ફરિયાદી પાસેથી 1.84 કરોડ કરતા પણ વધુના સાયબર ફ્રોડના ગુનામાં ઇન્ટરનેશનલ ચાઈનીઝ ગેંગને મદદ કરનાર આરોપીની સાયબર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે આરોપી નીરજ યાદવને ભોપાલથી ઝડપી પાડ્યો છે. આરોપી નીરજ યાદવ ઇન્ટરનેશનલ ચાઈનીઝ ગેંગ માટે કામ કરી ભારતમાં લોકો સાથે સાયબર ફ્રોડ કરતો હતો. આરોપી નીરજ યાદવે અત્યાર સુધી કુલ 14 જેટલા સાયબર ફ્રોડ કર્યા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપી નીરજ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદીને બિઝનેસની લાલચ આપી વેબસાઈટની લિંક મોકલીફરિયાદીને સપ્ટેમ્બર મહિનામાં સોશિયલ મીડિયા ફેસબુક પર મેસેજ કર્યા હતા. બિઝનેસ વિશે વાત કરતા સામેથી વ્હોટસએપ કોલ કરી પોતાનું નામ ભાવેશ જણાવ્યું હતું. મલ્ટીપલ ક્લસ્ટર બિઝનેસ કરેલ હોવાનું પણ ફરિયાદીને જણાવ્યું હતું. તેમજ આ બિઝનેસમાં સારો પ્રોફિટ થતો હોવાની પણ ફરિયાદીને લાલચ આપી હતી તેમજ ત્યારબાદ એક વેબસાઈટની લિંક મોકલી અને આ લિંકમાં આધારકાર્ડ, ઇ-મેલ આઇડી અને પાસવર્ડ નખાવ્યું હતું. ફરિયાદીને અલગ-અલગ કોન્ટ્રાક્ટ સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતીજે બાદ ફરિયાદીને વ્હોટસએપના એક ગ્રુપમાં પણ જોડવામાં આવ્યા હતા. જે ગ્રુપમાં અન્ય એક વ્યક્તિએ વેબસાઈટમાં મલ્ટીપલ ક્લસ્ટર ટ્રેડિંગ કરવા વિશે સમજ આપી હતી. ફરિયાદીને અલગ-અલગ કોન્ટ્રાક્ટ સ્કીમમાં રોકાણ કરવાની લાલચ આપી હતી. જે બાદ ફરિયાદીને અલગ-અલગ બેન્ક એકાઉન્ટ મોકલી અલગ-અલગ દિવસે ફરિયાદીને નફાની લાલચ આપી રોકાણ કરાવ્યું હતું. નફાની રકમ પરત ન આપતા સાયબર ફ્રોડ થયું હોવાનું ફરિયાદીના ધ્યાને આવ્યું હતું. જેથી, ફરિયાદીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ટેકનિકલ એનાલિસિસ કરતા આરોપીઓનું લોકેશન જૂનાગઢ, રાજકોટ તેમજ ભોપાલ હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઇમ બ્રાન્ચે નીરજ યાદવને ભોપાલથી ઝડપી પાડ્યોસાયબર ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ કરતા બેંક ઓફ બરોડાના ભાવનાબેન માણેક જલારામ ટ્રેડર્સ નામથી એકાઉન્ટ ખોલાવી આરોપી દીપક, ધાર્મિક, અંકિત સાથે મળી મુખ્ય નીરજ યાદવને આપવામાં આવતા હતા. જેથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે નીરજ યાદવને ભોપાલથી ઝડપી પાડ્યો છે. નીરજ યાદવ ઇન્ટરનેશનલ ચાઈનીઝ ગેંગ માટે ભારતમાં ગેટ કીપર તરીકે કામ કરતો હતો. જેમાં તે બેંક ખાતા ધારકને સ્કેમફ્રોડના ટ્રાન્ઝેક્શનના સમયે ખાતુ જ્યાં સુધી ફ્રિઝ ના થાય ત્યાં સુધી ખાતા ધારકને મોબાઇલ સાથે પુના, ભોપાલ, ઇંદોર વગેરે શહેરોની હોટેલમાં પોતાની સાથે રાખતો હતો. દોઢેક વર્ષમાં 68 લાખથી વધુનું કમિશન મેળવ્યું હતુંનીરજ યાદવે ઇન્ટરનેશનલ ચાઇનીઝ ગેંગના સભ્યો સાથે મળી ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ સ્કેમ કરી દોઢેક વર્ષમાં 68 લાખથી વધુનું કમિશન મેળવ્યું હતું. ટેલીગ્રામ ગૃપ મલેશિયા, તાઇવાન તથા દુબઇ ખાતેથી ચાઇનીઝ દ્રારા ઓપરેટ થતા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ઇન્ટરનેશનલ ચાઈનીઝ ગેંગે USDTમાં રોકાણ કરવાની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા હતા. જોકે, હવે સાયબર ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી નીરજ યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના હરણી વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવક તથા તેના મિત્ર તેમજ સગા સંબંધીઓને સસ્તામાં ગોલ્ડ અપાવવાનું કહીને ઠગે રૂપિયા 43.46 લાખ પડાવી લીધા હતા. પરંતુ આ ઠગે કોઈ ગોલ્ડ અપાવ્યુ ન હતું. જેથી યુવકે ચૂકવેલા રૂપિયા પરત માંગતા માત્ર રૂ.12 લાખ જ પરત કર્યા છે, જ્યારે બાકીના 31.46 લાખ આજ દિન સુધી આપ્યા નથી કે ગોલ્ડ પણ નહીં અપાવતા યુવકે તેના વિરુદ્ધ ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સત્યમ નિર્વાણા સોસાયટીમાં રહેતા શિવમ રાજેન્દ્ર ટોકરકર આર્ચર ટ્રાન્સનેશનલ સીસ્ટમ પ્રા.લિ. એલેમ્બીક બિઝનેશ પાર્ક, સાઉથ વેસ્ટ ગોરવા ખાતે ઓપરેશન વિભાગમાં છેલ્લા પાંચેક વર્ષથી નોકરી કરે છે. તેમની ઓફીસમા જીતેન્દ્રસિંહ માનકસિંહ રાજપુરોહિત (રહે.વાસણા ભાયલી રોડ વડોદરા મુળ મુંબઈ) ટીમ લીડર હતા. જેથી છેલ્લા બે વર્ષથી ઓળખતા હોય એક વર્ષ પહેલા ઓફીસ ખાતે મળ્યા હતા ત્યારે કોઈ ચીજવસ્તુ જેવી કે એસી, ટીવી, મોબાઇલ, લેપટોપ, ગોલ્ડ (સોનુ) તથા અન્ય હોમ અપ્લાયાન્સ જેવી વસ્તુ ખરીદવી હોય તો માર્કેટ ભાવ કરતા સસ્તી કિંમતમાં અપાવીશ. અને રૂપિયા આપ્યાના દસથી પંદર દીવસમાં તમને આ ચીજવસ્તુ મળશે તેવી વાત જીતેન્દ્રસિંહ રાજપુરોહિત કરતા તેમના પર વિશ્વાસ આવી ગયો હતો. તેમને યુવક તથા મિત્રો તેમજ સગાઓના ઘણા બધાં ઓર્ડર આપ્યા હતા. જે ચિજવસ્તુ ખરીદવાની હોય તેના પૈસા યુવક એડવાન્સમા કેસ અથવા તેમના બેંકમાં ટ્રાન્સફર કરી આપતો હતો. શરૂઆતમાં ચીજવસ્તુ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત દસથી પંદર દીવસમા આપતો હતો અને જો ઓર્ડર મુજબની ચીજવસ્તુ ન મળે તો તેને આપેલ મુળ કિંમત જેટલી રકમ જે તે ઓર્ડર આપનાર વ્યક્તિના ખાતામાં પરત આપી જીતેન્દ્રસિંય રાજપુરોહિતે બધાને વિશ્ર્વાસમાં લીધા હતા. ફેબ્રુઆરી 2025મા જીતેન્દ્રસિંહ રાજપુરોહિતે તેમને અમારી ઓફીસે ગોલ્ડ (સોનુ) ખરીદવાની સ્કિમની વાત કરી હતી. જેમાં જેટલું સોનુ જોઈતું હોય તેના પૈસા તેને એડવાન્સમાં આપવાનું જણાવતા યુવકે પોતે અને તેના મિત્ર સર્કલના મળી આશરે 20 તોલા સોનુ ખરીદવાનો ઓર્ડર આપ્યો હતો અને જીતેન્દ્રસિંહને યુવકે છુટક છૂટક ઓફીસે અને તેઓના ઘરે જઈ રોકડા રૂપીયા ઓનલાઇન ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તેમને ગણદેવીકર જવેલર્સ રાવપુરા ખાતેથી તથા વલસાડ ખાતે આવેલી રજવાડી જવેલર્સની દુકાનેથી છુટક છુટક મળી આશરે 20 તોલા સોનાના કોઇનની ખરીદી કરી હતી. જીતેન્દ્રસિંહે તમામ લોકોને વિશ્વાસમાં લઈ માર્કેટ ભાવ કરતા સસ્તા ભાવે સોનુ ખરીદી કરી અપાવવા કહ્યું હતું. જેથી તેઓને 21 માર્ચના રોજ રૂપીયા 6.46 લાખ ગોલ્ડ ખરીદવા માટે આપ્યા હતા. જેમાથી રૂપીયા 3.23 લાખ અને બીજા 3.23 લાખ ઓનલાઇન જીતેન્દ્રસિંધ રાજપુરોહીતના બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ ફરીથી રૂપીયા 2.08 લાખ રાજપુરોહિતને ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા તથા રૂપીયા 2.80 લાખ અલ્કાપુરી ખાતે રોકડા આપ્યા હતા. ત્યારબાદ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત યુવક ગોલ્ડ ખરીદવાનો મોટો ઓર્ડર આપવા કહેતા યુવકે મિત્ર પરીક્ષિતભાઇ દેસાઈ (રહે.સુરત) સાથે ફોન ઉપર વાત કરતા તેમણે રૂપિયા 33.50 લાખનું આંગડીયુ કર્યું હતું. જેથી યુવકે આંગડીયા પેઢીથી જીતેન્દ્રસિંહને 32.12 લાખ રોકડા રૂપીયા આપી 52 તોલા સોનુ ખરીદવા માટે આપ્યા હતા. ત્યારે જીતેન્દ્રસિંહ રાજપુરોહિતે પચ્ચીસ દિવસમાં 52 તોલા ગોલ્ડ આપશે તેવી ખાતરી આપી હતી. આ બાબતે યુવક અને જીતેન્દ્રસિંહ બન્ને વચ્ચે થયેલા કરાર મુજબ યુવકે કુલ રૂપીયા 43.46 લાખ જીતેન્દ્રસિંહ રાજપુરોહિતને આપતા તેને પચ્ચીસ દીવસમાં ગોલ્ડ ખરીદીને આપવાનુ હતુ. પરંતુ જીતેન્દ્રસિંહ રાજપુરોહિતે કોઈ સોનું અપાવ્યું ન હતું. જેથી યુવકે તેની પાસે રૂપિયા પરત માંગતા ટુકડે ટુકડે માત્ર 12 લાખ રૂપિયા જ પરત કર્યા હતા, જ્યારે બાકીના રૂપીયા 31.46 લાખ પરત માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો. જે રકમ આજદીન સુધી પરત આપી નથી અને ગોલ્ડ નહીં અપાવી છેતરપીંડી કરી છે. જેથી ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ફરિયાદ નોંધાવતા સયાજીગંજ પોલીસે ઠગ જીતેન્દ્રસિંહ રાજપુરોહિત વિરુદ્ધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના સોલા વિસ્તારમાં વ્યાજખોરનો ત્રાસ સામે આવ્યો છે. સોલા વિસ્તારમાં રહેતા દર્શનભાઈ પટેલ નામના ફરિયાદીએ વ્યાજખોરના ત્રાસથી કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોતાની કિડનીની સારવારના ખર્ચ માટે 2 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હતા. 2 લાખની સામે ફરિયાદીએ વ્યાજખોરના ત્રાસથી 11 લાખ રૂપિયા ચૂકવ્યા હતાં. છતાં પણ વ્યાજખોરે ફરિયાદી પાસે વધુ રૂપિયા રૂપિયાની માગણી કરી હતી. વ્યાજખોરે ચેક બાઉન્સ કરવાની ધમકી આપતા ફરિયાદીએ પરેશ ગોસ્વામી સામે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 10 ટકાના વ્યાજે ટુકડે ટુકડે 2 લાખ રૂપિયા લીધાએક વર્ષ પહેલા ફરિયાદી દર્શનભાઈ પટેલની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. જેના કારણે તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર કરવાની ફરજ પડી હતી. હોસ્પિટલમાં દવાનો ખર્ચ પણ ખૂબ વધારે આવ્યો હતો. ફરિયાદી વર્ક ફોર્મ હોમ કામ કરતા હોવાથી દવાનો ખર્ચ નીકળી જાય તે માટે પૈસાની જરૂર પડી હતી. જેથી પાડોશીના માધ્યમથી ફરિયાદીએ પરેશ ગોસ્વામી નો સંપર્ક કર્યો હતો. પરેશ ગોસ્વામી પાસેથી ફરિયાદીએ 10 ટકાના વ્યાજે ટુકડે ટુકડે 2 લાખ રૂપિયા લીધા હતા. આરોપીને 4 લાખ વ્યાજ ચૂકવવા છતાં ચક્રવૃદ્ધિ વ્યાજની માગણી કરી2 લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે લીધા હોવાથી ફરિયાદીએ ફેબ્રુઆરી મહિનાથી ઓક્ટોબર મહિના સુધી અલગ અલગ માધ્યમથી પરેશ ગોસ્વામીને 4 લાખ જેટલા રૂપિયા વ્યાજ પેટે આપ્યા હતા. જો કે 4 લાખ જેટલી વ્યાજ ચૂકવવા છતાં પણ પરેશ ગોસ્વામીએ અઠવાડિયાના 10 ટકાના વ્યાજ સાથે ચક્રવૃદ્ધિ વ્યાજની ફરિયાદી પાસે માંગણી કરી હતી. 7 લાખ રોકડા આપ્યા, 13 લાખ રૂપિયા ચૂકવવા માટે યુવકને ધમકી આપીજો કે તે બાદ ફરિયાદી દર્શનભાઈ પટેલે ડરથી પરેશ ગોસ્વામીને 7 લાખ રોકડા આપ્યા હતા. એટલે કે 2 લાખ વ્યાજે લીધા હતા તેની સામે 11 લાખ રૂપિયા ફરિયાદીએ ચૂકવ્યા હતા. તેમ છતાં પણ પરેશ ગોસ્વામીએ મૂડીની માંગણી કરી ધમકી આપી હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે. જો બાકી રકમ નહી આપે વધુ 13 લાખ રૂપિયા ચૂકવવા માટે ફરિયાદીને ધમકી આપવામાં આવી હતી. જે બાદ ફરિયાદીએ હપ્તેથી મૂડી ચૂકવવા માટેની વાત કરતા પરેશ ગોસ્વામીએ વધુ એક ધમકી આપી હતી. વ્યાજખોરના ત્રાસથી કંટાળી આખરે ફરિયાદ નોંધાવીસિક્યુરિટી પેટે લીધેલા બેંકના બે કોરા ચેક ઓળખીતાના માધ્યમથી ઓક્ટોબર મહિનામાં બેંક ઓફ બરોડામાં બાઉન્સ કરાવ્યા હતા. ચેક બાઉન્સ કરાવી વ્યાજ અને મૂડી આપવા માટે પરેશ ગોસ્વામીએ દબાણ કર્યું હતું. જોકે વ્યાજખોરના ત્રાસથી કંટાળી આખરે ફરિયાદી દર્શનભાઈ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના વેપારીએ અમદાવાદ શહેરના નવરંગપુરામાં ઓફિસ ધરાવીને સોના ચાંદીના દાગીનાનો વેપાર કરતા વેપારી સાથે છેતરપિંડી આચરી છે. આરોપીએ ગ્રાહકો માટે સોના ચાંદીના દાગીના મેળવી લીધા હતા. બાદમાં પેમેન્ટ ન આપીને વાયદો કરીને ફોન બંધ કરી દીધો હતો. બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આરોપીએ વડોદરામાં અનેક સોની વેપારીઓ સાથે લાખો કરોડો રૂપિયા પડાવી લીધા છે. વેપારીએ 42.31 લાખની છેતરપિંડી મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. સોનાના દાગીના લઈને પેમેન્ટ ન આપીને છેતરપિંડી કરીમળતી માહિતી મુજબ વાસણામાં રહેતા મિતેશભાઇ સોની નવરંગપુરામાં ઓફિસ ધરાવીને સોના ચાંદીના દાગીના બનાવવાનો વેપાર કરે છે. તેમના ભાગીદાર મારફતે સાત માસ પહેલા વડોદરાના કિરણ બેંગલ્સ શોરૂમના માલિક યતીન સોની સાથે સંપર્ક થયો હતો. યતીન સોનીએ સોના ચાંદીના દાગીનાની ઇન્કવાયરી કરતા મિતેશભાઇએ વેપાર કરતા પહેલા યતીન સોનીની ઇન્કવાયરી કરી હતી. યતીન સોની બજારમાં નામચીન હોવાનું જણાતા વિશ્વાસ સંપાદિત થયો હતો. બીજી વેરાયટી જોઇતી હોવાનું કહીને વધુ દાગીના લીધા22 ઓગસ્ટના રોજ યતીન સોનીએ ગ્રાહકોને એન્ટીકના સેટની જરૂર હોવાનું કહીને સેટના ફોટો મંગાવ્યા હતા. જે બાદ તેણે ઓર્ડર આપીને દાગીના મેળવી લીધા હતા અને 10 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. જે બાદ હજુ બીજી વેરાયટી જોઇતી હોવાનું કહીને મિતેશભાઇ પાસે વધુ દાગીના મંગાવ્યા હતા. જેનું પેમેન્ટ અમદાવાદ ખાતે આવશે ત્યારે કરી દેવાનો વાયદો કર્યો હતો. નવરંગપુરામાં 42.31 લાખની છેતરપિંડી ફરિયાદ નોંધાઈયતીન સોની અમદાવાદ ન આવતા તેમને ફોન કરતા તેણે બહાના બતાવ્યા હતાં. જે બાદ તેનો ફોન પણ બંધ આવતો હતો. જેથી મિતેશભાઇએ વડોદરામાં તપાસ કરાવતા યતીન સોનીએ અનેક વેપારીઓનું ફુલેકુ ફેરવ્યુ હોવાનું સામે આવ્યુ હતું. મિતેશભાઇએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 42.31 લાખની છેતરપિંડી મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મૂળ બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ સ્થિત સૌરાષ્ટ્રના ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવવાની ભાવના સાથે ખેડૂતોની મદદે આવીને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 6 નવેમ્બરના રોજ કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતરોમાં થયેલી નુકસાની સામે સહાયરૂપે તેમણે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ ₹ 11,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. આજે બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો ભવ્ય ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દિનેશ કુંભાણીએ માત્ર પોતાના ગામ બાદલપુરના જ નહીં, પરંતુ તેના સીમાડામાં આવેલા અન્ય ત્રણ ગામો સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર સહિતના કુલ ચાર ગામના 1200થી વધુ ખેડૂતોને સહાય આપવાનો ઉદાર નિર્ણય લીધો હતો. આ ચેક વિતરણ કાર્યક્રમમાં દિનેશ કુંભાણી, તેમનો પરિવાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ તથા ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. 1200થી વધુ ખેડૂતોને હેક્ટર દીઠ ₹ 11,000ની સહાયના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. આ સહાયમાં હેક્ટરની કોઈપણ મર્યાદા રાખવામાં આવી ન હતી, જેટલા હેક્ટરમાં નુકશાની થઈ હોય એટલી સહાય ચૂકવવામાં આવી હતી. વડવાઓની પરંપરા અને પરિવારના એકસંપથી વતનનું ઋણ અદા કર્યુંઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, થોડા સમય પહેલા જ ગુજરાતમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, ખેડૂતોના ઊભા પાકમાં પારાવાર નુકસાન થયું હતું. આ નુકસાનના દૃશ્યો જોઈને મને મારા ગામ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાની તીવ્ર ઈચ્છા થઈ. મારી જન્મભૂમિ અને મારું માદરે વતન એ બાદલપુર ગામ છે. અમારા મકાન, અમારી જમીન બધું અહીં બાદલપુરમાં છે. મારા મનમાં એક ભાવ થયો કે, બાદલપુરની સાથે-સાથે પ્રભાતપુર, સાંખડાવદર અને સેમરાળા – આ ચારેય ગામના ખેડૂત પરિવારોને આ કપરા સમયમાં મદદરૂપ થઈને સાથે ઊભા રહેવું જોઈએ. આ ભાવના સાથે જ મેં જાહેરાત કરી હતી કે, ખેડૂતોને જે ખેતરમાં નુકસાની થઈ છે, તેને લઈ એક હેક્ટર દીઠ ₹11,000ની સહાય આપવામાં આવશે. આજે આ સંકલ્પને સાકાર કરવા માટે, આ ચારેય ગામના ખેડૂતોને અહીં બોલાવીને સહાયના ચેક વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ, પરબધામના મહંત કરસનદાસ બાપુ તેમજ સમાજની અન્ય સંસ્થાઓના મહાનુભાવો હાજર રહ્યા હતા. અમારા પરિવારના એકસંપનું અને ભાવનાનું પ્રતીક છેમારા પિતાને સ્વર્ગવાસ થયાને 8 વર્ષ વીત્યા છે અને મારા દાદા 1996માં અવસાન પામ્યા હતા. ત્યારથી જ અમારા કુળ અને અમારા વડવાઓની એક પરંપરા રહી છે કે જરૂરિયાતમંદોને હંમેશા મદદરૂપ થવું. આ પરંપરાને જીવંત રાખવાનો આ મારો એક પ્રયાસ છે.જ્યારે મેં આ કાર્યક્રમ નક્કી કર્યો અને ખેડૂતોને મદદરૂપ થવાની વાત સૌપ્રથમ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલને કરી, ત્યારે તેમણે આ વાતને આવકારી. ત્યારબાદ મેં મારા પરિવારને આ વાત કરી. મને આનંદ છે કે, મારા પરિવારના તમામ લોકોએ આ વાત સાંભળતા એક ક્ષણની પણ રાહ જોયા વગર કહ્યું કે 'આપણે આ કાર્ય તાત્કાલિક કરવું જોઈએ. આ કામમાં મોડું કરવું નથી. આ અમારા પરિવારની એકસંપ અને ભાવનાનું પ્રતીક છે. પરિવાર એક સંપથી અને ભાવનાથી રહેતું હોય, ત્યારે જ આ બધા કાર્ય શક્ય બનતા હોય છે. આ બધા કાર્યો પરમાત્માની કૃપા વગર પણ થવા શક્ય નથી. અમારો પરિવાર ભગવતી આઈ ખોડિયારની કૃપાથી અમદાવાદ ખાતે એક ખાતરની કંપની ચલાવીએ છીએ, અને આ કંપનીમાં અમે ખેડૂતો માટેનું જ કામ કરીએ છીએ. સમગ્ર ભારતના ખેડૂતોને સારી ગુણવત્તાવાળું અને સમયસર ખાતર મળી રહે તે માટેના સતત પ્રયાસો કરીને અમે ખાતરનો વ્યવસાય કરીએ છીએ વતનનું ઋણ અદા કરવું એ મારી નૈતિક ફરજ છેખાતર બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ આ નિર્ણય અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, હું ભારતભરના ખેડૂતોને ખાતર પૂરું પાડવાના વ્યવસાય સાથે જોડાયેલો છું. બાદલપુર, સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર આ ચાર ગામ એક સીમાડામાં આવેલા છે, જ્યાં આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોને થયેલા આ નુકસાન સામે આ સમયે વતન અને ખેડૂતોની પડખે ઊભા રહેવું એ મારી નૈતિક ફરજ છે. આ 'તેરા તુજકો અર્પણ' ભાવના સાથે મેં આ સહાય ચૂકવી છે. ખોડલધામના પ્રમુખ નરેશ પટેલે દિનેશભાઇને અભિનંદન પાઠવ્યાખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે દિનેશ કુંભાણીના આ કાર્યની ઉષ્માભરી પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે, આજે કુંભાણી પરિવાર અને ખોડલધામ માટે ખૂબ મોટો દિવસ છે. તાજેતરમાં જે વરસાદ અને માવઠાની કુદરતી આફત ખેડૂતો પર અણધારી આવી હતી, ત્યારે ખેડૂતોની માઠી દશા થતાં ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરી હતી કે, જે લોકો વતનમાંથી દૂર કમાવા માટે ગયા હોય અને પ્રભુની જેના પર કૃપા વરસી હોય તેવા લોકો ખેડૂતોને સહાય કરવા આગળ આવી વતનનું ઋણ ચૂકવે. અમારા મુખ્ય ટ્રસ્ટી દિનેશ કુંભાણીએ આ અપીલને ઝીલી લીધી અને ખેડૂતોને સહાય કરવા પહેલ કરી. દિનેશ કુંભાણી વતનના 'રતન' બન્યા છે. તેમણે તેમના ગામ સિવાયના અન્ય ત્રણ ગામોનો સમાવેશ કરી કુલ ચાર ગામોના ખેડૂતોને હેક્ટર દીઠ ₹ 11,000 ની સહાય આપવાનું નક્કી કર્યું, જે સહાયની રકમ ખેડૂતોને આજે આપવામાં આવી છે.કુંભાણી પરિવારને જેટલા અભિનંદન આપું તેટલા ઓછા છે. ખેડૂતોએ વ્યક્ત કર્યો આભારદિનેશ કુંભાણી દ્વારા મળેલી આ ત્વરિત સહાયથી ખેડૂતોમાં આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. આ પ્રસંગે કેટલાક ખેડૂતોએ સરકારી સહાયની ધીમી ગતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી.સાંખડાવદર ગામના ખેડૂત હર્ષદ ભાલાળાએ જણાવ્યું હતું કે આ પંથકમાં ખેડૂતોને અતિવૃષ્ટિ અને માવઠાથી જે નુકસાની થઈ હતી, જેને લઇ દિનેશ કુંભાણીએ આજે પ્રભાતપુર, સાંખડાવદર, સેમરાળા અને બાદલપુરના ખેડૂતોને સહાયના ચેક વિતરણ કર્યા, તે બદલ તમામ ખેડૂતો દિનેશ કુંભાણી અને તેમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માને છે. સરકાર કરોડોની જાહેરાત કરે છે પણ સમયસર સહાય મળતી નથીબાદલપુર ગામના ખેડૂત વિનુભાઈ વણપરીયાએ જણાવ્યું હતું અમે અમારા ગામના દિનેશ કુંભાણીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને કમોસમી વરસાદના કારણે નુકસાનીના કારણે પાયમાલ થયેલા ખેડૂતોને સહાય કરી છે. તેમણે ચાર ગામના 1200 જેટલા ખેડૂતોને એક હેક્ટર દીઠ ₹ 11,000 ની સહાયના ચેક વિતરણ કર્યા છે, જ્યારે સરકાર માત્ર સપના બતાવે છે કે સહાય આપશે. સરકાર કરોડો રૂપિયાની માત્ર જાહેરાત કરે છે પરંતુ સમયસર સહાય મળતી નથી. હેક્ટરની કોઈપણ મર્યાદા વગર જેટલા હેક્ટરમાં નુકશાની તેટલી સહાય ચૂકવીબાદલપુરના માજી સરપંચ રમેશ ભીમાણીએ જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા જ સૌરાષ્ટ્રમાં માવઠું થયું હતું જેના કારણે ખેડૂતોને ખૂબ જ મોટી નુકસાની થઈ હતી. દિનેશ કુંભાણીએ પોતાના ગામ પ્રત્યેનું ઋણ અદા કરવાની લાગણી વ્યક્ત કરી અને આજે બાદલપુર સહિત અન્ય ચાર ગામોના ખેડૂતોને હેક્ટર દીઠ ₹ 11,000ની સહાય ચૂકવી છે. તેમણે એક ખેડૂતને હેક્ટરની કોઈ પણ મર્યાદા વગર જેટલા હેક્ટરમાં નુકશાની થઈ હોય તેટલી સહાય ચૂકવી છે. આ વતન પ્રત્યેની લાગણી અને પ્રેમ બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ. દિનેશ કુંભાણીની આ ઉદાર સહાયથી કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાન સામે ખેડૂતોને તાત્કાલિક રાહત મળી છે અને સમાજમાં એક સકારાત્મક ઉદાહરણ પૂરું પડાયું છે.
વર્ષ 2026માં ગ્લાસગો ખાતે યોજાનાર કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટનનું અમદાવાદમાં ભવ્ય આગમન થયું છે. કોમનવેલ્થના મૂલ્યો અને રાષ્ટ્રની ઓળખ ઉજાગર કરતી ધ કિંગ્સ બેટન રિલે — રોડ ટુ કોમનવેલ્થ ગેમ્સ, ગ્લાસગો 2026 ઇવેન્ટ કોમનવેલ્થની એકતા, માનવતા, સમાનતા અને નિયતિના સાચા ભાવને ઉજાગર કરે છે. આ બેટન સાચી જીત ભાગીદારી, દયા અને આપણી વહેંચાયેલી માનવતાની એકતામાં રહેલી છે. કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલે અમદાવાદમાં જોવા મળશેઅમદાવાદમાં 15થી 17મી નવેમ્બર દરમિયાન ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો થકી કોમનવેલ્થ ગેમ્સની કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી રહી છે. પ્રથમ દિવસે ગુજરાત યુનિવર્સિટીથી શરૂ કરીને IIT ગાંધીનગર, સંસ્કારધામ, એલ. જે યુનિવર્સિટી અને વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી હતી. કિંગ્સ બેટન રિલેને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલિસ્ટ ગગન નારંગ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નામાંકિત ખેલાડિઓએ કિંગ્સ બેટન રિલેને આવકારીગુજરાત યુનિવર્સિટી ખાતે જાણીતા ઓલિમ્પિયન સ્વિમર માના પટેલ, IIT ગાંધીનગર ખાતે એથલેટિક્સના આંતરરાષ્ટ્રીય પ્લેયર રુચિત મોરી, સંસ્કારધામ ખાતે જુડો સિનિયર નેશનલ ગોલ્ડ મેડલિસ્ટ રોહિત મજગુલ, એલ. જે યુનિવર્સિટી ખાતે સ્વિમર શ્રી દેવાંશ પરમાર, વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઇન્ડિયન અંડર 17 ફૂટબોલ ટીમના ખેલાડીઓ કિંગ્સ બેટન રિલેને આવકારવા યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. 16 નવેમ્બરના રોજ કર્ણાવતી ક્લબ, રાજપથ ક્લબ અને અટલ બ્રિજ થઈને કિંગ્સ બેટન ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (સ્પોર્ટ્સ એરેના) ખાતે કિંગ્સ બેટન રિલેને આવકારવામાં આવી હતી. આવતીકાલે ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (સ્પોર્ટ્સ એરેના) ખાતે જોઈ શકાશેઅંતિમ દિવસે એટલે કે 17મી નવેમ્બરે રિવરફ્રન્ટ ક્લીનિંગ ડ્રાઈવથી શરૂઆત કરીને એપલ ગ્લોબલ સ્કૂલ, દિલ્હી પબ્લિક સ્કૂલ, ઉદગમ સ્કૂલ, અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ અને અમદાવાદ યુનિવર્સિટી સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈને આ યાત્રાનો સમાપન ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (સ્પોર્ટ્સ એરેના) ખાતે થશે. આ પ્રસંગે વિવિધ સ્થળોએ મહાનુભાવો કિંગ્સ બેટનને આવકારશે. ગો કોમનવેલ્થ! ગો યુનિટી! ગો 2026! ના નારા સાથે ખેલાડીઓ, વિદ્યાર્થીઓ, મહાનુભાવો સહિત નાગરિકો કિંગ્સ બેટન રિલેને અનેરા ઉત્સાહ સાથે આવકારવા આતુર છે. કિંગ્સ બેટન રિલે શું છે?કિંગ્સ બેટન રિલેએ કોમનવેલ્થ ગેમ્સની પરંપરા છે જે કોમનવેલ્થ રાષ્ટ્રોને એક કરવા માટે રમતોની શરૂઆત પહેલાં યોજવામાં આવે છે. તેમાં એક દેશથી બીજા દેશમાં લઈ જવામાં આવતો લાકડી (બેટન) હોય છે, જેમાં એક ગુપ્ત સંદેશ હોય છે, અને રમતો શરૂ કરનાર રાજા દ્વારા વાંચવામાં આવે છે. કોમનવેલ્થ ગેમ્સ-2030 અમદાવાદમાં યોજાશે:એક્ઝિક્યુટિવ બોર્ડે ભલામણ કરી, અંતિમ નિર્ણય 26 નવેમ્બરે ગ્લાસગોમાં લેવાશેઅમદાવાદ 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે એકમાત્ર દાવેદાર છે, જેમાં કોમનવેલ્થ સ્પોર્ટના એક્ઝિક્યુટિવ બોર્ડે પણ શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાના પોતાના ઇરાદાની ભલામણ કરી છે. યજમાન શહેર અંગેનો અંતિમ નિર્ણય 26 નવેમ્બરે Glasgow માં કોમનવેલ્થ સ્પોર્ટ જનરલ એસેમ્બલીમાં લેવામાં આવશે. (વાંચો સંપૂર્ણ અહેવાલ) 11 નવેમ્બરે નવી દિલ્હીમાં પ્રદર્શિતથી યાત્રાની શરૂઆતGlasgow માં 2026 ગેમ્સની ઔપચારિક પ્રક્રિયાના ભાગ રૂપે કોમનવેલ્થ દેશોમાં તેની યાત્રામાં કિંગ્સ બેટન રિલે 11 નવેમ્બરે નવી દિલ્હીમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય રાજધાનીમાં બે દિવસ પ્રદર્શિત કર્યા પછી, બેટન અમદાવાદ તરફ નીકળી હતી. કિંગ્સ બેટન રિલેનું અનાવરણ રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ભારતમાં બ્રિટિશ હાઈ કમિશનર લિન્ડી કેમેરોન અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) ના પ્રમુખ પીટી ઉષાની હાજરીમાં કરવામાં આવી હતી.
