SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો મામલો:મનોજ સોરઠીયાએ કહ્યું- 'સૌરાષ્ટ્રમાં ગોપાલની લોકપ્રિયતા જોઈ ભાજપ-કોંગ્રેસનું ષડયંત્ર, હુમલાઓને AAP આભૂષણ સમજીને સ્વીકારશે'

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધતા પ્રભાવ વચ્ચે જામનગરમાં AAP નેતા ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાની ઘટનાને પ્રદેશ સંગઠન મંત્રી મનોજ સોરઠીયાએ ભાજપ અને કોંગ્રેસનું સંયુક્ત ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે આ ઘટના પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ગુજરાતમાં AAPને રોકવાના સતત પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું. 'હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન'મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, જામનગરમાં કોંગ્રેસના ત્રણ કોર્પોરેટર તાજેતરમાં AAPમાં જોડાતા કોંગ્રેસ માટે અહીં કોઈ ગ્રાઉન્ડ બચ્યું નથી. આ કારણે જામનગરમાં ભાજપ અને કોંગ્રેસના લોકોએ સાથે મળીને આ હુમલાનું કાવતરું રચ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો હતો કે, આ હુમલો હર્ષ સંઘવીની પોલીસ સાથે મળીને કરાયેલું આગોતરું આયોજન હતું. હુમલાખોર પર જ પોલીસની નજર હતી. ઈશારો થતાની સાથે જ પોલીસ તાત્કાલિક હુમલાખોરની આસપાસ પહોંચી ગઈ હતી. પોલીસની ફરજ MLAની સુરક્ષાની હોય છે, પરંતુ અહીં ઊલટું જોવા મળ્યું. એક પણ પોલીસ કર્મચારીએ ગોપાલ ઇટાલિયાને કેટલું લાગ્યું તે પૂછ્યું નહીં. આ પણ વાંચો: જામનગરમાં કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી ગોપાલ ઇટાલિયા પર જૂતાનો છુટ્ટો ઘા કર્યો હુમલાઓને AAP 'આભૂષણ સમજીને સ્વીકારશે': મનોજ સોરઠીયામનોજ સોરઠીયાએ દાવો કર્યો કે, ગુજરાતમાં AAP આગળ વધી રહી છે, જેના કારણે બંને પાર્ટીઓના 'પેટમાં તેલ રેડાયું' છે. તેમણે નર્મદા, ભરૂચ, ગોંડલ સહિત અનેક જગ્યાઓ પર AAPના કાર્યકર્તાઓ પર હુમલાઓ થતા હોવાનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ ઘટનાને જનતા સામાન્ય ઘટના તરીકે ગણતી નથી અને AAP આ બાબતે સતત સંઘર્ષ કરશે. હુમલાઓને AAP 'આભૂષણ સમજીને સ્વીકારશે' તેમ તેમણે જણાવ્યું હતું. કેજરીવાલ ગુજરાતના પ્રવાસે, 2 દિવસ રાજકોટમાં રોકાશેઆ ઘટનાક્રમ વચ્ચે AAPના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આવતીકાલે સાંજે રાજકોટ એરપોર્ટ પર આવશે અને બે દિવસ રાજકોટમાં જ રોકાશે. આ પ્રવાસ દરમિયાન જામનગરની ઘટના બાબતે રણનીતિ તૈયાર કરવામાં આવશે, સાથે જ BLOની વેદના અને આપઘાત કરનાર ખેડૂત તેમજ હદદળમાં છૂટેલા ખેડૂતોના સન્માનનો કાર્યક્રમ પણ યોજવામાં આવશે. ગોપાલ ઇટાલિયા પર ભ્રષ્ટાચારના આરોપનો ઇનકારસોરઠીયાએ સ્પષ્ટતા કરી કે, ગોપાલ ઇટાલિયા પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. જ્યારે તેમણે અગાઉ ગૃહમંત્રી પર જૂતું ફેંક્યું હતું, ત્યારે તેઓ ગુજરાતની સિસ્ટમ અને પરિસ્થિતિથી નારાજ હતા અને લોકોના હિતની વાત કરવાના હતા. AAP અને કોંગ્રેસના ગઠબંધન પરના સવાલ પર મનોજ સોરઠીયાએ સ્પષ્ટ કર્યું કે, રાષ્ટ્રીય રાજનીતિમાં 'ઇન્ડિયા' ગઠબંધન હેઠળ એક સમયે સાથે હતા, પણ હવે AAP ઇન્ડિયા અલાયન્સ સાથે નથી. તેમણે કહ્યું કે, આજે AAP કોંગ્રેસ કરતાં આગળ વધીને લોકોની પસંદગી બની છે, જેના કારણે કોંગ્રેસને પોતાના અસ્તિત્વનું જોખમ લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:50 pm

નાસ્તા ફરતાં આરોપીને જૂનાગઢ SOGએ વડોદરાથી દબોચ્યો:હથિયારના ગુનામાં છેલ્લા સાત વર્ષથી ફરાર હતો

​જૂનાગઢ SOGએ ફરી એકવાર પોતાની સતર્કતા અને ટેકનિકલ કુશળતાનો પરિચય આપ્યો છે. જૂનાગઢ શહેર બી ડિવિઝનમાં હથિયારના ગંભીર ગુનામાં છેલ્લા સાત વર્ષથી કાયદાની પકડમાંથી નાસતા ફરતા આરોપીને વડોદરા ખાતેથી ઝડપી પાડ્યો છે. 7 વર્ષથી ફરાર આરોપી વડોદરાથી પકડાયોSOG પીઆઈ આર.કે. પરમાર દ્વારા આરોપીને શોધવા માટે ટીમ બનાવવામાં આવી હતી. આ દરમિયાન, SOGના એ.એસ.આઇ. રમેશભાઈ માલમ અને પો.કોન્સ. અરવિંદભાઈ વાવેચાને ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી ચોક્કસ બાતમી મળી હતી કે હથિયારના ગુનામાં સંડોવાયેલો જૂનાગઢનો દીપેશ ઉર્ફે દીપુ રસીકલાલ મોહનલાલ વાઘેલા વડોદરા ખાતે છુપાયેલો છે. આરોપીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપાયોઆ બાતમીના આધારે SOGની ટીમે વડોદરા ખાતે જઈને આરોપીને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી માટે તેને જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે આરોપીને શોધ્યોજૂનાગઢ રેન્જ આઇજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાના આદેશ થી SOGની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો સુચારુ ઉપયોગ કરીને વર્ષો જૂના કેસના આરોપીને શોધી કાઢ્યો. આ સફળ કામગીરી એ વાતનો પુરાવો છે કે પોલીસ તંત્ર ગુનાખોરીને જડમૂળમાંથી ઉખેડી ફેંકવા માટે સતત પ્રયત્નશીલ છે અને ગુનેગાર ભલે ગમે તેટલો સમય છુપાઈ રહે, કાયદાના હાથમાંથી બચી શકતો નથી. આ સમગ્ર સફળ કામગીરીમાં SOGના પીઆઈ આર.કે. પરમાર, એ.એસ.આઇ રમેશભાઈ માલમ, પો.હેડ કોન્સ. અનિરુદ્ધભાઈ વાંક અને પો.કોન્સ. અરવિંદભાઈ વાવેચા સહિતના સ્ટાફે યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:43 pm

અકસ્માત કરીને મૃત્યુ નીપજાવવા બદલ 1 વર્ષની કેદ:15 વર્ષની સગીર ખાટલામાં સૂતો હતો અને ગાડી અથડાવી, સગીરનું મૃત્યુ નીપજ્યું અને 4 વર્ષના બાળકને ઇજા પહોંચી

વર્ષ 2024ના એપ્રિલ મહિનામાં મૂળ બિહારના મોનુકુમાર તેલીએ બેદરકારી પૂર્વક ગાડી હંકારીને ખાટલામાં સૂતા 15 વર્ષીય સગીરને અથડાવતા સારવાર દરમિયાન સગીરનું મોત નીપજ્યું હતું, જ્યારે બાજુમાં સુતા 4 વર્ષના બાળકને ઈજા પહોંચી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આરોપીને 1 વર્ષની કેદ અને 6 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીનો વ્યક્તિની હત્યા કરવાનો ઈરાદો ન હોવાવથી સાઅપરાધ મનુષ્યવધનો ગુનો લગાડવામાં આવ્યો ન હતો. ગાડી ચડાવી દેતા ખાટલા અને ગાડી વચ્ચે સગીર ફસાયોવર્ષ 2024ના એપ્રિલ મહિનામાં I ડિવિઝન પોલીસ મથકે મૂળ બિહારના એક પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેમનો 15 વર્ષીય સગીર પુત્ર તેના 4 વર્ષીય ભાઈ સાથે સિંગરવા ખાતે ઘરની બહાર ખાટલામાં સૂતો હતો. ત્યારે આરોપી મૂળ બિહારના મોનુકુમાર તેલીએ બેદરકારી અને પૂરઝડપે મહિન્દ્રા XUV ગાડી ખાટલા સાથે અથડાવતા તેમનો દીકરો ખાટલા અને ગાડી વચ્ચે દબાઈ ગયો હતો. નાના 4 વર્ષીય દીકરાને પણ ઇજાઓ થઈ હતી. આંતરિક ઈજા અને શોકના કારણે સગીરને મૃત જાહેર કર્યોઆરોપીની ગાડીમાં જ દીકરાને સિંગરવા હોસ્પિટલ લઈ જવાયો હતો. જે હોસ્પિટલે મોટા 15 વર્ષીય દીકરાને આંતરિક ઇજાઓ અને શોકને કારણે મૃત જાહેર કર્યો હતો. આરોપી સામે અમદાવાદ જિલ્લા મેજિસ્ટ્રેટ કોર્ટમાં કેસ ચાલતા 9 સાહેદ અને 7 દસ્તાવેજી પુરાવા તેમજ સરકારી વકીલ એમ.એસ.શેખની દલીલોને આધારે આરોપીને કોર્ટે 1 વર્ષની કેદ અને કુલ 6 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આરોપી સામે 304A કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈઉલ્લેખનીય છે કે, આરોપી સામે 304A કલમ લાગી હતી. જે મુજબ કોઈનું મૃત્યુ બેદરકારી પૂર્વકના કાર્યને લઈને થાય. જેમાં વ્યક્તિનો હત્યાની નીપજાવવાનો ઇરાદો હોતો નથી. આ કલમ અંતર્ગત મહતમ 2 વર્ષની સજાની જોગવાઈ છે. જેમાં સાઅપરાધ મનુષ્યવધનો ગુનો લાગુ પડતો નથી કે જેમાં મહતમ 10 વર્ષની સજાની જોગવાઈ છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:42 pm

વિરપુરનો યુવક ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાયો:ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત, દેશભક્તિના ગીતો સાથે બાઈક રેલી કઢાઈ

પાલનપુર તાલુકાના વિરપુર ગામે સચિન દિનેશકુમાર ઠાકોર ભારતીય લશ્કરમાં અગ્નિવીર તરીકે જોડાયા છે. ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના માદરે વતન વિરપુર પરત ફર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરિવારજનો અને ગ્રામજનો દ્વારા ધનિયાણા ચોકડીથી વિરપુર ગામ સુધી ડી.જે.ના તાલે દેશભક્તિના ગીતો સાથે ભવ્ય બાઈક રેલી કાઢવામાં આવી હતી. ગામમાં પ્રવેશતા જ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. સચિન ઠાકોર વિરપુર ગામના ઠાકોર સમાજમાંથી ભારતીય સેનામાં જોડાનાર પ્રથમ યુવાન છે. તેમણે સૈન્યમાં જોડાઈને ગામ અને સમાજનું ગૌરવ વધાર્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:40 pm

શ્વાન કરડવાથી બચવા શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા:ભાવનગર ઝોનની 28 નગરપાલિકાઓ હેઠળ 8117 વિદ્યાર્થીઓને આવરી લેવાયા

ભાવનગર ઝોન હેઠળની ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની નગરપાલિકાઓ દ્વારા શાળાઓમાં શ્વાન કરડવાથી બચવા માટેના જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જાહેર આરોગ્ય સુધારવા માટે નગરપાલિકાઓ અને શિક્ષણ વિભાગની આ સંયુક્ત પહેલ છે. આ કાર્યક્રમ ભાવનગર જિલ્લાની 6, અમરેલીની 10, ગીર સોમનાથની 5 અને જૂનાગઢ જિલ્લાની 7 નગરપાલિકાઓના હદ વિસ્તારમાં આવેલી તમામ સરકારી, અર્ધસરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ માટે હતો. કુલ 28 નગરપાલિકાઓ દ્વારા 'એનિમલ બર્થ કંટ્રોલ (ડોગ) રૂલ્સ, 2023'ના અસરકારક અમલ અને સર્વોચ્ચ અદાલત તથા ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગની સૂચનાઓ અનુસાર આ પહેલ કરાઈ છે. આ નિર્દેશોના પાલનરૂપે, ભાવનગર ઝોનની કુલ 72 શાળાઓમાં વ્યાપક જાગૃતિ અભિયાન યોજાયું હતું, જેમાં 8117 વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા. શાળાના આચાર્ય, શિક્ષકો અને નગરપાલિકાના સેનિટેશન શાખાના સેનેટરી ઇન્સ્પેક્ટર તથા તેમની ટીમે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. વિદ્યાર્થીઓને શ્વાન કરડવાથી બચવા માટેની કાળજી, કરડ્યા પછી શું કરવું અને શું ન કરવું તેની ઊંડી સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જણાવાયું હતું કે શ્વાન કરડે કે નહોર વાગે ત્યારે તે ભાગને વહેતા પાણીમાં સાબુથી સતત સાફ કરવાથી વાયરસની અસર ઓછી થાય છે. વિદ્યાર્થીઓને કોઈ પણ ગામઠી ઉપચાર કર્યા વિના તાત્કાલિક ડોક્ટર પાસે પહોંચીને સારવાર લેવા અને જરૂરી રસીકરણ કરાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ભાવનગર ઝોનની નગરપાલિકાઓ દ્વારા હાથ ધરવામાં આવેલું આ જાગૃતિ અભિયાન માનવ અને પ્રાણી વચ્ચેના સંઘર્ષને ઘટાડવા તેમજ જાહેર આરોગ્યને મજબૂત કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતીય જીવજંતુ કલ્યાણ બોર્ડ (એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઈન્ડીયા) ભારત સરકારના પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળ કાર્યરત એક રાષ્ટ્રીય સંસ્થા છે, જે 1962માં પ્રિવેન્શન ઑફ ક્રૂએલ્ટી ટુ ઍનિમલ્સ ઍક્ટની જોગવાઈઓથી સ્થાપિત થઈ હતી. બોર્ડ દેશભરમાં પ્રાણીઓના કલ્યાણ માટે નીતિઓ, માર્ગદર્શિકાઓ અને જાગૃતિ અભિયાન તૈયાર કરે છે, તેમજ પ્રાણી આશ્રયગૃહો, એનજીઓ અને રેસ્ક્યુ સેન્ટરોને સહાય આપે છે. ફિલ્મોમાં પ્રાણીઓના ઉપયોગ માટે “નો ઑબ્જેક્શન સર્ટિફિકેટ” આપવાનું પણ આ બોર્ડનું મહત્વપૂર્ણ કાર્ય છે. પ્રાણીઓ પર અત્યાચાર ઘટાડવા, માનવતા આધારિત વ્યવહાર સ્થાપિત કરવા અને પ્રાણી સંરક્ષણ સંબંધિત કાનૂની અમલવારીમાં સહકાર આપવાનો બોર્ડનો મુખ્ય ધ્યેય છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:39 pm

કેજરીવાલ શનિવારથી ત્રણ દિવસ રાજકોટની મુલાકાતે:બોટાદની સભામાં થયેલી બબાલ બાદ જેલમાં બંધ આપના નેતાઓ સાથે મુલાકાત કરશે, AAPનું સૌરાષ્ટ્ર પર ફોકસ વધ્યું

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક પર આપની જીત બાદ સૌરાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કેજરીવાલ વધુ એકવાર સૌરાષ્ટ્રની મુલાકાતે આવી રહ્યા છે. કેજરીવાલ 7 ડિસેમ્બરથી ત્રણ દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે સાંજે 7.15 ની ફ્લાઈટમાં તેઓ દિલ્હીથી રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચશે. શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ફોર્ચ્યુંન હોટલમાં તેમનું રોકાણ છે. 9 ડિસેમ્બર સુધી તેમનું રોકાણ છે ત્યારે ત્રણ દિવસ દરમિયાન તેઓ ખેડૂતો અને અગાઉ બોટાદમાં થયેલી સભામાં જેઓની ધરપકડ કરવામાં આવેલી છે તેઓને જેલમાં મળશે. રાજકોટ જેલમાં અંદાજે 30 જેટલા કેદીઓ છે જેમની તે વખતેની સભા બાદ ધરપકડ થઈ હતી. જોકે તેમનો ફાઈનલ મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હવે જાહેર થશે. 31મી ઓક્ટોબરે સુરેન્દ્રનગરના સુદામડામાં ખેડૂત મહાપંચાયતમાં હાજરી આપી હતી12 ઓક્ટોબરના દિવસે બોટાદના હડદડ ગામમાં કડદા પ્રથા બંધ કરવા માટે ખેડૂતોને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની મહાપંચાયત દરમિયાન અચાનક પથ્થરો થવા લાગ્યો હતો જેમાં પોલીસે અને ખેડુતો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત પણ થયા હતા. જેમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીએ સરકાર સામે બાયો ચડાવી દીધી છે. ગુજરાતમાં ખેડૂતો પર શોષણ થતું હોવાના આરોપ સાથે તેમને ન્યાય અપાવવા માટે સુરેન્દ્રનગરના સુદામડામાં 31મી ઓ્કટોબરે ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અરવિંદ કેજરીવાલે હાજરી આપી હતી. આ સમાચાર પણ વાંચોઃ જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકાયું:કોંગી કાર્યકરે સ્ટેજ નજીક આવી છુટ્ટો ઘા કરતાં મામલો બિચક્યો જામનગરમાં આજે આમ આદમી પાર્ટીની જન સભામાં કોંગ્રેસના કાર્યકરે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતાનો ઘા કરતા હોબાળો થયો હતો. જે બાદ આદમી પાર્ટીના કાર્યકરોએ કોંગી કાર્યકરને માર મારતા મામલો બિચક્યો હતો. મહત્વનું છે કે, ગોપાલ ઇટાલિયાએ વર્ષ 2017માં તત્કાલીન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા પર જૂતાનો ઘા કર્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:38 pm

હવે એક્જ ક્લિક પર મળશે રાજ્ય સરકારના સરકારી દસ્તાવેજો:તમામ કાયદા-નિયમો માટે બનશે AI આધારિત સેન્ટ્રલ પોર્ટલ, પાંચ દિવસમાં વિભાગોને ડેટા અપડેટ કરવા આદેશ

રાજ્ય સરકાર દ્વારા સરકારી કામકાજમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને માહિતીની સરળતા વધારવા માટે એક મોટો પગલું ભરાયું છે. સરકાર હવે બધા કાયદા, નિયમો, ઠરાવો, જાહેરનામાં અને પરિપત્રોને એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવા એઆઈ (AI) આધારિત સર્ચ સુવિધાવાળું સેન્ટ્રલ પોર્ટલ શરૂ કરવા જઈ રહી છે. આ પોર્ટલને કાર્યક્ષમ બનાવવા માટે, તમામ વિભાગોને પાંચ દિવસની અંદર તમામ સરકારી દસ્તાવેજોની સંપૂર્ણ વિગતો ગુગલ શીટમાં અપડેટ કરવા તાકીદના આદેશો આપવામાં આવ્યા છે. વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી કાર્યાલયે દરરોજ પ્રગતિની સમીક્ષા શરૂ કરી દીધી છે. તમામ વિભાગોને જરુરી માહિતી આપવા સૂચના આપવામાં આવીરાજ્ય સરકારના તમામ વિભાગોને પોર્ટલ માટે જરુરી માહિતી પૂરી પાડવા જણાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દરેક વિભાગને તાત્કાલીક આ કામગીીર પૂર્ણ કરવા આદેશ કરાયો છે. જેમાં બધા કાયદા / નિયમ / GR / પરિપત્રોની માહિતી અપડેટ કકવા, જૂના, રદ કરાયેલા અને બિનઅસરકારક દસ્તાવેજો દૂર કરવા, મહત્વના અને અપલોડ ન થયેલા ઠરાવો ઉમેરવા આદેશ કરાયો છે. AI આધારિત પોર્ટલથી લોકોને આંગળીના ટેરવે માહિતી મળશેસેન્ટ્રલ પોર્ટલના આધારે સામાન્ય નાગરિકને જરુરી દસ્તાવેજની જ્યારે જરુર પડે ત્યારે એક ક્લિકમાં મળી રહેશે. સરકારના નિર્ણયોમાં ટ્રાન્સપરન્સી અને જવાબદારી વધશે. બેવડાં ઠરાવો અને ગૂંચવણ દૂર થશે. એઆઈ આધારિત સર્ચથી ઝડપી અને ચોક્કસ માહિતી ઉપલબ્ધ થશે. સૂત્રો અનુસાર, CMO દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે અને દૈનિક મોનિટરિંગ થઈ રહ્યું છે, તેથી વિભાગો ભારે દોડધામમાં લાગી ગયા છે. આ પોર્ટલ શરૂ થયા પછી રાજ્યના તમામ કાયદા અને શાસન નિર્ણયો એક જ પ્લેટફોર્મ પર, સરળ શોધ વ્યવસ્થા સાથે, ઉપલબ્ધ થઈ જશે — જે ભારતમાં અનોખો પ્રયાસ બની શકે છે. અત્યાર શું વ્યવસ્થા છે અને પોર્ટલ બન્યા બાદ શું ફેરફાર થશે?ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા થતા ઠરાવ, પરિપત્ર, જાહેરનામાની કોપી કે વિગત જોઈતી હોય તો અત્યારે જે તે વિભાગની વેબસાઈટ પર જવું પડે છે અને ત્યાંથી તે માહિતી મેળવવી પડે છે. અરજદારે જે કોઈ વિભાગની માહિતી જોઈતી હોય તે વિભાગની વેબસાઈટ પર જવું પડતું હોય છે. જે હવે AI આધારિત પોર્ટલ શરૂ થયા બાદ તમામ વિભાગની માહિતી એક જ જગ્યાએથી મળી રહેશે. અરજદારે રાજ્ય સરકારના વિભાગો કે બોર્ડ નિગમના જે પણ સરકારી દસ્તાવેજની જરુર હશે તે એક જ પોર્ટલ પર ઉપલબ્ધ થશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:17 pm

ભરૂચમાં 4 કરોડની પાણીની ટાંકીનું લોકાર્પણ:નલ સે જલ યોજના હેઠળ સ્થાનિકોને શુદ્ધ પાણી મળશે

ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના – જનભાગીદારી યોજના (નલ સે જલ) અંતર્ગત રૂ. 4 કરોડના ખર્ચે નિર્મિત 'જે.બી. મોદી પાર્ક તથા ડુંગરીણી ઊંચી ટાંકી'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ ટાંકીનો મુખ્ય ઉદ્દેશ્ય નગરના પાણી પુરવઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો છે, જેનાથી સ્થાનિક વિસ્તારમાં પાણી સપ્લાય સિસ્ટમમાં સુધારો થશે. આ ટાંકીનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ, સેનેટરી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, વિપક્ષ નેતા સમસાદઅલી સૈયદ સહિત અનેક આગેવાનો, અધિકારીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ નવી ટાંકી કાર્યરત થવાથી સ્થાનિકોની લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યા હળવી થશે. આસપાસના રહેવાસીઓને સમયસર અને પૂરતા પ્રમાણમાં શુદ્ધ પાણી મળવાનું શરૂ થશે, જેનાથી પાણી પુરવઠાની અડચણો દૂર થશે. સ્થાનિક લોકોએ આ વિકાસ કાર્યનું સ્વાગત કર્યું છે. આ યોજના ભરૂચ શહેરના પાણી પુરવઠા નેટવર્કમાં ગુણવત્તાસભર સુધારો લાવશે. આગામી સમયમાં નગરપાલિકાના અન્ય જળવ્યવસ્થા પ્રોજેક્ટોને પણ આનાથી વેગ મળશે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:14 pm

વલસાડમાં 79મો હોમગાર્ડ સ્થાપના દિવસ ઉજવાયો:શહેરમાં રેલીનું આયોજન કરાયું, સેવાઓની માહિતી અપાઈ

વલસાડ જિલ્લામાં હોમગાર્ડનો 79મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. આ કાર્યક્રમની શરૂઆત વલસાડ હોમગાર્ડ કચેરી ખાતે મહિલા ઓફિસર નિધિબેન જી. કવૈયાના હસ્તે ધ્વજવંદન કરીને કરવામાં આવી હતી. ધ્વજવંદન બાદ એક રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ રેલી વલસાડ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં પુરુષ અને મહિલા હોમગાર્ડ જવાનો જોડાયા હતા. રેલી દરમિયાન, હોમગાર્ડ સ્ટાફ દ્વારા શહેરના નાગરિકોને હોમગાર્ડ વિભાગ દ્વારા પૂરી પાડવામાં આવતી વિવિધ સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર અને અન્ય અધિકારીઓએ જવાનોને સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ ઉજવણીમાં અધિકારીઓ અને જવાનોમાં દેશસેવા પ્રત્યે નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:13 pm

પંજાબથી સુરત જતો લાખો રુપિયાનો દારૂ ઝડપાયો:પાટણમાં LCBએ બેસનના કટ્ટાની આડમાં જતા 77.11 લાખના દારૂના જથ્થા સાથે એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ

પાટણ જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પાટણે સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારની ધારેવાડા ચેકપોસ્ટ નજીકથી ₹77.11 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જિલ્લાના ઇતિહાસમાં આ પ્રથમ વખતની સૌથી મોટી કાર્યવાહી છે, જેમાં કુલ ₹1 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. LCB પાટણની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પંજાબ રાજ્યમાં ઉત્પાદિત વિદેશી દારૂની કુલ 16,427 બોટલો RJ-27-GB-9889 નંબરના કન્ટેનર ટ્રકમાંથી મળી આવી હતી. દારૂના આ મોટા જથ્થાને ટ્રકમાં બેસનના 684 કટ્ટા (જેમાં ભૂસું ભરેલું હતું) ની આડમાં ખોટા બિલ બનાવીને હેરાફેરી કરવામાં આવી રહી હતી. આ ઓપરેશનમાં દારૂ, કન્ટેનર ટ્રક, બેસનના કટ્ટા, એક મોબાઈલ ફોન (₹5,000/-), રોકડ ₹2,150/- અને બેસનના કટ્ટાઓના ઇન્વોઇસ બિલ સહિત કુલ ₹1,02,38,438/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ ગુનામાં કાલુખાન સુગનેખાન ચોથાખાન જાતે મીર (મુસ્લિમ), રહે. ફતેગઢ, મુસલમાનની વસ્તી, તા. ફતેગઢ, જિ. જેસલમેર (રાજસ્થાન) નામના એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા ડ્રાઈવર આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે દારૂનો આ જથ્થો પંજાબથી ભરીને સુરત પહોંચાડવાનો હતો. આ કેસમાં પ્રકાશપુરી સ્વામી (મહારાજ), રાજુરામ બિશ્નોઇ (રહે. બાડમેર), કન્ટેનર ટ્રક નંબર RJ-27-GB-9889 નો માલિક હેમારામ મગનારામ પુનીયો અને સુરત ખાતે માલ મંગાવનાર અજાણ્યો ઇસમ સહિતના અન્ય આરોપીઓ હજુ ફરાર છે. આ મામલે સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:12 pm

અમરેલીમાં મધરાતે મારામારી:યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ, સારવાર માટે રાજકોટ ખસેડાયો

અમરેલી શહેરમાં મોડી રાત્રે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યુવતીને ભગાડી જવાના મુદ્દે થયેલા હુમલામાં એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો છે. તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસી રાજુભાઈ કૈલાશભાઈ ભાભરે આરોપી સંતોષ ભાયદીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, એક યુવકે તેની બાજુમાં રહેતા વ્યક્તિની પુત્રીને ભગાડી હતી. આ બાબતે પાડોશીનો સાળો સંતોષ ભાયદીયા ઝૂંપડા પાસે ઝઘડો કરવા આવ્યો હતો. ફરિયાદી રાજુભાઈ અને તેમના ભાઈ ટીકુ કૈલાશભાઈ ભાભર ત્યાં પહોંચ્યા હતા. આરોપી સંતોષે તેમને ગાળો ભાંડી હતી, જેનો વિરોધ કરતા સંતોષે ઉશ્કેરાઈને બંને પર હુમલો કર્યો હતો. આ હુમલામાં ટીકુ ભાભરને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઘાયલ ટીકુ ભાભરને તાત્કાલિક અમરેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી. પોલીસે ઈજાગ્રસ્તોની પૂછપરછ કરી મોડી રાત્રે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપી સંતોષ ભાયદીયાની ધરપકડ માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:09 pm

શિક્ષણ બોર્ડના નવા ટાઇમ-ટેબલથી 12 સાયન્સના મેડિકલ વિદ્યાર્થીઓને મૂશ્કેલી:વાલીએ કહ્યું, બોર્ડની પરીક્ષા મોડી પૂર્ણ, NEETની એક્ઝામ વહેલી લેતા તૈયારીના 7 દિવસ ઘટ્યા, બોર્ડ શેડ્યૂલમાં ફેરફાર કરે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે પેપર રાખવામાં આવ્યા બાદ ભૂલ સુધારી રિવાઇઝ્ડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું. જોકે તેમાં ધોરણ 12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓની પરીક્ષા 13ને બદલે 16 માર્ચે પૂર્ણ થઈ રહી છે અને આ વખતે મેડિકલના વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં એડમિશન માટેની NEETની પરીક્ષા 4ને બદલે 3મે ના લેવાઈ રહી છે. NEET એક્ઝામ વહેલી લેવાતા વિદ્યાર્થીઓને તૈયારીના 7 દિવસ ઘટ્યાગત વર્ષે બોર્ડની પરીક્ષા 10 માર્ચે જ પૂર્ણ થઈ ગઈ હતી. જેથી ગત વર્ષની તુલનામાં આ વખતે NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને રીવિઝન માટેનો 7 દિવસનો ઓછો સમય મળશે. NEETની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને 80 ચેપ્ટર ભણવાના આવતા હોય છે. જેમાં તેઓ દરરોજના એવરેજ 5 ચેપ્ટર રીડિંગ કરતા હોય છે એટલે સાત દિવસના 35 ચેપ્ટરનું રિમિશન લઈ થઈ શકે. જેથી વાલીઓ માંગ કરી રહ્યા છે કે મેડિકલના વિદ્યાર્થીઓને તેના જીવનની સૌથી મોટી અને મહત્વની ગણાતી આ પરીક્ષામાં રીડિંગ માટેનો વધુ સમય મળે તે માટે બોર્ડની પરીક્ષાના સમય પત્રકમાં ફેરફાર કરવામાં આવે. બાયોલોજીનું પેપર 4 માર્ચના બદલે 16 માર્ચે રહેશેરાજકોટના વાલી મેઘાબેને જણાવ્યું હતું કે, મારો પુત્ર ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટેની પરીક્ષાનું રીવાઈઝડ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું બાયોલોજીનું પેપર 4 માર્ચના લેવાનું નક્કી કરાયું હતું. તે રિ-શેડયુલ કરી 16 માર્ચના લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. 3મે ના NEETની પરીક્ષા, વિદ્યાર્થીઓને રિવિઝનનો સમય ઘટ્યોજેને લીધે દર વર્ષે બોર્ડની પરીક્ષા 10 કે 11 માર્ચે પૂરી થઈ જતી હોય છે તે આ વર્ષે 16મી માર્ચે પૂર્ણ થશે. આ સાથે જ NEETની પરીક્ષા કે જેના આધારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને મેડિકલમાં ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મળતું હોય છે તે એક્ઝામ પણ 4ને બદલે 3મે ના રોજ લેવાશે. જે થોડી વહેલી છે અને તેને કારણે વિદ્યાર્થીઓને રિવિઝનનો સમય ઘટી ગયો છે. 12 સાયન્સ પરીક્ષાની તારીખોમાં થોડો ફેરફાર કરવા વાલીની માગતેમણે વધુમાં જણાવ્યું હતું કે આપણે સૌ જાણીએ છીએ કે નીટની પરીક્ષામાં એક માર્ક ઓછો હોય તો પણ હજારો રેન્કનો ફર્ક પડી જાય છે અને તેથી વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજમાં પ્રવેશમાં મુશ્કેલી પડે છે. જેથી ગુજરાત બોર્ડ અને સરકારને વિનંતી છે કે વિદ્યાર્થીઓને રીડિંગનો વધુ સમય મળે તે માટે ધોરણ 12 સાયન્સની પરીક્ષાની તારીખોમાં થોડો ફેરફાર કરવામાં આવે. 'નીટની પરીક્ષાની તૈયારી માટે 7 દિવસનો ઘટાડો'જ્યારે અન્ય વાલી કિલોલભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરી ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરે છે. અમને ન્યુઝના માધ્યમથી ખબર પડી છે કે પહેલા ધોરણ 12 સાયન્સ બી ગ્રૂપનું પેપર 4 માર્ચના ધુળેટીના દિવસે હતું તે હવે બદલીને 16 માર્ચે રાખવામાં આવ્યું છે. ગત વર્ષે બોર્ડની પરીક્ષા 10મી માર્ચ પૂરી થઈ ગઈ હતી અને નીટની પરીક્ષા પણ 4મેના રોજ હતી. જેથી ગત વર્ષે ધો.12 સાયન્સના બી ગ્રુપના વિદ્યાર્થીઓને નીટની પરીક્ષાની તૈયારી માટે 7 દિવસનો ઘટાડો થાય છે. જેથી શિક્ષણ બોર્ડ દ્વારા આ પરીક્ષા વહેલી પૂર્ણ કરવામાં આવે. જેથી વિદ્યાર્થીઓને NEET ની પરીક્ષાની તૈયારી માટે પૂરતો સમય મળે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 1:01 pm

