હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 1 થી 4 એપ્રિલ, 2026 દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC), સબ સેન્ટરો અને સંબંધિત વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને, ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ અને અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા જણાવાયું છે. અનાજના પરિવહન દરમિયાન પણ સુરક્ષા સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતો અને વેપારીઓને પણ અપીલ કરી છે કે, તેઓ હવામાનની આગાહી મુજબ જરૂરી સાવચેતી રાખે અને તેમના અનાજને વરસાદથી સુરક્ષિત રાખે. આ માહિતી મામલતદાર, ડિઝાસ્ટર શાખા, બનાસકાંઠા દ્વારા આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં આવતીકાલે 2 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં નીકળનારી ભવ્ય શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફતેપુરા મેઈન રોડ વિસ્તારથી નીકળનારી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્તો જોડાનાર હોવાથી ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સાંજે 4 વાગ્યાથી કાર્યક્રમ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિવિધ માર્ગો પર પ્રતિબંધ અને ડાયવર્ઝન અમલી રહેશે. નો-પાર્કિંગ ઝોન સાંજે 4 વાગ્યાથી શોભાયાત્રાના સમગ્ર રૂટ પર રોડની બંને સાઈડ તમામ પ્રકારના વાહનો માટે 'નો-પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. ફતેપુરા ચાર રસ્તાથી અડાણીયાપુલ, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર, પદમાવતી ટ્રીકોણ, લાલકોર્ટ બિલ્ડીંગ, ગાંધી નગરગૃહ સર્કલ, જ્યુબિલીબાગ સર્કલ, ભક્તિ સર્કલથી રોકડાનાથ હનુમાન મંદિર સુધી -પાર્કિંગ ઝોન' જાહેર કરવામાં આવ્યો છે. અડાણીયાપુલ ચાર રસ્તા ખાતેથી શોભાયાત્રા પસાર થઈ ગયા બાદ જ વાહનોને પ્રવેશ આપવામાં આવશે. શોભાયાત્રા ચાંપાનેર રોડ તરફ પસાર થયા બાદ પરિસ્થિતિ મુજબ ટ્રાફિક ધીમે-ધીમે ખુલ્લો કરવામાં આવશે. આ જાહેરનામું પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય ઈમરજન્સી સેવાઓ તેમજ હોસ્પિટલ જતા વાહનોને લાગુ પડશે નહીં. વડોદરા શહેર પોલીસે નાગરિકોને અગવડતા ટાળવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા વિનંતી કરી છે.
ગાંધીનગરના પોર ગામે વર્ષ 2023માં કચરો નાખવા જેવી સામાન્ય બાબતે થયેલા મારામારીના ઝઘડા પછી એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. આ ગુનામાં ગાંધીનગરના મુખ્ય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ આશિષ જે.એસ. મલ્હોત્રાની કોર્ટે મુખ્ય આરોપી દશરથજી કાંતીજી ઠાકોરને 10 વર્ષની સખત કેદ અને 31 હજારના દંડની સજા ફટકારી છે. જ્યારે અન્ય એક આરોપીને પણ 6 મહિનાની કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો છે. વૃદ્ધાને ધક્કો મારતા કમરના ભાગે ગંભીર ઈજાઓગાંધીનગરના પોર ગામમાં વર્ષ 2023માં આરોપી દશરથજી ઠાકોર અને મુકેશજી કાંતિજી ઠાકોરે ભેગા મળીને ફરિયાદીની માતા કપિલાબેન સાથે કચરો નાખવા જેવી તુચ્છ બાબતે ઝઘડો કર્યો હતો. આ વિવાદ દરમિયાન આરોપી મુકેશજીએ કપિલાબેનને જોરદાર ધક્કો મારી નીચે પાડી દીધા હતા. જેના કારણે તેમને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. વૃદ્ધાનું હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મોતઆ ઝઘડાના તણાવમાં કપિલાબેનને હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે આરોપીઓએ લાકડાના ધોકા વડે ફરિયાદીના પિતા રમણજી અને ભાઈ વિક્રમજી પર પણ હુમલો કરી મુઢ માર માર્યો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓને સખતમાં સખત સજાની વકીલ દ્વારા માંગ કરાઈજે કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે એડિશનલ પબ્લિક પ્રોસીક્યુટર સુનિલ એસ. પંડ્યાએ દલીલ કરી હતી કે, સમાજમાં આવા બનાવો રોજબરોજ બનતા હોય છે. જો આવા ગુનેગારોને કડકમાં કડક સજા કરવામાં ન આવે તો કાયદાનો ડર રહેતો નથી. સમાજમાં એક મજબૂત દાખલો બેસે અને નવા ગુના કરતા લોકો અટકે તે હેતુથી આરોપીઓને સખતમાં સખત સજા અને વધુમાં વધુ દંડ કરવો જોઈએ. કોર્ટે મુખ્ય આરોપીને 10 વર્ષની સખત કેદ સજા ફટકારીઆમ બંને પક્ષોની દલીલો અને સાક્ષીઓની જુબાની સાંભળ્યા બાદ કોર્ટે આરોપીઓને વિવિધ કલમો હેઠળ સજા ફટકારી છે. જે પૈકી મુખ્ય આરોપી દશરથજી કાંતીજી ઠાકોરને 10 વર્ષની સખત કેદ અને 31,000 રૂપિયાનો દંડ તેમજ બીજા આરોપી મુકેશજી કાંતીજી ઠાકોરને છ મહિનાની કેદ અને કુલ 11,000 રૂપિયા દંડ ભોગવવા હુકમ કર્યો છે.
નવસારી સાયબર ક્રાઇમ પોલીસે વોટ્સએપ હેક કરીને નાણાં પડાવતી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વડોદરાના પોર ગામમાંથી એક રીઢા ગુનેગારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ આરોપી ટ્યુશન ક્લાસના શિક્ષક હોવાની ખોટી ઓળખ આપી વોટ્સએપ હેક કરતો અને પરિચિતો પાસેથી પૈસા પડાવતો હતો. પકડાયેલા આરોપી સામે અગાઉ વિવિધ જિલ્લાઓમાં 12 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. સમગ્ર ઘટના નવસારીની એક મહિલા સાથે બની હતી. તેમને એક મોબાઈલ નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે પોતે ટ્યુશન ક્લાસના 'સર' હોવાની ઓળખ આપી વિશ્વાસમાં લીધા હતા. તેણે જણાવ્યું કે, વોટ્સએપ ગ્રુપમાં મેસેજ જતા નથી, તેથી વોટ્સએપ અપડેટ કરવું પડશે. આ બહાને તેણે મહિલા પાસેથી OTP મેળવી લીધો હતો. OTP મળતા જ મહિલાનું વોટ્સએપ એકાઉન્ટ હેક થઈ ગયું હતું. વોટ્સએપ હેક થયા બાદ, આરોપીએ મહિલાના કોન્ટેક્ટ લિસ્ટમાં રહેલા લોકોને મેસેજ કરીને નાણાંની માંગણી કરી છેતરપિંડી આચરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા જ તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર યુ. એલ. મોદી અને તેમની ટીમે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની ડિજિટલ ફૂટપ્રિન્ટ મેળવવામાં આવી હતી. તપાસના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને વડોદરાના પોર ગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ પ્રિતેશ મહેશ પ્રજાપતિ છે, જે મહેમદાવાદ, ખેડાનો રહેવાસી છે અને 'ગોગી' ઉપનામથી પણ ઓળખાય છે. તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તે રીઢો ગુનેગાર છે અને તેના પર અગાઉ ગુજરાતના વિવિધ શહેરોમાં 12 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ ગુનાઓમાં 7 સાયબર ફ્રોડ/ઠગાઈ (અમરેલી, જૂનાગઢ, નડિયાદ, વલસાડ, રાજકોટ વગેરે), 1 છેડતી (મણિનગર, અમદાવાદ), 1 જુગારધારા અને 3 અન્ય ગુનાઓ (ધમકી અને જાહેરનામા ભંગ)નો સમાવેશ થાય છે. આરોપીની મોડસ ઓપરેન્ડી મુજબ, તે જાણીતી વ્યક્તિ કે સંસ્થાના નામે ફોન કરતો હતો. ટેકનિકલ ખામીનું બહાનું બતાવીને તે OTP માંગી લેતો હતો. એકવાર વોટ્સએપ પર કબજો મેળવ્યા બાદ, તે હેક થયેલા એકાઉન્ટના સ્ટેટસ અને ચેટ લિસ્ટનો ઉપયોગ કરીને 'અર્જન્ટ જરૂર છે' તેમ કહી ગૂગલ પે દ્વારા પૈસા મંગાવતો હતો. પોલીસ અધિક્ષક રાહુલ પટેલે જનતાને અપીલ કરી
સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ બે પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા યુવકના ઘરે જમવા માટે આવતા મિત્રએ યુવકની પત્ની પર દાનત બગાડી હતી. પરણિતાના એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. બીજા બનાવમાં પુણાગામ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના બીભસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઈ તેને મળવા માટે તેની માસીના ઘરે બોલાવી હતી. જયાં યુવતીને પટ્ટાથી માર મારી શારીરિક સંબંધબાંધી બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કારનો પહેલો બનાવમળતી માહિતી પ્રમાણે, મૂળ પશ્ચિમ બંગાળની વતની અને સુરતના લાલ ગેટ વિસ્તારમાં રહેતી પરણીતાએ ગતરોજ તેના પતિના મિત્ર નાઝીમ નુર આલમ શેખ (રહે ત્રીજો માળ ગુજરાતી સ્કૂલની સામે નાગોરી વાડ રસ્તા સૈયદપુરા) સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના પતિ સુરતમાં એકલા રહીને મજૂરી કામ કરતા હતા ત્યારે નાઝીર નૂર આલમ શેખ સાથે તેમની મિત્રતા થઈ હતી. જોકે ત્યારબાદ તેઓ એક જ રૂમમાં સાથે રહેતા હતા. દર મહિને પૈસા ચૂકવી દેશે એવું કહીને જમવા માટે આવતો હતોઆ દરમિયાન પરણીતાનો પતિ તેના લઈને સુરત રહેવા આવી ગયો હતો અને અલગથી રૂમ રાખી રહેવા લાગ્યો હતો. જોકે બાદમાં નાઝીમ નૂર આલમે પોતાના બહારનું જમવાનું ફાવતું ન હોવાથી તેમના ઘરે જમવા આવશે અને દર મહિને પૈસા ચૂકવી દેશે એવું કહીને જમવા માટે આવતો હતો. આ દરમિયાન ફેબ્રુઆરી ૨૦૨૬ માં પરણીતા ઘરે એકલી હતી ત્યારે જમવા આવેલા નાઝીમે તેની એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. અવારનવાર ધાકધમકી આપી શારીરિક શોષણ કર્યું હતું. જેથી ભોગ બનનાર પરણીતાએ પતિને સઘળી હકીકત જણાવ્યા બાદ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બળાત્કારનો બીજો બનાવસુરત શહેરના પુણાગામ વિસ્તારમાં રહેતા યુવકે તેના ઘર સામે રહેતી યુવતી સાથે મિત્રતા કર્યા બાદ લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ તેના બીભસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લઈ તેને મળવા માટે તેની માસીના ઘરે બોલાવી હતી. જયાં યુવતીને પટ્ટાથી માર મારી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. આ સમયે તેમણે યુવતીની જાણ બહાર મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ આ વીડિયોના આધારે બ્લેકમેલ કરી વાયરલ કરવાની ધમકી આપી બે થી ત્રણ વાર શારીરિક શોષણ કર્યું હતું. જોકે, ત્યારબાદ ત્રણ દિવસ અગાઉ પણ યુવતીના ઘરે તેના ટેરેસ પર આવી શારીરિક અડપલા કરી એલફેલ ગાળો આપી જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું દવા પી જઈશ તેવી ધમકી આપી માર મારી જતો રહ્યો હતો. જેથી યુવતીએ પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને અવારનવાર વાતચીત કરતો હતોઆ બનાવની વિગત એવી છે કે, વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં રહેતો લાલજી જગાભાઈ જીંજાળા લેસપટ્ટીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. લાલજી પુના વિસ્તારની અન્ય સોસાયટીમાં રહેતો હતો ત્યારે તેમના ઘરની સામે રહેતી એક 23 વર્ષીય યુવતી સાથે તેણે મિત્રતા કરી હતી. ત્યારબાદ લાલજીએ યુવતીને હું તને પસંદ કરું છું અને તારી સાથે લગ્ન કરવા છે તેમ કહીને અવારનવાર તેની સાથે ફોનમાં વાતચીત કરતો હતો. ત્યારબાદ યુવતી ઘરે એકલી હોય ત્યારે તેના ઘરે જઈ શારીરિક અડપલાં કરી તેના બીબસ્ત ફોટાઓ પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક શોષણ કર્યુંઆ ફોટાઓ વાયરલ કરવાની ધમકી આપી તથા દવા પીવાની ધમકી આપી તેને મળવા માટે લાલજીએ પોતાના માસીના ઘરે બોલાવી હતી. જ્યાં એકલતાનો લાભ લઇ લાલજીએ તેને પટ્ટાથી માર મારતા યુવતી ગભરાઈ ગઈ હતી. આ સમયે લાલજીએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો અને યુવતીની જાણ બહાર મોબાઈલમાં વિડીયો પણ ઉતારી લીધો હતો. જોકે ત્યારબાદ આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી લાલજીએ બે થી ત્રણ વાર તેનું શારીરિક શોષણ કરી ગત તારીખ 27-03-2026ના રોજ બપોરે 12.30 વાગ્યાના અરસામાં લાલજી યુવતીના ઘરે ટેરેસ પર મળવા માટે આવ્યો હતો. તેણે શારીરિક અડપલા કરી એલ ફેલ ગંદી ગાળો આપી હતી અને જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું દવા પી લઈશ તેવી ધમકી આપી માર માર્યો જતો રહ્યો હતો. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લાલજી જગાભાઈ જીંજાળા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના સોની બજારમાં થયેલી ચોરીનું મુંબઇ કનેક્શન સામે આવ્યું છે. ગધીવાડની અમિત જવેલર્સમાં થયેલી ચોરીનું આખેઆખું કાવતરું મુંબઈની આર્થર રોડ જેલમાં ઘડાયું હતું. જે બાદ મુંબઈનો માહિર ચોર અને અન્ય પાંચ તસ્કરોની ટોળકી રાજકોટમાં ત્રાટકી હતી. જે મામલે પોલીસે ગણતરીની કલાકોમાં જ છ શખ્સોની ટોળકીને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સવારે 6 વાગ્યે દુકાનના તાળા તૂટ્યાનો ફોન આવ્યો હતોલીમડા ચોક નજીક ડિજીબી પેલેસ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા સોની વેપારી મનિશભાઈ રમણભાઈ રાણપરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું સોની બજાર નવા નાકા રોડ પર મારુતી પ્લાઝા કોમ્પ્લેક્ષની સામે ગધીવાડ શેરીમાં અમિત જવેલર્સ નામની દુકાન ધરાવી વેપાર કરૂ છું. ગત તા.30.03.2026ના રોજ રાત્રીના 9 વાગ્યાની આસપાસ હું તથા મારો દિકરો જય અમારી દુકાન બંધ કરીને ઘરે જતા રહ્યા હતા. બાદમાં આજે સવારે 6 વાગ્યા આસપાસ અમારી દુકાનની નજીક નિહારનો સામાન વેચતા રમેશભાઈ દ્વારા અમને જાણવા મળ્યું કે, અમારી દુકાનના તાળા તુટેલા છે જેથી હું તથા મારો દિકરો જય તાત્કાલિક અમારી દુકાન અમિત જવેલર્સ ખાતે પહોંચ્યા હતા. 50 હજારના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા અમારી દુકાનના બહારના લાકડાના દરવાજા પર મારેલ ચાર લોક તથા એક મોટું લોક તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને દુકાનનો દરવાજો ખુલ્લો હતો. દુકાનનો અંદરનો કાચનો સ્લાઈડર દરવાજો પણ ખુલ્લો હતો. બાદ દુકાનની અંદર જઈ જોતા દુકાનના બે સીસીટીવી કેમેરા પણ તુટેલી હાલતમાં હતા. બાદ દુકાનની અંદર રહેલ આશરે રૂ.50 હજારની કિંમતના બે રોકડ રકમ ગણવાના મશીનો મળી આવ્યા ન હતા જેથી ફરિયાદ નોંધાવી હતી. 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યોચોરીના બનાવનો તાત્કાલિક ભેદ ઉકેલી તસ્કરોને ઝડપી લેવાની પોલીસ કમિશનરની સૂચનાને પગલે એ ડિવિઝન પોલીસ અને એલસીબી ઝોન-2ની અલગ-અલગ ટીમો કામે લાગી હતી. આ દરમિયાન પોલીસે સંયુક્ત બાતમીના આધારે પેલેસ રોડ નજીક પદ્મકુંવરબા હોસ્પિટલ સામેથી શંકાસ્પદ સફેદ કલરની i20 કાર સાથે 6 શખ્સોને અટકાયતમાં લઇ ચોરીમાં ગયેલો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સોની પૂછપરછ કરતા તેમણે સોની બજારની અમિત જવેલર્સમાં વહેલી સવારે ચોરી કર્યાની કેફીયત આપતાં શુભમ સુભાષભાઈ સોની, ભાવિક કિરણભાઈ સીતાપરા, જયદીપ નરેશભાઈ કાકડિયા, મિલન દિલીપભાઈ ગોંડલીયા, ધવલ દિલીપભાઈ સુરેલા અને રાકેશ કાળુભાઇ બોરસાણીયાની ધરપકડ કરી રૂ.50 હજારની કિંમતના રોકડ ગણવાના બે મશીન, જીજે.03.એમઆર.0410 કાર મળી કુલ રૂ.5.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેલમાં મુલાકાત થઈ ને ચોરીનું કાવતરું ઘડાયું હતુંઝડપાયેલા શખ્સોએ પોલિસની પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત આપી હતી કે, મુંબઈનો તસ્કર શુભમ ચોરીના ગુનામાં આર્થર રોડ જેલમાં બંધ હતો. ત્યારે જ મિલન ગોંડલીયાનો ભાઈ સાવન પણ ફ્રોડના ગુનામાં અહીં જેલમાં હતો. જેલમાં શુભમ અને સાવનની મુલાકાત થઇ હતી. બાદમાં સાવને મિલનની મુલાકાત શુભમ સાથે કરાવી હતી અને ચોરીનું કાવતરું ઘડાયું હતું. શુભમ ચોરી કરવામાં માહિર હોય મિલને તેને અહીં ચોરી કરવા બોલાવ્યો હતો. ચોરીને અંજામ આપ્યાની એકાદ કલાક પૂર્વે તસ્કરો સોની બજારમાં આવી રેકી કરી વધુમાં તસ્કરોએ જણાવ્યું હતું કે, ચોરી જુનવાણી દુકાનમાં જ કરવાનું નક્કી થયું હતું. જેથી લાકડાના દરવાજાનો નકુચો સરળતાથી તોડી શકાય અને ચોરીને ગણતરીની મિનિટોમાં અંજામ આપી તસ્કરો ફરાર થઇ શકે. ચોરીને અંજામ આપ્યાની એકાદ કલાક પૂર્વે તસ્કરો સોની બજારમાં આવી રેકી કરી અમિત જવેલર્સને ટાર્ગેટ કરવાનું નક્કી કરી ગયા હતા અને બાદમાં તેઓ વહેલી સવારે ચોરી કરવા ત્રાટક્યાં હતા. ચોરીને અંજામ આપી તસ્કરો ઘરે જઈને સુઈ ગયા'તા પોલિસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સોની બજારની અમિત જવેલર્સમાં ત્રાટકી તસ્કરો પોતપોતાના ઘરે જઈ આરામથી સુઈ ગયા હતા. આ દરમિયાન ચોરીના સમયગાળા દરમિયાન સોની બજારમાં એક સફેદ કલરની આઈ-20 કારની ગતિવિધિ અંગે પોલીસને બાતમી મળી હતી. જેથી પોલીસે આગળના કાચ પર 'શ્રી' લખ્યું હોય એવી કારની શોધખોળ શરૂ કરી હતી. આ કાર પદ્મકુંવરબા હોસ્પિટલ નજીક હોવાની બાતમી મળતા પોલીસે દોડી જઈ તમામ આરોપીઓને ઝડપી લીધા હતા. તિજોરી ન તૂટતાં 10 લાખના ઘરેણાં બચી ગયા સોની બજારની પેઢીમાં ચોરી કરવાથી મોટી મતા હાથમાં આવશે તેવી અપેક્ષાએ તસ્કરો અમિત જવેલર્સમાં ત્રાટક્યાં હતા. જયા તેઓ અલગ-અલગ પાંચ લોક તોડવામાં સફળ રહ્યા હતા પરંતુ, દુકાનમાં રહેલી તિજોરી તોડવામાં તસ્કરો અસફળ રહ્યા હતા જેના કારણે તિજોરીમાં સોની વેપારીએ રાખેલા આશરે રૂ.10 લાખના ઘરેણાં બચી ગયા હતા.
અમદાવાદના ઈસનપુર વિસ્તારની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસ અને બદનામીથી કંટાળી છેવટે કાયદાનો આશરો લેતા મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલાના પક્ષમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2007માં લગ્નગ્રંથિથી જોડાયેલી આ મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ શારીરિક-માનસિક દુઃખ આપી, રૂમમાં પૂરી દઈ અને પિયરિયાઓ સાથે સંબંધ તોડવા દબાણ કરી નર્ક જેવી સ્થિતિમાં મુકી દીધી હતી. કરોડોની મિલકત અને બ્યુટી ટ્રીટમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હોવા છતાં બાળકોની ફી અને ઘરના ભાડાના પૈસા ન આપતા પતિને કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે આદેશ કર્યો છે કે, પતિએ પત્નીને દર મહિને રૂ. 12 હજારનું ભરણપોષણ, રૂ. 50 હજારનું વળતર ચૂકવવું પડશે અને મહિલાને તેના સસરાના ઘરે બાળકો સાથે રહેવાનો હક આપવો પડશે, એટલું જ નહીં સાસરિયાઓને તે ઘરમાં પ્રવેશ કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. પરિણીતાએ પતિ સહિતના સાસરિયાઓ સામે અરજી દાખલ કરી હતીકેસની વિગતો જોતા, અમદાવાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઇસનપુરની રહેવાસી મહિલાએ ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ અંતર્ગત પોતાના પતિ સહિતના સાસરિયાઓ સામે અરજી દાખલ કરી હતી. જે મુજબ તેના લગ્ન વર્ષ 2007માં હિન્દુ વિધિ વિધાન મુજબ રાજસ્થાનમાં થયા હતા. તેને સ્ત્રી ધન પણ મળ્યું હતું, લગ્ન બાદ તેને એક પુત્ર અને એક પુત્રી જન્મ્યા હતા. પતિને કમળો થયો તો તેનો વાંક મહિલાના પિયરિયા ઉપર નાખી દીધોમહિલાની કાકાની દીકરીના લગ્નમાં તેના સાસરિયા અને પિયરિયા વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં માફી માંગ્યા છત્તા સાસરિયા માન્યા નહોતા. ત્યારબાદ મહિલાને હેરાન કરવાનું શરૂ કર્યું હતું. તેમજ મહિલાને પિયરીયાઓ સાથે સબંધ રાખવાની ના પાડી દીધી હતી. પતિ મહિલા સાથે ઝઘડો કરીને તેને માર મારતો હતો. વળી જ્યારે પતિને કમળો થયો તો તેનો વાંક મહિલાના પિયરિયા ઉપર નાખી દીધો હતો. પત્નીને રૂમમાં પુરી દઈ પોલીસને ફોન કરી આપધાત કરવા જાતે પુરાઈ હોવાનું કહ્યુંઆખરે બંને કુટુંબોને લઈને જ્ઞાતિ બેસી હતી. ત્યારે મહિલાને હેરાન નહીં કરવા, સાસરિયાઓએ બાહેંધરી આપી હતી. જો કે ઘરમાં દેરાણી આવતા તેની ચઢામણીથી પણ સાસરિયાઓ તેને ત્રાસ આપતા અને મહિલાને જાદુગર કહેતા હતા. મહિલાના પતિએ તેને માર મારીને એક રૂમમાં પૂરી દીધી હતી. સાથે 100 નંબર પર તેણે ફોન કરતા પતિએ કહ્યું હતું કે મહિલા આપઘાત કરવા રૂમમાં પુરાઈ ગઈ છે. પતિએ છૂટાછેડાની માગ કરી, ત્રણ વર્ષ આવી પરિસ્થિતિ ચાલીમહિલાએ પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી અને હોસ્પિટલમાં સારવાર લીધી હતી. જો કે બંને પક્ષો વચ્ચે સમાધાન થતાં તેઓ સંયુક્ત કુટુંબમાંથી અલગ રહેવા ગયા હતા. તેમ છતાં પતિના વર્તનમાં કોઈ ફેરફાર આવ્યો નહોતો, પરંતુ તે વધુ ક્રૂર બનીને પત્નીને માર મારવા લાગ્યો હતો. જેથી મકાનમાલિકે મકાન ખાલી કરવા જણાવ્યું હતું. પતિએ છૂટાછેડાની માગ કરી હતી, ત્રણ વર્ષ આવી પરિસ્થિતિ ચાલી હતી. મહિલા ઉપર સાસરિયાઓએ જાદુટોણા કરવાનો આક્ષેપ મૂક્યોમહિલાના સાસુનું કેન્સરથી નિધન થતા મહિલા ઉપર સાસરિયાઓએ જાદુટોણા કરવાનો આક્ષેપ મૂક્યો હતો. સમાજ વચ્ચે હડધૂત કરી નાખી હતી. પતિને ઘરનું ભાડું, બાળકોની ફી અંગે પૈસાની માગ કરતા પતિએ પત્નીને પિયરમાંથી પૈસા લઈ લેવા કહ્યું હતું. આમ પતિ તેની લગ્નની ફરજો નિભાવવામાં નિષ્ફળ નીવડ્યાનો પત્નીએ આક્ષેપ મૂક્યો હતો. પોલીસે પતિને સમજાવ્યો છત્તા, સમાધાન થયું નહોતુંપત્ની પિયરમાં ઓશિયાળુ જીવન જીવતી હતી. જ્યારે પતિ બ્યુટી ટ્રીટમેન્ટના વ્યવસાય કરીને સંયુક્ત કુટુંબમાં લાખો રૂપિયા કમાય છે. તે અમદાવાદમાં એક કરતા વધુ દુકાનો અને ઘર પણ ધરાવે છે. જેની કુલ કિંમત કરોડો રૂપિયામાં થવા જાય છે. તેણે બાળકોને તરછોડી દીધા છે અને પત્ની પાસે આવકનું કોઈ સાધન નથી. જેથી મહિલાએ જુલાઈ, 2022માં શાહીબાગ પોલીસ મથકે અરજી આપી હતી. પોલીસે પતિને સમજાવ્યો છત્તા, સમાધાન થયું નહોતું. પતિ રાજકીય વગ ધરાવતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવીપતિએ રાજસ્થાનના લોકલ મીડિયામાં પત્નીની બદનામી કરી હતી. બાળકોની શાળાની ફી ભરી નહીં હોવાથી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને માર્કશીટ આપવા ઇનકાર કર્યો હતો. વળી પતિ રાજકીય વગ ધરાવતો હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. કોર્ટ પત્નીને પોષણ આપે અને પત્ની પતિ સાથે રહેવા જવા પણ તૈયાર છે. મહિલાએ પતિ સામે માનસિક યાતનાના વળતર પેટે 50 લાખની માગ કરી પત્નીએ પતિ પાસેથી ઘરના ભાડા પેટે 10 હજાર, ભરણપોષણના 70 હજાર, સ્ત્રીધન પરત આપવા અને શારીરિક તેમજ માનસિક યાતનાના વળતર પેટે 50 લાખ રૂપિયાની માગ કરી હતી. કોર્ટે સાહેદ અને પુરાવા ચકાસ્યા હતા. તેમજ અરજદાર મહિલાના સાસરિયાઓ સામેના આક્ષેપને સમર્થન આપ્યું હતું. કોર્ટનો 12 હજારનું ભરણપોષણ, રૂ. 50 હજારનું વળતર ચૂકવવા આદેશકોર્ટે આદેશ કર્યો હતો કે, મહિલાની સસરાની માલિકીના એક ઘરમાં મહિલા તેના બે બાળકો સાથે રહેશે. મહિલાનું સ્ત્રીધન પરત આપવામાં આવશે. પતિની આવક કોર્ટે મહિને 45 હજાર ઠરાવી હતી. તેને મહિલાને કોર્ટમાં અરજી દાખલ થયેથી મહિને 12 હજાર રૂપિયા ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો. તેની શારીરિક અને માનસિક યાત્રા પેટે 50,000 રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો. સાસરિયામાં મહિલા રહે છે તે ઘરમાં પ્રવેશ કરશે નહીં.
