પાડી અને પોતાની મૂળ રકમ પરત માંગી હતી. ત્યારે ગઠિયાઓએ સર્વિસ ચાર્જના નામે વધુ 45.95 લાખની માંગણી કરી હતી. સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરીજો કે તે બાદ વૃદ્ધે તપાસ કરાવતા સાયબર ગઠિયાઓએ છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. જેથી વૃદ્ધે સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધની ફરિયાદના આધારે સાયબર ગઠિયાઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
બોટાદ જિલ્લામાં TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાનોની ભરતી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. ઉમેદવારો હવે 14 જાન્યુઆરીને બદલે 19 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકશે. બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ગઢડા, બોટાદ અને બરવાળા નગરપાલિકા વિસ્તારોમાં TRB જવાનોની ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી માટે 4 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ફોર્મ ભરવાની મુદત નક્કી કરાઈ હતી. લાયકાત ધરાવતા વધુ ઉમેદવારોને ભરતીનો લાભ મળી રહે તે હેતુથી બોટાદ જિલ્લા પોલીસ દ્વારા ફોર્મ ભરવાની છેલ્લી તારીખમાં ચાર દિવસનો વધારો કરવામાં આવ્યો છે. બોટાદના DYSP એ. એ. સૈયદે આ અંગે જણાવ્યું હતું કે, ઉમેદવારોને વધુ તક મળી રહે તે માટે તારીખ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા TRB જવાનોના વેતનમાં રૂપિયા 150નો વધારો પણ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર સેક્ટર-25 GIDCમાં સ્થિત બંકાઈ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ સાથે કંપનીના પૂર્વ ડિરેક્ટર નીરવ મુકેશ શર્મા અને તેના મળતિયાઓએ 2.82 કરોડની માતબર રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસના ચોપડે નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે, આરોપીએ પોતે સફળ UPSC ઉમેદવાર હોવાનું અને પ્રાચીન ચરક સંહિતા પર આધારિત સંશોધનો કર્યા હોવાનું જણાવી કંપનીના માલિકોનો વિશ્વાસ જીતી પ્લાનિંગથી ઠગાઈ આચરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. FMCG સેક્ટરમાં રોકાણ કરવા લલચાવ્યાઅમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને ગાંધીનગર સેક્ટર-25 GIDC સ્થિત બંકાઈ ગ્રુપમાં વાઈસ પ્રેસિડેન્ટ રીતેશભાઈ જનકભાઈ ભટ્ટે આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વર્ષ 2022માં મુખ્ય સૂત્રધાર નીરવ મુકેશ શર્મા (રહે .147, સહકાર કોલોની, એલ.ડી.પી. એન્જિનિયરિંગ કોલેજ પાસે, સેક્ટર-25) એ પોતાની જાતને એક સફળ IAS ઉમેદવાર અને અનેક વૈશ્વિક પેટન્ટ ધરાવતા સંશોધક તરીકે રજૂ કરી બંકાઈ ગ્રુપના ચેરમેન બંકીમ બ્રહ્મભટ્ટને FMCG સેક્ટરમાં રોકાણ કરવા લલચાવ્યા હતા. કંપનીમાં 30 ટકા નફાની ખાતરી આપી બાદમાં નીરવ શર્માએ રૂ. 120 કરોડનું રેવન્યુ પ્રોજેક્શન આપી કંપનીમાં 30 ટકા નફાની ખાતરી આપી હતી. જેના આધારે કંપનીએ તેમની સાથે કરાર કરી તેમને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યો હતો. ત્યારે નીરવ શર્મા અને સેલ્સ હેડ વિપુલ કામદારે (રહે.એ-504, સાનિધ્ય સ્કાયરોસ, કૌશલમ રેસિડેન્સી નજીક, ગોતા રેલ્વે ટ્રેક, ગોતા) પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની માતા અને પત્નીના નામે 'નિવ ઇનોવેશન' નામની ફર્મ બનાવી હતી. આ ફર્મ મારફતે બાપુનગરની એક ટ્રેડિંગ કંપની પાસેથી રૂ. 83.27 લાખનું રો-મટેરિયલ ખરીદ્યું હતું. આરોપીઓએ રૂ. 2.82 કરોડની ઉચાપત કરીત્યારબાદ આ જ કાચો માલ પોતાના મળતિયાઓની અન્ય ફર્મ જેવી કે જે.એમ. ઈમ્પેક્સ અને આર.ડી. ટ્રેડિંગ (મીઠાખળી) મારફતે બંકાઈ ઇનોવેશન્સ કંપનીને રૂ. 3.65 કરોડમાં વેચવામાં આવ્યો હોવાનું બતાવાયું હતું. આમ, માત્ર કાગળ પર ઊંચા ભાવ બતાવીને આરોપીઓએ રૂ. 2.82 કરોડની ઉચાપત કરી હતી. આરોપીઓના નામ સામે આવ્યાઆ કૌભાંડમાં નીરવ શર્માની પત્ની, માતા સહિત અન્ય મળતિયાઓમાં અન્ય એક મહિલા, વિપુલ કામદાર, કુંતલ જશવંતલાલ શાહ (રહે.નંદિગ્રામ સોસાયટી પાર્ટ-1, નારણપુરા) અને મનોજકુમાર પ્રેમપ્રકાશ નોગિયાના (રહે .સૂર્યનગર સોસાયટી, વિભાગ-1, નવા ઢોર બજાર ચાર રસ્તા, બહેરામપુરા) નામો પણ આરોપી તરીકે સામે આવ્યા છે. કંપનીને 25 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યુંઉલ્લેખનીય છે કે, આ સમગ્ર કૌભાંડ બાબતે કંપનીના આંતરિક ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે માસિક રૂ. 80 લાખના જંગી ખર્ચ સામે વાર્ષિક વેચાણ માત્ર રૂ. 5 કરોડનું જ હતું. જે પ્રોજેક્શન કરતા ઘણું ઓછું હતું. તો મુખ્ય સૂત્રધારે કંપનીની ગુપ્ત પ્રોડક્ટ ફોર્મ્યુલા અન્ય કંપનીઓને વેચી કંપનીને અંદાજે રૂ. 25 કરોડનું આર્થિક નુકસાન પહોંચાડ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
રાજકોટની જાણીતી વડાલિયા ફૂડસ પેઢીના સંચાલક સાથે સ્ટોન ક્રશરમાં રોકાણ કરાવી ઉંચુ વળતર આપવાની લાલચે 10.98 કરોડની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે. જેમાં સંચાલકો દ્વારા જુદી-જુદી ત્રણ પેઢી શરૂ કરી કપચીનો વેપાર કરવામાં વાર્ષિક 12% જેટલું વળતર આપવાની લાલચે વર્ષ 2019થી 2024 દરમિયાન 6.90 કરોડનું રોકાણ કરાવી કટકે-કટકે 1.08 કરોડ પરત આપ્યા હતા. ત્યારબાદથી રકમ આપવાનું બંધ કરી દેતાં અત્યાર સુધીમાં વળતર સહિત 10.98 કરોડ ન ચૂકવવામાં આવતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં આરોપી અમિત ભાણવડીયા અને વિજય માકડીયા સામે ફરિયાદ નોંધી આરોપી અમિત ભાણવડીયાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અને ફરિયાદી વર્ષ 2019થી સંપર્કમાં આવ્યા હતારાજકોટ શહેરના નાનામવા રોડ ઉપર માસૂમ સ્કૂલની બાજુમાં ગોલ્ડન આર્ક એપાર્ટમેન્ટમાં રહેતા અને વડાલિયા ફૂડસ પેઢી ચલાવતા દર્શનભાઇ રસિકભાઇ વડાલિયા (ઉ.વ.42)એ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં મોટામવાના ફોર્ચ્યુન એકઝોટીકમાં રહેતા વિજય હરિભાઇ માકડિયા અને અમિત રમેશભાઇ ભાણવડિયા સામે નોંધાવેલી છેતરપિંડીની ફરિયાદમાં જણાવ્યું હતુ કે, આરોપીઓએ વર્ષ 2019થી સંપર્કમાં આવ્યા બાદ સ્ટોન ક્રશરમાં રોકાણ કરવાથી ઉંચુ વળતર મળે છે તેમ જણાવી બાદ ધીમે-ધીમે દર્શન મિનરલ્સ, જય સ્ટોન ક્રશર અને દર્શિલ સ્ટોન ક્રશરના નામની ત્રણ ભાગીદારી પેઢી શરૂ કરી હતી. આ ભાગીદારી પેઢીમાં કપચીનો વેપાર કરવા માટે વર્ષ 2019થી 2024 દરમિયાન ભાગીદારી એકાઉન્ટમાં રૂ.6,90,67,000 રકમ જમા કરાવી હતી. આરોપીએ ફરિયાદીને રૂ.1,08,04,532 પરત આપ્યા હતાઆ રકમ દર્શનભાઇએ પોતાના સંબંધીઓ પાસેથી મેળવી હતી ત્યારબાદ આરોપીઓ દ્વારા ઉપરોકત કરેલ રોકાણના રૂપિયા વળતર સહિત બંને લોકો પાસે માંગતા તેઓ દ્વારા થોડા રૂપિયા આપ્યા હતા. જેથી, તેઓ પર વધુ વિશ્વાસ આવતા જે રૂપિયા રોકાણ કર્યા હતા તે વળતર સહિત પરત માંગતા હતા ત્યારે આ બંને શખસોએ જે રોકાણ છે, તેના વળતર સહિતની રકમ આગળના રોકાણમાં ગણી તમામ રકમ વળતર સહિત ચૂકવી આપશું કહી વિશ્વાસ બેસે એ રીતે વાતો કરતા હતા. આ બંને શખસોએ 1,08,04,532 પરત આપ્યા હતા. આ દરમિયાન રોકાણ કરેલ રૂપિયાની માંગણી આ બંને શખસો પાસે કરતા તેઓએ શરૂઆતમાં અલગ-અલગ બહાના બતાવ્યા બાદ પૈસા આપવાની ના પાડી દીધી હતી અને કહ્યું કે તમારાથી થાય તે કરી લેજો પૈસા આપવાના નથી. અમિત ભાણવડીયાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરીવિજય માકડીયા તથા અમીત ભાણવડીયાએ દર્શન મીનરલ્સ પેઢી, જય સ્ટોન ક્રસર પેઢી તથા દર્શીલ સ્ટોન કસર પેઢી નામે ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરતા હોવાનું કહી પેઢીમાં રોકાણ કરશો તો વાર્ષિક 12% જેટલુ વળતર આપશે કહી વિશ્વાસ કેળવી તા. 23.07.2019થી તા. 27.06.2024 સુધીમાં કુલ 6,90,67,000નું રોકાણ કરાવી વિશ્વાસમાં લેવા 1,08,04,532 જેટલી રકમ વળતર પેટે આપી બાદ પૈસા તથા વળતર આપવાની ના પાડી મૂળ રકમ વળતર સહિત કુલ 10,98,94,893 નહીં આપી ગુનાહિત વિશ્વાસધાત કર્યો હોવાથી વિજય અને અમિત તથા તપાસમાં ખુલ્લે તેઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે BNS કલમ 316(5), 54 તેમજ GPID એક્ટ કલમ 3, 4 મુજબ ગુનો નોંધી આરોપી અમિત ભાણવડીયાની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઘોઘંબાના કાંટુ ગામે ઈકો કારે બાઈકને ટક્કર મારી:પિતા-પુત્રી ગંભીર ઈજાગ્રસ્ત, કાર ચાલક ફરાર
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના કાંટુ ગામે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘોઘંબાથી પોતાના ઘરે જઈ રહેલા પિતા-પુત્રીને પૂરપાટ ઝડપે આવી રહેલી એક ઈકો કારના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પિતા અને પુત્રી બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ઘોઘંબા તાલુકાના બોર ગામે રહેતા નટુભાઈ રાઠવા તેમની પુત્રી સેજલ સાથે બાઈક પર સવાર થઈને ઘોઘંબાથી પોતાના ગામ પરત ફરી રહ્યા હતા. તેઓ જ્યારે કાંટુ ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે ગફલતભરી રીતે ડ્રાઈવિંગ કરી બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે પિતા-પુત્રી બાઈક પરથી ફંગોળાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોની મદદ કરી હતી. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. હાલમાં બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
કોડીનારના રોણાજમાં શેરડીના ખેતરમાં આગ:3 વીઘા શેરડીનો પાક બળીને ખાખ, લાખોનું નુકસાન
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના રોણાજ ગામે આવેલા એક શેરડીના ખેતરમાં અચાનક આગ લાગ્યાની ગંભીર ઘટના સામે આવી છે. દિવસ દરમિયાન ખેતરમાં ધુમાડા સાથે આગ ભભૂકી ઊઠતાં આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર રોણાજ ગામના ખેડૂત ધીરુભાઈ વાઢેરના ખેતરમાં ઉભા પાકમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ કે થોડા જ સમયમાં અંદાજે 3 વીઘા જેટલો શેરડીનો પાક બળીને ખાખ થઈ ગયો. શેરડીનો પાક તૈયાર અવસ્થામાં હોવાથી ખેડૂતને આ આગની ઘટનાથી લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. પ્રાથમિક તપાસમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ખેતર પાસેથી પસાર થતા PGVCLના વિજ વાયરમાં પાર્ક (શોર્ટ સર્કિટ/સ્પાર્કિંગ) થતાં આગ લાગી હોઈ શકે છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને પોતાના સ્તરે આગને કાબૂમાં લેવા પ્રયાસો શરૂ કર્યા. ગ્રામજનોએ પાણી તથા અન્ય સાધનોની મદદથી આગ વધુ ફેલાય તે પહેલાં રોકવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે આસપાસના અન્ય ખેતરોને મોટું નુકસાન થતું ટળી ગયું. આ ઘટનાને લઈ ખેડૂત વર્ગમાં ચિંતા અને રોષનો માહોલ જોવા મળ્યો છે. ખેડૂતો દ્વારા વિજ કંપનીની લાપરવાહીને કારણે વારંવાર આવી ઘટનાઓ બનતી હોવાની રજૂઆત કરવામાં આવી રહી છે અને નુકસાનની યોગ્ય ભરપાઈ કરવાની માંગ ઉઠી રહી છે. પ્રશાસન અને સંબંધિત વિભાગો દ્વારા ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.
ઉત્તરાયણના દિવસે મણિનગરમાં આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ગત રાતે ખૂની ખેલ ખેલાયો હતો. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને કેટલાક શખ્સોએ યુવકને સમાધાન માટે બોલાવી ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યાની ઘટના બનતા જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જો કે હત્યા કર્યા બાદ આરોપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી હત્યા કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. ચાર આરોપીઓની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મિત્રની બહેન સાથે ફરવાની ના પાડતાં બોલાચાલી ને ઝઘડોઅમરાઈવાડી વિસ્તારમાં રહેતા ચિરાગ રાઠોડે તેના મિત્રની બહેનને બહેન બનાવી હતી. ચિરાગે બનાવેલી બહેન તેની સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે ફરતી હતી. ચિરાગને જાણ થતા ચિરાગે મંથનને 2થી 3 વખત ટોક્યો હતો. આ મુદ્દે બંને વચ્ચે રકઝક થઈ હતી. જો કે બાદ ઉત્તરાયણના રાત્રે મંથને ચિરાગને સમાધાન માટે બોલાવ્યો હતો. સમાધાન કરવાનું હોવાથી ચિરાગ એકલો જ સમાધાન માટે ગયો હતો. ઉત્તરાયણની રાત્રે સમાધાન માટે બોલાવી ખૂની ખેલ ખેલ્યોચિરાગ એકલો સમાધાન માટે કાંકરિયા ફુટબોલ ગ્રાઉન્ડ પાસે ગયો હતો. જો કે ચાર જેટલા આરોપીઓ અગાઉથી જ બે બાઇક પર સ્થળ પર પહોંચી ગયા હતા. ફુટબોલ ગ્રાઉન્ડ પાસે સમાધાન માટે ભેગા થયા ત્યારે ઉગ્ર બોલાચાલી થતા મંથન અને તેની સાથે આવેલા ત્રણ શખ્સોએ ભેગા મળીને ચિરાગને મારમાર્યો હતો જે બાદ ચિરાગને છાતીના ભાગે છરીથી ગંભીર રીતે હુમલો કર્યો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી ચિરાગનું મોત થયું હતું. હત્યા કરનાર મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વિજ પરમારઉત્તરાયણના દિવસે હત્યાની ઘટના બનતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ઝોન 6 ડીસીપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. જે બાદ ચિરાગના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ગુનો નોધી આરોપીઓની ઓળખ હાથ ધરી હતી. જેમાં ચાર લોકોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે તમામ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં હત્યા કરનાર મુખ્ય આરોપી મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર હોવાનું સામે આવ્યુ હતું. આ પણ વાંચો:4 શખસે છરીના ઘા ઝીંકી યુવકને મોતને ઘાટ ઉતાર્યો ચારેય આરોપીઓની ધરપકડજેથી પોલીસે તમામની શોધખોળ હાથ ધરી ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. તેમજ આરોપીઓ સામે કાવતરું રચીને હત્યા કરી હોવાથી વધુ એક કલમ પણ ઉમેરવામાં આવી છે. તેમજ બે આરોપી સામે અગાઉ રાયોટિંગ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયા હોવાનું પણ સામે આવ્યુ છે. જો કે પોલીસે અત્યારે મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર, વિજય પરમાર, જયદીપ શાહ અને હર્ષિલ શાહની ધરપડક કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. 'ચિરાગને છાતીના ભાગે વધુ ઇજા થવાથી તેનો મોત થયું હતું'ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ઉતરાયણના દિવસે રાત્રે 10 વાગ્યા આસપાસ કાંકરિયા પાસે આવેલા ફૂટબોલ ગ્રાઉન્ડમાં હત્યાનો બનાવ બન્યો હતો. ચિરાગ રાઠોડની હત્યા કરી દેવામાં આવી હતી. ચાર જેટલા લોકોએ હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જેમાં મંથન ઉર્ફે ઋત્વિજ પરમાર, વિજય પરમાર, જયદીપ શાહ અને હર્ષિલ શાહે ચિરાગ રાઠોડ પર ધાતકી હુમલો કર્યો હતો. જેમાં ચિરાગને છાતીના ભાગે વધુ ઇજા થવાથી તેનો મોત થયું હતું. જે બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આરોપીઓને આઈડેન્ટીફાય કરી શોધખોળ શરૂ કરવામાં આવી હતી. 'મંથને ચિરાગને સમાધાન કરવા માટે બોલાવ્યો ને મારમાર્યો'વધુમાં ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, જો કે ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી ગઈ છે. ચિરાગનો એક મિત્ર નયન છે, જેની બહેનને ચિરાગ માનીતા બહેન તરીકે રાખતો હતો. મંથન ઉર્ફે ઋત્વિજ પરમારનો તેની બહેનની સાથે ઓફિસમાં કામ કરતો હતો. જેથી આ લોકો વચ્ચેની મિત્રતાને લઈને ચિરાગ નારાજ હતો. જેથી વારંવાર તેને આ બંનેને જાણ કરી હતી. જે બાબતને લઈને મંથને ચિરાગને સમાધાન કરવા માટે બોલાવ્યો હતો. જ્યાં મારામારી કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.
તાપી જિલ્લાના વ્યારા શહેરમાં તાલુકા શાળા નજીક આવેલા સરકારી છાત્રાલયમાં આગ લાગી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગ લાગી ત્યારે છાત્રાલયના બાળકો બહાર હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, છાત્રાલયમાં રાખેલા સામાનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. આગની જાણ થતા જ વ્યારા ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. તપાસ દરમિયાન છાત્રાલયમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો.
સુરતના ગોડાદરા વિસ્તારમાં ગત રાત્રે થયેલા સનસનીખેજ ફાયરિંગના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. તુમ યે ગલી મેં ક્યુ આયે હો? કિસને ભેજા હૈ? તેમ કહી જૂની અદાવતનો બદલો લેવા માટે થયેલા આ જીવલેણ હુમલામાં પોલીસે મુખ્ય સૂત્રધારના મિત્રો સહિત કુલ 5 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલો દેશી બનાવટનો તમંચો પણ કબજે કર્યો છે. શું હતી સમગ્ર ઘટના?ગઈકાલે 15 જાન્યુઆરીની રાત્રે 8 થી 8:30 ના અરસામાં પુણા વિસ્તારમાં રહેતા ચિરાગ ગજેન્દ્રભાઈ ગોડકિયા તેમના મિત્રો સાથે ગોડાદરાની પ્રિયંકા સોસાયટી વિભાગ-5 પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આરોપી લક્કી અને તેના સાથીઓએ તેમને રસ્તામાં આંતર્યા હતા. આરોપીઓએ તુમ યે ગલી મેં ક્યુ આયે હો? કિસને ભેજા હે? તું મુજે ઔર શિવ કો મારને આયા હૈ ક્યાં? કહી ઝઘડો શરૂ કર્યો હતો. મામલો બિચકતા ઉશ્કેરાયેલા લક્કી નરાવડેએ પોતાની પાસે રહેલો તમંચો કાઢી ચિરાગ પર ફાયરિંગ કર્યું હતું. ગોળી પેટના ભાગે વાગતા ચિરાગ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પોલીસે આ 5 શખસોની કરી ધરપકડસીસીટીવી ફૂટેજ અને બાતમીદારોની મદદથી પોલીસે 5 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી 3ની ખતરનાક પ્રોફાઇલપોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીઓ પૈકી વિકાસ ઉર્ફે શંભુ અગાઉ લૂંટ અને દારૂના ગુનામાં સંડોવાયેલો છે. જ્યારે નિખીલ રાઠોડ અને શિવ ડોઢરે માત્ર 18 વર્ષની ઉંમરે જ હત્યા (302) અને હત્યાના પ્રયાસ (307) જેવા ગંભીર ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. ઘટનાની ગંભીરતાને જોઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી, જેના પગલે ગોડાદરા પોલીસની સર્વેલન્સ ટીમે આખી રાત ઓપરેશન ચલાવી આરોપીઓને દબોચી લીધા હતા. બોલાચાલીની અદાવત રાખીને હુમલો કરાયોપોલીસ પૂછપરછમાં આરોપી નિખીલે કબૂલાત કરી હતી કે, અગાઉના દિવસે થયેલી કોઈ બોલાચાલીની અદાવત રાખીને ચિરાગ પર હુમલો કરવાનું કાવતરું ઘડાયું હતું. હાલ પોલીસે તમામ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી મુખ્ય આરોપી લક્કીની શોધખોળ તેજ કરી છે.
