SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:વાસદમાં સાંસદ મિતેશ પટેલની ઉપસ્થિતિમાં એકતા પદયાત્રા યોજાઇ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં યોજાઈ રહેલી એકતા પદયાત્રા અંતર્ગત આણંદ જિલ્લાના આંકલાવ વિધાનસભા મત વિસ્તારમાં વાસદ ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો. આ પદયાત્રામાં સાંસદ મિતેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં વાસદ ગામથી એસ.વી.આઈ.ટી. કેમ્પસ સુધી 5.5 કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું હતું. પદયાત્રાના પ્રારંભે સાંસદ સહિતના મહાનુભાવોએ વાસદ ગામમાં આવેલી સરદાર પટેલની અર્ધપ્રતિમાને સુતરની આંટી અને ફૂલહાર અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. ત્યારબાદ પદયાત્રાને ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ પ્રસંગે શૈક્ષણિક વર્ષમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત સૈનિકો દિલીપસિંહ મહીડા અને નરેન્દ્રસિંહ પરમારનું પણ સાંસદ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. સાંસદ મિતેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં એકતા પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય આજની યુવા પેઢી સરદાર પટેલના દેશની આઝાદી અને 562 રજવાડાઓને એક કરીને અખંડ ભારત બનાવવામાં આપેલા યોગદાનને યાદ કરે તે છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સરદાર પટેલે દેશની આઝાદી માટે કરેલા અથાક કાર્યોમાંથી પ્રેરણા લઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ દેશને એક તાંતણે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. છેલ્લા એક દાયકાથી તેઓ દેશના સાંસ્કૃતિક વારસાના જતન માટે પણ કાર્યરત છે. કાર્યક્રમના અંતે સ્વદેશીના શપથ લેવામાં આવ્યા હતા. મહાનુભાવોએ એસ.વી.આઈ.ટી. કેમ્પસના પ્રાંગણની બાજુમાં ઊભા કરાયેલા સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ પણ કર્યું હતું. આ પદયાત્રામાં જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, આણંદ પ્રાંત અધિકારી મયુર પરમાર, એસ.વી.આઈ.ટી.ના ચેરમેન ભાસ્કરભાઈ, જિલ્લા પંચાયતના સદસ્યો, આરોગ્ય કર્મીઓ, વન કર્મીઓ, એન.એસ.એસ. અને માય ભારત (My Bharat)ના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:53 pm

પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે:ડિજિટલ ટૂલ્સથી માનસિક આરોગ્યમાં વધારો પર વર્કશોપનું આયોજન

પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહના માર્ગદર્શન હેઠળ 18 નવેમ્બર, 2025ના રોજ “Digital Tools for Mental Wellbeing” વિષય પર પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં વક્તા જોમી ટી. જોસએ આપ્યું હતું. સવારના 8:30 વાગ્યે શરૂ થયેલ આ માહિતીસભર વર્કશોપમાં 100થી વધુ વિદ્યાર્થીઓએ ઉપસ્થિતિ દર્શાવી અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા માનસિક આરોગ્યને કેવી રીતે મજબૂત બનાવી શકાય તે અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી. વર્કશોપ દરમ્યાન જોસે માઇન્ડફુલનેસ એપ્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ ટૂલ્સ, મૂડ ટ્રેકિંગ ટેક્નિક્સ તથા સકારાત્મક ડિજિટલ હેબિટ્સ વિષે સરળ અને રસપ્રદ રીતે સમજાવી વિદ્યાર્થિઓમાં જાગૃતિ ફેલાવી.વિદ્યાર્થીઓમાં ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ સમગ્ર કાર્યક્રમનું સફળતા પૂર્વક સંચાલન પ્રો. ડી. બી. બંધિયા તથા પ્રો. માર્ગી દેસાઈ દ્વારા કરવામાં આવ્યું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:47 pm

પાટણમાં બાઇક સાથે શ્વાન ભટકાતા અકસ્માત:ઇજાગ્રસ્ત યુવકનું પાંચ દિવસની સારવાર બાદ મોત, અન્ય એક ઇજાગ્રસ્ત

પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક પાંચ દિવસ પહેલાં બાઈક અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બાઈક સામે અચાનક શ્વાન આવી જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા રણજીતજી કાંતિજી ઠાકોરનું પાંચ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ઘટના પાંચ દિવસ પહેલાં, તા. 13/11/25 ના રોજ બપોરે બની હતી. કિમ્બુવા ગામના વિનુજી કાંતિજી ઠાકોર અને તેમના મોટાભાઈ રણજીતજી બાઈક પર સરસ્વતીના વડુ ગામેથી ડીઝલ લઈને પરત ફરી રહ્યા હતા. તેઓ પાદરડી ગામે તેમના વેવાઈના ઘરેથી રણજીતજીનું બાઈક લેવા જઈ રહ્યા હતા. વિનુજી બાઈક ચલાવી રહ્યા હતા અને રણજીતજી પાછળ બેઠા હતા. કિમ્બુવા હાઈવે પર વડલાથી આશરે અડધા કિલોમીટર દૂર ચારૂપ ગામ જવાના રોડ પર પહોંચતા જ અચાનક એક શ્વાન બાઈકના આગળના ટાયર સાથે ભટકાયું હતું. જેના કારણે બાઈક ચાલક વિનુજીએ કાબુ ગુમાવ્યો અને બંને ભાઈઓ રોડ પર પટકાયા. આ અકસ્માતમાં રણજીતજીને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે વિનુજીને પણ ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત રણજીતજીને તાત્કાલિક પાટણની જનતા હોસ્પિટલમાં સિટી સ્કેન કરાવ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા, પરંતુ સારવારનો ખર્ચ વધુ હોવાથી તેમને પરત પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મૃતક રણજીતજી કાંતિજી ઠાકોરના ભાઈ વિનુજી ઠાકોરે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:46 pm

ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા:અધિકારીઓ બેઠકમાં ગેરહાજર રહેતા ગ્રામજનોમાં રોષ

લખપત તાલુકાના ગુનેરી ગામમાં પીવાના પાણીની તીવ્ર સમસ્યા સર્જાઈ છે, જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રામજનોએ તંત્ર સમક્ષ નિયમિત પાણી પુરવઠાની તાત્કાલિક વ્યવસ્થા કરવા માંગ કરી છે. સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખરના જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી ગામમાં અઠવાડિયામાં માંડ એક વખત અપૂરતા પ્રમાણમાં પીવાનું પાણી આવે છે. આ અંગે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓ સમક્ષ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી. અધિકારીઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે બેઠક યોજવા જણાવ્યું હતું. તેમણે કોન્ટ્રાક્ટર સાથે હાજર રહી ગામની પાણીની સમસ્યા અંગે ચર્ચા કરવાનું વચન આપ્યું હતું. આ મુજબ, રવિવારે સવારે ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચ પ્રતિનિધિ ભીમજીભાઈ ખોખર, ગામના આગેવાનો ભીભાજી જીવણજી, તખુભા વાઘજી, રાણુભા હાલાજી, પુંજાજી પૃથ્વીરાજજી, વિસાજી ખેતાજી, લક્ષ્મણસિંહ બુધુભા તેમજ તલાટી પિયુષભાઈ સહિતના લોકો એકઠા થયા હતા. તેમણે પાણી પુરવઠા તંત્રના અધિકારીઓની લાંબા સમય સુધી રાહ જોઈ હતી. જોકે, સંબંધિત તંત્રના અધિકારીઓ કે કોન્ટ્રાક્ટર સહિત કોઈ પણ જવાબદાર વ્યક્તિ બેઠકમાં હાજર રહ્યા ન હતા. આગેવાનોએ જણાવ્યું કે અધિકારીઓએ આવવાની તસ્દી લીધી ન હતી અને તેમના ફોન પણ રિસીવ કર્યા ન હતા, જેનાથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ અંગે દયાપર પાણી પુરવઠા કચેરીના ઇન્ચાર્જ અધિકારી એમ.બી. ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે રવિવારના દિવસે ગુનેરી ગામ ખાતે આયોજિત બેઠકમાં હાજર રહેવાની જાણ મળી હતી, પરંતુ તે દિવસે તેઓ બહારગામ હોવાથી પહોંચી શક્યા ન હતા. તેમણે ઉમેર્યું કે અંજારના ટપ્પર નજીક નર્મદાની પાણીની પાઈપલાઈનમાં ખોટકો સર્જાતા લખપતનાં છેવાડાના ગામોમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી. જોકે, આ પ્રશ્નનો હાલ ઉકેલ લાવવામાં આવ્યો છે અને પાણી વિતરણ શરૂ થઈ ચૂક્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:43 pm

DyCM હર્ષ સંઘવી બનાસકાંઠામાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે:20 નવેમ્બરે વડગામ, પાલનપુર અને ડીસામાં રૂ. 27.56 કરોડના પ્રોજેક્ટ્સ ખુલ્લા મુકાશે

રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં આગામી 20 નવેમ્બર, 2025ના રોજ બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ. 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, પાલનપુર ખાતે બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાશે. વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી શકે તે હેતુસર સરકાર દ્વારા વડગામ ખાતે 698.05 ચો.મી. જમીન પર અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે. આ લાઇબ્રેરીમાં કુલ 169 વિદ્યાર્થીઓને બેસવાની ક્ષમતાવાળી G+1 ઈમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા 20 હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ કાર્યરત કરાયો છે. રૂ. 9.20 કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે. આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબીન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. નાયબ મુખ્યમંત્રી ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને પણ ખુલ્લું મુકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ 28329 ચો.મી. જમીન પર કુલ રૂ. 14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોન્ગ જંપ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ છે. આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:40 pm

વિશ્વામિત્રીના કિનારે પાર્ક બે કાર ભડભડ સળગી ઉઠી:સ્થાનિકોએ કહ્યું-112 સેવા ફ્રોડ છે, કોઇ માણસ બળીને ખાખ જશે, ત્યારે આવશે!

વડોદરાના કાલાઘોડા સર્કલ પાસે વિશ્વામિત્રી નદીના કિનારે આજે બપોરે બે (ક્રેટા અને XUV700) પાર્ક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકોના ટોળેટોળા એકત્રિત થઇ ગયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, જ્વાળાઓ દૂર દૂર સુધી જોવા મળી હતી. સ્થાનિક લોકોએ તુરંત 112 નંબર ઉપર કોલ કરીને ફાયર બ્રિગેડને બોલાવી હતી. ફાયર વિભાગની ટીમે આવીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના સમયે સ્થાનિકોમાં ભારે આક્રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યાં હતા કે, કચરાને કારણે આગ લાગી છે અને કોર્પોરેશન કચરો લેવા આવતુ નથી. આ ઉપરાંત તાજેતરમાં જ શરૂ કરવામાં આવેલી 112 સેવાને પણ આડેહાથ લીધી હતી. અહીં કોઇ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથીઃ મનિષભાઈસ્થાનિક મનિષભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અહીં બહારના લોકો કચરો ફેંકી જાય છે, જેના કારણે કચરાનો ઢગલો થઇ ગયો છે. કચરામાં આગ લાગતા બે કાર સળગી ગઈ છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા અહીં સફાઇ કરવામાં આવતી નથી. અહીં કોઇ નેતા કે કોર્પોરેટર ફરકતા પણ નથી. ‘112 નંબરની સેવા એકદમ રોંગ છે’તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નવી શરૂ કરેલી 112 સેવા ફ્રોડ છે. અમે ફોન કરીએ તો કોણ બોલો છો, કેવી રીતે થયું એવા સવાલો કરે છે. 4 વખત ફોન કરીએ ત્યારે રિસ્પોન્સ આપે છે. એના કરતા, 100, 101 અને 108 નંબરની સેવા સારી છે. એને સેલ્યુટ છે, એને ચાલુ રાખો. 112 નંબરની સેવા એકદમ રોંગ છે. માણસ બળીને ખાખ જાય, ત્યારે સેવા મળે તેવી હાલત છે. 112ની સેવા ગુજરાત અને વડોદરાને નથી જોઇતી. 112ને કારણે આજે ફાયરબ્રિગેડની ટીમ મોડી પહોંચી છે. તપાસ બાદ આગનું સાચુ કારણ બહાર આવશેઃ ફાયર વિભાગવડોદરા ફાયર બ્રિગેડના સબ ઓફિસર પ્રતાપભાઈ ડામોરે જણાવ્યું હતું કે, જૂની રાજશ્રી ટોકીઝની સામે મકાનમાં આગ લાગી છે, તેવો કોલ મળ્યો હતો. પરંતુ અહીં પહોંચ્યા, ત્યારે 2 કારમાં આગ લાગી હોવાનું જોવા મળ્યું હતું, જેથી સતત 5 મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને કાર પાર્કિંગ કરેલી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવું લાગે છે. તેમ છતાં તપાસ બાદ આગનું સાચુ કારણ બહાર આવશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:26 pm

બોટાદમાં સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે યોગ શિબિર:33,580 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો, સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ

બોટાદ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી અંદાજિત 31,895 વિદ્યાર્થીઓ અને 1,685 શિક્ષકો સહિત કુલ 33,580 લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ યોગ શિબિર અને વ્યાયામ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો અને 'મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાનને વેગ આપવાનો હતો. તમામ શાળાઓમાં એકસાથે આ ખાસ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. શિબિર દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રાણાયામ, તાડાસન, ત્રિકોણાસન, સૂર્ય નમસ્કાર અને ધ્યાન સહિત દૈનિક સ્વાસ્થ્ય માટે જરૂરી વ્યાયામની પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી.આ અભ્યાસક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, માનસિક એકાગ્રતા અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:16 pm

સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ICSE બોર્ડમાં જોડાણ કરી શકે:સંમતિ માટે મિટિંગ કરી વિદ્યાર્થીઓને વિકલ્પ અપાયો; વાલીઓએ કહ્યું- બાળકોને નુકસાન ન થવું જોઈએ

અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ગુજરાત બોર્ડ સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહ્યું છે. સ્કૂલને ગુજરાત બોર્ડમાંથી ટ્રાન્સફર કરીને ICSE બોર્ડ સાથે જોડાણની વિચારણા કરવામાં આવી છે, જેથી હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જેના કારણે આજે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. ICSE બોર્ડમાં લેવા માટે વાલીઓની સંમતિ લેવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં વિદ્યાર્થીઓને વિકલ્પ આપવાની પણ વાત સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે, પરંતુ વાલીઓ ચિંતામાં આવીને કહી રહ્યા છે કે ICSE બોર્ડમાં જાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન થવી જોઈએ. સ્કૂલ ICSE બોર્ડમાં જોડાશે તો ફીમાં વધારો થશેસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં અત્યારે 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી સ્કૂલ ગુજરાત બોર્ડ હેઠળ ચાલી રહી છે, પરંતુ હવે અચાનક સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડના કારણે ICSE બોર્ડ સાથે જોડાણ કરવાની તૈયારી કરવામાં આવી છે. જેથી વાલીઓ પાસે સ્કૂલને ICSE બોર્ડમાં તબદીલ કરવાને લઇ વાલીઓ પાસે સહીઓ પણ લેવામાં આવી છે. જો કે, અત્યારે ICSE બોર્ડમાં જવાની મંજૂરી લેવામાં આવે તો પણ આગામી 12 વર્ષ સુધી તો ગુજરાત બોર્ડ ચાલુ રાખવું પડી શકે છે. જો સ્કૂલ ICSE બોર્ડમાં સાથે જોડાય તો ફીમાં પણ વધારો થઈ શકે તેવી પણ શકયતા જોવા મળી રહી છે. વાલીઓને વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતાકારણ કે, જે વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં છે, તે વિદ્યાર્થીઓ ICSE બોર્ડમાં જવાનો ઇન્કાર કરે તો જ્યાં સુધી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેમને ગુજરાત બોર્ડ ચાલુ રાખી પડી શકે છે. જો કે, મિટિંગમાં વાલીઓએ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી હતી. ઘણા વાલીઓની માગ હતી કે, ICSE જેવાં અન્ય બોર્ડના અભ્યાસ કરાવવામાં આવે. અમદાવાદમાં 4થી 5 જેટલા સ્કૂલ ICSE બોર્ડમાં છે, આજુબાજુમાં 5 કિલોમીટર વિસ્તારમાં અન્ય કોઈ સારી સ્કૂલ નથી. જેથી મિટિંગમાં હાજર વાલીઓએ નવું બોર્ડ કેવું હશે તેને લઈને ચિંતા હતી. કારણ કે જો અચાનક સ્કૂલ ICSE બોર્ડમાં જોડાણ થાય તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ શકે છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ બદલવાનું વિચારીએ છીએઃ મેનેજરસેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના મેનેજર ફાધર પેટ્રિક એરોકિયમ જમાવ્યું હતું કે, ICSE બોર્ડમાં જવા માટે વાલીઓ સાથે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. સ્કીલ બેઝ એજ્યુકેશન અને ઇન્ટરનેશનલ ક્વોલિટીના કારણે ICSE બોર્ડમાં જવાનું નક્કી કર્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ બદલવાનું વિચારીએ છીએ. AI અત્યારે ખૂબ વધી રહ્યું છે, બધા બોર્ડ સારા જ છે પરંતુ વિદ્યાર્થીઓને વિકલ્પ આપવા માંગીએ છીએ. મિટિંગમાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં જોવા મળ્યા હતા. શરૂઆત હોવાથી વાલીઓમાં બધા પ્રશ્નોના ચોક્કસ જવાબ આપી શકતા નથી. ફી અને વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને વાલીઓ ચિંતામાં હતા. ICSE દ્વારા મંજૂરી મળે તો પણ 12 વર્ષ સુધી તો ગુજરાત બોર્ડ ચાલુ રાખવું પડે. ગુજરાત બોર્ડ બંધ કરીને ICSE બોર્ડ લાગુ ન કરવું જોઈએઃ વાલીપ્રવિણસિંહ નામના વાલીએ જણાવ્યું હતું કે, ICSE બોર્ડ લાગુ કરવાની પ્રસ્તાવના આજે વાલીઓ સાથેની મિટિંગમાં મૂકવામાં આવી હતી. ICSE બોર્ડના ફાયદાઓ પણ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યા હતા. પરંતુ અમારું કહેવું એમ છે કે ICSE બોડ લાગુ કરવું હોય તો કરે પરંતુ અત્યારે જે ગુજરાત બોર્ડમાં ભણે છે તેમને કોઈપણ જાતનું નુકસાન ન થવું જોઈએ. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ICSE બોર્ડ લાગુ કરવું જોઈએ. ગુજરાત બોર્ડ બંધ કરીને ICSE બોર્ડ લાગુ ન કરવું જોઈએ. પરંતુ સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડ ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:14 pm

'ગામ સાઈ ઇન્દ' ઉત્સવ;60-70 વર્ષ પછી ઉજવણી:પાવીજેતપુરના ભેંસાવહી ગામે આદિવાસી પરંપરાનું પુનરુત્થાન

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામમાં આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા 'ગામ સાઈ ઇન્દ'ની ઉજવણી થઈ રહી છે. આ ઉત્સવ આદિવાસી સમાજની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો મહત્વપૂર્ણ ભાગ છે. 'ગામ સાઈ ઇન્દ' એ આદિવાસી સમાજની એક પરંપરા છે, જેમાં દેવી-દેવતાઓ, પૂર્વજો અને પ્રકૃતિ માતાની પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ ઉત્સવનું મુખ્ય આકર્ષણ એ છે કે તેનું આયોજન 60થી 70 વર્ષના લાંબા ગાળા પછી થાય છે. તેને 'દેવોની પેઢી બદલવાનો' મેળો પણ કહેવાય છે. આ ધાર્મિક વિધિ દરમિયાન ગામના પૂજારી (બળવા) અને પુંજારા દ્વારા દેવોના નવા ઘોડા અને નવા ખુટનું સ્થાપન કરવામાં આવે છે. આ પ્રક્રિયા નવી પેઢીમાં દેવતાઓના આશીર્વાદ અને પરંપરાનું હસ્તાંતરણ દર્શાવે છે. 'ગામ સાઈ ઇન્દ'ના મેળામાં ગામના લોકો અને આદિવાસી સમાજના અન્ય વિસ્તારોમાંથી ભક્તો પોતાના પારંપરિક પહેરવેશમાં સજ્જ થઈને ભાગ લે છે. મેળામાં ઢોલ, માંદળ અને તીર કામઠા સાથે આદિવાસીઓ પરંપરાગત નૃત્ય-ગાન કરીને ઉજવણી કરે છે. આ ઐતિહાસિક આયોજન દ્વારા નવી પેઢીને પોતાની ધાર્મિક અને સાંસ્કૃતિક વિરાસતનું જ્ઞાન મળે છે. તે સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:13 pm

ભાઈપુરા-હાટકેશ્વરમાં 96 દબાણો પર બુલડોઝર ફેરવાયું:રોડ પહોળો કરી 12 મીટરનો થતાં ટ્રાફિક સમસ્યા દૂર થશે, 21 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપી હતી

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટીપી રોડ ખોલવાની કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં બાબુલાલની ચાલીથી ભૂંડની ચાલી તરફના રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ અને દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ટીપી રોડમાં આવતા નાના મોટા કાચા પાકા 96 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવીમ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ અને પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શહેરના ભાઈપુરા- હાટકેશ્વર વોર્ડમાં આવતા બાબુલાલની ચાલી પંજાબીની ચાલીથી ભૂંડની ચાલી તરફ રોડ આવેલો છે. જે હાલમાં હયાત 6થી 9 મીટર સુધીનો રોડ છે, આ રોડ ખુબ જ સાંકડો હોવાના કારણે અવરજવરમાં તકલીફ પડતી હતી. રોડ ઉપર વાહનોની અવર-જવર વધારે હોવાથી ટ્રાફિક થઈ જતો હતો જેથી ટીપી રોડને પહોળો કરવાની કામગીરી હાથ પર લેવામાં આવી હતી. ટીપી રોડ 12 મીટરનો મંજૂર થયેલો છે. જો કે, હયાત રોડ નાનો હોવાના કારણે દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. 96 દુકાનો અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યુંઆ હયાત રોડ ઉપર આવેલા કોમર્શિયલ અને રહેણાંક બંને મળીને કુલ 96 જેટલા મકાનો છે. નાના-મોટા કાચા પાકા મકાનો જેસીબી વડે દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગે મકાનો અને દુકાનોમાં નાનો મોટો ભાગ જ તૂટી રહ્યો છે. આખી દુકાન કે મકાન દબાણમાં નથી. લોકોએ ટીપી રોડ ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો અને મકાનો બનાવી દીધા હતા જેથી કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા 21 દિવસ પહેલા ખાલી કરવાની નોટિસ આપી હતી. જે બાદ આજે આ ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:09 pm

હત્યારા વન અધિકારીના 7 દિવસીય રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ:કોર્ટમાં રજૂ કરતા સમાજના આગેવાનો દ્વારા નાલાયકને ફાંસી આપો ફાંસી આપો ના નારા લગાવ્યા

હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો પર રિમાન્ડ આપ્યા ભાવનગર શહેરના તળાજા રોડ પર આવેલ ફોરેસ્ટ ફોલોની માં રહેતા વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલ્યાએ તેની પત્ની તથા પુત્ર અને પુત્રીની નિર્દેતા પૂર્વક હત્યા કરી હતી અને ફરાર થઈ ગયો હતો જેને ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત શહેરમાંથી ઝડપી લઇ ભાવનગર લાવી ભરતનગર પોલીસને હવાલે કર્યો હતો. આજરોજ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને કોર્ટમાં રજૂ કરી ને 14 દિવસના રિમાન્ડની માંગ કરતા કોર્ટે શૈલેષના 7 દિવસીય રિમાન્ડ મંજૂર કર્યા છે. આજરોજ ભરતનગર પોલીસે હત્યારા શૈલેષને ભાવનગર ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરી હતી, જેમાં કોર્ટે હત્યારા શૈલેષ ના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપીને કોર્ટમાં રજૂ કરતા મોટી સંખ્યામાં લોકો કોર્ટ પરિસર ખાતે એકઠા થયા હતા. પોલીસ સાત દિવસીય રિમાન્ડ દરમિયાન હથિયારો અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ ઉપરાંત આ હત્યાકાંડને અંજામ આપવામાં તેની કોઈએ મદદ કરી હતી કે કેમ અને મુખ્ય મુદ્દો હત્યા શા માટે કરવામાં આવી તે સત્ય આરોપી પાસેથી જાણશે. હત્યારાને ફાંસીના માચડે લટકાવવામાં આવે - સમાજ એક સાથે ત્રણ ત્રણ હત્યા કરનાર વન વિભાગના એસીએફ શૈલેષ ખાંભલીયા ને ફાંસીની સજા કરવામાં આવે એવી માંગ રબારી માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહી છે આજરોજ માલધારી સમાજના અગ્રણીઓએ મીડિયા સમક્ષ આક્રોશભેર જણાવ્યું હતું કે, આવું તૃણાસ્પદ અને જઘન્ય કૃત્ય કરનાર હેવાન ને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે કોર્ટ તેમજ જિલ્લા કલેકટરને પણ આ અંગે રજૂઆત કરીને માંગ કરીશું કે, સમગ્ર બનાવનો કે ફાસ્ટ એક કોર્ટમાં ચલાવવામાં આવે અને ઝડપથી ચુકાદો જાહેર કરી સમાજમાં દાખલા રૂપ સજા થાય અને ભવિષ્યમાં આવું કોઈ પણ વ્યક્તિ કૃત્ય ન કરે તેવી દાખલા રૂપ સજા એટલે કે ફાંસી આપવામાં આવે એવી માંગ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:08 pm

કુણવદર ગામમાં શોર્ટ સર્કિટથી આગ:દીકરીના પ્રસંગના ₹80,000 રોકડ, સામાન બળી ગયો

કુણવદર ગામમાં વિનુભાઈ બચુભાઈ બારોટના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગમાં દીકરીના લગ્ન પ્રસંગ માટે રાખેલા આશરે ₹80,000 રોકડ અને કન્યાવારનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.પરિવારજનોએ દીકરીના લગ્ન માટે ઉછીના લઈને ₹80,000 રોકડા રાખ્યા હતા. આ ઉપરાંત, દીકરીના કપડાં અને ઘરવખરીની તમામ સામગ્રી પણ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના કારણે ભારે નુકસાન થયું છે. મકાન માલિક વિનુભાઈ બારોટે જણાવ્યું હતું કે, આ ઘટના અંગે પીજીવીસીએલને જાણ કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે થોડી જ મિનિટોમાં ઘરનો મોટો ભાગ અને કિંમતી સામાન બળી ગયો હતો. આ ઘટનાને પગલે ગામમાં ચિંતાનો માહોલ છે. સ્થાનિકોએ અધિકારીઓ દ્વારા ઘટનાની તપાસ કરવામાં આવે અને અસરગ્રસ્ત પરિવારને મદદ મળે તેવી માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 3:04 pm

લંડનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન:'મારી ઈંટ માના મંદિરે' અભિયાનને વિશ્વ સ્તરે ગતિ, ડિસેમ્બર 2027ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી તેજ

