SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

સુરતમાં ટ્વિન્સને જન્મ આપ્યા બાદ માતાના મોતથી રોષ:ડોક્ટરની બેદરકારીથી મોતના આક્ષેપ સાથે ન્યાય અપાવવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા SIT કમિટિ બનાવવા માંગ, CM ને પત્ર લખ્યો

સુરતના પુણા વિસ્તારમાં આવેલી સદવિચાર હોસ્પિટલ માં બે જોડીયા બાળકોને જન્મ આપ્યા બાદ માતાનું મોત નીપજ્યું હતું. 30 વર્ષીય મહિલા નિકિતા ગોસ્વામીનું ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેના પગલે સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી સહિતના ને પત્ર લખીને ન્યાય અપાવવા અને દોશીઓ સામે કડક કાર્યવાહી કરવા એસઆઈટીની કમિટી બનાવવા માંગ કરવામાં આવી છે. દશનામ ગોસ્વામી સમાજ પત્રમાં લખ્યું છે કે, સુરત પુણાગામ, સદવિચાર હોસ્પીટલ ખાતે નિકીતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝરીયન ડિલવરી સમયે 2 બાળકોને જન્મ આપ્યા બાદ પરિજનોના આક્ષેપ મુજબ ડોક્ટર ની બેદરકારી ના કારણે માતા (નિકીતા ગોસ્વામી) નું મૃત્યુ થયું છે. સાધુ સમાજ ની દિકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે, જે યોગ્ય ન્યાયીક અને પુરતી તપાસ માટે SIT કમિટિનુ ગઠન કરવા રજૂઆત છે. હિતેશગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પુણા ગામ, સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતા અને આઠમા મહિને ડિલિવરી સમયે બે બાળકોને, ટ્વીન્સ બાળકોને જન્મ આપ્યો હતો. પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરોની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું. ખરેખર પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે. વધુમાં જણાવ્યું હતું કે, સાધુ સમાજની આ દીકરી તો જતી રહી છે પણ અન્ય સમાજની કોઈપણ દીકરી સાથે આવી ઘટના ન ઘટે એના માટે કડક પગલા લેવા માટે અને આવેદન આપવા માટે કલેક્ટર સુરતને આવતીકાલે એટલે કે 5/12/2025 ને શુક્રવાર બપોરે 12:00 કલાકે કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સાધુ સમાજ કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવાનો છે. સમાજે કરેલી અલગ અલગ માંગણીઓ એનેસ્થેટિક ડોક્ટર કોણ હતા, ઓપરેશન પહેલા ક્યારે આવ્યા, ક્યારે ગયા તે સીસીટીવી રેકર્ડ મુજબ તપાસવુ. એનેસ્થેટિક ડોક્ટરે સારવાર પેપરમાં મારેલી નોંધ તેજ ડોક્ટરના અક્ષરો છે તેનો એફએસએલ રિપોર્ટ કરવુ. પેશન્ટને ક્યા પ્રકારનું અનેસ્થેસિયા આપવામાં આવેલ હતુ અને શું કામ ? આઈસીયુ સરકારની ગાઈડલાઈન મુજબ નિયમોને આધિન છે કે કેમ ? (ડબલ ડોર અને પાંચ બેડ નથી) આઈસીયુ માં ક્યા પ્રકારની સારવાર આપેલ અને હાજર તમામ સ્ટાફની ડિગ્રી તપાસવી આઈસીયુમાં બિનજરૂરી લોકોની અવરજવર મનાઈ હોય છે તો સીસીટીવી મુજબ તપાસ કરવી ટ્વિન્સ બાળકો હતા માટે ઓપરેશન સમયે બાળકોના ડોક્ટર હાજર હતા કે કેમ તેની તપાસ કરવી જો ડોક્ટરને ખ્યાલ હતો કે પેશન્ટ હાઈ-રીસ્ક છે, તો ઈન્ટેન્સિવિસ્ટ તરીકે કોણ હાજર હતુ ? જો કેસ ઈમરજન્સી હતો તો ફિઝિશિયન ફિટનેસ રીપોર્ટ છે કે કેમ, કયા કારણોસર ઈમરજન્સી નક્કી કર્યું? હોસ્પીટલમાં પીએમજે યોજના કાર્યરત હતી તો ડિલવરી પીએમ જે યોજના માં કેમ કરવામાં ન આવી. હોસ્પીટલ ચલાવવા માટે જરૂરી BUC, BMW, GPCB, ફાયર, ક્લિનિકલ એસ્ટૈબ્લિશમેંટ, વગેરે ચેક કરવું. ડૉ. વિણા કંડેલ અને ડૉ. વાળા દ્વારા અગાઉ થયેલ ઓપરેશનોમાં થયેલ બેદરકારીની અરજીઓ અને એફઆઈઆરની તપાસ કરવી

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:54 pm

બોટાદમાં 10194 ખેડૂતોને 34.05 કરોડ ચૂકવાયા:પાક નુકસાની સહાયની પ્રક્રિયા ગતિમાં; બોટાદ જિલ્લામાં કુલ 70,134 અરજી પ્રાપ્ત થઈ

બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાય અંતર્ગત 10,194 ખેડૂતોને રૂ. 34.05 કરોડની સીધી ચુકવણી કરવામાં આવી છે. બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની પ્રક્રિયા હાલ ગતિમાં છે. ઓક્ટોબર 2025ના અંતમાં પડેલા વરસાદને કારણે થયેલી પાક નુકસાનીના પગલે સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ હેઠળ બોટાદ જિલ્લામાં કુલ 70,134 અરજી પ્રાપ્ત થઈ છે. બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા આ માહિતી આપવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે મળેલ ગ્રાન્ટમાંથી બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કાર્યવાહી ઝડપથી ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:49 pm

કમળાના કેસ વધતાં કાર્યવાહી:નગરપાલિકા અને ફૂડ વિભાગે ખાણીપીણીની લારીઓ પર દરોડા પાડ્યા

છોટાઉદેપુર નગરમાં કમળાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે, સાથે જ અન્ય રોગો પણ માથું ઊંચકી રહ્યા છે. આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર સક્રિય બન્યું છે. જેના ભાગરૂપે, નગરપાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમો દ્વારા નગરપાલિકા વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા નગરપાલિકાને કમળાના વધતા કેસો અંગે જાણ કરવામાં આવી હતી. આ સૂચનાના આધારે, નગરપાલિકાએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગનો સંપર્ક કર્યો અને નગરમાં ખાણીપીણીની ગુણવત્તા ચકાસવા માટે સંયુક્ત કાર્યવાહી શરૂ કરી. આ તપાસ અભિયાન છેલ્લા બે દિવસથી ચાલી રહ્યું છે, જેમાં કુલ 10 જેટલી જગ્યાઓ પર ચેકિંગ કરવામાં આવ્યું છે. નગરમાં ચોપાટી પર ઊભેલી પાણીપુરીની લારીઓ, ફાસ્ટ ફૂડ, ચાઈનીઝ અને નાસ્તા હાઉસ જેવા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન, પાણીપુરીની લારીઓ પરથી તમામ બાફેલા બટાકા બગડેલી હાલતમાં મળી આવ્યા હતા. આ ઉપરાંત, અન્ય ફાસ્ટ ફૂડ અને ચાઈનીઝની લારીઓ પર પણ સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સંબંધિત ગેરરીતિઓ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:45 pm

મહિયારીમાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ઝડપાયું:5 કિલો લીલા ગાંજા સાથે એક શખ્સની ધરપકડ

પોરબંદર જિલ્લાના મહિયારી ગામમાં પોલીસે ગેરકાયદેસર ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. જીન પ્લોટ વિસ્તારમાં કરાયેલી રેઇડ દરમિયાન, મહિયારીના રામ સુકાભાઈ પરમારને પાંચ કિલો લીલા ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીના મકાનના ફળિયામાં તપાસ કરવામાં આવી હતી. આ મકાન તળાવની પાળ પાસે આવેલું છે. ત્યાંથી ૮ ફૂટ ૫ ઇંચ ઊંચાઈનો એક લીલો ગાંજાનો છોડ મળી આવ્યો હતો, જેનું વજન પાંચ કિલો નોંધાયું હતું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે રૂ. 2,50,000/- અંદાજવામાં આવી છે. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી આરોપી રામ સુકાભાઈ પરમારની તાત્કાલિક ધરપકડ કરી હતી. આ મામલે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહિયારી ગામમાં લાંબા સમયથી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાની શંકાને પગલે પોલીસે વિસ્તારમાં સઘન ચેકિંગ અને દેખરેખ વધારવાની કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:42 pm

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરીને જજો!:દિલ્હી-હૈદરાબાદથી આવતી 3 ફ્લાઈટ કેન્સલ, દુબઈ-મુંબઈ સહિતની 12 ડીલે; કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈન

અમદાવાદના SVP એરપોર્ટ પર ઈન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ સંપૂર્ણ રદ, 12 ફ્લાઇટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે અને હવે તેમની ફ્લાઇટ ક્યારે આવશે અને ક્યારે મળશે તેની પણ કોઈ ખાતરી નથી. હાલ ફ્લાઈટ ફ્લાઈટ મોડી આવવા અને મોડી ઉપડવાના કારણે પેસેન્જર રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર પર ઇન્કવાયરી કરી રહ્યા છે. 10 વાગ્યાથી એરપોર્ટ પર ફ્લાઈટની રાહ જોતા હવે આવતીકાલની ટિકિટ મળીઅમદાવાદ એરપોર્ટ પર 60 વર્ષીય પેસેન્જર શેખર ચૌહાણે પોતાની વ્યથા જણાવતા કહ્યું કે, મારી ફ્લાઈટ આજરોજ સવારે 10 વાગ્યાની હતી પણ સવારથી અત્યાર સુધીમાં ત્રણ વખત મારી ફ્લાઈટ ડીલે થઈ. 10 વાગ્યાથી હું એરપોર્ટ પર બેસીને મારી ફ્લાઈટની રાહ જોઈ રહ્યો છું પણ હજુ આવી નથી પછી જ્યારે કંટાળીને હું કાઉન્ટર પર વાત કરવા માટે પહોંચ્યો ત્યારે તે લોકોએ મને આવતીકાલ સવારની ટિકિટ આપી છે. હવે આજે હું ક્યા રહીશ? શું ખાઈશ તેનું કંઈ જ ઠેકાણું નથી. મારી પાસે એટલા પૈસા પણ નથી કે આજનો દિવસ હું અહીં રહી શકુ, ખબર નહીં હવે કાલ સવાર સુધીનો સમય હું કેમ કાઢીશ? જમ્મુ કાશ્મીર લગ્નમાં જવા સવારથી પરિવાર સાથે ફ્લાઈટની રાહે બેઠા છેઅન્ય એક પેસેન્જર પ્રવીણભાઈ પટેલ તેમના પરિવાર સાથે જમ્મુ કાશ્મીર ખાતે લગ્ન પ્રસંગમાં આજે સવારે 8 વાગ્યાની ફ્લાઈટમાં જવાના હતા પરંતુ, તે ફ્લાઈટ મોડી પડી છે. સવારથી તે અમદાવાદ એરપોર્ટ પર પરિવાર સાથે આવી ગયા હતા. અહીં પહોંચ્યા બાદ તેમની ફ્લાઈટ મોડી પડી હોવાની જાણ કરવામાં આવી હતી. રિઝર્વેશન કાઉન્ટર પર તેઓએ પૂછપરછ કરી તો તેમને તેમની ફ્લાઈટ સાંજે 7:00 વાગ્યાની કરી આપવામાં આવ્યો હોવાનું કહ્યું હતું અને હજી પણ તે ફ્લાઇટ આવશે અને ઊડશે જ તે પણ નક્કી નથી. આજે તેમને લગ્નમાં પહોંચવાનું હતું પરંતુ, ફ્લાઈટ ડીલેની સમસ્યાના કારણે તે પ્રસંગમાં ઉપસ્થિત રહી શકશે નહીં. નવી ફ્લાઈટની જેને ટિકિટ આપવામાં આવી તે પણ ડીલે થઈ દેશભરમાં ઇન્ડિગો ફ્લાઇટ્સને અસર થઈ છે જેના કારણે થઈને અમદાવાદ એરપોર્ટ પર અમદાવાદથી અલગ-અલગ શહેરો અને રાજ્યોમાં જનારા મુસાફરોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગઈકાલથી લઈ આજે બપોર સુધીની અનેક ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે. જેમની ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે તે તમામ લોકોને બીજા દિવસની અથવા જે સમયની ફ્લાઈટ હોય તે ફ્લાઈટ આપવામાં આવી રહી છે. જે લોકોને નવી ફ્લાઈટની ટિકિટ આપવામાં આવી રહી છે, તેમાં પણ અમુક ફ્લાઈટ મોડી પડી રહી છે, જેના કારણે થઈને પણ મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજે બપોર સુધી દેશભરમાં 300થી વધુ ફ્લાઇટ્સ કેન્સલગઈકાલથી લઈને આજે બપોર સુધી દેશભરમાં 300થી વધુ ફ્લાઇટ્સ રદ્દ થતાં અમદાવાદથી મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ગોવા, જમ્મુ સહિતના અનેક રૂટ પરની ફ્લાઇટ્સ કેન્સલ અથવા મોડી પડી છે. લગ્ન-પ્રસંગોમાં જતા પરિવારોથી લઈને બિઝનેસ ટ્રીપના મુસાફરો સુધી હજારો લોકો એરપોર્ટ પર જ ફસાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:39 pm

ભારત-પાક ભાગલા સમયે રાજકોટ આવેલા 267 પરિવારો પરેશાન:રેફ્યુજી કોલોનીમાં ધારાસભ્યના ઈશારે દસ્તાવેજ બંધ કરાયાનો આક્ષેપ, ડો. દર્શિતા શાહે આક્ષેપો નકાર્યા

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આવેલા લોકો વસવાટ કરી શકે તે માટે રાજકોટમાં રેફ્યુજી કોલોની બનાવવામાં આવી હતી. 70 વર્ષ પહેલા સૌ પ્રથમ આ કોલોનીમાં 99 વર્ષના ભાડા પટ્ટે જમીન આપવામાં આવી હતી. જોકે, જંકશન પ્લોટમાં રેફ્યુજી કોલોની તરીકે ઓળખાતા 267 મકાનના દસ્તાવેજ વહીવટી તંત્રએ છેલ્લા દોઢ વર્ષથી બંધ કરી નાખ્યા છે. આઝાદી બાદ પ્રથમ વખત રેફ્યુજી કોલોનીના દસ્તાવેજ બંધ કરવામાં આવતા સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે. કેમ કે, દસ્તાવેજ બંધ થવાથી લોકોના સામાજિક અને વ્યવહારિક કામો ઉપરાંત આર્થિક વ્યવહારો અટકી પડ્યા છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, ધારાસભ્ય દર્શિતા શાહના ઇશારે દસ્તાવેજ પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય ડૉ. શાહે જણાવ્યું કે, તે લોકોની ખોટી રજૂઆત છે. આ કોલોનીના સ્થાનિકો તેમજ કોર્પોરેટરોની જ રજૂઆત હતી કે, અહીં કલેક્ટરની મંજૂરી વિના દસ્તાવેજો થઈ રહ્યા છે, જેથી સરકારના પરિપત્ર મૂજબ કલેક્ટરની મંજૂરી સાથેના દસ્તાવેજો થાય તેમજ ત્યાં નવો અશાંતધારો લાગૂ કરાવવાની માંગણી હતી. દસ્તાવેજો બંધ કરવાની મારી કોઈ રજૂઆત જ નહોંતી. દોઢ-બે વર્ષથી ડૉ. દર્શિતાબેનની ભલામણથી દસ્તાવેજ બંધ કરી દેવાયાઃ દિલીપ આસવાણી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર દિલીપ આસવાણીએ જણાવ્યું હતું કે, હું પોતે રેફ્યુજી કોલોનીમાં રહું છું. 1947માં અમારા વડવાઓએ સરકાર દ્વારા આ મકાન મળેલા છે અને તેની ઇમ્પેક્ટ ડ્યુટી ભરેલી છે અને ભૂતકાળમાં દસ્તાવેજ પણ બનેલા છે. જોકે, ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે અશાંતધારાની ફરિયાદ કરી દીધી અને તેથી કલેક્ટર દ્વારા દસ્તાવેજ રોકી દેવામાં આવ્યા છે. જોકે, દસ્તાવેજ બંધ કરી દેવામાં આવતા મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સરકારને વિનંતી છે કે, નિરાશ્રિત લોકોના દસ્તાવેજ તાત્કાલિક બનાવો નહિતર આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. સરકારે 70 વર્ષ સુધી દસ્તાવેજ કર્યા, 267 પરિવારો મુશ્કેલીમાંઃ નરેન્દ્ર કેશવાણીજ્યારે નરેન્દ્ર કેશવાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 40 વર્ષથી રેફ્યુજી કોલોનીમાં રહીએ છીએ. જે તે વખતે વેચાણ દસ્તાવેજ કરીને મકાન લીધું હતું. દસ્તાવેજ એકાએક બંધ કરી દીધા, જેથી તમામ 267 જેટલા પરિવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેથી મારે કલેક્ટર સાહેબને કહેવું છે કે કોના કહેવાથી તમે દસ્તાવેજ બંધ કર્યા, જે તમે જાહેર જનતાને જાણ કરો. મેં નવો અશાંત ધારો લાગુ કરવા રજૂઆત કરી હતીઃ દર્શિતા શાહ, MLAજ્યારે આ બાબતે ધારાસભ્ય દર્શિતાબેન શાહનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યુ હતુ કે, રેફ્યુજિક કોલોનીના જે સ્થાનિકો દ્વારા મારી સામે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે ખોટા છે. રેફ્યુજી કોલોનીના સ્થાનિકો અને ત્યાંના કોર્પોરેટરોની રજૂઆત હતી કે, અહીં 267 ક્વાટર આવેલા છે, તેમાં કલેક્ટરની મંજૂરી વિના દસ્તાવેજ થઈ રહ્યા છે જેથી સરકારના પરિપત્ર મુજબ કલેક્ટરની મંજૂરી સાથે દસ્તાવેજ કરવામાં આવે તે જરૂરી છે. તે લોકોને પ્રશ્ન હોય તો કલેક્ટર સમક્ષ રજૂઆત કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:38 pm

TRP ગેમઝોન અગ્નિકાંડમાં મનુષ્ય વધની કલમ હટાવવા સુપ્રીમનો ઇનકાર:રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ફાયર ઓફિસર રોહિત વિગોરાએ કરેલી અરજી ફગાવી દેવામાં આવી

TRP ગેમઝોન અગ્નિકાંડમાં મનુષ્યવધની કલમ હટાવવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરી દીધો છે. રાજકોટ મનપાના સસ્પેન્ડેડ ફાયર ઓફીસર રોહીગ વિગોરાએ મનુષ્યવધની કલમો હટાવવા માટે કરેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સરકાર તરફે નિયુક્ત વકીલ તુષાર ગોકાણીએ આપેલ ડ્રાફટ ચાર્જ સુપ્રીમ કોર્ટે માન્ય રાખ્યો હતો. આમ હવે આરોપીઓ સામે હાલમાં રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામા મુજબ મનુષ્યવધનો કેસ ચાલશે. TRP ગેમઝોન અગ્નિકાંડમાં 27 લોકો ભડથું થયા હતા રાજકોટના કાલાવડ રોડ નજીકના નાનામવા વિસ્તારમાં આવેલા ટી.આર.પી. ગેમઝોનમાં ગત તા.25/05/2024 ના રોજ આગ ફાટી નિકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહીતના 27 લોકોના મૃત્યુ થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એન.ઓ.સી. લેવામાં આવ્યુ ન હોવા છતા તંત્ર દ્વારા ગેમઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીઓની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ઘટના બની હોવાનું બહાર આવ્યું હતુ. જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ટી.આર.પી. ગેમઝોનના ભાગીદારો, સંચાલકો તેમજ મહાનગર પાલીકાના જવાબદાર અધિકારીઓ સહિત કુલ 15 આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી જેલ હવાલે કરવામાં આવ્યા હતા અને આ કેસમાં ચાર્જશીટ થયા બાદ અદાલતમાં ટી.પી.ઓ. મનસુખ સાગઠીયા, એ.ટી.પી.ઓ. રાજેશ મકવાણા, જયદિપ ચૌધરી, ગૌતમ જોષી, ડે.ચીફ ઓફીસર ભીખા ઠેબા, ધવલ ઠકકર અને નિતીન જૈન દ્વારા કેસમાં ચાર્જફ્રેમ થયા પહેલા કેસમાંથી બિનતહોમત છોડી મુકવા (ડિસ્ચાર્જ) અરજી કરવામાં આવી હતી. રાજકોટ સેશન્સ અદાલમાં આ અરજી ચાલતા સરકાર તરફે સ્પેશિયલ પીપી તુષાર ગોકાણીએ દલીલો કરી હતી કે, ડીસ્ચાર્જ અરજી નિર્ણીત કરતા સમયે અદાલત માત્ર મર્યાદિત રીતે પુરાવાનું મુલ્યાંકન કરી શકે, હાલના તબકકે મનુષ્યવધનો ગુન્હો બને છે. આરોપીઓ તરફે સાહેદોની ઉલટ તપાસ કર્યા વિના કે સાહેદ જણાવે તેના વિરૂધ્ધની હકીકત પ્રસ્થાપિત ન થાય ત્યાં સુધી આરોપીઓ તરફે માત્ર દલીલમાં જ જણાવવાથી પ્રોસીકયુશનની પુરાવાની વિશ્વાસનીયતા પડકારી શકાય નહી. ડીસ્ચાર્જ અરજીનો નિર્ણય કરતા સમયે અથવા ચાર્જફ્રેમ કરતા સમયે પ્રોસીકયુશન તરફે રજુ કરવામાં આવેલ પુરાવાઓ જેમાં સાહેદોના નિવેદનો તેમજ દસ્તાવેજો વિગેરે ધ્યાને લેતા મનુષ્યવધ સહિતની કલમોનો ચાર્જફ્રેમ કરવા માટે મજબૂત પુરાવો તપાસનીસ અમલદાર દ્વારા એકઠો કરી અદાલત સમક્ષ મુકવામાં આવેલ છે. આરોપીઓ તરફે કોઈપણ જાતનો પુરાવો રજૂ કર્યા વિના હાલના તબકકે મૌખિક રીતે પુરાવાનું માત્ર પોતાની સગવડ અને સમજણ મુજબ અર્થઘટન કરી તેનું વિશ્ર્લેષણ કરવા માટે મિની ટ્રાયલનો કાયદો સમર્થન આપતો નથી. પ્રોસીકયુશન દ્વારા દરેક આરોપી વિરૂધ્ધ દરેક કલમો હેઠળ ચાર્જફ્રેમ કરવો જોઈએ તેવી માંગણી કરેલ નથી. આરોપી સામે ચાર્જફ્રેમ થતા હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમમાં અરજી કરી હતીપરંતુ જે આરોપીનું ગુન્હામાં જે રીતનો સહભાગી છે તે મુજબ જ તેવી કલમો હેઠળ તેમની વિરૂધ્ધ ચાર્જકેમ કરવાની રજૂઆત કરવામાં આવેલ છે જે પ્રોસીકયુશનની તટસ્થાનો પુરાવો છે. ગોકાણીની દલીલો તેમજ રજૂ કરવામાં આવેલ વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ અદાલત દ્વારા પ્રોસીકયુશન તરફે દરેક આરોપીઓના ગુન્હાહિત કૃત્યના સંદર્ભે તેમની સામે રજૂ થયેલ પુરાવા મુજબ મનુષ્યવધ સહિતની વિવિધ કલમો હેઠળ પ્રથમ દર્શનીય રીતે પુરાવો હોવાનું માની આરોપીઓ વિરૂધ્ધ ચાર્જકેમ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં આરોપીઓએ અરજી કરેલ હતી જે અરજીઓ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરતા આરોપીઓ પૈકી ફાયર ઓફીસર રોહિત વિગોરા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. જે દરમ્યાન સેશન્સ અદાલતમાં આરોપીઓ વિરૂધ્ધ તહોમતનામું (ચાર્જફ્રેમ) ફરમાવી દેવામાં આવતા આરોપીએ તહોમતનામાની વિગતો પણ પડકારી હતી. જે અરજી સર્વોચ્ચ અદાલત દ્વારા સેશન્સ અદાલત દ્વારા ફરમાવવામાં આવેલ તહોમતનામાને ધ્યાને લીધા બાદ ફગાવી દીધી છે. આ કેસમાં ખાસ નિયુકત પ્રોસીક્યુટર તરીકે સૌરાષ્ટ્રના ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી અને આસીસ્ટન્ટ પ્રોસીકયુટર તરીકે નીતેશ કથીરીયા કેસ કાર્યવાહી ચલાવી રહ્યા છે.ડ્રાફટ તહોમતનામુ સેશન્સ અદાલતમાં રજૂ કરવામાં આવેલ હતુ. કૂલ 16 આરોપી સામે ગુનો નોંધાયો હતો, એકનું મોત અગ્નિકાંડના બનાવમાં પ્રકાશચંદ હીરનનું મોત થયું હતું, જેથી બાકીના 15 આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલહવાલે કરાયા હતા. જેમાંથી 9 આરોપીઓે જામીન મળી ચૂક્યા છે. જ્યારે 6 હજી પણ જેલમાં બંધ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:30 pm

ભરૂચ LCB એ 44.12 લાખનો દારૂ ઝડપ્યો:નબીપુર હાઇવે પરથી એક આરોપીની ધરપકડ, ટ્રક સહિતનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નેશનલ હાઈવે નંબર-48 પરથી ₹44.12 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રીલીફ હોટલ પાસેથી એક આઇસર ટ્રક (MH-14-LX-6769) માંથી પ્લાસ્ટિકના કેરેટોમાં છુપાવેલી 12,312 બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે એક આરોપી સુનીલ મુરલીધર નવરેની ધરપકડ કરી છે. પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશન સંબંધિત ગુનાઓ પર કડક કાર્યવાહી કરવા અને હાઇવે પર ચુસ્ત પેટ્રોલિંગ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એલ.સી.બી. ઇન્સ્પેક્ટર એમ.પી.વાળાએ ટીમો ગોઠવી સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. વિશ્વસનીય બાતમીના આધારે પો.સ.ઈ. ડી.એ. તુવરની ટીમે નબીપુર હાઇવે નજીક વોચ ગોઠવી હતી.તપાસ દરમિયાન, ટ્રકમાંથી ₹34,02,000ની કિંમતની 12,312 વિદેશી દારૂની બોટલ/ટીન,₹10,000નો એક મોબાઇલ ફોન અને ₹10,00,000ની આઇસર ટ્રક સહિત કુલ ₹44,12,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ કેસમાં સંજય જોરાભાઈ દેસાઈ (રહે. વેડ રોડ, સુરત), અનીકેત પાટીલ (રહે. નાસિક) અને ટ્રક ડ્રાઈવર (નામ અજાણ)ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:17 pm

પત્ની સામે પતિને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ:'પપ્પા હું આ લોકોથી ખૂબ પરેશાન થઈ ગયો છું, તો મરી જાઉં છું', પિતાને મેસેજ કરી પુત્રએ ગળેફાંસો ખાધો

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા પરિણીત યુવકની પત્ની ખોટી રીતે ઝઘડા કરીને પિયર જતી રહેતી હતી. આ ઉપરાંત પત્નીના અન્ય પુરુષ સાથેના અને તે સંબંધો બાબતે જાણ થતા પત્નીએ પતિને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જેથી પુત્રએ પિતાને મેસેજ કર્યો હતો કે, 'પપ્પા હું આ લોકોથી ખૂબ પરેશાન થઈ ગયો છું, તો મરી જાઉં છું. મુસ્કાન અને એના મમ્મી પપ્પા મને ખૂબ હેરાન કરે છે, તો મરી.જાઉં છું' પત્નીથી કંટાળી પતિએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જેથી મૃતક યુવકના પિતાની ફરિયાદના આધારે આપઘાતના દોઢ મહિના બાદ મકરપુરા પોલીસે પત્ની સામે પતિને આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી દેસાઈ કોલોનીમાં રહેતા દાઉદભાઈ રસુલભાઈ બેલીન એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, મારા દીકરા સઈદના લગ્ન યુસૂફભાઈ પરમારની દીકરી મુસ્કાન સાથે સમાજના રીતરિવાજ મુજબ વર્ષ 2020માં થયા હતા. મારા દીકરાના લગ્ન જીવન દરમ્યાન 3 વર્ષની દીકરી છે. લગ્ન બાદથી જ મારા દીકરા સઇદ તથા તેની પત્ની મુસ્કાન વચ્ચે અવારનવાર નાની મોટી વાતે ઝઘડા થતાં હતા અને મારા દીકરાની પત્ની મુસ્કાન તેના પિયર જતી રહેતી હતી અને મારા દીકરા સઇદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા પોલીસ સ્ટેશન કારેલીબાગ ખાતે અરજી કરી હતી, જે બાબતે મારા દિકરા સાથે અંદરોઅંદર સમાધાન કરી લીધું હતું. મારા દીકરા સઇદની વહુ મુસ્કાન પર પુરુષ સાથે અનૈતિક સંબંધ રાખતી હતી અને અવાર નવાર તેની સાથે ફોનથી વાતચીત કરતી હતી, જેની જાણ મારા દીકરા સઇદને થતાં મારો દીકરો ટેન્શનમાં રહેતો હતો અને મુસ્કાનના પરપુરુષ સાથેના અનૈતિક સંબંધ બાબતે મારી વહુ મુસ્કાનને કહેવા જતાં તે મારા દીકરા સઇદને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. જે બાદ 19 સપ્ટેમ્બર- 2025ના રોજ હું મારી નોકરી માણેજા ખાતે નોકરી ઉપર હાજર હતો તથા મારી પત્ની સહેનાઝ સવારના 11.30 વાગે મારા મોટાભાઈના દીકરાની ખબર કાઢવા આશીર્વાદ હોસ્પિટલ તુલસીધામ ચાર રસ્તા માંજલપુર ખાતે ગયેલ હતી. તે વખતે ઘરે મારી દીકરી સઇદ તથા તેની પત્ની મુસ્કાન હાજર હતા. બપોર સમયે મારા દીકરાએ મને વોટ્સએપમાં મેસેજ કર્યો હતો કે, પપ્પા હું આ લોકોથી ખૂબ પરેશાન થઈ ગયો છું, તો મરી જાઉં છું. મુસ્કાન અને એના મમ્મી પપ્પા મને ખૂબ હેરાન કરે છે, તો મરી.જાઉં છું. જેથી મે તાત્કાલિક મારા દીકરા સઇદના ફોનમાં ફોન કરેલ પરંતુ તેણે ફોન ઉઠાવ્યો ન હતો. થોડીવાર બાદ મારા ફોનમાં મારા ભત્રીજા સાહરૂખ બેલીમનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, કાકા સઇદે ઘરે ગળેફાંસો ખાઈ લીધો છે. અમે તેને ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જઈએ છીએ તમે તત્કાલિક હોસ્પિટલ આવી જાઓ. જેથી હું તાત્કાલિક હોસ્પિટલ ખાતે ગયો હતો. જ્યાં જઈ જોતાં મારો દીકરો સઈદ મરણ ગયેલ હતો. આ મામલે મેં મુસ્કાન સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપઘાત માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:15 pm

