પાટણમાં બંધ મકાનમાંથી 2.75 લાખની ચોરી:તાળા તોડ્યા વગર ઘરમાં પ્રવેશી તિજોરીઓ કાપી દાગીના ચોરાયા
પાટણ શહેરના સિદ્ધચક્રની પોળ વિસ્તારમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રૂ. 2,75,400ની મત્તાની ચોરી કરી છે. આ અંગે પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મુંબઈના બોરીવલીમાં રહેતા અને એક્સિસ બેંકમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા કુશલભાઈ મનોજભાઈ સંઘવીનું આ પૈતૃક મકાન છે. તેમનું મૂળ વતન પાટણ છે અને આ મકાન તહેવારોમાં ઉપયોગમાં લેવાય છે. ગત 27 ડિસેમ્બર, 2025ના રોજ મકાન ખોલ્યા બાદ તે બંધ હાલતમાં હતું. ચોરીની આ ઘટના 23 જાન્યુઆરી, 2026ના રોજ પ્રકાશમાં આવી હતી. કુશલભાઈ પરિવાર સાથે મંદિર પર ધજા ચઢાવવાના પ્રસંગે પાટણ આવ્યા ત્યારે તેમણે મકાન ખોલ્યું હતું. અંદર તપાસ કરતા ઘરનો સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનું તાળું તોડ્યા વગર અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં રહેલી ત્રણ તિજોરીઓને કોઈ સાધન વડે કાપી નાખી તેમાંથી સામાન બહાર ફેંકી દીધો હતો. ચોરીમાં રૂ. 1,25,000ની કિંમતની એક તોલાની સોનાની ચેઈન, રૂ. 1,26,000ના ચાંદીના વાસણો, સિક્કા અને પૂજાનો સામાન, રૂ. 18,400ના તાંબા-પિત્તળના વાસણો તથા રૂ. 6,000ના જર્મન સિલ્વરના વાસણો મળી કુલ રૂ, 2,75,400ની મત્તાનો સમાવેશ થાય છે. કુશલભાઈ સંઘવીએ આ મામલે પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 305(a), 331(3) અને 331(4) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક સગીર દીકરી સાથે તેના સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી પિતાની ધરપકડ કરી છે. આ અંગે સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, આરોપી પિતાએ તેની 14 વર્ષીય સગીર દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આ ફરિયાદને ગંભીરતાથી લીધી હતી. DYSP સમીર સારડાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટંકારા પોલીસે ગુનો નોંધીને આરોપીની તાત્કાલિક ધરપકડ કરી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીના રિમાન્ડ મેળવવા માટેની તજવીજ પણ શરૂ કરી છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે શનિવારે વિરા વસાની સિકોતર માતાજીના મંદિરના પ્રતિષ્ઠા પાટોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ધાર્મિક અવસરે સમગ્ર ગામમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. પાટોત્સવ નિમિત્તે દિવસ દરમિયાન શાસ્ત્રી મહેશભાઈ દવે અને અજીતભાઈ દવેના આચાર્ય પદે પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે યોજાયેલા આ યજ્ઞમાં અનેક શ્રદ્ધાળુઓએ આહુતિ આપી દર્શનનો લાભ લીધો હતો. સાંજના સમયે બાબા રામદેવપીર ભગવાનનો પાટ ભરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચવેલી આશ્રમના મહંત અને અન્ય ઉપસ્થિત સંતોના હસ્તે પાટની જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી. આ આધ્યાત્મિક કાર્યક્રમમાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. રાત્રિના સમયે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું હતું, જેમાં જાણીતા કલાકારોએ ભક્તિ સંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. ધાર્મિક કાર્યક્રમોની સાથે મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
ગોધરાની બી.એન. ચેમ્બર્સમાં ચોરી:એસીના કોપર પાઇપ અને વાયરોની ચોરી, ફરિયાદ નોંધાઈ
ગોધરા શહેરના લાલબાગ બસ સ્ટેન્ડ પાસે આવેલી બી.એન. ચેમ્બર્સ બિલ્ડિંગમાં રાત્રિના સમયે અજાણ્યા ઈસમ દ્વારા એસીના કોપર પાઇપ અને વાયરોની ચોરી કરવામાં આવી છે. આ અંગે વેપારીઓ દ્વારા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્થ જગતકુમાર સોની, જેઓ મોબાઈલ રિપેરિંગ અને એસેસરીઝનો વ્યવસાય કરે છે, તેમની દુકાન બી.એન. ચેમ્બર્સના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી છે. ગત 23 જાન્યુઆરીના રોજ સાંજે તેઓ દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે સવારે દુકાન ખોલતા એસી ચાલુ ન થતાં તપાસ કરતા બહાર લાગેલા કોમ્પ્રેસર પરથી કોપર પાઇપ અને વાયરો ગાયબ જણાયા હતા. વધુ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે પ્રથમ માળ પર આવેલી અરુણભાઈ જયંતીલાલ સોનીની સી.એ. ઓફિસ, ક્વિક ફોટો સ્ટુડિયો અને એડવોકેટ ગોપાલસિંહ ગુલાબસિંહ સોલંકીની ઓફિસમાંથી પણ એસીના કોપર પાઇપ અને વાયરોની ચોરી થઈ હતી. ચોરાયેલા કોપર પાઇપ અને વાયરોની કુલ કિંમત આશરે 4 હજાર રૂપિયા અંદાજવામાં આવી છે. સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસતા એક અજાણ્યો ઈસમ સીડીઓ દ્વારા ઉપર-નીચે આવતો નજરે પડ્યો હતો અને કેમેરા જોઈને પોતાનું મોઢું ઢાંકતો હોવાનું સ્પષ્ટ થયું છે. આ સમગ્ર બનાવ અંગે પાર્થ સોની અને પ્રતિક પંડિત દ્વારા ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચોરની શોધખોળ શરૂ કરી છે.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
Bangladesh Textile Crisis : બાંગ્લાદેશે હિંસાનો સામનો કર્યા બાદ, તખ્તાપલટો થયા બાદ હવે વધુ એક સંકટ સામે ઝઝુમી રહ્યું છે. દેશમાં સ્થિતિ એવી છે કે, હવે ત્યાં ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રી પડી ભાંગી છે, જેના કારણે ત્યાંના લાખો લોકો ગંભીર સંકટનો સામનો કરી રહ્યા છે. સ્થાનિક ટેક્સટાઇલ મિલ માલિકોએ ચેતવણી આપી છે કે, જો સરકાર જાન્યુઆરીના અંત સુધીમાં યાર્ન (કાપડ વણવા માટેનો દોરો) ની ડ્યુટી-ફ્રી આયાત (કરમુક્ત આયાત)ની સુવિધા ફરી શરૂ નહીં કરે, તો પહેલી ફેબ્રુઆરીથી દેશભરના સ્પિનિંગ યુનિટ્સ (દોરો કાંતવાના એકમો)માં ઉત્પાદન ઠપ કરી દેવામાં આવશે. ભારત અને ચીનના કારણે વધ્યું સંકટ !
ભારતના 77માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંઘ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા પદ્ય પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કલા, સમાજસેવા, શિક્ષણ, ચિક્સત્સા જેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપનારા ત્રણ ગુજરાતીઓની પણ પદ્મશ્રી પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. અંગદાનની પ્રવૃતિના પ્રણેતા એવા સુરતના નિલેશ માંડલેવાલા, ઢોલકના કારણે દેશ-વિદેશમાં પ્રખ્યાત હાજી રમકડુંના નામે જાણીતા હાજી કાસમ મીર અને 350 વર્ષ જૂની માણભટ્ટની પરંપરાને જીવંત રાખનારા વડોદરાના ધાર્મિકલાલ પંડ્યાની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા (પદ્મશ્રી)સુરતના નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને સામાજિક કાર્ય માટે પદ્મશ્રી એવોર્ડનું સન્માન આપવામાં આવ્યું છે. તેઓ ગુજરાતમાં અંગદાનની પ્રવૃત્તિના પ્રણેતા તરીકે ઓળખાય છે અને ડોનેટ લાઈફ સંસ્થાના સ્થાપક છે. વર્ષ 1997માં નિલેશભાઈના પિતાની કિડની નિષ્ફળ થઈ હતી. વર્ષ 2004થી તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. આ દરમિયાન દર્દી અને પરિવારને પડતી અસહ્ય તકલીફો જોઈને નિલેશભાઈએ આ ક્ષેત્રમાં કાર્ય કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. સપ્ટેમ્બર 2011માં તેનાં પિતાનું અવસાન થયું. 2014માં ડોનેટ લાઈફ સંસ્થાની સ્થાપના કરીનિલેશભાઈના પિતાની સારવાર દરમિયાન નિલેશભાઇ કિડનીના દર્દીઓ અને તેમના પરિવારની તકલીફોથી માહિતગાર થયા હતા. તેમના પિતાની કિડનીની બીમારી એક નવી ચેતના અને નવી દિશા નિલેશભાઈને માટે ઉઘાડી ગઈ અને એ હતી અંગદાનની. વર્ષ 2005થી અંગદાનની જનજાગૃતિ માટે વન મેન આર્મીની જેમ કાર્ય કરતા નિલેશભાઈએ વર્ષ-2014 માં ડોનેટ લાઈફ નામની સંસ્થા સ્થાપી હતી. 1366 અંગો અને ટીસ્યુનું સફળ પ્રત્યારોપણ કરાવ્યુંવર્ષ-2006માં કિડની દાનથી પ્રારંભ કરેલ આ અભિયાન ધીરે ધીરે લિવર, સ્વાદુપિંડ, હૃદય, ફેફસા, આતરડું, હાથ અને હાડકાના દાન સુધી વિસ્તર્યું છે. અંગદાનની પ્રવૃત્તિમાં તા. 22 જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 1366 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવીને દેશના વિવિધ રાજયો અને વિદેશના મળી કુલ 1258 વ્યકિતઓને નવજીવન આપવામાં મહત્વપુર્ણ યોગદાન આપ્યું છે. કોરોનાની વૈશ્વિક મહામારીમાં આખા દેશમાં અંગદાનના પ્રમાણમાં ઘટાડો નોંધાયો હતો તેવા સમયે પણ તેઓએ સુરતમાંથી કુલ 203 અંગો અને ટીસ્યુઓના દાન કરાવીને 182 ઓર્ગન નિષ્ફળ દર્દીઓને નવજીવન આપ્યું હતું. 2020 -21માં ગુજરાત રાજય સરકાર દ્રારા તેઓના કામની નોંધ લઇ ઓર્ગન અને ટીસ્યુ પ્રત્યારોપણ માટેની રાજય સલાહકાર સમિતિના સભ્ય તરીકે તેમની નિમણુંક કરી હતી. અંગદાનના ક્ષેત્રમાં ગુજરાતને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવનાર, ગુજરાતમાં અંગદાનની પ્રવૃતિના પ્રણેતા નિલેશભાઈ માંડલેવાલાની નોંધ ગુજરાત સરકારે લઇ તા. 01/05/2022ના રોજ ગુજરાત સરકારનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર. ગુજરાત ગરિમા એવોર્ડ” ગુજરાત ગૌરવ દિવસે પાટણ ખાતે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના વરદ હસ્તે તેમને એનાયત કરવામાં આવ્યો હતો. ઢોલકવાદક હાજી રમકડુંની પદ્મશ્રી માટે પસંદગીગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેર માટે ગૌરવની ક્ષણ આવી છે. ભારત સરકાર દ્વારા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પૈકીના એક એવા 'પદ્મશ્રી' એવોર્ડ માટે જૂનાગઢના ખ્યાતનામ ઢોલક વાદક હાજીભાઈ કાસમભાઈ મીર, જેઓ લોકપ્રિય રીતે 'હાજી રમકડું' તરીકે ઓળખાય છે, તેમના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા છ દાયકાથી ઢોલકની થાપ પર સમગ્ર વિશ્વને ડોલાવનાર આ કલાકારને જ્યારે આ સન્માન મળવાની જાણ થઈ ત્યારે તેઓ અત્યંત ભાવુક થઈ ગયા હતા. 80 વર્ષની વયે પહોંચેલા હાજીભાઈએ આ જાહેરાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. મને જીવતા એવોર્ડ મળ્યો તેનાથી હું રાજી રાજી થયો- હાજી રમકડુંપદ્મશ્રીની જાહેરાત બાદ હાજીભાઈ મીરના નિવાસસ્થાને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેમની 80 વર્ષની ઉંમર દરમિયાન તેમણે અનેક દિગ્ગજ કલાકારો સાથે દેશ-વિદેશમાં પ્રોગ્રામો કર્યા છે. પ્રાણલાલ વ્યાસ, હેમુભાઈ ગઢવી, દિવાળીબેન ભીલ અને કાનદાસ બાપુ જેવા નામી કલાકારો સાથે કામ કરી ચૂકેલા હાજીભાઈએ ભાવુક થતા કહ્યું હતું કે, મારી જિંદગીની તમન્ના આજે પૂરી થઈ છે. નરેન્દ્રભાઈ મોદીએ મને આ પદ્મશ્રી આપવાનો જે શ્રેય આપ્યો છે તેના માટે હું તેમનો ખૂબ આભારી છું. જો હું મૃત્યુ પામ્યો હોત અને ત્યારબાદ મને આ એવોર્ડ મળ્યો હોત તો તે મારા માટે નકામો હતો, પરંતુ આજે મારા જીવતા મને આ સન્માન મળ્યું તેનો મને બેહદ આનંદ છે. ધારાસભ્ય મીઠું મોઢું કરાવી હાજીભાઈને શુભેચ્છા પાઠવીઆ ખુશીના સમાચાર મળતા જ જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયા પણ હાજી રમકડુંની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમનું સન્માન કર્યું હતું. સંજય કોરડીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, આજે જૂનાગઢ માટે ગૌરવની વાત છે. ભારતનો સર્વોચ્ચ એવોર્ડ જ્યારે એક સામાન્ય વ્યક્તિને મળે છે ત્યારે તે સમગ્ર રાજ્યનું ગૌરવ વધારે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજી રમકડુંના ઢોલથી ખૂબ પ્રભાવિત છે. જ્યારે પણ મોદીજી જૂનાગઢ આવતા ત્યારે તેઓ ખાસ કહેતા કે 'હાજીભાઈ ઢોલ વગાડો'. આજે જૂનાગઢને આ ચોથો પદ્મશ્રી મળી રહ્યો છે, જે આપણા માટે ગર્વની વાત છે. હાજી રમકડુંએ ગાય માટે 20 હજારથી વધુ પ્રોગ્રામ કર્યાહાજી રમકડુંના જીવન સંઘર્ષ અને કલા પ્રત્યેના લગાવની વાત કરીએ તો, તેમનો જન્મ 17 મે 1951ના રોજ સોમનાથ પાટણના આદરી ગામમાં થયો હતો. સંગીત તેમને વારસામાં મળ્યું હતું, તેમના પિતા અને દાદા પણ આ કલા સાથે જોડાયેલા હતા. માત્ર 9 વર્ષની ઉંમરથી ઢોલક વગાડવાની શરૂઆત કરનાર હાજીભાઈએ પહેલી કમાણી વણઝારી ચોકની ગરબીમાં ઢોલ વગાડીને 15 રૂપિયા કરી હતી. તેમના મિત્ર શંકરભાઈ રાવલે તેમની વગાડવાની અનોખી છટા જોઈને તેમને 'રમકડું' નામ આપ્યું હતું, જે બાદમાં તેમની ઓળખ બની ગયું. તેમણે પ્રાણલાલ વ્યાસ સાથે 55 વર્ષ સુધી કામ કર્યું અને તેમની બે પેઢીઓ સાથે ઢોલક વગાડ્યું છે. હાજીભાઈએ ગૌશાળાઓ અને ગાયોના ફાળા માટે 20,000 થી વધુ પ્રોગ્રામો એક પણ રૂપિયો લીધા વગર કર્યા છે, જે તેમની ઉમદા ભાવના દર્શાવે છે. તેમણે દિવાળીબેન ભીલ સાથે લંડનનો પહેલો પ્રવાસ કર્યો હતો અને ત્યારબાદ અમેરિકા, કેનેડા, પેરિસ અને દુબઈ જેવા અનેક દેશોમાં ગુજરાતની કલાને ગુંજતી કરી હતી. તેઓ યાદ કરતા કહે છે કે જ્યારે વિદેશમાં 'કસુંબીનો રંગ' ગવાતો ત્યારે વિદેશીઓ પણ રડી પડતા હતા. છેલ્લા પાંચ વર્ષથી નિવૃત્ત જીવન જીવતા હાજીભાઈ છેલ્લા છ વર્ષથી પદ્મશ્રી માટે અરજી કરી રહ્યા હતા. તેમની આ મહેનત અને કલાની સાધનાને આજે ભારત સરકારે યોગ્ય ન્યાય આપ્યો છે. હાલ જૂનાગઢના તેમના સ્નેહીજનો અને કલાપ્રેમીઓ મોટી સંખ્યામાં તેમના ઘરે આવીને તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. હાજી રમકડુંનું આ સન્માન એ માત્ર એક વ્યક્તિનું નહીં પણ ગુજરાતની લોકકલા અને સમરસતાનું સન્માન છે. વડોદરાના 'માણભટ્ટ'ને પદ્મશ્રીથી સન્માનિત કરાશેવડોદરાના ધાર્મિકલાલ ચુનિલાલ પંડયા 'માણભટ્ટ'ને સંગીત ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરાશે. વડોદરાના ધાર્મિકલાલ પંડયાએ જણાવ્યું હતું કે, આ પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે એનો મને ખૂબ જ આનંદ છે. પરંતુ આ સન્માન માત્ર મારું નથી, આ સન્માન તો આપણા ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનારા પ્રેમાનંદ, નરસિંહ મહેતા, નાકર અને ભાલણ જેવા મહાન કવિઓનું છે. મને અત્યંત આનંદ છે કે આજે આપણી ગુજરાતી ભાષા અને આખ્યાનકારોનું સન્માન થઈ રહ્યું છે. મારા અભ્યાસકાળ દરમિયાન મારા પિતાજીનું અવસાન થયું હતું. હું નાનપણથી તેમની સાથે જતો હતો એટલે આ કળા મને વારસામાં મળી હતી. પિતાજીના ગયા પછી જવાબદારી મારે માથે આવી પડી અને ત્યારે પિતાજીના મિત્રોએ મને આ પરંપરા આગળ વધારવા માટે પ્રોત્સાહન આપ્યું. શરૂઆતમાં મારું મન માનતું નહોતું અને લગભગ 10 વર્ષ સુધી તો હું એમાં સફળ પણ ન થયો. પરંતુ અંતે ભગવાનને પ્રાર્થના કરી અને મેં આ કળા સ્વીકારી લીધી. હિંમત મળી અને મેં આ પરંપરા શરૂ કરી. આજની પેઢીને મારે એટલું જ કહેવાનું છે કે, આપણી ગુજરાતી ભાષાને ભૂલી ન જાય. ગમે તેટલી ભાષાઓ બોલે પણ ગુજરાતી ભાષાનો ગર્વ રાખવો જોઈએ. સાહિત્યમાં પ્રેમાનંદ અને નરસિંહ મહેતાને હંમેશા યાદ રાખવા જોઈએ. મોટો વર્ગ કળાનું સન્માન કરે છે એ વાતનો મને ઘણો આનંદ છે- ધાર્મિકલાલ પંડ્યાઆજના સંગીત અને પ્રાચીન સંગીત વિષના ભેદ અંગે તેઓ કહે છે કે, સમય પ્રમાણે પરિવર્તન તો આવતું જ હોય છે. આ તો પ્રાચીન કળા છે. માણ-આખ્યાનની પરંપરા ખૂબ જ જૂની છે. માણ એ એક પ્રકારનું ઘન વાદ્ય છે અને એનું સંગીત ખરેખર શ્રેષ્ઠ છે. આજે પણ મોટો વર્ગ આ કળાનું સન્માન કરે છે એ વાતનો મને ઘણો આનંદ છે. મારા બંને પુત્રો પ્રદ્યુમ્ન અને મયંક આ પરંપરાને આગળ વધારશે. મયંકે તો રેડિયો પર આખ્યાન ગાવાનું શરૂ પણ કરી દીધું છે અને અત્યાર સુધીમાં લગભગ 25 જેટલા પ્રોગ્રામ કર્યા છે. મને પૂરી શ્રદ્ધા છે કે મારા ગયા પછી આ પરંપરા લુપ્ત નહીં થાય, પણ મારા પુત્રો તેને વધુ સારી રીતે આગળ ધપાવશે. ભારત સરકાર દ્વારા મારા પિતાજીને સન્માન મળ્યું તેનાથી અમે ખુશ છીએ- મયંક પંડ્યાધાર્મિકલાલના પુત્ર મયંક પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના દિવસે પદ્મ પુરસ્કાર 2026માં ગુજરાતની પ્રાચીન માણભટ્ટ આખ્યાન પરંપરાના એક પ્રતિનિધિ તરીકે મારા પિતાજીને ભારત સરકાર દ્વારા જે સન્માન પ્રાપ્ત થયું છે, તેનો મને ખૂબ આનંદ છે. આ પરંપરા મને મારા દાદાજી દ્વારા મારા પૂજ્ય પિતાજીને મળી અને તેમના દ્વારા અમને આ પ્રસાદી મળી છે. અમે અત્યારે આ પરંપરાનો પ્રચાર-પ્રસાર કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. બસ એટલું જ કહીશ કે આ સન્માન ગુજરાતી ભાષાનું છે, ગુજરાતનું છે. આ સન્માન હેમચંદ્રાચાર્યજીનું છે, નરસિંહ મહેતાનું છે અને પ્રેમાનંદનું છે. આ મહાનુભાવો દ્વારા આખ્યાન પરંપરા અને ગુજરાતી ભાષાની સમૃદ્ધિ માટે જે પણ કાર્યો થયા છે, તેને હું વંદન કરું છું. શાળાના અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન મેળવ્યું94 વર્ષિય સંગીતકાર ધાર્મિકલાલ પંડયાએ મેટ્રિક સુધી પહોંચ્યા તે અરસામાં એમના પિતાનું અવસાન થયું. ઘર ચલાવવાની જવાબદારી ધાર્મિકલાલના શિરે આવી પડતા કથા-વાર્તાને આજીવિકાના સાધનરૂપે સ્વીકારી, ધાર્મિકલાલે કથા-વાર્તા કરવાનો પ્રારંભ કર્યો હતો. શાળાકીય અભ્યાસ સાથે તેમણે શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન પણ મેળવ્યું હતું. તેથી સ્વર, સૂર અને તાલના ત્રિવેણી સંગમથી, આખ્યાનકળાનો વિકાસ એમણે અતિ સાહજિકતાથી કર્યો છે. શરૂઆતના પાંચ-છ વર્ષ એમણે વડોદરા શહેરની વિવિધ પોળોમાં આખ્યાન કથાઓ કરવાની શરૂઆત કરી હતી. વડોદરાના રેડિયો સ્ટેશનના માધ્યમથી એમની કીર્તિ ગુજરાતમાં ચોમેર પ્રસરી. સાથે સાથે કલાગુરૂઓ, સંગીત પ્રેમી નાગરીકોએ, સમાજ અને મિડિયાનો આ સમયે ખુબ સાથ સહકાર રહ્યો જેના કારણે આખ્યાનના અનેક કાર્યક્રમો અનેક જિલ્લાઓમાં જ નહી.પરંતુ દેશ વિદેશમા કાર્યક્રમો કરી શક્યા છે. 2500થી વધુ આખ્યાનો પ્રસ્તુત કર્યાધાર્મિકલાલ પંડયાએ ભારત સહિત પાંચથી વધુ દેશોમાં તથા વિવિધ મીડિયા માધ્યમો દ્વારા 2500થી વધુ આખ્યાનો પ્રસ્તુત કર્યા છે. ઓલ ઈન્ડિયા રેડિયો, વડોદરા પર ‘શ્રી હરિવંશ પુરાણ’ના 28 એપિસોડ, દિલ્હી ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલ તેમજ સંગીત નાટક અકાદમી, દિલ્હી (2014) જેવા પ્રતિષ્ઠિત મંચો પર તેમની કલાપ્રસ્તુતિ નોંધપાત્ર રહી છે. આટલુ જ નહિ માહિતી અને પ્રસારણ વિભાગના સહયોગથી જનજાગૃતિના વિષ્યો ઉપર પણ કાર્યક્રમો કર્યા છે. જેમાં જળઆખ્યાન અને અક્ષરઆખ્યાન આકાશવાણી દ્વારા પ્રસારીત કરવામાં આવ્યુ હતું. આ સાથે બેટી બચાવો બેટી પઢાવો, નશાબંધી, પર્યાવરણ બચાવો જેવા વિષ્યો ઉપર પણ આખ્યાનોની રચના કરી કાર્યોક્રમો કર્યા છે. તેમના આખ્યાનોમાં સૌથી વધારે પ્રખ્યાત ‘શ્રી હરિવંશ પુરાણ’, ‘શ્રી શિવ મામપુરાણ’ અને ‘શ્રી સંગીત શ્રીમદ્ ભાગવત’ છે. રામાયણ અને મહાભારત આધારિત અખ્યાનો દ્વારા અમેરિકા, યુકે અને કેનેડામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો આંતરરાષ્ટ્રીય પ્રચાર કર્યો છે. સાથે યુવા પેઢી પણ આ કળા સાથે જૉડાય તે માટે તેઓના પુત્ર અને પૌત્રો આ કલાને શીખી અનેક વિદ્યાર્થીઓને આખ્યાન ગાયનની તાલીમ આપી નવી પેઢી તૈયાર કરી રહ્યા છે. હાલ તેઓ ગુજરાત સ્થિત શ્રી મન્ન આખ્યાનકલા શિક્ષણ કેન્દ્રના સંચાલક તરીકે કાર્યરત છે અને યુવા કલાકારોને આ દુર્લભ લોકકલાની તાલીમ આપી રહ્યા છે. આખ્યાન કલાના વિષય પર તેમણે ‘ગુજરાતી આખ્યાન’ તથા ‘ગોવિંદગુણ સાગર’ નામે બે પુસ્તકો પણ લખ્યા છે. આજે 94 વર્ષે પણ તેઓ આખ્યાન લેખન સાથે સંકળાયેલા છે.
બોટાદ જિલ્લાને મતદાર જાગૃતિ માટે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સમારંભ દરમિયાન બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. જિન્સી રોયે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ પુરસ્કાર 16મા રાષ્ટ્રીય મતદાર દિવસ, 25 જાન્યુઆરી 2026ના રોજ ‘Innovative Voter Awareness Initiatives’ શ્રેણી હેઠળ આપવામાં આવ્યો છે. બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમલમાં મૂકાયેલી રોબોટિક્સ આધારિત પહેલ ‘બોટ્રોન (BOTRON)’ માટે આ સન્માન મળ્યું છે. મતદાર જાગૃતિના ક્ષેત્રમાં ટેકનોલોજીનો નવતર ઉપયોગ કરીને બોટાદ જિલ્લાએ દેશભરમાં પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. આ શ્રેણીમાં ગુજરાત રાજ્યમાંથી એકમાત્ર બોટાદ જિલ્લાને આ સન્માન પ્રાપ્ત થયું છે. બોટ્રોન પહેલ દ્વારા મતદાર નોંધણી, મતદાર યાદી સુધારણા, નૈતિક મતદાન અને ચૂંટણી જાગૃતિ અંગેની માહિતી રોબોટિક્સ મારફતે જનતા સુધી પહોંચાડવામાં આવી હતી. આ પહેલને રાષ્ટ્રીય સ્તરે ઉત્તમ અને અનુસરણયોગ્ય મોડલ તરીકે માન્યતા મળી છે, જે ટેકનોલોજી દ્વારા લોકશાહીને સશક્ત બનાવવાનું ઉદાહરણ પૂરું પાડે છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા 77th પ્રજાસત્તાક દિવસની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ ગૌરવશાળી સમારોહ સોમવાર, 26th January, 2026 ના રોજ સવારે 10:00 કલાકે હાઈકોર્ટના પટાંગણમાં યોજાશે. આ પ્રસંગે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના હસ્તે રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી હાઈકોર્ટના અન્ય સાથી ન્યાયાધીશોની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થશે. કાર્યક્રમની રૂપરેખા મુજબ, આમંત્રિત મહેમાનોનું આગમન સવારે 9:45 કલાકે થશે, જ્યારે ચીફ જસ્ટિસ સવારે 9:55 કલાકે સમારોહ સ્થળે પધારશે. બરાબર 10:00 કલાકે ધ્વજવંદન વિધિ પૂર્ણ થયા બાદ ઉપસ્થિત તમામ લોકો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે, જે સવારે 11:30 વાગ્યા સુધી ચાલશે. ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ દ્વારા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પ્રજાસત્તાક પર્વના આ અવસરે ન્યાયિક ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો રાષ્ટ્રભાવના સાથે એકત્રિત થશે
Vadodara News: વડોદરા શહેરમાં ફરી એક વખત દારૂના ધંધામાં પોલીસ અને બુટલેગર વચ્ચે સાંઠગાંઠ હોવાના આક્ષેપો સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વાયરલ વીડિયોમાં મોપેડમાં દારૂ હોવાના આક્ષેપ થવા છતાં પોલીસે સ્થળ પર ડેકી ચેક ન કરી અને મોપેડ ચાલકને જવા દેતા ખાખીની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. પ્રથમ વીડિયોમાં શું છે? વાયરલ થયેલા વીડિયોમાં દેખાતા દ્રશ્યો મુજબ, એક બુટલેગરે મોપેડ સાથે પસાર થતા યુવકને અટકાવી કંટ્રોલ રૂમમાં વર્ધી લખાવતાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો ડી-સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. વર્ધી લખાવનાર યુવકે મોપેડની ડેકીમાં દારૂ હોવાનો આક્ષેપ કર્યો હતો.