ગુજરાત રાજ્યમાં સુરત બાદ હવે રાજકોટમાં ફક્ત મહિલાઓ માટેની પિંક બસ આજે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. શહેરમાં સિટી બસ (RMTS) અને BRTS ની 238 બસમાં સવારે 6 થી રાત્રે દૈનિક 54000 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં 20000 જેટલા મહિલાઓ છે. હાલ 4 રૂટ પર પાઇલોટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ થયેલી આ સુવિધા સમગ્ર શહેરમાં તમામ રૂટ પર શરૂ કરવાની તૈયારી છે. પ્રથમ દિવસે પિન્ક બસમાં મુસાફરી કરતી યુવતીઓએ પણ મહાનગરપાલિકાની આ સુવિધાને આવકારી હતી. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા (RMTS) તથા બી.આર.ટી.એસ. બસ સેવા કાર્યરત રાખવામાં આવી છે. આ બંને સેવાઓનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વધતી મુસાફરીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાલ કુલ 82 રૂટ પર 100 CNG બસ તથા 134 ઇલેક્ટ્રિક બસ એમ કુલ 234 બસ દ્વારા દૈનિક પરિવહન સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ સેવાઓ દ્વારા દરરોજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકોને સરળ અને સસ્તી મુસાફરીની સુવિધા મળી રહી છે. રાજકોટ મહાનગરપાલિકાના RRL સિટી બસના જનરલ મેનેજર પરેશ અઢીયાએ જણાવ્યુ હતુ કે, મનપા દ્વારા નાગરિક કેન્દ્રિત સુવિધાઓ વધારવાના હેતુસર તેમજ ખાસ કરીને મહિલા મુસાફરોને વધુ સુરક્ષિત અને અનુકૂળ મુસાફરી ઉપલબ્ધ થાય તે માટે નાણાંકીય વર્ષ 2026-27 ના બજેટ સ્પીચ અંતર્ગત મહિલા સુરક્ષિત સફર યોજના (MSSY) જાહેર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓ માટે વિશેષ પિંક બસ સેવા શરૂ કરવામાં આવી છે. જેમાં માત્ર મહિલા મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવી છે. મહિલાઓને જાહેર પરિવહનમાં સુરક્ષિત વાતાવરણ મળે અને તેઓ નિર્ભયતાપૂર્વક મુસાફરી કરી શકે તે હેતુસર આ પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.આજે 1 એપ્રિલના સવારે ત્રિકોણબાગ ખાતેથી ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહ, રમેશ ટીલાળા, નરેન્દ્રસિંહ જાડેજા અને મનીષ રાડીયા દ્વારા ઝંડી આપી પિંક બસ પાઇલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે રાજકોટ રાજપથ લિ.ના જનરલ મેનેજર પરેશ અઢીયા, રાજકોટ રાજપથ લિ.ના અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવતી આયુષીએ જણાવ્યું હતું કે, ફક્ત મહિલાઓ માટે પિંક બસ શરૂ કરવામાં આવી તે આવકારદાયક છે. હું ત્રંબા કોલેજમાં અભ્યાસ કરું છું અને ત્યાંથી આ બસમાં બેઠી હતી. ધ્વનિતાએ જણાવ્યુ હતુ કે, આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરું છું. પિંક બસની સેવા શરૂ કરવામાં આવી છે તે ખૂબ જ સારી છે. જેમાં મહિલાઓ માટેની આ સ્પેશ્યલ બસની સુવિધા ખૂબ જ સારી છે. પિંક બસ મહિલાઓની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ સારી છે. આ યોજના હેઠળ પ્રારંભિક તબક્કામાં શહેરના મહત્વપૂર્ણ અને વધુ મુસાફરો ધરાવતા 3 સિટી બસ (RMTS) રૂટ તથા 1 BRTS રૂટ પર એમ કુલ 4 પિંક બસ કાર્યરત કરવામાં આવી છે. આ બસો મહિલાઓ માટે વિશેષ નિર્ધારિત રહેશે તથા બસમાં કન્ડક્ટર તરીકે પણ મહિલા સ્ટાફની નિમણૂંક કરવામાં આવશે. જેથી મુસાફરી દરમિયાન મહિલાઓને વધુ સુરક્ષા અને સહજતા અનુભવાય. પિંક બસ માટે નિર્ધારિત રૂટની વિગતો.. - રૂટ નં.13 – લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ થી કોઠારીયા ચોક – 1 CNG બસ- રૂટ નં.17 – સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી ત્રંબા ગામ – 1 CNG બસ- રૂટ નં.8 – ગ્રીનલેન્ડ ચોકથી લાભુભાઈ ત્રિવેદી એન્જિ. કોલેજ (કણકોટ) – 1 ઇલેક્ટ્રિક બસ- BRTS રૂટ – માધાપર ચોકથી ગોંડલ ચોક – 1 ઇલેક્ટ્રિક બસ આ રૂટની પસંદગી દરમિયાન મહિલાઓની વધુ અવરજવર, શૈક્ષણિક સંસ્થાઓ, રહેણાંક વિસ્તારો તથા મુખ્ય ટ્રાન્સપોર્ટ કોરિડોરને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે. પાઇલોટ પ્રોજેક્ટના અનુભવના આધારે ભવિષ્યમાં વધુ રૂટ પર પિંક બસ સેવા વિસ્તૃત કરવામાં આવશે. મહિલા મુસાફરો માટે ખાસ પાસ સુવિધા મહિલા સુરક્ષિત સફર યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા મુસાફરો વુમન કેટેગરી પાસ મેળવીને આ સેવાનો લાભ લઈ શકશે. આ પાસ વાર્ષિક માત્ર રૂ.1000 ના નજીવા દરે આપવામાં આવશે. જ્યારે રૂ.50 પ્રોસેસિંગ ચાર્જ અલગથી વસૂલવામાં આવશે.પાસ મેળવવા માટે મહિલા મુસાફરો રાજકોટ મહાનગરપાલિકાના તમામ સિટી સિવિક સેન્ટર, વોર્ડ ઓફિસ ખાતે અથવા ઓનલાઇન અરજી કરી શકશે. અરજી કર્યા બાદ નિયમોનુસાર કાર્યવાહી પૂર્ણ કરીને પાસ ઇસ્યુ કરવામાં આવશે. પાસ મળ્યા બાદ મહિલા મુસાફરો નિર્ધારિત પિંક બસ રૂટમાં સરળતાથી મુસાફરી કરી શકશે. - યોજનાનો અમલમહિલા સુરક્ષિત સફર યોજના નાણાંકીય વર્ષથી તા.1 એપ્રિલ-2026થી અમલમાં મુકવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક તમામ મહિલા મુસાફરોએ અગાઉથી પાસ માટે અરજી કરવાની રહેશે. જેથી યોજનાનો લાભ સમયસર મેળવી શકાય. - ખાસ સુવિધાઓ અને નિયમો1.પિંક બસમાં ફક્ત મહિલા મુસાફરોને મુસાફરી કરવાની સુવિધા2.બસમાં મહિલા કન્ડક્ટર દ્વારા સેવા3.સુરક્ષિત અને આરામદાયક મુસાફરીનો અનુભવ4.માતા સાથે 12 વર્ષની ઉંમર સુધીના બાળકોને નિઃશુલ્ક મુસાફરી5. મહિલાઓ નિયમોનુસાર ટિકિટ દર ચુકવી અથવા વુમન પાસ દ્વારા મુસાફરી કરી શકશે6. નિર્ધારિત રૂટ પર નિયમિત સમયપત્રક મુજબ સેવા7. ભવિષ્યમાં પાઇલોટ પ્રોજેક્ટના પ્રતિસાદ આધારે વિસ્તરણ
વડોદરા તાલુકાના સેવાસી વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા ગેસ લિમિટેડની આઇસર ગાડીએ બાઈક પર સવાર દંપતીને અડફેટે લીધાં હતાં. જેમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પતિ પર આઈસરનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યુંમળતી માહિતી મુજબ, આ અકસ્માત સેવાસી બસ સ્ટેન્ડ પાસે બન્યો હતો. આઇસર ગાડીનો ચાલક બાઈક સવાર દંપતીને અડફેટે લીધા બાદ વાહન મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે દંપતીનું બાઈક અને પતિ આઈસરના ટાયર નીચે જોવા મળ્યા હતા. જેમાં પતિનું ઘટના સ્થળે જ ટાયર ફરી વળતા મોત નીપજ્યું હતું. પત્નીને ગંભીર ઈજાઓના પગલે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈઆ અકસ્માતમાં પત્નીને ગંભીર ઇજાઓ થતાં સ્થાનિક લોકો અને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે. આ અકસ્માતમાં પત્નીને આંખો સામે જ પતિએ દમ તોડ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી, આરોપીની તપાસ હાથ ધરીઆ ગમખ્વાર અકસ્માત બનતાં આસપાસના વિસ્તારના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ તાલુકા પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને આઇસર ગાડીને કબજામાં લઈને વધુ તપાસ હાથ ધરી છે.
પંચમહાલમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓ પહેલા ભાજપે કમર કસી છે. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપમાંથી આવેલા 6 નિરીક્ષકોની અધ્યક્ષતામાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પંચમહાલમાં 178 તાલુકા પંચાયત, 38 જિલ્લા પંચાયત અને 2 નગરપાલિકાની બેઠકો માટે આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે. ચૂંટણી જાહેર થાય તે પહેલા જ ભાજપે જમીની સ્તરે તૈયારીઓ આરંભી દીધી છે. ઉમેદવારો નક્કી કરવા માટે ભાજપની પરંપરાગત પ્રણાલી મુજબ, ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારો નિરીક્ષકો સમક્ષ પોતાનું દાવેદારી ફોર્મ રજૂ કરશે. નિરીક્ષકોની ટીમમાં ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ, પ્રદેશ મંત્રી કૈલાશબેન ગામીત, પ્રદેશ કારોબારી સભ્ય રામજીભાઈ માવણીનો સમાવેશ થાય છે. બીજી ટીમમાં વિજયભાઈ પટેલ (નાયબ મુખ્ય દંડક), જનકભાઈ બગદાણા અને સીતાબેન નાયક ઉપસ્થિત છે. આ બે દિવસીય સેન્સ પ્રક્રિયા બે અલગ અલગ ઝોન મુજબ ચાલશે.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાલિકાના કમ્પોઝ યાર્ડમાં લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી સતત સળગતા કચરાના ઢગલાઓમાંથી નીકળતા ઝેરી ધુમાડાએ આસપાસના ખેડૂત પરિવારોને ઘેરી લીધા છે, જેના કારણે સ્થાનિકોમાં આરોગ્ય અંગે ચિંતા વ્યાપી છે. આ આગના કારણે ફેલાયેલા ઝેરી ધુમાડાનો સૌથી વધુ પ્રભાવ નજીકના વિસ્તારોમાં વસતા 50થી વધુ ખેડૂત પરિવારો પર પડી રહ્યો છે. બાળકો, મહિલાઓ અને વડીલોમાં શ્વાસ લેવામાં તકલીફ જેવી આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે. ખેડૂતોના મતે, કમ્પોઝ યાર્ડની આ આગ માત્ર આરોગ્ય માટે જ નહીં, પરંતુ તેમની આજીવિકાને પણ જોખમમાં મૂકી રહી છે. ધુમાડા અને ગરમીના કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકસાન થયું છે, અને અનેક નાળિયેરીના વૃક્ષો બળી જતાં ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. પરિસ્થિતિ વધુ ગંભીર બની છે કારણ કે કમ્પોઝ યાર્ડમાં મૃત પશુઓ પણ જોવા મળ્યા છે. આના કારણે ઝેરી વાયુ પ્રદૂષણનું સ્તર વધુ ખતરનાક બની શકે છે અને ચેપી રોગચાળાનો ભય પણ ઊભો થયો છે. સ્થાનિક લોકો અને ખેડૂતોએ પાલિકા તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓનું કહેવું છે કે કમ્પોઝ યાર્ડમાં કચરાનું યોગ્ય સંચાલન થતું નથી અને વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવાયા નથી. આગ લાગ્યા પછી પણ તેને તાત્કાલિક કાબૂમાં લેવામાં નિષ્ફળતા જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવતી નથી અને ઉડાવ જવાબો આપવામાં આવી રહ્યા છે, જેના કારણે લોકોમાં રોષ વધી રહ્યો છે. સ્થાનિકોએ જિલ્લા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. આગને કાબૂમાં લેવા, પ્રદૂષણને રોકવા અને અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય ચકાસણી કેમ્પ યોજવા માટે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. જો તંત્ર સમયસર જાગૃત નહીં થાય, તો આ આગ અને પ્રદૂષણનું સંકટ વધુ વિકરાળ બની શકે છે, જેના ગંભીર પરિણામો સમગ્ર વિસ્તારમાં જોવા મળી શકે છે.
સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે હનુમાન જયંતિના પવિત્ર અવસરે લાખો ભક્તો સાળંગપુર પહોંચે તેવી સંભાવના છે. ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને બોટાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે એક SP, એક DYSP, ચાર PI, દસ PSI સહિત 100થી વધુ પોલીસકર્મીઓ અને 120 GRD તથા TRB જવાનો તૈનાત રહેશે. વાહન વ્યવહાર અને પાર્કિંગ વ્યવસ્થા સુગમ બનાવવા માટે 12 જેટલી અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં હજારો વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત, સાળંગપુર આવતા ભક્તોને સરળ માર્ગદર્શન મળી રહે તે માટે બોટાદ પોલીસે સોશિયલ મીડિયા પર એક ખાસ મેપ પણ જાહેર કર્યો છે. પોલીસે ભક્તોને આ મેપનું પાલન કરવા અપીલ કરી છે. બોટાદ ડિવાયએસપી મહર્ષિ રાવલેઆપી માહિતી.
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12 ના ઈચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ચાલશે 'સેન્સ'નો દોરસુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ લાંબી અને ઝીણવટભરી રહેવાની છે. ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, આ સેન્સ પ્રક્રિયા સતત ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં શહેરના તમામ 30 વોર્ડના દાવેદારોને નિરીક્ષકો દ્વારા રૂબરૂ સાંભળવામાં આવશે. આજે પ્રથમ દિવસે 12 વોર્ડ બાદ હવે આગામી બે દિવસમાં બાકીના વોર્ડનો વારો આવશે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે શક્તિ પ્રદર્શનશહેર ભાજપ દ્વારા મનપાની ચૂંટણી માટે કમર કસી લેવામાં આવી છે. ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ચાર અલગ-અલગ જૂથોમાં નિરીક્ષકોની વ્યવસ્થા કરવામાં આવી છે. કુલ 12 નિરીક્ષકોની પેનલ સુરત આવી પહોંચી છે, જેઓ દરેક વોર્ડના કાર્યકર્તાઓ સાથે રૂબરૂ મુલાકાત કરી રહ્યા છે. ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં લોકશાહી ઢબે પ્રક્રિયા ચાલી રહી છે. પાટીદાર બહુલ 7 વોર્ડ પર વિશેષ ફોકસઆજની સેન્સ પ્રક્રિયામાં જે 12 વોર્ડ લેવામાં આવ્યા છે, તેમાંથી 7 જેટલા વોર્ડ પાટીદાર મતદારોના વર્ચસ્વ વાળા છે. મોટા વરાછા, સરથાણા, કાપોદ્રા, ફુલપાડા, કતારગામ અને સીંગણપોર જેવા વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભાજપને જોરદાર લડત આપી હતી. આ વખતે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. 'પરિવારવાદ' પર બ્રેક અને 'નો રિપીટેશન'નું સસ્પેન્સટિકિટ ફાળવણીમાં પરિવારવાદ અંગે પૂછવામાં આવતા શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પરિવારવાદમાં માનતી નથી. પક્ષ કાળજી રાખશે કે એક જ પરિવારના બે સભ્યોને ટિકિટ ન મળે. જોકે, પ્રવર્તમાન કોર્પોરેટરોને ફરી ટિકિટ મળશે કે નહીં તે અંગે તેમણે મૌન સેવ્યું હતું. ધાર્મિક માલવીયાની કેસરિયા સાથે દાવેદારીપાટીદાર અનામત આંદોલન (PAAS) ના અગ્રણી નેતા ધાર્મિક માલવીયા આજે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા અને વોર્ડ નંબર 2 માંથી ચૂંટણી લડવા માટે પ્રબળ દાવેદારી નોંધાવી હતી. અગાઉ ઓલપાડ બેઠક પરથી ભાજપ સામે ચૂંટણી લડનારા ધાર્મિક માલવીયા હવે સત્તાધારી પક્ષના બેનર હેઠળ મેદાને ઉતરવા તૈયાર થયા છે. પત્ની AAPના પૂર્વ કોર્પોરેટર હોવા છતાં ભાજપમાં વિશ્વાસધાર્મિક માલવીયાની પત્ની આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રહી ચૂક્યા છે. જ્યારે તેમને આ અંગે પૂછવામાં આવ્યું તો તેમણે ટકોર કરતા કહ્યું કે, તેઓ AAPમાં કોર્પોરેટર હતા, અત્યારે નથી. તેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો છે અને હવે તેઓ વકીલાતના વ્યવસાયમાં વ્યસ્ત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઘરમાં કોઈ રાજકીય વિખવાદ નથી. અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યાની એન્ટ્રીસુરતના રાજકારણમાં સૌથી મોટો ધડાકો અલ્પેશ કથીરિયાના પત્ની કાવ્યા કથીરિયાની એન્ટ્રીથી થયો છે. કાવ્યા કથીરિયાએ સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3 માટે ભાજપમાંથી પોતાની પ્રબળ દાવેદારી નોંધાવી છે. કાવ્યા અગાઉ કનકપુર-કનસાડ નગરપાલિકાના માજી ઉપપ્રમુખ રહી ચૂક્યા છે, તેથી તેમની પાસે વહીવટી અનુભવ પણ છે. AAP પર કાવ્યા કથીરિયાના આકરા પ્રહારપોતાની દાવેદારી અંગે વાત કરતા કાવ્યા કથીરિયાએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટી પાસે કોઈ ચોક્કસ વિઝન નથી, તેઓ માત્ર જનતાને ભ્રમિત કરવાના નુસખા અપનાવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે નગરપાલિકામાં કરેલા વિકાસકામો અને લોકો સાથેનો સંપર્ક તેમનો મજબૂત પાયો છે. 50% મહિલા અનામત, 'ડાઉન ટુ અર્થ' બહેનોની શોધમનપામાં 50% મહિલા અનામત અમલી હોવાથી મહિલા દાવેદારોમાં ભારે ઉત્સાહ છે. મહિલા નિરીક્ષકોએ જણાવ્યું હતું કે, અમે એવી બહેનોને પ્રાધાન્ય આપીશું જે ગ્રાસરૂટ લેવલની કાર્યકર્તા હોય. માત્ર શોભાના ગાંઠિયા જેવી મહિલાઓ નહીં, પરંતુ જેઓ વોર્ડની સમસ્યાઓને વાચા આપી શકે તેમને અગ્રીમતા અપાશે. ડોક્યુમેન્ટ્સ વગર એન્ટ્રી નહીંભાજપ દ્વારા આ વખતે ઉમેદવારી ઈચ્છુકો માટે કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દરેક ઉમેદવારે 3 પાસપોર્ટ સાઈઝ ફોટા, વર્ષ 2026ની લેટેસ્ટ મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ, અને તમામ સરકારી વેરા ભરાયા હોવાના પુરાવા રજૂ કરવા પડશે. પાટીદાર સમાજ અને વોટ બેંકનું ગણિતધાર્મિક માલવીયા અને કાવ્યા કથીરિયા જેવા ચહેરાઓને આગળ કરીને ભાજપ પાટીદાર વોટ બેંકમાં ગાબડું પાડવા માંગે છે. ધાર્મિક માલવીયાએ આત્મવિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે પાટીદાર સમાજ ખૂબ જ સમજુ છે. જે લોકોએ સમાજની મુશ્કેલીઓમાં સાથે ઉભા રહીને અવાજ ઉઠાવ્યો છે, સમાજ તેમની તરફેણમાં જ વિચારશે. પારિવારિક સહમતી અને સપોર્ટરાજકારણ વિશે કાવ્યાએ સ્પષ્ટ કર્યું કે, પારિવારિક જવાબદારીઓમાંથી મુક્ત થયા બાદ અલ્પેશ કથીરિયા સાથે ચર્ચા કરીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી ચૂંટણીમાં અલ્પેશ કથીરિયાના સપોર્ટ અને પ્રચાર-પ્રસાર અંગે પણ તેમણે સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહિષ્ણુતાશહેર ભાજપ પ્રમુખે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ દાવેદાર સામે ભ્રષ્ટાચાર કે અન્ય ગંભીર આરોપો હશે, તો તેનો રિપોર્ટ સીધો શિસ્ત સમિતિને મોકલવામાં આવશે. પક્ષની છબી ખરડાય તેવા કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપવામાં આવશે નહીં. ક્લીન ઈમેજ ધરાવતા ચહેરાઓને જ પ્રાધાન્ય મળશે. રિપોર્ટ કાર્ડના આધારે ટિકિટની વહેંચણીનિરીક્ષકો દ્વારા આ ત્રણ દિવસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તમામ વિગતોનું સંકલન કરવામાં આવશે. નિરીક્ષકો પોતાનો સીલબંધ રિપોર્ટ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સુપરત કરશે. કાર્યકર્તાઓના કામના આધારે જ ટિકિટની વહેંચણી થશે. સુરતના રાજકારણમાં હવે શું?સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર પ્રદેશ ભાજપ પર ટકેલી છે. 30 વોર્ડના હજારો દાવેદારોમાંથી કોનું નસીબ ચમકશે તે જોવાનું રહેશે. આગામી બે દિવસની સેન્સ પ્રક્રિયામાં હજુ પણ અનેક મોટા અને ચોંકાવનારા ચહેરાઓ સામે આવે તેવી પૂરી સંભાવના છે.
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું ગુજરાતમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આચારસંહિતા લાગુ થશે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટુકડાધારા કાયદામાં ઐતિહાસિક સુધારાનો વટહુકમ રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે..હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. આ સાથે 135-ડીની નોટિસનો સમય 30 દિવસથી ઘટાડી 7 દિવસનો કરાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મનપાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ મનપાની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા શરુ... ટિકિટોમાં સેટિંગ ન થાય માટે નિરિક્ષિકોના નામ પર સસ્પેન્સ રાખવામાં આવ્યું છે.ભાજપ કાર્યાલય દાવેદારોની ભીડથી ઉભરાયા... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં 11,000 વિદ્યાસહાયકોની મેગા ભરતી શિક્ષણ વિભાગે ધોરણ 1થી 5ના ગુજરાતી માધ્યમ માટે 11,000 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરી... TET-1 પાસ કરેલા હજારો ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ,,, 15 એપ્રિલ થી 24 એપ્રિલ સુધી અરજી કરી શકાશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નર્મદા પરિક્રમાવાસીનો બાઈકસવાર પર હુમલો નર્મદા પરિક્રમા કરી રહેલા એક શખસે રસ્તા પરથી પસાર થતા બાઈક ચાલક પર ત્રિશૂળ વડે હુમલો કર્યો.. હુમલામાં બાઈક ચાલક ઘાયલ તો હુમલાખોર ઈજાગ્રસ્તની બાઈક લઈને ફરાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 200 રૂપિયા ના આપતા પતિએ પત્નીને મારી નાંખી અમદાવાદના થલતેજમાં બાળકોની સામે પતિએ પત્નીને પેટમાં છરી મારી મોતને ઘાટ ઉતારી.... બાળકોને એમ્બ્યુલન્સને ફોન પણ ના કરવા દીધો .... પત્નીએ 200 રૂપિયા ના આપતા પતિએ આ કૃત્ય કર્યુ .... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી અમદાવાદના ગોમતીપુરમાં પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીધી..બંનેએ રોડ પર આપઘાતનો પ્રયાસ કર્યો અને રડતા રડતા વીડિયો બનાવી પોલીસ પર ફરિયાદ ન લેતા હોવાનો આક્ષેપ કર્યો આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો હત્યાના આરોપીએ જેલમાંથી નીકળીને કરી ગુંડાગર્દી અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હત્યાના આરોપીઓએ આતંક મચાવ્યો..આરોપીએ તેના સાગરિતો સાથે મળીને જે ઘરના દીકરાની હત્યા કરી હતી તે જ ઘરની બહાર પડેલી ગાડીમાં પાઇપો વડે તોડફોડ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સચિન GIDCમાં વહેલી સવારે આગ લાગી સુરતની સચિન જીઆઈડીસીમાં વહેલી સવારે આગની ઘટના બની. ગોપી નિટિંગ ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી મચી..આગથી કરોડોના નુક્શાનની આશંકા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ત્રણ વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું કાળઝાળ ગરમીમાં ત્રણ વરસાદી સિસ્ટમોએ ગુજરાતને ઘેર્યું... સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થતા આવતી કાલે સૌરાષ્ટ્ર-કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ચૈત્રી પૂનમે પાટણથી બહુચરાજી પગપાળા સંઘો રવાના:પદયાત્રીઓ માટે માર્ગ પર સેવા કેમ્પો કાર્યરત
ચૈત્રી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે બુધવારે પાટણ શહેરમાંથી બહુચરાજી જવા માટે પગપાળા યાત્રા સંઘોનું પ્રસ્થાન થયું હતું. માતાજીની માંડવીઓ અને રથ સાથે ભક્તિ સંગીતના તાલે 'બોલ મારી બહુચર'ના જયઘોષ સાથે ભક્તો બહુચરાજી તરફ રવાના થયા હતા. પાટણ શહેરના કસારવાડો અને પનાગાર વાડો સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ પદયાત્રા સંઘમાં જોડાયા હતા. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી સૌ કોઈ માતાજીની માંડવી સાથે સંગીતના તાલે ઝૂમતા બહુચરાજી તરફ પ્રયાણ કર્યું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. પદયાત્રીઓને માર્ગમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા છે. આ કેમ્પો યાત્રાળુઓને જરૂરી સુવિધાઓ પૂરી પાડી રહ્યા છે. ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા આયોજિત બહુચરાજી પગપાળા સેવા કેમ્પ મોઢેરા કેનાલ પાસે, એચ.પી. પંપની બાજુમાં કાર્યરત છે. આ કેમ્પમાં પદયાત્રીઓ માટે ગરમા-ગરમ લાઇવ કોથમીરવડી, આઇસ મિનરલ પાણી અને મેડિકલ સેવા જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરી .દેવામાં આવી છે. વડોદરા મહાનગર ખાતે ચાર ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આજે પ્રથમ દિવસે એક વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. શહેરના ચાર ઝોનમાં 12 નિરીક્ષકો આવ્યાવડોદરા શહેરના સિસિદ્ધ વોર્ડને પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર ઝોનમા વહેંચવામાં આવ્યું હતું. ચારેય ઝોનમાં 3-3 નિરીક્ષકો સવારે આવી પહોંચ્યા હતા. જોકે, સવારે નિરીક્ષકો આવ્યા નહીં ત્યાં સુધી સસ્પેન્સ યથાવત હતું. કોઈ કાર્યકરને નિરીક્ષક તરીકે કોણ આવશે તેની ગંધ સુધ્ધાં આવવા દેવામાં આવી ન હતી. વડોદરા શહેરમાં 12માંથી 5 નિરીક્ષક સુરતથી આવ્યા હતા. વર્તમાન કોર્પોરેટરો પાંચ વર્ષના કામનો ચિઠ્ઠો લઈને પહોંચ્યાશહેરમાં 19 વોર્ડમાં ગાબટ ટર્મમાં રહી ચૂકેલા કોર્પોરેટરો પણ દાવેદારી કરવા પહોંચ્યા હતા. આ પૈકી કેટલાય કોર્પોરેટરોએ પોતાના પાંચ વર્ષની કામગીરીની ફાઈલો તૈયાર કરીને નિરીક્ષક સમક્ષ ધરી હતી. જોકે, વડોદરા મહાનગરમાં આ વખતે જ્ઞાતિ આધારિત બેઠકોની ફાળવણીના કારણે અનેક લોકોએ પોતાની દાવેદારી ક્યાંથી નોંધાવવી તે પણ એક પ્રશ્ન જોવા મળ્યો હતો. કારણ કે હાલમાં કોર્પોરેટરો જે વોર્ડમાં છે ત્યાંના જ્ઞાતિ સમીકરણો બદલાઈ ચુક્યા છે. કેટલાકે વોર્ડ બદલવાની તૈયારી શરુ કરીજ્ઞાતિ આધારિત બેઠકોના કારણે વર્તમાન બોડીના 80 ટકા જેટલા કોર્પોરેટરો કપાઈ શકે છે. જેના કારણે કેટલાક કોર્પોરેટરોએ પોતાનો વોર્ડ બદલવાની પણ તૈયારીઓ બતાવી છે. અંતરંગ વર્તુળો તરફથી મળતી વિગત અનુસાર ખુદ પૂર્વ ચેરમેને પણ પોતાનો વોર્ડ બદલી અન્ય વોર્ડમાંથી દાવેદારી નોંધાવી છે. જો કે તેઓ અન્ય જિલ્લામાં નિરીક્ષક તરીકે ગયા હોવાના કારણે તેઓએ પાર્ટી કાર્યાલય ખાતે ફોર્મ સુપરત કર્યું હોવાનું જાણવા મળ્યું છે. નિરીક્ષકો પ્રદેશમાં રિપોર્ટ રજુ કરશેવડોદરા મહાનગર ખાતે બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે. આ પ્રક્રિયા બાદ નિરીક્ષકો દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવશે અને તેને પ્રદેશ મોવડી મંડળ સમક્ષ મુકવામાં આવશે. ત્યાર બાદ પ્રદેશનું મોવડી મંડળ નક્કી કરશે કે કોને ઉમેદવાર બનાવવો. જો કે આ ભાજપ દ્વારા કરવામાં આવતી એક પ્રક્રિયા છે. સંભવતઃ જે લોકોએ દાવેદારી નથી નોંધાવી તેઓ પણ અંત સમયે ઉમેદવાર તરીકે જાહેર થઇ શકે છે. SC/ST બેઠક પર દાવેદારોનું જોર વધ્યુંવડોદરા મહાનગરપાલિકાની બેઠકોની ફાળવણી મુજબ આ વખતે મેયર તરીકે એસસી અને એસટી ઉમેદવારની નિમણુંક કરવામાં આવશે. ત્યારે જે વોર્ડમાં એસસી અને એસટી બેઠકો હતી તેના ઉપર દાવેદારોનો ઝોક વધુ જોવા મળ્યો હતો. વોર્ડ 8 માં તો 82 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી.
