SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

33    C
... ...View News by News Source

રાજકોટમાં પાલતું શ્વાનનો આતંક:કોઠારીયા વિસ્તારના એપાર્ટમેન્ટમાં શ્વાનધારક મહિલાએ પાડોશીને ફડાકા મારતા તણાવ, પરિવારની દાદાગીરીનો સ્થાનિકોનો આરોપ

રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં એક પાલતું શ્વાનનાં આતંકને લઈ સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી. જેમાં પોસિબલ સુરભિ એપાર્ટમેન્ટ્સમાં પાલતુ શ્વાનને લઈને ચાલી રહેલો વિવાદ હિંસક બન્યો છે, આ એપાર્ટમેન્ટનાં શ્વાનધારક મહિલાએ પાડોશીને ફડાકા મારતા રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શ્વાન લઈને આવતા પરિવારે પાડોશી સાથે ઝઘડો કરીને એક મહિલાને ફડાકા માર્યા હતા. આ ઘટનાએ એપાર્ટમેન્ટમાં શ્વાનના આતંક અને શ્વાન ધારક પરિવારની દાદાગીરીનો મામલો સપાટી પર લાવી દીધો છે. રહેવાસીઓમાં ભારે આક્રોશ અને પોલીસ કાર્યવાહીની માંગએપાર્ટમેન્ટમાં રહેતા મહિલા નેહાબેન સોનીએ જણાવ્યું હતું કે, આ શ્વાન ધારક પરિવાર એપાર્ટમેન્ટમાં આવ્યા ત્યારથી જ અન્ય રહેવાસીઓને હેરાન કરવાનું ચાલુ રાખ્યું છે. તેમના શ્વાનના વાળ અન્ય લોકોની ગેલેરીમાં આવે છે. આ ઉપરાંત, આ શ્વાન એપાર્ટમેન્ટના બાળકોને તેમજ અન્ય રહેવાસીઓને રંજાડ કરે છે, જેના કારણે બાળકો લિફ્ટમાં જઈ શકતા નથી અને અગાસી ઉપર કપડાં સૂકવવા જઈએ તો પણ શ્વાન દોડી પાછળ આવે છે. આના કારણે તેઓ ભયના માર્યા ક્યાંય જઈ શકતા નથી અને જીવવું મુશ્કેલ બની ગયું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પરિવારના શ્વાનના આતંકના કારણે અગાઉ રહેતા એક પરિવારને પોતાનો ફ્લેટ વેચીને પણ જતું રહેવું પડ્યું હતું. જ્યારે આ અંગે શ્વાન ધારક પરિવારને રજૂઆત કરવામાં આવે, ત્યારે તે એમ કહીને વાત ટાળી દે છે કે 'એમાં અમે શું કરીએ?' જે દર્શાવે છે કે તેઓ કોઈ વાત માનવા કે જરાય સહકાર આપવા પણ તૈયાર નથી. અગાઉ આ મામલે પોલીસ કેસ પણ કરવામાં આવ્યો હતો, છતાં પરિવારે પોતાનો વ્યવહાર બદલ્યો નથી. સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના કેદ સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સાંજે આશરે 05:11 વાગ્યે એક મહિલા અને એક યુવક શ્વાનને લઈને સીડી પરથી નીચે આવે છે. ત્યાં અન્ય બે મહિલાઓ હાજર હોય છે. વાતચીત દરમિયાન, શ્વાનને લઈને વિવાદ વધે છે અને યુવક દ્વારા શ્વાનનો પટ્ટો પકડવામાં આવે છે, જ્યારે શ્વાન ધારક મહિલા પાડોશી મહિલા પર હાથ ઉગામીને ફડાકા મારે છે. આ ઘટના બાદ અન્ય રહેવાસીઓ પણ એકઠા થઈ જાય છે. સ્થાનિકોએ જણાવ્યું છે કે, આ પરિવાર કોઈ પ્રકારની ફરિયાદ કે રજૂઆતને ગણકારતો નથી. તેમની દાદાગીરી ચાલુ જ છે. આ શ્વાન બાળકો અને અન્ય રહેવાસીઓ માટે સતત ભયનું કારણ બની રહ્યો છે. ત્યારે સ્થાનિકોએ પોલીસ તંત્રને તાત્કાલિક આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની અને એપાર્ટમેન્ટના રહેવાસીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે. જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને બાળકો તથા અન્ય રહેવાસીઓ સુરક્ષિત રહી શકે. આ વિવાદને પગલે એપાર્ટમેન્ટમાં ભારે તણાવની સ્થિતિ છે. જોકે શ્વાનધારક પરિવાર આ અંગે કંઈપણ બોલવા તૈયાર નથી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 3:24 pm

સુરતમાં છેલ્લા 5 વર્ષનો AQI રેકોર્ડ તૂટ્યો, પ્રદૂષણ ચરમસીમાએ:AQI લેવલ 272 પર રેકોર્ડ થયો, શહેર મધ્યનું એર ક્વોલિટી બોર્ડ બંધ

આર્થિક રાજધાની ગણાતા સુરત શહેરની હવાની ગુણવત્તા (Air Quality Index - AQI) છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચી ગઈ છે. બુધવારે સુરતનો AQI લેવલ 272 પર રેકોર્ડ થયો છે, જે દર્શાવે છે કે શહેરનું પ્રદૂષણ જોખમી સ્તરે છે. જોકે, આ ગંભીર પરિસ્થિતિમાં પણ શહેરના મધ્યમાં આવેલું એક મહત્ત્વનું AQI બોર્ડ બંધ હાલતમાં જોવા મળ્યું છે, જેના કારણે નાગરિકોમાં નારાજગી વ્યાપી છે. સતત ત્રણ દિવસથી AQI 250ને પારશિયાળાની શરૂઆત થતાં જ સુરતમાં વાયુ પ્રદૂષણનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. મંગળવારે પણ AQIનું લેવલ 268 ને પાર કરી ગયું હતું. આ સાથે સતત ત્રણ દિવસથી શહેરનો AQI 250ની સપાટીથી ઉપર રહેતા હવા ઝેરી બની ગઈ છે. આ સ્તર દર્શાવે છે કે શહેરીજનો શ્વાસમાં જે હવા લઈ રહ્યા છે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. સુરતની હવા બગડવા પાછળ ઔદ્યોગિક એકમો જવાબદાર?બુધવારે પણ દિવસભર વધુ પડતા ધુમાડા સાથે છવાયેલું વાતાવરણ જોવા મળ્યું હતું. શરૂઆતમાં લોકોએ દૂર આફ્રિકાના ઈથિયોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખનાં વાદળો હોવાનું અનુમાન લગાવ્યું હતું, પરંતુ હવામાન વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે સુરતમાં જ્વાળામુખીની રાખ પહોંચવાની કોઈ સંભાવના નથી. હકીકતમાં, સુરતની હવા બગડવા પાછળ અહીંના મોટા પાયે આવેલા ઔદ્યોગિક એકમો જવાબદાર છે. ધુમાડો શિયાળામાં નીચેના વાતાવરણમાં કેમ હોય છે?શિયાળાની ઋતુમાં તાપમાન ઘટવાના કારણે ઔદ્યોગિક એકમોમાંથી નીકળતો ધુમાડો અને પ્રદૂષણના રજકણો વાતાવરણમાં ઉપર જઈ શકતા નથી. તેના બદલે, તે નીચલા સ્તરમાં જમા થઈને એક ધુમ્મસ જેવું લેયર બનાવી દે છે. આ ધુમાડાના લેયરને કારણે જ દિવસે પણ વાતાવરણ ધૂંધળું રહે છે અને પ્રદૂષણનું સ્તર આટલું ઊંચું નોંધાય છે. શહેરના મધ્યમાં આવેલું AQI બોર્ડ બંધસુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ સ્થળોએ એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) બતાવતા બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેથી નાગરિકો હવાના પ્રદૂષણ વિશે માહિતગાર રહી શકે. જોકે, શહેરના મધ્યમાં અને ભરચક ગીચતાવાળા અઠવાલાઇન્સ વિસ્તાર ખાતે આવેલું AQI બોર્ડ હાલ બંધ હાલતમાં છે. પ્રદૂષણ વધતાં લોકોમાં આક્રોશજ્યાં લાખોની સંખ્યામાં લોકો અવરજવર કરે છે અને જ્યાં પ્રદૂષણનું પ્રમાણ પણ વધારે હોય, તેવા સંવેદનશીલ વિસ્તારનું બોર્ડ બંધ હોવું એ શાસકોની બેદરકારી સૂચવે છે. પાંડેસરા અને સચિન જેવા અન્ય ઔદ્યોગિક વિસ્તારોમાં પણ આવા બોર્ડ કાર્યરત છે, પરંતુ શહેરના હાર્દ સમા વિસ્તારમાં જ બોર્ડ બંધ રહેતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણના આ રેકોર્ડબ્રેક સ્તરે તંત્રએ તાત્કાલિક અસરથી બોર્ડ ચાલુ કરી લોકોને સચોટ માહિતી આપવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 3:10 pm

મોરબીમાં કોંગ્રેસે સંવિધાન બચાવો દિવસ ઉજવ્યો:આંબેડકર પ્રતિમાને પુષ્પાંજલિ, બંધારણના આમુખનું વાંચન કરાયું

મોરબીમાં 26 નવેમ્બરના રોજ બંધારણ દિવસ નિમિત્તે કોંગ્રેસ દ્વારા 'સંવિધાન બચાવો દિવસ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સવારે 10:00 કલાકે મોરબીના ગાંધી ચોકમાં ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ મોરબી પંચાયતના વિપક્ષના નેતા ભુપતભાઈ ગોધાણી દ્વારા બંધારણના આમુખનું વાંચન કરાયું હતું. આયોજકોના જણાવ્યા અનુસાર, દેશનું બંધારણ સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને ધર્મનિરપેક્ષતાના સિદ્ધાંતો પર આધારિત છે. વર્તમાન સમયમાં બંધારણીય સંસ્થાઓની નિષ્પક્ષતા સામે ઊભા થયેલા સવાલો અને નાગરિકોના અધિકારોની રક્ષાના મુદ્દે દેશમાં ચિંતાના માહોલને કારણે બંધારણના રક્ષણ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવિદ પીરજાદા, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની, માળિયા તાલુકા કોંગ્રેસના પ્રમુખ સંદીપભાઈ કાલરિયા, મહેશભાઈ રાજકોટિયા, રાજેશભાઇ કાવર, રાજેશભાઈ ચૌહાણ, ભાવિકભાઈ મૂછડિયા સહિત શહેર, તાલુકા અને જિલ્લા કોંગ્રેસના અનેક આગેવાનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:59 pm

સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર LPG સિલિન્ડરનો મોટો જથ્થો જપ્ત:પુરવઠા વિભાગે રેસ્ટોરન્ટમાંથી ₹7 લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કર્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર LPG સિલિન્ડરના સંગ્રહ અને વેચાણ સામે પુરવઠા વિભાગે મોટી કાર્યવાહી કરી છે. લીંબડી-ધંધુકા હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટમાંથી અંદાજિત ₹7.16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, જિલ્લા પુરવઠા અધિકારી એ.જી. ગજ્જર અને તેમની ટીમે શ્રી રામ રેસ્ટોરન્ટ ખાતે આકસ્મિક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે LPG કોમર્શિયલ સિલિન્ડરોનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું માલૂમ પડ્યું હતું. સ્થળ પરથી Go Gasના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલીયા અને Earth Gasના સંચાલક દશરથભાઈ પાડલીયા દ્વારા સંગ્રહ કરાયેલા કુલ 54 LPG સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં 16 ભરેલા અને 38 ખાલી સિલિન્ડરનો સમાવેશ થાય છે. સંચાલકો પાસે આ જથ્થાના સંગ્રહ કે વેચાણ માટે કોઈ પણ પ્રકારના લાઇસન્સ, PESO લાઇસન્સ કે ફાયર સેફ્ટીની મંજૂરી નહોતી. જાહેર સલામતીની પરવા કર્યા વગર ચલાવાતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ, ટીમે તુરંત કાર્યવાહી કરીને ₹1,41,900ની કિંમતના તમામ 54 સિલિન્ડર અને ₹5,75,000ની કિંમતનું એક વાહન જપ્ત કર્યું હતું. આમ, કુલ ₹7,16,900નો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:57 pm

પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સંવિધાન દિવસની ઉજવણી:પેરેડાઇઝના ફુવારા નજીક આંબેડકર પ્રતિમાને પુષ્પહાર અર્પણ

પોરબંદરમાં સંવિધાન દિવસની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પેરેડાઇઝના ફુવારા નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પહાર અર્પણ કરીને કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો. વહેલી સવારે જ મોટી સંખ્યામાં આંબેડકર અનુયાયીઓ અને વિવિધ સમાજના લોકો પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવા માટે ઉમટી પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના નારા લગાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડૉ. બાબાસાહેબ આંબેડકરના વિચારોને સમર્પિત વક્તવ્યો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:55 pm

જીગ્નેશ મેવાણીના સમર્થનમાં ભુજમાં રેલી:રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે આવેદનપત્ર આપ્યું, નશાખોરી નાબૂદ કરવા અને પોલીસ કાર્યવાહી સામે વિરોધ

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા ભુજમાં કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. આ આવેદનપત્ર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અને કચ્છ જિલ્લામાં નશાખોરી નાબૂદ કરવાની માંગ સાથે રજૂ કરાયું હતું. કોંગ્રેસના આગેવાનો અને અન્ય લોકો પણ આ રજૂઆતમાં જોડાયા હતા. મંચ દ્વારા કચ્છ જિલ્લામાં દારૂ અને ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોના ગેરકાયદેસર સેવન અને વેચાણ સામે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. કલેકટર કચેરીએ લેખિત રજૂઆત કરીને નશાખોરીની બદીને નાબૂદ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરાઈ હતી. આવેદનપત્રમાં રાજ્યમાં નશાના દુષણનો વિરોધ કરનાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના નિવેદનને ખોટી રીતે રજૂ કરવા સામે પણ ન્યાયિક માંગણી કરવામાં આવી હતી. મંચે આક્ષેપ કર્યો હતો કે ભ્રષ્ટ અધિકારીઓ સામે મેવાણી દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોને રાજકીય આશ્રય હેઠળ વાળવાનો પ્રયાસ થયો છે. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સંયોજક હિતેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, પટ્ટા ઉતરાવી દેવાની વાત માત્ર નશાખોરી સામે પગલાં ન લેતા ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ સામે કરાઈ હતી, ના કે અન્ય કોઈ પોલીસ સામે. તેમણે ભુજમાં ધારાસભ્ય સામે યોજાયેલી રેલીમાં બુટલેગરોનો સાથ લેવાયો હોવાનો સખત વિરોધ કર્યો હતો અને આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય ન્યાય કરવાની માંગ કરી હતી. આ રજૂઆત વેળાએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાથે કચ્છ કોંગ્રેસ પ્રમુખ વી.કે. હૂંબલ, અન્ય કોંગી આગેવાનો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:54 pm

મેવાણી બાદ અનંત પટેલની પણ ખુલ્લી ચેતવણી- 'પટ્ટા ઊતરી જશે':કહ્યું, વોર્નિંગ આપું છું, સમજી જજો, દારૂ-જુગારના પૈસા લેતા હશો તો પટ્ટા ઊતરતાં વાર નહીં લાગે

કોંગ્રેસની ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલી પછી જિગ્નેશ મેવાણીએ પોલીસ પર કરેલી ટિપ્પણી બાદ હાલ સમગ્ર ગુજરાતમાં પોલીસ તેમજ મેવાણીના સમર્થકો દ્વાર સામસામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજે નવસારીમાં કોંગ્રેસની આક્રોશ સભામાં ધારાસભ્ય અનંત પટેલે પણ પોલીસના પટ્ટા ઉતારવાની વાતો કરી છે. શું કહ્યું અનંત પટેલે?જીગ્નેશ મેવાણીએ જે રીતે પોલીસ સામે આક્ષેપ કરતા રાજ્યમાં પોલીસ બેડામાં હડકંપ મચી ગયો છે તે વિવાદમાં હવે અનંત પટેલે પણ ઝુકાવ્યું છે. નવસારીના સાદડવેલમાં કાવેરી સુગરની હરાજીના વિરોધમાં યોજાયેલી ખેડૂત આક્રોશ સભામાં અનંત પટેલે કહ્યું હતું કે, તમે સારા કામ ન કરવાના હોય, દારૂવાળા ના પૈસા લેવાના હોય, જુગાર વાળા ના પૈસા લેવાના હોય, ચકલી, પોપટ વાળાના પૈસા લેવાના હોય, ડ્રગ્સ વાળાના પૈસા લેવાના હોય, તો સમજી લેજો તમારા પટ્ટા પણ ઉતરી જશે. 2027માં અમારી જ સરકાર આવે છે. શું છે કાવેરી સુગરનો મુદ્દો?ચીખલીના સાદડવેલ ગામે સ્થિત કાવેરી સુગર મંડળીની હરાજી થઈ ગઈ છે. આજે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ચીખલીના સાદરવેલ ગામમાં ખેડૂત આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાવેરી સુગર મિલની સ્થાપના વર્ષ 1981માં કોંગ્રેસ પાર્ટી દ્વારા આદિવાસી ખેડૂતોના હિતમાં કરવામાં આવી હતી. વર્ષ 1989માં સુપ્રીમ કોર્ટમાંથી લાયસન્સ મેળવ્યા બાદ ખેડૂતોના શેરના નાણાંથી સાદડવેલમાં જમીન ખરીદવામાં આવી હતી. મંડળીની હરાજીની જાહેરાત બાદ તેની કામગીરી પૂર્ણ થઈ 4 ઓગસ્ટ 2016ના રોજ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે મિલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તે સમયે 15,000થી વધુ સભાસદોની હાજરીમાં મુખ્યમંત્રી અને નાણામંત્રી સૌરભ પટેલે સરકારી શેરફાળો એડવાન્સમાં આપવાની જાહેરાત કરી હતી. હાલમાં મંડળીના 25,000 સભાસદો છે, જેમાંથી 19,000 સભાસદો માત્ર કાવેરી સુગર સાથે જ જોડાયેલા છે. NCDCએ મંડળીની હરાજીની જાહેરાત કર્યા બાદ તેની કામગીરી પૂર્ણ પણ થઈ છે, જેનો સ્થાનિક આદિવાસી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. હરાજીથી આદિવાસી ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબવાની આશંકાસરકાર દ્વારા વચન મુજબનો શેરફાળો અને આદિવાસી સભાસદોની શેર મૂડી લોન હજુ સુધી આપવામાં આવી નથી. 19.51 કરોડનો શેરફાળો પણ બાકી છે.મિલ શરૂ ન થવાને કારણે આદિવાસી ખેડૂતો ખાનગી કોલાઓમાં ઓછા ભાવે શેરડી વેચવા મજબૂર બન્યા છે. હરાજીથી આદિવાસી ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબવાની આશંકા છે. ભાજપ સરકારના હોદ્દેદારો જ મંડળીના બોર્ડમાં નિયુક્ત છે તેમ છતાં આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. આ પ્રકારના આક્ષેપો કરી આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 22 નવેમ્બરઃ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું હતું?કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે, આ પટ્ટા તમારા છે, અમારા નહીં. એટલે તમારા પટ્ટા ઊતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન કરીને મેવાણીના રાજીનામાની માંગ કરી હતી. 23 નવેમ્બર: જીગ્નેશ મેવાણીના નિવેદન પર હર્ષ સંઘવીની પ્રતિક્રિયાગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, અનેક ડિગ્રીઓ જેની પાસે હોય, પરંતુ ડિગ્રીની સાથે સાથે જેને સમાજના સંસ્કાર ન મળ્યા હોય એવા અનેક લોકો તમારી કચેરીએ આવશે અને અનેક લોકો તમારા પટ્ટા ઉતારી લેવાની પણ વાત કરશે અનેક લોકો તમારી નોકરીમાંથી કાઢવાની પણ વાત કરશે. 24 નવેમ્બર: મેવાણીની ટીપ્પણી પર પોલીસ પરિવારનો વિરોધ મેવાણીના નિવેદન બાદ બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પોલીસ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે, વાવ-થરાદ જિલ્લામાં જનઆક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆત કરતી વખતે ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના દ્વારા એક જનપ્રતિનિધિને ન શોભે એવી ભાષાનો પ્રયોગ કર્યો છે. જિજ્ઞેશ મેવાણી અગાઉ પણ પોલીસકર્મીઓ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે. તેમણે જાહેરમાં 'પટ્ટા-ટોપી ઉતારીને નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેશે' અને 'પોલીસ અમારી નોકર છે' જેવી ધમકીઓ આપી છે. પોલીસ પરિવારની માગ છે કે જિજ્ઞેશ મેવાણી જાહેરમાં માફી માગે અને તેમણે પોતાના જવાબદાર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. 26 નવેમ્બર: પોલીસ પરિવારના વિરોધ બાદ મેવાણીના સમર્થનમાં રેલીપોલીસ પરિવારના વિવાદ બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પેટેલ, કોંગ્રેસ સમિતિ અને દલિત અધિકાર મંચે મેવાણીના સમર્થનમાં અલગ અલગ જિલ્લામાં રેલી કાઢી ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે એસપી કચેરી સુધી લાખો રૂપિયાના હપ્તા પહોંચતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:47 pm

મોરબીની લીલાપર ચોકડી પર દબાણ હટાવાયા:મહાપાલિકાએ 15 થી વધુ કાચા-પાકા બાંધકામો તોડી પાડ્યા

મોરબીની લીલાપર ચોકડી પાસે મહાપાલિકાની ટીમે આજે દબાણ હટાવવાની કાર્યવાહી કરી હતી. કમિશનરની સૂચનાથી હાથ ધરાયેલી આ કામગીરીમાં 15 થી વધુ કાચા-પાકા દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન ચારથી પાંચ પાકી દુકાનો, પાકા બાંધકામો અને અન્ય કેબિનો સહિતના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. આ દબાણો હટાવીને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં રોડ રસ્તાની આસપાસ ટ્રાફિકમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવી રહ્યા છે. આ કામગીરીના ભાગરૂપે આજે લીલાપર ચોકડી પાસે દબાણ હટાવવામાં આવ્યા હતા. કમિશનરે વધુમાં જણાવ્યું કે, આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આવી જ રીતે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:46 pm

ભરૂચના યુવકનું અપહરણ અને ખંડણી કેસ:આરોપી સસ્પેન્ડેડ પોલીસકર્મીને ગોધરા જેલમાં અને આફતાબ પઠાણને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલાયો

વડોદરા શહેરમાંથી ભરૂચના યુવકનું અપહરણ કરીને ખંડણી વસુલનાર પોલીસકર્મી સહિત બે આરોપીના રિમાન્ડ પૂરા થતા કોર્ટના આદેશ બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાને ગોધરા જેલમાં મોકલવામાં આવ્યો છે. અને આફતાબ પઠાણને વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આ કેસમાં હજુ એક પોલીસ સહિત અન્ય એક આરોપી વોન્ટેડ છે. જ્યારે યુવતી સામે પણ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે. અપહરણ કરીને 50 લાખની માગણી કરી હતીભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલી મદીના પાર્ક સોસાયટીમાં રહેતા અફાન ઉસ્માન કાનીનું અમદાવાદ એસઓજી પોલીસ હોવાની ઓળખ આપીને અપહરણ કર્યું હતું અને અમદાવાદ ખાતે લઈ ગયા હતા, ત્યારબાદ 50 લાખની માગણી કરી હતી. 50 લાખ આપવા પડશે, નહી તો તારા પર ખોટા કેસ કરી ફસાવી દઇશુ તેવી ધમકી આપી હતી. જેલ હવલદાર સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈયુવકની પાસેથી સાડા ચાર લાખ રૂપિયા બળજબરીથી પડાવી લીધા હતા. જેમાં પોલીસ દ્વારા પોલીસે સેન્ટ્રલ જેલમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા યાજ્ઞિક ચાવડા અને કે. ડી. કુંભાર તેમજ આફતાબ પઠાણ અને અન્ય એક મળી સહિત ચાર લોકો સામે અપહરણ તથા ખંડણીનો ગુનો દાખલ કર્યો હતો. બે શખ્સોની ધરપકડ ને બે ફરારજેમાં ડીસીપી ઝોન -3 અભિષેક ગુપ્તા દ્વારા અલગ અલગ ટીમો બાવીને અપહરણ કારો પૈકીના બે આરોપી યાજ્ઞિક ચાવડા(સસ્પેન્ડેડ જેલ હવલદાર) તથા આફતાબ નઇમખાન પઠાણ ધરપકડ કરી લેવામાં આવી હતી. જ્યારે કાના દાના કુંભાર સહિત બેને વોન્ટેડ જાહેર કર્યા હતા અને તેમની અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. યુવતી પોલીસ સમક્ષ હાજર થઇ નથીપોલીસે જે યુવતી ભરુચના યુવક સાથે કારમાં હતી અને તેને અન્ય કારમાં અપહરણકારો બેસાડી લઇને તેનું અપહરણ કરી લઇ ગયાં હતા. તે યુવતી પણ પોલીસ સમક્ષ હાજર થઇ ન હતી. જેથી પોલીસે આ યુવતીને નોટિસ આપીને તેને બોલાવવામાં આવી છે, જોકે યુવતી હજી સુધી આવી નથી. કાર, રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યોઆ દરમિયાન પોલીસે ગુનામાં વપરાયેલી આફતાબની કાર તથા યાજ્ઞિક ચાવડાની એક્ટિવા કબજે કરી હતી. આ ઉપરાંત ભરુચના યુવક પાસેથી પડાવેલા એક લાખ રૂપિયા આફતાબે તેના ઘરે રાખ્યાં હતા, તે પણ પોલીસે કબજે કર્યા હતા. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી કાર પણ જપ્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:43 pm

યુનિવર્સિટી પરીક્ષાના પ્રથમ દિવસે 30 કોપી કેસ નોંધાયા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની સેમેસ્ટર 3 પરીક્ષામાં ફ્લાઇંગ સ્કૉડની કાર્યવાહી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત સ્નાતક કક્ષાની સેમેસ્ટર 3ની બીજા તબક્કાની પરીક્ષાઓનો ગતરોજ પ્રારંભ થયો હતો. યુનિવર્સિટી સંલગ્ન 764 કોલેજોમાં 50,000 થી 60,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ ફ્લાઇંગ સ્કૉડ દ્વારા 30થી વધુ કોપી કેસ નોંધવામાં આવ્યા હતા. આ પરીક્ષાઓમાં બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીસીએ, એલએલબી સેમ 3 અને હોસ્પિટલ મેનેજમેન્ટ સહિતની આશરે 20 જેટલી શાખાઓનો સમાવેશ થાય છે. પરીક્ષાઓ બે સેશનમાં યોજાઈ રહી છે: સવારે 11:30 થી 2 અને બપોરે 3 થી 5:30. યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરીયાએ આ અંગે માહિતી આપતા દિવ્ય ભાસ્કર ને જણાવ્યું હતું કે, યુનિવર્સિટી ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી છે અને 764 કોલેજોમાં પરીક્ષાઓ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. પરીક્ષામાં શુદ્ધિકરણ જાળવવા માટે દરેક જિલ્લામાં બે-બે ફ્લાઇંગ સ્કૉડની રચના કરવામાં આવી છે. આ સ્કૉડના કોઓર્ડિનેટર તરીકે નિમણૂક પામેલા આચાર્ય સીધું સંકલન કરે છે. ફ્લાઇંગ સ્કૉડની ટીમો ચોરી અટકાવવાના હેતુથી વિવિધ કોલેજોની મુલાકાત લે છે. અગાઉ, પ્રથમ તબક્કાની પરીક્ષામાં પણ 50થી વધુ કોપી કેસ નોંધાયા હતા. કુલપતિએ ઉમેર્યું હતું કે, બીજા તબક્કાની સેમેસ્ટર 3ની પરીક્ષામાં પણ ફ્લાઇંગ સ્કૉડ સક્રિય છે અને પ્રથમ દિવસે જ 30થી વધુ કેસ નોંધાયા છે. તેમણે વાલીઓ, વિદ્યાર્થીઓ, આચાર્યો અને અધ્યાપકો સહિત પરીક્ષા કામગીરી સાથે જોડાયેલા સૌને વિનંતી કરી હતી કે યુનિવર્સિટીનું ગૌરવ જાળવવા માટે ચોરી જેવી ખોટી પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. પરીક્ષામાં ચોરી અટકાવવાના હેતુથી જ આ કામગીરી કરવામાં આવે છે અને આ દૂષણને ન્યૂનતમ કરવા માટે સૌએ સહયોગ આપવો જોઈએ. પ્રથમ તબક્કામાં કુલ 80 કોપી કેસ નોંધાયા છે. આ કોપી કેસની આગળની કાર્યવાહી માટે પરીક્ષા ખાસ સમિતિમાં મૂકવામાં આવશે અને તેના આધારે પરિણામ અંગે નિર્ણય લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:41 pm

ઉમરાહ યાત્રીઓ માટે અમદાવાદ એરપોર્ટ પર સુવિધાઓનો અભાવ:યાત્રાળુઓને જમવા અને નહાવા માટે મુશ્કેલી, એરપોર્ટ ઓથોરિટીને સુવિધા વધારવાની માગ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉમરાહ ટૂર માટે આવતા યાત્રાળુઓને મોટાપાયે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. ઈન્ટરનેશનલ ટર્મિનલ પર જમવાની અને શૌચાલય-નહાવાની મર્યાદિત સુવિધાઓને કારણે યાત્રાળુઓને તકલીફો ઉભી થઈ રહી છે. હજારો યાત્રાળુઓ હાલમાં ઉમરાહ પ્રવાસે જઈ રહ્યા છે, પરંતુ તેની સામે એરપોર્ટ પર જરૂરી સુવિધાઓની અછત સ્પષ્ટ રીતે અનુભવી શકાય છે. સુવિધાનો અભાવ, યાત્રાળુઓને તકલીફોયાત્રાળુઓની મુખ્ય ફરિયાદ મુજબ, જમવા માટે કોઈ નિશ્ચિત મેસ અથવા ડાઇનિંગ એરિયા ઉપલબ્ધ નથી. અનેક યાત્રાળુઓને ડ્રોપ-ઓફ ઝોન નજીક પેડેસ્ટ્રિયન એરિયામાં જમીન પર બેસીને જમવું પડે છે, જેના કારણે ત્યાં ગંદકી થતી જોવા મળે છે. લોકો પોતે જ સાફ-સફાઈ કરતા હોવાનું પણ જોવા મળ્યું છે. વૃદ્ધો માટે બહુ મુશ્કેલીનહાવાની સુવિધાઓ પણ ટર્મિનલથી 200થી 300 મીટર દૂર પાર્કિંગ વિસ્તારના છેવાડે આવેલા શૌચાલય સુધી મર્યાદિત છે. યાત્રાળુઓને ઈબાદત પહેલાં શરીર સાફ-સૂથરું રાખવું જરૂરી હોય છે, પરંતુ દૂર ચાલી જવું યાત્રાળુઓ માટે ખાસ કરીને વૃદ્ધો માટે બહુ મુશ્કેલીભર્યું બની રહ્યું છે. લાંબા પ્રવાસે નીકળનારા યાત્રાળુઓ પરેશાનઉપરાંત, આ શૌચાલય નહાવા માટે 5 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હોવાનો આક્ષેપ પણ યાત્રાળુઓ દ્વારા કરવામાં આવ્યો છે. પીવાના પાણીની બાબતમાં પણ ખામી જણાઈ છે. પીવાનું પાણી મળતું સ્થાન ધૂળથી ભરેલું અને અવ્યવસ્થિત હાલતમાં જોવા મળ્યું છે, જ્યારે કેટલાક સ્થળે પાણી મળતું જ નથી. આ પરિસ્થિતિમાં લાંબા પ્રવાસે નીકળનારા યાત્રાળુઓને વધારાની તકલીફો સહન કરવી પડે છે. 'એરપોર્ટ પર પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી'ભાવનગરના યાત્રાળુ સમીર ભાવાણીએ જણાવ્યું હતું કે, ઉમરાહ ટૂરના યાત્રાળુઓ મોટી સંખ્યામાં દર મહિને અને દર વર્ષે અહીંથી જ જતા હોય છે. છતાં, એરપોર્ટ પર પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી. તેમણે એરપોર્ટ ઓથોરિટી પાસે વિનંતી કરી છે કે જમવા માટે અલગ ડાઇનિંગ હૉલ અથવા મેસની સુવિધા ઊભી કરવામાં આવે અને ટર્મિનલની નજીક જ પૂરતી વૉશરૂમ અને બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવે. 'વૃદ્ધો અને મહિલાઓ માટે સુવિધાસભર ડાઇનિંગ એરિયા બનાવો'તેમણે વધુમાં ઉમેર્યું કે, પરંપરાગત રીતે કેટલાક ધર્મોમાં નીચે બેસીને જમવાનું ચાલતું આવ્યું હોય, પરંતુ આજના આધુનિક સમયમાં મોટાભાગના લોકો ટેબલ પર જમવાનું પસંદ કરે છે. ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ માટે સુવિધાસભર ડાઇનિંગ એરિયા ખૂબ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:10 pm

'આવી નોટિસ તો SMC કમિશનરની ઓફિસ બહાર પણ નથી':સુરત કતારગામ ઝોનના તમામ અધિકારીઓની ઓફિસમાં મોબાઈલ અને વીડિયો શૂટિંગ પર પ્રતિબંધ

સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોન ખાતે 10થી વધુ અધિકારીઓની ઓફિસની બહાર એક અસામાન્ય નોટિસ લગાવવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે. આ નોટિસમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, કોઈપણ વ્યક્તિએ મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરવો નહીં અને મોબાઈલમાં વીડિયો કે ઓડિયો રેકોર્ડિંગ કરવું નહીં. આ નોટિસ અધિકારીઓના અંગત મદદનીશ (પી.એ.)ની ચેમ્બરની બહાર પણ લગાવવામાં આવી છે, અને તેમાં વિનંતી નહીં પણ હુકમથી આ નિયમોનું પાલન કરવાનું જણાવવામાં આવ્યું છે. મોબાઈલ પર પ્રતિબંધની નોટિસ લાગતા લોકોએ સવાલ ઉઠાવ્યાઆ પ્રકારની નોટિસ પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે બેઠેલા અધિકારીઓની કાર્યશૈલી અને ઈરાદાઓ પર ગંભીર સવાલો ઉભા કરી રહી છે. સામાન્ય જનતાનું માનવું છે કે, જે અધિકારીઓ નિષ્ઠાવાન અને નિષ્પક્ષ હોય, તેમને આ પ્રકારની નોટિસ લગાવવાની કે ડરવાની જરૂર ન હોવી જોઈએ. સ્થાનિક લોકોએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અધિકારીઓ ખોટું કરતા હોય અથવા ગેરરીતિ આચરતા હોય ત્યારે જ તેમને ડર હોય છે કે તેમનો ભાંડો ફૂટી જશે. પ્રજાને શા માટે મોબાઈલ ફોન લઈને આવતા રોકવામાં આવે છે? લોકોએ કહ્યું- અધિકારીઓને કોનો ડર સતાવે છે?પ્રજાના પ્રશ્નો માટે હાજર રહેતા અધિકારીઓને આખરે કોનો ડર સતાવી રહ્યો છે? જો પારદર્શિતાથી કામ કરવામાં આવતું હોય, તો રેકોર્ડિંગ કરવાથી શા માટે વાંધો હોવો જોઈએ? આશ્ચર્યની વાત એ છે કે, સુરત મહાનગર પાલિકાના કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર કે અન્ય કોઈ પદાધિકારીની મુખ્ય ઓફિસમાં આ પ્રકારની કોઈ નોટિસ લગાવવામાં આવી નથી. જ્યાં લોકોનું સીધું પ્રતિનિધિત્વ કરતા ચૂંટાયેલા નેતાઓ બેસે છે, ત્યાં મોબાઈલ પર કોઈ પ્રતિબંધ નથી, જ્યારે સામાન્ય ઝોન કચેરીના અધિકારીઓએ 'હુકમ' બહાર પાડ્યો છે. આ ઘટના અધિકારીઓની મનમાની અને સરકારી કામકાજમાં પારદર્શિતાના અભાવ તરફ ઈશારો કરે છે. આ નિયમથી સ્પષ્ટ થાય છે કે અધિકારીઓ પ્રજાના પ્રશ્નોના નિરાકરણમાં પારદર્શિતા રાખવાને બદલે પોતાને રેકોર્ડ થતા અટકાવવા માંગે છે, જે પ્રજાના અધિકારોનું ઉલ્લંઘન છે. આ મામલે પાલિકા કમિશનર શાલીની અગ્રવાલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે સંપર્ક થઈ શક્યો નથી. આ સાથે જ મેયરનો પણ સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ સંપર્ક થઈ શક્યો નથી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 2:09 pm

બોટાદમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક:SIR-2025 અભિયાન માટે આગેવાનો અને કાર્યકરોને માર્ગદર્શન અપાયું

બોટાદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન SIR–2025 અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેની અધ્યક્ષતા જિલ્લા પ્રમુખ મયુરભાઈ પટેલે કરી હતી. આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પૂર્વ જિલ્લા પ્રમુખ ભીખુભા વાઘેલા, SIR જિલ્લા ઇન્ચાર્જ અને પૂર્વ બોટાદ શહેર પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, બી.એલ.એ – 1 અને જિલ્લા ઉપપ્રમુખ પ્રદિપભાઈ ગોવાળીયા, બોટાદ શહેર પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહાસુખભાઈ કણઝરીયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા.આ ઉપરાંત, બોટાદ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, શહેરના જિલ્લા-મંડલ-મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને શક્તિકેન્દ્ર સંયોજકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તમામ ઉપસ્થિતોને મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન, વધુમાં વધુ પાત્ર મતદારોના નામ મતદાર યાદીમાં ઉમેરાય તે સુનિશ્ચિત કરવા માટે કાર્યકરોને સક્રિય થવા અને આ અભિયાનમાં જોડાવા આહ્વાન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:54 pm

ક્રિકેટર ચેતેશ્વર પૂજારાના સાળાએ આત્મહત્યા કરી:જીત પાબારીએ રાજકોટમાં ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી, વર્ષ પહેલાં પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી

ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત રસિકભાઈ પાબારીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. ગત 26 નવેમ્બર 2024ના રોજ માલવિયા નગર પોલીસ સ્ટેશન ખાતે જીત પાબારીની પૂર્વ મંગેતર દ્વારા જીત વિરુધ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. મૃતક જીતની પૂર્વ મંગેતરે લગ્નની લાલચ આપી જીત પાબારી દ્વારા બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા. સગાઈ કરી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું તેમજ ત્યારબાદ સગાઈ તોડી નાખવામાં આવી હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો. ચેતેશ્વરની બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો​​​​​​​​​​​​​​ચેતેશ્વર પૂજારાના સાસરિયાઓ જામજોધપુરના છે. પરંતુ વીસેક વર્ષથી રાજકોટમાં જ રહે છે. તેના સસરાને કોટનની જિનિંગ ફેક્ટરી છે. ચેતેશ્વરની પત્ની પૂજા ઉપરાંત તેને એક નાનો ભાઈ અને એક નાની બહેન છે. પૂજાનો જન્મ ગોંડલમાં થયો છે. દસમા ધોરણ સુધી આબુની સોફિયા સ્કૂલથી ભણી 11-12 અમદાવાદથી કર્યું છે અને માસ્ટર ડિગ્રી બોમ્બેથી મેળવી છે. એ પછી એક વર્ષ સુધી મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરી અને પછી ચેતેશ્વર મળી ગયો અને મેરેજ કરી લીધાં.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:52 pm

નિવૃત હિન્દુ-મુસ્લિમ કર્મચારીઓની અનોખી રજૂઆત:જુનાગઢમાં નિવૃત્ત કર્મચારીઓનો વિરોધ: પેન્શન વધારાની માંગ સાથે ગાયત્રી મંત્ર અને દરૂદે પાકની તકલી કરી અનોખા ધરણા.