સરદાર@150 યુનિટી માર્ચ:વેરાવળના સવનીથી સોમનાથ સુધી ગ્રામજનો ઉમટ્યા, જિલ્લા કક્ષાની પદયાત્રા શરૂ
લોખંડી પુરુષ સરદાર વલ્લભ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કક્ષાની પદયાત્રા વેરાવળ તાલુકાના સવની ખાતેથી શરૂ થઈ હતી. આ પદયાત્રાનો પ્રારંભ સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર અને પૂર્વ મંત્રી આર.સી. ફળદુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો. વેરાવળ તાલુકાના સવનીથી શરૂ થયેલી આ પદયાત્રા સોમનાથ ખાતે પૂર્ણ થશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરદાર પટેલના આદર્શોને યુવાનોમાં પ્રેરિત કરવાનો અને રાષ્ટ્ર ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે. આ પદયાત્રામાં 90-સોમનાથ વિધાનસભા વિસ્તારના યુવાનો, વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આઠથી દસ કિલોમીટર લાંબી આ પદયાત્રાનું ગામેગામ પુષ્પવર્ષાથી સ્વાગત કરાયું હતું. દેશની એકતા, અખંડિતતા અને રાષ્ટ્ર નિર્માણમાં સરદાર સાહેબના યોગદાનને બિરદાવવાના ઉદ્દેશ્ય સાથે આ યાત્રા યોજાઈ હતી, જે વિસ્તારની એકતા અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની હતી. આ પ્રસંગે વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ. સંજય પરમાર, પૂર્વ અધ્યક્ષ મહેન્દ્ર પીઠિયા, માનસિંહ પરમાર, પ્રદ્યુમન ડોડિયા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એસ.એસ. મહેતા આર્ટસ અને એમ.એમ. પટેલ કોમર્સ કોલેજ કેમ્પસમાં ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ 'સારથી' દ્વારા પ્રથમ સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહમિલન સમારોહનો પ્રારંભ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી થયો હતો. ત્યારબાદ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા. મંડળના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ મંડળની રચનાના હેતુ વિશે માહિતી આપી હતી. તેમણે ભવિષ્યમાં હાથ ધરવામાં આવનારી કામગીરી અને આગામી કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરી હતી. આ કાર્યક્રમના સફળ આયોજન માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળના પ્રમુખ રાજુ અમીન, મંત્રી જયેશ પટેલ (કવિ), ઉપ-પ્રમુખ હિતેશ પટેલ (અત્રી ગ્રુપ) અને અશોક સથવારા, સહ-મંત્રી સાવન દેસાઈ અને ખજાનચી વિપુલ સાંખલાએ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ રાકેશ જોશી, પૂર્વ પ્રિન્સિપાલ કે.એન. સાંખલા અને ડૉ. વાસુદેવ રાવલ, યોગેન્દ્ર અગ્નિહોત્રી, કેળવણી મંડળના મંત્રી જીતુ પટેલ, બાબુ પરમાર, ડૉ. એ.કે. પટેલ, શાશ્વત દોશી, સંજય ચૌધરી સહિતના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા. મહેશ પટેલ, કૌશલ્યકુંવરબા પરમાર, ગોપાલસિંહ રાઠોડ, પંકજ પટેલ, ગિરીશ ભાવસાર, દિનેશ શાહ અને રણજીતસિંહ સોલંકી જેવા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ગુજરાતી કલાકાર પિયુષ પટેલે કર્યું હતું.
પાટણ જિલ્લો મતદાર ફોર્મ ડિઝીટાઈઝેશનમાં રાજ્યમાં પ્રથમ:ચૂંટણી પંચના ખાસ સુધારણા કાર્યક્રમમાં સિદ્ધિ
ભારતના ચૂંટણી પંચ દ્વારા 01.01.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision - SIR) જાહેર કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ મતદાર ગણતરી ફોર્મનું વિતરણ અને એકત્રીકરણ 04-11-2025 થી 04-11-2025 સુધી નિર્ધારિત કરાયું છે. SIR કામગીરી અંતર્ગત કુલ 12,19,10104 મતદારોને 100% ફોર્મ વિતરણ પૂર્ણ થયું છે. પાટણ જિલ્લાએ 2,02,253 ગણતરી ફોર્મ પરત મેળવીને 16.59% ડિઝીટાઈઝેશનની કામગીરી પૂરી કરી છે. આ સિદ્ધિ સાથે પાટણ જિલ્લો સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલમાં પ્રથમ ક્રમે છે. ડિઝીટાઈઝેશન પ્રક્રિયા દરમિયાન 5,352 ASD (Absentee, Shifted, Dead) મતદારોને ઓળખવામાં આવ્યા છે. આમાં મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતર કરેલા અથવા અન્ય જગ્યાએ નામ ચાલુ હોય તેવા મતદારોનો સમાવેશ થાય છે. આ મતદારોની વિગતો BLO એપમાં અપડેટ કરવામાં આવી છે. જે મતદારો ગણતરી ફોર્મ ભરીને બૂથ લેવલ ઓફિસર (BLO) ને આપવાના બાકી રહી ગયા છે, તેઓએ ચિંતા કરવાની જરૂર નથી. BLO તેમના ઘરેથી ફોર્મ પરત મેળવશે અથવા મતદારો પોતાના વિસ્તારના BLO નો સંપર્ક કરીને ફોર્મ આપી શકે છે. આ ઉપરાંત, આગામી 22-11-2025 (શનિવાર) અને 23-11-2025 (રવિવાર) ના રોજ ખાસ કેમ્પનું આયોજન કરાયું છે. આ ખાસ કેમ્પના દિવસે પાટણ જિલ્લાના તમામ BLO સંબંધિત બૂથ પર સવારે 09:00 કલાકથી બપોરે 01:00 કલાક સુધી હાજર રહેશે. જે મતદારોનું ગણતરી ફોર્મ પરત આપવાનું બાકી હોય, તેઓ સંબંધિત મતદાન મથકની મુલાકાત લઈ BLO પાસે ફોર્મ ભરી પરત કરી શકે છે. જાહેર જનતાને આ કામગીરીમાં સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
સાઠંબા બસ સ્ટેશન પાસે આખલા યુદ્ધ:ભરબજારમાં બે આખલાઓ બાખડ્યા, લોકોમાં નાસભાગ મચી
સાઠંબા નગરના મુખ્ય બસ સ્ટેશન વિસ્તારમાં આજે સાંજે બે આખલાઓ વચ્ચે ભીષણ યુદ્ધ થયું હતું. ભરબજારમાં થયેલા આ આખલા યુદ્ધને કારણે લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. આ બંને આખલાઓ લગભગ અડધા કલાક સુધી શીંગડે શીંગડા ભેરવીને લડતા રહ્યા હતા. આ ઘટનાને કારણે બસ સ્ટેશન વિસ્તારમાં હાજર વાહનચાલકો, રાહદારીઓ અને લારી-ગલ્લાના વેપારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘણા લોકો પોતાનો ધંધો છોડીને સલામત સ્થળે ભાગ્યા હતા. રખડતા પશુઓનો આતંક સાઠંબા નગર માટે નવી વાત નથી. ભૂતકાળમાં પણ આવા બનાવો બન્યા છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે અને વાહનોને પણ નુકસાન થયું છે. શહેરો અને ગામડાઓમાં રખડતા પશુઓનો ત્રાસ વ્યાપક છે, જેના કારણે અકસ્માતો અને જાનહાનિના બનાવો પણ બનતા રહે છે. સ્થાનિક તંત્ર દ્વારા આવા રખડતા આખલાઓ સામે નક્કર કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
ગાંધીનગર જિલ્લાના માણસાના ધમેડામાં યોજાયેલા ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુ દ્વારા અલ્પેશ ઠાકોરને લઈ આપવામાં આવેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ છે. જે કાર્યક્રમમાં ઠાકોર સમાજના તમામ પક્ષના નેતાઓ હાજર હતા ત્યાં સંબોધન દરમિયાન ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, આ વખતે અલ્પેશજી ઠાકોર ડેપ્યુટી સીએમ બને તે માટે પ્રયાસો ચાલુ હતા , ગાંધીનગરમાં બેઠક કરી છતા બાકાત રહ્યા.એ વાતનું દુઃખ થવું જોઈએ. ઠાકોર સમાજના નેતાઓને ગુજરાતમાં અને દેશમાં સમાજની વસતીના આંકડા જણાવી કહ્યું કે, આપણે પોઝિશનિંગમાં નહીં પાવરમાં આવવાની જરુર છે. રાજકીય પક્ષો આપણી નબળી કડી જાણે છે એટલે ડિવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. ઠાકોર સમાજના સ્નેહમિલનમાં રાજકીય ચર્ચા કેન્દ્રમાં રહીગાંધીનગરના માણસા તાલુકાના ઘમેડા ગામમાં માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ સહિત તમામ પક્ષના નેતાઓ અને સમાજના સંતો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઋષિભારતી બાપુએ ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી મુખ્યમંત્રી ન બનાવાતા દુઃખ વ્યકત કર્યું હતું. અલ્પેશ ઠાકોરને ડેપ્યુટી CM ન બનાવ્યા તેનું દુઃખ થવું જોઈએ- ઋષિ ભારતીઋષિ ભારતી બાપુએ કહ્યું કે, અલ્પેશ ઠાકોર ડેપ્યુટી સીએમ બને તે માટે પ્રયાસો ચાલુ હતા. ગાંધીનગરમાં બેઠક થઈ છતા બાકાત રહ્યા. સારા ખાતા પણ ન મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. 'સમાજના નેતાઓને રાજનીતિ આવડે છે પણ કુટનીતિ નથી આવડતી'તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા સમાજના નેતાઓને રાજનીતિ આવડે છે પણ કુટનીતિ કરતા આવડતી નથી એટલા માટે પાછળ રહી જાય છે. કુટનીતિ શીખશો ત્યારે પોઝિશનમાં નહીં પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો. નેતાઓને ન ગમે તેવી વાત પણ કાર્યક્રમમાં કરીઋષિભારતી બાપુએ કહ્યું કે, ઠાકોર સમાજ ચાર વિભાગમાં વહેંચાયેલો છે. જેમાં 10 ટકા VIP ગુલામ થઈ ગયા છે. 20 ટકા અવસરવાદી છે જેઓ ડબલ ઢોલકી વગાડે છે. જ્યારે 50 ટકા હજી પણ સૂતેલી અવસ્થામાં છે. રાજકીય પક્ષો આપણા સમાજની નબળી કડી જાણે છે એટલે ડીવાઈડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. કોણ છે ઋષિ ભારતી?ઋષિભારતી ભૂતકાળમાં ભારતી આશ્રમ સાથે સંકળાયેલા હતા. પરંતુ, ભારતી આશ્રમ વિવાદ મામલે 29 ઓગસ્ટ 2024ની મોડીરાત્રે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકો અને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો હતો. છેલ્લાં ચાર વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિભારતી બાપુ ભારતી આશ્રમમાં વહીવટકર્તા હતા. ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદ ચાલતો હતો.એ વચ્ચે વર્ષ 2024ના ઓગસ્ટ મહિનામાં ભારતી આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિભારતી અને વિશ્વેશ્વરી ભારતી (માતાજી)ને ભારતી સેવા આશ્રમમાંથી દૂર કર્યાં હતાં.
રાજકોટના જામનગર રોડ ઉપર આવેલા નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા -A અને સાઉથ આફ્રિકા -A વચ્ચે રમાયેલી ક્રિકેટ મેચ જોવા ગયેલા પરેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, અહીં ખંઢેરી સ્ટેડિયમ ખાતે આજે મેચ જોવા માટે પરિવાર સાથે આવ્યા હતા. સ્ટેડિયમની સામેની તરફ સરકારી ખરાબાની જગ્યામાં કાર પાર્ક કરવામાં આવી તો ત્યાંથી અનઅધિકૃત લોકો દ્વારા રૂ.100 ઉઘરાવવામાં આવતા હતા. જે પૈસા આપ્યા બાદ પણ પહોંચ આપવામાં આવતી ન હતી. જેથી કહી શકાય કે આ ટોળકી દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આજે ઇન્ડિયા એ અને આફ્રિકા એ વચ્ચેની બીજી મેચ છે ત્યારે આ ટોળકી દ્વારા પ્રથમ મેચમાં પણ આ જ રીતે લોકો પાસેથી પૈસા ખંખેરવામાં આવ્યા હતા. જેમાં ટુ-વ્હીલર પાર્ક કરવાના રૂ. 50 તો ફોર વ્હીલર પાર્ક કરવાના રૂ.100 લેવામાં આવતા હતા. સરકારી ખરાબ અને જગ્યા ઉપર અનઅધિકૃત ટોળકી દ્વારા ગેરકાયદેસર રીતે પૈસા ઉઘરાવ્યા બાદ પહોંચ પણ આપવામાં આવતી નથી. જેથી વહીવટી તંત્ર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવે. આ ઉપરાંત આ જગ્યા સરકારી ખરાબાની હોય તો ત્યાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરાવી પૈસા કઈ રીતે ઉઘરાવી શકાય? તો કાયદેસર રીતે પાર્કિંગ થતું હોય તો તેની પહોંચ આપવી જોઈએ. જોકે પૈસા લઈ પહોંચ આપવામાં ન આવતા દરરોજ હજારો લોકો અહીં મેચ જોવા આવે ત્યારે લૂંટાય છે. જેથી આ બાબતે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં છેલ્લાં બે દિવસમાં પાંચ અકસ્માતમાં 5 વ્યક્તિના મોત અને પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા ભુવાલડી ગામ પાસે રસ્તાની સાઇડમાં કામ કરતા મજૂરોને કારચાલકે અડફેટે લેતા એક મજૂરનું મોત નિપજ્યું અને ત્રણ ઇજાગ્રસ્ત થયા છે. તેમજ દાણીલીમડામાં કાર રિવર્સ લેતા એક્ટિવા પર જતા દંપતીને ટાયર લટકાવવાના બોલ્ટ ઘૂસી જતા પતિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ અને પત્ની ઇજાગ્રસ્ત થઇ છે. નારોલમાં લોડિંગ ટેમ્પોચાલકે ચાલતા જતા વૃધ્ધને અડફેટે લેતા મોત થયું છે.હીરાવાડી પાસે બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માત થતાં યુવકનું મોત અને એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. તમામ બનાવોમાં પોલીસે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. પહેલો બનાવવર્ના કારચાલકે પૂરઝડપે ગાડી હંકારીને મજૂરોને ઉડાવ્યાદાહોદમાં રહેતા 30 વર્ષીય વસંતાબેન બારીયા છૂટક મજૂરી કામ કરતા હતા. તેઓ છેલ્લા ઘણા સમયથી સિંગરવા ભુવાલડી પાસે બાંધકામની સાઇટમાં મજૂરી કામ કરતા હતા. રવિવારે બપોરના સમયે અન્ય મજૂરો 27 વર્ષીય રમીલાબેન ભુરીયા, 20 વર્ષીય પાયલબેન ગણાવા, 25 વર્ષીય કાળુભાઇ ભરીયા સાથે બાંધકામ સાઇટ માટે રસ્તાની સાઇડમાં માટી જારવાનું કામ કરી રહ્યા હતાં. તે સમયે પુરઝડપે આવી રહેલ વર્ના કારચાલકે તમામ મજૂરોને અડફેટે લીધા હતાં. બાદમાં કાર રેતીના ઢગલામાં ઉભી રહી ગઇ હતી. પરંતુ કારચાલક કાર મૂકીને નાસી ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ચારેય મજૂરોને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમ્યાન વસંતાબેનનું મોત નિપજ્યું હતું. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. બીજો બનાવબહેરામપુરામાં કારચાલકે દંપતીને હડફેટે લીધા, એકનું મોતબહેરામપુરામાં રહેતા 40 વર્ષીય હરેશભાઇ પરમાર રંગાટીનું કામ કરતા હતાં. ગત 13 નવેમ્બરે તેઓ એક્ટિવા લઇને પત્ની ગીતાબેનને નહેરૂનગર ખાતે નોકરી પર મૂકવા જતા હતાં. ત્યારે દાણીલીમડા ખોડીયારનગર પાસે આવેલ ચેપિરોગની હોસ્પિટલ પાસેથી પસાર થતા હતાં. ત્યારે એક કારચાલક કાર રિવર્સ લેતાં તે કારના પાછળના દરવાજામાં ટાયર લટકાવવાના બોલ્ટ હરેશભાઇને છાતીના ભાગે વાગતા દંપતી એક્ટિવા પરથી રોડ પર પટકાયું હતું. જેથી કારચાલક દંપતીને દવાખાને લઇને ગયો હતો. જે બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત હરેશભાઇનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ત્રીજો બનાવટેમ્પોચાલકે રોડ ક્રોસ કરતાં રાહદારીને હડફેટે લેતાં મોતનારોલમાં રહેતા 60 વર્ષીય માધવ તાયડે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ગત 15 નવેમ્બરે માધવભાઇ નોકરીથી ઘરે આવીને શાકભાજી લેવા બહાર ગયા હતા. જે બાદ તેઓ ઘરે પરત આવતા હતા ત્યારે ગુજકોમાસોલ ચાર માળિયા પાસેથી ચાલતા પસાર થતા હતા તે સમયે પુરઝડપે આવી રહેલ લોડિંગ ટેમ્પોચાલકે માધવભાઇને અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. અકસ્માત બાદ ટેમ્પોચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે લોડિંગ ટેમ્પોચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. ચોથો બનાવરોંગ સાઈડમાં આવતાં યુવકનું માથુ ડિવાઇડર સાથે અથડાતાં મોત ગોમતીપુરમાં રહેતા 58 વર્ષીય દિનેશભાઇ શાહ છૂટક મજૂરી કરે છે. ગત 5 નવેમ્બરે પંપના કારખાને મજૂરીએ ગયા હતાં. ત્યાં કારખાનાનો સબ-મર્શિબલ પંપ ખોલવાનો હોવાથી તેઓ કારીગર શૈલેષભાઇ પટેલ સાથે ટુ-વ્હીલર પર પક્કડ લેવા હીરાવાડી પાસે આવેલ દુકાને ગયા હતાં. ત્યાંથી બંને પરત આવતા હતા તે સમયે શૈલેષભાઇએ ટુ-વ્હીલર રોંગસાઇડમાં પુરઝડપે ચલાવતા હતાં. સમીર શીતવન સોસાયટી પાસે પહોચ્યા તે સમયે હીરાવાડી તરફથી આવી રહેલ ટુ-વ્હીલર સાથે શૈલેષભાઇએ અથડાવ્યું હતું. જેથી શૈલેષભાઇ અને દિનેશભાઇ રોડ પર પટકાયા ઇજાઓ પહોચી હતી. તેમજ શૈલેષભાઇનું માથુ ડિવાઇડર સાથે અથડાતા ગંભીર ઇજાઓ થતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ. આ અંગે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે શૈલેષભાઇ પટેલ સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. પાંચમો બનાવબોલેરો પીકઅપ વાને બાઇકને ટક્કર મારતા ખેડાના ખેડૂતનું મોતખેડામાં રહેતા વિક્રમસિંહ ડાભી ખેતીકામ કરતા હતા. ગત 14 નવેમ્બરે બાઇક લઇને તે બાઇક લઇને અમદાવાદ આવતા હતાં. ત્યારે ઇન્દોર-અમદાવાદ હાઇવે પર કુંજાડ ગામ પાસે ભાવડા પાટીયા નજીક પહોચ્યા તે સમયે પુરઝડપે આવી રહેલ બોલેરો પીકઅપવાને બાઇકને ટક્કર મારતા વિક્રમસિંહને ગંભીર ઇજાઓ પહોચી હતી. અકસ્માત બાદ બોલેરો પીકઅપવાન ચાલક ફરાર થઇ ગયો હતો. બીજી તરફ ઇજાગ્રસ્ત વિક્રમસિંહને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યુ હતુ. આ અંગે કણભા પોલીસે અજાણ્યા બોલેરો પીકઅપચાલક સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
હળવદમાં ટ્રક પલટતા બાઇક ચાલકનું મોત:ટાઇલ્સ ભરેલા ટ્રક નીચે દબાઈ યુવાનનું મૃત્યુ
હળવદના ચરાડવા નજીક એક અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું મોત થયું છે. ટાઇલ્સ ભરેલા ટ્રક ટ્રેલર પલટી મારી જતાં યુવાન તેની નીચે દબાઈ ગયો હતો, જેને કારણે તેને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટના ચરાડવા ગામ પાસે આવેલા ધાવડી પેટ્રોલ પંપ નજીક બની હતી. મૃતક યુવાન અજયભાઈ બાબુભાઈ સિહોરા (ઉંમર ૨૬, રહે. કડીયાણા ગામ, હળવદ) પોતાનું બાઇક (નંબર GJ 36 AK 2094) લઈને પસાર થઈ રહ્યા હતા. પોલીસ ફરિયાદ મુજબ, ટ્રક ટ્રેલર (નંબર RJ 2 GB 4428) ના ચાલકે કાવું મારવાનો પ્રયાસ કરતા વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો. પરિણામે, ટાઇલ્સ ભરેલો ટ્રક ટ્રેલર પલટી મારી ગયો અને અજયભાઈ તેના બાઇક સાથે ટ્રક નીચે દબાઈ ગયા. અજયભાઈને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતકના ભાઈ પ્રવીણભાઈ બાબુભાઈ સિહોરા (ઉંમર ૩૫) એ ટ્રક ચાલક વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આરોપી ટ્રક ચાલકને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન, મોરબીમાં ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. મોરબી સરકારી હોસ્પિટલના ગેટ પાસે આવેલા ચાના ગલ્લા નજીક પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન રવિભાઈ સવજીભાઈ ખાખરીયા (ઉંમર ૩૨, રહે. રણછોડનગર, મોરબી) અને જાવીદભાઈ યુનુસભાઇ ખોખર (ઉંમર ૩૬, રહે. સિપાઈ વાસ, મોરબી) ને જુગાર રમતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા રૂપિયા ૫,૫૦૦ અને એક એક્ટિવા (નંબર GJ 36 AS 6427) સહિત કુલ રૂપિયા ૬૬,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ભીરન્ડિયારા ટોલ ગેટ પર સ્થાનિકોનો વિરોધ:ટોલ ફીમાં છૂટ યથાવત, ઓળખપત્ર બતાવવું પડશે
ભુજને બન્ની પચ્છમ સાથે જોડતા ખાવડા માર્ગ પરના ભીરન્ડિયારા ટોલ ગેટ પર સ્થાનિક લોકોએ ટોલ ફી ચૂકવવા મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિક કચ્છી માંડુઓએ એકત્ર થઈ ટોલ ફીમાં અપાતી માફીને યથાવત રાખવાની માંગ કરી હતી. આખરે, ટોલ પ્લાઝાના અધિકારીઓએ નવા નિયમોની અમલવારીની શરતે માંગનો સ્વીકાર કરતા સુખદ સમાધાન થયું હતું. આ અંગે બન્ની પચ્છમના સ્થાનિક અગ્રણી અબ્દુલ ગની સમાંએ જણાવ્યું હતું કે, ખાવડા વિસ્તારના સ્થાનિક વાહન ધારકો, માલધારીઓ અને સ્થાનિકો ભુજ તથા તેની આસપાસના ગામોમાં દરરોજ અવરજવર કરતા હોય છે. દરમિયાન, આજે ભીરન્ડિયારા ટોલ પ્લાઝા ખાતે એક સ્થાનિક વાહનને રોકી ટોલ ફી ભરવા જણાવાયું હતું. આ વાત આસપાસના લોકોમાં ફેલાઈ જતાં વાહન ચાલકો એકઠા થયા હતા અને ટોલ માફી અંગે રજૂઆત કરી હતી. ટોલ કચેરીના જવાબદારોએ સ્પષ્ટતા કરી હતી કે સ્થાનિકોની આડમાં અન્ય લોકો ગેરલાભ ન ઉઠાવે તે માટે ઓળખનો પુરાવો સાથે રાખવા જણાવાયું હતું. આ શરતનો સ્વીકાર કરવામાં આવતા સુખદ સમાધાન થયું હતું. આ વેળાએ જિલ્લા પંચાયત સભ્ય રસીદ સમાં સહિતના આગેવાનો પણ જોડાયા હતા. ટોલ પ્લાઝાના શિવજી અહિરે જણાવ્યું હતું કે, ભીરન્ડિયારા ટોલ ગેટ પર સ્થાનિક વાહન ચાલકોના નામે કેટલાક બારાતું વાહનો પસાર થઈ જતાં સરકારી તિજોરીને નુકસાન થતું હતું. તેથી શંકાસ્પદ વાહન રોકવામાં આવ્યું હતું. આ મુદ્દે સ્થાનિક લોકો રજૂઆત માટે આવ્યા હતા, અને તેમની માંગણી સ્વીકારી લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ભુજ-ખાવડા ધોરીમાર્ગ અનેક સ્થળે જર્જરિત હાલતમાં છે, જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતોની ઘટનાઓ સામે આવતી રહે છે. આ માર્ગની ખરાબ હાલતને કારણે સ્થાનિકો તેમજ રણ ઉત્સવ માણવા આવતા પ્રવાસીઓ મુસાફરી દરમિયાન હાલાકી ભોગવે છે. આજે રજૂઆત વેળાએ આ માર્ગના સમારકામનો મુદ્દો પણ સપાટી ઉપર આવ્યો હતો.
વડોદરા શહેરમાં દીન પ્રતિદિન રસ્તે રખડતા ઞાય, કુતરા, ભૂંડનો ત્રાસ ચરમસીમાએ પહોંચી રહ્યો છે. તો બીજી તરફ વિતેલા 24 કલાકમાં શહેર જિલ્લામાંથી કુતરા કરડવાના કુલ 28 બનાવો સયાજી હોસ્પિટલના ચોપડી નોંધાયા છે અને ત્યારે આજે વધુ એક કુતરો કરડવાનો બનાવ સયાજી હોસ્પિટલમાં નોંધાયો છે. રખડતા કુતરાએ ચાલતી જતી વૃદ્ધાને પાછળથી આવીન પગમાં બચકો ભરીને ઈજાઓ પહોંચાડી ભાગી ગયું હતું. રોડ ઉપર પડી ગયેલા વૃદ્ધાએ બૂમાબૂમ કરતા તેમનો પુત્ર દોડી આવ્યો હતો. અને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે 108 દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. વડોદરા શહેર તેમજ તેની આસપાસના વિસ્તારોમાં રખડતા પશુ પ્રાણીઓએ આતંક મચાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે વાહન ચાલાકો સહિત ચાલતા જતા રાહદારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહે છે. તાજેતરમાં જ શહેર નજીક આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સતત ત્રણ દિવસથી ભૂંડ સાથે થતા અકસ્માતમાં ઈજા પામેલ ત્રણેય વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે. તદ ઉપરાંત રસ્તે રખડતી ગાય અને કુતરાનો ત્રાસ વધી રહ્યો છે. તેવા સંજોગોમાં આજે તરસાલી ખાતે આવેલા વુડાના મકાનમાં રહેતા પાલીબેન જયંતીભાઈ દેવીપુજક (ઉંમર 60) આજે બપોરે તેમની બાજુના બ્લોકમાં રહેતી પૂત્રીને મળવા માટે ચાલતા જઈ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી દોડી આવેલ કુતરાએ તેમના જમણા પગે કુતરાએ બચકા ભરી લીધા હતા અને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. કુતરાના હુમલાથી ગભરાઈ ગયેલ વૃદ્ધાએ બૂમાબૂમ કરતાં કેટલાક લોકો સાથે પુત્ર પણ દોડી આવ્યો હતો. માતાને લોહી લુહાણ હાલતમાં જોતા જ 108 બોલાવીને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈને આવ્યો હતો.
પોરબંદરમાં માર્ગ અકસ્માત પીડિતોને શ્રદ્ધાંજલિ:વિશ્વ સંભારણા દિવસે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
પોરબંદરમાં વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે માર્ગ અકસ્માતના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ, ARTO પોરબંદર અને એસ.ટી. વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી મૌન પાળવામાં આવ્યું હતું. આ પ્રસંગે માર્ગ સુરક્ષા અંગે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસે નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી. સરકારી 'રાહ-વીર યોજના' વિશે પણ માહિતી આપવામાં આવી હતી, જેમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલ પહોંચાડનાર મદદગાર નાગરિકોને સન્માન અને રોકડ ઇનામ આપવામાં આવે છે. માર્ગ સુરક્ષા અંગે જનજાગૃતિ લાવવા માટે ટ્રાફિક જાગૃતિના પેમ્ફલેટનું વિતરણ કરાયું હતું. અકસ્માતો અટકાવવા માટે ટ્રાફિક શિસ્તનું કડક પાલન કરવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ટ્રાફિક PI એમ. એલ. આહિર, ARTO આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર પી.જી. કુરકુટીયા, એસ.ટી. વિભાગ પોરબંદરના સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ. એમ. રૂઘાણી, હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ ગોડલિયા અને મનસુખભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. એસ.ટી. વિભાગનો સ્ટાફ તેમજ રિક્ષા-ટેક્સી ડ્રાઈવરો પણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનાર તમામ વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા, પોરબંદર ટ્રાફિક વિભાગે નાગરિકોને સુરક્ષિત અને શિસ્તબદ્ધ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.
વડોદરા 1.09 કરોડ સાયબર ફ્રોડનો આરોપી ઝડપાયો:પાંચ માસથી ફરાર શફન મુલતાણી આણંદથી પકડાયો
વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ₹1.09 કરોડના સાયબર ફ્રોડ કેસમાં પાંચ માસથી ફરાર આરોપી શફન દિલાવર મુલતાણીની આણંદમાંથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી વિઠ્ઠલ ઉદ્યોગનગર, જી.આઇ.ડી.સી. કોલોની, તા.જી.આણંદનો રહેવાસી છે. વિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી કે આરોપી શફન મુલતાણી એ.ડી.આઇ.ટી. કેમ્પસમાં આર્યુવેદીક કોલેજ નજીક આવેલા પાનના ગલ્લા પાસે બેઠો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે શફન મુલતાણીને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવા માટેની વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પકડાયેલા આરોપી શફન મુલતાણી વિરુદ્ધ વર્ષ 2018માં વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો પણ નોંધાયેલો છે.
કાળાસર ગામમાં સરકારી જમીન પરનું દબાણ હટાવાયું:ચોટીલા નાયબ કલેક્ટરે ગામતળ માટેની જમીન ખુલ્લી કરાવી
ચોટીલા તાલુકાના કાળાસર ગામમાં ગામતળ માટે નિયત કરાયેલી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ગત તારીખ 15 નવેમ્બર, 2025ના રોજ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કાળાસર ગામના સર્વે નંબર 129/1 (જૂનો સર્વે નંબર 164) વાળી આ જમીન વર્ષ 2009માં તત્કાલીન નાયબ કલેક્ટર ચોટીલા દ્વારા ગામતળ તરીકે નિયત કરવામાં આવી હતી. આ જમીન પર ગેરકાયદેસર દબાણ થયું હતું. દબાણકર્તાઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર સમક્ષ રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી, જે નામંજૂર કરવામાં આવી હતી. આ નિર્ણય બાદ દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી. દબાણ દૂર થવાથી હવે આ ગામતળની જમીનમાં પ્લોટ પાડી શકાશે, જેનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો માટે થઈ શકશે. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન ચોટીલાના મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી તેમજ અન્ય રેવન્યુ અને પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.