કટારીયા ચોકડીએ વાહન વ્યવહાર બંધ:રાજકોટમાં રૂ. 167 કરોડનાં ખર્ચે બનતા આઇકોનીક બ્રિજના કામને લઈ તમામ માર્ગો બંધ, ટ્રાફિક ડાયવર્ઝન રૂટ અમલમાં મુકાયો, જાણો વૈકલ્પિક વ્યવસ્થા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કટારીયા ચોકડી ખાતે શહેરનો સૌપ્રથમ થ્રીલેયર આઇકોનીક ઓવરબ્રીજ અને અન્ડરબ્રીજની કામગીરી ચાલી રહી છે. જેને લઈને હાલ વાહનવ્યવહારને લગતા તમામ મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા છે. શહેરના વિકાસલક્ષી પ્રોજેક્ટ અંતર્ગત આ બ્રિજનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું છે, જેને પગલે જાહેર જનતાની સુવિધા અને ટ્રાફિકની જાળવણી માટે તાત્કાલિક અસરથી ટ્રાફિક ડાઈવર્ઝન રૂટ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. મહાનગરપાલિકાએ વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને સહકાર આપવા માટે ખાસ અનુરોધ કર્યો છે. કટારીયા ચોકડી પરના મુખ્ય માર્ગો બંધ બ્રિજના બાંધકામની કામગીરી શરૂ થવાથી કટારીયા ચોકડીનું મુખ્ય કેન્દ્રબિંદુ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે અહીંના મુખ્ય માર્ગોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે. ગોંડલ રોડ તરફથી જામનગર રોડ તરફ જતો રીંગ રોડ તેમજ જામનગર રોડ તરફથી ગોંડલ રોડ તરફ આવતો રીંગ રોડ એમ બંને દિશાઓનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે. આ રિંગ રોડ રાજકોટ શહેરના પૂર્વીય અને પશ્ચિમી છેડાને જોડતો મુખ્ય ધમની સમાન હોવાથી આ ડાયવર્ઝન ઘણું મહત્વનું બની રહે છે. શહેર તરફનાં પ્રવેશ અને નિકાસ માટે કાલાવડ તરફથી રાજકોટ શહેર તરફ આવવા-જવાનો રસ્તો અને શહેર તરફથી કાલાવડ આવવા-જવાનો માર્ગ પણ બાંધકામને કારણે બંધ રાખવામાં આવ્યો છે. આ રસ્તો શહેરના આંતરિક વિસ્તાર તેમજ કાલાવડ રોડ હાઈવેને જોડતો હોવાથી હજારો વાહનચાલકોને અસર થશે. રાજકોટ મહાનગરપાલિકાએ જનવ્યય છે કે આ તમામ રસ્તાઓ બ્રિજનું બાંધકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી બંધ રહેશે. આ બ્રીજનાં નિર્માણ કાર્યમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે આ પગલું લેવું જરૂરી હોવાથી તમામ રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. વાહનચાલકો માટે ખાસ ડાયવર્ઝન રૂટ અમલમાં 1. રાજકોટ શહેરથી કાલાવડ તરફ આવવા-જવા માટે રાજકોટ શહેર તરફથી કાલાવડ તરફ જવા માંગતા વાહનચાલકો માટે નીચેનો માર્ગ સૂચવવામાં આવ્યો છે. આ રૂટ શહેરના આંતરિક વિસ્તારોમાંથી પસાર થઈને કાલાવડ રોડ પર પરત જોડાણ પૂરું પાડે છે. વાહનચાલકોએ કાલાવડ રોડથી કોરાટવાડી મેઈન રોડ તરફ જઈને ત્યાંથી ધ વાઇબવાળા રસ્તા તરફ વળવું પડશે. ત્યારબાદ આ રસ્તો 150 ફૂટ રીંગ રોડ-2 સાથે જોડાશે. 150 ફૂટ રીંગ રોડ-2 પરથી આગળ વધીને પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ પાસેથી પસાર થવું. અંતે, જીનીયશ સ્કૂલવાળા રસ્તા થઈને વાહનચાલકો ફરીથી તેમના ગંતવ્ય સ્થાન તરફ કાલાવડ રોડ પર જઈ શકશે. 2. કાલાવડથી રાજકોટ શહેર તરફ આવવા-જવા માટે કાલાવડ તરફથી રાજકોટ શહેર આવતા વાહનચાલકો માટે આ રૂટ મહત્ત્વનો છે, જે શહેરના પશ્ચિમ ભાગમાંથી પ્રવેશની વ્યવસ્થા પૂરી પાડે છે. વાહનચાલકોએ કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા આવતા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તા તરફ વળવું પડશે. આ રસ્તા પરથી આગળ વધીને કોસ્મોપ્લેક્સ સિનેમા થઈને 150 ફૂટ રીંગ રોડ-2 પર પહોંચવાનું રહેશે. 150 ફૂટ રીંગ રોડ-2 પર આવ્યા બાદ એલેકઝીર રોડ તરફ આગળ વધવું. છેલ્લે, ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તા થઈને વાહનચાલકો ફરીથી કાલાવડ રોડ ઉપર આવી શકશે, જે શહેરના આંતરિક માર્ગો સાથે જોડાશે. 3. 150 ફૂટ રીંગ રોડ-2, ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ આવવા-જવા માટે રીંગ રોડ પર ગોંડલ ચોકડી તરફથી જામનગર રોડ તરફ મુસાફરી કરનારા વાહનો માટે આ એક લાંબો ડાયવર્ઝન રૂટ છે. જેમાં મુસાફરીની શરૂઆત એક્વાકોરલ પાસેથી કરીને પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ તરફ જવું. ત્યાંથી જીનીયશ સ્કૂલ થઈને વાહનોને કાલાવડ રોડ તરફ વાળવામાં આવશે. કાલાવડ રોડ પરથી આગળ વધીને કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તા તરફ વળવું. ત્યારબાદ કોન્પ્લેક્સ સિનેમા થઈને વાહનચાલકો ફરીથી તેમના માર્ગ એટલે કે 150 ફૂટ રીંગ રોડ-2 પર જામનગર રોડ તરફ જઈ શકશે. 4. 150 ફૂટ રીંગ રોડ-2, જામનગર રોડથી ગોંડલ રોડ તરફ આવવા-જવા માટે વાહનચાલકોએ 150 ફૂટ રીંગ રોડ-2 પરથી એલેકઝીર રોડ તરફ જવું પડશે. એલેકઝીર રોડ પરથી આગળ વધીને ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તા તરફ વળવું. ત્યારબાદ આ રસ્તો કાલાવડ રોડ સાથે જોડાશે. કાલાવડ રોડ પરથી વાહનોએ કોરાટવાડી મેઈન રોડ તરફ અને પછી ધ વાઇબ રોડ તરફ જવું પડશે. અંતે, આ રૂટ ફરીથી 150 ફૂટ રીંગ રોડ-2 સાથે જોડાશે, જ્યાંથી વાહનચાલકો ગોંડલ રોડ તરફ આગળ વધી શકશે. મહાનગરપાલિકાએ તમામ વાહનચાલકોને વિનંતી કરી છે કે તેઓ ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આ ડાયવર્ઝન રૂટનું ચુસ્તપણે પાલન કરે. બ્રિજનું નિર્માણ કાર્ય શહેરના લાંબા ગાળાના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ હોવાથી, નાગરિકોના સહકારથી આ પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ થઈ શકશે. વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ મુસાફરીની શરૂઆત કરતા પહેલા પોતાના વૈકલ્પિક રૂટની યોજના બનાવી લે, જેથી સમયનો બગાડ ટાળી શકાય અને ટ્રાફિક માટેની કોઈ અવ્યવસ્થા સર્જાય નહીં. ઉલ્લેખનીય છે કે, કટારીયા ચોકડીનો આ બ્રિજ પૂર્ણ થતાંની સાથે જ ગોંડલ રોડ અને જામનગર રોડ તરફના રીંગ રોડ પરના ટ્રાફિકની સમસ્યામાં ઘણો ઘટાડો થશે અને શહેરના વિકાસને નવી ગતિ મળશે. આ સમયગાળા દરમિયાન, લોકોએ મહાનગરપાલિકાના નિયમોનું પાલન કરવું આવશ્યક છે. કોઈપણ પ્રકારની ગેરસમજણ કે મુશ્કેલીના નિવારણ માટે ટ્રાફિક પોલીસ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા અધિકારીઓનો સંપર્ક કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 4:05 pm

બહુચરાજીમાં 'શુદ્ધ ખોરાક' માટે ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ:17 પેઢીઓની તપાસ કરી, 9 ખાદ્યસામગ્રી સહિત 12 નમૂના લેવાયા

મહેસાણા ફુડ અને ડ્રગ્સ વિભાગે જિલ્લામાં આવેલા બહુચરાજી યાત્રાધામમાં યાત્રિકોને શુદ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ફૂડ સેફ્ટી એક્ટ અંતર્ગત સઘન તપાસ હાથ ધરી હતી. ફૂડ વિભાગની ટીમ દ્વારા બહુચરાજી વિસ્તારની કુલ 17 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી અને ફૂડ સેફ્ટી અને ગુણવત્તા ચકાસણી માટે કુલ 12 નમૂનાઓ લેવામાં આવ્યા છે. ફુડ વિભાગની ટીમ રેસ્ટોરન્ટ, નાસ્તા હાઉસ, પાણેપુરી લારી, હોકર્સ, અને પ્રસાદ સ્ટોર્સ સહિતના સ્થળોની સતત તપાસ કરી હતી. જેથી યાત્રીઓને શુદ્ધ, સાત્વિક અને હાઈજેનિક કન્ડિશનમાં ખોરાક મળી રહે. આ તપાસ અભિયાનના ભાગરૂપે, એફ.એસ.ડબ્લ્યુ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન દ્વારા પણ અગાઉ 20 નવેમ્બર 2025ના રોજ તમામ પ્રસાદ સ્ટોર્સની તપાસ કરીને ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા સ્થળ પર જ ટેસ્ટિંગ કરી પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી. કઈ હોટેલોમાં તપાસ કરાઈ અને કયા નમૂના લેવાયાતપાસ દરમિયાન ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા મુખ્ય ત્રણ હોટેલોમાંથી ખાદ્યસામગ્રીના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં, ફુડ વિભાગની આ કાર્યવાહી યાત્રાધામમાં આવતા લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય અને સલામતીને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું છે. લેવાયેલા તમામ નમૂનાઓને વધુ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને રિપોર્ટના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 3:56 pm

સુરતમાં બ્રિજ પરથી નદીમાં ઝંપલાવા જતી મહિલાને પોલીસે બચાવી:કહ્યું - દીકરાઓને મેં જન્મ આવ્યો પરંતુ ઘરમાં પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારા દીકરા મારી તરફેણ કરતા નથી

પતિ સાથેના ઝઘડામાં સંતાનો પોતાનો નહીં પરંતુ પતિની તરફેણ કરતા હોવાથી માઠું લાગી આવતા અમરોલી વિસ્તારમાં રહેતી મહિલા તાપી નદીના કતારગામ-અમરોલી પુલ ઉપરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરવા જઈ રહી હતી. પરંતુ ત્યાંથી પસાર થઇ રહેલા અમરોલી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની નજર પડતા તુરંત જ ઘસી જઈ મહિલાનો હાથ પકડી નદીમાં ઝંપલાવતા અટકાવી જીવન દાન આપ્યું હતું. આધેડ મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે, દીકરાઓને મેં જન્મ આવ્યો પરંતુ ઘરમાં પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારા દીકરા મારી તરફેણ કરતા નથી. અમરોલી પોલીસ સ્ટેશનના પો.કો. હરીભાઇ જીવણભાઇ આજ રોજ બપોરના અરસામાં પુત્રી સાથે બાઇક ઉપર ખરીદી કરવા જઈ રહ્યા હતા. દરમિયાનમાં અમરોલી-કતારગામ તાપી નદીના બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે 52 વર્ષની મહિલાને પુલની પેરાફીટ કુદી તાપી નદીમાં ઝંપલાવવા પ્રયાસ કરવા જઈ રહ્યા હોવાથી તુરંત જ બાઇક પાર્ક કરી આધેડ મહિલાનો હાથ પકડી નદીમાં ઝંપલાવતા અટકાવ્યા હતા. રાહદારીઓનું ટોળું એકઠું થઈ ગયું હતું અને મહિલાને તુરંત જ અમરેલી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવી હતી. જયાં પોલીસ સ્ટેશનની સી ટીમના એએસઆઈ ક્રિષ્નાબેન પ્રદીપભાઈએ મહિલાનું કાઉસલીંગ કર્યું હતું. જે અંતર્ગત તેણીએ જણાવ્યું હતું કે મારા દીકરાઓને મેં જન્મ આવ્યો પરંતુ ઘરમાં પતિ સાથે જ્યારે પણ ઝઘડો થાય ત્યારે મારા દીકરા મારી તરફેણ કરતા નથી અને હંમેશા તેમના પિતાની તરફેણ કરે છે. આધેડ મહિલા પારિવારીક કલેશથી કંટાળી આપઘાત કરવા જઈ રહી હતી. જો કે સી ટીમે મહિલાની વેદના સાંભળ્યા બાદ કાઉન્સિલીંગ કરવાની સાથે બીજી વખત આવું પગલું નહીં ભરે તે અંગેની બાંહેધરી મેળવી હતી. આ સાથે જ પરિવારને પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યું હતું અને તેમને પણ સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મહિલાને પરિવારને હવાલે કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 3:06 pm

જંબુસરમાં પોલીસકર્મી સામે ACB એ લાંચનો ગુનો નોંધ્યો:અરજદારને હેરાન ન કરવા ₹75,000ની માંગણી કરી હતી

ભરૂચ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જંબુસર પોલીસ સ્ટેશનના વર્ગ-3ના સશસ્ત્ર પોલીસકર્મી નારણ ફતુભાઈ વસાવા સામે ₹75,000ની લાંચ માંગણીનો ગુનો નોંધ્યો છે. અરજદારને એક તપાસ પ્રકરણમાં હેરાન ન કરવા બદલ આ લાંચની માંગણી કરવામાં આવી હતી. ACB પોસ્ટે ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. શિંદે દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિગતો અનુસાર, નારણ વસાવા અરજદાર વિરુદ્ધ થયેલી અરજીની તપાસ કરી રહ્યા હતા. આ તપાસમાં કાર્યવાહી ન કરવા અને અટકાયતી પગલાંમાં રાહત આપવા માટે આરોપીએ પ્રથમ ₹70,000 અને પછી પતાવટ પેટે ₹5,000 એમ કુલ ₹75,000ની લાંચ માંગી હતી. ફરિયાદ મુજબ, લાંચની માંગણી જંબુસરની “ભાટીયા મોબાઈલ” દુકાન નજીક અને મામલતદાર કચેરીના કમ્પાઉન્ડમાં કરવામાં આવી હતી. આ ઘટના આરોપી દ્વારા ગેરકાયદેસર લાભ મેળવવાના ઇરાદાથી કરવામાં આવેલી ગેરવર્તણૂક દર્શાવે છે. આ મામલે વડોદરા શહેર ACBના પોલીસ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌહાણ તપાસ કરી રહ્યા છે. સમગ્ર કાર્યવાહી ઇન્ચાર્જ મદદનીશ નિયામક આર.આર. ચૌધરી (ACB, સુરત એકમ)ના સુપરવિઝન હેઠળ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:54 pm

શ્રી જ્ઞાનસાર ગ્રંથનું શંખેશ્વર ખાતે વિમોચન:ભારતમાં પ્રથમવાર મલ્ટી-કલર, 3 ભાષામાં જૈન ગ્રંથ પ્રકાશન

'જ્ઞાનસાર: એક અધ્યાત્મ ગીતા' ગ્રંથનું વિમોચન શંખેશ્વર મહાતીર્થના જહાજ મંદિર એન્કરવાલા ધામમાં કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષ મહેતા દ્વારા તૈયાર કરાયેલો આ ગ્રંથ ભારતમાં પ્રથમવાર મલ્ટી-કલર અને ત્રણ ભાષામાં પ્રકાશિત થયો છે. આ વિમોચન વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજના 50મા દીક્ષા દિન નિમિત્તે થયું હતું. વિમોચન પ્રસંગે અર્હદ મહાપૂજન અંતર્ગત વરિષ્ઠ મુનિ પુણ્યરત્ન મહારાજ સાહેબ, મુનિ નયશેખર મહારાજ સાહેબ, તેમજ સાધ્વી સુનંદિતાશ્રીજી મ.સા., સાધ્વી કૃતિનંદિતા શ્રીજી મ.સા., સાધ્વી અર્હમનંદિતા શ્રીજી મ.સા., અને સાધ્વી અમિવર્ષાશ્રીજી મ.સા. સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આશિષ મહેતા દ્વારા પ્રકાશિત આ ગ્રંથ મુનિરાજ નયશેખર મહારાજ સાહેબને અર્પણ કરવામાં આવ્યો હતો. આ ગ્રંથ 350 વર્ષ પૂર્વે મહોપાધ્યાય યશોવિજયજી મહારાજની અનુભૂતિની અમૃતવાણી પર આધારિત છે. 'જ્ઞાનસાર: એક અધ્યાત્મગીતા' ષડ્‌દર્શન શાસ્ત્રવેત્તાની રચના છે, જેનું વાંચન અને શ્રવણ આત્મિક આનંદની અનુભૂતિ કરાવી પૂર્ણાનંદની અવસ્થા સુધી પહોંચાડે છે. આ ગ્રંથ મલ્ટી-કલરમાં તૈયાર કરાયો છે અને તેમાં 32 અષ્ટકનું બત્રીશી રૂપે ગુજરાતી અને હિન્દીમાં મહાગાન કરાયું છે. આશિષ મહેતાએ જ્ઞાનસારના શબ્દોમાં સમાયેલા ભક્તિ, શ્રદ્ધા, સાધના અને શરણાગતિના ભાવને સ્વરબદ્ધ કરીને આ અધ્યાત્મગીતા તૈયાર કરી છે. આશિષ મહેતા જાણીતા સ્વરકાર, સંગીતકાર, લેખક, સંકલનકાર અને વક્તા છે. તેમણે દેશ-વિદેશમાં પોતાના ભક્તિ સંગીત થકી સ્વરની સુગંધ પ્રસરાવી છે. તેઓ જૈન ધર્મના મૂળ સિદ્ધાંતો અને પરંપરાને જાળવીને નવા સમયને અનુરૂપ પ્રસ્તુતિઓ માટે જાણીતા છે. તેમનો પ્રિય વિષય પરમાત્માના 5 કલ્યાણકોની ભક્તિસભર સંગીતમય પ્રસ્તુતિ 'અંજનશલાકા' છે. 'જ્ઞાનસાર: એક અધ્યાત્મગીતા' ગ્રંથ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં ઉપલબ્ધ છે. આ ગ્રંથ 730 દિવસમાં તૈયાર કરવામાં આવ્યો છે. જૈન સમાજના તમામ ગ્રંથોનો નિચોડ ધરાવતો આ ગ્રંથ પહેલીવાર 4 મલ્ટી-કલરમાં અને 3 ભાષામાં લખાયો છે, જે હવે ડિજિટલાઇઝેશન સાથે શ્રાવકો સુધી પહોંચશે. વિમોચન પ્રસંગે મુંબઈ, અમદાવાદ, કચ્છ, બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાંથી ગુરુભક્તો, સામાજિક-આધ્યાત્મિક અગ્રણીઓ અને પ્રશાસનના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:46 pm

વલસાડમાં 7 હજાર ખેડૂતોને રૂ. 5 કરોડની પાક સહાય ચૂકવાઈ:પાક નુકસાન સહાય માટે અરજીની અંતિમ તારીખ 5 ડિસેમ્બર

વલસાડ જિલ્લામાં ગત ઓક્ટોબર માસમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે સરકાર દ્વારા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ હેઠળ સહાય ચૂકવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. અત્યાર સુધીમાં 7,000 ખેડૂતોના ખાતામાં આશરે 5 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે. પાક નુકસાન સહાય માટે અરજી કરવાની છેલ્લી તારીખ 5 ડિસેમ્બર છે. કમોસમી વરસાદથી નુકસાન પામેલા ખેડૂતો માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 14 નવેમ્બરથી શરૂ કરવામાં આવી હતી. જે ખેડૂતોને ખરેખર નુકસાન થયું છે અને તેઓ હજુ સુધી અરજી કરી શક્યા નથી, તેમને 5 ડિસેમ્બર સુધીમાં અરજી પૂર્ણ કરી દેવા જણાવાયું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 31,000 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે. તેમાંથી 25,000 જેટલી અરજીઓને મંજૂરી આપી દેવામાં આવી છે, જ્યારે હાલમાં 6,000 જેટલી અરજીઓ મંજૂર કરવાની બાકી છે. સરકારે જિલ્લાને કુલ 16 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. અત્યાર સુધીમાં 7,000 જેટલા ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) દ્વારા અંદાજિત 5 કરોડ રૂપિયા જમા કરી દેવામાં આવ્યા છે. બાકી રહેલી મંજૂર થયેલી અરજીઓ માટે પણ ટૂંક સમયમાં સહાય ચૂકવવામાં આવશે. કેટલીક અરજીઓ પેન્ડિંગ રહેવા પાછળ મુખ્યત્વે સંમતિ પત્રકો, બેંક વિગતો અથવા આધાર કાર્ડની વિગતોનો અભાવ છે. તંત્ર દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં આ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. અધિકારીઓએ ખાસ ટકોર કરી હતી કે સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં અન્ય ભાગીદારોની સંમતિ હોવી ફરજિયાત છે. હાલમાં 20 થી 22 જેટલા કિસ્સાઓ એવા ધ્યાને આવ્યા છે જેમાં માત્ર સંમતિના અભાવે અરજીઓ પેન્ડિંગ છે. આથી, કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત ન રહી જાય તે માટે પરિવારજનો અને ગ્રામજનોને જરૂરી સંમતિ આપી સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:43 pm

વલસાડમાં કોંગ્રેસની કારોબારી બેઠક:દક્ષિણ ગુજરાતમાં 'જન આક્રોશ યાત્રા' અને 2027માં સત્તાનો હુંકાર

વલસાડમાં કોંગ્રેસ પક્ષની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વાપી મહાનગરપાલિકાની ચૂંટણીઓ માટેની રણનીતિ ઘડવામાં આવી હતી. પક્ષે 2027માં ગુજરાતમાં અને 2029માં કેન્દ્રમાં સત્તા પર પાછા ફરવાનો હુંકાર કર્યો હતો. બેઠકમાં દક્ષિણ ગુજરાતમાં 'જન આક્રોશ યાત્રા' શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની નિષ્ફળતાઓને પ્રજા સમક્ષ લાવવાનો અને સંગઠનને મજબૂત બનાવવાનો છે. આયોજન મુજબ, દિલ્હીમાં યોજાનારી 'વોટ ચોર, ગાદી છોડ' રેલીના આયોજન અંગે પણ ચર્ચા થઈ હતી. પક્ષે દક્ષિણ ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા બ્લોક પ્રમુખો અને હોદ્દેદારો સાથે વિસ્તૃત ચર્ચા કરી. SIR (સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન) મુદ્દે તારીખ 4 થી બદલાઈને 11 થઈ હોવાની માહિતી અપાઈ હતી. બૂથ લેવલે કામગીરી મજબૂત કરવા અને BLO-2 ની રચના કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નેતાઓએ સંગઠનના હોદ્દેદારોને સ્પષ્ટ સંદેશ આપ્યો કે હવે કામગીરીનું મૂલ્યાંકન (Accountability) થશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, અહીં લગ્નનો ઘોડો નહીં, રેસનો ઘોડો જોઈએ. જે કાર્યકર કામ નહીં કરે તેમના સ્થાને બીજાને તક આપવામાં આવશે. પક્ષનું લક્ષ્ય 2027માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાનું અને 2029માં રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવાનું છે. મીડિયા સાથે વાત કરતા, કોંગ્રેસના નેતાઓએ વર્તમાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે પાક વીમાની જાહેરાતો છતાં ખેડૂતોને એક રૂપિયો પણ મળ્યો નથી, જેના કારણે તેમની દુર્દશા યથાવત છે. વધુમાં, રાજ્યમાં પેપર લીકની ઘટનાઓ અને ભ્રષ્ટાચારમાં વધારો થયો હોવાનો આક્ષેપ કરાયો હતો. ડોલર સામે રૂપિયાના ગગડતા મૂલ્ય (90 સુધી પહોંચી ગયું) પર પણ ટીકા કરવામાં આવી, જ્યારે ભૂતકાળમાં ભાજપ આ મુદ્દે ટીકા કરતું હતું તે હવે મૌન છે. યુવાનો ડિગ્રીઓ લઈને પણ 10-15 હજારની નોકરી માટે અન્ય રાજ્યોમાં જવા મજબૂર બન્યા હોવાથી બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો. સંસદમાં સત્તાધારી પક્ષ દ્વારા ચર્ચા થવા દેવામાં આવતી નથી તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:41 pm

નવા ફ્લાયઓવર પર ST બસો નહીં દોડે:જામનગરના ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પર 3 સ્ટોપ જાહેર કરાયા

જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર નવો ફ્લાયઓવર બ્રિજ બન્યો છે, પરંતુ રાજ્ય પરિવહન નિગમ (ST)ની એક પણ બસ આ નવા બ્રિજ ઉપરથી પસાર થશે નહીં. વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા આદેશ કરવામાં આવ્યો છે કે ST બસો ઇન્દિરા માર્ગ પર નીચેના રોડ પરથી જ સંચાલન કરશે અને જૂના રૂટ મુજબ જ પસાર થશે. શહેરીજનોને ST બસ સેવાનો લાભ મળી રહે તે માટે ત્રણ નવા સ્ટોપ જાહેર કરવામાં આવ્યા છે. જામનગરના ST ડેપોથી રાજકોટ તરફ જતી બસો માટે જૂના રેલવે સ્ટેશન (અંબર ચોકડી), કાલાવડ તરફ જતા સાત રસ્તા ચોકડી અને હાલાર હાઉસથી આગળ એમ કુલ ત્રણ જગ્યાએ સ્ટોપ અપાશે. આ નિર્ધારિત સ્ટોપ પર મુસાફરોને બસમાં ચડાવવા અને ઉતારવા બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતી બસો માટે સુરેશ ફરસાણ માર્ટથી આગળ જૂના રેલવે સ્ટેશન અને સાત રસ્તા સર્કલ પાસે મુસાફરોની સુવિધા ઉપલબ્ધ રહેશે. અગાઉ સુભાષ બ્રિજ પાસે રોડની પહોળાઈ ઓછી હોવાથી અને બસ ઊભી રાખવાથી ટ્રાફિકની સમસ્યા થતી હતી. આ કારણે ગુરુદ્વારા અને સુભાષ બ્રિજ પાસેના જૂના પોઈન્ટ રદ કરવામાં આવ્યા છે. તેના બદલે, રાજપાર્ક પાસે લોકલ, એક્સપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર અને વોલ્વો સહિતની તમામ પ્રકારની બસોનું સંચાલન આ નવા રૂટ પરથી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:37 pm

ભરૂચમાં વીજ કરંટથી મોરનું મોત:વન વિભાગે પોસ્ટમોર્ટમ બાદ અંતિમ વિધિ કરી

ભરૂચ શહેરના ભારતી રો હાઉસ નજીક વીજ કરંટ લાગવાથી એક મોરનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ શહેરના જે.બી. પાર્ક વિસ્તારમાં આવેલા ભારતી રો હાઉસ નજીક એક મોર ફરી રહ્યો હતો. તે દરમિયાન મોર એક વીજ પોલ પર ચડી ગયો હતો અને અકસ્માતે વીજ તારને સ્પર્શ થતાં તેને કરંટ લાગ્યો હતો, જેના કારણે તે પોલ પરથી નીચે પડી ગયો હતો. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ભરૂચ વન વિભાગને આ ઘટના અંગે જાણ કરી હતી. માહિતી મળતા જ રાઉન્ડ ફોરેસ્ટર હેમંત યાદવ તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વીજ કંપનીની મદદથી મોરને નીચે ઉતારવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મોરનું મોત નિશ્ચિત થતાં સ્થળ પર જ પંચનામું કરવામાં આવ્યું હતું. આરએફઓ એમ.બી. ડાભીના માર્ગદર્શન હેઠળ મોરનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ નીલકંઠેશ્વર નર્સરી ખાતે વિધિવત રીતે તેની અંતિમ વિધિ કરવામાં આવી હતી. વન વિભાગે આ સમગ્ર ઘટના અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:35 pm

અનાવાડામાં હરિઓમ ગૌ શાળાના લાભાર્થે ભાગવત કથા:ચોથા દિવસે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી

પાટણના અનાવાડામાં વૈદિક સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂજ્ય રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે ચાલી રહેલી આ કથાના ચોથા દિવસે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કથા શ્રવણ કરી હતી. આ ભાગવત કથા 7 ડિસેમ્બર સુધી ચાલશે. છેલ્લા ત્રણ દિવસથી મોટી સંખ્યામાં ગૌ ભક્તો સહિત લોકો કથા શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા છે. ચોથા દિવસે અધ્યક્ષ શંકર ચૌધરી સાથે હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ પણ હાજર રહ્યા હતા. આ પ્રસંગે શંકર ચૌધરીએ ગૌ માતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ગાયનું દરેક અંગ માનવ અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી છે. ગૌમૂત્ર અને વૃક્ષો દ્વારા જમીનની ફળદ્રુપતા વધે છે, જેનાથી તૈયાર થયેલા ફળ, ફૂલ અને શાકભાજી માનવ તથા જીવ સૃષ્ટિનો આહાર બને છે. અધ્યક્ષ ચૌધરીએ ગૌ માતાના પાલન માટે જાગૃતિ લાવવાના આ મહા અભિયાનને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગાયના દૂધ ઉપરાંત તેના જીવનની દરેક વસ્તુને માનવ અને જીવ સૃષ્ટિ માટે કલ્યાણકારી ગણાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:33 pm

કચ્છમાં 10 ગાયોને 8 કલાકમાં કૃત્રિમ પગ બેસાડ્યા:બિદડા સર્વોદય ટ્રસ્ટે ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વિશ્વ અપંગતા દિવસ નિમિત્તે કચ્છ જિલ્લામાં જીવદયાનું એક પ્રેરણાદાયક કાર્ય થયું છે. શ્રી બિદડા સર્વોદય ટ્રસ્ટ અને જયા રીહેબીલીટેશન ઇન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા 8 કલાકના વિક્રમી સમયગાળામાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડી 'ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ' બનાવવામાં આવ્યો છે. આ વિશેષ સેવા કાર્યક્રમ અંજાર સહિત તાલુકાના ગામડાઓમાં અપંગ બનેલા પશુઓ માટે આયોજિત કરાયો હતો. ગંભીર ઇજા અથવા અપંગતાને કારણે ચાલી ન શકતી 10 ગાયો સહિત અન્ય પશુઓને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ અત્યાધુનિક કૃત્રિમ પગ બેસાડવામાં આવ્યા હતા. આ પ્રયાસથી લાચાર ગાયોને ફરીથી પોતાના પગ પર ઊભા થવાની અને સામાન્ય જીવન જીવવાની તક મળી છે. આ કામગીરીની સૌથી મોટી સિદ્ધિ તેની ઝડપ હતી. માત્ર આઠ કલાકમાં 10 ગાયોને કૃત્રિમ પગ બેસાડવાની જટિલ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી. આ અસાધારણ પ્રયાસ બદલ સંસ્થાને ઓફિસિયલ વર્લ્ડ રેકોર્ડ (OWR)નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે, જે કચ્છ અને ગુજરાત માટે ગૌરવની બાબત છે. આ સમગ્ર કામગીરી સંસ્થાના ચેરમેન વિજય ચેડાં કુબલ અને ડિરેક્ટર મુકેશ દોશી, હેમંત મેનિયાના સચોટ માર્ગદર્શન અને દેખરેખ હેઠળ પૂર્ણ થઈ હતી. OWR તરફથી તેમને આ સિદ્ધિ બદલ સન્માનપત્ર પણ આપવામાં આવ્યું હતું. બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા માનવ સ્વાસ્થ્ય સેવા સાથે પશુઓ પ્રત્યે દર્શાવવામાં આવેલી આ જીવદયાની ભાવનાને કારણે સમગ્ર પંથકના જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:30 pm

