SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

તસ્કરોએ મેડિકલ સ્ટોરનું શટર તોડ્યું:આંબલિયાસણના રેલવે સ્ટેશન સામે દુકાનનું તાળું તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો

મહેસાણા તાલુકાના આંબલિયાસણમાં રેલવે સ્ટેશનની સામે આવેલા મેડિકલ સ્ટોરના દુકાન માલિક ગુરુવારના સાંજે દુકાન બંધ કરીને ઘરે ગયા હતા. ત્યારબાદ કોઈ અજાણ્યા તસ્કરો દ્વારા શુક્રવારની વહેલી સવારના આસપાસ દુકાનનું તાળું તોડીને શટર ઊંચું કરીને તેમાંથી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે, શુક્રવારની વહેલી સવારે દુકાનનું શટર તોડીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.પરંતુ કંઈ હાથ ના લાગતા તેઓ ભાગી ગયા હતાં. બે દિવસ પહેલાં પણ તાળું તોડ્યું હતુંબીજી તરફ આ જ વિસ્તારમાં બે દિવસ અગાઉ ગુરૂકૃપા કિરાણામાં પણ વહેલી સવારે તાળું તોડીને ચોરીનો પ્રયાસ કયો હતો, પરંતુ ત્યાંથી સ્થાનિક વ્યક્તિ જોઈ જતાં તસ્કરો ગાડી લઈને ભાગી ગયા હતાં. પોલીસના પેટ્રોલિંગ પર સવાલસ્થાનિક પોલીસ સઘન પેટ્રોલિંગના દાવાઓ કરી રહી છે. ત્યારે રહેણાંક વિસ્તારમાં ચોરીના બનાવ બનતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. તો બીજી તરફ પોલીસે પણ તસ્કરોને નાથવા માટે પેટ્રોલિંગ સઘન બનાવવાની જરૂર જણાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 1:55 pm

ગુજરાતમાં આવેલા વાઘ માટે વાઘણ લાવવાની તૈયારી:રતનમહાલમાં 9 મહિનાથી એક વાઘનો વસવાટ, કાયમી માટે અહીં જ રોકાય જાય તે માટેના પ્રયાસો હાથ ધરાયા

ગુજરાતના રતનમહાલ અભ્યારણ્યમાં છેલ્લા નવ મહિનાથી એક વાઘે વસવાટ કર્યો છે. ગુજરાત વનવિભાગની ટીમ સતત તેનું મોનિટરીંગ કરી રહી છે અને ખોરાક માટેની જરુરી વ્યવસ્થા પણ કરી રહી છે. આગામી દિવસોમાં વાઘ અહીં કાયમી વસવાટ કરે તે માટેના પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. આ બાબતે ગુજરાત વનવિભાગ દ્વારા નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ( NTCA)ને જાણ કરવામાં આવી છે. NTCA હવે રતનમહાલમાં વાઘની વસતી વધારવા માટે એક વાઘણ મોકલવાની શક્યતાઓ પર કામ કરી રહી છે. વાઘ અહીં જ રોકાય જાય તે માટે વનવિભાગે પ્રયાસો હાથ ધર્યાગુજરાત વનવિભાગના અધિકારી જયપાલ સિંઘે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું હતું કે, રતનમહાલમાં પૂરતું પાણી, શિકાર અને કુદરતી આવાસ ઉપલબ્ધ હોવાથી વાઘ અહીં નિર્ભય રીતે રહી રહ્યો છે. વાઘની ગતિવિધિઓ, સ્વાસ્થ્ય અને વર્તન પર સતત નજર રાખવામાં આવી રહી છે. સાથે સાથે તેને કાયમી રીતે અહીં જ રોકી શકાય તે માટે રાજ્ય સરકાર અને વન વિભાગ સક્રિય બન્યા છે. આ વાઘ પાછો જતો રહે તે પહેલા તેની વસતી વધારવાની દિશામાં મહત્વનું આયોજન થઈ રહ્યું છે. વાઘ માટે ચિતલ, સાંભર જેવા શિકારની સંખ્યા વધારવાના પગલાં લેવામાં આવ્યા છે. એટલું જ નહીં, ગુજરાતમાં ‘ટાઈગર્સ આઉટસાઈડ ટાઈગર રિઝર્વ’ પ્રોજેક્ટ અંતર્ગત રતનમહાલ જેવી સેન્ચ્યુરીને વિકસાવવાની તૈયારી પણ હાથ ધરાઈ છે. ગુજરાતના વનવિભાગે NTCAને પત્ર લખ્યોવન વિભાગ દ્વારા આ સમગ્ર મુદ્દે NTCA (નેશનલ ટાઇગર કન્સર્વેશન ઓથોરિટી)ને પત્ર લખી જાણ કરવામાં આવી છે. NTCA હવે રતનમહાલમાં વાઘની વસતી વધારવા માટે એક વાઘણ મોકલવાની શક્યતાઓ પર કામ કરી રહી છે. આ માટે પાડોશના ત્રણ રાજ્યોમાંથી એક રાજ્યમાંથી ઉચ્ચ જિનેટિક ગુણવત્તાવાળી વાઘણ પસંદ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે. રતનમહાલના જંગલમાં એક જ વાઘ- જયપાલ સિંઘછેલ્લા થોડા દિવસથી બીજો વાઘ પણ રતનમહાલના જંગલમાં ફરતો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું જે બાબતે જયપાલ સિંઘ એ જણાવ્યું કે, બીજો કોઈ વાઘ નથી આવ્યો જે વાઘ જંગલમાં છે તેને જ બધા બીજો વાઘ કહી રહ્યા છે અને જે પગલા દેખાયા છે તે તેના જ પગલા હોવાનું માલૂમ થયું છે. જેથી હાલમાં રતનમહાલના જંગલમાં એક જ વાઘ છે. NTCAની તપાસ બાદ વધુ વાઘ લાવવા અંગે નિર્ણય લેવાશેNTCA સાથે જોડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, વાઘણ લાવવાના નિર્ણય પહેલાં અનેક તબક્કાની ચકાસણી કરવામાં આવશે. તેમાં રતનમહાલમાં માનવ-વાઘ સંઘર્ષની શક્યતા, જંગલનું વાતાવરણ, સુરક્ષા વ્યવસ્થા, અંતર તેમજ વાઘ અને વાઘણ વચ્ચેનું જિનેટિક મેચિંગ સામેલ છે. જાણે જન્મકુંડળી મેળ ખાતી હોય તે રીતે જિનેટિક સમાનતા તપાસ્યા બાદ જ અંતિમ નિર્ણય લેવાશે. NTCA દ્વારા સ્થળનું મૂલ્યાંકન, ખોરાકની પૂરતી ઉપલબ્ધતા, ભાવિ બચ્ચાઓ માટેની સુરક્ષા અને કાયમી વસવાટની યોગ્યતા અંગે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. જો તમામ માપદંડ સંતોષકારક સાબિત થશે, તો જ યોગ્ય રાજ્યમાંથી વાઘણને રતનમહાલ લાવવામાં આવશે.વન વિભાગનું માનવું છે કે આ પ્રયાસ સફળ રહ્યો તો રતનમહાલ ગુજરાતમાં વાઘ સંરક્ષણનું નવું અને મહત્વપૂર્ણ કેન્દ્ર બની શકે છે, જે રાજ્યની જૈવવિધતા અને વન્યજીવન સંરક્ષણને નવી દિશા આપશે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 1:27 pm

6 લાખના MD ડ્રગ્સ સાથે આરોપી ઝડપાયો:NDPS કોર્ટે આરોપી મોહમ્મદ ફારુક મેમણને 12 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

વર્ષ 2022માં અમદાવાદ DCB પોલીસ મથકે અમદાવાદના રહેવાસી આરોપી મોહમ્મદ ફારુક મેમણ અને જાવેદશા સામે NDPS એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં કોર્ટે આરોપી મોહમ્મદ ફારુક મેમણને 12 વર્ષની કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપી CTM પાસે સ્વિફ્ટ ગાડીમાં એમડી ડ્રગ્સ વેંચતો હતોકેસને વિગતે જોતા પોલીસને પેટ્રોલિંગ કરતા બાતમી મળી હતી કે અમદાવાદના CTM પાસે એક સ્વિફ્ટ ગાડીમાં આરોપી મોહમ્મદ ફારુક મેમણ એમડી ડ્રગ્સનું વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે પંચો સાથે આરોપીને કોર્ડન કરીને તેની તપાસ કરતા, આરોપી પાસેથી 6.07 લાખની કિંમતનું 60.700 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. તેનું કહેવું હતું કે તે જાવેદશા પાસેથી ડ્રગ્સ લાવ્યો હતો. આરોપીને 12 વર્ષની કેદ અને 5 લાખનો દંડઆરોપીઓ સામે અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી NDPSની વિશેષ અદાલતમાં કેસ ચાલી જતા સરકારી વકીલ દિલીપસિંહ.એમ.ઠાકોરની દલીલો, સાહેદો અને પુરાવા તપાસીને જજ વી.બી. રાજપૂતે આરોપી મોહમ્મદ ફારુક મેમણને 12 વર્ષની સખત કેદ અને કુલ 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 1:19 pm

ભારતીય કિસાન સંઘની ગાંધીનગર બેઠકમાં આંદોલનની ચીમકી:સહાય, વીજળી, અને અન્ય પડતર માંગણીઓ ઉકેલવા માગ

ગુજરાત પ્રદેશ ભારતીય કિસાન સંઘની વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ પર ચર્ચા કરાઈ. બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે સરકાર તરફથી પૂરતી સહાય અને સમયસર નિર્ણય ન મળતા આજે ગુજરાતનો ખેડૂત ગંભીર મુશ્કેલીમાં છે. 'પ્રશ્નો ઉકેલાશે નહીં તો આંદોલનનો માર્ગ અપનાવીશું'કિસાન સંઘે જણાવ્યું કે, ખેડૂતોની તકલીફો સાંભળ્યા બાદ આવનાર દિવસોમાં મહત્વના નિર્ણયો લેવામાં આવશે. ખાસ કરીને સિંચાઈ માટે પૂરતી વીજળી ન મળવાની સમસ્યા પર સરકાર ગંભીર બને તેવી કડક અપીલ કરાઈ. જો પ્રશ્નો તાત્કાલિક ઉકેલાશે નહીં તો આંદોલનનો માર્ગ અપનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. '18 હજાર ગામડાઓમાંથી ખેડૂતો શક્તિ પ્રદર્શનમાં ભાગ લેશે'બેઠકમાં એ પણ જણાવાયું કે, આવનાર સમયમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવશે, જેમાં રાજ્યના અંદાજે 18 હજાર ગામડાઓમાંથી ખેડૂતો ભાગ લેશે. આજે યોજાયેલી બેઠકમાં આંદોલનની રૂપરેખા અને આગળની રણનીતિ અંગે આગામી દિવસોમાં નિર્ણય લેવાશે. સહાય, વીજળી, અને અન્ય પડતર માગણીઓ ઝડપથી ઉકેલવા માગકિસાન સંઘે સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો કે સહાય, વીજળી, અને અન્ય પડતર માંગણીઓ ઝડપથી ઉકેલવામાં આવે. જો સરકાર માંગણીઓ પ્રત્યે ગંભીરતા દાખવશે નહીં, તો ખેડૂતો ના છૂટકે ખેતર છોડીને ગાંધીનગર કૂચ કરશે અને આક્રમક આંદોલન શરૂ કરશે. એવી ખુલ્લી ચીમકી સંઘ દ્વારા આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 1:16 pm

સાસણના રિસોર્ટમાં વિદ્યાર્થીના મોતમાં ભાજપ આગેવાનની નવયુગ સ્કૂલની બેદરકારી:પ્રવાસની બસ RTOમાં ચેક ન કરાવી, પોલીસ બંદોબસ્ત પણ ન માગ્યો; પિતાના શબ્દોથી સૌની આંખો ભીની

રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા 19 ડિસેમ્બરના રોજ 150થી વધુ વિદ્યાર્થી અને 14 શિક્ષકોને 3 બસમાં સોમનાથ-સાસણના પ્રવાસે લઈ જવાયા હતાં. આ પ્રવાસ દરમિયાન બપોરના સાસણના રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં નહાવા પડેલા ધોરણ 8ના વિદ્યાર્થીનું ડૂબી જવાથી દુઃખદ નિધન થયુ હતુ. આ દુર્ઘટનામાં પ્રવાસમાં હાજર શિક્ષકો અને ભાજપ આગેવાન એવા સ્કૂલ સંચાલકની ગંભીર બેદરકારી સામે આવે છે. શિક્ષકોએ ધ્યાન ન આપ્યું અને વિદ્યાર્થીઓ સ્વિમિંગ પૂલમાં નહાવા પડ્યા અને તેમાંથી એક વિદ્યાર્થીનું મૃત્યુ થયુ. રાજ્ય સરકાર દ્વારા જારી કરેલા નિયમો પ્રમાણે સ્કૂલ સંચાલક દ્વારા પોલીસ પાસે બંદોબસ્ત માગવાની બદલે માત્ર જાણ કરવામાં આવી હતી. આ સાથએ જ આરટીઓ કચેરીમાં પણ વાહનની ફિટનેસ ચેક કરાવવામાં ન આવી હોવાનો ખૂલાસો થયો છે. દરમિયાન સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તાએ સ્કૂલની માન્યતા રદ કરવાની સાથે વિદ્યાર્થીના પરિવારજનોને રૂ.50 લાખની આર્થિક સહાય આપવાની માગ કરી છે. પ્રવાસ અંગેની ફાઈલ જમા કરાવવામાં આવેલી છેઃ DEOઆ બાબતે રાજકોટના ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યુ કે, 24 ઓક્ટોબર, 2024નો ગુજરાત શિક્ષણ વિભાગનો ઠરાવ છે, જેમાં કોઇપણ સ્કૂલ જ્યારે પ્રવાસમાં જાય ત્યારે એ સ્કૂલે કચેરી ખાતે જાણ કરવાની હોય છે. નવયુગ સ્કૂલ દ્વારા 11 ડિસેમ્બરના રોજ પ્રવાસ અંગેની ફાઈલ જમા કરાવવામાં આવેલી છે. જેમાં નોંધ્યા મુજબ 145 વિદ્યાર્થી અને 14 શિક્ષકો સાથેનો પ્રવાસ હતો. તેમાં સૌપ્રથમ સોમનાથ અને ત્યાર પછી દેવડીયા પાર્ક પ્રવાસ જવાનો હતો. ‘જમવા માટે સાસણના રિસોર્ટમાં રોકાયા હતા, નહાવાનું આયોજન નહોતું’એક દિવસનો પ્રવાસ હતો, પરંતુ જ્યારે સંચાલક સાથે પ્રાથમિક વાતચીત કરી ત્યારે તેમના જણાવ્યા મુજબ તેઓ જમવા માટે સાસણ ખાતેના રિસોર્ટમાં રોકાયા હતા. જ્યાં નહાવા માટેનું કોઈ આયોજન ન હતું, તેમ છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સ્વિમિંગ પુલમાં નહાવા માટે પડ્યા હતા અને તેમાં એક વિદ્યાર્થીનું ડૂબી જવાથી અવસાન થયુ છે. આ બાબતે હું દુઃખની લાગણી વ્યક્ત કરું છું. ‘ત્રણ સભ્યની ટીમ વિદ્યાર્થીઓ-શિક્ષકોના નિવેદન લેશે’તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અમારી ટીમ તપાસ માટે મોકલી દેવામાં આવી છે. ત્રણ સભ્યોની આ ટીમ વિદ્યાર્થીઓને શિક્ષકોના નિવેદન લેશે. તપાસના અંતે કોની બેદરકારી હતી તે નક્કી કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ બાબતમાં પોલીસ કેસ નોંધાયો છે, ત્યારે પોલીસ પણ તપાસ કરી રહી છે અને અમારી ટીમ પણ તપાસ કરી રહી છે. શિક્ષણ ખાતાના કોઈ નિયમનું ઉલ્લંઘન થયું હશે તો સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ‘હાલ ઠરાવમાં સજાની કોઈ જોગવાઈ નથી’તેમણે ઉમેર્યુ કે, બાળકોને સાચવવાની જવાબદારી શિક્ષકોની જ હોય છે. હાલ ઠરાવમાં આ બાબતે સજાની કોઈ જોગવાઈ નથી. જોકે શિક્ષણ વિભાગના કયા ઠરાવો લાગુ પડે છે તે ચકાસી કાર્યવાહી કરવામાં આવશે. અંતમાં કહ્યું કે, શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ પોલીસને જાણ કરી બંદોબસ્ત માગવાનો હોય છે. જોકે પોલીસને માત્ર જાણ કરવામાં આવી હશે તો એ બાબતે સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ દુખદ ઘટના બની છે, ત્યારે શિક્ષણ વિભાગનો ઠરાવ ફરી એક વખત તમામ સ્કૂલોને મોકલવામાં આવશે. પ્રવાસમાં જતી વખતે સાવચેતી રાખવાની સૂચના આપવામાં આવશે. રાજકોટ આરટીઓના ઇન્ચાર્જ અધિકારી કેતન ખપેડે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, સરકારના નિયમ મુજબ કોઈપણ બસ પ્રવાસમાં જાય ત્યારે તે વાહન આરટીઓ કચેરીમાં ચેકિંગ કરાવવાનું હોય છે, પરંતુ નવયુગ સ્કૂલની પ્રવાસની બસ અહીં ચેક થવા માટે આવી નથી. વિદ્યાર્થીઓ શિક્ષકોની નજર ચૂકવી સ્વિમિંગ પૂલમાં ગયા હતાઃ સંચાલકઆ મામલે નવયુગ સ્કૂલના સંચાલક જયદીપ જલુએ જણાવ્યું કે, શહેરના હાથીખાના મેઇન રોડ ઉપર શેરી નંબર 9માં આવેલી નવયુગ સ્કૂલના ધોરણ 5થી 12ના 155 જેટલા વિદ્યાર્થીઓનો એક દિવસનો પ્રવાસ યોજાયો હતો. જેમાં ગઈકાલે શુક્રવારે સૌ પ્રથમ સોમનાથ દાદાના દર્શન માટે ગયા હતા, જે બાદ સાસણમાં આવેલા રિસોર્ટમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અહીં તમામ વિદ્યાર્થીઓને 14 જેટલા શિક્ષકો ભોજન કરી રહ્યા હતા, ત્યારે તેમાંથી બેથી ત્રણ વિદ્યાર્થીઓ શિક્ષકોની નજર ચૂકવી સ્વિમિંગ પૂલમાં નહાવા માટે ગયા હતા, જેમાંથી એક વિદ્યાર્થી હાર્દિક બારૈયાનું મૃત્યુ નીપજ્યુ. જે ઘટના અમારા માટે દુઃખદ છે. હાલ મેંદરડા પોલીસ સ્ટેશન હું જઈ રહ્યો છું. પોલીસને પણ કહ્યું છે કે, જેની પણ બેદરકારી હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવે. અહીં સ્વિમિંગપૂલ પાસે કોઈ સીસીટીવી કેમેરા નથી, પરંતુ ભોજન કક્ષમાંથી જ્યારે આ વિદ્યાર્થી બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે કોઈ હતું કે કેમ? તેના સીસીટીવી તપાસવામાં આવશે. નિર્દોષ બાળકનું મોત અકસ્માત નહીં, સિસ્ટેમેટિક બેદરકારીનું પરિણામ છેઃ કોંગ્રેસઆ દરમિયાન કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે માગ કરી છે કે, આ કિસ્સામા એક નિર્દોષ બાળકનું મૃત્યુ માત્ર અકસ્માત નહીં, પરંતુ સિસ્ટેમેટિક બેદરકારીનું પરિણામ છે. રાજ્ય સરકારના નિયમોને ધ્યાને લઈને પોલીસ વિભાગને ભલામણ કરી BNS કલમ 106 મુજબ ગુનો નોંધવામાં આવે. નવયુગ સ્કૂલ સામે તાત્કાલિક તપાસ હાથ ધરીને માન્યતા રદ કરવામા આવે. સ્કૂલની બેદરકારીથી ભોગ બનનાર બાળકના પરિવારને રૂ.50 લાખની આર્થિક સહાય આપવામા આવે. વિશેષ કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે જિલ્લામાં તમામ સ્કૂલોને કડક સૂચનાઓ આપવામાં આવે તેવી માંગણી પણ કરી હતી. રજૂઆતના અંતમા વિદ્યાર્થી નેતાએ જિલ્લા શિક્ષણ અધિકારીને ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, આ બાબતે કડક કાર્યવાહી કરવામા નહીં આવે તો આગામી દિવસોમા ગાંધી ચીંધ્યા માર્ગે ભોગ બનનાર બાળકના પરિવારને સાથે રાખીને આંદોલન કરવામા આવશે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 1:08 pm

મિરઝાપુરના પેટ્રોલ પંપમાંથી મહિલા કર્મચારીએ ચોરી કરી:કેશરૂમમાંથી 80 હજાર લઈને નોકરીએ આવવાનું બંધ કરી દીધુ'તું, મેનેજરે હિસાબ કરતા ખબર પડી

અમદાવાદના મિરઝાપુરમાં આવેલા પેટ્રોલ પંપ પર નોકરી કરતી મહિલા કર્મચારીએ થોડા દિવસ અગાઉ કેશરૂમમાં જઈને 80 હજાર રૂપિયાની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મહિલા નોકરી પર જવાનું બંધ કરી દીધું હતું. મેનેજરે હિસાબ કરતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી. મેનેજરે મહિલા વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મેનેજરે કેશરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ને ખબર પડીમિરઝાપુર કોર્ટની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર આસિફ મન્સૂરી મેનેજર તરીકે ફરજ બજાવે છે. 4 ડિસેમ્બરે આસિફે કેશરૂમમાં જઈને ગણતરી કરી ત્યારે વકરા કરતા 80 હજાર રૂપિયા ઓછા હતા, જેથી આસિફે કેશરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. ત્યારે સીસીટીવી ફુટેજમાં બપોરની શિફટમાં કામ કરતી મહેરાજબાનું અંસારી અલગ અલગ રકમમાંથી ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ મહેરાજબાનુએ નોકરી પર આવવાનું બંધ કરી દીધું હતું. ફરિયાદ નોંધાઈથોડા સમય સુધી રાહ જોયા બાદ મહેરાજબાનું પરત ન આવતા આસિફે શાહપુર પોલીસ સ્ટેશનમાં મહેરાજ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 1:04 pm

અકોટા સ્ટેડિયમમાં સશક્ત નારી હસ્તકલા મેળાનો પ્રારંભ:ત્રણ દિવસ મહિલાઓ દ્વારા 120 સ્ટોલ પર ચીજવસ્તુઓનું વેચાણ, ટ્રાન્સજેન્ડર અને સેન્ટ્રલ જેલનો પણ સ્ટોલ

વડોદરા શહેરના અકોટા સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલ સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લયે કર્યું હતું. જેનો મુખ્ય ઉદેશ્ય છે કે વોકલ ફોર લોકલ, સશક્ત નારી હસ્તકલા મેળામાં મહિલાઓ દ્વારા 120 જેટલા વિવિધ સ્ટોલ લગાવાયા હતા, જેમાં જુદી જુદી ચીજ વસ્તુઓનું પ્રદર્શન યોજાઈ રહ્યું છે. આગામી 22 ડિસેમ્બર સુધી આ મેળો ખુલ્લો રહેશે. નારીને વધુ સશક્ત સ્વનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 120 સ્ટોલ અને 15 જેટલા ફૂડ કોર્ટ આ અંગે વિધાનસભાના મુખ્ય દંડક અને ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લયે જણાવ્યું હતું કે, ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નારી શક્તિને સશક્ત કરવા માટે થઈને સશક્ત નારી સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે. તેના જ ભાગરૂપે આજે વડોદરા શહેરમાં પણ અકોટા વિસ્તારમાં આ પ્રકારના મેળાનું આયોજન કરવામાં આવ્યું. આમાં કુલ મળીને અલગ-અલગ સેલ્ફ-હેલ્પ ગ્રુપની બહેનો અને ફક્ત બહેનો દ્વારા ચાલતી સંસ્થાઓના 120 જેટલા સ્ટોલ છે અને 15 જેટલા ફૂડ કોર્ટ છે, ફૂડના સ્ટોલ છે. 'કોઈપણ પ્રકારનો કમિશન ચાર્જ નથી'વધુમાં કહ્યું કે, આમાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દિવ્યાંગોને પણ એક સ્ટોલ આપેલો છે, સેન્ટ્રલ જેલના પણ એક સ્ટોલ છે અને તેની સાથે સાથે ટ્રાન્સજેન્ડર માટેનો પણ એક સ્ટોલ છે. આ બધા જ સ્ટોલના જે ઓપરેટર્સ છે એટલે કે જે સંસ્થાઓ છે તેમની પાસેથી તંત્ર દ્વારા કોઈ પ્રકારની ફી આકરવામાં નથી આવી. સાથે સાથે આગામી ત્રણ દિવસમાં જે પણ સેલ થશે તેના ઉપર પણ કોઈપણ પ્રકારનું કમિશન ચાર્જ કરવામાં આવ્યું નથી. 'નારી શક્તિને આર્થિક સદ્ધર કરવા મેળાનું આયોજન'વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે આખી એક આર્થિક મહાસત્તા તરફ લઈ જવા માટેનું એક સૌથી મહત્વનું જો કોઈ પાસું હોય તો નારી શક્તિને મજબૂત કરવાનું પાસું છે. અલગ-અલગ એટલી બધી યોજનાઓ જ્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ચાલે છે ત્યારે આ અતિશય મહત્વનું એક પગલું છે કે નારીઓ દ્વારા, નારી શક્તિ દ્વારા ચાલતી, એમના દ્વારા ઉત્પાદિત એવી વસ્તુઓનું પ્રદર્શન અને સેલ થાય. તે માટેનું જ્યારે આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે જિલ્લા વહીવટી તંત્રને ખૂબ અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે, આપણે બધા જ આ મેળો જોવા આવીએ અને સાથે સાથે ખૂબ સરસ મજાની વસ્તુઓ છે તે આપણે પર્ચેસ કરીએ જેથી કરીને નારી શક્તિને આર્થિક રીતે સદ્ધર કરવામાં આપણે પણ એક હાથ બટાવી શકીએ. 'મારી બહેનો એમના પોતાના પગ પર ઉભી થઈ શકે'આ કાર્યક્રમમાં સખી મંડળ ચલાવતા ઇશિતા પરમારે જણાવ્યું હતું કે, હું 'મિશુ સખી મંડળ' ચલાવી રહી છું. મારું મંડળ અંદાજે 15 વર્ષથી ચાલે છે. મારી ઈચ્છા એવી છે કે મારી બહેનો એમના પોતાના પગ પર ઉભી થઈ શકે અને ઘરે બેઠા જ એમની એક ઇન્કમ (આવક) ઉભી કરી શકે, જેનાથી એ પણ આગળ વધી શકે છે. 'લોકો ઘરે બેઠા બધું કામ કરી શકે છે'કારણ કે ગામડાની બહેનો બહાર જઈને કામ કરી શકતી નથી અને શહેરોમાં પણ એવું છે કે ઘણી બહેનો ઘરની બહાર નીકળીને કામ નથી કરી શકતી. તો અમે ઘરે બેઠા એક પ્લેટફોર્મ આપ્યું છે કે એ લોકો ઘરે બેઠા બધું કામ કરી શકે અને મહિનાની અંદાજે 8થી 10 હજાર રૂપિયા સુધીની આવક પણ ઉભી કરી શકે, જેથી તેમના ખર્ચા નીકળી શકે. 'આરતીની થાળીઓ અને લગ્નની ડેકોરેશન આઈટમો બનાવાની ટ્રેનિંગ'વધુમાં કહ્યું કે, અમે આરતીની થાળીઓ અને લગ્નની ડેકોરેશન આઈટમો બનાવવાની ટ્રેનિંગ આપીને શીખવાડીએ છીએ અને એ લોકો બધું પોતાની જાતે ઘરે બેઠા બનાવે છે. તેના માટે કોઈ પણ પૈસા લેવામાં આવતા નથી. બહેનોએ અમારે ત્યાં માત્ર એક કે બે દિવસ આવીને શીખવાનું હોય છે, પછી તેઓ ઘરે બેઠા પોતાની જાતે કામ કરી શકે છે. તેમને એક પણ રૂપિયાનો ખર્ચ હોતો નથી, માત્ર પોતાની મહેનત કરવાની હોય છે. ડાયમંડ લગાવવા માટે વપરાતી કેન્ડલ જેવી દરેક સામગ્રી અમે પૂરી પાડીએ છીએ. અમે તેમને શીખવાડીએ છીએ અને તેમની મહેનતના વળતર રૂપે પૈસા આપીએ છીએ. 'થાળી બનાવવાના 20થી 25 રૂપિયા મળે'વધુમાં કહ્યું કે, આ કામગીરીમાં એક થાળી બનાવવાના 20થી 25 રૂપિયા મળે છે. ઘણી બહેનો મહિનાની ઘણી બધી થાળીઓ બનાવીને સારી કમાણી કરે છે. મારી સાથે અંદાજે 80 થી 90 બહેનો કામ કરી રહી છે અને પગભર થઈ છે. જેમાં ગામડાની અને શહેરની એમ બંને વિસ્તારની બહેનોનો સમાવેશ થાય છે. જેલના કેદીઓ દ્વારા જે પ્રોડક્ટ્સ બનાવેલ તેનું વેચાણઆ સાથે વડોદરા મધ્યસ્થ જેલ દ્વારા મુકાયેલ સ્ટોલ ચલાવતા કર્મચારી ધર્મેન્દ્ર પરમારે જણાવ્યું હતું કે, જેલના કેદીઓ દ્વારા જે પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે, તેનું અમે અહીં વેચાણ કરીએ છીએ. જે જેલના ફેક્ટરી વિભાગમાં તૈયાર થાય છે. વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થો, લિક્વિડ ફોર્મ, સફારી બેગ જેનું મેન્યુફેક્ચરિંગ પણ જેલમાં થાય છે. આ સિવાય, જો આપને વધારે પ્રોડક્ટ્સ જોવી હોય અથવા ખરીદવી હોય, તો જેલ રોડ ઉપર અમારો કાયમી સ્ટોલ અવેલેબલ છે, ત્યાં આપ વિઝિટ કરી શકો છો.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 12:43 pm

ગાંધીનગરની યુનિયન બેંકમાં કરોડોનું કૌભાંડ:ગુજરાત ટુરીઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા 'નવરાત્રી ફેસ્ટિવલ' ના ખાતામાંથી 2 કરોડ બારોબાર ટ્રાન્સફર ,સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજરનું કારસ્તાન