લંડન ખાતે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા ઉજવાયેલ સ્નેહમિલન કાર્યક્રમે વિશ્વ ઉમિયાધામના ભવ્ય નિર્માણ કાર્યને એક ઇન્ટરનેશનલ એનર્જી આપી છે. અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા 504 ફૂટના જગત જનની મા ઉમિયાના ભવ્ય મંદિરના પ્રચાર માટે પ્રમુખ આર.પી. પટેલના નેતૃત્વ હેઠળ 9 સભ્યોનું ડેલિગેશન હાલમાં બ્રિટન પ્રવાસે છે. રવિવારે લંડનના કેપી સેન્ટરમાં યોજાયેલા સ્નેહમિલનમાં ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમની અધ્યક્ષતામાં પ્રમુખ આર.પી. પટેલે સમાજની એકતા અને યુવા જાગૃતિના મુદ્દાઓ વિશે વાત કરી હતી. માતાજીના મંદિર નિર્માણમાં સક્રિય સહભાગી થવા અપીલપ્રમુખ આર.પી. પટેલે વિશ્વ ઉમિયાધામને “નવમી અજાયબી સમાન ભવ્ય પ્રોજેક્ટ” ગણાવતા જણાવ્યું કે, ડિસેમ્બર 2027માં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને વિશ્વભરના દરેક પરિવાર સુધી “મારી ઈંટ માના મંદિરે” જેવા સંદેશને પહોંચાડવાનું સંકલ્પ લેવામાં આવ્યું છે. દરેક કુટુંબને માતાજીના મંદિર નિર્માણમાં સક્રિય સહભાગી થવાની અપીલ પણ તેમણે કરી. બ્રિટનના વતની પાટીદાર સમાજમાં સારું જોડાણ સર્જાયુંઆ પ્રસંગે ઉપપ્રમુખ ડી.એન. ગોલ, શશીભાઈ વેકરીયા, વેલજીભાઈ વેકરીયા અને સમાજ પ્રમુખ સુરેશભાઈ કણસાગરાએ પણ હાજરી આપી. તેમજ દિનેશભાઈ પટેલ, નરેશભાઈ અને અન્ય આગેવાનોએ પણ માર્ગદર્શન આપ્યું. લંડનના આ કાર્યક્રમથી વિશ્વ ઉમિયાધામ માટે બ્રિટનના વતની પાટીદાર સમાજમાં સારું એવું જોડાણ સર્જાયું છે, જે આગામી વર્ષોમાં મંદિર નિર્માણ માટે મદદરૂપ સાબિત થશે. 9 વર્ષની દીકરીએ મંદિરના નિર્માણ માટે પીગી બેંક દાન કરીબ્રિટનના લંડનમાં સ્થિતિ પટનાયક પરિવારની 9 વર્ષની ધોરણ 4માં અભ્યાસ કરતી દીકરી અદિતી બિભૂતિ પટનાયકે સનાતન ધર્મના પ્રતિક સમા વિશ્વ ઉમિયાધામ મંદિરના નિર્માણ માટે પોતાની પીગી બેંક દાનમાં આપી છે. નાનકડી 9 વર્ષની અદિતીની લાગણીને ધ્યાન લઈ પ્રમુખ આર.પી.પટેલે પીગી બેંકનું દાન સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું છે કે, લોકો કરોડો રૂપિયાનું દાન કરે પણ મુળભુત ઓડિશાના વતની હાલમાં લંડન રહેતા અદિતી પટનાયકે પોતાની પીગી બેંક દાનમાં આપી છે એ ખૂબ મોટી વાત છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 2:51 pm

નવસારીમાં મોબાઇલમાં વ્યસ્ત કારચાલકે બાઇકને ફંગોળી:બ્રિજ નીચે પટકાયેલા પુત્ર-પિતાનાં મોત, કાર દીવાલ સાથે અથડાઈ, આરોપીની અટકાયત

નવસારી-મરોલી રોડ પર આવેલા સાગરા ઓવરબ્રિજ પર આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. મોબાઈલમાં વ્યસ્ત કાર ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. જેથી બાઈકમાં સવાર પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈક સવાર પુત્ર બ્રિજ નીચે પટકાઈ ગયો હતો. જેથી ગંભીરઈજા પહોંચતા જીવ ગુમાવ્યો હતો. કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈઆ અંગે પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો, જ્યારે પિતા-પુત્ર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા. કાર ચાલક પૂરઝડપે વાહન હંકારી રહ્યો હતો અને મોબાઈલ પર વાત કરી રહ્યો હતો, જેના કારણે તેણે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર સામેથી આવતી બાઇક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, કાર ગોળ ફરીને બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી. સારવાર બાદ કારચાલકની અટકાયતઆ અકસ્માતમાં બાઈક સવાર પિતાનું બ્રિજ પર જ અવસાન થયું હતું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા તેનું પણ મોત નીપજ્યું હતું. જ્યારે કાર ચાલકને સામાન્ય ઈજાઓ થતાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર બાદ કારચાલકની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મૃતક પિતા-પુત્ર અને કાર ચાલક આ ત્રણેય મરોલીનાં જ રહેવાસી છે. પોલીસે મૃતદેહોનો કબજો લઈ આગળની તપાસ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ મરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મરોલી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના નામ કાર ચાલકનું નામ હવે જુઓ અકસ્માતની તસવીરો....

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 2:46 pm

બનાસકાંઠામાં ખેડૂતોની મગફળી ખરીદીમાં 30 કિલો ભરતીની માંગ:35 કિલોના નિયમ સામે વિરોધ, માંગણી નહીં સ્વીકારાય તો મગફળીનો જથ્થો કલેક્ટર કચેરી સામે ઢગલો કરવાની ચીમકી

બનાસકાંઠામાં ખેડૂતો અને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે રજૂઆત કરી છે. ખેડૂતોએ 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદને કારણે મગફળીને નુકસાન થયું છે, જેના કારણે વજન ઓછું આવે છે. સરકાર દ્વારા 35 કિલોની ભરતીનો નિયમ બનાવવામાં આવતા ખેડૂતોની મગફળી રિજેક્ટ કરવામાં આવી રહી છે. રિજેક્ટ થયેલો માલ ખેડૂતોને ટેકાના ભાવ (₹1452) ને બદલે ખુલ્લા બજારમાં ₹1000 થી ₹1100 માં વેચવો પડે છે, જેનાથી તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે. સરકારી કોથળામાં પણ 35 કિલો મગફળી સમાતી ન હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ખેડૂતોએ જણાવ્યું કે અન્ય જિલ્લાઓમાં 30 થી 32 કિલોની ભરતી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠામાં આ સુવિધા ઉપલબ્ધ નથી. તેમણે તાત્કાલિક અસરથી 30 કે 32 કિલોની ભરતીથી ખરીદી શરૂ કરવાની માંગ કરી છે. જો આ માંગણી સ્વીકારવામાં નહીં આવે, તો રિજેક્ટ થયેલો તમામ મગફળીનો જથ્થો કલેક્ટર કચેરી સામે ઢગલા કરવામાં આવશે તેવી ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 2:44 pm

ભુજમાં સરદાર પટેલના સન્માનમાં યુનિટી માર્ચ:150મી જન્મજયંતિ નિમિત્તે 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભુજ શહેરમાં અખંડ ભારતના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું હતું. માધાપરથી ભુજના જુબેલી ગ્રાઉન્ડ સુધી 7 કિલોમીટરની આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યુનિટી માર્ચનો મુખ્ય સંદેશ 'હર ઘર સ્વદેશી અપનાવો' હતો. પદયાત્રામાં સત્તાપક્ષના પદાધિકારીઓ, વહીવટી તંત્રના કર્મચારીઓ અને નાગરિકો ઉત્સાહભેર ભાગ લીધો હતો. માધાપરમાં સરદાર પટેલની પ્રતિમા સ્થળેથી પ્રસ્થાન કરીને આ યાત્રા ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થઈ હતી. જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સરદાર પટેલની વિશાળ પ્રતિમા સાથેની આ લોકયાત્રાનું દેશભક્તિના ગીતો સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદની અધ્યક્ષતામાં ઉપસ્થિત જનસમૂહને સ્વદેશી અપનાવી દેશની તાકાત વધારવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, કલેક્ટર સહિતના વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે, દેશની અખંડતા માટે અનેક સફળતાઓ મેળવનાર અને પોતાનું જીવન દેશ સેવા માટે સમર્પિત કરનાર સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકોને દેશદાઝ અને સ્વદેશી અપનાવવાનો સંદેશ આપશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 2:39 pm

ગોધરા મામલતદાર કચેરીની ATVT શાખામાં ઓપરેટરો ગેરહાજર:મતદાન સુધારણા કાર્યક્રમથી પ્રજાલક્ષી સેવાઓ ખોરંભે

પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે આવેલી મામલતદાર કચેરીની ATVT (એક્ટિવિટી) શાખામાં આજે વહીવટી તંત્રની બેદરકારી સામે આવી હતી. મતદાન સુધારણા કાર્યક્રમના બહાને ATVT શાખાના ઓપરેટરો ગેરહાજર રહેતા સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી કામગીરી ખોરંભે પડી હતી. જેના કારણે દૂર-દૂરથી આવેલા અરજદારોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ, હાલ મતદાન સુધારણા કાર્યક્રમની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના કારણે પ્રજાલક્ષી સેવાઓ પર અસર પડી હતી. ATVT શાખાના ઓપરેટરો ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત હોવાનું કારણ આપીને સળંગ ત્રણ કલાક સુધી પોતાની સીટ પરથી ગેરહાજર રહ્યા હતા. પરિણામે, વિવિધ દાખલાઓ અને પ્રમાણપત્રો કઢાવવા આવેલા તાલુકાના ગ્રામજનો અટવાયા હતા. નોંધનીય છે કે, હાલ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો અને શ્રમિકો પોતાના ખેતરનું કામ અને પાક લેવાનો કિંમતી સમય ફાળવીને, ભાડા ખર્ચીને મામલતદાર કચેરીએ આવતા હોય છે. પરંતુ અહીં અધિકારીઓના અભાવે કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતા અરજદારોમાં રોષ જોવા મળ્યો હતો. અરજદારોની હાલાકી અને લાંબી કતારોની જાણ મીડિયાને થતા મીડિયાકર્મીઓ તાત્કાલિક મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. મીડિયાના કેમેરા અને પ્રશ્નો શરૂ થતાની સાથે જ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે એક ઓપરેટરને સીટ પર બેસાડી કામગીરી પુનઃ શરૂ કરાવવામાં આવી હતી.આ ઘટના સરકારી કચેરીઓમાં પ્રજાલક્ષી સેવાઓ પ્રત્યેના વલણ અને મીડિયાની ભૂમિકાને ફરી એકવાર ઉજાગર કરે છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 2:35 pm

Explainer: માનવતા પર કલંક ‘સારાયેવો સફારી’, મનોરંજન માટે સામાન્ય માણસોને ગોળીએ વીંધવાનું ટુરિઝમ

Sarajevo Safari: How Foreign Snipers Paid to Kill Civilians for Fun | આધુનિક યુરોપની સૌથી લાંબી ઘેરાબંધીનો સમય એટલે 1992થી 1996. આ ગાળામાં ‘બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના’ દેશની રાજધાની સારાયેવોમાં એક અત્યંત ક્રૂર હત્યાકાંડ થયો હતો. આ ઘટના વિશે અત્યાર સુધી દુનિયાને ખાસ જાણ નહોતી. વાત એવી હતી કે આ યુદ્ધગ્રસ્ત શહેરના નાગરિકોને બંદૂકની ગોળીથી વીંધવા માટે દુનિયાભરના અમીરો ત્યાં આવતા. ‘શિકાર’ના આ શોખીનો સારાયેવોની મુલાકાત લેતા, પૈસા ભરીને એક-બે દિવસ માટે સ્નાઈપર બની જતા અને પછી બંદૂકોથી સામાન્ય નાગરિકોનો શિકાર કરતા. એટલે કે રીતસરનો ‘હ્યુમન સફારી પાર્ક’, જ્યાં અમીરો ફક્ત મનોરંજન માટે નિઃશસ્ત્ર નાગરિકોને વીંધવાનો રોમાંચ માણતા.

ગુજરાત સમાચાર 18 Nov 2025 2:15 pm

રાજકારણ નહીં છોડે પ્રશાંત કિશોર: પ્રાયશ્ચિત માટે કરશે મૌન ઉપવાસ, કહ્યું- નીતિશ કુમારે પૈસા વહેંચી મત ખરીદ્યા

Bihar Politics: બિહાર વિધાનસભા 2025ની ચૂંટણીમાં જનસુરાજને મળેલી કારમી હાર બાદ તેના સ્થાપક અને વ્યૂહનીતિકાર પ્રશાંત કિશોરે મંગળવારે (18મી નવેમ્બર) પટણામાં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે હાર માટે પોતાને જવાબદાર ઠેરવ્યા હતા અને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કિશોરે સ્પષ્ટ કર્યું હતું કે તે રાજકારણ છોડવાના નથી અને ફરીથી પ્રયાસ કરશે. હારની જવાબદારી લઉં છું: પ્રશાંત કિશોર પ્રશાંત કિશોરે ચૂંટણીમાં મળેલી નિષ્ફળતાની સંપૂર્ણ જવાબદારી પોતાના શિરે લીધી હતી. તેમણે કહ્યું કે, 'અમે અમારા પ્રયાસોમાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા.

ગુજરાત સમાચાર 18 Nov 2025 2:10 pm

આત્મનિર્ભર અભિયાન:શિશુવિહાર સંસ્થામાં ચાલતાં વર્ગમાં અત્યાર સુધીમાં 17 હજાર જેટલાં ભાઈઓ-બહેનોએ સીવણ તાલીમ પામી બન્યાં છે સ્વનિર્ભર

સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, પરંતુ ગોહિલવાડમાં તો સ્વતંત્રતા પહેલાં પણ આ પ્રવૃત્તિ ચાલતી હતી. ભાવનગરમાં શિશુવિહાર સંસ્થામાં ત્યારથી સીવણ તાલીમ આપી બહેનો સ્વનિર્ભર થઈ રહેલ છે. મહાત્મા ગાંધીજીનાં તત્કાલીન સ્વદેશી વ્રતની વાત કરીએ કે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતની ઝુંબેશ જોઈએ... હેતુ સ્વનિર્ભર બનવાનો જ છે. શિશુવિહાર સંસ્થામાં ગોહિલવાડ રાજવી અને તત્કાલિન સામાજિક કાર્યકર્તાઓની દૂરંદેશી કાર્યપ્રણાલીનાં ફળ આજે પણ મળી રહ્યાં છે. ભાવનગરમાં આનંદ મંગળ મંડળ પરિવાર બહેનો દ્વારા શરૂ થયેલ સીવણ તાલીમ વર્ગ ઘણા વર્ષોથી આજે પણ શિશુવિહાર સંસ્થામાં શરૂ છે અને આજસુધીમાં 17 હજાર જેટલાં ભાઈઓ બહેનો સીવણ તાલીમ પામી બન્યાં છે સ્વનિર્ભર બન્યા છે, ત્યારે સ્વાતંત્ર્ય સેનાની બહેનો દુર્ગાબેન ભટ્ટ, સુમનબેન ચાતુર્વેદી, હિરાબેન ભટ્ટ અને લીલીબેન દવે સાથે જેતુબેન કપાસી દ્વારા પારિવારિક જૂથ રચીને આ મંડળની બહેનો માટે સામાજિક પ્રશ્નોને લઈને સહકારી હાટ, ઉત્સવોની ઉજવણી અને અક્ષરજ્ઞાન પ્રવૃત્તિ પ્રારંભ કરેલ. આ જૂથ દ્વારા ડબાના પતરા અને વાંસ વડે એક છાપરા જેવું બનાવાયું અને તેમાં શરૂ થયો સીવણ વર્ગ. અહીંયા 6 સીવણ સંચા શરૂ થયા અને આ બહેનોએ સ્વાવલંબનના પાઠ આરંભ્યાં હતો. ગોહિલવાડ રાજ્ય તરફથી એટલે કે, આપણાં રાજવી કૃષ્ણકુમારસિંહજી દ્વારા વર્ષ 1939માં અપાયેલ જમીન ઉપર સ્થપાયેલ શિશુવિહાર સંસ્થામાં આજે આઠ નવ દાયકાથી સીવણ વર્ગ ચાલી રહેલ છે. આજ સુધીમાં આશરે 12 હજાર બહેનો અને રાત્રી વર્ગથી આશરે 5 હજાર જેટલાં ભાઈઓ તાલીમ લઈ પોતાનાં સીવણ વ્યવસાયમાં લાગેલ છે. સ્વાતંત્ર્ય સેનાની માનભાઈ ભટ્ટ 'માનદાદા' દ્વારા સિંચાયેલ આ સંસ્થાનાં વડા નાનકભાઈ ભટ્ટ દ્વારા અપાયેલ માહિતી મુજબ માત્ર તાલીમ નહીં, નિર્ધારિત લાયકાત ધરાવતાં બહેનોને અહીંયાથી સીવણ સામગ્રી પણ આપવામાં આવે છે. જેમાં 390 બહેનોને આ રીતે રૂપિયા 28 લાખ 15 હજારની સહાય લાભ મળ્યો છે અને પોતાનો સીવણ વ્યવસાય શરૂ કરેલ છે. ગાંધી વિચાર સાથે રહેલ ઉદ્યોગપતિ મણિલાલ છગનલાલ બક્ષી અને સ્વર્ગસ્થ લીલીબેન દવેનાં પરિવારના સહકાર સાથે આજે આ તાલીમ વર્ગમાં 45 જેટલાં સંચા ઉપર બહેનો તાલીમ લાભ લઈ રહેલ છે. ધીરજલાલ દેસાઈ પરિવારના સહકારથી કોઈંબતૂર અને મુંબઈથી બિનઉપયોગી જેવાં કાપડનો જથ્થો મળતાં લાખોની સંખ્યામાં થેલીઓ સીવીને રોજગારી પ્રાપ્ત કરી છે. આમ, સીવણ વર્ગ તાલીમમાં સાથે કપડાંનાં બિન ઉપયોગી ટુકડાઓમાંથી વિશિષ્ટ સુશોભન સામગ્રી તેમજ આકર્ષક થેલીઓનું નિર્માણ થઈ રહ્યું છે. ઉત્તરાયણ ઉપર પતંગની દોરીથી થતાં અકસ્માતો સામે ગળા ઉપર પહેરવાનાં પટ્ટાઓ પણ બનાવવામાં આવે છે, જે સુરક્ષા માટેના આવા પટ્ટાઓ બનાવવામાં આવે છે, વિવિધ સંસ્થા સંગઠનો દ્વારા શિશુવિહારની આ સ્વનિર્ભર અભિયાનની સીવણ તાલીમ સંદર્ભે સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે, તો બુનિયાદી શાળાઓમાં બહેનોને આ તાલીમ માટે 80 થી વધુ સીવણ સંચા અપાયા છે. સ્વદેશી, સ્વનિર્ભર કે આત્મનિર્ભર વગેરે અભિયાનો અત્યારે સમગ્ર દેશમાં તેજ ગતિથી ચાલી રહેલ છે, જે વર્ષોથી અહીંયા ચાલી રહેલ છે. આ પ્રવૃત્તિનાં માર્ગદર્શક ઈન્દિરાબેન ભટ્ટના નેતૃત્વ સાથે તાલીમ અને સ્વરોજગારીની તક ઉપલબ્ધ થઈ રહેલ છે. આ માટે ગુલાબબેન ગોહિલ તાલીમ આપી રહ્યાં છે અને અહીંયા વિશિષ્ટ કૌશલ્ય તાલીમ પ્રીતિબેન ભટ્ટ દ્વારા મળી રહેલ છે. વર્ષ 2025 અંતર્ગત રુદ્રબાળાબેન મહેતાના સહયોગ સાથે સીવણ તાલીમ વર્ગમાં બહેનો પોતાનું કૌશલ્ય ખીલવી રહેલ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 2:07 pm

જામનગરમાં બેફામ બાઇક ચાલક CCTVથી ઝડપાયો:ખોડીયાર કોલોની માર્ગે જીવ જોખમાવનાર સામે ગુનો નોંધાયો

જામનગરમાં બેફામ ગતિએ બાઇક ચલાવી અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકનાર એક શખ્સને ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શોધી કાઢ્યો છે. તેની સામે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. લાલવાડી આવાસમાં રહેતા આશિષ રમેશભાઈ ડાભી નામના યુવકે ગત 14મી તારીખે ખોડીયાર કોલોનીથી સાત રસ્તા તરફના માર્ગે પૂરપાટ ઝડપે બાઇક ચલાવ્યું હતું. તેની આ બેદરકારીભરી ડ્રાઇવિંગથી અન્ય વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. આ ઘટના જામનગર પોલીસના કમાન્ડ કંટ્રોલ વિભાગના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ટ્રાફિક શાખાની ટીમે ફૂટેજની મદદથી વાહનના રજિસ્ટ્રેશન નંબરના આધારે આશિષ ડાભીને શોધી કાઢ્યો હતો. ટ્રાફિક શાખાએ તેને બોલાવી પૂછપરછ કરતા તેણે 14મી તારીખે બેદરકારીપૂર્વક વાહન ચલાવ્યાની કબૂલાત કરી હતી. ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ સત્યજીતસિંહ વાળાએ તેનું GJ 10 DL 2052 નંબરનું બાઇક જપ્ત કર્યું હતું. આશિષ ડાભી સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 281 તેમજ મોટર વાહન અધિનિયમની કલમ 177 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 2:02 pm

રશિયા-યુક્રેન સંઘર્ષ વચ્ચે 100 રાફેલ જેટની એન્ટ્રી થતાં બદલાશે યુદ્ધની દિશા! હવે શું કરશે પુતિન?

Image Source: Twitter Ukraine Buy 100 Rafale Fighter Jets From France: યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે એક મોટો વળાંક આવી શકે છે. સોમવારે યુક્રેનના પ્રમુખ વ્લાદિમીર ઝેલેન્સ્કી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને એક ઐતિહાસિક કરાર કર્યો છે. આ કરાર હેઠળ યુક્રેનને આગામી 10 વર્ષમાં ફ્રાન્સ પાસેથી 100 રાફેલ ફાઈટર જેટ, ડ્રોન, એર ડિફેન્સ સિસ્ટમ અને અન્ય હથિયાર મળશે. ઝેલેન્સ્કીએ તેને 'વિશ્વની સૌથી મજબૂત એર ડિફેન્સ' ગણાવી છે. પરંતુ શું આ જેટ યુદ્ધની દિશા બદલી નાખશે? અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનનો શું જવાબ હશે?

ગુજરાત સમાચાર 18 Nov 2025 2:00 pm

સેવન્થ ડે સ્કૂલે માન્યતા હોવાનો દાવો કરતા વાલીઓએ પુરાવા માંગ્યા:વાલીઓએ કહ્યું- '7 દિવસમાં શાળા પુરાવા ન આપી શકે તો સરકાર શાળાનો વહીવટ પોતાના હસ્તક લઈ લે'

સેવન્થ ડે સ્કૂલ જનઆક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા સ્કૂલ પર વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી નયનની હત્યા બાદ તપાસ કરવામાં આવી હતી. જેમાં સેવન્થ ડે સ્કૂલ પાસે માન્યતાના પુરાવા ના હોવાનો રિપોર્ટ તૈયાર કરી સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ સ્કૂલ દ્વારા AMC ભાડાપટ્ટા પરના કરારના શરતનો ભંગ કર્યો હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી AMCએ નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે. જેના કારણે વાલીઓમાં ચિંતા ફેલાતા આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા. સ્કૂલ મેનેજમેન્ટ પાસે માન્યતાના પુરાવા આપવા માટે વાલીઓએ માંગ કરી છે. તેમજ જો માન્યતાના પુરાવા ના હોય તો સ્કૂલ સરકાર હસ્તક લઈ લેવા માટે માંગ કરી છે. વિદ્યાર્થીની હત્યા બાદ તપાસ કમિટીની રચના કરવામાં આવી હતીસેવનથ ડે સ્કૂલમાં નયન નામના વિદ્યાર્થીની હત્યા બાદ એક તપાસ કમિટી બનાવવામાં આવી હતી. શિક્ષણ વિભાગની આ તપાસ કમિટી દ્વારા શાળાના તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી હતી. જે દરમિયાન તપાસ કમિટીએ અનેક વખત સ્કૂલ પાસે માન્યતા ના પુરાવા આપવા માટે તેમજ અન્ય પુરાવા જમા કરાવવા માટે જણાવ્યું હતું. પરંતુ શાળા દ્વારા યોગ્ય પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. જેના કારણે શિક્ષણ વિભાગની તપાસ કમિટીએ શાળાની માન્યતા સરકાર લેવા માટે એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે સરકારને પણ સોંપવામાં આવ્યો છે. તેમજ થોડા દિવસ પહેલા AMC ભાડા પટ્ટા કરારના શરતોનો સેવન્થ ડે સ્કૂલ દ્વારા ભંગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શાળાને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. જેથી શાળા પાસે યોગ્ય માન્યતા ના હોવાનું સામે આવતા વાલીઓ ચિંતામાં મુકાયા છે. વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા કરી વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટને આવેદનપત્ર પાઠવી માન્યતાના પુરાવા માગ્યાસેવન્થ ડે સ્કૂલ જનઆક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ દ્વારા સ્કૂલ મેનેજમેન્ટને આવેદનપત્ર આપ્યું છે. વાલીઓએ સ્કૂલ મેનેજમેન્ટ પાસે માન્યતાના પુરાવા આપવા માટે માંગ કરી છે. સેવન્થ ડે સ્કૂલની માન્યતાના પત્ર અને એફિલેશન સર્ટિફિકેટની નકલ આપવામાં આવે તેવી વાલીઓએ માંગ કરી છે. તેમજ વાલીઓએ 7 દિવસમાં યોગ્ય પુરાવાની નકલ તપાસ કમિટીને અને વાલીઓને આપવા માટે માંગ કરી છે. જો માન્યતાના યોગ્ય પુરાવા આપવામાં ના આવે તો શાળાને સરકાર હસ્તક લેવામાં આવે તેવી પણ વાલીઓ માંગ કરી રહ્યા છે. શાળાની માન્યતાને લઈ અસમંજસ સર્જાતા વાલીઓની ચિંતા વધીવાલી રાકેશભાઈ મખ્ખીજાએ જણાવ્યું હતું કે, નયનની હત્યા થઈ જે બાદ DEO, અને AMC દ્વારા આધારભૂત પુરાવા માંગવામાં આવ્યા હતા. છેલ્લા 25 દિવસ પહેલા એક રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે સ્કૂલ પાસે માન્યતાના કોઈપણ પુરાવા નથી. જેથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ચિંતા ફેલાઈ ગઈ છે. કોર્પોરેશન દ્વારા પણ ભાડા પટ્ટાના કરારના શરતોનો ભંગ થયો હોવાનું સામે આવતા નોટિસ ફટકારી છે. સ્કૂલ દ્વારા ઈમોશનલ કાર્ડ રમવામાં આવે છે. તમામ પુરાવા હોવાનો સ્કૂલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો તમામ પુરાવા હોય તો શિક્ષણ વિભાગને કેમ આપવામાં આવ્યા નથી ? જો યોગ્ય ડોક્યુમેન્ટ હોય તો વાલીઓને પણ આપવામાં આવે. જો યોગ્ય પુરાવા ના હોય તો વિદ્યાર્થીઓની ચિંતા કરી સ્કૂલને સરકાર પોતાના તાબા હેઠળ લઈ લે. જો યોગ્ય પુરાવા સ્કૂલ દ્વારા રજૂ કરવામાં ના આવે તો કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે. શાળા પાસે તમામ પુરાવા હોવાનો મેનેજમેન્ટનો દાવોસેવન્થ ડે સ્કૂલના મેનેજમેન્ટ વિજય સાંઠેએ જણાવ્યું હતું કે, BU સહિતની તમામ પરમિશન અમારી પાસે છે. પહેલા પણ પુરાવા આપ્યા હતા ને ફરી એક વખત ફાઈલ તૈયાર કરી છે. અમારું એક ટ્રસ્ટ જમીન લે છે અને અન્ય એક ટ્રસ્ટ શિક્ષણનું કામ જોવે છે. અમારું એજ્યુકેશન ટ્રસ્ટ જ સ્કૂલનું મેનેજમેન્ટ કરે છે. વકીલ મારફતે તમામ ડોક્યુમેન્ટ આપવામાં આવ્યા છે. સ્કૂલની તમામ માન્યતા ના ડોક્યુમેન્ટ છે વાલીઓ ચિંતા કરવાની જરૂર નથી. સરકારને જે ડોક્યુમેન્ટ આપવાના છે તે અમે સબમીટ કરાવી દઈશું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:44 pm

