મંડે પોઝિટીવ:રાજકોટમાં અનોખી સેવા, દોઢ વર્ષમાં દવાઓમાં અધધ 9 કરોડનું ડિસ્કાઉન્ટ
આજના સમયમાં મોંઘવારી આસમાને પહોંચી છે, ત્યારે સામાન્ય માણસ માટે બીમારી એ આર્થિક સંકટ સમાન બની જાય છે. સામાન્ય તાવ કે શરદી માટે પણ કોઈ નાના દવાખાને જઈએ તો 500 રૂપિયા ક્યાં વપરાઈ જાય તેની ખબર નથી પડતી. જ્યારે ગંભીર બીમારીઓની સારવારમાં તો ઘરના ઘર વેચાઈ જવાની નોબત આવે છે. આવા કપરા સમયમાં રાજકોટનું ‘સદ્દભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોર’ લાખો દર્દીઓ માટે આશાનું કિરણ બનીને ઊભર્યું છે. સેવાની આ સરવાણી કેટલી વિશાળ છે તેનો અંદાજ તેના આંકડા પરથી લગાવી શકાય છે. છેલ્લા દોઢ વર્ષમાં જ આ મેડિકલ સ્ટોરે દર્દીઓને કુલ 9 કરોડ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપીને મોટી આર્થિક રાહત આપી છે. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે, મેડિકલ સ્ટોર પર જો કોઈ ઓળખાણ હોય તો માંડ 5 કે 10 ટકા વળતર મળે છે, પરંતુ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર નાનામવા ચોકમાં આવેલા સદ્દભાવના મેડિકલ સ્ટોરમાં કોઈ લાગવગ કે ઓળખાણની જરૂર નથી. અહીં આવતા દરેક દર્દીને દવાઓ પર 20% થી લઈને 60% સુધીનું સીધું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સંસ્થા ‘નહીં નફો, નહીં નુકસાન’ના પવિત્ર સિદ્ધાંત પર કાર્ય કરી રહી છે. આજના સમયમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર (BP) જેવી બીમારીઓ ઘરે-ઘરે જોવા મળે છે. આ એવી બીમારીઓ છે જેની દવા આજીવન લેવી પડે છે. મધ્યમ અને ગરીબ વર્ગ માટે દર મહિને દવાનો મોટો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હોય છે. મેડિકલ ક્ષેત્રમાં દવામાં મળતા નફા વિશે અનેક ચર્ચાઓ થતી હોય છે. જે દવા 1 કે 2 રૂપિયામાં બનતી હોય તેના બજારમાં 10થી 12 રૂપિયા વસૂલાતા હોય છે. સદ્દભાવના મેડિકલ સ્ટોરે આ નફાખોરી સામે સેવાનો માર્ગ પસંદ કર્યો છે. સંસ્થા માત્ર વહીવટી ખર્ચ નીકળે તેટલો જ નજીવો નફો (1થી 2 ટકા) રાખીને બાકીનો તમામ લાભ ગ્રાહકોને ટ્રાન્સફર કરે છે. મેડિકલ માફિયાઓ દ્વારા સપ્લાય -ડિસ્કાઉન્ટ બંધ કરવા દબાણ‘સદ્દભાવના વૃદ્ધાશ્રમ’ દ્વારા સંચાલિત મેડિકલ સ્ટોર જ્યારે હજારો દર્દીઓ માટે આશીર્વાદ બની રહ્યો છે, ત્યારે મેડિકલ માફિયાઓ’ના પેટમાં તેલ રેડાયું છે. તેઓ સપ્લાય અને ડિસ્કાઉન્ટ બંધ કરવા દબાણ કરે છે. નવી પહેલ : આખા ગુજરાતમાં દવાની ફ્રી ડિલિવરીજરૂરિયાતમંદ દર્દીઓને સમયસર દવાઓ મળી રહે તે હેતુથી ‘સદ્દભાવના મેડિકલ’ દ્વારા એક પહેલ કરાઈ છે. હવે સમગ્ર ગુજરાતમાં ક્યાંય પણ દવાની તદન ફ્રી ડિલિવરી થશે, આ સેવાનો લાભ લેવા મુખ્ય શાખા: મો.90818 12182 અને સર્કલ બ્રાંચ: મો. 63510 12182નો સંપર્ક કરી શકો છો.
મહેસાણા નજીકના ગ્રામ્ય વિસ્તારની એક સોસાયટીમાં રહેતા બે પરિવારો વચ્ચે લાંબા સમયથી ચાલતી આવતી અનબણ એકવાર ફરી ઉગ્ર બની હતી. ભૂતકાળના વિવાદને ભૂલીને શાંતિપૂર્વક જીવન જીવવા ઇચ્છતા એક પરિવાર સામે પાડોશી પરિવાર નાની-નાની બાબતોને લઈ વારંવાર ઝગડાનો માહોલ ઊભો કરતો હોવાનું સામે આવ્યું છે. ઝગડાથી દૂર રહી પરિવાર સાથે શાંતિથી જીવન પસાર કરવા માગતી એક મહિલાને છેલ્લા કેટલાક સમયથી સતત માનસિક ત્રાસ સહન કરવો પડી રહ્યો હતો. તાજેતરમાં મોડી રાત્રે મહિલાના ઘર આગળ રહેતો એક શ્વાન સતત ભસતો રહેતાં બીજા દિવસે સવારે આ બાબતે પાડોશીએ ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. રોજિંદી માથાકૂટથી કંટાળેલા મહિલાના પરિવારે સામે જવાબ આપતાં મામલો થોડી જ વારમાં ગંભીર બની ગયો અને બંને પક્ષો વચ્ચે મારામારીની સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિ વણસતી જોતા મહિલાએ તાત્કાલિક 181 અભયમ ટીમનો સંપર્ક કરી મદદ માંગી હતી. 181ની ટીમ સ્થળ પર પહોંચી બંને પક્ષોની વાત સાંભળી કાઉન્સલિંગ શરૂ કર્યું હતું. જોકે, અનેક પ્રયાસો છતાં સમાધાન શક્ય ન બનતાં મામલો કાયદાકીય દિશામાં વળ્યો હતો. આ બાદ 181ની ટીમની મદદથી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ અને 181ની ટીમે પાડોશીને કાયદાનું ભાન કરાવતા ઉશ્કેરાયેલા પાડોશીને પોતાની ભૂલની ગંભીરતા સમજાઈ હતી. પોતે અજાણતા જ ગંભીર ગુનાની દિશામાં આગળ વધી રહ્યો હોવાનું સમજાતાં અંતે પાડોશીએ મહિલાની માફી માંગી હતી. સાથે જ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય નહીં કરે તેવી લેખિત બાંહેધરી પણ આપી હતી. બાદમાં બંને પડોશી પરિવારો વચ્ચે સુલેહ થયો હતો. પડોશી સાથે સંબંધોમાં સહનશીલતા અને સમજદારી અત્યંત જરૂરી છેનાની બાબતોને લઈ ઉભા થતા ઝગડા સમયસર સંભાળવામાં ન આવે તો મોટા વિવાદમાં ફેરવાઈ શકે છે. જ્યારે સંયમ અને સમજદારીથી વાતચીત થકી સમસ્યાનો ઉકેલ શક્ય બની શકે છે. શાંતિ, સંયમ અને સંવાદ કોઈ પણ સમસ્યાનો પ્રથમ અને શ્રેષ્ઠ ઉપાય છે. ઉશ્કેરાટમાં લેવામાં આવેલ એક પગલું કાયદાકીય ગુનામાં ફેરવાઈ શકે છે, જેનું ભાન રહેવું જરૂરી છે. પડોશી સંબંધોમાં સહનશીલતા અને સમજદારી સામાજિક શાંતિ માટે અત્યંત જરૂરી છે.
મહેસાણાના સુખાપરાથી સર્વિસ રોડ હાઇવેને જોડતા રસ્તામાંથી મહાનગરપાલિકા દ્વારા લશ્કરી ડંગા વિસ્તારમાંથી મહિના પહેલાં દબાણો દૂર કરાયા હતા. દરમિયાન, રવિવારે આ રોડને નવ મીટરનો કરવા માટે નવીનીકરણ શરૂ કરાયું છે. આ રસ્તો પહેલાં સાંકડો હતો અને તૂટેલી હાલતમાં હોઇ વાહનોની અવરજવર નહીંવત રહેતી હતી અને મોહનપુરાના લાંબા રસ્તેથી વાહનોની હાઇવે તરફ અવરજવર કરવી પડતી હતી. ત્યારે હવે રોડ નવો બનતાં વાહનચાલકો માટે આ રસ્તો ઉપયોગી બની રહેશે. હાલ રોડની એકસાઇડ આરસીસી રોડ રવિવારે કરાયો છે, હવે બીજી સાઇડ પણ આરસીસી રોડ થયા પછી આ નવો રસ્તો વાહન ચાલકો માટે ખુલ્લો મૂકાશે. ગોપીનાળાથી રાધનપુર-મોઢેરા રોડ તરફ જવા નવા રસ્તાની સુવિધાગોપીનાળાથી રાધનપુર ચોકડી તરફનો સીધો મગપરા થઇને રસ્તો છે. આ રસ્તે વાહનોનો ટ્રાફિક સતત રહેતો હોય છે. હવે મગપરા રેલવેના બીજા ગેટથી સુખાપુરા રોડ થઇને સીધા રાધનપુર- મોઢેરા તરફના સર્વિસ રોડ પર વાહનચાલકો જઇ શકશે. એટલે મગપરાના રસ્તા પર થતો ટ્રાફિક હળવો થશે અને આ તૂટેલા માર્ગનું નવિનીકરણ થતાં વાહનચાલકો માટે ઉપયોગી બનશે.
પંચાલ સમાજે ઘટતી જતી વસતી સામે એક નવી પહેલ શરૂ કરી છે. જેમાં બીજા સંતાનના જન્મ પર દંપતીઓને રૂ.₹25 હજારની પ્રોત્સાહક રકમ આપવાનું શરૂ કર્યું છે. સમાજના આંકડાકીય ડેટા મુજબ, લગભગ 50 ટકા દંપતીઓ માત્ર એક જ બાળક સુધી મર્યાદિત રહે છે, જેના કારણે જ્ઞાતિની સભ્ય સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ચિંતાજનક સ્થિતિને ધ્યાનમાં રાખીને, વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન ગુજરાત દ્વારા છેલ્લા 9 મહિનામાં જે પરિવારમાં બીજા સંતાનનો જન્મ થયો હોય તેવાં 22 દંપતીઓને રૂ.₹25-25 હજારનાં ચેક આપી સન્માનિત કરાયાં હતા. મહેસાણાના અવસર પાર્ટી પ્લોટમાં રવિવારે યોજાયેલા સમસ્ત પાટણવાડા અને બાવીસી પંચાલ સમાજના મહાસંમેલનમાં સમગ્ર ગુજરાતના પંચાલ સમાજના નાના-મોટા 60 પેટા વિભાગોમાંથી 5,000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના સંયુક્ત પરિવારની પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સંયુક્ત કુટુંબમાં છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી હળીમળીને રહેતી 180 મહિલાઓનું વિશેષ સન્માન કરી તેમને પ્રશસ્તિપત્ર અને રૂ.1100ની ભેટ આપવામાં આવી હતી. ફાઉન્ડેશનના પ્રમુખ સંજયભાઈ પંચાલે જણાવ્યું કે, હાલના સમયમાં કારકિર્દી કે ખર્ચના ડરથી દંપતીઓ માત્ર એક જ બાળક સુધી મર્યાદિત રહે છે. તેમને બીજા બાળક માટે એક વર્ષથી પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. જ્ઞાતિના ડેટા જોઇએ તો લગભગ 50 ટકા દંપતીને બીજું બાળક નથી. આથી છેલ્લા નવ મહિનામાં બીજું બાળક થયું છે તેવાં 22 દંપતીને રૂ.25 હજારના ચેક આપી પ્રોત્સાહિત કરાયાં છે. સમાજની પરંપરા છે કે, નાના-મોટા પ્રસંગો અને તકલીફોમાં ભાઈ-બહેનોનો સાથ સહકાર રહેતો હોય છે. બીજું બાળક આવશે તો ખર્ચા પૂરા નહીં થાય એ કારણ બિલકુલ ખોટું છે આજે કુટુંબ નાનાં થતાં જાય છે. આવામાં એક બાળક હોય તો બીચારું, બાપડું થઈને રહી જાય. બે હોય તો એકબીજાની હૂંફ રહે. ખરેખર આર્થિક મુશ્કેલી હોતી જ નથી. આર્થિક શક્તિ પ્રમાણે બાળકની શાળા અને શોખ હોય છે. બીજું બાળક આવશે તો ખર્ચ નહીં કરી શકીએ એ કારણ બિલકુલ ખોટું છે. આપણા વડીલો થોડા કરોડપતિ હતા, તેમને વધુ સંતાનો હતા તો પણ સારી રીતે બાળકોનો ઉછેર કરી સંસ્કારોનું સિંચન કર્યું છે.> વિશ્મયભાઇ પંચાલ બે બાળકોથી પરિવાર હર્યોભર્યો લાગેએક બાળક તો ઘરમાં એકલું પડી જાય. બે હોય તો સાથે રમે અને ઉછરે.ક્યાંક નવા મિત્રો ન બને તો એકબીજા સાથે સુખદુ:ખની વાત શેર કરીશકે અને સારી રીતે સેટ થાય. બીજા સંતાનથી આર્થિક વિચાર એ તોઆપણે જોઇએ તો રોડ પર રહેતા મજૂરોને પણ સંતાન તો હોય છે ને. બેસંતાનથી પરિવાર હર્યોભર્યો લાગે.> કોમલબેન મનીષભાઇ પંચાલ એક જ બાળક એકલું પડી જાય, ભાઇ કે બહેન પ્રેમની અનુભૂતિ ન કરી શકેઘરમાં બે છોકરા તો હોવા જોઇએ. કંઇ હા ના થાય તો એક બીજાનો ટેકો મળી રહે. બહેન-બહેન, ભાઇ-ભાઈ કે ભાઈ-બહેન હોય તો ભાઇ બહેન પ્રેમ શું છે તે ખબર પડે, અનુભૂતિ થાય. એકબીજાને સમજી શકે. બે સંતાન જરૂરી છે. સમાજની પહેલ સારી છે. > પ્રતિકભાઇ પંચાલ
નિકોલમાં ડ્રેનેજ અને ફૂટપાથના કામોમાં યોગ્ય નિરિક્ષણના અભાવે બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની સ્થાનિકોની ફરિયાદ છે. ડ્રેનેજ માટે તોડી પડાયેલા આરસીસી રોડ કામ પત્યા પછી પણ રિપેર થતાં નથી. વધુમાં, મ્યુનિસિપલ પ્લોટ અને ફ્રી પાર્કિંગમાં ગેરકાયદે સ્ટોલ ઊભા થયા છે, જ્યારે ખાલી પ્લોટો કાટમાળ અને ઔદ્યોગિક કચરાના ડમ્પિંગ ગ્રાઉન્ડ બન્યું છે. વિકસિત વોર્ડ હોવા છતાં ચોમાસામાં પાણી ભરાવા અને ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાય છે. તંત્રની ઉદાસીનતા જોઈને લોકો કહી રહ્યા છે કે વિકાસ માત્ર કાગળ પર છે, જ્યારે ગ્રાઉન્ડ લેવલ પર જનતા પ્રાથમિક સુવિધાઓ માટે પણ ઝઝૂમી રહી છે. ખાલી પ્લોટો છે પણ સરકારી હોસ્પિટલ, મ્યુનિ શાળા, સ્મશાન, બસ સ્ટેન્ડ, વોર્ડની ઓફિસ, સ્વિમિંગ પૂલ કે સરકારી જિમ પણ નથી. વિસ્તારના બગીચાઓનું મેન્ટેનન્સ કથળ્યું છે અને વેજીટેબલ માર્કેટનું ઉદ્ઘાટન બાદ પણ ખુલ્યું નથી. કોર્પોરેટરોનો પક્ષ AMTSની ફ્રિકવન્સી વધારાશે, શાળાની કામગીરી ચાલી રહી છે બેટી બચાવો ગાર્ડનનું ટેન્ડર પણ બહાર પડી ગયું છે. થોડા સમયમાં તેના ડેવલપમેન્ટનું કામગીરી શરૂ થઈ જશે. એએમટીએસની ફ્રિકવન્સી વધારવા રજૂઆત કરાઈ છે. શાળાનું કામ ચાલુ છે, વધુ શાળાની પણ માગ કરી છે. પ્લોટમાં ગંદકી ફેલાવે છે તે અંગે અધિકારીઓનું ધ્યાન દોરી પગલાં ભરવામાં આવશે. - દીપક પંચાલ, કોર્પોરેટર નિકોલ-કઠવાડા ચાર રસ્તા પાસે સ્મશાન તૈયાર કરવામાં આવશેનિકોલ- કઠવાડા ચાર રસ્તા પાસે સ્મશાનની કામગીરી આવનારા દિવસોમાં શરૂ થઈ જશે. વિસ્તારમાં વિવિધ જગ્યાએ રોડ બનાવાનું શરૂ કરાયું છે. આ ઉપરાંત અન્ય રસ્તાની કામગીરી શરૂ થઈ જશે. અટલ એપાર્ટમેન્ટ પાસેના નવા શાકમાર્કેટમાં ફાળવણી કરી દેવાઈ છે. વધુ શાકમાર્કેટ પણ બનાવાશે. દબાણો અંગે પણ ધ્યાન દોરાશે અને પ્લોટમાં કાટમાળ જે નાખે છે તે સામે પગલાં લેવાશે. - બળદેવભાઈ પટેલ, કોર્પોરેટર લોકોનો અવાજ (Talk Show ના અંશો) ગોવિંદ સિંહ શિકરવાર: બેટી બચાવો ગાર્ડનમાં ટ્રેક ઊબડ-ખાબડ છે, લોનનું મેઈન્ટેનન્સ થતું નથી અને શૌચાલયની હાલત અત્યંત ખરાબ છે. પીવાના પાણીની વ્યવસ્થા નથી. પુષ્પેન્દ્રસિંહ સેંગર: ખાલી પ્લોટોમાં મ્યુનિ.ના જ વાહનો કાટમાળ નાખી રહ્યા છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. સ્વચ્છતા સ્ક્વોડની ગાડીઓ ફરે છે પણ કાર્યવાહી કરતી નથી. પીયૂષ અગ્રાવત: કાનબા હોસ્પિટલ પાસે ગટરો ઉભરાવાની ગંભીર સમસ્યા છે. રોડ રસ્તાઓ ઠેર ઠેર ખોદેલા હોવાથી સ્થાનિકો હાલાકી પડી રહી છે. વિસ્તારમાં સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવા જોઈએ. આરસીસી રોડને પણ ડ્રેનેજ લાઈન નાખવા માટે તોડી પાડવામાં આવ્યો છે, જેનું સમારકામ હજુ બાકી છે. પી.જે.રાઠોડ: નગરસેવકોની ગેરહાજરી અને તંત્રની ઉદાસીનતાને લીધે લોકો હેરાન છે. વિસ્તારના ગાર્ડનના શૌચાલયોમાં ગંદકી અને ટ્રેકની ખરાબ હાલતમાં છે. જિગર કાછડિયા: ડ્રેનેજ, ફૂટપાથના કામમાં નિરીક્ષણ ન થતાં બેદરકારી કરાઈ રહી છે. સંકલ્પ સ્કૂલ પાસેના આવાસના બની રહેલા મકાનોની ગુણવતાની તપાસ થવી જોઈએ. ભાનુ કોઠિયા: કઠવાડામાં પાયાની સુવિધાઓનો અભાવ છે. સ્ટ્રીટલાઈટ, પાકા રસ્તા અને AMTS બસ જેવી સુવિધાઓ સત્વરે શરૂ કરવી જરૂરી છે. પ્લોટ પર થયેલા ગેરકાયદે દબાણો દૂર કરવા જોઈએ. ખાલી પ્લોટોમાં ઔદ્યોગિક કચરો પણ નખાયી રહ્યો છે. વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા છે. હાર્દિક ખોખર: સરકારી સુવિધાઓનો તદ્દન અભાવ છે. કોઈ મોટી સરકારી હોસ્પિટલ નથી કે નથી સરકારી શાળાની પૂરતી વ્યવસ્થા. સ્વિમિંગ પૂલ, લાઈબ્રેરી અને સ્મશાન પણ નથી. દલસુખ પટેલ: નવા રોડ બને તરત જ ખોદકામ થતા ટેક્સના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. યુવાઓ માટે રમતના મેદાન કે શાળાઓ જેવી પાયાની સુવિધાઓનો અભાવ છે.
ભાસ્કર એક્સક્લુસિવ:CA આર્ટિકલશિપ: પારદર્શકતા સાથે ટ્રેનિંગ કરવી પડશે, હવે ઈ-ડાયરી ફરજિયાત કરાઈ
ધ ઈન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિએટ બાદની બે વર્ષ માટેની આર્ટિકલશિપ સાથેની ઈ-ડાયરી ફરજિયાત કરવામાં આવી છે. જેના પગલે હવે સીએ કરી રહેલા વિદ્યાર્થીઓની હાજરીથી માંડીને સ્ટાઈપેન્ડ સુધીની દરેક પ્રકારની વિગતો સીએ ઈન્સ્ટીટયૂટના સેલ્ફ સ્ટડી પોર્ટલ (એસએસપી) પરથી મેળવી શકશે. સીએનો અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપ હવે પેપરલેસ અને પાવરફૂલ બનશે. ઈ-ડાયરીથી આર્ટિકલશિપ હાઈટેક બનશે આર્ટિકલશિપના નિયમમાં ફેરફાર કરાયો 1 જાન્યુઆરીથી દેશના 40 હજાર વિદ્યાર્થીઓ માટે આર્ટિકલશિપ સાથે ફરજિયાત ઈ-ડાયરી ભરવી પડશે. જેમાં અમદાવાદના 2 હજાર વિદ્યાર્થીઓને આર્ટિકલશિપની સાથે ઈ-ડાયરી ભરવાની થશે. વિદ્યાર્થીઓએ આર્ટિકલશિપમાં શું શું કર્યું તેની વિગતો ઓનલાઈન જોઈ શકાશે. - અનિકેત તલાટી, પૂર્વ પ્રેસિડેન્ટ, સીએ ઈન્સ્ટીટયૂટ ઇન્ડિયા આ રીતે પોર્ટલ પર ઇ-ડાયરીમાં વિગતો ભરો સ્ટેપ 1: આઈસીએઆઈના એસએસપી પોર્ટલ પર લોગ ઈન કરો. સ્ટેપ 2: સ્ટુડન્ટ્સ ફંક્શનમાં જઈને ઈ-ડાયરી ટેબ પસંદ કરો. સ્ટેપ 3: ડેશ બોર્ડ પર 'એડ વર્ક' પર ક્લિક કરી કેટેગરી મુજબ કામ નોંધો. સ્ટેપ 4: વિગતો ભરીને સબમિટ ફોર એપ્રૂવલ કરો. સ્ટેપ 5: પ્રિન્સિપાલના એપ્રૂવલનું સ્ટેટસ રિયલ ટાઈમ ચેક કરો.
વેધર રિપોર્ટ:ત્રણ દિવસમાં શહેરમાં બીજીવાર સૌથી વધુ 11.6 ડિગ્રી ઠંડી નોંધાઈ
હિમાલય તરફથી ફૂંકાતા બર્ફિલા પવનોનું જોર વધતાં રવિવારે અમદાવાદમાં સિઝનનું સૌથી નીચું 11.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. હજુ બે દિવસ ઠંડીનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડા મુજબ, રવિવારે શહેરમાં 10થી 12 કિલોમીટરની ઝડપે સૂસવાટાભર્યો પવન ફૂંકાયો હતો. અમદાવાદનું મહત્તમ તાપમાન 27 ડિગ્રી અને લઘુતમ તાપમાન 11.6 ડિગ્રી નોંધાયું હતું. અગાઉ 9 જાન્યુઆરીએ પણ શહેરમાં 11.7 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. નલિયામાં સૌથી વધુ 3.8 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. ઠંડી વધવાના 3 કારણ
ખાસ સુવિધા:તમામ મુખ્ય પોસ્ટ ઓફિસ આધાર કાર્ડમાં બાળકોના બાયોમેટ્રિક ફ્રીમાં અપડેટ કરશે
લોકોને ઘરની નજીક જ આધાર સેવા સરળતાથી મળે તે માટે પોસ્ટ વિભાગ દ્વારા તમામ પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો શરૂ કરાયા છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ઝોનની 257 પોસ્ટ ઓફિસ પર આધાર સેવા મળે છે. ગાંધીનગરમાં નવા આધાર કેન્દ્રનો શુભારંભ કરાયો હતો. પોસ્ટ ઓફિસમાં નવા આધાર નોંધણી તેમજ બાળકો માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (5–7 વર્ષ અને 15–17 વર્ષના વય જૂથ માટે) સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જ્યારે અન્ય તમામ વયજૂથ માટે ફી નક્કી કરાઈ છે. પોસ્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ જીવન દરમિયાન ઓછામાં ઓછા ત્રણ વખત આધાર નોંધણી અથવા બાયોમેટ્રિક અપડેટ કરાવવું જરૂરી છે. પ્રથમ વખત 5 વર્ષની ઉંમર સુધી નવું આધાર નંબર મેળવવા માટે, બીજી વખત 5 વર્ષની ઉંમર પછી બાળકના પોતાના બાયોમેટ્રિક વિગતો અપડેટ કરાવવા માટે અને ત્રીજી વખત 15 વર્ષની ઉંમર પૂર્ણ થયા બાદ વ્યક્તિના પુનઃ બાયોમેટ્રિક અપડેટ માટે કેન્દ્ર પર હાજર રહેવું જરૂરી બને છે. ડેમોગ્રાફિક-બાયોમેટ્રિક અપડેટ માટે રૂ.75થી 125 ફી
સાઈબર ગઠિયા ડિજિટલ એરેસ્ટનો સૌથી વધુ શિકાર સિનિયર સિટીઝનોને બનાવી રહ્યા છે. સાઈબર ક્રાઈમે એના પર બ્રેક લગાવવા 35 બેન્કના નોડલ ઓફિસરો સાથે એક વોટસએપ ગ્રૂપ બનાવ્યું છે. બેન્કના સ્ટાફને સૂચના અપાઇ છે કે, કોઈપણ સિનિયર સિટીઝન લાખો રૂપિયા આરટીજીએસથી ટ્રાન્સફર કરે તો તાત્કાલિક સાઈબર ક્રાઈમને જાણ કરવી. આમ કરવાથી 1 મહિનામાં 3 વૃદ્ધના રૂ.2 કરોડ બચાવી, ડિજિટલ એરેસ્ટથી મુકત કરાવ્યા હતા. સાઈબર ક્રાઈમના ડીવાયએસપી હાર્દિક માકડિયાએ જણાવ્યું કે, બેન્કોમાં નોડલ ઓફિસર હોય છે. 35 બેન્કના નોડલ ઓફિસરો સાથે વાત કર્યા બાદ એક વોટસએપ ગ્રૂપ બનાવ્યું છે. સાઈબર ગઠિયા વૃદ્ધોને ડિજિટલી એરેસ્ટ કરી, નાણાં પડાવતા હોઇ, કોઈ વૃદ્ધ આરટીજીએસથી લાખો રૂપિયા ટ્રાન્સફર કરવા આવે તો તરત પૈસા ટ્રાન્સફર ન કરવા. કંઈક અજુગતું લાગે તો તાત્કાલિક સાઈબર ક્રાઈમને જાણ કરવી. 2025 ના વર્ષમાં ગુજરાતમાં સાઈબર ક્રાઈમની 1.61 લાખ ઘટના બની હતી. જેમાં સાઈબર ગઠિયાઓ રૂ.1500 કરોડ પડાવી ગયા હતા. કિસ્સો : 1મણિનગરના વૃદ્ધાના 33 લાખ બચાવી મુક્ત કરાવ્યામણિનગરમાં રહેતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ મહિલા કોચ રૂ.33.35 લાખનું આરટીજીએસ કરવા ગયા હતા. તેમાં જે ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાના હતા તે ખાતું તેલંગાણાનું હતું. જેથી બેંક મેનેજરને શંકા જતાં તેમણે સાઈબર ક્રાઈમને જાણ કરી હતી. કિસ્સો : 2વૃદ્ધાએ જવાબ ન આપતાં મેનેજરે પૈસા ટ્રાન્સફર ન કર્યાસાબરમતીના વૃદ્ધા રૂ.27 લાખનું આરટીજીએસ કરવા બેેન્કમાં ગયા હતા. ચેક ક્લિયરિંગનું કામ કરતા સ્ટાફ મેમ્બરને શંકા જતા તેમણે મેનેજરને જાણ કરી હતી. મેનેજરે વૃદ્ધાને પૂછતા તેમણે યોગ્ય જવાબ આપ્યો ન હતો. શંકા જતાં તેમણે પૈસા ટ્રાન્સફરન કર્યા. કિસ્સો : 3વેપારીને શંકા જતાં બેન્કને જાણ કરી અને પૈસા બચાવ્યાઘાટલોડિયામાં રહેતા એક વૃદ્ધને ગઠિયાઓએ ડિજિટલ અરેસ્ટ કર્યા હતા. પૈસા આપવા વૃદ્ધે મ્ચ્યુઅલ ફંડ, અન્ય ફંડના પૈસા તોડાવીને રૂ.1.43 લાખ આરટીજીએસ કરવા પ્રોસેસ કરી હતી. વેપારીને શંકા જતાં તેમણે બેન્કને જાણ કરી પૈસા ટ્રાન્સફર ન થવા દીધા.