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં કુલ 1607 કરોડથી વધુના મૂડીરોકાણ ધરાવતા 23 ઔદ્યોગિક એકમોને સહાય આપવાની મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી ગુજરાતમાં ઔદ્યોગિક રોકાણ વધવાની સાથે રોજગારીના નવા દ્વાર ખુલશે. 5,600થી વધુ નવી રોજગારીનું સર્જન આ બેઠકમાં રાજ્યના 23 મોટા ઔદ્યોગિક એકમોને ફાઇનલ એલીજીબીલીટી પ્રમાણપત્રો આપવાની મંજૂરી અપાઈ છે. જેના પરિણામે રાજ્યમાં અંદાજિત 5,634 જેટલી નવી રોજગારીની તકો ઊભી થશે. આ મંજૂરીઓથી અમદાવાદ, સુરત અને ભરૂચ સહિતના વિવિધ જિલ્લાઓના ઉદ્યોગોને મોટો વેગ મળશે અને રાજ્યના યુવાનોની આર્થિક ઉન્નતિ થશે. બે મુખ્ય યોજનાઓ હેઠળ પ્રોત્સાહન ઔદ્યોગિક નીતિ-2015 હેઠળ 22 મોટા એકમો દ્વારા 770.29 કરોડના મૂડીરોકાણ અને 'આત્મનિર્ભર ગુજરાત યોજના-2022' હેઠળ પંચમહાલ જિલ્લાના 1 મોટા એકમ દ્વારા 837.67 કરોડના મૂડીરોકાણને મંજૂરી અપાઈ છે. સરકારનો મુખ્ય હેતુ ઉદ્યોગોને Net SGST સહાય, વ્યાજ સહાય અને EPF રીએમ્બર્સમેન્ટ આપીને પ્રોત્સાહિત કરવાનો છે, જેથી MSME સેક્ટરના નાના એકમોને પણ વેગ મળે. જિલ્લાવાર મૂડીરોકાણની વિગતો બેઠકમાં વિવિધ સેક્ટરમાં રોકાણોને મંજૂરી અપાઈ છે, જેની વિગત નીચે મુજબ છે: અમદાવાદ: ઓટો સેક્ટરમાં 186.77 કરોડ સુરત: ટેક્ષટાઇલ અને પેપર સેક્ટરમાં 148.34 કરોડ ભરૂચ: કેમિકલ સેક્ટરમાં 186.57 કરોડ ગાંધીનગર: મેટલ અને મિનરલ્સમાં 81.09 કરોડ સાંબરકાંઠા: મેટલ સેક્ટરમાં 57.90 કરોડ પંચમહાલ: જનરલ અને અન્ય સેક્ટરમાં કુલ 853.47 કરોડ અન્ય જિલ્લાઓ: બનાસકાંઠા (26.07 કરોડ), મહેસાણા (25.89 કરોડ), રાજકોટ (9.82 કરોડ), વલસાડ (13.30 કરોડ) અને સુરેન્દ્રનગર (18.74 કરોડ). આ બેઠકમાં ઉદ્યોગ રાજ્ય મંત્રી જયરામ ગામિત, અધિક મુખ્ય સચિવો ડૉ. જયંતિ રવી, ડૉ. ટી. નટરાજન, મમતા વર્મા તેમજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ અપુર્વ શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગરના કરોડોના જમીન કૌભાંડમાં જેલહવાલે થયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જમીન NA (બિનખેતી) કરવાના બદલામાં મસમોટી લાંચ લેવાના ગંભીર આક્ષેપો હેઠળ ED દ્વારા ધરપકડ કરાયા બાદ, અમદાવાદની વિશેષ PMLA કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે. હવે આ મામલે પૂર્વ કલેક્ટરે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે, જેની સુનવણી આગામી 10 એપ્રિલના રોજ યોજાશે. તપાસમાં એવો ખુલાસો થયો હતો કે સરકારી વેબસાઇટ પરની 800 જેટલી અરજીઓમાં ભાવ નક્કી કરી 10 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, જેમાં લાંચની 50 ટકા રકમ સીધી કલેક્ટરના ખિસ્સામાં જતી હતી. PMLA કોર્ટ નકાર્યા બાદ ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરીસુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમના રિમાન્ડ બાદ તેઓ જેલમાં છે. કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ છે કે તેઓ જમીન NA કરવાના કરોડો રૂપિયા લેતા હતા. કલેક્ટર રાજેન્દ્ર પટેલની જામીન અરજી અમદાવાદ સ્થિત વિશેષ PMLA કોર્ટ નકાર્યા બાદ તેણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, જે સંદર્ભે આગામી 10 એપ્રિલના રોજ સુનવણી યોજાશે. ઉલ્લેખનીય છે કે, ચાર્જશીટ ફાઇલ થયા પહેલાની આ જામીન અરજી છે. જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતોઅગાઉ ED વતી રિમાન્ડ માંગતા PMLA કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતો. સરકારી વેબસાઇટ ઉપર આવેલી એપ્લિકેશનની બાજુમાં એક કોલમ ઉમેરી ભાવ લખાતો હતો. આવી 800 અરજીઓ મળી આવી છે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈ છે. જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતીઆરોપીના બે ફોન સહિત હાર્ડ ડિસ્ક, મેક બુક વગેરે 10 ડિવાઈઝ કબ્જે લીધા છે. જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતી અને વહીવટ કલેક્ટરનો PA કરતો હતો. જ્યારે બાકીની રકમ અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી. ચેતન કણજારીયા નામના વ્યક્તિએ જમીન NA કરવા 65 લાખ જેટલી રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા તૈયારી તેજ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તોડજોડની નીતિ શરૂ કરવામાં આવી છે. આજે રાજીવ ગાંધી ભવન પર NCP પાર્ટીના મહામંત્રી જીગ્નેશ જોશી સહિત અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા તેમજ વડોદરાના વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ રાજેન્દ્ર બારોટ પણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે તમામને ખેસ પહેરાવીને કોંગ્રેસમાં જોડાવામાં આવ્યા હતા. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ દાવો કર્યો છે કે, કોંગ્રેસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, આ વખતે નાગરિકો પરિવર્તન ઇચ્છી રહ્યા છે. ગુજરાતમાં પરિવર્તન થવા માટેની શરૂઆત પણ થઈ ચૂકી ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે સરકાર સામે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં પરિવર્તન થવા માટેની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેના ભાગરૂપે સ્વરૂપે છેલ્લા કેટલાક દિવસોથી સમાજના વિવિધ વર્ગના લોકો વિવિધ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા લોકો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. નાગરિકોને ગુજરાતને આવનારા સમયમાં જે નવી દિશામાં લઈ જવું છે. ભ્રષ્ટાચારીઓથી મુક્ત કરાવવા છે અને એના માટે લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જીગ્નેશભાઈ જોશી આજે કોંગ્રેસ પાર્ટીમાં એમના તમામ યુવાન મિત્રો સાથે જોડાયા છે. NCP પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ અત્યાર સુધી કામગીરી કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પરિવર્તનનો શંખનાદ કરી દીધો જનતા પરિવર્તન લાવશે એવું કહી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ બધી જ રીતે તૈયારી કરી છે. અમારી સંપૂર્ણ તૈયારી અમે પહેલાં જ કરી ચૂક્યા છીએ. ગુજરાતમાં વર્ષોથી વોટચોરી ચાલતી હતી. બોગસ મતદારોને આધારે ચૂંટણીઓ જીતાડવા માટેના નેટવર્ક ચાલતું હતું. જે SIR પ્રક્રિયા પછી લગભગ 74 લાખ જેટલા મતદારો આ મતદાર યાદીમાંથી ઓછા કરવામાં આવ્યા છે. નવી જે મતદાર યાદી જાહેર કરવામાં આવી છે તેના આધારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવાની છે. હું 100 ટકા વિશ્વાસ સાથે કહું છું કે, અમારા કાર્યકરો મહેનત કરે છે લોકોના પ્રશ્નો માટે જવાબ ઉઠાવ્યો છે. ગુજરાતમાં અમે ભ્રમણ કરીને લોકોના વચ્ચે જઈને વાત કરી છે. ભારતીય જનતા પાર્ટી બધા કામ કરવામાં નિષ્ફળ ગઈ છે. લોકો સારી રીતે ઓળખી ગયા છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે પરિવર્તનનો શંખનાદ કરી દીધો છે. પરિવર્તન માટેની લડાઈમાં કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે તૈયાર છે.
રાજકોટના નહેરુનગર વિસ્તારમાં 66 વર્ષીય વૃદ્ધ પર પિતા-પુત્રએ હુમલો કર્યો છે. મસ્જિદનું સબમર્સિબલ પંપ ચાલુ રહી જતાં પાણી રસ્તા પર વહેવા મામલે વૃદ્ધ સાથે બોલાચાલી કરી પિતા-પુત્રો દ્વારા ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હાલ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવ્યા છે. રાજકોટના રૈયા રોડ પર નહેરુંનગર શેરી નંબર 1માં રહેતા 66 વર્ષીય વૃદ્ધ શેખ અબ્દુલગની ઈબ્રાહીમભાઇ ગત તા.30.03.2026ના સોમવારે બપોરે 1.45 વાગ્યા આસપાસ નહેરુનગર વિસ્તારમાં આવેલ મહંમદી ઈબાદતગાહ ખાતે નમાજ પઢવા ગયા હતા. તેઓ હાલ નિવૃત્ત જીવન જીવતા હોય મસ્જિદની સાફ-સફાઈ તેમજ પાણી ભરવાનું કાર્ય સંભાળે છે માટે અહીં પહોંચી તેમણે પાણી ભરવા સબમર્સીબલ પંપ શરૂ કર્યો હતો દરમિયાન ટાંકી ભરાઈ જતાં રસ્તા પર પાણી વહેવા લાગ્યું હતું. નમાઝ અદા કરી બહાર આવતા અહીં ઈબાદતગાહની બાજુમાં જ રહેતા મહેબૂબભાઈ ઉર્ફે કાળુભાઈ આમદાણી ધસી આવ્યા હતા તેણે અહીં કેમ રોડ પર પાણી ભરાયું છે તેમ પૂછયું હતું જેથી વૃદ્ધે કહ્યું હતું કે, ટાંકો છલકાઈ જતા પાણી રોડ પર આવી ગયું છે, હું નમાઝ અદા કરી રહ્યો હતો માટે સબમર્સીબલ પંપ બંધ કરવાનું બાકી રહી ગયું હતું. આ સાંભળતાની સાથે જ મહેબુબ ઉર્ફે કાળુ આમદાણી અને તેનો પુત્ર અશફાક આમદાણી ઉશ્કેરાઈ ગયા હતા અને 66 વર્ષીય વૃદ્ધને માર મારવા લાગ્યા હતા. પ્રથમ વૃદ્ધને ઢીકા-પાટુનો માર મારી પિતા-પુત્રએ ચશ્મા તોડી નાખ્યા હતા. બાદ તિક્ષણ હથિયારનો ઘા ઝીંકી દેતાં હાથના ભાગે છરકો લાગી ગયો હતો. ઉપરાંત ધોકા-પાઇપ વડે માર મારતા વૃદ્ધને માથા છાતી અને પેટના ભાગે ઇજા પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને પિતા-પુત્રો અહીંથી નાસી ગયા હતા. જે બાદ વૃદ્ધએ બનાવ બાબતે બંને પુત્રોને જાણ કરતા તેઓ બંને દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયા તેઓ હાલ સારવાર લઇ રહ્યા છે.
દારૂબંધી હોવાથી બુટલેગર અલગ-અલગ ટેક્નિકથી દારૂ લાવતા હોય છે ત્યારે રાજસ્થાનથી રીક્ષામાં CNG કીટની જગ્યાએ દારૂ લઈને આવનારો શખ્સ ઝડપાયો છે. આરોપીએ રીક્ષામાંથી CNG કીટ કાઢી લીધી હતી, જે બાદ રિક્ષા લઈને જ રાજસ્થાન ગયો હતો.રીક્ષામાં 180 દારૂની બોટલ ભરીને લાવ્યો હતો જેને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. રિક્ષામાં તપાસ કરતા CNG કીટ મુકવાની જગ્યાએ દારૂની બોટલો મળી આવીઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ મેહુલ ચૌહાણ અને તેમની ટીમને બાતમી મળી હતી જેના આધારે દાણીલીમડા વિસ્તારમાં એક રિક્ષાચાલકને ઝડપ્યો હતો. રિક્ષામાં તપાસ કરતા CNG કીટ મુકવાની જગ્યાએ દારૂની બોટલો મળી આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે સાદિક મિર્ઝા (રહે - વટવા)ની દારૂની 180 બોટલ સાથે ધરપકડ કરી છે. આરોપી રિક્ષા લઈને ડર 2 -3 દિવસે રાજસ્થાન જતો હતોક્રાઈમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ જૂનામાં રિક્ષા લીધી હતી જે બાદ CNG કીટ કઢાવી રિક્ષા પેટ્રોલ પર ચલાવતો હતો. આરોપી રિક્ષા લઈને ડર 2 -3 દિવસે રાજસ્થાન જતો હતો અને રાજસ્થાનથી CNG કીટની જગ્યાએ દારૂની બોટલ ભરીને લાવતો હતો. આરોપી દારૂનું છૂટક વેચાણ પણ કરતો હતો.ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાલોડ પોલીસે 2690 કિલો ગૌમાંસ જપ્ત કર્યું, 4 આરોપી ઝડપાયા:સુરતના બે રીઢા ગુનેગારની સંડોવણી સામે આવી
તાપી જિલ્લાની વાલોડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. ગત ત્રીજી ફેબ્રુઆરીએ અંદાજે 2690 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમાં સુરતના લીંબાયત વિસ્તારના બે ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના ગત તારીખ 03/02/2026 ના રોજ બની હતી. વાલોડ તાલુકાના ધામોદલા ગામના પટેલ ફળિયામાંથી પસાર થતી એક બોલેરો પીકઅપ ગાડીને શંકાના આધારે રોકવામાં આવી હતી. તેની તપાસ કરતા તેમાંથી પ્લાસ્ટિકના કોથળાઓમાં ભરેલો કુલ 2690 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે વાલોડ પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 325 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. વાલોડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ. ગીલાતર દ્વારા આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે બાતમીના આધારે કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ડેવિડ ઉર્ફે દેવળ સખારામ ગામીત (રહે. અગાસવાણ, સોનગઢ), સૈયદ ઉર્ફે સાહિલ દાઉદ ગામીત (રહે. વાઘપાણી, વ્યારા), હનિફ ઉર્ફે તૌસીફ રફિક સૈયદ (રહે. મીઠીખાડી, લીંબાયત, સુરત) અને સફિક રફિક સૈયદ (રહે. મીઠીખાડી, લીંબાયત, સુરત)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી સફિક રફિક સૈયદ અને હનિફ ઉર્ફે તૌસીફ રીઢા ગુનેગાર છે. સફિક સૈયદ વિરુદ્ધ અગાઉ સુરતના ખટોદરા, લીંબાયત અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં પશુ ક્રૂરતા, જાહેરનામા ભંગ અને પાસા (PASA) સહિતના કુલ 6 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે હનિફ સૈયદ વિરુદ્ધ પણ સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં ગૌમાંસ અંગેનો ગુનો અગાઉ નોંધાઈ ચુક્યો છે. વાલોડ પોલીસે તમામ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આ ગૌમાંસ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ક્યાં સપ્લાય કરવાનું હતું તે દિશામાં વધુ તપાસ કરવા માટે પોલીસે તમામ આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
કલોલના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપુતની કોર્ટે સમાજમાં દાખલો બેસે તેમાટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વડસર ગ્રામ પંચાયત પાસે 8 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં અને છેડતી કરનાર આરોપી હસમુખજી ધનાજી ઠાકોરને અદાલતે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે આરોપીને રૂ. 50,000નો દંડ અને ભોગ બનનાર બાળકીને રૂ. 2,00,000 વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે. ન્યાય કરવામાં નિષ્ફળતા મળે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકેચુકાદાની શરૂઆતમાં ન્યાયાધીશ દ્વારા ધર્મ એવ હતો હન્તિ ધર્મ રક્ષતિ રક્ષિતઃ શ્લોક ટાંકવામાં આવ્યો હતો. કોર્ટે અવલોકન કર્યું કે, જો ન્યાય ધર્મનો નાશ થાય તો તે આપણો પણ નાશ કરે છે, પરંતુ જો ન્યાયનું રક્ષણ કરવામાં આવે તો તે આપણું રક્ષણ કરે છે. આવા ગંભીર ગુનાઓમાં જો ન્યાય કરવામાં નિષ્ફળતા મળે તો સામાજિક વ્યવસ્થા ખોરવાઈ શકે છે. 8 વર્ષની બાળકીને શેરડીનો રસ પીવડાવવાના બહાને છેડતી કરીઆ કેસની વિગત મુજબ, 14 એપ્રિલ 2021ના રોજ વડસર ગ્રામ પંચાયત પાસે રમતી 8 વર્ષની બાળકીને આરોપી શેરડીનો રસ પીવડાવવાની લાલચ આપી બાથરૂમ પાસે લઈ ગયો હતો અને તેની છેડતી કરી હતી. બાળકીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા અને આરોપી નાસી છૂટ્યો હતો. કોર્ટે આરોપીને 5 વર્ષની કેદ અને 50 હજારનો દંડ ફટકાર્યોઆ મામલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સોના ગુનામાં સરકારી વકીલ જીગ્નેશ એચ. જોશીએ ધારદાર દલીલો કરી હતી. જેમાં પંચાયતની ઓફિસ બહારના સીસીટીવી ફૂટેજ સાબિત થયા હતા. પેનડ્રાઈવમાં રજૂ કરાયેલા આ ફૂટેજના આધારે સાહેદોએ કોર્ટમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો. જે દલીલો અને પુરાવાઓને ગ્રાહ રાખી કોર્ટ આરોપી હસમુખજી ધનાજી ઠાકોર પાંચ વર્ષની કેદ અને 50 હજારનો દંડ ભોગવવા ઉપરાંત પીડિતાને બે લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ડોનર લાઈફ દ્વારા 58માં હૃદયનું દાન સુરતની મૈત્રેય મલ્સી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલથી કરવામાં આવ્યું છે. BRTS બસ અડફેટે હાર્દિક ખુડખુડીયા (ઉ.વ 37) આવ્યા બાદ બ્રેઈનડેડ થતા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી 6 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે. મૃતકની પત્ની, 7 વર્ષની દીકરી અને બે વર્ષના દીકરાએ ભારે હૈયે હાર્દિકભાઈના અંગોનું દાન કર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 30 વર્ષીય યુવકમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. BRTS બસે અડફેટે લેતા હાર્દિકને હોસ્પિટલ ખસેડાયો હતોમળતી માહિતી પ્રમાણે, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી અને હાલ સુરતના અલથાણ વિસ્તારમાં ગોકુલ રેસીડેન્સીમાં રહેતા અને એમ્બ્રોડરી ખાતામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા હાર્દિક તા. 25 માર્ચના રોજ બપોરે 4 વાગ્યે પાંડેસરા BRC ભવનથી મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો, ત્યારે દક્ષેશ્વર મહાદેવ મંદિર પાસે BRTS બસ સાથે અકસ્માત થતા તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી. હાર્દિકને 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખ કરવામાં આવ્યો હતો. હાર્દિકને બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠોવધુ સારવાર માટે તેને મૈત્રેય મલ્ટી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ફિઝિશયન ડો. પ્રિયાંક શાહની સારવાર હેઠળ દાખલ કર્યો હતો. નિદાન માટે CT સ્કેન કરતા બ્રેઇન હેમરેજ અને મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ડોક્ટરોએ મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો. તા. 31 માર્ચના રોજ ડોક્ટરોએ હાર્દિકને બ્રેઇનડેડ જાહેર કર્યો હતો. ખુડખુડીયા પરિવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવ્યુંડોક્ટરોએ ડોનેટ લાઈફના સ્થાપક નિલેશ માંડલેવાલાનો ટેલિફોનિક સંપર્ક કરી હાર્દિકના બ્રેઇનડેડ અંગેની જાણકારી આપી હતી. ડોનેટ લાઈફની ટીમ હોસ્પિટલ પહોંચી અને હાર્દિકની પત્ની પ્રિયા, પિતા ભરતભાઈ, માતા આશાબેન, ભાઈ મયંક, બનેવી કલ્પેશભાઈ અને વૈભવભાઈ, સાળા વત્સલભાઈ, સસરા નિલેશભાઈ, માસા કેતનભાઈ, પિતરાઈ ભાઈ પરેશ તેમજ ખુડખુડીયા પરિવારના અન્ય સભ્યોને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. પરિવારજનોએ હાર્દિકના અંગોના દાનની મંજૂરી દર્શાવીહાર્દિકની પત્ની પ્રિયા અને પિતા ભરતભાઈએ જણાવ્યું કે, મારા પતિ/પુત્ર બ્રેઇનડેડ છે, અંગો રાખ જ થઈ જવાના છે, ત્યારે મારા પતિ/પુત્રના જેટલા પણ અંગોનું દાન થઈ શકતું હોય તે બધા જ અંગોનું દાન કરાવીને અંગ નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે આપ આગળ વધો. હાર્દિકના પરિવારમાં પત્ની પ્રિયા (ઉ.વ.30) ગૃહિણી છે. પુત્રી ટિવશા (ઉ.વ.7) નંદુબા ઇંગ્લિસ એકેડમીમાં બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. પુત્ર સારાંશ (ઉ.વ.2) છે. પિતા ભરતભાઈ (ઉ.વ.70) નિવૃત જીવન જીવે છે. માતા આશાબેન (ઉ.વ.67) બ્યુટીપાર્લર ચલાવે છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 30 વર્ષીય યુવકમાં કરાયુંપરિવારજનો તરફથી અંગદાનની સંમતી મળતા SOTTOનો સંપર્ક કરવામાં આવ્યો. SOTTO દ્વારા હૃદય અને લિવર સુરતની કિરણ હોસ્પિટલને, બંને કિડનીની ફાળવણી HLAનો રિપોર્ટ આવ્યા પછી SOTTO દ્વારા કરવામાં આવશે. દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના રહેવાસી 30 વર્ષીય યુવકમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ નાશિકના રહેવાસી 50 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ SOTTO દ્વારા ફાળવણી કર્યા પછી બે જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું. ઉલ્લેખનીય છે કે, કિરણ હોસ્પિટલમાં સૌ પ્રથમ વખત હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. સુરતે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યુંડોનેટ લાઈફ દ્વારા હૃદય દાન કરાવવાની આ અઠ્ઠાવનમી ઘટના છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા, હાથ અને નાનું આતરડું દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર, અમદાવાદ, બેંગ્લોર, હૈદરાબાદ, કલકત્તા જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય, ફેફસા અને નાના આંતરડાનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ, રશિયા, બાંગ્લાદેશ અને સુદાન દેશના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
સુરતમાં વિદેશ જવાના ક્રેઝ વચ્ચે ઠગ એજન્ટો ફૂટી નીકળ્યા છે. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કરોડોની છેતરપિંડીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવતા મુખ્ય સૂત્રધાર વરુણ રાજુભાઈ પરમારની ધરપકડ કરી છે. આરોપીએ મહાકાલ ટ્રાવેલ્સ ટ્રેલ્સ નામે એજન્સી ખોલી નિર્દોષ લોકોને ફિનલેન્ડ અને કેનેડા જેવા દેશોના લલચામણા વિઝાની લાલચ આપી હતી. તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીએ કુલ 13 જેટલા ક્લાયન્ટ્સ પાસેથી વિઝા પ્રક્રિયાના નામે અધધ 2.13 કરોડની રકમ ખંખેરી લીધી હતી. વિઝા ફ્રોડનો ગુનો નોંધાયા બાદ પોલીસની ટીમ સતર્ક બનીACP શ્વેતા ડેનિયલે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, પાલ પોલીસ સ્ટેશનમાં વિઝા ફ્રોડનો ગુનો નોંધાયા બાદ પોલીસની ટીમ સતર્ક બની હતી. આરોપી વરુણ પરમાર ધરપકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો. જોકે, પાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તેને શોધી કાઢ્યો છે. આરોપી અડાજણ વિસ્તારના ગ્રીન રેસીડેન્સીમાં રહેતો હતો અને ગૌરવપથ રોડ પર ટાઇમ્સ સ્કવેરમાં પોતાની ઓફિસ ચલાવીને લોકોને શિકાર બનાવતો હતો. 13 ક્લાયન્ટ્સ પાસેથી વિઝાના બહાને કુલ 2.13 કરોડ પડાવ્યાઠગ એજન્ટ વરુણ પરમારની મોડસ ઓપરેન્ડી ખૂબ જ વ્યવસ્થિત હતી. તે લોકોને વિશ્વાસમાં લેતો હતો કે તે ફિનલેન્ડના ઈ-વર્ક પરમિટ વિઝા અને કેનેડાના સ્ટેમ્પ વિઝા ખૂબ જ ટૂંકા ગાળામાં અપાવી દેશે. આ વિશ્વાસના જોરે તેણે 13 ક્લાયન્ટ્સ પાસેથી રોકડા તેમજ બેંક ટ્રાન્સફર મારફતે કુલ 2,13,00,000 પડાવી લીધા હતા. પૈસા લીધા બાદ આરોપી ક્લાયન્ટ્સને વાયદા આપતો હતો, પરંતુ કોઈને પણ ફ્લાઇટ ન કરાવીને પોતાની આર્થિક લાલસા સંતોષી હતી. વરુણ સિવાય અન્ય સ્થાનિક કે આંતરરાજ્ય એજન્ટો પણ સામેલઆ કેસમાં ચોંકાવનારી વિગત એ છે કે, પાલ પોલીસ મથકમાં અગાઉ પણ વિઝા ફ્રોડનો કેસ રજીસ્ટર થયેલો હતો, જેમાં 23 ક્લાયન્ટ્સ પાસેથી 39 લાખની છેતરપિંડી થઈ હતી. તે કેસની તપાસ દરમિયાન વરુણ પરમારની સીધી સંડોવણી સામે આવી હતી. પોલીસને આશંકા છે કે આ એક મોટું રેકેટ હોઈ શકે છે, જેમાં વરુણ સિવાય અન્ય સ્થાનિક કે આંતરરાજ્ય એજન્ટો પણ સામેલ હોઈ શકે છે. હાલ પોલીસ આ દિશામાં ઝીણવટભરી તપાસ કરી રહી છે. કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરાઈઝડપાયેલા આરોપી વરુણ પરમાર (ઉં.વ. 31) વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેને કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ તેના રિમાન્ડ મેળવીને એ જાણવા માગે છે કે તેણે પડાવેલા 2.13 કરોડ ક્યાં રોક્યા છે અથવા કોને ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત, તેની ઓફિસમાંથી કયા કયા દસ્તાવેજો મળી આવ્યા છે અને અન્ય કેટલા લોકો ઠગાઈનો ભોગ બન્યા છે તેની પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે. પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસ તેજ કરીઆ કેસમાં ભોગ બનનાર યુવાનોએ પોતાની જિંદગીની જમાપુંજી વિદેશ જવાના મોહમાં એજન્ટને સોંપી દીધી હતી. ઘણા લોકોએ વ્યાજે પૈસા લઈને કે મિલકત ગીરવે મૂકીને એજન્ટને લાખો રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે મહિનાઓ વીતવા છતાં વિઝા ન મળ્યા અને એજન્ટે હાથ ઊંચા કરી દીધા, ત્યારે ભોગ બનનારાઓએ પોલીસના દ્વાર ખખડાવ્યા હતા. હાલ પોલીસે તમામ પુરાવાઓ એકત્ર કરી તપાસ તેજ કરી છે.
