ધંધુકા વિધાનસભા મતવિસ્તાર ક્રમાંક–59માં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી તથા એએસડી (ASD–Absent, Shifted, Dead) યાદીની પ્રસિદ્ધિ બાબતે મતદાર નોંધણી અધિકારીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધંધુકા મતવિસ્તારના તમામ માન્ય રાજકીય પક્ષોના સ્થાનિક આગેવાનો, પ્રતિનિધિઓ અને બૂથ લેવલ એજન્ટો હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ડ્રાફ્ટ મતદાર યાદીની તપાસ, એએસડી યાદીમાં સમાવિષ્ટ નામોની ચકાસણી, નવા મતદારોના નામ દાખલ કરવાની પ્રક્રિયા, નામમાં સુધારા તથા અયોગ્ય નામો કાઢી નાંખવાની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. મતદાર નોંધણી અધિકારીએ વિશેષ સઘન સુધારણા કાર્યક્રમનો હેતુ સમજાવતા જણાવ્યું હતું કે, મતદાર યાદી વધુ ચોક્કસ, પારદર્શક અને ત્રુટિ રહિત બને તે માટે રાજકીય પક્ષોનો સહયોગ અત્યંત જરૂરી છે. ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ થયા બાદ આપત્તિ/સૂચનો રજૂ કરવાની સમયમર્યાદા, ફોર્મ-6, 7 અને 8 દ્વારા કરવામાં આવતી અરજીઓની પ્રક્રિયા અંગે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત એએસડી યાદીમાં સમાવિષ્ટ મતદારો અંગે ઘરઘર ચકાસણી, સ્થળાંતર થયેલા, અવસાન પામેલા તથા લાંબા સમયથી મતદાન ન કરનાર મતદારોની માહિતી અપડેટ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓએ પણ પોતાની સૂચનાઓ રજૂ કરી મતદાર યાદી શુદ્ધિકરણ માટે સહયોગ આપવાની ખાતરી આપી હતી. રાજકીય પક્ષો સાથે આ મહત્ત્વપૂર્ણ બેઠકના અંતે મતદાર નોંધણી અધિકારીએ તમામ રાજકીય પક્ષોને મતદાર જાગૃતિ અભિયાનમાં સક્રિય ભૂમિકા ભજવવા અને વધુમાં વધુ લાયક નાગરિકોના નામ મતદાર યાદીમાં સમાવિષ્ટ થાય તે માટે અપીલ કરી હતી.
બોટાદની પાળીયાદ પોલીસે બાતમીના આધારે પાળીયાદ-રાણપુર હાઈવે પર સફળ ઓપરેશન પાર પાડીને કપાસ ભરેલા આઇસર ટ્રકમાંથી ગેરકાયદેસર બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹15,52,954નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અતિથિ હોટલ પાસે વોચ ગોઠવી ટ્રકને આંતર્યો પાળીયાદ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. રામદેવસિંહ ચાવડા અને હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ ગોહીલને ચોક્કસ બાતમી મળી હતી કે, રાણપુર તરફથી આવતા એક આઇસર ટ્રક (નંબર GJ-13-AX-1605) માં કપાસની નીચે દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે પોલીસે અતિથિ હોટલ પાસે વોચ ગોઠવી હતી. આઇસર ટ્રક આવતા જ તેને અટકાવી તલાશી લેતા પ્રથમ દ્રષ્ટિએ માત્ર કપાસ જોવા મળ્યો હતો. જોકે, ડ્રાઈવર ગોગજીભાઈ સામંતભાઈ કુકવાવા (રહે. હડાળા, સાયલા) ની કડક પૂછપરછ કરતા તેણે કપાસની નીચે બિયર હોવાની કબૂલાત કરી હતી. પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં કપાસ ખાલી કરતા ખેલ ખુલ્લો પડ્યો ટ્રકને પાળીયાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરતા કપાસના ઢગલા નીચેથી ખાખી પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા કુલ 1776 નંગ બિયરના ટીન (કિંમત ₹3,19,680) મળી આવ્યા હતા. આ ઉપરાંત પોલીસે ₹5 લાખનો આઇસર ટ્રક, ₹7.28 લાખનો કપાસ અને મોબાઈલ મળી કુલ ₹15.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રક માલિકની સૂચનાથી મધ્યપ્રદેશથી જથ્થો લવાયો હતો . પકડાયેલા ડ્રાઈવરની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ જથ્થો મધ્યપ્રદેશથી ભરવામાં આવ્યો હતો અને ટ્રકના માલિક પ્રવિણભાઈ મથુરભાઈ મેણીયા (રહે. નડાળા, સાયલા) ના કહેવાથી તે હેરાફેરી કરતો હતો. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી છે, જ્યારે ટ્રક માલિક પ્રવિણ મેણીયાને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બાળકોએ ફાયર સ્ટેશનની મુલાકાત લીધી:બોટાદ જિનિયસ સ્કૂલના છાત્રોને ફાયર સેફ્ટીની માહિતી અપાઈ
20 ડિસેમ્બરના બોટાદ જિનિયસ સ્કૂલના 200 વિદ્યાર્થીઓ સહિત સ્કૂલ સ્ટાફ દ્વારા બોટાદ ફાયર સ્ટેશનની વિઝીટ કરી ફાયર સેફટી વિશે માહિતી મેળવી હતી આ કાર્યક્રમ દ્વારા બાળકોને કટોકટીની સ્થિતિમાં પોતાના જ્ઞાનથી મદદરૂપ થવાની ક્ષમતા અને ઇમર્જન્સીને અટકાવવાની શીખ અપાઈ હતી જેથી તેઓ સારા નાગરિક તરીકે ઉભરી શકે. બોટાદ ફાયર વિભાગના અધિકારી કુલદીપસિંહ ડોડિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીના મૂળભૂત પ્રિન્સિ પલ્સ, અગ્નિશામક સાધનોના ઉપયોગ અને ઇમર્જન્સી સમયે રક્ષણાત્મક પગલાંઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેઓને સમજાવવામાં આવ્યું કે આગ લાગે ત્યારે પ્રથમ શ્વાસ લેવો, ધુમાડાની ઊંચાઈથી દૂર રહેવું, નીચેના ભાગથી બહાર નીકળવું અને 101 નંબર પર કોલ કરવું જેવા પગલાંઓથી જીવન બચાવી શકાય. આ કાર્યક્રમથી પ્રેરિત થયેલા વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ આ જ્ઞાન અન્ય લોકો સુધી પણ ફેલાવશે. ફાયર વિભાગના આ પ્રયાસથી બાળકોમાં અગ્નિ સુરક્ષા વિશે જાગૃતિ વધશે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસીસ દ્વારા આવા કાર્યક્રમોને વધુ વિસ્તારીને બધી શાળાઓમાં પહોંચાડવાની યોજના છે. તેમ ફાયર વિભાગના કુલદીપસિંહ ડોડીયા જણાવ્યું હતું.
અકસ્માત:ભાવ.શહેર-જિલ્લામાં બે અકસ્માતોમાં ચારને ઇજા
ભાવનગર શહેરમાં લખુભા હોલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક્સેસ સ્કુટરના ચાલક રવિરાજભાઇ રાજેન્દ્રકુમાર પંડ્યા સાથે સામેથી આવતા યામાહા બાઇકના ચાલકે, પુરપાટ ઝડપે બાઇક ચલાવી રવિરાજભાઇ સાથે અક્સમાત કરતા રવિરાજભાઇને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જે બાદ તેમને સારવારમાં ખસેડાયા હતા જ્યાં રવિરાજભાઇએ બાઇક ચાલક નં. GJ 04 EF 6508 ના ચાલક વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે બીજા બનાવમાં દેવુબાગમાં રહેતા સુરજભાઇ તેમના પત્નિ અને તેમનો બાબો ત્રણેય પોતાના બાઇકમાં મહુવા જઇ રહ્યા હતા જે દરમિયાન તળાજા રોડ ઉપર સ્કોડા કાર નં. GJ 05 RU 4105 ના ચાલકે સુરજભાઇના બાઇક સાથે ગંભીર અકસ્માત કરતા સુરજભાઇ તેમના પત્નિ અને બાબાને ગંભીર ઇજા થતાં સ્કોડા ચાલક વિરૂદ્ધ ઘોઘા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જુગારીઓ રંગે હાથ ઝડપાયા:વાડી વિસ્તારમાં જુગાર રમતા દસ જુગારીઓને કોર્ડન કરી ઝડપી લીધા
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સાંજણાસર ગામે કેટલાક શખ્સો વાડી વિસ્તારમાં જુગાર રમતા હોવાની પાલિતાણા રૂરલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે પોલીસે મોડી રાત્રે દરોડા પાડતા વાડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દસ જેટલા જુગારીઓને પોલીસે કોર્ડન કરી, રંગેહાથે ઝડપી લીધા હતા. પોલીસે 20,400ની જુગારની રોકડ કબ્જે કરી હતી. સાંજણાસર ગામે રહેતા લાલા હાદાભાઇ ફગાની વાડીની નજીક ખુલ્લી જગ્યામાં ગત મોડી રાત્રે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે એકાદ વાગ્યે દરોડા પાડતા જુગાર રમતા વિક્રમ વિસાભાઇ આલગોતર, રાજેશ કાળુભાઇ મકવાણા, જેમા ખાટાભાઇ રાઠોડ, વીજુ લોહભાઇ ફગા, ધર્મેશ રઘુભાઇ વાઘેલા, લાલા હાદાભાઇ ફગા, મેહુર મનજીભાઇ ગોહિલ, રામકુ ભાભલુભાઇ કામળીયા, ભદ્રેશ સોથાભાઇ મકવાણા અને સારા નાનુભાઇ મેરને જુગારની રોકડ રકમ રૂા. 20,400 સાથે પાલિતાણા રૂરલ પોલીસે ઝડપી લીધા હતા.
વિતરણ:સિહોરની 9 શાળાઓના 2396 બાળકોને ટ્રેક,બૂટ-મોજા વિતરણ
સિહોરના સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી ટ્રસ્ટ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વિવિધ કાર્યો દ્વારા મદદ કરવામાં આવે છે.તાજેતરમાં આ ટ્રસ્ટ દ્વારા સિહોર શહેર અને તાલુકાની અલગ-અલગ 9 શાળાઓના 2396 બાળકોને સ્પોર્ટસ ટ્રેક, બૂટ-મોજા વિતરણ કરવામાં આવેલ. સ્વામી સ્વરૂપાનંદજી ટ્રસ્ટ દ્વારા સિહોરની સિહોર કે.વ.1ના 300 બાળકો, શાળા નં.2ના 165 બાળકો, શાળા નં. 3ના 213 બાળકો, શાળા નં. 6ના 275 બાળકો, સાગવાડી પ્રા .શાળાના 194 બાળકો, જગદીશ્વરાનંદજી પ્રા. શાળાના 463 બાળકો, ધ્રુપકા પ્રા. શાળાના 406 બાળકો,વાવડી (વા.) પ્રા. શાળાના 112 બાળકો અને સખવદર પ્રા. શાળાના 268 એમ કુલ 9 શાળાઓના કુલ 2396 વિદ્યાર્થીને ટીશર્ટ ટ્રેક બુટ મોજા આપવામાં આવ્યા. અલગ-અલગ શાળાઓમાં સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી દ્વારા શાળાની મુલાકાત લઇ, બાળકોને સખત અને સતત મહેનત દ્વારા સફળતાના શિખરો સર કરવા આશીર્વચન પાઠવેલ.બાળકો સુધી આ ટ્રેક અને બૂટ-મોજા પહોંચાડવા માટે રોહિતગિરિબાપુ, સિહોર કે.વ.1 ના આચાર્ય વિક્રમભાઇ પરમાર અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.
નવા રેસ્ટ હાઉસનું કામ અટક્યું:બે વિભાગ વચ્ચે વલભીપુરમાં નવુ રેસ્ટ હાઉસનુ કામ અધ્ધરતાલ
વલભીપુરમાં રેસ્ટ હાઉસ બંધ થયાને અંદાજે પાંચ વર્ષ થયા હશે અને નવુ રેસ્ટ હાઉસ બનાવવા માટેની પ્રાથમીક તમામ પ્રક્રિયાઓ પણ પુરી થઇ ગઇ છે. પરંતુ રેસ્ટ હાઉસ પંચાયત હેડે રેકર્ડ ઉપર ચાલતુ હોય અને જયાં સુધી પંચાયત દ્વારા સરકારી પ્રક્રિયા મુજબ પંચાયતના હેડેથી સ્ટેટના હેડ ફેરફાર કરવામાં ન આવે ત્યાં સુધી સ્ટેટ દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી કરી શકે નહી અને હેડ ફેરફાર માટે બન્ને તંત્ર વચ્ચે તાલમેલના અભાવે રેસ્ટ હાઉસનો પ્લાન નકશો તેમજ ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી છે છતા આ સામાન્ય અને ખુદ સરકારી આંતરીક બાબત હોવા છતાં કયાં કારણોસર હેડ ફેરફાર કરવામાં વિલંબ થઇ રહ્યો છે ? પહેલા નવુ રેસ્ટ હાઉસ જુની સરકારી વસાહતવાળી જગ્યા ઉપર બનાવાની દરખાસ્ત હતી આ કિંમતી અને વિશાળ જગ્યા પર રૂપીયા ત્રણથી ચાર કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ બનાવા માટે જઇ રહ્યું હતું અને આ જગ્યાને ધ્યાને લઇ ગાંધીનગર સ્થિત બાંધકામ વિભાગ દ્વારા સૂચિત પ્લાન નકશો પણ તૈયાર થઇ ગયાને આશરે બે વર્ષ જેટલો સમય થવા આવ્યો હશે પરંતુ ત્યારપછી રેસ્ટ હાઉસ હાલ જે સ્થળે છે તે સ્થળ પર જ બનાવાનું અને તે પણ સ્ટેટ માર્ગ-મકાન વિભાગ દ્વારા બને તેવી દરખાસ્ત કરવામાં આવતા હાલ આ બાબત પંચાયત અને માર્ગ-મકાન તંત્ર વચ્ચે ઘોંચમાં પડતા વલભીપુરનું એક માત્ર રેસ્ટ હાઉસ છેલ્લાં પાંચ વર્ષ કરતા વધુ સમયથી બંધ હાલતમાં છે. આ બાબતે વલભીપુરના ધારાસભ્ય મહંત શંભુનાથજી ટુંડીયા દ્વારા સબંધીત તંત્રને લેખીતમાં રજુઆત કરીને તાકીદે પ્રશ્નનું નિરાકરણ લાવી રેસ્ટ હાઉસનું કામ શરૂ થાય તેવી ઝડપી કાર્યવાહી હાથ ધરે તે ઈચ્છનીય છે.
ગુલ્લક સુશોભન સ્પર્ધા યોજાઈ:ગલ્લા સુશોભીત કરીને બાળકોને ઘરે બચત માટે આપવામાં આવ્યા હતા
દરેકના ઘરમાં બાળકોને પૈસાની બચત કરવા માટે લોકો એક ગલ્લો રાખતા હોઈએ છીએ જેમાં બાળકોને છુટક પરચુરણ તથા કોઈ મહેમાન દ્દવારા આપવામાં આવેલ પૈસાને ગલ્લામાં નખાવતા હોઈએ છીએ આજકાલ બજારમાં અવનવા પ્રકારના પ્લાસ્ટિક, લાકડા તથા ધાતુ ના અલગ અલગ પ્રકાર ના ગલ્લાઓ આવતા હોય છે પણ એક સમય હતો જ્યારે લોકો કુંભારે બનાવેલો માટેનો ગલ્લો ઘરમાં રાખતા હતા આવો જ ગુલ્લક પેઇન્ટિંગ કોમ્પિટિશન એક સુંદર અને અનોખી સ્પર્ધાનો પ્રયત્ન આ રવિવારે ભાવનગર કલા સંઘ દ્વારા કરવામાં આવ્યો હતો. આ ગલ્લાને સુશોભિત કરવા માટેની એક કોમ્પિટિશન ભાવનગર કલા સંઘના સહયોગથી રૂપાણી ખાતે આવેલ કિડ્સ ઝોનમાં આયોજિત થઈ હતી. આ સ્પર્ધામાં 100થી વધુ લોકોએ ભાગ લીધેલ જેમાં દરેક સ્પર્ધકને સંસ્થા તરફથી માટીનો ગલ્લો આપવામાં આવેલ તથા સાથે સર્ટિફિકેટ પણ આપવામાં આવેલ. આ સ્પર્ધામાં ત્રણ અલગ અલગ ગ્રુપના શ્રેષ્ઠ ત્રણ વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવેલ.
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:શહેરમાં લાખો રૂપિયાના ખર્ચા બાદ સાઈકલ ટ્રેક યોજનાનું સુરસુરિયું..!
ભાવનગર ભાવનગર મહાનગર પાલિકા દ્વારા જે તે સમયે શહેરમાં જેમાં શહેરના કાળિયાબીડ, વિક્ટોરિયા પાર્ક, જવેલ્સ સર્કલ સહિતના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ લાખો રૂપિયાના ખર્ચે સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં સરકારી તંત્રવાહકોએ બહુ મોટા ઉપાડે શરૂ કરેલી સાઈકલ ટ્રેક યોજનાની રાજ્ય કક્ષાએ પણ નોંધ લેવાઈ હતી ત્યારે ભાવનગર મહાનગરપાલિકાના તંત્રવાહકોના અણઘડ આયોજનથી શહેરમાં લાખો રૂપિયાના ખર્ચા બાદ સાઈકલ ટ્રેક યોજનાનું સુરસુરિયું થઈ ગયું છે. શહેરના કાળિયાબીડ, વિક્ટોરિયા પાર્ક, જવેલ્સ સર્કલ સહિતના વિસ્તારોમાં રસ્તાની બંને સાઈડમાં સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા. જોકે સાઈકલ ટ્રેકના નિર્માણ બાદ તેના સંચાલન અને જાળવણીના અભાવે વીજપોલ, પાથરણાંવાળા અને આડેધડ વાવેલા વૃક્ષોથી ટૂંકા સમયગાળામાં લાખો રૂપિયાનું આંધણ થયું હોય તેવો ઘાટ ઘડાયો છે. કાળિયાબીડ વિસ્તારમાં સાઈકલ ટ્રેકને તોડી નાખીને ત્યાં સિક્સલેન રોડ બનાવવામાં આવતા લોકોમાં ભારે ટીકા થઈ છે. સાઈકલ ટ્રેક નિર્માણમાં તે જે કાંઈ ખર્ચ થયો છે તે કોના ખિસ્સામાંથી તેવા પ્રશ્નો નગરજનોમાં ઉઠી રહ્યા છે. ત્યારે તંત્રવાહકોએ વિચારવું જોઈએ. વિક્ટોરિયા પાર્કનો સાઈકલ ટ્રેક બન્યો વેન્ડર ઝોન?વિક્ટોરિયા પાર્ક, સીટી મામલતદાર વિદ્યાનગર સહિતના વિસ્તારમાં આવેલા સાઈકલ ઝોન ઉપર તો નવરાત્રિથી માંડીને અલગ અલગ આઈટમોની બજાર હોય તેમ વેન્ડર ઝોન બની ગયું છે. જેના લીધે સાઇકલ ટ્રેક અહીં બિલકુલ પડતર અને બિન ઉપયોગી છે. ઉપરાંત પાર્કિંગ માટે પણ સાઈકલ ટ્રેકના ઉપયોગ થઈ રહ્યો છે.
સાયક્લોથોનનું આયોજન:સાયક્લોથોનની 18મી સીઝનમાં 8થી 74 વર્ષના 2300 સાયકલિસ્ટો જોડાયા
ભાવનગર : રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા પ્રતિ વર્ષ યોજાતી સાયકલોથોનની 18મી સીઝન સાયકલોથોન–2025 આ વર્ષે તા.21-12-2025 રવિવારે યોજાઈ હતી. રૂપાણી સર્કલ ખાતે સવારે 7 વાગ્યે કલેક્ટર બંસલ, રોટરીના પદાધિકારીઓના ફ્લેગ ઓફ દ્વારા સાયકલોથોનનું પ્રસ્થાન થયું હતું. નિર્ધારિત વિવિધ રૂટ પર ફરી આ સાયકલોથોન ગુલીસ્તા ખાતે પૂર્ણ થઈ હતી. ત્યાં સાયકલિસ્ટો માટે અલ્પાહાર તથા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શોર્ટ રૂટ (14 કિ.મી.) અને લોંગ રૂટ (30 કિ.મી.) એમ બે વિભાગમાં યોજાયેલી આ ઇવેન્ટમાં 8 વર્ષથી લઈને 74 વર્ષના કુલ 2300 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે અમુક જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઇવેન્ટમાં ભાગ લેનાર તમામ લોકોને રજિસ્ટ્રેશન સમયે કેપ અને ટી-શર્ટ આપવામાં આવ્યા હતા. સમગ્ર રૂટ પર ટ્રાફિક પોલીસની કામગીરી પ્રશંસનીય રહી હતી. આ ઇવેન્ટમાં ઇસ્માઇલભાઈ ટીનવાળા સાયકલિસ્ટે 74 વર્ષની ઉંમરે સતત 18મી વખત ભાગ લીધો હતો. તેઓ અત્યાર સુધીમાં 80 વખત રક્તદાન પણ કરી ચૂક્યા છે.
વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને વિચારપ્રેરક પેનલ ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેશના પ્રતિષ્ઠિત પ્રશાસનિક અધિકારીઓ, શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, આરોગ્ય નિષ્ણાતો તથા ઉદ્યોગ ક્ષેત્રના આગેવાનો દ્વારા વિકસિત ભારત 2047 માટેનો વ્યાપક અને દૃષ્ટિપૂર્ણ અભિગમ રજૂ કરવામાં આવ્યો. ઓજ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન નીરવ દવેએ જણાવ્યું કે વિકસિત ભારત માત્ર એક લક્ષ્ય નથી પરંતુ એક સંકલ્પ છે, જે શિક્ષણ, સંસ્કાર અને નવીનતા દ્વારા જ સાકાર થઈ શકે છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, મજબૂત મૂલ્યપ્રણાલી અને રિસર્ચ આધારિત અભ્યાસક્રમો વિના રાષ્ટ્ર વિકાસ સંભવ નથી. યુવાનોને નોકરી શોધનાર નહીં પરંતુ રોજગાર સર્જનારા, નવોચારક અને રાષ્ટ્ર નિર્માતા બનવા માટે પ્રેરિત કર્યા. કાર્યક્રમના હોસ્ટ ઓજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સના મેનેજિંગ ડિરેક્ટર ધિરેન સોનીએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ. પેનલ ચર્ચામાં કન્ટ્રોલર જનરલ ઓફ પેટન્ટ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડ માર્ક (ભારત સરકાર)ના પ્રો. ઉન્નતભાઈ પી. પંડિત દ્વારા ઇનોવેશન, સ્ટાર્ટઅપ સંસ્કૃતિ, પેટન્ટ અને IPRના મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન આશીર્વચન રૂપે BAPS સ્વામિનારાયણ સંસ્થા, સારંગપુર ડૉ. આત્મતૃપ્ત સ્વામી દ્વારા સંસ્કાર, મૂલ્યો અને રાષ્ટ્રભાવના પર પ્રેરણાદાયક માર્ગદર્શન આપ્યું હતું.ભાવનગરના કલેકટર ડૉ. મનીષકુમાર બંસલે સુશાસન, વહીવટી પારદર્શકતા અને નાગરિકોની સક્રિય ભાગીદારી વિકસિત ભારત માટે કેટલી ઘણી આવશ્યક છે તે વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા. કારકિર્દી સલાહકાર ડૉ. રિચા ગોયલ બંસલે યુવાનોના માનસિક સ્વાસ્થ્ય, સ્ટ્રેસ મેનેજમેન્ટ, યોગ્ય કારકિર્દી પસંદગી અંગે વિચારો રજૂ કર્યા હતા. દેશ કક્ષાએ ઝળકેલા તારલાઓ જોડાયાAIR 67, IIT બોમ્બે તન્મય મંડાલિયા દ્વારા યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ, ટેક્નોલોજી અને વૈશ્વિક તકો માટે કેવી રીતે તૈયારી કરવી તે અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન આપવામાં આવ્યું. પ્રોડક્ટ અને સ્ટ્રેટેજી લીડર (MIT, IIM અને IIT મદ્રાસનો અનુભવ ધરાવતા) કરણ પટેલ દ્વારા ડેટા-ડ્રિવન ગ્રોથ, ટેક્નોલોજી અને ઓપરેશનલ એક્સેલન્સ દ્વારા ભારતના આર્થિક વિકાસની ચર્ચા કરાઈ.
181ની ટીમની સુંદર કામગીરી:પીડિતાને છૂટાછેડા આપવા ગયેલા પતિનું કાઉન્સેલિંગ કરી ઘર તૂટતાં બચાવ્યું
એક પીડીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરેલ અને તેમની સાથે થયેલ બનાવવાની જાણ કરી હતી અને વ્યથા ભેર જણાવ્યું હતું કે તેમના પતિ જબરજસ્તી દબાણપૂર્વક મહુવા ખાતે છૂટાછેડા કરવા લઈ જાય છે. આથી પીડિતાના ભાઇને આની જાણ થતા તેમણે 181માં સમસ્યાના સમાધાન માટે મદદ માંગતા પીડિતાના પતિને કાઉન્સેલિંગથી સમજાવવામાં આવ્યા હતાં. પીડિતા બહેને 181 મહિલા હેલ્પ લાઇન માં કોલ કરી તેમના સાસુ જોડે થયેલ માથાકુટમાં પીડિતા જોડે થતી ઘરેલું હિંસાની ઘટનાની જાણ કરી હતી પીડિતા એ વ્યથાભેર જણાવ્યું હતું કે, તેમના સાસુ સસરા અલગ બાજુમાં મકાનમાં રહે છે પીડિતાના પતિને સ્પષ્ટ કહી દીધું છે કે પીડિતાને કોઈ પણ સંજોગોમાં છૂટાછેડા આપી દે ઘરમાં ના રાખે આવા સંજોગોમાં પીડિતા પહેલા સંકોચ અનુભવી રહ્યા હતા. 181 ટીમ કોલ આવ્યા બાદ તરત 181 ટીમના કાઉન્સેલર ચંદ્રિકા મકવાણા, મહિલા કોન્સ્ટેબલ પાયલ બેન તથા પ્રદીપભાઇ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલ પીડિતાનું કાઉન્સેલિંગ કરતા પીડિતાએ પોતાની મનોવ્યથા જણાવેલ કે પીડિતા બેનના લગ્નનો છ વર્ષ જેટલો સમય થયો છે પીડિતાનું દામ્પત્ય જીવન ખૂબ સુખી છે લગ્ન સંસારથી એક 3 વર્ષનો દીકરો છે અને હાલ 3 મહિનાનો ગર્ભ પણ છે. પતિ તેમના માતાને કઈ કહેવાની જગ્યાએ પીડિતાને જબર જસ્તી દબાણપૂર્વક કોર્ટમાં નોટરી દ્વારા છૂટાછેડા કરાવવા લાવ્યા હતા. પરંતુ પીડિતા છૂટા છેડા કરવા માંગતા નથી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને 181 ટીમે પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. પતિ પત્ની બંને સાથે જ હોઈ પતિ પીડિતાને રાખવા જ તૈયાર ના હોઈ પતિ એક જ વાત રટતા હોઈ કે પત્ની એ માતા સામે બોલ્યા પરંતુ પીડિતાના પતિને સમજાવતા સમજી ગયા હતા. કોર્ટ પહોંચેલ પતિએ પત્નીને કોઈ પણ દબાણ વગર પોતાની સાથે રાખવા 181 ટીમને જણાવ્યું હતું.
વીજકાપ:શહેરમાં કાલે ગુરૂકુળ ફીડર હેઠળના વિસ્તારોમાં સવારે 7 કલાક વીજકાપ
ભાવનગર પશ્ચિમ ગુજરાત વીજ કંપની શહેર વિભાગ બે દ્વારા ફરી એકવાર વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તારીખ 23 ડિસેમ્બરને મંગળવાર તથા તારીખ 24 ડિસેમ્બરને બુધવારે વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. તા.23 ડિસેમ્બરને મંગળવારે 11 કેવી ગુરુકુળ ફીડર હેઠળના નેશનલ આયર્ન વર્કસ, તખ્તેશ્વર રેસિડેન્સી, મેમણ કોલોની ,સિદ્ધિ પાર્ક,તખ્તેશ્વર રેસિડેન્સીથી શિવાજી પાર્ક તરફ જમણી બાજુનો વિસ્તાર નંદકુવરબા કોલેજ, શિવાજી સર્કલથી સમર્પણ ચોક તરફ જમણી બાજુનો વિસ્તાર, સમર્પણ સોસાયટી, પાર્થ સોસાયટી, નીલકંઠનગર, શિવરંજની સોસાયટી, આકાશગંગા ફ્લેટ, અમરદીપ સોસાયટી, સત્યનારાયણ સોસાયટી, લક્ષ્મીનારાયણ સોસાયટી, વારાહી સોસાયટીનો કેટલોક ભાગ, શ્રીરામ સોસાયટી, કૃષ્ણ પાર્ક સોસાયટી તથા બીએમસી ફિલ્ટર પ્લાન્ટમાં સવારે 6:30 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. તા.24 ડિસેમ્બર ને બુધવારે 11 કિલો વોટ રેંટવાલા ફીડર હેઠળના સિંધુનગર, સરદાર નગર પ્રભાત સોસાયટી, મ્યુનિસિપલ સોસાયટી, વિદ્યુત સોસાયટી, પંચશીલ સોસાયટી, માલધારી સોસાયટી, મફતનગર, શિક્ષક સોસાયટી, શહેર ફરતી સડક, કાકુરામ મંદિર વિસ્તાર અને નર્મદા વસાહતમાં સવારના સાત વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.
મંદિરમાં ચોરી:મહાકાળી માતાના મઢમાંથી 26 ચાંદીના છત્તરની થયેલી તસ્કરી
છેલ્લા છએક માસથી તસ્કરની ટોળકીઓ દ્વારા મંદિરો, મઢ તેમજ દેરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે અને જેમાંથી માતાજીના સોના ચાંદીના મુગટો, છત્તરો, રોકડ તેમજ દાનપેટી સહિતની તસ્કરી કરી પલાયન થઇ જાય છે. ત્યારે આ તસ્કર ટોળકીઓ દ્વારા ફરી મહુવાના ખારડીથી કુંભારીયા ગામની વચાળે આવેલ મહાકાળી માતાના મઢમાં ટોળકીએ ત્રાટકી, દરવાજા તેમજ ગર્ભગૃહના દરવાજાના નકુચા તેમજ તાળા તોડી, મઢમાં રાખેલા 26 નંગ ચાંદીના છત્તર 1.80 લાખની તસ્કરી કરી પલાયન થયા હતા. મહુવા તાલુકાના સમઢીયાળા પટ્ટી ગામે રહેતા અને સેવાપુજા કરતા ખીમજીભાઇ ઓઘાભાઇ લાઠીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના લાઠીયા પરિવારનો મઢ ખારડીથી કુંભારીયા ગામની વચાળે મહાકાળી માતાજીનો મઢ આવેલ છે. જે મઢમાં સવારના સુમારે આરતી કરવા પહોંચ્યા હતા. જે દરમિયાન મઢનો મુખ્ય અને ગર્ભગૃહમાં રહેલ દરવાજાના નકુચા તેમજ તાળા તુંટેલી હાલતમાં જોવા મળ્યા હતા. અને અંદર જઇને તપાસ કરતા મઢમાં મુખ્ય આઠ કીલોનું માતાજીનું ચાંદીનું છત્તર તેમજ ભક્તો દ્વારા અન્ય 25 જેટલા ચાંદીના છત્તર માતાજીને ચડાવેલ હતા. જે ચાંદીના છત્તરની ચોરી થઇ હોવાનું જણાતા ખીમજીભાઇએ બગદાણા પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તસ્કરની શોધખોળ શરૂ કરી છે.
