અમરેલી જિલ્લામાં આવેલી ધારી ડિવિઝન DYSP કચેરી અને પોલીસ સ્ટેશનને ISO 9001:2015 પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે. તેમની ઉત્તમ કાર્યપદ્ધતિ, સેવા ગુણવત્તા અને વ્યવસ્થાપક પ્રણાલીમાં શ્રેષ્ઠતા બદલ આ સન્માન મળ્યું છે. આ પ્રમાણપત્ર દ્વારા બંને કચેરીઓની કામગીરીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તા માન્યતા પ્રાપ્ત થઈ છે. ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીમાં કાર્યપ્રવાહનું માનકીકરણ, પારદર્શક રેકોર્ડ મેનેજમેન્ટ, ફરિયાદનું સમયબદ્ધ નિવારણ, નાગરિક કેન્દ્રિત સેવાઓ અને સતત સુધારા જેવી બાબતોને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી છે. આ પ્રમાણપત્ર ખાસ કરીને ફરિયાદ નોંધણી અને નિવારણ પ્રક્રિયામાં સુગમતા, દસ્તાવેજીકરણમાં પારદર્શિતા, મહિલા, બાળકો તથા વરિષ્ઠ નાગરિકો માટે સંવેદનશીલ પોલીસ સેવા, અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ (E-GUJCOP, CCTV, સાયબર સહાય) જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સુધારા દર્શાવે છે. આ સિદ્ધિ ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીના તમામ અધિકારીઓ તથા કર્મચારીઓના સંયુક્ત પ્રયત્નો, શિસ્તબદ્ધ કામગીરી અને વ્યાવસાયિક અભિગમના પરિણામે પ્રાપ્ત થઈ છે. આ અંગે ASP જયવીર ગઢવીએ જણાવ્યું હતું કે, ધારી પોલીસ સ્ટેશન અને DYSP કચેરીને તેમની સેવા ગુણવત્તા, પારદર્શક કામગીરી અને નાગરિક કેન્દ્રિત પોલીસિંગ બદલ ISO પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ પ્રમાણપત્ર દ્વારા બંને કચેરીઓની કાર્યપદ્ધતિને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ગુણવત્તા માન્યતા મળી છે. તેમણે ભવિષ્યમાં પણ જનતાને વધુ વ્યાવસાયિક અને વિશ્વસનીય પોલીસ સેવા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
સુરત શહેરમાં રાત્રિના સમયે રોડ પર ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને મોબાઈલ ઝૂંટવતા અને ચાલુ બાઇક પર ફૂલ સ્પીડમાં ફરાર થઈ જતા બે રીઢા મોબાઈલ સ્નેચરને ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સતત 15 દિવસ સુધી સીસીટીવી કેમેરાની ચકાસણી કરીને આ આરોપીઓની ધરપકડ કરી છે, જેઓ દિવસે મજૂરી અને હીરા ઘસવાનું કામ કરતા હતા અને રાત્રે મોબાઈલ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતા હતાં. CCTVના આધારે બે આરોપીઓની ઓળખઉત્રાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગની વધતી જતી ઘટનાઓ બાદ પોલીસે આ ગુનાઓને ગંભીરતાથી લીધા હતા. પોલીસે ઘટનાસ્થળો અને આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજની સતત 15 દિવસ સુધી ઝીણવટભરી ચકાસણી કરી હતી. આ અથાગ પ્રયત્નોના અંતે, પોલીસે મોબાઈલ સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓને ઓળખી કાઢ્યા અને તેમને પકડી પાડ્યા હતા. રાત્રીના સમયે રોડ પર એકલા ચાલતા લોકોને ટાર્ગેટ કરતાઉત્રાણ પોલીસે ઝડપેલા બે આરોપીઓ શિવમ ઉર્ફે છોટુ સુરેંદ્રભાઇ બધેલ અને વિકાસ શેષનાથ સિંગ આ બંને આરોપીઓની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ રાત્રીના સમયે રોડ પર એકલા ચાલતા નીકળેલા લોકોને ટાર્ગેટ કરતા હતા. બાઇક પર ફૂલ સ્પીડમાં આવીને, તેઓ રાહદારીઓના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી લેતા અને તરત જ ત્યાંથી બાઇક લઈને ભાગી જતા હતા. દિવસે મજૂરી કામ અને હીરા ઘસવાનું કામ કરતાદિવસ દરમિયાન, આ આરોપીઓ સામાન્ય માણસોની જેમ મજૂરી કામ અને હીરા ઘસવાનું કામ કરતા હતા, જ્યારે રાત્રે તેઓ ગુનાહિત પ્રવૃત્તિમાં સક્રિય થઈ જતા હતા. 1.45 લાખનો મુદ્દામાલ કબ્જેપોલીસે આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલું બાઈક તેમજ છે નંગ સ્નેચિંગ કરેલા મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. પોલીસે કુલ 1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પકડાયેલા તમામ મોબાઈલ સ્નેચિંગ કરીને મેળવ્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉત્રાણ પોલીસ હાલ આ બંને આરોપીઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. પોલીસને આશા છે કે આ આરોપીઓની પૂછપરછમાં સુરત શહેરના અન્ય વિસ્તારોમાં બનેલા મોબાઈલ સ્નેચિંગ અને અન્ય ગુનાઓના ભેદ પણ ઉકેલાઈ શકે છે.
જામનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી તથા જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં લેઉઆ પટેલ સમાજ ખાતે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અને જામનગરની 9 કંપનીઓ વચ્ચે કુલ રૂ. 5716 કરોડના એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ રોકાણથી અંદાજે 2100 લોકોને નવી રોજગારીની તકો પ્રાપ્ત થશે. મંત્રીના હસ્તે વાજપાઈ બેંકેબલ યોજનાના લાભાર્થીઓને વ્યવસાય માટેના લોડિંગ વાહનની ચાવીઓ પણ અર્પણ કરવામાં આવી હતી. પ્રભારી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ તે ગુજરાતના વિકાસની દ્રષ્ટિ, આત્મનિર્ભરતાનો સંકલ્પ અને વિશ્વ સાથે સ્પર્ધા કરવાની શક્તિનું પ્રતીક છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ પહેલે ગુજરાતને વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું કેન્દ્ર બનાવ્યું છે. તેમણે જામનગર જિલ્લાના ઔદ્યોગિક મહત્વ પર ભાર મૂક્યો હતો. જામનગર બ્રાસ પાર્ટ ઉદ્યોગ, બાંધણી, રિફાઇનરી, પેટ્રોકેમિકલ ક્ષેત્ર, બંદર આધારિત પ્રવૃત્તિઓ અને પરંપરાગત કારીગરીમાં અગ્રણી છે. અહીંના ઉદ્યોગસાહસિકોની મહેનતને કારણે જામનગરને 'બ્રાસ સિટી ઓફ ઇન્ડિયા' તરીકે ઓળખ મળી છે. રાજકોટ ખાતે યોજાનારી રિજિયોનલ સમિટનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લાકક્ષાએ રહેલી ઔદ્યોગિક તકોને ઓળખવાનો, સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવાનો અને રોજગાર સર્જનને વેગ આપવાનો છે. આ ખાસ કરીને MSME, સ્ટાર્ટઅપ્સ, મહિલા ઉદ્યોગસાહસિકો અને યુવાનો માટે સુવર્ણ તક પૂરી પાડશે. ગુજરાત સરકાર “ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ”ના સિદ્ધાંતને મજબૂત બનાવી રહી છે. પારદર્શક નીતિઓ, ઝડપી મંજૂરી પ્રક્રિયા અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. મંત્રીએ ઉદ્યોગકારોને સંપત્તિના સર્જકો અને દેશની પ્રગતિના મુખ્ય વાહકો ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું કે જામનગરમાં ઓઇલ રિફાઇનરી, બાંધણી અને બ્રાસપાર્ટના ઉદ્યોગો દ્વારા હજારો લોકોને રોજગારી મળી રહી છે. જામનગરના ઉદ્યોગકારોએ ટેકનોલોજી અપગ્રેડેશન અને માર્કેટ રિસર્ચ સાથે આધુનિક ટેકનોલોજીને વ્યવસાયમાં અપનાવી છે. ગુજરાતને વૈશ્વિક ફલક પર ઓળખ અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું મહત્વનું યોગદાન રહ્યું છે. જામનગર જિલ્લામાં ભવિષ્યમાં નવા ઉદ્યોગો, નવી ટેકનોલોજી અને નવા રોજગારની વિશાળ સંભાવનાઓ છે. મંત્રીએ જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને રાજકોટ ખાતે યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં ભાગ લેવા અપીલ કરી હતી. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, બાંધણી ઉદ્યોગ જામનગરની સાંસ્કૃતિક ઓળખ છે. જામનગરમાં બાંધણી ઉદ્યોગના પરિણામે મહિલાઓ રોજગારી મેળવી આત્મનિર્ભર બની છે. જામનગરની બાંધણીને મળેલ જીઆઈ ટેગ અને જામનગરના બ્રાસપાર્ટ ઉદ્યોગમાં કામ કરતા કારીગરો અને ઉદ્યોગકારોની મહેનતના પરિણામે જામનગરમાં ઈસરો અને નાસા જેવી સંસ્થાઓના પણ બ્રાસ પાર્ટનું નિર્માણ થયું છે. જે આપણા માટે ગૌરવની વાત છે. જામનગરનો બ્રાસ પાર્ટ ઉદ્યોગ અને બાંધણી ઉદ્યોગ બંને ગુજરાતની આર્થિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિનું પ્રતિબિંબ છે. એક તરફ આધુનિક ઉદ્યોગ દ્વારા રોજગાર અને નિકાસમાં વધારો થાય છે, તો બીજી તરફ પરંપરાગત કલા દ્વારા સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ થાય છે. સરકારના સહયોગ અને સ્થાનિક કારીગરોની મહેનતથી જામનગર આ બંને ક્ષેત્રોમાં સતત પ્રગતિ કરી રહ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ ગુજરાત સરકારની દ્રષ્ટિ, વિકાસપ્રતિબદ્ધતા અને સર્વાંગી પ્રગતિનું સશક્ત પ્રતિબિંબ છે. આ કોન્ફરન્સ થકી રાજ્યના વિવિધ જિલ્લાઓની શક્તિ, સંભાવનાઓ અને સ્થાનિક ઉદ્યોગોને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની મહત્વપૂર્ણ તક મળશે. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા અને મે. માઈક્રોટેક મેટલ ઇન્ડસ્ટ્રીઝના અશોકભાઈ દોમડીયાએ બ્રાસ ઇન્ડસ્ટ્રીઝને લગત પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ વિવિધ વિષયો પર નિષ્ણાંતો દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ, SME ઇનોવેશન લાઇક અ કોર્પોરેટ ઇનોવેશન, ગ્લોબલ સિનારીઓ અને એક્સપોર્ટ્સ, ક્રેડિટ લિંકેજ સેમિનાર, PMFME યોજના, સ્કિલિંગ યુથ એન્ડ ક્રિએટીંગ એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી, વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વિશે પ્રેઝન્ટેશન અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા અમલી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ૨૫ જેટલા સ્ટોલ્સનું પ્રદર્શન જેમાં બ્રાસપાર્ટ્સને લગત સ્ટોલ, બાંધણીના સ્ટોલ, હસ્તકલાના સ્ટોલ જેવા વિવિધ સ્ટોલનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. મંત્રી સહિતના મહાનુભાવોએ આ સ્ટોલ્સની મુલાકાત લઈ તેમની સાથે સંવાદ કર્યો હતો.
ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ આજે મહેસાણા જિલ્લાના વડનગરની અચાનક મુલાકાત લઈ સૌને ચોંકાવ્યા હતા. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન તેમની સાથે કોઇપણ પ્રકારની સિક્યોરિટી કે પોલીસ બંદોબસ્ત નહોતો. જેના કારણે મુલાકાત એકદમ સાદી અને નિરીક્ષણલક્ષી રહી હતી. તેમની આ મુલાકાત અંગે સ્થાનિક તંત્રને પણ અગાઉથી જાણ કરવામાં આવી નહોતી. 3 કલાક રોકાઈ સ્કૂલ, મ્યુઝિયમ હોસ્પિટલની મુલાકાત લીધીહર્ષ સંઘવી આજે સવારે અંદાજે 11 વાગ્યાના ગાળામાં વડનગર પહોંચ્યા હતા અને લગભગ ત્રણ કલાક જેટલો સમય તેમણે અહીં વિતાવ્યો હતો. આ સમય દરમિયાન તેમણે વડનગરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. ડેપ્યુટી સીએમએ વડનગરના મહત્ત્વપૂર્ણ સ્થળોની પણ મુલાકાત લીધી હતી, જેમાં પ્રેરણા સ્કૂલ, મ્યુઝિયમ, સિવિલ હોસ્પિટલ, બી એન હાઈસ્કૂલ, વોચ ટાવર અને રેલવે સ્ટેશનનો સમાવેશ થાય છે. વડનગરમાં ચાલતા વિકાસ કાર્યોની સ્થિતિનો તાગ મેળવ્યોઆ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ વડનગરના રોડ-રસ્તા, સફાઈ વ્યવસ્થા અને સમગ્ર શહેરમાં ચાલી રહેલા વિકાસના કાર્યોની જમીની હકીકત જાણવાનો હતો. કોઈપણ પ્રકારના પ્રોટોકોલ અને બંદોબસ્ત વિનાની સંઘવીની આ અચાનક મુલાકાત કરી છે કે, તેઓ વડનગરમાં ચાલી રહેલા કાર્યોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા માંગતા હતા. તેમણે નિરીક્ષણ દરમિયાન મળેલા તારણોના આધારે આગામી કાર્યવાહી કરવા માટે તંત્રને માર્ગદર્શન આપી શકે છે.
નવસારીના ચીખલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઝારખંડના એક ટ્રક ચાલકે 13 વર્ષીય બાળકીને ચોકલેટની લાલચ આપીને પોતાની ટ્રકની કેબિનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. 'તુજે ચોકલેટ દિલાઉંગા' કહીને લઇ ગયોપ્રાપ્ત માહિતી અનુસાર, ઝારખંડના લાતેહારનો રહેવાસી ટ્રક ચાલક વિનયકુમાર સૂરજસિંહ ગુરુવારે વલસાડમાં સામાન ઉતારી પરત ફરી રહ્યો હતો. સાંજે તે ચીખલી નજીક સર્વિસ રોડ પર ચા-નાસ્તો કરવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેણે નજીકમાં રમી રહેલી 13 વર્ષીય બાળકીને જોઈ અને તેને 'તુજે ચોકલેટ દિલાઉંગા' કહીને પોતાની ટ્રકની કેબિનમાં લઈ ગયો હતો. સ્થાનિકો કઢંગી હાલતમાં જોઇ ગયાકેબિનમાં વિનયે બાળકી સાથે બદકામ કર્યું હતું. કોઈએ બાળકીને કઢંગી હાલતમાં વિનય સાથે જોઈ જતાં તેના પરિવારજનોને જાણ કરી હતી. બાળકીની દાદી અને અન્ય પરિજનો તાત્કાલિક ટ્રક પાસે દોડી આવ્યા હતા. બાળકીને નીચે ઉતારી પૂછપરછ કરતા તેણે વિનય દ્વારા કરાયેલા કૃત્ય વિશે જણાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપી વિનયને પકડીને માર માર્યો હતો અને ચીખલી પોલીસને જાણ કરી હતી. ચીખલી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આરોપી વિનય સૂરજસિંહની ધરપકડ કરી હતી. પોલીસે તેની વિરુદ્ધ પોક્સો એક્ટ અને દુષ્કર્મની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી અગાઉ પણ આવા કૃત્ય આચરી ચૂક્યો બાળકીએ પોલીસને આપેલી માહિતી મુજબ, આરોપી વિનય અગાઉ પણ આવા કૃત્ય આચરી ચૂક્યો છે. તે થોડા થોડા સમયે ઝારખંડથી વલસાડની કંપનીઓમાં સામાન ઉતારવા આવતો હતો. આશરે એક મહિના પહેલા પણ તે ચીખલી આવ્યો હતો અને ત્યારે પણ તેણે આ જ બાળકીને ચોકલેટની લાલચ આપીને બેથી ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીએ ચા-પાણી માટે ટ્રક ઉભી રાખી હતીઆ મામલે માહિતી આપતા ડી.વાય.એસ.પી ભગીરથસિંહ ગોહિલ જણાવે છે, ગુરુવારની સાંજે એક ટ્રકની અંદર એક ઝારખંડના લાતેહાર જિલ્લાના એક આરોપી વિનય સુરતસિંગે નેશનલ હાઇવે ઉપર એક જગ્યાએ પોતાની ટ્રકની અંદર ચા પાણી પીવા માટે ટ્રકમાં બેસી અને ચા પાણી માટે ટ્રક ઊભો રાખેલો હતો. તે દરમિયાન ત્યાં એક બાળા જે હતી તે અગાઉ પણ એમની સાથે બે વખત મળેલા હતા અને તેમની સાથે આ બાળાને ટ્રકની કેબિનની અંદર બોલાવડાવી અને તેની સાથે દુષ્કર્મ કરેલુ હોય અને દરમિયાન તેના ઓળખિતાઓ બધા તેને જોઈ ગયા હતા. સ્થાનિકો જોઇ જતાં તાત્કાલિક ત્યાં માણસો ભેગા થઈ ગયેલા અને પછી આરોપીને તાત્કાલિક ડીટેન કરી પોલીસ પણ ત્યાં પહોંચી. આરોપીને તાત્કાલિક ડીટેન કરી રેપ તેમજ પોક્સો એક્ટ હેઠળ તેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. પોલીસે આરોપીને ઝડપીને આગળની તપાસ હાથ ધરીડી.વાય.એસ.પીએ વધુમાં જમાવ્યું કે, હાલ આ આરોપી વિનય સુરતસિંગ છે જેને ડીટેન કરવામાં આવેલ છે. તેની હિસ્ટ્રી તપાસીએ તો તેને મેરેજ થઈ ગયા છે, જેની ઉંમર 38 વર્ષ છે અને તેને અઢી વર્ષની એક નાની બાળકી જે ઝારખંડમાં જે બારવાહિયા કરીને એનું જે ગામ છે ત્યાં પત્ની સાથે રહે છે. આ આરોપી પોતે આજે ટ્રક જે છે એની અંદર ડ્રાઇવિંગનું કામ કરે છે. ટ્રકનો જે સામાન હોય એ લઈ અને એ વલસાડ છોડવા આવ્યો હતો અને વલસાડથી માલ ભરી અને પાછો ઝારખંડ જઈ રહ્યો હતો.
ગાંધીનગર ઈન્ફોસિટીમાં ઓફિસ ખોલી ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી અનેક વેપારીઓ પાસે રોકાણ કરાવી કરોડોની છેતરપિંડી આચરનાર મહાઠગ નીરવ દવેની ઠગાઇના એક ગુનામાં ચાર દિવસના તેમજ બીજા ગુનામાં પણ ત્રણ એમ કુલ સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થઈ જતા તેને સેન્ટ્રલ જેલમા ધકેલી દેવાયો છે. જોકે રિમાન્ડ દરમિયાન નીરવ દવેએ ચુપકીદી સાધી લીધી હતી. અને ઠગાઇના રૂપિયાનું પણ પગેરુ બહાર આવ્યું નહોતું.બીજી તરફ હાઇકોર્ટમાંથી આગોતરા જામીન નામંજૂર થતાં મહાઠગની પત્ની મીરા દવે પણ ભુગર્ભમાં ઉતરી ગઈ છે. આમ ઠગાઇનો ભોગ બનનાર વેપારીઓને રૂપિયા પરત મળશે કે નહીં એ પ્રશ્નાર્થ ઊભો છે. રોકાણના બહાને છેતરપિંડી થતા રોકાણકારોએ રાતે પાણીએ રોવાનો વારોગાંધીનગર ઈન્ફોસિટીમાં ઓફિસ ખોલી ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના 'નકલી ટેન્ડર'ના દસ્તાવેજો બનાવી રોકાણના બહાને કરોડોની છેતરપિંડી આચરનાર મહાઠગ નીરવ દવે અને તેની પત્ની મીરા દવેની લોભામણી લાલચમાં ભોગ બનનારને રાતા પાણીએ રોવાનો વખત આવે તેવો ઘાટ ઘડાયો છે. ગાંધીનગરના સેક્ટર 23માં પ્રાણકુંજ સોસાયટીમાં રહેતા અને ઈન્ફોસિટી સુપર મોલમાં ઓમ એન્ટરપ્રાઇઝ ચલાવતા નિવૃત નાયબ સચિવના પુત્ર નીરવ દવે અને પુત્રવધૂ મીરા દવેએ ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયાના ટેન્ડર લાગ્યા હોવાના નકલી દસ્તાવેજ બનાવીને વેપારીઓને ઠગી લેવાયા છે. આ ઠગ દંપતીએ વડનગર, પાટણ, દ્વારકા, સુરત અને અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામના સરકારી ટેન્ડર બતાવી કરોડોનું ફુલેકું ફેરવામાં આવતા અલગ અલગ ત્રણ ગુના ઇન્ફોસિટી પોલીસ મથકે દાખલ થઈ હતી.એવામાં ધરપકડથી બચવા ઠગ દંપતીને આગોતરા જામીન પણ કરી હતી. જોકે જામીન અરજી રિજેક્ટ થતા પોલીસ ધ્વારા નિરવ દવેની ધરપકડ કરી બે અલગ અલગ ગુનામાં કુલ સાત દિવસ ના રિમાન્ડ મેળવી પૂછતાછ કરાઈ હતી. નીરવના રિમાન્ડ પૂર્ણ થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો પોલીસે નીરવ અને તેની પત્નીના બેંક એકાઉન્ટ્સ પણ સીઝ કરાવી તપાસ કરી હતી. પરંતુ બંનેના એકાઉન્ટ્સમાં ઠગાઈ ના રૂપિયાનું પગેરુ મળ્યું ન હતું. તો નીરવનાં લેપટોપમાંથી ટેન્ડરના નકલી લેટરો બનાવ્યા હોવાના પુરાવા મળી આવ્યા હતા. જે નિરવે જાતે બનાવ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે નીરવનાં નિવૃત નાયબ સચિવ પિતા અને એન્જિનિયર દીકરાની પણ પૂછતાછ કરી હતી. બીજી તરફ રિમાન્ડ દરમ્યાન નીરવ બીપી અને હાઈ ડાયાબિટીસ પેશન્ટ હોવાનું પણ તબીબી તપાસમાં બહાર આવ્યું હતું. જેથી રિમાન્ડ દરમિયાન નીરવની વૈધાનિક ઢબે પણ પૂછતાછ થઈ શકી ન હતી. જે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટે નિરવને જયુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. નિરવ દવેની પત્ની મીરા દવેની જામીન અરજી ફગાવી દેવાઈત્યારે મહા ઠગની પત્ની મીરા દવે પણ પોલીસને હાથતાળી આપીને નાસતી ફરી રહી છે. જેના પણ નિચલી કોર્ટ આગોતરા જામીન ફગાવી દીધા હતા. તોય મીરા પોલીસના હાથમાં આવી ન હતી. જેનો લાભ ઉઠાવી મીરાએ વકીલ મારફતે જામીન માટે હાઇકોર્ટના ધ્વાર ખટખટાવ્યા હતા. જ્યાં પણ મીરાની જામીન અરજી ફગાવી દેવાઇ છે. ત્રીજા ગુનામાં નિરવના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવીઆ અંગે ઇન્ફોસિટી પીઆઇ વી આર ખેરે જણાવ્યું કે, નીરવના વિરુધ ત્રણ ગુના દાખલ થયેલા છે. જે પૈકી બે ગુનામાં નીરવની ધરપકડ કરી કુલ સાત દિવસના રિમાન્ડ મેળવી પૂછતાછ કરી હતી. પરંતુ ઠગાઇના રૂપિયા નિરવે મોજશોખમાં વાપરી દીધા હોવાનું રટણ કરે રાખ્યું હતું. જેના બેંક ખાતામાંથી પણ નોંધપાત્ર રકમ ની એન્ટ્રીઓ મળી નથી. જેની પત્ની મીરા એ હાઇકોર્ટ સુધી આગોતરા માટે ગઈ હતી. જે પણ રિજેક્ટ થઈ છે. હાલમાં મીરા વોન્ટેડ છે. જે નજીકના દિવસોમાં હાથમાં આવી જશે. જ્યારે જેલમાં બંધ નીરવની ત્રીજા ગુનામાં રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરવામાં આવશે.
માર્ગ અકસ્માતો અટકાવવા અને મૃત્યુદર ઘટાડવાના હેતુથી રાજ્યમાં 2018થી કાર્યરત ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા કાયદાનું કડક અમલીકરણ કરવા સૂચનાઓ આપવામાં આવી છે. ગૃહ વિભાગની ટ્રાફિક બ્રાંચ, RTO, માર્ગ અને મકાન વિભાગ, NHAI સહિતના વિભાગો સાથે સંકલન રાખી માર્ગ સલામતી માટે કામગીરી ચાલી રહી છે. બ્લેક ફિલ્મ, નામવાળી નંબર પ્લેટ હશે તો કાર્યવાહી થશેમોટર વાહન અધિનિયમ મુજબ વાહન પર યોગ્ય નંબર પ્લેટ રાખવી અને બ્લેક ફિલ્મ વિના વાહન ચલાવવું ફરજિયાત છે. તેમ છતાં રાજ્યભરમાં આજે પણ અનેક વાહનો કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટ અથવા “કાળો નાગ”, “રામા ધણી” જેવા લખાણો સાથે બેફિકર રીતે ફરતા જોવા મળે છે. આવા વાહનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે અને અકસ્માત બાદ હિટ એન્ડ રન જેવી ઘટનાઓમાં વાહનની ઓળખ મુશ્કેલ બનાવે છે, જેના કારણે પીડિતોને વીમા તથા વળતર મળતું નથી. રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનરનો રાજ્યના ટ્રાફિક પોલીસ વડાને પત્ર આ સ્થિતિને ધ્યાનમાં રાખી રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલએ રાજ્યના ટ્રાફિક પોલીસ વડાને પત્ર લખી કાળા કાચ(બ્લેક ફિલ્મ), નંબર પ્લેટ વગરના વાહનો અને ગેરકાયદેસર લખાણો સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. સચિવાલય અને પોલીસ ભવન સહિત અનેક વિસ્તારોમાં આવા વાહનો સામે કડક પગલાં લેવા પર ભાર મૂકવામાં આવ્યો છે. 'નવી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે'બીજી તરફ, સ્ટેટ ટ્રાફિક પોલીસના એસપી સાહિત્યા વી.એ જણાવ્યું કે, કાળા કાચ, નંબર પ્લેટ અને ઓવર સ્પીડિંગ સામેની કાર્યવાહી તો નિયમિત રૂટિન કામગીરીનો ભાગ છે, પરંતુ હવે રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી પત્ર મળતા આ મુદ્દે વધારાની કામગીરી કરવામાં આવશે અને નવી ટ્રાફિક ડ્રાઇવ શરૂ થશે. શું કોઈ મોટી ઘટના બને પછી જ અમલીકરણ તેજ થશે?અહીં મહત્વનો પ્રશ્ન એ છે કે જો આ કાર્યવાહી વર્ષોથી રૂટિન રૂપે ચાલી રહી છે, તો પછી રાજ્યભરમાં હજુ પણ એટલી મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે વાહન ચલાવનારાઓ કેમ જોવા મળે છે? શું કોઈ મોટી ઘટના બને પછી જ અમલીકરણ તેજ થશે? કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર કડક કાર્યવાહીરોડ સલામતી માટે કાયદા માત્ર કાગળ પર નહીં, પરંતુ રસ્તા પર અસરકારક રીતે અમલમાં આવે તે જરૂરી છે. નાગરિકોની અપેક્ષા છે કે આવનાર સમયમાં શરૂ થનારી ટ્રાફિક ડ્રાઇવ માત્ર થોડા દિવસ પૂરતી ન રહી, પરંતુ સતત અને કડક કાર્યવાહી દ્વારા કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહનો પર સાચી બ્રેક લગાવે.
અમરેલી જિલ્લામાં થર્ટી ફર્સ્ટ પહેલા દારૂની હેરાફેરી રોકવા માટે ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બાબરા તાલુકાના ગળકોટડી ગામ નજીકથી દારૂ ભરેલું એક કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું હતું. આ દરોડામાં રૂ. 62. 79 લાખના દારૂ સાથે 95.29 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. SMCની ટીમે ગળકોટડી ગામ નજીક દેવાંગી હોટલ પાછળના ખુલ્લા ખેતરમાં દરોડો પાડ્યો હતો. અહીંથી એક કન્ટેનરમાંથી 17,280 ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 62,79,840 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, બે વાહનો અને સાત મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા, જેનો કુલ મુદ્દામાલ રૂ. 95,29,610 થાય છે. આગામી 31મી ડિસેમ્બર (થર્ટી ફર્સ્ટ)ને ધ્યાનમાં રાખીને ગુજરાત અને સૌરાષ્ટ્રના બુટલેગરો સક્રિય બન્યા હતા. રાજ્ય બહારથી દારૂ ભરેલા કન્ટેનરો લાવી અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં કટિંગ કરવાની પ્રવૃત્તિઓ પર SMCના આઈજી નિરલિપ્ત રાયની ટીમો ખાનગી રાહે નજર રાખી રહી હતી. આ કાર્યવાહી તે જ મોનિટરિંગનો ભાગ હતી. દરોડા દરમિયાન ઝડપાયેલા પાંચ આરોપીઓમાં અશોક હમીર પટેલ (જડીયા, ધાનેરા), ભરત પોપટ ગરાણીયા (ખારા, મોટા લીલીયા), નિકુંજ અમરા ગરાણીયા (સાગ પીપરીયા, લાઠી), પોપટ બળવંત બાભણીયા (પ્રતાપપુરા, લીમખેડા) અને અલકેશ ભરત હાટીલા (લાખાવડ, લીમખેડા)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રણજીત જેતુભાઈ ધાધલ (લાઠી) અને અજય ભમારા રબારી (સાંચોર, રાજસ્થાન) સહિતના ફરાર આરોપીઓ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે. SMCના પીએસઆઈ આર.જી. વસાવા અને તેમની ટીમે બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમરેલી જિલ્લાના બાબરા પંથકમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવતા સ્થાનિક બાબરા પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે. આ દરોડાને કારણે સ્થાનિક પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો છે. ઝડપાયેલા દારૂના જથ્થા અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ખાસ કરીને, આ દારૂ અમરેલી, બોટાદ, જૂનાગઢ જિલ્લાના કયા બુટલેગરોને વિતરણ કરવાનો હતો અને અન્ય કયા તાલુકા વિસ્તારના બુટલેગરો સાથે સંકળાયેલો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.