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
ભરૂચના રોકડિયા મંદિરે 21 ફૂટની બુંદી ગદા:હનુમાન જન્મોત્સવ માટે વિશેષ આકર્ષણ બનશે
આવતીકાલે ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કષ્ટભંજન દેવ મહાબલી હનુમાનજીનો જન્મોત્સવ ધામધૂમ અને આસ્થા સાથે ઉજવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના વિવિધ હનુમાનજી મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો અને પૂજા-અર્ચનાની વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. ભરૂચના કસક વિસ્તારમાં આવેલ પૌરાણિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે આ વર્ષે 21 ફૂટ લાંબી અને 21 ફૂટ ગોળાઈ ધરાવતી વિશાળ 'બુંદી ગદા' વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. આ 'બુંદી ગદા' પવનપુત્ર હનુમાનજીને અતિપ્રિય ગણાતી 'વિભાવરી ગદા'ના સ્વરૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે. હાલ મંદિર પરિસરમાં આ ગદા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જન્મોત્સવના દિવસે આ વિશાળ 'બુંદી ગદા' ભક્તો માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બનશે. તેને જોવા અને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. મંદિરના મહંત રામદાસજી મહારાજે ભરૂચ શહેર તથા જિલ્લાના તમામ ધર્મપ્રેમી નાગરિકોને આ પવિત્ર અવસરે મંદિર ખાતે હાજર રહી દર્શનનો લાભ લેવા અને ઉજવણીમાં સહભાગી થવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
મોરબી જિલ્લામાં રાષ્ટ્રભક્ત તરીકેની છબી ઊભી કરનાર અજય લોરીયા વિરુદ્ધ સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનો મળીને 2000 લોકોએ મોરબી એસપી કચેરીમાં રજૂઆત કરી છે. અજય લોરીયાની 'ક્રાઈમ કુંડળી' રજૂ કરીને જિલ્લામાં ચાલતા અનેક બે નંબરના ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં તેની ભાગીદારી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. 29 માર્ચે 25 લાખની લેતીદેતીમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ પર હુમલાના કેસમાં કોર્ટે આજે લોરીયાને જેલ હવાલે કર્યો છે. કોણ છે અજય લોરીયા? અજય લોરીયા મોરબી જિલ્લા પંચાયતની હાલ પૂરી થયેલી ટર્મની બોડીમાં જિલ્લા પંચાયત સદસ્ય હતો. મોરબી જિલ્લા પંચાયતની જેતપર બેઠક પરથી ભાજપમાંથી ચૂંટણી જીત્યો હતો. મોરબી જિલ્લા પંચાયતની પૂરી થયેલી ટર્મમાં પ્રથમ અઢી વર્ષ તે બાંધકામ સમિતિનો ચેરમેન હતો. હાલ તે ભાજપ સંગઠનમાં કોઈ હોદ્દો ધરાવતો નથી. તે ‘સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન’નો સ્થાપક છે. પૈસા પરત માંગતા અજય લોરીયાએ સિરામિક ઉદ્યોગપતિ પર કર્યો જીવલેણ હુમલોઅજય લોરીયાએ 29 માર્ચે 25 લાખની લેતીદેતીમાં મોરબીના સિરામિક ઉદ્યોગપતિ શેખર આદ્રોજા પર જીવલેણ હુમલો કર્યો હતો.સિરામિક ઉદ્યોગપતિ શેખર આદ્રોજાએ અજય લોરીયાને 25 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. લાંબા સમય બાદ આ રકમ પરત માંગતા અજય લોરીયાએ શનાળા રોડ પર આવેલા ભારત ટ્રાન્સપોર્ટના ડેલામાં બોલાવી ત્યાં લોખંડની ખીલીઓ જડેલો ધોકો કાઢી શેખર આદ્રોજા અને તેના મિત્ર જયેશ પાડલીયા બંને પર હિંસક હુમલો કર્યો હતો. આ હુમલામાં જયેશ પાડલીયાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા 12થી વધુ ટાંકા આવ્યા હતા, જ્યારે શેખર આદ્રોજાને બંને હાથમાં ફ્રેક્ચર અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. પોલીસે શેખર આદ્રોજા અને તેના મિત્ર જયેશ પાડલીયાના નિવેદનને આધારે ફરિયાદ નોંધી સોમવારની સાંજે અજય લોરીયાની ધરપકડ કરી હતી. બુધવારે લોરીયાને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને જેલ હવાલે કર્યો છે. પાટીદાર સમાજ અને ઉદ્યોગકારોએ આ મામલે તટસ્થ તપાસની માંગ કરી છે, જેથી અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે. અનેક લોકોના પૈસા પરત નથી કર્યા, પૈસા માંગનારને ધાકધમકી આપી હુમલા કર્યામોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતિભાઈ પટેલ, પાટીદાર અગ્રણી મનોજ પનારા સહિતના આગેવાનોએ એસપી કચેરીએ પહોંચીને શેખર આદ્રોજાના નામની લેખિત અરજી પણ આપી હતી. આ અરજીમાં જણાવાયું છે કે, લોરીયાએ શેખર આદ્રોજાની જેમ અનેક લોકોના પૈસા લઈને પરત કર્યા નથી અને પૈસા માંગનારને ધાકધમકી આપી, લુખ્ખાગીરી કરી તેમજ હુમલા કર્યા છે. જોકે, ઘણા લોકો ડરના કારણે ફરિયાદ કરવા તૈયાર થતા નથી. અજય લોરીયા પર સટ્ટા સહિતના અનેક ગુનાઓરજૂઆતમાં અજય લોરીયા પર ક્રિકેટનો સટ્ટો રમાડવો, એમ.સી.એક્સ.ના ગેરકાયદેસર વાયદા લેવા, ડબ્બા ટ્રેડિંગ, બાયો ડીઝલ વેચવું, હનીટ્રેપ કરવી, કિંમતી જમીન પર કબજા કરવા, ગુંડાગીરી, ગોવામાં ગેરકાયદેસર જુગાર રમાડવો, દારૂ વેચતા બુટલેગરોને ટેકો આપવો અને અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમના ઘર બરબાદ કરવા જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. પોતાને રાષ્ટ્રભક્ત બતાવે છે, પરંતુ તેની તમામ પ્રવૃત્તિઓ દેશદ્રોહી જેવીઆક્ષેપ કરનારાઓએ જણાવ્યું કે, અજય લોરીયા રાજકીય વગ અને સામાજિક પ્રવૃત્તિઓના ઓઠા હેઠળ અનેક ખોટા ધંધા કરે છે. તે પોતાને રાષ્ટ્રભક્ત બતાવે છે, પરંતુ તેની તમામ પ્રવૃત્તિઓ દેશદ્રોહી જેવી છે. વધુમાં, તે ધર્મપ્રેમી હોવાનો ઢોંગ કરીને વિધર્મીઓ સાથે ગેંગ બનાવીને અનેક પાટીદાર યુવાનોને સટ્ટાના રવાડે ચડાવી તેમની જિંદગી બરબાદ કરી છે. બાવળને આંબો સમજીને પાણી આપણે પાયું : મનોજ પનારામનોજ પનારાએ જણાવ્યુ હતું કે, બાવળને આંબો સમજીને પાણી આપણે પાયું છે જો કે, હવે તેને કાપવાની જવાબદારી આપણી જ છે કેમ કે, જેટલા પણ બે નંબરના ધંધા છે તેમાં અજય લોરિયાનો હાથ હોવાનું સામે આવી રહ્યું છે જેથી તેની ક્રાઇમ કુંડળી એસપીને આપવામાં આવેલ છે.
મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાનાઓએ ગેસના અભાવ અને ઊંચા ભાવને કારણે તેમનું વેકેશન લંબાવ્યું છે. સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનની બેઠકમાં 1 મે, 2026 સુધી કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ બાદ મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસર થઈ છે. શરૂઆતમાં પ્રોપેન ગેસની અછતને કારણે લગભગ 450 કારખાના બંધ થયા હતા. ત્યારબાદ નેચરલ ગેસ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી ઉદ્યોગકારોની મુશ્કેલીઓ વધી છે. યુદ્ધ પહેલા જે નેચરલ ગેસ રૂ. 41 પ્રતિ ક્યુબિક મીટરના ભાવે મળતો હતો, તેનો ભાવ હાલમાં રૂ. 92 થી રૂ. 93 થયો છે. ટેક્સ સાથે આ ભાવ રૂ. 104 થી રૂ. 105 પ્રતિ ક્યુબિક મીટર સુધી પહોંચવાની શક્યતા છે. આજે મોરબી સિરામિક એસોસિએશનના હોલ ખાતે સિરામિક વોલ ટાઇલ્સના પ્રમુખ નરેન્દ્ર સંઘાત, પૂર્વ પ્રમુખ હરેશ બોપલિયા, મુકેશ ઉઘરેજા અને મણી પટેલની હાજરીમાં 161 વોલ ટાઇલ્સ કારખાનાના માલિકોની બેઠક યોજાઈ હતી. યુદ્ધને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, અગાઉ 15 એપ્રિલ સુધી કારખાના બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયમાં વધુ 15 દિવસનો વધારો કરીને હવે 1 મે સુધી તમામ સિરામિક વોલ ટાઇલ્સ કારખાના બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. પાર્કિંગ ટાઇલ્સ, પોરસોલીન ટાઇલ્સ અને ડબલ ચાર્જ ટાઇલ્સ બનાવતા યુનિટ પણ 1 મે સુધી બંધ રહેશે. મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સંઘાતે જણાવ્યું હતું કે, નેચરલ ગેસના ભાવમાં થયેલા અસાધારણ વધારાને કારણે ઉત્પાદન ખર્ચ ખૂબ વધી ગયો છે. જો કારખાના ચાલુ રાખવામાં આવે અને ઉત્પાદનોના ભાવ વધારવામાં આવે, તો તે બજારમાં સ્વીકાર્ય નહીં હોય. આથી, ઉદ્યોગકારોએ સામૂહિક રીતે વધુ 15 દિવસ કારખાના બંધ રાખીને 1 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે, જેથી નુકસાન ટાળી શકાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, યુદ્ધના કારણે મોરબીના એક્સપોર્ટ માર્કેટને બહુ મોટી અસર થવાની છે કારણ કે કુલ એક્સપોર્ટમાંથી 25 ટકા જેટલો માલ જીસીસીના દેશમાં સપ્લાય કરવામાં આવતો હતો અને હાલમાં મોરબીનો સિરામિક ઉદ્યોગ ગેસના અભાવના કારણે બંધ છે બીજી બાજુ મોરબીનો સૌથી મોટો હરીફ ચાઈના છે અને ત્યાં આજની તારીખે પણ સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન ચાલુ છે. ત્યાં આપણા કરતાં ઘણો સસ્તો ગેસ મળતો હોવાના કારણે ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણે તેની સાથે ભાવમાં કોમ્પિટિશનમાં ઊભા રહી શકી તેમ નથી આમ જીસીસીના દેશ સહિત સમગ્ર દુનિયામાં મોરબીના સિરામિક ટાઇલ્સના એક્સપોર્ટ માર્કેટને આ યુદ્ધના કારણે બહુ મોટી અસર થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
સુરેન્દ્રનગરની નિધિ છગનભાઈ હળવદિયાએ રાજ્યકક્ષાની નિબંધ સ્પર્ધામાં સતત ત્રણ વર્ષ વિજેતા બની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહના અનુસંધાને યોજાયેલી આ સ્પર્ધામાં નિધિએ હેટ્રિક નોંધાવી છે. નિધિએ વર્ષ 2024માં દ્વિતીય ક્રમ, જ્યારે 2025 અને 2026માં પ્રથમ ક્રમ મેળવીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આ સફળતા માત્ર વ્યક્તિગત નહીં, પરંતુ સમગ્ર વિસ્તાર અને સમાજ માટે ગૌરવની વાત છે. તેમણે પોતાના ઉત્તમ લેખન કૌશલ્ય, ઊંડા વિચારો અને સ્પષ્ટ અભિવ્યક્તિ દ્વારા નિબંધ સ્પર્ધામાં નિર્ણાયકોને પ્રભાવિત કર્યા હતા. સતત ત્રણ વર્ષ સુધી આ સિદ્ધિ મેળવવી એ તેમની મહેનત, લગન અને પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે. આ સિદ્ધિ બદલ માર્ગદર્શક ડૉ. ગજેન્દ્રસિંહ ઝાલા અને પરિવારના સભ્યોએ હર્ષ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડૉ. નરેન્દ્રભાઈ દવેના હસ્તે નિધિને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. ગ્રંથપાલ ભાવનાબેન વ્યાસે જણાવ્યું હતું કે, નિધિની આ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે અને ભવિષ્યમાં પણ તે વધુ ઊંચાઈઓ સર કરશે તેવી આશા છે. નિધિએ પોતાના પરિવારનું નામ રાજ્ય સ્તરે ગૌરવ સાથે ઉજ્જવળ બનાવ્યું છે.
BREAKING: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો
Gujarat Local Body Election: ગુજરાતમાં લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું ચિત્ર આખરે સ્પષ્ટ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આજે બુધવારે(1 એપ્રિલ, 2026) સાંજે ગાંધીનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યની 15 મહા નગરપાલિકા (જૂનાગઢ અને ગાંધીનગર સિવાય તમામ), 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતનો ચૂંટણી કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 એપ્રિલ 2026ના રોજ યોજાશે, જ્યારે મત ગણતરી 28 એપ્રિલ 2026ના રોજ હાથ ધરાશે. આ વખતની ચૂંટણીમાં ઓબીસી (OBC) અનામત બેઠકોના નવા રોટેશનનો અમલ કરાશે. ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીની જાહેરાત
જામનગરમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે દાવેદારો ઉમટ્યા
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જામનગરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'અટલ ભવન' ખાતે આજે જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા (સેન્સ) શરૂ કરવામાં આવી છે. ટિકિટ મેળવવા માટે મોટી સંખ્યામાં દાવેદારો ઉમટી પડ્યા હતા, જેના કારણે કાર્યાલય ખાતે ભારે ચહલપહલ જોવા મળી હતી. પક્ષના સંગઠન દ્વારા આ મહત્વપૂર્ણ પ્રક્રિયા માટે બે દિવસનો સમય ફાળવવામાં આવ્યો છે. પક્ષના નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળીને તેમની દાવેદારીની ચકાસણી કરવામાં આવી રહી છે. સંગઠન દ્વારા કુલ છ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે, જેઓ ઉમેદવારો પાસેથી સેન્સ લેવાની કામગીરી કરી રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાને પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવા માટે પક્ષ દ્વારા નિરીક્ષકોને બે ગ્રુપમાં વિભાજિત કરવામાં આવ્યા છે. ગ્રુપ-1 માં નૈલૈશભાઈ શાહ (પૂર્વ જિલ્લા પ્રમુખ, ગાંધીનગર), વીણાબેન પ્રજાપતિ (પૂર્વ પ્રદેશ મહામંત્રી, મહિલા મોરચો) અને જનકભાઈ પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રુપ-2 માં મધુબેન પટેલ (પૂર્વ પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો), હિતેન્દ્રભાઈ પટેલ (પૂર્વ પ્રદેશ સહ પ્રવક્તા) અને મહેન્દ્રભાઈ બાવલિયા (પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, બક્ષીપંચ મોરચો) નિરીક્ષક તરીકે કાર્યરત છે. સેન્સ પ્રક્રિયાના પ્રથમ દિવસે જ પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં દાવેદારો અટલ ભવન પહોંચ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવવા ઈચ્છતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. નિરીક્ષકો દ્વારા તમામ દાવેદારોના મંતવ્યો અને તેમની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જેના આધારે અંતિમ યાદી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. આ પ્રક્રિયા બાદ જામનગરની બેઠકો પર ઉમેદવારોના નામ અંગેની સ્પષ્ટતા થવાની સંભાવના છે, જેને લઈને હાલમાં જામનગરના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
બનાસકાંઠા જિલ્લામાં ₹160.65 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યો જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પાલનપુર ખાતે નવી કલેકટર કચેરી 'ગ્રીન બિલ્ડીંગ'ના ધોરણે વિકસાવવામાં આવી રહી છે. આ બિલ્ડીંગમાં પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ જેવી કે દિવસ દરમિયાન ઓછામાં ઓછી લાઇટનો ઉપયોગ થાય તેવી ડિઝાઇન અને તાપમાન નિયંત્રણ માટે આધુનિક વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આનાથી વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન બિલ્ડીંગમાં ઠંડક જળવાઈ રહેશે. તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે લોકોની જરૂરિયાતો અને સંવેદનાઓને ધ્યાનમાં રાખીને આ નિર્માણ કર્યું છે, જે પ્રશાસન અને નાગરિકો વચ્ચે સારો સંપર્ક સ્થાપિત કરશે. આ ગ્રીન બિલ્ડીંગ ભવિષ્યમાં આધુનિક ડિજિટલ બિલ્ડીંગ તરીકે કાર્ય કરશે. મંત્રીએ 2047 સુધીમાં વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સ્વપ્નને સાકાર કરવા માટે સહિયારા પ્રયાસોથી વિકસિત બનાસકાંઠા જિલ્લાની દિશામાં આગળ વધવા હાકલ કરી હતી. આ વિકાસકાર્યોમાં માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ અને કલેક્ટર કચેરી સંબંધિત મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. કાણોદર ખાતે ₹53 કરોડના ખર્ચે નિર્મિત બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જે અમદાવાદ તરફ જતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત આપશે. આ ઉપરાંત, દાંતા વિસ્તારમાં મોટા સડાથી નાગેલ સુધીના ₹30 કરોડના ખર્ચે તૈયાર થનારા રિસરફેસિંગ રોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે, જે સ્થાનિક પરિવહનને વધુ સુદ્રઢ બનાવશે. વિકાસકામોની સાથે જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રની વ્યાપક સંભાવનાઓ પર ભાર મૂકતા જણાવાયું હતું કે, બનાસકાંઠામાં એગ્રો-ટૂરિઝમ અને એસ્ટ્રો-ટૂરિઝમ માટે ઉજ્જવળ તકો રહેલી છે. નવી પેઢીને ખેતી અને ગ્રામીણ જીવનશૈલીનો પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે એગ્રો-ટૂરિઝમ એક મજબૂત આર્થિક સ્ત્રોત બની શકે તેમ છે. આ સાથે જ પ્રવાસન ક્ષેત્રે 'સર્વિસ સેક્ટર'ને વધુ કાર્યક્ષમ બનાવવાની હાકલ કરવામાં આવી હતી, જેથી જિલ્લાની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જઈ શકાય. રાજ્ય સરકાર દ્વારા વિકાસને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને ગામડાંથી લઈને શહેર સુધી સુવિધાઓનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. આવા વિકાસકાર્યોના કારણે સ્થાનિક નાગરિકોને સીધો લાભ મળશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને નવી દિશા મળશે. મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે થયેલ લોકાર્પણ /ખાતમુર્હુતની વિગતો કાણોદર ખાતે ફ્લાય ઓવરનું લોકાર્પણ: પાલનપુર તાલુકાના કાણોદર જંક્શન પર અમદાવાદ-પાલનપુર હાઈવે પર અંદાજે રૂ. 53.96 કરોડના ખર્ચે નિર્મિત ફ્લાય ઓવરનું લોકાર્પણ કલેક્ટર કચેરીનું ખાતમુહૂર્ત: પાલનપુર મુકામે અંદાજે રૂ. 59.17 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નવી કલેક્ટર કચેરીના મકાનનું ખાતમુહૂર્ત દાંતીવાડા ડેમ પ્રોજેક્ટ અંતર્ગત રોડનું ખાતમુહૂર્ત: દાંતીવાડા તાલુકામાં મેઈન કેનાલ, દાંતીવાડા ડેમ સર્વિસ રોડના રીસરફેસીંગ કામનું રૂ. 6.33 કરોડના કાર્યનું ખાતમુર્હુત દાંતા તાલુકામાં માર્ગ સુધારણા: દાંતા તાલુકાના મોટાસડા- નાગેલ-સેબલીયા રસ્તાના રીસરફેસીંગનું રૂ. 18 કરોડના કાર્યનું ખાતમુર્હુત તથા કણબીયાવાસ-ખાઈવાડ રસ્તાના રીસરફેસીંગમાટે રૂ. 12.50 કરોડના કાર્યનું ખાતમુર્હુત પાલનપુર ગ્રામ્ય વિસ્તારમાં નવા રસ્તા: વેડંચા ગામના ગઢ ચડોતર રોડથી સવાયપુરા સુધીનો રોડનું રૂ. 3.10 કરોડના કાર્યનું ખાતમુર્હુત તથા સલ્લા ગામે રામદેવપીર મંદિરથી દલવાડા રોડ સુધી 3.10 કરોડના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
દિવ્યાંગોએ 4G ફોન નકાર્યા, 5Gની માંગ ઉઠી:સહાય યોજનામાં ગેરરીતિના આક્ષેપ, ઉપરી કચેરીમાં રજૂઆત કરાઈ
ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ અપાયેલા મોબાઈલ ફોનને લઈને અસંતોષ જોવા મળ્યો છે. દિવ્યાંગ અરજદારોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરીને સરકાર દ્વારા અપાયેલા 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અરજદારોના મતે, તેમને અપાયેલા લાવા કંપનીના 4G ફોન ટેકનિકલી નબળા છે. ખાસ કરીને TalkBack જેવી સુવિધાઓનો ઉપયોગ કરતી વખતે ફોન ધીમો પડી જાય છે, જેના કારણે દિવ્યાંગ વ્યક્તિઓ માટે તેનો ઉપયોગ મુશ્કેલ બને છે. દિવ્યાંગોએ આક્ષેપ કર્યો છે કે સરકારે પ્રતિ સાધન રૂ. 20,000 સુધીનું બજેટ ફાળવ્યું હોવા છતાં, આધુનિક 5G સ્માર્ટફોન આપવાને બદલે ઓછી ગુણવત્તાવાળા 4G ફોન આપવામાં આવ્યા છે. આનાથી બજેટ અને વાસ્તવિક ખર્ચ વચ્ચે ગેરરીતિ થઈ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. દિવ્યાંગોએ માંગ કરી છે કે આ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવે, ગુણવત્તાસભર 5G મોબાઈલ ફોન પૂરા પાડવામાં આવે અને જો ગેરરીતિ જણાય તો જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે. આ મુદ્દે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે અરજદારોની રજૂઆત ઉપરી કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે. તેમણે ખાતરી આપી કે આ બાબતે વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવશે અને જૂના ફોન પરત લઈને નવા ફોન આપવામાં આવશે.
મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લુણાવાડા સ્થિત વિશ્રામગૃહ ખાતે આજથી શરૂ થયેલી આ પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે. આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ કક્ષાએથી નિરીક્ષકો સંદિપ દેસાઈ, રાજેન્દ્રસિંહ કુંવર અને અસ્મિતાબેન શિરોયા ઉપસ્થિત રહ્યા છે. તેઓ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની પેટા ચૂંટણી માટેના દાવેદારોની વ્યક્તિગત રજૂઆતો સાંભળી રહ્યા છે. પ્રથમ દિવસે કડાણા, ખાનપુર, ગોધરા, કોઠંબા અને વિરપુર તાલુકાની જિલ્લા અને તાલુકા પંચાયત બેઠકો માટેના દાવેદારોને બોલાવવામાં આવ્યા હતા. તેમની કામગીરી, લોકપ્રિયતા અને સંગઠન પ્રત્યેની નિષ્ઠા અંગે માહિતી લેવામાં આવી હતી. ઉમેદવારોએ પોતાના કાર્યકાળની વિગતો અને વિસ્તારના વિકાસ માટેની યોજનાઓ પણ રજૂ કરી હતી. બીજા દિવસે બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવશે. આ ઉપરાંત, લુણાવાડા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે ઇચ્છુક ઉમેદવારો પણ પોતાની દાવેદારી રજૂ કરશે. પાર્ટી દ્વારા આ સેન્સ પ્રક્રિયા દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર કાર્યરત અને લોકપ્રિય ઉમેદવારોની પસંદગી કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે, જેથી આગામી ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરી શકાય. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લા સંકલન બેઠક યોજાશે. આ બેઠકમાં સમગ્ર પ્રક્રિયાની સમીક્ષા કરીને અંતિમ રણનીતિ અને ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવશે.
વડોદરાની નારી શક્તિએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર પોતાનો દબદબો સાબિત કર્યો છે. તામિલનાડુમાં તાજેતરમાં 24 થી 29 માર્ચ દરમિયાન યોજાયેલી ‘વુમેન્સ ખેલો ઈન્ડિયા નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ’ 2026માં વડોદરાની આઠ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 6 ખેલાડીઓએ મેડલ જીતીને વડોદરા અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. કડક સ્પર્ધા બાદ મેળવી સફળતા યુવા બાબતો અને રમતગમત મંત્રાલય તથા ભારતીય રમતગમત દ્વારા આયોજિત આ સ્પર્ધા 150 શહેરોમાં રાષ્ટ્રવ્યાપી સ્તરે યોજાઈ હતી. WAKO ઈન્ડિયા કિકબોક્સિંગ ફેડરેશનના માર્ગદર્શન હેઠળ ઝોનલ લીગ્સમાં કડક પસંદગી પ્રક્રિયા બાદ ખેલાડીઓ નેશનલ ફાઇનલ્સ સુધી પહોંચ્યા હતા. વડોદરાની ટીમે આ અસાધારણ પ્રદર્શનમાં 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવીને મેદાન માર્યું છે. સુવર્ણ અને રજત પદક વિજેતાઓ ઝળહળતી સફળતા મેળવનાર ગોલ્ડ મેડાલિસ્ટમાં ખુશી પંચાલ, પાવની દાયાલ, કાવ્યા જાડેજા અને દિનકલ ગોરખાનો સમાવેશ થાય છે. જ્યારે મનસ્વી સાલુજા અને ઈશિતા ગાંધીએ સિલ્વર મેડલ જીતીને શહેરની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. આ સિવાય, વડોદરાના આકાશ ચાવને આ ઇવેન્ટમાં રેફરી તરીકે પસંદગી પામી વિશેષ સિદ્ધિ હાંસલ કરી હતી. તાલીમ અને પ્રોત્સાહન આ સફળતા પાછળ કોચ રાવી વાંઝારા અને આદિત્ય પરમારની સખત તાલીમ તથા કોચ દિયા ત્રિવેદીનું સચોટ માર્ગદર્શન મુખ્ય રહ્યું છે. કિકબોક્સિંગ એસોસિએશનના પ્રમુખ અને SFCના સ્થાપક સિદ્ધાર્થ ભાલેગરે ટીમની કામગીરીને બિરદાવી હતી. વિજેતા ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નાણાકીય પુરસ્કાર આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે.
ખંભાળિયા શહેરમાં ગઈકાલે બાઈક અડકવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ગંભીર બનાવમાં પરિણમી હતી. આ ઘટનામાં દીપક નામના વ્યક્તિએ એક મુસ્લિમ શખ્સ પર હુમલો કર્યો હતો અને તેની પાસેથી સોનાનો સામાન ઝૂંટવી લીધાનો આક્ષેપ છે. આ બનાવ બાદ આરોપી દીપક પરપ્રાંતિય અને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી પોતાના 8-10 કાર્યકરો સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ સાથે ઈસુદાન ગઢવી અને તેમના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ, જેમાં DYSP, LCB અને SOGની ટીમનો પણ સમાવેશ થાય છે, તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે કાર્યવાહી કરતા ઈસુદાન ગઢવી સહિત 10થી 12 લોકોને ડિટેઇન કર્યા હતા. આ ઉપરાંત, ફરજમાં રૂકાવટ કરવા બદલ ગુનો નોંધવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર મામલે ખંભાળિયા શહેરમાં ભારે ચર્ચા જાગી છે. આ બનાવને પગલે શહેરમાં કાયદો-વ્યવસ્થા અંગે ચિંતા અને રાજકીય ગરમાવો બંને વધ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.