અમદાવાદ DCB પોલીસ મથકે આરોપી મનીષ તિવારી સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જે કેસ અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા. જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરની દલીલો, 9 સાહેદ અને 26 પુરાવાને ધ્યાને લઈને આરોપીને 10 વર્ષની સખત કેદ અને કુલ 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી 18 કિલો ગાંજો સાથે ઝડપાયો હતોકેસને વિગતે જોતા પોલીસને બાતમી મળી હતી કે, કેડિલા બ્રિજ પાસેથી મૂળ ઉત્તરપ્રદેશ અને જશોદાનગર ખાતે રહેતો વ્યક્તિ સુરતથી ગાંજો લઈને આવી રહ્યો છે. પોલીસે બાતમીના આધારે આરોપી મનીષ તિવારીને ઝડપી પાડ્યો હતો. જેના કબજામાંથી 91 હજારની કિંમતનો 18 કિલો જેટલો ગાંજો મળી આવ્યો હતો. આ ગાંજો ઓરિસ્સાથી સુરત થઈને અમદાવાદમાં છૂટક વેચાણ માટે લાવવામાં આવ્યો હતો. હત્યા કેસમાં દોષી ઠરેલ આરોપી NDPS કેસમાં પણ દોષીઉલ્લેખનીય છે કે, અગાઉ હત્યાના કેસમાં વર્તમાન આરોપીને અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે નિર્દોષ છોડ્યો હતો. જો કે રાજ્ય સરકારે તેની સામે અપીલ કરતાં આરોપીને હાઇકોર્ટે દોષિત ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તેની સામે અગાઉ હથિયારના કેસનો ગુનો પણ નોંધાયેલો છે. ઉપરાંત તેના પરિવારના અન્ય લોકો પણ ગુનાઓ સાથે સંકળાયેલા છે. આરોપી જ્યારે પેરોલ પર બહાર હતો ત્યારે તેને આ પ્રકારનો ગુનો આચર્યો હતો.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વ દરમિયાન ચાઈનીઝ દોરીથી 12 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ પૈકી એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. સરકારે ચાઈનીઝ દોરીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોવા છતાં, ગોધરા સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ઘાયલોનો ધસારો જોવા મળ્યો હતો. હોસ્પિટલના સૂત્રો અનુસાર, ઉત્તરાયણના આ બે દિવસમાં કુલ 12 ઈજાગ્રસ્તો સારવાર માટે આવ્યા હતા. ઈજાગ્રસ્તોને મુખ્યત્વે ગળા, હાથ અને પગના ભાગે દોરી વાગવાથી ગંભીર કાપા પડ્યા હતા. 12 પૈકી જે એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી, તેને પ્રાથમિક સારવાર બાદ તાત્કાલિક વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.
વાપી VIAની ચૂંટણી 5 માર્ચે યોજાશે:EC કમિટીએ જાહેરાત કરી, 22 જાન્યુઆરીથી ફોર્મ મળશે
વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) ની આગામી ત્રણ વર્ષ માટેની ચૂંટણી 5 માર્ચે યોજાશે. VIA ની EC કમિટીની બેઠકમાં આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી માટે ફોર્મ લેવાની પ્રક્રિયા 22 જાન્યુઆરીથી શરૂ થશે. પરંપરા મુજબ VIA ની ચૂંટણી માર્ચના પ્રથમ સપ્તાહમાં યોજાય છે. આ વખતે 4 માર્ચે ધુળેટીનો તહેવાર હોવાથી, ચૂંટણી બીજા દિવસે એટલે કે 5 માર્ચે યોજવાનું નક્કી કરાયું છે. વર્તમાન હોદ્દેદારોનો ત્રણ વર્ષનો કાર્યકાળ 31 માર્ચે પૂર્ણ થઈ રહ્યો છે. ચૂંટણી કાર્યક્રમ મુજબ, 22 જાન્યુઆરીથી ફોર્મ લેવાનો પ્રારંભ થશે અને 14 ફેબ્રુઆરીથી ફોર્મ ભરી શકાશે. ફોર્મ પાછા ખેંચવા અને ચકાસણી માટેની અંતિમ તારીખ 23 ફેબ્રુઆરી છે. ઉમેદવારી કરનારાઓની અંતિમ યાદી 24 ફેબ્રુઆરીએ પ્રસિદ્ધ કરાશે, અને 5 માર્ચે મતદાન યોજાશે. વાર્ષિક સભા મે મહિનામાં યોજવામાં આવશે. આ ચૂંટણીમાં કુલ 1086 સભ્યો મતદાન કરી શકશે. વર્તમાન પ્રમુખ સતિષ પટેલ સહિતના હોદ્દેદારોનો કાર્યકાળ પૂર્ણ થતા, નવા પ્રમુખ કોણ બનશે અને આ વખતે ચૂંટણી થશે કે સર્વસંમતિથી પસંદગી થશે તે અંગે સૌની નજર મંડાયેલી છે. VIAની સામાન્ય ચૂંટણીમાં વાપી GIDCમાં આવેલી કંપનીઓના ઉદ્યોગકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ભાવનગરના રૂપાણી સર્કલ નજીક આવેલ શાંતિજ્યોત ફ્લેટમાં રહેતી મહિલા સાથે 3 દિવસ પૂર્વે ઇન્સ્ટાગ્રામ મુદ્દે ધમકી અને તોડફોડની ઘટના સામે આવી હતી.આ મામલે આજરોજ ઘોઘા રોડ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી તપાસ શરૂ કરી છે. ઘોઘા રોડ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, રૂપાણી સર્કલ નજીક આવેલ શાંતિજ્યોત બિલ્ડિંગ ફ્લેટમાં રહેતી શેરી ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા ધરાવતા નિત બારૈયા અને તેના એક અજાણ્યા સાથી સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ 13 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે ફરિયાદી મીઠાઈ લઈને ઘરે આવી અને ફ્લેટની નીચે ઉભી હતી, ત્યારે નિત બારૈયા અને તેનો મિત્ર ટુ-વ્હીલર પર ત્યાં પહોંચ્યા હતા. યુવક ઉશ્કેરાઈ જઈને યુવતીને ગાળો આપવા લાગ્યોઆ સમયે નિત બારૈયાએ ફરિયાદીને પૂછ્યું હતું કે તેને ઇન્સ્ટાગ્રામ પર કેમ બ્લોક કર્યો છે. જેના જવાબમાં ફરિયાદીએ જણાવ્યું કે નિત બારૈયા ઇન્સ્ટાગ્રામ પર અશ્લીલ ગાળો આપતો અને વારંવાર જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાથી તેને બ્લોક કરવામાં આવ્યો હતો. આ વાત સાંભળતાં જ નિત બારૈયા ઉશ્કેરાઈ ગયો અને ભુંડાબોલી ગાળો આપવા લાગ્યો હતો. લોખંડના પાઈપથી ગાડીનું બોનેટ તોડ્યુંગાળો ન બોલવા કહેતા નિત બારૈયા અને તેના સાથીએ તલવાર અને લોખંડનો પાઈપ કાઢી ફરિયાદીની ફોરવ્હિલ ગાડીના આગળ-પાછળ તથા સાઈડના કાચ તોડી નાંખ્યા હતા. એટલું જ નહીં, લોખંડના પાઈપથી ગાડીનું બોનેટ તોડી ભારે નુકસાન પહોંચાડ્યું હતું. જાનથી મારી નાખવાની ધમકી આપનાર 2 ઝડપાયાબનાવ દરમિયાન ચીસાચીસ થતા આજુબાજુના લોકો ભેગા થઈ જતા બંને આરોપીઓ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે નિત બારૈયા અગાઉ પણ વારંવાર ફરિયાદીનો પીછો કરતો અને ધમકીઓ આપતો હતો. ત્યારે આજે પોલીસ બે આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી છે.
કાલોલમાં વિદ્યાર્થીઓની ગાડીને અકસ્માત:સાંઢાસાલ નજીક ટેમ્પોની ટક્કર, 5 ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
કાલોલ તાલુકામાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પરીક્ષા આપીને પરત ફરી રહેલા વિદ્યાર્થીઓ ભરેલી તુફાન ગાડીને ટેમ્પોએ ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કુલ 5 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ ઘટના કાલોલના સાંઢાસાલ ગામ નજીક બની હતી. સાંઢાસાલ ખાતે આવેલી એમ.ડી. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 11 અને 12માં અભ્યાસ કરતા 12 વિદ્યાર્થીઓ આજે પોતાની પરીક્ષા આપીને તુફાન ગાડીમાં પરત ફરી રહ્યા હતા. જંત્રાલ અને સાંઢાસાલ ગામની વચ્ચે પાછળથી પૂરઝડપે આવેલા એક ટેમ્પો ચાલકે ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે ટેમ્પોએ વિદ્યાર્થીઓની ગાડીને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં 4 વિદ્યાર્થીનીઓ અને 1 વિદ્યાર્થી સહિત કુલ 5 જણને ઈજાઓ થઈ હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. તમામ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો વિજય:અરવલ્લી ભાજપે મોડાસા ખાતે વિજયોત્સવ ઉજવ્યો
મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ અરવલ્લી જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીતની ઉજવણી રૂપે મોડાસા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરના અધ્યક્ષસ્થાને વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, આતશબાજી કરીને અને એકબીજાને મીઠાઈ ખવડાવીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારા પણ લગાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી ઠાકોરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની નીતિઓ પર જનતાએ ફરી એકવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વિજયોત્સવમાં અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, સહકારી આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર અરવલ્લી જિલ્લામાં ભાજપ કાર્યકર્તાઓમાં જીતને લઈને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ જીતને લોકશાહીની જીત ગણાવીને ઉજવણી કરવામાં આવી હતી.
બોટાદ જિલ્લાના પાળીયાદ ગામના જોગીડુંગરો વિસ્તારમાંથી એક શખસની લાશ મળી છે. ક્ષત વિક્ષત હાલતમાં લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં મૃતક છેલ્લા 7 દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દે પોલીસમાં જાણવા જોગ નોંધ પણ આપવામાં આવી હતી.પાળીયાદના શખસનો મૃતદેહ મળી આવતા પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતકના સાળા ભરત ભોપાભાઈએ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, રાજુ ઘોડકીયા લાંબા સમયથી ગુમ હતા. પરિવારે મર્ડરની આશંકા વ્યક્ત કરીમૃતક રાજુ ઘોડકીયાના સાળા ભરત સેલવીયાએ જણાવ્યું હતું કે, પાળીયાદ પોલીસ સ્ટેશનમાં 8 દિવસ પહેલાં ફરિયાદ નોંધાવી હતી. મોબાઈલ સ્વીચ ઓફ આવતાં એટલે પોલીસ કહેતી તપાસ કેવી રીતે કરી શકીએ. આજે વહેલી સવારે જાણ થઈ કે એક બાઈક પડ્યું છે. ત્યાં ગયા તો મૃત હાલતમાં પડ્યા હતા અને અવશેષો જોતા એવું લાગે છે કે સો ટકા મર્ડર જ થયેલું છે. કારણ કે એમના માથાનો ભાગ શરીરથી 50 ફૂટ દૂર અલગ હતું. બંને પગ કાપી નાખેલા હતા. માથે બ્લેક એસિડ નાખેલું હતું જેથી શરીર વિકૃત થઈ ગયું હતું. અમને મર્ડર થયાની શંકા છે. પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ કે આ દિશામાં તપાસ થાય. પરિવારમાં શોકનું મોજુંપાળીયાદમાં રહેતા રાજુ ઘોડકીયા છેલ્લા 7 દિવસથી પોતાના બાઈક સાથે ગુમ થયા હતા. શોધખોળ દરમિયાન જોગીડુંગરો વિસ્તારમાંથી તેમની અર્ધનગ્ન હાલત અને ક્ષત વિક્ષત હાલતમાં લાશ મળી આવી હતી. ઘટનાની જાણ થતાં જ પાળીયાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ દરમિયાન લાશ પાસેથી બાઈક અને મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે. પોલીસ કાર્યવાહીપાળીયાદ પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, મૃત્યુનું ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ જાણી શકાશે. હાલ આ મામલે અકસ્માત કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. લાશ મળ્યાની જાણ થતાં પડોશી દોડી ગયાપડોશીએ જણાવ્યું હતું કે, સાતેક દિવસથી ઘરેથી નીકળ્યો ગયો એવા સમાચાર મળ્યા હતા. બીજી કંઈ ખબર નથી. આવી રીતે બન્યું છે એની આજે ખબર પડી કે વોકળામાં પડ્યો છે. મોટરસાઈકલ પડ્યું છે. આ લોકોને જાણ થઈ એટલે દોડી ગયા. ત્યાં પડ્યો હતો. પોલીસમાં ક્યારની ફરિયાદ નોંધાવી છે. પોલીસ નહીં પણ મારી બાજુમાં ઊભા છે એ ભાઈને ખબર પડી એટલે મોટરસાઈકલ જોવા ગયા.
મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીના ગઠબંધનના વિજયને વધાવવા માટે શહેર ભાજપ જામનગર દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપના વિજયને વધાવવા માટે કાર્યકરોએ ફટાકડા ફોડ્યા હતા. તેમજ મોઢું મીઠું કરાવ્યું હતું અને જીતની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટી શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, દંડક કેતન નાખવા, શિક્ષણ સમિતિ ચેરમેન પરષોત્તમભાઈ કકનાણા સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયરો, કોર્પોરેટરો, વોર્ડ સમિતિના સભ્યો, વોર્ડ પ્રભારીઓ અને વિવિધ સેલ-મોરચાના અધ્યક્ષો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહારાષ્ટ્રમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત કુલ 29 મહાનગરપાલિકાઓ માટે 15 જાન્યુઆરી, 2026ના રોજ મતદાન યોજાયું હતું. 16 જાન્યુઆરી, 2026ના રોજ મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપ ગઠબંધનનો વિજય નિશ્રિત લાગી રહ્યો છે. હાલ સુધીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ 137 બેઠકો પર આગળ છે, જ્યારે એકનાથ શિંદેની શિવસેનાને 90 બેઠકો મળી હતી. મહાવિકાસ આઘાડી (MVA) માં શિવસેના (UBT), કોંગ્રેસ અને શરદ પવારની NCP નો સમાવેશ થાય છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ રાજ ઠાકરેની MNS સાથે પણ કેટલીક બેઠકો પર ગઠબંધન કર્યું હતું. કુલ 227 વોર્ડ માટે યોજાયેલી આ ચૂંટણીમાં બહુમતી માટે 114 બેઠકો જરૂરી હતી અને મુંબઈમાં આશરે 52.94% મતદાન નોંધાયું હતું. BMC એશિયાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે, જેનું બજેટ આશરે 74,000 કરોડ રૂપિયા છે, જે કેટલાક નાના રાજ્યોના બજેટ કરતાં પણ વધુ છે. છેલ્લા 25 વર્ષથી BMC પર શિવસેનાનું વર્ચસ્વ હતું, પરંતુ પક્ષના ભાગલા પડ્યા બાદ શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથ બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની હતી. મુંબઈના ઘાટકોપર, મુલુન્ડ, કાંદિવલી અને બોરીવલી જેવા વિસ્તારોમાં ગુજરાતી મતદારોની ભૂમિકા નિર્ણાયક રહી હતી.
• તમામ સમાજને સાચવી જમ્બો માળખું જાહેર કરાયું સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રાજકોટ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા સંગઠનનું નવું માળખું જાહેર કરવામાં આવ્યું છે જેમાં તમામ સમાજને સાચવી લઇ શહેરમાં 9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી અને 35 મંત્રીઓની જયારે જિલ્લામાં 10 ઉપપ્રમુખ 10 મહામંત્રી અને 5 મંત્રીની નિમણુંક કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં ચાર સંગઠન મંત્રી અને 3 કારોબારી સભ્યની પણ નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે વર્ષો પછી શહેર કોંગ્રેસના પ્રમુખ બદલાયા બાદ શહેરના સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી છે અગાઉ શહેર પ્રમુખ બદલાતા હતા પરંતુ આ રીતે તેમની નવા હોદેદારો સાથેની ટીમણ રચના થઇ શકતી ન હતી પરંતુ આ વખતે પ્રદેશ પ્રમુખની સૂચનાથી શહેર અને જિલ્લા પ્રમુખ દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં 9 ઉપપ્રમુખની નિમણુંક કરવામાં આવી રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ રાજદિપસિંહ જાડેજા દ્વારા નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે જેમાં તેમણે દરેક સમાજને આવરી લઈ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લઇ જુના નેતાઓ તેમજ કોંગ્રેસને ફરી સક્રિય કરવા માટે જમ્બો માળખું તૈયાર કરી 9 ઉપપ્રમુખ, 21 મહામંત્રી અને 35 મંત્રીઓની નિમણુંક કરી છે જેમાં રાજકોટ કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે નીતિનભાઈ ભંડેરી, હાજીભાઈ ઓડિયા, ડો. યજ્ઞેશભાઈ જોશી, નિલેશભાઈ મારૂ, તેજસભાઈ ટોપીયા, માવજીભાઈ રાખલીયા, વૈશાલી શિંદે, મુકુંદભાઈ ટાંક, રવિભાઈ જીતિયાની નિમણુંક કરવામાં આવી છે. જયારે મહામંત્રી તરીકે રસિકભાઈ ભુટ્ટ, દિલીપભાઈ આસવાણી, પ્રફુલ્લાબેન ચૌહાણ, રાજુ ચાવડા, હસમુખભાઈ ગોસ્વામી, પ્રવિણ કાકડીયા, ક્રિષ્નાબા હાડા, રણજીત મુંધવા, ચંદ્રીકાબેન વરાણીયા, ઠાકરિીભાઈ ગજેરા, જયાબેન ચૌહાણ, દિપેન ભગદેવ, વિજ્યાબા જાડેજા, અનિસ જોશી, ગૌરવ પૂજારા, કિંજલબેન જોશી, હબીબ કટારીયા, મેહુલ મકવાણા, નરેશ પરમાર, સિકંદર ડાકોરની નિમણુંક કરવામાં આવી છે. શહેર કોંગ્રેસમાં 35 મંત્રીની નિમણુંક કરવામાં આવી આ ઉપરાંત રાજકોટ શહેર કોંગ્રેસના મંત્રી તરીકે ડો. ભરત કોયાણી, રાજુ ગોસ્વામી, ગીતાબેન પરમાર, સંજનાબેન ગોહેલ, પ્રણવભાઈ પટેલ, રચનાબેન જોશી, મુકેશ મકવાણા, સલીમ કારીયાણી, લીનાબેન સોલંકી, અરૂણભાઈ સોલંકી, કેતનભાઈ ભટ્ટ, હરદિપભાઈ રાઠોડ, પિયુષ ખાત્રાણી, સંજયભાઈ કથ્રેચા, સાગરભાઈ શાહ, હેમાદ્રિીબેન, મયુરભાઈ શાહ, શૈલેષભાઈ જાદવ, નરેશ ગઢવી, ભાવેશ ચૌહાણ, હિતેશ વાઘેલા, પૂજાબેન ચૌહાણ, નંદાભાઈ ડાંગર, પ્રભાતભાઈ જલુ, પૂજાબેન વેકરીયા, દિપક કાલરીયા, નવનીત ચૌહાણ, જગદીશભાઈ ઠુંગા, અશ્વિન બકુત્રા, કાજલ ગોહેલ, હિરાબેન કડીવાર, હરેશ પરમાર, ધ્રુપદબા વાળા, જીતુભાઈ રાઠોડની નિમણુંક કરવામાં આવી છે. જિલ્લામાં 10-10 ઉપપ્રમુખ અને મહામંત્રીની નિમણુંક આજ રીતે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેસ વોરા દ્વારા 33 સભ્યોની ટીમ જાહેર કરી છે જેમાં 10 ઉપપ્રમુખ, 10 મહામંત્રી, 5 મંત્રી, 4 સંગઠન મંત્રી, 3 કારોબારી સભ્ય અને 1 કાર્યાલય મંત્રીની નિમણુંક કરી છે. રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે યતીશ દેસાઈ, જયેન્દ્રસિંહ ચૌહાણ, કૃષ્ણકાન્તભાઈ ચોટાઈ, પીનલબેન સાવલિયા, મુકેશભાઈ કાણોતરા, વિપુલભાઈ બાવળિયા, મૈયાત્રા જયેશભાઈ, મનહરસિંહ જાડેજા, શીવાભાઈ બચુભાઈ સીપરીયા, ઘનશ્યામસિંહ ઝાલાની નિયુક્તિ કરવામાં આવી છે. 5 મંત્રી, 4 સંગઠન મંત્રી અને 3 કારોબારી સભ્યની નિમણુંક જયારે મહામંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કાનજીભાઈ રાદડિયા, લલીતભાઈ પટોળીયા, જયસુખભાઈ પારધી, રણજીતભાઈ ગોહિલ, ગોવિંદભાઈ પરમાર, અરવિંદભાઈ રાજપરા, જસવંતસિંહ હડીયલ, વિપુલભાઈ વોરા, જયશ્રીબેન બગડાની નિયુક્તિ કરાઈ છે. તેમજ મંત્રી તરીકે ઝાપડિયા વિપુલભાઈ, ભુપતભાઈ કનેરિયા, જયદીપભાઈ વસોયા, સુરેશભાઈ છાયાણી, મેઘજીભાઈ ચાવડા ની નિયુક્તિ કરાઈ છે. સંગઠન મંત્રી તરીકે ગોપાલભાઈ સલાટ, મનોજભાઈ વાઘેલા, મનસુખભાઈ કટીર, પ્રવીણભાઈ ચૌહાણ જયારે કારોબારી સભ્ય તરીકે રફીકમીયા મજીદમિયા, જયંતીભાઈ ગોહિલ, નયનભાઈ જીવાણીની જયારે કાર્યાલય મંત્રી અને મીડિયા ઇન્ચાર્જ તરીકે ગોપાલભાઈ મોરવાડિયાની નિમણુક કરવામાં આવી છે.