SVPI એરપોર્ટ પરથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયુ અમદાવાદના SVPI એરપોર્ટ પરથી AIUના અધિકારીઓએ કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપ્યુ.. બેંગકોકથી વાયા મલેશિયા થઈ અમદાવાદ પહોંચેલા ચાર ભારતીય મુસાફરોની તપાસમાં ટ્રોલી બેગના પ્લાસ્ટિકના પડ તોડતા 'હાઈડ્રોપોનિક ગાંજો' પકડાયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો એકના ઘરે રેડ પડતા બીજાને પકડાવ્યો વડોદરાના ગોત્રીમાં પોલીસ રેડ પાડવા પહોચી તો બુટલેગર ગુરુ પ્રસાદે અન્ય જગ્યાએ મોટી માત્રામાં દારુનું વેચાણનુ કહી પોલીસને બુટલેગર રોહિત કથીરિયાને ત્યાં લઈ ગયો આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો જૂનાગઢમાં 5 શ્વાન 6 વર્ષના માસૂમ પર તૂટી પડ્યાં જૂનાગઢના બીલખામાં 6 વર્ષના માસૂમ બાળક પર 5 શ્વાને હુમલો કર્યો .. બાળક લોહીલુહાણ થઈ જતાં તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયો કમરની બંને બાજુ અને ગોઠણના ભાગે સાત ટાંકા આવ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો દાહોદમાં 1 દિવસમાં હત્યા અને આપઘાતની 2 ઘટના દાહોદના પેથાપુરમાં શનિવારે વરોડ PHCમાં ફરજ બજાવતી નર્સ સોનલબેન પણદાની હત્યા થયેલી હાલતમાં લાશ મળી તો તે જ ગામના શિક્ષક મનોજ વાલ્મીકીની લાશ MPમાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી ... બંને મોતને જોડીને પોલીસે તપાસ હાથ ધરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો 60 લાખની ખંડણી માટે CAનું અપહરણ જૂનાગઢમાં CA મિલન ચૌહાણનું ફિલ્મી ઢબે અપહરણ કરી રૂપિયા 60 લાખની ખંડણી માંગી .. પોલીસ એક્શનમાં આવતા જામનગર જઈ રહેલા અપહરણકારો CAને ઉતારીને નાશી છૂટ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો કામરેજમાં પરિણીતા પાંચમાં માળેથી પટકાઈ સુરતના કામરેજમાં કર્મેશ્વર શોપિંગ સેન્ટરના પાંચમા માળેથી પરિણીતા પટકાઈ હતી. જેમાં મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલમાં દાખલ ખસેડાઇ છે , આપઘાતનો પ્રયાસનું અનુમાનથી તપાસ હાથ ધરાઇ આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો મેવાણીનું આક્રમક તેવર પાટણમાં અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પિઠડિયાને જાનથી મારવાની કથિત ધમકી મામલે મેવાણીએ ધારાસભ્ય કિરીટ પટેલ પર સીધું નિશાન સાધ્યું સાથે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો માઉન્ટ આબુમાં તાપમાન - 4 ડિગ્રીએ પહોંચ્યું માઉન્ટ આબુમાં કમોસમી વરસાદ બાદ તાપમાનનો પારો માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ પહોચ્યો શહેરના મેદાનો, બગીચાઓ અને હોટલના પ્રાંગણમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ.. પર્યટકોએ માઉન્ટ આબુના કાશ્મીર જેવા વાતાવરણનો આનંદ માણ્યો ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતના 16 પોલીસનું રાષ્ટ્રપતિ મેડલથી સન્માન થશે પ્રજાસત્તાક દિવસ પર ગુજરાતના કુલ 16 પોલીસ અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ આપવાની જાહેરાત કરાઇ છે IPS નિપૂણા તોરવણે અને એસ. એસ. રઘુવંશીને 'વિશિષ્ટ સેવા પોલીસ મેડલ' એનાયત થશે આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો આમ્રપાલી બ્રિજમાં વગર વરસાદે પાણી ભરાય છે રાજકોટના આમ્રપાલી અન્ડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા યથાવત્ છે. તાજેતરમાં રિપેરિંગનાં નામે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે, છતાં સ્થિતિ જૈસે થે જેવી છે. હજારો વાહનચાલકોને મુશ્કેલી પડે છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અન વીડિયો જોવા ક્લિક કરો
રાષ્ટ્રીય મતદાતા દિવસની 16મી ઉજવણી નિમિત્તે લીમખેડા પ્રાંત અધિકારી યશોરાજસિંહ વાઘેલાને 'શ્રેષ્ઠ મતદાર નોંધણી અધિકારી' તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયો હતો. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી હારીત શુક્લા સહિત રાજ્યના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યશોરાજસિંહ વાઘેલાને મતદાર નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા, ચોકસાઈ અને સર્વસમાવેશક અભિગમ અપનાવવા બદલ આ ગૌરવ પ્રાપ્ત થયું છે. લીમખેડા પ્રાંતમાં તેમણે નોંધપાત્ર કાર્ય સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે 18 વર્ષની ઉંમરે પહોંચતા નવા યુવાનોને મતદાર યાદીમાં જોડવા માટે વિશેષ અભિયાન હાથ ધર્યા હતા. આ અંતર્ગત શાળા-કોલેજ સ્તરે મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ઘરઘર જઈને ચકાસણી કામગીરી અને ડિજિટલ ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી મતદાર નોંધણીમાં નોંધપાત્ર વધારો થયો હતો. મતદાર યાદીની શુદ્ધતા જાળવવા માટે ડુપ્લિકેટ નામો દૂર કરવાના અભિયાન ચલાવવામાં આવ્યા હતા. નામ-સરનામા સુધારણા, સ્થળાંતર બાદની નોંધણી તેમજ દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોને સરળતા મળે તે માટે ખાસ વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વસનીયતા અને લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવામાં તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. ગાંધીનગરમાં યોજાયેલા આ સન્માન સમારંભમાં રાજ્યભરના શ્રેષ્ઠ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. યશોરાજસિંહ વાઘેલાને મળેલ આ એવોર્ડ લીમખેડા પ્રાંત અને દાહોદ જિલ્લા માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની છે. આ સિદ્ધિથી વહીવટી તંત્રમાં ઉત્સાહ અને પ્રેરણાનો માહોલ સર્જાયો છે. આ એવોર્ડ દ્વારા મતદાર જાગૃતિ અને નોંધણી કાર્યને ભવિષ્યમાં વધુ અસરકારક બનાવવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
ગોધરા RTO રોડ નજીક શ્રમિકો સુરક્ષા વિના કામ કરવા મજબૂર:પાણીના સંપ નિર્માણમાં ગંભીર બેદરકારી સામે આવી
ગોધરા નગરપાલિકા વિસ્તારમાં RTO રોડ નજીક પાણીના નવા સંપના નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી સામે આવી છે. અહીં શ્રમિકો કોઈપણ સુરક્ષા સાધનો વિના જીવના જોખમે કામ કરી રહ્યા છે. ગોધરા શહેરના RTO રોડ નજીક નગરપાલિકાની હદમાં એક ખાનગી એજન્સી દ્વારા આ પાણીના સંપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. બાંધકામ નિયમો અનુસાર, આવા જોખમી કાર્ય દરમિયાન શ્રમિકોને હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ, બૂટ જેવા સુરક્ષા કવચ પૂરા પાડવા ફરજિયાત છે. જોકે, સ્થળ પર શ્રમિકો આમાંથી કોઈપણ સાધનો વિના કામ કરતા જોવા મળ્યા હતા. શ્રમિકો સંપની અત્યંત સાંકડી અને ઊંચી ધારી પર ઊભા રહીને કામ કરી રહ્યા છે. સંતુલન ગુમાવતા તેઓ ઊંડા ખાડામાં પટકાઈ શકે છે, જેનાથી ગંભીર દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. આ ઘટના કોન્ટ્રાક્ટર કે સંબંધિત એજન્સી દ્વારા શ્રમિકોના જીવની સુરક્ષા પ્રત્યે દાખવવામાં આવેલી ઘોર બેદરકારી સૂચવે છે. તંત્ર દ્વારા પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
વલસાડ રૂરલ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી ઝડપી:રૂ. 5.65 લાખનો મુદ્દામાલ કબ્જે, બે આરોપી પકડાયા
વલસાડ રૂરલ પોલીસે વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરી કુલ રૂ. 5.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 24 જાન્યુઆરી, 2025ના રોજ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ પિકઅપ વાહન (નં. DD-01-M-9875) અટકાવ્યું હતું. વાહનની તપાસ કરતાં તેમાંથી રૂ. 2.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 3 લાખની કિંમતનું પિકઅપ વાહન પણ જપ્ત કર્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂ દમણ અને દાદરા નગર હવેલીમાંથી ગેરકાયદેસર રીતે ગુજરાત રાજ્યમાં લાવવામાં આવી રહ્યો હતો. આરોપીઓ પાસે દારૂના પરિવહન માટે કોઈ માન્ય પરવાનગી કે આધાર પુરાવા નહોતા. આ મામલે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશને ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં દારૂની હેરાફેરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.
તમિલનાડુના CMને ‘હિન્દી ભાષા’થી ફરી વાંધો પડ્યો, વિવાદાસ્પદ નિવેદન કરતા રાજકીય ગરમાવો
Tamil Nadu CM MK Stalin Hindi Language Controversy : તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ભાષાના મુદ્દે ફરી એકવાર વિવાદ છેડ્યો છે. રાજ્યમાં હિન્દી ભાષાના વિરોધમાં આક્રમક વલણ અપનાવતા સ્ટાલિને સ્પષ્ટ કર્યું છે કે તમિલનાડુમાં હિન્દીનો ક્યારેય સ્વીકાર કરવામાં આવશે નહીં. ભાષા શહીદ દિવસ નિમિત્તે કાળા કપડાં પહેરીને વિરોધ નોંધાવતા તેમણે દક્ષિણ ભારતના રાજકારણમાં ફરી હિન્દી વિરુદ્ધની લડાઈને તેજ કરી દીધી છે, જેના કારણે હાલમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી હિંમતનગર કલેક્ટર કચેરીના પોળો સભાખંડમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં SIR (Special Summary Revision)ની સારી કામગીરી કરનાર BLO, સુપરવાઈઝર અને નાયબ મામલતદારોનું સન્માન કરાયું હતું. આ ઉજવણી દરમિયાન, SIRની ઉત્કૃષ્ટ કામગીરી બદલ ચાર BLO, ચાર સુપરવાઈઝર અને ચાર નાયબ મામલતદારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નવા યુવા મતદારો અને વયોવૃદ્ધ મતદારોનું પણ સન્માન કરાયું હતું. કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુએ નવા યુવા મતદારોને સંબોધતા જણાવ્યું હતું કે, આપણે પોતાના હકો પ્રત્યે જાગૃત છીએ, પરંતુ ફરજ પ્રત્યે જાગૃત બનવાનો આ દિવસ છે. તેમણે છેવાડાના માનવી સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવા અને દરેક નાગરિક પોતાના નેતા નક્કી કરવાના અધિકારનો ઉપયોગ કરે તેવું આહ્વાન કર્યું હતું. કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતીય લોકશાહી વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને તેમાં મતદાતાના મતનું ખૂબ જ મહત્વ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, મતદાનનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ અને કોઈપણ લોભ-લાલચમાં આવ્યા વિના મતદાન કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રસંગે યુવા મતદારોએ મતદાન અંગેના શપથ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશ ચૌધરી, હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, ચૂંટણી સ્ટાફ, BLO અને મોટી સંખ્યામાં યુવા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
મિતીયાજમાં સિંહોએ દુજણી ગાયનું મારણ કર્યું:ખેડૂતને મોટું નુકસાન, વન વિભાગ પાસે સહાયની માગ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મિતીયાજ ગામે વહેલી સવારે સિંહોએ એક દુજણી ગાયનું મારણ કર્યું હતું. આ ઘટનામાં પશુપાલક ખેડૂતને મોટું આર્થિક નુકસાન થયું છે, જેને પગલે વન વિભાગ પાસે તાત્કાલિક સહાય અને સુરક્ષાના પગલાં લેવાની માંગ ઉઠી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મિતીયાજ ગામના ખેડૂત લખમણભાઈ પીઠાભાઈ વાજા પોતાની વાડી વિસ્તારમાં વહેલી સવારે પશુદોહન કરી રહ્યા હતા. તે સમયે અચાનક બે સિંહણ અને એક સિંહ વાડીમાં ઘૂસી આવ્યા હતા અને તેમની દુજણી ગાય પર હુમલો કરી તેનું મારણ કર્યું હતું. સિંહોના અચાનક હુમલાથી ખેડૂત લખમણભાઈ ભયભીત થઈ ગયા હતા. આ દુજણી ગાય તેમની આવકનું મુખ્ય સાધન હોવાથી તેના મારણથી તેમને મોટું આર્થિક નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં ખેડૂત લખમણભાઈએ તાત્કાલિક મિતીયાજ ગામના સરપંચ સુરપાલસિંહ બારડ અને સામાજિક કાર્યકર લલિત વાળાને જાણ કરી હતી. સરપંચે વન વિભાગને જાણ કરતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી પંચનામાની કાર્યવાહી શરૂ કરી હતી. આ ઘટનાને પગલે મિતીયાજ સહિત આસપાસના ગામોના ખેડૂતો અને પશુપાલકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી સિંહો ખેતી અને વાડી વિસ્તારોમાં ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે, જેના કારણે ખેડૂતો વહેલી સવારે કે રાત્રિના સમયે ખેતરમાં જતાં ડરી રહ્યા છે. સરપંચ સુરપાલસિંહ બારડ અને સામાજિક કાર્યકર લલિત વાળાએ વન વિભાગ સમક્ષ માંગ કરી છે કે સિંહોના હુમલામાં પશુ ગુમાવનાર ખેડૂતને તાત્કાલિક વળતર સહાય ચૂકવવામાં આવે. આ ઉપરાંત, માનવ-વન્યજીવ સંઘર્ષ અટકાવવા માટે ગામની આસપાસ સઘન પેટ્રોલિંગ, ટ્રેકિંગ ટીમની વ્યવસ્થા અને ખેડૂતોની સુરક્ષા માટે કાયમી પગલાં લેવામાં આવે.
શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના હસ્તે ખાંભડા ખાતે નવનિર્મિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ વિદ્યાલય રૂ. 7 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયું છે. મંત્રીએ શાળાના વર્ગખંડો, ભોજન વ્યવસ્થા અને અન્ય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે દીકરીઓ સાથે સંવાદ કરતા મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, દીકરીઓના શિક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજ્ય સરકારનો મુખ્ય ધ્યેય શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય કરવાનો છે. લોકાર્પણ બાદ મંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ સાથે બેઠક યોજી હતી. તેમણે જણાવ્યું કે, અંતરિયાળ ગામડાઓની દીકરીઓને શિક્ષણમાં કોઈ અવરોધ ન આવે તે માટે સરકાર રહેવા, જમવા અને ટ્રાન્સપોર્ટેશન જેવી પાયાની સુવિધાઓ મફત પૂરી પાડી રહી છે. મંત્રીએ વાલીઓને આશ્વસ્ત કરતા અપીલ કરી હતી કે, તેઓ દીકરીઓની સુરક્ષાની ચિંતા ન કરે અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ દીકરીઓનું ભણતર પૂરું કરાવે. તેમણે વાલીઓને દીકરીઓનું ભણતર અધવચ્ચે ન છોડાવવા વિનંતી કરી હતી. વાલીઓએ સમયાંતરે શાળાની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કરવા અને સલામતી, સ્વાસ્થ્ય, ભોજન અંગેના સૂચનો આપવા જણાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાએ જિલ્લા તાલીમ ભવન ખાતે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મહત્વની સમીક્ષા બેઠક યોજી હતી. બેઠકની શરૂઆતમાં તેમણે શહીદ સ્મારક અને મેઘાણી સ્મારકને પુષ્પાંજલિ અર્પણ કરી વંદન કર્યા હતા. બેઠકમાં મંત્રીએ શિક્ષણને સામાજિક જવાબદારી ગણાવતા જણાવ્યું હતું કે, રાજ્યના બજેટમાં મોટો હિસ્સો ધરાવતા શિક્ષણ વિભાગની નૈતિક જવાબદારી પણ એટલી જ મોટી છે. તેમણે ઉમેર્યું કે, છેવાડાના બાળકને પણ ઘરની નજીકના અંતરે ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે સરકારની પ્રાથમિકતા છે. મંત્રીએ તમામ અધિકારીઓને તાકીદ કરી હતી કે, માત્ર ડેટા અપલોડ કરવાને બદલે બાળકોમાં વાંચન, લેખન અને ગણનની પાયાની ક્ષમતા વિકસે તે જોવું અનિવાર્ય છે. સ્માર્ટ બોર્ડ અને ટેકનોલોજીનો ઉપયોગ પ્રદર્શન માટે નહીં પણ જટિલ વૈજ્ઞાનિક પ્રયોગો સમજાવવા માટે થવો જોઈએ. આ ઉપરાંત, દીકરીઓની સુરક્ષા માટે સેલ્ફ ડિફેન્સ અને સેનેટરી નેપ્કિન જેવી યોજનાઓની ગ્રાન્ટ લેપ્સ ન થાય તેની તકેદારી રાખવા જરૂરી સૂચનો કર્યા હતાં. મધ્યાહન ભોજનમાં 'પેરેન્ટિંગ ભાવના' રાખીને ઉત્તમ ખોરાક પીરસવા અને નવા બાંધકામોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવા કડક સૂચના આપી હતી. નવી શિક્ષણ નીતિ - NEPના અમલીકરણ અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, વોકેશનલ ટ્રેનિંગ એ માત્ર ફન એક્ટિવિટી નથી પરંતુ ભવિષ્યની રોજગારીનો પાયો છે. સરકાર આ તાલીમને સર્ટિફિકેશન અને વેલિડેશન સાથે જોડી રહી છે. નવી શિક્ષણ નીતિ અને 'નમો લક્ષ્મી' જેવી યોજનાઓ દ્વારા ગુજરાતને શિક્ષણ ક્ષેત્રે પ્રથમ હરોળમાં લાવવા તેમણે આહવાન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી અરવિંદ ઓઝા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભદ્રસિંહ વાઘેલા અને પ્રાચાર્ય સી.ટી. ટુંડીયાએ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લાની શૈક્ષણિક પ્રવૃતિઓની વિગતવાર માહિતી રજૂ કરી હતી. આ બેઠકમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ધરમપુર સગીરા અપહરણ કેસમાં પોલીસની કાર્યવાહી:સગીરાનો સુરક્ષિત કબ્જો મેળવી યુવકની અટકાયત કરાઈ
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક સગીરાના અપહરણ કેસમાં પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરીને સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે અને આરોપી યુવકની અટકાયત કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ધરમપુર તાલુકાના એક શ્રમિક પરિવારની 17 વર્ષીય સગીરા સાથે એક યુવકે મિત્રતા કેળવી હતી. યુવકે લગ્નની લાલચ આપી સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. ગત 19 જાન્યુઆરીના રોજ આરોપી યુવક સગીરાને તેના માતા-પિતાની વાલીપણામાંથી અપહરણ કરીને લઈ ગયો હતો. સગીરા ઘરમાં ન મળતા પરિવારજનોએ આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ કોઈ ભાળ ન મળતા તેમણે ધરમપુર પોલીસ મથકે યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ ગંભીર કેસને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. વલસાડ ST/SC સેલના DySP જે.કે. પટેલના નેતૃત્વ હેઠળ વલસાડ LCB અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે, વલસાડ LCB અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમે આરોપી યુવક જ્યાં છુપાયો હતો તે સ્થળ શોધી કાઢ્યું હતું. ત્યાં દરોડો પાડી પોલીસે સગીરાનો સુરક્ષિત કબ્જો મેળવ્યો હતો અને આરોપી યુવકની અટકાયત કરી હતી. પોલીસે સગીરાનું તાત્કાલિક મેડિકલ પરીક્ષણ કરાવ્યું છે અને તેનું નિવેદન નોંધ્યું છે. આ સમગ્ર મામલે આગળની કાયદેસર કાર્યવાહી ચાલુ હોવાનું જણાવાયું છે.વલસાડ જિલ્લા પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કાર્યવાહીને કારણે સગીરાને સુરક્ષિત રીતે તેના પરિવારજનો સુધી પરત પહોંચાડવામાં સફળતા મળી છે.
કહેવાય છે કે જો મનમાં અતૂટ દેશભક્તિ અને કંઈક કરી છૂટવાની તમન્ના હોય, તો નસીબ પણ તમારા માટે રસ્તા ખોલી દે છે. સુરતમાં SVNIT ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રસિંહ રાઠોડ સાથે કંઈક આવું જ બન્યું છે. વર્ષોથી શહીદોની વિગતો એકત્ર કરનાર આ સામાન્ય માનવીની અસાધારણ સેવાને ઓળખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને ખાસ દિલ્હી નિમંત્રણ પાઠવ્યું છે. બેંક ખાતામાં 102 રૂપિયાનું બેલેન્સ અને દિલ્હીની ફ્લાઈટજીતેન્દ્રસિંહની આર્થિક સ્થિતિ ખૂબ જ સામાન્ય છે. જ્યારે 10 દિવસ પહેલા વડાપ્રધાન કાર્યાલય (PMO) માંથી તેમને 26 જાન્યુઆરીના કાર્યક્રમ માટે દિલ્હી આવવાનો ફોન આવ્યો, ત્યારે તેઓ એક લગ્ન પ્રસંગમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ડ્યુટી કરી રહ્યા હતા. તે સમયે તેમના બેંક ખાતામાં માત્ર 102 રૂપિયા જ હતા. દિલ્હી જવાના પૈસા ન હોવા છતાં, તેમની ભક્તિ જોઈને PMO દ્વારા જ તેમની અને તેમના પરિવારની ફ્લાઈટ ટિકિટો બુક કરાવવામાં આવી છે. જીતેન્દ્રસિંહ અને તેમના પત્ની પ્રથમ વખત વિમાન પ્રવાસ કરીને ગણતંત્ર દિવસના સાક્ષી બનશે. 2 લાખથી વધુ શહીદ જવાનોની માહિતી અને ફોટા જીતેન્દ્રસિંહ રાઠોડ છેલ્લા ઘણા સમયથી એક મિશન પર છે. તેમણે પ્રથમ વિશ્વયુદ્ધથી લઈને કારગિલ અને વર્ષ 2026 સુધીના 2 લાખથી વધુ શહીદ જવાનોની માહિતી અને ફોટા એકત્ર કર્યા છે. તેમણે માત્ર માહિતી જ નથી ભેગી કરી, પરંતુ હજારો શહીદ પરિવારોને પોસ્ટકાર્ડ લખીને પોતાની સંવેદના પણ વ્યક્ત કરી છે. તેમની આ નિઃસ્વાર્થ દેશભક્તિની નોંધ ખુદ વડાપ્રધાને પાંચ મહિના પહેલા 'મન કી બાત' કાર્યક્રમમાં લીધી હતી. જીતેન્દ્રસિંહ પીએમ મોદીને મળી ને શહીદ સ્મારક હોલ બનાવવાનું કહેશેજીતેન્દ્રસિંહનો ઉદ્દેશ્ય માત્ર ડેટા ભેગો કરવાનો નથી, પરંતુ તેઓ આ માહિતીને એક ભવ્ય શહીદ સ્મારક હોલનું સ્વરૂપ આપવા માંગે છે. આ કાર્ય ગુજરાતના બીજા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જેવું સાબિત થશે. મારે આવનારી પેઢીને સાચી રાષ્ટ્રભક્તિની પ્રેરણા આપવી છે. તેઓ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતમાં આ સ્મારક બનાવવાની ઈચ્છા રજૂ કરશે. તેમનું સપનું છે કે આ હોલ દ્વારા દેશમાં નવા સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહ જેવા ક્રાંતિકારીઓ તૈયાર થાય. 'મારા ગામની આસપાસના 13-14 જવાનો લડાઈમાં શહીદ થયા'ગુમનામ દેશભક્ત એવા સિક્યોરિટી ગાર્ડ જિતેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હું રાજસ્થાનના ભરતપુર જિલ્લાના સૈનિક વિસ્તારનો રહેવાસી છું. જ્યારે કારગિલનું યુદ્ધ ચાલતું હતું ત્યારે હું પોતે ભરતી (સેનામાં) જોઈ રહ્યો હતો. તે સમયે મારા ગામની આસપાસના 13-14 જવાનો લડાઈમાં શહીદ થયા. હું દરરોજ ગ્રામવાસીઓની જેમ સમાચાર પત્રોમાં શહીદોના સમાચાર વાંચતો હતો. તે જ સમયે મેં વાંચ્યું કે રાજસ્થાનના નાગોર જિલ્લાના એક જવાન શહીદ થયા, સિપાહી અર્જુન રામ બસવાણા (4થી જાટ રેજીમેન્ટ). તેઓ કેપ્ટન સૌરભ કાલિયા સાથે શહીદ થયા હતા. તેમના પિતા ચોખારામજીએ કહ્યું હતું - દીકરો ગયો તો શું થયું, વતન તો સલામત છે! આ પંક્તિઓએ મારામાં રાષ્ટ્રભક્તિના બીજ રોપ્યા અને મેં શહીદોની જાણકારી એકઠી કરવાનું શરૂ કર્યું. '15 પૈસાના પોસ્ટકાર્ડના જમાનાથી હું શહીદ પરિવારોને પત્રો લખતો આવ્યો છું'જિતેન્દ્ર સિંહ રાઠોડે જણાવ્યું હતું કે,યુદ્ધ દરમિયાન આપણા દેશમાં મોબાઈલ ફોન નહોતા. જવાન શહીદ થયા બાદ તેમનો પત્ર ઘરે પહોંચ્યો, જેમાં લખ્યું હતું - પિતાજી હું અહીં મજામાં છું, તમે કેમ છો તે લખજો. ત્યારથી મેં પ્રણ લીધું કે આ શહીદ જવાનનો છેલ્લો પત્ર નથી, તેમના પરિવારોને મારા પત્રો હંમેશા મળતા રહેશે. 15 પૈસાના પોસ્ટકાર્ડના જમાનાથી હું શહીદ પરિવારોને પત્રો લખતો આવ્યો છું. 2.7 લાખ શહીદ જવાનોની માહિતીજિતેન્દ્ર સિંહ રાઠોડે વધુમાં કહ્યું હતું કે, મારી પાસે 2 લાખ 7 હજાર શહીદ જવાનોની જાણકારી છે. જેમાં પ્રથમ વિશ્વયુદ્ધના 76,000 શહીદો, બીજા વિશ્વયુદ્ધના (1939-1945) 80,001 શહીદો અને 1947થી આજ સુધીના આઝાદ ભારતના આશરે 25,000 શહીદોની વિગતો છે. આમાં BSF, CRPF, આસામ રાઈફલ્સ અને અન્ય સશસ્ત્ર દળોના તમામ શહીદોનો સમાવેશ થાય છે. મારા સંગ્રહમાં 24,300 શહીદોના ફોટા અને 300 જેટલા શહીદ જવાનોની મૂર્તિઓ પણ છે. આ પણ વાંચો: શહીદોની ગાથા જીવંત રાખતા સિક્યોરિટી ગાર્ડ 'હું એક શહીદ હોલ બનાવવા માંગુ છું'જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, હું એક 'શહીદ હોલ' બનાવવા માંગુ છું જ્યાં આ ધરોહરને સાચવી શકાય. મારી પાસે ગુજરાતને બીજું 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' જેવું સન્માન મળે તેટલો સંગ્રહ છે. આવનારા નવા ભારતને સાચી રાષ્ટ્રભક્તિની પ્રેરણા મળે તે મારો હેતુ છે. આ ભગતસિંહના સપનાનું ભારત બને અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગૌરવ વધે તેવા વિચારો સાથે હું આ કાર્ય કરી રહ્યો છું. 'મન કી બાતમાં મારી વાત પછી દેશના લોકો મને ઓળખવા લાગ્યા'જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, આ બધું 26 વર્ષથી, કારગિલ યુદ્ધના સમયથી ચાલી રહ્યું છે. 300-400 વીડિયો બન્યા અને 5 કિલો જેટલા છાપામાં અત્યાર સુધી ખબરો આવી ગઈ છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે 'મન કી બાત'માં મારી વાત કરી, એ પછી દેશના સામાન્ય લોકો મને ઓળખવા લાગ્યા. PMએ કહ્યું- સુરતના જીતેન્દ્રસિંહ દેશભક્તો માટે મોટી પ્રેરણા 'મેં મોબાઈલમાં તમને જોયા હતા, પ્રધાનમંત્રી તમારી વાત કરી રહ્યા હતા'જિતેન્દ્રસિંહ એક તાજેતરનો કિસ્સો જણાવતા કહ્યું કે, તેઓ થોડા દિવસ પહેલા અડાજણ ચાર રસ્તા પાસે એક ભંગારની દુકાને (બશીર ખાનની દુકાને) શહીદોના ફોટા રાખવા માટે લોખંડની પેટી લેવા ગયા હતા. જ્યારે તેમણે કિંમત પૂછી ત્યારે દુકાનદારે કહ્યું, કાકા, મેં તમને ક્યાંક જોયા છે. મેં મોબાઈલમાં તમને જોયા હતા, પ્રધાનમંત્રી તમારી વાત કરી રહ્યા હતા. જ્યારે જિતેન્દ્રસિંહની ઓળખ થઈ અને તેમણે જણાવ્યું કે આ પેટી શહીદોના ફોટા સાચવવા માટે જોઈએ છે, ત્યારે એ મેવાતના મુસ્લિમ દુકાનદારે તેમની પાસે પૈસા ન લીધા અને પેટી મફતમાં આપી દીધી. 'ક્યારેય આટલી મોટી જગ્યાએ નથી ગયો'26મી જાન્યુઆરી માટે PMOમાંથી દિલ્હીનું આમંત્રણ મળ્યું છે, તે વિશે તેઓ કહે છે કે, મારા મનમાં બહુ ખુશી છે. મેં આખી જિંદગી સિક્યુરિટીની જ નોકરી કરી છે, ક્યારેય આટલી મોટી જગ્યાએ નથી ગયો. મારા પરિવારના અને ગામના ઘણા લોકોએ જવાન તરીકે પરેડમાં ભાગ લીધો છે, પણ આજે હું મહેમાન તરીકે જઈ રહ્યો છું. મારી પાસે ફ્લાઈટની ટિકિટ પણ આવી ગઈ છે. મેં જે દેશભક્તિ કરી છે, એ માટે આ દુનિયાનું સૌથી મોટું મંચ છે. 'પરેડ જોવી એ મારા માટે જીવનભરની યાદગાર પળ હશે'જિતેન્દ્રસિંહ અંતમાં ઉમેરે છે કે, જો કોઈ મને ફ્રાન્સની ટિકિટ આપે કે એફિલ ટાવર બતાવે તો એ મારા કોઈ કામનું નથી. મારું જીવન શહીદો અને જવાનો સાથે જોડાયેલું છે, એટલે પરેડ જોવી એ મારા માટે જીવનભરની યાદગાર પળ હશે. તેઓ પોતાની સાથે તેમના પત્નીને પણ દિલ્હી લઈ જઈ રહ્યા છે. જ્યારે પીઓ મોંમાંથી ફોન આવ્યો ત્યારે જીતેન્દ્રભાઈએ કહ્યું હતું કે મારા ખાતામાં 102 રૂપિયા પડ્યા છે જેથી હું ત્યાં ટિકિટ કરીને આવી શકું તેવી પરિસ્થિતિ નથી. જેથી પીએમ મોદી તેમની અને તેમના પત્નીની દિલ્હી જવાની અને પરત સુરત આવવાની ટિકિટ કરાવી દેવામાં આવી હતી. જીતેન્દ્રભાઈ અને તેમના પત્ની પહેલીવાર પ્લેનમાં બેસશે.