રાજકોટમાં 10 થી 12 જાન્યુઆરી સુધી મારવાડી યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર - કચ્છની રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવા જઈ રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે ત્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના 5000 ઉદ્યોગકારો જ્યાં એકત્ર થવાના છે તે સૌથી મોટી બિઝનેસ ઇવેન્ટ યોજાય તે પૂર્વે જ વિવાદ સામે આવ્યો છે. રાજકોટના કોંગી નેતા ડૉ. બારોટે મુખ્યમંત્રીને ટ્વીટ કરી માંગ કરી છે કે, સૌરાષ્ટ્ર - કચ્છના ઉદ્યોગકારો માટેની આટલી મોટી સરકારી ઇવેન્ટ વિવાદાસ્પદ મારવાડી ખાનગી યુનિવર્સિટીને બદલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રેસકોર્સ અથવા તો અટલ સરોવર ખાતે યોજવામાં આવે. રાજકોટ કોંગ્રેસના નેતા અને પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડૉ. નિદત બારોટે જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગકારોને લાભ થાય તે માટે ગુજરાત સરકારની સૌથી મોટી રીજનલ વાઇબ્રન્ટ સમિટ શહેરની ભાગોળે આવેલી મારવાડી ખાનગી યુનિવર્સિટી ખાતે યોજાવાની છે. જ્યાં અગાઉ ગાંજાનું વાવેતર થયુ હોય, અધ્યાપકો એડલ્ટ વીડીયો જોતા હોય, વિદેશી વિદ્યાર્થીઓના વર્તન અને વ્યવહાર તેમજ નાઈટ પાર્ટીની ફરિયાદો સામે આવી ચૂકી હોય તો આ પ્રકારની પ્રાઇવેટ યુનિવર્સિટીમાં આવડી મોટી સરકારી ઇવેન્ટ ન યોજવી જોઈએ. જે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટ્વિટ કર્યું છે અને માંગણી કરી છે કે સૌરાષ્ટ્ર - કચ્છની રિજનલ વાયબ્રન્ટ સમિટ જ્યાં મોટી સંખ્યામાં ઉદ્યોગકારો અને લોકો સહભાગી થઈ શકે તેવા રેસકોર્સ મેદાન, અટલ સરોવર અથવા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જે અભ્યાસ કરતા હોય તેવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સરકારી ઇવેન્ટ યોજાવી જોઈએ. કારણકે આ ઇવેન્ટ માટે સરકાર લાખો અને કરોડો રૂપિયા ખર્ચતી હોય ત્યારે સરકારી જગ્યા ઉપર સરકારી ઇવેન્ટ યોજાય તે જરૂરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મારવાડી યુનિવર્સિટી જતા રસ્તા પરના દબાણ હટાવવામાં આવશે અને રસ્તાઓ સારા બનાવવામાં આવશે. જો સરકારી જગ્યા પર આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે તો તે જગ્યાનું ડેવલપમેન્ટ થઈ શકે. આ બાબતે રાજકોટ જિલ્લા કલેકટરને પણ પત્ર લખી માહિતગાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે અગાઉ જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીના 10 થી 12 જાન્યુઆરી વચ્ચે રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ચાર વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે. જેમાં મહેસાણામાં અગાઉ આ સમિટ થઈ ચૂકી છે અને હવે સૌરાષ્ટ્ર કચ્છની રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ રાજકોટમાં યોજાવા જઈ રહી છે. જે બાદ વડોદરા અને છેલ્લે સુરતમાં રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટિ યોજાશે. મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગકારો માટે ઉપયોગી અલગ અલગ પ્રકારના સેમીનાર યોજાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ વાઇબ્રન્ટ સમિટથી સૌરાષ્ટ્ર કચ્છના તમામ ઉદ્યોગકારોને ફાયદો થશે. ગત શનિવારે ઇન્ડસ્ટ્રીયલ કમિશનરની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્ર કચ્છના 100 થી વધુ ઉદ્યોગકારો સાથે બેઠક કરવામાં આવી હતી. આ તમામને વાઇબ્રન્ટ સમિટ અંગે માહિતી આપવામાં આવી છે અને તેમની પાસેથી સૂચનો પણ લેવામાં આવ્યા છે. સેમિનારની સાથે એક્ઝિબિશન હશે અને રિવર્સ બાયર સેલ મીટીંગ પણ હશે. જેમાં સાઇટ ઉપર જ બાયર પોતાની પ્રોડક્ટનું વેચાણ કરી શકશે.
MBBS પરિણામમાં વિલંબ:વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કર્યા
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) દ્વારા MBBS પરીક્ષાના પરિણામમાં વિલંબ થતાં વિદ્યાર્થીઓમાં તણાવ વ્યાપ્યો છે. આ મામલે ઉત્તર ગુજરાતની એક મેડિકલ કોલેજના અજાણ્યા વિદ્યાર્થીએ સુસાઇડ નોટ લખી હોવાની વિગતો સામે આવી છે. વિદ્યાર્થીએ યુનિવર્સિટી પર ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વિદ્યાર્થીએ HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (@hmsa_student) પર એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં જણાવાયું છે કે જો યુનિવર્સિટી સમયસર પરિણામ જાહેર નહીં કરે, તો તે કોઈ પણ હદ સુધી પગલાં ભરશે અને તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત મેડિકલ કોલેજ તથા યુનિવર્સિટીની રહેશે. આ પત્રની ગંભીરતાને ધ્યાનમાં લઈને HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશને તાત્કાલિક કાર્યવાહી કરી હતી. એસોસિએશને માત્ર બે કલાકની અંદર ઉત્તર ગુજરાતની યુનિવર્સિટી સાથે સંકળાયેલી તમામ મેડિકલ કોલેજોના ડીનને આ બાબતની જાણ કરી હતી. એસોસિએશનના સભ્યોએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમણે ડીન સાહેબોને તાત્કાલિક જાણ કરીને કોલેજ પ્રશાસન દ્વારા યુનિવર્સિટીમાં પરિણામ બાબતે રજૂઆત કરવા વિનંતી કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે HNGU મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ છે. એસોસિએશને ચેતવણી આપી છે કે જો આગામી સમયમાં યુનિવર્સિટી દ્વારા સમયસર પરિણામ જાહેર કરવામાં નહીં આવે, તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારી છે. આ અંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે, પરિણામ ટેકનિકલ ખામીને કારણે અટક્યું છે અને સોમવાર સુધીમાં તે જાહેર કરી દેવામાં આવશે.
વાંસદામાં પ્રાર્થના સભાના નામે કથિત ધર્માંતરણનો આરોપ:હિન્દુ સંગઠને પોલીસ સાથે મળીને છાપો માર્યો
નવસારીના વાંસદા તાલુકાના લીમઝર ગામમાં મોટા પાયે ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી હોવાનો હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો છે. સંગઠનોના દાવા મુજબ, છેલ્લા 4-5 વર્ષમાં લીમઝર અને આસપાસના વિસ્તારોમાં 120 પરિવારોએ ધર્મ પરિવર્તન કર્યું છે. બે દિવસ પહેલાં હિન્દુ સંગઠન અગ્નિવીર અને વાંસદા પોલીસે પ્રાર્થના સભાના નામે કથિત ધર્માંતરણના કાર્યક્રમ પર છાપો માર્યો હતો. છાપા દરમિયાન, પ્રાર્થના સભામાં 150થી વધુ લોકો બાઈબલ સાથે હાજર હતા. અગ્નિવીર સંસ્થાએ વાંસદા પોલીસ સાથે મળીને આ પ્રવૃત્તિને અટકાવી હતી. હિન્દુ સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી છે કે પ્રાર્થનાના નામે કથિત ધર્માંતરણ થઈ રહ્યું છે અને વહીવટી તંત્ર પાસે આવી સભાઓ રોકવાની માંગ કરી છે. હિન્દુ સંગઠનોનો મુખ્ય વાંધો એ છે કે ધર્મ પરિવર્તન કરનારા લોકો સરકારી દસ્તાવેજોમાં હજુ પણ 'હિન્દુ આદિવાસી' તરીકેની ઓળખ જાળવી રાખે છે. આના કારણે તેઓ આદિવાસીઓને મળતા સરકારી લાભો પણ મેળવતા રહે છે, જેને સંગઠનો 'ડબલ સ્ટેન્ડ' ગણાવી વિરોધ કરી રહ્યા છે. અગ્નિવીર હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય જવાબદારી સંભાળતા મહેન્દ્રસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, 'અમને લીમઝર ગામના આદિમ જૂથ ફળિયામાં ધર્મ સભા ચાલી રહી હોવાની માહિતી મળી હતી, જ્યાં ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલી રહ્યું હતું. અમે પોલીસ કંટ્રોલને જાણ કરીને સ્થળ પર પહોંચ્યા ત્યારે લોકો બાઈબલ સાથે પ્રાર્થના કરી રહ્યા હતા.' મહેન્દ્રસિંહ રાજપૂતે ઉમેર્યું કે, 'અમારો વિરોધ એ છે કે આ આદિવાસી વિસ્તારમાં ખ્રિસ્તી ન હોવા છતાં બાઈબલનો પ્રચાર કેમ? અહીંના પાસ્ટરોના આધાર કાર્ડમાં પણ 'આદિવાસી હિન્દુ' લખેલું છે. જો તેઓ ગર્વથી પોતાને ખ્રિસ્તી તરીકે ઓળખાવે અને આધાર કાર્ડમાં પણ તે લખાવે તો અમને કોઈ વાંધો નથી. પોલીસને જાણ કરવા છતાં સભા ચાલુ રહી હતી.' હિન્દુ સંગઠનોએ તંત્ર સમક્ષ આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવા અને વિસ્તારનું વસ્તી વિષયક સંતુલન જાળવવા અપીલ કરી છે.
પાલનપુર ફૂડ વિભાગના ચંડીસર GIDCમાં દરોડા:લાખોનું શંકાસ્પદ ઘી મળ્યું, અગાઉ પણ નમૂના નાપાસ થયા હતા
પાલનપુરની ચંડીસર જી.આઇ.ડી.સી.માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. શંકાસ્પદ ઘી બનતું હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો હતો. ફેક્ટરીમાંથી લાખો રૂપિયાનો શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગે તાત્કાલિક પોલીસને બોલાવીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. આ અંગે ફૂડ અધિકારી તેજસ પટેલે જણાવ્યું હતું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમે ચંડીસર જી.આઇ.ડી.સી.માં આવેલી 'શ્રી સેલ' નામની ઘી ઉત્પાદક પેઢીની તપાસ કરી હતી. પ્રાથમિક બાતમી મુજબ, પેઢીના માલિક શંકાસ્પદ ઘી બનાવતા હતા. અગાઉ પણ આ પેઢી સામે બેથી ત્રણ વાર ઘીની તપાસ કરવામાં આવી હતી અને તેના નમૂનાઓ 'નાપાસ' તેમજ 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર થયા હતા. આ સંદર્ભે, ફરીથી ઘી બનાવતા હોવાની બાતમી મળતા તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન, પેઢીના માલિકના એક ગોડાઉનમાં માલ સંગ્રહ કરાતો હોવાનું જણાયું હતું. ગોડાઉનની તપાસ કરતા માલિક ત્યાંથી પણ નાસી છૂટ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરીને તેમને હાજર કરી ફૂડ સેફ્ટી એક્ટ હેઠળની કામગીરી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલમાં કુલ બે જગ્યાએ તપાસ કરવામાં આવી છે.
જખૌ નજીક પાકિસ્તાની બોટ ઝડપાઈ:કોસ્ટગાર્ડે માછીમારોની અટકાયત કરી, SOG ઓફિસ લવાયા
પોરબંદર ઇન્ડિયન કોસ્ટગાર્ડે જખૌ નજીકના દરિયાઈ વિસ્તારમાંથી 10મી તારીખે એક પાકિસ્તાની માછીમારી બોટ ઝડપી પાડી છે. બોટમાં સવાર પાકિસ્તાની માછીમારોની પણ કોસ્ટગાર્ડ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ઝડપાયેલી પાકિસ્તાની બોટ અને તેમાં સવાર માછીમારોને સૌપ્રથમ પોરબંદર બંદર ખાતે લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ આગળની કાર્યવાહી માટે તમામને પોરબંદર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) ઓફિસ ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે. બોટ ભારતીય જળસીમામાં ગેરકાયદેસર રીતે પ્રવેશી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે પોરબંદર પોલીસે ઝીરો નંબરથી ફરિયાદ નોંધી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે કેસ જખૌ ખાતે મોકલવામાં આવશે.
નામદાર રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશ અનુસાર, આજે 2025ની છેલ્લી રાષ્ટ્રીય મેગા લોક અદાલતનું આયોજન સમગ્ર રાષ્ટ્ર લેવલે કરવામાં આવ્યું હતું. તેના ભાગરૂપે, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના ઉપક્રમે અને નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ, જુનાગઢ ફેમિલી કોર્ટ ખાતે પણ આ લોક અદાલતનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ફેમિલી જજ પી.એચ. સિંહના નેતૃત્વ હેઠળ ફેમિલી કોર્ટ, જુનાગઢ તેમજ ક્લસ્ટર ફેમિલી કોર્ટ જેમાં વંથલી, વિસાવદર અને કેશોદના પારિવારિક વિવાદોને સુલેહપૂર્ણ વાતચીત અને સમજૂતી દ્વારા ઉકેલવામાં આવ્યા હતા. સવારથી જ આ લોકઅદાલતમાં સમાધાન લાયક કેસ, નેગોશિયેબલ કેસ અને લેણાંના કેસને લઈને મોટા પ્રમાણમાં વકીલ મિત્રો અને પક્ષકારોની હાજરી જોવા મળી હતી. જુનાગઢ ફેમિલી કોર્ટ અને ક્લસ્ટર કોર્ટ્સની લોક અદાલતમાં કુલ 307 કેસો મૂકવામાં આવ્યા હતા. જુનાગઢ પોલીસ અધિક્ષક અને તેમના તાબાના અધિકારીઓએ સમયમર્યાદામાં સમન્સ/નોટીસ બજાવવામાં સહકાર આપ્યો હતો. જુનાગઢ વકીલ મંડળના તમામ વકીલોએ કેસોમાં સમાધાન થાય, પારિવારિક તકરારનો અંત આવે અને ભરણપોષણની રકમ સમયસર મળી રહે તે માટે સક્રિય સાથ સહકાર આપ્યો હતો. જેના પરિણામે, લોકઅદાલતમાં મૂકાયેલા 307 કેસોમાંથી વિક્રમી 304 કેસોમાં સમાધાન થયું હતું. પક્ષકારોના હિતને ધ્યાનમાં રાખીને, પરસ્પર સહમતીથી કેસોનો ઉકેલ કરવામાં આવ્યો હતો. ફેમિલી કોર્ટના ન્યાયાધીશ અને કોર્ટ સ્ટાફની હાજરીમાં પક્ષકારોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને કારણે ન્યાયિક પ્રક્રિયામાં લાગતો સમય અને થતો ખર્ચ, બંનેમાં બચત થઈ છે. આ ઉપરાંત, પારિવારિક વિવાદોનો શાંતિપૂર્ણ ઉકેલ આવતા સમાજમાં સુમેળ અને શાંતિ સ્થાપિત થવામાં મોટી સહાય મળી છે.રજીસ્ટ્રાર ફેમિલી કોર્ટ, જુનાગઢ દ્વારા જણાવાયું હતું કે, આજરોજ યોજાયેલ લોક અદાલતમાં વકીલો તથા પક્ષકારો તરફથી ઘણો સારો પ્રતિસાદ મળેલ છે અને મોટી સંખ્યામાં કેસોનો નિકાલ થયો છે. આગામી સમયમાં યોજાનારી લોકઅદાલતોમાં પણ વકીલો તથા પક્ષકારોને સક્રિય ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.
અરવલ્લી જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની પરીક્ષા આજે યોજાઈ હતી. જિલ્લાના કુલ 6 કેન્દ્રો પર 7204 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ પરીક્ષા 305 રૂમમાં યોજાઈ હતી. કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે પ્રવેશ મળે છે. આ પરીક્ષા મોડાસા, માલપુર, બાયડ, મેઘરજ, ધનસુરા અને ભિલોડા એમ 6 કેન્દ્રો પર લેવામાં આવી હતી. પરીક્ષા ન્યાયિક રીતે યોજાય અને વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુથી જવાહર નવોદય વિદ્યાલયો શરૂ કરવામાં આવ્યા છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે આવેલ નિર્માણાધીન નંદનવન સાઇટનો પાયો ખોદવાની કામગીરી દરમિયાન બાજુમાં આવેલા સર્જન કોમ્પ્લેક્સની કમ્પાઉન્ડ વોલ અને તેની બાજુના રસ્તા પાસેની દિવાલનો કેટલોક ભાગ ધસી પડતાં અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાને પગલે સર્જન કોમ્પ્લેક્સ અને અન્ય આસપાસના બે કોમ્પ્લેક્સના રહેવાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આ ઘટના બનતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જોકે, મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ફાયરની ટીમે ક્ષતીગ્રસ્ત વિસ્તારને કોર્ડેન કર્યોઆ ઘટનાની જાણ સ્થાનિક કોર્પોરેટર આશિષ જોષીને કરતાં તેમણે ફાયર ડિપાર્ટમેન્ટ અને નિર્ભયતા શાખાને જાણ કરી હતી. તુરત જ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી. ફાયર બ્રિગેડે સાવચેતીના ભાગરૂપે ક્ષતીગ્રસ્ત વિસ્તારને કોર્ડેન કરીને જોખમી સ્થળથી લોકોને દૂર રહેવા માટેની અપીલ કરી હતી. તે સાથે જ તાત્કાલિક કામગીરી પણ રોકાવી દીધી હતી. 'અમે ડેવલપર બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું છતાં આજે આ દુર્ઘટના બની'આ ઘટનાની જાણ થતાં પાણીગેટ પોલીસ અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. આ ઘટના અંગે સર્જન કોમ્પ્લેક્સ સહિતના આસપાસના કોમ્પલેક્ષમાં રહેતા નાગરિકોએ આક્ષેપ કર્યા છે કે બે દિવસ પહેલા પણ આ કામગીરીને લઈને અમે ડેવલપર બિલ્ડરનું ધ્યાન દોર્યું હતું. જો કે તે બાદ પણ યોગ્ય રીતે કામગીરી હાથ ધરવામાં ન આવતા આજે આ દુર્ઘટના બની છે. 'ભેખડો ધસી પડતાં અમારા ઘર ધ્રુજી ઉઠ્યા હતાં'સર્જન કોમ્પલેક્ષના લોકોએ જણાવ્યું કે, ભેખડો ધસી પડતાં અમારા ઘર ધ્રુજી ઉઠ્યા હતાં. જીવના જોખમે અમે રહી રહ્યા છે તેવું અમને લાગી રહ્યું છે. આ ઘટનાને પગલે પાલિકાની નિર્ભયતા શાખાની ટીમે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. 'બિલ્ડીંગ નિર્માણાધિન થતી હોવાના કારણે આ બનાવ બન્યો'આ અંગે પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમના સ્ટેશન ઓફિસર અર્જુનદાન ગઢવીએ જણાવ્યું હતું કે, અમને સર્જન કૉમ્પ્લેક્સ બાજુમાં દીવાલ ધરાશાયી થઈ છે. આ બાજુમાં બિલ્ડીંગ નિર્માણાધિન થતી હોવાના કારણે આ બનાવ બન્યો હોય તેવું લાગી રહ્યું છે. જે દીવાલ ધરાશાઈ થતા ઉપરની દુકાનોને અસર થઈ છે અને કોઈ દુર્ઘટના ન થાય તે માટે લોકોને નીચે ઉતારી લેવામાં આવ્યા છે. હાલમાં કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. સાઇટના ડેવલપરે યોગ્ય વ્યવસ્થા કરવાની હૈયાધારણ આપીનિર્માણાધિન નંદનવન સાઇટના ડેવલપર પરેશ પટેલે દુર્ઘટના સ્વીકારી હતી અને સર્જન કોમ્પ્લેક્સ સહિતના આજુબાજુના કોમ્પલેક્ષના નાગરિકો માટે તેમની સાથે બેસીને યોગ્ય વ્યવસ્થા કરવાની હૈયાધારણ આપી હતી.
સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ભીના અને સૂકા કચરાના વર્ગીકરણ (સોર્સ સેગ્રીગેશન) અંગે વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સેગ્રીગેટેડ ટુડે, શાઇન ટુમોરો થીમ હેઠળ સોર્સ સેગ્રીગેશનનું પ્રમાણ વધારવાનો છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે, વોર્ડ નંબર 1માં આંગણવાડી કાર્યકરો, તેડાગર બહેનો અને સ્થાનિક મહિલાઓને ભીના અને સૂકા કચરાના યોગ્ય વર્ગીકરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમને સ્વચ્છતા સંબંધિત વિવિધ માપદંડોના અમલીકરણ અંગે પણ માર્ગદર્શન અપાયું હતું. આ અંગે સેનિટેશન ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ખેરે જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશનના પ્રારંભિક તબક્કામાં નાગરિકો ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનો અને ડસ્ટબિનનો વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. હવે મિશનના આગામી તબક્કામાં સોર્સ સેગ્રીગેશન અત્યંત મહત્વપૂર્ણ બન્યું છે. નગરપાલિકાની સેનિટેશન શાખાની ટીમ શહેરમાં જઈને લોકોને સોર્સ સેગ્રીગેશનના ફાયદાઓ વિશે માહિતગાર કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સ્વચ્છ અને સુંદર શહેર બનાવવા માટે તમામ નાગરિકોની સક્રિય ભાગીદારી અનિવાર્ય છે. નગરપાલિકાએ આ મિશનમાં સહયોગ આપવા માટે નાગરિકોને અપીલ કરી છે. ઉલ્લેખનીય છે કે, સૂત્રાપાડા નગરપાલિકા દ્વારા વેરો ભરનાર મિલકત ધારકોને વાદળી અને લીલા રંગના ડસ્ટબિનનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી સોર્સ સેગ્રીગેશનને પ્રોત્સાહન મળે.
આગામી મહાશિવરાત્રી મેળાને લઈને જૂનાગઢ વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે ભવનાથ વિસ્તારમાં દબાણ હટાવવાની સઘન કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અવરજવર કે વાહન પાર્કિંગમાં કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી વહીવટી તંત્રએ આ પગલું લીધું છે. સંયુક્ત કાર્યવાહી અને દબાણ હટાવવું પ્રાંત અધિકારી, મામલતદાર, મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓની હાજરીમાં આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભવનાથ ક્ષેત્રમાં દુકાનદારો, હોટલો અને ગેરકાયદેસર ઝૂંપડાઓ દ્વારા રસ્તા પર ખડકાયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી દરમિયાન અંદાજે ૨૦થી વધુ દબાણો બે જેસીબી અને ચાર ટ્રેક્ટરની મદદથી તાત્કાલિક અસરથી હટાવી લેવામાં આવ્યા છે. પાર્કિંગની વ્યવસ્થા માટે વિસ્તાર ખુલ્લા કરાયા જૂનાગઢના એસડીએમ ચરણસિંહ ગોહિલે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, આગામી શિવરાત્રી મેળાને લઈને ભવનાથ ક્ષેત્રમાં મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. જૂનાગઢ કલેક્ટરની સ્પષ્ટ સૂચનાના આધારે ભવનાથ ક્ષેત્રમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે.તેમણે ઉમેર્યું હતું કે ભવનાથ મંદિર નજીક ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ઝૂંપડાઓ અને દુકાનોને દૂર કરીને પાર્કિંગ માટેનો વિસ્તાર આજે ખુલ્લો કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન મોટી સંખ્યામાં આવતા પ્રવાસીઓને વાહન પાર્કિંગની સુવિધા મળી રહે તે માટે આ વિસ્તારોને પાર્કિંગ માટે અનામત રાખવામાં આવ્યા છે. એસડીએમ ગોહિલે પાર્કિંગની વ્યવસ્થા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, નાના વાહનો જેવા કે કાર અને બાઇક માટે દતચૂક નજીક આવેલા પાર્કિંગમાં વ્યવસ્થા કરવામાં આવશે. જ્યારે મોટી લક્ઝરી બસો અને અન્ય મોટા વાહનો માટે જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરવાનું રહેશે. આનાથી મેળામાં આવતા ટ્રાફિકનું સંચાલન સરળ બનશે. દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે એસડીએમએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ભવનાથ ક્ષેત્રમાં જે મોટા દબાણો કરવામાં આવ્યા છે તેને પણ વહેલી તકે દૂર કરવાની કામગીરી હાથ ધરાશે. મહાશિવરાત્રી મેળાની શરૂઆત થાય તે પહેલા ભવનાથ ક્ષેત્રમાં રહેલા તમામ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવશે, જેથી શ્રદ્ધાળુઓને કોઈ અગવડતા ન પડે.
પંચમહાલ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા 13 ડિસેમ્બર, 2025ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આ અદાલત યોજાઈ હતી. પંચમહાલના મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ સી.કે. ચૌહાણે તેની અધ્યક્ષતા કરી હતી. આ રાષ્ટ્રીય લોક અદાલત જિલ્લા મથક ગોધરા સહિત શહેરા, મોરવા(હ), ઘોઘંબા, કાલોલ, હાલોલ અને જાંબુઘોડા જેવા તાલુકા મથકોની તમામ અદાલતોમાં યોજાઈ હતી. લોક અદાલતમાં સમાધાન લાયક વિવિધ પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ક્રિમિનલ કમ્પાઉન્ડેબલ કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળના કેસો, બેંક રિકવરી કેસો, એમ.એ.સી.ટી. કેસો, પગાર-ભથ્થા અને નિવૃત્તિના લાભો સંબંધિત સર્વિસ મેટર કેસો, મેટ્રિમોનિયલ કેસો, લેબર ડિસ્પ્યુટ કેસો, ઇલેક્ટ્રિક અને વોટર બિલ સંબંધિત કેસો (ચોરીના નોન-કમ્પાઉન્ડેબલ સિવાય), એલ.એ.આર. અને અન્ય સિવિલ કેસો (જેમ કે ભાડા, ઇઝમેન્ટરી રાઇટ્સ, ઇન્જક્શન શૂટ, સ્પેસિફિક પરફોર્મન્સ શૂટ) તેમજ પ્રિ-લિટિગેશન કેસોનો સમાવેશ થાય છે. આ રાષ્ટ્રીય લોક અદાલતનો મુખ્ય હેતુ જિલ્લાના મહત્તમ લોકોને સમાધાન દ્વારા વિવાદમુક્ત બનાવવાનો હતો. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ગોધરાના સચિવ જે.એસ. શાહે જણાવ્યું હતું કે, સમાધાન કરવા ઈચ્છુક પક્ષકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનનો લાભ લીધો હતો.
ગીર સોમનાથ દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદેસર લાઇટ ફીશીંગ કરતી બોટો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. જૂનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના નિર્દેશ હેઠળ આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અભિયાન અંતર્ગત, એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ. કાગડા, સોમનાથ મરીન પોલીસ સ્ટેશનના પી.આઈ. એમ.જી. પટેલ અને તેમની ટીમ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ તથા બોટ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન, કેટલીક બોટોમાં આશરે 50 જેટલી અત્યંત તેજસ્વી એલોઝન LED લાઇટો રાખી માછલીઓને પ્રકાશથી આકર્ષિત કરી ગેરકાયદેસર માછીમારી કરવામાં આવતી હોવાનું જણાયું હતું. આ મામલે ગુજરાત મત્સ્યોદ્યોગ સુધારા અધિનિયમ–2024 અને ફિશરીઝ એક્ટ હેઠળ કુલ 4 અલગ-અલગ ગુના નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી બોટ માલિકો/સંચાલકોમાં અકરમભાઈ ઇશાભાઈ ઢોકી, આસીફ અબ્દુલા ઢોકી, વસીમભાઈ શબીરભાઈ ઢોકી અને હારૂન સુલેમાન બુચાણીનો સમાવેશ થાય છે. આ તમામ વેરાવળના જાલેશ્વર વિસ્તારના રહેવાસી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ પર્યાવરણને નુકસાન પહોંચાડતી લાઇટ ફીશીંગ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ભવિષ્યમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
સિલ્વર ઓક યુનિવર્સિટી અને AWS ક્લાઉડ ક્લબ દ્વારા ઈન્ટરનૅશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે 2025 યોજવામાં આવ્યો હતો. ટેકનોલોજીના ક્ષેત્રમાં ઇન્ટરનૅશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે ઉજવી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં આવ્યો છે. આ મેગા-ઇવેન્ટમાં અંદાજે 500 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. જેમને પોતે બનાવેલા અલગ પ્રોડક્ટ પણ રજૂ કર્યા હતા. તેમજ AWS ક્લાઉડની સુવિધાઓ વિશે સમજ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ બનાવેલી પ્રોડક્ટ બજારમાં લોકો સુધી કઈ રીતે પહોંચી શકે તે માટેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય AWS નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુંઆ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય AWS નિષ્ણાતોએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. અલગ અલગ સત્રો દરમિયાન નિષ્ણાંતોએ AWSની વિવિધ સર્વિસિસ વિશે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. વક્તાઓએ ક્લાઉડના આધારભૂત સિદ્ધાંતોને સરળ ભાષામાં રજૂ કર્યા હતા. ક્લાઉડ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી વિદ્યાર્થીઓને એક પ્લેટફોર્મ મળી રહી તે માટે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઇન્ટરનેશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે 2025આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને ઇન્ટરનેશનલ એક્સપર્ટ એવા ડૉ. બિશ્વજિત મોહાપાત્રાએ યોજાયેલા ઇન્ટરનેશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે 2025માં હાજર રહ્યા હતાં. તેમણે જણાવ્યું કે, આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં અનરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જે ખરેખર પ્રભાવિત કરનારો હતો. તેમણે વિદ્યાર્થીઓને ક્લાઉડ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટુડન્ટ બિલ્ડર ઝોન, વિદ્યાર્થીઓએ ટેકનિકલ પ્રોજેક્ટ્સ રજૂ કર્યાઆ કાર્યક્રમની વિશેષતા તેના ત્રણ ટેક્નિકલ ટ્રેક્સ હતા. જેમાં હેન્ડ્સ-ઓન સેશન યોજાયા હતા. આ ટ્રેક્સમાં AWS ડીપ રેસર કાર ટ્રેનિંગ, IOT અને સ્માર્ટ ડિવાઇસિસમાં AWSનો ઉપયોગ તેમજ AWS Amplify જેવા અદ્યતન વિષયો આવરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક વિશિષ્ટ સ્ટુડન્ટ બિલ્ડર ઝોન પણ ઊભો કરવામાં આવ્યો હતો. જ્યાં વિદ્યાર્થીઓએ ટેકનિકલ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા.
છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તાર અમલવાંટના ખેડૂતો સિંચાઈના પાણીના અભાવે મુશ્કેલીમાં મુકાયા છે. ગામના સિંચાઈ તળાવનું પાણી ખેતરો સુધી ન પહોંચતા ખેડૂતોને હિજરત કરવાની ફરજ પડી રહી છે. કવાંટ તાલુકાના અમલવાંટ ગામના ખેડૂતો માટે આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદ અને ત્યારબાદ કમોસમી વરસાદ પછી હવે સિંચાઈના પાણીનો અભાવ મોટી સમસ્યા બની છે. સિંચાઈ વિભાગની બેદરકારીને કારણે ખેડૂતો પાણી હોવા છતાં તેનો ઉપયોગ કરી શકતા નથી. અમલવાંટ ખાતે જિલ્લા પંચાયત હસ્તકનું સિંચાઈ તળાવ આવેલું છે, જેમાંથી અગાઉ ખેડૂતો સિંચાઈ કરતા હતા. જોકે, છેલ્લા પાંચથી છ વર્ષથી આ તળાવની કેનાલો જર્જરીત થઈ ગઈ છે. કેનાલોની સફાઈના અભાવે તેમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે, જેના કારણે ખેડૂતોના ખેતરો સુધી સિંચાઈનું પાણી પહોંચી શકતું નથી. ઉલ્લેખનીય છે કે સિંચાઈ વિભાગ દ્વારા અમલવાંટ સિંચાઈ તળાવનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને તેમાં પાણી પણ છલોછલ ભરાઈ ગયું છે. પરંતુ સૌથી વધુ જરૂરિયાતવાળા કેનાલ નેટવર્કને નજરઅંદાજ કરીને તેનું સમારકામ કરવામાં આવ્યું નથી. આ જર્જરીત કેનાલોને કારણે ખેડૂતોને પાણી હોવા છતાં તેનો લાભ મળતો નથી. સિંચાઈનું પાણી ન મળવાને કારણે અમલવાંટ ગામના ખેડૂતો મજૂરી કરવા માટે કાઠિયાવાડ હિજરત કરવા મજબૂર બન્યા છે. પ્રજાહિતમાં સિંચાઈ વિભાગ દ્વારા વહેલી તકે અમલવાંટ સિંચાઈ તળાવની કેનાલોનું સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે.
ભાવનગરમાં એક મહિના જૂની અદાવતમાં 15 વર્ષના કિશોર પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં કિશોરના કપાળમાં ગંભીર ઈજા થતાં તેને બે ટાંકા લેવા પડ્યા હતા. માતાએ બોરતળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર કુંભારવાડ અક્ષરપાર્ક ખાતે રહેતા નીલમબેન જયરામભાઈ વર્માના 15 વર્ષીય પુત્ર સત્યમ જયરામભાઈ વર્મા દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. તે સમયે દેવીપૂજક વાસમાં રહેતા ભીમાભાઈના પુત્રએ સત્યમના કપાળમાં લાકડીનો ઘા માર્યો હતો.લાકડી વાગતા સત્યમના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેણે બૂમો પાડી હતી. અવાજ સાંભળીને તેની માતા નીલમબેન અને અન્ય લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા., તાત્કાલિક 112 નંબર પર ફોન કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, ત્યારે બાદમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા સત્યમને ભાવનગરની સરકારી હોસ્પિટલના જૂના બિલ્ડિંગના બીજા માળે આવેલા વોર્ડ નંબર 7 માં દાખલ કરવામાં આવ્યો હતો, સત્યમની સારવાર ચાલી રહી છે તેને કપાળમાં બે ટાંકા આવ્યા છે, આ હુમલા પાછળનું કારણ લગભગ એક મહિના જૂનો ઝઘડો હોવાનું સામે આવ્યું છે. વરસાદ દરમિયાન ભીમાભાઈના ઘરમાં ભરાયેલું પાણી તેઓ નીલમબેનની દીવાલ પાસે કાઢી રહ્યા હતા, જેનો નીલમબેન અને તેમના પરિવારે વિરોધ કર્યો હતો, આ બાબતની અદાવત રાખીને હુમલો કરવામાં આવ્યો હતો, આ મામલે નીલમબેન જયરામભાઈ વર્માએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આગામી 18 ડિસેમ્બરના રોજ વડોદરા એક અનોખા ઇવેન્ટનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. જેમાં વતર્માન સમયમાં HRનું મહત્વ અને ભૂમિકા મહત્વપૂર્ણ બની છે, ત્યારે ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન (GEO) તેનું 16મું વાર્ષિક હ્યુમન રિસોર્સ કન્વેન્શનની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિષ્ણાત વક્તાઓ પોતાના જ્ઞાનથી સુસ્થિરતા અને (એન્વર્મેન્ટતલ સોશિયલ એન્ડ ગવર્નન્સ) ESG પર પોતાના વિચારો રજુ કરશે. કન્વેન્શનમાં 250-300 HR પ્રોફેશનલ્સ, ઉદ્યોગ અગ્રણીઓ હાજર રહેશેવડોદરામાં ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગુજરાત એમ્પ્લોયર્સ ઓર્ગેનાઇઝેશન સુસ્થિરતા અને ESG પર 16માં HR કન્વેન્શનની જાહેરાત કરી છે, આગામી 18 ડિસેમ્બરના રોજ સુર્યા પેલેસ ખાતે આયોજિત આ કન્વેન્શનમાં 250-300 HR પ્રોફેશનલ્સ, ઉદ્યોગ અગ્રણીઓ અને ઉદ્યોગસાહસિકો હાજર રહેશે. ESGના ઉભરતા યુગમાં HRની ભૂમિકા વિષય પર વિચારો રજુ કરશેઆ સાથે જ દેશભરમાંથી નિષ્ણાત વક્તા ધારા કાબરિયા કે જેવો સ્ટુડિયો અલ્ટર નેટીવ્સના ફાઉન્ડર અને કો.ઓનર છે. અરવિંદ ગ્રુપના હેડ રચના મહેરા, CIIના સેન્ટર ઓફ એક્સિલન્સ ફોરના શિખર જૈન, સીલોકસ ઇન્ડિયા પ્રા.ઇન્ડિયાના પ્રકાશ રમન અને અમીષી કાપડિયા ખાસ હાજર રહી સુસ્થિરતા અને ESGના ઉભરતા યુગમાં HRની ભૂમિકા વિષય પર પોતાના વિચારો રજુ કરશે. 18 ડિસેમ્બર 16મું HR કન્વેન્શનઆ કાર્યક્રમ અંગે HR કમિટી GEO ચેરપર્સન રાજેશ વૈદ્યે જણાવ્યુ હતુ કે, આગામી 18 ડિસેમ્બર 16મું HR કન્વેન્શન રાખવામાં આવ્યું છે. જેમાં પર્યાવરણ, સમાજ અને ગવર્નન્સ અસ્થિરતા પર ચર્ચા કરવામાં આવશે. ભારતના અનેક ઇન્ડસ્ટ્રીઝના જાણીતા અગ્રણીઓ આ ચર્ચામાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં MS યુનિવર્સિટી દ્વારા ભવાઈનું પર્ફોર્મ કરવામાં આવશે જેના દ્વારા સુસ્થિરતા અને ESG માટે ખૂબ સારો મેસેજ આપવામાં આવશે.
ગઢડામાં જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા આપવા આવેલા એક વિદ્યાર્થીને પોલીસે સમયસર તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી મદદ કરી હતી. વિદ્યાર્થી ભૂલથી ખોટા કેન્દ્ર પર પહોંચી ગયો હતો, ત્યારે ગઢડા પોલીસની સતર્કતા અને સંવેદનશીલતાના કારણે તેની પરીક્ષા બચી ગઈ. આ ઘટના ગઢડામાં બની હતી. વિદ્યાર્થીને કન્યા શાળામાં પરીક્ષા નંબર ફાળવવામાં આવ્યો હતો, પરંતુ તે અજાણતા એમ.એમ. હાઈસ્કૂલ ખાતે પહોંચી ગયો હતો. એમ.એમ. હાઈસ્કૂલ ખાતે ફરજ પર રહેલા PSI જી. જે. ગોહિલે વિદ્યાર્થીની હોલ ટિકિટ તપાસી હતી. હોલ ટિકિટ તપાસતા તરત જ સ્પષ્ટ થયું કે વિદ્યાર્થી ખોટા પરીક્ષા કેન્દ્ર પર પહોંચી ગયો છે. પરીક્ષા શરૂ થવામાં બહુ ઓછો સમય બાકી હતો. પરિસ્થિતિની ગંભીરતા સમજીને PSI ગોહિલે કોઈ વિલંબ કર્યા વિના વિદ્યાર્થીને પોલીસ વાનમાં બેસાડ્યો અને તાત્કાલિક તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો. પોલીસની આ ઝડપી કામગીરીના કારણે વિદ્યાર્થી સમયસર પરીક્ષા આપી શક્યો. ગઢડા પોલીસની આ માનવતાભરી કામગીરી પ્રશંસાને પાત્ર છે, જ્યાં પોલીસે કાયદાની સાથે જવાબદારી અને સંવેદનશીલતાનો પણ પરિચય કરાવ્યો.
વડોદરા નજીક આવેલા અંકોડિયા ગામની સીમમાં થયેલી મહિલાની હત્યાના ગુનાનો ભેદ તાલુકા પોલીસે ઉકેલી નાખ્યો છે. વડોદરા ગ્રામ્ય પોલીસે ગણતરીની કલાકોમાં ગુનો ડીટેક્ટ કરી બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સગી બહેને જ પ્રેમી સાથે મળીને બહેનની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. મૃતકની બહેનના પ્રેમીએ અજીઝાબાનુને ટુ-વ્હીલર પર લઇ જઈ દુપટ્ટાથી ગળુ દબાવી હત્યા કર્યાનું ખુલ્યું હતું. બંનેએ મૃતકનો 40 લાખ રૂપિયાનો વીમો પકવવા માટે હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આજે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આખી સમગ્ર ઘટના અંગે પોલીસે ઝીણવટભરી તપાસ બાદ આરોપીઓ હાથ લાગ્યા હતાં. આજે તાલુકો પોલીસે હત્યા કરાવનાર બહેન અને તેના પ્રેમીને ઝડપી કાર્યવાહી કરી આજે મુખ્ય આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આરોપી આ મૃતક મહિલાને જ્યાંથી લઈ ગયો હતો તે જગ્યાથી બનાવ સ્થળ સુધી આરોપીને પોલીસે સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરી તપાસમાં ઝીણવટભરી બાબતોની નોંધ કરી હતી. આજે આ બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવશે અને ત્યારબાદ તેઓના રિમાન્ડ લેવામાં આવશે, રિમાન્ડ બાદ આ હત્યા અંગેના વધુ ખુલાસા થઈ શકે છે. સમગ્ર બનાવ શું હતોગત 10 ડિસેમ્બરના રોજ અંકોડિયા ગામની સીમમાંથી અવાવરૂ જગ્યાએથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો હતો. જેનું પોસ્ટ મોર્ટમ કરાવતા મહિલાને દુપટ્ટા વડે ગળે ટુંપો દઇ હત્યા કરાઇ હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં સામે આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. પ્રેમીકાના કહેવા પર તેની નાની બહેનની હત્યા કરી પોલીસ તપાસ દરમિયાન સીસીટીવી કેમેરા, મોબાઇલના સીડીઆર અને હ્યુમન સોર્સની મદદ લેવામાં આવી હતી. જેમાં અજીઝાબાનુની હત્યા પાછળ પરિવારનો જ કોઇ સભ્યો હોવાની શંકા ઉઠી હતી. જેથી પોલીસે એ થીયરી પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન જાણવા મળ્યું કે, અજીઝાબાનું ઘરેથી એક મોપેડ પર બેસી નિકળી હતી, એટલે પોલીસે મોપેડ ચાલકની શોધખોળ શરૂ કરતા રમીઝ રાઝા હનિફભાઇ બન્નુમીયા શેખ (રહે. દાતાર બાવાની દરગાહ, ગોરવા) પાસે રહેતો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે રમીઝની અટકાયત કરી તેની કડકાઇથી પુછતાછ કરતા પ્રેમીકા ફીરોજાબાનુના કહેવા પર તેની નાની બહેન અજીઝાબાનુની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. બહેને વિમાની રકમ મેળવવા માટે નાની બેનની હત્યા કરાવીજેથી પોલીસે અજીઝાબાનુની પણ ધરપકડ કરી તેની પુછતાછ કરતા તે ભાંગી પડી અને ગત 28 નવેમ્બરના રોજ 40 લાખ રૂપિયાનો અજીઝાબાનુનો વિમો કઢાવ્યો હતો. જેનો પ્રથમ હપ્તો પણ ફિરોજાબાનુએ ભર્યો હતો અને ત્યારબાદ વિમાની પુરેપુરી રકમ મેળવવા માટે તેની હત્યા કરાવી હોવાનું કબુલાત કરી હતી. વિમો કઢાવ્યો એ દિવસથી હત્યાનો પ્લાન ઘડ્યોજે દિવસે અજીઝાબાનુનો રૂ. 40 લાખનો વિમો કઢાવ્યો એ દિવસથી તેની હત્યાનો પ્લાન ઘડાયો હતો. છેલ્લા 12 દિવસમાં બે વખત અજીઝાબાનુની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સફળતા ન મળતા આખરે 9 ડિસેમ્બર 2025ના રોજ ફિરોજાબાનુનએ મૃતક અજીઝાબાનુને કહ્યું કે, તારે શ્રમ કાર્ડ કઢાવવાનું છે, તો મારો ઓળખીતો છે, રમીઝ તે કાઢી આપશે. આરોપી મોપેડ પર બેસાડી અંકોડિયા સ્થિત અવાવરૂ જગ્યાએ લઇ ગયોશ્રમ કાર્ડ કઢાવવા માટે ફિરોજાએ મૃતક અજીઝાને ઘરેથી આર્યા હાઇટ્સ પાસે મોકલી હતી. જ્યાં રમીઝ તેને પોતાની મોપેડ પર બેસાડી અંકોડિયા સ્થિત અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને અજીઝાએ પહેરેલા દુપટ્ટા વડે જ તેને ગળે ટુંપો દઇ હત્યા કરી નાખી હતી. બંનેને પોલીસે દબોચ્યાઅજીઝાની હત્યા બાદ વિમો ક્લેમ કરવાનો હતો અને તેમાંથી મળનાર રકમમાંથી રૂ. 7 લાખ રમીઝને આપવાનું નક્કી થયું હતું. જોકે વડોદરા જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં અજીઝાબાનુની હત્યાનો ભેદ ઉકેલી રમીઝ રાજા હનીફભાઇ બન્નુમીયા શેખ અને ફિરોજાબાનુ ઉર્ફે અનીષા દિવાનની ધરપકડ કરી હતી. આજે આ બંને આરોપીઓના રિમાન્ડ લેવામાં આવશે.
મોરબીમાં PGVCLએ ઊર્જા બચત રેલી યોજી:વીજ સલામતી અને બચતનો સંદેશ આપ્યો
મોરબીમાં પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત અને વીજ સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ડિસેમ્બર-૨૦૨૫ના ઊર્જા બચત માસ પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઊર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવાનો હતો. પીજીવીસીએલ દ્વારા ઊર્જા બચત સપ્તાહની ઉજવણી અંતર્ગત વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં મોકડ્રિલ, ફીડરોની ચકાસણી અને વીજ સલામતીની પ્રતિજ્ઞા જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ પ્રવૃત્તિઓ દ્વારા લોકોને વીજળીના સુરક્ષિત અને કાર્યક્ષમ ઉપયોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ જાગૃતિ રેલી પીજીવીસીએલ કચેરીથી શરૂ થઈ હતી. જેમાં અધિક્ષક ઇજનેર ડી.આર. કારીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રેલી દરમિયાન વીજ સલામતી અને ઊર્જા બચત અંગેના બેનરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા અને પેમ્ફલેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રેલી પાવર હાઉસ કમ્પાઉન્ડથી શરૂ થઈને મયુર પુલ, નગર દરવાજા, રવાપર રોડ, નવા બસ સ્ટેન્ડ, ઉમિયા સર્કલ અને ભક્તિનગર સર્કલ જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ હતી. આ રેલી દ્વારા લોકોને સોલાર કુકર, સોલાર હીટર, ઘરની છત પર સોલાર પેનલ લગાવવા તેમજ વીજળીનો બિનજરૂરી ઉપયોગ ટાળી વીજળી બચાવવા માટેનો સંદેશો આપવામાં આવ્યો હતો.
આણંદ શહેરમાં સુરતના એક વિદ્યાર્થીની રીક્ષામાં ભૂલાઈ ગયેલી લેપટોપ બેગ નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં શોધી કાઢવામાં આવી હતી. પોલીસે 'તેરા તુજકો અર્પણ' પહેલ હેઠળ બેગ વિદ્યાર્થીને પરત કરી હતી. 11 ડિસેમ્બરના રોજ રાત્રે આશરે 8:30 વાગ્યે, સુરતના નિસર્ગ રિતેશકુમાર પરમાર (રહે. કૃભકો ટાઉનશીપ, હજીરા રોડ) શહીદચોકથી આણંદ રેલ્વે સ્ટેશન જવા માટે રીક્ષામાં બેઠા હતા. મુસાફરી દરમિયાન તેઓ અંદાજિત 50,000 રૂપિયાની કિંમતની લેપટોપ બેગ રીક્ષામાં ભૂલી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં નિસર્ગે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ, આણંદનો સંપર્ક કર્યો હતો. નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમે તાત્કાલિક અરજી નોંધી તપાસ શરૂ કરી. રેલ્વે સ્ટેશન બહારના, શહીદચોક અને ટાઉનહોલ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા. જેમાં GJ 23 AU 8486 નંબરની એક રીક્ષા દેખાઈ હતી. પોકેટકોપમાં રીક્ષા નંબર સર્ચ કરતા રીક્ષાચાલકનું નામ, સરનામું અને મોબાઈલ નંબર મળ્યા. નેત્રમ ટીમે રીક્ષાચાલકનો સંપર્ક કર્યો. રીક્ષાચાલક નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે હાજર થયા અને પ્રમાણિકતાપૂર્વક લેપટોપ ભરેલી બેગ અરજદારને પરત કરી હતી. આ ઘટના બાદ જિલ્લા પોલીસ વડા જી.જી. જસાણીએ રીક્ષાચાલકની પ્રમાણિકતાને બિરદાવી રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા. 'તેરા તુજકો અર્પણ' પહેલ હેઠળ જિલ્લા પોલીસ વડાના હસ્તે વિદ્યાર્થીને લેપટોપ બેગ સુપ્રત કરવામાં આવી હતી.
પાટણ સાયબર ક્રાઇમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હંટ' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 2,74,77,005ના સાયબર ફ્રોડ આચરનારા ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ અન્ય ગુનેગારો સાથે મળીને મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી, તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવી, ચેક અને ATM દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા. આ કાર્યવાહી ભારત સરકારના I4C (ઈન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર), નવી દિલ્હી તરફથી મળેલી મ્યુલ બેંક એકાઉન્ટની માહિતીના આધારે કરવામાં આવી હતી. પાટણ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ. પી.વી. વસાવાના નેતૃત્વ હેઠળની ટીમે આ અંગે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટા પાયે અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું સામે આવ્યું. આ ખાતાઓનો ઉપયોગ વિવિધ રાજ્યોમાં નોંધાયેલી સાયબર ક્રાઇમની ફરિયાદોમાં થયો હતો. બંધન બેંકના એકાઉન્ટ નંબર 20200073822751 ના ધારક રાજેશકુમાર દાદુજી ઠાકોર અને સહ-આરોપી ઠાકોર વિકાસ વિનોદજીએ 09/12/2024 થી 30/09/2025 દરમિયાન ₹1,60,14,604/- નું અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ ખાતાનો ઉપયોગ કર્ણાટક, પંજાબ અને આંધ્રપ્રદેશ રાજ્યોની 4 ફરિયાદોમાં થયો હતો. ઇન્ડસઇન્ડ બેંકના એકાઉન્ટ નંબર 188200866419 ના ધારક સાગરભાઈ ચંન્દ્રકાંતભાઈ સોલંકી અને સહ-આરોપીઓ પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ તથા પ્રજાપતિ બ્રીજેશભાઈ જયેશભાઈએ 29/10/2023 થી 18/04/2025 દરમિયાન ₹59,65,063/- નું અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ ખાતાનો ઉપયોગ ગુજરાત (રાજકોટ શહેર) અને વેસ્ટ બંગાળ રાજ્યોની 2 ફરિયાદોમાં થયો હતો. IDFC ફર્સ્ટ બેંકના એકાઉન્ટ નંબર 10208417061 ના ધારક સુરેશભાઈ માનસીભાઈ ચૌધરી અને સહ-આરોપી સાગર મોહનભાઈ અમૃતીયા પટેલે 01/01/2025 થી 04/05/2025 દરમિયાન ₹54,97,338/- નું અનઓથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું હતું. આ ખાતાનો ઉપયોગ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ઓડીસા રાજ્યોની 6 ફરિયાદોમાં થયો હતો. આ ત્રણેય કેસમાં સાયબર છેતરપિંડી દ્વારા નાણાં મેળવવામાં આવ્યા હોવાથી, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાટણ ખાતે ગુ.ર.નં. 11217042250007/2025 અને 11217042250008/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 317(2), 318(4), 61(2)(B) તથા આઈ.ટી. એક્ટ-2000 ની કલમ 66(D) મુજબ ગુના નોંધાયા છે. આ ઉપરાંત, પાટણ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ગુ.ર.નં. 11217020251008/2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 317(2), 317(4), 317(5), 61(2)(A) મુજબ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને પકડવાના બાકી છે. પકડાયેલા આરોપીઓરાજેશ દાદુજી ઠાકોર (રહે. પાટણ)ઠાકોર વિકાસ વિનોદજી (રહે. પાટણ)સાગર ચંન્દ્રકાંતભાઈ સોલંકી (રહે. પાટણ)સુરેશ માનસીભાઈ ચૌધરી (રહે. કસરા, બનાસકાંઠા) પકડવાના બાકી આરોપીઓપ્રજાપતિ બ્રીજેશ જયેશભાઈ (રહે. ઉનાવા, મહેસાણા)પ્રજાપતિ અક્ષય ભવાનભાઈ (રહે. ઉનાવા, મહેસાણા)સાગર મોહનભાઈ અમૃતીયા (રહે. વસ્ત્રાલ, અમદાવાદ) આરોપીઓની મોડસ ઓપરેન્ડી અનુસાર, તેઓ સાયબર ક્રાઇમ આચરતા ગઠિયાઓ સાથે મળી ઓનલાઈન ઠગાઈની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સહભાગી બનતા હતા. તેઓ પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી ભાડેથી આપતા હતા, જેથી સાયબર ફ્રોડ કરનારા તેમના મળતિયાઓને આ ખાતામાં નાણાં નાખવા માટે પ્લેટફોર્મ મળી રહે. આ રીતે તેઓ કમિશન પેટેની રકમો મેળવીને છેતરપિંડીની પ્રવૃત્તિ કરતા હતા.
મહીસાગર પોલીસે ગુમ માનસિક અસ્થિર વૃદ્ધને શોધ્યા:પરિવાર સાથે સુરક્ષિત રીતે પુનઃમિલન કરાવ્યું
મહીસાગર જિલ્લા ટ્રાફિક શાખાના અધિકારીઓએ ગુમ થયેલા એક માનસિક અસ્થિર વૃદ્ધને શોધી કાઢી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. પોલીસ અધિક્ષક સફિન હસનના માર્ગદર્શન હેઠળ પોલીસે આ માનવતાવાદી કાર્ય કર્યું. તાજેતરમાં, ટ્રાફિક શાખાના પીએસઆઈ શક્તિસિંહ ઝાલા, ASI જયદીપસિંહ અને ડ્રાઇવર કોન્સ્ટેબલ અર્જુનસિંહ લુણાવાડાથી નાઈટ પેટ્રોલિંગ પર હતા. 12/12/2025 ના રોજ મોડી રાત્રે આશરે 2:45 વાગ્યે તેઓ બાકોર વિસ્તારમાં પહોંચ્યા હતા. ગોધરા-મોડાસા હાઈવે પર લિંબડીયા ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ચેકિંગ દરમિયાન પીએસઆઈ ઝાલાની નજર રોડ ડિવાઇડર પાસે થેલો લઈને બેઠેલા એક વૃદ્ધ પર પડી. પૂછપરછ કરતા વૃદ્ધ પોતાનું નામ-સરનામું જણાવી શક્યા ન હતા અને ઠંડીમાં ધ્રુજી રહ્યા હતા. તેમની માનસિક સ્થિતિ અસ્થિર જણાતા અને અકસ્માતની સંભાવનાને ધ્યાનમાં રાખીને પોલીસે તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાનો નિર્ણય કર્યો. પોલીસે વૃદ્ધને રોડની બાજુમાં લઈ જઈ ચા-પાણી પીવડાવ્યું, તાપણાની વ્યવસ્થા કરી અને પ્રાથમિક સંભાળ આપી. ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે બાકોર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. મોડી રાત હોવાથી પીએસઆઈ સી.કે. સિસોદિયા અને અન્ય સ્ટાફની મદદથી તેમના આરામની વ્યવસ્થા કરવામાં આવી. તપાસ દરમિયાન તેમના થેલામાંથી ફક્ત કપડાં જ મળ્યા હતા. પોલીસે વૃદ્ધનો ફોટોગ્રાફ લુણાવાડા, બાકોર અને વીરપુર વિસ્તારના પોલીસ મિત્રોને સોશિયલ મીડિયા દ્વારા મોકલી તપાસ શરૂ કરી. માત્ર ચાર કલાકમાં વૃદ્ધની ઓળખ વીરપુર તાલુકાના ડેભારી ગામના 70 વર્ષીય વૃદ્ધની ઓળખ મેળવી હતી. પોલીસે તેમના ભાઈનો સંપર્ક કર્યો અને તેમને બાકોર પોલીસ સ્ટેશન બોલાવી વૃદ્ધને સુરક્ષિત રીતે પરિવારને સોંપ્યા. વૃદ્ધના ભાઈએ જણાવ્યું કે તેમના ભાઈ માનસિક અસ્થિરતાના કારણે કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. તેમણે પોતાના ભાઈને સુરક્ષિત રીતે શોધી પરત સોંપવા બદલ મહીસાગર પોલીસનો આભાર વ્યક્ત કર્યો.
વલસાડ તાલુકાના પાથરી ગામમાં એક ખાનગી તળાવમાં ધરમપુર નગરપાલિકાનો દુર્ગંધ મારતો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. કોઈ પૂર્વ મંજૂરી વિના થઈ રહેલી આ પ્રવૃત્તિથી સ્થાનિક ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગામના ઉપસરપંચે આ મામલે કલેક્ટરને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે. ગામના સરપંચ અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, સંપતભાઈ બુધાભાઈ પટેલ નામના સ્થાનિકે અગાઉ મત્સ્ય પાલન માટે તળાવ ખોદાવ્યું હતું. હાલ આ તળાવને પૂરવાની કામગીરી ચાલી રહી છે, જેમાં માટીના બદલે ધરમપુર નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. ઉપસરપંચે જણાવ્યું કે, આ કચરામાંથી એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે ગામલોકો અને રસ્તેથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. છેલ્લા બે દિવસથી રાત-દિવસ કચરો ઠાલવવાની કામગીરી ચાલુ હોવાથી રાત્રિના સમયે ફેલાતી દુર્ગંધને કારણે લોકો ઊંઘી પણ શકતા નથી. આનાથી આખા ગામના સ્વાસ્થ્ય પર જોખમ ઊભું થયું છે. સૌથી ગંભીર બાબત એ છે કે, તળાવમાં કચરો નાખવા માટે તળાવ માલિક કે કચરો ઠાલવનારાઓએ ગ્રામ પંચાયતની કોઈ પૂર્વ મંજૂરી લીધી નથી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પંચાયત અજાણ હોવાનું પણ સામે આવ્યું છે. ગ્રામજનોની માંગ છે કે તળાવમાં કચરો નાખવાનું તાત્કાલિક બંધ કરવામાં આવે. તેઓનું કહેવું છે કે જો તળાવ પૂરવું હોય તો માટીનો ઉપયોગ કરવામાં આવે, પરંતુ ગંદકી ફેલાવતો કચરો સ્વીકાર્ય નથી. ઉપસરપંચે જણાવ્યું કે જો આ પ્રવૃત્તિ અટકાવવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવશે. આ અંગે ખાનગી તળાવના માલિક સંપતભાઈ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ તેમની માલિકીનું તળાવ છે અને હાલ તેમની મરજીથી પુરાણ કરવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે તેઓ કચરા વચ્ચે પાવડરનો છંટકાવ કરે છે અને ગામમાં કોઈની ફરિયાદ આવી નથી.
વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહીસાગર નદીમાં સ્થિત રાયકા ફ્રેન્ચવેલની આસપાસ ભારે સિલ્ટ જમા થયેલ હોવાથી ડિસિલ્ટિંગ (સિલ્ટ દૂર કરવાની) કામગીરી હાથ ધરવામાં આવી છે. ચોમાસા દરમિયાન ઉપરવાસમાંથી આવેલા મોટા પ્રમાણમાં પાણીને કારણે આ સિલ્ટિંગ થયું હતું, જેના લીધે ફ્રેન્ચવેલમાંથી પાણીનો પુરવઠો ઘટી ગયો હતો. 15થી 20 દિવસ સુધી પાણી ઓછા સમય માટે મળશેઆ કામગીરી દરમિયાન ફ્રેન્ચવેલ પરથી પાણીનો સપ્લાય અસ્થાયી રૂપે ઓછો થશે, જેની સીધી અસર શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પર પડશે. જેના કારણે રાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં આગામી 15થી 20 દિવસ સુધી પાણી ઓછા પ્રેશરે અને ઓછા સમય માટે મળશે. આ વિસ્તોરોને પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થશેરાયકા ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારો જેવા કે એરપોર્ટ બુસ્ટર, આજવા ટાંકી, ખોડીયરનગર બુસ્ટર, વારશીયા બુસ્ટર, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, દરજીપુરા બુસ્ટર, સમા ટાંકી, પુનમ નગર ટાંકી, નોર્થ હરણી ટાંકી, કારેલીબાગ ટાંકી, વ્હીકલપુલ બુસ્ટર, સયાજીબાગ ટાંકી, જેલ ટાંકી, પાણીગેટ ટાંકી, લાલબાગ ટાંકીના વિસ્તારોને અસર પડશે. ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં અસરઆ ઉપરાંત ફાજલપુર ફ્રેન્ચવેલથી પાણી મેળવતા વિસ્તારોમાં પણ પાણી વિતરણ વ્યવસ્થામાં અસર થવાની શક્યતા જેમાં પરશુરામ બુસ્ટર, જુનીગઢી બુસ્ટર, વ્હીકલપુલ બુસ્ટર, વારસિયા બુસ્ટર, છાણી ગામ ટાંકી, છાણી જકાતનાકા ટાંકી, સમા જુની ટાંકી, સમા-પુનમ નગર ટાંકી, ટી.પી-૧૩ ટાંકી, જેલ ટાંકી, લાલબાગ ટાંકી, સયાજીબાગ ટાંકી,નવી ધરતી બુસ્ટર, ફતેહપુરા બુસ્ટર, સાધના નગર બુસ્ટર, બકરાવાડી બુસ્ટરના તમામ વિસ્તારોમાં પાણી ઓછા પ્રેશરે અને ઓછા સમય માટે આપવામાં આવી શકે છે. કામગીરી પૂર્ણ થતાંની સાથે જ પાણીનો પુરવઠો સામાન્ય થશેમહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરી છે કે આ અસુવિધા અસ્થાયી છે અને કામગીરી પૂર્ણ થતાંની સાથે જ પાણીનો પુરવઠો સામાન્ય થશે. જાહેર જનતાને આ બાબતે નોંધ લઈને પાણીનો જરૂરી જથ્થો સંગ્રહ જારી લેવા તેમજ સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે.
અમરેલી જિલ્લા જેલ ખાતે ઓપન જેલના કર્મચારીઓ માટે આધુનિક આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા ₹1.82 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા કુલ 8 આવાસનું રાજ્યના કાયદા મંત્રી કૌશિક વેકરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ, જેલ અધિકારીઓ અને સુપરિન્ટેન્ડેન્ટ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી કૌશિક વેકરિયાએ જેલ વિભાગની કામગીરી અને આવાસ સંબંધિત માહિતી મેળવી હતી. તેમણે દરેક આવાસની મુલાકાત પણ લીધી હતી. આ નવા આવાસથી જેલ કર્મચારીઓને વિશેષ સુવિધાઓ મળશે, જેનાથી તેમનામાં સંતોષ જોવા મળ્યો હતો. અમરેલીના ઇન્ચાર્જ અધિક્ષક ડી.એન. જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડ દ્વારા જેલ ખાતે B.7 અને D.1 બ્લોકમાં આ આવાસ બનાવવામાં આવ્યા છે. કૌશિકભાઈ વેકરિયાના હસ્તે તેનું લોકાર્પણ થતાં હવે જેલ કર્મચારીઓને આ સુવિધાનો લાભ મળશે. રાજ્ય કક્ષાના કાયદા મંત્રી કૌશિક વેકરિયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લા જેલ ખાતે પોલીસ કર્મચારીઓ માટે સારી રહેવાની વ્યવસ્થા થાય તે હેતુથી આ પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કરાયું છે. રાજ્ય સરકારનો ઉદ્દેશ્ય છે કે કર્મચારીઓ તેમના પરિવાર સાથે શાંતિથી અને સારા વાતાવરણમાં રહી શકે તથા તેમને ઉત્તમ સુવિધાઓ મળી રહે. તેમણે રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ તાલુકાના ઉમલ્લા બજારમાં 2007માં હથિયારની અણીએ થયેલી ધાડના ગંભીર ગુનામાં છેલ્લા 18 વર્ષથી નાસતો ફરતો આરોપી આખરે પોલીસના સકંજામાં આવ્યો છે. ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે વડોદરા જિલ્લાના પાદરા ખાતેથી આ આંતરરાજ્ય ગેંગના રીઢા આરોપીને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા લાંબા સમયથી ફરાર ગુનેગારો અને જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પો.સબ.ઇન્સ્પેક્ટર આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમે આ કામગીરી કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2007માં આર્મ્સ એક્ટ કલમ 25(1)(બી) હેઠળ નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપી ખુન્ના બાબુ બિલવાલ છેલ્લા 18 વર્ષથી ફરાર છે અને હાલ વડોદરા જિલ્લાના પાદરા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હાજર છે. આ બાતમી, હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ટીમે 12/12/2025ના રોજ પાદરા બસ સ્ટેન્ડ ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ ખુન્ના બાબુ બિલવાલ છે. તે મૂળ મધ્યપ્રદેશના ઝાબુવા જિલ્લાના ઘાટિયા તળાવ, નાનું ફળિયુંનો રહેવાસી છે અને હાલ વડોદરાના પાદરા તાલુકાના ડભાશા ગામની સીમમાં રહેતો હતો. તેને વધુ કાર્યવાહી માટે ઉમલ્લા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.પોલીસ રેકોર્ડ મુજબ, આરોપીનો ગુનાહિત ઇતિહાસ ગંભીર છે. તે વલસાડના પારડી, પંચમહાલના ગોધરા રેલવે પોલીસ, મહારાષ્ટ્રના પુણેના તલેગાંવ ડભાડે પોલીસ સ્ટેશન સહિત મધ્યપ્રદેશના રતલામ અને મનાસા તેમજ નવસારી જિલ્લામાં લૂંટ અને ગંભીર હિંસક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે. દાહોદ નજીક અનસ રેલવે સ્ટેશન પાસે લૂંટના ગુનામાં પણ તેની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડની આ કાર્યવાહીથી વર્ષો જૂના ગંભીર ગુનામાં ન્યાયની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે.
અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ક્યારે મળશે ન્યાય? અમેરિકન વકીલને વિમાનમાં ગરબડની આશંકા
Ahmedabad plane crash: અમદાવાદમાં સર્જાયેલી ભયાનક એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાને છ મહિના વીતી ગયા હોવા છતાં પીડિત પરિવારો હજુ પણ સત્ય અને વળતરની રાહ જોઈ રહ્યા છે. આ પરિવારોનું પ્રતિનિધિત્વ કરતા અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝે તપાસની પ્રગતિ અને દુર્ઘટનાના સંભવિત કારણો અંગે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. વળતર અને અંગત વસ્તુઓ મેળવવાની પીડિતોની આશા અમેરિકન વકીલ માઈક એન્ડ્રુઝે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી પીડિત પરિવારોનો ઘા રૂઝાશે નહીં. ઘણાં પરિવારો હજુ પણ તેમને વચન આપવામાં આવેલા વળતરની રાહ જોઈ રહ્યા છે.
વક્ફ વિવાદની વચ્ચે કેરલમાં ભાજપની 'ઐતિહાસિક' જીત, વિધાનસભા ચૂંટણીમાં ફાયદો થવાની શક્યતા
(IMAGE - x.com/AnoopKaippalli) Kerala Local Body Election Result: કેરળના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો માત્ર બેઠકના આંકડાઓ સુધી જ સીમિત નથી, પરંતુ આ પરિણામોએ રાજ્યના રાજકારણમાં કેટલાક એવા મહત્ત્વના મુદ્દાઓને કેન્દ્રમાં લાવ્યા છે, જે કદાચ આગામી વિધાનસભા ચૂંટણીની દિશા પણ નક્કી કરી શકે છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકા નજીક ગાંભોઈ પોલીસે વિદેશી દારૂ ભરેલી અમદાવાદ પાસિંગની એક સ્વીફ્ટ કાર ઝડપી પાડી છે. પોલીસે પીછો કરીને રૂ. 3.34 લાખનો દારૂ જપ્ત કર્યો હતો, જોકે કાર ચાલક રાત્રિના અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ગાંભોઈ પોલીસ સુરજપુરા રેલવે ફાટક નજીક બાતમીના આધારે વોચ ગોઠવી હતી. આ દરમિયાન ભિલોડા તરફથી આવતી એક શંકાસ્પદ સફેદ કલરની મારૂતિ સ્વીફ્ટ ગાડીને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ઉભી રાખી ન હતી. તેણે ગાડી ગાંભોઈ ત્રણ રસ્તા રોડથી શામળાજી તરફના રોડ બાજુ ભગાવી હતી. પોલીસે સરકારી વાહન દ્વારા ગાડીનો પીછો કર્યો હતો. નવલપુર (ભાટોડા) ગામની સીમમાં ગાડીના ચાલકે રોડની બાજુમાં ગાડી ઉભી રાખી દીધી હતી અને બાજુની સીટમાં બેઠેલા અન્ય એક ઈસમ સાથે નજીકના ખેતરમાં થઈને ભાગી ગયો હતો. પોલીસે GJ-01-RK-4439 નંબરની સ્વીફ્ટ ડિઝાયર ગાડીમાંથી વિદેશી દારૂની 20 પેટીઓ, કુલ 828 બોટલો, જેની કિંમત રૂ. 3,34,800 છે, તે જપ્ત કરી હતી. આ અંગે ગાંભોઈ પોલીસ સ્ટેશનના PI એસ.જે. ગોસ્વામીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, દારૂ અને રૂ. 5,00,000ની કિંમતની સ્વીફ્ટ ડિઝાયર ગાડી મળી કુલ રૂ. 8,34,800નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગાંભોઈ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દલપુર પાસે ટ્રક મંદિર પરિસરમાં ઘૂસ્યો:જોગણી માતાજીના મંદિરના બાંધકામને નુકસાન, જાનહાનિ ટળી
પ્રાંતિજ-હિંમતનગર રોડ પર આવેલા નેશનલ હાઈવે 48 પરના દલપુર ગામ નજીક ગત રાત્રિએ એક ટ્રક જોગણી માતાજીના મંદિરના પરિસર પર ચઢી ગયો હતો. આ અકસ્માતમાં મંદિરના આગળના બાંધકામને નુકસાન થયું હતું, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી માહિતી મુજબ, હિંમતનગરથી અમદાવાદ તરફ જઈ રહેલા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારતા આ ઘટના બની હતી. ટ્રક મુખ્ય રોડ પરથી સર્વિસ રોડ પર થઈને સીધો મંદિરના પરિસરમાં ઘૂસી ગયો હતો. અકસ્માતને કારણે મંદિરની આગળની બેઠક સહિતના બાંધકામને સંપૂર્ણ નુકસાન થયું હતું. જોકે, ચમત્કારિક રીતે મંદિરના મુખ્ય ગર્ભગૃહને કોઈ નુકસાન થયું ન હોવાથી ભક્તોએ રાહત અનુભવી હતી. દલપુરનું જોગણી માતાજીનું મંદિર આ વિસ્તારમાં ભક્તો માટે મોટી આસ્થાનું કેન્દ્ર છે. ખાસ કરીને રવિવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શન અને હવન કરવા ઉમટી પડે છે.
ભરુચના સાંસદ મનસુખ વસાવાની એક પ્રેસ કોન્ફરન્સને લઇને ભરુચ અને નર્મદા જિલ્લા ભાજપમાં સામસામે આક્ષેપને લઇને વાકયુદ્ધ છેડાયું છે. ગતરોજ રાજપીપળાના ધારાસભ્ય ડો.દર્શના દેશમુખે સાંસદ મનસુખ વસાવા પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને માનહાનિનો દાવો કરવાની વાત કરી હતી. જે બાદ આજે સાંસદ મનસુખ વસાવાએ ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને દર્શના દેશમુખને જવાબ આપતા અંદરો અંદરનો વિવાદ બહાર આવ્યો છે. 12 ડિસેમ્બર 2025મનસુખ વસાવાએ મારૂ નામ ચૈતર વસાવા સાથે જોડ્યું: ડૉ.દર્શના દેશમુખગઇકાલે એક પ્રેસ કોન્ફરસન્સ યોજીને ડૉ.દર્શના દેશમુખે જણાવ્યું હતું કે,તા.7 ડિસેમ્બરે સાંસદ મનસુખ વસાવાએ યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો,પરંતુ કોઈ પણ ભ્રષ્ટ નેતાનું નામ જાહેર કરવામાં આવ્યું ન હતું. મનસુખ વસાવાએ આડકતરી રીતે આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મારી સાંઠગાંઠ હોવાનો સંકેત આપ્યો હતો, જેથી મારી બદનામી થઇ છે. 'સાંસદ સાબિત કરે નહીં તો હું માનહાનિનો દાવો કરીશ'ડૉ.દર્શના દેશમુખે વધુમાં જણાવ્યું કે, સાંસદ મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી અને ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે, પણ ચૈતર વસાવા સાથે સાંસદના ઘરેલું સંબંધ છે. મારે તો નાહવા-નિચોવાને કોઈ સંબંધ નથી. ભ્રષ્ટાચારની વાત છે તો મનસુખ વસાવા તે સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનીનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું હશે, તો હું ચોક્કસ જઈશ. હું મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાની હતી, પરંતુ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતા તેમણે આ કાર્યક્રમ રદ કર્યો હતો. 'હું ધારાસભ્ય બની ત્યારથી તેઓ મારા પર આક્ષેપ કરે છે'ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, સાંસદ મનસુખ વસાવા મને ધારાસભ્ય તરીકે સ્વીકારતા જ નથી, હું ધારાસભ્ય બની ત્યારથી તેઓ મારા પર આક્ષેપ કરતા આવ્યા છે. હું પણ ભાજપની જ દીકરી છું, તો સિનિયર સાંસદ તરીકે આવો મારા વિશે વાણી-વિલાસ ના કરવો જોઈએ. મારી પાસે પણ આવા નનામા પત્રો આવે છે, પણ અમે એને કચરામાં નાખી દઈએ છીએ, એના પર કોઈ ટિપ્પણી કરતા નથી. મેં આ મામલે પ્રદેશ સ્તરે રજૂઆત કરી છે અને હવે હું મૌન નહીં રહું. હવે જો મનસુખ વસાવા કઈ બોલશે તો મારે જવાબ આપવો પડશે. 13 ડિસેમ્બર 2025ચૈતરે અધિકારીઓ પર દબાણ કર્યું ત્યારે દર્શનાબેન ચૂપ રહ્યા:મનસુખ વસાવાડૉ. દર્શના દેશમુખની ગઇકાલની પ્રેસ કોન્ફરન્સ બાદ આ મામલે આજે દિલ્હીથી ભરૂચ પહોંચેલા સાંસદ મનસુખ વસાવાએ ભરૂચના સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી ડો.દર્શના દેશમુખ અને ચૈતર વસાવા પર પ્રત્યાઘાત કર્યો હતો.સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, કેવડીયા કોલોની ખાતે યોજાયેલી એકતા પરેડ દરમિયાન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈ થયેલી બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ અધિકારીઓ પર ખર્ચ મુદ્દે દબાણ કર્યું હતું, ત્યારે નર્મદા જિલ્લાના ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ એકદમ મૌન રહ્યા હતા. 'દર્શનાબેનને ધારાસભ્ય બનાવનાર જ હું છું, મને સીધુ કહેવું જોઇએ'સાંસદ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો કે, આમ આદમી પાર્ટીના એક નેતાએ એક અધિકારી પાસે રૂ. 75 લાખની માંગ કરી સમગ્ર મામલો દબાવી દેવાની વાત કરી હતી.આ ઘટનાને પગલે જ પોતે નર્મદા જિલ્લા માં પત્રકાર પરિષદ યોજીને જવાબ આપ્યો હતો. ડો.દર્શના દેશમુખ અંગે તેમણે કહ્યું કે, તેમણે આક્ષેપ કરીને પોતાના જ પગ પર કુહાડો માર્યો છે. એમને ધારાસભ્ય જ મેં બનાવ્યા છે. જો કોઈ મનદુઃખ હતું તો મને સીધું કહેવું જોઈએ હતું અથવા પાર્ટી ફોરમમાં રજૂઆત કરવી જોઈએ હતી, પરંતુ તેમણે જાહેરમાં મારા પર આરોપો લગાવ્યા છે. બંનેને કોઈ પ્રકારનો ડર લાગ્યો છે એટલે મારી સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ભરુચ-નર્મદા ભાજપમાં કેમ વિવાદ છેડાયો?સાંસદ મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે ભ્રષ્ટાચાર કરનાર કોઈ પણ નેતાનું નામ જાહેર કર્યું નહોતું. પરંતુ મનસુખ વસાવાએ આડકતરી રીતે એવું કહ્યું હતું કે, તેમના કેટલાક ડૉક્ટરોની આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરવસાવા સાથે સાંઠગાંઠ છે. જેથી ડૉ. દર્શના દેશમુખને લાગ્યું કે સાંસદ તેમના વિશે કહી રહ્યા છે. જે બાદ સમગ્ર વિવાદ છેડાયો છે.
મહેસાણા તાલુકાના બદલપુરા ગામમાં રહેતા અને પોર્ટુગલ જવા નીકળેલા યુવક, તેના પત્ની અને ત્રણ વર્ષની દીકરીને અપહરણકારો દ્વારા લીબિયામાં અપહરણ કરી બંધક બનાવી લીધા છે. અપહરણકારો દ્વારા પરિવારજનો પાસે 2 કરોડની ખંડણી માગતા પરિવારજનો ચિંતિત બન્યા છે. લીબિયામાં જે યુવકનું અપહરણ કરી લેવામાં આવ્યું છે તેના ઘર પર 'દિવ્ય ભાસ્કર' પહોંચ્યું હતું. પુત્ર સહિતના પરિવારજનોને બંધ બનાવ્યાના જ્યારથી સમચાર મળ્યા ત્યારથી વૃદ્ધ માતા સહિતના પરિવારજનો ચિંતિત બન્યા છે. અન્ય પરિવારજનો અને ગામના સરપંચ દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈ રાજકીય આગેવાનોને રજૂઆત કરી રહ્યા છે. લીબિયામાં અપહરણ કરાયેલા કિસ્મતસિંહ ચાવડાના માતા, કૌટુંબિક કાકા અને ગામના સરપંચ અને રાજ્યસભાના સાંસદ સાથે ભાસ્કરે વાતચીત કરી હતી. માતાએ કહ્યું- 'એ લોકોએ મારા દીકરાને પકડી લીધો છે અને પૈસા માગે છે'લીબિયામાં અપહરણ કરાયેલા પરિવાર મહેસાણા તાલુકાના બદલપુરા ગામમાં રહે છે. બદલપુરામાં આવેલા કિસ્મતસિંહ ચાવડાના ઘર પર જ્યારે 'ભાસ્કર' પહોંચ્યું ત્યારે ઘર પર તેમના માતા હંસાબા, બહેન, કાકા સહિતના પરિવારજનો હાજર હતા. અન્ય પરિવારજનોએ તો કેમેરા સમક્ષ વાતચીત કરવાનો ઈન્કાર કર્યો પરંતુ, માતાએ વાતચીત કરી. હંસાાબાએ કહ્યું- મારો દીકરો વિદેશ જવા નીકળ્યો હતો, ત્યાં તેને પકડી લીધો છે અને પૈસા માગે છે. સૌ પ્રથમ અપહરણ અને ખંડણીનો મામલો જાણી લઈએબદલપુરા ગામમાં પરિવાર સાથે રહેતા અને છત્રાલ જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા કિસ્મતસિંહ ચાવડાએ પોર્ટુગલ જવા માટેની તૈયારી કરી હતી. કિસ્મતસિંહ ચાવડાના મોટાભાઈ પણ યુરોપમાં સ્થાયી થયા હોય તેમની પણ યુરોપમાં સ્થાયી થવાની તૈયારી હતી. જેના માટે કિસ્મતસિંહ ચાવડા, તેમના પત્ની હિનાબેન અને ત્રણ વર્ષની દીકરી સાથે 29મી નવેમ્બરે સાંજે 5 વાગ્યાની ફ્લાઈટમાં અમદાવાદથી દુબઈ જવા નીકળ્યા હતા અને ગણતરીના કલાકમાં દુબઈ પહોંચી ગયા હતા. કિસ્મતસિંહ જ્યારે દુબઈ પહોંચ્યા ત્યાં સુધી પરિવારજનોના સંપર્કમાં હતા પણ ત્યારબાદ સંપર્ક તૂટી ગયો હતો. દુબઈથી કિસ્મતસિંહને પરિવાર સાથે પોર્ટુગલ જવાનું હતું. પરંતુ, દુબઈથી પોર્ટુગલના બદલે બેન્ગાજી સિટીનો બૉર્ડિંગ પાસ મોકલાયો હતો. 4 ડિસેમ્બરે બદલપુરામાં રહેતા કાકાને ફોન આવ્યો કે પરિવારનું અપહરણ થઈ ગયું છે4 ડિસેમ્બરના રોજ બદલપુરા ગામે રહેતા કિસ્મતસિંહના કાકા દશરથજી ઉપર ઇન્ટરનેશનલ કોલથી ફોન આવ્યો હતો અને અજાણ્યા શખ્સે કિસ્મતસિંહ અને તેમના પરિવારનું અપહરણ કરી પોર્ટુગલને બદલે લીબિયામાં ઉતારી દઈ ત્યાં બંધક બનાવી દીધા છે અને પહેલા 54 હજાર યુએસ ડોલરની ખંડણી માંગવામાં આવી હતી. ત્યારબાદ જે એજન્ટો થકી આ કૃત્ય કરવામાં આવ્યું છે તે દુબઈના શખસોદ્વારા પણ બે કરોડ રૂપિયાની ખંડણી માંગીને નહીં આપે તો તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. પરિવારજનોએ કલેકટર, પોલીસ અને રાજકીય આગેવાનોને રજૂઆત કરીખંડણીના ઈન્ટરનેશનલ કોલ ચાલુ રહેતા બદલપુરામાં રહેતા દશરથજી અને પરિવારના સભ્યો જિલ્લા કલેકટર કચેરી દોડી ગયા હતા અને રજૂઆત કરી હતી. તેમની રજૂઆતને લઈ ક્લેક્ટર શૈલેષભાઈ પ્રજાપતિએ સરકારના એનઆરજી ફાઉન્ડેશનને લેખિત અરજી કરી પરિવારના ત્રણેય સભ્યોને મહેસાણા ખાતે પરત લાવવા માટે કાર્યવાહી કરવા કહ્યું છે. 'અપહરણકારોએ ફોન, પાસપોર્ટ અને ડોલર પડાવી લીધા'બદલપુરમાં રહેતા કિસ્મતસિંહના પરિવારજનોના કહેવા મુજબ, યુરોપ જવા માટે નીકળેલા કિસ્મતસિંહ અને તેના પરિવારને લીબિયા ઉતારી બંધક બનાવનાર શખસોએ તેમની પાસેથી ફોન, તેમના પાસપોર્ટ અને પાસેના 6000 ડોલર પણ લઈ લીધા હતા અને તેમના પરિવારનો નંબર માંગતા કિસ્મતસિંહે યુરોપ રહેતા પોતાના મોટાભાઈ અને બદલપુરા રહેતા કાકા દશરથજીનો નંબર આપ્યો હતો. જેને લઈ અપહરણકારોએ સૌપ્રથમ યુરોપ રહેતા કિસ્મતસિંહના સગા મોટાભાઈને કોલ કરીને ખંડણી માંગી હતી. ત્યાર બાદ બદલપુરા ખાતે દશરથજીને ખંડણીનો ફોન આવ્યો હતો. ભત્રીજો પરિવાર સાથે હેમખેમ પરત આવે તે માટે કૌટુંબિક કાકા ઉપવાસ પર બેઠાદિવ્ય ભાસ્કર ટીમ જ્યારે પરિવાર ની મુલાકાતે પહોંચી એ દરમિયાન પરિવાર દીકરાની રાહ જોઈ બેઠો છે.જોકે કેમેરા સમક્ષ કઈ પણ બોલવા તૈયાર નથી ત્યારે ભોગબનનાર ના કાકા હાલમાં પોતાના ખેતરમાં દીકરો અને તેનો પરિવાર હેમખેમ પરત આવે એ માટે જ્યારે થી બંધક બનાવ્યા હોવાના સમાચાર મળ્યા ત્યાર થી ઉપવાસ પર બેઠા છે. સરપંચે કહ્યું- 'દલાલે દગો કરી જ્યાં ઉતરવાના હતા તેના બદલે બીજા સ્થળે ઉતારી દીધા'બદલપુરા ગામના સરપંચ રણજિતસિંહે જણાવ્યું હતું કે, બદલપુરા ગામનો કિસ્મતસિંહ નામનો છોકરો છે તે, તેની પત્ની અને દીકરીને અપહરણકારોએ બંધક બનાવી ખંડણી માગવામાં આવી છે. દલાલે દગો કરી જ્યાં ઉતારવાના હતા તેના બદલે બીજે ઉતારી દીધા હતા. અપહરણકારો દ્વારા પૈસાની માગણી કરવામાં આવી રહી છે. આ પરિવાર હેમખેમ વતનમાં પરત આવે તેવી અમારી માગણી છે. અમારા ગામમાંથી ઘણા યુવાનો વિદેશ ગયા છે. આ ભાઈનો ભાઈ પણ યુરોપમાં છે. હું CMO સાથે સતત સંપર્કમાં છું- મયંક નાયકરાજ્યસભાના સાંસદ મયંક નાયકે ભાસ્કરને જણાવ્યું કે,મેં આ બાબતે વિદેશ વિભાગમાં જયશંકરને રજુઆત કરી છે.ત્યારબાદ હમણાં જ સી.એમ ઓફિસમાં વિક્રાંત પાડે સાથે વાત કરી છે અને તેઓએ લિબિયામાં ભારતના રાજદૂત મોહમદ અલીફ સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો છે.હાલમાં હું CMO ઓફિસ સાથે સતત સંપર્ક માં છુ અને પરિવાર ને પરત લાવવા તમામ પ્રયાસ ચાલુ છે.
