નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ થવા અંગેના રહ્યા. બીજા મોટા સમાચાર પાકિસ્તાની શેરબજારમાં ઇતિહાસના સૌથી મોટા ઉછાળાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. અસમ, કેરળ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. પરિણામ 4 મેના રોજ આવશે. 2. સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા રેફરન્સ કેસની સુનાવણી ચાલુ રહેશે. 9 જજોની બેંચ સુનાવણી કરશે. કાલના મોટા સમાચારો 1. અમેરિકાએ કહ્યું- ઈરાને ભીખ માંગી એટલે સીઝફાયર કર્યું:પરમાણુ બોમ્બ નહીં બનાવવા દઈએ; ટ્રમ્પ બોલ્યા- ઈરાનને હથિયાર આપ્યા તો 50% ટેરિફ લગાવીશું અમેરિકી સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે દાવો કર્યો છે કે ઈરાનની લીડરશીપ સીઝફાયર માટે ભીખ માંગી રહી હતી, કારણ કે તેમની પાસે બીજો કોઈ રસ્તો બચ્યો નહોતો. તેમણે કહ્યું કે હવે કોઈપણ સંજોગોમાં ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવા દેવામાં આવશે નહીં. હેગસેથે જણાવ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો છે અને જહાજો ત્યાંથી પસાર થતા રહેશે. અમેરિકા અને ઈરાનની સેનાઓ આ વિસ્તાર પર નજર રાખી રહી છે. ટ્રમ્પ પાસે એટલી શક્તિ હતી કે તેઓ ઈચ્છત તો થોડી જ મિનિટોમાં ઈરાનનું સમગ્ર અર્થતંત્ર ઠપ્પ કરી શકતા હતા, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ ઈરાનને હથિયાર આપશે, તો તેના પર 50% ટેરિફ લગાવવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. પાકિસ્તાની શેરબજારમાં ઇતિહાસનો સૌથી મોટો ઉછાળો:અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી માર્કેટ 14000 પોઈન્ટ વધ્યું, 9% વધીને 1,65,836 પર પહોંચ્યું અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાના યુદ્ધવિરામની જાહેરાત પછી આજે (8 એપ્રિલ, બુધવાર) પાકિસ્તાનના શેરબજારમાં 14,000 પોઈન્ટનો રેકોર્ડ ઉછાળો આવ્યો. કરાચી સ્ટોક એક્સચેન્જનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ કરાચી 100 (KSE) 14,162.58 પોઈન્ટ એટલે કે 9.34% વધીને 165,836.05 પર બંધ થયો. આ KSE-100 ઇન્ડેક્સના ઇતિહાસમાં એક દિવસનો સૌથી મોટો ઉછાળો માનવામાં આવી રહ્યો છે. આ પહેલા કરાચી સ્ટોક એક્સચેન્જમાં આટલો મોટો ઉછાળો ક્યારેય જોવા મળ્યો ન હતો. આ ઉછાળા પછી નિયમો હેઠળ ટ્રેડિંગ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ભાજપનો આરોપ- કોલકત્તા રેપ મર્ડરની પીડિતાની મા સાથે દુર્વવ્યહાર:પ્રચાર દરમિયાન હુમલાની કોશિશ; મમતા બેનર્જીએ ભવાનીપુરથી ઉમેદવારી નોંધાવી પશ્ચિમ બંગાળના પાનિહાટી મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રત્ના દેબનાથે બુધવારે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. તે કોલકાતા બળાત્કાર-હત્યા પીડિતાની માતા છે. તેમણે કહ્યું કે પ્રચાર દરમિયાન ટીએમસીના ગુંડાઓએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મને ગંભીર ઈજા થઈ નથી, પરંતુ મારી સાથે રહેલા કાર્યકરો ઘાયલ થયા હતા. ભાજપનો આરોપ છે કે કેટલીક મહિલાઓએ જય બાંગ્લા ના નારા લગાવતા વિરોધ કરવાનું શરૂ કર્યું હતું અને કેટલાક કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, તૃણમૂલ કોંગ્રેસે તમામ આરોપોને નકારી કાઢ્યા છે. CM મમતા બેનર્જીએ ભવાનીપુર વિધાનસભા બેઠક પરથી પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભાજપે આ મતવિસ્તારમાંથી સુવેન્દુ અધિકારીને ઉમેદવાર બનાવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન:યુપી-એમપી અને રાજસ્થાનમાં વાવાઝોડા સાથે વરસાદ; ઉત્તરાખંડ સહિત 10 રાજ્યોમાં કરા પડવાની ચેતવણી દેશમાં બેક-ટુ-બેક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી હવામાન બદલાઈ ગયું છે. આજે યુપી-રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા અને વરસાદની સંભાવના છે. જ્યારે 10 રાજ્યોમાં કરા પડી શકે છે. જમ્મુ-કાશ્મીરના રામબનમાં ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ થઈ ગયો. જ્યારે હિમાચલના ચંબામાં મંગળવારે સવારે ભૂસ્ખલનને કારણે નિર્માણાધીન પુલ તૂટી ગયો. ઉત્તર પ્રદેશના લખનઉમાં મંગળવારે મોડી સાંજે ધૂળભરી આંધી ચાલી. 10થી વધુ જિલ્લાઓમાં વરસાદ થયો, ઘણી જગ્યાએ વૃક્ષો અને વીજળીના થાંભલા પડ્યા. રાજસ્થાનના ઉદયપુરમાં આંધીના કારણે મકાનની દીવાલ પડી ગઈ, જ્યારે રણ પ્રદેશના જિલ્લાઓ જેસલમેર-નાગૌરમાં પણ વરસાદ ઉપરાંત કરા પડ્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સરકારે કહ્યું- કોર્ટ ધાર્મિક પરંપરાને અંધશ્રદ્ધા કહી શકે નહીં:તમે નિષ્ણાત નથી, આ નિર્ણય વિધાનમંડળ કરશે; કોર્ટ બોલી- અમને સમીક્ષાનો પૂરો અધિકાર છે ધાર્મિક સ્થળોએ મહિલાઓ સાથે ભેદભાવના મામલે સુપ્રીમ કોર્ટમાં બુધવારે બીજા દિવસે પણ સુનાવણી ચાલુ રહી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- કોઈ બિનસાંપ્રદાયિક અદાલત કોઈ ધાર્મિક પ્રથાને માત્ર અંધશ્રદ્ધા કહી શકે નહીં, કારણ કે તેની પાસે આવું નક્કી કરવાની નિપુણતા હોતી નથી. તેમણે કહ્યું કે જે વસ્તુ નાગાલેન્ડના કોઈ સમુદાય માટે ધાર્મિક હોઈ શકે છે, તે જ મારા માટે અંધશ્રદ્ધા લાગી શકે છે. આપણો સમાજ ખૂબ જ વૈવિધ્યસભર છે, અહીં અલગ-અલગ લોકો, ધર્મ અને માન્યતાઓ છે. આવા સંજોગોમાં અદાલત માટે આવો નિર્ણય આપવો જોખમી હોઈ શકે છે. આના પર જસ્ટિસ અમાનુલ્લાહે કહ્યું- મિસ્ટર મહેતા, તમે વાતને ખૂબ જ સરળ બનાવી દીધી છે. અદાલત પાસે ન્યાયિક સમીક્ષાનો અધિકાર છે કે તે નક્કી કરી શકે કે શું અંધશ્રદ્ધા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાતીઓને અભણ કહેવા મામલે અંતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સરેન્ડર:એક્સ પર લખ્યું-ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. જો કે આ વિરોધ પ્રદર્શન વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ એક્સ પર પોસ્ટ કરી દિલગીરી વ્યક્ત કરી છે. તેમણે લખ્યું- કે ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં સર્વોચ્ચ સન્માન છે, કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નહોતો. મલ્લિકાર્જુન ખડગેએ 5 એપ્રિલે રવિવારે ઈડુક્કીમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર ભાષણ દરમિયાન એક કથિત વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે ગુજરાતના લોકોને અભણ ગણાવ્યા હતા અને તેમના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને મૂર્ખ બનાવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સસ્પેન્ડેડ નાયબ મામલતદારની 1.22 કરોડની આવક કરતા વધુ સંપતિ:ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગરના NA કૌભાંડનો આરોપી, સગા-સંબંધીના નામે મિલકતો વસાવી સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા અને ફરજ મોકૂફ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી સામે એસીબી દ્વારા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે રૂ. 1,22,27,658ની અપ્રમાણસર મિલકતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. વઢવાણમાં રહેતા ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડ બાદ તેમની મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : આ વર્ષે ચોમાસામાં 6% ઓછો વરસાદ થવાનો અંદાજ:MP, રાજસ્થાન અને પંજાબ-હરિયાણામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થઈ શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : યુદ્ધ વિરામ પાછળ અસલી ભેજું કોણ?:પાકિસ્તાની PMએ X પર મૂકેલો મેસેજ કોપી-પેસ્ટ, વોર સીઝફાયરની સ્ક્રીપ્ટ ટ્રમ્પે લખી કે જિનપિંગે?; યુઝર્સે દાવ લઈ લીધો વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : આસારામના પુત્રના નારાયણ સાંઈના છૂટાછેડા:રેપ કેસમાં સુરત જેલમાં બંધ, 8 વર્ષની લડત બાદ ઈન્દોર ફેમિલી કોર્ટનો ચૂકાદો; 2 કરોડ ભરણપોષણનો આદેશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 'આર્ટેમિસ-2'એ અંતરિક્ષમાં 'પૃથ્વી ઉદય'ની અદ્ભુત તસવીરો કેદ કરી:ક્રૂએ દુર્લભ સૂર્યગ્રહણ જોયું, ચંદ્રના અંધારા હિસ્સાના રહસ્યો પરથી પડદો ઉઠાવ્યો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : યુદ્ધ વિરામની માર્કેટ પર જબરદસ્ત અસર:ક્રૂડ ઓઈલના ભાવ એક ઝાટકે ઘટ્યા; સેન્સેક્સ 73,563 પર બંધ, સોનું 4 હજાર વધીને 1.53 લાખ; ચાંદીમાં 13 હજારનો ઉછાળો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સ્મૃતિ-પલાશનું પેચઅપ થયું?:શું હવે લગ્ન કરશે? બંનેના પરિવારના સભ્યો સાથે દેખાયા; સોશિયલ મીડિયા પર વાઇરલ વીડિયો જોઈ ફેન્સ આશ્ચર્યમાં વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતની શિષ્યોને શીખ:સાચો પ્રેમ અને સાચી ભક્તિ બંને નિસ્વાર્થ હોવી જોઈએ, જ્યાં સ્વાર્થ આવે છે, ત્યાં પ્રેમની પવિત્રતા રહેતી નથી વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ શ્રીલંકાથી ભારત તરીને આવશે 7 વર્ષનો એક બાળક રાંચીનો 7 વર્ષનો ઇશાંક સમુદ્રમાં તરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરી રહ્યો છે. તે 30 એપ્રિલના રોજ શ્રીલંકાના તલૈમન્નારથી ભારતના ધનુષકોડી સુધીનું આશરે 30 કિલોમીટરનું અંતર તરીને કાપશે. અઢી વર્ષની ઉંમરથી સ્વિમિંગ કરી રહેલો ઇશાંક દરરોજ 4-5 કલાક અભ્યાસ કરે છે. ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: અડધી રાત સુધી ફોન કરતા રહ્યા શરીફ-મુનીર, કેવી રીતે રોક્યું ઈરાન યુદ્ધ; આ મધ્યસ્થીથી પાકિસ્તાનને શું મળશે? 2. Editor's View: ડેડલાઇનની 80 મિનિટ પહેલા શું થયું?: વ્હાઇટ હાઉસમાં બેઠક અને ટ્રમ્પનો મુનીરને ફોન, યુદ્ધવિરામમાં એક્સિડેન્ટલ હીરો બન્યું પાકિસ્તાન, ભારતના ખતરાને આ રીતે સમજો 3. ભાસ્કર સિરીઝ : પોલીસનું નામ સાંભળીને આસારામ છૂમંતર થઈ ગયા!: એક ટ્રિકથી બહાર આવ્યા ને મીડિયાથી ભાગવા દોડાદોડી કરી મૂકી; જુઓ સિરીઝનો એપિસોડ-30 4. પારકી પંચાત : સંઘવી સામે મોરેમોરો આવવા ઈટાલિયા તૈયાર: ઓડિયો વાઇરલ થતા ચોખવટો કરવી પડી; કરસનદાસ બાપુએ જગદીશ પંચાલના ચાળા પાડ્યા 5. MATCH મસાલા : ભલા મોરી રામા ગીત પર ભૂરી નાચી: નેહરાએ ઉઘાડા પગે આંટા માર્યા, દાંતણ કરતો દેખાયો; જયસ્વાલે ફિફ્ટી કરી કોને બેટ બતાવ્યું? 6. કેરલમમાં ટફ ફાઈટ, કોંગ્રેસ+ને 70-80 સીટોના અણસાર: લેફ્ટને મળી શકે છે 60થી 70 સીટે, BJP 3થી 5 સીટો પર આગળ 7. ભાસ્કર એક્સપ્લેનર : સીઝફાયર માટે કેવી રીતે રાજી થયા ટ્રમ્પ-ખામેની: શું 14 દિવસ પછી ફરી યુદ્ધ શરૂ થશે; અમેરિકા-ઈરાન સમજૂતીની ઈનસાઈડ સ્ટોરી 8. 'હું નીકિતાને કોઇપણ ભોગે સાસરે જવા દેવાની નથી': દાદી સાસુના એક લાફાનો બદલો પાવડાથી લીધો, લાશ ઘરમાં મૂકીને જમાઇ-પૌત્રી ગાયબ થઇ ગયા 9. આસામમાં હિમંતા આગળ, 90 બેઠકો જીતી શકે છે NDA: કોંગ્રેસને 15-20 સીટ મળવાની શક્યતા, મિયાં મુસ્લિમ કરતાં મહિલા ફેક્ટર વધુ મજબૂત કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મકર-ધન રાશિ માટે સાંજ રોમેન્ટિક, સિંહ અને તુલા રાશિના જાતકો માટે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો (સંપૂર્ણ રાશિફળ વાંચો)
રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા વામ્બે આવાસ ક્વાર્ટરમાંથી એક સગીરાને 19.061 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી તેની પાસેથી કુલ 9.63 લાખનો મુદામાલ કબ્જે કરી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સગીરાના પિતાના અવસાન બાદ માતાએ બીજા લગ્ન કરી લીધા હોવાથી તે એકલી રહેતી હતી અને છેલ્લા 8 મહિનાથી પોતે આવાસના ક્વાર્ટરમાં રહેતી હતી. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તે જંગલેશ્વરના સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી સાથે મળી લાવી હોવાનું સામે આવ્યું છે અને આ ગાંજાનો જથ્થો પતિ પત્નીએ સગીરાને સાચવવા આપ્યો હોવાથી પોલીસ આ કેસમાં ફરાર પતિ પત્નીની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ શહેર SOG પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કૈલાશ કેવલમ મેઈન રોડ પર વામ્બે આવાસ ક્વાર્ટરમાં ગાંજાનો મોટો જથ્થો પડેલો છે જેથી ક્વાર્ટરમાં રેડ કરતા એક સગીરા મળી આવી હતી જેના કબ્જામાં કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી સગીરાને ચાઈલ્ડ વેલ્ફેર ઓફિસરને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછ દરમિયાન આરોપી સગીરાએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે વામ્બે આવાસ ક્વાર્ટરમાં તે પોતે છેલ્લા 8 મહિનાથી એકલી રહે છે અને આ પહેલા તે જંગલેશ્વર વિસ્તારમાં રહેતી હતી તેના પિતા હયાત નથી અને માતાએ બીજા લગ્ન કરી લીધા છે. તેની પાસેથી મળી આવેલ ગાંજાનો જથ્થો તેને સાચવવા માટે સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી આપી ગયા હોવાનું જણાવતા પોલીસે આ બન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હાલ પોલીસે આરોપી સગીરાના કબ્જામાંથી કુલ 9.53 લાખની કિંમતનો 19.061 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, એક મોબાઈલ ફોન તથા 5000 રૂપિયા રોકડ મળી કુલ 9.63 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પકડાયેલ આરોપી સગીરા તેમજ ફરાર આરોપી સોયબ અને તેની પત્ની જેબા ત્રણેય સાથે મળી આ ગાંજાનો જથ્થો લઇ આવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરના રહેવાસી એવા ફરાર આરોપી સોયબ તૈલી અને તેની પત્ની જેબા તૈલી વિરુધ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં સોયબ વિરુધ્ધ NDPSના બે, જુગારના બે મળી કુલ 5 ગુના નોંધાઈ ચુક્યા છે જયારે તેની પત્ની જેબા વિરુધ્ધ પણ ગોંડલ સીટી ખાતે NDPSનો એક ગુનો નોંધાઈ ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
અમદાવાદમાં ઝોન-3 DCPના સ્કોડે મોબાઈલ ચોરી કરતી હાઇટેક ગેંગ ઝડપી પાડી છે. આ ગેંગ અલગ-અલગ રાજ્યોમાં ભીડભાડની જગ્યાએ મોબાઇલ ચોરી કરે છે. અમદાવાદમાં IPL ની મેચમાં સ્પેશિયલ ચોરી કરવા બે ચોર ફલાઇટમાં ઝારખંડથી અમદાવાદ આવ્યા હતા. આરોપીઓ પાસેથી 21 ચોરીના મોબાઇલ પણ મળી આવ્યા છે. કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી બે આરોપીઓની ધરપકડઝોન-3 DCP રૂપલ સોલંકીના LCB સ્કોડના PSI વી.એચ રાઠોડની ટીમે બાતમીના આધાર કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી રઘુ મહતો અને વિક્રમ મહતો નામના બે આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 21 મોબાઇલ ફોન મળી આવ્યા હતા.આ સાથે આધાર કાર્ડ, એરલાઈન્સની ટિકિટ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો હતો. આરોપી અગાઉ ફરાર થયો ત્યારથી ટ્રેસ કરતા હતાવધુમાં તેઓએ જણાવ્યું કે, રઘુ છે એ આ અમિત મોહંતીનો બ્રધર છે. રઘુ બધાને ઓપરેટ કરીને અહીંયા લાવેલો હતો. લાસ્ટ ટાઇમ જ્યારે તે ચોરી કરવા આવ્યો ત્યારે તેને પોલીસની આવવાની ખબર પડી જતા તે ફરાર થઈ ગયો હતો. ત્યારથી અમે આ રઘુને ટ્રેસ કરતા હતા અને અત્યારે આ રઘુને 21 ચોરીના ફોન સાથે પકડવામાં સફળતા મળી છે. બેંગ્લોર અને અમદાવાદની IPL મેચમાંથી ફોનની ચોરી કરીઆ લોકો ઓઢવના એક એરિયામાંથી આપણને મળ્યા અને આ બંને આ વખતે ફ્લાઈટમાં આવેલા છે. ઝારખંડથી પર્ટીક્યુલર ચોરી કરવા માટે ફ્લાઈટ કરીને આવેલા. આ લોકોની સાથે હજી એક ટેણિયો છે કે જે હજી ગુમ છે એ હજી આપણને મળ્યો નથી, ઓમકાર કરીને એનું નામ છે. બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ અને અમદાવાદમાં 4 તારીખે આઈપીએલ થઈ એની પહેલા બેંગ્લોરમાં જે આઈપીએલ થઈ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એની બહારથી એમણે બે ફોન લીધેલા હતા અને આપણી જે 4 તારીખે આઈપીએલ થઈ ત્યારે પણ એમણે અહીંયાથી બે ફોન લીધેલા છે. ઝારખંડ જઈને કરતા ફોનનો સૌદોએ લોકો જ્યારે આવે છે ત્યારે આ રીતે મોટી માત્રામાં અલગ-અલગ જગ્યાએથી ફોન ચોરી કરી પોતાના ગામ જતા રહે છે પાછા અને ત્યાં જઈને એ લોકો વેચે છે. ઘણીવાર બોમ્બે જઈને પણ વેચે છે, સસ્તા ભાવે ફોન વેચી દે છે. વાત એ છે કે આ લોકો જ્યારે ફોન સ્નેચ કરે છે કે ચોરી કરે છે કોઈપણ જગ્યાએથી પછી એને સિલ્વર ફોઈલની અંદર બંધ કરીને ફોન મૂકી દે છે. એવું માને છે કે સિગ્નલ મળતા નથી એના કારણે એટલે કોઈ ફોન ટ્રાય કરે તો કોઈનો ફોન લાગે નહીં અને લોકેશન ટ્રેસ થાય નહીં. ભીડભાડવાળો એરિયા જ ચોરી માટે પસંદ કરતાફોન ચોરી કર્યા પછી ઘણા લોકો એવું કરતા હોય છે કે પોતાના ફોનને અનલોક જ રાખતા હોય છે. તો આ લોકોએ મહેસાણાની અંદર બે ફોન ચોર્યા હતા. આ જે 21 ફોન ચોરાયા છે એમાં બેંગ્લોર IPLમાં, અમદાવાદ IPLમાં ચોર્યા છે, આણંદ જિલ્લામાંથી ચોર્યા છે, મહેસાણાથી ચોર્યા છે, અડાલજથી ચોર્યા છે એમ અલગ અલગ અનેક જગ્યાઓએથી એમને ચોર્યા છે, કાલુપુર રેલવે સ્ટેશનથી પણ ચોર્યા છે. મોટા ભાગે ભીડભાડ વાળી જગ્યાઓ જે ખૂબ હોય ત્યાં જ એ લોકો ટ્રાય કરે છે પર્ટીક્યુલરલી IPLના કિસ્સામાં મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર-1વાળો જે એકદમ ભીડવાળો એરિયા હોય છે જ્યાં મેટ્રોમાંથી એકસાથે માણસો ઉતરે અને પછી કોઈને ખબર ના પડે એ રીતે ચોરવામાં સરળતા ના રહે એવા એરિયા આ લોકો ખાસ પસંદ કરે છે. ગીતામંદિર બસ સ્ટેન્ડ છે આવા એરિયા પણ એ લોકો ખાસ પસંદ કરે છે. ચોરેલા મોબાઈલમાંથી પૈસાની પણ ચોરી કરીઆવી ચોરી થઈ જાય અને મોટી માત્રામાં ફોન ભેગા થઈ જાય પછી જગ્યા છોડી દેવાની. જ્યાં સુધી ગુજરાતમાં પણ જ્યાં જ્યાં ફરવું હોય જ્યાં જ્યાંથી ફોન કલેકટ કરવા હોય કરી લીધા પછી ભાગી જવાનું. મહેસાણામાંથી જે બે ફોન ચોરી કર્યા એ ફોન અનલોક હતા એટલે એમણે તરત જ એના ઉપર ગૂગલ પેની એપ ડાઉનલોડ કરી અને કેમકે સીમ અંદર હતું અને ફોન નંબર ચાલુ હતો એટલે SMSથી ઓટીપી પણ તરત મળી જાય એટલે એમણે સાયબર ક્રાઈમનો ઓફેન્સ પણ કરી લીધો અને એમાંથી એમણે પૈસા પણ ટ્રાન્સફર કરીને લઈ લીધા જે-તે વ્યક્તિના એકાઉન્ટમાંથી. આ પ્રકારની આ ગેંગ છે અને અત્યારે જે આપણે આના આધારે જે ઓફેન્સ રજીસ્ટર કર્યા છે એ ટોટલ 12 ઓફેન્સ રજીસ્ટર કર્યા છે. 8થી 9 ફોન એવા છે કે જે ફોન હજી એકદમ સદંતર અનલોક કન્ડિશનમાં છે, જેમાં એના ઓનરની ખબર હાલ પડી રહી નથી એટલે એના ઓફેન્સ રજીસ્ટર કરવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ જે રજીસ્ટર કર્યા છે એમાં ચાંદખેડા, મહેસાણા, અડાલજ, આણંદ ટાઉન, સેટેલાઈટ પોલીસ સ્ટેશન, બેંગ્લોર સિટી, કર્ણાટક, કાલુપુર રેલવે સ્ટેશન આવા અલગ-અલગ જગ્યાના ફોન આ લોકોએ ચોરી કરેલા છે. ગુજરી બજારની અંદર ચોરી કરેલા ફોન વેચી નાખતાનાની એમાઉન્ટ છે 4-5 હજાર જેવી એમાઉન્ટ છે પણ બંનેના ફોનમાંથી ટ્રાન્સફર કર્યા છે. આ જે ગેંગ છે મહારાજપુર કરીને મહારાજપુર બજાર પંચાયત કલ્યાણી નાયતુલા કરીને છે થાના અંચલ તાલઝારી લાગે, જિલ્લો સાહેબગંજ ઝારખંડનું આ પ્લેસ છે એટલે આ જે નાયતુલા કરીને પ્લેસ છે એની આસપાસના નાના-નાના ગામડાઓના છે આ લોકો અને એમનું એવું કહેવું છે કે, અહીંથી ફોન લઈ જઈ અને ત્યાં આગળ કોઈ એમને ત્યાં જેમ આપણે અહીંયા રવિવારી બજાર ભરાય છે એવી રીતના ત્યાં ગુજરી ભરાય છે ગુજરીની અંદર એ લોકો ફોન સસ્તા ભાવે આપી દે છે. આપણને ટ્રેસ એટલા માટે નથી થતા કારણ કે એ લોકો એની અંદર કોઈ સીમ નથી ચડાવતા જે ફોન રેડી અવેલેબલ વેચાઈ જાય છે કોઈને અને એમાં સીમ ચડે છે તો આપણને કદાચ એ ફોન મળવાની શક્યતા રહે પણ એના પાર્ટ જુદા કરી અને વેચી દે છે એટલા માટે એ ફોન ઈઝીલી ટ્રેસ થતા નથી. ત્રણ લેયરમાં આખી ચોરીની ઘટનાને અંજામ આપતા હતાએ છોકરાઓને સિમ્પલ શીખવાડ્યું છે જેમ કે કોઈ એક બસ આવે છે અને 25-30 જણને એક સાથે ચડવું છે એટલે માણસનું ચડવામાં ધ્યાન હોય. પછી ભીડભાડ વાળો એરિયા જેમ કે આઈપીએલ હોય એ વખતે મેટ્રો સ્ટેશનમાં એક સાથે 100-200 લોકો ઉતરે બધાના હાથમાં બચ્ચાઓ છે કેમકે મેચ જોવા આવ્યા હોય એટલે પોતાના બાળકો કે ઉંમર લાયક માણસોને પણ સાથે લઈને આવ્યા હોય એટલે માણસે પોતાનો ફોન આગળના કિસ્સામાં મૂક્યો હોય પાછળના કિસ્સામાં મૂક્યો હોય ઇઝીલી જ્યાંથી કાઢી શકાય અને વ્યક્તિને ખબર ના પડે એ રીતે લઈ લેવાના. બીજું કે ચોરીને અંજામ આપવામાં પણ ત્રણ લેયર રાખે છે એક ચોરનાર વ્યક્તિ છે જે ફોન ખેંચે છે એક એની નજીક વ્યક્તિ ઉભો રહે છે એને આપી દે છે અને એ પાછો એનાથી દૂર 100 મીટર 200 મીટર દૂર વ્યક્તિ બેઠેલી છે એને આપી દે છે એટલે કદાચ આપણને એવી ખબર પડી જાય કે, આ ટેણિયાએ ફોન લીધો છે પણ તમે તેને સર્ચ કરો તો તમને ફોન મળે નહીં.
ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોન ટીચિંગ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી હતી, જેમાં 130 જગ્યાઓ માટે હજારો વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જે બાદ ઉમેદવારોની બે તકબક્કામાં પરીક્ષા લેવામાં આવી હતી. જેનું પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કે હવે બીજી પરીક્ષાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે. આગામી 29 અને 30 એપ્રિલના રોજ પહેલી પરીક્ષામાં 54 કે તેથી વધુ માર્ક્સ આવેલા હોય તેવા ઉમેદવારો બીજી લેખિત પરીક્ષા આપી શકશે. જેના માટે ગુજરાત યુનિવર્સિટીએ વિગતવાર કાર્યક્રમ પણ જાહેર કર્યો છે. 29 અને 30 એપ્રિલના બીજી લેખિત પરીક્ષાગુજરાત યુનિવર્સિટીમાં દ્વારા સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક સહિતના 36 અલગ અલગ વિભાગોમાં નોન ટીચિંગ સ્ટાફની ભરતી ચાલી રહી છે. જેમાં ક્લાસ 1 અને ક્લાસ 2ની 17 પોસ્ટ અને સિનિયર ક્લાર્કની 80 પોસ્ટ સહિત 130 જગ્યા માટે 6 હજાર જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેનું પરિણામ જાહેર થયા બાદ હવે 29 અને 30 એપ્રિલના રોજ બીજી લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પહેલી પરીક્ષામાં 54 કે તેથી વધુ માર્ક્સ આવ્યા હશે તેવા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જે બાદ બીજી પરીક્ષાની પરિણામ આવ્યા બાદ મેરીટના આધારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા કરવામાં આવશે. મોટી ઉમરના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા અપાશેજો દ્વિતીય અને અંતિમ પરીક્ષામાં એક કરતાં વધુ વિદ્યાર્થીઓના મેળવેલ ગુણ સરખા હશે તો પ્રથમ પરીક્ષામાં જેના ગુણ વધુ હશે તેને પસંદગીમાં અગ્રતા અપાશે. પ્રથમ પરીક્ષામાં પણ સરખા ગુણ હશે તો સ્નાતક કક્ષાના છેલ્લા વર્ષ/ છેલ્લા બે સેમેસ્ટરના જે-તે યુનિવર્સિટીની બાહ્ય પરીક્ષાના ગુણની ટકાવારી જેની વધુ હશે તેને અગ્રતા અપાશે. સ્નાતક કક્ષાના યુનિવર્સિટીની બાહ્ય પરીક્ષાના ગુણ પણ સરખા હશે તો હાયર સેકન્ડરીની પરીક્ષામાં જેના વધુ ગુણ હશે તેને ધ્યાને લઈ અગ્રતા અપાશે. છતાં જો તેમાં સરખા ગુણ હશે તો ઉમેદવારોની જન્મ તારીખને ધ્યાને રાખીને મોટી ઉમરના ઉમેદવારને પસંદગીમાં અગ્રતા અપાશે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં રહેતી 34 વર્ષીય માર્કેટિંગ મેનેજર યુવતીએ તેના હરિયાણા સ્થિત સાસરિયાં વિરુદ્ધ શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ પતિએ પોતે એ-સેક્સ્યુઅલ હોવાનો સ્વીકાર કરી મારપીટ કરતો અને સાસરિયાઓએ વધુ રૂ. 50 લાખની માંગણી સાથે હેરાનગતિ કરતા પીડિતાએ ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે. પતિ નોકરીના બહાને પત્નીથી દૂર રહેતોમૂળ રાજસ્થાનની યુવતીના લગ્ન સામાજિક રિવાજ મુજબ થયા હતા, જેમાં તેના પિતાએ રૂ. 25 લાખની લોન લઈને અને રૂ. 30 લાખના દાગીના આપીને ધામધૂમથી પ્રસંગ ઉકેલ્યો હતો. જોકે, લાલચુ સસરાએ વિદાય વખતે જ વધારાના રૂ. 50 લાખની માંગણી કરી દીકરીને સાસરે ન લઈ જવાની ધમકી આપી હતી. પિતાના આજીજી અને નાણાં ચૂકવવાના વાયદા બાદ યુવતી હરિયાણા સાસરે પહોંચી હતી, પરંતુ ત્યાં શરૂઆતથી જ પતિ નોકરીના બહાને તેનાથી અંતર જાળવતો હતો. હનીમૂન પર પતિ એ-સેક્સ્યુઅલ હોવાનો ખુલાસો થયોદંપતી જ્યારે હનીમૂન માટે વિયેતનામ ગયું ત્યારે પતિના અસલી સ્વરૂપનો પર્દાફાશ થયો હતો. પતિએ કબૂલાત કરી હતી કે તે પોતે 'એ-સેક્સ્યુઅલ' (જાતીય ઈચ્છાનો અભાવ ધરાવતો) છે અને માત્ર તેના નાના ભાઈના લગ્ન થઈ શકે તે માટે પરિવારના દબાણમાં આવીને તેણે આ લગ્ન કર્યા હતા. આ સત્ય સામે આવ્યા બાદ પણ સુધરવાને બદલે પતિએ યુવતી સાથે રહેવામાં શરમ અનુભવતો હોવાનું કહી તેની સાથે ઝઘડા કરી મારપીટ શરૂ કરી હતી. યુવતીએ પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવીસાસરિયાઓનો ત્રાસ એટલેથી ન અટકતા, તેમણે પતિની સારવાર કરાવવાના બહાને પિયર પક્ષ પાસે વધુ રૂ. 20 લાખની માંગણી કરી હતી. અંતે માંગણીઓ પૂરી ન થતા સાસરિયાઓએ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો. છેલ્લા એક વર્ષથી પિયરમાં રહેતી યુવતીએ કંટાળીને સાબરમતી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પાલિકા-પંચાયતની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાયાને આઠ દિવસ વિતી ચૂક્યા છે. 11 એપ્રિલ ઉમેદવારી કરવાની અંતિમ તારીખ છે. ત્યારે આજે ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષો બાકી રહેતા ઉમેદવાોરના નામની જાહેરાત કરે તેવી પૂરી શક્યતા છે. ઉમેદવારોની પસંદગી માટે ભાજપની ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે અંતિમ દિવસ છે. ઝોન વાઈઝ તમામ ઉમેદવારોના નામ પર ચર્ચા કરાયા બાદ આજે યાદીને અંતિમરૂપ અપાશે અને ત્યારબાદ જાહેરાત થઈ શકે છે. તો બીજી તરફ કોંગ્રેસ પણ તેની બીજી યાદી આજે જ જાહેર કરી શકે છે. ભાજપના 10,005 ઉમેદવારો જાહેર કરવાના બાકીરાજ્યમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10005 બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. તમામ બેઠક પર ઉમેદવારી કરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. ત્યારે ભાજપ આજે મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત કરી દે તેવી પૂરી શક્યતા છે. કોંગ્રેસે પણ અત્યાર સુધીમાં 7 મહાનગરપાલિકાના 243 ઉમેદવારોના નામની જ જાહેરાત કરી છે. જેથી બાકી રહેતા ઉમેદવારોમાંથી મોટાભાગના ઉમેદવારોના નામની જાહેરાત આજે થઈ જશે. વિવાદ થવાની સંભાવના હોય તે બેઠક પર જાહેરાત બાકી રહી શકેભાજપ અને કોંગ્રેસને જે બેઠકો પર નામની જાહેરાત કરાયા બાદ વિવાદ થવાની શક્યતા લાગતી હશે તે બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત અંતિમ ઘડીએ થઈ શકે અથવા નક્કી ઉમેદવારને ટેલિફોનિક જાણ કરાઈ શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
મુંબઈ–અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે મણિનગર ખાતે અમદાવાદ–વડોદરા રેલવે લાઇન ઉપર આશરે 1360 મેટ્રિક ટન વજનનું સૌથી ભારે પ્રીકાસ્ટ-પ્રેસ્ટ્રેસ્ડ પોર્ટલ બીમ (ગર્ડર) સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. મણિનગર રેલવે સ્ટેશન નજીક પાંચ બીમ સ્થાપિત કરવાની યોજના આ પોર્ટલ બીમ એક પ્રીકાસ્ટ કોંક્રિટ રચના છે, જેની લંબાઈ 34 મીટર છે અને તેનું ક્રોસ-સેક્શન 5.5 મીટર x 4.5 મીટર છે. મણિનગર રેલવે સ્ટેશન નજીક આવા કુલ પાંચ બીમ સ્થાપિત કરવાની યોજના છે. આ બીમ્સનું નિર્માણ સાઇટ પર જ પ્રીકાસ્ટ સ્વરૂપમાં કરવામાં આવી રહ્યું છે અને તેને એકીકૃત ભારે એકમો તરીકે સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. 3.5 કલાકમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતીસમગ્ર લોન્ચિંગ પ્રક્રિયા કડક સુરક્ષા ધોરણો હેઠળ આશરે 3.5 કલાક જેવી નોંધપાત્ર રીતે ઓછી અવધિમાં પૂર્ણ કરવામાં આવી. આ કામગીરી ભારતીય રેલવે સાથે સંકલનમાં સંપૂર્ણ ટ્રાફિક અને પાવર બ્લોક દરમિયાન કરવામાં આવી હતી. અગાઉ આ જ કામ માટે લગભગ 6 મહિના સુધી લાંબા કૉશન ઓર્ડર અને લગભગ 9 કલાકના બ્લોકની યોજના બનાવવામાં આવી હતી.સુક્ષ્મ આયોજન અને ઑપ્ટિમાઇઝેશન દ્વારા આ સમયને ઘટાડીને અમદાવાદ–વડોદરા વિભાગની બંને લાઇનો માટે માત્ર 3.5 કલાકમાં પૂર્ણ કરવામાં આવ્યું. લિફ્ટિંગ ઓપરેશન 2200 મેટ્રિક ટન ક્ષમતા ધરાવતા ક્રોલર ક્રેન દ્વારા કરવામાં આવ્યું, જેમાં 260 ટનનો સ્ટેન્ડબાય ક્રેન, 80 ટનનો ક્રેન, મેન લિફ્ટર અને એન્કરિંગ ફ્રેમ સાથે લિફ્ટર બીમ સિસ્ટમ જેવા સહાયક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો। આ લિફ્ટિંગ વ્યવસ્થામાં 75 મિમી વ્યાસના પ્રેસ્ટ્રેસ્ડ મેકએલોય બાર, લિફ્ટિંગ બીમ અને હેવી-ડ્યુટી સ્લિંગ્સનો ઉપયોગ કરવામાં આવ્યો, જેથી આ વિશાળ ભારને સલામત રીતે સંભાળી શકાય. ભારતીય રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા સૌથી ભારે લિફ્ટ્સમાંનું એકઆ ઓપરેશન અનેક એન્જિનિયરિંગ પડકારોને દર્શાવે છે, જેમાં આશરે 1360 મેટ્રિક ટનના અલ્ટ્રા-હેવી લિફ્ટનું સંચાલન સામેલ છે. જે ભારતીય રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કરવામાં આવેલા સૌથી ભારે લિફ્ટ્સમાંનું એક છે. સાથે જ સમગ્ર કાર્યને મર્યાદિત સમયગાળામાં પૂર્ણ કરવાની આવશ્યકતા પણ સામેલ છે. તે ઉપરાંત, મર્યાદિત કાર્યક્ષેત્ર, ઓવરહેડ ઇક્વિપમેન્ટ (OHE) અને અનેક સક્રિય રેલવે લાઇનોને કારણે જટિલતા વધે છે. આવી પરિસ્થિતિમાં આશરે 15 મીટર ઊંચાઈએ ચોક્કસ સ્થાપન માટે ઊંચી સ્તરની સચોટતા જરૂરી બને છે. આ માટે રેલવે અધિકારીઓ સાથે રિયલ-ટાઇમ સંકલન, બેકઅપ લિફ્ટિંગ સિસ્ટમની વ્યવસ્થા, કડક રિગિંગ નિરીક્ષણ, બીમના વિશાળ ખુલ્લા સપાટી વિસ્તારને કારણે પવનની ગતિ પર સતત નજર તેમજ સલામત અને ચોક્કસ સ્થાપન સુનિશ્ચિત કરવા માટે સચોટ સર્વે અને એલાઇનમેન્ટ નિયંત્રણ કરવામાં આવ્યું.
આશ્રમ વિનય મંદિર, રાંધેજા ખાતે પ્રકૃતિ ઈકો ક્લબ દ્વારા વિદ્યાર્થિનીઓમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે વિદ્યાર્થિનીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતતા વધારવાનો હતો. ચૈત્ર માસની શરૂઆત સાથે બદલાતા વાતાવરણને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થિનીઓની રોગપ્રતિકારક શક્તિ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ અંતર્ગત, પ્રકૃતિ ઈકો ક્લબના કન્વીનર નિલેશભાઈના માર્ગદર્શન હેઠળ લીમડાના મોરનો રસ તૈયાર કરીને વિદ્યાર્થિનીઓને પીવડાવવામાં આવ્યો હતો. આ સ્વાસ્થ્ય જાગૃતિ કાર્યક્રમ આચાર્ય વિલસુબેન ટાંક, ઈકો ક્લબના કન્વીનર નિલેશભાઈ, સ્વયંસેવક વિદ્યાર્થીની બહેનો અને સ્ટાફ પરિવારના સહયોગથી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ, ગાંધીનગર ખાતે વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આરોગ્ય જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ ડીન ડૉ. અંકુર ઝાલાવાડિયા અને વિભાગના વડા ડૉ. જિગ્નેશ ચૌહાણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની થીમ “Together for Health: Stand with Science” રાખવામાં આવી હતી. આ થીમ આરોગ્ય ક્ષેત્રે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પરસ્પર સહકારના મહત્વ પર ભાર મૂકે છે. કાર્યક્રમના ભાગરૂપે કેમ્પસથી લઈને આસપાસના વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ માટે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. રેલી દરમિયાન આરોગ્ય સંબંધિત પ્રેરણાદાયક સૂત્રોચ્ચાર કરીને લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, થીમ આધારિત માહિતીસભર અને સર્જનાત્મક પોસ્ટર્સ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પોસ્ટર્સ દ્વારા લોકોમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવાનો, વૈજ્ઞાનિક માહિતીના મહત્વને સમજાવવાનો અને Health for All ના સંદેશને મજબૂત બનાવવાનો હતો.સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગર એસીબી પીઆઇ દ્વારા ફરિયાદી બનીને એસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ચંદ્રસિંહ મોરીએ 1 એપ્રિલ, 2013 થી 31 ડિસેમ્બર, 2025 સુધીમાં કુલ ₹1,22,27,658 ની અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ કૌભાંડમાં અગાઉ ઇડી દ્વારા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના અધિકારીઓના રહેણાક મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી હતી.
સુરત શહેરના આંતરમાળખાકીય વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને કમર કસી છે. શહેરના અત્યંત મહત્વકાંક્ષી અને આઇકોનિક ગણાતા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ જાણવા માટે તેમણે આઈસીસીસી (ICCC) ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે એક લાંબી મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં ખાસ કરીને તાપી રિવરફ્રન્ટ અને બેરેજ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. કમિશનરે માત્ર ફાઈલો પર જ નહીં, પણ ગ્રાઉન્ડ લેવલ પર પ્રોજેક્ટની શું સ્થિતિ છે તેની ઝીણવટભરી વિગતો મેળવવા પ્રેઝન્ટેશન સાથે અધિકારીઓનો વન-ટુ-વન રિવ્યૂ લીધો હતો. ટેક્નિકલ પાસાં અને મોડલ રન પર ભારઆ સમીક્ષામાં તાપી નદી પર સાકાર થઈ રહેલા બેરેજ પ્રોજેક્ટની ટેકનિકલ ગૂંચવણો અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને પુણેમાં 'ગેરી'ના હેડક્વાર્ટર્સ ખાતે તૈયાર કરાયેલા કન્વેન્શનલ બેરેજના મોડલ રન, કોફર ડેમની મજબૂતી અને નદીમાં ડીસિલ્ટિંગની જરૂરિયાત જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે નદીના કુદરતી વહેણ અને પાણીના પ્રવાહને ધ્યાનમાં રાખીને જ ભવિષ્યનું આયોજન કરવું અનિવાર્ય છે. આ માટે તેઓ આગામી દિવસોમાં રૂબરૂ પુણે જઈને બેરેજના મોડલ રનનું નિરીક્ષણ કરશે. સનર્જી એરેના અને વહીવટી ભવનનું આયોજનબેઠકમાં માત્ર તાપી પ્રોજેક્ટ જ નહીં, પરંતુ વેસુ વિસ્તારમાં સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે તૈયાર થઈ રહેલા ‘સનર્જી એરેના’ પ્રોજેક્ટ અંગે પણ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. શહીદ સ્મારક પાસે આકાર લઈ રહેલા આ પ્રોજેક્ટની ગતિ વધારવા સૂચના અપાઈ હતી. આ ઉપરાંત, રિંગ રોડ પર બની રહેલા મહાપાલિકાના નવા આધુનિક વહીવટી ભવનની કામગીરીમાં ક્યાંય અવરોધ ન આવે અને તે નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે કમિશનરે એન્જિનિયરોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ગુણવત્તા અને પૂર નિયંત્રણ અંગે કડક સૂચનાકમિશનરે બેઠક દરમિયાન અધિકારીઓને ચાર મુખ્ય મુદ્દાઓ પર કામ કરવા આદેશ આપ્યો છે. જેમાં હાઈડ્રોલિક મોડલ રન અને ફ્લો મેનેજમેન્ટની ચોકસાઈ, સાઈટ વિઝિટ દ્વારા ટેક્નિકલ ક્ષતિઓની ચકાસણી, અને ક્વોલિટી કંટ્રોલમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવાનો સમાવેશ થાય છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન તાપી નદીના પટમાં ચાલી રહેલી કામગીરી પૂરની સ્થિતિમાં કોઈ અવરોધ પેદા ન કરે અને શહેરની સુરક્ષા જળવાઈ રહે તે માટે અત્યારથી જ તકેદારી રાખવા તાકીદ કરવામાં આવી છે. વિભાગો વચ્ચે સંકલન સાધવા આદેશશહેરના સર્વાંગી વિકાસ માટે કમિશનરે તમામ વિભાગો વચ્ચે સંકલન વધારવા પર ભાર મૂક્યો છે. પ્રોજેક્ટ્સને માત્ર માળખાગત રીતે જ નહીં, પણ તે લોકો માટે વધુ આકર્ષક અને ઉપયોગી બને તે દિશામાં નવા સૂચનો અમલી બનાવવા જણાવ્યું છે. આગામી દિવસોમાં કમિશનર પોતે વિવિધ સાઇટ્સની મુલાકાત લઈને કામગીરીની પ્રગતિનું સીધું નિરીક્ષણ કરશે, જેથી પ્રોજેક્ટમાં આવતી નાની-મોટી વહીવટી કે ટેકનિકલ અડચણોને સ્થળ પર જ દૂર કરી શકાય.
રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન આપઘાતના બે કરુણ બનાવો સામે આવ્યા છે, જેમાં જામનગર રોડ પર રહેતા 70 વર્ષીય વૃદ્ધ અને નાનામવા રોડ પર રહેતા 54 વર્ષીય પ્રૌઢે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. બીમારીના બેડરેસ્ટથી કંટાળીને અને અગમ્ય કારણોસર લેવાયેલા આ પગલાંઓને પગલે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. બીમારી અને લાંબા આરામથી કંટાળી વૃદ્ધનો ગળેફાંસોપ્રથમ બનાવમાં, જામનગર રોડ પર માધાપર ચોકડી નજીક મનહરપુર-1 ગામમાં રહેતા ભુપતભાઈ વાડોદરિયા (ઉ.વ. 70) એ વહેલી સવારે પોતાના ઘરે પાઈપ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. ત્રણ મહિના પૂર્વે બાથરૂમમાં પડી જવાથી તેમનો ગોળો ભાંગી ગયો હતો, જેના ઓપરેશન બાદ ડોક્ટરોએ તેમને લાંબો સમય બેડરેસ્ટની સલાહ આપી હતી. સતત આરામથી કંટાળી ગયેલા ભુપતભાઈએ આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મૃતક પાંચ ભાઈઓ અને બે બહેનોમાં સૌથી મોટા હતા અને તેમને સંતાનમાં બે દીકરા તથા ચાર દીકરીઓ છે. પ્રોવિઝન સ્ટોર સંચાલક પ્રૌઢનું એસિડ પી લેતા મોતબીજી ઘટનામાં, નાનામવા રોડ પર ભીમનગરમાં રહેતા અને ઘર પાસે જ પ્રોવિઝન સ્ટોર ચલાવતા કાળુભાઈ દેવાભાઈ સોંદરવા (ઉ.વ. ૫૪) એ રાત્રિના સમયે અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. કાળુભાઈને સંતાનમાં બે દીકરા અને બે દીકરીઓ છે. પિતાના અકાળે અવસાનથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસે બંને મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આપઘાતના આ બંને બનાવોએ સ્થાનિક પંથકમાં ચકચાર જગાવી છે.
મહીસાગર જિલ્લામાં ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ વરસાદ લુણાવાડા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારો, બાલાસિનોર તાલુકાના કેટલાક ગામો અને કડાણા તાલુકાના રાજસ્થાન બોર્ડરના ગામોમાં વધુ પડ્યો હતો. લુણાવાડા તાલુકાના ધામોદ,લાલસર,સાધકપુર, સરોલી, જુફરાલી, ડેટા, ખેમપુર, કડાછલા સહિત કોઠંબા વિસ્તાર માં વધુ વરસાદ વરસ્યો હતો. બાલાસિનોર તાલુકાના દોલતપોરડા ગામે કમોસમી વરસાદથી ખેતીને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને બાજરીના પાકને મોટો ફટકો પડ્યો છે, જ્યાં કરા પડવાથી બાજરીના રાડા પણ તૂટી ગયા છે. આ ઉપરાંત, ઘાસચારો, શાકભાજી અને આંબા પર લાગેલી કેરીને પણ નુકસાન થયું છે. દોલતપોરડા ગ્રામ પંચાયતના સરપંચે આસપાસના ગામોમાં થયેલા કરા સાથેના વરસાદને લઈને વિશેષ સર્વે હાથ ધરવા અને ખેડૂતોને વળતર આપવા માટે માંગ કરી છે. ખેડૂતો હવે સરકાર તરફથી પાક નુકસાનની સહાયની અપેક્ષા રાખી રહ્યા છે. અંબાલાલ ભાઈ પટેલ ખેડૂતે જણાવ્યું હતું કે, દોલત પોરડા ગામે કાલે 4 વાગે વરસાદનો તો છાંટો પણ નઈ બિલકુલ બરફ જ પડ્યો. જમીન પર પથરાઈ ગયો. મારે 12 થેલી બાજરી ઓટલી હતી એમાંથી 6 થેલી બિયારણ ની પાકેલી બાજરી નિષ્ફળ ગઈ.ઘાસમાં પણ કામ લાગે તેવું નથી અમે ત્રણ બોર વાળા ખેડૂતોને 20 વિઘા જમીનમાં વાવેતર સાફ થઈ ગયું. મનોજભાઈ પટેલ દોલતપોરડા ગામના સરપંચ એ જણાવ્યું હતું કે, ગઈ કાલે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો મોટા પ્રાણમાં વરસાદ અને વાવાઝોડું આવ્યું છે જેના કારણે 100 હેક્ટર જેટલી જમીનોમાં મોટા પ્રાણમાં નુકશાન થયેલું છે બિલકુલ પાક નષ્ટ થઈ ગયો છે. આમ તો અમારે દોલત પોરડા , ધનેલા, આલેલા , ગુંડેલા, તાજેરી પંચાયત આટલા વિસ્તારમાં લગભગ મોટા પ્રમાણમાં કરા પડ્યા છે. ગઈ કાલે તો જમીન ઉપર એક ફૂટ જેટલો બરફ પથરાઈ ગયો હતો.
મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવાનનું નિધન:36 વર્ષીય પિયુષ અમૃતિયાનું હાર્ટ એટેકથી મોત
મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતી વખતે 36 વર્ષીય યુવાન પિયુષભાઈ પ્રાણજીવનભાઈ અમૃતિયાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટનાથી પરિવાર અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પિયુષભાઈ અમૃતિયા જેતપર ગામે આવેલી જાકાસણીયા સ્કૂલના ગ્રાઉન્ડમાં તેમના મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. તે દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. હુમલો આવતા જ તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે મોરબી લઈ જવામાં આવી રહ્યા હતા. રસ્તામાં જ તેમને હાર્ટ એટેકનો બીજો અને વધુ તીવ્ર હુમલો આવ્યો, જેના કારણે તેમનું અવસાન થયું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા, પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પિયુષભાઈ અમૃતિયા સિરામિક રો મટીરીયલનો વ્યવસાય કરતા હતા. તેમને સંતાનમાં બે દીકરીઓ છે, જેમણે પિતાની છત્રછાયા ગુમાવી છે.
ગુજરાત હાઈકોર્ટે એક કેસમાં નિર્ણય આપતાં ગુજરાત મેડિકલ સર્વિસિસ કોર્પોરેશન,GMSCLને રાજ્યભરના સરકારી હોસ્પિટલો માટે 325થી વધુ અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી મશીનોની ખરીદી આગળ વધારવાની મંજૂરી આપી છે. આ નિર્ણય રાજ્યમાં ડાયગ્નોસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પાયે સુધારાની દિશામાં એક મજબૂત પગલું ગણાઈ રહ્યું છે. ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે આ મામલે ચુકાદો આપતાં મુંબઈ આધારિત કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ અરજીને નકારી નાખી છે. આ સાથે જ જિલ્લાકક્ષાના હોસ્પિટલોથી લઈ દૂરસ્ત સમુદાય આરોગ્ય કેન્દ્રો સુધી આરોગ્ય સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન લાવી શકે એવી યોજનાને માર્ગ મોકળો થયો છે. હાઈકોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતીમામલાનો મૂળ મુદ્દો ફેબ્રુઆરી, 2026માં જાહેર કરાયેલા ટેન્ડરમાં નક્કી કરાયેલા કડક લાયકાતના માપદંડો હતો. મહારાષ્ટ્ર સ્થિત અરજદારે દલીલ કરી હતી કે, આ શરતો અતિશય કડક અને ભેદભાવપૂર્ણ છે, જેના કારણે ખાસ કરીને “મેક ઇન ઇન્ડિયા” હેઠળ નવા ઉત્પાદકોને બહાર રાખવામાં આવ્યા છે. જો કે હાઈકોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતી. બજારમાં વિશ્વાસપાત્ર ઉત્પાદકો પાસેથી જ મશીનની ખરીદી કરાશેGMSCL તરફથી હાજર રહેલા ગવર્નમેન્ટ પ્લીડર જી.એચ. વિર્કે કોર્ટ સમક્ષ સ્પષ્ટપણે રજૂઆત કરી હતી કે, જીવનરક્ષક અને મહત્વપૂર્ણ તબીબી સાધનોની ખરીદી કોઈ સામાન્ય બજાર વ્યવહાર નથી, પરંતુ જનહિત અને જાહેર વિશ્વાસ સાથે સીધી રીતે જોડાયેલ બાબત છે. આવા ક્ષેત્રમાં રાજ્ય વિશ્વસનીયતા, ગુણવત્તા અને પ્રૂવન કામગીરીમાં કોઈ સમાધાન કરી શકતું નથી. રાજ્યએ દલીલ કરી હતી કે, માત્ર એવા ઉત્પાદકો પાસેથી જ મશીનો ખરીદવામાં આવશે, જેમણે બજારમાં પોતાની કામગીરીથી વિશ્વાસ અને ગુણવત્તાનો માપદંડ સ્થાપિત કર્યો છે. હજારો દર્દીઓ માટે આ નિર્ણય અસરકારક સાબિત થશેહાઈકોર્ટે રાજ્યની આ દલીલોને સ્વીકારી અને ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાથી ઈન્કાર કર્યો. આ સાથે જ જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાજ્યને ઊંચા ટેક્નિકલ અને નાણાકીય ધોરણો નક્કી કરવાની છૂટ માન્ય રાખી છે. 325 USG મશીનોથી ગ્રામ્ય અને અર્ધશહેરી વિસ્તારોમાં રહેલા હજારો દર્દીઓ માટે આ નિર્ણય સીધી અસરકારક સાબિત થશે. ઝડપી નિદાન, ખાનગી ડાયગ્નોસ્ટિક સેન્ટરો પરની નિર્ભરતા ઘટશે, ગર્ભાવસ્થા અને માતૃત્વ સંભાળ વધુ સુલભ બનશે અને ગંભીર બીમારીઓનું વહેલું નિદાન શક્ય બનશે
મહીસાગર જિલ્લામાં ₹123 કરોડના નલ સે જલ કૌભાંડ મામલે CID ક્રાઈમ દ્વારા વધુ એક કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં અત્યાર સુધી અનેક લોકોની ધરપકડ થઈ ચૂકી છે. વડોદરા CID ક્રાઈમ દ્વારા આ સમગ્ર કૌભાંડની ફરિયાદ નોંધવામાં આવી હતી. કાર્યવાહી દરમિયાન રાજેન્દ્રસિંહ સોલંકી નામના કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડમાં કોન્ટ્રાક્ટરોની ભૂમિકા સામે આવ્યા બાદ તેમની સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં કરોડો રૂપિયાના આ કૌભાંડમાં ધરપકડનો દોર યથાવત છે. CID ક્રાઈમની આ કાર્યવાહીને કારણે કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
શહેરના ગોતા વિસ્તારમાં બજરંગ ટી સ્ટોલના માલિક દ્વારા નવો બનાવવામાં આવેલો રોડ ખોદી નાખવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજૂરી વિના રોડ ખોદી નાખવામાં આવ્યો હતો, જે બાબત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીના ધ્યાને આવી હતી. આ અંગે બજરંગ ટી સ્ટોલના માલિકને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જાહેર રોડને મંજૂરી વિના તોડી નાખી અને ગંદકી કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટરોની સામે પગલાં લેવા માટેની SOP બનાવવા સૂચના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ આજે રીવ્યુ બેઠક લીધી હતી. આ બેઠકમાં હાટકેશ્વર બ્રિજ હવે તૂટવાની અંતિમ સ્થિતિમાં છે ત્યારે હાટકેશ્વર બ્રિજ તોડવામાં કોન્ટ્રાક્ટર દ્વારા બેથી ત્રણ જગ્યાએ પાણીની પાઇપલાઇન તોડી નાખવામાં આવી છે ત્યારે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવી? તે અંગેની પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હોવાથી તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટરોની સામે શું પગલાં લેવા તે અંગેની SOP બનાવવા માટેની સૂચના આપી હતી. એક અઠવાડિયામાં રજુ કરવા સૂચના આપીશહેરમાં કેટલાક બગીચાઓની સ્થિતિ બાબતે પણ પ્રશ્ન કર્યો હતો કે, બગીચાઓની ખરાબ સ્થિતિના સમાચાર છપાયા છે તેનું શું સ્ટેટસ છે ત્યારે અધિકારીએ જવાબ આપ્યો હતો કે, આ બગીચાઓ PPP ધોરણે ચલાવવા માટે આપેલા છે. ત્યારે સીધો સવાલ કર્યો હતો કે, કેટલા PPP ધોરણે ચાલી રહ્યા છે. જોકે તેનો જવાબ આપી શક્યા ન હતા. ત્યારે અધિકારીને સ્પષ્ટતા કરી હતી કે, તમારે PPP ધોરણે ચાલતા બગીચાઓની પણ યોગ્ય તપાસ રાખવી જોઇએ. PPP ધોરણે જે પણ બગીચા, હોલ, સ્મશાનો આપેલા છે તેનો રિપોર્ટ એક અઠવાડિયામાં રજુ કરવા સુચના આપી છે. 154 સ્થળે એર ક્વોલીટી સિસ્ટમ લગાવવામાં આવી હોવાનું કમિશનરને જણાવ્યું હતું.