દારૂ ઝડપાયો:450માં મળતો પ્લાસ્ટીકના બોટલનો દારૂ કાચની બોટલમાં વેચતા બે ઝડપાયા
પેટલાદ તાલુકાના બામરોલી ગામેથી હલકી કક્ષાના દારૂને ઊંચી ક્વોલીટીમાં ફેરવતા બે શખસોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. જોકે, એક શખસ ફરાર થઈ ગયો હતો. ગોવા સ્પ્રીટના નામે ઓળખાતો પ્લાસ્ટીકની બોટલમાં મળતો સસ્તો દારૂ બ્લેન્ડર્સ જેવી જાણીતી બોટલમાં ત્રણેય શખસ ભરતા હતા. પોલીસે આ મામલે રૂપિયા 76 હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પેટલાદના બામરોલી ગામે મહુડીયાપુરા ચાર માર્ગ ચકલા નજીક ખુલ્લા ખેતરમાં આવેલા ખુલ્લા અડારામાં કેટલાંક શખસ ભેગા મળીને ભારતીય બનાવટનો હલકી કક્ષાનો વિદેશી દારૂ લાવીને તે દારૂને કાચની બોટલમાં ભરી ઊંચા ભાવે વેચતા હોવાની બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળી હતી. જેને પગલે પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાં એક શખસ પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જ્યારે બે શખસોને કોર્ડન કરીને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગોવા સ્પ્રીટના પ્લાસ્ટીકના ક્વાટરીયા તથા બ્લેન્ડર્સની કાચરની બોટલ કબજે કરી હતી. પોલીસે ઝડપી પાડેલા બે શખસોની પૂછપરછ કરતા એકનું નામ સિદ્ધાર્થ હર્ષદ પરમાર (રહે. ગાયત્રી નગર સોસાયટી, રાજશિવાલય પાછળ, આણંદ) અને અમિત ઉર્ફે બટુક મનુ ઠાકોર (રહે. લોટીયા ભાગોળ લીમડીચોક, મૂળ રહે. બાલપુરા કલ્પના ટોકીઝ સામે, આણંદ) હોવાનું જણાવ્યું હતું. જ્યારે ફરાર શખસ સંજાયાનો શિવમ પરમાર હતો. બંને ઝડપાયેલા શખસોની સઘન પૂછપરછ કરતા તેઓ દ્વારા ઊંચી ક્વોલીટીની દારૂની ખાલી બોટલોમાં ભરી ડબલ ભાવે વેચાણ કરતા હતા. તેઓએ આ માટે સંગ્રહ કરેલો છે. હાલમાં આ સ્થળે દારૂની બોટલો ભરવાની કામગીરી કરતા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ઊંચી ક્વોલીટીની બોટલ ઉપરાંત ખાલી બોટલો, બે મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 76 હજારનો મુદ્દામાલ કબજે કરી ફરાર શખસને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ફરાર શખસ જ ખાલી દારૂની બોટલ લાવતો સમગ્ર કાંડમાં મુખ્ય સુત્રધાર શિવમ પરમાર છે. હલકી કક્ષાના ગોવાના દારૂના ક્વાટરીયા, ખાલી બોટલો, સહિતનો મુદ્દામાલ શિવમ લાવ્યો હતો અને ત્રણેય ભેગા મળીને હલકી કક્ષાના દારૂમાંથી ઉંચી ક્વોલીટીની દારૂની ખાલી બોટલોમાં ભરતા હતા. તેઓ ઊંચા ભાવે વેચાણ કરવા માટે સંગ્રહ કર્યાની કબુલાત કરી હતી. સિદ્ધાર્થ પરમાર હાલ ભણે છે, જ્યારે અમિત ઠાકોર રીક્ષા ડ્રાઈવીંગ કરે છે.
રાજ્યના મહાવિતરણ વિભાગમાં 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનું પ્રકાશમાં આવ્યું છે. મુખ્ય મંત્રી સૌર કૃષિ લાઈન 2.0 યોજનાના માધ્યમથી આ ભ્રષ્ટાચાર થયો છે. 2024થી 2026 દરમિયાન ઓમ યશ સીજેઆર લામાટ વિયા પ્રોજેક્ટ્સ કંપનીએ મહાવિતરણની 100 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. કંપનીના સંચાલકો પર નિર્મલનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણે કંપનીના સંચાલક ભાવેશકુમાર પટેલ, હિરેનકુમાર કાનાણી અને હિતેશભાઈ રાવિયા પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણ આગળની તપાસ માટે આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર થાય એવી શક્યતા છે. મુખ્ય મંત્રી સૌર કૃષિ લાઈન 2.0 યોજનાના માધ્યમથી 100 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાનું પ્રકાશમાં આવ્યું છે. મુખ્ય મંત્રી સૌર કૃષિ લાઈન 2.0 યોજના અંતર્ગત મહાવિતરણ સાથે ગંભીર આર્થિક છેતરપિંડી થઈ છે. ફરિયાદ અનુસાર 2024થી 2026 દરમિયાન ઓમ યશ સીજેઆર લામાટ વિયા પ્રોજેક્ટ્સ કંપનીના સંચાલક ભાવેશકુમાર અશ્વિનભાઈ પટેલ, હિરેનકુમાર કાનાણી અને હિતેશભાઈ રાવિયાએ સાઠગાંઠથી 99 કરોડ 50 લાખ રૂપિયાની બનાવટી બેંક ગેરન્ટી તૈયાર કર્યાનો આરોપ છે. આરોપીઓએ સ્ટેટ બેંક ઓફ ઈંડિયા જૂનાગઢ શાખા (ગુજરાત)ની બનાવટી બેંક ગેરંટી તૈયાર કરીને એના પર એસબીઆઈનો બનાવટી ઈમેલ વાપર્યાનું તપાસમાં જણાયું છે. આ બનાવટી બેંક ગેરંટી મહારાષ્ટ્ર રાજ્ય વીજ વિતરણ કંપની લિમિટેડ (મહાવિતરણ), મુંબઈ ખાતેના નવીનીકરણક્ષમ ઊર્જા વિભાગ પાસે રજૂ કરવામાં આવી. મહાવિતરણની નવીનીકરણક્ષમ ઊર્જા વિભાગના સહાયક મહાવ્યવસ્થાપક રાહુલ પન્હાળેએ રજૂ કરેલી બેંક ગેરંટી સાચી હોવાનું જણાવી સંબંધિત કંપનીને કામ મેળવી આપવામાં મદદ કર્યાનો આરોપ છે. બેંક ગેરંટી બનાવટી છે એવી માહિતી હોવા છતાં જાણીજોઈને એ સાચી છે એમ દેખાડીને વ્યક્તિગત આર્થિક ફાયદા માટે આમ કર્યાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે. આ બનાવટી બેંક ગેરંટીના આધારે મુખ્ય મંત્રી સૌર કૃષિ લાઈન 2.0 યોજના અંતર્ગત પ્રકલ્પ માટે વીજ ખરીદી કરાર (પીપીએ) મેળવવામાં આવ્યો. બેંક ગેરંટી ઈન્વોક નહીં કરી શકાઈપરિણામે મહાવિતરણ સંબંધિત બેંક ગેરંટી ઈનવોક કરી શક્યું નહીં. આ પ્રકરણના કારણે મહાવિતરણ અને સરકારની સાથે લગભગ 99.50 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવ્યાનો આરોપ છે. આ પ્રકરણે મહાવિતરણના કર્મચારીએ કરેલી ફરિયાદ બાદ નિર્મલનગર પોલીસ સ્ટેશનમાં હિતેશભાઈ રાવિયા, હિરેનકુમાર કનાણી, રાહુલ પન્હાળે અને ભાવેશકુમાર પટેલ પર ગુનો નોંધવામાં આવ્યો છે.
મંડે પોઝિટીવ:ઉત્તરાયણમાં અબોલ જીવના રક્ષણ માટે અભિયાન વન વિભાગ અને શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટની સેવા
ઉત્તરાયણનો તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે આવે છે, પરંતુ આ દિવસોમાં દોરીના કારણે અનેક અબોલ પક્ષીઓ અને પશુઓ ઘાયલ પણ થાય છે. ઘણા પક્ષીઓ આકાશમાં ઉડતાં સમયે દોરીમાં ફસાઈ જાય છે અને તેમને તાત્કાલિક મદદ ન મળે તો જીવનનું જોખમ ઊભું થાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને ગાંધીનગર જિલ્લામાં સંવેદનશીલ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. વન વિભાગ દ્વારા ચલાવવામાં આવતા કરુણા અભિયાન અંતર્ગત ઉતરાણ દરમિયાન ઘાયલ થતા પશુ-પંખીઓને સમયસર સારવાર મળે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીનગરમાં વન પંથી સંસ્થા, શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ વન વિભાગના સહયોગથી સતત સેવા આપી રહી છે. સ્વયંસેવકો દ્વારા ઘાયલ પક્ષીઓના સ્થળ પરથી રેસ્ક્યુ કરી સારવાર કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. આ સાથે ચેરિટેબલ ટ્રસ્ટ અને સહાય ફાઉન્ડેશન દ્વારા શ્રી રામ જીવ રક્ષા અભિયાન પણ કાર્યરત કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવામાં આવે છે. સંસ્થા દ્વારા કલેક્શન અને મેડિકલ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેથી વધુમાં વધુ અબોલ જીવ બચાવી શકાય. ઉલ્લેખનીય છે કે શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટ માત્ર ઉત્તરાણ દરમિયાન જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન ઘાયલ પશુ-પંખીઓની સેવા માટે સતત કાર્યરત રહે છે. વન વિભાગ અને શ્રી રામ ચેરિટેબલ ટ્રસ્ટના સંપર્ક નંબર રેન્જ કચેરી / અધિકારીઓ કંટ્રોલ રૂમ / સ્ટેશન સંપર્ક
જલાલપોર તાલુકાની એક મુસ્લિમ શિક્ષિકાને સોશિયલ મીડિયામાં મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશનની આઇ ડી પર સંપર્ક કરતા મનપસંદ પાત્ર મળે તે માટે મુસ્લિમ નામ ધારક બિલાલ મોહમદ નામના ઇન્સ્ટા.આઈ ડી ઉપર સંપર્ક કર્યો હતો.જેમાં લગ્ન માટે યુવાન તેના પરિવારજનો રાજી ન હોય દુઆ અને તેઓ રાજી થાય તે માટે ધાર્મિકવિધિ કરવાનું કહેતા મોહમદ બિલાલ નામધારકે અલગ અલગ વિધિ કરવાના નામે અને હાજી પાસે દુઆ કરાવવા માટે તેણી પાસેથી અલગ અલગ દિવસે ખાતામાં રૂ.2.12 લાખ છેતરપિંડીથી પડાવ્યા હતા પણ જીવનમાં સમસ્યાનું કાઈ નિરાકરણ આવ્યું ન હતું. સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. જેમાં મરોલીના પીઆઈ આર.એસ ગોહિલ અને ટીમે યોગ્ય કાર્યવાહી કરી ટેક્નિકલ એનાલિસિસ ના આધારે છેતરપિંડી કરનાર લોકેશ ઉર્ફે લકી પંકજ ભારતી ઉવ.21 ની રાજસ્થાન થી અટક કરી હતી. સોશિયલ મીડિયામાં છેતરપિંડી આચરતોજલાલપોરની યુવતી સાથે મહમદ બિલાલના નામે સોશિયલ મીડિયામાં વાત કરનાર રાજસ્થાનના લોકેશ ઉર્ફે લકી ભારતી નીકળ્યો હતો. સોશિયલ મીડિયા ઉપર તે જાતે જ મહમદ બિલાલ નામ ધારણ કરીને ધાર્મિક વિધિ કરાવી નાણાં ખંખેરતા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. > આર.એસ.ગોહિલ, પીઆઇ , મરોલી
મંડે પોઝિટીવ:વાંસદા સરાના આદિવાસી પશુપાલકને મળ્યોનવસારી જિલ્લાના પ્રથમ પશુપાલકનો એવોર્ડ
સવા સો થી વધુ ગાય, ભેંસ રાખીપશુપાલનનો વ્યવસાય અપનાવનારવાંસદાના સરાના નટવરલાલ પટેલનેનવસારી જિલ્લાના શ્રેષ્ટ પશુપાલકનોએવોર્ડ મળ્યો છે.વાંસદા તાલુકાના સરા કમદીફળિયુમાં રહેતા આદિવાસી પશુપાલકનટવરલાલ મોહનભાઈ પટેલનોપરિવાર વર્ષોથી પશુપાલનના વ્યવસાયસાથે જોડાયેલ છે. તેમને ત્યાં ગીર ગાયએક અને મહેસાણી ,બન્ને ભેંસ 126જેટલી છે. ભેંસ દુધાળા 49 જેટલા હાલછે.નટવરલાલ પટેલ દૂધ વેચાણ ,ડેરી પ્રોડક્ટ વિગેરે ધ્વારા વર્ષે લાખોરૂપિયાનું ટર્ન ઓવર કરે છે અને ખાસ્સો નફો પણ કરે છે.મહત્વની વાત એ છે કે તેઓ પશુ સંવર્ધન કુદરતી રીતે કરે છે.તેઓ પશુઓને ખોરાકમાં ઘાસચારા સાથે અન્ય પોષ્ટિક પણ આપે છે. પશુ રહેઠાણ માટે પાકા શેડ બનાવ્યા છે. નટવરલાલ પટેલ જણાવે છે કે તેઓ5 વર્ષ અગાઉ ઓછી ભેંસ રાખતા હતા પણ ડેરી પ્રોડક્ટ માટે દૂધની માંગ પૂરી કરવા લોન ધ્વારા નાણાં પ્રાપ્ત કરી વધુ ઢોર લાવ્યા અને આજે 125 થી વધુ છે. તેઓ પોતાની પ્રગતિથી સંતુષ્ટ છે. બીજો એવોર્ડ બલવાડાનાપશુપાલકને મળ્યોનવસારી જિલ્લા કક્ષાના બે એવોર્ડ જે જાહેરથયા તેમાં બીજો બલવાડાના રમેશચંદ્રભીખુભાઈ આહિરને મળ્યો છે.તેઓને ત્યાં 27ગાય અને 25 ભેંસ હોવાનું જાણવા મળ્યું છે અનેતેઓ પણ પશુપાલનના વ્યવસાય થકી લાખોનુંટર્નઓવર કરે છે.તેઓની એક ખાસિયતમાંતેઓએ પશુઓ માટે પંખાની વ્યવસ્થા પણ કરીછે.અહીં ઉલ્લેખનીય છે કે સરકારે જિલ્લા કક્ષાનાએવોર્ડ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ એવોર્ડઆપ્યાનું જાણવા મળ્યું છે.
ભાસ્કર ઈમ્પેક્ટ:વલસાડમાં પોણા 2 માસથી બંધ રેલવે અન્ડરપાસ ખુલ્લું મૂકાયું,22 હજારને રાહત
મોગરાવાડી અન્ડરપાસમાં પ્રિકાસ્ટ સ્લેબ માટે 20 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત બાદ પણ 10 દિવસ વધુ નિકળી જવા છતાં અન્ડરપાસ બંધ રહેતાં 22 હજારથી વધુ વસતીને ચાર કિમીનો દૈનિક વારંવાર ચકરાવો ખાવો પડ્યો હતો.ઉપરાંત વધુ સમય, બળતણ ખર્ચ માથે આવી પડ્યો હતો. લોકોએ અન્ડરપાસને વધુ સુદઢ બનાવવા પ્રિકાસ્ટ સ્લેબની કામગીરી માટે દોઢથી પોણા બે મહિના સુધી સહકાર આપ્યો હતો પણ 2 મુદ્દત વિત્યા છતાં ક્યારે ચાલૂ થશે તે માટે કોઇ બેનર મૂકવા કે કોઇ તારીખ નિર્ધારિત નહિ કરતાં રહીશોની ધીરજ ખૂટી ગઇ હતી.પાલિકાના પૂર્વ કાઉન્સિલરો ગીરીશ દેસાઇ સંજય ચૌહાણ,વિજય પટેલ સમક્ષ કામગીરીના સુપરવાઇઝરે ટૂંક સમયમાં કામ પૂર્ણ થઇ જશે તેવો દાવો કર્યો હતો પણ રેલવે તંત્રએ કોઇ સત્તાવાર જાહેરાત કરી ન હતી. સ્થિતિ જાણી છેવટે 9 જાન્યુઆરીએ દિવ્ય ભાસ્કરે અહેવાલ પ્રસિધ્ધ કરી લોકોના પ્રશ્નને વાચા આપી હતી.જેના પગલે 10 જાન્યુઆરી રવિવારે અન્ડરપાસ ખુલ્લો મૂકી દીધો હતો.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ વીજ ગ્રાહક લક્ષી સેવાઓને વધુ આધુનિક, વિશ્વસનીય અને પારદર્શક બનાવવા માટે સતત પ્રયત્નશીલ અને કટિબદ્ધ છે.DGVCL દ્વારા સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી એપ્રિલ– 2024થી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતના તબક્કામાં કેટલાક વીજ ગ્રાહકોમાં અસમંજસ અને દ્વિધા જોવા મળી હતી, પરંતુ સ્માર્ટ મીટરની ઉપયોગિતા તથા ભવિષ્યલક્ષી લાભોની જાણકારી વધતાં ગ્રાહકો તરફથી ઉત્તમ અને હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આજ દિન સુધીમાં 8.95 લાખથી વધુ સ્માર્ટ મીટર સફળતાપૂર્વક ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. હકારાત્મક સહકારના પરિણામે વલસાડ વર્તુળ કચેરીના તાબા હેઠળની ગુંદલાવ પેટા વિભાગીય કચેરીના કાર્યક્ષેત્રમાં 100% સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન પૂર્ણ થયું છે, જેમાં રહેણાંક, કોમર્શિયલ, ઔદ્યોગિક એમ તમામ પ્રકારના વીજ ગ્રાહકોનો સમાવેશ થાય છે. જે વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટર પ્રત્યે વધતી વિશ્વસનીયતા અને સ્વીકાર્યતાનું ઉત્તમ ઉદાહરણ છે. આ ઉપરાંત વાપી GIDC તથા વાપી વેસ્ટ પેટા વિભાગીય કચેરીમાં પણ આશરે 90% સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન કાર્ય પૂર્ણ થયું છે, જે ટૂંક સમયમાં 100% પૂર્ણ થવાની દિશામાં આગળ વધી રહ્યું છે. DGVCL વીજ ગ્રાહકોમાં સ્માર્ટ મીટર સ્થાપન અંગે જન જાગૃતિ ફેલાવવા માટે તેમજ ગુણવત્તાયુક્ત અને વિશ્વસનીય વીજ સેવા પ્રદાન કરવા પ્રતિબદ્ધ છે. ફોલ્ટ થાય તો બીજી લાઇન પુરવઠો અપાશે DGVCL આવનારા સમયમાં પણ ટેક્નોલોજી આધારિત નવતર પહેલો દ્વારા વીજ સેવાઓને વધુ સરળ, વિશ્વસનીય અને પારદર્શક બનાવતી રહેશે. તેના ભાગરૂપે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સાથે સાથે એક લાઇન પર ફોલ્ટ સર્જાય ત્યારે વીજ પુરવઠો તાત્કાલિક બીજી લાઇન પરથી કાર્યરત કરી શકાય તેવી અદ્યતન ટેક્નોલોજી એટલે કે RMU (રીંગ મેઇન યુનિટ) અને આ ટેકનોલોજીને રીમોટ લોકેશનથી ઓપરેટ કરી શકાય તે માટે SCADA જેવી આધુનિક ટેક્નોલોજી વાળી સિસ્ટમને પણ સ્થાપિત કરી રહી છે. હાલમાં વાપી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેેબલ નંખાઇ રહ્યા છે.
મંડે પોઝિટીવ:અમરેલીમાં ધોરણ 10માં અભ્યાસ કરતા છાત્રએ ચાર મોબાઇલ એપ તૈયાર કરી
અમરેલી જિલ્લાના ગૌરવ સમાન કશીપ સુરાણી, જે હાલમાં ધોરણ 10માં અભ્યાસ કરી રહ્યા છે, તેણે ટેક્નોલોજીના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. કશીપ સુરાણીએ અત્યાર સુધીમાં કુલ 4 ઉપયોગી મોબાઇલ એપ્લિકેશન્સ તૈયાર કરીને અમરેલી જિલ્લાનું નામ રાજ્યસ્તરે ઉજાગર કર્યું છે. તેમની આ નોંધપાત્ર સિદ્ધિને ધ્યાનમાં રાખીને અમરેલીના ધારાસભ્ય તથા રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કશીપ સુરાણીનું સન્માન કર્યું હતું. આ સન્માન દ્વારા યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપવાનો સુંદર કામ કરાયું હતું. આ ઉપરાંત કશીપ સુરાણી દ્વારા સ્કિલ ઇન્ડિયા પ્રત્યે જાગૃતિ ફેલાય તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો પણ તૈયાર કરવામાં આવ્યા છે, જે યુવાનોમાં કુશળતા વિકાસ માટે માર્ગદર્શક સાબિત થશે. કશીપ સુરાણીના આ પ્રયત્નો ભાવિ પેઢી માટે પ્રેરણાસ્ત્રોત બની રહે તેમ છે. તેમણે શિક્ષકો માટે ઓનલાઇન કામગીરીની જુદી જુદી વેબસાઈટ એક ક્લિક પર ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે એપમાં ક્વિઝ ટાઈપ પ્રશ્નો મળી રહે છે. વિદ્યાર્થી, શિક્ષક અને વાલીઓ એપ્લિકેશનના માધ્યમથી સંપર્કમાં રહી શકે છે. અન્ય એક એપ શેર માર્કેટને લગતી બનાવાય છે. જ્યારે એક એપમાં ઘરના તમામ ખર્ચની વિગતો સ્ટોર થાય છે અને કયા કયા પ્રકારનો ખર્ચ કોની પાછળ થાય છે તેની ગણતરી થઈ શકે છે. તેમની હોસ્પિટલ ફેસિલિટી નામની એપ્લિકેશન હાલ અંદર ડેવલપમેન્ટ છે. એપ્લિકેશન મલ્ટિપ્લેટ ફોર્મ આધારિત છે એટલે કે મોબાઈલ ડેસ્કટોપ અને વેબ એમ ત્રણ જગ્યાએથી ઓપરેટ કરી શકશે. આ એપ્લિકેશનમાં વિવિધ હોસ્પિટલોની યાદી અને તેની સુવિધાની યાદીઓ ઇનપુટ કરવામાં આવે છે. જેમ કે હોસ્પિટલનું નામ સરનામું, લેટીટ્યુડ, લોંગટૂટ ઉપરાંત હોસ્પિટલના વિવિધ વિભાગો જેમ કે કાર્ડિયોલોજી, ડેન્ટિસ્ટ ઓર્થોપેડિક, ન્યુરોલોજી, લેબોરેટરી, મેડિકલ સ્ટોર, એમ્બ્યુલન્સ સુવિધા, ICU સુવિધા, ક્રિટિકલ કેર યુનિટ, બેડ કેપેસિટીની માહિતી મળશે. કઈ એપના શું ફાયદા છે? GPT HELP: સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકોને રોજબરોજની ઓનલાઇન કરવાની થતી કામગીરી માટે વિવિધ વેબસાઈટ પર નેવિગેશન કરવું પડે છે. આ એક મુશ્કેલ અને અઘરી કામગીરીને સરળ બનાવતી એપ્લિકેશન છે જ્યાં શિક્ષકો માટે જરૂરી એવા બધા વેબસાઈટના લિંક એક જ એપ્લિકેશનમાં આપેલા છે. સાથે જનરલ નોલેજ અને ક્યુ આર કોડ સુવિધા પણ આપેલી છે. 10th SS QUIZ: ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયના દરેક યુનિટની ક્વિઝ ટાઈપ એપ્લિકેશન તૈયાર કરેલ છે. ઓબ્જેકટીવ ટાઈપના પ્રશ્નો યુનિટ વાઇસ ડિસ્પ્લે થાય છે અને વિદ્યાર્થી આ ઓબ્જેક્ટીવ પ્રશ્નોની ટેસ્ટ આપી શકે છે. SIGMA MATHS AND SCIENCE INSTITUTE: ટ્યુશન ક્લાસીસ એપ બનાવેલી છે જેમાં એડમીન એટલે કે શિક્ષકો, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ સાથે આ એપ્લિકેશનથી સંપર્કમાં રહી શકે અને વિદ્યાર્થીના પ્રોગ્રેસ રિપોર્ટ તેમજ વિદ્યાર્થીઓની હાજરી અને હોમવર્ક સંબંધીત માહિતી મોકલાવી શકે. INTRA TRADE X: આ એપ્લિકેશન શેર માર્કેટ સંબંધિત ટૂલ છે જેમાં ઇન્ટ્રા ડે ટ્રેડર્સ પોતાની ખરીદી અને વેચાણને ટુકડે ટુકડે કરી શકે અને આ માટે વિવિધ રિસ્ક લેયર પ્રમાણે તેમને શેર ખરીદી અને વેચાણની કોન્ટીટીની ગણતરી કરી આપે છે. આ એપ્લિકેશન કુલ સાત ભાષાઓમાં તૈયાર કરેલી છે: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, પંજાબી, મરાઠી, બંગાળી ભાષામાં છે.
ભાસ્કર વેધર રિપોર્ટ:રવિવારે શિયાળાનો સૌથી ઠંડો દિવસ: તાપમાનનો પારો 7.6 ડિગ્રી
અમરેલી પંથકમા શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. શિયાળાની શરૂઆતમાં ભલે જોઈએ તેવી ઠંડી પડી ન હતી. પરંતુ હવે શિયાળો અંત ભાગ તરફ આગળ વધી રહ્યો છે તેવા સમયે હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને આજે ચાલુ શિયાળાનો સૌથી ઠંડો દિવસ જોવા મળ્યો હતો. અમરેલી શહેરમાં સવારે ન્યૂનતમ તાપમાન માત્ર 7.6 ડિગ્રી નોંધાતા લોકો થરથર કાપી ઊઠ્યા હતા. અમરેલી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો 10 ડિગ્રી કરતાં નીચે રહે છે, પરંતુ છેલ્લા 24 કલાક દરમિયાન તો ઠંડીએ કહેર વર્તાવી દીધો હતો. પાછલા ઘણા સમયથી આટલું નીચું તાપમાન આ વિસ્તારમાં જોવા મળ્યું ન હતું. આજે સવારે અમરેલી શહેરમાં તાપમાનનો પારો 7.6 ડિગ્રી સુધી નીચે સરક્યો હતો. જેને પગલે શહેરની સવાર જાણે થીજી ગઈ હતી. કડકડતી ઠંડીના કારણે સવારના સમયે શહેરની બજારો અને રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા. દિવસ ઉગ્યા બાદ પણ ચહલ પહલ નામ માત્રની જોવા મળી હતી. બપોરના સમયે શહેરનું જનજીવન રાબેતા મુજબ થયું હતું. જોકે આકરી ટાઢ બપોરે પણ અનુભવાતી હતી. અને ફરી સાંજ પડતા જ ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. આજે અમરેલી શહેરનું મહત્તમ તાપમાન 25.5 રહ્યું હતું. આ તાપમાન પણ ચાલુ શિયાળામાં સૌથી નીચું મહત્તમ તાપમાન છે. બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ 67 ટકા રહ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 4.3 કિમી રહી હતી. પવનની ગતિ છેલ્લા બે દિવસની સરખામણીમાં થોડી વધી હતી.
ગામ ગામની વાત:સાવરકુંડલા તાલુકાનું શેત્રુજી નદી કાંઠે આવેલું પીપરડી ગામ રમણીય ભાસે છે
સાવરકુંડલા તાલુકાનું છેલ્લું અને ગારીયાધાર તથા જેસર તાલુકાની બોડર ઉપર શેત્રુજી નદી કાંઠે આવેલ અનોખું એટલે પીપીરડી. પીપરડી ગામમાં શિવ મંદિર, અંબાજી માતાજીનું મંદિર, રામજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, હનુમાનજી મંદિર જેવા સુપ્રસિદ્ધ મંદિરો આવેલા છે. દરરોજ સવારે અને સાંજે ગામના લોકોં મંદિરોમાં દર્શન કરવા અવશ્ય જાય છે. પીપરડી ગામમાં પટેલ સમાજ, રબારી, ભરવાડ, સાધુસમાજ, કાઠી દરબાર, સુંવાળીયા અને તલપદા કોળી, બ્રાહ્મણ, દલિત સમાજ તથા મુસ્લિમ સમાજના લોકોં એકતા અને જ્ઞાતિ, જાતિના, વાડાઓને ભૂલીને હળી મળી રહે છે. સાવરકુંડલા તાલુકાના પીપરડી ગામમાં હાલ 700 લોકોંની વસ્તી વસવાટ કરી રહ્યા છે ગામની કુલ 1300થી વધુ લોકોની છે. ગામના મોટાભાગના યુવાનો ધંધા અર્થે સુરત, અમદાવાદ, વડોદરા જેવા મોટા સિટીમાં રહેવા ગયેલ છે. જેઓ દર વર્ષે દિવાળી અને નવા વર્ષ નિમિતે ગામડે આવીને એકબીજા સાથે હળી મળીને રહે છે. પીપરડી ગામના દર વર્ષે મહા શિવરાત્રી, નવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી વગેરે જેવા મુખ્ય તહેવારો સમગ્ર ગામના લોકોં એક સંપ થઈને ઉજવણી કરે છે. પીપરડી ગામના સીમાડે સુપ્રસિદ્ધ લટુરિયા હનુમાનજી આશ્રમ અને મંદિર પણ આવેલું છે પીપરડીથી રાણીગામ વચ્ચે એક અતિ પૌરાણિક ધોડિયાપીરનું આશ્રમ આવેલ છે. પીપરડીથી ઢાંસા ગામના રસ્તે શેત્રુંજી નદીના કાંઠે એક ભરવાડ સમાજના સુરાપુરાની પ્રાચીન જગ્યા આવેલ છે. જ્યાં સમગ્ર ગુજરાતમાંથી ભરવાડ સમાજના લોકો દર્શને આવે છે. પીપરડીએ સાવરકુંડલા તાલુકાનું છેવાડાનું એક નાનું એવું ગામ છે. પીપરડી ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમજ પશુપાલન છે. ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલી, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
યુવકે જીવન ટૂંકાવ્યું:રાભડા ગામે યુવકને મારી નાખવાની ધમકી આપતા ઝેરી દવા પી લેતા મોત
રાજુલાના રાભડામાં પ્રેમ સબંધ મુદ્દે યુવકને મારી નાખવાની ધમકી આપ્યા બાદ ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું હતું. યુવકને મરી જવા મજબુર કરવા મુદ્દે ચાર લોકો સામે ફરિયાદ નોંધાઈ હતી. રાજુલાના રાભડામાં રહેતા શામજીભાઈ નાનજીભાઈ પરમાર(ઉ.વ.45)એ જેસીંગ ડાયાભાઈ પરમાર, કેશુ ચકુરભાઈ પરમાર, મહેશ લખમણભાઈ પરમાર અને ડાયા ચકુભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના દિકરા અજયભાઈ પરમારને ચારેય શખ્સોએ પ્રેમ સબંધ મુદ્દે મારી નાખવા અને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. અજયભાઈ પરમાર ડરી જતા 8 જાન્યુઆરીના રોજ ઉંદર મારવાની ઝેરી દવા પી લીધી હતી. અજયભાઈને સારવાર અર્થે મહુવા અને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન અજયભાઈ પરમારનું મોત થયું હતું. તેને મરવા મજબુર કરવા મુદ્દે ડુંગર પોલીસ મથકમાં ચારેય લોકો સામે ગુનો નોંધાયો હતો. આ બનાવની પીએસઆઈ વી.એસ.પલાસ વધુ તપાસ ચલાવી રહ્યા છે.