શહેરમાં વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ઘાટલોડિયા વિસ્તારમાં 15 જાન્યુઆરીની રાત્રે પૂરઝડપે જઈ રહેલું મોપેડ સ્લીપ થતાં 30 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે ગંભીર ઈજાઓને કારણે મોત નિપજ્યું હતું. મોપેડ સ્લીપ થતા યુવક રોડ પર પટકાયોચાંદલોડિયા વિસ્તારમાં રહેતા લલિત લખમાજી સુરિયાલ જે ટોરેન્ટ પાવરમાં નોકરી કરતો હતો. ગઈકાલે રાત્રે લગભગ 9:15 વાગ્યાની આસપાસ પોતાનું મોપેડ લઈને ઇશ્વરકાકા નગરથી શાકુંતલ ટેનામેન્ટ તરફ જઈ રહ્યો હતો. જાહેર રોડ પર મોપેડની ગતિ વધુ હોવાના કારણે લલિત વાહન પરનો કાબુ ગુમાવી બેઠો હતો અને અચાનક મોપેડ સ્લીપ થઈ જતાં તે રોડ પર પટકાયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સોલા સિવિલ ખસેડાયોઅકસ્માતમાં લલિતને માથા અને કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લલિતને સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવીઆ ઘટનાની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. મૃતક લલિત સંયુક્ત પરિવારમાં રહેતો હતો. તેના પરિવારમાં પત્ની, 7 વર્ષની પુત્રી અને માત્ર 2 મહિનાનો નાનો પુત્ર હતો. ઘટનાને લઈ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના દરિયાઈ માર્ગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે સુરક્ષા એજન્સીઓને વધુ એક સફળતા મળી છે. 14 જાન્યુઆરી, 2026ના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ (ભારતીય તટ રક્ષક દળ) દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઓખા હાર્બર પાસે ભારતીય જળસીમામાં ઘૂસી આવેલી એક પાકિસ્તાની બોટને ઝડપી પાડવામાં આવી છે. DySP ધ્રુવલ સુતરીયાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, કોસ્ટ ગાર્ડની ટીમ ઓખા હાર્બર વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન 'એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન' (EEZ) માં એક શંકાસ્પદ બોટ જોવા મળી. તપાસ કરતા તે પાકિસ્તાની બોટ 'અલ-મદીના' હોવાનું અને તેમાં 9 પાકિસ્તાની ક્રૂ મેમ્બરો સવાર હોવાનું જાણવા મળ્યું. તમામ 9 ક્રૂ મેમ્બરોને પોરબંદર લાવવામાં આવ્યા છે. નવી બંદર પોલીસ સ્ટેશન દ્વારા બોટ અને ખલાસીઓનો કબજો લેવામાં આવ્યો છે. બોટના માસ્ટર તરીકે ઇદ્રીસ નામના વ્યક્તિની ઓળખ થઈ છે. પોલીસે આ તમામ વિરુદ્ધ MZI એક્ટ, 1981 (મેરીટાઇમ ઝોન્સ ઓફ ઇન્ડિયા એક્ટ) અને ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ, 2005 હેઠળ ગુનો નોંધ્યો છે. હાલમાં નવી બંદર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા ખલાસીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. બોટ કયા હેતુથી ભારતીય સીમામાં પ્રવેશી હતી અને તેની પાછળ કોઈ ગંભીર કાવતરું છે કે કેમ, તે દિશામાં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
બનાસકાંઠામાં ખેડૂતનું કરંટ લાગવાથી મોત:બટાકાના ખેતરમાં ગોઠવેલા વાયરમાંથી કરંટ લાગ્યો, બે સામે FIR
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચંગવાડા ગામે એક ખેડૂતનું કરંટ લાગવાથી મૃત્યુ થયું છે. ખેતરમાં બટાકાના રક્ષણ માટે ગોઠવેલા વીજ વાયરમાંથી કરંટ લાગતા ગોવિંદભાઈ નામના ખેડૂતનું મોત થયું હતું. તેમને બચાવવા ગયેલા તેમના પુત્ર અને પુત્રી પણ ઇજાગ્રસ્ત થયા હતા, આ મામલે બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ગઢ પોલીસ મથકે વિપુલ જગણીયાએ નોંધાવેલી FIR અનુસાર, ખેડૂત ગોવિંદ પોતાની પત્નીને ચા બનાવવાનું કહી ખેતરમાં આંટો મારવા ગયા હતા. થોડા સમય સુધી પરત ન ફરતા તેમના પરિવારજનો ચિંતિત બન્યા હતા. ગોવિંદભાઈના બંને પુત્રો અને તેમની બહેન તેમને શોધવા ખેતરમાં ગયા હતા. શોધખોળ દરમિયાન ગોવિંદભાઈ બાજુના ખેતરમાં આવેલા શેઢા ઉપર ઢળેલા જોવા મળ્યા હતા. તેમનો પગ એક વીજ વાયર પર હતો. આ વાયર રામાભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિના ખેતરમાં બટાકાની સુરક્ષા માટે ગોઠવવામાં આવ્યો હતો. ગોવિંદભાઈને બચાવવાના પ્રયાસમાં તેમની પુત્રી અને નાના પુત્ર ગિરીશભાઈને પણ કરંટ લાગ્યો હતો. નજીકમાં એક શ્વાન પણ મૃત હાલતમાં મળી આવ્યું હતું, જેને પણ કરંટ લાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. પરિવારજનોની બુમાબુમ સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. તાત્કાલિક ગોવિંદભાઈ અને તેમના નાના પુત્ર ગિરીશભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોએ ગોવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ગિરીશભાઈને વધુ સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ ગોવિંદભાઈના પુત્ર વિપુલકુમાર જગાણીયાએ ગઢ પોલીસ મથકે રામાભાઈ પ્રજાપતિ અને રમેશભાઈ પ્રજાપતિ વિરુદ્ધ FIR નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
હિંમતનગરમાં જલભવનના કોન્ફરન્સ હોલ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની નગરપાલિકાઓની સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક શુક્રવારે ગાંધીનગર ઝોનના પ્રાદેશિક કમિશનર બી.એમ. પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. તેમાં સાંસદ, ધારાસભ્ય, પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, એન્જિનિયરો અને GUDC વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ ગાંધીનગર ઝોનની નગરપાલિકાઓના સ્થાનિક પ્રશ્નો અને રજૂઆતોનું નિરાકરણ લાવવાનો તેમજ પ્રાદેશિક કક્ષાએથી જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવાનો હતો. બેઠકમાં ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરીના મનોજભાઈ સોલંકી અને અલ્પેશભાઈ પટેલ, સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા હાજર રહ્યા હતા. આ ઉપરાંત તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, મોડાસા અને બાયડ નગરપાલિકાના પદાધિકારીઓ, ચીફ ઓફિસરો અને GUDCના અધિકારીઓએ વિવિધ વિષયોના પ્રશ્નોના નિરાકરણ માટે ચર્ચા-વિચારણા કરી હતી. હિંમતનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવી દ્વારા આ બેઠક સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
રાજકોટ મહાનગરપાલિકા હાલ આર્થિક સંકટનો સામનો કરી રહી છે, જેના ઉકેલ માટે તંત્ર દ્વારા ચોતરફા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં ગઈકાલથી શહેરમાં વેરા વસૂલાત માટે આકરી સીલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, બીજીતરફ તિજોરીને ઓક્સિજન પૂરો પાડવા માટે તાજેતરની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મ્યુ. કમિશ્નરને રૂ. 200 કરોડ સુધીની લોન લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. આ નાણાકીય કટોકટી વચ્ચે આવતીકાલથી બે દિવસ એટલે કે શનિવાર - સોમવારે શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા અંદાજે રૂ. 360 કરોડની કિંમતના કુલ 7 પ્લોટની ઇ-હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ત્રણ વર્ષના લાંબા વિરામ બાદ મનપાએ બજારમાં પોતાના કિંમતી પ્લોટ વેચવા કાઢ્યા છે, જેનાથી તંત્રને મોટી આવકની અપેક્ષા છે. મનપાએ વેચવા મુકેલા સાત પ્લોટ પૈકી અમીનમાર્ગ અને 150 ફૂટ રિંગરોડના પ્લોટ આકર્ષણનું કેન્દ્ર રહે તેવી શક્યતા છે. પ્રાપ્ત વિગત મુજબ આવતીકાલ તા. 17 જાન્યુઆરીના રોજ પ્રથમ તબક્કામાં ચાર પ્લોટનું ઇ-ઓક્શન સવારે 11 વાગ્યાથી શરૂ થશે. જેમાં શહેરના સૌથી પોશ ગણાતા અમીન માર્ગ કોર્નર (ડુંગર દરબાર) સહિતના મહત્વના લોકેશનનો સમાવેશ થાય છે. આ હરાજીમાં જમીનનો પ્રતિ ચોરસ મીટર ભાવ લોકેશન મુજબ નક્કી કરવામાં આવ્યો છે. અમીન માર્ગ કોર્નર અને 150 ફૂટ રિંગ રોડ પાસેના પ્લોટ માટે રૂ. 2,00,000 ની અપસેટ પ્રાઈસ રાખવામાં આવી છે, જે સૌથી વધુ છે. જ્યારે સૌથી ઓછી કિંમત રેલનગર વિસ્તારના સાધુ વાસવાણી કુંજ રોડ પર આવેલા પ્લોટની રૂ. 45,000 નક્કી કરાઈ છે. અપસેટ કિંમત મુજબ પ્લોટની કુલ કિંમત રૂ. 338 કરોડ થાય છે, જોકે તંત્રને તો આશા છે કે રસાકસીભરી બોલીને અંતે આ આંકડો રૂ. 500 કરોડની નજીક પહોંચી શકે છે. પ્લોટની વિગતો અને હરાજીના સમયપત્રક પર નજર કરીએ તો, તા. 17 જાન્યુઆરીના રોજ સવારે 11 થી 12 વાગ્યા દરમિયાન રૈયા મેઈન રોડ પર સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામેના પ્લોટની હરાજી થશે. ત્યારબાદ બપોરે 1 થી 2 વાગ્યે અમીન માર્ગ કોર્નર, બપોરે 3 થી 4 વાગ્યે મવડી ફિલ્ડ માર્શલ રોડ અને સાંજે 5 થી 6 વાગ્યે એચસીજી હોસ્પિટલ રોડ પાસેના પ્લોટ માટે ઇ-ઓક્શન યોજાશે. બીજા તબક્કામાં 19 જાન્યુઆરી, સોમવારના રોજ મોરબી રોડ પર પંચવટી સોસાયટી સામેના પ્લોટ માટે સવારે 11 થી 12, પૂનમ હોલ સામેના પ્લોટ માટે બપોરે 1 થી 2 અને રેલનગરનાં સાધુ વાસવાણી કુંજ રોડના પ્લોટ માટે બપોરે 3થી 4 વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. મનપાએ દ્વારા યોજાનાર હરરાજીનું સ્થળ અને તારીખ રૈયા મેઇન રોડ, સવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે (તા.17) સાઈઝ : 3221 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 1.30 લાખ અમીન માર્ગ કોર્નર, 150 ફુટ રોડ (તા.17)સાઈઝ : 4669 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 2.00 લાખ ગાંધી ટાઉનશીપ પાછળ, ફિલ્ડમાર્શલ રોડ, મવડી (તા.17)સાઈઝ : 5305 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 1.20 લાખ કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, એચસીજી હોસ્પિ. રોડ (તા.17)સાઈઝ : 3713 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 90.00 હજાર પંચવટી સોસા. રોડ, એચપી પમ્પ સામે, મોરબી રોડ (તા.19)સાઈઝ : 1648 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 1.25 લાખ પુનમ હોલ સામે, રાજકોટ-મોરબી રોડ (તા.19)સાઈઝ : 1588 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 1.25 લાખ ભકિતપાર્ક સામે, સાધુ વાસવાણી કુંજ રોડ, રેલનગર (તા.19)સાઈઝ : 14507 ચો.મી. અપસેટ પ્રાઇઝ : 45 હજાર મનપાએ આ વર્ષના બજેટમાં જમીન વેચાણ દ્વારા રૂ. 740 કરોડની આવકનો લક્ષ્યાંક રાખ્યો હતો. જોકે, વર્તમાન સ્થિતિ જોતા આ લક્ષ્યાંક પૂરો થવો મુશ્કેલ જણાય છે, પરંતુ જો આ 7 પ્લોટની હરાજી સફળ રહે તો તંત્રને રૂ. 360 કરોડથી વધુની આવક થઈ શકે છે, જે હાલમાં મોટો ટેકો સાબિત થશે. ખાસ કરીને વધતા જતા પગાર ખર્ચ અને મહેસૂલી ખર્ચને પહોંચી વળવા માટે મનપા પાસે ગ્રાન્ટ સિવાયના પોતાના સ્ત્રોત ઊભા કરવા અનિવાર્ય બન્યા છે. હરાજીમાં મુકાયેલા આ પ્લોટ કુલ 35,000 ચોરસ મીટર જેટલી જગ્યા ધરાવે છે. ત્યારે હવે જોવાનું એ છે કે બિલ્ડર લોબી આ પ્લોટમાં કેટલો રસ દાખવે છે અને તમામ પ્લોટ વેચાય છે કે કેમ, કારણ કે મનપાની આર્થિક સ્થિતિનો ઘણો મોટો મદાર હરાજીની સફળતા પર ટકેલો છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.
પાટણ જિલ્લામાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી અને વેચાણ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે શખ્સોની પાસા હેઠળ અટકાયત કરીને તેમને જુનાગઢ અને દાહોદની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના બાદ, પાટણ એલ.સી.બી. દ્વારા દારૂની હેરાફેરી અને સપ્લાયની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બે શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ શખ્સોમાં થરાદના મલુપુર ગામના વશરામ સેંધાભાઈ અજાભાઈ રબારી (ઉં.વ. 39) અને પાટણના મોટા મદ્રેસા વિસ્તારના મુસ્તકીમ કયુમુદ્દીન શરીફુદ્દીન ફારૂકી (ઉં.વ. 30) નો સમાવેશ થાય છે. તેમના ગુનાહિત ઇતિહાસને આધારે તૈયાર કરાયેલી આ દરખાસ્તને જિલ્લા મેજીસ્ટ્રેટે મંજૂર કરી હતી, જેના પગલે બંનેની પાસા હેઠળ અટકાયત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. વશરામ રબારી સામે પાટણ તાલુકા, સમી, થરાદ અને ભાભર સહિતના પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબિશન અને મારામારીના આશરે 18 ગુનાઓ નોંધાયેલા છે. તેમને પાસાના આદેશ મુજબ જુનાગઢની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. જ્યારે મુસ્તકીમ ફારૂકી વિરુદ્ધ પાટણ સીટી એ ડિવિઝન અને પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ (કલમ 307) અને પ્રોહીબિશનના પાંચ ગુનાઓ નોંધાયેલા છે. તેમને દાહોદની મધ્યસ્થ જેલમાં મોકલવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પાટણ શહેરના હાંસાપૂર વિસ્તારમાં આવેલી સોસાયટીઓના મુખ્ય માર્ગો પર પાણીની પાઈપલાઈન તૂટવાને કારણે રસ્તાઓ જળમગ્ન બન્યા છે. આનાથી વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક રહીશો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા રોષ પ્રવર્તી રહ્યો છે. હાંસાપૂર વિસ્તારમાં સમર્પણ વિલા, ગણેશ વિહાર, રામવિલાસ, ગણેશ ધામ, આમિત્રી, રામદેવ અને સુરમ્ય જેવી મુખ્ય સોસાયટીઓ આવેલી છે. આ વિસ્તારમાં લાંબા સમયથી રસ્તાઓની હાલત બિસ્માર હોવાની ફરિયાદ છે. હાલમાં મુખ્ય માર્ગ પરથી પસાર થતી પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા રસ્તાઓ પર સતત પાણી વહી રહ્યું છે અને ખાડાઓમાં ભરાઈ રહે છે. આ પરિસ્થિતિને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વડીલોને ચાલવામાં મુશ્કેલી પડે છે. રહીશોના જણાવ્યા મુજબ, ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવવાની સમસ્યા કાયમી છે, પરંતુ હવે પાઈપલાઈન તૂટવાને કારણે બિન-ચોમાસામાં પણ રસ્તાઓ પર પાણી ભરાયેલા રહે છે. ગંદા પાણીના ભરાવાને કારણે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ અંગે તંત્રને અનેકવાર જાણ કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિમાં સુધારો થયો નથી. રહીશોએ માંગ કરી છે કે, તૂટેલી પાઈપલાઈનનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને વિસ્તારમાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ગોઠવી રસ્તાઓનું રીપેરિંગ કામ હાથ ધરવામાં આવે. જો વહેલી તકે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં લોકો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ચાણસ્મા રોડ પર આવેલા મેલડી માતાના મંદિરના પ્રવેશદ્વારથી ગામના બસ સ્ટેશન તરફ પાકો લિંક રોડ બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ચંદ્રુમાણા ગામમાં મેલડી માતા મંદિર પાસેથી સેવાળા અને ખારી ઘારીયાલ તરફના રસ્તા પસાર થાય છે. તાજેતરમાં, સ્ટેટ પીડબ્લ્યુડી વિભાગ દ્વારા ચાણસ્માથી સેવાળા, ચંદ્રુમાણા થઈ અડિયા સુધીના રસ્તાનું કામ પૂર્ણ કરાયું છે. આ ઉપરાંત, ચાણસ્માથી ખારી ઘારીયાલ થઈ ચંદ્રુમાણા મેલડી માતા સુધીનો બીજો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. હાલમાં, બસ સ્ટેશન થઈ રોહિત વાસના નાકા ચાણસ્મા લિંક રોડ તરફ 500 મીટરનો રસ્તો મંજૂર થયો છે. ત્યારે, ગરનાળાથી મેલડી માતાના મંદિર સુધીનો બાકી રહી જતો લિંક રોડ મંજૂર કરવા અને વચ્ચે આવતી ડીપમાં ગરનાળું બનાવવા માટે સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસ દ્વારા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સ્તરે રજૂઆત કરાઈ છે. આ રસ્તા પર વાહનોની અવરજવર વધુ રહેતી હોવાથી ગ્રામજનો માટે તે અત્યંત મહત્વપૂર્ણ છે. ચંદ્રુમાણા ગામના લોકો નજીકના સેવાળા, ધરમોડા, ખારી ઘારીયાલ અને ચાણસ્મા જેવા ગામો સાથે સામાજિક રીતે ગાઢ રીતે સંકળાયેલા છે. તેથી, આ લિંક રોડ બનાવવાની તાતી જરૂરિયાત હોવાનું સરપંચે જણાવ્યું છે.
નવસારીમાં મકાનોના ડિમોલિશન સામે સ્થાનિકોનો વિરોધ:વૈકલ્પિક આવાસની ખાતરી મળતા મામલો થાળે પડ્યો
નવસારીના દેવીનાપાર્ક વિસ્તારમાં મહાનગરપાલિકાના નવનિર્મિત વહીવટી ભવનના રસ્તામાં નડતરરૂપ ચાર મકાનોના ડિમોલિશન માટે ગયેલી પાલિકાની ટીમને સ્થાનિક રહીશો અને આદિવાસી સમાજના અગ્રણીઓના ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. આક્રોશને પગલે પાલિકાએ કામગીરી મુલતવી રાખી હતી. જોકે, અસરગ્રસ્તોને વૈકલ્પિક જગ્યાની ખાતરી મળતા મામલો શાંત પડ્યો હતો. મહાનગરપાલિકાનું નવું વહીવટી ભવન દેવીનાપાર્ક પાસે આકાર લઈ રહ્યું છે. તેના મુખ્ય રસ્તામાં ચાર આદિવાસી પરિવારોના મકાનો અવરોધરૂપ છે. પાલિકાના દાવા મુજબ, આ મકાનો સરકારી જમીન પર છે અને તે સંદર્ભે અગાઉ નોટિસ પણ પાઠવવામાં આવી હતી. રહીશોએ નોટિસ સામે વાંધા અરજી આપી હોવા છતાં, કોઈ પૂર્વ સૂચના કે પ્રત્યુત્તર વિના ડિમોલિશન ટીમ પહોંચતા વિવાદ સર્જાયો હતો. સ્થાનિકોમાં આ ડિમોલિશન લઈને ભારે નારાજગી જોવા મળી હતી. વર્ષ 2018માં તત્કાલીન નગરપાલિકાએ ટી.પી. રોડ માટે આ પરિવારોના જૂના મકાનોનો કબજો લઈ તેમને ઝાઝાવાડી વસાહતમાં જગ્યા ફાળવી હતી. હવે ફરીથી એ જ જગ્યાએ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાતા રહીશોએ તંત્રની નીતિ સામે સવાલો ઉઠાવ્યા હતા. ઘટના બાદ આદિવાસી સમાજના આગેવાનો અને અસરગ્રસ્ત રહીશોએ મહાનગરપાલિકા કચેરી ખાતે ડેપ્યુટી કમિશનર ગૌરાંગ વસાણી સાથે મુલાકાત કરી હતી. રજૂઆત બાદ, તંત્ર દ્વારા આ પરિવારોને હંગામી ધોરણે ઈસ્કોન મંદિર પાસે આવેલી સરકારી EWS જગ્યા પર સ્થળાંતર કરવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. આ ખાતરી મળતા રહીશોએ તેમનો વિરોધ સમેટી લીધો હતો.