સિટી એન્કર:સોશિયલ મીડિયાના અતિરેકથી યુવાનોના EQને અસર
જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા યુવા માનસ પર સોશિયલ મીડિયાનો ભાવનાત્મક પ્રભાવ જેવા સાંપ્રત સમયમાં ખૂબ જરૂરી વિષય પર સામાજિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ આજના યુવાનોના માનસ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી સકારાત્મક અને નકારાત્મક અસર કરે તેને સંલગ્ન તારણો અને નિષ્કર્ષ માટે પ્રશ્નાવલી દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવેલ. જેમાં સોશિયલ મીડિયાના ઉપયોગનો સમય, ભાવનાત્મક જાગૃતિ, સ્વ-નિયંત્રણ, સહાનુભૂતિ, તણાવ અને સામાજિક સંબંધો, સાયબર ફ્રોડ જેવા મુદ્દાઓનો સમાવેશ કરાયો હતો. તેના મુખ્ય તારણમાં સોશિયલ મીડિયાનો મર્યાદિત ઉપયોગ આત્મવિશ્વાસ વધારે છે પરંતુ અતિરેક તણાવ સર્જે છે. પ્રશ્નાવલીના વિશ્લેષણ મુજબ 80 % યુવાનો રોજના 5થી 6 કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે, જેના કારણે તેમના ઈમોશનલ ઇન્ટેલિજન્સ (EQ) પર સીધી નકારાત્મક અસર જોવા મળે છે. 65 % યુવાનોની સ્વીકૃતિ મુજબ કેટલીક નકારાત્મક અસરો જેવીકે સતત તુલનાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસમાં ઘટાડો, ચિંતા, તણાવ અને માનસિક અસ્થિરતા વધતી જોવા મળી. આ રિસર્ચ સર્વેક્ષણ કોમર્સના વિદ્યાર્થીઓ ઈશિતા ચુડાસમા અને મુસ્કાન ગિલ દ્વારા વિભાગના વડા પ્રો. નિધી માણિયાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો તેમ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. એચ. એમ. નિમ્બાર્કે જણાવ્યું હતુ. પરિવાર સાથે જોડાવાની તક : સકારાત્મક પ્રભાવ57 % યુવાનોના અભિપ્રાય મુજબ સોશિયલ મીડિયાનો સકારાત્મક પ્રભાવ પણ જોવા મળ્યો, જેમ કે મિત્રો અને પરિવાર સાથે સતત જોડાયેલા રહેવાની તક, ભાવનાત્મક સહારો તેમજ જાગૃતિ અને સહાનુભૂતિ નો વિકાસ. વિવિધ સાયબર ફ્રોડમાં પણ સોશિયલ મીડિયાના સમજણપૂર્વકના ઉપયોગ અંગેની જાગૃતતા ના અભાવને કારણે થતા હોવાનું પણ 48 % યુવાનોએ સ્વીકાર્યું. આભાસી લાઇક્સ અને કોમેન્ટ્સ પરથી આત્મ મૂલ્યાંકન થતું હોવાથી માનસિક દબાણ વધે છે. ડિજિટલ વેલ બીઇંગ અંગેની જાગૃતતા માટે કાર્યક્રમ જરૂરીઅતિરેક તણાવ અને માનસિક અસંતુલન સર્જે છે. આ સર્વેક્ષણના તારણોને આધારે ભલામણ કરવામાં આવી છે કે શૈક્ષણિક સંસ્થામાં ડિજિટલ ડિટોક્સ તેમજ ડિજિટલ વેલ બીઇંગ અંગેની જાગૃતતા માટે નિયમિત વર્કશોપ્સ યોજવા જોઈએ અને યુવાઓને સોશિયલ મીડિયાના સમજદારીપૂર્વક ઉપયોગ માટે જાગૃત કરવા જોઈએ.
સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:આ વર્ષે ડિસેમ્બરમાં રાત્રે તાપમાન એક ડિગ્રી વધુ રહ્યું
આ વર્ષે હજી ડિસેમ્બરની તીવ્ર શીતલહેરનો અનુભવ થયો નથી. હવે આજથી વાદળો છવાયા છે અને 23 ડિસેમ્બરથી તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે ત્યારે આમ તો દર વર્ષે સામાન્ય રીતે ભાવનગર શહેરમાં કડકડતી ઠંડીની લહેર પ્રસરી વળી હોય છે પણ આ વર્ષે ભાવનગર શહેરમાં આ વર્ષે 21 ડિસેમ્બર આવી ગઇ છતાં કડકડતી ઠંડી જામી નથી. પવનના સૂસવાટા ફૂંકાયા છતાં કોલ્ડ વેવ આવ્યો નથી. ત્યારે આ વર્ષે ભાવનગર શહેરમાં ડિસેમ્બર માસમાં રાત્રે લઘુત્તમ ઉષ્ણતામાન સામાન્ય કરતા 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધુ નોંધાયું છે. જોકે આજે શહેરમાંવાદળો છવાયા છે અને બપોરે તાપમાન 1.8 ડિગ્રી ઘટીને 28.9 ડિગ્રી નોંધાયુ હતું. રાત્રે ટાઢની અસર વર્તાણી હતી. આગામી દિવસોમાં ઠંડીની આગાહી કરવામાં આવી છે. ગત વર્ષે ડિસેમ્બરમાં 10મીથી 21 ડિસેમ્બર સુધીમાં શહેરમાં એવરેજ તાપમાન 14.3 ડિગ્રી હતુ તે આ વર્ષે વધીને 15.3 ડિગ્રી નોંધાયુ છે. શહેરમાં કોલ્ડ વેવ આવ્યો નથી. વાતાવરણના ઉપરના લેવલમાં સક્રિય હાઈપ્રેશર અને ભેજને કારણે વાતાવરણ સૂકું ન થતાં ઠંડીનો પારો ગગડતો નહીં હોવાથી તીવ્ર ઠંડી જામતી નથી. ઠંડી ન જામવા માટે ક્યા પરિબળો જવાબદારઆ વર્ષે ડિસેમ્બરમાં અત્યાર સુધી હિમાલયના ઉપરના અને નીચલા ભાગોમાં નહિવત હિમવર્ષા થઈ છે. તેની અસર ભાવનગર સહિત સમગ્ર ગુજરાતમાં એ થઈ છે કે પોણો ડિસેમ્બર વીતી ગયો હોવા છતાં મેદાની વિસ્તારોમાં ઠંડીની અસર ઓછી જોવા મળી રહી છે. પવનની દિશા, સાઈક્લોનિક સરક્યુલેશન તેમજ હાઈપ્રેશર સિસ્ટમ જેવાં અનેક પરિબળો ઠંડી નહીં જામવા માટે જવાબદાર છે. > ડો.બી.આર. પંડિત, હવામાન નિષ્ણાત શહેરમાં 11 ડિસે. 1973એ 2 ડિગ્રી તાપમાન થયેલુંડિસેમ્બરમાં ઠંડી પડવી જ જોઈએ એવી સામાન્ય માન્યતા છે. પરંતુ બદલાયેલા ઋતુ ચક્રને કારણે ઠંડીને બદલે શિયાળામાં ઠંડીનુ પ્રમાણ ઘટતુ જોવા મળે છે. ભાવનગરમાં આશરે 52 વર્ષ પહેલા 11મી ડિસેમ્બર,1973ના રોજ ઓછામાં ઓછુ તાપમાન ફકત 2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતુ. શહેરમાં આ વર્ષે રાતે તાપમાન વધુ રહ્યુ
ઓલપાડમાં લવ જેહાદની આશંકાથી તંગદિલી:મુસ્લિમ યુવક શિક્ષિત યુવતીને ભગાડી જતાં રોષ, પોલીસ સતર્ક
શાંત ગણાતા ઓલપાડ ટાઉનમાં લવ જેહાદની વધુ એક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પરા વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ યુવક હિન્દુ સમાજની શિક્ષિત યુવતીને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા નગરમાં વાતાવરણ ગરમાયું હતું. પરિસ્થિતિ વણસે તે પૂર્વે જ પોલીસ કાફલો સતર્ક થઈ ગયો છે અને યુવકને ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. યુવતીઓને સોફ્ટ ટાર્ગેટ બનાવતી ટોળકી સક્રિય?સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે સુરત કે અન્ય સ્થળોએ અભ્યાસ માટે જતી યુવતીઓને કેટલાક યુવકો યેન-કેન પ્રકારે પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. ઓલપાડમાં ગેરકાયદેસર વ્યવસાયો સાથે સંકળાયેલા અમુક તત્વો હવે સામાજિક શાંતિ ડોહળવા માટે લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને અંજામ આપી રહ્યા છે. ગણતરીના દિવસો પહેલા પણ આવી જ એક ઘટના બની હતી.
MD ડ્રગ્સ પકડાયું:કાપડના ધંધામાં નુકસાન થતાં વેપારી ડ્રગ્સ પીવા લાગ્યો, વેચવા જતા પકડાયો
ખટોદરા પોલીસે ઉધના મગદલ્લા પર આવેલા જોગર્સ પોર્ક પાસે વોચ ગોઠવીને રૂ.1 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે એકને પકડી પાડ્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ખટોદરા પોલીસની બાતમી મળી હતી કે, ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા જોગર્સ પાર્ક પાસે એક શખ્સ એમડી ડ્રગ્સની ડિલિવરી આપવા માટે આવવાનો છે. બાતમીના આધારે પોસઇ આર. જી. રાઓલ અને સ્ટાફે જોગર્સ પાર્ક પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં ત્યાં આવેલી કારને અટકાવીની તપાસ કરતા ચાલક હરેશ કાંતિલાલ પટેલ (રહે, શ્યામ વિલા રેસીડન્સી ખરવાસા રોડ ડિંડોલી) પાસેથી રૂ.1,01,460ની કિંમતનું 33.82 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે આ ડ્રગ્સ મોબાઇલ પોન રોકડા રૂ.12,170 અને કાર મળીને કુલ રૂ.9,96,63નો મુદ્દામાલ કબજે લઇ હરેશ પટેલની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેને આ ડ્રગ્સ હરેશ ચૌધરીએ આપ્યો હોવાની કબુલાત કરતા પોલીસે ગુનો નોંધી હરેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કર્યો છે. જેની પાસેથી ડ્રગ્સ લીધું તેને વોન્ટેડ જાહેર કરાયોપોલીસના હાથે પકડાયેલો હરેશ પટેલ અગાઉ કાપડના ધંધો કરતો હતો. જોકે, ધંધામાં નુકસાન થતા તે ડ્રગ્સના રવાડે ચઢી ગયો હતો. પોતાને નશો કરવા અને આર્થિક ભીંસ અનુભવતો હોવાથી હરેશ એમડી ડ્રગ્સનો ધંધો કરવા લાગ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી ધંધો કરતો હતો. હરેશ કોને-કોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
રવિવારે રાજ્યભરમાં લેવાયેલી ટેટ-1 પરીક્ષામાં સુરતમાં 94 પરીક્ષા કેન્દ્રો પર 90.29% હાજરી સાથે 16,780 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે 1804 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. ગણિતના પ્રશ્નોની ગૂંચવણ એવી હતી કે 30 મિનિટનો વધારાનો સમય પણ ઉમેદવારોને ટૂંકો પડ્યો હતો. બીજી તરફ મનોવિજ્ઞાન વિભાગે ઉમેદવારોને વાસ્તવિક વર્ગખંડમાં લાવી દીધા હતા. “બાળકમાં ક્રોધ, ભય અને ઈર્ષ્યાનું નિયંત્રણ કેવી રીતે કરવું?” અને “શિક્ષક દીવાદાંડી સમાન કેવી રીતે?” જેવા પ્રશ્નોએ ઉમેદવારોની સંવેદનશીલતા અને તર્કશક્તિની આકરી કસોટી કરી હતી. શ્રીમદ્દ ભગવદ્દ ગીતાના ‘અહં બ્રહ્માસ્મિ’ થી લઈને ઓટિઝમ જેવા વિષયોનો સમાવેશ કરાયો હતો. શિક્ષણશાસ્ત્રીઓના મતે, આ પરીક્ષા માત્ર સરકારી નોકરી માટેની સીડી નથી, પરંતુ NEP-2020ના પાયા પર ગુણવત્તાસભર શિક્ષકોની પસંદગી તરફનું સકારાત્મક ડગલું છે. પેપર માત્ર ગોખણપટ્ટી આધારિત નહીં, પરંતુ ઉમેદવારની સમજ અને વિશ્લેષણ શક્તિની સાચી કસોટી કરનારું રહ્યું હતું. હવે સૌની નજર 14મી જાન્યુઆરીના પરિણામ પર છે. ઉમેદવારોમાં કાયમી ભરતીને લઈને ચિંતા જોવા મળી હતી. ગણિતમાં સમય ઓછો પડ્યો, 120 મિનિટ અપાઇસુરતના કેન્દ્રો પરથી મળેલા અહેવાલ મુજબ, ગણિતના પ્રશ્નો પ્રમાણમાં અઘરા હોવાથી વિદ્યાર્થીઓ મુંઝવણમાં મુકાયા હતા. પરીક્ષાનો સમય 30 મિનિટ વધારીને 120 મિનિટ કરવામાં આવ્યો હોવા છતાં, તાર્કિક પ્રશ્નોની લંબાઈને કારણે ઘણા ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ઓછો પડ્યો હોવાની ફરિયાદ ઉઠી હતી. ગોખણપટ્ટીનો યુગ હવે પૂરો થયોટેટ-1નું પેપર સાબિત કરે છે કે ગોખણપટ્ટીનો યુગ પૂરો થયો છે અને NEP-2020ના પાયા પર ગુણવત્તાનો પ્રારંભ થયો છે. ગણિતના પ્રશ્નોમાં સમયની ખેંચ અને મનોવિજ્ઞાનમાં બાળકના ક્રોધ-ઈર્ષ્યા જેવા વ્યવહારુ સવાલો એ સંકેત આપે છે કે સરકાર હવે માત્ર માહિતી ધરાવતા ઉમેદવારો નહીં, પણ તાર્કિક ક્ષમતા અને બાળકના માનસને સમજી શકે તેવા સંવેદનશીલ શિક્ષકોની પસંદગી કરવા માંગે છે. > ડો. રીતા ફૂલવાલા, એજ્યુકેશન એક્સપર્ટ
નોકરી ન્યૂઝ:NCERTમાં 173 જગ્યા પર સ્નાતકની ભરતી, રૂ. 78,800 સુધી પગાર મળશે
સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ગ્રેજ્યુએટ યુવાનો માટે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ખુશખબર આપવામાં આવી છે. સંસ્થાએ વિવિધ નોન-એકેડમિક કેડર હેઠળ 173 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી પ્રક્રિયામાં લેવલ-2 થી લઈને લેવલ-12 સુધીના પદોનો સમાવેશ થાય છે, જેમાં વહીવટી અને ટેકનિકલ જગ્યાઓ ભરાશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7મા પગાર પંચ મુજબ આકર્ષક વેતન અને સરકારી ભથ્થાનો લાભ મળશે. લાયક ઉમેદવારો આગામી 8 જાન્યુઆરી, 2026 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. પસંદગી માટે ઓપન કોમ્પિટિટિવ પરીક્ષા અને જરૂરિયાત મુજબ સ્કિલ ટેસ્ટ કે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારોએ NCERTની સત્તાવાર વેબસાઈટ www.ncert.nic.in ની મુલાકાત લેવાની રહેશે. પસંદગી પામનાર ઉમેદવારોને 7માં પગાર પંચ મુજબ વેતન અપાશે. જેમાં લેવલ-2 માટે શરૂઆતનો બેઝિક પગાર રૂ. 19,900 અને લેવલ-12 માટે બેઝિક પગાર રૂ. 78,800 અપાશે.મોંઘવારી ભથ્થું, ઘરભાડું અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અપાશે. લેખિત પરીક્ષા અને સ્કિલ ટેસ્ટમાન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે .શૈક્ષણિક લાયકાત અને અનુભવ અલગ-અલગ હોઈ શકે છે. ભરતી સીધી ભરતી અંતર્ગત કરાશે. જેમાં ઓપન કોમ્પિટિટિવ એક્ઝામ લેવામાં આવશે. જે પછી જે તે પદ માટે જરૂરી હોય ત્યાં કૌશલ્ય કસોટી લેવાશે . ઓનલાઈન અરજી કરવાની રહેશે
નવા પુલની કામગીરી વેગવંતી બની:દાદર-માહિમના ટ્રાફિકજામની સમસ્યા ઉકેલતા નવા પુલનું કામ હવે ઝડપી
જી-ઉત્તર વોર્ડ અંતર્ગત આવતા દાદર-માહિમ પરિસરમાં ટ્રાફિકજામ ઓછો કરવા મહત્વના સેનાપતિ બાપટ રોડ ખાતેથી મીઠી નદી પરથી સીધા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડતા નવા પુલનું કામ ઝડપી કરવામાં આવશે. આ પુલના લીધે સેનાપતિ બાપટ માર્ગ, બાન્દરા-વરલી સીલિન્ક, એસ.વી.રોડ અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે વચ્ચે વાહનવ્યવહાર વધુ સહેલો થશે. મહાપાલિકાની વિકાસ નિયોજન રૂપરેખા 2034માં આ પુલનું નિયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રકલ્પ માટે ડીઝાઈન એન્ડ બિલ્ડ પદ્ધતિથી એક કંપનીની સ્ટ્રકચરલ સલાહકાર તરીકે નિયુક્તી કરવામાં આવી હતી. તેની સલાહ અનુસાર આ પુલ માટે એન્જિનિયરીંગ, ખરીદી અને બાંધકામ સંકલ્પના પર આધારિત ઈ-ટેંડર મગાવવામાં આવ્યા હતા. મહાપાલિકાના અંદાજ અનુસાર પ્રકલ્પ માટે સલાહકાર શુલ્ક પેટે 2 કરોડ 53 લાખ 17 હજાર 400 રૂપિયા છે જેમાંથી 40 ટકા ટેકનિકલ સલાહકાર શુલ્ક તરીકે 1 કરોડ 1 લાખ 26 હજાર 960 રૂપિયા ચુકવવામાં આવશે. ઉપરાંત ફેરતપાસ સલાહકાર તરીકે પણ એ જ કંપનીની નિયુક્તી કરવામાં આવી છે અને એને કુલ શુલ્કના 28 ટકા એટલે કે 70 લાખ 88 હજાર 872 રૂપિયા ચુકવવામાં આવશે. આ ખર્ચ ઉપલબ્ધ બજેટ જોગવાઈમાંથી કરવામાં આવશે. 2025-26 તેમ જ આગામી આર્થિક વર્ષના બજેટમાં પણ જોગવાઈ કરવાનું નિયોજન છે. આ પ્રકલ્પ માટે પ્રશાસકો તરફથી મંજૂરી જરૂરી છે. મુંબઈ મહાપાલિકા અધિનિયમ અન્વયે કોન્ટ્રેક્ટ પ્રક્રિયાની મંજુરી મેળવવાનો પ્રસ્તાવ આગળ મોકલવામાં આવ્યો છે. નવો પુલ તૈયાર થયા પછી વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરથી સીધા સેનાપતિ બાપટ માર્ગ તરફ અને સેનાપતિ બાપટ માર્ગ પરથી સીલિન્ક જતો વાહનવ્યવહાર મોટા પ્રમાણમાં સરળ થશે એવો મહાપાલિકાનો અંદાજ છે.
23 જાન્યુઆરીના રોજ ગિરનાર એવોર્ડ એનાયત કરાશે:ગિરનાર એવોર્ડ માટે પસંદગી સમિતિના કન્વીનરોનાં નામ જાહેર
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી સંતને ગુજરાતી અને મુંબઈના સિદ્ધિપ્રાપ્તને ગિરનાર એવોર્ડ એનાયત કરાય છે. 2026માં સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી છે. હવે આ વર્ષની પસંદગી સમિતિમાં કન્વીનર હેમરાજ શાહ, પ્રવીણ સોલંકી. પ્રા. દીપક મહેતા, લલિત શાહ (ભવન્સ), ડિમ્પલ સોનિગ્રા, ભરત ઘેલાણી, -ડો. નાગજી રીટા અને રાજેશ દોશીનાં નામ જાહેર કરાયાં છે. 23 જાન્યુઆરીના રોજ સાંજે 6થી રાત્રે 10 વાગ્યા સુધી યોગી સભાગૃહ, દાદર- પૂર્વ, સ્ટેશન રોડ ખાતે આ સમારોહ યોજાશે. આ વર્ષે ગુજરાતી ગૌરવ એવોર્ડ અને ગિરનાર એવોર્ડ સાહિત્ય રત્ન, પત્રકાર રત્ન, સિને સ્ટાર, નાટ્ય રત્ન, રમતગમત, પાર્શ્વગાયક, સંગીત રત્ન, સમાજસેવા, નારી રત્ન અને વ્યાપાર ઉદ્યોગ એવોર્ડ એમ 21 એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વર્ષથી દેશવિદેશમાંથી ગિરનાર એવોર્ડ વિજેતા પસંદ કરવામાં આવશે, એમ હેમરાજભાઈએ જણાવ્યું હતું. શરૂઆતમાં સાંજે 6.30થી રાત્રે 8 વાગ્યા સુધી જાદુગર ડો. કૃતિ પારેખ એક પ્રતિભાશાળી જાદુગર અને મેન્ટલિસ્ટ, દર્શકોને તેમના મનોવૈજ્ઞાનિક ચમત્કારો અને માઈન્ડ ગેમથી મંત્રમુગ્ધ કરી દે છે. તેઓ મનને વાંચી શકશે કે નહીં? આવો અને આ અદભુત માઈન્ડ મેજિક શોનો અનુભવ કરવા મળશે! કાર્યક્રમનું સંચાલન ભાગ્યેશ વારા કરશે. આ વર્ષે પણ એક સંતને ગુજરાતી ગૌરવ એવોર્ડ એનાયત કરાશે. પસંદગી સમિતિની બેઠક 22 ડિસેમ્બરે બપોરે 3.30 વાગ્યાથી નવનીત ગુજરાતી સમાજ ભવનમાં મળશે,
કોંગ્રેસ પર ભાજપની બી-ટીમ તરીકે કામ કરવાનો આરોપ:નગર પરિષદનાં પરિણામો બાદ શરદ પવાર જૂથમાં અસ્વસ્થતા
રાજ્યમાં 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોના પદો માટે મતગણતરી, સીધી મેયરપદ સહિત, રવિવારે યોજાઈ હતી. આ પરિણામોએ ફરી એક વાર રાજ્યમાં રાજકીય સમીકરણો ઉજાગર કર્યા છે અને મહાયુતિના ઘટક પક્ષોએ મોટી જીત મેળવીને પોતાની તાકાત બતાવી દીધી છે. ભાજપ, શિવસેના શિંદે જૂથ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ અજિત પવાર જૂથની શાસક મહાયુતિને ઘણી જગ્યાએ અપેક્ષા કરતાં વધુ સફળતા મળી છે. બીજી તરફ, મહાવિકાસ આઘાડીને આ ચૂંટણીઓમાં મોટી હારનો સામનો કરવો પડ્યો છે અને ઘણી નગર પરિષદોમાં ખાતું ખોલવામાં સફળતા મળી નથી.આ પરિણામો પછી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના શરદચંદ્ર પવારના પક્ષ મહાવિકાસ આઘાડીમાં અસ્વસ્થતાનો અનુભવ થઈ રહ્યો છે. ધારાસભ્ય રોહિત પવારે આ પરિણામો પર ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી છે અને કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે આ પરિણામ ખૂબ જ નિરાશાજનક છે અને તે પ્રામાણિકપણે કામ કરતા કાર્યકરોના મનમાં નિરાશા પેદા કરે છે. તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે કે કાર્યકરોની સખત મહેનત, ઉમેદવારોના સંઘર્ષ અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં તેમણે ભજવેલી ભૂમિકા છતાં, અપેક્ષિત સફળતા મળી નથી.રોહિત પવારે આ પરિણામોમાં કોંગ્રેસ અને કેટલાક અપક્ષ ઉમેદવારોની ભૂમિકાનો પણ સીધો ઉલ્લેખ કર્યો છે.
ચૂંટણીમાં પૈસાનો શાબ્દિક વરસાદ થયો હોવાનો આરોપ:એ જ આંકડા, એ જ મશીન અને એ જ સેટિંગ: રાઉત
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના સાંસદ સંજય રાઉતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ આંકડા વિધાનસભા ચૂંટણી જેવા જ છે. એ જ આંકડા, એ જ મશીન અને એ જ સેટિંગ. આંકડાઓમાં કોઈ ફેરફાર થયો નથી. ભાજપે વિધાનસભા ચૂંટણી જેવી જ મશીનો સેટ કરી. તેમણે ઓછામાં ઓછા આ વખતે આંકડા તો બદલવા જોઈતા હતા, એમ તેમણે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું.રવિવારે મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ઠાકરે જૂથ અને મનસેના નેતાઓની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ બોલતાં સંજય રાઉતે કહ્યું કે, આજે બંને પક્ષોના નેતાઓની બેઠક યોજાઈ હતી. ચર્ચા પૂર્ણ થઈ ગઈ છે. ચર્ચા અને બેઠક વહેંચણી પૂર્ણ થઈ ગઈ છે. કોણ ક્યાં ચૂંટણી લડશે તે અંગે સર્વસંમતિ થઈ હતી. કોઈ સમસ્યા નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે સફળતા મેળવી છે. શું તમે હવે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશો? આ પ્રશ્ન પત્રકારોએ સંજય રાઉતને પૂછ્યો હતો. તેની પર તેમણે કહ્યું, અમે ચોક્કસપણે અંત સુધી પ્રયાસ કરીશું. મહાવિકાસ આઘાડીમાં કોંગ્રેસ એક મુખ્ય પક્ષ છે. કોંગ્રેસની પોતાની વોટ બેંક છે. અમારી મહાવિકાસ આઘાડીમાં તે એકમાત્ર રાષ્ટ્રીય પક્ષ છે. અમે લોકસભા અને વિધાનસભા સાથે લડ્યા હોવાથી, અમે અને તેઓ ઇચ્છીએ છીએ કે મહાપાલિકા અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ સાથે મળીને લડીએ.
સિંધુદુર્ગમાં નિતેશ રાણેને મોટો ફટકો:ભાજપને બે, જ્યારે શિંદે જૂથને 4 બેઠક
સિંધુદુર્ગ જિલ્લામાં નગર પરિષદની ચૂંટણીનાં તમામ પરિણામો રવિવારે જાહેર થયાં, જેમાં શિંદેની શિવસેના અને રાણે સમર્થકોએ ફરી એક વાર કોંકણમાં પોતાનું વર્ચસ સાબિત કર્યું છે. રત્નાગિરિ જિલ્લામાં, શિંદેની શિવસેનાએ 4 બેઠકો, ભાજપે 2 અને કોંગ્રેસે 1 બેઠકો જીતી છે અને મેયરપદ મેળવ્યું છે. જોકે, સમગ્ર રાજ્યનું ધ્યાન દોરાયું હતું તે માલવણ અને કણ્કવલીમાં ધારાસભ્ય નિલેશ રાણેના નેતૃત્વ હેઠળની પેનલે જીત મેળવી છે. રત્નાગિરિ જિલ્લામાં, ભાજપના ધારાસભ્ય અને રાજ્ય મંત્રી નિતેશ રાણે અને શિવસેના શિંદે જૂથના ધારાસભ્ય નીલેશ રાણે વચ્ચે ઘર્ષણ થયું હતું. ચૂંટણીપ્રચાર દરમિયાન, નીલેશ રાણેએ ભાજપના એક કાર્યકરના ઘરે સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને પૈસાની થેલી જપ્ત કરી હતી. તે સમયે, નીલેશ રાણેએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે સંસ્કૃતિ બગાડી છે અને ભાજપ મતદારોને પૈસા વહેંચી રહ્યો છે. આ બાબતથી સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. તે સમયે, શિવસેના શિંદે જૂથ અને ભાજપ વચ્ચે ઘણી અથડામણો થઈ હતી. આજે પરિણામો પછી જ્યારે નીલેશ રાણેને આ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે આજે ફક્ત વિજયનો આનંદ ઊજવવાનો દિવસ છે એમ કહીને વિવાદ પર પડદો પાડી દીધો.માલવણ મ્યુનિસિપલ કાઉન્સિલની 15 માંથી 10 બેઠકો પર નિલેશ રાણેના નેતૃત્વ હેઠળના શિવસેના શિંદે જૂથે શાનદાર જીત મેળવી, જ્યારે ભાજપને ફક્ત 5 બેઠકોથી સંતોષ માનવો પડ્યો.કણ્કવલીમાં ભાજપને 15 માંથી 8 બેઠકો મળી હોવા છતાં, નિલેશ રાણેની 'શહેર વિકાસ આઘાડી'ના ઉમેદવાર સંદેશ પારકરે મેયરપદ પર વિજય મેળવ્યો છે. આ ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથને અપેક્ષિત સફળતા મળી નથી. આની ટીકા કરતી વખતે, નિલેશ રાણેએ ઠાકરે જૂથની કાર્યપદ્ધતિઓની ટીકા કરી. ઉદ્ધવ ઠાકરે જૂથને વધારે સફળતા મળી ન હતી અને તેઓ તે મેળવવાના પણ નહોતા, કારણ કે તેમની પાસે કોઈ એજન્ડા નહોતો, કોઈ વિઝન નહોતું. ચૂંટણી કેવી રીતે જીતવી તેની તેમની પાસે કોઈ યોજના નહોતી. તેમના કાર્યકરોએ તેમને છોડી દીધા. નેતૃત્વનો અભાવ હતો. તેમની વચ્ચે ઘણી જૂથવાદ હતો. ઠાકરે જૂથ ક્યારેય સંયુક્ત મોરચા તરીકે લડ્યું નહીં, એમ તેમણે કહ્યું.
ધનંજય મુંડેના વિરોધી પર પ્રહાર:આ પરિણામો પરળીને બદનામ કરનારાઓના મોઢા પર થપ્પડ
મહાયુતિએ બીડ જિલ્લામાં નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો છે. પરળીમાં, એનસીપી- અજિત પવાર જૂથ, ભાજપ અને આરપીઆઈ મહાયુતિને ઐતિહાસિક જીત મળી છે અને ભાજપે અંબાજોગાઈ અને ગેવરાઈમાં પણ પોતાનો ઝંડો લહેરાવ્યો છે. આ જીત પછી બોલતાં, ધારાસભ્યો ધનંજય મુંડે અને પંકજા મુંડેએ લોકોનો આભાર માન્યો અને વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું.ધનંજય મુંડેએ કહ્યું, આજે એનસીપી, ભાજપ અને આરપીઆઈની મહાયુતિ માટે મતદાન થયું છે. એક અન્ય બેઠક સિવાય, લગભગ બધી બેઠકો મહાયુતિના ફાળે ગઈ છે. અપક્ષ ઉમેદવારો પણ મહાયુતિના છે. તેથી, એ જાણીતું છે કે ફક્ત એમઆઈએમ અને પંજા બે બેઠકો પર આગળ છે, પરંતુ મહાયુતિએ ઐતિહાસિક મતોથી લગભગ બધી બેઠકો જીતી લીધી.હું પરળીના લોકોનો આભાર માનું છું, તેમણે અભૂતપૂર્વ વિજય અપાવ્યો. મહાયુતિના લગભગ બધા જ ઉમેદવારો ચૂંટાયા. હવે વિપક્ષે જોવું જોઈએ કે તેમનું સ્થાન શું છે, તેમની કિંમત શું છે. પ્રચાર દરમિયાન જેમણે મારી ટીકા કરી હતી, તેમણે મારા પરળીને બદનામ કરી હતી. મેં તે સમયે 2 તારીખે આનો જવાબ આપ્યો હતો, પરંતુ પરિણામોમાં વિલંબ થયો હતો અને રવિવારે 21 તારીખે, આ પરળીના લોકો તરફથી અમને બદનામ કરનારાઓના મોઢા પર થપ્પડ છે, એમ ધનંજય મુંડેએ સાંસદ બજરંગ સોનાવણેને સંભળાવ્યું. જો સાંસદો પરળીમાં જ રહે તો પણ પરળીના લોકોને કોઈ ફરક પડતો નથી.પરળીના લોકોએ ગામ કે શહેરને બદનામ કરવાના વિપક્ષના પ્લાનને નિષ્ફળ બનાવ્યો.