ભરૂચમાં અજાણી માનસિક પીડિત યુવતીને આશ્રય મળ્યો:સખી વન સ્ટોપ સેન્ટરે સુરત રિફર કરી
ભરૂચ શહેરમાં એક માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે. 3 એપ્રિલ 2023ના રોજ સાંજે લગભગ 6 વાગ્યે, જનરક્ષક 112 મોબાઈલને મળેલી માહિતીના આધારે, ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે એક અજાણી યુવતીને સુરક્ષિત રીતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય માટે લાવી હતી. સેન્ટર પર લાવવામાં આવેલી યુવતી ખૂબ જ ગભરાયેલી હાલતમાં હતી. કાઉન્સેલિંગ દરમિયાન તેણે પોતાનું નામ અને અંદાજિત ઉંમર 20 વર્ષ જણાવી હતી. તેણે પોતાનું વતન બિહાર રાજ્યના સહરસા જિલ્લામાં હોવાનું જણાવ્યું, પરંતુ વધુ ચોક્કસ માહિતી આપી શકી નહોતી. સતત કાઉન્સેલિંગ છતાં જરૂરી માહિતી ન મળતા અને તેના વર્તન પરથી તે માનસિક રીતે પીડિત હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. યુવતીનું તબીબી નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું. તે અલગ અલગ માહિતી આપતી હોવાથી સંબંધિત પોલીસ સ્ટેશનોમાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ પરિવારજનો અંગે કોઈ ચોક્કસ માહિતી મળી શકી નહોતી. યુવતીની શારીરિક સ્થિતિ પણ નબળી જણાતા તેને વધુ સંભાળ અને લાંબા ગાળાના આશ્રયની જરૂરિયાત ઊભી થઈ. આ પરિસ્થિતિમાં, મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધ અધિકારીના માર્ગદર્શન હેઠળ, 7 એપ્રિલ 2026ના રોજ યુવતીને સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલા માનવસેવા ટ્રસ્ટમાં વધુ સારવાર અને સંભાળ માટે રિફર કરવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન, સખી વન સ્ટોપ સેન્ટરના સ્ટાફે સંવેદનશીલતા અને જવાબદારીપૂર્વક કામગીરી બજાવી હતી.
વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આગામી 26મી એપ્રિલે યોજાનારી પ્રથમ સામાન્ય ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જોકે, ફોર્મ વિતરણના ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં ચૂંટણી અધિકારીની કચેરીએ હજુ સુધી એક પણ ઉમેદવારે સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર જમા કરાવ્યું નથી. રાજકીય પક્ષો 'થોભો અને રાહ જુઓ'ની નીતિ અપનાવી રહ્યા છે, જાણે એકબીજાના પત્તા ખુલવાની રાહ જોઈ રહ્યા હોય. કુલ 13 વોર્ડની 52 બેઠકો માટે આ ચૂંટણી યોજાશે. ચૂંટણી અધિકારી પાસેથી અત્યાર સુધીમાં કુલ 329 ઉમેદવારો ફોર્મ લઈ ગયા છે. જોકે, આમાંથી એક પણ ફોર્મ હજુ સુધી જમા થયું નથી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે. ભાજપ વાપી મહાનગરપાલિકા પર કેસરીયો લહેરાવવા સજ્જ છે, જ્યારે કોંગ્રેસે 52 બેઠક પૈકી 1 બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પણ સત્તા મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્રણેય પક્ષો આંતરિક વ્યૂહરચનામાં વ્યસ્ત છે, જેના કારણે હજુ સુધી કોઈ પણ પક્ષે પોતાના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. મોવડી મંડળના આદેશ અને વિરોધ પક્ષની ચાલને સમજીને જ ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ભારે ખેંચતાણ ચાલી રહી છે અને બળવાની બીકે પક્ષો છેલ્લી ઘડી સુધી નામો ગુપ્ત રાખી રહ્યા છે. આગામી બે-ત્રણ દિવસમાં જ્યારે ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખો નજીક આવશે, ત્યારે કલેક્ટર કચેરીએ ભારે ભીડ અને શક્તિપ્રદર્શનના દ્રશ્યો જોવા મળી શકે છે. વાપીની આ પ્રથમ મહાપાલિકા ચૂંટણી હોવાથી મતદારોમાં પણ ઉત્સાહ સાથે ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
અમરેલીમાં વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 'સફળતાનું સમીકરણ' શીર્ષક હેઠળ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરીયાની પ્રેરણાથી કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ, અમરેલી દ્વારા શાંતાબા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં મંત્રી કૌશિક વેકરીયાએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થના અને મનિષ સિદ્ધપુરા દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ હતી. દીપ પ્રાગટ્ય બાદ અગ્રણીઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું. મંત્રીના અંગત મદદનીશ ભાવેશ ભાલિયાએ કર્મભૂમિ ડેવલોપમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શરદભાઈ લાખાણીએ પ્રારંભિક ઉદ્દબોધન કર્યું હતું. સ્વામિનારાયણ ગુરુકુળ તરવડાથી પધારેલા શાસ્ત્રી હરિસ્મરણ સ્વામી અને શાસ્ત્રી રામકૃષ્ણદાસજી સ્વામીએ વિદ્યાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા. શીતલ ઇન્ડસ્ટ્રીના એમ.ડી. દિનેશભાઈ ભુવા અને નીલકંઠ જવેલર્સના ઓનર કેતનભાઈ ધોળકિયા પણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણરૂપે Red White સંસ્થાના ચિરાગ કાનાણીએ મોટિવેશનલ સ્પીચ આપી હતી, જ્યારે પાર્થ સિયાણી દ્વારા કારકિર્દી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતમાં પ્રો. જે.એમ. તળાવીયાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન માટે કાર્યક્રમ સંયોજક મનિષ સિદ્ધપુરા, સહસંયોજક વૈભવ ભુવા (Red White અમરેલી) અને મંત્રીશ્રીના અંગત મદદનીશ ભાવેશ ભાલિયાએ આયોજનાત્મક કામગીરી કરી હતી. આ પ્રસંગે વિદ્યાસભા સ્કૂલના સંચાલક વસંત પેથાણી, વિદ્યાગુરુ સ્કૂલના સંચાલક મેહુલ ધોળકિયા, અંકુર ઠુંમ્મર, અજમેરા સ્કૂલના આચાર્ય કંચનબેન બારૈયા, શિક્ષણવિદ બિપિન જોશી અને આચાર્ય સંઘના પ્રમુખ મુકુંદ મેહતા સહિતના મહાનુભાવો પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.
ખડગેના નિવેદનથી ગુજરાતમાં રોષ:વલસાડમાં ભાજપના મૌન ધરણાં, માફીની માંગ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ વિશે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીના રાજ્યભરમાં પડઘા પડ્યા છે. ખડગેએ ગુજરાતની જનતાને 'અભણ અને મૂર્ખ' ગણાવતા ભાજપ આક્રમક બન્યું છે. આ નિવેદનના વિરોધમાં વલસાડના આઝાદ ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વલસાડ ભાજપના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આઝાદ ચોક ખાતે એકઠા થયા હતા. તેમણે હાથમાં 'અમે ગુજરાતીઓ અભણ નથી', 'ગુજરાત વિરોધી માનસિકતા હવે નહીં ચાલે' અને 'ખડગે માફી માંગે' જેવા લખાણવાળા પ્લેકાર્ડ્સ અને બેનરો પ્રદર્શિત કર્યા હતા. ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસની આ માનસિકતા હંમેશા ગુજરાત વિરોધી રહી છે અને રાજ્યની જનતા આ અપમાન ક્યારેય સહન નહીં કરે. તેમણે કોંગ્રેસ પાસે બિનશરતી માફીની માંગ કરી હતી. આ પ્રસંગે ભાજપ અગ્રણી રાજા ભાનુશાલીએ જણાવ્યું હતું કે, ખડગેજીએ ગુજરાતીઓને અભણ કહીને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. આ એ જ ગુજરાત છે જેણે અદાણી અને ટાટા જેવા દિગ્ગજ ઉદ્યોગપતિઓ દેશને આપ્યા છે. ગુજરાતીઓ હંમેશા હોશિયાર રહ્યા છે. તેમણે ચેતવણી આપી હતી કે જો માફી નહીં મંગાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
ખડગેના નિવેદન સામે જામનગરમાં ભાજપના મૌન ધરણા:ગુજરાતીઓ વિરુદ્ધ કથિત ટિપ્પણીનો લાલ બંગલા ખાતે વિરોધ
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ગુજરાતીઓ વિશે કરવામાં આવેલી કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણા યોજવામાં આવ્યા હતા. શહેરના લાલ બંગલા સર્કલ પાસે ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું. આ ધરણા શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીના નેતૃત્વ હેઠળ યોજાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગુજરાતીઓના કથિત અપમાન સામે મૌન વિરોધ નોંધાવવાનો હતો. ભાજપે મલ્લિકાર્જુન ખડગેના નિવેદનને ગુજરાતીઓની અસ્મિતા પર પ્રહાર ગણાવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારીએ જણાવ્યું કે કોંગ્રેસ હંમેશા ગુજરાત અને ગુજરાતીઓને નિશાન બનાવે છે, જે સ્વીકાર્ય નથી. આ મૌન ધરણા કાર્યક્રમમાં જામનગર શહેર ભાજપના વિવિધ મોરચાના આગેવાનો, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. ભાજપે આ ધરણા દ્વારા કોંગ્રેસ પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ગુજરાતીઓના અપમાનનો જવાબ આપવાની નેમ દર્શાવી હતી.
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આજે ગોધરા અને શહેરામાં વિવિધ બેઠકો માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં નગરપાલિકા અને તાલુકા પંચાયત મળીને કુલ 9 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. ગોધરામાં આજે સૌથી વધુ 6 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. અહીં કુલ 6 ઉમેદવારોએ અપક્ષ તરીકે પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. આ ઉમેદવારોમાં વોર્ડ નંબર 6માંથી ઈદરીસભાઈ દરગાહી, વોર્ડ નંબર 8માંથી ફેમીદાબેન વલીવાંકા, વોર્ડ નંબર 9માંથી યાકુબભાઈ બક્કર, શરીફાબેન બક્કર અને સારાબેન મન્સૂરી, તેમજ વોર્ડ નંબર 10માંથી દત્તેશકુમાર પુરોહિતનો સમાવેશ થાય છે. શહેરા નગરપાલિકામાં સત્તાધારી પક્ષનો દબદબો જોવા મળ્યો હતો, જ્યાં ભાજપ તરફથી 2 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર 1માંથી હિંમતભાઈ પગી અને હસિલાબેન બારીયાએ ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી છે. આ ઉપરાંત, શહેરા તાલુકા પંચાયતની બેઠક માટે કોંગ્રેસ પક્ષ દ્વારા 1 ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું. દલવાડા તાલુકા પંચાયત વોર્ડ નંબર 7 માટે વિક્રમભાઈ પગી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં જમીન NA કૌભાંડમાં સંડોવાયેલા અને ફરજ મોકૂફ નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી સામે એસીબી દ્વારા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સામે રૂ. 1,22,27,658ની અપ્રમાણસર મિલકતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ચંદ્રસિંહ મોરી જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધારવઢવાણમાં રહેતા ચંદ્રસિંહ મોરી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેઓ તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા આચરવામાં આવેલા જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર હોવાનું બહાર આવ્યું હતું. આ કૌભાંડ બાદ તેમની મિલકતોની તપાસ શરૂ કરવામાં આવી હતી. કાયદેસરની આવક કરતાં 56.89 ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી આવીACB વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચંદ્રસિંહ મોરીએ ગેરકાયદેસર રીતે સત્તાનો દુરુપયોગ કરીને આવક ઊભી કરી હોવાનું જણાયું હતું. તેમની પાસે તેમની કાયદેસરની આવક કરતાં 56.89 ટકા વધુ એટલે કે કુલ રૂ.1,22,27,658ની અપ્રમાણસર મિલકત મળી આવી હતી. આ મિલકતો તેમના પોતાના નામે તેમજ સગાં-સંબંધીઓ અને સ્નેહીજનોના નામે વસાવવામાં આવી હતી. સ્થાવર અને જંગમ મિલકતોમાં મોટાપાયે રોકાણ કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે સુરેન્દ્રનગર ACB દ્વારા વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાની તપાસ સુરેન્દ્રનગર ACBના PI એમ.ડી. પટેલને સોંપવામાં આવી છે. અગાઉ રચવામાં આવેલી સીટ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ કરનાર અધિકારીઓમાં પી.એ. કાવડિયા અને મદદનીશ નિયામક ACBના જે.ડી. મેવાડા અને તેમની ટીમનો સમાવેશ થાય છે. ACBએ લોકોને અપીલ કરીACB દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, જો ચંદ્રસિંહ મોરી દ્વારા કોઈ ગેરકાયદેસર લેવડદેવડના હિસાબો કરવામાં આવ્યા હોય તો તેના પુરાવા આપે, જેથી તેમની સામે વધુ કડક કાર્યવાહી કરી શકાય. આ કેસ માત્ર લાંચનો નહીં, પરંતુ વર્ષોથી આચરેલા પદ્ધતિસરના ભ્રષ્ટાચારનું પરિણામ હોવાનું ACBએ જણાવ્યું છે. તપાસના કેન્દ્રમાં રહેલી વિગતો 12 વર્ષનો હિસાબ:એસીબીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ 1લી એપ્રિલ 2013થી 31 ડિસેમ્બર 2025 સુધીના 12 વર્ષના સમયગાળાનું 'ચેક પિરિયડ' તરીકે વિગતવાર વિશ્લેષણ કર્યું છે. આ ગાળામાં જ કરોડોની અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી હતી. રૂ.1.22 કરોડની વધારાની સંપત્તિ: તપાસ દરમિયાન કુલ રૂ.1,22,27,658ની એવી મિલકતો મળી છે જેનો કોઈ કાયદેસરનો સ્ત્રોત અધિકારી દર્શાવી શક્યા નથી. ED અને SITની સંયુક્ત તવાઈ: આ કેસમાં માત્ર એસીબી જ નહીં, પરંતુ ડાયરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ (ED) દિલ્હી દ્વારા પણ પત્ર વ્યવહાર કરીને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ મુજબ ગુનો નોંધવા જાણ કરવામાં આવી હતી. શું છે NA કૌભાંડ?1500 કરોડના જમીન NA (બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ચંદ્રસિંહના બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી હતી23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતુંસુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. આ પણ વાંચોઃ એક શીટ મળી ને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખૂલ્યું આ પણ વાંચો:1500 કરોડના જમીન કૌભાંડના આરોપીને બચાવવા સંબંધીઓનાં હવાતિયાં આ પણ વાંચો:1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR
દીવના દગાચી ગામમાં યુકે નિવાસી વૃદ્ધનો મૃતદેહ મળ્યો:પુત્રએ હત્યાની આશંકા વ્યક્ત કરી, તપાસ શરૂ
કેન્દ્રશાસિત પ્રદેશ દીવના દગાચી ગામમાં યુકે નિવાસી 61 વર્ષીય બાબુ ભગવાન સોલંકીનો મૃતદેહ ખેતરમાંથી મળી આવ્યો છે. પોલીસ સૂત્રો અનુસાર, તેમણે ફાંસી લગાવી આત્મહત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે, પરંતુ તેમના પુત્રએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. બાબુ ભગવાન સોલંકી, જેઓ મૂળ દીવના દગાચીના મોટી ચાખડી વિસ્તારના વતની હતા અને યુકેમાં સ્થાયી થયા હતા, તેઓ લગભગ સાત દિવસ પહેલા તેમના ભાઈના પિતૃ તર્પણ કાર્ય માટે દીવ આવ્યા હતા. આજે સવારે તેમના ઘરથી આશરે 25 મીટર દૂર એક ખેતરમાં ચિકુના ઝાડ પરથી તેમનો મૃતદેહ ફાંસી લગાવેલી હાલતમાં મળી આવ્યો હતો. મૃતકની જાણ તેમના ભાઈ કાંતુ ભીખા સોલંકીએ પોલીસને કરી હતી. દીવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો અને તેને દીવ સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. લંડનમાં રહેતા મૃતકના પુત્ર વિરમ બાબુને આ ઘટનાની જાણ કરવામાં આવતા, તેમણે પિતાના અવસાન અંગે શંકા વ્યક્ત કરી હતી અને હત્યાની આશંકા દર્શાવી હતી. પુત્રની શંકા બાદ, મૃતદેહને વધુ તપાસ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માટે જૂનાગઢ મેડિકલ કોલેજ રવાના કરવામાં આવ્યો છે.
ભાવનગર શહેરના ભીલવાડા સર્કલ વિસ્તારમાં રહેતા શખસે ફ્રોડના નાણા હોવાનું જાણવા છતા તેના બેંક એકાઉન્ટમાં રૂા.૧૯ લાખ 22 હજાર સાયબર ફ્રોડના નાણા સમયાંતરે UPI, ATM અને ચેક મારફતે ઉપાડી લઈ નાણા સગેવગે કરી નાખ્યા હતા. જે મામલે ઘોઘારોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે પોલીસ મથકમાં 4 માસ પૂર્વે ગુનો દાખલ કરાવ્યો હતો. જે મામલે પોલીસે એક શખસની ધરપકડ કરી લીધી હતી. સાયબર ફ્રોડના પૈસા બેન્કમાં જમા કરાવી અલગ-અલગ રીતે ઉપાડી સગેવગે કરી નાખ્યાઆ બનાવ અંગે ઘોઘારોડ પોલીસ મથેકથી મળતી વિગતો અનુસાર ભાવનગર ઘોઘારોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ વંકાણીએ તા.12/12/2025ના રોજ પોલીસ મથકમાં સરફરાજ હમીદભાઈ લાખાણી (રે. ભીલવાડા સર્કલ, ભાવનગર) સામે ગુનો દાખલ કરાવ્યો હતો કે, સરફરાજે તેના સેંન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા-સરદારનગર શાખાના બેંક એકાઉન્ટમાં પોતાના આર્થિક ફાયદા માટે ગત તા.13.03.2025થી 17.03.2025ના સમયગાળા દરમિયાન તેને જાણકારી હોવા છતા સાયબર ફ્રોડના પૈસા જમા કરાવી તેના એકાઉન્ટમાં ફ્રોડના પૈસા મેળવી જે સાયબર ફ્રોડની કુલ ૨કમ 19,22,000 પોતાના ખાતામાંથી સમયાંતરે યુપીઆઈ, એટીએમ અને ચેક મારફતે મેળવી લઈ ફ્રોડ કરી રકમ સગેવગે કરી નાખી હતી. સાયબર ફ્રોડની 6 અરજી થઈ હતીસમન્વય પોર્ટલમાં મ્યુલ. બેંક એકાઉન્ટની તપાસ દરમિયાન ઉક્ત બેંક એકાઉન્ટમાં નાણા સાયબર ફ્રોડના જમા થયાનું જાણ થતા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દેશભરના અલગ-અલગ રાજ્યોમાં સાયબર ફ્રોડની 6 અરજી થઈ હતી. જેના રૂા.19,22,000 શખસના બેંક એકાઉન્ટમાં જમા થયાનું ખુલવા પામ્યુ હતું.જે ફરીયાદ અનુસંધાને ઘોઘારોડ પોલીસે BNS એક્ટ 317(2), 317(4), 54, મુજબ ગુનો દાખલ કર્યો હતો. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી સાયબર ફ્રોડના નાણા બેંક ખાતામાં મેળવી ઉપાડી લેનારા સરફરાજ હમીદભાઈ લાખાણી રહે. પાંચ ભીલવાડા સર્કલ ,ભાવનગરની ધરપકડ કરી લીધી હતી. જ્યારે આજરોજ શખસને કોર્ટમાં રજુ કરી 2 દિવસના રિમાન્ડની મેળવ્યા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં આજે ગાંધીપરા વિસ્તાર પાસે એક છકડો રિક્ષા પલટી જતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. આ અકસ્માતમાં અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે, જેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉના તાલુકાના ઝાંખરવાડા ગામના રહેવાસી સંજયભાઈ વાસાભાઈ અને લાખાભાઈ, જેઓ દીવના વણાંકબારા વિસ્તારમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેઓ છકડો રિક્ષામાં લઈ ને જઈ રહ્યા હતા. ગાંધીપરા વિસ્તાર પાસેથી પસાર થતી વખતે અચાનક તેમની છકડો રિક્ષા પલટી ગઈ હતી. આ દુર્ઘટનામાં સંજયભાઈ વાસાભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે લાખાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને ઉનાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. દીવ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટ શહેરના વોર્ડ નંબર 12માં આવેલ ગોવર્ધન ચોક નજીક આર્યમાન સોસાયટીના રહીશોએ આજે ગંદા પાણીની ગંભીર સમસ્યાને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ અને સ્થાનિકોએ થાળી-વેલણ વગાડી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ચૂંટણીના માહોલ વચ્ચે થયેલા આ વિરોધને પગલે કોંગ્રેસના ઉમેદવારો અને ભાજપના પૂર્વ મેયર ડો. પ્રદીપ ડવ પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે આ સમસ્યા રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપનું કેન્દ્ર બની ગઈ હતી. ભાજપના નેતા ડો. પ્રદીપ ડવે આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કોર્પોરેશનની ડ્રેનેજ લાઈનો અને કુંડીઓ સંપૂર્ણપણે સ્વચ્છ છે. તેમણે દાવો કર્યો હતો કે કેટલાક ઘરોની ખાનગી કુંડીઓમાં ઉંદરોએ નુકસાન કર્યું હોવાથી તેમાં પ્રદૂષિત પાણી પ્રવેશી રહ્યું છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસ ચૂંટણી સમયે આ મુદ્દાને રાજકીય રંગ આપી રહી છે અને લોકોમાં ગેરસમજ ઉભી કરી રહી છે. જોકે અધિકારીઓને સ્થળ પર બોલાવી સમસ્યાના ઉકેલની ખાતરી પણ તેમણે આપી હતી. બીજી તરફ, કોંગ્રેસના નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, સત્તાધારી પક્ષની નીતિ 'ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે' જેવી છે. વારંવારની રજૂઆતો છતાં સ્થાનિકોની સમસ્યાનું કોઈ નિરાકરણ આવતું નથી. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે વિચિત્ર બહાના કાઢી રહી છે. ઉનાળાના વેકેશનમાં પોરબંદર-આસનસોલ તેમજ ઓખા-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેનો, 10 એપ્રિલથી બુકિંગ પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાના વેકેશનમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા માટે રાજકોટ ડિવિઝન થઈને પસાર થતી બે મહત્વની સમર સ્પેશિયલ ટ્રેનો દોડાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે પોરબંદર-આસનસોલ અને ઓખા-શકૂર બસ્તી વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવશે. આ ટ્રેનોનાં કુલ 48 ફેરા મુસાફરોની સુવિધામાં વધારો કરશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 09205 પોરબંદર-આસનસોલ સાપ્તાહિક સ્પેશિયલ 13 એપ્રિલથી 29 જૂન, 2026 સુધી દર સોમવારે સવારે 8.50 કલાકે પોરબંદરથી ઉપડશે અને બુધવારે સવારે 6.45 કલાકે આસનસોલ પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 09206 આસનસોલથી દર બુધવારે ઉપડી શુક્રવારે રાત્રે 21.50 કલાકે પોરબંદર પહોંચશે. આ ટ્રેન જામનગર, રાજકોટ, અમદાવાદ અને રતલામ જેવા મુખ્ય સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવશે. બીજી તરફ, ઓખા અને દિલ્હી પાસેના શકૂર બસ્તી વચ્ચે સુપરફાસ્ટ સમર સ્પેશિયલ ટ્રેન દોડશે. ટ્રેન નંબર 09523 ઓખા-શકૂર બસ્તી સ્પેશિયલ 14 એપ્રિલથી 30 જૂન, 2026 દરમિયાન દર મંગળવારે સવારે 10.20 કલાકે ઓખાથી ઉપડી બીજા દિવસે 10.35 કલાકે શકૂર બસ્તી પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09524 શકૂર બસ્તીથી દર બુધવારે ઉપડી બીજા દિવસે બપોરે 13.00 કલાકે ઓખા પરત ફરશે. આ ટ્રેન દ્વારકા, જામનગર, રાજકોટ, મહેસાણા, પાલનપુર અને જયપુર થઈને પસાર થશે. આ બંને સ્પેશિયલ ટ્રેનોમાં એસી, સ્લીપર અને જનરલ કોચની સુવિધા ઉપલબ્ધ રહેશે. મુસાફરો આ ટ્રેનો માટે 10 એપ્રિલ, 2026થી આઈઆરસીટીસીની વેબસાઇટ અથવા રિઝર્વેશન સેન્ટરો પરથી બુકિંગ કરાવી શકશે. રાજકોટમાં નકલી પનીર પીરસતી હોટલો સામે મનપાનું તંત્ર લાલઘૂમ, 44 રેસ્ટોરન્ટને નોટિસ રાજ્ય સરકાર દ્વારા નકલી અને બિનઆરોગ્યપ્રદ પનીરનું વેચાણ અટકાવવા માટે લેવામાં આવેલા કડક નિર્ણય બાદ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો છે. શહેરની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ આઉટલેટ્સમાં સઘન ચેકિંગ હાથ ધરીને આરોગ્ય વિભાગે અત્યાર સુધીમાં 44 જેટલી પેઢીઓને નોટિસ ફટકારી છે. રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ, જો કોઈ હોટલ વનસ્પતિજન્ય ફેટમાંથી બનેલા 'એનાલોગ' પનીરનો ઉપયોગ કરતી હોય, તો તેણે મેનૂ કાર્ડ અને ડિસ્પ્લે બોર્ડ પર સ્પષ્ટપણે તેની જાણકારી આપવી અનિવાર્ય છે. ગ્રાહકોને અંધારામાં રાખીને અસલી પનીરના નામે એનાલોગ પનીર પીરસવું એ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ છેતરપિંડી અને મિસ બ્રાન્ડિંગનો ગુનો બને છે. આરોગ્ય વિભાગની તપાસમાં બહાર આવ્યું છે કે અનેક જાણીતી હોટલોએ શુદ્ધ પનીર અને એનાલોગ પનીરના બોર્ડ મારવાની શરૂઆત કરી દીધી છે. જોકે, જે પેઢીઓ આ નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે તેમને કડક સૂચના આપવામાં આવી છે. હવેથી પનીર ટીક્કા મસાલા જેવા વ્યંજનોમાં જો એનાલોગ પનીર હોય તો તેનું નામ 'એનાલોગ ટીક્કા મસાલા' લખવું પડશે. જે પેઢીઓ આ આદેશનું પાલન નહીં કરે તેમની સામે ફૂડ સેફ્ટી એક્ટની કલમ 51, 53 અને 59 મુજબ દંડ અથવા લાયસન્સ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય રીતે એનાલોગ પનીરમાં સિન્થેટિક નોન-ડેરી વેજીટેબલ ઓઇલ અને સ્ટાર્ચ જેવા તત્વો હોય છે, જે અસલી પનીર કરતા સસ્તું હોય છે. રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 44 રેસ્ટોરન્ટને આ મામલે નોટિસ આપીને સુધારો કરવા આદેશ અપાયો છે. રાજકોટ મનપા દ્વારા કોઈ જાહેરાત વિના એડવાન્સ વેરા વળતર યોજનાનો પ્રારંભ, પ્રથમ દિવસે કરોડોની આવક રાજકોટ મનપા દ્વારા નવા નાણાકીય વર્ષના પ્રારંભે દર વર્ષની જેમ એડવાન્સ વેરા વળતર યોજનાનો આજથી કોઈ સત્તાવાર જાહેરાત વગર પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ 31 મે સુધી પુરૂષ મિલકત ધારકોને 10 ટકા અને મહિલા મિલકત ધારકોને 15 ટકા વળતર આપવામાં આવશે, જે જૂન મહિનામાં ઘટીને અનુક્રમે 5 અને 10 ટકા થઈ જશે. ઓનલાઈન પેમેન્ટ કરનાર, દિવ્યાંગો અને નિવૃત સૈનિકોને વધારાનું 1 ટકા વળતર મળવાપાત્ર છે. જાહેરાતના અભાવ છતાં પ્રથમ દિવસે બપોર સુધીમાં જ 2200 થી વધુ કરદાતાઓએ અંદાજે રૂ. 1.25 કરોડનો વેરો ભરી દીધો હતો. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2025-26 માં 4,63,564 કરદાતાઓએ રૂ. 447.95 કરોડનો મિલકત વેરો જમા કરાવ્યો હતો. જેમાં વેસ્ટ ઝોન રૂ. 189.90 કરોડ સાથે મોખરે રહ્યો હતો. જોકે, આ વખતે આચારસંહિતાનું કારણ ધરીને ફૂડ ચેકિંગ અને રોગચાળાના રિપોર્ટ જેવી જાહેર હિતની માહિતીઓ રોકવામાં આવતા તંત્રની કામગીરીની સામે અનેક સવાલો પણ ઉભા થયા છે. હાલ તમામ ઝોન અને વોર્ડ ઓફિસ તેમજ સિવિક સેન્ટરો પર વેરો સ્વીકારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 માટે ઉમેદવારી પત્ર રજૂ કરવાની પ્રક્રિયાના ત્રીજા દિવસે પણ એકપણ ઉમેદવારી નોંધાઈ નથી. બપોરે 3 વાગ્યા સુધી કોઈ ઉમેદવારે સત્તાવાર રીતે ઉમેદવારી પત્ર ભર્યું ન હતું, જે રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, ઉમેદવારી ફોર્મ ઉપાડવામાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. જિલ્લા પંચાયતની 5 બેઠકો માટે 35થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 135થી વધુ ફોર્મ અને નગરપાલિકાની 44 બેઠકો માટે 130થી વધુ ફોર્મ ઉપાડવામાં આવ્યા છે. આ આંકડા ચૂંટણીમાં તીવ્ર સ્પર્ધાની સંભાવના દર્શાવે છે. ફોર્મ ઉપાડ્યા પછી પણ ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયામાં વિલંબ થવા પાછળ રાજકીય પક્ષોમાં ટિકિટ વહેંચણી, આંતરિક ગોઠવણો અને અંતિમ સમીકરણો પૂર્ણ ન થયા હોવાનું મનાય છે. જેના કારણે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. વિશ્લેષકોના મતે, દરેક ચૂંટણીની જેમ આ વખતે પણ અંતિમ દિવસોમાં જ ઉમેદવારી નોંધાવાનો ધસારો વધશે અને રાજકીય ચિત્ર સ્પષ્ટ બનશે. ખાસ કરીને મોટા પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કર્યા પછી જ નોંધણી પ્રક્રિયામાં તેજી આવવાની શક્યતા છે. આ સ્થિતિ દર્શાવે છે કે ભલે હાલ મેદાન શાંત લાગે, પરંતુ અંદરખાને રાજકીય ચકચાર અને ગોઠવણો જોરશોરથી ચાલી રહી છે. હવે સૌની નજર અંતિમ દિવસો પર ટકી છે, જ્યાંથી ચૂંટણીનું સાચું ચિત્ર સામે આવશે.
જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીઓને અનુલક્ષીને ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સેક્ટર-28 GIDC વિસ્તારમાં દરોડો પાડી એક બંધ ગોડાઉનમાંથી ₹37.75 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ચૂંટણી પૂર્વે દારૂબંધીના કડક અમલ માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ઇમ્પોર્ટેડ બ્રાન્ડની કુલ 972 બોટલો મળી આવી છે. સેક્ટર-28 GIDCમાં ઇમ્પોર્ટેડ દારૂનું મસમોટું નેટવર્કચૂંટણીઓના માહોલ વચ્ચે રાજ્યમાં દારૂબંધીના કડક અમલની સૂચનાઓ હોવા છતાં ગાંધીનગરના સેક્ટર-28 GIDCમાં ઇમ્પોર્ટેડ દારૂનું મસમોટું નેટવર્ક ધમધમી રહ્યું હતું. SOG પીઆઈ એચ.આઈ. ભાટીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ટાટા મોટર્સના શોરૂમની પાછળ આવેલ 'MYKLATICRETE TILE STONE Installation Solutions' નામના બંધ ગોડાઉનમાં વિદેશી દારૂનો સંગ્રહ કરાયો છે. આશ્ચર્યજનક રીતે, આટલા મોટા પાયે ચાલતી પ્રવૃત્તિ અંગે સ્થાનિક પોલીસ સંપૂર્ણપણે અજાણ હતી. મોંઘીદાટ બ્રાન્ડની કુલ 972 બોટલો જપ્ત કરીપોલીસે પ્લોટ નં. 507 પર પહોંચી શટરના તાળા તોડી તપાસ કરતા અંદરથી ઇમ્પોર્ટેડ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 81 પેટીઓ મળી આવી હતી. આ જથ્થામાં જેમસન આઈરીશ વ્હિસ્કી, એબ્સોલ્યુટ વોડકા, જોની વોકર રેડ લેબલ, ડ્યુઅર્સ અને ગ્રે ગુઝ જેવી મોંઘીદાટ બ્રાન્ડની કુલ 972 બોટલોનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ પૈકીની અમુક બોટલોની કિંમત ₹7,000 આસપાસ છે. મીની ગોડાઉનનું કનેક્શન કુબેરનગર સાથેઆ અંગે પીઆઈ ભાટીએ જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ, આ મીની ગોડાઉનનું કનેક્શન અમદાવાદના કુબેરનગર સાથે હોવાનું ખૂલ્યું છે. આટલી મોટી માત્રામાં ઇમ્પોર્ટેડ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો અને તે કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં હાલ પોલીસ દ્વારા સઘન તપાસ તેજ કરવામાં આવી છે.
મહેસાણા શહેરના બી ડિવિઝન પોલીસ મથકે એક કરુણ ઘટના સામે આવી છે.જેમાં 28 વર્ષીય પરિણીતાએ સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે મૃતકની માતાએ પોતાની દીકરીને આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ જમાઈ અને વેવાણ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ઘરકામ અને રસોઈ બાબતે માનસિક ત્રાસ આપતા હતાઅમદાવાદના ન્યુ મણીનગર વિસ્તારમાં રહેતા અને મૂળ રાજકોટના વતની રંજનબેન મહેન્દ્રભાઈ સુથારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની દીકરી એકતાના લગ્ન માંકણજ ગામના વતની અને હાલ મહેસાણા ખાતે રહેતા આશિષ ભરતભાઈ સુથાર સાથે સમાજના રીત-રિવાજ મુજબ થયા હતા. લગ્નના શરૂઆતના ત્રણ મહિના બાદ સાસરિયા દ્વારા એકતાને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, એકતાનો પતિ આશિષ કોઈ કામ-ધંધો કરતો ન હોવાથી દીકરી તેને સમજાવવા જતી ત્યારે તે ગાળાગાળી કરતો હતો. બીજી તરફ સાસુ માલતીબેન 'પુત્ર જ જોઈએ' તેમ કહી અવારનવાર મેણાટોણા મારતા અને ઘરકામ તેમજ રસોઈ બાબતે માનસિક ત્રાસ આપતા હતા.આ ત્રાસથી કંટાળીને એકતા અગાઉ બે વખત રીસાઈને પિયર પણ ગઈ હતી, પરંતુ માતા-પિતાએ તેને સમજાવીને પરત સાસરીમાં મોકલી હતી. મૃતકની માતાએ પતિ અને સાસુ પર આક્ષેપ કર્યોગઈ 4 એપ્રિલ, 2026ના રોજ વહેલી સવારે એકતાએ મહેસાણા સ્થિત ભાડાના મકાનમાં આત્મહત્યા કરી હોવાની જાણ પિયર પક્ષને કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા જ પરિવાર મહેસાણા સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ તપાસ અને પી.એમ. બાદ દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મૃતકની માતાએ આક્ષેપ કર્યો છે કે, પતિ અને સાસુના સતત માનસિક અને શારીરિક ત્રાસના કારણે જ તેમની દીકરીએ આ અંતિમ પગલું ભર્યું છે. આ ફરિયાદના આધારે મહેસાણા બી ડિવિઝન પોલીસે આરોપી પતિ આશિષ ભરતભાઈ સુથાર અને સાસુ માલતીબેન ભરતભાઈ સુથાર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી કરવા માટે હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. આપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે ભાજપ પણ આજે તેની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. કોંગ્રેસની પ્રથમ યાદીમાં 7 મહાનગરપાલિાકના 243 ઉમેદવારો જાહેર થયા હતા પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ 2021 અને 2015ની ચૂંટણીમાં રાજ્યની જૂની 6 મહાનગરપાલિકાના પરિણામ
વડોદરા શહેરના વાડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ મહાનગર વુડાના મકાનમાં રહેતી 18 વર્ષીય યુવતીએ ટેરેસ પરથી પડીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવતીએ ટેરેસ પરથી પડીને આત્મહત્યા કરીઆ ઘટનામાં મૃતક યુવતીનું નામ શ્રુતિ મનોજભાઈ ટેકલે (ઉંમર 18 વર્ષ) તરીકે સામે આવ્યું છે. આ ઘટનામાં યુવતી કેટલાક સમયથી બીમારીથી પીડાતી હતી. તેને દવા લેવાનું કહેવાતું હતું, ત્યારે તેણે આ દુઃખદ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયોઘટનાની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. વાડી પોલીસની ટીમ અને એમ્બ્યુલન્સ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, આ સાથે પોલીસે યુવતીના મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. અકસ્માતે મોતનો ગુનો નોંધાયોઆ મામલે વાડી પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ યુવતીએ કરેલી આત્મહત્યા પાછળનું મૂળ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
અકોટા-દાંડિયા બજાર બ્રિજ પર બુલેટ ટ્રેનની કામગીરીને લઈને 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બ્રિજને બંધ કરવામાં આવ્યો હતો. આજે આ કામગીરી પૂર્ણ થતા બ્રિજને આજથી ફરી ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેને કારણે હજારો વાહન ચાલકોને રાહત થઈ છે. વૈકલ્પિક રુટનું જાહેરનામુ બહાર પડાયું હતુંમુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટની સિવિલ વર્કની કામગીરી ચાલી રહી છે. જેના ભાગરૂપે અકોટા-દાંડિયાબજાર રેલવે ઓવરબ્રિજ પર ગડર લોન્ચિંગની કામગીરી કરાઈ રહી છે. બ્રિજને 27 માર્ચથી 8 એપ્રિલ સુધી બંધ કરાયો હતો. પોલીસ કમિશનરે અકોટા બ્રિજનો રોડ પ્રતિબંધિત કરી વૈકલ્પિક રૂટ જાહેર કરતું જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું હતું. જોકે બ્રિજ પર બુલેટ ટ્રેનની કામગીરી પૂર્ણ થતા આજથી બ્રિજને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આજથી જ અકોટા બ્રિજ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યોACP ટ્રાફિક ડી એમ વ્યાસે જણાવ્યું હતું કે, ગત તારીખ 27ના રોજ અકોટા બ્રિજ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ નિર્ણય હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અહીં મહત્વનું કામ ચાલી રહ્યું હતું, જે LT દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેમણે આ કામગીરી માટે અમારી પાસે મંજૂરી માંગી હતી, જેના કારણે સુરક્ષા અને કામની ગતિને ધ્યાનમાં રાખીને બ્રિજ બંધ રખાયો હતો. આ કામ હવે પૂર્ણ થઈ ગયું છે. આથી આજથી જ અકોટા બ્રિજ ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને તે પૂર્વવત કાર્યરત થઈ ગયો છે.
પાલનપુર-અંબાજી હાઈવે પર ધનપુરા પાટિયા નજીકથી 6 તારીખના રોજ ચાર વર્ષના એક બાળકનું અપહરણ થયું હતું. શ્રમિક પરિવારના આ બાળકને ચોકલેટની લાલચ આપીને અપહરણકર્તાઓ ગાડીમાં લઈ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને હેમખેમ છોડાવી બે આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીની તપાસમાં બાળ તસ્કરીનો પદાર્ફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે એ સમગ્ર ઘટના ક્રમ જણાવ્યોપોલીસ વડા પ્રશાંત સુંબે એ જણાવ્યું કે, વડગામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત 6 તારીખના રોજ ધનપુરા ગામ ખાતેથી પાલી (રાજસ્થાન)ના એક ભિક્ષુક પરિવારના 4 વર્ષના માસૂમ બાળકનું ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો દ્વારા ગાડીમાં આવી અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક 'ઓપરેશન દેવ' શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં વડગામ પોલીસ, ડી.વાય.એસ.પી. કચેરી દાંતા, એલ.સી.બી. (LCB), એસ.ઓ.જી. (SOG) અને પેરોલ ફ્લો સ્ક્વોડના અધિકારીઓ અને કર્મચારીઓની અંદાજે 7 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. અપહરણમાં વપરાયેલી ગાડીના વર્ણન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે લગભગ 70 થી 80 કિલોમીટર વિસ્તારના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. સઘન તપાસ અને સર્ચ ઓપરેશનના અંતે ગણતરીના 4 જ કલાકમાં પોલીસે બાળકને હેમખેમ છોડાવી લીધું છે અને આરોપીઓની ધરપકડ કરી છે. બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું છે. આરોપીઓની વિગત અને મોડસ ઓપરેન્ડીઝડપાયેલા આરોપીઓમાં શૈલેષ ગમાર અને બનાસકાંઠા જિલ્લાના જ રહેવાસી બાબુ ઉર્ફે બાબુ ભગોરાનો સમાવેશ થાય છે. આ આરોપીઓની મોડસ ઓપરેન્ડી (MO) એ હતી કે, તેઓ નાના બાળકોનું અપહરણ કરી અન્ય રાજ્યની ટોળકીઓને વેચી દેતા હતા. એક થી દોઢ લાખ રૂપિયામાં બાળકનો સોદો નક્કી થતો હતો. જો પોલીસે ત્વરિત કાર્યવાહી ન કરી હોત, તો આ બાળકને રાજ્ય બહાર મોકલી દેવાની પૂરેપૂરી શક્યતા હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આરોપી શૈલેષ ગમારે અગાઉ એક માસૂમ બાળકીને પણ 1 લાખ રૂપિયામાં વેચી હતી, જે અંગે હાલ તપાસ ચાલુ છે. હાલમાં આ બાળકને તેના માતા-પિતાને સોંપવામાં આવ્યું છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને રાજ્યભરમાં વિવિધ સ્તરે નોંધપાત્ર હલચલ જોવા મળી રહી છે. મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત તમામ સ્તરે અત્યાર સુધી ભરાયેલા ફોર્મના વિગતવાર આંકડા સામે આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં સૌથી વધુ 9 ફોમ ભરાયારાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં મળીને કુલ 16 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેમાં અમદાવાદમાં 3, મોરબીમાં સૌથી વધુ 9, નડિયાદમાં 2 અને સુરતમાં 2 ફોર્મ નોંધાયા છે, જ્યારે ભાવનગર, ગાંધીધામ, જામનગર, કરમસદ-આણંદ, મહેસાણા, નવસારી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા અને વાપી જેવી મહાનગરપાલિકાઓમાં હજી સુધી એકપણ ફોર્મ ભરાયું નથી. નગરપાલિકા ચૂંટણીમાં 9 ઉમેદવારી ફોર્મ ભરાયારાજ્યના અનેક જિલ્લાઓની નગરપાલિકાઓમાં મળીને કુલ 9 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. તેમાં અરવલ્લી જિલ્લાના મોડાસામાં 2, આણંદ જિલ્લાના બોરસદમાં 4, ગાંધીનગર જિલ્લાના કલોલમાં 1 તેમજ મહેસાણા જિલ્લાના ઉંઝા અને વિજાપુરમાં 1-1 ફોર્મ નોંધાયા છે. બાકીની તમામ નગરપાલિકાઓમાં હજી સુધી ઉમેદવારી નોંધાઈ નથી, જે દર્શાવે છે કે આ સ્તરે પ્રક્રિયા ધીમી ગતિએ ચાલી રહી છે. જિલ્લા પંચાયત ચૂંટણીમાં 35 ઉમેદવારી ફોર્મ ભરાયારાજ્યના તમામ જિલ્લાઓમાં મળીને જિલ્લા પંચાયત સ્તરે કુલ 35 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ 7 ફોર્મ નોંધાયા છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં 5 અને ગાંધીનગરમાં 3 ફોર્મ ભરાયા છે. ભાવનગર, રાજકોટ, નવસારી અને જુનાગઢમાં 2-2 ફોર્મ નોંધાયા છે, જ્યારે અમદાવાદ, બનાસકાંઠા, બોટાદ, દાહોદ, જામનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર અને વાવ-થરાદમાં 1-1 ફોર્મ નોંધાયા છે. અન્ય જિલ્લાઓમાં હજી સુધી કોઈ ઉમેદવારી નોંધાઈ નથી. જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ 13 ફોર્મ ભરાયાતાલુકા પંચાયત ચૂંટણીમાં કુલ 105 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સૌથી વધુ 13 ફોર્મ નોંધાયા છે. રાજકોટ જિલ્લાના જેતપુરમાં 6 અને ઉપલેટામાં 4 ફોર્મ ભરાયા છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં 6 ફોર્મ નોંધાયા છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 4, અમરેલીના લિલિયા અને સાવરકુંડલામાં 4-4, સુરેન્દ્રનગરના સાયલા તાલુકામાં 3 તેમજ અમદાવાદના સાણંદ અને જામનગર તાલુકામાં 3-3 ફોર્મ નોંધાયા છે. અન્ય અનેક તાલુકાઓમાં 1-2 ફોર્મ નોંધાયા છે, જ્યારે ઘણા તાલુકાઓમાં હજી સુધી કોઈ ઉમેદવારી નોંધાઈ નથી. તાલુકા પંચાયત ચૂંટણીમાં સૌથી વધુ ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળીઆંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે તાલુકા પંચાયત સ્તરે સૌથી વધુ ઉત્સાહ અને સ્પર્ધા જોવા મળી રહી છે, જ્યારે મહાનગરપાલિકા અને નગરપાલિકા સ્તરે હજી ઉમેદવારી પ્રક્રિયા ધીમી ગતિએ આગળ વધી રહી છે. ચૂંટણીની તારીખ નજીક આવતા ઉમેદવારી ફોર્મ ભરવાની ગતિમાં તેજી આવવાની સંભાવના છે અને આગામી દિવસોમાં તમામ સ્તરે આ આંકડામાં મોટો વધારો નોંધાઈ શકે છે.
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં સજાતીય સંબંધો માટેની ‘ગ્રિન્ડર’ એપ્લિકેશન મારફતે એક શિક્ષકને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ વાડીમાં બંધક બનાવી રૂ. 30 હજારની લૂંટ ચલાવનાર બે શખ્સોને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ડમી આઈડીના આધારે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા છે. અમરોલીની નગર પ્રાથમિક શાળાના શિક્ષકને બદનામ કરવાની અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હતો. મિત્રતાના બહાને વાડીમાં બોલાવી લૂંટમૂળ અમરેલીના અને સુરતના જહાંગીરપુરામાં રહેતા 26 વર્ષીય શિક્ષક ગ્રિન્ડર એપ્લિકેશન પર એન્ડરસન નામે આઈડી ધરાવતા હતા. આશરે વીસ દિવસ પહેલાં એક અજાણ્યા આઈડી ધારકે મિત્રતા કેળવી વરિયાવના રીવાન્ટા વર્ણી પાસે પોતાની વાડી હોવાનું જણાવી વીડિયો કોલ દ્વારા ત્યાં મળવા બોલાવ્યા હતા. શિક્ષક પોતાની બાઈક પર ત્યાં પહોંચતા, આરોપીએ ગરનાળા ફાટક પાસેની વાડીએ જવાનું કહી તેમને અવાવરૂ સ્થળે લઈ ગયો હતો. ત્યાં પહોંચતા જ આરોપીઓએ શિક્ષક પર હુમલો કરી તેમને ગળેથી પકડી ઘૂંટણિયે બેસાડી દીધા હતા. આરોપીઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો હતો અને તું આવી એપ દ્વારા છોકરાઓને મળે છે, અમે તારા ઘરે અને પોલીસને જાણ કરીશું તેમ કહી બદનામ કરવાની ધમકી આપી હતી. વીડિયો ઉતારી બ્લેકમેલિંગ અને લૂંટઆરોપીઓએ શિક્ષક પાસે બળજબરીપૂર્વક નામ, સરનામું અને હવે પછી હું આવું કામ નહીં કરું તેવી કબૂલાત કરાવતો વીડિયો શૂટ કર્યો હતો. વધુમાં, તેમના આધારકાર્ડ અને ડ્રાઇવીંગ લાયસન્સના ફોટા પાડી લીધા હતા. આ પુરાવા વાઇરલ કરવાની ધમકી આપી આરોપીઓએ શિક્ષકના એટીએમ કાર્ડનો પાસવર્ડ મેળવી લીધો હતો અને બેંક ખાતામાંથી રૂ. 30 હજાર ઉપાડી લીધા હતા. પોલીસે 'ડમી આઈડી' બનાવી આરોપીઓને ઝડપી પાડ્યાબદનામીના ડરથી શિક્ષકે શરૂઆતમાં માત્ર અરજી આપી હતી, પરંતુ જહાંગીરપુરા પોલીસે મામલાની ગંભીરતા જોઈ તપાસ હાથ ધરી હતી. પોલીસે આરોપીઓને પકડવા માટે એક ખાસ છટકું ગોઠવ્યું હતું, જેમાં શિક્ષકના જ એક મિત્ર દ્વારા ડેટિંગ એપ પર નવું આઈડી બનાવડાવી આરોપીઓ સાથે ચેટિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ જે રીતે શિક્ષકને લૂંટ્યા હતા, તે જ સ્થળે ફરી મળવા બોલાવતા પોલીસે વોચ ગોઠવીને રાજુ ભનુભાઈ મેર (ઉ.વ. 23) અને નરેશ સાજન મારૂ (ઉ.વ. 20) ને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના ફોનમાંથી અન્ય લોકોના વીડિયો મળ્યાપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપી પૈકી રાજુ મેર રત્નકલાકાર છે અને નરેશ મારું રિક્ષા ચલાવે છે. નરેશ મારું સામે અગાઉ વરાછા અને સિંગણપુર પોલીસ સ્ટેશનમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી લૂંટ કરવાના ગુના નોંધાઈ ચૂક્યા છે. તેમની ધરપકડથી અન્ય ત્રણ ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે. પોલીસે તેમના મોબાઈલ ફોન કબજે કર્યા છે, જેમાં અન્ય લોકોના વીડિયો પણ મળી આવ્યા છે, જ્યારે કેટલાક ડિલીટ કરાયેલા ડેટા રિકવર કરવા માટે ફોન એફએસએલમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે.
દબાણ હટાવવાની કાર્યવાહી:પોલીસ બંદોબસ્ત સાથે મીઠાપુર ગામે ગેરકાયદે બાંધકામ દૂર કરાયું
પ્રાંત અધિકારી અમોલ આવતે અને મામલતદાર અનિલભાઈ ભેડાના માર્ગદર્શન હેઠળ મીઠાપુર હાઈવે પર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી, જેના પરિણામે ટ્રાફિક સમસ્યા હળવી થઈ છે. ટ્રાફિકની સમસ્યાને કાયમી ધોરણે હળવી કરવા માટે હાઇવે વિસ્તરણ અને તાત્કાલિક રોડ બનાવવાની કામગીરી પણ ઝડપી બનાવવામાં આવી છે. આ પગલાંથી ભવિષ્યમાં ટ્રાફિક જામની સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.
ડાંગ જિલ્લામાં આગામી ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપના પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોર્યાના પરિવારજનો સહિત 40 થી વધુ આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા ભાજપને મોટો ફટકો પડ્યો છે. આ ઘટનાથી જિલ્લાના રાજકીય સમીકરણોમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપના પૂર્વ પ્રમુખ બાબુરાવ ચોર્યાના પુત્રો કમલેશ ચોર્યા અને ગુલાબ ચોર્યા, તેમજ પિતરાઈ ભાઈ તુલસીરામ ચોર્યાએ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. ચોર્યા પરિવારનો સ્થાનિક સ્તરે મજબૂત પ્રભાવ હોવાથી તેમના પક્ષપલટાને રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ ઉપરાંત, ગૌર્યા, હનવંતચોન્ડ, ધૂંધુનિયા, ઇસદર અને ટોકરદહાડ જેવા ગામોમાંથી ભાજપના આશરે 40 જેટલા અન્ય આગેવાનો અને કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. એકસાથે આટલી મોટી સંખ્યામાં કાર્યકરોના પક્ષપલટાથી ભાજપના સંગઠનને મોટો ફટકો પડ્યો હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે. નોંધનીય છે કે માત્ર ભાજપ જ નહીં, પરંતુ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો પણ કોંગ્રેસમાં જોડાયા છે. ચૂંટણી પહેલા થયેલા આ પક્ષપલટાથી ડાંગ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ મજબૂત બની રહી છે. આ તમામ આગેવાનો અને કાર્યકરોનું કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે અને પૂર્વ ધારાસભ્ય મંગળગાવીતના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરાવી વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓએ નવા જોડાયેલા સભ્યોને પાર્ટીની નીતિઓ અને વિકાસના વિઝન સાથે આગળ વધવા આહ્વાન કર્યું. ડાંગ જિલ્લામાં સતત થઈ રહેલા આ પક્ષપલટા આગામી ચૂંટણીમાં શું અસર કરશે તે જોવું રસપ્રદ રહેશે. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં કોંગ્રેસને ચોક્કસપણે રાજકીય બળ મળ્યું હોવાનું સ્પષ્ટ છે.
ગાંધીનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે બોરીજ ગામમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ નિર્મિત થનારા 'વેસ્ટ ટુ વન્ડર પાર્ક'ના માર્ગમાં અવરોધરૂપ 15 જેટલા ગેરકાયદે પાકા બાંધકામોને જમીનદોસ્ત કરી અંદાજે 8 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ગેરકાયદે દબાણો પર તવાઈશહેરના કચરા અને નકામી વસ્તુઓમાંથી કલાત્મક કૃતિઓ બનાવી પર્યટકો માટે આકર્ષણ ઊભું કરવાના હેતુથી બોરીજ વિસ્તારમાં આ અનોખો પાર્ક આયોજિત છે. જોકે, કરોડોની કિંમતની આ સરકારી જમીન પર સ્થાનિક સ્તરે રહેણાંક મકાનો અને વ્યાપારી હેતુ માટે પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા અગાઉ અનેકવાર નોટિસો પાઠવવા છતાં દબાણકર્તાઓએ સ્વેચ્છાએ જગ્યા ખાલી ન કરતા આખરે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ સુરક્ષા વચ્ચે કામગીરીડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસના લોખંડી બંદોબસ્ત સાથે જેસીબી મશીનો અને મજૂરોનો કાફલો ઘટનાસ્થળે ત્રાટક્યો હતો. કામગીરી દરમિયાન કેટલાક તત્વોએ વિરોધ પ્રદર્શન દ્વારા અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કડક વલણ અપનાવી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. કલાકો સુધી ચાલેલી આ ઝુંબેશના અંતે તમામ અતિક્રમણ દૂર કરી સંપૂર્ણ જમીન સંપાદિત કરવામાં આવી હતી. સરકારી જમીન પચાવનાર વિરુદ્ધ કડક ઝુંબેશજમીન સંપાદનની પ્રક્રિયા પૂર્ણ થતા હવે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાર્કના નિર્માણ કાર્યને વેગ આપવામાં આવશે. મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જાહેર હિતના પ્રોજેક્ટ્સમાં કોઈપણ પ્રકારનું અતિક્રમણ ચલાવી લેવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ સરકારી જમીન પચાવી પાડનારાઓ વિરુદ્ધ આવી જ કડક ઝુંબેશ જારી રહેશે.
કોંગ્રેસ પ્રમુખ ખડગેના નિવેદનનો વિરોધ:હિંમતનગરમાં ભાજપે ગુજરાતના અપમાન મુદ્દે પ્રદર્શન કર્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કેરળમાં એક જાહેરસભા દરમિયાન ગુજરાતની પ્રજાને 'અભણ' કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આડકતરા પ્રહારો કર્યા હતા. આ નિવેદનની ગુજરાત સહિત દેશભરમાં ટીકા થઈ હતી. આ નિવેદનના વિરોધમાં સાબરકાંઠા ભાજપ દ્વારા બુધવારે હિંમતનગરના ટાવર ચોક ખાતે યુવા મોરચાની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, મહામંત્રી પ્રેમલ દેસાઈ, ગણપતસિંહ ઝાલા, જયેશ પટેલ, યુવા મોરચાના ધવલ રાવલ, શ્રેયાંશ બારોટ, રાહુલ પટેલ, રાજુ પંચાલ સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ કોંગ્રેસ માફી માંગે તેવી માંગણી સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું.
વલસાડમાં શોપિંગ સેન્ટરની બાલ્કની તૂટી:ચીફ ઓફિસરે વેપારીઓને સુરક્ષા જાળવવા અપીલ કરી
વલસાડ નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરની બાલ્કનીનો એક ભાગ ગઈકાલે રાત્રે ધરાશાયી થયો હતો. સદનસીબે આ ઘટના મોડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, નીચે પાર્ક કરેલી એક મોપેડ કાટમાળ નીચે દબાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ જણાવ્યું કે ટેકનિકલ ટીમને તપાસના આદેશ અપાયા છે અને હાલ આ કોમ્પ્લેક્સનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના અપાઈ છે. ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું કે પાલિકાની માલિકીના અને ૨૦ વર્ષથી વધુ જૂના તમામ કોમ્પ્લેક્સનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. તેમણે જર્જરિત મિલકતોમાં રહેતા વેપારીઓ અને રહેવાસીઓને પોતાની અને જાહેર જનતાની સુરક્ષા માટે આવી મિલકતોનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. ખાનગી મિલકત ધારકોને પણ અપીલ કરવામાં આવી છે કે જો તેમની મિલકત જર્જરિત હોય તો પાલિકાને જાણ કરે અને જાન-માલનું નુકસાન અટકાવવામાં સહયોગ આપે. ચીફ ઓફિસર વાઘેલાએ ઉમેર્યું કે, આગામી સામાન્ય સભામાં જર્જરિત કોમ્પ્લેક્સના રિપોર્ટના આધારે તેના નવીનીકરણ કે મજબૂતીકરણ અંગે નિર્ણય લેવામાં આવશે. આ ઘટના બાદ વલસાડના અન્ય જૂના અને જર્જરિત શોપિંગ સેન્ટરોની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે, જેના પગલે પાલિકા હવે આ મામલે કડક વલણ અપનાવવાની તૈયારીમાં છે.