ગાંધીનગરની કુડાસણ સ્થિત યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં સરકારી નાણાંની ઉચાપતનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગુજરાત ટુરીઝમ વિભાગના વર્ષોથી બંધ પડેલા 'નવરાત્રી ફેસ્ટિવલ-2003' ના ખાતાને ખોટી રીતે એક્ટિવેટ કરી તેમાંથી 2 કરોડ 2 લાખ 78 હજારથી વધુની રકમ એક ખાનગી ટ્રેડર્સના ખાતામાં ટ્રાન્સફર કરી દેવાના કૌભાંડ મામલે સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર અને ખાનગી ટ્રેડર્સ વિરુદ્ધ ખોટા લેટરો અને સહીઓ દ્વારા સરકારી નાણાં સગેવગે કરવાનો ગુનો ઇન્ફોસિટી પોલીસ મથકમાં નોંધવામાં આવ્યો છે. સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર અને વેપારી સામે ફરિયાદઆ સમગ્ર કૌભાંડ અંગે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી રીજીયોનલ મેનેજર કે.આર. નાગરાજે સસ્પેન્ડેડ બ્રાંચ મેનેજર હિમાંશુ ઝદોન ( રહે. સત્યમેવ આવાસ મેંગો, કુડાસણ) અને ટ્રેડર્સ રીતેશ ધીરજલાલ શેઠ (રહે.સુદર્શન ટાવર સોમેશ્વર પાર્ટ 3, થલતેજ)વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ બેંકની તપાસમાં ખુલાસો થયો છે કે 17 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ટુરીઝમ વિભાગના નામે એક બનાવટી લેટર રજૂ કરવામાં આવ્યો હતો. બે અધિકારીઓની ખોટી સહી કરી બંધ ખાતાને એક્ટિવેટ કરાયુંઆ લેટરમાં બે અધિકારીઓની ખોટી સહીઓ અને બે વ્યક્તિઓના આધાર કાર્ડ જોડીને બંધ ખાતું એક્ટિવેટ કરાવવામાં આવ્યું હતું. આ લેટર બ્રાંચ મેનેજર હિમાંશુ ઝદોને પોતે જ રિસીવ કર્યો હતો. આ ખાતું એક્ટિવેટ થતાની સાથે જ તેમાંથી કરોડો રૂપિયા RTGS દ્વારા અમદાવાદની ધનલક્ષ્મી બેંકમાં આવેલા 'ટયુ-પે ટ્રેડર્સ' (Tyu-Pay Traders) ના ખાતામાં મોકલી દેવાયા હતા. જોકે બેંકના ઉચ્ચ અધિકારીઓએ જ્યારે તપાસ કરી ત્યારે મેનેજર હિમાંશુના ઓફિશિયલ ઈ-મેઈલ આઈડી પરથી તેના પર્સનલ ઈ-મેઈલ પર આ કૌભાંડને લગતી ફાઈલો મોકલવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગે ટુરીઝમ વિભાગની ઓફિસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ,વિભાગ દ્વારા આવો કોઈ લેટર આપવામાં આવ્યો નથી અને સહીઓ પણ બનાવટી છે. કૌભાંડ સામે આવતા બ્રાંચ મેનેજરને સસ્પેન્ડ કરી દેવાયો હતોકૌભાંડના મુખ્ય સૂત્રધાર હિમાંશુને ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ તા.4/12/2025 ના રોજ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતો. જે ખાતામાં રૂપિયા જમા થયા હતા એ રીતેશ ધીરજલાલ શેઠે બેંકની પૂછતાછમાં પહેલા ઠાગાઠૈયા કર્યા હતા. બાદમાં અંદાજે 36.50 લાખ પરત કર્યા હતા.પરંતુ બાકીની રકમ પરત ન કરી ન હતી. આ અંગે ઇન્ફોસિટી પોલીસે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજો બનાવવા અને સરકારી નાણાંની ઉચાપત કરવા બદલ બંને ભેજાબાજો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 12:37 pm

જામનગર પોલીસનું 'ઓપરેશન ગોગો':SOGએ બે પાન પાર્લર પર રેડ કરીને 64 ગોગો સ્મોકિંગ કોન જપ્ત કર્યા, વધુ તપાસ ચાલુ

જામનગર SOGએ શહેર અને મોટી ખાવડીમાં બે પાનની દુકાનો પર દરોડા પાડી 64 ગોગો સ્મોકિંગ કોન જપ્ત કર્યા છે. ગૃહ વિભાગની સૂચનાના પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નશાકારક પદાર્થોના સેવનમાં ઉપયોગમાં લેવાતા ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ તથા હેરફેર પર અંકુશ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે રાજ્યભરમાં ઝુંબેશ શરૂ કરાઈ છે. આ ઝુંબેશના ભાગરૂપે જામનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઇન્ચાર્જ પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. SOGની ટીમે સૌ પ્રથમ જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલી 'આરજુ પાન' નામની દુકાનમાં તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન દુકાનમાંથી 35 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવતા તે કબજે કરી દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત, જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં આવેલી 'ગુપ્તા પાન' નામની દુકાનમાં પણ ચકાસણી કરવામાં આવી હતી. અહીંથી 29 નંગ ગોગો સ્મોકિંગ કોન મળી આવતા તે પણ જપ્ત કરી દુકાનદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં SOGની ટીમ દ્વારા અન્ય સ્થળોએ પણ આવી ચકાસણીઓ ચાલુ રાખવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 12:13 pm

કારના ગુપ્ત ચોરખાનામાંથી 912 દારૂની બોટલ સાથે મધ્યપ્રદેશના શખ્સને દબોચ્યો:LCBએ 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, 2 ફરાર

આગામી 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા દારૂબંધીના કડક અમલ વચ્ચે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના સીદસરથી ભાવનગર શહેર તરફ આવતી એક શંકાસ્પદ કારને રોકી તપાસ કરતા કારમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી વિદેશી દારૂની કુલ 912 બોટલો મળી આવી હતી. પોલીસે આશરે રૂ. 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સને ઝડપી લઈ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી હતી. કારમાં ચોરખાનું બનાવીને વિદેશી દારૂના જથ્થાની હેરાફેરીઆ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી મુજબ LCB સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને બાતમી મળી હતી કે, સફેદ કલરની રેનોલ્ટ ટ્રાઈબર કાર નંબર GJ-34-H 5485માં ચોરખાના બનાવીને વિદેશી દારૂનો જથ્થો સીદસરથી ભાવનગર શહેરમાં લાવવામાં આવી રહ્યો છે. 912 દારૂની બોટલ સહિત 9.55 લાખનો મુદ્દામાલ જપ્તઆ બાતમીના આધારે વોચ ગોઠવી પોલીસે કારને રોકી તપાસ કરતા તેમાંથી મધ્યપ્રદેશમાં વેચાણ માટેનો 180 MLની વ્હીસ્કીની બોટલ નંગ 912 જેની કિંમત રૂ. 2,50,800, કાર જેની કિં.7,00,000, મોબાઈલ ફોન કિં.રૂ. 5,000 અને અન્ય દસ્તાવેજો સહિત કુલ રૂ.9,55,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, એકને દબોચ્યો અને બે ફરારઆ મામલે પોલીસે કિશન હારુભાઈ રાઠવા ઉં.વ.37, રહે. બાલવાડી ફળિયું, ઓઢી, છોટા ઉદેપુર, હાલ ભેરુસિંહ બગલના મકાનમાં ભાડેથી, બોરખડ, અલીરાજપુર, મધ્યપ્રદેશને ઝડપી પાડ્યો હતો. જ્યારે પંકજ યાદવ રહે.અલીરાજપુર, મધ્યપ્રદેશ, અશ્વિન બારૈયા રહે. ભાવનગર અને જેન્તી ઉર્ફે જેનુ ગોહિલ રહે.ભાવનગર વાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા, ઝડપાયેલા આરોપી અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 12:02 pm

પ્રિ્ એમ. સી. શાહ કોમર્સ કોલેજમાં ટ્રેડિશનલ ડે ની ઉજવણી:વિદ્યાર્થીઓએ પરંપરાગત સંસ્કૃતિનો સુંદર પરિચય આપ્યો

પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ, નવગુજરાત ટ્રસ્ટ, આશ્રમ રોડ, અમદાવાદ ખાતે તારીખ 20/12/2025ના રોજ પરંપરાગત દિવસ (Traditional Day)નું ઉજવણીસભર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પરંપરાગત વેશભૂષા સાથે ગરબાની રમઝટે સમગ્ર કોલેજ પરિસરને ઉત્સવમય બનાવી દીધું હતું. આ કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું માર્ગદર્શન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. એન. ડી. શાહ દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ રંગબેરંગી ચણિયા-ચોળી, કેડિયાં અને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉત્સાહપૂર્વક ગરબામાં જોડાયા હતા. ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ પરંપરાગત સંસ્કૃતિ અને એકતાની ભાવનાનો સુંદર પરિચય આપ્યો. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉલ્લાસ અને સંસ્કૃતિપ્રેમથી ભરપૂર રહ્યો. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનાં હેતૂ સાથે નીચે નાં વિદ્યાર્થીઓને ઈનામોથી નવાજવામાં આવ્યા. વિદ્યાર્થીઓની કેટેગરીમાં1. મિસ્ત્રી સૌમ્ય 2.ચોહાણ જાસ્મિન વિદ્યાર્થીનીઓની કેટેગરીમાં1.ભરવાડ નિહારિકા 2. સોની વિશ્વા

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:55 am

અમદાવાદ એરપોર્ટ પર 15 ફ્લાઇટ્સ કેન્સલ અને 24 ફ્લાઇટ ડિલે:ગાઢ ધુમ્મસ અને ઓછી વિઝીબીલીટીને કારણે અરાઇવલ અને ડિપાર્ચર ફલાઈટને અસર

અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારો ધુમ્મસની ઝપેટમાં છે. શિયાળુ હવામાનના કારણે ગાઢ ધુમ્મસથી અમદાવાદ એરપોર્ટ પરની 15 ફ્લાઈટ કેન્સલ અને 24 ડીલે થઈ હતી. દિલ્હીના કારણે અમદાવાદ એરપોર્ટ પર આજે સવારથી ઘણી ફ્લાઈટ્સ રદ થઈ ગઈ છે. ઘણી કલાકો મોડી ચાલી રહી છે. એર ઇન્ડિયા, ઈન્ડિગો અને સ્પાઇસજેટ જેવી ઘણી એરલાઇન્સની અનેક ફ્લાઈટ કેન્સલ અને ડીલે થઈ છે. 15 ફ્લાઇટ્સ રદ અને 24 ફ્લાઇટ મોડી પડીદિલ્હીમાં ઓછી વિઝિબિલિટીને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પર વિઝિબિલિટી ખૂબ ઓછી રહી ગઈ હતી. જેના કારણે આજે અમદાવાદ એરપોર્ટ પરની કુલ 15 ફ્લાઇટ્સ રદ કરવી પડી. અને 24 ફ્લાઇટ મોડી પડી. આજે હવાઈ મુસાફરીને લઈને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિવિધ એરલાઈન્સની અનેક ફ્લાઇટ્સ કેન્સલ અને ડિલે થવાના કારણે એરપોર્ટ પર અફરાતફરીનો માહોલ સર્જાયો છે. અમદાવાદ એરપોર્ટ પર આવતી આ ફલાઈટ કેન્સલઅરાઇવલ કેન્સલ ફ્લાઇટ્સની વાત કરીએ તો, સ્ટાર એરની ઇન્દોરથી આવતી ફ્લાઇટ, ઈન્ડિગોની ગાઝિયાબાદથી આવતી ફ્લાઇટ, સ્પાઇસજેટની કોલકાતા, એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હીથી આવતી બે ફ્લાઇટ્સ, તેમજ ઈન્ડિગોની મુંબઈ અને સ્પાઇસજેટની વારાણસીથી આવતી ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. આ ફ્લાઇટ્સ ડિલે થઈતે ઉપરાંત, અરાઇવલ ડિલે ફ્લાઇટ્સમાં ઈન્ડિગોની રાંચી, દિલ્હી, મુંબઈ, ગોવા, જયપુર, જમ્મુ, દેહરાદૂન અને દુબઇ, સ્ટાર એર ની પૂર્ણિયા, સ્પાઇસજેટની દિલ્હી, અને એર ઇન્ડિયાની મુંબઈથી આવતી ફ્લાઇટ્સ ડીલે થઈ છે. અમદાવાદથી ઉપડતી આ ફલાઈટ કેન્સલ ડિપાર્ચર કેન્સલ ફ્લાઇટ્સમાં સ્ટાર એરની ઇન્દોર, એર ઇન્ડિયાની મુંબઈ અને દિલ્હી (બે ફ્લાઇટ), ઈન્ડિગોની ગાઝિયાબાદ અને અમૃતસર, અને સ્પાઇસજેટની કોલકાતા જતી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આ 11 ફલાઈટ મોડેથી રવાના થશેજ્યારે ડિપાર્ચર ડિલે ફ્લાઇટ્સમાં ઈન્ડિગોની ચંદીગઢ, મુંબઈ, દિલ્હી, રાંચી, જયપુર, જેદ્દાહ, વારાણસી અને ગોવા, સ્પાઇસજેટની દિલ્હી, દુબઇ અને ચેન્નઈ જતી ફ્લાઇટ્સ મોડેથી રવાના થશે. ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ઘટાડો થતાં અસરફ્લાઇટ્સ કેન્સલ અને મોડું થવાને કારણે મુસાફરોને લાંબી રાહ જોવી પડી રહી છે. એરલાઈન્સ દ્વારા ઈન્ડિગો એરલાઇને એડવાઇઝરી જાહેર કરી છે. ઈન્ડિગોએ જણાવ્યું છે કે આજે સવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિસિબીલીટી ભારે ઘટાડો થયો છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર અસર પડી છે. સલામતીને પ્રાથમિકતા આપતા અને એરપોર્ટ પર મુસાફરોને લાંબી રાહ જોવી ન પડે તે માટે દિવસ દરમિયાન કેટલીક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી શકે છે તેમજ કેટલીક ફ્લાઇટ્સને પ્રસ્થાનમાં વધુ સમય લાગી શકે છે. સાથે જ, ધુમ્મસના કારણે રોડ ટ્રાફિક પણ ધીમો પડી શકે હોવાથી મુસાફરોને એરપોર્ટ જવા માટે વધારાનો સમય રાખવાની વિનંતી કરવામાં આવી છે. દિલ્હી અને ઉત્તર ભારતમાં વિઝિબિલિટી ઘટીબીજી તરફ, એર ઇન્ડિયાએ પણ એડવાઇઝરી જાહેર કરી છે. એર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં નબળી વિઝિબિલિટી જોવા મળી રહી છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી અસરગ્રસ્ત બની છે. મુસાફરોને એરપોર્ટ જતાં પહેલા તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે. ઈન્ડિગો અને એર ઇન્ડિયા ઉપરાંત અન્ય અનેક એરલાઇન્સે પણ આવી જ પ્રકારની એડવાઇઝરી જાહેર કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:49 am

આયુષ્માન ભારત યોજના હેઠળ બનાસકાંઠામાં અનેક લોકોની સારવાર:છેલ્લા અઢી વર્ષમાં 1,66,130 ક્લેમ દ્વારા 382.39 કરોડ ચૂકવાયા

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ, 25 ડિસેમ્બર, જેને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તે નિમિત્તે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) ના લાભો પ્રકાશિત કરવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા અઢી વર્ષમાં આ યોજના હેઠળ 1,66,130 ક્લેમ દ્વારા 382.39 કરોડ ચૂકવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા 2018 માં શરૂ કરાયેલી આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે વરદાનરૂપ સાબિત થઈ છે. તે છેવાડાના નાગરિકો સુધી સાર્વત્રિક આરોગ્ય સંભાળ પહોંચાડવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવી હતી. વડગામ તાલુકાના થુર ગામના મોંઘાજી ઠાકોરે જણાવ્યું કે, તેમને સાત-આઠ વર્ષથી પગની એડીમાં તકલીફ હતી. ખાનગી હોસ્પિટલમાં લાખો રૂપિયાના ખર્ચની વાત કરાતા તેઓ અસમર્થ હતા. પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન કાર્ડ દ્વારા તેમને મફત સારવાર મળી, જેનાથી તેમણે સરકારનો આભાર વ્યક્ત કર્યો. પાલનપુરના પરમેશ્વરીબેન ગેહાનીએ તેમના અકસ્માતનો અનુભવ વર્ણવ્યો. અકસ્માતમાં તેમને શોલ્ડર અને હિપ બોલમાં ગંભીર ઈજાઓ થઈ હતી. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ તેમને મફત સારવાર મળી અને ડોકટરો તથા નર્સિંગ સ્ટાફની સેવાઓની તેમણે પ્રશંસા કરી. સામાન્ય ગરીબ પરિવારોને મોટી અને ગંભીર બીમારીઓમાં આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન કાર્ડ આવા પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું છે. ગુજરાતમાં આ યોજના અંતર્ગત ₹10 લાખ સુધીની મફત આરોગ્ય સારવાર પૂરી પાડવામાં આવે છે, જેનાથી વંચિત પરિવારોને આરોગ્ય કવચ મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:41 am

લખપતના ઘડુલી ગ્રામ પંચાયતની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો:ગામને એક વર્ષમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું અભિયાન શરૂ થશે

લખપત તાલુકાના ઘડુલી ગામને આગામી એક વર્ષમાં પ્લાસ્ટિક મુક્ત બનાવવાની નેમ સાથે ગ્રામ પંચાયત ખાતે સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના અભિયાનનો નિર્ણય લેવાયો હતો. સરપંચના હસ્તે 'પ્લાસ્ટિક મુક્ત ગામ' લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ઘડુલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ નીલમબેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, ગામમાં પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો અને અન્ય પ્લાસ્ટિકનો કચરો શેરીઓ કે અન્ય જગ્યાએ ફેંકવામાં આવે છે. આ કચરાનો યોગ્ય સ્થળે નિકાલ થાય તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ગ્રામજનો જોડાય તે માટે આગામી દિવસોમાં ગામના વેપારીઓ, વિવિધ સમાજો, મંડળોના સભ્યો અને ગામની અલગ અલગ શેરીઓમાં બેઠકોનું આયોજન કરાશે. ત્યારબાદ સમસ્ત ગ્રામજનોની ગ્રામસભા યોજાશે, જેમાં નિર્ણય લેવાયા બાદ સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમનો આરંભ કરી ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવામાં આવશે. બેઠકમાં ઉપસ્થિત ગામના પૂર્વ સરપંચ નીતિન પટેલે જણાવ્યું હતું કે, અંદાજિત 4000 જેટલી વસ્તી ધરાવતા ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે ગ્રામજનોનો ચોક્કસ સહયોગ મળશે. આ અભિયાનમાં જીએમડીસી, પોલીસ, બીએસએફ, સેતુ સંસ્થા અને અલગ અલગ ઔદ્યોગિક એકમો તેમજ કંપનીઓ દ્વારા પણ સહકાર મળી રહ્યો છે. જીએમડીસીના એસઆર માણેકભાઈએ ગામને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના કાર્યને બિરદાવી સહયોગ આપવાની ખાતરી આપી હતી. બેઠકમાં સેતુ સંસ્થાના ગોપાલભાઈ ભરવાડ, વિનોદ ગીરી ગોસ્વામી, ઉપસરપંચ મેમુના હનીફ રાયમા, જેઠાલાલ મહેશ્વરી, મુકેશ ત્રિવેદી, ઉંમર હુસેન કોલી, વનીતાબેન ગોસ્વામી, ચંદ્રિકાબેન ચરપોટ, જયશ્રીબેન પટેલ, વનીતાબેન પટેલ તેમજ તલાટી ભાવેશ જાટ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગ્રામ પંચાયતના સરપંચના હસ્તે જીએમડીસી દ્વારા મળેલા કોમ્પ્યુટરનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:37 am

ભીમરાડની શિવ રેસીડેન્સીના 192 પરિવારનું ઘરમાં પુનરાગમન:રડતા ચહેરા પર ચાર દિવસ બાદ ખુશી; દિવ્ય ભાસ્કરના કારણે અમે પરત ઘરે આવ્યા: રીમઝીમ

સુરતના ભીમરાડ વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીના રહીશો માટે આજનો દિવસ દિવાળી જેવો સાબિત થયો છે. છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવતા 192 પરિવાર આખરે પોતાના ઘરે પરત ફર્યા છે. દિવ્ય ભાસ્કરના અહેવાલની ધારદાર અસર અને તંત્રની સક્રિયતાને કારણે જે કામમાં અઠવાડિયા લાગવાના હતા, તે ગણતરીના કલાકોમાં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. શું હતી સમગ્ર ધટના?16 ડિસેમ્બરને મંગળવારની રાત્રે ભીમરાડની શિવ રેસીડેન્સીની બાજુમાં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઈટ પર ખોદાણ કરતી સમયે ડી વોલમાં ભંગાણ પડતા સોસાયટીની કમ્પાઉન્ડ વોલ પણ પત્તાના મહેલની માફક ધસી પડી હતી. જમીનમાં પોલાણ સર્જાવાના કારણે સોસાયટીમાં આવેલા 10-10 માળના બે ટાવરમાં આવેલા ફ્લેટમાં રહેતા રહીશોને સલામતીના ભાગરૂપે ફ્લેટ ખાલી કરવા 17 ડિસેમ્બરે સુરત મહાનગરપાલિકાના અઠવા ઝોન દ્વારા નોટિસ અપાઈ હતી. લોકો ભગવાનની મૂર્તિ અને પહેરવાના કપડા સાથે પોતાનું ઘર છોડવું પડ્યું હતું. ઘણા રહીશો હેરાન થતાં આંખોમાં આંસુ પણ જોવા મળ્યાં હતાં. દિવ્ય ભાસ્કર દ્વારા રહીશોની વેદના અને તંત્રની શિથિલતા અંગે કરવામાં આવેલા અહેવાલ બાદ પાલિકા અને વહીવટી તંત્ર સફાળું જાગ્યું હતું. જે સુરક્ષા અને સમારકામની કામગીરીમાં 15 દિવસનો સમય લાગવાનો અંદાજ હતો, તે માત્ર 24 કલાકમાં રાત-દિવસ એક કરીને પૂર્ણ કરવામાં આવી છે. લોકોની ફરિયાદ પર ધ્યાન આપીને પાલિકાએ પહેલેથી કામ અટકાવ્યું હોત તો લોકોને હેરાન થવાનો વખત જ ન આવત! SVNITના રિપોર્ટમાં ગ્રીન સિગ્નલ, બિલ્ડિંગ સુરક્ષિતઆ ઘટના બાદ રહીશોની સુરક્ષાને ધ્યાને રાખીને પાલિકા દ્વારા SVNIT (સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી)ના નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી. ડો. જીતેશ ચાવડા, ડો. જે.પી. પટેલ (જીઓ ટેક્નિકલ કન્સલ્ટન્ટ), સી.ડી. મોઢેરા અને સોઈલ એક્સપર્ટ એચ.એમ. કોકાણી સહિતના 6 નિષ્ણાતોની ટીમે સ્થળ પર જઈ સોઈલ ટેસ્ટ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સહિતના કુલ 5 ટેકનિકલ રિપોર્ટ તૈયાર કર્યા હતા. આ રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બિલ્ડિંગના માળખાને કોઈ નુકસાન થયું નથી અને તે રહેવા માટે સંપૂર્ણ સુરક્ષિત છે. આ રિપોર્ટ મળતા જ પાલિકાએ સોસાયટીના પ્રમુખને ટેલિફોનિક જાણ કરી રહેવા જવાની મંજૂરી આપી હતી. ફ્લેટ ખરીદ્યો હતો, તેના કરતા પણ વધુ ખુશી આજે છેઃ રીમઝીમચાર દિવસ પહેલા જ્યારે મકાન ખાલી કરવાનું હતું, ત્યારે અનેક પરિવારોની આંખમાં આંસુ હતા. ખાસ કરીને સોસાયટીમાં રહેતી રીમઝીમ નામની મહિલા, જેમના પતિને પોલિયો છે અને ત્રણ ઓપરેશન થયેલા છે, તેઓ ભાવુક થઈ ગયા હતા. રીમઝીમે જણાવ્યું હતું કે, જ્યારે મકાન છોડવાનું આવ્યું ત્યારે ભવિષ્ય અંધકારમય લાગતું હતું, પણ આજે ઘરે પરત આવ્યા ત્યારે લાગે છે કે નવો જન્મ થયો છે. આજે દિવ્ય ભાસ્કર અને તંત્રના કારણે અમે ઘરે આવ્યા છીએ. ફ્લેટ ખરીદ્યો ત્યારે જેટલી ખુશી હતી એનાથી અનેકગણી ખુશી આજે છે. તેમણે બિલ્ડરને પણ ટકોર કરી હતી કે, નફા માટે આવી બેદરકારી ફરી ક્યારેય ન કરે. આખરે પાલિકા જાગી ખરી! આ સમગ્ર મામલે પાલિકાએ કડક વલણ અપનાવતા જવાબદાર બિલ્ડર, આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. સોસાયટીની દીવાલ પાસેના ઊંડા ખાડામાં 1,500થી વધુ ટ્રક માટી ભરીને તેને તાત્કાલિક સુરક્ષિત કરવામાં આવી છે. રહીશો હવે પોતાની મિટિંગ યોજીને બિલ્ડર સામે વળતર કે અન્ય કાયદાકીય પગલાં લેવા અંગે આગામી નિર્ણય લેશે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:16 am

બોટાદમાં 65,840 ખેડૂતને ₹220.54 કરોડ સહાય ચૂકવાઈ:87 ટકા પાક નુકસાની સહાય પૂર્ણ, 9933 ખેડૂત બાકી

બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાયની 87 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. અત્યારસુધીમાં 65,840 ખેડૂના બેંક ખાતામાં કુલ ₹220.54 કરોડની સહાય જમા કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 75,773 ખેડૂતોએ પાક નુકસાની માટે અરજી કરી હતી. આ સહાયની રકમ સરકાર દ્વારા સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જોકે, હજુ 9933 ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ બાકી રહેલા ખેડૂતોને પણ ટૂંક સમયમાં સહાયની રકમ મળે તે માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. અણધાર્યા વરસાદ અને કુદરતી આફતોને કારણે થયેલા નુકસાન બાદ ખેડૂતો માટે આ સહાય મોટી રાહતરૂપ સાબિત થઈ રહી છે. બોટાદ જિલ્લા પ્રશાસન આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:15 am

પાટણ શહેરમાં રવિવારે 8 કલાકનો વીજ કાપ:132 KV સબ સ્ટેશનના સમારકામ માટે સમગ્ર શહેરમાં પુરવઠો ખોરવાશે

પાટણ શહેરમાં રવિવારે, 21 ડિસેમ્બરના રોજ આઠ કલાકનો વીજ કાપ રહેશે. ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે. શહેરના 132 KV સબ સ્ટેશનમાં મેન્ટેનન્સ અને સમારકામની કામગીરીને કારણે સવારે 8:00 થી સાંજના 4:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા પાટણ શહેરના ગ્રાહકો માટે આ સૂચના જાહેર કરાઈ છે. સબ સ્ટેશન ખાતે તાત્કાલિક સમારકામની જરૂરિયાત ઊભી થઈ છે. આ ટેકનિકલ કામગીરીના કારણે સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ ફીડરો ફરજિયાતપણે બંધ રાખવામાં આવશે. પરિણામે, પાટણ શહેરના તમામ રહેણાંક અને વ્યાપારી વિસ્તારોમાં સતત 8 કલાક સુધી વીજ પુરવઠો ઉપલબ્ધ રહેશે નહીં. કંપનીએ જણાવ્યું છે કે સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ અગાઉની જાણ કર્યા વગર પાવર સપ્લાય ફરીથી ચાલુ કરી દેવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:14 am

સુરત શહેરમાં પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોનો પ્રવેશ:49 વાહનો ડિટેઈન, ખુલ્લી માટી લઈને દોડતા ટ્રેલરોને કારણે હવામાં પ્રદૂષણની માત્રામાં વધારો

ડાયમંડ સિટી અને ટેક્સટાઈલ હબ તરીકે જાણીતું સુરત શહેર હાલમાં એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શહેરમાં કન્સ્ટ્રક્શન પ્રવૃત્તિઓ વેગ પકડી રહી છે, પરંતુ તેની સાથે જ ભારે વાહનો દ્વારા નિયમોનું જે પ્રકારે ઉલ્લંઘન થઈ રહ્યું છે તેનાથી શહેરના પર્યાવરણ અને નાગરિકોના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. ખાસ કરીને પ્રતિબંધિત સમયમાં ભારે વાહનોના પ્રવેશ અને ખુલ્લી માટી લઈને દોડતા ટ્રેલરોને કારણે હવામાં પ્રદૂષણની માત્રામાં નોંધપાત્ર વધારો થયો છે. ભારે વાહનોના શહેર પ્રવેશના જાહેરનામાની સરેઆમ અવગણનાસુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ટ્રાફિકની સમસ્યા અને જનતાની સુરક્ષાને ધ્યાને રાખીને ભારે વાહનો માટે ચોક્કસ સમય મર્યાદા નક્કી કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિયમ મુજબ, શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર અમુક ચોક્કસ કલાકો દરમિયાન પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમ છતાં, સુરતના રાજમાર્ગો પર આ ભારે વાહનો નિર્ભયપણે ફરતા જોવા મળે છે. નિયમોને ઘોળીને પી જનારા વાહનચાલકો અને ટ્રાન્સપોર્ટરોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ લાગી રહ્યું છે. કન્સ્ટ્રક્શન સાઈટ અને ઉડતી માટી, પ્રદૂષણનું કારણસુરત શહેરમાં ઠેર-ઠેર ચાલી રહેલા મોટા પ્રોજેક્ટ્સ અને કન્સ્ટ્રક્શન સાઈટ પર માટી, કપચી અને કાટમાળ લઈ જતા હેવી વ્હીકલ્સ મુખ્ય સમસ્યા છે. આ વાહનોમાં ભરેલી માટી કે રેતી પર ઘણીવાર તાળપત્રી બાંધવામાં આવતી નથી. જેના પરિણામે જ્યારે આ વાહનો ગતિમાં હોય છે ત્યારે માટી હવામાં ઉડે છે અને પાછળ આવતા રાહદારીઓ તથા દ્વિચક્રી વાહનચાલકોની આંખોમાં પડે છે. આ માત્ર પ્રદૂષણ જ નહીં, પણ ગંભીર અકસ્માતનું કારણ પણ બને છે. હાલમાં સુરતમાં જે પ્રકારે ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે, તેમાં આ બેદરકારીનો મોટો ફાળો છે. વાહન ચેકિંગ દરમિયાન 49 વાહનો ડિટેઈનઆ ગંભીર પરિસ્થિતિને જોતા સુરત પોલીસ હવે એક્શન મોડમાં આવી છે. ટ્રાફિક એસીપી એસ. આર. ટંડેલે આ બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, સુરત પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ સવારે 7 થી બપોરે 1 વાગ્યા સુધી અને સાંજે 5 થી રાત્રે 10 વાગ્યા સુધી ભારે વાહનો માટે પ્રતિબંધિત સમય છે. આ સમયગાળામાં જો કોઈ વાહન નિયમ ભંગ કરતા પકડાશે તો તેમની સામે FIR દાખલ કરવામાં આવશે અને વાહનો જપ્ત કરવાની પણ જોગવાઈ છે. એક દિવસની ડ્રાઈવથી આ સમસ્યા હલ થશે?સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે માત્ર એક દિવસની ડ્રાઈવથી આ સમસ્યા હલ નહીં થાય. પ્રતિબંધિત સમયમાં આટલા મોટા વાહનો શહેરમાં પ્રવેશ કેવી રીતે કરે છે તે પણ એક મોટો પ્રશ્ન છે. જો સુરતને પ્રદૂષણ મુક્ત અને સુરક્ષિત બનાવવું હોય, તો સીસીટીવી કેમેરા અને ચેકપોસ્ટ પર કડક દેખરેખ રાખવી અનિવાર્ય છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:14 am

સાળંગપુર હનુમાનજીને દક્ષિણી થીમ પર વિશેષ શણગાર:શનિવારે ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે 20 ડિસેમ્બરના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દક્ષિણી થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શનિવારે મોટી સંખ્યામાં ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો. આ વિશેષ શણગારમાં દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિર પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યા હતા. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના મયૂરપંખ ડિઝાઈનવાળા વાઘા, ચાંદીનો મુગટ તેમજ તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોથી અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. પવિત્ર શનિવારે વહેલી સવારે 5: 30 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. આ ઉપરાંત, મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ દરમિયાન, એટલે કે 16 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી 2026 સુધી, પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે શ્રી હરિ મંદિરમાં દરરોજ હનુમાન ચાલીસાના પાઠ તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” મંત્રનો જપ યજ્ઞ યોજાઈ રહ્યો છે. આ યજ્ઞ સવારે 7થી 12 અને સાંજે 3થી 6:30 કલાક દરમિયાન કરવામાં આવે છે. આ વિશેષ દક્ષિણી થીમ શણગારના દિવ્ય દર્શનનો લાભ લેવા માટે હજારો ભક્તો પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા અને ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:09 am

વાપી GIDCમાં પ્રતિબંધિત સામગ્રી ઝડપાઈ:ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર સાથે એક ઝડપાયો

વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) એ વાપી જી.આઈ.ડી.સી. વિસ્તારમાં કાર્યવાહી કરીને પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. એક દુકાનમાંથી કુલ 17,088નંગ પ્રતિબંધિત સામગ્રી મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 2,05,310/- છે. આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત સરકારના જાહેરનામા મુજબ, રાજ્યભરમાં પાન પાર્લર, ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રતિબંધિત છે. આ વસ્તુઓમાં રહેલા ઝેરી રસાયણો માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના હેઠળ, LCB દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન વાપી GIDCમાં આવેલી ટી.એન.એસ. સોલ્યુશન નામની દુકાનમાંથી આ પ્રતિબંધિત જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી નેહલ વિજય કનૈયાલાલ શર્મા (ઉંમર 30)ની ધરપકડ કરી છે. તેના વિરુદ્ધ વાપી GIDC પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 223 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 11:00 am