ખેડબ્રહ્મામાં SOGએ ગાંજાના 69 છોડ જપ્ત કર્યા:ઘરમાંથી 29 ડીટોનેટર મળ્યા, એક આરોપીની ધરપકડ
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ટેબડા ગામેથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટા પ્રમાણમાં ગાંજાના છોડ અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરીને તેની સામે NDPS અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ બે ગુના નોંધ્યા છે. SOG ટીમ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે તેમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે, ટેબડા ગામમાં રાજુભાઈ કમજીભાઈ રાઠોડના રહેણાંક મકાન પાછળના ભાગે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરેલું જણાયું હતું અને તેમના ઘરમાંથી ગેરકાયદેસર વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી. પોલીસે કુલ 9,71,726 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં 19.410 કિલોગ્રામ ગાંજો (કિંમત રૂ. 9,70,500), 13 નાઈટ્રેટ મિક્સર ટોટા (કિંમત રૂ. 116), 24 ડીટોનેટિંગ ફ્યુઝ (કિંમત રૂ. 240) અને 29 સ્પેશિયલ ઓર્ડિનરી ડીટોનેટર (કિંમત રૂ. 870) નો સમાવેશ થાય છે. આ કેસમાં રાજુભાઈ કમજીભાઈ રાઠોડ (રહે. મટેડા ફળિયું, ટેબડા, તા. પોશીના, જિ. સાબરકાંઠા) નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ખેરોજ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી નીલાંબર સોસાયટીમાં એક કપિરાજે આતંક મચાવ્યો હતો. ગોત્રી- ભાયલી કેનાલ રોડ પર સ્થિત આ વૈભવી સોસાયટીમાં કપિરાજના હુમલાથી પાંચ લોકો ઘાયલ થયા હતા. આ અંગેની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી કપીરાજ માટે જાળ બિછાવી હતી અને તેમાં સફળતા મળી હતી. કપિરાજે સોસાયટીમાં પ્રવેશ કરીને પાંચ લોકોને બચકાં ભર્યાગોત્રી વિસ્તારમાં આવેલી નીલાંબર સોસાયટીમાં કપિરાજના આતંકીથી રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કપીરાજના આતંકથી બચવા માટે રહીશો ઘરમાં કેદ થઈ ગયા હતા અને બહાર નીકળવામાં ડર લાગી રહ્યો હતો. સોસાયટીમાં કપિરાજે પ્રવેશ કરીને પાંચ લોકોને બચકાં ભર્યા હતા. જેમાં નાના બાળકો અને વડીલોનો સમાવેશ થાય છે. આ હુમલા બાદ રહીશોએ તાત્કાલિક પોલીસ અને વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચીને કપૂરજને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. કપીરાજને પાંજરે પૂરવા જાળ બિછાવી હતી. પાંજરે પૂરવા માટે વન વિભાગે કરેલ કામગીરીના લાઇવ દૃશ્યો સામે આવ્યા હતા. આ અંગે રેસ્ક્યુ કરનાર જીગ્નેશ પરમારે ટેલિફોનીક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ અંગેની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. અમે કપિરાજ પકડવા માટે બિસ્કીટના ટુકડા નાખ્યા હતા અને અમારી યોજનામાં સફળતા મળી હતી.
છેલ્લા કેટલાક મહિનાઓથી એક બાદ એક ડિજિટલ અરેસ્ટના બનાવો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં રહેતા અને મિલમાંથી નિવૃત થયેલા 71 વર્ષીય વૃદ્ધ સાયબર ગઠિયાઓનો શિકાર બન્યા છે. મુંબઈ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉત સામે થયેલા મની લોન્ડરીંગના કેસમાં નામ ખૂલ્યું હોવાનું કહી વૃદ્ધને ધમકાવ્યા હતા. આ કેસની તપાસ એન્કાઉન્ટ સ્પેશિયાલિસ્ટ દયા નાયક કરતા હોવાનો બોગસ લેટર પણ મોકલાવ્યો હતો. મહારાષ્ટ્ર પોલીસના લોગોવાળી કેબીનમાંથી સાયબર ગઠિયાએ વૃદ્ધ દંપતીને વીડિયો કોલ કરી ચોક્કસ ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. આ મામલે સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વૃદ્ધના એકાઉન્ટમાંથી 60 લાખ રૂપિયાનું મની લોન્ડરીંગ થયું હોવાની વિગત આપી ધમકાવ્યા અમદાવાદમાં મિલમાંથી નિવૃત્ત થયેલા 77 વર્ષીય વૃદ્ધ પત્ની સાથે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં રહે છે.તેમનો દીકરો પરિવાર સાથે લંડનમાં રહે છે.વૃદ્ધના મોબાઇલ પર ત્રીજી સપ્ટેમ્બરે બપોરે કોલ આવ્યો હતો. સામે છેડેથી પોતાની ઓળખ મુંબઇ કોલાબા પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર વિજય ખન્ના તરીકે આપવામાં આવી હતી. ત્યારબાદ તેમને ધમકાવતાં જણાવવામાં આવ્યું હતું કે, તેમના એકાઉન્ટમાંથી 60 લાાખ રૂપિયાનું મનિલોન્ડરીંગ થયું છે. તેમની સંડોવણી મુંબઇના સંજય રાઉત મનીલોન્ડીંગ કૌભાંડમાં પણ છે.ત્યારબાદ આ ગઠીયાઓએ તેમને વીડિયો કોલ કર્યો હતો. જેમાં વિજય ખન્ના યુનિફોર્મમાં હતો અને તેની ખુરશી પાછળ મહારાષ્ટ્ર પોલીસનો લોગો પણ હતો. વિજય ખન્નાએ તેમને કોલાબા પોલીસ મથકે જવાબ લખાવવા માટે આવવું પડશે અને તેમને એરેસ્ટ પણ કરવામા આવશે તેમ કહી વૃદ્ધને ડરાવ્યા હતા. ઘરમાંથી કામ વગર બહાર ન નીકળવા દીધા, રાત્રે પણ લાઈટ ચાલુ રખાવીસાથે સાથે તમને સિનિયર સીટીઝન છો માટે તેમને હાલ એરેસ્ટ કરતા નથી તેમ કહી તેમની પત્નીના નંબર પર પણ વીડિયો કોલ કર્યો હતો અને ઘરમાંથી કામ વગર બહાર નહી નિકળવાનું. ઘરની લાઇટો રાત્રે પણ ચાલુ રાખવાની સુચના આપવામાં આવી હતી.વૃદ્ધને ડરાવવા તેણે એવું પણ કહ્યું હતું કે, આ કેસમાં મોટા માણસો છે તેનાથી તમને તકલીફ થાય તેમ છે માટે તમારી સુરક્ષા માટે ખાનગી કપડાંમાં પોલીસ પણ છે.વિજય ખન્નાએ કેનરા બેંક એકાઉન્ટની વાત કરી હતી પરંતુ વૃદ્ધે તેમનું કેનરા બેંકમાં કોઇ જ એકાઉન્ટ નહિ હોવાનું કહ્યું હતું. મની લોન્ડરીંગ કેસની તપાસ દયા નાયક કરતા હોવાની વાત કરીત્યારબાદ તેમના વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટીશન થઇ ગઇ હોવાની ફેક કોપી પણ મોકલી આપી હતી. જેથી વૃદ્ધ ડરી ગયા હતા.ગઠીયાએ તેમની પાસેથી પહેલા 3.10 લાખ અને પછી રૂપિયાના વેરીફિસેશન માટે 14 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તે કેસની તપાસ પુરી થાય ત્યારે પંચ ટકાના વધારા સાથે પરત કરવાની ખાતરી આપી હતી. જ્યાર આ કેસની તપાસ દયા નાયક કરતા હોવાનો લેટર પણ મોકલી આપ્યો હતો. પૈસા પડાવ્યા બાદ ગઠિયાએ વૃદ્ધને કહ્યું- 'તમને જામીન પર છોડવામાં આવે છે'થોડા દિવસો બાદ 11મી સપ્ટેમ્બરે વિજય ખન્નાએ વૃદ્ધને તેમને જામીન પર છોડવામાં આવે છે. તેવો લેટર પણ મોકલ્યો હતો. હવે જ્યરે વેરીફિેકેશનના રૂપિયા પરત માંગતા તેણે વધુ 6.50 લાખ રૂપિયા ભરવાનો લેટર મોકલી આપ્યો હતો.આ રૂપિયા માટે વૃદ્ધે પોતાના મિત્ર પાસેથી મદદ માંગી હતી અને પોતાની સાથે થયેલી ઘટનાની વાત કરી હતી.માટે મિત્રએ કોઇ જ રૂપિયા નહિ ભરવાનું કહી સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન પર ફરિયાદ કરાવી હતી.
રોકાણના નામે છેતરપિંડી:શેરબજારમાં રોકાણ કરી નફો મેળવવા જતાં CAના વિધાર્થીએ 8.33 લાખ ગુમાવ્યા
શેરબજારમાં રોકાણ કરીને વધુ નફો કમાવાની લાલચમાં ચાર્ટર્ડ એકાઉનન્ટન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીએ 8.33 લાખ રૂપિયા ગુમાવ્યા છે. વિદ્યાર્થીએ પહેલા 10 હજારનું રોકાણ કર્યુ, જેમાં તેને 750 નફો મળ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીએ 8.33 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. અહીં તેને 27 લાખ રૂપિયા નફો ઓનલાઇન બતાવવામાં આવતો હતો.જ્યારે વિદ્યાર્થીએ રૂપિયા વિડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રોકાણ કરાવનારનો ફોન બંધ થઇ ગયો હતો. જેને પગલે વિદ્યાર્થીએ સાયબર હેલ્પલાઇન પર ફોન કરી પોતાની ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઝૈદે લીંક પર ક્લિક કરતાં તેને વ્હોસએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતોદાણીલીમડા મદની એપાર્ટમેન્ટમાં રહેતો મોહમંદ ઝૈદ સલીમ મેમણ(20) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઇન્સ્ટીટ્યુટમાં CAનો અભ્યાસ કરે છે. ઝૈદની ફરિયાદ મુજબ તેમને થોડા સમય પહેલા જ તેણે મોબાઇલ પર સોશિયલ મીડિયા પર શેર બજારના રોકાણની વિગતો આવી હતી. જેના આધારે ઝૈદૈ થોડી તપાસ કરતાં રોકાણની ટ્રિપ્સ આવી હતી. તેમાં નફો થતો હતો. જેને પગલે ઝૈદૈ ઇન્વેસ્ટ કરવાની તૈયારી બતાવી હતી અને લીંક પર ક્લિક કરતાં તેને ચોક્કસ વોટસએપ ગૃપમાં એડ કરવામાં આવ્યો હતો. જે ગૃપની વિગતો પર પણ ઝૈદૈ એભ્યાસ કરતાં તેની ચોક્કસ ટીપ્સ પર નફો મળતો હતો. 8.33 લાખ રૂપિયાનું રોકાણ કર્યું પણ પૈસા પરત ન મળ્યાવોટસએપ ગૃપમાં સંજીવ સિંઘ વિર્ક બધાને ટીપ્સ આપતો હતો. વર્કની એક લીંક પર ઝૈદૈ પોતાનું એકાઉન્ટ ખોલાવ્યું હતું. જેમાં 10 હજાર રૂપિયાનું રોકાણ પણ કરાવ્યું હતહું. જે રોકાણ પર 3 દિવસમાં 750 રૂપિયા નફો મળ્યો હતો અને ઝૈદના ઓનલાઇન એકાઉન્ટમાં 10,750 રૂપિયા બતાવાતા હતા. જે વિડ્રો કરવા રિક્વેસ્ટ નાંખતા જ તેના ખાતામાં રુપિયા જમા થઇ ગયા હતા. ઝૈદને વિશ્વાસ બેસી જતાં તેણે વિર્કના કહેવા મુજબ જુદા-જુદા સમયે જુદા-જુદા શેરમાં 8.33 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. થોડા દિવસ બાદ તેના ઓનલાઇન રોકાણમાં 27 લાખ રૂપિયા નફા સાથે દેખાતા હતા. જેને પગલે ઝૈદૈ રૂપિયા 27 લાખ વિડ્રો કરવાની રિક્વેસ્ટ કરી હતી ત્યારે જ વિર્કનો ફોન બંધ થઇ ગયો હતો. વિર્કનો ફોન બંધ થઇ જતાં ઝૈદે આ બાબતે સાયબર હેલ્પ લાઇનમાં ફરિયાદ નોંધાવતાં સાયબર ક્રાઇમ બ્રાંચે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
છોટા ઉદેપુર જિલ્લા પોલીસને વિદેશી દારૂના મોટા જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જિલ્લા પોલીસની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે પાવી જેતપુર નજીક રેલવે ગરનાળા પાસેથી એક સિમેન્ટ ટેન્કરમાંથી રૂ. 2,50,07,520ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પુષ્પા સ્ટાઈલમાં દારૂની હેરાફેરી કરાતી હોવાનો પર્દાફાશ થયો છે. રાજસ્થાન પાસિંગના સિમેન્ટ ટેન્કરમાં સિક્રેટ ખાનું બનાવીને દારૂ સંતાડાયો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો હતો અને બાંકોરું પાડીને જંગી જથ્થો કાઢવામાં આવ્યો હતો. ટેન્કરમાં ગુપ્ત ખંડ બનાવી દારૂ છુપાવ્યોગઈકાલે મળેલી ચોક્કસ બાતમીના આધારે LCBએ RJ 09 GB 4163 નંબરના સિમેન્ટ ટેન્કરને રોકીને તેની તલાશી લીધી હતી. તપાસમાં બહાર આવ્યું કે દારૂની હેરાફેરી માટે આરોપીએ ફિલ્મ 'પુષ્પા'ની સ્ટાઈલ અપનાવી હતી, જેમાં ટેન્કરની અંદર ગુપ્ત ખંડ બનાવીને દારૂ છુપાવવામાં આવ્યો હતો. આ ટેન્કરમાંથી વિદેશી દારૂની કુલ 1561 પેટીઓ મળી આવી હતી, જેમાં 28,812 બોટલ દારૂનો જથ્થો હતો. પકડાયેલા દારૂની કુલ કિંમત રૂ. 2,50,07,520/- આંકવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જપ્ત થયેલો આ દારૂનો જથ્થો છોટા ઉદેપુર જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે. રાજસ્થાનનો ટેન્કર ચાલક ઝડપાયોપોલીસે ટેન્કર ચાલક મહેશકુમાર ચૂતરારામ જાટ (ચૌધરી), રહે. બિંજાસર, તા. ધનાઉ ચૌહટન, જિ. બાડમેર, રાજસ્થાનની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી મહેશકુમારે કબૂલ્યું હતું કે આ દારૂનો જથ્થો હરિયાણાના હિસાર અને સીકર વચ્ચેના વિસ્તારમાંથી ભરવામાં આવ્યો હતો. દારૂ કોણે મંગાવ્યો તેની વધુ તપાસ ચાલુજિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જણાવ્યું હતું કે દારૂ ક્યાં લઈ જવાનો હતો અને કોણે મંગાવ્યો હતો, તે અંગેની વધુ તપાસ હાલમાં ચાલી રહી છે અને આરોપીની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.
સરપંચોનું સન્માન:સારી કામગીરી કરનાર 61 સરપંચનું નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે સન્માન
ગુજરાતના ગામડાંઓના સર્વાંગી વિકાસ અને પ્રગતિ માટે શ્રેષ્ઠ કાર્ય કરનાર સરપંચોને સન્માનિત કરવા માટે દિવ્ય ભાસ્કર દ્વારા આયોજિત ભવ્ય સરપંચ સન્માન સમારોહ યોજાયો છે. પારડી મોરારજી દેસાઇ ઓડિટોરિયમ ખાતે નાણા, શહેરી વિકાસ કેબિનેટ મંત્રી ગુજરાત કનુભાઇ દેસાઇના હસ્તે વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશ સહિત 60થી વધુ સરપંચોનું સન્માન કરવામાં આવી રહ્યું છે. વાપી, વલસાડ, પાર ડી, ઉમરગામ, ધરમપુર, કપરાડાના સરપંચોની કામગીરીને બિરદાવામાં આવી.આ કાર્યક્રમમાં વાપી વીઆઇએ પ્રમુખ સતિષ પટેલ,પારડી પાલિકા પ્રમુખ ચેતન નાયકા,વાપી,પારડી શહેરના રાજકીય આગેવાનો સામાજિક સંસ્થાના હોદેદારો,ઔદ્યોગિક સંસ્થાઓના હોદેદારો પણ ખાસ હાજર રહ્યા છે. આ કાર્યક્રમના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારનો વધુ વિકાસ કેવી રીતે થાય તથા સરપંચો એક મંચ પર જોવા મળી રહ્યા છે.પારડી સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો પણ આ કાર્યક્રમમાં જોડાયા છે.આમ દિવ્ય ભાસ્કરના સરપંચ સન્માન કાર્યક્રમમાં વાપી-વલસાડ શહેરના આગેવાનો હાજર રહેશે.
ભાજપ પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં યુનિટી માર્ચ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીને લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર@150 અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે અમદાવાદમાં આજે 16મી નવેમ્બરથી તમામ વિધાનસભામાં દરરોજ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. જેમાં આજે અમદાવાદના વિરાટનગર વોર્ડ ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મંત્રી જીતુ વાઘાણીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સરદાર પટેલનો ટેબ્લો અને 600 મીટર લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ધો.9ના 2વિદ્યાર્થી ચિઠ્ઠી લખી ઘરેથી નીકળી ગયાં ક્રિકેટર બનવાની ઘેલછામાં ધોરણ 9માં સાથે ભણતા સુરતના મોરા ગામના બે સગીર ઘર છોડી સુરતથી ટ્રેનમાં મુંબઇ-બોરીવલી અને ત્યાંથી રાજસ્થાન જતી ટ્રેનમાં ભીલવાડા પહોંચી ગયા હતા. જતાં પહેલાં સગીરે પરિવારને સંબોધીને હિન્દીમાં એક ચિઠ્ઠી લખી હતી. બન્ને સગીર બીજા દિવસે પણ ન મળી આવતા પરિવાર ચિંતામાં પોલીસ પાસે પહોંચ્યો હતો. ઇચ્છાપોર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને રેલવે સ્ટેશન સહિતના 93 સીસીટીવી ફૂટેજ તપાસી બન્નેને શોધી કાઢ્યાં હતાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 200ના કિલોએ વેંચાતા લસણની આડમાં 1 કરોડનો દારુ ઝડપાયો નવસારી હાઈવે પરથી LCBએ એક કરોડનો દારુ ઝડપી પાડ્યો હતો. રૂ. 200ના કિલોએ વેંચાતા લસણની આડમાં આ દારૂનો જથ્થો ટ્રકમાં ભરી લઈ જવાતો હતો. જે દારુ સાથે LCBએ એક શખસને ઝડપી લીધો છે. આટલી મોટી માત્રામાં દારુ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. LCB કચેરી દારૂના બોક્સથી છલકાઈ ગઈ હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો તમામ હુક્કાબાર પર ક્રાઇમ બ્રાન્ચની રેડ અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતાં, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. પોલીસની આ કાર્યવાહીમાં અનેક હુક્કાબાર ઝડપાયા છે અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર તથા હુક્કાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા આ ધંધા પર પોલીસે અણધારી રેડ કરીને સંચાલકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દરગાહમાંથી હથિયારો મળ્યા દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ હાઇ એલર્ટના પગલે દ્વારકા બંદર વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં 2 ડીવાયએસપી, 6 પીઆઇ, એસઓજી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત એકસૌ વીસથી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. કોમ્બિંગ દરમિયાન SOG ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા. હથિયારો મળતા જ દરગાહના મુંજાવરની તાત્કાલિક પૂછપરછ કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે 110 કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચકાસણી વધારી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આવા કોમ્બિંગ ઓપરેશન્સ હજુ પણ ચાલુ રહેશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પૂરપાટ જતી પોલીસની ગાડીએ કારને ટક્કર મારી શનિવારે મોડીરાત્રે એક પોલીસની ગાડીએ જ એક કારને અડફેટે લીધી હતી. પૂરઝડપે આવી રહેલી 112 જનરક્ષક ગાડીએ રસ્તાની બાજુમાં ઊભેલી એક કારને જોરદાર ટક્કર મારી, જેના કારણે કાર 10 ફૂટ દુર જતી રહી હતી. પોલીસની ગાડીમાંથી 6 સિરપની બોટલો પણ મળી આવી છે.અકસ્માત કરનાર 112 ની ગાડીના ડ્રાઇવર યશ પરમારની પોલીસે ધરપકડ કરી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પોલીસ કર્મચારી નશાની હાલતમાં હતો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતના શ્રદ્ધાળુઓનો જોધપુર હાઈવે પર અકસ્માત રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે (16 નવેમ્બર) વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના છ શ્રદ્ધાળુનાં મોત થયા છે, જ્યારે 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા છે. આ શ્રદ્ધાળુઓ ટેમ્પો દ્વારા રણુજાના દર્શન માટે જઈ રહ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ફોરેસ્ટ અધિકારીના પત્ની અને 2 બાળકોની લાશ મળી ભાવનગરમાં ફરજ બજાવતા ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાોનીની ફોરેસ્ટ કોલોની નજીક એક ખાડામાં દાટી દીધેલી લાશો મળી આવતા ચકચાર મચી છે. બંને સંતાનો સાથે માતા 10 દિવસ પહેલા સુરત જવા નીકળ્યા બાદ ગુમ થયા હતા. જેની પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. ત્રણેયની હત્યા કરી લાશનો દાટી દેવાઈ હોવાની પ્રબળ આશંકા સેવવામાં આવી રહી છે. ભાવનગર પોલીસ કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર એસપી નિતેશ પાંડેએ કહ્યું કે, ACF(આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ) પતિ શૈલેષ ખાંભલા શંકાના દાયરામાં છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વિદ્યાર્થીનો PGમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પી.જીમાં રહી પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થી ગતિક દાસનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી છે. આ બનાવ અંગે પીજી માલિકે પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે આવી યુવકને જોતા તે મૃત હોવાનું જણાયું હતું. જેથી વિદ્યાર્થીના મૃતદેહને ગોત્રી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 5 સિંહોએ આખું ગામ બાનમાં લીધું અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર હવે સામાન્ય બની ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં સિંહો ઘૂસી આવ્યાં હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે ગતરાત્રે 5 સિંહોએ રાજુલાનું મોટા આગરીયા ગામને જાણે બાનમાં લીધું હોય તેમ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં આવેલા સિંહોએ ગામની શેરીઓમાં રખડતા પશુઓ પાછળ દોડધામ મચાવી હતી. આ વચ્ચે તરાપ મારી વાછરડી સહિત બે પશુઓનો શિકાર કર્યો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ છે. બીજી તરફ સિંહોની લટારને પગલે ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
કચ્છ LCBએ મુંદરામાંથી પ્લાસ્ટિક દાણા પકડ્યા:એક શખ્સની ધરપકડ, 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત
પશ્ચિમ કચ્છ-ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) મુંદરા વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના પ્લાસ્ટિકના દાણા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે બોલેરો વાન સહિત કુલ રૂ. 5.56 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 2800 કિલો પ્લાસ્ટિકના દાણાનો સમાવેશ થાય છે, જેની કિંમત રૂ. 56,000 આંકવામાં આવી છે. આ દાણાની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલી GJ-12-BZ-4850 નંબરની બોલેરો પીકઅપ વાન પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત રૂ. 5 લાખ છે. LCB પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેઠીની સૂચના મુજબ, એ.એસ.આઇ. પ્રદ્યુમનસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ ગોહિલ, અને પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તથા મહેશભાઈ ચૌહાણ મુંદરા તાલુકામાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને નાના કપાયા હાઈવે રોડ પરથી એક બોલેરો પીકઅપ વાનમાં ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના દાણા લઈ જવાઈ રહ્યા હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા મુસ્તફા રમજાન સુમરા (ઉ.વ. 25, મૂળ રહે. સુરલભીટ રોડ, લખુરાઈ, તા. ભુજ, હાલ રહે. ગુંદાલા, તા. મુંદરા) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં તેણે આ મુદ્દામાલ અહેઝાઝ સુલેમાન કેર (રહે. મુંદરા) નામના વ્યક્તિના વાડા પરથી ભરી આપ્યો હોવાનું જણાવ્યું હતું. મુસ્તફા સુમરા પાસેથી પ્લાસ્ટિકના દાણાના કોઈ આધાર પુરાવા કે બિલ ન મળતા, પોલીસે તેને બી.એન.એસ.એસ. કલમ 106 હેઠળ શંકાસ્પદ મિલકત તરીકે મુદ્દામાલ જપ્ત કરી તેની ધરપકડ કરી હતી. આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
દેવગઢબારીયા નગરમાં સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યશક્તિ સંમિલિત શાળાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. વૈષ્ણવાચાર્ય 108 વ્રજરાજકુમારજી મહારાજના હસ્તે શ્રીજી પ્રાથમિક શાળાના કેમ્પસમાં આ શાળાનો શિલાન્યાસ થયો હતો. આ શાળા વિકલાંગ, દિવ્યાંગ અને મંદબુદ્ધિ ધરાવતા બાળકોને નિઃશુલ્ક રહેઠાણ અને ભણતરની સુવિધા પૂરી પાડશે. આ પ્રસંગે દેવગઢબારીયા નગરના રાજમાતા ઉર્વશીદેવી સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ, નગરજનો અને સમાજસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટના પ્રમુખ નીલ સોનીએ જણાવ્યું હતું કે આ શાળા વિકલાંગ, દિવ્યાંગ અને મંદબુદ્ધિ ધરાવતા બાળકો માટે સંપૂર્ણ નિઃશુલ્ક રહેઠાણ, ભોજન અને શિક્ષણની વ્યવસ્થા પૂરી પાડશે. દાહોદ જિલ્લા તેમજ આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ બાળકોને આ સુવિધાનો મોટો લાભ મળશે. શાળાનું કાર્ય જૂન 2025 થી શરૂ કરવામાં આવશે. નવું ભવન તૈયાર ન થાય ત્યાં સુધી, શ્રીજી શાળાના બિલ્ડિંગમાં અસ્થાયી ધોરણે તમામ સુવિધાઓ સાથે શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવશે, જેથી કોઈપણ બાળકના શિક્ષણમાં અવરોધ ન આવે.
Lalu Prasad Yadav Family Controversy : બિહાર વિધાનસભા ચૂંટણીમાં લાલુ પ્રસાદ યાદવના રાષ્ટ્રીય જનતા દળ તથા કોંગ્રેસ ગઠબંધનનો કારમો પરાજય થયો છે. લોકોએ ભારતીય જનતા પાર્ટી તથા જેડીયુના નેતૃત્વવાળી NDAને પ્રચંડ બહુમતી આપી છે. ત્યારે પરિણામ બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવારમાં ફરી તિરાડ પડી છે. અગાઉ યાદવ પરિવારમાંથી તેજ પ્રતાપ યાદવને ઘરમાંથી કાઢી મુકાયા બાદ રાજકીય ખળભળાટ મચી ગયો હતો, ત્યારે હવે લાલુ યાદવના પુત્રી રોહિણી આચાર્યએ પરિવાર તથા પક્ષ સાથે સંબંધો તોડવાની જાહેરાત કરી છે, જેને લઈને તેજ પ્રતાપ પરિવાર પર ગુસ્સે થયો છે. તેજ પ્રતાપે બહેન રોહિણી આચાર્યને લઈને સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સવારે સુરત નજીક અંત્રોલી ખાતે નિર્માણાધીન દેશના પ્રથમ બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લઈને પોતાના ‘ડ્રીમ પ્રોજેક્ટ’ની કામગીરીની જાતે જ સમીક્ષા કરી હતી. કડક સુરક્ષા વચ્ચે લગભગ 35 મિનિટ સુધી સ્ટેશન પર રોકાણ કરીને પીએમએ સ્પીડ, ગુણવત્તા અને ટાઈમલાઈન પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ખુરશી પર બેસીને વડાપ્રધાને અધિકારીઓ-એન્જિનિયરો સાથે વિસ્તૃત ચર્ચા પણ કરી અને કહ્યું કે, “હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું, હું દેશને કંઈક નવુ આપી રહ્યો છું એ ભાવ સાથે તમારા દરેક અનુભવને રોકોર્ડ કરો, જે આગામી પેઢીને પણ કામ લાગશે.” આ મુલાકાતની સત્તાવાર તસવીરો અને વિગતો NHSRCLએ 24 કલાક પછી જાહેર કરી છે. અધિકારીઓ-એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરીપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગતરોજ શનિવારે સવારે 9.20 વાગ્યે વિશેષ વિમાનથી સુરત એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટથી પીએમ સીધા હેલિકોપ્ટરથી હેલિપેડ અને ત્યાંથી સુરતના અંત્રોલી સ્થિત દેશના પ્રથમ નિર્માણાધીન હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન સ્ટેશન સાઇટ પર પહોંચ્યા હતા. અહીં પહોંચ્યા બાદ પીએમએ સ્ટેશનના સ્ટ્રક્ચર, પ્લેટફોર્મ એલાઇનમેન્ટ તેમજ ચાલુ સિવિલ અને ઇલેક્ટ્રિકલ વર્કની માહિતી મેળવવા અધિકારીઓ-એન્જિનિયરો સાથે બેસીને વાતચીત કરી અને બુલેટ ટ્રેનની કામગીરી લઈને તેઓના અનુભવ જાણવાનો પ્રયાસ કર્યો હતો. પીએમએ ખુરશી પર બેસીને અધિકારીઓને સવાલ કર્યો હતો કે, તમને શું લાગે છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીની સ્પીડ ઠીક છે? તમે લોકોએ જે સમય નક્કી કર્યો હતો એ સમય પ્રમાણે કામ થઈ રહ્યું છે? તમને કામમાં કોઈ મુશ્કેલી આવી રહી છે? આ પ્રશ્નનો જવાબ આપતા અધિકારીએ જણાવ્યું હતું કે, ના કોઈ જ સમસ્યા નથી અને કામ સમયસર થઈ રહ્યું છે. ત્યારબાદ કેરલાની એક મહિલા અધિકારીએ પોતાનો પરિચય આપ્યો આ ચર્ચા બાદ પીએમએ બેઠેલા તમામ અધિકારીઓને સંબોધતા કહ્યું કે, જ્યાં સુધી તમારા મનમાં એવો ભાવ ઊભો નથી થતો કે, હું મારા દેશ માટે કામ કરી રહ્યો છું. હું દેશને એક નવી વસ્તુ આપુ છું. આ વાતને એક ઉદાહરણ આપીને સમજાવુ તો જેણે દેશનો પહેલો સેટેલાઈટ સ્પેસમાં તરતો મૂક્યો હશે તેણે પણ આવો જ અનુભવ કર્યો હશે અને તેના કારણે જ આજે હજારો સેટેલાઈટ સ્પેસમાં તરતા મૂકાઈ રહ્યા છે. અન્ય એક મહિલા અધિકારીએ પીએમને પોતાનો પરિચય આપ્યો આ ચર્ચાના અંતે ફરી અધિકારીએ શાયરાના અંદાજમાં પોતાની વાત રજૂ કરતા કહ્યું કે, 'ના નામ ચાહિયે, ના ઈનામ ચાહિયે, ના નામ ચાહિયે, ના ઈનામ ચાહિયે, બસ દેશ આગે બઢે યે અરમાન ચાહિયે...મોદીજી આપકા હર સપના સાકાર હો, મોદીજી આપકા હર સપના સાકાર હો, દેશ કા નામ ઊંચા રહે, હર બાર બાર બાર હો. મોદીજી બુલેટ ટ્રેન હૈ પહેચાન હમારી, યે ઉપલબ્ધિ હૈ મોદીજી આપકી ઔર હમારી.' સુરત બુલેટ ટ્રેન સ્ટેશન પર બુલેટ ટ્રેન જેવા દેખાતું એક ટ્રેક મશીન નિયમિતપણે કાર્યરત છે, પરંતુ વડા પ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને NHSRCL દ્વારા એક વધારાનું ટ્રેક મશીન ખાસ અત્રે લાવવામાં આવ્યું હતું. આ ટ્રેક ઇન્સ્પેક્શન મશીન દેખાવમાં ભવિષ્યની બુલેટ ટ્રેન જેવું જ હોય છે, જે તેમાં બેસનારને પ્રોજેક્ટની વાસ્તવિકતાનો અનુભવ કરાવે છે. આ મશીનમાં બેસવા માટે આરામદાયક સીટ, કાચનાં વિશાળ વિંડોઝ તથા કંટ્રોલ પેનલ જેવી તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ ટ્રેક મશીનમાં બેસીને ટ્રેક અને સ્ટેશનના બાંધકામની વિગતવાર માહિતી મેળવી હતી. આ મશીનની સવારી દ્વારા તેમને બુલેટ ટ્રેનના રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિરીક્ષણ કર્યું હતું. મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ 508 કિ.મી. લાંબો છે. તેમાંથી હાલ 326 કિ.મી. એલિવેટેડ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સુરત-બિલીમોરા વિભાગ અંતિમ તબક્કામાં છે અને તેને પ્રોજેક્ટના સૌથી ઝડપી પ્રગતિવાળા ભાગોમાં ગણવામાં આવે છે. બુલેટ ટ્રેન ભારતીય રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ શરૂ કરનારી મહત્વાકાંક્ષી યોજના છે, જેના પ્રારંભિક સંચાલનમાં સુરતની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીનું આ નિરીક્ષણ પ્રોજેક્ટની ટાઇમલાઇન, સુરક્ષા અને ક્વોલિટી પેરામીટર્સની ઉચ્ચસ્તરીય સમીક્ષાનો ભાગ હતું.