એકનાથ શિંદેનું નિવેદન:શિવસેના ફક્ત થાણે સુધી મર્યાદિત નથી, રાજ્યવ્યાપી છેઃ
લોકસભા અને વિધાનસભાની જેમ, મહાયુતિએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ શાનદાર સફળતા મેળવી છે. આ ચૂંટણીમાં, ભાજપે 'વિજયની સદી' ફટકારી છે, જ્યારે શિવસેનાએ પણ 50 થી વધુ બેઠકો જીતીને 'અર્ધ સદી' પાર કરી છે. આ ચૂંટણીમાં પણ શિવસેનાનો સ્ટ્રાઇક રેટ ટોચ પર રહ્યો છે, અને જો મહાવિકાસ આઘાડીના તમામ પક્ષોની બેઠકો એકસાથે ઉમેરવામાં આવે તો પણ તે એકલા શિવસેનાની બેઠકો કરતાં ઓછી છે, એમ ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદેએ વિપક્ષ પર કટાક્ષ કરતાં કહ્યું. શિવસેના ફક્ત થાણે સુધી મર્યાદિત નથી, પરંતુ હવે ચાંદ્યાથી બાંદ્યા સુધી પહોંચી ગઈ છે. મહાપાલિકા અને નગર પંચાયત ચૂંટણીનાં પરિણામો રવિવારે જાહેર થયાં. પરિણામો અનુસાર, ભાજપે 119, શિવસેનાએ 59 અને અજિત પવારની એનસીપીએ 36 બેઠકો જીતી છે. શિંદેએ કહ્યું, કેટલાક લોકો ટીકા કરી રહ્યા હતા કે શિવસેના ફક્ત થાણે સુધી મર્યાદિત છે. જોકે, આજનાં પરિણામોએ બતાવ્યું છે કે શિવસેના હવે થાણે સુધી મર્યાદિત નથી રહી પરંતુ રાજ્યવ્યાપી ચાંદાથી બાંદા સુધી પહોંચી ગઈ છે. શિવસેનાનું 'ધનુષ્ય અને તીર' નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પણ દરેક ઘર સુધી પહોંચી ગયું છે. આ જીત રાજ્યની લાડકી બહેનો અને લાડકા ભાઈઓ અને દરેક મતદાતાની છે. તેમણે આ સફળતા માટે તેમના સાથી પક્ષોની પણ પ્રશંસા કરી. ભારતીય જનતા પાર્ટીને રાજ્યમાં નંબર વન પાર્ટી બનાવવા બદલ હું મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને મનઃપૂર્વક અભિનંદન આપું છું.
ઘરાણાશાહી નકારાઈ:નાંદેડમાં એક પરિવારના ભાજપના છ ઉમેદવારોનો શરમજનક પરાજય
નાંદેડ જિલ્લાની લોહા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં એક જ પરિવારના છ ઉમેદવારોને મેદાનમાં ઉતારનાર ભાજપને મતદારોએ યોગ્ય જવાબ આપ્યો છે અને તમામ છ ઉમેદવારનો શરમજનક પરાજય થયો છે. ભાઈ- ભત્રીજાવાદમાં પડ્યા વિના, મતદારોએ શરદ પવારના એનસીપી ઉમેદવારને લોહા મ્યુનિસિપલ કાઉન્સિલના મેયર તરીકે ચૂંટીને ભાજપને મોટો ફટકો આપ્યો છે.લોહા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં ભાજપે ગજાનન સૂર્યવંશીને મેયરપદ માટે મેદાનમાં ઉતાર્યા હતા. જોકે મેયરપદ જ નહીં પરંતુ નગરસેવકોનાં અન્ય પાંચ પદો પણ તેમના જ પરિવારના સભ્યો દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. ઘરાણાશાહીના રાજકારણના મુદ્દા પર કોંગ્રેસ પર સતત હુમલો કરી રહેલા ભાજપની વિપક્ષ દ્વારા ઘરાણાશાહીના રાજકારણની પરાકાષ્ઠા તરીકે ટીકા કરવામાં આવી હતી. ભાજપની આ 'પારિવારિક' ઉમેદવારીએ રાજકીય વર્તુળોમાં ઘણી ચર્ચા જગાવી હતી. પરાજિત ઉમેદવારોમાં ગજાનન સૂર્યવંશી – મેયર પદના ઉમેદવાર, ગોદાવરી સૂર્યવંશી (પત્ની) – વોર્ડ 7 એ, સચિન સૂર્યવંશી (ભાઈ) – વોર્ડ ૧ એ (હારનાર), સુપ્રિયા સચિન સૂર્યવંશી (સાળાની પત્ની) – વોર્ડ 8 A, યુવરાજ વાઘમારે (સાળા) – વોર્ડ 7 બી, રીના અમોલ વ્યાવરે (ભત્રીજાની પત્ની) – વોર્ડ ૩નો સમાવેશ થાય છે. ચવ્હાણના નેતૃત્વને મોટો ફટકો પડ્યો: ભૂતપૂર્વ મુખ્ય મંત્રી અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા પછી નાંદેડ જિલ્લામાં આ પહેલી મોટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી. આ ચૂંટણી તેમના નેતૃત્વ હેઠળ લડાઈ રહી હતી, ત્યારે એક જ પરિવારને 6 બેઠકો આપવાના નિર્ણયથી ચવ્હાણ માટે શરમજનક સ્થિતિ ઊભી થઈ છે. મોટી સંખ્યામાં ઉમેદવારો હોવા છતાં માત્ર એક જ પરિવારને અગ્રતા આપવા અંગે કાર્યકરોમાં નારાજગી મતદાન પેટીમાં બહાર આવી હોય તેવું લાગે છે. અશોક ચવ્હાણ ભાજપમાં જોડાયા પછી પાર્ટીની તાકાત વધશે તેવી અપેક્ષા હતી, પરંતુ લોહાના પરિણામોએ જિલ્લા પર તેમની પકડ પર પ્રશ્નો ઊભા કર્યા છે. ચીખલીકરના ગડના કાંકરા ખડી પડ્યાલોહાને રાષ્ટ્રવાદી અજિત પવાર જૂથના ધારાસભ્ય પ્રતાપ પાટીલ ચીખલીકરનો ગઢ માનવામાં આવે છે. જોક, ભાજપ, કોંગ્રેસ અને બંને એનસીપી વચ્ચે ત્રિ-માર્ગીય સ્પર્ધામાં, શરદ પવારની એનસીપી મેયરપદ જીતીને વિજયી બની છે. ચીખલીકરના ગઢ અને અશોક ચવ્હાણના જિલ્લામાં પવારની એનસીપીનો આ વિજય આગામી વિધાનસભા ચૂંટણી માટે એક મહત્ત્વપૂર્ણ સંકેત બની ગયો છે.
288 નગરપાલિકાનાં પરિણામ જાહેર થયા:ભાજપ સૌથી મોટો પક્ષ, આઘાડીનો ધબડકો
રાજ્યમાં ઉત્સુકતાથી વાટ જોવાઈ રહી હતી તે 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની ચૂંટણીમાં પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં સત્તાધારી મહાયુતિઓ મહાવિકાસ આઘાડીનો ધબડકો બોલાવી દીધો છે. અનેક મતવિસ્તારમાં ચૂંટણી મહાયુતિના ત્રણ ઘટક પક્ષો વચ્ચે થઈ હતી. આથી પરિણામ તરફ સૌનું ધ્યાન મંડાયેલું હતું. જોકે આખરે સારાવાર વિચાર કરતાં મહાયુતિએ આ ચૂંટણી પોતાના ખિસ્સામાં આસાનીથી સેરવી લીધી છે. મુંબઈ, થાણે, નવી મુંબઈ મહાપાલિકા સહિતની મહાપાલિકાઓની ચૂંટણી પર તેનો પ્રભાવ પડી શકે છે એમ રાજકીય નિરીક્ષકોનું કહેવું છે. રવિવારે સાંજે પ્રાપ્ત આંકડાવારી અનુસાર મહાયુતિના સૌથી વધુ 213 નગરાધ્યક્ષ ચૂંટાઈ આવ્યા હતા, જ્યારે મહાવિકાસ આઘાડીને ફક્ત 50 બેઠક પર સંતોષ માનવો પડ્યો છે. 118 નગરાધ્યક્ષ મેળવીને ભાજપ રાજ્યમાં સૌથી મોટો પક્ષ બન્યો છે, જે પછી એકનાથ શિંદેની શિવસેના 58 અને અજિત પવારની રાષ્ટ્રવાદી અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે આવી છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ 31, રાષ્ટ્રવાદી (શરદ પવાર) 10 અને શિવસેના ઠાકરે જૂથ ફક્ત 9 નગરાધ્યક્ષ ચૂંટી લાવી શક્યા છે. અનેક ઠેકાણે આ લખાય છે ત્યારે પણ મતગણતરી ચાલતી હોવાથી આ આંકડાવારીમાં વધઘટ થઈ શકે છે. ખાસ કરીને મતચોરીના આરોપોને લઈને આ ચૂંટણી વધુ રસપ્રદ બની હતી. મહાવિકાસ આઘાડીના નેતાઓ દ્વારા છેલ્લી ઘડી સુધી મતચોરીને લઈને સત્તાધારીઓ અને ચૂંટણી પંચની ટીકા કરવામાં આવતી હતી, પરંતુ આખરે પરિણામ મહાયુતિ તરફ જ આવતાં આઘાડીમાં સોપો પડી ગયો છે. આથી હવે આગામી ચૂંટણીઓ પર તેનો કેવો પ્રભાવ પડશે તે જોવાનું વધુ રસપ્રદ બની રહેશે. નોંધનીય છે કે 15 જાન્યુઆરીએ હવે મુંબઈ, થાણે, નવી મુંબઈ સહિતની મહાપાલિકાઓની ચૂંટણી માટે મતદાન થવાનું છે. દરેક પક્ષો માટે આ પ્રતિષ્ઠા સમાન જંગ છે. ચૂંટણી પરિણામ પછી મહાયુતિના ઘટક પક્ષોમાં જબરદસ્ત ખુશીનું વાતાવરણ હતું. અનેક ઠેકાણે ગુલાલ ઉછાળીને, મીઠાઈ વહેંચીને અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. દરમિયાન મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે અમે હકારાત્મક રીતે પ્રચાર કર્યો હતો. સર્વ સભાઓમાં અમે વિકાસકામો પર મતો માગ્યા હતા. અમે શું વિકાસ કરવાના છીએ તેની બ્લુપ્રિંટ રજૂ કરવામાં આવી હતી. લોકોએ તેને ઉત્તમ પ્રતિસાદ આપ્યો છે. લોકોએ અમારાં વિકાસકામોને પહોંચ આપી છે. આજે દેશમાં મોદીજીના નેતૃત્વમાં ભાજપ વિશે જે હકારાત્મકતા છે તેનો ફાયદો અમને થયો છે, એમ પણ તેમણે જણાવ્યું હતું. વિકાસાભિમુખ કાર્યશૈલી પર વિશ્વાસદરમિયાન કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે રાજ્યની નગર પરિષદ અને નગર પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને જ્વલંત સફળતા મળી છે તે માટે પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણ, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને સર્વ કાર્યકર્તાઓને મનઃપૂર્વક અભિનંદન આપું છું. આ કાર્યકર્તાઓની જીત છે. ભાજપની વિકાસાભિમુખ કાર્યશૈલી પર વિશ્વાસ જાળવી રાખીને ભાજપને સાથ આપવા માટે જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું.
સિટી એન્કર:બોરીવલીમાં હજારોની જનમેદની વચ્ચે ઋષભાયનનું થયું સમાપન
પવન - પાણી - પ્રકાશ જેમ બધાના છે, ને બધેય છે, એમ ઋષભદેવ પ્રભુ બધા ના છે, અને બધેજ છે, બધા જ ધર્મો - સંપ્રદાયો ને પરંપરા છે, તો સમગ્ર લોકમાં પ્રભુ ઋષભદેવજી બધે જ છે, બધાના છે. એ ઋષભાયનના છત્ર નીચે પ્રભુ ઋષભજી ને ધર્મગુરુઓએ સંપ્રદાયો ને પરંપરાઓએ સૌના આદિ ઈશ્વર તરીકે જાહેર કર્યા, ત્યારે હજારો - હજારો ને સમાવતો વિરાટ મંડપ ભાવુક બની ડોલી ઉઠ્યો હતો, ને જય - જય ઋષભ બોલી ઉઠ્યો હતો. જૈનોના ને જૈનેતરોના, બધાના મુખ પર રાજા ઋષભે તમામ રીતિ - નીતિ - ધર્મની શરૂઆત કરી હતી, એમ બોલતા થયા હતા. ઋષભાયનના પ્રેરક ગુરુદેવ જૈનાચાર્ય શ્રીમદ વિજય યશોવર્મસુરીશ્વરજી મહારાજા, વિધ્વધ્વર્ય આચાર્ય ભાગ્યયશસૂરીજી મહારાજ ને અનેક આચાર્ય ભગવંતો - સાધુ - સાધ્વીજી મહારાજો જૈનો ના ચારે સંપ્રદાયો જેમાં જોડાયા, અને તમામ ધર્મને સંપ્રદાયોને - પરંપરાના ધર્મગુરુઓ પણ જેમાં પૂરેપૂરા જોડાયા એ ઋષભાયનની સફળ ને શાનદાર સમાપનની અત્યંત ભવ્યતા સાથે સૌને હરખ ના આંસુ દઈ ગઈ. મહારાષ્ટ્ર ના સાંસ્કૃતિક મંત્રી આશિષ શેલારે આ સમાપન સમાહરોના વક્તવ્યમાં જણાવ્યું આ માત્ર ભારતનું જ નહીં પુરા વિશ્વનું અભિયાન બનશે એમ કહ્યું હતું. ધર્મગુરુઓને - સુપ્રીમના વકીલ - જજો - દેશના ટોચના વિદ્વાનો - પંડિતો - ડોક્ટરો - સીએ - ઉદ્યોગપતિઓ એ આજે વિરાટ સભાને સંબોધિ, ત્યારે વારંવાર મંડપ તાલીઓના ગડગડાટ સાથે ગુંજી ઉઠ્યો. 9-9 યુનિવર્સિટી સાથે એલ.વી.જે.એસ.ટી. ના એમ.ઓ.યુ. થયા હતા. ઋષભાયનના પ્રતિજ્ઞા ઘોષિત થઈ. અનેક સંસ્થાઓ - સંઘો પણ જોડાયા હતા. અદભુત આર્ટગેલેરી, માટીના ત્યાં જ માટલા બનાવી દે તો પ્રજાપતિઓ, ગરમાગરમ રોટલાને દેશી ભોજનો તૈયાર કરી દેતી, ને પ્રાચીન ઓજાર ને જાણે ગામડામાં હોય તેનો આભાસ કરાવતી, જૂની કળાઓ - વાતાવરણ - ઘાણીયો - ચકડીઓ - ઊંટગાડી - બળદગાડી અને ઘણું બધું અદભુત સંસ્કૃતિનો દર્શન સૌને ચકિત કરી ગયું. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારની ઘોષણાપ્રવચનો - સ્કોલરોના રિસર્ચ પેપર હોય - વક્તવ્યોએ તો ખાસ યુવા-યુવતીઓને જબરજસ્ત આકર્ષિત ને અભિભૂત કરી દીધા હતા. ગુજરાત સરકારે આ ઋષભાયન-3 નું આયોજન અમદાવાદ કરવા આમંત્રણ આપ્યું, તો મહારાષ્ટ્ર સરકારે જમીન ભેટની જાહેરાત કરીને મુંબઈના કાયમી રાજા ઋષભનું ઋષભાયન ઊભું કરવા જણાવ્યું. મુંબઈ જૈન શિક્ષણ સંઘ પાઠશાળાનું કલા - કૌશલ્યએ આખું મુંબઈ ગાંડો - ઘેલો બનાવી દીધું હતું.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... સચિવાલયમાં આ મહિને ખાલી થતી ખુરશીઓમાં કોણ બેસશે?ગાંધીનગર અને અમદાવાદ—બન્ને જગ્યાએ આ દિવસોમાં ફાઈલો કરતાં વધુ ગપસપ ફરતી થઈ છે. વર્ષના અંતે ખુરશીઓ ખાલી થવાની છે અને એ ખાલીપામાંથી કેટલી અટકળો ઊભી થાય છે એ સચિવાલયના કોરિડોરમાં બેઠેલા અધિકારીઓ સારી રીતે જાણે છે. 31મી ડિસેમ્બરે એસ.જે. હૈદર નિવૃત્ત થતાં ઊર્જા વિભાગ પણ સચિવ વિહોણો થઈ જશે. પહેલેથી જ ગૃહ, શિક્ષણ અને સામાન્ય વહીવટ વિભાગોમાં પૂર્ણકાલીન સચિવ નથી, એટલે રાજ્યના ચાર મહત્ત્વના વિભાગો વધારાના ચાર્જ પર ચાલશે કે કેમ એ મોટો સવાલ છે. “ચાર્જ પર કામ ચાલે, પણ નિર્ણયો અટકી જાય” એવી ટિપ્પણી હવે ખુલ્લેઆમ સાંભળવા મળે છે. આ ગોઠવણીમાં સૌથી વધુ ચર્ચા ફરી જ્યંતિ રવિને લઈને છે. જો તેમને ગૃહ વિભાગ સોંપાશે તો મહેસૂલ વિભાગ ખાલી પડશે અને ત્યાં નવી ગોઠવણી કરવી પડશે. વહીવટી વર્તુળોમાં એવી માન્યતા છે કે ગૃહ વિભાગ મળવો એટલે મુખ્ય સચિવ બનવાના માર્ગ પર મજબૂત પગથિયું. જોકે વિલંબને લઈને કેટલાક અધિકારીઓ કહે છે કે સરકાર હજી પત્તા ખુલ્લા કરવા માગતી નથી. સિનિયોરિટી સિક્વન્સ પણ ગપસપનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. એમ.કે. દાસ પછી કે. શ્રીનિવાસ આવે છે, પરંતુ તેઓ સુપરસીડ થયા. ત્યારબાદ સી.વી. સોમ, એ.એમ. સોલંકી, જ્યંતિ રવિ અને અંજુ શર્માનો ક્રમ છે. સી.વી. સોમ નિવૃત્તિના આરે છે અને એ.એમ. સોલંકી હાલ સાઈડલાઈન પોસ્ટિંગમાં છે, એટલે રેસ ફરી જ્યંતિ રવિ અને અંજુ શર્મા આસપાસ જ ઘૂમે છે. સંગઠનની રચનામાં ભાજપ સામાજિક સંતુલન જાળવશેબ્યુરોક્રેસીની આ ઉથલપાથલ વચ્ચે રાજકારણ પણ પાછળ રહેતું નથી. ભાજપ સંગઠનમાં આ અઠવાડિયે ફેરફાર થવાની ચર્ચા છે. જિલ્લા સ્તરે ખાલી પડેલી જગ્યાઓ ભરાશે અને સંગઠનમાં નવી ગોઠવણ જોવા મળશે. રાજકીય વિશ્લેષકો કહે છે કે એક મહામંત્રી ધારાસભ્ય અથવા સંસદસભ્ય હશે, જે વિનોદ ચાવડાની જગ્યાએ આવશે. એક ફરજિયાત બ્રાહ્મણ ચહેરો RSSમાંથી આવશે, જે ભાર્ગવ ભટ્ટની જગ્યા સંભાળશે અને એક પાટીદાર નેતા રજનીભાઈ પટેલની જગ્યાએ જવાબદારી સંભાળશે. એટલે સંગઠનમાં પણ સામાજિક સંતુલન જાળવવાનો પ્રયાસ સ્પષ્ટ દેખાય છે. આ બધાની વચ્ચે અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા અલગ જ ગપસપનું કેન્દ્ર બની છે. ઔડા અને મ્યુનિસિપલ કોર્પોરેશન મન ફાવે ત્યાં ખોદકામ શરૂ કરી દે છે, પણ ટ્રાફિક વિભાગ સાથે કોઈ સંકલન દેખાતું નથી. રસ્તા ખોદાય, બેરિકેડ મૂકાય, પરંતુ ટ્રાફિક પોલીસને અગાઉથી જાણ કરવામાં આવતી નથી. ઉપરથી ટ્રાફિક પોલીસમાં TRB જવાનોની ભારે અછત છે, એટલે મેદાન પર સ્થિતિ સંભાળનાર જ ઓછા છે. નાગરિકો હેરાન થઈને 1095 પર ફોન કરે તો જવાબ મળે છે—“અમે લોકલ પોલીસ સ્ટેશનને જાણ કરી દઈએ છીએ.” પછી ત્યાંથી કોઈ આવે કે નહીં એ ભગવાન ભરોસે. રસપ્રદ વાત એ છે કે નાગરિકો જો ટ્રાફિક જામનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂકે તો અમદાવાદ પોલીસ તરત જ રીપ્લાય આપે છે, પરંતુ જમીન પર સમસ્યાનો ઉકેલ થતો નથી. એટલે હવે લોકો કહે છે કે “રીપ્લાય મળે છે, રાહત નથી.” આ બધાની વચ્ચે ગાંધીનગરના કોરિડોરમાં હજી બીજી ગપસપો પણ ચાલે છે—બગડી ગયેલા અડદ ટેકાના ભાવે ખરીદાયાની વાત, કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો બંગલો ભાજપના નેતાએ ખરીદ્યો હોવાની ચર્ચા, GERCમાં ડમી નામની ફાઈલ, ઉદ્યોગોનું સ્થળાંતર અને “અન્ય આદેશ સુધી” ચાલતા પદો. ઉપરથી જીમમાં પસીનો વહાવતા મુખ્યસચિવો—આ બધું મળીને રાજ્યના વહીવટ અને રાજકારણનું ચિત્ર સ્પષ્ટ કરે છે. સારાંશ એટલો જ કે, રસ્તા પર ટ્રાફિક અટવાયેલો છે, સચિવાલયમાં ફાઈલો અટકેલી છે અને સંગઠનમાં ખુરશીઓ ખસે છે. અને આ બધાની વચ્ચે જ્યારે નાગરિક ઉકેલ શોધે છે, ત્યારે એક જ જવાબ સાંભળવા મળે છે—“સાહેબ મીટિંગમાં છે.” એક IAS અધિકારીએ સગી સાળી અને મિત્રને પોતાના જ વિભાગમાં નોકરી અપાવી આ સરકારમાં કેટલાય અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. એક IAS અધિકારીએ પોતાની સગી સાળીને તેમજ પોતાના અંગત મિત્રને પોતાના ડીપાર્ટમેન્ટમાં જ નોકરીએ લગાવી દીધા છે. જેને લઈને આ ડીપાર્ટમેન્ટમાં ગણગણાટ થઈ રહ્યો છે. એટલુ જ નહી, આ જ વિભાગમાં ફરજ બજાવતી અન્ય એક યુવતીને પણ પ્રમોશન મળે તે માટે ભરતી પ્રક્રિયાના અમુક નિયમોમાં પણ ફેરફાર કરવાની હિંમત કરી છે. બહુ સિનિયર નહી એવા આ અધિકારી આવ્યા ત્યારથી તેના ડીપાર્ટમેન્ટમાં વિવાદ શરૂ થયો છે. કંપનીઓના પેમેન્ટ ફસાવી રાખવા, ખોટી રીતે પેનલ્ટી ફટકારવી,કોઈનુ સાંભળવુ નહી વગેરે બાબત આ અધિકારી માટે કોમન થઈ ગઈ છે. તેઓએ એકાદ મહિના પહેલા કોઈ કન્સલ્ટીંગ એજન્સીને ત્યાં સગી સાળીને કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી અપાવી હતી. જો કે, કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ તુરંત જ પોતાના વિભાગમાં તેને લઈ લીધી હતી. આ જ રીતે પોતાના અંગત મિત્રની પણ આ જ એજન્સી પાસેથી કોન્ટ્રાક્ટ અપાવ્યો હતો અને તુરંત જ પોતાના વિભાગમા તેને લઈ લેવાયો હતો. જેને લઈને વિભાગમાં પણ ગણગણાટ શરૂ થયો છે. અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ ચર્ચા કરી રહ્યા છે કે, આ અધિકારીએ સત્તાનો દૂરુપયોગ કરીને સાળીને તેમજ મિત્રને ગેરકાયદે નોકરીએ લગાવી દીધા છે. બન્ને લગભગ દર મહિનાનો પગાર પણ 80થી 90 હજારનો નક્કી કરાયો છે.આ બન્ને જગ્યા ભરવા માટેની કોઈ ઈમરજન્સી પણ નહોતી. કેમકે આ લોકોને જે કામ માટે મુકાયા છે તેવા પ્રકારના કામ કરવા માટે હાલમાં આ વિભાગ પાસે એક ડઝન જેટલા અધિકારીઓ છે. CMને મળવા આવેલા હરિભાઈ ચૌધરીને ધરમનો ધક્કો થયોકેન્દ્રના પૂર્વ રાજ્યકક્ષાના ગૃહમંત્રી હરિભાઈ ચૌધરી ગત અઠવાડીયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા માટે ગયા હતા. પરંતુ તેમને મળવા આવનારા લોકોની મોટી ભીડ હતી આથી તેઓ મુખ્યમંત્રીને મળી શક્યા નહોતા.જતા જતા તેઓએ સીએમઓના અધિકારીઓને મળીને બળાપો કાઢ્યો હતો. જેમાં તેઓએ એવુ કહ્યુ કે, મંગળવારે માત્ર ધારસભ્ય-સાંસદોને તેમજ નેતાઓને મળવાનું હોય છે. આમછત્તા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ટોળા સાથે આવે છે. તેઓ મુખ્યમંત્રી સાથે માત્ર ફોટા પડાવવા જ આવતા હોય છે. જેને કારણે અમારા જેવા સિનિયર નેતાઓ મળી શકતા નથી. તેઓ જતા જતા પોતાનો ફોન નંબર પણ આપી ગયા હતા તેમજ એવુ કહ્યુ કે, તમે મુખ્યમંત્રીને કહેજો કે હું તેમને મળવા સીએમ બંગલે જ આવીશ. સીએમ ટાઈમ આપે એટલે મને જણાવજો. છેલ્લે તેઓએ કટાક્ષ કર્યો હતો કે કેન્દ્રમાં હું મંત્રી હતો ત્યારે કોઈ અજાણ્યો ફોન આવે તો પણ હું તે ફોન ઉઠાવીને વાત કરતો હતો. અત્યારના મંત્રીઓની વાત જૂદી છે. નવા વર્ષે ગુજરાતને નવા ડીજીપી મળશે કે સહાયને વધુ એક એક્સટેન્શનગુજરાતના પોલીસ વડા વિકાસ સહાયેને અપાયેલા એક્સ્ટેન્શનની મુદત્ત 31મી ડીસેમ્બરે પૂર્ણ થાય છે. તેની બદલે કોને મુકાશે તેની વ્યાપક ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને પોલીસ બેડાને નવા ડીજીપી માટે ભારે ઈંતેજાર છે. જો કે, હાલમાં આઈપીએસ રાવ પણ ડીજીપીની રેસમાં છે. ચર્ચા મુજબ, મલિકને સરકાર સાથે સારું ટ્યુનીંગ છે. તેઓ સરકારની કામ કરવાની પધ્ધતિથી વાકેફ થઈ ગયા છે. અમદવાદના કમિશનર તરીકે તેઓને સફળ ગણવામાં આવે છે. જ્યારે તેનાથી થોડો સિનિયર ગણાતા રાવને હજુ સરકાર સાથે જોઈએ તેટલુ ટ્યુનીંગ બેસતુ નથી. આથી એવી શક્યાતાઓ છે કે, જો મલિકને ડીજીપી બનાવાશે તો રાવને પોલીસ હાઉસીંગના ડીજીપી બનાવી દેવાશે. જો કે, એક એવી શક્યાત પણ છે કે, વિકાસ સહાયને વધુ એક એક્સ્ટેન્શન મળી શકે છે. વિધાનસભામાં વાઘાણી-ઈટાલિયાની મુલાકાતથી ચર્ચાનું બજાર ગરમવિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતીને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલીયા બોલવામાં ખુબ જ એગ્રેસીવ છે. અવારનવાર સોશિયલ મીડિયામં તેઓ વિવાદાસ્પદ નિવેદનો આપતા હોય છે. ચૂંટણી પહેલા અને જીત્યા પછી ગોપાલે અનેકવખત જાહેરમાં કહ્યુ છે કે, હું ક્યારેય ભાજપમાં નહી જાવ. ભાજપ મને ક્યારેય લોભ-લાલચથી કે ધાક-ધમકીથી ખરીદી શકશે નહી. તમે મારા પર વિશ્વાસ રાખો. જો કે, તેમના આવા નિવેદનને પગલે સોશિયલ મીડિયામાં લોકોએ યાદ અપાવી હતી કે, પાટીદારોને અનામત આપવાની માગણી સાથે આંદોલન કરનારા હાર્દિક પટેલ, વરુણ પટેલ અને રેશમા પટેલ જેવા યુવા નેતાઓએ પણ આવુ કે આનાથી કડક શબ્દોમાં કહ્યું હતુ કે, અમે મરી જવાનુ પસંદ કરીશુ પણ ભાજપમા નહી જઈએ. કોંગ્રેસના અનેક નેતાઓ પણ આવુ બોલીને ફરી ગયા હતા તેમજ ભાજપ ભેગા થઈ ગયા હતા. આ વાત લોકો હવે એટલે યાદ કરી રહ્યા છે કે, ગત અઠવાડિયે આપના ગોપાલ ઈટાલીયા સહિતના નેતાઓ સચિવાલયના ગેટ પાસે ઉભા હતા ત્યારે કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી ત્યાં આવ્યા હતા. તેઓ રીતસર ગોપાલને ભેટી પડ્યા હતા. જેમાં ગોપાલને પણ કોઈ વાંધો નહોતો. હસી હસીને બધા એકબીજા સાથે વાત કરતા હતા. જેને લઈને સોશિયલ મીડિયામાં ફરીથી શરૂ થયુ છે કે, ગોપાલભાઈએ મંત્રીને ગળે લાગીને ભેટવાની શું જરુર હતી. શું તેઓ પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરના માર્ગે ચાલી રહ્યા છે કે શું ? 31મી ડીસેમ્બરે ACS એસ.જે. હૈદર નિવૃત્ત થશે,જર્કની ઈચ્છા અધુરી રહેશેએડિશનલ ચીફ સેક્રેટરી એસ જે હૈદર 31મી ડીસેમ્બરે વયનિવૃ્ત થઈ રહ્યા છે. અગાઉ એવી ચર્ચા હતી કે, તેઓને એનર્જી ક્ષેત્રનો સારો અનુભવ હોવાથી અને સરકારની ગુડબુકમાં હોવાને કારણે તેઓને જર્કમાં મુકી દેવાશે.પરંતુ સૌ કોઈની આ ધારણા ખોટી પડી છે. કેમકે ગત અઠવાડીયે જ પૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીને જર્કમાં મુકી દેવાયા છે. તેઓ ત્યાં પાંચ વર્ષ સુધી અથવા તો તેમની વય 65 વર્ષની થાય ત્યાં સુધી તેઓ ત્યાં ફરજ બજાવશે એટલે હવે હૈદરને જર્કનો કોઈ જ ચાન્સ નથી. જેથી એવી ચર્ચા શરૂ થઈ છે કે, હાલમાં વિજિલન્સ ડીપાર્ટમેન્ટમાં પૂર્વ આઈએએસ અધિકારી સંગીતાસિંહ છે. હવે તેઓની જગ્યાએ આગામી સમયમાં હૈદરને મુકવામાં આવે તો નવાઈ નહી લાગે. જો કે, વિજિલન્સમાં પૂર્વ મુખ્ય સચિવ રાજકુમારનુ નામ પણ ચર્ચામાં છે જ. સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજના મહાસંમેલન માટે અમદાવાદ બે નેતાઓનો મહત્વનો રોલસૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનું મહા સંમેલન આગામી રવિવારે અમદાવાદમાં યોજવાનું છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને વિવિધ જિલ્લાઓમાંથી પચાસ હજાર જેટલા પાટીદારો ઉપસ્થિત થવાના છે. સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજનું સંમેલન ગુજરાત ભાજપના નેતાઓને એક મજબૂત મેસેજ આપવા માટે યોજવામાં આવ્યું હોવાની ચર્ચા છે. તાજેતરમાં જ નવા મંત્રીમંડળ બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનમાં પણ સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનું વર્ચસ્વ વધે અને યોગ્ય સ્થાન મળે તેને લઈને સંમેલન યોજવાનું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આ સંમેલનમાં હાજર રહેવાના છે અને સંમેલનને સફળ બનાવવા માટે ગુજરાત ભાજપમાં રહેલા સૌરાષ્ટ્ર લેઉવા સમાજના આગેવાનો ખૂબ મહેનત કરી રહ્યા છે. જેમાં અમદાવાદના બે નેતાઓ ખૂબ જ મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. AMCની મુખ્ય ઓફિસ દાણાપીઠમાં, IAS અધિકારીઓ તો રિવરફ્ન્ટ હાઉસની ઓફિસોમાં જ બેસે!નાગરિકોને કોઈપણ સમસ્યા હોય તો તેમની રજૂઆત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના સત્તાધીશોને કરી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ ખમાસા દાણાપીઠ ખાતે આવેલી છે. કોર્પોરેશનના અધિકારીઓ અને ભાજપના નેતાઓ શહેરના નિર્ણયો લે છે પરંતુ IAS અધિકારીઓને દાણાપીઠની ઓફિસ ફાવતી નથી. કારણ કે મુખ્યત્વે મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો રિવરફ્રન્ટ હાઉસ ખાતે આવેલી ઓફિસમાં જ બેસી રહે છે. આખી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની કામગીરી દાણાપીઠ ખાતે થાય છે. પરંતુ અધિકારીઓને રિવરફ્રન્ટ હાઉસની ઓફિસમાં બેસી રહેવામાં રસ છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરો અધિકારીને કંઈ કામ હોય તો રિવરફ્રન્ટ હાઉસ ખાતે બોલાવતા હોય છે. જો દાણાપીઠ ખાતે ઓફિસમાં બેસે તો ત્યાં જ કામ પૂરું થઈ જાય અને અધિકારીઓનો આવવા જવામાં સમય બગડતો બચે પરંતુ IAS સાહેબોને તો નદીનો નજારો દેખાય એવી ઓફિસમાં બેસીને જ કામ કરવામાં રસ છે. અમદાવાદ મ્યુ. કમિશનરે સતત બે વાર સંકલનની બેઠક રદ કરતા નેતાઓ નારાજરાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી સમયમાં યોજવાની છે ગમે ત્યારે ચૂંટણીને લઈને નિર્ણય લેવાઈ શકે છે. ત્યારે પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા માટે અમદાવાદના ધારાસભ્યો અને સાંસદ સભ્યોને મળતી સંકલન સમિતિની બેઠક મ્યુનિસિપલ કમિશનર દ્વારા બે વખત રદ કરવામાં આવતા નેતાઓમાં ભારે રોષ ફેલાયો છે. મ્યુનિસિપલ કમિશનર છેલ્લા બે મહિનાથી પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા માટે રસ ન ધરાવતા હોય તેમ છેલ્લી ઘડીએ બેઠક રદ કરવામાં આવી હોવા અંગેની જાણ કરી દે છે. ભાજપના બે ધારાસભ્યો તો પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે ખાસ તૈયારી કરી ચૂક્યા હતા પરંતુ કમિશનરે છેવટે બેઠક અચાનક જ રદ કરી દીધી છે. પ્રજાકીય પ્રશ્નોની ચર્ચા કરવા માટે પ્રજાના પ્રતિનિધિ સાથેનો સમય અને તારીખ નક્કી હોય છે છતાં પણ કમિશનર કેમ આગોતરું આયોજન કરતા નથી. ભાજપ- કોંગ્રેસના ધારાસભ્યો અને સાંસદ સભ્યોની રજૂઆતોને સાંભળવા હવે કમિશનર તૈયાર નથી એવી ચર્ચા જાગી છે. ભાજપના નેતાઓએ પોતાના જ નામ સાથે નિમંત્રણ પત્રિકા છપાવી નાખીઅમદાવાદ ભાજપના કોર્પોરેટરના બજેટમાંથી બનાવવામાં આવેલા બે સર્કલના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે નિમંત્રણ પત્રિકા મ્યુનિસિપલ કોર્પોરેશનની હોવાની જગ્યાએ ભાજપના નેતાઓએ પોતાની અલગ નિમંત્રણ પત્રિકા છપાવી હતી. જેને લઈને ભાજપના કાર્યકર્તાઓમાં ચર્ચા શરૂ થઈ છે. સામાન્ય રીતે કોર્પોરેટરના બજેટમાંથી કોઈપણ કામગીરી થાય અને તેનું ઉદ્ઘાટન થાય તો તેના ઉદ્ઘાટન કાર્યક્રમની નિમંત્રણ પત્રિકામાં નિમંત્રક તરીકે જે તે ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અથવા મ્યુનિસિપલ કમિશનર હોય છે. પરંતુ સ્થાનિક ભાજપના ઉત્સાહિત નેતાઓએ નિમંત્રક તરીકે પોતાના નામ છપાવી અને નિમંત્રણ પત્રિકા છપાવી દીધી છે. ભાજપના નેતાઓની આમંત્રણ પત્રિકાનો વિવાદ અગાઉ પણ જોવા મળ્યો હતો ત્યારે ભાજપના નેતાઓ પાર્ટીમાં કોઈપણ ઉચ્ચ નેતાગીરીને પૂછ્યા વિના જાતે જ બધા નિર્ણય લેતા હોવા ની ચર્ચા છે.