બૂટ-ચંપલના ગોડાઉન આગ:ભાવનગરમાં જૂના બંદર રોડ પર બૂટ-ચંપલના ગોડાઉનમાં વહેલી સવારે આગ ભભૂકી

​ભાવનગર શહેરના જૂના બંદર રોડ પર આવેલ બિલાલ શેઠના કાંટા પાસે એક બૂટ-ચંપલના ગોડાઉનમાં વહેલી સવારે આગની ઘટના બનાવ પામી હતી, ઘટનાની જાણ તાત્કાલિક ફાયરવિભાગ ને થતા કાફલો ઘટનાસ્થળે દોડી જઈ દોઠ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવ અંગે ફાયર કચેરીથી મળતી માહિતી મુજબ આજરોજ શનિવારે વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને વિવેક નામના વ્યક્તિ દ્વારા કોલ કરીને જાણ કરવામાં આવી હતી કે, મેલડી માતાના મંદિર પાસે, જૂના બંદર રોડ પર આવેલ બૂટ-ચંપલના ગોડાઉનમાં આગ લાગી છે, ફાયર વિભાગ નો કાફલો તાત્કાલિક બિલાલ શેઠનો કાંટો, મેલડી માતાના મંદિર પાસે, જૂના બંદર રોડ દોડી જઈ આગ પર પાણી નો મારો ચલાવી દોઢ કલાકની બાદ આગ પર કાબુ મેળવ્યો હતો, આ બુટ-ચંપલ ના ગોડાઉન માલિક શ્યામભાઈ કેવલરામ ડોડેજાની માલિકીની દુકાનમાં આગ લાગી હતી, હેડક્વાર્ટરની ટીમ વહેલી સવારે 3:30 આસપાસ બે મોટા બ્રાઉઝર (ફાયર ફાઈટર) સાથે ઘટનાસ્થળે પહોંચી હતી, ​ફાયર વિભાગની અંદાજે દોઢ કલાકની જહેમત બાદ સવારે 5 વાગ્યે આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં ગોડાઉનમાં રહેલો માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી, આગ લાગવા કારણ જાણવા મળ્યું ન હતું.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 10:57 am

રાજ્યમાં સવારે અને રાત્રે કડકડતી ઠંડી, અમરેલીમાં 12 ડિગ્રી:દીવમાં 13, વડોદરામાં 13.2 અને નલિયામાં 14 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું

રાજ્યમાં હવે ઠંડીનો પારો વધ્યો હોય તેવું લાગી રહ્યું છે. વહેલી સવારે અને રાત્રે કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. સૌથી વધુ ઠંડી અમરેલીમાં જોવા મળી હતી. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના કારણે ઉત્તર તરફથી ફૂંકાવાના કારણે ઠંડીમાં વધારો થયો છે. આગામી 2 દિવસ ઠંડીનો પારો યથાવત રહે તેવી શક્યતા છે. સૌથી ઓછું લઘુતમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. રાજ્યમાં અમરેલીમાં સૌથી વધુ ઠંડીઅમરેલી બાદ દીવમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. સૌથી ઠંડું રહેતું શહેર નલિયાને પાછળ પાડી અમરેલી, દીવ અને વડોદરામાં ઠંડી વધી. નલિયામાં 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું. અમદાવાદમાં 14.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુંઅમદાવાદમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 13.2 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 17.9 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 14.5 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 13 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 19 ડિગ્રી સેલ્સિયસ ગાંધીનગરમાં 14.6 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 16.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 14 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 19 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 14 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 15.5 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 14.8 ડિગ્રી સેલ્સિયસ વેરાવળમાં 16.9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 10:50 am

વલસાડમાં CPRથી જીવ બચ્યો:જૈન અગ્રણી મનસુખભાઈ શેઠિયાને સમયસર સારવાર મળતાં જીવ બચી ગયો

વલસાડ શહેરમાં જૈન સમાજના અગ્રણી મનસુખભાઈ શેઠિયા સાથે અચાનક તબિયત બગડવાની ઘટના સામે આવી હતી. તેઓ પોતાના ઘરની બાલ્કનીમાં અખબાર વાંચી રહ્યા હતા ત્યારે બેચેની અનુભવી ફ્લેટના હોલમાં ખુરશી પર બેઠા. થોડા જ સમયમાં તેઓ અખબાર વાંચતા વાંચતા ઢળી પડ્યા. થોડીવાર બાદ તેમના દીકરાએ તેમને હલાવી જોયા, પરંતુ કોઈ હલનચલન ન દેખાતા પરિવારજનો ચિંતામાં મુકાયા. તાત્કાલિક રીતે પરિવારના અન્ય સભ્યોની મદદથી યોગ્ય રીતથી CPR આપવામાં આવ્યું, જેના કારણે મનસુખભાઈનો જીવ બચાવી શકાયો. મનસુખભાઈએ જણાવ્યું કે તે સમયે તેમનું હૃદય લગભગ ત્રણ મિનિટ માટે કોઈ પૂર્વ સંકેત વગર બંધ થઈ ગયું હતું. તેમને કોઈ ભાન રહ્યું નહોતું, આંખોના ડોળા ફરી ગયા હતા અને મોઢામાંથી ફીણ નીકળતી હતી. પરિવારજનો દ્વારા છાતી પર પંપિંગ કરવામાં આવ્યું તેમજ પગ ઉંચા રાખીને પ્રાથમિક સારવાર આપવામાં આવતા ફરી શ્વાસ શરૂ થયો. બાદમાં તેમને ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તમામ જરૂરી તપાસો કરવામાં આવી. ડૉક્ટરોના જણાવ્યા મુજબ, તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. મનસુખભાઈએ આ ઘટના અંગે જાગૃતિ ફેલાવવા જણાવ્યું કે અચાનક આવી તકલીફ વખતે સમયસર અને યોગ્ય CPR આપવાથી જીવ બચી શકે છે. તેમના પરિવારની સતર્કતા અને હિંમતને કારણે એક મોટું અનર્થ ટળી ગયું.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 10:25 am

જામનગર બાર એસો.માં ભરત સુવા 12મી વખત પ્રમુખ બન્યા:598 મત મેળવી ભરતસિંહ જાડેજાને 222 મતે હરાવ્યા

જામનગર બાર એસોસિએશનની વર્ષ 2026 માટેની ચૂંટણીમાં એડવોકેટ ભરતભાઈ સુવા સતત 12મી વખત પ્રમુખ પદે ચૂંટાયા છે. તેમને કુલ 598 મત મળ્યા હતા. ભરતભાઈ સુવાના પ્રતિસ્પર્ધી ભરતસિંહ જાડેજાને 376 મત મળ્યા હતા. આમ, ભરતભાઈ સુવાએ 222 મતોની સરસાઈથી વિજય મેળવ્યો હતો. ચૂંટણીમાં કુલ 985 મત પડ્યા હતા. લાઇબ્રેરી મંત્રી પદ માટે જયદેવસિંહ જાડેજા અને હર્ષભાઈ પારેખ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયદેવસિંહ જાડેજાને 533 મત મળ્યા હતા, જ્યારે હર્ષભાઈ પારેખને 367 મત મળ્યા હતા. આથી, જયદેવસિંહ જાડેજા વિજેતા જાહેર થયા હતા. ઉપ પ્રમુખ પદે રુચિર રાવલ, સેક્રેટરી પદે મનોજ ઝવેરી અને જોઈન્ટ સેક્રેટરી પદે દીપક ગચ્છરની બિનહરીફ વરણી થઈ હતી. આ ઉપરાંત, ત્રણ મહિલા સભ્યો ગીતાબેન પારગી, દીપાલીબેન મંગે અને માનસીબેન જાટીયા પણ બિનહરીફ ચૂંટાયા હતા. અન્ય કારોબારી સભ્યો તરીકે રાહુલભાઈ ચૌહાણ, મિતુલ હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઈ લહેરૂ, વનરાજભાઈ મકવાણા, અમિતભાઈ પરમાર, ભાવેશભાઈ સોનગ્રા, જયેશભાઈ સુરડીયા અને ઓડિયાભાઈ વાઘેલા વિજેતા બન્યા હતા. આ ચૂંટણીમાં કિશોરભાઈ ચૌહાણે ચૂંટણી કમિશનર તરીકે સેવા આપી હતી, જ્યારે ભરત ગોસાઈ અને મિહિર નંદાએ આસિસ્ટન્ટ ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 10:24 am

ગાંધીનગર બાર એસોસિએશનમાં 'એકતા પેનલ'નો દબદબો:શંકરસિંહ ગોહિલ પ્રમુખ, રાજેન્દ્રસિંહ ચાવડા બન્યા ઉપપ્રમુખ; 83 ટકા મતદાન બાદ મોડી રાત્રે પરિણામ જાહેર

ગાંધીનગર વકીલ આલમમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી ભારે ઉત્તેજનાનો આખરે અંત આવ્યો છે. ગઈકાલે(19 ડિસેમ્બર) શુક્રવારે ગાંધીનગર બાર એસોસિએશનની યોજાયેલી રસાકસીભરી ચૂંટણીમાં એકતા પેનલના શંકરસિંહ ગોહિલે પ્રમુખ પદ પર ભવ્ય વિજય મેળવ્યો છે. વિધાનસભા જેવો માહોલ અને ભોજન સમારંભોની ડિપ્લોમસી વચ્ચે યોજાયેલી આ ચૂંટણીમાં વકીલોએ ભારે ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. શંકરસિંહ ગોહિલને 505 મતો મળતા વિજેતાપ્રમુખ પદ માટે મેદાનમાં ઉતરેલા ચાર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ હતો. જેમાં સિનિયર વકીલ શંકરસિંહ ગોહિલને 505 મતો મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. તેમના હરીફ ઉમેદવારો પૈકી પ્રવિણસિંહ રાઠોડને 255 મતો, અમૃત જેપાલને 103 મતો અને અમિતા વાઘેલાને 48 મતો પ્રાપ્ત થયા હતા. પ્રમુખની આ ચૂંટણીમાં 18 મતો નોટામાં પડ્યા હતા, જ્યારે 5 મતો રદ થયા હતા. ઉપપ્રમુખ પદ પર રાજેન્દ્રસિંહ ચાવડાની 337 મતો મેળવીને જીતજ્યારે ઉપપ્રમુખ પદ માટે પાંચ ઉમેદવારો વચ્ચે સ્પર્ધા હતી, જેમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ 337 મતો મેળવીને જીત હાંસલ કરી છે. જ્યારે સેક્રેટરી પદ માટે દિલીપસિંહ છતુજી ગોહિલને 519 મતો મળતા તેઓ જંગી બહુમતીથી વિજયી થયા છે.​ અંદાજિત 83 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયુંગાંધીનગર બાર એસોસિએશનના કુલ 1114 નોંધાયેલા મતદારોમાંથી 914 વકીલ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, અંદાજે 83 ટકા જેટલું ઉંચુ મતદાન નોંધાયું હતું. સવારથી જ વકીલો મતદાન મથકે ઉમટી પડ્યા હતા અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ હતી.. મતદારોને રીઝવવા ત્રણ દિવસ સુધી ચા-નાસ્તા અને જમણવારની વ્યવસ્થાઆ વખતે ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રથમ વખત અલગ જ નજારો જોવા મળ્યો હતો. ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે ત્રણ દિવસ સુધી ચા-નાસ્તા અને જમણવારની વ્યવસ્થાઓ કરી હતી. પ્રચાર પાછળ ઉમેદવારોએ પાણીની જેમ નાણાં વહાવ્યા હોવાની ચર્ચાઓ પણ વકીલ આલમમાં ગુંજતી રહી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 10:17 am

'કામ માટે સીધા આવો, દલાલોને સાથે ન લાવતા':રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાનો કાર્યકરોને સ્પષ્ટ સંદેશ; આગામી 2 મહિના રૂબરૂ નહીં મળી શકું, પણ ઓફિસથી તમામ કામો ઉકેલાશે

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ ભ્રષ્ટાચાર મુક્ત વહીવટ અને પારદર્શિતાનો મજબૂત દાખલો બેસાડ્યો છે. ઉમા ટાઉનશિપ ખાતે આયોજિત કાર્યકર્તા અભિનંદન સમારોહમાં તેમણે કાર્યકરોને ટકોર કરતા જણાવ્યું હતું કે, અમને કે અમારી ઓફિસને દાગ ન લાગે તે માટે તમારું કોઈપણ કામ લઈને આવો ત્યારે દલાલને સાથે રાખતા નહીં. 'કામ માટે સીધા આવો, દલાલોને સાથે ન લાવતા'મંત્રી અમૃતિયાએ કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે, મોરબી-માળિયા વિસ્તારમાં હોનારત, ભૂકંપ કે કોઈપણ આફત આવી પડી છે ત્યારે તેઓ હંમેશા લોકોની પડખે ઊભા રહ્યા છે અને તેમને લોકોનો પ્રેમ મળતો રહ્યો છે. 'હું બીમાર છું, મારો કાર્યકર્તા બીમાર નથી'કાંતિ અમૃતિયા હાલમાં અન્નનળીના કેન્સરની સારવાર મુંબઈની કોકિલાબેન હોસ્પિટલ ખાતે લઈ રહ્યા છે. આ બીમારીના કારણે તેઓ આગામી બે મહિના સુધી રૂબરૂ મુલાકાત લઈ શકશે નહીં. જોકે, તેમણે આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, હું બીમાર છું, મારો કાર્યકર્તા બીમાર નથી. તાજેતરમાં અમિત શાહની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમની સફળતાનો શ્રેય તેમણે કાર્યકરોને આપ્યો હતો અને જણાવ્યું હતું કે મોરબીના કાર્યકરોની મહેનતની નોંધ દિલ્હી સુધી લેવાઈ છે. 'વિકાસકામોમાં નબળી ગુણવત્તા ચલાવી લેવાશે નહીં'મંત્રીએ વિકાસકામો બાબતે કડક વલણ અપનાવતા જણાવ્યું કે, મોરબી જિલ્લામાં ટૂંક સમયમાં મુખ્યમંત્રીની હાજરીમાં ₹800 કરોડથી વધુના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. હળવદ અને વાંકાનેરમાં નબળા કામો બદલ અધિકારીઓને કડક સૂચના આપી દેવાઈ છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરો પાસે કામ સુધરાવી તેમને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રજાનું કામ ન અટકે તે માટે ખાસ ટીમ તહેનાતકાંતિભાઈ ભલે સારવાર હેઠળ હોય, પણ મોરબી અને ગાંધીનગર સ્થિત તેમની ઓફિસો કાર્યરત રહેશે. કાર્યકરો કે પ્રજાનું કોઈ પણ કામ ન અટકે તે માટે તેમણે ખાસ ટીમ તહેનાત કરી છે. આગામી સમયમાં મુંબઈ ખાતે બે ડોઝ લીધા બાદ તેમનું ઓપરેશન કરવામાં આવશે. સમારોહમાં મોટી સંખ્યામાં અગ્રણીઓની ઉપસ્થિતિઆ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા, જિલ્લા ભાજપ મહામંત્રી કે.એસ. અમૃતિયા, જેઠાભાઈ મિયાત્રા, નરેન્દ્રસિંહ ઝાલા સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. શહેર ભાજપ પ્રમુખ રિષિપભાઈ કૈલા અને તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 10:10 am

પોલીસકર્મીનું ગુંડા જેવું વર્તન:અમદાવાદમાં આઇકાર્ડ પડી જવા બાબતે મહિલાને લાફા મારી લોહી કાઢી નાખ્યું, મહિલા PIએ ક્રોસ ફરિયાદનું કહી ધમકાવી બહાર મોકલી દીધી

અમદાવાદ શહેરમાં ગત અઠવાડિયે પોલીસ કર્મચારીઓએ એક વાહન ચાલકને માર માર્યાનો બનાવ સામે આવ્યો હતો. જે બાદ બીજો એક બનાવ સામે આવ્યો છે. જેમાં એક મહિલાથી પોલીસનું આઇડી કાર્ડ નીચે પડી જતા પોલીસ કર્મચારીએ મહિલાને લાફા માર્યા હતા. મહિલાને એટલી હદ સુધી લાફા માર્યા હતા કે તેમના આંખ પર લોહી નીકળવા લાગ્યું હતું. આ અંગે મહિલા જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા પહોંચી ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇ અને પીઆઇએ મહિલાની ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી છતાં મહિલા મોડી રાત સુધી પોલીસ સ્ટેશનમાં બેઠી અને અરજી આપી હતી. બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયામહિલાએ અરજી આપી છે તે મુજબ વાસણામાં રહેતી બંસરી ઠક્કર નામની મહિલા ગઈકાલે(19 ડિસેમ્બર) સાંજે 6:30 વાગે ચાર રસ્તા સિગ્નલ ક્રોસ કરતા હતા. તે દરમિયાન ટ્રાફિક પોલીસ કર્મચારીએ તેમને રોકીને લાઇસન્સ માગ્યું હતું. બંસરીબેને લાઇસન્સ આપ્યું હતું. બંસરીબેને સાઈડમાં ઊભા રહેવાની વિનંતી કરતા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉશ્કેરાઈ ગયા અને બંસીબેન ઊંચા અવાજે વાત કરતા હતા જેથી બંસરીબેને પૂછ્યું કે તમે પોલીસ છો તો આવી રીતે કેમ વાત કરો છો? આઈડી નીચે પડતાં પોલીસકર્મી ગુસ્સે થયાતમારું આઈડી બતાવો ત્યારે પોલીસ કર્મીએ આઈડી આપ્યું હતું જે જોઈને બંસરીબેને પરત આપી રહ્યા હતા ત્યારે આઈડી નીચે પડી ગયું હતું.આઈડી નીચે પડતા પોલીસ કર્મી ગુસ્સે થઈ ગયા અને આક્રોશમાં આવીને બંસરીબેનનો હાથ ખેંચી તેમના વાહનને લાતો મારીને કહેવા લાગ્યા હતા કે કાર્ડ ઉપાડીને આપ. મહિલા પીઆઈએ ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલી દીધાપોલીસ કર્મચારીએ અસભ્ય વર્તન કરી અસભ્ય ભાષાનો ઉપયોગ કર્યો હતો.એટલું જ નહીં પોલીસ કર્મચારીએ બંસરીબેનને સતત લાફા માર્યા હતા, જેનાથી આંખો પર લોહી નીકળવા લાગ્યું હતું. તેમના કાન, ગાલ પર ઇજાઓ પણ થઈ હતી જેથી તેમને ગભરાઈને 112 નંબર પર કોલ કર્યો હતો.ત્યારબાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારે પાલડી પોલીસ સ્ટેશનના પીએસઆઇએ ધમકાવીને ફરિયાદ લેવાની ના પાડી હતી.જે બાદ તેઓ ફરિયાદ કરવા માટે પાલડી પોલીસ સ્ટેશનના મહિલા સમક્ષ રજૂઆત કરવા ગયા ત્યારે મહિલા પીઆઈએ પણ તેમને ક્રોસ ફરિયાદ થશે તેમ કહીને ધમકાવીને બહાર મોકલી દીધા હતા.બંસરીબેન રાત્રે 11:50 વાગે પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપી હતી. મુદ્દો ટ્રાફિકનો હતો એટલે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદનું કહ્યું હતું: PIઆ અંગે પાલડી પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એન પારેવડાએ જણાવ્યું હતું કે આ મુદ્દો ટ્રાફિકનો હતો એટલા માટે ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું અને ક્રોસ ફરિયાદનું એટલા માટે કહ્યું હતું કે બંને વખતે ઘર્ષણ થયું હતું.જેથી સામસામે ફરિયાદ થાય તેવી સ્થિતિ હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 10:07 am

હવે લાઇટ ગૂલ થાય તો ફરિયાદ નહીં કરવી પડે!:રાજ્યમાં જાન્યુઆરીમાં ઉર્જા સંવર્ધન પોર્ટલ લોન્ચ થશે, 4 વીજ વિતરણ કંપની અમલ કરતા ગ્રાહકોના વીજ ફોલ્ટ ઝડપથી નિવારી શકાશે

ગુજરાતમાં હવે લાઈટ ગૂલ થાય તો ગ્રાહકોને તેની ફરિયાદ કરવાની નહીં રહે કારણકે રાજ્યના ઉર્જા વિભાગ દ્વારા જાન્યુઆરી મહિનાથી ઉર્જા સંવર્ધન પોર્ટલ શરૂ કરવામાં આવનાર છે. જેની મદદથી કોઈપણ જગ્યાએ વીજ પુરવઠો બંધ થશે કે વોલ્ટેજ ફ્લેક્યુએશન થશે તો તેની જાણ આ ઓનલાઇન પોર્ટલ મારફત સીધી કંટ્રોલરૂમમાં થઈ જશે અને તેથી તરત જ ટીમ વીજ ફોલ્ટ નિવારવા જે તે સ્થળે પહોંચી જશે. રાજકોટ સ્થિત PGVCL ઉપરાંત UGVCL, DGVCL અને MGVCL દ્વારા આ પોર્ટલનુ ટૂંક સમયમાં અમલીકરણ થતા વીજ ફોલ્ટ ઝડપથી નિવારી શકાશે. રાજકોટ સ્થિત પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર અને GUVNL મેનેજિંગ ડિરેક્ટર જેનુ દેવનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. તેઓએ ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ અને કૌશિક વેકરીયા ઉર્જા સંવર્ધન અંગે સમજૂતી આપી હતી. ઉર્જા સંવર્ધન એ ગ્રાહકોના વર્કલોડ સાથે સીધો સંબંધ ધરાવતું ઓનલાઇન પોર્ટલ છે કે જેનાથી ગ્રાહકોને કઈ જગ્યાએ વીજ પ્રવાહમાં ખામી આવે છે. કઈ જગ્યાએ વોલ્ટેજ વધી અથવા ઘટી જાય છે. કઈ જગ્યાએ વારંવાર ફોલ્ટ સર્જાય છે અને કેટલા સમય માટે સર્જાય છે જે તમામ વિગતો ઓનલાઈન પોર્ટલથી મળી શકે છે. જે માટે ગુજરાત રાજ્યના ઉર્જા વિભાગના દરેક ડિવિઝન, દરેક સર્કલ અને દરેક સબ ડિવિઝન લેવલે એક કંટ્રોલરૂમ કરવામાં આવ્યો છે. ઉર્જા સંવર્ધન પોર્ટલ ઉપરથી કંટ્રોલરૂમમાં ફરજ બજાવતા વ્યક્તિઓ આ બધી વિગતો મેળવી ગ્રાહકોને ગુણવત્તાલક્ષી વીજ પુરવઠો મળી રહે તે માટેનો ખાસ અભિગમ છે. ખેતરમાં ખેતી કરતા ખેડૂતોને વીજ પુરવઠામાં અનિયમિતતા જોવા મળે છે તો તેને કઈ રીતે સુધારી શકાય તેનો શુભ હેતુ રહેલો છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, હાલ આ શરૂઆતનો તબક્કો છે ત્યારે અમારા લેવલે ડિવિઝન, સર્કલ અને કોર્પોરેટ ઓફિસ લેવલે વિશેષ તપાસ થઈ અમલવારી કરવામાં આવશે. આ પોર્ટલ આવવાથી ગ્રાહકોને લાઇટ ગૂલ થયાની ફરિયાદ કરવાની જ જરૂર નહીં રહે. અમારા તબક્કે જ જાણી શકાશે કે કઈ જગ્યાએ વીજ પુરવઠામાં વિક્ષેપ આવે છે અને કઈ કઈ જગ્યાએ વોલ્ટેજ ફ્લેક્યુએશન છે તે જાણી તકેદારી ના પગલા લેવામાં આવશે. હાલ સરકાર દ્વારા જાન્યુઆરી મહિનાથી આ પોર્ટલ શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 10:00 am

હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ:ITC નર્મદામાં ભારતીય ટીમનું શાનદાર સેલિબ્રેશન; કેમેરામેનને મળી માફી માગી હાર્દિકે બધાનું દિલ જીત્યું

19 ડિસેમ્બરને શુક્રવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે સાઉથ આફ્રિકાને 30 રનથી હરાવી 5 મેચની T-20 સિરીઝ 3-1થી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ સતત 8મી સિરીઝ જીતી છે. આ જીત બાદ ભારતીય ટીમ જ્યારે આઈટીસી નર્મદા હોટેલ પરત ફરી ત્યારે ટીમની જીત માટે હોટેલના શેફ દ્વારા ખાસ પ્રકારની કેક તૈયાર કરવામાં આવી હતી. અહીં તમામ ક્રિકેટરોએ કેક કાપી જીતની શાનદાર ઉજવણી કરી હતી. હોટેલના સેલિબ્રેશનમાં રાજીવ શુકલા પણ હાજર રહ્યાં હતાં. આ મેચ દરમિયાન ખાસ હાર્દિક પંડ્યાએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હાર્દિક રાત્રિના જાતે કાર ચલાવીને પોતાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે અમદાવાદમાં લોંગ ડ્રાઈવ પર નીકળ્યો હતો, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. મેચ દરમિયાન હાર્દિકે સિક્સર મારતા બોલ કેમેરા ઓપરેટરને વાગ્યો હતો. જેમાં ઇનિંગ્સ પછી હાર્દિક કેમેરા ઓપરેટર પાસે પહોંચ્યો હતો અને વ્યક્તિગત રીતે તેની તબિયત પૂછી અને માફી માંગી હતી. આ ઘટનાએ બધાના દિલ જીતી લીધા છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 9:56 am

ગુજરાતના સૌથી મોટા બાર એસોસિએશનના પ્રમુખ બનતા ઇશ્વર દેસાઈ:મેટ્રો કોર્ટમાં હરીફ હેમંત નવલખા સામે 159 વોટના અંતરથી જીત્યા, મોડી રાત્રે પરિણામ જાહેર

રાજ્યમાં આવેલા તમામ 272 કરતા વધુ બાર એસોસિએશનની ચૂંટણી ગઇકાલે યોજાઈ ગઈ હતી. જેમાં પ્રમુખ પદ, ઉપપ્રમુખ પદ, સેક્રેટરી પદ વગેરે માટે વકીલોએ મતદાન કર્યું હતું. જેમાં ઉમેદવારોના મતોની ગણતરી મોડી રાત સુધી ચાલી હતી. અમદાવાદમાં ગુજરાતના સૌથી મોટા વકીલોના બાર એવા અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ તરીકે ઈશ્વર દેસાઈ ચૂંટાઈ આવ્યા છે. ગત મોડી રાતે તેમના વિજયની જાહેરાત કરાઈ હતી. તેમને કુલ 1760 મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ હેમંત નવલખાને 1601 મત મળ્યા હતા. આમ તેઓએ હરીફ ઉમેદવાર કરતા 159 મત વધુ મેળવ્યા છે. ઈશ્વર દેસાઈ 1990થી બાર એસોસિએશનમાં જુદા જુદા પદો ઉપર ચૂંટાય છેઉલ્લેખનીય છે કે ઈશ્વર દેસાઈ 1990થી બાર એસોસિએશનમાં જુદા જુદા પદો ઉપર ચૂંટાઈ આવે છે. જેમાં તેઓ સૌપ્રથમ કારોબારી સભ્ય બન્યા હતા. ચાર ટર્મ ઉપપ્રમુખ રહી ચૂક્યા હતા. વળી સેક્રેટરી પદ ઉપર તેઓ ગત ટર્મમાં ચૂંટાઈ આવ્યા હતા. તેઓએ પોતાના ચૂંટણી પ્રચારમાં જણાવ્યું હતું કે બારની મદદથી હાઇકોર્ટ અને સરકાર સમક્ષ રજૂઆત કરીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કોર્ટને અપના બજારથી મેટ્રો કોર્ટની બાજુમાં આવેલી બિલ્ડિંગમાં સ્થળાંતરણ કરાવ્યું છે. જેથી વકીલોએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું ન પડે. વકીલોના પાર્કિંગ અને બેઠક વ્યવસ્થાના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવશે. નેગોસિબલ કોર્ટમાં જવા ચોથા માળેથી વોક વે બ્રિજ બનાવવાની રજૂઆત કરવામાં આવશે. વકીલો માટે હેલ્થ પોલિસી લાગુ કરવામાં આવશે. અમદાવાદ સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ તરીકે જગત ચોકસીની જીતવધુમાં અમદાવાદ શહેરમાં અમદાવાદ બાર એટલે કે સિટી સિવિલ અને સેશન્સ કોર્ટના બાર એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી વખત જગત ચોકસીની જીત થઈ છે. જ્યારે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનમાં પ્રમુખ પદની ચૂંટણીમાં યતીન ઓઝા, બ્રિજેશ ત્રિવેદી, ચિત્રજીત ઉપાધ્યાય, દર્શન શાહ વગેરે તરફે મતદાન થઈ ચૂક્યું છે. જો કે તેની મતગણતરી અત્યારે શરૂ થતા આજે તેનું પરિણામ જાહેર થવાની શક્યતા છે. તમામ બાર એસોસિએશનમાં સુપ્રીમ કોર્ટના આદેશથી ટ્રેઝરર માટેનું પદ મહિલાઓ માટે અનામત રાખવામાં આવ્યું છે. ચૂંટાયેલા ઉમેદવારો વકીલોના પ્રશ્નો અને માગો ઉપરના ફોરમ સુધી પહોંચાડે છે અને તેનું નિરાકરણ લાવવામાં સૂત્રધાર સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 9:54 am

અંબુજા કોટસ્પીન પાવર પ્લાન્ટમાં આગ:હિંમતનગર ફાયર ટીમે 12,000 લીટર પાણીથી બુઝાવી

પ્રાંતિજના દલપુર નજીક આવેલી અંબુજા કોટસ્પીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પાવર પ્લાન્ટમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે સવારે 4 વાગ્યે અંબુજા ફેક્ટરીના પાવર પ્લાન્ટમાં અચાનક આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. આ માહિતી મળતા જ ફાયર ટીમ એક ફાયર ફાઇટર સાથે સ્થળ પર પહોંચી હતી. ટીમે લગભગ 12,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગને સંપૂર્ણપણે બુઝાવી દીધી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 9:30 am

પાટણમાં સશક્ત નારી મેળામાં પ્રાકૃતિક ખેત પેદાશોના સ્ટોલ:ઝેરમુક્ત ઉત્પાદનો પ્રદર્શન અને વેચાણ માટે ઉપલબ્ધ, મોટી સંખ્યામાં લોકોએ ખરીદી કરી

પાટણના પ્રગતિ મેદાન ખાતે યોજાયેલા ત્રિ-દિવસીય સશક્ત નારી મેળામાં પ્રાકૃતિક ખેત પેદાશોના વિશેષ સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની નીતિ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા (ATMA) પાટણ દ્વારા આ સ્ટોલનું આયોજન કરાયું હતું. આ સ્ટોલમાં રસાયણિક ખાતર અને કીટનાશક દવાઓ વિનાના, સંપૂર્ણપણે ઝેરમુક્ત પ્રાકૃતિક રીતે ઉત્પાદિત ખેત પેદાશો પ્રદર્શન અને વેચાણ માટે ઉપલબ્ધ કરાવાઈ હતી. ખેડૂત ભાઈઓ અને બહેનોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ, તેના ફાયદા, ઉત્પાદન ખર્ચમાં ઘટાડો, જમીનની ઉપજ ક્ષમતા વધારવા તેમજ માનવ આરોગ્ય પર થતા સકારાત્મક પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મેળામાં ઉપસ્થિત નાગરિકોએ પ્રાકૃતિક ખેત પેદાશોમાં વિશેષ રસ દાખવી મોટી સંખ્યામાં ખરીદી પણ કરી હતી. આ અવસરે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે કાર્યરત ખેડૂતો અને મહિલાઓને પ્રોત્સાહન મળ્યું હતું. રાજ્ય સરકાર ખેડૂતોની આવક વધારવા અને જનસામાન્યને ગુણવત્તાયુક્ત તથા સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશથી પ્રાકૃતિક કૃષિને વ્યાપક પ્રોત્સાહન આપી રહી છે, જેમાં આવા મેળા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 9:21 am

અમરેલીના હંસાબેનને આયુષ્માન કાર્ડથી મળ્યું નવજીવન:હૃદયની બીમારીમાં AIIMSમાં સફળ સારવાર થઈ, પરિવારે રાજ્ય સરકારનો આભાર માન્યો