83 વર્ષીય જેનુબેન 40 વર્ષથી આત્મનિર્ભર:નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગમાં ચરખાથી પરિવારનું ગુજરાન ચલાવે છે
ભાલ નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગના પરિસરમાં 83 વર્ષીય જેનુબેન ખલાણી છેલ્લા ચાર દાયકાથી આત્મનિર્ભરતાનું પ્રેરણાસ્રોત બન્યા છે. તેઓ 'આત્મનિર્ભર ભારત' અને 'સ્વદેશી'ના મૂલ્યોને પોતાના જીવનમાં આત્મસાત કરી રહ્યા છે. જેનુબેનના પરિવારમાં કુલ 11 સભ્યો છે. આટલા મોટા પરિવારની જવાબદારીઓ હોવા છતાં, 83 વર્ષની ઉંમરે પણ તેઓ ઘરની આર્થિક વ્યવસ્થાને મજબૂત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ પરિવારના અન્ય સભ્યો સાથે ખભેખભા મિલાવી સૂતરની આંટી દ્વારા કમાણીમાં સહભાગી બને છે. નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ સાથે જોડાતી વખતે તેમનું જીવન સરળ નહોતું. શરૂઆતમાં મર્યાદિત સાધનો, ઓછી આવક અને સામાજિક અપેક્ષાઓ વચ્ચે જેનુબેને ચરખાને અપનાવી પોતાનો માર્ગ કંડાર્યો. સમય જતાં, તેમની મહેનત, નિષ્ઠા અને ધીરજે તેમને માત્ર એક અનુભવી કામદાર જ નહીં, પરંતુ એક પ્રેરણાસ્રોત બનાવ્યા. તેમને દૈનિક રોજગારી ઉપરાંત રાજ્ય સરકારની કાંતણ સહાય યોજનાનો લાભ મળે છે. આ ઉપરાંત, રાજ્ય અને કેન્દ્ર સરકારની KVB - KVIC MDA યોજના અંતર્ગત સીધી રોજી તેમના બેંક ખાતામાં જમા થાય છે.આજે જ્યારે સરકાર 'આત્મનિર્ભર ભારત'ના નિર્માણ માટે સ્વદેશી અપનાવવાની હાકલ કરી રહી છે, ત્યારે જેનુબેન જેવા વડીલો આ વિચારના જીવંત સાક્ષી છે. નળકાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ માત્ર ગ્રામીણ રોજગારનું સાધન નથી, પરંતુ મહિલાઓને સ્વાભિમાન, ઓળખ અને આત્મનિર્ભરતા આપતું એક મજબૂત માધ્યમ છે. જેનુબેનની 40 વર્ષની આ સફર દર્શાવે છે કે મજબૂત સંકલ્પ હોય તો સાદા સાધનો પણ અસાધારણ પરિવર્તન લાવી શકે છે.
દાહોદના ગરબાડા ચોકડી પાસે ચાઈનીઝ દોરાથી એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર જઈ રહેલા 53 વર્ષીય વેપારી મુર્તુજા ફિરોજભાઈ બોરકીને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમને 15થી વધુ ટાંકા આવ્યા છે. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના દાહોદ શહેરના ગરબાડા બ્રિજ પર બની હતી. હુસેની મસ્જિદ નજીકના નજમી મોહલ્લામાં રહેતા મુર્તુજા ફિરોજભાઈ બોરકી (ઉં.વ. 53) પોતાની દુકાને સાંગાં માર્કેટ જઈ રહ્યા હતા. બ્રિજ પરથી પસાર થતી વખતે અચાનક તેમની સામે ચાઈનીઝ દોરો આવી ગયો. દોરો સીધો ગળા તરફ આવતા તેમણે તરત જ હાથ ઊંચો કરી બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે, ચાઈનીઝ દોરાની તીક્ષ્ણ ધાર અને મજબૂત પકડને કારણે તે હાથમાંથી છટકીને સીધો કપાળના ભાગે ફસાઈ ગયો. આના પરિણામે મુર્તુજાભાઈના કપાળમાં ઊંડો કટ લાગ્યો અને ભારે રક્તસ્રાવ થયો. તેમને કપાળમાં 15થી વધુ ટાંકા લેવા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત બાદ વેપારી બાઈક પરથી રોડ પર પડી ગયા હતા. ઘટનાસ્થળે લોકોનું ટોળું એકત્ર થયું હતું અને તેમને તાત્કાલિક દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પ્રાથમિક સારવાર બાદ ઈજાની ગંભીરતાને કારણે તેમને વધુ સારવાર માટે દાહોદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. ચાઈનીઝ દોરાના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં આવી ઘટનાઓ સતત સામે આવી રહી છે, જે નાગરિકોના જીવન માટે જોખમી બની રહી છે. શહેરના જાગૃત નાગરિકોએ વહીવટી તંત્રને ચાઈનીઝ દોરાના વેચાણ અને ઉપયોગ પર કડક નિયંત્રણ લાદવા તથા જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નવસારી જિલ્લાના ચીખલી ખાતે મુસાફરોની સુવિધામાં વધારો કરતા નવનિર્મિત બસ સ્ટેશનનું રવિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ અને રાજ્યના આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે આ ₹3 કરોડના ખર્ચે તૈયાર થયેલું બસ સ્ટેશન જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ બસ સ્ટેશન દક્ષિણ ગુજરાતના મુસાફરો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. લોકાર્પણ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચીખલી તાલુકામાં તૈયાર થયેલ આ અત્યાધુનિક ડેપોથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચેની કનેક્ટિવિટી વધશે. તેમણે ઉમેર્યું કે, આ બસ સ્ટેશન ખાસ કરીને આદિજાતિ વિસ્તારના લોકો માટે મહત્વનું આધારબિંદુ બનશે. મંત્રીએ એસ.ટી.ના ડ્રાઈવર અને કંડક્ટરોની નિષ્ઠાની પ્રશંસા કરતા કહ્યું કે, કઠિન પરિસ્થિતિમાં પણ સુરક્ષિત મુસાફરી કરાવતા આ કર્મચારીઓ ખરા અર્થમાં જનસેવકો છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા તૈયાર કરાયેલા આ ડેપોમાં મુસાફરો માટે આધુનિક માળખાગત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જેમાં દિવ્યાંગો માટે ખાસ રેમ્પ અને શૌચાલયની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. નવનિર્મિત ચીખલી બસ સ્ટેશનમાં કુલ 12 પ્લેટફોર્મની વ્યવસ્થા છે. મુસાફરો માટે વિશાળ બેઠક વ્યવસ્થા સાથેનો વેઈટિંગ હોલ અને ટ્રાફિક કંટ્રોલર રૂમ પણ ઉપલબ્ધ છે. મહિલાઓ માટે સ્પેશિયલ બેબી ફીડિંગ રૂમ અને મહિલા કંડક્ટરો માટે અલાયદો રેસ્ટ રૂમની સુવિધા છે. ડ્રાઈવર-કંડક્ટર માટે એટેચ્ડ ટોઈલેટ સાથેનો આરામ કક્ષ પણ બનાવવામાં આવ્યો છે. ડેપોમાં 4 નવા સ્ટોલ અને કિચન સાથેની કેન્ટીનની સુવિધા પણ ઉપલબ્ધ છે. સ્વચ્છતા માટે 5 યુરિનલ અને 7 શૌચાલયની વ્યવસ્થા છે. આ ઉપરાંત, વોટર રૂમ અને પાર્સલ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. સમગ્ર પરિસરમાં સી.સી. ટ્રિ-મિક્સ ફ્લોરિંગ કરવામાં આવ્યું છે. આ લોકાર્પણ સમારોહમાં નવસારીના ધારાસભ્ય રાકેશભાઇ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા અને વલસાડ વિભાગના એસ.ટી. અધિકારી માર્તુઝા સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને ગ્રામજનો હાજર રહ્યા હતા.
ભગવાન સ્વામિનારાયણ દ્વારા વડતાલ મુકામે સ્વહસ્તે લખાયેલી આચારસંહિતા 'શિક્ષાપત્રી'ના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે SMVS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા 'શ્રી હરિ સંકલ્પ મહોત્સવ' અંતર્ગત ત્રિ-દિવસીય 'શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવની વિશેષતા એ છે કે તે 'મંદિરે મંદિરે ઉત્સવ' થીમ હેઠળ અમદાવાદ ઉપરાંત ભારત સહિત અમેરિકા, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના તમામ સત્સંગ કેન્દ્રોમાં એકસાથે ઉજવવામાં આવી રહ્યો છે. આ મહોત્સવનો મુખ્ય હેતુ ધાર્મિક પરંપરાની સાથે માનવ જીવનનો ઉત્કર્ષ અને મોક્ષનો છે. મનુષ્ય જન્મની સાર્થકતા માટે શિક્ષાપત્રીના નિયમોનું પાલન કરાવવું, જીવનમાં સુખની પ્રાપ્તિ કરવી અને 'આજ્ઞા' તેમજ 'ઉપાસના'ના સ્તંભો મજબૂત કરવા એ આ ઉત્સવનો પાયાનો સંકલ્પ છે. આ ઉપરાંત, સમાજને વ્યસનમુક્ત કરી પવિત્રતા ફેલાવવાનો પણ ઉમદા ઉદ્દેશ્ય રહેલો છે. મહોત્સવના પ્રથમ દિવસે સંસ્થાના વડા સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીના સાનિધ્યમાં વસ્ત્રાલ, અમદાવાદ ખાતે 'શિક્ષાપત્રી સ્પોર્ટ'નું ઉદ્ઘાટન અને ભવ્ય મહાપૂજા યોજાઈ હતી. ટેકનોલોજીના સમન્વય સાથે હજારો હરિભક્તો ઝૂમ અને યુટ્યુબ જેવા ઓનલાઇન માધ્યમો દ્વારા આ દિવ્ય પૂજનમાં જોડાયા હતા. દરેક સેન્ટરમાં હરિભક્તોએ સ્થાનિક સ્તરે મહાપૂજા કીટ દ્વારા એકસાથે પૂજન અને આરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષાપત્રી એ મહારાજની પરાવાણી અને તેમનું સાક્ષાત્ સ્વરૂપ છે. સંસ્થાના માર્ગદર્શન હેઠળ પંચમહાલના આદિવાસી વિસ્તારો સહિત ગામેગામ હજારો લોકોએ દારૂ, ચોરી જેવા વ્યસનો અને દુષણોનો ત્યાગ કરી પવિત્ર જીવનની પ્રતિજ્ઞા લીધી છે. મહોત્સવ દરમિયાન વસ્ત્રાલ ખાતે શિક્ષાપત્રી પર ડ્રાયફ્રૂટ અભિષેક કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય કેન્દ્રોમાં પુષ્પ અભિષેકનો લાભ લેવાયો હતો. ઉત્સવના અંતિમ ચરણમાં ભવ્ય શિક્ષાપત્રી યાત્રા કાઢવામાં આવશે અને શિક્ષાપત્રીની સુવર્ણ તુલાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવે ભક્તિ અને ટેકનોલોજીના સંગમ દ્વારા સમાજમાં આધ્યાત્મિકતા અને સામાજિક જાગૃતિનો નવો રાહ ચીંધ્યો છે
ગાંધીનગરમાં 24 જાન્યુઆરીને શનિવારે મધ્યરાત્રિએ એક એવી ઘટના બની જેણે પોલીસ તંત્ર અને સ્થાનિકોના શ્વાસ અધ્ધર કરી દીધા હોવાનો હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. સેક્ટર-13માં રહેતા એક શખસે લગ્નમાં જવાની તકરારમાં પત્નીને સબક શીખવવા માટે પોતાના જ ત્રણ વર્ષના માસૂમ પુત્રનું ગળું દબાવી હત્યા કરી દીધી હોવાનું તરકટ રચ્યું હતું. જોકે, ગાંધીનગર પોલીસની સતર્કતા અને કોમ્બિંગ નાઈટના કડક અમલીકરણને કારણે ગણતરીના કલાકોમાં જ બાળકને હેમખેમ શોધી કાઢવામાં આવ્યું હતું. જ્યારે દારૂના નશામાં ધૂત પિતાની પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પતિને દારૂ પીવાની ટેવ હોવાથી પત્નીએ સાથે લગ્નમાં જવાની ના કહીપોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, સેક્ટર-13/Aમાં રહેતા અને જમીન સર્વેયર તરીકે નોકરી કરતા પતિને તેની પત્ની સાથે લગ્નમાં જવા મુદ્દે બોલાચાલી થઈ હતી. જોકે, પતિને દારૂ પીવાની ટેવ હોવાથી પત્નીએ તેની સાથે ગાડીમાં જવાની ના પાડી હતી. આ વાતનો ખાર રાખી પતિ પોતાના 3 વર્ષના પુત્રને સેન્ટ્રો કારમાં બેસાડીને ઘરેથી નીકળી ગયો હતો. જે મોડીરાત સુધી પરત ન ફરતા પત્નીએ ફોન કર્યો ત્યારે પતિએ ઠંડા કલેજે જણાવ્યું કે, મેં દીકરાનું ગળું દબાવીને મારી નાખ્યો છે અને હવે હું પણ ઘરે આવવાનો નથી. માતાનું આક્રંદ સાંભણી લોકો દોડી આવ્યાંઆ સાંભળીને પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. હજી તે વધુ કઈ પૂછે એ પહેલા તો પતિએ ફોન મૂકી દીધો હતો, જેના કારણે માતાએ કાળજું કંપી જાય એ રીતે આક્રંદ શરૂ કરતા આસપાસના સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. બાદમાં એક વસાહતીએ તાત્કાલિક રાત્રે 11:37 કલાકે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. SPએ જિલ્લાભરની પોલીસને એલર્ટ કરીઆ બનાવની ગંભીરતાને જોતા ગાંધીનગર એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ તાત્કાલિક જિલ્લાભરની પોલીસને એલર્ટ કરી નાકાબંધીના આદેશ આપ્યા હતા. સંજોગોવશાત્ ગઈકાલે રાત્રે આખા જિલ્લામાં પોલીસનું કોમ્બિંગ નાઈટ અભિયાન ચાલતું હોવાથી પોલીસ પહેલેથી જ રસ્તાઓ પર તૈનાત હતી. ત્યારે સેક્ટર-7 પોલીસ સ્ટેશનના પી.આઈ. બી.બી. ગોયલ અને સર્વેલન્સ સ્ક્વોડના પી.એસ.આઈ. જે.એચ. મકવાણાની ટીમે લોકલ ક્રાઈમ બ્રાન્ચના સંકલનમાં રહીને ટેકનિકલ ઓપરેશન શરૂ કર્યું હતું. વારંવાર ફોન બંધ કરતા પોલીસ લોકેશન ટ્રેસ ન કરી શકીપોલીસની અલગ અલગ ટીમોએ સંકલનમાં રહી સઘન વાહન ચેકિંગ અને ટેક્નિકલ સર્વેલન્સથી ચારે દિશામાં તપાસ શરૂ કરી હતી, પરંતુ પતિ સેન્ટ્રો કાર લઈને ગાંધીનગરના ચિલોડા, પાલજ સહિતના અન્ય વિસ્તારોમાં સતત લોકેશન બદલી રહ્યો હતો. તે વારંવાર પોતાનો ફોન સ્વીચ ઓફ કરી દેતો હોવાથી પોલીસ માટે તેને ટ્રેક કરવો પડકારજનક બન્યું હતું. પોલીસે શંકાસ્પદ કારને આંતરી તપાસ કરીજોકે, પોલીસે હિંમત હાર્યા વગર સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સની કડીઓ જોડીને આખા શહેરને ઘેરી લીધું હતું. બાદમાં સતત બે કલાકની સઘન શોધખોળ અને પીછા બાદ પોલીસે આખરે ચ-0 સર્કલ પાસે શંકાસ્પદ કારને આંતરી લીધી હતી. જ્યારે પોલીસે ગાડીની તપાસ કરી ત્યારે અંદર 3 વર્ષનો માસૂમ બાળક હેમખેમ સુરક્ષિત મળી આવ્યો હતો, જે જોઈને પોલીસ અધિકારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. દીકરાને જોઈ માતાના જીવમાં જીવ આવ્યોબાળકનો પિતા નશાની હાલતમાં હોવાનું જણાઈ આવતા તેને પકડી લેવાયો હતો. બાદમાં પોલીસ જ્યારે માસૂમ બાળકને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પુત્રના મોતના સમાચારથી ભાંગી પડેલી માતાના આંખમાં ખુશીના આંસુ વહી પડ્યા હતા. પોલીસે દારૂના નશામાં ધૂત પિતાની ધરપકડ કરી તેની સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ સહિતની કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
જામનગર શહેરમાં એમ.પી. શાહ ઉદ્યોગનગર પાસે આવેલા સંત કબીર આવાસ બિલ્ડિંગના ચોથા માળે આવેલા એક રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગ બિલ્ડિંગ B-1 ના બ્લોક નંબર 409 માં મેહુલ વલ્લભભાઈ ચાવડાના મકાનમાં લાગી હતી. આગના કારણે ઘરમાં રાખેલા સેટી, ટીવી, ફ્રીજ, હોમ થિયેટર સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને અન્ય ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક બોર્ડમાં થયેલું શોર્ટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. આગ લાગી ત્યારે મકાનમાં કોઈ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી અને કોઈને ઈજા થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સંત કબીર આવાસ બિલ્ડિંગ ખાતે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગને સફળતાપૂર્વક કાબૂમાં લેવામાં આવી હતી.
અમરેલી બનશે ગુજરાતનું નવું ડાયમંડ હબ:ડાયમંડ એસોસિએશને બજારની જાહેરાત કરી, વેપાર-રોજગાર વધશે
અમરેલી જિલ્લાનો હીરા ઉદ્યોગ નવી ઊંચાઈએ પહોંચવા જઈ રહ્યો છે. ડાયમંડ એસોસિએશન દ્વારા અમરેલીને ગુજરાતના નવા 'ડાયમંડ હબ' તરીકે વિકસાવવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત અમરેલીના હીરા ઉદ્યોગ માટે સુવર્ણ યુગની શરૂઆત સમાન છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખે અમરેલીને રિયલ ડાયમંડનું ગઢ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ અંતર્ગત, અમરેલીમાં ટૂંક સમયમાં 150થી વધુ અદ્યતન અને આધુનિક ઓફિસો ધરાવતું ભવ્ય ડાયમંડ માર્કેટ નિર્માણ પામશે. આ નવું માર્કેટ હીરા વેપાર માટે એક નવી ઓળખ અને વિશ્વસનીય કેન્દ્ર બનશે. હાલમાં, અમરેલી જિલ્લામાં 947 જેટલા હીરા કારખાનાઓ કાર્યરત છે, જેમાં અંદાજે 47,000થી વધુ રત્નકલાકારો રોજગારી મેળવી રહ્યા છે. નવા ડાયમંડ માર્કેટની શરૂઆત સાથે આ તમામ કલાકારોને નવી ઓળખ મળશે અને તેમના કામને વૈશ્વિક સ્તરે પહોંચાડવાની તક મળશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ હજારો યુવાનોને ઘરઆંગણે રોજગારી મળશે. આ મુદ્દે રાજ્ય સરકારના મંત્રી કૌશિક વેકરિયા સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકાર દ્વારા અમરેલીના હીરા ઉદ્યોગના વિકાસ માટે પૂરતો સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી છે. સરકારના સહકારથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુરક્ષા અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે. નવા ડાયમંડ માર્કેટમાં સુરક્ષાને ખાસ મહત્વ અપાશે, જેમાં વેપારીઓ માટે આધુનિક લોકર રૂમ અને 60થી 70 ફોર-વ્હીલર અને બાઈક માટે વિશાળ પાર્કિંગ સુવિધા ઊભી કરાશે. સમગ્ર ગુજરાતમાંથી હીરાના વેપારીઓ દર શનિવારે ખરીદી માટે અમરેલી ઉમટી રહ્યા છે, જે અમરેલીના વધતા વ્યાપારિક મહત્વનો સંકેત આપે છે. ઉદ્યોગપતિઓ સાથે સતત ચર્ચા ચાલી રહી છે. નવું ડાયમંડ માર્કેટ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ, દલાલો તેમજ નાના કારખાનેદારો માટે નવી તકોના દ્વાર ખોલશે. સુરત બાદ હવે સૌરાષ્ટ્રમાં અમરેલી પણ ગુજરાતના હીરા ઉદ્યોગના નકશા પર પોતાનો ડંકો વગાડવા તૈયાર છે.
અમદાવાદના ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રુકસાનાબેન ઘાંચીના પાંચ પરિવારજનોના નામ મતદાર યાદીમાંથી ગાયબ કરી દેવાતા વિવાદ સર્જાયો છે. મહિલા કોર્પોરેટરના પુત્રનું માનીએ તો તેઓના પરિવારજનો ઉપરાંત ગોમતીપુર વોર્ડમાં રહેતા 4500 લોકોએ સ્થળાંતર કર્યું હોવાના ખોટા ફોર્મ ભરી નામ રદ કરી દેવાયા હોવાનો આક્ષેપ કરાયો છે. ત્રણ બુથમાં તો મતદારોને નોટિસ પણ આપવામાં ન આવી હોવાનો આક્ષેપ કરાયો છે. આ વિસ્તારના લોકોએ આજે ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી. મહિલા કોર્પોરેટર રુકસાનાબેનના 5 પરિવારજનોના નામ ગાયબ કરી દેવાયાગોમતીપુર વોર્ડના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રુક્સાનાબેન ઘાંચીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ગોમતીપુર વોર્ડમાં મતદાર યાદીમાંથી મારા પતિ, દિયર, નણંદ અને પુત્ર સહિતના લોકોના ફોર્મ નંબર 7 ભરીને નામ કમી કરવા આવ્યા છે. આ નામ કમી કરવા પાછળનું કારણ શું છે તે સમજાતું નથી. મતદાન ઓછું થાય તેના માટે આ એક ષડયંત્ર કરવામાં આવ્યું છે વોટ ચોરીની જે રાહુલ ગાંધી ઝુંબેશ ચલાવી રહ્યા છે. ત્યારે આ રીતે ફોર્મ રદ કરાયા છે આજે અમે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પીઆઈને મળીને આવેદન પત્ર આપી પોલીસ ફરિયાદ નોંધવા માટેની રજૂઆત કરી છે. ગોમતીપુર વોર્ડમાં 4500 મતદારોના નામ ખોટી રીતે રદ કરાયારુકસાના બેન ઘાંચીના પુત્ર ઇમરાન ઘાંચીએ પણ જણાવ્યું હતું કે બાપુનગર વિધાનસભામાં ગોમતીપુર વોર્ડ વિસ્તારમાં કામદાર મેદાન પાસેના બુથોમાં નામો કમી કરવામાં આવ્યા છે. 17 બુથમાં 4500 મતદારો હયાત છતાં સ્થળાંતર કર્યું હોવાના નામે ફોર્મ ભરાયા છે. 14 બુથમાં નોટિસ આપવામાં આવી છે પરંતુ ત્રણ જેટલા બુથોમાં નોટિસ જ આપવામાં આવી નથી. જેના પુરાવા અમારી પાસે છે બધા આગેવાનો અને સ્થાનિક લોકો હયાત છે ત્યારે આ બાબતે અમે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે પોલીસ સ્ટેશન આવ્યા હતા. છેલ્લા 15 વર્ષથી અમે રહીએ છીએ મારા પિતા પણ છેલ્લા અનેક વર્ષોથી રહે છે ત્યારે મારા પરિવારના પાંચથી સાત લોકોના નામ મતદારયાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યા છે. આ બાબતે અમે BLO રાજપૂત સાહેબને ફોન કર્યો હતો ત્યારે એમણે કહ્યું હતું કે જે થાય એ કરી લો મેં ફોર્મ ભર્યા છે જ્યારે સ્થળ તપાસનું પૂછ્યું તો સ્થળ તપાસ કરવામાં આવી નથી તેવું કહ્યું હતું બીજા બીએલઓને પણ અમે ફોન કર્યો તો તેઓએ પણ કહ્યું કે મને ખબર નથી ભાજપ કાર્યાલયથી ડોક્યુમેન્ટ અને ફોર્મ લઈ ગયા હતા. જે ભરીને આપી દીધા છે. અમને જાણ નથી જેથી શું આ લઘુમતી સમાજના મતદારોને કમી કરવાનો ભાજપનો કોઈ સ્ટંટ છે? એક બુથમાં 150 થી 170 લોકોના નામ રદ કરાયા- સલીમ અન્સારીસલીમભાઈ અનસારી નામના સ્થાનિક વ્યક્તિએ જણાવ્યું હતું કે આ એકદમ સિસ્ટમથી કરવામાં આવ્યું છે. ફિક્સ આંકડા પ્રમાણે કરવામાં આવ્યું છે. એક જ વ્યક્તિ દ્વારા 30 લોકો સામે વાંધા અરજી કરવામાં આવી છે. એક બુથમાં 150 થી લઈ 170 લોકોના નામ કમી કર્યા છે. નાગરિકો હાજર હોવા છતાં પણ તેમને સ્થળાંતરિત અથવા તો મૃતક તરીકે બતાવવામાં આવ્યા છે. જેમના નામ દૂર કરવામાં આવે છે તે ગરીબ અને મજૂર છે જેથી તેમને ન્યાય મળે એવી આશા છે.
મોરબીમાં ગીતા જ્ઞાન ઉત્સવ યોજાયો:વિવિધ સ્પર્ધાઓમાં 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો
મોરબીમાં જૂનાગઢ પુષ્ટિ સંસ્કાર વિદ્યાપીઠ અંતર્ગત કાર્યરત પુષ્ટિ સંસ્કાર પાઠશાળા દ્વારા 'ગીતા જ્ઞાન ઉત્સવ'નું આયોજન કરવામાં આવ્યું છે. પાઠશાળાના સંચાલક હિતેશભાઈએ માહિતી આપતા જણાવ્યું કે, મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબીમાં કાર્યરત પાંચ પાઠશાળાઓના માધ્યમથી આ મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ ઉત્સવ અંતર્ગત બાળકોના સર્વાંગી વિકાસ અને ધાર્મિક જ્ઞાન માટે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જેમાં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને શ્લોક લેખન સ્પર્ધાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આજે બપોર પછી મહારાજ સાહેબની પ્રત્યક્ષ હાજરીમાં પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા શ્રીમદ ભગવદ ગીતા પર આધારિત વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે. સાંજે મહારાજ સાહેબ દ્વારા ગીતાના મહાત્મ્ય પર વિશેષ પ્રવચન પણ અપાશે. આ ગીતા જ્ઞાન ઉત્સવમાં મોરબીની સ્થાનિક શાળાઓ તેમજ પુષ્ટિ સંસ્કાર ધામ પાઠશાળાના મળીને અંદાજે 300થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રીમદ ભગવદ ગીતાનું જ્ઞાન નવી પેઢી સુધી પહોંચાડવાનો છે.
દુનિયામાં વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવનારા અમદાવાદ શહેરમાં હેરિટેજ રૂટ પર નાગરિકો મુલાકાત લેતા હોય છે ત્યારે હેરિટેજ રૂટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલોપ કરવામાં આવી રહ્યો છે. 2.25 કિલોમીટરના હેરિટેજ રૂટ પર કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી રીલીફ રોડ સુધી યુરોપની સ્ટ્રીટમાં જોવા મળતાં લાલ પથ્થરો નાખવામાં આવ્યા છે. હેરિટેજ રૂટની શેરીઓ અને ગલીઓને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહી છે. નાગરિકોને હેરિટેજ રૂટ પરના ઐતિહાસિક સ્થળોની માહિતી મળે તેના માટે QR કોડ પણ મૂકવામાં આવ્યા છે. જેનાથી લોકો આ તમામ સ્થળની સંપૂર્ણ માહિતી મેળવી શકશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી રીલીફ રોડમાં પથ્થર નાખવાની કામગીરીહેરિટેજ વોક રૂટને ત્રણ તબક્કામાં ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. જેમાં પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી રીલીફ રોડમાં પથ્થર નાખવાની કામગીરી કરી દેવામાં આવી છે. દલપતરામ ચોક પાસે પણ હાલમાં રોડ અને પથ્થરની કામગીરી ચાલી રહી છે. હેરિટેજ વોક રૂટ પર ઐતિહાસિક વારસાને જાળવી રાખી તેનું નવીનીકરણ થાય તે રીતે કામગીરી ચાલી રહી છે. સમગ્ર હેરિટેજ વોક રૂટ આગામી 30 માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થશેહેરીટેજ વોક રૂટમાં દેશ વિદેશથી પર્યટકો આવે છે, ત્યારે સમગ્ર હેરીટેજ વોક રૂટ પરના રસ્તા કોબાર્ડ સ્ટોન પેવિંગ, ગ્રેનાઈટ કોબાલ્ટ સ્ટોન પેવિંગ,બ્લોક પેવિંગ કરવામાં આવે છે. હેરિટેજ સાઈનેઝ, સ્કલ્પચર, હેરિટેજ થીમ આધારીત લાઈટીંગ, જંકશન ઉપર ટેબલ ટોપ લોરીંગ, કસાડ પેઇન્ટ, હેરીટેજ કોન્સેપ્ટથી આકર્ષક ગેટ તૈયાર કરવા જેવી કામગીરી કરવામાં આવશે. સમગ્ર હેરિટેજ વોક રૂટ આગામી 30 માર્ચ 2027 સુધીમાં આ કામગીરી પૂર્ણ થશે. હેરિટેજ વોક રૂટના ડેવલપમેન્ટ કામગીરી થતા સ્થાનિક પોળના રહીશોમાં આનંદની લાગણી જોવા મળે છે સ્થળની તમામ માહિતી મળી રહે તે માટે QR કોડ મૂકવામાં આવ્યાહેરિટેજ વોકના રૂટ ઉપર અનેક ઐતિહાસિક સ્થળો આવેલાં છે. ત્યારે આ સ્થળોનું મહત્ત્વ શું છે? તે અંગેની તમામ માહિતી મળી રહે તેના માટે QR કોડ મૂકવામાં આવ્યા છે. જે QR કોડ સ્કેન કરતાની સાથે સ્થળની મહત્ત્વતા દર્શાવતી તમામ માહિતી મળી રહે છે. રૂટ ઉપર આવતી તમામ બિલ્ડિંગો, જગ્યાઓ વગેરેને હેરિટેજ થીમ જેવી બનાવવામાં આવશે. આખા રૂટ પર સીસીટીવી કેમેરા અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. રૂટ ઉપર ક્યાંય પણ લટકતા વાયરો કે અન્ય બેનરો વગેરે હશે તો તેને પણ દૂર કરવામાં આવશે. ખાસ કરીને હેરિટેજ રૂટ ઉપર સાઈન બોર્ડ લગાવવામાં આવશે. જે સ્થળ ઉપર જવાના રસ્તા હશે, ત્યાં તમામ જગ્યા ઉપર પાર્કિંગની પણ વ્યવસ્થિત થાય તે રીતનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબી ગોકુલનગરમાં હિન્દુ સંમેલન સંપન્ન:સ્ટીલના વાસણોના ઉપયોગનો સંકલ્પ લેવાયો
મોરબી શહેરના ચિત્રકૂટ ઉપનગર સ્થિત ગોકુલનગર વસ્તીમાં મોટેશ્વર મહાદેવ મંદિર ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલન બપોરે 3:30 થી 5:00 દરમિયાન યોજાયું હતું. સંમેલનમાં સંતોનું સન્માન કરવામાં આવ્યું હતું. વસ્તીના અગ્રણી નાગરિકો અને સંઘના વક્તા દ્વારા માર્ગદર્શનસભર વક્તવ્ય અપાયા હતા. આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની એક વિશેષતા એ હતી કે અગાઉ મંદિર ખાતે 'પંચ પરિવર્તન' વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. તેના અનુસંધાને, વિસ્તારના વિવિધ મંડળોના પ્રમુખો અને સંઘના કાર્યકર્તાઓએ જાહેર સંકલ્પ લીધો કે હવે તેમના દરેક સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં ફક્ત સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરાશે. આ સંકલ્પને અમલમાં મૂકવા માટે, તેમણે સ્ટીલના વાસણો પ્રદર્શનરૂપે રજૂ કર્યા હતા, જેનો ઉપયોગ તે જ દિવસે ભોજન પ્રસંગે પણ કરવામાં આવ્યો હતો. આ હિન્દુ સંમેલનનો ઉદ્દેશ્ય સમાજમાં સંસ્કાર, સ્વચ્છતા, પર્યાવરણ જાગૃતિ અને સામૂહિક જવાબદારીના મૂલ્યોને મજબૂત કરવાનો હતો.