છેલ્લા લાંબા સમયથી જુનાગઢ જિલ્લા અને શહેરના નિવૃત્ત કર્મચારીઓ પોતાના પેન્શનની અપૂરતી રકમ સામે લડત ચલાવી રહ્યા છે. આ સંઘર્ષના ભાગરૂપે આજે એક અનોખો વિરોધ જોવા મળ્યો હતો. જુનાગઢ ભવિષ્ય નિધિ કચેરી ખાતે કચ્છ કાઠીયાવાડ નિવૃત્ત કર્મચારી મંડળના નેતૃત્વ હેઠળ હિન્દુ અને મુસ્લિમ નિવૃત્ત કર્મચારીઓએ એકસાથે મળીને ધરણા પ્રદર્શન યોજ્યું હતું અને આસિસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવી તેમની માંગણીઓ ઝડપથી સંતોષાય તેવી રજૂઆત કરી હતી. કચ્છ કાઠીયાવાડ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ સલીમ ગુજરાતીએ આ ધરણા પ્રદર્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જુનાગઢના નિવૃત્ત કર્મચારીઓએ આજે જુનાગઢ ભવિષ્ય નિધિ કચેરી સામે ધરણા શરૂ કર્યા છે. નિવૃત્ત કર્મચારીઓએ લાંબા સમયથી પેન્ડિંગ પોતાના અનેક પ્રશ્નો મામલે આસિસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. તેમની મુખ્ય માંગણીઓમાં નિવૃત્ત કર્મચારીઓને ઓછામાં ઓછા ₹7,500/- પેન્શન મળે તે મુદ્દો સામેલ છે. તેમણે જણાવ્યું કે, છેલ્લા દસ વર્ષથી નિવૃત્ત કર્મચારીઓ પોતાના હક્કના પેન્શનને લઈ લડત ચલાવી રહ્યા છે. કુદરતને રિઝવવાનો અનોખો પ્રયાસ: ગાયત્રી મંત્ર અને દરૂદે પાક નિવૃત્ત કર્મચારીઓએ આ વખતે પોતાની રજૂઆતને સરકાર અને વહીવટી તંત્ર ઉપરાંત કુદરત સુધી પહોંચાડવાનો અનોખો માર્ગ અપનાવ્યો હતો. ધરણા દરમિયાન, તમામ નિવૃત્ત કર્મચારીઓ, જેમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા, તેમણે એકસાથે મળીને ગાયત્રી મંત્ર અને દરૂદે પાકની તકલી કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ધાર્મિક વિધિ દ્વારા તેમણે કુદરતની બંદગી કરી ન્યાય માટે અપીલ કરી હતી. પ્રમુખ સલીમ ગુજરાતીએ આ અનોખા વિરોધનું કારણ સમજાવતા કહ્યું કે, અમને આશા છે કે કદાચ કુદરતની બંદગી કરવાથી કોઈ પવિત્ર માણસને અમારી આ રજૂઆત ધ્યાને આવી જાય અને નિવૃત્ત કર્મચારીઓની જે માગણી છે તે સાંભળી લેવામાં આવે. હિન્દુ-મુસ્લિમ નિવૃત્ત કર્મચારીઓએ એકસાથે મળીને કુદરતને રિઝવવાનો પ્રયાસ કરી અમારી માંગણીઓ સરકાર સુધી પહોંચાડવાનો આ પ્રયત્ન કર્યો છે. તેમણે ઉમેર્યું કે, હવે આશા છે કે કુદરત અમને ન્યાય આપશે અને અમારી માગણી મુજબનું પેન્શન અમને મળતું થશે. આ પેન્શન વૃદ્ધ દંપતીઓને આજની મોંઘવારીના સમયમાં સન્માનભેર અને વ્યવસ્થિત જિંદગી જીવવામાં મદદરૂપ થઈ શકે તે હેતુથી આ ધરણા કાર્યક્રમનું આયોજન નિવૃત્ત કર્મચારીઓ દ્વારા કરાયું હતું. પેન્શનની અપૂરતી રકમને કારણે વૃદ્ધોને આર્થિક સંઘર્ષ કરવો પડે છે, જે તેમની ગરિમાને અસર કરે છે. આથી, ₹7,500/- નું પેન્શન તેમની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવા માટે પાયાની જરૂરિયાત છે. આ ધરણા પ્રદર્શનમાં નિવૃત્ત કર્મચારીઓએ તેમની એકતા અને ધાર્મિક સદભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જે દર્શાવે છે કે ન્યાય માટેની લડતમાં ધર્મ કે જાતિ કોઈ અવરોધ નથી. નિવૃત્ત કર્મચારીઓએ આસિસ્ટન્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવી તેમની ગંભીર સ્થિતિની જાણ કરી હતી અને સરકાર વહેલી તકે આ મામલે સકારાત્મક નિર્ણય લે તેવી માંગ કરી હતી. હવે જોવાનું એ રહે છે કે કુદરતની આ બંદગી અને નિવૃત્ત કર્મચારીઓની એકતાની રજૂઆત સરકાર સુધી પહોંચે છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:35 pm

ઈસનપુર ડીમોલીશન કામગીરીના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર પહોંચ્યા:24 નવેમ્બરથી ચાલી રહ્યું છે મેગા ડિમોલીશન, 40 વર્ષથી થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી

ચંડોળા તળાવમાં મેગા ડિમોલેશન બાદ ઇસનપુર તળાવમાં થયેલા ગેરકાયદેસર દબાણ અને દૂર કરવાની કાર્યવાહી 24 નવેમ્બરથી શરૂ થઈ છે. ઇસનપુર તળાવમાં છેલ્લા 40 વર્ષથી વધુ સમયથી તળાવની આસપાસની જગ્યામાં દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શહેર પોલીસ કમિશનર ઇસનપુર અને ચંડોળા તળાવ ખાતે નિરક્ષણ માટે પહોંચ્યા હતા. ઇસનપુર ડિમોલેશન અને ચંડોળા ડિમોલેશન બાદની કામગીરીનું નિરીક્ષણ કર્યુંઇસનપુર શરૂ થયેલા ડિમોલશનાની કામગીરીના નિરીક્ષણ માટે પોલીસ કમિશનર જી.એસ મલિક પહોંચ્યા હતા.પોલીસ કમિશનર દ્વારા ઇસનપુર ડિમોલિશન અને ચંડોળા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.પોલીસ કમિશ્નર સાથે ઝોન 6 ડીસીપી,એસીપી સહિતના અધિકારીઓ પણ હાજર હતા.પોલીસ કમિશનર દ્વારા ડીસીપી પાસેથી સમગ્ર માહિતી પણ મેળવવામાં આવી હતી.આ ઉપરાંત ચંડોળા તળાવમાં ડિમોલેશન બાદ ચાલી રહેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી. ઇસનપુર તળાવના ચારે તરફથી જેસીબી મશીન અને હિટાચી મશીનની મદદથી દબાણો તોડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. 20 જેસીબી, હિટાચી મશીન અને મજૂરોની મદદથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા.એસીપી, પીઆઇ, પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલો મળી કુલ 500 લોકોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખીને દબાણ દૂર કરવાના આવ્યા હતા. આ સમાચાર પણ વાંચોઃઅમદાવાદના ઈસનપુર તળાવમાં મેગા ડિમોલિશન, 900 દબાણ હટાવ્યા અમદાવાદમાં ચંડોળા તળાવ બાદ સૌથી મોટું મેગા ડિમોલિશન શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઈસનપુર તળાવમાં કરવામાં આવી રહ્યું છે. ઈસનપુર તળાવમાં છેલ્લાં અનેક વર્ષોથી દબાણો કરવામાં આવ્યાં હતાં. ચંડોળા તળાવની જેમ જ ઈસનપુર તળાવમાં 1,000થી વધારે લોકો રહે છે. તમામ દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી આજે 24 નવેમ્બરના રોજ સવારે શરૂ કરાઈ હતી. 20 JCB મશીન, 500 મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને મજૂરોએ ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરી હતી.(સંપૂર્ણ સમાચાર વાંચો)​​​​​​​

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:25 pm

અમીરગઢમાં 60 મણ ખેરના લાકડા ઝડપાયા:ખજુરિયા વિસ્તારમાં ગેરકાયદેસર કપાણ બદલ વન વિભાગની કાર્યવાહી

અમીરગઢ રેન્જના ખજુરિયા વિસ્તારમાંથી આશરે 60 મણ ખેરના ગેરકાયદેસરરીતે કપાયેલા લાકડા ઝડપી પાડવામાં આવ્યા છે. અમીરગઢ વન્યજીવ ટીમે આ કાર્યવાહી કરી હતી. ઇકબાલગઢ રાઉન્ડની ઝાંઝરવા બીટના વન રક્ષકને મળેલી બાતમીના આધારે ખજુરિયા ગામના માવ ભગાભાઈના સર્વે નંબરવાળા ખેતરમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખેરના લીલા વૃક્ષો કાપીને એકત્ર કરેલા મળી આવ્યા હતા. આ વૃક્ષો કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી, અમીરગઢ રેન્જ દ્વારા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. 25 નવેમ્બર, 2025ના રોજ વન રક્ષકને બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે વનપાલ ઇકબાલગઢ બાથીજીને જાણ કરતા, તેઓ તેમની ટીમ અને પંચો સાથે સ્થળ પર પહોંચ્યા અને કપાયેલા ખેરના લીલા વૃક્ષોનો મુદ્દામાલ જપ્ત કરીને નર્સરી ખાતે લાવ્યા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર, ખેર એ અનામત વૃક્ષની શ્રેણીમાં આવે છે. ખેર, ચંદન, સીસમ, મહુડો અને સાગ જેવા પાંચ વૃક્ષો અનામત વૃક્ષો ગણાય છે. જો આ વૃક્ષો પોતાની માલિકીની જમીનમાં હોય તો પણ તેને કાપવા માટે વન વિભાગની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે. પૂર્વ મંજૂરી વગર અનામત વૃક્ષો કાપવા એ ભારતીય વન અધિનિયમ 1927 હેઠળ ગુનો બને છે. અમીરગઢ રેન્જ દ્વારા લોકોને આવા વૃક્ષો કાપતા પહેલા વન વિભાગની મંજૂરી લેવા અપીલ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં અમીરગઢ રેન્જ દ્વારા ખેરના ગેરકાયદેસર કપાણનો આ ત્રીજો બનાવ નોંધાયો છે. આ અંગે અમીરગઢ RFO મહેંદ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 25/11/2025ના રોજ અમીરગઢ રેન્જની ઈકબાલગઢ રાઉન્ડની ઝાંઝરવા બીટમાં ખજૂરિયા ગામે વન રક્ષકને બાતમી મળી કે, ત્યાં ખેરના વૃક્ષો કાપવામાં આવ્યાં છે. જેથી વન રક્ષક પી.કે. છત્રાલિયા સ્થળ ઉપર જઈ અને જગ્યાનું વર્ણન કરીને વનપાલ ઈકબાલગઢને જાણ કરતાં વનપાલ બાથીજી તેમની ટીમ સાથે સ્થળ ઉપર પહોંચી પંચો સાથે રહી અને જગ્યામાં પડેલા ખેરના લીલા વૃક્ષોને જપ્ત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:24 pm

પોલીસ પરિવારને જવાબ આપવા હવે કોંગ્રેસ મેદાને:જીગ્નેશ મેવાણીના સમર્થનમાં પાટણમાં રેલી, SP કચેરી સુધી લાખોના હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપ

વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ થરાદ પોલીસ મથકે પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા છેલ્લા ત્રણ-ચાર દિવસથી વિવાદ વકર્યો છે. મેવાણીના નિવેદન બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નામ લીધા વગર જીગ્નેશ મેવાણીને જવાબ આપ્યો હતો. બીજી તરફ પોલીસ પરિવારે જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ કરીને પાટણ-પાલનપુર અને થરાદ સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં વિરોધ પ્રદર્શન કરીને તંત્રમાં રજૂઆત કરી હતી. જે બાદ આજે મેવાણીના સમર્થનમાં પાટણ-પાલનપુર સહિતના શહેરોમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી છે. શું છે સમગ્ર મામલોકોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ-થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનઆક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઇ જિજ્ઞેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસ.પી. સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આ પટ્ટા તમારા છે, અમારા નહીં. એટલે તમારા પટ્ટા ઊતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોનાં નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારે વિરોધ પ્રદર્શન કરીને મેવાણીના રાજીનામાની માંગ કરી હતી. લાખો રુપિયાના હપ્તા પહોંચતા હોવાનો આક્ષેપપોલીસ પરિવારના વિવાદ બાદ આજે બનાસકાંઠા અને પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને દલિત અધિકાર મંચે મેવાણીના સમર્થનમાં રેલી કાઢી ભાજપ સરકાર અને ભ્રષ્ટ અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રમુખે એસપી કચેરી સુધી લાખો રૂપિયાના હપ્તા પહોંચતા હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:13 pm

વડોદરાના સાંસદનો રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવા પત્ર:હેમાંગ જોશીએ કહ્યું કે, રાહુલ ગાંધી આવશે તો સમગ્ર કોંગ્રેસ ગુંગળામણમાંથી બહાર આવશે

વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીએ લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીને યુનિટી માર્ચમાં જોડાવવા અંગે પત્ર લખ્યો છે. તેઓને સરદાર પટેલની 150 મી જન્મજયંતિને લઈ કરમસદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નિકળેલ યાત્રામાં જોડાવવા માટે પત્રમાં ઉલ્લેખ કર્યો છે. એક વિપક્ષ નેતા તરીકે નહીં પણ એક ભારતીય તરીકે પદયાત્રામાં ચાલીને દેશને એકતાનો સંદેશો આપો તેવું નિવેદન કર્યું છે. હેમાંગ જોશીએ કહ્યું કે, રાહુલ ગાંધી યુનિટી માર્ચમાં જોડાવા આવશે તો સમગ્ર કોંગ્રેસ ગુંગળામણમાંથી બહાર આવશે. જેને લઈ રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રીય એકતા પદયાત્રા 150 યુવાનો કરમસદથી કેવડિયા સુધીઆ અંગે ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત અને સમગ્ર દેશના નાગરિકોને અપીલ કરું છું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય એકતા પદયાત્રામાં 150 યુવાનો કરમસદથી કેવડિયા સુધી જોડાવાના છે. આજે દેશના વડાપ્રધાન વર્ચ્યુઅલ માધ્યમથી ફ્લેગ ઓફ કરવાના છે જેમાં મુખ્યમંત્રી જોડાવવાના છે. ત્યારે તેમાં સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સંગઠનો જોડાવવાના છે. 'ભારતીય જનતા પાર્ટીની પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે'વધુમાં કહ્યું કે, આ યાત્રાનો સૌથી વધારે રૂટ વડોદરાથી પસાર થવાનો છે ત્યારે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના આગેવાન ચૂંટણીના સમયે વિવિધ યાત્રાઓ કરવા માટે ખૂબ જાણીતા છે. રાજકીય રીતે તેઓ ચાલતા નથી તેવા રાહુલ ગાંધીને આજે મેં પત્ર લખ્યો છે . આ કોઈ ભારતીય જનતા પાર્ટીની કોઈ પદયાત્રા નથી, આ રાષ્ટ્રીય પદયાત્રા એકતા યાત્રા છે તેમ પધારવા માટે આમંત્રણ આપ્યું છે. તેના મુખ્ય ત્રણ ઉદેશ્ય છે , તેઓએ આવા સારા હેતુથી કરવામાં આવેલ આવી યાત્રા નહીં હોય. પરંતુ સાચા અર્થમાં ભારતને જોડતી યાત્રા કેવી હોય તે અહીંયા જોવા મળશે. 'રાહુલ ગાંધી આવશે તો સમગ્ર કોંગ્રેસ ગુંગળામણમાંથી બહાર આવશે'વધુમાં કહ્યું કે, કોઈ ને કોઈ ભાવે સરદાર પટેલ માટે જે સન્માન કોંગ્રેસ પાર્ટી દ્વારા મળવું જોઈએ તે મળ્યું નથી. આ અજાયબીને જોવા માટે જાણે કોંગ્રેસના કાર્યકર્તાને પરમિશન ન હોય તેમ ગુંગળામણમાં રહે છે તેઓ પોતે સરદાર સાહેબની પદયાત્રામાં જોડાય તો ચોક્કસ તેઓ તેમાંથી બહાર આવશે. દેશના તમામ સાંસદ અને ધારાસભ્યોને આ માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કોઈ પાર્ટી પ્રેરિત યાત્રા નથી આ રાષ્ટ્રીય યાત્રા છે. આ યાત્રામાં ચાલતા ચાલતા જે મહાનુભાવો જોડાવવાના છે તેઓનો આ યાત્રામાં લોકશાહીના મૂલ્યો શું હોય તે પણ તેઓને ખબર પડશે. તે બાબતે આદરણીય રાહુલ ભાઈને આમંત્રણ આપ્યું છે અને તેઓ આવે તેવી હું આશા રાખું છું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 1:03 pm

રૂમમાં બંધ બે વર્ષની બાળકીનું 5 મિનિટમાં LIVE રેસ્ક્યૂ:રમતા રમતા બાળકીએ દરવાજો બંધ કરી દેતા બહાર માતા-પિતા ચિંતામાં મુકાયા, ફાયરે સહીસલામત બહાર કાઢી

સુરતના ફાયર વિભાગના જવાનો દ્વારા વધુ એક વાર સફળ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યુ હતું. સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સોસાયટીના ઘરમાં ત્રીજા માળે બે વર્ષની બાળકી એ રમતા રમતા દરવાજો બંધ કરી દીધો હતો. બાળક અંદર ફસાઈ જતા રડી રહી હતી. જ્યારે માતા-પિતા બહાર ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે ફાયર વિભાગને જાણ થતાં પાંચ મિનિટમાં જ બાળકીને રેસ્ક્યૂ કરીને પરિવારને સહી ચલામત સોંપી હતી. બાળકીએ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતોમળતી માહિતી પ્રમાણે સુરતના વરાછા વિસ્તારમાં માતાવાડી ખાતે હેમકુંજ સોસાયટી આવેલી છે. જેમાં 55 નંબરના ઘરમાં ત્રીજા માળે ચૌહાણ પરિવાર રહે છે. પરિવારની બે વર્ષની દીકરી ઘરની અંદર રમી રહી હતી જ્યારે માતા બહાર હતી. દરમિયાન બાળકી એ રમતા રમતા ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. બાળકી અંદર ફસાઈ ગઈ હતી અને માતા બહાર હતી. બાળકી અંદર ફસાઈ જતા રડવા લાગી હતી. માતા દ્વારા ભુમાબૂમ કરવામાં આવતા આસપાસ લોકો દોડી આવ્યા હતા અને બાળકીના પિતાને પણ જાણ કરવામાં આવતા તે દોડી આવ્યા હતા. કોમ્બી ટુલ્સથી 5-7 મિનિટમાં દરવાજાનું લોકની તોડી નાખ્યું હતુંબાળકી દરવાજા પાસે હોવાથી દરવાજો તોડી શકાય તે પ્રકારની કોઈ સ્થિતિ ન હતી અને અન્ય પ્રયાસો કરવામાં આવ્યા છતાં પણ દરવાજો ખુલી રહ્યો ન હતો. જેથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. સબ ફાયર ઓફિસર સુધીર ગઢવી અને તેમના ફાયર જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં કોમ્બી ટુલ્સથી પાંચથી સાત મિનિટમાં દરવાજાનું લોકની તોડી નાખવામાં આવ્યું હતું. દરવાજો તોડી અંદર જોતા ગભરાઈ જવાના કારણે બાળકી સતત રડતી હતી. બે વર્ષની બાળકી હેમખેમ મળી આવતા પરિવારે રાહતનો શ્વાસ લિધોચિંતામાં મુકાઈ ગયેલા માતા પિતાને બે વર્ષની બાળકી હેમખેમ મળી આવતા તેમની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા હતા. ફાયર વિભાગ દ્વારા ગણતરીની મીનીટોમાં જ બાળકીનું રેસ્ક્યૂ કરીને પરિવારને સહી સલામત સોંપતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આ સાથે જ ફાયર વિભાગની કામગીરીને હાજર સૌ કોઈ લોકોએ બિરદાવી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:57 pm

કાલુપુરના વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની 35-40% કામગીરી પૂર્ણ:સેકન્ડ ફ્લોર સુધી કામગીરી પહોંચી; દિલ્હી જેવી ભાગદોડની ઘટનાને અટકાવવા ઈન્ડિયાનો સૌથી મોટો કોન્કોર્સ એરિયા બનશે

અમદાવાદના કાલુપુરમાં વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે. હાલમાં આખા પ્રોજેક્ટની ઓવરઓલ કામગીરી 35થી 40 ટકા પૂર્ણ થઈ ગઈ છે. મહત્વની બાબત એ છે કે દિલ્હીમાં થોડા સમય પહેલાં બનેલી ભાગદોડ જેવી ઘટના ન બને તે માટે ઈન્ડિયાનો સૌથી મોટો કોન્કોર્સ એરિયા બનાવાશે. હાલમાં ચાલી રહેલી કામગીરીને લઈને દિવ્ય ભાસ્કરે રેલવેના DRM વેદપ્રકાશ સાથે વાતચીત કરી હતી. કેટલીક કામગીરી સમય કરતા પહેલાં પૂર્ણ કરી: DRMDRM વેદપ્રકાશે દિવ્ય ભાસ્કરને કહ્યું કે જયારે કોઈપણ ગ્રીનફિલ્ડ રેલવે સ્ટેશનને ડેવલપમેન્ટ કરવાનું હોય ત્યારે તેની કામગીરી ખૂબ જ મુશ્કેલ હોય છે. અમારા એન્જિનિયર્સે ખૂબ જ મોટો ટાસ્ક લીધો છે. એક બાજુ ટ્રેનો ચાલી રહી છે તો બીજી તરફ રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે. હાલમાં આ કામગીરી ખૂબ જ સારી રીતે અને સમયસર ચાલી રહી છે. કેટલીક કામગીરી તો અમે સમય કરતા પહેલાં પણ પૂર્ણ કરી દીધી છે. ‘માઈનસ વન-ટુની કામગીરી પૂર્ણ, ફર્સ્ટ-સેકન્ડ ફ્લોરની કામગીરી ચાલું’અહીં એલિવેટેડ કોરિડોરમાં રોડને પણ કનેક્ટ કરવામાં આવ્યો છે જેના થકી અમદાવાદના લોકો ખૂબ જ સરળતાથી આવી શકશે. અહીં 16 માળની બિલ્ડીંગ બનવાની છે જેમાં હાલ માઈનસ વન-ટુની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. જ્યારે પહેલા અને બીજા ફ્લોરની કામગીરી ચાલી રહી છે. આમ કુલ મળીને ચાર ફલોર સુધી આ કામગીરી પહોંચી છે. આ સ્ટેશનને બુલેટ ટ્રેનના પેરેલલ તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ 17થી 18 એકરમાં તૈયાર થઈ રહ્યું છે જેમાં 4થી 5 લાખ લોકોને હોલ્ડ કરી શકાશે. ઉત્તર-દક્ષિણમાં પાર્સલને લાવવા ખાસ ટનલ બનાવાઈવેદપ્રકાશે કહ્યું કે, જ્યાં ઝુલતો મીનારો છે ત્યાં ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરી શકીએ તેમ નથી. એટલે ત્યાં ઓપન એર થિયેટરની કામગીરી કરી છે જે સિટીના લોકોને અલગ જ કોન્સેપ્ટ મળશે. આ ઉપરાંત નોર્થ અને સાઉથ સાઈડમાં પાર્સલને લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે ખાસ પ્રકારની ટનલ તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં 8 અને 9માં પ્લેટફોર્મ પર આ કામગીરી કરવામાં આવી રહી છે. બાકીના વિસ્તારમાં પણ ખૂબ જ ઝડપથી કામગીરી ચાલી રહી છે. યાત્રીઓ સૌથી પહેલાં કોન્કોર્સ એરિયામાં પ્રવેશ કરશેવેદપ્રકાશે કહ્યું, અમે લોકો આ સ્ટેશનને એવી રીતે તૈયાર કરી રહ્યાં છે જેમાં આવનાર યાત્રીઓ સૌથી પહેલાં કોન્કોર્સ એરિયામાં પ્રવેશ કરશે. જે બાદ તેમને જે પ્લેટફોર્મ પર જવું હોય ત્યાં તે જઈ શકશે. સાથે જ અહીંયા લોકોને સરળતાથી હોલ્ટ કરવાની સાથે સાથે અવરજવર કરી શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સરસપુર સાઈડ પણ આ પ્રકારનો હોલ્ડીંગ એરિયા તૈયાર કરી રહ્યાં છીએ. જો કોઈંક કારણસર વધુ ભીડ એકઠી થઈ જાય તો તેને પણ મેનેજ કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:55 pm

હિંમતનગરમાં રોલરને ટ્રકે ટક્કર મારતાં એન્જિનિયર સહિત 4ના મોત:NH-48 પરના GIDC ઓવરબ્રિજ પર ચાલુ કામગીરીએ અકસ્માત, ટ્રેલરના ટાયર નીચે પણ ચગદાયાં, આજે ગડકરી નિરિક્ષણ કરવાના હતા

અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઈવે 48 પર હિંમતનગર નજીક GIDC ઓવરબ્રિજ પર મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર રોડ નિર્માણની કામગીરી ચાલી રહી હતી, ત્યારે એક સિમેન્ટ ભરેલા ટ્રક-ટ્રેલરે સેફ્ટી ગાર્ડ તોડીને રોડ રોલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારી દુર્ઘટનામાં રોલરની આગળ ઊભેલા એક એન્જિનિયર તથા ત્રણ શ્રમિકો સહિત કુલ ચાર વ્યક્તિઓ કચડાઈ જતાં તેમના કરુણ મોત નિપજ્યાં હતાં. જેમાં ટ્રેલરના ટાયર નીચે પણ કેટલાક ચગડાયા હતાં. આ દુર્ઘટના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અહીં નિરિક્ષણ કરે એના ગણતરીના કલાકો પહેલાં બની હતી. ગડકરીના નિરીક્ષણ પૂર્વે પૂરજોશમાં કામગીરીનોંધનીય છે કે, આ દુર્ઘટના એવા સમયે બની છે જ્યારે બુધવારે બપોર બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હિંમતનગરના મોતીપુરાથી ચિલોડા સુધીના નેશનલ હાઈવે 48ના માર્ગનું નિરીક્ષણ કરવાના હતા. આ મહત્ત્વના નિરીક્ષણને ધ્યાનમાં રાખીને જ રોડ, ઓવરબ્રિજ અને સર્વિસ રોડ બનાવવાની કામગીરી રાત્રી દરમિયાન પૂરજોશમાં ચાલી રહી હતી. મોડી રાત્રે દુર્ઘટના સર્જાઈ પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના મંગળવારે રાત્રે આશરે 11:45 વાગ્યે બની હતી. હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલા સિમેન્ટ ભરેલા ટ્રક-ટ્રેલર (નંબર RJ-19-EA-4384)ના ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવીને ઓવરબ્રિજ પર રોડ બનાવવાની કામગીરીમાં વ્યસ્ત રોલરને પાછળથી ટક્કર મારી દીધી હતી. રોલર ચાલકને ઈજાટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે રોલર તેના પર ફરી વળ્યું હતું. રોલરની આગળ ઊભેલા ચાર વ્યક્તિઓમાં એન્જિનિયર અસીમ અક્ષય મજમુદાર (ઉં.વ. 36, પશ્ચિમ બંગાળ) તેમજ શ્રમિકો સોમાભાઈ ચતુરભાઈ નાયક (ઉં.વ. 52, મહીસાગર), ભેમાભાઈ સુરમાભાઈ નાયક (ઉં.વ. 45, મહીસાગર) અને રઘુભાઈ રમણભાઈ નાયક (ઉં.વ. 18, મહીસાગર) રોલર નીચે કચડાઈ ગયા હતા. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમના મોત નીપજ્યા હતા. રોલર ચાલક બાબુલાલને પણ ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોના નામ ટ્રકચાલક ફરાર, પોલીસની કાર્યવાહીઅકસ્માત સર્જ્યા બાદ ટ્રક-ટ્રેલરનો ચાલક પોતાનું વાહન ઓવરબ્રિજના છેડે મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર એ ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. પોલીસે ફરિયાદી સંજયભાઈ સોમાભાઈ નાયકની ફરિયાદના આધારે બેફામ વાહન ચલાવી અકસ્માત સર્જનારા ટ્રક-ટ્રેલરના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:50 pm

ભચાઉ પોલીસે નકલી નોટોથી છેતરપિંડી કરતા ત્રણને પકડ્યા:ઇન્સ્ટાગ્રામ પર 'એક લાખના ચાર લાખ'ની લાલચ આપતા હતા

ભચાઉ પોલીસે નકલી ભારતીય ચલણી નોટોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર લોકોને 'એક લાખના ચાર લાખ' આપવાની લાલચ આપીને છેતરપિંડી કરતા હતા. જાહેર કરાયેલી વિગતો મુજબ પીઆઇ એ.એ. જાડેજાને ખાનગી બાતમી મળી હતી કે, જમનશા ભચલશા શેખ, નશીરશા અકબરશા શેખ અને યુનુસશા લતિફશા શેખ (રહે. કનૈયાબે, તા. ભુજ) નકલી નોટોના બંડલ સાથે ભુજથી મોગલધામ (કબરાઉ) તરફ આવી રહ્યા છે. તેઓ સફેદ સ્વીફ્ટ ગાડી (GJ 06 FC 0580) માં હતા. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેતરપિંડીના ગુનાને અંજામ આપે તે પહેલા જ ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ભારતીય ચલણી નોટો જેવી દેખાતી 'ભારતીય મનોરંજન બેંક' અને 'ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા' લખેલી નોટોના બંડલ મળી આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ૧૦૫ નકલી નોટોના બંડલ, 125 અસલી 500 રૂપિયાના દરની ચલણી નોટો (કુલ રૂ. 62,500), એક સ્વીફ્ટ ગાડી (કિંમત રૂ. 50,0000), એક ટ્રોલી બેગ (કિંમત રૂ. 1,000) અને પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ (કિંમત રૂ. 80,000) જપ્ત કર્યા છે. કુલ રૂ. 6,43,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં જમનશા ભચલશા શેખ (ઉં.વ. 25), નશીરશા અકબરશા શેખ (ઉં.વ. ૨૨) અને યુનુસશા લતિફશા શેખ (ઉં.વ. 19) નો સમાવેશ થાય છે. ત્રણેય કનૈયાબે, તા. ભુજના રહેવાસી છે. આરોપી જમનશા શેખનો ગુનાહિત ઇતિહાસ ભચાઉ અને અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે. નશીરશા શેખ વિરુદ્ધ અંજાર પોલીસ સ્ટેશનમાં અને યુનુસશા શેખ વિરુદ્ધ પધ્ધર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે. આ આરોપીઓ ઇન્સ્ટાગ્રામ પર સાચી ચલણી નોટો બતાવીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને પછી 'એક લાખના ચાર લાખ' આપવાની લાલચ આપીને નકલી નોટોના બંડલ પધરાવીને છેતરપિંડી કરતા હતા.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:37 pm

નિવૃત્ત નાયબ સચિવના મહાઠગ પુત્રની ધરપકડ:ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગર પાલિકાના ટેન્ડરોની લાલચ આપી વેપારીઓને કરોડોનો ચૂનો લગાવ્યો હતો

ગાંધીનગર ઈન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી શહેરના વેપારીઓ પાસે રોકાણ કરાવી મોટાપાયે છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધીમાં નિવૃત નાયબ સચિવના પુત્ર પુત્રવધૂએ વેપારીઓને ગુજરાત ટુરિઝમ અને સુરત મહાનગર પાલિકાના વિવિધ ટેન્ડરો લાગ્યા હોવાનો કારસો રચી કરોડોનું કરી નાખવામાં આવ્યું છે. ત્યારે આ મહાઠગ દંપતીએ ગુજરાત વોડાફોનના પૂર્વ હેડને પણ લોભામણી સ્કીમો આપીને 72.91 લાખથી વધુની ઠગાઈ આચરવામાં આવી હતી. ત્યારે આ ઠગાઈ પ્રકરણમાં નિવૃત નાયબ સચિવના મહાઠગ પુત્ર નિરવ દવેની ઇન્ફોસિટી પોલીસે આજે સવારે ધરપકડ કરી વધુ પૂછતાછ માટે કવાયત શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 12:26 pm

અડાલજ-ઝુંડાલ રોડ પર વર્ષો જૂનું ધાર્મિક દબાણ ધ્વસ્ત:રોડ પહોળો કરવાની કાર્યવાહી હેઠળ ધાર્મિક દબાણો હટાવવાની બીજી મોટી કાર્યવાહી, વિરોધના પગલે ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું

ગાંધીનગરના મુખ્ય માર્ગોને પહોળા કરવાની વહીવટી તંત્રની કામગીરીના ભાગરૂપે આજે બુધવારે અડાલજ-ઝુંડાલ રોડ પર આવેલું વર્ષો જૂનું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું છે. પોલીસ સુરક્ષા કવચ હેઠળ રોડની કામગીરીમાં અવરોધરૂપ આ ધાર્મિક દબાણને હટાવવા માટે તંત્ર દ્વારા વહેલી સવારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ જણાવ્યું હતું કે, રોડને પહોળો કરવાની કામગીરી ચાલી રહી હોવાથી જનહિતમાં આ વર્ષો જૂનું ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યું છે. કાર્યવાહીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યુંઅડાલજ ખાતે બાલાપીર સર્કલ નજીક સ્થિત આ ધાર્મિક દબાણ મુખ્ય રોડ પર હતું. ​કોઈ અનિચ્છનીય બનાવ કે વિરોધ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહીનું ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે મામલતદાર સહિતના તમામ સંબંધિત અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. સમગ્ર કામગીરી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈ સંઘર્ષની સ્થિતિ ઊભી ન થાય. ધાર્મિક દબાણો હટાવવાની આ બીજી મોટી કાર્યવાહી​ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવાની આ બીજી મોટી કાર્યવાહી છે. થોડા દિવસો અગાઉ પણ પોલીસ રક્ષણ હેઠળ પાટનગર યોજના વિભાગ દ્વારા સેક્ટર-30 સર્કલ પાસે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બે ધાર્મિક તેમજ સાતેક ગેરકાયદેસર કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આજના દબાણ હટાવવાની કામગીરી દ્વારા વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, જાહેર માર્ગોના વિકાસમાં ગેરકાયદેસર દબાણો ભલે તે ધાર્મિક હોય તે ચલાવી લેવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:56 am

ડિજિટલ એરેસ્ટ બાદ રાજ્યમાં પહેલી આત્મહત્યા કેસમાં આરોપી દબોચાયા:40 કરોડના ફ્રોડની ધમકી આપતા ખેડૂતે જિંદગી ટૂંકાવી હતી

રાજ્યમાં પ્રથમ ડિજિટલ એરેસ્ટ દ્વારા ખેડૂતને કરોડો રૂપિયાના ફ્રોડની ધમકીથી આપઘાત કેસમાં પોલીસે બે આરોપીને દબોચી લીધા છે. ડભોઈના કાયાવરોહણ ગામે રહેતા 65 વર્ષીય અતુલભાઈ હિરાભાઈ પટેલે આપઘાત કરી લીધો હતો. ખેડૂતને રૂપિયા 40 કરોડનું ફ્રોડની ધમકી આપી ડરાવ્યા હતા. આ મામલે ડભોઇ પોલીસે આખરે ફરિયાદ નોધી બે આરોપીઓને પકડી લીધા છે. અઠવાડીયા પહેલા વડોદરા જિલ્લાના કાયાવરોહણના કાકા રામના ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા 65 વર્ષીય અતુલભાઈ હીરાભાઈ પટેલને ભેજાબાજોએ દિલ્હી ATSના નામે ફોન કરી તેમના બેંક એકાઉન્ટમાં રૂ. 40 કરોડના ફ્રોડ અંગે તપાસ ચાલી રહી હોવાનું કહી ધમકાવ્યા હતા. ત્યાર બાદ તેમને એક દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ રાખ્યા હતા. શંકા જતાં ફોનમાં આવેલા નંબર પર પરિવારજનોએ સંપર્ક કર્યોસતત દબાણ અને ભયને કારણે અતુલભાઈએ સોમવારે(17 નવેમ્બર) વહેલી સવારે 5 વાગ્યે ઘરે જ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. પરિવારજનોને આ ઘટનાની પાછળ કોઈ મોટી છેતરપિંડી થઈ હોવાની શંકા થતાં તેમણે અતુલભાઈના ફોનમાં આવેલા નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજે આઈકાર્ડ મોકલી પોતે એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ(ATS)નો ઇન્સ્પેક્ટર ગૌરવ ગ્રોવર હોવાનો દાવો કર્યો હતો. પરિવારજનોનું કહેવું છે કે ATS અને 40 કરોડના ફ્રોડની ધમકીએ અતુલભાઈને ભયભીત કરી દીધા હતા. આ ઘટનાની જાણ થતાં ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી હતી. કાકા ત્રણ દિવસથી બેચેન રહેતા હતા: ભત્રીજોમૃતકના ભત્રીજા અંશ પટેલે જણાવ્યું હતું કે હું કાયાવરોહણ ગામમાં રહું છું. અમારા કાકા આજે અમારી વચ્ચે નથી રહ્યા, તેઓ ખેતી કરતા હતા. ત્રણ દિવસથી તેઓ બેચેન રહેતા હતા. કોઈને કશું કહેતા નહોતા. અમારા લાખ પૂછવા છતાંય તેમણે કોઈને કશું કીધું નહોતું. તેમના મિત્રોએ પણ બહુ પૂછ્યું, તેમને પણ કશું ના કીધું. પછી સોમવારે સવારે 5 વાગ્યે તેમણએને દવા પી લીધી હતી, જેથી અમે તેમને દવાખાને લઈ ગયા હતા. મંગળવારે સવારે તેમનું મોત થયું હતું. સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે. મારા કાકાએ જે પ્રકારે આત્મહત્યા કરી છે એ પ્રકારે કોઈ આત્મહત્યા ન કરે, એવી લોકોને હું અપીલ કરું છું. ઘરની બહાર નીકળતા નહીં કહીને ધમકાવતા હતાસાયબર ઠગો દર 5 મિનિટે કોલ કરતા, ઘરની બહાર નીકળતા નહીં, કહીને ધમકાવતા હતા, જોકે પછી કાકાએ મને એકલાને બોલાવી કહ્યું હતું કે ‘દિલ્હી પોલીસના ફોન આવ્યા કરે છે’. તેઓ ખૂબ ગભરાઈ ગયા હતા. કાકાને એક આખો દિવસ ડિજિટલ એરેસ્ટ રખાયા હતા. સામેથી 5-5 મિનિટે વ્હોટ્સએપ કોલ તથા વીડિયો કોલ કરવામાં આવતો હતો. દિવસમાં 200 લોકો ડિજિટલ એરેસ્ટકેન્દ્ર સરકારે સંસદમાં આપેલી માહિતી મુજબ 2022થી ફેબ્રુઆરી 2025 સુધીમાં ડિજિટલ એરેસ્ટના 2.42 લાખ કેસ નોંધાયા છે, એટલે કે એક દિવસમાં 200 કેસ. ત્રણ વર્ષ દરમિયાન લોકોએ 2,575 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ઉપરાંત છેલ્લાં ચાર વર્ષમાં ગુજરાતમાં વિવિધ પ્રકારનાં સાઇબર ફ્રોડમાં લોકોએ 2,746 કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ સ્કેમથી બચવા માટે શું કરી શકાય?