વાંસદામાં બિરસા મુંડા જયંતિ ઉજવાઈ:સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજનું શક્તિ પ્રદર્શન કર્યું
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પંથકમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ ઉજવણીના ભાગરૂપે વલસાડના સાંસદ ધવલ પટેલે વાંસદા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. વાંસદાના ગાંધી મેદાનમાં ડીજેના તાલે શરૂ થયેલી રેલીમાં દૂર દૂર સુધી માત્ર માનવ મહેરામણ જ દેખાતું હતું. આ કાર્યક્રમ દ્વારા સાંસદ ધવલ પટેલે આદિવાસી સમાજની અસ્મિતા અને લોકપ્રિયતાનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો. આ જ દિવસે ડેડીયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આદિવાસીઓના દેવી મોગરીમાના મંદિરમાં પૂજા અર્ચના કરી રોડ શો કર્યો હતો. બીજી તરફ, નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે પણ એક સભા ગજવી હતી. વાંસદા સીટ કોંગ્રેસનો ગઢ મનાય છે, જેને આગામી 2027ની ચૂંટણીમાં ભેદવા માટે ભાજપ પૂરતા પ્રયાસો કરી રહ્યું છે. ગઈકાલે અનંત પટેલ નેત્રંગ ખાતે ચૈતર વસાવાની સભામાં હાજર રહ્યા હતા, તેવામાં તેમના જ વિધાનસભા ક્ષેત્રમાં સાંસદ ધવલ પટેલે નેત્રંગને ટક્કર આપે તેવો કાર્યક્રમ યોજી શક્તિ પ્રદર્શન કર્યું હતું. વલસાડના સાંસદ ધવલ પટેલ અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી મુદ્દાઓને લઈને અનેક વખત સામસામે આવતા રહ્યા છે. ગઈકાલની ઉજવણીનો આ વિડીયો હાલ નવસારીના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
વલસાડમાં બિસ્માર રસ્તાના પેચવર્ક પર સવાલ:કોન્ટ્રાક્ટરે પાથરેલો ડામર ઉખાડી ફરી કામ કર્યું
વલસાડ નગરપાલિકા દ્વારા બિસ્માર રસ્તાઓના પેચવર્કની કામગીરી પર સ્થાનિક લોકોએ સવાલો ઉઠાવ્યા છે. એસટી ડેપો પાસે ચાલી રહેલા કામમાં ગુણવત્તાને લઈને પ્રશ્નો ઊભા થતાં કોન્ટ્રાક્ટરે તાત્કાલિક પાથરેલો ડામર ઉખાડી ફરીથી કામ કરવું પડ્યું હતું. શહેરમાં પડેલા વરસાદને કારણે 125 કિલોમીટરના કુલ રોડ પૈકી આશરે 25 કિલોમીટરના રસ્તાઓ બિસ્માર બન્યા હતા. આ રસ્તાઓના સમારકામ માટે નગરપાલિકા દ્વારા પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગત રાત્રિએ વલસાડ એસટી ડેપો પાસે ચાલી રહેલી પેચવર્કની કામગીરીમાં બેદરકારી જણાતા કોંગ્રેસ અગ્રણી મિત દેસાઈને જાણ કરવામાં આવી હતી. તેમણે નગરપાલિકાની ટીમને જાણ કરતા, અધિકારીઓએ કોન્ટ્રાક્ટર સાથે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી. તપાસ દરમિયાન ગુણવત્તામાં ખામી જણાતા, પાથરેલો ડામર ઉખાડી નવો ડામર પાથરી ફરીથી પેચવર્ક કરવામાં આવ્યું હતું. મિત દેસાઈએ નગરપાલિકાના ઈજનેરને આ બાબતે ફરિયાદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પેચવર્કની સાઈટ પરથી ડામરના સેમ્પલ લઈને ખાનગી લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવશે. જો ડામરના કામમાં ક્ષતિ સાબિત થશે, તો સંબંધિત એજન્સીને બ્લેકલિસ્ટ કરવા સુધીની માંગ કરવામાં આવશે. યુથ કોંગ્રેસના કાર્યકર્તા મિત દેસાઈએ સ્થાનિક લોકોને આહ્વાન કર્યું છે કે તેઓ નગરપાલિકા દ્વારા થતી કામગીરી પર યોગ્ય દેખરેખ રાખે અને જો કોન્ટ્રાક્ટરના કામમાં કોઈ શંકા જણાય તો તાત્કાલિક પ્રશ્ન ઉઠાવી કામગીરી અટકાવે.
સોજીત્રા વિધાનસભામાં એકતા પદયાત્રા યોજાઈ:સાંસદ મિતેશ પટેલ અને ધારાસભ્ય વિપુલ પટેલે પ્રસ્થાન કરાવ્યું
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરના વિધાનસભા વિસ્તારોમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, આણંદ જિલ્લાના સોજીત્રા વિધાનસભા વિસ્તારમાં એકતા પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રાને સાંસદ મિતેશભાઈ પટેલ અને સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. તારાપુર નગરપાલિકાથી શરૂ થયેલી આ પદયાત્રાનું સમાપન પલોલ સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થયું હતું. આ પ્રસંગે સોજીત્રા વિધાનસભાના વિશેષ વ્યક્તિઓ તેમજ સરદાર પટેલ પરની વિવિધ સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પારિતોષિક એનાયત કરવામાં આવ્યા હતા. સાંસદ મિતેશભાઈ પટેલે તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નજીક આવી રહી છે. તેમણે દેશને આપેલા એકતા અને અખંડિતતાના સંદેશને જનજન સુધી પહોંચાડવા માટે આગામી ૨૬ નવેમ્બરના રોજ કરમસદથી કેવડિયા સુધી રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત, પ્રત્યેક વિધાનસભા વિસ્તારમાં પણ એક-એક પદયાત્રા યોજાઈ રહી છે. સોજીત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલે પદયાત્રીઓને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ પ્રથમ એકતા પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા, જે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યેનો લોકોનો સ્નેહ દર્શાવે છે. પદયાત્રાના પ્રારંભે મહાનુભાવોએ સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરીને ભાવાંજલિ આપી હતી. ઉપસ્થિત મહાનુભાવો અને નાગરિકોએ સ્વદેશીના શપથ લીધા હતા. કાર્યક્રમના અંતે, સોજીત્રાના ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ સરદાર સ્મૃતિ વનમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પદયાત્રામાં પેટલાદના મદદનીશ કલેક્ટર હિરેન બારોટ, પ્રાંત અધિકારી કુંજલ શાહ, જિલ્લા અગ્રણી સંજયભાઈ પટેલ, સંગઠનના અગ્રણીઓ, તારાપુર નગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, પોલીસ કર્મીઓ અને આરોગ્યની ટીમ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુરમાં થાર કારથી તોડફોડ કરનારની ધરપકડ:પોલીસે આરોપીને ઘટના સ્થળે લાવી કાયદાનું ભાન કરાવ્યું
પાલનપુરમાં થાર કાર વડે સલૂનમાં તોડફોડ કરનાર યુવક આર્યન પઢિયારની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેને ઘટનાસ્થળે લાવી ફરિયાદીની માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. આ ઘટના ગઈકાલે ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સના એરોમા સર્કલ વિસ્તારમાં બની હતી. સીસીટીવી ફૂટેજ મુજબ, યુવકે પહેલા કોમ્પ્લેક્સ આગળ પડેલી મોટરસાયકલ હટાવી હતી. ત્યારબાદ તેણે પોતાની થાર ગાડીને કોમ્પ્લેક્સના પગથિયાં પર ચઢાવી અંદર ઘુસાડી દીધી હતી. કોમ્પ્લેક્સમાં પ્રવેશ્યા બાદ, યુવકે સીધી ગાડી એક સલૂનની દુકાનના કાચ સાથે અથડાવી હતી. એકવાર ટક્કર માર્યા બાદ, તેણે ફરી તે જ દુકાનના કાચને બીજીવાર ટક્કર મારી અને પછી ગાડી લઈને નીકળી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ પાલનપુર પશ્ચિમ પોલીસને થતાં, પોલીસે ગણતરીના કલાકોમાં આર્યન પઢિયારને શોધી કાઢ્યો હતો અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે આરોપીને ઘટનાસ્થળે લાવ્યો હતો, જ્યાં તેને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
વડોદરા શહેરના સયાજીગંજ ખાતે આવેલ વાકળ સેવા કેન્દ્ર ખાતે રાઇઝ ઈન્ડિયા ઇનિશિએટિવ ફાઉન્ડેશન દ્વારા ડાયાબિટીસ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવ્યો આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા યોગાચાર્ય દિલીપ ધોળકિયાની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજે દવા વગર કઈ રીતે ડાયાબિટીસ પર કંટ્રોલ મેળવી શકાય તે અંગે જાણકારી આપી હતી. ડાયાબિટીસ પર વર્કશોપ યોજાયોઆ અંગે આશિષ પાંડેએ જણાવ્યું હતું કે, હું રાઇઝ ઇન્ડિયા ફાઉન્ડેશનનો મેમ્બર છું. આજે આ ડાયાબિટીસ ઉપર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. જેના માટે અમે અમદાવાદથી બહુ સરસ એક યોગાચાર્ય છે, દિલીપભાઈ ધોળકિયાની બોલાવ્યા છે. તેઓએ યોગમાં બેલેન્સ થેરપીની એક ટેકનિક ડેવલપ કરી છે. તેના માધ્યમથી તેઓ અહીંયા આજે વર્કશોપ દ્વારા માહિતી આપી રહ્યા છે કે કેવી રીતે આપણે ડાયાબિટીસને નોન-મેડિકલ રીતે રિવર્સ કરી શકીએ છીએ. ઇન્સ્યુલિન લેતા હોય એ લોકોનું ડાયાબિટીસ કેવી રીતે રિવર્સ થાયવધુમાં કહ્યું કે, રોજે રોજ જે લોકો ઇન્સ્યુલિન લેતા હોય એ લોકોનું ડાયાબિટીસ કેવી રીતે રિવર્સ થાય, કે જે લોકોનું ડાયાબિટીસ બહુ રહેતું હોય, તો એ ડાયાબિટીસ કેવી રીતે મેડિટેશનથી, યોગાથી અને એમની જે ટેકનિક એમને ડેવલપ કરી છે, બેલેન્સ થેરેપી, એનાથી કેવી રીતે રિવર્સ થઈ શકે છે તે સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અત્યારે અત્યારે આપણા પ્રોગ્રામમાં 100 થી 120 જેટલા લોકો આ પ્રોગ્રામનો બેનિફિટ લઈ રહ્યા છે. શું બેલેન્સ થેરેપીનો ઉપયોગથી ડાયાબિટીસ દૂર થાય?તેઓ દ્વારા શીખવવામાં આવી રહ્યું છે કે, કેવી રીતે બેલેન્સ થેરેપીનો ઉપયોગ કરવાથી ડાયાબિટીસને આપણે રિવર્સ કરી શકીએ છીએ. અને એ જે બેલેન્સ થેરેપી છે એ ખાલી ડાયાબિટીસ માટે નહીં, ઘણા શરીરના ઘણા બધા રોગો હોય છે, જેમ કે કોઈને ની-પેઇન હોય, બેક-પેઇન હોય, કોલેસ્ટ્રોલ હોય, બ્લડ પ્રેશર હોય, તો એ બધા રોગોમાં એમની એ જે બેલેન્સ થેરેપી ટેકનિક છે, એ યુઝફુલ થાય છે.
વલસાડ જિલ્લાના વાપી ગુંજન હાઇવે પર એક રિક્ષાની પાછળ લટકીને જોખમી મુસાફરી કરતો યુવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના NH-48 ના સર્વિસ રોડ પર બની હતી, જેના કારણે અકસ્માતનો ભય ઊભો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સર્વિસ રોડ પરથી પસાર થતા એક વાહનચાલકે આ જોખમી દ્રશ્યનો વીડિયો બનાવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, એક વ્યક્તિ રિક્ષાના પાછળના ભાગે લટકીને મુસાફરી કરી રહ્યો છે, જે અત્યંત જોખમી છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે આવી બેદરકારીભરી હરકતની ટીકા કરી છે. યુઝર્સે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને આવા કૃત્યોથી પોતાનો તેમજ અન્યનો જીવ જોખમમાં ન મૂકવા અપીલ કરી છે. આ ઘટનાને પગલે વલસાડ જિલ્લા ટ્રાફિક વિભાગ દ્વારા હાઇવે પર પેટ્રોલિંગ વધારવાની જરૂરિયાત ઊભી થઈ છે. સ્થાનિક રહીશો અને સોશિયલ મીડિયા યુઝર્સે આવા જોખમી સ્ટન્ટ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્રને હંમેશા જૂનાગઢ પોલીસે સાર્થક કરી બતાવ્યું છે, જ્યારે ફરી એકવાર જુનાગઢ પોલીસ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોબાઈલ તથા સોનાના કીમતી દાગીનાઓ શોધી મૂળ માલિકને પરત કરતા પોલીસ પ્રજાનો મિત્ર તે સૂત્ર સાર્થક થયું છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઇલ ફોન ખોવાઈ જવાના બનાવો બનતા હોય, જેના આધારે એસપી સુબોધ ઓડેદરા અને જુનાગઢ ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે. પરમારની સૂચના મુજબ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી.જેમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક થાય તે માટે લોકહીતમાં કામો કરવા અવારનવાર મૌખિક તેમજ લેખિત સૂચનાઓ અપાઈ હતી. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અલગ-અલગ વિસ્તારોમાંથી ગુમ/ચોરી થયેલ મોબાઇલ ફોનની અરજીઓ મળેલ હતી. આ અરજીઓમાં જણાવેલ મોબાઇલ ફોન નંગ-10, જેની કુલ કિંમત ₹ 1,90,000 થાય છે, તે તમામ મોબાઇલ ફોનને ટેક્નિકલ સોર્સથી તેમજ CEIR પોર્ટલની મદદથી શોધી કાઢી મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે પોલીસે જણાવ્યું છે કે હજુ પણ બીજા મોબાઇલો ડિટેક્ટ કરવાની કામગીરી ચાલુ છે અને બાકીના મોબાઇલો ટ્રેસ કરવાની કાર્યવાહી હાલ ચાલુ છે.અરજદારોના ₹ 2,30,000 ની કિંમતના સાડા ત્રણ તોલા સોનાના દાગીના પણ પોલીસે શોધીને મૂળ માલિકોને પરત કર્યા હતા. મોબાઇલ ફોન ઉપરાંત જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવેલી અરજીઓના કામે અરજદારોના ગુમ થયેલા સોનાના દાગીના પણ પોલીસે પરત અપાવ્યા છે. પ્રથમ કિસ્સામાં, અરજદારનું સોનાનું ડોકીયું 15 ગ્રામ વજનનું, જેની કિંમત ₹ 1,30,000 થતી હતી, તે રસ્તામાં પડી ગયેલું હતું જે ગુમ સોનું શોધી અરજદારને પરત અપાવવામાં આવ્યું. તેમજ બીજા કિસ્સામાં અન્ય અરજીના કામે અરજદારનું સોનાની કાનની સળી જોડી-1, સોનાની કાનની બુટી જોડી-1 તથા સોનાની પાન બુટી જોડી-1 જેનો વજન આશરે 2 તોલા, કિંમત ₹ 2,00,000 ગુમ થયેલું હતું, તે ગુમ થયેલ તમામ સોનું પણ શોધીને અરજદારને પરત અપાવવામાં આવ્યું છે. આમ, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ મોબાઇલ ફોન નંગ-10 ,કિંમત ₹ 1,90,000 તથા સોનાના દાગીના વજન સાડા ત્રણ તોલા જેની કિંમત ₹ 2,30,000 મળી કુલ ₹ 4,20,000 નો મુદામાલ અરજદારો અને ફરિયાદીઓને પરત આપવામાં આવ્યો છે. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.કે. પરમાર તથા પોલીસ સ્ટાફના હસ્તે આપવામાં આવ્યો છે. આ સારી કામગીરી કરનાર પોલીસ હેડ કોન્સ્ટેબલ નીલેષ ચૌહાણ, પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ગેલાભાઇ ચાવડા, નરેન્દ્ર બાલસ અને જુવાન લાખણોત્રાનો સમાવેશ થાય છે. આ કામગીરી દ્વારા જુનાગઢ પોલીસે લોકહિતની ભાવના અને ટેક્નિકલ ક્ષમતાનો ઉત્તમ સમન્વય સાબિત કરી બતાવ્યો છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગામડી નજીક વાંઘામાંથી 20 દિવસથી ગુમ થયેલા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. ગાંભોઈ પોલીસે મૃતદેહને પેનલથી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. મૃતક યુવકની ઓળખ રાહુલ કાંતિસિંહ પરમાર (ઉંમર 30) તરીકે થઈ છે, જે ગામડી ગામનો રહેવાસી હતો. તે આશરે વીસ દિવસ પહેલા ગુમ થયો હતો. રવિવારે સવારે 9 વાગ્યાના સુમારે ગામડી નજીક વાંઘા વિસ્તારમાંથી તેનો ડીકમ્પોઝ થયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે ગાંભોઈ પોલીસને જાણ થતાં, પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PI જે.એમ. રબારીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, મૃતદેહ ડીકમ્પોઝ થયેલી હાલતમાં હોવાથી તેને પેનલથી પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક તપાસ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. ત્યાંથી તેને વધુ ફોરેન્સિક તપાસ માટે અમદાવાદ મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. રાહુલ પરમાર મજૂરીકામ કરતો હતો. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લીંબડીના રાણાગઢ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો:વિકાસ કાર્યો થકી ગ્રામીણ વિકાસને ગતિ મળશે
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો આજુબાજુના ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. આ વિકાસ કાર્યો દ્વારા ગ્રામીણ વિકાસને ગતિ મળશે અને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામજનો માટે નવી સુવિધાઓનો માર્ગ મોકળો થશે. આ કાર્યક્રમ અંતર્ગત, સુરેન્દ્રનગર જિલ્લામાં આદિમ જૂથ યોજના હેઠળ રૂ. 12 લાખના ખર્ચે નાની કઠેચી અને પરાલી ગામે નવા આંગણવાડી કેન્દ્રોનું બાંધકામ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ. 5.90 કરોડના ખર્ચે ગેડી-પરનાળા મેજર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ ઉપરાંત, રૂ. 1.8 કરોડના ખર્ચે રળોલ અપ્રોચ રોડ (કિ.મી. 4/50થી 6/0), રૂ. 74.44 લાખના ખર્ચે ગડથલ - વડેખણ રોડ અને રૂ. 75 લાખના ખર્ચે તાવી-રોજાસર-ભગવાનપર રોડ જેવા રસ્તાઓના સુવિધાપથના કામોનો પણ શુભારંભ કરવામાં આવ્યો. પંચાયત, ગ્રામ, ગૃહ વિભાગ અને ગ્રામીણ વિકાસ હેઠળ રૂ. 24.99 લાખના ખર્ચે ગેડી અને પરાલી ગામમાં ગ્રામ પંચાયત ઘર નિર્માણ સહિતના વિકાસ કાર્યોનો પણ પ્રારંભ થયો હતો. આ તમામ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના સ્તરમાં સુધારો લાવવો, મજબૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી અને એકંદરે ગ્રામીણ વિકાસને ગતિ આપવાનો છે. આ કાર્યોનું અમલીકરણ કાર્યપાલક ઈજનેર, પંચાયત, માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવશે.
ગુજરાત અને દેશની ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાને આગળ ધપાવતાં ગિફ્ટ સિટીમાં રાજ્યનું સૌપ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ડેટા સેન્ટર ઉભું થવા જઈ રહ્યું છે. સુત્રોના જણાવ્યા મુજબ, આ સેન્ટરની ક્ષમતા 40 મેગાવોટ સુધીની રહેશે અને ગિફ્ટ સિટીના માસ્ટર પ્લાન મુજબ તેને વર્ટિકલ ફોર્મેટમાં વિકસાવવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રોજેક્ટના અમલીકરણ અને નિર્માણ માટેની ટેન્ડરની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થવાની છે. પ્રોજેક્ટ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે અને તેની સમયરેખા માંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયારીઓ સાથે જોડાઈને આગળ વધશે. ડેટા સેન્ટરની ડિઝાઈન ખાસ AI માટે ઓપ્ટિમાઈઝ કરાશેદેશમાં ઝડપી વધતા AI-કમ્પ્યુટની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સેન્ટર અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. AI આધારિત વર્કલોડ — ટ્રેનીંગથી લઈને ઇન્ફરન્સ સુધી — મોટા પ્રમાણમાં હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગની માંગ કરે છે, જેને ધ્યાનમાં રાખીને ડેટા સેન્ટરની ડિઝાઇન ખાસ AI માટે ઓપ્ટિમાઈઝ કરવામાં આવશે. પરંપરાગત ડેટા સેન્ટરથી અલગ, ગિફ્ટ સિટીમાં બનતું આ સેન્ટર વર્ટિકલ આર્કિટેક્ચર અપનાવશે, જેથી જમીનનો અસરકારક ઉપયોગ થાય, ઓપરેશનલ કાર્યક્ષમતા વધે અને ઊર્જા બચત શક્ય બને. ગિફ્ટ સિટી પહેલેથી જ ટેકફિન કંપનીઓ, બેંકો અને આંતરરાષ્ટ્રીય સ્ટોક અને બુલિયન એક્સચેન્જ માટે એક મુખ્ય હબ તરીકે ઉભરી છે. ટેકફિન કંપની, GCCs અને BFSI સેક્ટરના રોકાણમાં વધારાની શક્યતાવધુમાં જણાવ્યું કે મોટા પાયે નાણાકીય ટ્રાન્ઝેક્શન ડેટાની રિયલ-ટાઈમ પ્રોસેસિંગ, ફ્રોડ ડિટેક્શન અને આંતરરાષ્ટ્રીય નિયમનકારી પાલન પ્રક્રિયાઓમાં AI આધારિત વિશ્લેષણ અત્યંત અસરકારક સાબિત થશે. આ સેન્ટરથી ટેકફિન કંપનીઓ, વૈશ્વિક ક્ષમતા કેન્દ્રો (GCCs) અને BFSI સેક્ટરના રોકાણમાં પણ વધારો થવાની સંભાવના છે. સેન્ટર માટે લિક્વિડ કૂલિંગ ટેકનોલોજી અને એડવાન્સ પાવર સિસ્ટમ્સ જરૂરી રહેશે અને તેને વૈશ્વિક ધોરણો મુજબ વિકસાવવામાં આવશે. ગિફ્ટ-IFSCમાં પહેલેથી જ ત્રણ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ કાર્યરત છે અને મજબૂત પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ હોવાથી પ્રોજેક્ટને વધારાનો લાભ મળશે. તેમજ વધતી AI/ML વર્કલોડ, હાઈ-પરફોર્મન્સ ક્લાઉડ સિસ્ટમ્સ અને એન્ટરપ્રાઈઝ એપ્લિકેશન્સની માંગને પહોંચી વળવા આ આગામી પેઢીનું સેન્ટર એક મહત્વપૂર્ણ હબ બની રહેશે. વર્ટિકલ ફોર્મેટ જમીનના ઓછા વિક્ષેપ સાથે વધુ ટકાઉ અને સ્પેસ-એફિશિયન્ટ મોડેલ પ્રદાન કરશે. પ્રોજેક્ટ હાઈપરસ્કેલ અને AI-રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રસ ધરાવતા સ્થાનિક અને વૈશ્વિક વ્યવસાયકારોને આકર્ષી શકે છે.
પંચમહાલ કલેકટર મતદાન મથકોની મુલાકાતે:ગોધરાના મતદાન મથકોની મુલાકાત લઈ BLO કામગીરીની સમીક્ષા કરી
પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયાએ ૧૬ નવેમ્બરના રોજ ગોધરા શહેરના વિવિધ મતદાન મથકોની અચાનક મુલાકાત લીધી હતી. તેમણે બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી અને જરૂરી સૂચનો આપ્યા હતા. હાલમાં ચાલી રહેલી સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને, કલેકટરે અનેક બુથ પર પહોંચીને ત્યાંની તૈયારીઓની માહિતી મેળવી હતી. તેમણે સ્થળ પર હાજર BLO દ્વારા મતદાર યાદીની ચકાસણી, સુધારણા અને અન્ય કામગીરી સુચારુ રીતે ચાલી રહી છે કે કેમ તેનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કર્યું હતું. સ્થાનિક કાર્યકર્તાઓ અને BLOઓ સાથે ચર્ચા કરતાં, કલેકટરે તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે મતદાર યાદીમાં જો કોઈ ખામી હોય તો તેને તાત્કાલિક દૂર કરવા, તેમજ નવા મતદારોના નામ નોંધણી સહિતની કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવા માટે માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. કલેકટર દહિયાએ ખાસ ભાર મૂક્યો હતો કે મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે દરેક ટીમે સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. જિલ્લા કલેકટરની આ મુલાકાતથી વહીવટી તંત્ર ચૂંટણી સંબંધિત કામગીરીમાં વધુ સજ્જતા અને કડકાઈથી કામ કરશે તેવી અપેક્ષા છે.
જામનગરમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 78-જામનગર વિધાનસભા મતવિસ્તારમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી રિવાબા જાડેજાએ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પીને યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મેયરે શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મંત્રી તેમજ અન્ય મહાનુભાવોએ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને કીટ આપી સન્માનિત કર્યા હતા. મંત્રી રિવાબા જાડેજાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક યાત્રા નથી, પરંતુ એક રાષ્ટ્રપ્રેમી મહાન વિભૂતિને શ્રદ્ધાંજલિ છે. તેમણે સરદાર પટેલના જીવનને રાષ્ટ્રપ્રેમ, દયા અને સાહસ જેવા ગુણોની પ્રેરણા ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમા સ્થાપીને અને એકતા દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવીને સરદાર પટેલને યોગ્ય સન્માન આપ્યું છે. આ યાત્રાનો પ્રારંભ જામનગર ખાતે નવી કોર્ટ બિલ્ડીંગ પાસે ગાંધીનગર મેઈન રોડથી થયો હતો. તે પટેલ કોલોની, વિકાસગૃહ, ડી.કે.વી. સર્કલ, ગુરુ દત્તાત્રેય રોડ, સાંસદ નિવાસસ્થાન, વાલકેશ્વરી નગરી, ગુરુદ્વારા સર્કલ, મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ થઈને લાલ બંગલો સર્કલ પાસે સમાપ્ત થઈ હતી. યાત્રા દરમિયાન વિવિધ સ્થળોએ અલગ અલગ સમુદાયો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થયા હતા. મહાનુભાવોએ મહારાણા પ્રતાપ અને ડો. આંબેડકરના સ્ટેચ્યુને પુષ્પહાર અર્પણ કર્યા હતા. આ એકતા પદયાત્રામાં શાળાના આચાર્યો, શિક્ષકો, વિવિધ સમાજના અગ્રણીઓ, સંરક્ષક દળોના જવાનો, વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો સહિત મોટી સંખ્યામાં લોકો સહભાગી બન્યા હતા. તિરંગા સાથે અને રાષ્ટ્રભક્તિસભર ગીતોના સથવારે આ યાત્રા નગરના રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. આ યાત્રામાં અગ્રણી બીનાબેન કોઠારી, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસક પક્ષના નેતા આશિષભાઈ જોશી, મહાનગરપાલિકાના હોદ્દેદારો, પ્રાંત અધિકારી અદિતિ વૈષ્ણવ, તેમજ અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
માળીયા (મી) અને ટંકારા તાલુકામાં કૂવામાં ડૂબી જવાથી બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક સગીર બાળકનું મોત થયું છે. પોલીસે બંને બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માળીયા (મી)ના કોળીવાસમાં રહેતા 40 વર્ષીય ગોવિંદભાઈ અરજણભાઈ વાઘેલા નવાગામની સીમમાં આવેલા એક કૂવામાં કોઈ કારણોસર પડી ગયા હતા. પાણીમાં ડૂબી જવાથી તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માળીયાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી ઘટના ટંકારા તાલુકાના જીવાપર ગામે બની હતી, જ્યાં કૂવામાં પડી જવાથી 12 વર્ષીય સગીર બાળક જયદીપભાઈ મહેશભાઈ ભાભોરનું મોત થયું હતું. પોલીસ પાસેથી મળતી વિગત મુજબ, આ બનાવ ભાણજીભાઈ બારૈયાની વાડીના કૂવામાં બન્યો હતો. બનાવના દિવસે બપોરે 11 વાગ્યાના અરસામાં જયદીપ રમતા રમતા વાડીના કૂવાના કાંઠે ચડીને ત્યાં આવેલી ઓરડી ઉપર ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતે ઓરડીની પારાપેટની ઈંટ નીકળી જતા તે પાણી ભરેલા કૂવામાં પડી ગયો હતો. પાણીમાં ડૂબી જવાના કારણે જયદીપનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકના પિતા મહેશભાઈ ભાભોર દ્વારા ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગે પણ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગીર સોમનાથ જિલ્લાના મૂળ દ્વારકા બંદર વિસ્તારમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. એસ.પી. જયદીપસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ દિલ્હી બોમ્બ બ્લાસ્ટ બાદ જાહેર કરાયેલા હાઈ એલર્ટને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશનમાં એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ 2 DYSP, 6 PI, 7 PSI, SOG, LCB અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત 120થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. જિલ્લાના 110 કિલોમીટર લાંબા સંવેદનશીલ દરિયાકાંઠાના ગામોમાં વસવાટ કરતા લોકોની સઘન પૂછપરછ કરવામાં આવી હતી.કોમ્બિંગ દરમિયાન SOG ટીમને હઝરત કચ્છી પીર બાબાની દરગાહમાંથી કુહાડી, કાટો અને તલવાર જેવા હથિયારો મળી આવ્યા હતા. આ હથિયારો મળતા દરગાહના મુંજાવરની તાત્કાલિક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દિલ્હીમાં બનેલી ઘટનાને પગલે દેશભરમાં સુરક્ષા સઘન બનાવવામાં આવી છે. ગીર સોમનાથ પોલીસે પણ દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગ અને ચકાસણી વધુ સઘન બનાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આવા કોમ્બિંગ ઓપરેશન આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
પંચમહાલમાં માર્ગોના સમારકામનું અભિયાન શરૂ:રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રિસર્ફેસિંગ કરાશે
પંચમહાલ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા રસ્તાઓના સમારકામ અને રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાનિર્દેશો હેઠળ રાજ્યભરમાં વરસાદથી અસરગ્રસ્ત માર્ગો અને પુલોના સમારકામ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, પંચમહાલના જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના માર્ગ અને મકાન વિભાગની ટીમે મોરવા-ભૂરખલ રોડ, ભાટના મુવાડા એપ્રોચ રોડ, ખજૂરી–ભૂરખલ રોડ અને ખજૂરી એપ્રોચ રોડ સહિતના અગત્યના માર્ગો પર રોડ રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરી છે. આ કામગીરીથી શહેરા, કાંકરી, અણિયાદ, છાણીપ, ચારણગઢ, રેણા, મોરવા(રેણા), ભૂરખલ, ભાટના મુવાડા, ખજૂરી, ગોકળપૂરા અને ઉજડા જેવા ગામોના લોકોને સીધો લાભ મળશે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જણાવાયું છે કે જિલ્લા કલેક્ટર અજય દહિયાના નેતૃત્વ હેઠળ જિલ્લાભરમાં માર્ગ સુધારણા અને સમારકામની કામગીરી સતત ચાલુ છે.
મહીસાગરમાં વીજ ચેકિંગ, 9 જોડાણમાં ચોરી ઝડપાઈ:મધ્ય ગુજરાત વીજ કંપનીએ ₹16.20 લાખનો દંડ ફટકાર્યો
મહીસાગર જિલ્લામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા હાથ ધરાયેલા આકસ્મિક વીજ ચેકિંગ દરમિયાન વીજ ચોરીના 9 કેસ ઝડપાયા છે. આ ગેરરીતિ બદલ કુલ ₹16.20 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. વડોદરા સ્થિત MGVCL કોર્પોરેશન ઓફિસ દ્વારા લુણાવાડા અને સંતરામપુર તાલુકામાં આ વીજ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ કામગીરી માટે કુલ છ ટીમો તૈનાત કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન, કુલ 325 વીજ જોડાણોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી, 9 વીજ જોડાણોમાં વીજ ચોરીની ગેરરીતિ મળી આવી હતી, જેના પગલે સંબંધિત ગ્રાહકોને દંડ ફટકારવામાં આવ્યો છે.