દાહોદ જિલ્લાના પેથાપુર ગામમાં શનિવારે એક સાથે બે સનસનાટીભરી ઘટનાઓએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. વરોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC)માં ફરજ બજાવતી સ્ટાફ નર્સ સોનલબેન પણદાની તીક્ષ્ણ હથિયારથી કરપીણ હત્યા થયેલી હાલતમાં લાશ મળી આવી છે, જ્યારે તે જ ગામના શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા બંને ઘટનાઓ વચ્ચે સંભવિત સંબંધ હોવાની આશંકા ઉભી થઈ છે. આ બંને મોતને જોડીને પોલીસે વ્યાપક અને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. યુવતીની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી શનિવારે વહેલી સવારે પેથાપુર નજીક તળાવના કાંઠે એક યુવતીની લાશ લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. તપાસમાં તેની ઓળખ રણિયાર ઇનામી ગામની વતની અને વરોડ PHCમાં સ્ટાફ નર્સ તરીકે કાર્યરત સોનલબેન પણદા તરીકે થઈ હતી. મૃતદેહના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ગંભીર ઘા જોવા મળતાં હત્યાની શંકા દૃઢ બની હતી. દુષ્કર્મની આશંકાને ધ્યાનમાં રાખી પેનલ પીએમ કરાયુંઆ ઘટનાની જાણ થતાં જ ચાકલિયા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બાદમાં જિલ્લા પોલીસ વડા, DYSP, LCB, SOG તથા FSLની ટીમોએ સ્થળ તપાસ કરી અને ડોગ સ્ક્વોડની મદદથી આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. દુષ્કર્મની આશંકાને ધ્યાનમાં રાખી સોનલબેનનો મૃતદેહ પેનલ પોસ્ટમોર્ટમ માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શિક્ષકની લાશ ઝાબુઆના રંગપુરા નજીકથી મળી આવીઆ ઘટનાની વચ્ચે બીજી ચોંકાવનારી ખબર સામે આવી હતી. પેથાપુર ગામના જ રહીશ અને વ્યવસાયે શિક્ષક મનોજ ઉર્ફે ભોલા વાલ્મીકીની લાશ ઝાબુઆ જિલ્લાના રંગપુરા ગામ નજીક ડેમ પાસે બાવળના ઝાડ પર લટકતી હાલતમાં મળી આવી. લાશ નજીક તેમની મોટર સાઇકલ પણ મળી હતી. ખિસ્સામાંથી મળેલા ફોન નંબરના આધારે તેમની ઓળખ કરવામાં આવી હતી. પેથાપુરથી અંદાજે 60 કિલોમીટર દૂર આપઘાત થયો હોવાને કારણે સમગ્ર ઘટના વધુ રહસ્યમય બની છે. પ્રાથમિક તપાસમાં બન્ને વચ્ચે પ્રેમસંબંધની માહિતી સામે આવીપોલીસની પ્રાથમિક તપાસમાં સોનલબેન અને ભોલા વાલ્મીકી વચ્ચે પ્રેમસંબંધ હોવાની માહિતી સામે આવી છે. સોનલબેનના પરિવારજનોએ ફરિયાદમાં ભોલા વાલ્મીકી પર શંકા વ્યક્ત કરી છે. સમગ્ર મામલે DYSPએ શું કહ્યું?આ મામલે ઝાલોદના DYSP ડી.આર. પટેલે જણાવ્યું હતું કે, “ચાકલિયા પોલીસ સ્ટેશનની હદમાં યુવતીનો મૃતદેહ હત્યા થયેલી હાલતમાં મળ્યો છે. તેની ઓળખ સ્ટાફ નર્સ સોનલબેન પણદા તરીકે થઈ છે અને પિતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં સોનલબેન અને પેથાપુરના ભોલા વાલ્મીકી વચ્ચે સંબંધ હોવાની માહિતી મળી છે. ભોલા વાલ્મીકીની પણ ઝાબુઆમાં ફાંસો ખાધેલી લાશ મળી આવી છે. બંને ઘટનાઓને જોડીને તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે.” સમગ્ર તપાસ બાદ મામલાની સાચી હકીકત બહાર આવશેપોલીસ દ્વારા મોબાઈલ કોલ ડિટેઈલ્સ, ટેકનિકલ પુરાવા, સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ પેથાપુર સહિત આસપાસના વિસ્તારોમાં ભય અને અફવાઓનું વાતાવરણ સર્જ્યું છે. પોલીસનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ અહેવાલ અને તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલાની સાચી હકીકત બહાર આવશે.
જૂનાગઢમાં CA તરીકે પ્રેકટિસ કરતા મિલન ચૌહાણનું ફિલ્મી ઢબે અપહરણ કરી રૂપિયા 60 લાખની ખંડણી માગવામાં આવતા સનસનાટી મચી છે. અપહરણ થયાની જાણ થયા બાદ પોલીસ તુરંત જ એક્શનમાં આવતા જામનગર તરફ જઈ રહેલા અપહરણકારો ભોગ બનનારને ઉતારીને નાશી છૂટ્યા હતા. લોનના કમિશન બાબતે થયેલા ઝઘડા બાદ CAનું અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે અપહરણકાર જય ઓડેદરા અને તેના સાગરિતોની શોધખોળ શરૂ કરી છે. ઓફિસેથી નીકળી રહેલા CAનું અપહરણ કરી જામનગર તરફ લઈ ગયાઘટનાની વિગતવાર માહિતી મુજબ, માણાવદરના બોડકા ગામના વતની અને ખેતીકામ કરતા યશભાઈ શાંતિભાઈ મારુના બનેવી મિલનભાઈ ચૌહાણ જૂનાગઢમાં ઓફિસ ધરાવે છે. ગત તા. 23/01/2026ના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં મિલનભાઈ ઘરે આવવાનું કહી ઓફિસેથી નીકળ્યા હતા, પરંતુ તેઓ ઘરે પહોંચ્યા નહોતા. મોડી રાત સુધી તેમનો ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ આદરી હતી. આ દરમિયાન રાત્રે 12:24 વાગ્યે મિલનભાઈના જ ફોન પરથી સાળા યશભાઈને ફોન આવ્યો હતો, જેમાં મિલનભાઈએ ભયભીત અવાજે જણાવ્યું હતું કે જય ઓડેદરા નામનો શખ્સ તેમને ઉપાડી ગયો છે. મિલન ચૌહાણના પરિવાર પાસે 60 લાખની ખંડણી માગવામાં આવીઅપહરણકર્તાઓએ મિલનભાઈ પાસે ફોન કરાવીને માંગણી કરી હતી કે, આવતીકાલે બપોરે 11 વાગ્યા સુધીમાં 60 લાખ રૂપિયા તૈયાર રાખજો અને પોલીસમાં ફરિયાદ કરતા નહીં. એટલું જ નહીં, આરોપી જય ઓડેદરા સાથેના અન્ય એક શખ્સે ફોન લઈને ધમકી આપી હતી કે, જો લોનની મેટર પૂરી નહીં કરો તો મિલનભાઈને જીવતા નહીં છોડીએ. આ ધમકી બાદ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તાત્કાલિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પોલીસનું પ્રેશર વધતા અપહરણકારો ભોગ બનનારને છોડી નાશી છૂટ્યાફરિયાદ મળતાની સાથે જ જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ટેકનિકલ સોર્સ અને લોકેશન ટ્રેસિંગની મદદથી જાણ્યું કે અપહરણકર્તાઓ મિલનભાઈને જામનગર તરફ લઈ ગયા છે. પોલીસના વધતા દબાણને કારણે આરોપીઓ ભોગ બનનારને છોડીને નાસી છૂટ્યા હતા. મિલનભાઈ જામનગર પાસેથી સુરક્ષિત મળી આવ્યા છે. જોકે, મુખ્ય સૂત્રધાર જય ઓડેદરા અને તેની સાથેના અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે પોલીસે કમર કસી છે. પોલીસ દ્વારા આરોપીઓના આશ્રયસ્થાનો અને સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવા માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરવામાં આવી છે. લોનના કમિશન બાબતે ડખ્ખો કારણભૂત હોવાની ચર્ચાભોગ બનનારના પરિવારના જણાવ્યા અનુસાર આજથી પાંચેક મહિના પહેલા જય ઓડેદરા અને હાર્દિક ઓડેદરા નામના શખ્સો સાથે લોનના નાણાં બાબતે મિલનભાઈને બોલાચાલી થઈ હતી. આ જ જૂની અદાવત રાખીને જય ઓડેદરાએ પોતાના સાથીદારો સાથે મળીને ખંડણી વસૂલવા માટે આ આખા કાવતરાને અંજામ આપ્યો હોવાનું જણાય છે. હાલમાં જૂનાગઢ પોલીસે જય ઓડેદરા અને તપાસમાં ખુલે તે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી, તેઓને જેલના સળિયા પાછળ ધકેલવા માટે તપાસનો વ્યાપ વધાર્યો છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પંજાબના ફતેહગઢ જિલ્લાના સરહિંદ રેલવે સ્ટેશન પર RDX બોમ્બ બ્લાસ્ટની શક્યતા અંગે ગુપ્તચર ઇનપુટ્સ મળ્યા બાદ, 25 જાન્યુઆરી, 2026 ના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની હતી. આ ઓપરેશન બપોરે 12:00 થી 1:00 વાગ્યા દરમિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં રેલવે પોલીસ (GRP) અને આરપીએફ (RPF) ના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. ગોધરા શહેરની સ્પેશિયલ બોમ્બ સ્ક્વોડ અને એક્સપ્લોઝિવ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ, ટ્રાફિક વિસ્તાર, મુસાફરખાના, રેલવે યાર્ડ, મુસાફરોના સામાન તેમજ રેલવે ટ્રેકની આસપાસના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. લગભગ એક કલાક સુધી ચાલેલી આ સઘન તપાસના અંતે કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ કે અજાણ્યો ઇસમ મળી આવ્યો નહોતો. આથી તંત્રએ રાહત અનુભવી હતી.પંજાબમાં મળેલી ધમકીને પગલે રેલવે સુરક્ષા દળ આગામી સમયમાં પણ સતર્ક રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.
નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસમાં જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની ગત (24 જાન્યુઆરી)ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજરોજ જયરાજ આહીરને ભાવનગર આઈજી ઓફિસથી પોલિસ કાફલા સાથે મહુવા કોર્ટમાં રજૂ કરવા માટે લઈ જવાયો. કોળી સમાજના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી27 દિવસથી ચાલી રહેલા તપાસના ધમધમાટ વચ્ચે SITએ સ્થાનિક પોલીસની પણ પોલ ખોલી નાખી છે. SIT દ્વારા જયરાજ આહીરને નિવેદન નોંધાવવા માટે ગઈકાલે રેન્જ આઈજીની કચેરીએ બોલાવવામાં આવ્યો હતો અને સતત બે કલાક પૂછપરછ બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર.ટી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. તો બીજી તરફ કોળી સમાજના લોકોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને સત્યના વિજયના નારા લગાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, SIT દ્વારા આ કેસમાં જયરાજ આહીરની પૂછપરછને પગલે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એે માટે આઈજી કચેરી ખાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ તહેનાત કરી દેવામાં આવ્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જયરાજ આહીરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવ્યો હતોરેન્જ આઇજી ગૌતમ પરમારે જણાવ્યું હતું કે, બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં શરૂઆતમાં 8 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ અન્ય આરોપીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓનો નિવેદન, સાક્ષીઓના નિવેદન અને કોલ ડિટેલઈલ્સના આધારે જયરાજ આહીરને ત્રણ દિવસ પહેલા અહીં બોલાવવામાં આવ્યો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ પણ બીજા બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. તમામ પુરાવાને ધ્યાને લઈ આજે સવારથી SITની સાથે તમામ પુરાવાઓની ચકાસણી કર્યા બાદ કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે આજે ફરી જયરાજ આહીરને સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. 5 જાન્યુઆરી 2026ના રોજ SITની રચના કરાઈ29 ડિસેમ્બર 2025ના રોજ નવનીત બાલધિયાને માર મારવા મામલે ભાવનગર જિલ્લાના બગદાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેમાં આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ચકચારી કેસમાં 5 જાન્યુઆરી 2026ના રોજ SITની રચના કરવામાં આવી હતી. SIT દ્વારા 20 દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર કેસની તપાસ હાથ ધરી 8 આરોપીઓના 3 દિવસના પુન:રિમાન્ડ મેળવ્યા હતા. આ રિમાન્ડ દરમિયાન આરોપીઓની કડકાઈથી પૂછપરછના અંતે SITને વધુ આરોપીની સંડોવણી હોવાના પુરાવાઓ મળ્યા હતા. જે બાદ SITએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. 21 જાન્યુઆરીએ જયરાજને પૂછપરછ માટે બોલાવ્યોઆ આરોપીઓની વધુ પૂછપરછ, મોબાઈલ લોકેશન તથા અન્ય ટેકનિકલ ડિટેઈલ્સને ધ્યાને લેવામાં આવ્યા હતા. તા. 19 જાન્યુઆરી 2026ના ફરિયાદી નવનીત બાલધિયાનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેના નિવેદન બાદ અન્ય મહત્વના સાક્ષીઓના નિવેદનોની ચકાસણી કરતા જયરાજ આહીરની આ ઘટનામાં પૂછપરછ જરૂરી લાગતા 21 જાન્યુઆરી 2026 રોજ નિવેદન નોંધવા બોલાવવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન અને આ હુમલામાં ભાગ ભજવનાર વધુ બે આરોપી ઉત્તમ ભરતભાઈ બાંભણીયા અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલીયાની ધરપકડ પણ કરવામાં આવી હતી. SITની પૂછપરછ બાદ જયરાજ આહીરની ધરપકડ આ કેસની તલસ્પર્શી તપાસ આગળ વધારતા SITએ પુરાવા અને નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, તેમના લોકેશન તથા અન્ય ડિટેઈલ્સની સઘન ચકાસણી કરતા જયરાજ આહીરની સંડોવણીના પૂરતા પુરાવાઓ મળ્યા હતા. જેને લઈને તેને SIT સમક્ષ અન્ય ખુલાસાઓ અર્થે બોલાવવામાં આવ્યો અને તેની આજની પૂછપરછમાં તે આ હુમલાની ઘટનામાં સંડોવાયેલો હોવાના પૂરતા પુરાવાઓને ધ્યાને આવતા આજે જયરાજ આહીરની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. નવનીત બાલધિયા માતાજીના મઢે ચાલીને દર્શન કરવા પહોંચ્યા જયરાજ આહીરની ધરપકડ બાદ પીડિત નવનીત બાલધિયાએ સરકાર, પોલીસ તંત્ર અને એસઆઈટી ટીમનો આભાર માન્યો હતો. જયરાજની ધરપકડના સમાચાર મળતા જ નવનીત બાલધિયા પોતાના વતન બગદાણા પહોંચ્યા હતા. માતાજીના મઢે ચાલીને દર્શન કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે નવનીત બાલધિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 'મારી સાથે ન્યાય માટે લડત આપનાર તમામ લોકોનો હું આભાર માનું છું. આખરે મને ન્યાય મળી ગયો છે.' 'નવનીતને સફળતા મળી એ બદલ હું બધાનો ખુબ ખુબ આભાર માનું છું'પરષોત્તમભાઈ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, નવનીતને બચાવવા માટે આપણા સરકારના મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ અને સમાજના તમામ આગેવાનોએ આની અંદર જે મહેનત કરી છે અને નવનીતને આમાં સફળતા મળી છે એ બદલ હું બધાનો ખુબ ખુબ આભાર માનું છું. ભગવાન ના કરે કે આવા દિવસો કોઇને આવે. ત્રણ દિવસ પહેલાં સાડાત્રણ કલાક પૂછપરછ ચાલી હતીત્રણ દિવસ અગાઉ પણ બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા કેસમાં લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવતાં SIT સમક્ષ હાજર થયો હતો. બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસ મામલે SIT દ્વારા જયરાજ આહીરની સાડાત્રણ કલાક લાંબી મેરેથોન પૂછપરછ કરાઈ હતી. એ સમયે SIT સમક્ષ નિવેદન આપી બહાર આવેલા જયરાજ આહીરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે SIT દ્વારા મને જે પણ સવાલ કરાયા છે એના મેં જવાબ આપ્યા છે. આ કેસ સંબંધિત ભવિષ્યમાં પણ જ્યારે મને બોલાવવામાં આવશે ત્યારે હું જવાબ આપવા હાજર રહીશ. (સંપૂર્ણ સમાચાર વાંચો) નવનીત બાલધિયાએ હુમલા કેસને લઈ SITને 15 પુરાવા આપ્યા હોવાનો દાવો કર્યો હતો. SITની 2 કલાક લાંબી પૂછપરછ બાદ નવનીત બાલધિયાએ દાવો કર્યો હતો કે તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને 15 પુરાવા આપ્યા છે. એ પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે, સાથે વધુ એકવાર દાવો કર્યો હતો તે તેમના પર હુમલો જયરાજે જ કરાવ્યો છે. બાલધિયાએ કહ્યું હતું કે સામાન્ય કોન્સ્ટેબલ પણ માની રહ્યો છે કે આ હુમલા પાછલ જયરાજ આહીરનો હાથ છે. ચીમકી ઉચ્ચારતાં તેણે કહ્યું હતું કે જો આ કેસમાં અમને ન્યાય નહીં મળે તો આગામી સમયમાં અમારા સમાજનું સંમેલન બોલાવીશું. (સંપૂર્ણ સમાચાર વાંચો) નવનીત બાલધિયા હુમલા કેસમાં ધરપકડનો આંક 14 થયોબગદાણા હુમલા કેસમાં અત્યારસુધીમાં નાજુ કામળિયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતીશ વનાળિયા, ભાવેશ સેલાળા, વીરુ સઈડા, પંકજ મેરની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. એ SIT ટીમની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા, સંજય ચાવડા અને દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ વધુ 2 આરોપી ઝડપાયા છે, જેમાં ઉત્તમ ભરતભાઇ બાંભણિયા રતનપર નવાગામનો રહેવાસી અને અજય ઉર્ફે મોટો મનજીભાઈ ભાલિયા રહે. બગદાણા રહેવાસીને ઝડપી પાડ્યા છે. આ બનાવમાં જયરાજ આહીર સહિત ધરપકડનો આંક કુલ 14એ પહોંચ્યો છે. શું છે સમગ્ર મામલો?બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસે 29 ડિસેમ્બર, 2025ના રાત્રિના હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીત બાલધિયાએ 1 જાન્યુઆરીએ હીરા સોલંકી સાથેની મુલાકાત બાદ કહ્યું હતું કે મુંબઈના એક કાર્યક્રમમાં માયાભાઈ આહીરે બગદાણા ટ્રસ્ટમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે યોગેશભાઈ સાગરના નામનો ઉલ્લેખ કર્યો હતો, જેથી મેં માયાભાઈ આહીરને ફોન કરી જાણ કરી હતી કે બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે કોઈ નથી. જેથી માયાભાઈએ કહ્યું હતું કે હું માફી માગતો વીડિયો મોકલી આપું છું. તેને વીડિયો મોકલતાં મેં મારા ચાર-પાંચ મિત્રોને મોકલ્યો હતો. માયાભાઈએ માફી માગતાં તેના પુત્ર જયરાજને લાગી આવ્યું હતું, જેથી તેને મને ફોન કરી મળવા માટે કહ્યું હતું. મેં માયાભાઈને માફી માગવા માટે કહ્યું ન હતું, તેને જ સામેથી વીડિયો મોકલ્યો હતો. માયાભાઈ આહીરે માફીનો વીડિયો બનાવ્યો એટલે તેના પુત્ર જયરાજે આખું ષડયંત્ર રચ્યું છે. પોલીસ મારો કેસ ડાઇવર્ટ કરી રહી છે. મારી માગ છે કે આ લોકો જ્યારે મને મારતા હતા ત્યારે વીડિયો કોલ કરી કોની સાથે વાત કરતા હતા પોલીસ એની તપાસ કરે.
બેચરાજી તાલુકાના શંખલપુર ગામની સીમમાં તસ્કરોએ તરખાટ મચાવી એક જ રાતમાં પાંચ ખેતરોમાંથી અંદાજે 85,500ની કિંમતના ઇલેક્ટ્રિક કેબલ અને સાધનોની ચોરી કરતા પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતરમાં પાણી માટે વપરાતા બોરના કિંમતી કેબલ વાયર કાપીને અજાણ્યા શખ્સો ફરાર થઈ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બોર ચાલુ કરી ઘરે ગયા ને પરત આવતાં કેબલ વાયર ગાયબ ઘટનાની વિગત મુજબ શંખલપુરના રહેવાસી પટેલ સુરેશભાઈ રાત્રિના સમયે કોઠારપુરા તરફના નેળિયા પાસે આવેલ પોતાના ખેતરે બોર ચાલુ કરી ઘરે પરત ફર્યા હતા. સવારે જ્યારે તેઓ ખેતરે પહોંચ્યા ત્યારે બોરની ઓરડીથી બોરવેલ સુધીનો 25 એમ.એમ.નો કિંમતી કેબલ વાયર ગાયબ હોવાનું જણાયું હતું. તપાસ કરતા માલૂમ પડ્યું કે માત્ર સુરેશભાઈ જ નહીં પરંતુ તેમની આજુબાજુમાં આવેલા અન્ય ચાર ખેડૂતોના ખેતરમાંથી પણ કેબલની ચોરી થઈ હતી. કેબલ વાયર કાપીને ચોરી કરી ને ફરારતસ્કરોએ સુરેશભાઈના ખેતરમાંથી 15,000નો 30 ફૂટ કેબલ, ડાહીબેન અમરતભાઈના ખેતરમાંથી 22,500નો કેબલ અને 3,000ના ત્રણ ફ્યુઝ, મફતલાલ ચેલદાસના ખેતરમાંથી 15,000નો કેબલ, મફતલાલ ચતુરભાઈના ખેતરમાંથી 15,000નો કેબલ તેમજ રમેશભાઈ દેવચંદભાઈના ખેતરમાંથી પણ 15,000ની કિંમતનો કેબલ વાયર કાપીને ચોરી કરી લીધો હતો. ફરિયાદ નોંઘાઈઆમ અજાણ્યા તસ્કરો કુલ 165 ફૂટ કેબલ અને અન્ય સાધનો મળી કુલ 85,500ની મત્તા ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સુરેશભાઈએ બેચરાજી પોલીસ મથકે નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ ઘાટલોડીયાની નેશનલ સ્કૂલના વિદ્યાર્થી પર પણ અન્ય વિદ્યાર્થીએ હુમલો કર્યો હતો. વિદ્યાર્થીઓ પર અન્ય વિદ્યાર્થીઓના હુમલાની ઘટનામાં વધારો થતા અમદાવાદ શહેરની તમામ શાળાઓને તકેદારી રાખવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સૂચના આપી છે. વિદ્યાર્થીઓમાં વધતી આક્રમકતા અને આંતરિક ઘર્ષણને રોકવા માટે હવે માત્ર અભ્યાસ પૂરતું નહીં પરંતુ વિદ્યાર્થીઓના વર્તન અને માનસિક સ્થિતિ પર પણ વિશેષ ધ્યાન આપવા શિક્ષકો અને આચાર્યોને સૂચના અપાઈ છે. વિદ્યાર્થીઓની માહિતી મળતી રહે તેવું નેટવર્ક તૈયાર કરવા શિક્ષકોને DEOનું સૂચનશાળાઓમાં નાની બાબતે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થતું હોય છે. પરંતુ તે બાબતોની જાણ શાળાના શિક્ષકો અને આચાર્યોને હોતી નથી. જેથી હવે શાળામાં વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતી પ્રવૃતિઓની દેખરેખ રાખવા અને વિદ્યાર્થીઓ વચ્ચેની ખાનગી માહિતી મળતી રહે તેવું નેટવર્ક તૈયાર કરવા પણ શિક્ષકોને સૂચન કરાયું છે. શિક્ષકોને વિદ્યાર્થીઓ સાથે સ્વજન મિત્ર બની કામગીરી કરવા માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ શહેરની તમામ શાળાઓના શિક્ષકોને સૂચના આપી છે. 'નાના વિવાદ મોટા બને તે પહેલા જ શિક્ષકો તેનું સમાધાન લાવે'અમદવાદ શહેરની તમામ શાળાઓમાં શિક્ષકો જ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરશે. વિદ્યાર્થીઓ વચ્ચે થતા નાના નાના વિવાદ મોટા બને તે પહેલા જ શિક્ષકો તેનું સમાધાન લાવે તેવું સૂચન પણ કરવામાં આવ્યું છે. હવે શિક્ષકોની ભૂમિકા માત્ર અભ્યક્રમ પૂરું કરવા પૂરતી સીમિત નહીં રહે, દરેક શિક્ષકે સ્વજન મિત્ર બની વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી કાઉન્સેલિંગ કરવું પડશે. ‘પ્રોજેક્ટ સારથી’ થકી શહેરની શાળાઓના શિક્ષકોને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે તૈયાર કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. 'વિદ્યાર્થીઓ, શિક્ષક અને આચાર્ય શિસ્ત સમિતિમાં રહીને કામગીરી કરે'અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, નેશનલ સ્કૂલમાં જે પ્રકારની ઘટના બની તે ખૂબ જ વખોડવા લાયક ઘટના છે. જેથી તેને લઈને શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ઇન્વોલમેન્ટ સાથે શિક્ષણ કાર્ય થતું હોય અને વિદ્યાર્થીઓ વચ્ચે નાના મોટા કોઈપણ વર્તન થતા હોય તો તેની જાણી શકાય તે માટે શિસ્ત સમિતિએ કામ કરવું પડશે. વિદ્યાર્થીઓ, શિક્ષક અને આચાર્ય શિસ્ત સમિતિમાં રહીને કામગીરી કરે તેવી શાળાઓને સૂચના આપવામાં આવી છે. જેથી કોઈપણ ઘટના એ ઘટના છે જ જેથી પ્રત્યેક શાળાએ તકેદારી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. ‘શિક્ષકે ઇન્વોલમેન્ટ સાથે વિદ્યાર્થીઓને બોલાવીને કાઉન્સેલિંગ કરવું પડશે’તેને વધુમાં કહ્યું કે, આ શાળામાં પણ અગાઉ શિસ્ત સમિતિ દ્વારા કોઈ પ્રયાસ થયો હતો કે નહીં તે બાબતનો પણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. તેમજ તમામ શિક્ષકોએ માત્ર અભ્યક્રમ પૂરો કરવા માટે જ કામ કરવાનું નથી. સ્વજન મિત્ર બની સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરી પ્રત્યેક વિદ્યાર્થીઓમાં કોઈપણનું અંદરોઅંદર ઘર્ષણ જોવા મળતું હોય તો એક શિક્ષકે ઇન્વોલમેન્ટ સાથે તેમને બોલાવીને કાઉન્સેલિંગ કરવું પડશે. જેથી વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડાની શરૂઆત હોય તો તેમના વાલીઓને બોલાવી રોકી શકાય. 'શિક્ષકોને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે તૈયાર કરવાની કામગીરી પણ ચાલી રહી'વધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, દરેક શિક્ષકે સ્વજન મિત્ર બની ફ્રેન્ડ, ફિલોશોપર અને ગાઈડની જેમ શાળાઓમાં કામ કરવું પડશે. સોશિયલ મીડિયાના રવાડે વિદ્યાર્થીઓ ચડી ગયા હોવાથી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓમાં આક્રમકતા જોવા મળતી હોય છે. પરંતુ તેમને રોકવા હોય તો બાળકોના મૂળ સુધી જવું પડશે. સાયકોલોજીકલ રીતે બાળકોને આ પ્રકારની આદતોથી દૂર રાખવા પડશે. અમદાવાદમાં પ્રોજેક્ટ સારથી થકી અમે 300 શાળાઓ સુધી પહોંચ્યા છીએ. બાકીના શિક્ષકોને સાયકોલોજીકલ કાઉન્સેલિંગ માટે તૈયાર કરવાની કામગીરી પણ ચાલી રહી છે. તેને વધુમાં જણાવ્યું હતું કે, કારણ કે અત્યારના સમયમાં સાઇકોલોજીકલ તાલીમ લેવી ખૂબ જ જરૂરી છે. શિક્ષકોએ પોતાનો રોલ ચોક એન્ડ ટોક પૂરતો જ નહીં રાખીને બાળકો સાથે રીસેસમાં પણ વર્ગ ખંડમાં પણ શિક્ષકો અને આચાર્યનું ઇન્વોલમેન્ટ જોઇશે. શિક્ષકોએ વર્ગ ખંડમાં એક પ્રકારનું નેટવર્ક પણ બનાવવું પડશે. બાળકો વચ્ચે થતા વિવાદની ખાનગી માહિતી મળે તેવું કોમ્યુનિકેશન નેટવર્ક તૈયાર કરવું જોઈએ. બાળકો પાસેથી ખાનગી માહિતી લઈને મોટી ન બને તે માટેનો પ્રયાસ કરવો પડશે.