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:54 am

નવાપરા કબ્રસ્તાન પાસે ધાર્મિક સ્થાન સહિત 30 દબાણો દૂર કરાયા:5 જેસીબી અને 2 ડમ્પરો સાથે 3500 ચોમી જગ્યા ખુલ્લી કરાઈ, અધિકારીઓ અને 100થી વધુ પોલિસ જવાનો તૈનાત

ભાવનગરમાં તંત્રનું દબાણ મુકિત અભિયાન અકવાડા મદરેસા બાદ આજે નવાપરા કબ્રસ્તાન પાસે આવેલી સરકારી જમીન પર દબાણો પર બૂલડોઝર ફર્યું છે. કેટલાંક વર્ષોથી ચાલતા ગેરકાયદેસર ગેરેજ, ભંગારની દુકાનો અને એક ધાર્મિક સ્થાન સહિત કુલ 25થી 30 દબાણો પર કાર્યવાહી કરાઈ છે. 3 હજાર ચોમી સરકારી જગ્યા ખુલ્લી કરાઈસીટી સર્વે દ્વારા આપવામાં આવેલી આખરી નોટિસ બાદ વહેલી સવારે સીટી મામલતદાર અને 100થી વધુ પોલીસ કાફલા સાથે ડીમોલેશન થયું હતું. આ કામગીરી દરમિયાન અંદાજે 3 હજારથી 3,500 ચોરસ મીટર જેટલી સરકારી જગ્યા ખુલ્લી કરાઈ છે. નવાપરા કબ્રસ્તાન પાસે દબાણો દૂર કરાયાભાવનગર શહેરમાં તંત્ર દ્વારા દબાણો પર તવાઈ બોલાવવાનું શરૂ કર્યું છે, બે દિવસ પૂર્વે અકવાડા મદરેસાના રસ્તા પર કરેલ બાંધકામ પર મહાનગર પાલિકા દ્વારા ડીમોલેશન કર્યું ત્યાર બાદ આજરોજ શહેરના નવાપરા કબ્રસ્તાનવાળી જગ્યા તરીકે ઓળખાતી સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે ઓટો ગેરેજ અને ભંગાર સહિત દબાણો ખડકાયેલા હતા. 1 ધાર્મિક સ્થાન સહિત 25થી 30 બાંધકામો પર બુલડોઝર ફર્યુંજે 25થી 30 જેટલા દબાણકારોને દબાણ ખુલ્લું કરવા આપેલી અંતિમ તારીખ 18 નવેમ્બરથી 25મી નવેમ્બર સુધીમાં દબાણો ખુલ્લા કરવા સીટી સર્વે દ્વારા આખરી નોટિસ આપવામાં આવી હતી. જેમાં આજરોજ સરકારી જગ્યા પર કરેલ દબાણ ગેરેજ, ભંગારની દુકાનો અને 1 ધાર્મિક સ્થાન અને ઓફિસ સહિતની 25થી 30 બાંધકામો પર સીટી મામલતદાર, 100 પોલિસ કર્મીઓના કાફલા સાથે વહેલી સવારે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે અને 3 હજારથી 3500 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. પાંચ જેસીબી અને બેથી વધુ ડમ્પરો સાથે દબાણ દૂરઅંગે સીટી સર્વે વિભાગના સુપ્રિટેનડેટ શિવાંગી ખરાડીએ જણાવ્યું હતું કે, અહીંયા કોઈ મકાનો હતા નહીં રેસીડેન્સીયલ વિસ્તાર હતો નહીં કોમર્શિયલ વિસ્તાર હતો જેમાં ગેરેજ અંદાજિત 25થી 30 જેટલા ગેરેજો અને એક બે બીજા પાકા કન્સ્ટ્રકશન હતા અને જે સરકારની મિલક્ત હોવાથી આજરોજ પાંચ જેટલા જેસીબી અને બેથી વધુ ડમ્પરો સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 100 જેટલા કર્મીઓ અને 15 જેટલા અધિકારીઓનો બંદોબસ્તસીટી DYSP આર.આર.સિંધાલ એ જણાવ્યું હતું કે, શહેરના ગંગાજળિયા પોલીસ સ્ટેશનનો જે નવાપરાનો વિસ્તાર છે, ત્યાં 3,000 સ્ક્વેર ફીટનું જેમાં અંદાજિત 25થી 30 જેટલી દુકાન હતી, જેમાં એક ઓફિસ હતી અને એક ધાર્મિક દબાણ પણ હતું જેને આજે જેમાં મામલતદાર ટીમ સીટી સર્વે ટીમ અને પોલીસનો આશરે 100 જેટલા કર્મીઓ અને 15 જેટલા અધિકારીઓ આજે બંદોબસ્તમા રોકાયેલ હોય અને શાંતિપૂર્ણ માહોલમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:52 am

લગ્નના દોઢ વર્ષમાં જ પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મુકી:ગેસ્ટહાઉસ બનાવવા 15 લાખ દહેજ માગ્યું, યુવતીએ આપવાની ના પાડતા તરછોડી મુકી, પતિ સહિત 5 સાસરિયાં સામે ફરિયાદ

ગાંધીનગરના માણસાની રહેવાસી અને BSC, MSC સુધીનો ઉચ્ચ અભ્યાસ કરનારી પત્નીને લગ્નજીવનના દોઢ વર્ષમાં જ પતિએ પોતાનો રંગ બતાવ્યો. ગેસ્ટહાઉસ ખોલવાના સપના પુરા કરવા 15 લાખ દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપી તરછોડી દીધી. જે મામલે પરિણીતાએ માણસા પોલીસ મથકના ચોપડે પતિ સહિત પાંચ સાસરિયા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. થોડા વર્ષો પહેલાં જ યુવતીના લગ્ન સમાજના રિત રિવાજ મુજબ થયામાણસા ખાતે હાલમાં પિયરમાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન ઓક્ટોબર 2023ના રોજ બહુચરાજી રાવળ વાસમાં રહેતા યુવક સાથે સમાજના રિત રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ પરિણીતા તેના પતિ સંજય, સસરા, સાસુ અને બે નણંદો સાથે સંયુક્ત પરિવારમાં રહેતી હતી. પતિએ 15 લાખની માંગણી કરી ઝઘડા કરવાનું શરૂ કર્યું આ લગ્નજીવન માંડ એક મહિનો ચાલ્યો ત્યાં જ પતિ પોત પ્રકાશી સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, મારે બહુચરાજીમાં ગેસ્ટહાઉસ બનાવવું છે, જેથી તું તારા માતા-પિતા પાસેથી મને પંદર લાખ રૂપિયા લાવી આપ. આમેય તારા માતા-પિતાએ તને કરિયાવરમાં કંઈ આપ્યું નથી. જો કે પરણિતાએ પોતાના પિતાની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે પૈસા લાવવાની ના પાડી ત્યારે પતિએ આ વાતનું મનદુઃખ રાખી ઝઘડા કરવાનું અને ગાળો બોલી મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. આ બાબતે જ્યારે સાસુ, સસરા અને બંને નણંદોને ફરિયાદ કરી ત્યારે સાસરિયાંઓએ પતિનો પક્ષ લઈ તેણીને જેમ ફાવે તેમ બોલીને ઝઘડો કરવા લાગ્યા હતા. પત્નીને ઘરમાંથી કાઢી મુક્યા બાદ પણ પતિ હેરાન કરતો ચોથી ઓક્ટોબરની રાત્રે 11 વાગ્યે પતિ, સાસુ-સસરા અને નણંદોએ ભેગા મળીને ફરીથી પંદર લાખ રૂપિયા બાબતે ઝઘડો કરી “તું તારા બાપાના ઘરેથી જ્યાં સુધી પૈસા નહીં લાવે ત્યાં સુધી ઘરમાં રાખવાની નથી” તેમ કહી પરિણીતાને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેથી પરણિતા પિયર રહેવા આવી ગઈ હતી. ઘરમાંથી કાઢી મૂક્યા બાદ પણ પતિએ તેણીનો પીછો છોડ્યો નહીં. ગઈ તા. 21 ઓગસ્ટે તે લોદરા ગામ ખાતે દવા લેવા ગઈ ત્યારે પણ ત્યાં જઈને પતિએ જાહેરમાં 15 લાખની માંગણી કરી ગાળો બોલતાં હોબાળો થયો હતો. આ બાબતે પિયર પક્ષના પરિવારે સમાધાનના પ્રયત્નો કર્યા હોવા છતાં સાસરિયાઓ સહમત થયા ન્હોતા. આખરે માણસા પોલીસ મથકમાં પરિણીતાએ પતિ સહિતના પાંચ સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:49 am

ધોલેરા એક્સપ્રેસ-વે પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત:મુંડી પાટિયા પાસે કારો ટકરાતાં શ્રીનાથ હોટલના માલિકનું મોત, 4 ઘાયલ

ધોલેરા-ભાવનગર હાઈવે પર મુંડી પાટિયા નજીક બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ચાર વ્યક્તિઓ ઘાયલ થયા હતા, જેમાંથી એકનું સારવાર દરમિયાન નિધન થયું છે. મૃતક પીપળી શ્રીનાથ હોટલના માલિક મુન્નાભાઈ પીપળીવાળા હતા. અકસ્માત બાદ તેમને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મુન્નાભાઈ પીપળીવાળાનું મોડી રાત્રે સારવાર દરમિયાન અવસાન થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા અન્ય ત્રણ વ્યક્તિઓની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત ગઈકાલે બપોર બાદ થયો હતો. મુન્નાભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:49 am

સુરેન્દ્રનગરના મૂળીમાં રૂ. 70 લાખના ખર્ચે બિલ્ડીંગ તૈયાર:GSCSCL માટે અદ્યતન ગોડાઉન ઓફિસનું નિર્માણ પૂર્ણ, આધુનિક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ખાતે ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર કોઓપરેટિવ સર્વિસ કોર્પોરેશન લિમિટેડ (GSCSCL)ના ગોડાઉન સંકુલ માટે અંદાજિત રૂ. 70.29 લાખના ખર્ચે નવું અને અદ્યતન ઓફિસ બિલ્ડીંગનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત ઓફિસ બિલ્ડીંગમાં આધુનિક બાંધકામ પદ્ધતિનો ઉપયોગ કરાયો છે. તેમાં આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર, મજબૂત બ્રિક મેશનરી અને ઉચ્ચ ગુણવત્તાનું પ્લાસ્ટરિંગ શામેલ છે. બિલ્ડીંગની ફિનીશીંગ સહિતની તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ નવું ઓફિસ બિલ્ડીંગ GSCSCLના ગોડાઉનના સંચાલન અને વહીવટી કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ બિલ્ડીંગ સ્થાનિક સ્તરે સંગ્રહ અને વિતરણ પ્રક્રિયાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવામાં મદદરૂપ થશે. આનાથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચાડવાની સરકારની નેમ વધુ મજબૂત બનશે. માળખાગત વિકાસના આવા કાર્યો રાજ્યની સહકારી પ્રવૃત્તિઓ અને લોજિસ્ટિક્સ ચેઇનને વધુ અસરકારક બનાવશે. આ નવી સુવિધા મૂળી અને આસપાસના વિસ્તારના લોકોને પણ પરોક્ષ રીતે લાભદાયી નીવડશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:48 am

પાટણમાં સંવિધાન દિવસની ઉજવણી:રાજકીય પક્ષોએ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી, બંધારણનું પૂજન કર્યું

પાટણ શહેરમાં 26 નવેમ્બરના રોજ 'સંવિધાન દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બગવાડા દરવાજા ખાતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પક્ષના નેતાઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને બંધારણનું પૂજન અને વાંચન કર્યું હતું. આ ઉજવણીમાં ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ મંત્રી ગંગારામભાઈ સોલંકી, હેતલબેન ઠાકોર, પ્રવિણભાઈ પરમાર, તેમજ નગરપાલિકા પ્રમુખ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા. કોંગ્રેસ પક્ષ તરફથી પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઇ દેસાઈ અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિપકભાઈ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે 26 નવેમ્બરને ભારતમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ 26 નવેમ્બર, 1949ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને ઔપચારિક રીતે અપનાવવામાં આવ્યું હતું, તે ઐતિહાસિક ઘટનાની યાદમાં ઉજવાય છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોમાં બંધારણના મૂલ્યો જેવા કે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ વિશે જાગૃતિ લાવવાનો અને તેને પ્રોત્સાહન આપવાનો છે. બંધારણ એ રાષ્ટ્રનો સર્વોચ્ચ કાયદો છે, જે દરેક નાગરિકના અધિકારો અને ફરજોને સુરક્ષિત કરે છે. આ દિવસ ભારતના બંધારણના મુખ્ય ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકર અને તેમની ટીમના યોગદાનને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનો પણ છે. આ પ્રસંગે કોંગ્રેસ પ્રમુખે બંધારણીય અધિકારોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:40 am

કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને 2 લાખનો દંડ:હવે વિદ્યાર્થીઓને દંડ સાથે 'ભગવદ્ ગીતા' અપાશે, VNSGUની અનોખી સજા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષામાં ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ માટે સજા અને સુધારણાનો અનોખો માર્ગ અપનાવ્યો છે. હાલ યુનિવર્સિટી દ્વારા કોપી કેસમાં પકડાયેલા 89 વિદ્યાર્થીઓને આકરો બે લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, હવે કોપી કરનાર આવા વિદ્યાર્થીઓના ભવિષ્યના જીવનમાં નૈતિક મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી 'શ્રીમદ્ ભગવદ્ ગીતા' અર્પણ કરવામાં આવશે. આ સાથે ગીતાના સિદ્ધાંતો આધારિત વિશેષ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે, જેથી તેઓ ફરી ક્યારેય કોપી જેવા અનૈતિક કૃત્ય ન કરે. 89 વિદ્યાર્થીઓ પાસેથી રૂ. 2 લાખનો દંડ વસૂલાશેયુનિવર્સિટીના વાઇસ ચાન્સલર કિશોરસિંહ ચાવડાએ આપેલી માહિતી મુજબ, યુનિવર્સિટીની પરીક્ષામાં આશરે 1.25 લાખ વિદ્યાર્થીઓએ 250 કેન્દ્રો પર પરીક્ષા આપી હતી. આ પરીક્ષાઓ દરમિયાન કુલ 89 જેટલા વિદ્યાર્થીઓ કાપલી કે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સની મદદથી કોપી કરતાં પકડાયા હતા. ગેરરીતિ બદલ આ તમામ વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂ. 2 લાખ જેટલો દંડ વસૂલવામાં આવ્યો છે. ગેરરીતિના કેસોની વિગત: 'ભગવદ્ ગીતા' આધારિત કાઉન્સિલિંગવી.સી. કિશોરસિંહ ચાવડાએ આ પહેલનો હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, દંડ તો કરવામાં આવ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં ગેરરીતિ ન કરે તે ખૂબ જરૂરી છે. આ માટે ભવિષ્ય કોપી કારણે તમામ વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવદ્ ગીતા આપવામાં આવશે. ગીતામાં રહેલા સિદ્ધાંતો, કર્મનો સંદેશ અને નૈતિક મૂલ્યોનું તેમને માર્ગદર્શન મળે તે હેતુથી તેમનું ખાસ કાઉન્સિલિંગ પણ કરવામાં આવશે. આનાથી તેઓ માત્ર પરીક્ષામાં જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં સન્માન અને ઈમાનદારીથી વર્તે તેવો યુનિવર્સિટીનો આશય છે. ગેર હાજર વિદ્યાર્થીઓ સાથે યુનિ.ના નિયમ મુજબ કાર્યવાહી થશેગેરરીતિના કેસોની તપાસ માલપ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટી દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કમિટીએ તમામ વિદ્યાર્થીઓને રૂબરૂ સાંભળીને તેમની સામેના આરોપોની તપાસ કરી હતી. જે 42 વિદ્યાર્થીઓ સુનાવણીમાં ગેરહાજર રહ્યા હતા, તેમની સામે યુનિવર્સિટી નિયમો મુજબ આગળની કાર્યવાહી કરશે. જો જરૂરી જણાશે તો તેમને બીજી સુનાવણી માટે બોલાવવામાં આવશે અથવા ઉપલબ્ધ પુરાવાઓના આધારે કમિટી દ્વારા ચુકાદો આપવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આ પહેલ શિક્ષણ જગતમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ છે, જ્યાં માત્ર સજા નહીં પણ સદભાવના અને નૈતિકતાનું શિક્ષણ આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:39 am

રાજકોટ મનપાની નવતર પહેલ:આરોગ્ય કેન્દ્રો, લાયબ્રેરી સહિત તમામ સેવાનાં મૂલ્યાંકન માટે QR-કોડ બેઝ્ડ સિટીઝન ફીડબેક સિસ્ટમ અમલમાં મુકાઈ, આંગળીનાં ટેરવે લોકો અભિપ્રાય આપી શકશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને અપાતી વિવિધ સેવાઓની ગુણવત્તા, પારદર્શિતા અને ઝડપ સુધારવા માટે એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે QR કોડ આધારિત નાગરિક ફીડબેક સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા લોકો રોડ-રસ્તા, સફાઈ, લાઈટ, સિટી બસ જેવી 17 જેટલી મહત્ત્વની સેવાઓ અંગે પોતાનો સીધો અભિપ્રાય આપી શકશે, જેનાથી મહાપાલિકાને તેની કામગીરીનું ચોક્કસ મૂલ્યાંકન કરવામાં અને જરૂરી સુધારા કરવામાં મદદ મળશે. યુનિક QR કોડ દ્વારા સીધો પ્રતિભાવ અને પારદર્શિતા મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ, શહેર વિકાસ વર્ષ 2025 અંતર્ગત આ ફીડબેક સિસ્ટમ શરૂ કરાઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને અપાતી સેવાઓમાં ઉત્તમ ગુણવત્તા લાવવાનો છે. નાગરિકોની નિયમિત ફરિયાદ નિવારણ સિસ્ટમ ઉપરાંત આ નવી વ્યવસ્થા ઊભી કરાઈ છે, જેમાં સેવાઓના વપરાશકર્તા તરફથી સીધો અને વાસ્તવિક પ્રતિભાવ મનપા મેળવશે. મનપાના જુદા જુદા વિભાગો અને સેવા સ્થળો પર કુલ 1747 યુનિક QR કોડ્સ સ્થાપિત કરાયા છે. આ QR કોડ્સ જે તે સેવાના સ્થળ માટે યુનિક રહેશે. લાંબા ગાળે સોસાયટીઓ, રહેણાંક વિસ્તારો અને વધુ જાહેર સ્થળો પર QR કોડ્સ મૂકવાની ગણતરી છે, જેથી વધુમાં વધુ નાગરિકો આ પ્રક્રિયામાં જોડાઈ શકશે. નાગરિક જ્યારે આ QR કોડને સ્કેન કરશે, ત્યારે તેમને 2 થી 10 પ્રશ્નો વચ્ચેના પ્રશ્નો પૂછવામાં આવશે, જેના જવાબો હા કે ના માં આપવાના રહેશે. ઉપરાંત, તેઓ પોતાના રિમાર્ક્સ પણ આપી શકશે. અંતે, નાગરિકોને તે સેવાને 10 માંથી કેટલા સ્ટાર રેટ આપવો છે તે પૂછવામાં આવશે. આ પ્રક્રિયા અત્યંત સરળ અને ઝડપી રાખવામાં આવી છે, જેથી વ્યસ્ત નાગરિકો પણ થોડી જ સેકન્ડોમાં પોતાનો અભિપ્રાય આપી શકે. સંપૂર્ણ પ્રક્રિયા ગુણવત્તા નિયંત્રણનું એક અસરકારક માધ્યમ બનશે. સિટી બસ, ગાર્ડન અને સફાઈ જેવી સેવા વધુ સારી થશે આ સિસ્ટમનો મુખ્ય હેતુ નાગરિકોના અનુભવને સીધા વર્ગીકૃત કરી સેવાઓ વધુ ઉત્તમ બનાવવાનો છે. કમિશ્નર સુમેરાએ સિટી બસનું ઉદાહરણ આપતા સમજાવ્યું કે, જો કોઈ નાગરિક બસમાં બેઠા હોય, તો તે બસમાં મૂકેલા QR કોડ સ્કેન કરીને ડ્રાઈવિંગની રીત, બસની સ્વચ્છતા, ટિકિટ યોગ્ય રીતે મળી કે નહીં, અને યોગ્ય સ્ટોપ પર બસ ઊભી રહી કે નહીં જેવા મહત્ત્વના પ્રશ્નોના જવાબ આપી શકશે અને રેટિંગ આપી શકશે. આ જ રીતે, ગાર્ડનની મુલાકાત લેનાર વ્યક્તિ ગાર્ડનની જાળવણી, સફાઈ અને સુવિધાઓ વિશે ફીડબેક આપી શકશે.જે સેવાઓનો ફીડબેક આ સિસ્ટમ દ્વારા મેળવી શકાશે તેમાં મુખ્યત્વે રોડ-રસ્તાની ગુણવત્તા, સફાઈ વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટની કામગીરી, મનપા સંચાલિત શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોની સેવા, લાઇબ્રેરી, ડ્રેનેજ સિસ્ટમ, ગાર્ડનની જાળવણી, સિટી બસ સેવા, સાઇન બોર્ડની સ્થિતિ, દબાણ હટાવવાની કામગીરી, રખડતા પશુઓની સમસ્યા અને પાણી વિતરણની સેવાઓનો સમાવેશ થાય છે. આ તમામ સેવાઓના ફીડબેક જનરલ વિભાગમાં એકઠા થશે. મેનેજમેન્ટ ટૂલ તરીકે રેટિંગ્સનો ઉપયોગ મનપા માટે આ સિસ્ટમ એક શક્તિશાળી મેનેજમેન્ટ ટૂલ તરીકે કામ કરશે. મ્યુ. કમિશ્નર સુમેરાના મતે, આ માત્ર ફરિયાદ નોંધવાની સિસ્ટમ નથી, સેવાના મૂલ્યાંકનનું માપદંડ છે. ઉદાહરણ તરીકે, જો 100 સિટી બસમાંથી 10 બસને 1, 2, 3 કે 4 સ્ટારનું નીચું રેટિંગ મળે, તો તેનો અર્થ એ થાય કે પ્રજા આટલી બસોની સેવાથી સંતુષ્ટ નથી. આનાથી મનપા તે 10 બસો પર અથવા જે તે સેવા પર ચોક્કસપણે કામ કરી શકશે અને ખામીઓનું નિવારણ કરી શકાશે. નવા પ્રોજેક્ટ્સની સફળતા માપવા માટે પણ આ સિસ્ટમ ઉપયોગી થશે. જો કોઈ નવું આરોગ્ય સેન્ટર બનાવવામાં આવ્યું હોય અને તેનું રેટિંગ પહેલા 5 હોય, તો સુધારો કર્યા બાદ તે 7 કે 8 થવું જોઈએ, જે મનપાના કામની સફળતા દર્શાવશે. સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આ રેટિંગ્સના આધારે હવે મનપાની મંથલી રિવ્યૂ મીટિંગ્સ માં પણ ચર્ચા કરવામાં આવશે. સેવાના નીચા રેટિંગ માટે જવાબદાર અધિકારીઓ અને વિભાગોની કામગીરીનું મૂલ્યાંકન પણ આ રેટિંગ્સના આધારે કરવામાં આવશે, જેનાથી અધિકારીઓમાં વધુ સારી સેવા આપવાની જવાબદારીની ભાવના વધશે અને સમગ્ર વહીવટી પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનશે. આવાસ યોજના, લાયબ્રેરી, સીટી બસ સ્ટોપ અને તેની સફાઇ, ડ્રાઇવર અને કંડકટરના શિસ્ત, કોમ્યુનિટી હોલ, 18 વોર્ડ ઓફિસ, 172 બગીચા, 364 આંગણવાડી, ગાંધી મ્યુઝીયમ, રામવન, 6 હાઇસ્કુલની સાથે જ 563 ટીપરવાનમાં કચરા એકત્રીકરણ નિયમિતતા અંગે લોકો ફીડબેક આપી શકશે. એટલું જ નહીં રેસકોર્સ સહિત 14 સ્પોર્ટ સંકુલમાં કોચની કામગીરી, સ્વચ્છતા, 5 સ્વીમીંગ પુલ, ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સેલ, સર્કલ, પે એન્ડ પાર્ક તથા કોન્ટ્રાકટરના વર્તન, 31 આરોગ્ય કેન્દ્રમાં સેવામાં સુધારણા, ઝુમાં સ્વચ્છતા, કેન્ટીન, ટીકીટ વ્યવહાર અંગે લોકો સીધા પ્રતિભાવો આપી શકશે. જેનું વિશ્ર્લેષણ કરી મનપા દ્વારા સેવાઓમાં સુધાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દેખીતી રીતે તો આ સિસ્ટમ ખૂબ જ અસરકારક જણાય છે. અને આ સિસ્ટમનો ઉપયોગ કરી મનપા દ્વારા આપવામાં આવતી સેવાઓને લોકોની જરૂરિયાત મુજબ વધુ સારી કરવામાં મદદ મળે તેમ છે. જોકે વયસ્ક અને મોબાઈલનો ઉપયોગ તેમજ QR કોડ અંગે નહીં જાણતા લોકો પોતાના પ્રતિભાવ આપી શકશે નહીં. અને સૌથી મહત્વની વાત ફીડબેક મળ્યા બાદ પણ જે-તે સેવાઓમાં સુધારો કેટલા સમયમાં થશે તે અંગેની પણ કોઈ વ્યવસ્થા હજુ કરવામાં આવી નથી. ત્યારે આ સિસ્ટમ મનપાની સેવાઓને સુધારવા કેટલી અસરકારક રહેશે તે તો આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:37 am

મંત્રી અને સરપંચ હાય હાયના નારા સાથે રેલી:વાંકાનેરના તીથવા ગામે દારૂબંધી ભંગ સામે ગ્રામજનોનો વિરોધ, મહિલાઓ સહિતના લોકો રસ્તા પર ઉતર્યા

વાંકાનેર તાલુકાના તીથવા ગામે દારૂના ખુલ્લેઆમ વેચાણ અને દારૂબંધીના ભંગ સામે ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓ સહિતના સ્થાનિક લોકોએ રેલી યોજી ગ્રામ પંચાયત સુધી પહોંચી સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી દરમિયાન ગ્રામજનોએ 'સરપંચ હાય હાય' અને 'મંત્રી હાય હાય' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમણે આઉટપોસ્ટ પોલીસ ચોકીમાં બીટ જમાદારની ગેરહાજરી અને ગામમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનો આક્ષેપ કર્યો હતો. ગ્રામજનોએ દારૂબંધીનો કડક અમલ કરવાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગત 7 નવેમ્બરના રોજ પણ ગામના લોકોએ અધિકારીઓ અને પદાધિકારીઓને દારૂબંધીના કડક અમલ માટે આવેદનપત્ર આપ્યું હતું. જોકે, તે પછી પણ કોઈ નક્કર કાર્યવાહી ન થતાં ફરીથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા સહિત રાજ્યભરમાં નશાકારક દ્રવ્યોના વેચાણનો મુદ્દો હાલ ચર્ચામાં છે. ગ્રામજનોએ જાહેરમાં ગ્રામસભા યોજી દારૂબંધી કરાવવા અને પોલીસ ચોકી નિયમિત ખોલવા સહિતની માંગણીઓ કરી હતી. હવે તંત્ર દ્વારા આ મામલે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:35 am

ચાંદખેડામાં મહિલાની મોતની છલાંગનો મામલો:પતિ અને સાસરિયાઓ ત્રાસ આપતા ધાબેથી કૂદી આપઘાત કર્યાનો પિતાનો આક્ષેપ, આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

ચાંદખેડામાં આવેલા ફ્લેટમાંથી યુવતીના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો. જે મામલે યુવતીના પિતાએ પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્રણેય મળીને યુવતીને ત્રાસ આપતા હતા. જેના પગલે યુવતીએ આપઘાત કર્યો હોવાનો આક્ષેપ છે. ચાંદખેડા પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. યુવતીએ 2020માં ભાગીને ટિપેન્દ્ર નામના યુવક સાથે લગ્ન કર્યા હતાચાંદખેડામાં રહેતા કૌટિલ્ય ભાઈ શ્રીમાળી તાલુકા હેલ્થ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. તેમની 25 વર્ષની દીકરી મૈત્રીએ વર્ષ 2020માં ચાંદખેડામાં જ રહેતા ટીપેન્દ્ર પિયજા નામના યુવક સાથે 2020 તેમની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કરી દીધા હતા. મૈત્રી સાસરીમાં રહેતી હતી ત્યારે સાસુ હિરલ અને પતિ ટીપેન્દ્ર સાથે દિયર જૈમીન શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેથી કંટાળીને મૈત્રીએ લગ્નના 10 મહિનામાં જ છુટાછેડા લીધા હતા. છૂટાછેડા લઈને મૈત્રી તેના પિતાના ઘરે રહેતી હતી. આ પણ વાંચો: ચાંદખેડામાં ત્રીજા માળેથી કૂદી મહિલાએ આપઘાત કર્યો, નીચે પડતાં જ આસપાસના લોકો દોડી આવ્યા છૂટાછેડા બાદ યુવતી ફરી પતિ સાથે લિવ ઈનમાં રહેવા લાગી હતીછૂટાછેડાના બે મહિના બાદ ફરીથી મૈત્રી પતિ સાથે ભાગી ગઈ હતી અને છૂટાછેડા બાદ પતિ સાથે લિવ ઈનમાં રહેતી હતી, મૈત્રીને એક બાળક પણ હતો. મૈત્રી જ્યારે સાસરીમાં ફરીથી રહેવા લાગી ત્યારે સાસુ કહેતા હતા કે તું અમારા કહ્યા પ્રમાણે નહીં કરે તો તારા દીકરાને તારી પાસેથી લઈ અને ઘરમાંથી કાઢી મૂકીશું. તારા પિતા પાસેથી રૂપિયા લઇ આવ કહીને ટોર્ચર કરતા અને ધાકધમકી આપતા હતા. મૈત્રીએ સાસરીમાં જઈ ફ્લેટના ધાબેથી કૂદીને આપઘાત કરી લીધોમૈત્રી 11 નવેમ્બરે પોતાના પિતાના ઘરે રહેવા જતી રહી હતી અને પિતાને કહ્યું હતું કે, તેના પતિ ટીપેન્દ્ર સિંગાપુર, મલેશિયા, બેંગકોક ખાતે ગયા છે. 21 નવેમ્બર મૈત્રીએ પિતાને કહ્યું હતું, કે મારા પતિ ઘરે આવી ગયા છે, જેથી મારે જવું પડશે નહીંતર મારી સાથે ઝઘડો કરશે. જે બાદ મૈત્રી 21 નવેમ્બરે રાતે સાસરીમાં જતી રહી હતી અને 22 નવેમ્બરે મૈત્રીએ ફ્લેટના ધાબેથી કૂદીને આપઘાત કર્યો હતો જેમાં તેનું સ્થળ પર જ મોત થયું હતું. મૈત્રીના પરિવારને જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. જે મામલે પિતાએ પતિ ટીપેન્દ્ર, સાસુ હિરલ અને દિયર જૈમીન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:31 am

પાલનપુર ખાતે 56મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાશે:27-28 નવેમ્બરે બનાસકાંઠાના વિદ્યાર્થીઓ વિજ્ઞાનલક્ષી કૃતિઓ રજૂ કરશે

બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુર ખાતે 27 અને 28 નવેમ્બર, 2025ના રોજ જિલ્લા કક્ષાના 56મા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025-26નું આયોજન કરવામાં આવશે. આ પ્રદર્શનમાં જિલ્લાભરની શાળાઓના વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ 56મા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પાલનપુર સ્થિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંલગ્ન કે. કે. ગોઠી હાઈસ્કૂલ અને સ્વસ્તિક ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ આ પ્રદર્શનમાં ભાગ લેશે. તેઓ વિવિધ વૈજ્ઞાનિક મોડેલ, પ્રયોગો, નવીનતા અને સર્જનાત્મક કૃતિઓ રજૂ કરીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરશે. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બનાસકાંઠાના પ્રાચાર્યએ જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રત્યે રસ, જિજ્ઞાસા અને કૃતશીલતા વિકસે તે હેતુથી દર વર્ષે આ પ્રદર્શન યોજાય છે. જિલ્લામાં તેનું વિશેષ મહત્વ છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:26 am

દરિયાપુરના મકાનમાં 23.10 લાખની ચોરી:પરિવાર નવા મકાનનું વાસ્તુ કરવા ગયા ત્યારે જૂના મકાનમાં તસ્કરો ત્રાટક્યા, ફરિયાદ નોંધાઈ

