SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

35    C
...

ગુજરાતી દિગંબર જૈન મહાસંઘની લાઇબ્રેરી-ઓફિસનું ઉદ્ઘાટન:દાતા રમેશભાઈ-મહેશભાઈ શાહ પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ

અમદાવાદના સોલા રોડ ખાતે ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ, ઉત્તર ગુજરાત ઝોનની રીડિંગ રૂમ-કમ-લાઇબ્રેરી અને ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ દાતા રમેશભાઈ અને મહેશભાઈ મણિલાલ શાહ છાલાવાળા પરિવાર દ્વારા 15 માર્ચ, 2026ના રોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહાસંઘના અધ્યક્ષ રમેશભાઈ જી. શાહ, સુરત મહાસંઘના ચાન્સેલર રાજેશભાઈ દોશી, સંસ્થાપક અને ભૂતપૂર્વ ચાન્સેલર તેમજ સહયોગી દાતા અશોકભાઈ સોમચંદ મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કટારિયા ઓટોમોબાઈલ્સના રાજેન્દ્રજી કટારિયા, નરેશભાઈ જૈન, યુનિવર્સલ હોન્ડાના કૌશિકભાઈ શાહ અને નિખિલભાઈ મહેતા, કોર કમિટી અધ્યક્ષ ડો. સુબોધભાઈ શાહ, વાપીથી સુભાષભાઈ કોટડિયા, મહારાષ્ટ્ર ઝોનના ગવર્નર અને સહયોગી દાતા નવનીતલાલ શાહ, તેમજ વડોદરાથી ભૂતપૂર્વ અધ્યક્ષ મહેશભાઈ એમ. શાહ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મહાસંઘના મહારાષ્ટ્ર (મુંબઈ), સાઉથ ગુજરાત (સુરત), અને મધ્ય ગુજરાત (વડોદરા) ઝોનના ગવર્નરો તેમના કારોબારી સભ્યો સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના અન્ય ડિવિઝનોના પ્રમુખો પણ તેમના કારોબારી સભ્યો સાથે હાજર રહ્યા હતા. આ સમારોહમાં કોર કમિટી અધ્યક્ષ ડો. સુબોધભાઈ શાહ અને ગવર્નર અજીતભાઈ મહેતાને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વર્ષ 2024-25 માટેનો 'બેસ્ટ ઝોન એવોર્ડ' ઉત્તર ગુજરાત ઝોનના ગવર્નર અજીતભાઈ મહેતાને એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન કૌશિકભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે ઉત્તર ગુજરાત ઝોન અને અમદાવાદ ડિવિઝનના કારોબારી સભ્યોએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:28 pm

પ્રખરતા શોધ કસોટીમાં ગુરુકુળના 30 વિદ્યાર્થીઓ મેરિટમાં:હેત સોનેસરા 12મા ક્રમે, રાજ્યના ટોપ 1000માં સ્થાન

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૯ માં લેવાતી 'પ્રખરતા શોધ કસોટી'નું પરિણામ જાહેર થયું છે. ભાવનગરના સ્વામિનારાયણ ગુરુકુળ સ્પેશ્યલ વિભાગના કુલ 30 વિદ્યાર્થીઓએ આ કસોટીમાં મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવ્યું છે.આ કસોટી દર વર્ષે યોજાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી શ્રેષ્ઠ 1000 તેજસ્વી વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવે છે. ગુરુકુળના વિદ્યાર્થીઓએ આ વર્ષે પણ નોંધપાત્ર દેખાવ કર્યો છે.પરિણામ મુજબ, હેત મનીષ સોનેસરાએ સમગ્ર ગુજરાતમાં 12મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ ઉપરાંત, ટોપ 50માં કવિતકુમાર ભારતકુમાર ઇટાલિયા (મેરિટ: 19), કવીશ જયદેવસિંહ માલાવાડિયા (મેરિટ: 25) અને પ્રિન્સ પ્રકાશભાઈ બારૈયા (મેરિટ: 30) નો સમાવેશ થાય છે. ટોપ 100 તેજસ્વી વિદ્યાર્થીઓમાં સત્યમકુમાર ભીલ (62) સહિત કુલ 30 વિદ્યાર્થીઓએ રાજ્યના ટોપ 1000માં સ્થાન મેળવ્યું છે.આ સફળતા બદલ સંસ્થાના સંચાલક કે.પી. સ્વામી અને શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ પટેલ દ્વારા તમામ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:26 pm

અંબાજીમાં શિક્ષણ વિભાગના પેન્શનરોનું સ્નેહ મિલન યોજાયું:ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાના સભ્યો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા

ગાંધીનગર સ્થિત શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ દ્વારા અંબાજી ખાતે ઉત્તર ગુજરાત ઝોનના સભ્યો માટે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના મોટી સંખ્યામાં પેન્શનર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ બી.ડી. મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય, અંબાજીની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ અને નિવૃત્ત આસિસ્ટન્ટ કલેક્ટર એસ.એસ. વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ, ગાંધીનગરના પ્રમુખ આઈ.કે. પટેલ અને મહામંત્રી જી.કે. પરમાર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ ઉપરાંત, મંડળના અન્ય હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો ભગુભાઈ સિંઘલ, ઉમેશભાઈ ત્રિવેદી, આઈ.એસ. લવાર, જયેન્દ્રભાઈ વ્યાસ, ડી.જી. સોલંકી, હસમુખભાઈ શર્મા અને કાળુભાઈ પટેલે પણ હાજરી આપી હતી. અમદાવાદ જિલ્લા યુનિટના સહમંત્રી નવીનભાઈ વાણિયા તેમજ બનાસકાંઠા જિલ્લા કન્વીનર ખેંગારભાઈ સોલંકી, પાટણ જિલ્લા કન્વીનર સુરેશભાઈ સોની, સાબરકાંઠા જિલ્લા કન્વીનર વસંતભાઈ પંચાલ અને જામનગર જિલ્લા કન્વીનર વિઠ્ઠલભાઈ ધોળકિયા સહિત વિવિધ જિલ્લાના મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને હોદ્દેદારોનું પુષ્પગુચ્છ અને શાલથી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહાનુભાવો દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું, અને મંડળના સભ્યોએ પણ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પ્રમુખ આઈ.કે. પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, ઉત્તર ગુજરાત ઝોનના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાના મંડળના સભ્યોની ઉપસ્થિતિ સંતોષજનક છે. તેમણે ભવિષ્યમાં યોજાનાર કાર્યક્રમોમાં પણ સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ કરી હતી. મહામંત્રી જી.કે. પરમારે જણાવ્યું કે, આપણો સંબંધ 'કામ'થી શરૂ થયો હતો, પરંતુ આજે તે 'લાગણી'માં પરિવર્તિત થયો છે. જેમ અલગ અલગ ફૂલો હોય પણ માળા એક હોય છે, તેમ આપણે ભલે અલગ અલગ કચેરીઓમાં કામ કર્યું હોય, પણ આજે આપણે 'પેન્શનર્સ પરિવાર' તરીકે એક છીએ. નિવૃત્તિ પછીના આ સમયને ભાર ગણવાને બદલે તેને જીવવાની નવી તક ગણીએ. મંડળના સભ્યોએ પણ પોતાના પ્રતિભાવો આપતા જણાવ્યું હતું કે, મંડળ દ્વારા આવા કાર્યક્રમો યોજીને અલગ અલગ કચેરીઓમાંથી નિવૃત્ત થયેલા મિત્રોને એક જ મંચ ઉપર ભેગા કરવાનું કાર્ય પ્રશંસનીય છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ઉત્તર ગુજરાત ઝોનના ઉપપ્રમુખ રમણભાઈ પટણી દ્વારા તેમના સ્વખર્ચે કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ સભ્યોને યાદગીરી રૂપે આકર્ષક ભેટ પણ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિપલ પરમારે કર્યું હતું, જ્યારે આભાર વિધિ ઉત્તર ગુજરાત ઝોનના સહમંત્રી નારણભાઈ પ્રજાપતિએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:25 pm

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય યુવા ફેસ્ટિવલમાં મેડલ જીત્યા:'કલાઈ સારલ 2026' માં બે ગોલ્ડ, એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ પ્રતિષ્ઠિત “Kalai Saaral 2026” ઓલ ઈન્ડિયા નેશનલ યુથ ફેસ્ટિવલમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ ફેસ્ટિવલ ચેન્નઈ ખાતેની Sathyabama Institute of Science and Technology માં 10 થી 14 માર્ચ 2026 દરમિયાન યોજાયો હતો. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી માટે બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને ગૌરવ અપાવ્યું છે. Association of Indian Universities દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સ્તરના ઇન્ટર-યુનિવર્સિટી ફેસ્ટિવલમાં દેશભરની વિવિધ યુનિવર્સિટીઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ફેસ્ટિવલ યુવા પ્રતિભાઓ માટે સંગીત, નૃત્ય, સાહિત્ય, નાટ્ય અને ફાઇન આર્ટ્સ જેવા ક્ષેત્રોમાં પોતાની કલા અને કુશળતા રજૂ કરવા માટે એક સશક્ત મંચ પૂરો પાડે છે. મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ નીચે મુજબની સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: વેસ્ટર્ન વોકલ (સોલો): બ્રાયન પીટર – પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ: જસ્ટિન કુનાંગ – પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) ક્લાસિકલ ડાન્સ: પ્રિયંશી ગઘડા – ત્રીજું સ્થાન (બ્રોન્ઝ મેડલ) ડિબેટ: કમોદ વર્ધન અને અભિનવ સિંહ – ચોથું સ્થાન આ ફેસ્ટિવલમાં સંગીત (વેસ્ટર્ન અને ઇન્ડિયન), નૃત્ય (ક્લાસિકલ અને લોકનૃત્ય), સાહિત્યિક સ્પર્ધાઓ (ડિબેટ, એલોક્યુશન, ક્વિઝ), તેમજ થિયેટર અને ફાઇન આર્ટ્સ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. માત્ર ઝોનલ યુથ ફેસ્ટિવલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને જ આ રાષ્ટ્રીય સ્તરે ભાગ લેવાની તક આપવામાં આવી હતી, જેના કારણે સ્પર્ધાનું સ્તર ખૂબ ઊંચું રહ્યું હતું. “Kalai Saaral 2026” માં મારવાડી યુનિવર્સિટીની ભાગીદારી અત્યંત સફળ અને પ્રશંસનીય રહી છે. વિદ્યાર્થીઓની આ સિદ્ધિઓ તેમની પ્રતિભા, મહેનત અને યુનિવર્સિટીના સાંસ્કૃતિક વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. મારવાડી યુનિવર્સિટીના ઉપપ્રમુખ અને સહ-સ્થાપક જીતુભાઈ ચંદારાણાએ વિદ્યાર્થીઓને તેમની રાષ્ટ્રીય સ્તરની નોંધપાત્ર સિદ્ધિઓ બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આવી સિદ્ધિઓ યુનિવર્સિટીના મૂલ્યો અને પ્રતિભાને દેશભરમાં પ્રતિષ્ઠિત બનાવે છે. આ પ્રસંગે પ્રોવોસ્ટ ડો. આર.બી. જાડેજાએ વિદ્યાર્થીઓને વધુ પ્રોત્સાહન આપતા જણાવ્યું હતું કે, આ સફળતા ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ માટે પ્રેરણારૂપ બનશે અને યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીઓને દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે સહકાર આપતી રહેશે. ટ્રસ્ટી ધ્રુવ મારવાડીએ ગૌરવપૂર્ણ ટ્રોફી સ્વીકારી અને જણાવ્યું કે, આવી સિદ્ધિઓ મારવાડી યુનિવર્સિટીની સતત પ્રગતિ અને સર્વાંગી વિકાસનું પ્રતિબિંબ છે, અને ભવિષ્યમાં આવી ઘણી વધુ સિદ્ધિઓ પ્રાપ્ત થશે. રાષ્ટ્રીય સ્તરે મળેલી આ સફળતા યુનિવર્સિટીની પ્રતિષ્ઠામાં વધારો કરે છે અને અન્ય વિદ્યાર્થીઓને પણ સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાવા પ્રેરણા આપે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:24 pm

આનંદ કુમારે શિક્ષકોને 'વિષયપ્રેમી બનાવો'નો સંદેશ આપ્યો:AI યુગમાં શિક્ષકની ભૂમિકા; પરિણામ નહીં, શીખવાનો પ્રેમ

રાજકોટમાં 21 માર્ચ, 2026ના રોજ RPJ હોટેલ ખાતે એક પ્રેરણાદાયક 'એજ્યુકેટર મીટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ અને સૌરાષ્ટ્રની 200થી વધુ શાળાઓના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ અને શિક્ષકો ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે વિશ્વવિખ્યાત શિક્ષણવિદ અને 'સુપર 30'ના સ્થાપક આનંદ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના જીવનપ્રવાસ અને શિક્ષણ પ્રત્યેની નિષ્ઠા વિશે પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા. આનંદ કુમારે આજના AI અને ChatGPTના યુગમાં શિક્ષકની બદલાતી ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે શિક્ષણને એક મિશન તરીકે અપનાવવું જોઈએ. આનંદ કુમારે પરિણામો પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે વિદ્યાર્થીઓને વિષયપ્રેમી બનાવવા પર ભાર મૂક્યો. તેમના મતે, શીખવાનો પ્રેમ જ સાચી સફળતા છે. 'સુપર 30' દ્વારા તેમના યોગદાન વિશે વાત કરતા, તેમણે જણાવ્યું કે કેવી રીતે આ પહેલ દ્વારા આર્થિક રીતે પછાત પરંતુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિઃશુલ્ક માર્ગદર્શન આપી IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પ્રવેશ મેળવવામાં મદદ મળી છે. 'સુપર 30'એ અનેક વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવ્યું છે, જ્યાં તેમને શિક્ષણ ઉપરાંત રહેવા-જમવાની વ્યવસ્થા સહિત સંપૂર્ણ સહાય પૂરી પાડવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ખૂબ જ ઇન્ટરેક્ટિવ ચર્ચાઓ અને પ્રશ્નોત્તરી સત્ર યોજાયા હતા. જેમાં શીખવું વધુ મહત્વનું કે પરિણામ? અને વિદ્યાર્થીઓને માત્ર પરિણામકેન્દ્રિત બનાવવા કરતાં વિષયપ્રેમી કેવી રીતે બનાવવું? જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ થયો. શિક્ષકોમાં વિષય પ્રત્યે રસ અને જિજ્ઞાસા વિકસાવવા માટે ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મારવાડી યુનિવર્સિટી તરફથી ટ્રસ્ટી ધ્રુવ મારવાડી, પ્રોવોસ્ટ ડૉ. રાજેન્દ્રસિંહ જાડેજા, એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર પ્રોફ. નરેશ જાડેજા, તેમજ યુનિવર્સિટીના ડીન અને સિનિયર પ્રોફેસર્સ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ ક્ષેત્રના અગ્રણીઓ જેવા કે કૃષ્ણકાંત ધોળકિયા (ધોળકિયા સ્કૂલ્સ), ધવલ મોદી (મોદી સ્કૂલ્સ), જીમિલ પારીખ (મહાત્મા ગાંધી સ્કૂલ), પ્રવિણ ગોંડલિયા (તપન સ્કૂલ), લાલજી રાઠોડ (તપોવન સ્કૂલ), મૌલિક ડેલવાડિયા (બી.એમ. પટેલ સ્કૂલ, ધ્રોલ), દીપેન છોટાલા (ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ, ગોંડલ), આકાંક્ષા શ્રીવાસ્તવ (નારાયણા સ્કૂલ), મહેશ વડોદરિયા (સ્વામિનારાયણ ગુરુકુલ) અને મહેશભાઈ ગજેરા (ક્રિષ્ના સ્કૂલ) પણ આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાનો તરીકે હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:23 pm

રાજ્યપાલે સિલ્વર ઓક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા:સ્કાઉટ-ગાઇડ અને રોવર-રેન્જર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ સન્માનિત કરાયા

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગરના રાજભવન ખાતે સિલ્વર ઓક યુનિવર્સિટીના સ્કાઉટ-ગાઇડ અને રોવર-રેન્જર વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા. આ સન્માન તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને વર્ષ 2025-26 દરમિયાન સમુદાય સેવા, સ્વચ્છતા અભિયાન, આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને વિવિધ કૌશલ્ય-આધારિત પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો. કાર્યક્રમમાં તેમને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નોથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં ધ્રુવ ભટ્ટે વિદ્યાર્થીઓને પરીક્ષાની તૈયારીથી લઈને પુરસ્કાર મેળવવા સુધી મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પોતાના સંબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે સ્કાઉટ-ગાઇડ જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ, સેવા ભાવના અને જવાબદારીનો વિકાસ કરે છે, જે તેમના ઉજ્જવળ ભવિષ્ય અને રાષ્ટ્ર નિર્માણ માટે આવશ્યક છે. આ કાર્યક્રમથી તમામ વિદ્યાર્થીઓને સમાજ સેવા પ્રત્યે વધુ સમર્પિત બનવાની પ્રેરણા મળી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:17 pm

ઓનલાઇન સટ્ટાનું મસમોટું રેકેટ ઝડપાયું:ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના ચાલતા બેનામી નાણાંની હેરફેર કરનાર પાંચની ધરપકડ, પાલનપુરનો મુખ્ય સૂત્રધાર ફરાર

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે મહેસાણાના પાંચોટ બાયપાસ સર્કલ નજીક આવેલા એક ફ્લેટમાં દરોડો પાડીને ઓનલાઇન ક્રિકેટ સટ્ટા અને બેનામી નાણાકીય વ્યવહારોના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે. પોલીસની આ કાર્યવાહીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે પાલનપુરના મુખ્ય સૂત્રધાર સહિત અન્યની શોધખોળ હાથ ધરવામાં આવી છે. બેનામી નાણાં મેળવવા માટે ખોટી પેઢીઓ બનાવતામહેસાણા LCBના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, પાંચોટ બાયપાસ પાસે આવેલ શ્યામ સ્કાયલાઇન ફ્લેટના મકાન નંબર એમ-503માં કેટલાક ઇસમો ભેગા મળીને ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે. આ શખ્સો ઓનલાઇન ગેમિંગ અને ક્રિકેટ સટ્ટાના બેનામી નાણાં મેળવવા માટે ખોટી પેઢીઓ બનાવી તેના જીએસટી નંબર મેળવી બેંક એકાઉન્ટો ખોલાવતા હતા. આ એકાઉન્ટ્સ દ્વારા મોટાપાયે નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. સૌ પ્રથમ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી જે-તે ધંધાના GST સર્ટિફિકેટ મેળવતાઆ ટોળકીની કામ કરવાની પદ્ધતિ ખૂબ જ શાતિર હતી. આરોપીઓ સૌ પ્રથમ ઉદ્યમ રજીસ્ટ્રેશન કરાવી જે-તે ધંધાના જીએસટી સર્ટિફિકેટ મેળવતા હતા. આ દસ્તાવેજોના આધારે અલગ-અલગ પાર્ટીઓના નામે ફેક કરન્ટ એકાઉન્ટ ખોલાવતા હતા. ક્રિકેટ સટ્ટા અને ઓનલાઇન ગેમિંગમાં લોકો સાથે થયેલી છેતરપિંડીના નાણાં આ બેંક એકાઉન્ટ્સમાં જમા કરવામાં આવતા હતા. ત્યારબાદ આ નાણાં ATM, ચેક કે UPI દ્વારા ઉપાડી આંગડિયા મારફતે મુખ્ય સૂત્રધાર મિતેષ ડાહ્યાલાલ ઠક્કર (રહે. પાલનપુર)ના જણાવ્યા મુજબ સગેવગે કરવામાં આવતા હતા. પાંચ શખસોને ઝડપી પાડી 2.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યોમહેસાણા પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. હાલમાં ફરાર મુખ્ય આરોપી મિતેષ ઠક્કરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ રેકેટના તાર અન્ય ક્યાં ક્યાં જોડાયેલા છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી વિપુલકુમાર કાન્તીભાઈ પટેલ (મહેસાણા), અંકિતકુમાર રામચંદ્ર પઢિયાર (ડીસા), હિમાંશુ વિજયભાઈ જોષી (ડીસા), પ્રતિક ઉર્ફે પરેશ અશોકભાઈ દરજી (ધાનેરા) અને મુકેશકુમાર અરવિંદભાઈ ઠક્કર (ડીસા)ની અટકાયત કરી છે. દરોડા દરમિયાન પોલીસે કુલ રૂપિયા 2,78,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:02 pm

એમડી ડ્રગ્સ સાથે બિસનોઈ બંધુઓની ધરપકડ:રાજસ્થાનના એક ઢાબા પરથી ડ્રગ્સ લઈ નિકોલ-નરોડા રોડ પર વેચવા આવ્યાં હતાં

શહેરમાં દિન-પ્રતિદિન નશાકારક પદાર્થોનું વેચાણ વધી રહ્યું છે. પૂર્વ વિસ્તારમાં આવેલા નિકોલ નજીકના આરપી વસાણી સ્કૂલ પાસેથી કૃષ્ણનગર પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મૂળ રાજસ્થાનના જોધપુરના રહેવાસી અને બાકરોલ ખાતે ફેક્ટરીમાં રહી મજૂરી કામ કરનારા બંને શખસ જોધપુરના એક ઢાબા પરથી અજાણ્યા શખસ પાસેથી ડ્રગ્સ લઈને આવ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે 28 ગ્રામ ડ્રગ્સ અને વાહન સહિત 1.24 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે બન્નેને દબોચી લીધાઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ વી. એચ. જોશી અને તેમની ટીમને બાતમી મળી હતી કે, નરોડા નિકોલ રોડ ઉપર મોડીરાત્રે ડ્રગ્સ વેચવામાં આવી રહ્યું છે. જેના આધારે પોલીસ દ્વારા નારોલ નરોડા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. આર. પી. વસાણી સ્કૂલ રોડ ઉપર સિનિયર સિટીઝન ગાર્ડન પાસે વોચ ગોઠવી તે દરમિયાનમાં બાઈક ઉપર બે અજાણ્યા શકમંદો આવ્યા હતા. પોલીસે બંને આરોપીને પકડી તેમનું નામ પૂછતા રામપાલ બિસનોઈ અને મહેન્દ્ર બિસનોઈ (બંને રહે, એમ. એન. ફેક્ટરી બાકરોલ ગામ, મૂળ. જોધપુર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસે તપાસ કરતાં એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીઓ જોધપુર-જેસલમેર હાઇવે પરના ઢાબા પરથી ડ્રગ્સ લાવ્યાં હતાં પડીકીમાં રહેલું ડ્રગનું વજન કરતાં 28 ગ્રામ જેટલું ડ્રગ્સ હતું. આ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, બંને છૂટકમાં એમડી ડ્રગ્સનો ધંધો કરે છે. આ ડ્રગનો જથ્થો જોધપુર-જેસલમેર હાઇવે પર આવેલા એક ઢાબા ખાતે અજાણ્યા વ્યક્તિ પાસેથી ખરીદ્યો હતો. બંને આ ડ્રગ્સનો જથ્થો લાવી અને અમદાવાદ ખાતે વેચવા માટે નીકળ્યા હતા. બંને આરોપી મજૂરી કામ કરે છે અને પૈસા કમાવા માટે આ પ્રમાણે ડ્રગ્સ વેચવા નીકળ્યા હતા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 4:00 pm

સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ જાળવી રાખવા સુરત મનપાની ફૂલ તૈયારી:મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાને, તાપી નદીના કિનારાની સાફસફાઈ કરાવી

સ્વચ્છ ભારત, સ્વચ્છ સુરતના સંકલ્પને સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અને આગામી સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશભરમાં સુરતનો દબદબો જાળવી રાખવા માટે સુરત મહાનગરપાલિકાએ કમર કસી છે. મનપા કમિશનર એમ. નાગરાજન પોતે સવારના વહેલા પહોરમાં શહેરના વિવિધ વિસ્તારોની ગ્રાઉન્ડ વિઝિટ કરી રહ્યા છે. આજે તેમણે તાપી નદીના કિનારે અને શહેરના ઐતિહાસિક વિસ્તારોમાં સફાઈ કામગીરીની સમીક્ષા કરી તંત્રને વધુ ગતિશીલ બનાવ્યું છે. નદીમાં ઠલવાતી ગંદકીને રોકવા માટે કડક સૂચનાઓસુરતની જીવાદોરી સમાન તાપી નદીની પવિત્રતા અને તેના કિનારાની સ્વચ્છતા કમિશનરના એજન્ડામાં ટોચ પર છે. કમિશનરે તાપી નદીના કિનારાના વિસ્તારોની મુલાકાત લીધી હતી અને ત્યાં જમા થયેલા કચરા તેમજ નદીમાં ઠલવાતી ગંદકીને રોકવા માટે કડક સૂચનાઓ આપી હતી. નદી કિનારે લોકો દ્વારા કચરો ન ફેંકાય તે માટે જનજાગૃતિ લાવવા અને સતત મોનિટરિંગ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઝડબેસલાક સફાઈ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યોસુરતનું ગૌરવ ગણાતી ઐતિહાસિક ચોપાટી નેહરુ ગાર્ડન અને તેની આસપાસના વીઆઈપી વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસ રોડ પર સફાઈની સ્થિતિ ચકાસવામાં આવી હતી. કમિશનરે આ વિસ્તારોમાં ઝડબેસલાક સફાઈ ઝુંબેશ ચલાવવા આદેશ આપ્યો હતો. રસ્તાઓ પરથી ધૂળ દૂર કરવી, ફૂટપાથની સફાઈ અને ગાર્ડનની જાળવણી બાબતે તેમણે ઝીણવટભરી સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ઐતિહાસિક સ્થળોએ પ્રવાસીઓ અને નાગરિકોની અવરજવર વધુ રહેતી હોવાથી ત્યાં સફાઈનું સ્તર ઉચ્ચ કક્ષાનું રાખવા જણાવાયું છે. તમામ ઝોનલ ઓફિસરો એલર્ટ મોડ પરસ્વચ્છતા સર્વેક્ષણની કેન્દ્રીય ટીમ ટૂંક સમયમાં સુરતની ઓચિંતી મુલાકાત લઈ શકે છે. આ ટીમ દ્વારા જાહેર શૌચાલયો, રસ્તાઓ, કચરાનો નિકાલ અને શહેરના બ્યુટીફિકેશનના આધારે ગુણ આપવામાં આવે છે. આ વખતે સ્પર્ધા વધુ કડક છે, ત્યારે કમિશનર એમ. નાગરાજન કોઈ પણ પ્રકારની કચાસ છોડવા માંગતા નથી. તેમણે તમામ ઝોનલ ઓફિસરોને એલર્ટ મોડ પર રાખ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:51 pm

3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીને PNGના નેટવર્કમાં સમાવાશે:કોમર્શિયલ LPGની 10થી વધારીને 25 ટકાની ફાળવણી કરાઈ, રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકારના નિર્ણય અનુસાર, આગામી 3 મહિનામાં અમદાવાદની 900 સોસાયટીઓને PNG (પાઈપ્ડ નેચરલ ગેસ) નેટવર્ક હેઠળ આવરી લેવામાં આવશે, જેનાથી હજારો પરિવારોને રાંધણ ગેસની સીધી સુવિધા મળશે. આ સાથે જ ઔદ્યોગિક અને વ્યાપારિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કોમર્શિયલ LPGની ફાળવણી 10 ટકાથી વધારીને 25 ટકા કરવાનો નિર્ણય કરાયો છે. પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધગુજરાત રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો પુરતા બફર સ્ટૉક ઉપલબ્ધ છે. પેટ્રોલ અને ડીઝલના વિતરણ પર કોઇ પણ પ્રકારની બાધ નથી, તેથી નાગરીકોને ખોટી ભ્રામક અફવાઓ પર ધ્યાન નહી આપવા તેમજ પેટ્રોલપંપની બહાર લાઇન નહીં લગાડવા સરકારની વિનંતી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઇ વધારો કે રેશનિંગ નથી. તેથી રાબેતા મુજબની વ્યવસ્થા જાળવી રાખવા અને સરકાર તેમજ ડીલર્સને સહયોગ આપવા સર્વેને સરકારની વિનંતી છે. કોમર્શીયલ LPGની વધારાની ફાળવણીકેન્દ્ર સરકાર દ્વારા LPGનો વધારે જથ્થો ઉપલબ્ધ કરાતા તેમજ શહેરી વિસ્તારમાં PNGને પ્રોત્સાહન આપવાથી ગુજરાતમાં કોમર્શીયલ LPGની ફાળવણી વધારવામાં આવેલ છે. રાજયમાં હોટલ, રેસ્ટોરન્ટ/ઢાબા, ધાર્મિક અને સામાજીક સંસ્થાઓ વગેરે જેવાં કોમર્શિયલ સિલિન્ડરનો વપરાશ કરતી સંસ્થાઓને PNG કનેક્શનમાં તબદીલ કરવાને પ્રાથમિકતા આપવામાં આવશે. 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશેગઈકાલે 23 માર્ચ, 2026ના રોજ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં LPGની રાજય વ્યાપી પરિસ્થિતિને ધ્યાને લઈ ઉપરોકત ફાળવણીમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેને ધ્યાને લઈ જયાં PNG Network ઉપલબ્ધ ન હોય ત્યાં હવે નીચે મુજબ ફાળવણી વધારવામાં આવી છે. ઉપરાંત, હવે દરેક જિલ્લામાં અગત્યના એક MSME સેકટર કે જે વ્યાપકપણે રોજગારી પ્રદાન કરતી હોય તેની ઓળખ કરી તેઓને 10%ની મર્યાદામાં કોમર્શિયલ LPG પૂરો પાડી શકાશે. અગાઉ નિયત થયેલ કોમર્શીયલ LPGની ફાળવણી નીચે મુજબના ક્ષેત્રો માટે યથાવત રહેશે. (1) ખાનગી તથા સરકારી હોસ્પિટલો 100% મુજબ (2) શૈક્ષણિક સંસ્થાઓ 100% મુજબ તથા (3) રજીસ્ટર્ડ વૃધ્ધાશ્રમો, અનાથ આશ્રમો, અંધજન મંડળો જેવી સંસ્થાઓને તેમજ (4) જે ધાર્મિક તેમજ સામાજિક સંસ્થાઓ છેલ્લા ઓછામાં ઓછા 01 વર્ષથી ભોજનની વ્યવસ્થામાં કાર્યરત હોઇ તથા લોકોને નિયમિત ભોજન આપતી હોઇ તેનાં છેલ્લા 06 માસનાં ઉપયોગને ધ્યાને લઇ ૨૫%ની મર્યાદામાં (5) આ સૂચના અનુસાર જીલ્લામાં કોમર્શીયલ એલ.પી.જી ફાળવણી ઉપલબ્ધિ અને જરૂરીયાત મુજબ ઓઇલ માર્કેટીંગ કંપનીઓ તથા જીલ્લા પુરવઠા સમિતિ દ્વારા કરવામાં આવશે. PNG હશે તો LPG રદ થશેજે પણ કોઈ વપરાશકર્તા LPG તથા PNG બંને ધરાવતા હોઈ તેમના PNG કનેક્શન ચાલુ રાખીને વપરાશમાં આવે તે સુનિશ્વિત કર્યા બાદ LPG કનેકશન O.M.C. દ્વારા Surrender કરાવવામાં આવશે. PNG ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન-10માં અપાશેજે વિસ્તારોમાં હાલના સમયે PNG નેટવર્ક મોજૂદ છે તે વિસ્તારોમાં PNG કનેક્શન માટેની પડતર અરજીઓ મંજૂર કરી PNG કંપનીઓ દ્વારા ઘરેલું તથા કોમર્શિયલ કનેક્શન દિન-10માં આપવામાં આવશે. ત્યારબાદ L.P.G કનેક્શન O.M.C. દ્વારા સરેન્ડર કરાવવામાં આવશે. જે વિસ્તારોમાં PNG ઉપલબ્ધ હોય ત્યાં કનેક્શન શરૂ કરાશેજે સોસાયટી/વિસ્તારોમાં PNG કનેક્શન ઉપલબ્ધ હોય તેમજ ગ્રાહકો વાપરી રહેલ હોય, તે સોસાયટી/વિસ્તારોના જે ગ્રાહકો હાલ ઘરેલું તથા કોમર્શિયલ LPG કનેક્શન ધરાવતા હોય પરંતુ PNG મેળવવા માટે અરજી કરી નથી તેઓને CGD (City Gas Distribution) કંપની દ્વારા અરજી કરાવી PNG કનેક્શન શરૂ કરવામાં આવશે. તેમજ LPG કનેક્શન સરેન્ડર કરાવવામાં આવશે. PNGનું કનેક્શન લેવડાવીને LPGનું કનેકશન રદ કરાવાશેજે વિસ્તારોમાં PNG કંપનીઓનું નેટવર્ક હાલમાં મોજુદ છે, પરંતુ તે વિસ્તારમાં કે તેની નજીકમાં જે સોસાયટી નવી બનેલ હોય અથવા છૂટી ગયેલ હોય તેઓની અરજી મેળવી મંજુરી આપી C.G.D. કંપની દ્વારા PNGનું કનેક્શન શરૂ કરાવી O.M.C. દ્વારા LPGનું કનેકશન Surrender કરાવવામાં આવશે. ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપીંગ ઉપરોકત કામગીરી કરવા માટે તમામ PNG કંપનીઓ તેમજ O.M.C. દ્વારા ગ્રાહકોનો ડેટા એકબીજા સાથે શેર કરી મેપીંગ કરવામાં આવી રહ્યું છે. નવા PNG કનેકશન આપવાની કાર્યવાહી C.G.D. કંપનીઓ દ્વારા કરવામાં આવશે. અને LPG કનેક્શન સરેન્ડર કરવાની કામગીરી O.M.C. દ્વારા કરવામા આવશે. સમગ્ર પ્રક્રિયા ઉપર કલેકટર તથા જિલ્લા પુરવઠા અધિકારીઓ દ્વારા દેખરેખ રાખશે. CGD 24 કલાક કામગીરી કરી શકશેCGD (City Gas Distribution)કંપનીને સ્થાનિક સંસ્થાઓ તેમજ માર્ગ અને મકાન વિભાગ દ્વારા 24 કલાકમાં ROW (Right of Way) ની પરવાનગીઓ આપવામાં આવશે તથા તેઓ Right of Way માટેના ચાર્જ વસુલશે નહીં. CGD (City Gas Distribution)ને 24 કલાક કામગીરી કરવાની પરવાનગી આપવામાં આવશે. હાલ અમદાવાદમાં 1200થી વધુ કોમર્શિયલ કનેકશનોઅમદાવાદ શહેરમાં નવા ઘરેલું તથા કોમર્શિયલ PNG કનેકશન આપવાની કામગીરી પ્રાયોરિટીના ધોરણે શરૂ કરવામાં આવેલ છે. જે અન્વયે અમદાવાદમાં હાલ 1200થી વધુ કોમર્શિયલ કનેકશનો તથા 3.50 લાખથી વધુ ડોમેસ્ટિક કનેકશનો P.N.G. માં તબદીલ કરવાની કાર્યવાહી અન્ન,નાગરીક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, કલેક્ટર, ઓઇલ માર્કેટીંગ કંપનીઓ અને શહેરની ત્રણ CGD (City Gas Distribution) કપનીઓ દ્વારા શરૂ કરાયેલ છે. અમદાવાદામાં 900 સોસાયટીમાં PNG નેટવર્કનો સમાવેશ થશેઆગામી 3 માસ દરમિયાન અમદાવાદમાં આશરે 900 સોસાયટીને પણ PNGના નેટવર્કમાં સમાવી લેવામાં આવશે. જેના માટે જરૂરી પરવાનગીઓ આપવામાં આવેલ છે. આવી જ રીતે બીજા શહેરોમાં પણ વધુમાં વધુ PNG કનેકશનો આપવાની કામગીરી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:50 pm