સોયાબીન સરકારી ખરીદી ફેલ,માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ:ટેકાના ભાવ કરતાં યાર્ડમાં સોયાબીનનો બમણો ભાવ: 20 હજારમાંથી માત્ર 1200 ખેડૂતો જ ટેકાના ભાવે વેચવા આવ્યા

રાજ્યમાં ગત 9 નવેમ્બરથી સરકારી ટેકાના ભાવે સોયાબીનની ખરીદી શરૂ થઈ છે, પરંતુ ખુલ્લા બજારમાં ઊંચા ભાવ મળતા હોવાથી ખેડૂતો સરકારી કેન્દ્રો તરફ વળવાને બદલે માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ વેચી રહ્યા છે. વધુ ઉત્પાદન હોવા છતાં ખેડૂતોને સીધો આર્થિક લાભ બજારમાં મળી રહ્યો છે, જેના કારણે સરકારી ખરીદી યોજના નિષ્ફળ જતી દેખાઈ રહી છે. ​વડિયા ગામના ખેડૂત જયંતીભાઈ હીરપરાએ જણાવ્યું કે આ વર્ષે સારા વરસાદને કારણે સોયાબીનનું ઉત્પાદન ખૂબ વધ્યું છે.જોકે સરકારી ટેકાના ભાવ કરતાં માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો યાર્ડમાં વેપારીઓને માલ વેચી રહ્યા છે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, અમરેલી અને રાજકોટ સહિત અન્ય જિલ્લાના ખેડૂતો અહીં સોયાબીન વેચવા આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો પ્રવાહ અને ભાવ ​જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની આવક પૂરજોશમાં છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી દિવ્યેશ ગજેરાના જણાવ્યુ હતુ કે છેલ્લા 20 દિવસમાં યાર્ડમાં એક લાખ કરતાં વધુ કટ્ટાની આવક નોંધાઈ છે અને દૈનિક આવક પાંચથી છ હજાર કટ્ટાની રહે છે.આવક વધવા છતાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગુણવત્તા પ્રમાણે સોયાબીનનો ભાવ પ્રતિ 20 કિલોએ રૂ. 850 થી રૂ. 1000 નોંધાયો છે. સૌથી વધુ આકર્ષણ પ્રીમિયમ ક્વોલિટી અને સીડ ક્વોલિટીના સોયાબીન તરફ છે, જેનો ભાવ ખેડૂતોને રૂ. 1000 થી રૂ. 1250 સુધી ઉપજી રહ્યો છે. ભાવમાં સતત વધારો થતાં ખેડૂતો યાર્ડ તરફ ખેંચાઈ રહ્યા છે. ધોરાજી, ઉપલેટા, જામજોધપુર અને ભાવનગર વિસ્તારના ખેડૂતો પણ અહીં વેચાણ માટે આવી રહ્યા છે. ટેકાના ભાવે ખરીદીની નિષ્ફળતા ​ટેકાના ભાવે સોયાબીન વેચવા માટે 20,300 ખેડૂતોએ નોંધણી કરાવી હતી. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારી જીગર ભટ્ટે જણાવ્યું કે અત્યાર સુધીમાં 3000 થી વધુ ખેડૂતોને એસ.એમ.એસ. દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ બજારમાં સારા ભાવ મળવાના કારણે ફક્ત 1200 જેટલા ખેડૂતો જ સોયાબીન વેચવા માટે આવ્યા છે. 10 ખેડૂતોનો માલ રિજેક્ટ થયા સામે, મંડળી દ્વારા અત્યાર સુધીમાં માત્ર 240 ટન સોયાબીનની જ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે ખુલ્લા બજારના ભાવ સરકારી ટેકાના ભાવ કરતાં ઘણા ઊંચા છે, જેના કારણે સરકારી ખરીદી કેન્દ્રો પર ખેડૂતોની હાજરી નહિવત્ રહી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:47 pm

મહાપરીનિર્વાણ દિન:શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ભાજપ, કૉંગ્રેસ અને સામાજિક સંસ્થાઓ દ્વારા વાર્તાલાપ, પુષ્પાંજલિ કરાઈ

શહેર ભાજપ દ્વારા બાબા સાહેબ આંબેડકરના જીવન કવન વિશે પર વાર્તાલાપ યોજાયો ગાંધી-સરદાર-આંબેડકરની ભૂમિ પર દારૂ-ડ્રગ્સના દૂષણ - કોંગ્રેસ ડો.બાબાસાહેબ આંબેડકર કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાની હતા, ભાવનગર શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને મહાપરીનિર્વાણ દિન નિમિતે ભાજપ, કૉંગ્રેસ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ તેમજ બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન વિશે પર વાર્તાલાપ યોજાયો હતો. ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમાર શાહના માર્ગદર્શન તળે શહેર ભાજપ દ્વારા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમીત્તે પુષ્પાંજલિ તેમજ બાબા સાહેબ આંબેડકર ના જીવન કવન વિશે પર વાર્તાલાપ સહિતના શહેર ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયા હતા, આ કાર્યક્રમમાં ભાવનગર શહેર ભાજપ સંગઠન, શહેર ભાજપ અનુસુચિત જાતી મોરચાની ટીમના હોદેદારો, પ્રદેશ કારોબારી સભ્યો, વરિષ્ઠ આગેવાનો, નગરસેવકો, દરેક વોર્ડના પ્રમુખ, મહામંત્રીઓ, પૂર્વ હોદેદારો, મોરચાના કારોબારી સભ્યો, તેમજ શહેર ભાજપ અનુ.જાતી મોરચાના દરેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. દારૂ, ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યો છે એ બંધ થવા જોઈએ - કોંગ્રેસ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના જશોનાથ સર્કલ ખાતે આવેલ ડો.બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર તથા શ્રદ્ધા સુમન અપર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસના આગેવાનો, દરેક સેલના આગેવાનો, મહિલાઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. શહેર કોંગ્રેસ એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેન વિપુલ ખુમાણએ જણાવ્યું હતું કે, ​ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે નગરજનોને કોટિ કોટિ વંદન અને આજે બાબા સાહેબના સાનિધ્યમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને કોંગ્રેસના આગેવાનો સાથે મળી પુષ્પાંજલિ કરી બાબા સાહેબની મહાન વિચારધારાને વંદન કરવામાં આવેલ. ​ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાન વિચારધારા દરેક સમાજના લોકોને આર્થિક રીતે, સામાજિક, શૈક્ષણિક રીતે મદદરૂપ બનવા માટેની ભાવનાઓ હતી. બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પણ ગુજરાત રહી છે. વધુમાં જણાવ્યું હતું કે, આ ગુજરાતની અંદર અત્યારે વર્તમાન સમયની અંદર બેફામ દારૂ, ડ્રગ્સ, આ બધું જે મળી રહ્યું છે, એને પણ અમે આ બાબતે આજના દિવસે ઉજાગર કરવા માંગીએ છીએ કે, ખરેખર આ મહાત્મા ગાંધીજી અને સરદાર સાહેબની ભૂમિ હોય અને બાબા સાહેબની સંકલ્પ ભૂમિ હોય, તો આ મહાન નેતાઓની જો આપણે વંદન કરતા હોઈએ તો ખરેખર અહીંયા જે અમુક પ્રકારના અત્યાચારો અન્યાય અત્યાચાર થાય છે એને અટકાવવા જોઈએ અને સાથોસાથ દારૂ, ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યો છે એ બંધ થવા જોઈએ. તો જ આપણે એમની નિર્વાણ દિવસની નિમિત્તે ઉજવણી સાચી સાર્થક ગણાય.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:38 pm

દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ આચરનાર 30 CCTV-પડછાયાના આધારે ઝડપાયો:દાણીલીમડામાં યુવતીને દવાખાને લઈ જવાના બહાને અંધારામાં લઈ જઈને અપકૃત્ય કર્યું

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર મોડીરાતે અજાણ્યા શખ્સે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ થયાના ચાર દિવસમાં માનિસક વિકૃત આરોપીની ધરપકડ કરી લીધી છે. મોડીરાતે દિવ્યાંગ યુવતી તેના ઘરેથી ઉતરીને રોડ પર આવી હતી, જ્યાં આરોપીએ મોકાનો ફાયદો ઉઠાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ક્રાઈમ બ્રાંચે આરોપીને ઝડપી લેવા માટે 30થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરવા પડ્યા હતા. દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ26 નવેમ્બરની રાતે દાણીલીમડામાં આવાસ યોજનાના મકાનમાં રહેતી એક દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ થયું હતું. યુવતીની માનસિક સ્થિતી સારી નહી હોવાના કારણે તે મોડીરાતે પોતાના મકાનના નીચે ઉતરી ગઈ હતી. યુવતી મોડીરાતે ચાલતી ચાલતી રોડ પર આવી ત્યારે જમાલપુર વિસ્તારમાં રહેતા મયુદ્દીન બાદશાહ નામના યુવકની નજર તેના ઉપર પડી હતી. દિવ્યાંગ યુવતીને જોઈને મયુદ્દીનની નિયત ખરાબ થઈ હતી અને તે તેની પાસે ગયો હતો. અંધારામાં અવાવરૂ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યુંમયુદ્દીને તેની પાસે જતાની સાથે જ યુવતીને કહ્યુ હતું કે, તારે ક્યાં જવું છે અને અહીંયા કેમ ફરે છે. યુવતીએ મયુદ્દીનને જવાબ આપ્યો હતો કે, મારે દવાખાને જવુ છે. મયુદ્દીને યુવતીને દવાખાને લઈને જવાનું કહ્યું હતું જેથી તે રાજી થઈ ગઈ હતી. મયુદ્દીન યુવતીને અંધારામાં અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો અને ત્યા તેના પર દુષ્કર્મ આચર્યું હતું. પીડિતાએ પરિવારને જાણ કરી, ગુનો નોંધાયોયુવતીને પીંખી નાખ્યા બાદ મયુદ્દીન ત્યાથી જતો રહ્યો હતો અને બાદમાં તે પણ પોતાના ઘરે આવી ગઈ હતી. ઘરના લોકોને સમગ્ર ઘટનાની જાણ થતા તેમણે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધ્યો હતો અને કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાંચે આ મામલે 30થી વધુ સીસીટીવી ફુટેજ ચેક કરીને ગણતરીના દિવસોમાં વિકૃત આરોપીને ઝડપી લીધો છે. યુવતી ઘરેથી ગૂમ થતા પરિવારે શોધખોળ કરી હતીયુવતી ઘરેથી ગાયબ થતા તેના પરિવારજનોએ શોધખોળ શરુ કરી હતી પરંતુ તેની કોઈ ભાળ મળી નહી. પરંતુ એક કલાક પછી યુવતી આપોઆપ પોતાના ઘરે આવી જતા ઘરના તમામ સભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો. 'મારા પતિ જે મારી સાથે કરતા તે યુવક કરીને જતો રહ્યો'યુવતીને પેટમાં દુખાવો થતો હતો જેથી તેની માતાએ તેને આ મામલે પુછ્યુ હતું. યુવતીએ જવાબ આપ્યો હતો કે, મારા પતિ જે મારી સાથે કરતા તે યુવક કરીને જતો રહ્યો હતો. યુવતીની માતાને અંદાજો આવી ગયો હતો કે કોઈએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ છે. યુવતી પરિણીત હતી પરંતુ તેની માનસિક સ્થિતી સારી નહી હોવાના કારણે તેને છુટાછેડા થઈ ગયા હતા. પોલીસે 30થી વધુ CCTV કેમેરા ચેક કર્યાદાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ આરોપીને શોધવો મુશ્કેલ હતો, જેથી કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ હતી. ક્રાઈમ બ્રાંચે વિસ્તારના તેમજ બનાવના દિવસના 30થી વધુ CCTV કેમેરા ચેક કર્યા હતા. જ્યા યુવતી સાથે દુષ્કર્મ થયું ત્યા કોઈ CCTV કેમેરા નહોતા. CCTVમાં પડછાયો દેખાયો ને મયુદ્દીન પકડાયોક્રાઈમ બ્રાંચની ટીમને CCTV ફુટેજમાં એક પડછાયો દેખાયો હતો. જેના પરથી તપાસ કરતા કરતા તે મયુદ્દીન સુધી પહોચી ગયા હતા. યુવતીએ આપેલા વર્ણન અને હ્યુમન સોર્સીસની મદદથી ક્રાઈમ બ્રાંચે મયુદ્દીનની ધરપકડ કરી છે. આરોપીના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યાક્રાઈમ બ્રાંચને દિવ્યાંગ યુવતીના ધૃણાસ્પદ દુષ્કર્મ કેસની તપાસ સોંપાઈ હતી જેમા તેમને સફળતા મળી છે. મોઈનુદ્દીનની ધરપકડ કરી તેને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો જ્યા તેને 6 દિવસના પોલીસ રીમાન્ડ મંજુર કર્યા છે. નશાના આદી આરોપી પર 16થી વધુ ગંભીર ગુનાઓમોઈનુદ્દીન ગુનાહિત ઈતિહાસ ધરાવતો રીઢો ગુનેગાર છે અને તે ગંભીર વિકૃત માનસિકતા ધરાવે છે. મોઈનુદ્દીન સાતે તેની સામે 16થી વધુ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. અગાઉ બે વખત પાસા હેઠળ અન્ય જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. જ્યારે તેને તડીપાર પણ કરવામાં આવ્યો હતો. મોઈનુદ્દીનની મનોવૈજ્ઞાનિક પ્રોફાઇલ પણ ખતરનાક છે. આરોપી વિકૃત માનસિકતા ધરાવે છે અને તે અત્યંત ગુસ્સાવાળો સ્વભાવનો છે. સ્વ-નુકસાનને પણ કરી રહ્યો છે. આ સાથે તે નશાનો આદી પણ છે. યુવતી પર રેપ તેણે નશાની હાલતમાં કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:12 pm

જામનગરમાં મકાન વિવાદે યુવાન પર હુમલો:પૈસાની લેતીદેતી મામલે પાડોશી દંપતીએ માથામાં ડોલ ફટકારતાં 12 ટાંકા લેવા પડ્યા

જામનગરના કિસાન ચોક, હિરાસરવાસ વિસ્તારમાં રહેતા 42 વર્ષીય રાજાભાઈ વેરશીભાઈ વાઘેલા પર તેમના પાડોશી દંપતીએ હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજાભાઈને માથામાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમને 12 ટાંકા લેવા પડ્યા હતા. આ ઘટના મકાનના વેચાણના પૈસાની લેતીદેતીના મામલે બની હતી. પાડોશમાં રહેતા ખીમાભાઈ કાનજીભાઈ પરમાર અને મુરીબેન ખીમાભાઈ પરમારે રાજાભાઈના માથામાં ડોલ ફટકારી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. આ હુમલા અંગે ઈજાગ્રસ્ત રાજાભાઈની પુત્રી સંજનાબેન વાઘેલાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પાડોશી દંપતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:04 pm

અંતે અમદાવાદ કોર્પોરેશનને બ્રિજ નીચે તિરાડો દેખાઈ:સુભાષ બ્રિજના નીચેના ભાગે ઈન્સપેક્શન કરાતાં મસમોટી તિરાડ અને ખસી ગયેલો સ્પાન જોવા મળ્યો

અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત અને અને જૂના અમદાવાદમાં જવા માટેના પ્રવેશ દ્વાર ગણાતા સુભાષ બ્રિજ પર તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ તંત્રમાં દોડધામ મચી છે. સદનસીબે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના અટકી છે. પરંતુ, હવે શું તેને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. બ્રિજ ડિઝાઈન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા સુભાષ બ્રિજના નીચેના ભાગમાં ઈન્સપેક્સન કરવામાં આવતા બ્રિજમાં તિરાડો અને સ્પાન ખસી ગયેલો જોવા મળ્યો છે. સુભાષબ્રિજનો જે સ્પાનનો ભાગ બેસી ગયો છે. તેના નીચેના ભાગે તિરાડ પડી છે. બ્રિજના ત્રીજા નંબરના સ્પાનનો ભાગ બેસી ગયો છે. બ્રિજ ડિઝાઇન કન્સલ્ટન્ટ અને બ્રિજ એક્સપર્ટ દ્વારા સુભાષ બ્રિજની દરેક તરફથી તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં બ્રિજના એક જ સ્પાનમાં નુકસાન થયું છે. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર મોરબી અને ગંભીરા બ્રિજની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ઉંઘતું ઝડપાયા બાદ સુભાષ બ્રિજનો સ્પાન બેસી જતાં બ્રિજના અન્ય સ્પાનની પણ તપાસ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમ પેનલ કરવામાં આવેલા ડિઝાઇન કન્સલ્ટન્ટ ઉપરાંત SVNIT અને અલગ અલગ એક્સપર્ટ કમિટીના લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે. બ્રિજના તમામ સ્પાનની તપાસ કર્યા બાદ અંતિમ નિર્ણય લેવાશેસૂત્રોના જણાવ્યા મુજબ સુભાષ બ્રિજમાં જે સ્પાનમાં તિરાડ પડી અને ભાગ બેસી ગયો છે તે સ્પાનને બદલવામાં આવી શકી છે. અલગ અલગ એક્સપર્ટ દ્વારા આખા સુભાષ બ્રિજના સ્પાન અને પિલ્લર સહિત નહી તપાસ કર્યા બાદ એક સ્પાન સિવાય કોઈ તકલીફ નહીં હોય તો નુકસાન થયેલા ભાગને જ બદલવામાં આવશે. બ્રિજના અન્ય સ્પાનમાં તપાસ બાદ નિર્ણય લેવાશે. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યુંઅમદાવાદના તમામ બ્રિજનું ઇન્સ્પેકક્શન ચોમાસા પહેલા અને પછી કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોમાસું 15 જૂનથી શરૂ થતું હોવાની ગણતરી કરવામાં આવતી હોય છે ત્યારે ચોમાસા પહેલા બ્રિજ ઇન્સ્પેક્શન મે અને જૂન મહિનામાં કરવાનું હોય તેની જગ્યાએ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યા બાદ તેનું માઇનોર રીપેરીંગ કરવા અંગેનું પણ કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. પરંતુ 4 મહિના સુધી સુભાષબ્રિજ પર રીપેરીંગ કામ શરૂ કરવામાં આવ્યું નહીં. ચાર મહિના પહેલા જ બ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. ભાસ્કર ઇન્સાઈડ: ગંભીર ખામી હશે તો બ્રિજ બેથી ત્રણ મહિના બંધ રહી શકે ભાસ્કરને આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું કે AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને રાજ્ય સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા સુભાષબ્રિજનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે. બ્રિજની બંને તરફ એક સ્પાનનો ભાગ નમી ગયો છે. બ્રિજનું પ્રાથમિક રીતે ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે જેમાં ભાગ નમેલો હોવાને લઈને આ બ્રિજને રિપેરિંગ કરવાની જરૂરિયાત ઊભી થશે. રાજ્ય સરકારના રોડ અને બિલ્ડિંગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક ઇન્સ્પેક્શન કરીને આ બાબતે નિર્ણય લેવામાં આવશે. જો બ્રિજમાં ગંભીર ખામી સામે દેખાશે તો બ્રિજને બેથી ત્રણ જેટલા મહિના સુધી બંધ કરવો પડશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 12:00 pm

ખેરગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો:10.71 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ

નવસારી LCBએ ખેરગામ નજીકથી વિદેશી દારૂ ભરેલો એક આઈસર ટેમ્પો ઝડપી પાડ્યો છે. પોલીસે ₹10.71 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આ કાર્યવાહીમાં 2760 નંગ દારૂ અને બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ, સુરત અને પોલીસ અધિક્ષક રાહુલ પટેલ, નવસારીના માર્ગદર્શન હેઠળ LCB, નવસારી દ્વારા આ સફળ કામગીરી કરવામાં આવી હતી. LCBના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના નેતૃત્વ હેઠળ, PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત અને અન્ય સ્ટાફ પ્રોહીબીશન પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા હતા. 5 ડિસેમ્બર, 2025ના રોજ HC ઐયાઝ મતરફ અને HC બ્રિજેશ સતીશચંદ્રને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, એક આઈસર ટેમ્પો (રજી.નં. GJ-18-AT-8637) દાદરા નગર હવેલીથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ભરીને વાપી GIDC બ્રિજથી હાઇવે, વલસાડ, ગુંદલાવ, ખેરગામ, રાનકુવા, મહુવા થઈને બારડોલી એક્સપ્રેસ-વે અને કીમ હાઇવે થઈ વડોદરા તરફ જવાનો હતો. આ બાતમીના આધારે, સ્ટેટ હાઇવે નં. 701 પર ખેરગામથી પાણીખડગ જતા રોડ પર રુઝવણી ગામની સીમમાં વંશ ફ્રુટ વેજીટેબલ્સ દુકાન સામે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. નાકાબંધી દરમિયાન, ઉપરોક્ત રજીસ્ટ્રેશન નંબરવાળા આઈસર ટેમ્પોને રોકીને તપાસ કરતા, તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ (વ્હીસ્કી, રમની બોટલો અને ટીન બિયર)નો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગેરકાયદેસર દારૂના વહન બદલ ટેમ્પોના ડ્રાઇવર નારાણભાઈ ધુસાભાઇ ચૌહાણ (રહે. કાનપુર ગામ, દરબારગઢ શેરી, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર)ની ધરપકડ કરી હતી. કુલ ₹10,71,800/-ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ₹7,66,800/-ની કિંમતની 2760 નંગ વિદેશી દારૂની બોટલો/ટીન, ₹3,00,000/-નો આઈસર ટેમ્પો અને ₹5,000/-નો એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. ઝડપાયેલા આરોપી નારાણભાઈ ચૌહાણ વિરુદ્ધ ખેરગામ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો ભરાવનાર અને મંગાવનાર વોન્ટેડ આરોપીઓ દલસુખ ઉર્ફે બગલી માથાસુળિયા (રહે. ચોરવીરા, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર), ગૌરાંગ (રહે. મહેસાણા) અને વાપી GIDC ઓવરબ્રિજ પાસે દારૂનો જથ્થો આપી જનાર અન્ય અજાણ્યા શખ્સની શોધખોળ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 11:59 am

શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલનું ભૂમિપૂજન:મંત્રી નરેશ પટેલના હસ્તે ચીખલીમાં 300 દીકરીની હોસ્ટેલનો શિલાન્યાસ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના કુકેરી ગામમાં 'શક્તિપથ ગર્લ્સ હોસ્ટેલ'નું ભૂમિપૂજન કરવામાં આવ્યું. માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાત્સલ્યધામ કેમ્પસ ખાતે આ 300 દીકરીઓની ક્ષમતાવાળી હોસ્ટેલનું નિર્માણ થશે. આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલના હસ્તે શાસ્ત્રોક્ત પૂજા-વિધિ સાથે આ શુભ કાર્યનો પ્રારંભ થયો. આ પ્રસંગે મંત્રી નરેશભાઈ પટેલે દીકરીઓના શિક્ષણને 'સમગ્ર સમાજના ઉલ્લેખયુક્ત વિકાસનું સૌથી પ્રભાવશાળી સાધન' ગણાવ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આદિજાતિ દીકરીઓ માટે શિક્ષણ એ સમગ્ર સમાજને સશક્ત બનાવવા માટેનું મુખ્ય માધ્યમ છે. મંત્રીશ્રીએ પોતાના સંબોધનમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિનો ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું કે, ભારતમાં સામાજિક સમાનતા અને ન્યાયના મજબૂત પાયા તેમના દ્વારા મૂકવામાં આવ્યા હતા. આદિજાતિ સમાજના વિકાસ માટે તેમના વિચારો આજે પણ માર્ગદર્શક છે. તેમણે આદિજાતિ દીકરીઓની પ્રગતિની પ્રશંસા કરતા કહ્યું કે, આજની દીકરીઓ એન્જિનિયરિંગ, મેડિકલ, નર્સિંગ, સાયન્સ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પોતાની પ્રતિભા દર્શાવી રહી છે. મંત્રીશ્રીએ આદિજાતિ દીકરીઓ IIT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં પણ પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી. મંત્રીએ આદિજાતિ બાળકોના ઉત્કર્ષ માટે સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી વિવિધ યોજનાઓની પણ વિગતો આપી હતી. જેમાં એકલવ્ય શાળાઓ, દૂધ સંજીવની યોજના, કન્યા શાળા, પોષણ કાર્યક્રમ અને શૈક્ષણિક સુવિધાઓના મજબૂતીકરણનો સમાવેશ થાય છે. તેમણે તાજેતરમાં વલસાડમાં યોજાયેલ 'ચિંતન શિબિર'માં આદિજાતિ બાળકોના પોષણ અને આરોગ્ય પર થયેલી ચર્ચા અને આયોજનનો પણ ઉલ્લેખ કર્યો. માલવી એજ્યુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટની કામગીરીની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું કે, સંસ્થાએ અનેક દીકરીઓના જીવનમાં પ્રકાશ પાથર્યો છે અને શિક્ષણની સાથે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું સિંચન કરવાનું ઉત્કૃષ્ટ કાર્ય પણ નિભાવી રહી છે. આ નવનિર્મિત હોસ્ટેલથી સ્થાનિક તેમજ આજુબાજુના વિસ્તારોની 300 દીકરીઓને સુરક્ષિત, સંસ્કારી અને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે ઉત્તમ માહોલ પ્રાપ્ત થશે. સમારોહના અંતે મંત્રીએ દીકરીઓના શિક્ષણ, સક્ષમતા અને સલામતી માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે ઉચ્ચ શિક્ષણ માટે સમગ્ર સમાજને જાગૃતિ અને સહયોગ દર્શાવવા માટે આહ્વાન કર્યું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 11:57 am

આણંદના ચાવડાપુરામાં ફ્લેટમાં શોર્ટસર્કિટથી આગ લાગી:કરમસદ-આણંદ ફાયર ટીમે ત્વરિત કામગીરી કરી, મોટી જાનહાનિ ટળી

આણંદ-જીટોડિયા રોડ પર આવેલા ચાવડાપુરા વિસ્તારના મોટા લક્ષ્મી હેરિટેજ ફ્લેટમાં ગત રાત્રિના સમયે વાયરિંગમાં શોર્ટ સર્કિટ થવાથી ભીષણ આગ ફાટી નીકળી હતી. રાત્રિના સમયે આગ લાગતા ફ્લેટના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટના અંગે તુરંત કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર અધિકારી ધર્મેશ ગોરે તાત્કાલિક પગલાં લેવાની સૂચના આપી હતી. તેમની સૂચના મુજબ, ફાયર ડ્રાઇવર રવિ સાબલિયા, લીડિંગ ફાયરમેન ભાવેશ વરુ, તેમજ ફાયરમેન મહેન્દ્રસિંહ રાઠોડ, યુવરાજસિંહ અને હિતેન્દ્ર મહીડા સહિતની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે આગને વધુ ફેલાતી અટકાવવા માટે ઝડપથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું. ફાયર ટીમે યુદ્ધના ધોરણે કામગીરી કરીને થોડા જ સમયમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધો હતો. આના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાથમિક તારણ મુજબ, આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી, પરંતુ સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 11:30 am

હિંમતનગરમાં હોમગાર્ડનો 78મો સ્થાપના દિવસ ઉજવાયો:જાગૃતિ માટે પ્લેકાર્ડ સાથે રેલી યોજાઈ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હોમગાર્ડના 78મા સ્થાપના દિવસ નિમિત્તે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા હોમગાર્ડ કચેરીથી શરૂ થયેલી આ રેલીમાં જિલ્લા સ્ટાફ અધિકારીઓ અને હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. દેશના પૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ દ્વારા 6 ડિસેમ્બર 1947ના રોજ હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. આ 78મા સ્થાપના દિવસની ઉજવણી નાયબ પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ જિલ્લા કમાન્ડન્ટ પાયલ સોમેશ્વરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે અધિકારીઓએ સ્વ. મોરારજી દેસાઈની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યાર બાદ, સાબરકાંઠા જિલ્લા સ્ટાફ ઓફિસર સી.કે. રાવલે લીલી ઝંડી બતાવી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં 'પાણી બચાવો', 'વ્યસન મુક્ત', 'સ્વચ્છતા રાખો' અને 'હોમગાર્ડ સેવા સુરક્ષા શક્તિ' જેવા જાગૃતિ સંદેશા દર્શાવતા પ્લેકાર્ડ અને બેનરો સાથે જવાનો જોડાયા હતા. રેલી જૂની સિવિલ સર્કલ પહોંચી હતી, જ્યાં ડો. બાબાસાહેબ આંબેડકરના નિર્વાણ દિન નિમિત્તે તેમની પ્રતિમાને જિલ્લા સ્ટાફ અધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ રેલી જૂની સિવિલ સર્કલથી નગરપાલિકા સદન, ટાવર ચોક, નવા બજાર, ગાંધી રોડ થઈને સબજેલ પાસેથી પસાર થઈ જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે સમાપ્ત થઈ હતી. આ જાગૃતિ રેલીમાં જિલ્લા હોમગાર્ડ અધિકારીઓ અને હિંમતનગર યુનિટના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં કુલ 17 હોમગાર્ડ યુનિટ કાર્યરત છે, જેમાં 17 માનદ અધિકારીઓ ફરજ બજાવે છે. જિલ્લામાં કુલ 1238 હોમગાર્ડ જવાનોની સંખ્યા છે, જેમાં 115 મહિલાઓ અને 1123 પુરુષોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 11:26 am

ક્રિપ્ટોના નામે અમદાવાદના કાપડના વેપારી સાથે 17 લાખની ઠગાઈ:ક્રિપ્ટો ખરીદવા ઓનલાઇન સંપર્ક કરી રોકાણ કરતા પૈસા ડૂબ્યા, સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ

અમદાવાદના કાપડના વેપારીએ ક્રિપ્ટો ખરીદવા ગુગલ પરથી કંપની સર્ચ કરીને વાતચીત કરી વિગત આપી હતી. જે બાદ કંપનીના એડવાઈઝરે ઇન્વેસ્ટમેન્ટ કરી સારો નફો કમાવવી આપવાની લાલચ આપી હતી. જેથી વેપારી વિશ્વાસમાં આવીને ક્રિપ્ટો ખરીદવા માટે અલગ અલગ 17 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન કર્યા હતાં. જ્યારે તેને નફો અને રોકાણ કરેલી રકમ પરત માગી ત્યારે તેમને આપવામાં આવી નહોતી જેથી વેપારીએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે. ક્રિપ્ટોના નામે કાપડના વેપારી સાથે ઠગાઈમળતી વિગત અનુસાર, શીલજમાં રહેતા મહેન્દ્ર ભાઈ ચંદવાની કપડાની દુકાન ધરાવી ધંધો કરે છે. મહેન્દ્રભાઈને તેમના મિત્ર સાથે ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ માટેની વાત થઈ હતી. ત્યારે WEBULL કંપનીની વાતચીત થઈ હતી. WEBULL વેબસાઈટમાં સંપર્ક કર્યો ને ફસાયામહેન્દ્રભાઈએ ગુગલ પરથી WEBULL કંપની સર્ચ કરીને તેમની વેબસાઈટમાં સંપર્ક કર્યો હતો અને વેબસાઈટમાં આપેલા નંબર પર ફોનથી ખરીદવાની વાતચીત કરી હતી. જે બાદ કંપની દ્વારા મહેન્દ્રભાઈનો સંપર્ક કરીને તેમને એડવાઈઝર પુરા પાડ્યા હતા, જે તેમનું એકાઉન્ટ હેન્ડલ કરતા હતા.મહેન્દ્રભાઈએ શરૂઆતમાં ક્રિપ્ટો માટે 50000 રૂપિયા આપ્યા હતા.જે WEBULLની વેબસાઈટમાં દેખાતા હતા. 17 લાખનું રોકાણ અને વેબસાઈટમાં નફા સાથે 81958 યુએસ ડોલર બતાવ્યાવિશ્વાસ આવતા મહેન્દ્રભાઈએ કુલ અલગ અલગ ટ્રાન્જેક્શન દ્વારા 17 લાખ રૂપિયાના ક્રિપ્ટો ખરીદવા માટેનો રોકાણ કર્યું હતું. જેની સામે તમને વેબસાઈટમાં નફા સાથે 81958 યુએસ ડોલર બતાવતા હતા. આ પૈસા તેમણે વિદ્રો માટે રિક્વેસ્ટ નાખી પરંતુ વિડ્રો થયા ન હતા. રકમ પરત માગી ત્યારે તેને તે પૈસા પરત આપ્યા નહીંતેમને પાસેથી 20 ટકા ટેક્સ ભરવાનું કહ્યું હતું પરંતુ મહેન્દ્રભાઈ ટેક્સ ના ભરીને તેમને ભરેલી મૂળ 17 લાખની રકમ પરત માગી ત્યારે તેને તે પૈસા પરત આપવામાં આવ્યા ન હતા. જેથી સાઇબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો.આ અંગે સાઇબર ક્રાઈમે ગુનો નોધી તપાસ શરૂ કરી છે

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 11:09 am

વડોદરામાં 3 ફૂટનો મગર આવી ચડ્યો:જાંબુવા વિસ્તારમાં સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને મગરને રેસ્ક્યુ કર્યો, લોકોએ રાહતનો શ્વાસ લીધો

વડોદરા શહેરના જાંબુવા વિસ્તારમાં 3 ફૂટનો મગર આવી ચડ્યો હતો. જેને સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ અને વન વિભાગની ટીમે મળીને રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો. જેને પગલે સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટ સંદીપ સિંહે જણાવ્યું હતું કે, 8:30 વાગ્યાની આસપાસ જાંબુવા ખાતે આવેલા આત્મિયા ગ્રાન્ડ વિલા-2 પાસેથી કોલ આવ્યો હતો કે, અંદાજે 3 ફૂટનો મગર આવી ચડ્યો હતો ત્યાર બાદ અમારી ટીમના વોલેન્ટીયર્સ લોકેશન પર પહોંચીને તપાસ કરતા 3 ફૂટનો મગર દેખાયો હતો, ત્યારબાદ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના નીતિનભાઈને સાથે રાખીને મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો. આજ રીતે તમારા રહેણાક વિસ્તારમાં કોઈપણ વન્યજીવ દેખાય જેમ કે સાપ , મગર , અજગર , દીપડો જેવા તો અમારી સંસ્થા સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 10:50 am

ઈન્ડિગો સંકટ વચ્ચે વિમાન ભાડું આકાશ આંબ્યું, વિદેશ યાત્રા કરતાં ડોમેસ્ટિક પ્રવાસ મોંઘું

Flight Ticket Price: દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સંચાલનમાં આવેલા ગંભીર સંકટને કારણે દેશભરના હવાઈ મુસાફરો પર મોટો આર્થિક બોજ પડ્યો છે. 2 ડિસેમ્બરથી શરૂ થયેલી આ કટોકટીમાં ઇન્ડિગોએ 1,800 થી વધુ ફ્લાઇટ્સ રદ્દ કરી છે, જેના કારણે 2 લાખથી વધુ મુસાફરો પરેશાન થયા છે. મુસાફરોની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને વૈકલ્પિક ફ્લાઇટ્સ મળી રહી નથી અને જે ફ્લાઇટ્સ ઉપલબ્ધ છે, તેનું ભાડું આસમાનને સ્પર્શી રહ્યું છે. વીકેન્ડ પણ ભાડુ વધવાનું એક કારણ આજે, શનિવાર (6 ડિસેમ્બર) અને રવિવાર (7 ડિસેમ્બર) ના વીકએન્ડમાં ફ્લાઇટ ટિકિટના દરોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે.