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 'વિકસિત ભારત યુવા કનેક્ટ' કાર્યક્રમ:2047 વિકસિત ભારતમાં યુવા યોગદાન પર ચર્ચા, 150થી વધુ વિદ્યાર્થીઓ ઉપસ્થિત

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં 'વિકસિત ભારત યુવા કનેક્ટ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે યુવા પેઢીના સંભવિત યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો. યુનિવર્સિટી દ્વારા યુવા શક્તિને રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં જોડવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવા માટે યુવા પેઢીની ભૂમિકા અને તેઓ કઈ રીતે યોગદાન આપી શકે તે વિશે વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કુલપતિ કે.સી. પુરીયા, કુલસચિવ ડોક્ટર રોહિતભાઈ દેસાઈ અને એનએસએસના કો-ઓર્ડિનેટર કમલેશભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના નેતૃત્વ હેઠળની ટીમનું પ્રતિનિધિત્વ કરનાર મહાનુભાવે પણ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીમાં યોજાયેલા આ આયોજનમાં વિદ્યાર્થીઓનો પ્રતિભાવ સારો રહ્યો હતો. આ કાર્યક્રમ થકી યુવાનોને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય રીતે જોડાવા માટે પ્રેરણા મળી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:42 pm

અંજારમાં બેકાબુ ટેમ્પો દુકાનમાં ઘૂસ્યો:પાર્ક કરેલા છથી સાત વાહનોને નુકસાન, સદનસીબે જાનહાનિ ટળી; પોલીસે તપાસ હાથ ધરી

અંજારમાં એક બેકાબુ ટેમ્પો વર્ષામેડી સર્કલ નજીક આવેલી ઓટો ગેરેજની દુકાનમાં ઘૂસી ગયો હતો. આ દુર્ઘટનામાં છથી સાત નાના-મોટા વાહનોને નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. કચ્છના અંજાર શહેરમાં પુરપાટ ઝડપે જઈ રહેલો આ ટેમ્પો બેકાબુ બન્યો હતો. તે વર્ષામેડી સર્કલ પાસેની ઓટો ગેરેજની દુકાનમાં ધસી જતાં ત્યાં પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો એકઠા થયા હતા. પોલીસે પ્રાથમિક તપાસમાં ટેમ્પોની બ્રેક ફેલ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તારણ કાઢ્યું છે. અંજાર ટ્રાફિક પોલીસના દિનેશભાઈએ જણાવ્યું કે, આ અકસ્માત સવારે લગભગ 10:30 વાગ્યાના અરસામાં બન્યો હતો. 112 હેલ્પલાઈન પર જાણ થતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક નિયંત્રણની કામગીરી હાથ ધરી હતી. આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ થઈ નથી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:41 pm

બનાસકાંઠા LCBએ 6.27 લાખનો દારૂ ઝડપ્યો:અમીરગઢ પાસેથી વિદેશી દારૂના જથ્થા અને કાર સાથે બે બુટલેગરોની ધરપકડ

બનાસકાંઠા LCBએ અમીરગઢ વિસ્તારમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી કરતી એક હ્યુન્ડાઇ i20 કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં કુલ ₹6,27,072/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા દારૂ અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે આપેલી સૂચનાના આધારે LCB પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB પોલીસ સ્ટાફ અમીરગઢ વિસ્તારમાં પ્રોહિબિશન સંબંધિત પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે રાજપુરીયા ગામ પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન હ્યુન્ડાઇ i20 ગાડી નંબર GJ18BE0126 ને રોકવામાં આવી હતી. ગાડીમાંથી સુમિતસિંહ નરપતસિંહ ડાભી (રહે. આવલ, તા. અમીરગઢ) અને રાજેન્દ્રસિંહ જબ્બરસિંહ ચૌહાણ (રહે. ઓત્રોલી, તા. પાલનપુર) ને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી પાસ-પરમિટ વગરની ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 1056 બોટલો, જેની કિંમત ₹3,12,072/- થાય છે, તે મળી આવી હતી. દારૂ અને i20 કાર સહિત કુલ ₹6,27,072/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂનો જથ્થો ભરી આપનાર મહાવીરસિંહ ગણપતસિંહ દેવડા (રહે. ગઢડા, તા. અમીરગઢ) અને દારૂ મંગાવનાર ગોવિંદસિંહ (રહે. સિદ્ધપુર) પણ આ ગુનામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ તમામ આરોપીઓએ રાજસ્થાન રાજ્યમાંથી નિર્મિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવાનું ષડયંત્ર રચ્યું હતું. આ મામલે અમીરગઢ પોલીસ સ્ટેશન ખાતે તમામ સંડોવાયેલા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:39 pm

મોરબીમાં 852 બોટલ દારૂ ભરેલી ઈકો ઝડપાઈ:કારચાલક ફરાર, LCBએ 10.08 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

મોરબી LCB ટીમે રણછોડનગર મેઈન રોડ પરથી દારૂ ભરેલી એક ઈકો કાર ઝડપી પાડી છે. આ કારમાંથી કુલ 852 બોટલ દારૂ મળી આવ્યો હતો. જોકે, કાર ચાલક પોલીસને જોઈને વાહન છોડીને ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ રૂ. 10.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી જિલ્લા LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ઈશ્વરભાઈ કલોતરા, ભરતભાઈ જીલરીયા અને વિક્રમભાઈ રાઠોડને ખાનગી બાતમી મળી હતી કે, રણછોડનગર વિસ્તારમાં આવેલી શાંતિવન સ્કૂલ તરફથી GJ 3 NK 3973 નંબરની ઈકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને એક વ્યક્તિ પસાર થવાનો છે. આ બાતમીના આધારે LCB ટીમે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કાર ચાલકે કાર ઊભી રાખી ન હતી અને પૂરઝડપે કાર ભગાવી હતી. થોડે આગળ જઈને ચાલકે કાર છોડી દીધી હતી અને ત્યાંથી નાસી છૂટ્યો હતો. ત્યારબાદ LCB ટીમે કારની તપાસ કરતા તેમાંથી દારૂની 276 મોટી અને 576 નાની બોટલો મળી આવી હતી, જેનો કુલ જથ્થો 852 બોટલ થાય છે. પોલીસે રૂ. 5.88 લાખનો દારૂ, રૂ. 20,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને રૂ. 4 લાખની ઈકો કાર સહિત કુલ રૂ. 10.08 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરાર થયેલા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:38 pm

કોંગ્રેસે વાપી પાલિકાને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું:ડેપ્યુટી કમિશ્નરે ડિસેમ્બર અંત સુધી રસ્તા પૂરાં કરવાની ખાતરી આપી

વાપી કોંગ્રેસે શહેરના બિસ્માર રસ્તાઓના મુદ્દે મહાનગરપાલિકાને 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. આ મામલે ડેપ્યુટી કમિશ્નરે ડિસેમ્બર અંત સુધીમાં રસ્તાઓના સમારકામની ખાતરી આપી છે અને નાગરિકોની અસુવિધા બદલ માફી માંગી છે. કોંગ્રેસ અગ્રણી ખંડુભાઈ પટેલની આગેવાની હેઠળ વાપી કોંગ્રેસ સમિતિએ પાલિકાને આવેદનપત્ર સુપરત કર્યું હતું. જેમાં જણાવાયું હતું કે ચોમાસા દરમિયાન 13 વોર્ડમાં રસ્તાઓ ખરાબ થવાથી વાહનચાલકો અને રહેવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રાફિક, અકસ્માત અને વિદ્યાર્થીઓ-દર્દીઓને થતી તકલીફો અંગે ચિંતા વ્યક્ત કરાઈ હતી. કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી છે કે જો 30 દિવસની સમયમર્યાદામાં તમામ રસ્તાઓનું સમારકામ પૂર્ણ નહીં થાય, તો મહાનગરપાલિકા કચેરી સામે ધરણા અને તાળાબંધી જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. આ રજૂઆત બાદ વાપી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે, બિસ્માર રસ્તાઓની મરામતનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. તેમણે ટ્રાફિક સમસ્યા અને અન્ય અસુવિધાઓને કારણે નાગરિકોને પડેલી તકલીફ બદલ માફી માંગી હતી અને પાલિકાના વિકાસ કાર્યોમાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:37 pm

ગુજરાત હાઇકોર્ટે GPSCનો જવાબ માંગ્યો:કહ્યું- શું વધુ માર્ક્સ ધરાવતા EWS ઉમેદવારને જનરલ કેટેગરીમાં સ્થાન મળી શકે?

ગુજરાત હાઈકોર્ટે GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) સમક્ષ એક મહત્વપૂર્ણ કાયદાકીય પ્રશ્ન મૂક્યો છે. હાઈકોર્ટે પૂછ્યું છે કે, શું કોઈ ઉમેદવારને મેરીટ લિસ્ટ માટે 'આર્થિક રીતે નબળા વર્ગ' (EWS)માંથી 'સામાન્ય શ્રેણી' (General Category)માં જવાની મંજૂરી આપી શકાય કે નહીં? આ અરજી એક ઉમેદવારને લઈને છે, જે ગુજરાત વહીવટી સેવા માટેની ક્લાસ-1 અને ક્લાસ-2ની GPSC પરીક્ષામાં EWS ઉમેદવાર તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. ફેબ્રુઆરી, 2023માં GPSCએ તેમને અયોગ્ય જાહેર કર્યા હતા. કારણ કે, તેઓ EWS ઉમેદવાર તરીકે રાજ્ય સરકારની નોકરી માટે પરિવારની આવકનું પ્રમાણપત્ર નક્કી કરેલી સમયમર્યાદામાં આપી શક્યાં નહોતાં. અરજદારના 213 ગુણ, સામાન્ય શ્રેણીનું કટ-ઓફ 176અરજદારે પ્રિલિમ પરીક્ષામાં 213 ગુણ મેળવ્યા હતા, જ્યારે સામાન્ય શ્રેણીનું કટ-ઓફ 176 ગુણ હતું. તેમણે EWS શ્રેણીમાંથી પોતાની અયોગ્યતાને પડકાર આપી અને હાઈકોર્ટ સમક્ષ તેમને સામાન્ય શ્રેણીમાં ગણવા GPSCને નિર્દેશ આપવા માગ કરી છે. કોર્ટમાં રજૂઆત થઈ હતી કે, ઉમેદવારે કેન્દ્ર સરકારની નોકરી માટે જરૂરી આવક પ્રમાણપત્ર તો આપ્યું છે, પરંતુ રાજ્ય સરકારની નોકરી માટે માતા-પિતાની ડોમીસાઇલ સાથેની વિગતો આપવી ફરજિયાત છે, જે તેઓ આપી શક્યાં નહોતાં. માતા-પિતાનું અવસાન થતાં દસ્તાવેજોમાં વિલંબબીજી તરફ અરજદારના વકીલે રજૂ કર્યું કે, અરજદારના માતા-પિતાનું અવસાન થયું હોવાને કારણે અને પરિવારનો સહકાર ન મળતા તેઓ જરૂરી સરકારી દસ્તાવેજો સમયસર મેળવી શક્યાં નહોતાં. તેમણે GPSCનો આ નિર્ણય પ્રશ્નાર્થ કર્યો કે, ઊંચા ગુણ ધરાવતા અરજદારને સામાન્ય શ્રેણીમાં કેમ ન ગણવો? જ્યારે SC/ST/OBC જેવા રિઝર્વેશન ધરાવતા ઉમેદવારો ઊંચા ગુણ હોય તો સામાન્ય શ્રેણીમાં સ્થાન મેળવી શકે છે. GPSCના વકીલે આ માંગણીનો વિરોધ ચાલુ રાખ્યો હતો અને હાઈકોર્ટે આ મુદ્દે ભરતી સંસ્થાનો જવાબ શુક્રવાર સુધી આપવા કહ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:31 pm

અમદાવાદમાં પોલીસ સામે મહિલા બૂટલેગરોએ રોડ પર બિયરની બોટલો ફેંકી:પોલીસ પકડવા પહોંચી તો રિક્ષા દોડાવીને ગાળો ભાંડી, ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં નરોડા પોલીસે બિયરનો જથ્થો લઈને આવી રહેલી મહિલાઓને પકડવા પીછો કર્યો હતો. ત્યારે મહિલાઓ પોલીસથી બચવા રિક્ષામાં નાસી રહી હતી. અચાનક રિક્ષા ઊભી રાખીને મહિલાઓએ પોલીસની હાજરીમાં રોડ પર બિયરની બોટલો ફેંકી હતી. પોલીસથી બચવા દારૂનો મહિલાઓએ જાતે જ નાશ કરી દીધો હતો. આ અંગે પોલીસે મહિલાઓ સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. બે મહિલા દારૂ લઈને જતી હતી ને પોલીસે રિક્ષાનો પીછો કર્યોનરોડા પોલીસને બાતમી મળી હતી કે, નાના ચિલોડા તરફથી બે મહિલાઓ રિક્ષામાં બિયરનો જથ્થો લઈને છારાનગર જઈ રહી છે જેના આધારે પોલીસે રીક્ષા આવતા પીછો કર્યો હતો. પોલીસથી બચવા શરૂઆતમાં રિક્ષા દોડાવી હતી. મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેંકીજે બાદ સરદારનગર પોલીસ સ્ટેશનની હદમાં મહિલાઓ બિયરના થેલા ફેંક્યા હતા. પોલીસ આવતા મહિલાઓએ રોડ પર બિયરની બોટલ પોલીસની સામે જ ફેકી હતી. જોકે બનાવ બનતા રાહદારીઓ પણ ગભરાઈ ગયા હતાં. વાઇરલ વીડિયોમાં મહિલાઓએ પોલીસને બીભત્સ ગાળો આપીમહિલાઓનો બિયરની બોટલો ફેકતો વીડિયો પણ વાયરલ થયો છે, જેમાં મહિલાઓએ પોલીસને બીભત્સ ગાળો પણ આપી રહી હતી. જાહેર રોડ લઈ બિયરની બોટલો ફેંકતા રોડ પર બિયરનો જથ્થો પડ્યો હતો. જેના કારણે પોલીસે રોડ પરથી બિયરનો જથ્થો હટાવવાની ફરજ પડી હતી. બૂટલેગરે ઘર પાસે ખુલ્લી જગ્યાઓમાં ખાડા ખોદી દારૂની બોટલો છુપાવી, બે મહિલા સહિત ત્રણ બૂટલેગર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અમદાવાદમાં બૂટલેગરો દારૂ છુપાવવા માટે અવનવી યુક્તિઓ અપનાવી રહી છે. એક દિવસ પહેલાં જ અમદાવાદ જિલ્લામાં ટોઈલેટ કમોડ નીચે દારૂ છુપાવવામાં આવ્યો હતો, ત્યારે હવે અમદાવાદ શહેરમાં ચાંદખેડા વિસ્તારમાં ખાડામાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પોલીસે કર્યો છે.(વાંચો સંપૂર્ણ અહેવાલ) દારૂની હેરાફેરીમાં વૃદ્ધ દંપતીનો દુરુપયોગ:બૂટલેગર રૂ.500-1000 આપી દારૂની હેરાફેરી સમયે સાથે રાખતોદારૂની હેરાફેરી કરવા બુટલેગર અવનવો કીમિયો અજમાવતા હોય એવું ઘણી વખત જોવા મળ્યું, પરંતુ આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના હાથે એવા લોકો આવ્યા, જે જાણીને ભલભલા ચોંકી ઊઠે, કારણ કે આ વખતે બૂટલેગરની સાથે એક વૃદ્ધ દાદા-દાદી પણ મળ્યાં અને તેઓ જે કારમાં આવી રહ્યાં હતાં એમાં લાખોની કિંમતનો દારૂ હતો. આ બૂટલેગરે આ દાદા-દાદીને પોતાની સાથે રાખીને પોલીસથી બચવા માટેનો પ્રયાસ કર્યો હતો..(વાંચો સંપૂર્ણ અહેવાલ)

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:30 pm

NSUIએ ITIના આચાર્યને આવેદનપત્ર પાઠવ્યું:'છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ, શૌચાલય બંધ', સમસ્યાનો નિકાલ કરવા માગ

ભાવનગર NSUI દ્વારા આજરોજ આઈટીઆઈ ખાતે પ્રાથમિક સૂવિધાના અભાવમાં કારણે આઈટીઆઈના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં NSUI કાર્યકરો અને વિધાર્થીઓ હાજર રહ્યા હતાં. ITI માં પ્રાથમિક સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ છે. NSUI દ્વારા ITIના આચાર્યને આવેદનપત્ર ભાવનગર શહેરના વિધાનગર વિસ્તારમાં આવેલ ઔધોગિક તાલીમ સંસ્થા (ITI) ખાતે આજરોજ ભાવનગર શહેર NSUI પ્રમુખ, ઉપપ્રમુખ, ગુજરાત પ્રદેશના મહામંત્રી અને વિધાર્થીઓ દ્વારા ITI માં પ્રાથમિક સુવિધા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં જેવી કે પીવાના પાણીની સમસ્યા અને શૌચાલયો બનવવામાં આવ્યા પણ તે પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે નવું બિલ્ડીંગ બનવામાં આવ્યું પણ વિવિધ સુવિધાનો અભાવ જોવા મળ્યો છે. તેને લઈ ITI માં અભ્યાસ કરતા વિધાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે તેને લઈ NSUI દ્વારા ITIના આચાર્યને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને વહેલીમાં વહેલી તકે જે સુવિધાનો અભાવ છે તે સુવિધા પૂર્ણ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. 'છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ, શૌચાલય બંધ'આ અંગે ગુજરાત પ્રદેશ NSUIના મહામંત્રી અભિજીતસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા કરોડોના ખર્ચે ITIનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીનો અભાવ છે શૌચાલય પણ બંધ છે કે વહેલી તકે અમારી માગણી છે કે આ બધી સુવિધા શરૂ કરવામાં આવે અને યુવાનો પાણી ન મળતા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. પીવાના પાણીની સમસ્યાનો નિકાલ કરવા માગતેને વધુમાં કહ્યું કે, તેથી ભાવનગર NSUI દ્વારા આજે આઈ.ટી.આઈ ખાતે રજૂઆત કરવામાં આવેલ છે અને અમારી માંગણી એવી છે કે વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો નિકાલ આવવો જોઈએ નકર NSUI દ્વારા ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે તેની સંપૂર્ણ જવાબદારી આઈ.ટી.આઈ ની રહેશે અને આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે કે એક અઠવાડિયાની અંદર આ બધા પ્રશ્નોનો નિકાલ થઈ જશેની ખાતરી આપી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:25 pm

ખેલ મહાકુંભમાં રમતા પોલીસકર્મીનું હાર્ટ-એટકથી મોત:સુરેન્દ્રનગરમાં લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક આવ્યો, ડોકટરોએ સી.પી.આર. આપ્યા પણ જીવ ન બચ્યો

સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન એક દુઃખદ ઘટના બની છે. ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. તેઓ મૂળ પાટડીના વતની હતા અને દર વર્ષે રમતોમાં ભાગ લેતા હતા. અચાનક બેભાન થઈને ઢળી પડ્યાઆ ઘટના સુરેન્દ્રનગરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બની હતી. લોંગ ટેનિસની રમત ચાલી રહી હતી ત્યારે રાઘવદાસ વૈષ્ણવ અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગરની સી.યુ. શાહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોકટરોએ સી.પી.આર. આપ્યા પણ...હોસ્પિટલમાં હાજર ડોકટરોની ટીમે તેમને બચાવવા માટે સતત સી.પી.આર. સહિતની સારવાર શરૂ કરી હતી. જોકે, ગંભીર હાર્ટ એટેકને કારણે ડોકટરો તેમને બચાવી શક્યા ન હતા અને તેમને મૃત જાહેર કર્યા હતા. તેમની સાથે રમી રહેલા અન્ય ખેલાડીઓ પણ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. 'મારી સામે જ રાઘવદાસ ખૂબ સારું રમી રહ્યા હતા'ખેલ મહાકુંભમાં ભાગ લેનાર જયેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી સામે જ રાઘવદાસ ખૂબ સારું રમી રહ્યા હતા, પરંતુ અચાનક ઢળી પડ્યા. તેમને હોસ્પિટલ લઈ જતા ડોકટરે હાર્ટ એટેક આવ્યાનું જણાવી મૃત જાહેર કર્યા. સી.યુ. શાહ હોસ્પિટલના ડોકટરે પણ પુષ્ટિ કરી કે હાર્ટ એટેક ગંભીર હોવાથી તેમને બચાવી શકાયા ન હતા. મળતી માહિતી મુજબ એમનો નાનો ભાઈ નિરંજન પણ પાંચ વર્ષ અગાઉ અમદાવાદ એક ટ્રાન્સપોર્ટ કંપનીમાં કામ કરતા કરતા એટેક આવતા અકાળે મોતને ભેટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરના સમયમાં, કોરોના મહામારી પછી ગરબા, ક્રિકેટ કે વોકિંગ જેવી પ્રવૃત્તિઓ દરમિયાન નાની-મોટી વયના લોકોના અચાનક હાર્ટ એટેકથી મૃત્યુ થવાની અનેક ઘટનાઓ સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:19 pm

હિંમતનગર હાથમતી વિયર પર ઓવરબ્રિજનું 95% કામ પૂર્ણ:નવા વર્ષે લોકાર્પણની શક્યતા, ટ્રાફિક ભારણ ઘટશે

હિંમતનગરમાં ખેડ તસિયા અને ઇડર સ્ટેટ હાઇવેને જોડતા હાથમતી વિયર પર નિર્માણાધીન ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. 22 કરોડના ખર્ચે બની રહેલા આ ઓવરબ્રિજનું આગામી નવા વર્ષે લોકાર્પણ થઈ શકે છે.210 મીટર લાંબા અને ફૂટપાથ સાથે 16 મીટર પહોળા આ ઓવરબ્રિજથી શહેરમાં ટ્રાફિકનું ભારણ ઘટશે. હાલમાં બંને તરફના એપ્રોચ રોડનું કામ ચાલી રહ્યું છે. વિયરમાં પાણી હોવા છતાં કામગીરી ચાલુ છે. હિંમતનગર-ખેડબ્રહ્મા રેલવે અન્ડરપાસ તરફ અને ખેડ તસિયા તરફના એપ્રોચ રોડના છેડે કામ ચાલી રહ્યું છે. ઓવરબ્રિજ પર ફૂટપાથની પેરાફીટ અને વીજ પોલના વાયરિંગની પ્રક્રિયા પણ પ્રગતિમાં છે. હિંમતનગર RB સ્ટેટના આસી. એન્જિનિયર નિર્મલભાઈ ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ઓવરબ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને કામગીરી અંતિમ તબક્કામાં છે. 18 નવેમ્બરથી 18 ડિસેમ્બર સુધીમાં ઓવરબ્રિજનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. આ કામગીરી પૂર્ણ થતાં આગામી નવા વર્ષે ઓવરબ્રિજનું લોકાર્પણ થઈ શકે છે. હાલમાં ઓવરબ્રિજના બંને છેડે એપ્રોચ રોડને જોડવાની કામગીરી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:19 pm

વઢવાણ જ્ઞાનશક્તિ શાળાના વિદ્યાર્થીઓનો ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ દેખાવ:તાલુકા અને જિલ્લા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં મેડલ જીત્યા

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાન રાજકોટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ શાળા, વઢવાણના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ-૨૦૨૫માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓએ તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ખેલ મહાકુંભ રાજ્યભરમાં રમતગમત પ્રવૃત્તિઓ માટે જાણીતી સ્પર્ધા છે. તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં જ્ઞાનશક્તિ શાળાના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. અંડર-14 કેટેગરીમાં કેરવાડીયા વિરમભાઈ ઘનશ્યામભાઈએ 100 મીટરમાં પ્રથમ સ્થાન, મકવાણા કિશનજી પ્રધાનજીએ 200 મીટરમાં પ્રથમ અને ગોળા ફેંકમાં દ્વિતીય સ્થાન, તલસાણીયા આકાશભાઈ પ્રકાશભાઈએ 400 મીટરમાં પ્રથમ સ્થાન, જ્યારે ઠાકોર યશ હિતેશભાઈએ ઊંચી કૂદમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અંડર-17 કેટેગરીમાં પણ શાળાના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. ખાંભલા કેવલ ચેતનભાઈએ 100 મીટરમાં દ્વિતીય, મછાર સાહિલભાઈ જામકાભાઈએ 400 મીટરમાં પ્રથમ, ધુઘલીયા આકાશભાઈ ખોડાભાઈએ 800 મીટરમાં પ્રથમ અને પેથાપરીયા મુન્નાભાઈ હીરાભાઈએ 1500 મીટરમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા કક્ષાએ અંડર-11 બેડમિન્ટનમાં ચાવડા વિવેક ભાવેશભાઈએ પ્રથમ અને અંડર-14 સ્વિમિંગમાં પટેલ પ્રાંશુ પ્રવિણભાઈએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સિદ્ધિ પાછળ શાળાના રમતગમત વિભાગના શિક્ષકોની નિયમિત તાલીમ અને માર્ગદર્શન રહ્યું છે. ગુરુકુળના સંચાલક આનંદપ્રિય સ્વામીજી અને શાળાના આચાર્ય સાવલિયા પિયુષભાઈએ તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જિલ્લા કક્ષાએ પણ ઉત્તમ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ આપી હતી. આ વિજય વિદ્યાર્થીઓની મહેનત અને નિષ્ઠાનું પ્રતિક છે અને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બન્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:14 pm

ગોધરા અટલ ઉદ્યાન વોકવે પર ઝાડી-ઝાંખરા:નગરપાલિકાએ સફાઈ અભિયાન શરૂ કર્યું

ગોધરા શહેરના અટલ ઉદ્યાન (સીતાસાગર) વોકવે પર ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને ગંદકીને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિયાળાની શરૂઆત થતાં નગરજનોને વોકવેનો લાભ મળી રહે તે હેતુથી આ કામગીરી હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી આ વોકવે પર અતિશય ગંદકી અને ચારે તરફ ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા, જેના કારણે ગોધરાના નગરજનોને વોકવેનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. ઘણા નાગરિકોએ વોકવે પર ચાલવાનું બંધ કરી દીધું હતું. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણે નગરપાલિકાના અધિકારીઓ પાસે વોકવેનું નિરીક્ષણ કરાવ્યું હતું. નિરીક્ષણ બાદ, તેમણે પવડી વિભાગના કર્મચારીઓને તાત્કાલિક ધોરણે ઝાડી-ઝાંખરા અને ગંદકી દૂર કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે, આજરોજ વહેલી સવારથી જ પવડી વિભાગના કર્મચારીઓ દ્વારા વોકવેની સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થતાં સિનિયર સિટીઝન સહિત ગોધરાના તમામ નગરજનો ફરીથી સ્વચ્છ અને સુવિધાયુક્ત વોકવેનો લાભ લઈ શકશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:14 pm

RTO ઈન્સપેક્ટરે 6 મહિના પહેલા જ પત્નીની હત્યાનો પ્લાન ઘડ્યો'તો:RFO પત્ની પર ફાયરિંગ કરાવવા આરોપીને 160 કિમીની ઝડપે દોડતી બાઈક અપાવી, ફાયરિંગ બાદના CCTV