અડિયા શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી:ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે માહિતી અપાઈ

અડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મંગળવારે, 24 માર્ચે અડિયા પ્રાથમિક શાળામાં વિશ્વ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ટીબી રોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.આ પ્રસંગે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ નરેશભાઈ પટેલે ટીબી થવાના લક્ષણો વિશે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ટીબીનું નિદાન ક્યાં કરાવવું અને નિયમિત દવા લેવાથી ટીબી 100 % મટી શકે છે.વધુમાં, નરેશભાઈએ ટીબી સંબંધિત પંક્તિઓ દ્વારા જાગૃતિ સંદેશ આપ્યો હતો. તેમણે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓને કાઉન્સેલિંગ કરીને બીડી છોડવા વિનંતી કરી હતી અને બાળકોને આ સંદેશ ઘર સુધી પહોંચાડવા અપીલ કરી હતી. તેમણે બીડી, સિગારેટ જેવા વ્યસનોથી ટીબી થવાનો ભય વધે છે, તેથી ધૂમ્રપાનથી બચવાની પણ સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં અડિયા સુપરવાઈઝર ભગવાનભાઈ પ્રજાપતિ, સીએચઓ વિધીબેન, ફિહેવ આરતીબેન તેમજ શાળાના આચાર્ય, સ્ટાફગણ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે આચાર્ય વિષ્ણુભાઈએ આભારવિધિ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:47 pm

NDPS કેસમાં 2 આરોપીઓને 10 વર્ષની કેદ:વિશાલા ત્રણ રસ્તા પાસેથી 54 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા હતા, બંનેને 2 લાખનો દંડ

વર્ષ 2021માં અમદાવાદના DCB પોલીસ મથકે કાલુપુરના રહેવાસી આરોપી મુસ્તકીમ શેખ અને સરખેજના રહેવાસી મહંમદ સુલતાન શેખ સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં ચાલી જતા, કોર્ટે આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. વેચાણ કરવાના ઈરાદાથી MD ડ્રગ્સ લાવ્યાકેસને વિગતે જોતા વર્ષ 2021ના એપ્રિલ મહિનામાં પોલીસને બાતમી મળી હતી કે, વિશાલા ત્રણ રસ્તા પાસે આવેલ કાઠીયાવાડી હોટલની બહાર ટુ વ્હીલર ઉપર યુવકો MD ડ્રગ્સ સાથે ઉભા છે. તેઓ વેચાણ કરવાના ઈરાદાથી MD ડ્રગ્સ લાવ્યા છે. આરોપીઓના ખિસ્સામાંથી 54.43 ગ્રામ MD ડ્રગ્સ મળ્યુંઉપરોક્ત બાતમીને આધારે વિશાલા ત્રણ રસ્તા પાસેથી પોલીસે આરોપી મુસ્તકીમ શેખ અને મહંમદ સુલતાન શેખને ઝડપી પાડ્યા હતા. જેમના ખિસ્સામાંથી 54.43 ગ્રામ જેટલું MD ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 5.43 લાખ રૂપિયા થવા જાય છે. કોર્ટે બંને આરોપીને 10 વર્ષની કેદની સજા ફટકારીઉલ્લેખનીય છે કે ઉપરોક્ત કેસમાં કુલ ચાર આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાંથી બે આરોપી ભાગેડુ છે. NDPS કોર્ટના જજ વી.બી.રાજપૂતે સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલિલો, સાક્ષીઓ અને પુરાવા તપાસીને બંને આરોપીને 10 વર્ષની કેદ અને 02- 02 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:44 pm

દારૂની 90 હજાર બોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું:મહેસાણામાં બે વર્ષમાં ઝડપાયેલા 3 કરોડના દારૂનો નાશ

મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં ઝડપી પાડેલા વિદેશી દારૂના જથ્થાનો ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો. મહેસાણા બાયપાસ હાઇવે નજીક આયોજિત આ કામગીરીમાં હજારો બોટલો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતા દારૂની નદીઓ વહી હતી. મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરાઈ હતીમહેસાણા તાલુકા, મહેસાણા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગત બે વર્ષમાં અંદાજે 90,000થી વધુ વિદેશી દારૂની નાની-મોટી બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ જથ્થાની બજાર કિંમત અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ મુદ્દામાલનો નિકાલ કરવા માટે તંત્ર દ્વારા મહેસાણા બાયપાસ હાઇવે પર વ્યવસ્થા કરવામાં આવી હતી. તમામ કાચ-પ્રવાહીને દાટી દેવાયુંઆ સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી ઉર્વીશ વાળંદ, ડીવાયએસપી મિલાપ પટેલ તેમજ સ્થાનિક પીઆઇ સહિતના પોલીસ કાફલાની કડક દેખરેખ હેઠળ યોજાઈ હતી. રોડ પર ગોઠવવામાં આવેલી હજારો બોટલો પર બુલડોઝર ફેરવી તેનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાનો નાશ કર્યા બાદ પર્યાવરણ અને સલામતીને ધ્યાને રાખી બાજુમાં જ ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં આ તમામ કાચ અને પ્રવાહીને દાટી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:43 pm

બોટાદ મારામારી કેસના ફરાર 4 આરોપીઓ ઝડપાયા:પોલીસે ઘટનાસ્થળે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું, કાયદાનું ભાન કરાવ્યું

બોટાદમાં બે મહિના પહેલા થયેલા મારામારીના કેસમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આ કેસમાં ફરાર પાંચ આરોપીઓ પૈકી ચારને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે સંજય મથુર ખસીયા, સુનિલ ખસીયા, પ્રદિપ ખસીયા અને ભાવિન પરમારની ધરપકડ કરી છે. આ આરોપીઓ લાંબા સમયથી ફરાર હતા. બોટાદ પોલીસની ટેકનિકલ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી સંજય ખસીયા મધ્યપ્રદેશમાં છુપાયો હતો. બોટાદ ડિવિઝનની ટીમે મધ્યપ્રદેશના મનાસા તાલુકાના પરદા ગામે પહોંચીને તેને પકડી પાડ્યો હતો. અન્ય ત્રણ આરોપીઓને બોટાદમાંથી જ ઝડપી લેવામાં આવ્યા હતા. બોટાદ ટાઉન પીઆઈ ખરાડી અને પોલીસ કાફલા સાથે પકડાયેલા ચારેય આરોપીઓને બનાવના સ્થળે લઈ જઈને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. ઘટનાના રીકન્સ્ટ્રક્શન સમયે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:41 pm

ક્રેસન્ટ સર્કલમાં અશાંતધારોનો વધુ વિવાદ સામે આવ્યો:અશાંત ધારા હેઠળના વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર મુદ્દે જૈન ટ્રસ્ટનો વિરોધ

શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલી પરમાનંદ હાઉસિંગ સોસાયટીમાં મિલકત ટ્રાન્સફરના એક વિવાદાસ્પદ મુદ્દે શ્રી સીમંધર સ્વામી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન ટ્રસ્ટ દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે, ટ્રસ્ટનો આક્ષેપ છે કે અશાંત ધારો લાગુ હોવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરીને મિલકતનું વેચાણ કરવામાં આવી રહ્યું તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, આ અંગે ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ એજણાવ્યું હતું કે, શહેરના ક્રેસન્ટ શિશુવિહાર અને મહિલા સર્કલ જેવા વિસ્તારો સનાતની અને જૈન પરિવારોની વસ્તી ધરાવતા કેન્દ્રો છે અહીં ભગવાન ઘંટાકર્ણ મહાવીરનું પવિત્ર દેરાસર પણ આવેલું છે જેમાં ​પરમાનંદ હાઉસિંગ સોસાયટીના પ્લોટ નં.605/એ-2 અને 605/બી-2 પર નિર્મિત 22 ફ્લેટનું વેચાણ સોસાયટીના પેટા-નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યું છે, આ વેચાણથી સ્થાનિક સમુદાયની ધાર્મિક ભાવનાઓ દુભાઈ શકે છે અને વિસ્તારની શાંતિ જોખમાઈ શકે તેમ છે, ​શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના મતે ધાર્મિક સ્થળની 500 મીટરની ત્રિજ્યામાં આવા ટ્રાન્સફર પર રોક હોવી જોઈએ, આ ​પત્રમાં જણાવ્યું હતું કે, આ મામલે ટ્રસ્ટ દ્વારા લાંબા સમયથી લડત ચલાવવામાં આવી રહી છે જેમાં સૌપ્રથમ આ વિસ્તારને અશાંત ધારા હેઠળ લાવવા અને તપાસ કરવા માંગણી કરાઈ હતી, જેની 2023 માં અશાંત ધારો જાહેર થયા બાદ વાંધા અરજીઓ દાખલ કરવામાં આવી હતી, અને આ બાબતે રાજ્યના ગૃહમંત્રી, કલેક્ટર, ડી.એસ.પી. અને સ્થાનિક રાજકીય અગ્રણીઓને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે, છતાં પણ ​ટ્રસ્ટ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે કે તાજેતરમાં દ્વારા આ વિવાદાસ્પદ વ્યવહારને મંજૂરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:29 pm

MBA ગ્રેજ્યુએટ સાયબર આરોપી બન્યો:સુરતના પિતા-પુત્ર સાથે થયેલી 16 લાખની ઠગાઈમાં આરોપીની ધરપકડ, પોતાના બેંક એકાઉન્ટને સાયબર ગુના માટે આપ્યું

સુરત શહેરમાં રોકાણના નામે છેતરપિંડીના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે સુરત સાયબર ક્રાઈમ સેલે એક મોટી સફળતા મેળવી છે. ઓનલાઇન ગોલ્ડ માઈનિંગ ટ્રેડિંગમાં ઉંચા નફાની લાલચ આપી ફરિયાદીના પિતા સાથે 16,00,000ની છેતરપિંડી આચરનાર મુખ્ય આરોપી જીવનરશ્મિ રાઉતને તેલંગાણાના હૈદરાબાદ ખાતેથી દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી ઉચ્ચ શિક્ષિત MBA ગ્રેજ્યુએટ છે અને હૈદરાબાદમાં બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલો છે, જેણે કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગુના માટે કરવા દીધો હતો. નાણાં કમાવવાની લાલચમાં સાયબર માફિયાઓ સાથે હાથ મિલાવ્યાપકડાયેલો આરોપી જીવનરશ્મિ કૃષ્ણચન્દ્ર રાઉત મૂળ ઓડિશાનો વતની છે અને હાલ હૈદરાબાદના આલીશાન એપાર્ટમેન્ટમાં રહે છે. આરોપીએ MBA સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો હોવા છતાં ટૂંકા સમયમાં વધુ નાણાં કમાવવાની લાલચમાં સાયબર માફિયાઓ સાથે હાથ મિલાવ્યા હતા. શિક્ષિત હોવાને કારણે તે ટેકનોલોજી અને બેંકિંગ વ્યવહારોથી સારી રીતે વાકેફ હતો, જેનો ઉપયોગ તેણે નિર્દોષ લોકોને છેતરવા માટે કર્યો હતો. પોલીસ તપાસમાં તેની આ ગુનાહિત માનસિકતા અને શિક્ષણનો દુરુપયોગ સ્પષ્ટપણે બહાર આવ્યો છે, જે સમાજ માટે ચિંતાનો વિષય છે. બેંક એકાઉન્ટને ભાડે નાણાકીય ટ્રાન્જેક્શન કરવાની સુવિધા પૂરી પાડીઆરોપી પ્રોફેશનલ રીતે બાંધકામ ક્ષેત્રે કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત હતો. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આરોપી વર્ષ 2017થી પોતાનું કરન્ટ એકાઉન્ટ ધરાવે છે. જોકે, છેલ્લા બે-ત્રણ વર્ષથી બાંધકામ ક્ષેત્રે તેને કોઈ મોટા કોન્ટ્રાક્ટ મળતા ન હતા. આર્થિક સંકડામણ અનુભવતા તેણે શોર્ટકટ અપનાવ્યો અને ફાઈનાન્શિયલ ક્રાઈમના રસ્તે ચડી ગયો. કામના અભાવે તેણે પોતાના વ્યવસાયિક બેંક એકાઉન્ટને ભાડે આપી સાયબર ગઠિયાઓને નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવાની સુવિધા પૂરી પાડી હતી, જેના બદલામાં તેને તગડું કમિશન મળતું હતું. ગોલ્ડ માઈનિંગમાં નફાની લાલચ આપી જાળ બિછાવીઠગબાજોએ ફરિયાદીના પિતાનો સંપર્ક કરી ગોલ્ડ માઈનિંગમાં ટ્રેડિંગ કરવાથી લાખોનો નફો મળશે તેવી લોભામણી વાતો કરી હતી. વિશ્વાસ સંપાદિત કરવા માટે આરોપીઓએ વ્હોટ્સએપ પર એક બનાવટી વેબસાઈટની લિંક મોકલી હતી. આ લિંક દ્વારા 'BSGC' નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી તેમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ફરિયાદીના પિતાને વિશ્વાસ બેસે તે માટે એપમાં શરૂઆતમાં વર્ચ્યુઅલ પ્રોફિટ પણ બતાવવામાં આવતો હતો. આ રીતે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરીને પદ્ધતિસરનું આયોજન કરી વૃદ્ધ પિતાને પોતાની જાળમાં ફસાવવામાં આવ્યા હતા. 16 લાખ પડાવ્યા બાદ પૈસા વિડ્રો કરવા વધુ નાણાંની માંગણી કરીફરિયાદીના પિતાએ વિશ્વાસમાં આવીને અલગ-અલગ તબક્કે કુલ 16,00,000 ટ્રાન્સફર કર્યા હતા. તન્વી શર્મા નામની વ્યક્તિની સૂચના મુજબ તેઓ ક્રીપ્ટોકરન્સી બાય-સેલ કરતા હતા, જેમાં તેમને મોટો નફો દેખાતો હતો. જોકે, જ્યારે ફરિયાદીના પિતાએ આ રકમ વિડ્રો કરવાની કોશિશ કરી, ત્યારે ઠગબાજોએ ટેક્સ અને અલગ-અલગ ચાર્જ પેટે વધુ નાણાંની માંગણી કરી હતી. અંતે રૂપિયા પાછા ન મળતા અને સતત નવી માંગણીઓ થતા ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થયો અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપીના બેંક એકાઉન્ટમાંથી 4.75 કરોડના ટ્રાન્જેક્શન મળ્યાસુરત સાયબર સેલની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી જીવનરશ્મિના ICICI બેંકના કરન્ટ એકાઉન્ટમાં અત્યાર સુધીમાં કુલ 4,75,08,351ના શંકાસ્પદ વ્યવહારો થયા હોવાનું ખુલ્યું છે. આ માત્ર એક જ કેસ નથી, પરંતુ તેના એકાઉન્ટ સામે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર દેશના અન્ય રાજ્યો જેવા કે તમિલનાડુ, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાંથી પણ ફરિયાદો નોંધાયેલી છે. આરોપીના એકાઉન્ટનો ઉપયોગ આંતરરાજ્ય સાયબર રેકેટ ચલાવવા માટે કરવામાં આવતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે. દુબઈ કનેક્શન અને USDT ટ્રેડિંગની આશંકાપોલીસે આરોપીના મોબાઈલ ફોન અને ટેલિગ્રામ ચેટની તપાસ કરતા આંતરરાષ્ટ્રીય લિંક પણ મળી આવી છે. તેની ચેટમાં દુબઈ સાથેના નાણાકીય વ્યવહારો અને મોટા પાયે USDTના ટ્રાન્જેક્શનની વિગતો જોવા મળી છે. આ ઠગાઈનું નેટવર્ક માત્ર ભારત પૂરતું મર્યાદિત નથી, પણ વિદેશમાં બેઠેલા સાયબર માફિયાઓ સાથે પણ જોડાયેલું હોઈ શકે છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ બાંધકામ વ્યવસાયી કેટલા સમયથી અને કયા વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં હતો. હૈદરાબાદમાં ઓપરેશન પાર પાડી ધરપકડ કરાઈસુરત સાયબર ક્રાઈમની ટેકનિકલ ટીમે આરોપીનું લોકેશન ટ્રેસ કરીને હૈદરાબાદના સાયબરાબાદ પોલીસ કમિશનરેટ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તેના નિવાસસ્થાન 'હોલ્માર્ક ટ્રેન્ક્વીલ એપાર્ટમેન્ટ' ખાતેથી તેની ધરપકડ કરી સુરત લાવવામાં આવ્યો છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી છે કે તેણે માત્ર કમિશન માટે પોતાનું એકાઉન્ટ નાસતા ફરતા અન્ય આરોપીઓને આપ્યું હતું. હાલ પોલીસ આ કેસમાં સંડોવાયેલા અન્ય સૂત્રધારો અને મુખ્ય માસ્ટરમાઈન્ડને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:26 pm

સંતવાણી:વાણીનો વિવેક રાખો, કડવાશ ટાળવા હળવાશથી બોલો: સાધુ પ્રેમવત્સલદાસજી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા ચારિત્ર્ય ઘડતર કરનારા ઉપદેશમાં વાણીના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે જીવનમાં હંમેશા વાણી સમજી વિચારીને બોલવી જોઈએ. સાધુ પ્રેમવત્સલદાસજીના મતે, વાણી સત્ય, પ્રિય અને મધુર હોવી જોઈએ. તેમણે શીખવ્યું કે, દરેકની સાથે હળવાથી બોલો, તો કડવાશ નહિ થાય. વાણીનો વિવેક ચૂકાય ત્યારે દુઃખ અવશ્ય આવે છે. આ વાતને સમજાવવા માટે તેમણે એક દ્રષ્ટાંત આપ્યું. જૂના જમાનામાં છરી અને લોખંડના ઓજારોને ધાર કાઢવાનું કામ કરનાર એક સરાણિયો ગામની શેરીમાં બૂમ પાડતો હતો કે, કાતરની કે છરીની ધાર કાઢવી છે? ત્યારે એક છોકરાએ મશ્કરી કરતા પૂછ્યું, અક્કલની ધાર કાઢી આપો છો? સરાણિયાએ તરત જ જવાબ આપ્યો, હા, પણ અક્કલ તમારી પાસે હોવી જોઈએ. આ નાની વાત પરથી બંને વચ્ચે ઝઘડો થયો. ગુસ્સામાં આવીને ધાર કાઢનારે પેલા યુવાનના માથામાં ઓજાર મારી દીધું, જેના કારણે તેની ખોપરી ફાટી ગઈ અને તેનું મૃત્યુ થયું. સાધુ પ્રેમવત્સલદાસજીએ સમજાવ્યું કે, આ એક નાની વાત હતી જ્યાં વાણીનો વિવેક ચૂકાયો, અને તેના પરિણામે બંનેને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ વાણીનો વિવેક રાખવાની શીખ આપે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, કોઈનું દિલ દુભાય તેવી વાણી ક્યારેય ન બોલવી જોઈએ. જો આપણે આ સંદેશને જીવનમાં ઉતારીશું, તો ક્યારેય કોઈની સાથે સંબંધ બગડશે નહીં.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:26 pm

દેવભૂમિ દ્વારકામાં ગૌવંશના માંસ કેસ:LCB તપાસમાં વધુ બે આરોપી ઝડપાયા, સ્થળ તપાસ કરાઈ

દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ફેબ્રુઆરી મહિનામાં ઝડપાયેલા ગૌવંશના માંસના જથ્થાના પ્રકરણમાં સ્થાનિક ગુના શોધક શાખા (LCB) એ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ ગુનામાં સંડોવાયેલા વધુ 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાસ્થળનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલો શું હતો ?ગત 03/02/2026 ના રોજ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતી સલમાબેન ઇલીયાસભાઇ થૈયમના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ત્યાંથી ગૌવંશના માંસનો જથ્થો મળી આવતા દ્વારકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની ગંભીરતાને જોતા તેની તપાસ LCB દેવભૂમિ દ્વારકાને સોંપવામાં આવી હતી. તપાસમાં નવા ખુલાસા અને ધરપકડLCBની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન રૂપેણ બંદરના મસ્જિદ વિસ્તારમાં રહેતા અન્ય 2 વ્યક્તિઓની આ નેટવર્કમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે પોલીસે 23/03/2026ના રોજ 2 શખ્સોની વિધિવત ધરપકડ કરી છે: મુસા અલ્લારખા રાડીયા (રહે. રૂપેણ બંદર, નવી મસ્જિદ પાસે, દ્વારકા) મહમંદહુનીફ ઉર્ફે મુન્નાબાપુ અહેમદમીંયા સૈયદ (રહે. રૂપેણ બંદર, નવી શાળા પાસે, દ્વારકા) સ્થળ તપાસ અને પંચનામુંધરપકડ કરાયેલા બંને આરોપીઓને સાથે રાખીને LCB તેમજ દ્વારકા પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફની ટીમે રૂપેણ બંદરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જ્યાં ગેરકાયદેસર રીતે માંસનું વેચાણ કરવામાં આવતું હોવાની શંકા હતી, તે તમામ સ્થળો પર ઝીણવટભરી તપાસ કરી વિગતવાર પંચનામું કરવામાં આવ્યું હતું. પોલીસનું માર્ગદર્શનઆ સમગ્ર કામગીરી પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે. LCB પોલીસ ઇન્સ્પેક્ટર બી. જે. સરવૈયાની રાહબરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી. એમ. દેવમુરારી અને તેમની ટીમ આ કેસમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:24 pm

અમરેલી SP પોલીસ કામગીરીનો સંતોષ ચકાસે છે:સાવરકુંડલામાં ગુનાના ભોગ બનનાર સાથે સીધો સંવાદ કર્યો

અમરેલીના પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે પોલીસની કામગીરી અંગે અરજદારોના સંતોષની જાતે ચકાસણી કરવાની અનોખી પહેલ કરી છે. આ અંતર્ગત, તેઓ વાર્ષિક નિરીક્ષણ દરમિયાન વિવિધ પોલીસ સ્ટેશનોમાં અરજદારોને રૂબરૂ બોલાવીને માહિતી મેળવી રહ્યા છે. તાજેતરમાં, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના વાર્ષિક નિરીક્ષણ માટે પહોંચેલા SP સંજય ખરાતે કુલ 18 અરજદાર સાથે સીધો સંવાદ કર્યો હતો. આ અરજદારો અસામાજિક પ્રવૃત્તિઓ, મહિલા અત્યાચાર, મિલકત સંબંધિત વિવાદો અને મારામારી જેવા ગુનાઓના ભોગ બન્યા હતા અથવા તે અંગે અરજીઓ કરી હતી. SP ખરાતે અરજદારોને પૂછ્યું કે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી તેઓ સંતુષ્ટ છે કે કેમ. તેમણે અરજદારોને ન્યાય મળ્યો છે કે નહીં, તેમજ પોલીસકર્મીઓનો વ્યવહાર કેવો રહ્યો તે અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી. જિલ્લા પોલીસ વડા દ્વારા કરવામાં આવેલી આ સીધી અને પારદર્શક પહેલને પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ વધારવાના એક મહત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે. આનાથી પોલીસ તંત્ર પ્રત્યે પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:19 pm

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપ મેદાને:ગુજરાતનાં 460 સહિત રાજકોટ મહાનગરપાલિકાના 20 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, ચૂંટણીનું રણશીંગુ ફૂંકાયું

આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026 માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. રાષ્ટ્રીય પોલિટિકલ સમિતિ અને ગુજરાત રાજ્ય ચૂંટણી સમિતિ દ્વારા આજે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં સમગ્ર રાજ્યમાં 460 થી વધુ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. યાદીમાં રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની કુલ 72 બેઠકો પૈકી 20 મહત્વની બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ આગામી ચૂંટણીનું રણશીંગુ ફૂંકવામાં આવ્યું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને AAPએ આજે(24 માર્ચ) 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડની કુલ 72 પૈકી 20 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. લિસ્ટમાં વોર્ડ નંબર 4ના તમામ 4, વોર્ડ નંબર 5ના 3, વોર્ડ નંબર 6ના 3, વોર્ડ નંબર 18ના 2, વોર્ડ નંબર 17ના 2, વોર્ડ નંબર 8ના 2, વોર્ડ નામ 1ના 2, વોર્ડ નંબર 14ના 1 અને વોર્ડ નંબર 9ના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. આપ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં વોર્ડ નં.4માં રિધ્ધિ મેતરીયા, જગાણી અવની કૈલાશભાઈ, રાબડીયા હાર્દિક કાંતિલાલ અને ભુવા રાહુલભાઈ જયંતિલાલ એમ ચારેય બેઠકો પર ઉમેદવાર જાહેર કરી રણનીતિ સ્પષ્ટ કરી છે. જ્યારે વોર્ડ નંબર 5માં અજાણી નીતાબેન, દુધાગરા અશોકભાઈ મેપાભાઈ, ભદાણીયા જયદીપ હમીરભાઈના નામ જાહેર કરાયા છે. વોર્ડ નંબર 6 માં રમણી કુલદીપ પ્રવિણભાઈ, પારધી મંજુલાબેન અને જગાણી નરેન્દ્રભાઈ ધીરુભાઈને ટિકિટ આપવામાં આવી છે. ઉપરાંત વોર્ડ નંબર 18 માં રાજેશ વિઠ્ઠલભાઈ ડંગારીયા અને સુરજ બગડા, વોર્ડ નંબર 17 માં પીપળીયા વિનોદભાઈ અને નૈયા પ્રણવ કમલેશભાઈ, વોર્ડ નંબર 8 માં દિનેશભાઈ જોષી અને શિવલાલ બરાસીયા, તેમજ વોર્ડ નંબર 1માં પાણખણીયા ગૌરીબેન અને કણજારીયા વાલજીના નામની જાહેરાત કરવામાં આવી છે. વોર્ડ નંબર 14 માં ગોહેલ શીતલબેન અને વોર્ડ નંબર 9 માં ચૌહાણ લાલજીભાઈને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં આમ આદમી પાર્ટી છેલ્લા 6 માસથી સતત લોકસંપર્ક કરી રહી છે. ખાસ કરીને પાટીદારોના વિસ્તારો ઉપર 'આપ'નું ફોક્સ વધારે જોવા મળી રહ્યું છે. આજે જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં મહિલાઓ અને યુવાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે. 'આપ'નાં શિવલાલ બારસિયા અને રાહુલ ભુવા અગાઉ પણ આમ આદમી પાર્ટી તરફથી મનપાની ચૂંટણી લડી ચુક્યા છે. જ્યારે દિનેશ જોશી વિધાનસભા ચૂંટણી લડી ચુક્યા છે. આમ અનુભવી ઉમેદવારોને પણ તક આપવામાં આવી છે. ત્યારે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવારો ભાજપ-કોંગ્રેસને ભારે પડે તે શક્યતા પણ નકારી શકાય તેમ નથી. દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં 'આપ'નાં વોર્ડ 18નાં ઉમેદવાર સુરજ બગડાએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી પ્રદેશ નેતૃત્વ દ્વારા રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18 ના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી તે બદલ હું પાર્ટી શીર્ષ નેતૃત્વનો અંત:કરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું. મારી સાથે જ વોર્ડ નંબર 18 માં રાજેશભાઈ ડાંગરીયાની પણ પસંદગી કરવામાં આવેલી છે. અમે વોર્ડની જનતા અને પાર્ટીને વિશ્વાસ અપાવીએ છીએ કે અમે એમના વિશ્વાસ પર કાયમ ખરા ઉતરશું. ઉલ્લેખનીય છે કે, આ યાદી પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. તમામ ઉમેદવારોને પક્ષ તરફથી અગ્રીમ જીત માટે અભિનંદન પાઠવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીએ વહેલી યાદી જાહેર કરીને અન્ય રાજકીય પક્ષો સામે ચૂંટણી પ્રચારમાં લીડ મેળવવાનો પ્રયાસ કર્યો છે. રાજકોટમાં જે રીતે વોર્ડ દીઠ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે તે જોતા આગામી દિવસોમાં સ્થાનિક સ્તરે રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:14 pm

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સામે ચાર્જશીટ રજૂ:2022ના ખેરગામ હિંસા કેસમાં 23 આરોપી સામે 2000 પાનાનું તહોમતનામું; 9 એપ્રિલે સુનાવણી