ગુજરાત હાઈકોર્ટમાં બોમ્બ પ્લાન્ટ કરાયો હોવાની ધમકી:ધમકીભર્યો ઈ-મેઈલ મળતા બોમ્બ અને ડોગ સ્ક્વોડ પહોંચી, કોર્ટનું કામ રાબેતા મુજબ ચાલુ

ગુજરાત હાઈકોર્ટને ફરી એકવાર બોમ્બની ધમકીભર્યો ઈમેઈલ મળતા દોડધામ મચી છે. ધમકીના પગલે બોમ્બ અને ડોગ સ્કવોડ હાઈકોર્ટ પહોંચી છે અને તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતા એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ત્યારે જ હાઈકોર્ટને પણ ધમકીભર્યો મેઈલ મળ્ય હોવાનું સામે આવ્યું છે. હાલ બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમ હાઈકોર્ટ પહોંચી છે. તો બીજી તરફ હાઈકોર્ટનું કામ રાબેતા મુજબ ચાલુ છે. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:30 pm

અમદાવાદમાં આવતીકાલથી શોપિંગ ફેસ્ટિવલ:ખરીદી પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ, 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ અને 12 હોટસ્પોટ ઝોન બનાવાયા; સ્થળ પર જવા AMTS-BRTSની નિઃશુલ્ક સુવિધા

ગુજરાત સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 5 ડિસેમ્બર 2025થી 16 જાન્યુઆરી 2026 દરમિયાન અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ (ASF) 2025–26નું આયોજન કરવામાં આવ્યું છે. શોપિંગ ફેસ્ટિવલ 2025–26 અંતર્ગત 6 મુખ્ય શોપિંગ ડિસ્ટ્રિક્ટ તથા 12થી વધુ હોટસ્પોટ ઝોન બનાવવામાં આવ્યા છે. સિંધુ ભવન રોડ, સી.જી. રોડ, નિકોલ મોડર્ન સ્ટ્રીટ, કાંકરીયા–રામબાગ રોડ, વાસ્ત્રાપુર, પ્રહલાદનગર, સાયન્સ સિટી, રિવરફ્રન્ટ, લૉ ગાર્ડન, મણેકચોક તથા શહેરના અગ્રણી મોલ્સમાં શોપિંગ સેવાઓ અને મનોરંજન કાર્યક્રમો યોજાશે. 5 ડિસેમ્બરના રોજ સાંજે 6.30 વાગ્યે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ દ્વારા શોપિંગ ફેસ્ટિવલ ખુલ્લો મુકવામાં આવશે. આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં 8000થી વધુ વેપારીઓ જોડાયામ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અને મેયર પ્રતિભા જૈને જણાવ્યું હતું કે આ વર્ષે શોપિંગ ફેસ્ટિવલમાં 8000થી વધુ વેપારીઓ જોડાયા છે, જેમાં રિટેલ સ્ટોર્સ, મોલ્સ, MSMEs, હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ, કારીગરો અને પ્રીમિયમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પણ શોપિંગ ફેસ્ટિવલને લઈને જાહેરાત કરવામાં આવી છે જેનું કાઉન્ટર પણ ત્યાં રાખવામાં આવશે. વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવા માટે વસ્ત્રાપુર ખાતેનું સ્વદેશી મોલ, કોટેજ ઇન્ડસ્ટ્રી પ્રદર્શન અને સ્થાનિક કારીગરોની વિશેષ ભાગીદારી પણ આકર્ષણનું કેન્દ્ર બનશે. ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સ પર 15 થી 35 ટકા ડિસ્કાઉન્ટ મળશેઆ ફેસ્ટિવલ દરમિયાન શહેરના આઉટલેટ્સમાં 15 ટકાથી 35 ટકા સુધીના ડિસ્કાઉન્ટ્સ ગ્રાહકોને ઉપલબ્ધ રહેશે. શોપિંગ ફેસ્ટિવલના સ્થળે અવરજવર કરવા માટે AMTS અને BRTS બસમાં લોકો મફત મુસાફરી કરી શકશે. લોકો માટે ખરીદીની સાથે મનોરંજન માણી શકશેહંગ્રીટો, વીકએન્ડ વિન્ડો, ફન બ્લાસ્ટ અને વિવિધ સાંસ્કૃતિક-મનોરંજન કાર્યક્રમો દરમિયાન શહેરભરમાં ઉત્સવનો માહોલ છવાઈ જશે. ફૂડ અને કુલિનરી અનુભવ, શોપિંગ તથા આર્ટીઝન માર્કેટ, લાઇવ મ્યુઝિક અને સાંસ્કૃતિક રજૂઆતો, રમતગમત પ્રવૃત્તિઓ, યુવા ઝોન્સ અને પારિવારિક મનોરંજન પણ શોપિંગ ફેસ્ટિવલમાં માણી શકશે. વિદેશી પ્રવાસીઓ તથા પ્રવાસીઓ માટે ખાસ તૈયાર કરાયેલા હેરિટેજ વોકિંગ ટૂર્સ અને સિંધુ ભવન રોડ પર આવેલ વેડિંગ શોપિંગ એક્સપિરીયન્સ ઝોન દ્વારા લોકોને વિશેષ અનુભવ થશે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઈલ એપ પરથઈ નેવિગેશનની સુવિધા મળશેઅમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ મોબાઇલ એપ અને ઑનલાઇન પોર્ટલ દ્વારા મુલાકાતીઓને સરળ આયોજન તથા નૅવિગેશનની સુવિધા પૂરી પાડવામાં આવશે. લોકો આ ફેસ્ટિવલની માહિતી માટે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની વેબસાઈટ https://www.ahmedabadshoppingfestival2025.com/ ની મુલાકાત લઈ શકશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:23 pm

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રણોત્સવનો પ્રારંભ કરાવશે:ધોરડોના સફેદ રણમાં ટેન્ટ સિટી, રણમાં કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા નિહાળશે

વિશ્વપ્રસિદ્ધ કચ્છ રણોત્સવ 2025નો રંગારંગ પ્રારંભ થયા બાદ આજે 11માં દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. સંભવિત સાંજે 4.15 કલાકે સીએમ પટેલ રણોત્સવની મુલાકાત લેશે. જ્યાં ટેન્ટ સિટી, સફેદ મીઠાના અનોખા રણમાં કચ્છની સંસ્કૃતિ, પરંપરા અને લોકકલા નિહાળશે. આ વસ્તુઓનું મુખ્ય આકર્ષણ રહેશે આ વર્ષના રણોત્સવમાં હેન્ડીક્રાફ્ટ બજાર, સ્થાનિક વાનગીઓ, સંગીત-નૃત્ય કાર્યક્રમો, કેમલ સફારી, હોટ-એર બલૂન રાઈડ અને વ્હાઈટ રણ પરની સાંજના વિશેષ કાર્યક્રમો પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણ રહેશે. ખાસ કરીને આજે પૂર્ણિમાની રાતે ચાંદનીમાં ઝળહળતું સફેદ રણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દેશે. પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણોવ્હાઇટ રણ પર સૂર્યોદય અને સૂર્યાસ્તટેન્ટ સિટી – રહેવાની ઉત્તમ સુવિધાઓકચ્છી સંગીત અને નૃત્ય કાર્યક્રમોકચ્છી ખાદ્ય સંસ્કૃતિકરાગીરીના હાટ અને કલા પ્રદર્શન રણોત્સવનો ઇતિહાસકચ્છ રણોત્સવ એક દિવસથી શરૂ થયેલી પરંપરા આજે ચાર મહિના ચાલતા આંતરરાષ્ટ્રીય ફેસ્ટિવલમાં રૂપાંતરિત થઈ ગઈ છે.રણોત્સવની શરૂઆત વર્ષ 2005- 06 દરમિયાન રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસો સાથે ગુજરાત ટુરિઝમ દ્વારા થઈ હતી, જેમાં કચ્છની લોકકલા, હસ્તકલા, સંગીત, નૃત્ય અને કુદરતી સૌંદર્યને વિશ્વ સમક્ષ મૂકવાનો ઉદ્દેશ હતો. આજે રણોત્સવના કારણે ધોરડોનું નમકચ્છિત સફેદ રણ જગ વિખ્યાત બની ગયું છે. પહેલાં એક દિવસનો કાર્યક્રમ હતોપ્રારંભિક વર્ષોમાં રણોત્સવ માત્ર એક દિવસનો દિવસો-એ-કચ્છ પ્રકારનો કાર્યક્રમ હતો.પછીથી પ્રવાસીઓની વધતી માંગને ધ્યાનમાં રાખીને તેને શિયાળા દરમિયાન દૈનિક ઉત્સવનું સ્વરૂપ આપવામાં આવ્યું અને આજે તે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલે છે.કચ્છના ભુકંપ પછી પ્રવાસનને વેગ આપવા માટે કરાયેલું રણોત્સવનુ આયોજન એક સફળ પ્રયાસ સાબિત થયું છે. સ્થાનિકો માટે રોજગારીનું કેન્દ્રરણોત્સવ માત્ર સાંસ્કૃતિક ઉત્સવ નહીં પરંતુ કચ્છના હજારો પરિવારો માટે રોજગારીનું માધ્યમ છે.હેન્ડિક્રાફ્ટ, પરંપરાગત વસ્ત્રો, મઢવર્ક, ગ્રામ્ય હોમ-સ્ટે અને ટેન્ટ સિટી દ્વારા સ્થાનિક લોકોને આર્થિક પ્રગતિ માટે વિશાળ તકો મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:15 pm

ગઢડાના મોટા સખપરથી રતનપર જસદણ રોડ દોઢ વર્ષથી બિસ્માર:લોકોને 50 કિમી વધુ મુસાફરી કરવી પડે, ST બસ સેવા પણ બંધ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના મોટા સખપરથી રતનપર, સનાળા, વનાળા, મોઢુકા અને જસદણ તરફ જતો 15 કિલોમીટરનો માર્ગ છેલ્લા દોઢ વર્ષથી અત્યંત બિસ્માર હાલતમાં છે. આ માર્ગ પર રેતી અને કપચીના થર જમા થવાથી વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે અને દરરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. મોટા સખપર, હોળાયા, રતનપર, મેઘવડીયા, ધુરુફણીયા, ભીમદાડ અને સાળગપરડા સહિતના અનેક ગામોના હજારો લોકો માટે આ માર્ગ જસદણ પહોંચવાનો સૌથી ટૂંકો રસ્તો છે. સામાન્ય રીતે આ માર્ગે જસદણનું અંતર 30 કિલોમીટર થાય છે, પરંતુ રસ્તાની ખરાબ સ્થિતિને કારણે લોકોને ગઢડા થઈને 50 કિલોમીટરનો લાંબો ફેરો કરવો પડે છે. ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે આ રસ્તો જોખમી બન્યો છે, જ્યાં રેતી અને કપચીને કારણે વાહનો સ્લિપ થવાના બનાવો સતત વધી રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રસ્તાની બિસ્માર હાલતને કારણે છેલ્લા 15 વર્ષથી સરકારી ST બસ સેવા પણ આ માર્ગ પર બંધ છે, જેના પરિણામે લોકોને ખાનગી વાહનો પર નિર્ભર રહેવું પડે છે. આ મામલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા સખપર ગામના સરપંચ પ્રવિણભાઈ મકવાણા અને સ્થાનિક ઈન્દુભાઈ માલધારી સહિત ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે રસ્તાનું સમારકામ શરૂ કરવાની માંગ કરી છે. તેમણે ચેતવણી ઉચ્ચારી છે કે જો ટૂંક સમયમાં માર્ગ સુધારણા કાર્ય શરૂ નહીં થાય, તો તમામ ગામો એકઠા થઈને આંદોલન કરશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:12 pm

ગોધરામાં ACM સર્કિટ ચોરીનો ભેદ ઉકેલાયો:SOG પોલીસે ચોરાયેલી સર્કિટ સાથે આરોપીને ઝડપી પાડ્યો

પંચમહાલ ગોધરા SOG પોલીસે ઇકો ગાડીમાંથી ACM સર્કિટની ચોરી કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ સાથે પોલીસે ચોરાયેલી સર્કિટ પણ જપ્ત કરી છે અને વણશોધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીને ગોધરાના દયાળ કાકરા રોડ પરથી પકડવામાં આવ્યો હતો. પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પંચમહાલ ગોધરાના પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતે મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપી હતી. આ સૂચનાઓના આધારે, SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે સ્ટાફને કાર્યવાહી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સૂચનાઓ બાદ, SOG ગોધરાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ અને સ્ટાફ ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન, SOG ગોધરાના એ.એસ.આઈ. શંકરસિંહ સજ્જનસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી. પોલીસે ગોધરા દયાળ કાકરા રોડ ખાતેથી રિઝવાન સાજીદ મામજી (રહે. રાણી મસ્જિદ પાસે, બજાર મહોલ્લા, ગોધરા, જિ. પંચમહાલ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ગોધરાના કલાલ દરવાજા પાસે પાર્ક કરેલી ઇકો ગાડીમાંથી ચોરી કરાયેલી ACM સર્કિટ મળી આવી હતી. આરોપીની ધરપકડ સાથે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટેડ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી આઠ હજાર રૂપિયાની કિંમતની એક ACM સર્કિટ જપ્ત કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:10 pm

મહીસાગર LCBએ વિદેશી દારૂ સાથે બે ઝડપ્યા:બાકોર વિસ્તારમાંથી ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત, રાજસ્થાનના બે આરોપી પકડાયા

મહીસાગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹4.60 લાખથી વધુનો દારૂ અને કુલ ₹12.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને રાજસ્થાનના બે આરોપીઓની ધરપકડ કરી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જિલ્લામાં પ્રોહીબીશનની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રોહીબીશન વોચ અને તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ તપાસ દરમિયાન, LCBના એ.એસ.આઈ. ભવાનજીભાઈ અને હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહને સંયુક્ત બાતમી મળી હતી. બાતમી મુજબ, એક સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાજસ્થાન તરફથી પાંડરવાડા થઈ બાબલિયા ચોકડી તરફ જવાનો હતો. આ બાતમીના આધારે, LCB સ્ટાફ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીયાનામુવાડા ગામ પાસે ખાનગી વાહનો સાથે વોચ ગોઠવીને ઊભો હતો. બાતમી મુજબની સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડી આવતા, LCB ટીમે રસ્તા પર વાહનોની આડશ કરીને તેને રોકી લીધી હતી. પોલીસે ગાડી ચાલક અને તેની બાજુની સીટમાં બેઠેલા ઇસમને ઝડપી પાડ્યા હતા. ગાડીની પ્રાથમિક તપાસ કરતા તેમાં વિદેશી દારૂની બોટલો હોવાનું જણાયું હતું. ત્યારબાદ ગાડીને પોલીસ જાપ્તા સાથે બાકોર પોલીસ સ્ટેશન લાવીને વધુ તપાસ કરતા, તેમાંથી અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી કુલ 135 નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. આ દારૂની કિંમત ₹4,60,622 આંકવામાં આવી છે. દારૂ અને અન્ય મુદ્દામાલ મળીને કુલ ₹12,95,622 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશનનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પકડાયેલા આરોપીઓના નામ (૧) અમન રમેશ યાદવ, રહે. થાના. ચીતરી, તા. ગલીયાકોટ, જિ. ડુંગરપુર, રાજસ્થાન અને (૨) દિક્ષીત જીવરાજ યાદવ, રહે. ગામ. ગલીયાકોટ, બોરાકોલોની, જુઈતલાઈ, થાના. ચીતરી, તા. ગલીયાકોટ, જિ. ડુંગરપુર, રાજસ્થાન છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:04 pm

ઠંડીમાં ઠુઠવાઈ જતા માછીમારનું મોત:માંગરોળ બંદર પર નવી ગોદી વિસ્તારમાં બોટ પર ઊંઘી રહેલા યુવકનું અતિશય ઠંડીના કારણે મોત, પોલીસે વધુ તપાસ હાથ ધરી

રાજ્યમાં શિયાળાની વધતી જતી ઠંડીએ એક યુવાનનો ભોગ લીધો હોવાની કરુણ ઘટના માંગરોળ બંદર વિસ્તારમાં સામે આવી છે. માંગરોળ બંદરની નવી ગોદી વિસ્તારમાં રાત્રીના સમયે બોટ ઉપર સૂતેલા એક યુવાનનું કાતીલ ઠંડી લાગી જવાથી મૃત્યુ થયું હોવાનું પ્રાથમિક કારણ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યું છે ​બોટ પર સૂતેલા યુવાનનું મોત ​માંગરોળ મરીન પોલીસ સ્ટેશનના દસ્તાવેજો મુજબ, મૃતક યુવાનની ઓળખ ધીરુભાઈ ભીમભાઈ બાંભણીયા (ઉંમર આશરે 30 વર્ષ) તરીકે થઈ છે. ધીરુભાઈ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના રામેશ્વર ગામના રહેવાસી હતા.આ ઘટનાની જાણ મૃતકના ભાઈ રાજુભાઈ ભીમભાઈ બાંભણીયા દ્વારા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવીમાંગરોળ મરીન પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. ડી.એચ. કોડીયાતર અને પો. કોન્સ્ટેબલ કે.ડી. જાડેજા દ્વારા યુવાનના મોત અંગે પોલીસ કાર્યવાહી શરૂ કરાય છે. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે મૃતક રાત્રીના સમયે બોટમાં સૂતા હતા અને તે દરમિયાન ખૂબ જ ઠંડી લાગી જવાથી તેમનું કરુણ મૃત્યુ થયું છે.શિયાળાની ઋતુમાં માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ખુલ્લામાં કે બોટ પર સૂતી વખતે પૂરતી ગરમી જાળવવી અને ઠંડીથી બચવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે. પોલીસે આ યુવાનના મૃત્યુના ચોક્કસ કારણ જાણાવા કરવા માટે આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:04 pm

મોરબીમાં 20 કુંજ પક્ષીના મોત:ચાંચાપર અને ખાનપર ગામ નજીક બે દિવસમાં ઘટના, દવાયુક્ત અનાજ કારણ

મોરબી તાલુકાના ચાંચાપર અને ખાનપર ગામના સીમ વિસ્તારમાંથી છેલ્લા બે દિવસમાં કુલ 20 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા છે. વન વિભાગ દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં દવાયુક્ત અનાજ ખાવાથી આ પક્ષીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે ગત 2 ડિસેમ્બરના રોજ ચાંચાપર ગામની સીમમાંથી સૌપ્રથમ છ કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. ગામના સરપંચના પતિ રમેશભાઈ ભીમાણીએ આ અંગે મોરબીના વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ચાંચાપર અને ખાનપર ગામની સીમમાં તપાસ કરતા જુદી જુદી જગ્યાએથી કુલ 20 કુંજ પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. વન વિભાગે તેમાંથી ત્રણ કુંજ પક્ષીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે આ પક્ષીઓના મોત દવાયુક્ત અનાજ ખાવાના કારણે થયા છે. બાકીના મૃતદેહોનો વન વિભાગની સૂચના મુજબ નિકાલ કરવામાં આવ્યો હતો. વન રક્ષક કે.કે. કુનપરાએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે દર વર્ષે શિયાળામાં વિદેશી પક્ષીઓ મોરબી જિલ્લામાં મહેમાન બને છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 2:02 pm

બોટાદના ચિત્રકારને સન્માનિત કરાયા:કૌશિકબાબુ રાઠોડને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-2025 એનાયત થયો

બોટાદના જાણીતા ચિત્રકાર કૌશિકબાબુ રાઠોડ નિર્દોષ ને અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ-2025 થી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમને ગુજરાત રાજ્યની સંસ્કૃતિ અને કલા વારસાને ઉજાગર કરવા બદલ આ રાજ્ય કક્ષાનો એવોર્ડ ગાંધીનગર ખાતે એક સમારોહમાં એનાયત કરાયો હતો. આ ભવ્ય સમારોહમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યના પૂર્વ ચીફ સેક્રેટરી લહેરી, અતુલ્ય વારસોના સંસ્થાપક કપિલ ઠાકર, ગૂજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર ડૉ. હર્ષદભાઈ પટેલ, સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના એમ.ડી રામભાઈ સવાણી, અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ અને જાણીતા કલાકાર અન્નપુર્ણા શુકલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કૌશિકબાબુ રાઠોડ નિર્દોષ ભાલ પંથકના ધોલેરા તાલુકાના ગાંફ ગામના વતની છે અને છેલ્લા ઘણાં વર્ષોથી બોટાદને પોતાની કર્મભૂમિ બનાવી છે. તેમને આ પહેલાં પણ અનેક રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. જેમાં 2021માં અંજુ-નરશી એવોર્ડ અને ભારતના શ્રેષ્ઠ ચિત્રકાર અને કલાગુરુ એવોર્ડ, 2022માં ભારત કલારત્ન એવોર્ડ, અને 2023માં કલાગૌરવ એવોર્ડનો સમાવેશ થાય છે. કલાક્ષેત્રે વર્ષોથી સતત યોગદાન આપનાર 'નિર્દોષ' ને 2025 માં અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડ મળતાં સમગ્ર ભાલ પંથક અને સૌરાષ્ટ્રમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:59 pm

પ્રાંતિજ નજીક માઈક્રો ફાઈનાન્સ એજન્ટ લૂંટાયો:દલપુર પાસે હુમલો કરી 7.88 લાખની રોકડની લૂંટ, પોલીસ તપાસ શરૂ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના દલપુર ગામ નજીક નેશનલ હાઈવે પર માઈક્રો ફાઈનાન્સ એજન્ટ પર હુમલો કરી રૂ. 7.88 લાખની લૂંટ કરવામાં આવી હતી. બુધવારે રાત્રે પ્રાંતિજથી હિંમતનગર તરફ જઈ રહેલા એજન્ટ ધર્મેન્દ્રભાઈ સુતરિયાને નિશાન બનાવવામાં આવ્યા હતા. પ્રાંતિજ પોલીસ સ્ટેશનના PI એન.આર. ઉમટના જણાવ્યા અનુસાર, રાત્રે 10:30 વાગ્યા આસપાસ દલપુર પાસે એક બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ધર્મેન્દ્રભાઈના મોઢા પર મરચાની ભૂકી નાખી હતી. જ્યારે તેઓ મોઢું સાફ કરવા ઊભા રહ્યા, ત્યારે બીજી બાઈક પર આવેલા અન્ય બે શખ્સોએ તેમના માથામાં બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. હુમલાના કારણે ધર્મેન્દ્રભાઈ રોડ પર પડી ગયા હતા. ત્યારબાદ લૂંટારુઓ રૂ. 7.88 લાખ રોકડ ભરેલો થેલો છીનવીને ફરાર થઈ ગયા હતા. ધર્મેન્દ્રભાઈને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમને ત્રણથી ચાર ટાંકા આવ્યા છે. ઘાયલ ધર્મેન્દ્રભાઈએ તેમના સંચાલકને જાણ કરતા તેમને તાત્કાલિક હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસને સ્થળ પરથી બાઈક અને મરચાની ભૂકી મળી આવી હતી. પોલીસે ધર્મેન્દ્રભાઈ સુતરિયાની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ રૂ. 7.88 લાખની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. લૂંટારુઓને પકડવા માટે સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:58 pm

દત્તાત્રેય પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી:માગશર સુદ પૂનમે ભગવાન ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસની ભવનાથ તળેટીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી,પાલખી યાત્રા બાદ સાધુ-સંતોનો ભંડારો.

હિન્દુ ધર્મમાં આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતા માગશર માસની પૂનમ એટલે ભગવાન ગુરુ દત્તાત્રેયનો પ્રાગટ્ય દિવસ. આ પાવનકારી દિવસે આજે જૂનાગઢની પવિત્ર ભવનાથ તળેટીમાં અને ગિરનાર ક્ષેત્રમાં ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિની ભવ્ય અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, જૂના અખાડાના સભ્યો અને ભાવિકોએ ભક્તિભાવપૂર્વક ભાગ લીધો હતો. ​આજના દિવસે ભગવાન ગુરુ દત્તાત્રેયની ભવ્ય પાલખી યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રાનું પ્રસ્થાન ગિરનાર સીડીના 30 પગથિયાં પર આવેલા ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતેથી કરવામાં આવ્યું હતું.પાલખી યાત્રા સમગ્ર ભવનાથ તળેટી વિસ્તારમાં પરંપરાગત રૂટ પર પરિભ્રમણ કરી હતી, જેમાં હજારો ભાવિકો જોડાયા હતા. પાલખી યાત્રા દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ભક્તોએ જય દત્તાત્રેયના નારા લગાવ્યા હતા.ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરથી શરૂ થઈને આ યાત્રા ભવનાથ મંદિર, દત્ત ચોક અને જૂના અખાડા સહિતના મુખ્ય ધાર્મિક સ્થળો પાસેથી પસાર થઈ હતી.પાલખી યાત્રા મૃગીકુંડમાં શાહી સ્નાન કર્યા બાદ ફરી ત્રિગુણેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ હતી. પાલખી યાત્રાની પૂર્ણાહુતિ બાદ પવિત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ધાર્મિક પરંપરા જાળવતા સાધુ-સંતોના ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસેતમામ સાધુ-સંતોને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા.સાધુ-સંતોને યથાશક્તિ દક્ષિણા આપીને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.ભંડારા બાદ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિકો માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરાયું હતું. જૂના અખાડાના ઇષ્ટદેવ અને આધ્યાત્મિક મહત્ત્વ ​ભગવાન ગુરુ દત્તાત્રેય જૂના અખાડાના ઇષ્ટદેવ તરીકે પૂજાય છે. ગુરુ દત્તાત્રેયના પ્રાગટ્ય દિવસનું સાધુ-સંતોના સમુદાયમાં અત્યંત આધ્યાત્મિક મહત્ત્વ રહેલું છે, જેને કારણે ભવનાથ ક્ષેત્રના તમામ સાધુ-સંતોએ એકસાથે મળીને આજના પાવનકારી દિવસની ઉજવણી કરી હતી. ગિરનાર પર્વત પર જતા 30 પગથિયા પર આવેલા ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત રામગીરી બાપુએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આજે દર વર્ષની જેમ માગશર સુદ પૂનમના દિવસે ભવનાથ ક્ષેત્રના સાધુ-સંતો દ્વારા ભગવાન દત્ત જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા 27 વર્ષથી બહોળી સંખ્યામાં સાધુ-સંતો ભગવાન દત્તાત્રેયની પૂજા-અર્ચના આજના દિવસે કરે છે. આ પરંપરાને જાળવી રાખવા માટે જૂનાગઢ શહેરના લોકો અને બહારથી આવતા ભાવિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે વધુમાં કહ્યું હતું કે ગુરુ મહારાજ લક્ષ્મણગીરી બાપુના સાનિધ્યમાં આજના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. તેમની હયાતીમાં પણ દત્ત જયંતિની ભાવભર ઉજવણી કરવામાં આવતી હતી. રામગીરી બાપુએ વધુમાં જણાવ્યું કે ગિરનાર પર્વત ભગવાન દત્તાત્રેયના નામથી જગવિખ્યાત છે, જ્યાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવિકો દર્શન કરવા માટે આવે છે. દર મહિને પૂનમ ભરવા આવતા ભાવિકો માટે આજના દત્ત જયંતિના દિવસનું ખાસું મહત્ત્વ છે.આ સમગ્ર આયોજન જૂનાગઢ શહેરના લોકો, ભાવિકો અને સાધુ-સંતોના સહકારથી સંપન્ન થયું હતું.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:51 pm

અસ્મિતા કેન્દ્રમાં વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી:78 બાળકોએ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો

વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે માનસિક દિવ્યાંગ બાળકો માટે ચિત્રકલા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 78 બાળકોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેનો હેતુ તેમની સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસ વધારવાનો હતો. સ્પર્ધા દરમિયાન બાળકોને ચિત્રકલા વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમને પોતાની કલ્પનાને રંગો દ્વારા વ્યક્ત કરવા પ્રોત્સાહિત કરાયા હતા. ડ્રોઇંગ પેપર, કલર પેન્સિલ, ક્રેયોન્સ અને વોટર કલર જેવી જરૂરી સામગ્રી પણ બાળકોને પૂરી પાડવામાં આવી હતી. બાળકોને તેમની કાર્યક્ષમતાના આધારે ત્રણ જૂથોમાં (લો લેવલ, મીડિયમ લેવલ અને હાઈ લેવલ) વિભાજિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના સ્થાપક પ્રવીણ પટેલ, અરુણા પટેલ, ડી.એલ.એસ.એ. ભરૂચના એડવોકેટ મહેજબીનબેન, ડૉ. વંદનભાઈ અને ડૉ. વિશ્વનીબેન દ્વારા સ્પર્ધાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. દરેક જૂથમાંથી પ્રથમ ત્રણ વિજેતાઓને પુરસ્કાર અપાયા હતા, જ્યારે તમામ સહભાગી બાળકોને પ્રોત્સાહન રૂપે સ્કૂલ બેગનું વિતરણ કરાયું હતું. વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે NTPC જનોર દ્વારા પણ મનોદિવ્યાંગ બાળકો માટે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કંપનીએ બાળકોને પિકનિક જેવો અનુભવ કરાવવા માટે બસ દ્વારા પરિવહનની વ્યવસ્થા કરી હતી. આ કાર્યક્રમમાં બાળકો માટે પપેટ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. NTPCના અધિકારીઓ અને કર્મચારીઓએ બાળકોનું હાર્દિક સ્વાગત કરીને આ ઉજવણીને યાદગાર બનાવી હતી. આવા કાર્યક્રમો દિવ્યાંગ બાળકોની પ્રતિભા વિકસાવવામાં અને સમાજમાં સમાન સહભાગિતાનો સંદેશ ફેલાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:39 pm