ગોધરાના ધોળાકુવા સ્થિત ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે વસંત પંચમીના પવિત્ર પર્વે પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં તાલુકાના 60થી વધુ કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) અને કૃષિ સખીઓ સહિત 125થી વધુ ખેડૂતોને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય CRP અને કૃષિ સખીઓ દ્વારા 125 ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી પરિચિત કરાવી, તેમને આ ટકાઉ ખેતી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. તાલીમ દરમિયાન નિવૃત્ત વૈજ્ઞાનિક કનુભાઈ એચ. પટેલે પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો – જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાપસા અને મિશ્ર પાક ખેતી – વિશે વિગતવાર માહિતી આપી. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક કૃષિ જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારી ફળદ્રુપતામાં સુધારો કરે છે, જેનાથી પાક ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય છે. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજર, આત્મા પ્રોજેક્ટના બીટીએમ, એટીએમ અને તાલુકા પ્રોજેક્ટ મેનેજર/ખેતી મદદનીશો પણ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ CRP અને કૃષિ સખીઓનું રિવ્યુ લઈને આ અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તાલીમ દ્વારા ગોધરા તાલુકાના ખેડૂતોમાં પ્રાકૃતિક કૃષિ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદ મળશે અને ટકાઉ ખેતી તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાશે.
સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત, આણંદમાં પ્રાંત કક્ષાના 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી ડી.એન. હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 112 આણંદ વિધાનસભાના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડો. મયુર પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે, ચૂંટણીલક્ષી પ્રક્રિયામાં સહયોગ આપનારા જિલ્લાના મતદાતાઓ, લોકશાહી પ્રક્રિયાને વધુ સશક્ત બનાવવા માટે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બીએલઓ, બીએલઓ સુપરવાઇઝર તથા ઓપરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, લોકશાહીના આધારસ્તંભ સમાન વયોવૃદ્ધ મતદારો અને લોકશાહીના ઉજ્જવળ ભવિષ્યરૂપ યુવા મતદારોને પણ પ્રાંત અધિકારી ડો. મયુર પરમારના હસ્તે શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપી વિશેષ સન્માનિત કરાયા હતા. પ્રાંત અધિકારી ડો. મયુર પરમારે રાષ્ટ્રીય મતદાતા દિવસનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે તમામ મતદારોને ચૂંટણી આવે ત્યારે કોઈપણ જાતના ડર કે નાત-જાતના ભેદભાવ વગર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને જીવંત રાખવામાં પોતાની ભૂમિકા અદા કરવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે મદદનીશ મતદાન અધિકારી અને આણંદ ગ્રામ્ય મામલતદાર વી.કે. ગોહિલ, નાયબ મામલતદારો, ચૂંટણી સાથે સંકળાયેલા કર્મીઓ, યુવા મતદારો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
પોલીસ મહાનિરીક્ષક, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા તા. 01 જાન્યુઆરીથી તા. 31 જાન્યુઆરી 2026 દરમિયાન “રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026”ની ઉજવણી કરવા સૂચના આપવામાં આવી છે. આ અંતર્ગત ગીર સોમનાથ પોલીસે નેશનલ હાઇવે-51 પર વેરાવળથી ઉના સુધીના રખડતા પશુઓને રીફ્લેક્ટર બેલ્ટ પહેરાવવાનું અભિયાન હાથ ધર્યું છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય રાત્રિના સમયે રખડતા પશુઓને કારણે થતા વાહન અકસ્માતો અટકાવવાનો છે. “શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન” થીમ હેઠળ યોજાઈ રહેલા આ કાર્યક્રમોના ભાગરૂપે, ગીર સોમનાથ જિલ્લાના પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ માનવીય અભિયાન શરૂ કરાયું છે. જેમાં નેશનલ હાઇવે-51 પર વેરાવળથી ઉના સુધી તેમજ ઉના અને પ્રભાસ પાટણ શહેર વિસ્તારમાં રખડતા પશુઓને રીફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા. જિલ્લામાં નેશનલ હાઇવે અને મુખ્ય માર્ગો પર રાત્રિના સમયે પશુઓ અચાનક રસ્તા પર આવી જવાથી ગંભીર અકસ્માતો નોંધાયા છે. આવા અકસ્માતોમાં માનવજીવનની સાથે પશુઓને પણ નુકસાન થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ પોલીસે આ વ્યવહારુ અને અસરકારક ઉકેલ અપનાવ્યો છે. આ અભિયાન જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટ્રાફિક શાખાના પો.સબ.ઇન્સ્પેક્ટર વી.એન. મોરવાડીયા, ઉના પોલીસ ઇન્સ્પેક્ટર એન.બી. ચૌહાણ, ઉના ટ્રાફિક પોલીસ, પ્રભાસ પાટણ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી અને પ્રભાસ પાટણ ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગૌ રક્ષકોને પણ સાથે રાખવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન નેશનલ હાઇવે-51 પર વેરાવળથી ઉના સુધીના માર્ગ પર અને શહેરી વિસ્તારોમાં અંદાજે 200 જેટલા રખડતા પશુઓને રીફ્લેક્ટર બેલ્ટ પહેરાવવામાં આવ્યા હતા. આનાથી રાત્રિના સમયે વાહનચાલકોને પશુઓ દૂરથી જ દેખાશે અને અકસ્માતોની શક્યતા નોંધપાત્ર રીતે ઘટશે તેવી અપેક્ષા છે. ગીર સોમનાથ પોલીસની આ કામગીરી માત્ર કાયદાના અમલ પૂરતી સીમિત ન રહેતા, માનવજીવનની સુરક્ષા સાથે પશુ કલ્યાણને પણ મહત્વ આપતી માનવીય પહેલ તરીકે પ્રશંસા પામી રહી છે. સ્થાનિક નાગરિકો અને વાહનચાલકો દ્વારા પણ આ કામગીરીને આવકાર મળ્યો છે. રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ–2026 અંતર્ગત આગામી દિવસોમાં પણ માર્ગ સલામતી અંગે જનજાગૃતિ, ટ્રાફિક નિયમો અંગે માર્ગદર્શન અને અકસ્માત નિવારણ માટેના વિવિધ કાર્યક્રમો યોજવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
ભરૂચમાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો:મતદાન જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની જવાબદારી પર ભાર
ભરૂચ જિલ્લામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ જિલ્લા સ્તરીય કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો અને લોકશાહી પ્રત્યેની તેમની જવાબદારી યાદ અપાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન મતદાનના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. વિશેષ રૂપે, SIR અંતર્ગત મતદાર યાદી સુધારણા અને મતદાન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું. આ સન્માનનો હેતુ તેમની કામગીરીને પ્રોત્સાહન આપવાનો અને અન્યોને પ્રેરિત કરવાનો હતો. આ પ્રસંગે ઉપસ્થિત તમામ અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન અંગે શપથ લેવડાવવામાં આવ્યાં. આ શપથમાં લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા, સ્વયં મતદાન કરવા અને અન્ય નાગરિકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાની પ્રતિજ્ઞા લેવાઈ હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત જિલ્લાના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ નાગરિકોમાં મતદાનનું મહત્વ સમજાવવા અને લોકશાહીને મજબૂત કરવાની જવાબદારીની યાદ અપાવવામાં મહત્વપૂર્ણ સાબિત થયો.
પાટણ જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ 25 જાન્યુઆરી, રવિવારના રોજ સિદ્ધપુર સ્થિત સરકારી નર્સિંગ કોલેજ ખાતે યોજાયો હતો. પાટણ જિલ્લા કલેક્ટર તુષારભાઈ ભટ્ટના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં લોકશાહીના પર્વને ઉજવવાની સાથે મતદારોમાં જાગૃતિ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉજવણી દરમિયાન 18-પાટણ વિધાનસભા ક્ષેત્રમાં મતદાર યાદીની કામગીરીમાં પ્રશંસનીય યોગદાન આપનારા કર્મયોગીઓનું બહુમાન કરાયું હતું. જેમાં ચંદ્રુમાણા ગામના શિક્ષક રતિલાલ જીવાભાઈ પટેલને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે 308-ચંદ્રુમાણા મતદાન મથકના BLO તરીકે કરેલી શ્રેષ્ઠ કામગીરીને ધ્યાને રાખીને તેમને વિધાનસભા કક્ષાના શ્રેષ્ઠ BLO નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
પંચમહાલ જિલ્લામાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયતના બી.આર.જી.એફ. હોલ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ લોકશાહી પ્રક્રિયામાં પ્રથમ વખત જોડાયેલા નવા યુવા મતદારોનું સન્માન કર્યું હતું. તેમને વિશેષ બેઝ પહેરાવીને આવકારવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટરશ્રીએ યુવાધનને સંબોધતા જણાવ્યું હતું કે, મતદાન માત્ર એક અધિકાર નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણ માટેની પવિત્ર ફરજ છે. તેમણે લોકશાહીના પર્વને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. મતદાર સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ, કર્મચારીઓ અને બી.એલ.ઓ. (BLO) ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કલેક્ટરના હસ્તે પ્રશસ્તિપત્રો એનાયત કરીને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ નિર્ભય બનીને, મર્યાદા અને નૈતિકતા સાથે મતદાન કરવાના શપથ લીધા હતા. આ પ્રસંગે ગોધરા પ્રાંત અધિકારી એન.બી. મોદીએ શાબ્દિક સ્વાગત પ્રવચન આપી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી, જ્યારે જિલ્લા સ્વીપ નોડલ અધિકારી કિરીટભાઈ પટેલે આભાર વિધિ કરી હતી. આ ઉજવણીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત, એન.એસ.એસ. જિલ્લા કો-ઓર્ડિનેટર ડૉ. સંજય જોશી, લાયન્સ ક્લબના પ્રમુખ જે.પી. ત્રિવેદી, ચૂંટણી શાખાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નવા નોંધાયેલા મતદારો ઉપસ્થિત રહ્યા હતા.
પાટણની ઐતિહાસિક ધરતી પર વીર મેઘમાયા સાતમની ઉજવણી દરમિયાન રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. અનુસૂચિત જાતિના અગ્રણી હિતેન્દ્ર પિઠડિયાને જાનથી મારવાની કથિત ધમકીના મામલે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ રણશિંગુ ફૂંક્યું છે. મેવાણીએ મંચ પરથી સ્થાનિક નેતાગીરી અને સરકારને પડકાર ફેંકતા વિવાદસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેનાથી રાજકીય આલમમાં ચર્ચાઓ જાગી છે. વિવાદનું મૂળ: વાઇરલ વીડિયો અને કથિત ધમકી તાજેતરમાં પાટણ અનુસૂચિત જાતિના મહિલા પ્રમુખ દ્વારા એક વીડિયો વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં એવો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો હતો કે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે હિતેન્દ્ર પિઠડિયાને પાટણમાં મારવાની વાત કરી છે. આ વાતને પકડીને જીગ્નેશ મેવાણીએ કિરીટ પટેલ પર આડકતરા પ્રહારો કર્યા હતા. ‘અમે સરકારો હચમચાવનારા માણસો છીએ’: મેવાણી જનમેદનીને સંબોધતા જીગ્નેશ મેવાણીએ આક્રમક શૈલીમાં જણાવ્યું હતું કે, જે કોઈના મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પિઠડિયાને પાટણની ધરતી પર મારીશું, તે વહેમ કાઢી નાખે. અમે ગુજરાતની સરકારને ઉંચી-નીચી કરનારા માણસો છીએ, તારા જેવા ચણાનું ફુદુ પણ નહીં આવે. ભાજપ સરકાર પર પણ નિશાન સાધ્યું મેવાણીએ પોતાના સંબોધનમાં ભાજપ સરકાર પર કટાક્ષ કરતા ઉમેર્યું કે, જો આટલો જ ફાંકો હોય તો જ્યાં સરદાર પટેલનું નામ કાઢીને નરેન્દ્ર મોદીનું નામ લખવામાં આવ્યું છે (સ્ટેડિયમ સંદર્ભે), ત્યાં જઈને ઊંધા પડો તો ખબર પડે. આગામી સમયમાં રાજકીય સંઘર્ષના એંધાણ જીગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ પાટણના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક તરફ સામાજિક એકતાની વાતો થઈ રહી છે, તો બીજી તરફ ધારાસભ્યો વચ્ચેનો આ શાબ્દિક જંગ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હજુ સુધી આ મામલે ધારાસભ્ય કિરીટ પટેલ કે ભાજપ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. વીર મેઘમાયા સાતમની ભવ્ય રેલી પાટણ શહેરમાં વીર મેઘમાયા સાતમની ઉજવણી નિમિત્તે એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં જીગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પિઠડિયા અને મોટી સંખ્યામાં સામાજિક અગ્રણીઓ જોડાયા હતા. હાઈવે માર્ગ પરથી નીકળેલી આ રેલી બગવાડા દરવાજા ખાતે સંપન્ન થઈ હતી, જ્યાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શું છે સમગ્ર મામલો? પાટણ જિલ્લા કોંગ્રેસમાં અનુસૂચિત જાતિ (SC) વિભાગના પ્રમુખની વરણીને લઈને આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. હાલ જયા બેન શાહને પ્રમુખ બનાવવામાં આવ્યાં છે. ત્યારે પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે નિયુક્ત કરવાની માગ સાથે અનુસૂચિત જાતિના આગેવાનોએ 27 દિવસ પહેલાં કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ ઘટનામાં જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ મીડિયાને જણાવ્યું કે, જિગ્નેશ મેવાણી અને હિતેન્દ્ર પીઠડિયા પાટણ જિલ્લા પર પોતાનો કબજો જમાવવા માંગે છે અને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિને પોતાના વશમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. એ કોઈ કારણે થવા દેવાના નથી. હસમુખ સક્સેનાને પ્રમુખ તરીકે રિપીટ ન કરાતા વિરોધ હસમુખ સક્સેનાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ નવી વરણીમાં તેમને રિપીટ ન કરાતા આ વિરોધ ઉભો થયો છે. સમાજના આગેવાનોના મતે, હસમુખ સક્સેનાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની પકડ SC મતદારોમાં મજબૂત બની હતી. જિલ્લાના વર્તમાન અને પૂર્વ ધારાસભ્યો સહિત લગભગ 250 આગેવાને તેમને ફરીથી પ્રમુખ બનાવવાની ભલામણ કરી હતી, જેને પક્ષ દ્વારા અવગણવામાં આવી હોવાનો આક્ષેપ છે. સંપૂર્ણ અહેવાલ વાંચો
વડોદરા શહેરમાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ અને બુટલેગરો વચ્ચેનો એક વિવાદિત વીડિયો સામે આવ્યો છે. વાઇરલ વીડિયો મુજબ, એક બુટલેગરને ત્યાં ચાર જેટલા પોલીસકર્મીએ રેડ કરતા આ બુટલેગરે અન્ય જગ્યાએ મોટી માત્રામાં દારૂનું વેચાણ થતું હોવાનું જણાવી ‘મને ધંધો કરવા દો નહીં તો બધું બંધ કરાવો' તેવું કહ્યું હતુ. બાદમાં પોલીસ અને તમામ લોકો અન્ય બુટલેગરને ત્યાં પહોંચ્યાં હતાં. અહીં ઝડપાયેલા બુટલેગરને દારૂના જથ્થા સાથે પોલીસે ભગાડી દીધા હોવાના ગંભીર આક્ષેપ કર્યા હતાં. આ સાથે જ પોલીસકર્મીઓને કોઈ નિયમ લાગુ પડતો ન હોય તેમ હેલ્મેટ વગર બાઈક લઈ ફરતા જોવા મળે છે. આ ઉપરાંત હાજર લોકો વીડિયો ઉતારતા પણ રોક્યાં હતાં. રેડ પડતાં જ બુલટેગરે પોલીસ સાથે બબાલ શરૂ કરીવાઈરલ વીડિયો મુજબ, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ વુડાના મકાનમાં બુટલેગર ગુરુ પ્રસાદ ઉર્ફે મુન્નો કનોજીયાને ત્યાં પોલીસ રેડ કરવા ગઈ હતી. આ સમયે બુટલેગર ગુરુ પ્રસાદ ઉર્ફે મુન્નો ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસને કહ્યું હતું કે, અહીં અમારા ધંધા બંધ કરાવવા આવ્યા છો, ચાલો તમને બતાવુ, 150-150 પેટીનો ધંધો કરે છે. બીજે મોટા ધંધા ચાલે છે અને રેડ પાડવા અહીં આવે છે. 100 નંબર પર ફોન લગાવો. આ સમયે એક પોલીસકર્મી કહે છે કે, વીડિયો બંધ કરો. બાદમાં બીજો કહે છે કે, લગાવો, હું ક્યાં ના પાડું છું. બુટલેગર પોલીસને લઈ બીજા બુટલેગરને ત્યાં પહોંચ્યોત્યારબાદ બુટલેગર ગુરુપ્રસાદ પોલીસકર્મીઓ અન્ય જગ્યાએ દારૂનું વેચાણ થતું હોવાનું કહીને પોલીસને તે જગ્યાએ જવા માટે કહે છે. બાદમાં પોલીસ અને ગુરુપ્રસાદ બાઈક લઈને બીજા બુટલેગર રોહિત કથીરિયાને ત્યાં જવા રવાના થાય છે. આ સમયે બુટલેગર ગુરુપ્રસાદ કહે છે કે, ધ્યાન રાખજો આ લોકો (પોલીસકર્મી) ફોન ના કરી દે. પોલીસની હાજરીમાં જ બુટલેગર એક્ટિવા લઈ ફરારપોલીસકર્મીઓ અને બુટલેગર બધા સાથે મળીને બુટલેગર રોહિત કથીરિયાના ત્યાં જાય છે. આ સમયે રોહિત કથીરિયા ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે, જેથી બુટલેગર ગુરુપ્રસાદ અને પોલીસકર્મી તેને રોકવાનો પ્રયાસ કરે છે. બુટલેગર ગુરુપ્રસાદ કહે છે કે, એક્ટિવાની ડીકી ખોલો. જોકે ડીકી ખોલે તે પહેલા જ પોલીસની હાજરીમાં જ રોહિત કથિરીયા ભાગી જાય છે. બુટલેગર ગુરુપ્રસાદ કહે છે કે, પોલીસની હાજરીમાં જ માલ લઈને ભાગી ગયો છે. પોલીસવાળાઓએ તેને જવા દીધો છે. ચાર પોલીસવાળા પણ તેને પકડી શક્યા નથી. મેં ગાડી પકડાવી, પરંતુ પોલીસે છોડાવી દીધી છે અને પોલીસ સામે જ એક્ટિવા લઈને ભાગી ગયો છે. પોલીસની પાછળ આવતા બુટલેગરને પોલીસે રોક્યો ત્યારબાદ પોલીસ બુટલેગર રોહિત કથિરીયાને પકડવા ભાગે છે. તેની પાછળ બુટલેગર ગૃરૂપ્રસાદ પણ વીડિયો ઉતારતો-ઉતારતો એમની પાછળ જાય છે. થોડા આગળ જતા પોલીસવાળા રોકાય છે એને કહે છે કે હમણાં એને પકડીને લાવીએ છીએ. આ સમયે બુટલેગર ગુરુપ્રસાદ કહે છે કે, મને ધંધો કરવા દો, નહીં તો બધું બંધ કરાવો. હાલમાં બુટલેગર દ્વારા ઉતારવામાં આવેલા વીડિયો વાઇરલ થયાં છે. તો બીજી તરફ લક્ષ્મીપુરા પોલીસની ટીમે આરોપી રોહિત કથિરીયાની લક્ષ્મીપુરા રોડ પરથી એક્ટિવા તથા વિદેશી દારૂ સાથે પકડી પાડવામાં આવ્યો છે. તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કુલ 20,500 મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગુરુપ્રસાદે પોલીસ સામે ખોટા આક્ષેપો કર્યાઃ PIઆ મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ. ડી. ચૌધરીએ જણાવ્યું કે, ગુરુપ્રસાદ ઉર્ફે મુન્ના સામે પ્રોહિબિશન અને મારામારી સહિતના 29 ગુના નોંધાયેલા છે. તેણે કરેલા આક્ષેપો ખોટા છે. અમારી ટીમ તેને ત્યાં રેડ કરવા ગઈ હતી, આ સમયે પોલીસ સામે ખોટા આક્ષેપો કર્યા હતા. અમારી ટીમે બોટલેગર રોહિત કથિરીયાની ધરપકડ કરી છે અને તેની સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, લોકોને ટ્રાફિક સહિતના નિયમોનું પાલન કરાવવું પોલીસની ફરજ છે, પણ વીડિયો પોલીસકર્મીઓ પોતેજ હેલ્મેટ વગર જોવા મળ્યાં હતાં.
વડોદરાના જામ્બુવા સ્થિત આઇડીયલ સ્કૂલ ખાતે આગામી 27 અને 28 જાન્યુઆરી 2026 દરમિયાન મધ્ય ઝોન કક્ષાનું 'બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન' યોજાશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), વડોદરા દ્વારા આયોજિત આ મેળામાં મધ્ય ગુજરાતના 7 જિલ્લાઓ - વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, ખેડા અને આણંદની શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ISRO ના નિવૃત વૈજ્ઞાનિક યોગદીપ દેસાઈ અને MS Uni. સાયન્સ ફેકલ્ટીના ડિન વિપુલ કલમકાર જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે. વિકસિત ભારત માટે STEM વિષયની થીમ આ વર્ષના પ્રદર્શનનો મુખ્ય વિષય ‘વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM’ રાખવામાં આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ ટકાઉ ખેતી, કચરા વ્યવસ્થાપન, હરિત ઊર્જા (Green Energy), અને નવીન ટેકનોલોજી જેવા વિષયો પર પોતાના સંશોધનો રજૂ કરશે. આ ઉપરાંત ગાણિતિક મોડેલીંગ, આરોગ્ય, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા મહત્વના પાસાઓ પર પણ બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરાયેલા મોડેલ્સ આકર્ષણનું કેન્દ્ર બનશે. વિજ્ઞાન પ્રેમીઓ માટે ખુલ્લું આમંત્રણ વડોદરાના જામ્બુવા બ્રિજ પાસે આવેલી આઇડીયલ સ્કૂલ ખાતે યોજાનારા આ પ્રદર્શનમાં જોડાવા માટે DIET ના પ્રાચાર્ય દ્વારા જાહેર જનતા અને વિજ્ઞાન પ્રેમીઓને હાર્દિક આમંત્રણ અપાયું છે. નવી પેઢીના વૈજ્ઞાનિક વિચારોને પ્રોત્સાહન આપવા માટે આ એક ઉત્તમ તક બની રહેશે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં આવેલા વૃતાલય વિહારમ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ દ્વારા આયોજિત આ ઉત્સવમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લીધો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની પરંપરા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ શાકોત્સવ હર્ષોલ્લાસપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે હરિભક્તો માટે ખાસ પ્રકારની પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શાકોત્સવમાં ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી અને પૂજ્ય માનસરોવર બાપુ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીમાં ભવ્ય ધર્મસભાનું પણ આયોજન કરાયું હતું. ધર્મસભામાં સંતો દ્વારા ધાર્મિક પ્રવચનો આપી ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. શાકોત્સવના આયોજનને કારણે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળના સભ્યોએ સુંદર વ્યવસ્થા ગોઠવી હતી.
વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. જિલ્લા ચૂંટણી કાર્યાલય દ્વારા એમ.એસ. યુનિવર્સિટીના મૃણાલિનીદેવી પુવાર ઓડિટોરિયમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં નાગરિકોને તેમના મતાધિકારનો પવિત્ર ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી હતી. દર વર્ષે 25 જાન્યુઆરીએ ઉજવાતા આ દિવસનો મુખ્ય હેતુ મતદારોમાં જાગૃતિ લાવી લોકશાહીને વધુ મજબૂત બનાવવાનો છે. શ્રેષ્ઠ કામગીરીનું સન્માન અને પ્રતિજ્ઞા ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને અધિકારીઓએ નૈતિક મતદાનની પ્રતિજ્ઞા લીધી હતી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત, પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોને ગર્વ સાથે તેમના મતદાર ઓળખપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડોદરાને મળ્યું ગૌરવવંતું સન્માન કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર બી.એસ. પટેલે મતના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડૉ. એસ.આર. કૈલૈયાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું કે, ગાંધીનગર ખાતે જિલ્લા કલેક્ટર ડૉ. અનિલ ધામેલીયાને શ્રેષ્ઠ ચૂંટણી પ્રથા 2025નો એવોર્ડ એનાયત થયો છે. આ સફળતા બદલ તેમણે BLO, ERO અને સમગ્ર સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં વી.કે. સંબાદ અને દક્ષેશ મકવાણા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવા મતદારો હાજર રહ્યા હતા.
પ્રજાસત્તાક દિવસ-2026ના અવસર પર ગુજરાત રાજ્ય પોલીસ દળના કુલ 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ દ્વારા પોલીસ મેડલ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય પોલીસની વિશિષ્ટ અને પ્રશંસનીય સેવાઓને માન આપતાં આ સન્માન જાહેર કરવામાં આવ્યું છે.આ યાદીમાં 2 અધિકારીઓને ‘વિશિષ્ટ સેવા પોલીસ મેડલ (PSM)’ જ્યારે 14 અધિકારી અને જવાનોને ‘પ્રશંસનીય સેવા પોલીસ મેડલ (MSM)’ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. આજે 25 જાન્યુઆરીના દેશના પોલીસ અધિકારીઓની સેવાને બિરદાવવા માટે રાષ્ટ્રપતિ મેડલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી નિપૂણા તોરવણે અને એસ. એસ. રઘુવંશીને તેમની શ્રેષ્ઠ કામગીરી બદલ 'વિશિષ્ટ સેવા પોલીસ મેડલ' (PPM) એનાયત કરવામાં આવ્યા છે. ગુજરાતના 16 અધિકારી અને જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલઆ ઉપરાંત, આઈપીએસથી લઈને કોન્સ્ટેબલ સુધીના અન્ય 14 પોલીસ કર્મીઓને તેમની પ્રશંસનીય સેવાઓ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આ તમામ ગૌરવશાળી વિજેતાઓને આગામી 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે પ્રશંસનીય સેવા પોલીસ મેડલ માટે કોસ્ટલ સિક્યુરિટી, જેલ વિભાગ, સ્ટેટ મોનિટરિંગ સેલ, ઇન્ટેલિજન્સ, સુરત, અમદાવાદ અને રાજકોટ શહેર પોલીસ તેમજ રાજ્ય સશસ્ત્ર પોલીસ દળમાં ફરજ બજાવતા અધિકારી અને જવાનોની પસંદગી કરવામાં આવી છે. ડૉ. કે.એલ.એન. રાવે મેડલ મેળવનારને અભિનંદન પાઠવ્યારાજ્યના પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ પ્રાપ્ત કરનાર તમામ અધિકારી અને જવાનોને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, આ સન્માન ગુજરાત પોલીસની પ્રતિબદ્ધતા, નિષ્ઠા અને જનસેવાની ભાવનાનું પ્રતિબિંબ છે.
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ પર નર્મદા જયંતિ ઉજવાઈ:હવન અને દૂધાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા
ભરૂચ શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે આવેલા પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. રવિવારે મા નર્મદાની જન્મજયંતિ નિમિત્તે હવન સહિત દૂધથી અભિષેક કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. દશાશ્વમેઘ ઘાટ પર આવેલા આ પૌરાણિક નર્મદા મંદિરનો વર્ષ 1926માં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મહાસુદ સાતમથી મા નર્મદાની જન્મજયંતિ મહોત્સવ ઉજવવાની પરંપરા અવિરતપણે ચાલી આવી રહી છે. નર્મદા માતાના મહાત્મ્યનો ઉલ્લેખ અનેક ધર્મગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જેમાં માત્ર દર્શનથી જ ભવભવના પાપો દૂર થવાની માન્યતા દર્શાવવામાં આવી છે. નર્મદા જયંતિના અવસરે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હવન, અભિષેક અને આરતી દરમિયાન ભક્તોની મોટી ભીડ ઉમટી પડી હતી. સમગ્ર ઘાટ પર ધાર્મિક ઉલ્લાસ અને શ્રદ્ધાનો માહોલ છવાઈ ગયો હતો.