ગુજરાત યુનિવર્સિટીમાં અટલ કલામ સેન્ટર પાસે ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. જ્યાં લેબ બનાવવા માટે હાઈટ ઓછી પડતી હોવાથી નવી બિલ્ડિંગમાં તોડફોડ કરવામાં આવતી હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. જેને લઈને NSUIના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિની ઓફિસમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પહેલા બિલ્ડીંગ પછી બેઝમેન્ટ બનાવતા હોવાના પોસ્ટર સાથે NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ વિરુદ્ધ ઉગ્ર નારા લગાવ્યા હતા. જો કે રિસર્ચ પાર્કમાં કરાયેલ તોડફોડથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના હોવાનો કુલપતિએ દાવો કર્યો છે. તેમજ બિલ્ડીંગ પૂર્વ કુલપતિના સમયમાં બન્યું હોવાથી મારી જવાબદારી ન હોવાનું કહી લૂલો બચાવ કર્યો હતો. કરોડો રૂપિયાનું બિલ્ડિંગ બન્યા બાદ પણ ગંભીર બેદરકારીનો આક્ષેપધ્રુવ કમલ બિલ્ડિંગમાં લેબ બનાવવા માટે તોડફોડ કરવામાં આવતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમજ NSUIએ આક્ષેપ કર્યો છે કે, બિલ્ડિંગ બન્યા બાદ ખાડો ખોદીને લેબ બનાવવા હાઈટ વધારવામાં આવી રહી છે. જે માટે કરોડો રૂપિયાના પૈસાનો વેડફાડ થઈ રહ્યો છે. બિલ્ડીંગ બનતા સમયે લેબ બનાવવા માટેની હાઈટનું ધ્યાન ન રાખતા કરોડો રૂપિયાનું બિલ્ડિંગ બન્યા બાદ પણ ગંભીર બેદરકારી દાખવી હોવાનો NSUIએ દાવો કર્યો છે. જેને લઈને કુલપતિ અને રજીસ્ટ્રાર એસી ઓફિસમાંથી બહાર નીકળો તેવા પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે તેની સામે કાર્યવાહી કરવાની માગ સાથે કુલપતિની ઓફિસમાં હોબાળો પણ કર્યો હતો. પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપીજો કે કુલપતિની ઓફિસમાં ઘૂસવા જતા પોલીસે રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે દરમિયાન પોલીસ અને NSUIના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. જે અધિકારીઓએ બિલ્ડીંગ બનાવતા સમયે બેદરકારી દાખવી છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી NSUIના કાર્યકર્તાઓને વિરોધ કરી કુલપતિ પાસે માગ કરી હતી. તેમજ સ્લેબ તોડવાના કારણે બિલ્ડીંગની ઉંમર અડધી થઈ ગઈ હોવાનો પણ NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને અસર થાય એવી તોડફોડ ન થઈ હોવાનો દાવો ગુજરાત યુનિવર્સિટીના રિસર્ચ પાર્કમાં કરાયેલી તોડફોડથી સ્ટ્રક્ચરને કોઈ નુકસાન ના હોવાનો કુલપતિ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને બે સ્પાનને તોડી નાખવાનું સમાન્ય લાગુ રહ્યું છે. બે સ્પાન અને ભોંય તળિયું તોડાયા હોવા છતાં સ્ટ્રક્ચરને અસર નહીં થવાનો દાવો કુલપતિ દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ લૂલો બચાવ કરતા કહ્યું કે, બિલ્ડિંગની ડિઝાઇન અને કામની શરૂઆત પૂર્વ કુલપતિના સમયે થઈ હતી જેથી તેની કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું. બિલ્ડિંગના સ્ટ્રક્ચરને અસર થાય એવી તોડફોડ નથી થઈ હોવાનો દાવો પણ કુલપતિએ કર્યો છે. 'બિલ્ડીંગ બન્યા બાદ પીલ્લર તોડીને બિલ્ડિંગનું આયુષ્ય ઘટાડી દીધું'NSUIના અમદાવાદ શહેર પ્રમુખ ચિરાગ દરજીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું જેનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. જ્યાં લેબ ભણાવવા માટે હાઈટ 21 ફૂટના બદલે 12 ફૂટ રાખવામાં આવી હતી. જે બાદ ત્યાં તોડફોડ કરવાની શરૂઆત કરવામાં આવી હતી. બિલ્ડીંગમાં ખોદકામ થતા જ તેનું આયુષ્ય પણ ઘટી ગયું છે. વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે યુનિવર્સિટી રમી રહી છે જેથી બિલ્ડિંગને લોક મારી દેવામાં આવી તેવી અમારી માગ છે. બિલ્ડીંગ બન્યા બાદ જે પણ લોકોએ તોડફોડ શરૂ કરી હોય તેને સસ્પેન્ડ કરી દેવામાં આવે. બિલ્ડીંગ બન્યા બાદ પીલ્લર તોડીને બિલ્ડિંગનું આયુષ્ય ઘટાડી દેવામાં આવ્યું છે. સરકારી ગ્રાન્ટના આધારે ડિફેન્સ રિસર્ચ મંજૂર કરવામાં આવી છે: કુલપતિતોડફોડ ન કરાતી હોવાના દાવા સાથે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, અત્યારે તોડવામાં આવ્યું નથી, પરંતુ આ પ્લાનિંગ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે. ડિફેન્સ રિસર્ચ સિસ્ટમની એક લેબ તૈયાર થઈ રહી છે. ડિફેન્સ એક્સપર્ટ, સ્ટ્રકચરલ એન્જિનિયર અને IIT ખડકપુર તેમજ પુણેના જે મોટી સંસ્થાઓ છે તે જોડાયેલા છે. સરકારી ગ્રાન્ટના આધારે ડિફેન્સ રિસર્ચ મંજૂર કરવામાં આવી છે. એશિયામાં સૌ પ્રથમવાર તે બનવા માટે જઈ રહી છે. જેનું કામ ઓગસ્ટ કે સપ્ટેમ્બરથી ત્યાં ચાલી રહ્યું છે. અત્યારે કોઈ નવું કામ શરૂ કરવામાં આવ્યું તેવું નથી. અત્યારે તોડીને ફરી બનાવવામાં આવી રહી છે વાત તદન ખોટી છે. 'અવાજ અંદર કે બહાર ન જાય તેવી લેબ તૈયાર કરવામાં આવશે'વધુમાં નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ ડીઝાઇનનો પાર્ટ છે અને અત્યારે છેલ્લા સ્ટેજ પર કામ ચાલી રહ્યું છે. એનાકોઈક ચેમ્બર જે નોઇડામાં તૈયાર થઈ રહ્યો છે જે લાવીને ફિક્સ કરવામાં આવશે. અવાજ અંદર કે બહાર ન જાય તેવી લેબ તૈયાર કરવામાં આવશે. આપણા સૈનિકોમાં કેવા પ્રેશર હોય છે, તે પ્રેશરની આપણા શરીરની કઈ મુન્દ્રા ક્યોર કરી શકે દવા વગર તેવી રિસર્ચ તેમાં થવાની છે. જે તોડવામાં આવ્યું છે તે બિલ્ડિંગના સ્ટ્રકચરનો ભાગ નથી તેવું હું ખાતરી સાથે કહું છું. 16 ફૂટની ઊંચાઈ હતી તે નીચે વધુ 4 ફૂટની કરીને ફરી તેને સમતલ કરવામાં આવશે. જ્યાં ચેમ્બરની દીવાલો ફૂટ કરવામાં આવશે એટલે કે કોઈ ભોયરું બનતું નથી. 'પૂર્વ VCના સમયે લેબ બની હતી, કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું'બિલ્ડીંગ બની ત્યારે હું કુલપતિ નહતી જેથી જવાબદારી નહીં સ્વીકારું તેવો દાવો કરી નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આખી બિલ્ડીંગ નવી બનાવીશું તો તેનો અલગથી ખર્ચો વધારે થઈ જશે. જેટલી બિલ્ડિંગ સરકારે જે ઉદ્દેશ સાથે આપી છે તે અને ગ્રાન્ટ પણ સરકાર દ્વારા આપવામાં આવી છે. રિસર્ચ પાર્કનું કામ જ તે હોય છે કે તેમાં રિસર્ચ લેબ બની શકે. ગ્રાન્ટ જે ઉદ્દેશ સાથે આવી રહી છે તે ઉદ્દેશ સાથે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પહેલા કોઈ ક્ષતિ નહતી અને હવે પણ કોઈ ક્ષતિ થવાની નથી. ડિઝાઇનને અમે અડવાના પણ નથી. જેવી રીતે અટલ કમલ હોલ છે તેવી રીતે આ પણ એક હોલ છે જેને અમે રિસર્ચ લેબમાં ફેરવીએ છીએ. જ્યારે બિલ્ડિંગ ચાલુ થઈ ત્યારે હું કુલપતિ નહતી. જેથી તેની કોઈ જવાબદારી હું નહીં સ્વીકારું. હજુ પણ સોફા ત્યાં છે તો હું જોવડાવી દઈશ તેની બહુ માહિતી મારી પાસે અત્યારે નથી.
મહીસાગર LCBએ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી બે મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી પાસેથી કુલ રૂ. 1,13,000ની કિંમતની બે મોટરસાયકલ જપ્ત કરવામાં આવી છે. પંચમહાલ ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિધિ ચૌધરી અને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ, LCB પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. ખાંટે ગુનાઓ શોધવા અને અટકાવવા માટે ટીમો બનાવી હતી. આ માટે ખાનગી બાતમીદારો, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લેવામાં આવી હતી. પેટ્રોલીંગ દરમિયાન, LCB સ્ટાફના આ.હે.કો. મહીપાલસિંહ ઉમેદસિંહને બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ ઇસમ મોટરસાયકલ લઈને ડેભારી ગામથી વડાગામ તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે સ્ટાફના માણસોએ ભેડીયા ગામની સીમમાં વોચ ગોઠવી હતી. બાતમી મુજબનો ઇસમ મોટરસાયકલ લઈને આવતા તેને રોકવામાં આવ્યો હતો. મોટરસાયકલના કાગળો રજૂ કરવા જણાવતા તેની પાસે કોઈ કાગળ ન હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા જાણવા મળ્યું કે, આ મોટરસાયકલ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના કણભા પોલીસ સ્ટેશનમાં BNS-2023, કલમ 303 (2) હેઠળ ગુન્હો નોંધાયેલો હતો. વધુ પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું કે, તેણે અન્ય એક મોટરસાયકલ પોતાના ઘર પાસે સંતાડી રાખી હતી. પોલીસે તે મોટરસાયકલ પણ જપ્ત કરી હતી. આમ, કુલ બે મોટરસાયકલ ચોરી કે છેતરપિંડીથી મેળવેલી હોવાનું સામે આવ્યું હતું. પકડાયેલા આરોપીનું નામ હીરા લાલાભાઇ પગી છે, જે વખતપુર વાદી ફળીયું, તા. ખાનપુર, જી. મહીસાગરનો રહેવાસી છે. પોલીસે તેની ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-વેચાણ થઈ શકશે. જે પહેલાં 20 ગુઠાએ થતું હતું. રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં જમીનનું લઘુતમ ક્ષેત્રફળ નક્કી કર્યું, 135-ડીની નોટિસના સમયમાં ફેરફાર કરાયો છે, જે પહેલાં 30 દિવસનો પિરિયડ હતો, જેને હવે ઘટાડીને 7 દિવસ કરવામાં આવ્યો છે. 1 ગુંઠા જમીન એટલે 1,089 સ્કે. ફૂટ થાય, તેથી 10 ગુંઠા જમીન હોય તો 10,890 સ્કે. ફૂટ થાય. જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરાયા, વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર ગ્રામિણ વિસ્તારોમાં જમીનના લઘુતમ ક્ષેત્રફળને 10 ગુઠા નક્કી કરવામાં આવ્યું છે, જેના કારણે નાના ટુકડામાં જમીન વેચાણ અંગેની મુશ્કેલીઓ દૂર થશે. અગાઉ આવા વ્યવહારો ફોક ગણાતા અને દંડ વસુલાતો, હવે કોઈપણ દંડ વગર આવા વ્યવહારો નિયમિત કરવામાં આવશે. હજારો કેસો જે રેવન્યુ કોર્ટમાં વર્ષોથી પેન્ડિંગ હતા તેમાંથી લોકોને રાહત મળશે. 'સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો'રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ટુકડાધારાના કારણે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, જેમાં વેચનાર અને ખરીદનાર બંને પક્ષો કાયદાકીય ઝંઝટમાં ફસાઈ જતા હતા. હવે આ સુધારા દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો છે. આ નિર્ણયથી શહેરી વિસ્તારો, નગરપાલિકા, મહાનગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીઝને પણ લાભ મળશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ જેવી સમસ્યાઓમાંથી લોકો મુક્ત થશેલાંબા સમયથી રેકોર્ડમાં ફેરફાર ન થયેલા, કેસ પેન્ડિંગ ન હોય અને શાંતિપૂર્ણ કબજો ધરાવતા કેસોમાં હવે તરત જ નોંધ મંજૂર કરવામાં આવશે. ખોટા વાંધા, બ્લેકમેઇલિંગ અને વિલંબ જેવી સમસ્યાઓમાંથી લોકો મુક્ત થશે. રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા બાદ અમલમાં આવશેસરકારે સ્પષ્ટ કર્યું છે કે, આ બંને વટહુકમ ટુકડાધારા અને 135-ડીને રાજ્યપાલની મંજૂરી બાદ વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં જ અમલમાં આવશે. આ નિર્ણયો રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી દિશા આપશે અને સાથે જ ખેડૂતો, જમીન માલિકો અને સામાન્ય નાગરિકોને મોટી રાહત મળશે. 135(ડી)ની નોટિસ શું છે?હકીકતમાં કોઇપણ મિલકતની ગામ નમૂના નં.6માં નોંધ પાડવી હોય તો જ 135(ડી)ની નોટિસ આપવાની હોય છે. પરંતુ 135(ડી)ની નોટિસ ખેતીની જમીનમાં આપવાની હોય છે જ્યારે બિનખેતી મિલકત હોય તો ગામ નમૂના નં.2માં નોંધ પાડવાની હોય છે. જેથી મિલકતનો મહેસૂલ વેરો કોની પાસેથી વસૂલવાનો છે તે તંત્રને ખબર પડી શકે. રસ્તાના સમારકામ અને રિસર્ફેસિંગ માટે માટે ₹3440 કરોડનો નિર્ણયજીતુ વાઘાણીએ મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યના સર્વાંગી વિકાસ માટે માળખાકીય સુવિધાઓ અત્યંત મહત્વની છે અને ખાસ કરીને ગામડાથી શહેર સુધી જોડતા રસ્તાઓને વધુ મજબૂત અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લીધો છે. રાજ્યમાં અંદાજે ₹3440 કરોડના ખર્ચે લગભગ 5700 કિમી રસ્તાઓના સમારકામ અને રિસર્ફેસિંગ માટે એકસાથે 2342 કામોને મંજૂરી આપવામાં આવી છે, જે 33 જિલ્લાઓમાં અમલમાં આવશે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પડતી અગવડતાઓ દૂર કરવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થશે. અત્યાર સુધી રિસર્ફેસિંગ માટે ચોક્કસ ધોરણ ન હોવાથી રજૂઆતોના આધારે કામ થતું હતું, પરંતુ હવે સુવ્યવસ્થિત પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે. 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડાની આશાજીતુ વાઘાણીએ વધુમાં કહ્યું હતું કે, આથી રસ્તાની ગુણવત્તા જળવાશે, મુસાફરો વધુ સુરક્ષિત બનશે અને લાંબા ગાળે ખર્ચમાં ઘટાડો થશે. ડામર સપાટી, સાઈડ સોલ્ડરિંગ, માર્કિંગ, સાઇનબોર્ડ, રોડ ફર્નિચર સહિત તમામ બાબતોને એક જ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. અગાઉ 4 વર્ષની મર્યાદા હતી, હવે તેને વધારીને 7 વર્ષ કરવામાં આવી છે, જેનાથી આગામી 7થી 10 વર્ષ સુધી રસ્તા સંબંધિત સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની આશા છે.
નવસારી શહેરના ગીચ દશેરા ટેકરી વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. બાલાપીર દરગાહ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ત્રણ મકાનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. કલાકોની ભારે જહેમત બાદ અંતે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક માહિતી મુજબ, દશેરા ટેકરીમાં બાલાપીર દરગાહ પાસેના એક ઘરમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. તેજ પવનના કારણે આગ ઝડપથી પ્રસરી હતી અને પાડોશમાં આવેલા અન્ય ત્રણ મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા. આ ઘટનાને કારણે આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ત્રણ ફાયર ફાઈટર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનો દ્વારા સતત પાણી અને ફોમનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. જોકે, આગના કારણે મકાનોમાં રહેલી ઘરવખરી અને અન્ય ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી, જેનાથી મોટું નુકસાન થયું છે. આગ કયા કારણોસર લાગી તે અંગેની ચોક્કસ માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી, પરંતુ પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની આશંકા સેવાઈ રહી છે.
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા.બ્રિજ તૂટ્યા બાદ અહીંથી રોજગારી માટે જતા લોકો માટે મોટું સંકટ ઊભું થયું હતું.બાદમાં રાજ્ય સરકારના આદેશથી અહીંયા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.છેલ્લા સાત મહિનાથી આ બ્રિજ ઉપર વાહનવ્યવહાર બંધ હાલતમાં હતો, ત્યારે હવે આ સ્પાનના લોન્ચિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરાતા બ્રિજ પર આજે ઓવરલોડ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.આ બ્રિજ આજથી ટુ વ્હીલર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. ટ્રેકટરોને પસાર કરી બ્રિજનું ટેસ્ટિંગઆજે આ ગંભીરા બ્રિજનું ઓવરલોડ ટેસ્ટિંગ ટ્રેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ઓવરલોડ ટ્રેકટર બ્રિજ પરથી પસાર કરવામાં આવ્યા હતા. જુના બ્રિજનું સંપૂર્ણ રીતે સમારકામ પૂર્ણ થતા આ બ્રિજને આજથી ખુલ્લો મૂકવા આવ્યો છે. આ બ્રિજ પર ટુ વ્હીલરો ચાલકો અને પગપાળા જતા લોકો ઉપયોગ કરી શકશે. ઓવરલોડ વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તૂટેલા ભાગ પર 80 ટનનું સ્ટીલનું માળખું ગોઠવવામાં આવ્યું છે, જેના દ્વારા બ્રિજની કનેક્ટિવિટી કરી રોજગારી મેળવતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને નવા સ્પાનની કામગીરી સોંપાઈ હતીઆ બ્રિજ ક્ષતિગ્રસ્ત થવાને કારણે આસપાસના અનેક ગામોના લોકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. વડોદરા નોકરી કરવા જતા તેમજ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓએ પણ ભારે હાલાકી વેઠવી પડી હતી. આ બ્રિજ ઉપરથી નાના વાહનો માટેની આવનજાવન શરુ થાય તે માટેના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા આ જટિલ રિપેરિંગ કામગીરીની જવાબદારી વિશ્વકર્મા મરીન્સ ગ્રુપને સોંપવામાં આવી હતી, જેમણે આ પડકારજનક કાર્યને નિયત સમયમાં અને કુશળતાપૂર્વક પાર પાડ્યું છે. વિશ્વકર્મા ગ્રુપના મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના કેતનભાઈ ગજ્જર દ્વારા આ પ્રોજેક્ટમાં પ્રશંસનીય અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ લિંક સ્પાન લગાવવાની સમગ્ર કામગીરી માટે તેમણે રાજ્ય સરકાર પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલ્યા વિના નિઃશુલ્ક સેવા આપી છે. ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની મદદથી બ્રિજના તૂટેલા ભાગોને જોડીને તેને ફરીથી ઉપયોગી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નોલોજીને કારણે બ્રિજની મજબૂતી જળવાઈ રહેશે.નવા બ્રિજની કામગીરી પર પૂરજોશમાં ચાલુબીજી તરફ, આ જૂના બ્રિજની બાજુમાં જ બની રહેલા નવા બ્રિજની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. તંત્ર દ્વારા લાંબાગાળાના આયોજનના ભાગરૂપે નવા બ્રિજનું નિર્માણ કાર્ય પણ ઝડપી બનાવવામાં આવ્યું છે, જેથી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યા કાયમી ધોરણે હલ થઈ શકે. હાલ પૂરતું, જૂના બ્રિજ પર લિંક સ્પાન લાગી જવાથી વડોદરા અને પાદરા વચ્ચેનો સંપર્ક માર્ગ ફરી પૂર્વવત થયો છે.
સુરતના ડુમસ વિસ્તારમાં એક યુવતી છેલ્લા 6 વર્ષથી જેની સાથે લગ્નના સપના જોતી હતી, તે જ પ્રેમી આખરે માનસિક ત્રાસનું કારણ બન્યો હતો. જોકે, 181 મહિલા હેલ્પલાઇનની સમયસૂચકતાને કારણે આ ગંભીર વિવાદનો સુખદ અંત આવ્યો છે. 6 વર્ષના સંબંધોમાં અન્ય યુવતીઓની એન્ટ્રી ભોગ બનનાર યુવતી અને યુવક વચ્ચે છેલ્લા 6 વર્ષથી ગાઢ પ્રેમ સંબંધ હતો. યુવતી આ યુવક સાથે જીવન વિતાવવા માંગતી હતી, પરંતુ સમય જતાં તેને યુવકના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે યુવક અન્ય યુવતીઓ સાથે પણ પ્રેમ સંબંધ ધરાવતો હતો. દગાની જાણ થતાં જ યુવતીએ હિંમત દાખવી સંબંધો તોડી નાખ્યા હતા. અંગત ફોટા અને સતત માનસિક દબાણ સંબંધ તૂટ્યા બાદ પણ યુવકની હેરાનગતિ ચાલુ રહી હતી. તે યુવતીને માનસિક ત્રાસ આપતો અને તેને સતત પોતાના નિયંત્રણમાં રાખવાની કોશિશ કરતો હતો. સૌથી ચિંતાજનક બાબત એ હતી કે યુવકના મોબાઈલમાં યુવતીના કેટલાક અંગત ફોટા હતા, જે તે ડિલીટ કરવાની સ્પષ્ટ ના પાડતો હતો. આ દબાણથી કંટાળીને અંતે યુવતીએ 181 અભયમની મદદ માગી હતી. અભયમનું અસરકારક કાઉન્સેલિંગ ઘટનાની જાણ થતા જ અભયમની ટીમ સ્થળ પર પહોંચી હતી. ટીમે બંને પક્ષોને કાયદાકીય જોગવાઈઓ અને સાયબર ક્રાઈમની ગંભીરતા સમજાવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન યુવકે પોતાની ભૂલ સ્વીકારી હતી. તેણે ખાતરી આપી હતી કે તે હવે યુવતીનો સંપર્ક નહીં કરે અને તેના મોબાઈલમાંથી તમામ ફોટા ડિલીટ કરી દેશે. યુવતીએ પણ આ સમાધાનનો સ્વીકાર કરતા મામલો પોલીસ ફરિયાદ સુધી પહોંચતા અટક્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામમાં જોરાવરનગર પોલીસે દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 158 બોટલો જપ્ત કરી છે. આ દરોડા દરમિયાન મકાનમાલિક અને બુટલેગર કરણ રણછોડભાઈ રાઠોડ ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, કરણભાઈ રણછોડભાઈ રાઠોડના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. મકાનના દરવાજા તથા છત વગરના ખુલ્લા બાથરૂમમાંથી અલગ અલગ બ્રાન્ડની 158 દારૂની બોટલો અને સીલબંધ ચપલાઓ મળી આવ્યા હતા. આ મામલે જોરાવરનગર પોલીસે કરણ રણછોડભાઈ રાઠોડ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વિદેશી દારૂ ઝડપાવાનો સિલસિલો યથાવત રહ્યો છે, ત્યારે જોરાવરનગર પોલીસે પણ આ દિશામાં સક્રિય કાર્યવાહી કરી છે.
આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે, જેની વચ્ચે અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો સામે નાગરિકોનો રોષ સામે આવી રહ્યો છે. શહેરના સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથે બોલાચાલી થઈ હતી. પૂર્વ કોર્પોરેટર અને તેના પરિજનોએ મતદારો સાથે ઉગ્ર બોલચાલી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 5 વર્ષથી રજૂઆતો છતાં કામ ન કર્યુંનાગરિકો દ્વારા તેમના ઘરે જઈ અને કામ કરવામાં ન આવ્યું હોવાની રજૂઆત કરી હતી, જેને લઈને તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સોસાયટીમાં પાંચ વર્ષમાં ગટરનું એક કામ સોસાયટીમાં ન થયું હોવાને લઈને રજૂઆત કરવામાં આવી હતી. પાંચ-પાંચ વર્ષ રજૂઆતો છતાં ના કર્યું કામ જેને લઈને લોકોએ પૂર્વ કોર્પોરેટરને કામો યાદ અપાવતા બોલાચાલી અને મારામારી થઈ હતી. ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદીકુમારી ચૌધરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પરિજનો સામે કડક કાર્યવાહીની લોકો માગ કરી રહ્યા છે. ‘હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી’સૈજપુર બોઘા વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદકુમારી ચૌધરી સાથે સ્થાનિક નાગરિકો કામ બાબતે કરી રહેલી બોલાચાલી અંગેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. આ સમગ્ર મામલે હાલ ભાજપના નેતાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. દિવ્યભાસ્કર દ્વારા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરીનો સંપર્ક કરવામાં આવતા તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો. જ્યારે તેમના પતિ સુરેશભાઈ ચૌધરીએ કહ્યું હતું કે હું આજે બહાર છું, મને આ બાબતની કોઈ ખબર નથી.