અમરેલીમાં 12 વર્ષ બાદ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ:માનવ મંદિર આશ્રમના વિદ્યાર્થીને સારવાર માટે અમદાવાદ ખસેડાયો, આરોગ્ય-પશુ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લામાં 12 વર્ષ બાદ કોંગો ફીવરના શંકાસ્પદ કેસની નોંધ થતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે. સાવરકુંડલા તાલુકાના માનવ મંદિર આશ્રમ ગુરુકુળના એક વિદ્યાર્થીને શંકાસ્પદ કોંગો ફીવરના લક્ષણો જણાતા તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આરોગ્ય-પશુ વિભાગની ટીમોએ તપાસ હાથ ધરીઆ શંકાસ્પદ કેસની જાણ થતા જ અમરેલી આરોગ્ય વિભાગની ટીમ માનવ મંદિર પહોંચી હતી. ટીમે આશ્રમ, હોસ્ટેલ અને ગૌશાળામાં તપાસ હાથ ધરી હતી. પશુ વિભાગની ટીમો દ્વારા ગૌશાળામાંથી વિવિધ પશુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ગૌશાળા તથા આસપાસના વિસ્તારમાં દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો. જિલ્લા મેડિકલ ઓફિસર એ.કે. સિંઘે આ શંકાસ્પદ કેસની પુષ્ટિ કરી હતી. 12 વર્ષ પહેલા બાબરામાં 8 કેસ નોંધાયા હતાઉલ્લેખનીય છે કે, 12 વર્ષ પહેલા બાબરા તાલુકાના કરીયાણા ગામમાં કોંગો ફીવરના 8 જેટલા કેસ નોંધાયા હતા. તે સમયે સાવરકુંડલા, લીલીયા અને ધારીમાં પણ કોંગો ફીવરના કેસ જોવા મળ્યા હતા. વર્ષો બાદ ફરી શંકાસ્પદ કેસ સામે આવતા વિવિધ ડોકટરોની ટીમો દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. કોંગો ફીવર શેનાથી ફેલાય છે?આ રોગ પશુઓથી ફેલાય છે, પશુઓની ચામડી પર ચોંટેલા હનીમોરલ નામના પરજીવી રોગનું વાહક છે. ઈતરડીના કરડવાથી તેની અસર થાય છે. ઈતરડી ગાય અને ભેંસના પૂછડામાંથી ફેલાય છે. માલધારી અને પશુ પાલકોને આ રોગ થવની શક્યતા વધારે રહે છે. 2011માં પહેલીવાર ગુજરાતમાં આ વાયરલ જોવા મળ્યોકોંગો વાયરસ સૌપ્રથમ વર્ષ 1944માં ક્રિમિયામાં જોવા મળ્યો હતો. ત્યારબાદ 1969માં કોંગો દેશમાં મોટા પ્રમાણમાં આ વાયરસ ફેલાયો. પછી 2001માં પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, ઈરાનમાં જોવા મળ્યો. 2011માં પહેલી વાર ગુજરાતમાં આ વાયરસ જોવા મળ્યો હતો. મોટાભાગે તે પૂર્વ આફ્રિકામાં વધારે જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:37 pm

બંધ મકાનમાંથી લાખોનો દારૂ ઝડપાયો:નીલમબાગ પોલીસે રૂ.3.27 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

ભાવનગરની નીલમબાગ પોલીસે બાતમીના આધારે કાળાનાળા, કાળુભા રોડ પર આવેલા એક બંધ મકાનમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની-મોટી કુલ 800 થી વધારે બોટલો કિંમત રૂ. 3 લાખથી વધુ નો મુદ્દામાલ ઝડપી લઈ કાયેસદરની કાર્યવાહી હાથ ધરી હતી રેઈટ દરમ્યાન દારૂનું વેચાણ કરનાર રાજુ સોલંકી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ નીલમબાગ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અજય બારૈયાને બાતમી મળી હતી કે, કાળાનાળા કાળુભા રોડ, વાઘવાળા ડેલા, ભાવનગરના રહેવાસી રાજુ સોલંકીએ પોતાના મકાનની બાજુમાં આવેલા અતુલ નટવરલાલ શાહના ભાડે રાખેલા જૂના બંધ મકાનમાં ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂ સંતાડ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક પંચોને સાથે રાખીને બાતમીવાળી જગ્યાએ દરોડો પાડ્યો હતો, દરોડા દરમિયાન જાણવા મળ્યું કે, ત્યાં બે માળના મકાનના છેલ્લા મકાનમાં દારૂ છુપાવેલો હતો. પોલીસ અને પંચો મકાનના પાછળના ભાગેથી લોખંડની જાળીવાળા દરવાજામાંથી અંદર પ્રવેશ્યા હતા. અંદર જમણી સાઇડ રસોડાનો દરવાજો આવેલો હતો, જેને તાળું મારેલું હતું. તે સમયે મકાનમાં કોઈ ઇસમ હાજર નહોતો. ઝડતી કરવા માટે પોલીસે પંચોની હાજરીમાં જરૂરી બળ વાપરીને મકાનનો દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. રસોડામાં પ્રવેશતા જ જમણી સાઇડ આવેલા પ્લેટફોર્મની નીચે ભોંયતળિયે અલગ-અલગ પૂંઠાના બોક્સ પડેલા હતા. પોલીસે તમામ બોક્સ ખોલીને તપાસ કરતાં તેમાંથી કંપની સીલપેક કરેલી અલગ-અલગ કંપનીની ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની નાની-મોટી બોટલો મળી આવી હતી. જેમાં પોલીસે સ્થળ પરથી 750 ml ની રોયલ વ્હિસ્કીની 60 બોટલ જેની કિંમત રૂ.78,000, 180 ml (ક્વાર્ટર/ચપટા) ની રોયલ વ્હિસ્કીની 768 બોટલ જેની કિંમત રૂ.2,49,600 મળી કુલ રૂ.3,27,600 નો મુદ્દામાલ કબજે કરી રાજુ સોલંકી દારૂનું વેચાણ કરવાના ઈરાદે સ્થળ પર હાજર ન મળતા, તેની સામે પ્રોહિબિશન કલમ 65(એ)(ઈ) અને 116(બી) મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:24 pm

બોટાદ હોમગાર્ડના ચાર જવાનો નિવૃત્ત:નવા વર્ષે સ્નેહ મિલન સાથે સન્માન સમારોહ યોજાયો

બોટાદ હોમગાર્ડ કચેરી ખાતે નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ રહેલા ચાર હોમગાર્ડ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા. નિવૃત્ત થનાર જવાનોમાં કાળુભાઈ સોલંકી, ગંભીરસિંહ પઢીયાર, બાબુભાઈ ધાધલ અને સહદેવસિંહ બારડનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને જવાનોએ તેમની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી તેમને સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, બોટાદ હોમગાર્ડમાં પરેડની કામગીરી માટે અમિતભાઈ રાઠોડને પરેડ ઈન્સ્ટ્રક્ટર (ADI) નો ચાર્જ સોંપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં એ.એ. સૈયદ (DYSP અને બોટાદ હોમગાર્ડ જિલ્લા કમાન્ડન્ટ), આઈ.આર. જાડેજા (પી.એસ.આઈ), યોગેશભાઈ મહેતા (પૂર્વ જિલ્લા કમાન્ડન્ટ અને સ્ટાફ ઓફિસર), રામદેવસિંહ ચુડાસમા (પૂર્વ કંપની કમાન્ડન્ટ), ધર્મેન્દ્રસિંહ ડોડીયા (ઈન. ઓફિસર કમાન્ડર) ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કમલેશભાઈ પરમાર, ઘનશ્યામભાઈ પરમાર, અમિતભાઈ રાઠોડ, દિનેશભાઈ ડાભી, ગુલમહમદ, અનિલભાઈ વાલાણી, મુન્નાભાઈ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડઝ ભાઈઓ અને બહેનો પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:20 pm

છોટા ઉદેપુરમાં નગરપાલિકાએ દબાણ હટાવ્યા:ઝંડા ચોકથી માણેકચોક સુધીના ગૌરવપથ પર કાર્યવાહી

છોટા ઉદેપુર નગરપાલિકા દ્વારા આજે નગરમાં નડતરરૂપ દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઝંડા ચોકથી માણેકચોક સુધીના ગૌરવપથ પર કરવામાં આવી હતી. ગૌરવપથના બંને બાજુએ લારી-ગલ્લા, શાકભાજીના વેપારીઓ અને મસાલાના વેપારીઓએ પથારા પાથરી દીધા હતા. જેના કારણે રસ્તા પર દબાણ ઊભા થયા હતા અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે નગરપાલિકાએ દબાણકર્તા લારી-ગલ્લા, શાકભાજી અને મસાલાના વેપારીઓને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડી હતી. ત્યારબાદ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:19 pm

VHP જનરલ સેક્રેટરીએ ગઢડા મંદિરે દર્શન કર્યા:સંતોએ ફુલહાર પહેરાવી ઉમળકાભેર સ્વાગત કર્યું; શંકરજી ગાયકરે કહ્યું- મનુષ્યનું જીવન મંદિરો વિના અધૂરું છે

VHPના રાષ્ટ્રીય જનરલ સેક્રેટરી શંકરજી ગાયકરે ગઢડા સ્થિત ગોપીનાથજી મંદિરે દર્શન કર્યા હતા. મંદિરના સંતો દ્વારા તેમનું ફુલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. શ્રી ગાયકરે ગોપીનાથજી મહારાજાના દર્શન કર્યા બાદ મંદિરના દરબારગઢમાં ચાલી રહેલી સપ્તાહમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, મનુષ્યનું જીવન મંદિરો વિના અધૂરું છે. મંદિરના દર્શન કરવા એ સૌભાગ્યની વાત છે. તેમણે ઉમેર્યું હતું કે, પરમાત્માની શક્તિ મંદિરોમાં રહેલી છે. જ્યાં સુધી હિન્દુસ્તાનના મંદિરો સમૃદ્ધ રહેશે, ત્યાં સુધી ભારતની ધરોહર અને સંસ્કૃતિ ક્યારેય નષ્ટ થશે નહીં. શ્રી ગાયકરે વધુમાં જણાવ્યું હતું કે, VHP માટે મંદિર એક પવિત્ર સ્થાન છે, તેથી તેની સુરક્ષા અત્યંત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:17 pm

સિંધુભવન રોડ પર કોમનવેલ્થનું વિશાળ હોર્ડિંગ્સ દંપતી પર પડ્યું:પતિ-પત્નીને હાથ-પગે ઇજા, મોપેડમાં પણ ભારે નુકસાન; અન્ય જોખમી હોર્ડિંગ્સ લોકોનો ભોગ લેશે!

અમદાવાદના સિંધુભવન રોડ ઉપર કોમનવેલ્થ ગેમ્સની તૈયારીને લઈને લગાવવામાં આવેલા હોર્ડિંગસથી દુર્ઘટના બની છે. સિંધુ ભવન રોડ ઉપર લગાવવામાં આવેલું હોર્ડિંગ્સ રોડ પરથી પસાર થતાં મોપેડચાલક દંપતી પર પડતા તેમને ઇજા થઈ હતી. આ સાથે જ તેમના ઇલેક્ટ્રીક મોપેડને પણ નુકસાન થયું છે. કોમનવેલ્થ ગેમ્સને હોર્ડિંગ્સ દંપતી પર પડ્યુંઆ અંગેની વિગત એવી છે કે, શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા ચંદ્રેશભાઇ કુમાવત તેમના પત્ની મિતાલીબેન કુમાવત બોપલ ખાતે હોસ્પિટલથી પોતાના ઘરે જવા માટે સિંધુભવન રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. સિંધુભવન રોડ પર એસપી રિંગ રોડથી ટાઈમ સ્ક્વેર ચાર રસ્તા પહેલા કોમનવેલ્થ ગેમ્સને આવકારતું હોર્ડિંગ્સ લગાવવામાં આવેલું હતું, જે અચાનક જ આ દંપતી ઉપર પડ્યું હતું. આ સ્પષ્ટ બેદરકારી છે, AMCમાં ફરિયાદ કરીશુઃ ચંદ્રેશભાઈઆ મામલે ભોગ બનનાર ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, અચાનક જ હોર્ડિંગ્સ અમારા ઉપર પડ્યું હતું, જેના કારણે હું અને મારા પત્ની બંને જણા નીચે પડી જતા બન્નેને ઈજા થઈ હતી. બંનેને હાથે અને પગે છોલાઈ ગયું છે. અમારાા ઈલેક્ટ્રીક મોપેડમાં પણ નુકસાન થયું છે. આ હોર્ડિંગ્સ સ્પષ્ટ બેદરકારી છે. આ મામલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમે ફરિયાદ કરીશું. આ ગંભીર બેદરકારી કોઈપણ વ્યક્તિના જીવને જોખમમાં મુકી શકે છે. અન્ય હોર્ડિંગ્સ પણ ભયાનક સ્થિતીમાંસિંધુભવન રોડ ઉપર શોપિંગ ફેસ્ટિવલ અને કોમનવેલ્થ ગેમ્સને આવકારતા હોર્ડિંગ્સ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લગાવવામાં આવેલા છે, પરંતુ આ હોર્ડિંગ્સ નાગરિકો માટે જીવના જોખમ બન્યા છે. એક હોર્ડિંગ્સ દંપતિ ઉપર પડતા તેમને ઈજા થઈ છે, જ્યારે બીજું હોર્ડિંગ્સ પણ ભયજનક બની ગયું છે. ગંભીર બેદરકારીને લઈને હવે દંપતી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:16 pm

ગઢડા ગોપીનાથજી મંદિરમાં નિશુલ્ક આયુર્વેદ સારવાર કેમ્પ યોજાયો:દુખાવા, ચામડી, ડાયાબિટીસના 50થી વધુ દર્દીઓએ લાભ લીધો

ગઢડા ગોપીનાથજી મંદિર અને આયુર્વેદિક શાખા દ્વારા આજે પૂનમના પાવન દિવસે ગોપીનાથજી મંદિર પરિસરમાં નિશુલ્ક આયુર્વેદ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં દુખાવા, ચામડીના રોગો, ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ જેવી વિવિધ બીમારીઓથી પીડાતા દર્દીઓને તપાસ અને નિદાન સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. આયુર્વેદ વિભાગ દ્વારા દર માસની પૂનમના દિવસે આવા સેવા કાર્યક્રમો નિયમિતપણે યોજવામાં આવે છે. આ કેમ્પનો કુલ 50 થી 55 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ અંગેની માહિતી ડો. દેવાંગ વાળાએ આપી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 1:05 pm

108 એમ્બ્યુલન્સ ટીમે ખેતરમાં મહિલાની પ્રસુતિ કરાવી:હિંમતનગરના પીપોદરા ગામે માતા-બાળકને સિવિલમાં દાખલ કરાયા

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પીપોદરા ગામે ખેતરમાં એક મહિલાની 108 એમ્બ્યુલન્સ દ્વારા સફળતાપૂર્વક પ્રસુતિ કરાવવામાં આવી હતી. પ્રસુતિ બાદ માતા અને નવજાત શિશુ બંને સ્વસ્થ છે અને તેમને વધુ સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગર તાલુકાના હરિઓમ કંપા (પીપોદરા) કુવા ઉપર રહેતા દીપીબેન પ્રવીણભાઈ પારઘીને પ્રસુતિની પીડા શરૂ થઈ હતી. તેમને તાત્કાલિક તબીબી સહાયની જરૂર જણાતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સના EMT પંકજ પરમાર અને પાયલોટ શિવરામ સુતરીયા તાત્કાલિક દીપીબેનના ખેતરે પહોંચ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે પ્રસુતિની પીડા અત્યંત તીવ્ર હતી, જેના કારણે સ્થળ પર જ પ્રસુતિ કરાવવી અનિવાર્ય બની હતી. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ સાધનો અને ERCP ડોક્ટરની સલાહ મુજબ ખેતરમાં જ સુરક્ષિત રીતે પ્રસુતિ કરાવવામાં આવી હતી. સફળ પ્રસુતિ બાદ માતા અને બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યાર બાદ, બંનેની વધુ તબીબી તપાસ અને સંભાળ માટે તેમને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:59 pm

બનાસકાંઠાને મળશે 27.56 કરોડના વિકાસ કાર્યોની ભેટ:DyCM હર્ષ સંઘવી વડગામમાં લાઇબ્રેરી, પાલનપુરમાં મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ અને ડીસામાં તાલુકા કક્ષાનું રમત સંકુલ ખુલ્લું મુકશે

આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે રૂ. 27.56 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વડગામ ખાતે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી, પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ તથા ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને ખુલ્લું મુકાશે. 4 કરોડના ખર્ચે આધુનિક લાઇબ્રેરી બનાવાઇવિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી શકે તે હેતુસર સરકાર દ્વારા વડગામ ખાતે 698.05 ચો.મી. જમીન પર અંદાજે રૂ. 4 કરોડના ખર્ચે તાલુકા કક્ષાની આધુનિક લાઇબ્રેરી કાર્યરત કરાઈ છે. આ લાઇબ્રેરી ખાતે કુલ 169 વિદ્યાર્થીઓને બેસવાની ક્ષમતાવાળી G+1 ઇમારત, વરિષ્ઠ નાગરિકો, મહિલાઓ અને બાળકો માટે અલગ જગ્યાઓ, કોન્ફરન્સ રૂમ તથા 20 હજાર જેટલા પુસ્તકો રાખવાની ક્ષમતા સહિત આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. 9.20 કરોડના ખર્ચે મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ બનાવાયોબનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલ કાર્યરત કરાયો છે. રૂ. 9.20 કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે. આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબિન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે. 14.35 કરોડના ખર્ચે રમત સંકુલ બનાવાયુંનાયબ મુખ્યમંત્રી ડીસા ખાતે તાલુકા કક્ષાના રમત સંકુલને પણ ખુલ્લું મુકશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ રમત સંકુલ 28,329 ચો.મી. જમીન પર કુલ રૂ. 14.35 કરોડના ખર્ચે નિર્માણ પામ્યું છે. આ રમત સંકુલમાં સિન્થેટિક બાસ્કેટબોલ અને લોન ટેનિસ કોર્ટ, 200 મીટર મડી ટ્રેક, સ્કેટિંગ રિંક, વોલીબોલ ગ્રાઉન્ડ, લોન્ગ જંપ, કબડ્ડી અને ખો-ખો સહિતની આઉટડોર સુવિધાઓ ઉભી કરાઈ છે. આ સાથે જ મલ્ટી પર્પઝ ઇન્ડોર હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ જેવી ઇન્ડોર રમતો માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. કેમ્પસ ડેવલપમેન્ટ અંતર્ગત આંતરિક રસ્તા, ટોઇલેટ બ્લોક, પાર્કિંગ શેડ અને લેન્ડસ્કેપિંગ કાર્ય પૂર્ણ કરાયું છે. આ મહાનુભવો ઉપસ્થિત રહેશેનાયબ મુખ્યમંત્રીના લોકાર્પણ કાર્યક્રમ વખતે રમત ગમત રાજ્ય મંત્રી જયરામ ગામીત, વન અને પર્યાવરણ, વાહનવ્યવહાર અને ક્લાયમેન્ટ ચેન્જ રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:55 pm

રાજકોટમાં ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો DGPના હસ્તે પ્રારંભ:ઇન્ટરનેશનલ ખેલાડી લલિત ઉપાધ્યાયે કહ્યું - ઓલમ્પિક ખેલાડીઓ માટે TOPS સ્કીમ ખૂબ જ ફાયદાકારક

રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો DGP વિકાસ સહાયના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ભારતીય સંસ્કૃતિને પ્રસ્તુત કરતું અઠંગો નૃત્ય રજૂ કરવામાં આવ્યુ હતુ. દેશની પોલીસની 32 હોકી ટીમ વચ્ચે 10 દિવસ ખરાખરીનો જંગ જામશે. રાજકોટના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હોકી ગ્રાઉન્ડમાં ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ઓપનિંગ સેરેમનીમાં ડીજીપીએ દેશરભરમાંથી પોલીસની હોકી ટિમો રાજકોટની મહેમાન બની તેનો ગુજરાતને ગર્વ હોવાનું તો હોકી સ્પોર્ટ્સની રીતે જ નહિ પરંતુ સંકલન, સમર્પણની ભાવનાઓથી રમાય છે તેમ જણાવ્યું હતું. જ્યારે હોકીના આંતરરાષ્ટ્રીય ખેલાડી અને ભારતીય ટીમના ભૂતપૂર્વ પ્લેયર લલિતકુમાર ઉપાધ્યાયે કેન્દ્ર સરકાર દ્વારા ઓલમ્પિક ખેલાડીઓને પ્રોત્સાહન માટે ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમને ખેલાડીઓ માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. રાજકોટમાં આજથી શરૂ થયેલી ચેમ્પિયનીપ 14 ડિસેમ્બર સુધી ચાલશેરાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યુ હતુ કે, આજથી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો રાજકોટમાં શુભારંભ થયો છે. 4 થી 14 ડિસેમ્બર સુધી દેશની 32 ટીમ વચ્ચે જંગ જામશે. જેમાં પોલીસ ભાઈઓની 24 તો બહેનોની 8 ટીમ છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પોલીસ હોકી ટુર્નામેન્ટમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે. તેમણે જણાવ્યું કે, ભારતીય હોકીનુ નામ આવે ત્યારે મેજર ધ્યાનચંદનુ નામ સૌની મોખરે આવે. દેશભરમાંથી પોલીસની હોકી ટીમો રાજકોટની મહેમાન બની તેનો ગુજરાતને ગર્વ છે. હોકી સ્પોર્ટ્સની રીતે જ નહિ પરંતુ સંકલન , સમર્પણ સહિતની ભાવનાઓથી રમાય છે. હોકી ટીમના 11 સભ્યોનું સંકલન ખુબ જ મહત્વ હોઈ છે. જેમાં એક ટીમ ભાવના અને એક ધ્યેય સાથે આગળ વધવાનું રહે છે. જ્યારે પોલીસ કમિશનર બ્રીજેશ કુમાર ઝાને સુદ્રઢ વ્યવસ્થા મામલે રાજ્યના પોલીસ વડાએ અભિનંદન પાઠવ્યા હતા. આ તકે આર્મ્સ એક્ટના ડીજી રાજુ ભાર્ગવ , રેન્જ આઇજી અશોકકુમાર યાદવ ,કલેક્ટર ડો.ઓમ પ્રકાશ , ડીડીઓ અનંદુ સુરેશ ગોવિંદ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારના આયોજનથી ગુજરાતમાં ખેલકૂદ માટેની રુચિ વધશે- લલિતકુમાર ઉપાધ્યાયજ્યારે હોકીના આંતરરાષ્ટ્રીય ખેલાડી લલિતકુમાર ઉપાધ્યાય કે જેઓ વર્ષ 2020 માં ટોક્યો અને 2024 માં પેરિસ ઓલમ્પિક રમતોમાં કાંસ્ય પદક જીતી ચૂક્યા છે. જેઓ ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી પણ છે. હોકીના ખેલાડીઓને બુસ્ટ અપ કરવા માટે ગુજરાત પોલીસને અભિનંદન આપુ છું. આનાથી ગુજરાતમાં ખેલકૂદ માટેની રુચિ વધશે. તેમણે જણાવ્યું એટલે કેન્દ્ર સરકાર હોકીની રમતને પ્રોત્સાહન માટે ખૂબ જ સારું કામ કરી રહ્યું છે. એશિયન ગેમ્સ કે ઓલમ્પિક હોય તો તેના માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (TOPS) જે ઓલિમ્પિક્સમાં ભાગ લેનારા એથ્લેટ્સ માટે એક સોલ્યુશન પ્લેટફોર્મ તરીકે ઉભરી આવ્યું છે. રાજકોટમાં યોજાયેલી ચેમ્પિયનશીપમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છેગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને રાજ્યના DGP વિકાસ સહાય અહીં આવી પહોંચ્યા હતા. 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી દેશભરમાંથી પોલીસ તેમજ પેરા મિલ્ટ્રી ફોર્સની મેન્સ તેમ વુમનની 32 ટિમો ભાગ લેશે. આ માટે રાજકોટના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી હોકી ગ્રાઉન્ડમાં ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ માટે DGPની અધ્યક્ષતામાં અલગ અલગ 10 કમિટીની રચના કરવામાં આવી છે. આજે ભવ્ય ઓપનિંગ સેરેમની યોજાઈ હતી. રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન સ્થિત મનપા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ અને સૌરાષ્ટ્ર યુનિવર્સીટી કેમ્પસમાં આવેલ હોકી ગ્રાઉન્ડમાં આગામી તારીખ 4 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર સુધી 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં દેશભરની પોલીસ તેમજ પેરા મિલ્ટ્રી ફોર્સની 34 જેટલી મેન અને વુમન ટિમો ભાગ લઈ રહી છે. જેમાં દેશના 700 થી વધુ પોલીસના હોકી ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે. 15 ડિસેમ્બરે ચેમ્પિયનશીપની ક્લોઝિંગ સેરેમની યોજાશેગુજરાતમાં પ્રથમ વખત આયોજન થતા DGP વિકાસ સહાયની અધ્યક્ષતામાં 10 જેટલી કમિટી બનાવવામાં આવી છે અને તમામ કમિટીને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે. આજે પ્રથમ ભવ્ય ઓપનિંગ સેરેમની રાજકોટ શહેર પોલીસ હેડ ક્વાર્ટરમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારે 9 વાગ્યે શરૂ થઈ. જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહ્યા હતા જેમણે ચેમ્પિયનશિપમાં ભાગ લેનાર દરેક ટિમ સાથે ઇન્ટ્રોડક્શન કર્યુ હતુ. જયારે તારીખ 15 ડિસેમ્બરના રોજ ક્લોઝિંગ સેરેમની સાંજે 4 વાગ્યે યોજવામાં આવશે. જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ઉપસ્થિત રહેશે. અલગ અલગ 10 કમિટી બનાવવામાં આવી (1) ઓર્ગેનાઇઝીંગ કમીટીવિકાસ સહાય - રાજ્ય પોલીસ વડારાજુ ભાર્ગવ - એડી. ડિજીપી હથીયાર યુનિટબ્રજેશકુમાર ઝા - પોલીસ કમિશનર રાજકોટમહેન્દ્ર બગરીયા - એડી. સીપી રાજકોટવિજયસિંહ ગુર્જર - એસપી રાજકોટ ગ્રામ્ય (2) હોટલ, ટ્રાન્સપોર્ટ, ફૂડ માટેની કમીટીમહેન્દ્ર બગરીયા - એડી. સીપી રાજકોટહરપાલસિંહ જાડેજા - ટ્રાફિક ડીસીપીમુનાફ પઠાણ - એસીપી હેડ કવાર્ટરપીઆઈ - ક્રાઇમ બ્રાન્ચ (3) ઓપનિંગ-ક્લોઝિંગ સેરેમની કમીટીબ્રજેશકુમાર ઝા - પોલીસ કમિશ્નર રાજકોટરાકેશ દેસાઈ - ડિસીપી રાજકોટ રાધીકા ભારાઈ - એસીપી રાજકોટ પીઆઈ - કાઈમ બ્રાન્ય સભ્ય- ગુજરાત હોકી ફેડરેશન (4) સ્પોન્સર, પ્રાઈઝ, પૅડલ અને સર્ટીફિકેટ વિતરણ કમીટીઅશોકકુમાર યાદવ - રેન્જ આઈજી રાજકોટ હેતલ પટેલ - ડિસીપી રાજકોટભાવેશ જાધવ - એસીપી રાજકોટએસ.એમ.જાડેજા - એસઓજી પીઆઈ (5) મીડિયા અને પયિલિટી કમીટીજગદીશ બાંગવા - ડીસીપી કાઈમ રાજકોટભરત ખસીયા - એસીપી કાઈમપીઆઇ રાજકોટ સીટી (6) કોમ્યુનિકેશન, આઈટી-ટેક્નિકલ એડવાઈઝરી અને રેકોર્ડ રિઝલ્ટ કમીટીજગદીશ બાંગરવા - ડીસીપી કાઈમ રાજકોટવિનાયક પટેલ - એસીપી કંટ્રોલ રાજકોટ પીઆઈ રાજકોટ સીટી એ.આર. તિવારી - પીઆઈ વાયરલેસ પોલીસ રાજકોટ (7) નાણાં અને ખર્ચ કમીટીબ્રજેશકુમાર ઝા - પોલીસ કમિશ્નર રાજકોટગગનદીપ ગંભીર - આઈજીપી એડમીન પન્નાબેન મહેતા - એકાઉન્ટ ઓફિસર ડિજીપી ઓફિસડેપ્યુટી એકાઉન્ટ ઓફિસર રાજકોટ શહેર (8) મેડિકલ કમીટી કોમલ વ્યાસ - ફમાન્ડેટ એસઆરપીએફ ચેલારાજેશ બારીઆ - એસીપી રાજકોટ સીટીસીવીલ સર્જન - સિવિલ હોસ્પિટલ મેડિકલ ઓફિસર - SRPF (9) કેમ્પ કમિટી એ.એન.બારડ - DYSP SRPF રાજકોટ મુનાફ પઠાણ - એસીપી હેડ કવાર્ટર શ્રીજીતા પટેલ - ડીવાયએસપી રૂરલ રિઝર્વ પીઆઈ રાજકોટ સીટી (10) જયૂરી અને અપીલ કમીટીપી.કે. રૌશન - એડી. ડિજીપી હથીયાર યુનિટસભ્ય - ગુજરાત હોકી ફેડરેશન શા માટે રાજકોટની પસંદગી કરવામાં આવીગુજરાતમાં પ્રથમ વખત ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન રાજકોટમાં કરવા પાછળ પણ એક મહત્વનું કારણ છે. વર્ષ 2016માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકૂલમાં અંદાજીત 5 કરોડથી વધુના ખર્ચે હોકીનું મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું. જેને મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ નામ આપવામાં આવ્યું હતું. આ ગ્રાઉન્ડને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવ્યું હોવાથી હોલેન્ડથી આવેલા નિષ્ણાતોએ હોકી ગ્રાઉન્ડની ચકાસણી કર્યા બાદ તેને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટીફીકેટ આપવામાં આવ્યું હતું. આ મેદાન ગુજરાતનું પ્રથમ એવું હોકી મેદાન છે કે જે ટર્ફ મેદાન છે ટર્ફ મેદાનને કારણે ખેલાડીઓને સ્પીડ અને સ્કીલ બન્ને મળી રહે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:50 pm

છત્રાલ GIDCમાં એરંડાના ખેતરમાં ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી:પ્લાસ્ટિકના કોઈન થકી જુગાર રમતા ત્રણને દબોચી લીધા; કલોલ તાલુકા પોલીસ ઊંઘતી રહી!

ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે કલોલ તાલુકા પોલીસ મથકની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી છત્રાલ જીઆઈડીસીમાં એરંડાના ખેતરમાં રેડ પાડી હતી. અહીં છેલ્લા કેટલાક દિવસોથી સઘળા આયોજનપૂર્વક પ્લાસ્ટિકના કોઈન મારફતે રમાતા જુગારધામનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત ત્રણ જુગારીને 81 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. ક્રાઈમ બ્રાન્ચને જુગારની બાતમી મળી હતીગાંધીનગર જિલ્લાના સંવેદનશીલ ગણાતા કલોલ વિસ્તારમાં ફૂલી ફાલેલી દારૂ જુગાર તેમજ નારકોર્ટિસ પદાર્થોની પ્રવૃતિઓ સામે સ્થાનિક પોલીસ આંખ આડા કાન કરતી હોય તો ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચને અસરકારક કામગીરી કરવા જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ સૂચનાઓ આપી છે. જે અન્વયે લોકલ ક્રાઈન બ્રાન્ચના પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમ અત્રેના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમ્યાન બાતમી મળો હતી કે, શુભાંગન બંગલો નંબર 27 માં રહેતો સંજય ગોવિંદભાઈ પ્રજાપતિએ છત્રાલ GIDCમાં મંગલમ કંપનીની પાછળ આવેલા એરંડાના ખેતરમાં ખુલ્લી જગ્યામાં બહારથી જુગારીઓ બોલાવીને પ્લાસ્ટિકના કોઈન મારફતે જુગારધામ ચલાવામાં આવી રહ્યું છે. રેડમાં ત્રણ લોકો રંગેહાથ ઝડપાયાઆ બાતમીના આધારે એલસીબીની ટીમે દરોડો પાડતા મુખ્ય સૂત્રધાર સંજય પ્રજાપતિ, રતીલાલ પ્રહલાદદાસ પટેલ (રહે, ઉમિયા સોસાયટી, અયોધ્યા સોસાયટીની બાજુ, કડી, મહેસાણા) અને પ્રકાશ સુરેશભાઈ પટેલ (રહે.ધાનજ, કલોલ) જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. કલોક પોલીસમાં ગુનો દાખલબાદમાં એલસીબીએ ત્રણેય જુગારીઓ પાસેથી રોકડ રકમ, ત્રણ મોબાઇલ ફોન, અલગ અલગ કલરના પ્લાસ્ટિક કોઈન તેમજ એક્ટિવા મળીને કુલ રૂ.81 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં ત્રણેય જુગારીઓ વિરુધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:43 pm

અમદાવાદ એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ:મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઇટમાં પેસેન્જરે કહ્યું- મારી પાસે બોમ્બ છે, થોડીવારમાં બ્લાસ્ટ થશે; મુસાફરની અટકાયત, ફ્લાઇટમાં સર્ચ

અમદાવાદ એરપોર્ટ પર મદીનાથી હૈદરાબાદ જતી ઈન્ડિગોની ફ્લાઈટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ફ્લાઈટમાં એક મુસાફરની શંકાસ્પદ ગતિવિધિના કારણે ફ્લાઇટનું ઇમર્જન્સીમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હાલ તમામ મુસાફરોને બહાર કાઢીને તપાસ કરવામાં આવી રહી છે. ફ્લાઈટમાં હાજર એક મુસાફરે ક્રુ મેમ્બરને એવું કહ્યું હતું કે મારી પાસે બોમ્બ છે અને થોડીવારમાં બ્લાસ્ટ થઈ જશે. આ પછી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ અમદાવાદ એરપોર્ટ પર કરાવવામાં આવ્યું હતું. શંકાસ્પદ વ્યક્તિની અટકાયત, ફ્લાઇટનું ચેકિંગઝોન 4 DCP અતુલ બંસલે જણાવ્યું હતું કે પોલીસને જાણ થતા પોલીસની ટીમ એરપોર્ટ પહોંચી છે. અત્યારે તમામ મુસાફરોનું બોર્ડિંગ કરાવીને એરપોર્ટમાં લાવવામાં આવ્યા છે. શંકાસ્પદ વ્યક્તિની પણ અટક કરવામાં આવી છે. હાલ ફ્લાઇટનું ચેકિંગ કરીને આગળની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:41 pm

સાળંગપુર હનુમાનજી દાદાને દિવ્ય શણગાર:પૂનમ નિમિત્તે ફૂલના વાઘા, હીરાજડિત મુગટ, 200 કિલો તલની સાની અર્પણ

સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને પૂનમ નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. ગુરુવાર, 04-12-2025ના રોજ દાદાને ફૂલની ડિઝાઇનવાળા વાઘા, ઓર્કિડ અને શેવંતીના ફૂલોનો શણગાર કરાયો હતો. આ ઉપરાંત, તેમને રીયલ ડાયમંડ જડિત મયૂરાકારનો ચાંદીનો મુગટ અને 200 કિલો તલની સાની (કચરિયું) અર્પણ કરવામાં આવી હતી. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આ શણગાર કરાયો હતો. દાદાને વૃંદાવનમાં તૈયાર કરાયેલા ફૂલની ડિઝાઇનવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. સિંહાસનને ઓર્કિડ અને શેવંતીના ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જે વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા. દાદાને એલચી અને શેવંતીના ફૂલનો હાર પણ પહેરાવવામાં આવ્યો હતો. પૂજારી સ્વામીએ જણાવ્યું હતું કે, વૃંદાવનમાં 4 કારીગરો દ્વારા 5 દિવસની મહેનતથી ફૂલની ડિઝાઇનવાળા વાઘા તૈયાર કરાયા હતા. આ શણગાર કરવામાં 3 સંતો, ભક્તો અને પાર્ષદોને 4 કલાકનો સમય લાગ્યો હતો. સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગળા આરતી અને સવારે 7:00 કલાકે કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. અનેક હરિભક્તોએ દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:40 pm

જામનગરના બેડીમાં બે જૂથ વચ્ચે મારામારી:પ્રેમ લગ્નના મામલે તકરાર, સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ

જામનગરના બેડી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. પ્રેમ લગ્નના મામલે થયેલી આ તકરારમાં બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેડીના ઈદ મસ્જિદ રોડ પર અસલમ અબ્દુલભાઈ ઘુમરા (ખત્રી) અને આમદ કાદરભાઈ માણેક (વાઘેર)ના પરિવારો વચ્ચે આ ઝઘડો થયો હતો. જેમાં પથ્થરમારા સહિતના હુમલા થયા હતા. સ્થાનિકોએ આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે ગઈકાલ રાતથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલો પોલીસ મથકે પહોંચતા અસલમ અબ્દુલભાઈ ઘુમરાએ મુસ્તાક હારુન માણેક, કરાર આદમ માણેક અને અહેમદ હારુન માણેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, અસલમના ભાઈ સમીરે આરોપીઓના પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી આ ઝઘડો થયો હતો, જેમાં અસલમ, સમીર અને તેમની માતા પર હુમલો કરાયો હતો. સામા પક્ષે, કાદરભાઈ માણેકે પણ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમણે કાસમ ખત્રી, સલીમ ખત્રી, સલમાન ખત્રી અને અસલમ ખત્રી સામે પોતાના અને પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના અંગે સિટી બી. ડિવિઝનના પી.એસ.આઈ. એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:22 pm

અમરેલીમાં SP સંજય ખરાતે 1500 બાળકોને માર્ગદર્શન આપ્યું:મિશન સ્માઈલ અંતર્ગત સુરક્ષિત-અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃતિ કાર્યક્રમ

અમરેલી જિલ્લા પોલીસે બાળકોની સુરક્ષા માટે 'મિશન સ્માઈલ' પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ અંતર્ગત શાળાઓ અને સમાજમાં બાળકોને સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ અંગે જાગૃત કરવા વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, અમરેલી વિદ્યાસભા કેમ્પસમાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અમરેલી જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરાતની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં કુલ 1500 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા. બાળકોને સુરક્ષિત સ્પર્શ શું છે, અસુરક્ષિત સ્પર્શ શું છે, આવી પરિસ્થિતિમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી જોઈએ, અને શિક્ષકો, વાલીઓ તેમજ સમગ્ર સમાજની શું જવાબદારી છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા બાળકો અને તેમના શિક્ષકોને આ મુદ્દે વધુ સચેત રહેવા અને બાળકોને યોગ્ય સમજ આપવા અંગે પણ અવગત કરવામાં આવ્યા હતા. એસપી સંજય ખરાતે જણાવ્યું કે 'મિશન સ્માઈલ' અંતર્ગત અત્યાર સુધીમાં જિલ્લાના 50,000 જેટલા બાળકોને સુરક્ષિત સ્પર્શ અંગે માહિતી આપવામાં આવી છે. આવનારા ટૂંક સમયમાં, ખાસ કરીને એપ્રિલ મહિના સુધીમાં, આ સંખ્યા વધારીને જિલ્લાની બે લાખથી વધુ શાળાના બાળકો સુધી માહિતી પહોંચાડવાનો અમરેલી જિલ્લા પોલીસનો લક્ષ્ય છે. સમાજના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓ અને પોલીસ વિભાગ સંકલનમાં રહીને કાર્ય કરશે, જેથી આવા બનાવો અટકાવી શકાય અને જો કોઈ ઘટના બને તો તેની તાત્કાલિક જાણ થઈ શકે અને કડક કાર્યવાહી કરી શકાય. 'મિશન સ્માઈલ' દ્વારા બાળકોમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવીને તેમને ભયમુક્ત અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા માટે અમરેલી જિલ્લા પોલીસ સતત પ્રયત્નશીલ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:18 pm

કલેક્ટર નિરગુડેના અધ્યક્ષસ્થાને તાલીમાર્થી અધિકારીઓ સાથે બેઠક:દાહોદની વહીવટી વ્યવસ્થા અને વિકાસ કામગીરીની માહિતી અપાઈ

દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને તાલીમાર્થી અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની વહીવટી વ્યવસ્થા અને વિકાસ કામગીરી અંગે વિગતવાર માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટર યોગેશ નિરગુડે ઉપરાંત જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને પ્રાયોજના વહીવટકર્તા દેવેન્દ્ર મીનાએ તાલીમાર્થી અધિકારીઓને દાહોદ જિલ્લાના વહીવટી તંત્ર અને વિકાસલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ તાલીમાર્થી અધિકારીઓ આગામી દિવસોમાં દાહોદ જિલ્લાના વિવિધ તાલુકાઓની રૂબરૂ મુલાકાત લેશે. તેઓ શાળા, આંગણવાડી, સસ્તા અનાજની દુકાનો, ગ્રામ પંચાયતો, સહકારી મંડળીઓ અને પ્રવાસન સ્થળોની કામગીરીનું નિરીક્ષણ કરશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, ડીઆરડીએ નિયામક, લાયઝન અધિકારી કે.એલ. ગોસાઈ સહિત સંકલનના તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ચાલતી કામગીરી અંગે મૂળભૂત જાણકારી પણ આપી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:17 pm

વલસાડના વાઝવાડ ગામે ઝેરી કચરો ઠાલવતી ટ્રક ઝડપાઈ:વાપી પાલિકાનો કચરો ગેરકાયદેસર ઠલવાતો હોવાનો આક્ષેપ

વલસાડ જિલ્લાના નાનાપોંઢા તાલુકાના વાઝવાડ ગામમાં બુધવારે વાપી મહાનગર પાલિકાનો ગેરકાયદેસર ઝેરી કચરો ઠાલવતી એક ટ્રક સ્થાનિક લોકોએ ઝડપી પાડી હતી. આ ઘટના બાદ ટ્રકનો ડ્રાઈવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ ટ્રકને રોકીને તપાસ કરતા તેમાં પર્યાવરણને નુકસાન પહોંચાડે તેવો સિંગલ-યુઝ પ્લાસ્ટિક અને અન્ય ઝેરી કચરો હોવાનું સામે આવ્યું હતું. આ ડમ્પર વાપી મહાનગર પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા સંચાલિત હોવાના પુરાવા પણ મળ્યા છે. મળતી માહિતી મુજબ, વાપી મહાનગર પાલિકામાંથી નીકળતો કચરો નિર્ધારિત સ્થળે ફેંકવાને બદલે કોન્ટ્રાક્ટરો દ્વારા વર્ષોથી કપરાડા અને નાનાપોંઢાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની હોવા છતાં કોઈ કડક કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ગામજનો હવે આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે સંગઠિત થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:16 pm

વલસાડમાં ઠંડીનો ચમકારો:લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી નોંધાયું, દિવસ દરમિયાન 29 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા

વલસાડ જિલ્લામાં ગુરુવારે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનો અનુભવ થયો હતો. શહેરમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે બુધવારના 20 ડિગ્રી તાપમાન કરતાં 1 ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોના મતે, આગામી છ દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાશે. આગામી 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. છેલ્લા એક અઠવાડિયાથી વલસાડમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. વહેલી સવારે ધુમ્મસભર્યા વાતાવરણ અને સૂર્યપ્રકાશના અભાવને કારણે ઠંડીનો અનુભવ વધુ તીવ્ર બન્યો હતો. શહેરના રસ્તાઓ પર લોકો સ્વેટર, જેકેટ અને શાલ જેવા ગરમ વસ્ત્રો પહેરેલા જોવા મળ્યા હતા. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલું તાપમાન જોઇએ તો- વલસાડમાં મહત્તમ 29C અને લઘુત્તમ 19C; ધરમપુરમાં મહત્તમ 32C અને લઘુત્તમ 18C; વાપીમાં મહત્તમ 30C અને લઘુત્તમ 21C; કપરાડામાં મહત્તમ 31C અને લઘુત્તમ 20C; ઉમરગામમાં મહત્તમ 29C અને લઘુત્તમ 18C; જ્યારે પારડીમાં મહત્તમ 29C અને લઘુત્તમ 20C તાપમાન નોંધાયું છે. વલસાડ જિલ્લાના વલસાડ, ધરમપુર અને ઉમરગામ તાલુકાઓમાં દિવસભર ખુલ્લું વાતાવરણ રહેવાની શક્યતા છે, જ્યારે વાપી તાલુકામાં વાદળછાયું હવામાન રહી શકે છે. પારનેરા ડુંગર પર ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, ત્યારે જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત જેવા ખેતીકાર્યોમાં વ્યસ્ત બન્યા છે. ઠંડીની શરૂઆત થતાં, ખેડૂતો આંબામાં સંભવિત રોગ અને જીવાત પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. હવામાન વિભાગ અનુસાર, રાત્રિનું તાપમાન 19 ડિગ્રી સુધી નીચે જઈ શકે છે. દિવસ દરમિયાન વલસાડ શહેરમાં 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:15 pm

ભારે પવનના કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ:ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા યાત્રિકોની સલામતી માટે રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય: યાત્રા કરવા આવેલા પ્રવાસીઓમાં નિરાશા.

પવિત્ર યાત્રાધામ ગિરનાર પર આજે વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે હજારો યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ મહત્ત્વનો અને તાત્કાલિક નિર્ણય લીધો છે. ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવા અને હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિશ્વ પ્રસિદ્ધ ગિરનાર રોપ-વે સેવાને તાત્કાલિક અસરથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ​ગિરનાર અને ભવનાથ ક્ષેત્રની મુલાકાત લેવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે. રોપ-વે શરૂ થયા બાદ અશક્ત, વૃદ્ધ અને બીમાર લોકો માટે પર્વત પરની યાત્રા અત્યંત સરળ અને આરામદાયક બની ગઈ છે. જોકે, આજે વહેલી સવારથી જ ગિરનાર પર્વતની ઊંચાઈ પર પવનનો વેગ અસામાન્ય રીતે વધી ગયો હતો. રોપ-વે ઓપરેટિંગ સિસ્ટમમાં સુરક્ષાના કડક ધારાધોરણો નિર્ધારિત કરાયેલા હોય છે, જે મુજબ પવનની ગતિ એક ચોક્કસ મર્યાદા વટાવી જાય ત્યારે ઓપરેશન આપોઆપ અથવા તાત્કાલિક બંધ કરવું અનિવાર્ય બની જાય છે. ગિરનાર વિસ્તારમાં ખુલ્લા અને ઊંચા વિસ્તારમાં પવનનો વેગ વધુ હોવાથી, રોપ-વેની કેબિન્સની ગતિ અને સ્થિરતા જાળવવામાં જોખમ સર્જાઈ શકે છે. પવનની ગતિ સલામત સ્તરથી ઘણી વધી જતાં યાત્રિકોની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનું જોખમ લેવું યોગ્ય નથી. આથી, તાત્કાલિક ધોરણે રોપ વે બંધ સેવા બંધ કરવામાં હતી. રોપ-વે બંધ થવાથી યાત્રિકોને ભારે હાલાકી ​રોપ-વે બંધ થતાં મોટી સંખ્યામાં સવારથી જ દર્શન કરવા આવેલા પ્રવાસીઓને નિરાશા સાંપડી છે. ખાસ કરીને વયોવૃદ્ધ અને અશક્ત યાત્રિકો, જેઓ રોપ-વે પર આધાર રાખીને આવ્યા હતા, તેમને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. રોપ-વે સંચાલન ટીમે સ્પષ્ટતા કરી છે કે, જ્યાં સુધી ગિરનાર પર્વત પર પવનની ગતિ સંપૂર્ણપણે સામાન્ય અને સલામત સ્તર પર ન આવી જાય, ત્યાં સુધી રોપ-વે સેવા ફરીથી શરૂ કરવામાં આવશે નહીં. પવનની ગતિ સામાન્ય થતાંની સાથે જ ટેકનિકલ ટીમ દ્વારા સમગ્ર સિસ્ટમની સુરક્ષાની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. સુરક્ષાના તમામ માપદંડો પૂર્ણ થયા બાદ જ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવશે. ​

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:15 pm

કચ્છની ધરા ફરી ધણધણી:ખાવડા નજીક ભારત-પાકિસ્તાન સરહદે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

કચ્છ જિલ્લામાં રાત્રિના 12.49 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી દ્વારા તેની તીવ્રતા 3.3 માપવામાં આવી હતી. આ આંચકાનું કેન્દ્રબિંદુ ખાવડાથી 44 કિલોમીટર દૂર ઉત્તર-પશ્ચિમ દિશામાં ભારત-પાકિસ્તાન સરહદ નજીક નોંધાયું હતું. ભૂકંપ ઝોન 5માં આવતા કચ્છ જિલ્લામાં સમયાંતરે નાનાથી મધ્યમ કક્ષાના ભૂકંપના આંચકા આવતા રહે છે. જોકે, આ આંચકો નિર્જન સ્થળે નોંધાયો હોવાથી સ્થાનિક વિસ્તારોમાં તેની કોઈ ખાસ અસર વર્તાઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:14 pm

જામનગરમાં 10 એકરમાં 'સહજ વન' તૈયાર:રિલાયન્સ અને હાર્ટફુલનેસ દ્વારા 60થી વધુ દુર્લભ વૃક્ષોનું વાવેતર

જામનગરના સોનલ નગર વિસ્તારમાં 10 એકર જમીન પર એક અનોખું 'સહજ વન' તૈયાર કરવામાં આવ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યુટ્સ દ્વારા જામનગર મહાનગરપાલિકાના ગાર્ડન રિઝર્વ પ્લોટ પર આ બાગ બગીચો વિકસાવવામાં આવ્યો છે. અહીં 60થી વધુ પ્રકારના દુર્લભ, સંકટગ્રસ્ત અને નાશના આરે ઊભેલા વૃક્ષો-છોડનું વાવેતર કરાયું છે. આ 'સહજ વન'નો મુખ્ય ઉદ્દેશ જામનગરના લોકસ્વાસ્થ્યમાં સુધારો લાવવાનો, ધ્યાન-પ્રાણાયામ અને આસન માટે જગ્યા પૂરી પાડવાનો, વાતાવરણને શુદ્ધ કરવાનો અને જૈવવિવિધતાને સંતુલિત કરવાનો છે. શહેરી વિસ્તારમાં વનોનું નિર્માણ કરીને નાગરિકો માટે પર્યાવરણ સુધારણાનું આ એક મહત્વપૂર્ણ પગલું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી હાર્ટફુલનેસ ઈન્સ્ટિટ્યૂટે વૃક્ષો અને છોડના રોપણ, ઉછેર અને જાળવણીની ત્રણ વર્ષ સુધીની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી છે. સંસ્થા દ્વારા અહીં નાના જાગૃતિ શિબિરો, ધ્યાનના કાર્યક્રમો અને કુદરતી શિક્ષણ જેવા બિન-વ્યાપારીક પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આ ગાર્ડન પ્લોટ પર પાણી અને સુરક્ષા માટે ચેન લિન્ક ફેન્સીંગ તેમજ ચોકીદાર કેબિન જેવો સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. ત્રણેય વનો ખાતે પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન સાથે વોકવે, ધ્યાન ઝોન, યોગા ઝોન, આરામ વિસ્તાર, નાની વોટર બોડી, બાળકોને રમવાની જગ્યાઓ, ગેઝેબો અને રેસ્ટરૂમ્સ જેવી જરૂરી નાગરિક સુવિધાઓ તૈયાર થઈ રહી છે. અહીં વૃક્ષો-છોડના વિકાસ માટે યોગ્ય અંતર અને એકબીજાને ઉપયોગી વૃક્ષ-છોડનું વાવેતર કરાયું છે. હાર્ટફુલનેસ ઇકોલોજીકલ ડિઝાઇન ફ્રેમવર્ક અનુસાર, ઉપરની કેનોપી (મોટા વૃક્ષો), મધ્ય કેનોપી (મધ્યમ વૃક્ષો) અને અંડરસ્ટોરી (ઝાડીઓ)નું સ્તરીય મિશ્રણ કરીને જૈવવિવિધતા વધારવામાં આવી છે. દરેક છોડને જીવનનો અધિકાર મળે તેવા આશયથી પ્રત્યેક વૃક્ષ-છોડ વચ્ચે 3-5 ફૂટનું અંતર રાખવામાં આવ્યું છે. વાવેતર માટે 3x3x3 ફૂટના ખાડા, પાંચ સ્તરના માટી મિશ્રણ (ટોપસોઈલ, કમ્પોસ્ટ, બ્લેક કોટન સોઇલ, નીમ પાવડર), વર્મી કમ્પોસ્ટ, બાયોચાર અને હાઇડ્રોજેલનો ઉપયોગ કરાયો છે. આ પહેલથી ત્રણ શહેરી પ્લોટને જંગલોમાં પુનર્જીવિત કરાયા છે, જે સ્થાનિક જૈવવિવિધતા અને જાહેર સુખાકારીને લાભ આપે છે. આ પ્રોજેક્ટ ભવિષ્યમાં જાહેર-ખાનગી ભાગીદારીનું ઉત્તમ મોડેલ બનશે. આ હરિયાળું સ્થળ નિર્માણ કરવા માટે માટીને કમ્પોસ્ટ, વર્મી કમ્પોસ્ટ અને જીવામૃતમથી સમુદ્ધ બનાવવામાં આવી છે, તેમજ પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે માઇક્રો-સિંચાઈ પદ્ધતિ (સપ્તાહમાં બે વાર ટપક અને એક વાર વરસાદી) અપનાવાઈ છે. અહીં કુલ 60થી વધુ પ્રકારના દુર્લભ - રેર, સંકટગ્રસ્ત-એન્ડેન્જર્ડ અને નાશના આરે ઊભેલા - વનરેબલ વૃક્ષો-છોડનું વાવેતર કરાયું છે, જેમાં એડનસોનિયા ડીજીટાટા - રૂખડો, એડિના કોર્ડિફોલિયા (હલદુ), બેરિંગ્ટોનિયા એશિયાટિકા (ફિશ પોઈઝન ટ્રી), ફિકસ કૃષ્ણા (ક્રુષ્ણ વડ), સફેદ પીપળો (વ્હાઈટ પીપળ), ડુરિયો ઝિબેથિનસ (ડુરિયન), બુટિયા મોનોસ્પર્મા (વ્હાઇટ પાલાશ), બુટિયા વર્ગાટા (યેલો પાલાશ), ઇયુકેલિપ્ટસ ડીએન્ડી (રેઇનબો યુકેલિપ્ટસ), એઇગ્લે માર્મેલોસ (વન લીફ બિલ્વ), બુહાનિયા ટમટોસા - રેડ (લાલ કાચનાર), એન્થોસેફાલસ કદમ્બા (રેડ કદંબ), સેલિસ ટેટુડા (ઇન્ડિયન વિલો), ડેસ્મોડીયમ ગાયનેટી (ટેલિગ્રાફ પ્લાન્ટ), આલ્સ્ટોનિયા શોલારિસ (ડેવિલ ટ્રી), સીબા સ્પેશિઓશા (સિલ્ક ફ્લોસ ટ્રી), બોમ્બેક્ષ ઇનસીઝ (સોવિ સિલ્ક કોટન ટ્રી) જેવી બીજી અનેક પ્રજાતિઓનો સમાવેશ થાય છે જે જામનગર અને ગુજરાતમાં પણ દુર્લભ છે. આ મહત્વાકાંક્ષી કાર્યને પૂર્ણ કરવા અર્થે અનેક પડકારોનો સામનો કરવો પડ્યો છે, જેમાં ક્યારેક પૂર તો ક્યારેક પાણીની તંગી અને ક્યારેક લોકોનો અનિધકૃત ઉપયોગ, અને અપર્યાપ્ત માનવબળ જેવા અનેક કારણો નો સમાવેશ થાય છે છતાં સ્વયંસેવકોની અથાગ મહેનત, ખૂબ જ આયોજનપૂર્વક સિંચાઈ વ્યવસ્થા તેમજ વિવિધ માટીઓના મિશ્રણ (એપ્સમ સોલ્ટ, અનરિફાઇન્ડ સોલ્ટ, સીવીડ ફર્ટિલાઇઝર, વર્મીકમોસ્ટ, ફૂડ વેસ્ટ મેન્યુર નીમ કેક, હાઈડ્રો જેલથી એક હરિયાળું, રમણીય અને ઓક્સિજન પાર્ક સમાન એક-બે નહીં, પરંતુ ત્રણ સ્થળોનું નિર્માણ થયું છે. જેમાં 90થી વધુ સર્વાઇવલ રેટ છે. યાત્રા અહીંથી અટકતી નથી, પરંતુ ભવિષ્યમાં અહી પક્ષી ગણતરી અને તેનું દસ્તાવેજીકરણ તથા અહીં વાવેતર થયેલ વૃક્ષ અને છોડના ફળ અને ફૂલોનું દસ્તાવેજીકરણ, ભૂગર્ભજળ રિચાર્જ તથા મોનિટરિંગ અને શહેરની જૈવિવિવિધતા યોજનાઓ સાથે સંકલન જેવા આવશ્યક કાર્યો પણ આ માધ્યમથી શક્ય બનશે. સહજ વનનું લક્ષ્ય જામનગરને એક ટકાઉ અર્બન ફોરેસ્ટ્રીનું રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક મોડેલ બનાવવાનું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી બનાવાયેલા આ સહજ વન માં પ્રત્યેક વૃક્ષ-છોડને ટપક સિંચાઈ દ્વારા તેમજ દરેક પ્લોટ પર વરસાદી પાણીનું સિંચન કરવામાં આવે છે, એટલું જ નહીં, પરંતુ વૃક્ષોના નિષ્ણાતો દ્વારા સમયાંતરે પ્રત્યેક વૃક્ષનું ઓડિટ પણ કરાય છે અને માસિક માટીની હેરફેર, નીંદણ, મલ્ટિંગ અને વગેરે જેવા કાર્યોની સમીક્ષા થાય છે. જેથી જામનગરને અનોખું અલભ્ય ઓક્સિજન વન પ્રાપ્ત થયું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:12 pm

નિર્માણાધીન ઓવરબ્રિજનું નિરીક્ષણ:બનાસકાંઠા પ્રભારી મંત્રી કમલેશ પટેલે કાણોદર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું

બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલે મંત્રી પ્રવીણ માળી સાથે કાણોદર ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે માહિતી મેળવી હતી. મહેસાણા-પાલનપુર સ્ટેટ હાઈવે પર બની રહેલા વિવિધ ઓવરબ્રિજના કામને વધુ ગતિ મળે તે માટે મંત્રીએ સ્થળ પર અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી. મંત્રીએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને ઓવરબ્રિજના નિર્માણ કાર્યમાં ગુણવત્તા જાળવીને ઝડપી કામગીરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભવિષ્યમાં ટ્રાફિક સુવિધાઓ સત્વરે ઉપલબ્ધ થાય અને જનતાને લાભ મળે તે હેતુસર તબક્કાવાર કાર્ય આયોજન પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 12:08 pm

કલેકટરની શાળાઓના આચાર્યો સાથે બેઠક:દાહોદમાં SSC/HSC 2026 પરીક્ષાની તૈયારીઓ અને પરિણામ સુધારવા ચર્ચા કરાઈ

દાહોદ જિલ્લામાં કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓ સાથે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક અવંતિકા રિસોર્ટ, જાલત ખાતે આગામી SSC/HSC ફેબ્રુઆરી-માર્ચ 2026 ની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન, જિલ્લા શિક્ષણાધિકારી એસ. એલ. દામાએ ઉપસ્થિત તમામ આચાર્યશ્રીઓને PPT દ્વારા વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ગેરરીતિ-શૂન્ય પરીક્ષા અને 100 ટકા

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 11:57 am

‘લાલો’ ફિલ્મનાં પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને કલાકારોને પોલીસનું તેડું:રાજકોટના ક્રિસ્ટલ મોલમાં અફરાતફરી મામલે સંતોષકારક નિવેદન નહિ આપે તો ગુનો નોંધાશે

ગુજરાતી ફિલ્મ 'લાલો'ના કલાકારો 2 ડિસેમ્બરે રાજકોટના ક્રિસ્ટલ મોલમાં આવ્યા હતા. આ દરમિયાન ફિલ્મના કલાકારોની એક ઝલક જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી અને અફરાતફરી સર્જાઈ હતી. આ મામલે પોલીસે 3 ડિસેમ્બરના રોજ ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ફરિયાદ દાખલ કરી હતી અને મોલ મેનેજર સમીર વિસણીને બોલાવી પૂછપરછ કરી હતી. ત્યારે હવે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે ફિલ્મના મુખ્ય કલાકારો, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પણ પૂછપરછ માટે બોલાવ્યા છે. જો તેમનું નિવેદન યોગ્ય ન લાગે તો તેમના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધવામાં આવે તેવી શક્યતા છે. તમામ ફિલ્મ કલાકારોને હાજર થવાં નોટિસપોલીસે આ ઘટનામાં અગાઉ મોલના મેનેજર સમીર વિસાણી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હવે ઘટનાની જવાબદારી માત્ર મોલ મેનેજમેન્ટની નહીં, પરંતુ ફિલ્મના આયોજકોની પણ બને છે, તેવું માનીને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મોલમાં હાજર રહેલા ફિલ્મના સ્ટારકાસ્ટ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટરને પોલીસે પૂછપરછ માટે તેડું મોકલ્યું છે. પોલીસ અધિકારીઓએ આ તમામને ટેલિફોનિક જાણ કરીને તાત્કાલિક તેમના નિવેદન નોંધાવવા માટે નોટિસ આપી છે. આ પણ વાંચો... 'લાલો' ફિલ્મના કલાકારો પહોંચતાં જ મોલમાં અફરાતફરી, બાળકી એસ્કેલેટર પર પટકાતાં બે વ્યક્તિએ જીવ બચાવ્યોફિલ્મના સ્ટારકાસ્ટ સહિતના સામે જાહેરનામા ભંગની ફરિયાદ થઈ શકે પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, ફિલ્મના પ્રચાર માટે જાહેર જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરતી વખતે ભીડ વ્યવસ્થાપન અને સલામતીના નિયમોનું કડકાઈથી પાલન કરવું જરૂરી છે, જેમાં બેદરકારી દાખવવામાં આવી હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, જો કલાકારો, પ્રોડ્યુસર કે ડાયરેક્ટર દ્વારા આપવામાં આવેલા નિવેદનો પોલીસને સંતોષકારક નહીં લાગે અને જાહેર કાર્યક્રમ માટે જરૂરી નિયમોના ભંગની પુરતી સાબિતી મળશે, તો તેમની વિરુદ્ધ પણ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ થઈ શકે છે. આયોજકો સામે કાર્યવાહી જરૂરી: પોલીસઉલ્લેખનીય છે કે, ગઈકાલે (3 ડિસેમ્બર) યુનિવર્સિટી પોલીસનાં PI દ્વારા જણાવાયું હતું કે, આવા મોટા કાર્યક્રમો માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી અને ભીડ નિયંત્રણના પગલાં લેવા અનિવાર્ય છે. આયોજકોએ પૂરતી મંજૂરી મેળવી હતી કે કેમ? ભીડ કાબૂમાં લેવા માટે કેટલા સિક્યુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવામાં આવી હતી, તે અંગેના સવાલોના જવાબ પોલીસે માંગ્યા છે. પોલીસના મતે, આ અફરાતફરીને કારણે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ જાહેર સલામતીના નિયમોનું ઉલ્લંઘન ગંભીર ગુનો છે અને આયોજકો સામે કાર્યવાહી અનિવાર્ય છે. આ પણ વાંચો...ક્રિસ્ટલ મોલમાં મંજૂરી વગર 'લાલો' ફિલ્મનું પ્રમોશન, મોલ મેનેજર સામે ગુનોજાણો શું હતો સમગ્ર મામલો? 2 ડિસેમ્બરને મંગળવારના ક્રિસ્ટલ મોલમાં ‘લાલો’ ફિલ્મના કલાકારોને નજીકથી જોવા માટે લોકોની ભારે ભીડ એકઠી થતાં, પરિસ્થિતિ કાબૂ બહાર જતી રહી હતી. લોકો એકબીજા ઉપર ધસી આવતાં મોલમાં ટૂંકા સમય માટે નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને મહિલાઓ અને બાળકોને આ ધક્કામુક્કીમાં મુશ્કેલી પડી હતી, જેના પગલે પોલીસે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. ફિલ્મના કલાકારોને હવે પોલીસ સમક્ષ હાજર થઈને આ સમગ્ર આયોજનની રૂપરેખા અને પોતાની ભૂમિકા સ્પષ્ટ કરવી પડશે. આ ઘટના અન્ય આયોજકો માટે પણ એક દાખલો બેસાડશે કે જાહેર કાર્યક્રમોમાં સલામતીનાં બધા નિયમોનું પાલન કરવું જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 11:44 am