બનાસકાંઠા LCBએ લક્ઝરી બસમાંથી દારૂ ઝડપ્યો:₹31.38 લાખનો મુદ્દામાલ જપ્ત, એકની ધરપકડ, એક ફરાર
બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹31,38,368 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક ફરાર છે. LCB ટીમે AR.06.9159 નંબરની લક્ઝરી બસમાંથી 5652 નંગ વિદેશી દારૂની બોટલો અને બિયરનો જથ્થો પકડ્યો હતો, જેની કિંમત ₹16,33,368 આંકવામાં આવી છે. દારૂ, બસ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹31,38,368 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે LCBના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન, બાતમીના આધારે એસબીપુરા ગામની સીમમાં હાઈવે રોડ પર નાકાબંધી કરવામાં આવી હતી. આ નાકાબંધી દરમિયાન, લક્ઝરી બસ નંબર AR.06.9159 ના ચાલક મહેશભાઈ હરીભાઈ પ્રજાપતિ (રહે. અમદાવાદ) ને ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા ઝડપી લેવામાં આવ્યો હતો. જોકે, અન્ય આરોપી કિશન સિંહ દીપસિંહ રાઠોડ (રહે. જોધપુર) રેડ દરમિયાન નાસી છૂટ્યો હતો. આ બંને આરોપીઓએ રાજસ્થાન નિર્મિત વિદેશી દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું. આ મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ ગરમાયો છે, ત્યારે ભરૂચના સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા મનસુખ વસાવાએ પોતાની જ પાર્ટીની રણનીતિ સામે સવાલો ઉઠાવીને રાજકીય ગરમાવો લાવી દીધો છે. ભાજપ સ્થાપના દિવસે આપેલ નિવેદનમાં તેમણે ખુલ્લેઆમ ચેતવણી આપી છે કે આગામી ચૂંટણીઓમાં ભાજપને કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીથી કોઈ ખતરો નથી, પરંતુ પાર્ટીએ પોતે બનાવેલા કડક નિયમો જ તેને નુકસાન પહોંચાડી શકે છે. શું છે વિવાદનું મુખ્ય કારણ?ભાજપ પ્રદેશ નેતૃત્વ દ્વારા ટિકિટ વહેંચણી માટે કેટલાક ખાસ માપદંડો નક્કી કરવામાં આવ્યા છે, જેનો મનસુખ વસાવા વિરોધ કરી રહ્યા છે. પાર્ટીના મુખ્ય ત્રણ નિયમો જે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે:1.60 વર્ષથી વધુ ઉંમરના કાર્યકરોને ટિકિટ ન આપવી.2.જેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાયા છે, તેમને ફરી તક ન આપવી.3. નેતાઓના સગા-સંબંધીઓને ટિકિટથી દૂર રાખવા. સિનિયર કાર્યકરોની ઉપેક્ષા સામે નારાજગી મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે યુવાનોને તક આપવી જોઈએ તે આવકાર્ય છે, પરંતુ જીતી શકે તેવા મજબૂત અને અનુભવી નેતાઓને હોમવા તે પક્ષ માટે જોખમી સાબિત થઈ શકે છે. આ નિયમોને કારણે વર્ષોથી પાયાનું કામ કરનારા અને પોતાના વિસ્તારમાં મજબૂત પ્રભુત્વ ધરાવતા જૂના જોગીઓ કપાઈ રહ્યા છે. તેમણે દલીલ કરી હતી કે જે નેતાઓ ત્રણ ટર્મથી જીતતા આવ્યા છે, તેનો અર્થ એ છે કે જનતામાં તેમનો સ્વીકાર છે. આવા સક્ષમ ઉમેદવારોને પડતા મૂકવાથી પાયાના કાર્યકરોમાં નિરાશા ફેલાય છે. મનસુખ વસાવાએ સવાલ ઉઠાવ્યો હતો કે જો આવા કડક નિયમો લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં લાગુ કરવામાં આવતા નથી, તો માત્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ કેમ? પક્ષના નેતૃત્વને પુનર્વિચારની અપીલસાંસદ વસાવાએ પ્રદેશ નેતૃત્વને વિનંતી કરી છે કે આ નિયમો પર ફરીથી વિચાર કરવામાં આવે. તેમણે ઉમેર્યું કે ગુજરાતભરમાંથી પાયાના કાર્યકરો તેમની પાસે પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. જો જીતી શકે તેવા ઉમેદવારો નિષ્ક્રિય થઈ જશે, તો તેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડશે. મનસુખ વસાવા જેવા સિનિયર નેતાનો આ સુર સૂચવે છે કે ભાજપમાં અંદરખાને 'નવા લોહી' અને 'અનુભવી નેતાઓ' વચ્ચે તાલમેલ બેસાડવો એક મોટો પડકાર બની રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે પ્રદેશ ભાજપ આ રજૂઆતને ધ્યાને લઈને નિયમોમાં કોઈ છૂટછાટ આપે છે કે પછી પોતાના શિસ્તબદ્ધ અભિગમ પર અડગ રહે છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમ ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં મતદારોનો મિજાજ જાણવા પહોંચી હતી. વોર્ડ નંબર 9ના 'છકડાવાડ' વિસ્તારમાં ગટરની ગંભીર સમસ્યા સામે આવી છે. ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ આ સમસ્યાના નિરાકરણ ન આવે તો આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. રહીશોના આક્ષેપ મુજબ, છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઇન તૂટી ગઈ છે. જેના કારણે ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળ્યા છે. આ ગંદકીને લીધે ભારે દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેનાથી સ્થાનિકોનું જીવન મુશ્કેલ બન્યું છે. સ્થાનિક રહીશ સલીમ ભીખાપુરવાલાએ જણાવ્યું હતું કે, અમે અહીં 10 વર્ષથી રહીએ છીએ, પરંતુ છેલ્લા બે વર્ષથી આ ગટરની લાઇન રીપેર થઈ નથી. વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. જો કોઈ ગંભીર બીમારી ફેલાશે તો તેની જવાબદારી કોની રહેશે? અન્ય એક સ્થાનિક અરબાઝે તંત્ર પર બેદરકારીનો આરોપ લગાવતા કહ્યું કે, તંત્રને જરાય પડી નથી. મારા દાદા પણ આ ગંદકીને કારણે બીમાર પડ્યા છે. અમારી ફરિયાદોનો કોઈ રિસ્પોન્સ મળતો નથી. એક મહિલા રહીશે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું કે, ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે. બાળકો શાળાએ કેવી રીતે જાય? રમઝાન દરમિયાન પણ બાળકો બીમાર પડ્યા હતા અને તેમને દવાખાને દાખલ કરવા પડ્યા હતા. આ વખતે અમે વોટ આપવાના નથી, કારણ કે વોટ આપીને શું ફાયદો? આ ગંભીર સમસ્યાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું સ્પષ્ટ કહેવું છે કે, જો રસ્તા અને ગટરની સુવિધા નહીં મળે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે. હવે જોવું રહ્યું કે તંત્ર આ સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે.
સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદની આગાહી:ખેડૂતોને પાક સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
હવામાન વિભાગની આગાહી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લા સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે. આથી, જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને તેમના પાકને સુરક્ષિત રાખવા માટે સાવચેતીના પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે આગાહી અનુસાર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ અને કચ્છ જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. વાદળછાયા વાતાવરણને કારણે ખેડૂતોને ખાસ તકેદારી રાખવા જણાવાયું છે. કમોસમી વરસાદથી પાકને થતા નુકસાનથી બચવા માટે, ખેડૂતોએ ખેતરમાં કાપણી કરેલો પાક જો ખુલ્લો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો. જો આમ કરવું શક્ય ન હોય, તો પાકને પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવો જોઈએ.વરસાદનું પાણી પાકના ઢગલાની નીચે ન જાય તે માટે ઢગલાની ફરતે માટીનો પાળો બનાવવો હિતાવહ છે. આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓ અને ખાતરનો ઉપયોગ ટાળવો. તેમજ, ખાતર અને બિયારણનો જથ્થો પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવા પણ સૂચના અપાઈ છે.માર્કેટિંગ યાર્ડ (APMC)માં વેચાણ અર્થે લાવવામાં આવતી ખેતપેદાશોને સુરક્ષિત રાખવા માટે વેપારીઓ અને ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે. ખેડૂતોએ શક્ય હોય ત્યાં સુધી આ દિવસો દરમિયાન વેચાણ અર્થે પેદાશો લાવવાનું ટાળવું. જો લાવે તો, જથ્થાને શેડ નીચે કે તાડપત્રીથી ઢાંકીને સુરક્ષિત રાખવો.ખેતી વિષયક વધુ જાણકારી અને માર્ગદર્શન માટે ખેડૂતો ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર 1800 180 1551 પર સંપર્ક કરી શકે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભાવશાળી આગેવાન તેજાભાઈ મેટલીયાએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) છોડી કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો છે. તેમની સાથે બહોળી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા હતા. આ પક્ષપલટાનો કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીએ તેજાભાઈ અને તેમના સમર્થકોને પક્ષનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. તેજાભાઈ મેટલીયાએ જણાવ્યું હતું કે, વર્તમાન શાસક પક્ષની નીતિઓ સામે તેમને અસંતોષ છે. તેમણે કોંગ્રેસની જનહિતલક્ષી વિચારધારા સાથે જોડાવાનો નિર્ણય લીધો છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના ૫૨ ગામોમાં પ્રભાવ ધરાવતા કોળી સમાજના આગેવાન તરીકે ઓળખાય છે. તેમના કોંગ્રેસ પ્રવેશને કારણે જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીએ પક્ષમાં નવપ્રવેશ કરનાર તમામ આગેવાનો અને કાર્યકર્તાઓનું સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે આ ઘટના કોંગ્રેસ પક્ષ પ્રત્યે પ્રજાના વધતા વિશ્વાસનું પ્રતિક છે.
કલોલના છત્રાલ બ્રિજ નીચે ટ્રાફિક નિયમન કરતી મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરનાર આરોપી અશોક રમેશભાઈ રાવતને કલોલની સેશન્સ કોર્ટે 15 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ગાંધીનગર જિલ્લામાં એસિડ એટેકના કેસમાં આ પ્રકારની સજાનો આ પ્રથમ ઐતિહાસિક ચુકાદો છે. કલોલના ચોથા એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપુતે ચુકાદાની શરૂઆત એક સંસ્કૃત શ્લોકથી કરીને સમાજમાં કાયદો અને વ્યવસ્થાનું મહત્વ સમજાવ્યું હતું. રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતીઆ ચકચારી કેસની વિગતો મુજબ, ગત તા.18 જુલાઈ 2025ના રોજ છત્રાલ ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોઈન્ટ પર ચાર મહિલા હોમગાર્ડ અને એક પુરુષ હોમગાર્ડ ફરજ પર હાજર હતા. આ દરમિયાન આરોપી રિક્ષા ચાલક અશોકભાઈ રમેશભાઈ રાવતે (રહે.રામજી મંદિર વાળો ઢાળ, કલોલ) પોતાની રિક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તે રીતે ઉભી રાખી હતી. આથી ફરજ પર હાજર મહિલા હોમગાર્ડ ભાવનાબેન પરમારે તેને રિક્ષા ખસેડવાનું કહેતા રિક્ષા ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બોલાચાલી કરી ત્યાંથી જતો રહ્યો હતો. અડધો કલાક પછી એસિડની બોટલ લઈને આવી હુમલો કર્યોબાદમાં આ સામાન્ય ઠપકાની અદાવત રાખીને આરોપી અડધા કલાક બાદ એસિડની બોટલ સાથે પરત આવ્યો હતો. તેણે કઈ પણ સમજ્યા વગર ફરજ પરની મહિલા જવાન પર એસિડની પિચકારી મારી હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં ભાવનાબેનને પીઠ અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય મહિલા કર્મચારીઓ પર પણ એસિડના છાંટા પડ્યા હતા. આ હુમલાના પગલે ઈજાગ્રસ્તને સારવાર માટે તુરંત ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એસ. પટેલ દ્વારા આ કેસની સચોટ તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરાઈ હતી. એસિડ એટેક એ માત્ર શારીરિક નહીં પણ માનસિક પીડા આપતો ગુનોઆ ચકચારી કેસની સુનાવણી કલોલ કોર્ટમાં ચાલી રહી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જીગ્નેશ એચ. જોષીએ દલીલ કરી હતી કે એસિડ એટેક એ માત્ર શારીરિક નહીં પણ માનસિક પીડા આપતો ગુનો છે. કોર્ટે આ અવલોકનને માન્ય રાખતા નોંધ્યું હતું કે, આ હુમલો માત્ર એસિડ એટેક નથી પણ રાજ્યની સુરક્ષા ઉપર આક્રમણ છે. જો આવા આરોપીઓને કડક સજા ન કરવામાં આવે તો રાજ્ય સેવકોનું મનોબળ તૂટી શકે છે. દોષિતને 15 વર્ષની સખત કેદની સજા અને કુલ 1 લાખનો દંડ ફટકારવાનો હુકમઆ દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખીને કોર્ટે અવલોકન કર્યું હતું કે, મહિલા સુરક્ષાકર્મી પર કરવામાં આવેલો આ હુમલો અત્યંત નિર્દયી અને ગંભીર છે. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોર્ટે આરોપી અશોક રાવતને દોષિત જાહેર કરી 15 વર્ષની સખત કેદની સજા અને કુલ 1 લાખનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. જ્યારે એસિડ હુમલાનો ભોગ બનનારને 2 લાખનું વળતર ચૂકવવા પણ હુકમ કર્યો છે.
સુરેન્દ્રનગર શહેરમાં એક મહિલાનો ચોરાયેલો મોબાઈલ ફોન ટ્રાફિક પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો છે. કંચનબેન નામની મહિલા શાક માર્કેટમાં ખરીદી કરવા આવી હતી ત્યારે તેમના પર્સમાંથી મોબાઈલની ચોરી થઈ હતી. આ ઘટના સુરેન્દ્રનગર શહેરના પોપટ પરા વિસ્તારમાં આવેલી શાક માર્કેટમાં બની હતી. ખરીદી દરમિયાન એક અજાણ્યા યુવકે કંચનબેનના પર્સમાંથી મોબાઈલ ફોન ચોરી લીધો હતો અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. મોબાઈલ ચોરી થયા બાદ કંચનબેને તાત્કાલિક ટ્રાફિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા ભાવુભા ઝાલા સહિતના કર્મચારીઓએ આ મામલે તપાસ શરૂ કરી હતી. તેમણે યુવકનો સંપર્ક કરવા અને આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવા પ્રયાસો કર્યા. સીસીટીવી ફૂટેજના આધારે, જે દિશામાં ચોર નાસી ગયો હતો તે દિશામાં ટીઆરબી જવાનોને રવાના કરવામાં આવ્યા હતા. ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસે ચોરી કરનાર યુવકનો ખેરાળી નજીકથી પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે ચોર પાસેથી ચોરાયેલો મોબાઈલ ફોન કબજે કર્યો હતો. ત્યારબાદ, આ મોબાઈલ ફોન કંચનબેનને પરત કરવામાં આવ્યો હતો. ટ્રાફિક પોલીસની આ કામગીરી સરાહનીય રહી હતી, જેના કારણે ચોર ઝડપાયો અને મોબાઈલ તેના મૂળ માલિકને પાછો મળ્યો.
સુરતના ખટોદરા વિસ્તારમાં માનવતા અને કાયદો-વ્યવસ્થાને શરમાવે એવી ઘટના સામે આવી છે. 7 એપ્રિલ, 2026ની મોડી રાત્રે રડતી નવ મહિનાની બાળકીને શાંત રાખવા બહાર આંટો મારવા નીકળેલા એક પરિવાર પર ચાર શખસોએ ઘાતક હુમલો કર્યો હતો. રિંગ રોડ પર આવેલી ચામુંડા હોટલ પાસે કિન્નરોની મદદ કરવા ગયેલા આ પરિવાર સાથે આરોપીઓએ તકરાર કરી હતી, જે હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા આરોપીઓએ રાકેશ નામના યુવકને પેટમાં ચપ્પુના ઉપરા-છાપરી ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. આ મામલે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. ચાર આરોપીની ધરપકડ કરાઈ છે. 9 મહિનાની દીકરી ગત રાત્રે સતત રડી રહી હતીસુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલ પટેલ નગર પાસે હરીનગર-2ની પાછળ હેગડેવાર વસાહતમાં રહેતા રાકેશ એકનાથ મોહિતેના મિત્ર રાહુલની 9 મહિનાની દીકરી ગત રાત્રે સતત રડી રહી હતી. બાળકી શાંત ન થતા તેની માતા ઈશાએ રાહુલને દીકરીને બહાર આંટો મરાવી લાવવા જણાવ્યું હતું. આથી, રાકેશ, રાહુલ અને અજય એક બાઈક પર તથા રાહુલની પત્ની ઈશા, દક્ષા, નયન અને અન્ય સગા-સંબંધીઓ એક રિક્ષામાં રાત્રિના સમયે બહાર નીકળ્યા હતા. કોઈને કલ્પના પણ નહોતી કે, રડતી બાળકીને શાંત રાખવા નીકળેલા આ પરિવાર માટે આ રાત લોહિયાળ સાબિત થશે. ચામુંડા હોટેલ પાસે ચા-નાસ્તા દરમિયાન સર્જાયો વિવાદઆ આખો પરિવાર ફરતા-ફરતા રાત્રિના આશરે સવા ત્રણ વાગ્યાના અરસામાં રિંગરોડ પર આવેલી જૂની સબજેલની સામે ચામુંડા હોટલ પાસે ચા-નાસ્તો કરવા માટે રોકાયો હતો. આ જ સમયે ત્યાં મનોજ ઉર્ફે મન્યો ચીરો (રહે. ડીડોલી), અક્ષય ઉર્ફે આદિ, વૈભવ કુલે અને પ્રણવ નામના ચાર શખ્સો હાજર હતા. આ ચારેય શખસો ત્યાં હાજર કિન્નરોની મજાક-મસ્તી કરીને તેમને પરેશાન કરી રહ્યા હતા. આ જોઈને કિન્નરોએ રાહુલની પત્ની ઈશા પાસે મદદ માંગી હતી અને પોતાની પાસે પડેલી ચાવી લાવી આપવા વિનંતી કરી હતી. 'કિન્નરો તમારા શું સગા થાય છે?' કહી હુમલો કર્યોજ્યારે ઈશા કિન્નરોની મદદ કરવા માટે ચાવી લેવા ગઈ ત્યારે આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓએ પરિવારને લપડાક મારતા કહ્યું કે, આ કિન્નરો તમારા શું સગા થાય છે? તમે કેમ તેમની મદદ કરો છો? આટલું કહીને આરોપીઓએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. રાકેશ અને રાહુલે વચ્ચે પડીને અપશબ્દો બોલવાની મનાઈ કરતા ચારેય શખ્સોએ ઉશ્કેરાઈને પરિવારના સભ્યોને ઢીંક-મુક્કીનો ઢોર માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન હોટલ પર હાજર અન્ય લોકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો હતો. પેટના ભાગે ચપ્પુના ઉપરા-છાપરી ઘા ઝીંક્યામારપીટ દરમિયાન મામલો વધુ બિચક્યો હતો. આરોપી અક્ષય ઉર્ફે આદીએ રાકેશને સંબોધીને ધમકી આપી હતી કે, આજે તમને બતાવીએ કે અમે કોણ છીએ, આજે તારો ખેલ પૂરો કરી નાખીશ. આટલું બોલી તેણે પોતાની પાસે રહેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢી રાકેશને જાનથી મારી નાખવાના ઈરાદે પેટના ભાગે ઉપરા-છાપરી ઘા ઝીંકી દીધા હતા. રાકેશ લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યો હતો. બચાવવા વચ્ચે આવેલા તેના મિત્ર નયનને પણ આરોપીઓએ ચપ્પુના ઘા માર્યા હતા અને ત્યારબાદ ચારેય હુમલાખોરો અંધારાનો લાભ લઈ ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યોઘટના બાદ લોહીલુહાણ હાલતમાં રાકેશ અને નયનને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં રાકેશની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભોગ બનનાર રાકેશ મોહિતેએ ખટોદરા પોલીસ મથકમાં મનોજ, અક્ષય, વૈભવ અને પ્રણવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ ચારેય શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો અને હત્યાની કોશિશ હેઠળ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. હુમલાખોરોએ પણ પોલીસમાં સામે ફરિયાદ નોંધાવીબીજી તરફ, આ ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે હુમલો કરનારા શખ્સો પૈકી મનોજ ઉર્ફે મન્યો રાજેન્દ્ર પાટીલે પણ સામી ફરિયાદ નોંધાવી. મનોજે આક્ષેપ કર્યો હતો કે રાકેશ ઉર્ફે બાલા અને તેના મિત્રોએ જ તેમની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. કિન્નરો સાથેના વિવાદમાં રાકેશે તેમને ઉશ્કેરાઈને ગાળો આપી હતી અને મારામારીની શરૂઆત કરી હતી. આથી પોલીસે રાકેશ અને અન્ય બે અજાણ્યા ઈસમો સામે મારામારીનો ગુનો નોંધીને બંને પક્ષોની વાલીપણાની તપાસ હાથ ધરી છે. ખટોદરા પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરીશહેરના જાહેર માર્ગ પર રાત્રિના સમયે બનેલી આ ઘટનાને પગલે પોલીસ કમિશનર દ્વારા પણ કડક સૂચના આપવામાં આવી હતી. ખટોદરા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોના આધારે મનોજ ઉર્ફે મન્યો ચીરો, અક્ષય ઉર્ફે આદિ, વૈભવ અને પ્રણવની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ આરોપીઓના ગુનાહિત ઈતિહાસની પણ તપાસ કરી રહી છે અને હોટલ પાસેના સીસીટીવી ફૂટેજ કબજે કરીને પુરાવા એકત્ર કરવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ નવસારીમાં ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કર્યો છે. આગામી સમયના આયોજન અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે આ વચનપત્ર રજૂ કરાયું છે. પક્ષનો દાવો છે કે ‘કોંગ્રેસ આપને દ્વાર’ અને ‘જનમંચ’ જેવા અભિયાનો દ્વારા નવસારીની જનતા પાસેથી સીધા સૂચનો મેળવીને તે તૈયાર કરવામાં આવ્યું છે.કોંગ્રેસ નેતૃત્વએ જણાવ્યું કે રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત જનતાની વચ્ચે જઈને આ મેનિફેસ્ટો બન્યો છે. નાગરિકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં ન સાંભળવામાં આવતી હોવાથી, તેમના માટે વોર્ડ દીઠ ‘જનમંચ’ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ મંચ પર મળેલા પુરાવાઓ અને ફરિયાદોના આધારે વર્તમાન સરકારની નીતિઓ સામે આ કમિટમેન્ટ તૈયાર કરાયું છે. મેનિફેસ્ટોની મુખ્ય જાહેરાતોમાં સિટી બસમાં મહિલાઓ માટે સંપૂર્ણ મફત મુસાફરી અને મહિલાઓના નામે નોંધાયેલા વાહનોનો રોડ ટેક્સ માફ કરવાનો સમાવેશ થાય છે. આવાસ યોજના હેઠળ ‘પહેલા રિહેબિલિટેશન, પછી જ ડિમોલિશન’ના સિદ્ધાંત સાથે વૈકલ્પિક વ્યવસ્થા વગર કોઈનું ઘર નહીં તોડવાનું વચન અપાયું છે. 50 મીટરથી નાના મકાનોને પ્રોપર્ટી ટેક્સમાં 50 રાહત અને નવા વિસ્તારોમાં સુવિધા ન મળે ત્યાં સુધી ટેક્સ મુક્તિની પણ જાહેરાત કરાઈ છે. શિક્ષણ સુધારણા માટે પાલિકા સંચાલિત શાળાઓમાં ગુજરાતી-અંગ્રેજી માધ્યમનું આધુનિક શિક્ષણ અને શૈક્ષણિક સ્ટાફની કાયમી ભરતીનું વચન છે. હેલ્થ સુવિધાઓમાં દરેક વોર્ડમાં 24/7 હેલ્થ સેન્ટર, મફત બ્લડ ટેસ્ટ, એક્સ-રે અને CT સ્કેન સુવિધા તેમજ વડીલોને બીપી-ડાયાબિટીસની દવાઓ મફત આપવાની વાત છે.પાણી અને ગટર વ્યવસ્થા માટે શહેરમાં દિવસમાં બે વખત પૂરતા ફોર્સથી શુદ્ધ પાણી અને વરસાદી પાણીના નિકાલ માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવાનું આયોજન છે. સ્વચ્છતા માટે દિવસમાં બે વાર ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા અને રસ્તાઓની ગુણવત્તાનું ‘જનતા ઓડિટ’ કરાશે. યુવા રોજગાર માટે કોર્પોરેશનમાં ખાલી પદો પર સ્થાનિક ઉમેદવારોની કાયમી ભરતી અને સ્પોર્ટ્સ સંકુલનું આધુનિકીકરણ કરાશે. લારી-ગલ્લા ધારકોને સ્માર્ટ કાર્ડ આપી ‘વેન્ડર ઝોન’ દ્વારા વ્યાપારિક ઓળખ અપાશે. પૂર્ણા નદીનું ડીપનિંગ-વાઈડનિંગ કરી શહેરને પૂરથી બચાવવા પ્રોટેક્શન વોલ બનાવવાનું પણ આયોજન છે.કોંગ્રેસના નેતાઓએ ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર વચનપત્ર નથી, પરંતુ જનતા સાથેનું કમિટમેન્ટ છે. તેમણે ઉમેર્યું કે આધુનિક ભારત અને નગરરચનામાં કોંગ્રેસનો ફાળો અભૂતપૂર્વ રહ્યો છે. સત્તામાં આવતાની સાથે જ આ તમામ મુદ્દાઓ પર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવશે.