હિંમતનગરના સરવણામાં 6 મકાનના તાળા તૂટ્યા:2 મકાનમાંથી રૂ. 3.65 લાખના દાગીના-રોકડની ચોરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સરવણા ગામે એક જ રાતમાં તસ્કરોએ છ મકાનોને નિશાન બનાવ્યા હતા. તેમાંથી બે મકાનમાંથી કુલ રૂ. 3.65 લાખના સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તસ્કરોએ પાંચ બંધ મકાનોના તાળા તોડ્યા હતા. જ્યારે એક મકાનમાં માલિકો આગળના ભાગે હાજર હોવા છતાં, પાછળથી તાળું તોડી ઘરમાંથી ચોરી કરી હતી. વિજયસિંહ રણજીતસિંહ સૂર્યવંશીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ઉત્તરાયણની રાત્રે અજાણ્યા શખ્સોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી પ્રવેશ કર્યો હતો. અંદરથી બે પતરાની પેટીના તાળા તોડી, રૂ. 1 લાખનો સવા તોલા સોનાનો દોરો, રૂ. 50 હજારની અડધા તોલા સોનાની બુટ્ટીની જોડ, રૂ. 10 હજારની વીંટી, રૂ. 30 હજારના ચાંદીના બે જોડી રમજા, 25 ગ્રામના પાંચ ચાંદીના સિક્કા અને રૂ. 50 હજાર રોકડ સહિતની મત્તાની ચોરી કરી હતી. આ ઉપરાંત, રઘુવીરસિંહના ઘરના કબાટમાંથી તસ્કરો રૂ. 50 હજારનું અડધા તોલા સોનાનું પેંડલ, રૂ. 30 હજારની કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી, રૂ. 10 હજારના ચાંદીના રમજા અને રૂ. 25 હજાર રોકડ ચોરી ગયા હતા. બંને મકાન માલિકોની ફરિયાદના આધારે ગાંભોઈ પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી, FSL અને ડોગ સ્ક્વોડ સહિતની વિવિધ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી છે.
વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની તારીખ જાહેર કરાઈ. 16 ફેબ્રુઆરીથી 25 માર્ચ સુધી બજેટ સત્ર મળશે.. 23 દિવસમાં 26 બેઠક યોજાશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા ફરી વિવાદમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરીયા ફરી વિવાદમાં. સુરતનાં સરથાણામાં પતંગની દુકાને ભાવતાલ બાબતે કથિરિયાએ વાળ ખેંચી તમાચા માર્યા હોવાનો યુવકે આક્ષેપ કર્યો . પોલીસે અલ્પેશ કથિરિયા,તેમના ભાઈ અને અન્ય એક શખ્સ સામે ગુનો નોંધ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 156 કરોડના 23 વિકાસકામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ભાવનગર પહોંચ્યાં. ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમમાં મુખ્યમંત્રીએ કુલ રૂ.156 કરોડના 23 વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગીરીશ ભીમાણીની કરતૂતના સીસીટીવી સાથે હલ્લાબોલ અમરેલીની વિદ્યાસભા કોલેજના પૂર્વ નિયામક ગીરીશ ભીમાણીની કરતૂતના સીસીટીવી સામે આવ્યા છે. વિદ્યાર્થિનીઓ આબુ પ્રવાસે ગઈ હતી ત્યારે ભીમાણી પણ ત્યાં પહોંચ્યા હતા.. એબીવીપીએ દાવો કર્યો છે કે ભીમાણીએ દોઢ લાખનો નશો કરી છેડતી કરી હતી. ગઈ કાલે એનએસયુઆઈએ ગીરીશ ભીમાણીનું મોં કાળું કર્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પાટીદાર સમાજના કાર્યક્રમમાં સાંસદની હૈયાવરાળ સુરતમાં પાટીદાર સમાજના કાર્યક્રમમાં પરષોત્તમ રુપાલાએ સમાજની વર્તમાન સ્થિતિ પર હૈયાવરાળ કાઢી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પત્ની સળગતી રહી અને પતિ વીડિયો ઉતારતો રહ્યો સુરતના ઈચ્છાપોરમાં ઘરકંકાસમાં પત્નીએ ડીઝલ છાંટી પોતાને સળગાવી દીધી. નિર્દયી પતિએ પત્નીને બચાવવાની જગ્યાએ તેનો વીડિયો ઉતાર્યો અને જુઠ્ઠાણું ચલાવ્યું કે તે જાતે અને અકસ્માતે દાઝી ગઈ છે. પોલીસે પતિ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હાઈપ્રોફાઈલ પાર્ટી મામલે પોલીસ શંકાના ઘેરામાં અમદાવાદના પંચવટીમાંથી ઝડપાયેલી હાઈપ્રોફાઈલ પાર્ટીમાં પોલીસની કામગીરી પર સવાલ...પકડાયેલા 21માંથી માત્ર 16 જ પોલીસ સ્ટેશન પહોંચ્યા. 4 યુવતીઓ અને 1 યુવક ગાયબ થઈ ગયા. પીઆઈએ કહ્યું કે યુવતીઓ માત્ર હોબાળો જોવા આવી હતી,તેમણે દારુ નહોતો પીધો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 16 વર્ષની સગીરાએ કર્યા ધમપછાડા વડોદરાના માંજલપુરમાં 16 વર્ષની સગીરાએ પ્રેમીના ઘરની બહાર પોલીસ વાન પર ચઢી ધમપછાડા કર્યા.પોલીસે માંડ માંડ તેને કાબૂ કરી નીચે ઉતારી કાઉન્સેલિંગ કરાવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરોVS હોસ્પિટલ રિનોવેશનને લઈને બેડ ઘટ્યા VS હોસ્પિટલમાં રિનોવેશનને લઈને બેડ ઘટ્યા.. જ્યાં સુધી રિનોવેશન ચાલશે ત્યાં સુધી ફક્ત 200 બેડ ઉપલબ્ધ રહેશે. પહેલા હોસ્પિટલમાં 500 બેડની વ્યવસ્થા હતી.જ્યાં સુધી રિનોવેશન પૂર્ણ નહીં થાય ત્યાં સુધી લોકોને હાલાકી ભોગવવી પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભરશિયાળે રાજ્યમાં માવઠાંની આગાહી રાજ્યમાં ભરશિયાળે માવઠાંની આગાહી કરવામાં આવી છે. 21થી 26 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ગુજરાત-કચ્છમાં વરસાદની સંભાવના છે.માવઠાંથી કેરી સહિતના પાકને નુક્શાનીની સંભાવના છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે 'આત્મા' યોજના હેઠળ એક પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં આત્મા ગ્રુપ સાથે સંકળાયેલા FIG (ફાર્મર ઇન્ટરેસ્ટ ગ્રુપ) ના ખેડૂતોને ખેતીલક્ષી સાધનોની ફાળવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ખેડૂતોને કુલ 43 ચાઈણી અને 9 વજન કાંટાનું વિતરણ કરાયું હતું. ખેડૂતો આ ચાઈણીનો ઉપયોગ પ્રાકૃતિક અનાજ અને કઠોળના શુદ્ધિકરણ માટે કરશે, જ્યારે વજન કાંટાની મદદથી વેચાણ કેન્દ્રો પર પારદર્શક રીતે તોલમાપ કરી શકશે. આ સાધન સહાયથી ખેતી પેદાશોની ગુણવત્તામાં સુધારો થશે અને ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહેશે. આત્મા યોજનાનો આ ઉમદા પ્રયાસ ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર અને આત્મનિર્ભર બનાવી તેમની આવક વધારવામાં નિર્ણાયક સાબિત થશે.
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય બાદ ગુજરાતમાં પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકત્ર થઈ ફટાકડા ફોડી અને આતશબાજી કરીને વિજય ઉત્સવ મનાવ્યો હતો. મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ ભાજપનો વિજય થયો હતો. આ સમાચાર મળતા જ પાટણ શહેર અને જિલ્લા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં ભાજપના વિવિધ પાંખના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકઠા થયા હતા. વિજયના માહોલ વચ્ચે કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું અને ફટાકડા ફોડીને જીતની ખુશી વ્યક્ત કરી. કાર્યક્રમ દરમિયાન ભાજપના કાર્યકરોએ કેસરીયા ખેસ ધારણ કરી 'વંદે માતરમ' અને 'ભારત માતાકી જય'ના નારા લગાવ્યા. આ આતશબાજી જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. કાર્યકરોએ મહારાષ્ટ્રમાં ભાજપના આ પ્રદર્શનને આગામી સમય માટે સંગઠનની મજબૂતી ગણાવી જીતનો આનંદ વ્યક્ત કર્યો. આ ઉજવણીમાં શહેર ભાજપના હોદ્દેદારો, નગરસેવકો અને પાયાના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્માર્ટ સિટી તેમજ વિકસિત વડોદરા તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કઈક અલગ જ સામે આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ગટર તેમજ પાણીની તકલીફોથી રહેવાસીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. આજે વોર્ડ કચેરી પોહચી ભારે સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ગટર તેમજ પાણીની તકલીફોથી રહેવાસીઓ ત્રાહિમામવડોદરા શહેરના ઈલેક્શન વોર્ડ નંબર 4 હેઠળ આવતા ખોડિયારનગર મહાકાળી વુડા વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટરલાઈન ઉભરાવાની સમસ્યા ગંભીર બની છે. આ કારણે વિસ્તારના રહેવાસીઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આજે રહીશો ઉગ્ર રજૂઆત અર્થે વોર્ડ કચેરી ખાતે પોહચી ગયા હતા. ‘વોટ માટે રાત-દિવસ અવાય છે, પરંતુ સમસ્યા માટે સમય નથી’રહેવાસીઓએ આ અંગે વોર્ડના કોર્પોરેટર અને મેયર પિન્કીબેન સોની તેમજ અજીત દાધીચને અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કામગીરી થઈ નથી એવા આક્ષેપો તેઓએ કર્યા છે. લોકોનું કહેવું છે કે વોટ લેવા માટે રાત-દિવસ આવે છે પરંતુ અમારી સમસ્યાના નિકાલ માટે સમય નથી. વોર્ડ નંબર 4ની ઓફિસ પર મોરચો માંડ્યોઆજે આ વિસ્તારની મહિલાઓએ આક્રોશ વ્યક્ત કરતાં વહીવટી વોર્ડ નંબર 4ની ઓફિસ પર મોરચો માંડ્યો હતો . મહિલાઓએ હલ્લાબોલ કરીને કોર્પોરેટરો વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ગટર સમસ્યાના નિરાકરણની માંગણી કરી હતી.
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના આઉટર વિસ્તારો માટે રૂ. 112 કરોડના પાણી પુરવઠા અને ડ્રેનેજ પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી અંદાજે 25,000 થી વધુ નાગરિકોને સીધો ફાયદો થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિઝન હેઠળ અમલી આ પ્રોજેક્ટથી નવસારી મહાનગરપાલિકામાં ભળેલા ચાર ગામો – એરુ, ધારાગીરી, દાંતેજ અને હાંસાપોરમાં પાણી અને ગંદા પાણીના નિકાલની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. 1 જાન્યુઆરી 2025ના રોજ નવસારી વિજલપોર નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થયા બાદ આ ગામોનો તેમાં સમાવેશ કરાયો હતો. આ વિસ્તારોમાં અત્યાર સુધી ડ્રેનેજ લાઇન અને શુદ્ધ પીવાના પાણીના નેટવર્કનો અભાવ હતો, જેના કારણે સ્થાનિકોના સ્વાસ્થ્ય પર અસર પડતી હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવશે. તેમાં નવી પાઈપલાઈન, ઓવરહેડ ટાંકી, અંડરગ્રાઉન્ડ સંપ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન, આધુનિક સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને પાણીના શુદ્ધિકરણ માટે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ (WTP)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રોડ, સ્ટ્રીટ લાઈટ, સ્ટોર્મ વોટર નેટવર્ક, ગાર્ડન અને તળાવોનો વિકાસ પણ કરાશે. મહાનગરપાલિકા દ્વારા સિવિક સેન્ટર, વિહારધામ અને સ્વચ્છતા માટે ડોર-ટુ-ડોર ડસ્ટબિન વિતરણનું પણ આયોજન છે. નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, પહેલા ચરણમાં ચારેય ગામોમાં ડ્રેનેજ અને વોટર સપ્લાયનું કામ હાથ ધરાશે. આ પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ કરી લોકોને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી એ અમારી પ્રાથમિકતા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર શહેરી વિસ્તારોમાં ‘ઇઝ ઓફ લિવિંગ’ વધારવા માટે પ્રતિબદ્ધ છે. વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 'શહેરી વિકાસ વર્ષ'ની ઉજવણી શરૂ કરી હતી. આ જ પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2025ને ફરીથી 'શહેરી વિકાસ વર્ષ' તરીકે જાહેર કર્યું છે. આ પહેલ અંતર્ગત નવસારી જેવા વિકસતા શહેરોમાં આંતરમાળખાકીય સુવિધાઓ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે, જેનાથી નવસારી એક સ્વચ્છ અને આધુનિક શહેર તરીકે ઉભરી આવશે.
મહારાષ્ટ્રના મુંબઈ સહિત અલગ અલગ મહાનગરપાલિકા - સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના ભવ્ય વિજયને લઈને આજે 16 જાન્યુઆરીના રોજ ખાનપુર સ્થિત અમદાવાદ શહેર ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી. શહેર પ્રમુખ, સાંસદ સભ્ય, ધારાસભ્યો અને કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી મીઠું મોઢું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. જોકે ભાજપના ઉજવણીમાં ધારાસભ્યો અને કોર્પોરેટરોને ખાસ રસ ના હોય તેમ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ અને શહેરી વિકાસ મંત્રી સિવાયના 11 ધારાસભ્યોમાંથી માત્ર ચાર ધારાસભ્ય હાજર રહ્યા હતા. એક ધારાસભ્ય ઉજવણી પૂરી થઈ ગયા પછી આવ્યા હતા. મહારાષ્ટમાં ભાજપની જીતથી અમદાવાદ ભાજપ દ્વારા ઉજવણીમહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મુંબઈ સહિત અલગ અલગ જગ્યાએ ભાજપની ભવ્ય જીત થઈ છે જેની ઉજવણી અલગ અલગ જિલ્લા અને શહેરમાં કરવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ અન્ય ભાજપના હોદ્દેદારોએ પેંડા ખવડાવી મોઢું મીઠું કર્યું હતું અને ફટાકડા ફોડ્યા હતા. અમદાવાદ શહેરમાં ભાજપ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેના માટે તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને જાણ કરવામાં આવી હતી જોકે ભાજપના ધારાસભ્ય, એક સાંસદ, કોર્પોરેટરો અને મોરચાના કાર્યકર્તાઓ ઓછી સંખ્યામાં હાજર રહ્યા હતા. સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ દ્વારા કાર્યાલય પર ઉજવણીઉજવણીના કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ દિનેશ મકવાણા, એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્યો અમિત શાહ નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતુ પટેલ, દરિયાપુર વિધાનસભાના ધારાસભ્ય કૌશિક જૈન અને મણીનગર વિધાનસભાના ધારાસભ્ય અમુલ ભટ્ટ હાજર રહ્યા હતા. બાપુનગર વિધાનસભાના ધારાસભ્ય દિનેશ ઉજવણી બાદ પાછળથી આવ્યા હતા. મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી, પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિત ચેરમેનો અને ગણ્યા ગાંઠ્યા કોર્પોરેટરો હાજર રહ્યા હતા. ‘અમદાવાદ મનપા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી’મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજવાની છે. અમદાવાદ મહાનગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે ભાજપના કાર્યકર્તાઓથી લઈ ધારાસભ્યો, નેતાઓ કાર્યકર્તાઓ શહેર કાર્યાલય ખાતે આવા કાર્યક્રમોમાં હાજરી આપતા હોય છતાં પણ અમદાવાદમાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓને ભાજપની જીતની ઉજવણીમાં અત્યારે ખાસ રસ જોવા મળતો નથી. ‘ભારતમાતા કી જય‘ ના પ્રચંડ જયનાદ સાથે ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કર્યુંગુજરાત પ્રદેશ ભાજપાએ મહારાષ્ટ્રમાં ચૂંટણીની જીતની ઉજવણી કરી હતી. આજે મહારાષ્ટ્રની મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભાજપા અને સાથી પક્ષોની મહાયુતિને પ્રચંડ બહુમતિ સાથે જનતાએ આશીર્વાદ આપ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘ ખાતે પ્રદેશ મહામંત્રીશ્રી અજય બ્રહ્મભટ્ટની ઉપસ્થિતિમાં ભાજપા અગ્રણીઓ અને કાર્યકરોએ ‘ભારતમાતા કી જય‘ ના પ્રચંડ જયનાદ સાથે ફટાકડા ફોડી તેમજ મોં મીઠું કરી મહાયુતિની ભવ્ય જીતની ઉજવણી કરી હતી. 'આ ડબલ એન્જિન સરકારની જીત છે'-ડૉ. અનિલ પટેલપ્રદેશ ભાજપાના મુખ્ય પ્રવકતા ડૉ. અનિલ પટેલે મીડિયાને સંબોધન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સાથી પક્ષોની કામગીરી પર સમર્થન દર્શાવી પ્રચંડ જનાદેશ આપવા બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે જનતાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047‘ના નિર્માણના સંકલ્પને સમર્થન દર્શાવ્યું છે, આ ડબલ એન્જિન સરકારની જીત છે. જનતાએ કોંગ્રેસ અને ઉદ્વવ સેનાની નકારાત્મક રાજનીતિને નકારી કાઢી મોદી અને ફડણવીસના નેતૃત્વ પર મહોર મારી છે.
રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓમાં પ્લાસ્ટિક વેસ્ટના નિકાલનો મામલે એડવોકેટ અમિત પંચાલ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટ સમક્ષ સુનાવણી ચાલ રહી છે. જે કેસમાં આજે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન રેની બેન્ચ સમક્ષ વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં AMCના વકીલે જણાવ્યું હતું કે, શાકભાજી અને ફ્રૂટ વેચવાવાળાને કાપડની થેલીઓ આપવામાં આવી છે. 10 મોટા માર્કેટ, 34 નાના માર્કેટમાં આ કાર્યવાહી કરાઇ છે. વેચાણકર્તાઓને પ્લાસ્ટિક ફ્રી પર્યાવરણ માટે સમજાવાય છે. લોકોને જાગરૂક કરવા બોર્ડ લગાવ્યા છે. 1050 વેપારીઓને 15 હજાર કપડાની થેલીઓ આપવામા આવી છે. માર્કેટને ઓળખીને તેમને પ્લાસ્ટિક ફ્રી માર્કેટ જાહેર કરોકોર્ટે કહ્યું હતું કે, જુદા જુદા માર્કેટને ઓળખીને તેમને પ્લાસ્ટિક ફ્રી માર્કેટ જાહેર કરો. સરકારી વકીલે જણાવ્યું હતું કે 22 નવેમ્બરથી 8 જાન્યુઆરી દરમિયાન નિયત માઇક્રોનથી ઓછા માઇક્રોન વાળું પ્લાસ્ટિક વાપરતા 123 યુનિટ સીલ કરાયા છે. 1238 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું છે. સરકારી ઓફિસમાં હવે ગ્લાસ બોટલ વપરાય છે GPCB એ જણાવ્યું હતું કે, 1.52 લાખ કપડાંની થેલીઓ મશીનમાં મૂકી છે. 28 હજાર પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીન ક્રશિંગમાં આવી છે. પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવાની જરૂરકોર્ટે કહ્યું હતુ કે, અમદાવાદ શહેરમાં AMC એ જ્યાં વધુ લોકોની અવર જવર હોય ત્યાં પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન મૂકવાની જરૂર છે. AMCએ જણાવ્યું હતુ કે એક ફ્લાવર શોમાં મૂકાયું છે. પ્લાસ્ટિક નહીં વાપરવા જાહેરાત કરવા, લોકોને જાગરૂક કરવા અને બાળકોને પ્રેરણા આપવા કોર્ટે સરકારને જણાવ્યું છે. GPCBએ વધુમાં જણાવ્યું હતું કે 89 નગરપાલિકા પાસે MRF છે અને 48 એ MOU કર્યા છે. નગરપાલિકાઓ પૈકી 58 મેન્યુઅલી, 20 મમિકેનિકલ 11 બંને પ્રકારની વ્યવસ્થા ધરાવે છે. 152 નગરપાલિકામાંથી 104 એ હજુ MOU નથી કર્યા. આ અંગે 6 માર્ચના રોજ વધુ સુનાવણી યોજાશે. હાઇકોર્ટે સરકારને પ્લાસ્ટિક રિવર્સ વેન્ડિંગ મશીન લગાવવા, સ્ટેટ મોનીટરીંગ કમિટીની કામગીરી અને GPCB ને MRF ફેસિલિટી નગરપાલિકાઓ દ્વારા ઊભી કરવાનું કામ ચાલુ રાખવા કહ્યું છે. શહેરમાં 16.50 લાખ કપડાંની થેલીઓ લોકોને વહેંચીઅગાઉની સુનાવણીમાં હાઇકોર્ટે સૂચન આપ્યું હતું કે, AMC શાકભાજી અને ફળ વેચનારા લોકોની તપાસ કરે. જો પ્લાસ્ટિકની થેલી ઉપર જ પ્રતિબંધ મુકવામાં આવશે તો જ તેનો વિકલ્પ મળશે. શાકભાજી અને ફ્રૂટ બજારોમાં પ્લાટિકની થેલીના વપરાશ ઉપર પ્રતિબંધ મૂકી શકાય. ઉતરાખંડ અને હિમાચલમાં પ્લાસ્ટિકની થેલી ઉપર પ્રતિબંધ છે. AMC એ કહ્યું હતું કે તેને શહેરમાં 16.50 લાખ કપડાંની થેલીઓ લોકોને વહેંચી છે.