દરિયાપુરમાં રહેતો પરિવાર નવા ઘરનું વાસ્તુપુજન કરી રહ્યા હતા ત્યારે તસ્કરોએ જુના મકાનમાં ઘુસીને 12 લાખ રોક્ડ સહિત 23.10 લાખના મત્તાની ચોરી કરી લીધી છે.પરિવાર પરત આવ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી જે મામલે દરિયાપુર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. 23.10 લાખની ચોરીદરીયાપુર વિસ્તારમાં આવેલા લુણસાવાડમાં રહેતા નિરવ પ્રજાપતિએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં 23.10 લાખના મત્તાની ચોરીની ફરિયાદ કરી છે. નિરવ પત્નિ જલ્પા અને દીકરી હીવા સાથે રહે છે અને પરમેશ્વરી એન્ટરપ્રાઈઝ નામથી ટ્રેડીગ કરીને વેપાર કરે છે. નિરવે જગતપુર ગામ ખાતે નવી બનેલી ફ્લેટની સ્કીમમાં મકાન ખરીદયુ હતું. જેમા રવિવાર અને સોમવારના દિવસે વાસ્તુ રાખ્યુ હતું. નિરવ સહપરિવાર ઘરને તાળુ મારીને જગતપુર ખાતેના ફ્લેટમાં રહેવા માટે ગયા હતા. મંગળવારના દિવસે બપોરે નિરવ દરીયાપુરવાળા ઘરેથી સામાન લેવા માટે આવ્યા હતા. સોનાના દાગીના સહિત 12 લાખની રોકડ લઈને ચોર ફરારનિરવ આવ્યો ત્યારે તેણે જોયુ તો ઘરની બારી ખુલ્લી હતી.જલ્પા કબાટમાંથી કપડા લેવા માટે ગઈ ત્યારે તેણે જોયુ તો કબાટ ખુલ્લુ હતું અને ડ્રોવરમાં રહેલા 12 લાખ રૂપિયા ગાયબ હતાં. જલ્પા અને નિરવને ચોરી થઈ હોવાનો અંદાજ આવી ગયો હતો. જેથી તેમને ઘરમાં તપાસ તપાસ કરી તો 200 ગ્રામ સોનાની લગડી, સોનાના દાગીના તેમજ ચાંદીની લગડી ગાયબ હતી. નિરવે તરતજ પોલીસ કંટ્રોલમાં જાણ કરી દીધી હતી. પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચીને તપાસ શરૂ કરી હતી અને નિરવની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. નરોડામાં પણ ચોરીનો બનાવ​​​​​​​નાના ચિલોડા વિસ્તારમાં આવેલા પુષ્પક બંગ્લોઝમાં રહેતી પુનમ ઠાકોરે નરોડા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ કરી છે. પુનમ પતિ ઉમેશ, બે દિકરા, સસરા સાથે રહે છે. થોડા દિવસ પહેલા ઉમેશ નોકરી પરથી આવ્યો હતો ત્યારે તેણે પુનમને જણાવ્યુ હતુંકે આપણી તીજોરીનુ લોક ખુલ્લુ છે. પુનમ તરતજ તીજોરી પાસે પહોચી ગઈ હતી જ્યા તેણએ જોયુ તો તેની સોનાની ચેઈન, ચાંદીની પાયલ, સોનાના ઝુમ્મર ગાયબ હતા. કોઈ શખ્સ ઘરમાં ઘુસીને ચોરીની ઘટનાને અંજામ આપતા પુનમે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:19 am

તાપી પર નવા બેરેજથી 50 વર્ષ સુધી પાણીની ચિંતાનો અંત:DPR મંજૂર, 974 કરોડના ખર્ચે એક જ ફેઝમાં બનશે નવો બેરેજ, 80 લાખની વસ્તી માટે જળ-સુરક્ષા કવચ બનશે

દક્ષિણ ગુજરાતના લાખો લોકોને પીવાના પાણીની સમસ્યામાંથી રાહત આપવા માટે ગુજરાત સરકારે તાપી નદી પર નવો ગેટેડ બેરેજ બાંધવાની મહત્વાકાંક્ષી યોજનાને મંજૂરી આપી દીધી છે. અંદાજે રૂ. 974 કરોડના ખર્ચે તૈયાર થનારા આ પ્રોજેક્ટનો ડીટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ તાજેતરમાં મંજૂર થઈ ચૂક્યો છે, અને મેયરના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટનું કામ એક જ ફેઝમાં શરૂ કરવામાં આવશે. DPR મંજૂર થતા બાંધકામની કામગીરી શરૂ થવાના સંકેતોઆ યોજના રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી આકાર લેશે. કુલ ખર્ચના 60 ટકા રકમ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવશે, જ્યારે બાકીના 40 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહન કરવામાં આવશે. DPR મંજૂર થતા હવે ટૂંક સમયમાં જ બાંધકામની કામગીરી શરૂ થવાના સંકેતો છે. આ બેરેજનું કામ આશરે ત્રણેક વર્ષ સુધી ચાલશે. યોજનાના કારણે 19.60 મિલિયન ક્યૂબિક મીટર પાણી ઉપલબ્ધ થશેતાપી નદી ઉપર હાલ ઊકાઈ ડેમ, કાકરાપાર વિયર અને સિંગણ વિયર આવેલા છે, પરંતુ દરિયાની ભરતીનું પાણી વિયર-કમ-કોઝવે સુધી આવવાથી આજુબાજુના 10 કિલોમીટરના વિસ્તારમાં જમીનમાં ખારાશ ભળી ગઈ છે. રૂંઢ ભાઠા ગામ પાસે સૂચિત નવા ગેટેડ બેરેજના મુખ્ય બે હેતુઓ છે આ યોજનાના કારણે સુરત શહેરને પીવા માટે 19.60 મિલિયન ક્યૂબિક મીટર પાણી ઉપલબ્ધ થશે. આ બેરેજની લંબાઈ 1035 મીટર અને ઊંચાઈ 5 મીટર જેટલી રહેશે. 50 વર્ષ સુધી પાણીનો સંગ્રહ કરનારી પ્રથમ મહાનગરપાલિકાસુરત શહેરના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા આગામી 50 વર્ષ સુધીના પાણીની જરૂરિયાતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ બેરેજ બનવાથી 50 વર્ષ સુધી પાણીનો સંગ્રહ થઈ શકશે અને આજુબાજુના ગામડાઓના તળ ઊંચા આવશે, જેનાથી ખારાશવાળા પાણી મીઠા થશે. સુરતની વસ્તીમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં વસ્તી 40 લાખથી વધીને 80 લાખ થઈ ગઈ છે. 28 સ્ટેટના લોકો સુરતને કર્મભૂમિ બનાવી ચૂક્યા છે, ત્યારે વસ્તી વધારાને ધ્યાને રાખીને આ યોજના સુરતને 50 વર્ષનું આયોજન કરનારી દેશની પહેલી મહાનગરપાલિકા બનાવશે. 120 કરોડના ખર્ચે લિફ્ટ ઈરિગેશનનો અમલ પણ શરૂઆ બેરેજ યોજનાના ભાગરૂપે રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા તાપી નદીના જમણે કાંઠે અંદાજે રૂ. 120 કરોડના ખર્ચે લિફ્ટ ઈરિગેશનનો અમલ પણ શરૂ કરવામાં આવ્યો છે. આનાથી ઓલપાડ અને ચોર્યાસી તાલુકાના 15 ગામોની 2365 હેક્ટર જમીનને સિંચાઈ માટે પાણી મળી શકશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 11:12 am

સંવિધાન દિવસની ઉજવણી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

બંધારણ દિવસના અવસર પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર સ્થિત સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ, ભાજપ શહેર પ્રમુખ આશિષ દવે, મહાનગરપાલિકા અધિકારીઓ, જિલ્લા વહીવટી તંત્ર તથા નગરજનો હાજર રહ્યા હતા. રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો સાથે બંધારણના આમુખનું પઠનવડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2015થી દર વર્ષે 26 નવેમ્બરને દેશભરમાં સંવિધાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો સાથે બંધારણના આમુખનું પઠન પણ કરવામાં આવે છે. કાર્યક્રમ દરમિયાન ડૉ. આંબેડકરના રાષ્ટ્રનિર્માણમાં અદ્વિતીય યોગદાનને યાદ કરવામાં આવ્યું અને બંધારણમાં દર્શાવેલા મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:54 am

ભરૂચમાં બિલ્ડિંગ પરથી પટકાતા શ્રમિકનું મોત:ઝાડેશ્વર ખાતે નિર્માણાધીન બિલ્ડિંગમાં દુર્ઘટના, પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચ શહેરના ઝાડેશ્વર ગામની હદમાં આવેલા સાઈ મંદિરની બાજુમાં પાનમ ગ્રુપની ‘એરેસ સિગ્નેચર’ નામની બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. અહીં વિવિધ શ્રમિકો રોજિંદા મજૂરીના કામે જોડાયેલા છે. મળતી માહિતી મુજબ, મંગળવારની રાત્રે એક શ્રમિક ઉપરના માળેથી નીચે પટકાયો હતો.જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. બુધવારની સવારે ઘટના અંગે જાણ થતાં સ્થાનિકોએ સી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી.પોલીસ જવાનોએ સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સાથે જ મૃતક કોણ હતો અને કઈ રીતે નીચે પટકાયો તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:44 am

જામનગરમાં પોલીસનું મેગા કોમ્બિંગ:150થી વધુ પોલીસકર્મીઓ જોડાયા, 35 દારૂબંધીના કેસ નોંધાયા

જામનગર પોલીસે દારૂના ધંધાર્થીઓ સામે કડક કાર્યવાહી કરી છે. એક મેગા કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન 35 દારૂબંધી ભંગના કેસ નોંધવામાં આવ્યા હતા અને અનેક સ્થળોએથી દેશી દારૂનો જથ્થો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના નિર્દેશ હેઠળ કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા માટે આ 'સ્પેશ્યલ કોમ્બિંગ ડ્રાઇવ'નું આયોજન ગત રાત્રે કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાના માથાભારે શખ્સો, હિસ્ટ્રીશીટરો, પ્રોહિબિશનના બુટલેગરો, નાસતા ફરતા આરોપીઓ તેમજ મિલકત અને શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઇસમોને શોધી કાઢવાનો હતો. આ કોમ્બિંગ ડ્રાઇવમાં જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા બાવરીવાસ, હનુમાન ટેકરી, જાગૃતિનગર, ગણપતનગર, વુલનમીલ ફાટક અને રેલ્વે પાટા જેવા સંવેદનશીલ અને ગીચ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા. આ કોમ્બિંગ ડ્રાઇવની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ હાથ ધરવામાં આવી હતી. તેમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ ફર્લો સ્કવોડ, સીટી એ, બી, અને સી ડિવિઝન પોલીસ સ્ટેશન, બેડી મરીન પોલીસ સ્ટેશન તથા મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો અને સબ-ઇન્સ્પેક્ટરો સહિતની વિવિધ પોલીસ ટીમો જોડાઈ હતી. આ ડ્રાઇવમાં કુલ 6 પોલીસ ઇન્સ્પેક્ટર, 15 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને આશરે 150 જેટલા પોલીસ કર્મચારીઓનો કાફલો જોડાયો હતો. આધુનિક ડોગ સ્કવોડની મદદથી રાત્રિના સમયે શંકાસ્પદ સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ડ્રાઇવ દરમિયાન દારૂબંધીને લગતા કુલ 35 કેસો નોંધવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જી.પી. એક્ટની કલમ 135 ભંગ બદલ હથિયાર ધારાના 6 કેસો પણ દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે મિલકત સંબંધી ગુનાઓમાં અગાઉ પકડાયેલા 63 એમ.સી.આર. ઇસમો, 12 માથાભારે શખ્સો, 7 અસામાજિક તત્વો અને 4 ટપોરીગીરી કરતા ઇસમોને શોધીને તેમનું સઘન ચેકિંગ કર્યું હતું. શહેરના 32 પ્રોહિબિશન બુટલેગરો અને 14 જાણીતા જુગારીઓના ઠેકાણાઓ પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, 4 અવાવરુ જગ્યાઓ, ઝૂંપડપટ્ટી વિસ્તારો, 19 હોટલ, ધાબા અને ધાર્મિક સ્થળોનું પણ ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જાહેર રસ્તાઓ પર 178 વાહનોનું ચેકિંગ કરીને ટ્રાફિક નિયમન અને શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. આ સમગ્ર ઓપરેશનનો હેતુ જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનો હતો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:42 am

'રેપ કરનારાના હાથ કાંપવા જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ':મહારાષ્ટ્ર માલેગાંવ 4 વર્ષની બાળકી રેપ-મર્ડર કેસના પડઘા સુરતમાં, કેન્ડલ માર્ચ-ન્યાય યાત્રા કાઢી આરોપીને ફાંસીની સજાની માંગ

મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં 4 વર્ષની માસૂમ બાળકી પર થયેલા ઘૃણાસ્પદ રેપ અને ક્રૂર હત્યાના બનાવના પડઘા સુરત શહેરમાં પણ પડ્યા છે. આ અમાનવીય કૃત્યના વિરોધમા, બાળકીને ઝડપી ન્યાય અપાવવા, આરોપીને ફાંસીની માગ સાથે સુરતના ઉધના વિસ્તારમાં વિશાળ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતની સ્થાનિક યુવતીએ જણાવ્યું હતું કે,'રેપ કરનારાના હાથ કાંપવા જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ'. બાળકી પર રેપ અને હત્યાનો બનાવ, સુરતમાં કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા માલેગાંવમાં ગત શુક્રવારે એક 4 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા બાદ તેને પથ્થર વડે મારી નાખીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના પગલે લોકોમાં આક્રોશ ફેલાયો છે. સુરતમાં આ બનાવનો સખત વિરોધ કરવા અને આરોપીને કડકમાં કડક સજાની માંગ કરવા માટે ઉધના વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા હતા. આ કેન્ડલ માર્ચ અને ન્યાય યાત્રા રાજે ચોકથી શરૂ થઈને છત્રપતિ શિવાજી મહારાજ ચોક સુધી યોજવામાં આવી હતી. પીડિત બાળકી માટે ન્યાયની માગ યાત્રામાં મોટી સંખ્યામાં નાની બાળકીઓથી લઈને મહિલાઓ, યુવાનો અને સ્થાનિક નાગરિકો જોડાયા હતા. તમામ લોકોના હાથમાં મીણબત્તીઓ હતી અને તેઓ પીડિત બાળકી માટે ન્યાયની માંગ કરતા પ્લેકાર્ડ્સ લઈને ચાલી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ એક અવાજે આ કૃત્યના આરોપીને તાત્કાલિક ફાંસીની સજા થાય તેવી પ્રબળ માંગ કરી હતી. આરોપીઓને તાત્કાલિક અને કડક સજા અને ફાંસી આપવા માગઆરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, પરંતુ જનતાની માગ છે કે આવા હેવાનિયતભર્યા ગુના માટે કાયદાકીય પ્રક્રિયા ઝડપી બનાવીને તેને વહેલી તકે ફાંસી આપવામાં આવે જેથી સમાજમાં દાખલો બેસે. ઉપસ્થિત મહિલાઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓ અટકાવવા માટે આરોપીઓને તાત્કાલિક અને કડક સજા આપવી અનિવાર્ય છે. સમગ્ર સુરત શહેરમાં આ ઘટનાને લઈને શોક અને ગુસ્સાનો માહોલ છે, અને દરેક ખૂણેથી પીડિત બાળકી માટે ન્યાયની માંગ ઉઠી રહી છે. 'ભૂલ એ નરાધમની છે જેનું દિમાગમાં લોહી નથી દોડતું'પ્રીતિસિંગ રાજપૂત (સ્થાનિક યુવતી) એ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં હાલમાં જ એક ચાર વર્ષની માસૂમ બાળકીનો રેપ થયો છે. એ માત્ર ચાર વર્ષની હતી. એની ભૂલ શું હશે? શું એણે નાના કપડાં પહેર્યા હશે? કે પછી એ કોઈને છેડવા ગઈ હશે? ઈન્સ્ટાગ્રામ પર કંઈકને કંઈક ચલાવી રહી હશે, આ ભૂલ હશે? એ માત્ર ચાર વર્ષની હતી. ભૂલ ચાર વર્ષની બાળકીમાં નહીં, ભૂલ એ નરાધમની છે જેનું દિમાગમાં લોહી નથી દોડતું. આવા લોકોનું લોહી કોઈ બીજી જગ્યાએ ચાલે છે. અને આ બધા લોકો ન મા-દીકરીને જુએ છે ના કંઈ. એમને માત્ર હવસની આગ હોય છે. અમે આ હવસીને સળગાવ્યો છે. આવા હવસી એક નથી હોતા, આવા હવસી રોજ પેદા થાય છે. જ્યાં સુધી આપણે એક હવસીને હાથમાં લઈને એને કાપી ન નાખીએ, ત્યાં સુધી આગળ આ લોકો પેદા થતા રહેશે. એના માટે સરકારને નિવેદન છે કે એક એવી યોજના બહાર પાડે, જ્યાં રેપ કરનારાના હાથ કાંપવા જોઈએ, રેપ કરનારાના રૂંવાટા ઊભા થવા જોઈએ, બાકી બીજું કંઈ ઊભું ન થવું જોઈએ.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:42 am

નલિયા 12 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર:ભુજમાં લઘુતમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું, લોકોએ ગરમ વસ્ત્રો-તાપણાનો સહારો લીધો

કચ્છમાં ધૂંધળા વાતાવરણ વચ્ચે ઠંડીનો ચમકારો યથાવત છે. રાજ્યમાં નલિયા 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ઠંડું શહેર નોંધાયું છે. ભુજમાં લઘુતમ તાપમાન 15.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાતા લોકોને ઠંડકનો અહેસાસ થયો હતો. નલિયા સતત 11મા દિવસે રાજ્યનું સૌથી ઠંડું મથક રહ્યું છે. જોકે, દિવસ દરમિયાન ઠંડીની ખાસ અસર દેખાતી નથી, પરંતુ સંધ્યાકાળ પછી સવાર સુધી લોકોને ગરમ વસ્ત્રોનો સહારો લેવો પડે છે. તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળી રહી છે. હવામાન વિભાગના જાણકારો દ્વારા આગામી સપ્તાહ સુધી કચ્છમાં ઠંડી મધ્યમ સ્તરે જળવાઈ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના ઉત્તરીય પહાડી વિસ્તારોમાં હિમવર્ષાની અસર એક સપ્તાહ બાદ જોવા મળી શકે છે. ડિસેમ્બર માસના પ્રારંભિક દિવસો પછી તીવ્ર ઠંડી જનજીવનને પ્રભાવિત કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:41 am

પાદરામાં અકસ્માતમાં બે ના મોત:જિલ્લાના પાદરામાં ટ્રકની અડફેટે યુવકનું મોત, બાઇક પરથી પડી જવાથી ઇજાઓને લઈ મહિલાનું મોત

વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે જિલ્લાના પાદરામાં બે ગંભીર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. વડોદરા જિલ્લાના પાદરાના ગોવિંદપુરા પોલીસ ચોકી નજીક સરદાર પટેલ સર્કલ પાસે ગોઝારો અકસ્માતમાં ટ્રકની અડફેટે બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. વડોદરાના પાદરામાં શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આવેલા શ્યામદાસ ફળિયુંનો રહીશ સોનુ ઉર્ફે સન્ની સુરેશભાઈ માળીનું આ માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યું હતું. આ યુવક પાદરાના મોભા ગામે માતાજીના માંડવા દર્શન કરી પરત ફરતા આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. પાદરા રોડ પર આવેલ ગોવિંદપુરા પોલીસ ચોકી સામે રોડ ઉપર ટ્રક કન્ટેનર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવકના મૃતદેહને પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો. આ મામલે પાદરા પોલીસે અકસ્માતનો ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે મૂળ આણંદના આંકલાવના વતની તેજલબેન મુકેશભાઈ પઢીયારને પતિ શ્રીમંત વિધિ પતાવી લુણા ગામ પાસે સ્પીડ બ્રેકર આવતા પત્ની અને બાળક નીચે પટકાયા હતા. આ અકસ્માતમાં બાળકને સામાન્ય અને માતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમ્યાન મહિલાનું મોત થતા પાર પોલીસે અકસ્માત મોત અંગેનો ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:35 am

રાજકોટમાં 3 માસમાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ:મિલકત પચાવી પાડવાના વધતા ગ્રાફ સામે કલેક્ટર તંત્રની ધીમી કામગીરી, માત્ર 5 કેસમાં FIR

રંગીલુ રાજકોટ ગુનાખોરીમાં તો આગળ વધી જ રહ્યું છે પરંતુ સાથે સાથે મિલકત પચાવી પાડવાના ગુનાઓનો ગ્રાફ પણ વધ્યો છે. રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ છેલ્લા ત્રણ મહિનામાં લેન્ડ ગ્રેબિંગની 181 ફરિયાદ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાંથી 118 કેસ તો તપાસ બાદ પડતા મૂકવામાં આવ્યા છે જ્યારે માત્ર 5 કેસમાં જ FIR નોંધવામાં આવી છે. જેથી કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લામાં જમીન, મકાન અને મિલકત પચાવી પાડવાની ફરિયાદો વધી છે પરંતુ તેની સામે વહીવટી તંત્રની કેસ નિકાલની કામગીરી ધીમી હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ શહેર સહિત જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સાથે જમીન-મકાન સંબંધીત ગુનાખોરીનો ગ્રાફ પણ ઉંચકાયો છે પરંતુ સરકારી તંત્રની લાપરવાહીના કારણે કાર્યવાહી ધીમી ગતિએ કરવામાં આવતી હોવાનું ચિત્ર ઉપસ્યું છે. છેલ્લા 90 દિવસમાં જમીન-મકાન કે મિલક્ત પચાવવાની જિલ્લા કલેક્ટરને 181 ફરિયાદ કરવામાં આવી છે. આમ રાજકોટમાં દૈનિક સરેરાશ મિલક્ત પચાવવાની 2 ફરિયાદ કરવામાં આવે છે. તેની સામે નિકાલની કામગીરી અત્યંત ધીમી છે. ચાલુ મહિને લાંબા સમય બાદ મળેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠકમાં માત્ર 2 કેસમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓગષ્ટ મહિનામાં મળેલી બેઠકમાં કુલ 63 કેસ રજૂ કરવામાં આવ્યા હતા તેમાંથી રાજકોટ શહેરમાં 2 અને 1 ગ્રામ્ય વિસ્તારમાં મળી કુલ ત્રણ કેસમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે પછી સપ્ટેમ્બર મહિનામાં મળેલી બેઠકમાં 60 કેસ મુકવામાં આવ્યા હતા જેમાં એક પણ કેસમાં ફરિયાદ નોંધવામાં આવી ન હતી. નવેમ્બર મહિનામાં તાજેતરમાં મળેલી બેઠકમાં કમિટી સમક્ષ કુલ 58 ફરિયાદ આવી હતી તેમાંથી રાજકોટ શહેરના 2 કેસમાં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જયારે 19 કેસમાં સમાધાન કરવામાં આવ્યું છે અને 36 ફરિયાદ પડતી મુકવામાં આવી છે તો 1 કેસ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે. છેલ્લા 3 મહિના દરમિયાન કુલ 181 કેસમાંથી 118 કિસ્સામાં સરકારી તંત્રએ કરેલી તપાસમાં કોઈ કાર્યવાહી ન કરવાનો રિપોર્ટ આપતા પડતા મુકવામાં આવ્યા છે. કમિટી સમક્ષ ફરિયાદનો ઢગલા થાય છે પરંતુ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાની ચર્ચાએ જોર પકડયું છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:34 am

ભરૂચ સી ડિવિઝન પોલીસે રૂ. 4.56 લાખનો મુદ્દામાલ પરત કર્યો:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ માલિકોને રકમ સોંપી

ભરૂચ સી ડિવિઝન પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ રૂ. 4.56 લાખનો મુદ્દામાલ અને નાણાંકીય છેતરપિંડીની રકમ તેના મૂળ માલિકોને પરત કરી છે. આ કામગીરી દ્વારા પોલીસે વિશ્વાસાર્હ પોલીસિંગનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભરૂચ પોલીસે કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના www.ceir.gov.in પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઇલ ફોન તથા વાહનોને ટ્રેસ કર્યા હતા. આ કાર્યવાહી દરમિયાન, પોલીસે રૂ. 1,03,000ની કિંમતના 8 મોબાઇલ ફોન, રૂ. 1,50,000ની કિંમતની એક મારુતિ સુઝુકી ઇકો ગાડી અને રૂ. 30,000ની કિંમતની એક સુઝુકી એક્સેસ ગાડી શોધી કાઢી હતી. આ ઉપરાંત, નાણાંકીય છેતરપિંડીનો ભોગ બનેલા અરજદારને રૂ. 1,73,000ની રકમ પણ પરત કરવામાં આવી હતી. આમ, કુલ રૂ. 4,56,000નો મુદ્દામાલ અને રકમ ફરિયાદીઓને સુપરત કરવામાં આવી. પોલીસ દ્વારા મળેલી આ મદદથી પીડિતોએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:31 am

ગોધરામાં 4.64 કરોડની ખનીજ ચોરી:સરકારી અને ગૌચર જમીનમાંથી માટી-મોરમનું ગેરકાયદેસર ખનન

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નદીસર ગામે સરકારી અને ગૌચર જમીનમાંથી કરોડો રૂપિયાની ખનીજ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. ખાણખનીજ વિભાગે GPS મશીનથી માપણી કરતા કુલ 4.64 કરોડ રૂપિયાની માટી અને મોરમની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગઈકાલે ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પંચમહાલ જિલ્લાના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી નીરજ ગામીતની સૂચનાથી માઈન્સ સુપરવાઈઝર કેયુરકુમાર સેંજલીયાએ નદીસર ગામે તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ગામની ગૌચર જમીન અને સરદાર સરોવર પુનઃવસવાટ માટે ફાળવેલ જમીનના વિવિધ સર્વે નંબરોમાં ગેરકાયદેસર ખોદકામ ચાલતું હોવાનું જણાયું હતું. GPS મશીન દ્વારા કરાયેલી માપણીમાં કુલ 1,89,003 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું બિન-અધિકૃત ખનન થયું હોવાનું સામે આવ્યું છે. નદીસર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીએ પણ આ મામલે લેખિત રજૂઆત કરી હતી. તેમણે કબીરપુરના રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ જોગાભાઈ ભરવાડ, અજયભાઈ જોગાભાઈ ભરવાડ અને વિરમભાઈ ગોકલભાઈ ભરવાડ દ્વારા આ ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું. ખાણખનીજ વિભાગે કરેલી ગણતરી મુજબ, ખનીજની કિંમત 3.33 કરોડ રૂપિયા અને પર્યાવરણીય નુકસાનનો દંડ 1.31 કરોડ રૂપિયા મળી કુલ 4,64,67,563 રૂપિયાની વસૂલાત માટે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 324(3), 54 અને માઈન્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:10 am

સાબરમતીમાં કૂદતા યુવકનો JCB પર ચડી અમદાવાદીઓએ જીવ બચાવ્યો:દધિચી બ્રિજની રેલિંગ પર કપડાંથી બાંધ્યો, 3 JCB પર ને એક યુવાન રેલિંગ પર ચડ્યો; જીવ સટોસટનો VIDEO

અમદાવાદની સાબરમતી નદીમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવકનો લોકોએ જીવ બચાવ્યો છે. વાડજના દધીચિબ્રિજ પર ગઇકાલે(25 નવેમ્બર) રાત્રે એક યુવક બ્રિજની રેલિંગ કૂદીને નદીમાં આપઘાત કરવાનો પ્રયાસ કરવા જતો હતો, પરંતુ ત્યાં હાજર લોકોએ તેને પકડી લીધો હતો. યુવક બ્રિજની પાળી પર લગાવેલી જાળી ક્રોસ કરી નદીમાં કૂદવા જ જતો હતો. આ દરમિયાન હાજર લોકોએ તેને પકડી તાત્કાલિક ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે ફાયરબ્રિગેડ આવે ત્યાં સુધીમાં ત્યાંથી પસાર થતા એક JCBને હાજર લોકોએ બ્રિજની નજીક લાવી તેના પર ચડીને યુવકને ઉપર ખેંચી બચાવી લીધો હતો. દધીચિબ્રિજની રેલિંગ ઉપર ચડીને નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસશહેરના વાડજ વિસ્તારમાં સાબરમતી નદી પર આવેલા દધીચિબ્રિજ ઉપર ગઈકાલે રાત્રે 8:45 વાગ્યાની આસપાસ એક યુવક બ્રિજની રેલિંગ ઉપર ચડીને બ્રિજ પરથી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરવા જતો હતો. આ દરમિયાન બ્રિજ ઉપરથી પસાર થતાં લોકોએ તે યુવકને તરત જ પકડી લીધો હતો. બ્રિજની જાળીની એક તરફ આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને બીજી તરફ બચાવનારઆ દરમિયાન જીવ સટોસટનાં દૃશ્યો સર્જાયાં હતાં. એક તરફ નદીમાં બ્રિજની જાળી પર આપઘાતનો પ્રયાસ કરનાર યુવક લટકી રહ્યો હતો તો બીજી તરફ બ્રિજ ઉપર તેને બચાવનાર લોકો યુવકને પકડીને ઊભા હતા. જો યુવક કોઈપણ રીતે પોતાની જાતને છોડાવી નદીમાં કૂદી ગયો હોત તો કોઈ અઘટિત ઘટના બની જાત. નદીમાં કૂદી ના જાય એ માટે લોકોએ યુવકને કપડાં વડે બાંધી દીધોયુવક નદીમાં કૂદી ના જાય તે માટે લોકોએ તેને કપડાં વડે બાંધી દીધો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતા લોકો પણ બે ઘડી થંભી ગયા હતા અને મદદે આવ્યા હતા. દધીચિબ્રિજ પર અફરાતફરીની સ્થિતિ વચ્ચે લોકોનાં ટોળેટોળાં ભેગાં થઈ ગયાં હતાં. ફાયરબ્રિગેડને જાણ કરાતાં જ એક રેસ્ક્યૂ બોટ દધીચિબ્રિજ તરફ રવાના કરાઈઆ દરમિયાન કેટલાક લોકોએ ફાયરબ્રિગેડને જાણ કરી. જેવી જાણ થઈ એવી તરત જ એક રેસ્કયૂ બોટને તાબડતોડ દધીચિબ્રિજ તરફ રવાના કરાઈ હતી. જીવ સટોસટની સ્થિતિ વચ્ચે JCB નીકળ્યુંએક તરફ યુવક નદીની ઉપર જાળી પર લટકી રહ્યો હતો, તો બીજી તરફ બ્રિજ પર ઉભેલા લોકો તેને કોઈ પણ રીતે પકડી રાખ્યો હતો. પરંતુ આ સ્થિતિ લાંબી ચાલે તેમ નહોતી. આ દરમિયાન બ્રિજ પરથી એક JCB જાણે કે ભગવાને મોકલ્યું હોય એમ પસાર થાય છે. JCBને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણયબસ પછી શું ત્યાં હાજર કેટલાક લોકોએ સમય સૂચકતા વાપરી ફાયરબ્રિગેડની રાહ જોયા વિના JCBને રોકી તેની મદદથી યુવકને બચાવવાનો નિર્ણય લીધો. JCB પર ત્રણ યુવક ચડે છે અને એક યુવક બ્રિજની રેલિંગ પર ચડે છેJCBનો આગળનો ભાગ બ્રિજની રેલિંગ પર હોય એવું વીડિયોમાં જોઈ શકાય છે. બાદમાં JCB પર ત્રણ યુવક ચડે છે અને એક યુવક જીવના જોખમે બ્રિજની રેલિંગ પર ચડે છે. આમ સાવચેતીપૂર્વક યુવકને પકડી રેલિંગ કુદાવી બ્રિજ તરફ લાવવામાં આવે છે. જીવના જોખમે રેસ્કયૂ કરનારા યુવકોને તાળીઓથી વધાવી લીધાયુવક સહીસલામત બ્રિજ પર આવતા જ ત્યાં હાજર લોકોના ટોળાએ જીવના જોખમે રેસ્કયૂ કરનાર યુવકોને તાળીઓથી વધાવી લીધા હતા. લોકો આપઘાત ન કરે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશને નદી પરના તમામ બ્રિજ પર રેલિંગ લગાવી છેઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં કૂદીને લોકો આપઘાત ન કરે તેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર આવેલા તમામ બ્રિજ ઉપર રેલિંગ લગાવવામાં આવી છે, છતાં પણ કેટલાક લોકો રેલિંગના ઉપર ચડી અને ત્યાંથી નીચે નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કરે છે. અગાઉ પણ દધીચિબ્રિજ ઉપર આ જ પ્રમાણે આપઘાતના પ્રયાસની ઘટના સામે આવી હતી, તથા કેટલાક લોકો કૂદી ગયા હોય તેવા બનાવ પણ સામે આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:06 am

યુવાન ની કરપીણ હત્યા:કરચલીયાપરામાં નાણાંકીય લેવડદેવડ બાબતે યુવાનની હત્યા, ચાર હત્યારાઓ વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં ગત મોડી રાત્રે નાણાંકીય બાબતે એક યુવાન પર ચાર શખ્સોએ તીક્ષણ હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા કરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થા ના નામે અસામાજિક તત્વો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે એક બાજુ એક હત્યા સહિતના ગંભીર બનાવોને લઈને સંસ્કારી નગરી કલંકિત થઈ છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે વધુ એક હત્યાનો બનાવ બનતા ભારે ચકચાર મચી જવા પામી છે, આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર કરચલીયા પરમવા આવેલ ધનાનનગરમાં રહેતો અને મજૂરી કામ કરતા મોહિત નરેશભાઈ ટેભાણી ને આ વિસ્તારમાં રહેતા કાનજી ઉર્ફે કાનો કાળુ બારૈયા, કિશન ઉર્ફે કાળો કોથમરી, રામ ઉર્ફે કાળીયો, અને આર્યન બારૈયા સાથે આર્થિક લેવડ દેવડને લઈને માથાકૂટ ચાલતી હતી ગઈકાલે રાત્રે 11:30 ના સમયે મરણ જનાર મોહિત તેના મિત્ર સાથે આ જ વિસ્તારમાં આવેલ મેલડી માતાનું મંદિર પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે ચારેય આરોપીઓએ તેની સાથે ઝઘડો કરી તેના પર છરી સહિતના તીક્ષણ હથિયારો વડે હુમલો કરી હથિયારોના આડેધડ ઘા ઝીંકી બાઈક તથા સ્કૂટર લઈને ફરાર થઈ ગયા હતા, જ્યારે લોહીના ખાબોચિયામાં તરફડીયા મારતા મોહિત ને સારવાર અર્થે સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મૃતકના પિતાનું પણ ચાર વર્ષ પૂર્વે મૃત્યુ થયું છે અને મૃતક તેની માતા, બહેનોને પત્ની તથા પુત્ર સાથે રહેતો હોય અને મજૂરી કામ કરી પરિવારની ભરણપોષણ કરતો હોવાનું જાણવા મળ્યું છે, આ બનાવની જાણ ગંગાજળીયા પોલીસને થતા પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, અને તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવને લઈને મૃતકના કાકા મહેશ ઉર્ફે પાગો બટુકભાઈ ટેભાણીએ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ચારેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 10:05 am

કરમસદથી કેવડિયા સુધી 'રાષ્ટ્રીય એકતા યાત્રા'નો પ્રારંભ થશે:CM ભૂપેન્દ્ર પટેલ સાથે ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા પણ ઉપસ્થિત રહેશે, PM મોદી વર્ચ્યુઅલી જોડાશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે આજે તેમની કર્મભૂમિ કરમસદ ખાતેથી 'રાષ્ટ્રીય એકતા યાત્રા'નો શુભારંભ થવા જઈ રહ્યો છે. આ ઐતિહાસિક યાત્રાને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવશે. રાષ્ટ્રીય એકતા યાત્રા' 152 કિમીનું અંતર કાપી કેવડિયા જશેઆ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સાહા વિશેષરૂપે ઉપસ્થિત રહેશે. બંને મુખ્યમંત્રીઓ પદયાત્રામાં જોડાઈને સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. આ યાત્રા કુલ 152 કિલોમીટરનું અંતર કાપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે સંપન્ન થશે. શાસ્ત્રી મેદાનમાં જનસભા યોજાશેઆજના કાર્યક્રમની શરૂઆત વીવીઆઈપી મહેમાનો દ્વારા કરમસદ સ્થિત સરદાર પટેલના પૈતૃક ઘરની મુલાકાત લઈને કરવામાં આવશે. ત્યારબાદ આણંદ નજીક વિધાનગર ખાતેના શાસ્ત્રી મેદાનમાં એક ભવ્ય જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાંથી આ રાષ્ટ્રીય એકતા યાત્રાનું વિધિવત પ્રસ્થાન થશે. સુરક્ષા અને વ્યવસ્થાના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ પદયાત્રા આગળ વધશે. યાત્રાનો પ્રથમ રાત્રિ પડાવ આણંદ જિલ્લાના નાવલી ગામ ખાતે નક્કી કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 9:45 am

સૌરાષ્ટ્ર-કચ્છની 69 પાલિકાનું 398 કરોડનું લાઈટ બિલ 2 વર્ષથી બાકી:સામાન્ય ગ્રાહક બિલ ન ભરે તો PGVCL કનેક્શન કાપે, સરકારી કચેરીઓના બાકી લેણા સામે આંખ મિચામણા

સૌરાષ્ટ્ર - કચ્છના 61 લાખ ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડતાં PGVCL તંત્રના સરકારી કચેરીઓના બાકી લેણા વસૂલવામાં આંખ મિચામણા સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર અને કચ્છના 11 સર્કલ હેઠળ આવતી 69 નગરપાલિકાઓ પાસે પીજીવીસીએલ અધધ રૂ. 398 કરોડ માંગે છે. એટલે કે છેલ્લાં 2 વર્ષથી 69 નગરપાલિકાએ કરોડોનું લાઈટબિલ ચૂકવ્યું નથી. આમ છતાં છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ દ્વારા વોટર વર્ક્સ અને સ્ટ્રીટ લાઈટનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો વિજ વેરો ચૂકવવામાં આવ્યો નથી. કરોડોનું લાઈટબિલનું ચૂકવણું બાકીસામાન્ય ગ્રાહકો જો બિલ ભરવામાં મોડું કરે તો તેમને વોર્નિંગ આપી તુરંત જ વીજ કનેક્શન કાપી નાખવામાં આવે છે. જ્યારે સરકારી કચેરીઓ માટે વીજ તંત્રના બેવડા ધોરણો સામે આવ્યા છે. કરોડોનું લાઈટબિલનું ચૂકવણું બાકી હોવા છતાં નગરપાલિકાઓને કોઈપણ પ્રકારનો દંડ કે વિજ કનેક્શન કાપવાની તૈયારી PGVCL એ બતાવી નથી. હાલ તો આ નગરપાલિકાઓ રાજ્ય સરકારની વ્યાજમુક્ત લોનની રાહમાં છે. જો તે લોન આવી જાય તો લાઈટ બિલ ભરી શકાય તેમ છે. 69 નગરપાલિકાઓનો 398.45 કરોડનો લાઈટ બિલ બાકીરાજકોટ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, રિજિયોનલ કમિશનર ઓફ મ્યુન્સિપાલટી દ્વારા આ દરખાસ્ત રાજ્ય સરકારમાં પહોંચાડી આપવામાં આવી છે. જે લોન મળી ગયા બાદ નગરપાલિકાઓ દ્વારા બિલના નાણાં અમને ભરપાઈ કરી દેવામાં આવશે. PGVCLની એવી તૈયારી છે કે નાણાકીય વર્ષ પૂરું થાય તે પહેલા આ નાણાં ચૂકવાઇ જાય તેવી અમને ચોક્કસથી આશા છે. બે વર્ષના લાઈટ બિલ ભરપાઈ કરવાના બાકીતેમણે વધુમાં જણાવ્યુ હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે નગરપાલિકાઓ આવેલી છે તેના અલગ અલગ સમયના લાઈટ બિલો બાકી છે. જેમાં મોટાભાગની નગરપાલિકાઓના એક વર્ષથી લઈ અને બે વર્ષના લાઈટ બિલ ભરપાઈ કરવાના બાકી છે. જોકે આ નાણા લાંબા સમયથી બાકી નથી કારણકે અગાઉના વર્ષોનું લાઈટ બિલ નગરપાલિકાઓ દ્વારા ચૂકવી દેવામાં આવેલું છે. બે વર્ષથી વોટરપાર્ક અને સ્ટ્રીટ લાઈટનો વીજવેરો ભરવામાં આવ્યો નથીરાજકોટ ગ્રામ્યની 6, પોરબંદરની 7, મોરબીની 5, જામનગરની 10, સુરેન્દ્રનગરની 6, અમરેલીની 12, ભુજની 4, અંજારની 4, ભાવનગરની 6, બોટાદની 3 અને જૂનાગઢની 6 એમ કુલ 69 નગરપાલિકાઓ દ્વારા છેલ્લા એકથી બે વર્ષ સુધીમાં વોટરપાર્ક અને સ્ટ્રીટ લાઈટનો વીજવેરો ભરવામાં આવ્યો નથી. પીજીવીસીએલના 11 સર્કલ હેઠળ આવતી આ નગરપાલિકાઓ દ્વારા લાઈટ બિલ ચૂકવવામાં ન આવતા વિજ કચેરીને મોટું બાકી લેણુ સરકારી ચોપડે બોલી રહ્યું છે. સૌથી વધુ વેરો સુરેન્દ્રનગરની નગરપાલિકાઓનો બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ નગરપાલિકાઓમાં સૌથી વધુ વેરો સુરેન્દ્રનગરની નગરપાલિકાઓનો બાકી છે જેમાં તેમના દ્વારા રૂ.101.36 કરોડનો વીજ વેરો ભરવામાં આવ્યો નથી. જ્યારે અમરેલીનો રૂ.91.49 કરોડ, અંજારનો રૂ.70.30 કરોડ, ભુજનો રૂ.64.46 કરોડ, પોરબંદરનો રૂ.17.59 કરોડ, ભાવનગરનો રૂ.17.49 કરોડ, મોરબીનો રૂ.14.07 કરોડ, રાજકોટ રૂરલનો રૂ.8.15 કરોડ, જૂનાગઢનો રૂ.6.51 કરોડ, જામનગરનો રૂ.4.91 કરોડ અને બોટાદનો રૂ.2.10 કરોડનો વિજ વેરો બાકી છે. સૌથી વધુ 6 નગરપાલિકાઓનો 101.36 કરોડનો વેરો બાકી PGVCL દ્વારા સૌરાષ્ટ્ર - કચ્છની નગરપાલિકાઓ પાસે વીજ વેરો માંગવામાં આવી રહ્યો છે પરંતુ છેલ્લા બે વર્ષથી નગરપાલિકાઓ વેરો ભરતી નથી ત્યારે સૌરાષ્ટ્ર - કચ્છમાં સુરેન્દ્રનગરની 6 નગરપાલિકાઓનો સૌથી વધુ રૂ.101.36 કરોડનો વેરો બાકી છે. જ્યારે બીજા ક્રમે અમરેલી આવે છે. જેનો રૂ.91.49 કરોડનો વેરો બાકી છે. સરકારી કચેરીઓમાં PGVCL કનેક્શન કાપશે કે નહીં? નોંધનીય છે કે પીજીવીસીએલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજ પુરવઠો પૂરો પાડવાનું કામ કરે છે અને તેના હેઠળ અંદાજે 61 લાખથી વધુ વિજ ગ્રાહકો છે. જોકે કોઈપણ સામાન્ય ગ્રાહક લાઈટ બિલ ન ભરે અથવા તો તે ભરવામાં થોડું પણ મોડું કરે તો પીજીવીસીએલની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને વીજ કનેક્શન કાપી નાખે છે. જોકે આ નિયમ સરકારી કચેરીઓ માટે લાગુ ન પડતો હોય તેવું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 9:02 am

'ઘૂંટણીએ લાવી દેવા માગતા હતા..' દ.આફ્રિકાના કોચના નિવેદનથી વિવાદ, ભારત વિરુદ્ધ જાતીય ટિપ્પણી!