બે દિવસ પહેલાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે કાર્યવાહી કરતા કેટલાક લોકોને ડિટેઇન કર્યા છે. પુણા પોલીસ સ્ટેશનમાં એક અને કતારગામ પોલીસ સ્ટેશનમાં બે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જે આપ પાર્ટીના કાર્યકર્તા હોવાથી મોટી સંખ્યામાં આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યા હતો. પોલીસ સ્ટેશન બહાર કાર્યકર્તાઓનું વિરોધ પ્રદર્શનભાજપના પોસ્ટર લગાવવા મામલે પોલીસે ફરિયાદ નોંધી આપ પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરતા પોલીસ સ્ટેશન પર મોટી સંખ્યામાં એકત્રિત થયેલા આપ પાર્ટીના કાર્યકર્તાઓએ પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કરી નારાજગી વ્યક્ત કરી હતી. અમે કોઈ ડ્રગ્સની ડીલ કરવા આવ્યા નથી તેમ કહીને DCPની ઓફિસમાં ઘૂસ્યા હતા. તેઓનું કહેવું હતું કે, પોલીસે ખોટી રીતે આપ પાર્ટીના કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા છે. 'આપ'ના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યાં છે: આપ શહેર પ્રમુખઆપ પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ગત દિવસોમાં શહેરમાં કેટલાક સ્થળો પર પોસ્ટર લગાડવામાં આવ્યા હતા. જેમાં અનેક મુદ્દાઓ પર ટિપ્પણી કરવામાં આવી હતી. આ પોસ્ટરો લગાડવાના કેસમાં પોલીસ દ્વારા આપ પાર્ટીના કાર્યકર્તાઓને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. અહીં રજૂઆત બાદ આપના કાર્યકર્તાઓ કતારગામ પોલીસ સ્ટેશને રજૂઆત માટે ગયા હતા. પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવ્યાસુરતમાં ભાજપ વિરોધી પોસ્ટર લગાવવા બાબતે અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનમાં પાંચ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશાલ ચાવડા, કતારગામ પોલીસ સ્ટેશનમાં દેવશીભાઈ ઢેબરીયા અને ચિરાગના વડીયા અને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં કિરીટ પાનસુરીયા ઉર્ફે કે.પી વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે. આ તમામ આપના કાર્યકરો છે. જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આવતીકાલે (2 એપ્રિલ) વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે છે. એ નિમિત્તે બાળકોના સ્વાસ્થ્યને લઈને નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય આહાર, કસરત અને હોમિયોપેથી સારવાર દ્વારા ઓટિઝમથી પીડાતા બાળકોના જીવનમાં મોટો સુધારો લાવી શકાય છે.આજે (1 એપ્રિલ) શહેરના નિષ્ણાત ડોક્ટરો rન્સ્ટીટ્યુટ ઓફ હ્યુમન જીનેટિક્સના ડો. જયેશ શેઠ અને સ્પેશિયાલિટી હોમિયોપથીના ડો. કેતન પટેલે જણાવ્યું હતું કે,ઓટિઝમના 80 ટકા કેસ માત્ર યોગ્ય ડાયટ અને કસરત દ્વારા સારા કરી શકાય છે.ડાયટ અને વ્યક્તિગત સારવાર પ્લાન પર ભાર મૂકવો જોઈએ20 ટકા કેસોમાં મેટાબોલિક અને જીનેટિક કારણો જવાબદાર હોય છે, જ્યાં દવાઓની જરૂર પડે છે. ડો. કેતન પટેલના જણાવ્યા મુજબ, હોમિયોપેથી દ્વારા જનીનિક અસરોને 90 ટકા સુધી નાબૂદ કરી શકાય છે. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોની માર્ગદર્શિકાને બદલે ભારતે પોતાનો નવો પ્રોટોકોલ અમલી બનાવવો જોઈએ, જેમાં ડાયટ અને વ્યક્તિગત સારવાર પ્લાન પર ભાર મૂકવામાં આવે.ઓટિઝમથી પીડિત બાળકોની મદદે ડોક્ટરડોક્ટરોએ વાલીઓને અપીલ કરી છે કે જો બાળકમાં કેટલાક લક્ષણો દેખાય, તો તુરંત નિદાન કરાવવું. જેમ કે બાળકનું સમયસર ન બોલવું અથવા નજર ન મેળવવી, એકલું રમવાનું પસંદ કરવું અથવા કારણ વગર હસવું-રડવું, વારંવાર કૂદકા મારવા કે એક જ જગ્યાએ ગોળ ફરવું. ડૉ પટેલ અને ડો જયેશ શેઠે વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં ઓટિઝમના રોગથી પીડાતા 100થી વધુ જરૂરિયાતમંદ બાળકોની સારવાર, જીનેટિક ટેસ્ટ અને તેની સાથે જોડાયેલી થેરપી પાછળ વાર્ષિક રૂ.10 લાખ સુધીની મદદ ડોક્ટર દ્વારા કરાઇ રહી છે.વાલીઓએ ગભરાયા વિના તબીબી સલાહ લેવીઓટિઝમની સારવારમાં GFCF ડાયટ (ગ્લુટેન ફ્રી, કેસીન ફ્રી) ખૂબ મહત્વનો છે. જેમાં દૂધ અને ઘઉંની બનાવટો બંધ કરી તેના બદલે સોયા મિલ્ક, બાજરી અને લીલા શાકભાજી આપવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ સાયકલિંગ અને સ્વિમિંગ જેવી કસરતો ઝડપી સુધારો લાવે છે.વૈશ્વિક સ્તરે દર 36 માંથી 1 બાળક ઓટિઝમથી પીડિત છે, જે આંકડો કેન્સર અને ડાયાબિટીસ કરતા પણ વધારે છે. પરંતુ વહેલું નિદાન અને હોમિયોપેથી જેવી સચોટ સારવારથી આ બાળકોને સામાન્ય જીવન તરફ લાવી શકાય છે. વાલીઓએ ગભરાવાની જરૂર નથી, પરંતુ જાગૃત બનીને યોગ્ય સમયે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના કમલમ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને મહેશ મોદી સહિત ત્રણ નિરીક્ષકો હાજર રહ્યા હતા. તેઓ દાવેદારો અને કાર્યકરો પાસેથી અભિપ્રાય લઈ રહ્યા છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કુલ 14 વોર્ડ માટે આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દરેક વોર્ડ દીઠ ચાર સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર કરીને પ્રદેશ ભાજપને સોંપવામાં આવશે. કુલ 52 સભ્યો ચૂંટણી લડી શકશે. પ્રથમ વખત યોજાઈ રહેલી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. આ પ્રક્રિયાને કારણે કાર્યકરોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે બિરાજતા સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના ધામમાં આવતીકાલે 2જી એપ્રિલને ચૈત્રી પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ દાદાના જન્મોત્સવને વધાવવા માટે મંદિર ટ્રસ્ટ અને સમસ્ત ડભોડા ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા દિવસોથી તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. મંદિર પરિસરમાં ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવવામાં આવ્યાઆવતીકાલે ગુરુવારે હનુમાન જયંતિના દિવસે ડભોડિયા હનુમાનજી મંદિરે મહોત્સવની ભવ્ય ઉજવણી થશે ત્યારે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી લાખો ભક્તો ઉમટી પડે એવી શક્યતા છે. મંદિર પરિસરમાં ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને દર્શનાર્થીઓ માટે પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને તેલ અભિષેક માટે ઉમટી પડશેઆ ઉત્સવની શરૂઆત કાલે ગુરુવારે વહેલી સવારે પાંચ કલાકે મંગળા આરતીથી થશે, જેની સાથે જ પવિત્ર મારુતિ યજ્ઞનો પ્રારંભ કરવામાં આવશે. ડભોડિયા હનુમાનજીના આ ધામમાં તેલના અભિષેકનું વિશેષ મહત્વ હોવાથી સવારે 8 કલાકે તેલના અભિષેકનો સિલસિલો શરૂ થશે. હાલ મંદિર પરિસરમાં 1500થી વધુ તેલના ડબ્બા શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યા છે અને આ સંખ્યા વધીને 2500 સુધી પહોંચવાનો અંદાજ છે. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દાદાના દર્શન અને તેલ અભિષેક માટે ઉમટી પડશે. જન્મોત્સવના દિવસે સવારે 9 વાગ્યે બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશેઆ ધાર્મિક વિધિઓ દરમિયાન મંદિર પરિસરમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે સ્વયંસેવકો તૈનાત રહેશે. આવતીકાલે જન્મોત્સવના દિવસે સવારે 9 કલાકે બેન્ડવાજા સાથે દાદાની ભવ્ય શોભાયાત્રા નીકળશે.જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને ભક્તો જોડાશે. ત્યારબાદ 11.45 કલાકે પરંપરાગત રીતે ધ્વજારોહણ અને બપોરે 12 કલાકે હજારો ભક્તોની હાજરીમાં મહાઆરતી યોજાશે. આ પાવન પ્રસંગે 151 કિલોની બે વિશાળ કેકનું કટિંગ બપોરે 12.20 કલાકે કરવામાં આવશે. મનોરંજન અને ભક્તિના સંગમ સાથે બપોરે 1.00 વાગ્યાથી મોડી રાત સુધી ભજનકીર્તન અને સંગીતનો કાર્યક્રમ અવિરત ચાલશે. દિવસભરના ઉત્સવ બાદ રાત્રે 8.30 કલાકે આકાશમાં નયનરમ્ય ફાયર શો એટલે કે ભવ્ય આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું છે જે આકર્ષણનું કેન્દ્ર બનશે. લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરાશેમંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવનારા લાખો ભક્તો માટે પ્રસાદ તરીકે શુદ્ધ ઘીના બુંદીના લાડુ અને સુખડીના પેકેટનું વિતરણ કરવામાં આવશે. જેના ભાગરૂપે હાલ મંદિરના રસોડામાં 3100 કિલોગ્રામ બુંદીનો પ્રસાદ તથા 1,111 કિલોગ્રામ શુદ્ધ ઘીની સુખડી તૈયાર કરવામાં આવી રહી છે. અંદાજે 40 હજારથી વધુ ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. હાલમાં વધી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર પરિસર અને વિશાળ ભોજનશાળાને એસી બનાવવામાં આવ્યા છે જેથી શ્રદ્ધાળુઓને હાલાકી ન ભોગવવી પડે. બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મહાપ્રસાદનું વિતરણ સતત ચાલુ રાખવામાં આવશે. અશક્ત શ્રદ્ધાળુઓને મંદિર સુધી પહોંચાડવા માટે મફત રિક્ષા સેવાની વ્યવસ્થાઆ દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે ડભોડામાં પ્રવેશતા દરેક રસ્તા પર પાર્કિંગની અલાયદી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાઈ છે. ખાસ કરીને વૃદ્ધો અને અશક્ત શ્રદ્ધાળુઓ માટે પાર્કિંગ સ્થળથી મંદિર સુધી પહોંચવા માટે ટ્રસ્ટ દ્વારા મફત રિક્ષા સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ભક્તો પ્રત્યક્ષ હાજર રહી શકે તેમ નથી તેમના માટે મંદિરની વેબસાઈટ પર મહાઆરતીનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.જેથી વિદેશમાં વસતા ભક્તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ઉત્સવનો લાભ લઈ શકશે. સમગ્ર આયોજન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત રાખવામાં આવશે.
બોટાદ PI ખરાડીની દેવભૂમિ દ્વારકા બદલી:ટાઉન પોલીસ સ્ટેશનમાં વિદાય સમારોહ યોજાયો
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એસ.આર. ખરાડીની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી થતાં, બુધવાર, 01 એપ્રિલ 2026ના રોજ તેમના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. PI ખરાડીએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આશરે સાડા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી હતી. આ વિદાય સમારોહમાં પોલીસ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય સમારોહમાં PSI વી.સી. ભરવાડ, PSI પી.એ. પરમાર, હેડ કોન્સ્ટેબલ રામદેવસિંહ વાળા, ASI ધવલભાઈ પટેલ, ASI જયેશભાઈ જાખણીયા અને ASI અરવિંદભાઈ સુવેરા સહિત અન્ય પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત સૌએ PI ખરાડીને તેમની ભવિષ્યની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
ભારત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે સૌથી વધુ સમય ગુજરાતની ધરતી પર વિતાવ્યો હતો, જે દર્શાવે છે કે આ પ્રદેશ પર તેમના વિશેષ આશીર્વાદ રહ્યા છે. આ ઉદ્ગારો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજે રાજકોટ ખાતે આયોજિત એક ભવ્ય જાહેર સભામાં વ્યક્ત કર્યા હતા. 28 માર્ચ, 2026ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ગુજરાતમાં સેવાકાર્યોની સુવાસસ્વામી સુહિતાનંદજીએ જણાવ્યું હતું કે વિવેકાનંદજીના આશીર્વાદને કારણે જ આજે ગુજરાતમાં રામકૃષ્ણ મઠ અને મિશનના 7 શાખા કેન્દ્રો દ્વારા અદભુત સેવાકીય પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક પ્રચારકાર્ય વેગવંતું બન્યું છે. આ પ્રસંગે રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે, 90 વર્ષની જૈફ વયે પણ સ્વામી સુહિતાનંદજી વિશ્વભરમાં ભ્રમણ કરીને જ્ઞાનની જ્યોત ફેલાવી રહ્યા છે, તેમનું સાનિધ્ય મળવું એ ગુજરાતના ભક્તો માટે સૌભાગ્યની વાત છે. નૂતન ભવનની પૂર્વભૂમિકા અને સન્માનસભા દરમિયાન ગુજરાતના વિવિધ કેન્દ્રોના અધ્યક્ષ મહારાજો દ્વારા પૂજ્ય મહારાજનું પુષ્પહારથી ભાવભીનું સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સ્વામી દર્પહાનંદજી મહારાજે ‘સ્વામી અખંડાનંદ સેવક ભવન’ના નિર્માણની પૂર્વભૂમિકા અને તેના મહત્વ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. આ ભવનના નિર્માણમાં પાયાનું યોગદાન આપનારા શ્રેષ્ઠીઓ અને ઉદાર હાથે ફાળો આપનાર દાતાઓનું પણ મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. 5 નવા પુસ્તકોનું વિમોચનઆ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પુસ્તક વિમોચન રહ્યું હતું. પૂજ્ય સ્વામી સુહિતાનંદજીના વરદ હસ્તે આધ્યાત્મિક જ્ઞાન પીરસતા 5 પુસ્તકો લોકાર્પિત કરવામાં આવ્યા હતા, જેમાં ક્રોધ પર વિજય, યોગક્ષેમ, ઈશ્વરને ઉધાડી આંખે નિહાળો, મારું ભારત અમર ભારત. તું પરમહંસ બનીશ આ પુસ્તકોનો પરિચય સ્વામી નિખિલેશ્વરાનંદજીએ આપ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભાવિકોએ સમૂહમાં ભોજન-પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
બોટાદ જિલ્લાના પાળીયાદ પાસે આવેલા સાયલા રોડ પર રતનપર અને છૈડા ગામ વચ્ચે એક કાર અને મોટરસાઈકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. બંને રોડ પર પટાકાયા હતા. અકસ્માત કેવી રીતે બન્યો?પ્રાપ્ત માહિતી અનુસાર, એક દંપતી પોતાની બાઈક પર જઈ રહ્યું હતું. પાળીયાદથી સાયલા તરફ જતા માર્ગ પર મોટા છૈડા ગામ નજીક એક કાર (જીજે 33 કે 2324) અને ટુ-વ્હીલર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બાઈક સવાર પતિ-પત્નીએ ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ દમ તોડ્યો હતો. કારનો બોનેટ તરફનો એક ભાગ તૂટી ગયો હતો. જ્યારે બાઈક રોડ પરથી દૂર ફેંકાયું હતું. મૃતકોની ઓળખઅકસ્માતમાં જીવ ગુમાવનાર દંપતીની ઓળખ થઈ છે: મનસુખ પાચા મીઠાપરા (રહે. પાણવી ગામ) ગીતા મનસુખ મીઠાપરા (રહે. પાણવી ગામ) પરિવારજનો દોડી ગયાઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતકના ભાઈ શામજી મીઠાપરાએ આ અંગે વિગતો આપી હતી. પોલીસે બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાળીયાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કરૂણ ઘટનાને પગલે પાણવી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. તંત્ર દ્વારા તમામ સપ્લાય ચેઇનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. વહીવટી તંત્રએ જણાવ્યું છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ (LPG), પાઇપ્ડ નેચરલ ગેસ (PNG), ખાદ્ય અનાજ તેમજ ખેતી માટે જરૂરી ખાતરનો પૂરતો જથ્થો ડેપો અને વિતરણ કેન્દ્રો પર ઉપલબ્ધ છે. કોઈ પણ વસ્તુની અછત સર્જાય તેવી સ્થિતિ નથી. વિવિધ ટીમો દ્વારા બજારમાં ચીજવસ્તુઓની ઉપલબ્ધતા અને તેના ભાવો પર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ, જિલ્લા વહીવટી તંત્રએ સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓ અંગે નાગરિકોને સાવધ કર્યા છે. તંત્રએ અપીલ કરી છે કે વોટ્સએપ, ફેસબુક કે અન્ય માધ્યમો પર આવતા બિનસત્તાવાર મેસેજ કે 'ફેક ન્યૂઝ' પર વિશ્વાસ ન કરવો. અફવાઓને કારણે લોકોમાં ગભરાટ ફેલાય છે અને તેઓ 'પેનિક બાઇંગ' કરવા લાગે છે, જે બજારની વ્યવસ્થા ખોરવે છે. નાગરિકોને પોતાની જરૂરિયાત મુજબ જ વિવેકપૂર્ણ ખરીદી કરવા વિનંતી કરાઈ છે. વહીવટી તંત્રએ અનૈતિક તત્વો અને વેપારીઓને કડક ચેતવણી આપી છે. જો કોઈ વેપારી કે એકમ દ્વારા વર્તમાન સ્થિતિનો ગેરલાભ ઉઠાવીને ચીજવસ્તુઓની સંગ્રહખોરી, કાળાબજારી અથવા નિયત એમ.આર.પી. (MRP) કરતા વધુ કિંમત વસૂલવામાં આવશે, તો તેમની સામે કાયદાકીય રાહે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પુરવઠા વિભાગને વિશેષ તપાસ કરવાના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. નાગરિકોને કોઈ મુશ્કેલી જણાય અથવા કોઈ વેપારી ગેરરીતિ કરતો હોવાનું માલૂમ પડે, તો તેની જાણ કરવા માટે જિલ્લા કક્ષાએ ખાસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.
ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરત એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી 1 અને 2 મે, 2026ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક રોકાણોને પ્રોત્સાહન આપી ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવાનો છે. 16 જિલ્લાઓના વિકાસનો રોડમેપ આ કોન્ફરન્સ માત્ર સુરત પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 16 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. જેમાં ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, વલસાડ તેમજ અમદાવાદ, આણંદ, વડોદરા, ગાંધીનગર અને પંચમહાલ જેવા મહત્વના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મ સ્થાનિક ઉદ્યોગોને વૈશ્વિક બજાર સાથે જોડવાનું સબળ માધ્યમ બનશે. ઉભરતા ક્ષેત્રો પર વિશેષ ધ્યાન VGRC દરમિયાન ખાસ કરીને કેમિકલ્સ, ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી અને ગ્રીન એનર્જી જેવા પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત ફિનટેક, એરોસ્પેસ, ડિફેન્સ અને આઈટી જેવા અત્યાધુનિક ક્ષેત્રો પર વિશેષ ભાર મૂકવામાં આવશે. અહીં યોજાનારા સેમિનારો નવા રોકાણકારો માટે તકોના દ્વાર ખોલશે. આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્ઝિબિશન કાર્યક્રમની સાથે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન’ (VGRE) પણ યોજાશે. જેમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને ઇન્ટરનેશનલ રિવર્સ બાયર સેલર મીટ જેવા આકર્ષણો દ્વારા સ્થાનિક ઉદ્યોગસાહસિકોને આંતરરાષ્ટ્રીય સ્તરનું એક્સપોઝર મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ મહેસાણા અને રાજકોટમાં આવી કોન્ફરન્સ સફળતાપૂર્વક યોજાઈ ચૂકી છે, જેમાં વિદેશી રાષ્ટ્રોએ પણ ભાગીદારી નોંધાવી હતી.
ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસનની ઉજવણીના અવસરે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક) દ્વારા ખેડૂત લાભાર્થીઓના વારસદારોને અકસ્માત વીમા સહાયના ચેક અને દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. ખેડૂતો માટે આર્થિક રક્ષણ: 11 લાખનો વીમોખેતી બેંક દ્વારા ખેડૂત પરિવારોની સુરક્ષા માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. બેંકમાંથી લોન લેનાર દરેક ખેડૂત પરિવારને 11 લાખ સુધીનું અકસ્માત વીમા કવચ પૂરું પાડવામાં આવે છે, જેનું પ્રીમિયમ પણ બેંક પોતે જ ભરે છે. કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવીના હસ્તે સ્વ. હેમંતજી પરમારના વારસદારને 11 લાખ તથા સ્વ. હિતેશકુમાર પટેલ અને સ્વ. ભાણાભાઈ બારૈયાના વારસદારોને 5-5 લાખના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રીએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ સહાય મુશ્કેલ સમયમાં મોટો આર્થિક આધાર બનશે. દિવ્યાંગ કર્મચારીઓને કાયમી નિમણૂકબેંકના માનવીય અભિગમના ભાગરૂપે, પ્રોબેશન પિરિયડ પૂર્ણ કરનાર 5 દિવ્યાંગ કર્મચારીઓને હર્ષ સંઘવીના હસ્તે કાયમી નિમણૂક પત્રો આપવામાં આવ્યા હતા. આ કર્મચારીઓ માંગરોળ, જૂનાગઢ, કુતિયાણા, જેતપુર અને મોરબી શાખામાં ફરજ બજાવે છે. નાયબ મુખ્યમંત્રીએ આ નવનિયુક્ત કર્મચારીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા. ખેડૂત હિત માટે કટિબદ્ધતાબેંકના ચેરમેન ડોલર કોટેચાએ નાયબ મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે ખેતી બેંક હંમેશા ખેડૂતોના હિત અને કર્મચારીઓના કલ્યાણ માટે કાર્યરત રહી છે. આ પ્રસંગે સંસ્થાના કાર્યકરો અને લાભાર્થીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રાંચરડા સ્થિત સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં 2 એપ્રિલ, 2026 ને ગુરુવારના રોજ હનુમાન પ્રકોટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાશે, જેના દર્શન આખો દિવસ કરી શકાશે. સાંજે 6 વાગ્યે સુંદરકાંડ અને રાત્રે 8 વાગ્યે મહાઆરતી યોજાશે, જ્યારે આખો દિવસ ભંડારાનું આયોજન છે. ભારતનું ચોથું અનોખું મંદિર: વિશ્રામ કરતી મુદ્રા મંદિરના સ્થાપક પ્રવીણભાઈ ગર્ગના જણાવ્યા અનુસાર, 23 ઓગસ્ટ, 2024 ના રોજ લોકાર્પિત આ મંદિર ભારતનું એવું ચોથું સ્થાન છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતી (રેક્લીંગ) મુદ્રામાં છે. 2000 કિલો વજનની આ મૂર્તિ રાજસ્થાની પથ્થરથી બનેલી છે, જેમાં અહિરાવણ, રામ-લક્ષ્મણ અને મકરધ્વજ સાથેનું અદભુત રૂપ કંડારેલું છે. અહીં ભક્તો બાબા નીબ કરોરીની અસીમ કૃપાનો અનુભવ કરે છે. સેવા પરમો ધર્મ: માનવતાની મહેક આ મંદિર માત્ર આસ્થાનું જ નહીં પણ સેવાનું કેન્દ્ર છે. અહીં 3 રામ રોટી સેવા રથ દ્વારા દરરોજ 500 જરૂરિયાતમંદોને ભોજન અપાય છે. દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક દવા-તપાસ, સાધુઓ માટે નિવાસ અને ઠંડા પાણીની સુવિધા ઉપલબ્ધ છે. પ્રવીણભાઈ ગર્ગ, કીર્તિભાઈ પટેલ, ભરતભાઈ જોષી, રાહુલભાઈ બારોટ, ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે તમામ ભક્તોને આ મહોત્સવમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા સ્વ. રામલાલ ભોગીલાલ પરીખની 114મી જન્મજયંતિ નિમિત્તે શિશુ ગૃહ, પાલડીને મદદ કરવામાં આવી છે. આ સંસ્થા અનાથ, નિરાધાર અને તરછોડાયેલા બાળકોની સંભાળ રાખે છે. ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે બે કાર્પેટ (૯ X ૧૨ ફૂટ), નાનપ્રો મિલ્ક પાવડર, બેબી વાઇપ્સ, નવજાત શિશુ ડાયપર અને બેબી સ્ટ્રોલર જેવી વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમનું આયોજન શિશુ ગૃહના વડા રિતેશ દવે અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ અને શ્રીમતી નિહારિકા પરીખ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
સુરત ખાતે હેમરશ્મિ દ્વારા રામનવમીના પાવન અવસરે સતત ચોથા વર્ષે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરવાસા સ્થિત પ્રભુ શ્રીરામ મંદિર, તેજાનંદ ધામ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્ર સુદ નોમ, રામનવમીના દિવસે સવારે 8.30 વાગ્યાથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. વલસાડ, બિલીમોરા, નવસારી, સુરત અને વડોદરાથી આવેલા જ્ઞાતિજનોએ ચા-કોફી અને બિસ્કિટનો અલ્પાહાર લીધો હતો. સંપાદક વસંતભાઈએ સૌનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને પસંદગીના જ્ઞાતિજનોના હસ્તે દીપપ્રાગટ્ય કરાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ, બિલીમોરા, નવસારી અને સુરતના મહિલા મંડળો દ્વારા પ્રભુ શ્રીરામના ભજનો રજૂ કરવામાં આવ્યા હતા. આ ભજનોએ સમગ્ર વાતાવરણને આધ્યાત્મિક અને ભક્તિમય બનાવ્યું હતું. કાલિન્દીબેન મનોજભાઈ પટેલે સૌને આવકાર્યા હતા અને હેમરશ્મિ દ્વારા બે વર્ષ પહેલાં જાહેર કરાયેલા પુસ્તક આપણા સંસ્કાર અને સંસ્થાન વિશે વાત કરી હતી. તેમણે પુસ્તકના ઉદ્દેશ્ય, પ્રકાશન પછીના અનુભવો અને પ્રભુ શ્રીરામ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે હેમરશ્મિના અંકોમાં આવતી માહિતીનું વિશ્લેષણ રજૂ કરી સમાચાર અને માહિતી હેમરશ્મિ સુધી પહોંચાડવા અપીલ કરી હતી. ત્યારબાદ શ્રીરામ સ્તુતિ, રામરક્ષા સ્તોત્ર અને હનુમાન ચાલીસાના સંપુટની સમૂહ પ્રાર્થના કરવામાં આવી હતી. તેજાનંદ ધામ-ખરવાસા મંદિરમાં પ્રીતિ જિજ્ઞેશ પારેખ (નવસારી) દ્વારા પ્રભુ શ્રીરામની સુંદર રંગોળી તૈયાર કરવામાં આવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મનોજભાઈ રમણલાલ પટેલે હેમરશ્મિની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી. તેમણે હેમરશ્મિમાં અતૂટ વિશ્વાસ મૂકવા બદલ સૌ જ્ઞાતિજનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને સમૂહ પ્રાર્થનામાં સહાયરૂપ થનાર સૌનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે, ગત વર્ષમાં દિવંગત થયેલા સૌ જ્ઞાતિજનોના આત્માની શાંતિ અને સદગતિ માટે બે મિનિટનું મૌન પાળી શાંતિ પ્રાર્થના ગાઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત ગાઈને બપોરે 12 વાગ્યે પ્રભુ શ્રીરામના જન્મોત્સવની આરતીમાં ભાગ લઈ જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. પ્રભુ શ્રીરામના આશીર્વાદરૂપ માલપુડા અને દૂધપાકનો મહાપ્રસાદ ગ્રહણ કરી સૌ ફરી મળવાના સંદેશ સાથે છૂટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરેન પારેખ દ્વારા કરવામાં આવ્યું હતું.
અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે 34મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપા અને મુક્તજીવન સ્વામીબાપા સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શનનો અનેક ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, અન્નકૂટ એટલે અન્નનો પર્વત. તેમણે ઉમેર્યું કે તન, મન અને ધનથી સેવા કરવાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અન્નકૂટ ધરાવવાની પરંપરા દ્વાપરયુગથી ચાલી આવે છે. વર્તમાન સમયમાં મંદિરોમાં નૂતન વર્ષે અને મંદિરના પાટોત્સવ પ્રસંગે અન્નકૂટ ધરાવવામાં આવે છે. અન્નકૂટ એ ભક્તોના હૃદયના ભાવ અને સમર્પણનું પ્રતિક છે. કુમકુમ મંદિર ખાતે અન્નકૂટમાં વિવિધ પકવાન અને ફરસાણો મહિલાઓએ પોતાના હાથે મંદિરમાં આવીને તૈયાર કર્યા હતા. ભગવાનની પાસે થાળમાં ગોઠવવાની સેવા સંતોના માર્ગદર્શન હેઠળ બાળકો અને યુવાનોએ કરી હતી. આવા ઉત્સવો ઉજવવાથી ભગવાન સાથે જોડાણ થાય છે અને સમૈયા-ઉત્સવમાં સેવા કરવી જોઈએ.
અમદાવાદના જુહાપુરા ખાતે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આયોજિત પેપર ચેકિંગ એસેસમેન્ટ સેન્ટર ખાતે શિક્ષક અજય કુમાર ઝાનું સન્માન કરવામાં આવ્યું. આ સન્માન સમારોહ તેમની શિક્ષણ ક્ષેત્રની લાંબી સેવાઓ અને આગામી નિવૃત્તિ પૂર્વે યોજાયો હતો. અજય કુમાર ઝા સાબરમતી વિસ્તારની સેન્ટ જોસેફ હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે સમીક્ષક તરીકે પણ સેવાઓ આપે છે. તેમણે વર્ષો સુધી શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક યોગદાન આપ્યું છે અને વિદ્યાર્થીઓ તથા સહકર્મચારીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. આ સન્માન સમારોહ ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં તેમની નિવૃત્તિ પૂર્વે મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા તેમની નોંધપાત્ર અને લાંબી સેવાઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. સન્માન સમારોહ દરમિયાન ઉપસ્થિત શિક્ષકો અને સ્ટાફ દ્વારા શિક્ષક ઝાને સ્વસ્થ, સુખમય અને સફળ નિવૃત્તિ જીવન માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કેન્દ્રમાં મૂલ્યાંકન પ્રક્રિયા શિક્ષકો અને સ્ટાફના સહકારથી સુચારૂ રીતે પૂર્ણ કરવામાં આવી હતી.
લાખવડ પગાર કેન્દ્ર શાળામાં વાર્ષિકોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના કુલ 500 વિદ્યાર્થીઓમાંથી 420 વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. આ વાર્ષિકોત્સવમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના રાષ્ટ્રીય પ્રમુખ (દિલ્હી) ડૉક્ટર અનિલભાઈ સાહેબ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કુલ 26 જેટલા અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો એક સરખા પહેરવેશમાં રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમોમાં પ્રાર્થના, સ્વાગત ગીત, ગરબા, નાટક, એકપાત્ર અભિનય, લીલીપુટ ડાન્સ અને નાના ભૂલકાઓના ફની ડાન્સ જેવા વિવિધ પ્રદર્શનનો સમાવેશ થતો હતો, જેની અનોખી રીતે રજૂઆત કરવામાં આવી હતી. ધોરણ 3 થી 8 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ધોરણ 5 માં જ્ઞાનસેતુ અને ધોરણ 8 માં જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ભૂતપૂર્વ સરપંચશ્રીઓ અને ગામની વિવિધ સંસ્થાઓના પ્રમુખોને શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગોતાલાવાડીની શાળા નંબર 118 માં ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ના અધ્યક્ષ, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓની ઉજવણી કરવાનો હતો. કાર્યક્રમ દરમિયાન, આખા વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામો, પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક અભ્યાસ, રમતગમત, કલા અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ 8 ના વિદ્યાર્થીઓને તેમના ભવિષ્યના અભ્યાસ માટે માર્ગદર્શન વક્તવ્ય દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. સમારોહમાં શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમણે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી દ્વારા વર્ષભરની પ્રગતિ અને સિદ્ધિઓનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવો, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું અને શાળા, શિક્ષકો તેમજ વાલીઓ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે શાળાનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને શ્રેષ્ઠતાની ભાવના વિકસાવી, જેથી તેઓ આવતા વર્ષે પણ આવા સન્માન પ્રાપ્ત કરવા માટે વધુ મહેનત કરવા પ્રેરાય.