લિંબડી હાઈવે પર વિદેશી દારૂ ઝડપાયો:રૂ. 37.53 લાખના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ
સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડી-ડોળીયા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસે રૂ. 37.53 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના 16 જાન્યુઆરી, 2026ના રોજ વહેલી સવારે બની હતી. લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) સુરેન્દ્રનગરની ટીમે પરશુરામજી જગ્યા ધામ સામે રોડ પરથી એક ટ્રકને અટકાવી હતી. ટ્રકની તલાશી લેતા તેમાંથી 750 MLની 1740 વિદેશી દારૂની બોટલો અને 500 MLના 1776 બિયર ટીન મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા દારૂની કુલ કિંમત રૂ. 27,48,720/- આંકવામાં આવી છે. પોલીસે ટ્રક ડ્રાઈવર બાબુલાલ ઠાકરારામ ધુંધવાલ (ઉ.વ. 24, રહે. બાડમેર, રાજસ્થાન)ની ધરપકડ કરી છે. દારૂ ઉપરાંત રૂ. 10,00,000/-ની કિંમતનો ટ્રક અને રૂ. 5,000/-નો મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. ટ્રક પર MH.04.LY.2808 નંબરની ખોટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. આ કેસમાં દારૂ મોકલનાર ખેતસિંઘ રાજપુરોહીત (રહે. જેસલમેર, રાજસ્થાન), ટ્રકના માલિક અને દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત કુલ ત્રણ આરોપીઓ ફરાર છે. પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે પ્રોહિબિશન ધારાની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83, 98(2) તથા BNS કલમ 336(2), 336(3), 340(2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુરેન્દ્રનગરના પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ બાલુભા ઝાલા દ્વારા નોંધાવવામાં આવી છે. ગુનાની વધુ તપાસ ચુડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. આઈ.એ. ભટ્ટીને સોંપવામાં આવી છે.
સુરત શહેરમાં હવે સિટી બસમાં પ્રવાસ કરનાર મુસાફરોની સુરક્ષા વ્યવસ્થા સામે પણ પ્રશ્નાર્થ ઉઠવા પામ્યા છે. શહેરનાં ઉધના વિસ્તારમાં આજે સવારે બસમાં મુસાફરી કરી રહેલા એક યુવક પર ત્રણથી ચાર શખસો દ્વારા ચપ્પુ વડે હુમલો કરીને તેને લુંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે બસમાં મુસાફરી કરનાર અન્ય મુસાફરોમાં પણ ભારે ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો. હાલમાં પગનાં ભાગે ચપ્પુનાં ઘા વાગતાં યુવકને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં ઉધના પોલીસ દ્વારા પણ તપાસનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ત્રણ શખસોનો ચપ્પુ વડે યુવક પર હુમલોમળતી માહિતી અનુસાર આજે સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નં. 104માં એક યુવક મુસાફરી કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેની પાસે બેથી ત્રણ યુવકો ઘસી આવ્યા હતા અને યુવક કંઈ સમજે વિચારે તે પહેલાં તો તેના પર યુવકોએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. અચાનક હુમલાને પગલે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરોમાં પણ ભારે ડરનો માહોલ પ્રસરી ગયો હતો. જો કે, અન્ય યુવકો દ્વારા હુમલાખોરોનો પ્રતિકાર કરતાં તેઓ બસમાંથી ત્વરિત નાસી છૂટયા હતા. ચોરી કરવા હુમલાખોરો દ્વારા હુમલાની આશંકાપ્રાથમિક આશંકાને પગલે યુવકનાં મોબાઈલની ચોરી કરવા માટે હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. જો કે, હવે સિટી બસમાં પણ મુસાફરો પર હુમલાની ઘટનાને પગલે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને હાલમાં હુમલાખોરોને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સિટી બસ ઊભી રહી અને તેમણે મને ચપ્પુ માર્યું: ઇજાગ્રસ્ત યુવકઇજાગ્રસ્ત યુવકે જણાવ્યું હતું કે, તે લોકો છ નંબર (રૂટ) થી મોબાઈલ જેવું કંઈક કાઢી રહ્યા હતા, કદાચ મેં એ જોઈ લીધું. તો એમને એવું લાગ્યું કે આ બધાને કહી દેશે, પણ મેં કંઈ જ કહ્યું નહોતું, હું તો બસ ત્યાં ઊભો હતો. પછી મને લાગ્યું કે તેઓ મને મારવાના છે, એટલે હું અંદર જઈ રહ્યો હતો. ત્યારે જ સિટી બસ ઊભી રહી અને તેમણે મને ચપ્પુ મારી દીધું હતું. આ બસમાં ફરનારા ટપોરીઓ હોઈ શકે છે: સોમનાથ મરાઠેપાલિકાના જાહેર પરિવહન ચેરમેન સોમનાથ મરાઠેએ જણાવ્યું હતું કે, આજે ડિંડોલીથી સુરત રેલવે સ્ટેશન સુધી જતી 104 નંબરની બસ મિલેનિયમ-4 જે માર્કેટ છે ભાઠેના ખાતે ત્યાં અચાનક સામે ત્રણ યુવક અને એક યુવક વચ્ચે ઝઘડો બસમાં થયો હતો, તેવી પ્રાથમિક માહિતી અમને મળી હતી. અને આ જે યુવક સામે ત્રણ યુવકોનો પ્રતિકાર કરતો હતો, તે યુવકનો મોબાઈલ ઝૂંટવાની પણ આ ત્રણ યુવકોએ કોશિશ કરી હતી. મને લાગે છે કે આ બસમાં ફરનારા ટપોરીઓ હોઈ શકે છે અને તેના કારણે આ લોકોએ તરત જ તેના પગમાં ચપ્પુ માર્યું છે. પોલીસને વિનંતી છે કે, બસની અંદર સઘન ચેકિંગ રાખોઆ યુવકને તરત જ 108ની મદદથી તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરંતુ આવી બાબત ક્યારેય સાંખી લેવાય નહીં. સુરત શહેરના જેટલા પણ પોલીસ સ્ટેશન છે. અગાઉ પણ આપણે BRTSની અંદર મહિલા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હું શહેરના તમામ પોલીસ સ્ટેશનના PIઓને વિનંતી કરું છું કે તમે સિટી બસ હોય કે BRTS બસ હોય, તમે આ બસની અંદર સઘન ચેકિંગ રાખો. જ્યારે પગારની તારીખો હોય ત્યારે પણ ક્યારેક પાકીટમારના બનાવો બનતા હોય છે, મોબાઈલ ચોરીના બનાવો બનતા હોય છે. આ ટપોરીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાયપોલીસ જો તરત જ બસમાં ચેકિંગ કરે તો પોલીસને તરત ખબર પડે કે આ કયા ટપોરીઓ છે અને આ ટપોરીઓ ખરેખર ક્યાં જઈ રહ્યા છે. જો તપાસ કરે તો આ જે ટપોરીએ ચપ્પુ માર્યું છે, તે ખરેખર પેસેન્જર હતા કે આમ જ બસમાં રખડનારા હતા? તેની પ્રાથમિક તપાસ લઈને આ ટપોરીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય એવી મેં PI જોડે વાત કરી છે. અને આવનારા દિવસોમાં આવા કોઈ બનાવ ન બને તે માટે સઘન ચેકિંગ રાખવા માટે પણ તેમને વિનંતી કરી છે.
નવસારીના ઐતિહાસિક શરબતિયા તળાવના નવીનીકરણ પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિ અને સરકારી નિયમોના ઉલ્લંઘનના આક્ષેપ કરવામાં આવ્યાં છે. ભારત સરકારના નેશનલ લઘુમતી આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અને વરિષ્ઠ એડવોકેટ કેરસી દેવુંએ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધિકારીને સિવિલ પ્રોસિજર કોડની કલમ 80 મુજબ નોટિસ ફટકારી છે. નોટિસમાં આક્ષેપ કરાયો છે કે, તળાવની ફરતે થતું બાંધકામ (GDCR) 2017ના નિયમો વિરુદ્ધ છે. આનાથી ભવિષ્યમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. જોકે, આ મામલે નવસારી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે કે, તેમને હજુ સુધી આવી કોઈ નોટિસ મળી નથી. નોટિસ મુજબ, ગુજરાત સરકારના નર્મદા અને જળસંપત્તિ વિભાગના ઠરાવ અનુસાર, કોઈપણ જળાશય (તળાવ કે નદી)ની હદથી ચોક્કસ માર્જિન છોડવું ફરજિયાત છે. GDCR નિયમો મુજબ, વોટર બોડીથી રોડ તરફ આશરે 30 મીટર (લગભગ 100 ફૂટ)નું માર્જિન છોડવાનું હોય છે. હાલમાં આ માર્જિન છોડ્યા વિના જ બાંધકામ કરવામાં આવી રહ્યું છે, જે પ્રથમ દ્રષ્ટિએ ગેરકાયદેસર જણાય છે. એડવોકેટ કેરસીભાઇએ નોટિસમાં જણાવ્યું છે કે, શરબતિયા તળાવની પૂર્વે રમતગમતનું મેદાન આવેલું છે જ્યાં વર્ષ દરમિયાન અનેક જાહેર કાર્યક્રમો યોજાય છે. લુન્સીકુઈ તરફ જતો આ મુખ્ય માર્ગ હાલમાં જ ટ્રાફિકથી વ્યસ્ત રહે છે. જો નિયમ મુજબ માર્જિન છોડવામાં નહીં આવે, તો આ રસ્તો ભવિષ્યમાં પહોળો કરી શકાશે નહીં, જેના કારણે કાયમી ટ્રાફિક જામ અને પાર્કિંગની અરાજકતા સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. નોટિસમાં ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો આ કામ તાત્કાલિક બંધ કરવામાં નહીં આવે તો દીવાની કોર્ટમાં કાયમી મનાઈ હુકમ (Stay Order) માટે દાવો કરવામાં આવશે. જો કામ ચાલુ રખાશે, તો કોર્પોરેશન એક્ટની કલમ 42 મુજબ અધિકારીઓનું આ કામમાં 'સ્થાપિત હિત' છે તેવું માનીને કાયદેસરની કાર્યવાહી કરાશે. અરજદારે માંગ કરી છે કે, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટરની ટીમ સાથે રાખી સ્થળ પર પંચનામું કરી માપણી કરવામાં આવે. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા નિમણૂક પામેલા અધિકારીની ફરજ છે કે તેઓ સરકારી નાણાંનો વ્યય અટકાવે અને ગોબાચારી ન થાય તે જોવે. નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, અહીં જાહેર હિતના બદલે 'જાહેર અહિત' થઈ રહ્યું છે.
ક્ષત્રિય ઠાકોર સમાજને એકતાના તાંતણે બાંધવા અને સમાજના સર્વાંગી વિકાસ માટે આગામી સમયમાં એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. યુવા ક્ષત્રિય સેના ગુજરાતના પ્રમુખ અભિજીત બારડે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, શ્રી ભવાનીધામ સંકલ્પ યાત્રાનું આયોજન ખેરાલુના મલેકપુર ખાતે આવેલા રામદેવપીર મહારાજના મંદિરેથી કરવામાં આવશે. આ યાત્રા 1008થી પણ વધુ ગાડીઓના જંગી કાફલા સાથે માં અંબાજીના ધામમાં પહોંચશે, જ્યાં એક વિશાળ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષત્રિય ઠાકોર સમાજની આસ્થાના કેન્દ્ર સમાન એક ભવ્ય સંસ્થાનનું નિર્માણ કરવાનો સંકલ્પ લેવાનો છે. ભવાનીધામના નિર્માણ માટેના ચોક્કસ સ્થળ અને ભૂમિપૂજનઅભિજીત બારડે વધુમાં ઉમેર્યું હતું કે, ક્ષત્રિય સમાજ વતી આ યાત્રામાં 1008 ગાડીઓનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પરંતુ જે રીતે સમાજમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોતા આ સંખ્યામાં મોટો વધારો થવાની શક્યતા છે. ભવાનીધામના નિર્માણ માટેના ચોક્કસ સ્થળ અને ભૂમિપૂજનની તારીખ આગામી સમયમાં જાહેર સભાના પ્લેટફોર્મ પરથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. હાલમાં આ સંકલ્પ યાત્રાના માધ્યમથી સમાજમાં નવી ચેતના અને ઉર્જા લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ધર્મ અને ધજાના માધ્યમથી સમાજને જોડવાનો પ્રયાસવધુમાં તેઓએ જણાવ્યું કે, આ ભવાનીધામ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં, પરંતુ સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે સમાજના ઉત્કર્ષ માટેનું એક કેન્દ્ર બની રહેશે. ધર્મ અને ધજાના માધ્યમથી સમાજને જોડવાના આ પ્રયાસને ભવિષ્યમાં રાજકીય રીતે એક 'પાવર હાઉસ' તરીકે જોવામાં આવશે, તેમ પણ તેમણે જણાવ્યું હતું.
વઢવાણ ખાતે બે દિવસીય 'આયુષ મેળા'નો પ્રારંભ થયો છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસદ ચંદુભાઈ શિહોરા અને નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાની ઉપસ્થિતિમાં શ્રી વઢવાણ ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે દીપ પ્રાગટ્ય દ્વારા મેળાનો શુભારંભ કરાયો. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, આધુનિક યુગમાં એલોપેથી પાછળ દોડવાને બદલે આપણે આપણી સમૃદ્ધ આયુર્વેદિક વિરાસતને ફરી અપનાવવાની જરૂર છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, વિશ્વએ મહર્ષિ ચરક અને સુશ્રુત જેવા મહાન વૈદોના જ્ઞાનમાંથી જ આધુનિક સર્જરી પદ્ધતિઓ વિકસાવી છે. જો આપણે ઋતુચર્યા મુજબ આયુર્વેદિક જીવનશૈલી અને વનસ્પતિઓનું સેવન કરીએ, તો ગંભીર રોગોથી બચી શકાય છે. સાંસદ શિહોરાએ રાસાયણિક ખેતીના ગંભીર પરિણામો સામે ચેતવણી આપતા જણાવ્યું કે, જંતુનાશકોના કારણે આજે નાના ગામડાઓમાં પણ કેન્સર અને ડાયાબિટીસ જેવા રોગો વ્યાપ્યા છે. તેમણે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ચાલતાં પ્રાકૃતિક કૃષિ અભિયાન અન્વયે ખેડૂતોને 'પ્રાકૃતિક ખેતી' અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે લોકોને ઇતર પ્રવૃતિઓમાં સમય વેડફવાને બદલે સવારે યોગ અને કસરત કરી આરોગ્ય સુધારવા આહવાન કર્યું. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ આયુષ મેળાને આયુર્વેદ, હોમિયોપેથી અને યોગનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અલગ 'આયુષ મંત્રાલય'ની સ્થાપના કરીને ભારતીય આયુર્વેદિક પદ્ધતિને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવી છે. આધુનિક જીવનશૈલીને કારણે સ્વાસ્થ્યના પ્રશ્નો વધ્યા હોવાથી વિદેશોમાં પણ ભારતીય આયુર્વેદિક દવાઓની માંગ અને સ્વીકૃતિમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. આ મેળામાં વિશિષ્ટ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિઓ દ્વારા સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. જેમાં ઇન્જેક્શન વગર પીડારહિત દાંત કાઢવાની 'જાલંધર બંધ' પદ્ધતિ અને પંચકર્મનું લાઈવ પ્રદર્શન મુખ્ય આકર્ષણ છે. આ ઉપરાંત, આંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સ વાનગી સ્પર્ધા અને 'ગર્ભ સંસ્કાર' પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત એ ઋષિ-કૃષિ સંસ્કૃતિનો દેશ છે, જ્યાં રામાયણકાળથી સંજીવની જડીબુટી જેવી આયુર્વેદિક પરંપરાઓનો ઉલ્લેખ છે. આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર કદાચ લાંબી હોઈ શકે, પરંતુ તે શરીરને નુકસાન કર્યા વગર રોગનો સચોટ અને કાયમી ઉકેલ આપે છે. સરકાર દ્વારા આવા મેળાના આયોજન પાછળનો મુખ્ય હેતુ છેવાડાના માનવી સુધી રોગોનું નિદાન અને જાગૃતિ પહોંચાડવાનો છે. આરોગ્ય વિભાગના તબીબોની કામગીરીને બિરદાવતા તેમણે જિલ્લાના તમામ નાગરિકોને બે દિવસીય આયુષ મેળાનો મહત્તમ લાભ લેવા અને પરંપરાગત સારવાર પદ્ધતિ તરફ વળવા અનુરોધ કર્યો હતો. સરકારી આયુર્વેદ હોસ્પિટલ, સુરેન્દ્રનગરના પંચકર્મ નિષ્ણાંત ડો. ધરા જાધવે આયુષ મેળા અન્વયે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, આ બે દિવસીય મેળામાં યોગ, પ્રકૃતિ પરીક્ષણ અને મિલેટ્સ વાનગી સ્પર્ધા જેવા વિશેષ આકર્ષણો દ્વારા લોકોને આયુર્વેદિક જીવનશૈલી માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, સાથે જ બાળકો માટે સુવર્ણપ્રાસન અને વયસ્કો માટે પંચકર્મ, અગ્નિકર્મ તથા રક્તમોક્ષણ જેવી વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિઓના નિદાન અને સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મુખ્ય જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. પ્રીતેશ દવે દ્વારા આર્યુવેદની મહત્તા સમજાવી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ડો. મનોજ તારવાણી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધિય છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને યોગાસનોની કૃતિઓ રજૂ કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ અપાયો હતો. નાગરિકોને ઔષધીય રોપા, ઉકાળાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ મેળામાં મુખ્ય આકર્ષણ તરીકે રાજકોટના વૈદ્ય ડો. જયસુખ મકવાણા દ્વારા પ્રાચીન 'જાલંધર બંધ' પદ્ધતિથી કોઈ પણ પ્રકારના ઇન્જેક્શન કે એનેસ્થેસિયા વગર પીડારહિત દાંત કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. મેળા દરમિયાન ડાયાબિટીસ, હૃદયરોગ, પથરી અને સ્ત્રીરોગ જેવી વ્યાધિઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન અને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. નાગરિકોને જાગૃત કરવા રસોડાના મસાલાના ગુણો, વનસ્પતિ પ્રદર્શન અને હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન પણ યોજાયું હતું. આ ઉપરાંત, શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના સહયોગથી એનિમિયા તપાસ, આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણની વ્યવસ્થા કરાઈ હતી. યોગ નિષ્ણાંતોએ ડાયાબિટીસ અને મેદસ્વિતા મુક્તિ માટે યોગ-પ્રાણાયામની તાલીમ આપી હતી. આ મેળામાં આયુર્વેદ ગેમ ઝોન અને સૌંદર્ય ચિકિત્સા જેવી આધુનિક સુવિધાઓએ નવું આકર્ષણ જમાવ્યું હતું. જુના અને હઠીલા દર્દો માટે પંચકર્મ, અગ્નિ કર્મ અને રક્તમોક્ષણ જેવી પદ્ધતિઓનું લાઈવ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે નિહાળી મુલાકાતીઓ અને મહાનુભાવો પ્રભાવિત થયા હતા. સાથોસાથ, બાળકોના સ્વાસ્થ્યવર્ધન માટે સુવર્ણપ્રાસન અને વયસ્કો માટે રોગપ્રતિકારક શક્તિ વધારતા ઉકાળા તેમજ શમશમનીવટીનું પણ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ આંગણવાડીના બહેનો દ્વારા બનાવવામાં આવેલી જુદા જુદા મિલેટ્સમાંથી સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક વાનગી સ્પર્ધાનું નિદર્શન કર્યું હતું. તેમજ વિજેતાઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત મહાનુભાવોના હસ્તે 'ગર્ભ સંસ્કાર' બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ અંબારામભાઈ દેવૈયા, અગ્રણી સ્મિતાબેન રાવલ સહિત મોટી સંખ્યામાં તબીબો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
ગોધરામાં 1700થી વધુ જગ્યાઓ માટે ભરતી મેળો:AMPના સહયોગથી શરદ શાહ કોલેજ ખાતે આવતીકાલે આયોજન
ગોધરામાં 'એસોસિએશન ઓફ મુસ્લિમ પ્રોફેશનલ્સ' (AMP) ના સહયોગથી શ્રી શરદ શાહ કોલેજ ખાતે એક વિશાળ રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં ૧૭૦૦થી વધુ ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી મેળો શનિવાર, 17 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10:00થી સાંજે 4:00 વાગ્યા સુધી ચાલશે. આ મેળામાં તમામ સમુદાયના યુવાનો અને યુવતીઓ ભાગ લઈ શકશે. પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ઉમેદવારો માટે લાયકાત ધોરણ-10 પાસથી લઈને ગ્રેજ્યુએશન સુધીની છે. અનુભવની દ્રષ્ટિએ, ફ્રેશર (0 વર્ષ) થી લઈને 3 વર્ષનો અનુભવ ધરાવતા યુવાનો અરજી કરી શકશે. ઉંમર મર્યાદા 18થી 35 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. ભરતી ટેલિકોમ, BPO, હોસ્પિટાલિટી, રિટેલ અને લોજિસ્ટિક્સ જેવા વિવિધ ક્ષેત્રોમાં એન્ટ્રી લેવલની પોસ્ટ માટે થશે. આ રોજગાર ભરતી મેળો શ્રી શરદ શાહ કોલેજ, શરદ શાહ શૈક્ષણિક સંકુલ, ન્યુ એરા સ્કૂલ કમ્પાઉન્ડ, જાફરાબાદ રોડ, ગોધરા ખાતે યોજાશે.