Shukri Conrad grovel Remark : ભારત સામેની બીજી ટેસ્ટમાં 549 રનના પહાડ જેવા લક્ષ્ય સામે ભારતીય ટીમ જ્યારે સિરીઝમાં સૂપડા સાફ થવાના જોખમ સામે ઝઝૂમી રહી છે, ત્યારે દક્ષિણ આફ્રિકાના મુખ્ય કોચ શુક્રી કોનરાડના એક અભિમાની અને વિવાદાસ્પદ નિવેદને ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. કોનરાડે બડાઈ મારતા કહ્યું કે તેઓ ભારતીય ટીમને ઘૂંટણિયે પાડી દેવા માંગતા હતા, જે એક એવો શબ્દ છે જેનો ઇતિહાસ રંગભેદ અને ગુલામીની પીડાદાયક યાદો સાથે જોડાયેલો છે. શું કહ્યું દ.આફ્રિકાના કોચે? ચોથા દિવસની રમતના અંતે પ્રેસ કોન્ફરન્સમાં, કોનરાડે પોતાના વિલંબિત ઇનિંગ્સ ડિક્લેરેશનને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરતાં કહ્યું, અમે ઇચ્છતા હતા કે ભારતીય ટીમ મેદાન પર વધુમાં વધુ સમય વિતાવે.

ગુજરાત સમાચાર 26 Nov 2025 8:33 am

દુનિયાના સૌથી ધનિકોની યાદીમાં ઉથલ-પાથલ, કોનો રુતબો ઘટ્યો અને કોણે ગુમાવી સંપત્તિ?

Elon Musk News : સતત બીજા દિવસે વિશ્વના ટોચના 10 અબજોપતિઓની યાદીમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. અમેરિકન શેરબજારોમાં ટેક શેરોમાં આવેલી તેજીના કારણે અબજોપતિઓની સંપત્તિમાં મોટો વધારો-ઘટાડો નોંધાયો છે. ક્યારેક ઈલોન મસ્કના નંબર વન સ્થાન માટે ખતરો બનેલા ઓરેકલના લેરી એલિસન હવે યાદીમાં ઘણા પાછળ રહી ગયા છે. ગૂગલના સહ-સ્થાપક સર્ગેઈ બ્રિને તેમને પછાડીને ચોથું સ્થાન મેળવી લીધું છે. મંગળવારે કોણે કેટલી કમાણી કરી?

ગુજરાત સમાચાર 26 Nov 2025 7:49 am

કેનેડામાં ખાલિસ્તાનીઓ બેફામ, ભારત વિરોધી નારેબાજી, ત્રિરંગાનું અપમાન કરાયું

Canada Khalistan News : કેનેડાના ઓટાવામાં ખાલિસ્તાની સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (એસએફજે) દ્વારા આયોજિત ખાલિસ્તાન જનમત સંગ્રહ દરમિયાન ભારતીય રાષ્ટ્રધ્વજ તિરંગાનું અપમાન કરવામાં આવ્યું હતું. આ ભારત વિરોધી કાર્યક્રમમાં મારી નાખો જેવા સુત્રોચ્ચાર પણ થયા હતા. જ્યારે 23 નવેમ્બરે આખો દિવસ ચાલેલી જનમત સંગ્રહ પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હોવાનો પણ સંગઠને દાવો કર્યો હતો. કેનેડાના ઓટાવાના મેકબેન કોમ્યુનિટી સેન્ટર પર આ જનમત સંગ્રહની પ્રક્રિયા હાથ ધરાઇ હતી, જેમાં ભાગ લેવા માટે કેનેડાના વિવિધ પ્રાંતો જેમ કે ઓન્ટારિયો, અલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા અને ક્યૂબેકના 50 હજારથી વધુ ખાલિસ્તાની સમર્થકો આવ્યા હોવાનો દાવો કરાઇ રહ્યો છે. ભારત દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓ બદલ આ સંગઠન પર પ્રતિબંધ મુકી દેવાયો છે.

ગુજરાત સમાચાર 26 Nov 2025 7:38 am

ભાસ્કર વિશેષ:સફળતા માટે સુવિધાઓ નહીં સંઘર્ષની જરૂર : શાળામાં મેદાન ન હોવાથી ગૌચરમાં પ્રેક્ટિસ કરી ખેડૂત- મજૂર પુત્રોની ટીમ કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન

પાટણ તાલુકાના નોરતાવાંટા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળામાં રમવા માટે મેદાન ના હોવાથી ગામના ગૌચરમાં શિક્ષકના માર્ગદર્શન હેઠળ પ્રેક્ટિસ કરીને અંતે જિલ્લા કક્ષાની અંડર-14 ભાઈઓની કબડી સ્પર્ધામાં વિજય મેળવી ચેમ્પિયન બની છે.રાજ્ય કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી થવા પામી છે. જેમાં આ વિદ્યાર્થીઓની ટીમ હવે રાજ્ય કક્ષા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ખેલ મહાકુંભ 2025 અંતર્ગત પાટણ જિલ્લાના 9 તાલુકાની 16 ટીમો વચ્ચે ભાઈઓની અંડર-14 કબડી સ્પર્ધાનું આયોજન થયું હતું.જેમાં સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે નોરતા વાંટા પ્રા.શાળા અને સાંતલપુર પ્રા.શાળાની ફાઈનલ મેચ યોજાઈ હતી.જેમાં સાતલપુરની ટીમને હરાવીને નોરતાવાંટાની ટીમ વિજેતા બની હતી. આગામી સમયમાં આ ટીમ રાજ્યકક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.શાળામાં આચાર્યે પીનેશભાઈ પટેલે જણાવ્યું હતું.કે શાળામાં કબડ્ડીની પ્રેક્ટિસ કરવા માટે મેદાન ના હોવાના કારણે શાળાના કોચ દિનેશભાઇ ગોહિલ અને દીપકભાઈ પરમાર આ બન્ને કોચ છેલ્લા 3 વર્ષ થી ગામના ગૌચરની અંદર મેદાનમાં શાળા સમય બાદ એક કલાક પ્રેક્ટિસ કરાવતા હતા.કઠોર પરિશ્રમ કરીને 3 વર્ષ બાદ આ તનતોડ મહેનતનું ફળ મળ્યું છે.વિદ્યાર્થીઓ ખેતી અને મજૂર વર્ગના પરિવારમાંથી આવે છે. શાળાની ટીમ વિજેતા થઈ છે.આગામી સમયમાં આ ટીમ રાજ્યકક્ષાએ પાટણ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:25 am

ભાસ્કર એક્સક્લૂસિવ‎:યુનિ.એ નિયમ વિરુદ્ધ સ્નાતક કોલેજના 5 થી વધુ‎અધ્યાપકોને પીએચડીની ગાઈડશીપ આપી દીધી‎

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા‎અનુસ્નાતક સેન્ટર કે કોલેજના‎અધ્યાપકોને પીએચડીની‎ગાઈડશીપ આપવાના યુજીસીના‎નિયમને નેવે મૂકી સ્નાતક‎કોલેજોના અધ્યાપકોને‎પીએચડીની ગાઈડશીપ‎ફાળવણી કરી વિદ્યાર્થીઓના‎ભવિષ્ય સાથે ચેડા કરવામાં‎આવ્યા હોવાના એક મહિલા‎અરજદાર દ્વારા ગંભીર આક્ષેપો‎સાથે રાજ્યપાલ અને‎યુનિવર્સિટીને લેખિતમાં રજૂઆત‎કરવામાં આવી છે.‎અગાઉ પણ આવા‎કિસ્સામાં ગાઇડ શીપ‎રદ કરાઇ હતી. હવે ફરી‎નિયમોનું ઉલલંઘઘન કરી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎2022થી 2025 સુધીમાં યુથ‎કોલેજના પ્રોફેસરોને પણ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ગાઇડશીપ આપી દેવાઇ છે જેની‎તપાસ થઇ રહી છે.‎અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે કે (UGC)ના 7 નવેમ્બર 2022ના‎નવા રેગ્યુલેશન ( પરિપત્ર)માં પીએચડી ગાઈડશીપ ફાળવણી માટે મુદા‎નંબર 6, પેજ 11 તથા HNGU ના Ph.D. ઓર્ડિનન્સ 2025-26 મુદા‎નંબર 6, પેજ 10) અનુસાર ફક્ત યુનિવર્સિટીઓ અને અનુસ્નાતક‎(PG) કૉલેજો જ સંશોધન સુપરવાઇઝર તરીકે લાયક ગણાય છે. UG‎કૉલેજો, જે ફક્ત અંડરગ્રેજ્યુએટ સ્તરે શિક્ષણ આપે છે, તેમના ફેકલ્ટી‎સભ્યોને Ph.D. સુપરવાઇઝર તરીકે માન્ય ગણાતા નથી .છતાં‎અંડરગ્રેજ્યુએટ (UG) કૉલેજોમાં કાર્યરત અંદાજે 7 થી વધુ ફેકલ્ટી‎સભ્યોને Ph.D. સંશોધન સુપરવાઇઝર તરીકે માન્ય રાખી Ph.D.‎સ્કોલરને ફાળવવામાં આવ્યા છે.‎યુનિ.ના આસી. રજીસ્ટ્રાર ડૉ. કમલ મોઢે જણાવ્યું હતું કે યુજીસીના‎નિયમ મુજબ જ પી જી સેન્ટર ના અધ્યાપકને જ ગાઈડશીપ અપાય છે.‎સ્નાતક ના સ્ટાફને ગાઈડશિપ આપવામાં આવી હોય એવું શક્ય‎નથી.છતાં રજૂઆત આવી છે તો ગાઈડોની ફાળવણી થાય તે પૂર્વે‎2022 નવા પરિપત્ર બાદ અપાયેલી તમામ ગાઇડ શીપ ફાળવણીની‎સમીક્ષા કરવામાં આવશે. નિયમ વિરુદ્ધ હશે તો રદ કરાશે.‎ સ્નાતક કોલેજના પ્રોફેસર અનુસ્નાતકમાં માત્ર ભણાવવા‎જઈ PG અધ્યાપક બતાવી માન્યતા લઈ રહ્યા છે‎પીએચડીના સિનિયર એક ગાઈડ એ જણાવ્યું હતું કે યુનિવર્સિટીના‎ગાઈડો પીજી કોલેજ કે સેન્ટરના અધ્યાપક બની શકે છે. પરંતુ યુનિ‎સંલગ્ન સરકાર માન્ય એક પણ પી જી કોલેજ નથી. આપણે અહીંયા‎સ્નાતક કોલેજોમાં પીજીના સેન્ટરો મંજૂર કરેલા છે. જેથી સ્નાતક‎કોલેજમાં ‎‎અધ્યાપક ‎તરીકે‎ફરજ બજાવતા હોય પરંતુ પોતાના અનુભવ આધારે પીજીના‎સેન્ટરોમાં ભણાવવા જતા હોય તેવા અધ્યાપકો કોલેજ પાસેથી‎પીજીના અધ્યાપક હોવાના પત્ર મેળવીને યુનિવર્સિટીમાં રજૂ કરીને‎પીએચડીની ગાઈડશીપ મેળવી રહ્યા છે તે ખરેખર યોગ્ય નથી. UGC‎નો નવો રૂલ્સ મુજબ તે પીજી સેન્ટર કે કોલેજના કાયમી અધ્યાપક‎હોવા સાથે તેમના ત્રણ કે પાંચ સંશોધન પત્ર રજૂ થયેલા પણ હોવા‎જોઈએ તો જ પીએચડી ગાઈડ માટે માન્ય રહે છે.યુનિવર્સિટી યોગ્ય‎રીતે તપાસ કરે તો અનેક અધ્યાપકો ની ગાઈડશીપો રદ થઈ શકે છે.‎ સ્નાતક કોલેજૉના 5 થી વધુ અધ્યાપકોને ગાઇડ શીપ આપી‎હોવાની આશંકા , ડિગ્રી માન્યતા અંગે ચિંતા : અરજદાર‎અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે કે (UGC)ના 7 નવેમ્બર 2022ના‎નવા રેગ્યુલેશન ( પરિપત્ર)માં પીએચડી ગાઈડશીપ ફાળવણી માટે મુદા‎નંબર 6, પેજ 11 તથા HNGU ના Ph.D. ઓર્ડિનન્સ 2025-26 મુદા‎નંબર 6, પેજ 10) અનુસાર ફક્ત યુનિવર્સિટીઓ અને અનુસ્નાતક‎(PG) કૉલેજો જ સંશોધન સુપરવાઇઝર તરીકે લાયક ગણાય છે. UG‎કૉલેજો, જે ફક્ત અંડરગ્રેજ્યુએટ સ્તરે શિક્ષણ આપે છે, તેમના ફેકલ્ટી‎સભ્યોને Ph.D. સુપરવાઇઝર તરીકે માન્ય ગણાતા નથી.છતાં‎અંડરગ્રેજ્યુએટ (UG) કૉલેજોમાં કાર્યરત અંદાજે 7 થી વધુ ફેકલ્ટી‎સભ્યોને Ph.D. સંશોધન સુપરવાઇઝર તરીકે માન્ય રાખી Ph.D.‎સ્કોલરને ફાળવવામાં આવ્યા છે.‎ આ શકય નથી : આસી.રજીસ્ટ્રાર‎યુનિ.ના આસી. રજીસ્ટ્રાર ડૉ. કમલ મોઢે જણાવ્યું હતું કે યુજીસીના‎નિયમ મુજબ જ પી જી સેન્ટર ના અધ્યાપકને જ ગાઈડશીપ અપાય છે.‎સ્નાતક ના સ્ટાફને ગાઈડશિપ આપવામાં આવી હોય એવું શક્ય‎નથી.છતાં રજૂઆત આવી છે તો ગાઈડોની ફાળવણી થાય તે પૂર્વે‎2022 નવા પરિપત્ર બાદ અપાયેલી તમામ ગાઇડ શીપ ફાળવણીની‎સમીક્ષા કરવામાં આવશે. નિયમ વિરુદ્ધ હશે તો રદ કરાશે.‎

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:23 am

કાર્યવાહી:ચાણસ્માની પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાંથી 83 હજારનો શંકાસ્પદ ઘઉંનો જથ્થો સિઝ કર્યો

ચાણસ્મા GIDCમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ઘઉંનો મોટો જથ્થો સીઝ કર્યો છે. કંપનીના સ્ટોકપત્રકમાં દર્શાવેલા જથ્થા કરતાં વધુ ઘઉં મળી આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા તંત્રની ટીમે પુરવઠા ચાણસ્મા GIDC વિસ્તારમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, કંપનીના સ્ટોકપત્રક અને ભૌતિક જથ્થાની ખરાઈ કરવામાં આવી હતી. ખરાઈ કરતાં ઘઉંના જથ્થામાં 29.880 ક્વિન્ટલ જેટલો વધારો જણાઈ આવ્યો હતો.આ વિસંગતતાને પગલે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વધારાના ઘઉંના જથ્થાની આશરે કિંમત રૂ. 83,664 થાય છે. આ જથ્થાને ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓના(વેપારીઓના નિયમન કરવા બાબતના) હુકમ-1977 ની કંડિકા-11 મુજબ સીઝ કરવામાં આવ્યો છે.તેવુ જિલ્લા પુરવઠા તંત્રના સૂત્રોએ જણાવ્યું હતું. 10દિવસમાં પાંચ સ્થળે શંકાસ્પદ અનાજ પકડ્યું‎પાટણ જિલ્લામાં લાંબા સમય બાદ અચાનક જિલ્લા પુરવઠા તંત્રની ટીમ શતર્ક થઈ છે.છેલ્લા દસ દિવસમાં જ લગભગ રાધનપુર હારીજ અને પાટણ તેમજ ચાણસ્મા માં પાંચ સ્થળે રેડ કરી અનાજ નો જથ્થો સીઝ કર્યો છે.આ કેસો સાબિત થશે તો આવશ્યક ચીજ વસ્તુ ધારા હેઠળ દંડની સજા કરવાની જોગવાઈ છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:19 am

ભાસ્કર વિશેષ:પરિવારનો અશ્વ પ્રેમ : બોરસણમાં અશ્વનું અવસાન થતા પરિવારે બેસણું સાથે સંતવાણી યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરી

પાટણના બોરસણ ગામના અશ્વપ્રેમી પરિવાર સભ્યની જેમ સાચવતા અશ્વનું અવસાન થતા મૃત્યુની તમામ વિધિ હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે કરાવીને સભ્યની જેમ વિદાય આપી સાથે બેસણું સહિતના કાર્યક્રમો કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. પરિવારના અશ્વ પ્રત્યેના પ્રેમને લઈ ગામમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બોરસણ ગામના સામાજીક આગેવાન સોમાભાઈ દેસાઈ(ભુવાજી)વર્ષોથી અશ્વ રાખે છે.વર્ષો પૂર્વે તેઓ એક અશ્વબાળ(વછેરો)લાવ્યા હતા.જેનું નામ વિકી રાખવામાં આવ્યું હતું. તેની સાથે પરિવારને લાગણીઓ બંધાતા કયારેય ન વેચવા ની ટેક લીધી હતી.આ વિકી અશ્વએ પાલનપુર અને લાખણી તાલુકાના જસરા તેમજ મહારાષ્ટ્રના સારંગખેડા ખાતે યોજાયેલી દોડ સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.ત્યારબાદ આ અશ્વના 11 લાખ રૂપિયા કિંમત લાગી હતી.પરંતુ આપ્યો નહોતો. આ અશ્વ માટે અલગ રૂમ બનાવી શિયાળામાં તલની ધાણી,અને કચરિયું ઉનાળામાં ફળો ભેંસનું ઘી તેમજ કુલર અને પંખાની વ્યવસ્થા અને ચોમાસામાં બીટ,ગાજર આમ ત્રણેય ઋતુ પ્રમાણે રહેવા-ખાવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી.21મી નવેમ્બરે વિકી અશ્વ 25 વર્ષની ઉંમર દેવલૉક પામતા ફૂલાભાઈ અને તેમના પરીવારે ભારે હૈયે વિદાય આપી સમાધી આપી હતી.તેમજ વીકી અશ્વનું વયોવૃદ્ધ વડિલ ની જેમ સામાજિક રીતી રીવાજ મુજબ બેસણું રાખતા સામાજીક સંબંધીઓ તેમજ દુરદુર થી અશ્વપ્રેમીઓ આવીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.તેમજ રાત્રે ભજન યોજી શ્રદ્ધાંજલિ રાખી અશ્વની પ્રત્યેની લાગણી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:18 am

ભાસ્કર એક્સક્લૂસિવ:છ ગૌશાળા-પાંજરાપોળોએ વાર્ષિક ઓડિટ રિપોર્ટ‎રજૂ ના કરતાં 36ની 4.63 કરોડની સહાય અટવાઇ‎

પાટણ જિલ્લામાં ગૌશાળાઓ દ્વારા તંત્રમાં વાર્ષિક ઓડિટ રિપોર્ટ સમયસર રજૂના કરતા 36 ગૌશાળા પાંજરાપોળોને મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની એપ્રિલ થી જૂન માસ ની 4.63 કરોડ સહાય અટવાઈ પડી હોવાથી સંચાલકો આર્થિક તંગી અનુભવી રહી હોવાથી પશુઓ માટે ઘાસચારની ખરીદી સહિત ની મુશ્કેલીઓ નો સામનો કરવો પડી રહ્યો છે.જોકે છ જેટલી ગૌશાળા પાંજરાપોળો નાં વાર્ષિક ઓડિટ રિપોર્ટ રજુ થયા ન હોઇ જિલ્લાની તમામ 36 સંસ્થાઓ ની સહાય અટવાઈ પડી છે. પશુઓના નિભાવ માટે ગૌશાળા પાંજરાપોળોને આર્થિક મદદ કરવા અને દેશી ગાયના સંવર્ધનને પ્રોત્સાહન મળે તે માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના માં ગૌશાળા પાંજરાપોળોને દરેક પશુ દીઠ રોજના 30 પ્રમાણે મહિને 900 ની સહાય આપવામાં આવે છે.પરંતુ પાટણ જિલ્લા ની 36 ગૌશાળા પાંજરાપોળોને એપ્રિલથી જૂન માસની 18073 પશુઓનાં 4.63 કરોડ ની સહાય પાંચ માસથી મળી નથી. જોકે જુલાઈ થી સપ્ટેમ્બર માસની સહાય માટેની અરજીઓ પણ તંત્રને મળી ગઈ છે.પરંતુ તેમાં પણ હજુ કમિટી દ્વારા ગૌશાળા પાંજરાપોળોમાં ચકાસણીની કામગીરી બાકી છે. આમ લાંબા સમયથી ગૌશાળા પાંજરાપોળોને સહાય ન મળતાં સંસ્થાઓ આર્થિક તંગી અનુભવી રહી છે. નાયબ પશુપાલન નિયામક ડો.બી.એમ સરગરા એ જણાવ્યું હતું કે છ જેટલી સંસ્થાઓનાં વાર્ષિક ઓડિટ રિપોર્ટ મળ્યા ન હતા જેના કારણે કમિટી સમક્ષ ઓડિટ રિપોર્ટ રજૂ ન થતાં એપ્રિલથી જૂન સુધીની સહાય ચૂકવવામાં વિલંબ થયો છે. જોકે હવે તે રિપોર્ટ આવી ગયા છે. એટલે ટૂંક સમયમાં સહાય ચૂકવાઇ જશે. જ્યારે જુલાઈથી સપ્ટેમ્બર સુધીની સહાય માટે આઇ ખેડૂત પોર્ટલ પર સંસ્થાઓની અરજીઓ મળી છે. તાલુકા કક્ષાની કમિટી દ્વારા સંસ્થાઓમાં રજીસ્ટર ની તપાસ અને પશુઓની ગણતરી કર્યા બાદ ચકાસણી રિપોર્ટ આપશે અને તે જિલ્લાની કમિટીમાં મૂકવામાં આવશે ત્યારબાદ જુલાઈ થી સપ્ટેમ્બર ની સહાય ચૂકવાશે. વરસાદના કારણે ઘાસચારો બગડ્યો ગૌશાળાઓમાં દાન ઘટ્યું‎‎ગૌશાળા નાં ગૌભક્તોએ જણાવ્યું હતું કે ચોમાસામાં પડેલા ભારે વરસાદના કારણે ખેતરોમાં ખેડૂતો નો ઘાસચારો બગડ્યો છે. જેના કારણે ગૌશાળા પાંજરાપોળો ને દાનમાં જે ઘાસચારો મળતો હતો તેમાં ધરખમ ઘટાડો થયો છે. જેના કારણે આ સંસ્થાઓને ઘાસચારો ખરીદવો પડી રહ્યો છે.પરંતુ હજુ સહાય મળી ન હોવાથીસંસ્થાઓ આર્થિક તંગી અનુભવી રહી છે. પ્રથમવાર રખડતા પશુઓ સ્વીકારે છે તેવા પાલિકાના‎અભિપ્રાય બાદ જ સહાય ચૂકવણીનો નિર્ણય કર્યો‎કેટલીક ગૌશાળા પાંજરાપોળો બિનવારસી અને રખડતા પશુઓ સ્વીકારતી ન હોવાની કલેકટરને રજૂઆતો મળી હતી. જેને પગલે પાંજરાપોળ ગૌશાળાઓ બિન વારસી રખડતા પશુઓ સ્વીકારે છે કે કેમ તેવા પાટણ સિધ્ધપુર ચાણસ્મા હારીજ અને રાધનપુર પાલિકા પાસે અભિપ્રાય માગવામાં આવ્યા છે. પાલિકાઓ નાં હકારાત્મક અભિપ્રાય હોય તો જ આ સહાય આપવાનો તાજેતરમાં મળેલી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના ની જિલ્લા કક્ષાની કમિટીમાં નિર્ણય કરાયો હતો.જોકે તેમાં પાલિકાઓ પાસેથી તંત્રએ અભિપ્રાય મંગાવતા મોટાભાગે હકારાત્મક રિપોર્ટ મળ્યા હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:18 am

યુવકે ફરિયાદ નોંધાવી:વિજાપુરના ચાંગોદ ગામમાં પાણી છોડવા મામલે તકરારમાં સરપંચ, ઉપસરપંચ સહિત 5 સામે ગુનો

વિજાપુર તાલુકાના ચાંગોદ ગામે પાણી છોડવા બાબતે થયેલી તકરાર મામલે હવે સરપંચ, ઉપસરપંચ અને અન્ય ત્રણ વ્યક્તિઓ સામે વળતી ફરિયાદ નોંધાઈ છે. ગામના પરમાર ભરતકુમાર પ્રવીણભાઈએ ગામના સરપંચ ધર્મિષ્ઠાબેન સંજયભાઈ બારોટ, ઉપસરપંચ સંજયભાઈ બારોટ,બોર ઓપરેટર વજાજી કાનાજી ઠાકોર,સરપંચના દીકરા હર્ષ સંજયભાઈ સહિત પાંચ સામે લાડોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ચાંગોદ ગામે રહેતા પરમાર ભરતકુમાર પ્રવીણભાઈના કાકાના દીકરા નવીન પરમારના 4 ઓક્ટોબરના રોજ લગ્ન હોય તેમના ગામના ઉપસરપંચ બારોટ સંજયભાઈ ચિનુભાઈને તેમણે ફોન કરી તેમના માહોલનામાં પાણી આપવા માટે જાણ કરી હતી તેમ છતાં પ્રસંગે તેમને પાણી આપેલ નહીં ત્યારબાદ તેઓએ ઉપસરપંચને કહેવા જતા તેમની સાથે ગાળાગાળી અને ઝઘડો કર્યો હતો ત્યારબાદ 21 નવેમ્બરના રોજ તેમના દાદાનું બેસણું હોય લોકાચાર આવતા સગા સંબંધીઓનો જમણવાર હોય અને ગામમાં પાણી સાંજે 4:00 વાગે પાણી આવતું હોય તે દિવસે પાણી ન આવતા અને તેમને પાણીની જરૂરિયાત હોવાથી ઉપસરપંચ સંજયભાઈ બારોટને તેમણે ફોન કરીને પાણી છોડવા માટે કહેતા સામે ઉપસરપંચે આજે પાણી છોડવામાં નહીં આવે એવું કહ્યું હતું.દરમિયાન તેમના ગામના બોર ઓપરેટરના છોકરો ચીકો બોરની ઓરડી ઉપર આવ્યો હોવાથી તેમણે પાણી છોડવા આવેલ છો નું કહેતા તેણે સરપંચે પાણી છોડવાની ના પાડી મને તાળુ મારવાનું કહેલ છે જેથી તેમણે સરપંચ અને ઉપસરપંચ ને બોલાવનું કહ્યું હતું ત્યારબાદ બોરની ઓરડી આગળ આવેલા સરપંચ ધર્મિષ્ઠાબેન સંજયભાઈ બારોટ,ઉપસરપંચ સંજયભાઈ બારોટ,બોર ઓપરેટર વજાજી કાનાજી ઠાકોર, સરપંચનો છોકરો હર્ષ સંજયભાઈ ,બોરની બોરડી આગળ આવ્યા હતા ત્યારે તેમણે મારે પાણીની જરૂર છે તો પણ રેગ્યુલર પાણી આજે છોડેલ નથી અને વધારે પાણી આપવાનું કહેતા આજે પાણી નહીં આવે તેમ કહો છો તેવું કહેતા સરપંચ અને ઉપસરપંચે તેમની સાથે ગાળા ગાળી કરી હતી સંજયભાઈએ છાતીના ભાગે ફેંટ મારી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:15 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:શોભાસણ રોડ પર મીમ રેસીડન્સી 2ના 100 પરિવારો‎રસ્તાથી વંચિત, મિલકત વેરો ભર્યા છતાં પણ મુશ્કેલી‎

​મહેસાણાના શોભાસણ રોડ પર ટી.પી. 3 ‎‎વિસ્તારમાં આવેલી મીમ રેસીડન્સી 2 ના 100 ‎‎જેટલા પરિવારો કાયમી રસ્તાની સુવિધાથી ‎‎વંચિત છે.આ સોસાયટીના રહીશોને મેઈન‎રોડ પર જવા માટે હાલમાં ઓએનજીસી‎વેલના રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, જેના ‎‎કારણે તેમને લગભગ અડધો કિલોમીટરનું‎વધુ અંતર કાપવું પડે છે વળી, આ વૈકલ્પિક ‎‎રસ્તા પર રાત્રે સ્ટ્રીટલાઈટની સુવિધા ન‎હોવાથી અંધારપટ્ટ છવાયેલો રહે છે, જે‎સુરક્ષાની ચિંતા વધારે છે.​‎‎મહત્વનું છે કે મહાનગરપાલિકા દ્વારા‎ટી.પી. સ્કીમ 3 માં 12 મીટરનો રોડ ખુલ્લો‎કરવા માટે ફાઇનલ પ્લોટ નં. 63, 64 અને‎65 ના ધારકોને નોટિસ આપવામાં એક‎મહિનો વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ ‎‎સુધી રસ્તો ખુલ્લો કરાયો નથી.​સોસાયટીના ‎‎રહીશો માટે સમસ્યા એ છે કે મનપાએ આ ‎‎વિસ્તારના રહેવાસીઓ પાસેથી ચાલુ વર્ષથી ‎‎મિલકત વેરાની વસૂલાત શરૂ કરી દીધી છે ‎અને 50% થી વધુ રહીશોએ વેરો ભર્યો પણ‎છે. જોકે, વેરો ભર્યા પછી પણ તેમને પાણીની‎લાઈન, સ્ટ્રીટ લાઇટ કે પાકા રસ્તા જેવી‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎મૂળભૂત સુવિધાઓ મળી નથી. ટી.પી.‎સ્કીમમાં અત્યાર સુધીમાં રૂ. 1 કરોડ જેટલો‎બેટરમેન્ટ ચાર્જ ભરાયો છે અને તંત્રે પાંચ‎રસ્તા ખુલ્લા કર્યા છે, પરંતુ મીમ રેસીડન્સી 2‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎ને સ્પર્શતો મુખ્ય 12 મીટરનો રસ્તો હજુ પણ‎બંધ છે.‎ મનપાએ રસ્તો ખુલ્લો નહીં કરતાં કાયમી રસ્તાની સુવિધાથી વંચિત‎શો ભાસણ રોડ ટીપી સ્કીમ નંબર ત્રણ‎વિસ્તારમાં નકશામાં લાલ લાઈન કરી એટલી‎જગ્યા રસ્તાની ખુલ્લી કરવાની બાકી છે‎સોસાયટીના રહીશોને ઓએનજીસી વેલના‎રસ્તેથી અડધો કિલોમીટર અંતર વધુ કાપી મેન‎રસ્તા પર આવવું પડી રહ્યું છે‎મનપાએ બેટરમેન્ટ ચાર્જ વસુલ્યો પણ પાકા રસ્તા હજુ ન આપ્યા‎

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:13 am

બદલી:જિલ્લામાં પાંચ પી.આઇ.ની આંતરિક બદલીઓ કરાઈ

જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી દ્વારા 25 નવેમ્બરે 5 પી.આઇ.ની આંતરિક બદલીના હુકમો કર્યા હતા જેમાં વિજાપુર પીઆઈ કે કે ચૌધરીને લીવ રિઝર્વ માં અને તેમના સ્થાને વસઈ પોલીસ મથકનાના વનરાજસિંહ ચાવડાને લીવ રિઝર્વ માં રહેલા ડીઆર રાવને વસઈ પોલીસ સ્ટેશનમાં,જ્યારે સાંથલ પીઆઈ એસ જે શ્રીપાલને લીવ રિઝર્વમાં અને લીવ રિઝર્વમાં રહેલા એમ એમ.વરચંદને સાંથલ પોલીસ મથકમાં મૂકવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે વિજાપુર શહેરમાં આઠ વર્ષની બાળકી સાથે બનેલી ઘટના બાદ થયેલા હોબાળાને પગલે પીઆઇ કે. કે ચૌધરીની બદલી કરાઇ હોવાનું મનાઈ રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:11 am

પ્રાથમિક સુવિધાનો અભાવ‎:વઢવાણના વિરાટનગરમાં રસ્તા, પાણી, ગટર,‎લાઇટ સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ‎

વઢવાણના મૂળચંદ રોડ પર આવેલી વિરાટનગર સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. ત્યારે અંદાજે 20 વર્ષથી બનેલી આ સોસાયટીમાં હાલમાં પાકો રસ્તો, લાઇટો, ગટર સહિતની સમસ્યાની રજૂઆતો બાદ પરિણામ શૂન્ય રહેતા રહીશોમાં રોષ સાથે યોગ્ય કરવાની માંગ ઉઠી હતી. વઢવાણ મૂળચંદ રોડ મોંઘીબેન કન્યા છાત્રાલય પાછળ અંદાજે 20 વર્ષ પહેલા વિરાટનગર સોસાયટી બની હતી. પરંતુ આ સોસાયટી બન્યાને હાલની સ્થિતિએ પણ કાચા અને ઉબડખાબડ રસ્તા પરથી રહીશોને પસાર થવું પડે છે. આ સોસાયટીમાં હાલમાં પણ અંદાજે 25થી વધુ મકાનના રહીશો વસવાટ કરી રહ્યા છે. આ વિસ્તારમાં પાલિકા દ્વારા સ્ટ્રીટલાઈટની પણ સુવિધા ન હોવાથી લોકોને રાત્રે ઘરની બહાર નીકળવું મુશ્કેલીરૂપ બન્યું છે. આ અંગે વિજયભાઈ, ઇશ્વરભાઈ, રવિભાઇ, પ્રવિણભાઈ, અશોકભાઈ, રમણભાઈ વગેરેએ જણાવ્યું કે, કાચો અને ખરાબ રસ્તાના કારણે વૃદ્ધો, બાળકો, મહિલાઓ અને દર્દીઓને અવરજવર માટે ખૂબ તકલીફ પડે છે. જ્યારે ગટર ન હોવાથી લોકોને હાડમારી ભોગવવી પડે છે. આ વિસ્તારમાં પાણીની લાઈન છે પણ પાણી અનિયમિત આવતું હોવાથી નછૂટકે પૈસા ખર્ચીને પાણી લાવવું પડે છે. વર્ષો જૂની આ સોસાયટી માટે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ સુવિધા પ્રાપ્ત હજુ નથી થઇ. આ ઉપરાંત સોસાયટીના મકાનો અને રસ્તાઓ પર બાવળોના ઝૂંડથી આવારા તત્વોનો ડર રહે છે. આ વિસ્તારની આજુબાજુ શાળા, છાત્રાલાયને પણ હાલાકી વઢવાણ મૂળચંદ રોડ પર અનેક રહેણાક સોસાયટીઓ તેમજ અભ્યાસો માટે શૈક્ષણિક છાત્રાલયો અને શાળાઓ પણ આવેલી છે. ત્યારે આ વિસ્તારોમાં પણ પ્રાથમિક સુવિધાઓ ન હોવાથી અભ્યાસ માટે આવ-જા કરતા વિદ્યાર્થીઓ, રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે રસ્તાઓ, લાઇટો તેમજ ગટરોની જો સુવિધા ઉભી કરવામાં આવે તો મુશ્કેલીઓ દૂર થાય તેવી રાવ ઉઠી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:07 am

છેતરપિંડી:વિજયે છેતરપિંડીના પૈસે 1 કાર ખરીદી કોર્ટમાં હાજર થયો પહેલા વેચી દીધી

સુરેન્દ્રનગર શહેરના બેકાર લોકોને અમદાવાદ મનપામાં નોકરી અપાવવાના બહાને રૂ.35.15 લાખનો ચૂનો લગાવનાર ત્રિપુટીને પોલીસે પકડી લીધી છે. જેમાં મુખ્ય સુત્રધારને ભાગે રૂ.15 લાખ જેટલી રકમ આવી હતી. ત્યારે આરોપી વિજય વાઘેલાની ધરપકડ બાદ કોર્ટમાં 7 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જેમાં તેની પૂછપરછમાં નવા ખુલાસા થયા છે. જેમાં છેતરપિંડી કરી મેળવેલા રૂપિયામાંથી તેણે 1 ગાડીની ખરીદી કરી હતી કે જ્યારે કોર્ટમાં હાજર થયો તે પહેલા ગાડીની વેચી દીધી હતી. આ ઉપરાંત આરોપી ચાંદખેડા માના જ્વેલર્સને ત્યાંથી 2 લાખ રૂપિયાના ઘરેણાના ખરીદી કરી મામેરું પણ ભર્યું હતું તેવું બહાર આવ્યું છે. મૂળ કારોલ ગામનો વતની વિજય વાઘેલા કૃષ્ણનગરમાં ભાડે રહેતો હતો. તેવી જ રીતે કાનજી કુણપરા અને કિરણ સરવાડીયા પણ કૈલાસ પાર્કમાં સાથે રહેતા હતા. કિરણના લગ્ન સુરત થયા હતા પરંતુ ત્યા છૂટાછેડાનો કેસ ચાલે છે. આથી તે કાનજી સાથે રહેતી હતી. વિજય અને કાનજી પરિચયમાં હોય નોકરી અપાવવાના બહાને લોકોને ચૂનો લગાવવાનો પ્લાન બનાવ્યો હતો. તેના માટે તેમણે અનુસંધાન પાના નં. 3 ઉપર

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 7:03 am

ઈથોપિયામાં ફાટેલા જ્વાળામુખીએ પશ્ચિમ ભારતને બાનમાં લીધું !