સાબરકાંઠામાં 50 પોલીસકર્મીને બઢતી અપાઈ:વિવિધ પોલીસ સ્ટેશન અને બ્રાન્ચોના કર્મચારીઓને મળ્યો લાભ
સાબરકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા 50 પોલીસકર્મીઓને બઢતી આપવામાં આવી છે. આ બઢતીમાં બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ, ડ્રાઈવર પોલીસ હેડ કોન્સ્ટેબલ, બિન હથિયારી એ.એસ.આઈ. અને હથિયારી પોલીસ હેડ કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે. જિલ્લા પોલીસ વિભાગના સૂત્રોએ આ માહિતી આપી હતી. બઢતી પ્રક્રિયા અંતર્ગત, 23 બિન હથિયારી કોન્સ્ટેબલને બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે પદોન્નતિ મળી છે. આમાં 15 મહિલા પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે, જેમને તેમના સંબંધિત પોલીસ સ્ટેશનોમાં બઢતી અપાઈ છે. ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના અનોપસિંહ કાળુંસિંહ ઝાલા અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સંજયકુમાર જયદેવસિંહ રાવને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત, 17 બિન હથિયારી હેડ કોન્સ્ટેબલને બિન હથિયારી એ.એસ.આઈ. તરીકે બઢતી મળી છે, જેમાં 4 મહિલા પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. સાબરકાંઠા ટ્રાફિક શાખાના ભરતકુમાર લખાભાઈ પટેલ અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના વિશ્રામભાઈ રૂપાજી નીનામાને પણ ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી અપાઈ છે. વધુમાં, 6 હથિયારી પોલીસ કોન્સ્ટેબલને હથિયારી હેડ કોન્સ્ટેબલ તરીકે પદોન્નત કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. લાઠી તાલુકાના મતીરાળા ગામની સીમમાં એક ખેતરમાં કપાસના પાકની આડમાં વાવેલા 155.865 કિલો ગાંજાના છોડ સાથે એક આરોપીની સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચ (SOG) દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત રૂ. 77,93,250 આંકવામાં આવી છે. રાજ્ય સરકારના નશીલા પદાર્થો સામેના અભિયાન અંતર્ગત અમરેલી SP સંજય ખરાતની સૂચનાથી SOG ટીમને બાતમી મળી હતી. આ બાતમીના આધારે લાઠી તાલુકાના કેરાળા ગામ તરફ જતા રસ્તે આવેલા મતીરાળા ગામની સીમમાં બાબુ ડેરના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, છના પંચાલ (રહે. કેરાળા) નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. ખેતરમાંથી આશરે લીલા ગાંજાના 48 છોડ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 155.865 કિલોગ્રામ હતું. SOG દ્વારા આ સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી આરોપી છનાભાઈ પંચાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીને લાઠી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે, જ્યાં ગુનો નોંધી વધુ તપાસ ચાલી રહી છે. આ કામગીરીમાં અમરેલી SOG પી.આઈ. આર.ડી. ચૌધરી, જયરાજભાઈ વાળા, જીજ્ઞેશભાઈ પૉપટાણી, અરવિંદભાઈ ચૌહાણ, સ્વાગતભાઈ કુંવરીયા, જનકભાઈ કુવાડીયા અને નીરજભાઈ વાઘેલા સહિતની ટીમને સફળતા મળી હતી.
રાજકોટ મહાપાલિકા દ્વારા ફરી ત્રણેક દિવસથી ટીપી સ્કીમ હેઠળ માલિકીના મળેલા પ્લોટમાં દબાણો હટાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસમાં અનેક દબાણો હટાવીને કરોડોની જમીન ખુલ્લી કરાઈ છે. પરંતુ રાજકોટ મનપામાં ભળ્યા અને તે પૂર્વેના કબ્જા સાથે મળેલા અનેક પ્લોટમાં વર્ષોથી દબાણ છે. કોઇ આસામીની પોતાની જગ્યામાં દબાણ હોય તો લાખ પ્રયત્નો કરીને જગ્યા ચોખ્ખી કરે છે. પરંતુ સરકારી તંત્રને જાણે પોતાની જમીનની કંઇ પડી ન હોય તેમ ટીપી સ્કીમ હેઠળ SEWSH (આવાસ) હેતુના કુલ 142 પ્લોટ પૈકી 99 જેટલા પ્લોટમાં સંપૂર્ણ કે અંશતઃ દબાણો હોવા છતાં તંત્ર જાણે સાવ લાચાર છે. અને માત્ર નાની-મોટી ડિમોલિશનની કામગીરી કરીને સંતોષ માની રહ્યું છે. રાજકોટમાં ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ ગેરકાયદે બાંધકામો અને ભ્રષ્ટાચારનો મામલો સમગ્ર ગુજરાતમાં ઉઠ્યો હતો. તેમજ અનઅધિકૃત બાંધકામોને નોટીસો આપવાથી માંડીને ડિમોલીશન સહિતની કામગીરી કરાઈ હતી. જોકે આમ છતાં મનપાને પોતાના પ્લોટની જરાય ફીકર ન હોવાનું તાજેતરમાં આરટીઆઇ હેઠળ માંગવામાં આવેલી માહિતી પરથી સામે આવ્યું છે. આરટીઆઇમાં મળેલી જાણકારી મુજબ રાજકોટમાં SEWSH (સોશિયલી ઇકોનોમિકલી વિકર સેક્શન હાઉસિંગ-આવાસ) હેતુના મનપાનાં 99 પ્લોટમાં 10 ટકાથી માંડી 100 ટકા સુધીના દબાણો છે. જયારે વેસ્ટ ઝોનનાં કુલ 6 પ્લોટમાં તો કોર્ટ કેસ ચાલી રહ્યા છે. તો સેન્ટ્રલ ઝોનમાં અનેક પ્લોટમાં આવાસ યોજનાઓ બની હોય, આ પ્લોટ દબાણમાંથી બચ્યા છે. છતાં સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદેસર દબાણો હટાવવા તંત્ર દ્વારા કોઈ નોંધપાત્ર કામગીરી થઇ નથી. પૂર્વ ઝોનની વાત કરીએ તો એસઇડબલ્યુએસ હેતુના ફાઇનલ અને પ્રિલી ટીપી સ્કીમના 36 પ્લોટ રહેલા છે. ટીપી રાજકોટ અને ટીપી કોઠારીયાના પ્લોટ તેમાં સામેલ છે. જેમાં કોઠારીયાના તમામ 13 પ્લોટમાં નાના-મોટા દબાણ છે. જ્યારે 11 પ્લોટમાં તો 100 ટકા દબાણ છે. મકાન, તોડેલી ફેન્સીંગ, વોંકળામાં બાંધકામ સહિતનાં દબાણો મનપાનાં પ્લોટમાં થયા છે. એક જગ્યાએ તો સોસાયટીએ વૃક્ષારોપણ, મંદિરો, કોમર્શિયલ બાંધકામો, એક કંપનીના દબાણ, એક સાથે નાની સોસાયટી જેટલા મકાનો, ઓરડી, મફતીયાપરાના દબાણો છે. સેન્ટ્રલ ઝોનમાં ઘણા પ્લોટમાં આવાસ યોજનાઓ બની ગઇ છે. છતાં આ હેતુના 47 પૈકી 18 પ્લોટ દબાણગ્રસ્ત છે. અલગ અલગ સોસાયટીઓ બનાવવામાં આવી છે. આવાસ યોજનાના પણ નિર્માણ થયા છે. તો ઘણા પ્લોટમાં 100-100 ટકા દબાણ પણ રહેલા છે. રહેણાંક, કોમર્શિયલ, મંદિરના બાંધકામો તેમાં સામેલ છે. ઘણા પ્લોટ આવાસ યોજના વિભાગના હવાલે છે. ત્રણ ખુલ્લા પ્લોટ છે. વેસ્ટ ઝોનમાં ન્યુ રાજકોટ સહિતના વિસ્તારમાં 59 પ્લોટ છે. જેમાંથી 47માં દબાણ છે. જેમાં 5 ટકાથી લઈ 100 ટકા સુધીના દબાણ છે. એક ઓરડીના કારણે પણ દબાણ રેકર્ડ પર છે. 6 પ્લોટમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે. ટીપી 1 અને 4 ઓવરલેપ થતા સાઇટ પર કબ્જો લેવાતો નથી. મંદિર, દેરી, ચબુતરો, વૃક્ષારોપણ, રહેણાંક અને કોમર્શિયલ બાંધકામો સહિત રૈયા, નાના મવા, મવડી સહિતના વિસ્તારોમાં આ દબાણો કરવામાં આવ્યા છે. રાજકોટના સેન્ટ્રલ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હેઠળના ટીપી પ્લોટ્સની વિગતો સેન્ટ્રલ ઝોન (Central Zone) સેન્ટ્રલ ઝોનમાં રાજકોટ ટીપી 1 હેઠળ 1476 ચો.મી.નો પ્લોટ વામ્બે આવાસ અને મંદિર માટે, જ્યારે 6863 ચો.મી.નો મોટો વિસ્તાર નરસિંહ નગર સહિતની સોસાયટી માટે ફાળવવામાં આવ્યો છે. રાજકોટ ટીપી 3 માં 996 ચો.મી. અને 4457 ચો.મી.ના બે પ્લોટ 100% દબાણ હેઠળ છે. રાજકોટ ટીપી 4 માં 551, 916, 580, 3419, 743 અને 628 ચો.મી.ના પ્લોટ્સ પર 100% દબાણ છે. આ ટીપી 4 માં આવાસ યોજના માટે 411, 1542, 11463, 2992, અને 3840 ચો.મી.ના પ્લોટ્સ ફાળવેલ છે. ઉપરાંત, 7089 ચો.મી.નો એક પ્લોટ આવાસ અને હોકર્સ ઝોન માટે છે. રાજકોટ ટીપી 5 માં 25159 ચો.મી. પર 90% દબાણ અને 7370 ચો.મી. પર 100% દબાણ છે, જ્યારે 5380 ચો.મી. આવાસ યોજના માટે છે. રાજકોટ ટીપી 11 માં 3225 ચો.મી. પર 100% અને 3391 ચો.મી. પર 40% દબાણ જોવા મળે છે. રાજકોટ ટીપી 19 ના 8820 ચો.મી. અને 16252 ચો.મી.ના પ્લોટ્સ આવાસ વિભાગના હવાલે છે, જ્યારે 6036, 8608, અને 2899 ચો.મી.ના પ્લોટ્સ ખુલ્લા (ઓપન) છે. રાજકોટ ટીપી 23 માં 7284 ચો.મી. પર 80% દબાણ છે, જ્યારે 4282, 5127, 2888, અને 9775 ચો.મી.ના પ્લોટ્સ આવાસ યોજના માટે છે. કોઠારીયા ટીપી 13 માં 6343, 17077, અને 2025 ચો.મી.ના પ્લોટ્સ 100% દબાણ હેઠળ છે. છેલ્લે, રાજકોટ ટીપી 6 માં 45184 ચો.મી. અને રાજકોટ ટીપી 10 માં 1974 ચો.મી.ના પ્લોટ્સ પર 100% દબાણ છે. ઈસ્ટ ઝોન (East Zone) ઈસ્ટ ઝોનમાં રાજકોટ ટીપી 11 નો 9378 ચો.મી.નો પ્લોટ 100% દબાણ હેઠળ છે. કોઠારીયા ટીપી 12 માં 5657, 7686, 11039, 13194, 6445, અને 5315 ચો.મી.ના તમામ પ્લોટ્સ પર 100% દબાણ છે. કોઠારીયા ટીપી 13 માં 2725 ચો.મી. પર 30% દબાણ છે, જ્યારે 7692, 1185, 5198, 2592, અને 3396 ચો.મી.ના પ્લોટ્સ 100% દબાણ હેઠળ છે. રાજકોટ ટીપી 6 માં 6702 અને 11350 ચો.મી.ના પ્લોટ્સ 100% દબાણ હેઠળ છે, જ્યારે 2688 ચો.મી. અને 2196 ચો.મી. પર 35% દબાણ છે. 3460 ચો.મી.ના પ્લોટ પર જુના ઝુંપડા અને વોંકળો છે, જ્યારે 15274 ચો.મી.નો પ્લોટ આવાસ અને મંદિર માટે છે. રાજકોટ ટીપી 10 માં 3432 ચો.મી. સોસાયટીના વૃક્ષારોપણ માટે છે, 11799 ચો.મી. કોર્ટ કેસ હેઠળ છે, 3319 ચો.મી. પર 20% દબાણ છે, અને 1744 ચો.મી. દબાણ અને આંશિક રીતે ઓપન છે. રાજકોટ ટીપી 12 માં 2863 ચો.મી. પર 10% અને 7320 ચો.મી. પર 80% દબાણ (16 મકાન) છે. રાજકોટ ટીપી 13 માં 3207 ચો.મી. પર 20% દબાણ છે. આ ટીપીના અન્ય પ્લોટ્સમાં 4074 ચો.મી. (6 રૂમ/કારખાનું), 5779 ચો.મી. (1 ડેરી, મકાન), અને 2049 ચો.મી. (14 કાચા-પાકા મકાન) નો સમાવેશ થાય છે. રાજકોટ ટીપી 14 માં 10456 ચો.મી. પર 100% દબાણ, 8657 ચો.મી. પર 20% દબાણ, અને 7168 ચો.મી. પર 80% દબાણ છે. રાજકોટ ટીપી 7 નો 14677 ચો.મી.નો પ્લોટ અને રાજકોટ ટીપી 8 નો 11620 ચો.મી.નો પ્લોટ 100% દબાણ હેઠળ છે. રાજકોટ ટીપી 8 માં 6560 ચો.મી. કામદાર આવાસ યોજના માટે છે. વેસ્ટ ઝોન (West Zone) વેસ્ટ ઝોનમાં રાજકોટ ટીપી 3 નો 1985 ચો.મી.નો પ્લોટ 100% દબાણ હેઠળ છે. રૈયા ટીપી 16 માં દબાણવાળા પ્લોટ્સ 4719 ચો.મી. (10%), 6845 ચો.મી. (5%), 21 ચો.મી. (60%), 2778 ચો.મી. (70%), 7320 ચો.મી. (5%), 1848 ચો.મી. (10%), અને 4755 ચો.મી. (10%) છે, જ્યારે 1759 ચો.મી. પર 100% દબાણ છે. નાના મવા ટીપી 20 માં 3116 ચો.મી. પર ઓરડી, અને 1678 ચો.મી. તથા 15345 ચો.મી. પર 100% દબાણ છે. રૈયા ટીપી 22 માં 1761 ચો.મી. પર 10%, 3557 ચો.મી. પર 15%, અને 3248 ચો.મી. પર 45% દબાણ છે. રૈયા ટીપી 32 ના 10759, 7580, 24334, 21312, 10398, અને 12583 ચો.મી.ના છ પ્લોટ્સ કોર્ટ મેટર હેઠળ છે. રૈયા ટીપી 1 માં 1649 ચો.મી. પર મંદિર અને રોડ છે, જ્યારે 2747 ચો.મી. ટીપી-1 અને 4 નો વિસ્તાર છે. નાના મવા ટીપી 2 માં 1429 ચો.મી. પર મંદિર, દેરી, અને ચબૂતરો છે. નાના મવા ટીપી 5 માં 7923 ચો.મી. પર 5% દબાણ છે. મવડી ટીપી 21 માં દબાણની સ્થિતિ 893 ચો.મી. (100%), 3275 ચો.મી. (25%), 1356 ચો.મી. (60%), 1742 ચો.મી. (35%), 1719 ચો.મી. (30%), 1952 ચો.મી. (50%), 2446 ચો.મી. (40%), 1203 ચો.મી. (10%), અને 2536 ચો.મી. (40%) છે. મવડી ટીપી 26 અને 27 માં 13131 ચો.મી. અને 8484 ચો.મી.ના પ્લોટ્સ પર 1 મકાન છે. નાના મવા ટીપી 7 માં 2000.76 ચો.મી. પર 100% દબાણ છે. મવડી ટીપી 8 માં 2140 ચો.મી. અને 9834 ચો.મી. પર 100% દબાણ, અને 1279 ચો.મી. પર 80% દબાણ છે. વાવડી ટીપી 15 માં 18641 ચો.મી.નો પ્લોટ 50% વન વિભાગની નર્સરી છે. મોટા મવા ટીપી 10 માં 16624, 6107, 8307, અને 1730 ચો.મી.ના પ્લોટ્સ 100% દબાણ હેઠળ છે, જ્યારે 10166, 8935, અને 11191 ચો.મી.ના પ્લોટ્સ 40% દબાણ હેઠળ છે, અને 7516 ચો.મી. પર 70% દબાણ છે. મોટા મવા ટીપી 16 માં 10815 અને 6972 ચો.મી.ના પ્લોટ્સ પર કબજાની કાર્યવાહી ચાલુ છે. આ ટીપી 16 માં 4923 ચો.મી. પર 100% દબાણ, 1386 ચો.મી. અને 1370 ચો.મી. પર 30% દબાણ, અને 7594 ચો.મી. પર 100% દબાણ છે. જ્યારે 1274, 1424, 2926, અને 3649 ચો.મી.ના પ્લોટ્સની કોઈ વિગત આપેલી નથી. ઉલ્લેખનીય છે કે, આમ મનપાની માલિકીના માત્ર આ હેતુના 142 પ્લોટ પૈકી 99 પ્લોટમાં દબાણ હોવાથી આ જગ્યાનો કોઇ હેતુ માટે ઉપયોગ થતો નથી. માત્ર આવાસ નહીં પરંતુ અન્ય જાહેર હેતુ માટે પણ તેનો ઉપયોગ થઇ શકે છે. જે માટે નમુનારૂપ નહીં પરંતુ નકકર કામગીરીની જરૂર છે. જોકે લોકો કે વિપક્ષ દ્વારા જ્યારે આ મામલે સવાલો ઉઠવાય છે ત્યારે તંત્ર દ્વારા બે-ચાર ડિમોલિશન કરી સંતોષ માની લેવામાં આવે છે. એટલું જ નહીં બુલડોઝર ફેરવી ખુલ્લા કરવામાં આવેલા પ્લોટમાં ફરી દબાણ થાય નહીં તે માટે પણ નક્કર પગલાં લેવામાં આવતા નથી.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનું ભાટ ગામ આજે એક હડકાયા શ્વાનના આતંકને કારણે ભયના ઓથાર નીચે આવી ગયું છે. એક જ હડકાયા શ્વાને ગામમાં જાણે 'બાન' લીધું હોય તેમ એકસાથે 10 જેટલા લોકોને બચકાં ભર્યા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આટલું જ નહીં, આ શ્વાને ગામના 20થી વધુ પશુઓને પણ બચકાં ભરીને ઈજાગ્રસ્ત કર્યા છે, જેના કારણે ગામલોકોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. હડકાયા શ્વાને એક સાથે અનેક લોકો હુમલો કર્યોહડકાયા શ્વાને રાહદારીઓ અને પશુઓને નિશાન બનાવતા ગામમાં ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી. જે લોકોને હડકાયા શ્વાને બચકાં ભર્યા હતા, તેમને તાત્કાલિક સારવાર માટે માંગરોળ અને વધુ ગંભીર ઈજા પામેલા લોકોને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ભાટ ગામના રહીશ જયંતીભાઈએ આ ગંભીર ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાટ ગામમાં એક હડકાયા શ્વાને ગામને બાનમાં લીધું છે. આ શ્વાને 8 થી 10 લોકો અને રખડતા ઢોરને બચકાં ભર્યા છે. જે લોકોને હડકાયા શ્વાને બચકાં ભર્યા હતા તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે લાવવામાં આવ્યા છે અને અન્ય લોકોને વધુ સારવાર માટે જૂનાગઢ મોકલવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તોએ માંગરોળ અને જૂનાગઢ હોસ્પિટલમાં સારવાર લીધીઆ મામલે માંગરોળ સિવિલ હોસ્પિટલના ડોક્ટર ખાણીયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે ભાત ગામમાં હડકાયા શ્વાને બચકા ભર્યા હોય તેવા ચારથી વધુ દર્દીઓ સારવાર માટે આવ્યા હતા જેને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે તેમજ અન્ય જે ઇજાગ્રસ્તો હતા તે જુનાગઢ સારવાર માટે ગયેલા હોવાનું જાણવા મળ્યું છે હાલ માંગરોળ સિવિલ હોસ્પિટલમાં તમામ પ્રકારના ઇન્જેક્શન અને દવાનો જથ્થો ઉપલબ્ધ છે તેમજ હડકાયા પશુ કરડે તે માટેના ઇજાગ્રસ્તોને જે ઇન્જેક્શન આપવાના હોય તેવા ઇજાગ્રસ્તો જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ગયા છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત નવસારી જિલ્લામાં એકતા પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ પદયાત્રામાં 5000થી વધુ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં હતા. મંત્રી સી.આર.પાટીલે કાશ્મીર મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધીમંત્રી સી.આર. પાટીલે કાશ્મીર મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે 500 જેટલા રજવાડાઓને 24 કલાકમાં જોડ્યા હતા, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ જમ્મુ કાશ્મીર જોડી શક્યા નહોતા. કાશ્મીર જોડી ન શકવાને કારણે આજે પણ આપણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ, જે આપણા દિલમાં ખૂંચે છે અને મનમાં પણ ખટકે છે. 'સરદાર પટેલના અખંડ ભારતની યોજનાને PM મોદી ચોક્કસ પુરી કરશે'તેમણે વધુમાં જણાવ્યું કે, જે થયું તે થયું, પણ આજે ફરીથી ભારત સાથે કાશ્મીરને જોડવાના ચેલેન્જીસ અલગ છે. 370 ની કલમ રદ્દ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે કચાસ રહી છે, એને પુરી કરવાનો પ્રયાસ કર્યો છે. સંપૂર્ણ સફળતા હજી બાકી છે, પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના અખંડ ભારતની યોજનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચોક્કસ પુરી કરશે એવો દેશને વિશ્વાસ છે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે 'સરદાર@150 યુનિટી માર્ચ' અંતર્ગત નવસારી જિલ્લામાં એકતા પદયાત્રાનું આયોજન કરાયું હતું. શહેરના ફુવારાથી શરૂ થયેલી આ પદયાત્રા બીઆર ફાર્મ ખાતે સમાપ્ત થઈ હતી. આદિજાતી મંત્રી નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ, ધારાસભ્ય રાકેશ દેસાઈ, ઇન્ચાર્જ કલેક્ટર પુષ્પ લતા અને મહાનગરપાલિકા કમિશ્નર દેવ ચૌધરી સહિતના મહાનુભાવોએ પદયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયાઆ પદયાત્રામાં વિવિધ ક્ષેત્રના નાગરિકો સહભાગી થયા હતા. તેમાં 150 સરદાર પટેલ વેશભૂષા પદયાત્રીઓ, 50 કલાકારો, 250 'માય ભારત'ના સ્વયંસેવકો, 100 યોગ બોર્ડના સભ્યો, 500 શાળાના વિદ્યાર્થીઓ, 25 કોલેજના વિદ્યાર્થીઓ, 250 પોલીસ અને ફાયર ફાઇટરો, NCC કેડેટ્સ, 800 યુવાનો અને 2000 નવસારી શહેર તથા ગ્રામ વિસ્તારના નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થતો હતો. સૌએ રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રમુખે ધમકી આપી 15 કરોડની ખંડની માગીટુંડાવની ઈન્ડો એમાઇન્સના ડાયરેક્ટરને NGTના અધિકારી નામે ધમકી આપી, બે શખ્સની ધરપકડ વડોદરાના ટુંડાવની ઈન્ડો એમાઇન્સ લી. કંપનીના ડાયરેક્ટર સાજી જોશને એનજીટીના અધિકારીનો સપોર્ટ છે, કંપની પોલ્યુશન ફેલાવે છે, કંપની બંધ કરાવી દઈશું કહી 15 કરોડની ખંડણી માગનારા 2 ખંડણીખોરની સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. આ બંને ખંડણીખોરને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને ઝડપ્યાંઃ DCPઆ અંગે ડી.સી.પી. ઝોન-1 ડો. જગદીશ ચાવડાએ કેસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુનિલ મહિડા અને જીતસિંહ રાણાએ પ્રદૂષણના ખોટા આરોપ લગાવી કંપની બંધ કરાવવાની ધમકી આપી હતી. બાદમાં ખાનગી હોટેલમાં મિટિંગના બહાને છટકું ગોઠવી આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપીઓએ રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયાનો પ્રમુખ છે, તે કાર્ડ તપાસ માટે લેવાના આવ્યું છે અને તપાસ ચાલુ છે. સુનિલ મહિડા કારમાં લાલ-ભૂરી લાઇટ અને બાઉન્સર સાથે પહોંચતા શંકા ગાઢ બની હતી. કંપની ડિરેક્ટરે વાતચીતની ઓડિયો ક્લિપ સાથે પોલીસમાં BNS કલમ 308(2), 319, 351, 61 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં બંને આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ફરવામાં આવી છે. શું હતો સમગ્ર મામલો?22 ઓક્ટોબરે ટુંડાવમાં રહેતો જીતસિંહ રાણા ઉર્ફે દાઉદ તથા સુનિલ મહિડા કંપનીમાં ગયા હતા અને રિપબ્લીક પાર્ટી ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ ઓફ ગુજરાતનું કાર્ડ આપ્યું હતું. જીતસિંહએ સાજીને ફોન પર કહ્યું હતું કે, જે આવ્યા છે તેમને વાત કરી લેજો. ગામ લોકોએ કંપની વિરૂદ્ધ પોલ્યુશન બાબતે ફરિયાદ કરી છે. કંપની બંધ કરાવી દે એટલી તેમની હેસિયત છે. 30 ઓક્ટોબરે સયાજીગંજની એફોટેલ હોટેલમાં મિટિંગમાં સાજી સહિત ત્રણ કર્મી પહોંચ્યા હતાં, ત્યાં જીતસિંહ આવ્યો હતો. થોડીવારમાં એક કારમાં લાલ-ભૂરી લાઈટ ચાલુ રાખી સુનિલ મહિડા પહોંચ્યો હતો. તેની સાથે ચાર બાઉન્સર તથા ડ્રાઈવર ઉતર્યાં હતા. સાજીએ કહ્યું કે, ગામ લોકોની શું ફરિયાદ છે? ત્યારે તેઓએ કહ્યું હતું કે, 2 હજાર લોકોને સ્વાસ્થ્યને ખતરો છે. સાજીએ કંપની જીપીસીબીના નિયમોનું પાલન કરે છે. 30 વર્ષથી ટુંડાવ-મહારાષ્ટ્રમાં પ્લાન્ટ છે. કોઈ ફરિયાદ નથી. ત્યારબાદ સુનિલે કોઈ સરકારી અધિકારી શ્રીવાસ્તવને ફોન કરી અંગ્રેજીમાં વાત કરી હતી અને કંપનીના માણસો નેગોશિયેટ કરે છે તેમ કહ્યું હતું. ત્યારબાદ તેઓએ જણાવ્યું કે, તમારે શોર્ટ-આઉટ કરવું છે કે કેમ? આમાં અમારી સાથે અધિકારીઓ છે, તેમને રૂ.15 કરોડ આપવા પડશે, નહીં તો એનજીટીના અધિકારીઓ કંપની બંધ કરાવી દેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, કંપનીના કર્મીઓએ કહ્યું હતું કે, કંપની સરકારના નિતી નિયમો મુજબ ચાલે છે. તો શાના રૂપિયા આપવાના? જોકે, ત્યારે જીતસિંહે કહ્યું હતું કે, આ લોકો ઘણા પાવરફુલ છે. ગમે-તેમ કરીને ખોટી ફરિયાદ કરીને ગામના લોકોને ભેગા કરી કંપની બંધ કરાવી દેશે. કંપનીના કર્મીઓએ થોડો સમય માગ્યો હતો. ત્યારબાદ જીતસિંહ અવારનવાર ફોન કરી રૂપિયા બાબતે પૂછ્યા કરતો હતો. છટકું ગોઠવી આરોપીઓને દબોચ્યાસયાજીગંજની એફોટેલ હોટલમાં મિટિંગ યોજી રૂપિયાની માગણી કરાઈ હતી. બાદમાં આરોપીઓને પકડવા છટકુ ગોઠવાયું હતું. કંપનીના કર્મીઓએ બંને ગઠિયાને ફરી મિટિંગ કરવા એફોટેલ હોટલ બોલાવ્યા હતા અને ત્યાં પોલીસે બંનેને પકડી પાડ્યા હતા. મિટિંગ સહિતનું રેકોર્ડિંગ પણ કંપનીના કર્મીઓએ પોલીસને આપ્યું હતું. સાથે જ જાણવા મળ્યું હતું. અગાઉ કોઈની ચઢામણીથી કંપની આસપાસના લોકોએ કંપનીમાં તોડફોડ કરી લૂંટ કરી હતી. તે ઘટના અંગે ફરિયાદ પણ દાખલ થઈ હતી. ત્યારે ગામના કેટલાક લોકો પકડાયા હતા. કંપની બંધ કરાવવા ધમકી આપીસુનિલે કંપનીના કર્મચારીઓને કહ્યું હતું કે, કંપની તરફથી પોલ્યુશન અંગેની સંસ્થાને ઘણી ફરિયાદ મળી છે. તમારી કંપની બંધ કરાવી દઈએ એટલી તાકાત મારી પાસે છે. અમારી પાસે સેન્ટ્રલ ગવર્મેન્ટના એન.જી.ટી (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ)ના અધિકારીનો સપોર્ટ છે. મેઘાલયમાં કોલ માઇનિંગ બંધ કરાવી છે. તમારી કંપની પણ બંધ કરાવી દઈશું.
જૂનાગઢ જિલ્લામાં એક અત્યંત દુઃખદ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં લગ્નજીવનમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ દ્વારા આપવામાં આવતા શારીરિક અને માનસિક ત્રાસના કારણે પત્ની ભાવિશાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ ગુનાનો આરોપી અને મેંદરડા હેડક્વાર્ટર્સમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પતિ આશિષ લખમણ દયાતરની ચોરવાડ પોલીસે ઝડકા ગળુ રોડ નજીકથી આજે(16 નવેમ્બર )ધરપકડ કરી લીધી છે. પત્ની ભાવિશાને મરવા મજબૂર કરવા બદલ માળિયા હાટીના પોલીસ સ્ટેશનમાં ભાવિશાના પિતાએ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આ કડક કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ભાવિશાના પિતાએ જમાઈના અન્ય ત્રણથી ચાર સ્ત્રીઓ સાથેના આડાસંબંધો અને અમાનવીય ત્રાસ હોવાના ગંભીર આક્ષેપો લગાવ્યા હતા, જેના પુરાવા તરીકે એક ઓડિયો ક્લિપ પણ રજૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કેસની તપાસ ચોરવાડ PI સમીર મંધરા ચલાવી રહ્યા છે. આશિષ ભાવિશાને સતત માનસિક ત્રાસ આપતો હતોમૃતક દીકરી ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદમાં જમાઈ આશિષ દયાતરના અમાનવીય કૃત્યોનું વર્ણન કર્યું હતું. ભરતસિંહે જણાવ્યું હતું કે તેમની મોટી દીકરી ભાવિશાના લગ્ન પોલીસ કોન્સ્ટેબલ આશિષ સાથે થયા હતા. લગ્ન બાદ આશિષે ભાવિશાને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. પોલીસ કેદીને માર મારે તેમ પત્નીને માર મારતોભરતસિંહે આક્ષેપ કર્યો હતો કે આશિષ ભાવિશાને ઢોર માર મારતો, તેની છાતી પર કલાકો સુધી બેઠો રહેતો અને પોલીસ કેદીને માર મારે તેમ માર મારતો હતો. ભાવિશાને 28 દિવસ સુધી સતત માર મારવામાં આવ્યો હતો. ભાવિશાએ પિતાને એ પણ જણાવ્યું હતું કે આશિષ માર મારવાની સાથે બટકા પણ ભરતો હતો. પોલીસ સ્ટાફે સમજાવતા ભરતસિંહ દીકરીને ભીખોર ગામે લઈ આવ્યા હતાપતિના અસહ્ય ત્રાસથી કંટાળીને ભાવિશાએ ગત 28 તારીખે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. ભરતસિંહે જણાવ્યું કે જ્યારે ભાવિશાને સારવાર માટે લઈ જવામાં આવી ત્યારે મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા આશિષના પોલીસ સ્ટાફના સાહેબોએ તેમની દીકરી ભાવિશાને સમજાવી કે, આશિષ અમારા પોલીસ સ્ટાફનો છે, કંઈ કરતા નહીં. પોલીસ સ્ટાફે ત્યારે સમજાવતા તેની વાત માનીને ભરતસિંહે દીકરીને માળિયા હાટીના નજીક આવેલા ભીખોર ગામે લઈ આવ્યા હતા. ભીખોર આવ્યા બાદ ભાવિશાએ પિતાને આશિષના તમામ કાળા કામો અને ત્રાસની કહાની જણાવી હતી. તે સમયે ભાવિશાએ પોલીસ કેસ કરવાની વાત કરી હતીતે સમયે ભાવિશાએ પોલીસ કેસ કરવાની વાત કરી હતી, પરંતુ પિતા ભરતસિંહે પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને અન્ય બે દીકરીઓના લગ્નને ધ્યાનમાં રાખીને દીકરીને કેસ ન કરવા માટે સમજાવી હતી. આ નિર્ણય બાદ ભાવિશા નિરાશ થઈ ગઈ હતી અને આશિષને ફોન-મેસેજ કર્યા, પરંતુ આશિષે કોઈ જવાબ આપ્યો ન હતો. આખરે નિરાશ થઈને ભાવિશાએ આત્મહત્યાનું અંતિમ પગલું ભર્યું હતું. ઓડિયો ક્લિપમાં કોન્સ્ટેબલે ત્રાસ કબૂલ્યો હતોઆ સમગ્ર કેસમાં સૌથી મોટો પુરાવો મૃતક ભાવિશાના પતિ આશિષ દયાતર અને ભાવિશાના પિતા ભરતસિંહ વચ્ચે થયેલી ઓડિયો ક્લિપમાં આશિષ દયાતરે પોતે જ અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધો હોવાનું કબૂલ્યું હતું.ઓડિયો ક્લિપમાં આશિષ કહે છે કે, હું કબૂલું છું કે મારે જૂનાગઢમાં લફરું છે, મેંદરડા સ્ટાફમાં લફરું છે અને માતરવાણીયા ગામમાં પણ લફરું છે. આશિષે તેના સસરાને વિનંતી કરી હતી કે તમે કોઈને મારે લફરું છે તેવી વાતો ન કરતા. મને બીક લાગી ગઈ છે, મને ઘરે ખીજાશે. જોકે, આ કબૂલાત અને ત્રાસ આપવાનું બંધ કરવાની ખાતરી માત્ર 'એક્ટિંગ' હોવાનું ભાવિશાએ તેના પિતાને કહ્યું હતું. અંતે આશિષે ફોનનો જવાબ ન આપતા ભાવિશા નિરાશ થઈ અને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. કોન્સ્ટેબલ પતિની ધરપકડ, પોલીસે તપાસ હાથ ધરીમાળિયા હાટીના પોલીસે મૃતક ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાની ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર વિરુદ્ધ પત્નીને મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને આજે આરોપી પતિ આશિષ દયાતરની ધરપકડ કરી લીધી છે. ભરતસિંહે સરકારને અપીલ કરી છે કે, તેમની દીકરી ભાવિશાને ન્યાય મળવો જોઈએ અને અન્ય દીકરીઓ પર આ દુઃખ ન પડે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કોન્સ્ટેબલ જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિ દ્વારા પત્નીને ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવાના આ કેસમાં કાયદેસરની કાર્યવાહી હવે વેગ પકડશે.