વલસાડના ઐતિહાસિક સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આવતીકાલથી કૂચ બિહાર ટ્રોફી (અંડર-19) ની ફાઇનલ મેચ શરૂ થશે. આ પ્રતિષ્ઠિત મેચ ગુજરાત અને મધ્ય પ્રદેશની ટીમો વચ્ચે 17 થી 20 જાન્યુઆરી દરમિયાન રમાશે. બંને ટીમોએ આજે વલસાડ ખાતે નેટ પ્રેક્ટિસ કરી હતી. વલસાડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (VDCA) ના માનદ મંત્રી જનકભાઈ દેસાઈએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બંને ટીમો શાનદાર ફોર્મમાં છે અને અનેક મેચો જીતીને ફાઇનલમાં પહોંચી છે, જેથી રસાકસીભર્યો મુકાબલો જોવા મળી શકે છે. આ મેચની મુખ્ય વિશેષતાઓમાં DRS (Decision Review System) અને હોક-આઈ (Hawk-Eye) ટેકનોલોજીનો પ્રથમ વખત વલસાડમાં ઉપયોગ થશે. મેચના જીવંત પ્રસારણ માટે સ્ટેડિયમમાં 16 થી 18 અત્યાધુનિક કેમેરા લગાવવામાં આવ્યા છે. ક્રિકેટ ચાહકો આ રોમાંચક ફાઇનલ મેચનું જીવંત પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ અને જીયો સિનેમા (JioCinema) પર માણી શકશે. આ મેચ નિહાળવા માટે BCCI ના જુનિયર સિલેક્ટર્સ, મધ્ય પ્રદેશ અને ગુજરાતના પસંદગીકારો તેમજ BCCI ના અન્ય પ્રતિનિધિઓ વલસાડ પહોંચ્યા છે. જનકભાઈ દેસાઈએ વધુમાં ઉમેર્યું હતું કે, વલસાડની વિકેટ સ્પોર્ટીંગ વિકેટ તરીકે જાણીતી છે, જે બેટ્સમેન અને બોલર બંનેને સમાન તક પૂરી પાડે છે. આ મેચ યુવા ખેલાડીઓને પોતાની પ્રતિભા સાબિત કરવાની સુવર્ણ તક પૂરી પાડશે.
દહેગામ પોલીસે પૂર્વ બાતમીના આધારે વાસણા રાઠોડ ગામની સીમમાં લિસ્ટેડ બુટલેગર દશરથસિંહ ડોડીયાના ફાર્મ હાઉસમાં દરોડો પાડી ઘરના રસોડા અને ઘોડાના તબેલામાં બનાવેલા ગુપ્ત ભોયરામાંથી 57 હજારની કિંમતની વિદેશી દારૂની કુલ 44 બોટલો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દશરથસિંહ ડોડીયાના ફાર્મ હાઉસમાંથી પોલીસના દરોડાઉત્તરાયણ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ કરી રહેલી દહેગામ પોલીસની ટીમે લિસ્ટેડ બુટલેગર ડોડીયાના નવા કિમિયાનો પર્દાફાશ કરી દારૂનો જથ્થો ઝડપી લીધો છે. દહેગામ પોલીસ મથકના ઇન્સ્પેકટર મુકેશ દેસાઈ સહિત સર્વેલન્સ ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પીઆઇ દેસાઈને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ગણેશપુરાથી વાસણા રાઠોડ જતા રોડ પર આવેલા 'વહાણવટી સિકોતર ફાર્મ' (ડોડીયા ફાર્મ) ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર દશરથસિંહ રણુભા ડોડીયા વિદેશી દારૂનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. ઘોડાના તબેલા અને રસોડામાં ભોયરું બનાવી દારૂ સંતાડ્યોઆ બાતમીના આધારે પોલીસે ફાર્મ હાઉસ પર ઓચિંતી રેડ પાડતા લિસ્ટેડ બુટલેગર દશરથસિંહના મોતિયા મરી ગયા હતા. બાદમાં પોલીસે વધુ તપાસ કરતા ઘરના પાછળના ભાગે પતરાના શેડની અંદર માટીમાં દબાયેલો એક ગુપ્ત ખૂણો અને રસોડામાં ખાસ રીતે તૈયાર કરેલું એક ભોયરું મળી આવ્યું હતું. આ બંને જગ્યાએ પોલીસે કોદાળી લઈને પથ્થર અને ટાઇલ્સ હટાવીને તપાસ કરતા રાજસ્થાન માર્કાની દારૂની કુલ 44 બોટલો મળી આવી હતી. પોલીસે દશરથસિંહ ડોડીયાની સ્થળ પરથી ધરપકડ કરીજેના પગલે પોલીસે દશરથસિંહ રણુભા ડોડીયાની સ્થળ પરથી ધરપકડ કરી લીધી હતી. જેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, આ દારૂનો જથ્થો દહેગામના ચામલા ગામના ફૂલસિંહ નેનસિંહ સોલંકી (ઠાકોર) દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હતો. આથી પોલીસે ફૂલસિંહ સોલંકીને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસને બંને જગ્યાએથી કુલ 44 દારૂની બોટલો મળીઆ અંગે પીઆઈ દેસાઈએ જણાવ્યું કે, દશરથસિંહના ફાર્મમાં દરોડો પાડતા ઘોડી રાખવા માટેના પતરાનો શેડ જોવા મળ્યો હતો. જ્યાં એક ખૂણે શંકાસ્પદ જગ્યા મળી આવી હતી. જેની માટી હટાવીને કોદાળી વડે તપાસ કરતા ગુપ્ત ભોંયરું મળી આવ્યું હતું. જ્યારે બીજું ભોંયરું રસોડાના વોશબેઝિન નીચેથી મળી આવ્યું હતું. બંને જગ્યાએથી કુલ 44 દારૂની બોટલો મળી આવી છે.
ગંભીર ગુનાના આરોપીનું ગેરકાયદેસર બાંધકામ તોડાયું:લાકડીયા પોલીસે ભચાઉમાં સરકારી જમીન પર કાર્યવાહી કરી
પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત લાકડીયા પોલીસે ગંભીર ગુનાઓમાં સામેલ પંજાબ-હરિયાણાના આરોપી ગુલવતસિંઘ ઉર્ફે સની હજુરસિંઘ સરદારનું ભચાઉ તાલુકાના જુના કટારીયા સીમમાં આવેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું છે. આરોપી ગુલવતસિંઘ ઉર્ફે સની હજુરસિંઘ સરદાર (ઉંમર 44) મોરબી-સામખીયારી હાઈવે પર આવેલી સંધુ સરદાર હોટલ, જુના કટારીયા સીમ, તા. ભચાઉ, કચ્છનો રહેવાસી છે. તેનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે, જેમાં એન.ડી.પી.એસ. એક્ટ, ખૂનની કોશિષ, મિલકત સંબંધી ગુનાઓ અને પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે જુના કટારીયા સીમ, તા. ભચાઉની સરકારી જમીન પર આશરે 600 ચોરસ મીટર જગ્યામાં ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનનું બાંધકામ કર્યું હતું. આ બાંધકામ મોરબી-સામખીયારી હાઈવે પર આવેલું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં લાકડીયા પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. જાડેજા, વહીવટી સ્ટાફ અને પોલીસ સ્ટાફ જોડાયા હતા.
પાલનપુરની શક્તિ વિદ્યાલય દ્વારા નીલમાધવ પાર્ટી પ્લોટ ખાતે વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ 'કલાંજલિ 2.0' નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જ્યારે 4000થી વધુ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ મંચ પર પોતાની સુષુપ્ત શક્તિઓનું અદભૂત પ્રદર્શન કર્યું હતું. રજૂ કરાયેલી વિવિધ કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની ઝલક જોવા મળી હતી, જેણે ઉપસ્થિત સૌ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. શિયાળાની ઠંડી હોવા છતાં, અંદાજે 4000થી વધુ લોકોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રેક્ષકોએ કાર્યક્રમની વ્યવસ્થામાં સકારાત્મક સહકાર આપીને શાળા પરિવારનો ઉત્સાહ વધાર્યો હતો. આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રહ્યા હતા. દેશ-વિદેશમાં એમ.બી.બી.એસ. અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં જોડાયેલા એલ્યુમની વિદ્યાર્થીઓએ વિડીયો સંદેશ દ્વારા ભાગ લેનાર નાના ભાઈ-બહેનોનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમના અંતે, શાળાના આચાર્ય પરેશકુમાર પ્રજાપતિએ સુંદર આયોજન બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના સંચાલકો એસ.પી. નાયી અને કે.કે. પટેલે બાળકો અને શિક્ષકોની મહેનતને બિરદાવી આશીર્વચન આપ્યા હતા અને ઉપસ્થિત વાલીગણને સંબોધિત કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી.
વલસાડ નગરપાલિકાના ઐતિહાસિક ટાવર બિલ્ડિંગને તોડી તેના સ્થાને નવું 'હેરિટેજ ટાવર' બનાવવાની યોજના સામે સ્થાનિક વેપારીઓએ મોરચો માંડ્યો છે. છેલ્લા 75 વર્ષથી અહીં વ્યવસાય કરતા વેપારીઓએ પાલિકાના આ પ્રોજેક્ટને કારણે સર્જાનારા આર્થિક બોજ અને આજીવિકાના સંકટ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો છે. વિવાદના કારણ કિંમત અંગે અસંતોષ: પાલિકા દ્વારા નવા નિર્માણ પામનારા બિલ્ડિંગમાં દુકાનો માટે પ્રતિ સ્ક્વેર ફૂટ 5400 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે. વેપારીઓએ આ ભાવને અતિશય ઊંચો અને અયોગ્ય ગણાવતા માગ કરી છે કે કિંમત સરકારના SOR (Schedule of Rates) મુજબ જ વસૂલવી જોઈએ. બિલ્ડિંગની સ્થિતિ: વેપારીઓનો દાવો છે કે વર્તમાન બિલ્ડિંગ હજુ પણ 40થી 50 વર્ષ સુધી ટકી શકે તેટલું મજબૂત છે, તેમ છતાં તેને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાડાનો આર્થિક બોજ: જો બિલ્ડિંગ તોડવામાં આવે તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વેપારીઓએ અન્યત્ર 40,000થી 60,000 રૂપિયા જેટલું ઊંચું ભાડું ચૂકવવું પડે તેમ છે. વર્તમાન હરિફાઈના યુગમાં આટલો મોટો ખર્ચ ઉઠાવવો વેપારીઓ માટે અશક્ય છે. સમય મર્યાદા પર શંકા: પાલિકાએ આ પ્રોજેક્ટ 18 મહિનામાં પૂર્ણ કરવાનું આશ્વાસન આપ્યું છે, પરંતુ વેપારીઓને નિર્ધારિત સમયમાં આટલો મોટો પ્રોજેક્ટ પૂરો થવા અંગે આશંકા છે. આગામી રણનીતિઆ મામલે તાજેતરમાં વેપારીઓ અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તથા ચીફ ઓફિસર વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં વેપારીઓએ પોતાની રજૂઆતો કરી હતી. વેપારી પ્રતિનિધિઓએ જણાવ્યું છે કે તેઓ આગામી 10 દિવસમાં ફરી એકવાર પાલિકા તંત્ર સાથે મુલાકાત કરશે. ઐતિહાસિક ટાવર સાથે જોડાયેલા સેંકડો વેપારીઓની રોજીરોટી પર સંકટ હોવાથી, હવે પાલિકા તંત્ર આ મામલે કોઈ વચલો રસ્તો કાઢે છે કે કેમ તેના પર સૌની નજર છે.
વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે આજે (16 જાન્યુઆરી) બોચાસણવાસી શ્રીઅક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના વડા મહંત સ્વામી મહારાજ અમદાવાદથી વડોદરા પધાર્યા હતા. આશરે 1420 દિવસ બાદ તેમના આ આગમનને લઈને અટલાદરા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં સાત હજારથી વધુ ભાવિક ભક્તોએ ભક્તિભાવપૂર્વક આવકાર્યા હતા. આ અદભૂત કાર્યક્રમનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. 92 બુલેટ બાઇકસવાર યુવાનોએ મંદિર પરિસર સુધી ભવ્ય એસ્કોર્ટ કર્યુંઆ અંગે અટલાદરા સ્વામિનારાયણ મંદિરના વિવેક નિષ્ઠ સ્વામીએ જણાવ્યું હતું કે, અમદાવાદથી વડોદરા આવેલા મહંત સ્વામી મહારાજનું 92 બુલેટ બાઇકસવાર યુવાનોએ મંદિર પરિસર સુધી ભવ્ય એસ્કોર્ટ કર્યું હતું. ઢોલ-શરણાઈના નાદ અને ફટાકડાની આતશબાજી વચ્ચે તેઓ મંદિરમાં પધાર્યા હતા. આ સાથે સૌપ્રથમ બિરાજમાન પ્રભુ પ્રતિમાઓના દર્શન કર્યા હતા. ત્યારબાદ સુશોભિત મંચ પર બિરાજમાન થયેલા સ્વામીને અટલાદરા મંદિરના પૂજ્ય સંતોએ પુષ્પહાર અર્પણ કરીને સન્માનિત કર્યા હતા. સ્વામીના આગમન પૂર્વે ભક્તોના 92 કલાકના નિર્જળ ઉપવાસઉલ્લેખનીય છે કે, મહંત સ્વામી મહારાજની આગામી 92મી જન્મજયંતી મહોત્સવ નિમિત્તે પધારેલા સ્વામીના સ્વાગતમાં ભક્તોએ અનેક વિશેષ તપ-વ્રતોનું આયોજન કર્યું હતું. જેમાં 47 બાળકો-યુવાનોએ 1420 દંડવત પ્રણામ કર્યા હતા. અનેક ભક્તોએ સ્વામીના આગમન પૂર્વે 92 કલાકના નિર્જળ ઉપવાસ રાખ્યા તેમજ પ્રમુખ એકેડેમીના વિદ્યાર્થીઓએ 153 પુસ્તકોના આશરે 45,000 પૃષ્ઠોનું વિશેષ વાંચન વ્રત પૂર્ણ કર્યું હતું. ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યોઆ ભક્તિભર્યા સ્વાગતથી મંદિર પરિસર ભક્તિ અને ઉત્સાહના સંચારથી ગુંજી ઊઠ્યું હતું. આ કાર્યક્રમ મહંત સ્વામી મહારાજની આગામી 92મી જન્મજયંતી મહોત્સવની શરૂઆતનું પ્રતીક બન્યો છે.
BMCમાં 10નો આંકડો પણ પાર ન કરી શકી રાજ ઠાકરેની MNS! 22 શહેરોમાં 0
(IMAGE - IANS) BMC Election Result 2026: મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો અને વલણોએ રાજ્યના રાજકારણમાં મોટો ઉલટફેર સર્જ્યો છે. મુંબઈ(BMC) સહિત રાજ્યની 29 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી(BJP) અને એકનાથ શિંદેની શિવસેનાનું ગઠબંધન પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યું હોય તેવું જણાય છે.
'કોઈને તો રિસ્ક લેવું જ પડશે, નુકસાન થશે તો મારું થશે...', સ્ટાર્ટઅપ ડે પર PM મોદીનું સંબોધન
National Startup Day: દિલ્હીના ભારત મંડપમ ખાતે 'રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ' (National Startup Day) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના યુવા ઉદ્યોગસાહસિકોને સંબોધ્યા હતા. પીએમ મોદીએ સ્ટાર્ટઅપ ઇન્ડિયા મિશનના 10 વર્ષની ઉજવણીના આ અવસરે ભારતના યુવાનોની જોખમ લેવાની ક્ષમતાના ભારોભાર વખાણ કર્યાં હતા અને પોતાના રાજકીય જીવનના અનુભવો પણ શેર કર્યા હતા. 'જોખમ લેવું એ મારી જૂની આદત છે' વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટાર્ટઅપના સ્થાપકો સાથે પોતાની સરખામણી કરતા જણાવ્યું કે, 'તમારી જેમ મને પણ જોખમ લેવાનું ગમે છે. મેં મારા રાજકીય ભવિષ્યને દાવ પર લગાવીને એવા નિર્ણયો લીધા છે જે રાષ્ટ્રીય હિતમાં હતા.
કોડીનાર ડેપોમાં ઓટોમેટિક બસ વોશિંગ મશીન શરૂ:બસ ધોવાનો સમય ઘટ્યો, નવી બસ સેવા પણ શરૂ થઈ
કોડીનાર એસટી બસ ડેપોમાં આધુનિક ઓટોમેટિક બસ વોશિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યું છે. આ સાથે, કોડીનારથી ગીરગઢડા વચ્ચે નવી એસટી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે. આ પગલાંથી ડેપોની કાર્યક્ષમતા વધશે અને મુસાફરોને વધુ સારી સુવિધાઓ મળશે. નવી સુવિધાને કારણે બસ ધોવાનો સમય એક કલાકથી ઘટીને માત્ર 15થી 20 મિનિટ થયો છે. આનાથી બસોની સફાઈ વધુ ઝડપી અને અસરકારક બનશે, જેના પરિણામે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા મુસાફરોને ઉત્તમ સુવિધા પૂરી પાડવાના પ્રયાસોને વેગ મળશે. નિયમિત અને ઝડપી સફાઈથી બસોમાં સ્વચ્છતા જળવાશે, આરોગ્યલક્ષી વાતાવરણ મળશે અને મુસાફરોનો વિશ્વાસ વધુ મજબૂત બનશે. કોડીનારથી ગીરગઢડા વચ્ચે શરૂ થયેલી નવી એસટી બસ સેવા ખાસ કરીને ગીરગઢડાથી કોડીનાર આવતા વિદ્યાર્થીઓ, નોકરીયાતો અને સામાન્ય મુસાફરો માટે અત્યંત સુવિધાજનક સાબિત થશે. સમયસર અને સીધી બસ સેવા મળવાથી દૈનિક અવરજવરમાં સરળતા રહેશે અને સમય તથા ખર્ચ બંનેમાં રાહત મળશે. ઓટોમેટિક વોશિંગ મશીન અને નવી બસ રૂટનું લોકાર્પણ કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ સોલંકીએ જણાવ્યું હતું કે, આધુનિક સુવિધાઓ સાથે એસટી સેવાને વધુ લોકોપયોગી અને વિશ્વસનીય બનાવવાનો અમારો સતત પ્રયાસ છે. આ ઓટોમેટિક વોશિંગ મશીનથી બસોની નિયમિત અને ગુણવત્તાયુક્ત સફાઈ શક્ય બનશે, જેનાથી મુસાફરોને સ્વચ્છ, સલામત અને આરોગ્યદાયક મુસાફરીનો અનુભવ મળશે. કોડીનાર એસટી ડેપોમાં લેવાયેલા આ નિર્ણયો જાહેર પરિવહનને આધુનિક બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને ભવિષ્યમાં મુસાફરોને સંતોષકારક સેવા પૂરી પાડવામાં મદદરૂપ થશે.