- જ્વાળામુખીની રાખ 24 કલાકમાં 4500 કિ.મીનો પ્રવાસ કરીને ભારત થઈ ચીન સુધી પહોંચી - દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યુપી અને અન્ય કેટલાક રાજ્યો તથા હિમાલય સુધી આકાશમાં રાખનું સામ્રાજ્ય છવાયું છે. પથ્થરો, માટી, રેતી અને અન્ય કચરા ઉપરાંત જ્વાળામુખીમાંથી વિશાળ માત્રામાં રાખ ઉડી છે. તેની સાથે સાથે મોટા જથ્થામાં સલ્ફર ડાયોક્સાઈડ પણ નીકળ્યો છે. સલ્ફર ડાયોક્સાઈડ એક એવો પદાર્થ છે જે સ્વાસ્થ્ય ઉપર ગંભીર અસર ઉપજાવી શકે છે: સબ ટ્રોપિકલ વેસ્ટર્લી જેટ સ્ટ્રીમના કારણે આ બધું થયું છે.

ગુજરાત સમાચાર 26 Nov 2025 7:00 am

ગાંજાના છોડ કબજે કરાયા:કૃષિ સહાયનું ફોર્મ ભર્યું તે ખેતરમાંથી 600 કિલો ગાંજાના 180 છોડ પકડાયા‎

સુરેન્દ્રનગર એસઓજી ટીમે સાયલાના ખીટલા ગામથી 12 વીઘાના ખેતરમાં કપાસની આડમાં ઉગાડેલા 180 છોડ 559 કિલો ગાંજાે ઝડપાયો હતો. ભાસ્કરની તપાસમાં આ ખેતર આરોપીના પિતાના નામે હતું. જેમાં આ વર્ષે ઓક્ટોબરમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનાનીના સહાય માટેનું ફોર્મ પણ ભરવામાં આવ્યું હતું. આરોપીએ ચોમાસુ વાવેતરથી સાથે જ ગાંજો ઉગાડ્યો હતો. કપાસના 4 છોડ બાદ એક છોડ ગાંજાનો ઉગાડતાં 6 મહિનામાં 12 ફૂટ ઉંચા થઇ ગયા હતા. આરોપી રૂ.2.79 કરોડના મુદ્દામાલ સાથે ઝડપાયો છે. સાયલા ખીટલા ગામના રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ ભુપતભાઇ ખવડના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં સઓજીના પીએસઆઇ એન.એ.રાયમા, આર.જે.ગોહીલ, એએસઆઇ અનિરૂધ્ધસિંહ સહિત એસઓજી પોલીસ ટીમે રેડ કરી હતી. પકડાયેલા શખ્સ રાજેશભાઇ ખવડની પુછપરછ કરતા આ વાડી તેમના વડીલો પાર્જીત છેે ગત વર્ષ તે જૂનાગઢ શિવરાત્રીના મેળામા સાધુ પાસેથી ગાંજાના બી લીધાની કબુલાત કરી હતી.અને ચોમાસાની સીઝનમાં વાવેતર કર્યુ હતુ અને ગાંજો પાક્યા પછી તેનો ઉપયોગ તે પીવા અને બીજાને વેચાણ કરવા કબુલાત કરી હતી. આરોપીને 10 વર્ષની સજા, રૂ. 2 લાખનો દંડ‎ગાંજોનું વેચાણ કે ખેતીને લગતા ગુનામાં આરોપી પકડાય તો આ ગુનો બીનજામીન પાત્ર ગુનો છે.જેમાં એડીપીસી એક્ટની કલમ 8(બી)(સી), 20(એ) (બી), 29 મુજબ ગુનો નોંધવામાં આવે છે.જેમાં આરોપી સામે ગુનો સાબીત થાય તો 10 થી 20વર્ષ સુધીની સજા અને 1 થી 2 લાખનો દંડની સજાની જોગવાહી છે. > હીરેન મહેતા (એડવોકેટ સુરેન્દ્રનગર) 180 છોડ મૂળમાંથી ઉખેડતાં 12 કલાક લાગ્યાએક એક છોડને ઉખેડી સીલ કરાયો એક ડઝન જીઆરડી જવાનની મદદ લેવાઇ નર્કેટીકસનો જયારે કેસ દાખલ કરવામાં આવે છે ત્યારે ખાસ કરીને કાગળ વર્કની સાથે પંચનામુ કરવામાં ખુબ સમય જાય છે. સાયલામાં ગાંજા વાવેતર પકડાયુ છે. ત્યારે ગાંજાના છોડ ઉખેડવા માટે એક ડઝન જીઆરડી જવાનોની મદદ લેવામાં આવી જે ગ્રામ્ય વિસ્તારના હોય અને ખેતીકામથી માહિતગાર હોય એસઓજી ટીમે સતત 12 કલાક સમયમાં એક એક છોડને જાતે ઉખેડી અને સીલ કર્યો હતો. અમુક ગાંજાના છોડમાં મધ બેસી ગયું હતું.આથી મધ ઉડેતો ધુમાડો કરી મધમાખીઓ ઉડાડીને છોડ કબ્જે લેવામાં આવ્યા હતા. છોડથી એક ટ્રેક્ટર ભરાયું, કોથળા ટુંકા પડ્યાઆ કાર્યવાહી દરમિયાન ગાંજાના લીલા છોડની સંખ્યા વધારે હતી આથી એક ટ્રેકટર ભરી મુદામાલ કબજે કર્યો હતો.જેમાં ગાંજો કબ્જે લેવા કોથળા ટુંકા પડ્યા હતા.12 ફૂટની લાંબા ગાંજાના છોડ કબ્જે લેવા, સિલીંગ પેકિંગ કરવા પ્લાસ્ટિકના 15*20ના કંતાનનો ઉપયોગ થયો હતો. જે પણ નાના પડ્યા હતા. આરોપી ગાંજો વેચતો પણ હતો. ઝાલાવાડમાં 12 મહિનામાં 9 વખત ગાંજો પકડાયો, 2 કેસમાં 1 100 કિલો ગાંજો જપ્ત

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:59 am

વાવણી:ભરૂચ જિલ્લામાં 14 દિવસમાં 50‎હજાર હેક્ટરમાં રવી પાકનું વાવેતર‎

ભરૂચ જિલ્લામાં માવઠાથી નુકસાનીનો સામનો કરી રહેલાં ખેડૂતો ફરીથી વાવણી કાર્યમાં જોતરાયાં છે. જિલ્લામાં 14 દિવસમાં 50 હજાર હેકટર જમીનમાં રવિ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લામાં બે અઠવાડિયાથી શિયાળુ પાકનું વાવેતર કરવાનું આરંભ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 50 હજાર હેક્ટર વિસ્તારમાં રવિ પાકનું વાવેતર કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે માવઠાને કારણે ખેડૂતોને તૈયાર પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. ત્યારબાદ સરકારે રાહત પેકેજ જાહેર કરતાં સહાય માટે ફોર્મ ભરી રહ્યા છે. સાથે સાથે ખેડૂતોએ રવિ સીઝન માટે ખેતરમાં વાવેતરની પ્રક્રિયા પણ હાથ ધરી છે. અત્યાર સુધી અંદાજે 14 દિવસમાં 50 હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર કરી દેવામાં આવ્યું છે. જેમાં શેરડી, ઘઉં, જુવાર, કઠોળ, શાકભાજી અને ઘાસચારો કરવામાં આવ્યો છે. રવિ સિઝનમાં સૌથી વધુ શેરડી અને ઘઉંનું વાવેતર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ઘઉં 5997 હેક્ટર અને શેરડીનું નવું વાવેતર 11470 હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આમ જિલ્લામાં સૌથી વધુ વાગરા તાલુકામાં 9551 હેક્ટર વિસ્તારમાં જ્યારે સૌથી ઓછું નેત્રંગ તાલુકામાં 2565 હેક્ટર વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. ઉલેખનીય છે કે, ખેડૂતો રવિ સીઝનમાં વાવેતર કરીને ખરીફ સીઝનમાં માવઠાને કારણે થયેલ નુકસાન ને પહોંચી વળવાનો પ્રયાસ કરશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:53 am

મહિલા બીએલઓ સાથે વાતચીત:મહિલા બી.એલ.ઓ.એ પોલીસને કહ્યું કે, લાલ‎લાઇટવાળી ગાડી લઇ ધરપકડ કરવા ન આવતાં‎

ભરૂચ જિલ્લામાં એસઆઈઆરની કામગીરી બીએલઓ કરી રહ્યા છે ત્યારે ઓછી ઓનલાઇન કામગીરી કરનાર સામે ધરપકડ કરવામાં આવી રહી છે.ભાસ્કરની ટીમે ધરપકડ કરવામાં આવેલ એક મહિલા બીએલઓ સાથે વાતચીત કરી હતી. તેઓ જણાવતા કહ્યું હતું કે, ઓનલાઇન કામગીરી ધીમી થતી હોવાથી મારી સામે ધરપકડ વોરંટ કાઢવામાં આવ્યું છે. ધરપકડ બાદ મહિલા બીએલઓની માનસિક સ્થિતિ અને વ્યથા કેવી રહી તે તેમના જ શબ્દોમાં જાણીએ. તમને ક્યાં સુધી જેલમાં પૂરી રાખ્યા, કેટલા માર્યા હશે તેવું કહી લોકો મજાક કરે છે‎ગત રોજ અરજદારનું ફોમ ભરી રહી હતી ત્યારે અચાનક ત્યાં પોલીસ કર્મી આવ્યા હતા.અને અમને કહ્યું કે તમારે પોલીસ સ્ટેશન આવવું પડશે. અમે પૂછ્યું સાના માટે તો કહ્યું તમારી ઓનલાઇન કામગીરીનો ટાર્ગેટ ઓછો બોલે છે. તેથી અમે કીધું અમને ઓનલાઇન કરતા નથી આવડતું એટલે હું ઓપરેટરને ફોર્મ ભરીને મોકલી આપું છું. તો તેમણે કહ્યું ના તમારે આવવું જ પડશે પોલીસ સ્ટેશન પછી અમે કીધું કે તમે લા બત્તી વાળી ગાડી લઈ ને નહી આવતા ત્યારે ઘણા મતદારો ત્યારે ઊભા હતા. જેથી અમે કાલે જાતે જ આવી જશું એવું કીધું હતું. અમે બીજા દિવસે પોલીસે બોલાવીને 1 વાગ્યા સુધી બેસાડી રહ્યા હતા. પછી પોલીસ અમને મામલતદાર પાસે લઈ ગયા હતા. જ્યાં અમને પૂછવામાં આવ્યું કે શું તકલીફ છે અમે કીધું કે અમને ઓનલાઈન ફોર્મ ભરતી વેળા અંગ્રેજીમાં પણ આવે છે જે સમજ પડતી નથી. ઓફલાઇન ફોર્મ ભરીને મોકલ્યા હતા પણ ઓપરેટરે ઓછા ભરતા ઓનલાઇન કામગીરી ઓછી બતાવતું હતું, જેમાં મારો કોઈ વાંક હતો નથી. બીજા દિવસે અમે બૂથ પર ગયા તો ગામના લોકો કહે છે કે તમને પોલીસ લઈ ગયા તમને આવડતું નથી તો શા માટે બીએલઓ બની ગયા. કોઈ એવું કહે કે તમે ફોર્મ ભરવાના પૈસા લેતા હશે તો પોલીસ તમને પકડી ગયા. સાથે તમને ક્યાં સુધી જેલમાં પૂરી રાખ્યા, કેટલા માર્યા હશે જેવુ કહીને મજાક ઉડાવે છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:51 am

વીજચોરી ઝડપાઈ:ઉમલ્લાથી રાજપીપળા સુધીના ગામોમાં‎દરોડા, 80 ગ્રાહકોને ~ 52 લાખનો દંડ‎

ભરૂચ નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો અને રાજપીપળા શહેરમાં વીજ ચોરી કરતા ગ્રાહકો ને ઝડપી પાડવા ડીજીવીસીએલ ના એક્ઝિક્યુટિવ ઇજનેર બી.બી.પટેલે એક એક્શન પ્લાન બનાવી વડોદરા અને સુરત વીજ વિભાગના ઈજનેરો અને વીજ કર્મચારીઓ અને રાજપીપળાની મળી કુલ 51 ટીમો બનાવી હતી. જે વહેલી સવારે 5.30 કલાકે એક સાથે ત્રણ ઝોનમાં રેડ કરી હતી. તપાસ દરમિયાના કુલ 2427 કનેક્શન ચેક કર્યા જેમાં 80 જેટલા ઘરોમાં વીજ ચોરી ઝડપાઈ હતી. વીજ ચોરી કરતા ઝડપાયેલા ગ્રાહકો સામે દંડાત્મક પગલાં લેતા રૂપિયા 52.04 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજપીપળા એક્ઝિક્યુટિવ એન્જિનિય રજણાવ્યું હતું કે અમે 51 ટીમો બનાવી એક ઝોન રાજપીપળા સબ ટાઉન સાથે ગોપાલપુરા વાવડી, જીતનગર મોટા રાયપુરા અને મ કલી મકવાણા જેવા ગામોમાં ચેકીંગ કરી વીજ ચોરી ઝડપી છે. જ્યારે રાજપીપળા 2 સબ ડિવિઝનની ટીમો સિસોદરા, કાંદરોજ, નવાપુરા નિકોલી, કુંવારપુરા અને રાણીપુરા ગામો માં ચેકીંગ કરી વીજ ચોરી ઝડપી પાડી હતી. રાજપારડી સબ ડિવિઝન ની ટીમે ઉમ્મલા, વાઘપુરા રાયસિંગ પૂરા, ઉચ્ચબ, હરીપુરા અને તેજપુર કપાટ સહિતના ગામોમાં તપાસ કરાઇ હતી. ફીડર પરનો લોસ વીજચોરી બતાવે‎દર મહિને ફીડરના લોસીસ થાત હોય છે - એટલે કે વીજ વિભાગ 100 યુનિટ આપે તો તેની સામે બિલ કેટલા થયા જો 100 ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા ચોરી જે તે વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. તેવા ફીડરને શોધવામાં આવે છે અને તેના પર આવતા કેટલા ગામ છે તે શોધીને તે વિસ્તારમાં વીજ વિભાગની ટીમ તપાસ કરીને વીજ ચોરી કરનાર તત્વોને પકડી ને દંડ કરવામાં આવે છે. તપાસ દરમિયાન વીજ 135 ની કલમ મુજબ ચોરી કરે છે તે સાબિત થઈ જાય તો મીટર તેમજ સર્વિસ વાયર જપ્ત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:50 am

ભાસ્કર ફોલોઅપ:ભરૂચના વૃદ્ધના ફેફસાં અને હૃદય ફાટી‎જતાં વધુ પડતા રકતસ્ત્રાવથી મોત થયું‎

ભરૂચના દહેગામ વિસ્તારમાં આવેલી શુકુન બંગલોઝમાં પાડોશમાં રહેતી યુવતીના મંગેતરે હદયરોગની બિમારીથી પીડાતા વૃધ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવતીના નિકાહ હોવાથી જોરજોરથી સંગીત વગાડવામાં આવી રહયું હોવાથી મૃતક યુવતીને કહેવા માટે ગયાં હતાં. યુવતીએ ફોન કરીને તેના મંગેતરને બોલાવ્યો હતો. યુવતી, યુવક અને એક સગીરે ભેગા મળીને વૃધ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો. બનાવ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે ગયેલાં 62 વર્ષીય વૃધ્ધ ઢળી પડતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં જયાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતાં. બનાવ અંગે પોલીસે યુવતીના મંગેતરની ધરપકડ કરી છે. દહેગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સ્થિત શુકુન બંગ્લોઝમાં રહે. ઐયુબ ઇબ્રાહિમ ગુરુજી (ઉ.વ. 62)ને હૃદયરોગની સમસ્યા હતી. પાડોશમાં રહેતા ગજાબાબાનું ઈમરાનભાઈ મન્સુરી દ્વારા સતત તેજ અવાજે સાઉન્ડ સિસ્ટમ વગાડવામાં આવતી હતી.જેથી ઐયુબભાઈએ અવાજ ધીમો રાખવા જણાવ્યું ત્યારે બંને પરિવારો વચ્ચે તકરાર સર્જાઈ,જે થોડા જ સમયમાં મારામારી સુધી પહોંચી ગઈ હતી. તકરાર વધતા ગજાબાબાનુંએ પોતાના મંગેતર મહોમદ સોબાન ઈમ્તિયાઝ શેખને ફોન દ્વારા બોલાવ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલા મહોમદસોબાને ઐયુબભાઈને છાતીના ભાગે ઢીકાપાટુનો માર મારી દીધો હતો. તે બાદમાં ઐયુબભાઈ ફરિયાદ નોંધાવવા તાલુકા પોલીસ મથક પહોંચ્યા હતાં ત્યાં જ તેઓ અચાનક ઢળી પડ્યા.જેથી તેમને સારવાર માટે ખસેડાયા છતાં તેઓને બચાવી શકાયા ન હતા. વૃધ્ધનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું જેમાં ઢીકાપાટુના મારના કારણે તેમના હદય અને ફેફસા ફાટી જતાં રકતસ્ત્રાવના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું. ભરૂચ તાલુકા પોલીસે હત્યાનો ગુનો દાખલો કરી મુખ્ય આરોપી મહોમદ સોબાન ઇમ્તિયાઝને ઝડપી પાડયો હતો. 23 દિ' બાદ નિકાહનો ઉજવણીમય માહોલ બનવાનો હતો, ત્યાં હવે બંને પરિવારો પોલીસ મથકના ચક્કર લગાવી રહ્યા છે. સગીર અને યુવતી સામે પણ ગુનો દાખલ કરાશે તાલુકા પોલીસ મથકના પીઆઈ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ મુખ્ય આરોપી મહોમદ સોબાન ઈમ્તિયાઝ શેખને ઝડપી પાડી હત્યા નો ગુનો નોંધ્યો છે.ભરૂચ એસટીએસ સી સેલના ડીવાયએસપી ડો.અનીલ સીસારાએ જણાવ્યું કે,મુખ્ય આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે, તેમજ ગજાબાબાનુ સહિત અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર સામે પણ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ભાસ્કર ન્યૂઝ | ભરૂચ

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:48 am

ઈમાનદાર રીક્ષાચાલક:રિક્ષા ચાલકે સોનાના દાગીના ભરેલું પર્સ પરત કરી માનવતા મહેકાવી

આજના સ્વાર્થી યુગમાં પણ ઈમાનદારી અને માનવતા જીવંત છે, તેનું એક ઉત્તમ ઉદાહરણ ગોધરા શહેરમાં જોવા મળ્યું છે. એક સામાન્ય રીક્ષા ચાલક ફિરદૌસભાઈ શકલાએ તેમના વ્યવસાય પ્રત્યેની નિષ્ઠા અને ઉમદા ચારિત્રનો પરિચય કરાવ્યો છે. કોઈ પણ પ્રકારનો લોભ રાખ્યા વિના તેમણે તુરંત જ મહિલાના ઘરની શોધખોળ શરૂ કરી દીધી હતી. મહિલાને તેમનો કિંમતી સામાન પરત કર્યો હતો. ગોધરાના મોદીની વાડી નં.1 પાસે રહેતા ધ્રુવીકાબેન હર્ષલભાઈ પટેલ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી સહજાનંદ સોસાયટી જવા માટે ફિરદૌસભાઈની રીક્ષામાં બેઠા હતા. ઉતરતી વખતે ધ્રુવીકાબેન ઉતાવળમાં પોતાનું કિંમતી પર્સ રીક્ષાની સીટ પર જ ભૂલી ગયા હતા. આ પર્સમાં સોનાના દાગીના અને રોકડ રકમ હતી. મુસાફરને ઉતારીને ફિરદૌસભાઈ આગળ વધી ગયા હતા. થોડા સમય બાદ જ્યારે તેમની નજર રીક્ષામાં પડેલા પર્સ પર પડી, ત્યારે તેમણે તરત જ રીક્ષા ઊભી રાખી. પર્સ ખોલીને તપાસ કરતાં તેમાં સોનાના દાગીના અને રોકડ જોઈને ફિરદૌસભાઈની ઈમાનદારી જાગી ઉઠી. કોઈ પ્રકારનો લોભ રાખ્યા વિના તેમણે તુરંત જ મહિલાના ઘરની શોધખોળ શરૂ કરી દીધી હતી. ફિરદૌસભાઈએ ધ્રુવીકાબેનનું ઘર શોધીને તેમનો સંપર્ક કર્યો અને તેમનો કિંમતી સામાન સહી-સલામત પરત કર્યો હતો. એક સામાન્ય રીક્ષા ચાલક ફિરદૌસભાઈએ ઈમાનદારી અને માનવતા જીવંત છે, તેનું એક ઉત્તમ ઉદાહરણપૂરું પડ્યું હતું. કિંમતી સામાન સન્માન સાથે પરત અમારાબેન ધ્રુવીકાબેન મોદીની વાડી નં.1 થી સહજાનંદ સોસાયટી ખાતે જવા માટે ફિરદૌસભાઈના રિક્ષામાં બેઠા હતા. બેન તેમનું પર્સ ભૂલી ગયા હતા. બાદમાં ફિરદૌસભાઈએ શોધખોળ કરીને અમારો સંપર્ક કર્યો હતો. તેમાં અમોને સહી સલામત સોનાના દાગીના તેમજ રોકડ રકમ પરત કરેલ હતી. અમારા શું પરિવારે ફિરદૌસભાઈનું સન્માન કરીને ઇનામ આપ્યું હતું. - વિરેન પટેલ, ગોધરા

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:39 am

ભાસ્કર ફોલોઅપ:છોકરીના અવાજમાં પ્રેમાલાપ કરી બોલાવી લૂંટ કરનારી ટોળકીના 3 ઈસમોની ધરપકડ કરાઇ

સુખસર તાલુકાના પીપલારા ગામના 21 વર્ષીય યુવાનને અજાણી યુવતીનો અવાજ બનાવી ફોન દ્વારા પ્રેમભરી વાતો કરીને વાંસિયાકુઈ ગામની વેળા પાસે બોલાવી લૂંટ ચલાવનાર ટોળકીનો સુખસર પોલીસ દળે પર્દાફાશ કર્યો છે. ચાર ઈસમોની ટોળકી દ્વારા યુવાન અને તેના બે મિત્રોને બાનમાં લઈ ચાંદીના કડા, મોબાઈલ ફોન, દસ્તાવેજો તથા રોકડ મળી કુલ રૂા.1,00,300ની લૂંટ ચલાવવામાં આવી હતી. ફરિયાદ બાદ પોલીસની ઝુંબેશ દરમ્યાન ચાર પૈકી ત્રણ આરોપીઓને ગણતરીના સમયમાં ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે એક આરોપી ફરાર છે અને તેની શોધખોળ હાથ ધરાઈ છે. મળતી માહિતી મુજબ પીપલારા ગામના 21 વર્ષીય ઘનશ્યામ દિનેશભાઈ ગરાસીયાના મોબાઈલ યુવતીના અવાજમાં તેને વાંસિયાકુઈ વેળા પાસે મળવા બોલાવવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ઘનશ્યામ પોતાના મિત્રો ડેવિલકુમાર પારંગી અને સતિષ પારગી સાથે રાત્રે સાડા 8 વાગ્યે ત્યાં પહોંચ્યો હતો. તે સમયે 4 અજાણ્યા ઈસમોએ ત્રણેને બાનમાં લઈ ઘનશ્યામના હાથમાંથી ચાંદીના બે કડા, પર્સ, ઓળખ દસ્તાવેજો, ચાર એટીએમ કાર્ડ, મોબાઈલ અને રોકડ મળી લૂંટ ચલાવી હતી. આ મામલે યુવકે સુખસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઘટનાની તપાસને વેગ આપી વોઇસ ચેન્જરનો ઉપયોગ કરી છોકરીનો અવાજ કાઢીને યુવાનોને ફસાવતી ટોળકી સુધી પહોંચ્યું હતું. પોલીસે વાસિયાકુઇના સંજય પુનાભાઈ ડામોર, રાજેશ બાબુભાઈ ડામોર અને ટાઢીગોળીના નરેશ હરસિંહ મછારને ઝડપી પાડ્યા હતા. જ્યારે ટાઢીગોળી પ્રકાશ હડવાભાઈ ગરાસીયા ફરાર છે. પૂછપરછ દરમ્યાન અગાઉની લૂંટ અને ચોરીમાં મેળવેલા મોબાઈલ પણ આરોપીઓ પાસેથી મળી આવ્યા હતા. પોલીસે ત્રણેયને ફતેપુરા કોર્ટમાં રજુ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમ્યાન વધુ ગુનાઓ ખુલવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:37 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:દાહોદના પરેલમાં સ્થળાંતરિત 3 હજાર‎મતદારોના સરનામા શોધ્યા જડતા નથી !‎

ઇરફાન મલેક દાહોદ શહેરના પરેલ વિસ્તારમાં સી ‎‎સાઇડ, ધોબીઘાટ અને મહુડા ચાલ ‎‎સહિતના વિસ્તારોમાં તબક્કાવાર‎600થી વધુ રેલવે ક્વાર્ટર તોડી‎નાખવામાં આવ્યા છે. આ ક્વાર્ટરોમાં‎રહેતા રેલવે કર્મચારીઓ અને તેમના ‎‎પરિવારોને મજબૂરીવશ શહેરના અન્ય ‎‎વિસ્તારોમાં વસવાટ માટે જવું પડ્યું હતું. ‎‎આખા પરેલ વિસ્તારમાં આશરે 7000 ‎‎જેટલા મતદારો છે. તેમાંથી અંદાજે‎3000 મતદારો એવા છે જેમના‎સરનામાં હાલમાં શોધ્યા જડતા નથી.‎ આ સ્થિતિના કારણે પરેલ વિસ્તારમાં ‎‎મતદાર યાદી સુધારણાની કામગીરીની ‎‎પ્રગતિ હાલ સુધી માત્ર 13 ટકા જ થઈ‎શકી છે. જે આખા તાલુકામાં સૌથી‎ઓછી છે. રેલવે કર્મચારીઓની સતત ‎‎ટ્રાન્સફરે પણ આ સમસ્યામાં મોટો‎વધારો કર્યો છે. જે કર્મચારીઓ ટ્રાન્સફર ‎‎થઈને દાહોદ આવે છે તેઓ જાગૃતતા ‎‎બતાવી પોતાનું નામ મતદાર યાદીમાં‎નોંધાવી દે છે પરંતુ જ્યારે તેમની બદલી‎અન્ય સ્થળે થાય છે, ત્યારે તેઓ પોતાનું‎નામ યાદીમાંથી કઢાવવાની તસ્દી લેતા‎નથી. 2002ની મતદાર યાદીમાં જે‎મતદારો પરેલમાં હતા તેમાંથી મહત્તમ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎નામો 2025ની યાદીમાં જોવા મળતા‎નથી. તેની સામે 2002ની યાદીમાંના‎માત્ર 20 ટકા નામો જ 2025ની યાદીમાં‎બચ્યા છે. આ જ રીતે 2025ની યાદીમાં‎જે નામો છે તે 2002ની યાદીમાં જોવા‎મળી રહ્યા નથી. વર્તમાન પરીસ્થિતિ‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎‎જોતા પરેલ વિસ્તારોની મતદાર‎યાદીમાંથી 3 હજાર જેટલાં નામો નીકળી‎જવાનો અંદાજ છે. તયારે આ ગાયબ‎થયેલા મતદારો માટે તંત્ર શુ કાર્યવાહી કરે‎છે તેની પર સૌની નજર મંડાઇ રહી છે.‎ અમે 4-5 લોકો મદદ‎કરીએ છીએ‎ પરેલમાં ટ્રાન્સફર અને રેલવે ક્વાર્ટર તોડી‎નાખતાં મતદારો માઇગ્રેટ કરી ગયા‎હોવાથી તેમના સરનામા નથી મળી રહ્યા.‎આખા પરેલમાં દસ બુથના બીએલઓ‎ખુબ જ મહેનત કરી રહ્યા છે. હું અને‎અન્ય પાંચેક લોકો મતદારો શોધવા માટે‎તેમની મદદમાં જોતરાયા છે. -‎જીતેન્દ્રસિંહ હાડા, સ્થાનિક યુવક‎ ક્યાંક તૂટેલા મકાનો‎તો ક્યાંક બીજુ રહે છે‎બીએલઓના પ્રયાસોને સફળતા મળી રહી‎નથી. જ્યાં ક્વાર્ટર તોડી પડાયા છે ત્યાં ઘર‎જ નથી અને જ્યાં ક્વાર્ટર છે ત્યાં ટ્રાન્સફર‎બીજું જ કોઈ રહેતું હોવાનું સામે આવે છે.‎ટ્રાન્સફર થઈ ગયેલા અને પરેલમાંથી‎સ્થળાંતર થયેલા આ મતદારોના સરનામાં‎શોધવા એ તંત્ર માટે પડકાર બની ગયો છે.‎

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:36 am

ભાસ્કર ઈનસાઈડ:અમદાવાદની મહિલા બૂટલેગર માટે દારૂ લઇ જતો કાર ચાલક ઝડપાયો

ફતેપુરા પોલીસે માહિતી મળી હતી કે રાજસ્થાની દારૂ ભરીને કાર આવી રહી છે. જેના આધારે પીપલારા ગામની નદીના બ્રીજ ઉપર વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાત્રીના કાર આવતાં તેને ઉભી રખાવી હતી. ગાડીના ચાલકની પુછપરછ કરતાં તેને પોતાનું નામ મહેશકુમાર રામકિશોર ભાવસાર રહે. અમદાવાદના જણાવ્યું હતું. જ્યારે ગાડીમાં માંથી ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવી હતી. 3,59,040 રૂપિયાની દારૂની કુલ 1056 બોટલ, 10,000નો મોબાઇલ અને પાંચ લાખની ગાડી મળી કુલ 8,69,040 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ફતેપુરા પોલીસે મહિલા બુટલેગર સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. રાજસ્થાનના આનંદપુરીથી દારૂ ભર્યો હતો અમદાવાદમાં રહેતી મહિલા બુટલેગર જીલ કુવરબા રાજેન્દ્રસીંગ સોલંકીએ છુટકમા વેચાણ માટે મંગાવેલો દારૂનો જથ્થો રાજસ્થાનના આનંદપુરીથી ભરી લઇ જતો હતો. રાજસ્થાનથી ગુજરાત તરફ આવતા રૂટ પર કેટલાક સમયથી વધતી હિલચાલને કારણે પોલીસે ખાસ નજર રાખી હતી.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:33 am

ભાસ્કર એક્સક્લુઝિવ:તણાવ વગર, વેકેશનમાં મતદારોનું વેરિફિકેશન‎કરી 4 બીએલઓએ 100 % કામગીરી પૂર્ણ કરી‎

