બિલિમોરા પોલીસે ઇન્સ્ટાગ્રામ પર જોખમી બાઈક સ્ટંટ અને અર્ધ નગ્ન થઈ વીડિયો અપલોડ કરનારા ચાર યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો 'લાઇક' અને 'ફોલોઅર્સ' મેળવવાના શોખમાં જાહેર રસ્તાઓ પર આવા ગુનાહિત કૃત્યો કરતા હતા. પોલીસને 'crazy__gang_1530' નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર કેટલાક વીડિયો જોવા મળ્યા હતા. આ વીડિયોમાં બે મોપેડ પર સવાર યુવકો પુરઝડપે અને બેફામ રીતે વાહન ચલાવતા દેખાયા હતા. યુવકો ક્યારેક ડબલ તો ક્યારેક ત્રણ સવારી કરતા, શરીર પરનો શર્ટ નિર્લજ્જપણે કાઢી નાંખીને બેકાળજીથી વાહન ચલાવતા હતા. તેઓ ખાલી બોટલોમાંથી દારૂ પીવાની અને લથડિયા ખાવાની એક્ટિંગ પણ કરતા હતા. આ કૃત્યો દેસરા ઓવર બ્રિજ અને અન્ય જાહેર રસ્તાઓ પર કરવામાં આવ્યા હતા, જેનાથી લોકોની જિંદગી જોખમમાં મુકાઈ હતી. બિલિમોરા પોલીસ સ્ટેશનના એ.હે.કો. મહેશકુમાર સતિષભાઇએ પેટ્રોલિંગ દરમિયાન તેમના મોબાઈલ ફોન પર આ વાયરલ વીડિયો જોયા બાદ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઇન્સ્ટાગ્રામ પેજની ખરાઈ કરતા, તેનો વપરાશકર્તા ઋત્વિક ધર્મેશભાઇ નટુભાઇ કો.પટેલ, રહેવાસી ઉંડાચ, વાણિયા ફળિયું, ગણદેવી હોવાનું જાણવા મળ્યું. વીડિયોમાં દેખાતી મોપેડના માલિકોની તપાસ બાદ પોલીસે ઋત્વિકના સરનામે પહોંચી તેની ધરપકડ કરી. ઋત્વિકની પૂછપરછમાં તેના અન્ય મિત્રો ગૌરવ કમલેશભાઇ શંકરભાઇ, પ્રફુલ સુરેશભાઇ બાબુભાઇ નાયકા અને જય બિપીનભાઇ પટેલના નામ પણ સામે આવ્યા, જેમને પોલીસે ઝડપી પાડ્યા હતા. પકડાયેલા તમામ આરોપીઓએ કબૂલ્યું કે, તેઓ ઇન્સ્ટાગ્રામ પર 'લાઇક' અને 'ફોલોઅર્સ' વધારવા માટે આવા જોખમી અને નિર્લજ્જ વીડિયો બનાવીને અપલોડ કરતા હતા. પોલીસે આ ગુનાહિત કૃત્ય બદલ તમામ આરોપીઓની કાયદેસરની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દેશના મેટ્રોપોલિટન સીટી ગણાતા અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ટ્રાફિકની સમસ્યા નિવારવા અને ભારણ ઘટાડવા માટે મુખ્ય 25 જંકશન ઉપર ટ્રાફિકને લઈ ડ્રોન એરિયલ સર્વે કરાવવાનો નિર્ણય લીધો હતો. શહેરના વધુ 10 જંકશનો ઉપર પણ ડ્રોન એરિયલ સર્વે તેમજ ટ્રાફિકની અવરજવર અંગેનો સર્વે કરાવવા માટે મંજૂરી આપવામાં આવી છે. આગામી 10 વર્ષના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ સર્વે કરવામાં આવશે. જેથી કોર્પોરેશન અને પોલીસ સાથે મળી અને ટ્રાફિકની કેવી રીતે નિવારણ કરી શકાય તે અંગે નિર્ણય લઇ શકશે. 25 જંકશન પર ટ્રાફિકની અવરજવર માટે કોન્ટ્રાક્ટ અપાયોઅમદાવાદ શહેર રાજ્યનું સૌથી મોટું શહેર છે, જેમાં અંદાજે 38 લાખ જેટલા વાહનો નોંધાયેલા છે. શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ખાસ કરીને મુખ્ય જંકશનનો ઉપર ટ્રાફિક વધુ હોય છે. પાર્કિંગના અભાવના કારણે ટ્રાફિકની સમસ્યા થાય છે જેથી તેનું ભારણ ઘટાડવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મુખ્ય 25 જંકશન પર ટ્રાફિકની અવરજવરનો સર્વે કરાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થાને સર્વે માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવામાં આવતા રાઉન્ડ દરમિયાન શહેરના વધુ 10 જંકશન ઉપર ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. જેથી બીજા જંકશન પર પણ સર્વે કરાવવા માટે નિર્ણય લેવાયો છે. આગામી 10 વર્ષના ટ્રાફિક અંગેનો સર્વે કરવામાં આવશેસેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ નામની સંસ્થા દ્વારા બીજા 10 જેટલા મુખ્ય જંકશન પર આગામી 10 વર્ષના ટ્રાફિક અંગેનો સર્વે કરવામાં આવશે. જેમાં એરિયલ ડ્રોન સર્વે કરવામાં આવશે કે કેટલો ટ્રાફિક ત્યાંથી પસાર થાય છે. દરેક દિશામાંથી સમયાંતરે કેટલા વાહનો એકસાથે ત્યાંથી પસાર થાય છે. પીક અવર્સ દરમિયાન કેટલા વાહનો અને કેટલો ટ્રાફિક રહે છે તે અંગે માહિતી મેળવવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે શું કરી શકાય તે અંગેનો પ્લાન પણ બનાવીને આપવામાં આવશે. મુખ્ય જંકશન ઉપર વાહનોના પસાર થવામાં કેટલી જમીનનો ઉપયોગ થાય છે, કેટલું દબાણ છે, ત્યાં અવર-જવરમાં તકલીફ પડી રહી છે કે કેમ, આ તમામ પ્રકારનો સર્વે કરવામાં આવશે. કયા કયા મુખ્ય જંકશન પર સર્વે થશે
સંજેલી તાલુકાના હિરોલા ગામની રંગલીઘાંટી વિસ્તારમાં આજે સવારે એક યુવકનો સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે હત્યા કે આત્મહત્યાની દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. વહેલી સવારે કેટલાક લોકો ઢોર ચરાવવા રંગલીઘાંટી વિસ્તારમાં ગયા હતા. ત્યારે કોચર વિસ્તારમાં સળગેલો માનવદેહ જોઈને તેઓ ચોંકી ઉઠ્યા હતા અને તાત્કાલિક સંજેલી પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં જ DySP, સંજેલી PI અને પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સ્થળને કોર્ડન કરીને પુરાવા એકત્ર કર્યા હતા. મૃતદેહ એટલી હદે સળગેલો હતો કે, તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. જોકે, મૃતકના હાથમાં એક સ્માર્ટ ઘડી મળી આવી હતી, જેને પોલીસે જપ્ત કરી છે. આ ઘડી યુવકની ઓળખ અને કેસ ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ, યુવકને અન્ય સ્થળેથી લાવીને અહીં સળગાવી દેવાયો હોઈ શકે છે અથવા તેણે આત્મહત્યા કરી હોઈ શકે છે. આ ઘટનાના સમાચાર પ્રસરતા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે પરિસ્થિતિને નિયંત્રિત કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. યુવકની ઓળખ, તેના મૃત્યુનું કારણ (હત્યા કે આત્મહત્યા) જાણવા પોલીસે સઘન તપાસ શરૂ કરી છે. આસપાસના વિસ્તારમાં ગુમ થયેલા લોકોની ફરિયાદો પણ ચકાસવામાં આવી રહી છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)ની મદદ પણ લેવાઈ રહી છે. પોલીસે આ ભેદી મોતનું રહસ્ય ઉકેલવા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
યુરોપમાં સ્થાયી થવાના સપના સાથે નીકળેલા મહેસાણા જિલ્લાના બાદલપુરા ગામના એક પરિવારને એજન્ટોએ છેતરીને લીબિયા મોકલી દીધો છે, જ્યાં તેમને બંધક બનાવીને તેમની મુક્તિ માટે 2 કરોડ જેટલી તોતિંગ ખંડણીની માંગ કરવામાં આવી રહી છે. પીડિત પરિવારે આ કાવતરામાં મહેતા હર્ષિત કમલેશભાઈ નામના એક વ્યક્તિની સંડોવણી હોવાનો આક્ષેપ કર્યો છે. મહેસાણાના બાદલપુરા ગામના રહેવાસી કિસ્મતસિંહ ચાવડા, તેમનાં પત્ની હીનાબેન, અને તેમની 3 વર્ષની બાળકી દેવાંશીબા દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યા હતા. જોકે, કથિત રીતે એજન્ટોએ તેમને છેતરીને પોર્ટુગલને બદલે લીબિયા મોકલી દીધા હતા. લીબિયામાં આ પરિવારને એકાંત સ્થળે બંદી બનાવવામાં આવ્યો છે. અપહરણકર્તાઓ દ્વારા પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.અપહરણકર્તાઓ દ્વારા શરૂઆતમાં $54,000 (લગભગ ₹45 લાખ)ની માંગણી કરવામાં આવી હતી. જોકે, આ કાવતરામાં સંડોવાયેલા દુબઈના એજન્ટો દ્વારા આ પરિવારને મુક્ત કરવા માટે હવે ₹1 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી રહી હોવાના અહેવાલ છે. આ રકમ $54,000 સાથે મળીને લગભગ ₹2 કરોડ સુધી પહોંચી શકે છે. સરકાર પાસે મદદની માંગમુસીબતમાં ફસાયેલા કિસ્મતસિંહ ચાવડાના પરિજને આ અંગે મહેસાણા કલેક્ટર કચેરીએ લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે. પરિવારે વિનંતી કરી છે કે વિદેશમાં ફસાયેલા આ પરિવારને કોઈ પણ ભોગે હેમખેમ પરત લાવવામાં આવે. હાલમાં આ મામલે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વિદેશ મંત્રાલયના સંપર્કમાં રહીને પરિવારને સુરક્ષિત પરત લાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
નવસારી ખાતે મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન અંતર્ગત એક ક્લસ્ટર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, પ્રદેશ સંયોજનના ઇન્ચાર્જ મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી ધનકર સહિતના નેતાઓ આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા. આ કાર્યશાળાનો મુખ્ય હેતુ આગામી સમયમાં હાથ ધરાનાર સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) કામગીરી માટે પક્ષના કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવાનો હતો. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત સાચા મતદારો યાદીમાંથી બાકાત ન રહે અને ખોટા મતદારોનો સમાવેશ ન થાય તેની ખાતરી કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓને મતદાર યાદી સુધારણા સંબંધિત વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી. ઉપસ્થિત નેતાઓએ કાર્યકર્તાઓને આ કામગીરીનું મહત્વ સમજાવ્યું હતું અને તેમને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, જગદીશ પંચાલ, મુકેશભાઈ અને રાષ્ટ્રીય મંત્રી ધનકરે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા અને તેમને મતદાર યાદી સુધારણા પ્રક્રિયાની ઝીણવટભરી માહિતી આપી હતી.
ભરૂચમાં રોટરી ક્લબ ઑફ ભરુચ હેરિટેજ દ્વારા નર્મદા કોમર્સ એન્ડ સાયન્સ કોલેજને આશરે રૂ. 55,000ના પુસ્તકોનું દાન કરવામાં આવ્યું છે. આ દાન 12 ડિસેમ્બરે લાઇબ્રેરી બુક ડોનેશન પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સંસાધનોને મજબૂત બનાવવાનો અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે. પ્રોજેક્ટ ચેરમેન તરીકે રોટેરિયન અયૂબ પટેલે કામગીરી સંભાળી હતી, જ્યારે જોઈન્ટ સચિવ રોટેરિયન સમીર પટેલ અને સચિવ રોટેરિયન નઝીર પટેલે આયોજનમાં વિશેષ યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે રોટરીયન યાસીનભાઈ, ક્લબ એડવાઇઝર અને ભૂતપૂર્વ પ્રમુખ તાલકીન જમીનદાર, ભૂતપૂર્વ પ્રમુખ રીજવાના જમીનદાર, પ્રિન્સિપાલ કૌશલ પટેલ, લાઇબ્રેરિયન રોહિત પરમાર અને પ્રોફેસર વિજય શાહ સહિતના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ પરિવારે રોટરી ક્લબ ઑફ ભરુચ હેરિટેજના આ શૈક્ષણિક પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન (GSBTM) દ્વારા જુનાગઢ ખાતે આયોજિત બે દિવસીય સેમિનારના પ્રથમ દિવસે, બાયોટેકનોલોજીના માધ્યમથી વન્યજીવ સંરક્ષણ અને વ્યવસ્થાપનના નવા આયામો પર વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોએ ગહન ચર્ચા કરી હતી. આ સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વન વિભાગના કર્મચારીઓ પણ ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. ચર્ચા દરમિયાન નિષ્ણાતોએ એક મહત્ત્વપૂર્ણ સૂર વ્યક્ત કર્યો હતો કે, માનવીય વસવાટમાં વન્યજીવોના આવાગમનથી પશુઓ અને લોકોમાં નવીન રોગોનો ઉદ્ભવ થઈ રહ્યો છે. GSBTM દ્વારા ફંડ અને સંશોધનની હિમાયત ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશનના ડાયરેક્ટર ડી.ડી.જાડેજાએ જણાવ્યું હતું કે,ગીરના સિંહ જેવા જગવિખ્યાત વન્યજીવોના ઓબ્ઝર્વેશન અને સંરક્ષણ માટે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં નવા સંશોધનો હાથ ધરવા GSBTM તત્પર છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સિંહ સહિતના વન્ય પ્રાણીઓમાં આવતા આનુવંશિક રોગોથી બચાવવા માટે શું કરી શકાય, તેના પર મંથન કરવું જરૂરી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓને વન્યજીવોના સંરક્ષણ માટે સહયોગથી કામ કરવાની હિમાયત કરી અને ખાતરી આપી કે GSBTM દ્વારા આવા રિસર્ચ માટે પૂરતું ફંડ આપવામાં આવશે. તેમણે કોરોના મહામારી દરમિયાન વેક્સિન દ્વારા બાયોટેકનોલોજીના સકારાત્મક પ્રભાવનું ઉદાહરણ આપી, યુવાનોને આત્મવિશ્વાસ સાથે સંશોધન ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. માનવ-પ્રાણી સંઘર્ષ અને રોગ નિયંત્રણ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વન્યજીવ સંરક્ષણની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો જેમાં રામ રતન નાલાએ જણાવ્યું હતું કે જૂનાગઢ વન્ય વર્તુળના મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું કે, સંરક્ષણના પરિણામે વન્યજીવોની સંખ્યામાં મોટો વધારો થયો છે, જેનાથી માનવ સાથે સંઘર્ષ વધ્યો છે. આ સંઘર્ષની સાથે નવીન પ્રકારના રોગો પણ જોવા મળી રહ્યા છે, જેના પ્રિવેન્શન માટે પૂરતી તૈયારી રાખવી જરૂરી છે.ડો. નિશિથ ધારૈયા એ જણાવ્યું હતું કે સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વાઇલ્ડ લાઇફના ડાયરેક્ટરે જણાવ્યું કે, શહેરી અને પ્રવાસન સ્થળોએ વન્યજીવોના આવાગમનથી તેઓ માનવકૃત ખોરાક લે છે, જેનાથી તેમની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળે છે.એને ડો. એસ. કે. ગુપ્તા એ જણાવ્યું હતું કે માય લાઈફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, દેહરાદૂન,ના સાયન્ટિસ્ટે જણાવ્યું કે, મનુષ્ય પર વન્યપ્રાણીઓ દ્વારા હુમલો થાય ત્યારે, હુમલો કરનાર પ્રાણીના વાળ, લાળ કે ટીશ્યુના નમૂના લઈ બાયોટેકનોલોજીના માધ્યમથી પૃથ્થકરણ કરી સચોટ જવાબો મેળવી શકાય છે. દૂધ ઉત્પાદન અને ઓલાદ સુધારણામાં બાયોટેકનોલોજી રાજ્યના પશુપાલન વિભાગના સંયુક્ત નિયામક અમિત કાનાણીએ પશુપાલન ક્ષેત્રે બાયોટેકનોલોજીના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, તેની મદદથી દૂધાળા પશુઓમાં રોગ નિયંત્રણ કરી શકાય છે અને દૂધ ઉત્પાદન પણ વધારી શકાય છે. તેમણે સેક્સ્ડ સીમન ટેકનિકનો ઉપયોગ કરીને પશુઓમાં ઓલાદ સુધારણા અને શ્રેષ્ઠ નસલ દ્વારા પશુઓના સંરક્ષણની વાત કરી. ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપતાં કહ્યું કે, દેશની ઉન્નતિ માટે નવા વિચાર સાથે ઇનોવેશનનો અભિગમ રાખવો જરૂરી છે.ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રતાપસિંહ ચૌહાણે બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં રહેલી સંભાવનાઓનો ઉલ્લેખ કરી GSBTM સાથે જોડાઈને વન્યજીવ સંરક્ષણના રિસર્ચને ગ્રાઉન્ડ લેવલ સુધી લઈ જવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.ડો. અપૂર્વ સિંહ પુવારે (ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર) એ વન્યજીવનના જીનોમિક્સ સંદર્ભે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. મિશનના ડાયરેક્ટર ડી.ડી.જાડેજાએ અંતમાં વન વિભાગના સ્ટાફ અને વિદ્યાર્થીઓને આ વિષયો પર રિસર્ચ કરવા અને પોતાના મંતવ્યો રજૂ કરવા આહ્વાન કર્યું હતું, જેનાથી ગીરના સિંહ સહિતના વન્યજીવોના સંરક્ષણ માટે એક નવો રોડમેપ તૈયાર થઈ શકે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક(LRD) કેડર માટે યોજાયેલી સમગ્ર ભરતી પ્રક્રિયાનું આખરી પરિણામ આજે 12 ડિસેમ્બર 2025ના રોજ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યભરમાં લાખો ઉમેદવારો દ્વારા આતૂરતાથી રાહ જોવામાં આવતા આ પરિણામ સાથે લોકરક્ષક કેડરની લાંબી ચાલેલી ભરતી પ્રક્રિયાનું સફળતાપૂર્વક સમાપન થયું છે. ભરતી બોર્ડે જણાવ્યું છે કે, આ સમગ્ર પ્રક્રિયા શારીરિક કસોટી, લેખિત પરીક્ષા અને દસ્તાવેજ ચકાસણી સંપૂર્ણ પારદર્શકતા અને નિષ્પક્ષતા સાથે પૂર્ણ કરવામાં આવી હતી. ઉમેદવારોની સુરક્ષા અને ભરતીની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે તમામ તબક્કાઓમાં ટેક્નોલોજી આધારિત માપદંડો અપનાવવામાં આવ્યા હતાં. CCTV મોનીટરીંગ, બાયોમેટ્રિક વેરિફિકેશન અને મશીન આધારિત OMR ચકાસણી દ્વારા સમગ્ર પ્રક્રિયાને નિષ્ઠાપૂર્વક અંજામ આપવામાં આવ્યો હતો. LRD કેડરનું આખરી પરિણામ તથા ભરતી સંબંધિત તમામ દસ્તાવેજો આજે જ મુખ્ય સચિવ, ગુજરાત રાજ્ય તેમજ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્યને સુપ્રત કરવામાં આવ્યા છે. આ સાથે ભરતી પ્રક્રિયાના સત્તાવાર સમાપનની પૂર્ણાહુતિ પણ થઈ છે. ભરતી બોર્ડે સૂચના આપી છે કે, ઉમેદવારો પોતાના મેરિટ ક્રમાંક, પસંદગીની સ્થિતિ, કેટેગરીવાઈઝ કટ-ઓફ માર્ક્સ તેમજ તમામ વિગતો ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર ચકાસી શકે છે. પરિણામ જોવા માટે ઉમેદવારોએ Final Result – Lokrakshak Cadre (GPRB/202324/1) વિભાગમાં જઈ પોતાની વિગતો દાખલ કરી રહેશે. લોકરક્ષક કેડરની ભરતીમાં પસંદગી મેળવનાર ઉમેદવારોને આગળની નિયુક્તિ પ્રક્રિયા અંગેની માહિતી આગામી દિવસોમાં અધિકૃત રીતે જાહેર કરવામાં આવશે.
રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં સોશિયલ મીડિયા પર વેપારીઓને ટાર્ગેટ કરતી એક હનીટ્રેપ ગેંગે જામકંડોરણા વિસ્તારના એક આધેડ વેપારીને પોતાની જાળમાં ફસાવ્યા હતા. એક મહિલા આરોપીએ ચેટિંગ કરીને વેપારીને મળવા બોલાવ્યા બાદ જામનગર નજીક અવાવરું જગ્યાએ લઈ ગઈ હતી, જ્યાં ગેંગના અન્ય સભ્યોએ મહિલાના સગાં તરીકે ઓળખ આપી વેપારી સાથે મારપીટ કરી અને દુષ્કર્મ કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂ. 50 લાખની માંગણી કરી હતી. જોકે આખરે રૂ. 6 લાખનું સેટલમેન્ટ કરીને આંગડિયા મારફત રકમ પડાવી લેવામાં આવી હતી. પોલીસે આ કેસમાં બે મહિલા સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની મોડેસ ઓપરેન્ડીમાં માત્ર ફોર-વ્હીલર લઈને આવતા 40થી 60 વર્ષના વેપારીઓને જ ટાર્ગેટ કરવામાં આવતા હતા. આ જ ટોળકીએ અન્ય બે વેપારીઓ સાથે પણ હનીટ્રેપ આચર્યું હોવાનું સામે આવ્યું છે, જેના અલગ ગુના નોંધવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. પોલીસે બે મહિલા સંહિત સાત આરોપીઓની ધરપકડ કરી રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, રાજકોટના જામકંડોરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા વેપારી સાથે હનીટ્રેપ થયા હોવાની જાણ થતા તેની ઓળખ ગુપ્ત રાખી ફરિયાદ નોંધી પોલીસે બે મહિલા સંહિત સાત આરોપીઓની ધરપકડ કરી ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પકડાયેલા આરોપી પૈકી જાનવી પંચોલી સામે તાજેતરમાં થોડા સમય પૂર્વે જૂનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાઈ ચુકી છે, જ્યારે બાકીના આરોપી વિપુલ સુસરા સામે 3 ગુના, સવજી ઠુંગા અને વિશાલ પરમાર વિરુદ્ધ એક-એક ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી શું હતી? પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જુદા જુદા વેપારીઓનો સંપર્ક શોધી બાદમાં વેપારીને વ્હોટ્સએપ પર હાય, હેલો, અને હાઉ આર યુ જેવા મેસેજ કરી બાદમાં વાત શરૂ કરતા હતા. જેમાં સામે રિસ્પોન્સ મળે તો આગળ વાત કરી બાદમાં તેને જાળમાં ફસાવી મળવા માટે બોલાવતા હતા. તેમાં પણ જો કોઈ ટુ વ્હિલર લઈને આવે તો મળવાનું ટાળી દેતા હતા. કારણ કે તેમનો પ્લાન ફોર વ્હિલરમાં આગળ અવાવરું જગ્યાએ લઇ જવાનો રહેતો હતો. વેપારીઓને દુષ્કર્મ કેસમાં ફસાવી દેવાની ધમકી આપતાફોર વ્હિલર લઈને વેપારી આવે તો તેની સાથે અવાવરું જગ્યાએ મળવા પહોંચી બાદમાં ગેંગના બાકીના સભ્યો આવી મહિલાના ભાઈ, પિતા, પતિ, મામા સહિતની જુદી જુદી ઓળખ આપતા. જે બાદ વેપારી સાથે મારામારી કરી દુષ્કર્મ જેવા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હતા. જો કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે કહી રૂપિયાની માંગણી કરી રૂપિયા પડાવી લેતા હતા. આરોપીઓ રૂપિયા મેળવ્યા બાદ 14 ભાગ પાડતા હતા અને રૂપિયાની ભાગબટાઈ કરતા હતા અને તમામ અલગ અલગ હિસ્સામાં રૂપિયા ઓલવી લેતા હતા. જામકંડોરણાના વેપારી પાસે 50 લાખની માંગણી કરાઈપોલીસ તપાસમાં જામકંડોરણાના વેપારી સાથે સંપર્ક કેળવી બાદમાં તેની સાથે વ્હોટ્સએપ પર ચેટિંગ કરી મળવા બોલાવ્યા હતા. જે બાદ મહિલા વેપારીને લઇ જામનગર નજીક અવાવરું જગ્યાએ લઇ ગયા હતા. જ્યાં ઉભા રહેતા પાછળથી શખ્સોએ આવી મહિલાના પરિવારજન તરીકે ઓળખ આપી વેપારી સાથે મારકૂટ કરી હતી. મહિલાને બાઈક મારફતે પરત મોકલી વેપારીને દુષ્કર્મ સહિત ખોટા કેસની ધમકીઓ આપી ફસાવી દેવા બ્લેકમેલ કર્યા હતા અને તેની પાસેથી રૂપિયા 50 લાખની માંગણી કરવામાં આવી હતી. 6 લાખ મેળવી વેપારીને છોડી દેવામાં આવ્યારકજકના અંતે 6 લાખમાં સેટિંગ થતા પીએમ આંગડિયા જામનગર પેઢી ખાતેથી 6 લાખ મેળવી વેપારીને છોડી દેવામાં આવ્યા હતા. વેપારી પોતાની આબરૂ જવા બીકે ફરિયાદ ન કરતા હતા પરંતુ પોલીસે વિશ્વાસ અપાવી ઓળખ છુપાવાની ખાતરી આપતા અંતે વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટ, હનીટ્રેપ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સાત આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ પાસેથી 1.13 લાખનો મુદ્દામાલ કબજે કરાયોપકડાયેલા આરોપીઓ દ્વારા અન્ય બે વેપારી સાથે આ રીતે હનીટ્રેપ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે બંને વેપારી પોલીસના સંપર્કમાં છે. અન્ય કોઈ લોકો આ રીતે ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે જેની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવાની ખાતરી આપવામાં આવી છે. હાલ પોલીસે સાતેય આરોપીજે ઝડપી પડી તેની પાસેથી મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 1.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જો કોઈ જાણકાર લોકો એટલે કે પોલીસ અથવા તેના પરિજનો, વકીલ અથવા તેના પરિજનો, રાજનેતા કે તેના પરિજનો આ ટોળકીની જાળમાં ફસાય જાય તો તેને છોડી દેતા હતા તેની પાસે કોઈ રૂપિયાની માંગણી કરતા ન હતા કારણ કે તેનાથી પોતે પોલીસ પકડમાં આવી જશે તેવી બીક હતી, માટે આરોપીઓ મોટા ભાગે વેપારીઓ તેમજ આધેડ અને સિનિયર સિટિઝનને ટાર્ગેટ કરવાનું નક્કી કરતા હતા.
અમદાવાદ શહેરમાં આવેલા 16 જૂના ઓવરબ્રિજ પરથી ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તેના માટે રીસ્ટ્રીકટેડ હાઇટ બેરીયર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવશે. 2.49 કરોડ રૂપિયાના ખર્ચે આ તમામ 16 બ્રિજ પર બેરિયર લગાવી દેવામાં આવશે જેના કારણે થઈને ભારે અને ઓવરલોડ વાહનો પસાર થઈ શકશે નહીં. અન્ય બ્રિજ પર લોડીંગ વહન કરવાની ક્ષમતા દર્શાવતા ડીઝાઈન કેપેસીટી અંગેના ઇન્ફોરમેટરી સાઈન બોર્ડ લગાવવામાં આવશે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ વસાવા અને ડેપ્યુટી સરપંચ મિતેશ જાદવ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ બાદ ગ્રામ પંચાયતના સભ્યએ લેખિતમાં તાલુકા વિકાસ અધિકારીને અરજી આપવામાં આવી હતી. અરજીમાં જણાવ્યું હતું કે ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ વિકાસના કામો કોન્ટ્રાક્ટરને કરવા બાબતે તેના બદલમા કામો પેટે કોન્ટ્રાક્ટર પાસેથી એડવાન્સમાં બંને સરપંચોએ ટકાવારી પેટે રૂપિયા લીધા હોવાના આરોપ સાથે પંચાયતના સભ્યએ ટીડીઓને અરજી આપી હતી. જે બાદ ટીડીઓ દ્વારા વધુ તપાસ હાથ ધરવાામં આવી છે. ટીડીઓની તપાસ વચ્ચે સરપંચનો ઓડિયો અને વીડિયો ચર્ચાનું કેન્દ્ર બન્યાભ્રષ્ટાચારના આક્ષેપોનો સામનો કરી રહેલા સરપંચનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં તે માથા પર તગારું મૂકી શાકભાજી વેચતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત એક કથિત ઓડિયો પણ વાઈરલ થયો છે. જેમાં સરપંચે પોતાના જ મિત્રોને ફોન ઉપર જણાવ્યું કે સરપંચ ગાંડો થઈ ગયો છે. જેથી જવાબ નહીં આપે એમ કમલેશ વસાવા પોતાના જ મિત્રો સાથે ફોન પર વાતચીત કરી હતી. વાઈરલ ઓડિયો અને વીડિયો વચ્ચે TDOએ તપાસ હાથ ધરીઆ ઓડિયો તેમજ વિડીયો વાયરલ થતાં તેમજ ભ્રષ્ટાચારની આરોપની અરજી ને ધ્યાનમાં લઇ તાલુકા વિકાસ રસુલાબાદ ગામ ખાતે પહોંચી તપાસ શરૂ કરી માથે ટોપલો મુકી સરપંચ ગામમાં નીકળી પડ્તા લોકોમાં પણ આશ્ચર્ય સર્જાતું હતું કે સરપંચ કેમ આ પ્રકારની હરકત કરે છે. ભ્રષ્ટાચારની તપાસમાં પહોંચેલા તાલુકા વિકાસ અધિકારીએ તલાટીને સાથે રાખી તપાસ હાથ ધરી છે. તપાસમાં જે કંઈ નીકળશે તેના આધારે કાર્યવાહી કરાશેઃ TDOઆ અંગે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી ડી જી પટેલે જણાવ્યું હતું કે, રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉ.સરપંચના વિરોધમાં ભષ્ટ્રાચાર વિરુધ્ધમાં અરજી આવી હતી. જે અરજીના અનુસાધનમાં તાલુકા પંચાયતના અધિકારી દ્વારા તપાસની કાર્યવાહી કરવામાં આવી છે. જે તપાસમાં નીકળશે તે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. આ સમગ્ર મામલે અમે રસુલાબાદ ગ્રામ પંચાયતના સરપંચ કમલેશ વસાવા સાથે ટેલિફોનીક સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો જો કે તેઓ સાથે વાતચીત થઈ નહોતી.