અમરેલીના હનુમાનપરા વિસ્તારમાં રહેતા હંસાબેન કનુભાઈ જેઠવાને હૃદયની બીમારીમાં ‘આયુષ્માન કાર્ડ’ આશીર્વાદરૂપ સાબિત થયું છે. આ કાર્ડના કારણે તેમને AIIMS હોસ્પિટલમાં નિ:શુલ્ક અને સફળ સારવાર મળી, જેનાથી તેમને નવજીવન પ્રાપ્ત થયું છે. હંસાબેનને હૃદયમાં દુખાવો થતાં તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલે ઝડપી અને વધુ સારી સારવાર માટે તેમને AIIMS હોસ્પિટલમાં રિફર કર્યા હતા. તેમના પૌત્ર દેવેન્દ્રભાઈએ તત્કાલ હંસાબેનને AIIMS હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના હૃદયની બે નળીઓ બ્લોક હતી. ડોક્ટરની ટીમે તાત્કાલિક સફળ સર્જરી કરીને તેમને નવજીવન આપ્યું છે. દેવેન્દ્રભાઈએ જણાવ્યું કે, અમારા માટે આ કટોકટીનો સમય હતો. બા પાસે પોતાનું આયુષ્માન કાર્ડ હોવાથી અમને નિ:શુલ્કમાં સર્જરી અને સારવાર મળી છે. રાજ્ય સરકારનો આભાર. તેમણે ઉમેર્યું કે આ યોજના ગરીબ પરિવારો માટે આશીર્વાદરૂપ છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2018માં સાર્વત્રિક આરોગ્ય સંભાળના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો લાભ આજે છેવાડાના અને વંચિત નાગરિકો સુધી પહોંચી રહ્યો છે. અમરેલી જિલ્લામાં એપ્રિલ-2024 થી માર્ચ-2025 સુધીના એક વર્ષના ગાળામાં કુલ 48 હજારથી વધુ આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આયુષ્માન આરોગ્ય મંદિરો અને આયુષ્માન ભારત ડિજિટલ મિશનનો વ્યાપ સતત વિસ્તરી રહ્યો છે. સામાન્ય અને ગરીબ પરિવારો પાસે આરોગ્ય કવચ ન હોવાને કારણે તેમને મોટી અને ગંભીર બીમારી સમયે આર્થિક સહિત અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - આયુષ્માન કાર્ડ આવા પરિવારો માટે આશીર્વાદરૂપ બન્યું છે, જે સામાન્ય નાગરિકો સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચાડી રહ્યું છે અને તેમને આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 9:19 am

અમરેલીમાં સ્વામિત્વ યોજના હેઠળ 6,760 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ:ગ્રામીણ મિલકતોને મળ્યું કાયદેસરનું સરનામું, આર્થિક સશક્તિકરણને વેગ

અમરેલી જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ 6,760 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમની મિલકતનો કાયદેસરનો અધિકાર પ્રાપ્ત થયો છે. ભારત સરકારે ગ્રામીણ આબાદી વિસ્તારોમાં નાગરિકોને મિલકતના અધિકારો પ્રદાન કરવા અને ગ્રામ્ય ભારતમાં આર્થિક સશક્તિકરણને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે વર્ષ 2020માં સ્વામિત્વ યોજના અમલમાં મૂકી હતી. આ યોજના ડ્રોન આધારિત સર્વેક્ષણનો ઉપયોગ કરીને ગ્રામીણ રહેણાંક જમીનની કાયદેસર માલિકી પ્રદાન કરે છે. મિલકત ધરાવનાર માલિકને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે, જે માલિકી હક્કનો કાયદેસરનો પુરાવો છે. અમરેલી જિલ્લા નિરીક્ષક-જમીન દફ્તર અશ્વિનસિંહ ઝાલાએ જણાવ્યું કે, જિલ્લાના 589 ગામોમાં ડ્રોન ફ્લાઇટ પૂર્ણ કરવામાં આવી છે. કુલ 6,760 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ પૂર્ણ થયું છે અને બાકીની કામગીરી પ્રગતિમાં છે. તેમણે ઉમેર્યું કે, મિલકત અધિકાર થકી ગ્રામ્યકક્ષાએ આર્થિક પરિવર્તનને વેગ મળશે. અમરેલીના દેવરાજીયા ગામના રહીશ હરદીપભાઈ બસિયાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, સ્વામિત્વ યોજનાનો લાભ લેવા માટે તેમણે અરજી કરી હતી. તેમને પોતાની મિલકતનું પ્રોપર્ટી કાર્ડ મળતા મકાન માલિકીનો હક પ્રાપ્ત થયો છે. તેમણે પ્રોપર્ટી કાર્ડ આપવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્વામિત્વ યોજના માત્ર જમીનની માપણી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વર્ષ 2047ના 'વિકસિત ભારત'ના નિર્માણનો મજબૂત પાયો છે. આ યોજના નજીકના ભવિષ્યમાં ગ્રામીણ અર્થતંત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવશે, જ્યાં દરેક ગ્રામીણ નાગરિક પાસે પોતાની મિલકતનું ડિજિટલ અને કાયદેસરનું પ્રમાણ હશે. આ વિઝન થકી ગામડાઓ 'આત્મનિર્ભર' બનશે અને ગ્રામીણ સંપત્તિનો ઉપયોગ બેંકોમાંથી લોન મેળવવા અને નવા વ્યવસાયો શરૂ કરવા માટે મૂડી નિર્માણ તરીકે થઈ શકશે. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ, 25 ડિસેમ્બર, દર વર્ષે સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેમના મતે, લોકશાહી ત્યારે જ સાર્થક બને જ્યારે સામાન્ય માણસને વહીવટમાં ભાગીદારીનો અહેસાસ થાય. તેઓ હંમેશા કહેતા કે, જે શાસન પારદર્શી, જવાબદારીપૂર્ણ અને સંવેદનશીલ હોય તે જ સાચું 'સુશાસન' છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 9:18 am

ચોટીલામાં ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી:15 ટ્રક સાથે 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત, નાયબ કલેકટરની મધરાતે કાર્યવાહી

ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પરથી ગેરકાયદેસર લીલા લાકડાની હેરાફેરી કરતા 15 આઇસર અને ટ્રક વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. નાયબ કલેકટર એચ.ટી. મકવાણા દ્વારા રાત્રિના 12 થી સવારના 4 વાગ્યા દરમિયાન હાથ ધરાયેલી તપાસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડામાં કુલ ₹2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. તંત્ર દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં પકડાયેલા વાહનો કોઈ પણ પ્રકારની પરવાનગી, વાહતુક પાસ કે લાકડા કાપવાની પરવાનગી વગર લીલા લાકડાની હેરાફેરી કરી રહ્યા હતા. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951નું ઉલ્લંઘન છે.જપ્ત કરાયેલા તમામ 15 વાહનો અને ₹2.40 કરોડનો મુદ્દામાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ વાહનોના માલિકો અને ડ્રાઇવરો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.અધિકારીઓએ જપ્ત કરાયેલા 15 આઇસર અને ટ્રકના નંબર જાહેર કર્યા છે, જેમાં GJ 6 XX 1254, GJ 12 W 8677, GJ 11 Z 3411, GJ 03 AT 4347, GJ 02 XX 7607, GJ 07 TU 2663, GJ 07 YZ 9840, GJ 07 TW 2919, GJ 36 V 0666, GJ 36 B 5508, GJ 07 TU 4341, GJ 06 BT 6111, GJ 13 AT 6961, GJ 03 HJ 4921 અને GJ 36 V 7128 નો સમાવેશ થાય છે. આ વાહનોના માલિકોમાં અશ્વીનભાઇ પટેલ (મોરબી), ગોપાલભાઇ વડેજા (ગોંડલ), વેજાભાઇ મેરામણભાઇ (પોરબંદર), દિનેશભાઇ વાઘરોડીયા (નીનામા, સાયલા), જેઠાભાઇ બચુભાઇ રબારી (પોરબંદર), જયદીપસિંહ પરમાર (કઠલાલ), યોગેશભાઇ પટેલ (કઠલાલ), રાજુભાઇ ડાભી (કપડવંજ), વિરપાલભાઇ (મોરબી), રાજુભાઇ (મોરબી), મનોજભાઇ પટેલ (કઠલાલ), જયંતીભાઇ પરમાર (કઠલાલ), હર્ષદભાઇ ઠાકોર (હળવદ), હર્ષદભાઇ ઠાકોર (હળવદ) અને હર્ષદભાઇ રબારી (મોરબી) નો સમાવેશ થાય છે.ડ્રાઇવરોમાં મહેશભાઇ સુરેલા (મોરબી), ગંગારામભાઇ બીલવાલ (દાહોદ), સુમરાભાઇ ખુટી (પોરબંદર), દિનેશભાઇ વાઘરોડીયા (નિનામા, સાયલા), લખુભાઇ રબારી (પોરબંદર), રાહુલભાઇ પરમાર (ખેડા), આશીકભાઇ મલેક (કઠલાલ), વિશ્વજીતસિંહ ઝાલા (કઠલાલ), રજબભાઇ બલોચ (રાજસ્થાન), શાહમહમંદભાઇ (ઉત્તર પ્રદેશ), પાર્થભાઇ સુથાર (કઠલાલ), શૈલેષભાઇ સોલંકી (કઠલાલ), રવિભાઇ સિંગાર (મધ્યપ્રદેશ), પ્રકાશભાઇ મુળીયા (મધ્યપ્રદેશ) અને મુકેશભાઇ પરમાર (મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. નાયબ કલેકટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, વાહન માલિકો અને વાહનચાલકો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો 1951 હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:24 am

ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલનો હવા મહેલ ખાતે પ્રારંભ:પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ ખુલ્લો મૂક્યો, 21 ડિસેમ્બર સુધી ચાલશે

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત 'ઝાલાવાડ ફૂડ ફેસ્ટિવલ'નો ઐતિહાસિક હવા મહેલ ખાતે શુભારંભ થયો છે. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આ ફેસ્ટિવલને જનતા માટે ખુલ્લો મૂક્યો હતો. આ મેળો આગામી 21 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. આ પ્રસંગે સંબોધન કરતાં મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, આ ફૂડ ફેસ્ટિવલ આપણને આપણા મૂળ સાથે જોડે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે શહેરનો વિકાસ માત્ર ઊંચી ઇમારતો કે બ્રિજ પૂરતો સીમિત નથી, પરંતુ નાગરિકોને આનંદ-પ્રમોદની સુવિધાઓ મળે અને હેરિટેજ વારસો જળવાય તે પણ તેટલું જ મહત્વનું છે. તેમણે ઉમેર્યું કે શહેરી વિકાસ વિભાગ દ્વારા હેરિટેજ અને બાગ-બગીચાઓના વિકાસ માટે 'આગવી ઓળખ' હેઠળ વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. મંત્રીએ વડાપ્રધાનના 'સ્વદેશી અપનાવો'ના મંત્રને સાર્થક કરવા સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત ચીજવસ્તુઓની ખરીદી કરવા લોકોને અપીલ કરી હતી. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર-વઢવાણના વિકાસ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે હવા મહેલના વિકાસ માટે ₹21 કરોડ અને સાઉથ ઝોન રિવરફ્રન્ટ માટે ₹265 કરોડ જેવા મોટા પ્રોજેક્ટ્સ દ્વારા શહેરનો કાયાકલ્પ કરવામાં આવશે. તેમણે વઢવાણના શૌર્યપૂર્ણ ઇતિહાસ અને માધાવાવના બલિદાનને યાદ કરી આગવા વિઝન સાથે શહેરને સજ્જ કરવાની નેમ વ્યક્ત કરી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ તમામ નાગરિકોને આ સાંસ્કૃતિક અને સ્વાદિષ્ટ મેળાનો લ્હાવો લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કૈલા, અગ્રણી દેવાંગભાઈ રાવલ, મ્યુનિસિપલ કમિશનર ડૉ. નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, નાયબ મ્યુનિસિપલ કમિશનર અર્જુન ચાવડા તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:21 am

વાપીમાં હત્યાના પ્રયાસના આરોપીને ઝટકો:આરોપીની જામીન અરજી નામંજૂર , કોર્ટે ડીજીપીની દલીલો ગ્રાહ્ય રાખી

વાપી શહેરના ડુંગરા પોલીસ મથક વિસ્તારમાં હત્યાના પ્રયાસના ગંભીર ગુનામાં સંડોવાયેલા એક આરોપીની રેગ્યુલર જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે. આરોપી ગુલામ મહેબુદ્દીન ખાનની અરજી વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. આ ઘટના 23 ઓક્ટોબર 2025ના રોજ સાંજે આશરે 8:00 કલાકે છીરી મહાદેવનગર ખાતે કમાલભાઈના ભંગારના ગોડાઉન સામે બની હતી. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને ત્રણ આરોપીઓએ ફરિયાદી પર હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરિયાદીની મોટરસાયકલને લાત મારી નીચે પાડી દીધો હતો અને ગાળો બોલી ઢીકા-મુક્કી તથા ગડદા-પાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, લોખંડના સળિયા વડે હુમલો કરીને ફરિયાદીના જમણા હાથમાં તથા ડાબા પગમાં ઘૂંટણથી નીચે ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. આ ગુનામાં અમરુદીન નઈમ ખાન, મહેબુબદીન નઈમ ખાન અને ગુલામ મહેબુદ્દીન ખાન (રહે. છીરી, તા. વાપી, જી. વલસાડ) સામેલ હતા. ડુંગરા પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં આરોપી ગુલામ મહેબુદ્દીન ખાને રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી. વાપીના એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલએ સરકારી વકીલ (ડીજીપી) અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીની જામીન અરજી નામંજૂર કરવાનો આદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:19 am

જામનગરમાં ઓપરેશન મ્યુલ હન્ટ:24 આરોપી પકડાયા, સવા બે કરોડના સાયબર ફ્રોડના વ્યવહારો સામે આવ્યા

જામનગર પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' હેઠળ સાયબર ફ્રોડ આચરનાર ટોળકીના 24 આરોપીઓની ધરપકડ કરી છે. આ ટોળકીએ મ્યુલ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરીને કુલ ₹2,23,58,227નું સાયબર ફ્રોડ આચર્યું હતું. પકડાયેલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજકોટ વિભાગના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ અને પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાના નેતૃત્વમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની ટીમે મ્યુલ બેંક એકાઉન્ટ સંબંધિત માહિતીના આધારે જામનગર જિલ્લામાં કુલ 363 શંકાસ્પદ બેંક ખાતાઓની સઘન તપાસ કરી હતી. આ તપાસના પરિણામે, 1930 હેલ્પલાઈન પર મળેલી 35 ફરિયાદોના આધારે જામનગર જિલ્લામાં સાયબર ક્રાઈમના 24 ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા કુલ ₹2,23,58,225ના સાયબર ફ્રોડના વ્યવહારો થયા હોવાનું બહાર આવ્યું છે. આ ગુનાઓમાં સંડોવાયેલા 55 આરોપીઓ પૈકી 24ની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ ચાલુ છે. સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકો તેમજ અજાણતા કે લાલચમાં આવીને પોતાના બેંક ખાતાઓનો મ્યુલ એકાઉન્ટ તરીકે ઉપયોગ કરવા આપનાર વ્યક્તિઓને નોટિસ આપી તપાસમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા દરેક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગર જિલ્લામાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના સંકલન હેઠળ એલ.સી.બી., એસ.ઓ.જી. અને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનો દ્વારા માનવ સંસાધન અને ટેકનિકલ વિશ્લેષણના આધારે સંડોવાયેલા આરોપીઓને પકડવાની કામગીરી સઘન રીતે ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:17 am

'ગુજરાતમાં દારૂબંધી કાગળ પર':વલસાડથી ઈસુદાન ગઢવીના પ્રહાર, કહ્યું- 'ભાજપના કેટલાક નેતાઓ અને અધિકારીઓ દારૂના વ્યવસાયથી માલામાલ થાય છે'

આમ આદમી પાર્ટી (AAP) ના નેતા ઈસુદાન ગઢવીએ વલસાડ જિલ્લાના વાપીની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્યમાં દારૂબંધીની સ્થિતિ અને વધતા જતા પ્રદૂષણના મુદ્દે ગંભીર આક્ષેપો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર જ છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપના કેટલાક નેતાઓ અને અધિકારીઓ દારૂના વ્યવસાયથી માલામાલ થઈ રહ્યા છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, ગુજરાતમાં દારૂની હોમ ડિલિવરી માત્ર 10 મિનિટમાં થઈ જાય છે. વધુમાં, તેમણે ડ્રગ્સના વધતા દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ગઢવીએ કહ્યું કે, દારૂ કરતાં પણ વધુ ખતરનાક ડ્રગ્સના રવાડે ગુજરાતના યુવાનોને ચડાવવામાં આવ્યા છે. તેમણે આને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું, જેથી યુવાનો રોજગારી કે નોકરીની માંગ ન કરે. વાપીના સ્થાનિક પ્રશ્નો અંગે વાત કરતા તેમણે કહ્યું કે, વાપીની જનતાને શુદ્ધ હવા પણ નસીબ નથી થઈ રહી. રાત્રે 12 વાગ્યા પછી ઉદ્યોગો બેફામ રીતે હવા અને પાણીનું પ્રદૂષણ ફેલાવે છે. તેમણે આક્ષેપ કર્યો કે કંપનીઓ ગેરકાયદે બોર કરી પ્રદૂષિત પાણી દમણગંગા નદીમાં ઠાલવે છે. ગઢવીએ જણાવ્યું કે ભાજપના નેતાઓ અને અધિકારીઓ 'હપ્તા' લેતા હોવાને કારણે જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ગઢવીએ આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં જનતા ભાજપને વિદાય આપશે. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી વાપી તેમજ સમગ્ર ગુજરાતને કેમિકલ માફિયાઓ અને પ્રદૂષણથી મુક્ત કરાવશે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:12 am

વલસાડ મહિલા બેંક પર RBIના નિયંત્રણો:થાપણદારોના નાણાં સુરક્ષિત હોવાનો બેંકનો દાવો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વલસાડની ‘ધ વલસાડ મહિલા નાગરિક સહકારી બેંક લિ.’ પર છ મહિના માટે કડક નાણાકીય નિયંત્રણો લાદ્યા છે. બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 35-એ હેઠળ આ નિર્ણય લેવાયો છે. બેંકની નબળી રિકવરી અને આર્થિક સ્થિતિને કારણે RBI એ આ પગલું ભર્યું છે, જે 18 ડિસેમ્બર, 2025 ના રોજ કામકાજ પૂર્ણ થયા બાદ અમલમાં આવ્યું છે. RBI ના આદેશ મુજબ, બેંક હવે નવી ફિક્સ્ડ ડિપોઝિટ કે અન્ય કોઈ નવી થાપણો સ્વીકારી શકશે નહીં. બચત, ચાલુ કે અન્ય ખાતાઓમાંથી હાલ કોઈપણ રકમ ઉપાડવાની મંજૂરી રહેશે નહીં. વધુમાં, RBI ની લેખિત મંજૂરી વિના બેંક નવી લોન આપી શકશે નહીં કે જૂની લોન રિન્યુ કરી શકશે નહીં. બેંક પોતાની મિલકતો વેચી કે ટ્રાન્સફર પણ કરી શકશે નહીં. આ સમાચારને પગલે ગ્રાહકોમાં ચિંતા વ્યાપી હતી, પરંતુ બેંક સત્તાધીશોએ સ્પષ્ટતા કરી છે કે થાપણદારોને ગભરાવાની જરૂર નથી. બેંકમાં કુલ 29,633 થાપણદારો છે, જેમાંથી માત્ર 36 ગ્રાહકોની થાપણ 5 લાખ રૂપિયાથી વધુ છે. બેંકે જણાવ્યું છે કે 5 લાખ રૂપિયા સુધીની તમામ થાપણો DICGC (ડિપોઝિટ ઇન્સ્યોરન્સ એન્ડ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન) વીમા કવચ હેઠળ સંપૂર્ણ સુરક્ષિત છે. બેંકે બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. 40 મોટા બાકીદારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, 85 થી વધુ લોન ધારકોને કાનૂની નોટિસ ફટકારવામાં આવી છે અને 18 સામે કોર્ટ કેસ દાખલ કરાયા છે. આ કાર્યવાહી દ્વારા અંદાજે 21 કરોડ રૂપિયાની રિકવરી થવાની અપેક્ષા છે. બેંક સત્તાધીશોએ વધુમાં જણાવ્યું કે બેંકને મજબૂત બનાવવા માટે એક મોટી બેંક સાથે વિલીનીકરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે અને તેનો પ્રસ્તાવ RBI ને મોકલવામાં આવ્યો છે. RBI એ સ્પષ્ટ કર્યું છે કે આ નિયંત્રણોનો અર્થ બેંક બંધ થવી એવો નથી; કર્મચારીઓના પગાર, ભાડું અને અન્ય આવશ્યક ખર્ચ કરવા બેંકને છૂટ આપવામાં આવી છે. આ તમામ પગલાં થાપણદારોના હિતોની રક્ષા માટે લેવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:10 am

રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા:ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાની જીત, 4349 પૈકી 2704 મતદારોએ મતદાન કર્યું; RBA પેનલનો દબદબો

રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપ લીગલ સેલ પ્રેરિત RBA અને સમરસ પેનલ વચ્ચે ચૂંટણી જંગમાં પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા અને ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજાની ભવ્ય જીત થવા પામી છે જયારે સેક્રેટરી પદ માટે RBA પેનલના નિલેશ પટેલની જીત થવા પામી છે. 16 પદ માટે 40 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને કુલ 4349 મતદારો પૈકી 2704 મતદારોએ મતદાન કરી રાજકોટ બાર એસોસિએશનના નવા હોદેદારોને વિજેતા બનાવ્યા છે જેમાં મોટાબાગે RBA પેનલનો દબદબો રહ્યો છે અને પ્રમુખ સહિત સભ્યોની જંગી જીત થવા પામી છે. ઉલ્લેખનીય છે કે 4 વાગ્યાથી શરૂ થયેલ મત ગણતરી મોડી રાત્રિના 1 વાગ્યા સુધી ચાલી હતી અને રાત્રિના 2 વાગ્યા સુધી કોર્ટ પરિસરમાં વકીલો અને સમર્થકોનો જમાવડો જોવા મળ્યો હતો. ઉપપ્રમુખને બાદ મોટા ભાગે RBA પેનલનો દબદબોરાજકોટ બાર એસોસીએશનની ગઈકાલે શુક્રવારે 19 ડિસેમ્બરના રોજ યોજાયેલ ચૂંટણીમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી સહિત 16 જેટલા પદ માટે 40 ઉમેદવારોએ દાવેદારી કરી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. આ ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ લીગલ સેલ પ્રેરિત RBA અને સમરસ પેનલ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી અને સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીમાં 4349 પૈકી 2704 મતદારોએ મતદાન કર્યું હતું અને આ પછી 4 વાગ્યાથી મોડી રાત્રિના 1 વાગ્યા સુધી મતગણતરી ચાલી હતી જેમાં પરિણામ જાહેર થતા જેમાં પ્રમુખ પદ પર RBA પેનલના સુમિત વોરા, ઉપપ્રમુખ પદ પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા અને સેક્રેટરી પદ પર RBA પેનલના નિલેશ પટેલની જીત થવા પામી છે. જો કે શરૂઆતથી જ પ્રમુખ પદ પર RBA પેનલના સુમિત વોરા આગળ ચાલી રહ્યા હતા અને ઉપપ્રમુખ પદ પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા આગળ ચાલી રહ્યા હતા આમ ઉપપ્રમુખને બાદ કરતા મુખ્ય હોદા ઉપર તેમજ બાકીના સભ્યોમાં પણ મોટા ભાગે RBA પેનલનો દબદબો જોવા મળ્યો છે. મોડી રાત સુધી મતગણતરી થઈરાજકોટના જામનગર રોડ પર આવેલા કોર્ટ બિલ્ડીંગ ખાતે મોડી રાત સુધી બાર એસોસિએશનની આ રસપ્રદ ચૂંટણીની મતગણતરી થઇ હતી અને રાત્રિના 2 વાગ્યા સુધી કોર્ટ બિલ્ડીંગ પરિસર અને પટાંગણ વકીલો અને તેમના સમર્થનોથી ધમધમતું રહ્યું હતું. RBA પેનલનો દબદબો યથાવત રહેતા તેમના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી, ઢોલીના તાલે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા, ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજારાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદે RBA પેનલના સુમિત વોરા, ઉપપ્રમુખ પદે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી તરીકે RBA પેનલના નિલેશ પટેલ, જો.સેક્રેટરી તરીકે RBA પેનલના જયેન્દ્ર ગોંડલીયા, ટ્રેઝરર તરીકે RBA પેનલના પ્રગતિ માકડીયા, કારોબારી મહિલા અનામતની 3 સીટ પર હિરલબેન જોષી, નીશા લુણાગરિયા અને મીનલ સોનપાલ, લાઈબ્રેરી સેક્રેટરી તરીકે RBA પેનલના કેતન મંડની જીત થવા પામી છે. આ ઉપરાંત કારોબારી સભ્ય પદ પર સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, સંજય ડાંગર, અશ્વિન રામાણી, કલ્પેશ સાકરીયા અને દીપ વ્યસની ભવ્ય જીત થવા પામી છે જેમાં સુમિત વોરાને 1498 મત, સિધ્ધરાજસિંહ જાડેજાને 1354 મત, નિલેશ પટેલને 1174 મત, જયેન્દ્ર ગોંડલીયાને 1225 મત, પ્રગતિ માકડીયાને 1383 મત મળ્યા છે. 25 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલાત કરતા બહેનોના સન્માન માટે કામ કરાશેપ્રમુખ પદ પર વિજેતા બનેલા સુમિત વોરાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, રાજકોટના વકીલોનો RBA પેનલ પરનો ભરોસો પહેલેથી જ હતો જેના કારણે આજે અમારી પેનલના મોટા ભાગના સભ્યો વિજેતા બન્યા છે. રાજકોટ બારના સભ્યોએ અમને સારામાં સારું પરિણામ આપ્યું એનું કારણ એ છે કે કેટલાક લોકો અમારી વિરુદ્ધ ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા હતા અમને ખોટી રીતે બદનામ કરી રહ્યા હતા તેમને રાજકોટના વકીલોએ સચોટ જવાબ મતદાન કરીને આપી દીધો છે. વકીલો માટે કામ કરતી અમારી ટિમને વિજેતા બનાવી છે. મહિલાઓના ઉત્થાન અને જુનિયરોમાં લીગલ અવેરનેશન માટે સ્કિલ ડેવલોપમેન્ટ માટે અને 25 વર્ષ કે તેથી વધુ સમયથી વકીલાત કરતા બહેનોના સન્માન માટે કામ કરવામાં આવશે. રાજકોટને હાઇકોર્ટની બેચ મળે તે માટે પ્રયાસ કરાશેરાજકોટને હાઇકોર્ટની બેચ મળે તે માટે 1983થી લડત ચાલુ છે, પરંતુ લેખિત રજૂઆત થઇ ન હતી. અમારી પેનલ દ્વારા ગુજરાત હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં આ મામલે લેખિત રજૂઆત કરવામાં આવી છે. રાજકોટને હાઇકોર્ટની બેચ મળે તે માટે પુરેપુરા પ્રયાસો હાથ ધરવામાં આવશે. ઉપપ્રમુખ પદ પર જયારે સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા વિજેતા બન્યા છે તો તેમને પણ સાથે રાખી અને રાજકોટ બાર એસોસિએશન માટે સારામાં સારો કામો કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:10 am

સુરેન્દ્રનગરમાં ત્રિદિવસીય ‘સશક્ત નારી મેળો’ શરૂ:પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ સ્ટોલની મુલાકાત લઈ બહેનોને પ્રોત્સાહિત કર્યા

સુરેન્દ્રનગરના મેળાના મેદાન ખાતે આજથી ત્રિ-દિવસીય ‘સશક્ત નારી મેળા’નો પ્રારંભ થયો છે. પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ રીબીન કાપીને મેળાને ખુલ્લો મૂક્યો હતો. ઉદ્ઘાટન બાદ મહાનુભાવોએ મેળામાં ઊભા કરાયેલા વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. પ્રભારી મંત્રીએ મહિલા કારીગરો સાથે સંવાદ સાધી તેમની ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને તેમના હસ્તકલા-કૌશલ્યની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલા સશક્તિકરણના હેતુથી 'સખી મંડળો'નો પાયો નાખ્યો હતો, જે આજે બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યું છે. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લાની હસ્તકલા, ભરત-ગૂંથણ, બાંધણી, પટોળા અને ટાંગલિયા જેવી કલાને આ મેળા દ્વારા એક મજબૂત પ્લેટફોર્મ મળ્યું છે. આ આયોજન ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી અપનાવો’ના મંત્રને સાર્થક કરે છે. વચેટિયાઓ વિના સીધું બજાર મળવાથી બહેનોની મહેનતનું યોગ્ય વળતર મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી દ્વારા બહેનોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. આ મેળો આગામી 21 ડિસેમ્બર સુધી ચાલશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ મેળો દરરોજ સવારે 10થી રાત્રે 10 કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ પ્રદર્શન-કમ-વેચાણ મેળામાં કુલ 50 સ્ટોલ ઊભા કરાયા છે. જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓ, ઘરવપરાશની ચીજો, શણગારની સામગ્રી અને અન્ય સ્વ-ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. વચેટિયાઓ વિના સીધા કારીગરો પાસેથી ખરીદી કરવાની તક મળતી હોવાથી મુલાકાતીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે ધારાસભ્ય કીરીટસિંહ રાણા, પી.કે. પરમાર, પ્રકાશભાઈ વરમોરા અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, રાજભા ઝાલા સહિતના પદાધિકારઓ, કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા સહિતના વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહી મહિલાઓના આત્મનિર્ભર પ્રયાસોને બિરદાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:08 am

ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનો પ્રારંભ:સુરેન્દ્રનગરમાં 834 કરોડના 30 MoU થયા, મંત્રી દર્શનાબેન વાઘેલાએ કહ્યું- સરકાર ઉદ્યોગપતિઓની સાથે ઊભી છે

રાજકોટ ખાતે યોજાનાર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પૂર્વાર્ધ રૂપે સુરેન્દ્રનગરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’નું આયોજન કરાયું હતું. શહેરી વિકાસ મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે 30 જેટલા ઔદ્યોગિક એકમો સાથે રૂ. 834 કરોડના મહત્વના MoU કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંબોધન કરતા મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી, જેને આજે 22 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સમિટને જિલ્લા કક્ષાએ લાવીને સ્થાનિક કલા અને બિઝનેસને મોટું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તેમણે ઉમેર્યું કે થયેલા MoU માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ તેને વાસ્તવિક ઉદ્યોગમાં બદલવા માટે સરકાર ઉદ્યોગપતિઓની સાથે ઊભી છે. મંત્રીએ સુરેન્દ્રનગરની વિશેષતાઓ વર્ણવતા પટોળા, ટાંગલિયા શાલ અને સિરામિક ઉદ્યોગનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે 'હર ઘર સ્વદેશી'ના મંત્ર સાથે સ્થાનિક વસ્તુઓ અપનાવવા પર ભાર મૂક્યો. સખી મંડળની બહેનો 'લખપતિ દીદી' બનીને આત્મનિર્ભર બની રહી છે, જે જિલ્લા માટે ગૌરવની વાત છે. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, જાન્યુઆરી-2026ની 11મી વાઇબ્રન્ટ સમિટ સુરેન્દ્રનગર માટે સુવર્ણ તક છે. ધોળીધજા ડેમ દ્વારા પાણીની સુવિધા, હીરાસર એરપોર્ટની નિકટતા અને અમદાવાદ-રાજકોટ સિક્સ લેન હાઈવેની કનેક્ટિવિટીને કારણે સુરેન્દ્રનગર રોકાણ માટે શ્રેષ્ઠ સ્થળ બન્યું છે. કુટિર ઉદ્યોગ સચિવ અને કમિશનર આર્દ્રા અગ્રવાલે ‘ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ’ની રૂપરેખા આપી તેનું મહત્વ સમજાવ્યું હતું. ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ વિકસિત ગુજરાત 2047 માટે વાઇબ્રન્ટ ગુજરાતનું મહત્વ સમજાવ્યું. ઉપસ્થિત સર્વે લોકોએ વાઇબ્રન્ટ ગુજરાત ફિલ્મ નિહાળી હતી. બાદમાં યોજનાકીય લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના શુભારંભ બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ ઉત્પાદનો વિશેની જાણકારી મેળવી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પ્રકાશભાઈ વરમોરા, પરષોત્તમભાઈ પરમાર, પુર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, ધનરાજ કૈલા, ધનજીભાઈ પટેલ, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, ધીરુભાઈ સિંધવ, ઉદ્યોગકાર દિનેશભાઈ તુરખીયા, નરેશભાઈ કૈલા, અરુણભાઈ પટેલ, મયુરભાઈ ત્રિવેદી, સુમિત પટેલ, બાબુભાઈ પટેલ, વૈભવભાઈ ચોકસી, પદ્મ શ્રી મુકતાબેન ડગલી, શાહબુદ્દીન રાઠોડ, લવજીભાઈ પરમાર, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગ્વહાણે, જિલ્લા વિકાસ અધિકારી કે.એસ.યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્રકુમાર ઓઝા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:04 am