નવસારી નગરપાલિકામાં એક સમયે પ્રભુત્વ ધરાવતો પારસી સમાજ હવે રાજકીય ફલક પરથી અદ્રશ્ય થઈ રહ્યો છે. શહેરના વિકાસમાં સિંહફાળો આપનાર આ સમાજના પ્રતિનિધિત્વ અંગે ગંભીર ચર્ચાઓ જાગી છે. નવસારી સમસ્ત અંજુમનના કમિટી મેમ્બર કેરમન પટેલે પારસીઓના ઘટતા રાજકીય પ્રતિનિધિત્વ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ઇતિહાસ દર્શાવે છે કે, નવસારી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં દિનશાજી ડાબુ પ્રથમ પ્રમુખ બન્યા હતા. આઝાદી બાદ તેમના ભાઈ ફરામરોઝ ડાબુએ પણ પ્રમુખ પદ સંભાળ્યું હતું. એક સમયે 24 સભ્યોની નગરપાલિકામાં 10 થી 12 પારસીઓ ચૂંટાઈ આવતા હતા. નવસારી ઉપરાંત બિલીમોરા અને વલસાડમાં પણ પારસીઓનું નોંધપાત્ર વર્ચસ્વ હતું. રાષ્ટ્રીય લઘુમતી કમિશનના પૂર્વ ઉપાધ્યક્ષ કેરસી દેબૂએ જણાવ્યું કે, પારસીઓની વસ્તી ખૂબ જ અલ્પસંખ્યામાં હોવાથી કોઈપણ રાજકીય પક્ષોને એની બહુ મોટી ગરજ રહેતી નથી. બીજું કારણ એ છે કે, પારસીઓને હાલમાં જે પ્રકારનું રાજકારણ ચાલી રહ્યું છે, તેને અનુકૂળ આવતું નથી. એટલે આવા ઘણા કારણસર ધીરે ધીરે પારસીઓનું પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે. નવસારી નગરપાલિકામાં વર્ષો પહેલા મોટાભાગના સભ્ય, ચૂંટાઈ આવેલા સભ્યો પારસી કોમ્યુનિટીમાંથી આવતા હતા. નગરપાલિકાનું પ્રથમ ઇલેક્શન થયું ત્યારે દિનશાજી ડાબુ તેના પ્રથમ પ્રમુખ પણ બનેલા અને આઝાદી પછી જ્યારે પહેલું ઇલેક્શન થયું ત્યારે એમના જ ભાઈ ફરામરોઝ ડાબુ એ નવસારીના પ્રમુખ બનેલા. વધુમાં જણાવ્યું કે, પારસી પરિવારના એક જ પરિવારના બેથી ત્રણ સભ્ય અને વધારામાં તેમના ઘરનો નોકર અને કામવાળી પણ ચૂંટાઈને આવતા, આટલું પારસીઓનું વર્ચસ્વ હતું. પરંતુ એ ધીરે ધીરે ઓછું થયું. પારસીઓએ આગળ આવવું જોઈએ અને રાજકારણમાં ભાગ લેવો જોઈએ એવું મારું સ્પષ્ટ માનવું છે. નવસારી સમસ્ત અંજુમન અને સમસ્ત પારસી ઇન્ફર્મરીના કમિટી મેમ્બર કેરમન પટેલે જણાવ્યું કે, પારસી લોકોનું રિપ્રેઝન્ટેશન નવસારી મહાનગરપાલિકા કે નગરપાલિકામાં કેમ નથી? આ નવસારીનું જે ડેવલપમેન્ટ થયું છે તે અમારા પારસી લોકોએ કર્યું છે. તે એજ્યુકેશન સંસ્થાઓ હોય, હોસ્પિટલ્સ હોય કે સ્પોર્ટ્સ એક્ટિવિટી હોય, એ દરેક વિષયમાં અમારી કોમ્યુનિટીના લોકોએ અગ્રણી ભાગ ભજવ્યો છે તેમ છતાં છેલ્લા 25-30 વર્ષથી પોલિટિકલી અમારું રિપ્રેઝન્ટેશન પારસી લોકોનું બિલકુલ નથી. અત્યારે જે પોલિટિક્સ ચાલે છે 'ડુ ઓર ડાય'નું, તેમાં અમારી કોમ્યુનિટી બિલકુલ સંમત નથી. હું કોંગ્રેસ પાર્ટીનો જિલ્લાનો ઉપપ્રમુખ છું, પરંતુ મને ટિકિટની ઓફર પણ નથી થઈ, મને લડવામાં ઇન્ટરેસ્ટ પણ નથી. અમારું યુથ છે એનો ફોકસ હવે પોતાના ફેમિલી અને પોતાના લોકોના ડેવલપમેન્ટ માટે જ છે. અમારો પોતાનો પણ મત એ જ છે કે આપણી કોમ્યુનિટી માટે કામ કરીએ, કારણ કે અમને ક્યાય પણ રિપ્રેઝન્ટેશન મળતું જ નથી. અમને રિપ્રેઝન્ટેશન એટલા માટે નથી મળતું કે અમે માઇક્રો માઇનોરિટીઝ છીએ. હું તો ગવર્મેન્ટને એવું કહેવા માંગુ છું કે, અમારા માટે વિધાનસભામાં કે મહાનગરપાલિકા કે નગરપાલિકામાં એવી સ્પેશિયલ સીટ હોવી જોઈએ કે જેથી અમને કોમ્યુનિટીનું રિપ્રેઝન્ટેશન મળી શકે. અમારા અત્યારના લીડરો કેરસીભાઈ, દારાભાઈ, યઝદીભાઈ, બોમીભાઈ છે સહિતનાઓએ પોલિટિક્સમાં આવવું જોઈએ. તો નવસારી શહેરની ચોક્કસ પ્રગતિ થાય, ડેવલપમેન્ટ થઈ શકે, સ્કૂલો, કોલેજો, હોસ્પિટલ બની શકે. જમશેદજી ટાટા જેવાનો જન્મ પણ આપણા નવસારીમાં થયો છે. એટલે અમારા રિપ્રેઝન્ટેશનનો તો સવાલ જ નથી આવતો પણ ઓપોર્ચ્યુનિટી અમને મળવી જોઈએ. કારણ કે અમે કોઈ પણ જગ્યાએ ઇલેક્શન કોન્ટેસ્ટ કરી શકીએ એવી અમારી પોપ્યુલેશન વાઇઝ પરિસ્થિતિ નથી.
આજે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. પહેલી યાદીમાં કોંગ્રેસે 243 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા, જેમાં મનપાના જ ઉમેદવારોના કેટલાક નામ જાહેર કરવામાં આવ્યા હતા. બાકી રહેલા ઉમેદવારોના નામને લઈને આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક મળવાની છે. રાજીવ ગાંધી ભવનને બદલે અન્ય ગુપ્ત સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાતથી શરૂ થયેલી આ બેઠક વહેલી સવાર સુધી ચાલવાની છે. ઉલ્લેખનીય છે કે, નેતાઓ પોતાના નજીકના લોકોને ટિકિટ આપવા માટે આવી જતા હોવાથી ગુપ્ત સ્થળ પર બેઠક રાખવામાં આવી છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉમેદવારોના નામને લઈને ચર્ચા થયા બાદ આખરી મહોર લગાવવામાં આવશે. જેથી આવતીકાલે કોંગ્રેસની બીજી યાદી જાહેર થવાની શક્યતા છે. ગત 5 એપ્રિલે કોંગ્રેસે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતીગત 4 એપ્રિલે પ્રદેશ સહ પ્રભારી બી.વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને કાર્યકારી અધ્યક્ષ સાથે બેઠક બાદ પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જે બાદ ગુજરાત કોંગ્રેસ દ્વારા ગત 5 એપ્રિલે સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારોના નામની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. જેમાં જામનગર, ભાવનગર, સુરત, મોરબી, રાજકોટ, વડોદરા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પહેલી યાદીમાં નિર્વિવાદિત બેઠક પરના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, તેમાં માત્ર મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ જ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નહોતા. આજે દાવેદારો ઉમટે નહીં તે માટે ગુપ્ત સ્થળે બેઠકહવે 11 એપ્રિલના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જેના કારણે ઉમેદવારોના નામ પર આખરી મહોર લગાવવામાં આવશે. જે માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મહત્વની બેઠક બોલાવી છે. ગત 4 એપ્રિલે રાજીવ ગાંધી ભવન ખાતે રાત્રે 2 વાગ્યા સુધી બેઠક ચાલી હતી. જોકે, આજે કોઈ દાવેદારો ઉમટે નહીં તે માટે ગુપ્ત સ્થળે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. મોડી રાતથી શરૂ થનારી બેઠક વહેલી સવાર સુધી ચાલવાની છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં બેઠક યોજાવાની છે. જેમાં શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ અને જિલ્લા પ્રમુખો પણ ઉપસ્થિત રહેવાના છે. ઓબ્ઝર્વરને હાજર રહેવા ખાસ સૂચનાઆ બેઠકમાં ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં મૂકવામાં આવેલા ઓબ્ઝર્વરને પણ હાજર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે પણ અમુક વોર્ડમાં જ પેનલ જાહેર કરવામાં આવી છે. 32 વોર્ડમાં જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. જેથી અન્ય વોર્ડમાં શહેર સમિતિ દ્વારા ફાઈનલ કરવામાં આવેલા ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સેન્સ પ્રક્રિયામાં મૂકેલા 14 ઓબ્ઝર્વરને પણ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે. આજની બેઠકમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી માટે પણ ઉમેદવારોના નામ પર આખરી મહોર લગાવવામાં આવશે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
Donald Trump Big Statement: અમેરિકાની શરતો પર યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકો બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. પ્રમુખ ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ઈરાનમાં શાસન પરિવર્તનની પ્રક્રિયા અત્યંત 'ફળદાયી' રહી છે અને હવે અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરવા તૈયાર છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઈરાન હવે યુરેનિયમનું કોઈ સંવર્ધન કરી શકશે નહીં. અમેરિકા ઈરાન સાથે મળીને કામ કરશે: ટ્રમ્પ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ સોશિયલ પર લખ્યું કે, 'યુનાઈટેડ સ્ટેટ્સ ઈરાન સાથે મળીને નજીકથી કામ કરશે, જેમના વિશે અમે નક્કી કર્યું છે કે ત્યાં ખૂબ જ ફળદાયી શાસન પરિવર્તન થયું છે!
પોરબંદરના ખાપટમાં ચાર વીજપોલ ધરાશાય:12 કલાક વીજ પુરવઠો ખોરવાયો, સમારકામ ચાલુ
પોરબંદરના ખાપટ વિસ્તારમાં આજે એક મોટી ઘટના બની હતી, જેમાં ચાર વીજપોલ ધરાશાયી થયા હતા. આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં આશરે 12 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, જેના પગલે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ખાપટ વિસ્તારમાં ચાલી રહેલા રોડ રસ્તાના કામ દરમિયાન કોઈ અજાણ્યા વાહન અથવા જેસીબી ચાલકે વીજપોલને ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે સાંકળ પ્રતિક્રિયા સ્વરૂપે એક પછી એક એમ કુલ ચાર વીજપોલ જમીનદોસ્ત થઈ ગયા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ વીજ માળખાને મોટું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલ (PGVCL)ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે નવા વીજપોલ ઊભા કરવાની કામગીરી ચાલી રહી છે અને ભારે નુકસાનને કારણે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં અંદાજે 12 કલાકનો સમય લાગી શકે છે. સ્થાનિક તંત્ર દ્વારા આ અકસ્માત સર્જનાર વાહન ચાલક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલ પીજીવીસીએલની પ્રાથમિકતા શક્ય તેટલી ઝડપથી વીજ પુરવઠો ફરી શરૂ કરવાની છે જેથી ખાપટ વિસ્તારના રહીશોને પડતી મુશ્કેલી ઓછી કરી શકાય.
જૂનાગઢ ખાતે આજે ભારતીય કિસાન સંઘની જિલ્લા કક્ષાની અત્યંત મહત્વની અને વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાષ્ટ્રીય અધિકારી ડો. દાદા લાડ, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્ય, પ્રદેશ કોષાધ્યક્ષ નરેન્દ્રભાઈ પટેલ સહિતના ઉચ્ચ પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા સમિતિના પ્રમુખો, મંત્રીઓ અને કારોબારી સભ્યોએ હાજરી આપી આગામી દિવસોમાં ખેતી અને ખેડૂતો સામે આવનારા પડકારો તેમજ સંગઠનની ભૂમિકા વિશે ગહન ચર્ચા કરી હતી. સંગઠનની વિસ્તારવાની ક્ષમતા પર ભાર મૂકતા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યુંભારતીય કિસાન સંઘના પ્રદેશ અધ્યક્ષ જગમાલભાઈ આર્યએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે કિસાન સંઘ એ શિસ્તબદ્ધ રાષ્ટ્રીય સંગઠન છે. કેન્દ્ર દ્વારા દર વર્ષે જે નીતિઓ નક્કી કરવામાં આવે છે, તેનું છેવાડાના ખેડૂત સુધી અમલીકરણ થાય તે જોવાની જવાબદારી સંગઠનની છે. ડો. દાદા લાડ (વાલી - ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્ર) ના પ્રવાસનો મુખ્ય હેતુ જિલ્લાઓમાં સંગઠનની શક્તિ માપવી અને કાર્યશૈલીને વધુ ધારદાર બનાવવાનો છે. તેમણે સંગઠનની વિસ્તારવાની ક્ષમતા પર ભાર મૂકતા કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. 22 મુખ્ય પ્રશ્નોમાંથી 14 જેટલા પ્રશ્નોનો સરકારે સ્વીકાર કરીને નિકાલ લાવ્યો ખેડૂતોના પ્રશ્નો અંગે સકારાત્મક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની અપેક્ષાઓને અમે વાચા આપીએ છીએ. અગાઉ ગુજરાત સરકાર સમક્ષ મૂકવામાં આવેલા 22 મુખ્ય પ્રશ્નોમાંથી 14 જેટલા પ્રશ્નોનો સરકારે સ્વીકાર કરીને તેનો નિકાલ લાવ્યો છે. ખાસ કરીને વીજળીના પ્રશ્ને તેમણે સંતોષ વ્યક્ત કરતા કહ્યું કે, પૂર્વ ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈના સમયમાં લેવાયેલા નિર્ણયોને કારણે વીજળીની સ્થિતિ હવે ઘણી સુધરી છે અને ખેડૂતોને પૂરતો પાવર મળી રહ્યો છે. રાસાયણિક ખેતીના કારણે વિદેશોમાં ભારતનો માલ પરત આવી રહ્યો છેઆ બેઠકમાં 'ઝેરમુક્ત ખેતી' એટલે કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. કિસાન અગ્રણીઓએ ચિંતા વ્યક્ત કરી હતી કે, રાસાયણિક ખેતીના કારણે વિદેશોમાં ભારતનો માલ પરત આવી રહ્યો છે. જીરું, ઘઉં અને દીવેલા જેવા પાકોમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ વધુ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતની શાખ ખરડાઈ રહી છે. જો ખેડૂતો યુરિયા અને ડીએપીનો ત્યાગ કરી ગાય આધારિત ખેતી અપનાવે, તો જ ભારત ફરી વિશ્વ બજારમાં મજબૂત સ્થાન મેળવી શકશે અને પ્રજાનું સ્વાસ્થ્ય જળવાશે. જો ખેડૂત સમૃદ્ધ અને ઝેરમુક્ત ખેતી કરતો થશે તો ભારતનો વિકાસ થશેતાજેતરમાં થયેલા માવઠા અને બદલાતા વાતાવરણમાં હાઈબ્રિડ પાકોને થતા નુકસાન અંગે ચર્ચા કરતા દેશી બિયારણના મહત્વ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. રાજકોટના સફળ ખેડૂત મનસુખભાઈ સુવાગ્યાના ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું કે કેવી રીતે દેશી આંબાના બગીચાઓ માવઠાની અસરમાંથી સુરક્ષિત રહે છે. આથી, ખેડૂતોએ આર્થિક નુકસાનથી બચવા ફરીથી દેશી બીજ તરફ વળવું જોઈએ. અંતમાં, બેઠક દ્વારા સંદેશ આપવામાં આવ્યો કે જો ખેડૂત સમૃદ્ધ અને ઝેરમુક્ત ખેતી કરતો થશે, તો જ ભારત પરમ વૈભવના શિખરે પહોંચશે.
ગોધરા સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગોધરા નગરપાલિકાના વોર્ડ નંબર 9 માંથી એક જ પરિવારના બે સભ્યોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. પૂર્વ સદસ્ય યાકુબ બક્કર તપેલી અને તેમના પત્ની શરીફાબેને આજે વિધિવત રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા દરમિયાન, યાકુબ બક્કર તપેલીએ સામાન્ય બેઠક પરથી પોતાની દાવેદારી રજૂ કરી હતી. જ્યારે તેમના પત્ની શરીફાબેન યાકુબ બક્કર તપેલીએ OBC સ્ત્રી અનામત બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. મીડિયા સાથે વાતચીત કરતા યાકુબ બક્કરે જણાવ્યું હતું કે, તેઓ વોર્ડના મતદારોની સેવા કરવા માટે કટિબદ્ધ છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે વોર્ડ નં. 9 ના ભાઈઓ અને બહેનો તેમને જંગી બહુમતીથી વિજયી બનાવશે.
ગોધરા SP કચેરીમાં 'જન સંપર્ક કેન્દ્ર' કાર્યરત:અરજદારોની સુવિધા માટે ડૉ. હરેશ દુધાતે કર્યું ઉદ્ઘાટન
પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ગોધરા SP કચેરી ખાતે અરજદારોની સુવિધા માટે 'જન સંપર્ક કેન્દ્ર'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના હસ્તે આ કેન્દ્રનું વિધિવત ઉદ્ઘાટન કરાયું હતું. આ કેન્દ્રનો મુખ્ય હેતુ વહીવટી પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો અને અરજદારોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવાનો છે. ગોધરા સ્થિત જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ આવતા નાગરિકોને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરાશે. 'જન સંપર્ક કેન્દ્ર' દ્વારા અરજદારોને કયા વિભાગમાં અને કયા અધિકારીને મળવું તેની સચોટ માહિતી પૂરી પાડવામાં આવશે. તેમની રજૂઆતોનો ઝડપી નિકાલ થાય તે માટે પણ અહીં ખાસ સ્ટાફ તૈનાત રહેશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેન્દ્ર પોલીસ અને પ્રજા વચ્ચેના સેતુને મજબૂત બનાવવામાં મદદરૂપ થશે, જેથી અરજીઓ કે રજૂઆતો કરવામાં નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
વેરાવળમાંથી પ્રોહિબિશન કેસનો ફરાર આરોપી ઝડપાયો:એલસીબી ટીમે હ્યુમન સોર્સીસની મદદથી પકડ્યો
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા ફરાર આરોપીઓને પકડવા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશન કેસના એક નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. જુનાગઢ રેન્જના ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઈ. એસ.વી. રાજપુતના નેતૃત્વ હેઠળ ટીમે વેરાવળ વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. હ્યુમન સોર્સીસની મદદથી, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 830/26 હેઠળ પ્રોહીબીશન એક્ટની કલમ 65(ઇ), 81 અને 92(2) મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે પકડેલા આરોપીની ઓળખ જીતેન્દ્ર ઉર્ફે જીતુ બાબુભાઈ સુતાર ખારવા (ઉંમર 54, રહે. વેરાવળ, ભાલકા વિસ્તાર, કામનાથ સોસાયટી પાસે) તરીકે થઈ છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની આ સફળ કામગીરીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી લોકોમાં આશા જાગી છે.
વર્ષ 2013માં બોટાદની સેશન્સ કોર્ટ દ્વારા બે આરોપીઓને હત્યાના ગુનામાં આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી હતી. જેની સામે બંને આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, આરોપીઓ સામે ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન સાબિત કરવામાં અને શંકા રહિત કેસ સાબિત કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે, ત્યારે સેશન્સ કોર્ટના હુકમની રદ કરવામાં આવે છે. ધીરુભાઈ આરોપીની બહેનના લગ્ન નક્કી કરાવ્યા હતાઆ કેસને વિગતે જોતા બે આરોપીઓ પૈકી એક આરોપીની બહેનના લગ્ન પ્રવીણભાઈ નામના વ્યક્તિ જોડે નક્કી થયા હતા. આ સગુ કરાવનાર વ્યક્તિ ધીરુભાઈ હતા. ધીરુભાઈએ આરોપીને કહ્યું હતું કે પ્રવીણભાઈના આ બીજા લગ્ન છે. જો કે આરોપીને માહિતી મળી હતી કે પ્રવીણભાઈના આ બીજા નહીં, પરંતુ ચોથા લગ્ન છે. જેને લઇને આરોપીએ મૃતક પ્રત્યે દ્વેષ રાખ્યો હતો. આરોપીએ ધીરુભાઈ પર છરીથી હુમલો કર્યો હતોઆરોપીએ મૃતક ધીરુભાઈને ગઢડા બોલાવ્યા હતા. જ્યાં છરી લઈને મૃતક ઉપર તૂટી પડતા મૃતકને છાતી અને પેટમાં છરી વાગતા ઘટના સ્થળે જ ધીરુભાઈનું મૃત્યુ થયું હતું. જે સંદર્ભે બોટાદ પોલીસ મથકે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. બોટાદ સેશન્સ કોર્ટે 24 સાહેદ અને 24 જેટલા પુરાવાને આધારે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. સાહેદોએ છરી મારતા આરોપીઓને જોયા નથીઅરજદાર વતી રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં સાંયોગિક પુરાવાને આધારે અરજદારને આજીવન કેદની સજા કરવામાં આવી છે. સાહેદોએ છરી મારતા આરોપીઓને જોયા નથી. મુદ્દા માલની રિકવરી પણ શંકાસ્પદ છે. ગુનાને સાંકળતી ઘટનાઓની ચેઇન અખંડ નથી. સરકારી વકીલે સામે દલીલ કરી હતી કે આરોપીઓએ બનાવ બન્યાનો અને ઘટનાસ્થળ અંગે કોઈ વિવાદ ઉપાડ્યો નથી. હાઈકોર્ટે બોટાદ કોર્ટનો ચુકાદો રદ્દ કર્યોફરી ગયેલા સાહેદો અને આરોપી એક જ ગામના રહેવાસી છે. તે આરોપીને બચાવવાની કોશિશ કરી રહ્યા છે. હત્યા કર્યા બાદ આરોપીઓ ચોટીલાની ધર્મશાળામાં રોકાયા હતા. છરી પરથી મૃતકનું બ્લડ ગ્રુપ પણ મળી આવ્યું હતું. જો કે કોર્ટે કહ્યું હતું કે ઘટનાને સાંકળતી ચેઇન પુરવાર કરવામાં પ્રોસિક્યુશન નિષ્ફળ નીવડ્યું છે. તેમજ આરોપ શંકાથી પરે સાબિત થઈ શક્યો નથી. ત્યારે બોટાદ કોર્ટનો ચુકાદો રદ કરવામાં આવે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય એડવોકેટ દીપેનભાઈ દવેએ બાર કાઉન્સિલની ચૂંટણીમાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો છે. તેમના આ વિજયને વધાવવા માટે ટૂંક સમયમાં એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ અને વકીલ મિત્રો દ્વારા આયોજિત આ કાર્યક્રમ શનિવાર, 11 એપ્રિલ, 2026ના રોજ સાંજે 6:30 કલાકે દુધરેજ સ્થિત 'ત્રિવેણી પાર્ટી પ્લોટ' ખાતે યોજાશે. આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી વિજેતા ઉમેદવારનું અભિવાદન કરશે. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા, હિતેન્દ્રસિંહ ચૌહાણ, વર્ષાબેન દોશી અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહેશે. સન્માન સમારોહની સાથે મનોરંજન માટે 'યે શામ મસ્તાની' શીર્ષક હેઠળ ફિલ્મી ગીતોની મહેફિલનું પણ આયોજન કરાયું છે, જેમાં ભગીરથ ભટ્ટના સંગીત સાથે મહેમાનો સુરમય સાંજનો આનંદ માણી શકશે. એડવોકેટ દીપેન દવે સન્માન સમિતિ દ્વારા જાહેર જનતા અને સ્નેહીજનોને પરિવાર સહિત પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમના અંતે સ્વરુચિ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ તાજેતરમાં સુરતની મુલાકાત દરમિયાન 'સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી' (SGCCI) દ્વારા આયોજિત મહિલા ઉદ્યોગ સાહસિકોના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હાજરી આપી હતી. લાંબા સમય બાદ જાહેર મંચ પર દેખાયેલા નુપુર શર્માએ આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન અને દેશના આર્થિક વિકાસમાં નારી શક્તિના અમૂલ્ય યોગદાન વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. વડાપ્રધાન મોદીની '3.0' ટર્મ અને મહિલા સશક્તિકરણનુપુર શર્માએ પોતાના સંબોધનમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ત્રીજી ટર્મ દેશની મહિલાઓ માટે સંપૂર્ણપણે સમર્પિત છે. સરકારનું મુખ્ય લક્ષ્ય મહિલાઓને માત્ર સામાજિક જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ સશક્ત બનાવવાનું છે. તેમના મતે, મોદી સરકારની નીતિઓના કેન્દ્રમાં હંમેશા 'નારી શક્તિ' રહી છે, જેના પરિણામે આગામી પાંચ વર્ષોમાં ભારતીય મહિલાઓ વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ પ્રસ્થાપિત કરશે. લખપતિ દીદી યોજના મહિલાઓના આત્મનિર્ભરતાનો માર્ગકેન્દ્ર સરકારની પ્રમુખ યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે 'લખપતિ દીદી' યોજનાની પ્રશંસા કરી હતી. આ યોજનાને ગ્રામીણ અને શહેરી મહિલાઓના સપના સાકાર કરવાનું માધ્યમ ગણાવતા તેમણે કહ્યું કે, સ્વ-સહાય જૂથો દ્વારા મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. જ્યારે કોઈ પણ મહિલા આર્થિક રીતે સ્વતંત્ર થાય છે, ત્યારે તેની હકારાત્મક અસર સમગ્ર પરિવાર અને સમાજની પ્રગતિ પર જોવા મળે છે. ગુજરાતી મહિલાઓની ઉદ્યોગ સાહસિકતા અને 'ગરવી ગુજરાત'સુરતના ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગમાં મહિલાઓની વધતી ભાગીદારીને બિરદાવતા નુપુર શર્માએ જણાવ્યું કે, ભારત અને વિશ્વમાં સૌથી વધુ મહિલા ઉદ્યોગ સાહસિકો ગુજરાતમાં જોવા મળે છે. ગુજરાતી મહિલાઓમાં રહેલી જન્મજાત વ્યાપારિક કોઠાસૂઝ તેમને અન્યથી અલગ પાડે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત આશરે 1000 જેટલી મહિલા પ્રોફેશનલ્સને જોઈને તેમણે ઉમેર્યું હતું કે, 'આજે મને સમજાયું કે 'ગુજરાત ગરવી' કેમ કહેવાય છે. આ ગૌરવ પાછળ અહીંની મહેનતકશ મહિલાઓનો મોટો હાથ છે, જેમણે પરંપરા અને આધુનિકતાના સમન્વયથી ગુજરાતને વિકાસનું રોલ મોડેલ બનાવ્યું છે.' આધ્યાત્મિક શ્રદ્ધા અને રાજકીય સમર્થનગુજરાતને મા અંબાની પાવન ભૂમિ ગણાવતા તેમણે કહ્યું કે, અહીંની મહિલાઓના અતૂટ આત્મવિશ્વાસ પાછળ આ આધ્યાત્મિક ઉર્જા રહેલી છે. વધુમાં, તેમણે નોંધ્યું હતું કે વડાપ્રધાન મોદીની સતત ત્રીજી જીત પાછળ દેશની મહિલા શક્તિનો સૌથી મોટો ટેકો રહ્યો છે, જેમણે લોકશાહીના પર્વમાં ભાજપ સરકાર પર અતૂટ વિશ્વાસ મૂકીને દેશને સ્થિર નેતૃત્વ પૂરું પાડ્યું છે.