ડિસેમ્બર 2022માં ખેરગામમાં થયેલી હિંસા અને તોડફોડના કેસમાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ સહિત 23 આરોપીઓ સામે પોલીસે નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 2000 પાનાનું ચાર્જશીટ રજૂ કર્યું છે. આ કેસમાં આગામી સુનાવણી 9 એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે, જેમાં સરકારી વકીલ દ્વારા તમામ આરોપીઓની ગુનાહિત ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવશે. આ સમગ્ર વિવાદ ડિસેમ્બર 2022માં ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા કથિત હુમલા બાદ શરૂ થયો હતો. આ ઘટના બાદ ખેરગામમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. ઉશ્કેરાયેલા ટોળાએ કાયદો અને વ્યવસ્થા હાથમાં લીધી હતી, જેમાં પોલીસ જીપ અને ફાયર ફાઈટરની ગાડીઓમાં તોડફોડ કરી આગચંપીનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, સ્થાનિક દુકાનોમાં પણ તોડફોડ અને લૂંટ ચલાવવામાં આવી હતી. આ મામલે પોલીસે હત્યાનો પ્રયાસ, ધાડ, લૂંટ, રાયોટિંગ અને જાહેર મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની ગંભીર કલમો હેઠળ ગુના નોંધ્યા હતા. આ કેસમાં અનંત પટેલ ઉપરાંત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, ખેરગામ તાલુકા પ્રમુખ શશીન પટેલ અને સરપંચ ઝરણાં પટેલ સહિત કુલ 23 લોકોના નામ સામેલ છે. આરોપીઓ દ્વારા કોર્ટમાં કેસમાંથી મુક્ત કરવા માટે 'ડિસ્ચાર્જ અરજી' કરવામાં આવી હતી. જોકે, સ્પેશિયલ પબ્લિક પ્રોસેક્યુટર (PP) નરેશ સુખડવાલાએ આ અરજીને 'પ્રિમેચ્યોર' અને 'આધારવિહોણી' ગણાવી છે. તેમણે જણાવ્યું કે, “ધારાસભ્ય કે સરપંચ જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ જ્યારે ગંભીર ગુનો આચરે, ત્યારે તેની ગંભીરતા વધી જાય છે. પોલીસે કોઈ પણ પક્ષપાત વગર પુરાવાઓ સાથે નિષ્પક્ષ તપાસ કરી છે.” 'ડિસ્ચાર્જ એપ્લિકેશન' દાખલ કરવામાં આવી હતી નવસારી સેશન્સ કોર્ટમાં 2022ના ખેરગામ બનાવ અંગે ચાલી રહેલા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) તરીકે શ્રી નરેશ સુખડવાલા દ્વારા માહિતી આપવામાં આવી છે કે, ધારાસભ્ય અનંત પટેલ, સરપંચ ઝરણાબેન, કોંગ્રેસના આગેવાન શશીનભાઈ અને અન્ય આરોપીઓ દ્વારા 'ડિસ્ચાર્જ એપ્લિકેશન' (કેસમાંથી મુક્ત કરવાની અરજી) દાખલ કરવામાં આવી હતી. સરકાર પક્ષે આ અરજીને 'પ્રિમેચ્યોર' અને 'બેઝલેસ' ગણાવી તેનો લેખિત જવાબ રજૂ કર્યો છે. લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આક્ષેપો પાસ કરનાર અમલદાર DYSP ગોહિલ સાહેબ દ્વારા રજૂ કરાયેલા જવાબમાં ધારાસભ્ય સહિત તમામ આરોપીઓના ગુનાહિત રોલનો સ્પષ્ટ ઉલ્લેખ છે. ફરિયાદમાં લૂંટ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર આક્ષેપો છે, જે તબક્કે ખોટા માની શકાય તેમ નથી.સુનાવણી દરમિયાન કેટલાક આરોપીઓ ગેરહાજર રહેતા સરકાર પક્ષ દ્વારા વોરંટની અરજી આપવામાં આવી છે. સાથે જ, આરોપીઓના વકીલે કરેલા દાવા મુજબ તેઓ અન્ય કોર્ટમાં હાજર હતા કે કેમ, તેના પુરાવા (રોજકામ) રજૂ કરવા પણ માંગણી કરવામાં આવી છે.સ્પેશિયલ પીપીએ જણાવ્યું કે પોલીસ તપાસના કાગળો જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસે કોઈ પક્ષપાત કે 'પીક એન્ડ ચૂઝ'ની નીતિ અપનાવ્યા વગર, નુકસાન પામેલા વાહનો અને દુકાનોના પુરાવાઓ સાથે નિષ્પક્ષ તપાસ કરી છે. સુનાવણી 9મી એપ્રિલે થશે તેમણે અભિપ્રાય આપ્યો કે જ્યારે ધારાસભ્ય કે સરપંચ જેવા જવાબદાર પદ પર બેઠેલી વ્યક્તિ ગંભીર ગુનો આચરે, ત્યારે ગુનાની ગંભીરતા વધી જાય છે. જો આ ગુનાઓ પુરવાર થાય, તો તે ખૂબ જ ગંભીર બાબત ગણાશે. આ કેસની આગામી સુનાવણી 9મી એપ્રિલના રોજ રાખવામાં આવી છે, જેમાં આરોપી પક્ષના વકીલ દલીલો કરશે અને સરકાર પક્ષ દસ્તાવેજી પુરાવા રજૂ કરશે. આ મામલે ધારાસભ્ય અનંત પટેલ નો સંપર્ક કરતા સંપર્ક થઈ શક્યો નહોતો એટલે સમગ્ર પ્રકરણમાં તેમનો પક્ષ જાણી શકાયો નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:02 pm

AAPએ પ્રથમ યાદી જાહેર કરતાની સાથે જ વડોદરામાં ભડકો:શહેર પ્રમુખ સહિતનાએ ખેસ કાર્યલયની બહાર લટકાવ્યાં, ‘એક ઉમેદવારની ડિપોઝિટ પાછી આવશે તો હું મુંડન કરી ફરીશ’

આમ આદમી પાર્ટી દ્વારા આગામી મહાનગરપાલિકા તેમજ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી આજે 24 માર્ચે પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. યાદી જાહેર થયા બાદ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખુદ શહેર પ્રમુખ અશોક ઓઝાએ પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું છે. આ ઉપરાંત અનેક કાર્યકરોએ પણ રાજીનામા ધરી દીધા છે. આમ આદમી પાર્ટી માટે ‘પ્રથમ ગ્રાસે મક્ષિકા’ જેવો ઘાટ થયો છે. કાર્યકરોએ કાર્યાલયની બહાર ખેસ લટકાવી દીધાકેટલાક કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યાલયની બહાર જ પોતાના ખેસ લટકાવી દીધા હતા અને સ્થળ પર જ રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. કાર્યકરોએ પોતાનો આક્રોશ ઠાલવતા કહ્યું કે, આ યાદી સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને નહીં, પરંતુ દિલ્હીથી નક્કી થઈ છે. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહી છે. એક ઉમેદવારની ડિપોઝિટ પાછી લાવશે તો મુંડન કરી ફરીશઃ રાજેશ માળીઆ મામલે વોર્ડ નંબર 13ના પ્રભારી રાજેશ માળીએ જણાવ્યું હતું કે, આ યાદીમાં એવા લોકોને સમાવ્યા છે, જેઓ એક-બે મહિનાથી પાર્ટીમાં જોડાયા છે. અમે વર્ષોથી પાર્ટી માટે કામ કરી રહ્યા છે, તેમ છતાં અમારી અવગણના થઈ રહી છે. આમ આદમી પાર્ટીમાં દિલ્હીના લોકો અહીં આવે છે અને પૈસા લઈને ત્યાંથી જ ટિકિટ નક્કી કરી નાખે છે. અહીં ટ્રેનમાં આવે છે અને ફલાઇટમાં પાછા જાય છે. આ યાદીમાં એકેય જીતી શકે એવા ઉમેદવારો નથી. જો એક પણ ઉમેદવાર ડિપોઝિટ પાછી લઈને આવશે તો હું મુંડન કરાવીને ફરીશ. મરદને મૂકી માયકાંગલાઓને લાવ્યાઃ ભાવિકાબેનવોર્ડ નંબર 12માંથી ઉમેદવારી નોંધાવનાર ભાવિકાબેને જણાવ્યું હતું કે, પાર્ટીમાં જે કામ કરે છે, એવા મરદ ઉમેદવારોને મૂકીને માયકાંગલાઓની પસંદગી કરી છે. અમે વર્ષોથી પાર્ટી માટે ઘસાયા છે, પરંતુ અમને હાંસિયામાં નાખી દીધા છે. અમે વોર્ડ નં.12માં હજુ પણ કામ કરીશું પણ હવે સામાજિક કાર્યકર તરીકે કામ કરીશું. પૈસા લઈને ટિકિટો આપી છેઃ મહામંત્રી આમ આદમી પાર્ટીના મહામંત્રી જ્હાનવી ગોહિલે જણાવ્યું હતું કે, બધો પૈસાનો ખેલ છે. અહીંથી પૈસા મોકલી અપાય તે પ્રમાણે પાર્ટી ચાલે છે. અમારો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો, પણ તે પ્રમાણે નથી થયું. મારી સામે પાર્ટીના વિરોધ પ્રદર્શન દરમિયાનના 3 કેસ ચાલે છે પણ અમને કોઈ સપોર્ટ આપવામાં આવ્યો નથી. લીગલ ટીમ તારીખ પણ લેવા રાજી નથી અને તેના કારણે અમારા ફોન પણ હજુ પોલીસ સ્ટેશનમાં જમા છે. કેટલાય ગરીબ લોકોના ફોન જમા છે. જો પાર્ટી આમ કરતી રહેશે તો તેની સાથે કોણ ઊભું રહેશે? તેઓએ પ્રમુખ સામે પણ બળાપો ઠાલવ્યો હતો અને કહ્યું હતું કે, પ્રમુખ સામે અમે અનેક રજૂઆત કરી છે, પરંતુ તેઓને પૈસાના જોરે 2027 સુધીના ઇલેક્શન સુધી ફિક્સ કરી દેવાયા છે. પ્રમુખનું જ ન ચાલ્યું, રાજીનામુ ધર્યુંપ્રથમ યાદીને લઈ નારાજ આદમી પાર્ટીના શહેર પ્રમુખ અશોક ઓઝાએ પણ રાજીનામું ધરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. તેઓએ જે ઉમેદવારોના નામ મૂક્યા હતા, તેઓની જ બાદબાકી થતાં તેઓએ જાતે રાજીનામુ ધરી દીધું હતું. જો કે આ મામલે તેઓનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. જો કે, કાર્યકરોમાં એવો પણ ગણગણાટ જોવા મળી રહ્યો છે કે, પાર્ટી લેવલથી ભલે જે થયું હોય, પરંતુ પ્રમુખે તો પોતાની પરિપક્વતા બતાવવી જોઈતી હતી. ત્યારે હવે આમ આદમી પાર્ટીની નૈયા કેટલી આગળ ચાલે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 3:01 pm

ખજોદ ડમ્પિંગ સાઈટ પર 52 દિવસમાં ફરી આગ:ભીષણ આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા દેખાયા, ફરી કચરા કૌભાંડ ગાજશે

સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ ફરી એકવાર આગ લાગવાની ઘટના બની છે. માત્ર 52 દિવસના ટૂંકા ગાળામાં ફરી વખત ભીષણ આગ ફાટી નીકળતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઈ રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અગાઉ જ્યારે આગ લાગી ત્યારે તેને કાબૂમાં લેતા ચાર દિવસનો સમય લાગ્યો હતો અને તે સમયે વિપક્ષ દ્વારા કરોડોના 'કચરા કૌભાંડ'ના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. હવે જ્યારે ફરીથી આ જ સ્થળે રહસ્યમય રીતે આગ લાગી છે, ત્યારે પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને શહેરમાં ફરી એકવાર કચરા કૌભાંડનો મુદ્દો ગાજે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ…

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:47 pm

વિશ્વ ટીબી દિવસે બોટાદ જાયન્ટ્સ ગ્રુપે 70 કીટનું વિતરણ કર્યું:ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત દર્દીઓને પોષણ સહાય

વિશ્વ ટીબી દિવસ નિમિત્તે બોટાદમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ટીબી પીડિત દર્દીઓ માટે 70 પોષણયુક્ત ફૂડ કિટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યક્રમ જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરના સહયોગથી યોજાયો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજસેવા અને ટીબી દર્દીઓને મદદ કરવાનો હતો. સંસ્થાના અગ્રણીઓએ જણાવ્યું હતું કે ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવા માટે દવાઓ સાથે પોષણયુક્ત આહાર અત્યંત જરૂરી છે. દર્દીઓના આરોગ્યમાં સુધારો થાય અને તેઓ ઝડપથી સ્વસ્થ બને તે હેતુથી આ ફૂડ કિટનું વિતરણ કરાયું છે. કાર્યક્રમમાં સંસ્થાના સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા હતા અને સૌએ મળીને આ સેવાકીય કાર્યને સફળ બનાવ્યું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવા માટે સતત પ્રયત્નો કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:40 pm

જામનગર ITI રાજ્યમાં તૃતીય ક્રમે વિજેતા:550 ITI વચ્ચેની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, 5 લાખનું અનુદાન મળ્યું

જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI) એ ગુજરાત રાજ્યની કુલ 550 ITI વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ રાજ્ય સરકાર દ્વારા સંસ્થાને પ્રોત્સાહન રૂપે રૂપિયા પાંચ લાખનું અનુદાન પણ એનાયત કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પ્રથમ તબક્કે રાજકોટ વિભાગની કુલ 99 ITI માંથી જામનગરની સંસ્થા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી. ત્યારબાદ રાજ્યની પસંદ થયેલી શ્રેષ્ઠ 12 સંસ્થાઓ વચ્ચેની આખરી સ્પર્ધામાં જામનગરે સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. શ્રેષ્ઠ ITI ની પસંદગી માટે કુલ 30 જેટલા વિવિધ માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા. જેમાં સંસ્થાની સફાઈ, તાલીમની ગુણવત્તા, ઓન જોબ ટ્રેનિંગ, એફિલેશન, ડ્યુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનિંગ અને તાલીમાર્થીઓના પાસ આઉટ રેશિયો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પાસાઓમાં જામનગર ITI એ 150 ગુણમાંથી 127 ગુણ મેળવી ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સંસ્થા દ્વારા માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, કેન્સર અવેરનેસ સેમિનાર, વૃક્ષારોપણ અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જેવા રચનાત્મક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે ગીર, નરારા અને પોલો ફોરેસ્ટમાં શૈક્ષણિક શિબિરો તેમજ ફાયર સેફ્ટી અને સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી. વર્તમાન સમયની ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાને રાખીને જામનગરની આ સંસ્થામાં વિવિધ ઉદ્યોગોના સામાજિક દાયિત્વ (CSR) હેઠળ ઇલેક્ટ્રિક વાહનો, ઔદ્યોગિક ઓટોમેશન, પ્લમ્બિંગ અને ઓટોમોબાઇલ લેબ ડેવલપમેન્ટના આધુનિક પ્રોજેક્ટ્સ પર કાર્ય ચાલી રહ્યું છે. સંસ્થાના આચાર્ય અને તમામ કર્મચારીગણના સહિયારા પુરુષાર્થ તેમજ તાલીમાર્થીઓની મહેનતને રોજગાર અને તાલીમ વિભાગના નિયામકશ્રી દ્વારા પણ બિરદાવવામાં આવી છે. જામનગર ITI ની આ સફળતા જિલ્લાના યુવાનો માટે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે નવા દ્વાર ખોલનારી સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:38 pm

પાટણમાં 700 ટીબી દર્દીઓને પોષણ કીટ અપાઈ:વિશ્વ ક્ષય દિવસે 124 ટીબી મુક્ત ગામોના સરપંચોનું સન્માન

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે પાટણમાં ટીબી મુક્ત ભારત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) મહેસાણાના CSR અને શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ, પાટણના સહયોગથી 700 ક્ષયના દર્દીઓને પોષણયુક્ત કીટનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, જિલ્લાના 124 ટીબી મુક્ત ગામોના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું હતું. બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટના અગ્રણી નરેશ દવેએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષયના દર્દીઓને સારવારમાં મદદરૂપ થવાનો છે. વિતરિત કરાયેલી પોષણયુક્ત આહાર કીટ દ્વારા દર્દીઓની રોગપ્રતિકારક શક્તિ વધે અને તેઓ ઝડપથી રોગમુક્ત બને તેવો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, ટીબી નાબૂદીની દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 124 ગામોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવ્યા હતા. આ ગામોના સરપંચોને મહાનુભાવોના હસ્તે સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં સમગ્ર જિલ્લાને સંપૂર્ણપણે ટીબી મુક્ત કરવા માટે સઘન પ્રયાસો કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:37 pm

જિલાણી બ્રિજ પર લોખંડની સુરક્ષા ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ:ઉત્તરાયણમાં બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા, 3ના મોત થયા'તા

સુરત શહેરના ટ્રાફિકથી ધમધમતા જિલાણી બ્રિજ પર આખરે સુરક્ષા કવચ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગત ઉતરાયણના દિવસે બનેલી હૃદયદ્રાવક ઘટના, જેમાં ચાઈનીઝ દોરીને કારણે ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતાં. તેના પગલે જાગૃત નાગરિકો અને રાજકીય આગેવાનોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ પર લોખંડની ઊંચી ગ્રીલ લગાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. ચાઈનીઝ દોરીએ એક હસતા-રમતા પરિવારનો જીવ લીધો14 જાન્યુઆરી 2026ના રોજ જ્યારે આખું સુરત પતંગબાજીના ઉત્સાહમાં હતું, ત્યારે જિલાણી બ્રિજ પર એક કમકમાટીભરી ઘટના ઘટી હતી. ઉતરાયણના દિવસે પ્રતિબંધ હોવા છતાં વપરાતી ઘાતક ચાઈનીઝ દોરીએ એક હસતા-રમતા પરિવારનો જીવ લીધો હતો. બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા, 3ના મોતબ્રિજ પરથી પસાર થતા બાઈક સવારના ગળામાં અચાનક ચાઈનીઝ દોરી આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે ગળામાં વાગતા જ ચાલકે બાઈક પરથી કાબૂ ગુમાવ્યો હતો. અને બાઈક સવાર સીધા બ્રિજ પરથી નીચે પટકાયા હતા. આ ગંભીર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનાએ આખા સુરતને હચમચાવી દીધું હતું અને બ્રિજની ડિઝાઈન તેમજ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા હતા. વારંવાર મનપાને રજૂઆતને 2 મહિના બાદ કામગીરી શરૂ કરાઈઆ ઘટના બાદ લોકરોષ ફાટી નીકળ્યો હતો. પૂર્વ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મારુક પટેલે આ મામલે સક્રિય ભૂમિકા ભજવી હતી. તેમણે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરને એક લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે, જિલાણી બ્રિજની ઉંચાઈ અને નીચે પટકાવાની શક્યતાઓને જોતા ત્યાં મજબૂત લોખંડની ગ્રીલ લગાવવી અનિવાર્ય છે. 'બ્રિજ પર યોગ્ય ઉંચાઈની ગ્રીલ હોત, તો ત્રણેય જીવતાં હોત'તેમણે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જો બ્રિજ પર યોગ્ય ઉંચાઈની ગ્રીલ હોત, તો કદાચ પેલા ત્રણ લોકો બ્રિજ નીચે ન પટકાયા હોત અને આજે તેઓ જીવિત હોત. માત્ર ચાઈનીઝ દોરી જ નહીં, પણ સામાન્ય અકસ્માતમાં પણ વાહનચાલક બ્રિજની બહાર ન ફેંકાય તે જોવાની જવાબદારી તંત્રની છે. જિલાણી બ્રિજ પર ગ્રીલ લગાવવાની કામગીરી શરૂ કરાઈઆજે 24 માર્ચ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જિલાણી બ્રિજ પર ગ્રીલ લગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બ્રિજની બંને બાજુએ મજબૂત લોખંડના એન્ગલ અને જાળીવાળી ગ્રીલ ફીટ કરવામાં આવી રહી છે. આ ગ્રીલની ઉંચાઈ એટલી રાખવામાં આવી છે કે જેથી કોઈ પણ પ્રકારના અકસ્માતમાં વ્યક્તિ બ્રિજની બહાર ન ફેંકાય. અનેક લેખિત અને મૌખિક રજૂઆત કરાઈ હતીપૂર્વ વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ મારુફ પટેલે જણાવ્યું હતું કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે ચંદ્રશેખર આઝાદ જીલાની બ્રિજ પર એક વળાંક પર એક પરિવારનું ચાઇના દોરી વાગી જવાથી જીલાની બ્રિજ પરથી નીચે પટકાઈને મૃત્યુ થયું હતું. ત્યારે સુરત મહાનગરપાલિકાના કમિશનર સાહેબને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી, સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ફરિયાદ કરી હતી, સુરત શહેરના સામાજિક યુવા આગેવાનોએ પણ ફરિયાદ કરી હતી. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા જીલાની બ્રિજ પર ગ્રીલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે, તે બદલ સુરત મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:28 pm

બોટાદની દાણી પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ:'મોરપીંછ 2026' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ આપ્યા, ઇનામ વિતરણ થયું

બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલા વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી સૂર્યાબેન જમુભાઈ દાણી પ્રાથમિક વિદ્યાલય અને લીલાવતીબેન પ્રાણલાલ પરીખ શિશુમંદિરનો 'મોરપીંછ 2026' વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો શુભારંભ ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને બાળમંદિરના ભૂલકાઓએ ગીત, નાટકો અને કરાટે જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વર્ષ દરમિયાન વિવિધ રમતગમત ક્ષેત્રે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ શાળાનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાભારતીના ટ્રસ્ટીઓ જયેશભાઈ બગડીયા, નિકુંજભાઈ શાહ, નિલેશભાઈ જોશી અને નિલેશભાઈ માલવણીયા સહિત મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:19 pm

ગુજરાતમાં ઓબીસીનાં હક્ક માટે કોંગ્રેસ મેદાને:રાજકોટથી 'ક્યુ.આર. કોડ' લોન્ચ કરી 53 ટકા વસ્તીને સંગઠિત કરવાનું લક્ષ્ય, ભાજપ સરકારની નીતિ સામે પ્રહારો કર્યા, CM બદલવાની શક્યતા વ્યક્ત કરાઈ

ગુજરાતના રાજકારણમાં આગામી સ્થાનિક સ્વરાજ્ની ચૂંટણીઓ પહેલા પછાત વર્ગોને પોતાની તરફ આકર્ષવા માટે કોંગ્રેસ દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી. (OBC) ડિપાર્ટમેન્ટ દ્વારા રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પછાત વર્ગના લોકોને પક્ષની વિચારધારા સાથે જોડવા અને તેમના હક્કો માટે લડત આપવા માટે એક આધુનિક ડિજિટલ અભિયાન ‘ક્યુ.આર. કોડ’ લોન્ચ કરવામાં આવ્યો છે. આ તકે કોંગ્રેસના ઓબીસી સમાજના ચેરમેન મહેશ રાજપૂત, પૂર્વ સાંસદ વિક્રમ માડમ અને પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારની નીતિ સામે આકરા પ્રહારો કર્યા હતા. ઋત્વિક મકવાણાએ તો મુખ્યમંત્રી બદલાઈ જવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. ડિજિટલ ક્રાંતિ દ્વારા પછાત વર્ગનું સંગઠન ઓ.બી.સી. ડિપાર્ટમેન્ટના પ્રદેશ ચેરમેન મહેશ રાજપૂતે અભિયાનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, પછાત વર્ગને સતત થઈ રહેલા અન્યાયને દૂર કરવા અને સમાજમાં એકતા સ્થાપિત કરવા માટે આ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. પરિવર્તનનો સંકલ્પ, કોંગ્રેસ જ વિકલ્પ ના નારા સાથે લોન્ચ કરાયેલા આ ક્યુ.આર. કોડને સ્કેન કરવાથી લોકોના મોબાઈલમાં સીધું એક ફોર્મ ખુલશે. આ ફોર્મમાં લોકોએ પોતાની વિગતો ભરીને પક્ષ સાથે જોડાવવાનું રહેશે અને તેઓ પક્ષ માટે શું સેવા આપી શકે છે તેની પણ વિગત આપવાની રહેશે, જેથી ભવિષ્યમાં જવાબદારીઓની વહેંચણી સુવ્યવસ્થિત રીતે થઈ શકે. તેઓએ ઓ.બી.સી. સમાજને અપીલ કરી હતી કે જો તેઓ મનમાં ગાંઠ વાળી લે, તો તેમને થતા અન્યાયને દૂર કરતા કોઈ રોકી શકશે નહીં. હાલ વ્યાપી ગયેલા ભ્રષ્ટાચાર સામેની લડાઈને જીતવા માટે સમાજનું સંગઠિત થવું અનિવાર્ય છે. 53% વસ્તી અને જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો મહેશ રાજપુતે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ઓ.બી.સી. સમાજની વસતિ કુલ વસતિના 53 ટકાથી પણ વધુ છે, જેમાં અંદાજે 146 જેટલી વિવિધ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. 1931 માં છેલ્લી વાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવી હતી, ત્યારબાદ ક્યારેય સત્તાવાર આંકડા જાહેર થયા નથી. કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે રાજ્યમાં ફરીથી જાતિ આધારિત વસ્તી ગણતરી કરવામાં આવે જેથી 53 ટકા વસ્તીને તેમનો વાસ્તવિક અધિકાર મળી શકે છે. સરકારી નોકરીઓ અને અનામતમાં અન્યાયના આક્ષેપો પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત પૂર્વ સાંસદ વિક્રમ માડમે પણ સરકારની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, માંગવાથી ભીખ મળે છે, અધિકાર તો ઝૂંટવીને લેવા પડે છે. ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં હાલ 45 ટકા જેટલી જગ્યાઓ ખાલી પડી છે, છતાં નવી ભરતી કરવામાં આવતી નથી. સરકાર દ્વારા અપનાવવામાં આવતી 'આઉટ સોર્સિંગ' નીતિને કારણે અનામતની જગ્યાઓ ભરાતી નથી, જેનો સીધો ગેરલાભ ઓ.બી.સી. સમાજના વિદ્યાર્થીઓ અને યુવાનોને થઈ રહ્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે રાજ્યમાં ખાલી પડેલી અંદાજે 4 લાખ નોકરીઓની જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી થાય અને યુવક-યુવતીઓનું થતું શોષણ બંધ કરવામાં આવે. રાજકીય પરિવર્તનના સંકેતો પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ભાજપ સરકારની શાસન વ્યવસ્થામાં સમાનતાનો અભાવ હોવાનો દાવો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 30 વર્ષથી ભાજપ દ્વારા વિવિધ સમાજોની અવગણના કરવામાં આવી રહી છે, જેનો કોંગ્રેસ સજ્જડ વિરોધ કરશે. તેમણે એક ચોંકાવનારું વિધાન કરતા કહ્યું હતું કે, જો ટૂંક સમયમાં રાજ્યના મુખ્યમંત્રી બદલાય તો નવાઈ પામવા જેવું નથી. વધુમાં, તેમણે પરસોત્તમ સોલંકી દ્વારા અગાઉ કરવામાં આવેલી પોતાની માંગણીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જે ભાજપમાં આંતરિક ખેંચતાણ હોવાનું સૂચવે છે. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સેક્રેટરી ઋત્વિકભાઈ મકવાણા, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ અને પૂર્વ કાર્યકારી ચેરમેન રમેશભાઈ દેસાઈ (રબારી) સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસે આ અભિયાન દ્વારા સંદેશ આપ્યો છે કે તેઓ આગામી સમયમાં પછાત વર્ગના હક્કો માટે રસ્તા પર ઉતરીને આંદોલન કરવા માટે પણ તૈયાર છે. ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઓબીસીનાં હક્કની લડાઈ ક્યારે અને કેવી રીતે લડવામાં આવશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:17 pm

હિંમતનગરમાં કાર-બાઈક અકસ્માત CCTVમાં કેદ:ઓવરસ્પીડ બાઈકચાલકે ટક્કર મારતાં બંને વાહનને નુકસાન

હિંમતનગરમાં સિંચાઈ કર્મચારી સોસાયટી આગળના રોડ પર કાર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં બંને વાહનોને નુકસાન થયું હતું. પ્રાથમિક તપાસમાં બાઈકની ગતિ વધુ હોવાનું જણાયું છે. મહાવીરનગર ચાર રસ્તેથી ઇન્દ્રનગર તરફ જતા આ રોડ પર સિંચાઈ કર્મચારી સોસાયટી આવેલી છે. આ રોડ પર તીવ્ર વળાંક હોવા છતાં વાહનચાલકો ઘણીવાર વધુ ઝડપે વાહન ચલાવે છે, જેના કારણે અહીં અવારનવાર અકસ્માતો થાય છે. મંગળવારે બપોરે લગભગ 11.15 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. ઇન્દ્રનગર તરફથી મહાવીરનગર તરફ જઈ રહેલી એક અલ્ટો કાર અને મહાવીરનગર તરફથી ઇન્દ્રનગર તરફ આવી રહેલા એક બાઈક વચ્ચે ટક્કર થઈ હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, બાઈક ચાલકે વધુ ઝડપને કારણે કાબૂ ગુમાવ્યો હતો અને સામેથી આવતી અલ્ટો કાર સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને વાહનોને નોંધપાત્ર નુકસાન થયું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:15 pm

વડોદરાના પેટ્રોલ પંપો પર પોલીસની અપીલ:'તમામ નાગરિકોને વિનંતી છે કે, પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓથી દૂર રહો, ​તમામ પેટ્રોલ પંપો પાસે પેટ્રોલ-ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, ક્યાંય કોઈ અછત નથી.