ગીર સોમનાથના વેરાવળ તાલુકાના ડારી ગામે પત્નીની હત્યા કરી પતિ ફરાર થયો હતો. જોકે, ફરાર પતિનો મૃતદેહ ગામની કબ્રસ્તાનની દરગાહમાં મળી આવ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ, પતિએ ઝેરી દવા પીને આપઘાત કર્યો છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. શુક્રવારે પત્નીને આડેધડ સાત જેટલા છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી. ત્યારબાદ બાઈક અને છરી મૂકીને નાસી છૂટ્યો હતો. શુક્રવારે પત્નીની હત્યાગઈકાલે વિનોદ સોમા ધોળીયા નામના વ્યક્તિએ પોતાની પત્ની ચંપાબેન વિનોદભાઈ ધોળીયા (ઉ.વ. 42)ની છરીના ઘા મારી નિર્મમ હત્યા કરી હતી. ચંપાબેન છેલ્લા પાંચ મહિનાથી ડારી ગામે આવેલા પોતાના પિયરમાં રિસામણે રહેતા હતા. પત્નીની હત્યા કર્યા બાદ વિનોદ પોતાની મોટરસાઈકલ અને છરી ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો. તેનો મોબાઈલ બંધ આવતા પોલીસ માટે તેની શોધખોળ એક મોટો પડકાર બની હતી.આ પણ વાંચો, ડારી ગામે રિસામણે ગયેલી મહિલાને પતિએ રહેંસી નાખી દરગાહમાં મૃતદેહ મળી આવ્યોજિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB અને પ્રભાસ પાટણ પોલીસની સર્વેલન્સ ટીમે તપાસ શરૂ કરી હતી. આજે વહેલી સવારે LCB PSI સિંધવને ડારી ગામના કબ્રસ્તાન નજીક આવેલી પાઇર પીરની દરગાહ ખાતે એક પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળી હતી. તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા આ મૃતદેહ પત્નીની હત્યા કરી ફરાર થયેલા વિનોદ સોમા ધોળીયાનો હોવાનું સામે આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં વિનોદે ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું અનુમાન છે. સુસાઇડ નોટની ચર્ચા, પોલીસ તપાસ શરૂપોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. ઘટનાસ્થળેથી સુસાઇડ નોટ જેવી એક ચિઠ્ઠી મળી હોવાની ચર્ચાઓ છે. પોલીસ આ ચિઠ્ઠીની સત્યતા અને તેમાં લખેલી વિગતો અંગે તપાસ કરી રહી છે. બે દીકરાએ મા-બાપની છત્રછાયા ગુમાવીપત્નીની હત્યા બાદ અફસોસના કારણે વિનોદે આપઘાત કર્યો કે અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. આ લોહિયાળ દાંપત્ય જીવનના અંતને કારણે તેમના બે પુત્રોએ માતા-પિતા બંનેની છત્રછાયા ગુમાવતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
જૂનાગઢ શહેરની ટ્રાફિક સમસ્યાનું મુખ્ય કારણ બનેલા રેલવે ફાટકનો મુદ્દો હવે ગુજરાતની હદ વટાવીને સીધો દિલ્હીમાં ગુંજી ઉઠ્યો છે. સૌથી વધુ નવાઈની વાત એ છે કે, લોકોના માથાના દુખાવા સમાન આ ગંભીર પ્રશ્ન જૂનાગઢના ચૂંટાયેલા ધારાસભ્યો કે સાંસદને બદલે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો છે. આના કારણે સોશિયલ મીડિયા પર સ્થાનિક ભાજપના જનપ્રતિનિધિઓની લોકોની સમસ્યાઓ પ્રત્યેની રજૂઆત અને સક્રિયતા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સંસદમાં શક્તિસિંહની રજૂઆતશક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં જૂનાગઢ શહેરમાં આવેલા રેલવે ફાટકને લઈને ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, ગુજરાતનું ઐતિહાસિક અને પ્રવાસી આકર્ષણનું કેન્દ્ર બનેલું જૂનાગઢ શહેર જૂની રેલવે લાઇનથી ઘેરાયેલું છે. શહેરમાં 7 અને શહેર બહારના મળીને કુલ 11થી વધુ રેલવે ફાટકો આવેલા છે. બાયપાસ રેલવે લાઇન બનાવવાથી ટ્રાફિકની સમસ્યાથી કાયમી મુક્તિ મળશેતેમણે રજૂઆત કરી હતી કે, શહેરની વચ્ચે આવેલા રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થવાના કારણે વારંવાર ફાટકો બંધ થાય છે, જેનાથી શહેરીજનોને ભારે હાલાકી અને ટ્રાફિકની ગંભીર સમસ્યા ભોગવવી પડે છે. આ કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેમણે સરકારને અનુરોધ કર્યો હતો કે જૂનાગઢ શહેરમાંથી ટ્રેન પસાર કરવાને બદલે રેલવે ટ્રેકને શહેરની બાયપાસ પર બનાવવામાં આવે. બાયપાસ રેલવે લાઇન બનાવવાથી લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી શકે તેમ છે. દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આયોજન પર સવાલો ઊભા થયા હતા થોડા સમય પહેલા દિવ્ય ભાસ્કરે રેલવે ફાટકની સમસ્યા પર ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો હતો, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના આયોજનની ગંભીર ખામીઓ સામે આવી હતી. રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે જોષીપરા વિસ્તારમાં 59 કરોડના ખર્ચે 722 મીટર લાંબો અને 15 મીટર પહોળો પ્રથમ ઓવરબ્રિજ બની રહ્યો હોવા છતાં, તે ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ લાવી શકશે નહીં. આયોજન પ્રમાણે, આ ઓવરબ્રિજ ફક્ત એક જ રેલવે ફાટકથી મુક્તિ અપાવશે, જ્યારે અન્ય 9 રેલવે ફાટકો પર ટ્રાફિકની સમસ્યા તેની તે જ રહેવાની છે, જેના કારણે શહેરીજનોને સતત હાલાકીનો સામનો કરવો પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર
PGVCL દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી અંતર્ગત વીજ સલામતી અને ઊર્જા બચત અંગે જાગૃતિ લાવવા માટે 150 કર્મચારીઓની પ્લે કાર્ડ સાથે રેલી નિકળી હતી. જેમાં સોલાર રૂફટોપ અપનાવો અને વિજ બિલ બચાવો, નસીબ બચાવે કોઈક વાર સુરક્ષા બચાવે વારંવાર, પુનઃ પ્રાપ્ય ઉર્જા અપનાવીએ અને ભવિષ્યની પેઢીનું જતન કરીએ, જે સલામતીથી શરમાઈ તે જિંદગીથી કરમાય, બાંધકામ સમયે ઇલેક્ટ્રીક નેટવર્કથી સલામત અંતર જાળવો, ચોમાસા દરમિયાન ભીના હાથે સ્વીચ કે પ્લગને અડકશો નહીં જેવા સ્લોગન સાથે કર્મચારીઓ પીજીવીસીએલની કચેરીની આસપાસ રેલી સ્વરૂપે નીકળ્યા હતા અને લોકોને જાગૃત કર્યા હતા. રાજકોટ PGVCL ના ચીફ એન્જિનિયર પી. જે. મહેતાએ જણાવ્યું હતું કે, દેશમાં કોલસા તેમજ સોલાર આધારિત વિજળી ઉત્પન્ન થતી હોય છે. વીજળી આપણા માટે મહત્વની બનતી જાય છે ત્યારે આપણે વિજળીની બચત કરવી ખૂબ જ જરૂરી છે. વીજળીનું ઉત્પાદન કરવું છે ત્યારે એક સંદેશ મારો એ પણ છે કે વીજળીની બચત કરવી જોઈએ. કારણ કે વીજળીનું ઉત્પાદન ખૂબ જ મોંઘુ હોય છે. સોલારનો ઉપયોગ કરીને વીજળીનું ઉત્પાદન કરી અને ઘર તેમજ ઇન્ડસ્ટ્રીઝમાં ફાઈવ સ્ટાર રેટિંગના એર કન્ડિશન, પંખા અને LED લેમ્પ વાપરી વીજળીની બચત કરવી જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દેશના વિકાસ માટે વીજળી એક મહત્વનું અંગ છે ત્યારે વીજળી વગર કોઈપણ કાર્ય કરવું મુશ્કેલ છે. વિજળી કિંમતી હોવાથી તેની બચત ખૂબ જ જરૂરી છે. 8 થી 13 ડિસેમ્બર દરમિયાન પશ્ચિમ ગુજરાત વીજ લિમિટેડ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વીજ સલામતી અને ઉર્જા બચતના પ્લે કાર્ડ સાથે આજે પીજીવીસીએલના કર્મચારીઓની રેલી નીકળી હતી. જેથી 150 જેટલા કર્મચારી ભાઈઓ અને બહેનોની રેલી નિકળી હતી. જેમાં વીજ બચતની સાથે વીજ અકસ્માત ન થાય તેની તકેદારી રાખવા માટે જાગૃતિ આપવામાં આવી હતી.
ગુજરાતના ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી પ્રતિનિધિ મંડળને મળવા સમય માગ્યો છે. પત્રમાં તારીખ 16 ડિસેમ્બરે મુલાકાત માટે સમય આપવા વિનંતી કરવામાં આવી છે. ખેડૂતોના પ્રશ્નોને લઈ ચર્ચા માટે આમ આદમી પાર્ટીએ CM પાસે સમય માગ્યોપત્રમાં જણાવ્યા અનુસાર, રાજ્યમાં અનેક ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી. સાથે જ, કડદા પ્રથા સહિતના વિવિધ કારણોસર ખેડૂતોના શોષણની ફરિયાદો પણ સામે આવી રહી છે. દર વર્ષે કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ જતા ખેડૂતો પર દેવાનું ભારણ વધતું હોવાનું પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગુજરાતમાં ખાતરની અછત, સિંચાઈના પાણીની અછત, મોંઘા બિયારણો તેમજ ગ્રામીણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવ જેવા મુદ્દાઓના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાનું પત્રમાં જણાવાયું છે. બોટાદ વિસ્તારમાં કડદા પ્રથા મુદ્દે થયેલા આંદોલન દરમિયાન પોલીસ કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તમામ મુદ્દાઓ અંગે ખેડૂતોની લાગણીઓ અને માંગણીઓ સરકાર સમક્ષ રજૂ કરવા માટે આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળને મળવા સમય આપવા વિનંતી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
વાઘ આવ્યાની બાળ વાર્તા તો સૌ કોઈએ સાંભળી જ હશે.. ‘વાઘ આવ્યો રે વાઘ આવ્યો. ભાઈ ધાજો રે ધાજો.’પણ દાહોદના રતનમહાલ બાદ છોટાઉદેપુરમાં પણ વાઘના પગલાં પડ્યાં છે.છોટા ઉદેપુર જિલ્લાના વન વિભાગ દ્વારા જિલ્લાના જંગલ વિસ્તારમાં વાઘની હાજરીની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. જિલ્લા વન અધિકારીએ જણાવ્યું કે, વન વિભાગની ટીમને સરહદી વિસ્તારમાં વાઘના પગલાં (પગના નિશાન) પણ જોવા મળ્યા છે. થોડા સમય પહેલા દાહોદ જિલ્લાના રતનમહાલ વન્યજીવ અભયારણ્યમાં વાઘના વસવાટના વીડિયો વન વિભાગે જાહેર કર્યા હતા. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી આ વાઘ રતનમહાલ વિસ્તારમાં જોવા ન મળતા, તે છોટા ઉદેપુર તરફ આવ્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. આ અનુમાનને પગલે છોટા ઉદેપુર વન વિભાગ દ્વારા રતનમહાલને અડીને આવેલા સરહદી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું હતું. ડીસીએફ દ્વારા પુષ્ટિછોટા ઉદેપુરના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફોરેસ્ટ (DCF) રૂપક સોલંકીએ આ અંગે પુષ્ટિ કરતા જણાવ્યું કે, રતનમહાલ જ્યાં વાઘ વસવાટ કરે છે, તે છોટા ઉદેપુરની નજીકનો વિસ્તાર છે, તેથી અહીં તેની હાજરીની શક્યતા નકારી શકાય નહીં. ડીસીએફ સોલંકીએ ઉમેર્યું કે, માહિતી મળ્યા ત્યારથી વન વિભાગની ટીમો જંગલમાં સતત પેટ્રોલિંગ કરી રહી છે. છોટા ઉદેપુર ડિવિઝનના સરહદી વિસ્તારમાં વાઘના પગલાં પણ જોવા મળ્યા છે, જે તેની હાજરી સૂચવે છે. આ વાઘ આજનો નહીં, પરંતુ ઘણા સમયથી આ વિસ્તારમાં ફરતો હોઈ શકે છે. વન વિભાગ દ્વારા વાઘની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી રહી છે
પાલનપુરમાં ડાક અદાલતનું આયોજન:29 ડિસેમ્બરે ટપાલ સેવા સંબંધિત ફરિયાદોનો નિકાલ કરાશે
બનાસકાંઠા ડિવીઝનમાં ટપાલ સેવાઓ સંબંધિત ફરિયાદોના નિકાલ માટે ડાક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ અદાલત 29 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 11:00 વાગ્યે પાલનપુર સ્થિત અધિક્ષક ડાકઘર કચેરી ખાતે યોજાશે. આ ડાક અદાલતમાં ટપાલ વિતરણ, કાઉન્ટર સેવાઓ અને બચત બેંક સંબંધિત રજૂઆતોની સુનાવણી કરવામાં આવશે. જોકે, નીતિ વિષયક મુદ્દાઓ સિવાયની યોગ્ય અને મુદ્દાસર ફરિયાદો જ સ્વીકારવામાં આવશે. ફરિયાદ રજૂ કરવા ઈચ્છુક નાગરિકોએ પોતાની રજૂઆત ડેપ્યુટી મેનેજર, કસ્ટમર કેર સેન્ટર, અધિક્ષક ડાકઘર કચેરી, બનાસકાંઠા ડિવીઝન, પાલનપુરને 26 ડિસેમ્બર 2025 સુધીમાં મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલી ફરિયાદો પર વિચારણા કરવામાં આવશે નહીં. અધિક્ષક ડાકઘર દ્વારા જણાવાયું છે કે નાગરિકોએ પોતાની સમસ્યા સ્પષ્ટ, સંક્ષિપ્ત અને મુદ્દાસર રીતે રજૂ કરવી. નીતિ આધારિત ફરિયાદો આ અદાલતમાં સ્વીકારવામાં આવશે નહીં.
કચ્છના નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન:સતત ત્રીજા દિવસે સિંગલ ડિજિટમાં તાપમાન નોંધાતા કચ્છીઓ થથર્યા
કચ્છના નલિયામાં આજે લઘુતમ તાપમાન 9.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે સતત ત્રીજા દિવસે નલિયાનું તાપમાન એકલ આંકમાં રહ્યું છે, જેના કારણે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. શિયાળા દરમિયાન શીત મથક તરીકે જાણીતા નલિયામાં ઠંડીનું જોર વધતા સ્થાનિકોને ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી રહી છે. ઘરની બહાર નીકળતા લોકો ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે. બીજી તરફ, કચ્છના પાટનગર ભુજ શહેરમાં આજે વહેલી સવારે ન્યૂનતમ તાપમાન 14.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ભુજવાસીઓ રાહતરૂપ ઠંડકની મજા માણી રહ્યા છે, જે નલિયાની તુલનામાં ઓછી છે. હવામાન વિભાગ દ્વારા અગાઉ વર્તમાન માસના અંત પહેલા કડકડતી ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, ડિસેમ્બરનો અડધો મહિનો વીતી ચૂક્યો હોવા છતાં નલિયા સિવાયના કચ્છના વિસ્તારોમાં હજુ સુધી તીવ્ર ઠંડીનો અનુભવ થયો નથી.
જામનગરમાં રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના મંત્રી તથા જિલ્લાના પ્રભારીમંત્રી અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 'હર ઘર સ્વદેશી', 'ઘર-ઘર સ્વદેશી' અભિયાન અને 'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત જામનગર મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. નવા બનેલા ફ્લાયઓવર બ્રિજ પર યોજાયેલી આ મેરેથોનમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં જામનગરવાસીઓ ઉત્સાહભેર સહભાગી થયા હતા. ઓશવાળ ઇંગ્લીશ એકેડમી ખાતેથી મંત્રી સહિતના મહાનુભાવોએ ફ્લેગઓફ કરીને દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, “મેરેથોન માત્ર દોડ નથી, તે સંકલ્પ, શિસ્ત અને સ્વસ્થ જીવન તરફનું પગલું છે.” તેમણે ઉમેર્યું કે, આજના યુગમાં અસ્વસ્થ જીવનશૈલી અને તણાવ વધી રહ્યા છે, ત્યારે આવા કાર્યક્રમો સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે. સ્વસ્થ નાગરિકો જ સ્વસ્થ અને મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કરે છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા પણ રમતગમત, આરોગ્ય અને તંદુરસ્તી માટેની યોજનાઓને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જનજાગૃતિ અને સ્વસ્થ જીવન માટે સરકાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને મેદસ્વીતા મુક્ત ભારત અને ફીટ ઇન્ડિયા અભિયાન શરૂ કરાવ્યું છે. મેરેથોનનો રૂટ ઓશવાળ ઇંગ્લીશ એકેડમીથી શરૂ થઈ ઇન્દિરા માર્ગ, સાત રસ્તા, નવા ફ્લાયઓવર બ્રિજ, ગુરુદ્વારા જંકશન, નાગનાથ જંકશન થઈ યુટર્ન લઈને પરત ઓશવાળ ઇંગ્લીશ એકેડમી ખાતે પૂર્ણ થયો હતો. આ દોડમાં યુવાનો, મહિલાઓ અને વડીલો સહિત વિશાળ સંખ્યામાં જામનગરવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી ૧૪ ડિસેમ્બરના રોજ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે સાયક્લોથોન ઇવેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મેરેથોન અને સાયક્લોથોનમાં ભાગ લેનાર સ્પર્ધકો માટે ડ્રોનું આયોજન કરાયું છે, જેમાં વિજેતાઓને સાયકલ ઇનામ તરીકે આપવામાં આવશે. આ દોડમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, અગ્રણી બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, એ.એસ.પી. પ્રતિભા, પ્રાંત અધિકારીઓ અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગઢડા શહેર અને તાલુકામાં જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ના પ્રવેશ માટેની પરીક્ષા આજે શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. આ પરીક્ષામાં અંદાજે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્ર સરકાર સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૫માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. પરીક્ષામાં સફળ થનારા વિદ્યાર્થીઓને ધોરણ ૬થી ધોરણ ૧૨ સુધીનું સંપૂર્ણ શિક્ષણ કેન્દ્ર સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. ગઢડા શહેર તથા તાલુકામાં કુલ ૧૫ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષાનો સમય બપોરે ૧૧:૩૦થી ૧:૩૦ સુધીનો હતો. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ગઢડા નૂતન કન્યા વિદ્યાલયના આચાર્ય પિનાકીનભાઈ જોષીએ જવાહર નવોદય વિદ્યાલયની આ પરીક્ષા અંગે માહિતી પૂરી પાડી હતી.
સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકામાં આવેલા 34 કેન્દ્રો પર આજે નવોદય પ્રવેશ પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ-5ના વિદ્યાર્થીઓને નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની આ પરીક્ષા શનિવારે સવારે 11:30 વાગ્યે શરૂ થઈ હતી. મળતી માહિતી મુજબ, જિલ્લાના આઠ તાલુકાના 34 કેન્દ્રો પર કુલ 337 બ્લોકમાં 7995 વિદ્યાર્થીઓ આ પ્રવેશ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.
મોરબીના મયુર પુલ પર જાહેરમાં જોખમી સ્ટંટ કરનાર રિક્ષા ચાલક વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે. રિક્ષા ચાલકે કરેલા સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટ્રાફિક શાખાએ તાત્કાલિક પગલાં લઈને આરોપીને શોધી કાઢ્યો હતો અને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બે દિવસ પૂર્વે રાત્રિના સમયે મોરબીના મયુર પુલ પર એક રિક્ષા ચાલક જોખમી રીતે સ્ટંટ કરતો પસાર થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો હતો, જે ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓના ધ્યાને આવ્યો હતો. પોલીસે કરી તાત્કાલિક કાર્યવાહી સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોના આધારે ટ્રાફિક શાખાએ રિક્ષા નંબર GJ 36 W 3936 પરથી ચાલકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો. આરોપીની ઓળખ ઈસ્માઈલભાઈ જુમાભાઈ કાણીયા (ઉંમર 26, રહે. લાકડીયા, તા. ભચાઉ; હાલ રહે. બિલાલી મસ્જિદ પાસે, વીસીપરા, મોરબી) તરીકે થઈ છે. કાયદેસરની કાર્યવાહી જાહેર માર્ગ પર બેફામ અને જોખમી રીતે રિક્ષાના સ્ટંટ કરવા બદલ આરોપી ઈસ્માઈલભાઈ વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર માર્ગો પર સ્ટંટ કરીને અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકતા શખ્સોને કાયદાનું ભાન કરાવતી પોલીસે દાખલો બેસાડ્યો છે.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં મંદિર જતા વૃદ્ધને અજાણ્યા બાઈકચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ વૃદ્ધ રોડ પર ઢળી પડ્યાં હતાં. જે બાદ તેઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ગંભીર ઇજાના કારણે તેઓનું મોત નીપજ્યુ હતું. આ અકસ્માત અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બાઈકચાલક ટક્કર મારી ફરાર આ ઘટનાની વિગત એવી છે કે, માધુપુરામાં રહેતા 55 વર્ષીય અશોકભાઈ ઠાકોર રોજ સવારે દરિયાપુર આવેલા માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. અશોકભાઈ રાબેતા મુજબ 6 ડિસેમ્બરની વહેલી સવારે 4:45 વાગ્યે મંદિર જઈ રહ્યા હતા. દરિયાપુર દરવાજા સર્કલ પાસેથી રોજ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે વાહનોની અવરજવર હોવાથી અશોકભાઈ 30 સેકન્ડ સુધી સાઈડમાં ઊભા રહી બાદમાં રોડ ક્રોસ કરવા જતાં પ્રેમદરવાજા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇકચાલકે તેઓને ટક્કર મારી હતી. બાઈકની જોરદાર ટક્કરથી અશોકભાઈ રોડ પર પટકાયા હતા અને બાઈકચાલક સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરીસવારનો સમય હોવાથી શરૂઆતના સમયમાં કોઈને જાણ પણ નહોતી, જે બાદ આસપાસના લોકો ભેગા થયા હતા. અશોકભાઈને મોઢા અને માથાના ભાગે ઇજા થતા બેભાન થઈ ગયા હતા. અશોકભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અશોકભાઈનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ અજાણ્યા બાઈકચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(IMAGE - IANS) P. Chidambaram slams Karnataka minister's bulldozer Remark: કર્ણાટકના ગૃહમંત્રી જી.
ગીર ગઢડા તાલુકાના ઉમેદપરાથી આલીદર ગામ તરફ જતા માર્ગ પર મોડી રાત્રે બે નર સિંહ લટાર મારતા જોવા મળ્યા હતા. એક કારચાલકે પોતાના મોબાઈલમાં આ દૃશ્યો કેદ કર્યા હતા, જેમાં આ ડાલામથ્થા સિંહો બિન્દાસ રોડ પર ચાલી રહ્યા હતા. સિંહ પ્રભાવિત આ વિસ્તારમાં શિકારની શોધમાં સિંહોનું માનવ વસાહત સુધી આવવું હવે સામાન્ય બની ગયું છે. વાહનોની અવરજવરથી પણ વન્યપ્રાણીઓને ખાસ ફરક પડતો ન હોવાનું જોવા મળ્યું હતું. જોકે, માનવ-સિંહ વચ્ચે સંઘર્ષ ટાળવા સ્થાનિકો વનવિભાગે નક્કર પગલાં લે તેવી માગ કરી રહ્યા છે. બે ડાલામથ્થાની કેસરી ચાલસામાન્ય રીતે, આ વિસ્તારમાં સિંહ પરિવાર (સિંહણ અને સિંહબાળ)નું જૂથ જોવા મળે છે, પરંતુ ગત મોડી રાત્રે એકસાથે બે નર સિંહ જોવા મળતા સિંહપ્રેમીઓ પણ રોમાંચિત બન્યા હતા. નજીકના ગ્રામ્ય વિસ્તારના લોકોને ઘણીવાર ઘર આંગણે સિંહ દર્શન થતા હોય છે. જીવનું જોખમ અને સુરક્ષાની માગઆ ઘટનાના પગલે સ્થાનિકોમાં સિંહ અને માનવ જીવન વચ્ચે સંઘર્ષની ચિંતા વધી છે. વન વિભાગ દ્વારા જો કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે તો લોકોને જીવનું જોખમ કાયમી બની શકે છે. સ્થાનિકો દ્વારા સિંહ અને માનવ જીવનની સલામતી જાળવવા માટે વન વિભાગને નક્કર પગલાં ભરવા માંગણી કરવામાં આવી છે. આ સાથે, રાત્રિના સમયે આ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરવું પણ જરૂરી બન્યું છે, જેથી સંઘર્ષ ટાળી શકાય અને બંનેની સલામતી જળવાઈ રહે.
સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરાબાગ નજીક આવેલા તિરુપતિ એપાર્ટમેન્ટના ચોથા માળના ટેરેસ પરથી પડતું મૂકીને ઘનશ્યામભાઈ રામોલિયા નામના રત્ન કલાકારે આપઘાત કરી લીધો છે. ઘનશ્યામભાઈ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા અને બીમારીના કારણે પણ પરેશાન રહેતા હતા, જેના કારણે તેમણે વહેલી સવારે આ અંતિમ પગલું ભર્યું હતું. આ ઘટનાની જાણ થતાં કાપોદ્રા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
ગાંધીનગરના સેક્ટર-3C વિસ્તારમાં રહેતા બૂટલેગરે ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવા માટે ફિલ્મી સ્ટાઇલ અપનાવી હોવાનું સામે આવ્યું છે. બૂટલેગરે પોતાના ઘરની બાજુમાં પાર્ક કરેલી કારને 'હરતા-ફરતા બાર' તરીકે ઉપયોગમાં લઈ એક્ટિવા ઉપર પણ દારૂની છૂટક ડિવિલરી કરવામાં આવતી હોવાનો ભાંડો ફોડી લોકલ ક્રાઈમ બ્રાન્ચે રૂ. 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. બૂટલેગરે હરતું ફરતું બાર શરૂ કર્યું હોવાનો પર્દાફાશગાંધીનગરના સેક્ટર-3C વિસ્તારમાં રહેતા બૂટલેગરે સ્થાનિક પોલીસની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી હરતું ફરતું બાર શરૂ કર્યું હોવાનો પર્દાફાશ લોકલ ક્રાઈમ બ્રાન્ચ PI એચ.પી. પરમાર સહિતની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. અલ્ટો કાર અને એક્ટિવાને બાર તરીકે ઉપયોગમાં લેતા હતાદરમિયાન બાતમી મળી હતી કે, સેકટર - 3સી પ્લોટ નંબર 623/1માં રહેતો બૂટલેગર વનરાજ સામંતભાઈ કાંગસીયા દ્વારા છેલ્લા ઘણા સમયથી પોતાના નંબર પ્લેટ વગરની અલ્ટો કાર અને એક્ટિવાનો હરતા ફરતા બારની માફક ઉપયોગ કરી વિદેશી દારૂનું છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું છે. પોલીસને જોઈ આરોપી દીવાલ કૂદી ભાગી ગયોબાતમીના આધારે LCBની ટીમે રાતના અંધારામાં દરોડો પાડ્યો હતો. જ્યાં વનરાજ કાંગસીયા એક્ટિવા પર બેઠેલો હતો, પરંતુ પોલીસને જોતા જ તે એક્ટિવા મૂકી સેક્ટરની દીવાલ કૂદી ભાગી ગયો હતો. જેથી પોલીસે તેનો પીછો કર્યો હતો, પરંતુ તે પકડાયો નહોતો. બાદમાં પોલીસે સ્થળ પરથી ગ્રે કલરનું એક્ટિવા અને નંબર પ્લેટ વગરની સફેદ અલ્ટો કારનો દરવાજો ખોલીને તલાશી લેતા બંને વાહનોમાંથી અલગ-અલગ બ્રાન્ડની એક લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ બિયર કુલ 152 નંગ જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે કુલ રૂ. 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વોન્ટેડ બૂટલેગર વિરુદ્ધ સેકટર 7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતના ચૂંટણી પંચના દિશાનિર્દેશો મુજબ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)–2025 કાર્યક્રમ અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં લોકજાગૃતિ અને પારદર્શિતા વધારવાનો હતો. વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધી થયેલી તમામ કામગીરીની વિગતો રાજકીય પક્ષો સમક્ષ રજૂ કરવામાં આવી હતી. SIR–2025 દરમિયાન દરેક વિધાનસભા મતવિસ્તારના મતદાન મથકો પર યોજાયેલી BLO અને BLAની પૂર્વ-ડ્રાફ્ટ મીટિંગ્સ, તેમના રોજકામની વિગતો, ASDR (ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા, પુનરાવર્તિત) મતદારોની યાદીઓ (PDF સ્વરૂપે), ફોટોગ્રાફ્સ અને વીડિયો સહિતના તમામ દસ્તાવેજો હવે surendranagar.nic.in વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જિલ્લા ચૂંટણી અધિકારી રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ, સુરેન્દ્રનગર જિલ્લાએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશમાં નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. SIR ઝુંબેશના ગણતરીના તબક્કામાં જિલ્લાએ 100 ટકા કામગીરી પૂર્ણ કરીને રાજ્યમાં છઠ્ઠું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સફળતા BLOથી લઈને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ સ્ટાફની સઘન મહેનત અને સમર્પણનું પરિણામ છે, જે મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેયને સાકાર કરવામાં મદદરૂપ થઈ છે. જિલ્લાના તમામ 1518 બુથો પર BLO દ્વારા રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે 'પ્રી-ડ્રાફ્ટ' અંગેની બેઠકો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સિદ્ધિ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂંટણી તંત્રની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવશે. જિલ્લા વહીવટી તંત્રએ સુરેન્દ્રનગરના તમામ જાગૃત નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ આ પારદર્શક માહિતીનો લાભ લે અને મતદાર યાદી સુધારણાના આ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિયપણે સહભાગી થઈને દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવે.
રાજ્યમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. પવનની દિશા બદલાઈને પૂર્વ તરફના પવન ફૂંકાશે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. 5 દિવસ બાદ 2થી 3 ડિગ્રી તાપમાન વધી જશે. એટલે કે લઘુત્તમ તાપમાનમાં વધારો થશે જેથી ઠંડી ઘટશે, પરંતુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયુ વાતાવરણ રહે જેના કારણે ઠંડી અનુભવાશે. અમદાવાદમાં તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યોતાપમાનની વાત કરીએ તો, નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે અગાઉ 8.8 ડિગ્રી સેલ્સિયસ હતું, જેમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈને સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. જ્યારે અમદાવાદમાં 1 ડિગ્રી સેલ્સિયસના વધારા સાથે 14 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અન્ય શહેરોમાં કેટલું તાપમાન નોંધાયુંવડોદરામાં 12.2 ડિગ્રી, ભાવનગરમાં 14.8 ડિગ્રી, ભુજમાં 14.4 ડિગ્રી, દમણમાં 15 ડિગ્રી, ડીસામાં 13.3 ડિગ્રી, દીવમાં 13.3 ડિગ્રી, દ્વારકામાં 17.6 ડિગ્રી, કંડલામાં 15.3 ડિગ્રી, નલિયામાં 9.8 ડિગ્રી, ઓખામાં 21.6 ડિગ્રી, પોરબંદરમાં 13.4 ડિગ્રી, રાજકોટમાં 12.8 ડિગ્રી, સુરતમાં 13.8 ડિગ્રી, અને વેરાવળમાં 17.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ઠંડીના ચમકારા વાળી રાત્રિ આ સપ્તાહના અંત સુધી રહેશેનિવૃત હવામાન વૈજ્ઞાનિક એ.ટી. દેસાઈના જણાવ્યા અનુસાર, મધ્યમ માર્ગ એટલે કે (પંજાબ, રાજસ્થાન, એમ.પી., બિહાર, બંગાળ.....) પરથી પસાર થનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટેભાગે વાદળછાયું વાતાવરણ ઉત્તરનાં રાજ્યોમાં બનાવશે તેવી સંભાવનાઓ છે, જેના કારણે હુંફાળા દિવસો તથા સામાન્ય ગુલાબી ઠંડીના ચમકારા વાળી રાત્રિ આ સપ્તાહના અંત સુધી રહેશે.