ગુજરાત સમાચાર 6 Dec 2025 10:40 am

ભુજમાં ઇલેક્ટ્રિક શોરૂમના ગોડાઉનમાં ભીષણ આગ:કાબુ મેળવવા ફાયર વિભાગે JCBની મદદ લીધી, આગ બુઝાવતા સાડા ત્રણ કલાક લાગ્યા; લાખોનું નુકસાન

ભુજના ભાવેશ્વર નગરમાં આવેલા સિમરન સેલ્સના ઇલેક્ટ્રિકલ ઘર વપરાશની સામગ્રીના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ લાગવાથી આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી. આગને કાબુમાં લેવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી. લગભગ રાત્રિના 2 વાગ્યાની આસપાસ આગ ઉપર કાબુ સંપૂર્ણ કાબુ મેળવાયો હતો. આ ઘટનામાં વિવિધ પ્રકારની વિદ્યુત સામગ્રી બળી જતા લાખો રૂપિયાની નુકસાની થવા પામી છે. ફાયર વિભાગે JCBની મદદથી શટર-દીવાલ તોડ્યાભુજ ફાયર કંટ્રોલરૂમને કોલ મળતા જ તાત્કાલિક ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. આગ વધુ વિકરાળ હોવાથી અન્ય ત્રણ ફાયર ફાઇટર મંગાવવામાં આવ્યા હતા, આમ કુલ ચાર ફાયર ફાઇટરની મદદથી આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ગોડાઉન બંધ હોવાથી આગને કાબુમાં લેવામાં મુશ્કેલી પડી રહી હતી. ફાયર વિભાગે JCB મશીનની મદદથી ગોડાઉનનો શટર અને દીવાલ તોડાવી આગને ફેલાતી અટકાવી હતી. સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં આવીઆશરે સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ 96,000 લીટર પાણીનો ઉપયોગ કરીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. આજુબાજુ રહેણાંક વિસ્તાર હોવાથી માનવ સલામતીને ધ્યાનમાં રાખીને નજીકના તમામ રહેવાસીઓની વીજળી પુરવઠો કાપીને તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર દિલીપ ચૌહાણની સૂચના મુજબ, ભુજ ફાયર સ્ટાફના તમામ કર્મચારીઓ અને ટ્રેની સ્ટાફ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 10:38 am

પારડીની બી.એન. ઇન્ડસ્ટ્રીમાં ભીષણ આગ:દુર દુર સુધી ધુમાડાના ગોટા દેખાયા, વલસાડ, વાપીથી ફાયર ટીમો ઘટનાસ્થળે; આગનું કારણ અકબંધ

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ગામે આવેલી બી.એન. ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનાને કારણે કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. આગની જાણ થતાં જ શિફ્ટ સંચાલકો અને કંપનીના મેનેજમેન્ટે તાત્કાલિક કામદારોને સુરક્ષિત સ્થળે ખસેડવાનો આદેશ આપ્યો હતો. કંપની સંચાલકોએ તરત જ ફાયર વિભાગને જાણ કરી હતી. દુર દુર સુધી ધુમાડાના ગોટા દેખાયાપારડી ફાયર વિભાગની ટીમને જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. વલસાડ અને વાપીની ફાયર ટીમોની પણ મદદ લેવામાં આવી હતી. આગનો ધુમાડો દૂરથી દેખાતા સ્થાનિકોમાં ડર સાથે કુતૂહલ સર્જાયું હતું. આગ લાગવાનું કારણ અકબંધપારડી ફાયર ટીમની આગેવાની હેઠળ વલસાડ સહિત કુલ ચાર ટીમો આગ બુઝાવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, પ્રાથમિક માહિતી અનુસાર કોઈ જાનહાનિ થઈ નથી. આગને કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુફાયર વિભાગ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવા અને નુકસાનનું મૂલ્યાંકન કરવા પ્રયાસ કરી રહ્યું છે. આ ઔદ્યોગિક વિસ્તારમાં બનેલી ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં પ્રશાસન દ્વારા સતર્કતા રાખવામાં આવી છે. ઘટના અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 10:30 am

પાટણ જિલ્લા પંચાયત માટે 32 બેઠકોની ફાળવણી કરાઈ:રાજ્ય ચૂંટણી આયોગના આદેશ બાદ અનામત બેઠકો નક્કી

ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લા પંચાયતની આગામી સામાન્ય ચૂંટણી માટે બેઠકોની ફાળવણી કરવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ આદેશ અનુસાર, પાટણ જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને મહિલાઓ માટે અનામત બેઠકો નક્કી કરાઈ છે. આ બેઠકોની ફાળવણી 2011ની છેલ્લી વસ્તી ગણતરીના આંકડાઓને આધારે કરવામાં આવી છે. પાટણ જિલ્લા પંચાયત માટે કુલ 32 બેઠકો નિર્ધારિત કરાઈ છે, જેમાં અનામત બેઠકોનું વિતરણ નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ આંકડાઓ મુજબ, જિલ્લા પંચાયત માટે અનુસૂચિત જાતિ (અ.જા.) માટે 3 બેઠકો, અનુસૂચિત આદિજાતિ (અ.આ.જા.) માટે 1 બેઠક અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (સા.શૈ.પ.વ.) માટે 9 બેઠકો ફાળવવામાં આવી છે. આ ફાળવણીમાં સંબંધિત વર્ગોની મહિલાઓ માટેની અનામત બેઠકો સહિત કુલ મહિલા અનામત બેઠકો અને બિન-અનામત બેઠકોની સંખ્યા પણ નિર્ધારિત કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 10:11 am

ભરૂચની ઈશ્વરી શાહે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ:ભારતની સૌથી નાની ટેરોટ કાર્ડ રીડર બની, કહ્યું- સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગથી દુર રહો

ભરૂચની 17 વર્ષીય ઈશ્વરી ગોપાલ શાહે ભારતની સૌથી નાની ઉંમરની ટેરોટ કાર્ડ રીડર બનીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિથી ભરૂચનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. બાળપણથી જ ઈશ્વરીને આધ્યાત્મિકતા, સંગીત અને માનસિક ઊર્જામાં રસ હતો. ધોરણ 10 દરમિયાન જાણીતા ટેરોટ રીડર અવની દેહડિયાથી પ્રેરિત થઈને તેણે ટેરોટ કાર્ડ રીડિંગમાં રસ કેળવ્યો. ત્યારથી તેણે આ ક્ષેત્રમાં સઘન મહેનત કરી નોંધપાત્ર પ્રગતિ કરી છે. ઈશ્વરીનું સ્વપ્ન વિશ્વભ્રમણ કરવાનું છે, જ્યાં તે વિવિધ દેશોની સંસ્કૃતિ અને લોકોના સ્વભાવને સમજવા માંગે છે. તે ભારતના યુવાનોમાં સંસ્કારસભર અને વિકાસલક્ષી વિચારસરણી વિકસાવવામાં પણ યોગદાન આપવા ઈચ્છે છે. યુવાનોને સંદેશ આપતાં ઈશ્વરીએ જણાવ્યું કે, આજની પેઢી સોશિયલ મીડિયા અને મોબાઈલમાં ઘણો સમય વિતાવે છે. જો યુવાનો વહેલી સવારે ઉઠવાની ટેવ પાડી પોતાની આંતરિક ઊર્જા,સર્જનાત્મકતા અને સકારાત્મકતા પર ધ્યાન કેન્દ્રિત કરે, તો જીવનની મોટી તકો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે. ઈશ્વરીની આ સિદ્ધિએ તેના પરિવાર, મિત્રો અને સમગ્ર ભરૂચ જિલ્લામાં ગર્વ અને આનંદની લાગણી પ્રસરાવી છે. તેણે સાબિત કર્યું છે કે નાની ઉંમરે પણ દ્રઢ નિશ્ચય, ઈચ્છાશક્તિ અને ક્ષમતા દ્વારા મોટા સપના સાકાર કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 10:10 am

અમિત શાહ આજે વાવ-થરાદની મુલાકાતે:સણાદર ખાતે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે; અગથળામાં મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે, 6 ડિસેમ્બર, 2025ના રોજ, ગુજરાતના ત્રણ દિવસીય (તારીખ 5થી 7 ડિસેમ્બર) પ્રવાસના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેવાના છે. આ મુલાકાતનો મુખ્ય હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સહકારથી સમૃદ્ધિ'ના સંકલ્પને સાકાર કરવામાં બનાસ ડેરી દ્વારા અમલમાં મૂકાયેલા સફળ 'બનાસ મોડેલ'ની પ્રગતિનું નિરીક્ષણ કરવાનો અને તેને વધુ મજબૂત કરવાનો છે. મંત્રી આજે વાવ-થરાદ વિસ્તારના સણાદર ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ અનેક મહત્ત્વપૂર્ણ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમોમાં અગથળા (લાખણી) ખાતેના બાયો-સીએનજી અને ફર્ટિલાઇઝર પ્લાન્ટનું લોકાર્પણ તેમજ સણાદરમાં અત્યાધુનિક 150 ટીપીડી મિલ્ક પાવડર અને બેબી ફૂડ પ્લાન્ટના ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ થકી કૃષિ મૂલ્ય સંવર્ધન અને સ્વચ્છ ઊર્જા દ્વારા પરિપત્ર અર્થતંત્રને વેગ મળશે, જે સીધો ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થશે. આ પણ વાંચો, અમિત શાહે અમદાવાદના સિંધુભવન રોડથી શોપિંગ ફેસ્ટિવલનો પ્રાંરભ કર્યો:5 ડિસે.થી 16 જાન્યુઆરી સુધી અમદાવાદીઓને જલસો, ગ્રાહકોને 15થી 35% ડિસ્કાઉન્ટ મળશે મંત્રી અમિત શાહ આજના કાર્યક્રમ દરમિયાન ન્યુ ડેરી પ્લાન્ટ, સણાદર ખાતે સહકારિતા મંત્રાલયની પરામર્શદાત્રી સમિતિની મહત્ત્વપૂર્ણ બેઠકની અધ્યક્ષતા પણ કરવાના છે. આ બેઠકમાં સહકારિતા રાજ્ય મંત્રીઓ અને મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ બનાસ ડેરીના પ્રાદેશિક પ્રવાસમાં જોડાશે અને ડેરી વિકાસ, પશુધન ઉત્પાદકતા અને જળ સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં થયેલી પહેલોની સઘન સમીક્ષા કરશે. બેઠક બાદ, શાહ સણાદર ખાતે પાવડર પ્લાન્ટ, બટાટાના પ્લાન્ટ, વર્ચ્યુઅલ સોઇલ ટેસ્ટિંગ લેબ અને રેડિયો સ્ટેશન સહિતની આધુનિક સુવિધાઓનું નિરીક્ષણ કરવાના છે. આ મુલાકાત સહકારી પ્રવૃત્તિઓ થકી ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહેલા પરિવર્તનને પ્રત્યક્ષ રીતે સમજવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ ઉપરાંત, કેન્દ્રીય ગૃહમંત્રી રૈયા ખાતે ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની મુલાકાત લેશે અને અગથળામાં બાયો CNG પ્લાન્ટના નિરીક્ષણ બાદ મહિલા દૂધ ઉત્પાદકો સાથે સંવાદ કરવાના છે. આ સંવાદ સહકારી ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણની ગાથા જાણવા માટેનું મુખ્ય કેન્દ્ર રહેશે. પ્રવાસના અંતે, તેઓ બાદરપુરા (પાલનપુર) ખાતે ઓઈલ મીલ, આટા પ્લાન્ટ અને મધના પ્લાન્ટની પણ મુલાકાત લેશે. આમ, અમિત શાહની આજની બનાસકાંઠા મુલાકાત માત્ર વિકાસકાર્યોના લોકાર્પણ પૂરતી મર્યાદિત ન રહેતા, સહકારિતાના માધ્યમથી કૃષિ, પશુપાલન અને ગ્રામીણ અર્થતંત્રને કેવી રીતે મજબૂત કરી શકાય છે, તેનું નિરીક્ષણ અને માર્ગદર્શન પૂરું પાડશે. 7 તારીખે પણ જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે કેન્દ્રીય ગૃહ અને સહકારિતામંત્રી અમિત શાહ 7 ડિસેમ્બરે અમદાવાદના ગોતા દેવનગર ખાતે બપોરે 2 વાગ્યે કરોડો રૂપિયાનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત તેઓ જાહેરસભાને સંબોધન કરવાના છે, જેમાં આશરે 10,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. તેઓ બપોરે એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ નજીક શક્તિ કન્વેન્શન સેન્ટર ખાતે ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત ચુનોતિયાં મુજે પસંદ હૈની ગુજરાતી આવૃત્તિનું વિમોચન કરવાના છે. સાંજે 6.30 વાગ્યે તેઓ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા યોજવામાં આવેલા પ્રમુખ વરણી અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 10:04 am

ગુજરાતનું પ્રથમ Gen-Z થીમ ડાકઘર:Wi-Fi, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, QR આધારિત ડિજિટલ પેમેન્ટની સુવિધા; IIT ગાંધીનગરમાં શુભારંભ

ભારતીય ડાક વિભાગે યુવાપેઢી એટલે Gen-Z સાથે જોડાવાના ઉદ્દેશ્યથી એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આઈઆઈટી ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત 'Gen-Z થીમ' આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.રાષ્ટ્રીય સ્તરે 15 ડિસેમ્બર સુધીમાં શૈક્ષણિક સંસ્થાઓમાં આવેલી 46 પોસ્ટ ઓફિસનું નવીનીકરણ કરવામાં આવશે. Gen-Zને પોસ્ટ ઓફિસ સાથે જોડવાનો હેતુભારતીય ડાક વિભાગે આધુનિકીકરણની દિશામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. IIT ગાંધીનગર ખાતે ગુજરાતની પ્રથમ નવીનીકૃત Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ દેશવ્યાપી પહેલનો હેતુ પોસ્ટ ઓફિસને યુવા પેઢી Gen-Z સાથે જોડીને તેને જીવંત, વિદ્યાર્થી-કેન્દ્રિત અને ટેક્નોલોજી-સક્ષમ સ્થળો તરીકે પરિવર્તિત કરવાનો છે. મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ અને IIT ગાંધીનગરના નિદેશકે શુભારંભ કરાવ્યોગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકર અને IIT ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂના દ્વારા આ પોસ્ટ ઓફિસનો શુભારંભ કરવામાં આવ્યો. આ પ્રસંગે ગુજરાતનું પ્રથમ Gen-Z વિષયક ડાકઘર’ પર એક વિશેષ આવરણ અને IIT ગાંધીનગર પોસ્ટ ઓફિસનું સ્થાયી ચિત્રાત્મક વીરૂ પણ પણ પ્રકાશિત કરવામાં આવ્યું. યુવાનોની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને ટેક્નોલોજીકલ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરાઈચીફ પોસ્ટમાસ્ટર જનરલ ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે આ પોસ્ટ ઓફિસને ખાસ કરીને યુવાનોની સર્જનાત્મકતા, આધુનિક વિચારસરણી અને ટેક્નોલોજીકલ અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. તેનો દેખાવ અને અનુભૂતિ સંપૂર્ણપણે Gen-Z સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે. સૌથી અગત્યની વાત એ છે કે, IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી દ્વારા આ પોસ્ટ ઓફિસને નવી ઓળખ આપવામાં આવી છે, તેમના વિચારો ભીંતચિત્રો અને આંતરિક ડિઝાઇનમાં જોવા મળે છે. ‘ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN’આઈઆઈટી ગાંધીનગરના નિદેશક પ્રો. રજત મૂનાએ આ પહેલની પ્રશંસા કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ પોસ્ટ વિભાગની આધુનિક સેવાઓનો લાભ લેશે. IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ રચેલું “ટ્રી ઓફ લાઇફ ઓફ IITGN” ભીંતચિત્ર સંસ્થાના જીવંત પર્યાવરણીય તંત્ર અને પક્ષીઓની સમૃદ્ધ વિવિધતાને ઉજાગર કરે છે, જે આ પોસ્ટ ઓફિસના આકર્ષણમાં વધારો કરે છે. Wi-Fi, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, QR આધારિત ડિજિટલ પેમેન્ટની સુવિધાપોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે માહિતી આપી કે આ નવીનીકૃત IIT પોસ્ટ ઓફિસમાં Wi-Fi, કાફેટેરિયા, મિની લાઈબ્રેરી, QR આધારિત ડિજિટલ પેમેન્ટ, પાર્સલ પેકેજિંગ, ફિલેટેલી અને ડાક જીવન વીમા જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે. વિદ્યાર્થીઓ માટે સ્પીડ પોસ્ટમાં વિશેષ છૂટ પણ આપવામાં આવી છે. આ પરિવર્તન યુવાઓના સશક્તિકરણ અને જનસેવાના આધુનિકીકરણનું એક ઉત્કૃષ્ટ પ્રતીક બની ગયું છે. IIT વિદ્યાર્થીઓ-ફેકલ્ટીને Gen-Z થીમ આધારિત ડિઝાઇનમાં યોગદાન બદલ સન્માનિતઆ પ્રસંગે IIT વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીને Gen-Z થીમ આધારિત ડિઝાઇનમાં તેમના યોગદાન બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે ડાક વિભાગ અને IIT ગાંધીનગરના અનેક અધિકારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 9:27 am

બોટાદમાં GSDM ક્લાસની બહેનોને ઘરેલું હિંસા અંગે માર્ગદર્શન:અધિનિયમ 2005 હેઠળ મહિલા સુરક્ષા યોજનાઓની માહિતી અપાઈ

બોટાદમાં GSDM દ્વારા સંચાલિત માઈક્રોવેવ ક્લાસની બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ 2005 અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા અને જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. આ માર્ગદર્શન સત્રમાં ઘરેલું હિંસાથી મહિલાઓનું રક્ષણ અધિનિયમ 2005 વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. આ અધિનિયમનો મુખ્ય ઉદ્દેશ ઘરેલું સંબંધોમાં મહિલાઓ પર થતી શારીરિક, માનસિક, જાતીય, ભાવનાત્મક અને આર્થિક હિંસાથી તેમનું રક્ષણ કરવાનો છે. પીડિત મહિલાઓ પોલીસ સ્ટેશન કે કોર્ટમાં ગયા વિના તાત્કાલિક આશ્રય, તબીબી સહાય અને કાઉન્સેલિંગ જેવી મદદ મેળવી શકે છે. આ માટે પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વનસ્ટોપ સેન્ટર, 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને શી ટીમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જિલ્લા મહિલા બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ જેવી કે વાહલી દીકરી યોજના, વિધવા સહાય, મહિલા સ્વાવલંબન અને ગંગા સ્વરૂપા પુનઃલગ્ન યોજના વિશે પણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં 1098 હેલ્પલાઇન દ્વારા ચિંતિત બાળકો અને પુખ્ત વયના વ્યક્તિઓ કઈ રીતે મદદ મેળવી શકે તેની પણ વિસ્તૃત સમજ આપવામાં આવી. ઉપસ્થિત તમામ બહેનોને સેનેટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:49 am

વાપીમાં 29 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી:સરસ્વતીનગર સરકારી કોલોનીમાં ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના વાપી શહેરમાં આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના સરસ્વતીનગર સરકારી કોલોનીમાં રહેતા 29 વર્ષીય અનુપમ ગંગાપ્રસાદ અવસ્થીએ શુક્રવારે પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેણે પંખાના હુક સાથે ગમછો બાંધી આત્મહત્યા કરી હતી. આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ મથકે સંતોષ ચંદ્રશેખર પાંડેએ અકસ્માત મોતની જાણ કરી હતી. સંતોષ પાંડેએ જણાવ્યું કે તેઓ અનુપમ અવસ્થી સાથે પૂજાપાઠના કામ માટે આવતા-જતા હતા. ઘટનાના એક દિવસ પહેલાં રાત્રે અનુપમે સંતોષ પાંડેના ઘરે આવી બીજા દિવસે ગૃહપ્રવેશના કાર્યક્રમમાં પંડિત તરીકે જવાનું હોવાનું જણાવ્યું હતું. જોકે, બીજા દિવસે સવારે અનુપમનો ફોન ન લાગતા સંતોષ પાંડેએ તેમના પુત્રને તેને બોલાવવા મોકલ્યો હતો. રૂમનું બારણું ન ખુલતા શંકા પેદા થઈ હતી. બપોરે ગૃહપ્રવેશ હવન દરમિયાન સંતોષ પાંડેને તેમની પત્ની પ્રતીમાબેનનો ફોન આવ્યો કે અનુપમે રૂમમાં આત્મહત્યા કરી લીધી છે. સંતોષ પાંડે, રૂમમાલિક, વાપી ટાઉન પોલીસની ટીમ અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને એમ્બ્યુલન્સ દ્વારા મૃતદેહને CHC ચલાસા ખાતે લાશના PMની કાર્યવાહી માટે મોકલાવ્યો હતો. જાહેરાત આપતા સંતોષ પાંડે અને મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે અનુપમ અવસ્થીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. વાપી ટાઉન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:40 am

વલસાડમાં બાળકી પર શ્વાનોનો હુમલો:નગરપાલિકાએ રખડતા શ્વાનોને પકડવા અને ખસીકરણ માટે ટેન્ડર બહાર પાડ્યું

વલસાડ શહેરને અડીને આવેલા ભાગડાવાડા વિસ્તારમાં એક બાળકી પર પાંચ જેટલા શ્વાનોએ હુમલો કર્યો હતો. સ્થાનિક લોકો સમયસર દોડી આવતા બાળકીને વધુ નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. આ ઘટના બાદ સોસાયટીના રહીશો અને સ્થાનિક લોકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે, વલસાડ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નગરપાલિકાએ શ્વાનોને પકડવા તેમજ તેમનું ખસીકરણ (નસબંધી) કરવા માટેની કામગીરીના ટેન્ડર બહાર પાડ્યા છે. નગરપાલિકાના CO કોમલબેન ધિનૈયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નગરપાલિકા દ્વારા હાલ શ્વાનોને પકડવા અને તેમનું ખસીકરણ કરવા માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એજન્સીની નિમણૂક થશે. આ એજન્સી દ્વારા રખડતા શ્વાનોને પકડી, તેમનું ખસીકરણ કરી અને જે તે જગ્યાએ છોડી દેવામાં આવશે. CO ધિનૈયાએ વધુમાં ઉમેર્યું કે, શ્વાનોનો આતંક વધતો અટકાવવા નગરપાલિકા દ્વારા ત્વરિત કામગીરી હાથ ધરવામાં આવી છે. એજન્સીની નિમણૂક થયા બાદ કામગીરી સત્વરે શરૂ કરવામાં આવશે. તેમણે શિયાળામાં શ્વાનો દ્વારા બચકા ભરવાના બનાવો વધવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. વલસાડ નગરપાલિકાની આ કામગીરી ગુજરાતની તમામ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકાના આધારે કરવામાં આવી રહી છે. હાલમાં, નગરપાલિકા દ્વારા વેટરનરી ડૉક્ટરની સલાહ પણ લેવામાં આવી રહી છે. શ્વાનોને પકડીને તેમના ખસીકરણની કામગીરી સત્વરે શરૂ થવાથી શહેરના નાગરિકોને રખડતા શ્વાનોના ત્રાસમાંથી રાહત મળશે અને જાહેર સલામતી જળવાશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:39 am

પાટણમાં ઠંડીનો ચમકારો:તાપમાન 13 ડિગ્રી, ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો

પાટણ શહેરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે વહેલી સવારે 13 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. ઠંડી વધતાની સાથે જ શહેરીજનો સવારથી ગરમ વસ્ત્રો પહેરીને કામધંધે નીકળતા જોવા મળ્યા હતા. પ્રગતિ મેદાન વિસ્તારમાં ગરમ વસ્ત્રોની ખરીદી માટે લોકોનો ધસારો વધ્યો છે. ઠંડીથી બચવા લોકો તાપણાં કરીને રક્ષણ મેળવી રહ્યા છે. આ ઠંડીનો ચમકારો ઘઉં, જીરુ, વરિયાળી, રાયડો અને અજમો જેવા શિયાળુ પાકો માટે ફાયદાકારક સાબિત થશે. ખેડૂતો આ ઠંડીને પાક માટે અનુકૂળ માની રહ્યા છે. છેલ્લા બે દિવસથી શિયાળાની અસર વર્તાઈ રહી છે અને આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:37 am

વીજકાપ:દાહોદના ગોદીરોડ વિસ્તારમાં પાંચ દિવસનો પાણી કાપ, 25 હજાર લોકોને અસર થશે

દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારના આશરે 25 હજાર લોકોને ફરી એક વખત પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે. ગોદીરોડ વિસ્તારને પાણી પૂરું પાડતી કડાણા યોજનામાં આવશ્યક સમારકામ અને અપગ્રેડેશન કામગીરી હાથ ધરાનાર હોવાથી 7 ઓગસ્ટથી 12 ઓગસ્ટ સુધી એટલે કે સળંગ 5 દિવસ માટે પાણીનો કાપ હોવાનું નગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યુ છે. પ્રાપ્ત માહિતી મુજબ દાહોદ શહેરના ગોદીરોડ વિસ્તારને પાણી પુરુ પાડતી કડાણા યોજનાના મુખ્ય પમ્પિંગ સ્ટેશનો ભાણાસીમળ, આફવા અને કુંડા ખાતે મોટુ કામ હાથ ધરાનાર છે. આ કાર્ય દરમિયાન કુલ 12 નવી પમ્પિંગ મશીનરી નાખવામાં આવશે. આ ઉપરાંત પાણી વિતરણની વ્યવસ્થા સુધારવા માટે નવા એરવાલ્વ નાખવા અને નવી મોટરો માટેનું ઇલેક્ટ્રીક વર્ક પણ પૂર્ણ કરવામાં આવશે. આ સાથે દાહોદ શહેરમાં 11 લાખ લીટરની નવી ટાંકી અને સંપનો પ્રારંભ કરવાનો હોઇ તેની પણ અંતિમ ચરણની કામગીરી કરવામાં આવનાર છે. તેના કારણે ગોદીરોડ વિસ્તારમાં પાંચ દિવસ પાણીનો કાપ રાખવામાં આવ્યો છે. ગોદીરોડ વિસ્તારને કડાણા યોજનામાંથી પાણી આપવામાં આવે છે જ્યારે બાકીના દાહોદ શહેરને પાટાડુંગરી યોજનામાંથી પાણી મળે છે. કડાણા યોજનામાં વિવિધ તકનીકી ક્ષતિઓને કારણે ગોદીરોડ વિસ્તારની પ્રજાને વર્ષમાં ત્રણથી ચાર વખત દિવસો સુધી પાણી માટે તકલીફ વેઠવી પડે છે. આ નવી અને વિસ્તૃત કામગીરી પાછળનો મુખ્ય હેતુ પાણીની આ સમસ્યાને પૂર્ણ રીતે અને કાયમી ધોરણે દૂર કરવાનો છે. શહેરમાં પણ પાણી સપ્લાયમાં એક દિવસ લંબાવવામાં આવશે દાહોદની પાણીની જરૂરિયાત આશરે 20 એમ.એલ.ડી.ની છે. જેમાં આશરે 6 થી 7 એમ.એલ.ડી. પાણી પાટાડુંગરી પુરું પાડે છે. આ સિવાય આશરે 11 થી 12 એમએલડીની કડાણા જળાશય દ્વારા પૂર્તિ થાય છે. દાહોદ શહેરમાં આમેય ત્રણ દિવસે એક વખત પાણી આપવામાં આવે છે. ગોદીરોડ સિવાયના શહેરની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે કડાણાનું 4 એમએલડી પાણી લેવામાં આવે છે. ત્યારે હવે કડાણા યોજનામાં કામગીરી શરૂ થવાની છે ત્યારે શહેરમાં અપાતા પાણીના સપ્લાયમાં પણ એક દિવસ લંબાશે. એટલે કે શહેરની પ્રજાને ત્રણની જગ્યાએ ચાર દિવસે પાણી મળશે. એમજીવીસીએલ દ્વારા 66 કેવીની એક્સપ્રેસ લાઇન શરૂ કરી દેવામાં આવી કડાણાથી પામી લાવવામાં અનિયમિત વીજ સપ્લાયનો મોટો રોલ હતો.ત્યારે દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી અને કુબેરભાઇ ડિંડોરના પ્રયત્નોથી એમજીવીસીએલ દ્વારા 66 કેવીનું એક અલગથી સબસ્ટેશન ઉભુ કર્યુ છે. ખાસ કડાણાની લાઇન માટે 66 કેવીની એક્સપ્રેસ લાઇન શરૂ થઇ ગઇ છે. ગોદીરોડ વિસ્તારની સમસ્યાનો કાયમી નિકાલ આવે તે માટે મશીનરીની કામગીરી શરૂ કરાનાર છે. આ સમયગાળા દરમિયાન પ્રજાએ પૂરતો પાણીનો સંગ્રહ કરી લેવો અને સમારકામની કામગીરીમાં સહકાર આપવા વિનંતી છે. જેથી નિર્ધારિત સમયમાં કાર્ય પૂર્ણ કરી પાણી પુરવઠો પૂર્વવત કરી શકાય.- નીરજ દેસાઇ, પ્રમુખ, દાહોદ નગર પાલિકા

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:12 am

પરિસંવાદનું આયોજન:ડીટવાસની આશ્રમ શાળામાં રેન્જ IGનો બાળકો સાથે પરિસંવાદ યોજાયો

ડીટવાસ પો.સ્ટે.વિસ્તારમાં આવેલ વૃંદાવન આશ્રમ શાળા, કરવાઇ કંપા ખાતે પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ તેમજ મહીસાગર એસપી સફીન હસન દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમા શાળાના પ્રમુખ ઉપેન્દ્રભાઇ પટેલ, શિક્ષકગણ તેમજ શાળામાં અભ્યાસ કરતા ધો.1 થી 12ના વિધાર્થીઓ હાજર રહ્યાં હતાં. આઇ.જી.પી. દ્વારા આશ્રમ શાળાના વિદ્યાર્થીઓ સાથે પોતાના જીવનમાં બાળપણથી લઇ નોકરી મેળવવા સુધી કરેલ સંઘર્ષ વિશે માર્ગદર્શન આપ્યુ હતું. આશ્રમ શાળામાં પોલીસ વિભાગને લગતા કોઇ પ્રશ્નો હોય તો તેનો સત્વરે નિરાકરણ લાવવા બાંહેધરી આપવામાં આવી હતી. જીવનમાં સફળ થવા સારૂ કઇ રીતે અભ્યાસ કરી આગળ વધવુ તે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. આશ્રમ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના માતા પિતાની આર્થિક તથા સામાજિક પરિસ્થિતીથી વાકેફ થઇ તેઓ જીવનમાં આગળ જઇ શું બનવા માગે છે ? તે બાબતે વિશેષ ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ. તેમજ શાળાના શિક્ષકો સાથે પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.વિધાર્થીઓ અને પોલીસ વચ્ચે સંવાદનો સેતુ રચાય તે હેતુથી કોમ્યુનીટી પોલીસીંગનુ ઉત્તમ ઉદાહરણ રેન્જ આઇ.જી.પી. તથા એસ.પી. મહીસાગરનાઓ ધ્વારા પુરૂ પાડવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:10 am

ચિંતન શિબિરનું આયોજન:દાહોદમાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના પર સંયુક્ત સચિવના અધ્યક્ષસ્થાને ચિંતન શિબિર

દાહોદ જિલ્લાના ટ્રાયબલ મ્યુઝિયમમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના સંયુક્ત સચિવ કે.કે. નિરાલાના અધ્યક્ષસ્થાને પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના પર ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કલેક્ટર, ડીડીઓ અને પ્રાયોજના વહીવટદાર ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી અને લાયઝન અધિકારી દ્વારા ઉપસ્થિતોનું શાબ્દિક સ્વાગત કરાયું હતું. કલેક્ટરે સંયુક્ત સચિવને પુસ્તક આપીને પણ સન્માનિત કર્યું હતું. શિબિરની શરૂઆતમાં સંયુક્ત સચિવે દાહોદ જિલ્લાના તમામ કક્ષાના અધિકારીઓ પાસેથી વિભાગીય કામગીરીની વિગતવાર જાણકારી મેળવી, જરૂરી માર્ગદર્શન આપ્યું અને સ્ટેટસ લેવલ સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની સૂચના આપી હતી. તેમણે પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો અને તેમના અનુભવો તેમજ સંબંધિત વિભાગો સાથેના પ્રતિભાવ જાણી, તેમ તેમ અન્ય અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. ખેતીવાડી અધિકારી પથિક દવે દ્વારા દાહોદ કૃષિ પ્રવૃત્તિઓ, પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના, અન્ય કૃષિ યોજનાઓ અને આંકડાકીય માહિતી પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરી હતી. કલેક્ટર અને ડીડીઓએ સિંચાઈ અને પીવાના પાણીના વિવિધ પ્રોજેક્ટ વિશે વિગતવાર જાણકારી આપી હતી. સંયુક્ત સચિવ કે.કે. નિરાલાએ કહ્યું, “પ્રોબ્લેમ હોય તો તેનો સોલ્યુશન હોય જ, જરૂરી છે માત્ર પ્રયત્નો, મહેનત અને જવાબદારી.” કાર્યક્રમમાં ડીઆરડીએ નિયામક, આણંદ કૃષિ યુનિ. અને કેવીકેના અધિકારીઓ, તાલિમી અધિકારી, સંબંધિત અધિકારીઓ તેમજ પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:08 am