સિટી એન્કર:દહિસર-ભાઈંદર મેટ્રો-9 માટે ચારકોપ કારશેડનો ઉપયોગ કરીને સંચાલન
દહિસર-ભાઈંદર મેટ્રો-9 રૂટના બે ઠેકાણે કારશેડ રદ કરવાનો સમય મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ પર આવ્યો છે. ડોંગરી કારશેડ તાજેતરમાં જ રદ કરવામાં આવ્યો. આ સંબંધી જીઆર ટૂંક સમયમાં જારી કરવામાં આવશે ડોંગરી કારશેડ રદ થયા પછી નવો કારશેડ ક્યાં ઊભો કરવો એવો પ્રશ્ન નિર્માણ થયો હતો. જો કે એમએમઆરડીએએ કારશેડની સમસ્યા જ ઉકેલી છે. એમએમઆરડીએએ મેટ્રો-9 રૂટનું સંચાલન સ્વતંત્ર કારશેડ વિના કરવાનો નિર્ણય લીધો છે. આ રૂટના સંચાલન માટે દહિસર-અંધેરી પશ્ચિમ મેટ્રો-2એ અને દહિસર-ગુંદવલી મેટ્રો-7 રૂટ માટે વપરાતો ચારકોપ કારશેડનો ઉપયોગ કરવામાં આવશે. એમએમઆરડીએ મુંબઈ અને ભાઈંદરને જોડતી 13.5 કિલોમીટર લાંબા મેટ્રો-9 રૂટનું કામ બે તબક્કામાં કરે છે. દહિસર-કાશીગાવ પ્રથમ તબક્કાનું કામ અંતિમ થવામાં છે અને ટૂંક સમયમાં આ રૂટ માટે સુરક્ષા પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે. ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આ તબક્કો શરૂ કરવાનું નિયોજન છે. એમાં મેટ્રો-9નો કારશેડ વિવાદસ્પદ બન્યો છે. મૂળ રૂપરેખા અનુસાર કારશેડ રાઈ, મુર્ધા, મોર્વા ગામમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. ત્યાં કારશેડ બાંધવાનો ખેડૂતો, સ્થાનિકોએ જોરદાર વિરોધ કર્યો, જનઆંદોલન કર્યું. તેથી રાજ્ય સરકારે ત્યાનો કારશેડ રદ કરીને ડોંગરી ખાતે ખસેડ્યો. ડોંગરીની જગ્યા તાબામાં લીધા બાદ થોડા દિવસમાં કારશેડ બાંધવાની શરૂઆત થવાની હતી. ડોગરી કારશેડ માટે 12 હજારથી વધુ ઝાડ કાપવા એમએમઆરડીએએ મિરા-ભાઈંદર મહાપાલિકા પાસેથી પરવાનગી લીધી હતી. ડોંગરી, ઉત્તન, મિરા-ભાઈંદરના સ્થાનિક રહેવાસીઓ, પર્યાવરણપ્રેમીઓએ એનો જોરદાર વિરોધ કર્યો. ડોંગરી એકમાત્ર લીલોતરીવાળો પરિસર છે અને એનો નાશ કરવો નહીં એવી ભૂમિકા લીધી. એના માટે મોરચા, માનવસાંકળ આંદોલન, સહી ઝુંબેશ શરૂ કરી. આખરે રાજ્ય સરકારે ડોંગરી કારશેડ રદ કરવા સંબંધી ચકાસણી કરવાનો આદેશ આપ્યો. એ અનુસાર એમએમઆરડીએ ડોંગરી કારશેડ રદ કર્યો. ચારકોપ કારશેડથી જ સંચાલનડોંગરી કારશેડ રદ થયા પછી એમએમઆરડીએએ કારશેડ માટે નવી જગ્યાની શોધ શરૂ નથી. આ રૂટના સંચાલન માટે સ્વતંત્ર કારશેડની જરૂર નથી અને ચારકોપ કારશેડનો ઉપયોગ કરવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું. મંડાલે ખાતે સૌથી મોટો કારશેડ બાંધીને તૈયાર છે. મોઘરપાડામાં કારશેડનું કામ ચાલુ છે અને ટૂંક સમયમાં કસેલી અને નિળજે પાડા ખાતે પણ કારશેડ ઊભા કરવામાં આવશે. કાંજુરમાર્ગ ખાતે પણ કારશેડ પ્રસ્તાવિત છે. ભવિષ્યમાં તમામ મેટ્રો રૂટ એકબીજા સાથે કોઈને કોઈ ઠેકાણે જોડાશે. તેથી મેટ્રો-9 રૂટ માટે સ્વતંત્ર કારશેડની જરૂર નથી. ચારકોપ કારશેડમાંથી જ મેટ્રો-9 રૂટનું સંચાલન થશે એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
થર્ટી ફર્સ્ટને લઈ મહાપાલિકા સતર્ક:આજથી 28 ડિસે. સુધી હોટેલ, બાર, સોસાયટીઓમાં અગ્નિસુરક્ષા તપાસ
આગામી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષના સ્વાગત માટે થનારી પાર્ટીઓને ધ્યાનમાં લઈને મહાપાલિકા સતર્ક થઈ છે. 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી હોટેલ, બાર, રેસ્ટોરંટ, ઈમારતો, સોસાયટીઓમાં અગ્નિસુરક્ષાની તપાસ કરવામાં આવશે. ત્યાં અગ્નિશમન યંત્રણા નહીં હોય તો નોટિસ બજાવીને જરૂરી સુવિધા સક્ષમ કરો નહીં તો કાર્યવાહી કરવામાં આવશે એવો ઈશારો આપવામાં આવશે. ગોવાની એક નાઈટ ક્લબમાં લાગેલી આગમાં 5 પર્યટક સહિત કુલ 25 જણના મૃત્યુ થવાની ઘટના બનવાથી મુંબઈની તમામ રેસ્ટોરંટ, બાર, હોટેલ્સમાં અગ્નિસુરક્ષાનો મુદ્દો ફરીથી સપાટી પર આવ્યો છે. હવે 22 થી 28 ડિસેમ્બર દરમિયાન વિશેષ તપાસ ઝુંબેશ ચલાવવામાં આવશે. આ તપાસમાં અગ્નિશમન યંત્રણા બંધ હશે તો તેના પર મહારાષ્ટ્ર આગ પ્રતિબંધક અને જીવસંરક્ષક ઉપાયયોજના અધિનિયમ 2006ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે. એમાં વીજ અને પાણી કાપવા, સીલ કરવા જેવી કાર્યવાહી થઈ શકે છે એમ પણ અગ્નિશમન દળ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ સુરક્ષા બાબતની ઉપાયયોજના તરીકે ગિરગાવ, દાદર, વર્સોવા, જુહુ, અક્સા, ગોરાઈ જેવી ચોપાટીઓ પર લાઈફગાર્ડ, બોટ અને જીવસંરક્ષક સાધનો સહિત મનુષ્યબળ તૈનાત કરવામાં આવશે એમ અગ્નિશમન દળ તરફથી જણાવવામાં આવ્યું હતું. તેમ જ મુંબઈગરા અને પર્યટકોએ પણ ઉત્સાહના આવેગમાં ગેરજવાબદારીથી વર્તવું નહીં એવી હાકલ પ્રશાસન તરફથી કરવામાં આવી છે.
દુષ્કર્મ આચરનારની ધરપકડ કરાઈ:મૂકબધિર મહિલાએ 16 વર્ષે ચુપકીદી તોડી સિરિયલ દુષ્કર્મીને ખુલ્લો પાડ્યો
સમુદાયની અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ અને જાતીય હુમલો કરનાર વિરુદ્ધ મૂકબધિર મહિલાએ 16 વર્ષ પછી ચુપકીદી તોડી છે. તેનો ભોગ બનેલી એક મહિલાએ તાજેતરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી મૂકબધિરે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે 13 ડિસેમ્બરે સિરિયલ દુષ્કર્મીની ધરપકડ કરી છે. એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કરવાથી વિચલિત મૂકબધિરે 2009માં પોતાની પર થયેલા જાતીય હુમલા વિશે તેના ફ્રેન્ડ્સને વિડિયો કોલ પર જાણ કરી હતી. પોલીસ અનુસાર પીડિતા પશ્ચિમ પરાંની રહેવાસી છે. તેણે વ્હોટ્સએપ ગ્રુપનો હિસ્સો ફ્રેન્ડ્સ અને સાથીઓ સાથે વિડિયો કોલ દરમિયાન સાંકેતિક ભાષામાં પોતે સગીર હતી ત્યારે આરોપીએ તેને ઘેનની દવા આપી હતી અને બાદમાં દુષ્કર્મ કર્યું હતું એવો સંકેત આપ્યો હતો. પીડિતાએ પોતાના પતિને વિશ્વાસમાં લીધો હતો અને થાણે ડીફ એસોસિયેશનના પ્રમુખ વૈભવ ઘૈસિસ, ચળવળકર્તા મહંમદ ફરહાન ખાન, સાંકેતિક ભાષાના અર્થઘટનકર્તા મધુ કેણી, અલી યાવર જંગ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ ડિઝેબિલિટીઝ દિવ્યાંગજનના નિવૃત્ત અધિકારીના ટેકાથી કુરાર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તેનું નિવેદન ઈન-કેમેરા નોંધવામાં આવ્યું હતું. આ પછી ટૂંક સમયમાં જ આરોપી મહેશ પવારની વિરારથી ધરપકડ કરવામાં આવી હતી. 16 વર્ષ પૂર્વેની આપવીતી જણાવતાં પીડિતાએ કહ્યું કે તેની એક બહેનપણીએ જુલાઈ 2009માં તેને શહેરમાં ફરવા માટે બોલાવી હતી. તે આવતાં સાંતાક્રુઝના વાકોલામાં પવારના ઘરે લઈ ગઈ હતી. પીડિતાને બહેનપણીની ઉજવણીરૂપે આરોપીએ સમોસા અને અમુક પીણાં આપ્યાં હતાં. પવારે પીણાંમાં ઘેનયુક્ત પદાર્થ મિશ્રિત કર્યો હતો, જે બહેનપણીએ બળજબરીથી પિવડાવ્યું હતું, જે પછી બહેનપણી નીકળી ગઈ હતી. આ પછી આરોપીએ દુષ્કર્મ કર્યું હતું અને વિડિયો રેકોર્ડ કરી લીધો હતો, જેને આધારે પછી બ્લેકમેઈલ કરવાનું શરૂ કર્યું હતું. આ હુમલાનો આઘાત લઈને વર્ષોથી તે જીવતી હતી. જોકે સમુદાયની અન્ય મહિલા સાથે પણ આવું થતાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. તપાસમાં આરોપીએ અન્ય મૂકબધિર મહિલાઓ સાથે પણ આ રીતે જ દુષ્કર્મ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. તેમનો વિડિયો ઉતારીને ફરિયાદ કરશે તો તે જાહેર કરવાની ધમકી આપી હતી. ઉપરાંત આરોપી વિડિયોને આધારે પૈસા, સોનું અને મોબાઈલ ફોન પણ પડાવી લેતો હતો. હમણાં સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે કમસેકમ સાત મહિલાઓ સાથે આરોપીએ દુષ્કર્મ કર્યું હતું, પરંતુ આ સંખ્યા 24થી વધુ જઈ શકે છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. હવે પવારનો શિકાર બનેલી અન્ય મહિલાઓ પણ ફરિયાદ કરવા માગે છે, એમ કેણીએ જણાવ્યું હતું. આરોપીએ એક પીડિતા પાસેથી પૈસા વસૂલ કર્યા બાદ તબીબી કટોકટીમાં પૈસાની જરૂર હોવા છતાં તે આપ્યા નહોતા, એમ તેમણે જણાવ્યું હતું.
મંડે પોઝિટીવ:‘બાલિકા વિદુષીઓ’એ BAPS મંદિરે પ્રાચીન વૈદિક પરંપરાઓને જીવંત કરી
શૈક્ષણિક શિસ્ત અને આધ્યાત્મિક ભક્તિના સંગમ સમાન કાર્યક્રમમાં, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આજે દાદરના યોગી સભાખંડમાં વિશેષ સિદ્ધાંત સર્વસ્વમ્ રવિ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નક્કર વિદ્વાન પ્રસ્તુતિ દ્વારા 8 વરિષ્ઠ બાલિકા વિદુષીઓની અપ્રતિમ શૈક્ષણિક સિદ્ધિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. સંસ્કૃત, જે ભારતીય ભાષાઓની જનની છે, તે આપણી સાંસ્કૃતિક અને સાહિત્યિક વિરાસતને સમૃદ્ધ બનાવી રહી છે. આ સમર્પિત બાળાઓ સંસ્કૃત ભાષાના વારસાને જાળવવા અને મજબૂત કરવા માટે મજબૂત સ્તંભ તરીકે ઉભરી રહી છે. છેલ્લા ચાર વર્ષથી આ 8 વરિષ્ઠ વિદ્યાર્થિનીઓએ BAPS સંસ્કૃત મહાવિદ્યાલય, સારંગપુર દ્વારા 'સિદ્ધાંત સર્વસ્વ' અભ્યાસક્રમ અંતર્ગત કઠિન તાલીમ મેળવી છે.
વેસુ મહાવિદેહધામ જૈન સંઘમાં “મનની વાત મનની સાથે” ‘’આ વિષય ઉપર રવિવારીય પ્રવચન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, આપણું મન ચંચળ છે. માનવ માત્રનું મન ક્યારે પણ સ્થિર રહેતું નથી. મનની સાથે જે જીત મેળવે છે તે પુરા વિશ્વ ઉપર જીત મેળવી શકે છે. બાહ્ય વાતાવરણ અને નિમિત્તો મનને સારા કે ખોટા માર્ગ તરફ લઈ જાય છે. મનને મારો નહીં, મનને સમજાવો. ઘણાં લોકોની પાસે “કન્વીસીંગ પાવર” જોરદાર હોય છે પણ જાતને સમજાવવી મુશ્કેલ હોય છે. જગતને સમજાવવું સહેલું છે પણ જાતને સમજાવવી મુશ્કેલ છે. જાતને સમજાવવા જતાં અહંકાર રૂપી અજગર નડે છે.મનને મારવાનું કે દબાવાનું નથી પણ મનને સમજાવાનું છે.
રાજેન્દ્ર સૂરીશ્વરજી સમુદાયમાં જયંતસેન સુરીશ્વરજી મહારાજાના પટ્ટધર ગચ્છાધિપતિ નિત્યસેનસુરીશ્વરજી આદિ ઠાણાનો નગર પ્રવેશ થયો હતો. પ્રવેશ શોભાયાત્રા રાજરત્ન એન્કલેવ, પાલથી શરૂ થઈ હતી. જેમાં સૌપ્રથમ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સાઈકલ સાથે ધજા લઈને પાઠશાળાના નાના બાળકો, સ્લોગન લઈને વેશભૂષામાં સજ્જ બાળકો, બાલિકા અને પુત્રવધુ પરિષદ, બેન્ડ મંડળ, શુકનવંતા કળશધારી દીકરીઓ, સૌભાગ્યવતી સ્ત્રીઓ, નવયુવક પરિષદ અને સંઘના ઉત્સાહિત નવયુવાનો શોભાયાત્રા પાલના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ હતી. શોભાયાત્રામાં પરમાત્માનો રથ નવ યુવાનોએ સ્વહસ્તે ચલાવ્યો હતો. પાલના દરેક બિલ્ડીંગો પાસે સુંદર ગહુલિયો અને કળશ, સામૈયા સાથે ગુરુદેવના વધામણા કરવામાં આવ્યા જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગુરુદેવના સુરત નગર પ્રવેશ અર્થે મુંબઈ, અમદાવાદ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને અનેક નગરોથી ગુરુ ભક્તો હાજર રહ્યા હતા. શોભાયાત્રા રાજેન્દ્ર જયન્ત સંવેગરંગ શાળા, પાલમાં સભારૂપે પરિવર્તિત થઈ હતી. ગુરુજીને પૂજન બાદ કામળી અર્પણ કરવામાં આવેલ જેમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ભક્તો જોડાયા હતા. ગુરુજીએ પ્રવચનમાં જણાવ્યું હતું કે અહંકાર અને અભિમાન ક્યારેય કરવુ નહીં. દેવ અને ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે તો ધર્મની આરાધનામાં ઓતપ્રોત બનજો. ગુરુ પ્રત્યે શ્રદ્ધા અને સમર્પણ રાખજો. ગુરુભક્તિ તો ખરેખર થરાદ વાળાની અજોડ છે. “થાકે તે થરાદ નહીં” જે સાચા અર્થમાં ગુરૂભક્તિથી સાર્થક છે. ગચ્છાધિપતિ એ જણાવ્યું હતું કે હું કંઈ જ કરતો નથી. મારા ગુરુદેવ, મારા પુણ્યસમ્રાટ જ બધું કાર્ય કરાવે છે અને તેને સફળ કરે છે. મારી કોઈ જ શક્તિ નથી. હું કંઈ જ ચિંતા કરતો નથી મારી ચિંતા કરવાવાળા મારા ગુરુદેવ બેઠા છે.
સુરત : ઉત્રાણ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ (ક્રમાંક-334) દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક ક્ષમતા અને માનસિક એકાગ્રતા વધારવાના હેતુથી ‘સૂર્ય ઉપાસના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની વહેલી સવારનાં સોનેરી કિરણો વચ્ચે સ્કૂલનું મેદાન યોગમય બન્યું હતું, જ્યાં 700થી વધુ વિદ્યાર્થીઓએ લયબદ્ધ સૂર્યનમસ્કાર કરી આદિત્યની આરાધના કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો વિટામિન-ડીના કુદરતી સ્ત્રોત એવા સૂર્યપ્રકાશનું મહત્વ સમજે અને શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ કેળવે તેવો હતો. ગુરુજનોના માર્ગદર્શન હેઠળ બાળકોએ 12 સ્ટેપ્સમાં સૂર્યનમસ્કાર કરી ‘સ્વસ્થ શરીર, તેજસ્વી મન’નો મંત્ર સાર્થક કર્યો હતો. મંત્રોચ્ચાર અને યોગિક ક્રિયાઓના સંગમથી સમગ્ર પરિસરમાં ઊર્જાનો સંચાર થયો હતો.
પરવટમાં રવિવારે શાક માર્કેટ હટાવવાની કાર્યવાહી દરમિયાન પાથરણાંધારક મહિલાઓ અને માર્શલ-બેલદાર વચ્ચે બે કલાક સુધી મારઝૂડ થઈ હતી, જેમાં પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જાહેર માર્ગો પરનાં દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત શનિવારે લિંબાયત ઝોનની ટીમ કાર્યવાહી કરવા ગઈ ત્યારે ધક્કામુક્કીમાં મહિલાઓને પણ ઇજા થતાં ફેરિયાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસના કાફલાએ મામલો શાંત પાડ્યો હતો. વરાછની ઘટનામાં વૃદ્ધાને 2 સપ્તાહે ન્યાય નહીંવરાછામાં ટેક્નિકલ આસિસ્ટન્ટે વૃદ્ધા સાથે ‘મારા બાપને બીજી બાયડી નથી કરવી’ તેવી ઉદ્ધતાઈ કરી હતી. TA સામે હજુ સુધી કાર્યવાહી કરાઇ નથી.
કામરેજ બાપા સીતારામ ચોકમાં રહેતા દીપક મસરાણીના 9 વર્ષિય પુત્ર વંશનું થેલેસેમિયામાં મૃત્યુ થતાં 40 સ્વજનોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. વંશના પિતા દીપક મસરાણીએ કહ્યું કે, વંશની ઉંમર છ મહિનાની હતી ત્યારે થેલેસેમિયા છે તેવું ડિટેક્ટ થયું હતું. ત્યાર બાદ દર મહિને તેને લોહી ચઢાવવું પડતું હતું. ધીમે ધીમે આ સાઈકલ 15 દિવસની થઈ ગઈ હતી. જો કે, શહેરના માવતર ચેરિટેબલ ટ્રસ્ટ અને લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના માધ્યમથી થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વિનામૂલ્યે લોહી ચડાવવામાં આવે છે. આ સુવિધા આવાં બાળકો માટે ઘણી જ આશીર્વાદરૂપ છે. અમે પણ દર 15 દિવસે ત્યાં બ્લડ ચડાવવા જતા હતા. આજે અમારું બાળક અમારી વચ્ચે રહ્યું નથી, પરંતુ લોહી મેળવવા માટે કેટલી મુશ્કેલી પડે તે વાત અમે જાણીએ છીએ અને આમ પણ અત્યારે દરેક બ્લડ બેંકોમાં લોહીની અછત રહે છે, જેથી અન્ય બાળકોને પુરતું લોહી મળી રહે તે હેતુથી અમે રક્તદાન કેમ્પનું આયોજન કરી સમાજના પ્રમુખ વિવેક વસાણી સહિતના આગેવાનોના સહયોગથી 40 બોટલ લોહી એકત્ર કર્યું છે. પરિવારે કેમ્પ યોજીને અન્યોને પ્રેરણા પૂરી પાડી છેઆમ તો અનેક દાતા અને સંસ્થાઓ આગળ આવે છે, પરંતુ આ પરિવારે પોતાનું બાળક ગુમાવતાં રક્તદાન કેમ્પ યોજીને અન્યોને પ્રેરણા પૂરી પાડી છે તે ખૂબ જ સરાહનીય છે. > વજુભાઈ સુહાગિયા, પ્રમુખ, માવતર ચેરિટેબલ ટ્રસ્ટ
પતંગના દોરાના લીધે અકસ્માત:પિતા સાથે બાઈક પર જતા કિશોરનો પતંગની દોરીથી ગાલ કપાતાં 10 ટાંકા
ડિંડોલીમાં રવિવારે પિતા સાથે નાસ્તો લેવા જતા 13 વર્ષના કિશોરનો પતંગની દોરીને કારણે ગાલ કપાઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને 10 ટાંકા લેવાયા હતા. ડિંડોલી મહાદેવનગર-4માં રહેતા ગિરીશભાઈ રાઠોડ કાર ડ્રાઇવિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સંતાન પૈકી પુત્ર 13 વર્ષીય ફેનિલ સનરાઈઝ વિધાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરે છે. રવિવારે સવારે ગિરીશભાઈ તેનો પુત્ર ફેનિલ નાસ્તો લેવા માટે બાઇક પર જઈ રહ્યા હતા. દરમિયાન ડિંડોલી માર્ક પોઇન્ટ પાસે ગિરીશભાઈની બાઇક વચ્ચે અચાનક પતંગની દોરી આવી ગઈ હતી, જેથી તેમણે દોરીને પાછળની તરફ ધક્કો માર્યો હતો. આ સમયે બાઈક પર પાછળ બેઠેલા પુત્ર ફેનિલના જમણા ગાલ પર દોરી ઘસાઈ ગઈ હતી, જેથી ફેનિલને ઈજાગ્રસ્ત હાલતમાં 108 એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તાત્કાલિક ફેનિલને પ્રાથમિક સારવાર આપી હતી. ફેનિલને પતંગની ઘાતક દોરી લાગતાં 10 ટાંકા લેવા પડ્યા હતા અને તેના જમણા ગાલ પર અંદાજે 5 ઈંચ બાય 3 ઈંચ લાંબી ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ફેનિલને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હૃદય થંભી જવાથી ક્રિકેટ રમતા બાળકનું મૃત્યુ..... ચાલુ ક્લાસમાં શિક્ષકનું હૃદય બેસી ગયું..... હાર્ટએટેકથી આશાસ્પદ યુવાનનું મૃત્યુ..... વર્તમાનપત્રમાં દરરોજ આવા મથાળા સાથેના સમાચાર સામાન્ય બન્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો છે છતાં પણ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટની સિવિલ હોસ્પિટલ કે, રાજ્યની પ્રથમ એવી એઇમ્સ હોસ્પિટલમાં આજના દિવસે પણ હૃદયરોગ સંબંધિત સારવાર ઉપલબ્ધ નથી. એથી પણ આશ્ચર્ય એ વાતનું છે કે, અમદાવાદની જગવિખ્યાત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને રાજકોટમાં સેટેલાઇટ યુનિટ શરૂ કરવા રાજ્યના આરોગ્ય વિભાગે મંજૂરી આપી છે, પરંતુ રાજકોટના સિવિલ સત્તાવાળાઓ હૃદયરોગ સંબંધિત તમામ સારવાર મફત આપવા ઇચ્છતું યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ અહીંથી ઉચાળા ભરીને કેમ જલ્દી જતું રહે તેવા પ્રયાસોમાં હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે. રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલમાં આધુનિક કેથલેબ સહિતની સુવિધા હોવાથી પીએમજેવાય યોજનાના નિયમોને લઇ કોઈ ખાનગી તબીબ ફુલટાઇમ સેવા આપવા રાજી ન હોવાથી ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે ગત જૂન-જુલાઈ માસમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદના પ્રખ્યાત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર સાથે રાજકોટમાં સેટેલાઇટ યુનિટ શરૂ કરવા નક્કી કરી સિવિલના પીએમએસએસવાય બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ, ચોથો માળ અને પાંચમા માળની જગ્યા ફાળવણી કરવા એમઓયુ કર્યા હતા. જોકે રાજ્ય સરકારથી પણ ઉપર હોય તેમ રાજકોટ સિવિલ સત્તાવાળાઓ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને ખાલી જગ્યા સુપરત કરતાં ન હોવાથી રાજકોટની પ્રજા વિશ્વ વિખ્યાત કાર્ડિયોલોજી ઇન્સ્ટિટ્યૂટની સારવારનો લાભ નથી મેળવી શકતી. હાલમાં ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાત તબીબો માત્રને માત્ર હૃદયરોગ સંબંધિત બીમારી ધરાવતા દર્દીઓને ઓપીડીમાં તપાસ, કાર્ડિયોગ્રામ અને અન્ય સંલગ્ન તપાસ સિવાય કશું કરી શકતા નથી. કોઈ વિલંબ નથી, જગ્યા ફાળવવા પ્રોસેસ ચાલુ છે : સિવિલ અધિક્ષકરાજકોટ સિવિલ હોસ્પિટલમાં યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સેટેલાઇટ યુનિટને ઇમર્જન્સી વોર્ડ માટે પીએમએસએસવાય બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ફિઝિયોથેરાપી વિભાગની જગ્યા ફાળવવામાં આવી છે. જોકે આ જગ્યા ખાલી કરવામાં વિલંબ થઇ રહ્યો હોવા અંગે સિવિલ અધિક્ષક ડો.મોનાલી માંકડિયાને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, જગ્યા ફાળવણીમાં કોઈ વિલંબ નથી. પીઆઈયુ એટલે કે, પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ જેટલી ઝડપી કામગીરી કરશે તેટલી ઝડપથી હૃદયરોગ સંબંધી સારવાર સુવિધા શરૂ થશે. નોંધનીય છે કે, યુ.એન.મહેતા યુનિટ શરૂ થયા પૂર્વે ચોથા માળે ઓપીડીની જગ્યા ફાળવણી માટે પણ ખાસો સમય સુધી પ્રક્રિયા ધીમી ગતિએ ચાલ્યા બાદ ગાંધીનગરથી આદેશ છૂટતા જગ્યા ફાળવણી કરવામાં આવી હતી. યુ.એન.મહેતાને કઈ-કઈ જગ્યા ફાળવવામાં આવી છેહૃદયરોગ સંબંધિત સારવાર માટે દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ નામના ધરાવતી યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટને રાજકોટમાં સેટેલાઇટ યુનિટ માટે ગ્રાઉન્ડ ફ્લોરમાં ઇમર્જન્સી, પ્રથમ માળે ઓપીડી તેમજ ચોથા અને પાંચમા માળે ઇન્ડોર તેમજ ઓપરેશન થિયેટર માટેની જગ્યા ફાળવવા જુલાઈ-2025માં સરકાર સાથે એમઓયુ થયા હતા, પરંતુ 21 જુલાઈ વીતવા છતાં પણ હજુ સુધી ઇન્ડોર, ઇમર્જન્સી કે ઓપરેશન થિયેટર માટે જગ્યાની સોંપણી કરાઈ નથી. સિવિલમાં હૃદયરોગની મફત સારવાર-દવા મળે તો રાજકોટના 30થી 32 ડોક્ટરને પડે મોટો ફટકો યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર દેશ દુનિયામાં હૃદયરોગ સંબંધિત સારવારમાં ટોચનું સ્થાન ધરાવતું હોય રાજકોટમાં સેટેલાઇટ યુનિટ શરૂ ન થાય તે માટે ઘણા પ્રયાસો થયાનું સૂત્રો જણાવી રહ્યા છે. આમ છતાં હાલમાં સિવિલમાં યુ.એન.મહેતાની ઓપીડી સેવા શરૂ થઇ છે ત્યારે હવે આ યુનિટ હાર્ટ સંબંધિત એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી સહિતની સેવા આપવાનું શરૂ કરે તો રાજકોટની અનેક ખાનગી હોસ્પિટલના પાટિયા પડી જાય તેમ હોવાથી જાણી જોઇને ગરીબ-મધ્યમ દર્દીઓના ભોગે સેટેલાઇટ યુનિટ સાથે રાગદ્વેષભર્યો વ્યવહાર થઇ રહ્યો હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે. રાજકોટ શહેરમાં હાલમાં સિવિલ તેમજ એઇમ્સમાં હૃદયરોગ સંબંધિત સારવાર ઉપલબ્ધ ન હોવાથી ન છૂટકે લોકોને ખાનગી હોસ્પિટલમાં હૃદય સંબંધિત સારવાર માટે જવું પડે છે. જોકે 20થી 22 જેટલી ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ પીએમજેવાય યોજના હેઠળ જોડાયેલ હોવાથી ગરીબ-મધ્યમવર્ગીય દર્દીઓને આવી હોસ્પિટલમાં પીએમજેવાય કે, માં યોજનાના કાર્ડ હેઠળ એન્જિયોગ્રાફી કે, એન્જિયોપ્લાસ્ટીની સારવાર કાર્ડ પર મળી રહી છે, પરંતુ હૃદય સંબંધી બીમારી માટે તો શહેરમાં આવેલ 30થી 32 જેટલા કાર્ડિયોલોજિસ્ટ પાસે નિદાન સારવાર માટે જવું પડે છે. જ્યાં કેસ કાઢવાનો ચાર્જ જ રૂ.500થી રૂ.1000થી શરૂ થતો હોય છે. જોકે યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટમાં નિદાન, સારવાર અને સરકાર પાસે ઉપલબ્ધ દવાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે. ત્રણેક મહિનામાં ફુલ ફલેન્જ સેટેલાઇટ યુનિટ શરૂ થવાની આશારાજકોટ ખાતે કાર્યરત યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયાક રિસર્ચ સેન્ટર ખાતે હાલમાં ઓપીડી સેવાનો દૈનિક સરેરાશ 35થી 40 જેટલા દર્દીઓ લાભ લઇ રહ્યા છે. ખાસ કરીને અહીં ઓપીડીમાં ફોલોઅપ દર્દીઓ આવતા હોવાનું ઇન્સ્ટિટ્યૂટના સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, ઇન્સ્ટિટ્યૂટ ફૂલ ફલેન્જમાં ક્યારે શરૂ થશે તે અંગે ઇન્સ્ટિટ્યૂટના તબીબોએ આગામી ત્રણેક મહિનામાં પીઆઈયુ કામગીરી પૂર્ણ કરે તો ઇમરજન્સી, ઓપરેશન સહિતની તમામ સેવાઓ સેટલાઈટ યુનિટમાં કાર્યરત થવા અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો. હૃદયરોગ સંબંધિત સારવારની ફી
ચોરીનો મામલો:બે મહિલા વેપારીનો રૂપિયા 82 હજારથી ભરેલો થેલો લઇ ફરાર
શહેરના મિલપરા શેરી નં.7માં હનુમાનજીના મંદિર પાસે ચામુંડા ગેરેજની સામે ફ્લેટમાં બીજા માળે રહેતા ઉષાબેન ભૂપેન્દ્રભાઈ તન્ના(ઉં.વ.55)એ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે પરાબજાર ચોક મનીષ એન્ડ કું. ની સામે અબ્દુલઅલી હસનભાઈ ગાંધીની દુકાનની બાજુમાં ફૂટપાથ પર નારિયેળ અને અગરબત્તીનો થડો રાખી વેપાર-ધંધો કરે છે. રવિવારે સવારે આઠેક વાગ્યે તેમના પતિએ થડો ખોલ્યો અને તેને વેપારીને પેમેન્ટ આપવાનું હોય જેથી મરૂન કલરના બેગમાં રૂ.82 હજાર લઈને થડા પર આવ્યા હતા. ત્યારે એક ગ્રાહકે વસ્તુ ખરીદી રૂ.50ની નોટ તેને આપી અને રૂ.20 તેણી તે ભાઈને પરત કરી રહી હતી ત્યારે બે અજાણી મહિલાઓ થડા પર આવી ભાવ પૂછવા લાગી હતી. પગ પાસે જોયું તો મરૂન કલરનો થેલો જોવા ન મળતા પોલીસને જાણ કરી 112ની ગાડી બોલાવી હતી. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.