ગુજરાતમાં રવિ સિઝન માટે ખેડૂતો યુરિયા સહિતના ખાતર માટે લાંબી-લાંબી લાઈનો લગાવી રહ્યા છે. વહેલી સવારથી ઊભા રહેવા છતાં મળતું નથી. તેવામાં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના કોયબા ગામ પાસેથી સ્થાનિક પોલીસે બાતમીના આધારે શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલું એક આઇસર ઝડપી પાડ્યું છે. આ કાર્યવાહીમાં પોલીસે આઇસરમાંથી નીમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ જપ્ત કરી છે અને આઇસરનું પાઈલોટિંગ કરી રહેલી એક સ્વિફ્ટ કાર સહિત કુલ ₹15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બાતમીના આધારે કાર્યવાહીહળવદ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસની સૂચનાથી પોલીસ ટીમે કોયબા ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે યુરિયા ખાતર ભરેલું એક આઇસર આ માર્ગ પરથી પસાર થવાનું છે. વોચ દરમિયાન બાતમી મુજબનું આઇસર ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોક્યું હતું અને તેની તલાશી લીધી હતી. ₹8 લાખનું યુરિયા ખાતર જપ્તઆઇસરની તપાસ કરતાં તેમાંથી ₹8 લાખની કિંમતની નીમકોટેડ યુરિયા ખાતરની 400 બેગ મળી આવી હતી, જેનો જથ્થો શંકાસ્પદ હાલતમાં હતો. પોલીસે તાત્કાલિક આ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં યુરિયા ખાતર ઉપરાંત, આઇસર વાહન અને તેનું પાયલોટિંગ કરી રહેલી સ્વિફ્ટ કારનો પણ સમાવેશ થાય છે, જેની કુલ કિંમત આશરે ₹15 લાખ જેટલી થાય છે. બે આરોપીઓની ધરપકડઆ ગેરકાયદેસર હેરાફેરીના મામલે પોલીસે આઇસર ચાલક નાગજીભાઈ રાજાભાઈ ભરવાડ (ઉં.વ. 37, રહે. નવા મકનસર) અને સ્વિફ્ટ કારના ચાલક કરસનભાઈ સેલાભાઈ ભરવાડ (ઉં.વ. 27, રહે. રાણેકપર)ની ધરપકડ કરી છે. બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગની શંકાપ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે યુરિયા ખાતરનો આ જથ્થો ધાંગધ્રા તાલુકા વિસ્તારમાંથી ભરવામાં આવ્યો હતો અને તેને મોરબીના પીપળી રોડ ઉપર પહોંચાડવાનો હતો. ઉલ્લેખનીય છે કે નિમકોટેડ યુરિયા ખાતર મુખ્યત્વે ખેતી માટે સરકારી કોટામાં સબસિડી સાથે મળે છે. જોકે, ભૂતકાળમાં પણ સરકારી કોટાના આ યુરિયાનો જથ્થો ગેરકાયદેસર રીતે વધુ ભાવે ઔદ્યોગિક હેતુઓ માટે ઉપયોગમાં લેવાતો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. હાલમાં પોલીસે આ માલ ભરી આપનાર તેમજ તેને મંગાવનાર સહિતના અન્ય આરોપીઓની સઘન શોધખોળ શરૂ કરી છે
પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટે સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપી બિજલસિંહ હેમાજી રાઠોડને 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને કુલ રૂ. 55,000નો દંડ પણ કર્યો છે. આ ઉપરાંત, પીડિતાને રૂ. 4 લાખનું વળતર ચૂકવવા માટે પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરવામાં આવી છે. સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ બી.કે. બારોટે 26 પાનાના ચુકાદામાં પોક્સો એક્ટની કલમ 3(એ)4,7,8 હેઠળ 10 વર્ષની સખ્ત કેદ અને રૂ. 50,000નો દંડ, તેમજ દંડ ન ભરે તો વધુ બે માસની સાદી કેદનો આદેશ આપ્યો હતો. ભારતીય દંડ સંહિતાની કલમ 363/366 હેઠળ ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. 5,000નો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસની સજા પણ ફટકારવામાં આવી છે. આ કેસની વિગતો મુજબ, પાટણના દક્ષિણ વિસ્તારમાં રહેતા એક વેપારીની 17 વર્ષીય પુત્રી 16 ઓક્ટોબર, 2020ના રોજ સિવણ શીખવા જવાનું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી ન હતી. પરિવારજનોએ શોધખોળ કર્યા બાદ પણ તે ન મળતાં તેના પિતાએ પાટણ 'એ' ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેમના રહેણાંક વિસ્તારની એક ફરસાણની દુકાનમાં નોકરી કરતો બિજલસિંહ તેમની પુત્રીને ભગાડી ગયો હતો. પોલીસે તપાસ દરમિયાન કિશોરીને શોધી કાઢી હતી અને તેની પૂછપરછ કરી હતી. કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે, તે અને આરોપી પાટણના કુણઘેર મંદિર પાસેના ખેતરમાં ગયા હતા, જ્યાં આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ તેઓ પાટણથી ડીસા અને ત્યાંથી દાંતા પણ ગયા હતા. આ કેસ પાટણની પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ જનકભાઈ ઠક્કરે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, બળાત્કારનો ગુનો પૂરવાર થતો હોવાથી આરોપી સામે કોઈ નરમ વલણ અપનાવવું જોઈએ નહીં અને તેને મહત્તમ સજા થવી જોઈએ. કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને આરોપીને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા શૈક્ષણિક, ભૌતિક અને બિન-શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવા તેમજ ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર સમક્ષ સાત દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયાએ આ માહિતી આપી હતી. આ દરખાસ્તોમાં ગુજરાતી ભાષા ભવન શરૂ કરવા માટે એક પ્રોફેસર અને એક એસોસિએટ પ્રોફેસરની જગ્યા ફાળવવાની માંગણીનો સમાવેશ થાય છે. અગાઉ સરકારે આ ભવન માટે ચાર આસિસ્ટન્ટ પ્રોફેસરનું મહેકમ મંજૂર કર્યું છે. યુનિવર્સિટીમાં કાર્યરત 58 બિન-શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે પણ નાણા વિભાગમાં વર્કલોડના આધારે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવા દરખાસ્ત કરાઈ છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને સ્વનિર્ભર ધોરણે ચાલતા એમએસસી આઈટી અને કાયદા વિભાગને ગ્રાન્ટેડ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીની લેડીઝ હોસ્ટેલ માટે રૂ. 5.88 કરોડ અને વડાલી કેમ્પસ ખાતે સુવિધાઓ ઊભી કરવા માટે રૂ. 4.09 કરોડની ગ્રાન્ટ અગાઉ વપરાઈ ન હોવાથી સરકારમાં પરત ગઈ હતી. આ ગ્રાન્ટ ફરીથી યુનિવર્સિટીને ફાળવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. દર વર્ષે લાખો રૂપિયાના વીજળી બિલને ઘટાડવા અને સરકારના સોલાર એનર્જી પરના ભારને અનુરૂપ, યુનિવર્સિટીને સંપૂર્ણપણે સોલાર આધારિત વીજળીકરણ કરવા માટે રૂ. 4.5 કરોડની ગ્રાન્ટ ફાળવવા દરખાસ્ત કરાઈ છે. આ દરખાસ્તો મંજૂર થવાથી યુનિવર્સિટીના વિકાસને વધુ વેગ મળશે.
પાટણ ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર માટીના ઢગલા:વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી, ટ્રાફિક જામની સમસ્યા
પાટણ શહેરમાં નવા ઓવરબ્રિજ નીચે છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવે સ્ટેશનથી યુનિવર્સિટી તરફ જવા માટે નવો ઓવરબ્રિજ તૈયાર થઈ ગયો છે. ઓવરબ્રિજ નીચે વરસાદી પાણીના નિકાલ માટેની લાઈનો નાખવાની અને આરસીસી રોડ બનાવવાની કામગીરી ઘણા સમયથી પ્રગતિમાં છે. રેલવે સ્ટેશનથી પાલિકા બજાર તરફ જવાના રસ્તા ઉપર લાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જેના કારણે પાલિકા બજાર તરફના રસ્તા પર માટીના મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે. આ ઢગલાને કારણે રીક્ષા અને ફોરવીલ વાહનો હાલમાં માત્ર રેલવે સ્ટેશનથી દેવ દર્શન કોમ્પલેક્ષ તરફ જવા માટેના એક જ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરિણામે આ રસ્તા પર વારંવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાનો વાહનચાલકો ઘણા સમયથી સામનો કરી રહ્યા છે. બાજુમાં એક ખાનગી શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓને લઈને આવતા વાહનોને પણ અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. સ્થાનિકો દ્વારા કામગીરીમાં ઝડપ લાવવા અને માટીના ઢગલા હટાવી રસ્તાને સમતળ કરવાની માંગ કરવામાં આવી છે, જેથી વાહનચાલકોને અવરજવરમાં સરળતા રહે.
નાણાકીય વ્યવહારોમાં ક્રિપ્ટો વાપરતાં Top-10 દેશોમાં ભારત પણ સામેલ, જાણો ટોચે કોણ?
Crypto users Country : સ્ટેબલકોઈન્સના સ્વીકારમાં વધારા સાથે નાણાંકીય લેતીદેતીના વ્યવહારમાં ક્રિપ્ટોકરન્સીઝનો ઉપયોગ કરતા ટોચના દસ દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. સ્ટેબલકોઈન્સ એક એવા પ્રકારની ક્રિપ્ટોસ છે જેનું મૂલ્ય વધુ પડતું સ્થિર રહે છે. દેશમાં રિટેલ પ્રવૃત્તિમાં વધારાને કારણે પણ ક્રિપ્ટોમાં વ્યવહાર કરવાનું વધી ગયાનું એક રિપોર્ટમાં જણાવાયું હતું. ભારતના લાખો વપરાશકારો બચત, સરહદપાર નાણાં ટ્રાન્સફર કરવા તથા રોજબરોજના નાણાંકીય વ્યવહારમાં ડિજિટલ એસેટસ પર આધાર રાખવા લાગ્યા છે જેને કારણે ક્રિપ્ટોસનો વ્યવહાર કરતા ટોચના દસ દેશોમાં ભારત નવમા સ્થાને જોવા ંમળી રહ્યું છે.
વલસાડ તાલુકાના કાંજણરણછોડ ગામે ઓરંગા નદીના નવા પુલ નીચેથી ગુરુવારે બપોરે એક 21 વર્ષીય યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પુલ ઉપર બિનવારસી હાલતમાં પડેલી એક એક્ટિવા અને નીચેથી મળેલા મૃતદેહને કારણે આ ઘટના આત્મહત્યા છે કે અન્ય કંઈ, તે અંગે રહસ્ય ઘેરું બન્યું છે. વલસાડ રૂરલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગુરુવારે સવારે 11 વાગ્યાના સુમારે પોલીસ કંટ્રોલને ઓરંગા નદીના પુલ પર એક શંકાસ્પદ એક્ટિવા (GJ-15-BG-1655) અને નીચે મૃતદેહ હોવાની જાણ થઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા પુલના બીજા પિલર પાસે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો. મૃતક યુવતીની ઓળખ અટગામ, કોલવાડ ફળીયા, વલસાડની રહેવાસી નેહાબેન શૈલેષભાઈ પટેલ (ઉ.વ. 21) તરીકે થઈ હતી. મૃતકની માતા સંગીતાબેન પટેલે સ્થળ પર પહોંચી મૃતદેહની ઓળખ કરી હતી. મૃતકની માતા સંગીતાબેને પોલીસને આપેલી પ્રાથમિક વિગતો મુજબ, નેહા છેલ્લા એક વર્ષથી કલવાડાના અરુણકુમાર રાઠોડ સાથે પ્રેમસંબંધમાં હોવાથી તેના ઘરે રહેતી હતી અને વલસાડના એક મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી હતી. ઘટનાના આગલા દિવસે (11 ડિસેમ્બર) બપોરે નેહાએ માતાને ફોન કરી ઘરે પરત આવવાની ઈચ્છા વ્યક્ત કરતા માતા તેને ઘરે લઈ આવી હતી. રાત્રે સંગીતાબેન, નેહા અને તેમના પરિચિત કમલભાઈ સાથે સૂતા હતા. રાત્રે 2 વાગ્યે માતાની આંખ ખૂલતાં નેહા પથારીમાં જોવા મળી નહોતી. આસપાસ શોધખોળ કરવા છતાં અને ફોન કરવા છતાં (ફોન રિંગ થતો હતો પણ રિસીવ નહોતો થતો) તેની ભાળ મળી નહોતી. આખરે સવારે પોલીસના ફોન બાદ આ કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. નેહા રાત્રે 2 વાગ્યે ઘરેથી કેવી રીતે નીકળી અને પુલ સુધી કોની સાથે પહોંચી તે જાણવા પોલીસે સીસીટીવી ફૂટેજ અને કોલ ડિટેઈલ રેકોર્ડ (CDR) તપાસવાનું શરૂ કર્યું છે. યુવતી એક વર્ષથી પ્રેમી સાથે રહેતી હતી અને અચાનક ઘરે પરત કેમ આવી? શું કોઈ ઝઘડો થયો હતો? તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.
કાર્યવાહી:સુરેન્દ્રનગર એલસીબીએ વસ્તડી પાસેથી દારૂ સાથે 10.55 લાખનો મુદ્દામાલ પકડયો
સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસે દારૂની બદીને ડામવા માટે બુટલેગરો ઉપર નજર રાખીને એક પછી એક જગ્યાએ દરોડા પાડાવામાં આવી રહયા છે ત્યારે વસ્તડી પાસેથી હરીયાણા પાસીંગની કારમાં ગુજરાત ની ખોટી નંબર પ્લેટ લગાવીને દારૂની ખેપ મારવાનો પર્દાફાસ કર્યો હતો.દરોડામાં કુલ રૂ.10.55 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબી પીઆઇ વિ.વિ.જાડેજાની સુચનાથી ટીમનો સ્ટાફ લીંબડી નેશનલ હાઇવે ઉપર પેટ્રોલીંગ કરી રહયો હતો ત્યારે વસ્તડી ગામ પાસેથી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની હકીકત મળી હતી.આથી પોલીસે શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કરતા ચાલકે કાર વસ્તડી ગામ તરફ મારી મુકી હતી. પોલીસે તેનો પીછો કરતા બુટલેગર કાર મુકીને નાશી ગયા હતા.ગાડીની તપાસ કરતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની કુલ 2020 દારૂના ચપલા મળી આવ્યા હતા.ગાડીના ચેચીસ નંબરની તપાસ કરતા ગાડીનો સાચો નંબર એચ.આર.31 કયુ 4383 હોવાનું ખુલ્યુ હતુ.જયારે ગાડીમાં જી.જે.18 ઇબી 6651 ની નંબર પ્લેટ લગાવવામાં આવી હતી.આટલુ જ નહી પરંતુ કાર માંથી બીજી જીજે 27 સીઆઇ 5283 ની પણ નંબર પ્લેટ મળી આવી હતી.પોલીસે પીછો કરતા બે આરોપીઓ ભાગી ગયા હતા.
લાશ મળી:વઢવાણ બાળા કેનાલ પમ્પીંગ સ્ટેશનમાંથી કોહવાયેલી લાશ મળી
વઢવાણના બાળા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલના પમ્પીંગ સ્ટેશનમાં અજાણ્યા શખ્સની લાશ તરતી હોવાનો કોલથી ફાયર વિભાગને જાણકારી અપાઇ હતી. આથી ફાયર વિભાગ દેવાંગભાઇ દુધરેજીયા સહિત અશોકસિંહ પરમાર, ધર્મરાજસિંહ સગર, ગોવિંદભાઈ મકવાણા, જયદીપસિંહ ડોડીયા સહિતની ટીમે કેનાલમાં એકકલાકની શોધખોળ બાદ એક મૃતદેહ બહાર કાઢી હતી. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. અને ઓળખ હાથ ધરવામાં આવતા આ વ્યક્તી મધ્યમ વયની આશરે જીન્સ ટીસર્ટ આખી બાયનુ ટીશર્ટ પહેરેલ હતુ. આથી પોલીસે મૃતકનો મૃતદેહ ગાંધી હોસ્પીટલ મોકલી આપી મૃતકના વાલી વારસીની તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરમાં ગંદકી અને રોગચાળાનો ભય:વોર્ડ 9, બક્ષીનગરના રહીશોમાં રોષ
સુરેન્દ્રનગર વોર્ડનં.9ના બક્ષીનગરમાં પ્રાથમિક સુવિધાના અભાવે રહીશો પરેશાન છે.ગંદકીથી રોગચાળાનો ભય હોવાથી આથી મનપા કચેરીએ ધસી જઇ લેખિત રજૂઆત સાથે સુવિધાની માંગ કરી હતી. સુરેન્દ્રનગર મહાનગર પાલિકા વોર્ડ નં.9 ના રહીશોની ઘણા સમયથી પ્રાથમિક સુવિધા ન મળતા મુશ્કેલી થઇ રહી હતી.આથી શહેર કોંગ્રેસપ્રમુખ મહેન્દ્રભાઇ પરમાર, ભક્તીનગરના મહેન્દ્દ્રભાઇ દવે સહિત રહીશોએ મનપા કચેરીએ લેખિત રજૂઆત કરી હતી .જેમાં જણાવ્ય મુજબ કિરીટભાઇના ઘરથી બાયપાસ રોડ સુધીનો રસ્તો તદન ખાડા વાળો અને બિસ્માર હોવાથી ત્યાંથી રહીશો પસાર નથી થઇ શકતા વૃધ્ધોને પડી જવાનો ભય રહે છે.આથી રસ્તો તાત્કાલીક બનાવવા તથા વિસ્તારમાં રાત્રીના સમયે સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે છુટક એકાદ બે ચાલુ છે બાકી છેક બાયપાસ સુધીનો રસ્તો બિલકુલ અંધારાપટ રહે છે.
ભાસ્કર ઈનસાઈડ:સુરેન્દ્રનગર મનપાનું જુનુ બિલ્ડીંગ જર્જરીત છતા 4 કચેરીઓનો સ્ટાફ બેસવા મજબૂર
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા થતાને સાથે જ જુદા જુદા ખાતાઓ અસ્તીત્વમાં આવી ગયા છે. મનપાએ તેના માટે અંદાજ 400 થી વધુ લોકોના સ્ટાફની પણ ભરતી કરી છે. પરંતુ સ્ટાફને બેસવા માટે હજુ પુરતી વ્યવસ્થા નથી અને આથી જ એક ઓફિસમાં બે થી વધુ વિભાગનો સ્ટાફ બેસે છે.આવા સમયે પહેલા જયા નગરપાલિકા બેસતી હતી તે જૂનુ બિલ્ડીંગ જર્જરીત હોવા છતા આજે પણ મનપાની ચાર કચેરીનો સ્ટાફ આવા જોખમી બિલ્ડીંગમાં બેસીને કામ કરી રહયો છે. સુરેન્દ્રનગર નગરપાલિકા બેસતી હતી તે બિલ્ડીંગ બે માળનુ છે. 17 ફેબ્રુઆરી 2004ના વર્ષમાં તેને બનાવવામાં આવ્યુ હતુ. જેમાં નગરપાલીકાના સમયમાં તમામ ખાતા અને પ્રમુખ સહિતના ચેરમેનો આ બિલ્ડીંગમાં બેસીને નગરપાલિકાનો વહિવટ કરતા હતા. પરંતુ વર્ષો જુના આ બિલ્ડીંગની હાલત હાલ ખરાબ થઇ ગઇ છે. છત સહિતના ભાગ માંથી પોટડા ખરાવ લાગ્યા છે અને સળીયા પણ દેખાઇ રહયા છે. આમ આ બિલ્ડીંગ જોખમી હોવા છતા તેમાં સર્વેયર, યુસીડી, સ્ટોર તથા ચૂંટણી એમ કુલ ચાર શાખાનો સ્ટાફ બેસીને જીવના જોખમે કામ કરી રહયો છે. જેમાં બાજુમાં આવેલા બિલ્ડીંગની હાલત થોડી સારી છે. પરંતુ પ્રવેશતા શરૂ થતા બિલ્ડીંગની હાલત ખંડેર બની ગઇ છે. તેને પાડવા માટેનો ઠરાવ થયો હતો. પરંતુ હજુ સુધી જોખમી બિલ્ડીંગ પાડવામાં આવ્યુ નથી. આ બિલ્ડીંગ પાડવા માટે 2021માં ઠરાવ કરવામાં આવ્યો હતો પાલિકાની બોડીએ આ બિલ્ડીંગને પાડી દેવા માટે 2021માં ઠરાવ કરવામાં આવ્યો હતો. જો નવી સરકારની ગ્રાન્ટ આવે તો આ બિલ્ડીંગ બનાવી શકાય. બાજુમાં નવુ બિલ્ડીંગ બનાવવામાં આવતા જૂના પાલિકાને નવુ બિલ્ડીંગ મળી ગયુ હતુ. પરંતુ જુનુ બિલ્ડીંગ હજુ સુધી પાડવામાં આવ્યુ નથી.
સુરેન્દ્રનગર શહેરમાં મનપાનું ચેકિંગ:ખાણી પીણીના 15 વેપારીઓને ત્યા સેમ્પલ લીધા
સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બન્યા બાદ પહેલીવાર શહેરમાં ખાણીપીથીની દુકાનોમાં આરોગ્ય વિભાગની ટીમે ચેકિંગ કર્યુ હતુ. શહેમાં અનેક જગ્યાએ લોકોને વાસી ખોરાકનું વેચાણ કરવામાં આવતુ હોવાની ફરિયાદને લઇને કરવામાં આવેલા ચેકિંગમાં 15 જગ્યાએથી સેમ્પલ લેવામાં આવ્યા છે. આ અભિયાન દરમિયાન શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવાં આવ્યુ હતુ.જેમા મયંક નાસ્તા હાઉસ, પતરાવાડી, ચામુંડા ભેળ સેન્ટર, કે લાલ દાબેલી એન્ડ ફાસ્ટ ફૂડ, ખોડીયાર છોલે ભટુરે, અન્નપૂર્ણા ભેળ પકોડી અને આસ્તા ફૂડ એન્ડ કોલ્ડ્રીંક્સ સહિતની જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ભજીયા, બેસન, પાણીપુરીનું પાણી, મસાલા સિંગ, સબ્જી, સેવ, ફુદીનાની ગાંઠિયા, ખમણ સહિત વિવિધ ખાદ્ય પદાર્થોના કુલ 15 નમૂના જેટલા ફૂડ સેફ્ટી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.તેનો રીપોર્ટ આવ્યા બાદ નમુના ફેલ થશે તે વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. ફુડ વિભાગને સાથે રાખીને મનપાની ટીમે કાર્યવાહી કરી આરોગ્યની ટીમે કામગીરી કરી સુરેન્દ્રનગર મહાનગર પાલિકા બની ગયાને 9 મહિના જેટલો સમય થઇ ગયો છે. સ્ટાફની ભરતી ઘણા વિભાગો ચાલુ કર્યા છે. જેમાં ફુડ વિભાગ અને તેના મહેકમ માટે ગાધીનગરથી મંજુરી મળી નથી. આથી મનપાની આરોગ્ય વિભાગની ટીમે ફુડ વિભાગને સાથે રાખી દરોડા કર્યા હતા. તેનુ ટેસ્ટીંગ પણ ફુડ વિભાગ કરાવશે.
ભાસ્કર ઈન્સાઈડ:સુરેન્દ્રનગરમાં બેંક ખાતા ભાડે રાખી સાઇબર ફ્રોડના પૈસા નાખવાનો પર્દાફાશ
સુરેન્દ્રનગરમાં સાઇબર ફ્રોડના બે કિસ્સા સામે આવ્યા હતા.જેમાં એક મહિલા અને વઢવાણના યુવાનના ખાતા ભાડે રાખીને મહિલાના ખાતામાં રૂ.4.19 લાખ અને યુવાનના ખાતામાં રૂ.3.94 લાખનું ટ્રાઝેક્શન કરાયું હતું. વઢવાણમાં રહેતા અવન માકડ નામના યુવાનનુ પંજાબ નેશનલ બેંકમાં ખાતુ હતુ.તે ખાતામાં અચાનક મોટી રકમનું ટ્રાન્જેકશન થતા સાઇબર ક્રાઇમની ટીમ સતર્ક બની હતી.અને અવનની પુછપરછ કરતા વઢવાણમાં રહેતો કુલદિપસિંહ અનીરૂધ્ધસિંહ ચાવડા નામનો યુવાન તેના ખાતામાં પૈસા નાખતો હતો. કુલદીપ પોતે જાણતો હતો કે તે જે ખાતામાં પૈસા નાખે છે તે ફ્રોડના પૈસા છે.આમ ભાડે ખાતુ રાખનાર કુલદિપસિહ ચાવડા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ પીએસઆઇ બી.કે.મારૂડા ચલાવી રહયા છે. જયારે સુરેન્દ્રનગર સિટી બીડીવીઝન પોલીસ મથકમાં પણ વધુ એક ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર લક્ષ્મીપરા શેરી નં.5માં રહેતા રોજીના આબીદભાઈ કોડીયા પોતાના આર્થિક લાભ મેળવવા માટે સાયબર ક્રાઇમ ફ્રોડના રૂપિયા હોવાનું જાણવા છતા સુરેન્દ્રનગર મેગામોલ પાસે ઇન્ડીયન ઓર્વસીસ બેંકમાં આવેલા તેમના ખાતાની વિગતો સુરેન્દ્રનગર ફિરદોષ સોસાયટીમાં રહેતા અસ્લમભાઈ મુલ્તાનીને પુરી પાડી હતી. ત્યારબાદ રોજીના કોડીયાના ખાતામાં રૂ. 1-5-2025 રૂ. 4,19,000 જમા થયા હતા. અને પછી આ રકમ ઉપાડી લઇ સાયબર ફ્રોડના રૂપિયા સગેવગે કરવાનુ કૃત્યુ કર્યુ હતુ. જેમાં રોજીના કોડીયાને રૂ.6000 વાપરવા માટે આપ્યા હોવાનું બહાર આવ્યુ હતુ. આ બનાવમાં રોજીના કોડીયા અને અસ્લમભાઈ મુલ્તાની સામે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. રૂ.5 લાખના ટ્રાન્જેકશનમાં રૂ.2500 કમિશન અપાતું હતુંઆરોપી કુલદિપસિંહ ચાવડા અને અવન માકડ વઢવાણમાં જ રહેતા હોય ધોળીપોળ અવાર નવાર મળતા હતા.એક દિવસ અવનને જરૂર હોય કુલદિપ પાસે ઉછીના પૈસા માંગ્યા હતા.તો કુલદિપે અવનને કહયુ હતુ કે તારા ખાતામાં હું પૈસા નાખુ અને તે ઉપાડી તું મને આપશે તો રૂ.5 લાખના બદલામાં રૂ.2500 આપીશ.તેણે 3.94 લાખ ખાતામાં નાખ્યા હતા.જે ઉપાડીને અવને આપી દેતા કુલદિપે તેને રૂ.2000 હજાર આપ્યા હતા.