જવાનનું ભવ્ય સ્વાગત કરાયું:ભાધરોલી બુઝર્ગનો યુવક આર્મીની ટ્રેનિંગ લઇ આવતા સ્વાગત કરાયું

કાલોલ તાલુકાના ભાધરોલી ગામના વતની સોલંકી દીવ્યરાજસિંહ ગણપતસિંહ આર્મી ટ્રેનિંગ પુરી કરીને પોતાના વતન પરત ફરેલા જવાનનું કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં ગામના લોકોએ જવાનનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું, જેમાં તેમના પરિવાર, મિત્રો અને ગામના આદરણીય નાગરિકો સામેલ થયા હતા. કાલોલ ખાતેથી સ્વાગત બાદ કાલોલ બસ સ્ટેન્ડથી ભાધરોલી બુઝર્ગ ગામે ડીજેના તાલે દેશ ભક્તિ સંગીતના ગીતો સાથે શોભા યાત્રા નીકળી હતી. ત્યારે આ શોભાયાત્રામાં ભાધરોલી ગામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખુબજ મોટી સંખ્યામાં મહિલાઓ બાળકો અને યુવાનો ઉપસ્થિત રહી કાલોલથી ભાધરોલી બુઝર્ગ ગામે જવા માટે શોભાયાત્રા નીકળીને ગામમાં આવી પહોંચ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:08 am

દારૂ ઝડપાયો:લીમખેડા પોલીસે ટ્રકમાંથી રૂા. 14.22 લાખનો દારૂ ઝડપ્યો

લીમખેડા પોલીસે આઇસર ટ્રકમાંથી કરિયાણાના સામાન ભરેલા થેલાની આડમાં લઈ જવાતો ગેરકાયદે દારૂ ઝડપી પાડ્યો છે. લીમખેડા તાલુકાના પાલ્લી ગામે દાહોદ-ગોધરા હાઈવે પર ધાનપુર ચોકડી પાસે મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે એક આઇસર ટ્રકને રોકી તેની તલાશી લીધી હતી. ટ્રકમાં સોયાબીન, મમરા અને બિસ્કિટના થેલાની આડમાં ગુજરાતમાં પ્રતિબંધિત ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇંગ્લિશ દારૂ અને બિયરની કુલ 170 પેટીઓમાંથી 5,250 બોટલો મળી આવી હતી. મુદામાલની બજાર કિંમત રૂ. 14,22,000 જેટલી થાય છે. ટ્રક નંબર DD-01-AG-9114 માંથી દારૂની હેરાફેરી કરતા પ્રાપ્ત થયેલા આરોપી, મધ્યપ્રદેશના દેવાસ તાલુકા વિસ્તારના રહેવાસી ફૈજાન અસલમને ઘટના સ્થળેથી જ ઝડપી પાડવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:07 am

ભાસ્કર ફોલોઅપ:કણજીપાણી ગામના ઇન્ચાર્જ તલાટી સસ્પેન્ડ, ખાતાકીય તપાસના આદેશ

જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગામના ઇન્ચાર્જ તલાટીને બોગસ લગ્ન સર્ટિફિકેટ આપવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે સાથે જાંબુધોડાના ટીડીઓને લગ્ન નોંધણી બાબતની તપાસ કરવા ટીમની રચના કરી છે. તપાસ કરીને રીપોર્ટ ડીડીઓને અહેવાલ આપવામાં આવશે. જયારે કણજીપાણી ગામમાં લગ્ન નોંધણીમાં ગામમાં રામજી મંદિરનો ઉલ્લેખ કર્યો તેવું મંદિર ગામમાં ના હોવાનો દાવો સરપંચ પતિ દ્વારા કરવામાં આવ્યો છે. સરદાર પટેલ ગ્રુપના લાલજી પટેલ દ્વારા જાંબુઘોડા તાલુકાના કણજી પાણી ગ્રામ પંચાયતના ઇન્ચાર્જ તલાટી દ્વારા બોગસ લગ્ન સર્ટીફીકેટ આપવામાં આવ્યા હોવાના તેમજ વર્ષ 2025માં બોગસ લગ્ન સર્ટીફીકેટ આપી તલાટી દ્વારા રૂા.50 લાખ મેળવવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમજ તલાટીનો એક લગ્ન નોંધણી દીઠ 2500 રૂા. પ્રમાણે બે હજાર કરતા વધુ લગ્ન નોંધણી કરીને લાખો રૂપિયા કમાઇને રાજસ્થાનમાં જમીન લીધો હોવાનો વિડીયો વાઇરલ થયો હતો. જેને લઇને પંચમહાલ જિલ્લા પંચાયત દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમજ આક્ષેપિત તલાટી એ.કે.મેઘવાલને તાત્કાલિક અસરથી ડીડીઓ દ્વારા સસ્પેન્ડ કરાવવામાં આવ્યા છે. ડીડીઓની સુચના મુજબ તપાસ કરવા માટે જાંબુઘોડા તાલુકા પંચાયતની એક ટીમની પણ રચના કરવામાં આવી છે. તલાટીને સસ્પેન્ડ કરી ખાતાકિય તપાસનો હુકમમિડિયામાં કણજીપાણીના તલાટીનો વિડીયો વાઇરલ થયો છે. જેથી તાત્કાલિક અસરથી તલાટી એકે.મેધવાલને સસ્પેન્ડ કર્યો છે. જાંબુઘોડાના ટીડીઓને સમગ્ર મામલાની તપાસ કરવાનો હુકમ કર્યો છે. તેમજ વાઇરલ વિડીયોમાં તલાટી આટલા રૂપિયા કમાયો છુ અને જમીનો ખરીદી છે. તેમ જણાવતો હોવાથી તેની સામે ખાતાકિય તપાસ કરવામાં આવશે. ડી કે ગરાસિયા, ડેપ્યુટી ડીડીઓ, પંચમહાલ

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:06 am

ગાંજાનું વેચાણ કરનાર ઝડપાયો:સાગબારા ગોન આંબલા ગામે ગાંજાનું વેચાણ કરતો ઝબ્બે

સાગબારાના ગોન આંબલા ગામે ગાંજાનું વેચાણ થતું હોવાની બાતમી નર્મદા એસઓજીને મળી હતી. પોલીસની ટીમે ગામમાં દરોડો પાડયો હતો. જેમાં શ્રાવણ રૂપસિંગ તડવીના ઘરની તલાશી લેવામાં આવી હતી. જેમાં ગાંજાના ફૂલ 103 ગ્રામ સહિતની સામગ્રી મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી શ્રાવણ તડવીની ધરપકડ કરી હતી જયારે રતન ભોઇ ભાગી ગયો હતો. ફરાર થઇ ગયેલો આરોપી મહારાષ્ટ્રના નંદુરબારનો રહેવાસી છે. પ્રાથમિક માહિતી પ્રમાણે શ્રાવણ તડવી મહારાષ્ટ્ર થી ગાંજો રતન ભોઈ પાસે મંગાવી તેનું વેચાણ કરતાં હતાં. નર્મદા જિલ્લો સરહદી જિલ્લો હોવાથી નશાકારક વસ્તુઓની હેરાફેરી માટે સલામત ગણવામાં આવે છે પણ પોલીસ પણ સતર્ક હોવાથી બુટલેગરો અને ડ્રગ પેડલરોને ફાવટ આવતી નથી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:05 am

આયુષમેળાનું આયોજન:ભરૂચ જિલ્લામાં ચિકિત્સા અને પ્રાકૃતિક ઉપચારની જાણકારી આપવામાં આવી

ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા આજે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતેજિલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો હતો. મેળામાં નાગરિકો માટે આરોગ્ય સંબંધી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અને પ્રાકૃતિક ઉપચારના આંશિક અનુભવ માટે કુલ 12 જેટલા થીમ આધારિત સ્ટોલ મૂકવામાં આવ્યા હતા. જેમાં આયુર્વેદ ઓપીડી: નાગરિકોની તબીબી તપાસ તથા આયુર્વેદિક દવાઓનું વિતરણ, હોમિયોપથી ઓપીડી, બાળરોગ અને સ્ત્રીરોગ ચિકિત્સા, જરા રોગ, અગ્નિકર્મ - મર્મચિકિત્સા - નશ્યકર્મ જેવી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓનું પ્રદર્શન, સુગર ચેક-અપ કેમ્પ,રસોડાની ઔષધિ અને પૌષ્ટિક આહાર વિશે માર્ગદર્શન અને યોગ નિદર્શન તથા દૈનિક જીવનમાં યોગના મહત્ત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. આ મેળામાં જિલ્લાઆયુર્વેદ અધિકારી ડો. આમ્રપાલી પટેલ અને વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત રહી નાગરિકોને માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:04 am

દારૂ ઝડપાયો:માંડવા પાસે ઝડપાયેલા દારૂ કેસમાં બે ફરારની ધરપકડ

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ગામેથી ઝડપી પાડેલદારૂના કેસમાં ફરાર 2 આરોપીની કરી ધરપકડ હતી. પોલીસે દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજાના બે ઈસમ ને ઝડપી પાડ્યા હતા. 21 મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી ઇનોવા કાર મળી કુલ રૂ. 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. માંડવા ગામે દારૂની ખેપ મારવા આવેલ ઈસમને ગત તારીખ 21 મી સપ્ટેમ્બરના રોજ ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી દારૂની બોટલ, મોબાઈલ તેમજ ઇનોવા કાર મળી કુલ રૂ. 3.75 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે કારમાં બેસેલ રીંકુ રામુ વસાવા નામના ઈસમની અટકાયત કરી હતી જ્યારે અન્ય 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે આ મામલામાં દારૂનો જથ્થો ભરી આપનાર ઝગડીયા તાલુકાના નાના સાંજા ગામના અલ્પેશ વસાવા અને ઠાકોર વસાવાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી ઓ છેલ્લા 3 માસથી ફરાર હતા જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બને આરોપીની ધરપકડ કરી અંકલેશ્વર તાલુકા પોલીસ ના હવાલે કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:03 am

1,000 આદિવાસી બાળકોને ભાગવત ગીતાનું વિતરણ:700 શ્લોકોના શબ્દાર્થ-ભાવાર્થ સમજાવવાનો પ્રયાસ‎

ડિસેમ્બર મહિનાના પ્રારંભ થી મોક્ષદા એકાદશી એટલે કે ગીતા પ્રાગટ્ય દિવસ નિમિત્તે નર્મદા જિલ્લાના ત્રણ તાલુકાની શાળાઓ રોશની માધ્યમિક શાળા, ગરૂડેશ્વર, કે એમ શાહ શાળા, તિલકવાડા અને આદર્શ નિવાસી શાળા, નાંદોદમાં ભગવદગીતા વિતરણ કાર્યક્રમ યોજાયો. ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુરત થી પધારેલા કેશવ શ્યામ સુંદર દાસ કે જે પૂર્ણકાલીન રીતે ભગવત ગીતાના પ્રચારમાં જોડાયેલા છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગ રાજપીપળાના નાયબ કાર્યપાલક ઇજનેર ચિરાગ સોની અને અન્ય દાતાઓના સહયોગથી ત્રણ શાળાઓના આશરે 1000 આદિવાસી વિધાર્થીઓને ભગવદ ગીતાની તેના મૂળ રૂપે આવૃત્તિ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી. ઇસ્કોન એટલે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભવનામૃત સંઘના સંસ્થાપક આચાર્ય જેને પ્રેમથી લોકો શ્રીલ પ્રભુપાદના નામે ઓળખે દ્વારા એ પ્રસ્તુત છે. આ આવૃત્તિ વિશ્વની લગભગ 100 ભાષાઓમાં પ્રકાશિત થઈ છે. જેમાં 18 અધ્યાય 700 શ્લોકોના શબ્દાર્થ, અનુવાદ અને ભાવાર્થ સમજાય એવી સરળ ભાષામાં આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 8:02 am

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન:શુક્લતીર્થ કુમાર શાળામાં જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

ભરૂચ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચીન શાહ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય રેખાબેન, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વતી દિવ્યેશભાઈ, તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર ડોક્ટર રોબિન અને નિવૃત્ત સલાહકાર પીબી પટેલએ હાજરી આપી હતી. આ સાથે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી બીઆરસી સી.આર.સી સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહી માર્ગદર્શક શિક્ષકો બાળ વૈજ્ઞાનિકો અને પ્રોત્સાહન પૂરું પાડી શિક્ષણ માટેની ઉત્તમ વાતો કરી ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના આત્મ નિર્ભર અને વિકસિત ભારતની પરિકલ્પનાને સફળ બનાવવા શિક્ષણ ખૂબ જ જરૂરી છે. ત્યારે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં તાલીમ ભવનની સાથે રહી શુક્લતીર્થ કુમાર અને કન્યા શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા માટે અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:56 am

નર્મદાના એસપી વિશાખા ડબરાલ સાથે વાતચીત:આદિવાસી યુવાઓને પોલીસ બનવું છે તો અમે મદદ કરીશું, સારો ખેલાડી છે તો અમે આગળ લાવીશું, ગર્ભિત શકિતઓ બહાર લાવવી અમારૂ લક્ષ્ય

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા ધરાવતાં નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવાની જવાબદારી ઝાંબાઝ પોલીસ અધિકારી વિશાખા ડબરાલ સંભાળી રહયાં છે. દેવોની ભૂમિ ઉત્તરાખંડમાં જન્મેલા અને દિલ્હીની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી આઇપીએસ બનેલા વિશાખા ડબરાલ 2018ની બેચના અધિકારી છે. નર્મદા જિલ્લામાં એસપી બનતાં પહેલાં તેઓ અમદાવાદ શહેરના ઝોન–3 માં ડીસીપી તરીકે કાર્યકરત હતાં. સવાલ. આપની અત્યાર સુધીની જીવન યાત્રા અને કારકિર્દીનો મહત્વનો વળાંક શેને મોનો છે ?જવાબ. મારા પિતાજી પોલીસ વિભાગમાં હતાં. મે મારા ઘરમાં નાનપણથી જ પોલીસનો માહોલ જોયો હતો. મારા જીવનનો સારી રીતે ઉપયોગ કરી શકુ અને લોકોની સેવા કરી શકુ એ માટે પહેલાંથી જ પોલીસ વિભાગમાં જવાનો મારો નિર્ણય હતો. ન્યાયને જીવનનો આધાર બનાવીને કામ કરવા માટે મે પોલીસ અધિકારી બનવાનો નિર્ણય લીધો છે. સવાલ. આપની સંઘર્ષભરી જીવનયાત્રા કેવી રહી છે ?જવાબ.એક મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ્યો છું અને મારેમારા માતા અને પિતાનો ખૂબ સહયોગ રહયો છે. ખાસ કરીને મારા પિતાએ પોલીસ વિભાગમાં નિસ્વાર્થ ભાવથી સેવાઓ આપી છે. તેમણે હંમેશા પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું છે અને તેઓ હંમેશા પોતાનું વિચારવાના બદલે સમાજનું ભલું થાય તેવું વિચારતા જેમાંથી મને ખૂબ પ્રેરણા મળી છે. જેથી હું પોલીસ અધિકારી બની છું કે લોકોની સેવા કરી શકું. સવાલ. સફળતા માટેનો યશ કોને આપવા માગો છો ?જવાબ.મારા માતા–પિતા, પરિવાર અને મિત્રોના સહયોગથી આજે સફળતા મળી છે. ખાસ કરીને કિરણ બેદીમાંથી મને પ્રેરણા મળી છે. સવાલ. એવી કોઈ નિષ્ફ્ળતા કે જેમાંથી તમે શીખ મેળવી હોય ?જવાબ.સપોલીસ અધિકારી બનવા માટે આપેલી પરીક્ષા પહેલાં પ્રયત્ને પાસ કરી શકી ન હતી. આ પછી સખત મહેનત કરી બીજા પ્રયાસમાં પરીક્ષામાં ઉર્તિણ થઇ ગઇ હતી. સવાલ. આપણું શું બનવાનું સ્વપ્ન હતું ? જવાબ.જીવનમાં કઇ નવું, અલગ અને રચનાત્મક કરવાની ભાવના છે. લોકોની સેવા જ મુખ્ય ધ્યેય હોવાથી પોલીસ બની છું. સવાલ. આપના નેતૃત્વની કાર્યશૈલીને કોઇ એક વાક્યમાં કહેવા માગો તો તે શું હોઇ શકે? જવાબ.સ્વતંત્ર.. સ્વતંત્ર રીતે અને પોતાની રીતે કામ કરવાવાળા અધિકારી . સવાલ. સૌથી રોચક વાત અને મોટો પડકાર શું છે?જવાબ.કેવડિયા જેવી નાની જગ્યાને આટલી સરસ રીતે વિકસિત કરી છે તે મારા માટે સૌથી રોચક બાબત છે. તમે સારી વાતને વિકસિત કરી લોકોને કેવી રીતે ફાયદો અપાવી શકો તે સૌથી મોટો પડકાર હોય છે. સવાલ. એવું ક્યુ કામ કરવા માગો છો કે જે માટે લોકો આપને યાદ કરે? જવાબ.આદિવાસી સમાજ અને પોલીસ વચ્ચે સંકલનનો અભાવ છે તે દૂર કરવા માગીશ. ખાસ કરીને આદિવાસી સમાજના યુવક અને યુવતીઓ પોલીસ વિભાગમાં ભરતી થઇને કોન્સટેબલથી લઇ આઇપીએસ સુધી પહોંચે તે માટે તમામ માર્ગદર્શન પોલીસ વિભાગ તરફથી આપવાનું આયોજન છે. આદિવાસી સમાજના યુવાઓની ગર્ભિત શકિતિઓને બહાર લાવી એક યોગ્ય માધ્યમ પુરુ પાડીશું. મઉત્તરાખંડના દહેરાદુનમાં બાળપણ વિત્યું, દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:55 am

સ્વજનના અવસાન, સગાઇ સારવાર નિમિત્તે નીકળેલા લોકો અટવાયા

ઇંડિગો એરલાઇન્સની ખોરવાઇ ગયેલી વિમાનસેવાના કારણે મુંબઇ - હૈદરાબાદ એરપોર્ટ પર અટવાયેલા એક પેસેન્જરે વ્યથિત સ્વરે કહ્યું હતું કે મારા પિતાના અવસાનના સમાચાર મળતા નાગપુરથી પુણે જવા નીકળ્યો અને હવે હૈદરાબાદમાં અટવાયો છું. બીજા એક પ્રવાસી દીકરાની સગાઇ માટે પુણે જતા હતા એ પણ અટવાઇ ગયા હતા. બીજી બાજું કેટલાક પ્રવાસી પોતાના સ્વજનની સારવાર માટે પુણે લઇ જઇ રહ્યા હતા તેમણે તો અન્ય મુસાફરો કરતાં વધુ કપરી સ્થિતિનો સામનો કરવો પડયો હતો.

ગુજરાત સમાચાર 6 Dec 2025 7:55 am

હુમલાનો પ્રયાસ:નર્મદા જિલ્લા આપ પાર્ટીના પ્રમુખ પર બૂટલેગરે હુમલાનો પ્રયાસ કર્યો

નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ નિરંજન વસાવાનો ભાઇ દારૂના જથ્થા સાથે ઝડપાયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ અને આપના નેતાઓ એકબીજા પર આક્ષેપો કરી રહયાં છે. ગરમાયેલા રાજકીય માહોલ વચ્ચે નિરંજન વસાવા પર બૂટલેગરે હૂમલાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપવામાં આવી છે. નિરંજન વસાવા રાજપીપળા જકાતનાકા પાસેથી પસાર થઇ રહયાં હતાં ત્યારે બૂટલેગરે તેમની કારને આંતરવાની કોશિશ કરી હતી. નિરંજન વસાવા સીધા રાજપીપળા પોલીસ મથકમાં પહોંચ્યા હતા અને લેખિત ફરિયાદ કરી હતી.પોલીસે પણ એમની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની જાણ થતાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે, વહેલી તકે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરવામાં નહિ આવે તો એસપી કચેરીની સામે ધરણા કરવામાં આવશે. નિરંજન વસાવાએ બે દિવસ અગાઉ નિવેદન આપ્યું હતું કે રાજપીપળામાં ખુલ્લેઆમ દારૂ-ડ્રગ્સ વેચાય છે, એના કારણે ઉશ્કેરાઈને બુટલેગરોએ નિરંજન વસાવા પર રાજકીય નેતાઓના ઈશારે ભર બજારમાં હુમલો કર્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:51 am

પ્રભારી સચિવે વિવિધ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરી‎:આંગણવાડીમાં બાળકોને પોષણયુકત આહાર પૂરો પાડો : શાહમીના હુસૈન

ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવશાહમીના હૂસૈનની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા બેઠક મળી હતી. જેમાં તેમણે આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે તેના પર ભાર મુકયો હતો. ભરૂચ જિલ્લાના પ્રભારી સચિવ સુશ્રી શાહમીના હૂસૈનની અધ્યક્ષતામાં જિલ્લામાં ચાલીરહેલા વિવિધ માર્ગોના વિકાસ કાર્યો, બાળકો અને મહિલાઓને લગતા પોષણ પ્રોજેક્ટ, આંગણવાડી કેન્દ્રોઅને પ્રાથમિક શાળાઓના ઓરડાઓની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા અર્થે કલેક્ટર કચેરીના વીડિયોકોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ હતી.તેમણે જિલ્લાના સંબંધિત અમલીકરણ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનો ચિતાર મેળવ્યો હતો. ત્યારબાદ તેઓએ ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારના માર્ગો ટકાઉઅને ક્વોલિટી વાળા સુવ્યવસ્થિત થાય, ગ્રામ્ય વિસ્તારના માર્ગો જ્યાં ભારદારી વાહનોની અવરજવર પ્રતિબંધિત છે છતાં ભારે વાહનો પસાર થવાથી સ્થાનિક માર્ગોને થતું નુકશાન અટકાવવા યોગ્ય કાર્યવાહી થાય, નગર પાલિકા વિસ્તારમાં માર્ગોની સાફ સફાઈ નિયમિત થાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય,આંગણવાડી કેન્દ્રોમાં આવતા બાળકોને પુરતા પ્રમાણમાં પોષણયુક્ત આહાર મળી રહે, સરકારી ઈમારતો લોક ઉપયોગી બની રહે તે રીતે જાળવણી થાય અને દરેક કાર્ય વાસ્તવિક રૂપમાં થાય જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:51 am

વેધર રિપોર્ટ:ભરૂચમાં તાપમાનનો પારો ગગડીને 17 ડિગ્રીએ પહોંચ્યો

ભરૂચ જિલ્લામાં ઠંડી અને ગરમી બન્ને ઋતુ એક સાથે અનુભવાય રહી છે. જેમાં બે દિવસથી વહેલી સવારે ઠંડી તો દિવસ દરમિયાન ગરમી અનુભવાઇ હતી. જોકે આજે લઘુત્તમ તાપમાન ફરી વધીને 17 ડિગ્રી થયું છે. જેથી ફરી ગરમીનું પ્રમાણ વધ્યું છે. જોકે વહેલી સવારે ઝાકળ પડી રહી છે. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 26 થી 54 ટકા અને પવનની ગતિ માં વધારો થઈને 13 કિમી પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાન 19 થી 20 અને મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી રહેવાની શક્યતા સેવાઇ રહી છે. હાલ પવનની ગતિ માં વધારો થતાં ખેડૂતોએ પવનની ગતિ ધીમી થયા બાદ દવાનો છંટકાવ કરી શકશે. જે ખેડૂતોનો કપાસ પાક તૈયાર થઈ ગયો હોય તેમને વીણી કરવા માટે સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:50 am

10 લાખ લિટર પાણીનો સંગ્રહ કરતી ટાંકીનું નિર્માણ:ભરૂચમાં શકિતનાથથી મદીનાપાર્ક સુધી 50‎હજાર લોકોને પુરતા દબાણથી પાણી મળશે‎

ભરૂચ શહેરના શકિતનાથથી મદીનાપાર્ક સુધીના વિસ્તારમાં રહેતાં 50 હજારથી વધારે લોકોને હવે પુરતા દબાણથી પીવાનું પાણી મળી રહેશે. જે.બી. મોદી પાર્ક અને ડુંગરી વિસ્તારમાં 4 કરોડના ખર્ચથી નિર્માણ પામેલી બે ટાંકીઓ તથા પંપિંગ સ્ટેશનનું શનિવારના રોજ લોકાર્પણ કરવામાં આવશે. નવી બે ટાંકીના લોકાપર્ણ સાથે શહેરમાં પાણીની ટાંકીઓની કુલ સંખ્યા 11 થઇ જશે. શહેરની બે લાખથી વધારે વસતીને પીવાનું પાણી અમલેશ્વર બ્રાંચ કેનાલમાંથી પુરૂ પાડવામાં આવે છે. દરરોજ 45 કરોડ લિટર પાણીનું વિતરણ હાલ શહેરમાં કરવામાં આવે છે. વિતરણ વ્યવસ્થાને સુુગમ બનાવવા માટે જે.બી.મોદી પાર્ક પાસે 10 લાખ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતાવાળી 15 મીટર ઉંચી જયારે ડુંગરી વિસ્તારમાં 10 લાખ લિટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતાવાળી 20 મીટર ઉંચી ટાંકી બનાવવામાં આવી છે. ટાંકીની સાથે રાઇઝિંગ મેઇન પાઇપલાઇન અને પંપિંગ સ્ટેશન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ બંને ટાંકીઓના નિર્માણ પાછળ 4 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. બંને ટાંકીઓ કાર્યાન્વિત થતાં 50 હજારથી વધારે લોકોને પુરતા દબાણથી પીવાનું પાણી મળી રહેશે. હવે શહેરમાં પાણીની ટાંકીઓની કુલ સંખ્યા 11 થઇ જશે. 15 દિવસ સુધી ટ્રાયલ‎રન લેવામાં આવશે‎જે.બી.મોદી પાર્ક અને ડુંગરી પાણીની ટાંકીને શનિવારના રોજથી કાર્યાન્વિત કરાશે પણ પહેલાં 15 દિવસ ટ્રાયલ રન લેવામાં આવશે. જેમાં બંને ટાંકીઓને પાણીથી ભરીને અલગ અલગ વિસ્તારના વાલ્વ ખોલીને પાણીની વિતરણ વ્યવસ્થા જોવામાં આવશે. આ ઉપરાંત શહેરની અન્ય 9 ટાંકી પરથી આપવામાં આવતાં પાણીના સમયના આધારે નવી બનેલી બંને ટાંકીઓ પરથી કેટલા વાગ્યે પાણી આપવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવશે. ભાસ્કર નોલેજ‎સીધા પંપિંગના બદલે હવે ટાંકીમાં પાણીનો સંગ્રહશહેરમાં ડુંગરી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી 2021માં ધરાશાયી થઇ ગઇ હતી જયારે જે.બી.મોદી પાર્ક ખાતે નવી ટાંકી બનાવવામાં આવી છે. અત્યાર સુધી શકિતનાથથી મદીનાપાર્ક સુધીના વિસ્તારમાં સીધા પંપિંગથી પાણી આપવામાં આવતું હતું. જેના કારણે આ વિસ્તારના 50 હજાર કરતાં વધારે લોકોને પુરતા દબાણથી પાણી મળતું ન હતું. હવે અયોધ્યાનગર ફિલટરેશન પ્લાન્ટથી પાઇપલાઇન મારફતે બંને ટાંકીઓ સુધી પાણી લાવીને તેને ભરવામાં આવશે. ટાંકીમાં ભરાયેલાં પાણીનું વિતરણ કરવાથી આ વિસ્તારોમાં પુરતા દબાણથી પાણી મળી રહેશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:49 am

વિરાર ઈમારત દુર્ઘટના પ્રકરણઃ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ગિલસન ઘોંસલવિસની ધરપકડ

મુંબઈ - વિરારમાં રમાબાઈ એપાર્ટમેન્ટ દુર્ઘટના પ્રકરણમાં ગુરુવારે મધ્યરાત્રિએ વસઈ-વિરાર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર ગિલસન ઘોંસલવિસની ક્રાઇમ બ્રાન્ચ-૩ ની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ઘોંસલવિસ પર ઈમારત અનધિકૃત હોવા છતાં કાર્યવાહી ન કરવાનો અને જોખમકારક હોવા છતાં તેને ખાલી ન કરવાનો આરોપ છે. ૨૬ ઓગસ્ટના રોજ, વિરાર- ઈસ્ટમાં ચાર માળની રમાબાઈ એપાર્ટમેન્ટ ઈમારત ધરાશાયી થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ૧૭ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૯ લોકો જખમી થયા હતા. આ ઈમારતમાં અનધિકૃત અને જોખમકારક હતી. આ કેસમાં, વિરાર પોલીસે બિલ્ડર અને જમીનમાલિક વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો હતો અને બિલ્ડર નીતલ સાનેની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર 6 Dec 2025 7:45 am

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન:હમનખુડીમાં દરિયાલાલ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

લખપત તાલુકામાં આવેલા હમનખુડીમાં દરિયાલાલ મંદિરનો ત્રણ દિવસ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. જેમાં શોભા યાત્રા તેમજ દાતાઓના સન્માન કરાયા હતા. સંતવાણીમાં કલાકાર સાહિત્યકાર સાંઈરામ દેવ અને નિલેશ ગઢવીએ મોજ કરાવી હતી તેમજ છેલ્લા દિવસે શ્રીફળ હોમ તેમજ નૂતન મંદિરમાં દરિયાલાલ દેવ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રંસગે પૂર્વ રાજ્ય મંત્રી વાસણભાઈ આહિર તેમજ સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સોનલલાલ મહારાજ, આઈ ચંદુમા અંબેધામ ગોધરા, શાંતીદાસજ મહારાજ, દિનેશગીરી બાપુ કોટેશ્વર જાગીર, દિનેશગીરી હમનખુડી મહંત તેમજ મહોત્સવના મુખ્ય યજમાન સ્વં.રમાબેન મુલજી કેશવજી કતીરા પરીવાર તેમજ કમળાબેન જ્યંતીલાલ ચંદે પરીવાર રહ્યા હતા તેમજ સ્વં.પારપ્યા મુલજી ગણાત્રા તેમજ સ્વં.રામજીભાઈ અરજણભાઈ સોમૈયા પરીવાર રહ્યા હતા. જયંતી ચંદે, દિપક રેલોન, પ્રવીણ કેશરીયા, કમલેશ કેશરીયા, રમેશ કમાણી, નવીન રૂપારેલ, વૈભવ કમાણી, હરેશ કેશરીયા, ભરત તન્ના, પ્રકાશ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:26 am

માર્ગ પર ખાનગી વાહનોનું પરિવહન બંધ કરાવવાની માગ:મુધાનની સીમમાં વન વિભાગની જમીનમાં ગેરકાયદે રસ્તો બનાવાયો

કચ્છના છેવાડાના સરહદી મુધાન નજીકના સીમાડામાં વન વિભાગની જમીનમાં ખાનગી કંપની દ્વારા ગેરકાયદે રસ્તાઓ બનાવીને ભારે વાહનોનું પરિવહન કરવામાં આવતું હોવાની રજૂઆત સાથે આ માર્ગ બંધ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. વન વિભાગ સમક્ષ કરવામાં આવેલી રજૂઆત મુજબ લખપત તાલુકાના મુધાન ગામ નજીક ખાનગી કંપની દ્વારા વન વિભાગની જમીનમાંથી ગેરકાયદે રસ્તાઓ બનાવીને મીઠુ તેમજ અન્ય સામગ્રી ભરેલા ભારે વાહનોનું પરિવહન કરવામાં આવે છે. અગાઉ આ કંપની દ્વારા મુધાન પંચાયતની જમીન તેમજ ગૌચર ઉપરાંત ખાનગી જમીનોમાંથી પોતાના વાહનોનું પરિવહન કરવામાં આવતું હતું જે ગ્રામજનો દ્વારા અટકાવવામાં આવ્યા બાદ હવે વન વિભાગની જમીનમાંથી રસ્તા બનાવવામાં આવ્યા હોવાથી વૃક્ષોનું નિકંદન કાઢવાની સાથે વન્ય જીવોને પણ અડચણ ઉભી થઈ રહી છે. જો અનધિકૃત પરિવહન ચાલુ રહેશે તો ગાંધી ચીંધ્યા માર્ગે જવું પડશે તેવી ચીમકી મુધાનના સરપંચ સૂરજસિંહ જાડેજા તેમજ આગેવાનો દ્વારા ઉચ્ચારાઇ હતી. આ અંગે દયાપર વન વિભાગના આરએફઓ પ્રિયંકાંત આસરાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે મુધાન સરપંચની રજૂઆત બાદસ્થળ તપાસ કરતા કંપનીના જવાબદારો દ્વારા અહીંથી વાહનો પસાર કરવા માટે ઉચ્ચકક્ષાએથી મંજૂરી મેળવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે તેમના દ્વારા મંજૂરીના કોઈ પુરાવા રજૂ ન કરવામાં આવતા કાલે આ વિસ્તારમાંથી વાહનો પસાર કરવાની મનાઈ ફરમાવાઇ છે. જો કોઈ મંજૂરી મેળવી હોય તો જરૂરી આધાર પુરાવા સાથે રજૂ કરવા કંપનીને સૂચના આપી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:25 am