વડોદરાના રાજમહેલ રોડ પર આવેલ સાઈ સુકન રેસીડેન્સી પાસે કન્સ્ટ્રક્શન સાઈટમાં મગર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જેને પગલે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મગરને સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સોંપ્યો હતો. વડોદરા શહેરના રાજમહેલ રોડ પર આવેલ સાઈ સુકન રેસીડેન્સી સોસાયટી પાસેની કન્સ્ટ્રક્શન સાઈટના વોચમેન સંદીપ ગાવડે દ્વારા વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારને જાણ કરવામાં આવી હતી કે સાઇટ પર મગર દેખાયો છે. માહિતી મળતા જ વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ઉપપ્રમુખ તુષાર ઉત્તેકર પોતાની ટીમ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર તપાસ કરતાં આશરે 8 ફૂટ લાંબો મગર જોવા મળ્યો હતો. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે લગભગ એક કલાકની ભારે જહેમત બાદ મગરને સલામત રીતે કાબૂમાં લઈને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરી હતી. બાદમાં મગરને વધુ કાર્યવાહી માટે વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના ઉપપ્રમુખ તુષાર ઉત્તેકર એ જણાવ્યું હતું કે, બાજુમાં આવેલ તળાવમાં પાણી ઓછું થઈ જતા મગરો તળાવમાંથી બહાર આવી રહ્યા છે. હું સરકારને અપીલ કરું છું કે ઝડપથી તળાવમાં રહેલા મગરોને બહાર કાઢીને અન્ય જગ્યાએ ખસેડવામાં કરવામાં આવે. કારણકે આવું નહીં થાય તો આસપાસના લોકો ભયમાં રહે છે અને તેમના જીવનું જોખમ રહે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 417 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા
ગોતાલાવાડી સ્થિત શાળા નંબર 120 માં વાર્ષિકોત્સવ અને ઇનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ કાપડિયા અને ઉપાધ્યક્ષ રંજનાબેન ગૌસ્વામી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓને બિરદાવવાનો હતો. આખા વર્ષ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો, પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગરબા અને નૃત્ય જેવા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. શૈક્ષણિક, રમતગમત, કલા અને અન્ય ઇતર પ્રવૃત્તિઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. સમારોહમાં શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો અને સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય દ્વારા વર્ષભરની પ્રગતિ અને સિદ્ધિઓનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવો, તેમની પ્રતિભાને પ્રોત્સાહન આપવું અને શાળા, શિક્ષકો તેમજ વાલીઓ વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો હતો. આ પ્રસંગે શાળાનું વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું, જેણે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને શ્રેષ્ઠતાની ભાવના વિકસાવી હતી.
વિશ્વમાં હાલ ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હનુમાન જયંતિ નિમિત્તે, વિશ્વ શાંતિ માટે અમદાવાદ ખાતે વિશેષ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર કાર્યક્રમ શ્રી શ્રી જ્ઞાનમંદિર, શિવરંજની વિસ્તારમાં યોજાશે. આ કાર્યક્રમ વિશ્વ પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીની આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજિત છે, જે માનસિક શાંતિ, આધ્યાત્મિક વિકાસ અને સામાજિક સુખાકારી માટે સતત કાર્યરત છે. સુંદરકાંડ પાઠ હનુમાનજીની ભક્તિ, શક્તિ અને નિષ્ઠાનું પ્રતિક છે. વર્તમાન વૈશ્વિક તણાવ અને યુદ્ધના માહોલ વચ્ચે, આ પાઠ દ્વારા વિશ્વમાં શાંતિ, સકારાત્મકતા અને માનવતા માટે પ્રાર્થના કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તો અને નાગરિકો ભાગ લે તેવી અપેક્ષા છે. આ અવસર પર શહેરના તમામ નાગરિકોને ઉપસ્થિત રહીને આ પવિત્ર કાર્યક્રમનો લાભ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે.
રાહી ફાઉન્ડેશન દ્વારા 500થી વધુને કપડાં વિતરણ:મેલાસણા અને આસપાસના ગામોમાં નિશુલ્ક કપડાં અપાયા
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ જિલ્લાના મેલાસણા અને આસપાસના ગામોમાં 500થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને નિશુલ્ક કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણમાં પેન્ટ, નવા શર્ટ, નવી સાડી-બ્લાઉઝ, પંજાબી ડ્રેસ અને બાળકોના કપડાંનો સમાવેશ થતો હતો. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, સ્નેહા શાહ અને માર્કંડભાઈએ આ વિતરણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાર્યક્રમનું સંકલન ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર નવા લેબર કોડ અને ટેક્સટાઇલ પર GST વધારાના નિર્ણય સામે સુરતમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મજદૂર સંગઠનો અને ટેક્સટાઇલ કાઉન્સિલ દ્વારા આક્રમક વલણ અપનાવી કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે. લેબર કોડ સામે મજદૂર સંગઠનોનો મોરચોસુરતમાં ઓલ ઇન્ડિયા યુનાઇટેડ ટ્રેડ યુનિયન દ્વારા નવા ચાર લેબર કોડનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિયનના કાર્યકરોએ 'નવા લેબર કોડ પાછા ખેંચો'ના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આંદોલનકારીઓનું કહેવું છે કે આ નવા કાયદાઓ સંપૂર્ણપણે મજદૂર અને કામદાર વિરોધી છે, જે તેમના હકો પર તરાપ સમાન છે. કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગવિરોધ પ્રદર્શન દરમિયાન કામદાર સંગઠનોએ કોન્ટ્રાક્ટ પ્રથા રદ કરવાની મુખ્ય માંગણી દોહરાવી હતી. યુનિયનના મતે, કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે શ્રમિકોનું શોષણ વધી રહ્યું છે અને તેમને પૂરતું વળતર કે સુરક્ષા મળતી નથી. આ મુદ્દે શ્રમિકોએ પોતાની એકતા દર્શાવી સરકાર સમક્ષ લેબર કોડમાં ધરખમ સુધારા અથવા તેને રદ કરવાની માંગ કરી છે. ટેક્સટાઇલ પર GST વધારાથી ઉદ્યોગ જગતમાં રોષબીજી તરફ, સુરત ટેક્સટાઇલ યુનાઈટેડ કાઉન્સિલ દ્વારા ટેક્સટાઇલ પરના જીએસટી દરમાં થયેલા વધારા સામે લડત શરૂ કરવામાં આવી છે. કાઉન્સિલના સેક્રેટરી જયમીન દેસાઈએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ટેક્સટાઇલ પરનો જીએસટી થી વધારીને કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અત્યંત નુકસાનકારક છે અને ઉદ્યોગના હિતમાં નથી. નાના વેપારીઓ અને ગ્રાહકો પર આર્થિક બોજટેક્સટાઇલ કાઉન્સિલના મતે, જીએસટીમાં આ વધારાથી સીધી અસર નાના વેપારીઓ અને સામાન્ય ગ્રાહકો પર પડશે. સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ લાખો લોકોની આજીવિકાનું સાધન છે, ત્યારે આર્થિક બોજ વધતા આખા ઉદ્યોગનું માળખું ખોરવાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે બજારમાં મંદીનો માહોલ સર્જાવાની પણ શક્યતા છે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવી આંદોલનની ચીમકીઆ તમામ પ્રશ્નોને લઈને વિવિધ સંગઠનોએ સુરત કલેક્ટર કચેરીએ પહોંચી આવેદન પત્ર પાઠવ્યું હતું. જયમીન દેસાઈએ ચેતવણી આપી છે કે જો સરકાર દ્વારા જીએસટી વધારો અને કામદાર વિરોધી નીતિઓ પાછી ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સુરતનો ટેક્સટાઇલ ઉદ્યોગ અને મજદૂર સંગઠનો ભેગા મળીને ઉગ્ર આંદોલન કરશે.
મહેસાણા મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપમાં ઉમેદવારી કરવા માટે કાર્યકરો અને દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવતીકાલે (2 એપ્રિલ) ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. એ પહેલા આજે (1 એપ્રિલ) રાધનપુર રોડ પર સિટી સેન્ટર કોમ્પ્લેક્સ ખાતેની ઓફિસ પરથી દાવેદારી માટેના ફોર્મ વિતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જ્યાં ફોર્મ મેળવવા માટે લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા હતા. બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશેફોર્મ વિતરણ બાદ હવે પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત તેજ કરવામાં આવી છે. 2 અને 3 એપ્રિલના રોજ ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું છે.આ પ્રક્રિયા દરમિયાન નિરીક્ષકો દ્વારા દાવેદારોની રજૂઆતો સાંભળવામાં આવશે. આવતીકાલે 6 વોર્ડની સેન્સ પ્રક્રિયાપક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ મુજબ આવતીકાલે એટલે કે 2 એપ્રિલના રોજ વોર્ડ નંબર 1 થી 6ના દાવેદારોની સેન્સ લેવામાં આવશે. જ્યારે બીજા દિવસે, 3 એપ્રિલના રોજ વોર્ડ નંબર 7 થી 13 ના દાવેદારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. આ પ્રક્રિયા બાદ મજબૂત અને જીતી શકે તેવા દાવેદારના નામની પેનલ બનાવી પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. મનપાની ચૂંટણી પહેલા જ ભાજપમાં જોવા મળી રહેલી આ ભીડ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે.
અકસ્માત સહાય યોજનાની રકમ દોઢ લાખ કરાઈ:હિંમતનગર GMERS સિવિલે 119 દર્દી રજિસ્ટર કર્યા
રાજ્ય સરકારે અકસ્માત સહાય યોજના હેઠળની રકમ રૂપિયા 50,000 થી વધારીને રૂપિયા 1.50 લાખ કરી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતમાં ઘાયલ દર્દીઓને ઝડપી અને નિ:શુલ્ક સારવાર પૂરી પાડવાનો છે. હિંમતનગરની GMERS જનરલ સિવિલ હોસ્પિટલમાં આ યોજનાનું અમલીકરણ કરવામાં આવ્યું છે. હોસ્પિટલના તમામ તબીબોને આ યોજના અંગે તાલીમ આપવામાં આવી હતી. હિંમતનગર GMERS જનરલ સિવિલ હોસ્પિટલના RMO ડૉ. વિપુલ જાનીએ જણાવ્યું હતું કે, આ નવી યોજના 'PMJAY રાહત ફંડ' ના નામે શરૂ કરવામાં આવી છે. તે અકસ્માતગ્રસ્ત દર્દીઓને 48 કલાકમાં ઝડપી અને નિ:શુલ્ક સારવાર સુનિશ્ચિત કરે છે. આ યોજના 7 માર્ચથી અમલમાં આવી હતી. 7 માર્ચથી 31 માર્ચ દરમિયાન, હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ અથવા ખાનગી વાહનો દ્વારા લાવવામાં આવેલા કુલ 119 અકસ્માતગ્રસ્ત દર્દીઓને રજિસ્ટર કરવામાં આવ્યા છે. ડૉ. જાનીના મતે, ગુજરાતમાં અકસ્માત સહાય યોજના હેઠળ સૌથી વધુ દર્દીઓનું રજિસ્ટ્રેશન કરીને હિંમતનગર GMERS સિવિલ હોસ્પિટલ પ્રથમ સ્થાને છે. દર્દીને હોસ્પિટલમાં દાખલ કરતી વખતે ફક્ત તેનું સાચું સરનામું અને મોબાઈલ નંબર આપવો જરૂરી છે. આ માહિતી પોલીસ દ્વારા સ્થળની ઝડપી ચકાસણી અને 48 કલાકમાં સમસ્યાના નિરાકરણમાં મદદરૂપ થાય છે. આ યોજના હેઠળ મળતું ફંડ સીધું હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિમાં જમા થાય છે, જેનો ઉપયોગ હોસ્પિટલની સુવિધાઓ વધારવા માટે થાય છે.
પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળાની રજાઓમાં મુસાફરોની ભારે ભીડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને સુરતના ઉધના રેલવે સ્ટેશનથી સુબેદારગંજ અને આગ્રા કેન્ટ માટે દોડતી ખાસ ટ્રેનોના સમયગાળામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉત્તર પ્રદેશ તરફ જતા હજારો મુસાફરોને મોટી રાહત મળશે. ઉધના-સુબેદારગંજ સ્પેશિયલના 60 ફેરાપશ્ચિમ રેલવેના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેનાના જણાવ્યા અનુસાર, ટ્રેન નં. 04156 ઉધના-સુબેદારગંજ સ્પેશિયલ હવે 3 એપ્રિલ, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવી છે. વળતી દિશામાં ટ્રેન નં. 04155 સુબેદારગંજ-ઉધના સ્પેશિયલ 2 એપ્રિલ, 2026 થી 13 જુલાઈ, 2026 સુધી કાર્યરત રહેશે. આ ટ્રેન બંને દિશામાં કુલ 60 ટ્રિપ્સ પૂર્ણ કરશે, જે ઉનાળાના વેકેશન દરમિયાન મુસાફરોનો ધસારો ઓછો કરવામાં મદદરૂપ થશે. આગ્રા કેન્ટ સાપ્તાહિક ટ્રેનના સમયમાં ફેરફારઆ ઉપરાંત, ટ્રેન નં. 01908 ઉધના - આગ્રા કેન્ટ સાપ્તાહિક સ્પેશિયલનો સમય 8 એપ્રિલ, 2026 થી 15 જુલાઈ, 2026 સુધી લંબાવવામાં આવ્યો છે. તેવી જ રીતે, ટ્રેન નંબર 01907 આગ્રા કેન્ટ - ઉધના સ્પેશિયલ 7 એપ્રિલ, 2026 થી 14 જુલાઈ, 2026 સુધી દોડશે. આ ટ્રેન શ્રેણી હેઠળ કુલ 30 ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું છે. બુકિંગ અને અન્ય વિગતોટ્રેન નંબર 04156 માટે બુકિંગ હાલમાં ખુલ્લું છે, જ્યારે ટ્રેન નંબર 01908 માટે બુકિંગ 1 એપ્રિલ, 2026 થી તમામ PRS કાઉન્ટરો અને IRCTCની સત્તાવાર વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. મુસાફરો ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચની વિગતો માટે www.enquiry.indianrail.gov.in પર જઈને વધુ માહિતી મેળવી શકે છે. રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને પરપ્રાંતીય શ્રમિકો અને પ્રવાસીઓને સીધો ફાયદો થશે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આશરે 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક કલેક્ટર કચેરી ભવનનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર તથા ક્લાયમેટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ નવીન કચેરી ભવનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ નૂતન ભવનને આધુનિક સુવિધાઓ અને ગ્રીન બિલ્ડિંગના માપદંડોને અનુરૂપ ડિઝાઇન કરાયું છે. તેમાં સોલાર રૂફટોપ, રેન વોટર હાર્વેસ્ટિંગ, રિસાઇકલિંગ સિસ્ટમ, બેઝમેન્ટ પાર્કિંગ, લિફ્ટ અને ફાયર સેફ્ટી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ભવનનું નિર્માણ હાથ ધરવામાં આવશે અને તેની કામગીરી અંદાજિત 18 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. નવા કલેક્ટર કચેરી ભવનમાં આધુનિક મીટિંગ હોલ, કોન્ફરન્સ સુવિધાઓ તેમજ સેવા સંબંધિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે, જેનાથી જિલ્લાવાસીઓને વધુ સગવડપૂર્ણ અને ઝડપી વહીવટી સેવાઓ મળશે. આ પ્રસંગે મંત્રી પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને તેમના વહીવટી કામોમાં સરળતા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. આ ભવનનું આયોજન આધુનિકતા અને ટેકનોલોજી સાથે પર્યાવરણના સંરક્ષણને પણ સમાન મહત્વ આપીને કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સંપૂર્ણ ભવનને ગ્રીન બિલ્ડિંગ તરીકે વિકસાવવામાં આવશે, જેમાં પર્યાવરણને અનુકૂળ તમામ માપદંડોનું પાલન થશે. નવી કચેરીમાં દિવ્યાંગ અને દ્રષ્ટિબાધિત નાગરિકોને પણ કોઈ મુશ્કેલી ન પડે તે માટે વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેથી દરેક વ્યક્તિ સરળતાથી સેવાઓનો લાભ લઈ શકે. આ કલેક્ટર કચેરી ભવન બન્યા બાદ જિલ્લાના નાગરિકોને એક સુવ્યવસ્થિત, ટેક્નોલોજી આધારિત અને સુલભ વહીવટી કેન્દ્ર મળશે, જેનાથી સરકારી સેવાઓ વધુ પારદર્શક, ઝડપી અને અસરકારક બની શકશે.
સુરત શહેરના કોસમાડા વિસ્તારમાં આવેલા G.B. ગ્રાઉન્ડ ખાતે રમતગમતની સાથે સામાજિક સેવાનો ત્રિવેણી સંગમ રચાયો છે. સમસ્ત ભુતિયાગામ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ “ભુતિયાગામ પ્રિમિયર લીગ – BGPL-1” એ માત્ર ચોગ્ગા-છગ્ગાની રમત નથી, પરંતુ 'મેચ જીતીને મન જીતીશું'ના મંત્રને સાર્થક કરતો એક સામાજિક ઉત્સવ બની રહ્યો છે. રાજકીય અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિ આ ટુર્નામેન્ટની ભવ્ય ઓપનિંગ સેરેમનીમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાણી સહિત સુરતના અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓએ હાજરી આપી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિશેષ આકર્ષણ ત્યારે જોવા મળ્યું જ્યારે ધારાસભ્ય કુમાર કાનાણી પોતે મેદાનમાં ઉતરી ક્રિકેટ રમ્યા હતા. આ પ્રસંગે ખેલદિલીની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે સાયબર જાગૃતિના પોસ્ટરો લગાવીને લોકોને ડિજિટલ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. રમતગમત સાથે રક્તદાનનો સેવા યજ્ઞ BGPL-1 ટુર્નામેન્ટમાં રમતની સાથોસાથ માનવતાનું પણ દર્શન થયું છે. 'જીવનજયોત બ્લડ બેંક'ના સહયોગથી અહીં રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના મુખ્ય દાતા સ્વ. વિમળાબેન મનસુખભાઈ મેંદપરા પરિવારના મનસુખભાઈ અને વિપુલભાઈ મેંદપરા છે. આ સમગ્ર આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય ભુતિયા ગામના યુવાનોની છુપાયેલી પ્રતિભાને મંચ પૂરું પાડવાનો અને સમાજમાં એકતાની ભાવના મજબૂત કરવાનો છે. સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી નોંધનીય છે કે, આ ટુર્નામેન્ટ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' તરીકે ઉજવાઈ રહી છે. આયોજક અને યુવા પ્રોત્સાહન કમિટીએ તમામ ખેલપ્રેમી જનતાને સહપરિવાર આ મેચો નિહાળવા અને યુવાનોને પ્રોત્સાહિત કરવા ભાવભીનું આમંત્રણ પાઠવ્યું છે.
પુત્રના નિધન પર પિતાનો પરોપકારી નિર્ણય:ભાવનગરના 22 વર્ષીય હિરેનનું અંગદાન, 3 લોકોના જીવ બચ્યા
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર સંવેદના અને સેવાના સંગમ જેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાવનગરના એક પિતાએ પોતાના 22 વર્ષીય યુવાન પુત્રને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ અન્ય ત્રણ વ્યક્તિઓને નવજીવન આપવાનો ઉમદા નિર્ણય લીધો છે. હિરેન પ્રવીણભાઈ કંટારીયાના આ અંગદાનથી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અકસ્માતથી બ્રેઇનડેડ સુધીની સફરમૂળ ભાવનગરના હિરેન કંટારીયાને 27 માર્ચ, 2026ના રોજ બાઈક અકસ્માત નડતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. સ્થાનિક સારવાર બાદ તેમને વધુ સારવાર અર્થે 28 માર્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો ન થયો અને 30 માર્ચે તબીબોએ તેમને 'બ્રેઇનડેડ' જાહેર કર્યા હતા. પિતાની સંમતિ અને તબીબોનું માર્ગદર્શનઆ કપરા સમયે હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. નિમેશ દેસાઈ અને ડૉ. મોહિત ચંપાવતે પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું. જુવાનજોધ દીકરાને ગુમાવવાની પીડા હોવા છતાં, પિતા પ્રવીણભાઈએ હિંમત દાખવી અંગદાન માટે સંમતિ આપી. આ નિર્ણયને પગલે હિરેનનું એક લીવર અને બે કિડની સફળતાપૂર્વક મેળવવામાં આવ્યા, જેનું પ્રત્યારોપણ સિવિલ મેડિસિટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જ જરૂરિયાતમંદ દર્દીઓમાં કરવામાં આવશે. સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિદ્ધિમેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું કે, આ સિવિલ હોસ્પિટલનું 233મું અંગદાન છે. અત્યાર સુધીમાં અહીં કુલ 770 અંગો અને 192 ચક્ષુઓનું દાન પ્રાપ્ત થયું છે, જે અનેક પરિવારોમાં ખુશીઓ લાવવાનું માધ્યમ બન્યું છે.
સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં વિવિધ બેઠકો માટે ભાજપમાં દાવેદારો ઉમટ્યાં છે પ્રદેશ નિરીક્ષકો સમક્ષ કાર્યકર્તાઓએ ઉમેદવારી માટે દાવેદારી રજૂ કરી રહ્યાં છે, ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજય ચૂંટણીઓ અંતર્ગત અગાઉ વિવિધ બેઠકોની ઉમેદવારી માટે ઈચ્છુક કાર્યકર્તાઓ ભાવનગર અને પાલિતાણામાં યોજાયેલ બેઠકોમાં દાવેદારી રજૂ કરી રહ્યાં છે ભાવનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'ભાવ કમલમ્ ' ઉપર પ્રદેશ નિરીક્ષકો પ્રદીપ પરમાર પૂર્વ મંત્રી, રાજ્ય સરકાર, મહેશ પટેલ પૂર્વ જિલ્લા પ્રમુખ, આણંદ તથા પ્રજ્ઞેશ બ્રહ્મભટ્ટ પૂર્વ પ્રદેશ મંત્રી, બક્ષીપંચ મોરચો અને પાલિતાણામાં નિરીક્ષકો દિનેશ મકવાણા સાંસદ, અમદાવાદ પશ્ચિમ, નિમાબેન પટેલ પૂર્વ પ્રદેશ મંત્રી, મહિલા મોરચો તથા પૌરવ પટેલ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ, યુવા મોરચો રહ્યા છે. જિલ્લા અધ્યક્ષ દિગ્વિજયસિંહ ગોહિલના જણાવ્યું હતું કે, આ બે દિવસો બુધવાર અને ગુરુવાર દરમિયાન જિલ્લા પંચાયતની 40 બેઠકો અને જિલ્લાની 10 તાલુકા પંચાયતોની બેઠકો સાથે નગર પાલિકા માટે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, આ સેન્સ પ્રક્રિયા સવારથી સાંજ સુધી ચાલશે, પ્રથમ દિવસે ભાવનગરમાં ભાવનગર ગ્રામ્ય, ઘોઘા ગ્રામ્ય, ઉમરાળા ગ્રામ્ય તથા તળાજા ગ્રામ્ય રહેલ અને પાલિતાણામાં પાલિતાણા ગ્રામ્ય,જેસર ગ્રામ્ય તથા મહુવા ગ્રામ્ય ના દાવેદારો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બીજા દિવસે ગુરુવારે ભાવનગરમાં વલભીપુર ગ્રામ્ય, સિહોર ગ્રામ્ય તથા વલભીપુર શહેર રહેશે અને પાલિતાણામાં ગારિયાધાર ગ્રામ્ય, મહુવા શહેર તથા પાલિતાણા શહેર રહેશે.
32 દિવસ પૂર્વે પશ્ચિમ એશિયામાં ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયેલ વિરુદ્ધ યુદ્ધ ફાટી નીકળ્યું હતું, તેના એક સપ્તાહ પછી સુરતમાંથી પરપ્રાંતીય શ્રમજીવીઓની વતનવાપસી શરૂ થઈ હતી. દૈનિક 5થી 6 હજાર કામદારો ટ્રેન મારફતે ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ જેવા વિસ્તારોમાં રવાના થતાં છેલ્લા 30 જ દિવસમાં સુરતનાં વિવિધ ઉદ્યોગમાંથી કમસેકમ દોઢ લાખથી વધુ પરપ્રાંતીય કામદારો સુરત છોડીને વતન ભેગા થઈ ચૂક્યા છે. સુરતનાં ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં નાનું કારખાનું હોય કે મોટી મિલ હોય 40થી 45 ટકા સુધી કામદારોની અછત વર્તાઈ રહી છે. કારખાનાઓમાં કામદારોનાં અભાવે હવે રાતપાળીનું ઉત્પાદન સાવ બંધ કરી દેવામાં આવ્યું છે. પરપ્રાંતીય કામદાર પરિવારોમાં ઉચાટ વ્યાપી ગયોમિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની સૌથી ઘેરી અસર સુરતના ટેક્સ્ટાઈલ સાથે સંકળાયેલા ઉદ્યોગ પર પડી છે અને હવે આ અસરો એટલી ઉત્પાદન તબક્કાવાર બંધ થવા તરફ છે. જાણકારોનાં જણાવ્યા મુજબ 28મી ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધની પહેલી અસર એક સપ્તાહ પછી વર્તાવા માંડી હતી. ગેસના સિલિન્ડર મળવામાં મુશ્કેલી ઉભી થતાં પરપ્રાંતીય કામદાર પરિવારોમાં ઉચાટ વ્યાપી ગયો હતો. દૈનિક સરેરાશ 5થી 6 હજાર જેટલા કામદારોની વતન જાય છેજોતજોતામાં ગેસ સિલિન્ડર કે જે 70થી 80 રૂપિયે કિલોમાં રીફિલ થઈ જતા હતા, તેના 700થી 900 રૂપિયા આપવાના શરૂ થતાં કામદારોએ વતન વાપરી શરૂ કરી હતી. છેલ્લા 30 દિવસ દરમિયાન દૈનિક સરેરાશ 5થી 6 હજાર જેટલા કામદારો ટ્રેન મારફતે પોતાના વતન ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તિલંગાણા ભણી રવાના થયા હતા. છેલ્લા એક મહિનાથી રોજ બરોજ ઉધના રેલવે સ્ટેશન પર લાઇનો લાગી રહી છે. લેબરની શોર્ટેજના કારણે નાઈટ શીફ્ટમાં પ્રોડક્શન બિલકુલ બંધ સાયણ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં લેબરની ભારે શોર્ટેજ છે અને તેમના સહિત સેંકડો કારખાનાઓમાં કામદારોના અભાવે નાઈટ શીફ્ટમાં પ્રોડક્શન બિલકુલ બંધ થઈ ચૂક્યું છે. એવી જ રીતે સચિન, પાંડેસરા, પલસાણા જેવા વિસ્તારોમાં આવેલી મિલોમાં સપ્તાહમાં બે દિવસ ઉત્પાદન કાપ છે અને કારખાનાઓમાં પણ લેબર શોર્ટેજને કારણે બે દિવસનો ઉત્પાદન કાપ મૂકવા છતાં પણ કારખાનાઓ વધુ સમય માટે બંધ રાખવાની ફરજ પડી રહી છે. કારખાનાઓમાં 50 ટકા સુધી ઉત્પાદન ઘટી ગયુંલેબરને કારણે નાઈટ શીફ્ટ બિલકુલ બંધ છે અને લેબર હવે 15મી એપ્રિલ પહેલા પરત આવે તેવી શક્યતા દેખાતી નથી. યાર્ન સહિતના રો-મટીરિયલનાં ભાવ વધી ગયા છે અને બીજી તરફ મિલોમાં બે સાપ્તાહિક રજા અને પ્રોસેસિંગ ચાર્જમાં વધારાને કારણે હાલ તુરત વેપારીઓને પણ ગ્રે ખરીદવામાં કોઈ ઉત્સાહ નથી. આવી સ્થિતિમાં કારખાનાઓમાં 50 ટકા સુધી ઉત્પાદન ઘટી ગયું છે. આ નિર્ણય લેવાયા પછી કામદારોમાં અજંપો વ્યાપી ગયોલેબર કોન્ટ્રાક્ટરોનાં જણાવ્યા અનુસાર, વીવિંગ કારખાનાઓ અને મિલોમાં બે દિવસનાં ઉત્પાદન કાપનો નિર્ણય લેવાયો તે પહેલા 50 હજાર જેટલા કામદારો વતન પહોંચી ચૂક્યા છે. આ નિર્ણય લેવાયા પછી કામદારોમાં અજંપો વ્યાપી ગયો હતો. કેમ કે ઉત્પાદન જ નહીં થાય તો રોજગારી ઓછી થશે એના કરતા તો વતનમાં ખેતી કે મજૂરીથી સારુ કમાઇ લેવાશે, એ ગણતરીએ દિનપ્રતિદિન કામદારોની વતન વાપસી થવા માંડી હતી. યુપી, બિહાર, ઓરિસ્સા વગેરે રાજ્યોમાંથી સુરત આવતી ટ્રેનોમાં મુસાફરો પાછા આવી રહ્યા છે પરંતુ, જેટલા વતનમાં ગયા હોય તેના કરતા ઓછા પરત આવે છે. હોળી પર વતન ગયેલા ત્રીજા ભાગનાં કામદારો હજુ સુરત પરત ફર્યા નથીલેબર કોન્ટ્રાક્ટરો જણાવે છે કે, હોળી ધૂળેટીનાં પર્વની ઉજવણી માટે સુરતમાંથી અઢી લાખ જેટલા શ્રમજીવી કામદારો વતનમાં પહોંચ્યા હતા. એ સમયે યુદ્ધ કે સિલિન્ડરની અછત જેવા કોઇ પ્રશ્ન ન હતાં. હોળી ધૂળેટી પર વતન ગયેલા ત્રીજા ભાગનાં કામદારો હજુ સુધી સુરત પરત ફર્યા નથી અને એ પછી યુદ્ધને કારણે ઉદભવેલી પરિસ્થિતિમાં હજારો કામદારોની વતન વાપસી થઈ છે, જેના કારણે સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં હવે 40થી 45 ટકા લેબર શોર્ટેજ વર્તાવાની શરૂ થઇ ચૂકી છે.