અમેરિકા ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની સર્જાયેલી સ્થિતિમાં પણ ભારતમાં પેટ્રોલ ડીઝલ અને ગેસની અછત નહીં હોવાનું વારંવાર તંત્ર દ્વારા કહેવા છતાં ગભરાટના કારણે વાહનચાલકોએ પોતાના વાહનમાં પેટ્રોલ પુરાવવા રીતસરની દોડધામ મચાવી મૂકી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્રએ કેટલાક પેટ્રોલ પંપોએ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ડીઝલ અને પેટ્રોલ હોવાની જાહેરાત પોલીસે કરી હતી. વડોદરા શહેરમાં ગઈકાલે સાંજથી લોકો પોતપોતાના વાહનો લઈને ચાલકો ઇંધણની ટાંકી ફુલ કરાવવા નીકળી પડ્યા હતા. જેથી ગઈકાલે શહેરના મોટાભાગના પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. એલપીજી ગેસની જેમ જ પેટ્રોલ ડીઝલની પણ અછત ઊભી થશે તેવી અફવા ફેલાઈ હતી જેથી ગભરાઈ ગયેલા વાહન ચાલકોએ પેટ્રોલ ડીઝલ માટે પંપો પર વહેલી સવારથી જ લાઈનો લાગી ગઈ હતી. જેને પગલે તંત્ર એક્શનમાં આવ્યું છે અને પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં અનાઉન્સ કર્યું હતું કે, અફવાઓથી દૂર રહો, કારણ કે પેટ્રોલ અને પૂરતી જથ્થો છે. પોલીસકર્મીએ પેટ્રોલ પંપ પર જઈને જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તમામ નાગરિકોને એક ખાસ વિનંતી છે કે અત્યારે સોશિયલ મીડિયામાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે જે અફવાઓ ચાલી રહી છે, તેનાથી દૂર રહો અને સાવધાન રહો. ​હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, ​તમામ પેટ્રોલ પંપો પાસે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ​ઇંધણનો પુરવઠો એકદમ રેગ્યુલર છે, ક્યાંય કોઈ અછત નથી. ​મારી નમ્ર અપીલ છે કે ખોટો ગભરાટ ફેલાવશો નહીં અને પેટ્રોલ પંપો પર બિનજરૂરી ભીડ કરશો નહીં. તમારી જરૂરિયાત મુજબ જ ઇંધણ મેળવો અને પેટ્રોલ પંપના સ્ટાફ સાથે પૂરો સહકાર આપો. અફવાઓથી બચો અને સાચી માહિતી જ ફેલાવો. આભાર.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 2:00 pm

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો:ભરૂચની 13 વર્ષીય બાળકીની શ્વાસનળીમાંથી 4 સેમીની પિન સર્જરી કરી બહાર કાઢી

વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલમાં વધુ એક 13 વર્ષીય ભરૂચની બાળકીની જીવલેણ સ્થિતિમાંથી સફળ સર્જરી કરીને તબીબોએ તેનો જીવ બચાવ્યો છે. ભરૂચની રહેવાસી 13 વર્ષીય બાળકી બુરખા (હિજાબ)માં પિન લગાવતી વખતે મસ્તીમાં તેને મોંમાં પકડી રાખતી હતી. અચાનક તે પિન ગળી ગઈ હતી, ત્યારબાદ બાળકીને શ્વાસ લેવામાં તકલીફ શરૂ થઈ હતી. બાળકીને ભરૂચથી વડોદરા ખસેડાઈ હતીબાદમાં બાળકીને શરૂઆતમાં ભરૂચ હોસ્પિટલમાં અને ત્યારબાદ વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તપાસ કરતા બાળકીને 4 સેન્ટીમીટર લાંબી પિન તેની શ્વાસનળીમાં ફસાઈ જતા શ્વાસ રુંધાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પરિવારજનોને બાળકીને ભરૂચ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેને તાત્કાલિક વડોદરાની સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવી હતી. બાળકીની અડધો કલાક સર્જરી ચાલીબાળકીના જીવન પર મોટું જોખમ હતું. હોસ્પિટલના ENT વિભાગના નિષ્ણાત તબીબોએ તાત્કાલિક સર્જરી કરી હતી અને બાળકીને અડધા કલાકની સર્જરી બાદ બ્રોન્કોસ્કોપીની મદદથી પિનને શ્વાસનળીમાંથી સફળતાપૂર્વક બહાર કાઢી લેવામાં આવી હતી. બાળકોને પિન, સિક્કા કે નાની વસ્તુઓ ન દેવા અપીલઆ સાથે સયાજી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષમાં આવા ત્રણ કિસ્સા સામે આવ્યા છે. તબીબોએ વાલીઓને ચેતવણી આપી છે કે, નાનાં બાળકોને પિન, સિક્કા કે નાની વસ્તુઓ મોંમાં ન લેવા દેવી, કારણ કે આવી બેદરકારી જીવલેણ સાબિત થઈ શકે છે. આ બાળકીની સ્થિતિ હાલમાં સુધારા પર છે. આ વાલીઓ માટે ફરી લાલબત્તી સમાનકિસ્સો સામે આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:33 pm

સરકારી કચેરીઓના ધક્કા હવે ભૂતકાળ બનશે:વહીવટી તંત્રમાં ફેસલેસ અને પેપરલેસ ક્રાંતિ, 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યના વહીવટી તંત્રને વધુ આધુનિક અને નાગરિક-કેન્દ્રી બનાવવાના ઉદ્દેશ્ય સાથે 'સુગમ ડિજિટલ ગુજરાત' પહેલનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત'ના સંકલ્પને સાકાર કરવા અને નાગરિકોને સરકારી સેવાઓ 'લાઈન' માંથી 'ઓનલાઈન' ઉપલબ્ધ કરાવવા માટે આ એક ક્રાંતિકારી કદમ માનવામાં આવે છે. 20 મહત્વની સેવાઓ હવે ‘ફેસલેસ અને પેપરલેસ’આ કાર્યક્રમ દરમિયાન GARC (Gujarat Administrative Reforms Commission) ના 5 માં અહેવાલની ભલામણોના આધારે, 5 મુખ્ય વિભાગોની 20 હાઈ-ટ્રાન્ઝેક્શન સેવાઓનું ઓનલાઈન સરલીકરણ જાહેર કરાયું છે. હવે આવક-જ્ઞાતિના દાખલા, રેશનકાર્ડ અને સોગંદનામા જેવી પાયાની સેવાઓ મેળવવા માટે નાગરિકોએ કચેરીએ જવાની જરૂર નહીં પડે. આ સેવાઓ સંપૂર્ણપણે 'ફેસલેસ, કેશલેસ અને પેપરલેસ' બનશે. પ્રજાના કામમાં સરળતા એ જ સરકારનું લક્ષ્યમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002 માં 'સ્વાગત ઓનલાઇન' દ્વારા જે ટેકનોલોજીની પાયા નાખ્યા હતા, તેના મીઠા ફળ આજે મળી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે ગ્રામીણ સ્તરે તલાટી અને VCE એ આ સેવાઓના પ્રચાર-પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવવી જોઈએ. જ્યારે જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ એક થઈને કામ કરે છે, ત્યારે પરિણામ અદભૂત આવે છે. આ નવી વ્યવસ્થામાં 'ડિજિટલ લોકર'ની સુવિધા હોવાથી નાગરિકોએ વારંવાર એકના એક દસ્તાવેજો જમા કરાવવા પડશે નહીં. ઈંધણની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલવર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે રાજ્યમાં ડીઝલ, પેટ્રોલ કે ગેસની અછત હોવાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂકતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમણે નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરી હતી. ડિજિટલાઇઝેશનથી પારદર્શિતા અને ઝડપમાં વધારોવિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, અગાઉ દિલ્હીથી મોકલેલા 1 રૂપિયો છેવાડાના માનવી સુધી પહોંચતા ઘસાઈ જતો, પરંતુ આજે DBT દ્વારા પૂરેપૂરી રકમ સીધી ખાતામાં જમા થાય છે. કમોસમી વરસાદના વળતર પેટે તાજેતરમાં જ એક ક્લિકથી 11,000 કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા કરાયા છે. ડિજિટલ સિસ્ટમને કારણે આજે કરોડો રૂપિયાની સહાય વચેટિયાઓ વગર સીધી લાભાર્થીઓ સુધી પહોંચી રહી છે. દર વર્ષે 80 લાખ લોકોની લાઈનો ઘટશેમુખ્ય સચિવ મનોજ દાસે મહત્વની વિગત આપતા જણાવ્યું કે, દર વર્ષે અંદાજે 80 લાખ લોકો પ્રમાણપત્રો માટે લાઈનમાં ઊભા રહે છે, જે હવે બંધ થશે. 'સુગમ ડિજિટલ ગુજરાત' પોર્ટલ એટલું સક્ષમ છે કે એકસાથે 10 લાખ લોકો લોગ-ઈન કરે તો પણ તે હેંગ થશે નહીં. આ સિસ્ટમમાં QR કોડ અને આધાર આધારિત ઓથેન્ટિકેશન હોવાથી સુરક્ષા અને ચોકસાઈ જળવાઈ રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:32 pm

મહેસાણામાં અજાણ્યો યુવક વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો:જીવંત વાયરો પકડતા રહીશોએ જીવના જોખમે બચાવ્યો, આપઘાતના ઇરાદે પગલું ભર્યું હોવાનું પ્રાથમિક અનુમાન

મહેસાણા શહેરમાં મોઢેરા રોડ પર આવેલી ટહુકો પાર્ટી પ્લોટની બાજુમાં ગત મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી. એક અજાણ્યા યુવકે વીજ ટ્રાન્સફોર્મર પર ચડી જઈ જીવંત વીજ વાયરો પકડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. જોકે આસપાસના રહીશોએ સમયસૂચકતા વાપરી યુવકને મોતના મુખમાંથી ઉગારી લીધો હતો. યુવક વીજ લાઈનના વાયરો પકડી લેતા જોરદાર કરંટ લાગ્યોગત મોડી રાત્રિના સમયે એક અજાણ્યો શખ્સ અચાનક ટહુકો પાર્ટી પ્લોટ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર પર ચડી ગયો હતો. કોઈ કંઈ સમજે તે પહેલાં જ તેણે વીજ લાઈનના વાયરો પકડી લેતા જોરદાર વીજ કરંટ લાગવાની શક્યતા ઊભી થઈ હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. આપઘાતના પગલે વીજ ટ્રાન્સફોર્મર પર ચડ્યો હોવાનું પ્રાથમિક અનુમાનસ્થાનિક રહીશોએ અત્યંત સાવધાની અને સમયસૂચકતા દાખવી જોખમ ખેડીને યુવકને ટ્રાન્સફોર્મર પરથી સુરક્ષિત નીચે ઉતાર્યો હતો. પ્રાથમિક તપાસમાં યુવકે આપઘાતના ઈરાદે આ પગલું ભર્યું હોવાનું જણાયું છે. ઘટના બાદ તુરંત જ ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા શખ્સને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે વિસ્તારમાં મોડી રાત્રે ભારે કુતૂહલ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જોકે યુવક કોણ હતો અને ક્યાંનો હતો એ જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:28 pm

અમદાવાદમાં UCC બિલનો વિરોધ:મહિલાઓએ કહ્યું-મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરાયો; લિવ ઈનનો કાયદો મહિલા માટે જોખણી, સંવિધાન મુજબ નથી

આજે ગુજરાત વિધાનસભામાં UCC (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવનાર છે. ત્યારે આ બિલ રજૂ થવાના ગણતરીના કલાકો પહેલા અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં SDPI પાર્ટી દ્વારા UCC બિલનો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની પરવાનગી લીધા વિના વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કારંજ પોલીસ દ્વારા વિરોધ કરનારા કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનારા કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, આ ગેર સંવિધાનિક છે અને સરકારનું કામ સેવા કરવાનું છે, પરંતુ આ બિલ જબરજસ્તી તેઓ દ્વારા નાખવામાં આવ્યું છે. આમાં સરકાર તાનાશાહી કરી રહી છેઃ સ્થાનિકોવિરોધ કરનારા મહિલાઓએ પણ જણાવ્યું હતું કે, આ જે બિલ લાગુ કરવામાં આવી રહ્યું છે તે ગેર સંવિધાનિક છે. સંવિધાન મુજબ બિલ બનાવવું જોઈએ. UCC બિલથી દરેક નાગરિકને એક જ પ્લેટફોર્મ પર લાવવામાં આવી રહ્યા છે, જેનો અમે વિરોધ કરી રહ્યા છીએ. મહિલાને આનાથી કોઈ ફાયદો નથી. ફ્રેન્ડશીપમાં જે લાગુ કરવામાં આવી રહ્યું છે તે મહિલા માટે સારું નથી. બીજાના છોકરાને લઈને આવે તેને સમાન હક આપવાની વાત છે. સંવિધાન મુજબ બિલ હોવું જરૂરી છે. આ બિલ એકદમ ગેરકાનૂની છે અને મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. સરકાર આમાં તાનાશાહી કરી રહી છે. UCC શું છે?UCCનો અર્થ છે કે, ભારતના તમામ નાગરિકો માટે, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે લિંગના હોય, તેમના વ્યક્તિગત બાબતો (Personal Laws) માટે એક સમાન કાયદો હોવો જોઈએ. અત્યારે ભારતમાં લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા અને વારસા જેવા વિષયોમાં અલગ-અલગ ધર્મો માટે અલગ કાયદા છે (જેમ કે હિન્દુ પર્સનલ લો, મુસ્લિમ પર્સનલ લો વગેરે). UCC આ તમામની જગ્યાએ એક સામાન્ય કાયદો લાવવાની વાત કરે છે. મુખ્ય પાસાઓ

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:22 pm

અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી માટે AAPના 52 ઉમેદવાર જાહેર:જિલ્લા પંચાયતના 10, તાલુકા પંચાયતના 9 અને ધોળકા નગરપાલિકાના 4 ઉમેદવાર પણ જાહેર; જુઓ લિસ્ટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થાય તે પેહલા જ આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટી દ્વારા પ્રદેશ સંગઠનના નેતાઓ સાથેની બેઠક બાદ ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. તમામ બેઠક પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત બાદ આમ આદમી પાર્ટીએ 460થી વધુ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાની બેઠકો પર ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. બાપ બેટાની રાજનીતિ વચ્ચે સામાન્ય લોકોને જ ટિકિટ આપી હોવાનો પ્રદેશ પ્રમુખે દાવો કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાની 48 વોર્ડની કુલ 192 પૈકી 52 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો ધોળકા નગરપાલિકાના 4 ઉમેદવાર તો અમદાવાદ જિલ્લા પંચાયતની 10 બેઠક અને અમદાવાદ તાલુકા પંચાયતની 9 બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. 460 બેઠકનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યું: ઈસુદાન ગઢવીઆમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યુ હતું કે, સામાન્ય લોકો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. આમ આદમી પાર્ટીએ આમ જનતાને તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ઉમેદવારી માટે ટિકિટ આપી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ તરીકે મને ગર્વ થાય છે, અમે સ્વપ્ન જોયું હતું કે બહુ થયું બાપ-બેટાની રાજનીતિ, હવે સામાન્ય લોકોની રાજનીતિની શરૂઆત કરી છે. આજે આમ આદમી પાર્ટીએ તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. પ્રથમ લિસ્ટમાં 460થી વધુ ઉમેદવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ લિસ્ટ પ્રદેશ નેતૃત્વ, સ્ક્રીનિંગ કમિટી અને કેન્દ્રીય નેતૃત્વની સહમતિથી જાહેર કરવામાં આવ્યું છે. ‘ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે’વધુમાં ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, અત્યાર સુધી ભાજપના સાંસદ હોય તો તેમનો દીકરો ધારાસભ્ય બનવા માંગે, તેમનો દીકરો જિલ્લા પંચાયત અથવા નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ટિકિટ મેળવે, આમ સામાન્ય કાર્યકર્તાને ક્યારેય તક મળતી નહોતી. અથવા તો કરોડપતિઓ હોય કે નેતાઓના દીકરાઓને જ તક મળતી હતી. હવે ગુજરાતમાં ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટી તકો આપી રહી છે. 460થી વધુ એવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જે સામાજિક રીતે સક્રિય છે અને ખરેખર સામાન્ય લોકો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:18 pm

ગિરનારના જંગલમાં ચૈત્રી નવરાત્રિમાં જોવા મળ્યો અદભૂત નજારો:બોરદેવી માર્ગે મંદિરે શીશ ઝુકાવતી સિંહબેલડીએ શ્રદ્ધા પ્રગટ કરી

​હાલ આદ્યશક્તિની આરાધનાનો પર્વ 'ચૈત્રી નવરાત્રિ' ચાલી રહી છે. ભક્તો જ્યારે માતાજીની ભક્તિમાં લીન છે, ત્યારે જૂનાગઢના ગિરનારના ગાઢ જંગલમાંથી એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે. બોરદેવી તરફ જતાં રસ્તા પર આવેલા એક નાના મંદિર પાસે સિંહ બેલડી આવી પહોંચી હતી. વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ વનરાજો જાણે દેવીના ચરણોમાં વંદન કરવા આવ્યા હોય તેમ શાંતિપૂર્ણ રીતે મંદિરના ઓટલા પાસે ઉભા રહી શીશ ઝુકાવી રહ્યા છે. ​શ્રદ્ધાળુએ મોબાઈલમાં કેદ કરી દુર્લભ ક્ષણો​આ આખી ઘટના બોરદેવી મંદિર તરફ જતાં રસ્તા પર બની હતી. ત્યાંથી પસાર થતી કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં આ અદભૂત દૃશ્યો કેદ કરી લીધા હતા. જંગલના રાજા ગણાતા સિંહો સામાન્ય રીતે માનવ વસ્તી કે વાહનો જોઈને પ્રતિક્રિયા આપતા હોય છે, પરંતુ આ વીડિયોમાં સિંહોની એક અલગ જ ભક્તિમય મુદ્રા જોવા મળી રહી છે. ભક્તો આ ઘટનાને કુદરત અને શક્તિનો અનોખો સંગમ માની રહ્યા છે. ​ગિરનાર સિદ્ધો અને સિંહોની પવિત્ર ભૂમિ ​ગિરનાર એ માત્ર પર્વત નથી, પણ આધ્યાત્મિકતાનું કેન્દ્ર છે. અહીં નવ નાથ, ચોર્યાસી સિદ્ધો, ચોસઠ જોગણીઓ અને બાવન વીરના બેસણાં છે. 2025ની સિંહ વસ્તી ગણતરી મુજબ, ગિરનારના જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહો વસવાટ કરી રહ્યા છે. વનરાજોનો આ વિસ્તારમાં દબદબો છે, છતાં અહીં વન્યજીવો અને માનવીય શ્રદ્ધા વચ્ચે એક અતૂટ તાલમેલ જોવા મળે છે. ​બોરદેવી માર્ગ અને ભક્તોની અવરજવર ​બોરદેવી મંદિર ગિરનારની 36 કિલોમીટરની લીલી પરિક્રમાનો છેલ્લો પડાવ ગણાય છે. અહીં વર્ષભર હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓની અવરજવર રહે છે. વન વિભાગ દ્વારા શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર અવરજવરની છૂટ આપવામાં આવે છે. જોકે ચોમાસાના ચાર મહિના સુરક્ષાના કારણોસર આ રસ્તો બંધ રાખવામાં આવે છે. સિંહોની સતત હાજરીને કારણે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ પણ કરવામાં આવે છે જેથી વન્યજીવો અને પ્રવાસીઓ વચ્ચે કોઈ ઘર્ષણ ન થાય. ​આ વીડિયો હાલ સમગ્ર રાજ્યમાં કુતૂહલ અને શ્રદ્ધાનો વિષય બન્યો છે. લોકો કહી રહ્યા છે કે નવરાત્રિના સમયે ગિરનારની પવિત્ર ધરતી પર સિંહોનું આ પ્રકારે મંદિર પાસે આવવું એ કોઈ આશીર્વાદથી ઓછું નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 1:08 pm

સ્થાનિક સ્વરાજ ચૂંટણીની સ્વનિર્ભર શાળાના શિક્ષકોને કામગીરી સોંપવાની તૈયારી:હાઇકોર્ટના જજમેન્ટના આધારે શિક્ષકોને કામગીરીથી દૂર રાખવા શાળા સંચાલક મહામંડળની ચૂંટણી કમિશનરને રજૂઆત

આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. જેના માટે સરકારી શિક્ષકોને તો ચૂંટણીની કામગીરી સોંપવામાં આવે જ છે, પરંતુ ચૂંટણી જાહેર થાય તે પહેલા સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર પણ કરવામાં આવી રહ્યા છે. તો કેટલીક કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા ખાનગી શાળાઓ પાસે શિક્ષકોની વિગત પણ માંગી છે. જેને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળે ચીફ ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખ્યો છે. જેમાં સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી ન સોંપવા માગ કરવામાં આવી છે. 2017માં નામદાર હાઈકોર્ટ દ્વારા કરેલા જજમેન્ટના આધારે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણી કામગીરીથી દૂર રાખવા માગ કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર કરવાની શરૂઆતગુજરાત હાઇકોર્ટમાં નામદાર જજ દ્વારા જજમેન્ટ આપવામાં આવ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓ અને સ્વનિર્ભર સ્કૂલોના શિક્ષકોને ચૂંટણી કામગીરી સોંપવામાં આવે નહીં. જેને ધ્યાનમાં રાખીને 2017માં ચૂંટણી કમિશનર દ્વારા પણ તમામ જિલ્લા કલેકટરને પત્ર લખીને સૂચના આપવામાં આવી હતી કે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોને ચૂંટણીની કામગીરી સોંપવી નહીં, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તેમજ કોર્પોરેશન અને નગરપાલિકા વિસ્તારમાં આવતી સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોની વિગતો માંગવામાં આવી હતી. રાજ્ય શાળા સંચાલક મહામંડળે ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખ્યોજેથી સ્વનિર્ભર શાળાઓએ રાજ્ય શાળા સંચાલક મહામંડળને ફરિયાદ કરી હતી. જે બાદ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા ચૂંટણી કમિશનર અને સરકારને પત્ર લખવામાં આવ્યો છે. સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો સરકારી નોકર ન હોવાથી તેમના ચૂંટણી કામગીરીના ઓર્ડર ન કરવા માગ કરવામાં આવી છે. જો સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ચૂંટણી માટે ઓર્ડર કરવામાં આવે તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થાય તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 2017માં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન થઈ હતીગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની સ્વનિર્ભર શાળાઓ અને કોલેજો માટે 2017માં ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન થઈ હતી. જે અંતર્ગત નામદાર જજ સાહેબે જજમેન્ટ આપ્યું હતું કે સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની ભારત સરકારના 1951ની કલમ 159 અંતર્ગત સેવાઓ આવતી નથી. જેથી તેમનો ઉપયોગ ચૂંટણીની કામગીરીમાં કરવો નહીં. કારણ કે તેમને સંપૂર્ણ ખાનગી ગણવામાં આવેલા છે. જે સંજોગોમાં સરકારી નોકરની વ્યાખ્યામાં ન આવતા હોવાથી તેમનો ઉપયોગ ન કરવો તેવો ગુજરાત સરકારના ચીફ ચુંટણી કમિશનર સાહેબે પણ ઠરાવ કરી જિલ્લાના કલેકટરોને જાણ કરી હતી. સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર ન કરવામાં આવે તે માટે રજૂઆતવધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, તેમ છતાં અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. જે માટે રાજ્યના અલગ અલગ કોર્પોરેશન અને નગરપાલિકાઓ દ્વારા સ્વનિર્ભર શાળાઓના કર્મચારીઓની માહિતી માંગવામાં આવી છે. તેમજ ચૂંટણી માટે તેમના ઓર્ડર નીકાળવાની તૈયારી કરવામાં આવી છે. જેથી સરકાર આ અંગે વિચારે અને સ્વનિર્ભર શાળાઓના શિક્ષકોના ઓર્ડર ન કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી છે. કારણ કે શિક્ષકોના ઓર્ડર કરવામાં આવશે તો શાળાનું શિક્ષણકાર્ય પણ બગડી શકે છે. પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણીની કામગીરી પણ ચાલી રહી છે જેથી તેને પણ અસર થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:53 pm

ભરૂચમાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જનજાગૃતિ રેલી:'ટીબી હારેગા, દેશ જીતેગા' સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પત્રિકાઓ પણ વહેંચાઈ

ભરૂચ જિલ્લામાં વિશ્વ ટીબી દિવસ નિમિત્તે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત શહેરના રેલ્વે સ્ટેશન પાસે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી જનજાગૃતિ રેલીનું પ્રસ્થાન થયું. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જિલ્લા પંચાયત ખાતે સમાપ્ત થઈ હતી. આ રેલીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તેમણે “ટીબી હારેગા, દેશ જીતેગા, ભરૂચ જીતેગા” જેવા સૂત્રોચ્ચાર કરીને લોકોમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવી હતી અને જનજાગૃતિ પત્રિકાઓનું વિતરણ પણ કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ક્ષય કેન્દ્રના પ્રતિનિધિ વાય.એમ. માસ્ટરે વિશ્વ ટીબી દિવસનો હેતુ લોકોને રોગ અંગે માહિતગાર કરવાનો હોવાનું જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આ વર્ષની થીમ ટીબીને જડમૂળથી સમાપ્ત કરવાની છે. માસ્ટરે વધુમાં માહિતી આપી હતી કે ભરૂચ જિલ્લામાં ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન દર મહિને રૂ. 1000ની સહાય અને ન્યુટ્રિશન કીટ પૂરી પાડવામાં આવે છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:40 pm

પાટણમાં યુથ કોંગ્રેસનો રાંધણ ગેસ મુદ્દે દેખાવ:ભાવ વધારા અને અછત સામે પ્રદર્શન, 8 કાર્યકરોની અટકાયત

પાટણના બગવાડા દરવાજા વિસ્તારમાં યુથ કોંગ્રેસ દ્વારા રાંધણ ગેસના ભાવ વધારા, તેની અછત અને વધતી મોંઘવારીના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યા હતા. આ પ્રદર્શન દરમિયાન પોલીસે 8 કાર્યકરોની અટકાયત કરી હતી. પાટણ શહેરના ઐતિહાસિક બગવાડા દરવાજા પાસે જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારીના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. રાંધણ ગેસના ભાવમાં સતત વધારો અને બજારમાં બાટલાની અછતને કારણે સામાન્ય જનતા પર આર્થિક બોજ વધી રહ્યો છે. આ મુદ્દે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પ્રદર્શન દરમિયાન યુથ કોંગ્રેસના કાર્યકરોએ માર્ગ પર ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે દરમિયાનગીરી કરી અને 8 કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ કરણ પરમાર, પ્રભારી પ્રતાપસિંહ રાજપૂત અને પાટણ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:40 pm

અમરેલીમાં 25 માર્ચે AAPની જંગી સભા:રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, પંજાબ CM ભગવંત માન ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આમ આદમી પાર્ટી (AAP) આવતીકાલે અમરેલીથી ચૂંટણી પ્રચારનો શ્રીગણેશ કરશે. AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અમરેલીમાં એક જંગી સભાને સંબોધશે. પાર્ટીએ અગાઉ જ 445 જેટલા ઉમેદવારોના નામ જાહેર કરીને રાજકીય માહોલ ગરમાવ્યો છે. આ સભા અમરેલી શહેરમાં નવા માર્કેટિંગ યાર્ડ પાસે યોજાશે. બપોરે 3 વાગ્યે શરૂ થનારી આ સભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન ઉપરાંત ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા સહિતના AAPના નેતાઓ ઉપસ્થિત રહેશે. ચૂંટણી જાહેર થાય તે પહેલાં આ સભા દ્વારા પ્રચાર કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં AAPના મુખ્ય લક્ષ્યમાંનો એક જણાઈ રહ્યો છે. વર્ષોથી અમરેલી ચૂંટણીઓમાં સૌરાષ્ટ્રનું રાજકીય કેન્દ્રબિંદુ રહ્યું છે. આવતીકાલે અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહી સરકાર સામે આક્ષેપો કરીને ચૂંટણીનું રણશિંગુ ફૂંકશે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાએ જણાવ્યું કે, અમરેલીમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીની આ પ્રથમ જંગી સભા છે. તેમણે આ સભાને 'પરિવર્તનનો વિશ્વાસ' ગણાવી અને કહ્યું કે તે ભાજપના અત્યાચારમાંથી મુક્તિ અપાવશે. આ સભામાં AAPના હોદ્દેદારો, કાર્યકરો અને આસપાસના જિલ્લાના લોકો પણ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 22 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના ભાજપના નેતાઓએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર વિકાસ કાર્યોને લઈને સભા કરી હતી. હવે AAPના દિગ્ગજ નેતાઓ માર્કેટિંગ યાર્ડની બાજુમાં સભા યોજીને રાજકીય ગરમાવો વધારશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:36 pm

22 વર્ષીય પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત:8 મહિનાની બાળકીની નજર સામે માતાએ જીવન ટુંકાવ્યું, સુરતના હોડી બંગલા વિસ્તારમાં અરેરાટી

સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં આવેલા હોડી બંગલા પાસે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક 22 વર્ષીય પરિણીતાએ પોતાની માસૂમ પુત્રીની હાજરીમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. લગ્નના માત્ર બે જ વર્ષમાં પરિણીતાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે રહસ્ય હજુ અકબંધ છે. એકની એક દીકરીએ માતા ગુમાવીમળતી માહિતી મુજબ, હોડી બંગલા આશિક એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ગોવાડીયા ફળિયામાં સિદ્ધિકભાઈ ખટીક પોતાના પરિવાર સાથે રહે છે. સિદ્ધિકભાઈ કતારગામ વિસ્તારમાં ચિકનની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. બે વર્ષ પૂર્વે તેમના લગ્ન સાદીયા (ઉં.વ. 22) સાથે થયા હતા. આ સુખી દંપતીને સંતાનમાં આઠ મહિનાની એક પુત્રી પણ છે. પત્નીને લટકતી હાલતમાં જોઈ પતિ સ્તબ્ધ થઈ ગયોબનાવની વિગતો એવી છે કે, ગતરોજ બપોરે સિદ્ધિકભાઈ તેમના પિતાને કતારગામ સ્થિત ચિકનની દુકાને મૂકવા ગયા હતા. આ દરમિયાન સાદીયા ઘરે પોતાની આઠ મહિનાની બાળકી સાથે એકલી હતી. કોઈ અગમ્ય કારણોસર સાદીયાએ ઘરના પંખાના હુક સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે સિદ્ધિકભાઈ દુકાનેથી પરત ઘરે આવ્યા ત્યારે પત્નીને લટકતી હાલતમાં જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. આત્મહત્યાનું કારણ શોધવા પરિવારજનોની પૂછપરછ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. લાલગેટ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલ લાલગેટ પોલીસ આત્મહત્યાનું કારણ શોધવા પરિવારજનોની પૂછપરછ કરી રહી છે. લગ્નજીવનના ટૂંકા ગાળામાં પરિણીતાનો આપઘાતઆઠ મહિનાની માસૂમ બાળકીએ જે ઉંમરે માતાની મમતાની સૌથી વધુ જરૂર હોય, તે જ ઉંમરે તેની નજર સામે માતાએ જીવન ટુંકાવ્યું હોવાની વાતથી સ્થાનિકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. લગ્નજીવનના ટૂંકા ગાળામાં સાદીયાએ કયા માનસિક તણાવ કે કારણસર આ પગલું ભર્યું તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:31 pm

વડોદરા શહેરમાં MGVCLની મેગા ડ્રાઇવ:શહેરમાં બાકી બિલના 11 કરોડ નાણાં વસૂલવા માટે 455 ટીમો કામે લાગી, 23 સબ ડિવિઝનમાં કાર્યવાહી

MGVCL બરોડા સીટી સર્કલ દ્વારા બાકી વીજ બિલ વસુલાત માટે મેગા ડ્રાઇવ આજથી શરૂ કરવામાં આવી છે. આગામી 31 માર્ચ 2026 સુધીના 3.31 કરોડ સુધીના લક્ષ્યાંકને પૂરો કરવા અને શહેરમાં 11 કરોડ બાકી રકમ વસુલ કરવા MGVCLના 455 કર્મચારીઓ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરા સર્કલના 23 સબ ડિવિઝનમાં વહેલી સવારથી સામુહિક કાર્યવાહી શરૂ કરાઇ છે. જેમાં શહેરમાં 8.20 લાખ વીજ ગ્રાહકોનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે 31 માર્ચ સુધી આ ઝુંબેશ યથાવત રહેશે. 11 કરોડ બાકી રકમ વસુલવા 455 જેટલી ટીમ તહેનાત આ અંગે વડોદરા સિટી સર્કલ અધિકારી પી.એન.થાનાવાલાએ જણાવ્યું હતું કે, આજે જે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ છે, એમાં MGVCL બરોડા સીટી સર્કલ હેઠળ 23 સબડિવિઝન ઓફિસો છે, જે તમામ સબડિવિઝનમાં આ ડ્રાઈવ ચાલુ છે. તેમાં આપણે લગભગ 455 જેટલી ટીમ તહેનાત કરી છે અને તેમાં લગભગ 550 જેટલો સ્ટાફ શામેલ છે. ડ્રાઈવ સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશેવધુમાં કહ્યું કે, આ જે આ બાકી લાઈટ બીલ ધરાવતા ગ્રાહકો છે તેઓની વાત છે, બાકી લાઈટ બીલ 31 માર્ચ સુધીમાં 3.31 કરોડથી વધુ ન રહે અને તે કરતાં પણ ઓછું રહે તે અમારો લક્ષ્યાંક છે. ગઈકાલ સુધી લગભગ 11 કરોડ રૂપિયા બાકી બોલે છે. આ માટે કોઈપણ પ્રકારનો પોલીસ બંદોબસ્ત નથી માંગ્યો પણ GUVNLની ઇન્ટર્નલ પોલીસ છે તેમને લિમિટેડ ફોર્સમાં રાખ્યા છે. બરોડા સીટી સર્કલમાં લગભગ 8.20 લાખ આસરે ગ્રાહકો છે, એમાં તમામ કેટેગરીના રેસીડેન્સીઅલ, કોમર્શિયલ ગ્રાહકો આવી જાય છે. આ ડ્રાઈવ સવારે 8.30થી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:30 pm

સાબરકાંઠામાં ટીબીના કેસમાં ઘટાડો:વિશ્વ ક્ષય દિવસ: 94% દર્દીઓ સાજા, કીટ વિતરણ, જાગૃતિ રેલી

વિશ્વ ક્ષય દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગર સહિત તાલુકા મથકે જિલ્લા અને તાલુકા ક્ષય વિભાગ દ્વારા આ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ કરાયું અને ટીબી જાગૃતિ રેલી યોજાઈ હતી. હિંમતનગરની જૂની સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા ક્ષય વિભાગ દ્વારા લોકભાગીદારીથી પોષણક્ષમ આહાર માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયા અને જિલ્લા ક્ષય અધિકારીના હસ્તે લાભાર્થીઓને આ કીટ અપાઈ હતી. આ પ્રસંગે ડૉ. ફાલ્ગુનીબેન પરમાર, હિંમતનગર THO ડૉ. રાજેશ પટેલ, મંદબુદ્ધિ સંસ્થાના જીતુભાઇ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, જૂની સિવિલ હોસ્પિટલમાં આવેલ જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી ટીબી જાગૃતિ રેલીને જિલ્લા આરોગ્ય અધિકારીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, નગરપાલિકા રોડ થઈ ટાવર ચોકમાં પહોંચી પરત તેજ રસ્તે જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આવી પૂર્ણ થઈ હતી. રેલીમાં જિલ્લા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. સાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરિયાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં ટીબીના કેસમાં સતત ઘટાડો નોંધાયો છે. 2022માં 4959 કેસ હતા, જે ઘટીને 2025માં 4599 થયા છે. ચાલુ વર્ષે 1 જાન્યુઆરીથી 24 માર્ચ સુધીમાં 1025 કેસ નોંધાયા છે. જિલ્લામાં 100માંથી 94 દર્દીઓ દવાથી સાજા થાય છે, અને ટીબીથી થતા મૃત્યુદરમાં પણ ઘટાડો થયો છે. આ જ દિવસે હિંમતનગરના કાનડા ગામે કાનડા હાઈસ્કૂલ ખાતે ઇલોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ટીબી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. ડૉ. રાજ સુતરિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં વ્યસનમુક્ત જીવન પર નાટક અને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રેષ્ઠ કામગીરી કરનાર ચાર કર્મચારીઓને પણ સન્માનિત કરાયા હતા. કાનડા સરપંચ મનહરસિંહ ઝાલા અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રાજેશ પટેલ સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:30 pm

નિવૃત્ત સૈનિકની પુત્રીનો દેશપ્રેમ:કારગિલ યુદ્ધની યાદોને અનોખી સ્ક્રેપબુકમાં કંડારી