સુરતના કામરેજ નજીક RFO સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસમાં તેમના પતિ અને RTO ઇન્સ્પેક્ટર નિકુંજ ગોસ્વામી તથા મિત્ર ઈશ્વરપુરી ગોસ્વામીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે નિકુંજે માત્ર હત્યાની સોપારી જ નહોતી આપી, પરંતુ છ મહિના પહેલાંથી જ સોનલ પર ફાયરિંગ કરવાનો આખો પ્લાન તૈયાર કરી રાખ્યો હતો. એટલું જ નહીં, હત્યાને અંજામ આપવા માટે શૂટર ઈશ્વરપુરીને ખાસ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી સ્પોર્ટ્સ બાઇક પણ આપવામાં આવી હતી. ફાયરિંગ બાદ ના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં ઈશ્વર એ જ બાઈક પર ફરાર થતાં નજરે આવે છે.. કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા પતિએ કાયદાના પુસ્તકો વાંચ્યાપોલીસે આરોપી નિકુંજ ગોસ્વામીને રિમાન્ડ દરમિયાન અડાજણ સ્થિત કવિ કલાપી ગાર્ડનની બાજુમાં આવેલા વિજયા લક્ષ્મી હિલ્સ એપાર્ટમેન્ટમાં તેના ઘરે તપાસ માટે લઈ ગઈ હતી. નિકુંજના પિતાની હાજરીમાં કરાયેલી તપાસમાં પોલીસને મોટી સફળતા મળી હતી. ઘરમાંથી 36 જીવતા કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો. આરોપી નિકુંજ RTO ઇન્સ્પેક્ટર હોવા છતાં, તે પોતાની પત્નીની હત્યાના પ્લાન બાદ કાયદાની આંટીઘૂંટીમાંથી બચવા માટે સતત કાયદા સંલગ્ન પુસ્તકો અને ચોપડાઓ વાંચી રહ્યો હતો. પોલીસે આ તમામ પુસ્તકો પણ જપ્ત કર્યા છે. હત્યા બાદ કઈ રીતે કાયદાકીય પ્રક્રિયામાંથી બહાર નીકળી શકાય તેની પૂર્વ તૈયારી તેણે કરી રાખી હતી. પત્નીની કારમાં પતિએ જ GPS ટ્રેકર લગાવ્યું'તુપોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ નિકુંજે સોનલના દરેક લોકેશન પર નજર રાખવા માટે તેની કારમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું, જે તેણે અડાજણ વિસ્તારમાંથી જ ખરીદ્યું હતું. આ જીપીએસની મદદથી તે સોનલ ક્યાં જઈ રહી છે તેની દરેક માહિતી મેળવતો હતો. ઈશ્વરપુરીએ 8મી ઓક્ટોબરે પણ રેકી કરી હતીહત્યાની કોશિશ માત્ર 6 નવેમ્બરના રોજ જ નહોતી થઈ. સુરત એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે એક મહિના પહેલાં પણ સોનલની હત્યા કરવા માટે રેકી કરવામાં આવી હતી. આરોપી નિકુંજનો મિત્ર અને શૂટર ઈશ્વરપુરી ગોસ્વામી 8 ઓક્ટોબરના રોજ સોનલની ગાડીનો પીછો કરતો અમદાવાદ સુધી ગયો હતો. નિકુંજે આપેલી 160 કિલોમીટર પ્રતિ કિલો રફતારવાળી સ્પોર્ટ્સ બાઇક પર ઈશ્વરપુરીએ લાંબો પીછો કર્યો હતો, પરંતુ તે સમયે યોગ્ય તક ન મળતા તે ફાયરિંગ કર્યા વિના પાછો ફર્યો હતો. ફાયરિંગ બાદ ફરાર થઈ રહેલા શૂટરના CCTV સામે આવ્યા6 નવેમ્બરના રોજ સોનલ સોલંકી પર ફાયરિંગ કરી ઘટનાસ્થળ પરથી ફરાર થનાર શૂટર ઈશ્વરપુરીનો સીસીટીવી ફૂટેજ પણ પોલીસને મળ્યો છે. આ ફૂટેજમાં જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈશ્વરપુરી એ જ સ્પોર્ટ્સ બાઇક પર ગતિએ ભાગી રહ્યો છે, જે બાઇક નિકુંજે તેને ખાસ આ ગુના માટે આપી હતી. આ સીસીટીવી ફૂટેજ હવે કેસમાં એક મજબૂત પુરાવો બની ગયો છે.પોલીસે ગુનામાં વપરાયેલી નંબર પ્લેટ વગરની હ્યુન્ડાઈ ઈયોન ફોરવ્હીલ કાર પણ કબજે લીધી છે, જેનો ઉપયોગ નિકુંજે ઈશ્વરપુરીને રેલ્વે સ્ટેશન પરથી પીકઅપ કરવા માટે કર્યો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસની ટીમે શૂટર ઈશ્વરપુરીને સાથે રાખીને થાણેના માસેઘાટ ખાતે પણ તપાસ કરી હતી, જ્યાં તેણે જનતા બજારમાંથી ગુના માટે એક મોબાઈલ ફોન અને ત્રણ સિમકાર્ડ ખરીદ્યા હોવાની ખરાઈ કરી હતી. 11 દિવસ બાદ પણ RFO સોનલ બેભાન અવસ્થામાંઆ ગંભીર બનાવને 11 દિવસ વીતી ગયા હોવા છતાં RFO સોનલ સોલંકીની હાલત ગંભીર અને બેભાન અવસ્થામાં છે. 10થી વધુ ડોક્ટરોની ટીમ સતત તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહી છે. પોલીસે પતિ નિકુંજનો છ મહિના જૂનો હત્યાનો પ્લાન, સ્પોર્ટ્સ બાઇકનો ઉપયોગ, અમદાવાદ સુધીની રેકી, જીપીએસ ટ્રેકિંગ અને ઘરમાંથી મળી આવેલા ગોળીઓના જથ્થા જેવા મહત્ત્વના પુરાવા એકત્ર કર્યા છે, જે આ કેસને મજબૂત બનાવશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:11 pm

SPUના ત્રણ અધ્યાપકોને 6.50 લાખની સંશોધન ગ્રાન્ટ:'રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ' યોજના હેઠળ મંજૂર, અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા રાજ્યની યુનિવર્સિટીઓ અને કોલેજોના શિક્ષકોમાં સંશોધનને પ્રોત્સાહન આપવા માટે 'રીસર્ચ ફેલોશિપ પ્રોજેક્ટ' યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી (SPU)ના ત્રણ અધ્યાપકોને કુલ 6.50 લાખ રૂપિયાની સંશોધન ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ વર્ષ 2023-24 અને 2024-25 માટે મંજૂર કરવામાં આવી છે. જેમાં ડૉ. સૌરભ એસ. સોનીને Surfactant Based Aqueous Electrolytes For Rechargable Zinc lon Batteries પ્રોજેક્ટ માટે 3.50 લાખ રૂપિયા, ડૉ. વિરાજ એન. રોઘેલિયાને Impact Of A Knowledge-Based Intervention Programme On Awareness And Attitudes Related To Menopause Among Women (35-55 Years) પ્રોજેક્ટ માટે 2 લાખ રૂપિયા અને ડૉ. કોમલબેન વિમલકુમાર પટેલને Cost-Benefit Analysis Of Residential Solar Photovoltaic Systems (RSPVS) In Anand Taluka પ્રોજેક્ટ માટે 1 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આ સિદ્ધિ બદલ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. નિરંજન પટેલે અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે યુનિવર્સિટીના અધ્યાપકોએ સંશોધન ક્ષેત્રે યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 1:02 pm

સૌરાષ્ટ્રમાં 6 માસમાં રૂ.4.40 કરોડની ખનીજ ચોરી ઝડપાઈ:ખનીજ માફીયાઓ માટે મોરબી, રાજકોટ, જામનગર સ્વર્ગ સમાન, સિરામિક ઉદ્યોગોની ચીજવસ્તુઓનું ખનન વધ્યુ

સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડે છેલ્લા 6 મહિનામાં અધધ રૂ.4.40 કરોડની ખનીજ ચોરી પકડી પાડી છે. જેમાં ખનિજ માફિયા માટે રાજકોટ, મોરબી, જામનગર જિલ્લો સ્વર્ગ સમાન હોવાનું માલુમ પડયું છે. કારણકે ત્રણેય જિલ્લામાં જ 80 ટકાથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ છે. સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરીના 195 કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ મોરબી જિલ્લામાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે. રાજકોટ ઝોન ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોડની અલગ-અલગ ટીમો આખા સૌરાષ્ટ્રમાં ગેરકાયદે ખનિજ ખનન, વહન અને સંગ્રહ પર નજર રાખે છે. એપ્રિલ -2025 થી ઓકટોબર-2025 દરમિયાન ફલાઈંગ સ્કવોડે રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રૂટીન પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ હાથ ધરીને ગેરકાયદે ખનીજ પરિવહનના અધધ 169 કેસમાં રૂ.3.6 કરોડની ખનીજ ચોરી પકડી પાડી હતી. આ સાથે ખનિજ ખોદકામના 25 કેસમાં રૂ.1.30 કરોડ અને સંગ્રહના એક કેસમાં રૂ.3.49 લાખની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો. સૌથી વધુ મોરબી જિલ્લામાં 47 ડમ્પર અને 12 હિટાચી મશીન સાથે રૂ.2 કરોડની વધુની ખનીજ ચોરી પકડાઈ છે. બીજા નંબરે રાજકોટ જિલ્લામાં 49 ડમ્પર અને 4 હિટાચી મશીન સાથે રૂ.97 લાખ તો ત્રીજા ખનીજ ચોરીમાં અત્યાર સુધી મહત્તમ રેતી, મોરમ, માટી, બિલ્ડીંગ લાઈમ સ્ટોન ઝડપાતા હતા પરંતુ હવે ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચાઈના કલે, ફાયર કલે, બોળ કલે સિલિકા સેન્ડના પણ ગેરકાયદે પરિવહન અને સંગ્રહના કેસ વધવા લાગ્યા છે. જોકે, આ આંકડા માત્ર ફલાઇંગ સ્કવોડની કાર્યવાહીના છે, દરેક જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા પકડાયેલી ખનીજ ચોરીનો આંક બહુ મોટો હોય છે. 6 માસમાં ક્યાંથી કેટલી ખનીજ ચોરી ઝડપાઈ? મોરબી - રૂ.2 કરોડ રાજકોટ - રૂ.97 લાખ જામનગર - રૂ.55.31 લાખ સુરેન્દ્રનગર - રૂ.28 લાખ પોરબંદર - રૂ.22.55 લાખ જૂનાગઢ - રૂ.19 લાખ ભાવનગર - રૂ.11.80 લાખ અમરેલી - રૂ.4.68 લાખ બોટાદ - રૂ.1.50 લાખ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:54 pm

જામનગરમાં મોબાઈલ શોરૂમમાંથી 15 ફોનની ચોરી:શોરૂમમાં કામ કરતા કર્મચારીએ જ ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ

જામનગરમાં અંબર સિનેમા રોડ પર આવેલા એક મોબાઈલ શોરૂમમાંથી રૂ. 9.10 લાખની કિંમતના 15 મોબાઈલ ફોનની ચોરી થઈ છે. આ ચોરી શોરૂમના જ એકાઉન્ટન્ટ કિશન બાવરીયાએ કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. શ્રીધન પેલેસમાં રહેતા અને અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સમાં 'યસ મોબાઈલ' નામનો શોરૂમ ધરાવતા રાજેશ ઉર્ફે રાજુ ગોહિલે સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 5 જુલાઈ 2025 થી 17 નવેમ્બર 2025 ના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે આ 15 મોબાઈલ ફોન ચોરાયા હતા. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, શોરૂમમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતો કિશન બાવરીયા વેપારીની નજર ચૂકવીને ફોન ચોરી ગયો હતો. હાલ તે ફરાર છે. સિટી બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજની પણ મદદ લેવામાં આવી રહી છે અને ફરાર એકાઉન્ટન્ટને શોધવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:54 pm

ગઢડાનો મુખ્ય માર્ગ ખખડધજ બન્યો:કમોસમી વરસાદથી ધોવાયો, વાહનચાલકોને અકસ્માતનો ભય

ગઢડા શહેરના હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા અને સામાકાંઠા સુધીનો મુખ્ય માર્ગ ફરી ખખડધજ બન્યો છે. કમોસમી વરસાદ બાદ આ ધોરીમાર્ગ પર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક રસ્તાના સમારકામની માંગ કરવામાં આવી છે. આ મુખ્ય માર્ગ પર આવેલા બ્રિજ પર પણ તિરાડો પડી છે અને ખાડાઓ જોવા મળી રહ્યા છે. બોટાદ જિલ્લામાં આવેલું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું યાત્રાધામ હોવાથી અહીં વાહનો અને યાત્રાળુઓની સતત અવરજવર રહે છે. રસ્તાની આ ખરાબ સ્થિતિને કારણે યાત્રાળુઓ અને સ્થાનિકો પણ પરેશાન છે. અગાઉ તંત્ર દ્વારા આ ખાડાઓને માટીકામ કરીને પૂરવામાં આવ્યા હતા. જોકે, કમોસમી વરસાદના કારણે આ કામગીરી ધોવાઈ ગઈ છે અને રસ્તો ફરીથી બિસ્માર હાલતમાં આવી ગયો છે. ગઢડાથી અમદાવાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જૂનાગઢ સહિતના મોટા શહેરોને જોડતો આ ધોરીમાર્ગ અત્યંત વ્યસ્ત રહે છે. ગઢડામાં પ્રવેશવા માટે હાઈસ્કુલ ચાર રસ્તાથી જીનનાકા વિસ્તારમાંથી પસાર થવું પડે છે, જે માર્ગ હાલમાં અત્યંત ખરાબ સ્થિતિમાં છે. હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર અને બે મુખ્ય સ્વામિનારાયણ મંદિરોને કારણે યાત્રાળુઓની ભીડને જોતાં, આ ખખડધજ રસ્તો ગંભીર અકસ્માતોનું કારણ બની શકે છે. કોઈ મોટી દુર્ઘટના ન બને તે પહેલાં તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી વાહનચાલકો અને લોકોની પ્રબળ માંગ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:50 pm

ઉત્તર ભારતીય વિકાસ પરિષદે રક્તદાન શિબિર યોજી:મહેશ સિંહ કુશવાહના જન્મદિવસ નિમિત્તે 72 યુનિટ રક્ત એકત્ર થયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કુલ 72 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ આગેવાનો અને મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન શિબિર ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ મહેશ સિંહ કુશવાહના જન્મદિવસ નિમિત્તે યોજવામાં આવી હતી. વસ્ત્રાલ વોર્ડ અને વટવા વિધાનસભાના યુવા આગેવાનો કુલદીપ રાજપૂત અને સુશીલ રાજપૂત દ્વારા સેવાના ઉદ્દેશ્યથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં વટવાના ધારાસભ્ય બાબુસિંહ જાધવ, બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુર, પ્રદેશ અધ્યક્ષ મહેશસિંહ કુશવાહ અને શહેરાધ્યક્ષ વિનય મિશ્રા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉત્તર ભારતીય વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ઠાકુરે ,કુલદીપ રાજપૂતની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે પ્રદેશ અધ્યક્ષ સમક્ષ કુલદીપ રાજપૂતને શહેરની યુવા ટીમમાં યુવા મહામંત્રી તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:45 pm

વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠ દ્વારા પ્રતિભા સન્માન:વકાલત ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું

વિશ્વ હિન્દુ પરિષદ (VHP) વિધિ પ્રકોષ્ઠ દ્વારા 15 નવેમ્બરના રોજ પ્રતિભા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વકાલત ક્ષેત્રના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરી સમાજમાં પ્રેરક ઉદાહરણ પૂરું પાડવાનો હતો. આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે 81 વર્ષીય કર્નલ વિનોદ ફાળનેકર અને ફેમિલી કોર્ટ કાઉન્સેલર, નિઃસ્વાર્થ ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડવોકેટ શ્રીમતી શિલ્પા દવે ઉપસ્થિત રહ્યા હતા. બંને મહાનુભાવોના પ્રેરણાદાયી વક્તવ્યથી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌનો ઉત્સાહ વધ્યો હતો. મુખ્ય અતિથિઓના વક્તવ્ય બાદ, તમામ તેજસ્વી વિદ્યાર્થીઓને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.નિઃસ્વાર્થ ફાઉન્ડેશન સંસ્થા તરફથી એડવોકેટ શ્રીમતી શિલ્પા દવે અને તેમની ટીમે વિશ્વ હિન્દુ પરિષદ વિધિ પ્રકોષ્ઠનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:42 pm

તથ્ય પટેલ સામે અઢી વર્ષે ફ્રેમ થશે:ઇસ્કોન બ્રિજ પર 9ને મોતને ઘાટ ઉતારનારો લાંબા સમયે દેખાયો, નીચી મુંડી રાખીને આવ્યો

વર્ષ 2023માં 20 જુલાઈની રાત્રે અમદાવાદમાં બેફામ સ્પીડે જેગુઆર કાર દોડાવી ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોના મોત નિપજાવનારા તથ્ય પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે તથ્ય પટેલ સામે 3 સપ્તાહમાં ચાર્જ ફ્રેમ કરવા અને સાક્ષીઓના નિવેદન લેવાની શરૂઆત કરવા હુકમ કર્યો હતો. આજે તેની સામે ચાર્જ ફ્રેમ કરવામાં આવશે. જેથી તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.ત્યારબાદ સાક્ષીઓની જુબાની શરૂ થશે. 141ની સ્પીડે જેગુઆર દોડાવી અકસ્માત સર્જતા 9 લોકોના મોત નિપજ્યા હતાઆ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ ઉપરાંત કુલ 12 લોકો ઘાયલ થયા હતા. હજુ પણ એક વ્યક્તિ કોમામાં છે. તથ્યે 141 કિલોમીટર જેટલી ઝડપે ગાડી હંકારી હતી. આ ઘટનાને બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. તથ્યને સેશન્સ કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ ક્યાંયથી પણ જામીન મળ્યા નથી. આ ઘટના અને તથ્યને જેલમાં બંધ થયાને 2 વર્ષ પૂર્ણ થયા છે. આરોપી સામે IPC 304 લાગે કે 304 A લાગે તેની રિવિઝન અરજી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે. આ બનાવ 20 જુલાઈ 2023નો છે. જેમાં આરોપી સામે 7 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હતી અને સાહેદોના CRPC 164 મુજબ મેજિસ્ટ્રર સમક્ષ નિવેદન લેવાયા હતા. તથ્ય પટેલ બે વાર હંગામી જામીન મેળવી આવી ચૂક્યો છેજો અરજદારની રિવિઝન અરજી મંજૂર થાય તો તેની ઉપર લાગેલી કલમો પૈકીની સજા જેલમાં કાપી લીધી છે. રિવિઝન અરજીમાં વધુ સુનવણી ન થાય ત્યાં સુધી, હાઇકોર્ટે તથ્યને ચાર્જફ્રેમ વિરુદ્ધ વચગાળાની રાહત યથાવત રાખી હતી. વળી પીડીતોએ આ કેસમાં વધુ તપાસ માટે અરજી કરી છે, જે પેન્ડિંગ છે. તથ્ય અત્યાર સુધીમાં બે વખત હંગામી જામીન ઉપર પોલીસ જાપ્તા સાથે બહાર આવેલ છે. જેમાં એક વખત તેના દાદાનું નિધન થયું હતું, જ્યારે બીજી વખત તેની માતાના ઓપરેશનની તારીખ હતી. ચાર્જફ્રેમ થતા હવે કેસની આગળ ટ્રાયલ ચાલશેઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની જાહેરાત મુજબ તથ્ય પટેલ સામે અકસ્માતના ફક્ત 7 દિવસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી. જો કે તેને તેની ઉપર લાગેલી કેટલીક કલમોમાંથી ડિસ્ચાર્જ અરજી ફાઇલ કરી હતી. જેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટે ફગાવી દેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. જેની ઉપર હજી સુધી ચુકાદો ન આવતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં તેની સામે ચાર્જફ્રેમ થઈ શક્યો નહોતો કે જેથી આગળ ટ્રાયલ પણ ચાલતી નહોતી. શું છે સમગ્ર ઘટના?19મી જુલાઈ, 2023ની મોડીરાત્રે, એટલે કે 20મી જુલાઈના રોજ અમદાવાદ શહેરના ઇસ્કોનબ્રિજ પર તથ્ય પટેલે લોકો પર જેગુઆર કાર ચડાવી દેતાં 9 લોકોનાં મોત થયાં હતાં. આ ઘટનાએ ગુજરાતભરમાં જ નહીં, દેશભરમાં ચર્ચા જગાવી હતી. તથ્ય હાલ સાબરમતી જેલની હવા ખાઈ રહ્યો છે. તથ્ય પટેલ સામે અકસ્માતથી લઈ આજદિન સુધી કોર્ટમાં શું શું થયું તે ગ્રાફિક્સની મદદથી સમજીએ...

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:39 pm

શ્રીનાથ પીઠના મહંત SGVP ગુરુકુલ પધાર્યા:માધવપ્રિયદાસજી સ્વામી સાથે મુલાકાત કરી, સેવાઓ નિહાળી પ્રસન્નતા વ્યક્ત કરી

શ્રીનાથ પીઠના મહંત પરમ પૂજ્ય 1008 જિતેન્દ્રનાથજી મહારાજ (દેવનાથ મઠ, અંજન-અમરાવતી, મહારાષ્ટ્ર) શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદ ખાતે પધાર્યા હતા. તેઓ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામીને ખાસ મળવા આવ્યા હતા. સમગ્ર ભારતવર્ષમાં નાથપંથ અત્યંત પ્રસિદ્ધ છે. નાથપંથની ત્રણ મુખ્ય ધારાઓ છે: વૈષ્ણવી, શૈવી અને બ્રાહ્મી નાથ પરંપરા. ભગવાન દત્તાત્રેયમાં આ ત્રણેય પરંપરાનો સંગમ થયેલો છે. પૂજ્ય જિતેન્દ્રનાથજી મહારાજ આ ત્રિધારા નાથ પરંપરાના અગ્રણી મહંત છે અને શ્રીવૈષ્ણવનાથ પરંપરાના પરમ ઉપાસક છે. તેઓ વિશ્વમાંગલ્ય ટ્રસ્ટ દ્વારા મોટા પાયે વિવિધ સામાજિક સેવાપ્રવૃત્તિઓ કરી રહ્યા છે અને સતત રાષ્ટ્રસેવામાં જોડાયેલા રહે છે. તેમના અનુયાયીઓ લાખોની સંખ્યામાં છે.પૂજ્ય સ્વામીજી સાથે રહીને તેમણે સમગ્ર SGVP કેમ્પસનું દર્શન કર્યું હતું. સંસ્થા દ્વારા થઈ રહેલી શૈક્ષણિક અને સામાજિક સેવાઓ નિહાળી તેમણે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. કેમ્પસમાં રહીને અભ્યાસ કરતા દર્શનમ્ સંસ્કૃત વિદ્યાલયના ઋષિકુમારો સાથે સંવાદ કરીને તેઓ અતિ પ્રસન્ન થયા હતા. તેમણે જણાવ્યું હતું કે, “આ SGVP સંસ્થાન મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલું છે અને અનેક ગુરુકુળ તેમજ પોતાની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સનાતન વૈદિક હિન્દુ ધર્મની સેવા કરી રહ્યું છે.”

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:38 pm

કડીની PMG ઠાકર સ્કૂલ કબડ્ડીમાં જિલ્લા ચેમ્પિયન:ભાઈઓ-બહેનોની ટીમોએ મહેસાણા જિલ્લામાં ગોલ્ડ મેડલ જીત્યા

મહેસાણા જિલ્લામાં ચાલી રહેલા ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં કડીની પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. શાળાની ભાઈઓ અને બહેનોની ટીમોએ ગોલ્ડ મેડલ જીતીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધા મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે તા. 17 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. જેમાં પી.એમ.જી. ઠાકર આદર્શ હાઈસ્કૂલની અંડર-14 અને અંડર-17 ભાઈઓની ટીમે સમગ્ર મહેસાણા જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, અંડર-14 બહેનોની ટીમે પણ જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. આ જીત બદલ કબડ્ડી રમતના કોચ સેજલબેન અને ટ્રેઈનર હનોકભાઈને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય જીગ્નેશભાઈ સોની, નિ.સે. પટેલ સંસ્કાર મંડળના મહામંત્રી બનસીભાઈ ખમાર અને પ્રમુખ નીતિનભાઈ પટેલે વિજેતા વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે બાળકો રાજ્ય કક્ષાએ પણ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને શાળા, કડી નગર અને મહેસાણા જિલ્લાનું નામ રોશન કરશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:36 pm

લંડનમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું સ્નેહમિલન યોજાયું:બ્રિટનમાં 'મારી ઈંટ મા નાં મંદિરે' અભિયાન ચલાવવા સંકલ્પ;આર.પી. પટેલ

અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના પ્રચાર અર્થે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનું 9 સભ્યોનું પ્રતિનિધિમંડળ બ્રિટનના પ્રવાસે છે. ફાઉન્ડેશનના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલના વડપણ હેઠળ આ પ્રતિનિધિમંડળ રવિવારે લંડનના કેપી સેન્ટર ખાતે ટ્રસ્ટીઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સ્નેહમિલનમાં જોડાયું હતું. આ સ્નેહમિલનમાં વિશ્વઉમિયાધામના નિર્માણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રમુખ આર.પી. પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિ, સમાજના સર્વાંગી વિકાસ અને યુવા જાગૃતિ માટે 504 ફૂટ ઊંચા મા ઉમિયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ડિસેમ્બર 2027માં ઉજવવામાં આવશે. તેમણે દરેક પરિવારને 'મારી ઈંટ મા નાં મંદિરે' અભિયાનમાં જોડાઈને દિવ્ય અને ભવ્ય મંદિર નિર્માણમાં સહભાગી થવા અપીલ કરી હતી. લંડનના આ સ્નેહમિલનમાં સંસ્થાના ઉપપ્રમુખ ડી.એન. ગોલ, શશીભાઈ વેકરિયા, વેલજીભાઈ વેકરિયા અને સમાજના પ્રમુખ સુરેશભાઈ કણસાગરા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપપ્રમુખ ડી.એન. ગોલ, દિનેશભાઈ પટેલ, શશીભાઈ વેકરિયા અને નરેશભાઈએ પણ પ્રેરણાત્મક સંબોધન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:33 pm

મહેશ્વરી સમાજે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કર્યું:ગુજરાતના બાળકો માટે વિવિધ શહેરોમાં ભાગીદારી

ગુજરાત મહેશ્વરી સમાજ દ્વારા નાના બાળકો માટે ખેલકૂદ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સમાજના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ આયોજન મહેશ્વરી સમાજના ગુજરાતના દરેક શહેરમાં કરવામાં આવ્યું હતું, જ્યાંથી નાના બાળકોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:31 pm

ડો.જયનારાયણ વ્યાસે 'હિંદ સ્વરાજ' પર વક્તવ્ય આપ્યું:પાટણના પુસ્તકાલયમાં 'મને જાણો' કાર્યક્રમ અંતર્ગત ગાંધી વિચાર રજૂ કર્યા