નેગેટિવ સમાચારને પોઝિટિવ લઇએ છીએ:CM ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત મીડિયા ક્લબ દ્વારા આયોજિત ફેસ્ટિવલ 'ભારત કુલ'નું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું.આ દરમિયાન તેમણે કહ્યું, નેગેટિવ સમાચારને પોઝિટિવ લઇએ છીએ. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રાજકોટઃ SRP જવાને પોલીસ કમિશનર કચેરીમાં આપઘાત કર્યો રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં જ SRP જવાને આપઘાત કર્યો. ચાલુ ફરજે કચેરીના ગેટ પાસે સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી.મૃતક ગજુભા રાઠોડ મૂળ કચ્છના મોટા રાપર ગામના વતની હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો વલસાડઃ 42 કરોડના ખર્ચે બની રહેલ બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું વલસાડના કૈલાશ રોડ ઉપર 42 કરોડના ખર્ચે બની રહેલ બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું.આ દુર્ઘટનામાં પાંચ શ્રમિકો ઈજાગ્રસ્ત થયા છે. સદનસિબે કોઈ જાનહાનિ થઈ નથી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો બાઇક-રિક્ષા વચ્ચે અકસ્તમાત,મહિલા બળીને ભડથું અંકલેશ્વર-વાલિયા રોડ પર બાઇક અને રિક્ષા વચ્ચે અકસ્તમાત સર્જાતા ભીષણ આગ ફાટી નીકળી.જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું સળગી જતા કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 3 લોકો ગંભીર રીતે દાઝ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ડૉક્ટર કારચાલકે સિક્યુરિટી ગાર્ડને ઉડાવ્યો વડોદરામાં ડોક્ટર કારચાલકે સિક્યુરિટી ગાર્ડને ઉડાવ્યો. આ અકસ્માતમાં નયનભાઈ મરાઠે નામના સિક્યુરિટી ગાર્ડનું મોત નિપજ્યું છે.અકસ્માત બાદ પણ ડોક્ટર કારચાલક નફ્ફટની જેમ હસતો રહ્યો. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો VCEને વધારાની કામગીરી માટે મિનિમમ રૂ.20 ચૂકવાશે હવે ગ્રામ પંચાયતના VCEને સોંપવામાં આવતી વધારાની કામગીરી માટે મિનિમમ રૂ.20 ચૂકવાશે. જેનો ઇ-સેવા આપતાં 14 હજાર વીસીઇને ફાયદો થશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો શિક્ષિકા પત્નીની ભરણપોષણની અરજી કોર્ટે ફગાવી શિક્ષિકા તરીકે નોકરી કરતી મહિલાએ 35 હજારના પગારદાર પતિ પાસે 50 હજારનું ભરણપોષણ માગ્યું. નવાઈની વાત એ છે કે બંને એક જ ઘરમાં સાથે રહે છે.કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પત્નીની અરજી ફગાવી દીધી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો એરંડાના પાકની આડમાં ગાંજાનું વાવેતર ઝડપાયું મહીસાગરના બાલાસિનોરમાંથી પોલીસે 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો.ખેતરમાં એરંડાના પાકની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. પોલીસે કૂલ 473 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રિસામણે ગયેલી પત્નીને પતિએ મોતને ઘાટ ઉતારી ગીરસોમનાથમાં રિસામણે ગયેલી પત્નીને પતિએ છરીના 7 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી.બાઈક અને હથિયાર મૂકી આરોપી ફરાર થઈ ગયો છે. પોલીસે આરોપી પતિની શોધખોળ શરૂ કરી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો નલિયા 8.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રાજ્યમાં શિયાળાની સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું. કચ્છનું નલિયા 8.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું. અમદાવાદમાં પણ 0.3 ડિગ્રીના ઘટાડા સાથે 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
રાજકોટમાં શિયાળાના પ્રારંભ સાથે જ ખોરાક અને પાણીજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. જેને લઈને મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના જાણીતા પર્યટન સ્થળો અને ખાણીપીણીના બજારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ કામગીરી અંતર્ગત અટલ સરોવરની ફૂડ કોર્ટમાં આવેલા ફિરંગી બર્ગરમાંથી 18 કિલો અખાદ્ય પદાર્થનો નાશ કરવામાં આવ્યો છે, જ્યારે કાઠિયાવાડી કસુંબો, કે.કે. એન્ટરપ્રાઇઝમાંથી 5 કિલો જેટલા વાસી અને એક્સપાયરી ડેટ વાળા સાબુદાણા વડા તથા બ્રેડ મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો. એટલું જ નહીં પ્રદ્યુમ્ન પાર્ક અને ગાંધી મ્યુઝિયમમાં આવેલા 'ચરખા' સહિતના એકમોમાં પણ તપાસ કરવામાં આવી હતી. આજે કુલ 23 કિલો જેટલો વાસી ખોરાક જપ્ત કરી તેનો સ્થળ પર જ નિકાલ કરાયો હતો. તેમજ 15 વેપારીઓને લાયસન્સ માટે નોટિસ આપવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે હાથ ધરેલી આ ડ્રાઈવમાં કુલ 41 જેટલા ધંધાર્થીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન 30 જેટલા નમૂનાઓની સ્થળ પર ચકાસણી કરાઈ હતી અને લાયસન્સ વગર વ્યવસાય કરતા 15 વેપારીઓને નોટિસ આપી તાકીદે લાયસન્સ મેળવવા સૂચના અપાઈ છે. રાજકોટમાં પ્રથમ વખત આ રીતે અટલ સરોવર, પ્રદ્યુમ્ન પાર્કની કેન્ટીનો અને ગાંધી મ્યુઝિયમ જેવી જગ્યાએ એકસાથે દરોડા પાડવામાં આવતા ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપાનાં ફૂડ વિભાગે જણાવ્યા મુજબ અટલ સરોવર ફૂડ કોર્ટમાં આવેલી ફિરંગી બર્ગર/શાશ્વત ફૂડ્સમાં તપાસ કરતા ત્યાંથી 18 કિલો ફ્રોઝન મોમોઝનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થા પર ઉત્પાદકની કોઈ વિગત કે લેબલિંગ ન હોવાથી તેને અખાદ્ય ગણી નાશ કરવામાં આવ્યો હતો. તેવી રીતે અટલ સરોવરના કાઠિયાવાડી કસૂબો/કે.કે. એન્ટરપ્રાઇઝમાંથી 5 કિલો જેટલા વાસી અને એક્સપાયરી ડેટ વાળા સાબુદાણા વડા તથા બ્રેડ મળી આવતા તેનો પણ નાશ કરાયો હતો. આ ઉપરાંત અટલ સરોવરમાં કાર્યરત જમ્બો સ્નેક્સ, ઓસ્ટેલો સીસીએલ, માં આર્શિવાદ મદ્રાસ કાફે, ઓમ ફૂડ ઝોન, સદગુરુ કેટરર્સ, કેટી ફૂડ વેન્ચર, હેવમોર-કંપની આઉટલેટ અને ટાઢક ફૂડઝ બેવરેજીસ જેવા એકમોમાં પણ હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સ બાબતે ઝીણવટભરી તપાસ કરાઈ હતી. શહેરના અન્ય વિસ્તારોની વાત કરીએ તો આજીડેમ ચોકડી પાસે આવેલી રાજકોટ અમેરિકન મકાઈ, ચામુંડા કોલ્ડ્રિંક્સ, ભેરૂનાથ પાણીપુરી, ગાયત્રી કોલ્ડ્રિંક્સ, શિવશક્તિ સોડા સેન્ટર અને સાલોની પાણીપુરી સહિતના 15 જેટલા એકમોને લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત રામકૃષ્ણ આશ્રમ પાસે આવેલા બોમ્બે સ્ટાઈલ ભેળ, ઈશ્વર ઘૂઘરા, સંતોષ ભેળ અને ઠક્કર લચ્છી જેવા જાણીતા સ્થળોએ પણ ફૂડ વિભાગની ટીમે વિઝિટ લીધી હતી. પ્રદ્યુમ્ન પાર્કની મુલાકાતે આવતા સહેલાણીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી ત્યાં આવેલી રામનાથ કેન્ટીન, શ્રી રામ કેન્ટીન, તિરૂપતિ કેન્ટીન અને ચામુંડા કેન્ટીનમાં તપાસ કરવામાં આવી હતી. તેમજ જવાહર રોડ પર સ્થિત ગાંધી મ્યુઝિયમમાં આવેલી 'ચરખા ઈટરી'માં પણ ખાદ્યચીજોની ગુણવત્તા તપાસવામાં આવી હતી. આટલું જ નહીં, શહેરની પ્રતિષ્ઠિત ગણાતી ભાભા હોટલ, રાધે હોટલ, જોકર ગાંઠિયા અને મોંજીનિસ કેક શોપમાં પણ ફૂડ સેફ્ટીના ધોરણોનું પાલન થાય છે કે નહીં તે અંગે ચકાસણી કરાઈ હતી. ખાણીપીણીના તૈયાર નાસ્તા સિવાય ફૂડ વિભાગે ગૃહ ઉદ્યોગો પર પણ નજર ફેરવી છે. ભાવનગર રોડ પર શક્તિ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી મેગા ફૂડ ઇન્ડસ્ટ્રીઝમાંથી 'ધનુષ' બ્રાન્ડના રોસ્ટેડ અને મસાલા ચનાના નમૂના લેવાયા છે. તેમજ સંત કબીર રોડ પર આવેલા વિજય સીંગ સેન્ટરમાંથી પણ શેકેલા ચણાના સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તંત્રની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં અખાદ્ય સામગ્રી પીરસતા એકમો સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.
ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 6થી 10 જાન્યુઆરી સુધી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે. દર વર્ષે ગુજરાતની અલગ- અલગ મહાનગરપાલિકામાં ટૂર્નામેન્ટ યોજાય છે જે આ વર્ષે ભાવનગર મહાનગર પાલિકાને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું યજમાન પદ મળ્યું છે. જેમાં ગુજરાત રાજ્યની 8 મહાનગર પાલિકાની મેયર ઇલેવન ટીમ અને કમિશનર ઇલેવન ટીમ ભાગ લેશે,જેને પગલે મનપા દ્વારા તૈયારીઓનો પ્રારંભ કર્યો છે. આ બે ક્રિકેટ ગ્રાઉન્ડમાં આયોજનઆ અંગે મેયર ભરત બારડે જણાવ્યું હતું કે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગુજરાત રાજ્યની 8 મહાનગરપાલિકા વચ્ચે 6થી 10 જાન્યુઆરી સુધી ટુર્નામેન્ટ રમાવાની છે. તેમાં 8 મહાનગરની મેયર ઇલેવન અને કમિશનર ઇલેવન એવી રીતે કુલ 16 ટીમોનો સમાવેશ થાય છે. આ ટુર્નામેન્ટ ભાવનગરમાં સરભાવસિંહજી ક્રિકેટ ક્લબ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ક્રિકેટ ગ્રાઉન્ડ અને જરૂર જણાશે તો રેલ્વે ક્રિકેટ ગ્રાઉન્ડનો ઉપયોગ કરવામાં આવશે. 'મુખ્યમંત્રી, હર્ષ સંઘવી સહિતને આમંત્રણ અપાયું'તેને વધુમાં કહ્યું કે, દરેક ખેલાડીઓને સંપૂર્ણ સગવડતા સાથે મનપા દ્વારા તેમને તમામ સગવડ પુરી પાડવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, તેમજ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી નિમુબેન બામણીયાને અને ભાવનગરના ધારાસભ્યોને આમંત્રણ પાઠવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-સ્કૂલ પર તવાઈ બોલાવવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં અમદાવાદ શહેરની 35 કરતા વધુ પ્રિ-સ્કૂલને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવતા હવે પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરીને AMCના ચેરમેનને રજૂઆત કરવામાં આવી છે. ચાલુ સત્રમાં સીલ મારવાની કાર્યવાહી કરવામાં વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહી જશે તેવી ચિંતા પ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેમજ કોઈ પ્રકારની નોટિસ આપ્યા વગર પ્રિ-સ્કૂલોને સીલ મારવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ચાલુ સત્ર દરમિયાન પ્રિ-સ્કૂલ સીલ મારવાની કામગીરી ન કરવામાં આવે તેવી માગ કરાઈ છે. છેલ્લા બે દિવસમાં જ 35 જેટલા પ્રિ-સ્કૂલને સીલ મારવામાં આવીરાજકોટ ગેમઝોન બાદ BU પરવાનગી અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલા ભરવા માટે સૂચના આપવામાં આવી છે. જેના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BU પરવાનગી વગર પ્રિ-સ્કૂલ ચાલી રહી છે તે યોગ્ય નથી તેવું કહીને સીલ મરવાની કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં જ 35 જેટલા પ્રિ-સ્કૂલને સીલ મારવામાં આવી છે. 35 જેટલી પ્રિ-સ્કૂલને ચાલુ સત્રમાં સીલ મારવામાં આવતા હવે વિદ્યાર્થીઓનો અભ્યાસ ક્યાં થશે તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જેથી વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી ચાલુ સત્રમાં આ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવે તેવી AMCમાં રજૂઆત કરવામાં આવી છે. કોઈપણ નોટિસ આપ્યા વગર સીધી પ્રિ-સ્કૂલને સીલ મારીપ્રિ-સ્કૂલ એસોસિએશન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, મોટા ભાગની શાળાઓએ BUની પરવાનગી માટે અરજી કરી દીધી છે. તેમજ ઇમ્પેક્ટ ફી ભરીને તેના કાગળ પણ AMCમાં મોકલી આપવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી ફાઈલો ક્લિયર થતી જ નથી. ફાઈલો ક્લિયર થાય તો અમને BU પરમિશન મળી રહે, પરંતુ અચાનક જ કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર સીધી પ્રિ-સ્કૂલને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવતા તેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ છે. એકેડેમિક વર્ષનો સમય આપવામાં આવે તેવી રજૂઆતપ્રિ-સ્કૂલ એસોસિએશનના અમદાવાદ ઝોન સેક્રેટરી સાગર નાયકે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં 35 જેટલી પ્રિ-સ્કૂલને સીલ કરવામાં આવી છે. જેમાં કારણે 850 કેટલા બાળકો શિક્ષણથી વંચિત રહેવાના છે. જેથી વિદ્યાર્થીઓના હિત માટે AMC ચેરમેનને રજૂઆત કરી હતી. નોટિસ અમને મળી કે ન મળી તે બધી બાબતથી દૂર રહીને વિદ્યાર્થીઓની ચિંતા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જે બાદ તેનું કંઈક નિવારણ લાવવા માટે ખાતરી આપવામાં આવી છે. તેમજ BU પરવાનગી ન લીધી હોય તો એકેડેમિક વર્ષનો સમય આપવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. કારણ કે ચાલુ સત્રમાં સ્કૂલને સીલ કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ જાય ક્યાં ? જેથી ચાલુ સત્રમાં સ્કૂલને સીલ મારીને વિદ્યાર્થીઓને અભ્યાસથી વંચિત ન રાખી શકાય. AMCએ તમામ પ્રિ-સ્કૂલને સપ્ટેમ્બરમાં એક એક કાગળ આપ્યા હતાખોટી રીતે કાર્યવાહી કરાઈ હોવાનું કહી વધુમાં સાગર નાયકે જણાવ્યું હતું કે, ઇમ્પેક્ટ માટે તમામ પ્રિ-સ્કૂલ સંચાલકોએ રજૂઆત કરી દીધી છે. ફાઈલો આગળ પહોંચી ગઈ છે, પરંતુ ત્યાંથી કોઈ ફાઇલ ક્લિયર થતી નથી. ત્યાંથી ક્લિયરન્સ ક્યારે આવશે ? અને શું થશે ? તેમાં અમે શું કરવાના. AMCએ તમામ પ્રિ-સ્કૂલને સપ્ટેમ્બરમાં એક એક કાગળ આપ્યા હતા. જેમાં એવું લખેલું હતું કે, તમે લોકોએ જે પણ BU માટે કામગીરી કરી હોય તે 7 દિવસમાં રજૂ કરાવી દેવામાં આવે. 'અઢી મહિના સુધી કઈપણ ચેક કરવા માટે આવ્યું નથી'ઇમ્પેક્ટ ફી સહિતના કાગળ અમે લોકોએ રજૂ કરી દીધા હતા. જેના અઢી મહિના સુધી કઈપણ ચેક કરવા માટે આવ્યું નથી. જે બાદ હવે અચાનક સીલ મારવાની શરૂઆત કરવામાં આવી. નોટિસ આપ્યા વગર જ પ્રિ-સ્કૂલને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે એ તદ્દન ખોટું છે, પરંતુ અમારા માટે બાળકોના શિક્ષણની ચિંતા વધારે છે જેથી અમે રજૂઆત માટે ગયા હતા. જ્યાં આશ્વાશન આપવામાં આવ્યું છે કે કઈક રસ્તો કાઢવામાં આવશે.
ભુજમાં દાદુપીર રોડ પર ગઈકાલે રાત્રે એક ચકચારી હત્યાનો બનાવ બન્યો હતો. 25 વર્ષીય આમરીન અલાના પઢિયારની તેના પતિ ફિરોઝ ઇબ્રાહિમ સિદીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી. આરોપી પતિ હત્યા બાદ પોલીસ સમક્ષ હાજર થયો હતો. ભુજ નાયબ પોલીસવડા એમ.જે. ક્રિશ્ચિયને આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ફિરોઝે દાદુપીર માર્ગ પરથી પસાર થતી તેની પત્ની આમરીન પર પાછળથી ધારિયાના અનેક ઘા ઝીંક્યા હતા. તેણે પોલીસ મથકે હાજર થઈને કબૂલ્યું હતું કે, તેણે તેની પત્નીની હત્યા કરી છે. મૃતક આમરીન અને આરોપી ફિરોઝના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. જોકે, બંને વચ્ચે મનમેળ ન હોવાથી તેઓ અલગ રહેતા હતા. આરોપી ફિરોઝ તેની પત્ની પર શંકા રાખતો હતો અને ગુસ્સામાં રહેતો હતો, જે આ હત્યાનું કારણ બન્યું છે. આ સરાજાહેર હત્યાના બનાવને પગલે ઘટનાસ્થળે લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસને 112 મારફતે જાણ થતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જોકે, પોલીસ પહોંચે તે પહેલા 108 એમ્બ્યુલન્સ દ્વારા આમરીનને લોહીલુહાણ હાલતમાં જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે આમરીનને મૃત જાહેર કરી હતી. આ ઘટના બાદ હોસ્પિટલમાં હતભાગી મહિલાના પરિવારજનો અને અન્ય લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા.
સુરતમાં અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે દોડતા એક ટ્રક ચાલકે ઉમરા ગોથાણ બ્રિજ પર અકસ્માતની હારમાળા સર્જી હતી. ટ્રકે એક-બે નહીં પણ 3થી વધુ કારને ટક્કર મારી હતી, જેના કારણે વાહનોને મોટું નુકસાન થયું હતું. 3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારીપ્રાપ્ત માહિતી અનુસાર, આજે આ ઘટના ઉમરા ગોથાણ બ્રિજ પર બની હતી. બેફામ ગતિએ આવતા એક ટ્રકના ચાલકે સૌપ્રથમ રસ્તા પર ચાલી રહેલી 3થી વધુ કારોને ઉપરા-ઉપરી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે કારોને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. કારોને ટક્કર માર્યા બાદ આ બેકાબૂ ટ્રક અન્ય એક ટ્રકમાં ધડાકાભેર ઘુસી ગયો હતો, જેના કારણે અકસ્માતની ગંભીરતામાં વધારો થયો હતો. ટ્રક ચાલક ફરાર, લોકોને સામાન્ય ઇજાસદ્દનસીબે, આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માત સર્જ્યા બાદ ટ્રકનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ઉમરા ગોથાણ બ્રિજ અને આસપાસના રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. એકસાથે આટલા વાહનોને નુકસાન થવાથી અને ટ્રક રસ્તા વચ્ચે ઊભો રહેવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરીઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ટ્રાફિકને નિયંત્રિત કરવા અને અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની કામગીરી શરૂ કરી હતી. પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની ધરપકડ કરવા માટે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના બેફામ ડ્રાઇવિંગના જોખમો પર ફરી એકવાર સવાલ ઊભા કરે છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં 24 કિલોમીટરથી વધુ લાંબા ગ્રીનફીલ્ડ બાયપાસનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત કર્યું હોવા છતાં ખેડૂતોનો વિરોધ યથાવત રહ્યો છે. ખોડલા ગામના ખેડૂતોએ જમીન સંપાદનના પૂરતા વળતરની માંગ સાથે ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી અનોખો રોષ વ્યક્ત કર્યો હતો. ગઇકાલે બાયપાસનું ખાતમુહૂર્તપાલનપુરના એરોમા સર્કલ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા ઘણા સમયથી હતી. આ સમસ્યાના નિવારણ માટે સરકારે 562 કરોડથી વધુના ખર્ચે 24 કિલોમીટરથી લાંબા બાયપાસને મંજૂરી આપી હતી. ગઈકાલે મુખ્યમંત્રીના હસ્તે આ બાયપાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, અને હવે તેનું કામ શરૂ થવાનું છે. પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યાજોકે, બાયપાસ મંજૂર થયો ત્યારથી જ જમીન સંપાદનથી અસરગ્રસ્ત ખેડૂતો પૂરતા વળતરની માંગ સાથે વિરોધ કરી રહ્યા છે. ખાતમુહૂર્ત બાદ પણ ખેડૂતોનો રોષ શાંત પડ્યો નથી. આજે ખોડલા ગામે એકઠા થયેલા ખેડૂતોએ એક ખેડૂતનું પૂતળું બનાવી તેને જૂતાનો હાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા અને વિવિધ માંગણીઓ દર્શાવતા પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતા. જમીનનું પૂરતું વળતર આપવા માંગખેડૂતોનું કહેવું છે કે તેમને વિકાસ સામે કોઈ વાંધો નથી, પરંતુ તેમની સંપાદિત થતી જમીનનું પૂરતું વળતર મળવું જોઈએ. ખેડૂતોએ સરકાર પર વિકાસના નામે ખેડૂતોનો વિનાશ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો પૂરતું વળતર નહીં મળે તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે તેમને જમીનનો એવોર્ડ મળ્યો ન હોવા છતાં ખાતમુહૂર્ત કરી દેવાયું છે. એક તરફ સરકાર વિકાસના કાર્યો કરી રહી છે, ત્યારે બીજી તરફ ખેડૂતોના ગંભીર આક્ષેપો અને ચૂંટણી બહિષ્કારની ચીમકીને કારણે આ બાયપાસ પ્રોજેક્ટ ફરી વિવાદમાં સપડાય તેવી શક્યતા છે. 'ખેડૂતોની કોઈ રજૂઆત સાંભળી નથી'આ અંગે ખેડૂત સોમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, અમે બે-ત્રણ વર્ષથી બાયપાસ માટેની રજૂઆતો સરકારમાં કરી છે, અમે મુખ્યમંત્રીની બે-ચાર વખત મીટિંગો કરી. મુખ્યમંત્રી અમને એવો આદેશ આપ્યો કે બાયપાસ તો નીકળવાનો જ નથી, જમીન ખેડૂતની લેવી જ નથી, અમે બ્રિજ બનાવશું. છતાં કાલે મુખ્યમંત્રી આવી અને રોડનું ખાત મુર્હત કર્યું. ખેડૂતોની કોઈ રજૂઆત સાંભળી નથી અને પૂરતા અમને ભાવ ચૂકવણું કર્યું નથી. ખેડૂતને બે વીઘાથી ખેડૂત રખડતો થઈ ગયો. ખેડૂત રખડતો થઈ ગયો, એના છોકરાનું એના પરિવારનું કઈ રીતે ખેડૂત પૂરું કરશે , ખેડૂતની રજૂઆત કેમ સરકાર નહીં સાંભળતી જો રજૂઆત નહીં સાંભળે તો ખેડૂતો બહિષ્કાર કરવા માટે, ચૂંટણીમાં બહિષ્કાર કરવા માટે તૈયારી કરી રહ્યા છે, તો આ ખેડૂતની રજૂઆત ખરેખર સરકારે સાંભળવી પડે. કલેક્ટર સાથે પણ મીટિંગો કરી પણ કલેક્ટરે પણ અમારી રજૂઆત સાંભળેલી નથી. 'ખેડૂતોની મોંઘી જમીન પડાવી લીધી'ખેડૂત આગેવાન અમૃતભાઈ લોહે જણાવ્યું હતું કે, આજે અમે ખોડલા ગામે દરેક ગામના ખેડૂતો એકઠા થયા છીએ અને અમે અલગ રીતે ખેડૂતનું એક પૂતળું બનાવી અને વિરોધ પ્રદર્શન કર્યું છે. સરકારની સામે જે ખાતમુરત કર્યું, તે ખોડલાથી એમને વિહોણું રાખી અને ખાતમુર્તહ કર્યું છે. ખોડલાની કોઈ કાર્યવાહી કર્યા સિવાય, સંપાદન કર્યા સિવાય એમની ખાતમુરત કર્યું છે જે મુખ્યમંત્રી એ. તો સરકારે કશું આપ્યા સિવાય અમારી મોંઘી, મહામૂલી જમીન, એક તરફ એવું સરકાર કહે છે કે ખેડૂત પ્રધાન દેશ છે, ખેડૂત પ્રધાન દેશ છે, તો ઉપરથી એવું લોકો કહી રહ્યા છે સરકારી માણસો કે ખેડૂત પ્રધાન દેશ છે. તો ખેડૂતનો તો કોઈ, કહેવાયને કે વળતર નામે કશું ચૂકવતી નથી. જે વળતરના નામે એમને ખહડાના હાર પહેરાવી દીધા છે ખેડૂતને અને ખેડૂતની મહામોલી, મોંઘી જમીન પડાવી લીધી છે 'ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું'ખોડલા ગામના ખેડૂત ભગવાન ભાઈએ કહ્યું હતું કે ખોઢલા ગામમાં બાયપાસ જે નીકળવામાં નીકળે છે, એમાં 100 મીટર કર્યું અને 60 મીટર કર્યું. હવે, એમાં 60 મીટર રાખ્યું અને 100 મીટર રાખ્યું. એ એક તો અમને આ સરકારે એવો ભેદભાવ કર્યો છે, કે કોઈ હદ જ મૂકી દીધી છે. પછી, એ અન્ય પછી રેલ્વેની બાજુમાં પુલ આવે છે. તો એ પુલમાં એક જાહેર માર્ગ બોલે છે, કે એ જાહેર માર્ગ આજનો છે નહિ, અંગ્રેજો વખતનો છે. માર્ગ છે હવે ખેડૂતોને એક જ કે નીચા ભાવની તો જમીનો છે અમારી. અમારી બાજુમાં ચડોતર ગામ આવ્યું. ચડોતર અહીંથી અડીને જ છે, નજીક જ છે એકદમ શોર્ટ છે. તો, એમના જે દસ્તાવેજો છે, એમના ભાવો કોક ચૂકવવા નામ લેતા નહિ. તો અમારે શું કરવું, અને અમે આગળ પાછળ આ આજે અમે આંદોલન કરી રહ્યા છીએ, અને કાલે ફરી બે દિવસ પછી અમે કલેક્ટર પાસે મંજૂરી માંગી, અમે ગાંધી માર્ગે આંદોલન કરવાના કલેક્ટરની ઓફિસ આગળ જઇશું.
ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યાના 69 દિવસ બાદ પ્રથમ વખત સુરતની મુલાકાતે આવ્યા. પ્રમુખ બન્યા બાદની આ તેમની પહેલી સુરત યાત્રા હોવાથી શહેરના ભાજપ કાર્યાલય ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. લાંબા સમયગાળા બાદ પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિને કારણે દક્ષિણ ગુજરાતના ભાજપ સંગઠનમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. SIRની કામગીરી અંગે ઝીણવટભરી સમીક્ષા કરીઆ મુલાકાત દરમિયાન સુરત ભાજપ કાર્યાલય ખાતે સંગઠનાત્મક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને SIRની કામગીરી અંગે તેમણે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં સુરત, તાપી અને ભરૂચ એમ ત્રણ જિલ્લાના ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ત્રણેય જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પાર્ટી અધ્યક્ષો અને સક્રિય કાર્યકરો સાથે પ્રદેશ પ્રમુખે સીધો સંવાદ સાધીને કામગીરીનો તાગ મેળવ્યો હતો. કાર્યાલયના સેવક એટલે કે પટાવાળા સાથે મુલાકાત કરીજોકે, આ મુલાકાતની સૌથી હૃદયસ્પર્શી બાબત પ્રદેશ પ્રમુખની સાદગી રહી હતી. ઉચ્ચ હોદ્દેદારો સાથેની વ્યસ્તતા વચ્ચે પણ તેમણે કાર્યાલયના સામાન્ય કર્મચારીઓને ભૂલ્યા ન હતા. તેમણે સામે ચાલીને ભાજપ કાર્યાલયના સેવક એટલે કે પટાવાળા સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં, કાર્યાલયમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓને પણ તેઓ રૂબરૂ મળ્યા હતા અને તેમના હાલચાલ પૂછીને ખબરઅંતર જાણ્યા હતા. તેમની આ સહજતાએ ત્યાં હાજર સૌ કોઈના દિલ જીતી લીધા હતા. જગદીશ વિશ્વકર્માની પ્રથમ સુરત મુલાકાત યાદગાર બની રહીઅંતમાં, જગદીશ વિશ્વકર્માએ પક્ષના પાયાના પથ્થર સમાન કાર્યકરો સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી. ત્યાં ઉપસ્થિત ભાજપના જૂના હોદ્દેદારો અને વરિષ્ઠ કાર્યકર્તાઓને તેઓ એક પછી એક મળ્યા હતા. સંગઠનાત્મક સમીક્ષા અને કાર્યકરો સાથેના આત્મીય સંવાદ સાથે તેમની આ પ્રથમ સુરત મુલાકાત યાદગાર બની રહી હતી.