ભરૂચનો વોન્ટેડ આરોપી ઝડપાયો:બે વર્ષથી ફરાર મુકેશ ગોહિલને પેરોલ-ફર્લો ટીમે સુરતથી પકડ્યો
ભરૂચના ઝઘડીયા પોલીસ મથકના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી મુકેશ કરશનભાઈ ગોહિલને ભરૂચ પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમે સુરત ખાતેથી ઝડપી પાડ્યો છે. પેરોલ-ફર્લો જમ્પ કરનારા અને નાસતા ફરતા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે ભરૂચ પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમે સક્રિય કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન, ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં એમ.વી. એક્ટની વિવિધ કલમો હેઠળ વોન્ટેડ મુકેશ કરશનભાઈ ગોહિલ (રહે. સ્વેતરાજ સોસાયટી, ખોડીયારનગર, વરાછા રોડ, સુરત) છેલ્લા બે વર્ષથી ફરાર હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી મુકેશ ગોહિલ પોતાના નિવાસસ્થાને સુરત આવ્યો હોવાની બાતમી મળતા, પેરોલ-ફર્લો સ્કોર્ડની ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને કાર્યવાહી કરી હતી. ટીમે આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદના SVPI એરપોર્ટ પર એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU)ના અધિકારીઓએ બાતમીના આધારે કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. બેંગકોકથી મલેશિયા એરલાઇન્સની ફ્લાઈટ મારફતે અમદાવાદ આવેલા ચાર ભારતીય મુસાફરો ટ્રોલી બેગની અંદર ‘હાઈડ્રોપોનિક ગાંજા’ની પ્લેટો છુપાવીને આવ્યા હતા. કસ્ટમ વિભાગને શંકા જતાં અંદાજીત 16 મિનિટથી વધુ મહેનતની તપાસ બાદ ગાંજો મળી આવ્યો હતો. જેને લઈ પોલીસે 4 લોકોને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. એરપોર્ટ પર શંકાસ્પદ ચાર ભારતીય નાગરિકોને અટકાવ્યાકસ્ટમ્સ વિભાગના અધિકારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે, બેંગકોકથી કુઆલાલમ્પુર થઈને મલેશિયા એરલાઇન્સની ફ્લાઈટ નંબર MH-208 દ્વારા ડ્રગ્સની હેરાફેરી થવાની છે. જે ફ્લાઈટ અમદાવાદ પહોંચતા જ શંકાસ્પદ ચાર ભારતીય નાગરિકો (3 જલંધર, પંજાબ અને 1 વડોદરા)ને અટકાવી તેમની સઘન તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મુસાફરોના સામાનમાંથી લીલા રંગનો શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. પ્રાથમિક ટેસ્ટિંગમાં આ પદાર્થ 'ગાંજો' હોવાનું સામે આવ્યું હતું, જેનું કુલ વજન 12,402 ગ્રામ (આશરે 12.4 કિલો) નોંધાયું છે. બેગમાં છુપાવેલો ગાંજો કાઢતા કસ્ટમ વિભાગને પરસેવો વળી ગયોવીડિયોમાં જોઈ શકાય છે કે, કસ્ટમ વિભાગે ટ્રોલી બેગના ચેન વાળા ભાગમાંથી પ્રથમ ઉપર ભરેલો સામાન કાઢીને બાજુમાં મુક્યો હતો. ત્યાર બાદ ચેન વાળા કાપડના ભાગને ચાકુની મદદથી દૂર કર્યો. જ્યાં અંદરના ભાગમાં સ્ક્રુથી ફીટ કરેલા પ્લાસ્ટીકના ભાગને દૂર કરવા સ્ક્રુ ડ્રાઇવરનો સહારો લેવો પડ્યો હતો. ચારેય બાજુના સ્ક્રુ ખોલ્યા બાદ પણ પ્લાસ્ટીકનો બેગનો ભાગ દૂર ન થતાં હથોડીની મદદથી તેને દૂર કરવાનો પ્રયાસ કરવો પડ્યો હતો અને મહામહેનતે પ્લાસ્ટીક વાળો ભાગ દૂર થતાં એક સાઈડમાં અંદરથી ગાંજાની બે પ્લેટ મળી આવી હતી. જ્યારે બીજી બાજુ પણ તેટલી જ મહેનત કર્યા બાદ અન્ય બે પ્લેટો કસ્ટમના હાથે લાગી હતી. ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા તપાસ તેજભેજાબાજોએ ગાંજાની તસ્કરી માટે વાપરેલા કીમિયા પર પાણી ફેરવવામાં કસ્ટમ વિભાગને પરસેવો વળી ગયો હતો. જો કે, હાલમાં કસ્ટમ્સ વિભાગે તમામ પ્રતિબંધિત માલ જપ્ત કરી વડોદરાના એક યુવક સહિત ચાર મુસાફરોની ધરપકડ કરી છે અને આ ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા માટે આગળની તપાસ તેજ કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની જરવલા-સુરજપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. નર્મદા વિભાગ દ્વારા ક્ષમતા કરતાં વધુ પાણી છોડવામાં આવતાં કેનાલ ઓવરફ્લો થઈ હતી. આ ઘટનાને કારણે હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેડૂતોએ હાલમાં જીરું, વરિયાળી અને ઘઉં જેવા પાકોનું વાવેતર કર્યું હતું. બિયારણ, ખાતર અને મોંઘી દવાઓ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પાક લણણીની તૈયારીમાં હતો. ખેતરોમાં પાણી ફરી વળતાં ઊભા પાકને મોટું નુકસાન થયું છે અને તે સડી જવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં આક્રોશ છે કે છેલ્લા 24 કલાકથી નર્મદા વિભાગને જાણ કરવા છતાં કેનાલનો પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓની કથિત લાપરવાહીને કારણે પાણી સતત નવા વિસ્તારોમાં ફેલાઈ રહ્યું હતું, જેનાથી નુકસાનમાં વધારો થયો. દર વર્ષે મેન્ટેનન્સના નામે થતા કરોડોના ખર્ચ સામે સવાલો ઉઠાવતા ખેડૂતોએ માંગ કરી છે કે, તાત્કાલિક કેનાલ બંધ કરવામાં આવે, નુકસાનનો સર્વે કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. અંદાજે 100થી વધુ વીઘાના ખેતરમાં પાણી ફરી વળ્યા હોવાનો અંદાજ છે. આ અંગે ખેડૂત આગેવાન પ્રકાશ પટેલે જણાવ્યું કે, એકબાજુ રણકાંઠાની કેનાલોના કામ ખુબ જ નબળા અને હલકી ગુણવત્તાવાળા થયા છે, જેના લીધે જયારે સીઝનમાં આ કેનાલોમાં તંત્ર દ્વારા પાણી છોડવામાં આવે છે, ત્યારે કેનાલોમાં ગાબડાં પડવાની સાથે ખેડૂતોને પારાવાર નુકશાની આવતા એમને રાતા પાણીએ રોવાનો વારો આવે છે. જયારે આ અંગે સૂરજપુરા ગામના ખેડૂત સુભાષ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, કેનાલોમાં જામેલી લીલ અને શેવાળના કારણે અને તંત્ર દ્વારા કેનાલોની નિયમિત સફાઈ ન થવાના કારણે દર વર્ષે આ રીતે કેનાલોમાં ગાબડાં પડવાના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવાઈ જાય છે. આ અંગે અનેકો રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી. આ કેનાલમાં પાણી છોડાયા બાદ જામેલી લીલના થરના કારણે ગાબડું પડ્યું હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે. આ અંગે નર્મદા વિભાગના અધિકારી પટેલભાઈએ જણાવ્યું હતું કે, કેનાલમાં ગાબડું પડ્યાના સમાચાર મળ્યા બાદ હાલ કેનાલનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. કેનાલનું પાણી ઓસર્યા બાદ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવશે.
નવસારીમાં શહેરી વિકાસ સુશાસન પર્વ 2025-26 અંતર્ગત પ્રથમવાર ભવ્ય ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. લુન્સીકુઈ મેદાન ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. આ ફ્લાવર શોએ શરૂઆતની સાથે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવી નવસારીનું નામ રોશન કર્યું છે. આ ફ્લાવર શોની મુખ્ય વિશેષતા 95,000થી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવેલી ‘નવસારી’ શબ્દની વિશાળ આકૃતિ છે. પ્રદર્શનમાં 8 ફૂટ બાય 49 ફૂટની ફૂલ દીવાલ, સરદાર પટેલની પ્રતિમા, ઈસરોનું સ્પેસ રોકેટ, સંસદ ભવન અને નવસારીનું ઐતિહાસિક ટાવર જેવી કલાત્મક આકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે. ભારત ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મનીના વિદેશી ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આયોજનથી લોકોમાં પર્યાવરણની જાગૃતિ વધશેઆ સર્જનને 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ' દ્વારા માન્યતા આપવામાં આવી છે. નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નોંધાયેલી આ સિદ્ધિ બદલ મંત્રી સી.આર. પાટીલે વહીવટી તંત્ર અને નગરજનોને અભિનંદન પાઠવ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આ ફ્લાવર શો માત્ર ફૂલોનું પ્રદર્શન નથી, પરંતુ સરકારના સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આવા આયોજનોથી નાગરિકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સકારાત્મકતા વધશે. 10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સઆ ફ્લાવર શોમાં 10 લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં 25 જાતના ફ્લાવર ક્રોપ અને 40થી વધુ અલગ-અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ થાય છે. ભારત ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મનીના વિદેશી ફૂલો પણ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. નવસારીનું ઐતિહાસિક ટાવર ફૂલથી બનાવાયુંપ્રદર્શનમાં 8 ફૂટ બાય 49 ફૂટની ફૂલ દીવાલ, સરદાર પટેલની પ્રતિમા, ઈસરોનું સ્પેસ રોકેટ, સંસદ ભવન અને નવસારીનું ઐતિહાસિક ટાવર જેવી કલાત્મક આકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની છે.નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ પ્રદર્શન હરિત સંસ્કૃતિ અને સ્વચ્છ શહેરની કલ્પનાને પ્રોત્સાહન આપે છે. શહેરીજનોમાં વૃક્ષારોપણ અને ફૂલછોડ પ્રત્યે રુચિ વધે તેવો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પર્યટકોને આ પ્રદર્શન નિહાળવા અનુરોધ કરવામાં આવ્યો છે. 31મી સુધી આખો નિઃશુલ્ક ફ્લાવર શોકાર્યક્રમ અંગે માહિતી આપતા મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી જણાવ્યું હતું કે આજે નવસારી ખાતે કેન્દ્રીય મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલ દ્વારા નવસારી ફ્લાવર શો 2026 ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જે જાહેર જનતા માટે 25મી તારીખથી 31મી તારીખ સુધી આખો નિઃશુલ્ક ફ્લાવર શો, જે સવારે 10 વાગ્યાથી લગાવીને સાંજે 10 વાગ્યા સુધી રહેશે. આ ફ્લાવર શોમાં 5 લાખથી વધારે ફૂલોનો વપરાશ થયો છે અને 20થી વધારે સ્કલ્પચર જે છે આમાં મૂકવામાં આવ્યા છે. સાથે સાથે નવસારી મહાનગરપાલિકાને આ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આ ફ્લાવર શોના લીધે સ્થાન મળ્યું છે. ફ્લાવર શોમાં 20થી વધારે સ્કલ્પચર20થી વધારે સ્કલ્પચર જે છે એમાં મૂક્યા છે અલગ અલગ ટાઈપના, અલગ અલગ આયુવર્ગ માટે, બધા માટે મૂકવામાં આવ્યા છે. 5 લાખથી વધારે ફ્લાવર પણ મૂકવામાં આવ્યા છે અને જે છે ગિનિસ બુકમાં પણ જે સ્થાન મેળવવામાં આવ્યું છે તો ખૂબ જ સારો ફ્લાવર શો અહીં આયોજિત થયો છે. નવસારી જે વર્ડ છે એ સૌથી મોટો બન્યો છે જેમાં લગભગ 95 હજારથી વધારે ફૂલોનો વપરાશ થયો છે અને આના કારણે જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. આ પ્રસંગે આદિજાતિ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય રાકેશ દેસાઈ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરા શાહ, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરતા મહિલા સાથે એક યુવકે પરિચય કેળવીને મિત્રતા બાંધી હતી યુવકે મહિલા સાથે ઈમોશનલ વાતચીત કરીને ઉછીના પૈસા લીધા હતા જે પૈસા પરતના આપતા મહિલાએ યુવક વિરુદ્ધ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઈમોશનલ વાતચીત કરીને થોડા પૈસા ઉછીના લીધા સેટેલાઈટમાં રહેતા ચાંદની ઠાકુર ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે નોકરી કરે છે. ચાંદનીબેન તેમના દીકરીને શ્રેયસ ફાઉન્ડેશનમાં સ્વિમિંગ માટે લેવા મૂકવા જતા હતા ત્યારે તેમને ત્યાં કુનાલ શર્મા સાથે પરિચય થયો હતો.જે બાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. કુણાલે ચાંદનીબેન સાથે ઈમોશનલ વાતચીત કરીને થોડા પૈસા ઉછીના લીધા હતા. અલગ અલગ વાત બનાવીને 65 હજાર લીઘાશરૂઆતમાં 10,000 લીધા બાદ કુનાલે ચાંદનીબેનને ધંધામાં નુકસાન અને દીકરાની બીમારીનું બહાનું કરીને બીજા 55 હજાર રૂપિયા લીધા હતા.આ પૈસા ત્રણ દિવસમાં પરત આપવાનું કહ્યું હતું પરંતુ પૈસા પરત ન આપીને કુનાલ અવારનવાર વાયદા કરતો હતો. ફરિયાદ નોંધાઈચાંદનીબેને સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. અરજી થયા બાદ કૃનાલે અલગ અલગ રકમના ચેક આપ્યા હતાં. જે ચેક બેંકમાં ભરવા જતાં કુનાલનું બેંક ખાતુ જ બ્લોક હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ કૃણાલે ચાંદનીબેનને 11 હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ બાકીના 55000 આપ્યો નહોતા જેથી ચાંદનીબેને કુણાલ સામે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ફરિયાદ નોંધાવી છે.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા 'રાષ્ટ્રીય મતદાતા દિવસ–2026' ની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે વિશેષ શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગ લેવા માટે શપથ ગ્રહણ કર્યા હતા. નિષ્પક્ષ મતાધિકારનો સંકલ્પ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ નાગરિકો અને સ્ટાફે દેશની લોકતાંત્રિક પરંપરાઓને જાળવી રાખવા તેમજ કોઈપણ લોભ કે લાલચ વગર, સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે મતાધિકારનો ઉપયોગ કરવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જાગૃતિનો સંદેશ મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓએ મતદાનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, મજબૂત લોકશાહીના નિર્માણ માટે દરેક પાત્ર નાગરિકનું મતદાન અનિવાર્ય છે. કાર્યક્રમના અંતે વધુમાં વધુ નાગરિકો લોકશાહી પર્વમાં સહભાગી બને તેવો સંદેશ પાઠવી જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન અને પર્યટકોના માનીતા સ્થળ માઉન્ટ આબુમાં હાલમાં કડકડાટી ભરી ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ (માવઠું) બાદ પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડીને માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો છે. જેના કારણે સમગ્ર હિલ સ્ટેશન ઠંડુગાર બની ગયું છે અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. ઠેર-ઠેર જામ્યો બરફ: વાહનો સફેદ ચાદરમાં ઢંકાયા માઈનસ તાપમાનને કારણે માઉન્ટ આબુમાં આજે (25 જાન્યુઆરી) સવારે અદભૂત અને આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળ્યા હતા. શહેરના મેદાનો, બગીચાઓ અને હોટલના પ્રાંગણમાં બરફની સફેદ ચાદર છવાઈ ગઈ હતી. ખાસ કરીને રાત્રિના સમયે પાર્ક કરવામાં આવેલી કાર અને અન્ય વાહનોની ઉપર બરફના થર જામી ગયા હતા. સવારે પર્યટકો અને સ્થાનિક લોકો વાહનો પરથી બરફ હટાવતા નજરે પડ્યા હતા. માવઠા બાદ ઠંડા પવનોનો કહેર રાજસ્થાનના અનેક વિસ્તારોમાં થયેલા કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ઉત્તર તરફથી ફૂંકાતા ઠંડા પવનોએ ઠંડીમાં વધારો કર્યો છે. સમગ્ર રાજસ્થાનમાં હાલ શીતલહેર (Cold Wave) જેવો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ માઉન્ટ આબુમાં પારો માઈનસમાં જતાં અહીં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. પર્યટકો માટે બેવડી મોસમ: ક્યાંક ઠંડીનો આનંદ, ક્યાંક તાપણાનો સહારો કડકડતી ઠંડી હોવા છતાં મોટી સંખ્યામાં પર્યટકો માઉન્ટ આબુના આ કાશ્મીર જેવા વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓ નખી લેક અને સનસેટ પોઈન્ટ પર લાલ ગુલાબી ઠંડીમાં ફોટોગ્રાફી અને ભ્રમણનો આનંદ લેતા જોવા મળ્યા હતા. બીજી તરફ, સ્થાનિક રહીશો અને રાહદારીઓએ ઠંડીથી બચવા માટે ઠેર-ઠેર તાપણાનો સહારો લીધો હતો. ગરમ વસ્ત્રો અને ગરમાગરમ ચા-નાસ્તાની દુકાનો પર પર્યટકોની ભારે ભીડ જોવા મળી હતી. બનાસકાંઠા સહિત સરહદી વિસ્તારોમાં પણ અસર માઉન્ટ આબુમાં પડેલી આ રેકોર્ડબ્રેક ઠંડીની અસર પાડોશી જિલ્લા બનાસકાંઠા અને પાલનપુર પંથકમાં પણ જોવા મળી રહી છે. સરહદી વિસ્તારોમાં ઠંડા પવનોને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી ગુજરાતના આ ભાગોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ આગામી થોડા દિવસો સુધી તાપમાન નીચું રહેવાની શક્યતા છે, તેથી પર્યટકોને પૂરતા ગરમ વસ્ત્રો સાથે જ આબુની મુલાકાત લેવા સલાહ આપવામાં આવી છે. બે દિવસ બાદ હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતાસમગ્ર ગુજરાતના હવામાનની વાત કરીએ તો રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ગઈકાલે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જો કે છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સાથે રાજ્યના ત્રણ જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પરહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર ભારતમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. જાન્યુઆરીમાં અંતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે.
ભાવનગર શહેરના એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાંથી ચાંદીના મુગટની ચોરી થવાની ઘટના સામે આવી છે. સવારના સમયે અજાણ્યો ઇસમ દેરાસરમાં પ્રવેશ કરી અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી અંદાજે 50 હજાર રૂપિયાનો ચાંદીનો મુગટ ચોરી ગયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. આ મામલે દેરાસરના ટ્રસ્ટીની ફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જૈન દેરાસરમાંથી ચાંદીના મુગટની ચોરી થવાની ઘટનાગંગાજળિયા પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ, એમ.જી. રોડ પર વૃંદાવન હોટલ સામે આવેલા જૈન દેરાસરમાંથી ચાંદીના મુગટની ચોરી થવાની ઘટના સામે આવી છે. આ બાબતે જૈન દેરાસરના ટ્રસ્ટી સંજયભાઈ શરદચંદ્ર ઠારે ગંગાજળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, તારીખ 23 જાન્યુઆરીના રોજ બપોરના સમયે તેઓ ટ્યુશન ક્લાસિસ ખાતે હાજર હતા. તે દરમિયાન દેરાસરના પુજારી દર્શનાએ ફોન કરીને જાણ કરી હતી કે, અજીતનાથ ભગવાનના દેરાસરમાં પુજા કરવા આવ્યા બાદ ભગવાનની મૂર્તિ પર પહેરાવેલો ચાંદીનો મુગટ નજરે પડતો નથી. અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી મુગટ ગાયબ હોવાનું જણાયુંદર્શનાથી દ્વારા જણાવ્યા મુજબ, સવારના સમયે પ્રથમ અજીતનાથ ભગવાનની પુજા કરવામાં આવી હતી, જેમાં ભગવાનની મૂર્તિ પર ચાંદીનો મુગટ પહેરાવેલો હતો. ત્યારબાદ ઉપરના માળે પાર્શ્વનાથ ભગવાનની પુજા કરી આશરે સાડા અગિયાર વાગ્યાના સમયે નીચે આવતા અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી મુગટ ગાયબ હોવાનું જણાયું હતું. CCTVમાં એક અજાણ્યો ઇસમ દેરાસરમાં પ્રવેશતો નજરે પડ્યોઘટનાની જાણ થતાં ટ્રસ્ટી સંજયભાઈ તાત્કાલિક એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરે પહોંચ્યા હતા અને દેરાસરમાં તપાસ કરતા ચાંદીનો મુગટ ક્યાંય મળ્યો નહોતો. ત્યારબાદ દેરાસરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં સવારના 11થી 11:30 વાગ્યાના સમયગાળા દરમિયાન એક અજાણ્યો ઇસમ સફેદ રંગના કપડા તથા કાળી કોટી પહેરી દેરાસરમાં પ્રવેશ કરતો નજરે પડ્યો હતો. 50,000નો ચાંદીનો મુગટ ચોરી જનાર અજાણ્યા ઇસમ સામે ફરિયાદઆ ઇસમ અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી અંદાજે 500 ગ્રામ વજનનો અને અંદાજિત કિંમત રૂપિયા 50,000નો ચાંદીનો મુગટ ચોરીને પોતાની કોટીના ખિસ્સામાં નાખી દેરાસરમાંથી બહાર જતો હોવાનું ફૂટેજમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જે ફૂટેજ ના આધારે ગંગાજળિયા પોલીસ મથકે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરાવતા ગંગાજળિયા પોલિસે વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં આવેલા અને ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા આમ્રપાલી અન્ડરબ્રીજમાં વગર વરસાદે પાણી ભરાવાની સમસ્યા હજુ યથાવત છે. અહીં તાજેતરમાં રીપેરીંગનાં નામે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં સ્થિતિ જૈસે થે જેવી છે. એટલું જ નહીં કિસાનપરા ચોક ખાતેથી રૈયારોડ તરફ જવાના રસ્તે મસમોટા ખાડા અંગે પણ તંત્ર ઉદાસીન છે. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે હજારો વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. ત્યારે આજે દિવ્યભાસ્કરનાં માધ્યમથી વાહન ચાલકોએ આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી હતી. જો કે મનપાનાં ઇજનેરે પણ થોડી કામગીરી બાકી હોવાનું અને તે ઝડપથી પૂર્ણ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેરના આમ્રપાલી ફાટક પાસેથી હજારોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થતા હોય છે. લોકોને ટ્રેનની રાહ જોવી ન પડે પાસે તે માટે વર્ષ 2019માં અહીં રૂપિયા 29 કરોડના ખર્ચે અન્ડરબ્રીજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી દ્વારા બ્રીજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રીજનાં નિર્માણ બાદ લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી છુટકારો મળ્યો છે. પરંતુ બ્રીજમાંથી વાહન લઈને પસાર થવું સતત જોખમી રહે છે. વર્ષ 2021થી જ બ્રીજમાં વગર વરસાદે પાણી આવવાની સમસ્યા છે. આ પાણી ભરાતું અટકાવવા માટે તબક્કાવાર રીપેરીંગ કરવામાં આવ્યા છે. તાજેતરમાં ગત નવેમ્બર મહિનામાં કોંગ્રેસનાં વિરોધ બાદ મનપા દ્વારા સમારકામનાં નામે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આમ છતાં હજુ બ્રીજની અંદર વગર વરસાદે પાણી ભરેલા જોવા મળે છે. જેને લઈને હજારો વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંથી પસાર થતા વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. એટલું જ નહીં બ્રીજની એકતરફ મોટા ખાડાઓ પડ્યા છે. છતાં તંત્ર દ્વારા આ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અર્જુનસિંહ નામના નાગરિકે દિવ્યભાસ્કરને જણાવ્યું કે, મારી ઓફીસ નજીકમાં હોવાથી હું અહીંથી નિયમિત રીતે પસાર થાવ છું. અહીં પાણીની સમસ્યા કાયમી હોય છે. એટલું જ નહીં બ્રીજમાં ખાડાઓ પણ પડી ગયા છે. જેને લઈને મહિલાઓ અને બાળકોને લઈને નીકળવુ જોખમી બન્યું છે. અવારનવાર અહીં વાહન સ્લીપ થવાના બનાવો પણ બનતા હોય છે, જેને લઈને સ્વાભાવિક રીતે ડર લાગે છે. ચૂંટણીનો સમય હોય ત્યારે શાસકો ધ્યાન આપે છે. હાલ બ્રીજનું સુશોભન કરવામાં આવ્યું છે. પરંતુ રસ્તા બાબતે કોઈ કામગીરી થઈ નથી. અને પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત છે. ત્યારે આ મામલે તાત્કાલિક પગલાંઓ લેવાય તેવી મારી માંગ છે. અન્ય એક નાગરિક પ્રેમલભાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, મારુ ઘર ઉપર જ હોવાથી હું અવારનવાર અહીંથી પસાર થતો રહુ છું. અગાઉ મનપા દ્વારા વગર વરસાદે પાણી ન ભરાય તેના માટે કામગીરી કરવામાં આવી હતી. આમ છતાં આજે પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે. પાણી ભરાઈ જવાને લઈ ટુવહીલરમાં જતા લોકો ખાસ કરીને જ્યારે ફેમિલી સાથે હોય ત્યારે ડર લાગે છે. પાણીના કારણે વાહન સ્લીપ થવાના બનાવો પણ અનેકવાર બન્યા છે. ત્યારે તંત્રએ હજારો વાહનચાલકોની આ મુશ્કેલીને ગંભીરતા પૂર્વક લઈને તાત્કાલિક સમારકામ કરવું જોઈએ તેવી અમારી માંગ છે. મનપાનાં સિટી ઈજનેર અતુલ રાવલએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બ્રીજમાં જમીનમાંથી અને સાઈડમાંથી પાણી આવતું હતું. હાલ સાઈડમાંથી પાણી ન આવે તે માટે કામગીરી કરી લેવામાં આવી છે. જમીનમાં પાણીનું લેવલ નીચે આવ્યા બાદ ત્યાંથી આવતા પાણીને અટકાવવા પણ કામગીરી કરવામાં આવનાર છે. એટલું જ નહીં વાહન ચાલકોને મુશ્કેલી પડે નહીં તે માટે આ સમારકામ ટૂંક સમયમાં રાત્રીના સમયે કરવા માટેનું અયોનજન કરાયું છે. વાહન ચાલકો હેરાન ન થાય તે માટે તંત્ર દ્વારા આ કામગીરી શક્ય તેટલી વહેલી પુરી કરવાની ખાતરી પણ તેમણે આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ મામલે મહાપાલિકાના 'સૂતેલા' તંત્ર સામે વિરોધ વ્યક્ત કરવા માટે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બ્રીજમાં સમારકામ પણ કરવામાં આવ્યું હતું. જેને લઈને થોડો સમય બ્રીજમાં પાણી ભરાતા બંધ થયા હતા. પરંતુ આ વાતને થોડા જ મહિના વીત્યા છે ત્યાં ફરીથી બ્રીજમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેને લઈ મનપા તંત્ર દ્વારા કરવામાં આવેલા સમારકામમાં પણ ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે અહીંથી પસાર થતા હજારો વાહન ચાલકોને આમ્રપાલી બ્રીજમાં પાણી ભરાવાની સમસ્યાથી ક્યારે કાયમી ધોરણે છુટકારો મળશે તે આવનારો સમય જ બતાવશે.
સાબરકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે હિંમતનગરમાં ટ્રાફિક અને ડ્રગ્સ જાગૃતિ માટે મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. સાબરકાંઠા પોલીસ અને શહેરના ડોકટરો દ્વારા આ દોડ યોજવામાં આવી હતી. રવિવારે સવારે એસપી ઓફિસ સામે આવેલા સાયબર પોલીસ સ્ટેશનથી મેરેથોન દોડનો પ્રારંભ થયો હતો. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા અને હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાએ લીલી ઝંડી આપી દોડવીરોને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળ અને શામળાજી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી સિધાર્થ પટેલ, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંધ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ, હિંમતનગર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ મેરેથોનમાં મોટી સંખ્યામાં દોડવીરો, પોલીસ અધિકારીઓ, તબીબો અને મહિલાઓ જોડાઈ હતી. આ 6 કિલોમીટરની મેરેથોન દોડ સાયબર પોલીસ સ્ટેશનથી શરૂ થઈ પોસ્ટ ઓફિસ, ટાવર ચોક, નમસ્તે સર્કલ, મહાવીરનગર ચાર રસ્તા, છાપરિયા ચાર રસ્તા, ખેડ તસિયા રોડ થઈ મોતીપુરા, ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ, બસ સ્ટેન્ડ, જૂની સિવિલ સર્કલ થઈ પરત સાયબર પોલીસ સ્ટેશને પૂર્ણ થઈ હતી. દોડમાં ભાઈઓ અને બહેનો એમ બે વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યા હતા. માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત યોજાયેલી ચિત્ર સ્પર્ધાના વિજેતાઓને પણ ઇનામ અપાયા હતા. 6 કિમી મેરેથોન દોડના વિજેતાઓ ભાઈઓ: 1. રાહુલકુમાર ખરાડી - 20.08 મિનિટ (ગોલ્ડ) 2. વિકાસ કાંતિલાલ - 20.21 મિનિટ (સિલ્વર) 3. નેમચંદ - 20.33 મિનિટ (બ્રોન્ઝ) બહેનો: 1. રિંકલ વિનોદભાઈ જાડા - 26.04 મિનિટ (ગોલ્ડ) 2. જાનકી સુરેશસિંહ ડાભી - 29.09 મિનિટ (સિલ્વર) 3. ફિરદોશ અનવરભાઈ સિપાઈ - 29.38 મિનિટ (બ્રોન્ઝ)
રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ગઈકાલે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જો કે છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સાથે રાજ્યના ત્રણ જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પરહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર ભારતમાં ઠંડીની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષા થઈ રહી છે. ઉત્તર-પૂર્વી રાજ્યોમાં થયેલી હિમવર્ષાની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે. જેના કારણે ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેથી રાજ્યના અનેક શહેરોમાં ઠંડીનું જોર વધ્યું છે. આગામી બેથી ત્રણ દિવસ સુધી મિશ્ર ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. જાન્યુઆરીમાં અંતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળે તેવી શક્યતા છે.
વડોદરાના દાંડિયા બજાર સ્થિત સારા ગણદેવી ખર્ચ જ્વેલર્સ હોલ ખાતે ચિતપાવન બ્રાહ્મણ સંઘ અને મહિલા મંડળ દ્વારા મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે 25 જાન્યુઆરીએ ભવ્ય ‘હળદી-કુમકુમ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિથી શરૂ કરી રથસપ્તમી સુધી ઉજવાતા આ ઉત્સવમાં મહિલાઓ એકબીજાના ઘરે જઈ હળદી-કુમકુમ, તીળ-ગુળ અને ભેટવસ્તુઓનું આદાન-પ્રદાન કરે છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહારાષ્ટ્રીયન ચિતપાવન સૌભાગ્યવતી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રાચીન પરંપરા અને સામાજિક એકતા આ પ્રસંગે સૌ. શશીદા પુરકરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રીયન સંસ્કૃતિમાં હળદી-કુમકુમનું વિશેષ મહત્વ છે. આ પરંપરા મહિલાઓને એકબીજા સાથે જોડે છે. આજના વ્યસ્ત યુગમાં જ્યારે મહિલાઓ નોકરી-વ્યવસાયમાં વ્યસ્ત હોય છે, ત્યારે સંસ્થા દ્વારા કરવામાં આવતું આ સામૂહિક આયોજન ખૂબ જ પ્રશંસનીય છે. સંસ્થાનું 50મું વર્ષ અને ભવિષ્યના આયોજનો સંસ્થાના ઉપપ્રમુખ શ્રી દત્તાત્રેય દાંડેકરજીએ ગૌરવ સાથે જણાવ્યું હતું કે, ચિતપાવન બ્રાહ્મણ સંઘ છેલ્લા 49 વર્ષથી વડોદરામાં સક્રિય છે. હાલમાં સંસ્થાનું 50 મુ વર્ષ ચાલી રહ્યું છે, જે અંતર્ગત આગામી સમયમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા આખું વર્ષ ધાર્મિક, બૌદ્ધિક અને સામાજિક ઉત્થાનના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમણે સમાજના તમામ લોકોને આ સુવર્ણ જયંતી વર્ષની ઉજવણીમાં સહભાગી થવા માટે ભાવભીનું આમંત્રણ પણ પાઠવ્યું હતું.