ચૈત્રી પૂનમના પવિત્ર અવસરે મરતોલી સ્થિત ચેહર માતાના મંદિરે દર્શનાર્થે જતા યાત્રાળુઓની સુરક્ષા માટે સાંથલ પોલીસ દ્વારા એક પ્રેરણાદાયી અભિગમ અપનાવવામાં આવ્યો છે. સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.જી. શ્રીપાલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા માર્ગ સલામતીને પ્રાથમિકતા આપી પગપાળા યાત્રીઓને રિફ્લેક્ટર બેલ્ટ અને સ્ટીકરોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પદયાત્રીઓના કપડા, બેગ પર રિફ્લેક્ટર લગાવ્યાસામાન્ય રીતે ચૈત્રી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ વહેલી સવારથી અથવા મોડી રાત્રિના સમયે પદયાત્રા કરતા હોય છે. રાત્રિના અંધકારમાં વાહનચાલકોને આ પદયાત્રીઓ સ્પષ્ટ રીતે દેખાતા નથીબજેને કારણે અકસ્માત થવાનો ભય રહે છે. આ જોખમને નિવારવા માટે સાંથલ પોલીસ દ્વારા યાત્રાળુઓના કપડાં અને બેગ પર રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. આ રિફ્લેક્ટર વાહનની લાઈટ પડતા જ તેજસ્વી રીતે ચમકે છે.જેનાથી વાહનચાલકો દૂરથી જ યાત્રાળુઓની હાજરી જાણી શકે છે અને અકસ્માતની સંભાવના ઘટાડી શકાય છે. પોલીસે પદયાત્રીઓને માર્ગદર્શન આપ્યુંઆ સેવાકીય પ્રવૃત્તિ સાથે પોલીસ અધિકારીઓએ યાત્રાળુઓને માર્ગ સલામતી અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી. યાત્રાળુઓને હંમેશા રોડની ડાબી બાજુ ચાલવા, જૂથમાં ચાલતી વખતે શિસ્ત જાળવવા અને પૂરઝડપે આવતા વાહનોથી સાવધ રહેવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.પોલીસના આ માનવીય ચહેરા અને સુરક્ષાલક્ષી કામગીરીની પદયાત્રીઓમાં ભારે પ્રશંસા થઈ રહી છે. 'નાના પગલાં, મોટી સુરક્ષા'ના સૂત્રને સાર્થક કરતા સાંથલ પોલીસના આ પ્રયાસને ગ્રામજનો અને ભક્તોએ લોકહિત માટે ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. ઉમેદવારોની પસંદગી માટે ચાલી રહેલી સેન્સ પ્રક્રિયા દરમિયાન જ જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જિલ્લા સંગઠનના મોવડી મંડળ પર ‘વ્હાલા-દવલા’ની નીતિ અપનાવવાનો ખુલ્લો આરોપ લગાવ્યો છે, જેનાથી રાજકીય ગરમાવો આવ્યો છે. ધારાસભ્ય આર.સી. પટેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, તેમના મતવિસ્તારમાં આવતા નવસારી મહાનગરપાલિકાના વિજલપોર વિસ્તારના પાંચ વોર્ડમાં સંગઠન દ્વારા પક્ષપાતી વલણ રાખવામાં આવી રહ્યું છે. તેમણે આકરા શબ્દોમાં કહ્યું કે, અત્યાર સુધી અમે વિજલપોરના પાંચેય વોર્ડ જીતતા આવ્યા છીએ, પરંતુ હાલમાં જે પ્રકારે ‘વ્હાલા-દવલા’ની નીતિ ચાલી રહી છે, તે જોતા ભવિષ્યમાં શું થશે તે કહી શકાય તેમ નથી. નોંધનીય છે કે, અગાઉ જલાલપોર વિધાનસભા મત વિસ્તારમાં સંગઠન સ્તરે અન્યાય થતો હોવાની લાગણી સાથે સમગ્ર તાલુકા સંગઠને સામૂહિક રાજીનામું ધરી દીધું હતું. આ વિવાદ બાદ ભાજપ દ્વારા જલાલપોર તાલુકામાં નવા સંગઠનની રચના કરવામાં આવી હતી, પરંતુ ધારાસભ્યની તાજી નારાજગી દર્શાવે છે કે સ્થિતિ હજુ થાળે પડી નથી. ધારાસભ્ય આર.સી. પટેલના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જલાલપોર અને વિજલપોર વિસ્તારમાં ટિકિટ વહેંચણી વખતે પક્ષમાં મોટા વિવાદો સર્જાઈ શકે છે. એકતરફ ભાજપ શિસ્તબદ્ધ હોવાનો દાવો કરે છે, ત્યારે બીજી તરફ કદાવર નેતાના આક્ષેપોએ વિપક્ષને પણ બોલવાની તક આપી દીધી છે.
જૂનાગઢ જીઆઈડીસી-2 તરફ જતા રસ્તાઓની અત્યંત બિસ્માર હાલતને લઈને છેલ્લા ઘણા સમયથી ઉદ્યોગકારો અને કારખાનેદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા, આખરે ઉદ્યોગકારોએ એકઠા થઈને વિરોધ વિના વિકાસ મળે નહીં તે વાત સાબિત કરી બતાવી છે. રસ્તાઓની બીમાર હાલતથી કંટાળીને ગઈકાલે મોટી સંખ્યામાં કારખાનેદારોએ એકત્ર થઈ જીઆઈડીસી ગેટ નજીક આવેલા પુલના ડાયવર્ઝનને બંધ કરવાની અને ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ આક્રમક તેવરને જોઈ જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોશિયા તાત્કાલિક ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા હતા. જીઆઈડીસી-2 ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ચોવટિયાએ જણાવ્યું હતું કે અમારા રસ્તાના પ્રશ્નો બાબતે અમે આજે ' રસ્તાનું ડ્રાઇવર્ઝન કાઢી આંદોલન' કરવાના હતા. અમે તમામ ઉદ્યોગકારો ગેટ નંબર-2 પાસે એકઠા થયા હતા.જોકે જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયાએ રૂબરૂ મુલાકાત લીધી હતી અને આજથી જ રોડનું કામ શરૂ કરાવી દીધું છે. મેયરે અમને લેખિતમાં બાંહેધરી આપી છે કે આગામી 25 થી 30 દિવસમાં રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે. આ મામલે ગટર લાઈનનો પણ એક વિવાદ સામે આવ્યો હતો. પરેશભાઈએ જણાવ્યું કે દોલતપરા ગામની ભૂગર્ભ ગટરની લાઈન જીઆઈડીસીના રસ્તા તોડીને નાખવાનો આગ્રહ કોર્પોરેટર દ્વારા રાખવામાં આવ્યો હતો, જે માંગણી સ્પષ્ટપણે ફગાવી દીધી હતી. વોર્ડ નંબર-1 ના કોર્પોરેટર નીલેશભાઈ પીઠીયા અને સુભાષભાઈ રાદડિયાએ પણ આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી. નીલેશભાઈએ જણાવ્યું કે ગઈકાલથી જ રોડનું કામ શરૂ કરાયું છે. ગટરના કામ વગર રોડ નહીં બને એવી વાતો માત્ર ગેરસમજ હતી. અમારો હેતુ માત્ર એટલો જ હતો કે રોડ બન્યા પછી તેને તોડીને ગટર નાખવી ન પડે, જેથી સરકારી મિલકતને નુકસાન ન થાય. પરંતુ હવે સુખદ સમાધાન થઈ ગયું છે અને 20 થી 25 દિવસમાં નવા રોડ તૈયાર થઈ જશે. જૂનાગઢના મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું કે આશરે છ થી આઠ મહિના પહેલા જીઆઈડીસી-2 વિસ્તારમાં બોક્સ કલવર્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ટ્રાફિક માટે વૈકલ્પિક ડાયવર્ઝન કાઢવામાં આવ્યું હતું. જે સતત વપરાશને કારણે ક્ષતિગ્રસ્ત થઈ ગયું હતું. ઉદ્યોગકારોની રજૂઆતને ધ્યાને લઈ અમે તાત્કાલિક નવીનીકરણનું કામ શરૂ કરાવ્યું છે. ઉદ્યોગકારો અને વેપારીઓને માલસામાનની હેરફેર માટે પડતી મુશ્કેલીઓ 25 દિવસમાં દૂર કરવામાં આવશે. આ સમગ્ર ઘટનાક્રમ પરથી સાબિત થયું છે કે જ્યારે જનતા કે ઉદ્યોગકારો એકજૂથ થઈને પોતાના અધિકાર માટે લડે છે, ત્યારે તંત્રને નમવું પડે છે. મેયર દ્વારા રોડનું કામ શરૂ થતા અને લેખિત ખાતરી મળતા વેપારી મંડળે પોતાનું ચક્કાજામનું આંદોલન સમેટી લીધું છે. હવે આગામી એક મહિનામાં જીઆઈડીસીના ઉદ્યોગકારોને બિસ્માર રસ્તાઓથી મુક્તિ મળશે તેવી આશા બંધાઈ છે.
અમરેલી નગરપાલિકાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક મોડી રાત્રે અમરેલી શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાઈ હતી, જેમાં રાજ્ય સરકારના ઉર્જામંત્રી કૌશિક વેકરીયા અને પ્રભારી અભયસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. આ બેઠકમાં અમરેલી શહેરના તમામ હોદ્દેદારો, મંડળ સ્તરના જિલ્લાના હોદ્દેદારો, મોરચાના હોદ્દેદારો, સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ, ચૂંટાયેલા અને ચૂંટણી લડેલા પ્રતિનિધિઓ, વિવિધ સેલ અને શક્તિ કેન્દ્રના સંયોજકો, બૂથ પ્રમુખો તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા. બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકા ચૂંટણીમાં ફરીથી કમળ ખીલવવા માટે રણનીતિ ઘડવાનો અને કાર્યકરોને માર્ગદર્શન આપવાનો હતો. ઉર્જામંત્રી કૌશિક વેકરીયા, પ્રભારી અભયસિંહ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી રાજુ ભૂતૈયા અને મયુર માંજરીયા સહિતના અગ્રણીઓએ નાગરિકો સુધી વિકાસના કાર્યો પહોંચાડવા અને ચૂંટણી લડવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
LIVE: મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે આજે દિલ્હીમાં ફરી હાઈલેવલ બેઠક, આવતીકાલે ટ્રમ્પ કરશે મોટી જાહેરાત
PRESS TV And Social Media
બોટાદ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે ભાજપમાં દાવેદારોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાળંગપુર સ્થિત BAPS મંદિરે બરવાળા અને રાણપુર તાલુકા માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ પ્રક્રિયામાં પ્રદેશ ભાજપના નિરીક્ષકો રાજુ ધૃવ, ભીવીશા પટેલ અને નરેન્દ્ર પુરોહિત હાજર રહ્યા હતા. તેમણે ચૂંટણી લડવા ઈચ્છુક દાવેદારોની રજૂઆતો સાંભળી હતી અને તેમની સેન્સ લીધી હતી. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન સહિત અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. આ દાવેદારોમાં યુવા કાર્યકરોથી માંડીને અનુભવી નેતાઓનો સમાવેશ થાય છે. રાણપુર અને બરવાળા તાલુકા હેઠળ આવતી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ભાજપમાં દાવેદારોનો મોટો ધસારો જોવા મળ્યો છે. આ સ્થિતિ આગામી ચૂંટણીઓમાં કટોકટીભર્યા રાજકીય માહોલનો સંકેત આપે છે. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલે આ સેન્સ પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે પક્ષ દ્વારા યોગ્ય ઉમેદવારોની પસંદગી માટે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
કાલોલ 'આપ' પ્રભારી નશાની હાલતમાં ઝડપાયા:પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી
પંચમહાલ જિલ્લાના કાલોલ શહેરમાં આમ આદમી પાર્ટી (AAP) ના કાલોલ વિધાનસભાના પ્રભારી નશાની હાલતમાં ઝડપાયા છે. ગત મોડી રાત્રે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેઓ બેફામ ગાડી હંકારતા પકડાયા હતા. પોલીસે આ મામલે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કાલોલ પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી ત્યારે સંજીવની હોસ્પિટલ પાછળના ભાગે એક ફોર વ્હીલર ગાડી ગફલતભરી રીતે પસાર થઈ રહી હતી. પોલીસે શંકાના આધારે ગાડી અટકાવી તપાસ કરતા ચાલક નશાની હાલતમાં હોવાનું જણાયું હતું. ઝડપાયેલ વ્યક્તિની ઓળખ રાજેન્દ્રસિંહ સુરસંગજી ડાભી તરીકે થઈ છે. તેઓ મૂળ મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ડાંગરવા ગામની વચલી શેરીના રહેવાસી છે. કાલોલ પોલીસે આરોપી રાજેન્દ્રસિંહ ડાભી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. પોલીસે તેમનું વાહન જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. એક રાજકીય હોદ્દેદાર નશાની હાલતમાં ઝડપાતા સ્થાનિક રાજકારણમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ જાગી છે.
આગરાકેંટ-અસારવા સ્પેશિયલ ટ્રેન પાંચ દિવસ લંબાવાઈ:NWR દ્વારા સમય અને સ્ટેશન પર રોકાણ યથાવત રખાયું
NWR (ઉત્તર પશ્ચિમ રેલવે) દ્વારા આગરાકેંટ-અસારવા-આગરાકેંટ સ્પેશિયલ રેલ સેવાને વધુ પાંચ દિવસ માટે લંબાવવામાં આવી છે. આ નિર્ણય મૂળ સેવા અવધિ પૂર્ણ થયા બાદ લેવામાં આવ્યો છે. ટ્રેન નંબર 01919/01920 આગરાકેંટ-અસારવા-આગરાકેંટ સ્પેશિયલ રેલ સેવા હવે કુલ પાંચ ટ્રીપ માટે ચાલશે. આગરાકેંટથી આ ટ્રેન 1 એપ્રિલ 2026થી 5 એપ્રિલ 2026 સુધી પાંચ ટ્રીપ કરશે. જ્યારે અસારવાથી આ સેવા 2 એપ્રિલ 2026થી 6 એપ્રિલ 2026 સુધી પાંચ ટ્રીપ માટે ઉપલબ્ધ રહેશે. આ રેલ સેવાના સંચાલન સમય અને સ્ટેશનો પર રોકાણમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. આ અંગેની જાણકારી NWR દ્વારા X (અગાઉ ટ્વિટર) પર આપવામાં આવી છે.
શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકની સમસ્યાઓને ગંભીરતાથી લેતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે. મીના દ્વારા આજે શહેરના વિવિધ જાહેર સ્થળો પર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, કમિશનરે ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક સ્થિત બિઝનેસ સેન્ટર અને મહિલા બાગ જેવા વિસ્તારોની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી, ભાવનગરનું હૃદય ગણાતા ગંગાજળિયા તળાવમાં લાંબા સમયથી જામી ગયેલી ગંદકીના થર જોઈ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, તળાવની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરી જવાબદારોને નોટિસ પાઠવવામાં આવશે, તળાવની ફરતે પેવર બ્લોક લગાવવાની કામગીરી અને અન્ય જરૂરી આધુનિક ફેરફારો કરવામાં આવશે. જેથી લોકો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી આ સ્થળને એક સુંદર પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ ખુલ્લું કરાવાશે રૂપમ ચોક પાસે આવેલા બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાં ગંદકીના સામ્રાજ્ય અને દબાણોને પગલે કડક સૂચનાઓ આપી નોટિસ પાઠવવામાં આવશે, બિઝનેસ સેન્ટરમાં બે ફ્લોરનું પાર્કિંગ હોવા છતાં વાહનો રોડ પર ઉભા રહેતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, આ પાર્કિંગ તાત્કાલિક ખુલ્લું કરાવવા માટે આજે જ નોટિસ ફટકારવામાં આવશે, જેથી રોડ પર થતો ટ્રાફિક જામ હળવો થઈ શકે, મહિલા બાગ વિસ્તારમાં થતા કચરાના નિકાલ અંગે પણ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે ત્યાં જમા થયેલો કચરો તાત્કાલિક દૂર કરવા અને ફૂટપાથ પર રહેતા લોકોને યોગ્ય જગ્યાએ ખસેડી રસ્તો ખુલ્લો કરવાના આદેશો આપવામાં આવ્યા છે, શહેરમાં ક્યાં શું સમસ્યા છે તે જાણવા અમે નિયમિત રીતે નિરીક્ષણ કરતા હોઈએ છીએ. બોરતળાવ હોય કે પીલગાર્ડન, દરેક જાહેર સ્થળને લોકો માટે સુવિધાજનક અને સ્વચ્છ બનાવવું એ અમારી પ્રાથમિકતા છે તેમ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે.મીનાએ માહિતી આપી હતી.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ગીર પંથકની જગવિખ્યાત કેસર કેરીની આવક વિધિવત રીતે શરૂ થઈ ગઈ છે. સિઝનની શરૂઆતમાં જ કેરીના ભાવ આસમાને જોવા મળી રહ્યા છે. આજના દિવસે માર્કેટિંગ યાર્ડમાં કેરીના 10 કિલોના ભાવ 1,000થી લઈને 1,700 સુધી બોલાયા છે. જોકે, આ આંકડાઓ પાછળ ખેડૂતો અને ઇજારેદારોની વેદના છુપાયેલી છે. આ વર્ષે વાતાવરણમાં આવેલા અચાનક પલટા, કમોસમી વરસાદ અને આંબામાં ફેલાયેલા રોગચાળાને કારણે કેરીની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. દિવસેને દિવસે આવક ઘટતી જતી હોવાથી બજારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. દર વર્ષે કમોસમી વરસાદ, માવઠું અને રોગ આવવાના કારણે હવે બગીચા રાખનારા ઇજારેદારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અંતિમ સમયે પાક નિષ્ફળ જતાં રાતા પાણીએ રોવાનો વારોબજારના ગણિત મુજબ, જો આવનારા દિવસોમાં આવક વધશે તો જ ભાવમાં ઘટાડો થશે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા જો આવક ઓછી રહેશે તો ભાવ હજુ પણ ઊંચા જવાની પૂરેપૂરી શક્યતા છે. કુદરતની કારમી થપાટે હાલ ઇજારેદારોને હેરાન-પરેશાન કરી દીધા છે. આખું વર્ષ આંબાની માવજત કરવા છતાં, અંતિમ સમયે પાક નિષ્ફળ જતાં ઇજારેદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ સંજોગોમાં કેરીના સ્વાદરસિકો માટે માઠા સમાચાર એ છે કે, આ વર્ષે કેસર કેરી માત્ર મોડી જ નહીં, પણ ઘણી મોંઘી પણ મળશે. 'જ્યાં 500 બોક્સની આશા હોય ત્યાં માંડ 200 બોક્સ ઉતરે છે'જગદીશભાઈ ગોંડલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ 10 કિલોના બોક્સના 1,700થી 1,800 જેવો ભાવ મળતો હતો, જેની સામે અત્યારે 1,200થી 1,500 મળી રહ્યા છે. જો આ પરિસ્થિતિ રહી તો ખેડૂતો કંટાળીને આંબા કાપી નાખશે અને ઇજારેદારોએ અન્ય ખેતી તરફ વળવું પડશે. અમે સાતથી આઠ વખત દવાનો છંટકાવ કરીએ છીએ, પૂરતું પાણી આપીએ છીએ, પણ વાતાવરણમાં અચાનક પલટો આવતા જે કેરી તૈયાર થઈ હોય તે ખરી પડે છે. જ્યાં 500 બોક્સની આશા હોય ત્યાં માંડ 200 બોક્સ ઉતરે છે. આ પરિસ્થિતિમાં સ્વાદરસિકોને મોંઘી અને મોળી કેરી ખાવી પડશે. સ્વાદ રસિકોને આ વર્ષે પૂરતી કેરી અને યોગ્ય ભાવમાં ફળ નહીં મળેગીર પંથકમાં આંબાનો બગીચો રાખતા અનુભવી ઇજારેદાર વેડશીભાઈએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, હું છેલ્લા 25 વર્ષથી આંબાનો બગીચો ઇજારા પર રાખું છું. આજે હું અહીં અંદાજે 80 જેટલા બોક્સ કેરી લઈને આવ્યો છું. હાલ બજારમાં 10 કિલો કેરીના ભાવ 1,000થી 1,500 સુધી મળી રહ્યા છે, પરંતુ દુઃખની વાત એ છે કે દર વર્ષે જેટલી કેરી ઉતરે છે તેટલી આ વર્ષે આંબા પર દેખાતી નથી. આ વર્ષે આંબામાં ખૂબ જ રોગચાળો આવ્યો છે, જેને કારણે ઉત્પાદન ઘટ્યું છે. કમોસમી વરસાદ અને રોગના કારણે અમને ખૂબ મોટું નુકસાન થવાની ભીતિ છે. સ્વાદરસિકોને આ વર્ષે પૂરતી કેરી અને યોગ્ય ભાવમાં ફળ નહીં મળે, કારણ કે ઓછી આવકના લીધે ભાવ ઊંચા જ રહેવાના છે. ખેડૂતોની જેમ ઈજારેદારોને પણ સરકાર સહાય આપે તેવી માગઇજારેદારોનું કહેવું છે કે, દર વર્ષ કરતાં આ વર્ષે નુકસાનનો આંકડો મોટો હશે. જ્યારે કોઈ ઇજારેદાર ખેડૂત પાસેથી આંબાનો બગીચો રાખે છે, ત્યારે તેણે 50 ટકા રકમ એડવાન્સ પેટે ચૂકવવી પડે છે. કમોસમી વરસાદ અને માવઠાને કારણે આંબા પરથી કેરીઓ ખરી પડે છે, જે સીધું નુકસાન ઇજારેદારોના ફાળે જાય છે. બાર મહિના સુધી મોંઘી દવાઓ અને ખાતર આપીને આંબાની માવજત કરવામાં આવે છે છતાં કુદરત સાથ નથી આપતી. ઇજારેદારોની માગ છે કે સરકાર તેમને પણ પૂરતી મદદ કરે, કારણ કે ખેડૂતોને ઘણીવાર સહાય મળે છે પણ ઇજારેદારોને માત્ર નુકસાન જ વેઠવું પડે છે. બજારમાં 20 કિલોના સરેરાશ ભાવ 1,000થી 4,200 સુધી બોલાયાહરેશભાઈ ગજેરાએ આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, જૂનાગઢ શાકભાજી માર્કેટિંગ યાર્ડમાં કેરીના શ્રી ગણેશ તારીખ 22 માર્ચ, 2026થી થયા છે. શરૂઆતના દિવસે માત્ર 58 બોક્સની આવક થઈ હતી, જ્યારે આજે 800થી વધુ બોક્સ આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3,200 જેટલા બોક્સ આવ્યા છે. બજારમાં 20 કિલોના સરેરાશ ભાવ 1,000થી 4,200 સુધી બોલાયા છે. એટલે કે 10 કિલોના ભાવ 500થી 2,000 સુધી રહ્યા છે. 'દર વર્ષની સરખામણીએ આ વર્ષે ઉત્પાદન ઓછું રહેશે'માર્કેટિંગ યાર્ડના વેપારી અદ્રેમાન પંજાએ જણાવ્યું હતું કે, આજે યાર્ડમાં 800થી વધુ બોક્સ આવ્યા છે અને 10 કિલોના ભાવ 900થી 1,500 વચ્ચે રહ્યા છે. ભાવનો સંપૂર્ણ આધાર આવક પર રહેશે. જો આવક વધશે તો ભાવ ઘટશે, પણ હાલ તો ઘટાડો થવાની શક્યતા ઓછી જણાય છે. આગામી 15 દિવસમાં આવક થોડી વધશે અને એક મહિના બાદ કેરીની પૂરેપૂરી સિઝન શરૂ થશે. જોકે, એ વાત નક્કી છે કે દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેરીનું કુલ ઉત્પાદન ઓછું જ રહેવાનું છે.
1 લિટર પર ઓઇલ કંપનીઓને 105 રૂપિયાનું નુકસાન! પેટ્રોલ-ડીઝલના ભાવ મુદ્દે સરકારનું મોટું નિવેદન
(IMAGE - IANS) Petrol Diesel prices India 2026: વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલા તોતિંગ ઉછાળા વચ્ચે ભારત સરકારે સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આપ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશમાં સામાન્ય પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ભાવનગર-અમદાવાદ હાઈવે પર કરુણ અકસ્માતે એક શ્રદ્ધાળુનો જીવ લીધો છે. આણંદ જિલ્લાના કંકાપુરા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે જઈ રહેલા સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુને ભાલના સનેસ ગામ નજીક અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ જતા સનેસ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે. પગપાળા ચાલીને જતાં શ્રદ્ધાળુને ટ્રકે અડફેટે લેતાં મોતમળતી વિગતો અનુસાર, આજે 1 એપ્રિલે સવારના સમયે ભાવનગર-અમદાવાદ હાઈવે પર ફરી એક વખત કરુણ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં આણંદ જિલ્લાના કંકાપુરા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિરે જઈ રહેલા સંઘમાં જોડાયેલા શ્રદ્ધાળુ દિનેશભાઈ ચંદુભાઈ પરમારનું કરુણ મોત નિપજ્યું છે. ટ્રક ચાલક ટ્રક લઈને ફરાર થયોભાવનગર જિલ્લાના ભાલ પંથકના સનેસ ગામ નજીક પગપાળા ચાલી રહેલા દિનેશભાઈ પરમાર ઉ.વ. 31ને અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા તેઓ ઘટનાસ્થળે જ જીવ ગુમાવી બેઠા હતાં. બનાવ બાદ ટ્રક ચાલક ટ્રક સાથે ફરાર થઈ ગયો હતો. મૃતદેહને પીએમમાં ખસેડાયોત્યારબાદ પદયાત્રીના મૃતદેહને પીએમ અર્થે વરતેજ સીએચસી હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.ઘટનાની જાણ થતાં સનેસ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે અને ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે તલાશી હાથ ધરવામાં આવી રહી છે.
રાજકોટ મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ફાઇનલ મતદાર યાદી જાહેર થઈ ચૂકી છે જેમાં રાજકોટ શહેર અને જિલ્લામાં 19,42,474 મતદારો છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી 2026 ને લઈને શહેરના તમામ 18 વોર્ડની ફાઈનલ મતદાર યાદી આજે 1 એપ્રિલના સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેમાં 1થી 18 વોર્ડમાં ગતવર્ષે, 10,93,991 મતદારો સામે ચાલુ વર્ષે 9,85,952 મતદારો નોંધાયા છે. એટલે કે 1 લાખથી વધુ મતદારો ઘટયા છે. જ્યારે બુથ અગાઉના 991થી વધીને 1016 થયા છે. આ ઉપરાંત જિલ્લાની તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે વહીવટી તંત્ર દ્વારા પણ ફાઈનલ મતદાર યાદી જાહેર થઈ છે જેમાં 11 તાલુકાના 202 વોર્ડમાં 9,56,522 મતદારો હોવાનું જાહેર થયું છે. જ્યાં 36 સીટ અને 1189 પોલિંગ સ્ટેશન છે. રાજકોટ મહાપાલિકાના ચૂંટણી શાખાના મેનેજર પ્રણય પંચાલે જણાવ્યું હતું કે, ગત 23 માર્ચના શહેર વિસ્તારની મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી હતી. જ્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાની વોર્ડ વાઇઝ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં 1 થી 18 વોર્ડ મા ગત વર્ષના 10,93,991 મતદારો હતા. જોકે તાજેતરમાં SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ઝુંબેશ કરવામાં આવી. જેમાં ગેરહાજર મતદારો, એક જ મતદારનુ બે જગ્યાએ નામ, શિફ્ટ થયેલા તેમજ મૃત્યુ પામેલા મતદારોના નામ રદ કરવામાં આવ્યા હતા. જે બાદ હવે 9,85,952 થયા છે. આ કુલ મતદારોમાં 5,10,086 પુરુષો, 4,75,848 સ્ત્રીઓ અને 18 અન્ય જાતિના મતદારોનો સમાવેશ થાય છે. ચૂંટણી શાખાના જણાવ્યા અનુસાર, મતદારોની સુવિધા માટે આ વખતે મતદાન મથકો એટલે કે બૂથની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ શહેરમાં 991 બૂથ હતા. જેમાં 25 બુથનો વધારો કરીને હવે કુલ 1016 બૂથ નક્કી કરવામાં આવ્યા છે. ભૌગોલિક રીતે જોતા, સૌથી વધુ 90 બૂથ વોર્ડ નંબર 11 માં અને સૌથી ઓછા 42 બૂથ વોર્ડ નં 5 માં રાખવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ જિલ્લાની ફાઈનલ મતદાર યાદી પણ જાહેર થઈ હતી. કલેક્ટર કચેરીના ચૂંટણી અધિકારી અને એડિશનલ કલેકટરના ચાર્જમાં રહેલા નારણ મૂછાળે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં 202 વોર્ડની 36 સીટ પર 1189 પોલિંગ સ્ટેશન છે. જ્યાં 9,56,522 મતદારો છે. જેમાં રાજકોટ તાલુકામાં સૌથી વધુ 1,34,482 અને જસદણમાં 1,24,646 મતદારો છે. જ્યારે લોધિકામાં સૌથી ઓછા 46,602 મતદારો છે.
અમદાવાદના ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ-બહેને ઝેરી દવા પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. બંને ભાઈ-બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને માર્યો છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહને અરજ છે કે અમને ન્યાય આપવામાં આવે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ

30 C