હિંમતનગરમાં 'સશક્ત નારી મેળો' યોજાશે:21થી 23 ડિસેમ્બર દરમિયાન આયોજન; આજની બેઠકમાં ચર્ચા
હિંમતનગરમાં 21 થી 23 ડિસેમ્બર દરમિયાન 'સશક્ત નારી મેળો' યોજાશે. મહિલા સશક્તિકરણ અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની અધ્યક્ષતામાં તેના સુચારુ આયોજન અને અમલીકરણ અંગે બેઠક યોજાઈ હતી. આ મેળો હિંમતનગરના સહકારી જીન અક્ષર ટી.પી. રોડ બાજુના મેદાન ખાતે યોજાશે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મેળાના વિવિધ પાસાંઓ પર ચર્ચા થઈ હતી. સંભવતઃ જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં 21 ડિસેમ્બરના રોજ સવારે 10 વાગ્યે મેળાનો પ્રારંભ થશે. આ ત્રિદિવસીય મેળો સવારે 10 થી રાત્રીના 10 કલાક સુધી ખુલ્લો રહેશે. મેળામાં મહિલા આર્થિક વિકાસ નિગમ, ICDS, મહિલા અને બાળ કલ્યાણ, કૃષિ, સ્વસહાય જૂથો, કુટીર ઉદ્યોગ અને વન વિભાગ સહિત વિવિધ વિભાગોના અંદાજે 50 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવશે. આ ઉપરાંત, મહિલાઓ દ્વારા સંચાલિત ફૂડ કોર્ટનું પણ આયોજન કરાશે, જેમાં જિલ્લાની વિશેષ અને મોસમી વાનગીઓ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'આત્મનિર્ભર ભારત', મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી સશક્તિકરણના વિઝનને અનુરૂપ આ મેળો યોજાશે. આ મેળામાં 'ડ્રોન દીદી', 'લખપતિ દીદી', મહિલાઓ દ્વારા સંચાલિત સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગસાહસિકો અને પ્રગતિશીલ મહિલા ખેડૂતોની સફળતા અને સંઘર્ષ ગાથાઓ રજૂ કરીને ઉપસ્થિતોને પ્રેરણા આપવામાં આવશે. સ્વદેશી ઉત્પાદનોને મંચ અને પ્રોત્સાહન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી વિવિધ ક્ષેત્રની અગ્રણી મહિલાઓ તેમના અનુભવોનું આદાન-પ્રદાન કરશે. મહિલા કેન્દ્રિત આજીવિકાને ઉત્તેજન આપવા માટે વિશેષ પ્રયાસો કરાશે. મહિલા મંડળો, મહિલા રાજકારણીઓ અને મહિલા અધિકારીઓની સફળતાની ગાથાઓ પણ આ મેળામાં ચર્ચવામાં આવશે. આયોજન બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ વન સંરક્ષક, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર, નાયબ નિયામક (આત્મા), મહિલા બાળ અધિકારી, જિલ્લા લાઇવલીહૂડ મેનેજર અને સંબંધિત સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા 'બેટી બચાઓ બેટી પઢાઓ' (BBBP) યોજના અંતર્ગત માર્ગદર્શન સેમિનાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા પંચાયત હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ડો. સંધ્યાબેન જોષીએ BBBP યોજનાના ઉદ્દેશ્યો અને જિલ્લામાં તેની પ્રગતિ વિશે માહિતી આપી હતી. જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગ દવેએ મહિલા સુરક્ષા, જાતિગત ભેદભાવ અને લિંગ સમતોલતા જેવા વિષયો પર ચર્ચા કરી હતી. નાણાકીય સશક્તિકરણના મહત્વ પર ભાર મૂકતા, લિટ્રસી ઇન ફાઇનાન્સના શ્રી સૌરભભાઈ મારુએ 'સુકન્યા સમૃદ્ધિ યોજના' અને ગુજરાત સરકારની 'વ્હાલી દીકરી યોજના'ના નાણાકીય લાભો તથા અરજી પ્રક્રિયાઓ વિશે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. કાયદાકીય માર્ગદર્શન સત્રમાં ઘરેલું હિંસા વિરોધી કાયદા, સખી વન-સ્ટોપ સેન્ટર (OSC)ની સેવાઓ અને સગીર દીકરીઓના રક્ષણ માટેના પોક્સો એક્ટની જોગવાઈઓ વિશે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અપાઈ હતી. ઉપસ્થિતોને BBBP કિટ (બેગ)નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંકલ્પ – ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનનાં અધિકારીઓ અને ICDS વિભાગના CDPO રાણાવાવ દક્ષાબેન સહિતના અનેક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે પોરબંદર જિલ્લામાં સ્ત્રીભ્રૂણ હત્યા અટકાવવા, દીકરીઓને જન્મથી શિક્ષણ અને સમાન અધિકારો મળે તે સુનિશ્ચિત કરવા તેમજ મહિલાઓમાં કાયદાકીય અધિકારો પ્રત્યે જાગૃતિ વધારવા માટે આવા વિવિધ કાર્યક્રમો નિયમિતપણે યોજાય છે. મહિલા અને બાળ અધિકારી હંસા ટાઢાણીના માર્ગદર્શન હેઠળ 90થી વધુ આંગણવાડી કાર્યકર બહેનોને BBBP યોજનાના 'માસ્ટર ટ્રેનર' તરીકે તાલીમ આપવામાં આવી છે. આ તાલીમનો ઉદ્દેશ્ય તેમને ગ્રામ્ય સ્તરે વધુ મહિલાઓને જાગૃત કરવા સક્ષમ બનાવવાનો છે.
વેરાવળમાં જુગારધામ પર LCBનો દરોડો:પાંચ જુગારીઓ ₹1.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા
ગીર સોમનાથ એલસીબી પોલીસે વેરાવળના સહયોગ એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પાંચ જુગારીઓને ₹1.68 લાખના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ગુપ્ત બાતમીના આધારે, પોલીસે વેરાવળના શિવજી નગર, વિસાવડીયા વંડી પાસે આવેલા સહયોગ એપાર્ટમેન્ટના બીજા માળે, બ્લોક નંબર 04 માં રાત્રિના સમયે રેઇડ કરી હતી. ઝડપાયેલા પાંચ શખ્સોમાં કિશન કનુભાઈ પરમાર, દિપક કરમશીભાઇ વાઘેલા, ઘુસાભાઇ ગોબરભાઇ પરમાર, ભીખુભાઈ મનસુખભાઈ રાઠોડ અને જયદિપ દિનેશભાઇ રાઠોડનો સમાવેશ થાય છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ ₹48,140/- સહિત કુલ ₹1,68,140/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ તમામ વિરુદ્ધ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB ટીમે કરી હતી.
મોરબી માળિયા હાઇવે પર ટિંબડી ગામ પાસે આવેલા ગણેશ કોમ્પ્લેક્સના એક ગોડાઉનમાંથી પોલીસે દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે 9516 દારૂની બોટલો, 3000 બિયરના ટીન અને એક બોલેરો ગાડી સહિત કુલ ₹94,77,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.કે.ચારેલ અને તેમની ટીમને ટિંબડી ગામની સીમમાં ગણેશ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં આવેલા ગોડાઉનમાં તેજસભાઈ મનુભાઈ વહેરા દારૂ અને બિયરનો જથ્થો રાખી વેચાણ કરતા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન સ્થળ પરથી ₹85,45,200 ની કિંમતની 9,516 દારૂની બોટલો, ₹6,32,280 ની કિંમતના 3 હજાર બિયરના ટીન અને દારૂની હેરાફેરીમાં વપરાતી બોલેરો ગાડી (નંબર GJ 13 W 2878) જેની કિંમત ₹3 લાખ છે, તે જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ ₹94,77,480 નો મુદ્દામાલ કબજે કરાયો હતો. જોકે, પોલીસના દરોડા સમયે આરોપી તેજસભાઈ મનુભાઈ વહેરા (રહે. ધરમપુર, મોરબી) તેમજ બોલેરો ગાડીનો કબજેદાર કે માલિક સ્થળ પર હાજર નહોતા. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીઆઈ એસ.કે.ચારેલની સૂચના મુજબ પીએસઆઈ એસ.એચ.ભટ્ટ, ડી.ડી.જોગેલા અને સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી હતી.
બુટલેગર અલ્પુ સિંધી તથા હેરી લુધવાણી ગેંગવોર ચાલી રહ્યું છે, ત્યારે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને હેરી લુધવાણી સહિતના સાગરીતોએ વારસીયામાં રહેતા યુવકની કાર સહિત 3 કાર સળગાવી દીધી હતી. જેની ફરિયાદ વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી, ત્યારે બુટલેગરના સાગરીતે યુવકને તું ફરીયાદ પરત ખેંચી લે નહીં તો તારી કારની જે તમારા ઘરને પણ સળગાવી દઈશું. આ ઉપરાંત તારા પરિવારના સભ્યોને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી, જેથી યુવકે પોલીસ બોલાવવાનું કહેતા યુવક માથાભારે શખ્સ ભાગી ગયો હતો. આ મામલે વારસિયા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી ગણેશનગર સોસાયટીમાં રહેતા મનીષ ઉર્ફે માનવ રાજકુમાર કારડાએ ફરિયાદ નોંધાવી છે કે, ગત 27 નવેમ્બરના રોજ રાત્રીના આશરે 2 વાગ્યાની આસપાસ મારી માલીકીની થાર ગાડી તથા તેની આજુબાજુની પડેલી બે ફોર વ્હીલર ગાડીઓ હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી, વિવેક ઉર્ફે બન્ની મોહન કેવલાણી, દીપક ઉર્ફે દીપુ, વરૂણ શર્મા તથા વિશાલ હોજરીએ જુની અદાવત રાખી કોઈ જ્વલનશીલ પદાર્થો નાખી આગ લગાડી સળગાવી દીધી હતી. તેની ફરિયાદ તેઓની સામે વારસિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. ત્યારબાદ ગત 8 ડિસેમ્બરના રોજ બપોરના હું મારા ઘરે હાજર હતો મારા મોટાભાઈ હિતેશના મોબાઇલ પર રોહિત ઉર્ફે બાબલો રામ અવતાર શર્માના મોબાઇલ પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. તે ફોન મે રીસીવ કતા તેણે મને ફરીયાદ પાછી ખેંચવા વાતચીત કરવા લાગ્યો હતો. જેથી મેં કહ્યું હતું કે, હું ફોન પર વાત કરવા માંગતો નથી, ત્યારે તેણે કહ્યું હતું કે, હું તારા ઘરે આવું છું, તેમ કહ્યું હતું. થોડીવારમાં રોહિત ઉર્ફે રામ અવતાર શર્મા મારા મીત્ર પ્રદીપ અનીલભાઈ ભાલીયા સાથે બાઈક ઉપર આવ્યો હતો અને રોહીત શર્મા મને જોરજોરથી બુમો પાડતા અમે બધા ઘરમાંથી બહાર આવ્યાં હતા. ત્યારે રોહીતે મને ગાળો આપી હતી અને હિમાંશુ ઉર્ફે હેરી લુધવાણી તથા વિવેક ઉર્ફે બન્ની મોહન કેવલાણી વિરૂધ્ધમાં ફરીયાદ નોંધાવી છે, તે ફરિયાદ તું આજે જ પાછી ખેંચી લે નહી તો જેવી રીતે તારી થાર ગાડી સળગાવેલ છે તેવી જ રીતે તારૂ ઘર પણ સળગાવી દઈશું તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી મે તેઓને ગાળો આપવાની ના પાડતા તેણે મને કહ્યું હતું કે, તું મને ઓળખતો નથી હું તને ગમે ત્યારે પતાવી દઈશ તેવી ધમકી આપતા હું પોલીસને બોલાવું છું તેમ કહેતા તે તેની સાથે આવેલ પ્રદીપ ભાલિયા તેને બાઇક પર લઈને જતો રહ્યો હતો. જેથી વારસીયા પોલીસે રોહિત ઉર્ફે બાબલા સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
સમગ્ર ગુજરાતમાં શિયાળાની ઋતુ જામી રહી છે, ત્યારે જુનાગઢ સ્થિત એશિયાના સૌથી જૂના પૈકીના એક એવા સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા અહીં રહેલા તમામ પશુ, પ્રાણીઓ અને પક્ષીઓને કડકડતી ઠંડીથી બચાવવા માટે વિશેષ અને અદ્યતન વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે. ઝૂ પ્રશાસને શિયાળાની સિઝનના ઠંડા પવનો અને ટાઢથી રક્ષણ મળી રહે તે માટે વિવિધ ઉપાયો કરીને ઝૂ ને સજ્જ કરી દીધું છે. સક્કરબાગ ઝૂના ડાયરેક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગુજરાતનો શિયાળો ભલે અન્ય રાજ્યોની જેમ અત્યંત ઠંડો ન હોય, પરંતુ શિયાળુ ઋતુના 30 થી 40 દિવસો એવા હોય છે જેમાં ઠંડીનું પ્રમાણ વધારે હોય છે. આવા સમયમાં ઝૂમાં રહેલા વન્યજીવોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે, અને તેમને ઠંડી સામે રક્ષણ આપવા માટે સક્કરબાગ ઝૂ તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. માંસાહારી પ્રાણીઓ માટે વિશેષ કાળજી: ઝૂ તંત્ર દ્વારા મુખ્યત્વે માંસાહારી પ્રાણીઓ જેવા કે સિંહ, વાઘ, દીપડા, વરુ અને ઝરખ માટે તેમની રાત્રિના શેલ્ટર પાંજરાઓમાં ખાસ વ્યવસ્થા કરાઈ છે.આ પ્રાણીઓને પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે તેમના પાંજરાઓમાં હીટર અને લેમ્પ મૂકવામાં આવ્યા છે.રાત્રે સૂતી વખતે ઠંડી ન લાગે અને આરામદાયક ઊંઘ મળી રહે તે માટે તેમના શેલ્ટરમાં સૂકું ઘાસ, નાળિયેરીના પાન કે કોથળા પાથરવામાં આવ્યા છે.હિંસક અને માંસાહારી પ્રાણીઓનો ખોરાક શિયાળાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં 20 થી 30 ટકા વધુ જોઈએ છે, જે મુજબ તેમના ખોરાકમાં વધારો કરવામાં આવ્યો છે. પક્ષીઓ અને સરીસૃપ માટે આયોજન માત્ર મોટા પ્રાણીઓ જ નહીં, પણ પક્ષીઓ અને સરીસૃપ વર્ગના જીવોને પણ ઠંડીથી બચાવવા માટે અલગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઠંડા પવનોથી રક્ષણ મળી રહે તે માટે પક્ષીઓના પાંજરા પર ગ્રીન નેટની આડસ ઉભી કરવામાં આવી છે. તેમના પાંજરામાં હીટર, લેમ્પ અને માટલાઓ ગોઠવવામાં આવ્યા છે, તેમજ તંત્ર દ્વારા અલગ-અલગ પ્રકારના માળાઓ પણ બનાવવામાં આવ્યા છે. તેમના ખોરાકમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સાપ અને અન્ય સરીસૃપ વર્ગના પ્રાણીઓ માટે પણ પૂરતા પ્રમાણમાં ગરમી મળી રહે તે માટે તેમના પાંજરાઓમાં માટલાઓ અને બલ્બની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ સૂકા ઘાસ અને નેટ પાથરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમના પાંજરામાં યોગ્ય સમયે તડકો આવે તેવી પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. સતત મોનિટરિંગ અને મેડીકલ ટીમનું ઓબ્ઝર્વેશન ઝૂ તંત્ર દ્વારા વન્ય પ્રાણીઓના સતત મોનિટરિંગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વેટનરી ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ અને એનિમલ કીપર દ્વારા તમામ વન્ય પ્રાણીઓનું સતત ઓબ્ઝર્વેશન (નિરીક્ષણ) કરવામાં આવી રહ્યું છે.ઝૂના તમામ પશુ, પક્ષીઓ અને પ્રાણીઓની હલનચલન તેમજ તેમની સ્થિતિ પર ચોક્કસ નજર રાખી શકાય તે માટે સીસીટીવી કેમેરાથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ઠંડીના સમયગાળા દરમિયાન ઘણા પ્રાણીઓમાં ખોરાકની વધુ જરૂરિયાત ઊભી થતી હોવાથી, દરેક પ્રાણીની જરૂરિયાત મુજબ યોગ્ય પદ્ધતિથી ખોરાક આપવામાં આવી રહ્યો છે, જેથી તેમને શિયાળામાં સારું સ્વાસ્થ્ય મળી રહે અને ઠંડીના કારણે કોઈપણ મુશ્કેલી ન પડે.
આણંદમાં હોટલ સનરાઈઝ સીલ:નોટિસના 10 દિવસમાં પૂરાવા રજૂ ન કરતાં મનપાએ શરતોના ભંગ બદલ કાર્યવાહી કરી
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા આજે હોટલ સનરાઈઝને સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી મનપાની શરતોના ભંગ બદલ કરવામાં આવી છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે હોટલ સનરાઈઝના સંચાલક મોહમ્મદ આસીફ મિયા સેલિયાને નોટિસ પાઠવી હતી. 10 દિવસની સમયમર્યાદા પૂરી થયા છતાં પણ તેઓ યોગ્ય પુરાવા સાથે જવાબ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ કાર્યવાહી મનપા વિસ્તારમાં ચલાવવામાં આવી રહેલી આકસ્મિક ચેકિંગ ઝુંબેશનો એક ભાગ છે. હોટલ સનરાઈઝ રેલ્વે સ્ટેશન સામેના વિસ્તારમાં આવેલી દુકાન નંબર 1, શોપિંગ સેન્ટર અને ગેસ્ટ હાઉસની મ્યુનિસિપલ દુકાનોનો એક ભાગ છે.
અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારમાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં આગ લાગી હોવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સીડી મૂકીને લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો છે જેના પગલે ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી છે. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા છે. 50 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કઢાયાફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા છે. લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેઓને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે. ત્રીજા માળે ફસાયેલા લોકોનું રેસ્કયુંકોમ્પ્લેક્સના ત્રીજા માળે લોકો ફસાયેલા છે અને કાચ તોડી તમામ લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા છે. ફાયર બ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી કામગીરી કરી રહ્યા છે
સુરત શહેરના સણીયા હેમાદ ગામના મિલકત ધારકો અને ઉદ્યોગકારોએ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનો આક્ષેપ છે કે અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે અને કાયદેસરના બાંધકામને પણ અટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ વિસ્તારમાં કાર્યરત 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓને વારંવાર ટાર્ગેટ કરવામાં આવતી હોવાનો પણ મિલકત ધારકોએ દાવો કર્યો છે. સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષસણીયા હેમાદ ગામમાં છેલ્લા કેટલાક સમયથી મનપાના અધિકારીઓ દ્વારા અવારનવાર ઇન્ડસ્ટ્રીયલ યુનિટ્સને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાતાધારકોના જણાવ્યા મુજબ, થોડા થોડા દિવસે અધિકારીઓ આવે છે અને મિલકત સીલ કરી દે છે. તાજેતરમાં જ, ગામની અંદર વધુ બે ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીઓમાં સીલ મારી દેવામાં આવતા સ્થાનિક ઉદ્યોગકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા યુનિટ્સને છાવરી, નાના એકમોને ટાર્ગેટ કરવાનો આક્ષેપમિલકત ધારકોએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સણીયા હેમાદ ગામમાં ખૂબ મોટા પાયે ઇન્ડસ્ટ્રીયલ એકમોનું બાંધકામ થયું ત્યારે જે તે સમયે અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. જોકે, હવે જ્યારે નાના એમ્બ્રોડરીના યુનિટ ધારકોએ પોતાના નાના એકમો શરૂ કર્યા છે, ત્યારે જ કાર્યવાહી થઈ રહી છે. ખાતાધારકોના મતે, આ કાર્યવાહી બેવડા ધોરણો દર્શાવે છે. મોટા અને જૂના બાંધકામોને જાણે છાવરવામાં આવતા હોય અને માત્ર નાના પાયે કામ કરી રહેલા કોટેજ ઇન્ડસ્ટ્રીના યુનિટ ધારકોને જ જાણી જોઈને હેરાન કરવામાં આવતા હોવાનો સ્પષ્ટ આક્ષેપ છે. 'કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છતાં કેમ પરેશાની?'ઉદ્યોગકારોનું કહેવું છે કે તેમના એકમો પાસે કોટેજ ઇન્ડસ્ટ્રીની મંજૂરી છે અને તેમના દ્વારા કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ કામ કરવામાં આવી રહ્યું છે. કાયદાકીય રીતે માન્યતા પ્રાપ્ત હોવા છતાં અધિકારીઓ દ્વારા વારંવાર આવીને ઉદ્યોગકારોને કેમ પરેશાન કરવામાં આવે છે, તે સમજાતું નથી. આ સમગ્ર મામલે, મિલકત ધારકોએ માંગણી કરી છે કે મનપાના અધિકારીઓ દ્વારા આ ખોટી રીતે થતી હેરાનગતિ તાત્કાલિક બંધ કરવામાં આવે અને કાયદેસરના એકમોને શાંતિથી કામ કરવા દેવામાં આવે. જો આ કાર્યવાહી બંધ નહીં થાય, તો તમામ 250થી વધુ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના માલિકો દ્વારા સામૂહિક રીતે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.
ઉમરગામ તાલુકાના તુંબ ગામની કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. આગ લાગતા ભારે દોડધામ મચી ગઈ છે. દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે. 7 થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાલ ચાલુ છે. કંપનીમાંથી તમામ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યાં છે અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ...
વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે પારિવારિક વિવાદનો એક અત્યંત કરુણ અને હચમચાવી દેનારો બનાવ સામે આવ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી પિયર રિસામણે રહેલી 42 વર્ષીય પત્નીની તેના પતિએ છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દીધી હતી. પરિણીતાએ પતિ સામે ભરણપોષણનો કેસ કર્યો હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે હત્યારો પતિ તેની બાઈક અને હથિયાર ફેંકીને નાસી છૂટ્યો હતો. સવારે પતિ કાળ બની તૂટી પડ્યોપતિ-પત્ની વિનોદ ધોળીયા અને ચંપાબેન ધોળીયા વચ્ચે ઘણા સમયથી પારિવારિક કલેહ ચાલી રહ્યો હતો. વિનોદના ત્રાસથી કંટાળીને ચંપાબેને તેની સામે ભરણપોષણનો કેસ પણ નોંધાવ્યો હતો. મૃતક ચંપાબેન વિનોદ ધોળીયા (ઉંમર આશરે 42 વર્ષ) છેલ્લા પાંચ મહિનાથી તેમના પિયર ડારી ગામે રિસામણે રહેતા હતા. આજે સવારે અચાનક પતિ વિનોદ ધોળીયા ચંપાબેનના પિયર ખાતે પહોંચ્યા હતા. અહીં તેણે પોતાની પત્ની ચંપાબેન પર ધારદાર છરી વડે આશરે સાત જેટલા ઘા ઝીંકી હુમલો કર્યો હતો. ગંભીર ઇજાને પગલે મોત પતિએ આડેધડ ઝીંકેલા છરીના ઘાના કારણે પરિણીતાને ગંભીર ઈજા પહોંચી હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા ચંપાબેનને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ દોડી ગઈઆ હત્યાની ઘટનાની જાણ થતાં જ પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. DYSP વી. આર. ખેંગાર, પ્રભાસ પાટણ પી.આઈ. પટેલ, અને સર્વેલન્સ સ્કવોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. હત્યારો પતિ વિનોદભાઈ ધોળીયા ઘટનાસ્થળે પોતાની બાઈક અને હત્યામાં વપરાયેલી છરી છોડીને નાસી છૂટ્યો હતો. આરોપી પતિને ઝડપી પાડવા નાકાબંધીપોલીસે આરોપી વિનોદ ધોળીયાને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ અને નાકાબંધી હાથ ધરી છે. આ હત્યાના બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર અને શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
વડોદરામાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા EWSના મકાનો અંગે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તાર વિસ્તારમાં સયાજી નગર ગૃહ ખાતે મોકૂકૂ રખાયેલ ડ્રો અંગે અરજદારોને મોબાઈલ પર જાણ કરી બોલાવાયા હતા પરંતુ છેલ્લી ઘડીએ અચાનક ડ્રો કેન્સલ કરીને બીજા દિવસે પૂર્વ વિસ્તારમાં પંડિત દિન દયાલ ઉપાધ્યાય ગૃહ ખાતે યોજાયો હતો. સયાજીનગર ગૃહનો ડ્રો કેન્સલ કરવા અંગે કોઈ નેતા ઉપલબ્ધ નહીં હોવાના કારણે કેન્સલ કરાયો હોવાનો ચોકાવનારો આક્ષેપ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, ગરીબ લોકો જે પોતાની મહેનતના રૂપિયાથી પોતાના સપનાના મકાન માટે બચત કરી હોય અને એક-એક પૈસો ભેગો કરીને કોર્પોરેશનને 2022માં આ યોજનામાં લોકોએ 20,000 ભર્યા હતા. ત્રણ વર્ષ થઈ ગયા છે, તોપણ મકાનો મળ્યા નથી, 3 વર્ષ પછી ડ્રો થયો, પરંતુ તેમાં પણ કેવું કર્યું? પશ્ચિમ વિસ્તારના લોકોને અજવા રોડ પર કેમ બોલાવ્યા, કારણ કે શહેરના મેયર, ધારાસભ્યો અને સાંસદોને ફોટો સેશન કરાવવું હતું. તમે 700થી 800 લોકોને અહીંથી દૂર ત્યાં લઈ ગયા? જ્યારે સર સયાજીરાવ ગૃહમાં ડ્રો હતો, ત્યારે નેતાઓ આવ્યા નહીં, તેમને સમય નહીં હોય. ત્યારે નેતાઓ માટે સ્પેશિયલ પબ્લિકને ત્યાં બોલાવે છે. આવો વહીવટ ચાલી રહ્યો છે. ડ્રો જે જગ્યાનો કર્યો, જ્યાં 1900 મકાનો હજુ બનીને તૈયાર જ નથી. બીજા ટાવરમાં તો પાયો પણ નખાયો નથી, ત્યારે 6 મહિનામાં મકાન મળી જશે એવી લોલીપોપ આપે છે. ગપ્પા મારવાનું બંધ કરો આ ભાજપના નેતાઓ. શરમ કરો, ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. તમે આ ગરીબોની હાય લઈને ક્યાં જશો? ગરીબોના સપનાના મકાનના નામે આ લોકોએ ભાજપના નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ તેમની મજાક ઉડાવી રહ્યા છે. પેલા EWS વિભાગના જે સિંગલ સાહેબ છે, તે એસી કેબિનમાં બેસીને શું કરે છે? તે સૌથી વધુ જવાબદાર છે. કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે તે અધિકારીને તાત્કાલિક તે જગ્યા પરથી હટાવો, કારણ કે તે વર્ષોથી ત્યાં બેઠા છે. ભૂતકાળમાં આવાસ યોજનાઓમાં ભાજપના કોર્પોરેટરોના નામ નીકળ્યા છે. તો ગરીબોને મકાન આપો. સયાજીપુરામાં ટાવરો 10-10 વર્ષથી તૈયાર છે અને ખખડધજ થઈ ગયા છે. જ્યાં મકાન તૈયાર હતા ત્યાં ગરીબોને આપ્યા નહીં, અને જ્યાં મકાન તૈયાર થયા નથી તેના ડ્રો કરી રહ્યા છે. આવો અનઘડ વહીવટ ભાજપના રાજમાં ચાલી રહ્યો છે.
મહેસાણાના માલ ગોડાઉન નજીકના છાપરા વિસ્તારમાં આજે પરોઢિયે 108 ઈમરજન્સી સેવાના સ્ટાફે સમયસૂચકતા અને કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. માનવ આશ્રમ લોકેશનની 108 ટીમે મુશ્કેલ પરિસ્થિતિમાં સ્થળ પર જ મહિલાની સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવી માતા અને નવજાત શિશુનો જીવ બચાવ્યો હતો. વહેલી સવારે અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતીમળતી માહિતી મુજબ મહેસાણાના માલ ગોડાઉન નજીક છાપરા વિસ્તારમાં રહેતા વેજનતાબેન ગોવિંદભાઈને આજે સવારે 05:04 કલાકે અચાનક પ્રસુતિની પીડા ઉપડી હતી. તેમના પતિ ગોવિંદભાઈએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો કોલ કર્યો હતો.આ કોલ માનવ આશ્રમ લોકેશનની 108 એમ્બ્યુલન્સને મળતા જ EMT આનંદ પ્રજાપતિ અને પાયલોટ કિરણ દેસાઈની ટીમ તુરંત ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. 108 ટીમે મહિલાની નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક કરાવીલોકેશન પર પહોંચતા ટીમને રેલવે પાટો ક્રોસ કરીને છાપરા નજીક પહોંચવાની મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.બંને સ્ટાફે સમયની ગંભીરતા સમજીને મુશ્કેલ લોકેશન અને છાપરાની અંદર જ વેજનતાબેનની નોર્મલ ડિલિવરી સફળતાપૂર્વક કરાવી હતી. ડિલિવરી બાદ ટીમે તાત્કાલિક અમદાવાદ ખાતેના ERCP ડોક્ટર વિપુલનું ઓનલાઇન માર્ગદર્શન મેળવી માતા અને બાળકને જરૂરી ઇન્જેક્શન અને RL ટ્રીટમેન્ટ આપી હતી. માતા અને નવજાત શિશુને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાત્યારબાદ માતા અને નવજાત શિશુને વધુ સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સુરક્ષિત રીતે દાખલ કરવામાં આવ્યા હતાં. 108 ઈમરજન્સી સેવાના EMT આનંદ પ્રજાપતિ અને પાયલોટ કિરણ દેસાઈની આ સમયસર અને પ્રેરણાદાયી કામગીરી બદલ તેમની પરિવાર જનોએ આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંકુલમાં આજે વિવિધ 13 વિદ્યાશાખાઓમાં PHD માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે એન્ટ્રન્સ ટેસ્ટ (PET) 2025-26નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. અગાઉના પ્રથમ રાઉન્ડમાં નેટ (NET) અને જીસેટ (GSET) પાસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યા બાદ ખાલી રહેલી બેઠકો ભરવા માટે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ વિશેષ પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા સંપૂર્ણપણે કોમ્પ્યુટર બેઇઝ્ડ (CBT) પદ્ધતિથી લેવામાં આવી હતી, જેમાં પારદર્શિતા જાળવવા માટે ખાસ નિરીક્ષકોની પણ નિમણૂક કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પીએચ.ડી. પ્રવેશ પરીક્ષાના કો-ઓર્ડિનેટર શૈલેષ પરમારે દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, પીએચ.ડી. પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડના અંતે જે વિષયોમાં બેઠકો ખાલી રહી હતી, તેવા 13 વિષયો માટે આ પરીક્ષા યોજાઈ હતી. આ પ્રવેશ પરીક્ષા માટે કુલ 179 વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી. પરીક્ષાના પ્રથમ સત્રમાં કુલ 58 વિદ્યાર્થીઓમાંથી 55 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 3 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષાનું આયોજન યુનિવર્સિટીના આધુનિક કોમ્પ્યુટર સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. પારદર્શક પદ્ધતિ અને ત્વરિત પરિણામ આ વખતની પરીક્ષાની ખાસિયત તેની ડિજિટલ પદ્ધતિ રહી હતી. શૈલેષ પરમારે ઉમેર્યું હતું કે, વિદ્યાર્થીઓ માટે 100 ગુણનું MCQ આધારિત પેપર રાખવામાં આવ્યું હતું, જેના માટે 120 મિનિટનો સમય ફાળવાયો હતો. કોમ્પ્યુટર બેઇઝ્ડ પરીક્ષા હોવાને કારણે જેવો વિદ્યાર્થી પોતાનું લોગિન પૂર્ણ કરે અથવા પરીક્ષાનો સમય પૂરો થાય, તેની સાથે જ તેને પોતાના ગુણ કોમ્પ્યુટર સ્ક્રીન પર ત્વરિત જોવા મળી રહ્યા છે. આ પદ્ધતિથી પરીક્ષામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય છે અને વિદ્યાર્થીઓને પરિણામ માટે લાંબો સમય રાહ જોવી પડતી નથી. ગુજરાત યુનિવર્સિટીના ઓબ્ઝર્વરની દેખરેખ પરીક્ષા પ્રક્રિયાની શુદ્ધતા અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે કુલપતિ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પરીક્ષાના નિરીક્ષણ માટે ગુજરાત યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજી વિભાગના પ્રોફેસર કિરણસિંહ રાજપૂતની એક્સટર્નલ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેઓ પરીક્ષાના સંચાલન અંગેનો પોતાનો વિગતવાર રિપોર્ટ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને સુપરત કરશે. હવે પછીની પ્રક્રિયા: DRC અને એડમિશન પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે આગળની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં સામાન્ય કેટેગરીમાં જે કોઈપણ વિદ્યાર્થીઓ 50 કે તેથી વધુ ગુણ મેળવશે તેઓ લાયક ગણાશે. જ્યારે અનામત કેટેગરીમાં જે વિદ્યાર્થીઓ 45 કે તેથી વધુ ગુણ મેળવશે તેઓ આગળના રાઉન્ડ માટે પાત્ર ઠરશે. લાયક ઠરેલા વિદ્યાર્થીઓની યાદી જે-તે વિભાગના હેડ (HOD) ને મોકલી આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ આગામી તા. 16 થી 19 ડિસેમ્બર દરમિયાન પોતાના જરૂરી દસ્તાવેજો અને 'રિસર્ચ પ્રપોઝલ' સંબંધિત વિભાગમાં જમા કરાવવાની રહેશે. ત્યારબાદ, તા. 20 થી 24 ડિસેમ્બર દરમિયાન દરેક વિભાગ દ્વારા ડીઆરસી (ડિપાર્ટમેન્ટ રિસર્ચ કમિટી)નું આયોજન કરવામાં આવશે. આ ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં સફળ થનાર વિદ્યાર્થીઓને પીએચ.ડી.માં પ્રવેશ માટે અંતિમ મંજૂરી આપવામાં આવશે. Ph.d. પ્રવેશ પરીક્ષા બાદ ભરવાપાત્ર સીટોવિષય - સીટએપ્લાઇડ ફિઝિક્સ - 06 બોટની - 02 કેમેસ્ટ્રી - 03 કોમ્પ્યુટર સાયન્સ - 10હિન્દી - 08 માઇક્રોબાયોલોજી - 06 ફિઝિક્સ - 07 મેથેમેટિક્સ - 01 આંકડાશાસ્ત્ર - 04 ઝૂ લોજી - 05 ફાર્મસી - 09 ફિઝિયોથેરાપી - 02 ભૂગોળ - 02 કુલ - 65 પ્રથમ રાઉન્ડ બાદ ખાલી પડેલી જગ્યા પર મેરીટના આધારે પ્રવેશ વિષય - સીટ કોમર્સ - 01 અર્થશાસ્ત્ર - 02 એજ્યુકેશન - 13 અંગ્રેજી - 02 મનોવિજ્ઞાન - 01 તત્વજ્ઞાન - 01 કુલ - 20
વડોદરા ગ્રામ્ય પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ચલાવેલી વિશેષ કાર્યવાહીમાં રાજસ્થાનથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો રૂપિયા 79.17 લાખથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ સાથે દારૂની હેરાફેરી માટે વપરાયેલ કન્ટેનર અને બે ઢોલી બંધુઓની કરજણ પોલીસે ધરપકડ કરી છે. કન્ટેનરમાં સોયાવડીની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતીઆ કાર્યવાહીમાં કરજણ પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ભરવાડ અને ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, NE-48 પર માંગલેજ ચોકડી પાસે સનસાઇન હોટલના કમ્પાઉન્ડમાં કન્ટેનર પાર્ક કરેલું છે અને તેમાં શંકાસ્પદ મુદ્દામાલ ભરેલો છે. જેના આધારે ટીમ પહોંચી કન્ટેનરના પાછળના દરવાજાની સીલ તોડી તપાસ કરતાં પહેલા નજરે સોયા વડીના કટ્ટા પડેલા હતા. કન્ટેનરમાંથઈ રૂ,. 79 લાખની કિંમતની 21 હજારથી વધુ બોટલ મળી આવીબાદમાં પોલીસે સઘન તપાસ કરતા કટ્ટાની પાછળ ભારતીય બનાવટનો વિદેશી દારૂની જુદી-જુદી બ્રાન્ડની કુલ 21,264 બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત રૂપિયા 79,17,504 છે. આ ઉપરાંત બે મોબાઇલ ફોન, કન્ટેનર સહિત કુલ રૂપિયા 89,42,504નો મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કરજણ પોલીસે ઝડપેલા આરોપી બુદ્ધિપ્રકાશ સુરેશચંદ્ર ઢોલી (ઉ.વ. 28, રહે. વોર્ડ નં.6, સુનારોકી ગલી, ચાપાનેરી, તા. ભીનાય, જિ. અજમેર રાજસ્થાન), રવિ સુરેશચંદ્ર ઢોલી કે જેઓ બન્ને આરોપીઓ સગાં ભાઈઓ છે અને ડ્રાઇવર તરીકે કામ કરે છે. કરજણ પોલીસ સ્ટેશને આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટની હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.