આધુનિક યુગમાં ગુનેગારો હવે સાત સમુંદર પાર બેસીને સ્થાનિક શહેરોમાં ગુનાહિત કૃત્યો આચરી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે જેમાં દુબઈમાં બેસીને રચાયેલા કાવતરાના ભાગરૂપે રાજકોટની જાણીતી SP આંગડિયા પેઢીના બે કર્મચારીઓને હથિયારના બતાવી બંધક બનાવી, રૂ.50 લાખની ઠગાઈ આચરવામાં આવી હોવાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા પોલીસે તાત્કાલિક બન્ને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓને આ પ્રકારે ગુનાહિત કાવતરું આચરવા માટે દુબઇ બેઠેલા શખ્સે પ્રેરણા આપી હોવાનું અને આ માટે કમિશન પેટ રૂપિયા 5 લાખ મળશે તેવી લાલચ આપી હતી જે લાલચમા આવી આરોપીઓ લૂંટનું કારસ્તાન આચર્યું હતું. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી પૈકી શબીર વિરુધ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટના કોઠારીયા મેઈન રોડ પર આવેલા વિવેકાનંદનગરમાં રહેતા અને સોની બજારની 'એસ.પી. એન્ટરપ્રાઈઝ' નામની આંગડિયા પેઢીમાં નોકરી કરતા વિરલ જશવંતભાઈ વ્યાસ (ઉ.વ.40)એ આ અંગે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, તેમના સાળા હિમાંશુભાઈના બનેવી વિમલભાઈ પાંધી દુબઈમાં રહી કમિશનથી નાણાંની હેરફેરનું કામ કરે છે. દુબઈમાં વિમલભાઈનો સંપર્ક રાજકોટના જ વતની વૈભવ પટેલ સાથે થયો હતો. વૈભવે વિમલભાઈને વિશ્વાસમાં લીધા હતા કે રાજકોટમાં તેની એક પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું છે, જે મેળવીને તેના બદલામાં દુબઈમાં હિતેશભાઈ નામના વ્યક્તિને પેમેન્ટ કરી દેવાનું રહેશે, જેના બદલામાં સારું કમિશન મળશે. આ લાલચમાં આવીને વિમલભાઈએ રાજકોટની આંગડિયા પેઢીનો સંપર્ક કર્યો હતો. ગત તારીખ 10.11.2025ના રોજ વિમલભાઈએ આંગડિયા પેઢીના વોટ્સએપ પર મેસેજ કરી પૂછ્યું હતું કે, કોઈ રેલનગર વિસ્તારમાં પેમેન્ટ લેવા જઈ શકે તેમ છે? જેથી પેઢીના માલિક મિહિરભાઈએ રકમ વિશે પૂછતા વિમલભાઈએ '25 કેજી' (એટલે કે 25 લાખ) જણાવ્યું હતું. ત્યારબાદ વિમલભાઈએ રાકેશ નામના વ્યક્તિનો ઇન્ટરનેશનલ નંબર આપ્યો અને જણાવ્યું કે રકમ 25 નહીં પણ 50 લાખ લેવાની છે. તેમણે સૂચના આપી હતી કે, તમે આ રકમ સ્વીકારી લો અને તમારા હાથમાં પૈસા આવે એટલે તરત મેસેજ કરજો, જેથી મારે અહીં દુબઈમાં બીજી પાર્ટીને પેમેન્ટ ચૂકવવાનું છે તે હું કરી શકું. વિરલભાઈ અને તેમના સાથી કર્મચારી કિશન વીસપરા જ્યારે આપેલા નંબર પર સંપર્ક કરી પેમેન્ટ લેવા માટે જામનગર રોડ પર બજરંગવાડી પાસે પહોંચ્યા, ત્યારે ત્યાં શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજા અને તેના અન્ય બે સાગરીતો બીએમડબલ્યુ કાર લઈને હાજર હતા. આરોપીઓએ વિશ્વાસમાં લઈ બંને કર્મચારીઓને કારમાં બેસાડ્યા હતા. આ પછી જેવા કર્મચારીઓ કારમાં બેઠા, કે તરત જ કાર ચલાવી રહેલા શખ્સે પોતાના નેફામાંથી રૂમાલમાં વીંટાળેલું હથિયાર કાઢી વિરલભાઈને બતાવ્યું હતું અને લાફા માર્યા હતા અને આરોપીઓએ બંને કર્મચારીઓના મોબાઈલ ફોન લૂંટી લઇ અને તેમને બંધક બનાવી દીધા હતા. આરોપીઓએ કર્મચારીઓને ધમકાવીને તેમના માલિકને ફોન કરવા મજબૂર કર્યા હતા અને દબાણ પૂર્વક માલિકને 'પેમેન્ટ મળી ગયું છે કહેવા જણાવ્યું હતું જેથી ફરિયાદી વિરલભાઈએ જીવના જોખમે શેઠને ફોન પર જણાવ્યું કે 50 લાખ મળી ગયા છે. જોકે, આંગડિયા પેઢીની કાર્યપદ્ધતિમાં રકમ માટે ખાસ કોડવર્ડ વપરાતા હોય છે. સામાન્ય રીતે 50 લાખ માટે '50 કેજી ઓકે' લખવામાં આવતું હોય છે, પરંતુ આરોપીઓએ ડર બતાવીને '100ના બંડલ ઓકે' એવો અસામાન્ય મેસેજ ટાઈપ કરાવ્યો હતો. આ અલગ પ્રકારના મેસેજને કારણે પેઢીના માલિક મિહિરભાઈને શંકા ગઈ હતી. તેમણે ફરીથી ફોન કરીને લોકેશન પૂછયું, ત્યારે આરોપીઓએ કર્મચારી પાસે એવું કહેવડાવ્યું કે તેઓ અત્યારે હોસ્પિટલ ચોક પાસે પહોંચ્યા છે. આ દોઢ કલાકના ડ્રામા દરમિયાન આરોપીઓ સતત દુબઈમાં કોઈની સાથે સંપર્કમાં હતા અને 'જલ્દી કરો, જલ્દી કરો' તેવી સૂચનાઓ આપી રહ્યા હતા. જેવા રાજકોટથી 'પેમેન્ટ મળી ગયું છે' તેવા મેસેજ કન્ફર્મ થયા, કે તરત જ દુબઈમાં વિમલભાઈએ સામેની પાર્ટીને 50 લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવી દીધું હતું. આ માહિતી મળતા જ રાજકોટમાં કારમાં રહેલા શબ્બીર અને તેના સાગરીતોએ બંને કર્મચારીઓના ફોન પરત આપી તેમને રસ્તામાં ઉતારી દીધા અને ફરાર થઈ ગયા હતા. જ્યારે વિરલભાઈએ ઓફિસે જઈને હકીકત જણાવી, ત્યારે ખબર પડી કે તેમની સાથે મોટી છેતરપિંડી થઈ છે. આ અંગે રાજકોટ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી શબ્બીર ઉર્ફે જાબર સીદીકભાઈ જુણેજાને અને તૌફીક ઉર્ફે પહેલવાન ઉર્ફે બાવો શેખની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આખું કાવતરું દુબઈમાં બેઠેલા શખ્સો દ્વારા રચવામાં આવ્યું હતું. આરોપીઓએ જાણી જોઈને બીએમડબલ્યુ કારનો ઉપયોગ કર્યો હતો જેથી કોઈને શંકા ન જાય. આ કેસમાં પકડવાનો બાકી આરોપી મોહિત સાગર સાથે સીધો સંપર્કમાં હતો અને આંગડિયા પેઢીના બંને કર્મીનું અપહરણ કરી પળેપળની વિગત તે દુબઈ બેઠેલા સાગર વ્યાસને પહોંચાડવાની ભૂમિકા ભજવતો હતો જે હાલ પોલીસ પકડથી દૂર છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જયારે હાલ પકડાયેલ આરોપીઓ પૈકી શબીર વિરુધ્ધ અગાઉ હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ અને જુગારના બે મળી કુલ 4 પોલીસ કેસ નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ દુબઈમાં રહેલા વૈભવ પટેલ અને અન્ય સાગરીતોની ભૂમિકા શું છે.? તેમજ આ ગુનામાં વપરાયેલી હથિયાર અને કારની રિકવરી કરવા અને આ ગેંગ દ્વારા અગાઉ આચરવામાં આવેલા અન્ય ગુનાઓની વિગતની પણ તપાસ કરી રહી છે. જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે જોડાયેલા આ તારને ઉકેલવા માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લીધી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કાર્યરત રાહુલ ભાનુભાઈ શુક્લા ફાઉન્ડેશન દ્વારા સશસ્ત્ર સેના ધ્વજદિન ભંડોળમાં ₹1 લાખનું યોગદાન આપવામાં આવ્યું છે. આ યોગદાન દેશની સેવા કરતા સેવારત સૈનિકો, પૂર્વ સૈનિકો, વીર નારીઓ અને સ્વર્ગસ્થ સૈનિકોના પરિવારોને સંકટ સમયે મદદરૂપ થવાના આશયથી કરાયું છે. ફાઉન્ડેશન દ્વારા ₹1 લાખનો ચેક સુરેન્દ્રનગરના કલેક્ટર અને જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના પ્રમુખશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સેવા કાર્ય દેશના સૈનિકો પ્રત્યે સન્માનની લાગણી વ્યક્ત કરે છે. ફાઉન્ડેશનનું આ પ્રેરણાદાયી પગલું સૈનિકો અને તેમના આશ્રિતોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓને વેગ આપશે. આ યોગદાન દેશ સેવા પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ ફાઉન્ડેશનની આ રાષ્ટ્રપ્રેમી કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ગુજરાત અને અમદાવાદમાં 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની તડામાર પૂર્વતૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પહેલીવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. ગાંધીનગરમાં CMને મળીને ગુજરાત પ્રવાસની શરુઆત કરીકોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમના પાંચ સભ્યો ઇન્ડિયન ઓલમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે 8 એપ્રિલથી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા-સૌજન્ય મુલાકાતથી આ ડેલિગેશને ગુજરાત પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટના પ્રેસિડેન્ટ શ્રી ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ સુશ્રી કાટે સેડલીરે ગુજરાતમાં તેમને મળેલા ઉષ્માપૂર્ણ આવકાર અને આતિથ્ય સત્કાર માટે પ્રશંસા કરી હતી. કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાઇમ બાઉન્ડ, ક્વોલિટીવ અને ઇફેક્ટિવ પ્લાનિંગના આપેલા મંત્રને સાકાર કરીને શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ટીમવર્કથી કાર્યરત રહીને આ ગેમ્સ ભવ્યતા પૂર્વક યોજવાનું રાજ્ય સરકારનું કમિટમેન્ટ છે તેમ જણાવ્યું હતું. કોમનવેલ્થ ગેમ્સ-2030 એ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ તરીકે યોજાવાની છે ત્યારે ગુજરાત અને અમદાવાદને મળેલુ તેનું યજમાન પદ ખૂબ જ ગૌરવપૂર્ણ છે તેનો ઉલ્લેખ કરતાં શ્રીયુત ડોનાલ્ડે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી લિડરશીપ અને રમત-ગમતને અપાઈ રહેલા પ્રોત્સાહનની પ્રસંશા કરી હતી. રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરી પાડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમનવેલ્થ સ્પોર્ટ ટિમ અને ઇન્ડિયન ઓલમ્પિક એસોસિએશનને કોમનવેલ્થ ગેમ્સ 2030ના સફળ સંચાલન માટે રાજ્ય સરકાર જરૂરી બધી જ સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરી પાડશે એવો વિશ્વાસ આપ્યો હતો. કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ અને CEOએ આગામી જુલાઈ-2026થી 2 ઓગસ્ટ-2026 સુધી ગ્લાસગોમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના કાર્ય આયોજનના અભ્યાસ-નિરીક્ષણ માટે આવવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સ્વીકાર કરતા ગુજરાતનું ડેલિગેશન ગ્લાસગો કોમનવેલ્થમાં આવશે એવી ખાતરી આપી હતી. CWG-2030ની રમતોના સ્થળોની સાઈટ વિઝીટ કરશેકોમનવેલ્થ સ્પોર્ટ્સ ટિમના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકારે એ ગુજરાતમાં યોજાનારી 2030ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ કલ્ચરલ વાઇબ્રન્સીની પણ અનુભૂતિ કરાવનારો ખેલ ઉત્સવ બની રહે તે માટે પરસ્પર ટીમવર્કથી કામ કરવાની ઉત્સુકતા દર્શાવી હતી. ગુજરાતની આ મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ ડેલીગેશન આગામી કોમનવેલ્થ ગેમ્સ-2030ની રમતો જ્યાં યોજાવાની છે તે સ્થળો અમદાવાદનું વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમ અને એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની પૂર્વ તૈયારીઓના નિરીક્ષણ અને અભ્યાસ માટે સાઇટ વિઝીટ કરવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ મુલાકાત બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના DG વાળા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે બપોરે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તેજાભાઈ મેટાળીયા પોતાના 50થી વધુ સમર્થકો સાથે કોંગ્રેસ પક્ષમાં વિધિવત્ રીતે જોડાયા હતા. આ પક્ષપલટો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકીના નેજા હેઠળ થયો હતો. ભાજપ પક્ષથી નારાજ થયેલા તેજાભાઈ મેટાળીયા અને તેમના સમર્થકોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં પ્રવેશ કર્યો હતો. આ ઘટનાને કારણે ભાજપ પક્ષમાં મોટું ગાબડું પડ્યું હોવાનું મનાય છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ મહેનદરભાઈ સોલંકી સહિત કોંગ્રેસના અનેક અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ઉચરપી ગામના ગ્રામજનોએ ટીપી સ્કીમ અને રસ્તાઓના આયોજનમાં મોટાપાયે થતી જમીન કપાતના વિરોધમાં આગામી મનપા સહિતની તમામ ચૂંટણીઓના બહિષ્કારનું એલાન કર્યું છે. વિકાસના નામે ખેતીલાયક જમીનો છીનવાઈ રહી હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ ગામમાં 'કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં' તેવા બેનરો લગાવતા ચકચાર મચી છે. ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમસ્થાનિક આગેવાન બાબુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર, ઉચરપી ગામની ભૌગોલિક સ્થિતિ પહેલેથી જ મર્યાદિત જમીન ધરાવતી છે. ગામની આસપાસથી રાધનપુર-શામળાજી-ઈડર એમ બે હાઈવે પસાર થવાના છે, જેની વચ્ચે માંડ એક કિલોમીટરનું અંતર છે. આ મર્યાદિત વિસ્તારમાં ફરી 80 મીટરનો વિશાળ રિંગ રોડ અને 24 મીટરના ટીપી રોડ મંજૂર કરવામાં આવતા ખેડૂતોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું છે. વધુમાં, જમીનોને ઇન્ડસ્ટ્રિયલ ઝોનમાં સમાવી લેવા સામે પણ વિરોધ ઉઠ્યો છે. દૂધનો વ્યવસાય અને આજીવિકા ગુમાવવા જેવી સ્થિતિગામના યુવક ચિરાગ ચૌધરીએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર એવા ઉચરપી ગામની 50% થી વધુ જમીન રસ્તાઓ અને ટીપી-ડીપી સ્કીમોમાં કપાતમાં જઈ રહી છે. વર્ષ 2047ના ભાવિ આયોજનના નામે ઓછી વસ્તી ધરાવતા વિસ્તારમાં અત્યારથી જ આકરા અમલીકરણને કારણે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે. કમોસમી વરસાદના લીધે ખેતીમાં પહેલેથી જ નુકસાન વેઠી રહેલા પરિવારો માટે હવે જમીન ગુમાવવી એટલે દૂધનો વ્યવસાય અને આજીવિકા કાયમ માટે ગુમાવવા જેવી સ્થિતિ છે. ગ્રામજનોની કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકીઉચરપીના ગ્રામજનોએ એકસૂરે માંગણીઓ કરી છે કે, નવા સૂચિત રસ્તાઓ અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન તાત્કાલિક રદ કરવામાં આવે. ગામને ફરીથી એગ્રીકલ્ચર (ખેતીલાયક) ઝોનમાં સમાવવામાં આવે અને બિનજરૂરી રિંગ રોડને બદલે જ્યાં ખરેખર જરૂર છે તેવા નેળિયામાં સુવિધાઓ પૂરી પાડવામાં આવે. જ્યાં સુધી ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે, ત્યાં સુધી મનપા જ નહીં પણ વિધાનસભા જેવી કોઈપણ ચૂંટણીમાં મતદાન ન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે, જેનાથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ ભાજપ પર ગંભીર આરોપો લગાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. AAPના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ અલગ-અલગ નિવેદનોમાં ભાજપ અને રાજ્ય સરકાર સામે આક્ષેપો કર્યા છે. પાર્ટીના કાર્યકર્તાઓ પર FIR કરીને દબાણ બનાવવાની કોશિશ થઈઈસુદાન ગઢવીએ દાવો કર્યો કે, સૂત્રો મુજબ ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાની ધરપકડ કરવા માટે ષડયંત્ર રચાયું છે. તેઓએ કહ્યું કે, AAPને મળતી વધતી લોકપ્રિયતા અને સંભવિત જીતને કારણે ભાજપ અકળાઈ ગયું છે અને પાર્ટીના કાર્યકર્તાઓ પર FIR કરીને દબાણ બનાવવાની કોશિશ થઈ રહી છે. ગઢવીએ ચેતવણી આપી કે, જો ગોપાલ ઇટાલિયાની ધરપકડ થશે તો મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવશે. તેમણે જનતાને અપીલ કરી કે, ચૂંટણીના દિવસે “ઝાડું” બટન દબાવીને જવાબ આપવો જોઈએ, જેથી “અત્યાચાર સામે જનતાનો અવાજ દબાવી ન શકાય” એવો સંદેશ જાય. રાજ્યમાં ભાજપ પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છેબીજી તરફ AAPના સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવી પર સીધો પ્રહાર કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે, પોલીસ દ્વારા ગોપાલ ઇટાલિયાના માતા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી અને બાદમાં ભાજપના IT સેલ દ્વારા AI જનરેટેડ ઓડિયો ફેલાવવામાં આવ્યો. રાજ્યમાં ભાજપ “પોલીસના પહેરવેશમાં ચૂંટણી લડી રહી છે” અને AAPના ઉમેદવારોને દબાવવા માટે FIR અને ધરપકડનો સહારો લેવામાં આવી રહ્યો છે. રાજકોટ, ગઢડા અને કામરેજ જેવા વિસ્તારોમાં AAP કાર્યકર્તાઓ સામે કાર્યવાહીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. તેમણે જનતાને અપીલ કરી કે, આ ચૂંટણીમાં ભાજપના “અત્યાચાર અને ભ્રષ્ટાચાર”નો જવાબ મતદાન દ્વારા આપવો જોઈએ અને “સાવરણો ચલાવીને ભાજપને તેની હેસિયત બતાવવી જોઈએ.” આ તમામ નિવેદનો બાદ ગુજરાતની રાજનીતિમાં આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે અને ચૂંટણી પહેલા રાજકીય તણાવ વધુ વધવાની સંભાવના છે.
પાળીયાદમાં અબોલ પશુઓને 56 ભોગ ધરાવાયો:અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે જીવદયા કાર્ય કરાયું
પાળીયાદ મહાજન પાંજરાપોળ ખાતે ગૌરવંતા ગુજરાતી અનંત અંબાણીના 31મા જન્મદિવસ નિમિત્તે અબોલ પશુઓને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્ર સંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી આયોજિત કરાયો હતો. આ જીવદયા કાર્યક્રમમાં અર્હમ યુવા સેવા ગ્રુપ અને અનંત સેવા ગ્રુપનો સહયોગ રહ્યો હતો. શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તેમજ સેવાભાવી ટીમે ગુરુદેવને વંદન કરી અનંત અંબાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જીવદયા પ્રવૃત્તિ બદલ અનંત અંબાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચમાં મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી પર બેઠક:કલેક્ટરે રાજકીય પક્ષો સાથે પરામર્શ કરી, સૂચનો મેળવ્યા
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026 માટે મતદાન મથકોની ડ્રાફ્ટ યાદી અંગે રાજકીય પક્ષો સાથે બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. નાયબ કલેક્ટર અને મામલતદારો દ્વારા તૈયાર કરાયેલી મતદાન મથકોની ડ્રાફ્ટ યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ 30 માર્ચ, 2026ના રોજ થઈ હતી. આ યાદીને અંતિમ સ્વરૂપ આપતા પહેલા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓના સૂચનો અને રજૂઆતો મેળવવા માટે આ પરામર્શ બેઠકનું આયોજન કરાયું હતું. બેઠક દરમિયાન, જિલ્લા/તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણી માટે તૈયાર કરાયેલી મતદાન મથકોની યાદી પર રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે મતદારોની સુવિધા, સરળ પહોંચ અને પારદર્શક તથા નિષ્પક્ષ મતદાન પ્રક્રિયા માટે રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા. જિલ્લા કલેક્ટરે તમામ સૂચનો ગંભીરતાપૂર્વક સાંભળ્યા હતા અને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે પ્રાપ્ત થયેલા સૂચનોના આધારે મતદાન મથકોની યાદીને વધુ સુવ્યવસ્થિત બનાવી અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર પાર્થ જયસ્વાલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, ચૂંટણી શાખાના અધિકારીઓ તેમજ વિવિધ માન્ય રાજકીય પક્ષોના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે જામનગર ગ્રામ્ય પોલીસ મથકનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી હતી. જામનગર પહોંચતા રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયને પોલીસ વિભાગ દ્વારા 'ગાર્ડ ઓફ ઓનર' આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી પિયુષ વાંદા, જયવીરસિંહ ઝાલા અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ, રેન્જ આઈ.જી. રાયે ગ્રામ્ય પોલીસ મથકની મુલાકાત લીધી હતી. તેમણે પોલીસ સ્ટેશનના વિવિધ રજિસ્ટરો, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વણઉકેલાયેલા ગુનાઓ અને પોલીસ કર્મચારીઓની કામગીરીની ઝીણવટભરી તપાસ કરી હતી. નિરીક્ષણ દરમિયાન, તેમણે હાજર અધિકારીઓને પડતર કેસોનો ઝડપી નિકાલ કરવા અને પ્રજાલક્ષી પોલીસિંગ પર ભાર મૂકવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મુલાકાતના અંતે, આઈ.જી. રાયે પોલીસ જવાનો સાથે સંવાદ કર્યો હતો. તેમણે તેમની કામગીરીને બિરદાવી અને શિસ્તબદ્ધ રીતે ફરજ બજાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ખડગેના નિવેદનથી ભાજપમાં રોષ, અરવલ્લીમાં ધરણા:ગુજરાતીઓને 'અભણ-મૂર્ખ' કહેવાના આરોપ પર માફીની માંગ
અરવલ્લી જિલ્લામાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે. મોડાસા શહેરના ચાર રસ્તા ટાઉનહોલ ખાતે ભાજપના કાર્યકરો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં યોજાયું હતું. ભાજપે આરોપ લગાવ્યો છે કે ખડગેએ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહ્યા છે, જેના કારણે પક્ષમાં ભારે રોષ ફેલાયો છે. જિલ્લા ભાજપ અધ્યક્ષ ભીખાજી ઠાકોરની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો આ ધરણા પ્રદર્શનમાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ મલ્લિકાર્જુન ખડગે પાસેથી તેમના નિવેદન બદલ જાહેરમાં માફી માંગવાની માંગ કરી હતી. આ ઘટનાને પગલે જિલ્લામાં રાજકીય વાતાવરણ ગરમાયું છે.
વડોદરામાં મકરપુરા પોલીસે દીવાળીપુરા કોર્ટે ઈશ્યૂ કરેલા સજા વોરંટના આધારે 4 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ છેલ્લા એક વર્ષથીથી ફરાર હતા અને કોર્ટના હુકમનો અનાદર થતા આખરે પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા. 4 આરોપી મકરપુરા પોલીસના સકંજામાં મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.ગોહિલની આગેવાનીમાં આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી મળેલી હકીકતના આધારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના ગુનામાં સજા વોરંટ પામેલા આરોપીઓને પકડી પાડ્યા હતા.આ કાર્યવાહીમાં આરોપી વિજય દેસાઈ (રહે.માંજલપુર), ભુરા પગી (રહે. મકરપુરા), મોહન પટેલ (રહે. વડોદરા), અક્ષય જાદવ (રહે.દંતેશ્વર)ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પંચમહાલમાં 2000 આંગણવાડી કાર્યકરોને સ્માર્ટફોન અપાયા:કામગીરી ડિજિટલ બનશે, વહીવટમાં પારદર્શિતા આવશે
પંચમહાલ જિલ્લામાં આંગણવાડી કાર્યકરોની કામગીરીને ડિજિટલ અને વધુ કાર્યક્ષમ બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. જિલ્લાની આંગણવાડી બહેનો હવે ટેકનોલોજીથી સજ્જ થઈ 'સ્માર્ટ કામગીરી' કરશે. આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 2,096 સ્માર્ટફોનનું વિતરણ કરવામાં આવ્યું છે. આ વિતરણમાં 2,000 આંગણવાડી કાર્યકર બહેનો ઉપરાંત મુખ્ય સેવિકા અને તાલુકા કક્ષાના સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ સ્માર્ટફોનના ઉપયોગથી વહીવટી કામગીરીમાં પેપરલેસ અભિગમ અપનાવવામાં આવશે, જેનાથી ડેટા એન્ટ્રીમાં ચોકસાઈ આવશે. આંગણવાડીની કામગીરીમાં પારદર્શિતા અને સરળતા વધશે. અત્યાર સુધી આંગણવાડીની કામગીરીમાં વિવિધ રજિસ્ટરો નિભાવવા પડતા હતા, પરંતુ હવે સ્માર્ટફોન દ્વારા તમામ વિગતો ઓનલાઈન પોર્ટલ પર ત્વરિત અપડેટ કરી શકાશે. આનાથી બાળકોના પોષણ સ્તરની દેખરેખ રાખવી સરળ બનશે અને સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પારદર્શિતાથી પહોંચાડી શકાશે. રિપોર્ટિંગની કામગીરી પણ ઝડપી અને ભૂલરહિત બનશે. આ ડિજિટલ પહેલથી આંગણવાડી બહેનોનો સમય બચશે, જેથી તેઓ બાળકોના પાયાના શિક્ષણ અને આરોગ્ય પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ ક્રાંતિ ગ્રામીણ સ્તરે વહીવટને વધુ મજબૂત બનાવવામાં મદદ કરશે.
રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીમાં પશુ ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. 10 આખલાઓ પર એસિડ છાંટી દેવામાં આવતા તે ગંભીર રીતે દાઝી ગયા હતાં જેની જાણ થતા જીવદયાપ્રેમીએ બે મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે મેટોડા પોલીસે ગુનો નોંધી બંને મહિલાઓની અટકાયત કરી પુછતાછ કરતા ગાયને આખલા હેરાન કરતા હોવાથી તે અંગે દાઝ રાખી બન્ને મહિલાઓએ નિર્દયી કૃત્ય આચર્યું હોવાની કબૂલાત આપી છે. મેટોડા જીઆઇડીસી ગેટ નં.1 ની અંદર અંજલી પાર્ક મણીરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન રવિ બાવનભાઈ મોરી (ઉ.વ.18) દ્વારા મેટોડા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે મેટોડાની શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન દિલીપભાઈ રાઠોડ અને શોભનાબેન નિર્મળભાઈ ઉદ્દેશાના નામ આપી જણાવ્યું હતું કે, 10 દિવસ પહેલા મેટોડા જીઆઇડીસી ગેટની સામે આવેલ ડાયમંડ પાર્ક સોસાયટીમાં મિત્રના ઘરની નજીકની શેરીમાં આઠથી દસ આખલાઓ હતા જેમના પર કોઈએ એસિડ છાંટતા લોહી નીકળતું હોય અને ગંભીર રીતે દાઝી ગયા હોય જેથી યુવાને શ્રી સોનલ સેનાના સભ્ય ભગુભાઈ મોરીને વાત કરી હતી. બાદમાં પશુઓ પ્રત્યે આ પ્રકારની ક્રૂરતા કોણે આચરી તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતા દીપાબેન અને શોભનાબેનને આ પશુઓ પર એસિડ છાંટ્યું હતું. જેથી આ અંગે મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે બંને મહિલાઓ સામે પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, બંને મહિલાઓની અટક કર્યા બાદ આ બાબતે તેમની પૂછતાછ કરતા જણાવ્યું હતું કે ગાયને આ આખલાઓ હેરાન કરતા જેથી આ બાબતની દાઝ રાખી બંને મહિલાઓએ આખલા ઉપર એસિડ છાંટવાનું નીર્દયી કૃત્ય આચર્યું હતું હાલ પોલીસે બન્ને મહિલાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
ગોધરામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ:ખેતરમાં અન્ય પાકની આડમાં 22 છોડ સાથે એક ઝડપાયો
ગોધરા તાલુકાના ઇસરોડિયા ગામે ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો છે. પંચમહાલ SOG ટીમે ખેતરમાંથી 2.64 લાખ રૂપિયાની કિંમતના 22 ગાંજાના છોડ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે ઇસરોડિયા ગામના એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. આ બાતમીના આધારે, પોલીસે દેવેન્દ્રસિંહ ઇન્દ્રસિંહ રાવલજી નામના શખ્સના ભોગવટાના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ અન્ય કાયદેસરના પાકની આડમાં પ્રતિબંધિત ગાંજાના છોડ રોપ્યા હતા. SOG ટીમે તમામ 22 છોડ કબજે કર્યા હતા. આરોપી દેવેન્દ્રસિંહ રાવલજીની અટકાયત કરવામાં આવી છે. આ મામલે વેજલપુર પોલીસ મથકે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ નશીલા પદાર્થનું વેચાણ ક્યાં કરવાનો હતો અને આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આગામી 10 એપ્રિલ, 2026ના રોજ યોજાશે. આ સમારોહમાં કુલ 54,346 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ વર્ષે પ્રથમવાર રાજ્યપાલની સહીવાળી ડિગ્રી આપવામાં આવશે, જેમાં 151 તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્યપાલના હસ્તે સન્માનિત કરાશે. યુનિવર્સિટીના સત્તાવાર આંકડા મુજબ, રાજ્યપાલ તમામ યુનિવર્સિટીના કુલપતિ હોવાથી આ વખતે પ્રથમવાર તેમની સહીવાળા ડિગ્રી પ્રમાણપત્રો વિદ્યાર્થીઓને મળશે. યુનિવર્સિટીના કે.સી. પોરિયાએ જણાવ્યું હતું કે અગાઉ કુલપતિની સહીવાળા પ્રમાણપત્રો અપાતા હતા. આ પદવીદાન સમારોહમાં 9 વિવિધ ફેકલ્ટીના કુલ 54,346 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે, જેમાં 24,299 પુરુષ અને 30,047 મહિલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આંકડાકીય વિશ્લેષણ દર્શાવે છે કે આ વર્ષે પદવી મેળવનારમાં મહિલા વિદ્યાર્થીઓનું પ્રમાણ પુરુષો કરતાં વધુ છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ ફેકલ્ટી ઓફ આર્ટસમાં નોંધાયા છે, જ્યાં કુલ 26,669 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. આમાં બેચલર ઓફ આર્ટસના 21,617 અને માસ્ટર ઓફ આર્ટસના 4,928 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ ફેકલ્ટી ઓફ એજ્યુકેશનમાં 9,921 અને ફેકલ્ટી ઓફ સાયન્સમાં 6,497 વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવશે. સાયન્સ ફેકલ્ટીમાં માસ્ટર ઓફ સાયન્સના 3,345 અને બેચલર ઓફ સાયન્સના 2,614 વિદ્યાર્થીઓ છે. અન્ય વિદ્યાશાખાઓમાં ફેકલ્ટી ઓફ કોમર્સમાં 5,743, ફેકલ્ટી ઓફ રૂરલ સ્ટડીઝમાં 1,864 અને ફેકલ્ટી ઓફ કોમ્પ્યુટર એન્ડ મેનેજમેન્ટમાં 1,801 વિદ્યાર્થીઓ પદવી ધારણ કરશે. ફેકલ્ટી ઓફ લોમાં 1,138 વિદ્યાર્થીઓ (950 બેચલર ઓફ લો અને 182 માસ્ટર ઓફ લો) છે. મેડિકલ ફેકલ્ટીમાં 667 વિદ્યાર્થીઓ પદવી મેળવશે, જેમાં 568 વિદ્યાર્થીઓ પોસ્ટ બેઝિક બેચલર ઓફ સાયન્સ (નર્સિંગ) ના છે. એન્જિનિયરિંગ ફેકલ્ટીમાં સૌથી ઓછા 46 વિદ્યાર્થીઓ (આર્કિટેક્ચરના 24 અને ડિઝાઈનના 22) નોંધાયા છે. આ ઉપરાંત, યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ના વિદ્યાર્થીઓની પણ યાદી જાહેર કરાઈ છે. જેમાં આર્ટસમાં 36, સાયન્સમાં 8, એજ્યુકેશનમાં 8, લોમાં 6 અને કોમર્સમાં 11 સંશોધક વિદ્યાર્થીઓને ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવશે. યુનિવર્સિટી વહીવટી તંત્ર દ્વારા 10 એપ્રિલના રોજ યોજાનારા આ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે રજિસ્ટ્રાર રોહિત દેસાઈ અને પરીક્ષા નિયામક મિતુલ દેલીયા ઉપસ્થિત રહ્યા હતા.
જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં ગત રોજ ધોળા દિવસે બનેલી લાખોની રોકડની ઉઠાંતરીની ઘટનાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. કેશોદના એસપી બી.સી. ઠક્કરે આજે મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગત રોજ કેશોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી 1.70 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે કેશોદ પોલીસની સર્વેલન્સ ટીમે જેતપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સહયોગથી ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી મધ્યપ્રદેશના શખ્સને દબોચી લીધો છે. પોલીસે ચોરી થયેલી રોકડ રકમ અને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પણ રિકવર કરી લીધું છે. આ ઘટનાની વિગત એવી છે કે, કેશોદના કોયલાણા (લાઠિયા) ગામના રહેવાસી અને HDFC બેંકમાં રિકવરીનું કામ કરતા બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજાદા ગત રોજ સવારે કેશોદની એસબીઆઈ બેંકની શાખામાંથી પોતાના ખેતીના કામ માટે 1,70,000 રૂપિયાની રોકડ રકમ ઉપાડીને પરત ફરી રહ્યા હતા. બેંકમાંથી નાણાં ઉપાડીને તેઓ બાઈક પર રવાના થયા હતા, પરંતુ બેંકથી માત્ર 150 મીટર દૂર ચાર ચોક પાસે આવેલી એક સોડાની દુકાને ઠંડું પીણું પીવા માટે ઉભા રહ્યા હતા. તેઓએ પોતાની મહેનતના પૈસા બાઈકની ડીકીમાં સુરક્ષિત રાખ્યા હતા, પરંતુ ગઠિયાઓ તેમની હરકત પર નજર રાખીને બેઠા હતા. જ્યારે બલભદ્રસિંહજી સોડા પીવામાં મશગૂલ હતા, ત્યારે જ તકનો લાભ ઉઠાવી બાઈક પર આવેલા બે શખ્સો અને તેમની સાથેના એક સગીર બાળકે અત્યંત સફાઈપૂર્વક બાઈકની ડીકી ખોલી નાખી હતી. ગણતરીની સેકન્ડોમાં જ આ ટોળકીએ ડીકીમાં રાખેલા 1.70 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી અને બાઈક પર સવાર થઈ જૂનાગઢ તરફ રફુચક્કર થઈ ગયા હતા. યુવકને જ્યારે ચોરી થઈ હોવાની જાણ થઈ ત્યારે તેણે તુરંત કેશોદ પોલીસને જાણ કરી હતી. એસપીના જણાવ્યા અનુસાર, આ ગેંગની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેઓ અગાઉથી જ બેંકની બહાર 'રેકી' કરે છે અને જે વ્યક્તિ મોટી રકમ લઈને નીકળે તેનો પીછો કરી નજર ચૂકવી ચોરીને અંજામ આપે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ કેશોદ પોલીસના પીઆઈ અને સર્વેલન્સ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો પરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા પોલીસને મહત્વની કડીઓ મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપીઓ ચોરી કરીને જેતપુર તરફ ભાગ્યા છે. જેતપુર પોલીસની મદદથી નાકાબંધી દરમિયાન પોલીસે હિમાંશુ ઉર્ફે લાલુ ઉમેરસિંહ છાયલ (રહે. કડિયા સાસી, મધ્યપ્રદેશ) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ પણ અમદાવાદ રૂરલ અને અન્ય વિસ્તારોમાં આ પ્રકારની બેંક ઉઠાંતરીના ગુનાઓમાં પોલીસ પકડે ચડી ચૂક્યા છે. પોલીસે આરોપી પાસેથી તમામ રોકડ રકમ કબજે કરી છે અને આ ગુનામાં સામેલ અન્ય શખ્સો તેમજ સગીર બાળકની ભૂમિકા અંગે તપાસ તેજ કરી છે. કેશોદ પોલીસે અત્યંત ટૂંકા સમયમાં આ હાઈ-પ્રોફાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખતા વેપારીઓ અને રહીશોમાં પોલીસની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. એસપીએ વધુમાં ઉમેર્યું હતું કે, બેંકમાંથી મોટી રકમ ઉપાડીને જતા નાગરિકોએ સાવધ રહેવું જોઈએ અને પોતાની કિંમતી વસ્તુઓ કે નાણાં વાહનમાં બિનવારસી હાલતમાં મૂકવાનું ટાળવું જોઈએ. હાલ પકડાયેલા આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના મેમ્કો વિસ્તારમાં માથાભારે શખ્સે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ પર દંડાથી હુમલો કર્યો હતો. કોન્સ્ટેબલ અને માથાભારે શખ્સને એક દિવસ પહેલા ગાર્ડનમાં બેસવા મામલે બોલાચાલી થઈ હતી. જેની અદાવત રાખીને શખ્સે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો હતો. જે અંગે શહેરકોટડા પોલીસ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી પોલીસ લાઈનમાં રહેતા અને મુળ નર્મદાના ઢોલાર ગામના વતની જયેશ વસવાએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રસિંહ જાડેજા (રહે, આદર્શ સોસાયટી, મેઘાણીનગર) વિરૂદ્ધ હત્યાની કોશિષ, એટ્રોસિટીની ફરિયાદ કરી છે. જયેશ વસાવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા અટકાયત કરી હતી6 એપ્રિલ સોમવારની રાતે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ એમ.બી.ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ અનિલ, તુષારસિંહ અને જયેશ સહિતના કર્મીઓ પેટ્રોલિંગમાં હતાં, તે દરમિયાનમાં મંગલપાંડે હોલની બાજુના ગાર્ડનમાં એક શખ્સ બેઠો હતો. શખ્સની હરકતો શંકાસ્પદ લાગતા જયેશ વસાવા તેની પાસે ગયો હતો અને તેનું નામ પુંછ્યું હતું. યુવકે પોતાનું નામ આપવાનો ઈન્કાર કરી દેતા જયેશ વસાવાએ તેની ઓળખ પોલીસ તરીકેની આપી હતી. પોલીસનું નામ પડતાની સાથે જ શખ્સે પોતાની નામ જીતેન્દ્રસિંહ જાડેજા જણાવ્યું હતું. પોલીસ કર્મચારીની માફી માંગી લેતા કાર્યવાહી વગર જવા દીધો હતોપોલીસ જીતેન્દ્રસિંહને ગાર્ડનમાંથી જવાનું કહેતા તેને દાદાગીરી કરી હતી. જીતેન્દ્રસિંહે પોલીસ કર્મચારી જયેશ સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો. જેથી અન્ય પોલીસ કર્મચારીઓએ જીતેન્દ્રસિંહની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો. જ્યાં તેને તમામ પોલીસ કર્મચારીની માફી માંગી હતી. પોલીસે જીતેન્દ્રસિંહને પોલીસ સ્ટેશનથી કોઈપણ કાર્યવાહી કર્યા વગર જવા દીધો હતો. 'કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો, આજે તો તને પતાવી દેવાનો છે'ગઈકાલે (7 એપ્રિલ) રાતે કોન્સ્ટેબલ જયેશ નોકરી પુર્ણ કરીને પોતાનું ટુવ્હિલર લઈને ઘરે જવા માટે નીકળ્યા હતાં. મેમ્કો રાજીવગાંધી ભવનની સામેની હોટેલમાં જઈને જયેશે જમવાનું પાર્સલ કરાવ્યુ હતું. આ દરમિયાનમાં જીતેન્દ્રસિંહ તેની બાઈક લઈને આવ્યો હતો. જીતેન્દ્રસિંહના હાથમાં લાકડી હતી અને કોન્સ્ટેબલને બેફામ ગાળો બોલવાની શરૂ કરી દીધી હતી. જીતેન્દ્રસિંહ કોન્સ્ટેબલને જાતિવાચક શબ્દ બોલીને કહેવા લાગ્યો હતો કે, કાલે ગાર્ડનમાં બહુ ચરબી કરતો હતો આજે તો તને પતાવી દેવાનો છે. હત્યાની કોશિષ તેમજ એટ્રોસિટીનો ગુનો નોંધાયોજયેશ પર હુમલો કર્યા બાદ જીતેન્દ્રસિંહ ત્યાથી નાસી ગયો હતો. જયેશને શરીર પર ઈજા થતાની સાથે જ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. ઘટનાની જાણ મેઘાણીનગર તેમજ શહેરકોટડા પોલીસને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતાં. શહેરકોટડા પોલીસે આ મામલે જીતેન્દ્રસિંહ વિરૂદ્ધ હત્યાની કોશિષનો તેમજ એટ્રોસિટીનો ગુનો નોધી આરોપીની ધરપકડ કરી છે.
બીલીમોરાના રાજભોગ સર્કલ પાસે આવેલી ચંચલ જ્વેલર્સમાં 7 એપ્રિલના રોજ બપોરે 2:45 વાગ્યે લૂંટનો સશસ્ત્ર પ્રયાસ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી સુરત રેન્જ IG અને નવસારી SPએ તાત્કાલિક 15 ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. પોલીસે ભાગવાના રૂટ પરના 300થી વધુ CCTV કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સના આધારે માત્ર 7 કલાકમાં જ ત્રણેય આરોપીઓને વલસાડથી દબોચી લીધા હતા. ઇજાગ્રસ્ત માલિકે હોકી વડે લૂંટારૂઓને ભગાડ્યાદુકાન માલિક અશોક કટારીયા (ઉંમર 58) જ્યારે હાજર હતા, ત્યારે સફેદ રંગની બલેનો કારમાં બે શખ્સો પિસ્તોલ સાથે ધસી આવ્યા હતા. લૂંટારૂઓએ હથિયાર બતાવી માલ થેલીમાં ભરી દેવા ધમકી આપી હતી. જોકે, અશોક કટારીયાએ પ્રતિકાર કરતા આરોપીઓએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એક ગોળી ખભાના ભાગે અને એક દાઢીના ભાગે વાગી હોવા છતાં, તેમણે હિંમત હાર્યા વગર લાકડાની હોકી વડે સામનો કર્યો હતો. આ સાહસિક વળતા હુમલાથી ગભરાઈને આરોપીઓ લૂંટ કર્યા વગર જ નાસી છૂટ્યા હતા. કપડાં બદલ્યા અને કાર બિનવારસી છોડીગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ પોલીસને મરમાળે ચડાવવા માટે પૂર્વ આયોજિત પ્લાન મુજબ ચીખલીના આલીપોર ગામની સીમમાં ક્વોરી પાસે કાર છોડી દીધી હતી. તેમણે ઓળખ છુપાવવા કપડાં અને બુટ બદલી નાખ્યા હતા અને પગપાળા હાઈવે પર પહોંચી બસ દ્વારા વલસાડ ભાગી ગયા હતા. પોલીસે તપાસ દરમિયાન બિનવારસી કાર કબજે કરી હતી, જેના કાચ પર બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ પર કાળો કલર લગાવેલો હતો. કારમાંથી ગુનામાં વપરાયેલા કપડાં અને બુટ મળી આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ગુનાહિત ઇતિહાસ અને આર્થિક ભીંસમુખ્ય આરોપી ઉમંગ વાછાણી એરોનોટિકલ એન્જિનિયર હોવા છતાં અગાઉ 12 જેટલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલો છે. 2023માં તેની સામે 'પાસા' હેઠળ કાર્યવાહી પણ થઈ હતી. આર્થિક સંકડામણ અને દેવું વધી જતાં તેણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આરોપીએ લૂંટ માટે 2 મહિનાથી પિસ્તોલ પોતાની પાસે રાખી હતી. કાયદેસરની કાર્યવાહીબીલીમોરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ફાયરિંગમાં વપરાયેલી પિસ્તોલ રસ્તામાં ક્યાંક ફેંકી દીધી હોવાની કબૂલાતના આધારે હથિયાર રિકવર કરવા તપાસ ચાલુ છે. આ ટોળકીએ અન્ય કોઈ સ્થળે રેકી કરી હતી કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
વલસાડમાં 'આપ'ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા:જિલ્લા-તાલુકા પંચાયત બેઠકો માટે, શિક્ષણ-બેરોજગારી મુખ્ય મુદ્દા
વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ત્રણ ઉમેદવારોએ આજે વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે, અત્યાર સુધીમાં 'આપ' દ્વારા કુલ ચાર બેઠકો પર ફોર્મ ભરવામાં આવ્યા છે. ઉમેદવારી નોંધાવ્યા બાદ 'આપ'ના ઉમેદવારોએ જનતાના મુખ્ય પ્રશ્નોને વાચા આપવાની ખાતરી આપી હતી. તેમણે શિક્ષણ અને રોજગારના મુદ્દે જનતા વચ્ચે જવાની વાત કરી. ચણવઈ-7 જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર જયેશભાઈ રમણભાઈ પટેલે જણાવ્યું કે, ગામડાઓમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. જ્યાં પાંચ સરકારી શાળાઓ હતી, ત્યાં હવે માત્ર એક જ રહી ગઈ છે. તેમણે ગરીબ બાળકોના શિક્ષણ અને ખાનગીકરણ સામેના જંગ પર ભાર મૂક્યો. લીલાપોર-20 તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર ચંદનબેન રાકેશભાઈ પટેલે મહિલાઓના પ્રશ્નો અને પાયાની સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે કહ્યું કે, મહિલાઓ માટે રોજગારીનો અભાવ, પીવાના પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓના પ્રશ્નો હજુ પણ વણઉકેલ્યા છે. 'આપ' આ મુદ્દાઓ સાથે જનતાના આશીર્વાદ મેળવવા મેદાને ઉતરી છે. વલસાડ તાલુકામાં કુલ 30 તાલુકા પંચાયત બેઠકો અને 8 જિલ્લા પંચાયત બેઠકો આવેલી છે. અત્યાર સુધીમાં 'આપ' દ્વારા જિલ્લા પંચાયતની 2 બેઠકો અને તાલુકા પંચાયતની 2 બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવી છે, આમ કુલ 4 બેઠકો પર 'આપ'ના ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આમ આદમી પાર્ટી વલસાડમાં ભાજપ અને કોંગ્રેસના ગઢમાં પ્રવેશ કરવા માટે શિક્ષણ, આરોગ્ય અને પાયાની સુવિધાઓના મુદ્દાઓને મુખ્ય હથિયાર બનાવી રહી છે. આગામી દિવસોમાં આ ચૂંટણી જંગ વધુ રસપ્રદ બનવાની શક્યતા છે.
વડોદરા શહેરમાં સનાતન વૈદિક ધર્મના મહાન આચાર્ય જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આગામી 13 એપ્રિલ 2026, સોમવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. ચૈત્ર વદ એકાદશીના આ પાવન પર્વે સમગ્ર વૈષ્ણવ સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તિ અને સમાનતાનો દિવ્ય સંદેશઆશરે 500 વર્ષ પહેલાં વલ્લભાચાર્યજીએ ભારતીય સનાતન ધર્મમાં એક ક્રાંતિકારી વિચારધારા વહેતી કરી હતી. તેમણે શાસ્ત્રોક્ત આધારો સાથે સમજાવ્યું કે ભક્તિના માર્ગે સ્ત્રી અને શૂદ્રો સહિત તમામ જીવોને પરમાત્માની પ્રાપ્તિનો સમાન અધિકાર છે. પશુબલી જેવી પ્રથાઓનો વિરોધ કરી તેમણે પ્રાણીમાત્ર પ્રત્યે દયા અને ભગવાન પ્રત્યે સ્નેહ, સેવા તથા સમર્પણનો માર્ગ બતાવ્યો. વેદાંતમાં સાકાર બ્રહ્મવાદનો પ્રચાર કરવા માટે તેમણે ઉઘાડા પગે ત્રણ વખત સમગ્ર ભારતની પરિક્રમા કરી હતી. વૈષ્ણવાચાર્યોની પ્રેરક ઉપસ્થિતિઆ મંગલ મહોત્સવના અધ્યક્ષ તરીકે પીઠાધીશ્વર ગોસ્વામી મથુરેશજી મહારાજ બિરાજશે. કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી યોગેશ્વરજી મહોદયની મંગલ ઉપસ્થિતિ રહેશે, જ્યારે મહોત્સવના પ્રેરક અને માર્ગદર્શક તરીકે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી દ્રુમિલકુમારજી મહોદય ઉપસ્થિત રહી ભક્તોને આશીર્વચન પાઠવશે. શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજનઉત્સવના દિવસે બપોરે 12:15 કલાકે મહાપ્રભુજીના ઉત્સવ તિલક (રાજભોગ) દર્શન થશે. ત્યારબાદ સાંજે 6 વાગ્યે સંધ્યા આરતી બાદ કારેલીબાગ સ્થિત ગોવર્ધનનાથજી હવેલીથી એક ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. બેન્ડ-વાજા, ડંકા, નિશાન, છત્ર અને ચામર જેવા રાજવી લવાજમ સાથે નીકળનારી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને સ્વામિનારાયણ ગ્રાઉન્ડ પહોંચશે. અહીં યોજાનારી ધર્મસભામાં આચાર્યોના વચનામૃત બાદ તમામ ભાવિકો માટે એકાદશી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાત્રે 9:30 વાગ્યે ગોવર્ધનનાથજી હવેલી ખાતે નાગદમન નાથજી પ્રભુના દિવ્ય મનોરથના દર્શન યોજાશે. આ આખી ઉજવણીમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ ભક્તોને ઉમટી પડવા આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.
ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા 12 એપ્રિલે વેરાવળ-તાલાલા બાયપાસ પર આવેલા ન્યૂ ભાલકેશ્વર પાર્ટી પ્લોટ ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર ઉપલબ્ધ થશે. એક્સપોના ઉદ્ઘાટન પ્રસંગે તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ ધનાભાઈ બારડ અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા બાળકોના ભવિષ્ય માટે એડમિશન પ્રક્રિયામાં આવતી મુશ્કેલીઓને ધ્યાનમાં લેવામાં આવી છે. મોટા શહેરોમાં ભટકવું, ફી સ્ટ્રક્ચર સમજવું અને યોગ્ય સંસ્થા પસંદ કરવી જેવી સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે આ એક્સપો એક જ સ્થળે તમામ વિકલ્પો પૂરા પાડશે. ઉલ્લેખનીય છે કે, 2024માં અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા પ્રથમ વખત આવા એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું હતું, જેમાં 25થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ અને હજારો વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે તેમાં વધુ સુધારો કરીને આયોજન કરાયું છે અને 35થી વધુ પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર હાજર રહેશે. આ એક્સપોમાં વિદ્યાર્થીઓને ₹50,000ની રોકડ સ્કોલરશિપ, વિવિધ સંસ્થાઓ તરફથી ફી માફી સ્કોલરશિપ અને નિષ્ણાતો દ્વારા મફત કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા પણ વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપશે. અવર ગીર સોમનાથ એક્સપોના પ્રમોટર દિવ્યેશભાઈ જીવાભાઈ વાળાએ જણાવ્યું હતું કે, આ એક્સપોમાં આવતા તમામ વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. અવર ગીર સોમનાથની ઇન-હાઉસ ટીમ ઉપરાંત 50થી વધુ શૈક્ષણિક ક્ષેત્રના તજજ્ઞો આ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે.
વડોદરા શહેરમાં કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોક્સો હેઠળના ગંભીર ગુનામાં આરોપીને વડોદરા કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ તેમજ 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસે તેને ફરી ઝડપી પાડ્યો હતો. સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020માં નોંધાયેલા ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ દિનેશભાઈ રોકડે (રહે. રણજીતનગર, પરશુરામ ભઠ્ઠા, વડોદરા)એ તા. 18 ઓક્ટોબર 2020ના રોજ સવારના સમયે સગીર બાળકી સાથે જાતીય સતામણી કરી હતી. બાળકી પાણી ભરવા જતા આરોપીએ તેનો હાથ પકડી અશ્લીલ વર્તન કર્યું હતું. આ ઘટનાને અનુસંધાને પોલીસ દ્વારા તા. 20 ઓક્ટોબર 2020ના રોજ આરોપીની ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન પીઆઇ એસ.જી. સોલંકી તથા તેમની ટીમે મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરી, FSL તપાસ સહિત તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરી ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસની સુનાવણી વડોદરાની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં, વિશેષ જજ અને અધિક સત્ર ન્યાયાધીશ સી.એમ. પવાર સમક્ષ ચાલી હતી. સરકારી વકીલ એન.યુ. મકવાણાએ મજબૂત દલીલો રજૂ કરતા કોર્ટને વિશ્વસનીય પુરાવાઓના આધારે આરોપીને દોષિત ઠેરવ્યો. અંતે, તા. 7 એપ્રિલના રોજ કોર્ટ દ્વારા આરોપીને 20 વર્ષની સખત કેદ તથા 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગીર સોમનાથ પોલીસે NDPS ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ આરોપી લાંબા સમયથી NDPS સંબંધિત ગુનામાં વોન્ટેડ હતો. તેની ધરપકડ માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી. LCB ટીમે ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પાડીને આરોપીને પકડી પાડ્યો હતો. આ સફળ કાર્યવાહીથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ મળશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરત વચ્ચે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોઈ ને પાર્ટીમાં ટિકિટ ન મળતા નારાજગી છે તો કોઈ અપક્ષ ઉમેદવારી કરી લડી લેવાના મૂડમાં છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આતી ગામના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયેલ હતા. આખરે કોંગ્રેસ દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા નારાજગી વ્યક્ત કરી એક હજાર જેટલા કાર્યકરોએ AIMIMમાં જોડાવવાની જાહેરતા કરી હતી. ટિકિટ ન મળતા પક્ષ પલટો કર્યોઆતી ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિત અનેક આગેવાનો અને કાર્યકરોએ AIMIMની સદસ્યતા લીધી હતી. આ નારાજગીનું મુખ્ય કારણ જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ટિકિટ વહેંચણીમાં અસંતોષ છે. કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપવાથી ઘણા કાર્યકરોમાં ભારે અસંતોષ વ્યાપ્યો હતો. 'મારી જોડે મતદારો અને કાર્યકર્તાઓ છે, છતાં ટિકિટની ફાળવણી કરી નથી'આ અંગે વર્ષોથી કોંગ્રેસમાં જોડાયેલ અબ્દુલભાઈ નૂરભાભાઈ જબ્બારે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં ઘણા ટાઈમથી સક્રિય કાર્યકર છું અને ગઈ ટર્મમાં વડોદરા જિલ્લા લઘુમતી સેલનો મહામંત્રી હતો. મારી જોડે એટલા બધા મતદારો અને કાર્યકર્તાઓ છે છતાં ટિકિટની ફાળવણી કરવામાં આવી નથી. જેના કારણે અમે 1000થી 1200 લોકો સાથે AIMIMમાં જોડાઈ રહ્યા છીએ અને આ સીટ પર મહેનત કરી અમે જીતીશું. મને મારા મતદારો પર ભરોસો છે કે અમે અવશ્ય જીતીશું. કાર્યકર્તાઓમાં અસંતોષથી કોંગ્રેસમાં ભંગાણઉલ્લેખનીય છે કે, વડોદરા શહેર જિલ્લામાં ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી હોય તમામ કાર્યક્રમોમાં ટીકીટ ન મળતા નારાજગી હોય છે. ત્યારે ક્યારેક આ ચૂંટણીમાં જિલ્લામાં કોંગ્રેસમાં પડેલા ભંગાણ આગામી ચૂંટણી પર અસર પડે તેવી શક્યતાઓ છે. ત્યારે કાર્યકર્તાઓમાં અસંતોષ કેટલો ખતરારૂપ બને છે તે તો આવનાર સમય જ બતાવશે.
ઐતિહાસિક નગરી જૂનાગઢના હાર્દ સમાન કડિયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ભયનું વાતાવરણ પ્રસરેલું છે. જર્જરિત ઇમારતો અને વહીવટી તંત્રની નિષ્ક્રિયતાને કારણે અહીંના રહીશો અને વેપારીઓ ફાળ અનુભવી રહ્યા છે. તાજેતરમાં બનેલી એક દુર્ઘટનાએ જૂના જખમોને ફરી તાજા કરી દીધા છે. કડિયાવાડમાં ચાર દિવસ પહેલા જ એક જર્જરિત ઇમારતનું મોટું પોપડું અચાનક ચોથા માળેથી રસ્તા પર પડતા પસાર થઈ રહેલી એક નિર્દોષ મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. મહિલાના માથાના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા અને આ દ્રશ્યો જોઈ સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટના બાદ કડિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાની આગેવાનીમાં મોટી સંખ્યામાં વેપારીઓએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી જઈ ઉગ્ર આવેદનપત્ર પાઠવ્યું હતું. વેપારીઓએ આ આવેદનપત્રમાં સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો ભવિષ્યમાં આ વિસ્તારમાં જર્જરિત બાંધકામ, બિસ્માર રસ્તા કે ગટરની વ્યવસ્થાને કારણે કોઈ પણ જાનહાનિ થશે તો તેની સીધી અને નૈતિક જવાબદારી વોર્ડ નંબર 9 અને 10 ના કોર્પોરેટરો, જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર અને સત્તાધારી પક્ષના પદાધિકારીઓની રહેશે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારે મત માંગવાના હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે ફરે છે, પરંતુ જ્યારે નિર્દોષ પ્રજાના જીવ જોખમમાં હોય ત્યારે અધિકારીઓ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવાની તસ્દી પણ લેતા નથી. કડિયાવાડ વિસ્તારની હાલત અત્યારે ટીકિંગ ટાઈમ બોમ્બ જેવી બની ગઈ છે. રહીશો દ્વારા યાદ કરવામાં આવ્યું હતું કે વર્ષ 2022 માં આ જ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થવાને કારણે ચાર નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી દુર્ઘટના બાદ પણ જૂનાગઢ મહાનગરપાલિકાના સત્તાધીશોની ઉંઘ ઉડી નથી. હજુ પણ અનેક ભયજનક ઇમારતો અડીખમ ઉભી છે, જે ગમે ત્યારે નીચે આવી શકે તેમ છે. 4 એપ્રિલ 2026 ના રોજ બનેલી ઘટનામાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી હતી કે રસ્તાઓ એટલા બિસ્માર અને સાંકડા થઈ ગયા છે કે ઇજાગ્રસ્ત મહિલા માટે બોલાવવામાં આવેલી 108 એમ્બ્યુલન્સ પણ સમયસર ઘટનાસ્થળ સુધી પહોંચી શકી ન હતી. અંતે સ્થાનિકોએ જીવના જોખમે મહિલાને હોસ્પિટલ ભેગી કરવી પડી હતી. વેપારી એસોસિએશનના પ્રમુખ સની સોંદરવાએ આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે વહીવટી તંત્ર માત્ર કાગળ પર નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે, પરંતુ વાસ્તવમાં આ ઇમારતો ઉતારવા માટે કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. તેમણે જૂનાગઢના વર્તમાન રાજકારણ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ઘટના બને ત્યારે વિડીયો ઉતરાવવા અને ફોટા પડાવવા માટે અનેક લોકો પહોંચી જાય છે, પરંતુ લોકોની વાસ્તવિક પીડા અને પાયાની સુવિધાઓ માટે કોઈ લડત આપતું નથી. તેમણે ધારાસભ્ય સંજય કોરડિયાના કામની પ્રશંસા કરતા ઉમેર્યું હતું કે, જ્યારે કડિયાવાડના વેપારીઓ હક માટે ઉપવાસ પર ઉતર્યા હતા ત્યારે માત્ર સંજયભાઈ જ તેમની પડખે ઉભા રહ્યા હતા, જે સાચા અર્થમાં પ્રજાના નેતા છે. આવેદનપત્રમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટરો મનનભાઈ અભાણી, ચંદ્રિકાબેન રાખસીયા, પલ્લવીબેન ઠાકર અને પરાગભાઈ રાઠોડની જવાબદારી બને છે કે તેઓ પોતાના વિસ્તારની જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરે. કડિયાવાડમાં રસ્તાના નામે માત્ર ખાડાઓ જ બચ્યા છે અને ગટરની વ્યવસ્થા પણ ભગવાન ભરોસે છે. ચોમાસા પૂર્વે જો આ જર્જરિત ઇમારતો અને રસ્તાઓનું સમારકામ કરવામાં નહીં આવે તો વધુ એક મોટી જાનહાનિની શક્યતા સેવાઈ રહી છે. વેપારીઓએ માંગ કરી છે કે કલેક્ટર સાહેબ આ મામલે મ્યુનિસિપલ કમિશનરને કડક આદેશ આપે અને યુદ્ધના ધોરણે ભયજનક બાંધકામો દૂર કરવામાં આવે. આ વિસ્તારમાં લાખો લોકોની અવરજવર રહે છે અને વેપારી મથક હોવાથી અહીં આખો દિવસ ચહલપહલ હોય છે. આવી સ્થિતિમાં વહીવટી તંત્રની આળસ ગંભીર અકસ્માતને નિમંત્રણ આપી રહી છે. વેપારીઓએ અંતમાં ચેતવણી ઉચ્ચારી છે કે જો આગામી દિવસોમાં કોઈ પણ દુર્ઘટના ઘટશે, તો આ આવેદનપત્રને જ પુરાવા તરીકે ગણીને જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢની જનતા હવે જાગૃત થઈ છે અને પોતાના હક અને સુરક્ષા માટે મેદાને આવી છે, ત્યારે તંત્ર આ મામલે કેટલું ગંભીર બને છે તે જોવું રહ્યું.

27 C