સ્વદેશી ખાદી મેળાની મુલાકાત:નાણાંમંત્રી કનુ દેસાઈ અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહન આપ્યું

નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ મંત્રી નરેશભાઈ પટેલે સ્વદેશી અંતર્ગત આયોજિત ખાદી મેળાની મુલાકાત લીધી હતી. આ ખાદી પ્રદર્શન સહ વેચાણ મેળામાં કુલ 68 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય ખાદી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને કારીગરોને મંચ પૂરો પાડવાનો છે. મેળાના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ નારી સશક્તિકરણને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યોમાં સશક્ત નારી મેળાઓનું આયોજન થાય અને વધુમાં વધુ મહિલા કારીગરો ભાગ લઈ શકે તેવું આયોજન કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, આ મેળામાં વલસાડના દરેક તાલુકાની મહિલાઓ ભાગ લઈ સારું વેચાણ કરી રોજગારી મેળવી રહી છે. ખાદી મેળામાં ખાદીનું સારું વેચાણ થઈ રહ્યું છે, જેનાથી ખરીદનાર અને વેચાણકર્તા બંનેને લાભ મળી રહ્યો છે. આત્મનિર્ભર ભારતમાં 'વોકલ ફોર લોકલ'ને પ્રાધાન્ય આપવાથી આવનારી પેઢીને સારી રોજગારી મળશે તેવી ખાતરી છે. મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ મેળાના દરેક સ્ટોલની મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટોલ ધારકોને ખાદીને પ્રોત્સાહન આપવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ મુલાકાત દરમિયાન મંત્રીઓ સાથે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ પટેલ, વલસાડ જિલ્લા કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા અને સંગઠન મહામંત્રી કમલેશ પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:01 am

PMJAY કૌભાંડની તપાસની માંગ:જામનગર મહાપાલિકાના જનરલ બોર્ડમાં નગરસેવિકાએ મુદ્દો ઉઠાવ્યો

જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં આયુષ્યમાન કાર્ડ (PMJAY) યોજના હેઠળ કથિત કૌભાંડની તપાસની માંગ ઉઠી હતી. નગરસેવિકા રચના નંદાણીયાએ શહેરમાં આવેલી બે હોસ્પિટલો સામે તપાસ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી. આ માંગણી મેયર વિનોદ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં કરવામાં આવી હતી. નંદાણીયાએ જણાવ્યું હતું કે, સરકારી જેસીસી હોસ્પિટલ અને ઓશવાળ આયુષ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ દ્વારા ખોટા ઓપરેશન થયા હોવાના આક્ષેપો છે. તેમણે મહાપાલિકા સંચાલિત આરોગ્ય શાખાના અધિકારીઓને આ અંગે તપાસ કરી વિગતો જાહેર કરવા જણાવ્યું હતું. વધુમાં, નગરસેવિકાએ મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન અને કમિશનર સહિતના પદાધિકારીઓને આ ગંભીર કૌભાંડ અંગે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા પણ સૂચન કર્યું હતું. બોર્ડની બેઠકમાં મહાપાલિકા સંચાલિત ગાયના ઢોર ડબા (ગૌશાળા) અંગે પણ ચર્ચા થઈ હતી. નગરસેવકોએ ઢોર ડબામાં ગાયોની સંભાળ અને વ્યવસ્થા અંગે વારંવાર તપાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સંદર્ભે, અધિકારી કેતન કટેશીયાએ જણાવ્યું કે દુઝણી ગાયોને રકમ ભરીને લોકો છોડાવી જાય છે. રાહુલ બોરીચાએ આક્ષેપ કર્યો કે જામનગરની બહાર મોકલવામાં આવતી કેટલીક ગાયોને રસ્તામાં ઉતારી લેવામાં આવે છે. આ આક્ષેપ પર મનીષ કટારીયાએ ગુસ્સામાં કહ્યું કે, કોઈપણ જાતિ તપાસ કર્યા વિના આવા આક્ષેપો ન કરવા અને જો પુરાવા હોય તો રજૂ કરવા. જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા ધવલ નંદા, ચેરમેન નિલેષ કગથરા, જૈનંબ ખફી સહિતના કોર્પોરેટરોએ ચર્ચામાં ભાગ લીધો હતો. આ બેઠકમાં મહાપાલિકાની આખરી ટી.પી. સ્કીમ નંબર ૨, ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ હેઠળ યોજનામાં દ્વિતીય ફેરફાર કરવાના ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ ઠરાવને બહાલી આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. આ ઉપરાંત, ટી.પી. સ્કીમ નંબર ૨, ફાયનલ પ્લોટ નં. ૨૭ પૈકીની ૨૧૨૧ ચો.મી. જમીન શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેચાણથી આપવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી. વોટર વર્ક્સ શાખાના સબ ઇન્સ્પેક્ટરની મંજૂર થયેલી જગ્યામાં વધારો કરવાની દરખાસ્ત તેમજ સેક્રેટરીની જગ્યા માટે વધારાનો ચાર્જ આપવાની દરખાસ્ત પણ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 8:00 am

અલિયાબાડા નવોદય વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું:કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓએ રોબોટિક્સ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા

જામનગર જિલ્લાના અલિયાબાડા સ્થિત પીએમ જવાહર નવોદય વિદ્યાલય ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાલય મેનેજમેન્ટ કમિટીના ચેરમેન અને જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ પ્રદર્શનમાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ગણિત અને વિજ્ઞાન વિષય આધારિત 77 જેટલા વિવિધ પ્રોજેક્ટ્સ અને કૃતિઓ રજૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે અમલમાં મુકાયેલ ‘અટલ ટિંકરિંગ લેબ’નો મહત્તમ ઉપયોગ કરીને આ પ્રોજેક્ટ્સ તૈયાર કરાયા હતા. આર્ડીનો બોર્ડ અને સેન્સરની મદદથી તૈયાર કરાયેલા ઇલેક્ટ્રોનિક્સ અને રોબોટિક પ્રોજેક્ટ્સ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ બન્યા હતા. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે પ્રદર્શનની મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા ઇલેક્ટ્રોનિક્સ રોબોટિક બેન્ડ સહિતના વિવિધ ઇનોવેટિવ પ્રોજેક્ટ્સને રસપૂર્વક નિહાળ્યા હતા. કલેક્ટરએ વિદ્યાર્થીઓની સૂઝબૂઝ અને મહેનતની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ભવિષ્યમાં આવા જ સંશોધનાત્મક કાર્યો કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રદર્શનમાં સૈનિક સ્કૂલ બાલાચડી, દિલ્હી પબ્લિક સ્કૂલ, કેન્દ્રીય વિદ્યાલય જામનગર અને દરબાર ગોપાલદાસ બી.એડ. કોલેજના તજજ્ઞ શિક્ષકોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી. વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ વધે અને સામુદાયિક ભાગીદારી સુદ્રઢ બને તે હેતુથી અલિયાબાડા અને આસપાસના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓને પણ પ્રદર્શન નિહાળવા આમંત્રિત કરાયા હતા. શાળાના પ્રાચાર્ય એમ.પી. સિંઘના માર્ગદર્શન હેઠળ સંયોજક અજય કુમાર પાંડે, ઉમેશ કુમાર, સ્પંદન પાટીદાર, એસ.પી. શાર્દૂલ, અંકુર મલ્હાન, એન.એમ. સુપ્રિયા તથા એટીએમ ઇન્સ્ટ્રક્શન કેયુર પટેલ સહિતના સ્ટાફગણે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:57 am

જાગૃતિ કાર્યક્રમ યોજાયો:છોટાઉદેપુરમાં તમારી મૂડી તમારો અધિકાર અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

રાજ્ય સ્તરની બેન્કર્સ કમિટીની અધ્યક્ષતામાં બેંક ઓફ બરોડા અને તમામ સભ્ય બેંકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે તમારી મૂડી તમારો અધિકાર’ અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. સ્થાનિક દરબાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશકુમાર શર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર શર્માએ જણાવ્યું હતું કે, જિલ્લાના ઘણા નાગરિકોના બેંક ખાતા છેલ્લા 10 વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય (Inactive) છે. આવા ખાતાઓની રકમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ‘ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ’ (DEAF) માં જમા કરવામાં આવી છે. આ રકમ તેના સાચા વારસદારો કે ખાતેદારોને પરત મળે તે હેતુથી તમારી મૂડી તમારો અધિકાર’ અભિયાન શરૂ કરાયું છે, જેનો જિલ્લાના નાગરિકોએ મહત્તમ લાભ લેવો જોઈએ. છોટાઉદેપુર જિલ્લામાં અંદાજે રૂ. 29.64 કરોડ જેટલી માતબર રકમ અનક્લેમ તરીકે RBI ના ફંડમાં ટ્રાન્સફર થયેલી છે. આ રકમ પરત મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:51 am

નાગરિકોને ઘર આંગણે મળી ‘આયુષ્માન’ સુરક્ષા‎:અત્યાર સુધી જિલ્લાના 5.61 લાખથી વધુ લોકોને આયુષ્માન કાર્ડથી સુરક્ષિત કરાયા

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ‘સુશાસન દિવસ’ અને ‘સુશાસન સપ્તાહ’ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અમૃતમ (મા) અને પી.એમ. જે.એ.વાય. યોજનાનો લાભ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે વિભાગ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. જિલ્લાના પી.એચ.સી., સી.એચ.સી. અને સબ-સેન્ટરના માધ્યમથી ‘હાઉસ ટુ હાઉસ’ (ઘેર-ઘેર) મુલાકાત લઈને કુલ 444 નવા આયુષ્માન કાર્ડની નોંધણી કરાઈ હતી. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકો માટેની ‘આયુષ્માન વય વંદના યોજના’ હેઠળ 22 લાભાર્થીઓની નોંધણી કરી તેઓને આરોગ્ય કવચ પૂરું પડાયું હતું. આ સપ્તાહમાં 10 ક્લેમની નોંધણી, 10 દર્દીઓને ડિસ્ચાર્જ, 4 હોસ્પિટલ ઓડિટ અને એન્ટી ફ્રોડ પોર્ટલ દ્વારા 20 કાર્ડનું ઓડિટ, લેવલ ટુ કાર્ડ વેરીફીકેશન 20 કરી શાસન પ્રણાલીને વધુ સુદ્રઢ બનાવવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં 561914 લાભાર્થીઓની નોંધણી કરી દેવામાં આવી છે. પોલિસી-10 અંતર્ગત કુલ નોંધાયેલ ક્લેમ: 2236 અંદાજિત રકમ રૂ. 32392900, ચુકવવામાં આવેલ ક્લેમ: 1790 અંદાજિત રકમ રૂ. 24553225 થાય છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આર્થિક મુશ્કેલીના કારણે સ્થાનિક પરિવાર સારવારથી વંચિત ન રહે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:49 am

SOGની કાર્યવાહી:ગોધરા- કાલોલથી રૂ.1600નો રોલિંગ પેપર, સ્મોકિંગ કોનનો જથ્થો ઝડપાયો

ગોધરા, કાલોલમાંથી એસઓનજીએ રૂા.1600નો પ્રતિબંધીત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનો જથ્થો મળી આવાત પોલીસે પાન પાર્લરના સંચાલકોની અટકાયત કરી ગુનો નોંધ્યો છે. ગુજરાત રાજ્યમાં સગીર વયના કિશોરો અને યુવાનોને ચરસ ગાંજા અને ડ્રગ્સ જેવા જીવલેણ નશાઓના પ્રોત્સાહન આપતી અને રાજ્યભરમાં શેરીએ શેરીએ ખાસ કરીને પાન પાર્લરો સહિતની દુકાનોમાં વેચાણ થતા ગોગોના નામથી જાણીતા ગોગો સ્મોકિંગ કોન, રોલિંગ પેપર અને પરફેક્ટ રોલના ખુલ્લેઆમ થતા ધૂમ વેચાણ બાદ સરકાર એક્સનમાં આવી ગઇ હતી. સરકારના ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લઇ રાજ્યભરમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ અને વેચાણ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જે અંતર્ગત પંચમહાલ એસઓજી દ્વારા ખાસ તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. જે દરમ્યાન ગોધરાના અમદાવાદ રોડ પર શિવમ પાન પાર્લરમાંથી 33 નંગ ગોગો સ્મોકિંગ કોન અને 30 નંગ રોલિંગ પેપરનો રૂા.795નો જથ્થો મળી આવતા પાર્લર સંચાલક ઠાકોરલાલ ગેંદાલાલ ભોઈ વિરુદ્ધ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. કાલોલના અલિંદ્રા હાઈવે રોડ પર ચામુંડા પાન સેન્ટરમાંથી 7 નંગ સ્મોકિંગ કોન અને 49 નંગ રોલિંગ પેપરનો રૂા.805નો જથ્થો મળી આવતા સંચાલક રાકેશકુમાર વિક્રમસિંહ ચાવડા વિરુદ્ધ કાલોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાસ્કર ઇનસાઇડયુવાધનને નશાના માર્ગે જતું રોકવા કડક નિર્ણય લેવાયોયુવાનો અને સગીરો દ્વારા ચરસ, ગાંજો અને નશીલા માદક પદાર્થોના સેવન માટે રોલિંગ પેપર્સ અને કોન્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રોલિંગ પેપર્સ અને કોન્સના ઉત્પાદનમાં અત્યંત જોખમી ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ,ક્લોરીન બ્લીચ (કાગળને સફેદ કરવા માટે), આર્ટિફિશિયલ ડાય અને કેલ્શિયમ કાર્બોનેટ જેવા કેમિકલ્સ વપરાય છે, જે ફેફસાં અને શરીર માટે અત્યંત હાનિકારક છે. આ વસ્તુઓ અત્યાર સુધી પાન પાર્લર, ચાની કિટલીઓ, કરિયાણાની દુકાનો પણ સરળતાથી મળતી હતી. આ સરળ ઉપલબ્ધતાને કારણે યુવાધનને નશાના માર્ગે જતું રોકવા માટે આ કડક નિર્ણય લેવાયો છે. જો કોઈ વેપારી આ વસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે વિતરણ કરતા પકડાય, તો તેની સામે ગુનો નોંધાય છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:45 am

મૃતદેહ મળી આવ્યો:સાત તળાવના ખેતરમાં હત્યા‎કરેલ યુવકનો મૃતદેહ મળ્યો‎

લુણાવાડા તાલુકાના સાતતળાવ ગામના ખેતરમાં હત્યા કરેલ યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી ગઇ હતી. પોલીસ ધટનાસ્થળે આવી પહોચી હતી. તપાસમાં ગામના યુવાનુ તીક્ષ્ણ હથિયાર વડે મોત જણાયુ હતુ. પોલીસે મૃતદેહ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરાઇ છે. લુણાવાડાના સાતતળાવ ગામે એક યુવાનની ખેતરમાં હત્યા કરવામાં આવી હોવાની વાત વાયુવેગે ગામમાં ફેલાતા લોકોના ટોળા ધટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ અંગે પોલીસને જાણ કરાતા લુણાવાડા ટાઉન પોલીસ, SOG, LCB ટીમ સહિત DYSP ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જેમાં યુવાનને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને યુવાનને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. જ્યારે મૃતક યુવાન સાતતળાવ ગામનો સમીર પટેલ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર, રાત્રિ દરમિયાન પાક રક્ષણ માટે ખેતરમાં ગયેલા યુવાન પર જીવલેણ હુમલો થયો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અને હત્યા કોણે અને શા માટે કરી તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:43 am

ઠગાઈ:જૂની ગાડીના બહાને અમદાવાદીએ દાહોદના વેપારીના 1.98 લાખ ઠગ્યા

દાહોદમાં જૂની ગાડીઓની લે-વેચનો વ્યવસાય કરતા એક વેપારી સાથે અમદાવાદના વેપારીએ વિશ્વાસઘાત કરી રૂ.1,98,000ની ઠગાઈ છે. દાહોદના ગોધરા રોડ પર ‘ડ્રીમ મોટર’ નામની ઓફિસ ધરાવતા અસ્લમખાન પઠાણનો સંપર્ક છ માસ અગાઉ અમદાવાદના કાંકરીયા રોડ સ્થિત વાણિજ્ય ભવનમાં વ્યવસાય કરતા પ્રવિણકુમાર જૈન સાથે થયો હતો. આરોપીએ વોટ્સએપ પર એક ઇનોવા અને એક સ્વિફ્ટ ડિઝાયર ગાડીના ફોટા મોકલી કુલ રૂ. 1.98 લાખમાં સોદો નક્કી કર્યો હતો. અસ્લમખાન પઠાણએ વિશ્વાસમાં આવી ગત માર્ચ મહિનામાં બે હપ્તામાં કુલ રૂ.1,98,000 ઓનલાઇન ટ્રાન્સફર કર્યા હતા. પૈસા ચુકવ્યા બાદ ફરિયાદી ચાર વખત વાહનોનો કબજો લેવા અમદાવાદ ગયા હતા, પરંતુ પ્રવીણકુમારે દરેક વખતે ખોટા વાયદા કરી વાહનો આપ્યા નહોતા. અંતે પ્રવીણકુમારે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને અન્ય નંબર પરથી સંપર્ક કરતા હવે વાહનો કે પૈસા પરત નહીં મળે, થાય તે કરી લો તેવી ધમકી આપી હતી. આથી અસ્લમખાન પઠાણએ દાહોદ કોર્ટમાં અરજી કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:41 am

તેરા તુજકો અર્પણ:તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 68 સાયબર ફ્રોડ પીડિતોને

દાહોદ જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઈમનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય અપાવવાના હેતુથી અમલમાં મૂકાયેલા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે. આ અંતર્ગત જિલ્લામાં રહેતા કુલ 68 અરજદારોના ઓનલાઈન ફ્રોડમાં ગયેલ રૂા.1,01,10,518 સફળતાપૂર્વક પરત અપાવ્યા છે. દાહોદ જિલ્લામાં ઓનલાઈન ફ્રોડ તથા સાયબર ક્રાઈમના ગુનાઓમાં ભોગ બનેલા નાગરિકોએ તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર ફોન કરી ફરિયાદ નોંધાવી હતી. તેમજ NCCRP પોર્ટલ અને 14C સાયબર ક્રાઈમ માધ્યમથી ફ્રોડમાં ગયેલ નાણાંને સમયસર હોલ્ડ કરવામાં આવ્યા હતા. બાદમાં કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી ન્યાયાલયના હુકમ અનુસાર આ રકમ અરજદારોને પરત અપાવી છે. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સચોટ તપાસ, તકેદારીપૂર્વકની કાર્યવાહી અને સમયસર કાનૂની અનુસરણના પરિણામે પીડિત નાગરિકોને તેમની મહેનતની કમાણી પરત મળી શકી છે. નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ તથા અધિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ અનુસાર સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી નાગરિકોમાં વિશ્વાસ મજબૂત બન્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:40 am

રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલન કાર્યક્રમ:રક્તપિત્ત દર્દી શોધ અભિયાનમાં 42 નવા દર્દી મળ્યા

રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં તારીખ 8 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન તમારા ગામમાં, તમારા દ્વાર સુધી’ ના સંદેશ સાથે નવા દર્દી શોધવા માટે સઘન કામગીરી હાથ ધરી છે. દાહોદ જિલ્લામાં હાલ રક્તપિતના 174 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે. ત્યારે આ શોધ અભિયાનની પ્રગતિ અને ગુણવત્તા ચકાસવા માટે ભારત સરકારની નેશનલ ટીમે દાહોદ જિલ્લાની મુલાકાત લીધી હતી. નેશનલ ટીમમાં સામેલ ડૉ.આશિષ વાગ, ડૉ.કિરણ અખાડે અસિસ્ટન્ટ ડિરેક્ટર – RLTRI અને ડૉ.સુધિર વાંજેએ દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. ટીમે રાબડાલ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેનું ક્રોસ વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. LCDC કેમ્પેઇન દરમિયાન શોધાયેલા નવા દર્દીઓના ઘરે જઈ વધુ ચકાસણી કરી હતી. નેશનલ ટીમે જિલ્લા પંચાયત દાહોદ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત સાથે બેઠક યોજી હતી. બેઠકમાં બાળ દર્દીઓની વહેલી ઓળખ માટે વધુ સ્ક્રીનિંગ કરવા અને શંકાસ્પદ દર્દીઓની સ્પર્શ પદ્ધતિ દ્વારા સચોટ તપાસ કરવા પર ભાર મૂકાયો હતો. જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી. પહાડિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 42 નવા રક્તપિત્ત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ સમગ્ર આયોજિત કરાયેલા અભિયાનમાં જિલ્લા રક્તપિત્ત કચેરી અને આરોગ્ય વિભાગની ટીમો દ્વારા સક્રિય સહકાર પૂરો પાડવામાં આવી રહ્યો છે. અગાઉના દર્દીના સંપર્કમાં રહેલા લોકો સપડાયા રક્તપિત્તના કેસો અગાઉના દર્દીઓના નિકટતમ સંપર્કમાં રહેલા લોકોમાં વધુ જોવા મળ્યા છે. આથી છેલ્લા પાંચ વર્ષના દર્દીઓના સંપર્કોનું નિયમિત ફોલોઅપ લેવું અત્યંત અનિવાર્ય હોવાનું ચર્ચા અંતે નક્કી કરાયુ હતું. બાળ દર્દીઓ માટે વધુ સ્ક્રીનિંગ અને શંકાસ્પદ લોકોની સ્પર્શ દ્વારા તપાસ પર ભાર મૂકવામાં આવ્યુ છે. ચેપી રોગ રક્તપિત કઇ રીતે ફેલાય છે‎રક્તપિત્ત એ ''''માયકોબેક્ટેરિયમ લેપ્રે'''' નામના બેક્ટેરિયાથી થતો એક લાંબાગાળાનો ચેપી રોગ છે.‎જે મુખ્યત્વે મનુષ્યના શરીરની નસો અને ચામડી પર અસર કરે છે. આ રોગ હવા દ્વારા ફેલાય છે.‎એટલે કે જ્યારે કોઈ સારવાર ન લીધેલ દર્દી ખાંસી કે છીંક ખાય ત્યારે તેના સંપર્કમાં આવવાથી અન્ય‎વ્યક્તિને ચેપ લાગી શકે છે. તેના મુખ્ય લક્ષણોમાં ચામડી પર આછા કે લાલાશ પડતા ડાઘા પડવા‎અને તે ભાગ પર સંવેદના ગુમાવવી એ છે.‎

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:40 am

જિલ્લાકક્ષાની ક્વિઝ સ્પર્ધા યોજાઈ:‘કસોટી જ્ઞાન કી’ ક્વિઝ સ્પર્ધામાં 100 છાત્રોએ બૌદ્ધિક કૌવત બતાવ્યું

દાહોદની આર.એન્ડ એલ. પંડ્યા સ્કૂલ અને શ્રીમતી એસ.એમ. કુંદાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં અભિવૃદ્ધિ થાય તેવા ઉમદા આશયથી વાર્ષિક ક્વિઝ સ્પર્ધા ‘કસોટી જ્ઞાન કી-2025’નું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રિલિમ રાઉન્ડમાં કુલ 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાંથી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ધો.9થી 12ના વિદ્યાર્થીઓની 4 ટીમો બનાવી હતી. આ ટીમોને આર્યભટ્ટ, ભાસ્કરાચાર્ય, ચાણક્ય, દધીચી નામ આપવામાં આવ્યા હતા. સ્પર્ધાને રોમાંચક બનાવવા માટે ટેસ્ટિંગ ટાઈમ, દેખો ઔર બુઝો, રેપિડ ફાયર, ચુઝ યોર કાર્ડ અને બઝર રાઉન્ડ એમ કુલ 5 રાઉન્ડ યોજાયા હતા. આ રસાકસીભરી જંગમાં ટીમ દધીચી વિજેતા જાહેર થઈ હતી. જેમાં ડામોર ખનક (ધો.11), ચૌહાણ યુગ (ધો.10), મોઢિયા શૌર્ય (ધો.9) અને ડામોર રીધમ (ધો.12)નો સમાવેશ થાય છે. આ બૌદ્ધિક સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે ઝાલોદ રોડ કુમાર પ્રાથમિક શાળાના આચાર્ય ચિરાગકુમાર ડી. પટેલ અને અતિથિ વિશેષ તરીકે નવજીવન ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા રાગીણીબેન બી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્યા નીતીક્ષાબેન પટેલે મહેમાનોને પુષ્પગુચ્છ આપી આવકાર્યા હતા. આ કાર્યક્રમનું સફળ આયોજન ઉમંગભાઇ દરજી દ્વારા અને પ્રેરક સંચાલન કમલેશભાઈ લિમ્બાચીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે અતિથિ વિશેષ રાગીણીબેન પટેલે ચારેય ટીમના બાળકોને પ્રોત્સાહક ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા. શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓની વિશાળ ઉપસ્થિતિએ આ જ્ઞાનવર્ધક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:38 am

ગંભીર અકસ્માત સર્જાયો:આંબલી ગામે બાઈકની ટક્કરે 7 યુવાનો ઘાયલ, સારવાર માટે ખસેડાયા

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા નજીક આવેલા આંબલી ગામે રાત્રિના સમયે બાઈકની ટક્કરથી સાત યુવાનો ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક દાહોદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લાના જેસાવાડા નજીક આંબલી ગામે રાત્રે આશરે 8 થી 9 વાગ્યાના સુમારે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે રનીંગ કરીને પરત ફરી રહેલા યુવાનોને એક બાઈક ચાલકે પાછળથી ટક્કર મારતા સાત જેટલા યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ યુવાનો આંબલી ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ આવનારી પોલીસ ભરતી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે રોજ સવાર–સાંજ રનીંગ કરતા હતા. મોડી સાંજે રનીંગ પૂર્ણ કરી ઘરે પરત ફરતી વખતે પૂરઝડપે અને બેફામ રીતે આવતી બાઈક પર સવાર બે વ્યક્તિઓએ પાછળથી એક પછી એક યુવાનોને ટક્કર મારી હતી. અકસ્માતમાં યુવાનો રસ્તા પર પટકાતા તેમને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર બંને વ્યક્તિઓને પણ મોઢા અને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઘાયલોને દાહોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:36 am

ખેડૂતોને અપાયું માર્ગદર્શન:પ્રાકૃતિક ખેતી કરવા માગતા 637 ખેડૂતોને તાલીમ અપાઇ‎

ભરૂચ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી અપનાવવા માગતા ખેડૂતો માટે મા શારદા ભવન હૉલમાં ખાસ તાલીમ યોજવામાં આવી હતી. જેમાં દરેક તાલુકામાંથી 637 ખેડૂતો ઉપસ્થિત રહી તાલીમ આપી હતી. જેમાં સ્વદેશી અપનાવવા અને પ્રાકૃતિક ખેતી કરવા શપથ લેવામાં આવી હતી. પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા પ્રોજેક્ટ એ. આઈ. પઠાણ એ નવા કૃષિ મોડલ્સ, ટેકનિક્સ અને ક્ષેત્રિય સમસ્યાઓના ઉકેલો તેમજ જિલ્લાના બાયો ઇનપુટ રેસોર્સ સેન્ટર અંગે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી. દેશી ગાય ના હોય તો પણ પ્રાકૃતિક ખેતી માં જરૂરી એવા બીજામૃત અને જીવામૃત જેવા સંસાધન નજીવા ખર્ચે બીઆરસી માંથી ખરીદી કરી પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી અપનાવી શકાય તેવું જણાવ્યું હતું. તાલીમ દરમિયાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ચાસવડ ના નિષ્ણાતોએ પ્રાકૃતિક ખેતીના અદ્યતન પદ્ધતિઓ, મોડલ ફાર્મના વ્યવસ્થાપન, ઉત્પાદન ક્ષમતા વધારવાના વૈજ્ઞાનિક અભિગમો, અને ખેડૂતોને પડતી વાસ્તવિક સમસ્યાઓના ઉકેલ અંગે માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ ખેડૂતોને વિવિધ પ્રયોગો પાક પદ્ધતિઓ અને નવીન ટેકનોલોજીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:31 am

મુંબઈ એરપોર્ટમાં 1 વર્ષમાં 785 કરોડનું દાણચોરીનું સોનું પકડાયું

જપ્ત જથ્થા અને સોલ્વ કેસોની રીતે મુંબઈ ટોચ પર મધ્યપૂર્વ અને પૂર્વ એશિયાના દેશોથી મહત્તમ દાણચોરીઃ માસ્ટરમાઈન્ડથી માંડીને ડિલિવરી પર્સન સુધીનું આખું નેટવર્ક મુંબઇ - ડિરેકટોરેટ ઓફ રેવેન્ય ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ તેના એક રિપોર્ટમાં તાજેતરમાં જણાવ્યું હતું કે ૨૦૨૪-૨૫માં મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સોનાની દાણચોરીનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. આ સમય દરમિયાન મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો સોનાની દાણચોરીમાં કેન્દ્ર સ્થાને રહ્યા છે. મુંબઇ સહિત ઉક્ત અન્ય શહેરો તેના વ્યૂહાત્મક સ્થાન, ફલાઇટ્સની વધુ સંખ્યા અને પરિવહન માર્ગોને કારણે સોનાની દાણચોરી અને તેના પુનઃ વિતરણ માટે ખૂબ જ અનુકૂળ બની રહ્યા છે ડીઆરઆઇએ ૨૦૨૪-૨૫માં ૧,૦૩૭ કિલો સોનું જપ્ત કર્યું હતું જેની બજારકિંમત ૭૮૫ કરોડ રૃપિયા આંકવામાં આવી છે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

ગુજરાત સમાચાર 20 Dec 2025 7:30 am

કચરામાંથી કંચન બનાવતા સુરતના Gen Z:પર્યાવરણને બચાવવા સિગરેટના બટ્સ એકત્ર કરીને બનાવી રહ્યા છે પેપર, ફોટોફ્રેમ સહિતની સુંદર વસ્તુઓ