જુનાગઢ શહેર પોલીસ દ્વારા દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે શહેરના મધ્ય વિસ્તારમાં એક મહિલા સંચાલિત જુગારધામ પર સફળ દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડામાં જુગાર રમતી અને રમાડતી કુલ 9 મહિલાઓને રોકડ રકમ સાથે ઝડપી પાડવામાં આવી છે. વણઝારી ચોક નજીક મહિલા સંચાલિત જુગારધામ ઝડપાયુંજુનાગઢના મધ્યમાં આવેલ વણઝારી ચોક, રોનક એપાર્ટમેન્ટના બ્લોક નંબર 404માં ગેરકાયદેસર રીતે જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે બી ડિવિઝન પોલીસે તાત્કાલિક ધોરણે રેડનું આયોજન કર્યું હતું. પોલીસની ટુકડી સાંજે 7:30 વાગ્યાના અરસામાં બાતમીવાળા સ્થળે ત્રાટકી હતી અને જુગારની પ્રવૃત્તિ રંગેહાથ પકડી પાડી હતી. આ જુગારધામનું સંચાલન મકાન માલિક 34 વર્ષીય નીતાબેન વિજયભાઈ ઝાંઝમેરીયા દ્વારા કરવામાં આવતું હતું. નીતાબેન બહારથી અન્ય મહિલાઓને પોતાના અંગત ફાયદા સારુ બોલાવી, ગેરકાયદેસર રીતે નાલના રૂપિયા ઉઘરાવીને ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમાડતા હતા. પોલીસે જુગાર રમતી 9 મહિલાઓને ઝડપીપોલીસે રેડ દરમિયાન જુગાર રમતી મહિલાઓમાં નીતાબેન વિજયભાઈ ઝાંઝમેરીયા, નિશાબેન ચેતનભાઈ લુકા, કાન્તાબેન વ્રજલાલ રાજા, ઉષાબેન છોટાલાલ ઝાંઝમેરીયા, પૂજાબેન મહેકભાઈ લુકા, પારૂલબેન સુરેશભાઈ સોલંકી, શારદાબેન નાથાલાલ પાટડીયા સરોજબેન રાજેશભાઈ રાધનપરા, અને ભાવનાબેન ધીરૂભાઇ ઝાંઝમેરીયાનો સમાવેશ થાય છે. આ તમામ મહિલાઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાય છે. ગુનો દાખલબી ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ રાજાભાઈની ફરિયાદના આધારે પોલીસે જુગાર ધારાની કલમ 4 અને 5 હેઠળ તમામ 9 મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીથી શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી શ્રી હરસિધ્ધ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ’ બાળ સંરક્ષણ ગૃહમાંથી બિહારની 17 વર્ષીય કિશોરી ગાયબ થઈ ગઈ છે. આ કિશોરી અપહરણના ગુનાનો ભોગ બની હતી અને વાઘોડિયા પોલીસની કાર્યવાહી બાદ તેને 24 જુલાઈ 20245ની રાત્રે આ સંસ્થામાં સુરક્ષા અને સંભાળ માટે મૂકવામાં આવી હતી. સંસ્થાના સુપ્રિન્ટેન્ડેન્ટ હેતાશ્રી બ્રહ્મભટ્ટે ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, સ્ટાફની નજર ચૂકવીને આ કિશોરીએ સંસ્થાની દીવાલ ઉપર ચડી ગઈ હતી અને ત્યાંથી ઝાડ પર જઈ કૂદકો મારીને બહાર નીક્કી થઈ હતી. સ્ટાફને જાણ થતાં તુરત જ સંસ્થાની આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બે દિવસ વીતી ગયા છતાં કિશોરીનો કોઈ પત્તો લાગ્યો નથી. આ સંસ્થા ફક્ત ગુનાહિત કેસોનો ભોગ બનેલી અથવા અનાથ બાળકીઓને જ જિલ્લા બાળ કલ્યાણ સમિતીના આદેશ મુજબ રાખવામાં આવે છે અને તે ગાંધીનગરના નિયામક, સમાજ સુરક્ષા ખાતાના સીધા નિયંત્રણ હેઠળ કાર્યરત છે. ઘટનાની જાણ થતાં જ ગોરવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસવા સાથે આસપાસના વિસ્તારમાં પણ શોધખોળ શરૂ કરી દીધી છે. જોકે, હજુ સુધી કિશોરીનું કોઈ અત્તોપત્તો મળ્યો નથી.
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા જોરાવરનગર પોલીસ સ્ટેશન વિસ્તારના વસ્તડી ગામની સીમમાં જોબાના માર્ગેથી એક ક્રેટા ગાડીમાંથી ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 10, 55, 500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં પ્રોહીબિશન અને જુગારની પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અસરકારક કામગીરી કરવા નિર્દેશ અપાયા હતા. આ સૂચનાના આધારે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી હતી. આ ટીમો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, લીંબડી-રાજકોટ હાઈવે પર વસ્તડી ગામની સીમમાં જોબાના માર્ગેથી એક સફેદ કલરની ક્રેટા ગાડી (ખોટી નંબર પ્લેટ લગાડેલી)ને રોકવામાં આવી હતી. ગાડીની તપાસ કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂના કુલ 2020 ચપલા મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. 5,55,500 થાય છે. આ ઉપરાંત, રૂ. 5,00,000ની કિંમતની ક્રેટા ગાડી પણ જપ્ત કરવામાં આવી હતી. આમ, કુલ રૂ. 10,55,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ મામલે ક્રેટા ગાડીના ચાલક/માલિક અને ડ્રાઇવર સીટની બાજુમાં બેઠેલા એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસમાં ખુલે તેવા અન્ય ઇસમો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
મોડાસાની સર્વોદય હાઈસ્કૂલના આચાર્ય આર.સી. મહેતા 37 વર્ષની શૈક્ષણિક સેવા બાદ વય મર્યાદાને કારણે નિવૃત્ત થયા છે. અરવલ્લી જિલ્લાના ગાબટ ગામના વતની આર.સી. મહેતાને માન-સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. રાજ્ય કક્ષાના મંત્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં તેમનો વિદાય અભિવાદન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીન શાહની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ સમારંભમાં ગુજરાત રાજ્ય સંચાલક મંડળના પ્રમુખ શંકરસિંહ રાણા, મહામંત્રી ડૉ. જે.વી. પટેલ, મોડાસાના ધારાસભ્ય ભીખુસિંહ પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ઉષાબેન ગામિત, દાતા રાજેશ અરુણ શાહ, અરવલ્લી જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ એન.ડી. પટેલ, રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુ પટેલ સહિત વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ, ઝાયકા ગ્રુપ, મોર્નિંગ વોક ગ્રુપ તેમજ મોડાસા કેળવણી મંડળની તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત વક્તાઓએ આર.સી. મહેતાના 37 વર્ષના શૈક્ષણિક સેવાકાળ દરમિયાનના યોગદાનની સરાહના કરી હતી. તેમણે વિદ્યાર્થીઓમાં શિક્ષણ સાથે સંસ્કાર, પ્રતિબદ્ધતા અને કર્મનિષ્ઠાના ગુણોનું સિંચન કર્યું હતું. આર.સી. મહેતાની શૈક્ષણિક કારકિર્દીની શરૂઆત મોડાસાની જે.બી. શાહ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાંથી થઈ હતી. સર્વોદય સ્કૂલના આચાર્ય તરીકે તેમણે નિસ્વાર્થ ભાવે શૈક્ષણિક સંસ્થાઓની સેવા આપી હતી. વક્તાઓએ મોડાસા કેળવણી મંડળને મજબૂત બનાવવામાં તેમના અમૂલ્ય ફાળા અને રાજકીય ક્ષેત્રમાં પણ તેમની કામગીરીનો ઉલ્લેખ કર્યો હતો. આર.સી. મહેતાના અભિવાદન સમારોહમાં મોડાસા કેળવણી મંડળ, સર્વોદય, બી. કનઈ, કલરવ સ્કૂલના આચાર્ય, શિક્ષક સ્ટાફ, મોડાસાની વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ અને શુભેચ્છકોએ તેમને મોમેન્ટો, ફૂલછડી, પ્રશસ્તિપત્ર, શ્રીફળ અને શાલ ઓઢાડીને સન્માનિત કર્યા હતા. તેમને નિવૃત્તિ બાદના જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આર.સી. મહેતાની 37 વર્ષની દીર્ઘ સેવા અને શૈક્ષણિક યોગદાન અરવલ્લી સહિત સમગ્ર સમાજ અને આગામી પેઢીઓ માટે પ્રેરણારૂપ બની રહેશે.
જામનગરમાં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ હજારો માઈલનું અંતર કાપીને શિયાળો ગાળવા જામનગર પહોંચ્યા છે. જામનગરને વિદેશી પક્ષીઓ માટે શિયાળાની રાજધાની માનવામાં આવે છે. ખીજડીયા પક્ષી અભ્યારણ્ય અને રણમલ તળાવ આસપાસના વિસ્તારો આ પક્ષીઓના મનપસંદ સ્થળો છે. રણમલ તળાવમાં 'મલાર્ડ' નામનું પક્ષી પણ જોવા મળ્યું છે, જે પક્ષીપ્રેમીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. લીલા માથા અને પીળી ચાંચ ધરાવતું બતક જેવું દેખાતું 'મલાર્ડ' પક્ષી ઇકોસિસ્ટમમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ પક્ષીને નિહાળવા માટે રણમલ તળાવ પર પક્ષીપ્રેમીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જોકે, ઘણા નાગરિકો આ પક્ષીઓને ચણની સાથે ગાંઠિયા પણ ખવડાવે છે, જે પક્ષીઓ માટે અત્યંત હાનિકારક છે. ગત વર્ષે ખોરાકી ઝેરને કારણે ઘણા વિદેશી પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા. આથી, નિષ્ણાતો, પક્ષીપ્રેમીઓ અને તંત્ર દ્વારા નાગરિકોને પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા સતત અનુરોધ કરવામાં આવે છે. વિદેશી પક્ષીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે આ પગલું જરૂરી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઓપરેશન કારાવાસ અંતર્ગત એક મોટી સફળતા મેળવી છે. અપહરણ અને પોક્સો જેવા ગંભીર ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા ભોગવી રહેલો અને છેલ્લા 3 વર્ષથી પેરોલ રજા પરથી ફરાર થયેલો પાકા કામનો કેદી રાજકુમાર કાકડે આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. આરોપી મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં વેશપલટો કરી ખેતરોમાં મજૂરી કામ કરતો હતો, જ્યાંથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેને દબોચી લીધો છે. આરોપી વેશપલટો કરી શેરડીના ખેતરમાં છુપાયો હતોસુરત ક્રાઈમ બ્રાંચને ચોક્કસ બાતમી મળી હતી કે, પાકા કામનો કેદી નંબર 2270 રાજકુમાર ઉર્ફે રાજા સુભાષભાઈ કાકડે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં છુપાયો છે. આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે મજરથ ગામમાં દરોડો પાડ્યો હતો. પોલીસ ધરપકડથી બચવા માટે રાજકુમાર વેશપલટો કરી એક મજૂર તરીકે શેરડીના ખેતરમાં કામ કરી રહ્યો હતો અને ખેતરમાં જ ઝૂંપડું બાંધીને રહેતો હતો. પોલીસે તેને ઘેરી લઈને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી બાદ તેને સુરતની લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે. 2020માં સગીરાને મહારાષ્ટ્ર લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતુંઆ કેસની વિગત એવી છે કે, વર્ષ 2020માં સુરતના ભટાર વિસ્તારમાંથી આરોપી રાજકુમારે એક 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી તેના કાયદેસરના વાલીપણામાંથી 12 જૂન, 2020ના રોજ અપહરણ કર્યું હતું. સગીરાને મહારાષ્ટ્ર લઈ જઈ તેની મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. 20 વર્ષની કેદની સજા અને 5 દિવસના પેરોલ પરથી ફરારડી.પી. ગોહીલએ 30 જુલાઈ, 2022ના રોજ આ કેસમાં ઐતિહાસિક ચુકાદો આપતા રાજકુમાર કાકડેને 20 વર્ષની સખત કેદની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સજા પડ્યા બાદ આરોપીએ 2022ના વર્ષમાં ગુજરાત હાઈકોર્ટમાંથી 5 દિવસના પેરોલ મેળવ્યા હતા. તેને 23 ઓક્ટોબર 2022ના રોજ પરત લાજપોર જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર ન થઈ ફરાર થઈ ગયો હતો. છેલ્લા 3 વર્ષથી તે પોલીસથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. ફરાર થયા બાદ તે છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)માં મુકુંદવાડી ખાતે ભાડે રૂમ રાખી મિસ્ત્રી અને કડીયાકામ કરતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે પોકસોના ફરાર આરોપીને મહારાષ્ટ્રમાંથી દબોચ્યોછેલ્લા 2 મહિનાથી તે પકડાઈ જવાના ડરથી પોતાના ગામથી આશરે 200 કિલોમીટર દૂર મજરથ ગામમાં શેરડી કાપવાની મજૂરી કરતો હતો.સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખરે આ રીઢા ગુનેગારને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
વડોદરા જિલ્લાના પોર ગામ નજીક કાયાવરોહણથી પોર તરફ જતા રસ્તા પર આજે વહેલી સવારે એક ભયાનક વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં 27 વર્ષીય યુવાન યોગેશ અરવિંદભાઈ તડવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તેમની ઇકો કાર અને એક ડમ્પર ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. ઈકો કાર ચાલક યોગેશ ફસાઈ જતા કરજણ ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યો હતો, જો કે ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું. યોગેશ તડવીનું મોત થતા 6 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવીઆ ઘટનામાં મૃતક યોગેશ પોર ગામમાં તેમના પરિવાર સાથે રહેતા હતા અને પોર જીઆઈડીસીમાં નોકરી કરતા હતા. તેઓને 6 વર્ષનો પુત્ર છે. તેમના પિતા અરવિંદભાઈ રમણભાઈ તડવી જેઓ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુ ગામમાં ખેતી કરીને જીવન ગુજારે છે, તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ યોગેશ તેમના મિત્ર પંકજભાઈ કાનજીભાઈ પરમારના પરિવારને તેમની ઇકો કારમાં બેસાડી વડોદરા શહેરની કર્ણાવટીમાં લગ્ન પ્રસંગમાં લઈ ગયા હતા. લગ્ન પૂરા થયા બાદ તેઓ મિત્રના પરિવારને ટીમ્બરવા ગામે તેમના ઘરે મૂકીને પોર તરફ પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે અઢી વાગ્યાના સુમારે અણખી ગામની સીમમાં ખેતર પાસે તેમની કારને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા (ડમ્પર) ટ્રક પુરઝડપે અને બેદરકારીથી અથડાવી હતી. અકસ્માત પછી ટ્રક ચાલક વાહનને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ પરિવારને કરતા પિતા ગામના અન્ય લોકો સાથે પોર પોલીસ ચોકી પહોંચ્યા અને ત્યાંથી પોર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં યોગેશની લાશ પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવી હતી. ફાયરબ્રિગેડે કારના પતરા કાપવાની ફરજ પડીઅકસ્માતમાં યોગેશને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી યોગેશને કારના ક્ષતિગ્રસ્ત ભાગમાંથી બહાર કાઢ્યા હતા. કરજણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકને ઈકો કારમાંથી પતરા કાપી બહાર કાઢ્યો હતો. બાદમાં તેને પોર હોસ્પિટલમાં ખસેડ્યો હતો જો કે યુવકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ મામલે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના રાતાભેર ગામેથી ચોરાયેલી 3 ભેંસ, 1 પાડી મળી:1 આરોપી ઝડપાયો, CCTV ફૂટેજ આધારે અન્યની શોધખોળ
હળવદના રાતાભેર ગામમાંથી ₹1 લાખની કિંમતની ત્રણ ભેંસ અને એક પાડીની ચોરી થઈ હતી. આ ગુનામાં પોલીસે ચોરાયેલા પશુઓ સાથે એક આરોપી, જયંતિભાઈ છગનભાઈ સોનગઢી,ની ધરપકડ કરી છે. આ અંગે મુકેશભાઈ હેમુભાઈ ઇન્દરિયાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મુકેશભાઈ ઇન્દરિયા (ઉંમર 37) એ પોલીસને જણાવ્યું હતું કે, રાતાભેર ગામની સીમમાં જીઇબી પાસે આવેલી તેમની વાડીએથી તેમની એક ભેંસ અને એક પાડી, જેની કિંમત ₹40,000 છે, તેની ચોરી થઈ હતી. આ ઉપરાંત, અરજણભાઈની વાડીએથી એક ભેંસ અને વાઘજીભાઈની વાડીએથી એક ભેંસની પણ ચોરી થઈ હતી. કુલ મળીને ₹1 લાખના ચાર પશુઓની ચોરી થઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ હળવદ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, હરવિજયસિંહ ઝાલા અને સાગરભાઈ કુરિયાને મળેલી બાતમીના આધારે પોલીસે વાંકીયા ગામની સીમમાંથી જયંતિભાઈ છગનભાઈ સોનગઢી (ઉંમર 42) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ચોરી થયેલી ત્રણ ભેંસ અને એક પાડી મળી આવી હતી. આરોપી જયંતિભાઈ, જે ધરમપુર ટિંબડી (મૂળ રહે રાલેજ, તાલુકો ખંભાત)નો રહેવાસી છે, તેણે પૂછપરછ દરમિયાન ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચોરીની આ ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેના આધારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.
ઉત્તર ગુજરાતની પ્રતિષ્ઠિત મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી માટે આજે ચૂંટણી યોજાઈ હતી. જેમાં સહકારી રાજકારણના માહોલ વચ્ચે ચેરમેન પદે અશોક ચૌધરીની ફરી એકવાર નિમણૂક કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેન તરીકે દશરથભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. દૂધસાગર ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણીઆ ચૂંટણી પ્રક્રિયા ડેરીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની હાજરીમાં સંપન્ન થઈ હતી.અશોક ચૌધરીના પુનરાવર્તનથી ડેરીમાં તેમના નેતૃત્વ પર ફરી વિશ્વાસ વ્યક્ત કરાયો છે,જ્યારે દશરથભાઈ પટેલને વાઇસ ચેરમેન તરીકેની નવી જવાબદારી સોંપવામાં આવી છે. નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક બાદ ડેરીના વિકાસ કાર્યોને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રતિનિધિઓને મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના સમયગાળામાં થયેલા ફેરફારો વિશે માહિતી આપી હતી. હવે રાજ્યમાં ગણતરી તબક્કો 14 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે. ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશનની તારીખ પણ બદલવામાં આવી છે. અગાઉ 16 ડિસેમ્બરે પ્રકાશિત થનાર યાદી હવે 19 ડિસેમ્બરે પ્રકાશિત થશે. બેઠકમાં કમી થતા મતદારોની યાદી (ASD લિસ્ટ) પર પણ ચર્ચા થઈ હતી. જિલ્લાના દરેક મતદાન મથકવાર ASD યાદી તૈયાર કરીને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, સાંસદો અને ધારાસભ્યોને આપવામાં આવી છે. તેમાં કોઈ ભૂલ કે સુધારા-વધારાની જરૂર જણાય તો તાત્કાલિક ચૂંટણી તંત્રને જાણ કરવા વિનંતી કરાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ BLA–1 અને BLA–2ની નિયુક્તિ તેમજ પોલિંગ સ્ટેશનોના રેશનલાઇઝેશન અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્ષ 2026 માટે જિલ્લાના તમામ પોલિંગ સ્ટેશનોની સુધારેલી યાદી 30 ઓક્ટોબર, 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે. CEO અને ECI દ્વારા જારી કરાયેલા પરિપત્રો અને માર્ગદર્શિકાઓ વિશે પણ માહિતી અપાઈ હતી. આ પ્રક્રિયાનો હેતુ આગામી ચૂંટણી કાર્યક્રમને સુગમ, પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાનો છે. આ બેઠકમાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, ધારાસભ્યો અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય નિનામા સહિત ચૂંટણી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.
જામનગરના ચકચારી દુષ્કર્મ કેસમાં આરોપી ઉદ્યોગપતિ વિશાલ મોદી ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સિક્કા પોલીસ મથકે હાજર થયા છે. પોલીસે તેમના બે મોબાઈલ ફોન કબજે કરી પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. આ કેસ અંબર સિનેમા વિસ્તારની એક યુવતી સાથે સંબંધિત છે. યુવતીને લોન અપાવવાના બહાને ખંભાળિયા હાઈવે પરના 'ભગવતી વિલા' ફાર્મ હાઉસમાં લઈ જઈ નશાકારક પ્રવાહી પીવડાવી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આરોપીએ યુવતીનો વીડિયો ક્લિપ બનાવી બ્લેકમેલ પણ કરી હતી. આ પ્રકરણમાં સિક્કા પોલીસ વિશાલ મોદીની શોધખોળ કરી રહી હતી. ધરપકડથી બચવા તેમણે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. હાઈકોર્ટે તેમને 10મી ડિસેમ્બરે તપાસનીશ પોલીસ અધિકારી સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ મુજબ, વિશાલ મોદી સિક્કા પોલીસ મથકે હાજર થયા હતા. પોલીસે તેમનું નિવેદન નોંધ્યું છે. જપ્ત કરાયેલા બંને મોબાઈલ ફોનને એનાલિસિસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે, જ્યાંથી કોલ ડિટેલ સહિતની તમામ માહિતી એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત, પોલીસ દ્વારા ઘટનાસ્થળના પંચનામા સહિતની વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.
કેનેડા મોકલવાના બહાને યુવક સાથે છેતરપિંડી:વાહન બુકિંગના નામે પૈસા પડાવી લેવામાં આવ્યા, ફરિયાદ નોંધાઈ
અમદાવાદ શહેરમાં કેનેડા મોકલવાના બહાને અને વાહન અપાવવાના બહાને છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નવા વાડજ વિસ્તારમાં રહેતા મહિલાને તેમના દીકરાને કેનેડા મોકલવાના બહાને એક લાખ રૂપિયા આપી દીધા હતાં. બાદમાં ઓફિસ બંધ હતી જેથી છેતરાયા હોવાની જાણ થઈ હતી. વાસણા વિસ્તારમાં વાહન બુકિંગના નામે પૈસા લઈને વાહનની ડિલિવરી ન આપીને પણ છેતરપિંડી લોકો સાથે કરવામાં આવી હોવાની ફરિયાદ વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. માઈગ્રેટ ટુ કેનેડા વિથ વર્ક વિઝા નામની સ્કીમમાં ફસાયાઆ અંગેની વિગત એવી છે કે શહેરના નવા વાડજ વિસ્તારમાં સિદ્ધાર્થ કોલોનીમાં રહેતા અને ઘરકામ કરનાર શિલ્પાબેન ઉપાધ્યાય અને રાણીપ વિસ્તારમાં આવેલા આર્વેદ ટ્રાન્સક્યુબ પ્લાઝા ખાતે હોમ કેર પ્રોડક્ટ બાબતે તેમની મિત્ર કાશ્મીરાબેન થકી અરમાન જોશી નામના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. અરમાન જોશી સાથે હોમ કેર પ્રોડક્ટ બાબતે અવારનવાર મળવાનું થતું હતું. ત્યારબાદ અરમાન જોશીએ પોતે એમ પી એફ ફ્યુચર કંપની છે જે માઈગ્રેટ ટુ કેનેડા વિથ વર્ક વિઝા નામની સ્કીમ ખોલી છે. વ્યક્તિની લાયકાત પ્રમાણે તેઓ કેનેડામાં નોકરી અપાવે છે. વર્ષ 2023માં મે મહિનામાં શિલ્પાબેનને તેના પુત્ર તનિષ ઉપાધ્યાયને કેનેડા મોકલવા માટેની વાત કરી હતી. જેથી અરમાન જોશીએ 8 લાખ રૂપિયા થશે તેમ જણાવ્યું હતું. કેનેડાની ફાઈલ બનાવવા માટે તેઓએ મિત્ર કાશ્મીરાબેનની હાજરીમાં એક લાખ રૂપિયા આપ્યા હતા જેમાં 50,000 રૂપિયાની પહોંચ આપી હતી અને બાકીના 50000 રૂપિયાની પહોંચ પછી આપીશું એવી વાત કરી હતી. કંપની બંધ, છેતરાયાની જાણ થતાં ફરિયાદ નોંધાઈઅરમાન જોશી એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ લીધા હતા અને બાદમાં ફાઈલની પ્રોસેસ ચાલુ છે વર્ક પ્રોસેસ ચાલુ છે દુબઈમાં વર્ક પરમીટની પ્રોસેસ ચાલુ છે વગેરે કહી અને તેઓ દ્વારા ગલ્લા કલ્લા કરવામાં આવ્યા હતા ત્યારબાદ કંપનીએ તપાસ કરવામાં આવતા કંપની બંધ હતી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું સીલ પણ મારેલું હતું જેથી પોતે છેતરાયાની જાણ થતાં આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વાહનના બુકિંગ પેટે પૈસા લઈને છેતરપિંડી કરીઅમદાવાદ જિલ્લાના બાવળા ખાતે રહેતા પ્રતાપભાઈ પઢારને બર્ગમેન વાહન લેવું હતું જેના કારણે થઈને તેઓ બાવળા અને આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ ત્યાં વાહન મળતું નહોતું જેથી અમદાવાદના વાસણા વિસ્તારમાં ગુપ્તાનગરમાં સિદ્ધિવિનાયક આર્કેડ ખાતે આવેલા SAMS ફોટો નામના શોરૂમમાં માનસી અને સંજય સોનીને મળ્યા હતાં. બર્ગમેન વાહનનું બુકિંગ કરાવ્યું હતું. જે પેટે 1.16 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા ત્યારબાદ તેઓને બે દિવસ પછી વાહનની ડિલિવરી આપવા માટે કહ્યું હતું. જોકે વાહનની ડિલિવરી આપવામાં આવી નહોતી ત્યારબાદ ફરીથી ફોન કરતા 15 દિવસ બાદ તેમને ડિલિવરી આપવા માટે કહ્યું હતું. આ બાબતે બે થી ત્રણ વખત વાહનની ડિલિવરી કરવામાં ગલ્લા તલ્લા કરતા તેઓ શોરૂમ ઉપર ગયા ત્યારે શોરૂમ બંધ હતો. અનેક લોકો પાસેથી આ રીતે વાહનના બુકિંગ પેટે પૈસા લઈને છેતરપિંડી કરી હોવાનું સામે આવતા વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ભરૂચના મકતમપુર રોડ સ્થિત જ્ઞાનસાધન આશ્રમ મેદાનમાં ભરૂચ-નર્મદા રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા 18 થી 24 ડિસેમ્બર દરમિયાન શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા ઓમકારેશ્વર મંદિર નજીક આવેલા અંધજન કાર્યાલયના મેદાનમાં દરરોજ બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન યોજાશે. ગુરુવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં NAB ગુજરાત શાખાના મંત્રી તારક લુહાર, ભરૂચ-નર્મદા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાંસિયા, ઉપપ્રમુખ વિનોદ છત્રીવાલા, ફંડ રેઝિંગ કમિટી ચેરમેન કૌશિક પંડ્યા, નરેશ ઠક્કર, સંજીવ શ્રોફ, ભરત પારેખ, કનુ પરમાર અને ગોપાલ શાહ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ આયોજન અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી. દેશ-વિદેશમાં 400 થી વધુ કથાઓ કરનાર અને શ્રીમદ્ ભાગવત પર પી.એચ.ડી.ની પદવી ધરાવતા યુવા પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડૉ. કૃણાલ શાસ્ત્રીજી વ્યાસપીઠ પરથી શિવ મહાપુરાણનું કથાવિસ્તાર કરશે. રાષ્ટ્રીય અંધજન મંડળની ભરૂચ-નર્મદા જિલ્લા શાખા છેલ્લા ત્રણ દાયકાથી અંધજનો અને અન્ય દિવ્યાંગજનો માટે રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમો, શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુઓ માટે શિક્ષણ અને તાલીમની સ્થાનિક સુવિધાઓનો અભાવ હોવાથી, સંસ્થા તેની સેવાઓનું વિસ્તરણ કરી રહી છે. આ અંતર્ગત, સમાજમાં જાગૃતિ અને સેવાભાવ વધારવાના હેતુથી શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે.