દરેક વ્યક્તિના શોખ અલગ-અલગ હોય છે, પરંતુ વડોદરાના વારસિયા વિસ્તારમાં રહેતા બીના ખેમાણીનો શોખ રાષ્ટ્રભક્તિથી તરબતર છે. એક નિવૃત્ત ભારતીય સૈનિકની પુત્રી હોવાના નાતે દેશસેવાના સંસ્કાર તેમને વારસામાં મળ્યા છે. વર્ષ 1999માં જ્યારે કારગિલ યુદ્ધ ખેલાયું, ત્યારે બીના ખેમાણીએ તે સમયના અખબારના ફોટા અને માહિતી એકત્રિત કરીને એક અનોખી સ્ક્રેપબુક તૈયાર કરી હતી, જેને તેઓ આજે 26 વર્ષ બાદ પણ પોતાની અનમોલ સંપત્તિની જેમ સાચવી રહ્યા છે. અધૂરી ઈચ્છા છતાં દેશપ્રેમ અકબંધબીના ખેમાણી પોતે સેનામાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હતા, પરંતુ સંજોગોવશાત તેમની આ ઈચ્છા પૂર્ણ થઈ શકી નહીં. છતાં, તેમણે હાર માન્યા વગર સૈનિકો પ્રત્યેના સન્માનને વ્યક્ત કરવા માટે આ અનોખો માર્ગ પસંદ કર્યો. કારગિલ યુદ્ધ દરમિયાન તેમના ઘરે આવતા ‘નવભારત ટાઈમ્સ’ હિન્દી અખબારમાંથી તેમણે યુદ્ધ સંબંધિત તસવીરો, શૂરવીરોની ગાથાઓ અને લશ્કરી કાર્યવાહીની વિગતોના કટિંગ્સ ભેગા કરી આ બુક બનાવી હતી. શહીદોના બલિદાનને સમર્પિત ‘ખજાનો’આ સ્ક્રેપબુકમાં ભારતીય સેનાના અદમ્ય શૌર્યના દર્શન થાય છે. યુદ્ધ દરમિયાન બીના ખેમાણીની ઈચ્છા વડોદરાની EME હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વીર કેપ્ટન હમીર સિંહ રાઠોડને મળવાની હતી, જે કમનસીબે પૂર્ણ થઈ શકી નહોતી. 26 જુલાઈ 1999ના રોજ વિજય સાથે સમાપ્ત થયેલું આ 60 દિવસનું યુદ્ધ ભારત માટે ગૌરવશાળી ઈતિહાસ છે. બીના ખેમાણી માને છે કે આ માત્ર કાગળના ટુકડા નથી, પરંતુ સૈનિકોના બલિદાનની જીવંત સાક્ષી છે જે આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:29 pm

સુરેન્દ્રનગરમાં પેટ્રોલ-ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ:અફવાઓથી દૂર રહેવા વહીવટી તંત્રની અપીલ; સંગ્રહખોરી પર પ્રતિબંધ

સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા વહીવટી તંત્રએ નાગરિકોને કોઈપણ પ્રકારની અછતની અફવાઓથી ગેરમાર્ગે ન દોરાવા ખાસ અપીલ કરી છે. સોશિયલ મીડિયા કે અન્ય માધ્યમોમાં વહેતી ભ્રામક માહિતીથી પ્રેરાઈને ગભરાવાની જરૂર નથી. અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર બિનજરૂરી ભીડ ટાળવા અને માત્ર જરૂરિયાત મુજબ જ વાહનમાં ઈંધણ ભરાવવા તંત્રએ અનુરોધ કર્યો છે. પ્રજાહિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જિલ્લાના તમામ પેટ્રોલ પંપ સંચાલકોને ખુલ્લા કેન, કેરબા કે અન્ય સાધનોમાં પેટ્રોલ અથવા ડિઝલનું વેચાણ ન કરવા સૂચના અપાઈ છે. ઈંધણ માત્ર વાહનોની ટાંકીમાં જ સીધું ભરી આપવાનું રહેશે. ભવિષ્યની ચિંતામાં પેટ્રોલ-ડિઝલનો મોટા પ્રમાણમાં સ્ટોક કરવો અયોગ્ય છે. આવી બિનજરૂરી સંગ્રહખોરીથી બજારમાં કૃત્રિમ અછત ઊભી થાય છે, જેનાથી સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડે છે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ પરિસ્થિતિમાં સહકાર આપવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:28 pm

ચંદ્રુમાણામાં શીતળા માતા-સપ્તઋષિ દેવતાનો પાટોત્સવ:શ્રી દૂધેશ્વર મહાદેવ શિવાલયમાં બહેનોએ આનંદના ગરબા ગાયા

પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા શ્રી દૂધેશ્વર મહાદેવના શિવાલયમાં શ્રી શીતળા માતા અને શ્રી સપ્તઋષિ દેવતાનો 13મો પાટોત્સવ સોમવારે રાત્રે ભક્તિભાવપૂર્વક યોજાયો હતો. આ પ્રસંગે આનંદના ગરબા મંડળ અને ગામની બહેનો દ્વારા શ્રી બહુચર માતાના આનંદના ગરબાનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. ગામના સદગૃહસ્થ કાંતિભાઈ ત્રિભોવનદાસ પટેલ મુખ્ય યજમાન પદે રહ્યા હતા. પાટોત્સવ દરમિયાન શીતળા માતાને કુલેરની પ્રસાદી અર્પણ કરવામાં આવી હતી, જ્યારે શ્રી સપ્તઋષિ દેવતાને યજ્ઞોપવિત ધારણ કરાવાઈ હતી.આગામી વર્ષ માટે સંજયભાઈ રૂગનાથભાઈ પટેલે પ્રસાદના યજમાન બનવાની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે, 13 વર્ષ પહેલાં ગામના સદગૃહસ્થો ભરતભાઈ દેવશંકર રાવલે સપ્તઋષિ દેવતાની અને ભાનુપ્રસાદ રામશંકર વ્યાસે શીતળા માતાની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. ત્યારથી દર વર્ષે આ પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ધાર્મિક પ્રસંગે જયંતીભાઈ પટેલ, ભરતભાઈ વ્યાસ, વિઠ્ઠલભાઈ પટેલ, નાથાભાઈ પટેલ, શીવાભાઈ પટેલ, ચમનલાલ વ્યાસ, હરનારાયણભાઈ વ્યાસ, કિશોરભાઈ ઠાકર, રમેશભાઈ જાની, નિત્યાનંદ મહારાજ, રામદાસ મહારાજ સહિત મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:25 pm

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં અત્યાધુનિક મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત:જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે, દર્દીઓને મળશે ઉત્તમ સારવાર

સુરેન્દ્રનગર જનરલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક મોનિટરિંગ અને વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના પ્રયાસોના ભાગરૂપે આ સુવિધાથી હવે જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે અને ગંભીર દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ સારવાર મળી રહેશે. હોસ્પિટલના એનેસ્થેશિયોલોજી વિભાગને 'રોગી કલ્યાણ સમિતિ'ના સહયોગથી 'હાઈ-એન્ડ એનેસ્થેશિયા વર્કસ્ટેશન' અર્પણ કરાયું છે. આ મશીન કાર્યરત થવાથી ઓપરેશન દરમિયાન દર્દીને અપાતી એનેસ્થેશિયાની પ્રક્રિયા અત્યંત ચોક્કસ અને સલામત બનશે. આધુનિક ડ્રગ ડિલિવરી સિસ્ટમ દ્વારા દવાનો ડોઝ સચોટ રીતે આપી શકાશે, જેનાથી સર્જરી દરમિયાન જોખમમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ વર્કસ્ટેશનમાં ફેફસાના ગંભીર રોગોથી પીડાતા અને લાંબી સર્જરી કરાવતા દર્દીઓ માટે અદ્યતન 'વેન્ટિલેશન મોડ્સ' ઉપલબ્ધ છે. તે હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર અને શરીરમાં ઓક્સિજનના સ્તર જેવી મહત્વપૂર્ણ વિગતોનું સેકન્ડ-ટુ-સેકન્ડ મોનિટરિંગ કરશે. જો આ માપદંડોમાં કોઈ ફેરફાર જણાશે, તો સિસ્ટમ તુરંત જ તબીબોને સતર્ક કરશે, જે દર્દીના જીવના જોખમને ટાળવામાં મદદરૂપ થશે. આ નવી ટેકનોલોજી ખાસ કરીને હૃદયરોગ, શ્વસન સંબંધી તકલીફો ધરાવતા અથવા વૃદ્ધાવસ્થાના કારણે જોખમી ગણાતી સર્જરીઓને સુરક્ષિત બનાવશે. આ સુવિધાને કારણે સુરેન્દ્રનગરના ગંભીર દર્દીઓને સારવાર માટે અમદાવાદ કે અન્ય મોટા શહેરોમાં જવાની જરૂરિયાત રહેશે નહીં, જેનાથી સમય અને ખર્ચ બંનેની બચત થશે. જાહેર આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાના આ પ્રયાસને સુરેન્દ્રનગર પંથકમાં આવકાર મળ્યો છે. આ સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ રોગી કલ્યાણ સમિતિના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, વઢવાણના ધારાસભ્ય અને નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, સિવિલ સર્જન ડૉ. ચૈતન્ય પરમાર તથા તેમની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:24 pm

RMCના શાસનમાં થયેલા ભ્રષ્ટ્રાચાર મુદ્દે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ત્રિકોણ બાગથી RMC સુધી વિશાળ રેલી કાઢી; મેયર-ચેરમેનના ગેરકાયદે બાંધકામો મુદ્દે કડક કાર્યવાહીની માગ કરી

રાજકોટ મહાનગરપાલિકા (RMC)માં ચાલતા ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગથી RMC કચેરી સુધી વિશાળ રેલી કાઢીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના ગેરકાયદેસર બાંધકામો, ભાજપના પૂર્વ કોર્પોરેટરો સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો તેમજ ટી.પી. શાખામાં ચાલતી ગેરરીતિઓ મુદ્દે સૂત્રોચ્ચારો કરીને ભાજપ સરકારને ઘેરી હતી. ખાસ કરીને TRP ગેમઝોન અગ્નિકાંડમાં થયેલા ભ્રષ્ટાચારને મુખ્ય મુદ્દો બનાવી કોંગ્રેસે સત્તાધારી પક્ષ પર જનતાના જીવ સાથે ચેડાં કરવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માગ કરી હતી. કોંગ્રેસે લગાવેલા આક્ષેપો

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:19 pm

મનપાની ચૂંટણી માટે AAP ના 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર:આમ આદમી પાર્ટીએ ભાવનગર મહાનગરપાલિકા માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર

ગુજરાતમાં આગામી 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો પડઘમ વાગી ચુક્યા છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ભાવનગર મહાનગરપાલિકા માટેના ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે, જેમાં મનપાના અલગ અલગ વોર્ડ માટે કુલ 12 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, ભાવનગર મહાનગરપાલિકા સ્થાનિક સ્વરાજની ચૂંટણી ને લઇ આમ આદમી પાર્ટી દ્વારા મહાનગરપાલિકાના 13 વોર્ડમાંથી અલગ અલગ વર્ડમાં નામો જાહેર કરવામાં આવ્યા છે જેમાં વોર્ડ નંબર 1 માંથી 3 નામો, વોર્ડ નંબર 2 માંથી 4 નામો, વોર્ડ નંબર 3 માંથી 1 નામ, વોર્ડ નંબર 8 માંથી 2 નામો તથા વોર્ડ નંબર 10 માંથી 1 નામ જાહેર કર્યું છે, મનપાની ચૂંટણી લઈ આપ દ્વારા નામો જાહેર વોર્ડ નં.1 પરમાર ઇલાબેન જયેશભાઇ, વોર્ડ નં.1 પરમાર બાલાભાઈ સાદુલભાઈ, વોર્ડ નં. 1 સરવૈયા પ્રવિણસિંહ ખોડુભા, વોર્ડ નં. 1 અલગૌતર હીરાબેન હમાભાઈ, વોર્ડ નં. 10 તેજાણી સુધીરભાઈ પોપટભાઈ, વોર્ડ નં. 2 ઝાપડિયા હેતલબેન મહેશભાઈ, વોર્ડ નં. 2 મુકેશભાઈ ટપુભાઈ મેતાણીયા, વોર્ડ નં. 2 ભોકળવા જગદીશભાઈ છેલાભાઈ, વોર્ડ નં. 2 મલેક યાસ્મીનબેન દિલાવરભાઈ, વોર્ડ નં. 3 જુનેજા તોસીફ રફીકભાઈ, વોર્ડ નં. 4 રાઠોડ ગીતાબા દિલુભા તથા વોર્ડ નં. 4 ઘનશ્યામભાઈ વાલજીભાઈ દેસાઈ સહિતના ઉમેદવારો જાહેર કર્યા છે, ​આ યાદી જાહેર થતા જ હવે સ્થાનિક કક્ષાએ રાજકીય ગરમાવો વધી ગયો છે અને અન્ય પક્ષો પણ હવે ટૂંક સમયમાં પોતાના ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:08 pm

પડધરી ITI 12 વર્ષમાં જર્જરીત:214 વિદ્યાર્થીઓને 25 કિમી દૂર રાજકોટ શિફ્ટ કરાયા, રોજગારલક્ષી પ્રેક્ટિકલ કોર્સની અપાતી ઓનલાઈન ટ્રેનિંગ !

રાજકોટની પડધરી ITI નું બિલ્ડીંગ માત્ર 12 વર્ષમાં જ જર્જરીત થઈ ગયાનું સામે આવ્યુ છે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સરકારી બિલ્ડિંગોની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવી હતી. જે દરમિયાન આ ITI ભયજનક હોવાનો રિપોર્ટ આવતા અહીં અભ્યાસ કરતા 214 વિદ્યાર્થીઓને 25 કિલોમીટર દૂર રાજકોટ શિફ્ટ કરવામાં આવેલા છે. રાજકોટ ન આવી શકતા વિદ્યાર્થીઓ 7 માસથી પ્રેક્ટિકલ ટ્રેનિંગ ઓનલાઇન લેવા મજબૂર બન્યા છે. પડધરીના વિદ્યાર્થી નેતા નિખિલ ભોજાણીએ જણાવ્યું હતું કે, પડધરી આઈટીઆઈનું બિલ્ડીંગ જર્જરિત જાહેર કરવામાં આવેલું છે. આ બિલ્ડીંગનું લોકાર્પણ ગત તા.15/08/2014 ના રોજ કરવામાં આવ્યું હતું. સૌથી મોટો સવાલ એ છે કે આ બિલ્ડિંગ માત્ર 12 વર્ષમાં જર્જરીત કઈ રીતે થઈ ગયુ.જેથી આ બિલ્ડીંગના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું લાગી રહ્યું છે. અહીં 200 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ITI ના વિદ્યાર્થીઓને રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ડિસેબલ આઈટીઆઈ માં શિફ્ટ કરવામાં આવ્યા છે. જેથી વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે. પડધરીમાં જ અન્ય કોઈ જગ્યાએ આ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે તેવી માંગણી છે. ITI માં ઇલેક્ટ્રિકલ, વાયરમેન, ફિટર, વેલ્ડર, મશીન ડીઝલ અને કોપા સહિતના કોર્સ થાય છે. તેનું પ્રેક્ટીકલ પ્લાન વિદ્યાર્થીઓને આપવાનું હોય છે તેને બદલે અમુક વિદ્યાર્થીઓને ઓનલાઈન ટ્રેનિંગ આપવી પડે છે. આ ઉપરાંત છેલ્લા 8 માસથી આ બિલ્ડીંગ જર્જરિત છે તેવું બોર્ડ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા મૂકવામાં આવ્યુ છે. જેથી સરકારને વિનંતી છે કે આ બિલ્ડિંગ બનાવનાર સામે કડક પગલાં લેવામાં આવે અને તેઓ પોતાના સ્વખર્ચે નવું બિલ્ડીંગ બનાવી આપે તેવી માંગણી છે. જ્યારે આ મામલે પડધરી ITI ના પ્રિન્સિપાલ સૌરભ પાનસુરાએ જણાવ્યું હતું કે, તા.15/08/2014 ના આ ITI ની સ્થાપના કરવામાં આવી હતી. જુલાઇ - 2026 મા વડોદરાનો ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટના બન્યા બાદ રાજ્યના તમામ સરકારી બિલ્ડીંગોની સ્ટ્રકચર સ્ટેબિલિટી તપાસવામાં આવી હતી. છે દરમિયાન રાજકોટ રોડ બિલ્ડીંગ વિભાગ દ્વારા પડધરી ITI ની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી તપાસવામાં આવતા આ બિલ્ડીંગ ભયજનક હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જેથી 01/09/2026 આ ITI ના વિદ્યાર્થીઓને રાજકોટ શિફ્ટ કરવામાં આવ્યા છે. હાલ 214 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેઓને થિયરી માટે શહેરના યુનિવર્સિટી રોડ પરની ITI તો પ્રેક્ટિકલ માટે જામનગર રોડ પરની ITI માં શિફ્ટ કરવા પડ્યા છે. જે વિદ્યાર્થીઓ રાજકોટ આવી શકે તેમ નથી તેઓને ITI ઇ લર્નિંગ પ્રોગ્રામ મારફત પ્રેલટિકલ ટ્રેનિંગ ઓનલાઇન સોફ્ટવેર મારફત આપવામાં આવી રહી છે. હાલ પડધરીમાં કોઈ સરકારી બિલ્ડીંગ મળી જાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:06 pm

ખનિજ ચોરી: ઉપસરપંચને પદ પરથી દૂર કરાયા:સુરેન્દ્રનગરના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં કાર્યવાહી, ₹11 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામમાં ગેરકાયદેસર ખનિજ ચોરીના મામલે ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને આજરોજ તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા જારી કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા 8 ઓગસ્ટ, 2025ના રોજ કરવામાં આવેલી આકસ્મિક તપાસના આધારે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુળી તાલુકાના આસુન્દ્રાળી ગામના સરકારી સર્વે નંબર 246 અને ખાનગી સર્વે નંબર 249 વાળી જમીનમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ (કોલસો)નું ખનન, વહન, સંગ્રહ અને વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. સ્થળ પરથી એક ટ્રેક્ટર, બે કમ્પ્રેસર, 40 મેટ્રિક ટન કાર્બોસેલ (કોલસો) અને ચાર ચરખી સહિત કુલ રૂપિયા 11 લાખનો ગેરકાયદેસર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગેરકાયદેસર ખનિજ ચોરી ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા દ્વારા કરવામાં આવી રહી હોવાનું ધ્યાને આવતા, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ તેમને પદ પરથી દૂર કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગરને દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તના આધારે, જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગર દ્વારા ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણાને તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:03 pm

ઉદ્યોગમાં કાપ કે વેકેશન?, ગૂગલ ફોર્મ દ્વારા મંતવ્ય મંગાયા:સુરત ટેક્સટાઇલના 15% કારીગરો વતન રવાના; કારખાના એક પાળીમાં ચલાવવા કે અઠવાડિયે 2 રજા રાખવી તેની ચર્ચા

અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધની સીધી અને ગંભીર અસર હવે સુરતના કાપડ ઉદ્યોગ પર જોવા મળી રહી છે. ખાસ કરીને દુબઈ ખાતે થતું કાપડનું એક્સપોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ જતાં વિવર્સની હાલત કફોડી બની છે. કાચા માલ તરીકે વપરાતા યાર્નના ભાવોમાં અચાનક મોટો ઉછાળો આવતા ઉત્પાદન ખર્ચ આસમાને પહોંચ્યો છે. બીજી તરફ મોંઘા ભાવનું કાપડ ખરીદવા બજારમાં કોઈ ગ્રાહક તૈયાર નથી અને કારીગરોનું પલાયન રોકવું પણ મુશ્કેલ બની રહ્યું છે. અત્યારે ઉદ્યોગ જગત ત્રણ તરફી માર સહન કરી રહ્યું છે. આ ગંભીર સ્થિતિમાં ઉદ્યોગને ટકાવી રાખવા માટે ફેડરેશન ઓફ વ્યુઅર્સ એસોસિએશન દ્વારા તમામ વિવર્સ પાસે ગૂગલ ફોર્મ દ્વારા મંતવ્યો મંગાવવામાં આવ્યા છે. જેમાં કારખાના એક પાળીમાં ચલાવવા, સપ્તાહમાં બે દિવસ રજા રાખવી કે એક મહિનો વેકેશન જાહેર કરવું તે અંગે મંથન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં અંદાજે 2000 જેટલા વિવર્સ પોતાનો પ્રતિસાદ આપી ચુક્યા છે અને આગામી દિવસોમાં બહુમતીના આધારે ઉદ્યોગના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે. ફેડરેશન ઓફ વિવર્સ એસો. ગૂગલ ફોર્મના આધારે નિર્ણય લેશેઉદ્યોગને બચાવવા માટે વિવર્સના મંતવ્યો લેવા એક વિશેષ ગૂગલ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. આ ફોર્મ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 800 થી 2000 જેટલા વિવર્સએ પોતાના પ્રતિભાવો ઓનલાઈન સબમિટ કરી દીધા છે. આગામી ત્રણ-ચાર દિવસમાં અન્ય વિવર્સના મંતવ્યો આવ્યા બાદ, બહુમતીના આધારે ઉદ્યોગના હિતમાં કોઈ મોટો અને સામૂહિક નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. ઉદ્યોગમાં કાપ કે વેકેશન સહિતના વિકલ્પો પર વિચારણાકાપડ ઉદ્યોગને કેવી રીતે ટકાવી રાખવો તે માટે અત્યારે ગંભીર મંથન ચાલી રહ્યું છે. ગૂગલ ફોર્મ દ્વારા લેવામાં આવી રહેલા મંતવ્યોમાં મુખ્યત્વે ત્રણ વિકલ્પો પર ચર્ચા થઈ રહી છે. કારખાનામાં ઉત્પાદનનો 25% થી 75% સુધીનો કાપ મૂકવો, અઠવાડિયામાં બે દિવસ રજા રાખવી અથવા તો એક પાળીમાં જ કામકાજ ચલાવવું. કેટલાક વિવર્સ એક મહિનો સંપૂર્ણ બંધ રાખવાની પણ વિચારણા કરી રહ્યા છે. આ તમામ પાસાઓ પર વ્યાપક ચર્ચા કર્યા બાદ જ અંતિમ નિર્ણય જાહેર કરાશે. યાર્નના ભાવમાં કૃત્રિમ વધારો અને ક્રૂડની માઠી અસરયાર્ન એ ક્રૂડની બાય-પ્રોડક્ટ હોવાથી ખાડી યુદ્ધને કારણે ક્રૂડના ભાવમાં વધારો થતા યાર્ન મોંઘુ થયું છે. જોકે, એસોસિએશનના પ્રમુખ અશોક જીરાવાળાના જણાવ્યા અનુસાર, યાર્ન ઉત્પાદકો દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો કંઈક અંશે કૃત્રિમ પણ હોઈ શકે છે. ક્રૂડના ભાવ 90 ડોલરની આસપાસ હોવા છતાં જે રીતે યાર્નના ભાવ વધારવામાં આવ્યા છે, તેની સીધી અસર ઉત્પાદન પ્રક્રિયા પર પડી છે. મોંઘું યાર્ન લઈને સસ્તું કાપડ બનાવવું હવે વિવર્સ માટે અશક્ય બની રહ્યું છે. 3 લાખ જેટલા કારીગરો સુરત છોડીને વતનમાં રવાનાસુરતના કાપડ ઉદ્યોગમાં અત્યારે અંદાજે 15 લાખ જેટલા શ્રમિકો કાર્યરત છે, પરંતુ આર્થિક તંગી અને કામના અભાવે પલાયન શરૂ થયું છે. અત્યાર સુધીમાં કુલ કારીગરોના 15 ટકા એટલે કે અંદાજે 3 લાખ જેટલા કારીગરો સુરત છોડીને વતનમાં પલાયન કરી ગયા હોવાનો અંદાજ છે. જો હજુ પણ સ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં આ આંકડો વધી શકે છે. કારીગરોની આ ઘટ ઉદ્યોગ માટે લાંબા ગાળે મોટું નુકસાન સાબિત થઈ શકે તેમ છે. ગેસની તંગી અને કાળાબજારથી શ્રમિકોમાં ભારે હાલાકીકારીગરોના પલાયન પાછળનું એક મોટું કારણ રસોઈ ગેસની ઉભી થયેલી કૃત્રિમ અછત પણ છે. બજારમાં ગેસના બાટલા મળતા નથી અને જે મળી રહ્યા છે, તેના કાળાબજાર થઈ રહ્યા છે. છૂટક ગેસ ભરાવીને ગુજરાન ચલાવતા કારીગરો માટે રસોઈ બનાવવી હવે અત્યંત મોંઘી સાબિત થઈ રહી છે. ગેસની આ દિક્કતને કારણે પણ વધુ 15 ટકા શ્રમિકો શહેર છોડવાની તૈયારી કરી રહ્યા છે, જે કારખાનેદારો માટે માથાનો દુખાવો બની ગયો છે. કારીગરોને રોકવા 'મેસ' અને જમવાની વ્યવસ્થા પર ભારવિવર્સ એસોસિએશન દ્વારા તમામ કારખાનેદારોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના કારીગરોને સ્થળાંતર કરતા અટકાવે. આ માટે તેમને જમવાની વ્યવસ્થા અથવા ગેસ પૂરો પાડવાની રજૂઆત કરવામાં આવી છે. જો કારીગરોને જમવાની સુવિધા આપવામાં આવશે તો તેઓ સુરતમાં ટકી રહેશે. એકવાર કારીગરો મોટી સંખ્યામાં પલાયન થઈ જશે, તો ભવિષ્યમાં જ્યારે ઉદ્યોગ ફરી વેગ પકડશે ત્યારે મશીનો ચલાવવા માટે માણસોની ભારે અછત સર્જાવાની પૂરેપૂરી સંભાવના છે. છેલ્લા 20 દિવસથી કારખાનેદારો કારીગરોને સાચવી રહ્યા છેભલે ઓર્ડર ઓછા હોય કે કામકાજ ઠપ્પ હોય, પરંતુ સુરતના ઉદાર કારખાનેદારો છેલ્લા 20 દિવસથી પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરીને કારીગરોને સાચવી રહ્યા છે. કારીગરોને આર્થિક મદદ અને અન્ય સવલતો આપીને રોકી રાખવાના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, સતત વધી રહેલી મોંઘવારી અને ગેસની અછતને કારણે કારખાનેદારો માટે પણ હવે તેમને સાચવી રાખવા મુશ્કેલ બની રહ્યા છે. આગામી દિવસોમાં જાહેર સભા યોજીને આ અંગે કોઈ નક્કર રસ્તો કાઢવામાં આવશે. યુદ્ધ વિરામ જ હવે વિવર્સ માટે એકમાત્ર આશાનું કિરણઅંતે, ઉદ્યોગ જગતના અગ્રણીઓ માને છે કે, જો ખાડી દેશો વચ્ચેનું યુદ્ધ જલ્દી નહીં અટકે તો સુરતનો ટેક્સટાઈલ ઉદ્યોગ વધુ ઉંડી ખાઈમાં ધકેલાશે. ઈરાન અને અન્ય દેશો વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઈન ખોરવાઈ છે. વિવર્સ અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે આ યુદ્ધ તાત્કાલિક શાંત થાય, જેથી ક્રૂડ અને યાર્નના ભાવ સ્થિર થાય અને સુરતનું કાપડ ફરી એકવાર વિશ્વના બજારોમાં ધૂમ મચાવી શકે. વીવીંગ ખાતેદાર મિત્રો આગામી 28મી માર્ચ 2026 ને શનિવારે સવારે 10 કલાક સુધીમાં આપનો ક્લીયરકટ અભિપ્રાય ફોગવાને પાઠવશો, જેથી કરીને વણાટ ઉદ્યોગ માટે ભાવિ રણનીતિ નક્કી કરીને ફોગવાના સભ્યો, કારખાનેદારોને માર્ગદર્શિત કરી શકાય. https://forms.gle/qXGuweM4dGsFJGgm7

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:01 pm

જામનગરમાં ઇલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગી:વિક્ટોરિયા પુલ નજીક ઘટના, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો

જામનગરમાં વિક્ટોરિયા પુલ નજીક એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટના વિક્ટોરિયા પુલ પાસેના ભારત પેટ્રોલિયમ પંપ અને ફોજી ઢાબા નજીક બની હતી. ચાલુ સ્કૂટરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનાના સાક્ષી બનેલા રાહદારીઓ અને સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને (112) જાણ કરી હતી. જામનગર ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવીને ઇલેક્ટ્રિક સ્કૂટરમાં લાગેલી આગને સફળતાપૂર્વક કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, સ્કૂટરને મોટું નુકસાન થયું છે. ઇલેક્ટ્રિક વાહનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 12:01 pm

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે ગાંજાનું નેટવર્ક ઝડપ્યું:બગીચામાં ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને નશાનો કારોબાર કરતા હતા; છ પૈકી ત્રણની ધરપકડ

પાટનગરના સેક્ટર-24 વિસ્તારમાં આવેલા નગરપાલિકાના બગીચામાં ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ બેસીને નશાનો કારોબાર કરતા શખ્સો પર એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ ત્રાટકી હતી. 133 ગ્રામ ગાંજા, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 22,880ના મુદ્દામાલ સાથે છ પૈકી ત્રણ ઇસમોને ઝડપી લઇ નશાના કારોબારનો પર્દાફાશ કર્યો હતો. બાતમી આધારે ANTF ટીમે રાત્રે ઓપરેશન હાથ ધર્યુંસમગ્ર ઘટનાની વિગત મુજબ, ANTFને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રામાં સેક્ટર-24માં બાપા સીતારામ આશ્રમની મઢુલી સામેના બગીચામાં કેટલાક ઈસમો ગાંજાની પડીકીઓનું વેચાણ અને સેવન કરી રહ્યા છે. બાતમીના આધારે ANTF ની ટીમ દ્વારા રાત્રિના સમયે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ કાફલાએ બગીચામાં ઇલેક્ટ્રિક રૂમની પાછળના ભાગને કોર્ડન કરી તપાસ કરતા ત્યાં ચાર ઈસમો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. વનસ્પતિજન્ય પદાર્થનું પુથ્થકરણ કરાવતા ગાંજો હોવાનું સામે આવ્યું પોલીસને જોતા જ આરોપીઓ પૈકી પ્રકાશ ઉર્ફે પકો બાબુજી રાણા અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. જ્યારે મનીષ નરશીભાઇ વાઘેલા, રોનક ઉર્ફે અઠ્ઠો શંકરભાઇ રાવળ અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર હાથમાં આવી ગયા હતા. બાદમાં FSL અધિકારીને સ્થળ પર બોલાવી પકડાયેલા વનસ્પતિજન્ય પદાર્થનું પુથ્થકરણ કરાવતા ગાંજો હોવાનું સામે આવ્યું હતું. સંડોવાયેલા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુઆ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું કે,આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, તેઓ વડનગરના પ્રકાશ સુરેશભાઇ ઠાકોર અને ભાવેશ રમેશભાઇ સોલંકી પાસેથી આ જથ્થો લાવીને છૂટક વેચાણ કરતા હતા. આ ગુનામાં સંડોવાયેલા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની શોધખોળ ચાલુ છે. આરોપીઓ પાસેથી 133 ગ્રામ ગાંજો, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ 22,880નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગિફ્ટ સિટીના વૈભવી ફ્લેટમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે લાખો રૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરતા ચકચાર મચી ગઇ હતી. એવામાં LCBએ પણ સેકટર 4માંથી થરાદના યુવકને ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ત્યારે હવે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સે પણ સેકટર 24માં ધમધમતા ગાંજાના કારોબારનો પર્દાફાશ કરી ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. ટુંકા ગાળામાં SOG, LCB અને ANTF દ્વારા ટૂંકા ગાળામાં જ શહેરમાંથી ગાંજો અને ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવતા પાટનગરમાં ઊંડતા પંજાબની માફક માદક પદાર્થો છૂટથી વેચાતા હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 11:55 am

પેટ્રોલ ટાંકી ફૂલ કરાવીને નીકળ્યો ને મોટર સાયકલ ભડભડ સળગી:સરદાર એસ્ટેટમાં પેટ્રોલ પંપ બહાર બાઇક બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં

વડોદરાના સરદાર એસ્ટેટ વિસ્તારમાં એક પેટ્રોલ પંપ બહાર બાઈકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બાઇક ચાલક પેટ્રોલ પૂરાવીને પંપની બહાર નીકળ્યો ત્યાં જ બાઇકમાં આગ લાગી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આગને કાબૂમાં લઈ લીધી હતી. પેટ્રોલ ટાંકી ફૂલ કરાવીને નીકળ્યો ને આગ લાગીપ્રાથમિક માહિતી અનુસાર, મોટરસાયકલ ચાલકે પેટ્રોલ ભરાવ્યા પછી પંપની બહાર નીકળતાં જ અચાનક બાઈકમાં આગ ભભૂકી ઉઠી હતી. આગની તીવ્રતા એટલી વધી કે આખી મોટરસાયકલ બળીને ખાક થઈ ગઈ હતી. ચાલકે બાઇકમાં પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી નીકળ્યોને આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યોબનાવની જાણ થતાં જ પાણીગેટ ફાયર બ્રિગેડને સૂચના આપવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનો તરત જ સ્થળે પહોંચ્યા અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઈ જાન-માલનું નુકસાન થયું નથી, પરંતુ જો આગ પેટ્રોલ પંપ પર લાગી હોત તો કોઈ મોટી દુર્ઘટના સર્જાત.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 11:50 am

સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા જુગારીઓ ઝડપાયા:સીદસર ગામેથી 12 હજારની રોકડ સાથે ત્રણ શખસોની અટકાયત, વરતેજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી

ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્કવોડની ટીમે ગતરાત્રે પેટ્રોલિંગ દરમિયાન સીદસર વાળુકડ રોડ 25 વારીયા પાસેથી જાહેરમાં ગંજીપાના રમતા ત્રણ શખસોને ઝડપી પાડી વરતેજ પોલીસને હવાલે કર્યા હતા. હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધાઆ બનાવ અંગે વરતેજ પોલીસ મથેકથી મળતી માહિતી અનુસાર, ભાવનગર ગ્રામ્ય ડિવિઝન સ્કવોર્ડની ટીમ ગતરોજ રાત્રીના વરતેજ પોલીસ સ્ટેશન હેઠળના અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ચોક્કસ માહિતી આધારે સિદસર ગામે વાળુકડ રોડ 25 વારીયા પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળીને ગંજીપતાના પાના વડે હારજીતનો જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. તમામ મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરીભાવેશ રાજુ સોલંકી, કાના મનસુખ સોલંકી, અને નરેશ મનસુખ સોલંકી ત્રણેયને સ્થળ પરથી ગંજીપતા પાના તથા રોકડા રૂપિયા 12,110 સાથે ઝડપી લઇ વરતેજ પોલીસને હવાલે કરી તેમના વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 11:48 am

માળીયામાં પાવર ગ્રીડના વાયર ચોરી: બે આરોપી ઝડપાયા:પોલીસે ₹17.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

માળીયા (મી) તાલુકાના અંજીયાસર ગામ પાસે પાવર ગ્રીડ કંપનીના ₹13.50 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી. આ ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી વાયર તથા વાહન સહિત કુલ ₹17.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અંજીયાસર ગામની સીમમાં એક કારખાના નજીક 765 KV લાકડીયા-અમદાવાદ વીજ લાઇનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અજાણ્યા શખ્સોએ ત્યાંથી 4500 મીટર એલ્યુમિનિયમ વાયર ચોરી લીધો હતો, જેની કિંમત ₹13.50 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત, 6500 મીટર એલ્યુમિનિયમ વાયર, 12 ઇન્સ્યુલેટર, 35 સ્પેસર, 12 મેડિસિન્સ જોઈન્ટ અને 3 ડબલ આઈ સસ્પેન્શન ફીટીંગ્સને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું, જેનાથી ₹5 લાખથી વધુનું નુકસાન થયું હતું. આ ઘટના અંગે કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીમાં નોકરી કરતા આશુતોષભાઈ દિનેશભાઈ ભારતીય (ઉં.વ. 25, મૂળ યુપી, હાલ મોરબી)એ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ચોરી અને નુકસાનની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી હતી. માળીયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે. દરબાર અને તેમની ટીમે આ ગુનામાં બે આરોપીઓ - અનીશ મોખા (રહે. ભૂતેશ્વર ફળિયું, ભુજ) અને મુસ્તાક મેર (રહે. લોરીયા, તા. ભુજ)ની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ચોરી થયેલો 4500 મીટર કોપર વાયર (કિંમત ₹13.50 લાખ) અને ટાટા કંપનીનું ઇન્ટ્રા પિકઅપ વાહન (નંબર GJ 12 CT 1408, કિંમત ₹4 લાખ) સહિત કુલ ₹17.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 11:29 am

વલસાડમાં ગરમીનો પ્રકોપ:મહત્તમ તાપમાન 36°C, 10 mphની ઝડપે પવન ફૂંકાયો

વલસાડ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે જિલ્લાનું મહત્તમ તાપમાન 36C નોંધાયું હતું, જે ગઈકાલ સોમવારના 37C કરતાં 1 ડિગ્રી ઓછું છે. આજે મંગળવારે દિવસ દરમિયાન આકાશ મુખ્યત્વે સાફ રહ્યું હતું. લઘુત્તમ તાપમાન 24C નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 26% રહ્યું હતું. ઉત્તર દિશામાંથી 10 mphની ઝડપે પવન ફૂંકાયો હતો. ગઈકાલ સોમવારની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો ઘટાડો થયો હોવા છતાં, લઘુત્તમ તાપમાનમાં સાધારણ વધારો થતાં રાત્રિના સમયે પણ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. વલસાડ શહેર સહિત જિલ્લાના છ તાલુકાઓ – વલસાડ, પારડી, વાપી, ઉમરગામ, ધરમપુર અને કપરાડામાં સરેરાશ તાપમાન 34C થી 36C ની વચ્ચે નોંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો પણ અનુભવાઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા બપોરના સમયે સીધા તડકામાં ન નીકળવા અને પ્રવાહીનું સેવન વધારવા સલાહ આપવામાં આવી છે, કારણ કે UV ઇન્ડેક્સ 9 સુધી પહોંચવાની શક્યતા છે. રાત્રિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જેના કારણે લઘુત્તમ તાપમાન 24C ની આસપાસ જળવાઈ રહેશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 11:26 am

દ્વારકાધીશને 1900 ગ્રામ ચાંદીનું ધનુષ અને બાણ અર્પણ:ઇલાઇટ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, મુંબઈ દ્વારા ભેટ

દ્વારકાના જગત મંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશને તાજેતરમાં મુંબઈ સ્થિત ઇલાઇટ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન દ્વારા આશરે 1900 ગ્રામ ચાંદીનું ધનુષ અને ત્રણ બાણ અર્પણ કરવામાં આવ્યા હતા. આ ભક્તિમય અર્પણ પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિનો અનોખો માહોલ સર્જાયો હતો. દેશ-વિદેશથી લાખો ભક્તો દરરોજ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે આવે છે. ભક્તો પોતાની મનોકામનાઓ પૂર્ણ થતાં આભારરૂપે વિવિધ ભેટો અર્પણ કરતા હોય છે. આ જ પરંપરાને આગળ વધારતા, શ્રીજીના પરમ વૈષ્ણવ ઇલાઇટ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, મુંબઈ દ્વારા આ સુંદર ભેટ અર્પણ કરાઈ હતી. આશરે 1900 ગ્રામ ચાંદીથી બનેલું આ ધનુષ અને ત્રણ બાણ ભગવાનના ચરણોમાં અર્પણ કરાયા ત્યારે ઉપસ્થિત ભક્તોએ પણ આ પ્રસંગને હર્ષભેર નિહાળ્યો હતો. આ પવિત્ર અર્પણ દ્વારકાધીશ પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો દાખલો બની રહ્યું છે. મંદિર સંચાલન દ્વારા દાતાઓનો આ પવિત્ર અર્પણ બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમણે ભગવાન શ્રી દ્વારકાધીશ તમામ ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે તેવી પ્રાર્થના પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 11:21 am

હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે લાઇન પર ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ:આવતીકાલે સવારે 11 વાગ્યે પરીક્ષણ કરાશે

હિંમતનગરથી ખેડબ્રહ્મા રેલવે લાઇન પર આવતીકાલે ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ 55 કિલોમીટર લાંબી રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન કાર્ય પૂર્ણ થયા બાદ અગાઉ CRS અને ઇલેક્ટ્રિફિકેશન લોકો ટ્રાયલ પણ કરવામાં આવ્યો હતો. 8 જાન્યુઆરીના રોજ PCEE દ્વારા ઇલેક્ટ્રિફિકેશનનું નિરીક્ષણ અને સ્પીડ ટ્રાયલ કરાયો હતો. બે મહિનાથી વધુ સમય વીતી ગયા બાદ હવે બુધવારે ફરીથી ઇલેક્ટ્રિક લોકો સ્પીડ ટ્રાયલ થશે. અમદાવાદથી ઇલેક્ટ્રિક લોકો આવ્યા બાદ સવારે 11 વાગ્યાની આસપાસ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. રેલવે વિભાગ દ્વારા આ અંગે સંબંધિત તમામ પક્ષોને જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:56 am

108 બોટ એમ્બ્યુલન્સે દરિયામાં માછીમારનો જીવ બચાવ્યો:પોરબંદર નજીક બ્રેઈન સ્ટ્રોકનો ભોગ બનેલા દર્દીને મધરાતે બચાવ્યા

પોરબંદરના દરિયામાં માછીમારી કરી રહેલા એક માછીમારને મધરાતે બ્રેઈન સ્ટ્રોક આવતા 108 બોટ એમ્બ્યુલન્સની ટીમે સમયસર પહોંચી તેનો જીવ બચાવ્યો હતો. આધુનિક સુવિધાઓથી સજ્જ આ બોટ એમ્બ્યુલન્સ દરિયાખેડુઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. આ ઘટના ગઈકાલે રાત્રિના આશરે 09:30 કલાકે બની હતી. 'અમર મોતી' નામની ફિશિંગ બોટમાંથી ઇમરજન્સી કોલ મળ્યો હતો કે, દરિયામાં માછીમારી કરી રહેલા દિલીપભાઈ લખમભાઈ વંશ (ઉંમર વર્ષ 37) ને અચાનક મગજનો હુમલો આવ્યો છે. તેમની સ્થિતિ ગંભીર હતી અને તાત્કાલિક સારવારની જરૂર હતી. સંદેશો મળતાની સાથે જ પોરબંદર બોટ એમ્બ્યુલન્સના EMT રાજેશ જોષી અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી દરિયામાં પ્રયાણ કર્યું હતું. અંધારી રાતે દરિયાના પ્રવાહ વચ્ચે બોટ સુધી પહોંચી, દર્દીને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સ્થિર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દર્દી દિલીપભાઈને સલામત રીતે કાંઠે લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને આગળની સારવાર માટે રોડ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 108 ની ટીમે કપરી પરિસ્થિતિમાં પણ માનવતાવાદી અભિગમ દાખવી પ્રશંસનીય કામગીરી કરી હતી. 108 બોટ એમ્બ્યુલન્સની સેવા દરિયાખેડુઓ માટે ખરા અર્થમાં 'જીવનદાયિની' સાબિત થઈ રહી છે. ટીમના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમની ટીમ 24કલાક કોઈપણ પરિસ્થિતિમાં સેવા આપવા સજ્જ છે. આ સફળ અને સમયસરની કામગીરી બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર આકાશ સાહેબ તથા એક્ઝિક્યુટિવ દર્શક સાહેબ દ્વારા 108 બોટ એમ્બ્યુલન્સની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પોરબંદરના માછીમાર સમાજમાં પણ આ કામગીરીની ભારે પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:47 am

સરકારી નોકરી અપાવવાના નામે 4 લાખ ખંખેરી લેનાર ઠગબાજ ઝડપાયો:પોલીસથી બચવા મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં છુપાયો હતો ઠગ, સચિન પોલીસે 3 દિવસ રેકી કરી બોર્ડર પરથી ઝડપ્યો

સુરતમાં સરકારી નોકરી અપાવવાનું સપનું બતાવી લાખોની રોકડી કરી લેનારા લેભાગુ તત્વો સામે સુરત પોલીસે લાલ આંખ કરી છે. સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 4 લાખની ઠગાઈના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પોલીસને હાથતાળી આપતો આરોપી આખરે ઝોન-6 LCBની ઝપટે ચડી ગયો છે. મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરથી વોન્ટેડ આરોપીને પકડવા માટે પોલીસે છેક અંદરના વિસ્તારો સુધી મોરચો માંડ્યો હતો. 3 દિવસ સુધી રેકી કરી છટકું ગોઠવ્યુંઝોન-6 LCBની ટીમને બાતમી મળી હતી કે ઠગાઈનો આરોપી અશ્વિન પ્રભાતસિંહ પાડવી મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના તલંબા ગામમાં છુપાયેલો છે. સુરતથી આશરે 200 કિમી દૂર આવેલા આ નંદુરબાર ગામ વિસ્તારમાં પોલીસ ટીમે પહોંચીને સતત 3 દિવસ સુધી રેકી કરી હતી. આરોપીની હિલચાલ પર વોચ રાખ્યા બાદ પોલીસને તેનું ચોક્કસ લોકેશન મળ્યું હતું. ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પરથી ધરપકડટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે જાળ બિછાવી હતી. જ્યારે આરોપી મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પર તાપી જિલ્લાના કુકરમુંડા વિસ્તારમાં આવેલા મટાવલ બસ સ્ટેન્ડ પાસે પહોંચ્યો, ત્યારે જ સતર્ક પોલીસ ટીમે તેને દબોચી લીધો હતો. આરોપી વિરુદ્ધ અગાઉથી જ કોર્ટ દ્વારા વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પ્રભાવશાળી વ્યક્તિ હોવાની ઓળખ આપી છેતરપિંડીઆરોપી અશ્વિન પાડવીની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો, તેણે ભોગ બનનારને પોતે ખૂબ જ વગદાર અને પ્રભાવશાળી વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું. સરકારી વિભાગોમાં પોતાની મોટી ઓળખાણ હોવાનું કહી તેણે સામેવાળી વ્યક્તિને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી હતી. વિશ્વાસમાં લઈને તેણે ટુકડે-ટુકડે કુલ 4 લાખની રકમ પડાવી લીધી હતી. નોકરી ન મળતા ભાંડો ફૂટ્યોલાંબો સમય વીતવા છતાં જ્યારે નોકરી મળી નહીં અને આરોપી વાયદા પર વાયદા કરવા લાગ્યો, ત્યારે ભોગ બનનારને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આ અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ આરોપી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે તેની ધરપકડ કરી કલમ 318(4) અને 54 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:35 am

ગીરગઢડામાં સિંહણની હાઈજમ્પ 'સર્જિકલ સ્ટ્રાઈક':ભારેખમ મારણને જડબામાં દબાવી સેકન્ડોમાં વાડીના ઊંચા ગેટ પરથી કૂદી ગઈ; કલાકો સુધી વાડીમાં જ મિજબાની માણતી બેસી રહી

ગીરની ભૂમિ એટલે સિંહોનું કાયમી સરનામું, પરંતુ હવે વનરાજ જંગલ છોડીને રહેણાક વિસ્તારોમાં મહેમાન બની રહ્યા છે. ગીરગઢડામાં ન્યાય મંદિર પાછળના વિસ્તારમાં ગત રાત્રે સિંહણના શિકાર અને તેની ચપળતાના એવા દૃશ્યો જોવા મળ્યા જેણે જોનારાઓના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. એક સિંહણે શિકારની શોધમાં રહેણાક વિસ્તારમાં લટાર મારતાં મારતાં વાડીના ગેટ પાસે એક વાછરડાનું મારણ કર્યું હતું. આ ઘટના સમયે વાડી માલિક અને સિંહપ્રેમીઓ ત્યાં પહોંચી ગયા હતા, પરંતુ સિંહણની સ્ફૂર્તિ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા હતા. મારણને જડબામાં દબાવી ગેટ પરથી કૂદી ગઈ પોતાના શિકારને અન્ય કોઈ પડાવી ન જાય તેવા ડરથી કે સલામતીના ભાવથી સિંહણે ગણતરીની સેકન્ડોમાં જ ભારેખમ મારણને પોતાના જડબામાં મજબૂતીથી દબાવ્યું અને વાડીના ઊંચા ગેટ પરથી આસાનીથી કૂદકો મારી અંદર પ્રવેશી ગઈ હતી. સિંહણની આ અદભૂત 'હાઈજમ્પ' વાડી માલિકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. આ દૃશ્યો સોશિયલ મીડિયામાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. શિકાર સાથે ગેટ કૂદ્યા બાદ સિંહણ કલાકો સુધી વાડીમાં જ મિજબાની માણતી બેસી રહી હતી. છેલ્લા બે દિવસથી સિંહ પરિવારનું ગ્રુપ સતત લટાર મારી રહ્યું છે વાડીમાલિકે પણ ઉદારતા અને સમજદારી બતાવી પોતાના જ આંગણે 'મહેમાન' બનેલી સિંહણની મિજબાનીમાં ખલેલ ન પહોંચે તે માટે વાડીમાં જવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે, ગીરગઢડા અને આસપાસના ઉમેદપરા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી સિંહ પરિવારનું ગ્રુપ સતત લટાર મારી રહ્યું છે. સિંહો હવે જંગલની હદ વટાવી રેવન્યુ વિસ્તાર અને સોસાયટીઓ સુધી પહોંચી રહ્યા છે, જેને પગલે વન વિભાગ માટે પણ પડકારજનક સ્થિતિ સર્જાઈ છે. માલધારીઓ-ખેડૂતોમાં પશુધનની સુરક્ષાને લઈ ચિંતામાં સિંહ પરિવારના રહેણાંક વિસ્તારોમાં વધતા આંટાફેરાને કારણે હવે વન વિભાગે પણ પોલીસની જેમ રાત્રિ પેટ્રોલિંગ કરવાની ફરજ પડી રહી છે. સ્થાનિકોમાં સિંહદર્શનનો રોમાંચ તો છે, પણ સાથે સાથે માલધારીઓ અને ખેડૂતોમાં પોતાના પશુધનની સુરક્ષાને લઈ ચિંતા પણ જોવા મળી રહી છે. જંગલનો રાજા જ્યારે માનવ વસ્તી વચ્ચે આટલી સહજતાથી શિકાર કરતો જોવા મળે ત્યારે પ્રકૃતિ અને માનવ સંઘર્ષના નવા પાસાઓ સામે આવી રહ્યા છે. ગીર ગઢડામાં સિંહબેલડીની શાહી લટાર, VIDEO ગીરનું જંગલ જેનું હૃદય છે એવા સોરઠની ધરા પર હવે વનરાજોનો વસવાટ માત્ર જંગલ પૂરતો સીમિત રહ્યો નથી. ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામમાં વહેલી સવારે સિંહ પરિવારની શાહી સવારી જોવા મળતાં સ્થાનિકોમાં કુતૂહલ સાથે ફફડાટ વ્યાપ્યો હતો. જંગલની બોર્ડર પર આવેલા આ ગામના રોડ પર 3 સિંહણ અને 4 પાઠડાં (યુવાન સિંહ) મળી કુલ 7 સિંહે નિરાંતે લટાર મારી હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો… ગીર ગઢડાના ફાટસર રોડ પર સિંહયુગલની ગર્જના ગીરના જંગલના રાજા હવે માત્ર વનરાજી પૂરતા સીમિત રહ્યા નથી, પરંતુ માનવ વસાહતો તરફ પણ તેમનું પ્રભુત્વ વધી રહ્યું છે. ગીર ગઢડા તાલુકાના ફાટસર રોડ પર ત્રણ દિવસ પહેલાં રાત્રિના સમયે એક સિંહ યુગલની ગર્જનાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ઝૂડવડલીથી ફાટસર તરફ જતા માર્ગ પર ખેતરના સેઢે સિંહ યુગલે પડાવ નાખતા સ્થાનિકો અને સિંહપ્રેમીઓમાં કુતૂહલ જોવા મળ્યું હતું. સંપૂર્ણ અહેવાલ વાંચો… ગીરગઢડાના બેડીયામાં મધરાતે વનકેસરીની મારણ કરી મિજબાની ગીર સોમનાથના ગીર ગઢડા તાલુકાના જંગલ બોર્ડર પર આવેલા બેડીયા ગામમાં ફરી એકવાર સિંહે મારણ કરતાં ફફડાટ અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. 10 દિવસ પહેલા રાત્રિના સમયે ગામની મધ્યમાં આવેલા પાણીના અવેડા પાસે એક સિંહ આવી ચઢ્યો હતો અને ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસમાં સિંહ દ્વારા મારણની આ બીજી ઘટના હતી, જેનાથી સ્પષ્ટ થાય છે કે વનરાજે હવે ગામને જ પોતાનું કાયમી નિવાસસ્થાન બનાવી લીધું છે. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લીક કરો)

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:32 am

MBIT વિદ્યાર્થીઓએ રોબોફેસ્ટ ગુજરાતમાં દ્વિતીય સ્થાન મેળવ્યું:₹7.50 લાખનું ઇનામ જીતી સંસ્થાનું ગૌરવ વધાર્યું

ન્યૂ વલ્લભ વિદ્યાનગર સ્થિત CVMU ની મધુબેન અને ભાનુભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (MBIT)ના વિદ્યાર્થીઓએ ROBOFEST GUJARAT 5.0 – ગ્રાન્ડ ફિનાલેમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ ટીમને ₹7.50 લાખનું આકર્ષક ઇનામ પણ પ્રાપ્ત થયું છે. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં રાજ્યભરની શ્રેષ્ઠ પ્રતિભાશાળી ટીમોએ ભાગ લીધો હતો. MBITની ટીમે નવીનતા, સર્જનાત્મકતા અને મજબૂત ટેકનિકલ અભિગમ દ્વારા પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવ્યું હતું. વિજેતા ટીમમાં સ્નેહ બ્રહ્મભટ્ટ, સ્નેહ મોરડિયા, શ્યામ પટેલ અને યાસ્મિન શેખનો સમાવેશ થાય છે. આ વિદ્યાર્થીઓએ સંયુક્ત પ્રયત્નો, સતત મહેનત અને નવી ટેક્નોલોજી પ્રત્યેની લાગણીથી આ સિદ્ધિ હાંસલ કરી છે. ટીમને શ્રી સુનિત પરમાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે CVMUના પ્રેસિડેન્ટ અને CVMના ચેરમેન ભીખુભાઈ પટેલ, CVMના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી મનીષભાઈ પટેલ, CVMUના પ્રોવોસ્ટ ડૉ. ઇંદ્રજીત પટેલ અને પ્રિન્સિપાલ ડૉ. મૌલિકા પટેલે સમગ્ર ટીમ અને તેમના માર્ગદર્શકને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. સંસ્થાના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે આ સિદ્ધિ સંસ્થાના શિક્ષણની ગુણવત્તા અને નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. તેઓએ આશા વ્યક્ત કરી કે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પણ આવી જ સફળતાઓ પ્રાપ્ત કરી સંસ્થાનું નામ વધુ ઉજ્જવળ કરશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:22 am

અમદાવાદમાં ઊંઘમાં જ યુવકની હત્યા:અજાણ્યા શખસે બહેનની સામે જ હથિયારના ઘા માર્યા, પથારી લોહીલુહાણ

અમદાવાદના વાસણા વિસ્તારમાં 25 વર્ષના યુવકની હત્યાનો બનાવ બન્યો છે. 23 માર્ચે યુવક સૂતો હતો, ત્યારે રાતના અઢી વાગ્યે અજાણ્યા શખસે તીક્ષ્ણ હથિયાર મારી હત્યા કરી છે. યુવકની બહેનની સામે હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ.....

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:20 am

ભરૂચમાં મહિલાને પતિ-સાસુના ત્રાસથી રાહત:181 અભયમ ટીમે સમયસર હસ્તક્ષેપ કરી સમાધાન કરાવ્યું

ભરૂચ જિલ્લામાં પતિ અને સાસુના માનસિક ત્રાસથી પીડિત એક મહિલાને 181 અભયમ ટીમે સમયસર હસ્તક્ષેપ કરીને રાહત અપાવી છે. મહિલાએ હેલ્પલાઇન પર સંપર્ક કરીને મદદ માંગી હતી. મહિલાએ ફરિયાદ કરી હતી કે તેના પતિ વારંવાર ઝઘડા કરીને છૂટાછેડાની ધમકી આપતા હતા, જ્યારે સાસુ તેમને ઉશ્કેરતા હતા. આ સતત ત્રાસના કારણે મહિલા ખૂબ જ પરેશાન હતી. માહિતી મળતા જ અભયમ ટીમ પીડિતાના નિવાસ સ્થાને પહોંચી હતી અને કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. તપાસ દરમિયાન ટીમને જાણવા મળ્યું કે પ્રેમલગ્નને પાંચ વર્ષ થયા હોવા છતાં સંતાન ન હોવા અને પરિવારમાં મતભેદને કારણે વારંવાર કલહ સર્જાતો હતો. આ માનસિક ત્રાસના કારણે મહિલા આત્મહત્યાના વિચારો સુધી પહોંચી ગઈ હતી. અભયમ ટીમે મહિલાને સમજાવીને આત્મહત્યા ન કરવા હિંમત આપી હતી. ટીમે પતિનું પણ કાઉન્સેલિંગ કર્યું અને તેમને કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડ્યું. સમજાવટ બાદ પતિએ પોતાની ભૂલ સ્વીકારી હતી અને પત્નીને સન્માનપૂર્વક રાખવાની તથા છૂટાછેડાની ધમકી ન આપવા લેખિતમાં બાહેંધરી આપી હતી. અભયમ ટીમના સંવેદનશીલ અને સમયસર હસ્તક્ષેપથી પતિ-પત્ની વચ્ચે સુખદ સમાધાન થયું હતું, જેનાથી મહિલાને મોટી રાહત મળી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:16 am

પાલનપુરમાં મહિલા સુરક્ષા માટે પોલીસનું અભિયાન:થિયેટરમાં વીડિયો ક્લિપ્સ દ્વારા જાગૃતિ ફેલાવી

પાલનપુર શહેર પોલીસે મહિલા સુરક્ષા અને તેમના અધિકારો અંગે જાગૃતિ લાવવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. બનાસકાંઠા જિલ્લામાં આ પહેલ હાથ ધરવામાં આવી છે. પાલનપુર પશ્ચિમ પોલીસે શહેરના સુર મંદિર થિયેટરમાં ત્રણ જુદી જુદી વિડિયો ક્લિપ્સ દર્શાવી હતી. આ ક્લિપ્સ દ્વારા મહિલાઓ પર થતા અત્યાચાર વિરુદ્ધ લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ વિડિયો ક્લિપ્સમાં ગુજરાતમાં બનેલા વાસ્તવિક કિસ્સાઓને AI વીડિયો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. તેમાં દર્શાવવામાં આવ્યું કે કેવી રીતે પોલીસે મહિલાઓ પર થયેલા અત્યાચારોના આરોપીઓને ગણતરીના દિવસોમાં ઝડપી પાડીને સજા અપાવી હતી. આ ત્રણેય ઘટનાઓને થિયેટરના પડદા પર રજૂ કરીને પોલીસ તંત્રએ લોકોમાં વિશ્વાસ જગાવવાનો પ્રયાસ કર્યો કે તેઓ મહિલાઓની સુરક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. પોલીસે બહેનો અને દીકરીઓને ડર્યા વિના, કોઈ પીછો કરે તો તરત જ 112 અથવા 181 અભયમ હેલ્પલાઇન પર જાણ કરવા અપીલ કરી. વધુમાં, પોલીસે જાહેર જનતાને પણ અપીલ કરી કે જો કોઈ દીકરી કે માતાને મદદની જરૂર હોય તો માત્ર વીડિયો ઉતારવાને બદલે મદદ માટે આગળ આવે. કાયદો તેમની ઢાલ છે અને હિંમત કેળવીને મૌન તોડવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:14 am

નવસારી પાસે ખાનગી બસને અકસ્માત, 5 મુસાફર ઈજાગ્રસ્ત:ડિવાઈડર પર ચઢી પલટી, સામેથી આવતાં વાહનને બચાવવાનો પ્રયાસ

આજે વહેલી સવારે નવસારી નજીક મુંબઈથી અમદાવાદ જતી ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. નેશનલ હાઈવે પર આરક સિસોદ્રા ગામ પાસે સામેથી આવતા વાહનને બચાવવાના પ્રયાસમાં બસ ચાલકે કાબૂ ગુમાવતા બસ ડિવાઈડર સાથે અથડાઈને પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં બસમાં સવાર પાંચ મુસાફરોને ઈજાઓ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ખાનગી લક્ઝરી બસ મુંબઈથી મુસાફરોને લઈને અમદાવાદ જઈ રહી હતી. નવસારીના આરક સિસોદ્રા ગામના કટ પાસે પહોંચતા સામેથી અચાનક એક વાહન આવી ગયું હતું. તેને બચાવવાના પ્રયાસમાં ચાલકે બસને ડિવાઈડર પર ચઢાવી દીધી, જેના કારણે બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માત બાદ આસપાસના ગ્રામજનો અને અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા. નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્ત પાંચ મુસાફરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અન્ય સુરક્ષિત મુસાફરો માટે પોલીસે અને ટ્રાવેલ્સ એજન્સીએ વૈકલ્પિક બસની વ્યવસ્થા કરી તેમને ગંતવ્ય સ્થાને મોકલ્યા હતા. નોંધનીય છે કે આરક સિસોદ્રા ગામ પાસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સ્થાનિકોના મતે, આ વિસ્તાર 'બ્લેક સ્પોટ' બની ગયો છે. ગ્રામજનોએ અગાઉ પણ અહીં વાહનોની અવરજવર અને કટને કારણે થતા અકસ્માતો અંગે રજૂઆત કરીને ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 10:11 am

ગીરની શાન 'કેસર' પર કમોસમી વરસાદનું સંકટ:બાગાયત વિભાગે ખેડૂતો માટે જાહેર કરી એડવાઈઝરી; પાકને જાળવવા ખેડૂતોએ શું કાળજી લેવી?