ખેડૂતોની અટકાયત કરાઈ:વાંઢીયામાં કામ બંધ કરાવાતાં વધુ 18 ખેડૂતોની અટકાયત

ભચાઉ તાલુકા વાંઢીયા ગામના ખેતરોમાંથી 765 kv હાઇ વોલ્ટસની અદાણી કંપનીની વીજ લાઈન પસાર થઇ રહી છે જેના પુરા વળતર માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા 24 દિવસથી કિસાનો કામ બંધ કરાવા જાય છે જેને પોલીસ ઉઠાવી જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં વધુ 51 ખેડૂતોની અટકાયત કરવા માં આવી હતી. 24 દિવસમાં 727 ધરતીપુત્રોની અટકાયત થઇ છે. ભારતીય કિસાન સંધ ભચાઉ તાલુકા પ્રમુખ દેવજી આહીરે કહ્યું હતું કે, જ્યાં સુધી કંપની ખેડૂતોને પૂરૂં વળતર નહિ આપે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. અમે ખેડૂત છીએ, થાકવાના નથી, અમારો હક લઈને રહેશુ. દરમિયાન ગુરુવારે અદાણીના જવાબદાર અધિકારીઓ સાથે કિસાન સંઘની મિટિંગ થવાની હતી પણ ધોરડોમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતા થઇ શકી ન હતી. કંપની સાથે ખેડૂતોની લડાઈ ચાલુ રહેવાની સાથે આંદોલનને 105 દિવસ પુરા થયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:24 am

ગાગોદર કેનાલમાં નબળી કામગીરી:વારંવાર પડતા ગાબડાંથી હેરાનગતિ

રાપર તાલુકાના પલાંસવા નજીક આવેલા અમરાપર ગામ પાસેની ગાગોદર કેનાલમાં વારંવાર પડતા ગાબડાં (ભંગાણ)ને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ નબળી કામગીરી અંગે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વેલજીભાઈ સોલંકીએ આક્રોશ વ્યક્ત કર્યો છે અને રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને લેખિતમાં રજૂઆત કરી છે. પૂર્વ પ્રમુખ વેલજીભાઈ સોલંકીએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે કેનાલના બાંધકામમાં અત્યંત હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું છે, જેને તેમણે આક્રોશ સાથે ‘લોટ-પાણી-લાકડા’ જેવું ગણાવ્યું હતું. આ નબળા મટિરિયલને કારણે ગાગોદર કેનાલમાં અવારનવાર ગાબડાં પડવાના બનાવો સામે આવી રહ્યા છે, જેનાથી ખેડૂતોને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાય છે. સોલંકીએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે કેનાલની કામગીરીમાં ખામી અને ગાબડાં અંગે ખેડૂતો દ્વારા કેનાલના એન્જિનિયરોને ફરિયાદ કરવામાં આવે છે, ત્યારે તેઓ ખેડૂતોને સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબો આપીને વાત ટાળી દે છે. સ્થાનિક ખેડૂતોની માંગ છે કે આ ગંભીર બાબતની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને કેનાલના નબળા બાંધકામ માટે જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ખેડૂતોને નિયમિત રીતે પાણી મળી શકે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:22 am

કતલખાના ખાતે LCBના દરોડા:અબડાસાના વિંઝાણના રહેણાંક મકાનમાં ચાલતું કતલખાનું ઝડપાયું

અબડાસા તાલુકાના વિંઝાણ ગામના રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પર એલસીબીએ દરોડો પાડી કતલ માટે રાખેલ જીવિત ગાય અને ગૌવંશ સહીત ચાર જીવને બચાવી લીધા છે. આરોપીના મકાનમાં રાખેલ ગૌવંશના માંસ સહીત હથીયારો કબ્જે કરી કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠીની સુચનાથી ટીમ કોઠારા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,અબડાસા તાલુકાના વિંઝાણ ગામમાં રહેતા અલીઅકબર ઉર્ફે ઇકબાલ જાકબ હિંગોરાએ પોતાના મકાનમાં ગૌ વંશનું માંસ વેચાણ માટે રાખેલું છે.તેમજ મકાનની પાછળ બનાવેલા પતરાના સેડમાં ગાય અને આખલા કતલ કરવા માટે રાખેલા છે. બાતમીના આધારે સ્થાનિકે દરોડો પાડતા આરોપીના મકાનમાં રાખેલ ડીપ ફ્રીઝમાંથી 19 કિલો ગૌ વંશનું માંસ મળી આવ્યું હતું જે વેચાણ માટે રાખેલ હતું.આ ઉપરાંત સ્થળ પરથી કતલ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ૩ કોયતા અને ૩ છરી પણ મળી આવ્યા હતા. પોલીસે આરોપીના મકાનની પાછળ તપાસ કરતા પતરાના સેડમાં કતલ કરવા માટે રાખેલ એક જીવિત ગાય,2 આખલા અને 1 બળદ મળી આવ્યા હતા.જેને કતલ થતા પહેલા બચાવી લઇ પાંજરાપોળ ખાતે મોકલાવી દેવામાં આવ્યા છે.હાલ સમગ્ર મામલે કોઠારા પોલીસ મથકે જાણવા જોગ દાખલ કરી માંસના જથ્થાને એફએસએલ તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:19 am

ઠગ ઝડપાયો:ફેસબુકમાં સસ્તા સોનાની લાલચ આપી ઠગાઈનો પ્રયાસ કરનાર ઝડપાયો

શહેરના ચીટરો સસ્તા સોનાના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી ચૂક્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. તેવામાં ફેસબુક પર લોભામણી જાહેરાત કરી ઠગાઈનો પ્રયાસ કરનાર ઈસમ એલસીબીને હાથ લાગ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે કોડકી રોડ પર બરફના કારખાના સામે એક ઈસમ હાજર છે અને તે હાલે પોતાના મોબાઈલ ફોનમાં સોશિયલ મીડિયામાં ખોટી આઈડી બનાવી બજાર ભાવ કરતા સસ્તામાં સોનુ આપવાની જાહેરાત પોસ્ટ કરી લોકો સાથે ઠગાઈ કરવાની કોશિશમાં છે. બાતમીના આધારે પોલીસે સ્થાનિકે તપાસ કરતા રહીમનનગરનો આરોપી સાહિલ કાસમ ફકીર હાજર મળી આવ્યો હતો. જેની પાસે રહેલા મોબાઇલમાં તપાસ કરતા રાજવર્ધન પટેલ નામની ફેસબુક આઈડી ચાલુ જોવા મળી હતી. જેમાં બજાર ભાવ કરતા ઓછા ભાવે સોનુ આપવાની જાહેરાત કરેલી હતી. પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોતે સોશિયલ મીડિયામાં લોભામણી જાહેરાત કરી લોકોને વિશ્વાસમાં લીધા બાદ ઠગાઈ કરી રૂપિયા પડાવતો હોવાની હકીકત જણાવી હતી. એલસીબીએ આરોપીને હસ્તગત કરી એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:17 am

પાલિકામાં લેખિત રજૂઆત કરવામાં આવી:નવી ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠન પહેલા ફેરિયાઓના સરવે અને પ્રમાણપત્રો આપો

નવી ટાઉન વેન્ડિંગ કમિટીનું ગઠન થાય એ પહેલા કાયદાની જોગવાઈ મુજબની પ્રક્રિયા રૂપે ફેરિયાઓનો સરવે અને વેન્ડિંગ સર્ટિફિકેટ પૂરાં પાડવા ગત સમિતિના સભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ભુજની ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ ગત 2024ના નવેમ્બરના પૂર્ણ થઇ ગયો છે. ગુજરાત સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ 2016ના સેકશન 7(2)માં જણાવ્યા મુજબ વર્તમાન સમિતિનો કાર્યકાળ પૂર્ણ થાય એ પહેલાં જ કલેક્ટર દ્વારા નવી સમિતિ ગઠન કરવાની પ્રક્રિયા કરી લેવાની હોય છે. પરંતુ જૂની ટાઉન વેન્ડિંગ કમિટીનો કાર્યકાળ 1 વર્ષ પહેલાં જ પૂર્ણ થઇ ગયો છે અને હજી સુધી નવી સમિતિ માટેની પ્રક્રિયા હાથ ધરાઈ નથી. ‘સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ, 2014ના ચેપ્ટર 3ના સેકશન 3(1)માં જણાવ્યા પ્રમાણે કમ સે કમ 5 વર્ષમાં 1 વખત નવા ઉમેરાયેલા ફેરિયાઓનો સરવે કરી તેમને શેરી ફેરિયા તરીકેના ઓળખ કાર્ડ અને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાના હોય છે. તેથી નિયમાનુસાર ભુજના જે ફેરિયાઓનો સરવે કરવાનો રહી ગયો છે તેવાનો સરવે તાત્કાલિક કરાય. તેમજ સરવે થયેલા દરેક ફેરિયાઓને તાત્કાલિક ધોરણે ઓળખપત્ર અને વેન્ડિંગ સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા હાથ ધરાય એ અનિવાર્ય છે.’ પત્રમાં જણાવાયું કે; ટીવીસીની નવી સમિતિ માટે યોગ્ય ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવી શકે તેમજ દરેક શેરી ફેરિયાઓ પોતાનો મત આપીને ચૂંટણીમાં સહભાગી બની શકે એ માટે ટીવીસીની નવી સમિતિના ગઠનની પ્રક્રિયા પહેલાં કાયદાની જોગવાઈ પ્રમાણે પ્રક્રિયા કરવાની રહે છે. કાયદાકીય જોગવાઈઓનું અમલીકરણ કરવા માટે સૌપ્રથમ જૂના અને નવા ફેરિયાઓના લીસ્ટને SIR જેવી પ્રક્રિયા દ્વારા અપડેટ કરવામાં આવે, જેમનો સરવે થઇ ગયો છે એવા ફેરીયાઓને વેન્ડિંગ પ્રમાણપત્ર આપવામાં આવે, નવા અને બાકી રહી ગયેલા ફેરિયાઓની નોંધણી બાબત જાહેરાત પ્રસિદ્ધ કરી નગરપાલિકાની કચેરી ખાતે અરજી પ્રક્રિયા પૂર્ણ કરવા ફેરીયાઓને માહિતગાર કરવામાં આવે એવી ખાસ રજૂઆત કરવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યવા વિના જોગવાઈનો ભંગ થશેગત ટીવીસીનાં સભ્ય અને શેરી ફેરીયા રાજેશ દાવડાએ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે, નવી ટાઉન વેન્ડિંગ કમિટીના ગઠનની પ્રક્રિયા હાથ ધરાય એ પહેલાં ઉપરોક્ત પ્રક્રિયાઓ કાયદાકીય જોગવાઈઓ પ્રમાણે પૂર્ણ કરવામાં આવે એ અનિવાર્ય છે. આગામી 2 મહિનામાં દરેક ફેરિયાઓનો સરવે પૂર્ણ થાય અને ત્યાર બાદ સર્વાનુમતે ચૂંટણીનું આયોજન કરીને નવી ટાઉન વેન્ડિંગ કમિટી સત્વરે ગઠિત થાય એ હવે અનિવાર્ય છે. જો આ પ્રક્રિયા કર્યા વિના ટીવીસીના ગઠનની પ્રક્રિયા થશે તો એ કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન થયું ગણાશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:14 am

વિદ્યાર્થીઓ મૂંઝાયા:ડિપ્લોમા એન્જી.ની પરીક્ષામાં એકના બદલે બીજા પ્રશ્ન પૂછાયા !

શહેરમાં આવેલી જીટીયુ હસ્તકની પોલિટેક્નિક કોલેજમાં હાલ પરીક્ષા ચાલી રહી છે.જેમાં ગુરુવારે સેમેસ્ટર 3 ના પ્રથમ પેપરમાં વિદ્યાર્થીઓને એકના બદલે બીજા પ્રશ્ન સાથેનું પેપર અપાયું હતુ. ઇલેક્ટ્રિકલના પેપરમાં મિકેનીકલના પ્રશ્નો આવી જતા પરીક્ષા આપવા બેઠેલા વિદ્યાર્થીઓમાં ઉચાટ ફેલાયો હતો.જોકે મામલો ધ્યાને આવતા કોલેજ દ્વારા તાત્કાલીક વિદ્યાર્થીઓને યોગ્ય પ્રશ્નપત્ર પહોંચતા કરવામાં આવ્યા હતા. આ બાબતે જાણકાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગુરુવારથી ડિપ્લોમા એન્જીનીયરીંગમાં ત્રીજા સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થઈ છે જેમાં પ્રથમ દિવસે ઈલેક્ટ્રિકલમાં ડીસી અને ટ્રાન્સફોર્મરનું પેપર હતું જેમાં પ્રથમ પેજ પર વિષયના પ્રશ્નો હતા જોકે પેજ પલટાવતા બીજા અને ત્રીજા પેજ પર મિકેનીકલ વિષયના પ્રશ્નો હતા પેપરના પેજ પર કોડ નંબર પણ અલગ જોવા મળ્યા હતા. જેથી વિદ્યાર્થીઓ મુંઝાયા અને હાજર સ્ટાફનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. જેથી ક્ષતી સુધારી વિદ્યાર્થીઓને વિષય અનુરૂપ પેપર આપવામાં આવ્યું હતું. આ બાબતે કૉલેજના પ્રિન્સિપાલનો સંપર્ક સાધતા તેમણે ઘટના બની હોવાની વાતને સમર્થન આપતા જણાવ્યું કે, પ્રિન્ટિંગ મિસ્ટેક હોવાનું સામે આવ્યું છે અને વિદ્યાર્થીઓને તાત્કાલિક વિષયને અનુરૂપ પ્રશ્નપત્ર આપી દેવાયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:14 am

ભાસ્કર લાઈવ:ઇલેક્ટ્રોનિક ઉપકરણના ગોદામમાં આગ લાગી : બે કલાકે માંડ કાબુમાં આવી

શુક્રવારે સાંજે 7:40 વાગે ભુજના ભાવેશ્વર નગર વિસ્તારમાં આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના ગોદામમાં અચાનક આગ લાગી હતી. નવા ટીવી, ફ્રીજ, એસી સહિતના ઇલેક્ટ્રોનિક ઉપકરણો સળગી ગયા હતા. ભુજ સુધરાઈના અગ્નિશમન દળના ફાયર ફાઈટર સમયસર પહોંચીને આગ ઓલવવાની કોશિશ કરી હતી, પણ તીવ્રતા ખૂબ હોવાથી છેવટે જેસીબી દ્વારા ગોદામના શટર તોડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રોનિક્સ ના આ ગોદામમાં આગ લાગી હતી. જેમાં લાખો રૂપિયાના ઇલેક્ટ્રોનિક ઉપકરણો હતા. બાજુમાં જ અન્ય એક ગોદામ કે જેમાં ગાદલા તથા ફોર્મ સીટથી ભરેલો હતો. તે સદભાગ્યે આગથી બચી ગયો હતો. અંદાજે બે કલાક સુધી સતત પાણીના પ્રેશર દ્વારા આગ પર કાબુ લેવામાં આવ્યો હતો. આસપાસના રહેવાસીઓના ટોળા ઉમટી પડ્યા હતા તો પોલીસે પણ સ્થળ પર વ્યવસ્થા સંભાળી હતી. આસપાસ મકાનો અને એપાર્ટમેન્ટ આવેલા હોવાથી એક તબક્કે ત્યાં રહેતા લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:11 am

સેમિનાર:એઆઇ CAનો 50% સમય બચાવે, પણ ડેટા હેલુસિનેશન ખતરો

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનને પગલે અન્ય ક્ષેત્રોની જેમ ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના ક્ષેત્રે પણ ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યાં છે. આ પરિવર્તનોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પરિચિત થાય અને એ મુદ્દે ચર્ચા કરી શકે તે માટે બે દિવસીય એઆઇ ઇનોવેશન સમિટ, ગુજરાતનો પ્રારંભ થયો હતો. આ સમિટમાં રિજ્યોનલ કાઉન્સિલ મેમ્બર સીએ વિશાલ દોશીએ જણાવ્યું હતું કે, એઆઇ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સનો 50 ટકા જેટલો સમય બચાવે છે પણ તે કેસ મુજબ જુદો જુદો હોઇ શકે છે. જોકે બીજી તરફ ખોટા કેસ લો (કાયદા)ઓ પણ એઆઇ આપી રહ્યાં છે. એટલે કે ડેટા હેલુસિનેશનલ સૌથી મોટો ખતરો છે. સૌથી વધુ ઉપયોગી બાબત તો એઆઇ ડેટા આપી શકે તેમ છે. એક્સેલ ટૂલ કે પ્રોમ્પ્ટ આપતાં તે શક્ય બને છે. કોમ્પ્લાયન્સમાં એક્યુરસી અને સ્પીડ વધી છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ માટે હવે એવા સોફ્ટવેર ઉપલબ્ધ બન્યાં છે જે નોટિસને ટ્રેક રીને પોર્ટલમાંથી જ ડેટા લઇ લે છે એટલું જ નહીં ડેટા પણ સોફ્ટવેર બનાવી દે છે. પણ ક્લાયન્ટ સર્વિસ કોમ્પ્લાયન્સ ઝડપી અને સારું થઇ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, એઆઇ માનવી(સીએ)ને રિપ્લેસ કરી શકશે નહીં, કારણ કે એઆઇ દ્વારા પરિણામ મળ્યા બાદ પણ તે સાચું છે કે ખોટું તેની ખરાઇ તો કરવી જ પડે તેમ હોય છે. એઆઇ પરિણામ આપે છે પણ નિર્ણાયક(ફાઇનલ રિઝલ્ટ) પરિણામો નહીં. આ સમિટમાં ગુજરાત ભરના 51 શહેરોમાંથી 800સીએએ હાજરી આપી હતી.. આ ટોપિક્સ પર ચર્ચાઓ 1 ઇન્ટેલિજન્સ ડિસિઝન સિસ્ટમ્સ ફોર સ્ટ્રેટેજિક ફાઇનાન્સ મેનેજમેન્ટ 2 ઇન્ટેલિજન્ટ પ્રોફેશન- નેવિગેટિંગ ધ ફ્યુચર વીથ એઆઇ 3 એઆઇ હલુસિનેશન - વ્હાય એન્ડ હાઉ વિષય 4 સ્માર્ટ પ્રેક્ટિસ ઇન્ટિગ્રેટ એઆઇ સ્કીલ્સ એન્ડ કલાઉડ ઓટોમેશન 5 એઆઇ નેવિગેટિંગ એથિક્સ, બાયસ એન્ડ કોમ્પ્લાયન્સ ઇન ફાઇનાન્સિય પ્રેક્ટિસ. લાઇસન્સ્ડ વર્ઝન વાપરવાનો આગ્રહઆ કોન્ફરન્સમાં સીએને લાઇસન્સ્ડ વર્ઝન વાપરવાનો આગ્રહ કરાયો હતો. આઇસીએઆઇ વડોદરાના ચેરમેન સીએ ધ્રુવિક પરીખે જણાવ્યું કે, કોન્ફરન્સની સાથે એઆઇના ઉપયોગો વિશેની એક હેકાથોનની ગ્રાન્ડ ફિનાલે પણ યોજાઇ રહી છે. આગામી સમયમાં સીએ માટે એઆઇ અનિવાર્ય થવાનું છે. એઆઇના પ્રોમ્પ્ટ કેવી રીતે લખવું તેના વિશે પણ સેશન યોજાયું હતું. સીએ ઇન્ટર્નશિપ કરનારાઓની માંગ વધશેઅત્યારે પણ સીએ ઇન્ટર્નશિપ કરનારાઓની માગમાં વધારો થઇ રહ્યો છે. કારણ કે બિઝનેસ વધી રહ્યો છે, જેમાં સીએની માગ પણ વધી છે.. હવે હજી પણ સીએ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થશે. સીએ માટે 3 દિવસનો સર્ટિફિકેટ કોર્સ 32 હજાર સીએએ કર્યો છે તેમ રિજ્યોનલ કાઉન્સિલ મેમ્બર સીએ રિકિન પટેલે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:05 am

આર્ટ એક્ઝિબિશન:રંગીન દોરાઓના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સને જીવંત કર્યાં

ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટસ ખાતે નસરિન મહંમદી સ્કોલરશિપ અંતર્ગત એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં પેન્ટિંગ વિભાગના 75 જેટલા વિદ્યાર્થીઓના 500થી વધુ પેન્ટિંગ્સ ડિસ્પ્લેમાં મૂકાયા હતા. જેમાં રંગીન દોરાના તાના-બાના વડે કાપડ પર પેન્ટિંગ્સ અને હોસ્ટેલ જીવનને એક્રેલિક-ચારકોલથી જીવંત કર્યાં હતાં. આ વિશે પેન્ટિંગ વિભાગના આસિ. પ્રોફેસર અરવિંદ સુથારે જણાવ્યું હતું કે, ફાઇન આર્ટસ ફેકલ્ટીના પેન્ટિંગ વિભાગ દ્વારા આ દર વર્ષે સ્કોલરશિપ અંતર્ગત પ્રદર્શન યોજાય છે. જેમાં થર્ડ અને ફોર્થ યર તથા માસ્ટર્સના વિદ્યાર્થીઓ તેમના વર્ષ દરમિયાનના શ્રેષ્ઠ કામોની પ્રસ્તુતિ કરતાં હોય છે. જે માટે તેઓ એક વર્ષથી મહેનત કરતા હોય છે. આ એક્ઝિબિશન નિહાળવા માટે વડોદરાના અગ્રણી કલાકારો ઉપરાંત કલાપ્રેમીઓ હાજર રહ્યાં હતા. એક્ઝિબિશનમાં ચારકોલ, પેન્સિલ, ગ્રેફાઇટ, ઓઇલ ઓન કેન્વાસ, એક્રેલિક ઓન કેન્વાસ, વોટર કલર અને મિક્સ મિડિયાના પેન્ટિંગ્સ મૂકાયા હતા. આ સ્કોલરશિપ અંતર્ગત એવોર્ડ થર્ડ યરના સાંઇ સાત્વિકને, ફોર્થ યર બેચલરના પ્રતીક કુરકુટિયા અને માસ્ટર્સની વિદ્યાર્થિની નંદિની પટેલને એનાયત કરવામાં આવ્યાં હતા.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:03 am

મ્યુઝીકલ ઈવેન્ટ:સંગીત સંધ્યામાં ગાયન-વાદન અને નૃત્યની ત્રિવેણી

શહેરની યોગ નિકેતન સંસ્થાની દ્વારા યોગનિકેતન સંગીત અકાદમી દ્વારા સુગમ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંગીત સંધ્યામાં 44 સંગીતકારો-ગાયકોએ ભાગ લીધો હતો. સુગમ સંગીત સંધ્યામાં જેમાં વાંસળી, તબલા અને કી બોર્ડ દ્વારા સંગીત પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાગ બિલાવલ, રાગ કલ્યાણ, રાગ આશ્રય અને વૈભવ સહિતના વિવિધ રાગો અને 60 વર્ષ જૂના 20 બોલિવૂડ ગીતો ગવાયા હતા. આ સંગીત સંધ્યામાં ગાયન-વાદન અને નૃત્યનો ત્રિવેણી સંગમ સર્જાયો હતો. આ સંગીત અકાદમીની 44મી બેચ હતી.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:01 am

ઇન્ડિગો ફ્લાઈટ્સની કટોકટીથી મુસાફરો અટવાયા, આજે પણ કેન્સલ થઈ શકે:ઇન્ડિગોએ માફી માગી, 15 ડિસે. સુધી મુસાફરોને હાલાકી ભોગવવી પડી શકે; અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે

પાઇલટ્સ અને ક્રૂ-મેમ્બર્સની અછતને કારણે દેશની સૌથી મોટી એરલાઇનની કટોકટીનો આજે ચોથો દિવસ છે, ત્યારે ગઈકાલે (5 ડિસેમ્બરે) ઇન્ડિગો એરલાઈન્સના CEO પીટર એલ્બર્સે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી મુસાફરોની માફી માગતા જણાવ્યું હતું કે, 15 ડિસે. સુધીમાં જેનું બુકિંગ છે તેણે હાલાકી ભોગવવી પડી શકે છે. જોકે, ગઈકાલે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એરપોર્ટ પર 155 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ત્યારે આજે પણ ઇન્ડિગોની ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે. ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા લાગ્યાઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ એરપોર્ટ પરથી ફ્લાઈટ્ કેન્સલ થતાં પેસેન્જર્સમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. તો બીજી તરફ અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ચોર હૈ, ઇન્ડિગો મુર્દાબાદના નારા પણ લાગ્યા હતા. એક યુવતીએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો ફ્લાઈટમાંથી 'કચરાની જેમ સામાન ફેંકે છે, અંદરની હાલત ખરાબ, વૃદ્ધોને વ્હીલચેર પણ મળતી નથી'. એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયોતો બીજી તરફ ઇન્ડિગો ઇમર્જન્સીને કારણે કોઈએ હનિમૂનના પ્લાન પડતા મૂકવા પડ્યા હતા તો કોઈ વર-વધૂ પોતાના જ લગ્નના રિસેપ્શનમાં પહોંચી શક્યાં નહોતા. એક તરફ ઈન્ડિગોની ફ્લાઈટ્સ ધડાધડ રદ થઈ રહી હતી, તેવામાં એર ઇન્ડિયાનાં ભાડાંમાં ચાર ગણો વધારો થયો હતો. આ દરમિયાન મુસાફરોની ટિકિટ કેન્સલની સાથે ઇન્ડિગો એરલાઈન્સે બીજી એક મોટી ભૂલ કરી હતી. જેમાં 4 ડિસેમ્બરની ફ્લાઈટના જેટલા પણ પેસેન્જર હતા તે બધાના લગેજ 5 ડિસેમ્બરે પણ પરત આપવામાં આવ્યા નહોતા. પેસેન્જરનો સામાન પણ પરત કરવામાં આવ્યો નહીં4 ડિસેમ્બરના જેટલા પેસેન્જર છે તેમની ફ્લાઈટ ટેક-ઓફ થઈ ગઈ હતી, પરંતુ તેમનો સામાન અમદાવાદ એરપોર્ટ પર જ હતો. 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન પણ પરત કરવામાં આવ્યો નહોતો. એક મુસાફરે એવું પણ જણાવ્યું હતું કે, 5 ડિસેમ્બરના પેસેન્જરનો સામાન 4 ડિસેમ્બરની જે ફ્લાઈટ ગોવા ગઈ હતી એમાં જતો રહ્યો હોય એવું લાગી રહ્યું છે. લગેજને લઈને પણ મુસાફરો હોબાળો મચાવ્યો હતો. ફ્લાઈટ કેન્સલ થતાં અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડશે પશ્ચિમ રેલવે દ્વારા હવે સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદથી દિલ્હી વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે. સાબરમતીથી દિલ્હી સુધી આ ટ્રેન દોડાવવામાં આવશે. ટ્રેન નં. 09497/09498: સાબરમતીથી દિલ્હી જંક્શન, સુપરફાસ્ટ સ્પેશિયલ (4 ટ્રિપ્સ) રસ્તામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ જંકશન, અજમેર, જયપુર, અલવર, રેવાડી, ગુડગાંવ અને દિલ્હી કેન્ટ ખાતે રોકાશે. ટ્રેનમાં એસી 3-ટાયર કોચ હશે. આ ટ્રેન કુલ 925 કિમીનું અંતર કાપે છે, જેમાં મુસાફરીનો સમય આશરે 4:20 કલાક (સાબરમતી-દિલ્હી) અને 3:20 કલાક (દિલ્હી-સાબરમતી)નો છે. ટ્રેન નંબર 09497 માટે બુકિંગ 6 ડિસેમ્બર 2025થી બધા PRS કાઉન્ટરો અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. દેશભરની 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ લગાવાયાભારતીય રેલવેએ દેશભરમાં 37 ટ્રેનોમાં વધારાના કોચ દોડાવવાનો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની યાત્રાને સરળ બનાવવા માટે 37 ટ્રેનોમાં 116 વધારાના કોચ તૈનાત કરવામાં આવ્યા છે. જે દેશભરમાં 114થી વધુ ટ્રિપ્સનું સંચાલન કરે છે. ઈન્ડિગોની ફ્લાઇટ રદ થયા પછી મુસાફરોની માગમાં વધારો થવા વચ્ચે આ પગલું લેવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 7:00 am

રવિ સોમવારે થશે હેરતઅંગેજ હવાઇ કરતબો:એરોબેટિક શો કરતી દુનિયાની એકમાત્ર ટીમના હેલિકોપ્ટરો સ્વદેશી

ભારતીય વાયુસેનાની હેલિકોપ્ટર ટીમ સારંગ દ્વારા આગામી 7મી ડિસેમ્બર, રવિવાર અને સોમવારે બે દિવસ અંકલેશ્વર એરસ્ટ્રીપ ખાતે હેલિકોપ્ટરથી એરોબેટિક શો યોજાશે. આ ટીમના ટીમ લીડર, સિનિયર ટેક્નિકલ એન્જિનિયર અને કમેન્ટેટરની ટીમ વડોદરાના દરજીપુરા એરફોર્સ સ્ટેશન આવી હતી. તેમણે સારંગ ટીમ વિશે કેટલીક રસપ્રદ વાત કરી હતી. આ ટીમ અંકલેશ્વરમાં 20થી 22 મિનિટમાં ડાયમંડ, વાઇન ગ્લાસ, ઇન્ડિયા સહિતના વિવિધ ફોર્મેશન રજૂ કરશે. દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે આ સારંગ ટીમના ટીમ લીડર અભિજિત કુમારે જણાવ્યું હતું કે, સારંગ ટીમ દુનિયાની એક માત્ર ટીમ જે હેલિકોપ્ટરથી હેરતઅંગેજ પ્રદર્શનની પ્રસ્તુતિ કરે છે. યુવાઓ સંરક્ષણ-વાયુસેનામાં જોડાય તે હેતુથી આ પ્રસ્તુતિ કરવામાં આવે છે. આ ફોર્મેશનમાં એક ફોર્મેશન એવું છે કે જેમાં 150 કિમીની ઝડપે આવતાં હેલિકોપ્ટર્સ એકબીજાની સાવ નજીકથી પસાર થતાં હોય છે. અમારી ટીમ શ્રીલંકા, રશિયા, સિંગાપોર, મોરેશિયસ, જર્મની અને ચિલિમાં પણ ડિસપ્લે કરી ચૂકી છે. આ પ્રસંગે તેમની સાથે સિનિયર ટેક્નિકલ એન્જિનિયર પ્રિયાંશુ મુખરજી અને ડિસ્પ્લે ટીમ કમેન્ટ્રી માટે એર સ્ક્વોન્ડ્રન પલ્લવી સાંગવાન પણ જોડાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ દિલધડક હેલિકોપ્ટર નિદર્શનમાં સંપૂર્ણ સ્વદેશી હિન્દુસ્તાન એરોનોટિક્સ દ્વારા નિર્મિત ધ્રુવ હેલિકોપ્ટર્સનો ઉપયોગ થાય છે.ટીમ સાંરગ અગાઉ પણ ગુજરાતના ભુજ અને જામનગર સહિતના શહેરોમાં આ એરોબેટિક શો કરી ચૂકી છે તેમ ટીમના સભ્યોએ જણાવ્યું હતું. આ ટીમમાં જોડાવા માટે આકરી કસોટી હોય છેસાંરગ ટીમના ટીમ લીડર અભિજિત કુમારે કહ્યું કે, ટીમ સારંગમાં જોડાવા માટે આકરી કસોટીમાંથી ઉમેદવારોએ પસાર થવાનું હોય છે. કારણ કે આ એક જોખમભર્યું ઉડ્ડયન છે. અમે વોલેન્ટિયર્સ જોડાય તેવું ઇચ્છીએ છીએ. ઉમેદવારમાં ટીમવર્ક અને પ્રોફેશનાલિઝમ તથા તેનો એટિટ્યુડ કેવો છે. તેની ચકાસણી થાય છે. અમે આ ડિસ્પ્લે પહેલા તેની 3 દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યાં છીએ. કરતબના નિદર્શન અગાઉ મન ખૂબ જ શાંત રાખવું પડે છે અને ટીમના સભ્યોએ એક બીજા પર અને હેલિકોપ્ટરો પર સંપૂર્ણ ભરોસો રાખવો પડે છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:59 am

જીવલેણ અકસ્માત સર્જાયો:સોમા તળાવ ચોકડી પાસે રિક્ષામાં ગાય ભટકાઈ, ચાલક ઇજાગ્રસ્ત,ગાયનું મોત

સોમા તળાવ પાસે રિક્ષા ચાલકની આડે ગાય આવી જતા રિક્ષા ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે આ ઘટનામાં ગાયનું ઘટના સ્થળે મોત થયું હતું. રિક્ષા ચાલક ઈજાગ્રસ્ત થતાં નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. શહેરમાં છેલ્લા 6 મહિનામાં 5 થી વધારે એવી ઘટનાઓ બની ચૂકી છે. જેમાં ગાય વાહન ચાલકને આડે આવતા વાહન ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોય. ગત મહિને ગાય આડે આવતા એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જોકે શુક્રવારે સવારે વિપરીત ઘટના બની હતી. સચિન કહાર નામનો રિક્ષા ચાલક પેસેન્જર લઈને કપૂરાઈ ચોકડીથી સોમા તળાવ કાન્હા હાઈટ્સ વાળા રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે અચાનક તેની રિક્ષાને આડે ડિવાઈડર કૂદીને ગાય આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે સચિનને ઈજા પહોંચી હતી. જોકે ઘટનામાં ગાયનું ઘટના સ્થળે જ મોત થઈ ચૂક્યું હતું. અકસ્માતને પગલે આસપાસના રહીશો અને સ્થાનિકો દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે,પાલિકાનો ઢોર પાર્ટી વિભાગ અવાર-નવાર દાવા કરતું આવ્યું છે કે, તેઓ શહેરમાં કામગીરી કરે છે.જોકે રાત્રી અને વહેલી સવારે શહેરના જાહેર માર્ગો પર રખડતી ગાયો જોવા મળે જ છે. ભાસ્કર ફર્સ્ટ પર્સનઅચાનક ડિવાઈડર કૂદીને ગાય રોડ પર આવી ગઈસવારે હું કપુરાઈ ચોકડીથી સોમા તળાવ તરફ જઈ રહ્યો હતો ત્યારે મારી રીક્ષામાં 2 પેસેન્જ પણ હતા. ત્યારે અચાનક ડિવાઈડર કૂદીને ગાય મારી રીક્ષાની આડે આવી જતા મે એકાએક બ્રેક લગાવી દીધી હતી. ઘટનાને કારણે હાથ-પગમાં વાગ્યું છે. ઘણા સમયથી જોઈએ છે કે ગાયના કારણે અકસ્માત થાય છે અને તેના લીધે જીવ જાય છે. હમણા મને કંઈ થયું હોત તો જવાબદારી કોની? (રિક્ષા ચાલક સચિન કહાર સાથે વાતચીત અનુસાર)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:52 am