ACF શૈલેષ ખાંભલા દ્વારા પત્ની અને બે સંતાનોની હત્યા બાદ પોલીસે ઝડપી તપાસ કરી આરોપીને પકડી લીધો છે. આ ઘટનાના પગલે ભાવનગર બાર અને ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ આ આરોપીનો બચાવ ન કરવાનો સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. અન્ય જિલ્લાનાં વકીલોને પણ બચાવથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે. બાર અને ક્રિમિનલ બાર એસોસિએશન આ જઘન્ય અપરાધને સખત શબ્દોમાં વખોડ્યો છે. 'પોલીસને શૈલેષે ગેરમાર્ગે દોરવવા ઘણો પ્રયત્ન કર્યો'આ અંગે 12 એસોસિએશનના પ્રમુખ હિમાંશુ બાલકૃષ્ણ જોશીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં થોડા સમય અગાઉ શૈલેષ ખાંભલા નામના વ્યક્તિએ પોતાના પત્ની અને બે સંતાનો, દીકરો અને દીકરીની હત્યા કરી એવી ફરિયાદ થઈ છે. પોલીસે આ અંગે તપાસ કરી, પોલીસને એને(શૈલેષ) ગેરમાર્ગે દોરવવા ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ફાઇનલી પોલીસની જે કડીઓ મળતા એના આરોપીને પકડી લીધો છે અને એની સામે અત્યારે કાર્યવાહી ચાલુ છે. ચાર્જસીટ પછી થશે. પોલીસ તપાસ અત્યારે વ્યવસ્થિત રીતે ચાલી રહી છે. પોલીસને અમે બિરદાવીએ છીએ. 'શૈલેષ ખાંભલાની બચાવ કરવા વકીલો રોકાશે નહીં'બાલકૃષ્ણ જોશીએ જણાવ્યું હતું કે, અમે ભાવનગર બાર એસોસિએશન, ભાવનગર ક્રિમિનલ બાર એસોસિએશનના સભ્યોએ સ્વૈચ્છિક એવો નિર્ણય લીધેલ છે. આ વ્યક્તિ શૈલેષ ખાંભલાની બચાવ કરવા વકીલો રોકાશે નહીં. અને બીજા જિલ્લાના વકીલોને અમે વિનંતી કરીએ છીએ, શક્ય હોય ત્યાં સુધી તમે તમારી રીતે તમારા આત્માનો અવાજ સાંભળો. જે વ્યક્તિએ પોતાના પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી એવી પોલીસ ફરિયાદ લીધી છે, પોલીસે ખુદે કરી છે, ત્યારે એનો બચાવ કરવો ના જોઈએ. તો તમે પણ તમારી રીતે એનો બચાવ કરવા રોકાવ નહીં એવી અમારી વિનંતી છે. 'આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ'તેને વધુમાં કહ્યું કે, આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કૌટુંબિક ઝઘડો કે કૌટુંબિક વાતાવરણને કોઈપણ રીતે આવું ઉગ્ર સ્વરૂપ આપીને કોઈ વ્યક્તિએ પોતાના પરિવાર સાથે આવો જઘન્ય કૃત્ય કરાય જ નહીં. એવું શાસ્ત્રમાં ઉપરાંત આપણા સમાજમાં વર્ષોથી આવે છે. પણ અને બહુ જ ખરાબ કૃત્ય કર્યું છે. અમે એને પણ વખોડી રહ્યા છીએ.
દસ્તાવેજની ચોરી કરી માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ ભાવનગર શહેરના સિદસર-ચિત્રા રોડ મીરાનગર ખાતે રહેતા અને ગુજરાત પોલીસમાંથી નિવૃત્ત થયેલા એએસઆઈના પત્નીએ પોતાના જ દીકરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. પિતા એ આજીવન કમાણીથી બનાવેલ ઘર પુત્રએ પોતાના નામે કરાવવા મકાનનો કબજો લઈ, મકાન ખાલી કરાવવા માતા-પિતાને માર મારી, દસ્તાવેજ ચોરી કરી હોવાનો અને જાનથી મારી નાખવા ની ધમકી સહિતની ફરિયાદ માતાએ પુત્ર વિરુદ્ધ વરતેજ પોલીસ મથકે નોંધાવી હતી. આજીવનની કમાણીમાંથી બનાવેલું મકાન આ બનાવ અંગે વરતેજ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી ગંગાબેન દેવજીભાઈ સોલંકી ઉ.વ.69, રહે.ઉમરાળા, મુળ રહે.મીરાનગર ભાવનગર વાળા ફરિયાદમાં તેમના પતિ દેવજીભાઈ સોલંકી ગુજરાત પોલીસમાં એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવતા હતા અને પંદરેક વર્ષ પહેલા નિવૃત્ત થયા હતા. નિવૃત્તિ બાદ તેમણે તેમની આજીવનની કમાણીમાંથી સિદસર-ચિત્રા રોડ પર મીરાનગરમાં પ્લોટ નં. 69-બી પર આશરે 232 ચોરસ વારનો પ્લોટ ખરીદી મકાન બનાવ્યું હતું, જેનો દસ્તાવેજ પતિ દેવજીભાઈના નામે છે. બંને આ મકાનમાં નિવૃત્ત જીવન પસાર કરતા હતા. પેરાલિસિસગ્રસ્ત પિતા અને વૃદ્ધ માતા પર પુત્રનો અત્યાચાર બે વર્ષથી પતિ દેવજીભાઈને પેરાલિસિસની બીમારી છે. આ સમય દરમિયાન, તેમનો દીકરો ધીરજ દેવજીભાઈ સોલંકી ઉ.વ.50 જે પત્ની અને બાળકો સાથે અલગ ભાડે રહે છે, તે અવારનવાર ઘરે આવી માતા-પિતાને મકાન ખાલી કરવા અને દસ્તાવેજ પોતાના નામે કરી આપવા માટે ગાળો આપી ઢીકા-પાટુનો માર મારતો હતો. દીકરાના ત્રાસથી કંટાળી ગંગાબેન અને તેમના પતિ, મકાનનો અસલ દસ્તાવેજ પતરાના કબાટના લોકરમાં સંતાડી, મકાનને તાળું મારી છેલ્લા છ મહિનાથી તેમની દીકરી નિર્મળાબેનના ઘરે ઉમરાળા રહેવા ચાલ્યા ગયા હતા. તાળું તોડી ઘરમાં પ્રવેશી દસ્તાવેજની ચોરી કરી ગઈ તા.18/11/2025 ના રોજ સવારના આશરે અગિયાર વાગ્યે ગંગાબેન પોતાની દીકરી પારૂલબેન રહે.રાજકોટ સાથે મીરાનગર સ્થિત પોતાના ઘરે ચીજ-વસ્તુ લેવા માટે ગયા હતા. ત્યારે તેમણે જોયું કે, દીકરા ધીરજે તેમના મકાનનું મેઇન ગેઇટનું તાળું તોડી નાખ્યું હતું અને તે પોતે મકાનમાં રહેતો હતો.ઘરમાં જઈ કબાટનું લોકર તપાસતા તેનો લોક પણ તૂટેલો હતો અને લોકરમાં સંતાડેલો આશરે રૂ.20,00,000 ની કિંમતના મકાનનો અસલ દસ્તાવેજ ગુમ થઈ ગયો હતો, 'આ દસ્તાવેજ મેં લીધો છે, તું અહીંથી જતી રહે, નહીંતર જીવતી નહીં રહેવા દઉં' ગંગાબેને દીકરા ધીરજને દસ્તાવેજ બાબતે પૂછતાં તેણે કહ્યું કે, આ દસ્તાવેજ મેં લીધેલ છે અને આ મકાન મારા નામે કરવાનું છે. તું ડોશી અહીંથી જતી રહે, નહીંતર તને જીવતી નહીં રહેવા દઉં. તેમ કહી ગાળો આપી, ઢીકા-પાટુનો માર મારી માતા અને બહેનને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. દીકરો હોવાથી ગંગાબેને ઘરમેળે સમાધાન થાય અને દસ્તાવેજ પરત મળી જાય તે આશાએ તે સમયે પોલીસ ફરિયાદ કરી ન હતી. પરંતુ આજદિન સુધી દસ્તાવેજ પરત ન મળતા આખરે તેમને પોલીસનો સહારો લેવો પડ્યો હતો. ગંગાબેનના પતિએ ફરિયાદમાં ઉમેર્યું કે, ધીરજ અગાઉ પણ બે-ત્રણ વાર તેમને બળજબરીથી દસ્તાવેજ પોતાના નામે કરી લેવા માટે મામલતદાર ઓફિસમાં લઈ ગયો હતો. પુત્ર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ આખરે ગંગાબેન તેમની દીકરીઓ પારૂલબેન અને નીતાબેન સાથે વરતેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવ્યા હતા. ગંગાબેનની ફરિયાદના આધારે, તેમના દીકરા ધીરજ દેવજીભાઈ સોલંકી વિરુદ્ધ તા.18/11/2025 ના સવારના અગિયાર વાગ્યા પહેલાના કોઈ પણ સમયે મકાનનું તાળું તોડી ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ, કબાટનું તાળું તોડી અસલ દસ્તાવેજની ચોરી કરવા બદલ, ગાળો આપી માર મારવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ વરતેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આયુષ મંત્રાલયના સહયોગથી બીજી WHO ગ્લોબલ સમિટ ઓન ટ્રેડિશનલ મેડિસિનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ 17 થી 19 ડિસેમ્બર 2025 દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાશે. ભારત 2023માં ગુજરાતમાં સફળતાપૂર્વક યોજાયેલી પ્રથમ સમિટ પછી બીજી વખત આ વૈશ્વિક કાર્યક્રમનું આયોજન કરશે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય માનવ આરોગ્ય અને સુખાકારી માટે પરંપરાગત દવાને મુખ્ય પ્રવાહમાં લાવવાનો છે, જે ભારતના સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સન્તુ નિરામયઃ ના વિઝન સાથે સુસંગત છે. આઈ.ટી.આર.એ.ના ડાયરેક્ટર પ્રો. તનુજા નેસરીએ જણાવ્યું કે, આ વર્ષની સમિટની થીમ સંતુલન પુનઃસ્થાપિત કરવું: આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહાર (Restoring balance: The science and practice of health and well-being) છે. આ કાર્યક્રમમાં 100થી વધુ દેશોના મંત્રીઓ, નીતિ ઘડવૈયાઓ, વૈશ્વિક આરોગ્ય નેતાઓ, સંશોધકો, નિષ્ણાતો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ ભાગ લેશે. આયુષ મંત્રાલય અશ્વગંધા પર એક સમર્પિત સાઇડ ઇવેન્ટનું પણ આયોજન કરશે. અશ્વગંધા ભારતના સૌથી જાણીતા અને વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરાયેલા ઔષધીય છોડમાંથી એક છે, જે પરંપરાગત અને સમકાલીન આરોગ્ય પ્રથાઓમાં તેના મહત્વને પ્રકાશિત કરશે. પરંપરાગત દવાઓમાં ભારતનું વૈશ્વિક નેતૃત્વ નોંધનીય છે. આયુર્વેદ, યોગ, નેચરોપેથી, યુનાની, સિદ્ધ, સોવા-રિગ્પા અને હોમિયોપેથી જેવી આયુષ પ્રણાલીઓ સદીઓથી લોકોની સેવા કરી રહી છે અને આજે તે સર્વગ્રાહી સ્વાસ્થ્ય માટે વિશ્વભરમાં વિશ્વસનીય ઉકેલો તરીકે માન્યતા પ્રાપ્ત છે. ગુજરાતના જામનગરમાં WHO ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની સ્થાપના ભારતના પરંપરાગત જ્ઞાન પ્રણાલીઓમાં વધી રહેલા વૈશ્વિક વિશ્વાસને દર્શાવે છે. આગામી સમિટના આયોજનમાં આયુષ મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રયાસો પ્રશંસનીય છે. પરંપરાગત દવામાં જાગૃતિ વધારવા અને જાહેર વિશ્વાસને મજબૂત કરવામાં મીડિયાની ભૂમિકા પણ મહત્વપૂર્ણ છે. ભારતના પ્રધાનમંત્રી સમિટના સમાપન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. સમિટમાંથી ઉદ્ભવતા વિચાર-વિમર્શ અને સહયોગ વિશ્વને આરોગ્ય સંભાળના વધુ સર્વગ્રાહી,સમાવેશી અને ટકાઉ ભવિષ્ય તરફ માર્ગદર્શન આપશે. પરંપરાગત દવા પરની વૈશ્વિક નિર્ભરતાને ધ્યાનમાં રાખીને, સંશોધન, નવીનતા અને નિયમનકારી મજબૂતીકરણ દ્વારા પુરાવાના અંતરને દૂર કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. સમિટના વિચાર-વિમર્શના ભાગરૂપે,અશ્વગંધા: પરંપરાગત જ્ઞાનથી વૈશ્વિક અસર સુધી–અગ્રણી વૈશ્વિક નિષ્ણાતોના પરિપ્રેક્ષ્યોશીર્ષકવાળી એક કેન્દ્રિત સાઇડ ઇવેન્ટ 17–19 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાશે. WHO-GTMC દ્વારા આયુષ મંત્રાલયના સહયોગથી આયોજિત આ સત્ર અશ્વગંધાની વૈજ્ઞાનિક સમજને વધુ ગાઢ બનાવવા માટે અગ્રણી સંશોધકો, નીતિ ઘડવૈયાઓ અને ક્લિનિશિયનોને એકસાથે લાવશે. ચર્ચાઓ પરંપરાગત જ્ઞાનની સમજ સાથે જોડાયેલા તેના અનુકૂલનશીલ, ન્યુરોપ્રોટેક્ટિવ અને ઇમ્યુનોમોડ્યુલેટરી ગુણધર્મો પરના સમકાલીન પુરાવાઓને પ્રકાશિત કરશે. સલામતી મૂલ્યાંકન પર ભાર મૂકતા, આ સત્રનો હેતુ ઉચ્ચ-ગુણવત્તાવાળા, પુરાવા-આધારિત અશ્વગંધા ઉત્પાદનોની વૈશ્વિક સ્વીકૃતિને વધુ આગળ વધારવાનો છે. ITRAની વ્યૂહાત્મક ભૂમિકાઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ (ITRA), જામનગર, આયુર્વેદ ક્ષેત્રે ભારતની મુખ્ય શૈક્ષણિક અને સંશોધન સંસ્થા, સમ્મેલનમાં રાષ્ટ્રીય શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને તકનીકી ભાગીદાર તરીકે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ITRAના યોગદાનમાં સમાવેશ છે:પ્રો. તનુજા નેસરી, ડિરેક્ટર, ITRA — કાર્યક્રમ માટેની મુખ્ય કારોબારી કમિટીના સભ્ય છે અને વિવિધ કાર્યક્રમોનું સંકલન સંભાળી રહ્યાં છે. પ્રો.(ડૉ.) તનુજા નેસરી સમ્મેલનમાં મહત્વપૂર્ણ નેતૃત્વ જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં તેઓ અધ્યક્ષ તરીકે ફરજ બજાવશે એક્સપો અને સાંસ્કૃતિક પ્રસ્તુતી સમિતિમાં તેમજ સહ-અધ્યક્ષ તરીકે ડિજિટલ હેલ્થ અને ઇનોવેશન સમિતિમાં કાર્યરત રહેશે. નવા WHO GTMC કેમ્પસ તૈયાર થાય ત્યાં સુધી WHO GTMCનું કામચલાઉ કાર્યાલય ITRA કેમ્પસમાં સ્થિત છે. પુરાવા સંકલન, ફાર્માકોવિજિલન્સ, ડિજિટલ દસ્તાવેજીકરણ, શિક્ષણ, નૈતિકતા, જૈવવિધતા અને એકીકરણ ફ્રેમવર્ક માટે સમ્મેલનના ટ્રૅક્સ માટે પૃષ્ઠભૂમિ સંશોધન પેપરો, ટેક્નિકલ બ્રીફ્સ અને સંકલ્પ નોંધો પ્રદાન કરવી. જ્ઞાન સંચાલન, નિષ્ણાતોની ભલામણો, ક્ષમતા-વિકાસ મોડ્યુલ્સ, WHO ફેલોશિપ ફોર્મેટ્સ અને આંતરરાષ્ટ્રીય સહકાર ફ્રેમવર્ક સુગમ કરવું. ITRAના સહયોગથી સંકૃતિ અને સંગિતના માધ્યમથી થશે વિશેષ પ્રસ્તુતી:આઇ.ટી.આર.એ. જામનગરના પ્રયાસો અને વિચારબિંદુથી સ્વરૂપવંત થયેલા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમનું આ વૈશ્વિક સમ્મેલનમાં મંચન થવા જઇ રહ્યું છે. જેમાં પદ્મશ્રી અને ત્રણ વાર સંગિત વિશ્વનો ગ્રેમી એવોર્ડ વિજેતા “વિકિ કેજ” દ્વારા 'રિસ્ટોરિંગ ધ બેલેન્સ' થીમ પર શબ્દ-સંગિતના માધ્યમથી સમ્મેલનમાં ઉપસ્થિત વિશ્વભરના લોકો વચ્ચે પ્રસ્તુતી કરશે જેમાં દૂનિયાભરના છેવાડાના અને પરંપરાગત ચિકિત્સા કરતા લોકોની વાતને કેન્દ્રવર્તી બનાવી રજૂ કરવામાં આવશે તેમજ પરંપરાગત ચિકિત્સાના ભવ્ય ઇતિહાસને ઉજાગર કરાશે. ત્યારે જામનગર માટે એક ગૌરવવંતિ ક્ષણ બની રહેશે. સમ્મેલનમાં એક પ્રદર્શ વિસ્તાર હશે — જેમાં આયુષ મંત્રાલય માટે વિશેષ વિભાગ રહેશે, જેમાં આયુર્વેદ ક્ષેત્રે ભારતના નેતૃત્વને ક્યુરેટેડ પ્રદર્શન, ક્લિનિકલ અને ફાર્માસ્યુટિકલ ડેટા, ઇન્ટિગ્રેટિવ હેલ્થકેર મોડલ્સ, સમુદાય આધારિત ઉપયોગ, આયુર્વેદ શિક્ષણ અને નવીન ટેક્નોલોજીના પ્રદર્શન દ્વારા રજૂ કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને તેની આસપાસના 11 ગામોમાં 'હુડા' (હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી) ના વિરોધમાં આજે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આ બંધના કારણે શહેરના બજારો, શાકમાર્કેટ અને માર્કેટયાર્ડ સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. આ એલાન 11 ગામોની હુડા વિરોધ સંકલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું. હિંમતનગરની આસપાસના 11 ગામોનો સમાવેશ કરીને હુડાની રચના કરવામાં આવી છે. તેનો ડ્રાફ્ટ પ્લાન રજૂ થયા બાદથી જ આ 11 ગામોના લોકો દ્વારા હુડા રદ કરવાની માંગ સાથે છેલ્લા 95 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. હુડા સંકલન સમિતિ દ્વારા 12 ડિસેમ્બર, શુક્રવારે હિંમતનગર બંધનું એલાન જાહેર કરાયું હતું. શુક્રવારે સવારથી જ હિંમતનગરના સહકારી જીન, મહાવીરનગર, ખેડ તસિયા રોડ, ટાવર ચોક, નવા બજાર, જૂના બજાર, ગાંધી રોડ, હાજીપુરા ન્યાય મંદિર, મહેતાપુરા, RTO, મોતીપુરા સહિતના વિસ્તારોના બજારો બંધ રહ્યા હતા. ટાવર ચોક ખાતેનું શાકમાર્કેટ પણ બંધ રહ્યું હતું. આ ઉપરાંત, હિંમતનગરનું માર્કેટયાર્ડ અને કોટન માર્કેટયાર્ડ પણ બંધ રહીને ખેડૂતોને સમર્થન પૂરું પાડ્યું હતું. હિંમતનગર બંધના એલાનને ધ્યાનમાં રાખીને શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
મોરબીમાં ડીલક્ષ પાનમાંથી 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું:દુકાનદારની ધરપકડ, સપ્લાયરની શોધખોળ શરૂ
મોરબી-માળિયા હાઈવે પર આવેલી ડીલક્ષ પાન નામની દુકાનમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે અને કુલ રૂ. 1,01,600નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસને શિવસાગર કોમ્પ્લેક્સમાં આવેલી આ દુકાનમાં ડ્રગ્સનો જથ્થો હોવાની બાતમી મળી હતી. રેડ દરમિયાન, સ્થળ પરથી રૂ. 42,000ની કિંમતનું 14 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, રૂ. 30,000ની કિંમતના બે મોબાઈલ ફોન અને ડ્રગ્સના વેચાણમાંથી મળેલા રૂ. 29,600 રોકડા મળી આવ્યા હતા. આરોપી નવઘણભાઈ કિશોરભાઈ છીપરીયા (ઉં.વ. 25, રહે. કુબેરનાથ સોસાયટી, મોરબી, મૂળ રહે. નવાગામ ઘેડ, જામનગર)ની ધરપકડ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં તેણે ધાંગધ્રાના કલ્પેશ પાસેથી આ ડ્રગ્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ડ્રગ્સ સપ્લાય કરનાર કલ્પેશને પકડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.
જો તમને કોઈ કહે કે તમે ઓસ્ટ્રેલિયા, યુકે, યુએસએ જેવી વર્લ્ડ-ક્લાસ યુનિવર્સિટીમાં જઈ શકો છો, અને તે પણ ₹25 લાખ સુધીનો ખર્ચ બચાવીને, તો શું તમે માનશો? હા, આ શક્ય છે! કેમ કે પહેલું વર્ષ ભારતમાં, અને પછી સીધા વિદેશમાં એન્ટ્રી! દિવ્ય ભાસ્કર અને ગ્રેડનેટીક ગ્લોબલ કેમ્પસીસ એક અનોખું અને ખર્ચ-બચત કરતું સોલ્યુશન લઈને આવ્યા છે. વિદેશની યુનિવર્સિટીના માન્યતા પ્રાપ્ત અભ્યાસ ભારતમાંઆ પ્રોગ્રામ હેઠળ, તમે યુસએ, યુકે, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની મોટી યુનિવર્સિટીઓના માન્યતા પ્રાપ્ત પ્રથમ વર્ષનો અભ્યાસ ભારતમાં રહી ને જ પૂરો કરી શકો છો. આનો સૌથી મોટો ફાયદો એ છે કે વિદેશમાં અભ્યાસનો પહેલા વર્ષનો મોટો ખર્ચ બચાવી શકો છો. ત્યારબાદ પસંદ કરેલા વિદેશી કેમ્પસમાં સીધા બીજા વર્ષમાં પ્રવેશ મેળવી શકો છો. આ એક એવો રસ્તો છે જે વિઝા મેળવવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં મદદરૂપ થશે અને સાથે જ વાલીઓનો આર્થિક બોજ પણ હળવો કરશે. 13 ડિસે. વન-ટુ-વન યુનિવર્સિટી મીટ અને AI એપ ડેવલોપમેન્ટ વર્કશોપઆ સામાન્ય એજ્યુકેશન ઈવેન્ટ નથી. પણ અહીં તમને ઓસ્ટ્રેલિયા અને યુકેની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ સાથે રૂબરૂ (વન-ટુ-વન) મળવાનો મોકો મળશે. સાથે વિદ્યાર્થીઓ માટે AI થી કોડિંગ વગર એપ કેવી રીતે બનાવવી તેનો ખાસ વર્કશોપ પણ અહી રાખવામાં આવ્યો છે. આ વર્કશોપનુ સર્ટિફિકેટ તમારી પ્રોફાઇલમાં મહત્વપૂર્ણ ઉમેરો કરશે. ક્યારે અને ક્યાં? વધુ જાણવા અને ફ્રી રજિસ્ટ્રેશન કરવા માટે: મોબાઈલ નંબર: 9190000092 પર કોલ કરો.
તાજેતરમાં સુરતની ફેમિલી કોર્ટમાં ભરણપોષણનો એક અત્યંત વિચિત્ર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે ભરણપોષણના કેસમાં દંપતી અલગ રહેતા જોવા મળતા હોય છે, પરંતુ અહીં એક જ ઘરમાં સાથે રહેતી પત્નીએ પતિ પાસે ભરણપોષણની માગ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પત્નીની અરજી ફગાવી દેતા સ્પષ્ટ કર્યું કે, જો પત્ની આર્થિક રીતે સક્ષમ હોય અને પાયાની જરૂરિયાતો સંતોષાતી હોય તો ભરણપોષણનો હક મળવાપાત્ર નથી. શું હતો સમગ્ર મામલો?આ કેસની વિગત એવી છે કે, એક દંપતી લાંબા સમયથી ઘરેલુ ઝઘડાઓને કારણે કાયદાકીય લડત લડી રહ્યું છે. નવાઈની વાત એ છે કે, બંને હજુ પણ એક જ છત નીચે રહે છે. પત્ની નજીકની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે અને માસિક 20,000 રૂપિયા પગાર મેળવે છે, તેમ છતાં તેણીએ કોર્ટમાં અરજી કરી પતિ પાસે દર મહિને 50,000 રૂપિયા ભરણપોષણની માગ કરી હતી. પતિના પગાર કરતા વધુ રકમ ભરણપોષણ માટે માગીપત્નીએ કોર્ટમાં દાવો કર્યો હતો કે, તેના પતિની આવક 80,000 રૂપિયા છે. જોકે, હકીકતમાં પતિની માસિક આવક માત્ર 35,000 રૂપિયા હતી. પતિ તરફે હાજર રહેલા એડવોકેટ શિવાની ચાહવાલાએ દલીલ કરી હતી કે, પત્ની પોતાની આવક કરતા પણ વધુ રકમની માંગણી કરી રહી છે જે અતાર્કિક છે. વધુમાં, દંપતીને કોઈ સંતાન પણ નથી, જેથી આટલી મોટી રકમની જરૂરિયાત ઊભી થતી નથી. પત્ની પાસે આવક છે, ભૂખે મરવાનો વારો આવે તેવી સ્થિતિ નથીઃ કોર્ટકોર્ટે આ કેસમાં પત્નીની બેવડી નીતિની આકરી નોંધ લીધી હતી. કોર્ટે અવલોકન કર્યું કે, પત્નીએ પોતાની અરજીમાં પોતે 'ગૃહિણી' હોવાનું જણાવ્યું હતું, જ્યારે હકીકતમાં તે નોકરી કરી રહી હતી. બેંક સ્ટેટમેન્ટ દ્વારા તેની આવક સાબિત થઈ હતી. દંપતી એક જ ઘરમાં રહે છે અને ઘરનો તમામ પાયાનો ખર્ચ જેમાં ખોરાક, વીજળી વગેરે પતિ જ ઉઠાવી રહ્યો છે. પત્ની પાસે પોતાની આવક છે અને તેની સ્થિતિ એવી નથી કે તેણે ભૂખે મરવાનો વારો આવે. જ્યારે પત્ની શિક્ષિત હોય, કમાતી હોય અને પતિ સાથે એક જ ઘરમાં રહેતી હોય ત્યારે ભરણપોષણની આવી માંગણી કાયદાકીય રીતે ટકી શકે નહીં. કોર્ટે પત્નીની તમામ માગણી ના મંજૂર કરીપત્નીએ માત્ર ભરણપોષણ જ નહીં, પરંતુ આ કેસ લડવા માટેના કાનૂની ખર્ચ પેટે પણ 50,000 રૂપિયાની માગ કરી હતી. કોર્ટે પત્નીના વર્તન અને તેની આર્થિક સદ્ધરતાને ધ્યાનમાં રાખીને આ માંગણી પણ નામંજૂર કરી દીધી હતી. હાલમાં પતિએ પત્ની વિરુદ્ધ ડિવોર્સનો કેસ પણ દાખલ કર્યો છે.
મોરબીમાં પોલીસ ભરતીના ઉમેદવારનું નિધન:દોડ્યા બાદ હાર્ટએટેક આવતાં યુવાનનું મોત
મોરબીમાં પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા એક યુવાનનું દોડ્યા બાદ હાર્ટ એટેક આવવાથી નિધન થયું છે. આ ઘટના મોરબીના એલ.ઇ. કોલેજ ગ્રાઉન્ડ ખાતે બની હતી. મૃતક યુવાનનું નામ રાજેશકુમાર નાગદાનભાઈ જેઠા (ઉંમર 25) હતું, જે વાવડી રોડ પર આવેલા ગાયત્રીનગર વિસ્તારનો રહેવાસી હતો. ગઈકાલે રાત્રે આશરે 8:45 વાગ્યે રાજેશ એલ.ઇ. કોલેજના ગ્રાઉન્ડ ખાતે દોડવાની પ્રેક્ટિસ કરવા ગયો હતો. દોડ્યા બાદ તેને અચાનક છાતીમાં ગભરામણ થવા લાગી હતી અને હાર્ટ એટેક આવ્યો હતો. આ કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. રાજેશના મૃતદેહને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ દ્વારા આ ઘટના અંગે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે બનાવની નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે તપાસ કરી રહેલા એ.એમ. જાપડીયાએ જણાવ્યું હતું કે, યુવાન પોલીસ ભરતીની તૈયારી કરતો હતો અને દોડવા ગયો ત્યારે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે.
મુળી તાલુકામાં યુરિયા ખાતરની તંગી:રવિ પાક માટે ખાતર લેવા ખેડૂતો લાઈનમાં ઉભા રહેવા મજબૂર
મુળી તાલુકામાં ખેડૂતોને યુરિયા ખાતરની તીવ્ર તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિ પાકની સિઝનમાં ખાતરની ખાસ જરૂરિયાત હોવા છતાં, સરકાર દ્વારા ફાળવવામાં આવતું યુરિયા પૂરતું નથી. ખેડૂતોને દર સાત દિવસે માત્ર એક ગાડી યુરિયા ખાતર મળે છે, જે તેમની ખેતીની જરૂરિયાતો પૂરી કરવા માટે અપૂરતું છે. આના કારણે ખેડૂતોને પાક વાવવામાં અને તેની જાળવણીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે ખાતરી આપી છે કે, રાજ્યમાં યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે વિતરણનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. આ સરકારી ખાતરી છતાં, મુળી તાલુકાના ખેડૂતો હજુ પણ ખાતરની અછતનો અનુભવ કરી રહ્યા છે. ખેડૂતોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને, આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
અમરેલીમાં PGVCLની નવી ગ્રામીણ-2 કચેરી મંજૂર:ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાએ 44 જગ્યાઓ સાથે મંજૂરી આપી
અમરેલીમાં PGVCL હસ્તકની નવી ગ્રામીણ-2 પેટા વિભાગ કચેરીને રાજ્ય સરકારે મંજૂરી આપી છે. ઊર્જા મંત્રી કૌશિક વેકરિયાએ ખાસ કિસ્સામાં આ કચેરીની રચનાને 44 જગ્યાઓ સાથે મંજૂરી આપી છે. લાંબા સમયથી અમરેલી ગ્રામીણ પેટા વિભાગ કચેરીનું વિભાજન કરીને નવી કચેરી બનાવવાની માંગણી હતી. સ્થાનિકો દ્વારા વહીવટી સુગમતા માટે રાજ્યના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. પ્રજાની રજૂઆતને ધ્યાનમાં રાખીને રાજ્ય મંત્રીએ સત્તા સંભાળ્યાના માત્ર દોઢ માસમાં જ આ કચેરીની રચનાને મંજૂરી આપવા ઊર્જા વિભાગને નિર્દેશ આપ્યા હતા. તેના અનુસંધાને ઊર્જા વિભાગ દ્વારા 10મી ડિસેમ્બરના રોજ નોટિફિકેશન બહાર પાડી કચેરીના વિભાજનને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરાયેલી કુલ 44 જગ્યાઓમાંથી, 35 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવી છે, જ્યારે 9 જગ્યાઓ હાલના અમરેલી ગ્રામીણ પેટા વિભાગમાંથી સ્થાનાંતરિત કરવામાં આવશે.