પ્રતિક સોની ગોધરા વિધાન ભામાં અત્યાર સુધી 71 ટકા એસઆઇ આરની કામગીરી પુર્ણ થઇ છે. ત્યારે મત વિસ્તારના 4 બીએલઓ તણાવમાં આવ્યા વગર પ્લાનીંગથી કામ કરતા એસઆઇ આરની 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. જયારે 12 થી વધુ બીએલઓએ 90 કટા જેટલી એસઆઇ આરની કામગીરી કરી દીધી છે. રાજયમાં એસઆઇ આરની કામગીરી દરમ્યાન અમુક બીએલઓ માનસીક તાણમાં આવીને અઘટીત પંગલુ ભરે છે.એસ ઇઆરની કામગીરી કરવામાં કેટલાક બીએલઓ દબાણથી કામ કરતા હોય છે. ત્યારે ગોધરા વિધાનસભા વિસ્તારના એવા પણ બીએલઓ છે. જેઓ કોઇ પણ તાણ વગર પ્લાનીંગથી કામ કરતા તેઓને સોપેલી એસઆઇ આરની કામગીરી 15 દીવસમાં 100 ટકા પુર્ણ કરી દીધી છે. ગોધર વિધાનસભા મત વિસ્તારમાં 2,91,014 મતદારોની એસઆઇ આરની કામગીરી કરવા 294 બીએલઓ સાથે સહાયક મુકવામાં આવ્યા છે. ગોધરા મત વિસ્તારની 71 ટકા કામગીરી પુર્ણ થઇ ગઇ છે. એસઆઇઆર કામગીરીમાં નો મેપીંગ થયેલ 45,798 મતદારો છે. વિધાન સભાના 4 બીએલઓએ તણાવ વગર પ્લાનીંગ કરીને એસઆઇ આરની કામગીરી કરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી દીધી છે. તેમજ તાજેતરમાં સોસિયલ મીડીયા આપઘાત કરવાની ચીમકી આપનાર બીએલઓની એસઆઇ આરની 53.48 ટકા જ કામગીરી થઇ છે. જયારે 12 જેટલા બીએલઓએ 90 ટકા જેટલી એસઆઇ આરની કામગીરી પુર્ણ કરી દીધી છે. રાજ્યભરમાં હાલમાં એસઆઇઆર હેઠળ જોરશોરથી કામગીરી ચાલી રહી છે. 15 દિવસ સુધી 18 કલાક કામ કર્યુંહું સ્થાનિક બીએલઓ હોવાથી મોટા ભાગના મતદારોને ઓળતો હોવાથી કામગીરી ઝડપી થઇ હતી.ગામમાં વર્ષ 2002 મતદાર યાદીમાં નામ છે કે નહિ તેની તપાસ કરતા હતા. ઓનલાઇન સર્ચ કરીને મતદારોના નામ શોધીને ફોર્મ ભરીને અપલોડ કર્યા છે. મેં 15 દિવસ સુધી 18-18 કલાક કામ કરીને 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે: રાજેન્દ્રકુમાર પટેલ બીએલઓ, સાંપા-6 ઓનલાઇન‎મતદારોના નામ‎શોધ્યા‎અંબાલા-1 મત વિસ્તારના‎આગેવાનોને સાથે રાખીને‎કામગીરી કરતા ઝડપ થઇ‎હતી.વર્ષ 2002ની મતદાર‎યાદીમાં નામ ન મળતા‎ઓનલાઇન શોધવામાં તકલીફ‎પડતી હતી.ગામના 40‎મતદારોના માતાપિતા ,દાદા‎દાદી વર્ષ 2002 પહેલા મૃત‎પામેલા હોવાથી યાદીમાં નામ ન‎હોવાથી ફોર્મમાં ત્રીજા ઓપ્શન‎મુજબ ફોર્મ ભરીને‎એસઆઇઆરની 100 ટકા‎કામગીરી કરી દીધી છે: વસંતભાઇ‎પટેલ, બીએલઓ, અંબાલી-1‎ રાત્રે સોસા.ઓ જઇ ફોર્મ ભરતી હતીમારી પાસે મીનાક્ષી, એસઆરપી સહીતના વિસ્તાર હતા. દિવસે હું એસઆરપીમાં જતી અને રાત્રે સોસાયટી વિસ્તારમાં જઇને ફોર્મ ભરતી હતી. એસઆરપીમાં કેટલાક મતદારોની બદલીઓ થતી હોવાથી 2002 ની યાદીમાં નામ મળતા ન હતા. અમે તેઓને છેલ્લ કયાં નોકરી કરતા હતા તે જાણીને વોટર આઇડીમાંસર્ચ કરીને તેઓના નામ શોધીને ફોર્મ ભરતા હતા. લોકોના સહકારથી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે: અપેક્ષાબેન શાહ, બીએલઓ, ગોધરા-18 સહાયક વગર 100 ટકા કામગીરી કરીમારા પાસેના 884 મતદારોની એસઆઇઆરની કામગીરી સોંપી હતી. પણ મેં દિવાળીના વેકેશનમાં મતદારોનું 100 ટકા વેરીફીકેશન કરી દેતા ફોર્મ ભરવામાં સરળતા રહી હતી.અમુક મતદારો બહાર ગયા હોવાથી કોઇ માહીતી ના મળતા તેઓને નો મેપીંગમાં મુકી દીધા છે.મે સહાયક લીધા વગર એસઆઇઆરની 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે: ચિતલ પટેલ, બીએલઓ,અંબાલી-2

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:32 am

પીએમ રિપોર્ટ:ગોધરામાં દોશી પરિવારના 4 મૃતક સભ્યના શરીરમાંથી કાર્બન મોનોકસાઇડના કણો મળ્યાં

ગોધરાના બામરોલી રોડ વિસ્તારની વૃદાવન નગર-2 ના કમલભાઇ દોશીના મોટા પુત્ર દેવ દોશીની સગાઇ કરવા વાપી ખાતે જવાનો હોવાથી કમલભાઇ તેમની પત્ની દેવલબેન દોશી, પુત્ર દેવ તથા નાનો પુત્ર રાજ સુઇ ગયો હતો. શુક્રવારની વહેલી સવારે મકાનમાં અચાનક આગ લાગતાં મકાનના તમામ બારી બારણા બંધ હોવાથી આગનો ધુમાડો બહાર નીકળી શક્યો ન હતો. સવારે ગાડી ચાલક વાપી જવા લેવા આવતા તેમને ઘટનાની જાણ થઇ હતી. બાદ ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યુ હતું. પરંતુ પરિવારના ચાર સભ્યોના મોત નિપજયા હતા. પોલીસ વિભાગ દ્વારા તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મૃતકોના પીએમ રીપોર્ટ આવતા પરિવારના મોત ગુંગળામણના કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. તેમજ રીપોર્ટમાં મૃતકોના શરીરની શ્વાસનળી અને ફેફસા સુધી કાર્બન મોનોકસાઇડના કણો મળી આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ધરમાં સોફામાં આગ લાગતા સોફાના ફોર્મ સળગતા ઝેરી વાયુ કાર્બન મોનોકસાઇડના ધુમાડા ફેલાઇ જતા ચાર સભ્યોના ગુંગળાઇને મોત થયા હોવાનું પીએમ રીપોર્ટમાં ખુલાસો થયો છે. ભાસ્કરે સોફા સળગતા જીવલેણ કાર્બન મોનોકસાઇડ બનતો હોવાની વાત કરી હતી

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:29 am

રક્તદાન શિબિર:209 શહેરોમાં 29 નવેમ્બરે રક્તદાન શિબિર યોજાશે

દૈનિક ભાસ્કર સમૂહના ચેરમેન સ્વ. રમેશચંદ્ર અગ્રવાલના 81મા જન્મદિવસને ‘પ્રેરણા ઉત્સવ’ તરીકે ઉજવવા જઇ રહ્યાં છે. રમેશજીનાં જનસેવાના વિચારોને આગળ ધપાવતા ભાસ્કર પરિવાર 29 નવેમ્બર શનિવારના રોજ દેશનાં 209 શહેરોમાં રક્તદાન શિબિર આયોજિત કરી રહ્યું છે. આ શિબિરોમાં એકત્રિત લોહી સ્થાનિક સરકારી બ્લડ બેન્કોને આપવામાં આવશે જેથી જરૂરિયાતવાળા લોકોની મદદ થઈ શકે.એક અનુમાન મુજબ એક યુનિટ લોહી 3 લોકોનું જીવન બચાવી શકે છે. એના આ જ અભિયાનની સૌથી મોટી તાકાત છે. ગોધરામાં રેડક્રોસ સોસાયટી, ગોધરા ખાતે સવારે 9થી બપોરના 3.00 અને દાહોદમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, એલ. આઈ.સી. ની પાછળ, જળ ભવન સામે, પોલીસ લાઇન રોડ, દાહોદ ખાતે આયોજીત કરવામાં આવ્યો છે. આ બ્લડ ડોનેશન કેમ્પ વિશે કોઈ પણ માહિતી મેળવવા માટે ગોધરા- 9427659656 અને દાહોદમાં 9099203204 પર સંપર્ક કરવો. રક્તદાનથી લાભ- માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ વ્યક્તિ, જેમનું વજન 45 કિલોથી વધુ અને ઉંમર 18થી 65 વર્ષની વચ્ચે છે તે રક્તદાન કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:28 am

ઓરીનો વાવર પ્રસર્યો:બનાસકાંઠામાં ઓરીના 50 કેસ, માતાજી પધાર્યા હોવાનું માની હોસ્પિટલ જતા નથી

બનાસકાંઠા જિલ્લામાં છુટા છવાયા વિસ્તારોમાં ઓરીનો વાવર પ્રસર્યો છે. જેની ધાનેરા તાલુકામાં સૌથી વધુ અસર વર્તાઈ રહી છે. અત્યાર સુધીમાં 50થી વધુ કેસો સામે આવ્યા છે. જોકે, ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગે લોકો ઓરીને માતાજી પધાર્યા હોવાનું માની હોસ્પિટલમાં સારવાર લેતા નથી. નવ દિવસે નમાડી દેતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ઓરીનો વાવર પ્રસરી રહ્યો છે. જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડોક્ટર ભારમલ પટેલે જણાવ્યું હતું કે, છુટાછવાયાં વિસ્તારમાં ઓરીના કેસો જોવા મળી રહ્યા છે. આ સપ્તાહમાં 2 કેસો સામે આવ્યા છે. જોકે જુદા જુદા ગામોના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે આ કેસોની સંખ્યા 50થી વધારે છે. પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ઓરીને માતાજી પધાર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ અંગે ધાનેરાના કરસનભાઈ સાધુએ જણાવ્યું હતું કે,પરિવારમાં બે બાળકોને ઓરી છે. જોકે, અમારા સમાજમાં માન્યતા છે કે, માતાજી પધાર્યા હોઇ બાળકને 9 દિવસ ઘરમાં રાખે છે. આભડછેટ ન પડે તેની ખાસ કાળજી રાખે છે. 9 દિવસે માતાજીની થાળી કરી બાળકને નમાડે છે. સાદિકભાઈ કુરેશીએ જણાવ્યું કે, મારા પુત્રને ઓરીનો ચેપ છે. હોસ્પિટલની દવા લીધી નથી. નવ દિવસ પછી મહોલ્લાના બાળકોને દૂધ અને ચાવલનો પ્રસાદ આપીશુ. એ બાળકો હાથ ધોઇ પાણીના છાંટા બાળક ઉપર છાંટશે. 9 દિવસ દરમિયાન તેના શરીર ઉપર સોનું બાંધી રાખીશુ, સ્નાન નહીં કરાવીએ. આ વિધી મોટાભાગના ચેપગ્રસ્ત બાળકોના માતા- પિતા કરી રહ્યા છે. 0થી 5 વર્ષના દરેક બાળકને વિટામિન Aના બે ડોઝ ફરજિયાત આપવાં જોઈએ ઓરી ખાસ કરીને નાનાં બાળકોમાં ઝડપથી અસર કરે છે. 0 થી 5 વર્ષના દરેક બાળકને વિટામિન Aના બે ડોઝ ફરજિયાત આપવાં જોઈએ. લક્ષણો દેખાતાં જ તાત્કાલિક તબીબનો સંપર્ક કરવો જરૂરી છે. ઓરીમાં શરીર ઉપર નાના ચમકા, તાવ, આશક્તિ, ઝાડાના લક્ષણો જોવા મળે છે. અંધશ્રદ્ધામાં ન રાચતા દર્દીને તુરંત જ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવું જોઈએ ત્યાં તદ્દન વિના મૂલ્યે સારવાર થાય છે. ડો.અજય ચૌધરી,બાળરોગ નિષ્ણાંત

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:21 am

ભાસ્કર ઈનસાઈડ:પાલનપુરમાં દૂધ લઈ જતી મહિલા સહિત 3ને કારચાલકે અડફેટે લેતાં મહિલાનું મોત

પાલનપુરમાં હનુમાન ટેકરી વિસ્તાર પર મંગળવારે સવારે ફરી એકવાર ગંભીર અકસ્માત સર્જાયો હતો. મંગળવાર સવારના લગભગ સાડા આઠ વાગ્યે સરસ્વતી સ્કૂલ સામેના સર્વિસ રોડ પર દૂધ લેવા ગયેલી 56 વર્ષીય ભારતીબેન ઠક્કરને ટોયોટો કરોલા કારના ચાલકે ટક્કર મારતા ઘટના સ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય બે પુરુષોને પણ શરીર પર ગંભીર ઈજાઓ થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાલનપુરના હનુમાન ટેકરી નજીક ગાયત્રી નગર વિસ્તારમાં રહેતા ભારતીબેન ચંદુભાઈ ઠક્કર રોજની જેમ નજીકના ‘પવાયા મિલ્ક સેન્ટર’ પર દૂધ લેવા માટે ઘરની બહાર નીકળ્યા હતા. પરત ન ફરતા કુટુંબના તુષાર તેમને શોધવા નીકળ્યો હતો. જ્યાં હનુમાન ટેકરી નજીક લોકોની ભીડ ભેગી જોવા મળતા તેને અકસ્માતની જાણ થઈ હતી અને પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ ભારતીબેનને મૃત જાહેર કર્યા હતા. GJ-18-AC-7581 નંબરનો કાર ચાલક એરોમા સર્કલ તરફથી પુરઝડપે આવી રહ્યો હતો. મોટા વાહનને ઓવરટેક કરતી વખતે તેણે નિયંત્રણ ગુમાવતા સર્વિસ રોડ પર ચાલતા ત્રણ રાહદારીઓને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળેથી કારને પશ્ચિમ પોલીસ મથકે લઈ જવાઈ હતી ઘાયલોના નામ રમેશભાઈ હીરાભાઈ રાવળ અને રાકેશભાઈ યોગી બંને રહે.પાલનપુર કારચાલક ઈશ્વરભાઈ પાટીલ (રહે. બ્રહ્માકુમારી આશ્રમ, આબુરોડ) હનુમાન ટેકરી બ્લેક સ્પોટ, 5 થી વધુના મોત થયા છેહનુમાન ટેકરી–આબુ હાઈવેનો આ સર્વિસ રોડ છેલ્લા ઘણા વર્ષોથી અકસ્માતના બનાવો વધી ગયા છે. બે મહિના પૂર્વે મોદી સમાજનો યુવક, થોડા મહિના પૂર્વે એક્ટિવા પર માતા અને પુત્રીનું નિધન, એની પહેલા પણ એક મહિલાનું એક્ટિવાથી પડી જતા અકસ્માતમાં નિધન થયું હતું. અહીં ભારે વાહનોની સતત અવરજવર અને ઝડપી ગતિથી આવતા વાહનોને કારણે ગંભીર અકસ્માતોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. સીપીઆર આપી જીવ બચાવવાનો પ્રયાસસવારે હનુમાન ટેકરી પાસે અકસ્માત સર્જાયો હોવાનો કોલ મળતા 108ની ટીમ દોડી આવી હતી જ્યાં ઈએમટી જાયદાબેન સિપાહીએ ગંભીર ઘાયલ ભારતીબેન ઠક્કરને સીપીઆર આપીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડીને જીવ બચાવવાનો પ્રયત્ન કરાયો હતો પરંતુ ઇજાગ્રસ્ત મહિલાનું મોત નિપજ્યું હતું. બાયપાસનું કામ ઝડપી પૂરું કરો: સ્થાનીકો પાલનપુર શહેરમાં ભારે વાહનોની અવરજવર સતત વધી રહી છે. સ્થાનીકો ફરી એકવાર માંગ ઉઠાવી રહ્યા છે કે વહેલી તકે બાયપાસનું કામ પૂરું કરવામાં આવે અને જ્યાં સુધી બાયપાસનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી હાઈવે પર સ્પીડ કંટ્રોલ, સચોટ સિગ્નલ વ્યવસ્થા વધુ કડકાઈ પૂર્વક કરવામાં આવે જેથી જાનહાની અટકાવવામાં આવે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:18 am

રજિસ્ટ્રેશન:સાબરકાંઠામાં પાક સહાય મેળવવા 45 હજારથી વધુ ખેડૂતોની અરજી

કમોસમી વરસાદથી ખેતીપાકોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે સહાય પેકેજની જાહેરાત કરી હતી. જેમાં તા. 14 નવેમ્બર 2025થી સરકારે ઓનલાઇન ફોર્મ ભરવા પોર્ટલ શરૂ કર્યુ હતું. સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની શરૂઆતથી લઇને આજ સુધીમાં 8 તાલુકાઓમાં 45 હજારથી વધુ ખેડૂતોએ સહાય મેળવવા અરજીઓ કરી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું. રાજ્ય સરકારે હેક્ટરદીઠ રૂ. 22 હજારની સહાય લેખે બે હેક્ટરની મર્યાદામાં સહાય પેકેજ જાહેર કરેલ છે. આ સહાય પેકેજનો લાભ મેળવવા માંગતા ખેડૂતો માટે તા. 14 નવેમ્બર 2025થી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ હતી. જિલ્લા ખેતીવાડી વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હિંમતનગરમાં 9800, ઇડરમાં 13700, ખેડબ્રહ્મામાં 5000, પોશીનામાં 400, પ્રાંતિજમાં 4000, તલોદમાં 5200, વડાલી 5600 તથા વિજયનગરમાં 1500 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સૌથી વધુ ઇડરમાં 13700 અને સૌથી ઓછું પોશીનામાં 400 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સાબરકાંઠામાં સર્વે ટીમ દ્વારા જિલ્લાના 8 તાલુકાના 710 ગામમાં સર્વે કરાયો હતો. સર્વે બાદ 70,000 હેક્ટરમાં મગફળી, સોયાબીન, અડદ, શાકભાજી, મકાઇ અને કપાસને નુકસાન થયાનું બહાર આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:14 am

માગણી:સરની કામગીરીને લઇ શિક્ષકો માનસિક તણાવમાં

શૈક્ષિક મહાસંઘે એસઆઈઆરની કામગીરીમાં બુથ લેવલ ઓફિસરો પર વધતા કામનો બોજ, ટેકનિકલ અવ્યવસ્થા અને વહીવટી દબાણ સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી તમામ મુદ્દાઓને આવરી લઈને આયોગને સંવેદનશીલ બની તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. અખિલ ભારતીય અધ્યક્ષ પ્રો. નારાયણલાલ ગુપ્તાએ જણાવ્યું કે બીએલઓને સતત 16–18 કલાક મેદાનમાં તથા પોર્ટલ પર કામ કરવું પડી રહ્યું છે. જ્યારે એપ અને પોર્ટલ વારંવાર ક્રેશ થવું, નેટવર્કનો અભાવ અને ટેકનિકલ સહાય ન મળવાને કારણે કામ વધુ મુશ્કેલ બન્યું છે. અનેક જિલ્લાઓમાંથી અધિકારીઓ દ્વારા ધમકીભર્યો ભાષા પ્રયોગ, નોટિસ, પગાર અટકાવવાની ચેતવણી અને અપમાનજનક વર્તનની ફરિયાદો મળી છે જેના કારણે શિક્ષકોમાં ભારે માનસિક તણાવ સર્જાયો છે. આત્મહત્યાની દુઃખદ ઘટનાઓ પણ સામે આવી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. મહાસંઘની મહામંત્રી પ્રો. ગીતા ભટ્ટે જણાવ્યું કે બીએલઓને જરૂરી સાધનો, ટેકનિકલ તાલીમ અને સહાયક સ્ટાફ ન મળવાને કારણે તેમને પોતાના ખાનગી સાધનોના આધારે કામ પૂરું કરવું પડે છે. દૂરદષ્ટ, પર્વતીય અને રણપ્રદેશ જેવા વિસ્તારોમાં નેટવર્કની અછતને કારણે ઑનલાઇન વેરીફિકેશન અને ડેટા અપલોડ કરવું લગભગ અશક્ય બની જાય છે. 20 વર્ષ જૂના દસ્તાવેજોની માંગણીને કારણે સામાન્ય જનતામાં ગૂંચવણ અને અસહકારની સ્થિતિ ઉભી થઈ છે. શૈક્ષણિક મહાસંઘે માંગણીઓ કરી {છેલ્લી તારીખ આગળ વધારવામાં આવે, જેથી બીએલઓ વિના દબાણ ગુણવત્તાપૂર્વક કામ કરી શકે. {અકાળ મૃત્યુ પામેલા અથવા આત્મહત્યા કરનારા BLO શિક્ષકોના પરિવારોને 1 કરોડનું અનુગ્રહ સહાય તેમજ એક આધારિતને સરકારી નોકરી. {તમામ ઘટનાઓની ઉચ્ચસ્તરીય તપાસ કરીને દોષિત અધિકારીઓ સામે કડક કાર્યવાહી. {દરેક બુથ અને બ્લોક સ્તરે ટેકનિકલ સહાયક, કમ્પ્યુટર ઓપરેટર અથવા BLO સહયોગી ઉપલબ્ધ કરાવવા {બીએલઓને 5G નેટવર્ક, ટેબ્લેટ/લેપટોપ, પ્રવાસ ભથ્થું અને અન્ય જરૂરી સાધનો પૂરા પાડવા {અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે તેઓ ધમકી, દબાણ અથવા અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરે. {બીએલઓ સાથે સન્માનપૂર્ણ વર્તન સુનિશ્ચિત કરવામાં આવે

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:12 am

અકસ્માત:તલોદના ઉજેડીયા ચોકડી નજીક વાહનની ટક્કરે બે કિશોરનાં મોત

તલોદ તાલુકાના ઉજેડિયાથી તલોદ રોડ ઉપર લઘુશંકા કરવા બાઈક ઉભું રાખ્યા બાદ થોડીવારમાં અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં બાઈક ચાલક યુવક અને અન્ય બે કિશોરોને ગંભીર ઇજાઓ થતાં બે કિશોરનાં મોત થયા હતા.ત્રણે પિતરાઈ ભાઈ ખેરોલ ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા. તા.22-11-25ના રોજ દેવુસિંહ દલપતસિંહ સોલંકી (21) (રહે.નવાવાસના છાપરા તા.તલોદ) તેમના કુટુંબી ભાઈ ઈન્દ્રજીતસિંહ રમેશસિંહ સોલંકી (16) અને અનિલ કુમાર ઉર્ફે અનિશકુમાર ભાથીજી સોલંકી (17) સાથે બાઈક નંબર જીજે-09-ડીએમ-9153 લઈ ખેરોલ ગામે રામદેવપીરના મંદિરે દર્શન કરવા નીકળ્યા હતા અને ઉજેડિયા ચોકડી ખાતે ત્રણેય જણાએ નાસ્તો કરી ખેરોલ જવા ઉજેડિયાથી તલોદ રોડ ઉપર નીકળવા દરમિયાન એક ફેક્ટરી નજીક લઘુશંકા કરવા ઉભા રહ્યા હતા અને ત્રણેય જણા બાઈક આગળ ઉભા રહીને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે પાછળથી ટક્કર મારતા દેવુસિંહ સોલંકી રોડ ઉપર ફેંકાઈ ગયા હતા અને બેભાન થઈ જતાં તેમને સારવાર અર્થે હિંમતનગરની સિવિલમાં લઈ જવાયા હતા જ્યારે તેમની સાથેના અનિલ કુમાર ઉર્ફે અનિશ કુમારનો જમણો પગ કમરના ભાગેથી જુદો પડી જતાં મોત નિપજ્યું હતું. જ્યારે ઇન્દ્રજીતસિંહ રમેશજી સોલંકીને સિવિલમાંથી પ્લુટો હોસ્પિટલમાં લઈ જતાં તેનું પણ મોત નિપજ્યું હતું.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:10 am

વિરોધ:પોલીસ પરિવારોના સૂત્રોચ્ચાર સામે કોંગ્રેસે પણ સૂત્રોચ્ચાર કર્યા દારૂ - ડ્રગ્સ બંધ કરાવો

કોંગ્રેસની જનઆક્રોશ રેલી હિંમતનગરમાં પ્રવેશી ટાવર ચોક થઇ મહાવીનગર સર્કલ પહોંચતા પોલીસ પરિવારની મહિલાઓ અને નિવૃત્ત પોલીસ કર્મીઓએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વાહનો અટકાવ્યા હતા અને જિજ્ઞેશ મેવાણી હાય હાયનો સૂત્રોચ્ચાર કરતાં કોંગી કાર્યકર નેતાઓએ પણ દારૂ બંધ કરાવો ના નારાથી જવાબ આપ્યો હતો. કોંગ્રેસની જનઆક્રોશ રેલી અને ટાવર ખાતેના કાર્યક્રમમાં સ્થાનિક કોંગી કાર્યકરો અને અગ્રણીઓની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી , જિલ્લા પ્રમુખ રામભાઇ સોલંકી વગેરેનો કાફલો હિંમતનગરમાં પ્રવેશી પ્રતિમાઓને ફૂલહાર કરી મહાવીર નગર પહોંચતા પોલીસ પરિવારની મહિલાઓ અને નિવૃત્ત પોલીસ કર્મીઓએ વાહનો રોકી બેનરો સાથે જિજ્ઞેશ મેવાણી હાય હાયના નારા લગાવતા કોંગી કાર્યકરો અને અગ્રણીઓએ દારૂ, ડ્રગ્સ સહિતનો નશાનો વેપાર બંધ કરાવોનો સૂત્રોચ્ચાર કર્યો હતો. અમિતભાઇ ચાવડાએ સ્પષ્ટતા કરી હતી કે આ વ્યકિતગત નથી, દારૂ ડ્રગ્સની બદી બંધ થવી જોઇએ કે નહીં પૂછતાં મહિલાઓએ પણ બંધ થવી જોઇએ નો જવાબ આપ્યો હતો. ભાજપની મહિલાઓ પણ વિરોધ કરવા આવી હતી‎સા.કાં. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઇ સોલંકીએ જણાવ્યું હતું કે, પોલીસ પરિવારની બહેનો સાથે ભાજપની મહિલાઓ પણ વિરોધ કરવા આવી હતી. ગાડી ઉભી રાખી હતી. મહિલાઓ સાથે વાતચીત કરી સ્પષ્ટતા કરી હતી કે આ વ્યકિત ગત વાત નથી દારૂ ડ્રગ્સના વેચાણને બંધ કરાવવાની વાત છે. પોલીસ સામે વ્યકિતગત આપેલ નિવેદન નથી. પ્રામાણિક પોલીસ સામેની વાત નથી પરંતુ દારૂ ડ્રગ્સનું ખૂલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે તે બંધ થવું જોઇએ તે સંદર્ભે આ નિવેદન આપવામાં આવ્યું છે. દરેક પોલીસ માટે વ્યકિતગત નથી. દારૂ ડ્રગ્સ પકડાય ત્યારે રેન્જ આઇ.જી, એસ.પી. જેવા અધિકારીઓ કેમ સસ્પેન્ડ થતા નથી. ફકત કોન્સ્ટેબલ લેવલના પોલીસ જ સસ્પેન્ડ થાય છે આવું કેમ? પોલીસ ધારે તો ગુજરાતમાં દારૂ ડ્રગ્સનું વેચાણ બંધ કરાવી શકે છે. ગૃહમંત્રી બુટલેગરના વકીલો જેવી ભાષા બોલે છે‎હિંમતનગર પહોંચેલી ''જન આક્રોશ યાત્રા'' દરમિયાન વિરોધ કરવા‎બુટલેગર અને ભાજપના મળતિયાઓ આવ્યા હતા. ગુજરાતમાં‎બેરોટકોટ દારૂ - ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે. દારૂ એક વ્યાપાર બની‎ગયો છે.વારંવાર કરોડોનું ડ્રગ્સ પકડાય છે. બહેન દીકરીઓ વિધવા‎થાય છે. યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. થરાદમાં વડગામના‎ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ જે રજૂઆત કરી એ ગુજરાતની‎મહિલાઓની રજૂઆત હતી. મુખ્યમંત્રી, ગૃહ મંત્રીમાં થોડી પણ શરમ‎હોત તો કહ્યું હોત તો કહ્યું હોત કે જે પણ પોલીસ સ્ટેશનની હદમાં એક‎પણ ટીપું દારૂ મળ્યું તો આખા સ્ટેશનના લોકોને સસ્પેન્ડ કરી દેવાશે.‎પરંતુ બુટલેગરના વકીલ હોય , હપ્તાખોરોના ભાગીદાર હોય તેવું‎વર્તન કરી રહ્યા છે.: > અમિત ચાવડા, પ્રદેશ પ્રમુખ,કોંગ્રેસ‎

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:09 am

મોત:મહેસાણામાં ફૂટબોલ રમતાં 13 વર્ષના છાત્રનું હ્રદય બંધ પડી જતાં મોત થયું

​મહેસાણા-અમદાવાદ હાઇવે પર આવેલી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં અને વાંકાનેરના વતની એવા એક 13 વર્ષના વિદ્યાર્થીનું ફૂટબોલ રમતી વખતે અચાનક હૃદય બંધ થઈ જતાં મોત નિપજ્યું છે. આ ઘટનાથી શાળા અને વાંકાનેરમાં રહેતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. ​ધરમ નગર સોસાયટી, વાંકાનેરમાં રહેતો જૈમીલ ગૌતમભાઈ કંસાગરા છેલ્લા ત્રણ વર્ષથી તપોવન ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ગત 24 નવેમ્બરના રોજ સાંજે 5:00 વાગ્યે તે શાળાના ગ્રાઉન્ડમાં અન્ય બાળકો સાથે ફૂટબોલ રમી રહ્યો હતો. રમતાં રમતાં અચાનક તે પડી ગયો અને બેભાન થઈ ગયો હતો. ​સ્કૂલના આચાર્ય સહિતના સ્ટાફે તાત્કાલિક જૈમીલને શંકુઝ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જોકે, ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો અને જણાવ્યું હતું કે તેનું હૃદય ચાલતું ન હોતું. ​ઘટનાની જાણ થતાં લાંઘણજ પોલીસ મથકના એએસઆઈ કિરીટ ચૌધરી સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને મહેસાણા સિવિલમાં પેનલ પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલ્યો હતો.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:07 am

2 લાખ કેળાં, 1 લાખ લીટર દૂધ:હજારો નોકરી અને વર્લ્ડ ક્લાસ ફેસેલિટી, અમદાવાદની કાયાપલટ થશે, જાણો કોમનવેલ્થ ગેમ્સની 10 ઇન્ટરેસ્ટિંગ વાત

જો તમે એવું વિચારતા હોવ કે 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાય તો સામાન્ય અમદાવાદી તરીકે તમને શું ફાયદો? તો જવાબ એ છે કે આ માત્ર રમતનો ઉત્સવ નથી, પણ શહેરના વિકાસનો બૂસ્ટર ડોઝ છે. 2030માં સાબરમતીના કિનારે 56 દેશોના ઝંડા લહેરાશે અને 6,000થી વધુ ખેલાડીઓ ગુજરાતી મહેમાનગતિ માણશે. ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા દેશો આયોજનથી પાછા હટ્યા છે, ત્યારે અમદાવાદનું નામ જાહેર થવાની હવે માત્ર ઔપચારિકતા રહી છે. આ આયોજનથી તમને ઘરઆંગણે વર્લ્ડ ક્લાસ રસ્તા, મેટ્રો કનેક્ટિવિટી અને અંદાજે 20,000 જેટલી નવી રોજગારીની તકો મળશે. બીજા દેશો ભાગ્યા તો અમદાવાદ કેમ આગળ આવ્યું? વર્ષ 1930માં કેનેડાના હેમિલ્ટનથી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સને 2030માં 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયાએ 2026ની અને કેનેડાએ 2030ની યજમાની આર્થિક કારણોસર પાછી ખેંચી લીધી છે. ત્યારે ભારતે હિંમત બતાવી છે. અમદાવાદ 2036 ઓલિમ્પિકની દાવેદારી કરી રહ્યું છે, તેના માટે કોમનવેલ્થ ગેમ્સ એક પરફેક્ટ 'ટેસ્ટ રન' સાબિત થશે. આ 56 દેશોનું શક્તિ પ્રદર્શન હશે જેમાં ભારત ગ્લોબલ લીડર તરીકે ઉભરી શકે છે. કોમનવેલ્થ ગેમ્સનો ઇતિહાસઃ આ ગેમ્સને 'ફ્રેન્ડલી ગેમ્સ' પણ કહેવાય છે. સમયાંતરે તેના ચાર નામ બદલાયા છે: દેશ 56 તો ટીમ કેમ 70થી વધુ? ભલે સભ્ય દેશો 56 છે, પણ ટીમો 70થી વધુ હોય છે. કારણ કે UK એક નહીં, પણ ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધન આયરલેન્ડ અલગ-અલગ ટીમ મોકલે છે. બરમુડા અને કેમેન આઈલેન્ડ્સ જેવા નાના પ્રદેશો પણ ભાગ લે છે. તમારા ખિસ્સા પર શું અસર? આ ઈવેન્ટ માત્ર ખર્ચ નથી, પણ રોકાણ છે. 2022ની બર્મિંગહામ ગેમ્સમાં ₹7,800 કરોડનો ખર્ચ થયો હતો, પરંતુ સામે અર્થવ્યવસ્થામાં ₹12,000 કરોડ પરત આવ્યા હતા. ગેમ્સના રસોડાનું ગજબ મેનેજમેન્ટ અમદાવાદમાં 6,000 ખેલાડીઓ માટે બનનારું 'ગેમ્સ વિલેજ' એક હાઈટેક નાનું ગામડું હશે. જેમાં 24 કલાક મિની-હોસ્પિટલ, જિમ, સ્વિમિંગ પૂલ અને એન્ટરટેઇનમેન્ટ ઝોન હશે. ભૂતકાળની ભૂલોથી શું શીખ? લોકોને 2010ની દિલ્હી કોમનવેલ્થ ગેમ્સના કૌભાંડોનો ડર છે. 2003માં અંદાજિત ખર્ચ ₹1620 કરોડ હતો જે 2010માં વધીને ₹70,000 કરોડે પહોંચ્યો હતો. સુરક્ષા અને રમતનો રોમાંચ 1930 થી 2030: ગાંધી અને સરદારનું અનોખું કનેક્શન આ 100 વર્ષની સફરમાં એક ગજબનો સંયોગ છે: આટલું ખાસ યાદ રાખો

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:05 am

અરજી:જિલ્લાના પાક નુકસાનગ્રસ્ત ખેડૂતો ડિજિ.ગુજ. પોર્ટલ પર અરજી કરી શકશે

ઓક્ટોબર માસમાં પડેલા વરસાદને કારણે થયેલા નુકસાનના પેકેજમાં નવસારી જિલ્લાના તમામ તાલુકાઓનો સમાવેશ કરાયો છે. ખરીફ ઋતુ 2025માં વાવેતર હેઠળ પાકોમાં જેમાં 33 % કે તેથી વધુ નુકસાન થયેલ હોય તેના માટે રૂ. 22000 પ્રતિ હેક્ટર લેખે વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર થશે. આ પેકેજમાં સમાવેશ થયેલ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં વાવેતર હેઠળના પાકોમાં થયેલ પાક નુકસાનીવાળા અસરગસ્ત ખેડૂતોએ આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે કેઆરપી પોર્ટલ પર અરજી કરવાનો સમયગાળો તા. 14/11/2025ના રોજ બપોર 12 કલાકથી 15 દિવસ સુધી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન વીસીઇ/વીએલઇ મારફત જ કરવાની રહેશે. આ નિયત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ સહાય માટે અરજીઓ થઇ શકશે નહી. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે પાક નુકસાનીવાળા અસરગ્રસ્ત ખેડૂતો પાસે ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવા માટે હવે ખુબ જ ઓછો સમય બાકી હોય જિલ્લાના પાક નુકસાનીવાળા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય માટેના ફોર્મ ભરવા માટે તાકિદ કરવામા આવે છે. વધુ જાણકારી માટે ગામના તલાટી કમ મંત્રી-ગ્રામસેવક, વી.સી.ઈ. તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી(ખેતી)/ તાલુકા વિકાસ અધિકારી, મામલતદારનો સંપર્ક કરવા નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:02 am

જાહેર માર્ગ બનાવવા મનપા ઉદાસીન:નવસારીના હોટલ સુપ્રીમની પાછળ બિસ્માર રસ્તાથી લોકોને હાલાકી

નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં-5માં આવેલ સુપ્રીમ હોટલની પાછળ આવેલ જર્જરિત અને બિસમાર માર્ગ (રોડ) બનાવવા બાબતે સ્થાનિકોએ મનપાને ફરિયાદ કરી છે. સ્થાનિકોએ વસીમ પાનવાળાની સાથે મનપા કમિશનરને આપેલ ફરિયાદમાં જણાવ્યું કે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નં-5 માં હોટેલ સુપ્રીમની પાછળનો રોડ ખૂબજ જર્જરિત અને બિસમાર છે, આ રોડ આશરે આજુબાજુ આવેલ 20થી 22 જેટલી સોસાયટીના રહીશો લોકો ઉપયોગ કરે છે અને આ વિસ્તારમાં 2 શાળા પણ આવી છે. ખરાબ રોડ ને કારણે ચોમાસામાં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દરરોજ ખરાબ રોડના કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે અને શાળામાં ભણતા બાળકો પણ ખરાબ રસ્તાના લીધે સાઇકલ તેમજ ગાડી પરથી કાબૂ ગુમાવી ઇજાગ્રસ્ત થતા રસ્તો તાત્કાલિક બનાવાય તેમ જણાવ્યું છે. વિકાસના કામોની ઘોર ઉપેક્ષા વોર્ડ-5માં ગટર લાઇન, રસ્તા, પાણીની સુવિધા આપવામાં મનપા નિષ્ફળ ગઈ છે. પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોને પણ રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નહતું. સ્થાનિક લોકોના પ્રશ્નનું તાકીદે નિરાકરણ લાવી ન્યાય અપાવે એ માગ છે. > વસીમ (જોનીભાઇ) પાનવાલા, પ્રદેશ સહમંત્રી, આપ

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:02 am

ભાસ્કર ઈનસાઈડ:નવસારી પૂર્વ-પશ્ચિમને જોડતા ગરનાળા‎પાસેના રસ્તા પર ખાડા અને પશુઓનો ત્રાસ‎

નવસારી મહાનગરપાલિકામાં આવેલ પૂર્વ-પશ્ચિમથી જોડનાર ગરનાળાની બન્ને બાજુ જોડનાર રસ્તા પર ખાડા પૂરવા માટે જાગૃત એડવોકેટ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી હતી. એડવોકેટ કનુભાઈ સુખડિયાએ મનપાને રજૂઆત કરતા જણાવ્યું કે મનપા બન્યા બાદ એક વર્ષ થવા આવ્યું પણ રસ્તાઓ ખાડા અને સાંકળા બનવાના કારણે લોકોને તકલીફ પડી રહી છે. પૂર્વ-પશ્ચિમને જોડનારા એકમાત્ર ગરનાળાની બન્ને બાજુના રસ્તા પર ખાડા પડ્યા છે. રસ્તા પર ગાય ભેંસ, કૂતરા આવી જતા અકસ્માતોની સંખ્યા વધી છે અને અકસ્માતગ્રસ્ત વ્યક્તિ લાંબા સમય સુધી પથારીવશ થઈ જાય છે. વાહનો સાથે શહેરીજનો કેવી રીતે પગપાળા ચાલી શકે તેમ હોય આ રસ્તો પહોળો કરી રસ્તા પર પશુઓની હાજરી ન દેખાય તેવી વ્યવસ્થા કરવા પણ જણાવ્યું હતું. ફૂટ ઓવરબ્રિજ ટૂંક સમયમાં બનાવશેગરનાળામાંથી દરરોજ 30 હજારથી વધુ લોકો પસાર થાય છે. આ સમસ્યાને લઇ હાલમાં જ ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે પાલિકા કમિશનરે સ્થળની મુલાકાત પણ લીધી હતી. જેથી આવનારા સમયમાં ફૂટ બ્રિજ બનાવીને મનપા લોકોની સમસ્યા દૂર કરશે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:00 am