મંડે પોઝિટીવ:ડીઝીટલ પ્રેરણાથી જામનગરના પ્રગતિશીલ ખેડુતે ઔષધીય અશ્વગંધા અને અકરકરાનું વાવેતર કર્યુ
ડીઝીટલ માધ્યમના ઉપયોગથી જામનગર જિલ્લાના એક ખેડુતે પરંપરાગત ખેતીથી આગળ વધી ઔષધીય ખેતી તરફ પગલું ભર્યુ છે. અન્ય ખેડુતોના વીડીયો જોઈને માહિતી એકત્ર કરીને અશ્વગંધા અને અકળકરાનું વાવેતર કરવામાં આવ્યું છે. ઓછા ખર્ચે સારી આવક મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે. આયુર્વેદિક ઔષધિઓથી સારવાર માટે જામનગર વિશ્વ વિખ્યાત છે. પરંતુ આયુર્વેદિક ઔષધિઓના વાવેતરમાં પાછળ છે. ત્યારે જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના લીંબુડા ગામના પ્રગતિશીલ ખેડુત રવિભાઈ નાગપરાએ આયુર્વેદિક ઔષધીઓ અશ્વગંધા અને અકરકરાનું વાવેતર કર્યુ છે. ઔષધીઓના પાકથી સારી આવક મેળવવાની અપેક્ષા રાખી રહ્યા છે. ખેડુતે ઔષધીઓ વાવેતર માટેની ડીઝીટલ માધ્યમથી વીડીયો મારફત માહિતી એકત્ર કરી હતી. આ બન્ને ઔષધીઓના મુળીયા, બીજ અને પાંદડા તેમજ ડાળખાઓ સહિત આખા છોડનું વેચાણ થાય છે. જેમાં મૂળિયાનો ભાવ સૌથી વધુ પ્રતિ 100 કિલોએ આશરે રૂ.25000થી 40,000 સુધીના ભાવ મળે છે. તો બીજના ભાવ 100 કિલોના 10 થી 12 હજાર અને પાંદડા સહિતના ભુસાનો ભાવ રૂ.7 થી 8 હજાર સુધીની કીંમત મળે છે. આ ઔષધીય પાક 120 દિવસમાં તૈયાર થઈ જાય છે અને તેને માત્ર ચાર વખત પીયત કરવું પડે છે. આ ઔષધીઓના વાવેતરમાં રાસાયણિક ખાતર કે દવાનો છંટકાવ કરવાની જરૂર પડતી નથી. પાયાના ખાતર તરીકે દેશી છાણિયા ખાતરનો ઉપયોગ થાય છે. ખેડુતએ અશ્વગંધા અને અકરકરાના વાવેતર માટેના બીજ હોય છે. તે મધ્યપ્રદેશના નિમચ મંડીમાં મળે છે અને અશ્વગંધા અને અકરકરાનું મોટું માર્કેટ પણ આવેલ હોવાની માહિતી મેળવી લીધી હતી. ત્યાંના એક વેપારી સાથે સંપર્ક કરીને તમામ માહિતી મેળવી હતી. દરિયાકાંઠાની જમીન-આબોહવા અનુકુળ જોડીયા તાલુકાના લીંબુડા ગામ દરિયકાંઠાના વિસ્તારમાં આવેલું છે, આ જમીન અને આબોહવા અશ્વગંધા અને અકરકરાની ઔષધીઓને અનુકુળ છે. આ ઔષધીઓના પાકમાં પાણી ભરત ન રાખી શકાય. જેથી અશ્વગંધા અને અકરકરાના પાક માટે આ જગ્યા ઉત્તમ ગણાય છે. જેથી ઔષધીઓનું વાવેતર કરીને નવો અભિગમ અપનાવ્યો છે. > રવીભાઈ નાગપરા ખેડુત જીરાના પાકના ઔપશનમાં ઔષધીઓનું વાવેતરઆ વિસ્તારમાં મોટા ભાગે જીરા, ઘઉં અને ચણા જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરવામાં આવેછે. જો કે આ પાકોના ઉત્પાદનમાં ઘાટડો થતાં તેમણે આયુર્વેદિક ઔષધીીઓની ખેતી તરફવળવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને જીરાના પાકને તૈયાર કરવામાં ભારે મુશ્કેલીઓ પડે છે.જેથી જીરાના ઓપશન તરીકે અશ્વગંધા અને અકરકરાનું વાવેતર કરાયું છે. રમેશભાઈ નાગપરાખેડુતના પિતા
સમગ્ર દેશ સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણમાં જામનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહજી રણજીતસિંહજી જાડેજાના અભૂતપૂર્વ પ્રદાનને યાદ કરવું એ દરેક ભારતવાસી માટે ગૌરવની વાત છે. ભારતની અખંડ ચેતનાના પ્રતીક સમાન સોમનાથના જીર્ણોદ્ધારમાં તેમનો ફાળો પાયાના પથ્થર સમાન રહ્યો છે. ભારત આઝાદ થયા બાદ જ્યારે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સંકલ્પ લેવાયો, ત્યારે સૌરાષ્ટ્રના રાજપ્રમુખ તરીકે મહારાજા દિગ્વિજયસિંહજીએ માત્ર શાસકની જ નહીં, પણ એક જાગૃત સંસ્કૃતિ રક્ષકની ભૂમિકા ભજવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલના દ્રષ્ટિકોણને સાકાર કરવા માટે તેમણે વહીવટી દ્રઢતા અને નૈતિક સમર્થન પૂરું પાડ્યું હતું. જમીન સંપાદનથી લઈને સુરક્ષા વ્યવસ્થા સુધીની તમામ જટિલ બાબતોમાં તેમણે રાષ્ટ્રીય ગૌરવને અગ્રિમતા આપી હતી. સોમનાથ મંદિરના નવનિર્માણ માટે જ્યારે સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી, ત્યારે રૂપિયા એક લાખનું સૌથી પહેલું દાન આપીને જામ સાહેબે ઉદારતાનો દાખલો બેસાડ્યો હતો. 8 મે, 1950ના રોજ જામ સાહેબના હસ્તે જ નૂતન મંદિરનો વિધિવત શિલાન્યાસ થયો હતો. તેમજ તેઓ ટ્રસ્ટના પ્રથમ પ્રમુખ બન્યા અને આજીવન આ પદ પર રહીને સેવા આપી. તેમની સાથે સામળદાસ ગાંધી, એન.વી. ગાડગીલ અને કનૈયાલાલ મુન્શી જેવા દિગ્ગજોએ ટ્રસ્ટી તરીકે સેવાઓ આપી હતી. ઈતિહાસ અને શ્રદ્ધાનો સંગમ સોમનાથ મંદિર પરિસરમાં ભવ્યતાથી ઊભેલું “દિગ્વિજય દ્વાર” એ માત્ર પ્રવેશદ્વાર નથી, પરંતુ મહારાજાની અખંડ રાષ્ટ્રભાવનાનું શિલ્પિત સ્મરણ છે. આ દ્વાર યાત્રાળુઓને ભારતના આત્મવિશ્વાસ અને સાંસ્કૃતિક પુનરુત્થાનના ગૌરવમય અધ્યાયની યાદ અપાવે છે. તે ગુલામીના અંધકાર પછી પ્રગટેલા આત્મસન્માનના દીપક સમાન છે.
વેધર રિપોર્ટ:કાતિલ ઠંડી, ગિરનાર પર 6.3, જૂનાગઢમાં 11.3 ડિગ્રી તાપમાન
છેલ્લા 3 દિવસથી કાતિલ ઠંડીએ પગદંડો જમાવતા માનવી સહિત અબોલ જીવો ધ્રુજી ગયા છે. રવિવારે પણ રજા રાખ્યા વગર ઠંડીએ કહેર મચાવતા જનજીવન પર ભારે અસર જોવા મળી હતી. રવિવારે પણ ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન 6.3 ડિગ્રી નોંધાતા સતત ત્રીજો દિવસ ઠંડો રહેવાથી ગિરનાર જંગલમાં રહેતા પશુ, પ્રાણી, પક્ષીઓ બેબાકળા થઈ ગયા હતા. જૂનાગઢમાં પણ લઘુતમ તાપમાનનો પારો 11.3 ડિગ્રી પર સ્થિર રહેતા કાતિલ ઠંડીનો દોર યથાવત રહ્યો હતો અને લોકોના રોજિંદા કામકાજ પર અસર જોવા મળી હતી. સવારે ઠંડીની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 71 ટકા રહ્યું હતું જ્યાં પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને 10.3 કિલોમીટરની થઈ વાતાવરણ વધુ બર્ફીલુ થઈ ગયું હતું. હાડ થીજવતી ઠંડીની વચ્ચે ઠંડા પવને પણ માજા મુકતા લોકોની હાલત વધુ કફોડી બની ગઈ હતી. આ દરમ્યાન રવિવારે મહતમ તાપમાનનો પારો 1.1 ડિગ્રી ઊંચકાઈને 27.1 ડિગ્રીએ સ્થિર થયો હતો અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 30 ટકા રહ્યું હતું. બપોરના તાપમાનમાં વધારો થવા છતાં પણ ટાઢોડું રહ્યું હતું.
તંત્રની વ્યવસ્થા:સિવિલમાં વેન્ટીલેટર સાથેના વધારાના 7 બેડની સુવિધા રખાશે
ઉતરાયણ પર્વ દરમિયાન અકસ્માતો અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળી રહે તેને લઇ વેન્ટીલેટર, ઇકો કાર્ડીયોગ્રામ સહિતની સુવિધા સાથેના વધારાના 7 બેડની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવનાર છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો. કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યુ કે, મકરસંક્રાતિના દિવસે પતંગ ચગાવતી વખતે દોરીથી ગળુ કપાઇ જવુ, હાથમાં લાગી જવી તેમજ અગાશી કે ધાબા પરથી નીચે પડી જવાના બનાવો વધારે જોવા મળતા હતા. આ બનાવ માટે તાત્કાલિક સારવાર જરૂરી છે. જેને લઇ સિવિલ હોસ્પિટલમાં તાત્કાલિક વોર્ડમાં વધારા 7 બેડ સાથેનો વોર્ડ તૈનાત રાખવામાં આવનાર છે. જેમાં વેન્ટીલેટર, ઇકો કાર્ડીયોગ્રામ સહિતની સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવશે. ઉપરાંત તાત્કાલિક સારવારમાં મેડિકલ ઓફીસર, સર્જન, ઓર્થોપેડીક સર્જન, ફીઝીસીયન સહિતના વધારાની ટીમ રાખવામાં આવશે એમ જણાવ્યુ છે.
પોરબંદર ગુજરાતની આર્થિક વિકાસનું એન્જીન બની રહ્યું છે.પોરબંદરના દરિયામાં મળતી રીબન ફિશ, ટ્યુના, મેકરલ, રાની ફિશ, પાપલેટ, હિલ્સા, શાર્ક અને સિલ્વર ફિશ જેવી વિવિધ માછલીઓનું યુરોપ, એશિયા અને અમેરિકા જેવા દેશોના બજારોમાં નિકાસ થાય છે.જેથી જિલ્લામાં વાર્ષિક આશરે 88,000 મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન કરી અને વિદેશમાં નિકાલ કરવામાં આવે છે. ગુજરાત સરકાર જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા રાજ્યના દરિયાકિનારાને આર્થિક વિકાસનું એન્જિન બનાવી રહી છે, ત્યારે અરબી સમુદ્રના ખોળે વસેલું પોરબંદર આ બ્લુ ઈકોનોમી ક્રાંતિનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. પોરબંદરમાં પણ મત્સ્ય નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદર હવે માત્ર ધાર્મિક પ્રવાસન પૂરતું સીમિત નથી, પરંતુ દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં પણ વિશ્વ સ્તરે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. MPEDA ના રેકોર્ડ મુજબ, પોરબંદર સબ-ડિવિઝન હેઠળ કેટલીક અગ્રણી પેઢીઓ કાર્યરત છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં સી-ફૂડ પહોંચાડે છે. આ પેઢીઓ દ્વારા યુરોપ, એશિયા અને અમેરિકા જેવા દેશોના બજારોમાં પોરબંદરની માછલીઓ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં વાર્ષિક આશરે 88,000 મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થાય છે. અહીં મુખ્યત્વે રીબન ફિશ, ટ્યુના, મેકરલ, રાની ફિશ, પાપલેટ, હિલ્સા, શાર્ક અને સિલ્વર ફિશ જેવી વિવિધ માછલીઓ તેમજ સ્મોલ, મિડિયમ, ટાઈગર ઝીંગા અને લોબસ્ટર જેવી ઝીંગાની વિવિધ જાતો ઉપલબ્ધ છે. કુલ ઉપાદન માંથી કેટલાક પ્રમાણમાં સી-ફુડનુ પ્રોસેસિંગ કરીને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે. પોરબંદરની બ્લુ ઈકોનોમીની ખાસિયતપોરબંદરની બ્લુ ઈકોનોમીની ખાસિયત એ છે કે હવે અહીં માત્ર માછલી પકડવામાં જ નથી આવતી, પરંતુ તેનું હાઈ-ટેક પ્રોસેસિંગ પણ થાય છે. જિલ્લામાં અનેક અત્યાધુનિક યુનિટ્સ કાર્યરત છે. પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ દરિયાઈ ઉત્પાદનોની ગુણવત્તા જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ફિશ મીલ અને ઓઈલ એકમો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નિકાસલક્ષી ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે. ઔદ્યોગિક વિસ્તારમાં વનાણા GIDC વિસ્તાર હવે મત્સ્ય ઉદ્યોગ માટેના નવા હબ તરીકે ઉભરી આવ્યો છે, જ્યાં કેટલાક મોટા પ્લાન્ટ્સ કાર્યરત છે. સી ફૂડ નેટવર્ક રોજ 15 હજાર લોકોને રોજગારી આપે છે પોરબંદરમાં માછીમારી વ્યવસાય સાથે હજારો પરિવાર જોડાયેલ છે.પોરબંદરમાં માછીમારીથી લઈને સી ફૂડ એક્સપોર્ટ સહિતની પ્રક્રિયામાં પોરબંદર શહેરમાં 15 હજાર લોકોને રોજ રોજગારી મળી રહી છે. આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરી સજ્જ પ્લાન વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે પોરબંદરના નિકાસકારો MPEDA ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. રેડી-ટુ-ઈટ અને રેડી-ટુ-કૂક પ્રોડક્ટ્સના વધતા ટ્રેન્ડને કારણે સ્થાનિક ઉદ્યોગોમાં વેલ્યુ એડિશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.બ્લુ ઈકોનોમીના વિકાસથી પોરબંદરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો પરિવારોને રોજગારી મળી રહી છે. ફિશ માર્કેટથી લઈને અત્યાધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સુધી ફેલાયેલું આ નેટવર્ક પોરબંદરના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે.
ભાસ્કર વેધર રિપોર્ટ:હાડ થીજવતી ઠંડી યથાવત, આ શિયાળે સૌથી નીચું મહતમ તાપમાન 26 ડીગ્રીએ પહોંચી ગયું
પોરબંદરમાં મહતમ તાપમાન 26 ડીગ્રીએ પહોંચ્યું છે. આ મોસમમાં સૌથી નીચું મહતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. જ્યારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 13 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા ઘટીને 18 ટકા નોંધાયું છે ત્યારે પોરબંદરમાં કકળતી ઠંડી યથાવત રહી છે. પોરબંદર ઠંડુગાર બન્યું છે અને ઠંડા પવનના સુસવાટા યથાવત રહ્યા છે. ગઈકાલે શનિવારે મહતમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું જ્યારે રવિવારે મહતમ તાપમાન 1 ડિગ્રી નીચું આવી 26 ડિગ્રી નોંધાયું છે. ઉલ્લેખનીય એછેકે, પોરબંદરમાં આ મોસમનું સૌથી નીચું મહતમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું છે. જ્યારે પોરબંદરમાં ગઈકાલે શનિવારે લઘુતમ તાપમાન 11 ડિગ્રી નોંધાયું હતું અને શનિવાર પોરબંદરમાં સૌથી ઠંડો દિવસ બન્યો હતો. શનિવારે 11 ડિગ્રી લઘુતમ તાપમાન આ મોસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું જ્યારે રવિવારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 13 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 23 ટકા રહ્યું હતું જ્યારે રવિવારે ભેજનું પ્રમાણ 6 ટકા ઘટીને 18 ટકા નોંધાયું છે. આમ તાપમાનનો પારો નીચો આવતા અને ભેજનું પ્રમાણ પણ ઘટી જતા શહેરમાં હાડ થીજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. પોરબંદરમાં ઠંડીને કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
બાંટવા ખારા ડેમમાંથી ખેડૂતો માટે પાણી છોડાયું:થેપલા, રેવદ્રા, તરખાઇ સહિત 10 ગામોના ખેડૂતો લાભ મળશે
રાણાવાવ કુતિયાણા વિધાનસભા બેઠકના ધારાસભ્ય દ્વારા કુતિયાણા પંથકના થેપલા, રેવદ્રા,તરખાઇ,ધરસન સહિત 10 ગામોના ખેડૂતો માટે બાંટવા ખારા ડેમમાંથી પાણી છોડવા રજુઆત કરી હતી જેથી તંત્ર દ્વારા બાંટવા ખારા ડેમમાંથી ખેડૂતો માટે 80 એમ.સી.એફ.ટી.પાણી છોડાયું છે. પોરબંદરના ઘેડ પંથકમાં દર વર્ષે કુતિયાણા ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા ઘેડ પંથકના ગામના ખેડૂતો માટે ડેમમાંથી પાણી છોડાવી આપવામાં આવે છે ત્યારે આ વર્ષે ઘેડ પંથકમાં દિવાળી સમયે પડેલ વરસાદને લઈને પાણી ભરાયા હતા જેથી ખેડૂતો પાકમાં હાલ પાણીની જરૂરિયાત ઉભી થઇ છે. જેથી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા બાટવા ખારો સિંચાઈ યોજનમાંથી ખેડૂતોને પાણી છોડવા રજુઆત કરવામાં આવી હતી. જેથી જેથી તંત્ર દ્વારા બાંટવા ખારા ડેમમાંથી ખેડૂતો માટે 80 એમ.સી.એફ.ટી.પાણી છોડાયું છે.આ ડેમમાંથી પાણી છોડવામાં આવતા હજારો ખેડૂતોને લાભ થશે. ભાસ્કર ઇનસાઇડ10 જેટલા ગામોના ખેડૂતોને ફાયદો થશે રાણાવાવ, કુતિયાણાના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની રજૂઆત ધ્યાને લઈ બાંટવા ખારા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.જે કુતિયાણા પંથકના રેવદ્રા, તરખાઈ, ધરાશન, ગઢવાણા અને મહિયારી સહિત 10 ગામના ખેડૂતને સિંચાઈ લાભ મળશે.
ગામ ગામની વાત:રોગચાળા દરમિયાન 7 વાર ઉજ્જડ થયેલ જમરા ગામ ફરીથી બેઠું થયું
કુતિયાણાના જમરા ગામનો ઇતિહાસ અનેરોછે. આજે આ ગામ રળિયામણું છે પરંતુભૂતકાળમાં રોગચાળાને કારણે 7 વખત ઉજ્જડથયું અને 7 વખત બેઠું થયેલું જમરા ગામમાંઆજે ક્રાઇમ રેટ ઝીરો છે. અહીં 17મી સદીમાંરામદેવપીરનો મંડપ જીવાદાદાએ કર્યો હતો. કહેવાય છે કે જીવાદાદા અભણ હતા અને650 જેટલા ભજન લખ્યા હતા. આજે પણ એભજન ગવાય છે. જીવાદાદા સંત તરીકે પૂજાયછે અને તેનું મંદિર આવેલ છે. આ ઉપરાંત આગામમાં માલજોગ બાપા પણ થયા હતા જેનીસમાધિ આવેલ છે. કહેવાય છે કે માલજોગબાપાના દીકરા હરિયાબાપાએ ભાણ જેઠવાનેપરચો આપ્યો હતો અને સમાધિ માંથી 6 મહિનેબહાર નીકળ્યા હતા. ઘુમલી ગામેહરિયાબાપાની સમાધિ આવેલ છે. જમરાગામમાં વેરાવળી માતાનું મંદિર છે જ્યાં આહિરડાયરો માતાજીને દર્શને આવે છે. આ ગામમાંલોકો હળીમળીને રહે છે અને સાથે મળીને દરેકતહેવારની ઉજવણી કરે છે. ગામમાં ક્રાઇમ રેટઝીરો છે. ગામમાં શું સુવિધા છે ? કુતિયાણાના જમરા ગામમાં પીવાના પાણીની પૂરતી સુવિધા છે. ગામમાં રોડ રસ્તા ડામરથી મઢેલ છે અને શેરીઓમાં પેવર બ્લોક છે. સ્ટ્રીટ લાઈટો છે તેમજ આંગણવાડી અને પ્રાથમિક સ્કૂલ આવેલ છે. આ ગામનો હજુ વધુ વિકાસ કરવામાં આવશે. > ભગવાનજીભાઇ ખીમાભાઇ વાળા, પૂર્વ સરપંચ, જમરા ગામ
નિ :શુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો:માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત આંખનો નિદાન કેમ્પ
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-2026ની ઉજવણી અંતર્ગત પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબાની રાહબારી હેઠળ પોરબંદર જીલ્લામાં માર્ગ સલામતી વિષયક વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. જેના ભાગરૂપે ટ્રાફિક પોલીસ પોરબંદર, વનાણા ટોલ પ્લાઝા તેમજ જે.સી.આઈ.પોરબંદરના સંયુક્ત ઉપક્રમે વનાણા ટોલ પ્લાઝા ખાતે વાહનચાલકો માટે નિ:શૂલ્ક નેત્ર નિદાન તથા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.આ કેમ્પમાં બહોળી સંખ્યામાં વાહનચાલકોએ ભાગ લીધેલ હતો. આ કેમ્પમાં ટ્રાફિક પીએસઆઇ કે.બી.ચૌહાણ, ટોલપ્લાઝા મેનેજર અમરજીતસિંહ, દેવેન્દ્ર યાદવ, જેસીઆઈ પોરબંદરના પૂર્વ પ્રમુખ રાધેશ દાસાણી, અર્જુન કોટેચા, પ્રતિપાલ રાયજાદા, અક્ષય રાયચુરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં ભાવસિંહજી હોસ્પિટલ પોરબંદર તથા રાણાવાવ સરકારી હોસ્પિટલના ડો. દિપક રંગવાણી, ડો. કરણ વિઠલાણી, કરસન રાવલિયા, રોનક ખુડેસરા તથા ટીમે સેવા આપેલ હતી. કેમ્પમાં 76 લોકોએ ભાગ લીધો ટ્રાફિક પોલીસ અને સંસ્થા દ્વારા આયોજિત કેમ્પ આશરે 76 લોકોએ ભાગ લીધેલ હતો દર્દીઓને વિના મૂલ્યે આંખના ટીપાં તેમજ અન્ય જરૂરી દવાઓ આપવામાં આવેલ હતી. ઘણા અકસ્માતો આંખમાં નંબર કે કોઈ રોગ હોવાથી સારી રીતે જોઈ ન શકવાને કારણે થતા હોવાથી વાહનચાલકોને સમયાંતરે આંખોનુ ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે.
પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં રમેશભાઈ ઓઝાની ઉપસ્થિતિમાં હરિ મંદિરની સ્થાપનાને 20 વર્ષ પૂર્ણ થતા મંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત તા.21/01/2026 થી તા.25/01/2026 સુધી પંચ દિવસીય હરિ મંદિર મહામહોત્સવ અનેક વિશિષ્ટ પ્રસંગો સાથે સુસંપન્ન થશે.જેમાં ભક્તિ, જ્ઞાન અને સેવાનો રચાશે ત્રિવેણી સંગમના કાર્યકમો યોજાશે. હરી મંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત મહામહોત્સવમાં પૂજ્ય ભાઈની ઉપસ્થિતિમાં પ્રતિવર્ષ અનુસાર ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં તા.21/01/2026 થી તા.24/01/2026 એમ ચાર દિવસ ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો તથા સાંદીપનિના ભૂતપૂર્વ ઋષિઓ દ્વારા શ્રીમદ્ભાગવતના વિષયો ને લઈને વ્યાખ્યાન આપવામાં આવશે. તેમજ સાંદીપનિ ગૌરવ એવોર્ડ સમારોહનું તા.24-01-26, શનિવારે બપોર સાંદીપનિ સભાગૃહમાં સંપન્ન થશે. જેમાં વિભિન્ન ક્ષેત્રોમાં અનુપમ યોગદાન આપનારા મહાનુભાવોનું દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ એવોર્ડ થી ભાવપૂજન કરવામાં આવે છે. આ સાથે સાથે 108 કુંડી અતિ મહાવિષ્ણુયાગ,ત્રિ દિવસીય હનુમંત યજ્ઞ,અખંડ શ્રીહરિનામ સંકીર્તન,ગોપૂજન - ગોવર્ધન પૂજન એવં અન્નકૂટ દર્શન,પાટોત્સવ મહાઅભિષેક અને 1008 કુંભ મહાઅભિષેક અને સુવર્ણ શિખર સ્થાપના એવં પાલખીયાત્રા સહિતના ધાર્મિક કાર્યકમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચાર મેડિકલ કેમ્પ પણ યોજાશેહરિ મંદિરના 20મા પાટોત્સવ અંતર્ગત ચાર નિ:શુલ્ક મેડિકલ કેમ્પ સંપન્ન થશે. જેમાં દંતચિકિત્સા કેમ્પ, કિડનીને લગતા રોગોનો નિદાન કેમ્પ, એન્ડોક્રાઇનોલોજી કેમ્પ અને કેન્સર જનજાગૃતિ તથા નિદાન કેમ્પ સંપન્ન થશે.
પાટણના નવા હગામી બસ સ્ટેન્ડમાં એસટી બસ ચાલકે અનાવાડા ગામની વૃદ્ધ મહિલાને ટક્કર મારતાં તેઓ બસના આગળના ટાયરની નીચે આવી જતાં પગ સાથળથી ઘૂંટી સુધી કચડાઈ ગયો હતો. ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પાટણ તાલુકાના અનાવાડા ગામના કંકુબેન શંકરભાઈ પટેલ તેમના પતિ શંકરભાઈ ધનાભાઈ પટેલ અને જેઠાણી કંકુબેન ભગાભાઈ પટેલ સાથે અમદાવાદ જવા માટે પાટણનાં નવા બસ સ્ટેન્ડ આવ્યા હતા.ત્રણેય જણા ચાલતા અમદાવાદ જવાના બસ સ્ટોપ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બસ ડેપોમાં દિયોદર-અમદાવાદ રૂટની એસટી બસ સ્ટોપ પર ઊભી હતી. બસની આગળથી કંકુબેન શંકરભાઈ પટેલ પસાર થઈ રહ્યા હતા ત્યારે બસના ડ્રાઇવરે અચાનક બસ હાંકતા તેઓ સીધા બસના આગળના ટાયરની ઝપટમાં આવી ગયા હતા. કંકુબેન બૂમાબૂમ કરવા લાગતા ડ્રાઇવરે તાત્કાલિક બ્રેક મારી દીધી હતી. આસપાસના લોકો અને તેમના પતિએ દોડીને કંકુબેનને બસના ટાયર નીચેથી બહાર કાઢ્યા હતા.અકસ્માતમાં કંકુબેનનો એક પગ સાથળથી લઈ પગની ઘૂંટી સુધી ગંભીર રીતે કચડાઈ ગયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં તેમને સારવાર માટે ધારપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાંથી પાટણની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. આ સમગ્ર મામલે ઇજાગ્રસ્ત કંકુબેન શંકરભાઈ પટેલે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે એસટી બસના ડ્રાઇવર સામે ફરિયાદ નોંધાવી છે.બસ સ્ટેન્ડ જેવી ભીડભાડવાળી જગ્યાએ ડ્રાઇવરની બેદરકારી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.
પાટણ શહેરનાં સિદ્ધપુર ચાર રસ્તા નજીક શ્રમજીવી વસાહત નજીક અને બી ડીવિઝન પોલીસ સ્ટેશન જવાનાં રસ્તે ઓવરબ્રીજની પૂર્વ તરફનાં ભાગે છેલ્લા દોઢેક મહિનાથી સીસીરોડની વચ્ચોવચ્ચ સ્ટ્રોમ વોટરની ચેમ્બરનું ઢાંકણું અંદર તેનાં કાટમાળ સાથે તૂટીને પડી ગયું હોવાથી આ ગટર લાંબા સમયથી જોખમી બનીને ખુલ્લી પડેલી છે. હજુસુધી આ ચેમ્બરનું ઢાંકણું નવું નંખાયું નથી કે તેને ઢાંકવામાં આવી નથી. અત્યારે આ ચેમ્બરને પોલીસનાં બેરીકેડથી સુરક્ષા પુરી પાંડી છે. એક મોટી તોતિંગ ટ્રક અને ટર્બો ટ્રકને આ ચેમ્બરને વટાવીને આગળ વધવામાં ભારે જહેમત કરવી પડી હતી. જેનાં કારણે તેની પાછળનો ટ્રાફિક પણ જામ થયો હતો. આ ખુલ્લી ચેમ્બરથી રાત્રે અજાણ્યા વાહનોને અકસ્માતનો ભય રહેલો હોવાથી માર્ગ મકાન વિભાગે સત્વરે આ ચેમ્બરનું રિપેરીંગ કરવું જોઈએ.