પાટણના શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા આયોજિત 'મને જાણો' કાર્યક્રમ અંતર્ગત રવિવારે ડો. જયનારાયણ વ્યાસે 'હિંદ સ્વરાજ' પુસ્તક પર વક્તવ્ય આપ્યું હતું. તેમણે આ પ્રસંગે ગાંધીજીના વિચારો અને દર્શનનું ચિંતન-મનન રજૂ કર્યું હતું. આ કાર્યક્રમ સ્વ. કિર્તીકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલી રહ્યો છે. પુસ્તકાલયના પ્રમુખ ડો. શૈલેષ સોમપુરાએ સૌનું સ્વાગત કર્યું હતું અને પુસ્તકાલયની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. તેમણે ભારતભરમાં ખ્યાતિ ધરાવતા વક્તાઓ પુસ્તકાલયમાં વક્તવ્ય આપવા આવી રહ્યા છે તે અંગે આનંદ અને આભાર વ્યક્ત કર્યો હતો. ડો. જયનારાયણ વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ગાંધીજીનું ચિંતન અને દર્શન સમય નિરપેક્ષ છે. ગાંધીજીને પ્રેમ કરી શકાય અથવા ધિક્કારી શકાય, પરંતુ તેમને અવગણી શકાય નહીં. તેમણે 'હિંદ સ્વરાજ'ને માત્ર પુસ્તક નહીં, પરંતુ એક યુગનો ઘોષણાપત્ર અને વિચાર ક્રાંતિનો પ્રકાશ સ્તંભ ગણાવ્યું હતું. વ્યાસ સાહેબે સ્વરાજ્યની વ્યાખ્યા કરતા કહ્યું કે તે સ્વનિયમ, સ્વધર્મ, સ્વઅનુરાગી, સ્વવિવેક અને આત્મનિર્ભરતા દ્વારા પ્રાપ્ત થાય છે. સાચી પ્રગતિ મશીન અને ભોગવિલાસમાં નહીં, પરંતુ ચારિત્ર્ય અને માનવસેવા દ્વારા થાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે 'હિંદ સ્વરાજ'ના જુદા જુદા પ્રકરણોમાં ગાંધીજીના વિચારો આજે પણ અત્યંત પ્રસ્તુત છે. તેમણે કહ્યું કે માનવી મશીનનો ગુલામ બની ગયો છે અને શિક્ષણ હંમેશા માતૃભાષામાં જ હોવું જોઈએ. પશ્ચિમી દવાઓનો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને જીવનના પાઠ ભણાવે તેવું શિક્ષણ હોવું જોઈએ. પ્રગતિ માટે અસંતોષ સારો છે. તેમણે ઉમેર્યું કે હિંદુસ્તાન અંગ્રેજોએ લીધું ન હતું, પરંતુ આપણા વેરઝેરને કારણે આપણે તેમને આપ્યું હતું. સમાજ સ્વસ્થ, નૈતિકતા અને સહજીવન આધારિત હોવો જોઈએ. ગાંધી વિચારનું આંતરિક બળ ચારિત્ર્ય અને સત્યનિષ્ઠા છે, જ્યારે નિર્ભેળ પ્રમાણિકતા અને મૂલ્યનિષ્ઠતા તેના પાયા છે. અતિશય ભૌતિકતા માણસને ખોખલો બનાવી દે છે. તેમણે 'કોઈ કામ નાનું નથી' અને 'મારું જીવન એ જ મારો સંદેશ છે' જેવા ગાંધીજીના સૂત્રો ટાંક્યા હતા. પ્રગતિનો માર્ગ સ્ટાર્ટઅપ, નોકરી કે ટેકનોલોજી નહીં, પરંતુ આત્મશક્તિ, નૈતિકતા અને સામાજિક જવાબદારી છે. આ પ્રસંગે ડો. જયનારાયણ વ્યાસ દ્વારા લખાયેલા પુસ્તકો પુસ્તકાલયને ભેટ આપવામાં આવ્યા હતા. અશોકભાઈ વ્યાસ દ્વારા વક્તાનો પરિચય આપવામાં આવ્યો હતો. કે.કે. ગર્લ્સ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ દિનેશભાઈ પ્રજાપતિ અને કનુભાઈ પટેલ વગેરે દ્વારા શાલ ઓઢાડી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પુસ્તકાલય પરિવારના સભ્યો અને સ્નેહીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ મહાસુખભાઈ મોદીએ કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:28 pm

ખેલ મહાકુંભ;હેન્ડબોલની બંને ટીમ જિલ્લા કક્ષાએ વિજેતા:દીવાન-બલ્લુભાઈ શાળાની U-17 ટીમોએ પ્રથમ ક્રમાંક મેળવ્યો

ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા મોટેરાના સંત આશારામજી ગુરુકુળ ખાતે યોજાઈ હતી.આ સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ માધ્યમિક શાળા, કાંકરિયાની ગુજરાતી માધ્યમની U-17 બહેનો અને U-17 ભાઈઓની ટીમે પ્રથમ વિજેતા ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. વિજેતા બનેલી હેન્ડબોલની બંને ટીમને કોચ દિલીપભાઈ ડાભી, વ્યાયામ શિક્ષક દશરથભાઈ ગોલતર અને આચાર્ય પ્રકાશભાઈ જાનીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:24 pm

અંબે સ્કૂલમાં 'લાઇફ અંડર ધ સી' પ્રોજેક્ટ રજૂ થયો:પૂર્વ-પ્રાથમિકના બાળકોએ દરિયાઈ જીવનનું મહત્વ સમજાવ્યું

અંબે સ્કૂલ – હરણી CBSE યુનિટ દ્વારા પૂર્વ-પ્રાથમિક વિભાગનો “લાઇફ અંડર ધ સી” (Life Under the Sea) પ્રોજેક્ટ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં યુવા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા સર્જનાત્મક મોડેલો, ભૂમિકા ભજવણી (role-plays) અને ઇન્ટરેક્ટિવ પ્રદર્શનો દર્શાવવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પાણીની અંદરની દુનિયાને જીવંત બનાવી હતી. બાળકોએ રંગબેરંગી પોશાકો, કલા, સંગીત અને વાર્તા કહેવા દ્વારા વિવિધ દરિયાઈ જીવોનું આત્મવિશ્વાસ સાથે નિરૂપણ કર્યું.આ પ્રોજેક્ટ દ્વારા દરિયાઈ જીવન અને મહાસાગર સંરક્ષણનું મહત્વ પ્રકાશિત કરવામાં આવ્યું. સાથે જ, વિદ્યાર્થીઓને આનંદદાયક પ્રત્યક્ષ શિક્ષણનો અનુભવ પણ મળ્યો. વાલીઓએ નાના બાળકો દ્વારા દર્શાવવામાં આવેલા પ્રયત્નો અને સર્જનાત્મકતાની પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન અમિતભાઈ શાહ, નિયામક ભાવેશ શાહ અને નિયામક મિતલબહેન શાહ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:23 pm

ગાંધીનગરના 7 ગામના ગ્રામજનોની આક્રોશ રેલી:વિવિધ પડતર પ્રશ્નોનો નિકાલ નહીં થતા કલેકટર કચેરી પહોંચ્યા, આંદોલનની ચીમકી

ગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આક્રોશ રેલી કાઢી આજે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અસરગ્રસ્તો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે સરકાર દ્વારા તાત્કાલિક હકારાત્મક નિર્ણય ન લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. 7 ગામના ગ્રામજનો દ્વારા બેનરો સાથે રેલીગાંધીનગર શહેરના સ્થાપના સમયથી સમાવિષ્ટ થયેલા 7 ગામોના ગ્રામજનોના લાંબા સમયથી વણઉકેલાયેલા પ્રશ્નોનો નિકાલ ન થતાં ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આજે કલેકટર કચેરીએ હાથમાં બેનરો સાથે 250થી વધુ લોકો રેલી સ્વરૂપે પહોંચ્યા હતાં. પાંચ પ્રશ્નોના નિકાલની માગમહામંડળ દ્વારા મુખ્યત્વે પાંચ પ્રશ્નોના નિકાલની માંગણી કરવામાં આવી છે. અસરગ્રસ્તોની માગ છે કે, 1997ની મંત્રી સ્તરની બેઠકો અને મહેસૂલ વિભાગના 2016ના પરિપત્ર મુજબ મકાનોના ભોગવટાને નિયમિત કરી આપવા, 7 ગામના મૂળ નિવાસીઓને રહેણાંકની જરૂરિયાત પૂરી કરવા માટે નવા આવાસ બનાવી આપવા અથવા રહેણાંકના પ્લોટ ફાળવવા, સરદાર સરોવરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને જે લાભો (રહેણાંકના પ્લોટ/ખેતીની જમીન) મળ્યા છે, તેવા જ લાભો ગાંધીનગરના જમીન અસરગ્રસ્ત ખેડૂતોને પણ આપવા આવે. ઉપરાંત અસરગ્રસ્તોને ફાળવવામાં આવેલ ચીપટાઇપની દુકાનોને ભાડા પદ્ધતિના બદલે માલિકી હકકે ફાળવવામાં આવે. 7 ગામોને ગાંધીનગર શહેર સમકક્ષ તમામ માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવે. 'પ્રશ્નો અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો'આ અંગે મહામંડળ પ્રમુખ ભરતસિંહ બિહોલા જણાવ્યું છે કે, આ પ્રશ્નો અંગે વર્ષોથી વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. પ્રશ્નોની ગંભીરતાને ધ્યાનમાં લઈને તા. 15 જૂન 2022 ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષપદે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સંબંધિત ખાતાના ઉચ્ચ અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારબાદ તા. 3 જુલાઈ 2023 ના રોજ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં પણ આ બાબતે બેઠક મળી હતી. મુખ્ય સચિવએ અગ્ર સચિવ (શહેરી વિકાસ વિભાગ), કલેકટર ગાંધીનગર અને મ્યુનિસિપલ કમિશનર ગાંધીનગરને આ પ્રશ્નો અંગેની જરૂરી વિગતો તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું હતું. બે વર્ષથી વધુ સમય વીત્યો કોઈ નક્કર કાર્યવાહી થઈ નથીજોકે, મુખ્ય સચિવની સૂચનાને બે વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ બાબતે કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે 7 ગામના ગ્રામજનોમાં વહીવટી તંત્ર સામે ભારે નારાજગી અને અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે. 'હકારાત્મક નિર્ણય નહીં આવે તો આંદોલન થશે'મહામંડળે કલેક્ટર મારફતે સરકાર સમક્ષ રજૂઆત કરી છે કે, જો આ પ્રશ્નો બાબતે તાકીદે હકારાત્મક નિર્ણય નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ કાર્યક્રમો આપીને આંદોલન શરૂ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:09 pm

મેમ્કોમાંથી ગાંજો અને વિશાલા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો:એસઓજીએ 9.35 લાખના ગાંજા સાથે 3ને ઝડપ્યા, ક્રાઈમ બ્રાંચે 2.16 લાખનો દારૂ પકડીને બે શખ્સને દબોચ્યા

SOG એ મેમ્કોમાંથી મહિલા સહિત ત્રણ લોકોને 9.35 લાખ રૂપિયાના ગાંજા સાથે ઝડપી લીધા છે જ્યારે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચે વિશાલા પાસેથી ખુલ્લા મેદાનમાંથી 1644 દારૂની બોટલ સાથે બે શખ્સની ધરપકડ કરી છે.બને મામલે ગુનો નોધી તપાસ કરવામાં આવી રહી છે. મહિલા સહિત ત્રણ 9.35 લાખના ગાંજા સાથે ઝડપાયાએસઓજીના પીએસઆઈ આર. બી. તેલે બાતમીના આધારે મેમ્કો પાસેથી રિક્ષાને રોકી હતી જેમાથી એક મહિલા સહિત ત્રણ લોકો બેઠા હતા. એસઓજીએ તેમની અટકાયત કરી હતી અને બાદમાં અંગ ઝડતી લીધી હતી.મહિલાનું નામ રાજેશ્વરી હતુ જ્યારે યુવકના નામ સાહિલ અને ભાવેશ હતું. રાજેશ્વરી પાસે ત્રણ થેલા હતા જે ખોલી જોતા તેમા 9 પાર્સલ હતાં. પાર્સલ ખોલીને જોતા તેમા ભુખરા રંગની વનસ્પતિ હતી. શંકાના આધારે એસઓજીએ રિક્ષા ડ્રાઈવર, ભાવેશ, સાહિલ તેમજ રાજેશ્વરીની અટકાટત કરીને નજીકની પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને એફએસએલને જાણ કરી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે આવી પહોચી હતી અને વનસ્પતિનું પરિક્ષણ કર્યુ હતું જેમા તે ગાંજો હોવાનું પુરવાર થયુ હતું. એસઓજીએ આ મામલે રાજેશ્વરી, ભાવેશ અને સાહિલની ધરપકડ કરી હતી. પુછપરછ દરમિયાન રાજેશ્વરીએ જણાવ્યુ છેકે ગાંજાનો જથ્થો મહારાષ્ટ્રના નંદુરબાર જીલ્લાના સિન્દખેડા તાલુકામાં આવેલા નરડાના ગામમાં રહેતીજ્યોતિ તમંચેએ આપ્યો હતો. આ ગાંજાનો જથ્થો રાજેશ્વરી કુબેરનગરમાં લાવીને વેચવાની હતી. હાલ એસઓજીએ રાજેશ્વરી, ભાવેશ, સાહિલ અને જ્યોતિ વિરૂદ્ધ ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે લોડીંગ રિક્ષામાંથી 2.16 લાખ રૂપિયાનો દારૂ ઝડપ્યોક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતીકે વેજલપુર વિશાલા બરફની ફેક્ટરી પાસે આવેલા ખુલ્લા મેદાનમાં એક લોડીંગ રીક્ષા પાર્ક થયેલી છે જેમાં લાખો રૂપિયાનો દારૂ છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોચી ઘઈ હતી અને રિક્ષાને ખોલીને જોયુ હતું જેમાં 1644 દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત 2.16 લાખ રૂપિયા થાય છે. ક્રાઈમ બ્રાંન્ચે આ દારૂનો જથ્થો રાખનાર અકિલ ઈસ્માલ શેખ (રહે, નૂરે ઈલાહી ફ્લેટ, જુહાપુરા) અને અફતાબ ઉર્ફે આદિલ શેખ (રહે, જાવેદ રો-હાઉસ, જુહાપુરા)ની ધરપકડ કરી છે. આ દારૂનો જથ્થો બન્ને જણા ક્યાથી અને કોની પાસેથી લાવ્યા છે તે મામલે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 12:05 pm

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ ST બસ ઘૂસી:6 વિદ્યાર્થીઓ વલસાડથી મહેસાણા કોલેજની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, 19 લોકોને ઈજા

વાપીથી ચાણસ્મા જઈ રહેલી બસને વહેલી સવારે અકસ્માત નડ્યો હતો. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ઉભી રહેલી ટ્રકની પાછળ ST બસ ઘૂસી જતા 19 લોકોને ઈજા પહોંચી હતી. જેમાં વલસાડથી મહેસાણા પરીક્ષા આપવા જઈ રહેલા 6 વિદ્યાર્થીમાંથી 3 વિદ્યાર્થી પણ ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બસના ડ્રાઇવરને ગંભીર ઇજા થઈ છે. આ તમામ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:49 am

હવે મોબાઈલમાં નેવિગેશન સાથે રિયલ-ટાઈમ ટ્રાફિક એલર્ટ મળશે:ગુજરાત પોલીસનું સ્વદેશી એપ ‘મેપલ્સ’ સાથે MOU; બંધ રોડ, અકસ્માત ઝોન, સ્પીડ લિમિટ સહિતની માહિતી આંગળીના ટેરવે

ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ અંગે એક મોટી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ (Mapmyindia) વચ્ચે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મેપલ્સ (મેપમાયઇન્ડિયા) દ્વારા તેમની એપમાં વિશેષ સુવિધાઓ ડેવલપ કરી નાગરિકો માટે ખાસ ફિચર્સ અપડેટ કરવામાં આવ્યા છે. હવે નાગરિકો-વાહનચાલકોને નેવિગેશનની સાથે-સાથે આ એપ બ્લેક સ્પોટ્સ, એક્સિડન્ટ ઝોન, સ્પીડ લિમિટ ઉપરાંત રિયલ ટાઈમ ટ્રાફિક એડવાઈઝરીની અપડેટ આગળીના ટેરવે આપશે. સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ દ્વારા પૂરો પાડવામાં આવેલો બ્લેક સ્પોટ્સ અને સંભવિત અકસ્માત ઝોનનો ડેટા મેપલ્સ દ્વારા આ એપમાં અપડેટ કરી દેવાયો છે. તે ઉપરાંત વાહનચાલકોને ડાર્ક રસ્તા અંગે પણ પહેલેથી અંદાજ આવી જાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્પીડ લિમિટ પણ આ એપમાં અપડેટ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીયલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે. બંધ કરાયેલા રોડની રિયલ ટાઈમ અપડેટ મળશેMoU મુજબ, ગુજરાત પોલીસ મેપમાયઇન્ડિયાને દૈનિક ધોરણે રીઅલ-ટાઇમમાં ટ્રાફિક એડવાઈઝરી અને ટ્રાફિક સંબંધિત માહિતી પૂરી પાડશે, જેમાં બંધ કરાયેલા રોડ અંગેની માહિતી (Road Closures), પ્લાન્ડ રોડ કન્સ્ટ્રક્શન-રિપેર એક્ટિવિટિઝ, રેલીઓ અને અન્ય કાર્યક્રમોની માહિતી આ એપમાં રિયલ ટાઈમ અપડેટ થશે, જેની જાણ નાગરિકોને થતા તેઓ વૈકલ્પિક રૂટ પસંદ કરી શકશે. નાગરિકોને એપ ડાઉનલોડ કરવાની અપીલઆ MoUના સંદર્ભમાં તમામ જિલ્લાના પોલીસને આ હેતુ માટે બનાવેલા વ્હોટ્સએપ ગ્રુપ દ્વારા મેપમાયઇન્ડિયાને ઇનપુટ્સ કેવી રીતે આપવા તેની તાલીમ આપવામાં આવી છે. ડેટા અપડેશનનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાત પોલીસ વાહનચાલકો માટે તેમની મુસાફરી વધુ અનુકૂળ બનાવવા માટે રીઅલ-ટાઇમમાં વધુ સારા ટ્રાફિક અપડેટ્સ આપવા માટે મેપમાયઇન્ડિયા સાથે સતત કાર્ય કરી રહી છે. આ સાથે કસ્ટમાઇઝ્ડ ટ્રાફિક અપડેટ્સ મેળવવા અને વધુ સારા ટ્રાફિક મેનેજમેન્ટ માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્યના નાગરિકોને મેપમાયઇન્ડિયા (Mapmyindia) એપનો મહત્તમ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. જાણો આ એપ પર કઈ કઈ માહિતી મળી શકશે મેપલ્સ એપના નવા ફીચર્સ એપમાં રિયલ ટાઈમ મળતી અપડેટ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:42 am

વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું:જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો, લોકો ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 28 ડિગ્રી રહેવાનો અંદાજ છે. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા વ્યાપી ગઈ હતી. સવારના સમયગાળા દરમિયાન લોકો સ્વેટર, જેકેટ અને મફલર જેવા ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળતા જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર વિસ્તારમાં ઠંડા પવનોનો અનુભવ થતાં શિયાળાનો અહેસાસ વધુ સ્પષ્ટ બન્યો હતો. મોર્નિંગ વૉક અને કસરત માટે નીકળતા લોકોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઠંડી વધતા ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના તાલુકાવાર તાપમાન નીચે મુજબ નોંધાયા છે:

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:18 am

સુરતમાં એપાર્ટ.ના ચોથા માળે મકાનમાં બ્લાસ્ટ, વિસ્ફોટનો LIVE વીડિયો:રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી, ફ્રીજના કમ્પ્રેસર સુધી આગ પહોંચતાં ધડાકો થયો

સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલા ચાર માળાના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્વેલરી પોલિસિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી. આ આ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા તેમાં ધડાકો થયો હતો. જેના પગલે બિલ્ડીંગમાં રહેતા લોકો અને આસપાસના લોકો દોડીને બહાર નીકળી ગયા હતાં. ઘટના અંગેની જાણ થતા ફાયર વિભાગના જવાનોએ એક કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સાથે જ રૂમમાં રહેલા અન્ય ગેસના સિલિન્ડર સુધી આગને પ્રસરતા અટકાવીને મોટી દુર્ઘટના થતી અટકાવી હતી. ગેસ સીલીન્ડર લીકેજ થયો ને આગ લાગી મળતી માહિતી પ્રમાણે સુરતના રામપુરા મેઇન રોડ પર પાટીદાર ભવન પાસે ગ્રાઉન્ડ પ્લસ ચાર માળનું એક મકાન આવેલું છે. જેમાં ચોથા માળે જ્વેલરી પોલિસીંગ કરવામાં આવે છે અને આ સાથે જ ત્યાં કારીગરો પણ રહે છે. આજે બપોર બાદ કારીગરો દ્વારા રસોઈ બનાવવામાં આવી રહી હતી ત્યારે ગેસ સીલીન્ડર લીકેજ થયો હતો અને આસપાસમાં રહેલા ગાદલાઓ સહિતના સામાનમાં આગ લાગી ગઈ હતી. ગેસ સિલિન્ડર લીકેજ હોવાથી કે હાજર ત્રણ જેટલા શખ્સો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. આગ પ્રસરીને ફ્રીજ સુધી પહોંચી, કમ્પ્રેસરમાં ધડાકો થયો ગાદલાઓ સહિતના સામાનમાં લાગેલી આગ ગણતરીની મિનિટમાં જ ફ્રીજ સુધી પહોંચી ગઈ હતી. તેના પગલે ફ્રિજનું કમ્પ્રેસરમાં ધડાકો થયો હતો. ધડાકો થતા ની સાથે જ બિલ્ડીંગમાં રહેલા તમામ લોકો બિલ્ડીંગ માંથી નીચે ઉતરી ગયા હતા અને આસપાસથી લોકો દોડી પણ આવ્યા હતા. બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે લોકોમાં અફરાતફરી ગઈ હતી. ઘટના અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈફાયર ઓફિસર મહેશ પટેલે જણાવ્યું હતું કે, આગનો કોલ મળતાની સાથે જ ઘાંશી શેરી, મોગલીસરા અને કતારગામ ફાયર સ્ટેશનની છથી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ચાર માળના મકાનમાં ચોથા માળે આગ લાગી હોવાથી કતારગામ ખાતેનું ટર્ન ટેબલ લેડર પણ રવાના કરવામાં આવ્યું હતું. મકાનમાં જ્વેલરી પોલિસીંગ કરવામાં આવતું હતું ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવવામાં આવી હતી. જ્વેલરી પોલિસીંગ કરવામાં આવતું હોવાથી ત્યાં બેથી વધુ ગેસ સિલિન્ડર પણ મળી આવ્યા હતા. આગે સિલિન્ડર સુધી આગ ન પહોંચવા દઈને ફાયર વિભાગ દ્વારા એક મોટી દુર્ઘટનાને અટકાવી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યોફાયર વિભાગ દ્વારા એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. જોકે આ આજ્ઞા પગલે ગાદલા સહિતનો સામાન, વાયરીંગ, ફ્રીજનું કોમ્પ્રેસર ફાટી હોવાથી આખું ફ્રીજ તહેસનહેસ નહીં થઈ ગયું હતું. આ સાથે જ વાયરીંગ અને ફર્નિચર નો સામાન મળીને ખાખ થઈ ગયો હતો. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:14 am

નવસારી જિલ્લામાં શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો:બે માસમાં 400થી વધુ ડોગ બાઇટના કેસ નોંધાયા, રખડતા શ્વાનોને કાબૂમાં લેવા કાર્યવાહી શરૂ

નવસારી જિલ્લામાં શ્વાન કરડવાના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા બે મહિનામાં, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન, સિવિલ હોસ્પિટલમાં 428 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા છે. ડોક્ટર સિંહ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબરમાં 258 કેસ નોંધાયા હતા, જ્યારે નવેમ્બરમાં અત્યાર સુધીમાં 170 કેસ સામે આવ્યા છે. આ આંકડા રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને તેનાથી થતી સમસ્યા તરફ ધ્યાન દોરે છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરો શહેરીજનોને રખડતા શ્વાનોથી દૂર રહેવાની સલાહ આપે છે. ડોક્ટરોએ એ પણ સ્વીકાર્યું છે કે, રખડતા કૂતરાઓને ભોજન આપવું બિનજરૂરી છે અને રહેણાંક વિસ્તારોથી દૂર તેમને ભોજન આપવું જોઈએ. શ્વાન આક્રમક બને ત્યારે તેના કાન ઊંચા થઈ જાય છે, પૂંછડી સીધી થઈ જાય છે અને પગ પાછળ લઈ જાય છે. આવા સમયે શ્વાનથી દૂર રહેવું સલામત છે. નાના બાળકોને શ્વાનોથી દૂર રાખવા જોઈએ, કારણ કે બાળકો તેમની સાથે રમતી વખતે ઘણીવાર શ્વાન આક્રમક બની કરડી શકે છે. જો શ્વાન કરડે, તો ઘાવને 15 મિનિટ સુધી સાબુ અને પાણીથી સાફ કરવો જોઈએ. આનાથી ઘાવ પરના જીવાણુઓ ધોવાઈ જશે અથવા નિષ્ક્રિય થઈ જશે. એકવાર રેબીસ (હડકવા) થઈ જાય તો તેની કોઈ રસી શોધાઈ નથી, જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે. જોકે, શ્વાન કરડ્યા પછી લેવાની રસી દરેક હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. રખડતા શ્વાનોની સંખ્યાને નિયંત્રણમાં લાવવા માટે માસ વેક્સિનેશન જરૂરી છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં રખડતા શ્વાનને કાબૂમાં લેવા માટે એક ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ દ્વારા રખડતા શ્વાનોને પકડીને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:10 am

નવા-વાહનની ખરીદી પર 1.50થી 3.50 ટકા ટેક્સ મહેસાણા મનપા વસૂલશે:વ્હિકલ ટેક્સ મુલત્વી રાખવા MLAની કમિશનરને રજૂઆત, સામાન્ય નાગરિકોને આર્થિક ભાર પડે તેમ છે

મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સમયમાં વ્હીકલ ટેક્સ લાગુ પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. નવા વાહન ખરીદી ઉપર કર લાગુ કરવા 1.50થી 3.50 ટકા સુધીનો ટેક્સ ચૂકવવો પડશે.જેમાં મહેસાણા મનપા વિસ્તારમાં આગામી સમયમાં લાગુ પડવા જઈ રહેલ વ્હિકલ ટેક્સ મુલત્વી રાખવા મહેસાણા ધારાસભ્ય મુકેશ પટેલે મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરી છે. મહેસાણા શહેરના વાહન માલિકો, રિક્ષા ચાલકો, નાના વેપારીઓ અને દૈનિક મુસાફરી કરતા મધ્યમ વર્ગના નાગરિકો પર વાહન વેરો લાગુ કરવાની પ્રક્રિયા હાલ પુરતી મુલતવી રાખવાની ભલામણ કરવામાં આવી છે. સામાન્ય નાગરિકો પર ટેક્સનો વધારાનો આર્થિક ભાર પડે તેમમહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સામાન્ય નાગરિકો પર ટેક્સનો વધારાનો આર્થિક ભાર પડે તેમ છે. શહેરના મધ્યમ વર્ગના અને રોજિંદા વાહન ઉપયોગ કરતા નાગરિકો માટે આ ટેક્સ તાત્કાલિક રીતે લાગુ કરવો અયોગ્ય રહેશે. જેથી આ વ્હીકલ ટેક્સ મોકૂફ રાખવા મહેસાણા પાલિકાના કમિશ્નર રવીન્દ્ર ખટાલેને ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પત્ર લખી રજૂઆત કરી છે. નવા વાહન ખરીદી પર 1.50થી 3.50 ટકા ટેક્સમહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યાના 10 મહિના પછી મનપા વિસ્તારમાં આજીવન વાહનવેરો (વ્હીકલ ટેક્સ) લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા વાહન ખરીદી ઉપર કર લાગુ કરવા 1.50 થી 3.50 ટકા સુધીના સૂચિત દરો નક્કી કરાયા છે. 22 નવેમ્બર સુધીમાં વાંધા અને સૂચનો રજૂ કરી શકાશેશહેરીજનો આગામી તા.22 નવેમ્બર સુધીમાં આ સૂચિત દરો સામે વાંધા અને સૂચનો રજૂ કરી શકશે. ત્યાર બાદ મિલકતદારોને નવા વાહન ખરીદીમાં કોર્પોરેશન ટેક્સ લાગુ થઇ શકે છે. જેમાં ટુ વ્હીલર ખરીદીમાં 1.50 ટકા ટેક્સથી લઇને રૂ.5 લાખથી વધુ કિંમતનાં વાહનની ખરીદી પર 3.50 ટકા સુધીના ટેક્સ નખાયો છે. '1.50થી 3.50 ટકા સુધીનો આજીવન વાહનવેરો લેવાનું નક્કી કર્યું'વાહન ટેક્સ શા માટે તેમ પૂછતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે, શહેરના ડેવલપમેન્ટ માટે સરકારની ગ્રાન્ટ આવે છે. ત્યાર પછી મેન્ટેનન્સ અને પગાર વગેરે ખર્ચ મનપાના સ્વભંડોળથી કરવાના હોય છે. ટેક્સની આવક પણ જરૂરી હોય છે. જેથી મહાનગરપાલિકાએ 1.50થી 3.50 ટકા સુધીનો આજીવન વાહનવેરો લેવાનું નક્કી કર્યું છે. 22 નવેમ્બર સુધી વાંધા-સૂચનો બાદ અંતિમ નિર્ણય લેવાશે. નવા ટુ વ્હીલર ખરીદી ટેક્સ અમલમાં આવ્યા બાદ આટલો ટેક્સ લાગી શકે આ મહાનગરોમાં આટલો વ્હિકલ ટેક્સગુજરાતની આ મનપામાં વ્હીકલ ટેક્સ લાગું છે અમદાવાદમાં 2થી 5 ટકા સુધી, વડોદરામાં 1.25થી 2.50 ટકા સુધી, ગાંધીનગરમાં 2થી 2.50 ટકા, રાજકોટમાં 2.5 ટકાથી 5 સુધીના ટેકસમાં 1.5થી 3 ટકા સુધી ઘટાડેલ છે. સુરતમાં 1.50થી 4 ટકા, ભાવનગરમાં 1.5થી 2 ટકા છે. જ્યારે ગાંધીનગર કોર્પોરેશનના ગેઝેટમાં 2થી 2.50 ટકા વાહન ટેક્સમાં દર્શાવેલ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 11:01 am