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં કોલેજ રોડ પર આવેલા શક્તિ કોમ્પલેક્ષની પ્રથમ માળની ગેલેરી ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ગેલેરી તૂટીને કોમ્પલેક્ષની નીચે આવેલા એક ટી સ્ટોલના શેડ પર પડી હતી. જે સમયે આ દુર્ઘટના બની, તે સમયે ટી સ્ટોલ પર કેટલાક લોકો ચા પી રહ્યા હતા. ગેલેરી ધડાકાભેર તૂટી પડતા ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. દુર્ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઘટનાની જાણ થતા જ બીલીમોરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે ધરાશાયી થયેલા કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓને આર્થિક રીતે સક્ષમ અને સ્વાવલંબી બનાવવાના હેતુથી એમ.પી. શાહ કોમર્સ કોલેજ ખાતે 'મહિલા સ્વરોજગાર મેળા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનું સંયુક્ત ઉપક્રમે મહિલા અને બાળ અધિકારીની કચેરી, સુરેન્દ્રનગર અને જિલ્લા રોજગાર કચેરી, સુરેન્દ્રનગર દ્વારા આયોજન કરાયું હતું. આ સ્વરોજગાર મેળામાં વિવિધ ક્ષેત્રની 6 પ્રતિષ્ઠિત કંપનીઓ નોકરીદાતા તરીકે ઉપસ્થિત રહી હતી. કુલ 250 જેટલા ઉત્સાહી મહિલા ઉમેદવારોએ આ મેળામાં ભાગ લીધો હતો, જેમાંથી સ્થળ પર જ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. નોકરીદાતા કંપનીઓમાં પીપલ ટ્રી ફાઉન્ડેશન – સુરેન્દ્રનગર, ડ્રીમ વ્હીક્લસ પ્રા. લી. – વઢવાણ, નીલ એન્જીનીયરીંગ – સુરેન્દ્રનગર, ઇન્ડીયાના ઓપ્થાલ્મીક – વઢવાણ, એસ.બી.આઇ. લાઇફ ઇન્સ્યોરન્સ અને એલ.આઇ.સી. ઓફ ઇન્ડીયા – સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ પ્રસંગે રોજગાર કચેરીના પ્લેસમેન્ટ ઓફિસર નીતિનભાઈ પરમાર દ્વારા ઉપસ્થિત ઉમેદવારોને રોજગારલક્ષી મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી એન.એચ. સોઢા અને એમ.પી. શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડી.આર. વજાણીએ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. વક્તાઓએ દીકરીઓને સાચા અર્થમાં સ્વાવલંબી બનાવવા માટે પ્રેરણાત્મક અને રોજગાર વિષયક માહિતીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે મહિલાઓ આર્થિક ઉપાર્જનમાં વધુમાં વધુ સહભાગી બને અને મહિલા થકી વિકાસ થાય તે બાબતને પરિપૂર્ણ કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કોર્ડીનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમની વિગતવાર રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રોજગાર કચેરી, મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, સુરેન્દ્રનગર અને એમ.પી. શાહ કોમર્સ કોલેજના સમગ્ર સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં ફેરફારો જોવા મળી રહ્યા છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે લઘુત્તમ તાપમાન ફરી વધીને 18 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 16 થી 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. જ્યારે દિવસનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જેના કારણે શિયાળાની અસર ઓછી અનુભવાશે. ખેડૂતો માટે હવામાન આધારિત સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. જેમાં વાવણી કરેલા પાકમાં સારી વૃદ્ધિ માટે સમયસર આંતરખેડ અને નિંદામણ કરવાની સલાહ અપાઈ છે. વહેલી સવારે કપાસના પાકની વીણી કરવા માટે આ સમય અનુકૂળ માનવામાં આવ્યો છે. વધુમાં, પવનની ગતિને ધ્યાનમાં રાખીને દવાનો છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવી છે, જેથી દવાની અસરકારકતામાં ઘટાડો ન થાય. ભરૂચમાં આગામી દિવસોમાં હવામાન નરમ રહેવાની શક્યતા છે, જે ખેડૂતોને સમયસર કૃષિ કામગીરી કરવામાં મદદરૂપ થશે.
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રવી સિઝનમાં કુલ 1,68,194 હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ પૈકી સૌથી વધુ ચણાનું 50,745 હેક્ટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં જીરું, રાઈ, ઘઉં, ઘાસચારો અને અજમા જેવા પાકોનું પણ મોટા પાયે વાવેતર થયું છે. ખેડૂતો હવે ડુંગળી, બટાકા અને મેથી જેવા પાકો તરફ પણ વળી રહ્યા છે. ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું. આથી, રવી સિઝનમાં સારા ઉત્પાદન અને આવકની આશાએ ખેડૂતોએ તમાકુ, ચણા, રાઈ, જીરુ, સુવા, ઇસબગુલ, વરિયાળી, શાકભાજી, ઘાસચારો, મેથી, અજમો, ગાજર અને ધાણા જેવા વિવિધ પાકોનું વાવેતર કર્યું છે. હાલ શિયાળુ પાકોમાં રોગ અને જીવાતોનો ઉપદ્રવ ઓછો હોવાથી ખેડૂતોને આ વર્ષે સારું ઉત્પાદન મળવાની આશા છે.
હિંમતનગરમાં ગેસ લીકેજથી મકાનમાં આગ:આંબાવાડી પોલીસ લાઈનમાં રસોડાનો સામાન બળી ગયો
હિંમતનગરની આંબાવાડી પોલીસ લાઈનમાં ગેસ લીકેજ થતાં એક મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં રસોડાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયર વિભાગને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટના શુક્રવારે સવારે મહાવીરનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે આવેલી આંબાવાડી પોલીસ લાઈનના બ્લોક નંબર 10, મકાન નંબર 120માં બની હતી. આ મકાન પ્રવીણસિંહ બાલુસિંહ રાઠોડનું છે. પ્રાથમિક તપાસમાં એલપીજી ગેસ બોટલ લીકેજ થવાને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. આગની જાણ થતાં જ હિંમતનગર ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગને બુઝાવી હતી. આગને કારણે રસોડામાં રાખેલો મોટાભાગનો સામાન બળી ગયો હતો. પરિવારના સભ્યો સમયસર બહાર નીકળી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. હિંમતનગર ફાયર વિભાગના મયંકભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે, કોલ મળતા જ ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લીધી હતી.
વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ડિપ્રેશનમાં આવી ઘણી વખત આત્મહત્યા સુધીનાં પગલાં ભરતા હોય છે. ત્યારે આગામી સમયમાં આવનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ આવું કોઈ પગલું ન ભરે તે માટે રાજ્ય સરકારના આદેશને પગલે મહેસાણા જિલ્લામાં સૌપ્રથમવાર વિદ્યાર્થીઓના માનસિક હીતોના રક્ષણ માટે એક સમિતિ બનાવાઈ છે. જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં આ કમિટીની સૌપ્રથમ બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે 24 કલાક કાઉન્સિલિંગ હેલ્પલાઈન શરૂ કરવા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારીઓને સૂચના અપાઈ હતી. વિદ્યાર્થીઓની મદદ માટે બે નંબર જાહેર કરીશુંઃ કલેક્ટરઆ મામલે જિલ્લા કલેક્ટર એસ. કે. પ્રજાપતિએ જણાવ્યું કે, આગામી ફેબ્રુઆરી મહિનાથી ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ આવવાની છે. આપણે જે દર વર્ષે કરીએ છીએ એ જ રીતે પરીક્ષાઓના ફોર્મ ભરવાનું પણ ચાલુ થઈ ગયું છે. તો એના થોડા સમય અગાઉ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરવા માટેનું એક વિદ્યાર્થી મિત્ર કરીને એક સ્કીમ આપણે શરૂ કરીએ છીએ, જેમાં શિક્ષકોની ટીમ હોય. દરેક શાળામાં અને આરોગ્ય વિભાગની ટીમ સાથે એમને સંકલન કરાવી શિક્ષકોને પણ આપણે એ રીતે અમુક લેવલ સુધી ટ્રેન કરીએ કે જે લોકો આ વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરે. ટૂંકમાં કોઈ એવું ડિપ્રેશન કે એવું કોઈ વિષય ન હોય પણ આપણે સમજીએ કે ધોરણ 10 અને 12ની એક્ઝામનો જે છોકરાઓમાં ડર હોય એ કાઉન્સેલિંગથી ઓછો થાય, એટલે એ આપણે કરવાના છીએ. એના માટે એક હેલ્પલાઇન પણ શરૂ કરીશું. બે નંબર પણ આપીશું. એક જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીનો નંબર રહેશે અને એક જનરલ નંબર રહેશે. 15 દિવસ પછી આપણે આ શરૂ કરવાના છીએ. રેગિંગની ફરિયાદ માટે શાળા-કોલેજે રજિસ્ટર નિભાવવું પડશેજિલ્લા ક્લેક્ટર શૈલેષ પ્રજાપતિ ( સમિતિના અધ્યક્ષ) અને તે સિવાય જિલ્લામાં આવેલી તમામ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર, આરોગ્ય અધિકારી, પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અધિકારી સહિત 10 સભ્યોની મળેલી કમિટીની બેઠકમાં કોઈપણ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓને જો કોઈ પ્રશ્ન સતાવતો હોય તો તેના નિરાકરણ કરવા માટે તાકીદ કરાઈ હતી. સાથે કોલેજ અને શાળાઓ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં જો કોઈ રેગિંગની ઘટના બને તો તેના માટે ફરિયાદ રજિસ્ટર હવેથી નિભાવવું પડશે. વિદ્યાર્થીઓની મુશ્કેલી સાંભળવા દરેક ક્લાસમાં વિદ્યાર્થી મિત્રની નિમણૂક દરેક વર્ગમાં વિદ્યાર્થી પોતાની મૂંઝવણ અને સમસ્યા મિત્ર તરીકે કહી શકે તે માટે શૈક્ષણિક સંસ્થાના દરેક ક્લાસમાં વિદ્યાર્થી મિત્રની નિમણૂક કરવી પડશે. સાથે દરેક શૈક્ષણિક સંસ્થામાં આત્મહત્યા હેલ્પલાઈન નંબરો ટેલીમાનસ 14416 દરેક સંસ્થામાં અને તેની હોસ્ટેલોમાં નોટિસ બોર્ડ પર ફરજિયાત લગાવવો પડશે. તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થી મિત્ર સિવાય એક શિક્ષક કે પ્રોફેસરની કાઉન્સિલર તરીકે નિમણૂક પણ કરવી પડશે. ડોક્ટર સહિતના ઈમરજન્સી નંબર નોટિસ બોર્ટ પર લગાવવા સૂચનાકોઈપણ શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થી દ્વારા જો આવું પગલું ભરાય તે દરમિયાન નજીકની રેફરલ હોસ્પિટલનો સંપર્ક કરી મનોવૈજ્ઞાનિક કે કાઉન્સિલરનો સંપર્ક કરી શકાય તે માટે તેમના પણ સંપર્ક નંબર સંસ્થાનમાં નોટિસ બોર્ડ ઉપર લગાવવા તાકીદ કરાઈ હતી. આ સાથે જ ઈમરજન્સી સમયે કયા ડોક્ટરનો સંપર્ક કરવો તેની પણ માહિતી આપવાની રહેશે. ત્યાર બાદની જિલ્લામાં પ્રથમવાર આ બેઠક બેઠકોમાં આ સમિતિ તેમજ શૈક્ષણિક સંસ્થામાં મળેલી ફરિયાદો અને તેના યોગ્ય નિકાલની કામગીરી કરવામાં આવશે.
નવસારીમાં બુટલેગર અને LCB પોલીસ વચ્ચે ફિલ્મી દૃશ્યો સર્જાયા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. પોલીસે દારૂ ભરેલી એક ક્રેટા કારનો પીછો કરતા બુટલેગરે ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, પોલીસે ટ્રકો સહિતના વાહનોની આડસ મુકીને રોકવાનો પ્રયત્ન કર્યો હોવા છતાં બુટલેગર એક ઇકો કારને ટક્કર મારીને ભાગવામાં સફળ રહ્યો હતો. પોલીસે વાહનોની આડસ મૂકી નાકાબંધી કરી હતીઆ ઘટના અંગે મળતી માહિતી મુજબ નવસારી LCBને બાતમી મળી હતી કે, એક સફેદ ક્રેટા કાર (રજી.નં. GJ-01-WA-0972, સાચો રજી.નં. RJ-19-CM-8614) સેલવાસથી ઇંગ્લીશ દારૂનો મોટો જથ્થો ભરી ધરમપુર, રૂમલા થઈને રાનકુવા તરફ આવી રહી છે. આ બાતમીના આધારે LCBના હેડકોન્ટેબલ ગણેશભાઈ અને કોન્ટેબલ કિરણભાઈ ની ટીમે સ્ટેટ હાઇવે નં. 177 પર રાનકુવા પોલીસ ચોકી આગળ ટ્રક સહિતના વાહનોની આડસ મૂકીને નાકાબંધી કરી હતી. ઇકો અને ટ્રકને ટક્કર મારી બુટલેગર ભાગી ગયોઆ દરિયાન શંકાસ્પદ ક્રેટા કાર દેખાતા પોલીસે રોડ પર તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કાર ચાલકે પોલીસને જોઈને સ્પીડ વધારી હતી અને પોલીસથી બચવા માટે રાહદારીઓ પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન કાર રોડ પર ઉભેલી એક ટ્રક અને ઇકો કાર સાથે જોરદાર ભટકાઈ હતી, હોવા છતાં ફરાર થઇ ગયો હતો. પોલીસે પીછો કરતાં અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યુંજે બાદ પોલીસે ક્રેટા કારનો સતત પીછો કરતાં સ્ટેટ હાઇવે નં. 15 પર રાનકુવાથી ચીખલી તરફ જતા માણેકપોર ગામ પાસે આરોપીઓએ વધુ સ્પીડમાં ગાડી હંકારીને અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અંતે, આરોપીઓ પોલીસની પકડમાંથી બચવા માટે દારૂ ભરેલી ક્રેટા કાર જાહેર રોડ પર મૂકીને અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયા હતા. ક્રેટા સહિત 12 લાખથી વધુનો મુદ્દામાલ જપ્તપોલીસે ઘટના સ્થળેથી ક્રેટા કારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની વ્હીસ્કી અને રમની કુલ 1488 બોટલોનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત 4 લાખ 69 હજાર 200 રુપિયાઅને ક્રેટા કારની કિંમત 8 લાખ આંકવામાં આવી છે. આમ, પોલીસે કુલ 12 લાખ 69 હજાર 200 રુપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. FIRમાં પ્રોહિબિશન તેમજ અકસ્માતની કલમો ઉમેરાઇનવસારી LCBએ સમગ્ર મુદ્દામાલ કબજે કરી વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ ચીખલી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનની કલમો તેમજ અકસ્માતની કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે ક્રેટા કારના અજાણ્યા ચાલક, ક્લિનર, દારૂ ભરાવનાર અને મંગાવનાર સહિત તમામ વોન્ટેડ આરોપીઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે. હાલ બુટલેગરોની શોધખોળ ચાલુ છે: PIઆ મામલે પી.આઈ સાગર આહીરે જણાવ્યું હતુ કે, પોલીસને દારૂ ભરેલી કાર હાઇવે ઉપરથી પસાર થવાની અંગેની માહિતી મળી હતી જેને લઈને વાહનોની આડસ મૂકી નાકાબંધી કરવામાં આવી હતી, પરંતુ બહારના બુટલેગરોએ ગાડી ભગાવી મૂકી હતી. હાલ બુટલેગરોની શોધખોળ ચાલુ છે.
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025:સ્વામીનારાયણ યુનિવર્સિટી, કલોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન
સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025 – ફાઈનલ રાઉન્ડ નો ઉદ્ઘાટન 08 ડિસેમ્બર 2025 ની સવારે 8:૦૦ કલાકે મેડીકાલ હોલ,સ્વામીનારાયણ યુનિવર્સિટી,કલોલ,ગાંધીનગર ખાતે ભવ્ય અને ઉત્સાહપૂર્વક યોજાયો. કાર્યક્રમનું ઉદ્ઘાટન સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સ્વામી ડૉ.પ્રેમસ્વરુપદાસજી, વાઈસ પ્રેસિડેન્ટ સ્વામી ભક્તવત્સલ સ્વામીજી અને સ્વામી ભકિતનંદન દાસજી તેમજ સંતવૃંદ , યુનિવર્સિટી વાઈસ ચાન્સેલર ડૉ રૂપેશ વસાણી, યુનિવર્સિટીના રજિસ્ટ્રાર , વિભાગના ડીન તથા આમંત્રિત ઉદ્યોગ નિષ્ણાતોની સાથે નોડલ ઓફીસરઓ શ્યામ સુંદર સનાથાન તેમજ મનીષ પાટીલ તથા પ્રીતીબેન વ્યાસની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર દેશમાંથી પસંદગી પ્રાપ્ત કરેલી ટીમોના વિદ્યાર્થીઓ, મેન્ટર્સ, જજેસ તથા ફેકલ્ટી સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા. સ્વાગત ભાષણમાં યુનિવર્સિટીના કુલપતિ એ હેકાથોનના રાષ્ટ્રીય મહત્વ, નવીનતા-આધારિત શિક્ષણ અને Problem-Solving Culture અંગે પ્રકાશ પાડ્યો. મુખ્ય મહેમાનોએ પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓને ઇનોવેશન, ટેક્નોલોજીકલ એક્સલન્સ અને સ્ટાર્ટઅપ-ઓરિએન્ટેડ વિચારસરણી તરફ પ્રેરિત કર્યા તથા રાષ્ટ્રીય વિકાસમાં તેમની ભૂમિકા પર ભાર મુક્યો. ઉદ્ઘાટન પ્રસંગે યુનિવર્સિટીના આયોજન, ટેક્નિકલ સુવિધાઓ અને રાષ્ટ્રીય સ્તરની હોસ્ટિંગ ક્ષમતા માટે પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. સમારોહ બાદ તમામ ટીમોને તેમની સમસ્યા-નિવેદન સમજાવતું સત્ર તથા મેન્ટર ઇંટરએકશન સાથે હેકાથોનની સત્તાવાર શરૂઆત કરવામાં આવી. આ ઉદ્ઘાટન સમારોહે સમગ્ર કાર્યક્રમ માટે ઊર્જા સભર, શિસ્તબદ્ધ અને પ્રેરણાદાયી માહોલનું નિર્માણ કર્યું. સ્વામીનારાયણ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ સ્વામી ડૉ.પ્રેમસ્વરુપદાસજીના આશીર્વચન સાથે ઉદઘાટન સત્રનું સમાપન કરવામાં આવ્યું . આ રાષ્ટ્રીય સ્તરની પ્રતિષ્ઠિત સ્પર્ધામાં વિવિધ રાજ્યોમાંથી કુલ 20 ટીમોએ ભાગ લીધો હતો જેમાં 38 છોકરીઓ અને 82 છોકરાઓ ઉપસ્થિત હતા જેમણે સરકાર અને ઉદ્યોગ દ્વારા આપવામાં આવેલી સમસ્યાઓ માટે નવીન અને પ્રાયોગિક સોલ્યુશન તૈયાર કર્યા. 36 કલાકના સતત હેકિંગ સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના ટેક્નિકલ કૌશલ્ય, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું. ઉદ્યોગ નિષ્ણાતો અને મેન્ટર્સે ટીમોને સતત માર્ગદર્શન આપ્યું, જ્યારે અંતિમ દિવસે પ્રેઝેન્ટેશન અને મૂલ્યાંકન પછી શ્રેષ્ઠ ટીમોને સન્માનિત કરવામાં આવી. સ્વામીનારાયણ યુનિવર્સિટી દ્વારા પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ટકાઉ વિકાસની દિશામાં આગળ વધતા “ઝિરો વેસ્ટ હેકેથોન”નું આયોજન કરવામાં આવ્યું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી વિકસાવવી, પર્યાવરણમૈત્રી ઉકેલો શોધવા, અને કેમ્પસ તેમજ સામાજિક સ્તરે કચરામુક્ત જીવનશૈલી નિર્માણ કરવા માટે ટેક્નોલોજી આધારિત પ્રયોગાત્મક કાર્યને પ્રોત્સાહન આપવાનો હતો. આ હેકેથોનમાં વિવિધ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓએ આંતરવિષયક દૃષ્ટિકોણ સાથે ગ્રીન મેનેજમેન્ટ, રિસાયક્લિંગ-અપસાયક્લિંગ ટેકનિક્સ, ઈકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ ડિઝાઇન, કચરો વિભાજન સિસ્ટમ્સ, સ્માર્ટ ડસ્ટબિન મોડ્યુલ, અને ઝિરો-વેસ્ટ ઇવેન્ટ મેનેજમેન્ટ સહિતના વિષયો પર પ્રોજેક્ટ રજૂ કર્યા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓને પર્યાવરણ નિષ્ણાતો, ઉદ્યોગજગતના માર્ગદર્શકો અને ફેકલ્ટી મેન્ટર્સ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું, જેના કારણે તેઓ સમસ્યાઓને હોલિસ્ટિક રીતે સમજી શક્યા અને ન માત્ર ટેક્નિકલ પરંતુ સામાજિક જવાબદારી ધરાવતા ઉકેલોની રચના કરી શક્યા. હેકેથોને વિદ્યાર્થીઓમાં સર્જનશીલતા, ટીમવર્ક, સમસ્યા-ઉકેલવાની ક્ષમતા, અને ગ્રીન ટેક્નોલોજી પ્રત્યેની જાગૃતિ વધારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. આ કાર્યક્રમ ખૂબ જ મહત્વપૂર્ણ પર્યાવરણ જાગૃતિ (Environmental Consciousness), સામાજિક જવાબદારી (Social Responsibility), નવીનતા અને રીસર્ચ અભિગમ (Innovation Research Orientation) તેમજ સમગ્ર વિદ્યાર્થી વિકાસ (Holistic Development) જેવા મહત્વના સૂચકોને મજબૂત બનાવ્યા. હેકેથોનના અંતે શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સનું સન્માન કરવામાં આવ્યું અને વિજેતા ટીમોને યુનિવર્સિટી સ્તરે તેમની કલ્પનાઓને સ્ટાર્ટઅપ અથવા કેમ્પસ–ઈમ્પેક્ટ મોડેલ તરીકે વિકસાવવા માર્ગદર્શન આપવા વિશેષ પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. કુલ મળીને આ “ઝિરો વેસ્ટ હેકેથોન”એ વિદ્યાર્થીઓમાં ગ્રીન ફ્યુચર પ્રત્યેની પ્રતિબદ્ધતા વધારી અને યુનિવર્સિટી કેમ્પસને વધુ ટકાઉ અને પર્યાવરણમૈત્રી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું. સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2025નો ફાઈનલ રાઉન્ડ 08–09 ડિસેમ્બર 2025ના રોજ સ્વામીનારાયણ યુનિવર્સિટી, ગુજરાત ખાતે રાષ્ટ્રીય સ્તરની ભવ્યતા અને શૈક્ષણિક ગૌરવ સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો. ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત હેકાથોનમાં સમગ્ર દેશમાંથી પસંદ થયેલ પ્રતિભાશાળી વિદ્યાર્થી ટીમોએ ભાગ લીધો, જેમાં ટેક્નોલોજી, ઈનોવેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ, કમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ ડેવલપમેન્ટ અને સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ સહિતના ક્ષેત્રોને આવરી લેતા સમસ્યા-નિવેદનો પર સતત 36 કલાક સુધી કાર્ય intense problem-solving mode માં કાર્ય કર્યું. યુનિવર્સિટી દ્વારા અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હાઈ-એન્ડ ઇન્ટરનેટ સુવિધા, ટેક્નિકલ લેબ સપોર્ટ, આરામદાયક કાર્યસ્થળ, ફૂડ મેનેજમેન્ટ અને સુરક્ષા વ્યવસ્થાઓની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી, જેના કારણે તમામ ટીમો ઉચ્ચ ઊર્જા અને ઉત્સાહ સાથે હેકિંગ સત્રમાં નિરંતર જોડાયેલી રહી. કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં વાઈસ ચાન્સેલર, પ્રો-વાઈસ ચાન્સેલર, રેજિસ્ટ્રાર, ડીન, વિભાગાધ્યક્ષો, ઉદ્યોગ નિષ્ણાતો તથા વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિ રહેતા સમગ્ર કાર્યક્રમનું શૈક્ષણિક મૂલ્ય વધ્યું. દરમ્યાન ટેક્નિકલ મેન્ટર્સ, ઈન્ડસ્ટ્રી એક્સપર્ટ્સ અને જજેસે દરેક ટીમને ઉચ્ચ સ્તરના માર્ગદર્શન અને પ્રાયોગિક સૂચનો આપ્યા, જેના કારણે વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ વધુ સુદૃઢ અને ઇમ્પેક્ટ-ડ્રિવન બન્યા. હેકાથોનના અંતિમ દિવસે તમામ ટીમોએ તેમના પ્રોજેક્ટ્સનો પ્રોટોટાઇપ, ડેમો અને પ્રેઝન્ટેશન જજિંગ પેનલ સમક્ષ રજૂ કર્યા, જેમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, ટેક્નિકલ કૌશલ્ય અને ઇનોવેટિવ વિચારોનું અનોખું સંયોજન જોવા મળ્યું. નિષ્ણાત સમિતિએ મૂલ્યાંકન માપદંડો અનુસાર શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ટીમોને વિશેષ પ્રશંસા, સર્ટિફિકેટ અને રાષ્ટ્રીય સ્તરે માન્યતા આપી સન્માનિત કર્યા. આ સમગ્ર કાર્યક્રમ યુનિવર્સિટી માટે ગૌરવમય ક્ષણ તરીકે સાબિત થયો, કેમ કે આ આયોજન દ્વારા યુનિવર્સિટીએ નેશનલ લેવલ ઇનોવેશન ઇવેન્ટનું સફળ હોસ્ટિંગ કરીને પોતાની શૈક્ષણિક ક્ષમતા, આયોજનાત્મક મજબૂતાઈ અને રાષ્ટ્રીય પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું. હેકાથોન દ્વારા વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજીકલ ઇનોવેશન, ટીમવર્ક, સમસ્યા વિશ્લેષણ, પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને વ્યવહારૂ અમલીકરણની ક્ષમતાઓમાં વૃદ્ધિ થઈ, જે તેમને ભવિષ્યમાં સ્ટાર્ટઅપ્સ, રિસર્ચ અને પ્રોફેશનલ કરિયરમાં મજબૂત પાયો પૂરું પાડશે. સ્વામીનારાયણ યુનિવર્સિટીએ આ સફળ આયોજન દ્વારા રાષ્ટ્રીય સ્તરે શૈક્ષણિક, ટેક્નિકલ અને સંસ્થાકીય પ્રતિષ્ઠામાં વધુ એક સોનેરી પાનું ઉમેર્યું.
અમદાવાદમાં પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનની 22મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આ બે દિવસીય પ્રદર્શન 13 અને 14 ડિસેમ્બરના રોજ હોટલ પ્રાઈડ પ્લાઝા ખાતે યોજાશે. આજના ઝડપથી બદલાતા સમયમાં વાલીઓ તેમના બાળકો માટે યોગ્ય શાળાની પસંદગી કરવામાં પડકારોનો સામનો કરે છે. સમયના અભાવ અને માહિતીના અભાવને કારણે તેઓ ઘણીવાર આ મહત્વપૂર્ણ નિર્ણય માટે પૂરતી જાણકારી મેળવી શકતા નથી. વાલીઓને આ પ્રક્રિયામાં મદદ કરવાના ઉદ્દેશ્યથી 22 વર્ષ પહેલા પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર અમલમાં આવ્યો હતો. અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ.ના ડિરેક્ટર અને સીઈઓ વિવેક શુક્લાએ જણાવ્યું કે, બાળકને શાળાએ, ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાનો નિર્ણય ભાવનાત્મક રીતે મુશ્કેલ હોય છે. અમારો પ્રયાસ છે કે વાલીઓને શ્રેષ્ઠ ભારતીય ડે, રેસિડેન્શિયલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે એક જ છત નીચે માહિતી આપીને તેમનું કાર્ય સરળ બનાવીએ. આ પ્રદર્શનમાં અમદાવાદ સહિત દેહરાદૂન, બેંગલોર, હૈદરાબાદ, મસૂરી, નાસિક, રાજકોટ, રાજસ્થાન, કોઈમ્બતુર, ગ્વાલિયર, રાયપુર, ગાંધીનગર અને ભારતના અન્ય જાણીતા રાજ્યોમાંથી 30થી વધુ પ્રતિષ્ઠિત શાળાઓ ભાગ લેશે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં ભાગ લેનારી શાળાઓ બોર્ડિંગ સુવિધાઓ અને આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. વાલીઓ પાસે IB, કેમ્બ્રિજ, CBSE, ICSE અને ગુજરાત બોર્ડ જેવા વિવિધ શૈક્ષણિક બોર્ડમાંથી પસંદગી કરવાનો વ્યાપક વિકલ્પ ઉપલબ્ધ રહેશે. પ્રદર્શનમાં સામેલ કેટલીક અગ્રણી શાળાઓમાં યુનિસન વર્લ્ડ સ્કૂલ-દેહરાદૂન, આગા ખાન એકેડેમી-હૈદરાબાદ, મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ, જૈન ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલ-બેંગલુરુ, જે.જી. ઇન્ટરનેશનલ સ્કૂલ-અમદાવાદ, જી.ડી. ગોયંકા ઇન્ટરનેશનલ સ્કૂલ-અમદાવાદ, જિનેવા લિબરલ સ્કૂલ-અમદાવાદ, આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ-ઓગણજ અમદાવાદ, ગ્રીન વેલી સ્કૂલ ફોર ચિલ્ડ્રન-ગાંધીનગર, એશિયા ઇંગ્લિશ સ્કૂલ-અમદાવાદ, બિરલા પબ્લિક સ્કૂ-કિશનગઢ (અજમેર), સિંધિયા કન્યા વિદ્યાલય-ગ્વાલિયર, દિલ્હી પબ્લિક સ્કૂલ-નાશિક, ધ પેસ્ટલ વીડ સ્કૂલ-દેવભૂમિ દેહરાદૂન, વેંકટેશ્વર સિગ્નેચર સ્કૂલ-રાયપુર, અને એસ.એસ.વી.એમ. રેસિડેન્શિયલ સ્કૂલ-કોયમ્બતુરનો સમાવેશ થાય છે.