કાર્યવાહી:રાધનપુર, સિદ્ધપુર અને શંખેશ્વરના પાડલાથી ચાઈનિઝ દોરીની 82 ફીરકી સાથે 5 પકડાયા
મકરસંક્રાંતિ પર્વ પૂર્વે જીવલેણ અને પ્રતિબંધિત ચાઈનિઝ દોરી અને તુક્કલના વેચાણ, સંગ્રહ અને ઉપયોગ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.રાધનપુર, શંખેશ્વરનાં પાડલા ગામે અને સિદ્ધપુર માંથી પોલીસે રૂ 33250ની ચાઈનિઝ દોરી ની 82 ફીરકી સાથે પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા. જેમાં સૌથી વધુ રાધનપુરમાંથી 76 ફીરકીઓ જપ્ત કરી હતી. રાધનપુર પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ સ્થળોએ રેડ કરી પ્રતિબંધિત ચાઈનિઝ દોરીનું વેચાણ કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી ચાઈનિઝ દોરીની 31,150ની કુલ 76 ફીરકી જપ્ત કરી હતી. અને ત્રણેય શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.સિદ્ધપુરમાંથી એક વેપારીને રૂ.1500ની ચાઈનિઝ દોરીની ત્રણ ફીરકી સાથે અને શંખેશ્વરના પાડલા ગામેથી રૂ.600ની ત્રણ ફીરકી સાથે પકડી પાડ્યા હતા. પોલીસ દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે ઉત્તરાયણ દરમ્યાન જીવલેણ ચાઈનિઝ દોરી અને પ્રતિબંધિત તુક્કલનું વેચાણ, સંગ્રહ કે વપરાશ કરનાર સામે કાયદેસરની કડક કાર્યવાહી કરાશે. સામાન્ય જનતાને પણ આવા પ્રતિબંધિત સામાનથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે. પકડાયેલા શખ્સો .રવિભાઈ અમરતભાઈ રાવળ રહે.રાધનપુર પાસેથી ચાઈનિઝ દોરીની 12 ફીરકી રૂ.2,400 .યતિનકુમાર અશોકભાઈ ઠક્કર રહે.રાધનપુર પાસેથી 59 ફીરકી રૂ.26,750 .ધીરુભાઈ બળદેવભાઈ પ્રજાપતિ રહે.રાધનપુરથી 5 ફીરકી રૂ.2,000 .નિલેશ નગીનભાઈ પટણી પાસેથી ચાઈનિઝ દોરીની રૂ.1500ની ત્રણ ફીરકી .ભાડલાથી દીવાનજી મેઘાજી ઠાકોર પાસેથી ચાઈનિઝ દોરીની રૂ.600ની ત્રણ ફીરકી
આજે રાષ્ટ્રીય યુવા દિવસ:યુવાશક્તિ યાદ રાખો તમારા જીવનના શિલ્પી તમે પોતે જ છો
પાટણના લેખક ડૉ.ઝુઝારસંગ એન.સોઢાએ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે પાટણ સહિત જિલ્લાના યુવાઓને સફળતા હાંસલ કરવા માટે પ્રેરણાત્મક સંદેશ સાથે જરૂરી સૂચનો દિવ્ય ભાસ્કર મારફતે આપ્યા હતા. યુવાન એટલે એ નહીં જેની ઉંમર ઓછી છે, પણ યુવાન એ છે જેની પાસે સપના જોવાની હિંમત છે અને તેને પૂરા કરવાનું જોમ છે. સ્વામી વિવેકાનંદના મતે યુવાન એટલે લોખંડી સ્નાયુઓ અને વજ્ર જેવું મન ધરાવનાર વ્યક્તિત્વ. આજે યુવાધન સમક્ષ બેરોજગારી, માનસિક તણાવ અને વિદેશ તરફ દોટ મૂકવાની આંધળી સ્પર્ધા જેવા અનેક પ્રશ્નો છે. સોશિયલ મીડિયાના આભાસી દુનિયામાં ખોવાઈ રહેલો યુવાન ક્યાંક પોતાનું સાચું સામર્થ્ય ભૂલી રહ્યો છે. ઘણા યુવાનો દેખાદેખીમાં વિદેશ તરફ દોડી રહ્યા છે. પ્રશ્ન વિદેશ જવાનો નથી, પ્રશ્ન પોતાની માતૃભૂમિ પ્રત્યેની જવાબદારીનો છે. ભારતમાં આજે સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને ટેકનોલોજીના ક્ષેત્રે અસીમ તકો રહેલી છે. જો આપણે આપણું કૌશલ્ય અહીં જ વાપરીએ, તો ભારતને ''વિશ્વગુરુ'' બનતા કોઈ રોકી શકશે નહીં. સફળતા માટે આજના સમયમાં 3 નિયમ અનુસરો આજના યુવાનો માટે પંચામૃત સૂત્રો
માર માર્યો:લાઠીદડ ખાતે દીકરીને મળવા ગયેલી માતાને સસરાએ ઢીકાપાટુંનો માર માર્યો
બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે પુત્રવધુને તેના સસરાએ માર મારી ગાળો આપી ધમકી આપતાં બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મહિલાએ તેના સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. બોટાદ શહેરના હિફલી વિસ્તારમાં શેરી નં-4 ખાતે રહેતા ચંદુભાઇ મોહનભાઇ જાદવની દીકરી છાયાબેન (ઉ.વ.34)એ 2012ની સાલમાં મૂળ ધોલેરા તાલુકાના પચ્છમ ગામના અને હાલ લાઠીદડ ગામે રહેતા મહેશભાઈ બેચરભાઈ મોટકા સાથે લવમેરેજ કરેલ અને તેને સંતાનમાં એક દીકરી નવધા (ઉ.વ.10)ની છે. બંન્ને પતિ-પત્નીને બનતું ન હોય જેથી ફરિયાદી છાયાબેન તેના પિતાના ઘરે રહે છે. અને આ બાબતે છાયાબેનએ સાસરીયા પક્ષ વિરુધ્ધ ફરીયાદ પણ કરેલ છે. છેલ્લા ત્રણેક માસથી તેના પિતાના ઘરે રહે છે. શરૂઆતમાં તેની દીકરી નવધા તેની સાથે હતી પરંતુ છાયાબેન સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવાથી દીકરીને લાઠીદડ પતિના ઘરે મુકી આવેલ. ગત 10 જાન્યુઆરી 2026ના સાંજના આશરે પાંચેક વાગ્યાની આસપાસ ફરિયાદી છાયાબેન દીકરી નવધાને મળવા માટે લાઠીદડ તેના સસરાના ઘરે ગયેલ અને તેના સસરા બેચરભાઈ ખોડાભાઈ મોટકાને કહેલ કે, મેં છેલ્લા બે મહિનાથી નવધાને જોયેલ નથી. જેથી મને નવધાને મળવા દો. સસરાએ કહેલ કે તું અહિંયા કોને પુછીને આવી છો, તારે અહિંયા આવવાનું નહીં અને અમો તને નવધાને મળવા દેશું નહીં. જેથી છાયાબેને તેના સસરાને કહેલ કે, હું નવધાને થોડીવાર મળીને જતી રહીશ તેમ કહેતાં સસરા બેચરભાઈ એકાએક ઉશ્કેરાઇ ગયેલા અને પુત્રવધુ છાયાબેનને ઢીંકાપાટુનો માર મારવા લાગેલ. તેમજ ધક્કો મારી પાડી દીધેલ. માર મારી ગાળો આપી હવે ફરી અહીં આવી છો તો તને જાનથી મારી નાખવાની છે તેવી ધમકી આપ્યાની છાયાબેને તેના સસરા વિરુદ્ધ બોટાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલ છે.
પેસેન્જર રંગ પરથી પોતાના રૂટની મેટ્રો ઓળખી શકશે:મેટ્રોની નવી ઓળખ ‘કલર કોડ’ ચાર રૂટને અલગ રંગ અપાયા
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મેટ્રો કનેક્ટિવિટી હવે વધુ વિસ્તૃત અને વ્યવસ્થિત બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સચિવાલયથી મહાત્મા મંદિર સુધીના રૂટનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ મેટ્રો નેટવર્ક મોટું થતા, દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોની તર્જ પર હવે અમદાવાદ મેટ્રોમાં પણ અલગ-અલગ રૂટને બ્લ્યુ, રેડ, યલો અને વાયોલેટ જેવા વિશિષ્ટ કલર કોડ અને નામ અપા છે. હવે અમદાવાદ મેટ્રો માત્ર બે લાઈન સુધી મર્યાદિત ન રહેતા, ચાર અલગ લાઈનોમાં વહેંચાઈ ગઈ છે. આ ચારેય લાઈનને અલગ અલગ કલર કોડ આપવાથી મુસાફરો માટે સ્ટેશન અને રૂટની ઓળખ સરળ બનશે. આ નવા ફેરફારથી હવે મુસાફરો દિલ્હી મેટ્રોની માફક જ ‘બ્લ્યુ, રેડ, યલો કે વાયોલેટ’ લાઈન કહીને પોતાની મુસાફરી સરળતાથી પ્લાન કરી શકશે. વડાપ્રધાને જે રૂટનું લોકાર્પણ કર્યું છે તે હવે ‘યલો લાઈન’ તરીકે ઓળખાશે. મોટેરાથી મહાત્મા મંદિર સુધીનું મહત્તમ ભાડું રૂ.40 રહેવાની શક્યતા છે. શાહપુરથી જૂની હાઈકોર્ટ વચ્ચે આજે મેટ્રો બંધ રહેશેવડાપ્રધાન નરેન્દ્ર મોદી રિવરફ્રન્ટ પર કાઈટ ફેસ્ટિવલમાં હાજર રહેવાના હોવાથી મેટ્રોના શિડ્યુલમાં ફેરફાર કરાયો છે. જેમાં ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બ્લ્યુ લાઇન પર સવારે 9.45થી 11 વાગ્યા સુધી શાહપુર અને જૂન હાઈકોર્ટ સ્ટેશન વચ્ચે મેટ્રો સેવા બંધ રહેશે. આ સમયમાં મેટ્રો ટ્રેનો વસ્ત્રાલ ગામથી શાહપુર સુધી અને જૂન હાઈકોર્ટથી થલતેજ ગામ વચ્ચે દોડશે. હવે આ ચાર કલરથી મેટ્રોની ઓળખ થશે
કહેવાય છે કે પોલીસ હંમેશા કડક હોય છે, પરંતુ સુરત પોલીસે આ વાતને ખોટી સાબિત કરી એક અનોખો દાખલો બેસાડ્યો છે. સુરતના દેલાડવા તળાવ પાસે ત્યજી દેવાયેલી એક દિવસની માસૂમ બાળકી માટે આજે આખી સુરત પોલીસ તેનો પરિવાર બની ગઈ છે. શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની પ્રેરણાથી આ બાળકીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ 'છઠ્ઠી' કરવામાં આવી અને તેનું નામ હસ્તી રાખવામાં આવ્યું છે. શું હતો સમગ્ર કિસ્સો?આશરે છ દિવસ પહેલા સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલા દેલાડવા તળાવ પાસે એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. માત્ર એક દિવસની આ બાળકીને નિષ્ઠુર જનેતાએ કયા સંજોગોમાં છોડી દીધી તે તપાસનો વિષય છે, પરંતુ સુરત પોલીસને જાણ થતા જ માનવતા મહેકી ઉઠી હતી. ડીંડોલી પોલીસે તાત્કાલિક બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરી હતી. પોલીસ જ બની પરિવાર: 'હસ્તી'નું નામકરણસામાન્ય રીતે આવા કિસ્સાઓમાં બાળકીને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવતી હોય છે, પરંતુ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે આ બાબતે સંવેદનશીલતા દાખવી. બાળકી આજે જ્યારે છ દિવસની થઈ, ત્યારે પોલીસ સ્ટેશનના પટાંગણમાં જ તેની નામાંકરણ વિધિ (છઠ્ઠી)નું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે પોતે ઉપસ્થિત રહી બાળકીને આશીર્વાદ આપ્યા હતા. ડીંડોલી પોલીસની ટીમની બાળકી પર દેખરેખડીંડોલી પોલીસ મથકના પી.આઈ. આર.જે. ચુડાસમા અને તેમની ટીમ 24 કલાક બાળકીની દેખરેખ રાખી રહી છે. હોસ્પિટલમાં 24 કલાક મહિલા પોલીસ કર્મીઓ તૈનાત છે, જેઓ બાળકીની માતાની ખોટ વર્તાવા દેતા નથી. નામાંકરણ વિધિ દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા હતા. જે બાળકીનું આ દુનિયામાં કોઈ નહોતું, તેના માટે આજે ખાખી વર્દીધારીઓ હાલરડાં ગાતા અને ખુશીઓ મનાવતા નજરે પડ્યા હતા. બાળકીની માતાની શોધખોળ હાથ ધરવામાં આવીપોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, લોકોની સુરક્ષાની સાથે સામાજિક જવાબદારી અદા કરવી એ પણ પોલીસની ફરજ છે. એક તરફ પોલીસ 'હસ્તી'ની સારસંભાળ રાખી રહી છે, તો બીજી તરફ તે માસૂમ બાળકીને રઝળતી મૂકી જનાર તેની માતાની શોધખોળ પણ તેજ ગતિએ ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી પોલીસ ગુનેગાર સુધી પહોંચવા પ્રયત્ન કરી રહી છે. સુરત પોલીસની આ કામગીરીએ સાબિત કર્યું છે કે ખાખી વર્દીની અંદર પણ એક સંવેદનશીલ હૃદય ધબકે છે. 'હસ્તી' નામની આ બાળકી હવે સુરત પોલીસની દીકરી બની ગઈ છે. આ સાથે એક બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે અને તેમાં પોલીસ જવાનો પોતાની રીતે રાશિ અર્પણ કરશે.
અમદાવાદમાં ગાંધીનગરને જોડતો એક વૈશ્વિક કક્ષાનો આઈકોનિક રોડ બની રહ્યો છે, જે પ્રદૂષણથી મુક્ત અને ટ્રાફિકથી મુક્ત તો હશે જ. તેની સાથોસાથ હાઈફાઈ ગાર્ડનને પણ ટક્કર આપે એવી થીમ સાથે તૈયાર કરાશે. આ આઈકોનિક રોડને અર્બન લંગ્સ રોડ તરીકે વિકસાવવામાં આવશે, જે શહેરી વિકાસનું પણ અનોખું ઉદાહરણ બનશે. અમદાવાદના ચાંદખેડાના વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીનો 3.5 કિ.મી.નો રોડ જોગિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, ફૂડ કિઓસ્ક, પ્લાઝા અને ડિસેબલ-ફ્રેન્ડલી સુવિધાઓ સાથે અમદાવાદ-ગાંધીનગરને જોડશે. જો આ રોડની વિશેષતાની વાત કરીએ તો તેને ઝીરો પોલ્યુશન અને ઝીરો ટ્રાફિકની નીતિથી જીઓમેટ્રિક ડિઝાઇન સાથે ડેવલોપ કરવામાં આવશે. આગામી દિવસોમાં જ રોડ ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાશે. 81,500 ચો.મી.માં ગ્રીનરી અને સ્કલ્પચર્સ સાથે આઈકોનિક રોડ તૈયાર કરાશેઅમદાવાદમાં વિકાસની નવી ઓળખ બનવા જઈ રહેલો આઇકોનિક રોડ એક અભૂતપૂર્વ શહેરી વિકાસ પ્રોજેક્ટ છે, જેમાં રાઈટ ઓફ વે 90 મીટર અને 108 મીટરની વિશાળ પહોળાઈમાં વિકસાવવામાં આવશે. આ રોડના કેન્દ્રમાં 4 મીટર પહોળી સ્કલ્પ્ચર વૃક્ષો અને પ્લાન્ટેશન સાથેની લીલી પટ્ટી, બંને બાજુએ બફર ઝોનમાં ગ્રીન પેચ અને હાલના 1200 વૃક્ષોની સંપૂર્ણ જાળવણી સાથે 81,500 ચોરસ મીટર વિસ્તારમાં વ્યાપક પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવશે. પરિવારથી લઈને દિવ્યાંગો સરળતાથી ચાલી શકે એવી રોડની ડિઝાઈનઆ ઉપરાંત 3.5 મીટર પહોળો જોગિંગ ટ્રેક, બેઠક વ્યવસ્થા, ફૂડ કિઓસ્ક, પ્લાઝા, મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ, સર્વિસ લેન તરફ બંને બાજુ 2.1 મીટર પહોળો સાયકલ ટ્રેક, 7 મીટર પહોળી સર્વિસ લેન, પ્રોપર્ટી લાઇન સાથે ઓછામાં ઓછી 2 મીટરની ફૂટપાથ (દર 5 મીટરે વૃક્ષો/પ્લાન્ટેશન), જંકશન ઇમ્પ્રુવમેન્ટ, થીમ આધારિત રોડ ડિઝાઇન, આધુનિક લાઇટિંગ, ડિસેબલ વ્યક્તિઓને અનુકૂળ ડિઝાઇન, સાઇન બોર્ડ, સ્ટ્રીટ ફર્નિચર અને હોર્ડિંગ જેવી સુવિધાઓ સાથે આ રોડ શહેરનું નવું આઇકોન બની રહ્યો છે, જે પર્યાવરણ, આરોગ્ય, મનોરંજન અને ટકાઉ વિકાસનું અનોખું સંયોજન રજૂ કરશે. વિસત સર્કલથી તપોવન સર્કલ સુધી ટ્રાફિક અને પ્રદૂષણથી મુક્ત રોડ બનાવાશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ આધુનિક અને વૈશ્વિક કક્ષાના બને તેના માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. ચાંદખેડાના વિસત સર્કલથી તપોવન સર્કલ સુધીના અમદાવાદ અને ગાંધીનગરને જોડતા 3.6 કિલોમીટરના રોડને આધુનિક વૈશ્વિક કક્ષાનો રોડ બનાવવામાં આવશે. પ્રદૂષણમુક્ત રોડ બનાવવામાં આવનાર છે. બંને તરફ 14.75 મીટરનો ફોર લેન રોડ બનાવવામાં આવશે. ઝડપથી અને ટ્રાફિક મુક્ત બને તેના માટે ફોરલેન રોડ ઉપરાંત સર્વિસ લેન રોડ પણ બનાવવામાં આવનાર છે. સામાન્ય નાગરિકો માટે જોગિંગ ટ્રેક અને સાયકલ ટ્રેકની પણ સુવિધાઆઇકોનિક રોડ ઉપર લોકો ચાલી શકે તેના માટે અલગથી વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો બેસી શકે તેના માટે બફર ઝોન બનાવવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ રોડ ઉપર સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવનાર છે. બે મીટરનો સાયકલ ટ્રેક અલગથી તૈયાર કરવામાં આવશે. જેથી સવારે અને સાંજે લોકો આ રોડ ઉપર સાયકલ ચલાવી શકશે. રોડ ઉપર ગ્રીનરી જળવાઈ રહે તેના માટે 1200 જેટલા વૃક્ષોની જાળવણી પણ કરવામાં આવશે.
ગાંધીનગર શહેરને 24 કલાક પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવાના દાવા સાથે કરોડોના ખર્ચે નાખવામાં આવેલી નવી પાઈપલાઈન હવે નગરજનો માટે શાપિત સાબિત થઈ રહી છે. બે મહિનાના લાંબા ટ્રાયલ રન પછી પણ નવી લાઈનોમાં લિકેજની સમસ્યા ઠેરની ઠેર છે. જેના પરિણામે શહેરમાં ટાઈફોઈડનો રોગચાળો ફાટી નીકળ્યો હોવાની બુમરાણ ઉઠી છે. તોય આજે રવિવારે વધુ 10 નવા કેસ નોંધાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે. રવિવારે ટાઈફોઈડના વધુ 10 પોઝિટવ કેસ નોંધાયાગાંધીનગરને 24 કલાક શુદ્ધ પાણી આપવાના દાવા સાથે જે નવી પાઈપલાઈન પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તેમ છતાં હવે પાઇપલાઇનો શહેર માટે જોખમી સાબિત થઈ રહી છે. તંત્ર ધ્વારા સ્માર્ટ રીતે લાંબા ટ્રાયલ રન કરાયા છતાં લિકેજની સમસ્યા યથાવત છે. પરિણામે શહેરમાં ટાઈફોઈડના કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે રવિવારે વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા આંકડો ડબલ સેન્ચુરીની વટાવી જતાં તંત્રની વધુ એક બેદરકારી ખુલ્લી પડી છે. મનપાની તપાસમાં 5 નવા લીકેજ મળી આવ્યાગાંધીનગર માટે આશીર્વાદને બદલે શાપિત સાબિત થઈ રહેલી સ્માર્ટ સિટીની કામગીરીએ નગરજનોને હોસ્પિટલોમાં દોડતા કરી દીધા છે. તંત્ર દ્વારા બિછાવેલી નવી પાઈપલાઈનનો ઉપયોગ શરૂ થતા જ ગટરના દૂષિત પાણી મિક્સ થવાની ઘટનાઓ વધી છે. આજે મનપાના સત્તાવાર આંકડા મુજબ વધુ 5 નવા લિકેજ મળી આવ્યા છે. સેકટર-24, 26, 28 અને આદિવાડા બાદ હવે ધીમે ધીમે અન્ય સેકટરોમાં પણ ટાઈફોઈડના કેસ દેખાઈ રહ્યા છે. હાલમાં કુલ 70 દર્દીઓ સારવાર હેઠળ હોવાનો મનપાનો દાવો છે. 85 ટીમો દ્વારા 7011 ઘરોનો સર્વે કરવામાં આવ્યોત્યારે શહેરમાં રોગચાળો વકરતા આરોગ્ય શાખાની 85 ટીમોએ આજે 7011 ઘરોમાં સર્વે કરી ક્લોરિન ટેબલેટ અને ORS પેકેટનું વિતરણ કર્યું હતું. જોકે નાગરિકોનો આક્ષેપ છે કે તંત્ર લિકેજ શોધવા માટે વિશેષ ટીમો બનાવવામાં નિષ્ફળ રહ્યું છે. લોકોની ફરિયાદો છતાં દિવસો સુધી લિકેજ રિપેર કરવામાં આવતા નથી. સ્થાનિકોમાં ભારે રોષ છે કારણ કે મૂળ સમસ્યા લિકેજ રિપેર કરવામાં એન્જિનિયરિંગ વિભાગ નિષ્ફળ રહ્યું છે. લોકોના આક્ષેપ છેકે વારંવારની ફરિયાદો છતાં રિપેરિંગ કામ થતું નથી. તંત્ર નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે. નવી પાઈપલાઈન અને જૂની સમસ્યાની વચ્ચે ગટરના દૂષિત પાણી મિક્સ થવાની ઘટનાઓ વધી છે.જેના કારણે શુદ્ધ પાણીમાં ગંદકી ભળી રહી છે.આરોગ્ય શાખાની ટીમો સર્વે માટે ઘરે-ઘરે ફરી રહી છે ત્યારે પાઈપલાઈનના લિકેજ શોધવા માટે વિશેષ ટીમો ઊભી કરાઈ નહી હોવાના પણ આક્ષેપો છે .નગરજનો દ્વારા લિકેજની ફરિયાદ કરવામાં આવે ત્યારે સેનિટેશન અને એન્જિનિયરિંગની ટીમ દોડતી થાય છે, પરંતુ ઘણી વાર નાગરિકો દ્વારા દિવસો સુધી ફરિયાદ કરવા છતાં લિકેજ દૂર કરવા કામગીરી હાથ ધરાતી નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે નવી પાઈપલાઈનમાં લિકેજ સતત મળી રહ્યા છે. શરૂઆતમાં માત્ર સેકટર-24, સેકટર-26, સેકટર-28 અને આદિવાડામાં ટાઈફોઈડના કેસ મળ્યા હતા. ત્યારે 24 કલાક પાણી પુરવઠો શરૂ થયા પછી નવા સેકટરોમાં પણ ટાઈફોઈડના દર્દીઓ નોંધાઈ રહ્યા હોવાની ફરિયાદો ઉઠી છે.
BIG NEWS: જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન, પાકિસ્તાન તરફથી આવ્યા હતા
Pakistani drone in LoC : પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી છે. રવિવારે સાંજે જમ્મુ અને કાશ્મીરના સાંબા, રાજૌરી અને પૂંછ જિલ્લામાં શંકાસ્પદ ડ્રોન હિલચાલ જોવા મળી. સુરક્ષા દળોએ ઘટનાની ગંભીર નોંધ લીધા બાદ કહ્યું હતું કે ઉડતી વસ્તુઓ પાકિસ્તાન બાજુથી આવી હતી, થોડી મિનિટો રહ્યા બાદ તે ભારતીય સીમામાંથી પરત ફરી ગઈ હતી. હાલ ભારતીય સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે.
ગોધરાના સાયન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે શ્રી શરદ શાહ કોલેજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં B.Com ટીમે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. ફાઇનલ મેચમાં B.Com ટીમે BCA ટીમને હરાવી હતી. આ ટુર્નામેન્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ વધારવાનો હતો. આ સ્પર્ધામાં કોલેજના B.Com, BCA અને MSW વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન ઘણી રોમાંચક મેચો રમાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની રમતગમત કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની અંતિમ મેચ B.Com અને BCA ટીમો વચ્ચે રમાઈ હતી. ફાઇનલ મુકાબલો અત્યંત સ્પર્ધાત્મક રહ્યો હતો. જોકે, B.Com ટીમે ઉત્કૃષ્ટ બેટિંગ અને શાનદાર ફિલ્ડિંગના પ્રદર્શન સાથે BCA ટીમને હરાવી વિજય મેળવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 13મી જાન્યુઆરીના રોજ પોતાના સંસદીય મતવિસ્તાર ગાંધીનગરમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપશે. આ પ્રવાસ દરમિયાન તેઓ માણસા ખાતે અદ્યતન સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ કરશે, તેમજ ગાંધીનગર સેક્ટર-28 ખાતે ગુજરાતની સર્વપ્રથમ હાઈ-ટેક બાયો-સેફ્ટી લેવલ-4 લેબનો શિલાન્યાસ કરશે. હાઈ-ટેક બાયો-સેફ્ટી લેવલ-4 લેબનો શિલાન્યાસગાંધીનગરના સેક્ટર-28માં એનિમલ વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ પાસે તૈયાર થનારી આ BSL-4 લેબ દેશની બીજી અને ગુજરાતની પ્રથમ લેબ હશે. આ લેબમાં અત્યંત ચેપી વાયરસ અને પશુઓમાં ફેલાતા ગંભીર રોગો પર સંશોધન કરી શકાશે. આ સુવિધા 'બાયો-કન્ટેઇનમેન્ટ ફેસીલીટી'થી સજ્જ હશે. જે ગુજરાતને પશુ આરોગ્ય અને રસીકરણના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર બનાવશે. માણસામાં અદ્યતન રમતગમત સંકુલનું લોકાર્પણઉપરાંત 13મી જાન્યુઆરીએ સવારે 10 કલાકે માણસાની આર્ટસ કોલેજ સંકુલમાં અમિત શાહ નવનિર્મિત અદ્યતન રમતગમત સંકુલ જનતાને સમર્પિત કરશે. આ સંકુલ સ્થાનિક ખેલાડીઓને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે, જેથી ગ્રામીણ સ્તરેથી પ્રતિભાઓ બહાર આવશે. આ ઉપરાંત માણસા તાલુકાના અન્ય વિવિધ વિકાસ પ્રકલ્પોનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમોને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગૃહમંત્રીના આગમનને પગલે ગાંધીનગર અને માણસામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવશે.
ડાંગ LCBએ 'ચામઠા ગેંગ'ના બે આરોપીને પકડ્યા:અઢી વર્ષથી નાસતા ફરતા હતા, રાજસ્થાનથી ઝડપાયા
ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ અઢી વર્ષથી નાસતા ફરતા આંતરરાજ્ય 'ચામઠા ગેંગ'ના બે વોન્ટેડ આરોપીઓને રાજસ્થાનના ડુંગરપુર જિલ્લામાંથી ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. આ બંને આરોપીઓ ગુજરાત રાજ્યના ત્રણ જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ પાંચ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. સુરત વિભાગના મહાનિર્દેશક અને ડાંગ-આહવા જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ, LCB ટીમે હ્યુમન અને ટેકનિકલ સોર્સના આધારે મળેલી બાતમીના આધારે રાજસ્થાનના કાળ્યા ગામ વિસ્તારમાં રેકી હાથ ધરી હતી. આ દરમિયાન, શંકાસ્પદ આરોપીઓ ડબલ સવારી મોટરસાયકલ પર નાસવાનો પ્રયાસ કરતા LCB ટીમે આશરે 20 કિલોમીટર સુધી ફિલ્મી ઢબે પીછો કરીને તેમને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં લાલજી શિવાજીભાઈ નટ (રહે. કાળ્યા ગામ, તા. સાબલા, જી. ડુંગરપુર, રાજસ્થાન) અને સુદર્શન ઉર્ફે સુરેશ ચંદુભાઈ ચામઠા (ઉંમર 41, રહે. ગરાડુ, ઠળીયા દેવળીયા ફળીયા, તા. ઝાલોદ, જી. દાહોદ) નો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન, બંને આરોપીઓ પાસેથી એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 28,500/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વધુ પૂછપરછમાં, બંને આરોપીઓએ સાપુતારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ત્રણ ઘરફોડ ચોરીના ગુનાઓ ઉપરાંત પાટણ જિલ્લાના ચાણસ્મા અને ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ તમામ ગુનાઓમાં આગળની કાર્યવાહી માટે બંને આરોપીઓને સાપુતારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે અને પાટણ તથા ગાંધીનગર જિલ્લા પોલીસને જાણ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહીમાં ડાંગ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના પરિણામે લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને પકડવામાં સફળતા મળી છે.