સુરત મહાનગર પાલિકાનાં વહીવટી તંત્ર અને શાસકો માટે માથાનો દુ:ખાવો બની ચુકેલ કતારગામમાં શાળાનાં સ્થળ બદલવાનાં પ્રકરણમાં હવે સ્થાયી સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી બ્રેક મારવામાં આવી છે. ગઈકાલથી આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરોનાં વિરોધ અને કડકડતી ઠંડીમાં આખી રાત ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ સાથે આજે સવારથી પણ દંડવત વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું તે દરમિયાન માર્સલો સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું. દરમિયાન આજે બપોરે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં રાજન પટેલ દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સિવાય હાલમાં જે સ્થળે શાળાનાં નિર્માણની કામગીરી ચાલી રહી છે તેને પણ તાત્કાલિક અસરથી અટકાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ આ વિવાદનાં મુળ સુધી પહોંચવા માટે પણ તપાસ કરવામાં આવશે. ભાજપના કોર્પોરેટરે વિરોધ નોંધાવ્યો હતોછેલ્લા કેટલાક સમયથી કતારગામ ઝોનમાં વોર્ડ નં. 7માં જે સ્થળે સુમન શાળા મંજુરી થઈ હતી, તે સ્થળ રાતોરાત બદલાઈને નવા સ્થળે સુમન શાળાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ અંગે સ્થાનિક ધારાસભ્ય દ્વારા ભલામણ કરવામાં આવી હતી અને જેને પગલે ભાજપનાં કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ દ્વારા શરૂઆતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આખી રાત કડકડતી ઠંડીમાં ધરણા ચાલુ રાખ્યાઅલબત્ત, ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દે વિરોધ કરતાં રાજકારણમાં પણ ગરમાટો આવી ગયો હતો અને આમ આદમી પાર્ટીનાં ભારે વિરોધ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં આખી રાત કડકડતી ઠંડીમાં ધરણા ચાલુ રાખ્યા બાદ સવારથી દંડવત વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યો હતો. દરમિયાન માર્સલો સાથે આપના કાર્યકર્તાઓનું ઘર્ષણ પણ સર્જાયું હતું. દરમિયાન આજે સ્થાયી સમિતિની બેઠકમાં રાજન પટેલ દ્વારા આ વિવાદમાં તપાસનો આદેશ કરવામાં આવ્યો છે. નવા સ્થળે કોન્ટ્રાક્ટરે શાળાનું બાંધકામ શરૂ કરી દેતાં ભારે વિવાદ સર્જાયોઆ અંગે રાજન પટેલે જણાવ્યું હતું કે, ભાજપનાં કોર્પોરેટર દ્વારા કતારગામમાં સુમન શાળાની માંગણી કરવામાં આવી હતી. જો કે, જે સ્થળે શાળા મંજુર કરવામાં આવી હતી ત્યાં આસપાસમાં અન્ય શાળાઓ હોવાને કારણે અને અન્ય વિસ્તારમાં વધુ વિદ્યાર્થીઓ મળી રહે તે માટે ધારાસભ્ય વિનોદ મોરડિયા દ્વારા સુચન કરવામાં આવ્યું હતું. જો કે, આ સમગ્ર પ્રકરણમાં નવા સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા શાળાનું બાંધકામ શરૂ કરી દેતાં ભારે વિવાદ સર્જાવા પામ્યો હતો. જેને પગલે આજની સ્થાયી સમિતિમાં આ પ્રકરણની તપાસ સોંપવામાં આવી છે અને સાથે સાથે જે સ્થળે હાલમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે તેને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, સૌથી મોટો યક્ષ પ્રશ્ન એ છે કે, સ્થાયી સમિતિની મંજુરી વિના કોન્ટ્રાક્ટર દ્વારા કોના આદેશથી નવા સ્થળે શાળાનું બાંધકામ શરૂ કર્યું હતું. 'ધારાસભ્યની અડચણોને કારણે, ખરાબ નીતિથી આ શાળાનું સ્થળાંતર'વિરોધ પક્ષના નેતા પાયલ સાકરીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર 7માં સુમન શાળા મંજૂર થઈ હતી જેમાં ડોક્ટર કિશોરભાઈ અને સાથે દીપ્તિબેનની ખૂબ મહેનત હતી. શાળા મંજૂર થયા બાદ એ શાળાનું વર્ક ઓર્ડરનું કામ પણ અપાઈ ગયું હતું અને ટૂંક સમયની અંદર આ શાળા બનવાની હતી પરંતુ રાજકીય અડચણોના કારણે ત્યાંના ધારાસભ્યની અડચણોને કારણે, ખરાબ નીતિ-ખરાબ નજરથી આ શાળાનું સ્થળાંતર કરવાની નીતિ આ લોકો સ્ટેન્ડિંગ કમિટીની અંદર લાવ્યા હતા. 'શાળા શિફ્ટ કરી ત્યાં મંજૂરી વગર શાળાનું બાંધકામનું કામ ચાલુ કરાયું'જે જગ્યા પર શાળા મંજૂર થઈ હતી એ પ્લોટ ખૂબ સારો હતો, કરોડો રૂપિયાનો હતો અને આજુબાજુ ખૂબ મોટી સંખ્યામાં લોકોના બાળકો ભણી શકે એવો પ્લોટ હતો. પરંતુ ભાજપના મળતિયાઓની એમાં ખોટી નજર હોવાથી એ પ્લોટમાંથી એ શાળાને બીજી જગ્યા પર શિફ્ટ કરવામાં આવી હતી અને જે જગ્યા પર શાળા શિફ્ટ કરી ત્યાં વગર મંજૂરીએ શાળાનું બાંધકામનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું. 'જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનાવવામાં આવે'થોડા સમય પહેલા ડોક્ટર કિશોરભાઈએ અને દીપ્તિબેન સાકરિયાએ ચીમકી પણ આપેલી હતી કે ધરણા કરીશું. તાત્કાલિક આ જે કંઈ ઠરાવો કરવાના છે એ બધા રદ કરવામાં આવે, અભિપ્રાયો કેન્સલ કરવામાં આવે અને જે જગ્યા પર શાળા મંજૂર થઈ છે એ જ જગ્યા પર શાળા બનાવવામાં આવે એવી સતત માંગ હતી. અને આ માંગની સાથે તમામ નગરસેવકો એમના સમર્થનમાં હતા. અને આજે અને ગઈકાલથી આમ આદમી પાર્ટીની શહેર સમિતિ, શહેરના તમામ કાર્યકર્તાઓ, હોદ્દેદારો તમામના સાથ-સહકાર અને અહીંયા વિરોધથી આજે ભાજપને ઝૂકવું પડ્યું, ભાજપના સત્તાધીશોએ ઝૂકવું પડ્યું અને આજની સ્ટેન્ડિંગ કમિટીમાં આ જે નિર્ણય છે એને મુલતવી રાખવામાં આવ્યો છે.
ગઢડાના જલાલપુર બેંક કર્મચારીએ કરી ઉચાપત:ખેડૂતોના ખાતામાંથી લાખો ઉપાડ્યા, પોલીસમાં અરજી
ગઢડા તાલુકાના જલાલપુર ગામમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકમાંથી લાખો રૂપિયાની ઉચાપતનો ગંભીર મામલો સામે આવ્યો છે. બેંકના કેશિયર પર ખેડૂત ખાતેદારોના ખાતામાંથી નાણાં ઉપાડી ઉચાપત કરવાનો આરોપ લાગ્યો છે. આ મામલે ખેડૂતો દ્વારા ઢસા પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરવામાં આવી છે. ખેડૂત ખાતેદારોના જણાવ્યા અનુસાર, બેંકના કેશિયર આનંદભાઈ દ્વારા તેમના ખાતામાંથી 5 લાખ, 10 લાખ, 15 લાખ રૂપિયા અને તેનાથી વધુ રકમ ઉપાડી લેવામાં આવી છે. આ ઉચાપત ઘણા ખેડૂતોના ખાતામાંથી થઈ હોવાના આક્ષેપો છે. આ ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ખેડૂત ખાતેદારો બેંક પર પહોંચ્યા હતા અને રજૂઆત કરી હતી. ત્યારબાદ ઢસા પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી. કેટલાક ખેડૂતોએ જણાવ્યું કે તેમના સંતાનોના લગ્ન નક્કી થયા છે અને મહેનતથી ભેગા કરેલા પૈસા ગુમ થતાં તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. ખેડૂતોએ ઉચાપત કરનાર સામે કડક કાર્યવાહી અને રકમ પરત મળે તેવી માંગ કરી છે. આ મામલે જલાલપુર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકના મેનેજર વિજયસિંહ પરમારે જણાવ્યું હતું કે, બેંક કર્મચારી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાંથી અરજી મળ્યા બાદ બેંક દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં 10 થી 15 સભાસદોના ખાતામાંથી નાણાં ઉપાડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. હેડ ઓફિસ દ્વારા તપાસ ચાલુ છે અને તે પૂર્ણ થયા બાદ કુલ કેટલી રકમની ઉચાપત થઈ છે તે સ્પષ્ટ થશે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. લાખો રૂપિયાની ઉચાપતના આ આરોપથી બેંકિંગ વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે સવાલો ઊભા થયા છે. તપાસના અંતે શું તારણ નીકળે છે અને ખેડૂત ખાતેદારોને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું.
આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીની સંશોધક વિદ્યાર્થિની વિધિ સિંહને 'પ્રાઇમ મિનિસ્ટર્સ ફેલોશિપ ફોર ડોક્ટરલ રિસર્ચ' (PM ફેલોશિપ) એનાયત કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા અપાતી આ પ્રતિષ્ઠિત ફેલોશિપ યુનિવર્સિટી, આણંદ જિલ્લો અને રાજ્ય માટે ગૌરવરૂપ છે. ભારત સરકારના CII-ANRF (કોનફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી - અનુસંધાન નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન) દ્વારા સંચાલિત આ ફેલોશિપ માટે ગત 22 નવેમ્બર, 2025ના રોજ એપેક્સ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશભરના સંશોધકોમાંથી વિધિ સિંહની તેમની પ્રતિભા અને પ્રોજેક્ટની ઉપયોગિતાને આધારે પસંદગી કરવામાં આવી હતી, જેની સત્તાવાર જાહેરાત તાજેતરમાં થઈ છે. આ ફેલોશિપનો મુખ્ય હેતુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગને મજબૂત કરવાનો છે. આ યોજના હેઠળ વિધિ સિંહને ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ બંનેનો સંયુક્ત અનુભવ મળશે. આનાથી એવા સંશોધનોને પ્રોત્સાહન મળશે જે સીધા ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરશે અને દેશના વિકાસમાં ફાળો આપશે. આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ નિરંજનભાઇ પટેલે વિધિ સિંહની મુલાકાત લીધી હતી અને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે વિધિની આ સફળતા યુનિવર્સિટી અને સંશોધન ક્ષેત્ર માટે ગૌરવની વાત છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક છે. ફેલોશિપના નિયમ મુજબ, વિધિ સિંહે યુનિવર્સિટી અને ઇન્ડસ્ટ્રી પાર્ટનર વચ્ચે 'મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ' (MoA) પર હસ્તાક્ષર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. ત્યારબાદ વિધિ સિંહના સંશોધન કાર્યને સત્તાવાર રીતે વેગ મળશે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ગઠબંધનનો વિજય:ગોધરાના શ્રી કમલમ ખાતે વિજયની ઉજવણી
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોના વિજયની ઉજવણી ગોધરાના શ્રી કમલમ ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા ભાજપના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ મહારાષ્ટ્ર રાજ્યમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપ અને તેના ગઠબંધને બહુમતી મેળવી હતી. આ વિજયને પગલે ભાજપના નેતાઓ અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા મહારાષ્ટ્રમાં ભાજપના વિજયને હર્ષોલ્લાસ સાથે વધાવવામાં આવ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી, એકબીજાને મીઠાઈ ખવડાવી અને વિજય ઉત્સવ મનાવી ખુશી વ્યક્ત કરી હતી. આ ઉજવણી પ્રસંગે પંચમહાલ ભાજપના પ્રમુખ મયંકભાઈ દેસાઈ, મહામંત્રી કુલદીપસિંહ સોલંકી, મંત્રી પરેશભાઈ ચૌહાણ, ઉપાધ્યક્ષ કકુલ પાઠક, શહેર ભાજપ પ્રમુખ નિર્મિતભાઈ દેસાઈ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી સંજય રાણા અને પ્રદેશ કારોબારીના પવનભાઈ સોની સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના વાસણપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત કશ્યપભાઈ હરિશ્ચંદ્ર રાયે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક નવો રાહ ચીંધ્યો છે. વર્ષ 2019 થી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા કશ્યપભાઈ આજે માત્ર એક સફળ ખેડૂત જ નહીં, પરંતુ એક પ્રમાણિત ટ્રેનર પણ બની ચૂક્યા છે. હાલોલ સ્થિત ગુજરાત પ્રાકૃતિક ખેતી વિજ્ઞાન યુનિવર્સિટી હેઠળ તેમની 8 એકર જમીનને હવે જિલ્લા તાલીમ કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવી રહી છે, જે અન્ય ખેડૂતો માટે પથદર્શક બની રહી છે. કશ્યપભાઈ તેમના ‘જયશ્રી ઉપવાન’ નામના ફાર્મમાં પંચસ્તરિયા અને એગ્રો ફોરેસ્ટ્રી પદ્ધતિ અપનાવીને મિશ્ર ખેતી કરે છે. તેઓ સાગના 500 વૃક્ષોની વચ્ચે હળદર, આદુ, કપાસ, અને મસાલા જેવા પાકોનું મબલખ ઉત્પાદન મેળવે છે. આધુનિક મોડેલ દ્વારા તેઓ કેરી, જામફળ, ડ્રેગન ફ્રૂટ, લીચી અને સફરજન જેવા 20 થી વધુ પ્રકારના ફળોની સફળ ખેતી કરી રહ્યા છે. આ પદ્ધતિથી તેઓ વાર્ષિક અંદાજે 15 લાખ રૂપિયાની માતબર આવક મેળવી રહ્યા છે. આ ઉપરાંત, આગામી 10 વર્ષમાં એગ્રો ફોરેસ્ટ્રી દ્વારા વધુ 10 લાખની આવકની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તેઓ આત્મા પ્રોજેક્ટ સાથે જોડાઈને સરકારની વિવિધ સહાયનો લાભ મેળવી રહ્યા છે. જેમાં FPO હેઠળ BRC પ્લાન્ટ માટે 1.20 લાખની સહાયનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાત અને અન્ય રાજ્યોના 2000 થી વધુ ખેડૂતો તેમના ફાર્મની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીના પાઠ શીખી ચૂક્યા છે. કશ્યપભાઈનું મિશન રાસાયણિક ખેતી મુક્ત ગુજરાત બનાવવાનું છે, જેથી સમાજને ઝેરમુક્ત આહાર મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર બને.
જામનગર સાયબર ક્રાઈમ પોલીસે પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને અગ્રણી બિલ્ડરોને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના કેસના મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરાની ધરપકડ કરી છે. વિશાલ કણસાગરા નેપાળમાં બેસીને નાણાં પડાવવા માટે નેતા અને બિલ્ડરોની પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકીને તેઓને બદનામ કરતો હતો. આરોપીને આઠ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે. આ કેસમાં જામનગરના બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રએ સોશિયલ મીડિયા પર બદનામ કરવા બદલ બે આઈડી ધારકો સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને પૂર્વ કૃષિ મંત્રી રાઘવજી પટેલે પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા બદનામ કરવા બદલ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ વિશાલ કણસાગરા નામની આઈડી ધારક સામે ખંડણી માંગવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં અગાઉ હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેઓ હાલ જેલ હવાલે છે. મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા, જે હેમતલાલ કણસાગરાનો પુત્ર છે, તે ફરાર હતો અને નેપાળથી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને નાણાં પડાવતો હતો. તેના પિતાને જામીન પર છોડાવવા તે ભારતમાં જામનગર આવ્યો ત્યારે સાયબર પોલીસની ટીમે તેનું લોકેશન શોધીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે વિશાલ કણસાગરાનો મોબાઈલ ફોન કબજે કર્યો છે. તેણે તમામ પોસ્ટ ડીલીટ કરી દીધી હોવા છતાં, સાયબર સેલની ટીમે તમામ ડેટા રિકવર કરી લીધો છે. પોલીસ તે આઈડી દ્વારા લોકોને બદનામ કરવાના ષડયંત્ર સંબંધિત ડેટા કબજે કરવાની કાર્યવાહી કરી રહી છે. આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. વિશાલ કણસાગરાની ક્રાઈમ કુંડળીજામનગરનો વતની વિશાલ કણસાગરા સોશિયલ મીડિયાના માધ્યમથી અગાઉ પણ અનેક કારસ્તાન કરી ચૂક્યો છે, અને જામનગરના પોલીસ મથકમાં તેની સામે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડ સંબંધી 11 ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે, અને તેમાં તે પકડાયો પણ છે. ઉપરાંત તેના પિતા હેમતલાલ કણસાગરા કે જેની સામે પણ સાઈબર ફ્રોડના અન્ય ચાર ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે. વિશાલ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આઇડી વગેરે બનાવવાનું જાણતો હોવાથી બિલ્ડર સહિતના વ્યક્તિઓ પાસે નાણા પડાવાના બહાને આ કરતૂત કરતો હોવાનું પણ કબુલ્યું છે.
લીરબાઈ માતાજીનો 150મો નિર્વાણ દિવસ:રાણાકંડોરણામાં બે દિવસીય મહોત્સવ, 42 યુગલોના સમૂહ લગ્ન
આઈ લીરબાઈ માતાજીના 150મા નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને સમાજની અન્ય સંસ્થાઓ દ્વારા રાણાકંડોરણા ખાતે કરવામાં આવી રહી છે. આ બે દિવસીય મહોત્સવ 19 અને 20 જાન્યુઆરી, 2026ના રોજ યોજાશે. મહોત્સવના પ્રથમ દિવસે, 19 જાન્યુઆરી, 2026ના રોજ મહેર સમાજના 42 નવદંપતીઓ માટે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય લીરબાઈ માતાજીના સમાધિ સ્થળ રાણાકંડોરણા ખાતે બપોરે 2 વાગ્યાથી ઋષિ કુમારોના મુખેથી વેદોના મંત્રોચ્ચાર સાથે આ લગ્ન સંપન્ન થશે. દાતાઓ દ્વારા દીકરીઓ માટે અનેક પ્રકારના કરિયાવરની જાહેરાત કરવામાં આવી છે, તેમજ દાનવીર શ્રેષ્ઠીઓ દ્વારા લગ્ન સ્પોન્સર પણ કરવામાં આવ્યા છે. આ રીતે સમાજમાં એક જ મંડપ હેઠળ લગ્ન યોજી ખોટા ખર્ચાઓ ઘટાડી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ દિવસે સાંજે મહેર જ્ઞાતિના ભાઈ-બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં દાંડીયારાસ અને રાસડાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ઉજવણીના બીજા દિવસે, 20 જાન્યુઆરી, 2026ના રોજ મહાબીજના પવિત્ર અવસરે 1008 કુંડીના ચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે. લીરબાઈ માતાજી આધ્યાત્મિક જગતમાં મહેર સમાજનું ગૌરવ અને આદરપાત્ર વ્યક્તિત્વ છે. તેમનું સમગ્ર જીવન અધ્યાત્મ અને સનાતન ધર્મને સમર્પિત હતું. તેમણે સમાજના દરેક વર્ગમાં આધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવી પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના નિર્વાણ દિવસે આ 1008 કુંડી યજ્ઞનું આયોજન તેમના પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવાનો એક અવસર છે. આ યજ્ઞમાં જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સૌ કોઈ ભાગ લઈ શકશે. પૂજ્ય લીરબાઈ માતાજીએ સમાજમાં વ્યાપ્ત કુરિવાજો દૂર કરવા અને જનસેવાનું પણ ભગીરથ કાર્ય કર્યું હતું. માતાજીના ૧૫૦મા નિર્વાણ દિવસ નિમિત્તે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોના નિર્મૂલન માટે પણ મહત્વપૂર્ણ ઘોષણાઓ કરવામાં આવશે. આ માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઘણા સમય પહેલા એક ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં પ્રાપ્ત સૂચનાઓનું સંકલન કરી પૂખ્ત વિચારણા અને ચર્ચાઓ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની વિવિધ સમિતિઓના સદસ્યો, સમાજની અન્ય સંસ્થાઓના કાર્યકરો, જ્ઞાતિના ભાઈ-બહેનો તથા અન્ય જ્ઞાતિના સેવકગણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ બે દિવસીય મહોત્સવમાં પધારવા માટે પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાએ સૌ લોકો તથા જ્ઞાતિજનોને હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની જી.આઈ.ડી.સી. કોલોનીમાં અસામાજિક તત્વો દ્વારા ફરી એકવાર અરાજકતાનો માહોલ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં કેટલાક અજાણ્યા લોકોએ એક ઘરની બહાર પાર્ક કરેલી ઇલેક્ટ્રિક મોપેડની તોડફોડ કરી હોવાના લાઇવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ મામલે વાહન માલિકે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી તપાસની માગ કરી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકના પીઆઈ એલ. ડી. ગમારાએ જણાવ્યું હતું કે, આ મામલે અમે ફરિયાદીની અરજી લીધી છે અને આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. પાર્ક વાહનમાં તોડફોડથી સ્થાનિકોમાં ભયમકરપુરા જીઆઇડીસી કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે અજાણ્યા આરોપીઓએ ઇલેક્ટ્રિક સ્કૂટર પર ઇટો અને પથ્થર ફેંકી નુકસાન પહોંચાડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાના દૃશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેમાં તોડફોડ કરતા આરોપીઓની હરકત સ્પષ્ટ દેખાઈ રહી છે. આ ઘટનાથી પીડિત પરિવારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પરિવારના સભ્યો રાત્રે ઘરની બહાર વાહન પાર્ક કરવા ડરી રહ્યા છે. પીડિત પરિવારે આ અંગે સ્થાનિક પોલીસ મથકે અરજી આપી અજાણ્યા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી છે. પોલીસે ઘટનાની તપાસ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે. પથ્થરોથી ગાડી અને ઘરના દરવાજા પર હુમલો કર્યોઃ અતુલભાઈઆ અંગે ઇલેક્ટ્રિક સ્કૂટર માલિક અતુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે સવારે આશરે સાડા ચાર વાગ્યે જ્યારે હું માર્કેટ ગયો હતો, ત્યારે કેટલાક લોકોએ ઘરે કોઈ નથી તેમ જાણીને મોટા પથ્થરોથી અમારી ગાડી અને ઘરના દરવાજા પર હુમલો કર્યો હતો. તેમણે મારી ગાડી સંપૂર્ણપણે તોડી નાખી છે. સાથે ઘરના દરવાજા પર પણ પથ્થર માર્યા છે. આ સાથે અગાઉ પણ તેઓની ગાડીને નુકસાન પહોંચાડ્યું હતું. તે ગાડીને રિપેર માટે ખર્ચ આપવાનું કહ્યું હતું, પરંતુ લાંબા સમય સુધી ન આપી અન્ય ગાડી આપી હતી. જે સામે અરજી કરી અમે તેઓને તેઓની ગાડી આપતા નથી. અગાવના પૈસા ન આપી અન્ય ગાડીમાં પણ નુકસાન પહોંચાવ્યુંવધુમાં કહ્યું કે, આ બાબતે અમે તેઓની ગાડી પોલીસ મથકમાં જમા કરાવી હતી. બાદમાં કઈ થયું ન હતું. બાદમાં વચ્ચે રહેલા માણસોએ કઈ કર્યું નહીં અને અગાઉ ગાડીના નુકસાન બાબતે અમે પૈસા માગતા તેને ફરી એકવાર અમારા સ્કૂટરને નુકસાન કર્યું છે. આ માટે અમે પોલીસમાં અરજી કરી છે.