ગ્રાઉન્ડ રિપોર્ટ:RTOનો U ટર્ન : ચોકના નિશાને ટેસ્ટ, લાયસન્સ માટે 6 માસનું વેઇટિંગ
સેતુગીરી ગોસ્વામીસુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં કાર્યરત RTO કચેરીમાં ભાસ્કરની ટીમ દ્વારા અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કરાયો હતો. જેમાં વાર્ષિક 20 કરોડથી વધુની આવક છતાં અેઆઇ બેઝડ ટ્રેકના બદલે અહીં હાથથી ચુનાના ચક્કરડા દોરીને ટેસ્ટ ડ્રાઇવ કરાવાય છે. તે પણ પતરાના શેડની કામચલાઉ રીતે બનાવવામાં આવ્યો છે. તેમાં પીલર સાવ જર્જરિત હોવાથી અરજદાર ભૂલથી કાર અથડાવે તો નીચે ઉભેલા તમામનો જીવ જોખમમમાં મૂકાઇ શકે છે. નવી કચેરી બનાવવા નાનાં કેરાળા ગામ પાસે દોઢ વર્ષ પહેલા જમીન મંજૂર થઈ છે પણ હજુ એકાદ વર્ષ સુધી નવી કચેરી શરૂ થાય તેવા કોઈ એંધાણ નથી. લર્નિંગ લાઇસન્સ આવ્યા પછી 6 મહિનામાં કાયમી લાયસન્સ મેળવવાનું હોય છે પરંતુ માત્ર 140નો જ સ્લોટ હોવાથી અમૂક ટીનેજરે તો 8 મહિનાથી રાહ જોઇ રહ્યાં છે. આથી ફરી લર્નિંગ રીન્યુ કરવું પડ્યું છે . 100થી વધુ એજન્ટો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થાકચેરીથી 300 મીટરની ત્રિજ્યા બહાર એજન્ટોને બેસવાના નિયમનો અહીં ખુલ્લેઆમ ભંગ થતો હોય તેમ એજન્ટો માટે પતરાના શેડ છે અને 100 મીટરના અંતરે કચેરીના મેદાનમાં જ 100થી વધુ એજન્ટો માટે ટેબલ ખુરશીની વ્યવસ્થા કરાઈ છે. તો કચેરીમાં અરજદારો માટે બેસવાની કોઈ વ્યવસ્થા નથી અને આમ અરજદારો કરતા એજન્ટોને વધુ સગવડ હોય તેવા દ્રશ્ય છે. નાના કેરાળામાં પહેલાં નવો ટ્રેક પછી બિલ્ડિંગ બનશેનાના કેરાળા ગામ પાસે નવી જગ્યા પર કચેરી બનાવવા માટે આર.એન્ડ.બી. માં ફાઈલ છે. ટેન્ડરિંગ પ્રકિયા થાય એટલે તરત આવતા થોડા મહિનામાં નવી જગ્યા પર પહેલા ટ્રેક બનશે પછી બિલ્ડીંગ બનશે. એક દિવસમાં 140 અરજદારો ના સ્લોટ છે ઉપર થી નક્કી થાય છે. સ્લોટ વધે તે માટે અમે પણ પ્રયત્નશીલ છીએ. > એમ.આર પરમાર, આરટીઓ અધિકારી
શૈક્ષણિક સામગ્રીનો અભાવ:નાંદોદના પ્રાંત અધિકારી તથા સ્ટાફે ડૂંડાખાલના 48 બાળકોને મદદ કરી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા આઇએએસ અધિકારી ગરૂડેશ્વર તાલુકાના ડૂંડાખાલ ગામની મુલાકાતે ગયાં હતાં. તેમને જાણવા મળ્યું કે, ગરીબીના કારણે બાળકો પાસે દફતર જ નથી. આ સાંભળી તેમણે પોતાના તથા સ્ટાફના પગારમાંથી દફતર સહિતની શૈક્ષણિક સામગ્રીની ખરીદી કરી શાળાના બાળકોને પૂરી પાડી હતી. શાળાના 48 બાળકોને દફતર સહિતની શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગામમાં માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે એટીવીટીમાંથી તાત્કાલિક અસરથી 20 લાખની ગ્રાંટ મંજૂર કરવામાં આવી છે. રાજપીપળામાં પ્રાંત અધિકારી તરીકે આઇએએસ અધિકારી પ્રસનજીત કૌરની નિયુકતિ કરવામાં આવી છે. તેઓ 16મી ઓકટોબરના રોજ ગરુડેશ્વર તાલુકાના અંતરિયાળ એવા ડૂંડાખાલગામની દફતર તપાસણી માટે ગયા હતા. આ મુલાકાત દરમિયાન શાળાના શિક્ષક તરફથી રજુઆત કરવામાં આવેલ છે કે અમારી શાળામાં આવતાં વિધાર્થીઓ પાસે સ્કુલ યુનિફોર્મ, દફતર તથા અન્ય શિક્ષણને લગત સાધન સામગ્રી ન હોઈ શૈક્ષણિક કાર્ય કરવાની તકલીફ પડે છે. ગ્રામજનોએ પણ લોકો નદીમાંથી પસાર થતાં હોવાથી નાળુ બનાવવાની, સંરક્ષણ દિવાલ અને રસ્તો બનાવવા સહિતની રજૂઆતો કરી હતી. ગામની મુલાકાત બાદ એસડીએમએ રાજપીપળા પ્રાંંત કચેરીના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં ગામના વિકાસ માટે એટીવીટી યોજના અંતર્ગત તાત્કાલિક ગ્રાંન્ટ ફાળવણી કરી કામગીરી શરૂ કરાવી હતી. આ ઉપરાંત પ્રાંત કચેરીના સ્ટાફ અને મદદનીશ કલેકટર તરફથી પગારની રકમ ખર્ચીને બાળકોની માંગણી મુજબ સ્કુલ યુનિફોર્મ, દફતર, ચોપડા સહિતની સામગ્રી આપવામાં આવી હતી. આ ઉપરાંત શાળામાં તિથિ ભોજન પણ રાખવામાં આવ્યું હતું. મહિલા અધિકારીની કામગીરીને ગ્રામજનોએ બિરદાવી હતી. એસડીએમ તથા સ્ટાફે અમુક રકમ એકત્ર કરી 48 જેટલા બાળકોને શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગામમાં વિકાસકામો કરવા માટે એટીવીટીમાંથી રૂા.20 લાખની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી હતી.
આમને-સામને:સાંસદ આક્ષેપો સાબિત નહિ કરે તો માનહાનિનો દાવો કરીશ, હવે ચૂપ નહી બેસુ : દર્શના દેશમુખ
નર્મદા ભાજપમાં એક સાંધે ને તેર તૂટે જેવા ઘાટ હાલ સર્જાઈ રહ્યા છે. એક બે નહીં ત્રણ ચાર ફાંટા પડ્યા હોય એક નનામી પત્રિકા ને લઈને હાલમાં જેલમાં સામસામે આક્ષેપ પ્રતિ આક્ષેપો ચાલી રહ્યા છે. થોડા દિવસો પહેલા ભરૂચના સિનિયર સાંસદ મનસુખ વસાવા દ્વારા ભ્રષ્ટાચાર મામલે કરવામાં આવેલા આક્ષેપો બાદ નાંદોદના ભાજપના જ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આજે મૌન તોડીને સાંસદ સામે ગંભીર પડકાર ફેંક્યો છે. મનસુખ વસાવાએ તાજેતરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં નનામા પત્રના આધારે આડકતરી રીતે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતાં જેના જવાબમાં ડૉ. દર્શના દેશમુખે સાંસદને કાં તો ભ્રષ્ટાચાર સાબિત કરવા અથવા માનહાનિના દાવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. સાંસદે કહયું હતું : ધારાસભ્યની ચૈતર વસાવા સાથે સાંઠગાઠ છે સાંસદ મનસુખ વસાવાએ 7 ડિસેમ્બરના રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં તેમણે નર્મદા જિલ્લાના રાજકીય નેતાઓ અને વહીવટી તંત્રમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. જોકે, તેમણે ભ્રષ્ટાચાર કરનાર કોઈ પણ નેતાનું નામ જાહેર કર્યું ન હતું. પરંતુ દર્શનાબેનનો દાવો છે કે મનસુખ વસાવાએ આડકતરી રીતે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમના એટલે કે ડૉ. દર્શનાબેન દેશમુખની આમ આદમી પાર્ટી (AAP)ના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે. ધારાસભ્યએ કહયું : મૌન તોડયા સિવાય કોઇ રસ્તો ન હતો આમને સામનેનાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખે જણાવ્યું હતું કે, મનસુખ વસાવા કહી રહ્યા છે કે મારી અને ચૈતર વસાવા સાથે સાંઠગાંઠ છે, પણ હું તેમને કહેવા માગું છું કે તેમને તો ચૈતર વસાવા સાથે ઘરના સંબંધ છે, મારે તો નાહવા-નિચોવાને કોઈ સંબંધ નથી.ભ્રષ્ટાચારની વાત છે, તો મનસુખ વસાવા તે સાબિત કરે, નહીં તો હું તેમની સામે માનહાનીનો દાવો કરીશ. કોર્ટમાં જવાનું હશે તો હું ચોક્કસ જઈશ. તેઓ મનસુખ વસાવા સામે ધરણા પર બેસવાના હતા પરંતુ પ્રદેશ ભાજપમાંથી સૂચના મળતા તેમણે આ કાર્યક્રમ રદ કર્યો છે.આ સમગ્ર મામલે પ્રદેશ સ્તરે રજૂઆત કરી છે અને હવે તેઓ મૌન નહીં રહે. કેટલાય સમયથી મૌન હતી, પણ આવા વાણી-વિલાસને કારણે મારે આજે મૌન તોડવું પડ્યું છે.
નારી મેળો:ભરૂચમાં 100 સ્ટોલ સાથે સશકત નારી મેળો યોજાશે
ભરૂચ જિલ્લામાં 19 થી 21 ડિસેમ્બર દરમિયાન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સશક્ત નારી મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાન ને ઉજાગર કરી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનોના માર્કેટ પુરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલી સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે હસ્તકલા, મીલેટ પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના સ્ટોલ સાથે ડેમો અને વેચાણ કરવામાં આવશે. ઉપરાંત સ્કૂલો, કોલેજના વિદ્યાર્થીઓ તેમજ જાહેર જનતા માટે માટે વકતૃત્વ સ્પર્ધા, નારી સશક્તિકરણ, સ્વદેશી અપનાવો અને આત્મનિર્ભર ભારતની થીમ ઉપર આયોજન કરવામાં આવ્યું છે.
મનરેગા યોજનામાં 7.30 કરોડનું કૌભાંડ:હિરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી દેવાયા
આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં 7.30 કરોડના કૌભાંડમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાના શરતી જામીન ભરૂચની કોર્ટે રદ કરી દીધાં છે. પિતા અને પુત્રને અપાયેલા શરતી જામીન સામે સરકારી વકીલે અરજી કરી હતી. જેની સુનાવણી બાદ કોર્ટે શરતી જામીન રદ કરી બંનેને આજે શનિવારે 11 વાગ્યા સુધીમાં હાજર થવા આદેશ કર્યો છે. મનરેગા યોજના હેઠળ મશીનરીથી કામો કરાવી તથા ખોટા કામો બતાવી 7.30 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું હતું. આ પ્રકરણમાં કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેમના દીકરા દિગ્વિજય સહિતના આરોપીઓ સામે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.હિરા જોટવા અને તેના પુત્ર દિગ્વિજયના ગત 24 સપ્ટેમ્બરના રોજ શરતી જામીન મંજૂર થયાં હતાં. ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટે તેમના જામીન અરજી મંજૂર કરી હતી. જેની સામે તપાસ અધિકારીએ કોર્ટમાં જામીન અરજી નામંજૂર કરવા માટે કાર્યવાહી કરી હતી. આ અરજીની સુનાવણી ભરૂચના પાંચમાં એડિશન સેસન્સ જજની કોર્ટમાં ચાલી હતી. જેમાં અદાલતે બન્ને પક્ષની દલીલોને ગ્રાહ્ય રાખી નોંધ્યુ હતું કે, ચીફ જયુડિશીયલ મેજીસ્ટ્રેટ કોર્ટ દ્વારા ગત 24 સપ્ટેમ્બરના રોજ આરોપી હિરા જોટવા અને તેના પુત્રને શરતોને આધિન જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. તે હુકમ ગુનાની ગંભીરતા, પ્રાઈમાફેસી કેસ, આરોપીનું સ્ટેટસ ધ્યાને લઈ સાહેદોને લોભ વાલચ આપી તોડવા ફોડવાની શકયાતા છે. તેમજ મટીરીયલ ફેંકટસ તથા સમાજ પર પડનાર અસરને ધ્યાને લીધાં વીના કરવામાં આવ્યો છે. તેવું પ્રાથમિક દ્રષ્ટીએ સ્પષ્ટ થાય છે. વધુમાં તેમણે ટાંકયું હતું કે, એફઆઈઆરના ગ્રાઉન્ડ પર ચીફ કોર્ટે તેમજ સેસન્સ કોર્ટે આરોપીની જામીન અરજીઓ નામંજુર કરી છે. તેમજ આરોપીઓ હાઈકોર્ટમાંથી પણ જામીન અરજી વિડો કરી છે. એટલે હાઈકોર્ટે પણ આરોપીને જામીન આપ્યા નથી. ત્યારે માત્ર ચાજશીટ રજૂ થયાં બાદ પિતા - પુત્રને જામીન આપતો હુકમ કરવામાં આવ્યો હોઈ બીએનએસએસની કલમ 483 (3) મુજબ તે હુકમ રદ કરાયો છે.
ભાસ્કર ઈનસાઈડ:ભરૂચ અને ત્રાલસામાં ચોરી કરનાર 2 સિકલીગર ઝડપાયા
ભરૂચ એલસીબીની ટીમે ઘરફોડ ચોરી કરતાં બે સિકલીગરને ઝડપી પાડયાં છે. નવેમ્બર ના પ્રથમ અઠવાડિયામાં ત્રાલસા ગામે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ બંધ મકાનનો નકુચો તોડી સોના-ચાંદીના દાગીનાં અને રોકડ મળીને રૂ.1,87,500ની ચોરી કરી હતી. જેની તપાસ દરમિયાન એલસીબીના પીએસઆઇ દિપસિંહ તુવરને આ ચોરીમાં સંડોવાયેલા બે શખ્સ જસબીરસિંહ ટાંક અને તેજીન્દરસિંહ સરદાર ભરૂચથી દહેજ તરફ યુનીકોન બાઇક પર જઈ રહ્યા છે. જેથી ભરૂચ-દહેજ રોડ પર એક્સપ્રેસવે નીચે વોચ ગોઠવતા બાતમીવાળી બાઇક સાથે બંને શખ્સો ઝડપાઈ ગયા હતા. તેમની તપાસ કરતાં ચાંદીનો ઝુડો અને રોકડ મળી આવ્યો હતો. બંનેની સઘન પુછપરછ દરમિયાન બંને શખ્સોએ ત્રાલસા ગામની ચોરી સહિત ઓગસ્ટ 2025માં ભરૂચ શહેરની હિતેષનગર સોસાયટીમાં કરેલી બીજી ઘરફોડ ચોરીની કબૂલાત કરી હતી. બંને આરોપીઓને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન હવાલે કરવામાં આવ્યા છે. બંને આરોપીઓ રાત્રિના સમયે બાઇક લઇને નીકળતાં હતાં અને બંધ મકાન દેખાય તો તેનું તાળુ ડીસમીસથી તોડી નાખતા હતાં. ઘરમાંથી ચોરી કરી મુદ્દામાલ સરખા ભાગે વહેંચી લેતાં હતાં. ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ તરફથી અવાર નવાર ચોરી સહિતના ગુના શોધવાની કામગીરી કરી રહી છે. બંને ઇસમો અગાઉ સગાંઓ સાથે રહી ચોરી કરતા હતા બંને ઇસમો માસીયાઈ ભાઈઓ છે અને અગાઉ સગાંઓ સાથે રહી ચોરી કરતા હતા. જસબીરસિંહ ટાંક હૈદરાબાદ રાજ્યના કામારેડી જિલ્લાના બે પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2024ની ત્રણ ઘરફોડ ચોરીમાં વોન્ટેડ છે. ભરૂચ વિસ્તારની જાણકારી હોવાને કારણે અહીં ચોરીને ટાર્ગેટ કરતા હોવાનું જણાવ્યું હતું જાણવા મળ્યું છે.
માર માર્યો:રાજુપુરામાં ખાણ ખનિજ વિભાગે સીઝ કરેલા વાહનો જોવા જતા માર માર્યો
આણંદ પાસેના વાસદ ગામ સ્થિત ડાકોર રોડ ઉપર ઉદય ટ્રેડર્સ પાસે ખાણખનીજ વિભાગની ટીમ દ્વારા સીઝ કરીને મૂકવામાં આવેલા વાહનો જોવા ગયેલા યુવકને ચાર શખસોએ માર મારતા સમગ્ર મામલો વાસદ પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વાસદ ડાકોર રોડ ઉપર આવેલ ઉદય ટ્રેડર્સ પાસે ખાણ ખનીજ વિભાગની ટીમે મીઠાભાઈ ભરવાડના ડમ્પર અને હીટાચી મશીન જપ્ત કરીને મુક્યા હતા. ગુરુવારે રાત્રે મીઠાભાઈના મિત્ર દીપભાઈ પ્રફુલભાઈ પટેલ જપ્ત કરેલા વાહનોમાંથી ડીઝલ અને બેટરી ચોરી થયાની શંકા જતા જોવા માટે ગયા હતા. આ વખતે સ્થળ પર હાજર રાજુ સુરેશ પરમારે ગમે તેમ અપશબ્દ બોલી અમારી જગ્યામાં કેમ આવ્યા તેમ કહી લાફા મારી દીધા હતા. અને રાજુભાઈનું ઉપરાણું લઈને પવન પરમાર, પૃથ્વીરાજ અને પ્રયાગરાજ આવી ગયા હતા અને તેને માર માર્યો હતો. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. આ મામલે વાસદ પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
હાઈવે ઓથોરીટીને ફરિયાદ કરાઈ:હાઈવે પર ગાયોનો ત્રાસ દૂર કરવા રામનગર પંચાયતની હાઈવે ઓથોરીટીને ફરિયાદ
અમદાવાદ- વડોદરા નેશનલ હાઇવે રોડ પર રખડતી ગાયોનો ત્રાસ વધી ગયો છે. ત્યારે રખડતાં પશુઓને પગલે અકસ્માતના બનાવો વધી ગયા હોવાથી રામનગર ગ્રામ પંચાયતે હાઇવે ઓથોરીટીને ગાયો ભેંસો દૂર કરવા ફરિયાદ કરવામાં આવી હતી. જો કે પશુપાલકો રખડતી ગાયો દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે તો રકઝકના બનાવો પણ થતાં હોવાથી વાહનચાલકોને સાચવીને અવરજવર કરવી પડતી હોવાથી હાઇવે ઓથોરેટી તંત્ર સામે આક્રોશ વ્યકત કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર એકસપ્રેસ વે પર આવેલા રામનગર મોગર વાસદ ,અડાસ સહિતના અન્ય ગામડાઓ નજીક રખડતાં પશુઓનો આતંક વધી ગયો છે. ત્યારે રામનગર પ્રવેશદ્વાર પાસે રખડતી ગાયો અડીંગો જમાવી દેતી હોવાથી વાહનચાલકોને દેખાઇ નહીં દેતા અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. જેના પગલે હાઈવે ઉપર પર અવરજવર કરતા હજારો વાહન ચાલકો હાલાકીઓનો ભોગ પણ બની રહ્યા હોવાનું જણાવ્યું હતું. આ અંગે રામનગર ગ્રામ પંચાયતના સરપંચ અલ્પેશ પરમારે જણાવેલ કે હાઇવે પર અકસ્માત થતાં વાહનચાલકોને જીવ ગુમાવી દે છે. હાઇવે પેટ્રોલીંગ દરમિયાન રખડતા પશુઓ દૂર કરવા માટે રજૂઆત પણ કરવામાં આવી છે. જો કે હાઇકોર્ટના નિદર્શન મુજબ હાઇવે માર્ગ પર રખડતાં પશુઓનો નિયતંત્ર લાવવામાં આવે તો અકસ્માતના બનાવો અટકાવી શકાય તેમ છે. જેના ભાગરૂપે રામનગર ગ્રામ પંચાયતે નેશનલ હાઇવે ઓથોરેટીને ફરિયાદ કરીને રખડતાં પશુઓને હટાવીને કાયમી ધોરણે સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ ઉચ્ચારી છે.
દારૂનો મોટો જથ્થો પકડાયો:સામરખા પાસેથી 50.91 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઈવર-ક્લીનર ઝડપાયા
આણંદ પાસેના સામરખા પાસેથી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને 50.91 લાખના વિદેશી દારૂ સાથે ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને ઝડપી પાડ્યા હતા. પ્લાયવુડની સીટ અને પ્લાસ્ટીકની કોથળીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા. પોલીસે આ અંગે રૂા. 79.89 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ભાલેજથી સામરખા તરફ જતા સામરખા ગામની એપેક્ષ હોટલની સામે એક ટ્રકમાં વિદેશી દારૂ ભર્યો હોવાની ચોક્કસ બાતમી ગાંધીનગર સ્થિત એસએમસીની ટીમને મળી હતી. જેને પગલે પોલીસની એક ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રકની તપાસ કરી હતી. ત્યાં હાજર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને તેમના નામ-ઠામની પૂછપરછ કરતા ડ્રાઈવર ઝીનકાન ઉર્ફે અમિતકુમાર વર્મા અને તે દિલ્હીનો રહેવાસી હોવાનું જ્યારે ક્લીનર ખીયારામ મંગારામ જાટ અને તે રાજસ્થાનનો હોવાનું ખૂલ્યું હતું. પોલીસની પૂછપરછમાં ટ્રકમાં પ્લાયવુડની સીટ ભરેલી હોવાનું જણાવ્યું હતું. તેઓએ બિલ્ટી પણ રજૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે ટ્રકની પાછળની સાઈડે તપાસ કરતા પ્લાયવુડની સીટ અને સફેદ પ્લાસ્ટીકની કોથળીઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જે અંગે પૂછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પોલીસે તેની ગણતરી કરતા કુલ 50.91 લાખની મતાનો 1044 નંગ વિદેશી દારૂ હતો. પોલીસે રોકડા, ટ્રક અને દારૂ મળી કુલ રૂપિયા 79.89 લાખનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ કરતા પ્લાયવુડની સીટ જયપુરના કાલાડેરા ખાતેથી ભરી હતી અને ત્યાં દિપુ નામના શખસે ગાડીમાં વિદેશી દારૂ ભરી આપ્યો હતો. વડોદરા ખાતે દારૂ ડિલીવર કરવાનું જણાવ્યું હતું. જેમાં તેણે તે શખસનો નંબર આપ્યો હતો. પોલીસે આ મામલે બંનેની ધરપકડ કરી ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી અન્ય બે વોન્ટેડને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
પાણી માટે રઝળપાટ:કરમસદ બે પાણીની ટાંકીનું સાથે સમારકામ શરૂ કરાતાં ત્રણ દિવસથી પાણીનો કકળાટ
કરસમદ આણંદ મનપા દ્વારા કરમસદ ગામમાં વર્ષોજૂની બે પીવાના પાણી ટાંકીની કંટાઇ ગયેલી લોખંડની પાઇપ લાઇનો બદલાની કામગીરી છેલ્લા ત્રણ દિવસથી હાથ ધરવામાં આવી હતી. જેના કારણે શહેરની 30 હજારથી વસ્તીને ધીમા ફોર્સથી પાણી મળતું હોવાથી ગૃહિણીઓને ભારે હાલાકીઓનો સામનો કરવો પડયો હતો. જેથી જે સોસાયટીઓમાં બોરની વ્યવસ્થા હતી. ત્યાંથી પાણી ભરી લાવવા માટે દોડધામ કરવી પડતી હોવાથી ભારે રોષ જોવા મળી રહ્યો છે. મનપાએ એક પછી એક પાણીની ટાંકીનું સમારકામ કર્યું હોત તો આ સમસ્યા ઉભી ન થતાં તેમ નગરજનોએ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર કરમસદ પાલિકા શાસન વખતે 3 દાયકા અગાઉ પીવાના પાણી ટાંકી સોજિત્રા રોડને અડીને આવેલા પ્લોટમાં બનાવવામાં આવી હતી.જે વાતને વર્ષો થઇ જતાં પીવાના પાણી ટાંકી સાથે જોડાણ આપેલી લોખંડી પાઇપ લાઇન કંટાઇ ગઇ હતી. જેથી ટાંકી ભરવા માટે ઘણો સમય જતો હતો. જેના કારણે વીજળીનો વેડફાટ થતો હતો. તેમજ પાઇપ લાઇનો લીકેજ હોઈ કેટલાંક વિસ્તારમાં પુરતા ફોર્સથી પાણી મળતું ન હતું તેને ધ્યાને લઇને મનપાએ તાત્કાલિક બંને ટાંકીની પાઇપ લાઇન બદલવા માટે કામ ત્રણ દિવસ અગાઉ હાથ ધર્યું હતું. જેના કારણે નગરજનોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. ત્રણ દિવસથી પાણી ધીમુ આવતાં બેડા લઇને રખડવાનો વખતકરમસદ શહેરના સંદેશર રોડ સહિત છેવાડા વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ધીમું આવતું હતું. જેથી ફલેટોમાં પાણી ચઢતાં ન હતા. તેમજ સોસાયટીઓમાં ધીમા ફોર્સથી પાણી આવતું હતું. જેના કારણે ટાંકીઓ ભરાતી ન હતી. તેમજ પીવાનું પાણી મેળવવા માટે બોર ધરાવતી સોસાયટીઓમાં જઇને પાણી ભરી લાવવું પડતું હતું. જેને લઇને ગૃહિણીઓને બેડા લઇને રઝપાટ કરવાનો વખત આવ્યો હતો.> મીના સોલંકી, સ્થાનિક કરમસદ વાસીઓને આજથી પૂરતા ફોર્સમાં પાણી મળશે કરમસદ આણંદ મનપા ડેપ્યુટી કમિશ્નર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે, હાલમાં બે ટાંકીનું કામ ચાલુ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. તેથી ત્રણ દિવસ પાણી સીધુ આપવામાં આવતું હતું પણ હવે પાઇપ લાઇનનું કામ પૂર્ણ થઇ ગયું છે. જેથી શનિવાર સવારથી પુરતા ફોર્સથી પાણી આપવામાં આવશે. કરમસદમાં ત્રીજી ટાંકી વિદ્યાનગર રોડ પર બનાવવી જરૂરી કરમસદ નગરપાલિકા મનપા ફેરવાતા કેટલાંક વિસ્તારો કરમસદ વોર્ડમાં સમાવેશ કરાયો છે. જેથી વસ્તી વધી ગઇ છે. તેમ નવી સોસાયટીઓનું નિર્માણ કાર્ય ચાલી રહે છે. હાલમાં મનપા સંચાલિત માત્ર બે વોટર વર્કસ આવેલા તેની સમતા માત્ર 30 હજાર લોકોને પાણી પુરૂ પાડવાની છે. ત્યારે વ્યાપ અને વસ્તી વધતાં વિદ્યાનગર રોડ પર ત્રીજુ વોટર વર્કસ બનાવીને નવા વિસ્તારમાં પાણી પુરૂ પાડવામાં આવે તો નગરજનોને પુરતા ફોર્સથી પાણી મળી રહે તેમ છે.
સોજિત્રાના પીપળાવ ખાતે આવેલા આણંદના સુપ્રસિદ્ધ આશાપુરી પ્રવાસધામ ખાતે તાજેતરમાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરે મંદિરમાં અને આસપાસના વિસ્તારમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. શ્રદ્ધાળુઓ તેમજ પ્રવાસીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે મંદિરના મેનેજર, સરપંચ તથા ગામના આગેવાનો તેમજ અધિક નિવાસી કલેકટર, પ્રાંત અધિકારી, મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી સહિતની હાજરીમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને વાહનો માટે યોગ્ય અને સુવ્યવસ્થિત પાર્કિંગ વ્યવસ્થા, પ્રવાસીઓ માટે શુદ્ધ અને પૂરતા પીવાના પાણીની સુવિધાઓ, શૌચાલય, બેઠક વ્યવસ્થા અને અન્ય જરૂરી સુવિધાઓમાં વધારો કરવા વિશેષ ભાર મુકાયો હતો આ ઉપરાંત પ્લાસ્ટિક મુક્ત પરિસર બનાવી સ્વચ્છતાનું સ્તર જાળવી રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો વિસ્તૃત ચર્ચા કરી હતી. કલેક્ટરે પ્રવાસધામના વિકાસ માટે નિયમિતપણે મોનિટરિંગ કરવા અને જરૂરી સરકારી સહાય પૂરી પાડવાની ખાતરી પણ આપી હતી. તાલુકા વહીવટી ટીમે પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની બેગ વાપરવા અંગેની ડ્રાઈવ યોજી હતી.
અકસ્માત:સામલી પાસે મોપેડ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બે યુવાનોના મોત
ગોધરાના છકડીયા ચોકડીથી સામલી જવાના રોડ પર મોપેટ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બંને વાહનના ચાલકોના ઘટનાસ્થળે મોત નિપજયા હતા. જયારે મોપેટ અને બાઇક પાછળ બેસેલા 3ને ગંભીર ઇજાઓ થતા વડોદરા રીફર કર્યા હતા. ગોધરા તાલુકાના વેલવડ ગામે આવેલા કૂવાવાળા ફળિયામાં રહેતા 34 વર્ષિય નિતેશભાઇ નટવરસિંહ મકવાણા પોતાની બાઇક પર પોતાના બે સંતાન સંધ્યા ઉ.વ 4 અને પિયુષ ઉ.વ 5ને બેસાડીને વણાંકપુર ખાતે પોતાની સાસરીમાં જતો હતો.તે દરમ્યાન છકડીયાથી સામલી જવાના રસ્તા પર ફોરેસ્ટ નાકા પાસે બર્ગમેન મોપેટનો ચાલક પુરપાટ હકારીને પોતાના કબજાની મોપેટ નિતેશભાઇની બાઇક સાથે જોરદાર અથડાવી દેતા બાઇક ચાલક નિતેશભાઇ ઉછળીને રોડ પર પટકાતા તેને ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત નિપજયું હતું. જયારે બાઇક પર બેસેલા સંધ્યા અને પિયુષને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે બર્ગમેન મોપેટનો ચાલક નિલેશકુમાર રમણલાલ પણદાનું પણ ગંભીર ઇજાઓ થતા ઘટનાસ્થળે મોત થયું હતું. મોપેડ પાછળ બેઠેલા જૈમિન સેલોતને ગંભીર ઇજાઓ થઇ હતી.અકસ્માતમાં બે યુવકોના ધટના સ્થળે મોત થયા હતા. જયારે 3 ઇજાગ્રસ્તોને 108 મારફતે ગોધરા સિવિલમાં સારવાર અર્થે ખસેડયા હતા.ગંભીર ઇજાઓને લઇને 3 ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં રીફર કર્યા હતા. અકસ્માતની ગોધરા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.