દિલ્હીમાં પ્રદૂષણ અને ગાઢ ધુમ્મસને કારણે હવાઈ સેવાને માઠી અસર થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની સવારની ફ્લાઈટ રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારે વહેલી સવારે દિલ્હીમાં વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી થઈ જતાં હવાઈ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો. જેને પરિણામે દિલ્હી-રાજકોટની ફ્લાઈટ ઊડી શકી ન હતી. જેના કારણે રાજકોટ-દિલ્હી વચ્ચેની ફ્લાઈટ પણ રદ કરવાની ફરજ પડી હતી. આ અચાનક લેવાયેલા નિર્ણયને કારણે અંદાજે 200 જેટલા મુસાફર રાજકોટ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. મળતી વિગત મુજબ, ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટ જે સવારે 7:30 વાગ્યે દિલ્હીથી રવાના થઈને રાજકોટ પહોંચવાની હતી, તેને દિલ્હી એરપોર્ટ પર છવાયેલા અતિશય ધુમ્મસના કારણે કેન્સલ કરવામાં આવી હતી. ઘણા યાત્રિકોને કનેક્ટિંગ ફ્લાઈટ્સ અને અગત્યની બિઝનેસ મિટિંગો હોવાથી તેઓને મોટી આર્થિક અને માનસિક પરેશાની વેઠવી પડી હતી. વિઝિબિલિટી નીચે જતી રહે ત્યારે ટેકઓફ અને લેન્ડિંગ અત્યંત જોખમી બની જાય છે. સુરક્ષાના કારણોસર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) દ્વારા ફ્લાઈટ્સને પરવાનગી આપવામાં આવતી નથી. જોકે, વારંવાર ફ્લાઈટ્સ રદ થવાને કારણે રાજકોટના ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ વૈકલ્પિક વ્યવસ્થા માટે દોડધામ કરી રહ્યા છે. દિલ્હીમાં ધુમ્મસના કારણે હવાઈ ઉડાનમાં મુશ્કેલી પડી રહી છે અને તેને કારણે કેટલીક ફ્લાઈટ રદ તો અમુક ફ્લાઈટ મોડી પડી રહી છે. આ દરમિયાન રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉપડતી દિલ્હીની વહેલી સવારની ફ્લાઈટ કેન્સલ જાહેર કરવામાં આવી હતી, જોકે તેની જાણ મુસાફરોને શનિવારે રાત્રે 11 વાગ્યે કરવામાં આવી હતી.
ગોઝારો અકસ્માત સર્જાયો:રાજકોટ પાસે મઘરવાડામાં બે બાઈકની ટક્કરમાં યુવકનું મોત, એક વ્યક્તિ ઘાયલ
કુવાડવા ગામથી મઘરવાડા જવાના રસ્તે પેટ્રોલપંપની સામે રોડ ક્રોસ કરતી વખતે બે બાઈક ભટકાતાં બંને ફંગોળાઈ દૂર જઈ પટકાયા હતા. જેમાં યુવાનનું મોત થયું હતું અને અન્ય ચાલક હાલ સારવાર હેઠળ ગંભીર અવસ્થામાં છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, કુવાડવા ગામથી મઘરવાડા જવાના રસ્તે પેટ્રોલપંપની સામે વિનોદભાઈ બેલડિયાની વાડીમાં રહેતા અને દસેક દિવસથી કૂવા ગાળવાનું કામ કરતા મોહનભાઈ નારણભાઈ સાલવી(ઉં.વ.40)નામના યુવકનું વાડીની સામેના પેટ્રોલપંપે કેરબો લઈને ડીઝલ પુરાવી બાઈક લઈને વાડીએ પરત ફરતી વખતે રોડ ક્રોસ કરતી વેળાએ પૂરપાટ ઝડપે આવતા અન્ય બાઈક ચાલકે અડફેટે લેતા બંને દૂર જઈ ફંગોળાઈ ગયા હતા. બનાવને પગલે તાત્કલિક 108ને બોલાવી બંનેને 108 મારફતે નજીકની કુવાડવા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી મોહનભાઈને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ અહીં ટૂંકી સારવારમાં યુવકનું મોત નીપજતા કુવાડવા રોડ પોલીસે મૃતક યુવાનના મોટા ભાઈ તેજારામની ફરિયાદના આધારે બાઈકચાલક સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન રાજકોટમાં છેલ્લા બે વર્ષથી રહે છે અને મઘરવાડા ગામે ખેતમજૂરી કરે છે. આ ઉપરાંત તે કૂવા ગાળવાનું કામ છે. જેથી છૂટક કૂવા ગાળવા માટે પણ જતો હતો.
શહેરના સંત કબીર રોડના નાળા પાસે કૃપાલી ટ્રેડિંગ નામની ઓફિસ ધરાવતા ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીએ ઘઉંમાં નાખવાનો પાઉડર પી લેતાં મોત નીપજ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવા રોડ શિવરંજની પાર્ક 5માં રહેતા સંજયભાઈ વલ્લભભાઈ રામાણી(ઉં.વ.46)નામના પ્રૌઢે ગત તા.13મીએ સાંજે સાતેક વાગ્યે આસપાસ સંત કબીર રોડના નાળાની બાજુમાં ઇન્ડિયન પેટ્રોલ પંપની સામે કૃપાલી ટ્રેડિંગ નામ પોતાની જ દુકાનમાં ઘઉંમાં નાખવાનો પાવડર પી લેતાં પ્રૌઢને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ અહીં ટૂંકી સારવારમાં મોત નીપજતા મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે થોરાળા પોલીસ મથકના પીએસઆઇ સી.વી. ચુડાસમાને જાણ થતાં હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં, આપઘાત કરનાર સંજયભાઈને કૃપાલી ટ્રેડિંગ નામની ઓફિસ હોય જ્યાંથી તેઓ ડુંગળી-બટાકાનો ઈમ્પોર્ટ એક્સપોર્ટનો વેપાર કરતા હતાં. સંજયભાઈ ને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. બનાવ અંગે દીકરાને પ્રથમ જાણ થતાં જ તેણે નજીકમાં જ દુકાન ધરાવતા તેના પિતાના મિત્ર હિતેશભાઈને જાણ કરી હતી. ત્યારબાદ બંનેએ સંજયભાઈ ને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ સંજયભાઈ તેના પુત્રને માત્ર એટલું જ કહ્યું કે, ‘મમ્મીનું ધ્યાન રાખજે’. ઘરના મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ યથાવત્ રાખી છે.
ધ્વજા ચડાવવામાં આવી:રામચરિતમાનસ મંદિરના 4 શિખર પર પહેલી ધ્વજા ચડાવાઇ, 1500થી વધુ ભાવિકો ઊમટ્યાં
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે આવેલું શ્રીરામચરિતમાનસ મંદિરના શિખર ઉપર પહેલી ધજાજી ચડાવાઇ. આ ધ્વજા મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ચડાવવામાં આવી હતી. પહેલી વિશાળ ચાર ધ્વજા શ્રી રામદરબાર, દ્વારકાધીશ, મહાદેવજી અને હનુમાનજીના મંદિરના શિખર પર ચડાવાઈ હતી. જે 9 મીટરની ત્રણ અને 8 મીટરની એક ધ્વજા હતી. આ તકે ધ્વજાજીનું પૂજન તથા આરતી કરી દરેક ભક્તોએ ધ્વજાને માથે લઈ કેશિયો પાર્ટી સાથે ગરબાની રમઝટ બોલાવી ધામધૂમથી ઉત્સવ ઉજવાયો. મંદિરમાં મહાઆરતી કર્યા બાદ શિખર પર સલામતીપૂર્વક ધ્વજા ચડાવી અને 1500થી વધુ ભાવિકોએ મહાપ્રસાદ લીધો હતો. 10 મિનિટમાં જ જુલાઈ મહિના સુધીની 40 ધ્વજા નોંધાવાઈ ગઈ, ધ્વજાજીનું પૂજન-આરતી પણ કરાઇ ધ્વજાજીનું પૂજન, આરતી કર્યા બાદ ઉત્સાહભેર મંદિરે આવ્યા બાદ ધર્મસભા યોજાઈ હતી જેના 10 મિનિટમાં જુલાઈ મહિના સુધીની 40 ધ્વજા નોંધાવાઈ ગઈ હતી. કોઈ ભાવિકોએ અલગ અલગ તિથિ, જન્મદિવસે કે કુટુંબીજનના પુણ્યતિથિના દિવસે ધ્વજા નોંધાવી. જેમાં હવે પછીની ધ્વજા 1 જાન્યુઆરીના રોજ ચડશે.
રેસકોર્સના મેદાનમાં આગામી તારીખ 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન હનુમાન ચાલીસા યુવા કથાનું જારમાન આયોજન કરાયું છે. આ કથાના આમંત્રણના ભાગરૂપે શહેરના જુદા-જુદા 6 રૂટ પર ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 3 હજારથી વધુ બાઇક અને દરેક રૂટમાં ખુલ્લી કારમાં સાળંગપુરના હનુમાનજી મહારાજની છબી બિરાજમાન કરી હતી. વાજતે-ગાજતે અને ડીજેના તાલે નીકળેલી આ બાઇક રેલીમાં મોટી સંખ્યામાં બાળકો પણ હનુમાનદાદાની વેશભૂષા ધારણ કરીને આવતાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
ગોઝારો અકસ્માત સર્જાયો:કુવાડવા રોડ પાસે છકડો રિક્ષા પલટી ખાઈ જતાં યુવકનું મોત
શહેરના સોખડા રોડ સાત હનુમાન મંદિર પાસે રહેતા રોહનભાઈ ભલાભાઈ ચૌહાણ નામના યુવકનું સવારના દસેક વાગ્યાની આસપાસ પોતે છકડો રિક્ષા લઈને જતો હતો ત્યારે કુવાડવા રોડ ગેસ પ્લાન્ટની સામે રિક્ષા પલટી ખાઈ જતા ગળાના ભાગે ઈજા થતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ અહીં તબીબે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરતા પીએસઆઈ એમ.જી. સોલંકી અને હેડ કોન્સ્ટે.વૈભવભાઈ સહિતના સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક યુવાન ત્રણ ભાઈ અને બે બહેનમાં વચેટ અને પરિણીત હતો. છૂટક મજૂરી કામ કરી ઘરનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે પોતે ઘરે એકલો હોય ઘરના સભ્યો કામ પર ગયા હોય પાછળથી પોતે રિક્ષા લઈને ચક્કર મારવા નીકળી ગયો હતો. યુવક ત્રણ-ચાર દિવસથી રિક્ષા ચલાવતા શીખી રહ્યો હતો. કેવી રીતે અકસ્માત સર્જાયો તે અંગે તપાસવા પોલીસે ઘટનાસ્થળે આવેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે.
શેરબજારમાં ઊંચું વળતર, નિશ્ચિત સમયમાં એકના ડબલ સહિતની લોભામણી લાલચ આપી ગઠિયાઓ ફુલેકું ફેરવી જતાં હોવાની અગાઉ અનેક ફરિયાદો નોંધાઇ છે. શહેરના કલાવડ રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતા મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.42)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અયોધ્યા ચોક પાસે આવેલા વન-વર્લ્ડ-બીમાં હોપ સ્યોર કેપિટલ નામે ઓફિસ ચલાવતાં હિરેન સુરેશ અકબરીનું નામ આપ્યું હતું. મહાવીરસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના એક મિત્ર મારફત હિરેન અકબરીનો સંપર્ક થયો હતો અને હિરેને શેરબજારમાં રોકાણથી મોટું વળતર અપાવશે તેવી ખાતરી આપતા મહાવીરસિંહે 2 જુલાઇ 2024થી રોકાણ શરૂ કર્યું હતું અને કટકે કટકે રૂ.10 લાખ આપ્યા હતા, શરૂઆતમાં હિરેન અકબરી વળતર આપતો હોવાથી મહાવીરસિંહે તેના સાસુ, સાળા, કાકા, પિતરાઇ ભાઇ અને મિત્રો સહિત કુલ 13 લોકોને હિરેન પાસે રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું અને તમામ 13 લોકોએ કુલ રૂ.96.30 લાખનું રોકાણ કર્યું હતું. હિરેન અકબરીએ ઓગસ્ટ 2025 સુધી વળતર આપ્યું હતું ત્યારબાદ બંધ કરી દીધું હતું અને આ અંગે પૂછતાં થોડા સમયમાં રકમ ટ્રાન્સફર કરાવી આપું છું તેવા બહાના કાઢ્યા હતા અને બાદમાં હિરેન અકબરી પોતાની ઓફિસને તાળાં મારી જતો રહ્યો હતો અને મોબાઇલ પણ સ્વિચ ઓફ કરી દેતા રોકાણકારોને પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો. પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ 13 લોકોએ નાણાં ગુમાવ્યા
સરકારી તંત્ર લાખો કરોડોના ખર્ચે વિકાસકામો કરીને લોકોને હવે સુવિધા મળશે તેવા દાવા કરે છે, કામ શરૂ થાય અને પૂર્ણ થાય ત્યારે ખરાઅર્થમાં તેનો યોગ્ય રીતે ઉપયોગ અને જાળવણી થાય તો લોકો માટે સુવિધારૂપ બની શકે, પરંતુ કામ પૂરું થયા બાદ તંત્ર તેની જાળવણી અને યોગ્ય મોનિટરિંગ કરતું નહીં હોવાથી તે સુવિધા અનેક કિસ્સામાં દુવિધા બની જાય છે અને આવા અનેક ઉદાહરણો જોવા મળે છે. શહેરના આમ્રપાલી અંડરબ્રિજમાંથી પાણી લીકેજ થતું હોવાથી ટૂ-વ્હિલર સ્લિપ થતાં હોવાની ફરિયાદો ઉઠતાં તંત્રએ હાલમાં તેનું રિપેરિંગ શરૂ કર્યું છે, અંડરબ્રિજના થોડા હિસ્સામાં કામ થતું હોય જેને કારણે અંડરબ્રિજ સાંકડો થઇ જાય તે સ્વભાવિક છે, પરંતુ કામગીરી ચાલતી હોય ત્યારે આગળ કામચાલુ છે તેવી ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવા ફરજિયાત છે, તંત્રની આવી બેદરકારીને કારણે વાહનચાલકો ત્યાં અકસ્માતનો ભોગ બને છે. જંક્શન રેલવે સ્ટેશન મેઇન રોડ પર જોવા મળી રહી છે, આ મેઇન રોડ પર મોટી રકમ ખર્ચીને આધુનિક બસ સ્ટોપ બનાવવામાં આવ્યું છે કે ત્યાં બેસીને મુસાફર બસની રાહ જોઇ શકે, પરંતુ આ બસસ્ટોપ ગંદકીથી ઊભરાઇ રહ્યું છે, આ બસ સ્ટોપમાં મુસાફરો બેસી શકતા નથી, કેટલાક તત્ત્વો અહીં સુતા રહે છે જેથી ખરા અર્થમાં બસની રાહ જોઇતા મુસાફરોને બસ સ્ટોપની બહાર ઊભા રહેવું પડે છે, ગંદકી દૂર થવી જોઇએ અને આવારા તત્ત્વો આ બસ સ્ટોપ પર અડિંગો જમાવી ન દે તેની કાળજી પણ તંત્રવાહકોએ લેવી જરૂરી છે જેથી લોકોને સાચા અર્થમાં સુવિધા મળી શકે. આમ્રપાલી અન્ડરબ્રીજ બસ સ્ટોપ
રાજકોટ શહેરની સ્થાપના બાદ મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્વસ્થતાના પાઠ ભણાવી શકાય તે માટે 80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલ અને રેસકોર્સ ખાતે બે વ્યાયામ શાળા શરૂ કરી હતી. રાજકોટના રેસકોર્સના મેદાનમાં આવેલી વ્યાયામ શાળા એટલે કે જીમને આજે 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે ત્યારે હજુપણ તે શહેરના તમામ આધુનિક જીમને પાછળ છોડી દે તેવા અદભુત માહોલની માલિકી ધરાવે છે. આ વ્યાયામ શાળામાં અત્યાર સુધીમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દોઢ લાખથી વધુ વ્યાયામવીરો તૈયાર થયા છે. અહીંથી તાલીમ લીધેલા 700થી વધુ યુવાનને પોલીસ, આર્મી, ફાયર બ્રિગેડ સહિત વિવિધ સરકારી વિભાગોમાં પ્રતિષ્ઠાભરી સરકારી નોકરી મળેલી છે. સૌથી મોટી બાબત એ છે કે, આ વ્યાયામ શાળામાં માત્ર શારીરિક સૌષ્ઠવના પાઠ નહીં, પરંતુ તેની સાથોસાથ દેશદાઝ અને ડિસિપ્લિનના પાઠ પણ શીખવવામાં આવે છે. રેસકોર્સ જિમનો સમય સવારે 6થી 10 અને સાંજે 5થી 9 વાગ્યા સુધીનો છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં વ્યાયામ કરવા માટે લોકોની સંખ્યા નોંધપાત્ર રીતે વધે છે. સવારે વ્યાયામ માટે આવનારાઓની સંખ્યા સાંજની સરખામણીએ વધુ હોય છે. આ વ્યાયામ શાળામાં એક બેન્ચ પર સરેરાશ 106 રજિસ્ટ્રેશન થાય છે. સવાર અને સાંજ એમ બંને સેશન મળીને દર ત્રણ માસે 1000થી 1200 જેટલા નવા વ્યાયામવીરો જોડાય છે, જે રેસકોર્સ જીમની લોકપ્રિયતા દર્શાવે છે. આ વ્યાયામ શાળામાં આજુબાજુની તમામ સરકારી કચેરીઓના અધિકારીઓ-કર્મચારીઓ ઉપરાંત પૂર્વ કોર્પોરેટર, પૂર્વ કેબિનેટ મંત્રી, પત્રકારો સહિતના અનેક લોકો પોતાની સારી સેહત માટે નિયમિત કસરત કરે છે. ગુડ મોર્નિંગ નહીં, જય હિન્દ, જય શ્રીરામ, જય શ્રીકૃષ્ણ, મહાદેવના નાદથી કસરતવીરો દિવસની કરે છે શરૂઆતસૌથી મહત્ત્વની અને વિશેષ વાત એ છે કે, અહીં માત્ર શારીરિક તંદુરસ્તી જ નહીં પરંતુ યુવાઓને દેશદાઝના પાઠ પણ ભણાવવામાં આવે છે. વ્યાયામ શાળામાં ‘ગુડ મોર્નિંગ’ની જગ્યાએ ‘જય હિન્દ’, ‘જય શ્રીકૃષ્ણ’, ‘જય શ્રીરામ’ અને ‘મહાદેવ’ના નાદ સાથે દિવસની શરૂઆત કરવામાં આવે છે. પાણીની કટોકટી સમયે વ્યાયામ શાળા બંધ થઇ જવાની હતી, પૂર્વ કોચ જગદીશ પદવાણીરાજકોટ શહેરમાં અગાઉ પાણીની કટોકટી સમયે મ્યુનિસિપલ કમિશનર જગદીશન હતા ત્યારે રેસકોર્સના સ્વિમિંગ પૂલની સાથોસાથ આ અખાડાને બંધ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે કસરતપ્રેમી ફાયર બ્રિગેડના જવાન જગદીશભાઇ પદવાણીએ અખાડો પાણી વગર ચાલુ રાખશે અને નોકરીની સાથોસાથ વગર પગાર વધારે કામ કરશે તેવી ખાતરી આપતા કમિશનર જગદીશને તેને અખાડાની જવાબદારી સોંપી હતી. ત્યારબાદ અંબાલામાં કુસ્તીના પાઠ શીખીને જગદીશભાઇ પદવાણી કુસ્તીના કોચ બન્યા હતા અને વ્યાયામ શાળામાં પણ તેમની કોચ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. જગદીશભાઇ પદવાણીએ 1990 થી 2018 સુધી વ્યાયામ શાળાની જવાબદારી સ્વીકારી હતી અને તે દરમિયાન હજારો યુવાનોને નોકરી માટે તૈયાર કર્યા હતા. જેમાં અનેક યુવાનો આજે પોલીસમાં ડીવાયએસપી સુધીની પોસ્ટ પર કાર્યરત છે તો 200થી વધુ યુવાનો આર્મીમાં દેશ સેવા કરી રહ્યા છે. આ ઉપરાંત ફાયર બ્રિગેડમાં પણ અનેક જવાનો નોકરી કરી રહ્યા છે. હાલના ચીફ ફાયર ઓફિસર અમિત દવે પણ વ્યાયામ શાળાના જ જવાન છે. પોલીસમાં ભરતી માટે યુવાઓને તાલીમ શરૂસરકાર દ્વારા પોલીસ બેડામાં મોટા પાયે ભરતીની જાહેરાત કરવામાં આવી છે ત્યારે હાલમાં 150 જેટલા યુવાનો પોલીસ ભરતીની તૈયારી માટે અહીં નિયમિત તાલીમ લઈ રહ્યા છે. થોડા સમય પહેલાં પોલીસ ભરતીની થયેલી પ્રક્રિયાનું પરિણામ તાજેતરમાં જાહેર થયું હતું તેમાં પણ રેસકોર્સ વ્યાયામ શાળાના 12 વિદ્યાર્થી પાસ થઇ ગયા છે. કોચ મયંક ત્રિવેદી 20 વર્ષથી ફિટનેસ ક્ષેત્રે કાર્યરત, અલગ-અલગ કસરત કરાવાય છેરેસકોર્સ વ્યાયામ શાળામાં છેલ્લા 20 વર્ષથી ફિટનેસ ક્ષેત્રમાં કાર્યરત મયંક ત્રિવેદી કોચ તરીકે તાલીમ આપે છે. તેઓ સપ્તાહ દરમિયાન દરરોજ અલગ અલગ પ્રકારની કોચિંગ આપે છે. જેમાં એક દિવસ ફંક્શનલ ટ્રેનિંગ, એક દિવસ મોબિલિટી એક્સરસાઇઝ, એક દિવસ એબ્સ એટલે કે કોર ટ્રેનિંગ, એક દિવસ અપર બોડી, એક દિવસ લોઅર બોડી અને એક દિવસ કાર્ડિયો એક્સરસાઇઝનો સમાવેશ થાય છે.
બીચ ફેસ્ટિવલ:રણ ઉત્સવની સાથે બીચ ફેસ્ટિવલ કચ્છના પ્રવાસનને નવી દિશા આપશે
કોરોના પછી પ્રથમવાર માંડવીના દરિયા કિનારે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત બીચ ફેસ્ટિવલનો આરંભ કરાયો છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, આજથી બીચ ફેસ્ટિવલનો આરંભ થયો છે. 10 દિવસ દરમ્યાન લાખો લોકો ફેસ્ટિવલમાં ભાગ લેશે. પ્રવાસીઓ માટે સુવિધા વધારવા આજે માંડવીના અન્ય 5 દરિયા કિનારાના વિકાસ અને દરિયાઈ રમતો બાબતે રજૂઆત મળી છે તેની પર ત્વરિત નિર્ણય લેવામાં આવશે. માંડવી ખાતેના દરિયાકાંઠે ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી ડૉ.જયરામભાઈ ગામીતે બીચ ફેસ્ટિવલને ખુલ્લો મુકતાં જણાવ્યું કે, કચ્છમાં રણ ઉત્સવના આયોજન બાદ બીચ ફેસ્ટિવલ પ્રવાસન ક્ષેત્રને નવી દિશા આપશે. કચ્છના પ્રવાસન વિકાસનો શ્રૈય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને આપીને જણાવ્યું હતું કે, આજે કચ્છ ઉદ્યોગ, પ્રવાસન અને કૃષિક્ષેત્રે અગ્રેસર બન્યું છે. પ્રવાસનના વિકાસના લીધે સ્થાનિક લોકોને રોજગારી મળી રહી છે.કચ્છના વિવિધ દરિયાકાંઠાના વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં વોટર સ્પોર્ટ્સ એડવેન્ચરનો પણ વિકાસ કરાશે. માંડવી બીચ ખાતેના સ્વદેશી ઉત્પાદનોના સ્ટોલમાંથી ખરીદી કરવા અનુરોધ કર્યો હતો. સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, સફેદ રણ, કાળો ડુંગર, ધોળાવીરા વગેરે જેવા પ્રવાસન સ્થળોના વિકાસ સાથે આજે પુનઃ પ્રારંભ થયેલા માંડવી બીચ ફેસ્ટિવલ કચ્છમાં પ્રવાસીઓના પ્રવાહને વધુ વેગ આપશે. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ માંડવી બીચ ફેસ્ટિવલની ભેટ આપવા માટે રાજ્ય સરકારનો આભાર માનતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે માંડવીના દરિયાકાંઠાનો વિશ્વને પરિચય કરાવ્યો હતો. આજે પુનઃ પ્રારંભ થયેલો આ ઉત્સવ રોજગારના વધારા સાથે અહીંની કલા, સંસ્કૃતિ સાથે અર્થતંત્રને વધુ વેગ આપશે. સંબોધન દરમિયાન તેમણે જણાવ્યું કે, માંડવી પાસે કુલ પાંચ દરિયાકિનારા છે જેમાં ધ્રબુડી, રાવળપીર, કાશી વિશ્વનાથ,આશર અને વિન્ડફાર્મ બીચનો ઉલ્લેખ કર્યો હતો એક જ જગ્યાએ પ્રવાસીઓ ન ઉમટે અને તમામ કિનારાઓ પર પ્રવાસન સુવિધાનો વિકાસ થાય અને સૌને રોજગારી મળે તે માટે તમામ કિનારાના વિકાસ માટે રજૂઆત કરી હોવા બાબત પર પ્રકાશ ફેંકી ખાસ કરીને દરિયાઈ રમતો રમાય તે માટે ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા, માંડવી પાલિકા પ્રમુખ હરેશ વિંઝોડા, તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મંત્રી ધવલભાઈ આચાર્ય, પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, પ્રવાસન નિગમના જોઈન્ટ એમડી કુલદીપસિંહ ઝાલા, જનરલ મેનેજર ચેતન મિસણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક નિકુંજ પરીખ સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. એશ્વર્યા મજમુદારના લાઈવ પરફોર્મન્સને સહેલાણીઓએ મન મુકીને માણ્યુંરવિવારે એશ્વર્યા મજમુદારના લાઈવ પરફોર્મન્સને સહેલાણીઓએ મન મુકીને માણ્યું હતું. બીચ ફેસ્ટિવલ દરમિયાન વિવિધ મનોરંજન પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમ, લાઈવ મ્યૂઝિક પરફોર્મન્સ, હેન્ડિક્રાફ્ટના સ્ટોલ, લેઝર લાઇટ શો, રેત શિલ્પ સહિતના આકર્ષણો પ્રવાસીઓને રોમાંચિત કરશે. માંડવી બીચ ફેસ્ટિવલમાં સહેલાણીઓના મનોરંજન માટે 11 દિવસ લાઇવ મ્યુઝિક પર્ફોર્મન્સનું આયોજન કરાયું છે.