સુરત એરપોર્ટ પર હાઇબ્રિડ ગાંજા સાથે એક મુસાફરની ધરપકડ:એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બેંગકોકથી સુરત આવતો હતો, સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISFની સંયુક્ત કામગીરી

સુરત એરપોર્ટ પર સંયુક્ત ઓપરેશનમાં હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો) સાથે આંતરરાષ્ટ્રીય આગમન કરનાર મુસાફરની ધરપકડ એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX-263 (સીટ 27C) દ્વારા બેંગકોકથી સુરત આવી રહેલા જાફર અકબર ખાનને સુરત એરપોર્ટ પર સુરત સિટી ડીસીબી કસ્ટમ્સ અને CISF દ્વારા સંયુક્ત કામગીરીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી આરોપીના સામાનની સઘન તપાસમાં લગભગ 4.055 કિલોગ્રામ વજનના હાઇડ્રોપોનિક વીડ (હાઇબ્રિડ ગાંજો)ના 8 પેકેટ મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,41,92,500 આંકવામાં આવી હતી. મુસાફરને તરત જ CISF અને પોલીસની મદદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:58 am

ભરૂચમાં લોકોને ઠંડીનો અનુભવ, લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું:સવારે લોકો ગરમ કપડાંમાં જોવા મળ્યા, 11 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાયા

ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારે ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીની અસરને કારણે શહેર અને તાલુકાના વિસ્તારોમાં લોકો સવારથી જ ગરમ કપડાં પહેરીને બહાર નીકળ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભરૂચમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે છેલ્લા કેટલાક દિવસો કરતાં ઓછું છે. આ સાથે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો હતો. સવારના સમયે શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો તાપણું કરતા જોવા મળ્યા હતા. ચા-નાસ્તાના સ્ટોલ પર પણ સામાન્ય કરતાં વધુ ભીડ જોવા મળી હતી. ઠંડી વધતા ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ આવી જ ઠંડીનો માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:44 am

નલિયા સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ:લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોંધાયું, લોકોને તીવ્ર ઠંડીનો અનુભવ

કચ્છનું નલિયા સતત ત્રીજા દિવસે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે એકલ આંક તરફ આગળ વધી રહ્યું છે. સંધ્યાકાળથી લઈને વહેલી સવાર સુધી નલિયાના રહેવાસીઓ તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લા મથક ભુજ શહેરમાં લઘુત્તમ તાપમાન 14.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જોકે બપોરના સમયે ગરમીનો અનુભવ થાય છે. કચ્છમાં આ વિષમ હવામાનને કારણે સીઝનલ બીમારીઓમાં વધારો જોવા મળ્યો છે. સરહદી કચ્છ જિલ્લામાં શિયાળો હવે તેના અસલ મિજાજ તરફ આગળ વધી રહ્યો છે. ઠંડીની તીવ્રતા વધતા લોકો ગરમ વસ્ત્રો પહેરતા થયા છે. ભુજ શહેરની બજારમાં ઉભી થયેલી ગરમ વસ્ત્રોની હંગામી બજારમાં પણ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. આજે મોટાભાગના જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:38 am

સરદાર પટેલની 150મી જન્મ જયંતિની બોટાદમાં ઉજવણી:રીવાબા જાડેજા અને શંભુનાથ ટુંડિયાએ કર્યું સંબોધન, ભીમદાડથી ટાટમ ગામ સુધી યુનિટી માર્ચ શરૂ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા કક્ષાની પદયાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું છે યોજાઈ. આ પદયાત્રાને કારણે બોટાદ-ગઢડા નેશનલ હાઈવે આજે સવારે 7થી બપોરના 4 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. કાર્યક્રમ અનુસંધાને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, રાજ્યના શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય શંભુનાથજી ટુંડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, કલેકટર, એસ પી સહિત આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા, કાર્યક્રમમાં રીવાબા જાડેજા અને શંભુનાથ ટુંડિયાએ સંબોધન કર્યું હતું, આ રેલીમાં 6000થી વધુ લોકો જોડાયા છે. પદયાત્રા નેશનલ હાઈવે-૫૨ પરના 3 કિલોમીટરના ગઢડા હાઈસ્કૂલ ચાર રસ્તાથી બોટાદ સિટી સુધીના માર્ગ પરથી પસાર થશે, જેના કારણે આ માર્ગ પર ટ્રાફિક બંધ રહેશે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:38 am

સ્પાઇસજેટમાં વધુ 4 એરક્રાફ્ટનો ઉમેરો:રોજના 180 ફ્લાઇટ્સ સાથે શિયાળું સિઝનની તૈયારી; નવેમ્બરમાં નવા 15 ​​​​​​​એરક્રાફટના ઉમેરા સાથે સંખ્યા 19 થઈ

સ્પાઇસજેટે તેના ઓપરેશનલ કાફલામાં વધુ 4 એર ક્રાફ્ટનો સમાવેશ કર્યો છે. આ સાથે એરલાઈનનો કુલ કાર્યકારી કાફલો 39 એરક્રાફ્ટનો થઈ ગયો છે. આ નવા 4 એરક્રાફ્ટના ઉમેરા સાથે સ્પાઇસજેટે એક મહિનાથી વધુ સમયમાં કુલ 19 વિમાનો તેના કાફલામાં ઉમેર્યા છે. આ 19 એર ક્રાફટમાંથી 4 એર ક્રાફટ વેટ લિઝ પર લેવાયેલા છે અને એક અગાઉ ગ્રાઉન્ડ કરાયેલું બોઇંગ 737 મેક્સ વિમાન ફરીથી સેવામાં આવ્યું છે. જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર કનેક્ટિવિટીમાં વધારો કરશે. એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ વધીને 180 પર પહોંચીઆ વધારાના એરક્રાફ્ટ શિયાળુ શેડ્યૂલને મોટો વેગ આપશે, જે તહેવારોની અને રજાઓની સિઝન દરમિયાન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કરાયો છે. સપ્ટેમ્બર, 2025 સુધીમાં સ્પાઇસજેટ રોજના 100 ફ્લાઇટ્સ ઓપરેટ કરતું હતું. નવા એરક્રાફ્ટના ઉમેરા સાથે એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ હવે વધીને 180 પ્રતિ દિવસ પર પહોંચી ગઈ છે. નવેમ્બરમાં નવા 15 એરક્રાફટનો ઉમેરોઅગાઉ 6 નવેમ્બરના રોજ બજેટ એરલાઇન Spicejet એ શિયાળાની મુસાફરીની મોસમ પહેલા તેના કાફલાને વધુ મજબૂત બનાવવા માટે લીઝ પર 5 નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યો હતો. ત્યારબાદ ફરી 5 એરક્રફ્ટ લિઝ પર લીધા હતા અને હવે ફરી 4 એરક્રફ્ટ લિઝ પર લેતા આ સાથે કુલ નવા એરક્રાફટની સંખ્યા હવે 15 થઈ ગઈ હતી. ત્યારે Spicejet એ વધુ 4 એરક્રાફ્ટ ઉમેરીને કુલ 19 એરક્રાફ્ટ વધુ ઉમેર્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:27 am

કડી પંથકમાં બેફામ ખનિજ ચોરી:રાજપુર ગામે મોડીરાતે ખાણ-ખનિજની ટીમ ત્રાટકી; માટી ખનન કરતાં એસ્કેલેટર મશીન, બે ડમ્પર ઝડપાયા

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં ખનિજ ચોરી જતાં પરિબળોએ માથું ઊંચક્યું છે. ખાસ કરીને ખનિજ ચોરી અને માટી ખનન કરી જતાં વાહનો પકડવાની ઝુંબેશ સ્થાનિક ભૂસ્તર તંત્રએ શરૂ કરી છે. ગતરાત્રે ખનિજ અધિકારીઓએ છાપો મારીને કડી તાલુકાના રામપુર ગામે ખાણ માલિકીની જમીનમાં માટી ખોદકામ કરતાં એસ્કેલેટર મશીન અને બે ડમ્પર ગાડીને ઝડપી લઈ તેના માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. વાહન માલિકો સામે કાર્યવાહીકડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી જમીનોમાં ગેરકાયદે માટી ખોદકામ બિન્દાસ્તપણે અનિષ્ટ તત્વો દ્વારા કરવામાં આવે છે. અનધિકૃત રીતે રેતી ચોરી, માટી ખનન, કપચી વગેરે ખનિજની બેફામ હેરાફેરી થતી હોય છે. દરમિયાનમાં ગત મોડીરાત્રિના મહેસાણા ભૂસ્તર અધિકારીઓની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે કડી તાલુકાના રામપુર ગામે ખાનગી માલિકીની જગ્યામાં માટી ખનન કરવામાં આવતું હોવાની પૂર્વબાતમીના આધારે ખાણ-ખનિજ અધિકારીઓએ ત્રાટકી હતી. અનધિકૃતરીતે માટી ખોદકામ કરતાં એક એસ્કેલેટર મશીન અને બે ડમ્પર ગાડીઓને ઝડપી લઈ કડી સ્થિત પ્લાન્ટમાં મુકી દીધાં હતા. ભૂસ્તર ટીમે બે મળી કુલ રૂ.90 લાખનો મુદ્દામાલ કબજે લઈ તેના વાહનોના માલિકો સામે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:15 am

AMC કમિશનરે રોડ પર ઉતરી તપાસ કરી:અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધીમાં રોડના કામો પૂરા કરો, કોન્ટ્રાક્ટરો ગુણવત્તાયુક્ત રોડ બનાવે તેનું ધ્યાન રાખવું

તાજેતરમાં જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાનગરપાલિકાના કમિશનરો અને મેયર સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરીને શહેરના તમામ રોડ રસ્તાઓને ગુણવત્તાયુક્ત બનાવવા માટેની સૂચના આપી હતી. મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ રસ્તાની કામગીરીને લઈને ઝડપ દેખાડવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રોડ બનાવવાની કામગીરીમાં જાતે નિરીક્ષણ કરી ગુણવત્તાયુક્ત રોડ બનાવવા તેમજ બાકી રહેલા રોડ 31 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા માટેની કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને સૂચના આપી છે. મ્યુનિસિપલ કમિશનરે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યુંમ્યુનિસિપલ કમિશનરે દક્ષિણ–પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડ વિસ્તારમાં, એસ.જી. હાઇવે પાસે આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટથી સરદાર પટેલ રિંગ રોડ તરફ તાજેતરમાં ખોલવામાં આવેલા 30 મીટર પહોળા નવા માર્ગ પર ચાલી રહેલી હોટ મિક્સ રોડ સરફેસિંગ કામગીરીનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. હોટ મિક્સ રોડ વર્કની કામગીરી દરમિયાન કમિશનરે સેન્સર પેવરથી રોડના યોગ્ય કેમ્બરની તપાસ, હોટમિક્સ મટિરિયલનું માનક તાપમાન જળવાય છે કે નહીં તેની ચકાસણી, તેમજ અન્ય મહત્વના ટેક્નિકલ પરિબળોની સમીક્ષા કરી હતી. ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચના આપી કમિશનરે સ્થળ પર હાજર ઇજનેરો અને અધિકારીઓને શહેરમાં ચાલતા રોડના કામો દિવસ અને રાત ચાલુ રાખવા તેમજ ગુણવત્તાનાં દરેક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી છે. રોડ બનાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેમાં તાપમાન એક વખત સેટ કર્યા બાદ આધુનિક મશીન દ્વારા કામગીરી થતી હોય છે જેથી તમામ બાબતો ઉપર નિરીક્ષણ કરીને સૂચના આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરો પોતાના કામો ગુણવત્તા યુક્ત કરે અને ફિલ્ડમાં રહી તેના ઉપર ધ્યાન રાખે તેવી પણ સૂચના અધિકારીઓને આપી હતી. 31 ડિસેમ્બર સુધીમાં બાકી 200 રોડ પુરા કરવા જણાવ્યુંમુખ્યમંત્રી સાથે થયેલી બેઠક બાદ કમિશનરે તમામ ઝોન અને રોડ પ્રોજેક્ટ વિભાગના ઇજનેરો સાથે બેઠક કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં પણ રોડ બાકી છે ત્યાં ઝડપી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી છે. જે પણ રોડ પર ખાડા પડ્યા છે અથવા રીસરફેસ કરવાની જરૂરિયાત છે ત્યાં તાત્કાલિક રીસરફેસ કરવા માટે જણાવ્યું હતું. 31 ડિસેમ્બર સુધીમાં બાકી 200 જેટલા રોડ પુરા કરવા માટે જણાવ્યું છે અત્યાર સુધીમાં 32 જેટલા રોડની કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં અમદાવાદ શહેરમાં 13 પ્લાન્ટ દિવસ-રાત કાર્યરત છે. એટલું જ નહીં દરરોજ સરેરાશ 6500થી 7000 મેટ્રિક ટન રિસરફેસિંગનું કામ ચાલી રહ્યું છે. નવો 30 મીટરનો રોડ તૈયાર થતા એસ.જી. હાઇવે-એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશેમ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કરેલા એસજી હાઇવે પર એસપી ઓફિસની સામેથી સરદાર પટેલ રિંગ રોડ તરફ જવા માટેનો નવો 30 મીટરનો રોડ તૈયાર થતા એસ.જી. હાઇવે અને એસપી રીંગ રોડ વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે, તેમજ એસ.જી. હાઇવે પરનું ટ્રાફિક ભારણ નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ મળશે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે રોડ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મીરાંત પરીખ, સીટી ઇજનેર હરપાલસિંહ ઝાલા અને રોડ પ્રોજેક્ટ વિભાગના એડિશનલ સિટી ઇજનેર પ્રણય શાહ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 10:15 am

શેખ હસીનાને ફાંસી સજાના ચુકાદા બાદ બાંગ્લાદેશમાં અંધાધૂંધી! આખી રાત સળગતો રહ્યો દેશ, ઠેર ઠેર આગચંપી

(FILE PHOTO) Bangladesh Sheikh Hasina: પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને બાંગ્લાદેશની 'કંગારૂ કોર્ટ' દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવાયા બાદ દેશમાં હિંસા ફાટી નીકળી છે, જેના કારણે રાતભર તણાવપૂર્ણ સ્થિતિ રહી. હિંસામાં અત્યાર સુધીમાં બેનાં મોત અને ડઝનબંધ ઘાયલ થયા છે.

ગુજરાત સમાચાર 18 Nov 2025 9:56 am

ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન:અમદાવાદમાં SC/ST સમુદાયનો બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટ, દેશમાંથી 200 ઉદ્યોગપતિઓ માર્ગદર્શન આપશે

નયી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આગામી 21મી ડિસેમ્બરના રોજ બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા સમિટ એન્ટરપ્રિનિયરશિપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII), ભાટ, અમદાવાદ ખાતે યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય SC/ST સમુદાયના યુવાનોને નવા ઉદ્યોગ-ધંધા શરૂ કરવા માટે પ્રેરિત કરવાનો અને સમાજને સમૃદ્ધિના સોપાનો તરફ અગ્રેસર કરવાનો છે. બીજા રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટનું આયોજનનયી દિશા અવેરનેસ ફોરમ સંચાલિત SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા આગામી 21મી ડિસેમ્બરના રોજ બીજો રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સ્પો-સમિટનું આયોજન કરાયું છે. સમગ્ર દેશમાંથી SC/ST સમુદાયના 200 સફળ ઉદ્યોગપતિઓ એક મંચ પરઆ એક્સ્પોમાં સમગ્ર દેશમાંથી SC/ST સમુદાયના 200 જેટલા સફળ ઉદ્યોગપતિઓને એક મંચ પર આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ પોતાની સફળ ઉદ્યોગપતિ બનવાની પથની વિગતો નવયુવાનો સમક્ષ રજૂ કરીને માર્ગદર્શક બનશે. 150 સફળ ઉદ્યોગોના સ્ટોલ/એક્સ્પોનું આયોજનઆ કાર્યક્રમ થકી ગુજરાત અને દેશભરમાંથી આવનારા નવયુવકોને પોતાનો વ્યવસાય કે ઉદ્યોગ ઉભો કરવામાં પ્રેરણાત્મક બળ પૂરું પાડશે.સમિટમાં 150 જેટલા સફળ ઉદ્યોગોના સ્ટોલ/એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં તેમના ઉત્પાદનોનું પ્રદર્શન-નિદર્શન કરવામાં આવશે. આનાથી નવા ઉદ્યોગ સાહસિકોને ઉત્પાદન પ્રક્રિયા, માર્કેટિંગ અને વેચાણ અંગે પ્રેરક બળ મળશે. નવા ઉદ્યોગ શરૂ કરવા માગતા લોકોને માર્ગદર્શન આપશેઆ સમિટ ઉદ્યોગ ધંધામાં પદાર્પણ કરવા ફ્રેન્ચાઇઝી મેળવવામાં, રો-મટીરીયલની પ્રાપ્તિ, ઉત્પાદિત માલસામાનના વેચાણની સગવડતાઓ તથા હાલના વ્યવસાયોને મૂલ્યવર્ધક ઉત્પાદન તરફ અગ્રેસર કરવામાં મદદરૂપ થશે. આ અંગે ફોરમના ડાયરેક્ટર અને SC/ST બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમના પ્રમુખ રાજેશ સોલંકીએ જણાવાયું છે કે, આ અવસર સમાજના દરેક યુવાન ભાઈઓ-બહેનો તેમજ વડીલો કે જેઓ તેમના સંતાનો માટે નવો ઉદ્યોગ શરૂ કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે ખૂબ જ હિતાવહ રહેશે. આ સમિટમાં 1 હજારથી વધુ ઉદ્યોગપતિઓ અને 20 હજારથી વધુ મુલાકાતીઓ આવવાનો અંદાજ છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 9:45 am

નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું:અમદાવાદમાં 13.5, રાજકોટમાં 12, વડોદરામાં 12.6, સુરતમાં 18.6 અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું

રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેના લીધો ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મહાનગરોની વાત કરવામાં આવે તો સુરતને બાદ કરતા તમામમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું છે. રોજ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડતા રાજ્યમાં ઠંડીનો માહોલ જામતો જાય છે. આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી ભુક્કા બોલાવશે. સૌથી ઓછું ઠંડું ઓખામાંસમગ્ર ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા, રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડું ઓખામાં ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 13.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 29.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 9:44 am

મકાન આપવાના બહાને છેતરપિંડી:44 લાખ લીધા બાદ દસ્તાવેજ કે બાનાખત ન કરી આપનાર બિલ્ડર સામે ફરિયાદ

અમદાવાદમાં રહેતા યુવકને બિલ્ડરે પોતાની સાઈટમાં 61 લાખ રૂપિયામાં મકાન આપવાનું નક્કી કર્યું હતું. યુવકે બિલ્ડર પર વિશ્વાસ કરીને મકાન પેઠે 44 લાખ રૂપિયા આપ્યા હતા પરંતુ પૈસા આપ્યા બાદ બિલ્ડરે મકાનનો બહાના કટકે વેચાણ દસ્તાવેજ આપ્યો નહોતો વારંવાર કહેવા છતાં દસ્તાવેજ ના કરી આપતા યુવકે બિલ્ડર વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. મકાન ખરીદી પેટે બ્રિજેશે કુલ 53.50 લાખ રૂપિયા આપ્યા હતાસોલામાં રહેતા બ્રિજેશ રાવલ ખાનગી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે.તેમની કંપની દ્વારા સરકારી કોન્ટ્રાક્ટ મેળવી રોડ રસ્તા તેમજ બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન કામ કરવામાં આવે છે.બ્રિજેશભાઈનો સંપર્ક નવા વાડજ ખાતે આવેલી શ્યામ હાઇટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઈટના બિલ્ડર ભાવિન પોરીયા સાથે થયો હતો. 2023માં બ્રિજેશભાઈએ ભાવિન પોરિયાને મકાન ખરીદવા બાબતેની વાતચીત કરી હતી. ભાવિને બધા ખર્ચ સાથે તેની સાઈટમાં 61 લાખમાં મકાન આપવાનું નક્કી કર્યું હતું. મકાનની ખરીદી પેટે બ્રિજેશભાઈએ બેંકમાંથી અલગ અલગ આરટીજીએસ દ્વારા કુલ 53.50 લાખ રૂપિયા આપ્યા હતા. બિલ્ડરે ના દસ્તાવેજ કરી આપ્યો કે ના પૈસા પરત આપ્યાભાવિને 10 લાખ રૂપિયા ચેકથી બ્રિજેશભાઈને પરત આપ્યા હતા. મકાન પેટે ભાવિને 43.50 લાખ અને ટીડીએસના 53,000 એમ કુલ 44.03 લાખ રૂપિયા આપ્યા હતા. પૈસા આપ્યા બાદ બ્રિજેશભાઈએ ભાવિનને બાનાખત અને દસ્તાવેજ માટે જણાવ્યું હતું. પરંતુ ભાવિન કોઈ જવાબ આપતો ન હતો. જેથી બ્રિજેશભાઈએ મકાન માટે આપેલા પૈસા પરત માંગ્યા તે પૈસા પણ ભાવિને પરત આપ્યા ન હતા. બ્રિજેશભાઈએ ભાવિન વિરૂદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 9:32 am

ખૂન-લૂંટનો 25 વર્ષથી ફરાર આરોપી નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપાયો:પોલીસથી બચવા અને છત્તીસગઢમાં સ્થાયી થવા માટે ત્યાંની યુવતી સાથે લગ્ન કરી લીધા

સુરત શહેરમાં 25 વર્ષ પહેલાં ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા એક ગંભીર ખૂન અને લૂંટના ગુનામાં છેલ્લા અઢી દાયકાથી પોલીસની પકડમાંથી છટકી રહેલા આરોપીને સુરત શહેર પ્રિવેંશન ઓફ ક્રાઇમ બ્રાન્ચએ નક્સલ પ્રભાવિત ગણાતા છત્તીસગઢના બિલાસપુર ખાતેથી દબોચી લીધો છે. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીએ પોલીસથી બચવા માટે જાણી જોઈને નક્સલવાદીઓની અસર ધરાવતા અંતરિયાળ વિસ્તારમાં આશ્રય લીધો હતો, જેથી બહારની પોલીસ ત્યાં પહોંચી ન શકે. પોલીસે ખરાઈ કર્યા બાદ એક ટીમ મોકલીસુરત શહેર પીસીબીના PI આર.એસ. સુવેરાને ચોક્કસ બાતમી મળી હતી કે, 2000ના ખૂન અને લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી અમરસીંગ ઉર્ફે ભાટી સુખનંદન કુશવાહા (ઉં.વ. 46), જે મૂળ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લાનો રહેવાસી છે, તે હાલમાં છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં તોરવા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાલ ખધાન નામના અંતરિયાળ ગામમાં છૂપાયેલો છે. બાતમીની ખરાઈ થયા બાદ તુરંત જ એક વિશેષ ટીમનું ગઠન કરવામાં આવ્યું અને તેને છત્તીસગઢ ખાતે રવાના કરવામાં આવી હતી. પોલીસે ગુપ્ત રીતે શોધખોળ શરૂ કરીપી.સી.બી.ની ટીમે બિલાસપુરના સંતનગર, ગ્રામ પંચાયત મહમંદ, મસ્તુરી રોડ પર આવેલા આરોપીના નિવાસસ્થાન સહિત જુદા-જુદા વિસ્તારમાં ગુપ્ત રીતે શોધખોળ આદરી હતી. આ વિસ્તાર મુખ્યત્વે તેની ભૌગોલિક સ્થિતિ અને રાજકીય સંવેદનશીલતાને કારણે પોલીસ માટે પડકારરૂપ ગણાય છે. જોકે, સુરત પી.સી.બી.ની ટીમને આરોપી અમરસીંગ ઉર્ફે ભાટીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. એકલી મહિલાની હત્યા કરી દાગીના સહિતની લૂંટ કર્યાની તબૂલાતઆરોપીની પૂછપરછમાં જે હકીકત સામે આવી તે ચોંકાવનારી હતી. આરોપીએ કબૂલ્યું કે, નવેમ્બર, 2000માં તેણે તેના બે મિત્ર સચીન ઉર્ફે રીંકુ બ્રમ્હપ્રકાશ વર્મા અને સુનીલ ઉર્ફે લાલુ બાબુલાલ સોની સાથે મળીને આ ગુનો કર્યો હતો. ત્રણેય મિત્રો છૂટક મજૂરીકામ કરતા હતા. સુરતના ઘોડદોડ રોડ પર આવેલા પ્રિન્સ ટાવરના નવમા માળે એક વેપારીના ફ્લેટમાં તેઓ ઇલેક્ટ્રિક-પ્લમ્બિંગના કામ અર્થે ગયા હતા. ઘરમાં વેપારીના પત્ની સિવાય કોઈ હાજર ન હોવાનો લાભ લઈને, ત્રણેય આરોપીએ મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ તેમના પહેરેલા ઘરેણાં સહિત ઘરના સોનાના દાગીનાની લૂંટ કરીને વતન તરફ નાસી છૂટ્યા હતા. આરોપીએ પોલીસથી બચવા સ્થાનિક યુવતી સાથે લગ્ન કરી લીધા ગુનો કર્યા બાદ નાસી ગયેલા આરોપી અમરસીંગે ખૂબ ચાલાકીપૂર્વક પોતાનું ઠેકાણું છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારમાં બનાવવાનું નક્કી કર્યું હતું. તેનો ઇરાદો એ હતો કે આ વિસ્તારમાં બાહ્ય રાજ્યની પોલીસ સરળતાથી પહોંચી કે તેને પકડી ન શકે. જ્યારે તે અહીં આવ્યો ત્યારે તેની ઉંમર માત્ર 20 વર્ષની હતી. સમય જતાં, તેણે બિલાસપુરના અંતરિયાળ વિસ્તારમાં સ્થાયી થવા માટે ત્યાંની એક યુવતી સાથે લગ્ન કરી લીધા અને પોતાનું કાયમી વસવાટ બનાવી લીધો હતો. આ રીતે, 25 વર્ષ સુધી તે ખૂન અને લૂંટના ગુનામાંથી મુક્ત રહીને સામાન્ય જીવન જીવી રહ્યો હતો. 20 વર્ષના ગુનાના 21થી વધુ આરોપી પર પીસીબીનો સકંજોપી.સી.બી. દ્વારા છેલ્લા બે વર્ષમાં ખૂન, લૂંટ, ધાડ, અપહરણ અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં 20 વર્ષથી વધુ સમયથી નાસતા ફરતા 21થી વધુ આરોપીને દેશના જુદા-જુદા રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ ગંભીર ગુનાના આરોપીને નક્સલ પ્રભાવિત વિસ્તારમાંથી ઝડપી પાડવાની કામગીરી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 9:13 am

ચેક રિટર્ન કેસમાં પાટણ કોર્ટનો ચુકાદો:ભુજના વેપારીને ₹19 લાખ વળતર ચૂકવવાનો આદેશ, 1 વર્ષની સાદી કેદ