ભિલોડા એસટી ડેપો મેનેજર જે.આર. બૂજને તેમના સ્ટાફ ક્વાર્ટરમાં દારૂની મહેફિલ માણતા પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જે.આર. બૂજ ભિલોડા એસટી ડેપોમાં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવે છે. પોલીસને બાતમી મળી હતી કે, તેઓ પોતાના ફરજ સ્થળ અને ક્વાર્ટરમાં દારૂનું સેવન કરતા હતા. આજે પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે બૂજ તેમના એસટી સ્ટાફ ક્વાર્ટરમાં દારૂની મહેફિલ માણી રહ્યા છે. આ બાતમીના આધારે ભિલોડા પોલીસે તાત્કાલિક સ્ટાફ ક્વાર્ટસ ખાતે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ડેપો મેનેજર જે.આર. બૂજ દારૂનું સેવન કરતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમને પકડી પાડી વધુ તપાસ શરૂ કરી છે.
ભાવનગરના કાળુભા રોડ પર આવેલા ભક્તિબાગ ઉપાશ્રય ખાતે દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન સંઘ સમ્યગ જ્ઞાનશાળા દ્વારા જૈન દર્શન એક્સ્પો ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ લોકોને જૈન સંસ્કૃતિ અને તત્ત્વજ્ઞાનથી માહિતગાર કરવાનો હતો. અક્ષયભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ એક્ઝિબિશનમાં જૈન ધર્મ સંબંધિત ૨૦થી વધુ મોડેલ પ્રદર્શિત કરાયા હતા. તેમાં AI vs કેવળજ્ઞાન, નરકની વેદના, અનેકાંતવાદ, અને 'શું ચંદ્ર પર મનુષ્ય પહોંચ્યો છે?' જેવા વિજ્ઞાન, રહસ્યો, તત્ત્વ અને જૈન સંસ્કૃતિ આધારિત વિષયો પર પ્રોજેક્ટ્સનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, ગેમ ઝોન, આર્ટ એન્ડ ક્રાફ્ટ, આત્મા સાથે પ્રાયશ્ચિત અને જંગલ થીમ આધારિત મોડેલ્સ દ્વારા બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. સંઘ સંચાલિત ઉમેદગુરુ જૈન પાઠશાળાના આશરે 100 જેટલા બાળકો અને શિક્ષકોએ મોડેલ્સ તૈયાર કરી તેની સમજણ આપી હતી. આ પ્રદર્શન નિહાળવા માટે બરવાળા, ગઢડા અને ધંધુકાથી પણ જૈન પાઠશાળાના બાળકો આવ્યા હતા. જૈન દર્શન એક્સ્પો ૨૦૨૬માં સમ્યગ જ્ઞાનશાળા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ તરફથી જયંતીભાઈ પટેલ, દિલીપભાઈ શેઠ, કિરીટભાઈ ડેલીવાળા સહિત જૈન સમાજ, વેપારી એસોસિએશન મંડળના સભ્યો અને રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી.આ પ્રોજેક્ટ એક્ઝિબિશનને સફળ બનાવવામાં સમીરભાઈ ગાંધી અને તેમની ટીમે સઘન પ્રયાસો કર્યા હતા.
મોરબીમાં ધંધામાં થયેલી ખોટ અને ઉધાર લીધેલા રૂપિયા સમયસર પરત ન આપી શકવાને કારણે ફોન પર ધમકી મળતા એક આધેડે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના મોરબીના વાવડી રોડ પર શ્રીજી પાર્ક, રવિ પાર્ક નજીક રહેતા ફારુકભાઈ મોહમ્મદભાઈ ગલેરીયા (ઉં.વ. 51) સાથે બની હતી. ફારુકભાઈએ પોતાના ઘરે ફિનાઈલ પી લીધું હતું, જે બાદ તેમને સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા. ફારુકભાઈના પત્ની રોશનબેન ગલેરીયા (ઉં.વ. 50) એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. તેમણે જણાવ્યું કે, તેમના પતિ કપડાની ફેરીનો ધંધો કરે છે. એકાદ વર્ષ પહેલા તેમને રૂપિયાની જરૂર પડતા મોરબીના આદિલભાઈ પાસેથી એક લાખ રૂપિયા હાથ ઉછીના લીધા હતા. તેમાંથી અડધા રૂપિયા પરત ચૂકવી દીધા હતા, પરંતુ ધંધામાં મંદી આવતા બાકીના રૂપિયા ચૂકવી શક્યા ન હતા. આથી આદિલે ફોન પર ધમકી આપતા ફારુકભાઈએ કંટાળીને આ પગલું ભર્યું હતું. પોલીસે આ અંગે નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં વાંકાનેર શહેર અને ટંકારાના નેકનામ ગામે પોલીસે જુગારના અડ્ડાઓ પર દરોડા પાડ્યા હતા. વાંકાનેરમાં આસ્થા પીરની દરગાહ પાછળ સંધિ સોસાયટીની શેરીમાં ખુલ્લા પટમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી હાજીભાઈ ઇબ્રાહીમભાઇ મોવર, જાવીદભાઈ અબ્દુલભાઈ કઈડા અને પરેશભાઈ ખોડાભાઈ શેખાણી (તમામ રહે. વાંકાનેર) ને 10,300 રૂપિયા રોકડ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. ટંકારાના રોહીશાળા ગામની સીમમાં બાવળના ઝાડ નીચે જુગારની રેડ દરમિયાન જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે રસિકભાઈ જેઠાભાઇ રૈયાણી (રહે. રોહીશાળા) અને કૃષ્ણસિંહ ઉર્ફે શક્તિસિંહ ભવનસિંહ ઝાલા (રહે. નેકનામ) ને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 6,500 રૂપિયા રોકડ સહિત કુલ 16,500 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. જોકે, જયેશભાઈ નારણભાઈ દલસાણીયા (રહે. નેકનામ), શક્તિવનભાઈ છગનભાઈ ભોરણીયા (રહે. રોહીશાળા) અને અંકિતભાઈ ધીરુભાઈ જાદવ (રહે. નેકનામ) સ્થળ પરથી નાસી છૂટ્યા હતા, જેમની ધરપકડ માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.
હિંમતનગર નાગરિક સહકારી બેંકની 13 બેઠકો માટે રવિવારે ચૂંટણી યોજાઈ હતી. હિંમત હાઈસ્કૂલમાં યોજાયેલા આ મતદાનમાં કુલ 32,876 મતદારો પૈકી 12,887 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જેમાં સરેરાશ 39.12 ટકા મતદાન નોંધાયું હતું. ચૂંટણીમાં કુલ 42 ઉમેદવારો મેદાનમાં હતા. મતદાનની શરૂઆતમાં ગતિ ધીમી રહી હતી, પરંતુ બાદમાં મતદારોનો ધસારો જોવા મળ્યો હતો, જેના કારણે મતદાન મથક બહાર અને અંદર લાંબી કતારો લાગી હતી. બેંક સત્તાવાળાઓ દ્વારા પોલીસ બંદોબસ્ત સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેથી મતદારોને તેમના બૂથ અને મતદાર ક્રમાંક શોધવામાં સરળતા રહી હતી. ચૂંટણી અધિકારીના જણાવ્યા અનુસાર, સાંજે 5 વાગ્યે મતદાન પૂર્ણ થયું ત્યાં સુધીમાં 12,887 મતદારોએ મતદાન કર્યું હતું. છેલ્લા એક કલાકમાં મતદાન કરવા માટે મતદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અગાઉની ચૂંટણીમાં 9,961 મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે આ વખતે 12,887 મતદારોએ મતદાન કરતાં ગત ચૂંટણીની સરખામણીમાં 2,996 વધુ મતદારોએ ભાગ લીધો હતો. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. લગભગ રાત્રે 8 વાગ્યા પછી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. આ ચૂંટણીનું પરિણામ રવિવારે મોડી રાત્રે જાહેર થવાની શક્યતા છે. આ ચૂંટણીમાં બેંકના ચેરમેન સહિત પૂર્વ ડિરેક્ટરોએ મતદાન કર્યું હતું. આ ઉપરાંત, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયાએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
નવસારીની ચિખલી પોલીસે ગણદેવા-ટાંકલ રોડ પર ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કરનાર યુવક વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને ઝડપી પાડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ફરતો થયો હતો. આ વીડિયોમાં એક યુવક ગણદેવા-ટાંકલ રોડ પર ટ્રેક્ટર-ટ્રોલી સાથે બેદરકારીપૂર્વક અને જોખમી રીતે ડ્રાઇવિંગ કરી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો ચીખલી પોલીસના ધ્યાને આવતા ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. રાઠોડ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. ચીખલી પોલીસની સર્વેલન્સ ટીમે વીડિયો અને સીસીટીવી ફૂટેજની મદદથી સ્ટંટ કરનાર યુવકની ઓળખ કરી હતી. આરોપીની ઓળખ તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના મૌલીપાડા ગામ, નીચલી ફળીયાના રહેવાસી 19 વર્ષીય આકાશભાઈ રામુભાઈ કાથુડ તરીકે થઈ છે. પોલીસે તેની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી બાદ ચીખલી પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે, સોશિયલ મીડિયા પર 'લાઈક્સ' અને 'ફોલોઅર્સ' મેળવવા માટે પોતાના કે અન્યોના જીવ જોખમમાં ન મૂકો. પોલીસે ચેતવણી આપી છે કે આવા જોખમી સ્ટંટ કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. રાઠોડ, પીએસઆઈ એચ.એચ. ફડદુ અને ચીખલી પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ જોડાયો હતો.
સોમનાથ ખાતે 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાઈ રહેલા 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી હવે 15 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં શરૂ થયેલા આ પર્વને શ્રદ્ધાળુઓની વિશાળ જનમેદની અને અતૂટ આસ્થાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. વડાપ્રધાને પોતાના સંબોધનમાં ભગવાન ભોળાનાથ પ્રત્યે જનતાની અડગ શ્રદ્ધાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં વધુ શ્રદ્ધાળુઓ આ પર્વનો લાભ લઈ શકે તેવી ભાવના વ્યક્ત કરી હતી, જેને માન આપીને રાજ્ય સરકારે પર્વની અવધિ વધારી છે. આ અંગે માહિતી આપતા પ્રવક્તા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનની પ્રેરક ઉપસ્થિતિમાં સોમનાથ સ્વાભિમાન પર્વ ઐતિહાસિક સ્વરૂપ લઈ ચૂક્યું છે. આ પર્વ અંતર્ગત યોજાયેલી ભવ્ય 'શૌર્યયાત્રા'માં એક લાખથી વધુ લોકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર સોમનાથ ભક્તિભાવમાં લીન બન્યું હતું. 8 થી 11 જાન્યુઆરી દરમિયાન યોજાયેલા કાર્યક્રમોની શ્રેણી મુજબ, 15 જાન્યુઆરી સુધી અતૂટ શ્રદ્ધાના 1000 વર્ષના ગૌરવગાથાની ઉજવણી ચાલુ રહેશે. આ ઉજવણીમાં દેશભરના શ્રદ્ધાળુઓ ભાગ લેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળ, વહીવટી તંત્ર અને સુરક્ષા દળોના સંકલિત પ્રયત્નોથી આ પર્વ સફળતાપૂર્વક યોજાઈ રહ્યું છે. આ સમયગાળા દરમિયાન શ્રદ્ધાળુઓને ભક્તિમય વાતાવરણ સાથે પરંપરાગત સાંસ્કૃતિક કાર્યક્રમો, કલાકારોની પ્રસ્તુતિઓ તેમજ રોશનીના અદભૂત આયોજનનો આનંદ મળશે. પર્વ દરમિયાન વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 72 કલાકનો અખંડ ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો, 108 અશ્વોની શૌર્યયાત્રા તેમજ વિવિધ રાજ્યોમાંથી પધારેલા કલાકારોની પ્રસ્તુતિઓ મુખ્ય આકર્ષણ બની રહી હતી. ભારતીય સંસ્કૃતિ, વારસા અને વિરાસતને પુનઃસ્થાપિત કરતા આ મહાન ધાર્મિક પ્રસંગનો લાભ દેશભરના વધુમાં વધુ લોકો લઈ શકે તે હેતુથી રાજ્ય સરકારે 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી 15 જાન્યુઆરી સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વિઠલગઢ-વિઠલાપરા ચેકપોસ્ટ તરફ જતા હાઈવે પરથી પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. લખતર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂ. 8.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા 10 જાન્યુઆરી, 2026ના રોજ કરવામાં આવી હતી. પોલીસે એક બોલેરો પીકઅપ ડાલુ ગાડીમાંથી 802 નંગ વિદેશી દારૂની બોટલો અને 72 નંગ બિયર ટીન જપ્ત કર્યા હતા, જેની કુલ કિંમત રૂ. 3,00,768/- થાય છે. આ ઉપરાંત, દારૂની હેરાફેરીમાં વપરાયેલ રૂ. 5,00,000/- ની બોલેરો ગાડી અને રૂ. 10,000/- ના બે મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કુલ મળીને રૂ. 8,10,768/- નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આરોપીઓએ દારૂનો જથ્થો સ્ટીલના પાઈપના પિલર અને વેલ્ડીંગની પેટીઓની આડમાં છુપાવ્યો હતો. પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના જાલોર જિલ્લાના અરણાઈ ગામના પ્રકાશ મોહનભાઈ સારણ (ઉં.વ. 29) અને ચિતલવાણાના મનોહર લાડુરામભાઈ સારણ (ઉં.વ. 18)નો સમાવેશ થાય છે. બંને ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. આ કેસમાં રાહુલ (રહે. રામજીગોળ, બાડમેર, રાજસ્થાન) અને બોલેરો ગાડીનો માલિક ફરાર છે, જેમની શોધખોળ ચાલી રહી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ધનશ્યામસિંહ રાઠોડના રિપોર્ટના આધારે, લખતર પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(ઈ), 116(બી), 81, 83, 98(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મહેન્દ્રભાઈ નાગરભાઈ દાદરેસા, પોલીસ કોન્સ્ટેબલ, LCB, સુરેન્દ્રનગર દ્વારા નોંધાવવામાં આવી હતી.
પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સરદાર નગર ખંડમાં ગાંધીનગરની જ્ઞાન એકેડમી દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શૈક્ષણિક કાર્યક્રમમાં ઉમેદવારોને પરીક્ષાની તૈયારી માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ સેમિનારમાં ટેટ-૨, ટાટ, પોલીસ કોન્સ્ટેબલ, જીપીએસસી અને યુપીએસસી જેવી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને લક્ષ્યમાં રાખવામાં આવ્યા હતા. ગાંધીનગરથી આવેલી જ્ઞાન એકેડમીની તજજ્ઞ ટીમે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું. તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા કેવી રીતે પાસ કરવી, કયા વિષયને વધુ મહત્વ આપવું, કયા વિષયની તૈયારી કઈ રીતે કરવી અને અભ્યાસક્રમ મુજબ કેવી રીતે વાંચવું તે અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ પરીક્ષા સંબંધિત તેમની મૂંઝવણો અને પ્રશ્નો પૂછ્યા હતા, જેના સમાધાન તજજ્ઞોની ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ગોધરા શહેરમાં પણ જ્ઞાન એકેડમી દ્વારા નવા ક્લાસ શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી, જેનો લાભ લેવા વિદ્યાર્થીઓને જણાવાયું.
ભાવનગર શહેરના મોટા શીતળા માતા મંદિર પાછળ આવેલા શિવનગર હનુમાનવાડી વિસ્તારમાં સમી સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. અહીં એક બે માળના મકાનની અગાશી પર પરિવારના ત્રણ બાળકો પતંગ ચગાવી રહ્યા હતા. પતંગ ચગાવતી વખતે અગાશી પાસેથી પસાર થતી 11 કેવીની હાઈટેન્શન લાઈનમાં પતંગ ફસાઈ ગઈ હતી. આ ફસાયેલી પતંગ કાઢવા જતાં ત્રણેય બાળકો વીજ લાઈનના સંપર્કમાં આવી ગયા હતા અને તેમને જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. આ કરુણ દુર્ઘટનામાં પરિવારના એકના એક પુત્ર નિકુંજ ગોપાલભાઈ મકવાણાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. તેની સાથે રહેલી બે સગી બહેનો પણ ઈજાગ્રસ્ત થઈ હતી, જેમાં સેજલ મકવાણાની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે અન્ય બહેન દ્રષ્ટિ મકવાણાને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. દાદાના ઘરે પતંગ ઉડાવવા આવ્યો હતોપ્રાથમિક વિગત અનુસાર, નિકુંજ ગોપાલભાઈ મકવાણા જે શહેરના ઘોઘારોડ 14 નાળા ઉદયવીર હનુમાનજી મંદિરની બાજુમાં રહેવાસી છે જે આજે તેના દાદા વિજયભાઈ મકવાણાના ઘરે પતંગ ચગાવવા ગયો હતો ને તેની બહેનો સાથે પતંગ ચગાવી રહ્યો હતો. તે સમયે 11 કેવીની લાઈનમાં શોક લાગતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. મહત્વની વાત તો એ છે કે તેના પિતાનો એકમાત્ર દીકરો હતો તે એકના એક દીકરાનું શોક લાગતા મોત નીપજતા પરિવારમાં ઘેરો શોક છવાયો છે. ઉત્તરાયણ પૂર્વે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર શિવનગર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગોપાલભાઈએ પોતાનો એકનો એક પુત્ર ગુમાવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે અને ઘરમાં માતમ છવાઈ ગયો છે.
ઉતરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉત્પાદન વિરુદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. અમદાવાદ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ દાદરા નગર હવેલીમાં ચાલતા ચાઈનીઝ દોરી બનાવવાના કારખાનાના મુખ્ય સૂત્રધાર વિરેન બાબુભાઈ પટેલની વાપીથી અટકાયત કરી છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. દોરીનું નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલું છે તેનો ખુલાસો થઈ શકે છે. આખો બનાવ શું છે?ગત ડિસેમ્બર માસમાં અમદાવાદ ગ્રામ્ય SOGએ બાતમીના આધારે દાદરા નગર હવેલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ચાઈનીઝ દોરી બનાવવાનું એક મોટું કારખાનું મળી આવ્યું હતું, જ્યાં મોટા પાયે પ્રતિબંધિત દોરીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પાછળ વાપીનો વિરેન પટેલ મુખ્ય સૂત્રધાર છે. પોલીસ કાર્યવાહીફેક્ટરી ઝડપાયા બાદ પોલીસ આ કૌભાંડના માલિકની શોધખોળ કરી રહી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી SOG એ વિરેન પટેલને વાપી ખાતેથી દબોચી લીધો છે. હાલ પોલીસ દ્વારા આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં આ દોરીનું નેટવર્ક કયા કયા શહેરોમાં ફેલાયેલું છે અને અન્ય કોણ આમાં સામેલ છે તે અંગે મોટા ખુલાસા થવાની શક્યતા છે.
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલે જૂનાગઢ શહેરમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર લાલઆંખ કરી છે. શહેરના મધ્યમાં આવેલા કાલવા નદીના કાંઠે અને પંચેશ્વર મહાદેવ મંદિરની પાછળ ચાલતા દારૂના કાળા કારોબાર પર SMC એ મધરાતે ત્રાટકીને લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે SMC ના દેશી દારૂના અડ્ડા પર રેડ કાર્ટ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. નદીના કાંઠે ચાલતું હતું દેશી દારૂનું નેટવર્ક SMC ના પીએસઆઈ કે.એચ. ઝણકાટ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે જૂનાગઢમાં પ્રદીપ ટોકીઝ રોડ, કાલવા ચોક પાસે નદીના પટમાં મોટા પાયે દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ ચાલી રહી છે. બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે ઘેરાબંધી કરીને દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી મોટા પ્રમાણમાં દેશી દારૂનો જથ્થો અને દારૂ બનાવવાનો આથો મળી આવ્યો હતો. 11.14 લાખનો મુદ્દામાલ અને સાધન-સામગ્રી જપ્ત પોલીસે આ દરોડા દરમિયાન દેશી દારૂ 1755 લિટર કિં.રૂ. 3.51 લાખ, દારૂનો આથો 9820 લિટર કિં.રૂ. 2.45 લાખ, વાહનો 09 નંગ કિં.રૂ. 4.20 લાખ, મોબાઈલ 10 નંગ કિં રૂ. 45,500 તેમજ ગેસના સિલિન્ડર, ગેસના ચૂલા, ગોળની ભીલીઓ, ઈસ્ટના બોક્સ, વોટર મોટર અને સિન્ટેક્ષની ટેન્ક સહિતની સાધન-સામગ્રી મળી કુલ રૂ. 11,14,950 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. 9 આરોપીઓની ધરપકડ, રાજકોટનો શખ્સ વોન્ટેડ SMC એ સ્થળ પરથી કુલ 9 શખ્સોને ઝડપી પાડ્યા છે, જેમાં એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનો પણ સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં ગોવિંદ ઉર્ફે અબલુ મોરી, રાજુ મોરી, કૌશિક મોરી, અતુલ ઉર્ફે અજીત ખરેડ, દેવેન્દ્ર ઉર્ફે દેવા મોરી, યશ મોરી, ગીગન ગલચર અને માંડા મોરી આતમામ રબારી વાસ જૂનાગઢના રહીશ છે. જ્યારે રાજકોટ મેટોડા GIDCનો રહેવાસી ગોગન ગઢવી આ કેસમાં વોન્ટેડ જાહેર કરાયો છે. આરોપીઓ વિરુદ્ધ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની કલમ 65, 81, 83, 98(2) તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 (BNS) ની કલમ 111 (સંગઠિત ગુનો) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.પકડાયેલ આરોપીઓ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..
નવસારીના જલાલપોર તાલુકાના એક ગામમાં રહેતી ખાનગી સ્કૂલની શિક્ષિકાને મનપસંદ યુવક સાથે લગ્ન કરવા માટે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર 'મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન' લેવું મોંઘું પડ્યું હતું. રાજસ્થાનના ગંગાનગરમાં રહેતા લોકેશ ઉર્ફે લક્કી પંકજકુમાર ભારતી (પોપટાણી)એ વાતોની માયાજાળમાં ફસાવી દુઆઓ ગુજારી પ્રશ્નનો ઉકેલ લાવી આપવાના બહાને તેની પાસેથી રૂ. 2.12 લાખથી વધુ પડાવી લીધા હતા. આ ઘટના ગત સપ્ટેમ્બર મહિનાની 9મી તારીખે બની હતી. શિક્ષિકા સબીના (નામ બદલ્યું છે) ઘરે હતી ત્યારે તેને ઇન્સ્ટાગ્રામ પર 'મોહમ્મદ બિલાલભાઈ' નામની આઈડી પર 'મેરેજ પ્રોબ્લેમ સોલ્યુશન'ની જાહેરાત જોવા મળી હતી. યુવતીએ તેના મિત્ર સાથે લગ્ન કરવામાં પરિવારજનોની અસંમતિ અંગે વાત કરી હતી, જેના જવાબમાં તેને વોટ્સએપ નંબર આપવામાં આવ્યો હતો. ત્યારબાદ લોકેશ ઉર્ફે લક્કી પંકજકુમાર ભારતી (પોપટાણી)એ જુદા જુદા ચાર્જ પેટે રૂપિયાની માંગણી કરી હતી. શિક્ષિકાએ પોતાના અને તેના પરિવારના એકાઉન્ટમાંથી ઠગબાજોએ મોકલેલા સ્કેનર અને બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. કુલ રૂ. 2.12 લાખથી વધુની રકમ પડાવવામાં આવી હતી. જોકે, આટલા રૂપિયા આપ્યા છતાં પણ લગ્ન સંબંધિત સમસ્યાનો ઉકેલ ન આવતા શિક્ષિકાને છેતરપિંડીનો ભોગ બની હોવાનો અહેસાસ થયો હતો. તેણે તાત્કાલિક સાઇબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી. આ અંગે મરોલી પોલીસે લોકેશ ઉર્ફે લક્કી પંકજકુમાર ભારતી (પોપટાણી) સામે ગુનો દાખલ કર્યો હતો. પી.આઈ. એસ.આર. ગોહિલ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે રાજસ્થાન જઈ આરોપીની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરી 13મી જાન્યુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે, જ્યારે શિક્ષિકાએ રૂપિયા આપ્યા છતાં સકારાત્મક પરિણામ ન આવતા વોટ્સએપ પર મેસેજ કરીને પૂછપરછ કરી, ત્યારે સામેવાળા વ્યક્તિએ જણાવ્યું કે 'ઉપરના હાજીને વાત કરવી પડશે અને તેઓ તમારા કામ માટે દુઆમાં બેઠા છે, તમારી પ્રોસેસ લગભગ પૂરી થવા આવી છે.' આમ કહીને વધુ પેમેન્ટ કરવાની માંગણી કરી હતી. આથી યુવતીએ વધુ રૂ. 50,000 ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ વધારાના રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ શિક્ષિકાએ ફોન, વોટ્સએપ કોલ અને મેસેજ કર્યા છતાં કોઈ જવાબ ન મળતા તેને ખાતરી થઈ કે તે સાઇબર છેતરપિંડીનો ભોગ બની છે. ત્યારબાદ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાન્ય રીતે લોકો સુરક્ષા માટે પોલીસ સ્ટેશન જતા હોય છે, પરંતુ અહીં પોલીસ મથકની બહાર જ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ડીંડોલી વિસ્તારમાં આવેલી બે સોસાયટીના યુવકો વચ્ચે જૂની અદાવત અથવા બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. નવાઈની વાત એ છે કે,આ મારામારી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં અને તેની બહાર રોડ પર જ થઈ હતી, જેના કારણે પોલીસની હાજરીનો પણ આરોપીઓમાં ડર ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. રાધાસ્વામી નગરમાં વિવાદની શરૂઆતઘટનાની શરૂઆત ડીંડોલીના રાધાસ્વામી નગર વિસ્તારથી થઈ હતી. મળતી માહિતી મુજબ, હરિહરનગર સોસાયટીના બે યુવક રાધાસ્વામી નગરમાં આવ્યા હતા અને ત્યાંના સ્થાનિક લોકોને ધમકાવી રહ્યા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસ મથક બહાર જ હુમલોજ્યારે રાધાસ્વામી નગરનો રહેવાસી કુંદન માનસિંહ નામનો વ્યક્તિ આ મામલે ફરિયાદ નોંધાવવા માટે ડીંડોલી પોલીસ મથકે પહોંચ્યો, ત્યારે સામા પક્ષના ચાર જેટલા ઈસમો પણ ત્યાં ધસી આવ્યા હતા. પોલીસ સ્ટેશનની બહાર જ આ ઈસમોએ કુંદન પર હુમલો કરી દીધો હતો. પોલીસ સ્ટેશનના દરવાજે જ મારામારીના દૃશ્યો સર્જાતા અંદર હાજર પોલીસ કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા. પોલીસે સમયસૂચકતા વાપરી બંને પક્ષોને અલગ કર્યા હતા અને મામલો થાળે પાડ્યો હતો. બંને પક્ષના શખસોની અટકાયતડીંડોલી પોલીસે આ ઘટનામાં સંડોવાયેલા બંને પક્ષના શખસોની અટકાયત કરી છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશન જેવી સુરક્ષિત જગ્યાએ આ પ્રકારે હિંમત બતાવનારા તત્વો સામે કડક પગલાં લેવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
ભાવનગરના ખોડીયાર નગર વિસ્તારમાં આજે (11 જાન્યુઆરી) સાંજે પતંગ લૂંટતી વખતે વીજ કરંટ લાગતા એક 12 વર્ષીય બાળકનું મોત થયું છે. આ ઘટનામાં અન્ય બે બાળકીઓને પણ ઇજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, શીતળા માતાના મંદિર પાસે ખોડીયાર નગર વિસ્તારમાં બાળકો પતંગ લૂંટી રહ્યા હતા. તે સમયે 12 વર્ષીય નિકુંજ ગોકુળભાઈ મકવાણાને ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. નિકુંજ સાથે 13 વર્ષીય સેજલ મકવાણા અને 15 વર્ષીય ખુશી મકવાણાને પણ ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો. ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ નિકુંજ મકવાણાને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બંને બાળકીઓને સારવાર આપવામાં આવી રહી છે.
વલસાડ જિલ્લાના પારડી ખાતે 'યુથ ક્લબ પારડી' દ્વારા 'પતંગ ઉત્સવ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં પતંગ રસિકો, યુવાનો અને બાળકોએ ભાગ લીધો હતો. લોકસભાના દંડક ધવલ પટેલે આ પતંગ ઉત્સવને ખુલ્લો મૂક્યો હતો. તેમણે પતંગ રસિકોને પતંગ ઉડાડવાની મજા માણવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, યુથ ક્લબ પારડી માત્ર ઉત્સવોનું આયોજન જ નહીં, પરંતુ વર્ષભર સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહે છે. પશુ-પક્ષીઓની સેવા હોય કે જનહિતના કાર્યો, ક્લબની કામગીરી પ્રશંસનીય છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં દિવાળી જેટલું જ મહત્વ ઉત્તરાયણ પર્વનું છે. આ તહેવાર પરિવાર અને મિત્રો સાથે આનંદ મનાવવાનો અવસર છે. આ પર્વ નિમિત્તે જીવદયા ઓર્ગેનાઈઝેશન અને વિવિધ NGO દ્વારા પક્ષીઓને બચાવવા અને તેમની સેવા કરવાની સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. પતંગ ઉત્સવના ભાગરૂપે ક્લબ દ્વારા બાળકોને મફતમાં પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાંસદે ક્લબની આવી સેવાકીય પ્રવૃત્તિઓને ભવિષ્યમાં પણ સંપૂર્ણ ટેકો આપવાની ખાતરી આપી હતી.