જ્યારે આખી દુનિયા પ્રદૂષણથી ચિંતિત છે, ત્યારે સુરતના કેટલાક જાગૃત વિદ્યાર્થીઓએ એક અનોખી પહેલ દ્વારા સૌનું ધ્યાન ખેંચ્યું છે. 'સાર્વજનિક યુનિવર્સિટી'ના આ વિદ્યાર્થીઓએ એ સાબિત કરી દીધું છે કે, જો મનમાં કચરાને કંચન બનાવવાની ઈચ્છા હોય, તો ગમે તેવો ઝેરી કચરો પણ ઉપયોગી બની શકે છે. આ ગ્રુપે શહેરમાંથી સિગરેટના ટુકડા (બટ્સ) એકત્ર કરી તેને રિસાયકલ પેપર સહિત સુંદર વસ્તુઓમાં ફેરવવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે. ગંદકીથી પર્યાવરણની સુરક્ષા તરફનું ડગલુંરોજિંદા જીવનમાં લાખો સિગરેટના બટ્સ રસ્તા પર અને ગટરમાં ફેંકાય છે. સિગરેટનું ફિલ્ટર સેલ્યુલોઝ એસિટેટનું બનેલું હોય છે, જેને કુદરતી રીતે ઓગળતા વર્ષો લાગે છે અને તે જમીન તેમજ પાણીને ભારે નુકસાન પહોંચાડે છે. સુરતના જય મેહતા (સ્થાપક), સંયમ ડગલી (નેતૃત્વ), તન્વી પ્રજાપતિ, લિપ્સા પડશાળા, ડો .પ્રતીક પટેલ (પ્રોફેસર), હર્ષ ધોળિયા અને જૈનમી લાનીયા આ યુવાઓએ આ સમસ્યાને તકમાં બદલી નાખી છે. કેવી રીતે થાય છે આ 'ઝેર'નું શુદ્ધિકરણ?આ પ્રોજેક્ટ માત્ર કચરો વીણવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. શહેરમાં ઠેર-ઠેર સિગરેટના આકારની ખાસ કચરાપેટીઓ મૂકવામાં આવી છે, જેથી લોકો કચરો ત્યાં જ નાખે. એકત્ર થયેલા ફિલ્ટર્સને કેમિકલ પ્રોસેસ દ્વારા Detoxify (ઝેરમુક્ત) કરવામાં આવે છે. શુદ્ધ થયા બાદ તેમાંથી રિસાયકલ પેપર, ઉન, ફોટોફ્રેમ, બુકમાર્ક, ડાયરી અને કિચેઇન જેવી આકર્ષક પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે. નફા માટે નહીં, પણ નજરિયા બદલવા માટેઆ પ્રોજેક્ટની સૌથી મોટી ખાસિયત એ છે કે આ કામગીરી કોઈ વ્યાવસાયિક નફા માટે કરવામાં આવતી નથી. હેતુ માત્ર રિસાયકલ કરવાનો નથી, પરંતુ લોકોનો નજરિયો બદલવાનો છે. અમે ઈચ્છીએ છીએ કે લોકો પોતાની જવાબદારી સમજે અને ધીરે ધીરે આ વ્યસનથી દૂર થાય. સિગરેટના આકારની ડસ્ટબિન મુખ્ય આકર્ષણશહેરમાં સિગરેટના આકારની ડસ્ટબિન મૂકીને લોકોમાં જાગૃતિ ફેલાવવી. સમયાંતરે જાહેર સ્થળોએ સફાઈ અભિયાન ચલાવી કચરો એકત્ર કરવો. પર્યાવરણને નુકસાન કરતા કચરાને જીવનશૈલીની ઉપયોગી ચીજોમાં ફેરવવી. સુરતના આ વિદ્યાર્થીઓની મહેનત આજે પર્યાવરણ પ્રેમીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહી છે. આ નાનકડો પ્રયાસ આવનારા સમયમાં મોટા પર્યાવરણીય પરિવર્તનનો પાયો નાખશે તેમાં કોઈ શંકા નથી. ફિલ્ટર્સમાંથી પેપર સહિતની સ્ટેશનરી પ્રોડક્ટ્સ બનાવીએ છીએઃ જય મહેતાઆ અંગે જય મહેતાએ જણાવ્યું હતું કે, આ જે પ્રોજેક્ટ છે તે અમે કોલેજમાં SSIP (Student Startup and Innovation Policy) સ્ટાર્ટઅપ અંતર્ગત ચાલુ કર્યો છે. આ એક એન્વાયરમેન્ટલ અવેરનેસ પણ આનાથી અમે ફેલાવી રહ્યા છીએ. તમે માઉન્ટેન પર જાઓ કે કશે પણ જાઓ, તમને સિગારેટના બટ્સ ત્યાં જોવા મળે છે અને આ એન્વાયરમેન્ટને પણ નુકસાન કરે છે. તો એને અકોર્ડિંગ અમે આનું સોલ્યુશન લાવવા માટે એને રિસાયકલ કરવાનું શરૂ કર્યું છે અને એ રિસાયકલ કરીને એમાંથી અમે રિસાયકલ પેપર બનાવી રહ્યા છીએ. આ જે પેપર છે તેની અંદરથી આર્ટિસ્ટિક પ્રોડક્ટ અને અધર સ્ટેશનરી પ્રોડક્ટ્સ બની રહી છે. તેમજ આની અંદર અમે સીડ્સનો ઉપયોગ કરીએ છીએ, જેથી બાય ચાન્સ આગળ જઈને આ પેપરને પણ ડિસ્કાર્ડ કરવું હોય તો તેમાંથી આપણે પ્લાન્ટેશન કરીને છોડ ઉગાડી શકાય. હું આ પ્રોજેક્ટમાં એઝ અ રિસર્ચ એનાલિસ્ટ જોડાયેલી છુંઃ લિપ્સા લિપ્સા પડસાલાએ જણાવ્યું હતું કે, હું અઠવાલાઈન્સ પર આવેલી કોલેજમાં અભ્યાસ કરું છું અને હું આ પ્રોજેક્ટમાં એઝ અ રિસર્ચ એનાલિસ્ટ જોડાયેલી છું. અમારો પ્રોજેક્ટ કંઈક એવો છે કે અમે લોકો સિગારેટ બટ્સને કલેક્ટ કરી અને તેને રિસાયકલ કરીને તેને કેમિકલ ટ્રીટમેન્ટ આપીને તેમાંથી પેપર અને થ્રેડ બનાવીએ છીએ. જે પેપર છે તે આપણે ગિફ્ટિંગ આર્ટિકલ્સ માટે યુઝ કરી શકીએ અને જે કોઈપણ જાતના આપણે પ્રોજેક્ટ્સ કે સમથિંગ કંઈ હોય તો એના માટે પણ આપણે યુઝ કરી શકીએ. એ પેપર અમે જે સિગારેટ બટ્સનો જે વેસ્ટ છે, એને રિસાયકલ કરીને બનાવેલો છે. અમારો મેઈન એજન્ડા એ છે કે આપણે કચરાને ઈગ્નોર નથી કરવાનો, આપણે કચરામાંથી જ ઈનોવેટિવ વસ્તુ બનાવવાની છે જેનાથી એન્વાયરમેન્ટ છે એને ડેમેજ ઓછું થાય. અમે એન્વાયરમેન્ટ સસ્ટેનેબિલિટી છે, એના ઉપર કામ કરીએ છીએ. વિચાર કેવી રીતે આવ્યો?આપણે ત્યાં સિગારેટ મોસ્ટલી રસ્તા ઉપર બહુ બધી પડેલી હોય છે. તો સિગારેટમાં જે કેમિકલ હોય છે એ બહુ હાર્મફુલ કેમિકલ હોય છે જે પર્યાવરણને નુકસાન કરે છે અને એની આજુબાજુ જે પણ નાના જીવ હોય, સૂક્ષ્મ જીવ હોય એને નુકસાન કરે છે. તો અમે એવું વિચાર્યું કે એ જે રસ્તા પર પડી અને જે બહુ બધા વર્ષો પછી ડીગ્રેડ થાય છે, એનામાંથી આપણે કંઈક યુઝફુલ વસ્તુ બનાવીએ કે જેનાથી કચરો પણ આપણે રિસાયકલ કરી શકીએ અને જે એન્વાયરમેન્ટને ડેમેજ થાય છે એ પણ આપણે ઘટાડી શકીએ. ‘લોકોને નથી ખબર કે અમે આ કામ શું કામ કરી રહ્યા છીએ’સૌથી અઘરો પાર્ટ છે તે કલેક્શનનો છે. કારણ કે અમારે પાનનાં ગલ્લા ઉપર જઈને કલેક્શન કરવું પડે છે. લોકોના POV (Point of Views) અને જજમેન્ટ અલગ-અલગ હોય છે, કારણ કે એક છોકરી પાનનાં ગલ્લા ઉપર જાય છે અને ત્યાંથી એ લોકોની રાહ જુએ છે કે, ક્યારે તે સિગારેટ પૂરી કરે અને એનું જે પાછળનું રિમેન વસ્તુ (બટ્સ) છે તે ફેંકે, પછી અમે એને ઉઠાવીએ છીએ. લોકોને નથી ખબર કે અમે આ કામ શું કામ કરી રહ્યા છીએ, તો લોકોના જે જજમેન્ટ છે તે બહુ વધુ હોય છે, જેના લીધે અમને સૌથી અઘરો પાર્ટ કલેક્શન લાગે છે આ આખી પ્રોસેસમાં. ‘અમે ખાલી ને ખાલી પર્યાવરણને બચાવવા કામ કરી રહ્યા છીએ’અમે ઘણા ગલ્લા ઉપર સિગારેટ વેસ્ટ માટે બીન્સ (Bins) પણ મૂકેલી છે, પણ લોકો જાગૃત નથી. લોકો એમાં સિગારેટ નાખતા નથી. અમે લોકો આજે કામ કરી રહ્યા છીએ, હું અને મારી ટીમ, એ ખાલી ને ખાલી પર્યાવરણને બચાવવા માટે આ કામ કરી રહ્યા છીએ. તો એના માટે અમારે આખા સુરતનો સપોર્ટ જોઈએ છે. કારણ કે અમે એકલાથી આ કામ નહીં થાય, અમારે તમારી પણ હેલ્પ જોઈએ છે જેનાથી અમે લોકો સરખી રીતે કલેક્શન કરી અને આગળ વધી શકીએ.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:30 am

ભાસ્કર એક્સક્લૂસિવ:ભરૂચમાં વર્ષમાં ઘરેલું હિંસાના 108‎કેસ, લગ્નેતર સંબંધો મુખ્ય કારણભૂત‎

ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાના કેસો વધી રહ્યા છે તેમાં પણ સૌથી વધુ લગ્નેતર સંબંધોના કેસ વધુ સખી વન સ્ટોપ સેન્ટરને મળ્યા છે. વર્ષ દરમિયાન 205 કેસ માંથી 108 જેટલા કેશો ઘરેલુ હિંસાના હોવાનું સામે આવ્યું છે. આ તમામ કેશોને સખી વન સ્ટોપ સેન્ટરે કાઉન્સલિંગ કર્યું છે. ભરૂચ સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી થી જિલ્લાની ઘણી પીડિત મહિલાને આશરો મળ્યો છે. સખી વન સ્ટોપ સેન્ટરની વર્ષ 2019 માં સ્થાપના કરવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટર ની અંદર એક જ છત નીચે જ્ઞાતિ, ધર્મ, ઉંમર, નાત-જાતના ભેદભાવ વગર હિંસાથી પીડિત મહિલાઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ હિંસામાં એસિડ હુમલો, દુષ્કર્મ, જાતીય સતામણી, ઘરેલુ હિંસા હેઠળ ભોગ બનનાર મહિલાઓને કાઉન્સેલિંગ, રહેઠાણ, પોલીસ સહાય,તબીબી સહાય જેવી તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. આમ નવેમ્બર દરમિયાન 205 કેસ માંથી 108 ઘરેલુ હિંસાના કેસનું કાઉન્સલિંગ કરવામાં આવ્યું હતું. એક્સ્ટ્રા મેરિટલ અફેર ના કેસ રાજ્યમાં ભરમાં નોંધાઈ રહ્યા છે. ઘરેલુ હિંસા કઈ કઈ રીતે અને કેમ થાય છેઘરેલુ હિંસાની અંદર પતિ-પત્ની વચ્ચેના ઝઘડા, સાસુ-સસરા દ્વારા હેરાન ગતિ, લગ્નેતર સંબંધો, દીકરો જોઈતો હોય અને દીકરી હોય તેના માટે ઝગડા, આવક ઓછી અથવા નહીં હોવાના કારણે ઘર ચલાવવું મુશ્કેલ બનતા ઝઘડો, વેશન કરતા વ્યક્તિઓ નશો કરીને પત્નીને માર મારવો, પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નીને તેમના સાસુ- સસરા સાથે રહેવું નથી અને અલગ શ્હેરમાં જઈને રહેવું હોય છે. તેને માટે પણ પતિ-પત્ની વચ્ચે ઝગડો થતો હોય છે અને લગ્નના 1 કે 2 વર્ષમાં છૂટાછેડા લઇ લેતા હોય છે. લગ્નેતર સંબંધોના કેસ વધી રહ્યા છે‎હાલ સૌથી વધુ લગ્નેતર સંબંધોના કેસ વધુ આવી રહ્યા છે. જેના કારણે ઘર સંસાર વિખેરાઈ જાય તેવી સ્થિતિ ઉપસ્થિત થાય છે. લગ્નેતર સંબંધો થવાનું મુખ્ય કારણ સોશિયલ મીડિયા વધુ ઉપયોગના કારણે પતિ-પત્નીને પૂરતો સમય નહીં આપી અને સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય સ્ત્રીના સંપર્કમાં આવી તેમની સાથે લગ્નેતર સંબંધો બાંધતા હોય છે.તેને રોકવા માટે પતિએ-પત્નીને અને પત્નીએ પતિને સમય આપવાની જરૂર છે. > વૈશાલી ચાવડા, સખી વન સ્ટોપ, ભરૂચ સખી વન સ્ટોપ સેન્ટર ને મળેલા કેસ‎

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:29 am

DGVCL દ્વારા ગેરકાયદેસર વીજ જોડાણ કપાયા:ટંકારીયા ગામમાં ગૌવંશના ગુનામાં બે આરોપીના ઘરે ગેરકાયદે વીજજોડાણ

પાલેજ પોલીસ તેમજ ડીજીવીસીએલ ટીમે ગૌ-વંશ ના ગુનામાં પકડાયેલ અસામાજીક તત્વો ના ઘરે ગેર કાયદેસર કરેલ વીજ જોડાણ બાબતેની કાર્યવાહી કરી કુલ રૂપીયા 86 હજારનો દંડ કર્યો હતો. મુખ્ય પોલીસ અધિકારીએ અસામાજીક તત્વોની યાદી બનાવી કાર્યવાહી કરવા સુચના આપી હતી. પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વોની યાદી બનાવડાવી તે આધારે પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી છે. જેઓ પાલેજ ડીજીવીસીએલ કર્મચારીઓને સાથે રાખી અસામાજીક તત્વોના ઘરે વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યું હતું. અસામાજીક તત્વોની યાદીમાંથી અસ્લમ યુસુફ ઉમટા તેમજ હમ્જા યુસુફ ઉમટા ( મીનાઝ પાર્ક, ટંકારીયા)નાઓને ત્યાં ગેરકાયદેસર વિજ જોડાણ મળી આવ્યા હતા. તેનું પાલેજ ડીજીવીસીએલ તરફથી તેઓના વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા અને તેઓને કુલ રૂપિયા 86 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:20 am

ભાસ્કર ફોલોઅપ:બાંગ્લાદેશની 46 યુવતીઓને શોધવા‎અન્ય રાજયોમાં પણ તપાસ શરૂ કરાશે‎

ભારતમાં બાંગ્લાદેશની 60 યુવતીઓને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાના કૌભાંડમાં પોલીસ હવે રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવામાં પણ તપાસ કરશે. ભરૂચ શહેરના જંબુસર બાયપાસ નજીક અલફારૂક પાર્ક સોસાયટીમાં રહેતો ફારૂક શેખ નામનો બાંગ્લાદેશી એજન્ટ આ રેકેટ ચલાવી રહ્યો છે. તે બાંગ્લાદેશની આર્થિક રીતે નબળી મહિલાઓને ઘરકામ અને બ્યુટી પાર્લરમાં નોકરીની લાલચ આપી ગેરકાયદેસર રીતે ભારતમાં લાવતો હતો અને તેમને દેહવ્યાપારમાં ધકેલતો હતો. ભરૂચ અને અંકલેશ્વરમાંથી 14 યુવતીઓને મુકત કરાવવામાં આવી છે. અન્ય 46 યુવતીઓ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવામાં સપ્લાય કરી હોવાની માહિતી મળતાં ભરૂચ પોલીસની ટીમ હવે આ રાજયોમાં પણ તપાસ કરશે. હાલ ફારૂક સહિતના 4 આરોપી 23મી તારીખ સુધીના રીમાન્ડ પર છે. આ યુવતીઓ ભારતમાં કેવી રીતે પ્રવેશી તેની પણ વિગતો પોલીસ મેળવી રહી છે. ફારુક 10 વર્ષથી ગુજરાતના અલગ અલગ શહેરોમાં રહે છે તેણે કલકતાથી જન્મનો ખોટો દાખલો મેળવી પોતે બાંગલાદેશી હોવાની વિગતો છુપાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:19 am

કરોડોની ઠગાઈ કરનાર પોલીસના સકંજામાં:ભરૂચમાં નફાના નામે 1.09 કરોડની ‎ઠગાઇ, સુરત - જૂનાગઢથી 4 ઝબ્બે‎

સાયબર ક્રાઇમના વધી રહેલાં ગુનાઓની વચ્ચે ભરૂચ પોલીસે વધુ એક ગેંગના ચાર સાગરિતોને ઝડપી પાડયાં છે. આ ટોળકી સાથે ફરિયાદીનો પરિચય સોશિયલ મિડિયા મારફતે થયો હતો અને તેમણે ફરિયાદીને લોટીબે નામના ઓનલાઇન સ્ટોર પર એકાઉન્ટ ખોલાવી ઓનલાઇન વસ્તુઓ વેચીને મોટો નફો કમાવાની લાલચ આપવામાં આવી હતી. ટોળકીની વાતોમાં આવી ગયેલાં ફરિયાદીને સોશિયલ મિડિયામાં એક લીંક મોકલવામાં આવી હતી. આ લીંકના માધ્યમથી તેમની પાસેથી પૈસા લેવાની શરૂઆત કરવામાં આવી હતી. 1.10 કરોડ રૂપિયા જમા કરાવ્યાં હતાં. જેની સામે તેમને પ્રથમ વખત 4,930 અને બીજી વખત 35 હજાર રૂપિયા આપવામાં આવ્યાં હતાં. પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનું ધ્યાને આવતાં પોલીસને જાણ કરી હતી. ભરૂચ પોલીસની સાયબર ક્રાઇમની ટીમે તપાસ કરતાં ફરિયાદી સાથે છેતરપીંડીમાં ઇન્ડસન્ડ બેંકના ખાતાઓનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે હાલ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રીમાન્ડ મેળવ્યાં હતાં. ઝડપાયેલા આરોપીઓ અજાણી લીંક પર કલીક ન કરોસાયબર માફિયાઓ એપીકે ફાઇલ અથવા લીંક મોકલીને ગુનો કરતાં હોય છે. કોઇ પણ અજાણી લીંક કે એપીકે ફાઇલ પર કલીક કરવી નહિ. જો તમારી સાથે ઓનલાઇન ઠગાઇ થાય તો સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરી પોલીસને જાણ કરવી જોઇએ. બેંકના ખાતા સાથે લીંક મોબાઇલથી‎આરોપીઓનું પગેરૂ મળી આવ્યું‎‎ભરૂચ સાયબર ક્રાઇમ‎‎પોલીસની ટીમે ફરિયાદી‎પાસેથી પૈસા જમા કરાવ્યાં હતાં તે બેંક ખાતાઓની વિગતો મેળવી‎હતી. જેમાં ફરિયાદી પાસે 2 યુપીઆઇ આઇડી અને 10 અલગ અલગ‎બેંક ખાતાઓમાં પૈસા લેવામાં આવ્યાં હતાં. પ્રથમ પોલીસને ઇન્ડસન્ડ‎બેંકની ઉધના શાખાના એક બેંક એકાઉન્ટ અને તેની સાથે લીંક થયેલો‎મોબાઇલ નંબર મળ્યો હતો. આ ખાતામાં પાંચ મહિનામાં જ 2.16‎કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો થયાં હતાં. તેવી જ રીતે ઇન્ડસન્ડ‎બેંકની વાપી શાખાના એક ખાતામાં પણ 2.40 કરોડ રૂપિયાના‎નાણાકીય વ્યવહારો થયાં હોવાનું સામે આવ્યું હતું. બેંક ખાતાઓ સાથે‎લીંક કરાવેલાં મોબાઇલ નંબરના આધારે આરોપીની વિગતો મળતાં‎વોચ ગોઠવીને તેમને ઝડપી લેવામાં આવ્યાં હતાં.‎

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:18 am

ભાયંદરના ગીચ વિસ્તારમાં ઘૂસેલા દીપડાનો ઉત્પાતઃ હુમલામાં 7 ઘાયલ

સમગ્રવિસ્તારમાં ગભરાટઃ ગીચ વિસ્તારમાં કેવી રીતેપહોંચ્યો તે સવાલ પહેલામાળના ફલેટમાં ઘૂસી ગયોઃ યુવતીએ બેડરુમમાં લોક કરી દીધોઃ સાત કલાક બાદ જેર કરાયો મુંબઈ - ભાયંદર-ઈસ્ટમાં શુક્રવારે સવારે બીપી રોડ પર એક ભારે ગીચ વિસ્તારમાં આવેલી રહેણાંક ઇમારતમાં

ગુજરાત સમાચાર 20 Dec 2025 7:15 am

સશક્ત નારી મેળો યોજાયો:મહિલાઓના હાથના હુન્નરને મળ્યું નવું પ્લેટફોર્મ, 100થી વધુ સ્ટોલમાં પ્રદર્શન

મોરબીમાં આજથી ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એલઈ ગ્રાઉન્ડ ખાતે તા.21 ડિસેમ્બર સુધી આ મેળો ચાલશે. વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત આ સશક્ત નારી મેળા પાછળ મોરબી જિલ્લાની સખી મંડળો અને સ્વ સહાય જૂથની મહિલાઓને પગભર કરવા માટે અને તેમની પ્રોડક્ટને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ્ય છે. મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે આ સશક્ત નારી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ મેળામાં ઘર વપરાશની વસ્તુઓ, કપડા, ચપ્પલ, ભરત ગુંથણ એમ GLPCના 32, NULMના 10, કૃષિ વિભાગના 15, કુટિર અને ગ્રામોદ્યોગના 13, વન અને પર્યાવરણ વિભાગના 5, મહિલા આર્થિક વિકાસ નિગમના 20, કો-ઓપરેટિવ સેક્ટરના 5 મળી કુલ 100 જેટલા સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ તકે જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સ્વદેશી વસ્તુઓની સાથે સાથે સ્વ સહાય જૂથો અને નાના કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓને આ મેળામાં વિવિધ સ્ટોલમાં રાખવામાં આવી છે. જેથી ખૂબ મોટા પ્રમાણમાં નાના કારીગરોની વસ્તુઓ અને સખી મંડળોની વસ્તુઓની વેચાણ થશે. આ પ્રકારના મેળા અને કાર્યક્રમોથી દેશની સ્વદેશી ચળવળને વેગ મળે છે. આ સશક્ત નારી મેળો પણ સ્વદેશી ચળવળને ખૂબ વેગ અપાવશે. આ મેળામાં જે કારીગરોને લોનની જરૂરિયાત હોય તો તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:09 am

ઠગાઇ:મોરબીમાં કલરની એજન્સી આપવાની લાલચે યુવાન સાથે 3.68 લાખની ઠગાઇ

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા હર્ષદભાઈ રતિલાલભાઈ કનજારિયા નામના 33 વર્ષ યુવાન સાથે સાઇબર ફ્રોડની ઘટના બની છે. આ યુવકને ઓનલાઇન બિરલા કંપનીનો વોલ કલર વેચવા માટેની એજન્સી આપવાની લાલચ આપી હતી. જે બાદ આરોપીઓ દ્વારા ઈ-મેલથી કોન્ટેક્ટ કરી જરૂરી વિગતો ભરાવી હતી. બાદમાં તેને વિશ્વાસ આવે તે માટે ટેલિફોનિક ચર્ચાઓ કરી હતી અને બોગસ પુરાવાઓ રજૂ કર્યા હતા. જે બાદ યુવાને પંજાબ નેશનલ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના અલગ અલગ ખાતાઓમાં ₹3,68,500 જેટલી રકમ ટ્રાન્સફર કરાવી હતી. જો કે આ રકમ ટ્રાન્સફર થયા બાદ યુવાનને બિરલા કંપનીની એજન્સી ન મળતા તેને શંકા ગઈ હતી, જેથી તે રકમ પરત મેળવવા માટે પ્રયાસ કરતા સાઇબર ઠગ ટોળકીએ તમામ પ્રકારના કોન્ટેક્ટ બંધ કરી દીધા હતા અને તેની સાથે છેતરપિંડી આંચરી હતી આ બનાવવામાં હર્ષદભાઈએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:07 am

સાયબર ક્રાઇમ:બોગસ પેઢીના નામે બેંક ખાતા ખોલી 92.88 લાખની સાયબર છેતરપિંડી

મોરબી જિલ્લા સાઇબર ક્રાઈમ પોલીસે બોગસ પેઢીના નામે બેંક ખાતા ખોલી તેમાં રોકડ જમા કરાવીને બાદમાં ઉપાડી લેવાના કરતૂત સબબ બે શખ્સ સામે ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ મથકના કોન્સ્ટેબલ મનોજ ઠાકરશીભાઈએ બી ડિવિઝન પોલીસ મથકમાં જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ હુસેન કટિયા તેમજ ઉમા ટાઉનશીપ વિસ્તારના નજીક અનંતનગરમાં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપી દિવ્યરાજ રાજેન્દ્રસિંહ જાડેજાએ અન્ય લોકો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે અગાઉથી કાવતરું રચી સાઇબર ફ્રોડથી મેળવેલી રકમ અનઅધિકૃત રીતે સગવગે કરવા ઈસ્માઈલ હુસેન કટિયાના નામથી જેડી એન્ટરપ્રાઇઝ નામની બોગસ પેઢી શરૂ કરી હતી. તેના નામનું બેન્ક એકાઉન્ટ ખોલાવી, આ બેન્ક એકાઉન્ટમાં 92,88,802 જેટલી રકમ જમા કરાવી હતી અને અને ખાતાધારક ઈસ્માઈલને કમિશન આપવાની લાલચ આપી તેના તમામ ડોક્યુમેન્ટ અને બેન્ક એકાઉન્ટ કીટ પોતાની પાસે રાખી ફ્રોડથી મળેલી રકમ ચેક અને એટીએમથી ઉપાડી લીધા હતા અને પોતાનો આર્થિક ફાયદો લીધો હતો જેના આધારે પોલીસી બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:06 am

સમીક્ષા બેઠકમાં મંત્રી અમૃતિયાનું મનપા અધિકારીઓને સૂચન‎:મોરબીમાં પ્રાકૃતિક કૃષિના ઉત્પાદનો વેચવા કાયમી બજાર-હાટ ઊભું કરો

મહાનગરપાલિકાના વિકાસ કામોની પ્રગતિ અંગે સમીક્ષા માટે શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાની આગેવાનીમાં મોરબી મહાનગરપાલિકાની વેસ્ટ ઝોન કચેરી ખાતે અધિકારીઓ-કર્મચારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં મોરબી મહાનગરપાલિકાના રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, બ્રિજ, હેલ્થ સેન્ટર, લાઇબ્રેરી, ફાયર સ્ટેશન, ગાર્ડન સહિત વિવિધ વિકાસ કામો અંતર્ગત પૂર્ણ થયેલા કામો,પ્રગતિ હેઠળના કામો તેમજ ડીપીઆર હેઠળના કામોની માહિતી મેળવી હતી અને આ કામો માટે તેમણે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવી રાજીપો વ્યક્ત કર્યો હતો. મોરબી શહેરમાં પ્રાકૃતિક કૃષિથી તૈયાર થયેલા ઉત્પાદનો વેચી શકાય તે માટે કાયમી બજાર હાટ બનાવવા આયોજન હાથ ધરવા સૂચન કર્યું હતું તથા લોકોને મુશ્કેલી ન પડે તે માટે કામગીરીમાં નાની નાની બાબતોને પણ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો હતો. મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળા અને સંજય સોની તથા મહાનગરપાલિકાની વિવિધ શાખાઓના શાખા અધ્યક્ષઓ , કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:05 am

પોલીસની સરાહનીય કામગીરી:સાયબર ફ્રોડનો ભોગ બનેલા વેપારીને મોરબી પોલીસે રૂ.41. 81 લાખ પરત અપાવ્યા

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બોન્ઝા સીરામિક ફેક્ટરી સાથે જોડાયેલ દેવેન્દ્રભાઇ છગનભાઇ પનારા એ વર્ષ 2023 માં ફરિયાદ નોધાવી હતી. જે મુજબ તેઓ બોન્ઝા વિટ્રીફાઈડ ટાઈલ્સ મેન્યુફેક્ચરિંગ કરી વિદેશમાં એક્સપોર્ટનો ધંધો કરતા હોય જેથી એક્સપોર્ટના ધંધાની વધુ પ્રોત્સાહન આપવા સારૂ ભારત સરકાર દ્વારા ICEGATE સ્કીમ મારફતે એક્સપોર્ટ કરેલ ધંધાની રકમ આધારિત લાયસન્સ કુપન મળતા હોય. જે સરકાર તરફથી મળેલા રૂ .71,45,616 ની કિંમતના 29 લાયસન્સ કુપન બોન્ઝા વિટ્રીફાઈડ નામની ફેકટરીના નામે જમા થયા હોય જે કોઇ અજાણ્યા માણસે ફરિયાદીની કંપનીની જાણ બહાર ફરિયાદીની કંપનીના કિંમતી દસ્તાવેજો ઇલેકટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરી ખોટા દસ્તાવેજો ઉભા કરી તેને ખરા તરીકે ICEGATE માં રજિસ્ટ્રેશન કરાવવા ઉપયોગ કરી ફરિયાદીની કંપનીના નામનુ bonzavitrifiedpltd27 @gmail.com વાળુ ખોટું જી-મેઇલ આઇ.ડી બનાવ્યું હતું તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદીની કંપનીના સરકાર તરફથી મળેલા રૂ. 71.45 લાખની કિંમતના 29 લાયસન્સ કુપન પોતાના આર્થિક ફાયદા માટે મેળવી લઇ દેવેન્દ્ર ભાઈની કંપની સાથે રૂા.71,45,616 ની ઠગાઇ કરી હતી. આ ફરિયાદ બાદ સાયબર ક્રાઇમ પોલીસ અને સ્થાનિક પોલીસ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા અને જરૂરી રકમ રિકવર માટે તજવીજ હાથ ધરાઇ હતી, જે બાદ પોલીસની કાર્યવાહીના અંતે ₹41,81,680 જેટલી રકમ રિકવર થતા આજે સાઇબર ક્રાઇમટીમ દ્વારા એસપી મુકેશ પટેલ અને ડીવાયએસપી વિરલ દલવાડીની હાજરીમાં ગુજરાત પોલીસના તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત મૂળ માલિકને આ રકમ પરત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:04 am

ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે 70 બાંધકામનો નાશ‎:મોરબીના લાતી પ્લોટમાં ગેરકાયદેસર ઇમારતો પર સતત બીજા દિવસે ધોંસ

મોરબીના લાતી પ્લોટમાં વર્ષો પછી રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલના કામો મંજૂર થયા હોય પણ આ કામગીરી માટે વર્ષોથી ગેરકાયદે પાકા બાંધકામો ખડકાયા હોવાથી મનપાએ શરૂ કરેલું ડિમોલિશન આજે પણ ચાલુ રહ્યું હતું. જેમાં મહાપાલિકાએ આજે બીજા દિવસે પણ લાતી પ્લોટમાં ગેરકાયદે ખડકી દીધેલા પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દીધું હતું અને બે દિવસમાં રોડ, ગટર અને વરસાદી પાણીના નિકાલના કામો માટે અવરોધરૂપ ગેરકાયદે આશરે 70 જેટલા પાકા બાંધકામોને તોડી પાડયા હતા. મોરબી મહાપાલિકા દ્વારા ગઈકાલે ગુરુવારથી ગેરકાયદે બાંધકામો હટાવવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ગઈકાલે લાતી પ્લોટ શેરી નં.3 અને 4ની વચ્ચેના ગેરકાયદે ખડકાયેલા પાકા બાંધકામોને તોડી પડયા બાદ મહાપાલિકાની ટીમ લાતી પ્લોટ શેરી નં.8માં ગેરકાયદે ખડકાયેલા બાંધકામો ઉપર ત્રાટકી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 7:02 am

26મીથી કામા અશ્વ શોનું આયોજન‎:વાંકાનેરની ધરતી પર ગુંજશે કાઠિયાવાડી, મારવાડી અને સિંધી અશ્વોની હણહણાટી