સુરતના વરાછા વિસ્તારમાં ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કરતા બે ટાબરિયા સીસીટીવીમાં કેદ થઈ ગયા છે. વરાછા વિસ્તારમાં ટોબેકોની દુકાન ધરાવતા વેપારી પાસે જમ્બો તમાકુના બે બોક્સ ખરીદીને નકલી સ્કેનર બતાવી બે ટાબરિયા મોપેડ પર ફરાર થઈ ગયા હતા. ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કરી ફરાર થયાની આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ જવા પામી છે. આ સાથે જ બંને પકડાઈ નહીં તે માટે મોપેડની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી હતી. આ મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 5 હજાર રૂપિયાના તમાકુના બે જમ્બો બોક્સની ખરીદી કરીમળતી માહિતી પ્રમાણે સારોલી વિસ્તારમાં આવેલી મોર્ડન ટાઉનશીપ સોસાયટીમાં 61 વર્ષીય કાંતિભાઈ ચોપડા રહે છે અને વરાછા વિસ્તારમાં આવેલી જૂની શક્તિ વિજય સોસાયટીમાં મારુતિ એન્ટરપ્રાઇઝ નામથી તમાકુ અને સોપારીની દુકાન ચલાવે છે. 11 નવેમ્બર ના રોજ બે 12થી 15 વર્ષની ઉંમર ધરાવતા બે કિશોર મોપેડ લઈને આવ્યા હતા. જે પૈકી એક તરુણ જમ્બો નામની તમાકુના બે બોક્સ આપવાનું કહ્યું હતું. એક કિશોર મોપેડ પર જ બેસેલો હતો અને બીજો તમાકુ ખરીદવા માટે આવ્યો હતો. કાંતિભાઈએ બે બોક્સ તમાકુના આપ્યા બાદ ઇસમે હું 5000 રૂપિયા સ્કેનરથી પે કરું છું તેમ કહ્યું હતું. ત્યારબાદ સ્કેનર સ્કેન કર્યું ને રૂપિયા પે કરી દીધા હોવાનું જણાવ્યું હતું. જોકે રૂપિયા ખાતામાં આવ્યા ન હતા. આ બાબતે કાંતિભાઈએ કહ્યું કે રૂપિયા આવ્યા નથી. જેથી બંને ટાબરિયા તમાકુના બોક્સ લઈને ભાગી ગયા હતા. પરંતુ તેઓએ ફેક એપ દ્વારા ખોટુ પેમેન્ટ કર્યું હતું. ઓળખ ન થાય તે માટે મોપેડની નંબર પ્લેટ પર કાળી પટ્ટી મારી દીધી હતીબંને કિશોર ખરીદી કરવા આવ્યા અને ત્યારબાદ મોપેડ લઈને ભાગી જતા હોય તે પ્રકારની સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી માં કેદ થઈ જવા પામી છે. આ સાથે બંને ટાબરીયાઓ પકડાય નહીં તે માટે મોપેડ ની નંબર પ્લેટ પર પણ કાળી પટ્ટી મારી દીધી હતી. આ બાબતે દુકાનના માલિક કાંતિભાઈ ચોપડા દ્વારા વરાછા પોલીસ સ્ટેશન ખાતે બંને ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેથી વરાછા પોલીસ દ્વારા આ બંને યુવકોને ઝડપી પાડવાની દિશામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેપારી કાંતિભાઈએ આ બાબતે જણાવ્યું હતું કે, આ ઘટનાને ધ્યાનમાં રાખીને તમામ શહેરીજનોએ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. જો કોઈ વ્યક્તિ ઓનલાઇન પેમેન્ટ કરે તો તરત જ તમારું બેંક એકાઉન્ટ ચેક કરવું. વેપારીભાઈઓને અપીલ છે કે તેમની દુકાનમાં Sound Box અવશ્ય રાખો અને જો આવી કોઈ છતરપિંડી થાય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવો.
રાજકોટની સોની બજારના વેપારીઓ ફરી એક વખત પરપ્રાંતીયની જાળમાં ફસાઈ જતા નાણા ગુમાવવાનો સમય આવ્યો છે. રોકડા નાણા આપી લાંબા સમય સુધી પ્યોર સોનુ લઈ ગયા બાદ ભરોસો કેળવી વિશ્વાસઘાત કરતો શખ્સ સામે આવ્યો છે. 4 સોની વેપારી પાસેથી રૂ.42.64 લાખની કિંમતનુ સોનુ ખરીદ્યા બાદ ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ જતા શખ્સ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. જેથી પોલીસે વેપારીઓનું લાખો રૂપિયાનું સોનું ઓળવી જતા શખ્સને ઝડપી લેવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના દિવાનપરા શેરી નંબર - 1 માં સહજાનંદ વિલા મકાનમાં રહેતા અને સોનીબજારમાં સવજીભાઈની શેરીમા આવેલ સુવર્ણ મંદીર કોમ્પલેક્ષમાં દુકાન નં.16 મા ભકિત ગોલ્ડ દુકાન ધરાવતા પ્યૉર સોનુ લે વેચ કરતા વેપારી દેવેન્દ્રભાઈ રાધનપુરએ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મૂળ રાજસ્થાનના અને શહેરના પેલેસ રોડ ઉપર આકાર પેલેસ એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા ઓમદત્ત જાંગીડને છેલ્લા 7 વર્ષથી ઓળખું છું અને તે અવાર-નવાર રોકડા પૈસા આપી 24 કેરેટનું સોનુ લઈ જાય છે. ગત તા.3 ઓક્ટોબરના રોજ ઓમદતને 46 ગ્રામ 24 કેરેટ પ્યૉર સોનુ આપ્યુ હતુ અને ત્યારબાદ તેણે મને જણાવેલ કે આ સોનાના પૈસા હું તમને બેંક મારફત આપીશ. જે બાદ ગત તા.9 ઓક્ટોબરના 45 ગ્રામ સોનુ આપ્યુ હતુ અને તેમના પૈસા પણ બેંકથી આપશે તેવુ જણાવ્યુ હતુ. જે પછી તા.12 ઓક્ટોબરના 40 ગ્રામ સોનુ આપેલુ હતુ. આમ આ ઓમદતને અલગ અલગ તારીખે કુલ 131 ગ્રામ 24 કેરેટ સોનું જેની કુલ કિ.રૂ.16.37 લાખ થાય તે અમીએ આ ઓમદતને આપેલ હતુ. ઓમમદતે આ તમામ સોનાના પૈસા બેંક મારફત આપવાની વાત કરી હતી. જે બાદ તેને અવાર નવાર ફોન કરતા ફોન ઉપાડ્યો નહોતો તેમજ તેમના દિકરાએ પણ ફોન ઉપાડ્યો ન હતો અને તે પછી આ બન્નેએ ફોન બંધ કરી દીધા હતા. જે બાદ તપાસ કરતા અત્યાર સુધી મળી આવ્યો ન હતો. જે બાદ મને જાણવા મળ્યુ કે, સોની બજારમા સોનાનો વેપાર કરતા અજયભાઈ નરોતમભાઈ માંડલીયા (રહે.30, કરણપરા,કરણસિંહજી મેઈન રોડ શ્રીજીકૃપા, રાજકોટ)નુ રૂ.12.30 લાખની કિંમતનુ 24 કેરેટ સોનુ, સોની બજારમા સોનાનુ કામ કરતા સંજયભાઈ નગીનભાઈ પાટડીયા (રહે.વાણીયાવાડી શેરી નં.6, નવરત્ન સંકુલ, બીજા માળે ફલેટ નં.202) એ પણ 75 ગ્રામ સોનુ આપેલ હતુ. જેમાંથી 26 ગ્રામ સોનું તેમને પરત આપેલું હતુ. જ્યારે રૂ.5.80 લાખની કિંમતનું 49 ગ્રામ સોનુ લેવાનુ બાકી છે. આ સિવાય સોની બજારમાં કામ કરતા રૂત્વીકભાઈ રમેશભાઈ ભુવા (રહે.ગુંદાવાડી 20, રાજકોટ) એ ઓમદતને રૂ.8,17,500 ની કિંમતનું 64.140 ગ્રામ સોનુ આપેલુ હતુ. આ રીતે દેવેન્દ્રભાઈ તેમજ અન્ય વેપારીઓ મળી તમામ પાસેથી ઓમદતે રૂ.42,64,500 ની કિંમતનું 342.53 ગ્રામ સોનુ ન આપી વિશ્વાસઘાત કરેલો છે. જેથી એ ડિવિઝન પોલીસે ગત રાત્રે મળેલી ફરિયાદના આધારે ઓમદત્તને ઝડપી લેવા માટે તપાસતા ચક્રો ગતિમાન કર્યા છે.
ગાંધીધામમાં વેપારીઓએ સ્વેચ્છાએ અતિક્રમણ હટાવ્યા:મનપાની 6 ઇંચની મર્યાદાની સૂચના બાદ ઓટલા તોડાયા
ગાંધીધામ મહાનગરપાલિકાની સૂચના બાદ મુખ્ય બજારના વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દુકાન બહારના ઓટલા 6 ઇંચની મર્યાદામાં બનાવવાની કામગીરી શરૂ કરી છે. રોડથી 6 ઇંચથી વધુ ઊંચાઈ ધરાવતા ઓટલા તોડી પાડવા માટે મનપા દ્વારા સૂચના અપાઈ હતી. આજે રવિવારે ગાંધીચોકથી ઝંડાચોક સુધીની બજારમાં દુકાન બહારના અતિક્રમણ દૂર કરવામાં આવ્યા હતા. વેપારીઓએ સકારાત્મક અભિગમ અપનાવીને આ કાર્યવાહીમાં સહયોગ આપ્યો છે. વેપારીઓની આ સક્રિયતા અને સહકારને કારણે બજારમાં ટ્રાફિક અને ફૂટપાથ પરની અવરજવર સરળ બનશે. મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ શહેરના માર્ગોને ટ્રાફિક મુક્ત કરવા માટે ખાસ દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આ કાર્યવાહી થઈ રહી છે.
બોટાદમાં રવિ પાકનું વાવેતર શરૂ:માવઠા બાદ સરકારે સહાય આપી, ખેડૂતો પાક ધિરાણ માફી ઈચ્છે છે
બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદના માર બાદ હવે રવિ પાકના વાવેતરની કામગીરીએ ગતિ પકડી છે. ખેડૂતો ધીમી ગતિએ ખેતરોમાં ઉતરી મુખ્ય શિયાળુ પાકોનું વાવેતર શરૂ કરી રહ્યા છે. જોકે, સરકારે સહાય જાહેર કરી હોવા છતાં, ખેડૂતો માવઠાથી થયેલા નુકસાન બાદ પાક ધિરાણ માફ કરવાની માંગ કરી રહ્યા છે. બોટાદ જિલ્લાના ગઢડા, બરવાળા, રાણપુર અને બોટાદ તાલુકાઓમાં હાલમાં કુલ ૨૬૭૫ હેક્ટરમાં ઘઉં, ૧૭૦૨ હેક્ટરમાં ચણા, ૧૬૫ હેક્ટરમાં જીરું, ૧૩૭ હેક્ટરમાં શાકભાજી અને ૫૩૭ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. અન્ય ખેડૂતો પણ રવિ પાકના વાવેતરની તૈયારીઓમાં વ્યસ્ત છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે, જેના કારણે તેઓ આર્થિક રીતે પાયમાલ થયા છે. સરકારે રાહત પેકેજ જાહેર કર્યું છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે તેઓ હાલ ખેતી કરવા માટે સક્ષમ નથી. તેથી, સરકાર પાક ધિરાણ માફ કરે તો જ ખેડૂતો ફરી પગભર થઈ શકે તેમ છે. કેટલાક વિસ્તારોમાં વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે, જ્યારે ઘણા ખેડૂતો હજુ પણ રવિ સીઝનના પાકો વાવવામાં વ્યસ્ત છે. જો આગામી દિવસોમાં હવામાન સાનુકૂળ રહેશે, તો વાવેતરના વિસ્તારમાં વધુ વધારો થવાની શક્યતા છે. ખેડૂતો સારા ઉત્પાદનની અપેક્ષા સાથે વાવેતર કરી રહ્યા છે.
ભુજ શહેરના સીમંધર સિટી વિસ્તારમાં આજે રવિવારે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ એક મકાનમાં આગ લાગી હતી. આ આગ ઘરના પૂજા સ્થળેથી શરૂ થઈ હતી. ઘટના સમયે ઘરમાં હાજર મહિલા સભ્યો સમયસર બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. આગ ઝડપથી સમગ્ર રૂમમાં ફેલાઈ ગઈ હતી, જેના કારણે ઘરમાં રહેલું રાચરચીલું બળીને ખાખ થઈ ગયું હતું અને મોટી નુકસાની થઈ હતી. બનાવના પગલે આડોશ-પડોશના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તંત્રને જાણ કરી હતી. માહિતી મળતાં જ ભુજ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગને કાબૂમાં લીધી હતી. આ કામગીરીમાં ફાયર વિભાગના યશપાલસિંહ વાઘેલા, સોહમ ગોસ્વામી, ચંદ્રદિપસિંહ ઝાલા અને નરેશ મહેશ્વરી જોડાયા હતા.
દેવગઢ બારીયામાંથી ₹92,578નો વિદેશી દારૂ જપ્ત:દાહોદ LCB એ કાપડી ફળિયામાં દરોડા પાડી 307 બોટલ કબજે કરી
દાહોદ LCB પોલીસે દેવગઢ બારીયા નગરના કાપડી ફળિયામાં આવેલા એક રહેણાંક મકાન પર દરોડો પાડી ₹92,578નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ 307 બોટલ દારૂ કબજે કરવામાં આવ્યો હતો. જિલ્લામાં દારૂબંધીની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે દાહોદ જિલ્લા પોલીસની સૂચના અને માર્ગદર્શન હેઠળ સતત કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત, LCB ટીમને મળેલી બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. ગતરોજ દાહોદ LCB ટીમે દેવગઢ બારીયા નગરના કાપડી વિસ્તારમાં રહેતા મુમ્તાજ ઇસ્માઇલ રશીદવાલાના મકાન પર ઓચિંતી રેડ કરી હતી. રેડ દરમિયાન, મકાનમાંથી વિદેશી દારૂની કુલ 307 બોટલ મળી આવી હતી, જેની બજાર કિંમત ₹92,578 આંકવામાં આવી છે. LCB એ દારૂનો જથ્થો કબજે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ સીઝન-2 શરૂ:ટુર્નામેન્ટમાં 10 ટીમો અને 170 થી વધુ ખેલાડીઓ ભાગ લેશે
ભરૂચ તાલુકાના જુના તવરા ગામમાં સામાજિક એકતાનો સંદેશ આપનાર જુના તવરા ક્રિકેટ પ્રીમિયર લીગ (TPL) સીઝન-2 –2025 નો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. સતત બીજા વર્ષે ગામના યુવા આગેવાનો દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં 10 ટીમો અને 170 થી વધુ યુવા ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. ગામના દરેક સમાજના યુવાનો એક પણ ભેદભાવ વગર એક જ મેદાનમાં ક્રિકેટ રમી શકે અને રમતના માધ્યમથી સમાજમાં પરસ્પર પ્રેમ, એકતા અને સહકારની ભાવના વિકસે તેવો હેતુ આ આયોજન પાછળ રહેલો છે. ક્રિકેટ ટુર્નામેન્ટ માત્ર રમત સુધી સીમિત ન રહી, ગામના સામાજિક તેમજ વિકાસ સંબંધિત કાર્યોમાં પણ યુવાનો એકસાથ જોડાય તેવો ઉમદા સંદેશ આપવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચની પૂર્વ પટ્ટી ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધી ઝડપભેર શહેરી વિકાસ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારોના યુવાનોને પ્રોત્સાહન મળે અને તેઓ સ્વવિકાસ તરફ આગળ વધી શકે તે માટે પણ આ ટુર્નામેન્ટ મહત્વપૂર્ણ ગણાય છે. આજે ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે ગામના વિવિધ સામાજિક અગ્રણી જેમ કે ગણપતસિંહ પરમાર, મનહરજી પરમાર, પ્રવીણસિંહ પરમાર,ડાહ્યાભાઈ આહીર (દક્ષિણ ગુજરાત આહીર સમાજ ઉપપ્રમુખ),બકોરભાઈ ઠાકોર,બાધર ગોહિલ, કેતન ગોહિલ, હસમુખ ગોહિલ, રણજીત વસાવા (ભરૂચ તાલુકા પંચાયત ઉપપ્રમુખ), પૃથ્વીરાજસિંહ પરમાર તથા શક્તિસિંહ પરમાર સહિતના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં વહેલી સવારે એક મહિલા પર પિતા-પુત્રએ હુમલો કર્યો હતો. ભેંસ દોહવા ગયેલી મહિલા સાથે એક શખસે ખરાબ કામ કરવાની માંગણી કરી, વિરોધ કરતાં છરી અને ધારીયા વડે ધમકાવી કપડા ફાડી નાખ્યા હતા. પોલીસે બે આરોપીઓ સામે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરસ્વતી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, આ ઘટના ફરિયાદી મહિલાના વાડામાં બની હતી. મહિલા પોતાના વાડામાં ભેંસ દોહતી હતી, ત્યારે ગામનો પ્રવિણજી ભોપાજી ઠાકોર ત્યાં આવ્યો હતો. પ્રવિણજીએ મહિલાને 'તું મારી સાથે ખરાબ કામ કર' તેવી માંગણી કરી હતી. મહિલાએ ઇનકાર કરતાં આરોપી પ્રવિણજીએ તેની પાસે રહેલી છરી બતાવી ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ બૂમાબૂમ કરતાં આરોપી પ્રવિણજીના પિતા ભોપાજી રાયચંદજી ઠાકોર હાથમાં ધારીયું લઈને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ભોપાજી ઠાકોરે પોતાના હાથમાં રહેલું ધારીયું ફરિયાદી મહિલાને સાથળના ભાગે ઊંધું માર્યું હતું. પુત્ર પ્રવિણજી ઠાકોરે મહિલા સાથે ઝપાઝપી કરી તેમના કપડા ફાડી નાખ્યા હતા. બંને આરોપીઓએ મહિલાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મામલે ફરિયાદી મહિલાએ સરસ્વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ઠાકોર પ્રવિણજી ભોપાજી અને ઠાકોર ભોપાજી રાયચંદજી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 74, 76, 115(2), 296(b), 351(3), 54 તેમજ ગુજરાત પોલીસ અધિનિયમ (GPA)ની કલમ 135 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બોટાદ પોલીસે મોટરસાયકલ ચોરીના આરોપીને ઝડપ્યો:પીપરડી ગામના શખ્સ પાસેથી બે ચોરાયેલી બાઈક મળી
બોટાદ ટાઉન પોલીસે મોટરસાયકલ ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસ કોમ્બિંગ નાઈટ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઝડપાયેલા આરોપીનું નામ વિપુલ કનુભાઈ મેટાલીયા છે, જે બોટાદના પીપરડી ગામનો રહેવાસી છે. પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ શહેરના અલગ અલગ સ્થળોએથી બે મોટરસાયકલની ચોરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોરી કરાયેલી બંને મોટરસાયકલ જપ્ત કરી છે. હાલ પોલીસે આરોપીએ અન્ય કેટલી જગ્યાએથી મોટરસાયકલ ચોરી કરી છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજના નિર્માણ કાર્યને કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે રાજકીય અગ્રણી માલવદીપસિંહ રાઉલજીએ સંબંધિત અધિકારીઓ સાથે વૈકલ્પિક માર્ગની સમીક્ષા કરી હતી. ગાંધીચોકથી અમૂલ પાર્લર સુધી નિર્માણાધીન બ્રિજના ગર્ડર બેસાડવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે આગામી દિવસો માટે ડાયવર્ઝન અપાયું છે. આ ડાયવર્ઝનના પરિણામે શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીની સૂચના મુજબ, તેમના પુત્ર માલવદીપસિંહ રાઉલજીએ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે સતગુરુ સાયકલ પાસેથી એક કટ ખોલવાનું સૂચન કરવામાં આવ્યું હતું. આ વૈકલ્પિક માર્ગ આગામી બે દિવસમાં કાર્યરત થશે. આ નવો માર્ગ શરૂ થવાથી પાંજરાપોળથી બામરોલી તરફ જતા વાહનચાલકો અંકલેશ્વર મહાદેવ રોડ અથવા જૈન સોસાયટીના માર્ગનો ઉપયોગ કરી શકશે. આ વ્યવસ્થાથી ટ્રાફિક નિયમનમાં ઘણી સરળતા રહેશે. આ માહિતી ૧૫ નવેમ્બરની મોડી રાત્રે પ્રાપ્ત થઈ હતી.
ભાવનગર શહેરને હચમચાવી દેનારી એક ઘટના સામે આવી છે. જેમાં છેલ્લા દસ દિવસથી ગુમ થયેલા માતા, પુત્ર અને પુત્રીના મૃતદેહ ફોરેસ્ટ કોલોની નજીક આવેલા કાચના મંદિરની જગ્યામાંથી દટાયેલી હાલતમાં મળી આવ્યા છે. આ ત્રણેય પરિવારના સભ્યો સુરત જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા, પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો. દટાયેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસે આ મામલે હત્યાની આશંકા વ્યક્ત કરી છે . ઘટનાસ્થળે પોલીસે પહોંચીને આ મામલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ........ આ સમાચાર પણ વાંચોઃજેના નામની મહેંદી મૂકી તે ‘સાજન’એ જ જીવ લીધો:પાનેતર બન્યું મોતનું કારણલગ્ન એક એવો શબ્દ કે જેને સાંભળી ખુશી, હર્ષોઉલ્લાસ અને પ્રેમની અનુભૂતિ થાય. જ્યારે બે લોકો એકબીજા જોડે સુખ દુ:ખમાં સાથે રહેવાના સપના જૂએ ત્યારે પ્રભુતાના પગલાં માંડતા હોય છે. આવી જ એક ભાવનગરની 22 વર્ષીય યુવતી સોનીએ પણ પોતાના ‘સાજન’ના સપના જોયા હતા. પણ તેને ક્યાં ખબર હતી કે તેનો સાજન તો ‘શેતાન’ નીકળશે. આજે વાત કરવી છે એવા બનાવની કે જેને ભાવેણાવાસીઓને હલાવી દીધા છે. જેમ સાગરમાં સુનામી આવે ને હિલોળા મારે તેમ આજે દરેક ભાવેણાવાસીઓના મન વિચારોના વમળમાં ફસાયેલા છે. ભાવનગર શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાં ટેકરી ચોક નજીક 15 નવેમ્બરે વહેલી સવારે લગ્નના દિવસે જ સોની નામની યુવતીની તેના ભાવિ પતિ સાજને માથામાં પાઇપ મારી દીવાલે માથું ભટકાવી હત્યા કરી દેતા ગોહિલવાડ ગુમસુમ છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
જોધપુર પાસે અકસ્માતમાં 6નાં મોત:ટેમ્પો-ટ્રક ટ્રેલર અથડાયા, 10થી વધુ ઘાયલ, બે ગંભીર
રાજસ્થાનના જોધપુર નજીક બાલેસર નેશનલ હાઈવે 125 પર ખારીબેડી પાસે આજે વહેલી સવારે મીની ટેમ્પો અને ટ્રક ટ્રેલર વચ્ચે ધુમ્મસના કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે અને અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના ચાર મળી કુલ છ લોકોના મોત થયા છે. આ ઉપરાંત, બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા છે અને દસથી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. પુંસરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં આ માહિતી આપી હતી. મૃતકોમાં પુંસરી ગામના પ્રજાપતિવાસમાં રહેતા 23 વર્ષીય પ્રિતેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (મીની ટેમ્પોના ચાલક) અને પુંસરી બસ સ્ટેન્ડ પાસેના 65 વર્ષીય કેશાભાઈ કોહ્યાભાઈ વાળંદનો સમાવેશ થાય છે. તેમની સાથે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂગનાથપુરા ગામના શ્રદ્ધાળુઓ પણ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા. આ અકસ્માત રવિવારે વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે 125 પર બાલેસર નજીક ખારીબેડી પાસે થયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં મીની ટેમ્પોનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં સ્થળ પર ત્રણ લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. બે ગંભીર ઘાયલો સહિત દસથી વધુ ઈજાગ્રસ્તોને જોધપુરની મથુરાદાસ વિસ્તારમાં આવેલી માથુર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટના અંગે રાજસ્થાનના બાલેસર પોલીસ સ્ટેશન દ્વારા ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના સરપંચ નરેન્દ્રભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સરપંચે ટેમ્પો ચાલક અને અન્ય એક મૃતકના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. સવારે પુંસરીથી રામદેવરા માટે એક ટીમ મોકલવામાં આવી હતી અને આવતીકાલે સવારે મૃતદેહો ગુજરાત પહોંચે તેવી શક્યતા છે.
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉન પોલીસ મથકમાં 15 વર્ષ પહેલા નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ફરાર આરોપી ઝુબેર અબ્બાસભાઈ સમેજાને મુંબઈના ભાયંદરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આરોપી છેલ્લા 15 વર્ષથી પોલીસ પકડથી બચતો હતો. આ ગુનો વર્ષ 2011માં કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. જામનગરના લાલવાડી આવાસ વિસ્તારનો રહેવાસી ઝુબેર સમેજા આ કેસમાં ફરાર જાહેર કરાયો હતો. જામનગરની પેરોલ ફર્લો સ્ક્વોર્ડને ચોક્કસ બાતમી મળી હતી કે, આરોપી મુંબઈના ભાયંદર વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે સ્ક્વોર્ડની ટીમે મુંબઈમાં તપાસ હાથ ધરી હતી અને ભાયંદરના કાશીગાંવ ખાતેથી ઝુબેરને પકડી પાડ્યો હતો. આરોપીને જામનગર લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને કાલાવડ ટાઉન પોલીસ મથકને સુપ્રત કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રાણાગઢ ખાતે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લા કક્ષાના પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સુરેન્દ્રનગર જિલ્લાના પશુપાલકો માટે યોજાયો હતો. આ મેળામાં આસપાસના ગામોના અનેક પશુપાલકોએ ભાગ લીધો હતો. તેનો મુખ્ય હેતુ પશુધનને વિનામૂલ્યે તબીબી સહાય પૂરી પાડવાનો અને પશુપાલકોને પશુઓની સંભાળ વિશે જાગૃત કરવાનો હતો. પશુ ચિકિત્સા અધિકારી ડૉ. પલક વૈદએ મેળાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ કેમ્પમાં વિવિધ પ્રકારના પશુઓ અને કેસની સારવાર કરવામાં આવી હતી. કીટોસિસ અને મિલ્ક ફીવર જેવા સામાન્ય કેસ ઉપરાંત એસિડ એટેક જેવા ગંભીર ઘાવના બે-ત્રણ કેસની પણ સફળ સારવાર કરાઈ હતી. અત્યાર સુધીમાં 60થી વધુ પશુઓની સારવાર કરાઈ છે. આ કેમ્પમાં પશુઓને લગતી દરેક પ્રકારની સારવાર, જેમ કે રસીકરણ, સામાન્ય બીમારીઓની સારવાર, ઈજાની સારવાર અને આરોગ્ય સંબંધિત મહત્વપૂર્ણ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી હતી. આ પશુ આરોગ્ય કેમ્પથી સ્થાનિક પશુપાલકોને તેમના પશુઓના સ્વાસ્થ્ય જાળવવામાં ઘણી રાહત મળી હતી. આ કાર્યક્રમ દ્વારા સરકારે પશુઓના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને સ્થાનિક ગ્રામ્ય અર્થતંત્રને સહાય પૂરી પાડી છે. આવા પ્રયાસો દ્વારા સરકાર ગ્રામીણ કલ્યાણના કાર્યોને વેગ આપી રહી છે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલાઈડ એન્ડ હેલ્થકેર સાયન્સીસ (BDIAS)ના મેડિકલ ઈમેજિંગ ટેક્નોલોજી વિભાગના વિદ્યાર્થીઓએ મેંગલોરમાં આયોજિત 23મી નેશનલ કોન્ફરન્સમાં પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ કોન્ફરન્સ કસ્તુરબા મેડીકલ કોલેજના ડીપાર્ટમેન્ટ ઓફ રેડિયોડાયાગ્નોસીસ એન્ડ ઇમેજિંગ દ્વારા યોજાઈ હતી. તેની થીમ ‘ADVANCING FRONTIERS : USHERING IN A NEW ERA OF MEDICAL IMAGING- IMAGINE 2025’ હતી. આ કોન્ફરન્સમાં BDIASના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીની શાહ, આસિસ્ટન્ટ પ્રોફેસર અત્રી ઠાકરે અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ્રોફેસર શ્રીની શાહે ફેકલ્ટી પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ‘PROSTATE CANCER THROUGH PRECISION IMAGING’ વિષય પર પોસ્ટર રજૂ કર્યું હતું. તેમણે પ્રોસ્ટેટ કેન્સરના વહેલા નિદાનના મહત્વ પર ભાર મૂક્યો હતો, જેમાં મલ્ટીપેરામેટ્રિક MRI (MPMRI) અને PSMA PET/CT જેવી અદ્યતન પદ્ધતિઓ પરંપરાગત ઇમેજિંગની તુલનામાં વધુ સારી સંવેદનશીલતા અને વિશિષ્ટતા પ્રદાન કરે છે. કોન્ફરન્સમાં વિવિધ રાજ્યોના 100 વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર ડિસ્પ્લે અને પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા. સ્ટુડન્ટસ પોસ્ટર પ્રેઝન્ટેશનમાં દ્વિતીય વર્ષના વિદ્યાર્થી પૃથવ પટેલે ‘COMPARISON OF CT FLUROSCOPY-GUIDED VS MULTI SLICE CT BIOPSY MODE GUIDED LUNG BIOPSIES’ વિષય પર રજૂઆત કરી હતી. ગ્રુપ 1 માં શશિન ચૌહાણ, ક્રીશ ગોસ્વામી અને પ્રથમ પટેલે ‘AI-Assisted Motion Sensing One-Tap Retake Workflow for Hand-Carried Portable Chest X-ray in Rural Healthcare’ વિષય પર, ગ્રુપ 2 માં એન્જલ હીરપરા, પ્રાચી પટેલ, ઈશિતા પારેખે ‘The Role of Artificial Intelligence in Enhancing Mammographic Diagnosis of Pregnancy-Associated Breast Cancer’ વિષય પર અને ગ્રુપ 3 માં ટીયા પટેલ, બ્લેસી ક્રિશ્ચિયન, ફલક વ્હોરાએ ‘CT Based Radiomic Biomarkers for Early Chemotherapy Response in Solid Tumour’ વિષય પર પોસ્ટર પ્રેઝન્ટેશનમાં ભાગ લીધો હતો. આમાંથી ગ્રુપ 1 ના વિદ્યાર્થીઓએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિદ્યાર્થીઓની આ સફળતા બદલ ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના ડીન અને BDIPSના પ્રિન્સીપાલ ડો. ધારા પટેલ દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી રેડિયોગ્રાફર્સ, રેડિયોલોજિસ્ટ, હેલ્થકેર પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય અગ્રણી સંશોધકો, ક્લિનિકલ નિષ્ણાતો અને વ્યાવસાયિકોને નવીનતા લાવવા, તેમના સંશોધનો રજૂ કરવા, ચર્ચાઓમાં ભાગ લેવા, વિવિધ સેશનમાં હાજરી આપવા અને ઇન્ટરેક્ટિવ વર્કશોપ્સ તથા પોસ્ટર ડિસ્પ્લેમાં ભાગ લેવા માટે એક મંચ પૂરો પાડવાનો હતો. આનાથી વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને તેમના સંશોધનો રજૂ કરવા, નિષ્ણાતો પાસેથી પ્રતિસાદ મેળવવા અને વૈજ્ઞાનિક સમુદાયમાં યોગદાન આપવાની તક મળી હતી. આ કોન્ફરન્સે શૈક્ષણિક વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓને મેડિકલ ઇમેજિંગ ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી ટેકનિકોનું સંશોધન કરવામાં, અદ્યતન ટેકનોલોજી સાથે રેડિયોલોજીમાં તેમનું નોલેજ વધારવામાં મદદ કરી, જે મેડિકલ ઈમેજિંગ પ્રોફેશનલ્સના વૈશ્વિક સમુદાય સાથે જોડાયેલા રહેવાની ભાવનાને પ્રોત્સાહન આપે છે.