ગીર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. ખાસ કરીને વિશ્વવિખ્યાત કેસર કેરીના પાક પર રોગચાળાનું જોખમ મંડરાઈ રહ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મેંગો એક્સેલન્સ સેન્ટર, તાલાલાના બાગાયત અધિકારી વિજયસિંહ બારડે ખેડૂતોને પાકની સુરક્ષા માટે ખાસ તકેદારી રાખવા અનુરોધ કર્યો છે. વરસાદ બાદ આ જીવાતો અને રોગનો ખતરો બાગાયત અધિકારીના જણાવ્યા અનુસાર, વાદળછાયા વાતાવરણ અને ભેજને કારણે આંબામાં નીચે મુજબની સમસ્યાઓ ઉભી થઈ શકે છે: નિયંત્રણ માટેના વૈજ્ઞાનિક ઉપાયો ખેડૂતોએ બગીચામાં સવાર-સાંજ અવલોકન કરી જરૂરિયાત મુજબ નીચેની દવાઓનો છંટકાવ કરવો જોઈએ: 1. ભૂકીછારા (Powdery Mildew) માટે: 2. જીવાત (મધિયો/થ્રીપ્સ)ના નિયંત્રણ માટે: જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે, તેમણે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અથવા દશપર્ણ અર્કનો ઉપયોગ કરવો હિતાવહ છે. છંટકાવ સમયે રાખવાની સાવચેતી નિકાસ (Export) પર અસર ગીર અને સૌરાષ્ટ્રમાં દર વર્ષે અંદાજે 8 લાખ મેટ્રિક ટન કેસર કેરીનું ઉત્પાદન થાય છે. આ કેરી માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ નિકાસ કરવામાં આવે છે. જો કેરીની ગુણવત્તા (Quality) જળવાય તો જ સારા ભાવ અને નિકાસની તકો મળે છે, તેથી અત્યારે લેવાયેલી કાળજી ખેડૂતોની આર્થિક આવક માટે ખૂબ જ મહત્વની છે. વધુ માર્ગદર્શન માટે ખેડૂતોને સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર મેંગો, તાલાલા નો સંપર્ક કરવા જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 9:46 am

​ગીરના જંગલમાં વન વિભાગનો 'માસ્ટર સ્ટ્રોક':400 હેક્ટરમાંથી આક્રમક કુવાડિયાનો સફાયો કરી કુદરતી ઘાસ ઉગાડાયું, તૃણાહારી પ્રાણીઓની સંખ્યામાં વધારો

​એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા વિશ્વપ્રસિદ્ધ ગીરના જંગલની સુંદરતા અને તેની ઇકોસિસ્ટમ ત્યાંની અતૂટ આહાર શૃંખલા પર ટકેલી છે. છેલ્લા કેટલાક સમયથી ગીરના કુદરતી ઘાસના મેદાનો પર 'કુવાડિયા' (Senna tora) નામની આક્રમક વનસ્પતિએ કબજો જમાવ્યો હતો. આ બિનજરૂરી વનસ્પતિને કારણે ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ખોરાક પર માઠી અસર પડી હતી, જેની સીધી અસર આખી ઇકોસિસ્ટમ પર જોવા મળતી હતી. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા એક વિશેષ અને સફળ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેના પરિણામે ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય ફરી ખીલી ઉઠ્યું છે. કુવાડિયાનું પ્રમાણ વધતા ધાસનું પ્રમાણ ઘટે છેઃ પ્રશાંત તોમર​જૂનાગઢ વન વિભાગના ડીસીએફ પ્રશાંત તોમરે આ અભિયાન અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગીરના જંગલમાં જે આક્રમક વનસ્પતિઓ છે, જેનો ઉલ્લેખ વન વિભાગના મેનેજમેન્ટ પ્લાનમાં પણ છે, તેમાંની મુખ્ય વનસ્પતિ 'કુવાડિયા' છે. વૈજ્ઞાનિક રીતે 'સેના ટોરા' તરીકે ઓળખાતી આ વનસ્પતિ સ્થાનિક કુદરતી ઘાસ સાથે સ્પર્ધા કરે છે અને તેના પર હાવી થઈ જાય છે. જ્યારે કુવાડિયાનું પ્રમાણ વધે છે ત્યારે તૃણાહારી પ્રાણીઓને પૂરતું ઘાસ મળતું નથી, જેના કારણે શિકારી પ્રાણીઓ અને સમગ્ર આહાર શૃંખલા પ્રભાવિત થાય છે. આ પડકારને પહોંચી વળવા વન વિભાગે દેવળિયા રેન્જના બેરીયા અને આબુડી વિસ્તારમાં આશરે 400 હેક્ટર જમીન પર 'મિકેનિકલ કટર્સ' દ્વારા કુવાડિયાને જમીનદોસ્ત કરવાનો પ્રયોગ કર્યો હતો. વન વિભાગે 'ઝિંઝુડો' અને 'શણિયાર' જેવા પૌષ્ટિક ઘાસનું વાવેતર કર્યું​કુવાડિયાના કટિંગ બાદ વધારાનો કચરો સુકાઈ જતા વન વિભાગ દ્વારા ત્યાં સ્થાનિક અને પૌષ્ટિક ઘાસની પ્રજાતિઓ જેવી કે 'ઝિંઝુડો' અને 'શણિયાર'નું વાવેતર કરવામાં આવ્યું હતું. આ માટે સીડ બોલ્સ, ઘાસના બીજ અને ટસક (ઘાસના મૂળિયાં)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પ્રયોગના પરિણામો અત્યંત પ્રોત્સાહક રહ્યા છે. આજે એ આખો વિસ્તાર ફરીથી ઘટાદાર કુદરતી ઘાસથી ભરાઈ ગયો છે. કુવાડિયાનું નામનિશાન મટી ગયું છે અને કુદરતી ઘાસે પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કરી દીધું છે, જે વન્યજીવો માટે આશીર્વાદ સમાન સાબિત થયું છે. ‘કુવાડિયાને કારણે ખોરવાયેલી આહાર શૃંખલા ફરી જીવીત થઈ’​આ પર્યાવરણીય ફેરફારની સીધી અસર ગીરના વન્યજીવો પર જોવા મળી રહી છે. આ નવપલ્લવિત મેદાનોમાં હવે ચીતલ, સાબર અને નીલગાય જેવા તૃણાહારી પ્રાણીઓના ટોળા નિર્ભયપણે ચરતા જોવા મળે છે. તૃણાહારી પ્રાણીઓની હાજરી વધતા સિંહ અને દીપડા જેવા માંસાહારી પ્રાણીઓ પણ આ વિસ્તારમાં ફરીથી સ્થાયી થયા છે. જે આહાર શૃંખલા કુવાડિયાને કારણે ખોરવાઈ ગઈ હતી, તે હવે ફરીથી મજબૂત બની છે. વન વિભાગ માટે આ એક 'વિન-વિન' સ્થિતિ છે, જેમાં પ્રકૃતિના સંતુલનની સાથે વન્યજીવોનું સંરક્ષણ પણ સુનિશ્ચિત થયું છે. ગીરના માલધારીઓને પણ મોટો ફાયદો થયો​માત્ર વન્યજીવો જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટથી સ્થાનિક માલધારી સમુદાયને પણ મોટો ફાયદો થયો છે. નેસની આસપાસના વિસ્તારોમાં જ ઉત્તમ પ્રકારનું ઘાસ ઉપલબ્ધ થતા માલધારીઓએ પશુ ચરાવવા માટે જંગલના ઊંડાણવાળા વિસ્તારોમાં જવું પડતું નથી. આનાથી વન્યજીવોના મૂળ રહેઠાણમાં માનવીય દખલગીરી ઘટી છે અને માલધારીઓના પશુઓને પણ પોષણક્ષમ ખોરાક નજીકમાં જ મળી રહે છે. ડીસીએફ પ્રશાંત તોમરે ઉમેર્યું હતું કે, આગામી વર્ષોમાં પણ ગીરના અન્ય અસરગ્રસ્ત વિસ્તારોની ઓળખ કરીને તબક્કાવાર રીતે આ મિકેનિકલ કટિંગ અને ઘાસારોપણની કામગીરી આગળ ધપાવવામાં આવશે, જેથી ગીરના વન વૈભવને વધુ સમૃદ્ધ બનાવી શકાય.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 9:29 am

હેમચંદ્રાચાર્ય યુનિ.નું ₹180 કરોડનું બજેટ મંજૂર:₹9 કરોડની પૂરાંત, અધ્યાપક સામે કાર્યવાહી, નવી ભરતીને લીલીઝંડી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ખાતે કુલપતિ ડો. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC) અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) ની સંયુક્ત બેઠક યોજાઈ હતી. સાડા પાંચ કલાક ચાલેલી આ બેઠકમાં વર્ષ 2026-2027 માટે ₹180 કરોડની આવકનું લક્ષ્યાંકિત બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શિક્ષણ અને વહીવટી હિતના 80 જેટલા મહત્વના મુદ્દાઓ પર પણ નિર્ણયો લેવાયા હતા. યુનિવર્સિટીના વાર્ષિક અંદાજપત્રમાં ₹180 કરોડની અંદાજિત આવક સામે ₹171 કરોડનો અંદાજિત ખર્ચ દર્શાવવામાં આવ્યો છે, જેના પરિણામે ₹9 કરોડની અંદાજિત પૂરાંત રહેશે. બેઠકની શરૂઆતમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં નવા નિમાયેલા સભ્યો ડો. કોકીલાબેન પરમાર, પ્રિ. ડો. સંજયશાહ, ડો. હરેશ બારોટ અને અશ્વિન એન. પટેલ તેમજ ઈસી મેમ્બર ડો. સંગીતા શર્માનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વહીવટી ફેરફારોમાં પૂર્વ મુખ્ય હિસાબી અધિકારી લલિત પટેલનું રાજીનામું પણ સ્વીકારવામાં આવ્યું હતું. બેઠકમાં શૈક્ષણિક ગેરરીતિ મામલે એક અધ્યાપક સામે કડક પગલાં લેવાનો નિર્ણય લેવાયો હતો. આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસ્યા વિના જ ગુણ મૂકી દેવાની ગંભીર બેદરકારી અન્ય યુનિવર્સિટીના એક્સપર્ટ દ્વારા તપાસમાં બહાર આવી હતી. આ ઘટનાને પગલે સંબંધિત અધ્યાપકને પરીક્ષા સહિતની તમામ કામગીરીથી દૂર રાખવાનો નિર્ણય લેવાયો છે અને વિદ્યાર્થીઓના હિતમાં પરિણામ વિથહેલ્ડ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, પરીક્ષામાં ચોરી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા શુદ્ધિકરણ સમિતિની ભલામણ મુજબ સજા ફટકારવામાં આવી હતી. યુનિવર્સિટીમાં શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. જે ટ્રસ્ટ હેઠળ વધુ કોલેજો કાર્યરત હોય તેમને પોતાની રીતે ભરતી કરવાની છૂટ આપવામાં આવી છે. જો નેટ, સ્લેટ કે પીએચડી લાયકાત ધરાવતા ઉમેદવારો ન મળે તો યુજીસીના ધારાધોરણ મુજબ કરાર આધારિત ટેમ્પરરી ટીચિંગ આસિસ્ટન્ટની ભરતીને મંજૂરી અપાઈ છે. આ ભરતીના નીતિ-નિયમો નક્કી કરવા માટે દિલીપભાઈ ચૌધરી, કે.કે. પટેલ, ડો. સંજય શાહ અને હીનાબેન પટેલની ચાર સભ્યોની કમિટીની રચના કરવામાં આવી છે. કર્મચારીઓના કલ્યાણ અને પ્રોત્સાહન માટે પણ બેઠકમાં મહત્વના ઠરાવ પસાર કરાયા હતા. સિસ્ટમ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટને 1 સપ્ટેમ્બર 2025 થી સાતમા પગાર પંચનો લાભ આપવાનું નક્કી કરાયું છે. રોજમદાર કર્મચારીઓને પર્ફોમન્સ એલાઉન્સ આપવા બાબતે પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરવામાં આવી છે. માનવીય અભિગમ દાખવતા, ચાલુ નોકરીએ અવસાન પામેલા કર્મચારીના પરિવારને ₹3 લાખની સહાય મંજૂર કરાઈ હતી. યુનિવર્સિટીને નવ નવા ગોલ્ડ મેડલના દાતાઓ તરફથી કુલ ₹9 લાખનું દાન પણ પ્રાપ્ત થયું હતું, જેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 9:08 am

દહેગામ પશુપાલકોના આંદોલનનો અંત:માંગણીઓ સ્વીકારાતા સમાધાન, દૂધ પુરવઠો ફરી સામાન્ય

દહેગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા પશુપાલકોના આંદોલનનો અંત આવ્યો છે. રાજ્યના સહકાર મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ઉત્તમ ડેરીના ચેરમેન અને દહેગામના પશુપાલકો વચ્ચે વિસ્તૃત ચર્ચા બાદ સમાધાન થયું હતું. આંદોલનને કારણે દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં દૂધ પુરવઠા પર અસર પડી હતીઆંદોલન પાછળનું મુખ્ય કારણ દૂધના ખરીદી ભાવને લઈને અસંતોષ હતો. પશુપાલકોનો આક્ષેપ હતો કે ઉત્તમ ડેરી દ્વારા આપવામાં આવતો દૂધનો ભાવ ખર્ચની સરખામણીએ ઓછો છે, જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું હતું. ઉપરાંત, દૂધના ફેટ મુજબ યોગ્ય દર ન મળતા, ચુકવણીમાં થતો વિલંબ અને ડેરી સંચાલનમાં પારદર્શિતાના અભાવ જેવા મુદ્દાઓ પણ પશુપાલકોમાં અસંતોષનું કારણ બન્યા હતા. આ મુદ્દાઓને લઈ પશુપાલકોએ દૂધ સપ્લાય બંધ કરી વિરોધ નોંધાવ્યો હતો, જેના પરિણામે દહેગામ સહિત આસપાસના વિસ્તારોમાં દૂધ પુરવઠા પર અસર પડી હતી. પશુપાલકોને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરવાની ખાતરીબેઠક દરમિયાન પશુપાલકોએ પોતાના પ્રશ્નો વિગતવાર રજૂ કર્યા, જ્યારે ડેરી સંચાલન તરફથી પણ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી. સહકાર મંત્રીએ બંને પક્ષોની વાત સાંભળી મધ્યસ્થતા કરી અને પશુપાલકોને ન્યાય મળે તે દિશામાં પગલાં ભરવાની ખાતરી આપી. પશુપાલકોએ આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય લીધોમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પશુપાલકોના હિત માટે પ્રતિબદ્ધ છે અને તેમના પ્રશ્નોનો સ્થાયી ઉકેલ લાવવા પ્રયત્નશીલ રહેશે. બેઠક બાદ બંને પક્ષોમાં સહમતી થતાં પશુપાલકોએ પોતાનું આંદોલન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ દહેગામ વિસ્તારમાં દૂધનો પુરવઠો ફરી સામાન્ય બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે સ્થાનિક લોકોમાં રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 9:08 am

કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ: મૃત્યુઆંક વધીને 66 થયો, રનવેથી માત્ર 1.5 કિમી દૂર કાળમુખો અકસ્માત

વાઈરલ વીડિયો Colombia Air Force Crash: કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં પ્લેન ક્રેશ થતાં અનેક સૈનિકોના મોત થયા છે. 110 સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-130 વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ જ ક્રેશ થઈ ગયું હતું.

ગુજરાત સમાચાર 24 Mar 2026 8:52 am

પોરબંદર પોલીસે ગુમ થયેલા બે મોબાઈલ ફોન શોધ્યા:₹24,000ની કિંમતના ફોન મૂળ માલિકોને પરત કર્યા

પોરબંદર: કીર્તિમંદિર પોલીસે ગુમ થયેલા બે મોબાઈલ ફોન શોધી કાઢીને તેના મૂળ માલિકોને પરત કર્યા છે. આ બંને ફોનની કુલ કિંમત ₹24,000/- હતી. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચનાથી જિલ્લામાં ગુમ થયેલા મોબાઈલ ફોન શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશ અંતર્ગત, પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાના માર્ગદર્શન હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનની ટીમે કાર્યવાહી કરી હતી. સરકારી CEIR પોર્ટલની મદદથી પોલીસે આ ફોન શોધી કાઢ્યા હતા. પોલીસે આજે અરજદારોને રૂબરૂ બોલાવીને તેમના ફોન પરત સોંપ્યા હતા. પરત મેળવનારાઓમાં કડિયાપ્લોટના ભરત છોટાલાલ મોઢા (OPPO, કિંમત ₹૧૨,૦૦૦/-) અને ખારવાવાડના એકતા વિજયભાઈ હોદાર (MOTOROLA) નો સમાવેશ થાય છે. પોતાના ગુમ થયેલા ફોન પરત મળતા અરજદારોએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી અને આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 8:44 am

મિડલ ઈસ્ટમાં શાંતિ માટે અમેરિકા એક્શન મોડમાં: ભારત સહિત 3 દેશો સાથે સુરક્ષા મુદ્દે હાઈલેવલ ચર્ચા

(IMAGE - IANS) US steps up diplomacy on Iran: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારત, કેનેડા અને કેન્યાના નેતાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરીને મધ્ય પૂર્વની સ્થિતિ અને ઈરાન સામેની વ્યૂહનીતિ અંગે મહત્ત્વની ચર્ચા કરી છે. વોશિંગ્ટનથી મળેલી માહિતી અનુસાર, રુબિયોએ ભારતના વિદેશ મંત્રી એસ.

ગુજરાત સમાચાર 24 Mar 2026 8:41 am

છોટા ઉદેપુરમાં પેટ્રોલ-ડીઝલની અફવા, પંપો પર લાંબી લાઈનો:જિલ્લા પુરવઠા અધિકારીએ લોકોને ગભરાટ ન કરવા અપીલ કરી

છોટા ઉદેપુર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવા ફેલાતા મોડી સાંજથી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. લોકો પોતાના વાહનોમાં ઇંધણ ભરાવવા ઉમટી પડ્યા હતા, જેના કારણે પંપો પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વૈશ્વિક પરિસ્થિતિને કારણે પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ હોવાની અફવાએ જોર પકડ્યું હતું. આ અફવાને પગલે જિલ્લાભરમાં લોકો ગભરાઈને પેટ્રોલ પંપો તરફ દોડી આવ્યા હતા. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને ખાસ કરીને પુરવઠા વિભાગ દ્વારા પેટ્રોલ-ડીઝલના જથ્થા અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. લોકોને પૂરતો પુરવઠો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાઈ રહ્યા છે. જિલ્લા પુરવઠા અધિકારીએ પોતે પેટ્રોલ પંપોની મુલાકાત લીધી હતી અને લોકોને ગભરાટ ન કરવા અપીલ કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને અફવાઓમાં ન આવવા જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 8:40 am

વલસાડ પોલીસનું રિસ્ટ્રક્ચરિંગ, સરીગામ નવું પોલીસ સ્ટેશન બન્યું:ધરમપુર અલગ ડિવિઝન, પોલીસ મથકોની હદમાં ફેરફાર

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અને વધતી વસ્તી તથા ઔદ્યોગિક વિસ્તારને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે. વલસાડ એસપી યુવરાજસિંહ જાડેજાએ સત્તાવાર આદેશ જાહેર કરીને જિલ્લામાં નવા પોલીસ સ્ટેશનો અને વિભાગીય કચેરીઓની જાહેરાત કરી છે. આ ફેરફારોમાં સરીગામ આઉટપોસ્ટને પૂર્ણ કક્ષાના પોલીસ સ્ટેશનમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય સૌથી મહત્વનો છે. લાંબા સમયથી ચાલી આવતી માંગણી બાદ ભિલાડ પોલીસ સ્ટેશન હેઠળની સરીગામ આઉટપોસ્ટને રદ કરીને 'સરીગામ પોલીસ સ્ટેશન' મંજૂર કરાયું છે. સરીગામ પોલીસ મથકમાં ભિલાડ પોલીસ સ્ટેશનના 9 ગામો અને ઉમરગામ પોલીસ સ્ટેશનના 3 ગામો મળીને કુલ 12 ગામોનો સમાવેશ થશે. આ ઉપરાંત, ઉમરગામ પોલીસ સ્ટેશનનું 'મલાવ' ગામ હવે ભિલાડ પોલીસ સ્ટેશનની હદમાં આવશે. ધરમપુર વિસ્તાર માટે હવે અલગ 'નાયબ પોલીસ અધીક્ષકની કચેરી' (SDPO) મંજૂર કરવામાં આવી છે, જે એક નવું પોલીસ ડિવિઝન બનશે. આ ધરમપુર ડિવિઝન હેઠળ ધરમપુર, કપરાડા અને નવનિર્મિત નાનાપોંઢા પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે. વાપીમાં ઔદ્યોગિક ગતિવિધિઓને ધ્યાનમાં રાખીને વાપી ટાઉન અને વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં પણ ફેરફાર કરાયા છે. ડુંગરા પોલીસ સ્ટેશનના સલવાવ ગામનો કેટલોક ભાગ અને નેશનલ હાઈવે 48 ના પશ્ચિમ તરફના વિસ્તારો હવે વાપી ટાઉનમાં ભળશે. વાપી ટાઉનમાંથી ભડકમોરા, સુલફડ અને બલીઠા ગામના સર્વે નંબરો ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરાયા છે. તેમજ ડુંગરા પોલીસ સ્ટેશનનું ચણોદ ગામ પણ હવે ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવશે. શહેરમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે વાપી ખાતે 'નવું ટ્રાફિક પોલીસ સ્ટેશન' પણ મંજૂર કરવામાં આવ્યું છે. આ નવા પોલીસ સ્ટેશન હેઠળ વાપી ટાઉન, વાપી ઉદ્યોગનગર અને ડુંગરા પોલીસ સ્ટેશનનો સમગ્ર વિસ્તાર આવરી લેવાશે. મહેસૂલ વિભાગ દ્વારા પારડી અને કપરાડા તાલુકામાંથી નવો 'નાનાપોંઢા' તાલુકો અસ્તિત્વમાં આવતા, હવે નાનાપોંઢા પોલીસ સ્ટેશન કાર્યરત થશે. જે તે તાલુકાના ગામોને સંબંધિત પોલીસ સ્ટેશન સાથે જોડી દેવામાં આવ્યા છે. વહીવટી સરળતા માટે દરખાસ્ત મંજૂરવલસાડ જિલ્લામાં વહીવટી સરળતા રહે અને લોકોને પોલીસ સ્ટેશન સુધી પહોંચવામાં અંતર ન નડે તે માટે આ ફેરફાર કરાયા છે. નવા મંજૂર થયેલા પોલીસ સ્ટેશનો અને કચેરીઓ 24 કલાક કાર્યરત રહેશે અને જરૂરી મહેકમની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. - પોલીસ અધીક્ષક

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 8:33 am

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ ₹757.02 કરોડનું બજેટ રજૂ કર્યું:શહેરના વિકાસ માટે ₹450 કરોડના નવા કામોનું આયોજન

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગવ્હાણે દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 757.02 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે આ બજેટને બહાલી આપી હતી. આ બજેટ 'વિકસિત ભારત' અને 'વિકસિત ગુજરાત'ના સંકલ્પ સાથે 'વિકસતું સુરેન્દ્રનગર' બનાવવા પર વિશેષ ભાર મૂકે છે. શહેરના માળખાકીય વિકાસ માટે રૂ. 450 કરોડના મહત્વના કામોનું આયોજન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, આ બજેટ શહેરના સર્વાંગી વિકાસ, માળખાકીય સુધારણા અને નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપે છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ફાળવણી કરવામાં આવી છે. રોડ પ્રોજેક્ટ્સ માટે કુલ રૂ. 99 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં શહેરમાં આઈકોનિક રોડ માટે રૂ. 30 કરોડ, રિવરફ્રન્ટ રોડ માટે રૂ. 20 કરોડ અને નવા ભળેલા ગામોને જોડતા રસ્તાઓ માટે વિશેષ જોગવાઈનો સમાવેશ થાય છે. પાણી પુરવઠાના ફેઝ-2 માટે રૂ. 50 કરોડ અને ડ્રેનેજ પ્રોજેક્ટ માટે રૂ. 25 કરોડ ફાળવવામાં આવ્યા છે. શહેરી આયોજન અને સુવિધાઓ હેઠળ શોપિંગ મોલ અને હોકર્સ ઝોન માટે રૂ. 30 કરોડ તથા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે રૂ. 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સ્વચ્છતા અને પર્યાવરણ સુધારણા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સેનિટેશન સુવિધાઓ માટે રૂ. 40 કરોડ ફાળવી શહેરને કચરામુક્ત બનાવવાનો લક્ષ્યાંક છે. આ ઉપરાંત, અર્બન ફોરેસ્ટ અને ટ્રાન્સપોર્ટ માટે રૂ. 7 કરોડની જોગવાઈ છે. જાહેર મકાનોમાં નવા ટાઉનહોલ માટે રૂ. 13.50 કરોડ અને આધુનિક લાયબ્રેરી માટે રૂ. 4 કરોડ ફાળવવામાં આવ્યા છે. આરોગ્ય સેવાઓ અને ફાયર-ઈમરજન્સી સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવા માટે રૂ. 19.50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. 23 કરોડના ખર્ચે 600 નવા આવાસોનું નિર્માણ થશે. આ બજેટ રજૂઆત પ્રસંગે મદદનીશ પોલીસ અધિક્ષક વૈદિકા બિહાની, નાયબ મ્યુનિસિપલ કમિશનર જી.કે. મકવાણા અને રવિકાંત પટેલ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા, ધનજીભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, અગ્રણી સર્વ વિરેન્દ્રભાઈ આચાર્ય, વિપુલભાઈ ચૌહાણ, પત્રકાર મિત્રો તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 8:26 am

ઈરાને યુદ્ધ રોકવા ટ્રમ્પ સામે બે શરતો મૂકી! પાકિસ્તાનમાં મધ્યસ્થી બેઠકની અટકળો પર જાણો અમેરિકાનો જવાબ

Israel-Iran Conflict Escalates: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હવે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર હુમલા નહીં કરે. જોકે જાહેરાત બાદ પણ ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે. ઈરાન પણ ઈઝરાયલ પર વળતાં પ્રહાર કરી રહ્યું છે. એવામાં ઈરાને અમેરિકા સામે યુદ્ધ રોકવા માટે બે શરતો મૂકી છે.

ગુજરાત સમાચાર 24 Mar 2026 7:47 am

ટ્રમ્પની જાહેરાત બાદ પણ યુદ્ધ ન રોકાયું! ઈરાને ઈઝરાયલ પર મિસાઈલોથી હુમલો કર્યો, જાણો ટોપ-10 અપડેટ્સ

Israel-Iran Conflict Escalates: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે અસમંજસની સ્થિતિ દેખાઈ રહી છે. ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે અને હવે 5 દિવસ સુધી અમેરિકા ઈરાન પર હુમલા નહીં કરે. જોકે જાહેરાત બાદ પણ ઈરાનમાં હુમલા થઈ રહ્યા છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અજ્ઞાત ઈરાની અધિકારીઓ સાથે તેમની સારી વાતચીત થઈ છે અને ઈરાન ડીલ કરવા માંગે છે. બીજી તરફ ઈરાનનો દાવો છે કે ટ્રમ્પ ફેક ન્યૂઝ ફેલાવી રહ્યા છે અને તેલ-ગેસ માર્કેટમાં ફાયદો મેળવવા ખોટા દાવા કરી રહ્યા છે.

ગુજરાત સમાચાર 24 Mar 2026 7:23 am

પેટ્રોલ પંપ પર પેનિક:પેટ્રોલ ભરાવવા પ્રજામાં પડાપડી

યુદ્ધના કારણે જહાજની અવર-જવર અટકી જતાં ઇંધણ, ગેસ સહિતના જથ્થાનો હાલમાં બિનજરૂરી વપરાશ ન કરવા અપીલ કરવામાં આવી રહી છે. સરકારનો દાવો છે કે, આપણી પાસે પુરતું ઇંધણ અને ગેસ સહિતનો જથ્થો છે, પરંતુ છેલ્લા ઘણા દિવસોથી લોકો ઘરેલું ગેસના બાટલા મેળવવા માટે રીતસર લાઇનો લગાવે છે અને 10 દિવસે માંડ બાટલા મળે છે. કોમર્સિયલ ગેસ હજી સુધી શરૂ થયો નથી. આ વચ્ચે સોમવારે બપોરે બાદ અફવા ફેલાતાં કચ્છના તમામ શહેરો અને ગામમાં આવેલા પંપો પર પેટ્રોલ અને ડીઝલ પુરાવવા માટે લોકોની કતારો લાગી હતી. એક તબક્કે લોકડાઉનની યાદો તાજા થઇ હતી. જો કે, ગુજરાત સરકાર પુરવઠા વિભાગના સચિવ અને ખુદ નાયબ મુખ્યમંત્રીએ પણ હાલમાં પુરતો જથ્થો હોવાનું જણાવી અફવામાં ગેરમાર્ગે ન દોરાવવા જણાવ્યું હતું. કચ્છમાં પણ અફવાને પગલે ઠેક-ઠેકાણે લાઇનો જોવા મળી હતી. માંડવી : પેટ્રોલની અછતથી પંપો પર વાહનોની લાંબી કતારો માંડવી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં પેટ્રોલનો પુરવઠો ખોરવાતા અચાનક અછત જેવી સ્થિતિ સર્જાઈ જતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. સવારથી જ અનેક પેટ્રોલ પમ્પો પર પેટ્રોલ ઉપલબ્ધ ન હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામેનો કરવો પડ્યો હતો. પેટ્રોલ નહીં મળવાની વાત વાયુવેગે ફેલાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો પોતાના વાહનો લઈને પેટ્રોલ ભરાવવા પમ્પો પર ધસી આવ્યા હતા. પરિણામે શહેરના લગભગ તમામ પેટ્રોલ પમ્પો પર લાંબી કતારો લાગી ગઈ હતી. ઘણી જગ્યાએ તો કલાકો સુધી રાહ જોયા બાદ પણ લોકોને પેટ્રોલ મળ્યું નહોતું, જેને કારણે નારાજગીનો માહોલ પણ સર્જાયો હતો. સાંજના સમયે શહેરના જોષી પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરેલું ટેન્કર પહોંચતા જ બાઈકચાલકોની વિશાળ લાઈન જોવા મળી હતી. યુવાનોથી લઈને વયસ્કોને કલાકો સુધી પેટ્રોલ મેળવવા માટે ધક્કામુક્કી વચ્ચે પોતાનો વારો આવવાની રાહ જોવી પડી હતી. આ સમગ્ર પરિસ્થિતિ અંગે માંડવી પેટ્રોલ પમ્પ એસોસિએશનના અગ્રણી શૈલેષ મડિયારએ જણાવ્યું હતું કે ઉપરથી મળતા ઓર્ડર મુજબ સપ્લાય સમયસર નહીં પહોંચતા મુશ્કેલી ઊભી થઈ છે. જોકે, તેમણે આશ્વાસન આપ્યું હતું કે ગભરાવાની કોઈ જરૂર નથી અને ટૂંક સમયમાં તમામ પેટ્રોલ પમ્પો પર નિયમિત પુરવઠો ફરી શરૂ થશે. અંજાર : પંપો પર ડીઝલનો જથ્થો ખૂટ્યો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની અછતની આશંકાએ ભારે અફરા- તફરી મચાવી હતી. બપોરથી સાંજ સુધી તમામ પેટ્રોલ પંપો પર વાહનોનું કીડીયારું ઉભરાતા ડીઝલનો જથ્થો સંપૂર્ણપણે ખૂટી ગયો હતો. સ્થિતિ કાબૂ બહાર જતાં અને પંપ બંધ કરવાની નોબત આવતા સંચાલકોએ પોલીસ સુરક્ષાની માંગ કરી હતી, જેના પગલે સાંજે ગંગા નાકા પાસેના પંપ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. આ પડાપડીને કારણે ગંગા નાકા વિસ્તારમાં વાહનોની કિલોમીટરો લાંબી કતારો લાગી હતી, જેનાથી મુખ્ય માર્ગો રીતસર બ્લોક થઈ ગયા હતા અને કલાકો સુધી ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. નલિયા : 3 માંથી 2 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો! અબડાસા તાલુકાના નલિયામાં પેટ્રોલ-ડીઝલની અછત હોવાની અફવા ફેલાતા બપોર પછી પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ખેડૂતો અને વાહનચાલકોમાં ફફડાટ ફેલાતા લોકોએ જરૂરિયાત કરતા વધુ ઈંધણ ભરાવવાનું શરૂ કર્યું હતું. એકસાથે ઘસારો વધતા પંપના કર્મચારીઓને ચા-પાણીની પણ ફુરસદ મળી ન હતી. પેનિક કારણે નલિયાના 3 માંથી 2 પંપ પર ડીઝલનો જથ્થો ખલાસ થઈ ગયો હતો. ભારત પેટ્રોલ પંપના કર્મચારી કિશોરસિંહ જાડેજા અને શિવ પંપના માલિક અર્જણભાઈ ભાનુશાલીએ સ્પષ્ટતા કરી છે કે ઉપરથી પુરવઠો રાબેતા મુજબ જ ચાલુ છે, માત્ર અફવાને કારણે લોકો તૂટી પડતા જથ્થો જલ્દી પૂરો થયો છે. તેમણે ખાતરી આપી છે કે રાત્રે 12 વાગ્યા સુધીમાં કે આવતીકાલ સવાર સુધીમાં નવો જથ્થો આવી જશે. નખત્રાણા : પુરતો જથ્થો હોવાની સ્પષ્ટતા તોય વાહન ચાલ્કો વાત માનવા તૈયાર નહીં! વાહનચાલકો મોટી સંખ્યામાં પેટ્રોલ પંપો પર ઉમટી પડ્યા હતા, જેના કારણે તમામ પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સ્થિતિ એવી હતી કે લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે ધોમધખતા તાપમાં પણ કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. જોકે, નખત્રાણાના પેટ્રોલ પંપ માલિકોએ તાત્કાલિક સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમની પાસે પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઈનમાં કોઈ અડચણ નથી. મુન્દ્રા : પેટ્રોલની અછતની ભીતિએ લોકો દોડ્યા, જથ્થો પુરો થતાં પંપમાં ખાલીપો વર્તાયો હાલ ઈઝરાઈલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસરો હવે ધીમે ધીમે સ્થાનિકે જાહેર જીવનમાં દેખાવા માંડી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે. ગત સાંજથી નગરમાં પેટ્રોલનો જથ્થો ખૂટ્યો હોવાની વાતો વીજળી વેગે વહેતી થતાં વહેલી સવારથી લોકોએ પેટ્રોલ પંપો ભણી દોટ મૂકી હતી. સાડાઉ રોડ સ્થિત પેટ્રોલ પંપ પર પેટ્રોલનો જથ્થો ઉપલબ્ધ ન હોઈ અછત સર્જાઈ હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. રવિવારના કારણે મુખ્ય ડેપો બંધ હોઈ સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ સાંજથી ટેન્કરો આવવાનું શરુ થતાં વિતરણ રાબેતા મુજબ શરૂ થયું હતું. રાપર : કેરબા-બોટલમાં ઇંધણ નહીં ભરાય પેટ્રોલ અને ડીઝલની ખૂટી ગયાની અફવાઓ ફેલાતા પેટ્રોલ પંપ પર વાહનચાલકોની લાંબી લાઈનો લાગી હતી, જેના કારણે કેટલાક પેટ્રોલ પંપ પર જથ્થો ખૂટી પડ્યો હતો. રાપર પેટ્રોલપંપ એસોસિએશન દ્વારા કેરબા, બેરલ, બોટલમાં પેટ્રોલ-ડીઝલ હાલે આપવામાં નહીં આવે તેવી સરકારની ગાઈડ લાઈન હોઈ લોકોને અપીલ કરાઈ હતી કે ખોટો સ્ટોક કરવો નહીં.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:28 am