પાટણની ચીફ જ્યુડિશિયલ કોર્ટે ચેક રિટર્ન કેસમાં ભુજના વેપારી અઝીમાં ઇશાક સુમરા (બકાલી)ને દોષિત ઠેરવ્યા છે. કોર્ટે આરોપીને એક વર્ષની સાદી કેદ અને ફરિયાદીને ₹19 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, આરોપીએ પૂરતું ભંડોળ ન રાખીને ચેક નકારાવી ગુનો કર્યો છે. આવા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે અને જો આવા આરોપીઓ પ્રત્યે રહેમનજર રાખવામાં આવે તો કાયદાનો ડર રહેતો નથી. કેસની વિગતો અનુસાર, ફરિયાદી રમેશભાઈ પ્રજાપતિ (પાટણ) જ્યારે ભુજમાં અભ્યાસ અને નોકરી કરતા હતા, ત્યારે તેમનો આરોપી અઝીમાં ઇશાક સુમરા સાથે પરિચય થયો હતો. આરોપી ભુજમાં ઇલેક્ટ્રોનિક આઇટમની દુકાન ચલાવતો હતો. ધંધામાં પૈસાની જરૂર પડતાં, આરોપીએ ફરિયાદી પાસેથી ₹19 લાખની રકમ 15 ડિસેમ્બર, 2019ના રોજ ઉનાવા મિરાંદાતાર ખાતે એક મહિનામાં પરત આપવાના વાયદે હાથ ઉછીના લીધા હતા. એક મહિના પછી ફરિયાદીએ રકમ પરત માંગતા, આરોપીએ 27 જાન્યુઆરી, 2020નો ₹19 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદીએ આ ચેક પાટણની બેંક શાખામાં જમા કરાવતા તે વટાવ્યા વિના પરત ફર્યો હતો. ત્યારબાદ, ફરિયાદીએ તેમના વકીલ પીયૂષભાઈ એમ. રાઠોડ મારફત નોટિસ આપી અને પાટણની કોર્ટમાં ચેક કેસ દાખલ કર્યો હતો. કોર્ટે બંને પક્ષોની રજૂઆત સાંભળીને આરોપીને ઉપરોક્ત સજા અને વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. કોર્ટે આરોપીની પારિવારિક જવાબદારીઓને પણ ધ્યાનમાં રાખીને ન્યાયનો હેતુ જળવાઈ રહે તે રીતે ચુકાદો આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:55 am

પાટણમાં લઘુતમ તાપમાન 12 ડિગ્રી પર સ્થિર:ઠંડીનો ચમકારો યથાવત્, લગ્ન સમારોહમાં ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ

પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે. મંગળવારે સવારે પણ આ જ તાપમાન નોંધાયું હતું. ઠંડીનો ચમકારો સવાર અને રાત્રિના સમયે અનુભવાઈ રહ્યો છે, જ્યારે બપોરે સામાન્ય ગરમી વર્તાય છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે છેલ્લા ત્રણ દિવસથી જિલ્લામાં ઠંડીની અસર વર્તાઈ રહી છે. આના પરિણામે ગુજરાત સહિતના રાજ્યોમાં શીતલહેરનો અનુભવ થઈ રહ્યો છે. મંગળવારે વહેલી પરોઢે અને સોમવારે રાત્રિના સમયે રહીશોને તીવ્ર ઠંડીનો અનુભવ થયો હતો. લઘુતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહેવાને કારણે વહેલી પરોઢે વાહનચાલકોને ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. ધીમે ધીમે ઠંડી જામી રહી હોવાથી લોકોએ ગરમ વસ્ત્રો પહેરવાનું શરૂ કરી દીધું છે. સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને કામ અર્થે નીકળેલા લોકો પણ સ્વેટર પહેરીને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. હાલમાં લગ્નસરાની સીઝન ચાલી રહી હોવાથી, લગ્ન સમારોહમાં મહેમાનોને ઠંડીથી બચાવવા માટે ઇલેક્ટ્રિક સગડીઓ મૂકવામાં આવી રહી છે, જ્યાં લોકો હૂંફ મેળવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:49 am

વલસાડમાં SIR–2026 મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ:BLO 22-23 નવેમ્બરે મતદાન મથકે હાજર રહેશે

વલસાડ જિલ્લામાં Special Intensive Revision (SIR)–2026 અંતર્ગત મતદાર યાદી સુધારણા પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જિલ્લા ચૂંટણી તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 13,85,807 મતદારો પૈકી અત્યાર સુધી 1,57,568 મતદારોની ડિજિટલ નોંધણી પૂર્ણ થઈ છે. આ પ્રક્રિયાને વેગ આપવા માટે જિલ્લાના 1359 મતદાન મથકો પર નિયુક્ત BLO (બૂથ લેવલ ઓફિસર) ને મતદારોની ડિજિટલ વિગતો એકત્રિત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને, 22 અને 23 નવેમ્બરના રોજ તમામ BLO સવારથી સાંજ સુધી મતદાન મથકો પર હાજર રહી મતદારોની નોંધણી, સુધારણા અને ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરશે. ચૂંટણી તંત્રએ મતદારોને યોગ્ય રીતે ફોર્મ ભરી, ફોટા સહિત તમામ જરૂરી વિગતો પૂરી પાડવા અનુરોધ કર્યો છે. વર્ષ 2002ની મતદાર યાદી અનુસાર ડિજિટલ નોંધણીનું આ કાર્ય ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ ઝડપથી ચાલી રહ્યું છે. મતદારો 4 ડિસેમ્બર સુધી પોતાના નામમાં સુધારણા અથવા જોડણી માટે ફોર્મ ભરી શકશે. નિર્ધારિત સમયગાળા દરમિયાન અરજી ન કરનારાના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્ર મુજબ, અંતિમ મતદાર યાદી 7 ફેબ્રુઆરીએ જાહેર થશે. ચૂંટણી તંત્ર દ્વારા અગાઉ જાહેર કરાયેલા માર્ગદર્શન અનુસાર, 2024ની યાદીમાં નામ ધરાવતા મતદારોના ઘરે BLO મુલાકાત લઈ જરૂરી માહિતી ચકાસશે. જો કોઈનું નામ ગાયબ હોય, તો ઓનલાઇન ચકાસણી માટે https://voters.eci.gov.in અને https://chunavsetu-search.gujarat.gov.in પોર્ટલ ઉપયોગી થશે. જન્મ તારીખ 01-01-1988 થી 02-12-2007 વચ્ચે હોય અને સરનામું બદલાયું હોય તો એક જ પુરાવા આધારિત માહિતી માન્ય ગણાશે. જ્યારે 02-12-2007 પછી જન્મેલા મતદારો માટે માતા-પિતાના દસ્તાવેજોની જરૂર પડશે. ઓળખ માટે આધાર કાર્ડ, પાસબુક, ડ્રાઈવિંગ લાઈસન્સ, રેશન કાર્ડ સહિતના દસ્તાવેજો માન્ય રહેશે. SIR–2026 કાર્યક્રમ મુજબ, ગણતરીનો સમયગાળો 01-11-2025 થી 04-12-2025 સુધી રહેશે અને 5 ડિસેમ્બરે ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત થશે. ત્યારબાદ, 05-12-2025 થી 02-01-2026 સુધી દાવો-આપત્તિ પ્રક્રિયા ચાલશે અને 03-01-2026 થી 31-01-2026 સુધી નોટિસ તબક્કો રહેશે. અંતિમ મતદાર યાદી 05-02-2026ના રોજ જાહેર કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી તંત્રએ મતદારોને વિનંતી કરી છે કે નિર્ધારિત 'ખાસ દિવસો' દરમિયાન BLO સાથે સંપર્ક કરી પોતાના મતાધિકારનું સંરક્ષણ કરે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:42 am

વઢવાણમાં યુનિટી માર્ચ અંતર્ગત જિલ્લા કક્ષાની પદયાત્રાનું આયોજન:લોકોએ સ્વદેશી અપનાવવા, આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના શપથ લીધા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 'એકતા મંત્ર'ને જન-જન સુધી પહોંચાડવા રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરાયું છે. આ અંતર્ગત વઢવાણ વિધાનસભા મતવિસ્તારમાં જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાઈ હતી. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, સાંસદ ચંદુ શિહોરા અને જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલ સહિતના મહાનુભાવો આ પદયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રા વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ થઈને નાના કેરાળાના હનુમાનજી મંદિર ખાતે સમાપ્ત થઈ હતી. આ યુનિટી માર્ચ દ્વારા 'હર ઘર સ્વદેશી-ઘર ઘર સ્વદેશી'નો સંદેશ મજબૂત બન્યો હતો અને નાગરિકોએ સ્વદેશી અપનાવવા તથા આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે દેશના 562 રજવાડાઓને એક કરીને 'એક ભારત'ની સ્થાપના કરી હતી, જેના કારણે તેઓ અખંડ ભારતના શિલ્પી કહેવાય છે. 31 ઓક્ટોબર, 1875ના રોજ કરમસદમાં જન્મેલા સરદાર સાહેબની વર્ષ 2025માં 150મી જન્મજયંતિ છે, જેની ઉજવણી સમગ્ર ભારતમાં શતાબ્દી તરીકે થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્થાપના કરી છે, જેની મુલાકાત વર્ષે 50 લાખ લોકો લે છે. મકવાણાએ સરદાર સાહેબના સંદેશાઓને પણ યાદ કર્યા હતા, જેમાં 'સાચું કહેવાની હિંમત રાખો, કાળજું સિંહનું રાખો, અન્યાય સામે અવિરત લડ્યા રાખો, પણ ઘરની વાત ઘરમાં રાખો' જેવા સૂત્રોનો સમાવેશ થાય છે. મકવાણાએ એ પણ જણાવ્યું કે, વર્ષ 2025 બંકિમચંદ્ર ચટોપાધ્યાયજી દ્વારા 1875માં રચાયેલા 'વંદે માતરમ' ગીતની પણ 150મી જન્મજયંતિનું વર્ષ છે. તેમણે સૌને રાષ્ટ્ર ભાવના સાથે જોડાઈને, દરેક વ્યક્તિના હૃદયમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર થાય તેવી પ્રેરણા આ યાત્રાના માધ્યમથી મેળવવા અનુરોધ કર્યો હતો. અગ્રણી ગૌતમભાઈ ગેડીયાએ રાષ્ટ્ર એકતા પ્રત્યે સરદાર વલ્લભભાઈ પટેલના અડગ મનોબળ અને ભગીરથ પ્રયત્નોનું સ્મરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં આચાર્ય માધવેન્દ્ર પ્રસાદજી, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, નિવાસી અધિક કલેક્ટર રાજેન્દ્ર ઓઝા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:38 am

ACF શૈલેષ ખાંભલાના પિતાની કડકમાં કડક સજાની માગ:બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યાથી પરિવાર આઘાતમાં; ભારે હૈયે વીડિયો બનાવી પોતાની વેદના વ્યક્ત કરી

ભાવનગરમાં બે દિવસ પહેલાં કાચના મંદિર પાસે આવેલા ફોરેસ્ટ કવાર્ટરમાંથી પત્નિ, પુત્રી-પુત્રને તકિયાથી મોઢું દબાવી એક પછી એક ત્રણને મોતને ઘાટ ઉતારનાર ACF શૈલષ ખાંભલાને ભાવનગર પોલીસ ઝડપી લીધો છે. ત્યારે શૈલષ ખાંભલાના પિતા બચુભાઈ ખાંભલાએ ભારે હૈયે સોશિયલ મીડિયા મારફતે સરકાર અને પોલીસને તેના પરિવારના બે માસૂમ બાળક અને પુત્રવધૂની હત્યા કરનારા પુત્ર શૈલષને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે. શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએઃ આરોપીના પિતા​સોશિયલ મીડિયાના માધ્યમથી બચુભાઈએ જણાવ્યું હતું કે, મારા બે ફૂલ જેવા કોમળ બાળકો, મારા પુત્રવધૂ ત્રણેયની સાથે જે અધમમાં અધમ કૃત્ય કરીને મોતને ઘાટ ઉતાર્યા છે, એના પ્રત્યે મને તો દુઃખ છે. મારો આખો પરિવાર દુઃખી છે. મારો એક પંખીડાનો માળો વિખેરાઈ ગયો છે. ​પોલીસ તપાસમાં આ ભયંકર કૃત્ય માટે 'શૈલેષ ખાંભલા'નું નામ મુખ્ય ગુનેગાર તરીકે સામે આવ્યું છે. શૈલેષ ખાંભલાને કડકમાં કડક સજા થવી જોઈએ. આ પણ વાંચો.... શેતાન શૈલેષે તકિયાથી બેડ પર પત્નીનું મોં દબાવી દીધું, બીજા રૂમમાં પુત્ર-પુત્રીને પતાવી દીધાં, ભાવનગરમાં ACFના ઘરમાં શું-શું થયું?માત્ર એક આરોપી સુધી તપાસ સિમિત ન રાખવા વિનંતી​બચુભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈ પણ સમાજમાં આવો દાખલો ન બેસે. આ બહુ દુઃખદાયક છે. આમાં કોઈ પણ સામેલ હોય તેની ઊંડી તપાસ કરો કહી ​બચુભાઈ ખાંભલાએ માત્ર એક આરોપી સુધી તપાસ સિમિત ન રાખવાની વિનંતી કરી છે. (ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીની પત્ની અને પુત્ર-પુત્રીની લાશ મળી:10 દિવસ પહેલાં ઘરથી 20 ફૂટ દૂર જ દાટી દીધા હતા) ખાંભલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું​સુરત શહેરના બચુભાઈ ભગવાનભાઈ ખાંભલાના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. તેમના બે ફૂલ જેવા કોમળ બાળકો અને પુત્રવધૂની અધમ હત્યાના બનાવથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પીડિત બચુભાઈ ખાંભલાએ ભારે હૃદય સાથે સોશિયલ મીડિયા સમક્ષ આવીને પોતાની વેદના વ્યક્ત કરી હતી અને આ મામલે સત્વરે ન્યાય મળે તેવી માગણી કરી છે.(પત્નીના ફોનના DRAFT મેસેજથી ફોરેસ્ટ અધિકારીનો ખેલ ખૂલ્યો, સ્ટાફ પાસે JCBથી ખાડો ખોદાવ્યો, 2 ડમ્પર માટી મગાવી હતી)

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 8:30 am

ઠગાઈ:કૌટુંબીક ભાઈએ બેંક ખાતામાંથી 57 લાખના ટ્રાન્ઝેક્શન કર્યાનો આક્ષેપ

વ્યારા મહાદેવનગર કણજાફાટક વિસ્તારમાં રહેતી વિધવા સપનાબેન ધીરજભાઈ પરદેશીએ પોતાના જ કૌટુંબિક ભાઈ વિરુદ્ધ બેંક ખાતાનો દુરુપયોગ કરી લાખો રૂપિયા ટ્રાન્ઝેક્શન કર્યાનો આક્ષેપ કરી ફરિયાદ નોંધાવી છે. ફરીયાદ મુજબ, સપનાબેનના પતિનું વર્ષ 2013માં અવસાન થયું હોય તેઓ ત્રણ સંતાનો સાથે ઘરકામ કરી ગુજરાન ચલાવે છે. વર્ષ 2023 દરમિયાન તેમના કૌટુંબીક ભાઈ તથા શેરબજાર એજન્ટ કૃણાલભાઈ છોટુભાઈ પરદેશીએ ‘પૈસાની લેવડ-દેવડ માટે’ તેમના નામે આઈસીઆઈસીઆઈ બેંકમાં ખાતું ખોલાવવાની જરૂર જણાવી તેમની પાસેથી આધારકાર્ડ અને પાનકાર્ડ લીધા હતા. બાદમાં ખાતું ખોલાવી તેની પાસબુક અને એ.ટી.એમ. કાર્ડ પોતાની પાસે રાખી ખાતાનો ઉપયોગ પોતે જ કરતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. તે જ રીતે સપનાબેનના મોટા પુત્ર મનિષના નામે પણ HDFC બેંકમાં ખાતું ખોલાવી તેની પાસબુક, ચેકબુક અને એ.ટી.એમ. કાર્ડ પણ કૃણાલભાઈએ કબજામાં રાખીને ખાતું સંચાલિત કર્યું હતું. ઘટના ત્યારે સામે આવી જ્યારે મામલતદાર કચેરી વ્યારાથી સપનાબેનના પુત્ર મનિષને નોટિસ મળતા તેઓ કચેરીએ હાજર થયા હતાં. નોટિસમાં મનિષના નામે રૂ. 6 લાખથી વધુ આવક દર્શાવાઈ હોવા તથા ઇન્કમટેક્સ ભરાયો હોવાનો ઉલ્લેખ હતો . આના કારણે પરિવારનું BPL રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જણાયું હતું. આ પછી સપનાબેન તથા તેમના પુત્રએ બેંક સ્ટેટમેન્ટ મેળવતાં બહાર આવ્યું કે વર્ષ 2023થી 2025 દરમિયાન સપનાબેનના ICICI ખાતામાંથી રૂ. 13 લાખ જેટલા, મનિષના HDFC ખાતામાંથી રૂ. 44 લાખ જેટલા, એટીએમ અને ચેક મારફતે કૃણાલભાઈએ ટ્રાન્ઝેક્શન કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ટ્રાન્ઝેક્શનના કારણે તેમનું BPL રેશનકાર્ડ બંધ થઈ ગયું હોવાનું સપનાબેનનું કહેવું છે. સપનાબેનનો આક્ષેપ છે કે કૃણાલભાઈએ જાણ હોવા છતાં મોટાપાયે લેવડ-દેવડ કરી સરકારે આપતા અનાજ અને અન્ય સહાયથી તેમને વંચિત કર્યા છે. તેમણે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:53 am

ઉત્કૃષ્ટ પ્રદર્શન:રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં કે.બી. પટેલ પ્રાઈમરી સ્કૂલનું ગૌરવ

નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 17 ઓક્ટોબર 2025ના રોજ યોજાયેલી એસ.જી.એફ.આઈ. રાજ્ય કક્ષાની બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધામાં તાપી જિલ્લાની બે વિદ્યાર્થિનીઓએ શાનદાર સફળતા મેળવી હતી. ર.ફ. દાબુ કેળવણી મંડળ સંચાલિત કે.બી. પટેલ સ્કૂલની વિદ્યાર્થિનીઓ ઇશિકા ચૌધરી અને જીયા ચૌધરી જિલ્લાની ટીમમાં પસંદગી પામી રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઇશિકા ચૌધરીએ 100 મીટર દોડમાં તેજસ્વી દોડ સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત 4100 મીટર રીલે દોડમાં ઇશિકા ચૌધરી અને જીયા ચૌધરી સમાવિષ્ટ ટીમે ગોલ્ડ મેડલ મેળવી તાપી જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. વિદ્યાર્થિનીઓને ઊંચા સ્તરે રમતમાં આગળ વધવા માટે પ્રોત્સાહિત કરનારા વ્યાયામ શિક્ષકો ઊર્મિશ ચૌહાણ અને જયેશ ચૌધરી તથા આચાર્યા સેજલબેન પંચોલી સહિત શાળા પરિવારે મેડલ વિનર વિદ્યાર્થિનીઓને હર્ષભેર અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:48 am

ભાસ્કર એનાલિસીસ:68 હજાર હેક્ટરમાં 33% નુકસાન 113 કરોડની સહાય માટે ભલામણ

તાપી જિલ્લામાં થોડા દિવસો પૂર્વે થયેલા માવઠાએ ખેતીને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લાના આઠ તાલુકાઓમાં કુલ 1,01,821 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, પરંતુ સતત વરસાદ, તેજ પવન અને કમોસમી ઝાપટાંના કારણે કુલ અંદાજિત 68,744 હેક્ટર જમીનમાં ઊભેલા પાકને 33 ટકાથી વધુ નુકસાન થયું હોવાનો સર્વે રિપોર્ટ તાપી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંકલિત અને ઝડપી કાર્યવાહીના ભાગરૂપે કુલ 1,01,765 હેક્ટર વિસ્તારને સર્વે હેઠળ લેવામાં આવ્યો હતો. આ સર્વે માટે કુલ 518 ગામોમાં અધિકારીઓ અને કૃષિ વિભાગની 233 ટીમોએ મેદાનમાં તપાસ હાથ ધરી હતી. ગામોના દીઠ કરાયેલા આ સર્વે દરમિયાન 67,843 ખેડૂતો પાક નુકસાનથી અસરગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. વ્યારા, સોનગઢ, ઉચ્છલ, નિઝર, ઉકાઈ, વાલોડ અને ડોલવણમાં ડાંગર, મકાઈ, તુવેર, મગફળી, કપાસ અને શાકભાજી જેવા મુખ્ય પાકોમાં મોટાપાયે નુકસાન નોંધાયું છે. સરવેનો નિષ્કર્ષ : તાપી જિલ્લામાં કુલ 1,01,821 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરાયું હતું. કરાયું હતું. જેમાં 1,01,765 હેક્ટર વિસ્તાર માવઠાથી પ્રભાવિત થયો હતો. આ પ્રભાવિત વિસ્તાર પૈકી 68,744 હેક્ટર વિસ્તારમાં પાકને 33%થી વધુ નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પાક બગડ્યો: ખેતરોમાં પાણી ભરાતાં છોડ પીળા પડ્યા માવઠાના કારણે અનેક ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે છોડ પીળા પડી ગયા. કપાસ અને તુવેર જેવા મહત્ત્વના પાકો જમીનદોસ્ત થઈ ગયા અથવા સડી ગયા. ખાસ કરીને મકાઈના પાકમાં ફૂગનો પ્રકોપ વધી ગયો અને ફૂલણ ગુમાવવાનું પ્રમાણ પણ વધ્યું જેના કારણે ઉત્પાદનને ફટકો. રાહત પેકેજ :જિલ્લાકક્ષાએ તૈયાર કરાયેલા અંદાજ મુજબ,‎પાક નુકસાન બદલ સરકારને કુલ રૂ. 11,346.33 લાખ‎(અંદાજે 113.46 કરોડ) જેટલી સહાયની ભલામણ‎મોકલવામાં આવી છે. વહીવટીતંત્રની માહિતી મુજબ,‎સરકારની મંજૂરી મળતાની સાથે જ સહાય પાક વીમાના‎માપદંડો મુજબ અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં જમા કરાશે.‎

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:41 am

વિઝાના બાબતે કરાયેલી ઠગાઈનો મામલો:વિઝા મેળવવા ખોટા લેટર આપનાર દંપતીમાં પત્નીની મુંબઇ એરપોર્ટ પરથી અટક, પતિ હજુ ફરાર

નવસારીમાં વિદેશ જવા વિઝા મેળવી આપવાના બહાને 9 જેટલા લોકો સામે ઠગાઈ કરનાર દંપતી વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે લંડન જવા માટે આવેલ 9 લોકો પાસેથી નાણાં લઈ ખોટા વિઝા આપ્યા બદલ છેતરપિંડી કરતા ટાઉન પોલીસમાં છાપરા રોડની એક શિક્ષિકાએ દંપતી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ દંપતી વિદેશ ફરાર થઈ ગયું હતું. પોલીસે રેડ કોર્નર નોટિસ જાહેર કરી હતી, જે પૈકી નાવિકા પટેલ મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરતા જ પોલીસે અટક કરી હતી અને નવસારી ટાઉન પોલીસને સોંપી હતી. આરોપીને નવસારી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.સેન્ટ્રલ બજાર વિદ્યાકુંજ સ્કૂલની સામે ફ્લાઇંગ ડક ઓવરસીસ નામની વિદેશ જવા માટે વિવિધ કાર્યવાહી કરવા માટે ઓફિસ ચલાવતા વિવેક નવનીત પટેલ અને નાવિકા વિવેક પટેલે વિદેશ જનાર સાથે લંડન જવા માટે વાત કરી હતી. જેને લઇ તેમની પાસે અડધી રકમ લીધી હતી. ત્યારબાદ દંપતી દ્વારા 9 લોકોને વિઝા મેળવવા માટે ફોટા અને બનાવટી સ્પોન્સર લેટર એમ્બેસીમાં જમા કરાવ્યા હતા. જોકે, તપાસમાં તમામ લેટર ખોટા નીકળતા તેમને અમેરીકા એમ્બેસી દ્વારા 10 વર્ષ માટે બેન કરાયા હતા. તપાસ કરાવતા અન્ય મુબીન પઠાણ, અંક્તિ પટેલ, ધવલ રાણા, અક્ષય આહિર, રવિન્દ્ર સંધુ મોહમદ રંગરેજ, મિતેષ આહિર, રાહુલ ગોસ્વામી અને વૈશાલીબેન પાસે કુલ રૂ. 22.76 લાખ કઢાવ્યા હતા. તેઓએ પણ ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:27 am

મંત્રી કનુભાઇને રાવ‎:નવસારી મનપાને ડી-2 કેટેગરી નહીં પણ ડી-4માં જ રાખવું જરૂરી : ક્રેડાઇ

નવસારી મહાનગરપાલિકાની કેટેગરી ડી-2માં મુકવાને લઇ બાંધકામમાં ઉભી થયેલી મુશ્કેલી અંગે હવે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇને ક્રેડાઇ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. નવસારી મહાનગરપાલિકાને સરકારે ડી-2 કેટેગરીમાં મુકી છે. આ કેટેગરીમાં જે ધારાધોરણ છે તેને લઇ નવસારી શહેરમાં બાંધકામમાં મળતી કપાત સહિત કેટલીક બાબતોમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. આ મુશ્કેલીની વિપરીત અસર નવસારી શહેરના વિકાસ ઉપર પડી રહ્યાંનું બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓ જણાવી રહ્યાં છે. આ બાબતે છેલ્લા 5-6 મહિનાથી ક્રેડાઇ રાજ્ય કક્ષાએ રજૂઆતનો દોર ચલાવી રહી છે. જે અંતર્ગત હવે ગુજરાત ક્રેડાઈની ટીમ D2 અને D4 કેટેગરીના કન્વિનર અને ગુજરાત ક્રેડાઈના ઉપપ્રમુખ ભરતભાઇ સુખડિયા દ્વારા ગુજરાત શહેરી વિકાસ મંત્રાલયના મંત્રી કનુભાઈ દેસાઇ જોડે રૂબરૂ મુલાકાત કરી ચર્ચા બાદ કનુભાઈ દેસાઇ દ્વારા હકારાત્મક અભિગમ રાખી અઠવાડિયમાં માગને અનુરૂપ નોટિફિકેશન બહાર પાડી પૂર્ણ કરવામાં આવશે એવી ખાત્રી આપવામાં આવી હોવાનું ક્રેડાઇના સૂત્રોએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:26 am

રકતદાન શિબિરનું આયોજન:વલસાડ કોસંબાના રકતદાન શિબિરમાં 92 યુનિટ બ્લડ એકત્ર

વલસાડ તાલુકાના કોસંબા ગામે રવિવારના દિવસે નિસ્વાર્થ સેવા મંડળ કોસંબા દ્વારા દર વખતના જેમ આ વર્ષે પણ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ રકતદાન શિબિરમાં 92 યુનિટ બ્લડ એકત્ર થયુ હતું. નિ:સ્વાર્થ સેવા મંડળ અંતરનો આનંદ કોસંબા દ્વારા યોજાયેલા કેમ્પમાં રકતદાતાઓ સવારથી ઉમટી પડયાં હતાં. નિસ્વાર્થ સેવા મંડળ કોસંબા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.રકતદાન કેમ્પમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહ્યા હતાં. રકતદાતાઓને બિરદાવામાં આવ્યા હતાં.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:22 am

બાળકોના જીવ જોખમમાં:વલસાડમાં નવી આંગણવાડીમાં બે બાળક બેઠા હતા ને છતનો પોપડો પડ્યો