ધમકી આપી:ગાંજો અહીંયાં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું,કહી મહિલાની ધમકી

કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે મહિલાએ મહોલ્લાની યુવતીને ધમકી આપી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, પોલીસને ભરણ આપું છું. તારાથી થાય તે કરી લે. કારેલીબાગ ઈન્દિરાનગર બ્રિજ પાસે રહેતી સામ્યા મોહંમદસોયેબ શેખ ગુરુવારે સવારે 11 વાગે બહેન સાથે ઘરે બેઠી હતી. આ વખતે તેમના મહોલ્લામાં રહેતી ઝરીના ઉસ્માન ધોબી ત્યાં આવીને ખોટા આક્ષેપ કરવા લાગી હતી કે, મારી તથા મારા ભાઈ વિરુદ્ધમાં કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરી છે. જોર-જોરથી અપશબ્દો બોલવા લાગી હતી અને તે જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી. કુંભારવાડા પોલીસે ગુનો ઝરીના સામે ગુનો નોંધીને કુંભારવાડા પાલીસે કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસે દસ દિવસ પહેલાં જ રેડ કરી હતી, ઝરીનાના ભાઈ ફતેહ મોહમંદ શેખ, બહેન શેરબાનુને ગાંજા સાથે પકડી પાડ્યા હતા. અડધી રાત્રે લોકો અમારા ઘરે આવી ગાંજો માગે છેઝરીના મારી પુત્રીને ધમકી આપતી હતી કે, ગાંજો તો અહીં જ વેચીશ, તારાથી જે થાય તે કરી લે. પોલીસને ભરણ આપું છું, કોઈ કશું કરી શકશે નહીં. અમારી સુરક્ષાના પ્રશ્નો છે. અમે આ બધાથી ત્રાસી ગયા છે.(મોહંમદ સોયેબ શેખ સાથે થયેલી વાતચીત મુજબ)

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:50 am

ભાસ્કર એક્સક્લુસિવ:આર્ટ્સમાંથી નોટિસ બોર્ડ હટ્યાં, પરીક્ષા બેઠક જોવા વિદ્યાર્થીઓના વર્ગે વર્ગે આંટા

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં છેલ્લા 5 વર્ષથી નોટીસ બોર્ડ હટાવી દેવાતા વિદ્યાર્થીઓ પરેશાન થઇ ગયા છે. નોટીસ બોર્ડ ના હોવાથી પરીક્ષાના રોલ નંબરનું લીસ્ટ જ્યાં જગ્યા હોય ત્યાં લગાવી દેવાય છે. પરીક્ષામાં કયા કલાસમાં વિદ્યાર્થીનો નંબર છે તે શોધવામાં મુશ્કેલી પડી રહી છે. આર્ટ્સ ફેકલ્ટીમાં અત્યારે પરીક્ષાઓ ચાલી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓને રોલ નંબર શોધવા માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. આર્ટ્સ ફેકલ્ટીમાં ગુંબજના રીનોવેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે છેલ્લા 5 વર્ષથી આર્ટસનું નોટીસ બોર્ડ હટાવી દેવામાં આવ્યું હોવાથી દરેક પરીક્ષામાં વિદ્યાર્થીઓને કયા કલાસમાં તેમના નંબર આવ્યા છે તે શોધવા માટે દોડાદોડ કરવાનો વારો આવે છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઘણી વાર આ બેઠક વ્યવસ્થા માટેનું બોર્ડ ગમે તે જગ્યા પર લગાડી દેવાય છે, જેને કારણે તે શોધવા સહિત કલાસરૂમમાં પહોંચવા સુધી ઘણો સમય બગડે છે. ફેકલ્ટીમાં પહેલા એક સેન્ટ્રલ નોટીસ બોર્ડ હતું તેમાં નોટીસ અને બેઠક વ્યવસ્થા લગાડાતી હતી. પરીક્ષા સમયે જયાં જગ્યા મળે ત્યાં બોર્ડ લગાવી દેવામાં આવે છેપરીક્ષા સમયે જગ્યા મળે ત્યાં બોર્ડ લગાવી દેવાય છે. આર્ટ્સના ગુંબજમાં પરીક્ષા હોય છતાં સોશિયોલોજી વિભાગ પાસે ઘણી વાર બોર્ડ લગાડાય છે. ઘણી વાર પ્રેમાનંદ હોલ પાસેથી પ્રવેશવાના ગેટ પર બોર્ડ લગાડાય છે. આર્ટસ ફેકલ્ટીના અંદરના ભાગેથી પ્રવેશવાના રસ્તા પર લગાડવામાં આવે છે. નવા નોટિસ બોર્ડ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છેવિદ્યાર્થીઓને પરેશાની થઇ રહી હોવાની ફરીયાદ આવી છે. જેથી નવા નોટિસ બોર્ડ માટે ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. તમામ નોટીસ અને બેઠક વ્યવસ્થા નવા નોટીસ બોર્ડ પર એક જ જગ્યાએથી વિદ્યાર્થીઓને મળી રહેશે. > કલ્પના ગવલી, ડીન, આર્ટ્સ ફેકલ્ટી

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:47 am

મ.સ.યુનિ.માં સિક્યોરિટીની પોલમપોલ:આર્ટ્સ ફેકલ્ટીની કેન્ટીન નજીક અસામાજિક તત્ત્વોનો અડ્ડો, આઈકાર્ડ પણ ચેક નથી થતાં,વિદ્યાર્થીઓમાં ભય

એમ.એસ.યુનિવર્સિટીમાં સીકયોરીટી સંદતર નિષ્ફળ ગઇ છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીન નજીક અસમાજીક તત્વોનો જમાવડો થતી હોવાની ફરીયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી છે. આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનની બહાર અસમાજીક તત્વો પ્રવેશને બેસી રહેતા હોવાનું બહાર આવ્યું છે. યુનિવર્સિટીના વિદ્યાર્થી નેતા નિખિલ સોલંકી અને આર્ટસ ફેકલ્ટી વિદ્યાર્થી આગેવાન હર્ષ કહાર તથા યસ ગ્રુપ દ્વારા ડીનને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. આર્ટસ ફેકલ્ટીની અંદર બહારના અસામાજિક તત્વો આવીને દૂષણ ફેલાવી રહ્યા છે. જેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ મુશ્કેલી ઉભી થઇ રહી છે. વિદ્યાર્થીઓમાં ભયનો મોહાલ છે. જેથી તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને આઈ-ડી કાર્ડનું ચેકિંગ કરવામાં આવે તેવી માંગણી વિદ્યાર્થીએ કરી હતી. આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી સત્તાધીશો પાસે ફેકલ્ટીમાં સીકયોરીટી વ્યવસ્થા વધારવામાં આવે તે માટેની માંગણી કરાઈ છે. સિક્યોરિટી નહિ મળે તો પોલીસની મદદ લેવાશે, પત્ર લખી માગ કરાશેયુનિ. દ્વારા આર્ટસ ફેકલ્ટીમાં સીકયોરીટી મૂકવામાં નહિ આવે તો તેવા કિસ્સામાં પોલીસની મદદ લેવામાં આવશે. સીકયોરીટી જવાનો મૂકવામાં આવતા નથી. ત્યારે આર્ટસ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા સયાજીગંજ પોલીસની મદદ લઇને પોલીસના જવાનો કેન્ટીન સહિતની જગ્યાએ પેટ્રોલિંગ કરે તે માટે પત્ર લખશે. જેનાથી યુનિવર્સિટી બહારથી આવતા અસમાજીક તત્વો પ્રવેશતા અટકાવી શકાય.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:45 am

સન્માન કરાયું:એસએસજીમાં નિઃસહાય દર્દીઓને કરુણા વોર્ડમાં ભોજન સહિતની સહાય આપતી સંસ્થાનું સન્માન

શહેરના સયાજી હોસ્પિટલ ખાતે કરુણા વોર્ડ સાથે જોડાયેલ વિવિધ સામાજિક સંસ્થાઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કરુણા વોર્ડ દ્વારા નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સતત સેવા અને સંભાળના કાર્યોમાં સહયોગી બની રહેલી આ સંસ્થાઓને હોસ્પિટલ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો હતો. હોસ્પિટલની ટીમે વોર્ડ સાથે સંકળાયેલી લગભગ સાત જેટલી સંસ્થાઓનો સંપર્ક કરી તેમને ગુલદસ્તો, શાલ અને ધાર્મિક પુસ્તકો આપી સન્માનિત કર્યા હતા આ સંસ્થાઓ દ્વારા આવા દર્દીઓ માટે ખોરાક, કાઉન્સેલિંગ, પુનર્વસન અને આવશ્યક જરુરી સેવાઓ પૂરું પાડવામાં આવી રહી છે. કરુણા વોર્ડના ઈન્ચાર્જ ડો. નિર્મલા શાંતિલાલ ગાલીયલે જણાવ્યું કે,કરુણા વોર્ડની શરૂઆત નિ:સહાય, અજ્ઞાત અને એકલાં દર્દીઓની સેવા માટે કરવામાં આવી છે. કરુણા વોર્ડ વડોદરાની સાયાજી હોસ્પિટલમાં આવેલ એક વિશેષ યુનિટ છે, જ્યાં નિ:સહાય અને અજ્ઞાત દર્દીઓ માટે તબીબી સારવાર, સુરક્ષા અને માનપૂર્વકનું વાતાવરણ સાથે વોર્ડમાં પથારી, તબીબી સ્ટાફ, નર્સિંગ સેવા અને કાઉન્સેલિંગ જેવી સુવિધાઓ રાખવામા આવેલી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:44 am

આર્ષ વિદ્યા મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન:શુદ્ધ હૃદય ધરાવતી કોઇપણ વ્યક્તિ ભગવાન હનુમાનજીની પૂજા કરી શકે છે : મોરારીબાપુ

ભાયલી સ્થિત આર્ષ વિદ્યા મંદિર સંકુલમાં ઓમકારેશ્વર મહાદેવ મંદિરના ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શુક્રવારે ભવ્ય સમાપન થયું હતું.પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રીજા દિવસના કાર્યક્રમોમાં વિવિધ પરંપરાગત ક્રિયાઓનો સમાવેશ થયો હતો. શાસ્ત્રોક્ત વિધિ મુજબ શિવલિંગની સ્થાપના આકાશ માર્ગે થતી હોય છે એટલે છતની બારીમાંથી ભગવાનને ગર્ભગૃહમાં પીઠ પર સ્થાપિત કરવામાં આવ્યા હતા.ત્યારબાદ દુર્ગા સૂક્તમના મંત્રોચ્ચાર સાથે ભગવાન શિવની પાછળ પાર્વતી માતાની સ્થાપના કરવામાં આવી.પૂજ્ય મોરારી બાપુનું આગમન થયું હતું અને તેમણે પંડિતો સાથે રામ નામનું ઉચ્ચારણ કરીને હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી હતી. મોરારી બાપુએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેવા બદલ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે એક ક્રાંતિકારી પગલાને પ્રકાશિત કર્યું કે માતાજી ધ્યાનંદજીએ પૂજામાં ભાગ લીધો હતો. જે એ માન્યતાનું ખંડન કરે છે કે, સામાન્ય રીતે મહિલાઓ હનુમાનજીની મૂર્તિને સ્પર્શતી નથી. મોરારી બાપુએ કહ્યું કે શુદ્ધ હૃદય ધરાવતી કોઈપણ વ્યક્તિ હનુમાનજીની પૂજા કરી શકે છે. તેમણે વડોદરાને સંસ્કારી નગરી ગણાવી અને આ સ્થળને એક સંસ્કારી તીર્થ તરીકે ખુલ્લું મુકાયું છે. તેમણે હનુમાનજીને માત્ર ભારતના જ નહીં, પરંતુ વસુધૈવ કુટુંબકમની ભાવના સાથે સમગ્ર વિશ્વની સામાજિક, આર્થિક, નાણાકીય અને સ્વાસ્થ્ય સહિતની તમામ સમસ્યાઓના નિરાકરણ માટે પ્રાર્થના કરી. મહામંડલેશ્વર અવધેશાનંદજી પણ આવી ન શક્યાસંત સમાગમ માટે આવનાર મહામંડલેશ્વર અવધેશાનંદજી વડોદરા આવી શક્યા નહોતા. ઇન્ડિગોની ફ્લાઈટો રદ થવાને કારણે સંતો મહંતો પણ ન પહોંચી શકતા સંત સમાગમનો કાર્યક્રમ મોકુફ રખાયો હતો. મંત્રોચ્ચાર સાથે કઈ વિધિ થઈ • પ્રાતઃ કાળમાં પ્રાતઃ સૂક્ત , સ્વસ્તિ સૂક્ત પાઠ અને શાંતિ મંત્ર પાઠ કરવામાં આવ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ • દેવ પ્રબોધોત્સવ: દેવતાઓને જાગૃત કરવાનો ઉત્સવ. • શિવ પરિવારના દેવતાઓની સ્થાપના. • ધ્વજ પ્રતિષ્ઠા: મંદિરના ધ્વજનું સ્થાપન-પ્રતિષ્ઠા. • અષ્ટબંધ લેપન: મૂર્તિઓને પવિત્ર અષ્ટબંધ લેપ લગાવવો. અગ્નિ યજ્ઞો • તત્વ હોમ: તત્વોને સમર્પિત વિધિ. • કલા વૃદ્ધિ હોમ: દૈવી ઊર્જા વધારવા માટેનો યજ્ઞ. • મહા પૂર્ણાહુતિ: અગ્નિમાં ગ્રાન્ડ અંતિમ અર્પણ. વિગ્રહ સ્થાપના અને પૂજા • પૂજા અને દેવતાઓને ઢાંકેલા આવરણો હટાવ્યા પછી વિવિધ દેવતાઓની સ્થાપના શરૂ થઈ. • શિવલિંગ ઓમકારેશ્વરની સ્થાપના કરાઈ

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:44 am

ગુગલ, IBMની ઓફિસ, VIDEO:દુબઇ-સિંગાપુરને ઝાંખા પાડે એવી બિલ્ડિંગ્સ, ભવિષ્યમાં ક્યાંય ખાડો ખોદવો નહીં પડે, AC મૂકવાની જરૂર નહીં, જુઓ ગિફ્ટ સિટીની અંદરની દુનિયા

દુબઇ-સિંગાપુરને ઝાંખા પાડે એવા આઇકોનિક ટાવર્સ. હાઇટેક રોડ નેટવર્ક અને વર્લ્ડક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આ છે દેશનું પહેલું ઓપરેશનલ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી. એક હજાર એકરમાં આકાર લઇ રહેલાં મોદીના આ ડ્રીમ પ્રોજેક્ટમાં 67 ટકા પ્રોજેક્ટ કોમર્શિયલ જ્યારે 6 હજાર રેસિડેન્સિયલ ફ્લેટ હશે. હાલ 500થી વધુ કંપની ઓપરેશનલ છે. જેમાં ગુગલ અને IBM જેવી ટેક, અને બેંક ઓફ અમેરિકા સહિત દેશ વિદેશની ટોપ બેંકિંગ, ફાઈનાન્સ એને ઇન્સ્યોરન્સ કંપનીઓ સામેલ છે. અત્યારે અહીં 10 હજાર પ્રોફેશનલ્સ કામ કરી રહ્યા છે. 2030 સુધીમાં આ આંકડો 80 હજાર સુધી પહોંચવાનો અંદાજ છે. ખાસ વિશેષતા એ કે, અહીં કોઈ બિલ્ડિંગમાં AC લગાવવાની જરૂર નથી. ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમથી આખા ગિફ્ટ સિટીમાં કૂલિંગ સપ્લાય થાય છે. આજે અહીં 30% એનર્જી સોલરથી જનરેટ થઈ રહી છે. ગિફ્ટ સિટીનું હૃદય અને મગજ આ 30% કમાન્ડ એન્ડ કન્ટ્રલો સેન્ટર છે. જેની અંદરની દુનિયા સાવ અલગ છે. અહીંનો નાઇટ વ્યૂ પણ રોમાંચક છે. હાલ અહીં રિવરફ્રન્ટનાં કામનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભવિષ્યમાં રિવર ક્રુઝથી અમદાવાદ જવાય તેવી યોજના છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:43 am

SIRની કામગીરી:સયાજીગંજ-અકોટામાં નવા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા ફોર્મનું હજુ મેપિંગ નહીં

વડોદરાની 10 વિધાનસભામાં સયાજીગંજ અને અકોટામાં નવા બનેલા વિસ્તારો અને સ્થળાંતરથી 30 ટકા એટલે કે 1.79 લાખ જેટલાં ફોર્મ મેપિંગ વગર છે, જ્યારે 19 ટકા ફોર્મ અનકલેક્ટ છે. જેથી ચૂંટણી પંચ 7 ડિસેમ્બરે વિશેષ કેમ્પ યોજશે. ચૂંટણી પંચે ગણતરી ફોર્મ જમા કરાવવાની સમય મર્યાદામાં 11 ડિસેમ્બર સુધી વધારો કર્યો છે. જે અંતર્ગત ફોર્મ સબમિટ કરાવવા કે મેપિંગ કરવાનાં બાકી મતદારો માટે 7મીએ વડોદરાની તમામ 10 વિધાનસભામાં વિશેષ કેમ્પ યોજાશે. બીએલઓ સવારે 9 કલાકથી બપોરે 1 કલાક સુધી હાજર રહેશે. જેમાં મતદારોને 2002ની યાદીમાં નામ શોધવા, ફોર્મ ભરાવવા, ભરેલાં ફોર્મ સ્વીકારવા તેમજ મેપિંગ વગરના મતદારો દ્વારા સ્વેચ્છાએ જરૂરી દસ્તાવેજો સ્વીકારવા સંબંધિત કામગીરી કરાશે. ચૂંટણી પંચ દ્વારા 7 ડિસેમ્બરે દરેક 10 વિધાનસભામાં વિશેષ કેમ્પનું આયોજન કરાશે ડો.અનિલ ધામેલિયા (કલેક્ટર) સાથે સીધીવાતસયાજીગંજ અને અકોટા વિધાનસભા વિસ્તારમાં ફોર્મનું મેપિંગ કેમ ઓછું થઈ રહ્યું છે?જવાબ : મેપિંગ ઓછું થવાનું મુખ્ય કારણ માઈગ્રેશન અને નવા બનેલા વિસ્તારો છે. લોકો એક સ્થળ છોડી બીજે જતા રહ્યા હોવાના કિસ્સામાં મેપિંગ નથી થઈ રહ્યું. દરેક ફોર્મનું મેપિંગ થાય તેના માટે શું પ્રયાસો થઈ રહ્યા છે?બીએલઓ દ્વારા જે જે સોસાયટીઓમાં ફોર્મ વિતરણ કર્યાં હતાં ત્યાં પાછાં મોકલીને લોકોએ ફોર્મ ભર્યાં હોય તો તેનું મેપિંગ કરાવવા તેમજ ફોર્મ ન લીધાં હોય તો ફરીથી ફોર્મ આપી તેનું મેપિંગ કરાવી રહ્યાં છીએ. હજુ પણ 4 લાખ ફોર્મ પરત નથી આવ્યાં તે અંગે શું કહેશો?જે ફોર્મ અનકલેક્ટેબલ છે તે માટે અમે સ્થાનિક રાજકીય પક્ષની પણ મદદ લઈ રહ્યા છીએ. આ ઉપરાંત બીએલઓ દ્વારા પણ સોસાયટીઓમાં જઈને ફોર્મ કેમ પરત નથી આવી રહ્યાં તે તપાસી રહ્યાં છીએ.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:40 am

આપદા યથાવત:બાપોદ ટાંકીનું 6500 બિલ ન ભરાતાં વીજ કંપનીએ જોડાણ કાપ્યું, 20 હજાર લોકો પાણી વિના ટળવળ્યા

નિમેટાથી આજવા સુધી નાખેલી પાણીની લાઈનનું જોડાણ કરતી વેળાએ પાલિકાએ લીધેલા શટ ડાઉનની અસર માંડ થાળે પડી છે તેવામાં બાપોદ ટાંકીથી સવારે લોકોને પાણી ન મળતાં હોબાળો થયો હતો. જેમાં સ્કાડા સિસ્ટમનું રૂા.6500 વીજ બિલ બાકી રહેતાં જોડાણ કાપી નખાયું હતું, જેથી આ સ્થિતિ સર્જાઈ હોવાનું ખૂલ્યું હતું. બાપોદ ટાંકીથી પાણી મેળવતા વોર્ડ 15 અને વોર્ડ 5ના 20 હજારથી વધુ લોકોને શુક્રવારે સવારે પાણી ન મળતાં હોબાળો થયો હતો. કાઉન્સિલર આશિષ જોષીના જણાવ્યા મુજબ સવારે 8 વાગે ધરતી ટેનામેન્ટ, વૈકુંઠ-1, મનોરથ ટેનામેન્ટ, પુષ્ટિ દ્વાર, પુષ્ટિ પ્રભા સહિતની સોસાયટીમાં પાણી ન મળ્યું હોવાની ફરિયાદ મળી હતી. જેથી ટાંકી પર જોતાં સ્કાડા સિસ્ટમનું 6500 બિલ બાકી હોવાથી વીજ કંપનીએ જોડાણ કાપ્યું હતું. જેથી વોર્ડ 15 અને 5ના સવારના ઝોનમાં લોકોને પાણી ન મળતાં પરેશાની થઈ હતી. જોડાણ કાપનાર વીજ કંપનીને એટલી ખબર નહીં હોય કે ટાંકીનું જોડાણ કાપવાથી લોકોને પાણી નહીં મળે.જ્યારે વીજ અધિકારીના જણાવ્યા મુજબ ભૂલથી ટાંકીનું જોડાણ કપાયું છે, પછી જાણ થતાં પુરવઠો શરૂ કરાયો હતો. ભાસ્કર ઇનસાઇડવીજ પુરવઠો કપાતાં મેન્યુઅલી વાલ્વ ખોલી પાણી આપવું પડ્યુંપાલિકાની દરેક ટાંકીમાં કરોડો રૂપિયાના ખર્ચે સિસ્ટમ મૂકવામાં આવી છે. આ સિસ્ટમમાં પાણીના વાલ્વ કેટલા વાગે શરૂ થશે અને કેટલા વાગે બંધ થશે તેવું પ્રોગ્રામિંગ કરેલું છે. બાપોદ ટાંકીમાં સવારના 6 વાગ્યાના સમય અલગ વિસ્તારમાં પાણીનું વિતરણ કરાયું હતું. ત્યારબાદ 8 વાગે વીજ પુરવઠો કપાતાં વાલ્વ ખૂલ્યા ન હતા. શરૂઆતમાં પાણી વિતરણ કેમ નથી થયું તે અંગે કર્મચારીઓ અજાણ રહ્યા હતા. ત્યારબાદ વીજ પુરવઠો બંધ થવાને કારણે પાણીનું વિતરણ નથી થયું તેમ જાણવા મળતાં કર્મચારીઓએ 11 વાગે મેન્યુઅલી વાલ્વના આંટા ખોલ્યા હતા અને પાણી વિતરણ કર્યું હતું. જેથી લોકોને 3થી 4 કલાક મોડું પાણી મળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:39 am

વેધર રિપોર્ટ:વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ-રાજસ્થાનના કોલ્ડવેવથી પારો 14 ડિગ્રી થયો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી શુક્રવારે ઠંડા પવનો ફૂંકાયા હતા, જેને પગલે શહેરમાં ડિસેમ્બરનું સૌથી ઓછું 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે શનિ-રવિવારે પણ ઠંડીની તીવ્રતા જોવા મળશે. 15 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર આવવાથી શહેરમાં ઠંડીનો પારો 12 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શહેરમાં શુક્રવારે મહત્તમ પારો 29.6 ડિગ્રી અને લઘુતમ પારો 14.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજનું પ્રમાણ સવારે 82 ટકા અને સાંજે 48 ટકા નોંધાયું હતું. નોર્થ અને નોર્થ-ઈસ્ટની દિશાથી 7 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા. પહાડી વિસ્તારમાં હિમવર્ષા થતાં ઠંડીનું પ્રમાણ વધ્યું પહાડી વિસ્તારોમાં હિમવર્ષાથી ઠંડા પવનોએ ઠંડી વધારી છે. સાથે રાજસ્થાનમાં કોલ્ડવેવ છે, જેથી રાજસ્થાનથી આવતા પવનોએ પણ પારો ઘટાડ્યો છે. > મુકેશ પાઠક, હવામાન શાસ્ત્રી

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:36 am

હવાઈ આપદા:ઇન્ડિગોની મુંબઈ-દિલ્હી સહિતની તમામ ફ્લાઇટ રદ 2700 મુસાફરો અટવાયા,રિફંડ લેવા એરપોર્ટ પર ભીડ

ઇન્ડિગો એર લાઇન્સ દ્વારા તમામ ફ્લાઇટ રદ કરાતાં વડોદરા એરપોર્ટ પર આવતી 9 ફ્લાઈટ પણ રદ થઈ હતી. મુંબઈ, દિલ્હી, પૂના, ગોવા, હૈદરાબાદ, બેંગલોરની ફ્લાઇટ રદ થતાં વડોદરા આવનારા અને વડોદરાથી જનારા 2700 મુસાફરો અટવાયા હતા. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ એર ઇન્ડિયાએ દિલ્હી માટે શુક્ર અને શનિવારે વધુ એક ફ્લાઇટ મૂકી છે. બીજી તરફ 7મી તારીખ સુધી ઇન્ડિગો એર લાઇન્સે વડોદરાની તમામ ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરી હતી. જોકે તે પછી શનિવારથી રાબેતા મુજબ ફ્લાઇટ ઓપરેટ કરવાની જાહેરાત કરી હતી. ઇન્ડિગો ક્રાઈસીસને પગલે શનિવારનું એર ઇન્ડિયાનું વડોદરાથી દિલ્હીનું ભાડું 33 હજાર અને મુંબઈનું ભાડું 27 હજાર સુધી પહોંચ્યું છે. સાથે ટિકિટ બુકિંગ કરનારા એજન્ટોને અન્ય વિકલ્પ માટે સતત ફોનથી ઇન્કવાયરી આવતાં તેઓ કંટાળ્યા હતા. પાર્થ ટ્રાવેલ્સના સંચાલક દ્વારા જણાવ્યા મુજબ 300થી વધુ ફોન એક દિવસમાં આવ્યા હશે. ટ્રેન બુકિંગ પણ ફુલ હોવાથી મુસાફરોને વધુ મુશ્કેલી થઈ રહી છે. ખાસ કરીને દિલ્હીથી આવવામાં સમસ્યા સર્જાઇ રહી છે. એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યા મુજબ અનેક લોકોની વડોદરા એરપોર્ટ ખાતે ટિકિટ બારી પાસે ચકમક ઝરી હતી. વિદેશ જવાનું હોવાથી ટ્રેનની ટિકિટ કરાવી6 તારીખે મુંબઈથી યુએસની ફ્લાઈટ છે. ફ્લાઈટ રદ થતાં ટ્રેનની ટિકિટ બુક કરાવી છે. જોકે સામાન લઈ જવામાં મુશ્કેલી સર્જાશે. વિદેશ જવું અગત્યનું હોવાથી રદ થઈ શકે તેમ નથી, નહીં તો મોટું નુકસાન વેઠવું પડે. > કે.કે. હરિયાણી, મુસાફર ઉત્તર ભારત તરફની ઇન્ડિગોની સીધી કનેક્ટિવિટી વડોદરાના ટુરિઝમને રૂા.5 કરોડથી વધુનું નુકસાનવડોદરાથી હિમાચલ, શિમલા, કાશ્મીર જેવાં ડેસ્ટિનેશન માટે સૌથી વધુ ટુર અને ગ્રૂપ પેકેજ મૂકાઈ રહ્યાં છે. 70% લોકો ઇન્ડિગો દ્વારા મુસાફરી કરે છે. હોટલ બુકિંગનું 100% પેમેન્ટ કર્યું હોય ત્યારે હાલ રિફંડ કે તારીખ બદલવાની મોટી સમસ્યા છે. અંદાજે 5 કરોડના નુકસાનનો અંદાજ છે. નોર્થમાં એક માત્ર ડાયરેક્ટ ઇન્ડિગો ફ્લાઇટ હોય છે, > ભૂમિકા પટેલ, પર્પલ વિંગ ટ્રાવેલ્સ એરપોર્ટ પર કેન્સલેશન અને રિફંડ માટે રાત્રે લોકો ઊમટ્યાએરપોર્ટ પર ઈન્ડિગો એર લાઇન્સની બુકિંગ વિન્ડો પર રાત્રે પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ટિકિટ કેન્સલેશન અને રિફંડ માટે લોકો રાત સુધી ધક્કા ખાતા જોવા મળ્યા હતા. 2 કલાકની મુસાફરી 24 કલાકની થઈઅમે પરિવારના 4 જણ ગોવા ગયા હતા. શુક્રવારે ગોવા-વડોદરા ફ્લાઇટ રદ થતાં મુંબઈ થઈને ટ્રેનમાં વડોદરા આવવાના છીએ. બે કલાકની મુસાફરી 24 કલાકની થઈ છે. જોકે પૈસા બચ્યા, પણ સમય વેડફાયો. > આલોક ઠક્કર, મુસાફર

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:33 am

ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રનો ખટરાગ ખુલ્લો પડ્યો:અધિકારીઓની માસ સીએલમાં 300 કર્મચારી જોડાયા સફાળા જાગેલા નેતાઓનો આદેશ છતાં હાજર ન થયા

ચૂંટાયેલી પાંખ-વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ ખૂલતાં વિવાદ થયો છે. ક્લાસ-1 અધિકારીઓની માસ સીએલમાં 300થી વધુ કર્મી જોડાતાં વિવિધ વિભાગના દરવાજા પર તાળાં જોવા મળ્યાં હતાં. વહીવટી તંત્રની આડોડાઈથી અજાણ હોવાનો ડોળ કરતા પદાધિકારીઓની બેઠક બાદ અધિકારીઓને હાજર થવા હુકમ કરાયો હતો. જોકે વહીવટી તંત્ર પર પકડ ગુમાવી ચૂકેલા પદાધિકારીઓની અવગણના કરી એકેય અધિકારી ફરક્યા નહતા. ત્રાહિત વ્યક્તિઓની હેરાનગતિ, ભ્રષ્ટાચારની ફરિયાદો અને ઓડિટ વિભાગ દ્વારા બિલ રોકી રખાય છે તેવા આક્ષેપ કરી ક્લાસ-1 અધિકારીઓએ માસ સીએલ પર ઊતરવા નિર્ણય કર્યો હતો. આશ્ચર્યજનક બાબત એ છે કે, તેમની સાથે ક્લાસ-2 અને 3ના અધિકારી-કર્મીઓ પાલિકામાં આવ્યા ન હતા. આ બાબતથી અજાણ હોવાનો ડોળ કરતાં મેયર પિન્કીબેન સોનીએ નિદ્રામાંથી જાગી સ્થાયી ચેરમેન સહિતના પદાધિકારી સાથે બેઠક યોજી ડે. મ્યુ. કમિશનર ગંગા સિંઘને અધિકારીઓને ફરજ પર હાજર કરવા સૂચના આપી હતી. જોકે એક પણ અધિકારી પહોંચ્યા ન હોવાની માહિતી મળી છે. ભાસ્કર ઇનસાઈડરૂા.62 લાખના બિલમાં કાર્યક્રમ પૂર્વેનાં બિલ, ખુરશી-સોફાની વિગતો રિપીટ થતાં ઓડિટ વિભાગે સ્પષ્ટતા માગી,પીઆરઓ વિભાગે આપીઓડિટ વિભાગે વાય.એમ. હોસ્પિટાલિટીના 62 લાખના બિલના ઓડિટમાં સામે આવેલા 15થી વધુ વાંધાની સ્પષ્ટતા કરવા પીઆરઓ વિભાગને તાકીદ કરી છે. જોકે 15 દિવસ થવા છતાં પીઆરઓ વિભાગે સ્પષ્ટતા કરી નથી. પીઆરઓ વિભાગ સ્પષ્ટતા કરે તો બિલ એકાઉન્ટ વિભાગમાં મોકલી અપાશે. ઓડિટ વિભાગે પીઆરઓ પાસેથી ટેક્સ ઇનવોઇસમાં આઈટમનો જથ્થો દર્શાવવા, ઇવેન્ટ પૂર્વેની તારીખનાં બિલો અંગે સ્પષ્ટતા, આરએન્ડબીના SORની નકલ, ટ્રાવેલ એક્સપેન્સની વિગત, મ્યૂઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ અને બેકલાઇન સેટઅપનો જથ્થો અને ભાવ, ખુરશી-સોફાની વિગતો રિપીટ થતી હોવાથી ખાતરી કરી કપાત કરવા જેવા વાંધા રજૂ કર્યા છે. મિસ્લેનિયસ-કોઓર્ડિનેશન શેનો ખર્ચ છે, તે સ્પષ્ટ કરોઓડિટ વિભાગ વિકાસનાં કામોનાં બિલોની ચકાસણી કરે છે. જેમાં વાય.એમ. હોસ્પિટાલિટી દ્વારા યોજાયેલી ઇવેન્ટનું 62 લાખનું બિલ પીઆરઓ વિભાગમાંથી મોકલાયું હતું. જેમાં ઓડિટ વિભાગે પૂછ્યું છે કે, મિસ્લેનિયસ એન્ડ કોઓર્ડિનેશન શેનો ખર્ચ છે? પાલિકાનાં 70 વર્ષના ઇતિહાસમાં આવો ખર્ચ આવ્યો નથી. પાલિકામાં કાળો દિવસ,ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર મળી ઉકેલ લાવે: યોગેશ પટેલપાલિકામાં પદાધિકારીઓ વચ્ચે ચાલતી જૂથબંધી બાદ ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે ખટરાગ શરૂ થયો છે. જેને કારણે સત્તાપક્ષ ભાજપની ભારે બદનામી થઈ રહી છે. ભાજપના સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલે પાલિકાના આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્રની ભારે બેદરકારી છે. બંને પક્ષોએ મમત રાખી છે, જેથી આ સ્થિતિ સર્જાઈ છે અને ભવિષ્યમાં પણ આ સ્થિતિનું પુનરાવર્તન થશે. બંને જવાબદારી ચૂક્યા છે, જેને કારણે સુવિધા ન મળતાં લોકો પરેશાન થયા છે. બંને પક્ષે મળી અધિકારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવું જોઈએ. મ્યુ. કમિશનર મહેશ બાબુ સાથે ફોન પર વાતચીત થઈ છે અને તેઓએ અધિકારીઓ સાથે મિટિંગ કરી સમસ્યાનો ઉકેલ લાવીશું તેવી ખાતરી આપી છે. મ્યુ. કમિશનર 2 મહિનાથી મળતા નથી,12 હજાર કર્મી આંદોલન કરશેપાલિકામાં શુક્રવારે ક્લાસ 1 અધિકારીઓ સાથે કર્મીઓ કામગીરીથી અળગા રહી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે વડોદરા મહાનગર પાલિકા કર્મચારી મહામંડળે પણ માસ સીએલ પર ઊતરવાની ચીમકી ઉચ્ચારી છે. મહામંડળના સભ્યોએ પાલિકામાં પહોંચી રજૂઆત કરી કે, વર્ગ 1 થી વર્ગ 4ના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે મ્યુનિસિપલ કમિશનર પાસે બે મહિનાથી સમય માગ્યો છે, પરંતુ તેઓ સાથે મુલાકાત થતી નથી. 15 દિવસમાં મુલાકાત નહીં થાય તો મહામંડળના વર્ગ 1થી વર્ગ 4ના અધિકારી-કર્મચારીઓ મળી 12 હજારનો સ્ટાફ માસ સીએલ પર ઊતરશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:31 am