સિટી એન્કર:રાજકોટમાં 14190 સહિત 1.01 લાખ ઉમેદવારે ટેટ-1ની પરીક્ષા આપી
ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા યોજાઈ હતી. બપોરના 12થી 2 વાગ્યા સુધી ચાલેલી આ પરીક્ષામાં રાજકોટમાં 14190 ઉમેદવાર સહિત રાજ્યમાં 1.01 લાખ ઉમેદવાર નોંધાયા હતા. શિક્ષક બનવા માટેની પરીક્ષામાં ગણિતના પ્રશ્નો પ્રમાણમાં અઘરા પૂછાતા ઉમેદવારો મૂંઝવણમાં મુકાયા હતા. આ ઉપરાંત કેટલાક પ્રશ્નો મહત્ત્વના ને ઉમેદવારોની બૌદ્ધિક ક્ષમતાનું મૂલ્યાંકન કરનારા હતા જેમાં પૂછયું હતું કે, બાળકોમાં ક્રોધ, ભય, ઈર્ષાનું નિયંત્રણ થવું જરૂરી છે, તેના માટે શેના ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ. શિક્ષકે બાળકોના ચિંતનશક્તિના વિકાસ અર્થે શું કરાવવું જોઈએ. બે વર્ષ બાદ લેવામાં આવેલી આ પરીક્ષામાં 30 મિનિટ જેટલો સમય વધારી 120 મિનિટ અપાઈ હતી, તેમ છતાં કેટલાક ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ખૂટ્યો હતો. જોકે કોઈ પણ વિવાદ વગર શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે. 150 માર્કના પેપરમાં નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યા નહોતા. આ પરીક્ષામાં ઉચ્ચ ગુણથી પાસ થયેલા ઉમેદવારોને ધોરણ 1થી 5ના શિક્ષક તરીકે પસંદગી કરાશે. રાજકોટના સંત કબીર રોડ ઉપર આવેલી મુરલીધર વિદ્યાલયમાં 200 ઉમેદવારને 11:30 બાદ એન્ટ્રી આપવામાં આવી હતી, જેને લીધે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરીક્ષા કેન્દ્રોમાં એન્ટ્રીનો સમય 11:00 વાગ્યાનો રાખવામાં આવ્યો હતો, પરંતુ ઉમેદવારોને 11:30 વાગ્યા સુધી એન્ટ્રી આપવામાં આવી ન હતી. ઉમેદવારોને લાંબો સમય સુધી પરીક્ષા કેન્દ્રની બહાર બેસી રહેવું પડ્યું હતું. TET-1ની પરીક્ષા તો યોજાઈ રહી છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. સમયસર TET-1ની પરીક્ષા લેવાઈ અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી ઉમેદવારોએ સરકાર પાસે માંગ કરી હતી.ગ્રેજ્યુએશન, અન્ય જરૂરી લાયકાત સાથે TETના ગુણના આધારે મેરિટ બને છેગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં પરીક્ષા લેવાય છે. TET-1 પાસ કરવું પ્રાથમિક શિક્ષકની ભરતી માટે અનિવાર્ય છે. ઉમેદવારોનું ગ્રેજ્યુએશન અને અન્ય જરૂરી લાયકાત સાથે TETના ગુણના આધારે કોમન મેરિટ લિસ્ટ તૈયાર થાય છે, જેના પરથી ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય છે. રાજ્યની 1થી 5 ધોરણ સુધીની પ્રાથમિક શાળાઓમાં ગ્રેજ્યુએશન અને જરૂરિયાત લાયકાત ધરાવતા ઉમેદવારોનું પરિણામ અને TET-1 પરીક્ષાનું પરિણામ મળી એક કોમન મેરિટ તૈયાર થતું હોય છે, તેના આધારે ભરતી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. ટેટ-1ની પરીક્ષામાં આ મહત્ત્વના પ્રશ્નોએ ઉમેદવારોની કસોટી કરી
નીતિન જાની કહીએ તો કદાચ કોઈ માથું ખંજવાળશે કે આ કોણ છે, પરંતુ જો આપણે 'ખજૂર' કહીએ તો તરત જ વ્યક્તિના ચહેરા પર સ્માઇલ આવી જાય તે નક્કી છે. બાળકોથી માંડીને વૃદ્ધો સહિત લોકો ‘ખજૂર’ના નામથી પરિચિત છે. આજે તો નીતિન જાની માત્ર યુ ટ્યૂબર જ નથી, પરંતુ સેવામાં પણ પોતાનું અલગ નામ બનાવ્યું છે. આટલું જ નહીં, જો ગુજરાતની જનતા ઈચ્છશે તો તેઓ 2027ની વિધાનસભાની ચૂંટણી લડવા પણ તૈયાર છે. ગુજરાતના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પરની દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ 'રીલ્સના રાજ્જા'ના પહેલા એપિસોડમાં આપણે વાત કરીશું નીતિન જાનીની. સ્કૂલિંગથી લઈ કોલેજના કિસ્સા ને કેવી રીતે 70 હજારની નોકરી છોડીને માત્ર 17 હજારની નોકરી સ્વીકારી? કેવી રીતે યુ ટ્યૂબના વીડિયો બનાવવાનું શરૂ કર્યું? સેવા કાર્યોમાં નીતિન જાનીએ કેવી રીતે ઝંપલાવ્યું? તો આજે જાણીએ નીતિન જાનીના જીવનની તદ્દન અજાણી વાતો જાણીએ. 'સ્કૂલમાં છેલ્લી પાટલીએ બેસીને ક્લાસમાં ખમણ ને સેન્ડવિચ આપતો'વાતની શરૂઆત કરતાં નીતિન જાની કહે છે, 'પપ્પા કર્મકાંડી બ્રાહ્મણ હતા અને 1990માં કથા કરવા વિદેશ જતા. મમ્મી હોમ મેકર છે. અમે સાત ભાઈ બહેન છીએ, ચાર ભાઈઓ ને ત્રણ બહેનો.' સ્કૂલિંગની વાતોને યાદ કરતાં નીતિન જાની જણાવે છે, 'શરૂઆતનાં વર્ષોમાં ભણવામાં ઘણો નબળો હતો અને તે જ કારણે ભણવાનું ગમતું નહોતું. તોફાનો બહુ જ કરતો. નાનપણથી જ બીજાને જમાડવાનો ઘણો જ શોખ છે. હું છેલ્લી બેંચ પર મિત્રો સાથે બેસતો. મને આજેય યાદ છે કે સુરતની મોઢેશ્વરી દુકાનમાંથી ખમણ ને સેન્ડવિચ લઈને આવતો. ટીચર ક્લાસમાં ભણાવતા હોય અને અમે આખા ક્લાસમાં એક-એક ખમણ ને સેન્ડવિચ પાસ કરતા. મને એવું હતું કે હું પોતે ભૂખ્યો રહું તો ચાલે પણ બીજા ક્યારેય રહેવા જોઈએ નહીં. સ્કૂલમાંથી બંક કરીને નહેરે ન્હાવા જતા રહેતા. ક્લાસમાં ભણતો ખરા, પણ ગુલ્લી વધારે મારતો. અમે સાત ભાઈ-બહેનોને પપ્પાએ રાજકુમારની જેમ જ રાખ્યા છે. પપ્પાએ ક્યારેય અમારી પર હાથ ઉપાડ્યો નથી. મારી ઘણી જ ફરિયાદો જતી એટલે ગુસ્સામાં આવીને ખખડાવી નાખતા.' 'આજેય ટીચર્સ ને પ્રિન્સિપાલ સાથે સંપર્કમાં'નીતિન જાની માને છે, 'સ્કૂલ-કોલેજના ટીચર્સ ને પ્રિન્સિપાલ સાથે આજે પણ સંપર્કમાં છું. વિદ્યાર્થીઓ આગળ નીકળી જાય છે અને પોતાની દુનિયામાં બિઝી થાય, પરંતુ પાછળ ટીચર્સ એકલા પડી જાય છે અને હું એટલું જ કહીશ કે દરેક વિદ્યાર્થીઓએ ટીચર્સને યાદ કરવા જોઈએ.' નીતિન જાનીને પૂછવામાં આવ્યું કે નાના હતા ત્યારે શું બનવાનું વિચાર્યું હતું, જવાબમાં તેઓ કહે છે, 'મોટાભાગનાં બાળકોને નાનપણમાં પોલીસ બનવું હોય છે અને મારેય પોલીસ બનવું હતું. જીવનમાં ક્યારેય વિચાર્યું નહોતું કે મારે કલાકાર બનવું છે પણ મારા નસીબમાં આ લખાયેલું જ હતું.' 'આઇટીની જોબ છોડી પ્રોડક્શનનાં કામ કર્યાં'નીતિન જાનીના મતે, 'માસ્ટર ડિગ્રી પૂરી થતાં જ આઇટી કંપનીમાં નોકરી મળી અને એક વર્ષ ત્યાં કામ કર્યું. મને કમ્પ્યૂટર સામે સતત નવ કલાક બેસી રહેવાનું સહેજ પણ ગમ્યું નહીં. મારે હરતાં-ફરતાં રહેવાય તેવું કામ કરવું હતું. 2012-13માં લોનાવલામાં 'બિગ બોસ'નું શૂટિંગ થતું. આ સમયે હું 'બિગ બોસ'ના પ્રોડક્શનમાં નાનાં-નાનાં કામ કરતો. લોકોને લાવવા-લઈ જવા, ઑડિયન્સ બેસાડવી તેવા કામથી શરૂઆત કરી. પછી ફિલ્મસિટીમાં પણ પ્રોડક્શનનાં કામ કર્યાં.' '70 હજારની નોકરી છોડીને 17 હજારના પગારવાળી નોકરી કરી''આઇટીની જોબ છોડ્યા બાદ મનમાં એક સેકન્ડ માટે પણ એવો ડર નહોતો કે આ નહીં ચાલે તો શું થશે? પરિવારનો ભરપૂર સપોર્ટ હતો. આઇટીની નોકરી કરવી નહોતી એટલે ઘરે પપ્પાને વાત કરી કે પ્રોડક્શનના કામમાં 17 હજાર રૂપિયા મળશે. પપ્પાએ એવું કહ્યું કે 70 હજારની નોકરી મૂકીને 17 હજારમાં જાય છે. ત્યારે મેં એવો જવાબ આપ્યો હતો કે મને આ ગમે છે. પછી તો પરિવારે સીધું એમ જ કહ્યું કે તને જે ગમે એ કર. પપ્પાએ ક્યારેય મારી કમાણીનો એક રૂપિયો લીધો નહોતો. તેમની એક સલાહ જીવનભર સાથે રહેશે. તેમણે કહ્યું હતું કે પગભર રહો, ક્યારેય ભેગું કરશો નહીં અને જીવનમાં બીજાની મદદ કરવામાં પૈસા વાપરો.' 'ઘણા લોકોએ વીડિયો બનાવવાની ના પાડી'નીતિન જાની સ્વીકારે છે, 'યુ ટ્યૂબ, ઇન્સ્ટા તથા ફેસબુક એમ ત્રણેય સો.મીડિયા પ્લેટફોર્મ જોનારો વર્ગ અલગ-અલગ છે. મારો પહેલો વીડિયો 2015ની આસપાસ ‘કચરાની રકઝક’ પર બનાવ્યો હતો. આ વીડિયો ખાસ્સો પોપ્યુલર થયો હતો. આ વીડિયો ક્લિક થયો ને મારી જર્નીની શરૂઆત થઈ હતી. માર્કેટિંગનો મને ખ્યાલ હતો અને લોકો સુધી પહોંચવા માટે મને આ માધ્યમ બેસ્ટ લાગ્યું. હું સ્ટ્રોંગલી માનું છું કે જે વ્યક્તિ રસ્તો બનાવે છે, તેને જ જીવનમાં બધા યાદ રાખે છે. યુ ટ્યૂબમાં પતિ-પત્નીના કોમેડી વીડિયો બનાવવાની શરૂઆત કરનારો હું છું. મને ઘણા લોકોએ શરૂઆતમાં વીડિયો બનાવવાની ના પાડી હતી પણ મેં હિંમત હાર્યા વગર ને લોકોની વાતને ગંભીરતાથી લીધા વગર વીડિયો બનાવવાનું ચાલુ રાખ્યું. હું તો માનું છું કે ગુજરાતીઓ કંઈક નવું કરતાં પહેલાં એટલું બધું વિચારી લે છે કે તે સાહસ કરતાં ગભરાય છે. આ બધા વિચારો કરવા જ નહીં.' આખરે ‘ખજૂર’ નામ આવ્યું ક્યાંથી?‘ખજૂર’ નામ પાછળની રસપ્રદ સ્ટોરી અંગે નીતિન જાની કહે છે, 'હું સિંગાપોરના મોલમાં શોપિંગ કરતો હતો. અમે ફીમેલ કેરેક્ટરનું નામ ‘જીગલી’ પહેલેથી નક્કી કરી રાખ્યું હતું પણ મેલ કેરેક્ટરનું નામ શોધતા હતા. નાના ભાઈ તરૂણનો ફોન આવ્યો કે મેલ કેરેક્ટરનું નામ શું રાખીશું? એ સમયે જોગાનુજોગ મારા હાથમાં ખજૂરનું પેકેટ હતું અને મેં તરત જ ખજૂર નામ રાખવાનું કહ્યું. તરુણે પહેલાં તો આ નામ અંગે આનાકાની કરી, પણ પછી મેં સમજાવ્યો કે ગુજરાતીઓને કંઈક નવું આપો તો તરત જ ગમશે. પછી આ જ નામ ફાઇનલ રહ્યું. આજે મને નીતિન જાનીને બદલે આખું ગુજરાત 'ખજૂર'થી ઓળખે છે. વીડિયો અંગેની ખાસ વાત કહું તો અમે શરૂઆતથી ક્યારેય સ્ક્રિપ્ટ લખી નથી. મારી પાસે માત્ર એક વિચાર હોય અને તેને આગળ કરીને અમે વીડિયો બનાવીએ. તરુણ એડિટિંગ સારું કરે એટલે તે શરૂઆતથી જ આ કામ કરે છે. શરૂઆતના દિવસોમાં સામાન્ય ફોનથી વીડિયો શૂટ કરતા અને આખો દિવસ થતો. ત્યારે ફોનમાં જ એડિટિંગ કરતા. આજે કેમેરાથી શૂટ કરીએ છીએ અને આજે પહેલાં કરતાં વધારે સમય જાય છે.' 'શરૂઆત ધવલ સાથે કરી હતી'નીતિન જાની કહે છે, 'શરૂઆતમાં હું ને ધવલ દોમડિયા સાથે વીડિયો બનાવતા. છેલ્લાં બારેક વર્ષથી તેને મળ્યો નથી. તે પરિવાર સાથે સેટ છે ને સારું કામ કરે છે. તે સમયે ધવલને પરિવારે છોકરી બનવાની ના પાડી હતી એટલે તેણે વીડિયોમાં કામ કરવાનું બંધ કર્યું. પછી તો બંને પોત-પોતાની રીતે જીવનમાં આગળ વધ્યા.' 'ખર્ચ કરવામાં વધારે માનું છું'નીતિન જાની જણાવે છે, 'હું ખર્ચ કરવામાં વધારે માનું છું. એ સમયે પણ હું ખર્ચો કરતો અને આજે પણ કરું છું. લોકોને મજા આવે એવા વીડિયો બનાવવામાં માનું છું. મારા વીડિયોમાં કામ કરતા તમામ કલાકારોને પણ પૈસા આપું છું. શરૂઆતમાં 2015-16માં હું એક યુ ટ્યૂબ ચેનલમાં કામ કરતો અને મને એક વીડિયો બનાવવાના એક હજાર રૂપિયા મળતા, પરંતુ હું વીડિયો બનાવવા પાછળ જ બેથી ત્રણ હજાર ને ઘણીવાર તો પાંચ-દસ હજાર રૂપિયા ખર્ચ કરતો. એક વાર લગ્નની સિરીઝમાં 60 હજારનો ખર્ચ કર્યો. 2016માં અમેરિકા ગયો હતો અને મેં લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. અમેરિકામાં મેં બે વીડિયો બનાવ્યા અને મને મળ્યા 2 હજાર રૂપિયા.' 'લાઇટ ગઈ ને પોતાની ચેનલ શરૂ કરવાનો વિચાર આવ્યો'પોતાની ચેનલની શરૂ કરવા અંગે નીતિન જાની જણાવે છે, 'એક દિવસ ફોન પર જેની ચેનલમાં કામ કરતો તેમની સાથે વાત કરતો હતો. મેં તેમને પૈસા વધારવાની વાત કરી. આ સાથે જ એવું પણ પૂછ્યું કે તમને યુ ટ્યૂબમાં કેટલી કમાણી થાય છે? તો તેમણે એવો જવાબ આપ્યો કે આમાં કંઈ જ કમાણી નથી. તેઓ ઘણીવાર મારી પાસે રોજના ચાર-પાંચ વીડિયો શૂટ કરાવતા. તેમની સાથે વાત ચાલતી હતી ને અચાનક મારા ઘરમાં લાઇટ ગઈ. ખબર નહીં મને કુદરતી રીતે જ એવો સંકેત મળ્યો કે હવે હું મારી પોતાની ચેનલ શરૂ કરીશ ને 2016-17માં મારી પોતાની ચેનલ શરૂ કરી. મેં ‘ખજૂરભાઈ’ના નામથી ચેનલ શરૂ કરી. ‘ખજૂરભાઈ વ્લોગ્સ’માં સેવાના વીડિયો આવે છે ને ‘જીગલી-ખજૂર’ ચેનલ પણ છે. ખજૂરભાઈમાં પહેલો વીડિયો ઉત્તર ગુજરાતનો બનાવ્યો હતો ને હું ગાઇડના રોલમાં હતો ને મોઢેરા સૂર્યમંદિરથી લઈ પાટણની રાણકી વાવ ફેરવતો. એ વીડિયોથી હું ખાસ્સો લોકપ્રિય થયો. પાટણની ધરતીમાં કુદરતી પાવર છે કે તમે પોઝિટિવ ફીલ કરો. હું માનું છું કે જીવનમાં ક્યારેય હતાશ થાવ તો પાટણ ફરી આવો. જીવનમાં જેટલું માઇગ્રેશન કરશો તેટલા સફળ થશો.' 'એક સમયે ચાર-પાંચ લાખ રૂપિયાની કમાણી થતી'પહેલી કમાણી અંગે નીતિન જાની કહે છે, 'યુ ટ્યૂબની પહેલી કમાણી સાચું પૂછો તો આજે તો યાદ નથી પણ મને એટલી ખબર છે કે એડ શૂટમાંથી પૈસા વધારે મળતા. જ્યારે મેં ચેનલ શરૂ કરી ત્યારે મને મહિને ચારથી પાંચ લાખ રૂપિયા મળતા. હું આજે પણ માનું છું કે કન્ટેન્ટ પોઝિટિવ હોવું જોઈએ. કોઈની સાથે ગાળાગાળી કરીને કે કોઈને નીચા બતાવીને વીડિયો બનાવવા નહીં. એમાં ક્યારેય પ્રગતિ થતી નથી. વલ્ગર, ડબલ મિનિંગના વીડિયો શરૂઆતમાં ચાલશે, પરંતુ લોંગ ટર્મમાં ફાયદો થશે નહીં. શોર્ટ કટમાં આગળ વધવું નહીં. આ બધું કરવા કરતા અલગ કરો. ગુજરાતીઓ મોડર્ન થયા પણ તેઓ આ રીતનું કન્ટેન્ટ લાંબો ટાઇમ જોશે નહીં.' 'આજેય નથી લાગતું કે હું સફળ છું'સફળ થવા અંગે નીતિન જાની જણાવે છે, 'આજેય નથી લાગતું કે હું સફળ છું. કલાકાર રોજેરોજ નવું શીખે છે. ક્યારેય કોઈએ જીવનમાં વ્હેમ ના રાખવો કે મને બધા ઓળખે છે. ગુજરાતના ઘણા ગામમાં આજે પણ મને લોકો ઓળખતા નથી. જીવનમાં સરળ રહેવું જરૂરી છે. હું એટલો મોટો ક્યારેય થયો જ નથી કે મારે મેનેજર રાખવાની જરૂર પડે.. આજે પણ શીખવાનો પ્રયાસ કરું છું. કોઈ સલાહ આપે તો તેને ગંભીરતાથી લઉં છું. શરૂઆતમાં લોકો સેલ્ફી ક્લિક કરાવવા આવે ત્યારે ગમતું. કલાકાર હંમેશાં ચાહકોથી બને છે. ગુજરાતે પુષ્કળ પ્રેમ આપ્યો છે. ગુજરાત મારી દરેક પરિસ્થિતિમાં પડખે ઊભું રહ્યું છે.' 'દુબઈની 55 ડિગ્રી ગરમીમાં શૂટિંગ કર્યું'શૂટિંગના કિસ્સા યાદ કરતા નીતિન જાની કહે છે, 'અત્યાર સુધીમાં 11 હજાર કરતાં વધારે વીડિયો બનાવ્યા છે. ઘણીવાર અભાવમાં કામ કર્યું છે. 2016માં દુબાઈની 55 ડિગ્રી સે. ગરમીમાં કામ કર્યું. અમે દુબઈ જુલાઈમાં ગયા ને મને ખ્યાલ નહીં કે ત્યાં ભયંકર ગરમી પડે. અમે શેખનાં કપડાં પહેરીને કોમેડી વીડિયોના એકાદ-બે સીન શૂટ કરીએ ને પછી તરત જ કોઈ સ્ટોરમાં જઈને 10-15 મિનિટ ઊભા રહીએ. પછી પાછું શૂટિંગ કરીએ. જીવનમાં ક્યારેય હાર ના માની. મોટા થઈ જાય એટલે લોકો બીજાને ભૂલી જતા હોય છે અને આ જ કારણે હું ક્યારેય મોટો થયો નહીં. વરસાદ, ઠંડીમાં શૂટિંગ કર્યું. મેં મારા જીવનમાં પણ સંઘર્ષ કર્યો છે. શરૂઆતમાં પપ્પાની ઝેન કાર લઈને બધે ફરતો. પછી બલેનો કાર લીધી. 2016-17માં ફોર્ચ્યુનર લીધી. મેં મારી સાયકલ પણ ક્યારેય વેચી નથી. દરેક વસ્તુને મારા પરિવારની જેમ માનું છું. આ ઉપરાંત તમે સંઘર્ષ કરો ત્યારે ભગવાન તમારી સામે જોતો જ હોય છે.' 'યુ ટ્યૂબમાં જ એટલું કામ છે કે ગુજરાતી ફિલ્મ માટે ટાઇમ જ નથી'2018માં નીતિન જાનીએ 'આવું જ રહેશે' ફિલ્મ ડિરેક્ટ કરી હતી. હવે નીતિન જાનીની બીજી ગુજરાતી ફિલ્મ ક્યારે આવશે તે અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું, 'ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બેસ્ટ કામ કરે છે. ગુજરાતી ફિલ્મના કલાકારોને લોકો ચાર-પાંચ વર્ષે ભૂલી જાય તેવું પણ બને, પરંતુ સો.મીડિયાનાં વિવિધ પ્લેટફોર્મ પર લોકોની સામે જ રહેવાથી દર્શકો ભૂલી ન જાય. હું ગુજરાતી ફિલ્મ એટલા માટે નથી કરતો કે મારી પાસે યુ ટ્યૂબનું પુષ્કળ કામ છે. આજે મોટાભાગના સ્ટાર્સ સો.મીડિયામાં એક્ટિવ છે. સો.મીડિયાના પાવરની આજના સ્ટાર્સને ખબર છે.' 'પરિવારે ક્યારેય રોક-ટોક કરી નથી'વીડિયોમાં છોકરી બનવું કેટલું અઘરું હતું ને પરિવાર કંઈ કહેતો કે નહીં? તેના જવાબમાં નીતિન જાની કહે છે, 'પરિવારે ક્યારેય રોક-ટોક કરી નથી. હું છોકરી બનતો તો સમાજના લોકો મારા પરિવારને આ અંગે સવાલ કરતા પણ પેરેન્ટ્સ એવું જ કહેતા કે મારા દીકરાને જે ગમે છે તે કરશે. શરૂઆતમાં હું વીડિયોમાં પીસ્તા છોકરીનો રોલ કરતો ને દુલ્હન પણ બનતો ને આ જ કારણે ઘણા લોકો મેણા-ટોણા મારતા. અલબત્ત, હું તો મા-બાપના આશીર્વાદને કારણે અહીં સુધી પહોંચ્યો છું. ફીમેલ બનવું ઘણું જ અઘરું છું. લાંબા વાળ, સાડી, મેકઅપ પહેરીને કામ કરવું મુશ્કેલ છે. લોકોની મજાકની પરવા કર્યા વગર કલાકારે શરમ એક બાજુ મૂકીને કામ કરવું જોઈએ. ગુજરાતમાં બધાને શરમ બહુ આવે. આગળ વધવું હોય તો શરમ સાઇડમાં મૂકીને કામ કરતા રહેવું જોઈએ.' સેવા કાર્યની શરૂઆત કેવી રીતે થઈ?સેવા કાર્યની શરૂઆત અંગે વાત કરતાં નીતિન જાની જણાવે છે, '2020માં કોરોનાકાળની શરૂઆત થઈ ત્યારે સોસાયટીની બહાર નીકળવાનું નહોતું તો ઘરમાં રહીને કોમેડી વીડિયો બનાવ્યા. કોરોનામાં અમારા વીડિયો પુષ્કળ જોવાયા. કોરોનામાં પરપ્રાંતીય લોકોની મદદ કરી. યુપી-બિહારના લોકોને બસમાં ઘરે મોકલ્યા. જરૂરિયાતમંદ લોકોને કરિયાણું પૂરું પાડ્યું. આ બધાના મેં ક્યારેય ફોટો ક્લિક કર્યા નહોતા. આ જ કારણે ઘણા લોકો મને કહેવા લાગ્યા કે કોરોનાકાળમાં અનેક લોકોએ મદદ કરી પણ તમે તો કંઈ જ ન કર્યું. હું એવું માનતો કે ગુપ્તદાન કરવું ને દેખાડો કરવો નહીં. લોકોની આવી વાતો સાંભળીને મે પછી તરુણને કહીને વીડિયો બનાવવાની શરૂઆત કરી. ઘરના વીડિયો પણ એટલા માટે બનાવું છું કે તેમાંથી કોઈને પ્રેરણા મળે અને કોઈ બીજા માટે ઘર બનાવે.' 'માજીએ હાથ પકડ્યો ને ઘર બાંધી આપવાનું વચન આપ્યું''જીવનમાં કેટલાંક કામો ક્યારેય વિચાર્યાં ના હોય તેવાં કર્યાં છે. 2020માં તાઉતે વાવાઝોડું આવ્યું અને મારો જન્મદિવસ પણ હતો. મેં નક્કી કર્યું કે જન્મદિવસના સેલિબ્રેશનના પૈસા વાવાઝોડામાં હેરાન થનાર પરિવાર પાછળ વાપરીશ. પછી તો હું ઘઉં, ચોખા સહિતનું કરિયાણું લઈને અસરગ્રસ્તો પાસે પહોંચી ગયો. 70-80 વર્ષના માજીના ઘરમાં કરિયાણું આપવા ગયો. તે માજીના ઘરમાં પહેલેથી જ કરિયાણું ભરેલું હતું તો માજીએ મારો હાથ પકડીને કહ્યું, 'તમે બધા કરિયાણું આપીને જાવ છો પણ તમે મારું ઘર તો જુઓ. હું 80 વર્ષની ડોશી છું તો હું કેટલું ખાઈશ? પછી તો મારે બધું ફેંકવું પડશે. મારે જે જરૂર છે તે કેમ કોઈ ધ્યાનમાં નહીં લેતું.' મેં પૂછ્યું, 'તમારે શું જોઈએ?' તો તેમણે જવાબ આપ્યો, 'મારું આખું ઘર તૂટી ગયું છે તો મને ઇ બનાવી દે.' મારા મોંમાંથી ત્યારે બ્રહ્મ વાક્ય નીકળ્યું ને બોલી જવાયું, 'માજી, હું તમારું ઘર બનાવી આપીશ. ચિંતા ના કરો.' મને ઘર બનાવવાનો સહેજ પણ અનુભવ નહોતો. પછી તો માજીનું ઘર બનાવવાનું શરૂ કર્યું. એક ઘરથી શરૂઆત કરી હતી અને આજે 375થી વધુ ઘર બનાવી નાખ્યાં.' '40 હજારમાં ઘર બનતું, હવે 10 લાખમાં ઘર બને છે'ઘર બનાવવામાં આવેલા પરિવર્તન અંગે નીતિન જાનીએ કહ્યું, 'શરૂઆતનું પહેલું ઘર 40 હજારમાં બનાવ્યું હતું અને તે એકદમ સિમ્પલ હતું. 10 બાય 12નું પતરાનું ઘર હતું. પ્લાસ્ટર નહોતા કરતા. ઇંટનું ચણતર કરતા. પછી ધીમે ધીમે પ્લાસ્ટર કરવાની શરૂઆત કરી. ટાઇલ્સ, ઇલેક્ટ્રિસિટી, કન્સિલ ચાલુ કર્યું. પીઓપી કર્યું. પતરાને બદલે ધાબાવાળાં ઘર બનાવવાની શરૂ કર્યું. આજે એક ઘર 8-10 લાખમાં તૈયાર થાય છે. યુ ટ્યૂબની કમાણીનો મોટાભાગના હિસ્સો જરૂરિયાતમંદ લોકોને મદદ કરવામાં વાપરું છું. પપ્પાએ શીખવ્યું કે 100 રૂપિયા કમાતા હો અને તેમાંથી 40-50 રૂપિયા બીજા પાછળ વાપરશો તો મહાદેવ તમને દસ કે સો ગણા કરીને ક્યારે પરત કરી દેશે તે ખ્યાલ પણ રહેતો નથી. તેમણે હંમેશાં બીજાનું વિચાર કરવાનું કહ્યું છે. હાલમાં જ આવેલા વાવાઝોડામાં એક ગામમાં 200થી વધારે ઘર પડી ગયાં અને ત્યાં 3-4 ઘર બનાવું છું. આ દરમિયાન મને મોબાઇલની એડમાં જે પૈસા મળ્યા તે તમામે તમામ પૈસા આ ઘર બનાવવામાં વાપરી નાખ્યા. બે રૂમ, રસોડું, બાથરૂમ-ટોઇલેટ સહિતના ધાબાવાળા ઘર બનાવ્યા. ઉપરાંત પાક્કો તબેલો પણ બનાવ્યો છે. આ ઘરો સિંધઈ ને વેવલ ગામમાં બનાવ્યાં. સાચું કહું તો, ઘર બનાવવા સહેજ પણ સરળ નથી. જ્યારે પણ ઘર બનાવું છું ત્યારે કોઈને કોઈ રીતે ભગવાન મદદે આવે છે અને ઘર બનીને તૈયાર થઈ જાય છે. થોડા સમય પહેલાં જ 18 વર્ષની દીકરી માટે ઘર બનાવ્યું તો તેણે કહ્યું કે જો આજે આ ઘર ના હોત તો હું મરી ગઈ હોત. હું ઘર બને ત્યારે શરૂઆતથી અંત સુધી રહેવાનો પ્રયાસ કરું છું.' 'હું ગામમાં જાઉં તે માટે ઘર બનાવવા બોલાવ્યો''ગુજરાતના લોકોએ ભરપૂર આશીર્વાદ આપ્યા છે. લોકો દુઆ આપે છે. મારાથી મોટી ઉંમરના લોકો ઘણીવાર તો પિતાની ઉંમરના વૃદ્ધો પગે લાગતા હોય છે. ગીર સોમનાથમાં રહેતા એક દાદા-દાદીને પાંડુ રોગ હતો. તેમનું ઘર બનાવવા આખા ગામે મને કહ્યું. જ્યારે હું ગયો ત્યારે મને લાગ્યું કે આખું ગામ ભેગા થઈને ઘર બનાવી શકે છે તો મને કેમ કહ્યું? મેં સહજ રીતે ત્યાંના સરપંચને સવાલ કર્યો, 'તમે ધારો તો ઘર બનાવી શકો છો તેમ છતાં મને કેમ બોલાવ્યો.' તો તે સરપંચે કહ્યું, 'અમે ધારીએ તો કાલે ઘર બનાવી દઈએ. અમારી ઈચ્છા હતી કે અમારા ગામમાં ખજૂરભાઈનાં પગલાં પડે.' લોકોએ પુષ્કળ પ્રેમ આપ્યો છે. હું લાગણીશીલ પણ છું. કલ્પના ના કરી હોય તેવા ગામમાં જઈને ઘર બનાવ્યું છે.' 'રાજકારણમાં સારા લોકો આવે તે જરૂરી છે'નીતિન જાનીને ઇલેક્શન અંગે સવાલ કર્યો તો તેમણે જણાવ્યું, 'સાચું કહું તો એક ઇવેન્ટમાં બોલાઈ ગયું કે ઇલેક્શનમાં ઊભા રહેવું જોઈએ. આપણા ગુજરાતીઓના મનમાં એવું થઈ ગયું છે કે રાજકારણમાં સારા માણસો હોતા નથી ને તેમાં પડાય નહીં. મને ફોલો કરનાર જેન ઝી છે. તેમના મનમાં રાજાકરણ અંગે નેગેટિવ ઇમેજ છે. રાજકારણમાં સારા લોકો આવે તે જરૂરી છે. રાજકારણ સારું છે તે વાત જેન ઝીને સમજાવવી જરૂરી છે. બની શકે હું સત્તામાં હોઉં તો મેં બનાવેલાં ઘરની સંખ્યા 3 હજાર ઉપર પણ થઈ શકે. અત્યારે રાજકારણ અંગે ગંભીરતાથી વિચાર્યું નથી. જનતા જે કહેશે તે પ્રમાણે કરીશ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની ઑફર મળી હતી. મેં આખા ગુજરાતમાં ઘર બનાવ્યાં છે. જો રાજકારણમાં જઈને ચૂંટણી લડવાનો વિચાર હોત તો એક જ વિસ્તારમાં ઘર બનાવ્યાં હોત. કલાકારનો કોઈ એરિયા હોય નહીં. કોઈ પાર્ટીને લાગશે તો મને ટિકિટ આપશે. 2027માં વિધાનસભાની ચૂંટણી છે અને માતાજીની ને પબ્લિકની ઈચ્છા હશે તો હું ચોક્કસથી ઇલેક્શન લડીશ.' ઇલેક્શન જીત્યા બાદ કોમેડી વીડિયો બનાવશો કે નહીં તે અંગે ખજૂરભાઈ કહે છે, 'અત્યારે આ બધું કહેવું યોગ્ય નથી. રાજકારણમાં આવ્યા પછી પણ સેવા કરવાનું ભૂલીશ નહીં. ઘર બનાવવાનું ચાલુ જ રાખીશ. મને સેવા કરવાનું એડિક્શન કે નશો થઈ ગયો છે. ઘર બની ગયા પછી જ્યારે ઘરની પૂજા કરું ત્યારે જે ખુશી મળે છે તે કરોડો રૂપિયા મળે ત્યાર પણ મળતી નથી.' 'લાઇફ પાર્ટનર સારી મળી છે'નીતિન જાની માને છે, 'પરિવાર સારો મળ્યો. આ ઉપરાંત લાઇફ પાર્ટનર સારી મળી. હું સતત વ્યસ્ત રહું છું છતાંય મહાદેવની કૃપા છે કે બધું જ મેનેજ થઈ જાય છે. પરિવાર સારો હોય તો જીવનમાં ક્યાંય કોઈ કામ અટકતાં નથી.' 'યુવાનો બસ ડાઉન ટુ અર્થ રહે'યુવાનોને સલાહ આપતાં નીતિન જાની કહે છે, 'યુવાનોને બસ એટલું જ કે બને તેટલા જમીન પર રહો. ચાર વર્ષ પછી લોકો ભૂલી જશે. તમારું વર્તન સારું રાખો. પોતાને સેલિબ્રિટી સમજીને લોકોથી દૂર ના થાવ. લોકોની વચ્ચે રહો. સમય જતા વાર નથી લાગતી. ગુજરાતીઓ માન આપે છે તો સમજો કે દુનિયાના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ તમે છો. ગુજરાતીઓ ક્યારેય ગમે તેની સામે નમતા નથી તો તેને આદર નહીં આપો તો ઘરે બેસી જશો તે નક્કી છે.' 'પેરેન્ટ્સ જીવતાં હોય ત્યારે પ્રેમ ને પ્રાયોરિટી આપો''જીવનમાં માત્ર ત્યારે જ ઉદાસ થયો હતો જ્યારે આજથી છ વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું. પિતા ગુમાવવાનું દુઃખ આજે પણ ઘણું જ છે. પપ્પા માટે ઘણું કરવું હતું પણ બધું રહી ગયું. મા-બાપ ક્યારેય જીવનમાંથી જતાં રહે છે તે ખ્યાલ જ રહેતો નથી. જીવનમાં અફસોસ રહી જાય એના બદલે મા-બાપને પ્રેમ આપો ને પ્રાયોરિટી આપો.' 'આજકાલ ટ્રેન્ડ પ્રમાણે કન્ટેન્ટ બને છે'છેલ્લે સો.મીડિયામાં બદલાયેલા કન્ટેન્ટ અંગે નીતિન જાની જણાવે છે, 'છેલ્લાં ઘણાં કેટલાક વર્ષોથી સો.મીડિયામાં કન્ટેન્ટ ઘણું બદલાયું છે. ટેક્નોલોજીનો યુગ આવ્યો છે. હવે, ટ્રેન્ડ જોઈને લોકો ચાલતા થયા છે. 'કચ્ચા બદામ' સહિતના અનેક ટ્રેન્ડ ઊભા થયા. અમારા સમયમાં ટ્રેન્ડનો યુગ નહોતો. હું તો માનું છું કે પોતાનું યુનિક કરશો તો વધારે ચાલશો. આગળ વધવા માટે નવું કરવું. સમાજને કામ લાગે ને ગુજરાતને આગળ વધારે તેવું સારું કન્ટેન્ટ બનાવું. આગામી વર્ષોમાં હજી સો.મીડિયામાં ફેરફાર આવશે. માર્કેટિંગની રીતભાત બદલાઈ ગઈ છે.'