વલસાડના દેરા ફળિયા વિસ્તારમાં આવેલી નવી આંગણવાડી 24 એપ્રિલ 2025ના રોજ શરૂ કરાઇ હતી.જેમાં સોમવારે બાળકો જ્યારે નાસ્તો કરતા હતા ત્યારે જે બાળકો નાસ્તો કરીને પરવારી ગયા તેમને બાજૂના રૂમમાં લઇ જવાયા હતા પણ બે બાળક નાસ્તો કરવાના બાકી હતા તેઓ આંગણવાડી વર્કર સાવિત્રીબેન સાથે બેઠા હતા ત્યારે અચાનક સ્લેબના છતનો પોપડો ખરી પડ્યો હતો. જેની પોપડીઓ નીચે બેસેલા એક બાળક ઉપર પડતાં સાવિત્રીબેને તાત્કાલિક તેને સાઇડે કરી ચેક કરતાં કોઇ મોટી ઇજા નહિ જણાતાં રાહત અનુભવી હતી.આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ડોક્ટરે આવી બાળકને તપાસ્યોપાલિકાના ઇજનેર હિતેશ પટેલને જાણ કરાતા વલસાડ મ્યુનિસિપલ હોસ્પિટલના ડો.રોહન પટેલ સાથે આંગણવાડી ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં ડોકટરે બાળકને ચેક કરતાં કંઇ ગંભીર ન હોવાનું અને હોસ્પિટલ કે દવાખાને લઇ જવાની જરૂરત ન હોવાનું જણાવ્યુ હતું. માથા ભાગે પોપડી લાગી હતી.> સુમિત્રાબેન પટેલ, આંગણવાડી વર્કર

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:20 am

અધિકારીઓ દ્વારા સ્થિતિનો તાગ લેવાયો:વલસાડમાં રિસર્ફેસિંગ કામોનું નિરીક્ષણ

વલસાડ પાલિકાને ચોમાસામાં નીચાણવાળા સહિતના રસ્તાઓના રિસર્ફેસિંગ માટે રાજ્ય સરકાર દ્વારા એક કરોડની ગ્રાન્ટના કામોમાં વિલંબ બાદ કામો શરૂ કરાતા પ્રાદેશિક કમિશનર અને તેમની સાથે કાર્યપાલક ઇજનેર સહિતની ટીમે વલસાડમાં સોમવારે ધામો નાંખી કામગીરી અને વિવિધ સ્થળોએ અન્ય રસ્તાઓનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને વધુ કામો માટે ખૂટતી ગ્રાન્ટની દરખાસ્ત થતાં અધિકારીઓ અત્રે સ્થિતિ જાણવા માટે આવી પહોંચ્યા હતા. વલસાડમાં કમોસમી વરસાદના કારણે ચોમાસામાં નુકસાન પામેલા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે સરકારે ફાળ‌વેલી ગ્રાન્ટ હેઠળના કામો અટકી પડ્યા હતા.જેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ સાથે વલસાડ શહેરના સ્ટેશન રોડ,તડકેશ્વર રોડ,અબ્રામા રોડ,હાલર રોડ સહિતના મુખ્ય માર્ગો પણ ઠેર ઠેર ખરાબ થઇ જતાં પાલિકાને વધુ ગ્રાન્ટની આવશ્યકતા સામે આવી છે. જેને લઇ નગરપાલિકાના ચીફ ઓફિસર કોમલ ધાનૈયા,પાલિકા પ્રમુખ માલતી ટંડેલ અને કારોબારી ચેરમેન આશિષ દેસાઇ સહિત મુખ્ય હોદ્દેદારો સાથે રસ્તા અંગેના પરામર્શ બાદ રાજ્ય સરકાર સમક્ષ વધુ ગ્રાન્ટની દરખાસ્ત મોકલી દેવામાં આવતાં હાલે રિસર્ફેસિંગની કામગીરી અને અન્ય માર્ગોની સ્થિતિનો તાગ લેવા સુરત વિભાગ મ્યુનિસિપાલિટી પ્રાદેશિક કમિશનર એસ.વી.વસાવા અને કાર્યપાલક ઇજનેર અંજુસિંહ ચૌહાણે રોડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ મુદ્દે સીઓ કોમલ ધાનૈયા ચીફ ઇજનેર નગમા મોદી,સિટી ઇજનેર હિતેશ પટેલ પણ સાથે ચર્ચા થઈ હતા.નિરીક્ષણ બાદ નગરપાલિકાની હાલની કામગીરી પ્રત્યે પ્રાદેશિક કમિશનરે સંતોષ વ્યક્ત કર્યો હતો. ડ્રેેનેજ ચેમ્બરોના લેવલની સૂચનાપ્રાદેશિક કમિશનરે પાલિકાના ઇજનેરોને વલસાડમાં નવા રસ્તા બનાવવામાં આવે તે પહેલા ડ્રેનેજ લાઇનના જે ચેમ્બરો ઉંચાઇએ છે તેનું રોડ સાથે લેવલિંગ કરવાની સૂચના આપી છે. કમિશનર વસાવા અને કાર્યપાલક ઇજનેર અંજુસિંહે મુખ્યમાર્ગ સ્ટેશન રોડ પર સફેદ પટ્ટાની લાઇનદોરી કરવા જણાવ્યું છે.જૂની લાઇનદોરી ઘસારાથી નાબૂદ થઇ જતાં અધિકારીઓએ આ કામગીરી પર ભાર મૂક્યો હતો.> હિતોશ પટેલ, સિટી ઇજનેર,નગરપાલિકા

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:19 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:વાપીમાં બલીઠા બ્રિજના બંને છેડે નો-એન્ટ્રીમાં પ્રવેશતા વાહનથી અકસ્માતોની સંભાવના વધી

વાપી બલીઠા ઓવરબ્રિજ 50 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયા બાદ ટ્રાફિક જામ અને અકસ્માતની સંભાવના વધી રહી છે. દિવ્ય ભાસ્કરની ટીમે વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સાથે સ્થળ નિરીક્ષણ કર્યુ હતું. જેમાં સ્થળ પર બંને ફાંટામાં નો એન્ટ્રીમાં વાહન ચાલકો વાહનો ચલાવતાં રાત્રે અને સાંજે ટ્રાફિક જામનો પ્રશ્ર વિકટ ઊભો થતો હોવાનું બહાર આવ્યુ હતું. વાપી હાઇવે તરફથી દમણ તરફ જતાં વાહન જતાં વાહનો અને દમણથી હાઇવે તરફ આવતાં વાહન ચાલકો વન-વે તરીકે માર્ગનો ઉપયોગ કરી રહ્યાં નથી. દમણથી આવતાં વાહનો નો એન્ટ્રીમાં વાપી જકાતનાકા તરફ જતાં ટ્રાફિક જામની સાથે અકસ્માતનો ભય પણ સતત રહે છે. વાપી હાઇવે સ્થિત બલીઠા હાઇવે પર નવા બનેલા બ્રિજ પર અમદાવાદ વિંગ અને મુંબઇ વિંગ પર વાહનો ચાલી રહ્યાં નથી.નવા શરૂ કરવામાં આવેલા મુંબઇ તરફના વિંગમાં દમણ તરફથી આવતાં વાહનો વાપી જકાતનાકા તરફ અથવા સર્વિસ રોડથી સીધા વાપી તરફ જઇ રહ્યાં છે. સલવાવ બ્રિજની નીચેથી જવા જોઇએ.નવા બ્રિજ પર વાહન ચાલકો ટ્રાફિક નિયમોનું પાલન ન કરી નો એન્ટ્રીમાં વાહનો ચલાવી રહ્યાં છે. જેના કારણે વાપી હાઇવે પર સવારે અને સાંજે ટ્રાફિક જામ થઇ રહ્યો છે.આ સાથે નો એન્ટ્રીમાં મોટા વાહનો ચાલવાથી અકસ્માત થવાની પણ પૂરેપુરી સંભાવના છે. સોમવારે દિવ્ય ભાસ્કરની ટીમે જિલ્લા ટ્રાફિક પોલીસની ટીમ સાથે નિરીક્ષણ કર્યુ હતું. જેમાં પણ વાહન ચાલકો ટ્રાફિક નિયમનનું પાલન ન કરતાં આ સ્થિતિ ઉદભવી રહી હોવાનું બહાર આવ્યુ હતું. જિલ્લા ટ્રાફિક પોલીસ અને વાપી ટાઉન પોલીસે ટ્રાફિક નિયમન માટે કવાયત ચાલુ કરી દીધી છે. નવા બ્રિજનો વન વે તરીકે ઉપયોગ થાય તે દિશામાં પોલીસે આયોજન હાથ ધર્યુ છે.થોડા દિવસોમાં પોલીસ કડક વલણ અપનાવશે એવું જાણવા મળી રહ્યું છે. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામનો પ્રશ્ર હળવો થશે. સાથે-સાથે અકસ્માતની સંભાવના પણ ઘટશે. 10 વર્ષ સુધી બ્રિજની રાહ જોયા બાદ પણ વાહન ચાલકો અને પોલીસ વિભાગ માટે આ બ્રિજ માથાનો દુખાવો બન્યો છે. દિવસે તો TRB જવાન વાહનોને ડાયવટ કરે છે પરંતુ રાત્રે સ્થિતિ બગડશે. બ્રિજમાં વાહનોનું મોનિટરિંગ થશેબલીઠા બ્રિજ પ્રજાની સુવિધા માટે બનાવામાં આવ્યો છે. જેની સાથે ટ્રાફિક નિયંત્રણ થાય તે ખુબ જરૂરી છે.દમણના વાહનો અને વાપી હાઇવે તરફથી દમણ તરફ જતાં વાહનોનો વન વે તરીકે જ ઉપયોગ થાય તેવું મોનિટરિંગ પોલીસની ટીમ દ્વારા કરાયું છે. બંને ફાંટા પર નક્કી કરેલા રૂટનો વાહન ચાલકોએ ઉપયોગ કરવો જોઇએ. ચાલકો ટ્રાફિક નિયમનનો ભંગ કરશે તો દંડાત્મક કાર્યવાહી થશે. દમણથી આવતાં વાહનો સલવાવ બ્રિજ સુધી જાય તે ખુબ જરૂરી છે.આ વાહનો નો એન્ટ્રીમાં વાપી જકાતનાકા તરફ ન જાય તેવું આયોજન કરાશે.> આર.એન. હાથલીયા, PI , જિલ્લા ટ્રાફિક શાખા બ્રિજ પર મોટા સાઇન બોર્ડ જરૂરી‎બલીઠા બ્રિજથી હજારો વાહન ચાલકોને નવી સુવિધા મળી છે,પરંતુ બ્રિજ પર‎નો એન્ટ્રી,વળાંક, અમદાવાદ તરફ,મુંબઇ તરફ સહિતના સાઇન બોર્ડ મોટા‎લગાવામાં આવ્યા નથી.જે બોર્ડ લાગ્યાં છે તે પ્રમાણમાં નાના છે.વાપી ટાઉન‎પોલીસ સ્ટેશન દ્વારા ટ્રાફિક નિયમન માટે બ્રિજની ઉપર એક પોઇન્ટ ઊભો‎કરવામાં આવ્યો છે. જે સારી બાબત છે. સાથે-સાથે નો એન્ટ્રી વાળા રૂટ પર‎જતાં વાહનોને કડક રીતે અટકાવામાં આવે તે ખુબ જરૂરી છે. જેથી હાઇવે પર‎ટ્રાફિક જામનો પ્રશ્ર ઉદભવે નહિ અને અકસ્માતની પણ સંભાવના રહે નહિ.‎

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:18 am

સીએમને રાવ:સોલધરામાં ગેરકાયદે બાંધકામનો‎મુદ્દો હવે સીએમના દરબારમાં પહોંચ્યો‎

ચીખલી તાલુકાના સોલધરા ગામે ચીખલી-ખેરગામ માર્ગ પાસે ગેરકાયદેસર બાંધકામ બાબતે મામલતદાર અને માર્ગ મકાન દ્વારા એકબીજાને ખો આપી સરકારી તંત્ર દ્વારા જ સરકારી જગ્યા ખુલ્લી કરવામાં રસ ન દાખવતા જાગૃત નાગરિક દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચીખલી-ખેરગામ માર્ગ પર સોલધરા ગામમાં રેસિડેન્સીના નામે વાણિજ્ય હેતુનું બાંધકામ થયું છે. જેમાં માર્ગ મકાનના ચીખલી સબ ડિવિઝનના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા મધ્યબિંદુથી પ્લોટ-એ માં 22 મીટર દૂર અને બી મા 20મીટર દૂર બાંધકામ કરવાનું ધ્યાન પર આવ્યું છે, જે મંજૂરી આપેલ બાંધકામ કેટ 2થી 4 મીટર આગળ બાંધકામ તાત્કાલિક દૂર કરવા માટે માલિકને માર્ચ-2024માં લેખિત નોટિસ દ્વારા જણાવાયું હતું. સોલધરામાં આ ગેરકાયદે દબાણ સંદર્ભે જાગૃત નાગરિકની માર્ગ મકાન અને મામલતદારમાં લેખિત રજૂઆત બાદ પણ કોઈ નક્કર પરિણામલક્ષી કામગીરી ન કરાતા હવે મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે. મુખ્યમંત્રી કરેલ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે મામલતદાર કચેરીમાં દબાણ દૂર કરવાની અમારી રજૂઆતને બીજા પાટે લઈ જઇ સોલધરાના આ બ્લોક નંબરનો સિટી સર્વેમાં સમાવેશ થયો હોય શરતભંગ અંગેની કાર્યવાહી સીટી સર્વે દ્વારા કરવાની રહે છે તેવો જવાબ આપી જવાબદારીમાંથી હાથ ખંખેરી લેવાનો પ્રયાસ કરાયો હતો. હકીકતમાં શરતભંગ રજૂઆત જ ન હતી. રજૂઆત સરકારી જમીનમાં દબાણ દૂર કરવાની હતી પરંતુ સમગ્ર બાબતને મામલતદાર કચેરી દ્વારા આડે પાટે ચઢાવી સમગ્ર પ્રકરણમાં ભીનું સંકેલાતા માર્ગ મકાન અને મામલતદાર કચેરી જેવા સરકારી તંત્રને સરકારી જગ્યા ખુલ્લી કરાવામાં રસ જ ન હોય તેમ લાગે છે. આ રેસિડેન્સીના બાંધકામ બાબતે સોલધરા ગામની મુલાકાત દરમિયાન સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરાઈ હતી. જેમાં ડીએલઆર દ્વારા માપણી કરાવાની પણ વાત થઈ હતી પરંતુ ડીએલઆર કચેરી દ્વારા પણ આજદિન સુધી માપણી કરી કોઈ અહેવાલ અપાયો નથી. આમ મામલતદાર, માર્ગ મકાન અને ડીએલઆર જેવી સરકારી કચેરીઓને સરકારી જગ્યા પરંતુ દબાણ દૂર કરાવી જગ્યા ખુલ્લી કરાવામાં રસ જ ન હોય તેવામાં જાગૃત નાગરિકની મુખ્યમંત્રીને લેખિત રજૂઆત બાદ નક્કર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:15 am

રજૂઆત આખરે ફળી‎:વાંસદા નગરના 7 કિ.મી. અંતરના રસ્તાનું નવિનીકરણનો પ્રારંભ કરાયો

વાંસદા નગરના ખખડધજ રસ્તાને લઈ ગ્રામજનોની વારંવાર રજૂઆતો ધ્યાનમાં લઈ સરપંચ સહિત ડેપ્યુટી સરપંચ અને સભ્યોની અથાક મહેનત બાદ વાંસદા ઈતિહાસમાં પહેલીવાર રૂ. 396 લાખના ખર્ચે અંદાજિત 7 કિલોમીટર રસ્તાના નવિનીકરણની કામગીરી શરૂ થતા નગરજનોમાં ખુશી ફેલાઇ છે. વાંસદા નગરના રસ્તાઓ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ બનતા ગ્રામજનોએ રજૂઆતો કરી હતી. ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં લઈ પંચાયત સરપંચ ગુલાબ પટેલ અને ડેપ્યુટી સરપંચ હેમાબેન શર્મા તથા સભ્યોના અથાક પ્રયાસોથી વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા રાજ્ય સરકારની એમએમજીએસવાય 7 વર્ષ રીસરફેસીંગ વર્ષ- 2024-25 યોજના હેઠળ વાંસદા ટાઉન રોડ કુલ 6.90 કિમી રસ્તાના નવિનીકરણ માટે રૂ. 396 લાખ મંજૂર થયા છે. જેમાં વાંસદા નગરનો મુખ્ય રસ્તો તથા આંતરિક રસ્તાનો સમાવેશ થાય છે. રસ્તાની કામગીરીમાં વાંસદા ટાઉનના 7 મી, 5.5 મી અને 3.75 મી. પહોળા રસ્તાની કામગીરી કરાશે. ચોમાસુ પૂર્ણ થયા બાદ રસ્તાના નવિનીકરણની કામગીરી શરૂ કરાઇ છે.રીસર્ફેસિંગની કામગીરીનો મુખ્ય હેતુ રોડ પરના ખાડાઓ દૂર કરવા અને નાગરિકોને સલામત, સરળ અને આરામદાયક મુસાફરી પૂરી પાડવાનો છે અને અંતરિયાળ વિસ્તારના લોકોને વાંસદામાં કચેરીના કામ કાજ તથા વ્યવસાય માટે આવવામાં ખૂબ જ સરળતા રહેશે અને આ રસ્તો બનવાથી વાંસદા ટાઉનની કનેક્ટિવિટી સુધરશે. જેને ધ્યાન રાખી સોમવારે વાંસદાના સરપંચ ગુલાબભાઈ પટેલ, ડે.સરપંચ હેમાબેન શર્મા, ગ્રા.પં. સભ્યો સહિત ગામના આગેવાનોની હાજરીમાં શ્રીફળ વધેરી રસ્તાની કામગીરી શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:12 am

રસ્તા ઉપર પડ્યા જીવલેણ ખાડા:થાલા-આલીપોરમાં હાઇવેના સર્વિસ રોડ પરના ખાડા જીવલેણ બની શકે

ચીખલી નજીકના થાલા-આલીપોરમાં નેશનલ હાઇવેના સર્વિસ રોડ પરના જીવલેણ ખાડાઓ પુરવામાં વરસાદની વિદાય બાદ પણ હાઇવે ઓથોરિટીને ફુરસદ મળી નથી. વાહન ચાલકોએ જીવના જોખમે સર્વિસ રોડ પરથી પસાર થવાની નોબત આવી છે. વાહન ચાલકો પાસેથી વર્ષ દહાડે લાખો રૂપિયાનો તગડો ટોલટેક્ષ ઉઘરાવતી હાઇવે ઓથોરિટીને લોકોની સલામતીની કોઈ પડેલી જ ન હોય તેમ વરસાદની વિદાયના લાંબા સમય બાદ પણ હાઇવેના સર્વિસ રોડ પરના ખાડાઓ પુરવાની ફુરસદ જ મળી નથી. સર્વિસ રોડ પર થાલા અને આલીપોર ગામની સીમમાં ચોમાસા દરમિયાન ઠેર ઠેર ખાડા પડવા સાથે સર્વિસ રોડના ચીંથરેહાલ થઈ ગયા હતા અને ઘણી જગ્યાએ તો માર્ગની સપાટી બેસી જવા સાથે માર્ગનું અસ્તિત્વ જ મટી ગયું છે. થાલામાં હાઇવે ના સર્વિસ રોડ પર ચોમાસામાં ઠેર ઠેર પડેલા મસમોટા ખાડાઓની હાઇવે ઓથોરિટી દ્વારા નક્કર મરામત જ કરાઈ ન હતી અને દિવસે દિવસે ખાડાઓની ઊંડાઈ અને પહોળાઈ વધતી જ જતા હાલ આ ખાડાઓ એટલા મોટા થઈ ગયા છે કે કોઈ વાહન ચાલક આ ખાડામાં પટકાઈ તો જીવલેણ પુરવાર થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. હાઇવેનો સર્વિસ રોડ ખાસ કરીને સ્થાનિક લોકો માટે ખૂબ ઉપયોગી હોવા સાથે આ સર્વિસ રોડ પરથી વાહનોની સતત અવર જવર રહેતી હોય છે. ઘણીવાર હાઇવે પર મરામતની કામગીરી કે નાના-મોટા અકસ્માતના કિસ્સામાં ભારે વાહનો પણ સર્વિસ રોડ પર ડાયવર્ટ થતા હોય છે ત્યારે હાઇવે ઓથોરિટી દ્વારા ગંભીરતા દાખવી સર્વિસ રોડ પરના ખાડાઓ પૂરી મરામતની નક્કર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:10 am

પ્રજાજન પરેશાન:કુદરતી પાણી નિકાલની કાંસને‎ મનપાએ ગટર બનાવી દીધી‎

નવસારી કૃષિ યુનિવર્સિટીની પાણી નિકાલની કાંસમાં મનપા દ્વારા આજુબાજુ આવેલ સોસાયટીની ગટર લાઇન સાથે જોડી દેતા કુદરતી કાંસને ગટર બનાવી દેતા નજીકમાં આવેલ સારથી રેસિડેન્સી અને સ્થાનિકો દુર્ગંધયુક્ત વાતાવરણમાં જીવી રહ્યાં છે. જેને માટે કલેક્ટરમાં પણ ફરિયાદ કરી હોવાની માહિતી મળી છે. જલાલપોરથી બોદાલી માર્ગ પર કૃષિ યુનિવર્સિટી દ્વારા ખેતરના પાણી નિકાલ માટે કુદરતી કાંસ બનાવામાં આવી હતી. આ કાંસને મનપા દ્વારા ગટર લાઇન બનાવી દઈ આજુબાજુના સોસાયટીનું ગંદુ પાણીનું જોડાણ આ કાંસમાં આપી દેતા કેટલીક કંપનીઓના કેમિકલયુક્ત પાણી દુર્ગંધ મારી રહ્યું છે, જેના કારણે સાંજે સોસાયટીની બહાર ઉભું રહી શકાતું ન હોવાની ફરિયાદ કરી છતાં પૂર્વ નગરસેવકો પણ ફરિયાદનું નિરાકરણ લાવ્યા ન હતા. મનપાની એપમાં સોલ્વ લખાઇ ગયુંસ્થાનિક રહીશોએ જણાવ્યું કે 6 વર્ષથી ફરિયાદ કરે છે. નગરસેવકો, ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરી અંતે મહાનગરપાલિકાની એપ્લિકેશન પર પણ ઘણીવાર ફરિયાદ કરી પણ સમસ્યાનું કોઈ પણ જાતનું નિવારણ વગર સોલ્વ લખી દીધું છે. ક્લેક્ટર સમક્ષ જિલ્લા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં ફરિયાદ કરી છે.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:06 am

મુસાફરો પરેશાન:વેડછા સ્ટેશને ટ્રેનનું એન્જિન ફેલ, મુસાફરોનો બે કલાક રઝળપાટ

પશ્ચિમ રેલવેમાં નંદુરબારથી બોરીવલી જતી પેસેન્જર ટ્રેન નવસારીથી વેડછા પાસે આવતા અચાનક ટ્રેનનું એન્જિન ફેલ થતા સાંજે 8.30 વાગ્યા બાદ ત્યાંથી ઉપડી નહીં જેને લઇ મુસાફરો હેરાન થયા હતા. પશ્ચિમ રેલવેના વલસાડ ડિવિઝનમાં જાણ કરાતા મોડી સાંજે બીજું રેલવે એન્જિન મોકલવાની માહિતી મળી છે. નવસારી રેલવે સ્ટેશન પછી આવેલા વેડછા રેલવે સ્ટેશનમાં નંદુરબારથી બોરીવલી પેસેન્જર ટ્રેન પસાર થતા અચાનક ઉભી રહી હતી મુસાફરો ટ્રેન કેમ ન ઉપડી તે બાબતે પૂછપરછ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં ટ્રેનનું એન્જિન ફેલ થતા ટ્રેન ઊભી રહી હોવાની માહિતી મળી છે. સાંજે 8.30 કલાક બાદ ટ્રેન આગળ વધી ન હતી. જેને લઇ મુસાફરો અકળાયા હતા.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:05 am

BLOને મદદ કરવાનું ફરમાન કાઢતા આંગણવાડી વર્કરોને નારાજગી‎:નવસારીમાં SIRની કામગીરીમાં હવે આંગણવાડી વર્કરોને જોડવાનો આદેશ

નવસારી જિલ્લામાં આંગણવાડી વર્કરોને હવે બૂથ લેવલ ઓફિસર (BLO)ની કામગીરીમાં જોડવાનો એક આદેશ જાહેર થતાં જ વર્કરોમાં તીવ્ર નારાજગી ફેલાઈ છે. સામાન્ય રીતે આંગણવાડી વર્કરોનું મુખ્ય કાર્ય પોષણ, આરોગ્ય અને પૂર્વ-પ્રાથમિક શિક્ષણ સંબંધિત સેવાઓ આપવાનું હોય છે. જોકે, સરકારી કામગીરીના ભાગરૂપે તેમને બીએલઓના મુખ્ય કાર્ય એટલે કે મતદાર યાદી સુધારણા, નવા મતદારોની નોંધણી અને ઘરે-ઘરે જઈને ચકાસણીની કામગીરીમાં મદદરૂપ થવાનું ફરમાન કરાયું છે. વર્કરોના સંગઠનોનું કહેવું છે કે, આંગણવાડીનું નિયમિત કાર્યબોજ પહેલેથી જ ઘણો વધારે છે અને તેમાં હવે ચૂંટણી સંબંધિત આ વધારાનો બોજ ઉમેરવામાં આવ્યો છે. જેના કારણે બાળકો અને સગર્ભા માતાઓની મૂળભૂત સેવા પર અસર થશે. આંગણવાડી વર્કરોએ આ ફરમાન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં પણ બીએલઓની કામગીરીને લઇને છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં ઢીલી નીતિથી કામ ચાલી રહ્યું છે. તેના સંદર્ભમાં સમય મર્યાદામાં સરની કામગીરી પૂર્ણ થશે કે કેમ તેવા અનેક સવાલો ઉભા થયા છે. મતદારોમાં જાગૃતતાના અભાવે ઘણી ગુચવણો ઉભી થઇ રહી છે. આ ઉપરાંત પરિવારના સભ્યોના મતદાર ઓળખપત્રને લઇને પણ મતદારોમાં ભારે વીડબણા વ્યાપી ગઇ છે. હજી પણ કેટલાય લોકોને ખબર જ નથી કે આ બધી વિગતો ક્યાંથી મળશે અને કોણ આપશે? જાગૃતિના અભાવે લોકો અટવાઇ રહ્યાં છે. જેથી સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે અગાઉ થયેલ કામગીરીને ધ્યાનમાં રાખી સરકારે હવે અન્ય કર્મચારીઓને પણ બીએલઓને મદદરૂપ થવા માટે કામગીરી સોંપી છે. જેને લઇ કામગીરી ઝડપી અને સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે પરંતુ આ બાબતને લઇને કેટલાય કર્મચારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અને તેઓ આ કામગીરીથી અળગા રહેવા માંગે છે. તેઓ પોતાની પાસે વધારે કામગીરીનો બોજ વધારવામાં આવ્યો છે તેથી નારાજ છે. અને તેમને દૂર રાખવા અનુરોધ કરાયો છે. સરકારે રજૂઆત ધ્યાને ન લીધીચૂંટણીલક્ષી કામગીરી કેમ ન કરવી તે અંગે વારંવાર રજૂઆત કરી હતી. ગુજરાત આંગણવાડી વર્કરો દ્વારા અગાઉ બીએલઓની ચૂંટણી કામગીરી ન કરવા માટે ફરજ મુક્તિ માટે રજૂઆત કરી હતી. જેમાં આંગણવાડી વર્કરોને સરકારી નોકરિયાત ગણવામાં આવતા નથી, માત્ર માનદ સેવક અને માનદ વેતન આપવામાં આવે છે. કુપોષણ, આરોગ્ય, સુવાવડી માતાઓ અને કિશોરીઓ માટે મહત્વપૂર્ણ કામ કરવાનું હોય છે. સરકારી અધિકારીઓ સતત મોનિટરિંગ કરતા હોય છે, બહેનો ઓછું ભણેલી હોય અને અંગ્રેજી પણ જાણતી ન હોય ચૂંટણીમાં કામ કરવા જતા હોય માફી આપવા રજૂઆત કરી હતી.

દિવ્ય ભાસ્કર 18 Nov 2025 7:04 am