વાંકાનેરના પૂર્વ રાજવી ડો. દિગ્વિજયસિંહજી ઝાલાની સ્મૃતિમાં વાંકાનેરમાં તા.૨૬.૨૭.૨૮ ડિસેમ્બરના રોજ રાજ્યસભાના સાંસદ મહારાણા કેસરીદેવસિંહ ઝાલા દ્વારા ૧૭મા કામા અશ્વ શો અને રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન કાઠીયાવાડી હોર્સ બ્રીડર્સ એસોસિએશન ઓફ ગુજરાત-ગોંડલ, પશુપાલન વિભાગ-ગુજરાત રાજ્ય, કાઠીયાવાડી અશ્વપલક સહકારી મંડળી લીમીટેડ-ગોંડલ તેમજ ભુવનેશ્વરી પીઠ- ગોંડલના સંયુક્ત ઉપક્રમે વાંકાનેર મુકામે કરવામાં આવેલ છે. અશ્વ શોની શરતોઉપરોક્ત રમતોનું તા.૨૬.૨૭.૨૮ ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમ્યાન આયોજન કરવામાં આવેલ છે. આ ઉપરાંત ભાગ લેનાર દરેક અશ્વ પાલકે પોતાના અશ્વનું ઓન લાઈન રજિસ્ટ્રેશન કરાવેલ હશે અને પશુ દવાખાનામાંથી અશ્વનું ગ્લેન્ડર્સ રોગ મુક્ત પ્રમાણપત્ર તથા અશ્વ તંદુરસ્તી પ્રમાણપત્ર મેળવેલ હશે તેજ અશ્વ આ અશ્વ શો માં ભાગ લઈ શકશે. આ આયોજન માટે મેદાન પર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અશ્વ રમતોત્સવની વિશેષતાઓ‎1. ઉત્તમ અશ્વ બ્રીડ શો, કાઠીયાવાડી-મારવાડી અને સિંધી અશ્વ જેમાં ઘોડા-ઘોડી વછેરા-વછેરી અને અદંત વછેરા-વછેરી આમાં ભાગ લેશે2. ઉત્તમ અશ્વ શણગાર અને અશ્વ સવાર તેમજ પરંપરાગત શણગાર જોવા મળશે 3. અશ્વોની રેવાલ ચાલને જોવા માણવાનો અદભૂત અવસર 4. એન્ડ્ર્યુરન્સ રેસ (૨૦ કી.મી.) યોજાશે5. બેરલ રેસનો લહાવો મળશે6. મટકી ફોડનું આકર્ષણ જ્યાં અશ્વ શો યોજાનાર છે તે મેદાનને સમથળ બનાવવા સહિતની તૈયારીઓ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:59 am

SIRની કામગીરી:કચ્છમાં 2.14 લાખ મતદાર યાદીમાંથી દૂર કરાયા

ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં મતદારોની સંખ્યા અને મતદાન મથકોના માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. મતદારોના આંકડા અને સુધારણા વર્ષ 2025ની યાદી મુજબ કચ્છ જિલ્લાના અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર સહિતના 6 વિધાનસભા મતવિસ્તારમાં કુલ 16 ,90 ,584 મતદારો નોંધાયેલા હતા. નવી પ્રસિદ્ધ થયેલી નવી મુસદ્દા યાદી મુજબ હવે કચ્છમાં કુલ 14,76,409 મતદારો નોંધાયેલ છે. ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન વિવિધ કારણોસર કુલ 2,14,175 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. જયારે મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચના નિયમ મુજબ એક મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુથી પુનર્ગઠન કરાયું છે. જેના કારણે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1848 થી વધીને 2012 થઈ છે, એટલે કે 165 નવા મથકોનો ઉમેરો થયો છે. જે 2.14 લાખ મતદારોના નામ દૂર થયા છે, તેઓ જો ફરી નામ નોંધાવવા માંગતા હોય તો ફોર્મ-6 ભરી શકે છે. ચકાસણી બાદ તેમનો સમાવેશ આખરી યાદીમાં કરાશે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજી તેમને ફોટોવાળી મતદારયાદીની નકલ સુપ્રત કરવામાં આવી હતી. હક્ક-દાવા અને વાંધા અરજીઓ તા. 18/01/2025 સુધી રજૂ કરી શકાશે. જેનો નિકાલ 10 ફેબ્રુઆરી સુધીમાં કરી, તા. 17/02/2025 ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્રએ તમામ નાગરિકોને આ પ્રક્રિયામાં સહયોગ આપી ભૂલરહિત યાદી બનાવવામાં મદદરૂપ થવા અપીલ કરી છે. વધુ 74 સહાયક મતદાર નોંધણી અધિકારીઓ નિમાયાડ્રાફ્ટ યાદી જાહેર કરાયા બાદ હવે જેમના નામ યાદીમાં સમાવાયા નથી તેવા 65 હજાર મતદારો એઆરઓ સમક્ષ પોતના દસ્તાવેજો રજુ કરશે, આ કામગીરીને વેગ આપવા જિલ્લામાં ૭૪ વધારાના સહાયક મતદાર નોંધણી અધિકારીઓ ની નિમણૂંક કરવામાં આવી છે.65 હજાર મતદારોને ઈશ્યુ કરાશે નોટીશખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કચ્છમાં 65,078 મતદારો (૩.૮૪%) એવા છે જેમનું મેપિંગ થયું નથી. આ એવા મતદારો છે જેમના નામ વર્ષ 2002ની યાદીના ન હતું. સાથે જ તેમના માતા-પિતા કે દાદા-દાદીનું નામ પણ યાદીના ન હોવાના કારણે મેપિંગ થયું નથી. આવા 65 હજાર મતદારોના નામ હાલ વહીવટી તંત્ર દ્વારા યાદીમાં સમાવાયા છે, પરંતુ તેમને નોટિસ આપીને જરૂરી દસ્તાવેજો રજુ કરવાના રહેશે, અને સુનાવણી કરી જરૂરી દસ્તાવેજોની ચકાસણી બાદ જ આખરી યાદીમાં તેમનું નામ સમાવેશ કરવામાં આવશે. જો કોઈ પણ મતદાર જરૂરી દસ્તાવેજો રજુ નહી કરી શકે તો તેમના નામ આખરી યાદીમાંથી દુર કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આનંદ પટેલે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:52 am

બેફામ વાહન વ્યવહારને કારણે જીવલેણ અકસ્માત:ભચાઉમાં મીઠું ભરેલા ડમ્પરની ટક્કર લાગતાં એક્ટિવા ચાલકનું મોત

ભચાઉ શહેર અને નજીકમાં આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ રાજ્ય ધોરીમાર્ગ પરથી પસાર થતાં ભારેખમ વાહનો અહીંના લોકોના જીવ સાથે રમી રહ્યા છે મોટા ભાગ ના વાહનો ઓવરલોડ અને ઓવર સ્પીડમાં પસાર થાય છે અને જેને લઈને અકસ્માતો વારંવાર બની રહ્યા છે. કસ્ટમ ચાર રસ્તા અને ડો.આંબેડકર સર્કલ પાસે અકસ્માતનો સિલસિલો ચાલુ રહ્યો છે, જેમાં આજે ઓવરલોડ મીઠું ભરીને આવી રહેલા ડમ્પર ચાલકે એકટીવા ચાલાક યુવાનને અડફેટે લઈ ગંભીર ઇજા પહોંચાડી હતી ભચાઉ થી વધુ સારવાર માટે ગાંધીધામ તરફ લઈ જતા તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું બનાવને લઈને લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું સ્થાનિક યુવાને ઓવરલોડ વાહનો સામે વિરોધ દર્શાવવા થોડીવાર માટે વાહનો રોકવામાં આવ્યા હતા.ત્રણ દિવસ પહેલાં ટ્રક કારમાં અથડાઇ હોવાનો બનાવ આ જગ્યાએ બન્યો છે. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ,મૂળ ભચાઉ નજીકના કરમરીયા ગામના ભચાઉમાં સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલા 50 વર્ષીય વેપારી ગણેશભાઈ ડાયાભાઈ છાંગા આહીર પોતાના ખેતરથી ભચાઉ એકટીવા પર આવી રહ્યા હતા તે સમયે ડો.આંબેડકર સર્કલ પાસે પૂર ઝડપે જઇ રહેલા મીઠું ભરેલા ડમ્પરના ચાલકે એકટીવા ચાલકને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ડમ્પરમાં નીચે ફસાયેલા યુવાનને સ્થાનિક લોકોએ એકઠા થઈને બહાર કાઢી તાત્કાલિક ગાંધીધામ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો પરંતુ યુવાનને છાતીના અને માથાના ભાગે ગંભીર ઇજાઓના કારણે વધુ સારવાર નસીબ થાય તે પહેલા જ તેણે જીવ ગુમાવ્યો હતો. ભચાઉમાં ફરી વખત અકસ્માતો બનાવ અને તેની અંદર યુવાનનું મોત થતા અકસ્માતના બનાવનો ચાલુ રહ્યો હતો. પરંતુ સ્થાનિક પોલીસ કે જવાબદાર તંત્ર આ જગ્યા ઉપર કોઈપણ જાતની વ્યવસ્થા કરી શક્યા નથી કે જેથી આ જગ્યા ઉપર થતા અકસ્માતો અટકી શકે,ઘટના સ્થળે પહોંચેલા ભીમા કોરેગાવ સેનાના પ્રમુખ સુરેશભાઈ કાઠેચાએ વારંવાર બનતા અકસ્માતને લઈને લોકોને જાગૃત કરવા માટે વાહનો થોભાવ્યા હતા અને પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી કે અકસ્માતને રોકવા માટે પોલીસ અને તંત્ર તાત્કાલિક ધોરણે કંઈ પગલાં લેવાય. હાલ આ ઘટનાથી મૃતકના પરિવાર અને સમાજમાં શોક ફેલાયો છે. ભાસ્કર ઇનસાઇટમીઠું રસ્તા પર ઢોળાતું હોવાથી પણ માર્ગો અકસ્માત ઝોન બન્યા છેએક તરફ મીઠાની ઓવરલોડ ગાડીઓના ફેરા વધી રહ્યા છે અને ઓવર લોડ ભરેલી ગાડીઓમાંથી મીઠું રસ્તા પર ઢોળાય છે જેના કારણે રોડ ચીકણા બનતા આમ પણ ભચાઉ અને આસપાસના માર્ગો અકસ્માત ઝોન બની રહ્યા છે. ઓવરલોડિંગ સામે તેમજ તાલપત્ર બાંધ્યના વગર દોડતા મીઠા ભરેલા વાહનો સામે કડક કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે. ભચાઉ થી ભુજ રોડ બાયપાસ કરવાની તાતી જરૂરભચાઉ થી ભુજ તરફ જતા અને ભુજ તરફથી આવતા જીએસઆરટીસી અને રાજ્ય ધોરીમાર્ગને શહેરની બહારથી બાયપાસ કરવાની તાત્કાલિક જરૂર છે નહિતર અકસ્માતો બનવા બંધ થઈ શકે તેમ નથી , સ્થાનીકોના જણાવ્યા મુજબ એક તરફ દિવસે દિવસે વાહન વ્યવહાર વધી રહ્યો છે, ગતિ મર્યાદા જળવાતી નથી , ઓવરલોડિંગ, ઓવર ટેક અને આડેધડ પાર્કિંગની સમસ્યા દુર થતી નથી જેના કારણે બાયપાસ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:49 am

ભાસ્કર એક્સક્લૂઝિવ:મુન્દ્રામાં 12 કરોડની વિદેશી સિગારેટ લાવી ભારત બહારની નિકાસ દેખાડી દેશમાં ઘૂસેડાઈ

ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની ગાંધીધામ રીજનલ યુનિટ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વિદેશી સિગારેટના ગેરકાયદે ડાયવર્ઝન અને સ્મગલિંગના મોટા રેકેટને ઝડપી પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં મુંદ્રા પોર્ટથી કોલકાતાના ફાલ્ટા સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (સેઝ) સુધી ફેલાયેલા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં ગાંધીધામ મૂળના આયાતકારની ધરપકડ પણ કરાઈ છે. ડીઆરઆઈ દ્વારા કોલકાતાના ફાલ્ટા સેઝ ખાતે આવેલા વેસ્ટ બેંગલોર વેરહાઉસિંગ નામક યુનિટમાં તપાસનો દોર હાથ ધરાયો હતો. ઇનપુટ હતા કે મૂળ ગાંધીધામનો આરોપી અને આ કન્સાઇમેન્ટનો ઇમ્પોર્ટર પરવેઝ કાદરીએ મલેશિયાથી મુન્દ્રા પોર્ટ પર વિદેશી મોંઘી સિગારેટ જેવી કે ગુડાંગ ગરમ, એસે ગોલ્ડ, એસે લાઇટની 12 કરોડની કિંમત ધરાવતી 60 લાખથી વધુ સ્ટીક આયાત કરી હતી. જેને કોલકાતાના ફાલ્ટા સેઝમાં લઈ જઈને ત્યાંથી તે મોંઘી વિદેશી સિગારેટનો જથ્થો ભારતીય બજારમાં દાણચોરી કરીને કાઢી નાખ્યો હતો અને તેની જગ્યાએ સસ્તી ભારતીય સિગારેટનો જથ્થો ભરીને તેને બાંગ્લાદેશ એક્સપોર્ટ દેખાડવાનો હતો. પરંતુ આ કાવતરાને તે સફળતા પૂર્વક અંજામ આપે તે પહેલાજ ડીઆરઆઈ ત્યાં ત્રાટકી, ત્યાં સુધી આયાતી વિદેશી સિગારેટનો મોંઘો જથ્થો તો સગેવગે થઈ ગયો હતો. પરંતુ તેની જગ્યાએ નિકાસ દેખાડનારી 56.20 લાખ જેટલી ભારતીય અને ઓછી કિંમતની સિગારેટ મળી આવી હતી, જેની બજાર કિંમત ₹7.5 કરોડ થાય છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ સસ્તી સિગારેટનો જથ્થો અસલી વિદેશી સિગારેટની જગ્યાએ નિકાસ કરવા માટે રાખવામાં આવ્યો હતો, જેથી ડાયવર્ઝન પર પડદો પાડી શકાય. આ પ્રકરણમાં અંદાજે 5.32 કરોડની ડ્યુટી ચોરી ઝડપાઈ છે. ડીઆરઆઈની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ કૌભાંડમાં સામેલ સપ્લાયર્સની ઘણી કંપનીઓ માત્ર કાગળ પર જ હતી. હાલમાં આ કેસમાં ટ્રાન્સપોર્ટર્સની ભૂમિકા, સેઝના સુરક્ષા કર્મચારીઓની સંડોવણી અને અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ ચાલી રહી છે. કોટપા 2003 ના નિયમોના ભંગ બદલ અને કસ્ટમ્સ ડ્યુટીની ચોરી અંગે ડીઆરઆઈ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એજન્સીને લાંબા સમયથી હાથતાળી આપતા આરોપી પરવેઝ કાદરી આખરે દબોચાયો છે, જેને લઈને એજન્સી કોલકાતા કાયદાકીય કાર્યવાહી માટે રવાના થઈ છે. ભાસ્કર ઈનસાઈટઆવી રીતે આચરાતું હતું કૌભાંડતપાસમાં બહાર આવ્યું છે કે, વિદેશી મૂળની આ સિગારેટ મુંદ્રા પોર્ટ મારફતે આયાત કરવામાં આવી હતી અને તેને નિકાસ કરવાના હેતુથી કોલકાતાના ફાલ્ટા સેઝ ખાતે ટ્રાન્સશિપ કરવામાં આવી હતી. નિયમ મુજબ આ જથ્થો માત્ર નિકાસ માટે જ હતો, પરંતુ યુનિટ દ્વારા તેને બજારમાં ગેરકાયદેસર રીતે વેચવા માટે બહાર કાઢી લેવામાં આવ્યો હતો. વિદેશી સિગારેટ પર 110% થી વધુ કસ્ટમ ડ્યુટી લાગે છે, જેને ન ભરવા આ કાવતરું રચાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:47 am

યુવાને જીવન ટૂંકાવ્યું:આદિપુરમાં યુવાને રહસ્યમય સંજોગો વચ્ચે યુવાને ફાંસો ખાધો

આદિપુરના સાત વાળી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય યુવાને રહસ્યમય સંજોગો વચ્ચે ફાંસો ખાઇ લઇ જીવન ટુંકાવી લીધું હોવાની, તો ગાંધીધામના સેક્ટર-7 માં પરિણીતાએ પણ ટુંપો ખાઇ લઇ મોત વહાલું કર્યુ઼ હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, સીબીએક્સ-368 સાત વાળી વિસ્તારમાં રહેતા 28 વર્ષીય વિરેશ કમલસિંહ ધાનાગરે તા.18/12 ના સવારે 10 વાગ્યા પહેલાં પોતાના ઘરમાં જ પંખામાં રસ્સી બાંધી ફાંસો ખાઇ લીધો હોવાનું તેમનો મૃતદેહ રામબાગ હોસ્પિટલ લઇ આવેલા બ્રિજેશકુમારે તબીબને જણાવતાં તબીબે આદિપુર પોલીસને જાણ કરી હતી. અંતિમ પગલું શા કારણથી ભર્યું એ જાણવા પીએસઆઇ આર.એમ.ડુવાએ તપાસ હાથ ધરી છે. તો ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, સેક્ટર-7 ના મકાન નંબર-350 માં રહેતા 25 વર્ષીય પરિણીતા દેવીબેન દેવાભાઇ રબારીએ તા.18/12ના પરોઢે સાડા ચાર વાગ્યા પહેલાં કોઇપણ સમયે રહસ્યમય સંજોગો વચ્ચે લાકડાની આડીમાં દોરી બાંધી ફાંસો ખાઇ લીધો હોવાનું તેમનો મૃતદેહ રામબાગ હોસ્પિટલ લઇ આવનાર દેવાભાઇ સામતભાઇ રબારીએ તબીબને જણાવતાં તબીબે બી-ડિવિ. પોલીસને જાણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:39 am

ભુજમાં સંસ્મૃતિ દ્વારા એવોર્ડ વિતરણ સમારોહ:કચ્છના લેખકોના સર્જનમાં કચ્છીયત ધબકે છે

ડો.જયંત ખત્રી સ્મારક સાહિત્ય સભા ‘સંસ્મૃતિ’ ભુજના ઉપક્રમે વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે ડો.જયંત ખત્રી-બકુલેશ અને ડો.મનુભાઈ પાંધી એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો હતો. 1995થી દર વર્ષે યોજાતા આ બંને એવોર્ડ વર્ષ 2024 માટે ગુજરાતી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપનારા દશરથ પરમાર તેમજ કચ્છી સાહિત્યમાં વિશેષ પ્રદાન આપનારા આસલમ ધુલિયાને વર્ષ 2025નો ડો.મનુભાઈ પાંધી એવોર્ડ કાર્યક્રમ અધ્યક્ષ રમીલાબેન મહેતા, અતિથિ વિશેષ કચ્છ યુનિ. કુલપતિ ડો.મોહનભાઈ પટેલ, કીર્તિભાઈ ખત્રી, સંસ્મૃતિના મંત્રી ઝવેરીલાલ સોનેજીના હસ્તે એનાયત કરાયો હતો. પ્રારંભે આવકાર પ્રવચન બાદ મહેમાનોના સન્માન કરાયા હતા. એવોર્ડ વિજેતા અસલમભાઈ ધુલિયાનો પરિચય આપતા વાર્તાકાર માવજીભાઈ મહેશ્વરીએ તેમની કચ્છી કવિતાઓમાં રહેલા વિશેષ ભાવની વાત વણી લીધી હતી. દશરથભાઈ પરમારનો પરિચય ડો.દર્શનાબેન ધોળકિયાએ આપતા કહ્યું કે તેમની વાર્તાઓ સંવેદનાઓથી સભર છે અને સ્ત્રીનું સૂક્ષ્મ સંવેદન પણ જોવા મળે છે. સાથે ઉમેર્યું કે તેમના થકી વાર્તાની આજ અને આવતીકાલ સલામત છે એમ વિવેચકો જણાવે છે. એવોર્ડ સ્વીકાર બાદ અસલમ ધુલિયાએ ‘સંસ્મૃતિ’ અને એવોર્ડ પસંદગી સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ‘નૂરાની નુર’ નામક કવિતા અને અન્ય કચ્છી કવિતાનો રસાસ્વાદ કરાવ્યો હતો. ડો.જયંત ખત્રી-બકુલેશ એવોર્ડ વિજેતા દશરથ પરમારે એવોર્ડ બદલ સ્વીકૃતિનો સહજ આનંદ અને આભાર હોવાનું જણાવ્યું હતું. કચ્છ પ્રદેશનું તેમને વિશેષ આકર્ષણ હોવાની વાત કરતાં ઉમેર્યું કે કચ્છનું લોકજીવન, રહેણી-કરણી, ઐતિહાસિક સ્થળોનું સ્મરણ અને કચ્છીયતને ઉજાગર કરતા લેખકોના સર્જનમાં કચ્છ ધબકતું હોવાનું જણાય છે. 1999ની પ્રથમ કચ્છી યાત્રાથી તેમણે કચ્છના સંસ્મરણો વાગોળ્યા અને ડો.જયંત ખત્રી પરિવેશ પ્રધાન વાર્તાના પ્રથમ સર્જક હોવાનો મત વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેમને બકુલેશની વાર્તાઓ વિશે પણ વાત માંડી હતી. આવનારા પડકારોની વાતો વર્ણવતા તેમણે સોશિયલ મીડિયા અને એઆઈનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ભાષા અને પ્રત્યાયન માટે સાહિત્યકલાનું સશક્તિકરણ એક અસરકારક માધ્યમ પુરવાર થશે. આભાર વિધિ સંસ્થાના કારોબારી સભ્ય ગૌતમભાઈ જોશી અને સંચાલન પૂજા કશ્યપ સોનીએ કર્યું હતું. ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય, ગોવર્ધન પટેલ ‘કવિ’, રમણીક સોમેશ્વર, રસિકભાઈ મકવાણા, ભગીરથ ધોળકિયા, ભરત સોની, નીતિન ઠક્કર, હંસાબેન ભીડીં, પૂજાબેન ગઢવી ‘મંથના’, પરમાનંદ જોષી, દિલીપ આચાર્ય, પંકજભાઈ જે. ખત્રી, કૃષ્ણકાંત ભાટિયા, કે. આર. ખીએરા, નરસિંહ ગઢવી, તરુણકાંત કોઢિયા, મહેશભાઈ મહેશ્વરી, અલ્તાફ ખત્રી વગેરે સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:36 am

પોલીસ કાર્યવાહી:વરસામેડીનું મકાન પચાવવા કારસો રચનાર વધુ ચાર આરોપી ઝડપાયા

અંજારના વરસામેડી સીમમાં આવેલી સોસાયટીનું મકાન પચાવી પાડવાના ઇરાદે ડમી વ્યક્તિઓ ઉભા કરી ખોટું પાવરનામું બનાવવાનું કાવતરૂં રચનાર મુખ્ય ત્રણ આરોપીઓને અંજાર પોલીસે ફરિયાદ નોંધાયા બાદ તરત પકડી લીધા બાદ આ ગુનામાં વધુ ચાર આરોપીઓને પણ ઝડપી લેવાયા છે. પીઆઇ એ.આર.ગોહિલે વિગતો આપતાં જણાવ્યું હતું કે,ફરિયાદી મંદાબેન મધુસુદનભાઇ દાવડાએ ફરિયાદ નો઼ધાવી હતી કે, વરસામેડીની બાગેશ્રી ટાઉનશીપ-1 પ્માંલોટ નંબર-121 વાળું તેમના સાસુ ધનલક્ષ્મીબેન બ્રહ્માકુમારી અને નણંદ દક્ષાબેન બ્રહ્માકુમારીની માલીકીનું મકાન પચાવવાના ઇરાદે ડમી વ્યક્તિઓ ઉભી કરી ખોટું પાવરનામું બનાવી કારસો રચવામાં આવ્યો છે. આ ફરિયાદ નોંધાયા બાદ આ ગુનાનો મુખ્ય આરોપી સતિષ ઉર્ફે ખેતશી દયાલ ભાનુશાલી , આ મકાન બતાવનાર સંદિપગર મહેન્દ્રગર ગુંસાઇ અને ખોટા દસ્તાવેજમાં સાક્ષી તરીકે ખોટી સહી કરનાર નારાણ માધવજી ભાનુશાલીને પહેલાં પકડી લીધા હતા. આ ગુનામાં પકડવાના વધુ ત્રણ આરોપીઓ અંબાલાલ નાથાલાલ પટેલ, ધર્મેન્દ્રભાઇ ઉર્ફે રાજાભાઇ ઇશ્વરલાલ કટારમલ, રાજબીર દયાનંદસિંઘ અને રમેશભાઇ રવજીભાઇ ગોહીલને પકડી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં તેમની સાથે પીએસઆઇ જે.એસ.ચુડાસમા અને ટીમ જોડાઇ હતી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:27 am

નાની ઉંમરમાં મોટી સિદ્ધિ:કચ્છના બાળ કલાકારને વિશ્વના યંગેસ્ટ સિંગરનો ગીનીઝ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરાયો

કચ્છના 8 વર્ષીય બાળ કલાકારને વિશ્વના યંગેસ્ટ સિંગરનો ગીનીઝ વર્લ્ડ રેકૉર્ડ એનાયત કરાયો હતો. આ કલાકારે 6 વર્ષ પૂર્વે લોન્ચ કરાયેલા મ્યૂઝિક આલ્બમમાં બે વર્ષ કરતાં પણ નાની ઉંમરે સાત મંત્રોના સૂર રેલાવ્યા હતા. ગિવ વાચા ફાઉન્ડેશન અને કૃપ મ્યુઝિક દ્વારા વર્ષ 2019માં રામ નવમીના અવસર પર વિશ્વભરમાં 150 થી વધુ પ્લેટફોર્મ પર આલ્બમ લોન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં એવોર્ડ વિજેતા બાળ કલાકાર પર્વ ઠક્કરએ એક વર્ષ અને 342 દિવસની ઉમર હતી ત્યારે ૭ મંત્રો ગયેલા છે. રામ ધૂન, હનુમાન મંત્ર, જલારામ ધૂન, ઓમ હમ્ હનુમતે નમઃ, રામ ધૂન 108 જાપ, હનુમાન મંત્ર 108 જાપ તેમજ જલારામ ધૂન 108 જાપ એમ સાત મંત્રોનો સમાવેશ થાય છે. આ આલ્બમમાં તેની બહેન વાચા તેમજ પિતા ડૉ. કૃપેશભાઇએ કોરસ ગાયક તેમજ સંગીતકાર તરીકે યોગદાન આપ્યું હતું. માતા ડૉ. પૂજાબેનએ રેકોર્ડીંગ તેમજ મ્યુઝિક થેરપીની તાલીમ માટે સાથ આપ્યો હતો. પર્વનો જન્મ ક્લબફૂટ નામની તકલીફ સાથે થયો હતો જેની સારવાર 7 વર્ષ સુધી ચાલે છે. તેના માતા-પિતાને આ વાતની જાણ ગર્ભાવસ્થા દરમિયાન જ થઈ ગઈ હતી અને તેમણે ગર્ભથી જ મ્યુઝિક થેરપી આપવાનું અને ભગવદ ગીતા પાઠ વાંચન શરૂ કર્યું હતું. જેના પરિણામે પર્વ બોલતા પહેલા ગાતા શીખી ગયો. ગીનીઝ વર્લ્ડ રેકૉર્ડની આ સિદ્ધિ વિષે વાત કરતાં પિતાએ જણાવ્યું કે “આ વૈશ્વિક સફળતા એ પર્વની ફક્ત વ્યક્તિગત સફળતા નથી પરંતુ સનાતન ધર્મ, ભારતીય સંગીત અને ભગવદ ગીતાની જીવન પરિવર્તનની ક્ષમતાનો અનેરો મહિમા છે. અમારી આ યાત્રા હવે નિરંતર ચાલતી રહશે અને પર્વ સાથે અમે સૌ ક્લબફૂટ અને મ્યુઝિક થેરપી વિષે લોકજાગૃતિ અભિયાન સમગ્ર વિશ્વમાં કરતાં રહીશું. આ વિષે વાત કરતાં આયુર્વેદ વૈધ માતાએ ઉમેર્યું કે, બાળકોને ગર્ભથી જો સનાતન ધર્મના શાસ્ત્રો અને મ્યુઝિક થેરપી આપવામાં આવે તો સૌ કોઈ અર્જુન બની શકે છે. આ વિષે ખુશી વ્યક્ત કરતાં પર્વએ જણાવ્યું કે, આ સફળતા અને આ પુરસ્કાર વિશ્વભરના ક્લબફૂટના બાળકો અને દિવ્યાંગ લોકોને સમર્પિત કરું છું. આ બાળ કલાકાર સનાતન ધર્મ તેમજ સંગીત, લેખન અને અન્ય કલાઓની તાલીમ લઈ રહ્યો છે. નાની ઉમરે તેની આ સિદ્ધિઓ માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી તેમજ ઋષિકેશ પટેલએ પ્રશસ્તિ પત્ર આપી તેની સરાહના કરી હતી. ઉલ્લેખનીય છે કે હાલ સુધી પર્વ ઠક્કર એ 50 ગીતો ગયેલા છે, તેમજ 15 મ્યુઝિક વિડિયોમાં અભિનય કર્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:25 am

ગેસ લાઇન લીકેજ થઈ:ભીડના ભરચક વિસ્તારમાં ગેસ લાઇન લીકેજ થઈ, સમયસર રીપેર થતા હાશકારો

ભુજ શહેરમાં વર્ષોથી વિવિધ વિકાસ કામો અંતર્ગત ડ્રેનેજ સિસ્ટમ સુચારૂ કરવા, ગટર, પાણી અને અન્ય યુટિલિટી લાઈનો માટે સતત માર્ગ ખોદકામ ચાલી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારોમાં રોજબરોજ ખોદાયેલા રસ્તાઓ જોવા મળતા ભુજવાસીઓ પણ કંટાળ્યા છે. એક ગંભીર બનાવ શુક્રવારે સવારે ભીડ નાકા વિસ્તારમાં સામે આવ્યો, જ્યાં ગટર લાઈનનું કામ કરી રહેલી એજન્સીની બેદરકારીને કારણે ગુજરાત ગેસની લાઈનમાં પંચર પડી ગયું હતું. જનતા કોમ્પ્લેક્સ પાસે ગેસ લાઈનમાંથી અચાનક ગેસ લીક થવા લાગતાં આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગેસની તીવ્ર વાસ ફેલાતાં સ્થાનિક લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો. તંત્ર દ્વારા ગુજરાત ગેસ એજન્સીને જાણ કરવામાં આવતા તેમના મેકેનિક તરત જ સ્થળ પર પહોંચ્યા હતા અને લીકેજ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમયસર રીપેરીંગ થઈ જતાં મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ઘટના પછી સમગ્ર વિસ્તારમાં હાશકારો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ બે થી ત્રણ વખત ભુજ શહેરમાં ખોદકામ દરમિયાન ગેસ લાઈનોને નુકસાન પહોંચ્યાના બનાવો સામે આવી ચૂક્યા છે. સ્થાનિકોના રોષભર્યા પ્રતિભાવ મુજબ, ગટર અથવા અન્ય લાઈનનું કામ શરૂ કરતા પહેલા સંબંધિત એજન્સીઓએ જમીન હેઠળની લાઈનો અંગે યોગ્ય તપાસ અને સંકલન કરવું અત્યંત જરૂરી છે. ગતરાત્રિએ મુસ્તાક પાન સેન્ટર પાસે ખાડા ખોદાયેલા જોવા મળતા રોજિંદા પસાર થતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સંબંધિત શાખામાં ત્રણ ઈજનેરો હોવા છતાં ઘટના સમયે કોઈ પણ અધિકારી સ્થળ પર હાજર નહોતો. વારંવાર આવી ઘટનાઓ બનતી હોય તો જવાબદાર એજન્સી સામે ભુજ સુધરાઈએ કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:19 am

ચાઈનાકલે, ડમ્પર, બેન્ટોનાઇટ એસો દ્વારા રજૂઆત:નેટવર્ક ઇસ્યુથી ખનિજ પરિવહનના વાહનોમાં રોયલ્ટી બ્લોક થતા ફટકો