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. રાજ્યભરમાં પતંગોત્સવનો માહોલ જામ્યો છે. ત્યારે વલસાડ જિલ્લાના પારડી ખાતેના સ્થાનિક બજારમાં પતંગો અને માંજાની ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વર્ષે પતંગ બજારમાં ખાસ કરીને બે પ્રકારની પતંગો ગ્રાહકોનું ધ્યાન ખેંચી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળી 'નમો' પતંગો યુવાનોમાં લોકપ્રિય બની છે. આ ઉપરાંત, ભારતીય સેનાના પરાક્રમને દર્શાવતી થીમ આધારિત 'ઓપરેશન સિંદૂર' પતંગોની પણ બજારમાં ભારે માંગ છે. તાજેતરમાં વલસાડના સાંસદ ધવલ પટેલ સહિત આગેવાનોએ પારડીના પ્રખ્યાત પતંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત' અને 'વોકલ ફોર લોકલ' અભિયાનને પ્રોત્સાહન આપવા સ્થાનિક વેપારીઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ કર્યો હતો. તેમણે પોતે પણ પતંગોની ખરીદી કરી અને માંજો તૈયાર કરવાનો અનુભવ કર્યો હતો. સાંસદે જનતાને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પક્ષીઓ અને મનુષ્યોની સુરક્ષા માટે સ્થાનિક રીતે નિર્મિત સુતરાઉ દોરીનો જ ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ પક્ષી ઘાયલ થાય, તો તાત્કાલિક જીવદયા પ્રવૃત્તિ કરતી સંસ્થાઓનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી હતી.
ભાવનગર અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતાં યુવકની યુવતી સાથે ફોન પર વાતચીત અને વોટ્સએપ ચેટિંગના મુદ્દે વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ગત મોડી રાતે યુવતીના પરિવારના 3 શખ્સો યુવકને ઠપકો આપવા તેના ઘરે ગયા હતાં. જ્યાં યુવક અને તેના પરિવારે 3 શખ્સો પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકને પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજા થઈ હતી. તેથી તેને સારવારમાં ખસેડાયો હતો. જેમાં આજે 11 જાન્યુઆરીએ યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ છે. ઘટનાને પગલે પોલીસે બનાવ સ્થળે પહોંચીને તપાસ કરી હતી. જેમાં સગીર સહિત 4ને પોલીસે હસ્તગત કર્યા છે. નોંધાયેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરવા અંગેની કાર્યવાહી હાથ ધરી છે. અલ્પેશને ઘરે ઠપકો આપવા ગયા ને જીવલેણ હુમલોઆ બનાવ અંગે ઘોઘારોડ પોલિસ સ્ટેશનથી મળતી વિગત મુજબ, 10 જાન્યુઆરીના મોડી રાત્રીના ફરીયાદી દિલીપ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદારના સંબંધીની દીકરી સાથે શહેરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતો અલ્પેશ ધીરાભાઈ સોલંકી ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોય, જે બાબતે ફરીયાદી તથા તેના મામા અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતાં. છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરીજે સમયે અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ, તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુધી અને એક સગીર, તેઓએ દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. જે દરમ્યાન અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશને પકડી રાખેલ અને રાહુલે દિલીપના દિનેશ હરભીમભાઈ ચૌહાણ (મામાને) પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી. વહેલી સવારે દિનેશનું સારવાર દરમિયાન મોત થયુંજ્યારે આ બનાવ અંગે મૃતકના ભણીયાએ ઘોઘારોડ પોલિસ મથકમાં રાહુલ ધીરાભાઈ સોલંકી, અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે ઘુઘી સોલંકી અને એક સગીર વિરુદ્ધ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જ્યાં આજરોજ વહેલી સવારે દિનેશ હરભીમભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરીઘટનાના પગલે સીટી Dysp, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘોઘારોડ પોલિસે આ બનાવમાં નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે. 3 લોકો અકવાડા જઈ સામેવાળા આરોપીને સમજાવવા ગયા ને મારામારીઆ બનાવ અંગે સીટી DYSP આર.આર.સિંધાલએ જણાવ્યું હતું કે, ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના અકવાડા વિસ્તારમાં ગઈકાલ રાત્રે મારામારીનો બનાવ બનેલ. આ બનાવની દિલીપ ડાભી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. સગીર સહિત 4ને પોલિસે હસ્તગત કર્યા:સીટી Dyspસિંધાલએ જણાવ્યું હતું કે, તેથી ભોગ બનનાર દિનેશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા તેની ફરિયાદ લેવામાં આવી અને આજે વહેલી સવારે તેનું મૃત્યુ થતાં આ બનાવ હત્યામાં પરિણામ્યો છે. જેને લઇ પી.આઈ. કુરેશી દ્વારા હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવનાર છે અને ગતરાત્રિના પીઆઇ, પીએસઆઇ દ્વારા કોમ્બિંગ કરી આ બનાવના ચારેય આરોપી, રાહુલ, અલ્પેશ, સુરેશ અને અન્ય એક આરોપીને હસ્તગત કરી લીધેલા છે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર
નવસારીના હંસાપોર સ્થિત શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં 10 જાન્યુઆરી, 2026ના રોજ 'આનંદ મેળા'ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિવલ્લભદાસજીના આશીર્વાદ સાથે યોજાયો હતો. શાળા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને ભાર વિનાનું ભણતર પૂરું પાડવા માટે આવા અવનવા કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે. આ આનંદ મેળાને 'ફૂડ ઝોન' અને 'ગેમ ઝોન' એમ બે મુખ્ય વિભાગમાં વહેંચવામાં આવ્યો હતો. ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓએ આ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાના પટાંગણમાં ગોઠવાયેલા 'ફૂડ ઝોન'માં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી હતી. જેમાં મોજીટો, બ્લુબેરી મોકટેલ્સ, કોલ્ડ કોકો, ચા અને કોફી જેવા પીણાંનો સમાવેશ થતો હતો. નાસ્તાની વાનગીઓમાં વડાપાવ, દાબેલી, પાણીપુરી, સેવપુરી, ફ્રેન્ચ ફ્રાઈસ, નુડલ્સ, પીઝા, દાલ પકવાન, સમોસા અને સેન્ડવીચ જેવી અનેક વાનગીઓ ઉપલબ્ધ હતી. મીઠાઈઓમાં ગુલાબજાંબુ, ચુરમાના લાડુ, કપ કેક અને જલેબી જેવી વસ્તુઓ પણ હતી. બાળકો માટે શાળાના પટાંગણમાં સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં તેમની જરૂરિયાતો અને સલામતીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. 'ફૂડ ઝોન' ઉપરાંત, 'ગેમ ઝોને' પણ વિદ્યાર્થીઓ અને મુલાકાતીઓમાં ખૂબ જ આકર્ષણ જમાવ્યું હતું. આ ગેમ ઝોનની અંદર બોલ થ્રો, બોટલ અપ, બોલ્સ આઈ, બઝિંગ ડિવાઇસ, ફાઈન્ડ ઘ કી, ટીશયું એન્ડ વોટર ગ્લાસ, થ્રો ઘ કોઈન ઈન વોટર બકેટ, સેવ ધ પિરામિડ, ચુઝ ઘ કરેક્ટ બલૂન, મેચ ધ કરેક્ટ કોલ્ડ્રિંક, સ્ટ્રોડ ડગ કેપ, થ્રો ધ બોલ, થ્રો ઘ બોલ ઈન પોટ, કટ ધ પેપર, થ્રો રીંગ , અરેન્જ ધ કપ, મેચ ધ બોટલ જેવી રમતો સામેલ કરવામાં આવી હતી. આ રમત ગમતો એ આનંદ મેળામાં લોકોને મનોરંજન પૂરું પાડવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમજ રમુજ ઊભું કર્યું હતું. આનંદ મેળાનું આયોજન બાળકોને વાણિજ્યની સમજ વિકસાવવા, વાનગીઓ બનાવવાની કળા અને પીરસવાની કળા બહાર લાવવા તેમને તેમના ઉત્સાહમાં ઉમેરો કરવાની સાથે સાથે સ્વદેશી અપનાવો એવી એક વિચારધારા નો જન્મ લાવવા માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર શાળાના તમામ બાળકોની સાથે -સાથે વાલી મિત્રોએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની મજા માણી હતી. બાળકો, શાળા પરિવારના તમામ સદસ્યો અને વાલી મિત્રો સૌ કોઈએ આ ઉજવણીમાં ભાગ લઈ અવનવી વાનગીઓનું રસપાન કર્યું હતું તેમજ વિવિધ રમતો રમીને નાના મોટા ઈનામો પણ જીત્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના શિરોધર એવા મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલીયાએ બાળકોને વેપાર અને વાણિજ્ય કળાથી અવગત કરાવ્યા હતા. તેમજ 'સ્વદેશી અપનાવો'ની વિચારધારામાં જાગ્રતતા લાવવાનો સંદેશો આપ્યો હતો. કાર્યક્રમનું આયોજન કરવા નો કાર્યભાર સ્વાતિબેન , ઇલાબેન ,સાગર સર, માલતીબેન ,જતીન સર ,રૂપાબેન સંભાળ્યો હતો. તથા ડેકોરેશનનો કાર્યભાર પૂર્વીબેન, પ્રિયાબેન, નિમિષાબેન, શ્રેયાબેન, માલતીબેન, સ્વાતિબેને સંભાળ્યો હતો. જ્યારે સમગ્ર કાર્યક્રમને દોરવણી પૂરું પાડવાનું કાર્ય શાળાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ ગોંડલીયા ,આચાર્ય હિરેનભાઈ ઉપાધ્યાય,ઉપાચાર્ય ભાવનાબેન નાયક,કો-ઓર્ડીનેટર પાયલબેન, મનમીતબેન,જીનલબેન, આશાબેન ના ફાળે જાય છે.
નવસારીના પતંગ બજારોમાં ઉતરાયણ પૂર્વે ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. શરૂઆતી મંદીના માહોલ બાદ છેલ્લા દિવસોમાં ખરીદીનો ધસારો વધતા વેપારીઓમાં આશા જાગી છે. સ્થાનિક વેપારી હરીશ વેરામલ બુધાનીના જણાવ્યા અનુસાર, બજારમાં હાલ ન તો વધુ તેજી છે ન તો વધુ મંદી. આર્થિક મર્યાદાઓ છતાં લોકોનો તહેવાર ઉજવવાનો ઉત્સાહ અકબંધ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી બજારમાં ગ્રાહકોની સારી એવી ચહેલપહેલ જોવા મળી રહી છે, જે દર્શાવે છે કે લોકો પોતાની આર્થિક સ્થિતિ મુજબ ખરીદી કરી રહ્યા છે. દોરીના ભાવમાં ગત વર્ષની સરખામણીએ 5 ટકા થી 10 ટકા સુધીનો વધારો નોંધાયો છે. જોકે, પતંગોના ભાવમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી, જે ગ્રાહકો માટે રાહતરૂપ છે. નવસારીમાં પરંપરાગત રીતે ઘરે-ઘરે કે શેરીઓમાં દોરી માંજવાના (પાયાના) વ્યવસાયમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મોટાભાગના લોકો હવે સમય બચાવવા માટે ઓર્ડર આપી દોરી માંજવાના બદલે રેડીમેડ માંજેલી દોરી ખરીદવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આના કારણે પરંપરાગત કારીગરોનો વ્યવસાય ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે, જોકે મર્યાદિત વર્ગ હજુ પણ આ પદ્ધતિને વળગી રહ્યો છે. બજારના નિષ્ણાતો માને છે કે, ઉતરાયણના છેલ્લા 3 થી 4 દિવસ જ ખરા અર્થમાં વેપાર માટે મહત્વના હોય છે. શરૂઆતના દિવસો ભલે સામાન્ય રહ્યા હોય, પરંતુ વર્તમાન ઘરાકીને જોતા વેપારીઓ આશાવાદી છે કે આ વર્ષે પણ ઉતરાયણનો વેપાર સારો રહેશે.
સુરતમાં તાજેતરમાં સામે આવેલા 1550 કરોડના મસમોટા ઇન્ટરનેશનલ સાયબર ક્રાઈમ કૌભાંડમાં પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ ગુનાની તપાસ દરમિયાન, સાયબર ફ્રોડના નાણાંને રોકડમાં ફેરવી તેને ક્રિપ્ટોકરન્સી (USDT)માં કન્વર્ટ કરનાર વધુ ચાર આરોપી અબ્દુલરબ ચામડીયા, અમીત ચોક્સી, ચિરાગ ઉર્ફે ચાર્લી સૂતરિયા અને પ્રવિણ ગઢીયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે આરોપીઓની ઓફિસ અને નિવાસસ્થાને દરોડા પાડીને કુલ 2,60,32,214 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્તીમાં ચિરાગ સુતરિયા અને પ્રવિણ ગઢીયાની મહિધરપુરાની ઓફિસમાંથી 1.92 કરોડ રોકડા અને પૈસા ગણવાના ચાર મશીન મળી આવ્યાં હતાં. આ સાથે આરોપીઓના ઘરની તપાસમાં કરતા 289 ગ્રામ સોનું, 10 કિલો-800 ગ્રામ ચાંદી અને 413.37 કેરેટના રફ હીરા પણ પોલીસને મળી આવ્યાં છે. આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં રોકડ અને કિંમતી વસ્તુઓ સંગ્રહિત કરવામાં આવી હતી, જે સીધી રીતે સાયબર ફ્રોડના કાળા નાણાં હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓની કામ કરવાની મોડસ ઓપરેન્ડીઆ કેસમાં પકડાયેલા ચારેય નવા આરોપીના આરોપીઓ એક ખાસ મોડસ ઓપરેન્ સાથે કામ કરતા હતાં. આરોપી અબ્દુલરબ, અમીત ચોક્સીના બેંક એકાઉન્ટમાંથી સાયબર ફ્રોડના નાણાં રોકડ સ્વરૂપે ઉપાડી લેતો હતો. આ રોકડ રકમ ત્યારબાદ ચિરાગ ઉર્ફે ચાર્લી અને પ્રવિણ ગઢીયાની ઓફિસે પહોંચાડવામાં આવતી હતી. મુખ્ય સૂત્રધાર ચિરાગ સૂતરિયા આ રોકડ નાણાંને આંતરરાષ્ટ્રીય સ્તરે મોકલવા માટે USDT (ક્રિપ્ટોકરન્સી)માં કન્વર્ટ કરી આપતો હતો, જેથી નાણાં ટ્રેસ ન થઈ શકે. આરોપીઓ સામાન્ય લોકોને લાલચ આપી બેંક ખાતા લઈ લેતાતપાસ દરમિયાન બહાર આવ્યું છે કે આ ગેંગ સામાન્ય લોકોને લોભ-લાલચ આપી તેમના નામે કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવતી હતી. આ એકાઉન્ટ્સ અને તેની સાથે જોડાયેલા સીમ કાર્ડ્સ આંતરરાષ્ટ્રીય સાયબર ક્રિમિનલ્સને કમિશનના આધારે ભાડે આપવામાં આવતા હતા. અત્યાર સુધીમાં આવા 164 બેંક એકાઉન્ટ્સ મળી આવ્યા છે, જેમાં થયેલા વ્યવહારોનું વિશ્લેષણ કરતા અંદાજે 1550 કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં 25થી વધુ આરોપીની ધરપકડઆ વિશાળ કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં 25 આરોપીઓ વિરુદ્ધ 1.5 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે. આ કેસ માત્ર સુરત કે ગુજરાત પૂરતો સીમિત નથી, પરંતુ તેના તાર આંતરરાષ્ટ્રીય ગેંગ સાથે જોડાયેલા હોવાથી તપાસ હજુ પણ ચાલુ છે. રૂપિયા ગણવાના મશીનો મળી આવવા તે દર્શાવે છે કે આ નેટવર્ક કેટલા મોટા પાયે કાર્યરત હતું. આરોપી સાયબર ફ્રોડના નાણા માટે બેંક ખાતા ખોલવતો હતોઃ DCPઆ મામલે ડીસીપી ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, ઉધના પોલીસ સ્ટેશનમાં એક સાયબર ફ્રોડનો ગુનો દાખલ થયેલો હતો. અમારી પાસે એક ઇન્ફોર્મેશન હતી કે, એક વ્યક્તિ બેંકની ચેકબુક, પાસબુક, પોતાના બેંકના ડિટેલ્સ અને એક મેમોરેન્ડમ (એટલે કે પાર્ટનરશીપની ડીડ) લઈને જઈ રહ્યો છે. આ જે બેંકના ખાતા છે એ પોતે સાયબર ફ્રોડમાં યુઝ કરે છે. જે રીતે ડિજિટલ એરેસ્ટ અથવા ગેમિંગના નામે જે ફ્રોડના પૈસા આવે છે, એ પૈસા નાખવા માટે થઈને જે બેંક એકાઉન્ટ્સની જરૂર પડે છે એ બેંક એકાઉન્ટ ખોલાવવાનું કામ આ વ્યક્તિ કરી રહી છે. જે આધારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કર્યું અને અમે એ વ્યક્તિને લઈ આવ્યા. ‘અમે બેંકના કર્મીઓની પણ અટકાયત કરી’ઇન્વેસ્ટિગેશન દરમિયાન એની પાસેથી ઘણા બધા બેંકના ખાતાઓ મળી આવ્યાં હતા. જે મેઈન આરોપી છે, જેને અમે અટક કરેલો છે. અગાઉ 25 જેટલા આરોપી અટક કરેલા છે, જેમાં અલગ-અલગ બેંકના કરંટ અને ખાતા મળેલા હતા. આ લોકો બેંકના એમ્પ્લોયીસને (કર્મચારીઓને) પણ સાથે રાખી અને ગુમાસ્તાધારા વગર પણ દુકાન ખોલવી, દુકાનના ફોટોગ્રાફ્સ લેવા, ખોટા ફોટોગ્રાફ્સ બનાવવા અને એના આધારે બેંકમાં એક ખાતું ખોલાવવું. બેંકમાં ખાતું ખોલાવી અને એની UPI લિંક જનરેટ કરવી અને જે સાયબર ફ્રોડના નાણાં છે એ આ ખાતામાં પડતા હતા. જે વખતે આ ખોટી રીતે દુકાનની ઓળખ ઉભી કરવી, ખોટા ડોક્યુમેન્ટ્સ બનાવવા એના માટે જે સાથ સહકાર આપેલા હતા, એ આરોપીને પણ અમે અગાઉ અટક કરેલી છે. બેંકના 8 કર્મચારીને પણ અમે અટક કર્યા છે, કારણ કે બેંકના કર્મચારીઓની સંડોવણી વગર આ સાયબર ફ્રોડના નાણાં એ ખાતામાં પડે એ શક્ય નથી. ‘ફ્રોડની જાણ હોવા છતાં લોકોએ બેંક ખાતા ભાડે આપ્યાં’ખાતાધારકો પોતે જાણે છે કે, મારું ખાતું ખોલાવ્યા પછી મારે કિરાજ જાદવાણીને આ ખાતું વેચવાનું છે, જેના બદલામાં મને 50,000 કે 1 લાખ રૂપિયા આપશે. એ જાણે છે કે આમાં કોઈ ફ્રોડના નાણાં પડવાના છે, છતાં પણ એ 50,000 અથવા 1 લાખ રૂપિયાની લાલચમાં આવીને પોતે પોતાનું ખાતું કિરાજ જાદવાણીને વેચતા હતા. એવા તમામ ખાતાધારકોને પણ પોલીસે અગાઉ અટક કરેલા છે. ‘8થી 9 જેટલા ખાતામાં 90 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન’ઇન્વેસ્ટિગેશનની લાઈન જ્યારે ચાલુ હતી ત્યારે અમારી પાસે એક એવી ઇન્ફોર્મેશન સ્ટડીના આધારે અને ઇન્વેસ્ટિગેશનમાં મળી કે જે 164 જેવા જે ખાતાઓ છે, એમાંથી આશરે 8થી 9 ખાતામાં 90 લાખ રૂપિયા જેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. અમિત નામની કોઈ વ્યક્તિ છે, જેણે એમના ખાતામાં આ પૈસા પડેલા છે. જ્યારે અમિતની અમે પૂછપરછ કરી ત્યારે અમિતે કીધું કે, આમાં પકડાયેલા આરોપી અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા, જેઓ એની પાસેથી જ અમિત જગદીશચંદ્ર ચોક્સીના એના અને એના પિતાના ખાતામાં આ 90 લાખ રૂપિયા ગયા હતા. અમે અમિત જગદીશચંદ્ર ચોક્સીની પણ ધરપકડ કરી છે અને આરોપી અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા, જેણે 90 લાખ રૂપિયાનું મ્યુલ એકાઉન્ટ્સમાંથી ટ્રાન્ઝેક્શન અમિત જગદીશચંદ્ર ચોક્સી અને એના પિતાના ખાતામાં કર્યું એ બંનેને પણ અમે અટક કર્યા છે. ‘આરોપીઓ હવાલાના રૂપિયા USDT ટ્રાન્સફર કરતા’આની જ્યારે અમે ઇન્ફોર્મેશન લેતા હતા અને ઇન્વેસ્ટિગેશન કરતા હતા, ત્યારે આરોપી જે અબ્દુલ રબ અબ્દુલ કાદીર ચામડિયા છે, એણે બીજા એક હવાલાથી પણ USDT ટ્રાન્સફર કરેલા છે. જેનું નામ ચિરાગભાઈ ઉર્ફે ચાર્લી નાગજીભાઈ સુતરિયા છે. એના ત્યાં કામ કરતા પ્રવિણ લક્ષ્મણભાઈ ઘડિયા, જેઓની પણ અમે અટક કરી છે. USDTમાં એ લોકો જે પૈસા મ્યુલ એકાઉન્ટ્સમાંથી સાયબર ફ્રોડના આવતા હતા, એનું એ લોકો USDTમાં કન્વર્ટ કરતા હતા. આ રીતે અત્યારે પોલીસને 164 જેટલા બેંકના એકાઉન્ટ્સ અને એમાંથી 25 આરોપીની જે અમે અગાઉ અટક કરેલી હતી, જેમાં બેંકના ખાતાધારક, બેંકના કર્મચારી અને જેમને આખી કોન્સ્પીરસી રચી છે એ, અને જે પૈસા આવ્યા એને ટ્રાન્સફર કરીને USDTમાં કન્વર્ટ કરવાની આખી લાઈનમાં આ તમામની અમે અટક કરેલી છે.
અમદાવાદના નરોડા રોડ પર મેમ્કો પાસે આવેલા અંબિકા એસ્ટેટમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે. ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળી છે જેથી ફાયર બ્રિગેડની ટીમ હાલ કામગીરી કરી રહી છે. અંબિકા એસ્ટેટમાં લાકડાની ફેક્ટરીમાં વેચાણ આગ લાગી છે. હાલ ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ પર જવા રવાના થયા છે
શૌર્યયાત્રામાં જોવા મળ્યો પીએમનો આગવો અંદાજ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદી આજે સોમનાથમાં સ્વાભિમાન યાત્રામાં જોડાયા.ખુલ્લી જીપમાં હાથમાં બે ડમરુ વગાડતા પીએમ મોદીનો આગવો અંદાજ પણ અહીં જોવા મળ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ‘સૌરાષ્ટ્રમાં ઇન્વેસ્ટમેન્ટ માટે યહી સહી સમય હૈં’: PM પીએમ મોદીએ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફોરન્સનો પ્રારંભ કરાવ્યો..સૌરાષ્ટ્ર કચ્છમાં 13 નવી જીઆઈડીસીની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું રાજકોટથી પીએમ મોદી અમદાવાદ પહોંચ્યાં. ગાંધીનગરમાં તેમણે મહાત્મા ગાંધી મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમદાવાદમાં હવા પ્રદૂષણની સ્થિતિ ગંભીર અમદાવાદની હવા બની અત્યંત ઝેરી.. પીએમ મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત પહેલા એક્યુઆઈ 229 પર પહોંચતા ગાંધી આશ્રમ તેમજ રિવરફ્રન્ટ રુટ ઉપર સતત મિસ્ટ મશીનથી પાણીનો છંટકાવ કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોટંબી સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડની પહેલી મેચ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં આજે ભારત- ન્યુઝીલેન્ડ વચ્ચે પહેલી વનડે. ઈન્ડિયન કેપ્ટન શુભમન ગીલે ટોસ જીતી પહેલા બોલિંગ લેવાનો નિર્ણય કર્યો. બીજી વનડે 14 જાન્યુઆરીએ રાજકોટમાં રમાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોલીસ જવાનનું ગળું પકડી ધક્કો માર્યો ભાવનગરમાં બે ભાઈઓએ પોલીસ કર્મી સાથે બોલાચાલી કરી. ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા પોલીસ જવાનનું ગળુ પકડી ધક્કો મારી પટ્ટા ઉતારી નાખવાની ધમકી આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બસ પલટી ખાઈ જતા 2 લોકોના મોત પાટણના હારીજ નજીક આઈટીઆઈ કોલેજ નજીક લક્ઝરી બસ પલટી ખાઈ જતા 2 લોકોના મોત થયા અને 18 ઈજાગ્રસ્ત થયા.પાંચ ગામ લેઉવા પાટીદારના વડીલ વંદના કાર્યક્રમમાંથી પરત ફરતી બસને નડ્યો અકસ્માત. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દીપડાએ ખેતમજૂરને ફાડી ખાતા ફફડાટ ગીરના તાલાલામાં દીપડાએ મહારાષ્ટ્રથી આવેલા ખેતમજૂરને ફાડી ખાધો...મજૂર પર હુમલો કરી દીપડો તેના મૃત શરીરને ગળાના ભાગેથી ઢસડીને શેરડીના ખેતરમાં લઈ ગયો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સમરસ હોસ્ટલેમાં ભોજન સહિતની સુવિધા મામલે ધરણાં સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ભોજન અને અન્ય સુવિધાઓના અભાવે એબીવીપીએ ધરણાં કર્યા..વિરોધ ઉગ્ર બનતા કડકડતી ઠઁડીમાં વિદ્યાર્થીઓ ગેટ પર જ સૂઈ ગયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યભરમાં ગાત્રો થીજાવતી ઠંડી જામી રાજ્યમાં જામી કડકડતી ઠંડી.. કચ્છના નલિયામાં તાપમાન 3.8 ડિગ્રી નોંધાયું. તો અમરેલી, રાજકોટ, ભૂજ સહિતના પાંચ શહેરોમાં પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
ગાંધીનગરમાં લાલ-ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે લાડુ ભોજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 60 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કશ્યપ નિમાવત અને કુંતલ નિમાવતે માહિતી આપતા જણાવ્યું કે, આ સ્પર્ધા વયજૂથ પ્રમાણે કુલ આઠ વિભાગમાં યોજાઈ હતી. પ્રત્યેક વિભાગમાં પુરુષ અને મહિલા એમ બે પેટાવિભાગ પાડીને ત્રણ વિજેતાઓને ઇનામો એનાયત કરાયા હતા. સ્પર્ધામાં ગાંધીનગર ઉપરાંત દહેગામ, અમદાવાદ, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર અને ડીસાના સ્પર્ધકો જોડાયા હતા. સૌથી નાની વયના સ્પર્ધકની ઉંમર પાંચ વર્ષ અને સૌથી મોટી વયના સ્પર્ધકની ઉંમર 82 વર્ષ હતી. લાડુ ભોજન માટે 30 મિનિટનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો હતો. આ સમયમર્યાદામાં મહત્તમ લાડુ ખાનારને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધાની વિશેષતા એ હતી કે કોઈપણ જ્ઞાતિ કે જાતિના ભેદભાવ વગર દરેક લોકોએ ભાગ લીધો હતો. આયોજકો દ્વારા જંક ફૂડનો ત્યાગ કરીને પરંપરાગત ભોજન તરફ પાછા ફરવા સમાજને અપીલ પણ કરવામાં આવી હતી. સ્પર્ધાના અંતે નિમેષ મહેન્દ્રભાઈ ચૌહાણને 'લાડુ વીર' અને હેમાબેન સગરને 'લાડુ વીરાંગના' તરીકે સન્માનિત કરવામાં આવ્યા. નિમેષ ચૌહાણે 10 લાડુ અને હેમાબેન સગરે 8 લાડુ ખાઈને આ ખિતાબ મેળવ્યા હતા. કેનેડાથી માતા-પિતાને મળવા અમદાવાદ આવેલા ધ્રુમિલ ત્રિવેદીએ 19 થી 25 ની વયજૂથમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ધ્રુમિલના માતા મનીષાબેન હિતેન્દ્રભાઈ ત્રિવેદીએ 51 થી 60 ના વયજૂથના મહિલા વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સમગ્ર સ્પર્ધાના આયોજનમાં અશ્વિન ત્રિવેદી, હાર્દિક તલાટી, ભાગ્યેશ પરમાર, ગૌરાંગ પંડ્યા સહિતનાઓએ સહયોગ આપ્યો હતો.
સુરત શહેરના નવાગામ ડીંડોલી વિસ્તારમાં ફરી એકવાર બેફામ દોડતા વાહનોએ એક નિર્દોષનો ભોગ લીધો છે. રોડ ઓળંગી રહેલી બે મહિલાઓને મોપેડ ચાલકે અડફેટે લેતા એક મહિલાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલાને ઈજાઓ પહોંચી છે. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જવા પામી છે. અકસ્માત બાદ મોપેડ ચાલક ફરાર થઈ ગયો હતો. હાલ તો ડીંડોલી પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જમવા આવેલી બહેનને વળાવવા જતા મોત મળ્યુમળતી માહિતી અનુસાર નવાગામ ડીંડોલી વિસ્તારમાં રહેતા 52 વર્ષીય વંદનાબેન મરાઠે શ્રમજીવી જીવન જીવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગત રોજ તેમની બહેન ઘરે જમવા માટે આવી હતી. જમ્યા બાદ વંદનાબેન પોતાની બહેનને વળાવવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. બંને મહિલાઓ જ્યારે સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરી રહી હતી, ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા મોપેડ ચાલકે ગફલતભરી રીતે ગાડી હંકારી બંનેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે વંદનાબેન મરાઠેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. પરિવાર પર આભ ફાટ્યું, ઘરનો આધાર છીનવાયોવંદનાબેન પોતે મહેનત-મજૂરી કરીને ઘરની આર્થિક જવાબદારી સંભાળતા હતા. તેમના અચાનક નિધનથી પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. ઘર ચલાવનાર મુખ્ય વ્યક્તિના જવાથી પરિવાર હવે નિરાધાર બની ગયો છે. ઘટનાને પગલે સ્થાનિક વિસ્તારમાં પણ ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માત સર્જીને માનવતા નેવે મૂકી મોપેડ ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. CCTVના આધારે પોલીસે તપાસ હાથ ધરીપોલીસ વાહનચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે.વાહનચાલકની ઓળખ કરવા માટે પોલીસ સીસીટીવી આધારે વધુ તપાસ હાથ કરી રહી છે. હાલમાં આરોપી પોલીસ પકડથી દૂર છે, પરંતુ પોલીસે તેને વહેલી તકે ઝડપી લેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર સુરતના ટ્રાફિક અને વાહનચાલકોની બેદરકારી સામે સવાલો ઊભા કર્યા છે.