રાજસ્થાનના જોધપુર-બાલેસર હાઈવે પર વહેલી સવારે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પાંચ શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ શ્રદ્ધાળુઓ રણુજાના દર્શન માટે ટેમ્પો દ્વારા જઈ રહ્યા હતા. આ ઘટના જોધપુર-બાલેસર હાઈવે પર બની હતી, જ્યાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા ટેમ્પો અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે ટેમ્પો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. અકસ્માતમાં ઘટનાસ્થળે જ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના ત્રણ અને સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યો હતો. ઘાયલ થયેલા 12થી વધુ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે જોધપુર નજીકની બાલેસર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના ત્રણ લોકોના મોત થવાને કારણે સમગ્ર ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. મૃતકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. અકસ્માત બાદ અરવલ્લી અને સાબરકાંઠાના સ્થાનિક નેતાઓ રાજસ્થાનના તંત્ર સાથે સતત સંપર્કમાં રહી બચાવ અને સારવાર કામગીરી અંગે માહિતી મેળવી રહ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જે શ્રદ્ધાળુઓના મોત થયા છે તેમાંથી ચારના નામ સામે આવ્યા છે: 1. પ્રિતેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (પુંસરી, સાબરકાંઠા) 2. અર્જુનસિંહ લાલસિંહ સોલંકી (પુંસરી, સાબરકાંઠા) 3. નવ્યા કાળુસિંહ પરમાર (રૂઘનાથપુરા, ધનસુરા) 4. સોનલબેન કાળુસિંહ પરમાર (રૂઘનાથપુરા, ધનસુરા)
વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. ઠંડી વધતા સવારમાં સ્વેટર, જાકેટ અને મફલર પહેરીને નોકરી-ધંધે જતા લોકો જોવા મળ્યા હતા. શહેરમાં ઠંડીની અસર વચ્ચે પારનેરા ડુંગર સહિત આસપાસના વિસ્તારોમાં ઠંડા પવનના સુસવાટા અનુભવાયા હતા. સવારના સમયે મોર્નિંગ વોક અને કસરત માટે નીકળતા નાગરિકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધુ વધારાની સાથે હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આ ઠંડી વધતા જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળ રાખવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ તાપમાનની સ્થિતિ નીચે મુજબ છે: વલસાડ: મહત્તમ 29C, લઘુત્તમ 19C; ધરમપુર: મહત્તમ 30C, લઘુત્તમ 17C; વાપી: મહત્તમ 29C, લઘુત્તમ 19C; કપરાડા: મહત્તમ 28C, લઘુત્તમ 15C; ઉમરગામ: મહત્તમ 29C, લઘુત્તમ 18C.
સુરત શહેરનાં રસ્તાઓ પર બેફામ દોડતી મહાનગરપાલિકાની ગાર્બેજ કલેકશનની ગાડીઓનાં અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી રહે છે. નિર્દોષ વાહનચાલકોને અડફેટે લેતાં અકસ્માતનાં કિસ્સાઓ વચ્ચે અમરોલી વિસ્તારમાં કચરાની ગાડીનો ડિવાઈડર સાથે અકસ્માત થયો હતો. ચાલક ગાડીમાં ફસાઈ જતાં ફાયર વિભાગનાં જવાનોએ ભારે જહેમત બાદ ચાલકનું રેસક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડયો હતો. ડમ્પરની કેબિનનો ભાગ દબાઈ જતા ડ્રાઇવરનો પગ સ્ટીયરિંગની નીચે ફસાઈ ગયોમળતી માહિતી પ્રમાણે, ખજોદથી કચરાનું ડમ્પર લઇને અનીલ રાયસંગ દામોર (ઉ. વ. 25) અમરોલીના કોસાડ રોડ શ્રીરામ ચોકડી પાસે કચરાના ડેપો ખાતે કચરો ભરવા જવા નીકળ્યો હતો. તે સમયે અમરોલીના ક્રોસ રોડ પર ડમ્પર રોડના ડિવાઇર સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. જેથી ડમ્પરની કેબિનનો ભાગ દબાઈ જવાના લીધે ડ્રાઇવર અનીલનો પગ સ્ટીયરિંગની નીચેના ભાગે ફસાઈ જતા બહાર આવી શક્યો નહી. ડ્રાઇવરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયોકોલ મળતા ફાયર લાશ્કરોએ પહોંચીને ભારે જહેમત કરી ડ્રાઇવરને બહાર કાઢ્યો હતો. જોકે તેને ઇજા થઈ હોવાથી 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું ફાયર ઓફિસરે જણાવ્યું હતું.
વડોદરા મંડળના પ્રતાપનગર રેલવે સ્ટેશનને વડોદરા સ્ટેશનના સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કામને પૂર્ણ કરવા માટે પ્રતાપનગર સ્ટેશનમાં યાર્ડ રિમોડેલિંગ અને નૉન ઈન્ટરલૉકિંગનું કામ 14 નવેમ્બર, 2025ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ રીતે પ્રતાપનગરથી આવનારા દિવસોમાં લાંબા અંતરની મેલ એક્સપ્રેસ ટ્રેનોને શરૂ કરી શકાશે, જે ટ્રેન સંચાલન સહિત યાત્રી સુવિધામાં મહત્વનું હશે. સ્ટેશનના આધુનિકીકરણનું કામ જાન્યુઆરી, 2026માં પૂર્ણ થશેપ્રતાપનગર રેલવે સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વડોદરા મંડળના ગતિ શક્તિ યૂનિટ દ્વારા કરવામાં આવ્યું છે. પ્રતાપનગર સ્ટેશન વિશ્વામિત્રી-ડભોઈ-એકતાનગર અને ડભોઈ-અલીરાજપુર સેક્શન પર આવેલ એક એનએસજી-6 સ્ટેશન છે. પ્રતાપનગરને વડોદરાના એક સેટેલાઈટ સ્ટેશન રૂપે વિકસિત કરવાનું કામ વર્ષ 2022-23માં કુલ 28.93 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આ સ્ટેશનના અપગ્રેડેશન-આધુનિકીકરણનું કામ જાન્યુઆરી, 2026 સુધી પૂર્ણ કરી લેવામાં આવશે. કેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાશે?
વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ પર મુસાફરોના સ્ક્રિનિંગ દરમિયાન એક મુસાફરના બેગમાંથી ફુટેલી કારતુસ મળી આવતા પોલીસ સહિતની વિવિધ એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી. મુસાફરે તેને કોઈ જગ્યાથી આ ફૂટેલી કારતૂસ મળી હોય અને ભૂલથી તેની પાસે રહી ગઈ હોવાનું જણાવ્યું છે. જેથી હરણી પોલીસે હાલમાં જાણવાજોગ ફરિયાદ નોંધાવી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલા એરપોર્ટ ઉપરથી તાજેતરમાં જ એક વિદેશી મુસાફરના બેગમાંથી કારતુસના ખાલી ખોખા મળી આવ્યા હતા. જેને લઈને પોલીસ સહિતની એજન્સીઓ એક્શનમાં આવી ગઈ હતી અને આ વિદેશી આરોપીને ખાલી કારતૂસ ક્યાંથી આવ્યા ક્યાંથી તેની પૂછપરછ શરૂ કરાઈ હતી. ત્યારે ફરીવાર હરણી એરપોર્ટ પર તારીખ 15 નવેમ્બરના રોજ વહેલી સવારે વડોદરાથી મુંબઈ જતી ફ્લાઈટના મુસાફરોના સામાનનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન એક મુસાફરના સામાનનું સ્ક્રીનિંગ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાતા ટ્રોલી બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ જણાય આવી હતી. બાદમાં એરપોર્ટ ઓથોરિટીના સુરક્ષા કર્મચારીઓ એક્શનમા આવી ગયા હતા અને મુસાફરના બેગની ચકાસણી કરાઈ હતી. બેગમાંથી એક ફૂટેલી કારતૂસ મળી આવી હતી. એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઘટના અંગે તાત્કાલિક જ હરણી પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસે મુસાફરને તેની પાસે આ ખાલી કારતૂસ ક્યાંથી આવ્યું તેની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે આ મામલે મુસાફર પવનકુમાર હનુમાનથાપા એસ એચ (ઉંમર વર્ષ 45) ની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું કે, તેઓ મૂળ મૈસૂર કર્ણાટકના રહેવાસી છે. તેઓ ખાનગી કંપનીમાં મેનેજર તરીકે કામ કરે છે અને તેઓ ગત 12 નવેમ્બરના રોજ ઈસ્તમ્બુલ તુર્કી દેશ ખાતેથી મુંબઈ એરપોર્ટ આવેલા અને ગત તારીખ 13 નવેમ્બરના રોજ મુંબઈથી વડોદરા એરપોર્ટ ખાતે આવી અને ત્યારબાદ તેઓ મકરપુરા જીઆઇડીસી ખાતે ઓફિસના કામથી આવેલા હતા. બાદમાં તેઓ કામ પતાવી હોટેલ હયાત વાસણા ભાયલી રોડ ખાતે બે દિવસ રોકાયા હતા. બાદમાં ગઈકાલે સવારે મૈસૂર પોતાના ઘરે જવા માટે રવાના થયા હતા, તે દરમિયાન વડોદરા એરપોર્ટ પરથી મુંબઈ જતા પહેલા જ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરતા બેગમાંથી ફૂટેલી ખાલી કારતુસ મળી આવતા વધુ તપાસ હાથ ધરી છે. આ કારતૂસ તેઓ તુર્કીથી મળી હોવાનું જણાવ્યું છે અને તે ભૂલથી બેગમાં રહી જોવાનું જણાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગર શહેરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વાહનચોરીના બનાવોએ માઝા મૂકી છે, ત્યારે હવે વાહન ચોરોએ ખુદ વહીવટી તંત્રના હૃદય સમાન કલેક્ટર કચેરીને નિશાન બનાવી છે. આ વખતે તો હદ થઈ ગઈ છે. કેમ કે, કલેક્ટર કચેરી ખાતે ફરજ પર તૈનાત ટ્રાફિકનો એક હોમગાર્ડ જવાન જ પોતાની રિક્ષાની સુરક્ષા કરી શક્યો નથી. અહીંના પાર્કિંગમાંથી તેની રિક્ષા ચોરાઈ ગઈ છે. આ ઘટનાએ કલેકટર કચેરીની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ત્યારે પોલીસે આ મામલે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કલેક્ટર કચેરની હોમગાર્ડની રિક્ષા ચોરાઈ ગઈસમગ્ર ગાંધીનગર જિલ્લાનું વહીવટી સંચાલન કરતી ખુદ કલેક્ટર કચેરી હવે માત્ર બેફામ પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાથી નહીં, પરંતુ વાહનચોરીના બનાવોની સમસ્યાથી પણ ઘેરાયેલી છે. તાજેતરમાં કલેક્ટર કચેરીના પાર્કિંગમાંથી જ ખુદ ફરજ પરના એક હોમગાર્ડ જવાનની રિક્ષા ચોરાઈ જવાની ઘટનાએ કચેરીની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. ત્યારે રોજબરોજ કચેરીની આસપાસની ટ્રાફિક અને પાર્કિંગની રેઢિયાળ સ્થિતિ અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. આજુબાજુમાં તપાસ કર્યા બાદ પણ પત્તો ન લાગ્યોગાંધીનગર જિલ્લા ટ્રાફિક ખાતે હોમગાર્ડમાં ફરજ બજાવતા જયેશભાઈ ખોળીદાસ આસોડીયા 14 નવેમ્બરે સેક્ટર-11 કલેક્ટર કચેરી ખાતે પોતાની રિક્ષા લઈને નોકરી પર ગયા હતા અને રિક્ષાને કચેરીના ગેટ નં- 2 પાસેના પાર્કિંગમાં પાર્ક કરી હતી. બાદમાં સાંજે લગભગ 5.30 વાગે જ્યારે તેમણે જોયું તો પાર્કિંગમાંથી રીક્ષા ચોરાઈ ગઈ હતી. હોમગાર્ડ જવાને આજુબાજુમાં તેમજ અન્ય સ્થળોએ પોતાની રીતે તપાસ કરી હતી, પરંતુ રિક્ષાનો કોઈ પત્તો લાગ્યો નહોતો. વાહન ચોરોને જાણે મોકળું મેદાન મળ્યું હોયઆ ઘટના કલેક્ટર કચેરી જેવી અતિ સુરક્ષિત ગણાતી સરકારી જગ્યાએ બની છે, જ્યાં સુરક્ષા જવાનો તૈનાત હોય છે. આ ચોરીએ સ્પષ્ટ કરી દીધું છે કે સરકારી કચેરીઓ, એસટી ડેપો, સિવિલ હોસ્પિટલ કેમ્પસ અને કોર્ટ વિસ્તારમાં વાહન ચોરોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. ખુદ કલેક્ટર કચેરી ખાતે ફરજ બજાવતા હોમગાર્ડ જવાનની રિક્ષા ચોરાઈ જતાં સામાન્ય નાગરિકોની માલમત્તાની સુરક્ષા કેવી રીતે થઈ રહી છે, તે અંગે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ વચ્ચે રાજ્ય સરકાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિકાસને ધ્યાનમાં રાખીને બીજી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)નું આયોજન 8 અને 9 જાન્યુઆરી, 2026એ રાજકોટમાં કરવામાં આવ્યું છે. મહેસાણામાં પ્રથમ રિજનલ કોન્ફરન્સને મળેલા ઉત્તમ પ્રતિસાદ બાદ આ બીજી કોન્ફરન્સ પ્રદેશના વિકાસ, રોકાણ, લોજિસ્ટિક્સ અને નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. રાજકોટમાં યોજાનારી VGRC પહેલાં ડિસેમ્બર, 2025 દરમિયાન કચ્છ, જામનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા મળી કુલ 11 જિલ્લામાં જિલ્લા-સ્તરીય કાર્યક્રમો થશે. આ ઇવેન્ટ્સમાં લોકલ તકો, MSMEs અને સ્ટાર્ટઅપ્સના પ્રોજેક્ટ્સને પ્રાથમિકતા આપવામાં આવશે. કૃષિથી પ્રવાસન સુધી: મુખ્ય ક્ષેત્રો પર સેમિનારરાજકોટમાં બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન કૃષિ, ખાણકામ, પ્રવાસન, ઔદ્યોગિક વિકાસ, પોર્ટ્સ–લોજિસ્ટિક્સ, ગ્રીન એનર્જી, એગ્રો-ફૂડ પ્રોસેસિંગ, માછીમારી, સિરામિક્સ અને એન્જિનિયરિંગ જેવા ક્ષેત્રો પર વિશેષ સત્રો યોજાશે. MSME કોન્ક્લેવ, રિવર્સ બાયર–સેલર મીટ (RBSM) તેમજ અનેક ટ્રેડ ફેરનું પણ આયોજન થશે, જેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રોકાણકારોને નેટવર્કિંગ અને ભાગીદારીની તક મળશે. કચ્છ-સૌરાષ્ટ્ર ક્ષેત્ર તેના બંદરો, ખનિજ સંસાધનો, પ્રવાસન, સિરામિક અને એન્જિનિયરિંગ ઉદ્યોગોને કારણે વૈશ્વિક સ્તરે ઝડપથી ઊભરતું રોકાણ કેન્દ્ર બન્યું છે. કોન્ફરન્સ આ ક્ષેત્રની નવી ક્ષમતાને વધુ ગતિ આપશે. મહેસાણા VGRCમાં 1,264 MoU, ₹3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણમહેસાણામાં યોજાયેલી પ્રથમ VGRC દરમિયાન 3.25 લાખ કરોડના પ્રસ્તાવિત રોકાણ સાથે 1,264 MoU થયા હતા. બે દિવસમાં 29 હજારથી વધુ ઉપસ્થિતિ સાથે 80 દેશોના 440 પ્રતિનિધિઓ જોડાયા હતા. 160થી વધુ B2B અને 100થી વધુ B2G મિટિંગ્સ દ્વારા મોટા પાયે રોકાણ તકો ઊભી થઈ હતી. સ્ટાર્ટઅપ્સમાં ઉછાળો: ભારતનેક્સ્ટ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાતમહેસાણા ઇવેન્ટમાં 410થી વધુ પ્રદર્શકો, જેમાં 170થી વધુ MSME અને સ્ટાર્ટઅપ્સ સામેલ હતા, તેમણે ઇનોવેશન રજૂ કર્યું હતું. ઉદ્યમી મેળામાં 9,000 ઉદ્યોગસાહસિકોને ₹.900 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી. ભારતનેક્સ્ટ સ્ટાર્ટઅપ પિચિંગ ફેસ્ટિવલમાં ₹41.56 કરોડના રોકાણની જાહેરાત થઈ હતી, જ્યારે RBSM દરમિયાન 850 સેલર્સ સાથે થયેલી બેઠકોમાંથી ₹500 કરોડથી વધુની નિકાસ ઇન્કવાયરી મળી હતી. રાજકોટમાં યોજાનારી બીજી VGRC કચ્છ–સૌરાષ્ટ્રને વિકાસ અને રોકાણના નવા યુગમાં આગળ ધપાવશે તેવી રાજ્ય સરકારને આશા છે.
જુદી જુદી 43 શાળાના 1103થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે એથ્લેટીક્સ મીટમાં 1103થી વધુ રમતવીરો ભાગ લીધો શહેરના સીદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સુમિટોમો ઇન્ડિયા લિમિટેડ દ્વારા સુમિટોમો એથ્લેટિક્સ મીટ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની જુદી જુદી 43 શાળાના 1103 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડ ભાવનગર દ્રારા આજરોજ રવિવારના રોજ સ્પોર્ટસ કોમ્પ્લેક્સ સીદસર ભાવનગર ખાતે સુમીટોમો એથ્લેટીકસ મીટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું, એથ્લેટીકસ મીટમાં જુદી જુદી 6 સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમા 100 મીટર દોડ, 200 મીટર દોડ, રીલે દોડ, લોંગ જમ્પ, શોર્ટ પુટ, ડિસ્ક થ્રો, જેવી સ્પર્ધાનું આયોજનમાં જુદી-જુદી 43 શાળાના કુલ 1103 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધાઓમાં વિદ્યાર્થીનો બહોળો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ સ્પર્ધાઓમાં અંતે પૂર્ણ થઈ ત્યારે મહેમાનો દ્વારા પ્રથમ, દ્વિતિય અને તૃતિય વિજેતા બનેલ વિદ્યાર્થીઓને સર્ટીફીકેટ અને મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, આ અંગે સુમિટોમો કેમિકલ લી.ના વનરાજ ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા 4 વર્ષથી સુમિટોમો એથ્લેટીક્સ મીટનું આયોજન કરવામાં આવે છે, આ વર્ષથી જુદી જુદી 43 શાળાઓના 1100 થી વધુ બાળકો એ ભાગ લીધો છે, આ મીટ નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને એથ્લેટીકસ રમત માટેનો અભિગમ ખીલે તથા તેને ભવિષ્યમાં સરકારી નોકરી જેમાં શારિરીક પરિક્ષા લેવાય છે જેમાં રાજયકક્ષા અને દેશ કક્ષાએ નેશનલ કોમ્પિટિશન ભાગ લઈ આગળ વધે તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ કરવા માટે લાલજીભાઈ કોરડીયા, અમુલભાઈ પરમાર અને પી.ટી. શિક્ષકોની ટીમ અને H.R ટીમ દ્રારા ખુબજ જહેમત ઉઠાવી હતી, તેમજ દરેક શાળાએ સહયોગ આપ્યા હતો.
ગીર જંગલની નજીક આવેલા ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા ગામમાં ગત (16 નવેમ્બર) રાત્રે એક અદ્ભુત અને અનોખી ઘટના જોવા મળી હતી. એકસાથે 11 સિંહના પરિવારે ગામની સીમમાં પ્રવેશ કર્યો હતો અને રાત્રિના સમયે ગામમાં લટાર મારતા આ દૃશ્યો ગામના CCTV કેમેરામાં કેદ થયા હતા. ઉલ્લેખનીય છે કે, ગીર ગઢડા તાલુકામાં છેલ્લા બે દિવસમાં સિંહોની અસામાન્ય અને મોટી હાજરી જોવા મળી છે. બે અલગ-અલગ ઘટનાઓમાં એકસાથે 11 સિંહના પરિવારોએ માનવ વસાહતની નજીક લટાર મારી હતી, જેના દૃશ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. જેને લઇ ગ્રામજનોમાં આશ્ચર્ય, ઉત્સુકતા અને ભયનો માહોલ છવાયો છે. ઉમેદપરામાં 11 સિંહની શાહી લટારગીર ગઢડાના ઉમેદપરા ગામે ગત રાત્રે એકસાથે 11 સિંહના પરિવારે પ્રવેશ કર્યો હતો. ગીર જંગલની સરહદે આવેલા આ ગામના રસ્તાઓ, ઘરના ઓટલાઓ અને ગલીઓમાંથી સિંહોનું આ મોટું જૂથ નિર્ભયપણે પસાર થતું જોવા મળ્યું હતું. આ દૃશ્યો ગામના CCTV કેમેરામાં સ્પષ્ટપણે કેદ થયા હતા. સામાન્ય રીતે સિંહોના આગમનથી ગ્રામજનોમાં ઉત્સુકતા રહેતી હોય છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં સિંહોનું જૂથ જોઈને ગ્રામજનોમાં આશ્ચર્ય સાથે સાવચેતીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ રાત્રે બહાર ન નીકળવાની ચેતવણી પણ આપી હતી. સિંહો જંગલ તરફ પાછા ફર્યા બાદ ગામમાં શાંતિ છવાઈ હતી. બે દિવસ પહેલાં પણ 11 સિંહોનું જૂથ જોવા મળ્યું હતુંઆ પહેલાં, ગત 13 નવેમ્બરની રાત્રે પણ ગીર ગઢડા શહેરમાં 11 સિંહનું એક આખું જૂથ જોવા મળ્યું હતું. શહેરના ધમધમતા એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં સિંહણ અને સિંહબાળ સહિત 11 સિંહનું ટોળું બિનધાસ્તપણે લટાર મારી રહ્યું હતું. આ રોમાંચક દૃશ્યો સ્થાનિક સિંહપ્રેમીએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. (ગીર ગઢડામાં 'સિંહરાજ') સિંહો માટે 'હોટસ્પોટ' બન્યા શહેરી વિસ્તારોછેલ્લા બે દિવસમાં ગીર ગઢડાના પ્રમુખ પાર્ક અને ઉમેદપરા રોડ જેવા અલગ-અલગ સોસાયટી વિસ્તારોમાં પણ સિંહોની અવરજવર જોવા મળી છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, જંગલની અંદર શિકારની મુશ્કેલી કરતાં ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં પશુઓનો શિકાર સરળતાથી મળી રહેતો હોવાથી સિંહો માનવ વસાહત તરફ આકર્ષાય છે. ગ્રામજનોમાં આશ્ચર્ય-ઉત્સુકતાનો માહોલવન વિભાગે આ 11 સિંહના જૂથની હાજરીની પુષ્ટિ કરી છે અને જાણ થતાં જ ટીમ ઘનશ્યામનગર વિસ્તારમાં પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં સિંહો આગળ નીકળી ગયા હતા. વારંવાર રહેણાક વિસ્તારોમાં સિંહો દેખાતા હોવાથી, માનવ અને વન્યજીવ બંનેની સલામતી જળવાઈ રહે તે માટે વન વિભાગ દ્વારા સિંહ પ્રભાવિત વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા પ્રબળ માગ ઊઠી છે. આ સમાચાર પણ વાંચો... સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યો: મધરાત્રે બે નર સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યા; રાહદારીઓ થંભ્યા, કેમેરામાં કેદ કર્યાં અદ્ભુત દૃશ્યો ગીરની બોર્ડરે સાવજોની 'રોયલ લટાર'નાં અદભૂત દૃશ્યો: જામવાળા-ઘાંટવડ રોડ પર વરસાદી માહોલમાં મધરાતે સિંહણની જોડી નીકળી, કારચાલકે વીડિયો ઉતાર્યો કોડીનારમાં સાવજોનું માનવ વસાહતમાં ઘૂસી મારણ: આલીદર ગામમાં ઘરની ઓસરી પાસે સિંહોએ ગાયનો શિકાર કરી મિજબાની માણી, પરિવાર ઘરના પહેલા માળે જોતો રહ્યો કોડીનાર પંથકમાં સિંહ પરિવારનો આતંક:એકસાથે આઠ સિંહે બે દિવસમાં બે ગામમાં 'શાહી મિજબાની' માણી; ગ્રામજનોમાં ભયનો માહોલ સિંહ પરિવારની વરસાદી માહોલમાં 'શાહી મિજબાની':કોડીનારના સિંધાજ ગામે આઠ સિંહોએ એકસાથે મારણ પર ભોજન માણ્યું; ખોડિયાર મંદિરનો વીડિયો વાઈરલ ગીર જંગલમાં મગર અને દીપડા વચ્ચે જીવ સટોસટનો જંગ, વીડિયો:વન્યજીવ સૃષ્ટિની અત્યંત રોમાંચક અને દુર્લભ ઘટના બની, સૂર્યસ્નાન કરતા મગરને ડોકથી દબોચ્યો ગીર-ગઢડામાં 8 સિંહના પરિવારે રોડ બ્લોક કર્યો, VIDEO: મધરાતે રસ્તો જામ થતાં વાહનોનાં પૈડાં થંભી ગયાં; પ્રવાસીઓ માટે સિંહણ-પાઠડાનો અદ્ભુત નજારો ઉનામાં સિંહની ડણકથી સમગ્ર વિસ્તાર ગુંજી ઊઠ્યો: શિકારની શોધમાં આવેલો સિંહ કલાકો સુધી રોડ પર બેસી રહ્યો, રાહદારીઓ થંભ્યા; પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યાં દૃશ્યો ગીરના જંગલમાં સિંહ, સિંહણ વચ્ચે વર્ચસ્વની લડાઈ જામી: કમલેશ્વર ડેમ વિસ્તારમાં 10 સાવજના ગ્રુપમાં અન્ય ગ્રુપની સિંહણ આવતાં ઘમાસાણ, ત્રાડોથી જંગલ ગુંજી ઊઠ્યું
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સરકાર સામે બાયો ચડાવી છે. સોમનાથથી દ્વારકા સુધી ખેડૂત આક્રોશ યાત્રા યોજ્યા બાદ કોંગ્રેસ રાજ્યભરમાં કોંગ્રેસ વધુ એક વખત યાત્રા યોજવા જઈ રહી છે. રાજ્યભરમાં જન આક્રોશ યોજવાની જાહેરાત કરી છે. રાજ્યના 5 ઝોનમાં અલગ અલગ મુદ્દાઓને લઇને કોંગ્રેસ 60 દિવસ સુધી જન આક્રોશ યાત્રા યોજશે. આગામી 21 નવેમ્બરના વાવ - થરાદથી યાત્રાની શરૂઆત થશે. ઢીમાથી પહેલા ફેઝની યાત્રાની શરૂઆત કરવામાં આવે જે 1100 કિલોમીટર સુધી ભ્રમણ કરશે. પહેલા ફેઝની યાત્રાનું બેચરાજીમાં સમાપન થશે. ખેડૂતોના મુદ્દા, યુવાનોના મુદ્દા, મહિલાઓના મુદ્દા, મોંઘવારી સહિતના મુદ્દાઓને લઈને કોંગ્રેસ ગમે ગામ જાહેર સભા યોજશે. કોંગ્રેસે 11 દિવસ પહેલાં ખેડૂત આક્રોશ યાત્રા કરી હતી. જે ગીર સોમનાથથી પ્રારંભ થઈને, સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ફરી દ્વારકામાં સમાપન થયું હતું.
રાજસ્થાનના જોધપુર જિલ્લામાં રવિવારે (16 નવેમ્બર) વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજરાતના સાબરકાંઠાથી રાજસ્થાનના રામદેવરાના દર્શને જઈ રહેલા ચાર શ્રદ્ધાળુનાં મોત થયા છે, જ્યારે 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા છે. રવિવારે સવારે લગભગ 5:30 વાગ્યે જોધપુર-જૈસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-125) પર બાલેસર નજીક આવેલા ખારી બેરી ગામ પાસે આ દુર્ઘટના બની હતી. બાલેસર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ મૂળસિંહ ભાટીના જણાવ્યા અનુસાર, બાજરીની બોરીઓથી ભરેલી એક ટ્રક અને શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલા કાર્ગો ટેમ્પો વચ્ચે સામસામે ગંભીર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, ટેમ્પોનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક પલટી ગઈ હતી. મૃતકોના નામ અકસ્માતની તસવીરો... ટેમ્પોમાં મહિલાઓ-બાળકો સહિત 20 લોકો સવાર હતાટેમ્પોમાં મહિલાઓ અને બાળકો સહિત લગભગ 20 લોકો સવાર હતા, જેઓ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રહેવાસી હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એકનું જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 7 બાળક સહિત 12 શ્રદ્ધાળુ ઘાયલ થયા છે, જેમને પ્રાથમિક સારવાર બાદ જોધપુરની MDM હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતની જાણ થતાં જ પસાર થતાં વાહનચાલકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી હતી, જેના પગલે બાલેસર, અગોલાઈ અને હાઇવેથી ત્રણ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા હતા. પોલીસે મૃતદેહોને બાલેસર સીએચસી શબઘરમાં રાખ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર વિવાદના વમળમાં ફસાઈ છે. દર્દીઓ માટે દવાનો સંજીવનીરૂપી દવા પૂરીપાડવાને બદલે, આ હોસ્પિટલનું કમ્પાઉન્ડ રાત્રિના સમયે દારૂની મહેફિલનું સ્થળ બનતું હોવાની આશંકા સર્જતાં દ્રશ્યો સામે આવ્યા છે. હોસ્પિટલના જૂના બિલ્ડિંગ કમ્પાઉન્ડ તેમજ લાંબા સમયથી પાર્ક કરાયેલી ખખડધજ બનેલી એમ્બ્યુલન્સમાંથી દારૂની 5 જેટલી ખાલી બોટલો મળી આવતા દારૂબંધીના કાયદા અને હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા થયા છે. આ સમગ્ર ઘટનાથી સિવિલ હોસ્પિટલના વહીવટી તંત્રની ગંભીર બેદરકારી છતી થાય છે. જોકે સિવિલ અધિક્ષક ડોક્ટર મોનાલી માંકડિયાએ આ મામલે જવાબદારો સામે કડક પગલાં લેવાની ખાતરી આપી છે. સિવિલ હોસ્પિટલનાં જૂના બિલ્ડિંગના કમ્પાઉન્ડમાં 3 જેટલી ખખડધજ એમ્બ્યુલન્સ છે. જેમાં બે એમ્બ્યુલન્સ બહાર 3 બોટલ અને 1 એમ્બ્યુલન્સની અંદર 2 બોટલ દારૂની મળી આવી છે. આમ સૌપ્રથમ દારૂની 3 ખાલી બોટલો મળી આવી હતી. ત્યારબાદ વધુ તપાસ કરતા, લાંબા સમયથી નિષ્ક્રિય અને ખખડધજ હાલતમાં પાર્ક કરાયેલી એક 108 એમ્બ્યુલન્સમાં દારૂની વધુ 2 ખાલી બોટલો મળી આવી હતી. આ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ દારૂની પાર્ટી માણનારાઓ દ્વારા 'સ્ટોરેજ' તરીકે કરતા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, આ એમ્બ્યુલન્સમાંથી દારૂના ગ્લાસ અને સિગરેટના ટુકડા પણ મળી આવ્યા હતા, જે સ્પષ્ટ સંકેત આપે છે કે આ સ્થળનો ઉપયોગ નિયમિતપણે દારૂ પીવા માટે થતો હશે. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે દારૂની મહેફિલ ચાલતી હોવાની ઘટનાથી લોકોમાં આશ્ચર્ય સાથે રોષ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના આ વિસ્તારમાં રાત્રિના સમયે કોઈ સિક્યુરિટી ગાર્ડ આવતા ન હોવાથી અસામાજિક તત્વો તેનો લાભ લે છે. આ નિવેદન હોસ્પિટલની સિક્યુરિટી વ્યવસ્થાની પોકળતા દર્શાવે છે, જ્યારે એક તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા સિક્યુરિટી પાછળ દર મહિને લાખો રૂ.નો ખર્ચ કરવામાં આવે છે. જોકે, આ ખર્ચ માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે હોસ્પિટલના જ કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવવી એ સુરક્ષામાં રહેલી મોટી ખામી તરફ ઈશારો કરે છે. આ પહેલીવાર નથી કે જ્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલનું નામ દારૂના વિવાદમાં સપડાયું હોય. અગાઉ પણ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરના ક્વાર્ટર પાસેથી દારૂની બોટલો તેમજ દારૂ ભરેલી ગાડી મળી આવી હતી, ત્યારે પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કડક પગલાં લેવાની વાતો કરવામાં આવી હતી, પરંતુ વર્તમાન ઘટના ફરી સાબિત કરે છે કે ગુજરાતમાં દારૂબંધીની વાતો માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે અને હોસ્પિટલના કેમ્પસમાં કાયદાનો ડર રહ્યો નથી. સિવિલ હોસ્પિટલની ગરિમા અને શિસ્ત જાળવવાની જવાબદારી ધરાવતા વહીવટી તંત્રના નાક નીચે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. સમગ્ર મામલે સિવિલ અધિક્ષક ડો. મોનાલી માંકડિયાએ દિવ્યભાસ્કર સાથેની ટેલીફોનિક વાતચીતમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આપના માધ્યમથી આ બાબત હાલમાં જ મારા ધ્યાન ઉપર આવી છે. અત્યારે દારૂની બોટલો ત્યાંથી દૂર કરવાના આદેશો આપી દવ છું. તેમજ આવતીકાલે આ મામલે કડક તપાસ માટેનો આદેશ કરવામાં આવશે અને જે કોઈપણ જવાબદાર હશે તેની સામે કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. સિવિલ હોસ્પિટલનાં કેમ્પસમાં આવી બેદરકારી ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, સિવિલ અધિક્ષકના આ નિવેદન બાદ હવે જોવાનું એ રહે છે કે આ વખતે હોસ્પિટલ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવશે કે પછી ખરેખર કડક અને નક્કર પગલાં લઈને આ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓનો અંત લાવવામાં આવશે. હાલમાં, આ ઘટનાએ સિવિલ હોસ્પિટલની પ્રતિષ્ઠાને મોટો ધક્કો પહોંચાડ્યો છે. અને આ ઘટના માત્ર રાજકોટમાં જ નહીં સૌરાષ્ટ્રભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.
નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹ 1,01,88,720 ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ, ટ્રક અને મોબાઈલ ફોન સહિત કુલ ₹ 1,11,98,720 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB, નવસારીના સિનિયર પોલીસ ઇન્સ્પેકટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ પ્રોહીબીશનની ગેરકાયદેસર હેરાફેરી રોકવા માટે ખાનગી બાતમીદારોને સક્રિય કરીને વોચમાં હતો. તા. 15 નવેમ્બરના રોજ, PI વી.જે. જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ને.હા. નં-48 પર, ખારેલ ઓવર બ્રીજના ઉત્તરે તુલસી હોટલ સામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. મુંબઈથી અમદાવાદ જતી એક ટ્રકને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. ટ્રકમાં આગળના ભાગે લસણની બોરી મૂકી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ચોકસાઈપૂર્વક તપાસ કરતા ટ્રકમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બિયર સહિત કુલ 27,252 નંગ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત ₹ 1,01,88,720 આંકવામાં આવી છે. આ દારૂની હેરાફેરીના ગુનામાં એક આરોપીને સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો છે. દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર સહિત અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલ અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ LCB PI વી.જે. જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹ 1,01,88,720 ની કિંમતનો 27,252 નંગ વિદેશી દારૂ, ₹ 10,00,000 ની કિંમતની ટ્રક અને ₹ 10,000 ની કિંમતનો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલની કુલ કિંમત ₹ 1,11,98,720 થાય છે.
અમદાવાદમાં યુવકને તેના પરિચિત ઠગ દંપતીએ સરકારી આગેવાન અને ભરતી નિમણૂક અધિકારી હોવાની ઓળખ આપીને 25 લાખમાં સરકારી નોકરી આપવાની લાલચ આપી હતી. યુવકે લાલચમાં આવીને 7 લાખ રૂપિયા આપતા યુવકને રાજ્યપાલની સહી અને સિક્કા વાડો ખોટો લેટર આપ્યો હતો. યુવકે તપાસ કરતા ખોટો લેટર હોવાનું જાણવા મળ્યું હતું, જેથી યુવકે ઠગ દંપતી વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દંપતીએ સરકારી ભરતીમાં નિમણૂક અધિકારીની ઓળખ આપીનરોડામાં રહેતા મયુર જોશી નવરંગપુરામાં કરન્સી મેનેજમેન્ટનું કામકાજ કરે છે. નવેમ્બર 2024માં તેમની મુલાકાત 15 વર્ષ બાદ તેમના નાનપણના મિત્ર અને કૌટુંબિક સંબંધી કોમલ ત્રિવેદી અને તેના પતિ આનંદ ત્રિવેદી સાથે થઈ હતી. એકબીજાના સંપર્કમાં આવ્યા બાદ તેઓ અવારનવાર મયુર જોશીની નવરંગપુરા ખાતેની ઓફિસ મળતા હતા. કોમલ અને આનંદે મયુરભાઈને જણાવ્યું હતું કે, તેઓ સરકારી કર્મચારી તથા સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી છે. પોતે સરકારમાં આગેવાન તરીકે કાર્યરત છે. મનગમતા કોઈપણ ખાતામાં સરકારી નોકરીની લાલચ આપીમયુરભાઈને સરકારી નોકરી અપાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો અને નોકરી આપવા બદલ 25 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જ્યારે મયુરે કયા ખાતામાં નોકરી મળશે તેવું પૂછ્યું ત્યારે દંપતીએ જણાવ્યું હતું કે મનગમતા કોઈપણ ખાતામાં નોકરી આપવામાં આવશે. નોકરી માટે એડવાન્સમાં 10 લાખ રૂપિયા પણ માંગ્યા હતા. જોકે મયુરભાઈ પાસે વ્યવસ્થા ન હોવાથી તેમણે શરૂઆતમાં ચાર લાખ રૂપિયા આંગડિયા મારફતે અને બાકીના અઢી લાખ રૂપિયા બેંકમાંથી ટ્રાન્સફર કર્યા હતા. કુલ 6.30 લાખ આપ્યા બાદ સરકાર તરફથી એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે, તેઓ વિશ્વાસ અપાવ્યો હતો. લેટર કોન્ફિડન્સિયલ હોવાનું જણાવી ગુપ્ત રાખવા કહ્યું16 જાન્યુઆરીના રોજ કોમલ ત્રિવેદીએ મયુરભાઈને વ્હોટ્સએપના માધ્યમથી ગુજરાત સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલો ગુજરાત સરકારના ગવર્નર આચાર્ય દેવવ્રતની સહી તથા ગુજરાત સરકારના સિક્કા લગાડેલો નોકરીનો બનાવટી લેટર મોકલી આપ્યો હતો. આ લેટર કોન્ફિડન્સિયલ હોવાનું જણાવી ગુપ્ત રાખવાનું કહ્યું હતું. એટલું જ નહીં લેટર આપ્યા બાદ બીજા પૈસાની માંગણી કરી હતી, તેથી મયુરભાઈએ બીજા એક લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, જેથી હ્યુમન રાઇટ્સ કમિટીનું આઇડી કાર્ડ આપ્યું હતું. પૈસા પરત ન આપતા દંપતી સામે ગુનો દાખલજો કે, લેટર આવી ગયા બાદ ઘણા સમય સુધી નોકરી ના મળતા મયુરભાઈએ કોમલનો સંપર્ક કર્યો, ત્યારે કોમલે કબૂલાત કરી હતી કે આ લેટર અને આઇડી કાર્ડ બંને બોગસ છે. મયુરને પૈસા પરત આપવા માટે 7.50 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક ભરતા ચેક રિટર્ન પણ થયો હતો. મયુર સાથે સરકારી નોકરીની લાલચે છેતરપિંડી થઇ હોવાની જાણ થતા મયુરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાટણ શહેરમાં ફેબ્રુઆરી 2023માં બનેલા હત્યા કેસના આરોપી જૈનેશ રાજેશભાઈ વસંતભાઈ તાડાના તેના નાના ભાઈના લગ્નમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પાટણના સેશન્સ જજ એમ.એ. શેખે આરોપીને 16 નવેમ્બર 2025થી 30 નવેમ્બર 2025 સુધી 15 દિવસ માટે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આરોપી જૈનેશ પાટણની સબજેલમાં કાચા કામના કેદી તરીકે બંધ છે. તેના પર સરદાર કોમ્પેલેક્ષમાં આવેલા જ્યોના વ્યસન મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહેલા હાર્દિક સુથારની હત્યા કરવાનો આરોપ છે. આરોપીના વકીલ અમિતભાઈ એમ. ઠક્કરે કોર્ટમાં રજૂઆત કરી હતી કે, આરોપી લાંબા સમયથી ન્યાયિક કસ્ટડીમાં છે. તે ઘરમાં સૌથી મોટો ભાઈ છે અને તેના પિતાનું તાજેતરમાં અવસાન થયું હોવાથી લગ્નની તમામ વ્યવસ્થા કરવાની જવાબદારી તેની છે. વકીલે ખાતરી આપી હતી કે આરોપી જામીનની તમામ શરતોનું પાલન કરશે. સરકારી વકીલે જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આરોપી સામે ખૂન જેવો ગંભીર ગુનો હોવાથી મોટી રકમની ડિપોઝિટ કરાવવી જોઈએ અને જામીનના સમયગાળા દરમિયાન આરોપીના સ્વખર્ચે પોલીસ જાપ્તા સાથે તેને વચગાળાના જામીન પર મુક્ત કરવો જોઈએ. પાટણની સેશન્સ કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જૈનેશના જામીન મંજૂર કર્યા હતા. કોર્ટે આરોપીને પાટણ કોર્ટમાં રૂ. 1 લાખની ડિપોઝિટ જમા કરાવવા અને રૂ. 1 લાખના સધ્ધર જામીન તથા જાત મુચરકો રજૂ કરવા આદેશ આપ્યો હતો. આરોપીને 15 દિવસ માટે લગ્નમાં હાજરી આપવા માટે વચગાળાના જામીન મળ્યા છે. તેને 30 નવેમ્બર 2025ના રોજ સાંજે જેલમાં પરત હાજર થવાની શરત મૂકવામાં આવી છે. ઉપરાંત, અરજદારે નિયમાનુસાર ભરવાપાત્ર થતો પોલીસ જાપ્તાનો ખર્ચ સંબંધિત પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીમાં જમા કરાવવાનો રહેશે અને ડિપોઝિટની રકમ જમા થયા બાદ ઉપરોક્ત સમય દરમિયાન યોગ્ય જાપ્તો પૂરો પાડવાનો રહેશે તેવો હુકમ કરવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરને નશા મુક્ત બનાવવાની દિશામાં વધુ એક પગલું ભરતાં, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ચાલતા ગેરકાયદેસર હુક્કાબાર પર તવાઈ બોલાવી છે. પોલીસની આ કાર્યવાહીમાં અનેક હુક્કાબાર ઝડપાયા છે અને મોટા પ્રમાણમાં પ્રતિબંધિત નિકોટીનયુક્ત ફ્લેવર તથા હુક્કાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. યુવાધનને નશાના રવાડે ચઢાવતા આ ધંધા પર પોલીસે અણધારી રેડ કરીને સંચાલકોમાં ફફડાટ ફેલાવી દીધો છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર બાતમી આધારે દરોડાક્રાઇમ બ્રાન્ચને શહેરના પોશ વિસ્તારો સહિત અનેક જગ્યાએ કેફે અને રેસ્ટોરન્ટના નામે ગેરકાયદેસર હુક્કાબાર ચાલતા હોવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે, ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ એકસાથે અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, કાફેની આડમાં ચાલતી ગેરકાયદેસર હુક્કાની મહેફિલોનો પર્દાફાશ થયો હતો. પોલીસે સ્થળ પરથી હુક્કા પીતા અનેક યુવક-યુવતીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે હુક્કાબારના માલિકો અને મેનેજરો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડાયેલા હુક્કાબારમાં મોટા ભાગના 'હર્બલ હુક્કા'પોલીસ દ્વારા પકડાયેલા હુક્કાબારમાંથી મોટા ભાગે 'હર્બલ હુક્કા'ના નામે ગેરકાયદેસર રીતે નિકોટીનયુક્ત ફ્લેવર પીરસવામાં આવતી હતી. રેડ દરમિયાન, પોલીસે મોટી સંખ્યામાં હુક્કાના પોટ, જુદી-જુદી પ્રતિબંધિત ફ્લેવરના પેકેટ્સ, નિકોટીનયુક્ત તમાકુ અને અન્ય આનુષંગિક વસ્તુઓ જપ્ત કરી છે. જપ્ત કરાયેલા આ મુદ્દામાલની કિંમત લાખોમાં હોવાનું પ્રાથમિક અનુમાન છે. પોલીસે તમામ સેમ્પલને FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)માં મોકલી આપ્યા છે, જેથી તેમાં નિકોટીન અથવા અન્ય પ્રતિબંધિત દ્રવ્યોની હાજરીની સત્તાવાર પુષ્ટિ થઈ શકે. આગામી દિવસોમાં પણ દરોડા ચાલુ રખાશેઅમદાવાદમાં હુક્કાબાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં, કેટલાક સંચાલકો કાયદાનું ઉલ્લંઘન કરીને યુવાધનના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ચાલતા આવા હુક્કાબારને ઝડપી પાડવા માટે સઘન પેટ્રોલિંગ અને દરોડાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી યુવાનોને આ પ્રકારના નશાથી દૂર રાખી શકાય અને કાયદાનું કડકપણે પાલન કરાવી શકાય. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના JCP શરદ સિંઘલે જણાવ્યું હતું કે, ગઇકાલ રાતથી શહેરના અલગ આગ હુક્કાબાર પર રેડ કરવામાં આવી છે.હાલ પોલીસ કાર્યવાહી ચાલી રહી છે.
અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોની લટાર હવે સામાન્ય બની ગઈ હોય તેમ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં સિંહો ઘૂસી આવ્યાં હોવાના બનાવો સતત સામે આવી રહ્યા છે. ત્યારે ગતરાત્રે 5 સિંહોએ રાજુલાનું મોટા આગરીયા ગામને જાણે બાનમાં લીધું હોય તેમ જોવા મળ્યું હતું. શિકારની શોધમાં આવેલા સિંહોએ ગામની શેરીઓમાં રખડતા પશુઓ પાછળ દોડધામ મચાવી હતી. આ વચ્ચે તરાપ મારી વાછરડી સહિત બે પશુઓનો શિકાર કર્યો હતો. જે ઘટના CCTVમાં કેદ થઈ છે. બીજી તરફ સિંહોની લટારને પગલે ગામલોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. રેઢિયાળ પશુઓ અને શ્વાનોમાં અફરાતફરી મચીરાજુલાના મોટા આગરીયા ગામમાં રાત્રે સિંહોનું ટોળું આવી પહોંચ્યું હતું. જેથી રેઢિયાળ પશુઓ અને શ્વાનોમાં અફરાતફરી મચી ગઈ હતી. સિંહો શેરીએ-શેરીએ ફરીને પશુઓ પાછળ દોડ લગાવી રહ્યાનું જોવા મળ્યું હતું. પશુઓ પણ જીવ બચાવવા માટે આમતેમ દોડી રહ્યા હતા. આ સિંહો રાજુલા-સાવરકુંડલા હાઈવે સુધી પહોંચી ગયા હતા, જ્યાં સિંહોના ટોળાને જોઈ વાહનચાલકો પણ ચોંકી ઉઠ્યા હતા અને પોતાના વાહનો થંભાવી દેવા પડ્યા હતા. સિંહોની લટારને પગલે મોટા આગરીયા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સ્થાનિક લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ છવાઈ ગયો છે. રેલવે ટ્રેક હોવાથી ભૂતકાળમાં અનેક અકસ્માતો બન્યાપૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યું હતું કે, આ વિસ્તાર સિંહોનું ઘર છે અને અહીં સૌથી વધુ સિંહો નોંધાઈ છે. મોટો રેલવે ટ્રેક હોવાથી ભૂતકાળમાં અનેક અકસ્માતો બન્યા છે. દોઢ વર્ષથી આર.એફ.ઓ. અને ડીસીએફની જગ્યા ખાલી હોવાથી વન્યપ્રાણીઓ રામભરોસે મુકાયા છે. તેમણે સરકારને તાત્કાલિક આર.એફ.ઓ. અને અન્ય સ્ટાફની ખાલી જગ્યાઓ ભરવા વિનંતી કરી હતી. સિંહોના ટોળા ગામમાં પ્રવેશી રહ્યા છે આમાં ખેડૂતો ખેતરે કેવી રીતે જાયઃ સ્થાનિકમોટા આગરીયા ગામના આગેવાન પ્રકાશભાઈ ખુમાણે માંગ કરી હતી કે, એક સાથે સિંહોના ટોળા ગામમાં પ્રવેશે ત્યારે ખેડૂતો વાડીએ કેવી રીતે અવરજવર કરે? તેમણે વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવા અને જવાબદાર અધિકારીઓની નિમણૂક કરવાની માંગ કરી હતી. સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી રજૂઆત કોને કરવી તે પણ એક પ્રશ્ન છે. તેમણે સરકારને આ વિસ્તારમાં અધિકારીઓ મૂકીને પેટ્રોલિંગ વધારવા અને વન્યપ્રાણીઓ ગામમાં પ્રવેશે નહીં તેની તકેદારી રાખવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના મુખ્ય વડા, DCFની જગ્યા ચાર મહિનાથી વધુ સમયથી ખાલી છે અને ભાવનગરના DCF ઈન્ચાર્જ તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. આ ડિવિઝન હેઠળ આવતી રાજુલા રેન્જ, જે ઉદ્યોગો, રેલવે ટ્રેક અને સૌથી વધુ સિંહોની વસ્તી ધરાવતો અતિ સંવેદનશીલ વિસ્તાર છે, ત્યાં પણ દોઢ વર્ષથી RFOની જગ્યા ખાલી છે. આખી રેન્જમાં ફોરેસ્ટર પણ નથી અને ગાર્ડ પાસે ફોરેસ્ટરનો ચાર્જ છે. RFOના ચાર્જ પણ અલગ-અલગ અધિકારીઓ વચ્ચે બદલાયા કરે છે. આ સ્થિતિ સિંહોની સુરક્ષા અને સ્થાનિક લોકોની મુશ્કેલીઓ વધારી રહી હોવાનું માનવામાં આવે છે. પેટ્રોલિંગ અને મોનિટરિંગના અભાવે પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અમરેલી, ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સિંહોની લટાર સતત જોવા મળી રહી છે ત્યારે આવો આવી જ કેટલીક ઘટનાઓ જોઈએ... સિંહણની જોડીએ તરાપ મારી પશુનો શિકાર કર્યોઆજથી 14 દિવસ પહેલા ખાંભાના રાયડી ગામમાં રાત્રે બે સિંહણ આવી પહોંચી હતી. ગામની શેરીમાં તરાપ મારી એક પશુનો શિકાર કર્યો હતો. જે બાદ સિંહણની જોડીએ મિજબાની માણી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો ગીર ગઢડામાં એક-બે નહીં, પૂરા 11 સિંહનું શાહી જૂથ જોવા મળ્યુંગત 13 નવેમ્બરની રાત્રે ગીર ગઢડા શહેરના ધમધમતા એસટી બસ સ્ટેન્ડ નજીક આવેલા ઘનશ્યામનગર વિસ્તારમાં એક-બે નહીં, પરંતુ 11 સિંહનું આખું જૂથ લટાર મારવા નીકળ્યું હતું. રહેણાક વિસ્તારોમાં સિંહોના આંટાફેરા સ્થાનિકોમાં ભય ફેલાયો છે. જેથી પેટ્રોલિંગ વધારવાની માગ કરી હતી. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો સિંહની ડણકથી ગીર ગઢડા વિસ્તાર ગુંજી ઊઠ્યોઆજથી 9 દિવસ પહેલા ગીરગઢડાના ફાટસર નજીક આવેલા કેદારનાથ મંદિર તરફ જતા રસ્તા પર રાત્રિના સમયે બે નર સિંહની ડણકથી આસપાસનો સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, જેને પગલે રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થોભી જઈ આ અદ્ભુત ક્ષણના સાક્ષી બન્યા હતા. અહિં ક્લિક કરીને આ સમાચારને વિસ્તારથી વાંચો
ક્રિકેટર બનવાની ઘેલછામાં ધોરણ 9માં સાથે ભણતા સુરતના મોરા ગામના બે સગીર ઘર છોડી સુરતથી ટ્રેનમાં બેસી મુંબઇ-બોરીવલી અને ત્યાંથી રાજસ્થાન જતી ટ્રેનમાં બેસી ભીલવાડા પહોંચી ગયા હતા. જતાં પહેલાં સગીરે પરિવારને સંબોધીને હિન્દીમાં એક ચિઠ્ઠી પણ લખી હતી. બન્ને મળી ન આવતા પરિવાર ચિંતામાં પોલીસ પાસે પહોંચ્યો હતો. ઇચ્છાપોર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે અને રેલવે સ્ટેશન સહિતના 93 સીસીટીવી ફૂટેજ તપાસી બન્નેને શોધી કાઢ્યાં હતાં. દીકરો સાંજ સુધી ઘરે ન આપવતા પતિને જાણ કરીસુરતના હજીરા રોડના મોરા ટેકરા ગામમાં રહેતા અને ઘર નજીક કરિયાણાની દુકાન ધરાવતા રાજસ્થાની વેપારીનો ધો. 9માં અભ્યાસ કરતો 16 વર્ષીય પુત્ર વિકાસ (નામ બદલ્યું છે) ગત 7 નવેમ્બરે બપોરના 4 વાગ્યાના અરસામાં ઘરેથી વાળ કપાવા જવાનું કહીને ગયો હતો. મોડી સાંજ સુધી પરત નહીં આવતા માતાએ વેપારીને જાણ કરતા તેઓ ઘરે દોડી આવ્યા હતાં. સલૂનમાં જઈ તપાસ કરી તો વિકાસ વાળ કપાવી ઘરે જવા નીકળ્યો હોવાનું જાણવા મળ્યું હતું. માતા-પિતાએ સીસીટીવી જોઈ સ્કૂલના મિત્રોનો સંર્પક કર્યોદોડતા થયેલા માતા-પિતાએ સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોરા કોમ્યુનિટી હોલના કેમેરામાં દીકરો હાથમાં બેગ અને ક્રિકેટની બેટ લઈને જતા નજરે પડયો હતો. જેથી વેપારીએ તુરંત જ તેના સ્કૂલના મિત્રોનો સંર્પક કરતા જાણવા મળ્યું હતું કે, વિકાસ અને તેના ક્લાસમાં અભ્યાસ કરતો 15 વર્ષીય નીરવ (નામ બદલ્યું છે) બંને ક્રિકેટ રમવાના શોખીન છે અને વારંવાર ક્રિકેટર બનવાની વાત કરતા હોય છે. માતા-પિતા મિત્રના ઘરે જતાં તે પણ ગાયબ હતોમિત્રો હસ્તક નીરવના ઘરનું સરનામું મેળવી માતા-પિતા તેના ઘરે પહોંચ્યા તો જાણવા મળ્યું કે, 4 વાગ્યાથી નીરવ પણ ગુમ છે. જેથી બંનેના પરિજનો શોધખોળ કરતા ઉધના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સુધી પહોંચ્યા હતાં, પરંતુ પત્તો નહીં મળતા આપમેળે આવી જશે એવું વિચાર્યુ હતું. પરંતુ બીજા દિવસે પણ પરત નહીં આવતા ઇચ્છાપોર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સુરત રેલવે સ્ટેશનના અંદાજે 93 કેમેરા ચેક કરતા મુંબઇ જતી ટ્રેનમાં બેઠા હોવાથી પોલીસે પીછો કરવાનું શરૂ કર્યું હતું. પોલીસે બન્નેને શોધી કાઢ્યાં, પૂછરપછમાં ક્રિકેટર બનવાનું જણાવ્યુંબંને મિત્રો બોરીવલી સ્ટેશન ઉતરી જયપુર-રાજસ્થાન જતી ટ્રેનમાં બેઠા હોવાથી પોલીસની બીજી ટીમ જયપુર જવા રવાના થઈ હતી. જો કે, વિકાસ રાજસ્થાનનો હોવાથી પોલીસે તેના પિતાની મદદથી વતન ખાતે સંબંધીઓને જાણ કરતા ભીલવાડા ખાતે મામાના ઘર નજીકથી શોધી કાઢી પરિવારને હવાલે કર્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં બંનેને ક્રિકેટર બનવું હોવાથી ઘરેથી કોઇને પણ કહ્યા વગર નીકળી ગયાની કબૂલાત કરી હતી. સગીરે ચિઠ્ઠીમાં શું લખ્યું?BYY મમ્મી પાપા મેં જા રહા હું અપના સપના પુરા કરને, આપ ચિંતા ના કરે, મેં વાપીસ આ જાઉંગા, કુછ હી સાલો મેં ઓર મુજે ઢુંઢને કી કોશિષ ના કરે, આપ જીતના ઢુંઢોગે મુજે ઉતની હી દિક્કતે હોગી, ઓર ઉતના હીં લેટ મેં ઘર વાપીસા આઉંગા, LOVE YOU, ઇસે મેરા બચપના ના સમજે..!
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં પી.જીમાં રહી અભ્યાસ કરતા જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીનો મૃતદેહ રૂમમાંથી મળી આવતા ચકચાર મચી છે. આ બનાવ અંગે પીજી માલિકે પોલીસને જાણ કરતા પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે આવી યુવકને જોતા તે મૃત હોવાનું જણાયું હતું. જેથી વિદ્યાર્થીના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. આ વિદ્યાર્થીનું મોત કઈ રીતે થયું તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૂવી જોઈ આવ્યા બાદ ઉઠ્યો નહીંફતેગંજ વિસ્તારમાં બ્લૂલગૂન હોટેલની પાછળ સ્કાય હોમ પી.જીમાં રહેતા મૂળ જમ્મુ કાશ્મીરના ગતિક અજયકુમાર દાસ (ઉંમર વર્ષ 25) ગત તારીખ 14 નવેમ્બરે રાત્રે 1.30 કલાકે સુભાષ કોલોની ફતેગંજ વિસ્તારમાંથી મૂવી જોઈ આવી સૂઈ ગયા બાદ ગત રોજ ન ઉઠતા પી જી માલિકે 108ને જાણ કરી હતી. પી.જી સંચાલકે 108ને બોલાવીજમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીને 108 કર્મીએ તપાસ કરતા તે મૃત હોવાનું પી જી સંચાલકને જણાવ્યું હતું. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા ફતેગંજ પોલીસ તાત્કાલિક દોડી આવી મૃતદેહનો કબ્જો મેળવી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ મામલે ફતેગંજ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતોઆ વિદ્યાર્થી વડોદરા નજીક આવેલી પારુલ યુનિવર્સિટીમાં MBAના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ વિદ્યાર્થીનું શંકાસ્પદ મોત હોવાથી પોલીસે આત્મહત્યા, કુદરતી મોત કે અન્ય કોઈ બાબત છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં વિદ્યાર્થીના મિત્રોમાં દુઃખની લાગણી ફેલાઈ છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા શહેરમાં જુના રેલવે સ્ટેશન રોડ નજીક આવેલા ખ્યાતી ગેસ્ટહાઉસમાં આવતા મુસાફરોની પથિક સોફટ્વેરમાં એન્ટ્રી નહીં કરવામાં આવતાં પોલીસ દ્વારા સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે કોમ્બીંગ દરમિયાન ગેસ્ટહાઉસમાં તપાસ કરીમહેસાણા પોલીસની ટીમ દિલ્હીમાં થયેલા વિસ્ફોટની ઘટના અંતર્ગત મહેસાણા શહેરમાં કોમ્બીંગ નાઈટ દરમિયાન હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન જુના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ખ્યાતી ગેસ્ટહાઉસમાં તપાસ કરી હતી. અહીં ગેસ્ટહાઉસનું સંચાલન કરી રહેલા નરેશ ભીખાભાઈ પરમાર (રહે. સીંધી સોસાયટી, મહેસાણા મુળ રહે. જુના સુદાસણા) મળી આવ્યાં. સંચાલક સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલત્યારબાદ હોટેલનું નોંધણી રજિસ્ટર ચેક કરતાં અહીં રોકાયેલા બે મુસાફરની નોંધણી કરી હતી. જેની પથિક રજિસ્ટરમાં એન્ટ્રી કરી છે તે અંગે પૂછતા સંચાલકે અમારી પાસેનું કોમ્પ્યુટર બગડેલ હોવાથી દોઢ માસથી પથિક સોફટ્વેરમાં એન્ટ્રી કરી ન હોવાનું જણાવ્યું હતું. જેથી સંચાલક સામે કલેકટરના જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો.
રાજ્યના સૌથી ઠંડા સ્થળોમાં મોખરે રહેતા નલિયામાં આજે લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે તેને રાજ્યનું સૌથી ઠંડું શહેર બનાવે છે. ભુજમાં લઘુતમ તાપમાન 16.2 ડિગ્રી અને કંડલામાં 17.5 ડિગ્રી નોંધાયું હતું. સામાન્ય રીતે શિયાળામાં રાજ્યમાં સૌથી ઠંડું રહેતું નલિયા હવે ધીમે ધીમે ઠંડું પડી રહ્યું છે. બીજી તરફ, ભુજ શહેરમાં હજુ પણ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેના કારણે લોકો સંધ્યાકાળ પછી પણ ગરમ વસ્ત્રો વિના બહાર ફરતા જોવા મળે છે. હાલમાં ભુજમાં ગુલાબી ઠંડીનો માહોલ હોવાથી લોકો ખુલ્લેઆમ બહાર ફરી રહ્યા છે. જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં રાત્રિના સમયે તાપણી કરતા લોકો જોવા મળ્યા નથી. જોકે, હવામાન વિભાગે આગામી સમયમાં જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરી છે. નિષ્ણાતોએ ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો, પૌષ્ટિક અને ગરમ પ્રકૃતિ ધરાવતા ખોરાકનું સેવન કરવાની સલાહ આપી છે. જિલ્લામાં કાળઝાળ ગરમી અને લાંબા સમય સુધી વરસાદ બાદ હવે ઠંડી પણ લાંબા સમય સુધી તેની અસર બતાવશે તેવા અહેવાલ છે. નલિયા સતત બીજા દિવસે રાજ્યમાં સૌથી ઠંડા સ્થળ તરીકે નોંધાયું છે.
રાજ્યમાં શિયાળાનો ચમકારો ધીમે-ધીમે વધી રહ્યો છે. સતત બીજા દિવસે નલિયા 14 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી નીચા તાપમાન સાથે ઠંડુંગાર શહેર રહ્યું છે. રાજ્યમાં લધુત્તમ તાપમાન 20 ડિગ્રી કરતા નીચે જતું રહેતાં તમામ જિલ્લાઓમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવનાહવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સુકું જોવા મળશે. આ દરમિયાન ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે આગામી કેટલાક દિવસ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે જતું રહ્યુંહવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ, કંડલા એરપોર્ટ પર 14.6 ડિગ્રી, રાજકોટમાં 14.5 ડિગ્રી, કેશોદમાં 14.7 ડિગ્રી, વડોદરામાં 14.4 ડિગ્રી, અમરેલીમાં 15.2 ડિગ્રી, ડીસામાં 15.3 ડિગ્રી, ગાંધીનગરમાં 15.5 ડિગ્રી, મહુવામાં 15.6 ડિગ્રી, દીવમાં 15.8 ડીગ્રી, અમદાવાદમાં 16.6 ડિગ્રી, ભાવનગરમાં 16.6 ડિગ્રી, પોરબંદરમાં 16.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી, સુરતમાં 18.6 ડિગ્રી, વેરાવળમાં 19.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 17.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

28 C