દબાણ કરાયા દૂર:માંડવી તાલુકાના મોટા સલાયામાં 600 ચો. ફૂટ દબાણ દૂર કરી 10 લાખની જમીન ખુલ્લી કરાઈ

માંડવી તાલુકાના મોટા સલાયામાં ખારવા સમાજની વાડી આગળ ગેરકાયદેસર રીતે કરેલા દબાણ પર બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 10 લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓએ ગેરકાયદેસર દબાણ પર કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.જેને ધ્યાને લઇને માંડવી મરીન પોલીસ મથકના પીઆઈ વી.વી.ભોલા સહીત પોલીસ સ્ટાફ તેમજ માંડવી નગરપાલિકા સાથે સંકલન કરી મોટા સલાયામાં કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ખારવા સમાજની વાડી આગળના ભાગે સાર્વજનિક જગ્યા ઉપર કેટલાક ઈસમોએ ગેરકાયદેસર દબાણ કરી કાચું બાંધકામ કરી વાડો બનાવેલો હતો.જેની ઉપર બુલડોઝર ફેરવી દઈ રૂપિયા 10 લાખની કિંમતની 600 ચોરસ ફૂટ જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:23 am

‘ગોલ્ડન અવર’માં અપાઈ તાત્કાલિક સારવાર:પડાણા પાસે અકસ્માતમાં ઘવાયેલા યુવાન માટે પોલીસની ઇન્ટરસેપ્ટર વાન જ ‘એમ્બ્યુલન્સ’ બની

પડાણા પંચરત્ન માર્કેટ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે બિહારના શ્રમિકને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ તે જ સમયે પેટ્રોલિંગમાં રહેલી જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ માટે આ યુવાનનો જીવ બચાવવો પ્રાથમિકતા બની હતી. પોલીસે ‘ગોલ્ડન અવર’નું મહત્વ સમજી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર ઇજાગ્રસ્તને પોતાની ઇન્ટરસેપ્ટર ગાડીમાં જ હોસ્પિટલ પહોંચાડી માનવતા મહેકાવી હતી. મૂળ બિહારના સુનીલ શિવજી રામ નામના યુવાનને પડાણા પંચરત્ન માર્કેટ સામે એક અજાણ્યા કાર ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે સુનીલને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયો હતો. આ ઘટના બની ત્યારે જ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ ઇન્ટરસેપ્ટર વાહન સાથે ત્યાંથી પસાર થઈ રહી હતી. પીએસઆઈ ડી.જે. પ્રજાપતિ અને તેમની ટીમે પરિસ્થિતિની ગંભીરતા પારખી લીધી હતી. યુવાનને તાત્કાલિક સારવારની જરૂર હોવાથી ટીમે સમય સૂચકતા વાપરી હતી. પીએસઆઈ ડી.જે. પ્રજાપતિ, વુમન એએસઆઈ પુષ્પાબેન મંછાજી, હેડ કોન્સ્ટેબલ હીરાભાઇ શંકરભાઇ, કોન્સ્ટેબલ શૈલેષભાઇ ભગવાનભાઇ અને હેડ કોન્સ્ટેબલ દાનાભાઇ સેંધાભાઇએ તાત્કાલિક ઇજાગ્રસ્તને ઇન્ટરસેપ્ટર વાનમાં બેસાડી પ્રથમ ડિવાઇન લાઇફ હોસ્પિટલ ખસેડ્યો હતો. પીએસઆઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ઇજા ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે યુવાનને ભુજ રિફર કરાયો છે. તે સમયે અમારો પ્રથમ ઉદ્દેશ્ય તેને તાત્કાલિક સારવાર અપાવી તેનો જીવ બચાવવાનો હતો.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:19 am

તંત્રનું ઉદાસીન વલણ:ભુજમાં લાખોના ખર્ચે બનેલા અર્બન હેલ્થ સેન્ટર બહાર ગંદકી કાયમી બની

શહેરના કેમ્પ એરિયામાં જૂની મેન્ટલ હોસ્પિટલની સામે લાખો રૂપિયાના ખર્ચે અર્બન હેલ્થ સેન્ટર બનાવાયું છે, પરંતુ કમનસીબે આ સરકારી દવાખાનાનું મુખ્ય પ્રવેશદ્વાર ગંદકી અને પશુઓના જમાવડાનું કેન્દ્ર છે. અહીં નગરપાલિકા કચરાપેટી પણ રાખી છે.દવાખાનું બન્યું તે પહેલાથી લોકો અહીં કચરો ફેંકે છે અને હજી પણ ચાલુ જ છે. રોડ પર કચરો હોવાથી આખો દિવસ રખડતા પશુઓનો મેળાવડો હોય છે. બીમાર દર્દીઓ માટે ગંદકીના ગંજમાંથી પસાર થઈને દવા લેવા જવું મુસીબત બન્યું છે. પાલિકા દ્વારા અહીં સીસીટીવી કેમેરા લગાવીને તમે કેમેરાની નજરમાં છો તેવા બોર્ડ મારીને સંતોષ માની લેવાયો છે. જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, આ કેમેરાના ફૂટેજ માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર મૂકવામાં આવે છે, પરંતુ કચરો ફેંકનારા સામે નક્કર કાયદાકીય કાર્યવાહી કરાતી નથી. ગંદકીના કારણે ઘણા દર્દીઓ અહીં આવવાનું ટાળી રહ્યા છે, આ અર્બન હેલ્થ સેન્ટર સીધું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા હેઠળ આવે છે, ત્યારે આરોગ્ય શાખાની મૌન ભૂમિકા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં જ્યારે જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે ખુદ કલેક્ટર કાર્યભાર સંભાળી રહ્યા છે, ત્યારે પ્રબુદ્ધ નાગરિકોની માંગ છે કે, કલેક્ટર આ ગંભીર મુદ્દે તાત્કાલિક મધ્યસ્થી કરે. જો નગરપાલિકા ધારે તો માત્ર એક દિવસમાં અહીં સ્વચ્છતા કરાવી શકે તેમ છે. જો દવાખાનાની આસપાસ શુદ્ધ વાતાવરણ અને સ્વચ્છતા જળવાઈ રહેશે, તો જ આરોગ્ય સેવાનો સાચો હેતુ સાર્થક થશે. જિલ્લા વહીવટી તંત્ર વહેલી તકે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:13 am

આજે વિશ્વ ટીબી દિવસ:દર વર્ષે 35 ટકા મહિલાઓ પણ ક્ષય રોગનો બને છે શિકાર, હાલ કચ્છમાં 116 ગંભીર સહિત 1482 દર્દીની સારવાર ચાલુ

દર વર્ષે 24 માર્ચના વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે. સદીઓ જુનો રાજરોગ ગણાતા ટીબી(ક્ષય) ના હજી પણ દર વર્ષે આખી દુનિયામાં એકાદ કરોડ દર્દી નવા ઉમેરાય છે અને તે પૈકી 4 થી 5 લાખ વ્યક્તિઓ દર વર્ષે મૃત્યુ પામે છે. ટીબી રોગમાં વિશ્વના ચોથા ભાગના દર્દીઓ આપણા દેશમાં હોવાનો વિશ્વ આરોગ્ય સંસ્થાનો અંદાજ છે. આ વર્ષની થીમ યશ, વી કેન એન્ડ ટીબી લીડ બાય કન્ટ્રી, પાવર બાય પીપલ રાખવામાં આવી છે. વર્ષ 2030 સુધીમા આ રોગ નિર્મૂલન કરવાની નેમ છે. ગત વર્ષની પંચાયતોની ટીબીની કામગીરી અને સ્થિતિને આધારે ટીબી મુક્ત પંચાયતના સર્ટિફિકેટ આપવાનું નક્કી કરાયું છે.આ વર્ષે કચ્છમાં 106 આવા પ્રમાણપત્રો અપાશે. કચ્છમાં મેડિકલ કોલેજથી માંડી 100 જેટલા આરોગ્ય કેન્દ્રો અને સરકારી અને ખાનગી હોસ્પિટલ મળીને ગત વર્ષે આશરે 60 હજારથી વધુ ગળફાની તપાસ તથા તેટલા જ મોબાઈલ ડીજિટલ આર્ટીશીયલ ઇન્ટેલિજન્સ સગવડ વાળા અને સાદા X RAY મારફતે કુલ 3 હજાર દર્દીનું નિદાન કરાયું છે. વર્ષ 2024ના નોંધાયેલા દર્દીઓ પૈકી 92 ટકા દર્દીઓ સાજા થઇ જાય છે, અમુક દર્દીઓ સારવાર અધુરી છોડે છે અથવા ગંભીર ટીબીની સારવાર પર મુકાય છે જેની સંખ્યા લગભગ 80-90 જેટલી હોય છે. દર વર્ષે 100 જેટલા 15 વર્ષથી નીચેના બાળ દર્દીઓ પણ નોંધાય છે, જયારે સ્ત્રી દર્દીઓ કુલ પૈકી 35 % જોવા મળે છે. અત્યાર સુધીમાં 5 હજારથી વધુ દર્દીના સંપર્ક ધરાવતા વ્યક્તિ ટીબી અટકાયતી સારવાર લઇ ચૂક્યા છે જેમાં માત્ર 12 અઠવાડિયા સુધી દર અઠવાડિયે ડોઝ લેવાનો રહે છે. હાલ કચ્છમાં 1482 દર્દીની સારવાર ચાલી રહી છે. જેમાંથી 116 ગંભીર પ્રકારના દર્દીનો સમાવેશ થાય છે. જિલ્લા ક્ષય નિયંત્રણ અધિકારી ડો. મનોજ દવેએ જણાવ્યું કે, ટીબીથી સાજા થયેલા દર્દીઓને તાલીમ આપી ટીબી ચેમ્પિયન બનાવાય છે, જેઓ લોકોમાં જન જાગૃતિ ફેલાવવા કે સમાજમાં ટીબી પ્રત્યેની સુગમાં ઘટાડો કરવા તથા ગેરમાન્યતાઓ દૂર કરવામાં ઉત્સેચક તરીકે કામ કરે છે. જન્મ વખતે અપાતી BCG રસીથી રોગ અટકેટીબીનો દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે ફેલાતા માયકો બેક્ટેરિયાથી થતો ટ્યુબર ક્યુલોસીસ હવા દ્વારા ફેલાતો ચેપી અને લાંબો સમય ચાલતો અને મોટા ભાગે ફેફસાને અસર કરી નબળો પાડતો રોગ છે. આ બેક્ટેરિયાની શોધ રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક કરી હતી. જોકે શરીરના તમામ અંગોને અસર કરતા આ રોગમાં માત્ર બે અઠવાડિયાથી ચાલતી ખાંસી નહિ પરંતુ તાવ, ભૂખ ન લાગવી, વજન ઘટી જવું કે રાત્રીના સમયે કોઈ કારણ વિના પરસેવો થવો જેવી ફરિયાદો મુખ્યત્વે જોવા મળે છે. સાદો ટીબી ગંભીર અવસ્થામાં પરિવર્તિત થઇ શકે છે, જેમાં અત્યંત મોંઘી અને લાંબો સમય દવાઓ લેવી પડે છે. જોકે, હવે નવા બી-પાલ રેજીમથી આવા દર્દી સારવાર પણ 6 માસની શક્ય બની છે. જન્મ વખતે આપવામાં આવતી BCG રસી, માસ્કનો ઉપયોગ કે ટીબીના ચેપની તપાસ અને ટીબી અટકાયતી સારવારથી આ રોગ થતો મહદ અંશે અટકાવી શકાય છે. ટીબી માટે દોઢ વર્ષને બદલે 6 મહિનાની સારવાર ઉપલબ્ધટી.બી. નાબૂદ કરવા ઉપલબ્ધ દવાઓની અસર જ્યારે દર્દી ઉપર ન થાય ત્યારે તેની સારવાર જટિલ બની જાય છે, જેને મેડિકલ ભાષામાં MDR (મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્ટ) અને સામાન્ય ભાષામાં હઠીલો ટી.બી.કહે છે. આવા જટિલ બનેલા રોગ માટે અગાઉ દોઢ વર્ષ સુધી દવા લેવી પડતી હતી, પરંતુ હવે કચ્છમાં 6 મહિનાની સારવાર ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ઉપલબ્ધ બની છે. હોસ્પિટલના પલ્મોનોલોજિસ્ટ ડો.કલ્પેશ પટેલે કહ્યું કે, કચ્છમાં આવા 6 મહિનાના કોર્ષની ચાલતી નવી સારવાર અંતર્ગત અંદાજિત 30 જેટલા દર્દીઓને લાભાન્વિત પણ કરી દેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે,ક્ષયના દર્દીઓ માટે ઉપલબ્ધ દવાની અસર ન જણાય તો ખાસ ટેસ્ટ કરાવી સરકારના માર્ગદર્શન મુજબ નવી સારવાર આપવામાં આવે છે. ડો.પાર્થ પટેલ અને ડો.ફોરમ રૂપારેલના જણાવ્યા મુજબ મુખ્ય પ્રવાહમાં આવતી દવા જો અનિયમિત અને અપૂરતા પ્રમાણમાં લેવાય, દવાનો ડોઝ જળવાય નહીં, તો તે MDR માં પરિવર્તિત થાય છે. પરંતુ આ સારવાર માટે હવે નવી દવા BPaLM રેજિમેન ઉપલબ્ધ બની છે. જોકે આ દવા પણ તબીબની દેખરેખ હેઠળ જ લેવા જણાવ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા ચાલુ વર્ષે વિશ્વ ક્ષય દિવસ નિમિતે જારી કરેલી થીમ મુજબ: “હા,આપણે ક્ષયને હટાવી શકીએ છીએ”, આમ તો જ થઈ શકે જો ટી.બી.માટે જાગૃત બની નિયમિત તપાસ કરાવાય અને જો ટી.બી નિદાન થાય તો તેની નિયમિત સારવાર લેવાય.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:10 am

બાપુની માનસ મુકુરાષ્ટક કથામાં માનવ મહેરામણ ઉમટ્યું:માધાપરની કથામાં સનાતન ધર્મનો મહિમા ગાન ગવાયો

માધાપર ખાતે બાપુની રામકથાના ત્રીજા દિવસે પણ મોટી સંખ્યામાં શ્રોતા રામાયણનું રસપાન કરવા ઉમટ્યા હતા. મોરારી બાપુની વ્યાસપીઠ પરથી માનસ મુકુરાષ્ટ્રક રામકથાનું આયોજન કરાયું છે. યજમાન ધીરેશ મનજી દબાસિયા પરિવાર દ્વારા આયોજિત રામકથામાં બાપુએ સનાતન ધર્મ પર ભાર મૂકી જણાવ્યું કે જે ગામ સનાતન ધર્મના રંગે રંગાયેલું હોય એ ગામ રહેવા સમાન. જાણવા છતાં અજાણ રહેવું એ મનના દર્પણને વરાળ લાગી જવા સમાન જણાવ્યું હતું. જેથી વૈચારિક દૃષ્ટિએ મન અને વિચારસરણીને સાફ અને સ્પષ્ટ રાખવી જોઈએ. માધાપર ગામમાં રામકથા દરમ્યાન 150 જેટલા પોલીસ કર્મીઓ અનેક જગ્યાએ વિશિષ્ટ સેવામાં તૈનાત કરવામાં આવ્યા છે અને સારી એવી સેવા પૂરી પાડવામાં આવી રહી છે. તો માધાપર તેમજ આસપાસના અનેક ગામોના સેવકો ભાઈ-બહેનો રસોડા વિભાગ અને અન્ય વિભાગોમાં નિષ્ઠાપૂર્વક સેવા પૂરી પાડી રહ્યા છે. માધાપર ગામની બહેનો પણ સતત ખડેપગે રહી સેવા આપી રહી છે તેમજ તેઓએ જણાવ્યું હતું કે અમે અમારી દરેક પ્રકારની સેવા સાથે ધર્મકાર્યો અને રાષ્ટ્ર હિતમાં તત્પર હાજર હોઈએ છીએ. 1971 લડાઈ વખતે માધાપરની બહેનો બહાદુરી બતાવી રાષ્ટ્ર ભાવના દર્શાવી હતી તો આ પણ અમારા ગામ દ્વારા આયોજન કરાયું છે તો એમાં પણ અમે સેવામાં કોઈ કસર બાકી નહીં રાખીએ. કથા અવસરે મહામંડલેશ્વર જાનકીદાસ બાપુ-ભાણતીર્થ કમીજલા, લઘુ મહંત સુરેશદાસ વીરાણી, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, મનોજભાઈ સોલંકી, દેવરાજભાઈ ગઢવી નાનો ડેરો, કલાકાર દિગુભા, લખમશીભાઈ ચાવડા, કૈલાસ સાંગલી, નાનાલાલ પટેલ, સ્વામી નિજાનંદ ગોતરકા બ્રહ્મચારી આશ્રમ સહિતના સંતો, મહંતો, વિવિધ આગેવાનો હાજર રહ્યા હતા. બાપુએ નવનિર્માણ પામતા રઘુનાથજી મંદિરની મુલાકાત લઈ ખુશી વ્યક્ત કરીમાધાપરમાં 25 કરોડના ખર્ચે નિર્માણાધિન રઘુનાથજી મંદિરની મોરારી બાપુએ મુલાકાત લીધી હતી. રઘુનાથજી મંદિર અને ધિંગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરાયું હતું. ટ્રસ્ટના વેલજીભાઈ ભૂડિયા, દેવશીભાઇ ભુડિયા પ્રકાશભાઈ ગોરસિયા, વિનોદભાઈ સોલંકી, વેલજી પ્રેમજી ભૂડીયા, રામજી પ્રેમજી ગોરસિયા, હરીશભાઈ ડબાસિયા, સરપંચ વાલજીભાઈ આહીર વગેરેએ બાપુનું સન્માન કર્યું હતું. બાપુને નકશો, ફોટો સાઇટ સાથે મંદિર વિશે માહિતી અપાઈ હતી. બાપુએ ખુશી વ્યક્ત કરી આશીર્વાદ સાથે શુભકામના પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:08 am

ભુજમાં જ મળશે GST બાયોમેટ્રિક સુવિધા:હવે વેપારીઓને બાયોમેટ્રિક માટે ગાંધીધામ જવાનો ધક્કો નહીં

અત્યાર સુધી GST રજીસ્ટ્રેશન માટે ભુજના અને આસપાસના વેપારીઓને ગાંધીધામ સુધી જવું પડતું હતું. જ્યાં તેઓની બાયોમેટ્રિક અને દસ્તાવેજ ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. હવે આ પ્રક્રિયા સરળ બનાવવા માટે ભુજ ખાતે જ બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની સુવિધા થોડા સમયમાં શરૂ કરવાની તૈયારી હાથ ધરાઈ રહી છે. ભુજ સ્ટેટ GST કમિશનરેટ હેઠળ ભુજ, માંડવી, મુન્દ્રા, અંજાર, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના વેપારીઓ આવે છે. અત્યાર સુધી નવા GST નંબર માટે અરજી કરનાર વેપારીઓને બાયોમેટ્રિક પ્રક્રિયા માટે ગાંધીધામ જવું ફરજિયાત બનતું હતું, જેના કારણે સમય અને ખર્ચ બંનેમાં વધારો થતો હતો. વિશેષ નોંધનીય બાબત એ છે કે, ભુજ કચેરી સમગ્ર કચ્છ જિલ્લાની GST આવકમાં અંદાજે 30 ટકા જેટલો ફાળો આપે છે. ભુજમાં બાયોમેટ્રિક સુવિધા શરૂ થવાથી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઝડપી બનશે અને વેપારને વધુ પ્રોત્સાહન મળશે, જે સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ મજબૂત બનાવશે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:05 am

ગુજરાતની 'વોટર વોરિયર' સ્કૂલ બની મહેસાણાની તક્ષશિલા:માત્ર 4 લાખમાં વેડફાતા વરસાદી પાણીમાંથી તૈયાર કર્યું પીવાલાયક પાણી, ચોટીલાની મુલાકાતે ગયા ને આઈડિયા સૂઝ્યો

મહેસાણા જિલ્લાની તક્ષશિલા શાળા ગુજરાતમાં જળ સંરક્ષણનું એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ બની છે. માત્ર 4 લાખ રૂપિયાના ખર્ચે અમલમાં મૂકાયેલા રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટ દ્વારા આ શાળાએ વેડફાતા વરસાદી પાણીને પીવાલાયક બનાવી, 800થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને 8 મહિના સુધી શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડ્યું છે. ચોટીલાની મુલાકાત દરમિયાન મળેલા આઈડિયાને અમલમાં મૂકીને શાળા સંચાલકોએ દર્શાવ્યું છે કે, ઓછા ખર્ચે પણ પર્યાવરણ અને બાળકોના સ્વાસ્થ્ય માટે મોટી ક્રાંતિ શક્ય છે. આ પ્રયાસ અન્ય સ્કૂલો માટે પણ જળ સંરક્ષણનું એક મજબૂત મોડેલ બની રહ્યું છે. સામાન્ય ખર્ચમાં જ પીવાના પાણીના પ્રશ્નનો હલ લાવી દીધોઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ઉનાળા દરમિયાન અમુક સ્કૂલોમાં પીવાના પાણી માટે બાળકોએ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે મહેસાણાના સરદારધામ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી એક શાળાએ રેઈન વોટર હાર્વેસ્ટિંગની મદદથી પીવાના પાણીના પ્રશ્નનો હલ લાવી દીધો છે. સ્કૂલ દ્વારા પટાંગણમાં જ 25-25 હજાર લિટરની કેપેસિટીના ચાર ટાંકા બનાવી 1 લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થાય છે, જેનો 900 વિદ્યાર્થીઓ 8 મહિના સુધી લાભ લઈ શકે છે. તક્ષશિલા સ્કૂલે સામાન્ય ખર્ચમાં જ વરસાદી પાણીના સંગ્રહની સુવિધા વિકસાવી અન્ય શાળાઓને પણ આ દિશામાં આગળ વધવા રાહ ચીંધી છે. ચોટીલાની મુલાકાતે ગયા ને આ ટાંકા જોઈને આઈડિયા સૂઝ્યોતક્ષશીલા સ્કૂલના શિક્ષક પુનિત ઠક્કરે આ પ્રોજેક્ટ વિશે વાત કરતા જણાવ્યું કે, વરસાદી પાણીના સંગ્રહ માટે સ્કૂલની આસપાસ 4 ટાંકા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં સંગ્રહ થયેલા વરસાદી પાણીનો અમે પીવામાં ઉપયોગ કરીએ છીએ. આ 4 ટાંકા કુલ 1 લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકે છે, એક ટાંકાની કેપેસિટી 25 હજાર લિટરની છે. જૂના સમયમાં જે પ્રકારે કેપ્સૂલ આકારના બાયોગેસ પ્લાન્ટ તૈયાર થતા તેને કદાચ આપણે યાદ કરીએ તો તે પ્રકારના ટાંકા બનાવવામાં આવ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અમે કેળવણીના ક્ષેત્રમાં હોવાના કારણે અલગ-અલગ જગ્યાએ મુલાકાત લેવાનું થાય તો ચોટીલાથી નજીક ઢેંઢુકી નામનું એક ગામ છે.ત્યાં ખૂબ જ સુંદર કામ થઈ રહ્યું છે. લોકમિત્રા ઢેંઢુકી એક ટ્રસ્ટ છે જેમાં ચૈત્નય ભટ્ટ અને તેની ટીમ દ્વારા આસપાસના 10 ગામોમાં આ પ્રકારે પાણીના ટાંકા જોવાના થયા કે જ્યા વરસાદી પાણીનો સંગ્રહ થાય છે. ત્યાં પાણીની ખૂબ જ તંગી છે જેના કારણે ત્યા આ પ્રકારે પાણીની સમસ્યાનું સમાધાન લાવવામાં આવેલુ છે અને ત્યાંથી અમને આ મેસેજ મળ્યો કે આ પ્રકારે ટાંકા તૈયાર કરીને પીવાનું પાણી તૈયાર કરી શકીએ. કઈ રીતે કરે છે 1 લાખ લિટર વરસાદી પાણીનો સંગ્રહ?મહેસાણા GIDC વિસ્તારમાં આવેલી તક્ષશિલા સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વરસાદી પાણીના સંગ્રહ માટે સ્કૂલના પટાંગણમાં જ 25-25 હજાર લિટરની ખાસ ટાંકી તૈયાર કરી છે. મહત્વની વાત એ છે કે, આ ટાંકી બનાવવા માટે લોખંડનો એકપણ જગ્યાએ ઉપયોગ કરાયો નથી. આ ટાંકીઓમાં વરસાદી પાણી લાવવા માટે સ્કૂલ બિલ્ડિંગની અગાશી પરથી ટાંકી સુધી પાઈપ ઉતારવામાં આવી છે. ટાંકીમાં પાણી પહોંચે તે પહેલા આ પાણી એક કુંડીમાં ફિલ્ટર પણ કરવામાં આવે છે અને ફિલ્ટર થયા બાદ જ પાણીનો સંગ્રહ થાય છે. આ સંગ્રહ કરાયેલા પાણીને ફરીથી એક પાઈપ દ્વારા અગાશી પર લઈ જવામાં આવે છે, જ્યાં એક ટાંકીમાં જરુરિયાત મુજબ પાણી સ્ટોર કરી પીવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તર ગુજરાતની સ્કૂલમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગનો પહેલીવાર ઉપયોગસ્કૂલમાં કે કોઈપણ બિલ્ડિંગમાં અગાશીમાં પડતું વરસાદી પાણી વેડફાઈ જતું હોય છે પરંતુ, મહેસાણા જિલ્લામાં તક્ષશિલા શાળાના સંચાલકોએ રેઈન વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરી આ વેડફાતા પાણીનો સંગ્રહ શરૂ કર્યો છે. આ સ્કૂલે જિલ્લાની અન્ય સ્કૂલોને પણ જળ સંગ્રહ બાબતે રાહ ચીંધી છે. આ પ્રોજેક્ટ 8 વર્ષ પહેલા 4 લાખના ખર્ચે તૈયાર કર્યો હતો. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે, ટાંકીમાં એકપણ જગ્યાએ લોખંડનો ઉપયોગ કરાયો નથી કારણ કે, તેના કારણે ટાંકા અવારનવાર ફાટી જતા હોય છે, જેથી લોખંડનો ઉપયોગ ન કરવાથી ભવિષ્યમાં આવતા આ પ્રકારના ખર્ચને ટાળી શકાય. અહીં વિદ્યાર્થીઓને નીચે બેસાડી પલાઠી વાળીને ભણાવવાની પરંપરાતક્ષશીલા સ્કૂલના શિક્ષક પરેશભાઈએ જણાવ્યું કે, અત્યારે 800થી વધુ વિદ્યાર્થીઓ અમારી સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. અમારી સ્કૂલમાં પહેલેથી જ બેન્ચીસની જગ્યાએ વિદ્યાર્થીઓને નીચે પલાંઠી વાળીને બેસાડીને ભણાવવામાં આવે છે. આ રીતે ભણાવવા પાછળનો વૈજ્ઞાનિક અભિગમ એવો છે કે, વિદ્યાર્થીઓ જ્યારે ભણે છે ત્યારે તેમના મન અને મસ્તિષ્કના ભાગને વધુ પ્રમાણમાં લોહી પહોંચી શકે તે જરુરી છે. તેના કારણે તેમનું ભણવા તરફ ધ્યાન એકાગ્ર થાય છે ને બીજુ આ રીતે બેસવાના કારણે તેમને અનેક પ્રકારની શારીરિક બીમારીઓથી પણ સુરક્ષા મળે છે. વધુમાં તેઓએ જણાવ્યું કે, જો ક્લાસરુમમાં બેન્ચીસ ન હોય તો તમે સરળતાથી બાળકો સાથે ગ્રુપ એક્ટિવિટી કરવી હોય, સ્વાધ્યાય માટે બેસવું હોય, કોઈ વખતે કોઈ ડિઝાઇનિંગ માટે બેસવું હોય, કોઈ વખતે ચર્ચા કરવા માટે બેસવું હોય તો કરી શકો છો. આ સિવાય જો બેન્ચીસ હોય તો સ્વચ્છતાનો બહુ મોટો પ્રશ્ન અમને લાગે છે કે બેન્ચિસ હોય ત્યારે સફાઈ કરવી એકદમ અઘરી પડી જતી હોય છે. જ્યારે બેન્ચીસ ન હોવાથી વર્ગખંડ એકદમ ખાલી હોય છે કે, આખો વર્ગખંડ ખૂબ જ સુંદર રીતે સાફ થઈ શકે છે અને મચ્છર જેવા જે નાના જીવાણુઓ છે એ ક્યાંય સંતાવાની જગ્યા ન મળવાથી ત્યાંનું હાઇજેનિક જે લેવલ છે એ પણ મેઈન્ટેઈન રહે છે. ​વડોદરાની સ્કૂલોમાં થઈ હતી નોંધપાત્ર કામગીરી વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા CSR(કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી) હેઠળ જિલ્લાની 1000 જેટલી સરકારી સ્કૂલોમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના સ્ટ્રકચર બનાવી નોંધપાત્ર કામગીરી કરી હતી. જો અન્ય જિલ્લામાં પણ વહીવટી તંત્ર દ્વારા CSR ફંડમાંથી વરસાદી પાણીના સંગ્રહ માટે પ્રયાસ કરવામાં આવે તો ઉત્તમ કામગીરી કરી શકાય તેમ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:05 am

રાજ્યમાં અફવા ફેલાવનાર સાયબર ક્રાઈમની લાલ આંખ:સરકારે કહ્યું- 'તમામ પેટ્રોલ પંપ પર જથ્થો મળતો રહેશે', સોમવારે વાહનચાલકોની લાંબી કતારો લાગી હતી; અફવાથી દૂર રહેવા અપીલ

ભાસ્કર અપીલ કરે છે કે, સ્ટોક ફૂલ છે અને પેનિક કરવાની જરૂર નથી. ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ વચ્ચે પહેલાં ગેસ સિલિન્ડરની અછત અને 23 માર્ચ 2026ના રોજ રાજ્યભરમાં પેટ્રોલ-ડીઝલની અછતની અફવાઓ ફેલાઈ હતી. જેના કારણે પેટ્રોલ-ડીઝલ મળતું બંધ થઈ જશે તેવા ડરથી લોકોએ મોટા ભાગના પેટ્રોલ પંપ પર બે કિલોમીટર સુધી લાઇન લગાવીને વાહનોની ટાંકી ફુલ કરવા માટે પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોના પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગતા ટ્રાફિકજામના દૃશ્યો જોવા મળ્યા હતા. જેના કારણે તાત્કાલિક પોલીસની મદદ લેવી પડી હતી અને પોલીસ અધિકારીઓ દ્વારા લાઉડસ્પીકર લગાવીને લોકોને શાંતિ જાળવવા વિનંતી કરાઈ હતી. આ ઉપરાંત પેટ્રોલ પંપના માલિકો દ્વારા પેટ્રોલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાની અને અછતની વાતો માત્ર પાયાવિહોણી અફવા હોવાની સ્પષ્ટતા કરાઈ હતી. પેટ્રોલ-ડીઝલ સહિતનું ઇંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાઇરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. 'તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો મળતો રહેશે'તો બીજી તરફ સ્થિતિ બગડવા લાગતા સરકાર પણ એકશનમાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અફવામાં ન દોરાવવા અપીલ કરી હતી. રાજ્યમાં તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળતો રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી હોવાની વાત કરી હતી. 'વાહનચાલકોને અપીલ કે અફવામાં દોરાય નહીં'સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, લોકોએ અફવામાં આવી પેટ્રોલ પંપ પર લાઈનો લગાવવાની જરુર નથી. અમદાવાદ પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે પણ વાહનચાલકોને અપીલ કરતા કહ્યું હતું કે, લોકો અફવામાં દોરાય નહીં. તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલનો જથ્થો મળતો રહેશે. અફવા ફેલાવનાર સામે સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશેપેટ્રોલ-ડીઝલ સહિતનું ઇંધણ ખૂટી પડ્યું હોવાના મેસેજ, ફોટા અથવા રીલ વાઇરલ કરનાર સામે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ કડક કાર્યવાહી કરશે. આવા ભ્રામક સંદેશાઓથી ગભરાટ ફેલાતો હોવાથી જવાબદારો સામે ફરિયાદ નોંધી કાનૂની પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી સિનિયર અધિકારીઓએ આપી છે. શહેરીજનોને પણ આવી હરકત કરનારના મેસેજ વાઇરલ નહિ કરવા તાકીદ કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 24 Mar 2026 6:00 am