ડ્રગ્સ- દારૂના વિરોધમાં NSUIની બાઈક રેલી:ગુજરાત યુનિ.થી કોંગ્રેસ ભવન જશે, અમિત ચાવડા, જીજ્ઞેશ મેવાણી સહિતના નેતાઓ જોડાયા

ગુજરાતમાં કોંગ્રેસે દારુ અને ડ્રગ્સની બદીના વિરુદ્ધમાં જંગ છેડ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી અલગ અલગ રીતે સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા અમદાવાદમાં બાઈક રેલી યોજી 'SAY NO TO DRUGS'અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીથી રાજીવ ગાંધી કોંગ્રેસ ભવન સુધી યોજાઈ રહેલી આ રેલીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી સહિત કોંગ્રેસના નેતાઓ જોડાયા છે. દારુ અને ડ્રગ્સ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસછેલ્લા કેટલાક દિવસોથી દારૂ, ડ્રગ્સ અને જુગારના દૂષણ સામે કોંગ્રેસ સરકાર સામે લડી લેવાના મૂડમાં આવી ગઈ છે. કોંગ્રેસ દ્વારા રેલી અને વિરોધ પ્રદર્શન કરી દારૂ, ડ્રગ્સ અને જુગારનું દૂષણ બંધ કરવામાં આવે તેવી માંગ સરકાર પાસે કરવામાં આવી છે. જેને લઈને NSUI દ્વારા પણ બાઇક રેલી યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. બાઈક રેલી ગુજરાત યુનિવર્સિટી કેન્ટીનથી સેપ્ટ યુનિવર્સિટીથી એચ.એલ.કોલેજ થઈ GLS યુનિવર્સિટીથી ગુજરાત કૉલેજથી રાજીવ ગાંધી ભવન જશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 11:24 am

ચોટીલા મંદિર, રાજકોટ મો.સા. ચોરીનો ભેદ ઉકેલાયો:રૂ.85,800ના મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો, બે ગુના ડિટેક્ટ થયા

સુરેન્દ્રનગર પોલીસે ચોટીલાના નાવા ગામે થયેલી મંદિર ચોરી અને રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં થયેલી મોટરસાઇકલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹85,800ના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂના નિર્દેશ હેઠળ કરવામાં આવી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા, તેમજ શરીર અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે પોલીસ અધિક્ષકશ્રીએ એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા અને આરોપીઓને ઝડપથી પકડવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાએ અલગ-અલગ ટીમો બનાવી હતી. આ ટીમો ગુનાઓ ડિટેક્ટ કરવા માટે સક્રિય હતી. દરમિયાન, પોલીસ હેડ કોન્સ્ટેબલ મુન્નાભાઈ રાઠોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે, એક ઇસમને ચોરી કરેલા દાગીના અને એક સ્કૂટર સાથે પકડી પાડવામાં આવ્યો. પોલીસે કુલ ₹85,800નો મુદ્દામાલ કબજે કર્યો છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં ચાંદીના નાના-મોટા 25 છત્તર (આશરે ₹9,000), ધાતુનું માતાજીનું ત્રિશૂળ (₹500), નંગવાળું ધાતુનું છત્તર (₹300), ધાતુના હાથી (₹1,000) અને એક વાદળી કલરનું એક્સેસ સ્કૂટર (₹75,000)નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીનું નામ જયંતિભાઈ ઉર્ફે જેઠો ઈશ્વરભાઈ પારઘી છે, જે થાનગઢના આંબેડકરનગર, જવાહર સોસાયટીનો રહેવાસી છે. આ ગુનામાં અશોકભાઈ ઉર્ફ બીછુ હમીરભાઈ ખાવડુ (રહે. થાનગઢ, મફતિયા પરા) હજુ ફરાર છે. આ સફળ કામગીરીમાં એલ.સી.બી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પોલીસ સબ ઇન્સ. જે.વાય. પઠાણ, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, પો.હેડ કોન્સ. મુન્નાભાઈ રાઠોડ, દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. શક્તિસિંહ ચૌહાણ, કપિલભાઈ સુમેરા, કુલદીપભાઈ બોરીચા અને ડ્રા.પો.હેડ કોન્સ. વિક્રમભાઈ બાવળીયા સહિતના સ્ટાફનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 11:18 am

સિદ્ધપુરમાંથી બનાવટી ચલણી નોટો ઝડપાઈ:આરોપીએ પોલીસને જણાવ્યું- 'મુસ્તકીમ મલેક બનાવટી નોટો છાપી વેચાણ કરતો હતો'

સિદ્ધપુરમાંથી લાખો રૂપિયાની બનાવટી ચલણી નોટો ઝડપાવાના કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. રેડ દરમિયાન મુદ્દામાલનું પંચનામું કરતી વખતે આરોપી મહમદ યાસીનની પૂછપરછ કરવામાં આવી હતી. આ નોટોની તપાસ માટે બેંક અધિકારીઓ અને ફોરેન્સિક ઓફિસરની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસને આરોપી મહમદ યાસીનના કબજામાંથી ભારતીય ચલણી નોટો અને તેને છાપવાની સામગ્રી મળી આવી હતી. પોલીસે નોટો ક્યાંથી લાવવામાં આવી, ક્યાં છાપકામ થતું હતું, કેટલા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી, કોણ-કોણ સંડોવાયેલું છે અને છાપેલી નોટો ક્યાં ચલણમાં મૂકવામાં આવી છે તે અંગે પૂછપરછ કરી હતી. શરૂઆતમાં આરોપીએ વારંવાર નિવેદનો બદલી સચોટ જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, બાદમાં આરોપીએ પોલીસને જણાવ્યું કે, તે સિદ્ધપુરના છુવારાફળીમાં રહેતા મુસ્તકીમ ઉર્ફે મુસા હન્નાભાઈ મલેકને છેલ્લા દસ વર્ષથી ઓળખે છે. આરોપી યાસીને પોતાના પર અગાઉ પણ ઘણા ગુના દાખલ થયેલા હોવાનું સ્વીકાર્યું હતું. બનાવટી નોટોનું વેચાણ મુસ્તકીમ મલેક કરતોઆરોપીના જણાવ્યા મુજબ, એકાદ મહિના પહેલા તેણે અને મુસ્તકીમ મલેકે ભેગા મળી ભારતીય દરની બનાવટી ચલણી નોટો બનાવી તેને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું. તેઓએ ₹500, ₹200 અને ₹20ના દરની બનાવટી નોટો છાપી હતી. આ નોટોનું વેચાણ મુસ્તકીમ મલેક કરતો હતો. યાસીનના ઘરે દરોડો પાડી ચલણી નોટો જપ્ત કરીગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તેઓ ETIOS ક્રોસ કંપનીની GJ.24.AU.7917 નંબરની ગાડીનો ઉપયોગ કરતા હતા. પોલીસે ગત રાત્રિ દરમિયાન આરોપી યાસીનના ઘરે દરોડો પાડી ચલણી નોટો અને અન્ય સામાન જપ્ત કર્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે બજારમાં કોને બનાવટી નોટો આપવામાં આવી છે તેની જાણ મુસ્તકીમ મલેકને છે. ETIOS ક્રોસ કંપનીની ગાડી GJ.24.AU.7917 નો ઉપયોગ ગુનામાં થયો હોવાથી પોલીસે તેને સિદ્ધપુર પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તપાસ માટે મંગાવી હતી. તપાસમાં આ ગાડી આરોપી મહમંદ યાસીન સૈયદના નામે હોવાનું જણાયું હતું, જેની કિંમત ₹4,00,000 હતી. પોલીસે ગાડી પણ કબજે કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 11:03 am

રિવરફ્રન્ટ પર સિક્યુરિટીની હાજરીમાં બેફામ માછીમારી:બે શખસે નદીમાં ઉતરી જાળ પાથરી, પોલીસે બન્નેને ઝડપી તરફડીયા મારતી માછલીઓને મુક્ત કરી

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર માછીમારી કરવી ગેરકાયદેસર છે, છતાં રોજ વહેલી સવારથી અનેક માછીમારો ગેરકાયદેસર માછલી પકડે જ છે. આજે સવારે પણ કેટલાક માછીમારો માછલીઓ તરફડિયા મારતી હાલતમાં બહાર કાઢી રહ્યા હતાં, ત્યારે પોલીસ સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે માછીમારો પાસેથી તરફડિયા મારતી માછલીઓને છોડાવી ફરીથી નદીમાં છોડી જીવ બચાવ્યો હતો. માછલી પકડનાર લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી. આ સમગ્ર બનાવમાં રિવરફ્રન્ટની સિક્યુરિટી ગાર્ડ મૂકપ્રેક્ષક જ બની રહ્યા હતા. વોલ્ક-વે પર વાહન લઈ જવા પર પ્રતિબંધ હોવા છતાં મારીમારો માછલી લેવા વાહન લઈને પ્રવેશ્યા હતાં. નદીમાં ઉતરી શખસોએ બન્ને છેડે જાળ પાથરીસાબરમતી રિવરફ્રન્ટ પર લોકો સવારથી ચાલવા આવે છે, ત્યારે વોલ્ક વે પર પૂજાના સ્થળે કેટલાક માછીમારોએ એક છેડેથી બીજા છેડે ઝાળ પાથરી હતી, જેમાં અનેક માછલીઓ ફસાઈ હતી. જે બાદ માછીમારી નદીમાં ટ્યુબ લઈને ઉતર્યા હતા. માછીમારોએ નદીમાં લગાવેલી ઝાળ પાછી ખેંચીને બહાર કાઢી ત્યારે સેકડો માછલીઓ તરફડિયા મારતી હતી. પોલીસે જીવતી માછલીઓને નદીમાં મુક્ત કરીમાછીમારો ગેરકાયદેસર માછીમારી કરીને સેકડો માછલીઓ પોટલા બાંધીને એક્ટિવા પર લઈ જઈ રહ્યા હતા, ત્યારે પોલીસને જાણ થતા પોલીસ સ્થળ પર પહોચી હતી. પોલીસે માછીમારોની અટકાયત કરી અને પોટલા ખોલ્યા તો અંદરથી જીવતી માછલીઓ ઝાળીમાં ફસાઈને તરફડિયા મારી રહી હતી. પોલીસે તાત્કાલિક જીવતી માછલીઓને છોડાવી નદીમાં ફેલાવી દીધી હતી. ગાર્ડની હાજરીમાં નદીમાં ઉતરી માછીમારી કરીબંને માછીમારોને પોલીસ સ્ટેશન લઈને જઈને અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. આ દરમિયાન એક શખસ પોલીસ સ્ટેશન આવ્યો, જેને પોતાનું નામ મહેબૂબ જણાવી માછલી પકડતા લોકોને છોડી દેવા જણાવ્યું હતું. જોકે, પોલીસે તેને પણ તગેડી મૂક્યો હતો. આ સમગ્ર મામલે રિવરફ્રન્ટ સિક્યુરિટી ગાર્ડની ગંભીર બેદરકારી સામે આવી હતી. ગાર્ડની હાજરીમાં માછીમારો નદીમાં ઉતરતા અને માછલી પકડતા હતા. વાહન લઈને વોલ્ક વે પર પણ આવતા હતા, જ્યાં સામાન્ય લોકોના વાહન લઈને આવવા પર પ્રતિબંધ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:48 am

સુરતમાં પ્રથમવાર બિનજરૂરી હોર્ન વગાડશો તો 500-1000નો દંડ:સિગ્નલ બંધ હોવા છતાં વાહનચાલકો સતત હોર્ન વગાડે છે, કર્કશ અવાજથી એકાગ્રતા ભંગ થાય છે

સુરત શહેરમાં હવે બિનજરૂરી અને સતત હોર્ન વગાડીને અન્ય વાહનચાલકો તથા રાહદારીઓને માનસિક ત્રાસ આપનારા લોકો સાવધાન. સુરત ટ્રાફિક પોલીસે શહેરમાં પ્રથમ વખત બિનજરૂરી હોર્ન વગાડી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે મોટર વ્હીકલ એક્ટની કલમ 190(2) હેઠળ કાયદેસરના પગલાં ભરવાનો નિર્ણય લીધો છે. ટ્રાફિકના અન્ય નિયમ ભંગની જેમ જ, હવે બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને 500થી લઈને 1,000 સુધીનો દંડ થઈ શકે છે. સિગ્નલ બંધ હોવા છતાં વાહનચાલકો સતત હોર્ન વગાડે છેટ્રાફિક પોલીસ હાલમાં જાગૃતિ અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આ સમગ્ર મામલે ટ્રાફિક શાખાના એસીપી એસ.આર.ટંડેલએ જણાવ્યું હતું કે, સુરતમાં લોકો જાણતા-અજાણતા બિનજરૂરી હોર્ન વગાડે છે, જેના કારણે સિગ્નલ પર ઊભેલા અન્ય વાહનચાલકો પરેશાન થાય છે. ખાસ કરીને જ્યારે ગાડીઓ સ્ટોપ લાઇન પર ઊભી હોય અને સિગ્નલ ચાલુ થવામાં સમય હોય, તેમ છતાં પાછળના વાહનચાલકો સતત હોર્ન વગાડતા હોય છે. ટ્રાફિક પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું એસ.આર.ટંડેલના જણાવ્યા અનુસાર, લોકોમાં ધૈર્યનો અભાવ જોવા મળે છે, જેના કારણે સતત હોર્ન વગાડવાથી શહેરીજનોમાં માનસિક અસ્થિરતા અને તણાવની સ્થિતિ ઊભી થાય છે. આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે ટ્રાફિક પોલીસે 7 દિવસનું જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. આ ડ્રાઇવ દરમિયાન પોલીસ લોકોને સમજાવશે કે વાહન ચલાવતી વખતે અને ટ્રાફિક સિગ્નલ પર બિનજરૂરી હોર્નનો ઉપયોગ ન કરવો. નિયમ ભંગ કરનારને 500થી 1,000 સુધીનો દંડજાગૃતિ અભિયાન બાદ ટ્રાફિક પોલીસ બિનજરૂરી હોર્ન વગાડનાર લોકોને આઇડેન્ટિફાય કરીને દંડની કાર્યવાહી શરૂ કરશે. જોકે, એસીપી ટંડેલએ સ્પષ્ટ કર્યું કે, પોલીસનો મુખ્ય પ્રયાસ દંડ કરવાનો નહીં, પરંતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. કાયદાકીય કાર્યવાહીની વિગતો ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ પર પણ નજરટ્રાફિક પોલીસ હવે માત્ર રોંગ સાઇડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ કે હેલ્મેટ ન પહેરવા જેવા નિયમોના ભંગ કરનારાઓ પર જ નહીં, પરંતુ ધ્વનિ પ્રદૂષણ ફેલાવનારાઓ પર પણ નજર રાખશે. આ પગલાંથી લોકોને રાહત મળે અને શહેરીજનોનું સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો પોલીસનો ઉદ્દેશ્ય છે. સતત કર્કશ અવાજ વાહનચાલકોની એકાગ્રતા ભંગ કરે છેસુરત દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક છે અને ટ્રાફિક સતત વધી રહ્યો છે. આવા સંજોગોમાં, બિનજરૂરી હોર્ન વગાડવાની આદત માત્ર અવાજનું પ્રદૂષણ નથી ફેલાવતી, પરંતુ તે અકસ્માતનું કારણ પણ બની શકે છે, કારણ કે સતત કર્કશ અવાજ વાહનચાલકોની એકાગ્રતા ભંગ કરે છે.ટ્રાફિક પોલીસનું આ નવું અભિયાન સુરત શહેરને ટ્રાફિકની શિસ્ત અને ધ્વનિ પ્રદૂષણ મુક્ત બનાવવા તરફનું એક મહત્વનું પગલું છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ પોલીસ લોકોને હોર્નથી થતા ધ્વનિ પ્રદૂષણ વિશે જાગૃત કરી રહી છે, જેથી આગામી દિવસોમાં દંડની કાર્યવાહી થાય તે પહેલાં લોકો પોતાની આદતો સુધારી લે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:43 am

મોટરસાયકલ ચોરીના આરોપીને SOG એ ઝડપી પાડ્યો:લુણાવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

મહીસાગર SOG પોલીસે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટરસાયકલ ચોરીના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ધોળકા તાલુકાના બાદરખા ગામેથી પકડાયો હતો. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા મિલકત સંબંધિત ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી. SOG પીઆઈ વી.ડી. ધોરડાએ ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે માહિતી મેળવી હતી. તેમને બાતમી મળી હતી કે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરીના ગુના (એ પાર્ટ બી.એન.એસ.-2023, કલમ 303(2) મુજબ) માં નાસતો ફરતો આરોપી હાલ ધોળકા તાલુકાના બાદરખા ગામે રહી ડ્રાઈવિંગનું કામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG સ્ટાફ, જેમાં પીએસઆઈ એચ.બી. સિસોદિયા, એએસઆઈ કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અક્ષયભાઈ, હેમંતકુમાર અને કોન્સ્ટેબલ નથુભાઈનો સમાવેશ થાય છે, તેમને ધોળકા મોકલવામાં આવ્યા હતા. ત્યાંથી આરોપી સાહુલ ઉર્ફે સાહિલ વાલુભાઈ કટારા (રહે. જાજરવાકલા, તા. ગાંગડતલાઈ, જિ. બાંસવાડા, રાજસ્થાન) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. SOG પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ વધુ કાયદેસરની કાર્યવાહી માટે લુણાવાડા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:07 am

ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો:જાસૂસી કરતા મહિલા અને પુરુષની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ

ગુજરાત ATS જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ATS એ જાસૂસી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.એક મહિલા એક પુરુષની ATS એ અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી છે.બંને આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા.હાલ ATS એ બંને ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ગુજરાત ATS એ દેશ વિરોધી પ્રવૃતિ કરતા 2 શખ્સની ધરપકડ કરી છે.ATS એ ગોવા અને દમણ ખાતેથી જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી છે.ATS AS ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલાની ધરપકડ કરી છે જ્યારે દમણમાંથી એ.કે સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે.બંને આરોપીઓ જાસૂસી કરતા હતા.આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને માહિતી ભેગી કરતા હતા.હાલ બંને ધરપકડ કરીને ATS ખાતે લાવવામાં આવ્યા છે.ATS દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:58 am

દહેજ મારામારી કેસનો વોન્ટેડ આરોપી પકડાયો:સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો ઇન્દોરથી ઝડપાયો

દહેજ પોલીસ સ્ટેશનના વર્ષ 2022ના મારામારીના ગુનામાં સાડા ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી અખીલેશ ગંગારામ દિવાકર (ઉ.વ. 38) ને ભરૂચ એલ.સી.બી.એ ઇન્દોર (મધ્યપ્રદેશ)માંથી ઝડપી પાડ્યો છે. તેને દહેજ પોલીસને સોંપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લાના એસપી અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓ વિરુદ્ધ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત, એલ.સી.બી. પીઆઈ એમ.પી. વાળાની દિશા હેઠળ પીએસઆઈ ડી.એ. તુવરની ટીમે કાર્યવાહી કરી હતી. ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સનો ઉપયોગ કરીને આરોપી ઇન્દોરમાં હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ, ટીમે ન્યુ શિયાગંજ વિસ્તારમાં વોચ ગોઠવીને આરોપી અખીલેશ દિવાકરને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. તેના વિરુદ્ધ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને તેને દહેજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:52 am

લખપતની શાળાની કૃતિએ જિલ્લા વિજ્ઞાન મેળામાં પ્રથમ સ્થાન મેળવ્યું:પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાનો પ્રયોગ બન્યો આકર્ષણનું કેન્દ્ર

લખપત તાલુકાની કલરાવાંઢ પ્રાથમિક શાળાએ વાંઢાય ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલી 'પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની' કૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કૃતિ વિજ્ઞાન મેળાના વિભાગ-૨ (પ્લાસ્ટિકના કચરાનું વ્યવસ્થાપન અને તેના પ્રકલ્પો) અંતર્ગત રજૂ કરવામાં આવી હતી. આ સિદ્ધિ મેળવનારી કૃતિ વિદ્યાર્થીઓ જત મુમલ કાસમ અને જત સાહેબખાતું સાહેબના દ્વારા માર્ગદર્શક શિક્ષક ગોવિંદભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. નોંધનીય છે કે, પર્યાવરણ જાગૃતિ અંતર્ગત વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર આ જ શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ અગાઉ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્ય શિક્ષક ગોવિંદભાઈએ મુખ્યમંત્રી સમક્ષ પ્લાસ્ટિકમાંથી પેટ્રોલ બનાવવાની આ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી, જેનાથી મુખ્યમંત્રી ખૂબ પ્રભાવિત થયા હતા. મુખ્યમંત્રીએ આ પ્રયોગ માટે સીએમઓ કાર્યાલય દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવશે તેમ જણાવીને, જરૂરી સહયોગ આપવાની ખાતરી પણ આપી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:50 am

વાપીમાં SOGએ ગેરકાયદેસર હથિયાર સાથે એકને ઝડપ્યો:પોલીસે આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા

વલસાડ SOG ટીમે વાપી ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક વ્યક્તિને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે આરોપી પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ જપ્ત કર્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG PI એ.યુ. રોઝની ટીમ વાપીના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન હ્યુમન સોર્સ પાસેથી મળેલી ચોક્કસ બાતમીના આધારે વાપીના ઇમરાનગર, સહારા માર્કેટ સામે સેલવાસ રોડ નજીક છાપો મારવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં વિજયકુમાર ઉર્ફે મુખીયા નગેન્દ્ર શાહ (ઉંમર 26, રહે. વાપી, નામધા રોડ, ખડકલા વિસ્તાર) નામના આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી 45,000 રૂપિયાની કિંમતની એક દેશી હાથ બનાવટની લોખંડની પિસ્તોલ અને 300 રૂપિયાની કિંમતના ત્રણ જીવતા કારતૂસ મળી કુલ 45,300 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આરોપી પાસે હથિયાર રાખવાનો કોઈ પરવાનો ન હોવાથી તેને સ્થળ પરથી જ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અંગે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ કલમ 25(1-બી)(એ), 29, જી.પી. એક્ટ 135(1) તેમજ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 223 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીનું મૂળ નિવાસસ્થાન બિહારના વૈશાલી જિલ્લામાં હોવાનું જાણવા મળ્યું છે. SOG વલસાડની આ કામગીરીથી જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોના પ્રસાર પર અંકુશ મેળવવામાં મદદ મળી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:49 am

જય સરદાર-વંદેમાતરમના નારાથી ગુંજ્યું નીલકંઠ ધામ પોઇચાનું પરિસર:રાષ્ટ્રીય યુનિટી માર્ચ અંતર્ગત એકતાનો સંદેશો આપતાં એકત્વ ગૃપ દ્વારા સરદારને સમર્પિત લાઈવ પરફોર્મન્સ

કરમસદથી કેવડિયા તરફ આગળ વધતી રાષ્ટ્રીય યુનિટી માર્ચનું પોઈચા ખાતે આગમન થતાં ચહેરા પર સ્મિત અને હાથમા તિરંગો લઈને સાંસદ મનસુખભાઇ વસાવા અને જશુભાઈ રાઠવાએ રાષ્ટ્રીય પદયાત્રાની આગેવાની લીધી હતી. દેશભરના પદયાત્રિકો તથા પ્રચંડ જનમેદની સાથે જનપ્રતિનિધિઓ નીલકંઠ ધામ પોઇચા પરિસર સુધી પહોંચ્યા હતા. જ્યાં જય સરદાર-વંદેમાતરમના નારાથી નીલકંઠ ધામ પોઇચાનું પરિસર ગુંજ્યું હતું. અખંડ ભારતના નિર્માણમાં સિંહફાળો આપનાર લોહપુરુષ સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે નીલકંઠ ધામ પોઇચા પરિસર ખાતે અમદાવાદના એકત્વ ગૃપ દ્વારા સરદારને સમર્પિત લાઈવ પરફોર્મન્સ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય એકતા, સમરસતા અને સામાજિક સુમેળના સંદેશને જનમાનસ સુધી પહોંચાડવા માટે પ્રખ્યાત લોકગાયક અને યુવા કલાકારોએ ગુજરાતની વૈવિધ્યસભર, સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતાં કબીર દુહા, લોકગીતો, ગરબા, ભજન, સરદાર સાહેબની સાથે મહાપુરુષોના દેશ માટેના બહુમૂલ્ય યોગદાનને બિરદાવતા દેશભક્તિના ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. પોઈચાનું સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું. એકતાનો સંદેશો આપતાં અમદાવાદનાં એકત્વ ગૃપના લાઈવ પરફોર્મન્સથી વાતાવરણમાં ઉર્જા ઉમટી હતી. કબીર ભજન, ગઝલ ડાયરો, ગરબાના ગીતોની પ્રસ્તુતિની પ્રસ્તુતિમાં કબીર વાણી યુવાનોને પ્રેરિત કરી રહી હતી. કબીર અને મીરાંબાઈનાં સમર્પણ તત્વની પ્રસ્તુતિએ વાતાવરણમાં એક ઉર્જાનું સંચાર કર્યું હતું. રવિ મારૂના નેરેટીવમાં ગાયિકા માનસી મેરિયા, ગીતકાર રાજન પંચાલ અને અર્પિત ચુડાસમા દ્વારા સરદારને સમર્પિત કબીરના દુહા તથા કાઠિયાવાડી ભજનોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી. રાજ દુબે છેલ્લા 20 વર્ષથી પોતાના કીબોર્ડના મધુર સ્વરમાં સૌને ભાવવિભોર કરતા રહ્યા, જ્યારે ભાવિક ગોહિલના તબલા, વાસુદેવ આસરાના ફ્લૂટ અને શુભમ ઠાકરના પર્કશન્સે સંગીતમાં વિશેષ ઊર્જા ભરી હતી. એકત્મ ગ્રુપના કલાકારોએ સમરસતા અને સંગીતરસથી છલકાતી આ કૃતિને યાદગાર બનાવી હતી. જનપ્રતિનિધિઓ, અધિકારીઓ, પોઇચા ધામનાં વિદ્યાર્થીઓ અને દેશભરના પદયાત્રિકો મંચ સમક્ષ આનંદ-ઉલ્લાસ સાથે ગરબા રમીને યુનિટી માર્ચના ઐતિહાસિક ક્ષણને ખુબ જ ઉષ્માપૂર્વક વધાવી રહ્યાં હતા. પ્રેક્ષકોએ ગરબાપ્રેમીઓને તાળીઓના ગડગડાટથી ઉત્સાહ વર્ધન કર્યું હતું. ખાસ કરીને લોકડાયરામાં રજૂ થયેલા ‘એકતા-અખંડ ભારત’ વિષયક ગીતોએ દેશભરના પદયાત્રીઓ તેમજ સ્થાનિક નાગરિકોમાં દેશભક્તિની નવી ઉર્જા જગાવી હતી. રાષ્ટ્રીય યુનિટી માર્ચ માત્ર પદયાત્રા નહીં, પરંતુ દેશની વિવિધતાઓને જોડતી, સામૂહિક એકતા અને રાષ્ટ્રીય ગૌરવને મજબૂત બનાવતી સકારાત્મક સામાજિક ચળવળ છે. પોઇચા નીલકંઠ ધામમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ દ્વારા સંસ્કૃત શ્લોકોના પાઠાંતર અને નૃત્યની પ્રસ્તુતિ દ્વારા કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો. આ તકે, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, જિલ્લા વિકાસ અધિકારી આર. વી. વાળા, મદદનીશ કલેકટર પરસનજીત કૌર, નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ, નાયબ કલેકટર વિધુબેન ખેતાન સહિતના ઉચ્ચ અધિકારી, જિલ્લા-તાલુકાના અધિકરીઓ, યુવાનો, દેશભરમાંથી પધારેલા પદયાત્રિકો, સ્થાનિક રહીશોએ સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને મંત્રમુગ્ધ થયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:49 am

કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક FIR:વેપારી અલ્પેશ ડોંડાએ સો. મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી, કીર્તિ સામે ગુજરાતમાં આ 10મો ગુનો