મહેસાણા શહેરમાં વિશ્વકર્મા ફાઉન્ડેશન દ્વારા સમસ્ત પંચાલ સમાજ અને બાવીસી પંચાલ સમાજનું એક ભવ્ય અને ઐતિહાસિક મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 5,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડતા ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં ઘટતી જતી વસ્તી અંગે જાગૃતિ લાવવા અને સંગઠન મજબૂત કરવાનો રહ્યો હતો. જ્ઞાતિની કુટુંબ નોંધણીના ડેટા મુજબ 50 ટકાથી વધુ દંપતીઓને બીજું સંતાન નથીમહાસંમેલન દરમિયાન વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશનના પ્રમુખ અને ફાઉન્ડર જયંતીલાલ પંચાલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં કારકિર્દી કે ખર્ચના ડરથી અનેક દંપતીઓ માત્ર એક જ બાળક સુધી મર્યાદિત રહે છે. જ્ઞાતિની કુટુંબ નોંધણીના ડેટા મુજબ 50 ટકાથી વધુ દંપતીઓને બીજું સંતાન નથી. આ સ્થિતિ ભવિષ્યમાં જ્ઞાતિના અસ્તિત્વ અને કુશળ કારીગરોની સંખ્યા પર અસર કરી શકે છે. આ સમસ્યાના ઉકેલ રૂપે ફાઉન્ડેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે, જેમાં દ્વિતીય સંતાન લાવનાર દંપતીને પ્રોત્સાહન રૂપે માતાના નામે 25,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર ચેક એનાયત કરવામાં આવ્યો હતો. 180 મહિલાઓ અને દીકરીઓને મંચ પર શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યાઆ પ્રસંગે વક્તાઓએ ભાર પૂર્વક જણાવ્યું હતું કે, સંતાનને ભાઈ કે બહેનનું સાથ-સહકાર મળે અને માતા-પિતાનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે વસ્તી સંતુલન જરૂરી છે. આ ઉપરાંત, ભારતીય સંસ્કૃતિમાં સંયુક્ત પરિવાર પ્રણાલીનું મહત્વ જાળવી રાખવા માટે અનોખું સન્માન યોજાયું હતું. જેમાં સંયુક્ત પરિવારમાં રહેતી આશરે 180 જેટલી મહિલાઓ અને દીકરીઓને મંચ પર શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સંમેલનના અંતે અગ્રણીઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા કાર્યક્રમોથી સમાજમાં નવી ઊર્જાનો સંચાર થશે અને આવનારી પેઢી વધુ સંગઠિત અને સક્ષમ બનશે. પંચાલ સમાજની આ પહેલની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે.
બોટાદ ARTO દ્વારા રિક્ષા ચાલકોને માર્ગદર્શન:ટ્રાફિક નિયમો અને સલામત ડ્રાઇવિંગ અંગે પેમ્ફલેટ વિતરણ
બોટાદમાં માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી જાગૃતિ વધારવા માટે એઆરટીઓ બોટાદ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ પહેલનો મુખ્ય હેતુ માર્ગ સલામતીના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો હતો. આ કાર્યક્રમ શહેરના મિલેટરી રોડ પર આવેલી આરટીઓ કચેરી બહાર રિક્ષા ચાલકો માટે યોજાયો હતો. જેમાં તેમને ટ્રાફિક નિયમોનું કડક પાલન કરવાના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું. રિક્ષા ચાલકોને સલામત ડ્રાઇવિંગ પદ્ધતિઓ, યોગ્ય ઝડપ જાળવવી, ઓવરલોડિંગ ટાળવું, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ તેમજ મુસાફરોની સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ રહેવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયું. અધિકારીઓએ માર્ગ પર સંયમિત અને જવાબદાર વર્તનથી અકસ્માતોમાં ઘટાડો શક્ય હોવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, માર્ગ સલામતી અંગે વ્યાપક જાગૃતિ ફેલાવવા માટે રિક્ષા ચાલકોને માહિતીપ્રદ પેમ્ફ્લેટનું વિતરણ પણ કરાયું. એઆરટીઓ બોટાદની આ પહેલને રિક્ષા ચાલકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આવા જાગૃતિ કાર્યક્રમો માર્ગ સલામતી માટે અસરકારક સાબિત થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં ઇસ્કોન મંદિર રોડ ખાતે ગઈકાલે બપોરે એક 78 વર્ષીય વૃદ્ધ મહિલાની ગળામાંથી સોનાની ચેઇન તોડીને લઈ જવાની ઘટના બની હતી. ત્રણ અજાણ્યા યુવાનો એક એક્ટિવા પર આવીને મહિલાની ચેઇન ખેંચી તોડી લઈ ભાગી ગયા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે 3 રીઢા આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક સક્રિય થઈને તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સના આધારે ખોડીયારનગર-2 પાસે વિનય સોસાયટી પાછળના ખુલ્લા પ્લોટમાં વિનય રોડ પર આજવારોડ ખાતેથી ત્રણેય આરોપીઓને એક્ટિવા સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓના નામ અને સરનામાં:પ્રકાશ ઉર્ફે બુચો ધર્મેશભાઈ મારવાડી (ઉં. 23), રહે. પીળા વુડા, જીઓ પેટ્રોલપંપ સામે, ખોડીયારનગર, વડોદરામેહુલ કાંતીભાઈ સલાટ (ઉં. 24), રહે. રામદેવનગર-1, સરસ્વતી સ્કૂલ સામે, આજવારોડ, વડોદરાવિશાલ રાજુભાઈ ડાભી (ઉં. 19), રહે. ખોડીયારનગર, ન્યુ VIP રોડ, પ્રભુજી પાર્ટી પ્લોટ પાસે, વડોદરા આરોપીઓની ઝડતી દરમિયાન એક સોનાની ચેઇન (વજન 14.650 ગ્રામ), એક એક્ટિવા અને એક મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત 2,25,905 રૂપિયા છે. આરોપીઓ આધાર પુરાવા રજૂ કરી શક્યા નહીં અને ઉડાઉ જવાબો આપતા હોવાથી વધુ શંકા જતા સઘન પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમણે ગુનો કબૂલી લીધો હતો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:આરોપી પ્રકાશ ઉર્ફે બુચો મારવાડી અગાઉ ઘરફોડ ચોરી, ચેઇન સ્નેચિંગ અને મકાનમાંથી ચોરીના કુલ 4 ગુનામાં પકડાઈ ચૂક્યો છે (માંજલપુર, બાપોદ, વારશિયા, કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે). આરોપી મેહુલ સલાટ અગાઉ વર્ષ 2023માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ગુનામાં પકડાયો હતો.
નવસારી નજીક પરતપોર સ્થિત AB હાઈસ્કૂલમાં કિશોરીઓ માટે માસિક સ્વચ્છતા અને શારીરિક પરિવર્તનો અંગે એક વિશેષ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 4 થી 8 ની વિદ્યાર્થિનીઓ તેમજ તેમની માતાઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરતના જાણીતા સર્જન અને સોશિયલ એક્ટિવિસ્ટ ડો. અમી યાજ્ઞિકે સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને સામાન્ય રીતે સમાજમાં જે વિષય પર ચર્ચા કરતા સંકોચ અનુભવાય છે, તેવા માસિકસ્ત્રાવના વિષય પર વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ખુલીને વાત કરી હતી. વહેલા માસિક આવવાના કારણો અને જીવનશૈલીડો. યાજ્ઞિકે જણાવ્યું કે સામાન્ય રીતે માસિક શરૂ થવાની ઉંમર 10 થી 15 વર્ષની હોય છે, પરંતુ વર્તમાન સમયમાં જીવનશૈલીના બદલાવને કારણે 9 વર્ષની નાની ઉંમરે પણ માસિક આવવાની શરૂઆત થઈ શકે છે. આ માટે જંક ફૂડનો વધુ પડતો વપરાશ, કોસ્મેટિક્સનો ઉપયોગ, મોબાઈલનું વળગણ અને શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ મુખ્યત્વે જવાબદાર છે. શારીરિક પ્રક્રિયા અને સ્વાસ્થ્યની કાળજીસેમિનારમાં સ્ત્રી-પુરુષ પ્રજનન તંત્રની કાર્યપદ્ધતિ અને ગર્ભધારણની પ્રક્રિયા વિશે સરળ સમજ આપવામાં આવી હતી. સ્વાસ્થ્ય અંગે વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, માસિક દરમિયાન શરીરમાંથી આશરે 40થી 60 ml લોહી વહી જાય છે, જે કુદરતી રીતે ફરી બની જાય છે. જો શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર 10થી ઓછું હોય તો થાક લાગવો અને અભ્યાસમાં એકાગ્રતા ન રહેવી જેવી સમસ્યાઓ સર્જાય છે. યોગ્ય આહાર, નિયમિત કસરત અને પૂરતી ઊંઘ લેવાથી માસિક દરમિયાન થતી તકલીફો અને 'મૂડ સ્વિંગ્સ' (માનસિક ફેરફારો) ને સહજતાથી સંભાળી શકાય છે. સંકોચ છોડી ખુલીને વાત કરવા અપીલકિશોરીઓમાં માસિકને લઈને જોવા મળતી મૂંઝવણ અને શરમ દૂર કરવા પર ભાર મુકતા ડોક્ટરે સલાહ આપી હતી કે, આ એક કુદરતી પ્રક્રિયા છે. આ બાબતે મૂંઝાવવાને બદલે પોતાની માતા કે વિશ્વાસુ વ્યક્તિ સાથે સ્પષ્ટપણે ચર્ચા કરવી જોઈએ. કાર્યક્રમના અંતે વિદ્યાર્થિનીઓના પ્રશ્નોના સચોટ ઉત્તરો આપી તેમની જિજ્ઞાસા સંતોષવામાં આવી હતી.
ભાવનગર શહેર આજે દેશપ્રેમ અને રાષ્ટ્રભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત ભવ્ય કાર્યક્રમની યાત્રામાં અંદાજે 25 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. આ મહોત્સવમાં આદિવાસી ટીમલી ડાન્સ અને સ્કેટિંગ કરતા બાળકોના વિવિધ સાહસિક કરતબોએ ઉપસ્થિત જનમેદનીમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું. દિવસભરના ઉત્સાહ બાદ, સાંજે લોકપ્રિય કલાકાર સાંઈરામ દવે અને સુપ્રસિદ્ધ ગાયક કિર્તિદાન ગઢવીના લોકડાયરાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 12 હજારથી વધુ વિધાર્થીઓ અને 13 હજાર કરતા વધુ શહેરીજનો ઉમેટ્યાસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આજરોજ ભાવનગરમાં 'વંદે માતરમ' મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના કાળિયાબીડ ટાંકીથી સંતો મહંતો દ્વારા આ વિશાળ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને યાત્રામાં 12 હજારથી વધુ વિધાર્થીઓ અને 13 હજાર કરતા વધુ વહાલીઓ અને શહેરીજનો આ મહોત્સવમાં જોડાયા હતાં. યાત્રા પૂર્ણ થયેથી જવાહર મેદાન ખાતે રાષ્ટ્રભક્તિના ગીતો, સાહિત્યનો સંગમ અને આકાશમાં 450થી વધુ ડ્રોન દ્વારા રચાનારો ભવ્ય 'ડ્રોન શો' આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. કેસરીયા-પીળા રંગે રંગાઈને રાષ્ટ્રભક્તિના સાગરમાં હિલોળે ચડ્યુંસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે સ્વામિનારાયણ ગુરુકુળ ભાવનગર દ્વારા આજે 11 જાન્યુઆરી, 2026ના રોજ એક અભૂતપૂર્વ દેશભક્તિ મહોત્સવ 'વંદે માતરમ -દેશ કી ધડકન'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમા ભાવનગર કેસરીયા-પીળા રંગે રંગાઈને રાષ્ટ્રભક્તિના સાગરમાં હિલોળે ચડ્યું હતું. 25,000થી વધુ ભાવનગરના નાગરિકો આ રેલીમાં જોડાયાશહેરના કાળીયાબીડ પાણીની ટાંકીથી સંતો મહંતોના હસ્તે વિશાળ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું, અંદાજે યાત્રામાં 12 હજારથી વધુ વિધાર્થીઓ અને 13 કરતા વધુ વહાલીઓ અને શહેરીજનો સાથે 25,000થી વધુ ભાવનગરના નાગરિકો આ રેલીમાં જોડાયા છે. ભારતની સંસ્કૃતિ અને ઈતિહાસને જીવંત કરવા 400 બાલિકાઓ 'ભારત માતા' અને 300 વિદ્યાર્થીઓ 'સરદાર પટેલ'ના વેશમાં સજ્જ થઈ યાત્રામાં જોડાયા હતા, યાત્રામાં ટીમલી નૃત્ય, સીદી ધમાલ, રાસ ગરબા અને નાસિક ઢોલના નાદ સાથે બ્લેક કમાન્ડોના કરતબો અને સ્કેટિંગના દ્રશ્યો આકર્ષણ કેન્દ્ર બન્યું હતું. 400થી વધુ બાળકો એકસાથે શંખનાદ કરીને સમગ્ર વાતાવરણને ગુંજતું કર્યુંઆ યાત્રા શહેરના અક્ષરવાડી, ગુલીસ્તા અને આતાભાઇ સર્કલ થઈને સાંજે 4:30 કલાકે જવાહર મેદાન ખાતે પહોંચી. 400થી વધુ બાળકો એકસાથે શંખનાદ કરીને સમગ્ર વાતાવરણને દિવ્ય અને ગુંજતું કર્યું. સાંજે જવાહર મેદાન ખાતે આયોજિત સભામાં નાના ભૂલકાઓ દ્વારા ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનું ગાન કરવામાં આવશે. સાંજે સાંઈરામ દવે અને કિર્તીદાન ગઢવી મોજ કરાવશેલોકપ્રિય હાસ્ય કલાકાર અને સાહિત્યકાર સાંઈરામ દવે 'વંદે માતરમ'ના ગૌરવવંતા ઇતિહાસની ગાથા સંભળાવશે. જ્યારે લોકગાયક કિર્તીદાન ગઢવી પોતાના રાષ્ટ્રભક્તિના ગીતોથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. 450થી વધુ ડ્રોન દ્વારા વિરાટ આકૃતિઓ બનશેઆ મહોત્સવનું મુખ્ય આકર્ષણ રાત્રિના આકાશમાં જોવા મળશે, 450થી વધુ ડ્રોન દ્વારા આકાશમાં 'વંદે માતરમ' અને 'સરદાર પટેલ'ની વિરાટ આકૃતિઓ કંડારવામાં આવશે. ભાવનગરના ઈતિહાસમાં આ કક્ષાનો ડ્રોન શો પ્રથમવાર યોજાઈ રહ્યો છે, સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ભાવનગરના તમામ દેશપ્રેમી જનતાને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને વંદે માતરમના નાદ સાથે રાષ્ટ્રભાવનામાં જોડાશે.
ડિજિટલ યુગમાં વાંચન સંસ્કૃતિને જીવંત રાખવાના પ્રયાસરૂપે ગોધરા બુક બ્રાઉઝર ગ્રુપે તેના ત્રણ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. આ અવસરે ગાયત્રી મંદિર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી પ્રવીણભાઈ દરજીએ ઉપસ્થિત રહી વાચકો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન પદ્મશ્રી પ્રવીણભાઈ દરજીએ 'નદીષ્ઠ' પુસ્તક પર ઊંડાણપૂર્વક સમીક્ષા રજૂ કરી હતી. તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ડિજિટલ માધ્યમોના પ્રભાવ વચ્ચે પુસ્તકોનું સચોટ જ્ઞાન વિસરાઈ ન જાય તે જોવાની જવાબદારી સમાજની છે. તેમણે યુવા પેઢીમાં વાંચન પ્રત્યે રુચિ કેળવવા અને બદલાતા સમય સાથે વાંચનનો રસ જાળવી રાખવા અંગે માર્ગદર્શક વિચારો રજૂ કર્યા હતા.ગોધરા શહેરના ૨૦૦થી વધુ પુસ્તક પ્રેમીઓ આ ગ્રુપના સભ્ય છે. આ સભ્યો દર મહિને એક પુસ્તક મેળવી તેનું સઘન વાંચન કરે છે. ત્યારબાદ, મહિનાના કોઈ એક રવિવારે એકત્રિત થઈ તે પુસ્તક પર સામૂહિક ચર્ચા (બુક રિવ્યુ) કરે છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ વાંચન સંસ્કૃતિને વેગ આપવાનો અને પુસ્તકોના માધ્યમથી વિચારોનું આદાન-પ્રદાન કરવાનો છે.આ કાર્યક્રમ, જે ૧૧ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ યોજાયો હતો, તેની સાથે ‘ગોધરા બુક બ્રાઉઝર’ હવે તેના ચોથા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. શહેરના ગાયત્રી મંદિર ખાતે આયોજિત આ પ્રસંગે મોટી સંખ્યામાં સાહિત્ય રસિકો અને યુવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રયોગે દર્શાવ્યું છે કે યોગ્ય પ્લેટફોર્મ મળતાં લોકોમાં પુસ્તકો પ્રત્યેનો લગાવ આજે પણ અકબંધ છે.
જામનગર ટ્રાફિક પોલીસે જાહેર રસ્તાઓ પર ભયજનક રીતે વાહન ચલાવી સ્ટન્ટ કરતા ચાર શખ્સોને ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટન્ટનો વીડિયો પણ અપલોડ કર્યો હતો. પકડાયા બાદ તેમણે વીડિયો મારફતે માફી માંગી, ભવિષ્યમાં આવા કૃત્યો ન કરવાની અને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની ખાતરી આપી છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ સોશિયલ મીડિયા પર કાયદો અને વ્યવસ્થા જોખમાય તેવા વીડિયો પોસ્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ અંતર્ગત, 4 જાન્યુઆરી, 2026ના રોજ એક ઇન્સ્ટાગ્રામ આઈડી પર રીલ અપલોડ કરવામાં આવી હતી, જેમાં કેટલાક ઇસમો બાઇક પર સ્ટન્ટ કરતા અને બેદરકારીપૂર્વક વાહન ચલાવી જાહેરમાં અવરોધ ઉભો કરતા જોવા મળ્યા હતા. DYSP જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના PI એમ.બી. ગજ્જરે આ વીડિયોની તપાસ કરવા સૂચના આપી હતી. PSI એ.એચ. ચોવટ અને સ્ટાફના સત્યજીતસિંહ વાળાએ વીડિયોનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે આ ઘટના 26 ડિસેમ્બર, 2025ના રોજ જામનગરના નાગનાથના નાકા પાસે બની હતી. વીડિયો અને માનવ સંસાધનોના આધારે, ટ્રાફિક શાખાએ આજે બાઇક સહિત કુલ ચાર શખ્સોને પકડી પાડ્યા હતા. તેમના વિરુદ્ધ બી.એન.એસ. કલમ 281, 126(2), 54, એમ.વી. એક્ટ કલમ 184, 177 અને જી.પી. એક્ટ કલમ 111/117 હેઠળ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર પોલીસે જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, શહેરનો કોઈ પણ ખૂણો પોલીસની નજરથી દૂર નથી. નાગરિકો સી.સી.ટી.વી. કેમેરા હેઠળ સર્વેલન્સમાં છે. ગુનાહિત કૃત્ય કરતા સી.સી.ટી.વી. કેમેરા કે સોશિયલ મીડિયામાં કેદ થશો તો તાત્કાલિક ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર કામગીરી PI એમ.બી. ગજ્જર, PSI એ.એચ. ચોવટ અને સ્ટાફના સત્યજીતસિંહ વાળા દ્વારા કરવામાં આવી હતી.
સ્વાદના શોખીન સુરતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા પાણીપુરી બનાવવાના એકમો પર આકસ્મિક દરોડા પાડીને મોટા પાયે ચાલી રહેલા ગંભીર બેદરકારીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પાંડેસરા અને રાંદેર જેવા વિસ્તારોમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે તૈયાર થતી પાણીપુરીનો હજારો કિલો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ગંદકી અને દુર્ગંધ વચ્ચે તૈયાર થતી હતી પાણીપુરીપાલિકાની ટીમને મળેલી બાતમીના આધારે રાંદેર અને પાંડેસરાના આશાપુરી, ગોવાલક નગર અને ક્ષેત્રપાલ નગર જેવા ગીચ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. જે સ્થળોએ પાણીપુરી અને તેનો મસાલો તૈયાર કરવામાં આવતો હતો, ત્યાં ભારે અસ્વચ્છતા જોવા મળી હતી. અત્યંત દુર્ગંધ મારતી જગ્યાઓ પર ખુલ્લામાં બટેટા બાફવામાં આવતા હતા અને ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવતો હતો. સડેલા બટેટા અને હાનિકારક તેલનો વપરાશઆરોગ્ય વિભાગની કાર્યવાહી દરમિયાન અખાદ્ય સામગ્રી મળી આવી હતી. મસાલા માટે વપરાતા બટેટા સડી ગયેલા અને જીવાતવાળા જોવા મળ્યા હતા. પુરી તળવા માટે વારંવાર ગરમ કરેલા અને કાળા પડી ગયેલા તેલનો ઉપયોગ થતો હતો. પાણીપુરીનું તીખું પાણી બનાવવા માટે શુદ્ધતાના કોઈ ધોરણો જળવાતા નહોતા. પાલિકાની ટીમે તાત્કાલિક ધોરણે ૨૦થી વધુ સ્થળો પર કામગીરી બંધ કરાવી દીધી હતી. હજારો લિટર દૂષિત પાણીને ગટરમાં વહાવી દેવામાં આવ્યું હતું અને સડેલા બટેટા તેમજ ખરાબ પુરીનો કચરામાં નિકાલ કરવામાં આવ્યો હતો. 20થી વધુ સ્થળો પર તવાઈઆરોગ્ય વિભાગે આશાપુરી અને ક્ષેત્રપાલ નગરમાં આવેલા પાણીપુરી બનાવવાના દુકાનો પર દરોડા પાડીને તમામ ચીજવસ્તુઓ જપ્ત કરી હતી. આ સ્થળો પર ખાદ્ય સલામતીના નિયમોના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. પાલિકાએ આ તમામ એકમોને નોટિસ ફટકારી છે અને દંડનીય કાર્યવાહી હાથ ધરી છે. પાલિકાની કડક કાર્યવાહીની ચીમકીઆરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર કોઈપણ તત્વોને છોડવામાં આવશે નહીં. જો આગામી દિવસોમાં પણ સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં કરવામાં આવે, તો આ એકમોને કાયમી ધોરણે સીલ કરવાની અને લાયસન્સ રદ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવશે. રસ્તા પર મળતી પાણીપુરી કેટલી હદે જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો આ જીવંત પુરાવો છે. તંત્ર દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ખાણી-પીણીની વસ્તુઓની ગુણવત્તા બાબતે સજાગ રહે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલા સાબર ઇન્ડોર સ્ટેડિયમમાં બહેરા-મૂંગા વિભાગની 14મી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધાની ફાઇનલ મેચો યોજાઈ હતી. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોની ટીમો વચ્ચે ત્રણ કેટેગરીમાં મુકાબલા થયા હતા. આ ટુર્નામેન્ટનું આયોજન ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધ ડેફ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ યજમાનપદે હતું. શનિવારે લીગ મેચો રમાયા બાદ રવિવારે સવારથી નોકઆઉટ રાઉન્ડ અને ત્યારબાદ ફાઇનલ મેચો યોજાઈ હતી. સાબરકાંઠા દિવ્યાંગ સેવા ટ્રસ્ટના પ્રમુખ ઋત્વિક સિંધીએ માહિતી આપી હતી કે, આ વોલીબોલ સ્પર્ધામાં ત્રણ કેટેગરી હતી. 18 વર્ષથી નીચેના ભાઈઓની 5 અને બહેનોની 3 ટીમો, 18 વર્ષથી ઉપરના ભાઈઓની 9 અને બહેનોની 4 ટીમો, તેમજ 16 વર્ષથી નીચેના ભાઈઓની 5 અને બહેનોની 3 ટીમો મળી કુલ 29 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચોમાં બહેનોની અંડર-16 કેટેગરીમાં એસ.જી. બ્રહ્મભટ્ટ નડિયાદ વિજેતા બન્યું હતું, જેણે પ્રાથમિક શાળા કછોલી નવસારીને હરાવ્યું હતું. અંડર-18 કેટેગરીમાં પણ એસ.જી. બ્રહ્મભટ્ટ નડિયાદે પ્રાથમિક શાળા કછોલી નવસારીને હરાવી વિજય મેળવ્યો હતો. એબવ-18 કેટેગરીમાં ભાવનગરની શ્રી શાહ કે. લિન્સ્ટિટ્યૂડ બહેરા-મૂંગા સ્કૂલે નડિયાદની ઉષ્મા બધિર વિદ્યા વિહારને હરાવી જીત મેળવી હતી. ભાઈઓની ફાઇનલ મેચોમાં અંડર-18 કેટેગરીમાં એસ.જી. બ્રહ્મભટ્ટ નડિયાદ વિજેતા બન્યું હતું, જેણે પ્રાથમિક શાળા કછોલી નવસારીને પરાજય આપ્યો હતો. અંડર-16 કેટેગરીમાં પી.એસ. કોઠારી નવસારીએ પ્રાથમિક શાળા કછોલી નવસારીને હરાવી જીત મેળવી હતી. એબવ-18 કેટેગરીમાં ગાંધીનગર બધિર મિત્ર મંડળે મોડાસા મુક બધિર માનવ સેવા ટ્રસ્ટને હરાવી વિજય પ્રાપ્ત કર્યો હતો. આ ત્રણેય કેટેગરીમાં વિજેતા બનેલી ટીમો આગામી જૂન 2026માં બેંગલોર ખાતે યોજાનાર નેશનલ વોલીબોલ સ્પર્ધામાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
અમદાવાદ શહેરના પાલડી ચાર રસ્તા વિસ્તારમાં ગઈકાલે બપોરે એક નાની બાબતને લઈને ટુ-વ્હીલર અને કારચાલક વચ્ચે થયેલી સામાન્ય તકરાર ઝડપથી ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગઈ, જેમાં કારચાલકે જાહેર રસ્તા પર જ ગાડીમાંથી છરી કાઢીને ટુ-વ્હીલર ચાલકને મારી નાખવાની ખુલ્લી ધમકી આપી હતી. આ ઘટનાનો વીડિયોના કારણે લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે, જેમાં કારચાલકે લાલ દરવાજા આવી જા, તારું મર્ડર કરી નાખીશ જેવા અપશબ્દો બોલીને ધમકી આપતો જોવા મળે છે. ભોગ બનનાર ટુ-વ્હીલર ચાલકે તાત્કાલિક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વિસ્તારના CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં જાહેર સ્થળે હથિયારોના ઉપયોગ અને રૌફ જમાવવાના વધતા કિસ્સાઓ પર ચિંતા વધારી છે. ટુ-વ્હીલર ચાલક અને કાર ચાલક વચ્ચે તકરાર થઈ હતીગઈકાલે બપોરના સમયે 2 વાગ્યા આસપાસ પાલડી ચાર રસ્તા પાસે ગાડી એક ટુ-વ્હીલર ચાલક અને કાર ચાલક વચ્ચે તકરાર થઈ હતી. પાલડી ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકે એક અજાણ્યા કાર ચાલકને તું ખૂબ જ સ્પીડમાં ગાડી ચલાવીને લોકોને નુકશાન પહોંચે તે રીતે ચલાવતો હોવાનું કહ્યું હતું. આટલું કહેતા જ અજાણ્યો કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. જેથી સામાન્ય બાબતે ટુ વ્હીલર ચાલક અને કાર ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. કારચાલકે ધોળા દિવસે જાહેર રસ્તા પર હથિયાર બતાવીને ધાકધમકી આપીસામાન્ય બોલાચાલી બાદ જોતજોતામાં આ ઝઘડો વધી ગયો હતો. તેમજ તે બાદ જાહેર રસ્તા પર જ કાર ચાલક પોતાની ગાડીમાં રાખેલી છરી કાઢીને ટુ-વ્હીલર ચાલક સામે ઉગામી હતી. કાર ચાલકે ટુ-વ્હીલર ચાલકને છરી બતાવી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં કાર ચાલકે ટુ-વ્હીલર ચાલકને ધમકી આપી હતી કે, લાલ દરવાજા આવી જા, તારું મર્ડર કરી નાખીશ. ધોળા દિવસે જાહેર રસ્તા પર હથિયાર બતાવીને ધાકધમકી આપતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. એલિસબ્રિજ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી જોકે, તે બાદ અજાણ્યો કારચાલક ત્યાંથી રવાના થઈ ગયો હતો. પોતાનો જીવ જોખમમાં મુકાયેલો જોઈને ટુ-વ્હીલર ચાલકે તાત્કાલિક એલિસબ્રિજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસે અજાણ્યા કારચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે જેથી આરોપીની ઓળખ કરી શકાય.