તાજેતરમાં ખનીજ પરિવહનના વાહનોમાં જીપીએસ ફરજિયાત કરાયું છે પણ કચ્છના અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કની સમસ્યાના કારણે રસ્તામાં જીપીએસ કનેકશન કટ થવાથી સિસ્ટમ દ્વારા ઓટોમેટીક વાહનની રોયલ્ટી 24 કલાક માટે બંધ કરી દેવામાં આવે છે, જેથી ચાઈનાકલે સહિતના ઉદ્યોગને ભારે ફટકો પડયો છે. તંત્રએ નિયમ લાગુ કરતા અગાઉ નેટવર્ક વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની જરૂરિયાત હતી હવે જ્યાં સુધી યોગ્ય નેટવર્ક વ્યવસ્થા ન ગોઠવાય ત્યાં સુધી નવા નિયમની અમલવારીમાં છુટછાટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 13 ડિસેમ્બરથી ખાણ ખનિજ વિભાગ દ્વારા GPS પદ્ધતિમાં કરવામાં આવેલા ફેરફારને કારણે કચ્છ જિલ્લાના ચાઈનાક્લે, બેન્ટોનાઇટ સહિતના ઉદ્યોગોમાં ગંભીર મુશ્કેલીઓ સર્જાઈ છે. કચ્છ જિલ્લા ચાઈનાક્લે એસોસિએશનના પ્રમુખ ગોકુલભાઈ ડાંગરની આગેવાની હેઠળ હોદ્દેદારો, લીઝધારકો, પ્લાન્ટ ધારકો તેમજ ગાડી માલિકોએ ભુજ ખાણ ખનિજ વિભાગ તથા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. રજુઆતમાં જણાવાયું હતું કે, નવી GPS પદ્ધતિ અંતર્ગત અંતરિયાળ વિસ્તારોમાં આવેલી માઇન્સમાં નેટવર્કની સમસ્યાના કારણે ઘણી વખત GPS કનેક્ટિવિટી મળતી નથી. જેના પરિણામે ટ્રકોની રોયલ્ટી કાઢવામાં ભારે તકલીફ પડે છે. રોયલ્ટી કાઢ્યા બાદ જો કનેક્ટિવિટી તૂટી જાય તો સોફ્ટવેર દ્વારા 24 કલાક માટે ટ્રકની રોયલ્ટી બંધ કરી દે છે. જેથી ટ્રક માલિકો તેમજ ચાઈનાક્લે અને ફેક્ટરી માલિકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આ મુદ્દે ભુજ ખાણખનિજ અધિકારી, ફ્લાઈંગ સ્ક્વોડના અધિકારી તથા બાદમાં જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતમાં માગ કરવામાં આવી હતી કે, જ્યાં સુધી નેટવર્ક સંબંધિત સમસ્યાનો કાયમી ઉકેલ ન આવે ત્યાં સુધી અગાઉ જે રીતે GPS સિસ્ટમ ચાલતી હતી તે જ પદ્ધતિ અમલમાં રાખવામાં આવે. તંત્રના અધિકારીઓએ આ બાબત ખનિજ વિભાગના કમિશ્નર સુધી પહોંચાડવામાં આવી હોવાનું જણાવ્યું હતું. રજુઆત દરમિયાન કચ્છ જિલ્લા ચાઈનાક્લે એસો.ના પ્રમુખ સાથે ઉપપ્રમુખ શામજીભાઈ ઢીલા, શિવજીભાઈ બરાડીયા, ભરતભાઈ ડાંગર, સહમંત્રી દીપક ડાંગર, બેન્ટોનાઇટ એસોસિએશનના પ્રમુખ વિપુલભાઈ ભાનુશાલી, ડમ્પર એસોસિએશનના પ્રમુખ અરવિંદભાઈ જાટીયા તેમજ મોટી સંખ્યામાં ગાડી માલિકો, પ્લાન્ટ ધારકો અને લીઝ ધારકો હાજર રહ્યા હતા. જો ઉકેલ ન આવે તો હડતાલની ચીમકીહાલ સુધી આ મુદ્દે કોઈ સ્પષ્ટ નિર્ણય આવ્યો નથી જેથી ઉદ્યોગકારોએ ગાંધીનગર સુધી રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે ઉપરાંત જો સરકાર અને ખાણખનિજ વિભાગ દ્વારા યોગ્ય અને તાત્કાલિક ઉકેલ લાવવામાં નહિ આવે તો હડતાલની પણ ચીમકી આપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:17 am

પાણીની કટોકટીનો આવશે અંત:નર્મદાની પાઇપ લાઇનનું મેન્ટેનન્સ પૂર્ણ થતા આજ રાત્રીથી ભુજને પાણી વિતરણ થશે શરૂ

છેલ્લા ચારેક દિવસથી ભુજમાં સર્જાયેલી પાણીની કટોકટીનો રવિવારે રાત્રે અંત આવે તેવી સંભાવના છે. નગરપાલિકાએ દાવો કર્યો છે કે, રતનાલ ખાતે મરંમતનું કાર્યપૂર્ણ થઇ ગયુ છે. લોકોના ઘરે શનિવાર રાત્રિથી પાણી વિતરીત થશે. કચ્છ જિલ્લાના પીવાના પાણીના સમગ્ર નેટવર્કની જવાબદારી સંભાળતા પાણી પુરવઠા વિભાગના અધિકારીએ ગત સપ્તાહે દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે, ભુજ તથા બન્ની–ખાવડા વિસ્તારને પાણી વિતરણ માટે ઉપયોગમાં લેવાતી નર્મદાની મુખ્ય પાઈપલાઈન રતનાલ પાસે વારંવાર ભંગાણ પડતા પાણી પુરવઠામાં અડચણ ઊભી થતી હતી. આ સમસ્યાને કાયમી રીતે ઉકેલવા માટે વિભાગ દ્વારા ત્રણ દિવસનું શટડાઉન રાખી 96 મીટર પાઇપ બદલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પાણી પુરવઠા વિભાગની GWIL કચેરીના કાર્યપાલક ઇજનેર મુકેશ એન્ટેલિઓના જણાવ્યા અનુસાર રતનાલ પાસે વારંવાર થતી લીકેજની સમસ્યા કારણે અગાઉ કરવામાં આવતી રીપેરીંગ કામગીરી અસરકારક સાબિત થતી ન હતી. ઘણી વખત 5 થી 10 મીટરના અંતરે ફરીથી પાઈપમાં ક્ષતિ સર્જાતી. શિયાળાના સમયમાં પાણીની માંગ ઓછી રહેતી હોવાથી આ સમયગાળામાં સંપૂર્ણ પાઈપ બદલવાનું નક્કી કરાયું હતું. પરિણામે 96 મીટર જેટલો નવો પાઈપ બદલવાની કામગીરી હાથ ધરાઈ, જેના માટે 72 કલાકનો સમય જરૂરી હોવાનું અનુમાન હતું. જોકે વિભાગની ટીમે કાર્યક્ષમતાપૂર્વક માત્ર 50 કલાકમાં જ સમગ્ર કામગીરી પૂર્ણ કરી શુક્રવાર સાંજથી પાણી પુરવઠો ફરી શરૂ કર્યો હોવાનું તેમણે જણાવ્યું. આ તરફ ભુજ શહેરમાં પાણી ક્યારે મળશે તે અંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કરે માહિતી આપતાં જણાવ્યું હતું કે વિતરણ પ્રક્રિયા દરમિયાન બે દિવસ એટલે કે શનિવાર અને રવિવાર પસાર થશે. કુકમા ખાતે તેમજ ભુજના તમામ પાણીના ટાંકાઓ ખાલી થઈ ગયા હોવાથી જેમ જેમ પુરવઠો મળતો જશે તેમ તબક્કાવાર પાણી સપ્લાય શરૂ કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે જો પૂરતા દબાણ સાથે પુરવઠો પ્રાપ્ત થાય તો વધુ ઝડપથી શહેરના ઘરોઘરમાં પાણી પહોંચાડવામાં આવશે. વિભાગ દ્વારા કરાયેલી આ કામગીરીથી આવનારા દિવસોમાં ભુજ તથા આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠાની સમસ્યા હળવી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નર્મદાનું પાણી વિતરણ શિયાળામાં ઘટાડવામાં આવ્યું છેભુજ શહેરના દરેક ઘર સુધી પાણી પહોંચે તે માટે દૈનિક જરૂરિયાત અંદાજે 40 MLD ની છે. સ્થાનિક સ્ત્રોતમાંથી 10 MLDની અને નર્મદાનું પાણી સપ્લાય કરતી GWIL તરફથી 30 એમએલડી વિતરણ કરવામાં આવે તો એક સાથે શહેરને પૂરતું પાણી આપી શકાય. પરંતુ હાલ નર્મદાનું દૈનિક 20 થી 22 એમએલડી પાણી આવે છે. જોકે શિયાળો હોવાથી ખપત ઉનાળાના પ્રમાણમાં ઓછી હોવાને કારણે ફરિયાદ ઊઠી નથી.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:16 am

રમતગમત દિવસનું આયોજન:ટીમવર્ક -હેલ્ધી સ્પર્ધા માટે 13 રમતો રમાઇ

મ.સ.યુનિવર્સિટીના એજ્યુકેશન અને સાઇકોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા એન્યુઅલ સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં પેવેલિયનમાં વાર્ષિક રમતગમત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતગમત દિવસે કુલ 13 રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં જૂથ રમતો જેમ કે બાસ્કેટબોલ, વોલીબોલ, ક્રિકેટ અને ખો-ખો, વ્યક્તિગત રમતોમાં 100 મીટર દોડ, એથ્લેટિક્સ અને બેડમિંટન, તેમજ મનોરંજક રમતો જેવી કે લીંબુ-ચમચી, તગ ઓફ વોર, અને પુસ્તક સંતુલનનો સમાવેશ થયો હતો. કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં રમતગમતની ભાવના, ટીમવર્ક, આરોગ્યપ્રદ સ્પર્ધા અને સૌહાર્દ્રને પ્રોત્સાહન મળ્યું હતું. કાર્યક્રમનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. જયપ્રકાશ સોની દ્વારા કરાયું હતું. વિશેષ મહેમાન તરીકે રાષ્ટ્રીય સ્તરે પેરા ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ ગરિમા વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:06 am

સિદ્ધિ:નદીના પુનરુત્થાનમાં લોકોની ભાગીદારી-જોડાણ પર દિનેશ ગાંધીને ડિગ્રી એનાયત

પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્રના સંયોજક ડૉ. દિનેશ ગાંધીએ ‘મધ્ય ગુજરાતમાં નદીના પુનરુત્થાન પ્રોજેક્ટમાં લોકોની ભાગીદારી અને જોડાણનો અભ્યાસ વિષય પર પીએચડીની ડિગ્રી મેળવી છે. જે પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર અને વહો વિશ્વામિત્રી અભિયાનના પ્રણેતાના દ્મશ્રી ડૉ. એમ. એચ. મહેતાના માર્ગદર્શન હેઠળ અભ્યાસ પૂર્ણ કર્યો હતો. આ વિશે ડો.દિનેશ ગાંધીએ જણાવ્યું હતું કે, નદી પુનરુત્થાન પ્રોજેક્ટ્સ જેવા સંશોધન સામૂહિક પર્યાવરણીય જવાબદારીને પ્રોત્સાહન આપે છે. નાગરિકોને ખ્યાલ આપે છે કે નદીઓનું રક્ષણ કરવું એ સરકારી ફરજ ઉપરાંત એક સહિયારી સામાજિક જવાબદારી છે. આ કાર્ય ટકાઉ વિકાસ લક્ષ્યો, ખાસ કરીને સ્વચ્છ પાણી સાથે નદી પુનર્જીવનને સ્થાન આપવા પર ભાર મુક્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:05 am

બિશપ ગેમ્સ 6.0નો પ્રારંભ:બિઝનેસ સાથે સ્વાસ્થ્ય માટે જોડાવવા BNIના 600 ઉદ્યોગકાર સત્તોડિયું-ચેસ રમ્યાં

ઇન્ટર સિટી બિઝનેસ સ્પોર્ટિંગ ઇવેન્ટ્સમાં બિશપ ગેમ્સ 6.0નો બાઇક રેલી સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં એન્ટ્રેપરિનિયરશીપ, લીડરશીપ અને સ્પોર્ટ્સની ઉજવણી એક સાથે કરવામાં આવી રહી છે. આ મલ્ટિ-સિટી સ્પોર્ટિંગ કોન્ક્લેવ વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વરના બીએનઆઇના સભ્યો જોડાયા હતા. બિશપ ગેમ્સ 6.0માં 13 બીએનઆઇ ચેપ્ટર્સમાંથી 600થી વધુ બિઝનેસ ઓનર્સે ભાગ લીધો હતો. જેઓ ઇન્ડોર, આઉટડોર સહિત 10 રમતોમાં જોડાયા હતા. ક્રિકેટ અને બેડમિન્ટન મુખ્ય આકર્ષણ રહ્યું હતું. જૂની વિસરાતી જતી સતોડિયું જેવી રમતોનો પણ સમાવેશ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:04 am

સિટીના ફિમેલ કેન્ડલ આર્ટિસ્ટની સુંદર કલાકૃતિ:સોયા મીણની લાકડા જારની ઇકો-ફ્રેન્ડલી કેન્ડલ્સ ઇન ટ્રેન્ડ

‘કલાથી પેટ નથી ભરાતું’ એવી માન્યતાને તદ્દન ખોટી સાબિત કરતા સિટીના નીલમ શાહ પેઇન્ટીંગ અને કેન્ડલ મેકિંગમાં અનેક પ્રકારની કેન્ડલ્સ બનાવી રહ્યા છે. જેનો યુવાઓમાં ભારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેમજ તેઓ અન્ય મહિલાઓને પોતાનું પેશન ફોલો કરવા પ્રેરણા આપી રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષથી પોતાના પાર્ટનર સાથે મળીને ફેન્સી કેન્ડલ મેકિંગનો અનેક મહિલાઓ માટે પ્રેરણાસ્રોત બન્યા છે. તેઓ 100 ટકા સોયા મીણથી બનેલી ઇકો-ફ્રેન્ડલી સુગંધિત મીણબત્તીઓના 100થી વધુ પ્રકારો બનાવવામાં અને વેચવામાં આવે છે. કાચના જાર, હેન્ડમેઇડ લાકડાના હોલ્ડરમાં કેન્ડલનો ટ્રેન્ડ રહેલો છે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:02 am

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું:છાત્રોએ આરોગ્ય-સ્વચ્છતા, ઊર્જા સંસાધનો, ડિજિટલ ટેક્નોલોજી પર મોડેલ બનાવ્યા

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન હેઠળ 53મું રાજ્ય સ્તરીય બાળ વિજ્ઞાન પ્રદર્શન કેન્દ્રીય વિદ્યાલય નંબર 2, આર્મી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં ગુજરાતભરના વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોના 150 વિદ્યાર્થીઓએ તેમની વૈજ્ઞાનિક પ્રતિભા, નવીનતા અને સર્જનાત્મક વિચારસરણીનું પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન કેવીએસ સહાયક કમિશનર વેંકટેશ્વર પ્રસાદ દ્વારા દીપપ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને પ્રતિષ્ઠિત મહેમાનોએ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા મોડેલોનું અવલોકન કર્યું હતું અને તેમના વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણની પ્રશંસા કરી હતી. પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વલણ, સંશોધન અભિગમ અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો હતો. પ્રદર્શનમાં આરોગ્ય અને સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ, ઉર્જા સંસાધનો, કૃષિ, ડિજિટલ ટેકનોલોજી, આપત્તિ વ્યવસ્થાપન અને સામાજિક સમસ્યાઓ જેવા સમકાલીન વિષયો પર આધારિત ઘણા પ્રભાવશાળી મોડેલો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય ચરણ કમલ કૌરે કહ્યું કે, આવા પ્રદર્શનો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં ફાળો આપે છે અને વૈજ્ઞાનિક વિચારસરણી અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપે છે. જ્યુરીએ “વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે STEM’ થીમ પર આધારિત મોડેલોનું મૂલ્યાંકન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:00 am

ટોડલર્સનું પ્લે સ્ટેશન:અક્ષરો, આંકડા, આકારો, રંગો એક જ ટેબલમાં જોડ્યા

મ.સ.યુનિવર્સિટીના હેડ, પ્રોફેસરના “ટોડલર્સ માટે પ્લે સ્ટેશન’ માટે ડિઝાઇન પેટન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રિમૂવેબલ એક્રિલિક પેનલ્સથી બનાવવામાં આવ્યું છે. જેમાં ટેબલના ખૂણા બાળકોની સુરક્ષા માટે ગોળાકાર રાખવામાં આવ્યા છે. અક્ષરો, આંકડાઓ, આકારો, રંગો અને ગણિતીય ઓપરેશનો જેમ કે ગુણાકાર અને ભાગફળ માટે અલગ ટ્રે છે. ટોડલર્સને અક્ષરો, આંકડાઓ શીખવામાં મદદરૂપ છે. ફૅમિલી એન્ડ કમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ના શ્રુતિ ચૌહાણ, મીસ. જાહ્નવી લુહાર, આર્કિટેક્ચર વિભાગ ડૉ. ચૈતાલી ત્રિવેદી દ્વારા સમગ્ર ડિઝાઇન કરવામાં આવી હતી. કોન્સેપ્ટથી ડિઝાઇન સુધી સંશોધનમાં 6થી 8 માસ લાગ્યાઆજકાલ બાળકો મોબાઇલમાં વધારે વ્યસ્ત હોય છે, જેને તેમના જ્ઞાનાત્મક હાવભાવની કુશળતાઓ પર પ્રતિકૂળ અસર પડી રહી છે. આ પ્લે સ્ટેશન ઘર, ડે-કેર સેન્ટરો, અથવા સારવારના સ્થળોમાં ઉપયોગ માટે યોગ્ય છે. જેના કાન્સેપ્ટથી ડિઝાઇન સુધીના સંશોધનમાં છથી આઠ મહિના લાગ્યા હતા. - ડૉ. સરજુ પટેલ, હેડ , ફેમિલિ એન્ડ કોમ્યુનિટિ રીસોર્સ મેનેજમેન્ટ

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:00 am

લંડનની થેમ્સને ટક્કર મારશે સાબરમતી:રબરની ટ્યૂબ પાણીનું વહેણ રોકશે, થ્રી લેયર ડિઝાઇન અને મોદી સ્ટેડિયમનો એસ્થેટિક વ્યૂ, રિવરફ્રન્ટ ફેઝ-2નો સુપર્બ ડ્રોન વીડિયો

સાબરમતી રિવરફ્રન્ટ. અમદાવાદનું દિલ. જેના ફેઝ-2માં શાહીબાગ ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીના સાડા પાંચ કિલોમીટરના એરિયાને કવર કરાયો છે. રિવરફ્રન્ટના ફેઝ-2નું સેન્ટર ઓફ એટ્રેક્શન હશે બેરેજ કમ બ્રિજ. હા, આ અમદાવાદનો બીજો બેરેજ હશે. આ બેરેજમાં રબરની ટ્યુબમાં હવા ભરી સાબરમતીનું વહેણ રોકવામાં આવશે. આ બ્રિજથી અમદાવાદીઓને જ નહીં ઉત્તર ગુજરાતના લોકોને પણ ફાયદો થવાનો છે. આ સિવાય ફેઝ-2માં અમદાવાદને સાત નવાં નજરાણાં મળશે. હાલ અહીં પૂરજોશમાં નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. 'ગુજરાતના બિગ પ્રોજેક્ટ્સ'માં દિવ્ય ભાસ્કર આપને ફેઝ-2નો તમે ના જોયેલો ડ્રોન વ્યૂ બતાવશે. આ ડ્રોન વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:00 am

SIR પછી મતદારયાદીમાંથી નામ કપાઇ ગયું છે?:ચિંતા છોડો, મુખ્ય ચૂંટણી અધિકારી પાસેથી જાણો નામ ઉમેરવાની આખી પ્રોસેસ, ઓનલાઇન પણ મળી જશે ફોર્મ

ગુજરાતમાં SIR પ્રક્રિયા હેઠળ નવી ડ્રાફ્ટ મતદાર યાદી પબ્લિશ થઇ ચૂકી છે. જો આ મતદારયાદીમાંથી તમારૂં નામ કપાઇ ગયું હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કપાઇ ગયેલા નામને ફરીથી ઉમેરવા માટે તમારે શું કરવું પડશે તે દિવ્ય ભાસ્કર તમને જણાવશે. કોને મળવું? કયા પુરાવા આપવા પડશે, નામ કે બીજી કોઇ વિગતમાં ભૂલ હોય તો શું કરવું? ઓનલાઇન ફોર્મ કેવી રીતે મળશે? આ તમામ સવાલોના જવાબ અમે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લા પાસેથી મેળવ્યા છે. વાંચો તમને મૂંઝવતા સવાલો અને હારિત શુકલાના જવાબો. સવાલઃ ડ્રાફ્ટ મતદાર યાદી શું છે?હારિત શુકલાઃ ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવતી કાચી મતદાર યાદીને ડ્રાફ્ટ મતદાર યાદી કહેવાય છે. મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ હેઠળ મતદારોને ફોર્મ અપાય છે. ફોર્મ પાછા મળ્યા હોય તેવા મતદારોના નામનો સમાવેશ કરતી યાદીને ડ્રાફ્ટ મતદાર યાદી (ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ) કહેવાય છે. સવાલઃ જે લોકોના નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નથી તેમણે શું કરવાનું રહેશે?હારિત શુકલાઃ સૌથી પહેલાં ગભરાયા વગર એ ચેક કરો કે કયા કારણથી તમારૂં નામ ડ્રાફ્ટ મતદારયાદીમાં નથી આવી શક્યું. જેનું નામ કપાઇ ગયું છે તેણે ફોર્મ નં-6 અને ડિક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ તમારા વિસ્તારના BLO, મામલતદાર કચેરીમાંથી મળશે. જો તમે ઇચ્છો તો આ ફોર્મ ઓનલાઇન પણ મેળવી શકો છો. ફોર્મ નં-6 ઓનલાઇન મેળવવા માટે ઇન્ટરનેટ પર જઇ voters.eci.gov.in સર્ચ કરવું. જેના પછી વોટર સર્વિસ પોર્ટલ ખૂલશે. જેમાં ફોર્મ નં-6ની સાથે ડિક્લેરેશન ફોર્મ પણ મળી રહેશે. ફોર્મ નં-6માં મુખ્યત્વે પોતાનું નામ, અટક, પિતાનું નામ, જન્મ તારીખ, વર્તમાન રહેઠાણનું સરનામું, મોબાઇલ નંબર અને ઇમેઇલ સાથેની વિગત આપવાની રહેશે. ફોર્મ ભરાયા બાદ BLO (બૂથ લેવલ ઓફિસર)નો સંપર્ક કરી ફોર્મ ભરી જમા કરાવી શકાશે તથા ઓનલાઇન પોર્ટલ પર જઇને નામ ફરી નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી શકાશે. સવાલઃ ડ્રાફ્ટ મતદારયાદીમાં કેવા લોકોના નામનો સમાવેશ નથી કરાયો?હારિત શુકલાઃ જે વ્યક્તિનું મૃત્યુ થયું હોય, જે મતદારનું નામ બે જગ્યાએ હોય, જે વ્યક્તિ કાયમી ધોરણે અન્ય વિસ્તારમાં રહેવા જતી રહી હોય અથવા લાંબા સમયથી ઘર બંધ હોય, BLOની 3 વખતની મુલાકાતમાં પણ વ્યક્તિ મળી ન શકી હોય તેના નામનો સમાવેશ નથી કરાયો. ઉપરાંત જે મતદારે ગણતરી ફોર્મ જમા કરાવવાની ના પાડી હોય તેનું નામ ડ્રાફ્ટ મતદારયાદીમાંથી કપાઇ શકે છે. સવાલઃ કપાઇ ગયેલું નામ ફરીથી દાખલ કરાવવા માટે કયા પુરાવાની જરૂર પડશે?હારિત શુકલાઃ જેનું નામ કપાયું છે તે વ્યક્તિએ પોતાની જન્મ તારીખ, જન્મ સ્થળ અને રહેઠાણનો પુરાવો આપવાનો રહેશે. આ ઉપરાંત ડિકલેરેશન ફોર્મમાં વર્ષ 2002ની મતદારયાદીની વિગતો અથવા નાગરિકતા સંબંધિત અન્ય પુરાવાઓ રજૂ કરવાના રહેશે. સવાલઃ જે વ્યક્તિનું નામ કપાઇ ગયું છે અને તેણે જે પુરાવા આપ્યા તે સ્થાનિક અધિકારીને યોગ્ય નથી લાગતા તો હવે તે વ્યક્તિ આગળ ક્યાં ફરિયાદ કરી શકશે?હારિત શુકલાઃ તે વ્યક્તિએ કયા કારણથી નામ કપાઇ ગયું છે તેની ખાતરી કરી લેવી જોઇએ. જો એ કારણથી નારાજગી હોય તો તે વ્યક્તિ ચૂંટણી પંચના NGSP પોર્ટલ પર ફરિયાદ નોંધાવી શકે છે. આ માટે ઇન્ટરનેટ પર જઇ NGSP સર્ચ કરવું. જેના પછી વોટર્સ સર્વિસ પોર્ટલ પર ક્લિક કરવું અને ત્યારબાદ રજિસ્ટર કમ્પ્લેન્ટ પર ક્લિક કરવું. આટલું કર્યા પછી એક નવું પેજ ખુલશે. જેમાં ભારતીય કે NRI સિલેક્ટ કરવું. જેના પછી રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા ઇમેલ આઇડી અથવા એપિક નંબર લખવો અને કેપ્ચા ફિલ કરીને આગળની પ્રોસેસ કરવી. સવાલઃ જેનું નામ કપાઇ ગયું છે તેણે કેટલા દિવસમાં ફરિયાદ કરવી પડે? કોઇ સમય મર્યાદા નક્કી છે?હારિત શુકલાઃ ફરિયાદ માટેની કોઇ સમય મર્યાદ નક્કી નથી. જો મતદાર ઇચ્છે તો 18 જાન્યુઆરી, 2026 સુધીમાં જરૂરી પુરાવા સહિત ફોર્મ નં-6 આપીને પોતાનું નામ સામેલ કરાવી શકે છે. ત્યારબાદ પણ સતત સુધારણાના સમયગાળા દરમિયાન પણ નામમાં ફેરફાર કે નવા નામની નોંધણી વગેરે કરી શકાય છે. સવાલઃ નામ ઉમેરવા માટે મતદારે જે ફોર્મ ભર્યું હોય કે જે અરજી કરી હોય તેનું સ્ટેટસ કેવી રીતે અને ક્યાંથી ચેક કરવું?હારિત શુકલાઃ તમારે સૌ પહેલા Voter Service Portal પર Track Application Status પર ક્લિક કરવાનું રહેશે. આ પછી તેમાં અરજી વખતે મળેલો Reference ID દાખલ કરવાનો રહેશે. છેલ્લે તમે તમારું રાજ્ય પસંદ કરશો એટલે તમારી અરજી ક્યા સ્ટેજ (Submitted, BLO Appointed, Field Verified, Accepted/Rejected) પર છે તે દેખાશે. સવાલઃ ડ્રાફ્ટ મતદારયાદીમાં નામ તો છે પરંતુ નામ કે સરનામામાં ભૂલ છે તો શું કરવું?હારિત શુકલાઃ જો મતદારના સરનામા કે અન્ય વિગતમાં ભૂલ હોય તો તેણે ફોર્મ નં-8 ભરવાનું રહેશે. આ ફોર્મ BLO પાસેથી કે ઓનલાઇન મળી જશે. ઓનલાઇન ફોર્મ મેળવવા માટે તમારે Voter Service Portal પર જવાનું રહેશે. જ્યાં ફોર્મ નં.8 મળશે. ફોર્મ નં-8માં મતદારે EPIC નંબર અને ખોટી વિગત દર્શાવવાની રહેશે પછી સાચી વિગત ભરવાની રહેશે. તેના પુરાવા રજૂ કરવાના રહેશે અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. આટલી પ્રક્રિયા બાદ ફોર્મનું વેરિફિકેશન કરાશે અને પછી વિગતમાં સુધારો કરાશે.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 6:00 am

ફેશન વોક:ખાદી જર્ની ઓન રેમ્પ, સ્કર્ટથી લઇ સ્કાર્ફ સાથે મોડેલનું કન્ટેમ્પરરી વોક

ખાદી ઇન્ડિયાના સહયોગથી પારુલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ડિઝાઇન ખાતે વડોદરા ફેશન વીકની ચોથી આવૃત્તિનું આયોજન કર્યું હતું. જેનું ક્રાફ્ટ એન્ડ કોન્શિયસ થીમ અંતર્ગત વડોદરા ફેશન વીક 4.0 યોજાયો હતો. આપણી ખાદી હવે આત્મનિર્ભરતાનું પ્રતીક છે. તે મેડ ઇન ઇન્ડિયા છે. આ મોડેલ નવા ભારતની ખાદી છે. આ સ્વદેશની ખાદી છે. આ વર્ષે ખાદી ફેશન અને ખાદી જર્ની માટે એક ખાસ જગ્યા ડિઝાઇન કરાઇ હતી, જેમાં ખાદીનો ઇતિહાસ અને ભારતના સસ્ટેનેબલ ક્લોથિંગની હેન્ડલૂમ પરંપરાઓ સાથે ખાદી ફેબ્રિક્સ રજૂ કરાયા હતાં. અભિનેત્રી હુમા કુરેશી સહિત ડિઝાઇનર્સ ઉપસ્થિત રહ્યાઆ વર્ષની એડિશનમાં રિમ્પલ નરૂલા અને હરપ્રીત ફેમ જેવાં ફેશન અને એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિઝાઇનર્સ તેમજ ભારતીય ફિલ્મ જગતના જાણીતી અભિનેત્રી હુમા કુરેશીની ઉપસ્થિત રહ્યા હતા. ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ વડોદરા ફેશન વીક 4.0માં તેમના આખરી કલેક્શન રજૂ કર્યા હતાં. નિર્વાધિ, આર્ટ ઓફ સાયલન્સ, મેટાનોઇયા, બ્લેક ટાઇડ, ખાદીમાં બનેલા રંગ ત્યોહર જેવા કોશ્ચ્યુમ ઉમેરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 5:58 am

નિર્ણય:મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાના સૂચનને પગલે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાનું કામ નામંજૂર

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન બાદ વડોદરામાં પણ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા તંત્રે મથામણ શરૂ કરી છે. જોકે બીજી તરફ ગોત્રીમાં ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટેની દરખાસ્તને નામંજૂર કરાઈ છે. રૂ. 4.77 કરોડના ખર્ચ કરી ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જગ્યાએ મલ્ટી સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરવા માટેની ધારાસભ્યે કરેલા સૂચન બાદ નિર્ણય લેવાયો છે. ગોત્રીમાં રૂ. 4.77 કરોડના ખર્ચે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુકાઈ હતી. આ સ્થળે ક્રિકેટ ગ્રાઉન્ડ સાથે પેવલિયનમાં ખેલાડીઓને બેસવા માટેની સુવિધા, 6 ક્રિકેટ પ્રેક્ટિસ પીચ, 3 ટેનિસ પીચ, 2 સિઝન પીચ કમ્પાઉન્ડ વોલ તથા ચેન્જિંગ રૂમ સાહિત્યની સુવિધાઓ ઉભી કરવાની હતી. આ કામ માટે તંત્ર દ્વારા અનેક જાહેરાતો પણ કરાઈ હતી. જો કે પાલિકાની સ્થાયી સમિતિમાં આ કામને નામંજૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આધારભૂત સૂત્રો મુજબ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ આ સ્થળે ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવાની જગ્યાએ 20થી વધુ ઇન્દોર અને આઉટડોર રમતો માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું સૂચન કર્યું છે. એક જ સ્થળે 20 રમતો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા સૂચનશહેરમાં 20થી વધુ ક્રિકેટ ગ્રાઉન્ડ છે. હોકી બેડમિન્ટન સહિતની અન્ય રમતો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું જરૂરી છે. સ્વિમિંગ પૂલની પણ સંખ્યા ઓછી છે. એક જ સ્થળે 20થી વધુ રમતો રમી શકાય તે માટે ક્રિકેટ ગ્રાઉન્ડ એવી જગ્યાએ જ મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ઊભો કરવામાં આવે તેવું સૂચન હતું. ગ્રાઉન્ડ તૈયાર કર્યા બાદ બીસીએ કે બીસીસીઆઈને જ સોંપવું પડે તેવી સ્થિતિ ઉદ્ભવશે. જેથી ક્રિકેટ ગ્રાઉન્ડ પાછળ આ ખર્ચ કરવો અયોગ્ય હોવાની પણ દલીલ ઊભી થઈ હતી. > ચૈતન્ય દેસાઈ, ધારાસભ્ય

દિવ્ય ભાસ્કર 20 Dec 2025 5:56 am