USમાં ભારતીયોને લૂંટવાનો નવો ટ્રેન્ડ શરૂ:કેવી રીતે થાય છે ફ્રોડ? બચવાના 3 ઉપાય, 'ડિજિટલ અરેસ્ટ'નો આખો ખેલ સમજો

શું તમારો દીકરો, દીકરી કે પરિવારનું કોઈ સભ્ય અમેરિકામાં રહે છે? જો હા, તો આ સમાચાર તમારા માટે ચેતવણીરૂપ છે... અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછી ઘણા ભારતીયોમાં 'ડિપોર્ટેશન' એટલે કે દેશનિકાલ થવાનો ડર પેસી ગયો છે. હવે સાયબર ઠગોએ આ ડરને જ પોતાનું હથિયાર બનાવ્યું છે. અત્યાર સુધી પોલીસ કે CBI બનીને લૂંટતા ઠગો હવે 'ઈન્ડિયન એમ્બેસી'ના અધિકારી બનીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. જો તમારા પર આવો કોઈ ફોન આવે તો ગભરાયા વગર શું કરવું જોઈએ? ચાલો ભાસ્કર એક્સપ્લેનરમાં જાણીએ... કેવી રીતે થાય છે ફ્રોડની શરૂઆત? તમારા મોબાઈલ પર એક અજાણ્યો ફોન આવશે. જ્યારે તમે ટ્રુ-કોલર (Truecaller) પર ચેક કરશો તો ત્યાં નામ દેખાશે - 'ઈન્ડિયન એમ્બેસી' (Indian Embassy). સામેવાળી વ્યક્તિ ખૂબ જ પ્રોફેશનલ રીતે વાત કરશે અને તમને કહેશે કે, તમારા બાળકના વિઝા ફોર્મમાં ગંભીર ભૂલ છે અથવા તમારા નામે ગંભીર ગુના નોંધાયેલા છે. તમને ડરાવવા માટે કહેવામાં આવશે કે, જો તમે અત્યારે જ આ મામલો થાળે નહીં પાડો અથવા સેટલમેન્ટ નહીં કરો, તો તમને કે તમારા બાળકને તાત્કાલિક ભારત પાછા મોકલી દેવામાં (Deport) આવશે. 'સ્પૂફિંગ' અને 'ડિજિટલ અરેસ્ટ'નો ખેલ સમજો અહીં સૌથી મોટો સવાલ એ થાય કે ટ્રુ-કોલર પર 'ઈન્ડિયન એમ્બેસી' કેમ બતાવે છે? અધિકારી અને ઠગ વચ્ચેનો ભેદ કેવી રીતે પારખવો? જો તમને આવો કોલ આવે તો ગભરાવાની જરૂર નથી. અસલી ઈન્ડિયન એમ્બેસી અને ફ્રોડ વચ્ચેનો તફાવત આ 3 મુદ્દાઓથી સમજી શકાય છે: આટલું ખાસ યાદ રાખો જો તમને આવો કોઈ શંકાસ્પદ કોલ આવે જેમાં વિઝા રદ કરવાની કે ડિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવે, તો નીચે મુજબના પગલાં લો: દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વધુ માહિતી માટે વીડિયો જુઓ

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:05 am

નવા વર્ષથી રાજકોટમાં દોડશે ભારત ટેક્સી:ટુ-વ્હીલર, રિક્ષા અને કારના 1 હજારથી વધુ ગુજરાતી સારથી તરીકે જોડાયા, કમિશન ઝીરો અને ડ્રાઇવર જ માલિક

“ભારત ટેક્સી છે એ આપણી ટેક્સી છે, આપણી એપ છે અને આપણી રીતે ચલાવવાની છે” – આ સૂત્ર સાથે વિશ્વનું સૌથી મોટું ડ્રાઇવર-માલિકી નેટવર્ક ‘ભારત ટેક્સી’ હવે રાજકોટમાં પગપેસારો કરી ચૂક્યું છે. દિલ્હી બાદ ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં 26 નવેમ્બરે સોફ્ટ લોન્ચ થયું અને પહેલા જ દિવસે 200થી વધુ ડ્રાઇવરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હાલ અહીં 1000થી વધુ ટુ-વ્હીલર, રિક્ષા અને કાર ડ્રાઇવરો જોડાઈ ચૂક્યા છે, જ્યારે ગુજરાત-દિલ્હી મળીને આખા દેશમાં 51 હજારથી વધુ ડ્રાઇવરો સરકાર માન્ય ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડ થયા છે. ડિસેમ્બર અંત સુધીમાં કસ્ટમર એપ લોન્ચ થતાં જ રાજકોટના લોકોને અન્ય ખાનગી કેબ કંપનીઓ કરતા સસ્તી અને કમિશન-ફ્રી રાઇડ સેવા મળવા લાગશે, કારણ કે અહીં ડ્રાઇવર જ માલિક છે.આ સેવામાં જોડાનારા ડ્રાઇવરોને સારથી તરીકે ઓળખવામાં આવશે. 26 નવેમ્બરના રોજ ડ્રાઇવર રજિસ્ટ્રેશન એપ્લિકેશનનું સોફ્ટ લોન્ચિંગ રાજકોટમાં સહકાર ટેક્સીના એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ સંદીપ પટણીએ જણાવ્યું હતું કે, ભારત ટેક્સીની શરૂઆત સૌપ્રથમ દિલ્હીમાં કરાઈ હતી અને ત્યારબાદ ગુજરાતના રાજકોટ શહેરમાં કિસાનપરા ચોક ખાતે 26 નવેમ્બરના રોજ ડ્રાઇવર રજિસ્ટ્રેશન એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ લોન્ચિંગ સહકાર ટેક્સીના ઉચ્ચ અધિકારી ગૌતમ ગાંગુલી, એક્ઝિક્યુટિવ સંદીપ પટણી, અને બોર્ડ ઓફ ડિરેક્ટર કિશનભાઈની હાજરીમાં કરવામાં આવ્યું હતું. અમદાવાદ તથા રાજકોટ સહિત રાજ્યભરના ડ્રાઇવરભાઈઓએ આ સમારોહમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. 200-250 ડ્રાઈવર પહેલા જ દિવસે જોડાયાલોન્ચિંગના પહેલા દિવસે જ 200-250 જેટલા ડ્રાઈવરોએ ભારત ટેક્સી માટે રજિસ્ટ્રેશન કરાવ્યુ હતું. અત્યાર સુધીમાં ઓલઓવર ગુજરાતના 1 હજાર કરતાં પણ વધુ ડ્રાઈવરો અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. રજિસ્ટ્રેશન માટે ડ્રાઇવરોએ ફક્ત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશેભારત ટેક્સીની એક અનોખી વિશેષતા એ છે કે, તેમાં કોઈ કમિશન ચાર્જ નહીં લાગે. ડ્રાઇવરોએ ફક્ત સબ્સ્ક્રિપ્શન ફી ચૂકવવાની રહેશે. જે દૈનિક, સાપ્તાહિક અથવા માસિક હોઈ શકે છે. આ રીતે દરેક ટ્રીપમાંથી થતી સંપૂર્ણ કમાણી સીધી ડ્રાઇવરના ખિસ્સામાં જશે.સરકાર માને છે કે, આનાથી આર્થિક રીતે મજબૂતાઈ મળશે અને લાખો ડ્રાઇવરોનો આત્મવિશ્વાસ વધશે. દેશના 51 હજારથી વધુ ડ્રાઈવરો ભારત ટેક્સીમાં રજિસ્ટર્ડવધુમાં તેઓએ જણાવ્યું હતું કે, અન્ય પ્રાઇવેટ કેબ કંપનીઓ 20થી 25% કમિશન લેતી હોય છે પરંતુ, જે ભારત ટેક્સી આવવાની છે તેમાં કોઈપણ પ્રકારનો અન્ય ચાર્જ લેવામાં નહીં આવે અને સીધો લાભ ડ્રાઇવરોને મળવાનો છે. ગુજરાત અને દિલ્હીમાં અત્યાર સુધીમાં 51 હજારથી પણ વધુ ડ્રાઈવરો રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. ભારત ટેક્સી માટેની કસ્ટમર એપ ડિસેમ્બરના અંત સુધીમાં આવી જશે અને ત્યારબાદ લોકોને ભારત ટેક્સીની સુવિધા મળતી શરૂ થઈ જશે. ડ્રાઇવર અને પેસેન્જર્સ બંનેને સીધો ફાયદો મળશેઆ ઉપરાંત ટેક્સીના ભાડા બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ભારત ટેક્સીમાં થનારો ફાયદો ડ્રાઇવરો અને લોકોને દેખાશે. જેનો ચાર્જ સરકારના ધારા ધોરણ મુજબ રહેશે સરકાર દ્વારા જે ચાર્જ નક્કી કરવામાં આવશે તે મુજબ જ મુસાફરો પાસેથી ચાર્જ વસૂલવામાં આવશે. અંતમાં તેમણે જણાવ્યું હતું કે, ડ્રાઇવરો ભારત ટેક્સીના માલિક રહેશે. આ સહકારી કેબ સેવા હજુ સુધી દેશભરમાં શરુ નથી થઈરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની મંજુરી બાદ કિશનપરા ચોક ખાતે પરંપરાગત પૂજા સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સોફ્ટ લોન્ચિંગમાં 200થી વધુ ડ્રાઇવરોની હાજરી નોંધાઈ હતી.ભારત ટેક્સીને વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી નેટવર્ક તરીકે ઓળખવામાં આવી રહી છે. દિલ્હી અને ગુજરાતમાં કાર, ઓટો અને બાઇકની ત્રણેય શ્રેણીઓના 51,000થી વધુ ડ્રાઇવરોએ આ પ્લેટફોર્મ પર નોંધણી કરાવી છે. જોકે,આ સહકારી કેબ સેવા હજુ સુધી દેશભરમાં શરૂ કરવામાં આવી નથી. ભારત ટેક્સી પહેલાથી જ વિશ્વના સૌથી મોટા ડ્રાઇવર-માલિકી ગતિશીલતા સમૂહ તરીકે ઉભરી આવી છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:00 am

ટ્રેનના 100 ડબ્બાના વજન જેટલો કચરો અમદાવાદીઓ રોજ ફેંકે છે:10 વર્ષમાં સ્વીડન, જાપાનની માફક અમદાવાદમાં કચરાનો નિકાલ થશે; 2036 પહેલાં ‘ઝીરો વેસ્ટ સિટી’ બનાવવાનો પ્લાન

4530 મેટ્રીક ટન… આ માત્ર આંકડો નથી. અમદાવાદીઓ દરરોજ પોતાના ઘરમાંથી આટલો કચરો ફેંકે છે. સરળ રીતે સમજવા માટે તુલના કરીએ તો ટ્રેનના 100 ડબ્બાનું જેટલું વજન થાય એટલો કચરો અમદાવાદના લોકો રોજ ઠાલવી રહ્યા છે. જેમ કહેવત છે કે ટીપે-ટીપે સરોવર ભરાય તેમ એક-એક ડોલ કચરો થઈને અમદાવાદના પીરાણામાં કચરાનો પહાડ બની ચૂક્યો છે. આ પહાડ અમદાવાદની ઓળખ, લોકોના સ્વાસ્થ્ય અને મનપાના વહીવટ સામે એક સવાલ બનતો જઈ રહ્યો છે. અમદાવાદમાં 2030માં કોમનવેલ્થ ગેમ્સ યોજાવવાનું નક્કી થઈ ગયું છે અને 2036માં ઓલિમ્પિક ગેમ્સ પણ રમાય એવું સરકારનું આયોજન છે. ત્યારે ઓલિમ્પિક પહેલાં જ અમદાવાદ ઝીરો વેસ્ટ સિટી જાહેર થાય અને ઘરમાંથી નીકળતો તમામ કચરો રિસાયકલ થાય એ માટે અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી સહિત દેશની પાંચ મોટી શૈક્ષણિક સંસ્થાઓ ફુલપ્રૂફ પ્લાન બનાવવામાં લાગી છે. આ પ્રોજેક્ટમાં અમદાવાદની CEPT યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ.અનિલ કુમાર રોય અને તેમની ટીમ આગામી 5 વર્ષ માટે કામ કરી રહી છે. છેલ્લા 20 વર્ષથી CEPT યુનિવર્સિટીના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે કાર્યરત ડો. અનિલ કુમાર રોય સાથે અમે વાતચીત કરી અને આ પ્રોજેક્ટથી અમદાવાદની દશા-દિશા કેટલી બદલાશે, લોકોના જીવનધોરણ પર કેવી અસર થશે એ સમજવાનો પ્રયાસ કર્યો. અમદાવાદની CEPT યુનિવર્સિટીને આ પ્રોજેક્ટ કેવી રીતે મળ્યો એ અંગે પ્રોફેસર ડૉ.અનિલ રોયે દિવ્ય ભાસ્કરને કહ્યું, આ પ્રોજેક્ટ માટે વિકસિત ભારત મિશન અંતર્ગત ભારત સરકારની ઇન્ડિયન કાઉન્સિલ ફોર સોશિયલ સાયન્સ રિસર્ચ એટલે કે ICSSR દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી હતી. CEPT યુનિવર્સિટી, IIT રૂરકી, JNU, IIT તિરુપતિ અને NIT પટના એમ પાંચ સંસ્થાઓએ મળીને દોઢ વર્ષ પહેલાં એક પ્રપોઝલ મૂકી હતી. જેમાં આ પ્રોજેક્ટને 'સર્ક્યુલર ઇકોનોમી ઇન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ઇન ઇન્ડિયન સિટીઝ' નામ આપવામાં આવ્યું. સપ્ટેમ્બર 2024માં આ પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ આ પાંચ શહેરોમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો અભ્યાસ કરવાનો છે, જેમાં કચરો ક્યાંથી આવે છે? તેનું મેનેજમેન્ટ કેવી રીતે થાય છે? અને ઝીરો વેસ્ટ સિટી બનાવવાનો ટાર્ગેટ મેળવવા માટે કેવા પ્રયત્નો થઈ રહ્યા છે? એ જોવાનું છે. અમદાવાદમાં 2036 માં ઓલિમ્પિક યોજાવાની સંભાવના હોવાથી આ પ્રોજેક્ટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને સ્વચ્છ ભારત મિશનથી આગળ વધવામાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટની લીડ એજન્સી IIT રૂરકી છે, જ્યારે CEPT યુનિવર્સિટી પ્રોજેક્ટ પાર્ટનર તરીકે અમદાવાદના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો ડ્રાફ્ટ તૈયાર કરીને સર્ક્યુલર ઇકોનોમી હાંસલ કરવા તરફ કામ કરશે. AMC સાથે હાથ મિલાવ્યાપ્રોજેક્ટ મળ્યા પછી નિયમો મુજબ સ્થાનિક કોર્પોરેશન બોડી સાથે મુલાકાત કરવાની હોય છે. તે પ્રમાણે CEPT ટીમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી. તેમને વિશ્વાસમાં લઈને આ પ્રોજેક્ટની શરૂઆત કરી. AMCના અધિકારીઓએ ખાતરી આપી કે જ્યાં પણ જરૂર પડશે ત્યાં તેઓ મદદરૂપ થશે. ત્યારબાદ ટીમે કોર્પોરેશનના કલેક્શન સેન્ટર અને મટિરિયલ રિકવરી સ્ટેશનની મુલાકાત લીધી. ડૉ.અનિલ રોયે કહ્યું, મુલાકાત દરમિયાન AMCના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા થઈ. હાલની કચરાના નિકાલની વ્યવસ્થા, જેમ કે ક્યાંથી કેટલો કચરો આવે છે, કેટલાનો નિકાલ થાય છે, કેટલો ડમ્પિંગ ગ્રાઉન્ડમાં જાય છે અને કેટલો કલેક્ટ નથી થઈ શકતો વગેરે મુદ્દા અમે સમજ્યા. AMCએ તમામ ડેટા આપવા માટે સહમતી દર્શાવી. મટિરિયલ રિકવરી સ્ટેશનની કામગીરીનું નિરિક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે કચરાનું સેગ્રિગેશન અને પ્રોસેસિંગ થાય છે, વધારાનો કચરો ડમ્પિંગ સ્ટેશન પર મોકલવામાં આવે છે અને ઓર્ગેનિક કચરો વેસ્ટ ટુ એનર્જી ફેક્ટરીમાં મોકલવામાં આવે છે. પીરાણાનો પહાડ સૌથી મોટી ચેલેન્જડો. અનિલ રોયના મતે, હાલમાં AMC માટે સૌથી મોટી ચેલેન્જ પીરાણામાં આવેલો કચરાનો પહાડ દૂર કરવાની છે. AMC પણ 2036 ઓલિમ્પિક પહેલાં અમદાવાદને ઝીરો વેસ્ટ સિટી બનાવવા માગે છે, જેના માટે આ પ્રોજેક્ટ ખૂબ મદદરૂપ થશે. 2032 પહેલાં જ પીરાણાના બદલે ખુલ્લું મેદાનCEPT ટીમ ભારતના તેમજ વિશ્વના બેસ્ટ વેસ્ટ મેનેજમેન્ટ મોડલ AMC સમક્ષ રજૂ કરશે. જો આ મોડલનો અમલ કરવામાં આવે તો ડો. અનિલ રોયના અંદાજ મુજબ 2036 પહેલાં જ પીરાણાનો કચરો દૂર થઈને મેદાન બની જશે, જેના સ્થાને નવી સુવિધા ઊભી કરી શકાશે. જે ગતિથી AMC હાલમાં કામ કરી રહ્યું છે તે જોતા 2032 સુધીમાં જ પીરાણામાં ખુલ્લું મેદાન જોવા મળી શકે છે. હાલમાં AMC બાયોમાઈનિંગ દ્વારા કચરાનો ઉપયોગ રોડ-રસ્તા સહિતની વસ્તુઓ બનાવવામાં કરી રહી છે. ભવિષ્યમાં આવી કોઈ મોટી ડમ્પિંગ સાઇટ ન બને તે માટે વર્તમાન પ્રોજેક્ટ ખૂબ ઉપયોગી થશે. ડો. રોયના મતે, જ્યાં સુધી ઝીરો ડમ્પિંગ ગ્રાઉન્ડ નહીં કરી શકીએ, ત્યાં સુધી સર્ક્યુલર ઇકોનોમીનો કોઈ અર્થ રહેશે નહીં. તાજેતરમાં જ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમદાવાદને સ્વચ્છ શહેરનું બિરુદ મળ્યું છે. જો કે, અમદાવાદમાં દરરોજ લગભગ 4,500 મેટ્રિક ટન કચરો પેદા થાય છે. AMCની એક મોટી સફળતા એ છે કે તે 100% કચરો એકત્ર કરી શકે છે. કચરાના પ્રોસેસિંગ માટે 9 સેન્ટરતેમણે આગળ જણાવ્યું, કચરાને છૂટો પાડવા અને પ્રોસેસિંગ માટે અમદાવાદ શહેરમાં 9 મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. રસોડામાંથી નીકળતો ભીનો કચરો એટલે કે કિચન વેસ્ટ સીધો જ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં લાવવામાં આવે છે. આ કામગીરીમાં જેમાં ખાનગી કંપનીઓ પણ જોડાયેલી છે. આ કંપનીઓ કચરામાંથી કમ્પોસ્ટ બનાવે છે અને પ્લાસ્ટિકમાંથી ઓઇલ પણ બનાવે છે. જો કે ચિંતાની વાત એ છે કે હાલમાં AMC 76% કચરો જ પ્રોસેસિંગ માટે મોકલવામાં આવે છે. ઝીરો વેસ્ટનો ટાર્ગેટ સિદ્ધ કરવા માટે વધુ 2થી 3 MRF સેન્ટરની જરૂર છે. જેથી 100% કચરાનું પ્રોસેસિંગ થઈ શકે. અત્યાર સુધી ઘરેથી કલેક્ટ કરેલો કચરો સીધો પીરાણા ડમ્પિંગ સાઇટ પર જતો હતો. પરંતુ MRF સેન્ટર્સ શરૂ થતાં હવે પદ્ધતિ બદલાઈ છે. કચરો પહેલાં આ સેન્ટર્સ પર પ્રોસેસ માટે જાય છે અને ત્યારબાદ બાકીનો કચરો જ ડમ્પિંગ સાઇટ પર મોકલવામાં આવે છે. આ એક મોટો બદલાવ છે. ડો. અનિલ રોય આનો શ્રેય સ્વચ્છ ભારત મિશનને આપે છે. આ ફેરફારને કારણે રિસાયકલ અને રિ-યુઝનું પ્રમાણ વધ્યું છે, જોકે હજુ આ કામગીરી 76% સુધી જ પહોંચી શકી છે. ઝીરો વેસ્ટ બે મુખ્ય પદ્ધતિઓ દ્વારા સિદ્ધ કરી શકાય છે 3R થી 12R સુધી પહોંચવું: હાલમાં અમદાવાદમાં રિડ્યુસ, રિ-યુઝ, અને રિસાયકલ (3R) પર કામ થઈ રહ્યું છે, પરંતુ આ પ્રક્રિયાને 12R સુધી લઈ જવી જોઈએ. વેસ્ટ ટુ એનર્જી: ભીના કચરાને ડમ્પ સાઇટ પર મોકલવાને બદલે તેના પર પ્રક્રિયા કરીને એનર્જી, કમ્પોસ્ટ બનાવી શકાય છે. પ્લાસ્ટિક જેવી વસ્તુઓમાંથી ઓઇલ પણ બનાવી શકાય છે. ડો. રોયના મતે, જો કચરા અંગે જાગૃતિ લાવવામાં આવે અને સમાજમાં સુધારો કરવામાં આવે, તો ઝીરો વેસ્ટ સુધી સરળતાથી પહોંચી શકાશે. સફળતા મેળવવા વિદેશના મોડલનો અભ્યાસડૉ. અનિલ રોયે કહ્યું, અમારા પ્રોજેક્ટમાં અમે વેસ્ટ મેનેજમેન્ટમાં સફળતા મેળવનાર સ્વીડન, ચાઈના, સેન ફ્રાન્સિસ્કોના મોડલનો પણ અભ્યાસ કર્યો છે. ભારતમાં ઇન્દોર અને પણજી પણ ખૂબ જ સારી રીતે વેસ્ટ મેનેજમેન્ટ કરી રહ્યા છે. પણજી મ્યુનિસિપાલિટીએ દરેક સોસાયટીમાં 16 પ્રકારની બેગ આપી છે. જેથી સોસાયટીમાંથી જ 16 પ્રકારના કચરાનું વર્ગીકરણ થઈ જાય છે. જેનાથી તેમને ઝીરો વેસ્ટ હાંસલ કરવામાં સફળતા મળી છે. જો કે, કચરાને અલગ-અલગ રીતે કલેક્ટ કરવો તે એક મોટી ચેલેન્જ છે. ડૉ. અનિલ રોયે તેમની ટીમની કામગીરીની પદ્ધતિ અંગે કહ્યું, પાંચ વર્ષના આ પ્રોજેક્ટમાં અમારી ટીમ 'ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશન' પર ખૂબ જ બારીકાઈથી કામ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય મોડેલોનું ડોક્યુમેન્ટેશન કરી રહ્યા છીએ. આ ઉપરાંત આખા અમદાવાદનો સરવે પણ ચાલે છે. સરવેમાં જાણવા મળ્યું છે કે અમદાવાદનો કચરો દૂર હિમાચલ સુધી પણ જાય છે. હાલમાં ચાલી રહેલા અભ્યાસની વધુ વિગતો આવતા વર્ષ સુધીમાં મળી શકશે, જેના આધારે કયા MRF સેન્ટરની કામગીરી સારી છે અને ક્યાં ઊણપ છે તે જાણી શકાશે. જ્યારે અમદાવાદમાં ઓલિમ્પિક યોજાશે ત્યારે ફ્લોટિંગ પોપ્યુલેશન વધશે. એટલે કે વિશ્વભરના ખેલાડીઓ અને મુલાકાતીઓનો ધસારો થશે. જેના કારણે વેસ્ટ મેનેજમેન્ટનું કામ પણ ઘણું વધશે. જો કે, હાલમાં ઓલિમ્પિકને લઈને વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં કોઈ ચોક્કસ વાતચીત થઈ નથી. પરંતુ અત્યારથી જ આ અંગે વિચારણા કરવી જરૂરી છે. ખાસ કરીને હોટેલોમાંથી નીકળતા કચરાનું ત્યાંને ત્યાં જ વર્ગીકરણ થાય તેવા પ્લાનની જરૂર છે. મને લાગે છે કે AMCને પણ આ બાબતની જાણકારી છે અને તે દિશામાં તેઓ ચોક્કસ કંઈક કરશે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:00 am

મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીની કરિયરના હચમચાવી દેતા કિસ્સા