અમદાવાદ શહેરના જુના વાડજ વિસ્તારમાં આવેલા એમટીએસ બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે રોંગ સાઈડમાં ટ્રેલર ચાલકે ટ્રેલર ચલાવીને આવ્યો હતો અને કોઈ અજાણ્યો રાહદારી ત્યાંથી પસાર થતો હતો ત્યારે તેને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. આ મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સાબરમતી વિસ્તારમાં બુલેટ ટ્રેન કામગીરીના બે લાખના મશીનની ચોરી થઈની ફરિયાદ નોંધાઈ છે. રોંગસાઈડમાં ટ્રેલરચાલકે આવીને એકને અડફેટે લેતાં મોતજુના વાડજ વિસ્તારમાં આવેલા એક રાહદારીએ રાત્રિના સમયે હાજર પોલીસ કર્મચારીને કહ્યું હતું કે આગળ એએમટીએસ બસ સ્ટેન્ડ પાસે અકસ્માત થયો છે જેથી પોલીસ કર્મચારી ત્યાં પહોંચ્યો હતો. તેમણે જોયું તો એક મોટું ટ્રેલર ત્યાં પડ્યું હતું અને આશરે 45 વર્ષનો એક વ્યક્તિ રોડ ઉપર મરણ ગયેલી હાલતમાં પડેલો હતો. બ્રિજના મોટા સ્લેબ લઈ જતી ટ્રેલર ત્યાં પડેલી હતી રોંગ સાઈડમાં આ ટ્રેલર ચાલકે પોતાનું ટ્રેલર ચલાવી અને અજાણ્યા વ્યક્તિને અડફેટે લેતા તેનું મૃત્યુ થયું હતું. કોઈ પણ પ્રકારનું સેફ્ટીનું ધ્યાન રાખ્યા વિના આ રીતે અકસ્માત સર્જતા તેઓ દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બુલેટ ટ્રેન કામગીરીના બે લાખના મશીનની ચોરીસાબરમતી વિસ્તારમાં આવેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે. જેમાં વિવિધ મશીનરીનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે બે લાખ રૂપિયાની મશીનરી અને સાધનોની ચોરી થઈ હોવાની ફરિયાદ સાબરમતી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ સાબરમતી રેલવે સ્ટેશન નજીક બુલેટ સ્ટેશનની કામગીરીમાં ઉપયોગમાં લેવાતા અલગ અલગ સાધનોને ઓફિસમાં મૂકવામાં આવતા હોય છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સર્વેયર મેનેજરે ફરિયાદ નોંધાવી1 જાન્યુઆરીના રોજ આ મશીનરીનો ઉપયોગ કરી અને તે ટુલ કીટને ઓફિસમાં મૂકવામાં આવી હતી. પરંતુ બીજા દિવસે જ્યારે બોક્સમાં જોતા સાધનો ગાયબ હતા. જેથી આ મામલે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સર્વેયર મેનેજર દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં બે લાખ રૂપિયાના સાધનોની ચોરી અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બનાસકાંઠા LCBએ ગુપ્ત ખાનામાંથી દારૂ ઝડપ્યો:ઇનોવા કારમાંથી ₹10.64 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર
બનાસકાંઠા LCBએ પાલનપુર તાલુકા વિસ્તારમાંથી એક ઇનોવા કારના ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ અને કાર સહિત કુલ ₹10,64,695/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કડક અમલવારીની સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના અનુસંધાનમાં LCB દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. LCB, પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમીના આધારે ચિત્રાસણી ખાતે તિરંગા હોટલ સામે હાઈવે રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન GJ.01.WS.4305 નંબરની ઇનોવા કારમાંથી ગેરકાયદેસર અને પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની 35 બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹2,64,696/- છે. દારૂ અને કાર સહિત કુલ ₹10,64,695/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જોકે, કારનો ચાલક ગાડી છોડીને ફરાર થઈ ગયો હતો. તેના વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પતંગબાજીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં પણ આ વખતે ભારે ઉમંગ છવાયો છે. ગોધરાના લાલબાગ પતંગ બજારમાં પતંગ રસિકોની ભારે ભીડ ઉમટી પડી છે. બજારમાં સવારથી જ પતંગ અને ફિરકીની ખરીદી માટે લોકોની કતારો જોવા મળી રહી છે. આ વખતે વિવિધ કાર્ટૂન કેરેક્ટર, સોશિયલ મીડિયા થીમ અને આકર્ષક રંગોવાળી પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ કરીને માંજો પીવડાવનારા કારીગરો પાસે લાંબી કતારો જોવા મળી રહી છે, જ્યાં લોકો કાચના પાયા ચડાવેલી દોરી તૈયાર કરાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધ બાદ લોકો ફરી એકવાર સુરતી અને દેશી માંજા તરફ વળ્યા છે. ગોધરાના પતંગ વેપારીઓ અને ગ્રાહકોએ સ્વેચ્છાએ ચાઈનીઝ દોરી ન વેચવા કે ન ખરીદવાનો નિર્ણય લીધો છે, જેના કારણે પરંપરાગત માંજાની માંગમાં વધારો થયો છે.
પાટણ શહેરમાં રાજપૂત સમાજનો 26મો પરિવાર સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓ અને સરકારી સેવામાં નવનિયુક્ત તેમજ નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ સહિત ઉચ્ચ ડિગ્રીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત સવારે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓ અને જનરલ નોલેજ કસોટીમાં પ્રથમ ત્રણ સ્થાન મેળવનાર બાળકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના જે ભાઈઓ અને બહેનોને સરકારી નોકરીઓમાં નવી નિમણૂક મળી હતી, નવા પદ પ્રાપ્ત થયા હતા, તેમજ સરકારી સેવામાંથી વય નિવૃત્ત થયેલા વડીલોને પણ મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ રણજીતસિંહજી જી. રાઠોડ અને પાટણ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ બી. ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. ભોજન સહયોગ મંજુલાબેન એમ. રાજપૂત (નિવૃત્ત મામલતદાર), ઇનામ સૌજન્ય ડૉ. જયશ્રીબા જયદિપસિંહ ચાવડા (નેત્રજ્યોત આંખની હોસ્પિટલ, પાટણ) અને મંડપ સૌજન્ય કાનજીજી એન. સોલંકી (નિવૃત્ત પી.આઈ.) તરફથી મળ્યો હતો. આ પ્રસંગે જયદિપસિંહ જસુભા વાઘેલા, દીપૂબા દેવડા, જશવંતસિંહ વાઘેલા, દિલીપસિંહ રાજપૂત, પ્રાગજી વાઘેલા, હમીરસિંહ સોલંકી, શહેર પ્રમુખ ભેમુજી વાઘેલા, મંત્રી વિક્રમસિંહ સોલંકી, મદારસિંહ ગોહિલ, બાબુજી પઢિયાર, લગધીરસિંહ રાઠોડ સહિત રાજપૂત સમાજના અગ્રણીઓ, ભાઈઓ, બહેનો, યુવાનો અને બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન વિક્રમસિંહ સોલંકી, મદારસિંહ ગોહિલ અને રતનસિંહ સોલંકીએ કર્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્રસિંહ ચાવડાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, જો દિલથી મહેનત કરશો તો ચોક્કસ સફળતા મળશે. તેમણે બાળકોને તેમના સ્વપ્નો પૂછીને તેમને આગળ વધવામાં મદદ કરવા વાલીઓને અપીલ કરી હતી. તેમણે રાજપૂત સમાજના ભવ્ય ભૂતકાળનો ઉલ્લેખ કરતા શિક્ષણના મહત્વ પર ભાર મૂક્યો હતો અને સમાજના દીકરા-દીકરીઓ માટે તમામ મદદ કરવા તત્પરતા દર્શાવી હતી. આ પ્રસંગે રણજીતસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હવે પ્રવચન નહીં પણ સંવાદ શરૂ થવા જોઈએ. તેમણે કહ્યું કે જે સમાજ સંઘર્ષ કરે છે તે જ આગળ વધી શકે છે અને શિક્ષણ સિવાય કોઈ વિકલ્પ નથી. તેમણે દીકરા-દીકરીઓને સારા પુસ્તકો વાંચવાની ટેવ પાડવા, ઈર્ષાને બદલે હરીફાઈ કરવા અને સજ્જન વ્યક્તિઓના સાનિધ્યમાં રહેવાથી સારા ગુણો પ્રાપ્ત થતા હોવાનું જણાવ્યું હતું.
બોટાદ જિલ્લાના તરઘરા ગામે માંધાતા ગ્રુપ દ્વારા કોળી સમાજના વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શૈક્ષણિક પ્રોત્સાહન સાથે સામાજિક ન્યાયના મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી હતી. બગદાણાની ઘટનામાં પીડિત આગેવાન નવનીત બાલધીયાને ન્યાય અપાવવા માટે આગામી સમયમાં તરઘરા ખાતે 1 લાખ લોકોની હાજરીમાં ગુજરાતનું પ્રથમ મહાસંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. બગદાણાની ઘટના મુદ્દે આંદોલનનું એલાનમાંધાતા ગ્રુપના બોટાદ જિલ્લા પ્રમુખ મયુર જમોડે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, બગદાણાની ઘટનાના પીડિત નવનીત બાલધીયાને જો વહેલી તકે ન્યાય નહીં મળે, તો કોળી સમાજ એકજૂટ થઈ આંદોલનાત્મક માર્ગ અપનાવશે. આ લડતના ભાગરૂપે તરઘરામાં વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. 1,000થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માનઆ કાર્યક્રમમાં જિલ્લાના 1,000 થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ દેશની રક્ષા કાજે શહીદ થયેલા બોટાદ જિલ્લાના કોળી સમાજના જવાનોના પરિવારજનોનું પણ વિશેષ સન્માન કરી તેમની સેવાને બિરદાવવામાં આવી હતી. શિક્ષણ સંકુલ નિર્માણની ખાતરીકાર્યક્રમમાં ઉપસ્થિત બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોળી સમાજના અનેક યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, પરંતુ તેમના માટે પૂરતી સુવિધાયુક્ત શિક્ષણ સંકુલનો અભાવ છે. આ જરૂરિયાતને ધ્યાને રાખી આગામી સમયમાં બોટાદમાં અદ્યતન શિક્ષણ સંકુલ ઊભું કરવાની તેમણે ખાતરી આપી હતી. સામાજિક સુધારણા પર ભારકાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ સમાજમાંથી કુરિવાજો દૂર કરવા, યુવાનોને વ્યસનમુક્ત બનાવવા અને શિક્ષણનું સ્તર સુધારવા માટે હાકલ કરી હતી. આ પ્રસંગે ચોટીલાના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, પુજા વંશ, રાજેશ ગોહિલ સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હિંમતનગરમાં SOGએ ₹1.98 લાખના ગાંજા સાથે એક પકડ્યો:બે ફરાર સહિત ત્રણ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધાયો
હિંમતનગરના ધાણધા નજીક સાબરકાંઠા SOGએ ₹1.98 લાખની કિંમતના 3.975 કિલોગ્રામ ગાંજા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આ કેસમાં અન્ય બે આરોપીઓ ફરાર છે, જેમની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા SOGના PI ડી.સી. પરમારે જણાવ્યું કે, PSI પી.એમ. ઝાલા અને તેમનો સ્ટાફ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, ઈડર તરફથી પાલીયાબીયા ગામનો વિષ્ણુ બાબુભાઈ ગમાર ધાણધા ગામના નાકે હાઈવે પર થેલામાં માદક પદાર્થ (ગાંજો) લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે SOGની ટીમે ધાણધા પાસે રોડ પર વોચ ગોઠવી હતી. બાતમી મુજબ ચાલીને આવી રહેલા વિષ્ણુ ગમારને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. તેની પાસેથી ₹1,98,750 ની કિંમતનો 3.975 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹5,000 ની કિંમતનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો, આમ કુલ ₹2,03,750 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીનું નામ વિષ્ણુભાઈ બાબુભાઈ ગમાર (ઉં.વ. 28, રહે. પાલીયાબીયા, તા. પોશીના, જિ. સાબરકાંઠા) છે. આ ઉપરાંત, ફજાભાઈ આદિવાસી (રહે. ટીલરવા, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન) અને અંકિત (રહે. અમદાવાદ, ઇન્દિરા બ્રિજ) નામના બે આરોપીઓ ફરાર છે.
જામનગરમાં પક્ષીઓને ઠંડીથી બચાવવા ખાસ વ્યવસ્થા:લાખોટા તળાવના પક્ષી ઘરમાં નેટ-પડદા અને માટલા મુકાયા
જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધતા મહાનગરપાલિકા દ્વારા પક્ષીઓને શીતલહેરથી બચાવવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના લાખોટા તળાવ સ્થિત પક્ષી ઘરમાં પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટે નેટ, પડદા અને નાના માટલા મૂકવામાં આવ્યા છે. લાખોટા તળાવના આ પક્ષી ઘરમાં હાલ 28 પાંજરા કાર્યરત છે, જેમાં 600થી વધુ વિવિધ પ્રકારના પક્ષીઓ વસવાટ કરે છે. શિયાળાની ઋતુમાં પક્ષીઓને ઠંડા પવનથી બચાવવા માટે પાંજરાઓની ફરતે નેટ અને જાડા પડદા બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત, પક્ષીઓ આશ્રય લઈ શકે તે માટે નાના માટલા પણ મૂકવામાં આવ્યા છે. જામનગર શહેર અને જિલ્લામાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. તાજેતરમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું, જે સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. ઠંડીના આ ચમકારાની અસર માનવીઓ સાથે પશુ-પંખીઓ પર પણ જોવા મળી રહી છે. મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શિયાળાની સિઝનમાં પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા માટે આવી વિશેષ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ વ્યવસ્થાથી પક્ષીઓને ઠંડીની પ્રતિકૂળ અસરોથી બચાવી શકાય છે.
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી વિદેશી વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મૃતક 34 વર્ષીય યુવક અફઘાનિસ્તાનનો નાગરિક હતો અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (એમ.એસ. યુનિવર્સિટી)માં આર્કિટેક્ચર વિભાગમાં પીએચડીનો અભ્યાસ કરતો હતો. શનિવારે રાત્રિના સમયે યુવકનો મૃતદેહ તેના જ રૂમમાંથી મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. બંધ રૂમમાંથી વિદેશી યુવકનો મૃતદેહ મળ્યોપ્રાપ્ત માહિતી મુજબ, આ વિદેશી વિદ્યાર્થી ફતેગંજ વિસ્તારમાં ભાડાના એપાર્ટમેન્ટમાં એકલો રહેતો હતો. 10 જાન્યુઆરીની રાત્રે તેના રૂમમાંથી કોઈ હરકત ન જણાતાં શંકા ઉઠી હતી. ત્યારબાદ રૂમ તપાસતા યુવક મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આપઘાત કર્યો હોવાની વિગતપોલીસ દ્વારા પ્રાથમિક તબક્કે આ બનાવમાં આપઘાત હોય તેવું જણાઈ રહ્યું છે, પરંતુ યુવકે આપઘાત શા માટે કર્યો અથવા તેની સાથે કોઈ અન્ય ઘટના બની છે કે કેમ તે બાબતે કોઈ નિષ્કર્ષ હજુ આવ્યો નથી. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સાચુ કારણ સામે આવશેહાલમાં પોલીસ દ્વારા મૃતકના મોબાઇલ ફોનને કબજે લેવામાં આવ્યો છે. આ ઘટનામાં આપઘાત છે કે અન્ય કોઈ કારણ તે તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ સામે આવશે. હાલમાં આ મામલે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ફટાકડા એ સ્ફોટક પદાર્થ હોવાથી તેના સંગ્રહ અને વેચાણ માટે કડક નિયમો અને લાયસન્સ હોવું અનિવાર્ય છે. લાયસન્સ વગર કે રહેણાંક વિસ્તારોમાં જોખમી રીતે ફટાકડાનો સંગ્રહ કરવાથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે અને માનવ જિંદગી જોખમમાં મુકાઈ શકે છે. આ બાબતને ગંભીરતાથી લઈ જૂનાગઢ SOGએ લાયસન્સ વગર ધમધમતા ફટાકડાના ગોડાઉન પર રેડ કરી ₹ 32 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગેરકાયદેસર સ્ફોટક પદાર્થોના વેચાણ અને સંગ્રહ પર વોચ રાખવા ખાસ ઝુંબેશ જૂનાગઢ રેન્જના આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર સ્ફોટક પદાર્થોના વેચાણ અને સંગ્રહ પર વોચ રાખવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમારની ટીમને બાતમી મળી હતી કે શહેરના આઝાદ ચોક પાસે આવેલી એક દુકાનમાં પરવાના વગર ફટાકડાનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. SOGના ASI વિક્રમભાઇ ચાવડા અને પોલીસ કોન્સ્ટેબલ રોહિતભાઈ ધાધલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ‘જલારામ સીઝનલ સ્ટોર’ નામની દુકાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. અહીં તપાસ કરતા વેપારી નયન રસીકભાઈ ભાયાણી પાસે ફટાકડાના વેચાણ કે સંગ્રહ માટેનું કોઈ કાયદેસરનું લાયસન્સ મળી આવ્યું નહોતું. ફાયર સેફ્ટીના સાધનો વગર જ ફટાકડાનો સંગ્રહ કર્યો હતોપોલીસ તપાસમાં બહાર આવ્યું કે, વેપારીએ કોઈપણ પ્રકારના ફાયર સેફ્ટીના સાધનો રાખ્યા વગર અત્યંત જોખમી રીતે અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હતો. આ બેદરકારીને કારણે પોતાની તેમજ આસપાસના લોકોની જિંદગી જોખમમાં મુકાય તેમ હોય પોલીસે કડક કાર્યવાહી કરી હતી. 32 લાખથી વધુના ફટાકડાનો જથ્થો સંગ્રહ કર્યો હતોપોલીસે સ્થળ પરથી અલગ-અલગ બ્રાન્ડના ફટાકડાનો કુલ ₹32,63,673/- નો જથ્થો જપ્ત કર્યો છે. આરોપી વિરુદ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ રેડમાં SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, મહેન્દ્રભાઇ કુવાડીયા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, પ્રતાપભાઇ શેખવા, બાલુભાઇ બાલસ તેમજ કોન્સ્ટેબલ રોહિતભાઇ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઇ ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે શિવરાજપુર બ્લૂ ફ્લેગ બીચ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા અને પર્યટન ક્ષેત્રે રાજ્યના વૈભવને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. દેશ-વિદેશના પતંગબાજોનું આકર્ષણઆ મહોત્સવમાં વિવિધ રાજ્યોના 11 રાષ્ટ્રીય અને 32 આંતરરાષ્ટ્રીય પતંગબાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આકાશમાં વિવિધ આકાર, આકર્ષક રંગો અને કલાત્મક ડિઝાઇન ધરાવતા વિશાળ પતંગો ઉડાડવામાં આવ્યા હતા, જે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શનમહોત્સવની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે પરંપરાગત રાસની પ્રસ્તુતિ તેમજ અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગોના પ્રદર્શન દ્વારા પતંગ કળાની વિવિધતા રજૂ કરવામાં આવી હતી. મહાનુભાવોની ઉપસ્થિતિકાર્યક્રમ દરમિયાન કલેક્ટરે જણાવ્યું હતું કે, આ પ્રકારના આયોજનોથી પ્રદેશના પર્યટનને વેગ મળે છે. INS કમાન્ડિંગ ઓફિસર કેપ્ટન શશાંક શર્માએ પતંગ રસિકોનું અભિવાદન કરી કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ ઉજવણીમાં નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, કોસ્ટ ગાર્ડના અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. માલદીવ કે મોરેશિયસ જેવો દરિયાકિનારોભગવાન દ્વારકાધીશની નગરીથી માત્ર 12 કિલોમીટરના અંતરે આવેલો શિવરાજપુર બીચ આજે પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની ગયો છે. દરિયાના કાંઠે પથરાયેલી દૂધ જેવી સફેદ રેતી અને કાચ જેવું ચોખ્ખું ભૂરા રંગનું પાણી પ્રવાસીઓને માલદીવ કે મોરેશિયસના દરિયાકિનારાની યાદ અપાવે છે. પરંતુ આ બીચની અસલી ઓળખ તેની સ્વચ્છતા અને પર્યાવરણની જાળવણી છે, જેના કારણે તેને પ્રતિષ્ઠિત 'બ્લૂ ફ્લેગ' (Blue Flag) સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. શું છે 'બ્લૂ ફ્લેગ' બીચ?ડેનમાર્કની સંસ્થા 'ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન' (FEE) દ્વારા વિશ્વના સૌથી સ્વચ્છ અને સુરક્ષિત બીચને 'બ્લૂ ફ્લેગ' આપવામાં આવે છે. આ ટેગ મેળવવા માટે અંદાજે 33 જેટલા કડક માપદંડો પૂર્ણ કરવા પડે છે, જેમાં પાણીની ગુણવત્તા, પર્યાવરણ વ્યવસ્થાપન, સુરક્ષા અને સેવાઓનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ આ તમામ માપદંડોમાં ખરો ઉતર્યો છે. પ્રવાસીઓ માટે આકર્ષણના કેન્દ્રો શિવરાજપુર માત્ર શાંતિ માટે જ નથી, પરંતુ અહીં એડવેન્ચરના રસિયાઓ માટે પણ ઘણું બધું છે. સ્કુબા ડાઇવિંગ: અહીંના સ્પષ્ટ પાણીમાં દરિયાઈ જીવસૃષ્ટિ અને કોરલ રીફ (પરવાળા) જોવાનો લ્હાવો અદભૂત છે. વોટર સ્પોર્ટ્સ: પેરાસેલિંગ, બનાના રાઈડ અને જેટ સ્કી જેવી પ્રવૃત્તિઓ યુવાનોમાં ખૂબ લોકપ્રિય છે. શાંતિ અને સૂર્યાસ્ત: અહીંનો સૂર્યાસ્તનો નજારો ફોટોગ્રાફીના શોખીનો માટે સ્વર્ગ સમાન છે. ઇકો-ફ્રેન્ડલી સુવિધાઓ: બીચ પર સોલર એનર્જી, બેટરી સંચાલિત વાહનો અને પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. કેવી રીતે પહોંચવું? હવાઈ માર્ગ: નજીકનું એરપોર્ટ જામનગર (145 કિમી) અથવા પોરબંદર છે. રેલવે: દ્વારકા રેલવે સ્ટેશન સૌથી નજીકનું સ્ટેશન છે. રોડ માર્ગ: દ્વારકાથી ઓખા હાઈવે પર ખાનગી ટેક્સી અથવા બસ દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. પ્રવાસ માટે શ્રેષ્ઠ સમયઓક્ટોબરથી માર્ચ મહિના દરમિયાન અહીંનું વાતાવરણ ખૂબ જ આહલાદક હોય છે. પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે કે બીચની મુલાકાત લેતા પહેલા સત્તાવાર સમય અને એન્ટ્રી ફીની તપાસ કરી લેવી. નિષ્ણાતોનું માનવું છે કે, શિવરાજપુર બીચના વિકાસથી સ્થાનિક રોજગારીમાં વધારો થયો છે અને ગુજરાતના પર્યટન ક્ષેત્રને વૈશ્વિક ઓળખ મળી છે. રાજ્ય સરકાર હવે આ બીચને હજુ વધુ આધુનિક બનાવવા માટે બીજા તબક્કાના વિકાસ કાર્યો કરી રહી છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને માર્ગ સુરક્ષા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ચાઈનીઝ દોરીથી થતી ગંભીર ઈજાઓ અને અકસ્માતોને અટકાવવાના હેતુથી આ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. આ અંતર્ગત વાહનચાલકોને નેક બેલ્ટ અને સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ગોધરા દ્વારા ગોધરાના ચર્ચ વિસ્તાર ખાતે આ સેફ્ટી ગાર્ડ અને નેક બેલ્ટનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ઝુંબેશ હેઠળ જિલ્લા ટ્રાફિક પોલીસ પંચમહાલના સહયોગથી યોજાયો હતો. ચર્ચ પાસેના પોલીસ પોઈન્ટ પર મોટી સંખ્યામાં દ્વિચક્રીય વાહનચાલકોએ આ સુરક્ષા સાધનોનો લાભ લીધો હતો. આ વિતરણ કાર્યક્રમ દરમિયાન નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક બિંદ્રા જાડેજા, ટ્રાફિક જિલ્લા પોલીસ ઇન્સ્પેક્ટર કરુણાબેન ડાભી, એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર આર. એમ. વસૈયા, ગોધરા ટ્રાફિક પી.એસ.આઇ મયુરધ્વજસિંહ ચૌહાણ અને ટ્રાફિક પીએસઆઇ ડી.એન. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. લાયન્સ ક્લબના પ્રમુખ કેતકી સોની સહિત સભ્યો પ્રભુદયાલ વર્મા, હેમંત વર્મા, કેતન શર્મા, શિરીષ મહેતા, જયેન્દ્ર સુથાર, મહેબૂબ બકકર, જયદીપ ગોર, પ્રદિપ સોની અને લાયન્સ ક્લબ ફાઇવસ્ટારના પ્રમુખ જલ્પિકા વર્મા પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વાહનચાલકોને ઉત્તરાયણ પર્વ દરમિયાન માર્ગ પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી ગોધરા શહેર પ્રમુખ નિર્મિત દેસાઈ, અગ્રણી કાર્યકરો મહેશ કામનાની, જયેન્દ્ર તલાર, લક્ષ્મણભાઈ ફોટોગ્રાફર પણ આ સેવાયજ્ઞમાં જોડાયા હતા. લાયન્સ ક્લબ દ્વારા આ પહેલ થકી જનજાગૃતિ સાથે માર્ગ સુરક્ષાને પ્રાધાન્ય આપવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચેની વન-ડે મેચની ટિકીટની કિંમત કરતાં પાંચ ગણા ભાવે કાળાબજારમાં વેચાણ કરતા 2 શખ્સોને વડોદરાના ભાંડવાડા પાસેથી ટીકીટો સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. વન ડે ક્રીકેટ મેચની લેવલ 1,2 અને 3 ની કુલ ટીકીટ નંગ- 17 તમામ કુલ રૂપીયા 31000ની કિંમતની ટીકીટો કબ્જે કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના કોટંબી સ્ટેડીયમ ખાતે આજે 11 જાન્યુઆરીના રોજ ભારત-ન્યુઝીલેન્ડ ટીમ વચ્ચે આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમાઈ રહી છે અને આ વન-ડે મેચની ટીકીટો ગણતરીના મિનીટોમાં વેચાઇ ગઈ હતી. ત્યારે આ તકનો લાભ કેટલાક લોભિયા તત્વો ઉઠાવ્યો હતો. આ વન-ડે મેચની ટીકીટોને કાળાબજાર કરી ટિકિટની મૂળ કિંમત કરતા ઉંચી કીમતમાં આ વન ડે ટીકીટો કાળાબજારમાં વેચાણ કરતા હતા. જેથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશનર ડૉ.લીના પાટીલ તથા ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી હિમાંશુ કુમાર દ્વારા ક્રાઇમ બ્રાન્ચના ટીમોને આ વન-ડે મેચની ટીકોટોનો કાળાબજારમાં વેચાણ કરતા શખ્સો ઝડપી પાડવાની સૂચના આપી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ ભારત અને ન્યુઝીલેન્ડ ટીમો વચ્ચે રમાનાર વન-ડે મેચની વિતરણ થયેલો ટીકીટોના કાળાબજાર કરવા સાથે બ્લેકમાં ટિકિટ વેચવાની શક્યતા સાથે વન ડે મેચની ટીકીટોના કાળાબજાર કરનાર શખ્સોની શોધખોળ કરવા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમ્યાન ટીમને બાતમી માહીતી મળી હતી કે બે શખ્સો ભાંડવાડા નાકા સેલ પેટ્રોલપંપ પાસે જાહેરમાં ઉભા રહી કોટંબી સ્ટેડીયમ ખાતે ભારત - ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનાર વન ડે ક્રિકેટ મેચની ટીકીટો બજાર ભાવ કરતા ઉંચા ભાવે વેચાણ કરી કાળા બજારી કરી રહ્યા છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે તાત્કાલિક જ ભાંડવાડા નાકા પહોંચી ગઈ હતી અને બે શખ્સ કેતનકુમાર શાંતીલાલ પટેલ (ઉ.વ.34 રહે.નાની કાછીયાવાડ, છાણી, વડોદરા) તથા (૨) હિતેશકુમાર મુળશંકર જોષી (ઉ.વ.38 રહે.શ્રીધર સોસાયટી, નિઝામપુરા, વડોદરાને ઝડપી પાડ્યા હતા. આ બન્નેની ઝડતી કરતાં કેતનકુમાર પટેલની પાસેથી લેવલ 1 રૂ.2000ની 8 ટીકોટો અને લેવલ-2 રૂ.2000 ની 4 ટીકીટ મળી કુલ 12 ટીકીટ રૂપિયા 24000ની મળી આવી હતી તેમજ તથા હિતેશકુમાર જોષી પાસેથી લેવલ-2 રૂ.2000 ની 2 અને લેવલ-3 રૂ.1000 ની 3 ટીકીટ મળી કુલ 5 ટીકીટ કુલ રૂ.7000ની મળી હતી. આ બન્ને શખ્સો પાસેથી મળી આવેલી ક્રિકેટ મેચની ટીકીટ કુલ નંગ-17ને ટીકીટો વેચાણ કરવા બાબતે પાસ પરમીટ ન હોય જેથી આ બન્ને ઇસમ વન-ડે ક્રિકેટ મેચની ટીકીટો ઓનલાઇન બુકીંગ કરી બજાર ભાવ કરતા ઉંચા ભાવે વેચાણ કરી કાળાબજારી કરતા ટીકીટ કુલ નંગ 17 કબ્જે કરવામાં આવી હતી. ઝડપાયેલા બંને આરોપીના નામ કેતનકુમાર શાંતીલાલ પટેલ (ઉ.વ.34 રહે. નાની કાછીયાવાડ, ખોડીયાર માતાના મંદીર પાસે, છાણી, વડોદરા શહેર) હિતેશકુમાર મુળશંકર જોષી (ઉ.વ.38રહે. શ્રીધર સોસાયટી, પાસપોર્ટ ઓફીસની પાછળ, નિઝામપુરા, વડોદરા શહેર)

25 C