સુરત શહેરની કુખ્યાત અને વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે, જે ગુજરાતમાં તેની વિરુદ્ધ નોંધાયેલો 10મો ગુનો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલને આનાથી મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે, લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી-કપચીના વેપારી અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કીર્તિ પટેલ પર ખંડણીખોર પ્રવૃત્તિઓ અને સોશિયલ મીડિયા પર લોકોને બદનામ કરવાના અગાઉથી જ અનેક આરોપો છે. આ નવી ફરિયાદમાં પણ ધમકી અને બદનામ કરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો?વેપારી અલ્પેશ ડોંડાની ફરિયાદ મુજબ, સમગ્ર ઘટના ગત નવેમ્બર મહિનામાં બની હતી. અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં જોડાયા હતા, જ્યાં અન્ય બે વ્યક્તિ કીર્તિ પટેલ વિશે એલફેલ બોલી રહ્યા હતા. લાઇવ દરમિયાન અલ્પેશ ડોંડાએ કીર્તિ પટેલ વિરુદ્ધ કંઈ પણ બોલ્યું નહોતું અને તે માત્ર સાંભળી રહ્યા હતા. આ બાબતની જાણ થતા, કીર્તિ પટેલે તેની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી અલ્પેશ ડોંડાની આઈડી પર કોલ કર્યો હતો. કોલમાં, કીર્તિ પટેલે ડોંડાને અભદ્ર ભાષામાં ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાઈરલ કરીકીર્તિ પટેલે ડોંડાને સવાલ કર્યો હતો કે, તેણે લાઇવ દરમિયાન મારી વિશે એલફેલ કેમ સાંભળી લીધું, કેમ કંઈ બોલ્યો નહીં એટલું જ નહીં, કીર્તિ પટેલે અલ્પેશ ડોંડાની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ધમકીઓ આપી હતી. ધમકી આપવાની સાથે કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર અલ્પેશ ડોંડા અને તેની પત્ની વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી પોસ્ટ વાઈરલ કરી હતી અને મેસેજ પણ કર્યા હતા, જેથી તેમને બદનામ કરી શકાય. કીર્તિ પટેલ સામે મારામારી, ખંડણી સહિતના 10 ગુના અપશબ્દો બોલી ધમકી આપવા અને સોશિયલ મીડિયા પર બદનામ કરવાની પોસ્ટ વાઇરલ કરવા બાબતે લસકાણા પોલીસે કીર્તિ પટેલ સામે ધમકી આપવા અને બદનામ કરવાની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કીર્તિ પટેલ પર અગાઉ મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા બદનામ કરવા જેવી અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આ નવો ગુનો તેના વિવાદાસ્પદ કૃત્યોની યાદીમાં વધારો કરે છે, જેથી કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં આ 10મો ગુનો નોંધાયો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:43 am

ડેસરનો વિદ્યાર્થી જોબ સ્કેમમાં ફસાયો:અલગ ટાસ્ક આપીને ઠગોએ 40 હજાર પડાવ્યાં, નફો કે રિફંડ ન મળતા સાયબર ક્રાઈમમાં ફરિયાદ

વડોદરા જિલ્લાના ડેસરના વિદ્યાર્થી સચીનકુમાર રમેશભાઈ ઉર્ફે બાબુભાઈ ભેદીને ઓનલાઈન પાર્ટ-ટાઈમ જોબની લાલચમાં રૂ. 45 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. આ સ્કીમમાં અજાણ્યા વ્યક્તિઓએ વ્હોટ્સએપ અને ટેલિગ્રામનો ઉપયોગ કરીને વિદ્યાર્થીને છેતર્યો હતો. તેઓને નાના રોકાણ પર નફો આપીને વિશ્વાસ જીતી લીધો અને પછી મોટી રકમ વસૂલી લીધી હતી. આ મામલે વિદ્યાર્થીએ ડેસર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઠગોએ વિદ્યાર્થીને પાર્ટ-ટાઈમ જોબની ઓફર કરી હતીશરૂઆતમાં વિદ્યાર્થીના વ્હોટ્સએપથી અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં સામે વાળી વ્યક્તિએ પોતાને 'ડેમ્કો ગ્રુપ ડિજિટલ માર્કેટિંગ કંપની'ના કર્મચારી તરીકે ઓળખ આપી અને પાર્ટ-ટાઈમ જોબની ઓફર કરી હતી. વિદ્યાર્થીને જોબમાં રોકાણ કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈને ટાસ્ક પૂર્ણ કરવાના હતા. તેણે આ લિંક પર ક્લિક કરીને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા હતા. ચેનલમાં વિવિધ રકમના ટાસ્ક અને કોડ આપવામાં આવતા હતા. નફો કે રિફંડ ન મળતા વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવીમેમ્બર્સ પોતાના કોડ આપીને ગ્રુપમાં જોડાતા અને ટાસ્ક પૂર્ણ કરતા હતા. પેમેન્ટ માટે એક લિંક આપવામાં આવી હતી, જે 'લીલા નેન્સી' તરીકે ખુલતી હતી. આ લિંક દ્વારા UPI ID પર પેમેન્ટ કરવાનું કહેવામાં આવ્યું અને બેંક વિગતો માંગવામાં આવી હતી. શરૂઆતમાં 1000ના 1300 અને બાદમાં 1800 નફો બતાવી વધુ લાલચ આપતા વિદ્યાર્થીએ એક બાદ એક ટ્રાન્જેક્શન થકી 45000 હજાર આપી દીધા અને બાદમાં કોઈ નફો કે રિફંડ ન મળતા સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફોન કર્યો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:38 am

વલસાડમાં મતદાર યાદી સુધારણાની મુદત લંબાવાઈ:હવે 11 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, પારડીમાં 67,907 નોંધણી બાકી

વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુદત લંબાવવામાં આવી છે. ભારતીય ચૂંટણી પંચે હજારો મતદારોની નોંધણી બાકી હોવાથી આ નિર્ણય લીધો છે. હવે નાગરિકો 11 ડિસેમ્બર સુધી પોતાના BLOને વિગતો સબમિટ કરી શકશે. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી દ્વારા અપાયેલી માહિતી મુજબ, વલસાડ જિલ્લામાં કુલ 13,50,507 મતદારો નોંધાયેલા છે. તેમાંથી અત્યાર સુધીમાં 80.72% એટલે કે 11,18,456 મતદારોએ પોતાના એન્યુમરેશન ફોર્મ જમા કરાવી દીધા છે. તપાસ દરમિયાન 1,30,704 (9.43% જેટલા મતદારો મૃત્યુ પામેલા, સ્થળાંતર થયેલા અથવા સરનામે મળી ન આવેલા જણાયા છે. હાલ લગભગ 10% જેટલી કામગીરી બાકી છે. મતદાર યાદી સુધારણામાં દરેક વિધાનસભાની કામગીરી અલગ-અલગ ગતિએ આગળ વધી રહી છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ મતદારો ઉમરગામ (2,97,829) બેઠકમાં છે, જ્યારે સૌથી ઓછા ધરમપુર (2,58,006) વિધાનસભામાં છે. ડિજિટલ નોંધણી (SIR)ના દ્રષ્ટિકોણે કપરાડા વિસ્તારમાં સૌથી વધુ 2,43,967 મતદારોની ઓનલાઇન એન્ટ્રી પૂર્ણ થઈ છે. જોકે, પારડી વિધાનસભામાં સૌથી ઓછી 1,87,599 નોંધણી થઈ છે અને ત્યાં હાલ સૌથી વધુ 67,907 મતદારોની ડિજિટલ નોંધણી બાકી છે. વલસાડ વિધાનસભા વિસ્તારમાં સૌથી ઓછી 2,039 નોંધણી બાકી છે. મતદારોને કોઈપણ મુશ્કેલી પડે તો તેઓ પોતાના વિસ્તારના BLO અથવા મામલતદારનો સંપર્ક કરી શકે છે. જિલ્લા કક્ષાએ ટોલ-ફ્રી નંબર 1950 પણ શરૂ કરવામાં આવ્યો છે, જે સવારે 8 થી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. તંત્ર દ્વારા બાકી રહેલા તમામ નાગરિકોને સમયસર ફોર્મ જમા કરાવવાની અપીલ કરવામાં આવી છે. જો મતદારો 11 ડિસેમ્બર સુધી SIRના ફોર્મ જમા નહીં કરાવે, તો તેમને મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા માટે લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. મતદાર યાદી સુધારણામાં દરેક વિધાનસભાની કામગીરી અલગ-અલગ ગતિએ આગળ વધી રહી છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોમાં સૌથી વધુ મતદારો ઉમરગામ (2,97,829) બેઠકમાં છે, જ્યારે સૌથી ઓછા ધરમપુર (2,58,006) વિધાનસભામાં છે. ડીઝિટલ નોંધણી (SIR)ના દ્રષ્ટિકોણે કપરાડા વિસ્તારમાં સૌથી વધુ 2,43,967 મતદારોની ઓનલાઇન એન્ટ્રી પૂર્ણ થઈ છે, જ્યારે પારડી વિધાનસભામાં સૌથી ઓછી 1,87,599 નોંધણી થઈ છે. પારડીમાં હાલ સૌથી વધુ 67,907 મતદારોની ડીઝીટલ નોંધણી બાકી છે. જ્યારે સૌથી ઓછી બાકી નોંધણી વલસાડ વિધાનસભા વિસ્તારમાં છે, જ્યાં માત્ર 2,039 મતદારોનો જ ડેટા દાખલ થવાનો બાકી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:19 am

જામનગરમાં મહિલાનો રૂ.2.5 લાખનો દાગીનાનો થેલો મળ્યો:નેત્રમ CCTV મોનિટરિંગથી ત્રણ દિવસ બાદ પોલીસે પરત કર્યો

જામનગરમાં એક મહિલાનો સોનાના દાગીના અને કપડાં ભરેલો થેલો રિક્ષામાં ભૂલાઈ ગયો હતો. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) દ્વારા ત્રણ દિવસના સતત સીસીટીવી મોનિટરિંગ બાદ આ થેલો શોધી કાઢી મહિલાને પરત કરવામાં આવ્યો છે. થેલામાં આશરે ₹2.50 લાખની કિંમતના સોનાના દાગીના હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના રામેશ્વરનગરના રહેવાસી કાજલબેન પરિક્ષિતભાઈ પાઠક ગત તા. 30 નવેમ્બર, 2025ના રોજ સવારે 10:30 વાગ્યે પંચેશ્વર ટાવરથી રામેશ્વરનગર જવા માટે એક રિક્ષા ભાડે કરી હતી. તેઓ પોતાના સસરાના ઘરેથી પોતાના ઘરે જઈ રહ્યા હતા અને તેમની સાથે ત્રણ બેગ હતી. રામેશ્વર પટેલ વાડી પાસે પોતાના ઘરે પહોંચીને કાજલબેને રિક્ષામાંથી બે બેગ ઉતારી હતી, પરંતુ રિક્ષાની પાછળની સીટ પર રાખેલો એક થેલો તેઓ ભૂલી ગયા હતા. આ થેલામાં બે તોલા સોનાના દાગીના, જેમાં એક સોનાનો ચેન, એક સોનાની બુટ્ટી, એક સોનાની વીંટી, એક સોનાની ચૂક તથા કપડાં સહિતનો સામાન હતો, જેની અંદાજિત કિંમત ₹2.50 લાખ હતી. થેલો ગુમ થયા બાદ કાજલબેને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાની સૂચના મુજબ, પીએસઆઈ બી.બી. સિંગલના માર્ગદર્શન હેઠળ એએસઆઈ પરેશભાઈ ખાણધર, પો.કોન્સ સંજયભાઈ જોડ, રેખાબેન દાફડા, મિતલબેન સાવલિયા, વર્ષાબા જાડેજા તેમજ એન્જિનિયર પ્રિતેશ વરણ, અનિલ પરમાર અને ધવલ ગોસ્વામી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. ટીમે પંચેશ્વર ટાવર વિસ્તારના વિવિધ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના સીસીટીવી કેમેરામાં અરજદાર જે રિક્ષામાં બેઠા હતા, તે રિક્ષા નંબર GJ-09-AX-5080 હોવાનું જણાઈ આવ્યું હતું. રિક્ષાના આરટીઓ ડેટા તપાસતા માલિક સાબરકાંઠા જિલ્લાનો રહેવાસી હોવાનું અને ટેલિફોન નંબર અપડેટ ન હોવાનું સામે આવ્યું હતું. જેથી આ રિક્ષાને સીસીટીવી એલર્ટ વોચમાં રાખી સતત ત્રણ દિવસ સુધી મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. આખરે, તા. 03 ડિસેમ્બર, 2025ના રોજ લાલ બંગલા સર્કલ પાસેથી રિક્ષાચાલકને શોધી કાઢવામાં આવ્યો હતો. રિક્ષાચાલક પાસેથી થેલો મેળવી ગણતરીની કલાકોમાં અરજદારને પરત સોંપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:17 am

વલસાડ SOGએ રૂ. 5.34 લાખના એક્સપ્લોઝીવ ઝડપ્યા:ભીલાડમાંથી એક ઈસમ ગેરકાયદેસર મુદ્દામાલ સાથે પકડાયો

વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે SP યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક્સપ્લોઝીવના ગેરકાયદેસર ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે, વલસાડ SOGની ટીમે PI એ.યુ. રોઝના નેતૃત્વમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ભીલાડ પોલીસ મથક વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. SOGની ટીમે ઉમરગામ તાલુકાના તલવાડાથી મલાવ રોડ ચોકડી પાસેથી ગણપત ધવજી રબારી (ઉંમર 37) નામના ઈસમને ઝડપી પાડ્યો હતો. તે તલાશરી, જી. પાલઘર, મહારાષ્ટ્રનો રહેવાસી છે અને મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાલરી ગામનો છે. આરોપી સોનાલીકા કંપનીના ટ્રેક્ટર-કોમ્પ્રેશર સાથે હતો. ટ્રેક્ટરના ટૂલબોક્સમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો કુલ રૂ. 5,34,970નો એક્સપ્લોઝીવ સામાન મળી આવ્યો હતો. આ મુદ્દામાલમાં 75 ઇલેક્ટ્રિક ડિટોનેટર, 269 જિલેટીન સ્ટિક, 157 ફૂટ ઇલેક્ટ્રિક વાયર, બે ખાલી પ્લાસ્ટિક કોથળા અને એક મોબાઇલ ફોનનો સમાવેશ થાય છે. આ મામલે ભીલાડ પોલીસ સ્ટેશનમાં BNS એક્ટ 2023, એક્સપ્લોઝીવ એક્ટ 1884 અને એક્સપ્લોઝીવ સબસ્ટન્સીસ એક્ટ 1908 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ભીલાડ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:15 am

VIDEO| ટ્રેનિંગ વચ્ચે અમેરિકાનું F-16 ફાઈટર જેટ ક્રેશ, જમીન પર પટકાતા અગનગોળો બન્યું

USA F 16 Plane Crash News : અમેરિકાનું એક F-16 ફાઇટર જેટ બુધવારે ટ્રેનિંગ મિશન દરમિયાન કેલિફોર્નિયામાં ક્રેશ થઈ ગયું હતું. દુર્ઘટનાગ્રસ્ત થતાની સાથે જ ફાઇટર જેટ આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ભયાનક અકસ્માતની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

ગુજરાત સમાચાર 4 Dec 2025 8:12 am

કાશ્મીરમાં પારો ફરી '0'થી નીચે, શોપિયાં માઇનસ 5.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ, દિલ્હીમાં ભારે પ્રદૂષણ

- દિલ્હીમાં 335 એક્યુઆઇ સાથે પ્રદૂષણ હજુ પણ ખરાબ કેટેગરીમાં - રાજસ્થાનમાં અનેક વિસ્તારોમાં દસ ડિગ્રીથી ઓછું તાપમાન : ફતેહપુર અને બિકાનેર 3.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ રહ્યું - તમિલનાડુમાં ડિપ્રેશન નબળું પડતા ભારે વરસાદ કેટલાક જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર Kashmir and All India Weather News : કાશ્મીરમાં ઠંડીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. કાશ્મીર ખીણનાં મોટા ભાગનાં વિસ્તારોમાં તાપમાન માઇનસમાં પહોંચી ગયું છે.

ગુજરાત સમાચાર 4 Dec 2025 7:57 am

સિટી એન્કર:કેઈએસના 90 વરસની ઉજવણીના ભાગરૂપે આનંદ મેળો

કેઈએસના પ્રાંગણમાં તાજેતરમાં આનંદ મેળાનું સફળ આયોજન થયું હતું, જેમાં આશરે બે હજારથી વધુ લોકોએ ભાગ લઈ મેળાનો આનંદ માણ્યો હતો. કેઈએસ સંસ્થાની તમામ કોલેજો, સ્કુલોના પ્રિન્સિપાલ અને સ્ટાફ સહિતના સૌની મહેનતે રંગ રાખ્યો હતોં. આ મેળો પણ મસ્ત મજાનું સંભારણું બની ગયો હતો. આ પ્રસંગે તારક મેહતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડયુસર આસિત મોદી, પોપટલાલનું પાત્ર ભજવતા શ્યામ પાઠકે વિશેષ મહેમાન તરીકે હાજર રહી રસપ્રદ વાતો કરી મેળામાં હાજર વિધાર્થીઓ સહિત સૌના દિલ જીતી લીધા હતા. નોંધનીય વાત એ હતી કે આસિત મોદી પણ કેઈએસની સ્કુલ સરદાર વલ્લભભાઇ પટેલ વિવિધલક્ષી વિધાલયના વિધાર્થી રહી ચુકયા છે. જેથી તેમણે પણ પોતાની યાદો તાજી કરી હતી. આસિત મોદીએ કહયુ હતુ કે જે સંસ્થાના પાયામાં સંસ્કાર અને સંસ્કૃતિ હોય તે સંસ્થા સરસ્વતી ધામ જ હોય તે પ્રતિપાદિત થયું છે. આ આનંદ મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ તેને સફળતા અપાવવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. આ મેળામાં કુલ ૨૦૦ સ્ટોલ્સ હતા, જેમાં મહા અન્નપૂર્ણા ઉત્સવમાં વિદ્યાર્થીઓ ખાણી-પીણીની વસ્તુ વેચતા હતા, જેના 77 સ્ટોલ હતા અને બીજી તરફ બિઝનેસ વિભાગમાં જવેલરી, કપડાં જેવી વસ્તુઓ વેચાતી હતી. વ્યવસ્થિત ગોઠવાયેલા સ્ટોલ સહુને આકર્ષી રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓના સાયન્સ પ્રોજેકટે અનોખું આકર્ષણ ઊભું કર્યું હતું. આ સાથે મેળાના મુખ્ય અંગ ગણાય એવા ચકડોળ, કેંડીવાળો, મહેંદીવાળા, રમત ગમત, કલાત્મક વસ્તુઓનું પ્રદર્શન મનમોહક હતું. 100 વિદ્યાર્થીઓએ ગાયું ગીતઆ મેળાનો સૌથી રસપ્રદ અને રોમાંચક પ્રસંગ સંસ્થાની ૧ થી ૧૦ ધોરણના વિધાર્થીઓએ સાથે મળી કેઈએસને સમર્પિત તૈયાર કરાયેલું વિશેષ ગીતનો હતો. ૧૦૦ જેટલાં વિધાર્થીઓ આ ગીત ગાવા મંચ પર એકઠાં થયા હતા. વિદ્યા વિનયેન શોભતે, વો જ્ઞાન કી મશાલ...' નો નાદ ચોમેર ગુંજી ઉઠ્યો હતો. સંસ્થાની શાળાના બાળકોએ ગુજરાતી ગીતોની રમઝટ બોલાવતા મંચ પર ગુજરાતની સંસ્કૃતિ સજીવન થઈ હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:52 am

આયોજન:દેશમાં પ્રથમ વાર રાજા ઋષભના જીવન કવનને દર્શાવતું કોન્કલેવ ઋષભાયન

રાજા ઋષભના પુત્ર ભરત ચક્રવર્તી જેમના નામથી આ દિવ્ય ભારત વર્ષનું ભવ્ય નામકરણ થયું તે રાજા ઋષભના જીવન કવનનું વર્ણન કરતું એક અદભુત કોન્કલેવનું આયોજન તા. 19-20-21 ડિસેમ્બર 2025, શુક્ર - શનિ - રવિવારના બોરીવલી (વેસ્ટ), કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ નં.4માં નિર્ધારિત કરવામાં આવેલ છે. 22 દેશોના લગભગ 300 જેટલા સ્કોલરો આ વિદ્વંદ સભાને સંબોધશે અને જે ઋષભ દેવ રાજાએ જીવન ઘડતરનું નવનીત આપ્યું છે તેની જગતના ચોક સમક્ષ વિશ્વ ફલક પર અનેક વિશિષ્ટ રીતે પ્રદર્શિત કરવામાં આવશે. આ કાર્યક્રમના ઉદઘાટનમાં સર્વ ધર્મના વંદનીય સંતો, ધર્મગુરુઓ, રાજકીય નેતાઓ, વરિષ્ઠ વિચારકો અને સન્માનિય પ્રતિમાની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ ઉદઘોષણા કરવામાં આવશે. શ્રી જૈનાચાર્યો, શ્રી શંકરાચાર્યજી તેમ જ વિશ્વ હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અનેક વિદ્વાન નેતાઓ આ પ્રસંગે હાજરી આપીને પોતાના વિચારો રજૂ કરશે.આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠીમાં સમગ્ર વિશ્વના સંતો, ઈતિહાસકારો, વિદ્વાનો, સ્કોલરો, નીતિ નિર્માતા, શિક્ષકો અને યુવાધન પોતાના વિચારોને રજૂ કરશે.72 કૌશલ કળાઓ, 64 લલિત કળાઓ તેમ જ પ્રાચીન ભારતીય કળાઓ પર ઈન્ટએક્ટિવ પ્રદર્શની રજૂ થશે. ડિજિટલ મોડલ અને અનુપમ અનુભવનો ઉપયોગ કરવામાં આવશે. 200થી વધારે શિલ્પ કળાના સાંસ્કૃતિક સ્ટોલ્સ રજૂ કરવામાં આવશે જેમાં મહિલા નેતૃત્ત્વ, પાક કળા, વિકસિત સ્ટાર્ટઅપ અને કૌશલ્યનું પ્રદર્શન થશે. બહેનો માટે ખાદ્ય સામગ્રીની ભક્ષ્ય સંયોજનોનો કોમ્પિટિટવ સ્ટોલ્સ રજૂ કરાશે.તજજ્ઞો (સ્કોલરો) અને યુવાઓની પ્રશ્નોત્તરીના અલૌકિક સેશનો રહેશે તેમ જ યુવા શક્તિ દ્વારા પ્રાચીન વિષયોની અતિ આધુનિક પ્રસ્તુતિ થશે. રાષ્ટ્રીય સેવક સંઘના શતાબ્દિ વર્ષના ઉપલક્ષ્યમાં રાજા ઋષભ દ્વારા આરંભિત કરવામાં આવેલ સ્વદેશ કૌશલને પ્રોત્સાહન આપવાની કળાઓનો વિશેષ સંવાદ થશે. તેમ જ રાજા ઋષભ પર સંશોધિત અવિસ્મિરણીય ઋષભાયન ગ્રંથ -2નું વિમોચન થશે અને રાજા ઋષભના અસ્તિત્વને ઉજાગર કરતા જ્યાં જયાં જે જે લખાયું છે તેનું એકીકરણ કરીને 1111 ગ્રંથોનું સામુહિક લોકાર્પણ થશે. જે સાહિત્ય જગતમાં પ્રથમવાર ઈતિહાસનું સર્જન કરશે. આ પ્રસંગે લગભગ એક લાખથી વધુ લોકોની ઉપસ્થિત હશે. તા. 19મી શુક્રવારના રોજ સવારે ઓપનિંગ સેરેમની થશે અને ધાર્મિક પ્રબુદ્ધો દ્વારા આર્ય ધર્મ પર વિચારણાઓ થશે તેમ જ સ્કોલરો પોતાના વિચારોની રજૂઆત કરશે અને સંધ્યા સમયે સાંસ્કૃતિ કાર્યક્રમો થશે જેમાં સૂર અને સંગીતનો સથવારો જોવા મળશે. શ્રી મુંબઈ જૈન સંઘનો સહયોગસમગ્ર પ્રસંગના મેનેજિંગ ટ્રસ્ટી કિરીટભાઈ દોશી, પ્રવીણભાઈ જૈન અને ક્રિષ્ણા રાણા, મલ્ટીગ્રાફિક્સના મુકેશભાઈ તથા અભિષેકભાઈ સમગ્ર આયોજનને ઓપ આપશે. આયોજનને ઓપ આપશે અને કુમારપાળ દેસાઈ, ડો. સરયુબેન દોશી અને શ્રી અરવિંદ જામખેડકર અને ડો. સેજલ શાહ માર્ગદર્શન આપશે. શ્રી લબ્ધિવિક્રમ જનસેવા ટ્રસ્ટના નેજા હેઠળ આયોજિત આ પ્રસંગમાં શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન અને મુંબઈ તથા ભારતભરના અનેક સંઘો આ પ્રસંગમાં સહયોગ આપશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:52 am

વ્યવસ્થા:વીજ ગ્રાહકોનાં હિતોનું રક્ષણ કરવા ન્યાયી વીજ માટે સ્માર્ટ વિજિલન્સ

અદાણી ઈલેક્ટ્રિસિટી દ્વારા તેના વિતરણ નેટવર્કમાં મશીન લર્નિંગ (એમએલ) અને મીટર ડેટા ટેકનોલોજીઝને આધારે આધુનિક થેફ્ટ પ્રેડિકશન અને મહેસૂલ રક્ષણ મોડ્યુલ કામે લગાવીને ન્યાયી અને વિશ્વસનીય વીજ પ્રદાન કરવાની તેની કટિબદ્ધતાને મજબૂત બનાવી છે. આ પહેલ વીજ ચોરી નાથવા, જેન્યુઈન ગ્રાહકોનું રક્ષણ કરવા અને પારદર્શક તથા કાર્યક્ષમ પાવર ઈકોસિસ્ટમ માટે શાસન બહેતર બનાવવા માટે તૈયાર કરાઈ છે.જાન્યુઆરી 2025માં મશીન લર્નિંગ આધારિત થેફ્ટ પ્રેડિકશન મોડ્યુલ રજૂ કરાયું ત્યારથી અદાણી ઈલેક્ટ્રિસિટીએ રૂ. 8.59 કરોડ મૂલ્યના કુલ 5.0 મિલિયન યુનિટ્સ(એમયુ)ની વીજ ચોરી શોધી કાઢી છે. તાજેતરના ઉચ્ચ મૂલ્યના કેસમાં ટેકનોલોજીએ રૂ. 87 લાખ મૂલ્યના 0.4 એમયુનો સમાવેશ ધરાવતા મલાડ (પ)માં ઈલેક્ટ્રોપ્લેટિંગ યુનિટ ખાતે સીધા પુરવઠામાં ચોરી પકડી પાડી છે. આ આધુનિક સાધનોથી કૃતિ ઝડપી, ડેટા પ્રેરિત બની હોઈ ન્યાયીપણાની ખાતરી રાખે છે અને અનધિકૃત ઉપયોગના બોજ સામે ઈમાનદાર ગ્રાહકોને રક્ષણ આપે છે. વિજિલન્સના પ્રયાસો સર્વેલન્સ અને વિશ્વસનીય ઈન્ટેલિજન્સથી માર્ગદર્શિત ઉચ્ચ જોખમના વિસ્તારો પર વ્યૂહાત્મક રીતે કેન્દ્રિત છે, જ્યારે મશીન લર્નિંગ મોડ્યુલ ઈન્ટીગ્રેશને વ્યાપક ચોરીના વિશ્લેષણ થકી શાસન પર ભાર આપે છે. મશીન લર્નિંગ મોડ્યુલ ટેકનોલોજી ગોઠવવા પર બોલતાં અદાણી ઈલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યં હતું કે, “અમે વિશ્વસનીય અને સંરક્ષિત વીજ પુરવઠાની ખાતરી રાખવા માટે આધુનિક ટેકનોલોજીનો લાભ લેવા માટે કટિબદ્ધ છે. મશીન લર્નિંગનું ઈન્ટીગ્રેશન ચોરી પકડી પાડવાનું બહેતર બનાવે છે, શાસન મજબૂત બનાવે છે અને અસલી ગ્રાહકોનું અનધિકૃત ઉપયોગની અસરથી રક્ષણ કરે છે, જે વધુ સ્માર્ટ, સક્ષમ ઊર્જા ભવિષ્ય માટે અમારો ધ્યેય પ્રદર્શિત કરે છે.” મશીન લર્નિંગ મોડ્યુલ પાવર્ડ સિસ્ટમ ડેટા એનાલિસિસને સ્વયંચાલિત કરે છે, શૈલી આધારિત નનામીઓને શોધે છે અને ચોરીની ઓળખને તેજ બનાવે છે. ગ્રાહકોની રૂપરેખા અને ઉપભોગ શૈલીનું વિશ્લેષણ કરીને તે અચૂક રીતે સંભાવ્ય કિસ્સાઓ તરફ ધ્યાન દોરે છે, જેથી પ્રતિસાદ સમય, લક્ષ્યનાં નિરીક્ષણો અને માહિતગાર નિર્ણય લેવાનું ઝડપી બને છે. આ ડેટા પ્રેરિત અભિગમ અમલબજાવણીને મજબૂત બનાવવા સાથે સંચાલન ખર્ચ ઓછો કરીને ગ્રાહકો માટે ન્યાયીપણું અને વિશ્વસનીયતાની ખાતરી રાખે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:51 am

પ્રવાસીઓને મર્યાદિત પ્રવેશ:મહાપરિનિર્વાણ દિને દાદર સ્ટેશન પર 400 પોલીસની ફોજ તૈનાત

ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનને ધ્યાનમાં લઈને 5 ડિસેમ્બર રાતના 12 વાગ્યાથી 6 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધી દાદર રેલવે સ્ટેશનમાં પ્રવાસીઓને મર્યાદિત પ્રવેશ આપવામાં આવશે. કાયદો અને સુવ્યવસ્થા જાળવવા લગભગ 400 રેલવે પોલીસ અધિકારી અને કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યાનું દાદર રેલવે પોલીસ સ્ટેશનના સીનિયર પીઆઈ અનિલ કદમે જણાવ્યું હતું. મધ્ય અને પશ્ચિમ રેલવે સ્ટેશનના પૂર્વ-પશ્ચિમને જોડતો મોટો પુલ, પ્લેટફોર્મ નંબર 12 પરના તમામ પ્રવેશદ્વાર શહેર હદમાંથી રેલવે સ્ટેશનમાં આવવા માટે બંધ રહેશે. એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર જવા માટે પુલ ખુલ્લા રહેશે. પૂર્વ-પશ્ચિમ શહેર હદમાંથી આવતા અનુયાયી અને રોજિંદા રેલવે પ્રવાસીઓ માટે દાદર રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ પર આવવા માટે ખુલ્લા રહેશે. દાદર પશ્ચિમ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 1 પરના સ્કાયવોક નજીક ગેટ ક્રમાંક 1, 6, અને 7 છોડીને બાકીના તમામ પ્રવેશદ્વાર રેલવે પ્રવાસી અને અનુયાયીઓને શહેર હદમાંથી પ્લેટફોર્મ પર આવવા બંધ રહેશે. દાદર પશ્ચિમ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 1 પરનો રાહદારી પુલ શહેર હદમાંથી આવતા રેલવે પ્રવાસી અને અનુયાયીઓ માટે પૂર્વથી પશ્ચિમ તરફ જવા બંધ રહેશે. દરમિયાન મહાપરિનિર્વાણ દિન નિમિત્તે અનુયાયીઓ 4 ડિસેમ્બરથી ચૈત્યભૂમિ, દાદર પરિસરમાં આવવાની શરૂઆત થશે. તેથી મોટા પ્રમાણમાં ગિરદી થશે. એની ચૈત્યભૂમિ અને આસપાસના પરિસરના રસ્તાઓ પર વાહનવ્યવહારને અસર થશે. આ બાબત ધ્યાનમાં લેતા 5 થી 7 ડિસેમ્બર સુધી ટ્રાફિકરૂટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. 5 ડિસેમ્બર સવારના 6 વાગ્યાથી 7 ડિસેમ્બર રાતના 12 વાગ્યા સુધી ચૈત્યભૂમિ, શિવાજી પાર્ક, દાદર પરિસરના વાહનવ્યવહાર પર ગિરદીના લીધે અસર થશે. તેથી ટ્રાફિકનું યોગ્ય નિયમન કરવા કેટલાક રસ્તા વનવે તો કેટલાક વાહનો માટે બંધ રાખવામાં આવ્યા છે. કેટલાક રસ્તાઓ પર ભારે વાહનો માટે પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે. તેમ છતાં ટ્રાફિકજામ થાય તો પરિવહન વિભાગ તરફથી વૈકલ્પિક રસ્તા દેખાડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:50 am

રશિયન પ્રમુખ પુતિન આજથી બે દિવસ ભારતની મુલાકાતે, બંને દેશોની ભાગીદારી મજબૂત કરશે

PM Modi and Putin News : રશિયન પ્રમુખ પુતિન ભારતના બે દિવસના પ્રવાસે આજે આવશે. તેઓ ગુરુવારે સ્થાનિક સમય મુજબ સાડા ચાર વાગે ભારત આવશે તેમ મનાય છે અને સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિનર કરશે. બંને દેશ વચ્ચે દ્વિપક્ષીય વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી માટે પુતિનની યાત્રાને અત્યંત મહત્ત્વની માનવામાં આવે છે. અગાઉ મોદી જુલાઈમાં રશિયા ગયા હતા. બંને દેશ વચ્ચેની મંત્રણામાં સંરક્ષણ ક્ષેત્રે સહયોગ અને નાના મોડયુલર રિએક્ટરોના નિર્માણમાં સહયોગ ચર્ચાનું મુખ્ય કેન્દ્ર રહે તેવી સગવડ છે.