પ્રગતિશીલ ખેડૂત:નાવદ્રાના ખેડૂતે 2 સિઝનમાં એક સાથે 2 પાક વાવી વધુ ઉત્પાદન મેળવ્યું
ખેતીમાં દિવસેને દિવસે ખર્ચ વધી રહ્યો છે અને કુદરતી આફતોના લીધે ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે જ હવે ખેડૂતો એકી સાથે બે પાક લેતા થયા છે.અને આવી જ ખેતી વેરાવળ પંથકના નાવદ્રા ગામના ખેડૂત રાણાભાઇ ચુડાસમાએ શરૂ કરી છે.આ ખેતીથી થતા ફાયદા તેમના જ શબ્દોમાં.... 'હું ગીર સોમનાથ જિલ્લાના નાવદ્રા ગામનો વતની છું. મારી પાસે 70 વીઘા જમીન છે. પહેલાં અમે સંપૂર્ણ રાસાયણિક ખેતી કરતા હતા. જોકે તેમાં જમીનમાં વ્યાપક નુકસાન થતું હોય ખર્ચ કરવા છતાં પણ ઉત્પાદન મળતું ન હતું. બાદમાં મે પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો, સાથે એક પાક સાથે બીજા પાકનું કઈ રીતે ઉત્પાદન મેળવી શકાય તેમની વિગતો જાણી અને 10 વીઘામાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી શરૂ કરી. ઘઉંના પાકની સાથે હવે મરચીનો પાક પણ તૈયાર કરું છું. જ્યારે ઘઉં તૈયાર થઈ જશે એ સમયે જ મરચીનું ઉત્પાદન પણ મળવા લાગશે. આ એક જ પાક નહીં પરંતુ હું શિયાળુ, ચોમાસું અને ઉનાળુ પાક લઈ રહ્યો છું એ પણ ડબલ પાક આ પદ્ધતિથી ખેતી કરવા માટે અન્ય ખેડૂતોને પ્રેરણા પણ આપી રહ્યો છું. વસ્તુઓમાં ફરી જૂનો સ્વાદ મળ્યોરાસાયણિક ખેતીથી મગફળી હોય કે શાકભાજી તેમાં સ્વાદ જતો રહ્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. જોકે પ્રાકૃતિક ખેતી શરૂ કરતાં ફરી જૂનો સ્વાદ મળવા લાગ્યો છે. આ વસ્તુઓ ખાવાથી આરોગ્ય ને પણ નુકસાન થતું નથી. અમે 10 ગાય પણ રાખી છેઆ ખેતી કરવા માટે અમે ગાય પણ રાખી છે જે અમને બહુ જ ઉપયોગી થઈ રહી છે.તેમજ દૂધ વેચાણથી તેમાં સારી એવી આવક પણ મળતી થઈ છે. મલ્ચિંગ ડ્રિપ મશીનના ફાયદાઓ:- પાણીની બચત: ડ્રિપ ઇરિગેશનથી પાણી સીધું છોડના મૂળ સુધી પહોંચાડવામાં આવે છે, જેનાથી પાણીની બચત થાય છે.- નીંદણ નિયંત્રણ: મલ્ચિંગ ફિલ્મ નીંદણને વધવા દેતી નથી, જેનાથી નીંદણ નિયંત્રણમાં મદદ મળે છે.- જમીનનું તાપમાન નિયંત્રણ: મલ્ચિંગ ફિલ્મ જમીનનું તાપમાન નિયંત્રણ કરે છે, જેનાથી છોડના વિકાસમાં મદદ મળે છે.- ઉત્પાદન વધારો: મલ્ચિંગ ડ્રિપ મશીનથી છોડના વિકાસમાં મદદ મળે છે, જેનાથી ઉત્પાદન વધે છે. આ પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાણો વધુ વિગતો. સંપર્ક : 9924695713(ભરત સોનારા સાથેની વાતચીતના આધારે)
અત્યારે ગુજરાતના ગામડાંથી લઇને મેગાસિટીના લોકોમાં એક કોમન મુદ્દે ચર્ચા જોવા મળી રહી છે. એ ચર્ચા છે કે આ વખતે ઠંડી ક્યાં ગાયબ થઇ ગઇ? કેમ હજી સુધી જોઇએ તેવી ઠંડીનો અનુભવ નથી થઇ રહ્યો? જ્યારે શિયાળાની શરૂઆત થઇ ત્યારે એવું અનુમાન સામે આવ્યું હતું કે આ વખતે શિયાળાની ઠંડી સમય કરતાં વહેલાં શરૂ થઇ જશે. જો કે હવામાન નિષ્ણાતોએ આ વખતની ઠંડી અંગે અનુમાન લગાવ્યું હતું કે માત્ર 30 દિવસ જ ઠંડીનો અનુભવ થશે. જેનો સમયગાળો મધ્ય ડિસેમ્બરથી મધ્ય જાન્યુઆરી સુધીનો હશે. ડિસેમ્બર મહિનો પૂર્ણ થવામાં હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા દિવસો જ બાકી રહ્યાં છે, છતાં ગુજરાતમાં નલિયા સિવાય કોઇ એવું શહેર નથી કે જ્યાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો હોય. આખરે ભલભલાને એક વાર તો સ્વેટર કે જેકેટ પહેરવા મજબૂર કરી દે અને ધ્રુજારી લાવી દે તેવી ઠંડી ક્યાં ખોવાઇ ગઇ? અત્યાર સુધીનો નવેમ્બર અને ડિસેમ્બર મહિનો પ્રમાણમાં કેમ ગરમ રહ્યો? શું શિયાળાના હવેના બાકી રહેલા દિવસોમાં પણ કડકડતી ઠંડી નહીં પડે? ઠંડી અને બદલાતી પેટર્નથી કેવા પ્રકારના નુકસાન થઇ શકે છે? તમારા મનમાં થતાં આવા દરેક પ્રશ્નોનોના જવાબ જાણવા માટે દિવ્ય ભાસ્કરે સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડન્ટ મહેશ પલાવત સાથે ખાસ વાતચીત કરી હતી. ડિસેમ્બર મહિનામાં નલિયામાં ઠંડી ઓછી પડીજ્યારે ગુજરાતમાં ઠંડીની વાત થતી હોય ત્યારે નલિયાનું નામ બાકાત ન રહી શકે. ગયા વર્ષના અને આ વર્ષના આંકડાને જોતા એક આશ્ચર્યજનક વાત એ સામે આવી છે કે આ વર્ષે નલિયાનું સરેરાશ તાપમાન 2 ડિગ્રી વધ્યું છે. જે ઠંડીમાં ઘટાડા તરફ ઇશારો કરી રહ્યું છે. કંઇક આવી જ સ્થિતિ રાજ્યના અન્ય 4 મહાનગરોની પણ છે. ગયા વર્ષની સરખામણીએ રાજકોટનું સરેરાશ તાપમાન પણ 2 ડિગ્રી વધ્યું છે. જ્યારે અમદાવાદ, સુરત અને વડોદરાના તાપમાનમાં 1-1 ડિગ્રીનો વધારો થયો છે. મહાનગરોમાં ઠંડીવાળા દિવસોની સંખ્યા ઘટીઅમદાવાદમાં ગયા વર્ષે 15 ડિગ્રી કે તેથી ઓછું તાપમાન નોંધાયું હોય તેવા 14 દિવસો હતા. જ્યારે આ વર્ષે આ દિવસોની સંખ્યા ઘટીને 10 થઇ ગઇ છે. જ્યારે રાજકોટમાં ગયા વર્ષે 17 દિવસો એવા હતા જેમાં પારો 15 ડિગ્રી કરતાં ઓછો નોંધાયો હતો પણ આ વખતે આવા 15 દિવસો જ નોંધાયા છે. વડોદરામાં ગયા વર્ષે 1 દિવસ એવો હતો જેમાં 15 ડિગ્રી કે તેથી ઓછી ઠંડી નોંધાઇ હોય પણ આ વર્ષે આવો એકેય દિવસ નોંધાયો નથી. સુરતમાં પણ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 5 દિવસ એવા ઘટ્યા છે જેમાં ઠંડીનો પારો 15 ડિગ્રી કે તેથી નીચે ગયો હોય. સામાન્ય રીતે નલિયામાં 10 ડિગ્રી કે તેથી ઓછું તાપમાન નોંધાતું હોય છે પણ આ વખતે એવું બન્યું છે કે એકપણ વાર તાપમાનનો પારો સિંગલ ડિજીટમાં નથી ગયો. ફક્ત ગુજરાત જ નહીં પરંતુ ઉત્તર ભારતમાં પણ કંઇક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે. શિયાળાની ગાયબ થયેલી ઠંડી વિશે મહેશ પલાવત કહે છે કે, આ વાત માત્ર ગુજરાતની નથી, આવી સ્થિતિ સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં જો દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની પણ કંઇક આવી જ પરિસ્થિતિ છે. દિલ્હીમાં હજી સુધી ધ્રજાવી દે તેવી ઠંડી નથી પડી બાકી નવેમ્બરથી જ કાતિલ ઠંડીની શરૂઆત થઇ જાય છે. જો કે, નહિવત શિયાળો રહેવા પાછળ પણ ઘણાં કારણો છે. આ કારણો જોઇએ એ પહેલાં વાત ગયા વર્ષની...ગયા વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ખૂબ જ ઓછા આવ્યાં હતા. જ્યારે તે આવવાની શરૂઆત થઇ ત્યાં સુધીમાં તો ડિસેમ્બર અડધો વિતી ગયો હતો. એટલે પહાડો પર જોઇએ તેટલી બરફ વર્ષા નહોતી થઇ. આનો સીધો અર્થ એ કે ઉત્તર ભારતમાં ઠંડીનો વરસાદ નહોતો થયો. દર વર્ષ પાછલા વર્ષ કરતાં ગરમમહેશ પલાવતના મતે, સામાન્ય રીતે જ્યારે બરફ વર્ષા થાય પછી જ ઉત્તર તરફથી હવા ફેલાવાની શરૂઆત થઇ જાય છે. આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે જેના કારણે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સુધીના વિસ્તારના ટેમ્પરેચરને ગગડાવી દે છે. જેના કારણે ઠંડીની શરૂઆત થઇ જાય છે. એક સમયે શિયાળાની ઋતુમાં 60 દિવસ સુધી ઠંડીનો અનુભવ થતો હતો પણ છેલ્લાં કેટલાક વર્ષોથી આમાં સતત ઘટાડો થતો ગયોને હવે તો માત્ર 30 દિવસ સુધી સિમિત થઇ ગયો છે તેમાં પણ આ વખતે દિવસો ઘટી શકે છે. 23 ડિસેમ્બર બાદ કડકડતી ઠંડીની શક્યતાઆ અંગે તેઓ કહે છે કે, આ વખતે એવું લાગતું હતું કે ડિસેમ્બરના પહેલાં કે બીજા અઠવાડિયાથી જ બરફ વર્ષાની શરૂઆત થઇ જશે જેના કારણે ઠંડી પડવાની શરૂઆત થશે પણ 23 ડિસેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થશે. જે સારી ઠંડીનો અનુભવ કરાવશે. તેમના એનાલિસિસ પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષોમાં ઠંડીનો જે સ્પેલ છે તે ખૂબ જ ઘટી રહ્યો છે. જે શિયાળો નવેમ્બરથી શરૂ થઇને જાન્યુઆરીના એન્ડ સુધી રહેતો હતો તે હવે મધ્ય ડિસેમ્બરથી જાન્યુઆરીના પહેલા અઠવાડિયા સુધી જ રહે છે. 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામાન્ય રીતે ઉનાળામાં અપર એલ્ટિટ્યૂટમાં પહોંચી જાય છે. જે ચીન, કઝાકિસ્તાન અને રશિયા તરફ જતું રહે છે. આ પ્રક્રિયા સમગ્ર વર્ષ દરમિયાન ચાલતી રહે છે. જેવો સૂર્ય દક્ષિણાયન કરે છે એટલે બધી જ વેધર સિસ્ટમ નીચેની તરફ આવે છે. આ પ્રક્રિયાની શરૂઆત ઓક્ટોબરથી થાય છે, જે ફેબ્રુઆરી અથવા માર્ચ સુધી ચાલુ રહે છે. તેનો પીક મહિનો નવેમ્બરથી જાન્યુઆરીનો હોય છે.' વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્રતા ઘટીતેઓ કહે છે કે, અમે જે જોઇ રહ્યાં છીએ એ પ્રમાણે છેલ્લાં કેટલાક વર્ષોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઇન્ટેનસિટીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બરફ વર્ષા પણ ઓછી થઇ રહી છે. 2021-22ના વર્ષમાં ખૂબ સારી બરફ વર્ષા થઇ હતી એ પછી આવી બરફ વર્ષા નથી રહી. આ જ કારણે ઉત્તર ભારત સહિત, મધ્ય ભારત અને ગુજરાત સુધી તેની અસર જોવા મળી રહી છે. 'જો આવુંને આવું સતત આવનારા 2-4 વર્ષ સુધી ચાલતું રહ્યું તો કહી શકાશે કે આ ક્લાયમેટ ચેન્જની ખૂબ જ ભયાનક અસર છે. કેટલીક વાર એવું થયું છે કે 2-3 વર્ષમાં આ આખીય સાયકલ ફરી પાછી શરૂ થઇ જાય છે. જો આવું આગામી 2-3 વર્ષમાં જોવા મળશે તો ચોક્કસથી કહી શકીશું કે શિયાળો ઘટી રહ્યો છે અને ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે.' 9 વર્ષ પહેલાં સૌથી ઓછી ઠંડી પડી હતી'છેલ્લા 10 વર્ષમાં પડેલી ઠંડીની સિઝન પર નજર કરીએ તો 2016નું વર્ષ એવું હતું કે જેમાં સૌથી ઓછી ઠંડી રહી હતી જેના કારણે તે ખૂબ જ ગરમ વર્ષ રહ્યું હતું. આવી જ કંઈક પરિસ્થિતિ 2024માં પણ જોવા મળી હતી. ગયા વર્ષે પણ જોઇએ એવી ઠંડી પડી નહોતી. બરફ વર્ષા ખૂબ જ પાછળથી થઇ હતી પણ 2021નું વર્ષ એવું હતું જેમાં સારી બરફ વર્ષા થવાના કારણે તાપમાન પણ સારા પ્રમાણમાં નીચું ગયું હતું.' હાલના ટ્રેન્ડને જોતાં તેઓ કહે છે, દર વર્ષે પાછળના વર્ષ કરતાં તાપમાન ખૂબ જ ઉપર નોંધાઇ રહ્યું છે. આવું માત્ર ગુજરાતમાં કે દેશમાં જ નહીં પણ પૃથ્વીના ખૂણે ખૂણામાં જોવા મળી રહ્યું છે. આને આપણે ગ્લોબલ વોર્મિગ કહી શકીએ છીએ. 'આ પરિસ્થિતિને આપણે ફરી પાછી પહેલાં જેવી કરવી પડશે, જેના માટે ગ્રીન કવરમાં વધારો કરવો પડશે. કપાઇ રહેલાં જંગલો અને ખેતરોને પણ બચાવવા પડશે. જો આવનારા દસકા સુધી ગ્રીન કવર વધારવામાં આવશે તો જ પરિસ્થિતિ રિવર્સ થશે.' આ વખતે અત્યારસુધીમાં ગુજરાતના 33 જિલ્લાઓમાં નલિયાને બાદ કરતાં એક પણ જગ્યાનું તાપમાન 10 ડિગ્રીથી ઓછું નોંધાયું નથી પણ આવું કેમ થયું એ અંગે જણાવતાં મહેશ પલાવત કહે છે કે, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને અમદાવાદમાં અત્યાર સુધીમાં તાપમાન નીચે જવું જોઇતું હતું પણ એ થયું નથી. અન્ય રાજ્યોમાં પણ પારો નથી ગગડ્યો'ગુજરાત કરતાં પણ વધારે ઠંડી પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પડે છે. છતાં આ વખતે ત્યાં નીચું તાપમાન જોવા નથી મળ્યું. આ સિઝનમાં દિલ્હીમાં એક વખત 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું પણ તે પછી તાપમાન આટલું નીચે નથી ગયું. હવે 24 ડિસેમ્બર સુધીમાં શિયાળાની ઠંડી પડવાની શરૂઆત થવાની શક્યતાઓ છે.' શું આ વખતે શિયાળાની ઠંડી તેની ચરમસીમાએ પહોંચે એ પહેલાં જ ઋતુ પૂરી તો નહીં થઇ જાય ને? આ સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું, એવું જ લાગી રહ્યું છે. કેમ કે અત્યાર સુધીમાં જોઇએ એવું મોટું કોઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું નથી. નવા વર્ષ સુધીમાં પણ એવું કોઇ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી સંભાવના નથી. છતાં પણ જો આવે છે તો તેની અસર રહેશે પણ તે ત્યારની પરિસ્થિતિ પર ડિપેન્ડ કરે છે. 'કેટલીક વાર એવું બને છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે જેના કારણે શિયાળો લંબાઇ જાય છે. આ વખતે લોન્ગ રેન્જ ફોરકાસ્ટને જોતા તો આવી કોઇ અસર થાય તેવું દેખાઇ નથી રહ્યું. હવામાન વિભાગે શિયાળા અંગે પહેલાં કહ્યું હતું કે તાપમાન ખૂબ જ નીચું જશે તે બિલકુલ પણ જોવા નથી મળી રહ્યું.' જો ઠંડી ઓછી પડશે તો તેનો અર્થ એવો થયો કે શું ગરમી વધારે પડશે? આ બાબતે તેઓ કહે છે કે ફેબ્રુઆરીના બીજા અઠવાડિયાથી જ ટેમ્પરેચર વધવાની શરૂઆત થઇ જશે. જેથી માર્ચમાં તમને તેનો ખૂબ જ વધારે અનુભવ થશે. આવી પરિસ્થિતિમાં જો શિયાળો ટૂંકો રહ્યો તો ગરમીના દિવસોમાં વધારો થશે. 'શિયાળામાં ઠંડી ઓછી પડે તો તેની સીધી અસર આપણને તો થાય જ છે પણ ખેડૂતના ખેતરમાં લહેરાઇ રહેલાં રવિ પાકોમાં પણ થાય છે. કેમ કે ગુજરાતમાં જે રવિ પાકો લેવામાં આવતાં હોય છે તેને ખૂબ જ લાંબા શિયાળાની જરૂર પડે છે. ' ખેડૂતોએ લાંબાગાળાની આગાહી પર ધ્યાન આપવુંઃ મહેશ પલાવતઠંડી ઓછી પડે તો ખેડૂતોએ શું ધ્યાન રાખવું તેના વિશે તેમણે કહ્યું કે, જેવી રીતે પર્યાવરણ બદલાઇ રહ્યું છે. તે જોતા ખેડૂતોએ પણ તેમના પાકની પસંદગી તેવી રીતે જ કરવી જોઇએ. સાથે જ ઓછા પાણીમાં સારી ખેતી થઇ શકે તેવો પણ પ્રયત્ન કરવો જોઇએ. જુલાઇ અને ઓગસ્ટમાં ગુજરાત અને રાજસ્થાનમાં કેટલાક સૂકા વિસ્તારો હતા ત્યાં પૂરની સ્થિતિ સર્જાઇ રહી છે. આવામાં બધું જ અન પ્રિડિક્ટેબલ થઇ ગયું છે. 'આંકડાઓ જોઇએ તો તે સારા દેખાય છે પણ તે માત્ર 7 થી 8 દિવસના હોય છે.આવામાં સરકારે પાણીના સંગ્રહનો માટેનો પ્લાન કરવો જોઇએ. આવું નથી થતું તો પાકને પણ નુકસાન થઇ શકે છે. ખેડૂતોએ પણ લોન્ગ રેન્જ ફોરકાસ્ટને ફોલો કરવું જોઇએ.'