ચલાલા નગરપાલિકા પ્રમુખ તરીકે ભૂમિબેન વાળાની નિમણૂક:અગાઉના પ્રમુખના રાજીનામા બાદ સર્વાનુમતે વરણી કરાઈ
અમરેલી જિલ્લાની ચલાલા નગરપાલિકામાં પ્રમુખપદના વિવાદનો અંત આવ્યો છે. અગાઉના પ્રમુખ નયનાબેન વાળાના રાજીનામા બાદ, આજે ભૂમિબેન જયરાજભાઈ વાળાની સર્વાનુમતે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. ચલાલા નગરપાલિકામાં પ્રમુખપદને લઈને ભારતીય જનતા પાર્ટીના જ સભ્યો વચ્ચે ખેંચાખેંચી ચાલી રહી હતી. મહિલા પ્રમુખ નયનાબેન વનરાજભાઈ વાળા સામે કેટલાક સદસ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટર સમક્ષ અગાઉ રાજીનામું આપ્યું હતું, જે કલેક્ટરે સ્વીકાર્યું ન હતું. ત્યારબાદ ભાજપના જ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તૈયારી કરતા નયનાબેન વાળાએ બીજી વખત કલેક્ટરને રાજીનામું સુપરત કર્યું હતું. આ રાજીનામા બાદ પ્રમુખપદ માટે ફરી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી, જેમાં 24 સદસ્યોમાંથી 18 ભાજપના સદસ્યો હાજર રહ્યા હતા અને 6 ગેરહાજર હતા. ભૂમિબેન વાળાએ પ્રમુખ તરીકે ફોર્મ રજૂ કરતા હાજર રહેલા તમામ સદસ્યોએ તેમને સમર્થન આપ્યું હતું, જેના પરિણામે તેમની સર્વાનુમતે નિમણૂક થઈ છે. ભૂમિબેન જયરાજભાઈ વાળાની પ્રમુખ તરીકે નિમણૂક થતા કાર્યકરો અને સમર્થકોએ તેમને ફૂલડે વધાવ્યા હતા અને મોં મીઠા કરાવી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય જે.વી. કાકડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક દાનમહારાજની જગ્યામાં મહિલા પ્રમુખ સહિતના આગેવાનોએ દર્શન કરી આશીર્વાદ લીધા હતા. નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ જયરાજ વાળાએ જણાવ્યું હતું કે, પ્રદેશ ભાજપ નેતૃત્વ અને ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ તેમના પર વિશ્વાસ મૂકીને પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે ગામનો વિકાસ કરવા, અધૂરા કામો વહેલી તકે પૂર્ણ કરવા અને ભાજપે મૂકેલા વિશ્વાસમાં 100 ટકા નિષ્ઠા અને જવાબદારીપૂર્વક કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે 24 સભ્યોના સહકાર બદલ આભાર માન્યો અને આગામી દિવસોમાં ચલાલા નગરપાલિકા વિકાસના કામોને આગળ વધારશે તેમ જણાવ્યું.
રાજકોટ જિલ્લાના નાગરિકો માટે દીકરીઓના ઉત્કર્ષ અને સશક્તિકરણના હેતુથી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. રાજ્ય સરકારની અત્યંત લોકપ્રિય વહાલી દીકરી યોજનાનો લાભ છેવાડાના ઘર સુધી પહોંચાડવા માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવો, સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી, કન્યા શિક્ષણને વેગ આપવો અને સ્ત્રીઓના સામાજિક દરજ્જાને ઉન્નત બનાવવાનો છે. વર્ષ 2019 થી અમલમાં આવેલી આ યોજના હવે રાજકોટના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં વધુ વેગવંતી બનાવવામાં આવશે. વહાલી દીકરી યોજના અંતર્ગત પાત્રતા ધરાવતી દરેક દીકરીને સરકાર તરફથી કુલ 1,10,000 ની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, જે ત્રણ મહત્વના તબક્કાઓમાં વહેંચાયેલી છે. જ્યારે દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે છે, ત્યારે પ્રોત્સાહન રૂપે 4,000 ની સહાય આપવામાં આવે છે. ત્યારબાદ, શિક્ષણ પ્રક્રિયા ચાલુ રહે તે માટે ધોરણ 9 માં પ્રવેશ સમયે 6,000 ની બીજી સહાય મળે છે. સૌથી મહત્વનો તબક્કો દીકરી 18 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે આવે છે, જેમાં તેને ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન સહાય તરીકે એકીસાથે 1,00,000 ની મોટી રકમ ચૂકવવામાં આવે છે. આ આર્થિક ટેકો દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયાને અત્યંત સરળ બનાવવામાં આવી છે. અરજદારો ઓનલાઇન પોર્ટલ https://emahilakalyan.gujarat.gov.in/ પર જઈને જાતે જ અરજી કરી શકે છે. જે લોકો ડિજિટલ માધ્યમથી અરજી ન કરી શકે, તેઓ પોતાની નજીકની મામલતદાર કચેરી અથવા ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર) પાસેથી ફોર્મ મેળવી શકે છે. અરજી સાથે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધારકાર્ડ, માતા-પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર અને આવકનો દાખલો જેવા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. રેશનકાર્ડમાં દીકરીનું નામ હોવું અનિવાર્ય છે. રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે કે, વાર્ષિક આવક મર્યાદા અને અન્ય નિયત શરતોનું પાલન કરતા પરિવારો આ તકનો મહત્તમ લાભ લે તે જરૂરી છે. વધુ વિગતો કે મૂંઝવણ માટે નાગરિકો જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના ફોન નંબર 0281 2448592 પર સંપર્ક કરી શકે છે. આ ઝુંબેશ દ્વારા રાજકોટ જિલ્લો દીકરીઓના શિક્ષણ અને સુરક્ષાના ક્ષેત્રે એક નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કરવા તરફ આગળ વધી રહ્યો છે.
ભિલોડાની આર.જી. બારોટ નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દેવાંગ બારોટ દ્વારા એક આદિવાસી વિદ્યાર્થીને લાકડી વડે ઢોર માર મારવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આદિવાસી સમાજ દ્વારા આપવામાં આવેલા બે દિવસીય બંધના એલાનને પગલે આજે ભિલોડા અને શામળાજીના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. ભિલોડા અને શામળાજી તાલુકાના વેપારીઓએ સ્વયંભૂ બજારો બંધ રાખી આદિવાસી સમાજના વિરોધને ટેકો જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી આરોપી ટ્રસ્ટી દેવાંગ બારોટની એટ્રોસિટી એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે. સમાજના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનોએ રેલી યોજી મામલતદાર અને ડીવાયએસપીને આવેદન આપી આરોપી સામે કડક સજાની માંગ કરી છે. શું છે સમગ્ર મામલો? ઘટનાની શરૂઆત કોલેજ બસના ડ્રાઈવર પાસે પાણી માંગવા બાબતે થઈ હતી. ડ્રાઈવર અને વિદ્યાર્થી અભિષેક વચ્ચે બોલાચાલી થતા તેના મિત્ર દીપક બરંડાએ વચ્ચે પડી શાંતિ રાખવા જણાવ્યું હતું. આ બાબતની અદાવત રાખી ટ્રસ્ટી દેવાંગ બારોટે વિદ્યાર્થી દીપકને ક્લાસની બહાર બોલાવી જાતિવિષયક અપશબ્દો કહી લાકડી વડે બેરહેમીથી માર માર્યો હતો.
અરબી સમુદ્રમાં ભારતીય જળસીમાનું ઉલ્લંઘન કરી ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની બોટ ‘અલ મદીના’ સાથે ઝડપાયેલા 9 પાકિસ્તાની નાગરિકો સામે સુરક્ષા એજન્સીઓએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ તમામ આરોપીઓ કરાચીના વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું ખૂલ્યું છે. આ મામલે નવીબંદર પોલીસ મથકમાં ગુનો નોંધી તમામની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સંયુક્ત તપાસનો ધમધમાટપકડાયેલા તમામ શખ્સો પોતે વ્યવસાયે માછીમાર હોવાનો દાવો કરી રહ્યા છે. જોકે, પ્રતિબંધિત જળસીમામાં તેમના પ્રવેશ પાછળનો હેતુ શંકાસ્પદ જણાતા ઇન્ટેલિજન્સ બ્યુરો (IB), કોસ્ટ ગાર્ડ અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ એ દિશામાં તપાસ કરી રહી છે કે આ શખ્સો માત્ર રસ્તો ભટકીને ભારતીય સીમામાં આવ્યા હતા કે પછી કોઈ જાસૂસી અથવા ચોક્કસ મિશનના ઇરાદે ઘૂસણખોરી કરી હતી. હાલમાં પોરબંદર જેટી ખાતે બોટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને તમામ આરોપીઓને જેલ હવાલે કરવાની પ્રક્રિયા ગતિમાં છે. ઝડપાયેલા આરોપીઓ
વ્યારામાં રેન્જ આઈજીની હાજરીમાં લોક દરબાર યોજાયો:નાગરિકોએ ટ્રાફિક અને નશાબંધી મુદ્દે રજૂઆત કરી
વ્યારા પોલીસ મેદાન ખાતે દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી પ્રેમવીર સિંહની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો. આ દરબારમાં નાગરિકોએ ટ્રાફિક સમસ્યા અને નશાબંધીના મુદ્દે રજૂઆતો કરી હતી. આ લોક દરબારમાં તાપી જિલ્લાના એસપી સહિત પોલીસ વિભાગના અન્ય અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નાગરિકોએ ખાસ કરીને શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને નશાના દૂષણને નિયંત્રિત કરવા માટે પોલીસ તંત્ર સમક્ષ માંગણીઓ મૂકી હતી. રેન્જ આઈજી પ્રેમવીર સિંહે નાગરિકોની રજૂઆતોને ધ્યાનપૂર્વક સાંભળી હતી અને આ મુદ્દાઓ પર સકારાત્મક પરિણામ લાવવા માટે ખાતરી આપી હતી.
ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશભરમાં માર્ગ અકસ્માતોમાં થતા મૃત્યુ અને જાનહાનિને ઘટાડવાનો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત 8થી 15 જાન્યુઆરી સુધીમાં વડોદરા ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમોના ભંગ બદલ 3583 વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરી છે. રાજ્ય સરકાર અને વિવિધ વિભાગોના સહયોગથી સમગ્ર જાન્યુઆરી માસ દરમિયાન જન-જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા શહેર પોલીસ કમિશનર અને અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા એજ્યુકેશન, એન્ફોર્સમેન્ટ અને એન્જિનિયરિંગના ત્રણ મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તા. 8 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત 8થી 15 જાન્યુઆરી દરમિયાન ટ્રાફિક નિયમોના ભંગ માટે એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી હતી. વડોદરા ટ્રાફિક પોલીસે કરેલી કામગીરી - એક કરતાં વધુ વ્યક્તિઓને બેસાડવા : 665 - હેલ્મેટ વિના : 33 - દસ્તાવેજો વિના : 542 - પાર્કિંગ નિયમોનું ઉલ્લંઘન : 590 - સીટબેલ્ટ ન પહેરવું : 296 - મોબાઇલ ફોનનો ઉપયોગ : 194 - સત્તાધિકારીના આદેશનો અમલ ન કરવો : 174 - ડ્રાઇવર સીટ પર વધારાની વ્યક્તિ : 45 - ટ્રાફિક સિગ્નલ ભંગ : 159 - ડ્રાઇવિંગ લાઇસન્સ વિના : 48 - વીમા વિના : 61 - કાચ પર ડાર્ક ફિલ્મ : 23 - જોખમી રીતે વાહન ચલાવવું : 103 - નંબર પ્લેટ વિના : 520 - વધુ સ્પીડ : 4 - અન્ય કેસ : 25 - ડિટેન વાહનો : 101
પતંગની દોરીથી ઘવાયેલા 50 થી વધુ પક્ષીઓને બચાવાયા:પાલનપુરમાં કરુણા અભિયાન અંતર્ગત સારવાર કેમ્પ યોજાયા
પાલનપુરમાં કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે વિશેષ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અનેક પક્ષીઓ ઘાયલ થતા હોય છે, ત્યારે આવા નિર્દોષ જીવોને બચાવવાના હેતુથી આ પહેલ કરવામાં આવી હતી. શહેરના હનુમાન ટેકરી, દિલ્હી ગેટ અને ગઠામણ ગેટ સહિતના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ સ્થળોએ આ સારવાર કેન્દ્રો કાર્યરત કરાયા હતા. આ કેમ્પોમાં અનુભવી ડોકટરો અને સ્વયંસેવકોની ટીમે ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર કરી હતી. પતંગની દોરીથી કપાયેલા પાંખ, પગ કે શરીરના અન્ય ભાગોમાં થયેલા ઘાવની યોગ્ય સારવાર કરીને જરૂરી દવાઓ અને મલમ આપવામાં આવ્યા હતા. ત્રણ દિવસમાં આશરે 50 જેટલા પક્ષીઓને સારવાર આપી સ્વસ્થ કરવામાં આવ્યા હતા. આ અભિયાન દરમિયાન સ્થાનિક નાગરિકોમાં પણ પક્ષીઓ પ્રત્યે કરુણા અને સંવેદના જોવા મળી હતી. અનેક લોકોએ ઘાયલ પક્ષીઓને સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. કરુણા અભિયાન અંતર્ગત આ કામગીરીથી માનવતા અને પ્રાણીપ્રેમનો સુંદર સંદેશ પ્રસરી રહ્યો છે.
જામનગરમાં લક્ષ્મીનારાયણ મંદિરનો 42મો પાટોત્સવ:આણદાબાવા સંસ્થા દ્વારા ભવ્ય શાકોત્સવનું આયોજન
જામનગરની આણદાબાવા સેવા સંસ્થા સંચાલિત લક્ષ્મીનારાયણ મંદિરમાં 42મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે લીમડાલાઇન સ્થિત સંસ્થાના અનાથાલય પરિસરમાં ભવ્ય શાકોત્સવનું આયોજન થયું હતું. સંસ્થાના મહંત દેવપ્રસાદજીની નિશ્રામાં સેંકડો ભક્તોએ મહાપ્રસાદની સામગ્રી તૈયાર કરી હતી. પૂજારીઓએ લક્ષ્મીનારાયણ ભગવાનને શાકભાજીમાંથી બનાવેલા આભૂષણોનો વિશેષ શૃંગાર અર્પણ કર્યો હતો. આ શુભ અવસરે ભગવાન લક્ષ્મીનારાયણને વિવિધ શાકભાજી, મીઠાઈઓ, ફળફળાદિ અને અન્નના વૈવિધ્યસભર અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યા હતા. બપોરે 12:00 થી 1:00 દરમિયાન અન્નકૂટ દર્શનનું આયોજન થયું હતું, જેમાં જામનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. બપોરે 12:15 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભક્તોએ ભક્તિભાવપૂર્વક ભાગ લઈ સમગ્ર પરિસરને ભજન-કીર્તનથી ગુંજાયમાન કરી દીધું હતું. આરતી બાદ બપોરે 1:00 કલાકે મહાપ્રસાદનું વિતરણ થયું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. લક્ષ્મીનારાયણ મંદિરમાં દર વર્ષે પાટોત્સવ અને શાકોત્સવનું પરંપરાગત રીતે આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવ ભક્તિ, શ્રદ્ધા અને સેવા ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન આણદાબાવા સેવા સંસ્થા, જામનગર દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં સંસ્થાના સેવાભાવી કાર્યકરોએ સુચારુ વ્યવસ્થા સંભાળી હતી.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ 92 વર્ષની વયે પણ સત્સંગના પ્રસાર અને ભક્તોના કલ્યાણ માટે અવિરત વિચરણ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અબુધાબીમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ, અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ, મોટેરા સ્ટેડિયમ ખાતે કાર્યકર સુવર્ણ મહોત્સવ અને અમેરિકામાં અક્ષરધામ જેવા ઐતિહાસિક કાર્યો સંપન્ન કર્યા બાદ હવે તેઓ ભાવનગર પધારી રહ્યા છે. 7 વર્ષના લાંબા અંતરાલ બાદ પૂજ્ય સ્વામીશ્રીના આગમનને લઈને ભાવનગરના હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મહંતસ્વામી મહારાજ એપ્રિલ મહિનાની 2 થી 15 તારીખ સુધી ભાવનગરમાં રોકાણ કરી હરિભક્તોને સત્સંગનો લાભ આપશે. અક્ષરવાડી સ્વામિનારાયણ મંદિરમાં અત્યારથી જ દિવાળી જેવો ઉત્સવી માહોલ સર્જાયો છે. 2018 પછી પ્રથમવાર ભાવનગર પધારતા સ્વામીશ્રીના સ્વાગત માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તેમના રોકાણ દરમિયાન વિવિધ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાશે, જેની વિગતવાર માહિતી સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવશે. આ રોકાણ દરમિયાન હરિભક્તો દર્શન અને આશીર્વાદનો લાભ લઈ ધન્યતા અનુભવશે.
રાજકોટમાં આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન'માં સુરેન્દ્રનગરના દેદાદરા ગામની 700 વર્ષ પ્રાચીન 'ટાંગલિયા' હસ્તકલા આકર્ષણનું કેન્દ્ર બની છે. રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા કલાકાર બળદેવ રાઠોડ દ્વારા પ્રદર્શિત આ કલા 'વોકલ ફોર લોકલ' અભિયાન અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી હવે વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે. હોલીવુડ ફિલ્મ 'F1'માં ટાંગલિયા આર્ટનો વૈભવટાંગલિયા હસ્તકલાની ખ્યાતિ હવે માત્ર ભારત પૂરતી સીમિત રહી નથી. તાજેતરમાં હોલીવુડની ફિલ્મ 'F1' માં ટાંગલિયા આર્ટના શર્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ડોક્યુમેન્ટ્રીમાં પણ આ કલાના મહત્વને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ફેશન જગતમાં વધી રહેલી માંગ ગ્રામીણ કલાકારોની વર્ષોની તપસ્યાનું પરિણામ છે. GI ટેગ: નકલી બનાવટો સામે સુરક્ષા કવચટાંગલિયા કલાની મૌલિકતા જાળવી રાખવા માટે તેને ' જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન' (GI) ટેગ આપવામાં આવ્યો છે. આ કાયદાકીય સંરક્ષણના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના અધિકૃત કલાકારો સિવાય અન્ય કોઈ વ્યક્તિ આ કલાના નામે નકલી વસ્તુઓ વેચી શકશે નહીં. GI ટેગ મળવાથી વૈશ્વિક બજારોમાં ગ્રાહકોનો વિશ્વાસ વધ્યો છે અને વચેટિયાઓ દૂર થતા કલાકારોને સીધો આર્થિક લાભ મળી રહ્યો છે. જટિલ 'દાણા ગૂંથણી' પદ્ધતિટાંગલિયાની મુખ્ય વિશેષતા તેની અત્યંત જટિલ 'દાણા ગૂંથણી' વણાટ પદ્ધતિ છે. આ કોઈ મશીન વર્ક કે અલગથી કરેલું ભરતકામ નથી. હાથશાળ પર કાપડ વણતી વખતે જ દોરાની સાથે ઊન કે સૂતરના નાના મણકા જેવા 'ટાંકા' ગૂંથીને આકૃતિઓ તૈયાર કરવામાં આવે છે. આ કલાની ખાસિયત એ છે કે કાપડની બંને બાજુ ભાત એકસરખી જ દેખાય છે. પ્રદર્શનમાં મુલાકાતીઓ માટે લાઈવ 'ડેમો લૂમ' પણ રાખવામાં આવી છે. પરંપરા અને આધુનિકતાનો સમન્વયએક સમયે માત્ર ધાબળા પૂરતી સીમિત આ કલા હવે આધુનિક જીવનશૈલીમાં ભળી ગઈ છે. 'ગુજરાત રાજ્ય હસ્તકલા અને હાથશાળ વિકાસ નિગમ' (ગરવી ગુર્જરી) અને 'હસ્તકલા સેતુ યોજના' હેઠળ કલાકારોને નવી ડિઝાઇનિંગની તાલીમ આપવામાં આવી રહી છે. કલાકારોને નવી ડિઝાઇનિંગની તાલીમ જેવી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવે છે, જે યુવા પેઢીમાં ખૂબ લોકપ્રિય બની છે. સરકારી પ્રોત્સાહનથી નવું જીવનકલાકાર બળદેવ રાઠોડના જણાવ્યા અનુસાર, ગુજરાત સરકારના હસ્તકલા પ્રોત્સાહન બોર્ડ દ્વારા ડિઝાઇનિંગ અને માર્કેટિંગ સપોર્ટ મળવાથી નવી પેઢી ફરી આ વ્યવસાય તરફ વળી છે. વાઇબ્રન્ટ ગુજરાત જેવા પ્લેટફોર્મ હજારો મુલાકાતીઓ અને ખરીદદારો સાથે સીધો સંવાદ કરવાની તક પૂરી પાડે છે, જેનાથી આ વિસરાતી જતી કલા હવે સંગ્રહાલયોને બદલે વૈશ્વિક ફેશન રેમ્પ સુધી પહોંચી છે.

26 C