‘પાંચેક વર્ષની નાનકડી દીકરી ફ્લેટ નીચે એકલી ઊભી ઊભી નોકરીએ ગયેલાં મમ્મી-પપ્પાની રાહ જોતી હતી. મમ્મી-પપ્પા આવે એ પહેલાં એક રાક્ષસની નજર એના પર પડી ગઈ. દીકરીને એકલી જોઈ એને તેડી અને ભાગ્યો. દીકરીએ બૂમાબૂમ કરવાનું શરૂ કર્યું, પણ જેવી પહેલી બૂમ પડી ત્યાં રાક્ષસે એના પાવડા જેવડા હાથથી માસૂમ દીકરીનું મો દબાવી દીધું. ઘરથી થોડે દૂર એક ઝાડી-ઝાંખરાવાળા ખાલી પ્લોટમાં લઈ જઈ દીકરીને નીચે ફેંકી, એનું મોઢું દબાવી દીધું. નીચે પડેલી દીકરીના એ માસૂમ ફૂલ જેવા ગાલ પર જોરથી લાફા ઝીંક્યા. હેબતાઈ ગયેલી દીકરી અચાનક ચૂપ થઈ ગઈ, એટલે એના પગ ખેંચી ઝાડીઓમાં અંદર ખેંચી અને દીકરીનાં કપડાં ફાડી…’ આ શબ્દો છે IPS રૂપલ સોલંકીના. અમદાવાદ શહેરના DCP ઝોન-3. મેડમ સરનું ટ્રાન્સફર હજુ થોડા મહિનાઓ પહેલાં જ અમદાવાદમાં DCP તરીકે થયું છે. આ સિરીઝના આગળના એપિસોડમાં વાત કરી એમ ગુજરાત IPS કેડરમાં મહિલાઓ ભલે ઓછી છે, પણ એક એક મહિલા IPS ‘એકે હજારા’ છે. વેલ, ‘ડિસ્કવરી ચેનલ’માં બેર ગ્રિલ્સ જેમ માંડ માંડ જીવ બચાવતો બચાવતો સ્થળો પસાર કરે એમ અમદાવાદની ધોમધખતી બપોરના તડકામાં દિલ્હી દરવાજાથી દરિયાપુર થઈ અમે કાલુપુર રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ સામે આવેલી DCP ઓફિસ પહોંચ્યા. ટ્રાફિકને વીંધી મેડમની ઓફિસમાં પહોંચતાં જોયું તો, નક્કી કરેલા ટાઈમ કરતાં અમે ઓલરેડી અડધો કલાક લેટ હતા. અમને એમ કે અંદર જઈ ઠપકો પડશે, પણ મેડમ? ફુલ ઓફ કાઈન્ડનેસ. રોજે અહીં આવવામાં આટલા ટ્રાફિકને સહન કરીને ટેવાઇ ગયેલાં મેડમે હસીને અમારા મોડા પડવા વિશે બોલવાનું ટાળ્યું અને પાણી ઑફર કર્યું. અમે વાતની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘IPS ડાયરીઝ’ના આજના એપિસોડમાં IPS રૂપલ સોલંકી વાત કરશે એ સમયની…જ્યારે 6 વર્ષની બાળકીને કિડનેપ કરી, બળાત્કાર બાદ આરોપી ‘Mr. ઈન્ડિયા’ થઈ ગયો... બેંકની નોકરીમાં કંટાળ્યાં, અને પોલીસ સર્વિસ જોઇન કરી મૂળ સુરેન્દ્રનગરના ચુડામાં જન્મેલાં રૂપલ સોલંકીનાં મમ્મી-પપ્પા બંને સરકારી બાબુ. પપ્પા SBIમાં અને મમ્મી ટીચર. એજ્યુકેટેડ ફેમિલીમાં જન્મેલાં રૂપલ મે’મ પાંચ ભાઈ-બહેન વચ્ચે ચુડામાં જ મોટાં થયાં અને ગ્રેજ્યુએશન સુધી અભ્યાસ કર્યો. એ પછી સરકારી નોકરીનું જુનૂન ચડતાં અમદાવાદ આવી IBPS (બેંક એક્ઝામ)ની તૈયારી ચાલુ કરી. થોડા સમયમાં તો SBIમાં નોકરી પણ મેળવી લીધી. પરંતુ ત્યાં વર્ષ કામ કરીને કંટાળી ગયેલાં મે’મને પોલીસ ફોર્સમાં જોડાવાનું મન થયું. એમણે GPSCની તૈયારી શરૂ કરી. તેજ મગજ એટલે નોકરીની સાથોસાથ આ અઘરી પરીક્ષાની તૈયારી કરીને પણ બે જ વર્ષમાં એક્ઝામ પાસ કરી લીધી અને 2011માં DySP તરીકે સર્વિસ શરૂ કરી. પાટણમાં બે વર્ષ પ્રોબેશન પિરિયડ પૂરો કરી ACB (એન્ટિ કરપ્શન બ્યૂરો)માં પાંચ વર્ષ સુધી કામ કર્યું અને ત્યાંથી બારડોલી SDPO (સબ ડિવિઝનલ પોલીસ ઑફિસર) તરીકે પોસ્ટ મળી. સફળ પોલીસ કરિયરના કારણે IPS તરીકે પ્રમોશન મળ્યું અને 2022માં સુરત ક્રાઇમ બ્રાન્ચને પહેલાં મહિલા DCP મળ્યાં. પોણા બે વર્ષ બાદ ત્યાંથી ટ્રાન્સફર મળતાં ગાંધીનગર DGPના સ્ટાફ ઓફિસર તરીકે દોઢ વર્ષ કામ કર્યું. એન્ડ ફાઇનલી, ઓગસ્ટ 2025થી અમદાવાદના DCP ઝોન-3 તરીકે ફરજ બજાવી રહ્યાં છે. બાય ધ વે, IPS રૂપલ સોલંકીનાં મમ્મી-પપ્પા પણ સરકારી નોકરીમાં હતાં, ભાઈઓ-બહેનો પણ સરકારી નોકરીમાં છે. રૂપલ મે’મના હસબન્ડ પણ સરકારી નોકરીમાં છે અને સાસુ-સસરા પણ સરકારી નોકરીમાં હતાં! *** રૂપલ મેડમ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો? IPS વિધિ ચૌધરીએ પોતાના વૈવિધ્યપૂર્ણ કરિયરના ફ્લેશબેકમાં જઇને એક કેસની યાદ તાજી કરી... 5 જાન્યુઆરી, 2024સાંજના 5 વાગ્યેલાલગેટ પોલીસ સ્ટેશન, સુરત સુરત અને અમદાવાદના ક્રાઇમની પેટર્ન થોડી અલગ છે. સુરતમાં જે ક્રાઇમ બને છે, એમાં ગુજરાતની સાથે બહારના રાજ્યની ગુનાખોરીની પણ છાંટ હોય છે. બે વર્ષ પહેલાંની વાત છે. થોડા સમયથી સુરત ગુનાખોરીથી મુક્ત હતું. માહોલ શાંત હતો અને બધા સાંજની ચા પી પેન્ડિંગ કેસ પૂરા કરવાનાં કામે લાગેલા હતા. ત્યાં નવાઝ ફત્તા નામનો 23 વર્ષનો જુવાન હાંફળો ફાંફળો થઈ દોડતો દોડતો પોલીસ સ્ટેશનમાં આવ્યો ને ફરિયાદ નોંધાવી કે, કોઈ લૂંટારૂ મારા ₹88 લાખ લૂંટી ગયો. વાત સાંભળી ગુનો થોડો મોટો લગતાં વાત મારા સુધી પહોંચી. મેં નવાઝને બોલાવ્યો ને પૂરી ઘટના સાંભળી, *** ‘મેડમ, હું નવાઝ ફત્તા, ઉનમાં રહું છું. આજે બપોરે બારેક વાગ્યે મારું બર્ગમેન ટુવ્હીલર લઈ મારા સાહેબ મન્સૂરભાઈને મળવા રાંદેર હેરિટેજ ગયો હતો. ત્યાંથી થોડી વારમાં નીકળ્યો, ત્યાં સાહેબના ભાણિયા દાનિશનો મારા પર ફોન આવ્યો કે, હમણાં આંગડિયામાંથી 88,26,700 રૂપિયા આવવાના છે, તો તું લઈ આવજે. નમાઝનો ટાઈમ હતો, એટલે પૈસા આવે ત્યાં સુધી રાહ જોવા કરતાં હું મસ્જિદમાં નમાઝ પઢવા ગયો. ત્યાં મને આંગડિયા પેઢીમાંથી ફોન આવ્યો કે, તમારા પૈસા આવી ગયા છે, લઈ જજો. ‘મારી પીઠમાં બંદૂક ખૂંચાડીને કહે, ચૂપચાપ વરાછા જવા દે’‘પૈસા આવી ગયા હતા, એટલે હું પૈસા લેવા નીકળ્યો. આંગડિયા પેઢીમાંથી પૈસા લીધા અને ₹88 લાખ ભરેલો થેલો મારા બર્ગમેનમાં આગળ મૂક્યો. પણ હજુ સ્કૂટર ચાલુ કરું એ પહેલાં તો પાછળથી 35-40 વર્ષનો લાલ જર્સી પહેરેલો એક માથે ટાલવાળો અજાણ્યો માણસ આવ્યો ને મારી પાછળ બેસી ગયો. હું પાછળ ફરી કંઈક પૂછું એ પહેલાં તો એ એણે ગન કાઢી મારી પાછળ ખૂંચાડી બોલ્યો કે, ચૂપચાપ કશું જ બોલ્યા વિના વરાછા જવા દે. મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો, એટલે મેં ટુ વ્હીલર ભગાવ્યું ને લસકાણા પાસે પહોંચ્યો એટલે એણે ઊભું રહેવા કહ્યું. ઊભા રહેતાં જ એણે મને નીચે ઉતારી દીધો અને કહ્યું કે, સીધો ચાલવા માંડ ને પાછળ ફરીને જોતો નહીં. એની પાસે ગન હતી એટલે વાત માન્યા સિવાય મારી પાસે કોઈ ઉપાય નહોતો. મારી પાસેથી મોબાઈલ, સ્કૂટર અને ₹88 લાખનો થેલો લઈ એ કામરેજ તરફ ભાગી ગયો. હું ડરી ગયો હતો એટલે સીધો જ મારા શેઠ મન્સૂરભાઈ પાસે ગયો ને અમે અહીં ફરિયાદ કરવા આવ્યા છીએ.’ IPS રૂપલ સોલંકીએ વાત આગળ ધપાવી, ‘બપોરે ધોળા દિવસે જો ₹88 લાખની લૂંટ થઈ જાય તો એ ખરેખર બહુ મોટો ગુનો છે. અમારા માટે પણ મુશ્કેલી કહેવાય. મેં અલગ અલગ ટીમ બનાવી તપાસ ઝડપથી ચાલુ કરાવી. બીજી બાજુ ફરિયાદીની પણ બે વાર પૂછપરછ કરી કે, એ ખોટું તો નથી બોલતો ને? કેમ કે, ઘણા કિસ્સાઓમાં પૈસા પોતે રાખી લેવા પણ ખોવાયાનું કહેતા ગુનેગારો પકડાયા છે. પણ નવાઝે જે જે રસ્તાઓ કહ્યા, એ બધા જ રસ્તે CCTV હતા અને અમે CCTV તપસ્યા તો બધે જ એવો માણસ દેખાયો. મતલબ કે લૂંટ થઈ હતી એ તો પાક્કું હતું.’ પરંતુ ધોળા દિવસે આવું બન્યું કેવી રીતે? કોઈએ જોયું પણ નહિ? નવાઝે કોઈને ઈશારો પણ ન કર્યો? 20-25 કિમી સુધી એના પર કોઈનું ધ્યાન પણ ન પડ્યું? નવાઝની વધુ પૂછપરછ કરી તો કહે, ‘એ જે કહેતો હતો એના પરથી હિન્દી અને કાઠિયાવાડી બોલતો હતો.’ સવાલ ફરી એ જ હતો કે, આરોપી નવાઝને કામરેજ ચાર રસ્તા બાજુ જ કેમ લઈ ગયો? લોકેશનથી આટલો દૂર ગયો છે કે મતલબ એ બાજુથી જ એ આવ્યો હોય. કામરેજથી સવારનાં CCTV તપાસવાનાં ચાલુ કર્યાં તો ધ્યાન પડ્યું કે, પાછળ જે વ્યક્તિ બેઠો હતો, એનાં જેવાં જ કપડાંમાં એક વ્યક્તિ આવ્યો હતો. પણ આરોપી જેવો કોઈ રીતે નહોતો લાગતો. કેમ કે સવારે કામરેજથી જે આવ્યો એ એકદમ પાતળો અને માથે ભરચક વાળ અને સાથે એક યુવતી પણ હતી, પણ CCTV ફૂટેજમાં દેખાતો આરોપી તો ઘણો જાડો હતો અને માથે એક પણ વાળ નહોતો. ઘટના સામે હતી, પણ કશું ક્લિયર નહોતું થતું. લાંબા ટાઈમ સુધી બધાએ અલગ અલગ CCTV ચેક કર્યા, પણ કોઈ કડી નહોતી બેસતી. એમાં થોડી વાર પછી મારું ધ્યાન પડ્યું કે, સેમ કપડાંમાં આરોપી યુવતી સાથે જ્યારે ગાર્ડનમાં ઘૂસ્યો ત્યારે યુવતીના હાથમાં બેગ હતી, પણ બહાર આવતી વખતે યુવતી પાસે બેગ નહોતી. બીજી બાજુ, થોડી વાર બાદ આરોપી બહાર નીકળ્યો. મને શંકા ગઈ કે, બની શકે આરોપીએ કદાચ માથું ઢંકાઈ જાય એવું માસ્ક પહેર્યું હોય. આરોપી દર 500 મીટરે રિક્ષા બદલીને આગળ વધી રહ્યો હતો બસ પછી આ થિયરી પર આગળ વધીને અમે રિવર્સ ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું ને એ વ્યક્તિ ક્યાંથી આવ્યો છે એ તપાસ શરૂ કરી. CCTV તપસ્યા તો ધ્યાને આવ્યું કે, આરોપી ગાર્ડનથી કપડાં બદલી લૂંટ કરી એ જગ્યા સુધી પહોંચતી વખતે, દર 500 મીટરે રિક્ષાઓ બદલતો હતો. દર થોડી મિનિટે રિક્ષામાંથી ઊતરે અને નવી રિક્ષા લે. જેથી કોઈ CCTV તપાસે તો એના સુધી પહોંચી ન શકે, પણ અમારા ટેક્નિકલ માણસોએ છેક સુધીનો એનો પીછો કર્યો અને છેલ્લે સુધી પહોંચ્યા. છેલ્લે માહિતી સાચી નીકળી, એ ભાઈ કામરેજથી જ આવ્યો હતો અને એક બસમાંથી ઊતર્યો હતો. પરંતુ એ બસનું નામ-પત્તો કોઈ રીતે મળે નહીં. ગાર્ડનમાં ગયો અને પાંચ મિનિટમાં આખો લુક ચેન્જ કરી નાખ્યો! એ દિવસે અમે થોડા કલાકોમાં જ નહીં નહીં તો પણ લગભગ 200-250 જેટલી બસોની પૂછપરછ કરી. એમ કરતાં કરતાં અમે ચોટીલા સુધી પહોંચ્યા અને ત્યાં એક કેમેરામાં એનું લોકેશન ટ્રેક થયું. ચોટીલાથી સુરત સુધી આવવામાં સીધા બસમાં ચડી ટિકિટ લીધી હતી, પણ ચોટીલાથી તપાસ કરી તો ખબર પડી કે ત્યાં પણ એ આગળ કોઈ બસમાંથી જ આવ્યો હતો. ચોટીલા તેઓ જે બસમાંથી ઊતર્યાં હતાં એની પૂછપરછ કરી તો એમાં ટિકિટ બુક કરેલી હતી. એટલે ફાઇનલી એમનું એડ્રેસ, નંબર બધું જ મળી ગયું. અમારી ટીમ જુનાગઢ મોકલી ને આરોપી સુધી પહોંચી એ બંનેની ધરપકડ કરી. પૈસા પણ ત્યાંથી જ મળ્યા. એના ઘરમાં જ દીવાલમાં મોટું બાકોરું પાડી એમાં પૈસા છુપાવી રાખ્યા હતા. બીજું, જે આરોપીના માથાના વાળ અને શરીરનું રહસ્ય પણ ખૂલ્યું. અમારી ધારણા મુજબ જ, આરોપીએ ગાર્ડનમાં જઈ કપડાંનાં એકથી વધુ લેયર કરી લીધાં હતાં જેથી એ જાડો થઈ જાય અને સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી એક ટાઈટ ફેસ માસ્ક મંગાવી લીધું હતું, જેથી ચહેરાનો દેખાવ અને વાળ બદલી જાય. પોલીસની 13 ટીમ, 250 બસ અને 2 હજારથી વધુ CCTV ફૂટેજ આરોપી પકડાયો એની સાથે આખી નવી જ સ્ટોરી ખૂલી. ધોળા દિવસે થયેલી આવડી મોટી લૂંટ ખરેખર લૂંટ હતી જ નહિ. આરોપી પકડાયો એ ફરિયાદી નવાઝનાં માસીનો દીકરો હતો. બંનેએ મળી આખું કાવતરું ઘડ્યું હતું. યોજના મુજબ, નવાઝને ખબર પડી ગઈ હતી કે, એણે 88 લાખ રૂપિયા લેવા માટે જવાનું હતું, એ વાત એણે માસીના છોકરાને કરી. બંનેએ મળી પ્લાન બનાવ્યો અને એની કંપનીના આંગડિયાના પૈસા લૂંટી લીધા. બે દિવસે આ કેસ સોલ્વ થયો, પણ એ બે દિવસમાં અમારી 13 ટીમોએ મળી નહિ નહિ તો પણ બે હજાર જેટલા CCTV ચેક કર્યા. આખા હાઇવે પર કેટલીય ટ્રાવેલ્સ અને ટ્રક ડ્રાઈવરને મળી આરોપીઓ સુધી પહોંચ્યા. આરોપીએ મૂળ તો ક્રેડિટ કાર્ડનું દેવું ભરવા આ આખી લૂંટ કરી હતી. *** IPS મેડમે થોડાં વર્ષો પહેલાંનો બારડોલીનો બીજો એક કિસ્સો ઊખેળ્યો... 19 માર્ચ 2019સવારના 8 વાગ્યેસ્મીમેર હોસ્પિટલ, સુરત ‘મેડમ, આ જુઓ, મારી દીકરીનું શું હાલત કરી છે?’ એટલું બોલી બેડ પર એડમિટ 5-6 વર્ષની દીકરીના પિતા પોક મૂકી રડવા લાગ્યા. આજુબાજુમાં હાજર બધા જ સંબંધીઓનાં મોઢાં પણ દુ:ખથી ઘેરાયેલાં હતાં. પણ કોઈ કશું બોલવા કરતાં વધારે રડે જ રાખે. દીકરી બીમાર હતી, બેડ પર સૂતી હતી અને પોલીસને ફોન કરી બોલાવ્યા? ઘટના શું બની? સાંત્વના આપી માંડ છાના રાખ્યા ને અને પિતાએ રોષ સાથે આખી વાત કરી. દીકરી સાથે જે થયું હતું, એ સાંભળી મારી પણ આંખો ભીની થઈ ગઈ. ***18 માર્ચ, 2019રાતના 10 વાગ્યા આસપાસહરિપુરા, સુરતછેલ્લાં થોડાં વર્ષોથી સુરતમાં રહેવા આવેલું મૂળ યુપીનું ફેમિલી. સુરતની ભાગદોડમાં એકલા પેટિયું રળવું અઘરું એટલે પતિ-પત્ની બંને નોકરી કરતાં. ઘરે છોકરાં નાનાં એટલે એમની સાચવણી કરવા સંજયભાઇ ફોઈ સાથે રહેતા. એવામાં એક દિવસની વાત. સાંજે થાક્યા પાક્યા ઘરે આવી સંજયભાઇએ જોયું તો ફોઈ એકલાં. એટલે પૂછ્યું કે,‘મા-દીકરી ક્યાં ગયાં?’‘અરે, દીકરી ઘરે નહોતી એટલે વહુ એને શોધવા ગઈ છે.’સંજયભાઇ અંદરના રૂમમાં ગયા તો જોયું કે દીકરી તો ત્યાં જ સંકોચાઈને એક ખૂણામાં બેઠી હતી. ફરી ફોઈને બોલાવ્યાં કે, ‘દીકરી તો અહીં જ બેઠી છે. તમે કહો છો કે, બહાર ગઈ છે!’‘લે, આવી ગઈ? અરે, એ ઘરે નહોતી એટલે જ તો વહુ એને શોધવા બહાર ગઈ, ત્યાં પાછળથી દીકરી આવી ગઈ લાગે છે.’ સંજયભાઇ તો પોતાની ધૂનમાં મસ્ત હતા. એટલે હસતાં હસતાં એમણે દીકરી પાસે જઈ એને તેડી. પણ તેડી ત્યાં તો દીકરીનું શરીર એકદમ ધખધખતું હતું અને કપડાં પણ ફાટેલાં હતાં. સંજયભાઇના મોંમાંથી ચીસ નીકળી ગઈ કે શું થયું? એક બાજુથી ફોઈ દોડતાં દોડતાં આવ્યાં, બીજી બાજુ બહારથી પત્ની પણ આવી ગઈ. દીકરીની હાલત જોઈને માતા-ફોઈના પણ હોંશ ઊડી ગયા અને ત્રણેયની આંખોમાં ચોધાર આંસુ નીકળી પડ્યા. સંજયભાઇ એક જ વાતે રડે રાખે કે, મારી દીકરીને શું થઈ ગયું. માએ દીકરીને પિતા પાસેથી લઈ લીધી ને કહ્યું કે, તમે બહાર જાઓ તો, થોડી વાર અમને વાત કરવા દ્યો. માએ અને ફોઈએ દીકરી સાથે વાત કરી. દીકરી થોડી વાર તો કશું ન બોલી. ખાસ્સી વાર પછી દીકરી કહે, મારે બાથરૂમ જવું છે. મમ્મી બાથરૂમમાં લઈને ગઈ અને ત્યાં જઈને જોયું તો માના હોશ ઊડી ગયા. દીકરીના પ્રાઇવેટ પાર્ટ્સ ઇજાગ્રસ્ત થઇ ગયા હતા અને કપડાં પણ લોહીલુહાણ હતાં. દીકરીએ પછી આખો પિટારો ખોલ્યો. સંજયભાઇએ તાત્કાલિક 108 બોલાવી ને દીકરીને હોસ્પિટલ લઈ ગયા. એમની દીકરીએ જે વાત વર્ણવી એ સાંભળી અમારા પગ નીચેથી પણ જમીન સરકી ગઈ. 18 માર્ચ 2019હરિપુરા, સુરતરાતના 8 વાગ્યા આસપાસ (બે કલાક પહેલાં) નાનકડી માસૂમ દીકરી મમ્મી-પપ્પાના ઘરેથી આવવાની રાહ જોઈ ફ્લેટ નીચે ઊભી હતી, પણ એનાં મમ્મી-પપ્પા આવે એ પહેલાં ત્યાં આવી ગયો એક શૈતાન. દીકરીને ફ્લેટ નીચે એકલી ઊભેલી જોઈ એને ફોસલાવી તેડી અને સાથે લઈ ગયો. ઘરથી દોઢ કિમી દૂર એક ઝાડી-ઝાંખરાવાળા ખાલી પ્લોટમાં લઈ જઈ દીકરીને ઊંચકી નીચે ફેંકી. દીકરીએ ચીસાચીસ ચાલુ કરી, પણ કમનસીબે ત્યાં કોઈ એની ચીસ સાંભળવાવાળું નહોતું. દીકરીએ જેવી બૂમો પાડી એટલે રાક્ષસે એનું મોઢું દબાવી દીધું અને જોરથી એ માસૂમ ફૂલ જેવા ગાલ પર લાફા ઝીંકી દીધા. દીકરી હેબતાઈ ગઈ એટલે બૂમો પાડવાનું બંધ કર્યું. એના પગ ખેંચી ઝાડીઓમાં અંદર ખેંચી ગયો. દીકરીનાં કપડાં ફાડીને… (એ પછી એ માસૂમ દીકરીની સાથે જે થયું એ આગળનું વર્ણન લખી શકાય એવું નથી) આરોપીએ થોડી વારમાં પોતાનાં કપડાં પહેરી નીકળવાની તૈયારી કરી. દીકરીએ કહ્યું કે, મને ઘરે મૂકી જાઓ, તો એ નફ્ફટ કહે, મારે નોકરીએ જવાનું છે, મારે મોડું થાય છે. એમ કહી દીકરીને એ જ હાલતમાં ત્યાં છોડીને ભાગી ગયો. દીકરી રસ્તા પર ગઈ અને ત્યાંથી નીકળતાં કોઈને કહ્યું કે, મને મારા ફ્લેટ સુધી મૂકી જાઓ ને. કોઈ ભલો માણસ દીકરીને ઘરે મૂકી ગયો. *** એક CCTVમાં આરોપી દેખાયો તો ખરો, પણ... ગુનો અત્યંત ગંભીર હતો, ત્યાં હાજર તમામ વ્યક્તિઓનું લોહી ઊકળી ગયું હતું. દીકરીને આરોપી વિશે પૂછપરછ કરી, પણ દીકરી એ આરોપીને ઓળખતી જ નહોતી. પણ હા, એની પાસેથી થોડી માહિતી મળી. આરોપી યંગ હતો, બાઇક પર આવ્યો હતો અને રાત્રે કહ્યું હતું કે, મારે જોબ પર જવું છે. મતલબ કે એ ક્યાંક નાઈટ શિફ્ટમાં નોકરી કરતો હતો અને ક્યાંક નજીકમાં જ નોકરી કરતો હતો. પ્લસ, દીકરીએ આરોપીએ પહેરેલા કાર્ટૂનવાળા બ્લૂ ટી-શર્ટનું પણ વર્ણન કર્યું હતું. અમે અમારા સારા સાયકોલોજિસ્ટને બોલાવી પેરેન્ટ્સની હાજરીમાં દીકરી સાથે પ્રેમથી વાત કરી ને ધીમે ધીમે વિગતો કઢાવીને આરોપીનો સ્કેચ બનાવડાવ્યો. અમે પોલીસની અલગ અલગ ટીમો બનવીને તપાસ ચાલુ કરાવી. સુરતના એ વિસ્તારમાં રસ્તે જ્યાં જ્યાં નજીકમાં CCTV હતા એ દરેક જગ્યાએ આરોપીને શોધવા પ્રયત્નો ચાલુ કર્યા. એક ફૂટેજમાં આરોપી દેખાયો, જેમાં એ દીકરીને લઈને જતો દેખાતો હતો. પણ એ ફૂટેજમાં પાછળનો ભાગ જ દેખાતો હતો અને રિટર્ન ફૂટેજમાં ફક્ત દીકરી એકલી જ આવતી હતી. મતલબ રિટર્નમાં એ સાથે નહોતો. બીજી બાજુ એ જ દિવસે રાત્રે આજુબાજુના વિસ્તારમાં જેટલી પણ ઇન્ડસ્ટ્રીમાં નાઈટ શિફ્ટમાં કામ ચાલુ હોય છે એ દરેક જગ્યાએ પણ તપાસ ચાલુ કરી. કોણ કોણ રાત્રે નોકરી પર આવે છે? એ દિવસે કોણ કોણ આવ્યું હતું? એ દરેકનું નામ, ફોટો બધું જ તપાસવાનું શરૂ કર્યું અને છોકરાના સ્કેચ પરથી ઇન્ડસ્ટ્રી માલિકો અને એ દોઢ કિમીના વિસ્તારમાં પણ પૂછપરછ શરૂ કરી. ‘સાહેબ, આ નખ વાગ્યાનાં નિશાન તો અમે મસ્તી કરતાં હતાં એનાં છે’ એ ફૂટેજ અને સ્કેચ પરથી એક મહિલાએ અમને કહ્યું કે, મેં આને જોયો છે. આ અહીં એક ફ્લેટમાં ભાડે રહે છે, તમે ચેક કરાવો. અમે ચેક કરાવ્યું તો ત્યાં એ છોકરો તો ન મળ્યો પણ ભોગ બનેલી દીકરીએ જે ટીશર્ટનું વર્ણન કર્યું હતું એ ત્યાં મળી ગયું. ત્યાં હાજર છોકરાઓમાં એક છોકરાએ એ સેમ ટીશર્ટ પહેરેલી. ઉપરથી એના ગળા પર નખ વાગેલાનાં નિશાન હતાં. એટલે અમને શક ગયો ને અમે એની ઓળખ કરાવવા લઈ આવ્યા. પણ સ્ટેશને આવી એ છોકરો તો કહે કે, મેં આ ટીશર્ટ બે-ત્રણ દિવસથી પહેર્યું જ નથી, એ તો મારો ભાઈ પહેરી જતો હતો અને આ નિશાન તો અમે રૂમમાં મસ્તી કરતા હતા એનાં છે. એની પાસેથી જ આરોપીની નોકરીની જગ્યા પૂછી અને એ ઇન્ડસ્ટ્રીમાં પહોંચ્યા તો એ ત્યાં જ હતો. ત્યાં ને ત્યાં એની ધરપકડ કરી અને FSL પાસે મેડિકલ રિપોર્ટ કરાવ્યો તો આરોપી એ જ સાબિત થયો અને સામે દીકરીએ પણ સ્વીકાર્યું કે, આ જ મને લઈ ગયો હતો. એકાદ મહિનામાં જ અમે આ કેસની ચાર્જશીટ તૈયાર કરી દીધી અને બધા પુરાવાઓ સાથે સુરતની સેશન્સ કોર્ટમાં રજૂ કર્યું. ફાસ્ટ ટ્રાયલ ચાલી અને સુરત કોર્ટે એને 20 વર્ષની આકરી સજા ફટકારી. આ કેસમાં કોર્ટમાં જુબાની મેં જ આપી હતી, અને જ્યારે હું જુબાની આપતી હતી ત્યારે મારે પણ પાંચ મહિનાની પ્રેગ્નેન્સી હતી. આ કેસમાં સ્ટ્રોંગ ઇન્વેસ્ટિગેશન જ સૌથી મહત્ત્વનું હતું. જો થોડું પણ મોડું થયું હોત તો આરોપી ભાગી શકતો હતો અને સામે એ હતો પણ સાવ અજાણ્યો. ક્યાંય કોઈ પાસે એનું નામ સુદ્ધાં કશું જ નહોતું. છતાં ઝીરોથી શરૂ કરી અમે એ રાક્ષસને પકડ્યો અને દીકરીને ન્યાય અપાવ્યો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 6:00 am

ઈટાલિયા સાથે વિધાનસભાવાળી થઈ:જૂતુ ફેંકનાર બોલ્યો, 'મેં પ્રદીપસિંહનો બદલો લીધો'; ગાંધીનગરમાં પતરાં ઢાંકવા સફેદ પડદા લગાવાયા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:55 am

બદલીનો હુકમ:ધરમપુરના 3 અને વલસાડના એક ફોરેસ્ટરની બદલી

ધરમપુર રેંજના વિવિધ રાઉન્ડમાં ફરજ બજાવતા ત્રણ રાઉન્ડ ફોરેસ્ટર અને વલસાડ રેંજનાં એક ફોરેસ્ટરની અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ત્રણ વર્ષથી ફરજ બજાવતા હોવાના કારણે ચારે રાઉન્ડ ફોરેસ્ટરની બદલી કરાઇ હોવાનું અનુમાન છે. ધરમપુર રેંજનાં માકડબન રાઉન્ડનાં રાઉન્ડ ફોરેસ્ટર વસંત પાડવીની સંજાણ રેંજ કરંજગામ રાઉન્ડ, પાનવા રાઉન્ડનાં રાઉન્ડ ફોરેસ્ટર વિગ્નેશ પટેલની વલસાડ રેંજ વેલવાચ રાઉન્ડ, માલનપાડા ડેપો ફોરેસ્ટર નિકિતાબેન પટેલની બદલી ચીખલી રેંજ ખેરગામ રાઉન્ડ અને વલસાડ રેંજનાં વેલવાચ રાઉન્ડનાં ફોરેસ્ટર કિશોર પટેલની બદલી ચીખલી રેંજમાં કરાઇ હોવાની માહિતી સૂત્રો પાસેથી મળી છે. ધરમપુરમાં ઘણા સમયથી ફરજ બજાવતા હોવાના કારણે તાલુકા બહાર બદલી કરાઇ હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:50 am

ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો:હોન્ડમાં ટ્રકે પાછળથી ટક્કર મારતા કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ

ચીખલીના હોન્ડ કાવેરી નદીના પુલ પર શુક્રવારની સવારના સમયે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સુરતથી વલસાડ તરફ જઇ રહેલી કાર (નં. જીજે-05-જેઆર-1435) હોન્ડ કાવેરી નદીના પુલ પર આવતા માતેલા સાંઢની જેમ પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રકે કારને પાછળથી ટક્કર મારતા પુલ પર જ કાર ત્રણ વખત ફરી જતા કારમાં મસમોટું નુકસાન થયું હતું. જોકે આ અકસ્માતમાં કારમાં સવાર સુરતના બે લોકોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી સ્થળ ઉપરથી ફરાર થયો હતો. અકસ્માતને પગલે પુલ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. બનાવ અંગે જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ ટ્રાફિકને નિયંત્રિત કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:50 am

અકસ્માત સર્જાયો:વાંસદા-વઘઇ રોડ પર રોંગ સાઇડે આવેલા ટેમ્પોએ બાઇકને અડફેટે લીધી

વાંસદા-વઘઇ રોડ પર વીસગુલિયાબારીથી બાઇક (નં. જીજે-21-એઆર-4443) પર અમિત ઈશ્વરભાઈ ચવધરી, નીતિક્ષાબેન અને રામભાઈ બાબુભાઈ સુળે સાથે નાની વઘઇ કિલાદ ગામે દેવકામ હોવાથી જઇ રહ્યાં હતા. એ દરમિયાન વઘઇ તરફથી છોટા હાથી ટેમ્પો (નં. જીજે-05-બીટી-1519)નો ચાલક રમઝામ સત્તારભાઈ શેખ (રહે.વઘઇ, દરગાહ ફળિયા)એ રોંગ સાઇડમાં ટેમ્પો પૂરઝડપે હંકારી લાવી બાઇકને અડફેટે લીધી હતી. જેને બાઇક પર સવાર ત્રણેય જણાય રોડ પર પટકાયા હતા. અકસ્માતમાં ત્રણેયને ઇજા થતા તમામને 108માં વાંસદા કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રામભાઈ બાબુભાઈ સુલેના માથાના ભાગે ગંભીર ઈજા થતા વધુ સારવાર અર્થે વલસાડ રિફર કરાયા હતા. બનાવની અમિત ઈશ્વરભાઈએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી. પોલીસે ફરિયાદને પગલે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:49 am

ભાસ્કર એક્સક્લુસિવ:સિસોદ્રા રોડના 1200 વૃક્ષો કાપી નાંખ્યા ને‎હવે નવા રોપવા પૂછ્યું તો કહ્યું ભૂજમાં રોપીશું‎

નવસારી શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને વિકાસના કામોને વેગ આપવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એરૂ ચાર રસ્તાથી સિસોદ્રા સુધીના માર્ગને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે, આ વિકાસના ભોગે પર્યાવરણને મોટું નુકસાન થયું છે, કારણ કે આ પ્રોજેક્ટ માટે અંદાજે 1200 જેટલા વૃક્ષો કાપવામાં આવ્યા છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી તેની પરવાનગી અપાઇ હતી. આ જંગી જથ્થાના લાકડાને સાચવવા માટે દાંતેજ નહેર પાસે ખાસ સ્ટોક યાર્ડ ઊભું કરવામાં આવ્યું છે. હાલમાં કપાયેલા તમામ વૃક્ષોના લાકડા અહીં રાખવામાં આવ્યા છે. સ્ટોક યાર્ડ ખુલ્લી જગ્યામાં અને જાહેર માર્ગ પર હોય તેમાંથી લાકડા ચોરાઇ જવાનો ભય પણ રહેલો છે. આ કપાયેલ વૃક્ષોનું ઓનલાઇન ટેન્ડરીંગ કરી હરાજી કરશે. અગાઉ પણ ભૂજમાં 32 હેકટર જમીન‎વૃક્ષારોપણ માટે ફાળવાઇ હતી‎પર્યાવરણના નિયમો મુજબ, જ્યારે કોઈ પ્રોજેક્ટ માટે વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે તેના બદલામાં અન્ય જગ્યાએ વૃક્ષારોપણ કરવું ફરજિયાત હોય છે. નવસારીમાં કપાયેલા વૃક્ષોના વળતર રૂપે તંત્રને નવસારીમાં જગ્યા ન મળતા છેક કચ્છના ભુજમાં જમીન ફાળવવામાં આવી છે. ભુજમાં અંદાજે 7 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવી છે. આ જમીનમાં કપાયેલ વૃક્ષોની સામે નિયમ મુજબ નવા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવશે. આ અગાઉ પણ ઇટાળવા-ગણદેવી રોડ પર કપાયેલ વૃક્ષો માટે આશરે 32 હેક્ટર જેટલી જમીન ફાળવવામાં આવી હતી. એરૂ ચાર રસ્તાથી સિસોદ્રા સુધીના આશરે 7 કિમીના માર્ગને પહોળો કરી બન્ને તરફે 9-9 મીટર સુધી લંબાવી 18 મીટરનો ફોરલેન બનાવાશે. આ રોડની વચ્ચે ડિવાઇડર બનાવાશે અને તેમાં પણ અમે વૃક્ષોનું વાવેતર કરીશું.> નિલય નાયક, ડેપ્યુટી ઇજનેર, માર્ગ-મકાન વિભાગ(રાજ્ય) શું ઓક્સિજન મેળવવા આપણે ભૂજ જવાનું ?‎આ તદ્દન ખોટું છે. તમે અહીં નવસારીમાં વૃક્ષો કાપો છો અને તેની ભરપાઇ કરવા ભુજમાં વૃક્ષોનું વાવેતર કરવું એટલે શું ઓક્સિજન મેળવવા આપણે ભુજ જવાનું ? અહીં જગ્યા શોધે તો કેમ નહીં મળે ? પણ આ બધી બહાનાબાજી છે. જ્યાં નવા વૃક્ષો વાવવામાં આવ્યા તેની પુષ્ટિ કોણ કરવા જશે અને અહીં જે ઓક્સિજન બનતો હતો એ માત્રામાં શું ઘટાડો નહીં થાય ! કેવા વિચિત્ર કારણ છે. ખરેખર તો નવસારીમાં જ વાવેતર થવું જોઈએ. > કનુભાઇ સુખડીયા, એડવોકેટ અને પર્યાવરણવિદ વૃક્ષોનું ટ્રી ટ્રાન્સ લોકેશન કરવાનું હિતાવહ‎આ વૃક્ષોનું ટ્રી ટ્રાન્સ લોકેશન કરાયું હોત તો કદાચ જૂના વૃક્ષો બચાવી‎શકાયા હોત. અન્ય દેશોમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણ બચાવાની‎ઝુંબેશને લઇને હવે વૃક્ષો કાપવાની જગ્યાએ તેને એક જગ્યાએથી મૂળ‎સાથે ખસેડીને અન્ય જગ્યાએ રોપવામાં આવે છે તેવા મશીન આપણે‎પણ લાવી વર્ષો જુના વૃક્ષોને બચાવવા જોઇએ. જેથી કરીને આવનારી‎પેઢી સુરક્ષિત રહે. > હર્નિશ નાયક, પર્યાવરણપ્રેમી, નવસારી‎

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:48 am

સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત અભિયાન હેઠળ આયોજન:વ્યારામાં બે દિવસીય યોગ શિબિર

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત વ્યારા ખાતે બે દિવસીય યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. શહેરના સયાજી ગ્રાઉન્ડ ખાતે આ શિબિરનો પ્રારંભ આજે શનિવારે સાંજે 4:15 કલાકે થશે જ્યારે બીજા દિવસે રવિવારે સવારે 6:15 કલાકે યોગ સત્ર યોજાશે. કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. યોગ શિબિરનું માર્ગદર્શન અને સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજી દ્વારા કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ જાલમસિંહ વસાવા, સાંસદ પ્રભુભાઈ એન. વસાવા, ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિ, મોહનભાઈ ઢોડિયા અને મોહનભાઈ કોંકણી સહિત જિલ્લાના અન્ય પદાધિકારીઓ પણ કાર્યક્રમમાં હાજરી આપશે. કલેક્ટર વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગલીયાની ઉપસ્થિતિ પણ રહેશે.યોગ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યારા સહિત આસપાસના વિસ્તારોના નાગરિકો જોડાઈ યોગ શિબિરનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. આયોજકોના જણાવ્યા મુજબ, શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવાનો અને મેદસ્વિતા સામે સામૂહિક અભિયાન ઉભું કરવાનો છે.

દિવ્ય ભાસ્કર 6 Dec 2025 5:39 am