ગુજરાત સમાચાર 4 Dec 2025 7:48 am

તપાસ:નવી મુંબઈમાં 11 મહિનામાં જ 499 બાળકોનું અપહરણ

આ વર્ષે જાન્યુઆરી અને નવેમ્બર વચ્ચે નવી મુંબઈ વસાહતમાં 499 જેટલા બાળકોનું અપહરણ થયું હતું અથવા ગુમ થઈ ગયા હતા. આમાંથી પોલીસે 458 બાળકોનું પગેરું મેળવ્યું, જ્યારે 41 બાળકો હજુ પણ વાપતા છે, એમ અધિકારીએ બુધવારે જણાવ્યું હતું. પોલીસે 458 બાળકોનું પગેરું મેળવ્યું, જેઓ ગુમ થવા પાછળ મોટે ભાગે ભાવનાત્મક તાણ અને અંગત સંજોગો વધુ કારણભૂત છે, જ્યારે તેમાં ગુનાહિત હેતુ ઓછો દેખાયો છે. આમાંથી 128 બાળકો ગુમ થવા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હતું અને 114 બાળકો વાલીઓ દ્વારા ખીજાયા પછી ઘર છોડીને ચાલી ગયા હતા એવું જણાયું છે, એમ પોલીસે જણાવ્યું હતું.ઉપરાંત આમાંથી 103 બાળકો તેમના સંબંધીના ઘરે ચાલ્યા ગયા હતા, જ્યારે 63 બાળક ટ્રિપ પર નીકળી ગયા હતા અને 48 બાળક પ્રેમિકાના ઘરે જતા રહ્યા હતા. એક કેસમાં બાળક માનસિક રીતે વિકલાંગ હતો અને અકસ્માતી મૃત્યુની નોંધ (એડીઆર) કરાઈ હતી, એમ પોલીસે જણાવ્યું હતું. એકંદરે 25 કેસ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) ધારા સંબંધી હતા. આ વર્ષે 1 જાન્યુઆરી અને 29 નવેમ્બર વચ્ચે 349 છોકરીઓ સહિત 499 બાળકો નવી મુંબઈથી ગાયબ થઈ ગયાં હતા. આમાંથી પોલીસે 458 જણનું પગેરું મેળવી લીધું હતું, જેમાં 315 છોકરીઓનો સમાવેશ થતો હતો, એમ પોલીસે જણાવ્યું હતું.હજુ સુધી ગુમ 41 બાળકોમાંથી 34 છોકરી અને સાત છોકરાઓનો સમાવેશ થાય છે. પોલીસે આ બાળકોના અપહરણના 483 કેસ નોંધ્યા છે અને તેમાંથી 442નો ઉકેલલાવી દીધો છે, જે 91.78 ટકા ડિટેકશન રેટ દર્શાવે છે, એમ ડેટા જણાવે છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:48 am

આદેશ:સીડી પડવાથી મૃત પામેલા શ્રમિકના વારસોને 23.92 લાખનું વળતર

2019માં રસ્તા પર ઈલેક્ટ્રિક વાયરોનું સમારકામ કરતી વખતે હાઈડ્રોલિક સીડીવાળી વેન પરથી પડી જવાથી મૃત્યુ પામેલા શ્રમિકના વાલીઓને રૂ. 23.92 લાખની ભરપાઈ આપવાનો થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે આદેશ આપ્યો છે.ટ્રિબ્યુનલના પ્રમુખ અધિકારી રૂપાલી વી મોહિતેએ 27 નવેમ્બરે પસાર કરેલા આદેશમાં વાહનના માલિકને જવાબદાર ઠરાવતાં અવલોકન કર્યું કે સીડીના સાંધો તૂટ્યો તે દર્શાવે છે કે સીડીવાળી વેન બરોબર કામ કરતી નહોતી અને તે બેદરકારીને કારણે જ દુર્ઘટના સર્જાઈ હતી.આ દુર્ઘટના 19 એપ્રિલ, 2019ના રોજ બની હતી. પીડિત સૈયદ સાહિલ અબ્બાસ શહેનશાહ હુસૈન અને સહ- શ્રમિક મેહતાબ શેખ રાબોડી વિસ્તારમાં સીડીવાળી વેન સાથે જાડાયેલી 20થી 22 ફૂટ ઊંચી લિફ્ટિંગ બકેટ પરથી ઈલેક્ટ્રિક વાયરોનું સમારકામ કરતા હતા.આ કામ દરમિયાન સીડીનો સાંધો અચાનક તૂટી પડ્યો, જેને લઈ બંને શ્રમિક નીચે પટકાયા હતા. હુસૈનને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને થાણે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જે પછી વાશીની એમજીએમ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં 21 એપ્રિલ, 2019ના રોજ તેનું મૃત્યુ થયું હતું. રાબોડી પોલીસે ઠેકેદાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. વાહનની વીમા કંપનીએ દાવાનો વિરોધ કર્યો હતો. પોલિસીની શરતોનું ઉલ્લંઘન કરાયું છે અને આ કેસ ચલાવવા માટે યોગ્ય મંચ લેબર કોર્ટ છે. વાહનના ડ્રાઈવર પાસે પ્રમાણિત લાઈસન્સ નહોતું અને સુરક્ષાનાં પગલાંનું પાલન કરાયું નહોતું એવી દલીલ પણ કરાઈ હતી.જોકે ટ્રિબ્યુનલે આ બચાવ નકારીને અવલોકન કર્યું કે વીમા કંપનીએ કોઈ સાક્ષીદારની તપાસ કરી નહીં કે પોલિસીનું ઉલ્લંઘન થયું હોવાનું સિદ્ધ કરતા કોઈ દસ્તાવેજી પુરાવા પણ રજૂ કર્યા નથી.પોલીસે લાઈસન્સ વિના ડ્રાઈવ કરવા માટે ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી કરી નથી. સેફ્ટી બેલ્ટ લિફ્ટિંગ બકેટમાં હતો, જેથી મૃતક દ્વારા બેદરકારીનો દાવો માની શકાય નહીં.ટ્રિબ્યુનલે જણાવ્યું કે કોઈ બેદરકારી સ્થાપિત થઈ નથી અને મૃતક થર્ડ પાર્ટી છે, જેને વીમા પોલિસી હેઠળ સંપૂર્ણ આવરી લેવાયો છે. વાહનના માલિકે સારી સ્થિતિમાં હોય તેવી લેડર વેન પૂરી પાડી જોઈતી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:47 am

અકસ્માત:મીઠાપુર GIDCમાં ટ્રકની ઠોકરે સ્કૂટર સવાર વૃદ્ધનું મોત, ચાલકની શોધખોળ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અકસ્માતોની વણંભી વણઝાર રહી છે જેમાં વધુ એક જીવલેણ અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્વે જામનગરમાં સારવાર દરમિયાન દમ તોડયો હતો.પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.દેવભૂમિમાં નાના મોટા અકસ્માતો લગભગ રોજીંદા બની રહયા છે. મળતી વિગત અનુસાર દેવભૂમિના ઓખામંડળ પંથકના મીઠાપુરના સુરજકરાડી ગામે રહેતા ધીરજલાલ વૃજલાલ તન્ના (ઉ.વ. 72) નામના વેપારી વૃદ્ધ તા. 25 નવેમ્બરના રોજ તેમના જી.જે. ૩૭ એલ. ૯૮૬૫ નંબરના જ્યુપીટર મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા, ત્યારે જી.આઈ.ડી.સી. વિસ્તારમાં પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. ૩૭ વી. ૧૦૧૦ નંબરના એક ટ્રકના ચાલકે સ્કૂટર સવાર ધીરજલાલ તન્નાને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.અકસ્માતના આ આ બનાવ અંગે મૃતકના પુત્ર હિતેશભાઈ ધીરજલાલ તન્ના ની ફરિયાદ પરથી મીઠાપુર પોલીસે ટ્રકના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. જે.એમ. અગ્રાવત દ્વારા હાથ ધરવામાં આવી છે. દેવભૂમિમાં દોઢેક માસમાં ડઝનેક જીવલેણ અકસ્માતદેવભૂમિ દ્વારકા પંથકના ખંભાળિયા-દ્વારકા સહિતના જુદા જુદા વિસ્તારોમાં ગત દિવાળી બાદ અકસ્માતોની વણઝાર શરૂ થઇ છે.જેમાં લગભગ દોઢ માસ જેટલા સમયગાળા દરમિયાન નાના મોટા ડઝનજેક અકસ્માતોમાં નવથી વધુ માનવ જીંદગી હોમાઇ હોવાનુ જાણવા મળ્યુ છે.ખાસ કરી ઘોરીમાર્ગ સંલગ્ન વિસ્તારોમાં અકસ્માતો વધતા જોવા મળે છે ત્યારે તંત્ર દ્વારા બ્લેકસ્પોટ વગેરે નકકી કરી વિશેષ જનજાગૃતિ સાથે નકકર કાર્યવાહી હાથ ધરવી જોઇએ.જેથી અકસ્માતમાં અકાળે હોમાતી માનવ જીંદગીને બચાવી શકાય.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:43 am

મેગા ડિમોલિશન:ગોરધનપર ગામ પાસે સરકારી 100 વિઘા જમીન પર ખડકાયેલા દબાણોને હટાવાયા

ગોરધનપર પાસે લગભગ 100 વિધા સરકારી જમીનમાં ખડકાયેલા દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા બુધવારે સવારે મેગા ડીમોલિશન હાથ ધરવામાં આવ્યુ હતુ.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં 19 કાચા-પાકા બાંધકામ, ઇંટોના છ ભઠ્ઠા ઉપરાંત ખેતી વિષયક સહિતના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયુ હતુ. ગોરધનપર ગામ પાસે બુધવારે મહેસુલી વિભાગના અધિકારીઓ સહિત ટીમ દ્વારા સર્વે નં. 103,104,105 નંબરની આશરે 100 વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકી દેવાયેલા બાંધકામો દૂર કરવા માટે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગોરધનપર નજીક મુખ્ય રોડ પાસે કિંમતી મનાતી ૧૦૦ વીઘા સરકારી જમીન કે જેમાં અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હતાં.જેમાં કાચા-પાકા મકાનો, હોટલ, ઈંટોના ભઠ્ઠા,ખેતી વિષયક દબાણો ખડકાયા હોવાનુ સામે આવ્યુ હતુ. જે તમામને તંત્ર દ્વારા અગાઉથી નોટીસ આપી દેવાઈ હતી. જે બાદ બુધવારે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ હતી. ગ્રામ્ય વિભાગના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરિયાના સુપરવિઝનમાં ગ્રામ્ય વિભાગના મામલતદાર એમ.જે. ચાવડા અને તેઓની ટીમ દ્વારા કાર્યવાહી કરાઇ હતી. અડધો ડઝન જેસીબી દબાણો પર ફરી વળ્યાજિલ્લાનો રેવન્યુ સ્ટાફ, તાલુકા-સરકારી નિર્માણ કચેરી સહિતના અધિકારીઓ-કર્મચારીઓ સહિત સવાસો જેટલા પોલીસ કર્મીઓ તેમજ એસઆરપી સહિત દોઢસોથી વધુ કર્મચારીઓનો સ્ટાફ ડિમોલિશન કાર્યવાહીમાં જોડાયો હતો.જે દરમિયાન આઠ જેસીબી, છ પોકલેઇન, બે ડમ્પર તદુપરાંત ખાસ ફાયર વિભાગની વાહન સેવા, પોલીસ કંટ્રોલ વાન-મોબાઇલ પેટ્રોલિ઼ગ યુનિટો પણ જોડાયા હોવાનુ સુત્રોએ જણાવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:41 am

ઠગાઈ:કાળી તલાવડીના શખ્સે ગોલ્ડ લોનના નામે 38.10 લાખનો ચૂનો લગાવ્યો

તાલુકાના કાળી તલાવડી ગામે રહેતા આરોપીએ મુથુટ ફાયનાન્સ માંથી આઈઆઈએફએલમાં ગોલ્ડ લોન ટ્રાન્સફર કરવાના નામે રૂપિયા 38.10 લાખની ઠગાઈ આચરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ મુળ અમરેલીના અને હાલ સુરતમાં રહેતા ફરિયાદી વિક્રમભાઈ રમણીકભાઈ પટેલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે કાળી તલાવડી ગામના આરોપી રામજી ભીમજી બરાડીયા વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ બનાવ 12 નવેમ્બરના સાડા બાર વાગ્યાના અરસામાં હોસ્પિટલ રોડ પર બન્યો હતો.આરોપીએ પોતાની ગોલ્ડ લોન મુથુટ ફાયનાન્સમાંથી ટ્રાન્સફર કરાવી હોસ્પિટલ રોડ પર આવેલી આઈઆઈએફએલમાં લોન કરાવા માટે એગ્રીમેન્ટ કર્યો હતો. ફરિયાદીની સારથી મની કંપની સાથે એગ્રીમેન્ટ કર્યા બાદ રૂપિયા મેળવી લીધા હતા.પરંતુ આરોપીએ મુથુટ ફાયનાન્સમાં પોતાની ગોલ્ડ લોન ભરી ન હતી અને આઈઆઈએફએલમાં ટ્રાન્સફર કરાવી ન હતી. ફરિયાદી પાસેથી રૂપિયા 38.10 લાખ મેળવી લઇ ઠગાઈ આચરી હતી.સમગ્ર મામલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:40 am

ભાસ્કર ઈન્ટરવ્યુ:કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, પક્ષમાં કોઈ કાર્યકર નથી તમામ નેતાઓ : નગરસેવિકા જેનબબેન ખફી

જામનગર મહાનગરપાલિકાની ચુંટણીના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે જ શહેરના વોર્ડનં-12ના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર જેનબબેન ખફીએ પક્ષ અને પક્ષના તમામ હોદાઓ ઉપરથી રાજીનામું ધરી દેતાં રાજકિય ભુકંપ સર્જાયો છે. તો બીજી તરફ જેનબબેન ખફી સાથે વાતચીત કરતા તેઓએ પક્ષ સાથેનો બળાપો કાઢ્યો હતો કે, જામનગરમાં પક્ષમાં અંદરો અંદરની લડાઈ અને હુસ્સા તુસી તેમજ જી-હુજુરીનું મહત્વ વધતું જાય છે. કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, કોઈ કાર્યકર્તા નથી તમામ નેતાઓ છે. તો પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રશ્ન :- કેટલા વર્ષથી પક્ષ સાથે જોડાયેલા છો..? નગર સેવિકા :- છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે વફાદારી પુર્વક જોડાયેલી છું. પ્રશ્ન :- કોંગ્રેસ પક્ષ સાથે છેડો ફાડવાનું કારણ છું..? નગર સેવિકા :- કોંગ્રેસ પક્ષમાં હાલમાં અંદરો અંદરની લડાઈઓ, હુસ્સા તુસી અને જી-હુજુરીનું મહત્વ વધતું જાય છે તે મને ગમતું નથી. { પ્રશ્ન :- કોંગ્રેસ પક્ષ દ્વારા કેવી કામગીરી કરી રહી છે ..? નગર સેવિકા :- પક્ષની વિચારધારાને અવગણીને વ્યક્તિગત લોકોના વિચારોને વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે. પ્રશ્ન :- કોંગ્રેસમાં જોડાયેલા કાર્યકરો પક્ષને નિષ્ઠાવાન છે..? નગર સેવિકા :- જામનગર શહેરમાં કોંગ્રેસમાં વ્યક્તિગત સ્વાર્થને વધારે મહત્વ આપવામાં આવી રહ્યું છે પ્રશ્ન :- આ અંગે કોઈને રજુઆત કરવામાં આવી હતી..? નગર સેવિકા :- આ મુદે ગુજરાત પ્રદેશ કોંગ્રેસને અનેક રજુઆત કરવામાં આવી, પરંતુ કોઈએ ધ્યાન ન આપ્યું. પ્રશ્ન :- કોંગ્રેસ પક્ષ સાથે તમને વાંધો છે..? નગરસેવિકા :- કોંગ્રેસ પક્ષ સાથે વાંધો નથી જામનગરમાં કોંગ્રેસ પક્ષ સાથે વાંધો છે. પ્રશ્ન :- તમને કોંગ્રેસમાંથી કોઈના ફોન આવ્યા..? નગરસેવિકા :- બપોરના બે વાગ્યા સુધીમાં 40થી વધુ કોલ આવ્યા છે, પરંતુ રીસીવ નથી કર્યા. પરંતુ શહેર કોંગ્ર઼ેસ પ્રમુખનો ફોન નથી આવ્યો. પ્રશ્ન :- કોંગ્રેસમાંથી રાજીનામું ન આપવા કોઈએ કોલ કર્યો હતો..?નગરસેવિકા :- કોંગ્રેસ સાથે જોડાઈ રહેવા માટે અગાઉ એક વર્ષ માટે વિરોધ પક્ષના નેતા તરીકે ઓફર કરાઈ હતી. પ્રશ્ન :- આગામી મહાનગરપાલિકાની ચુંટલી લડશો..? નગરસેવિકા :- ચોક્કસ ચુંટણી લડીશ, જે માટે કોર્પોરેટરો અસલમભાઈ તેમજ અન્ય એક મહિલા કોર્પોરેટર પણ સાથે છે. પ્રશ્ન :- હવે કોઈ પક્ષમાં જોડાશો..? નગરસેવિકા :- હજુ સુધી કોઈ પક્ષમાં જોડાઈ નથી, લોકો કહેશે તે કરીશ. પ્રશ્ન :- કોંગ્રેસ પક્ષના હારવાના કારણો ક્યાં છે..? નગરસેવિકા :- કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે, તેમાં કોઈ કાર્યકર નથી તમામ નેતાઓ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:40 am

કરુણાંતિકા સર્જાઈ:રાપરના જાટાવાડામાં ગુમ થયેલી બે કિશોરીનું તળાવમાં ડૂબી જતાં મોત

રાપર તાલુકાના જાટાવાડા જીલાર વાંઢમાં રહેતા કોલી સમાજની બે બાળકીઓ તા.2/12 ના બપોરથી ગુમ થતાં પરિવારે શોધખોળ શરૂ કરવાની સાથે મામલતદાર, ટીડીઓ, ધારાસભ્ય સહિતને જાણ કર્યા બાદ તળાવમાં અકસ્માતે પડી હોવાની શંકાના આધારે રાપર અને ભચાઉની ફાયર ફાઇટર ટીમે કેમેરાની મદદથી બન્ને બાળાઓના મૃતદેહ શોધ્યા હતા. મૃતદેહ મળતાં પરિવારજનોમાં આઘાતમાં સરી ગયા હતા. રાપર તાલુકાના પ્રાંથળ વિસ્તારના જાટાવાડા ગામે સીમમા આવેલા તળાવના પાણી મા ગઈ કાલે જાટાવાડા ગામે રહેતા પારકરા કોળી પરિવારની 14 વર્ષીય દયાબેન નાગાજી કોળી અને 15 વર્ષની આરતી રાણાભાઇ કોળી તા.2/12 ના બપોરથી ગુમ થતાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી. દિકરીઓ તળાવમાં ડૂબી ગઇ હોઇ શકે તેવી શંકા ઉભી થતાં ગામ લોકોએ તલાટીને જાણ કરતાં તલાટીએ રાપર તાલુકા મામલતદાર એચ બી.વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલાને પત્ર દ્વારા જાણ કરી હતી. આ અંગે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા,રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ચીફ ઓફિસર તરુણદાન ગઢવી, ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડને કરવામા આવતા રાપર ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને કેમેરા સાથે ઘટના સ્થળે મોકલી હતી. રાપર તાલુકા મામલતદાર દ્વારા સ્થળ પર ટીમ મોકલી સતત પાણીમા શોધખોળ હાથ ધરી બને બાળાઓને કેમેરાની મદદથી બન્ને બાળકીઓના મૃતદેહ શોધી બહાર કઢાયા હતા.આ બનાવ થી ખેત મજુરી કરી ગુજરાન ચલાવતા પરિવારમાં શોક ફેલાયો હતો સાથો સાથ આવો બનાવ બનતા વાગડ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:40 am

ગુજરાતી સહિતના ભારતીયોની થૂંકવાની ટેવથી બ્રિટિશરો કંટાળ્યા, સફાઈ માટે અલગ બજેટ ફાળવ્યું

The British apologized for the spitting habit of Indians : ગુજરાતી સહિતના ભારતીયોની પાનની પિચકારની ટેવથી હવે ભારતીયો જ નહીં વિદેશીઓ પણ હેરાન થવા લાગ્યા છે. બ્રિટનમાં ભારતીયોની વસ્તી ધરાવતું લેસ્ટર પરગણુ થૂંકવાની ટેવના કારણે કુખ્યાત થઈ ગયું છે. લેસ્ટરમાં ભારતીયોની આ રીતે ગમે ત્યાં થૂંકવાની ટેવના કારણે બ્રિટિશરો તોબા-તોબા પોકારી ઉઠયા છે. શિસ્તબદ્ધ રહેવા ટેવાયેલા બ્રિટિશરો માટે આ બધુ અસહ્યનીય છે. ખઈ કે પાન બનારસવાલા ગાઈને અને ખાઈને તો પાન ખાનારા અને જોનારા બંને ઝૂમી ઉઠે છે, પરંતુ એ પાન ખાધા પછી જે પિચકારીઓ મારવામાં આવે છે તના લીધે આખો વિસ્તાર ફક્ત વિસ્તાર ન રહેતા પણ થૂંકદાની બની ગયો હોય તેવો ઘાટ સર્જાય છે.

ગુજરાત સમાચાર 4 Dec 2025 7:38 am

સન્માન:BLOએ કર્ણાટક સુધી સંપર્ક કરી SIR અંતર્ગત 100 ટકા કામગીરી

જામનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા (એસઆઈઆર)ની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં 80-જામજોધપુર વિધાનસભાના ગીંગણીના બીએલઓ અજયભાઈ વરસાંકિયાએ અન્ય બીએલઓને સોંપવામાં આવેલ ચાર્જ પોતે સંભાળી તેમની કામગીરી 100 ટકા પૂર્ણ કરી છે. તેઓએ માત્ર એક મતદારનું મેપિંગ કરવા માટે કર્નાટક રાજ્યમાંથી એક બીએલઓનો સંપર્ક કરી જામનગરમાં રહેતા મતદારની માતાનું નામ વર્ષ 2002ની યાદીમાં શોધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમની આ કામગીરીની પ્રસંશા કરી જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠકકર દ્વારા પ્રશસ્તિપત્ર એનાયત કરી સન્માન કરાયું છે. અજયભાઈ વરસાંકિયાએ જણાવ્યું હતું કે, હું બીએલઓ તરીકે ફરજ નિભાવુ છું. મારા ગામના એક શિક્ષિકાને બીએલઓનો ચાર્જ મળ્યો જોય પરંતુ તેમને નાનું બાળક હોવાથી તેમનો ચાર્જ મેં સ્વેચ્છાએ સ્વીકાર્યો હતો. મારે ગણતરી ફોર્મની કામગીરીમાં 1047 મતદારો હતા. જે 100 ટકા ડિજિટાઇઝ થઈ ગયા છે. મેપિંગની કામગીરી દરમિયાન ત્રણ મતદારો મહારાષ્ટ્રના હતા માટે મેં મહારાષ્ટ્રની મતદારયાદી ડાઉનલોડ કરી અને તેમને EPIC નંબર પરથી જરૂરી માહિતી મેળવી લીધી હતી. કર્ણાટકના એક મતદારનું મેપિંગ કરવા માટે મેં કર્ણાટકની મતદાર યાદી ડાઉનલોડ કરી પરંતુ તે કન્નડ ભાષા હોવાથી સમજણ ન પડી. ત્યારબાદ ઈ.સી.આઈ.ની વેબસાઇટ પર જઈ મતદારની માતાના ચૂંટણીકાર્ડની વિગતો મેળવી તેમના બીલઓનો સંપર્ક સાધ્યો. તેઓ કન્નડ ભાષા બોલતા હોય અને હિન્દી સમજતા ન હોવાથી અંગ્રેજીમાં તેમની સાથે સંવાદ કર્યો. જામનગરમાં રહેતા મતદારની માતાનો વર્ષ 2002ની યાદીમાંથી નંબર મેળવી મેપિંગની કામગીરી મેં 100 ટકા પૂર્ણ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:37 am

કામગીરી:શહેરમાં રૂ.2.50 લાખના દાગીના સાથેનો બેગ શોધી આપતી પોલીસ

જામનગર શહેરમાં સસરાના ઘરેથી માવતરે જતી પરીણિતા રીક્ષામાં રૂ.2.50 લાખના સોનાના દાગીના સાથેનો બેગ ભુલી જતાં કમાન્ડ કંટ્રોલ સેન્ટર પોલીસે સતત ત્રણ દિવસના સીસીટીવી કેમેરા પર મોનિટરીંગ કરીને દાગીના સાથેનો બેગ શોધી આપીને પરિણિતાને પરત આપ્યો હતો. શહેરમાં રહેતા કાજલબેન પરિક્ષિતભાઈ પાઠક નામની પરિણિતા ગત તા.30 નવેમ્બરના રોજ પંચેશ્વર ટાવર સસરાના ઘરેથી માવતરે રામેશ્વર જવા રીક્ષામાં નિકળ્યા હતા. તેઓ સાથે રહેલા 3 બેગમાંથી બે બેગ ઉતારી લીધા હતા, અને રૂ.2,50,000ની કિંમતના સોનાના દાગીના સાથેનો બેગ ભુલી ગયા હતા. જે અંગેની પરિણિતાએ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમનો સંપર્ક કર્યો હતો. પીએસઆઈ બી.બી.સિંગલના માર્ગદર્શન મુજબ સ્ટાફે અલગ અલગ સીસીટીવી ફુટેજ ચુકાસણી કરી હતી. કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સીસીટીવી કેમેરાઓનું મોનીટરીંગ કરીને રીક્ષા ચાલકની ઓળખ કરી હતી. વર્ષમાં 28 કેસમાં 29.48 લાખનો મુદામાલ કબજેજામનગર જિલ્લામાં નેત્રમ ખાતે સીસીટીવી કેમેરા યુનીટ કાર્યરત હોય, જે યુનિટ દ્વારા સમગ્ર જિલ્લામાં લાગેલ સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરવામાં આવે છે. જે યુનીટ દ્વારા સીસીટીવી કેમેરા મોનીટરીંગ કરી વર્ષ-2025માં 28 કેસો શોધી કાઢી કુલ રૂ.29,48,250નો મુદામાલ રીકરવ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:36 am

સંચાલન:નવા બનેલા ઓવરબ્રિજ પર એસટીની બસો દોડશે નહી, વિભાગીય નિયામકનો પરિપત્ર

જામનગર શહરેમાં ઇન્દિરા માર્ગ પર નવો ઓવર બ્રિજ બનતા ઇન્દીરા માર્ગ થઇ એસટીનું સંચાલન ફરી જુના રાબેતા મુજબના રૂટ ઉપરથી બસ પસાર થશે તે આદેશ વિભાગીય નિયામક બી. સી. જાડેજા દ્વારા કરવામાં આવ્યો છે તો શહેરીજનોએ આ મુજબ એસટી બસનો લાભ લેવા ડીટીઆઇ જે.વી. ઇશરાણી દ્વારા જણાવાયું છે. જામનગર શહેરમાં ઇન્દીરા માર્ગ પર ઓવર બ્રીજ બનતા મૂળ રસ્તા પર સંચાલન કરવા જામનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવાયું છે. એસટી ડેપોથી રાજકોટ તેમજ કાલાવડ તરફ જતા સાત રસ્તા સર્કલ, જુના રેલ્વે સ્ટેશન (અંબર ચોકડી) અને હાલાર હાઉસથી આગળ મળી કુલ ત્રણ જગ્યાએ સ્ટોપ આપવાનું નકકી કરાયું છે. જેમાં મુસાફરોને બસમાં ચડાવવા અને રાજકોટ તેમજ કાલાવડ તરફથી આવતા સુરેશ ફરસાણ માર્ટથી આગળ જુના રેલ્વે સ્ટેશન તેમજ સાત રસ્તા સર્કલ પાસે ત્રણ જગ્યાએ મુસાફરોને ઉતારવા તેમજ ગુદ્વદ્વારા પાસે રોડની પહોળાઇ સાંકડી હોવાથી અને બસ ઉભી ન રાખીએ તો ટ્રાફિકની સમસ્યાનો પ્રશ્ન થતો હોવાથી ગુરૂદ્વારા અને વિકટોરીયા પાેઇન્ટનો સ્ટોપ રદ્દ કરવામાં આવ્યેા છે. વિકટોરીયા પોઇન્ટના બદલે રાજપાર્ક પાેઇન્ટ રહેશે. લોકલ, એકસપ્રેસ, ગુર્જર નગરી, સ્લીપર, વોલ્વો, એસી, ઇલેકટ્રીક બસોને આ રૂપ પર સંચાલન કરવામાં આવશે. આમ એસટીની તમામ બસો હવે નીચેના તેમના રૂટ પરથી દોડશે તો મુસાફરોને આ તમામ પોઇન્ટ ઉપરથી બસની સુવિધા ઉપલબ્ધ થઇ શકશે. શહેરમાં આ જગ્યાઓ ઉપર એસટી બસ ઉભી રહેશેજામનગરમાં ઓવર બ્રિજ બનતા એસટી વિભાગ કચેરી દ્વારા રાજકોટથી આવતી તમામ બસના પોઇન્ટ રાજપાર્ક, જુના રેલ્વે સ્ટેશન અને સાત રસ્તા સર્કલ પાસે ત્રણ જગ્યાએ હવે બસના પોઇન્ટ નકકી કરવામાં આવ્યા છે. જેથી આ ત્રણેય પોઇન્ટ ઉપર મુસાફરોને ઉતારવામાં આવશે અને ટ્રાફિકજામની સમસ્યા ન થાય તેની તકેદારી તંત્ર દ્વારા રાખવામાં આવી છે તો મુસાફરોને આ ત્રણેય પોઇન્ટ ઉપરથી બસનો લાભ લઇ શકશે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:36 am