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ઇ-સેવાઓ પહોંચાડતા ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE) માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્ય સરકારના કોઈપણ વિભાગ દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે વી.સી.ઈ.ને યુનિટદીઠ ન્યૂનતમ ₹20 ચૂકવવાનું ફરજિયાત રહેશે. અરજી દીઠ 5 રૂપિયાના બદલે 20 રૂપિયા કમિશન પેટે ચૂકવાશેપહેલા અરજી દીઠ 5 રૂપિયા ચૂકવતા હતા હવે 20 રૂપિયા કમિશન પેટે ચૂકવાશે. ઉદાહરણ તરીકે જેમ કે કોઈ અરજદારને 7/12 કઢાવવા છે તો એ એક 7/12નું કમિશન 5 રૂપિયા ચૂકવાતુ હતું. હવે એક 7/12 એ 20 રૂપિયા ચુકવાશે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો. જુદી જુદી સેવાઓમાં અલગ અલગ દરને કારણે મહેનતાણામાં અસમાનતા સર્જાતી હતી, જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ સમન્વિત અને ન્યાયસંગત ચુકવણી માટે તરત જ માર્ગદર્શન આપ્યું હતું. VCE દ્વારા ગામડાંમાં આ સેવાઓઇન્ફર્મેશન ટેકનોલોજીના માધ્યમથી શહેરી વિસ્તારમાં મળતી ઇ-સેવાઓ જેવી ઇ-સેવાઓ ગ્રામકક્ષાએ મળી રહે તે આશયથી રાજ્ય સરકારે ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના અમલમાં મૂકી છે. ઈ-ગ્રામ વિશ્વગ્રામ યોજનાથી ગામડાંમાં શહેરી જેવી ઇ-સેવાઓ મળી રહે છે. 7/12, 8-A, હકકપત્રના દાખલા, આવક-જન્મ-મરણના પ્રમાણપત્રો, રેશનકાર્ડમાં સુધારા, ખેડૂત રજીસ્ટ્રેશનથી લઈ ડેટા એન્ટ્રી સુધીની અનેક સેવાઓ VCE દ્વારા આપવામાં આવે છે. VCEની કામગીરીરાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.)ને વિવિધ યોજનાઓની ડેટાએન્ટ્રી સંબંધિત કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે. આ માટે દરેક કામગીરીમાં યુનિટદીઠ ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (V.C.E.)ને કમિશન પેટે ચુકવવાની થતી રકમ સબંધિત વિભાગ દ્વારા નિયત કરવામાં આવે છે. આના કારણે જુદીજુદી કામગીરી અને જુદાજુદા વિભાગો દ્રારા નિયત કરવામાં આવતી મહેનતાણાની રકમ અલગ અલગ ધોરણે કરવામાં આવતી હોવાથી મહેનતાણામાં સમાનતા જળવાતી નથી. પંચાયત વિભાગનો પરિપત્ર, 20નું મહેનતાણું ચૂકવાશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાનમાં આ વિષય આવતાં તેમણે ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી 12મી ગવર્નિંગ બોડીની બેઠકના અધ્યક્ષસ્થાનેથી વી.સી.ઈ.ના મહેનતાણામાં સમાનતા માટે તત્કાલ સૂચનાઓ આપી હતી. પંચાયત વિભાગે પરિપત્ર કરીને રાજ્ય સરકારના વિભાગોને જણાવ્યું છે કે હવે કોઈપણ કામગીરી માટે વી.સી.ઇ.ને યુનિટ દિઠ ન્યુનતમ રૂ. 20નું મહેનતાણું આપવાનું રહેશે. એટલું જ નહીં, સંબંધિત વિભાગોએ વી.સી.ઈ.ને કામગીરી સોંપતા પહેલા પંચાયત વિભાગ તથા ઇ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ પણ કરવાની રહેશે.
સુરત મહાનગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે અડાજણ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરીને બ્રિજ નીચેના ગેરકાયદે દબાણો દૂર કર્યા છે. ગુજરાત ગેસ સર્કલ નજીક આવેલા સરદાર બ્રિજ નીચે લાંબા સમયથી વસવાટ કરતા લોકોને હટાવી દેવાયા છે. લાંબા સમયથી બ્રિજ નીચે પોતાનું ઘર બનાવીને રહેતા લોકો સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, જે શહેરના જાહેર માર્ગો અને માળખાકીય સુવિધાઓની જાળવણી માટે મહત્ત્વપૂર્ણ પગલું છે. આ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન સુરતનો 'પુષ્પા' આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો, જે દબાણ શાખાની ટીમનો હતો. તમામ લોકોની નજર ટેમ્પો પર ઊભેલા યુવક પર અટકીદબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે સૌની નજર સુરત મહાનગરપાલિકાના દબાણ ખાતાના ટેમ્પો પર ઊભેલા એક શખ્સ પર અટકી ગઈ હતી. અધિકારીઓ અને અન્ય કર્મચારીઓને બદલે લોકોની નજર આ શખ્સ પર રોકાઈ જવાનું કારણ તેનું અનોખું રૂપ હતું. તે વ્યક્તિ ફિલ્મ 'પુષ્પા'ના અભિનેતા અલ્લુ અર્જુનના લુકમાં જોવા મળ્યો હતો. જે પણ દબાણની વસ્તુઓ હટાવવામાં આવી રહી હતી, તેને ટેમ્પા પર ચડાવવાનું કામ આ ‘સુરતના પુષ્પા' દ્વારા કરવામાં આવી રહ્યું હતું. તેની આ અલ્લુ અર્જુન જેવી સ્ટાઇલને કારણે દબાણની ગંભીર કાર્યવાહી વચ્ચે પણ લોકોનું ધ્યાન તેના પર ખેંચાયું હતું. બ્રિજ નીચેના દબાણો હટાવાયાશહેરના અન્ય વિસ્તારો જેમ કે વરાછા અને કાપોદ્રામાં બ્રિજ નીચેના દબાણો હટાવ્યા બાદ, સુરત મનપા અને પોલીસ વિભાગે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારને ટાર્ગેટ કર્યો હતો. બ્રિજ નીચે વસવાટ કરીને અને દબાણ કરીને રહેતા લોકોની વધતી જતી સંખ્યાને કારણે જાહેર સુવિધાઓ અને સ્વચ્છતા પર નકારાત્મક અસર પડી રહી હતી. આ સંયુક્ત કામગીરીનો હેતુ માત્ર દબાણ દૂર કરવાનો જ નહીં, પરંતુ આવા જાહેર સ્થળોનો દુરુપયોગ અટકાવવાનો પણ છે. ઝીરો એન્ક્રોચમેન્ટ અભિયાનને વેગઆ કાર્યવાહી સુરત મહાનગરપાલિકાના શહેરને દબાણમુક્ત કરવાના ઝીરો એન્ક્રોચમેન્ટ અભિયાનનો એક ભાગ છે. બ્રિજ નીચેના ગેરકાયદેસર વસવાટને કારણે ટ્રાફિક, સ્વચ્છતા અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હતી. અડાજણમાં કરવામાં આવેલી આ કામગીરી અન્ય વિસ્તારોમાં પણ બ્રિજ નીચે વસવાટ કરતા દબાણકારો માટે ચેતવણીરૂપ છે. તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય બ્રિજ નીચેના દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.
હડદડ ઘર્ષણ કેસ: 20ના જામીન મંજૂર, 9ના રદ:AAP નેતાઓ રાજુ કરપડા, પ્રવીણ રામ સહિતના જામીન રદ
બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં બોટાદ સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 9 વ્યક્તિની જામીન અરજી રદ કરી છે, જ્યારે 20 વ્યક્તિઓને જામીન મંજૂર કર્યા છે. જે 9 વ્યક્તિની જામીન અરજી રદ કરવામાં આવી છે તેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ મેરામભાઈ કરપડા, પ્રવીણ રામ, હિતેશ ભુપત ગોહિલ, રમેશ વાલજીભાઈ મેર, હંસરાજ વશરામ ભાલાળા, વિપુલ પરમાભાઇ શેખ, જીતેન્દ્ર રસિક ગોવિંદીયા, વિપુલ હકા હરિયાણી અને વિપુલભાઈ વિનુભાઈ મકવાણાનો સમાવેશ થાય છે. આ ઘટના 12 ઓક્ટોબરે હડદડ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણ દરમિયાન બની હતી. પોલીસે આ કેસમાં 85 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને ત્યારબાદ 74 લોકોની ધરપકડ કરીને જેલ હવાલે કર્યા હતા. આ પહેલા આ કેસમાં હાઈકોર્ટે 6 વ્યક્તિના જામીન મંજૂર કર્યા હતા, જ્યારે બોટાદ સેશન્સ કોર્ટે અગાઉ 28 વ્યક્તિઓના જામીન મંજૂર કર્યા હતા. તાજેતરમાં 29 વ્યક્તિઓએ જામીન અરજી કરી હતી, જેમાંથી 20ને જામીન મળ્યા છે અને 9ની અરજી રદ થઈ છે.
ગણિત ઘણીવાર બાળકો માટે કઠિન વિષય ગણાય છે, પરંતુ યોગ્ય માર્ગદર્શન, સતત મહેનત અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ બાળકોને વૈશ્વિક મંચ સુધી પહોંચાડી શકે છે. તેનું જીવંત ઉદાહરણ તાજેતરમાં SEU University, Tbilisi ખાતે 6 અને 7 ડિસેમ્બર 2025ના રોજ યોજાયેલી યુસીમાસ ઇન્ટરનેશનલ મેન્ટલ એરિથમેટિક સ્પર્ધા છે, જેમાં વિશ્વના 80 દેશના 1500થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિવિધ ભાષા અને સંસ્કૃતિ ધરાવતા સ્પર્ધકો વચ્ચે પણ ગણિત પ્રત્યેનો ઉમળકો અને પ્રતિભા દરેક વિદ્યાર્થીને એક સમાન ધોરણ પર જોડતી દેખાઈ. આ વૈશ્વિક સ્પર્ધામાં ભારત તરફથી યુસીમાસ સમા સેન્ટરના ચાર વિદ્યાર્થીઓએ અસાધારણ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું. મૃણ્મયી દીવાટે પ્રથમ, ત્વીશા પટેલ દ્વિતીય, જ્યારે નિહિત રાજસિંહ પરમાર અને હિરવા પટેલે તૃતીય સ્થાન મેળવી ભારત તથા ગુજરાતનું ગૌરવ વધાર્યું. અનેક દેશોના તેજસ્વી પ્રતિસ્પર્ધકો વચ્ચે સ્પર્ધા કરીને પ્રાપ્ત આ સિદ્ધિઓ, તેમની ક્ષમતા અને તૈયારીની ઊંચાઈ દર્શાવે છે. આ સ્પર્ધાનો સૌથી કઠિન ભાગ માત્ર એટલો હતો કે, વિદ્યાર્થીઓએ મગજની જ ગણતરી દ્વારા આઠ મિનિટમાં કુલ 200 ગણિતીય દાખલા ઉકેલવાના—જેમા સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, મિક્સ્ડ ઓપરેશન્સ અને લાંબી ચેઇન–સમ્સનો સમાવેશ થતો હતો. અહીં વિદ્યાર્થીઓ UCMASની મેન્ટલ ઍબેકસ ટેકનિકનો ઉપયોગ કરે છે. તેઓ પોતાના મનમાં ઍબેકસના મણકા કલ્પે છે અને મગજમાં જ મણકાઓને સરકાવીને ગણતરી કરે છે. આ અનોખી પ્રક્રિયા વિઝ્યુઅલાઇઝેશન, સ્પીડ મેમરી, ન્યુરલ કોઓર્ડિનેશન અને બે હેમિસ્ફિયર્સના સમન્વયનો સુમેળ છે. ડાબું મગજ તર્ક અને ચોકસાઈનું આયોજન કરે છે જ્યારે જમણું મગજ મણકાઓની માનસિક ચળવળ અને કલ્પનાત્મક ચિત્ર રચવામાં સહાય કરે છે. આ ટેકનિક એટલી ઝડપી અને ચોક્કસ છે કે વિશ્વસ્તરે તેને “brain–machine precision without the machine” તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થીઓને આ સ્તર સુધી તૈયાર કરવા માટે યુસીમાસ સમા સેન્ટરના માર્ગદર્શકો સૌરભ સર અને બિનલ મૅમ છેલ્લા 21 વર્ષથી કાર્યરત છે. તેમણે તિબિલિસી સુધી વિદ્યાર્થીઓ સાથે રહીને સ્પર્ધાત્મક દબાણ, માનસિક સંતુલન, ઝડપ–ચોક્સાઈ અને સમય વ્યવસ્થાપન જેવા મહત્વપૂર્ણ પાસાઓ પર સતત માર્ગદર્શન આપ્યું. બાળકો સાથે રહેલા માતા–પિતાએ પણ તેમના ઉત્સાહ અને મનોબળને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. આવો વૈશ્વિક અનુભવ માત્ર ગણિતીય પ્રગતિ પૂરતો મર્યાદિત નથી રહેતો; પરંતુ બાળકોમાં તર્કશક્તિ, એકાગ્રતા, સર્જનાત્મકતા, સંસ્કૃતિ-સમજ, આત્મવિશ્વાસ અને આંતરરાષ્ટ્રીય દૃષ્ટિકોણ જેવા જીવનકૌશલ્યોનો વિકાસ કરે છે. ગણિત હવે માત્ર શૈક્ષણિક વિષય નહીં, પરંતુ જીવનમાં સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા અને નિર્ણયશક્તિનો આધારસ્તંભ બની ગયું છે. તિબિલિસીમાં પ્રાપ્ત થયેલી આ સફળતાઓ સ્પષ્ટ પુરાવો આપે છે કે યોગ્ય તાલીમ, અનુશાસન અને સતત પ્રયત્નોથી દરેક બાળકની આંતર શક્તિ વિશ્વમંચ સુધી પહોંચાડી શકાય છે. યુસીમાસ સમા સેન્ટરના આ ચાર વિદ્યાર્થીઓએ સાબિત કર્યું છે કે ગણિત માત્ર અંકોની રમત નથી—પણ એક વૈશ્વિક ભાષા છે, જેને તેઓ આત્મવિશ્વાસપૂર્વક અને ગૌરવપૂર્વક પ્રદર્શિત કરી રહ્યા છે.
ગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ 'ભારત કુલ'નું ગુજરાત યુનિવર્સિટીમાં આયોજન કરવામાં આવ્યું છે. 12, 13 અને 14 ડિસેમ્બરના રોજ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં 'ભારત કુલ' કાર્યક્રમ ચાલવાનો છે. જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેવાના છે. ત્રણ દિવસ સુધી અલગ અલગ કવિ સંમેલન, સાંસ્કૃતિક કાર્યક્રમ, શિલ્પકલા, ચિત્રકલા પર કાર્યક્રમ યોજાશે. ઉદ્ઘાટન બાદ BAPSના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચનગુજરાત મીડિયા ક્લબ દ્વારા ભાવ, રંગ અને તાલના ફેસ્ટિવલ 'ભારત કુલ'ના અધ્યાય 2નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલમાં ઉદ્ઘાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયા બાદ ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે. ભાવ, રંગ અને તાલ એમ ત્રણ પ્રકારે અલગ અલગ કાર્યક્રમ થવાના છે. ઉદ્ઘાટન બાદ ધ આર્ટ ઓફ બીકમિંગ અ જીનીયસ કાર્યક્રમ અંતર્ગત BAPS સ્વામીનારાયણ સંસ્થાના ડૉ. જ્ઞાનવત્સલ સ્વામીનું પ્રવચન યોજાશે. ભાવના કાર્યક્રમોમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમભાવના કાર્યક્રમોમાં સંસ્કૃતિ, ધર્મ, સમાજ અને મીડિયાને લઈને અલગ અલગ કાર્યક્રમ યોજાશે. જેમાં અલગ અલગ વક્તા લોકોને સંબોધન કરશે. તાલના અલગ અલગ કાર્યક્રમમાં કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશનતાલના અલગ અલગ કાર્યક્રમમાં કલા, શિલ્પને લગતા લાઇવ ડેમોસ્ટ્રેશન યોજાશે. આ કાર્યક્રમોમાં જાણીતા ચિત્રકાર, જાણીતા એબ્સ્ટ્રેક્ટ આર્ટિસ્ટ IPS અજય ચૌધરી, જાણીતા શિલ્પકાર, એક્ઝિબિશન ડિઝાઇનર, જાણીતા કાર્ટૂનિસ્ટ, જાણીતા કવિ ઉપસ્થિત રહેવાના છે. જે અલગ અલગ કલાને લઈને હાજર લોકો સાથે સંવાદ કરશે. રાગમાં કવિ સંમેલન યોજાશેતેમજ ભારતકુલમાં રાગના પણ અલગ કાર્યક્રમ યોજવાના છે. જેમાં કવિ સંમેલનમાં રાજેન્દ્ર શુક્લ, માધવ રામાનુજ, સૌમ્ય જોશી, અંકિત ત્રિવેદી, ભાવેશ ભટ્ટ, અનિલ ચાવડા, મધુસૂદન પટેલ, ભાવિન ગોપાણી, તેજસ દવે ઉપસ્થિત રહેવાના છે. લાલો ફિલ્મના કલાકારો, સંગીતના ખમીર એવા ઓસમાણ મીર અને આમિર મીર પણ ઉપસ્થિત રહેવાના છે. વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકોનું સ્વાગતઉદ્ઘાટન સમારોહ પહેલા વૈદિક મંત્રોચ્ચાર સાથે લોકોનું સ્વાગત કરવામાં આવ્યું છે. 'ભારત કુલ'ના અધ્યાય 2માં જાણીતા ચિત્રકારોએ દોરેલા પેઇન્ટિંગ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે. નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 8.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ગઈકાલે નલિયાનું લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ હતું, જેમાં 0.2 ડિગ્રીનો ઘટાડો થઈને આજે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 0.3 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.1 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
ગાંધીનગરની યુવા પેરા શૂટર મિલી મનિષકુમાર શાહે રમતગમત ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત છઠ્ઠી રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપ 2025માં મિલી શાહે 10 મી. એર રાઇફલ શૂટિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે જ મિલી શાહ પેરા રાઇફલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર ગુજરાતની પ્રથમ દીકરી બની ગઈ છે. મિલી શાહ કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન પ્રેક્ટિસ કરી રહી છેગાંધીનગરના સેક્ટર-26 વિસ્તારમાં રહેતી મિલી શાહે કડી સ્કૂલમાંથી પોતાનો અભ્યાસ કર્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી તે કર્મવીર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન અકાદમીમાં સઘન પ્રેક્ટિસ કરી રહી છે. ચેરમેન ગજેન્દ્રસિંહ બારડ અને કોચ વિમલ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ મિલી પ્રેક્ટિસ કરી રહી છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યુંદિલ્હી ખાતે આયોજિત રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં મિલીએ R3 મિક્સ 10 મી. એર રાઇફલ પ્રોન SH1 ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને પ્રભાવશાળી દેખાવ કર્યો હતો. મિલીએ 631.9નો સ્કોર કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે રાષ્ટ્રીય સ્તરે ક્વોલિફિકેશન રાઉન્ડમાં મિલીએ સતત બીજી વખત દેશમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ફાઇનલ્સમાં 253.5નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યોમિલીએ ફાઇનલ્સમાં 253.5નો સ્કોર નોંધાવીને સ્પર્ધામાં પ્રભુત્વ જમાવી આખરે ગોલ્ડ મેડલ જીત્યો છે. મિલીની આ ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતમાં પેરા શૂટિંગના વિકાસ માટે એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન છે. પેરા રાઇફલ ઈવેન્ટમાં રાષ્ટ્રીય પેરા શૂટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ગુજરાતી મહિલા ખેલાડી તરીકે મિલીએ રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગાંધીનગર ડિસ્ટ્રીક્ટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ સહિતના મહાનુભાવોએ મિલીને તેની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા છે.
અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ નજીક આજે (12 ડિસેમ્બર) સવારના સમયે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. બાઇક અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થતાં બંને વાહનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં રિક્ષામાં સવાર એક મહિલાનું જીવતી ભૂંજાઈ જવાથી કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. ટક્કર બાદ આગ ભભૂકી, એક મહિલા જીવતી ભૂંજાઇપ્રાથમિક માહિતી અનુસાર, અંકલેશ્વર-વાલિયા રોડ પર કોસમડી ગામ પાસે બાઇક અને રિક્ષા વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અથડામણ બાદ તુરંત જ બંને વાહનમાં આગ ભભૂકી ઊઠી હતી. આગની જ્વાળાઓ એટલી વિકરાળ હતી કે, રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો મોકો મળ્યો ન હતો અને તે જીવતી ભૂંજાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. એક મુસાફર હિતેશ કુમારે જણાવ્યું હતું કે, રીક્ષાને બ્રેક મારતાં તે પલટી ખાઇ ગઇ. આ ટક્કરમાં એક બાઇક અને રીક્ષા બળી ગઇ. અમે બે માસીને બચાવ્યા અને એક માસી અંદર જ બળીને મરી ગયા. ત્રણ જણા બચી ગયા તેને હોસ્પિટલ લાવ્યા છે. 4 લોકો ગંભીર રીતે દાઝ્યા, ટ્રાફિકજામઆ ભયાનક અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાની માહિતી મળી છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાયટરો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે રસ્તા પર ધુમાડો ફેલાતાં અને વાહનો અટવાઈ જતાં રોડ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પેટ્રોલપંપ કર્મચારી ફેરનસિંહ પરમારે જણાવ્યું હતું કે, બાઇકે ટર્ન માર્યા એ સમયે સામેથી એક મોટી ગાડી આવી એ જ વખતે એક રીક્ષાએ પણ ટર્ન માર્યો. જેને કારણે અચાનક આગ લાગી. મેં મારા ફાયરનો સામાન લઇને ત્રણ લોકોને ખેંચીને બચાવ્યા ને આગને કંટ્રોલ કરી. જીઆઇડીસી પોલીસે તપાસ હાથ ધરીઅકસ્માતની જાણ થતાં જ જીઆઈડીસી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ દ્વારા અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં બંને વાહનો ધડાકાભેર ભટકાતા અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન છે. અકસ્માતની તસવીરો...
વલસાડ શહેરના કૈલાશ રોડ ઉપર બ્રિજના નવ નિર્માણની કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં પાંચ જેટલા શ્રમિકો દટાયા હોવાની આશંકા છે. ચાર શ્રમિકોનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયાકૈલાશ રોડ ઉપર નિર્માણધીન બ્રિજની કામગીરી દરમિયાન આજે નવ વાગ્યાના અરસામાં બે પિલર વચ્ચેના ભાગે બ્રિજ બનાવવા બાંધેલી પાલણ અચાનક તૂટી પડતા કામ કરતા પાંચેક જેટલા શ્રમિકોને ઇજા પહોંચી છે. ઘટનાને પગલે ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. ફાયર વિભાગે ચાર શ્રમિકોનું રેસ્ક્યૂ કરીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. જ્યારે એક શ્રમિકની શોધખોળ ચાલુ છે. છેલ્લા બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર તૂટી પડ્યોપારડી-સાંઢપોર ગ્રામ પંચાયતના સરપંચ ભોલાભાઈ પટેલે જણાવ્યું કે, બ્રિજના છેલ્લા બે પિલર વચ્ચે લોખંડના ગડરથી સ્લેબ બનાવવાના હતા, પરંતું કંઇક ટેકો ખસી જતા આજે ધડાકાભેર તૂટી પડ્યો છે. ચાર લોકોને હોસ્પિટલ લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે એકની શોધખોળ કરી રહ્યા હોવાનું મને જાણવા મળ્યું છે. અમે સતત અપડેટ્સ કરી રહ્યા છીએ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે(13 ડિસેમ્બર) શનિવારે સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. તેમની આ મુલાકાત વિકાસ કાર્યો પર કેન્દ્રિત રહેશે, જેમાં સુરત મહાનગર પાલિકા અને અર્બન રિંગ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના કુલ 600 કરોડના મહત્ત્વના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. આ 600 કરોડના પ્રકલ્પોમાં સુરત મહાનગર પાલિકાના 350 કરોડ અને અર્બન રિંગરોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના 250 કરોડના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જે શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપશે. CM 600 કરોડના વિકાસ પ્રોજેક્ટોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે સુરતમાં ત્રણ મુખ્ય સ્થળો પર હાજરી આપીને વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. જેમાં એપીએમસી માર્કેટની મુલાકાત, રાંદેર વિસ્તારની એક ખાનગી હોટલમાં આયોજિત ઓલ ઇન્ડિયા મેયર કાઉન્સિલિંગની બેઠકમાં સહભાગી થવું અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પાલિકા અને યુઆરડીસીના પ્રોજેક્ટોના મુખ્ય લોકાર્પણ-ખાતમુહૂર્ત સમારોહનો સમાવેશ થાય છે. આ ત્રણ સ્થળો પરના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શહેરના પદાધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહેશે. આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના 10 કિમીના કામનું ખાતમુહૂર્તઆ વિકાસ પ્રકલ્પોમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ કામ સુરતની ફરતે સાકાર થઈ રહેલા 66 કિલોમીટર લાંબા આઉટર રિંગરોડનો બાકી રહેલો સેગમેન્ટ છે. મુખ્યમંત્રીના હસ્તે આઉટર રિંગરોડના સચીનથી કડોદરા સુધીના અંદાજિત 10 કિલોમીટરના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કામગીરી માટે 250 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેમાં રોડનું બાંધકામ અને ફ્લાયઓવર બ્રિજનો સમાવેશ થાય છે. વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરાશેઆ સચીન-કડોદરા સેગમેન્ટનું કામ પૂર્ણ થવાથી 66 કિલોમીટરની આઉટર રિંગરોડની આખી રીંગ સાકાર થઈ જશે. આ પ્રકલ્પ વર્ષ 2028 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રિંગરોડ પૂર્ણ થવાથી શહેરના અંદરના ભાગમાં આવતા હેવી વાહનોનો ટ્રાફિક હળવો થશે અને આજુબાજુના વિસ્તારોને સીધું જોડાણ મળી રહેતાં લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટીમાં મોટો સુધારો જોવા મળશે. સુરત મહાનગર પાલિકાના 350 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્તસુરત મહાનગર પાલિકાના 350 કરોડના કામોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થશે. જેમાં 250 કરોડના કામોનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે 248 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ડ્રેનેજ પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે. ડ્રેનેજના આ કામો ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાને હળવી કરવામાં મદદરૂપ થશે. 100 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરાશેજ્યારે, બાકીના 100 કરોડના નવા કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્તના કામોમાં કનકપુર, ઉધના અને લિંબાયત ઝોન જેવા મહત્ત્વના વિસ્તારોના વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીની આ મુલાકાત સુરત શહેરના વિકાસના નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે અને નાગરિકો માટે આધુનિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં વધુ એક મજબૂત કદમ બની રહેશે.
રાજકોટમાં ગેમઝોન અગ્નિકાંડ બાદ બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય ત્યાં કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે ફરી એકવાર જાગેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા પરવાનગી વિનાની મિલકતોને સીલ કરવામાં આવી રહી છે ત્યારે આજે(12 ડિસેમ્બર) વહેલી સવારે શહેરના રાયપુર વિસ્તારમાં આવેલી વિવેકાનંદ કોલેજને મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પાછા જવું પડ્યુંઆ બિલ્ડીંગ ફાયર સેફટી અને બિલ્ડીંગના બે માળ મંજૂરી વિના ચલાવવામાં આવતા હતા. આ બિલ્ડીંગ જર્જરીત પણ હોવાનું સામે આવ્યું છે. જેથી આ મિલકતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવતા આજે જે વિદ્યાર્થીઓ કોલેજ આવ્યા હતા તેમને પાછા જવું પડ્યું હતું. આજે પણ શહેરમાં ફૂડ કોર્ટ, સ્કૂલો, કોલેજો વગેરે જગ્યાને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સ્કૂલો, હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહીઅમદાવાદમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાની મિલકતો જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય તેને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્કૂલો, હોસ્પિટલો બાદ હવે ફૂડ કોર્ટ સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 6 ફૂડ કોર્ટને સીલ કર્યા હતા11 ડિસેમ્બરે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એસજી હાઇવે, રીંગરોડ, હેબતપુર, ગોતા સહિતના વિસ્તારોમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના 6 ફૂડ કોર્ટને મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા છે. મોટાભાગના ફૂડ કોર્ટમાં લાકડાનો ઉપયોગ અને શેડ બનાવીને ફૂડ કોર્ટ ઊભા કરી દેવામાં આવે છે, કોઈપણ પ્રકારના પ્લાન પાસ કરવામાં આવતા નથી જેના પગલે આવા ફૂડ કોર્ટને સીલ કરવામાં આવ્યા છે. બીયુ પરમિશન-ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા સૂચનારાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે બીયુ પરમિશન અને ફાયર સેફ્ટીને લઈને કડક પગલાં ભરવા માટેની સૂચના આપી હતી. સ્ટેમ્પ પેપર ઉપર તેઓને બીયુ પરવાનગી લેવા અને ફાયર સેફટી માટે સમય આપવામાં આવ્યો હોવા છતાં કાર્યવાહી ન કરવામાં આવતા હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મિલકતોમાં ચેકિંગ કરી નોટિસ આપી કાર્યવાહી કરી હતી. 50થી વધારે લોકો જાય, એક સાથે ભેગા થતા હોય એવી બિલ્ડીંગોમાં તપાસ કરાઈ રહી છે. એસજી હાઇવે-ગોતા વિસ્તારમાં કાર્યવાહીઉત્તર પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા એસજી હાઇવે અને ગોતા વિસ્તારમાં બીયુ પરવાનગી અને ફાયર સેફ્ટી વિનાના ફૂડ કોર્ટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બીયુ પરવાનગી નહોતી અને અવારનવાર ઈમ્પેક્ટ ફી માટે જાણ કરવા છતાં પણ કાર્યવાહી ન કરતા સીલ કરવામાં આવ્યા છે.