આણંદ શહેરના રેલ્વે સ્ટેશનનો એ ગ્રેડમાં સમાવેશ થતો હતો છતાં સુવિધાના નામે મીડું હતું. જેને લઇને છેલ્લા 20 વર્ષથી સતત રજૂઆત કરવામાં આવતી હતી. અગાઉ 2 વખત બ્યુટિફિકેશન કરવાની જાહેરાત કરઇા હતી. પરંતુ કામગીરી થઇ ન હતી. હવે ત્રીજી વાર આણંદ રેલ્વે સ્ટેશનની મુલાકાતે આવેલા વેસ્ટર્ન ઝોન રેલવે વિભાગના જનરલ મેનેજર વિજય ગુપ્તાએ ખુદ 100 કરોડના ખર્ચે આણંદ રેલ્વે સ્ટેશનનું બ્યુટિફિકેશન કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે.જેમાં એક જ ફૂટ ઓરબ્રિજથી 6 પ્લેટફોર્મ પર જવાય તેવી સુવિધા ઉભી કરાશે. આણંદ રેલ્વે સ્ટેશને બપોરે 4 વાગ્યા બાદ વેસ્ટર્ન ઝોન રેલવે વિભાગના જનરલ મેનેજર નડિયાદથી સીધા આણંદ આવી પહોંચ્યા હતા. તેઓ શહેરના આગેવાનો સાથે ચર્ચા કરીને કેટલાંક પ્રશ્નો હલ કરવાની ખાતરી આપી હતી. સાથે સાથે આણંદ રેલ્વે સ્ટેશનનું 100 કરોડ ઉપરાંતના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું. જુના સ્ટેશનનો હેરીટેજ લુક જાળવી રખાશેઆણંદ રેલ્વે સ્ટેશન પર દૈનિક 80 વધુ ટ્રેનો પસાર થાય છે. જેમાં લાંબા રૂટની ટ્રેનોને સ્ટોપેજ આપ્યાં છે. ત્યારે જુના સ્ટેશનનો હેરીટેજ લુક જાળવી રાખી બ્યુટીફિકેશન કરાશે, જેમાં મુસાફરો માટે આધુનિક વેઇટિંગ એરિયા બનાવાશે. આણંદ રેલ્વે સ્ટેશન હાલમાં 6 પ્લેટફોર્મ આવેલા છે. ત્યારે મુસાફરો સરળતા એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ જઇ શકે તે માટે આધુનિક ટેકનોલોજીથી સજજ ફૂટ ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથધરવામાં આવશે જેથી કનેક્ટિવિટી જળવાતા મુસાફરોને અવરજવરમાં સરળતા રહેશે,દરેક ઋતુમાં મુસાફરો કોઇ અવગવળના પડે તે માટે પ્લેટફોર્મ નવા બનાવવામાં આવશે. વરસાદી પાણી સંચય સિસ્ટમ ઉભી કરાશે, મુસાફરો માટે લિફ્ટ, એસ્કેલેટર, આધુનિક ફાયર ડિટેકશન સિસ્ટમ, સીસીટીવી, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, એક્સેસ કન્ટ્રોલ, વાઇફાઇ સુવિધાથી મુસાફરોને કનેક્ટિવિટીનો સમન્વય મળશે.તેમજ સ્ટેશનની બહાર 500થી વધુ વાહનો પાર્ક થઇ શકે તે માટે પાર્કિંગ સ્ટેન્ડ ઉભુ કરવામાં આવશે.
કુપોષણ અને યોજનાકીય કામગીરીમાં નબળુ સુપરવિઝન:16 આંગણવાડીમાં નબળી કામગીરી બદલ સુપરવાઇઝની આંતરિક બદલી
આણંદ કલેક્ટરે આંગણવાડી કેન્દ્રોની આકસ્મિક મુલાકાત લીધી હતી.ત્યારે મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રમાં કુપોષણ અને યોજનાકીય કામગીરીના નબળા સુપરવિઝન હોવાનું તપાસમાં ખુલવા પામતા 16 સુપરવાઇઝરની બદલીઓના આદેશ કર્યો છે. જેના પગલે ફરજ દરમિયાન ગુલ્લી મારતાં કર્મીઓમાં ચર્ચાનો વિષય બની ગયો છે. રાજ્ય સરકારના આદેશના પગલે તાજેતરમાં આણંદ જિલ્લા કલેકટરે સામરખા સહિત આંગણવાડીઓમાં મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ત્યારે વર્ષોબાદ આણંદ જિલ્લાની આંગણવાડી કેન્દ્રમાં ફરજ બજાવતા 16 જેટલા સુપર વાઇઝરની બદલીનો આદેશ કર્યો છે. જે મુજબ સામરખામાં તનવીર સોમારની બદલી બોરસદ, વડોદાના ભાવનાબેન પટેલની બદલી ચાંગા, બાકરોલના મધુબેન મકવાણાની બદલી અલારસા, આણંદ અર્બનના હેમલતાબેનની બદલી શીલી ,કુંજરાવના ઇન્દુબેન પટેલની બદલી થામણા, ઓડના રમીલાબેને ગોહેલની દાવોલ, દાવોલના સફાનાઝ શેખની બદલી ખંભાત બોરીઆવીના ધારા દવેની બદલી વહેરાખાડી, નાપા નયનાબેન બારોટની અજરપુરા સહિત 16 જેટલી મુખ્ય સેવિકાઓનો વર્ષો બાદ બદલીઓ કરવામાં આવી હોવાથી પંથકમાં ચર્ચાનો વિષય પણ બની ગયો છે.
શિબિરનું આયોજન:પંચ.ની શિબિરમાં 92 દાવેદારોએ પુરાવા રજૂ કરતા 1.53 કરોડની રકમના દાવા મંજૂર કર્યા
પંચમહાલ જિલ્લામાં વિવિધ 18 બેંકોમાં 2.04 લાખ બેંક ખાતાઓમાં 49 કરોડ જેટલી રકમનો કોઇએ દાવો ના કરતા બિનવારસી હાલતમાં પડી રહી છે. નાણાકીય સંસ્થાઓ દ્વારા દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા તમારી મૂડી, તમારો અધિકાર ટેગલાઇન સાથે દાવો ન કરાયેલ થાપણો પરત મેળવવા માટેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે આ ઝુંબેશને જિલ્લા કક્ષાએ આગળ ધપાવવા પંચમહાલ ખાતે બેંક ઓફ બરોડા, અગ્રણી જિલ્લા બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું.અગ્રણી જિલ્લા બેંક દ્વારા જિલ્લાની વિવિધ બેંકોના માધ્યમથી દાવો ન કરાયેલ થાપણો, વીમાની આવક, ડિવિડન્ડ, મ્યુચ્યુઅલ ફંડ બેલેન્સ અને પેન્શનની રકમ પાછી મેળવવા માટે ગોધરાના ફેડરેશન સભાખંડ ખાતે શુક્રવારના રોજ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. વિત્તીય વિભાગના પ્રતિનિધિઓ અને તમામ બેંકોના અધિકારીઓ, ગ્રાહક, લાભાર્થી ઉપસ્થિત રહ્યા હતા. અતિથિઓએ આ પહેલની સરાહના કરતા જણાવ્યું કે આવી શિબિરો નાગરિકોને તેમના નાણાકીય અધિકારો પ્રત્યે જાગૃત કરવા અને નાણાકીય સમાવેશન ને સશક્ત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.આ શિબિર દરમ્યાનમહાનુભાવો દ્વારા 92 દાવેદારોને દાવાઓના સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા તથા વિવિધ નાણાકીય સંસ્થાઓના કુલ 1.53 કરોડના દાવાઓ મંજૂર કરવામાં આવ્યા આ મહામેળાવડામાં અંદાજે 236 જેટલા લોકો હાજર રહ્યા હતા. આ શિબિર દરમ્યાન વિવિધ નાણાકીય સંસ્થાઓ દ્રારા 7 સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. જે સ્ટોલ પર લોકોને પોતાના જૂના ખાતાઓની યોગ્ય જાણકારી, મૃત વ્યક્તિના વારસદારો ને દાવો કરવાની પ્રક્રિયાની જાણકારી આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજર (LDM) પંચમહાલ સત્યેન્દ્ર રાવએ તમામ અતિથિઓ, બેંક અધિકારીઓ, મીડિયા પ્રતિનિધિઓ તથા નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
આંખ આડા કાન:ખેડામાં માર્ગો પરથી દબાણ દૂર પણ મંજૂરી વિનાના બિલ્ડીંગ સામે કોઇ કાર્યવાહી નહીં
ખેડા તંત્ર દ્વારા 10 દિવસમાં 100 જેટલા ગેરકાયદેસર દબાણ દૂર કર્યા છે.પરંતુ સિવિલ હોસ્પિટલની સામે પાલિકાની કોઈપણ જાતની મંજૂરી વગર 3 વર્ષમાં પાલિકાની નાક નીચે બિલ્ડરે 4 માળનું ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભું કરી દીધુ છે.તો તેની સામે વહીવટી તંત્ર કે પાલિકા આંખ આડા કાન કેમ કરે છે. તેનો અર્થ એ સમજવો કે સમરથ કો નાહી દોષ ગુંસાઈ ખેડામાં સિવિલ હોસ્પિટલની સામે સર્વે નંબર 75 2+3 વાળી જગ્યામાં અગાઉના નગરપાલિકા વહીવટદાર અને ચીફ ઓફિસરના શાસનમાં બિલ્ડરે નગરપાલિકાની કોઈપણ જાતની બાંધકામની મંજૂરી લીધા વગર છેલ્લા ત્રણ વર્ષમાં ગેરકાયદેસર બિલ્ડીંગ ખેડા શહેરમાં ખડકી દેવામાં આવ્યું છે 2023 માં બિલ્ડીંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આજે 2025 માં ચાર માળની બિલ્ડિગનું કામ પૂર્ણ થવાના આરે છે ખેડા પાલિકાના ચીફ ઓફિસરે માર્ચ મહિનામાં બિલ્ડરને પાલિકાની પરવાનગી સિવાય બાંધકામ કરવા કરવામાં આવેલ છે જે બાંધકામ બંધ કરી દેવા માટે નોટીસ ફટકારી હતી તેમ છતાં બિલ્ડર પાલિકાની નોટીસ ને ધોળીને પી ગયો અને આજદિન સુધી કામ ચાલુ રાખીને આજે સંપૂર્ણ બાંધકામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આ ચાર માળની બિલ્ડીંગ સામે મે મહિનામાં 15 જેટલા અરજદારોએ નગરપાલિકામાં લેખિતમાં વાંધાઓ રજૂ કર્યા હતા આજે 6 મહિના થવા છતાં પાલિકા દ્વારા હજુ સુધી વાંધા આપનાર અરજદારને સાંભળવામા આવ્યા નથી કે તેનો લેખિત માં જવાબ આપવામાં આવ્યો નથી. પાલિકામાંથી મળતી માહિતી મુજબ હજુ પણ નગરપાલિકા દ્વારા બિલ્ડરે આ ચાર માળની બિલ્ડીંગના બાંધકામની કોઈપણ જાતની મંજૂરી આપવામાં આવેલ નથી તો પછી નગરપાલિકા અને સરકારી વહીવટી તંત્ર આ બાંધકામ ઉપર નું દબાણ ક્યારે દૂર કરશે તે સવાલ લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.
પંચમહાલ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ન્યુનતમ તાપમાન 15 ડિગ્રીને મહત્તમ 30 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે બપોરે આકરો તાપ પડી રહ્યો છે. બેવડી ઋતુના પગલે લોકોના આરોગ્ય પર પણ માઠી અસર થતા શરદી, ખાંસી અને તાવના 7 દિવસમાં 7157 કેસ નોંધાયા છે. પંચમહાલમાં શિયાળાની ઋતુ દરવાજે દસ્તક દઇ રહી છે. પરંતુ હજુ આકરી ઠંડીની શરુઆત થઇ નથી. વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સુર્યનારાયણ ઉગતાની સાથે વાતાવરણ હુંફાળુ બની જાય છે અને બપોર થતા સુધીમા ગરમી પડી રહી છે. શહેરનું મહતમ તાપમાન 30 ડિગ્રી રહ્યું હતું. જ્યારે વહેલી સવારે ન્યુનતમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું. આમ દિવસ અને રાતના તાપમાનમાં 15 ડીગ્રીનો તફાવત રહેતા જિલ્લાવાસીઓ બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. નાના બાળકો, વયસ્કો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર વધુ અસર જોવા મળી રહી છે. જેથી લોકો શરદી, ખાંસી અને તાવના રોગમાં સપડાયા છે. જિલ્લામાં હજુ સુધી શિયાળાએ દસ્તક કરી પણ હવામાન વિભાગ અનુસાર ગરમી અને ઠંડી જેવી બેવડી ઋતુનું વાતાવરણ રહેશે. સૌથી વધુ ગોધરામાં 1922 કેસ નોંધાયા પંચમહાલમાં છેલ્લા 7 દિવસમાં શરદી, ખાંસી અને તાવના કેસોમાં મોરવા(હ) તાલુકા 768, શહેરા તાલુકા 1231, ગોધરા તાલુકા 1922, ઘોઘંબા તાલુકા 1038, કાલોલ તાલુકા 802 , હાલોલ તાલુકા 1193 તથા જાંબુઘોડા તાલુકામાં 203 કેસ મળીને જિલ્લામાં એક અઠવાડીયામાં 7157 કેસ નોધાયા છે. જે ગત વર્ષના ડિસેમ્બર માસના એક અઠવાડીયાના 6289 કેસ કરતા 868 કેસ વધુ નોંધાયા છે. દાહોદમાં તાપમાન 4 ડિગ્રી ગગડ્યુ : સાંજે પારો 18 ડિગ્રીએદાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ઉત્તરેથી આવતા ઠંડા પવનથી શિયાળાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. મોસમ વિભાગ પ્રમાણે શહેરમાં ભેજનું પ્રમાણ 63 ટકા છે, જ્યારે 5 કિમી પ્રતિ કલાકની ઝડપે ઠંડા પવન ફૂંકાતા તાપમાન પાછલા દિવસોની સરખામણીએ 3 થી 4 ડિગ્રી સુધી ઘટી ગયું છે. ખાસ કરીને સવારે ધુમ્મસ જેવી પરિસ્થિતિ સર્જાતા વાહનચાલકોને દૃશ્યતા ઓછી થતાં મુશ્કેલી પડી રહી છે. બાળકો અને વૃદ્ધોમાં ઠંડીનો પ્રભાવ વધુ દેખાઈ રહ્યો છે. ડૉક્ટરો લોકો ગરમ પાણી પીવાની, ગરમ પદાર્થો અપનાવવાની તથા બહાર નીકળતી વખતે પૂરતા ઉષ્ણ કપડાં પહેરવાની સલાહ આપી રહ્યા છે. શાળાઓમાં વહેલી સવારે પહોંચતા વિદ્યાર્થીઓ પર ઠંડીનો અસરકારક પ્રભાવ અનુભવાઈ રહ્યો છે. સાંજે સાડા સાત વાગ્યે પારો 18 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જ્યારે મોસમ વિભાગે રાત્રે તાપમાન હજી નીચે 10 થી 12 ડીગ્રી જવાની શક્યતા વ્યક્ત કરી છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ યથાવત રહેવાની સંભાવના છે. 7 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશેજિલ્લામાં હાલ લધુત્તમ તાપમાન 15 ડીગ્રી અને મહત્તમ 30 ડીગ્રી નોધાયું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય છે. આવી ઋતુ ચાર પાંચ દીવસ સુધી રહેશે. જેથી લોકોએ કાળજી રાખવી જરૂરી છે. આવનાર 7 દિવસ બાદ ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ પહોચતા લોકોને શિયાળાની ઠંડીનો ચમકારો લાગશે. સુનિલ યાદવ, કૃષિ વિશેષજ્ઞ
કાર્યવાહી:મહી.માં 15.26 લાખનું ફ્રોડ કરનાર 3 આરોપી અમદાવાદથી પકડાયા
મહીસાગરમાં 15.26 લાખનુ ફ્રોડ થતા મહીસાગર સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવામાં આવી હતી. જેની કાર્યવાહી શરૂ કરવામાં આવતા ફ્રોડ કરનાર 3 આરોપીઓ અમદાવાદથી ઝડપાઇ ગયા હતા. તેમની વધુ તપાસમાં ચાઈનીઝ સાયબર ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ ગેંગ સાથેના સંબંધો ખુલ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મહીસાગર સાયબર ક્રાઈમના ગુના મુજબ એક વ્યક્તિને ટેલિગ્રામ મારફતે ગોદરેજ કંપનીમાં ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી અલગ-અલગ ટાસ્ક દ્વારા કુલ રૂા.15,26,873 નું ફ્રોડ કરવામાં આવ્યું હતું. જેની તપાસ મહીસાગર સાયબર ક્રાઈમના પીઆઇ ડી.પી. ચુડાસમા દ્વારા અલગ-અલગ ટીમો બનાવી શરૂ કરવામાં આવી હતી. દરમિયાન ટેકનિકલ એનાલિસિસમાં જાણવા મળ્યું કે, આરોપીઓ અલગ- અલગ બેંક એકાઉન્ટ્સમાં પૈસા જમા કરાવી, અલગ-અલગ એટીએમ દ્વારા ઉપાડી લેતા હતા. આ નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને ચીન-હોંગકોંગ મોકલી આપતા હતા. આરોપીઓ અમદાવાદ ખાતે હોવાની ચોક્કસ માહિતીના આધારે સાયબર પોલીસ સ્ટેશનની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મોહમદ ઉર્ફે મોનુ પરવેઝ ઐયુબભાઈ નુર મોહમદ શેખ રહે.બાપુનગર, અમદાવાદ, શાહનવાજ હુસેન અબ્દુલ કાદર સૌયદ રહે. દરિયાપુર, અમદાવાદ અને તોકીર અનીશ અહેમદ અબ્દુલ રહેમાન શેખ રહે. ગોમતીપુર, અમદાવાદ ને ઝડપી પાડયા હતા. આરોપીઓની વધુ તપાસમાં ચાઈનીઝ સાયબર ટેલીગ્રામ ટાસ્ક ફ્રોડ ગેંગ સાથેના સંબંધો ખુલ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. અલગ અલગ ATMથી નાણા ઉપાડતા હતાઝડપાયેલા ચારે આરોપીઓ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતા હતાં.તેઓ અલગ અલગ બેંકના ખાતામાં નાણા જમા કરાવતા હતાં. બાદમાં અલગ અલગ એટીએમમાં જઇને નાણા ઉપડાી લેતા હતાં. અને આ નાણાંને ક્રિપ્ટોકરન્સીમાં રૂપાંતરિત કરીને ચીન-હોંગકોંગ મોકલી આપવામાં આવતા હતા.
તારાપુર તાલુકાના આદરૂજ ગામના અને હાલમાં આણંદના મોગરી ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજરાન ચલાવતા 33 વર્ષીય યુવકને અમદાવાદ જિલ્લાના ધોળકાના મોતીપુરા (આનંદપુરા) ખાતે રહેતા તેના મિત્ર અને તેના ભાઈ અને કાકાએ કસ્ટમમાં આવતું સોનું સસ્તામાં આપવાનું જણાવી ઠગ્યા હતા. આ પીડિત યુવક સહિત 5 લોકો સાથે રૂપિયા 2.92 કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હતી. હાલમાં આ અંગેની ફરિયાદ તારાપુર પોલીસ સ્ટેશને નોંધાતા જ આ ત્રણેય શખસ ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. આ અંગેની પોલીસસુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તારાપુર તાલુકાના આદરૂજ ગામે ભરવાડની જોગ વિસ્તારના મૂળ વતની ભરતભાઈ ભનાભાઈ ભરવાડ હાલમાં આણંદના મોગરી ગામે રહે છે. તેઓ તારાપુર રહેતા હતા ત્યારે ક્રિકેટ ટુર્નામેન્ટ રમતી વેળાએ તેમનો પરિચય ધોળકાના મોતીપુરા (આનંદપુરા) ખાતે રહેતા વિપુલ ઉર્ફે મુખી લક્ષ્મણ ભરવાડ સાથે થયો હતો. પરિચય મિત્રતામાં પરિણમ્યો હતો. દરમિયાન વર્ષ 2024માં જાન્યુઆરીમાં તારાપુર સ્થિત હોટલ ખાતે વિપુલ ભરવાડ ભરતભાઈને મળવા આવ્યો હતો. જ્યાં તેણે તેના દાદાનો છોકરો મુંબઈ કસ્ટમમાં છે અને મુંબઈમાં મારે લાઈન છે જેમાં સસ્તુ સોનું આવે છે, જો જોઈતું હોય તો કહેજો તેમ કહી લલચાવ્યા હતા. એ સમયે સોનાનો ભાવ 10 ગ્રામ પર 63થી 65 હજારની આસપાસ ચાલતો હતો. તેણે લલચાવવા માટે થઈને તેમને 55થી 60 હજાર કહ્યા હતા. જોકે, ભરતભાઈએ તે સમયે તેને તેની પાસે આવે ત્યારે કહેજે, ચેક કરીને લઈશું તેમ કહેતા અઠવાડિયા પછી તે લઈને આવ્યો હતો. જેે અસલ હોય ભરતભાઈએ તેના રૂપિયા 5.50 લાખ આપ્યા હતા. એ પછી થોડા સમય બાદ પુન: બીજું સોનું લાવ્યો હતો જે અસલ નીકળતા તેના તેમણે પૈસા ચૂકવ્યા હતા. થોડા સમય બાદ શખસે 500 ગ્રામ વસ્તુ આવશે તેમ કહી રૂપિયા 27 લાખ એડવાન્સમાં લઈ લીધા હતા. આમ, વિશ્વાસમાં આવી ગયેલા ભરતભાઈએ આ બાબતે બીજા 4 લોકોને પણ વાતચીત કરીને પૈસા મેળવ્યા હતા. જોકે, શખસ ઉપરાંત તેના ભાઈ મેહુલ લક્ષ્મણ ભરવાડ અને કાકા વિક્રમ ગોરા ભરવાડે બધાને ઓરિજનલ વસ્તુ થોડા સમયમાં મળશે તેમ કહીને બાંહેધરી આપી હતી. વધુમાં પૈસા થોડા ઓછા પડે છે તેમ કહીને ત્રણેય જણાંએ સમાજના જ કેટલાંક લોકોને ભેગા કરીને 2.92 લાખ પડાવી લીધા હતા. લોકોએ અવાર- નવાર પૈસા કાં તો સોનાની માંગણી કરતા આખરે ત્રણેય ગઠિયાઓએ 100-100 ગ્રામ વજનના 10 ખોટા સોનાના બિસ્કીટ સાચા હોવાનું કહી પકડાવી દીધા હતા. જેની ભરતભાઈએ ખાતરી કરાવતા સોનાના બિસ્કીટ બનાવટી નીકળ્યા હતા. આખરે, ભરતભાઈએ તારાપુર પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તારાપુર પોલીસ સ્ટેશનમાં 20 દિવસ પહેલાં અરજી આપી હતી. જેની જાણ થતાં જ ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ફરિયાદી વિરૂદ્ધ 91 લાખનું લખાણ આપતા 138 હેઠળ ફરિયાદ નોંધાઈ ફરિયાદી ભરતભાઈએ તેના પપ્પાના મિત્ર પાસેથી આ કામ પેટે 91 લાખ લીધા હતા. જોકે, શખસે જે પ્રમાણે કહ્યું હતું તે પ્રમાણે ન તો સોનું મળ્યું, ન તો પૈસા પરત આવતા અને આ વાતને ચાર પાંચ મહિના થતાં તેમણે પૈસા આપ્યાનું લખાણ અને ચેક લઈ લીધા હતા. ત્રણેય શખસો પણ 15 દિવસ, મહિનાઓનો વાયદો કર્યા કરતા હતા. આખરે, એ વાતને ચાર મહિના થઈ જતાં 91 લાખ આપનારા ભાઈએ યુવક વિરૂદ્ધ ચેક રિટર્નનો કેસ કર્યો હતો. સૂત્રધારની પત્ની જ કહેતી ટેન્શન ન લેશો, તમામને બધા પૈસા અને સોનુ મળી જશેલોકોને વિશ્વાસ આવે એ માટે તેઓ ક્યારેક લોકોને ઘરે જ પેમેન્ટ લઈને સોનું લેવા માટે બોલાવતા હતા. શખસોએ ઘરની બહાર કેમેરા મુકેલા હતા. પરંતુ જેઓ સમગ્ર મામલો બહાર આવ્યો એ પછી તેઓ ઘરે ફરક્યા જ નહોતા. તેની માતાએ કહ્યું હતું કે, તેના બંને પુત્ર 20 દિવસથી ઘરે જ નથી આવ્યા. તેની પત્ની પણ લોકોને મારી આંખ સામે જ વસ્તુ હતી. ટેન્શન ન લેશો. બધું પતી જશે તેમ કહી ભરોસો આપતા હતા. વધુમાં મારી પાસેથી સોનું લઈ જજો, તમારૂં પેમેન્ટ કંઈ નહીં જાય તેમ કહીને લોકોને વિશ્વાસ અપાવતી હતી. ઘણા લોકો આખો દિવસ તેમને ઘરે બેસી રહેતા હતા. આજ નહીં કાલે આવશે તેમ કહીને દિવસો કાઢી નાંખતા હતા. દિવસો પસાર કરીને શુક્રવાર આવી જાય એટલે શનિવાર-રવિવારની રજા એટલે સોમવારનો વાયદો કરતા હતા. આમ, ગોળ-ગોળ ફેરવીને દસ મહિના કાઢી નાંખ્યા હતા. સુત્રધાર વિપુલ ઉર્ફે મુખી ડાયરામાં પૈસા અને સોનુંબેફામ ઉડાવી લોકોને આંજી નાંખતો હતોસમગ્ર કાવતરાંનો મુખ્ય સુત્રધાર વિપુલ ઉર્ફે મુખી ભરવાડ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહેતો હતો. તેના 71 હજારથી વધુ સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ છે. તમામને આંજી નાંખવા માટે અને ગ્રામજનોમાં પોતાની ધાક બેસાડવા માટે તે અવનવા વિડિયો મુકતો હતો. તેના બેથી ત્રણ વિડિયો એવા છે કે જેમાં તે ડાયરામાં નોટો અને સોનું ઉડાડી રહ્યો છે. તેણે ત્રણેક માસ પહેલાં જ ફોર્ચ્યુનર કાર લીધી હતી. તેની પાસે આ સિવાય થાર કાર પણ છે. તે જ્યારે પણ પૈસા લેવા જતો ત્યારે કાર લઈને જતો હતો. સોશિયલ મીડિયા પર પૈસા-સોનુ ઉડાવતા વિડિયો, કાર સાથેના ફોટો બતાવી સમાજમાં લોકોને આંજી નાંખતો હતો. હાલમાં શખસોએ 40 થી 50 કરોડની ઠગાઈ આચરી હોવાની ચર્ચા છે. જોકે, જે પણ લોકો તેના વિરૂદ્ધ ફરિયાદ કરતા ત્યારે તેઓને તમે પણ ખોટું કર્યું છે અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ડરાવતા હતા.
ઈરફાન મલેકકેન્દ્ર સરકારની મહત્ત્વાકાંક્ષી ભારતમાલા પરિયોજના હેઠળનો નવનિર્મિત દિલ્હી-મુંબઈ કોરિડોર ગુજરાતમાં દારૂબંધીને પડકારતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે અચાનક ''નોન-સ્ટોપ હાઇવે'' બની ગયો છે. હાઇવેના અધૂરા કામનો ગેરલાભ લઈને બૂટલેગરો ગુજરાત સરહદ સુધી પહોંચવા માટે આ કોરિડોરનો ગોલ્ડન રૂટ તરીકે બેફામ ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં આ કોરિડોરના બે મહત્ત્વપૂર્ણ પટ્ટાઓમધ્ય પ્રદેશના થાંદલાથી રાજસ્થાનના ચેચટ 243 કિમી અને સવાઈ માધોપુરના જેસપુરાથી દિલ્હી સુધી 246 કિમી—નોન-સ્ટોપ ચાલુ કરી દેવાયા છે. જોકે, અન્ય વિસ્તારોમાં બાકી કામગીરીને કારણે કોરિડોર સંપૂર્ણ રીતે કાર્યરત નથી. જેથી દિલ્હીથી માંડીને મધ્ય પ્રદેશના થાંદલા સુધીના લાંબા પટ્ટામાં પોલીસનું કોઈ નિયમિત ચેકિંગ હોતું નથી. જેથી પંજાબ અને હરિયાણાથી ટ્રકબંધ દારૂ ભરીને કોઈ પણ રોકટોક વિના થાંદલા સુધી સરળતાથી પહોંચી જાય છે. ત્યાંથી કોરીડોરબંધ હોઇ ગુજરાતમાં પ્રવેશવા માટે તેમને ફરજિયાતપણે પરંપરાગત રસ્તાઓનો ઉપયોગ કરવો પડે છે. રેન્જ આઈ.જી. આર.વી અસારીના માર્ગદર્શનમાં એસ.પી. રવીરાજસિંહ જાડેજાએ એક્શન પ્લાન તૈયાર કર્યો હતો. જેના પરિણામ સ્વરૂપ છેલ્લા માત્ર ત્રણ માસમાં દાહોદ જિલ્લામાં ₹ 10.04 કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો જંગી જથ્થો પકડાયો છે. આ પકડાયેલા જથ્થામાં મહત્તમ દારૂ પંજાબ અને હરિયાણાનો હોવાનું સામે આવ્યું છે. સ્પષ્ટ છે કે નવનિર્મિત હાઇવેના માળખાકીય લાભો સામે કાયદા અમલીકરણની નવીન પડકારો ઊભા થયા છે. જેનો સામનો કરવા માટે દાહોદ પોલીસ તંત્ર મક્કમ બન્યું છે. બૂટલેગરો દ્વારા કઇ-કઇ મોડ્સ ઓપરેન્ડી વાપરવામાં આવીદારૂના મોટા જથ્થાની હેરાફેરી કરવા માટે બૂટલેગરોએ વિવિધ પ્રકારની મોડ્સઓપરેન્ડી વાપરી હતી. જેમાં લુઝ સિમેન્ટનું પરિવહન કરતી ટ્રકનું નિર્માણ કરીને તેમાં દારૂ ભરી દેવાયો હતો. ટ્રકોની નીચે ખાના બનાવી દેવાયા હતાં. આ તમામ દારૂનો જથ્થો વિવિધ પ્રકારના સામાનની બિલ્ટી ઉપર હેરાફેરી કરાતો હતો. જોવાની વાત એ હતી કે,પંજાબ અને હરિયાણાથી આવતા આ દારૂનો જથ્થો રાજ્યના મોટા શહેરમાં જઇ રહ્યો હતો. 5.96 કરોડના વાહનો જપ્તદાહોદ જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં પોલીસેવિદેશી દારૂના પાંચ હજાર કેસ કર્યા હતાં.તેમાં 10.04 કરોડનો દારૂનો જથ્થો પકડાયોહતો. આ દારૂના પરિવહનમાં ઉપયોગમાંલેવાતા 5.96 કરોડના વાહનો પકડાયા હતાં.આ વાહનોમાં ટ્રકો અને ટ્રેલર હોવાને લીધેવાહનની કિંમતનો આંકડો મોટો જોવા મળીરહ્યો છે. દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા 5098લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતાં.જેમાંથી 78 લિસ્ટેડ બૂટલેગરો હોવાનું સામેઆવ્યુ હતું.

32 C