સુરત હંમેશા માનવતા અને સેવા માટે જાણીતું રહ્યું છે. તાજેતરમાં વેલંજા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય રીટાબેન હરેશભાઈ કોરાટના પરિવારે દુઃખની ઘડીમાં સાહસિક નિર્ણય લઈ પાંચ વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. અંગદાનની આ પ્રક્રિયા દ્વારા રીટાબેન મૃત્યુ બાદ પણ અન્યોના શરીરમાં જીવંત રહી અમર બન્યા છે. અચાનક તબિયત બગડી અને સારવાર નિષ્ફળ રહી ઘટનાની વિગત મુજબ, 22/01/2026ના રોજ બપોરે આશરે 3:30 વાગ્યે રીટાબેનને અચાનક અસ્વસ્થતા જણાતા તેમણે દીકરા રાજને ફોન કર્યો હતો. ઘરે પહોંચતા જ તેમને ઉલટી અને ભારે નબળાઈ દેખાતા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ન્યુરો સર્જન ડો. દીપેશ કક્કડ અને તેમની ટીમ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ અંતે તેમને 'બ્રેઇનડેડ' જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારનો હૃદયસ્પર્શી નિર્ણય અને અંગદાન રીટાબેનના નિધનના સમાચારથી કોરાટ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો, પરંતુ માનવતાના હિતમાં પતિ હરેશભાઈ અને પુત્ર રાજે કઠણ કાળજે અંગદાનનો નિર્ણય લીધો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહકારથી પરિવારને અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પરિવારની સંમતિ બાદ SOTTO (State Organ and Tissue Transplant Organization) હેઠળ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી. કયા અંગોનું દાન થયું? અમદાવાદની IKDRC હોસ્પિટલ દ્વારા રીટાબેનનું લિવર અને 2 કિડની સ્વીકારવામાં આવી હતી. આ ઉપરાંત, લોકદ્રષ્ટિ ચક્ષુબેંક દ્વારા તેમની 2 આંખોનું દાન લેવામાં આવ્યું હતું. આમ, રીટાબેનના કુલ 5 અંગોના દાનથી પાંચ જરૂરિયાતમંદ દર્દીઓની જિંદગીમાં ફરી પ્રકાશ પથરાયો છે. ટીમ વર્ક અને 29મું સફળ અંગદાન ડાયમંડ હોસ્પિટલ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી આ 29મું સફળ અંગદાન સંપન્ન થયું છે. આ પ્રક્રિયામાં હોસ્પિટલના ચેરમેન સી. પી. વાનાણી, દિનેશભાઈ નાવડીયા અને જીવનદીપની ટીમના સભ્યોએ દિવસ-રાત મહેનત કરી હતી. સમાજ માટે આ કિસ્સો એક મિસાલ સમાન છે કે અંગદાન એ જ સાચી ઈશ્વર સેવા છે.
મોરબીમાં ફન સ્ટ્રીટનું આયોજન:બાળકોથી વૃદ્ધોએ શેરી રમતોનો આનંદ માણ્યો
મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા શેરી રમતોને પુનર્જીવિત કરવાના હેતુથી રવિવારે “ફન સ્ટ્રીટ”નું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીના કેસર બાગ પાસે આવેલ એલ.ઇ. કોલેજ રોડ પર યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ભાગ લીધો હતો. આજના મોબાઈલ યુગમાં વિસરાતી જતી શેરી રમતો રમીને સહુકોઈએ ખૂબ આનંદ માણ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર લાવીને મેદાનમાં લઈ જવાનો હતો. સોશિયલ મીડિયાના વધતા પ્રભાવને કારણે બાળકો શેરી રમતો ભૂલી ગયા છે, ત્યારે આ પ્રયાસ તેમને ફરીથી શારીરિક પ્રવૃત્તિઓ તરફ વાળવા માટે કરવામાં આવ્યો હતો. મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે સહિતના અધિકારીઓએ પણ બાળકો સાથે બાળક બનીને વિવિધ શેરી રમતો રમવાનો આનંદ લીધો હતો. અગાઉના સમયમાં શેરીઓમાં રમાતી લખોટી, થપો, ટાયર ફેરવવા, લંગડી, આંધળોપાટો, કોથળા દોડ, ધમાલિયો ધોકો, ભમરડા ફેરવવા, સાપસીડી અને દોરડા કૂદ જેવી રમતો હવે ભાગ્યે જ જોવા મળે છે. આ ભુલાઈ ગયેલી રમતોને ફરી જીવંત કરવા માટે ફન સ્ટ્રીટમાં આ તમામ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કમિશનર સ્વપ્નિલ ખરેએ લીંબુ-ચમચીની રમતમાં પણ ભાગ લીધો હતો. તેમણે જણાવ્યું કે ફન સ્ટ્રીટ હવે તેમની કાયમી ઇવેન્ટ રહેશે અને દર મહિનાના છેલ્લા રવિવારે મોરબીના કોઈપણ એક વિસ્તારમાં તેનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહાપાલિકાના અધિકારીઓ અને રોટરી ક્લબના પ્રેસિડન્ટ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) અને ધી વરાછા કો-ઓપ. બેંક લિ., સુરતના સંયુક્ત ઉપક્રમે સુરતના નાગરિકોમાં ચલણ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ચલણી નોટોની સુરક્ષા વિશે સમજણ આપવાનો અને સિક્કાઓના વપરાશ અંગેની ગેરમાન્યતાઓ દૂર કરવાનો હતો. કોઈન મેળા દ્વારા સિક્કા વિતરણ આ શ્રેણીના પ્રથમ ચરણમાં “કોઈન મેળા – 2026” યોજાયો હતો. આ મેળા દ્વારા નાગરિકોને Rs. 10 અને Rs. 20 ના સિક્કા તેમજ વિવિધ ચલણી નોટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બજારમાં સિક્કાઓના વપરાશને પ્રોત્સાહન આપવા માટે આ મહત્વનું પગલું લેવાયું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન RBI ના AGM દિલીપ રાઠોડ, AM સુધીર ટીંગરે, વરાછા બેંકના ચેરમેન ભવાનભાઈ નવાપરા, ઉદ્યોગપતિ રાકેશભાઈ દુધાત અને જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ ધાનાણીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરાયું હતું. નકલી નોટ ઓળખવા અંગે માર્ગદર્શન નાગરિકો અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત સમજી શકે તે માટે “ચલણી નોટને જાણો” વિષય પર સેમિનાર યોજાયો હતો. RBI અમદાવાદના ISSUE ડિપાર્ટમેન્ટના DGM સુનિતા મીનાની પ્રેરક ઉપસ્થિતિમાં આ સત્ર સંપન્ન થયું હતું. બેંકના મહાનુભાવો દ્વારા અધિકારીઓનું પુષ્પગુચ્છ અને સ્મૃતિપુસ્તકથી સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે સુધીર ટીંગરેએ નોટોના સુરક્ષા ફીચર્સ અંગે વિગતવાર માહિતી આપી હતી. નાગરિકોનો બહોળો પ્રતિસાદ આ સમગ્ર જાગૃતિ અભિયાનમાં સુરતના આશરે 250 થી વધુ નાગરિકોએ ભાગ લીધો હતો. સિક્કાઓના સરળ વિતરણ અને ચલણી નોટો વિશેના ટેકનિકલ માર્ગદર્શનને કારણે ઉપસ્થિત લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ કાર્યક્રમના સફળ આયોજનથી બેંકિંગ ક્ષેત્રે પારદર્શિતા અને જનજાગૃતિના પ્રયાસોને વેગ મળ્યો છે.
જામનગરમાં ખાનગી બસમાં આગ:હીરજી મિસ્ત્રી રોડ પર ઉભેલી બસ સંપૂર્ણ બળીને ખાખ
જામનગરના હીરજી મિસ્ત્રી રોડ પર ઉદ્યોગનગર વિસ્તારમાં રાત્રિના સમયે એક ખાનગી બસમાં ભીષણ આગ લાગી હતી. સ્ટાર લાઈન નામની આ બસ એક સ્થળે ઉભી હતી ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. બસમાંથી ધુમાડા અને આગની પ્રચંડ જ્વાળાઓ દેખાતા લોકોના ટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ જામનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઇન્દિરા ફાયર સ્ટેશનની ગાડી વડે કૂલિંગ કરીને આગને સંપૂર્ણપણે બુઝાવી હતી. સદનસીબે, આ ઘટના રાત્રિના સમયે બની હતી અને બસ સ્થિર હાલતમાં હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી અને તેની તપાસ શરૂ કરવામાં આવી છે. આગનો ભોગ બનેલી બસનો નંબર GJ 10 TV 8482 છે.
માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામ પાસેથી પસાર થતી નર્મદાની માળીયા બ્રાન્ચ કેનાલમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ કોહવાયેલી હાલતમાં હોવાથી તેની ઓળખ થઈ શકી નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ગઈકાલે બપોરના બે વાગ્યાના અરસામાં ગ્રામજનોને કેનાલના પાણીમાં એક મૃતદેહ તરતો દેખાયો હતો. આ યુવાનની ઉંમર આશરે 35થી 40 વર્ષ હોવાનું અનુમાન છે. ગ્રામજનો દ્વારા મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ બનાવ અંગે મોરબીની સરકારી હોસ્પિટલ મારફતે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસે અજાણ્યા મૃતદેહની નોંધ કરી તેની ઓળખ મેળવવા માટે સઘન તજવીજ શરૂ કરી છે.
વલસાડમાં અશ્વ રેલીનું આયોજન:ડ્રગ્સ, સાયબર ક્રાઈમ, મતદાન જાગૃતિ માટે પોલીસ અને હોર્સ ક્લબનો પ્રયાસ
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે, વલસાડ પોલીસે સ્થાનિક હોર્સ લવર્સ ક્લબ સાથે મળીને એક વિશેષ જનજાગૃતિ અશ્વ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનો મુખ્ય હેતુ નાગરિકોમાં મતદાન જાગૃતિ, ડ્રગ્સ વિરોધી સંદેશ અને સાયબર ક્રાઈમથી બચાવ અંગે સજાગતા ફેલાવવાનો હતો. શહેરમાં યોજાયેલી આ ભવ્ય અશ્વ રેલી વલસાડ પોલીસ અને હોર્સ લવર્સ ક્લબના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી. આ અનોખા અભિયાન દ્વારા સમાજમાં મહત્વપૂર્ણ સંદેશાઓ પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. રેલી દરમિયાન, પોલીસ અધિકારીઓએ મતદાન જાગૃતિ પર ભાર મૂક્યો હતો. લોકશાહીના મજબૂત આધાર તરીકે દરેક નાગરિકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. રાષ્ટ્રીય મતદાતા દિવસે વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. બીજા મહત્વના મુદ્દા તરીકે, યુવાધનને નશાના દૂષણથી બચાવી ડ્રગ્સ વિરુદ્ધની લડતને વધુ મજબૂત બનાવવા માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય ડ્રગ્સ મુક્ત સમાજનું નિર્માણ કરવાનો છે. વધતા જતા સાયબર ગુનાઓથી બચવા માટે લોકોમાં સતર્કતા અને માહિતી જાગૃતિ વધારવા પણ સંદેશ આપવામાં આવ્યો હતો. સાયબર સુરક્ષા અંગે જાગૃત રહેવું એ વર્તમાન સમયની અનિવાર્યતા છે. આ પ્રસંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “સાયબર ગુનાનો ભોગ બન્યા પછી માત્ર પીડિત બની રહેવાને બદલે તેની સામે લડવા માટે ‘સાયબર વોરિયર’ બનવું જરૂરી છે.” રેલીમાં ભાગ લેનારા અશ્વારોહકોએ પરંપરાગત કેસરી સાફા ધારણ કર્યા હતા, જે શૌર્ય, શક્તિ અને આત્મવિશ્વાસનું પ્રતિક માનવામાં આવે છે. આ અશ્વ રેલી દ્વારા વલસાડ પોલીસે સમાજમાં ફેલાતી બદીઓ સામે એકજુટ થઈને લડવાનો અને જાગૃત નાગરિક બનવાનો મજબૂત સંદેશ પાઠવ્યો હતો.
જ્યારે બોલિવૂડની 'મર્દાની' એટલે કે રાની મુખર્જી અને સુરતની અસલી 'મર્દાની'ઓ એકસાથે એક જ સ્ટેજ પર આવે, ત્યારે માહોલ ચોક્કસપણે પાવરફુલ બની જાય છે. નેટફ્લિક્સ પર લોકપ્રિય કોમેડી શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો'ના તાજેતરના એપિસોડમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો. સુરતની સુરક્ષા જેમના હાથમાં છે, તેવી 30 મહિલા પોલીસ અધિકારીઓ આ શોમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. રીલ અને રિયલ લાઈફનો અદભૂત સંગમતાજેતરમાં 24 જાન્યુઆરીના રોજ સ્ટ્રીમ થયેલા આ ખાસ એપિસોડમાં રાની મુખર્જી પોતાની આગામી ફિલ્મ ‘મર્દાની 3’ના પ્રમોશન માટે પહોંચી હતી. આ તકે સુરત પોલીસની મહિલા અધિકારીઓએ ફિલ્મી પડદાની પોલીસ (રીલ) અને વાસ્તવિક જીવનની પોલીસ (રિયલ) વચ્ચેના અનુભવોની આપ-લે કરી હતી. કપિલ શર્માના હાસ્યના ફુવારાઓ વચ્ચે સુરતની મહિલા અધિકારીઓએ પોતાની ફરજ દરમિયાન આવતા પડકારો અને ગૌરવની ક્ષણો વિશે વાત કરી હતી. ACP મીની જોસેફે વર્ણવી 'પાંચ મર્દાની'ની કહાનીશો દરમિયાન સુરતના મહિલા ACP મીની જોસેફે ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. તેમણે સુરત પોલીસમાં કાર્યરત એવી પાંચ મહિલા પોલીસકર્મીની શૌર્યગાથા રજૂ કરી હતી, જેમણે અસાધારણ હિંમત બતાવીને ગુનેગારોને પાઠ ભણાવ્યો હોય અથવા સમાજમાં ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હોય. આ 'પાંચ મર્દાની'ની કહાની સાંભળીને ખુદ રાની મુખર્જી અને કપિલ શર્મા પણ પ્રભાવિત થયા હતા. મહિલાકર્મીઓનું ફરજ, પરિવાર સાથે સામાજીક કાર્યમાં પણ યોગદાનઆ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના પત્ની સંધ્યા ગેહલોત પણ ખાસ હાજર રહ્યા હતા. તેમણે પોલીસ પરિવારોનો સંઘર્ષ અને પોલીસની રાત-દિવસની સખત કામગીરી વિશે વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કેવી રીતે મહિલા અધિકારીઓ ઘર અને ફરજ વચ્ચે સંતુલન જાળવીને શહેરની સુરક્ષામાં મહત્વનું યોગદાન આપી રહી છે. આ સાથે પોલીસ સામાજિક કાર્યો પણ કરી રહી છે, તે અંગે પણ જણાવ્યું હતું. કપિલે ACPને પતિના ચલણને લઈ સવાલ કર્યો કપિલ શર્માએ સુરતના મહિલા પોલીસ એસીપી મિની જોસેફને પૂછ્યું હતું કે, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હું એક વાત પૂછવા માંગુ છું કે માની લો કે તમે શહેરમાં કોઈ ચાર રસ્તા પર ઉભા છો અને સામેથી એક ભાઈ મોટરસાયકલ પર આવી રહ્યા છે, જેમણે હેલ્મેટ પહેર્યું નથી. પણ જેવો તે નજીક આવે અને તે તમારા પતિ નીકળ્યા! શું તે દિવસે ચલણ કપાશે કે નહીં? કપિલના આ સવાલ પર એસીપી મિની જોસેફે હસતા-હસતા જણાવ્યું હતું કે, આ બાબતે હું એટલું જ કહીશ કે અત્યાર સુધી એવો કોઈ બંદો બન્યો નથી, જે મારી સામે આ રીતે આવી શકે! ત્યારે રાની મુખર્જીએ કહ્યું હતું કે, વાહ! આ તો એકદમ 'મર્દાની' અંદાજ છે! સુરત પોલીસની પાંચ મર્દાનીની કહાની...એસીપી મિની જોસેફે વધુમાં જણાવ્યું હતું કે, મેમ, તમે સવાલ પૂછ્યો છે તો હું મારા સ્ટાફની કેટલીક બીજી 'મર્દાનીઓ' સાથે પણ તમને મળાવવા માંગીશ, જેમાં પહેલા મર્દાની છે….સુમિત્રા (PCR-1): એક રાત્રે કોલ આવ્યો કે અઢી વર્ષની બાળકીને કોઈ ડમ્પરવાળો ઉઠાવી ગયો છે. તેમણે તરત પેટ્રોલિંગ શરૂ કર્યું અને ડમ્પર શોધી કાઢ્યું. જ્યારે તે ત્યાં પહોંચ્યા ત્યારે આરોપી બાળકીને મારવાની તૈયારીમાં જ હતો, પણ તેમણે સમયસર બાળકીને રેસ્ક્યૂ કરી લીધી. બીજા મર્દાની છે સારિકા: તેમણે અત્યાર સુધીમાં એવી 77 છોકરીઓને શોધી કાઢી છે જેઓ નાસમજીમાં કોઈની પણ સાથે ઘર છોડીને ભાગી ગઈ હોય. ટેકનિકલ સર્વેલન્સની મદદથી તેમણે આ પ્રશંસનીય કામ કર્યું છે. ત્રીજા મર્દાની દિવ્યાજી (PSI): તેમણે થોડા સમય પહેલા જ એક દિવસની બાળકીને રેસ્ક્યુ કરી હતી. અમારા પોલીસ કમિશનર ગેહલોત અને તેમના પત્નીએ તે બાળકીનું નામ 'હસ્તી' રાખ્યું છે. ચોથા મર્દાની હસીના: તેમણે લગભગ 200 જેટલા આરોપીઓને પકડવામાં અને ગુના ડિટેક્ટ કરવામાં મદદ કરી છે.પાંચમાં મર્દાની મીર (PSI): તેમણે સાયબર ક્રાઈમમાં 2000 કરોડનું મોટું ફ્રોડ પકડી પાડ્યું છે. એસીપી મિની જોસેફે જણાવ્યું હતું કે, આ બધા વતી હું તમારી રાની મુખર્જીનો આભાર માનું છું કે તમે અમને રિપ્રેઝન્ટ કરી રહ્યા છો. મારી નમ્ર વિનંતી છે કે પોલીસને નકારાત્મક રીતે ન જુઓઃ સંધ્યા ગેહલોતસંધ્યા ગેહલોત (પોલીસ કમિશનરના પત્ની)એ જણાવ્યું હતું કે, હું જણાવવા માંગુ છું કે સુરત પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પણ સામાજિક કાર્યો પણ કરે છે. અમે દર વર્ષે થેલેસેમિયા પીડિત બાળકો માટે 1,000 યુનિટ રક્ત એકત્રિત કરીએ છીએ. આ ઉપરાંત ગરીબ બાળકો માટે સ્કૂલ અને ડે-ચાઈલ્ડ કેર સેન્ટરની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. મારી નમ્ર વિનંતી છે કે, પોલીસને નકારાત્મક રીતે ન જુઓ, તેઓ ખૂબ જ સકારાત્મક કાર્ય કરી રહ્યા છે.
વાંકાનેરમાં ટ્રકની ટક્કરે યુવાનનું મોત:માટેલ રોડ પર બાઇકને અડફેટે લેતા અકસ્માત, પોલીસે તપાસ શરૂ કરી
વાંકાનેરના માટેલ રોડ પર એક ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. ઢુવા માટેલ રોડ પર આવેલા અમરધામ મંદિર સામેથી પસાર થઈ રહેલા બાઇકને ટ્રક ચાલકે અડફેટે લેતા આ દુર્ઘટના બની હતી. આ બનાવ અંગે મૃતકના પુત્રએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેરના નવાપરા વિસ્તારમાં રહેતા શ્રવણ વિજવાડીયા (ઉં.વ. ૨૦) એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, શનિવારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેમના પિતા મનીષભાઈ વિજવાડીયા પોતાનું બાઈક (નંબર GJ 3 DL 2952) લઈને માટેલ રોડ પર અમરધામ મંદિર સામેથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે ટ્રક નંબર GJ 3 BW 8828 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી મનીષભાઈના બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મનીષભાઈને માથા, મોઢા અને શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. મૃતક યુવાનના દીકરા શ્રવણભાઈની ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તજવીજ શરૂ કરી છે.
જામનગરમાં સરકારી ઇમારતો રોશનીથી ઝળહળી:પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિશેષ શણગાર કરાયો
જામનગર શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ સરકારી ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. શહેરભરમાં પર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. આ શણગારના ભાગરૂપે, જામનગરના શરુ સેક્શન રોડ પર આવેલી જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા સેવા સદનને ખાસ રોશનીથી ઝળહળતા કરવામાં આવ્યા છે. આખું સંકુલ રોશનીથી પ્રકાશિત થઈ ઉઠ્યું છે. તેવી જ રીતે, જામનગર જિલ્લા પંચાયત ભવન અને લાલબંગલા સ્થિત વીજતંત્રની કચેરી સહિતની અનેક સરકારી ઇમારતોને પણ રોશનીથી સજાવવામાં આવી છે. આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વિશેષ રૂપે કરવામાં આવી રહી છે.
બનાસકાંઠાના અમીરગઢ નજીક ઈકબાલગઢ પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં રાજસ્થાનના સાત લોકોના મોત થયા છે, જ્યારે ત્રણ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટના આઈસર ટ્રક અને ઈનોવા કાર વચ્ચેની ટક્કરને કારણે બની હતી. પોલીસના જણાવ્યા અનુસાર, રોંગ સાઈડ જઈ રહેલી એક આઈસર ટ્રક ડિવાઈડર કૂદીને સામેથી આવતી ઈનોવા કાર પર પડી હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ છ લોકોના મોત થયા હતા, જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં મૃત્યુઆંક સાત પર પહોંચ્યો હતો. મૃતકોમાં સુમેરપુર નજીકના છાવણી વિસ્તારના મહંમદ હુસૈનનો પરિવાર પણ સામેલ છે, જેઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ પરત ફરી રહ્યા હતા. ઈનોવા ગાડી (RJ22TA3107)માં અલગ-અલગ સ્થળોના લોકો સવાર હતા. તમામ મૃતકો રાજસ્થાનના રહેવાસી હતા. આ ગંભીર અકસ્માતના પગલે પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે પર લગભગ પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને ત્રણ કલાકની જહેમત બાદ ખુલ્લો કરાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બનાસકાંઠાના એસપી પ્રસાદ સુંબે પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પ્રાથમિક પોલીસ તપાસમાં રોંગ સાઈડ ડ્રાઇવિંગને કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકોની ઓળખ 1. મહંમદ હુસૈન હનીફભાઈ (ઉંમર 50, છાવણી ગામ, શિવગંજ) 2. સબીનાબાનું મહંમદ હુસૈન (છાવણી ગામ, શિવગંજ) 3. મહેન્દ્રભાઈ શંકરલાલ રાવલ (વાટેરા ગામ, પિંડવાડા) 4. તુલસીભાઈ દલારામ રબારી (આબુ રોડ) 5. ચેતનકુમાર ચીમનલાલ પ્રજાપતિ (આબુ રોડ) 6. રહીંગ રામ મોહનલાલ (ગામ પાલી) 7. પ્રકાશ દામાજી કલાવત (ગામ પાલી, ડ્રાઈવર) આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાં ઝીંનત મોહમ્મદ હુસેન કુરેશી (ઉંમર 35, છાવણી ગામ, શિવગંજ), મહંમદ સહદ (છાવણી ગામ, શિવગંજ) અને દીપકસિંહ (અચલગઢ, આબુરોડ)નો સમાવેશ થાય છે.
સુરમ્ય ગોલ્ડમાં ગાયત્રી પરિવાર દ્વારા સરસ્વતી પૂજન:ભાગવત મંદિર પાસે ગાયત્રી હવનનું આયોજન કરાયું
સુરમ્ય ગોલ્ડમાં ભાગવત મંદિર પાસે ગાયત્રી પરિવાર દ્વારા વસંત પંચમી પર્વ નિમિત્તે ગાયત્રી હવન અને સરસ્વતી પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન દિવસે ભક્તિભાવપૂર્વક આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ હવનનું આયોજન ગાયત્રી પરિવારના દક્ષાબેન પટેલ અને સુરમ્ય ગોલ્ડની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સુરમ્ય ગોલ્ડના ચેરમેન ગણેશ પટેલ, સેક્રેટરી મનન પટેલ, ખજાનચી ખુમાનસિંહ દેવસિંહવાળા સહિત સોસાયટીના તમામ પરિવારજનો હાજર રહ્યા હતા. ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયત્રી હવન અને સરસ્વતી પૂજન ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક સંપન્ન થયું હતું. આ દિવ્ય કાર્યક્રમથી આજુબાજુનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
દેશભરની MBA કોલેજોમાં પ્રવેશ માટે કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટની પરીક્ષા યોજવામાં આવી છે. આજે રાજ્યભરમાં 15 હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત રાજ્યના 14 શહેરોમાં આવેલા કુલ 48 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 400 ગુણના 100 પ્રશ્નો માટે ત્રણ કલાકનો સમયઅમદાવાદમાં સિલ્વર ઓક યુનિવર્સિટી સેન્ટર ખાતે પણ વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે પહોંચી ગયા હતા. જ્યાં વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ તેમણે સેન્ટર પર પ્રવેશ આપવામાં આવ્યો હતો. CMATની પરીક્ષા કોમ્પ્યુટર આધારિત યોજાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને 400 ગુણના 100 પ્રશ્નો માટે ત્રણ કલાકનો સમય આપવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ 20 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડોરાજ્યભરમાં CMATની પરીક્ષા માટે 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે. જ્યારે દેશભરમાં કુલ 53 હજાર જેટલા ઉમેદવારો આ પરીક્ષા આપી રહ્યા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે CMAT માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં ગયા વર્ષની તુલનામાં મોટો ઘટાડો નોંધાયો છે. ગયા વર્ષે દેશભરમાં આશરે 74 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો ઘટીને 53 હજાર થયો છે, એટલે કે લગભગ 20 હજાર વિદ્યાર્થીઓનો ઘટાડો થયો છે. જેમાં ગુજરાતમાં 2800 જેટલા વિદ્યાર્થીઓનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે 27 હજારથી વધુ વિદ્યાર્થીઓ અને 25 હજારથી વધુ વિદ્યાર્થિનીઓ પરીક્ષા આપી રહી છે. સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલો પ્રવેશ આપવામાં આવ્યોપરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે સિલ્વર ઓક યુનિવર્સિટી ખાતે વિદ્યાર્થીઓના ઓરિજનલ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ પરીક્ષા દરમિયાન પર દરેક રૂમનું CCTV દ્વારા મોનીટરીંગ અને રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે. પરીક્ષા સેન્ટર લઈ વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલો પ્રવેશ આપવામાં આવ્યો હતો. ટેકનિકલ સ્ટાફ તથા સુપરવાઈઝરોની ટીમ તહેનાતદરેક કેન્દ્ર પર ટેકનિકલ સ્ટાફ તથા સુપરવાઈઝરોની ટીમ તહેનાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, પરીક્ષા માટે 5-5 કલાકની તૈયારી કરી આશા કે છે આજની પરીક્ષા રીતે પૂર્ણ થાય. અત્યારે તો પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થઈ ગઈ છે. CMATના પરિણામો બાદ રાજ્ય અને દેશભરની વિવિધ મેનેજમેન્ટ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.
વિજાપુર તાલુકાના ફુદેડા ગામના એક રિક્ષાચાલકે મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવી છે. ગત ઓક્ટોબર મહિનામાં સર્જાયેલા આ અકસ્માતમાં સામેવાળા રિક્ષાચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ટક્કર મારતા મુસાફર અને ફરિયાદીને ઈજાઓ પહોંચી હતી. વિમાના કામકાજ અર્થે મોડેથી ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સામેથી પૂરપાટ આવતા રિક્ષાચાલકે ટક્કર મારીઘટનાની વિગતો મુજબ, વિજાપુરના ફુદેડા ગામે રહેતા અરવિંદભાઈ પટેલ ગત 9 ઓક્ટોબર, 2025ના રોજ પોતાની રિક્ષા નંબર GJ-02-AU-3024 લઈને વિજાપુરથી પેસેન્જર ભરીને મહેસાણા પાલાવાસણા ચોકડી તરફ આવી રહ્યા હતા. સાંજના આશરે છએક વાગ્યે તેઓ રામપુરા ચોકડીથી પાલાવાસણા તરફ જઈ રહ્યા હતા, ત્યારે શોભાસણ બ્રિજ ઉતરતી વખતે સામેથી પtરઝડપે આવતી અન્ય એક રિક્ષાના ચાલકે નંબર GJ-02-AU-6460 અરવિંદભાઈની રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ રિક્ષાચાલક ફરારઆ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા પેસેન્જરને જમણા પગના સાથળના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે ચાલક અરવિંદભાઈને પણ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી સામેવાળો રિક્ષાચાલક પોતાની રિક્ષા લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને 108 મારફતે મહેસાણા લાયન્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પેસેન્જરની હાલત વધુ ગંભીર હોવાથી તેમને અન્ય હોસ્પિટલમાં રિફર કરાયા હતા. રિક્ષાચાલકે 3 મહિના બાદ ફરિયાદ નોંધાવીશરૂઆતમાં પેસેન્જરે ફરિયાદ કરવાની ના પાડી હતી અને રિક્ષાનો વીમો ચાલુ હોવાથી રિપેરિંગ થઈ ગયું હોવાથી અરવિંદભાઈએ પણ તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. જોકે હવે મેડિકલ ક્લેમ અને અન્ય કાયદાકીય પ્રક્રિયા માટે સબંધીઓની સલાહ બાદ અરવિંદભાઈએ અકસ્માત સર્જનાર રિક્ષાચાલક વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસમાં ધોરણસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે ચેક રિટર્ન કેસમાં વિસનગરના પુદગામ સ્થિત શક્તિ એન્ટરપ્રાઈઝ ફર્મના પ્રોપરાઈટર રાજેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. કોર્ટે તેમને ₹14,98,229ની ચેક રકમ વળતર પેટે 20 દિવસમાં ચૂકવી દેવાનો પણ આદેશ કર્યો છે. કોર્ટે નોંધ્યું કે ફરિયાદીએ આ કેસ સંપૂર્ણપણે સાબિત કર્યો છે. આરોપી સામે આ જ કાયદા હેઠળ અન્ય કેસ પણ ચાલી રહ્યા છે, જે દર્શાવે છે કે તેઓ આવા ગુના કરવા ટેવાયેલા છે. આરોપીએ ઈરાદાપૂર્વક ફરિયાદીને ચેક આપીને ખાતામાં અપૂરતું ભંડોળ રાખ્યું હતું. આ કેસની વિગતો મુજબ, પાટણમાં રહેતા અને ઉમા સ્ટીલ નામની પ્રોપરાઈટર પેઢીના વહીવટકર્તા દિવ્યકુમાર પ્રકાશભાઈ પટેલ પાટણની જી.આઈ.ડી.સી.માં લોખંડની ચીજોનો વેપાર કરે છે. આરોપી રાજેન્દ્ર પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓ દિવ્યકુમારની પેઢી પાસેથી સામાન ખરીદતા હતા. વર્ષ 2022માં રાજેન્દ્ર પટેલે ઉમા સ્ટીલ પાસેથી અલગ-અલગ તારીખે કુલ ₹58,99,088નો ટી.એમ.ટી. સળિયાનો માલ ખરીદ્યો હતો. તેમાંથી તેમણે ₹44,02,050ની રકમ ચૂકવી દીધી હતી, પરંતુ બાકી રહેતી લેણી રકમનો ₹14,98,229નો ચેક ફરિયાદીને આપ્યો હતો. આ ચેક ફરિયાદીએ પાટણની બેંકમાં તેમના ખાતામાં જમા કરાવ્યો હતો, પરંતુ 26 નવેમ્બર 2022ના રોજ આરોપીના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તે રિટર્ન થયો હતો. ત્યારબાદ ફરિયાદીએ તેમના એડવોકેટ કે.પી. રાવલ મારફત નોટિસ આપી અને પાટણની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેના પરિણામે આ ચુકાદો આવ્યો છે.
રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જેને સૌરાષ્ટ્રનું સૌથી મોટું સારવાર કેન્દ્ર માનવામાં આવે છે, ત્યાં જ દર્દીઓની સલામતી સામે સવાલો ઉભા થયા છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલા બિસ્માર રોડ અને જોખમી ખાડાઓને કારણે ગઈકાલે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. જેમાં વ્હીલચેર પર જઈ રહેલા એક વૃદ્ધ દર્દી રોડ પરના ખાડામાં વ્હીલચેર ફસાવાને લઈ રસ્તા પર પટકાયા હતા. આ દ્રશ્યો જોઈને આસપાસ હાજર લોકો દોડી આવ્યા હતા. અને મહામહેનતે વૃદ્ધને ફરી વહીલચેરમાં બેસાડયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને કેમપ્સનાં રસ્તાઓ પ્રત્યે તંત્રની લાપરવાહીને લઈ લોકોએ ફિટકાર વર્ષાવ્યો હતો. મળતી માહિતી મુજબ, ગઈકાલે સિવિલમાં એક વૃદ્ધ દર્દીને હોસ્પિટલના એક વિભાગમાંથી બીજા વિભાગમાં વ્હીલચેર દ્વારા લઈ જવામાં આવી રહ્યા હતા. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં રોડ વચ્ચે જ એક મોટો ખાડો અને તિરાડ પડેલી છે. વ્હીલચેરનું ટાયર આ ખાડામાં આવી જતાં અચાનક સંતુલન બગડ્યું હતું અને વૃદ્ધ દર્દી સીધા રોડ પર ગબડી પડ્યા હતા. આ બનાવ બનતા જ આસપાસ ઉભેલા લોકો અને દર્દીના સંબંધી તાત્કાલિક દોડી આવ્યા હતા. આ વૃદ્ધ જમીન પર પટકાયેલા હોય તેમને ઉભા કરવામાં પણ ઘણી મુશ્કેલી પડી હતી. હોસ્પિટલ કેમ્પસના રોડની હાલત લાંબા સમયથી ખરાબ હોવા છતાં તેનું સમારકામ કરવામાં આવતું નથી, જેને કારણે અવારનવાર આ પ્રકારના બનાવો બને છે. હાજર લોકોએ જણાવ્યું હતું કે, સિવિલમાં આવતા દર્દીઓ પહેલેથી જ શારીરિક રીતે અશક્ત હોય છે, તેવામાં આવા બિસ્માર રસ્તાઓ તેમના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. પટકાયેલા વૃદ્ધને મહામહેનતે ફરીથી વ્હીલચેરમાં બેસાડવામાં આવ્યા હતા અને આગળની સારવાર માટે લઈ જવાયા હતા. સદનસીબે આ ઘટનામાં તેમને કોઈ ગંભીર ઇજા થઈ નહોતી, પરંતુ તંત્રની ઘોર બેદરકારી ઉઘાડી પડી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ સિવિલમાં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. છતાં હોસ્પિટલના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓ દ્વારા કેમ્પસની સુવિધાઓ અને રસ્તાઓના મેન્ટેનન્સ પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. જો કોઈ ઉચ્ચ અધિકારી કે પદાધિકારી આવવાના હોય ત્યારે જ રસ્તાઓ ચકાચક કરવામાં આવે છે, પરંતુ સામાન્ય દર્દીઓની પીડા જોનાર કોઈ નથી. ત્યારે આ દુર્ઘટના બન્યા બાદ કુંભકર્ણ નિંદ્રામાં સુતેલુ તંત્ર જાગે છે કે નહીં તે આવનારો સમય જ બતાવશે.
મતદાર યાદી, નામ કમી કરવા સુનાવણી ફરજિયાત:નાયબ ચૂંટણી અધિકારીએ અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ કરી.
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે, માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે. સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવાય છે. આથી, નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. ચૂંટણી વિભાગ દ્વારા દૈનિક રિપોર્ટ પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે. સત્તાવાર આંકડાઓ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પરથી નામ કમી કરવા માટે કુલ ૨૪,૨૭૮ ફોર્મ-૭ અને નામ ઉમેરવા માટે ૧૪,૪૯૦ ફોર્મ-૬ અને ૬-એ અરજીઓ મળી છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી ૨૦ હજારથી વધુ નામ કમી કરવાના ફોર્મ એક જ વિધાનસભામાં મળ્યા હોવાની અફવા પાયાવિહોણી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે.
વલસાડના દુલસાડમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા:પોલીસે ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો, બે વોન્ટેડ
વલસાડના દુલસાડ ગામમાં પોલીસે જુગાર પર દરોડો પાડી ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે કુલ ₹61,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વલસાડ તાલુકાના દુલસાડ ગામના વાધ્યા ફળીયામાં આવેલ ખુલ્લી જગ્યામાં તીનપતિનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. આ દરોડામાં વિકીકુમાર સુરેશભાઈ પટેલ (ઉ.વ. 32), કયુમ નઝીર શેખ (ઉ.વ. 33) અને નિલેશભાઈ આનંદભાઈ પટેલ (ઉ.વ. 32)ને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી જુગારના ગંજીપાના, દાવ પરની રોકડ રકમ, મોબાઇલ ફોન અને બે મોટરસાયકલ સહિત કુલ ₹61,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જોકે, પોલીસ કાર્યવાહી દરમિયાન મયુરભાઈ અમરતલાલ પટેલ, જુબેર કુરેશી અને મેહુલ ઉર્ફે લાલો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. પોલીસે આ ત્રણેય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું કે પકડાયેલા અને ફરાર થયેલા ઈસમોએ કોઈ આધાર પુરાવા વગર ગંજીપાના દ્વારા તીનપતિનો જુગાર રમી કાયદાનો ભંગ કર્યો હતો. આ મામલે સંબંધિત પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સુરેન્દ્રનગરના નાયબ ચૂંટણી અધિકારીએ મહત્વનું નિવેદન જાહેર કર્યું છે, જેમાં તેમણે પ્રક્રિયાની સ્પષ્ટતા કરી છે અને નાગરિકોને ગભરાવાની જરૂર ન હોવાનું જણાવ્યું છે.અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે માત્ર કોઈ વ્યક્તિ દ્વારા ફોર્મ રજૂ કરવાથી કોઈ પણ મતદારનું નામ આપોઆપ કમી થઈ જતું નથી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ, નામ કમી કરવા માટે મળેલી કોઈપણ વાંધા અરજી પર સંબંધિત મતદારને સુનાવણીની યોગ્ય તક આપવામાં આવે છે. નામ કમી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ તપાસ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જ નામ કમી કરવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે છે. નાયબ ચૂંટણી અધિકારીએ નાગરિકોને મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાતરી આપવામાં આવી છે કે તમામ કાર્યવાહી ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર જ ચુસ્તપણે કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના સત્તાવાર આંકડાઓચૂંટણી વિભાગ દ્વારા ચાલી રહેલી કામગીરીનો દૈનિક રિપોર્ટ પારદર્શક રીતે જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીના સત્તાવાર આંકડાઓ મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠકો પર નામ કમી કરવા 24,278 અને નામ ઉમેરવા 14,490 અરજીઓ કરાઈ છે. સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવા કે 'કોઈ એક જ વિધાનસભામાં 20,000થી વધુ નામ કમી કરવાના ફોર્મ મળ્યા છે,' તેને તંત્રએ તદ્દન પાયાવિહોણી ગણાવી છે.
Shankaracharya Camp Seeks FIR After Late-Night Uproar : ઉત્તર પ્રદેશમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ તથા સરકાર વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. માઘ મેળામાં પાલખી સાથે સ્નાન મુદ્દે સંતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ બાદથી શંકરાચાર્ય સતત રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. એવામાં ગઇકાલે રાત્રે ફરીથી પ્રયાગરાજમાં ભારે હોબાળો સર્જાયો હતો. શંકરાચાર્યના શિબિરની બહાર ભારે હોબાળો પ્રયાગરાજમાં માઘ મેળાના સેક્ટર-4માં શંકરાચાર્યના શિબિરની બહાર શનિવારે રાત્રિના સમયે અસામાજીક તત્વોએ હોબાળો મચાવ્યો.
પીએમ સ્વનિધિ યોજનાનો શુભારંભ કરાયો:97 શહેરી ફેરિયાઓને લોન સહાયના ચેક એનાયત કરાયા
સુરેન્દ્રનગરમાં પીએમ સ્વનિધિ યોજના 2.0 યોજના હેઠળ 1 લાખ લાભાર્થીઓને લોન વિતરણનો વર્ચ્યુઅલી શુભારંભ કરાવ્યો હતો. આ કડીમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સભાખંડમાં મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 97 લાભાર્થીઓને લોન સહાયના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. નાના વેપારીઓને આર્થિક પીઠબળકેરળના તિરુવનંતપુરમથી પ્રધાનમંત્રીના સંબોધનનું જીવંત પ્રસારણ નિહાળ્યા બાદ લાભાર્થીઓને સંબોધતા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, આ યોજના કોરોના થી પ્રભાવિત શેરી ફેરિયાઓને આજીવિકા માટે વર્કિંગ કેપિટલ લોન આપી આર્થિક રીતે સશક્ત બનાવવાનો મુખ્ય ઉદ્દેશ ધરાવે છે. તેમણે લાભાર્થીઓને વ્યવસાયની સાથે શહેરને સ્વચ્છ રાખવા અને કચરો કચરાપેટીમાં જ નાખવા અપીલ કરી હતી. આ યોજનાને રોજ કમાઈને રોજ ખાનારા પરિવારો માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર ગૌતમકુમાર મકવાણાએ લાભાર્થીઓને સન્માનભર્યું જીવન જીવવા પ્રોત્સાહિત કર્યા હતા. બેંક ઓફ બરોડાના પ્રતિનિધિઓએ યોજનાના લાભો અને ક્રેડિટ કાર્ડ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં વિકસિત ભારત થીમ પર લઘુફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ મહામંત્રી વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મૂળી તાલુકામાં અનેક પ્રાચીન સ્થાનો આવેલા છે. તે પૈકીની એક એટલે મંદિરની ભવ્ય હવેલી. શ્રીજી મહારાજની આજ્ઞાથી સંવત 1932માં ધોલેરા બંદર મારફત રંગુન બર્માથી સાગ સીસમ મંગાવીને પોતાની આગવી સુઝથી સદગુરુ નિર્દોષાનંદ સ્વામીએ નિર્માણ કરાવી હતી. તેનો ઉપયોગ માત્ર સાંખ્યયોગી તથા બહેનોના ઉતારા માટે કરવામાં આવતો. પદયાત્રાએ આવતી બહેનોને હવેલીમાં ઉતારો અપાતો. તેમાં ભગવાનની કથાવાર્તા, ધૂન - કિર્તન અને ભક્તિ થઇ શકે તે માટે હરીમંદિર બનાવવામાં આવ્યું છે. હવેલીમાં ગાદીવાળા પણ ઉતરતા હોવાથી સમગ્ર પંથકમાં તેનું અનેરું મહત્વ છે.
કેરમ ટુર્નામેન્ટ યોજાઈ:કેરમ ટૂર્નામેન્ટમાં 300 સ્પર્ધકે જોડાઇ વિસરાતી રમતને જીવંત કરી
આજકાલ મોબાઈલ ટેકનોલોજીના કારણે જૂની રમતો વિસરાઇ રહી છે. કેરમ રમવામાં અનેરી મજા રહેલી છે. કેરમ રસિકો કલાકો સુધી કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવતા હતા. આ રમત આવનારી પેઢી માટે દંતકથા બની જાય એવી વરવી હાંકી વચ્ચે આ કેરમની રમત જીવંત કરવા માટે ગુજરાત શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબી મહાપાલિકા દ્વારા મણિમંદિર સામે આવેલ રાણીબાગ ખાતે કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરાયું , જેમાં વિદ્યાર્થીઓ અને કેરમ રસિકો સહિત 300 થી વધુ સ્પર્ધકોએ વિવિધ કેટેગરીમાં ઉત્સાહભેર ભાગ લઈ કેરમની રમતનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો.
મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવેલો શ્રમજીવી પરિવાર મજૂરી કામમાં વ્યસ્ત હતો એ દરમિયાન આ કંપનીના તેમના ક્વાર્ટરમાં એકલી રહેલી 12 વર્ષની પુત્રી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા બાદ રસ્તો ભૂલી ગઈ હતી. જો કે ઘરેથી નીકળ્યા બાદ બાળકીને પોતાની ભૂલ તો સમજઇ ગઇ હતી પરંતુ ઘરનો રસ્તો મળતો ન હતો. આ બાળકીનો ભેટો એક સજ્જન વ્યક્તિ સાથે થઈ ગયો હતો. જેણે બાળકીને 181 અભયમ ટીમને સોંપી દીધી હતી અને અભયમ ટીમે દીકરીના માતા પિતાની શોધખોળ કરી બાળકીને પરિવારને સોંપી દીધી હતી. જેથી બાળકીની જિંદગી રોળાતા બચી ગઇ હતી. મોરબી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક સજ્જન વ્યક્તિએ કોલ કરીને એક આશરે બાર વર્ષની દીકરી ઘરેથી નીકળ્યા બાદ રસ્તો ભૂલી જતાં પરિવારથી વિખૂટી પડી ગઇ હતી. ઘટનાની જાણ થતાં જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રમીલાબેન તેમજ પાયલોટ મહેશભાઈ તે બાળકી પાસે પહોંચી ગયા હતા અને હકીકત જાણવા પ્રયાસો કર્યા હતા.બાળકી રસ્તા પર એકલી અને ગભરાયેલી હોવાથી અભયમ ટીમે બાળકીને સાંત્વના આપી પ્રાથમિક માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બાળકી ડરી ગઈ હોવાથી કશું બોલતી ન હતી. અભયમ ટીમે સંવેદનશીલતા અને માનવતા દાખવી કામગીરી કરી હતી. સમયસર મદદ મળતાં બાળકી સુરક્ષિત પરિવાર સુધી પહોંચતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બાળકીને આજુબાજુના વિસ્તારમાંલઇ જવાઇ, જેથી ઘરની ભાળ મળેગભરાયેલી બાળકી કશું બોલતી ન હોઇ, ચાઈલ્ડ હેલ્પલાઇન ટીમ (1098) જનરક્ષક (112) ટીમ સાથે સંકલનમાં રહી 181 ટીમે બાળકીને રેસ્ક્યુ વાનમાં બેસાડી આજુબાજુના વિસ્તારમાં લઈ જઈ તેના ઘરનું સરનામું અને વાલીવારસોની શોધખોળ આદરી હતી. ઘણા પ્રયત્નોના અંતે આ બાળકીનો પરિવાર મળી આવતા તેમનું કાઉન્સિલ કરતા તેમણે જણાવ્યું હતું કે, તેઓ ઓડિસાના છે અને મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવ્યા છે. બધા પોત પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી તેમને જાણ કર્યા વગર નીકળી ગઈ અને રસ્તો ભૂલી ગઈ હતી. પરિવારજનો પુત્રીની ભારે શોધખોળ છતાં ન મળતાં ચિંતિત હતા. 181 ટીમ અને સજ્જનના પ્રયાસોથી પુત્રી હેમખેમ મળી આવતા તેના પરિવારજનોએ રાહત અનુભવી હતી.
ગંભીર અકસ્માત સર્જાયો:મોરબીમાં રિક્ષાચાલકે બ્રેક મારતા લોકલ પાછળ એક્સપ્રેસ બસ ટકરાઈ
મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘૂટું તરફ જવાના રસ્તા ઉપર ઉમા રેસિડેન્સી સામેના ભાગમાં આગળ જઈ રહેલી રીક્ષાના ચાલકે બ્રેક મારતા લોકલ એસટી બસના ચાલકે પણ અચાનક બ્રેક મારી દીધી હતી જેના પગલે તેની પાછળ આવતી એક્સપ્રેસ બસ લોકલ પાછળ ધડામ દઇને ટકરાઇ હતી જેમાં 10થી વધુ મુસાફરને ઇજા પહોંચી હતી. મોરબીથી હળવદ તરફ જવાના રસ્તા ઉપર મહેન્દ્રનગર ગામથી ઘુટું ગામ વચ્ચે આવેલા મુખ્ય રસ્તા ઉપર બે એસટી બસ અને એક રીક્ષા વચ્ચે ત્રિપલ અકસ્માત થયો હતો. જેમાં આ રોડ ઉપર આગળ જઈ રહેલી રિક્ષાની પાછળના ભાગમાં મોરબી જિકિયારી રૂટની લોકલ બસ આવી રહી હતી તેના ડ્રાઇવરે બસને રોકવા માટે બ્રેક મારી હતી જેથી આ બસની પાછળના ભાગમાં મોરબી ધંધુકાની એસટીની બસ આવી રહી હતી, જે બસ લોકલ બસની પાછળના ભાગમાં અથડાઇ હતી. જેથી આ અકસ્માતમાં 10થી વધુ મુસાફરો ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા.
દબાણો કરાયા દૂર:મોરબીમાં ટ્રાફિકને અડચણરૂપ 22 દબાણોનો ‘રસ્તો’ કરી દેવાયો, માર્ગો વધુ પહોળા બન્યા
મોરબી મહાપાલિકાની એસ્ટેટ અને દબાણ શાખા દ્વારા ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવવાની કામગીરી કરાઇ હતી. જેમાં મોરબી મનપામાં સમાવિષ્ટ શહેરના હાર્દ સમાન સરદારબાગથી ઉમિયા સર્કલ, ગેંડા સર્કલથી મહેન્દ્રનગર ગામ, નેહરુ ગેટથી જૂના બસ સ્ટેન્ડ રોડ પરથી દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મનપાની એસ્ટેટ અને દબાણ શાખાએ 22 દબાણ દૂર કરી સમગ્ર માર્ગોને ખુલ્લો કર્યો હતો. રોડ પર દબાણ કરતાં લોકો સમક્ષ દંડ સહિતની કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં મનપાએ અંદાજિત 8700 જેટલી રકમ દબાણકારો પાસેથી વસૂલી હતી. ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરી માર્ગોને પહોળા કરતા ટ્રાફિક સમસ્યા હળવી બનશે. તેમજ દબાણ શાખાએ રવાપર રોડથી લીલાપર ચોકડી, GIDC રોડ તેમજ સ્વાગત ચોકડીથી રવાપર ગામ તરફ ખડકેલા 60 કીઓસ્ક અને 10 હોડિંગ્સ દૂર કર્યા હતા. હોસ્પિટલ ઝોનમાં દબાણોને હાથ પણ ન લગાડ્યો!કોર્પોરેશન દ્વારા દબાણ હટાવની કામગીરી અણઘડ રીતે કરવામાં આવતી હોય એવું ચિત્ર ઉપસ્યું છે.શહેરના મુખ્ય માર્ગો ઉપર દબાણો દૂર તો કર્યા જ છે. પણ જ્યાં દબાણો દૂર કરવાની ખાસ જરૂરત છે એવા હોસ્પિટલ ઝોન એટલે સાવસર પ્લોટ વિસ્તારમાં દબાણોને હાથ પણ લગાડવામાં આવ્યો નથી. આ હોસ્પિટલ ઝોનમાં ગીચતા એટલી બધી વધી ગઈ છે કે,એમ્બ્યુલન્સને ઇમરજન્સી દર્દીને લઈને હોસ્પિટલ ઝોનમાં જવામાં ભારે મુશ્કેલી પડે છે. આ દબાણો દૂર કરવા તાજેતરમાં સામાજિક કાર્યકરોએ મનપાને રજૂઆત કરી હતી. પણ મનપાએ એ રજૂઆતને ગણકારી જ નથી.
સન્ડે ફોટો સ્ટોરી:હેરિટેજ વે : મોરબીના દરબારગઢથી દેખાતા નેહરુગેટની આછેરી ઝલક
મોરબી | સિરામિક સીટી મોરબી આજે અનેક પણ ઐતિહાસિક ઇમારતો અને તેનો ભવ્ય ઇતિહાસ સંઘરીને શ્વસી રહ્યું છે. આૈદ્યોગિક ક્ષેત્રે અકલ્પનીય ઉડાન ભરનારા શહેરની ઓળખ આઝાદી પહેલાં પણ આધુનિક સ્ટેટ તરીકે થતી હતી . યુરોપિયન શૈલીમાં થયેલા બાંધકામ તેમજ રાજસ્થાનના જયપુરી શૈલીમાં મોરબીના મુખ્ય બજારની સંરચના કરવામાં આવી હતી. દરબારગઢથી છેક નહેરુગેટ નજરે પડે તે રીતે સીધી હરોળમાં જ બજાર બનાવાઇ હતી, જો કે હવે આડેધડ થતા બાંધકામ પર તંત્રનો કોઇ અંકુશ નથી. આ તસવીર થકી દરબારગઢથી દેખાતા નહેરુ ગેટ ચોકના રસ્તા અને ઇમારતની ભવ્યતાની આછેરી ઝલક પ્રસ્તુત કરવાનો પ્રયાસ છે.
અકસ્માતની ભીતિ સર્જાઈ:વોર્ડ-10માં જર્જરિત ઇમારત ગમે ત્યારે ખાબકી શકે છે
ગાંધીધામના વોર્ડ- એ-એ, ગુરુકુલ વિસ્તારમાં આવેલું પાંચ માળનું ‘અંબિકા એપાર્ટમેન્ટ’ હાલમાં સ્થાનિકો માટે લટકતી તલવાર સમાન બન્યું છે. વર્ષ-2001ના ભૂકંપ પહેલાં બનેલું આ બિલ્ડિંગ અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા પ્લોટ નં. 14 અને16ના રહીશો સતત ભયના ઓથાર તળે જીવી રહ્યા છે. સ્થાનિક રહીશોએ કરેલી વેધક રજૂઆત મુજબ, તાજેતરમાં આવેલા 4.2ની તીવ્રતાના ભૂકંપ વખતે આખું બિલ્ડિંગ ડોલતું જોઈને આસપાસના લોકો ભયભીત થઈ ગયા હતા. રહીશોનો આરોપ છે કે મકાન માલિકો રિપેરિંગનો ખર્ચ કરતા નથી અને 80% ભાડુઆતો જોખમ વચ્ચે રહી રહ્યા છે.જાનહાનિ થશે તો જવાબદાર કોણ? રહીશોએ ચીફ ઓફિસરને છે, પરંતુ હજુ સુધી નક્કર કાર્યવાહી થઈ નથી. જો આ એપાર્ટમેન્ટ તૂટી પડશે અને જાનહાનિ કે માલ-મિલકતનું નુકસાન થશે, તો તેની તમામ જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે તેવી રહીશોએ ચીમકી ઉચ્ચારી છે.ન્યાય નહીં મળે તો ધરણાં અને ઉપવાસ કરાશે “અમે મોતના મુખમાં જીવી રહ્યા છીએ. આર્થિક મજબૂરીને કારણે ઘર છોડી શકતા નથી અને જર્જરિત બિલ્ડિંગના લીધે અમારું ઘર કોઈ ખરીદવા તૈયાર નથી. જો તંત્ર તાત્કાલિક ડિમોલિશન નહીં કરે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેવું પણ રહેવાસીઓ જણાવી રહ્યા છે. શહેરમાં અનેક જોખમી ઇમારત અકસ્માતો સર્જી ચુકી છેતા.26 જાન્યુઆરી 2001 ના વિનાશક ભુકંપને આજે 25 વર્ષ પુર્ણ થઇ રહ્યા છે, ગાંધીધામ અને આદિપુરમાં 350 થી વધુ જોખમી ઇમારતો દુર કરવા માટે અનેક વખત લેખિત અને મૌખિક રજુઆતો થઇ છતાં આ ઇમારતો તોડાતી નથી, આદિપુરમાં છજું પડતા ચોકિદાર પરિવારની માસુમ બાળકીએ જીવ ગુમાવ્યો હોવાની ઘટના પણ બની છે તો નાના મોટા અકસ્માતો થયા હોવાનું પણ સામે આવી ચુક્યું છે. છતાં તંત્ર દ્વારા કડક કાર્યવાહી કેમ કરાતી નથી એ મુંજવતો સવાલ છે. મનપાએ નોટિસ આપી છે , તો શું કામ કાર્યવાહી નહીં ?પ્લોટ નં.14 તથા 16 ના રહેવાસીઓની તા. 13 ફેબ્રુઆરી 2025 ના કરાયેલી ફરિયાદના આધારે ગાંધીધામ ખાતે વોર્ડ-10/એ-એ ના પ્લોટ નં.15 ઉપર બનેલા અંબીકા અપાર્ટમેન્ટ વાળી ઈમારતની તપાસ કરાવતા માલુમ પડ્યું છે કે, બિલ્ડીંગ વર્ષ: 2001 માં આવેલા ભુકંપમાં મોટા પાયે ક્ષતિગ્રસ્ત થયેલી છે અને ધંધાકીય હેતુ માટે પુર્ણતઃ અસુરક્ષીત અને જોખમ રૂપ છે. જેના કારણે ઉપરોકત ઈમારત કોઈ પણ સમયે જોખમ ઉભું કરે અને આકસ્મીક દુર્ઘટના સર્જી શકે તેમ હોવાથી તાત્કાલીક અસર થી સદરહુ ઈમારત તોડવા પાત્ર રહે છે. જેથી આપની માલિકી કે ભોગવટાવાળી અંબીકા અપાર્ટમેન્ટ નામની ઈમારત જે પ્લોટ નં.15 ઉપર બનેલી છે, તે ઈમારત ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ-૨૦૦૩ અને બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ની કલમ-264 હેઠળ આ નોટીસ મળ્યેથી જર્જરીત ભાગ દિવસ-07 ની અંદર તોડી અથવા ઉતારી પાડવા સુચના આપવામાં આવે છે. આ નોટિસ મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશ્નર (પ્રોજેક્ટ) દ્વારા અપાઇ હોવા છતા કોઇ કાર્યવાહી શા માટે કરાઇ નથી? આ સવાલો રહેવાસી કરી રહ્યા છે.
એજન્સીઓ સતર્ક બની:જમ્મુ કાશ્મીરના બે ઇસમ લક્કીનાળા પહોચ્યા
સરહદી કચ્છ જિલ્લાના પ્રતિબંધિત લક્કીનાળા વિસ્તારમાં જમ્મુ કાશ્મીરના બે ઈસમોએ પરવાનગી વગર પ્રવેશ કરતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શૈક્ષણિક ટ્રસ્ટ માટે અલગ અલગ મસ્જીદોમાં જઈ ચંદો ઉઘરાવતા આરોપીઓને કોઠારા પોલીસ અને એસઓજી દ્વારા બોર્ડર વિસ્તારમાં ફરવા મામલે પરવાનગી લેવાનું કહેવામાં આવ્યું હતું. તેમ છતાં આરોપીઓ લાલા ગામથી લક્કીનાળા વિસ્તારમાં આવેલી મસ્જીદ સુધી પહોંચી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીના પીએસઆઈ પી.સી.શીંગરખીયાએ નારાયણ સરોવર પોલીસ મથકે જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના અતોલી ગામના આરોપી જાવેદઈકબાલ મોહમદઅસરફ શેખ અને મહોંમદમુસ્તાક હસનદીન રેસી સામે ગુનો નોંધાવ્યો છે. બન્ને આરોપી અલગ-અલગ ટ્રસ્ટોમાં નોકરી કરે છે અને આ ટ્રસ્ટો બાળકોના શિક્ષણની પ્રવૃતિ સાથે જોડાયેલા છે. ગત 17 જાન્યુઆરીના બન્ને આરોપી ટ્રસ્ટ માટે ચંદો માંગવા ગાંધીધામ આવ્યા હતા. જ્યાંથી માંડવી જઈ અલગ-અલગ મસ્જિદોમાં ચંદો ઉઘરાવી 18 જાન્યુઆરીના નલિયા પહોંચ્યા હતા અને 19 જાન્યુઆરીના નલિયાની મસ્જીદમાં ચંદો ઉઘરાવતા સમયે એસઓજી દ્વારા તપાસ કરવામાં આવી હતી અને કચ્છ જિલ્લો બોર્ડરનો જિલ્લો હોવાથી પૂર્વ પરવાનગી મેળવવા માટે સમજ કરવામાં આવી હતી. ત્યારબાદ આરોપીઓ 20 જાન્યુઆરીના લાલા ગામની મસ્જીદમાં અને 21 જાન્યુઆરીના કોઠારા વિસ્તારની મસ્જીદમાં ચંદો ઉઘરાવી રાત્રે જય અંબે ગેસ્ટ હાઉસમાં રોકાયેલા હતા. એ દરમિયાન કોઠારા પોલીસ બન્ને આરોપીને પૂછપરછ માટે ઉઠાવી ગઈ હતી અને એસઓજીને સોપવામાં આવ્યા હતા. આરોપીઓએ જણાવેલી વિગતમાં શંકા દેખાતા એસઓજીએ વધારે પૂછપરછ કરી ત્યારે આરોપીઓએ પોતે 20 જાન્યુઆરીના લાલા ગામથી વાયોર વાળા રસ્તે લક્કીનાળા વિસ્તારમાં ગયા હોવાનું જણાવ્યું હતું. અને તે વિસ્તારમાં આવેલી મસ્જીદ બાબતે તપાસ કરી હતી પરંતુ ત્યાં રહેવાની અને જમવાની વ્યવસ્થા ન હોવાથી પરત લાલા ગામે આવી ગયા હોવાની કબુલાત આપી હતી. બન્ને આરોપીઓએ પરવાનગી વગર સરહદી વિસ્તારમાં પ્રવેશ કરતા નારાયણ સરોવર પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફોનમાં પાકિસ્તાની નંબર મળતા શંકાસ્પદશૈક્ષણિક ટ્રસ્ટ માટે સરહદી વિસ્તારની અલગ અલગ મસ્જીદોમાં જઈ ચંદો ઉઘરાવતા આરોપીઓની ગતિવિધિ શંકાસ્પદ જણાતા એસઓજીએ વધુ તપાસ કરી હતી. એ દરમિયાન આરોપી જાવેદઈકબાલ મોહમદઅસરફ શેખનો ફોન તપાસતા તેમાંથી પાકિસ્તાની મોબાઈલ નંબર મળી આવ્યો હતો. જે બાબતે આરોપીએ કોઈ સંતોષકારક જવાબ ન આપી ગોળગોળ વાતો કરી હતી. આ મામલે એસઓજીના પીઆઈ એ.ડી.પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપીની પૂછપરછ કરતા પાકિસ્તાની મોબાઈલ નંબર કોઈ મૌલાનાના હોવાનું જણાવ્યું હતું જોકે પોલીસે ફોનને વધુ તપાસ માટે એફએસએલમાં મોકલાવ્યો છે.

27 C