અમરેલી જિલ્લા પ્રભારી સચિવ સંદીપકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલનના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિકસિત ગુજરાત@2047 માટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અંતર્ગત જિલ્લામાં ચાલી રહેલી વિવિધ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 'વિકસિત ભારત@2027' ના સ્વપ્નને સાકાર કરવા માટે 'વિકસિત ગુજરાત@2047' એક ગ્રોથ એન્જિન સાબિત થશે. રાજ્ય સરકાર આરોગ્ય, શિક્ષણ, આંતરમાળખાકીય સુવિધાઓ અને દરિયાકાંઠાના વિસ્તારોના વિકાસ સહિતના ક્ષેત્રોમાં ઝડપથી કામ કરી રહી છે. બેઠક પૂર્વે, પ્રભારી સચિવ સંદીપકુમારે લાઠી તાલુકાના ચાવંડ અને બાબરા ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નંદઘર-આંગણવાડીઓ અને પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી. તેમણે આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ વ્યવસ્થા અને મધ્યાહન ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે અધિકારીઓને 'વિકસિત ગુજરાત' ના લક્ષ્યને હાંસલ કરવા માટે ચોક્કસ દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે જિલ્લા સંકલનના અધિકારીઓને પૂર્વ આયોજન સાથે આગળ વધવા અને કુલ 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં અમરેલી જિલ્લો ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને નિર્ધારિત લક્ષ્યાંકો સમય મર્યાદામાં પ્રાપ્ત કરી શકે તે માટે જરૂરી દિશાનિર્દેશો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારમાં નીતિ આયોગ એક મહત્વપૂર્ણ થિંક ટેન્ક તરીકે કાર્ય કરે છે. નીતિ આયોગ દ્વારા મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ (MPI) જાહેર કરવામાં આવે છે. આ ઇન્ડેક્સ આરોગ્ય અને શિક્ષણ સહિતના વિવિધ સૂચકાંકોમાં પ્રદર્શનનું માપન કરે છે. પ્રભારી સચિવે અમરેલી જિલ્લામાં પણ આ ઇન્ડેક્સના વિવિધ સૂચકાંકોમાં લક્ષ્યાંક મુજબ પ્રગતિલક્ષી કામગીરી હાથ ધરવા ભારપૂર્વક સૂચના આપી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, નિવાસી અધિક કલેક્ટર દિલીપસિંહ ગોહિલ, જિલ્લાના સર્વે પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે રૂ. 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસવડા કમલેશ વસાવા દ્વારા ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કડક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ અંતર્ગત, બાલાસિનોર ટાઉન પીઆઈ એ.એન. નિનામાને બાતમી મળી હતી કે, વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા નાના-મોટા 258 ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ છોડનું વજન 473.960 કિલોગ્રામ થયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,36,98,000/- (બે કરોડ છત્રીસ લાખ અઠ્ઠાણુ હજાર) આંકવામાં આવી છે. પોલીસે આ મામલે વાઘજી શીવાભાઈ પરમાર (રહે. રત્નાજીના મુવાડા, તા. બાલાસિનોર, જિ. મહીસાગર) નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લામાં પોલીસ વડા સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા SRP જવાન ગજુભા જિલુભા રાઠોડે (ઉં.વ.50) પોતાની સર્વિસ રાઇફલથી છાતીમાં ગોળી મારી આપઘાત કર્યો છે. પોલીસ કમિશનર કચેરીના ગેટ નંબર ત્રણ પાસે રાત્રિના બનાવ બન્યો હતો. જે બાદ તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જોકે, ત્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતુ. એસઆરપી જવાને કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે પ્રદ્યુમનનગર પોલીસે તપાસ હાથ ધરી છે.
પાટડીના નાવીયાણી ગામ પાસે ગઇકાલે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટનામાં એરવાડાના બે સગાભાઇ સહિત ત્રણ યુવકોના મોત થયા હતા. મૃતક ત્રણેય યુવકોના બુધવારે જ ઇન્ટવ્યૂ થયા હતા અને બીજા દિવસે વહેલી સવારે નવા સપનાઓ સાથે નોકરીએ જવા નીકળ્યાને અધવચ્ચે જ કાળ ભરખી ગયો. આ અકસ્માતમાં બે સગાભાઇઓના મોતથી પરિવારના નવ સભ્યો નોંધારા થઇ ગયા છે. જ્યારે અન્ય યુવકવી માતા તો જૈન સાધ્વીને લઇને જૂનાગઢ ગયા હતા, ત્યાં પુત્રના મોતના સમાચાર મળતા પરત આવ્યા હતા. પાટડીના એરવાડા ગામના 30 વર્ષીય ભરતભાઇ નરશીભાઈ દેવીપૂજક, 28 વર્ષીય મહેશભાઇ નરશીભાઈ દેવીપૂજક અને 20 વર્ષીય સંજયભાઈ ભાથીભાઈ ઠાકોરના ગઇકાલે નાવીયાણી પાસે અકસ્માતમાં મોત થયા હતા. આ ગોઝારી ઘટનાના સમાચાર મળતાં જ ભાસ્કરની ટીમ ગઇકાલે જ એરવાડા ગામમાં પહોંચી ગઇ હતી, ત્યાંના દૃશ્યો સૌ કોઇની આંખોના ખૂણા ભીના કરી દે એવા હતા. નોકરીની વાત પાકી થઇને યુવકો હરખે હરખે ઘરે આવ્યાદિવ્ય ભાસ્કરને ગ્રામજનોએ જણાવ્યું કે, મૃતક ત્રણેય યુવકોના બુધવારે જ બેચરાજીની એક કંપનીમાં ઇન્ટરવ્યૂ થયા હતા. દૈનિક 400 રુપિયા લેખે વાત નક્કી થઇ અને કંપની તરફથી કહેવામાં આવ્યું હતું કે આવતીકાલથી જ નોકરીએ આવી જજો. નોકરીની વાત પાક્કી થઇ જતા ત્રણેય યુવકો હરખે હરખે ઘરે આવ્યા હતા અને નોકરી મળ્યાનો ખુશી એમના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. અનેક આશાઓ સાથે વહેલી સવારે ઘરેથી નીકળ્યા ને...નોકરીથી પરિવારની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે અને પરિવાર સુખેથી રોટલો ખાઇ શકશે એવી આશા અને નવા સપનાઓ સાથે બંને ભાઇ અને ત્રીજો યુવક વહેલી સવારે ઘરેથી એક જ બાઇક પર સવાર થઇને નોકરી પર જવા નીકળ્યા હતા. આ દરમિયાન નાવીયાણી પાસે અજાણ્યા વાહનની ટક્કરથી ત્રણેય યુવકો મોતને ભેટતા પરિવાર માથે દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ત્રણેય મૃતકોને નાના-નાના બાળકો અને વૃદ્ધ માતા-પિતાદિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે, મૃતક બે ભાઇઓમાં ભરત દેવીપૂજકને સંતાનમાં બે બાળકો છે. જ્યારે નાનાભાઇ મહેશને સંતાનમાં ત્રણ બાળકીઓ છે. આમ પાંચ બાળકો, બહેનો અને માતા-પિતા મળીને પરિવારના નવ લોકો સાવ નોંધારા થઇ ગયા છે. બંને ભાઇઓ પહેલાં ઘેટા-બકરા ચારવાની સાથે જૂના કપડાની લે-વેચ કરીને ઘરની ગુજરાત ચલાવતા હતા. જ્યારે મૃતક સંજય ઠાકોરને એક નાની બાળકી છે. જે છૂટક કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો. બે ભાઇને માતા-પિતાને તો હાર્ટની સર્જરી કરાવેલી છેઆ બંને ભાઈઓના માતા-પિતા બંનેને અગાઉ હાર્ટ-એટેક આવેલો છે અને બંનેની બાયપાસ સર્જરી થયેલી છે. ત્યારે ચોંધાર આંસુએ રડતા રડતા લાચાર પિતા નરશીભાઈએ વલોપાત કરતા જણાવ્યું કે, મારા બંને દીકરા ઘરની પરિસ્થિતિ જોઈને નોકરીએ જવા નીકળ્યા ને પ્રથમ દિવસે જ મોત મળ્યું..આટલું બોલતા જ તેઓ રડવા લાગ્યા હતા. જે બાદ ફરી આખમાં આંસુ સાથે કહ્યું કે, મારા બે-બે દિકરા મરી ગયા છે હવે મારે શું કરવું? સંજયની માતા તો જૂનાગઢ હતા ને પુત્રના મોતના સમાચાર મળ્યાબીજી તરફ મૃતક સંજય ભાથીભાઈ ઠાકોરની માતા તો જૈન સાધ્વીજીને લઈને જૂનાગઢ વિહારમાં ગયા હતા અને પાછળથી દીકરાના મોતના સમાચાર મળતા પરત આવવા નીકળ્યા હતા. આમ ત્રણેય યુવકોની અંતિમયાત્રામાં આખુ ગામ હિબકે ચડ્યું હતું અને પરિવારના હૈયાફાટ રુદનથી હાજર સૌ કોઈના આંખોના ખૂણા ભીના થઇ ગયા હતા. કયા વાહને યુવકોનો જીવ લીધો એ હજી ક્લીયર નહીંઆ ત્રણેય યુવકોને કયુ વાહન કચડીને ફરાર થઇ ગયું એની જાણકારી હજી પોલીસને નથી મળી. દસાડા પોલીસ સ્ટેશનના પીઆઇવી.જે.માલવીયાએ જણાવ્યું કે, વિવિધ સીસીટીવી ફૂટેજ જોયા બાદ બે વાહનો શંકાસ્પદ દેખાય છે અને સીસીટીવી ફૂટેજમાં બાઈક એ વાહનની પાછળ દેખાય છે, પણ માત્ર એની લાઈટનો ફોક્સ જ દેખાય છે. કયા વાહનથી અકસ્માત થયો એ હજી ક્લીયર થતું નથી, પણ આ અકસ્માતની ઘટનામાં ટ્રેલરની અડફેટે થયો હોવાનું જણાય છે, પોલીસ તપાસ કરી રહી છે. દસાડા-બેચરાજી વચ્ચે અઢી વર્ષમાં આઠ લોકોના મોત થયાબેચરાજી આજુબાજુ મારૂતિ અને હોન્ડા સહિતની અનેક કંપનીઓ આવેલી છે અને બાજુમાં વણોદ GIDCમાં પણ આજુબાજુના ગામોના અનેક લોકો નોકરી માટે રોજ દિવસ અને રાતપાલીમાં નોકરી માટે બાઈક લઈને અપડાઉન કરે છે, ત્યારે કાયમ મોટા વાહનોના ટ્રાફિકથી ધમધમતા હાઈવે પર દસાડાથી બેચરાજી વચ્ચે છેલ્લા બે અઢી વર્ષમાં આઠ જેટલા યુવાનો મોતને ભેટ્યાના ગોઝારા બનાવો બનેલા છે. આ પણ વાંચો: માથું ધડથી અલગ, શરીરના ટુકડેટુકડા; પાટડીનાં ખૌફનાક દૃશ્યો
દારૂ ઝડપાયો:લખુપરા ગામે વાડી વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો
મહુવા તાલુકાના લખુપરા ગામે રહેતા ચંપુભાઈ વલકુભાઈ ઝાઝડા ના ગોરસ રોડ વાડી વિસ્તારમાં આવેલ વાડીના રહેણાકી મકાનમાં રાખેલ વિદેશી દારૂની રૂપિયા 55400 ની કિંમતની 48 નંગ બોટલો ભાવનગર એલસીબીએ ઝડપી લીધી હતી. જ્યારે ઘરે હાજર નહીં મળી આવેલ આરોપી ચંપુભાઈ ને ઝડપી લેવા પોલીસે શોધખોળ હાથ ધરી હતી.પોલીસે ચોક્કસ બાતમીના આધારે રેડ કરતા દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
વિવાદનો આવ્યો અંત:સિહોરની ઢાંકણકુંડાની પ્રાથમિક શાળાનો વિવાદ આખરે થાળે પડ્યો
સિહોરના ઢાંકણકુંડા ગામે ગામ લોકો શાળાના પ્રશ્નો બાબતે રોષે ભરાયાં હતાં. આચાર્યની બદલી પ્રશ્ને શાળાને તાળાબંધી કરાઇ હતી જેથી બાળકોના અભ્યાસને અસર થઇ રહી હતી. સિહોર તાલુકાની ઢાંકણકુંડા પ્રાથમિક શાળાનો વિવાદ ત્રણ દિવસ પછી માંડ-માંડ પત્યો. ચાર અધિકારીઓએ એક સાથે ઢાંકણકુંડા ગામની મુલાકાત લઇ, ગામના આગેવાનો અને ગ્રામજનો સાથે મુલાકાત કરી હતી. અને ગામ લોકોને સમજાવી બાળકોનું ભવિષ્ય ન બગડે તે માટે, શાળા શરૂ કરાવી દીધી હતી. આખરે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આચાર્યા હીરુબેન વાજાને એકાદ માસની રજા પર ઉતારી દેવાયા. એકાદ માસમાં તેની બદલી કરવાની પણ લેખિત બાહેંધરી આપવામાં આવી. ઉપરાંત શાળાના સિનિયર શિક્ષક વિમલભાઇ પંડ્યાને આચાર્યનો ચાર્જ સોંપવામાં આવેલ.અધિકારીઓ દ્વારા લેખિત બાંહેધરી અપાયા બાદ ગ્રામજનો શાળા શરૂ કરવા માટે સહમત થયા હતા.આમ, ત્રણ-ત્રણ દિવસ સુધી શાળા બંધ રહ્યા પછી, આખરે શાળા શરૂ થતા પ્રશ્નનો અંત આવ્યો હતો. ચાર અધિકારીઓએ ગામ લોકોને સમજાવ્યાઢાંકણકુંડા ગામની પ્રાથમિક શાળાનો વિવાદ આખરે થાળે પડ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઢાંકણકુંડા ગામની મુલાકાતે ગયા હતા. જ્યાં ગ્રામલોકો અને એસ.એમ.સી. સાથે મુલાકાત કરવામાં આવી હતી.
દારૂનો મોટો જથ્થો પકડાયો:સિહોરથી બોટાદ જતો 46.66 લાખનો દારૂ-બિયર ઝડપાયો
ભાવનગરના સિહોરના નેસડા ગામથી આગળ દારૂ - બિયરના મસમોટા જથ્થો લઇ શંકાસ્પદ ટ્રક પસાર થવાનો હોવાની સિહોર પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે નેસડા ગામ પાસે વોચ ગોઠવી હતી. જે દરમિયાન નેસડા ગામ થી બોટાદ જઇ રહેલા કંતાનના બારદાન ભરેલો શંકાસ્પદ ટ્રક જોવા મળતા પોલીસે ઉભો રાખવાની કોશીશ કરી હતી પરંતુ ડ્રાઇવરે પોલીસને જોઇ ટ્રકને કનીવાવ ગામ તરફ ટ્રક ભગાડી મુકતા પોલીસે ફિલ્મી સ્ટાઇલે ટ્રકનો પીછો કરી, ડ્રાઇવરને ઝડપી લઇ, ટ્રકમાં તલાશી કરતા ટ્રકમાંથી રૂા. 46 લાખથી ઉપરાંતનો મસમોટો વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો સાથે ડ્રાઇવરની ધરપકડ કરી, દારૂ મોકલનાર અને દારૂ મંગાવનારની શોધખોળ શરૂ કરી છે. આગામી 31 ડિસેમ્બરને લઇને ભાવનગર શહેર અને જિલ્લાના બુટલેગરો સક્રિય થયા છે. અને મસમોટા દારૂ મંગાવી, યુવકોને નશાના રવાડે ચડાવે છે.ત્યારે પોલીસે આવા બુટલેગરોને શોધી કાઢવા માટે સખત વોચ ગોઠવી છે. ત્યારે સિહોર પોલીસને નેસડા ગામ નજીકથી એક શંકાસ્પદ ટ્રકમાં દારૂ તેમજ બિયરની મોટા જથ્થામાં હેરાફેરી થવાની હોવાની ચોકક્સ બાતમી મળી હતી. જે આધારે પોલીસે નેસડા ગામ પાસે વોચ ગોઠવી રાખી હતી. જે દરમિયાન કંતાનના બારદાન ભરેલો એક શંકાસ્પદ ટ્રક પસાર થતાં તેના ડ્રાઇવરને ટ્રક ઉભો રાખવાનો ઇશોરા કર્યો હતો. પરંતુ ડ્રાઇવરે પોલીસને જોઇ તેનો ટ્રક કનીવાવ ગામ તરફ ભગાડી મુક્યો હતો. જે બાદ પોલીસના કર્મચારીઓએ ફિલ્મી સ્ટાઇલે પીછો કરી કનીવાવ ગામ નજીકથી ટ્રકને ચારેબાજુથી કોર્ડન કરી, ડ્રાઇવર દિનેશકુમાર રૂગનાથરામ ખીલેરીની ધરપકડ કરી, ટ્રકની તલાશી લેતા ટ્રકમાંથી જુદી જુદી કંપનીની વિદેશી દારૂની તેમજ બિયરની બોટલો નંગ 11,676 કિ.રૂા. 46,66,560નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જે બાદ રાજસ્થાનથી દારૂ મંગાવનાર સુરેશરામ ભાકરારામ જાટની તેમજ બોટાદના બુટલેગરની શોધખોળ શરૂ કરાઇ છે. પોલીસને ગુમરાહ કરવા હવે બુટલેગરો ટ્રકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરફેર કરી રહ્યાં છે. નારી ચોકડીથી બુટલેગરે બોટાદ તરફ ટ્રક વળાવ્યોનારી ચોકડી પાસેથી ટ્રક પહોંચતા ટ્રકના ડ્રાઇવરને બુટલેગરે ફોન કર્યો હતો અને ડ્રાઇવરને દારૂ ભરેલા ટ્રકને બોટાદ તરફ વાળવાની સુચના આપ્યા બાદ ડ્રાઇવરે સિહોરના નેસડા ગામથી બોટાદ તરફ જઇ રહ્યો હતો. જે દરમિયાન પોલીસે વોચ ગોઠવી ટ્રકની અટક કરી ડ્રાઇવરની ધરપકડ કરી હતી.બુટલેગર બોટાદનો હોવાનું પોલીસે જણાવ્યું હતું.
વાહનચાલકોને થશે રાહત:અંતે વલભીપુરમાં ચમારડી દરવાજા સુધીના RCC રોડનું કામ શરૂ કરાયું
ભાવનગર-અમદાવાદ હાઇવે પરથી શહેરમાં પ્રવેશ માટેના અમરવીલાથી ચમારડી દરવાજા સુધીનો જે રસ્તો અન્ડર ગ્રાઉન્ડ ગટરનું કામ કર્યા પછી જેમની તેમ હાલતમાં મુકી દેવામાં આવેલ હતો. દિવાળી પછી પડેલા કમોસમી વરસાદના કારણે આ રસ્તો ગારાનો બની ગયેલ રાહદારીઓ તો ઠીક વાહનો પણ પસાર ન થઇ શકે તે હદે ચીકણી માટીના ગારા વાળો બનતા આ રસ્તાનો ઉપયોગ કરતા ચમારડી દરવાજા,આહિર શેરી,માધુબાગ, કુકડીયા શાળા સહિના અન્ય વિસ્તારોના લોકોને પારાવર મુશ્કેલીમાં મુકયા હતાં. આ બાબત નગરપાલીકાના સત્તાધીશોએ પુરી ગંભlરતાથી લેતા તાત્કાલીક રીતે સમગ્ર પ્રક્રિયા હાથ ધરીને અમરવીલાથી ચમાડરી દરવાજા સુધીના નવા સી.સી. રોડનું કામ શરૂ કરાવામાં આવતા લોકોને રાહત સાથે હાશકારો થયો છે.
સફળ સર્જરી:સાત વર્ષની બાળકી સિક્કો ગળી જતા કરાયું જટિલ ઓપરેશન
માનવ સેવા એ જ પ્રભુ સેવા ઉક્તિને ચરિતાર્થ કરતી ઉમરાળા તાલુકાના ટીંબી ખાતેની સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં રોંજીદા હજારો દર્દીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના આંખ-નાક-ગળાના વિભાગમાં સાત વર્ષની બાળકી બે રૂપિયાનો સિક્કો ગળી જતા સારવાર્થે લવાઈ હતી. ગળાના અંદરના ભાગમાં ફસાયેલો બેનો સિક્કો શ્વાસનળીમાં જવાની સંભાવના વચ્ચે ઈ.એન.ટી. વિભાગના તબીબોની ટીમે સફળતાપૂર્વકના ઓપરેશનથી બાળકીને નવજીવન આપ્યું છે. ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગમાં બે રૂપિયાનો સિક્કો ગળી જતા સાત વર્ષની બાળકી સારવાર્થે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના ઈ.એન.ટી. સર્જન ડો. ગવેન્દ્ર દવે સાહેબ, મહિલા તબીબ ડો.રાજી દેસાઈ અને એનેસ્થેટીક ડો. મિહિર પટેલની ટીમે સફળ ઓપરેશન કરી બાળકીના ગળામાં ફસાયેલા સિક્કાને બહાર કાઢી બાળકીને મૃત્યુંના ખતરાથી ઉગારી લીધી હતી. ગળામાં ફસાયેલા સિક્કાની ખાનગી હોસ્પિટલ જેવી સ્થાનિક કક્ષાએ નિઃશુલ્ક સારવાર મળતા બાળકીના પરિવારે આભારની લાગણી વ્યક્ત કરી હતી. હોસ્પિટલમાં ભેદભાવ વિના નિઃશુલ્ક સારવાર !ટીંબી સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી ! એટલું જ નહીં અહીં ધર્મ-જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે સારવાર કરાઇ છે. વર્ષ-2011માં 5 કરોડના ખર્ચે બન્યા બાદ માનવ સેવા હોસ્પિટલ બનાવીને ટ્રસ્ટને સોંપ્યું હતું. આ હોસ્પિટલમાં વિના મુલ્યે સારવાર અને ઓપરેશન થાય છે સર્જરી થાય છે ત્યારે દેશભરમાંથી આવતા દર્દીઓ તેનો લાભ લઈ રહ્યા છે.
રમત ગમતમાં સિદ્ધિ:રાજ્યકક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં જ્ઞાનગુરુ એકેડેમીના છાત્રો ઝળક્યા
જૂનાગઢ ખાતે યોજાયેલ 8મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ કોમ્પિટિશનમાં શ્રી જ્ઞાનગુરુ સ્પોર્ટ્સ એકેડેમીના ખેલાડીઓએ જ્વલંત સફળતા મેળવી છે. આ સ્પર્ધામાં લાયન સ્કેટિંગ ક્લબ, શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ભાવનગરના 6 બાળકોએ અલગ અલગ વય જૂથમાં ભાગ લીધો હતો, જેમાં આ બાળકોએ ટોટલ 9 ગોલ્ડ સિલ્વર અને બ્રોન્સ મેડલ મેળવી ઓલ ઓવર ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી, આ બાળકોના કોચ વત્સલ બારડે કોચિંગ આપ્યું હતું તથા સંસ્થાના સંચાલક મનહરભાઈ રાઠોડે બાળકોને બિરદાવ્યા છે.
પૂજ્ય આચાર્ય સુનિલસાગરજી ગુરુદેવ સંઘના વિશેષ વિસ્તાર, રત્નદ્વીપ-ઘોઘા ખાતે હજારો વર્ષ જૂના સહસ્ત્રકૂટ મંદિરમાં આયોજિત શ્રીમજિનેન્દ્ર પંચકલ્યાણક મહામહોત્સવ શરૂ થયો. અતિશય ક્ષેત્ર ઘોંઘા (ભાવનગર) ખાતે યોજાયેલ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્યશ્રીએ આત્મસંયમ, દીક્ષા અને જીવનમૂલ્યો અંગે અત્યંત પ્રભાવશાળી ઉદ્દબોધન આપ્યું. ગુરુદેવે જણાવ્યું કે, પ્રત્યેક પળે ઇચ્છા જન્મે છે, અને જે ઈચ્છાઓને જીતે છે તે જ દીક્ષાનો અધિકારી બને છે. સંયમ દુનિયાની સૌથી કિંમતી સાધના છે, તેથી પ્રભુ આદિનાથએ અગણિત વૈભવ છોડીને દીક્ષા સ્વીકારી. ગુરુદેવે ઋષભદેવ ભગવાનના જીવનચરિત્રનો ઉલ્લેખ કરતાં કહ્યું કે કેવી રીતે સૌધર્મ ઇન્દ્ર પણ તેમની સેવા માટે ઉપસ્થિત રહેતા, ભરત–બાહુબલી જેવા પ્રતિભાશાળી પુત્રો હતા, અગણિત રાજવૈભવ હતું — છતાં તેમણે ક્રોધના પ્રસંગે સમતા અપનાવીને સંસારમાંથી નિવૃત્તિ લીધી અને દિગંબર દીક્ષા ધારણ કરી. સભામાં સમુદ્રકિનારે સ્થિત પ્રાચીન રત્નદ્વીપ ક્ષેત્રના ઇતિહાસનો પણ ઉલ્લેખ થયો. ગુરુજીએ જણાવ્યું કે ક્યારેક અરબ સાગર મંદિરની બાજુ સુધી હતો અને ‘ખજૂરિયા ચૌક’ નામના સ્થળે અરબ દેશોમાંથી આવેલા ખજુર ઉતારવામાં આવતાં. આજે સમુદ્ર થોડું પાછળ ખસી ગયો છે, પરંતુ સમયપ્રભાવવશ ત્યાં ફરી આગળ વધવાની શક્યતા જણાવવામાં આવે છે. ગુરુદેવે આચાર્ય સમદરભદ્ર સ્વામીકૃત સ્તુતિનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ધરા રૂપિ સ્ત્રીએ સમુદ્રરૂપ સાડી ધારણ કરી છે અને ઋષભદેવે રાગનો ક્ષય થતાં તેને પણ ત્યજ્યું. આ સંયમ અને વૈરાગ્યનું અદ્વિતીય ઉદાહરણ છે.ઉદ્દબોધનમાં ગુરુદેવે દ્રવ્યો લિંગ અને ભાવ લિંગના તફાવત પર પ્રકાશ પાડતા કુન્દકુન્દાચાર્યની વાણીને યાદ કરી. તેમણે કહ્યું કે માત્ર ચર્ચા કરવાથી નહીં, પરંતુ ચર્યા ઉતારવાથી મમુક્ષુત્વ સિદ્ધ થાય છે. પ્રાચીન સમયમાં ઘોઘામાં વિશાળ જિનાલય હશેપ્રાચીન સમયમાં ઘોઘા પ્રદેશમાં વિશાળ જિનાલય રહ્યા હશે. સમય અનુસાર સ્વરૂપ બદલાયું, પરંતુ પવિત્રતાનો મૂળ ભાવ આજે પણ અવિચલ છે. શ્રીપાલ મહારાજના આગમન, નિર્વાણસ્થળ અને પ્રાચીન ઇતિહાસ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો અને એવું શક્ય ગણાવાયું કે તેમનું નિર્વાણ સાંછી (વિદિશા) આસપાસ જ થયું હોઈ શકે
ગૌરવની વાત:ભાવનગરના ક્રિષ્ના જોષીએ કેબીસીમાં જીત્યા રૂ. 7.50 લાખ
ભાવનગરના ક્રિષ્ના હરેશભાઇ જોષી જેઓ ભાવનગર મહાનગરપાલિકા સેક્રેટરી વિભાગના પૂર્વ કર્મચારી અને હાલ ગુજરાત હાઇકોર્ટમાં ડી.વાય.એસ.ઓ. તરીકે ફરજ બજાવે છે. તેઓએ કોન બનેગા કરોડપતિ પ્રતિયોગિતામાં ભીમ એપ્લિકેશનની સ્પર્ધામાં ભાગ લઈને પસંદગી પામી પ્રથમ દિવસે જ પહેલા ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટમાં સૌથી ઓછા સમયમાં સાચો જવાબ આપી હોટ સીટ ઉપર સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે કોન બનેગા કરોડપતિ ગેમ રમવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી સમગ્ર દેશના કરોડો દર્શકો સમક્ષ ભાવનગરને ગૌરવ અપાવ્યું છે. તેઓનો એપિસોડ ગત તા.8 ડિસેમ્બરે ટીવીમાં રિલીઝ થયો હતો. 60 મિનિટના એપિસોડમાં બચ્ચન બાબુ સાથે ઘણી બધી વાતો અને પરિવાર અને વ્યક્તિગત જીવનના સંવાદો કર્યા હતા. ક્રિષ્નાએ કૌન બનેગા કરોડપતિમાં બે પડાવ સફળતાપૂર્વક પાસ કર્યા હતા અને રૂ. 7.50 લાખની ઇનામી રકમ જીતી હતી. અમિતાભ બચ્ચનને મળવાનો મોકો મળતા તેમના જીવનનું સ્વપ્ન સાકાર થયું હતુ. આ જીતથી તેમના પરિવારમાં ખુશીનો માહોલ છે અને તેઓ ભવિષ્યમાં આ રકમનો સદુપયોગ કરીને આગળ વધવા ઈચ્છે છે.. કેબીસીમાં રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાન્યુ-માર્ચની વચ્ચે થતી હોય છે અને સોની પર રોજ એક સવાલનો જવાબ આપવાનો હોય છે. આ રીતે સાતેક જવાબો આપવાના થતા હોય છે. ત્યાર બાદ એપ્રિલના લાસ્ટ વીક કે મેની શરૂઆતમાં KBCમાંથી ફોન આવે અને ત્રણ સવાલો પૂછે. જો સિલેક્ટ થાવ તો ગ્રાઉન્ડ ઓડિશન એટલે કે મુંબઈ જવા મળે અને એ સામાન્ય રીતે મેના એન્ડ કે જૂનની શરૂઆતમાં હોય છે. દિલ્હી, ભોપાલ, લખનઉ અને મુંબઈ જેવા શહેરોમાં પ્રક્રિયા થતી હોય છે. ફાસ્ટેસ્ટ ફિંગરમાં સિલેક્ટ થયાનો ફોન આવે. ટીવી પર આ સરળ લાગે, પરંતુ વાસ્તવમાં આ જર્ની ઘણી જ એટલી ઘણી જ અઘરી હોય છે. સ્પર્ધક પાસેથી KBCની ટીમ સિલેક્ટ કરીને આપે એ કપડાં પહેરવાનાં હોય છે.દરેક સ્પર્ધકનો મેકઅપ રૂમ હોય છે. સેટ પર ટીમ નાની-નાની બાબતોનું ધ્યાન રાખે. સ્ટુડિયો જ એટલો મોટો છે કે તમને ભુલભુલૈયા જેવો લાગે.
17મીથી દબાણ હટાવની કામગીરી શરૂ કરાશે:અલંગ-મણારની સરકારી, ગૌચરના દબાણો હટાવાશે
ભાવનગર જિલ્લાના અલંગ ગામ નજીકની સરકારી પડતર અને ગૌચરની જમીનો પર ખડકાયેલા ગેરકાયદે દબાણો હટાવવા માટે તખ્તો ઘડાઇ ચૂક્યો છે. ત્રાપજથી અલંગ સુધીના ચાર માર્ગીય કામગીરી લાંબા સમયથી દબાણોને કારણે અટકેલી હતી, જે હવે આગળ ધપશે તેમ સરકારી સૂત્રોએ જણાવ્યુ હતુ. અલંગ શિપ રીસાયકલિંગ યાર્ડની સામેની બાજુએ આવેલા હંગામી આવાસ, અને મણાર ગામની સરકારી, ગૌચર જમીનો પર દબાણો ખડકાયેલા હતા. લાંબા સમયથી તળાજા મામલતદાર કચેરી દ્વારા દબાણો હટાવવાની પ્રક્રિયા ખોરંભે ચડેલી હતી તેનું નિરાકરણ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. તળાજા મામલતદાર કચેરીના સુત્રોના જણાવ્યા અનુસાર 459 લોકો દ્વારા 63 હેક્ટર જમીન પર દબાણો ખડકવામાં આવ્યા હતા. મામલતદાર કચેરી દ્વારા 17મી ડિસેમ્બરથી તમામ દબાણો હટાવવા માટે સંબંધિત સરકારી તંત્રને જાણ કરવામાં આવી છે. 17મીથી દબાણ હટાવની કામગીરી માટે પોલીસ બંદોબસ્તથી લઇ અને તમામ સરકારી પ્રક્રિયાઓ પણ આટોપી લેવામાં આવી છે. આમ, સરકારી પડતર અને ગોચરની જમીન પર દબાણો દૂર કરવા તખ્તો ઘડાઈ ગયો છે.

28 C