પગ મૂકતાં જ અમદાવાદ સ્વર્ગ લાગશે, લંડન-પેરિસ ઝાંખાં પડશે:મોટેરામાં 6 નવાં વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ, કરાઈમાં 143 એકરમાં સ્પોર્ટ્સ હબ બનશે, ભાટમાં બની શકે ગેમ વિલેજ

કોમનવેલ્થ ગેમ્સ2030ની યજમાની ભારતને મળવાની જાહેરાત થવા આડે ગણતરીના કલાકો બાકી છે અને તેનું આયોજન આપણાં અમદાવાદમાં થશે. આ કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે હવે સ્પોર્ટસની દુનિયામાં લંડન-પેરિસને પણ ટક્કર આપવા અમદાવાદ તૈયાર છે. મોદી સ્ટેડિયમ અમદાવાદની વૈશ્વિક ઓળખ છે, પણ આ તો માત્ર ટ્રેલર છે. મોદી સ્ટેડિયમની આજુબાજુમાં તેના જેવા જ નવા 6 હાઈટેક વર્લ્ડ ક્લાસ સ્ટેડિયમ બનવા જઈ રહ્યા છે. 6 હજાર કરોડના ખર્ચે રિવરફ્રન્ટના કિનારે બની રહેલા સરદાર સ્પોર્ટ્સ એન્કલેવને જોતા જ લોકો મોઢામાં આંગળા નાખી દેશે. આ સિવાય કરાઈ પોલીસ એકેડમીમાં 143 એકરમાં સ્પોર્ટ્સ હબ બનશે. ગુજરાતમાં 10 જગ્યાએ કોમનવેલ્થની વિવિધ ગેમ રમાશે. અમદાવાદ-ગાંધીનગર સિવાય સ્ટેચ્યુટી ઓફ યુનિટીમાં પણ અમુક ગેમ રમાશે. ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ વેપાર, ધંધા, વૈભવની સાથે હવે ભારતની સ્પોર્ટસ કેપિટલ બનવા પણ તૈયાર છે. દુનિયાનું સૌથી મોટું મોદી ક્રિકેટ સ્ટેડિયમ, ભારતનું સૌથી મોટું નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્સ અને આખા ભારતમાં ક્યાંય ના હોય તેવી સ્પોર્ટસ ફેસિલિટી સાથેના સ્પોર્ટસ એન્કલેવ, સ્પોર્ટસ કોમ્પલેક્સ હવે અમદાવાદની નવી ઓળખ બનવા તૈયાર છે. વિકાસનો પર્યાય બનેલા સાબરમતીના કાંઠે હાઇફાઈ સ્પોર્ટસ સ્ટેડિયમ આકાર લઈ રહ્યા છે. રાજ્યનું સૌથી મોટું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના હોય કે પછી વિશ્વકક્ષાનું એકવાટિસ સેન્ટર હોય. હાઇફાઇ ટેનિસ કોર્ટની સાથે સોકરનો શોર પણ તમને અહીં સાંભળવા મળશે. સાબરમતીના કિનારે ગરબા, યોગ, ઉત્સવ ને ઓપન બજાર પણ ખેલાડીઓને એક નવી એનર્જી આપશે. કહેવાય છે કે ‘જબ કુત્તે પે સસ્સા આયા તબ જાકે બાદશાહને યહ શહર બસાયા’ અમદાવાદના કોટ વિસ્તારમાં છાતી કાઢીને ઉભેલા એ ઝાઝરમાન કિલ્લા આજે પણ અમદાવાદના વૈભવની સાક્ષી પૂરે છે. મહાત્મા ગાંધીને સંતનું બિરૂદ અપાવનાર એ સાબરમતી નદી પૌરાણિક ઈતિહાસની સાથે સ્વર્ગના વૈભવને પણ ઝાંખો પાડે તેવા પળની સાક્ષી બનવા સજ્જ છે. આ સાબરમતી નદીની આસપાસ જ દુનિયાની આંખો અંજાઈ જાય તેવા સ્ટેડિયમ અને કોમનવેલ્થ ગેમ વિલેજ બનશે. દુનિયાની સૌથી હાઇફાઇ સુખ-સુવિધા ભોગવી ચૂકેલા ખેલાડીઓ જ્યારે આ સ્પોર્ટસ કોમ્પલેક્સ, એન્કલેવ ને વિલેજનો જાત અનુભવ કરશો ત્યારે ક્યારેય ના ભૂલાય તેવો અનુભવ મળશે. જેટ, મેટ્રો, બુલેટ આ વણથંભ્યા વિકાસને રોકેટ ગતિ આપશે. જ્યારે કોમનવેલ્થ યોજાશે ત્યારે જાણે કે સાબરમતીના વહેણને ચીરતી હોય તેમ આંખના પલકારામાં જ મુંબઈ પહોંચી જતી બુલેટ ટ્રેન ‘ઉડતી’ થઈ જશે. બુલેટનો રોમાંચક અનુભવ, ગુજરાતની મહેમાનગતિ ને આધુનિક સ્પોર્ટસ સ્ટેડિયમની વાઇબ્સ મહેમાનોને સ્વર્ગનો અનુભવ કરાવી દેશે. તો મેટ્રો એક સ્ટેડિયમથી બીજે સ્ટેડિયમ પહોંચાડવામાં એટલી ઝડપ કરશે કે તમે એક પણ મેચની એક પણ મોમેન્ટ નહીં ચૂકો. તો અમદાવાદ એરપોર્ટ પણ તેની બાહો ફેલાઈ દુનિયાભરના અતિથીઓને કહેશે કે ‘ભલે પધાર્યા’. આમ આવકારાના રાજ્ય એવા ગુજરાતમાં એક પણ અમદાવાદના અતિથિને અગવડતા ના પડે તેનું પુરે-પુરુ ધ્યાન રખાશે અને અકલ્પનીય અદભૂત અનુભવ સાથે તેમને વિદાય અપાશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરાશે4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ બની રહ્યું છે. જે કોમનવેલ્થનું મુખ્ય કેન્દ્ર બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બનશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવશે. રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશેકોમનવેલ્થ માટે 6,000થી 10,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે. 5,000 લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે. જ્યાં ગરબા, યોગ, ઉત્સવ અને ઓપન બજાર પણ હશે. 18,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ ઇન્ડોર એરેના, 10,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12,000 લોકોની કેપેસિટીવાળું એકવાટિસ સેન્ટર તૈયાર કરાશે. 50,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરાશે. દબાણ કરેલી જગ્યા ખાલી કરવા આસારામ આશ્રમને નોટિસરાજ્ય સરકારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઓલિમ્પિક વિલેજ બનાવવાની તૈયારીના ભાગ રૂપે કરાવેલા સરવેમાં આસારામ આશ્રમ ઉપરાંત ભારતીય સેવા સમાજ અને સદાશિવ આશ્રમે કરોડો રૂપિયાની જમીન કબજે કરી હોવાનું ધ્યાને આવ્યું હતું. સરકારે આ ત્રણ આશ્રમ ઉપરાંત દોઢસો જેટલાં રહેણાક મકાનોને પણ નોટિસ ફટકારી છે. કુલ 15,778 ચોરસ મીટર જગ્યા ખાલી કરાવાશેસિટી મામલતદાર દ્વારા ફટકારવામાં આવેલી નોટિસમાં જણાવ્યું છે કે આસારામ આશ્રમે સરવે નંબર 282- અ પૈકી 6,489, ગામ તળની 3,185 અને સાબરમતી નદીની 6,104 ચોરસ મીટર મળી કુલ 15,778 ચોરસ મીટર જગ્યા પર ગેરકાયદે કબજો કર્યો છે. જાણકારોનું કહેવું છે કે ચારેક દાયકા પહેલાં સરકારે આસારામ આશ્રમ માટે મોટેરામાં અંદાજે 33,980 ચોરસ મીટર જગ્યા ફાળવી હતી. ગત વર્ષના અંતમાં જ્યારે સરકારે ફરી સરવે કરાવ્યો ત્યારે આસારામ આશ્રમની કુલ જગ્યા 49,758 ચોરસમીટર સામે આવી હતી. જેથી ગેરકાયદે કબજા અંગે જે તે સમયે શરતોને આધીન અપાયેલી જગ્યામાં શરતભંગની નોટિસ આપી છે. સદાશિવ પ્રજ્ઞામંડળને પણ 2,561 ચોરસમીટર જગ્યા ખાલી કરવા નોટિસઆ જ રીતે આસારામ આશ્રમની નજીક આવેલા ભારતીય સેવા સમાજને પણ શરતભંગની નોટિસ ફટકારાઈ છે. જ્યારે સદાશિવ પ્રજ્ઞામંડળને પણ 2,561 ચોરસમીટર પર ગેરકાયદે દબાણ બદલ શરતભંગની નોટિસ અપાઈ છે. આમ આ જગ્યા ખાલી કરાવીને તેનો ઉપયોગ પણ સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવમાં કરાશે. 5.50 લાખ ચોરસ મીટર જગ્યાનો કબજો મેળવવામાં આવશેસરકાર કોમનવેલ્થ માટે મોટેરા સ્ટેડિયમ પાસેની જગ્યા ઉપરાંત કોટેશ્વરની જગ્યાનો પણ ઉપયોગ કરશે તેમ સૂત્રોનું કહેવું છે. કોટેશ્વરમાં પણ મોટી સંખ્યામાં પડેલી જગ્યાઓ સરકાર હસ્તગત કરી શકે છે. સરવે નંબર 282નું ક્ષેત્રફળ 7,79,686 ચોરસમીટર જેટલું છે. જે પૈકી ક્રિકેટ સ્ટેડિયમ 2 લાખ ચોરસ મીટરમાં બન્યું છે. તેને બાદ કરતા અંદાજે 5.50 લાખ ચોરસમીટર જગ્યા ખાલી કરાવવામાં આવશે. કોને નોટિસ અપાઈ સુઘડ-ભાટ ખાતે 136 એકર જમીનમાં કોમનવેલ્થ વિલેજ બનશેસ્પોર્ટ્સ એન્ક્લેવ પાસે સુઘડ-ભાટ ખાતે 136 એકર જમીનમાં કોમનવેલ્થ વિલેજ બનશે. જેમાં ખેલાડીઓ, કોચ અને રમત અધિકારીઓના રહેણાંક સહિત માળખાગત સુવિધાઓ હશે. અહીંથી એન્ક્લેવ સુધી પહોંચવા માટે માત્ર થોડી મિનિટોનો જ સમય લાગશે. આ ઓલ્મિપિક વિલેજમાં રમતવીરો અને સહાયક સ્ટાફ માટે આશરે 3,000 ઘરો હશે, જે આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. કરાઈ સ્પોર્ટસ કોમ્પ્લેક્સગાંધીનગરના કરાઈમાં ગુજરાત પોલીસ એકેડેમી ખાતે 143 એકરમાં એક અત્યાધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્સ આકાર પામશે. ₹1,200-1,500 કરોડના પ્રોજેક્ટના મૂળમાં એક અત્યાધુનિક એથ્લેટિક્સ સ્ટેડિયમ છે, જે 50,000થી 55,000 દર્શકોને સમાવી શકશે. ઇન્ડોર મલ્ટીયુઝ મેદાનમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશેઆ સાથે કરાઈમાં ઇન્ડોર મલ્ટીયુઝ મેદાન બનાવાશે જેમાં રિટ્રેક્ટેબલ સીટિંગ હશે. જે વિવિધ ઇવેન્ટ્સનું સાક્ષી બનશે. 5,000થી 6,000 દર્શકોને બેસવા માટે બનાવેલા આ મેદાનમાં વેઇટલિફ્ટિંગ ઇવેન્ટ્સ સહિત અન્ય ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે, જે વિવિધ પ્રકારની રમતો અને મનોરંજન સુવિધાઓ પૂરી પાડશે. સાથે જ એક શૂટિંગ સેન્ટર પણ બનશે. જે ફ્રેશર્સની સાથે પ્રોફેશનલ શૂટર્સ બંનેની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સજ્જ હશે. નારણપુરામાં ઈન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રેડીનારણપુરા વિસ્તારમાં ગુજરાતનું સૌથી મોટું ભવ્યાતિભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઈન્ટરનેશનલ કક્ષાનું છે. તમામ પ્રકારની ઈન્ડોર ગેમ્સની વ્યવસ્થા અહીં છે. કેન્દ્ર સરકારની મદદથી અંદાજે 823 કરોડના ખર્ચે બનેલા આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 21 એકરથી વધુની જમીનમાં બનાવાયું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સઆ કોમ્પ્લેકસમાં અત્યાધુનિક સુવિધા સાથે વિવિધ પ્રકારની ઈન્ટરનેશનલ રમતોનું આયોજન કરી શકાય એ પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. નારણપુરામાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું નામ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રાખવામાં આવ્યું છે અને તે અંદાજે 21 એકરથી વધુની જમીનમાં બનાવાયું છે. 6 ભાગમાં વહેંચાયેલું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે. એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટસ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ બનાવાયાં છે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું વિશાળ પાર્કિંગ બનાવાયું છે. અહીં આવવા માટે લોકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા મળી રહે એ માટે અમદાવાદ શહેરની વચ્ચોવચ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરાયું છે. હવે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના 6 ભાગ વિશે વિગતવાર સમજીએ... બ્લોક A : એક્વાટિક સ્ટેડિયમસ્પોર્ટસ કોમ્પ્લેક્સના બ્લોક-Aને એક્વાટિક સ્ટેડિયમ નામ અપાયું છે, જેની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયો છે, જેમાં 1500 પ્રેક્ષકની બેસવાની વ્યવસ્થા કરાઈ છે. આ બ્લોકમાં વિશાળ કોમ્પિટિશન પૂલ-ડાઈવિંગ પૂલ બનાવાયો છે. આ સ્વિમિંગ પૂલ FINA નોર્મ્સ મુજબ બનાવાયો છે. FINA એ ફ્રેન્ચ શબ્દનું શોર્ટ ફોર્મ છે. એનું ફ્રેન્ચમાં આખું નામ છે - ફેડરેશન ઈન્ટરનેશનલ દે નાટાશન. સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલના નિયમો બનાવતી આ ઈન્ટરનેશનલ ગવર્નિંગ બોડી છે. એના નિયમ મુજબ અહીં સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયો છે. જે મર્થા ટેક્નોલોજીથી સ્વિમિંગ પૂલ બનાવાયો છે એ શું છે? સામાન્ય રીતે આપણે જોયું છે કે સ્વિમિંગ પૂલ બનાવવા માટે ખાડો ખોદવામાં આવે. બ્લૂ કલરની ટાઈલ્સ ફિટ કરવામાં આવે અને પછી પાણી ભરવામાં આવે, પણ મર્થા ટેક્નોલોજીમાં એવું નથી. એમાં પહેલા ખાડો ખોદવામાં આવે. પછી ટાઈલ્સ ફિટ કરવામાં આવે. પછી હાઈટવાળા સ્ટીલના ગર્ડર અને સ્ટીલની પ્લેટ મૂકવામાં આવે છે. આ ગર્ડર અને પ્લેટ PVC કોટેડ હોય છે. ગર્ડર મૂક્યા પછી એના પર ખાસ પ્રકારની પીવીસી કે રબર જેવા મટીરિયલની શીટ મૂકવામાં આવે. આ શીટ ઉપર પાણી ભરવામાં આવે, એટલે કોઈ સ્વિમર ડાઈ મારે કે ઝડપથી તરે તોપણ એને જમીનની ટાઈલ્સ વાગે નહીં. કોઈ પ્રકારની ઈજા થાય નહીં. મર્થા ટેકનોલોજી હોય તેવા પૂલમાં જ કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી ગેમ્સ રમી શકાય છે. મર્થા પૂલ ટેક્નોલોજીમાં પૂલને કસ્ટમાઈઝ કરી શકાય છે, એટલે કે પૂલને એની કેપેસિટી મુજબ નાનો મોટો કરી શકાય છે. બ્લોક B : સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સબીજા બ્લોક-Bને સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ નામ અપાયું છે. એમાં 42 બાય 24ના બે મોટા હોલ છે, જેમાં 2 બાસ્કેટ બોલ કોર્ટ, 2 વોલી બોલ કોર્ટ, અથવા 8 બેડમિન્ટન કોર્ટનો એક સમયે ઉપયોગ થઈ શકશે. આ સેન્ટરના મલ્ટીસ્પોર્ટ્સ હોલમાં 2 ટેકવાન્ડો કોર્ટ અથવા બે કબડ્ડી કોર્ટ, બે રેસલિંગ અથવા 12 ટેબલટેનિસની મેચ એક જ સમયે યોજી શકાશે. બ્લોક C : ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેનાત્રીજો C બ્લોક સૌથી મોટો બ્લોક છે. આ ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ અરેનામાં 81 બાય 45ની સાઈઝના વિશાળ હોલમાં વિવિધ ઈન્ટરનેશનલ કક્ષાની ઓલિમ્પિક સહિતની ઈવેન્ટ કરવામાં આવશે, જેમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટબોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમ્નેસ્ટિક મેટ આ સિવાય ટેબલ ટેનિસ, કબડ્ડી, કુસ્તી સહિતની મલ્ટીપર્પઝ હોલની સુવિધા કરવામાં આવી છે. એકસાથે 5200 પ્રેક્ષક બેસીને મેચ નિહાળી શકે એવી વ્યવસ્થા છે. બ્લોક D : કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરઆ કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર એક પ્રકારનું ક્લબ હાઉસ હશે, જે નાગરિકો માટે બનાવાયું છે. એમાં ક્લબની મેમ્બરશિપ લઈને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં અલગ અલગ રમતો રમી શકાશે. એની અંદર કાફેટેરિયા, લાઈબ્રેરી, જિમ-એરોબિક્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ અને સ્નૂકર અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે તેવો મલ્ટીપર્પઝ હોલ બનાવાયો છે. જેની ઓડિયન્સ કેપેસિટી 300 લોકોની છે તેમજ 6 સ્કવોશ કોર્ટ અને ઈન્ડોર શૂટિંગ રેન્જ માટેનું પણ આયોજન કરાય એવી વ્યવસ્થા ઊભી કરાઈ છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:00 am

કારના જૂના માલિકે પોલીસને ફોન કર્યો, બંધ કેસની ફાઇલ ખુલી:77 દિવસ બાદ વૃદ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો, લિફ્ટ આપવાના નામે અપહરણ કર્યું, 40 કિમી દૂર લાશ ફેંકી

ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં તમે વાંચ્યું કે ગીર સોમનાથના એક નાનકડા ગામમાં રહેતા વૃદ્ધા ગુમ થઈ ગયા હતા. 80 વર્ષના માજી ઘરેથી બેંક જવા માટે નીકળ્યા હતા, તેમણે બેંકમાંથી માત્ર 1200 રૂપિયા ઉપાડ્યા અને પછી તેમનો કોઈ અતોપતો ન લાગ્યો એટલે ગુમ થયાના ચોથા દિવસે પરિવારના લોકોએ પોલીસને જાણ હતી. ત્રણ અઠવાડિયા સુધી પોલીસના હાથ ખાલી રહ્યા. પછી અચાનક એક દિવસ ઘરથી 40 કિલોમીટર દૂર અંતરિયાળ વિસ્તારમાંથી એક કંકાલ મળ્યો. સાથે જ કપડા અને ચાવીનો ગુચ્છો પણ હતો. (પહેલો ભાગ વાંચવા માટે અહીં ક્લિક કરો) હવે આગળનું ઇન્વેસ્ટિગેશન વાંચો…પોલીસે પરિવારના લોકોને આ વાતની જાણ કરી અને ઓળખ માટે બોલાવ્યા. 3 સપ્ટેમ્બર, 2025ના રોજ જીવીબેનના ત્રણેય દીકરા પોલીસ સ્ટેશન પહોંચી ગયા. જાફરાબાદ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વી.એન.મોરવાડિયાએ પરિવારને પોલીસ સ્ટેશનમાં એકબાજુ બેસાડ્યો અને સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને ધીમા અવાજે કહ્યું, મેપાભાઇ, અમે તમારી લાગણી સમજીએ છીએ. પણ તમારે મજબૂત મન રાખવું પડશે. આ માનવ કંકાલ જ્યાંથી મળ્યું છે ત્યાંથી કેટલાક કપડાં પણ મળી આવ્યા છે. તમારે એની ઓળખ કરવાની છે. પોલીસે ધીમેથી એક પ્લાસ્ટિકની થેલીમાંથી ફાટેલાં અને કાદવથી ખરડાયેલાં કપડાં બહાર કાઢ્યાં. પોલીસ સ્ટેશનમાં સન્નાટો છવાઈ ગયો. પરિવારના દરેક સભ્યની નજર એ કપડાં પર ચોંટી ગઈ. લાલ રંગની જિમી અને લાલ રંગનું બ્લાઉઝ હતું. ચુંદડીના એક છેડે સખત ગાંઠ મારેલી હતી. એ ગાંઠની અંદર પીળા કલરના ભગવાન ગણપતિના આકારના કી-ચેઇન સાથે ચાવીઓનો એક જૂડો બાંધેલો હતો. મેપાભાઇ ઢીલા પડી ગયા. ગળે ડૂમો ભરાઈ ગયો, બોલ્યા, સાહેબ આ અમારા બાની જ ચાવીઓ છે. એ હંમેશા ચુંદડીના છેડે ગાંઠ મારીને રાખતાં. પરિવારના લોકોએ કપડા અને ચાવીનો ગુચ્છો જોઈને કંકાલ જીવીબેન બાબરીયાનું જ હોવાનું સ્વીકાર્યું. જો કે પોલીસે વૈજ્ઞાનિક રીતે આ વાતને સાબિત કરવી જરૂરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.મોરવાડિયાએ કહ્યું, કપડાંની ઓળખ થઈ ગઈ છે. પણ આ હાડપિંજર ખરેખર તમારા માતાનું છે કે નહીં, તે સાબિત કરવા માટે DNA ટેસ્ટ કરાવવો પડશે, એ માટે તમારે સેમ્પલ આપવાના થશે. મેપાભાઇ અને મનુભાઈ, બંનેએ ભારે હૈયે આ પ્રક્રિયા માટે સહમતિ આપી. તરત જ પોલીસે નિયમ મુજબ હાડપિંજરના અવશેષોના અને બંને ભાઈઓના DNA સેમ્પલ ભેગા કરવા માટે મેડિકલ ટીમને જાણ કરી. આ નમૂનાઓને વધુ તપાસ અને મેચિંગ માટે ગાંધીનગર FSL ખાતે મોકલી આપવામાં આવ્યા. હવે જીવીબેનનો આખો પરિવાર ગાંધીનગરથી આવનારા રિપોર્ટની રાહ જોઈ રહ્યો હતો. કારણ કે એક કાગળથી નિર્ણય થવાનો હતો કે જીવીબેન જીવે છે કે પછી હાડપિંજર અને કપડા મળ્યા એ જ તેમની છેલ્લી નિશાની છે. થોડાક દિવસો વીતી ગયા. જીવીબેનના મૃત્યુ અંગે સસ્પેન્સ ખોલતો એક સીલબંધ પત્ર ગાંધીનગરથી ગીર સોમનાથ પહોંચ્યો. પોલીસ ઇન્સ્પેક્ટરે રિપોર્ટ ખોલ્યો અને વાંચવા લાગ્યા. રિપોર્ટમાં લખ્યું હતું કે આપેલા બન્ને સેમ્પલના DNA મેચ થઈ રહ્યા છે. આ રિપોર્ટ મુજબ હાડપિંજર જીવીબેન બાબરીયાનું જ છે એ સાબિત થઈ ગયું. જીવીબેન ટ્રેક્ટરમાં આંચકા લાગશે એવું કારણ આપીને પગપાળા ઘરે જઈ રહ્યા હતા. ત્રણેક અઠવાડિયા સુધી તેમનો કોઈ અતોપતો ન લાગ્યો અને છેલ્લે હાડપિંજર મળ્યું. પરિવારના સભ્યોમાં ગમગીની છવાઈ ગઈ. પોલીસે નિયમ પ્રમાણે જીવીબેનની છેલ્લી યાદ રૂપે જે પણ વસ્તુ મળી હતી એ પરિવારને સોંપી અને પરિવાર હવે અંતિમવિધિના કામ માટે જોતરાઈ ગયો. પણ પોલીસના મનમાં સવાલ હતો કે આખરે જીવીબેન સાથે એવું તો શું થયું? ઘરથી 40 કિલોમીટર દૂર મળેલા હાડપિંજર પાછળનું સત્ય શોધવું પોલીસ માટે કોયડા સમાન હતું. પોલીસ ઇન્સ્પેક્ટર વી.એમ.મોરવાડિયાને મનમાં એક સવાલ ઘૂમી રહ્યો હતો કે આ અકસ્માત છે કે મર્ડર? પોલીસ સ્ટેશનમાં ગીર સોમનાથ જિલ્લાનો એક નકશો લટકતો હતો. તેના પર ઇન્સ્પેક્ટર મોરવાડિયાની નજર ગઈ. ખુરસીમાંથી ઉભી થયા અને અલગ-અલગ ગામડાઓના નામ વાંચવા લાગ્યા. તેમણે વિચાર્યું કે જીવીબેન છેલ્લે ક્યાં જોવા મળ્યા હતા? એસ.આઈ.મોરવાડિયાએ ગણિત માંડ્યું. જીવીબેન 11 વાગ્યાની આસપાસ ગુમ થયા હોવાનું પરિવાર કહે છે. એ પછી તેમનો દીકરો એ જ રસ્તે ટ્રેક્ટર પર નીકળ્યો હતો. એટલે જીવીબેન સાથે 11થી 12 વાગ્યાના અરસામાં જ કંઈક બન્યું હોઈ શકે. તેમણે સ્ટાફને ઓર્ડર આપ્યો, 8 સપ્ટેમ્બરે એક કલાકના અરસામાં બંધારડા ગામની આસપાસથી જેટલા પણ વાહનો પસાર થયા હોય તેની માહિતી કાઢો. સીસીટીવી ફૂટેજ ચેક કરો. એક પણ ગાડી છૂટવી ન જોઈએ. આ ઘટનાને મહિના કરતા પણ વધુ સમય થઈ ચૂક્યો હતો. છતાં પોલીસની તનતોડ મહેનત કામ આવી અને એક સીસીટીવી ફૂટેજમાં બે ગાડીઓ નીકળતી દેખાઈ. એક ગાડી બંધારડા ગામમાં રહેતા સ્થાનિક જ હતી. પોલીસે તેની પૂછપરછ કરી પરંતુ તેની પાસે જીવીબેન વિશે કોઈ જ માહિતી ન હતી. એટલે તેને જવા દીધો. હવે પોલીસે બીજી એક શંકાસ્પદ કાર પર ફોકસ કર્યું. પોલીસે RTOમાંથી ગાડીનો ડેટા કાઢ્યો અને તપાસનો રેલો ગીર સોમનાથથી છેક ગાંધીનગર સુધી પહોંચ્યો. કારણ કે સરકારી રેકોર્ડ પર આ કાર ગાંધીનગરમાં રહેતી એક વ્યક્તિની હોવાની જાણ થઈ હતી. એટલે પોલીસની એક ટીમ ગાંધીનગર આવી. જ્યારે પોલીસ કારમાલિકના ઘરે પહોંચી ત્યારે જે સત્ય બહાર આવ્યું, તેનાથી વધુ એક ગૂંચવણ ઊભી થઈ. RTOના રેકોર્ડ પર જે વ્યક્તિનું નામ કારના માલિક તરીકે હતું તેણે પોલીસને કહ્યું, સાહેબ, મેં આ કાર તો 2020માં જ વેચી નાખી હતી. એ પછી ક્યાં ગઈ, મને ખબર નથી. પોલીસે તમામ ડોક્યુમેન્ટની ખરાઈ ગઈ અને કાર અત્યારે કોની પાસે છે એ તપાસમાં વધુ ઉંડાણથી કામ કર્યું. જાણવા મળ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં શંકાસ્પદ કારના સાત માલિકો બદલાઈ ચૂક્યા છે. પોલીસ કારના સાતમા માલિક સુધી પહોંચવામાં સફળ રહી. પોલીસ પાસે કારમાલિકનું નામ અને સરનામા સહિતની વિગતો આવી ગઈ. પોલીસ કારમાલિકના ઘરે પહોંચી પરંતુ દરવાજે તાળું લટકતું જોવા મળ્યું. અત્યાર સુધી ચાલતા તપાસના ધમધમાટમાં આ સૌથી મોટું સ્પીડબ્રેકર હતું. DNA રિપોર્ટ બાદ કેસની ગંભીરતા વધી ગઈ હતી. હત્યા ઉપરાંત એટ્રોસિટીની કલમો પણ ઉમેરવામાં આવી હતી. એટલે તપાસનું કમાન હવે ગીર સોમનાથના SC/ST સેલના DySPને સોંપવામાં આવી હતી. જો કે પોલીસ ઇન્સ્પેક્ટર મોરવાડિયાની ટીમ હજી હત્યારાને શોધવામાં લાગેલી જ હતી. DySP અને મોરવાડિયા માટે હવે પડકાર બમણો હતો, હત્યારાનું નામ તો ખબર હતું, પણ તે ક્યાં છે અને જીવીબેનની હત્યા કેમ કરી હતી? તપાસના ચક્રો પૂરી ઝડપે ફરી રહ્યા હતા. પોલીસની ટીમ ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત માહિતી પર કામ કરી રહી હતી. પણ સફળતા નહોતી મળતી. અઢી મહિના વીતી ગયા હતા. ત્યારે નવસારીમાં એક ઘટના બની અને ગીર સોમનાથના કેસમાં નવો વળાંક આવ્યો. નવસારી પોલીસે લૂંટ અને ધાડના એક ગુનામાં એક કુખ્યાત ગેંગને પકડી પાડી હતી. આ ગેંગે ગુનામાં એક કારનો ઉપયોગ કર્યો હતો. એટલે નવસારી પોલીસ પણ ગીર સોમનાથ પોલીસની જેમ ગાંધીનગરમાં રહેતા કારના મૂળ માલિક સુધી પહોંચી હતી. અગાઉ જ્યારે ગીર સોમનાથ પોલીસ આ યુવાન પાસે આવી હતી ત્યારે કોઈપણ અપડેટ મળે તો જાણ કરવા માટે કહ્યું હતું. એટલે ગાંધીનગરમાં રહેતા કારમાલિકે ગીર સોમનાથ પોલીસને ફોન કર્યો. કારમાલિકે કહ્યું, સાહેબ, તમને જે કારની તપાસ હતી, એ કાર નવસારી પોલીસે લૂંટના કેસમાં પકડી છે! પોલીસ ઇન્સ્પેક્ટરે પૂરી વાત સાંભળ્યા પછી તરત જ નવસારી પોલીસને સંપર્ક કર્યો. મોરવાડિયાએ નવાસારી પોલીસ સ્ટેશનના અધિકારીને કહ્યું, અમે એક ગંભીર હત્યા કેસની તપાસ કરી રહ્યા છીએ, એમાં તમારી કસ્ટડીમાં રહેલી કારનો ઉપયોગ થયો હોવાની પ્રબળ શંકા છે. મહેરબાની કરીને એ આરોપીઓની પૂછપરછ કરો કે તેમણે ક્યાંક કોઈ વૃદ્ધાનું અપહરણ કે હત્યા નથી હતી? પોલીસની પૂછપરછમાં આરોપીઓ લાંબો સમય ટકી શક્યા નહીં અને છેલ્લા 77 દિવસથી ધરબાયેલું સત્ય સામે આવી ગયું. નવસારી પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી મહેશ અને કલ્પેશે 8મી સપ્ટેમ્બરે બનેલી આખી ઘટના વિગતવાર કહી. 8મી સપ્ટેમ્બરની સવારે ઇન્ડિકા વિસ્ટા કારમાં પાંચ લોકો સવાર થયા. મહેશ નામનો આરોપી કાર ચલાવતો હતો. ક્યાં જવું એ નક્કી ન હતું. બસ પાંચેયે એવું નક્કી કરી લીધું હતું કે રસ્તામાં કોઈ મળે તો તેને લૂંટી લેવો અને ફરાર થઈ જવું. આ જ મોડ્સઓપરેન્ડીથી આરોપીઓએ અગાઉ કેટલાક લૂંટ કરી હતી. રસ્તે જતા લોકોને લૂંટવા અને એ રૂપિયાથી મોજશોખ કરવી એ તેમનું કામ. ગીરગઢડાના કાચા રસ્તા પર મહેશે કાર હંકારી મૂકી. રસ્તામાં તેમને જીવીબેન પગપાળા ચાલતા જતા જોવા મળ્યા. એટલે મહેશના મનમાં લાલચ જાગી. તેણે માજીની પાસે જઈને કાર ઉભી રાખી દીધી. અચાનક કાર રોકાઈ જતા જીવીબેન પણ ચોંકી ઉઠ્યા. જીવીબેન કંઈક સવાલ કરે એ પહેલાં જ મહેશે કહ્યું, માજી બંધારડા બાજુ જ જઈએ છે, બેસી જાવ તો ચાલવું ન પડે. આવી રીતે વાહનો મળી જવા એ આખા ગામના લોકો માટે ખૂબ સામાન્યા બાબત હતી. એટલે સુરક્ષાની જરા પણ ચિંતા કર્યા વગર જીવીબેન કારમાં પાછલી સીટ પર કલ્પેશ નામના યુવકની પાસે બેસી ગયા. કાર ઉપડી અને થોડી જ વારમાં આરોપીઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું. જીવીબેનને કડક અવાજે કહ્યું, માજી જેટલા ઘરેણા પહેર્યા છે એ ઉતારી લેવા દ્યો. આ સાંભળતા જ જીવીબેને બૂમાબૂમ કરી મૂકી. આસપાસ ખેતરો હતા અને અગિયાર વાગ્યાની આસપાસ ઘણા ખેતમજૂરો પણ ત્યાં હોય. એટલે જીવીબેનનો અવાજ કોઈ સાંભળી ન જાય એ માટે કલ્પેશે મોઢુ દબાવી દીધું. બચવા માટે હવે જીવીબેને જેટલું જોર લગાવી શકતા હતા એટલું લગાવી દીધું. કલ્પેશને લાગ્યું કે હવે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે. એટલે તે ગુસ્સામાં આવ્યો અને જોરથી જીવીબેનનું માથુ કારમાં ભટકાડી દીધું. જીવીબેનના માથામાંથી લોહીનો રેલો છૂટ્યો અને બેભાન થઈ ગયા. માંડ બેથી પાંચ મિનિટમાં આખો ઘટનાક્રમ પૂરો થઈ ગયો. પાંચેય આરોપીઓેએ વિચાર્યું હતું કે માજીને ધાકધમકી આપીને ઘરેણા પડાવી લઈશું અને પછી રસ્તે મૂકીને ફરાર થઈ જઈશું. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. મહેશે કાર ઉભી રાખી. જોયું તો જીવીબેન જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. કોઈ આવી જાય એવો મનમાં ડર હતો એટલે પાંચેય આરોપીઓએ ભેગા મળીને કારની ડિકીમાં જીવીબેનને પૂરી દીધા અને પછી જાફરાબાદના દરિયાકાંઠા બાજુ ગાડી હાંકી મૂકી. ચોમાસુ પૂરું થવા આવ્યું હતું. પણ જાફરાબાદના કાંઠા નજીક એવો અંતરિયાળ વિસ્તાર હતો જ્યાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલું હતું. વળી લોકોની અવરજવર પણ ન હતી. એટલે ત્યાં જઈને મહેશે કાર ઉભી રાખી. એ સમયે જીવીબેનનું મોત થઈ ચૂક્યું હતું. જરા પણ દયાભાવ રાખ્યા વગર આરોપીઓએ તમામ ઘરેણા કાઢી લીધા અને લાશને ધાબડામાં વીંટીને ઝાળીઝાંખરા વચ્ચે પાણીમાં નાખીને ત્યાંથી ફરાર થઈ ગયા. મહેશ સુરતમાં કલરકામ કરતો હતો. જ્યારે કલ્પેશ મહેશનો સાળો છે. હવે લૂંટી લીધેલા ઘરેણા ક્યાં અને કેવી રીતે વેચવા એની ગણતરી સાથે આરોપીઓ અમદાવાદ તરફ આવવા નીકળ્યા. મહેશનો ભાઈ ચોટીલામાં તેની માતા સાથે રહે છે. એટલે ચોટીલા પહોંચતા જ મહેશને એક વિચાર આવ્યો અને સોનીની દુકાને પહોંચી ગયો. સોનીને જઈને કહ્યું, આ મારા દાદીને ઘરેણા છે, સાતમ આઠમનો તહેવાર આવે છે એટલે રૂપિયાની જરૂર છે. તો મારે વેચવા છે. સોનીને મહેશની વાત સાચી લાગી એટલે સોનાની વીંટી, સોનાનો દોરો અને બ્રેસલેટ એમ કુલ ત્રણ વસ્તુનો 47 હજાર રૂપિયામાં સોદો કર્યો અને રોકડા લઈને ત્યાંથી મહેશ ફરાર થઈ ગયો. જો કે અઢી મહિના બાદ આવી રીતે લૂંટના એક કેસમાં નવસારી પોલીસે મહેશ અને કલ્પેશની ધરપકડ કરી. એમાં જીવીબેનની હત્યાનો ભાંડો ફૂટ્યો. ગીર સોમનાથ પોલીસે નવસારીથી બે આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અને ત્યાર બાદ વધુ પૂછપરછ કરતા વધુ ત્રણ આરોપીઓના નામ ખૂલ્યા. આમ આ કેસમાં અત્યાર સુધીમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 26 Nov 2025 6:00 am