અમે ગામના લોકોએ નક્કી કર્યું છે કે કોઈપણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં દેખાશે તો તેનો ગામ નિકાલ કરાશે અમે એવો નિયમ બનાવ્યો છે કે જે ઘરમાં દારૂ ગળાતો હશે, જે ઘરમાં પીવાતો હશે તે પરિવાર સાથે કોઈ પ્રકારનો વ્યવહાર રાખવાનો નહિ ના. આ કોઈ મહારાષ્ટ્ર કે રાજસ્થાનના ગામની વાત નથી. જે રાજ્યમાં દારૂબંધી છે તે ગુજરાતના બનાસકાંઠાના નવા બનેલા જિલ્લા વાવ-થરાદના એક ગામની. ગામનું નામ ડોડીયા. આ ગામમાં દેશી દારૂનું દૂષણ વર્ષોથી હતું. મોટાભાગના પુરૂષો દારૂની લતે ચડ્યા હતા. પણ છેલ્લા થોડા સમયથી યુવાન વયના લોકોનો દારૂએ ભોગ લીધો. ગામમાં ચિંતા પ્રસરી. યુવાન વયે માણસો મરવા લાગે તો તેના બાળકોનું શું? ભવિષ્યની પેઢીનું શું? આવા વિચારના કારણે ગામના લોકોમાં રહીરહીને જાગૃતિ આવી ને કડક નિયમો બનાવ્યા. શું છે આ નિયમો? ગામમાં દારૂથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો શું કહે છે? ગુજરાતના આ ગામમાં દારૂનું દૂષણ કેવી રીતે વધ્યું? તે જાણવા માટે ભાસ્કરની ટીમ વાવ-થરાદ જિલ્લાના ડોડીયા ગામે પહોંચી... વાંચો આ ગ્રાઉન્ડ રિપોર્ટ... દારૂનો ભોગ બન્યા તે પરિવારો વિશે જાણીએ, તે પહેલાં દેશી દારૂ કેવી રીતે બને છે, તે જાણવું જરૂરી છે...દેશી દારૂ આમ તો ગોળ અને હિમેજ (હરડે), નવસાર, ફટકડી જેવા પદાર્થો નાખીને ચોક્કસ પ્રક્રિયા થાય છે. પછી આ ગોળના રાબડાંને ઉકાળવામાં આવે છે. તેની વરાળ મોટા વાસણમાં ભેગી થાય છે. આ વરાળ પ્રવાહીમાં (આથામાં) રૂપાંતરિત થાય તે જ દેશી દારૂ છે. આ પ્રકારનો દારૂ માણસને કેફમાં રાખે છે પણ લાંબા ગાળે નુકસાન કરે છે. તરત નુકસાન કરતો નથી એટલે ગામમાં 15-20 વર્ષથી દેશી પીનારા લોકો પણ છે. હવે દેશી દારૂ બનાવનારા શોર્ટકટ અપનાવવા લાગ્યા છે. આ શોર્ટકટથી જ તકલીફ શરૂ થાય છે. ગોળ, હિમેજ બધું ભેળવ્યા પછી કેટલાક લોકો એક દિવસમાં જ દારૂ તૈયાર થઈ જાય તે માટે યુરિયા ખાતર અને ઢોરને આપવાના ઈન્જેક્શનનો ઉપયોગ કરે છે. ઈન્જેક્શનની શીશીમાંથી કેટલાક ટીપાં ગોળના રાબડાંમાં નાખે એટલે તરત ઊભરો આવી જાય ને દારૂ તૈયાર થઈ જાય. હવે આ પ્રકારના 'ઈન્સ્ટન્ટ દેશી દારૂ'ના કારણે લીવર, કીડની, હૃદયમાં તકલીફ શરૂ થાય છે ને માણસનું મોત થાય છે. હવે ડોડીયા ગામના પરિવારોને મળીએ...અમે ડોડીયા ગામે પહોંચ્યા ત્યારે સૌથી પહેલાં અમને સરપંચ અલ્પેશ ઠાકોર મળ્યા. સરપંચે કહ્યું કે, આપણે નિરાંતે વાતચીત કરીએ, હું ગામના આગેવાનોને બોલાવી લઈશ. તમારે જે પૂછવું હોય કે પૂછજો. પહેલાં આપણે એવા લોકોના ઘરે જઈએ જ્યાં દારૂથી ભોગ લેવાયો છે. રસ્તામાં ચાલતાં ચાલતાં સરપંચે કહ્યું કે ડોડીયા આમ જુઓ તો સુખી સંપન્ન ગામ છે. અહિયા મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે. કેટલાક લોકો કપાસની ખેતી કરે છે પણ મોટાભાગે તમાકુની ખેતી સારી ચાલે છે. વાતચીત કરતાં કરતાં કુંવરશીભાઈનું ઘર આવી ગયું. અમે પહેલાં કુંવરશી ઠાકોરના ઘરમાં ગયા. તેના કિશોર વયમાં પ્રવેશી ચૂકેલા બે બાળકો પિતા ગુમાવી ચૂક્યા છે. પત્નીનાં આંસુ સુકાતા નથી. બહાર પલંગ પર તેમના મોટાભાઈ વર્ધનજી ઠાકોર બેઠા હતા. ભાસ્કરે તેમની સાથે વાત કરી. તેમણે કહ્યું કે, સાચું કહું તો અમે ઘરમાં બધા પુરુષો દારૂ પીતા પણ દારૂના કારણે અમારો ભાઈ જતો રહ્યો એટલે અમે ય પીવાનું બંધ કરી દીધું. મારો ભાઈ 40 વર્ષનો હતો. એ 15 વર્ષથી દારૂ પીતો હતો, હું 25 વર્ષથી પીતો હતો. પણ દારૂ આવી રીતે જીવ લઈ લેશે એ ખબર નહોતી. ગમે એટલા પૈસા ખર્ચો તો ય બીમાર માણસ સાજો ન થયો. હવે રહીરહીને અમારી આંખ ખુલી છે કે દારૂ પીવાય નહિ. નજીકમાં વૃદ્ધ સદનાબેન બેઠાં હતાં. તે કુંરવશી ઠાકોરનાં માતા છે. સદનાબેન દિવ્ય ભાસ્કરને કહે છે કે મારો છોકરો ઘરે આવ્યો અને એક કોથળી પીધી પછી તો તેને ઉલટી થવા લાગી. અમે દવાખાને લઈને ગયા પણ સારું ના થયું. બે દિવસ બીમાર રહ્યો ને તેનું મૃત્યુ થઈ ગયું . કુંવરશીનો મોટો દીકરો પણ હાજર હતો. જેનું નામ અલ્પેશ છે તે કહે છે મારા પપ્પા પણ દારૂ પિતા હતા અને ગામમાં ઘણા બધા દારૂ પીવે છે પણ હું કહીશ કે કોઈએ દારૂ ના પીવો જોઈએ. મૃતક કુંવરશી ઠાકોરનાં પત્ની સુભાબેન નજીકમાં કામ કરતા હતાં. તેમણે વાતચીતમાં કહ્યું કે, હું તો એમને દારૂ પીવાની ના પાડતી પણ માનતા નહિ. ખાસ કામ પણ કરતા નહિ. મજૂરી કરીને કમાવાની જવાબદારી મારી છે. હવે વધારે મજૂરી કરીને કમાવવું પડશે. કારણ કે છોકરાંવ ને તો ભણાવવા જ છે. ડોડીયા ગામ રાજસ્થાન બોર્ડરથી ઘણું નજીક છે. ડોડીયા ગામમાં તમામ સમાજના લોકો રહે છે પણ ખાસ કરીને ઠાકોર સમાજની વસ્તી વધારે છે. અહીંયા ગામનો મુખ્ય પ્રશ્ન દારૂ છે. અહીંયા ગામમાં મોટા ભાગના લોકો દારૂના વ્યસની છે. પછી તે નાની ઉંમરનો વ્યક્તિ હોય કે મોટી ઉંમરનો વ્યક્તિ હોય. દારૂના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે. ગયા ઓગસ્ટ, સપ્ટેમ્બર-2025ની જ વાત કરીએ તો બે મહિનામાં જ ત્રણ વ્યક્તિનાં દારૂથી મોત થયાં હતાં. ઉપરા ઉપરી ત્રણ યુવાનોનો દારૂએ ભોગ લેતાં ગામના લોકો, ખાસ કરીને પુરૂષોમાં ચિંતા થવા લાગી. અમે પણ પીએ છીએ, અમે પણ કાલે મૃત્યુ પામીશું તો? આ ચિંતાએ જ ગામના આગેવાનોને ભેગા કર્યા. ડોડીયા ગામમાં મહાકાળી માતાજીનું મંદિર છે. ત્યાં બધા આગેવાનોએ ગામને ભેગું કર્યું. મહિલાઓ, પુરૂષો, કિશોરો, બાળકો પણ મહાકાળી મંદિરે પહોંચ્યા. ગામના આગેવાનોએ કહ્યું કે, ડોડીયા ગામમાં દારૂનું દૂષણ વધી ગયું છે અને યુવાન વયના કેટલાક લોકોને આપણે ગુમાવી દીધા છે. માટે ગામને દારૂ મુક્ત કરાવવા માટે કડક નિયમો બનાવ્યા છે. દરેકે પાલન કરવાનું રહેશે. ગામના આગેવાનોએ નિયમ બનાવ્યા કે, ગામમાં કોઈ દારૂ પીને આંટા મારતી વ્યક્તિ દેખાશે તેને ગામમાંથી નિકાલ કરવામાં આવશે. તેને એન્ટ્રી જ નહિ મળે. બીજું, જે ઘરમાં દારૂ પીનાર હશે તે ઘર સાથે ગામના લોકો કોઈ પ્રકારનો વ્યવહાર નહિ રાખે. નહિ લગ્ન પ્રસંગે ભાગ લે, નહિ મરણ પ્રસંગે હાજર રહે. કોઈ પ્રકારનો વ્યવહાર નહિ. આનાથી મેસેજ એવો ગયો કે જો કોઈ ગામમાં વ્યવહાર જ નહિ રાખે તો આબરૂ જશે. માટે આપણે દારૂના દૂષણથી દૂર જ રહો. આ હાકલની સારી એવી અસર થઈ. ગામના સરપંચ અલ્પેશ ઠાકોર પણ યુવા છે અને તેમણે ગામમાં દારૂના દૂષણને દૂર કરવાની ઝુંબેશ ચાલવી છે. ગામના તમામ લોકો આ ઝુંબેશમાં જોડાયા છે. આ બધી વાત થઈ પછી સરપંચ અમને બીજા પરિવારના ઘરે લઈ ગયા જ્યાં 28 વર્ષના દીપાજીભાઈ ઠાકોરનું મોત દારૂ પીવાના કારણે થયું છે. ગામના એક ખેતર વચ્ચે દીપાજી ઠાકોરનું ઘર આવેલું છે. તેમના બે નાનાં બાળકો છે. દીપાજી ઠાકોરના કાકાના દીકરા જયંતીભાઈ ઠાકોર અમને મળ્યા. તેમણે વાત કરતાં કહ્યું કે, મરનાર દીપાજી મારો પિતરાઈ ભાઈ હતો. તે બે વર્ષથી દારૂના રવાડે ચડ્યો હતો. અમારા ઘરમાં હું, મારા કાકા કે બીજા પરિવારના કોઈ પુરૂષ દારૂ પીતા નથી. કોઈને આવી ટેવ જ નથી. દીપાજીને આ ખરાબ ટેવ પડી ગઈ. અમે બહુ સમજાવતા પણ માનતો નહિ. અંતે ન થવાનું હતું તે જ થયું. દારૂના દૂષણે જ દીપાજીનો ભોગ લીધો. સરપંચે દિવ્ય ભાસ્કરની ટીમને કહ્યું કે, ચાલો, તમને કેટલાક ગ્રામજનો સાથે ભેટો કરાવું. તેમણે કેટલાક લોકોને હનુમાન દાદાના મંદિરે ભેગા કર્યા. અહિયા ઠાકોર સમાજના લોકોએ દારૂના દૂષણ સામે બળાપો કાઢ્યો. તો ગામના રબારી સમાજના આગેવાન મશરૂજી રબારી સાથે અમે વાત કરી. મશરૂજી કહે છે, ગામમાં એકપણ વ્યક્તિ દારૂ પીતો હોય તે જોવા મળવો ન જોઈએ. કોઈ દારૂ પીને ગામમાં આંટા મારતો હોય તો ગામની બહાર જ કાઢી મૂકવાનો. કડક નિયમ બનાવ્યા વગર છૂટકો નથી. અહિયાં અન્ય એક આગેવાન નારણભાઇ કહે છે કે અમે ગામમાં એક મીટિંગ બોલાવી હતી અને તેમાં દારૂબંધીની ચર્ચા કરવામાં આવી તેમાં દારૂ પીવો નહીં અને વેચવો નહીં તે મુદ્દા હતા અને ગામમાંના તમામ સમાજના લોકો અને આગેવાનો હતા દારૂબંધીના નિયમ બનાવ્યા છે જેમાં આખું ગામ સહમત થયું છે અને હાલ અમને તેમાં 70% જેટલી સફળતા પણ મળી છે. અહિયાં હાજર અન્ય લોકો ચેહરાભાઈ ઠાકોર અને લેહરાજી ઠાકોર કહે છે કે જેમના ઘરે કોય સારો પ્રસંગ હોય અને જો કોય દારૂ પીને આવે તો તેના પ્રસંગનો અને તેમના ઘરનો બહિષ્કાર કરીશું. ડોડીયા ગામના સરપંચ અલ્પેશ ઠાકોર કહે છે કે હું સરપંચ બન્યો અને અહિયાં દારૂનું દૂષણ છે, તેના વિશે મને ખબર હતી. એટલે મે ઝૂંબેશ ઉપાડી અને ઘરે ઘરે જઈને તમામ લોકોને ભેગા કર્યા. અમે બધાને મહાકાળી માતાના મંદિરે ભેગા કર્યા. કારણ કે માતાજીની હાજરીમાં જે નિર્ણય લેવાય તેમાં કોઈ ના ન પાડે. અહિયા યુવાનો અને વડીલો ભેગા થયા. બધાએ પ્રતિજ્ઞા લીધી કે હવે પછી ગામમાં દારૂ પીવાશે નહિ ને દારૂ વેચાશે પણ નહિ. મને એ કહેતા ખુશી થાય છે કે આ મિટિંગમાં યુવાનોએ પણ ભાગ લીધો હતો અને તેના પરિણામે ગામમાં અત્યારે તેની અસર પણ જોવા મળી રહી છે. મને દુખ આ વાતનું છે કે નાની ઉમરના યુવાન છોકરાઓ મૃત્યુ પામી રહ્યા છે અને આવનાર પેઢીને દારૂથી બચવવી હોય તો પહેલા દારૂ મુક્ત થવું પડશે. અમારા ડોડીયા ગામમાં આ સારા પરિણામો જોઈને આસપાસના ત્રણેક ગામોએ પણ આવો નિર્ણય કર્યો છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
યાત્રિઓ આપે ધ્યાન:રાજકોટ ડિવિઝનની 10 ટ્રેનના સમય ખોરવાયા,10 હજાર લોકો એક કલાક સુધી મોડા પહોંચશે
બોરીવલી–કાંદીવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનના ટાઈમટેબલ ખોરવાયા છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી–કાંદીવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બરથી 30 દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લોકને કારણે રાજકોટ ડિવિઝન પરથી પસાર થતી કેટલીક ટ્રેન પ્રભાવિત થશે. કેટલીક ટ્રેન રિ-શિડ્યૂલ કરી છે જેમાં ટ્રેન નંબર 19218 વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રિશેડ્યૂલ થવાને કારણે વેરાવળથી 27 ડિસેમ્બરે 1 કલાક મોડી ઉપડશે, 10 જાન્યુઆરીએ 45 મિનિટ મોડી ઉપડશે, 15 જાન્યુઆરીએ 45 મિનિટ અને 16 જાન્યુઆરીએ 30 મિનિટ મોડી ઉપડશે. ટ્રેનના સમય ખોરવાતા 10 હજાર લોકો પોતાના ગંતવ્ય સ્થળે એક કલાક સુધી મોડા પહોંચશે. માર્ગમાં રેગ્યુલેટ (મોડી) થનારી ટ્રેનોમાં 27 ડિસેમ્બરે હાપાથી ઉપડનારી ટ્રેન નંબર 12268 હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ માર્ગમાં 45 મિનિટ રેગ્યુલેટ કરવામાં આવશે. 28-29 ડિસેમ્બર, 10 અને 15 જાન્યુઆરીના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ માર્ગમાં 30 મિનિટ મોડી પડશે. બ્લોકને લીધે કેટલીક ટ્રેનના સ્ટોપેજ રદ કર્યા છે જેમાં 27 ડિસેમ્બરે ઓખાથી ઉપડતી ટ્રેન નંબર 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ બોરીવલી સ્ટેશન પર ઊભી રહેશે નહીં. બોરીવલીના બદલે આ ટ્રેન એક દિવસ માટે વસઈ રોડ અને અંધેરી ઊભી રહેશે. વસઈ આગમન 03.22 કલાકે અને પ્રસ્થાન 03.34 કલાકે થશે. અંધેરી સ્ટેશને આગમન 04.12 કલાકે અને પ્રસ્થાન 04.14 કલાકે થશે.
25 વહાલુડીના વિવાહ:દીકરીઓની વિશાળ છત્રી સાથે ભવ્ય એન્ટ્રી, ધ્વજવંદન કરાયું
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત વહાલુડીના વિવાહના આઠમા આયોજનમાં માતા-પિતા વિહોણી 25 દીકરીના ભવ્ય સમૂહલગ્ન યોજાયા હતા. આ તકે દરેક દીકરીને 250 જેટલી વસ્તુઓ કરિયાવરમાં, ઉપરાંત 51,000ની ફિક્સ ડિપોઝિટ કરાવી આપવામાં આવી છે. આ વર્ષના આયોજનમાં દુબઈ, લંડન, નાસિક તથા બેંગ્લોરથી લોકો કન્યાદાન કરવા આવ્યા હતા. વિવિધ ક્ષેત્રના મહાનુભવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભગવાનને અન્નકૂટ પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો. જેનું સરકારી શાળાઓમાં 500થી વધુ બાળકોને આ પ્રસાદનું વિતરણ કરાશે. 8000થી વધુ લોકો ઉપસ્થિત રહ્યાઆ ભવ્ય લગ્ન ઉત્સવ અંગે આયોજક અનુપમભાઈ દોશીએ જણાવ્યું હતું કે, આ દિવસે ઠંડી પણ થોડી ઓછી હતી અને સમાજનો પણ સાથ સહકાર મળ્યો છે. દરેક દીકરીના પહેલા ફંક્શનમાં મહેંદી રસમ યોજાઈ હતી. વિવાહનું પણ ભવ્ય આયોજન કરાયું હતું જેમાં 25 દીકરીની વિશાળ છત્રી સાથે જાજરમાન એન્ટ્રી પણ કરવામાં આવી હતી. છ વાગ્યે રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવી ધ્વજવંદનનો કાર્યક્રમ પણ કરાયો હતો. આયોજનમાં 8,000થી વધુ લોકોએ હાજરી આપી હતી.
મંડે પોઝિટીવ:ST બસ ક્યાં પહોંચી? એક ક્લિકથી જાણવા મળશે, મુસાફરોએ પૂછપરછ નહીં કરવી પડે
ગુજરાતની જીવાદોરી સમાન એસ.ટી. બસ હવે માત્ર મુસાફરીનું સાધન જ નથી રહી, પરંતુ ટેક્નોલોજીના માધ્યમથી હાઈટેક બની રહી છે. અગાઉ બસ ક્યારે આવશે તેની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર કલાકો સુધી બેસી રહેવું પડતું હતું, વારંવાર પૂછપરછ બારીએ પૂછવા જવું પડતું હતું, પરંતુ હવે એસ.ટી.ની OPRS (ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ)એ મુસાફરોનો આ અનુભવ સંપૂર્ણપણે બદલી નાખ્યો છે. શરૂઆતમાં આ સિસ્ટમ માત્ર ટિકિટ બુકિંગ માટે વપરાતી હતી, પરંતુ હવે તેમાં ‘લાઈવ બસ ટ્રેકિંગ’ની સુવિધા ઉમેરવામાં આવી છે. આ સિસ્ટમથી હવે રિઝર્વેશન કરાવનાર દરેક યાત્રિક ST બસ ક્યાં પહોંચી તે એક ક્લિકથી જાણી શકે છે. ટિકિટ નંબરથી બસનું લોકેશન લાઈવ ટ્રેક કરી શકાય છે. રાજકોટની 500થી વધુ બસમાં મહિને 1.50 લાખથી યાત્રિક આ સુવિધાનો લાભ લે છે. રાજકોટ ડિવિઝનની તમામ લાંબા અંતરની અને ઈન્ટરસિટી બસમાં GPS સિસ્ટમ કાર્યરત છે. રાજકોટથી અમદાવાદ, વડોદરા, સુરત કે સોમનાથ જતી બસનું લોકેશન મુસાફરો લાઈવ ટ્રેક કરી શકે છે. બસનું GPS સીધું જ નિગમના સેન્ટ્રલ સર્વર અને મુસાફરોની મોબાઈલ એપ સાથે જોડાયેલું રહે છે. આ સિસ્ટમ માત્ર મુસાફરો માટે જ નહીં, પણ નિગમ માટે પણ ફાયદાકારક છે. કંટ્રોલ રૂમ દ્વારા બસની સ્પીડ પર નજર રાખી શકાય છે, જેનાથી અકસ્માતો ઘટાડી શકાય છે. આ ઉપરાંત, બસ નિર્ધારિત રૂટ પર જ ચાલે છે કે નહીં તેનું પણ સતત મોનિટરિંગ થાય છે. આજે જ્યારે ખાનગી લક્ઝરી બસ મોંઘા ભાડા વસૂલે છે, ત્યારે એસ.ટી. ઓછા ખર્ચે આધુનિક સુવિધાઓ આપીને ‘સ્માર્ટ ટ્રાન્સપોર્ટ’નું ઉદાહરણ પૂરું પાડી રહી છે. ભાસ્કર નોલેજ કેવી રીતે કામ કરે છે આ ટેક્નોલોજી?આ સિસ્ટમની કાર્યપદ્ધતિ ખૂબ જ સરળ અને સચોટ છે GPS લોકેશન : બસમાં લાગેલું GPS ઉપકરણ સેટેલાઈટ દ્વારા દર સેકન્ડે બસનું ચોક્કસ લોકેશન ટ્રેક કરે છે. ડેટા ટ્રાન્સમિશન : આ લોકેશન ડેટા ઇન્ટરનેટ દ્વારા GSRTC ના મુખ્ય કંટ્રોલ રૂમ અને OPRS પ્લેટફોર્મ પર મોકલવામાં આવે છે. રિયલ ટાઇમ અપડેટ : જ્યારે મુસાફર GSRTC ની વેબસાઇટ કે મોબાઈલ એપ પર પોતાનો ટિકિટ નંબર અથવા બસ નંબર નાખે છે, ત્યારે તેને નકશા પર બસનું લાઈવ લોકેશન દેખાય છે. ક્યારે પહોંચશે : સિસ્ટમ બસની ઝડપ અને ટ્રાફિકના આધારે ગણતરી કરીને જણાવે છે કે, બસ તમારા સ્ટેન્ડ પર કેટલા વાગ્યે પહોંચશે. રિઝર્વેશન કરનારને SMSથી બસ ટ્રેક કરવાની લિંક મોકલાય છેએસ.ટી. બસનું મહત્તમ મોબાઈલ બુકિંગ અને કાઉન્ટર બુકિંગ મારફતે ટિકિટ રિઝર્વેશન કરવામાં આવે છે, પરંતુ ક્યારેક બસ ટ્રેક કરવામાં મુશ્કેલી પડતી હોય છે. જેના ઉપાયરૂપે 15મી ડિસેમ્બરથી ટેક્સ મેસેજ ઉપરાંત લિંક પણ મોકલવાની સુવિધા ઉમેરવામાં આવી છે. જેમાંથી યાત્રિકો નિશ્ચિત બસનું ટ્રેકિંગ કરી શકે છે. નિગમે ઓનલાઈન પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા ટિકિટ મેળવતા મુસાફરોને ટ્રેકથી બસના લોકેશન બતાવવાની સુવિધા ઉમેરી છે, જેમાં મુસાફરોએ પોતાનો સાચો મોબાઈલ નંબર નાખવાનો હોય છે, જેથી ટિકિટ સાથે મેસેજમાં એક લિંક પણ મોકલવામાં આવે છે. આ રીતે પણ બસ ટ્રેક થશેGSRTCની વેબસાઈટ અને એપ્લિકેશન સ્થિતિ જાણી શકાશેરાજકોટથી ઉપડતી કે આવતી-જતી કોઈપણ બસને ટ્રેક કરવા માટે યાત્રિકો GSRTC એપમાં ‘ટ્રેક યોર બસ’ માં જઈ PNR અથવા બસ નંબર દાખલ કરી શકો છો. આ ઉપરાંત એસ.ટી.ની બસ ટ્રેક કરવા માટે અન્ય એક એપ્લિકેશન ‘GSRTC લાઈવ ટ્રેકિંગ’ પણ અમલી છે જેમાં નજીકનું બસ સ્ટેશન, કોઈ ચોક્કસ બસનું લોકેશન કે તે ક્યાં પહોંચી તે જાણી શકાય છે, આ ઉપરાંત કોઈ રૂટ માટેનું ટાઇમટેબલ પણ તેમાં જોવા મળે છે.
મંડે પોઝિટીવ:અંગદાનથી 5ને નવી જિંદગી મળી, રાજકોટનું હૃદય અમદાવાદમાં ધબકશે
અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને.... કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ... જાણીતા ગુજરાતી ગઝલકાર મરીઝની આ પંક્તિઓ રાજકોટમાં યથાર્થ બની હતી. સુલતાનપુરના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા નામના યુવાન માર્ગ અકસ્માત બાદ બ્રેઈનડેડ થતા તેમના પરિવારજનો પર પહાડ જેવું દુઃખ ઉતરી આવ્યા છતાં સંવેદનશીલ અને મહાન નિર્ણય લઇ બ્રેઇનડેડ જયેશભાઇનું અંગદાન કરવા નક્કી કર્યું હતું. જે અન્વયે હૃદય, કિડની, લિવર અને આંખનું દાન કરવામાં આવતા જયેશભાઈએ ચિરવિદાય સમયે પણ જોરદાર સાબિત થઇ અનેકની જિંદગી માટે ઈશ્વરિય આશીર્વાદરૂપ બન્યા હતા.જયેશભાઈના લિવર અને હૃદયને ગ્રીન કોરિડોર થકી અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા. જ્યારે કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ બી.ટી. સવાણી હોસ્પિટલ ખાતે જ કરવામાં આવ્યું હતું. ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયાને ગત તા.18 ડિસેમ્બરના રોજ અકસ્માત નડ્યા બાદ મગજની ગંભીર ઇજા થવાના કારણે તેઓ બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. આ દુઃખદ પરિસ્થિતિ વચ્ચે પણ જયેશભાઈના ધર્મપત્ની ભાવનાબેન, પુત્ર નિર્ભય, પુત્રી માહી, પિતા મનસુખભાઈ, માતા લાભુબેન તથા ભાઈ અરવિંદભાઈ તથા પ્રવીણભાઈએ અસાધારણ હિંમત અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી જયેશભાઈનું અંગદાન કરવાનો મહાન નિર્ણય લીધો છે. આ નિર્ણયમાં તેમના સગાં સંબંધીઓ પણ પરિવારની સાથે ઊભા રહ્યા હતા.ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 121મું અંગદાન રાજકોટ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનનાં પ્રયાસથી 121મું અંગદાન કરવામાં આવ્યું હતું. સાથે જ હૃદયનું સાતમું અંગદાન હતું. જે માટે ડો.દિવ્યેશ વિરોજા, હર્ષિતભાઈ કાવર, ડો.સંકલ્પ વણઝારા, ભાવનાબેન મંડલી, નીતિનભાઈ ઘાટલિયા, મનસુખભાઈ તલસાણિયા સહિત સભ્યો ખડેપગે રહી ઓર્ગન ડોનેશન પ્રોસેસ કરાવી હતી. ભાસ્કર ઇનસાઇટએરપોર્ટ શહેરથી દૂર થતાં ગ્રીન કોરિડોરનો સમય 45 મિનિટ વધ્યોસુલતાનપુરના જયેશભાઇ નામના ખેડૂત બ્રેઇનડેડ થયા બાદ અમદાવાદની સિમ્સ અને ઝાયડ્સ હોસ્પિટલની ટીમો ઓર્ગન હાર્વેસ્ટિંગ માટે આવી હતી અને હૃદય-લિવર પ્રત્યારોપણ માટે ખાસ ગ્રીન કોરિડોર રચી અમદાવાદ લઇ ગયા હતા. જોકે આ અંગદાનમાં એક ચિંતાજનક ગંભીર બાબત સામે આવી છે. રાજકોટની મધ્યમાં રહેલું એરપોર્ટ હવે શહેરથી 35 કિલોમીટર દૂર હિરાસર ખસેડવામાં આવતા અંગદાન સમયે કરવામાં આવતા ગ્રીન કોરિડોરના સમયમાં 30થી 45 મિનિટ જેટલો વધારો થયો હોવાનું સામે આવ્યું છે. અગાઉ શહેરની કોઈપણ હોસ્પિટલથી રેસકોર્સ નજીક આવેલ જૂના એરપોર્ટ સુધી પહોંચતા ફક્ત દસથી પંદર મિનિટનો સમય લાગતો હતો. હવે નવું એરપોર્ટ 35 કિલોમીટર દૂર જવાની સાથે શહેર અને હાઈવેના ટ્રાફિક વચ્ચે ગ્રીન કોરિડોર હોવા છતાં પણ એક કલાકે એરપોર્ટ પહોંચી શકાય છે. સાથે જ ખાસ વિમાન મારફતે રાજકોટથી અમદાવાદ પહોંચવામાં પણ એક કલાકનો સમય લાગે છે. આ સંજોગોમાં વીવીઆઈપી મૂવમેન્ટ સમયે જેમ જૂના એરપોર્ટનો ઉપયોગ થાય છે તે એ જ રીતે હેલિકૉપ્ટર મારફતે જો ઓર્ગન લઇ જવા માટે વ્યવસ્થા કરાય તો ટ્રાન્સપ્લાન્ટની રાહમાં રહેલા દર્દીઓને ઝડપભેર અંગ મળી શકે. હૃદય-લિવર અમદાવાદ, કિડની રાજકોટમાંખેડૂત જયેશભાઈને ગોકુલ હોસ્પિટલની ક્રિટિકલ કેર ટીમના ડૉ.અનિકેત તથા ન્યુરો ફિઝિશિયન ડૉ.કૌમિલ કોઠારી બ્રેઈનડેડ ડિક્લેરેશનની કાર્યવાહી બાદ સમગ્ર પ્રક્રિયા નેફ્રોલોજિસ્ટ ડૉ. દિવ્યેશ વિરોજા અને તેમની ટીમમાં ડૉ.શક્તિસિંહ ઝાલા, ડૉ.આનંદ, ડૉ. ધીરજ અને બી.ટી. સવાણી કિડની હોસ્પિટલ ખાતે હૃદય માટે સિમ્સ હોસ્પિટલ તથા લિવર માટે ઝાયડ્સ હોસ્પિટલ અમદાવાદની ટીમ દ્વારા ઓર્ગન હાર્વેસ્ટ કરવામાં આવ્યા હતા. જ્યારે બંને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટની બી.ટી. સવાણી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓમાં કરાયું હતું.
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ખનન માફિયા દ્વારા ફરજ પરના નાયબ મામલતદાર અને અન્ય કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધવા સાથે આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે કચ્છ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ વર્ગ 3 દ્વારા ભુજમાં કચ્છ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ એસ.વી.પાયણની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.જેમાં માંગ કરવામાં આવી છે કે, આવી ઘટનાથી કર્મચારીઓ અને અધિકારીઓને મનોબળ પર સીધી અસર થાય છે અગાઉ જૂનાગઢમાં પણ આવો બનાવ બન્યો હતો. આવી ઘટનાઓ અટકાવવા કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કચ્છમાં પણ ખાસ કરીને ટાસ્કફોર્સ સાથે વિવિધ કર્મચારીઓ અધિકારીઓ જોડાયેલા છે ત્યારે ટાસ્ક ફોર્સ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ, અધિકારીઓને પૂરતી પોલીસ સુરક્ષા ઉપલબ્ધ કરાવી સ્વ બચાવ માટે હથિયાર પરવાના આપવામાં આવે, ગેરકાયદે ખનન પ્રવૃત્તિ રોકવા વિશેષ અભિયાન ચલાવવામાં આવે, તેમજ ભવિષ્યમાં દાખલો બેસે તે રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તે સહિતની માંગ કરવામાં આવી હતી.
મ્યુલ એકાઉન્ટ કૌભાંડ:બોગસ કંપની-મ્યુલ બેંક એકાઉન્ટ કેસમાં બેંક સ્ટાફની ધરપકડ કરાશે
સીએ તેમજ પૂર્વ બેંક મેનેજરે ભેગા મળીને કાગળ પર 54 બોગસ કંપની ઉભી કરી 4 બેંકમાં 15 એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ 15 મ્યુલ બેંક એકાઉન્ટમાં રૂ.50 કરોડ કરતાં પણ વધારે રકમના ટ્રાન્જેકશન થયા હતા. તે પૈસા સાઈબર ફ્રોડના અને બ્લેક મનિ હોવાનું પોલીસનું કહેવુ છે. જો કે પૂર્વ મેનેજરે બેંકના અધિકારી-કર્મચારીઓની મદદથી આ 15 મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા હતા. જેથી આ કૌભાંડમાં ટૂંક જ સમયમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા બેંકના સ્ટાફની ધરપકડનો દોર શરૂ કરવામાં આવશે. બોગસ પેઢી બનાવીને મ્યુલ બેંક એકાઉન્ટમાં કરોડોની હેરાફેરીના કૌભાંડમાં ક્રાઈમ બ્રાંચે સીએ આકાશ સોની અને પૂર્વ બેંક મેનેજર મનોજ રામાવતની ધરપકડ કરી હતી. બંને પાસેથી રોકડા રૂ.50 લાખ તેમજ જુદી જુદી કંપનીને લગતા રબર સ્ટેમ્પ, ચેકબુક, પાસબુક, સીમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ બંનેએ 54 બોગસ કંપની શરૂ કરી હતી. જેના માટે કંપનીઓના નામે તેમજ એપીએમસીના નામે બોગસ 15 બેંક એકાઉન્ટ ખોલાવ્યાં હતાં. જે 4 બેંકમાં એકાઉન્ટો ખોલાવામાં આવ્યાં હતાં ત્યાંથી પોલીસે સ્ટેટમેન્ટ માગ્યા છે. જે સોમાવારે પોલીસને મળી જશે. મહત્વની વાત તો એ છે કે આ કૌભાંડમાં બેંકના સ્ટાફ મેમ્બરોની સીધી સંડોવણી હોવાની માહિતી પોલીસને મળી છે. ROC પાસેથી 54 કંપની વિશેની માહિતી મગાવાઈઆકાશ સોની અને મનોજ રામાવતે કાગળ પર 54 બોગસ કંપની બનાવી હતી. જેથી તે કંપનીઓ કયારે, કોના નામે, ક્યાં શરૂ કરાઈ હતી. તે કંપની શરૂ કરવા માટે કયા ડોકયુમેન્ટસ આપ્યા હતા. તેમજ તે કંપની શરૂ થયા પછી તેના એકાઉન્ટમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરી ઉપાડી લેવાયા. તે સહિતની માહિતી મેળવવા પોલીસે આરઓસી પાસેથી 54 કંપનીની માહિતી મગાવી છે.
શેર માર્કેટમાં રોકાણના બહાને લોકો પાસેથી પૈસા પડાવતા સાઈબર ગઠિયાઓએ હવે નવો કીમિયો શરૂ કર્યો છે. જેમાં વૃદ્ધને રૂ.11 હજારના રોકાણ સામે 14 હજાર પાછા આપી વિશ્વાસ કેળવ્યો, બાદમાં બાઈનાન્સ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી બોન્ડ ભરાવડાવી 3 વાર ટ્રાન્જેક્શન કર્યા પછી પૈસા વિડ્રો કરાશે. તેવી બાંહેધરી આપે છે. ઝુંડાલ મેપલ પરમેશ્વરમાં રહેતા નિવૃત્ત અમિતાભ ડાંગી (58) ઘણા સમયથી શેર માર્કેટમાં રોકાણ કરે છે. તેઓને 6 જુલાઈએ ફેસબુક પર યુવતીએ ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી મોબાઇલની નંબરની આપલે કરી વોટ્સએપમાં વાત શરૂ કરી હતી. જેમાં યુવતીએ શેર માર્કેટમાં રોકાણથી વધુ નફો મળતો હોવાની વાત કરી બાઈનાન્સ એપ ડાઉનલોડ કરાવી તેમને વોટ્સએપ ગ્રૂપમાં એડ કર્યા હતા. અમિતાભે રૂ.11 હજારનું રોકાણ કર્યું, જેમાં રૂ.14 હજાર પાછા મળ્યા હતા. બાદમાં અમિતાભે રોકાણની વાત કરતા નફાના 30 ટકા કંપનીને આપવા પડશે, કહી ઓનલાઈન બોન્ડ કરાવ્યાં જેમાં લખ્યું હતું કે 3 વખત ફોરેકસમાં ટ્રેડિંગ કર્યા પછી જ નફા સાથેના પૈસા વિડ્રો કરી શકાશે. અમિતાભે દોઢ મહિનામાં રૂ.26.98 લાખનું રોકાણ કર્યું હતું. પરંતુ એક પણ વખત પૈસા વિડ્રો કરવા ન દેતા સાઈબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. ચાલુ વર્ષે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂ.397 કરોડનો ફ્રોડચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના 9 મહિનામાં સાઈબર ગઠિયાઓએ રાજ્યમાંથી લોકોના રૂ.1011 કરોડ પડાવી લીધા હતા. તેમાં પણ સૌથી વધારે ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડ એટલે કે શેર બજાર, સોનું, ચાંદી, ક્રિપ્ટો કરન્સીના નામે રૂ.397 કરોડ પડાવ્યાં હતાં. જેમાં ભોગ બનનારાની સંખ્યા 9240 હતી. પોલીસનું કહેવું છે કે, ગુજરાતમાંથી જેટલા પૈસા જાય છે. તેના 30-40 ટકા પૈસા તો ઈન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં જ લોકો ગુમાવી રહ્યાં છે.
ઉમેદવારોને હેરાનગતિ થઈ:અમદાવાદમાં ટેટ-1 ની પરીક્ષા આપવા ગયેલા કચ્છના ઉમેદવારો રઝળી પડ્યા
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે આયોજિત ટેટ-1 ની પરીક્ષા વ્યવસ્થામાં અણઘડ આયોજનની ફરિયાદ સામે આવી છે. રાજ્યના ભાવિ ઘડવૈયા ગણાતા અંદાજે 1 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપતા પહેલા જ માનસિક રીતે ભાંગી પડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડિજિટલ ગુજરાતના મોટા દાવાઓ વચ્ચે વહીવટી તંત્રની એક નાનકડી ભૂલને કારણે હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા કેન્દ્રો શોધવામાં કલાકો સુધી રઝળપાટ કરવો પડ્યો હતો. પરીક્ષા બોર્ડની સૌથી મોટી અક્ષમ્ય નબળાઈ એ રહી કે અમદાવાદ જેવા મેટ્રો શહેરમાં એક જ નામ ધરાવતી અનેક શાળાઓ હોવા છતાં ઉમેદવારોના કોલ લેટરમાં અધૂરા કે અસ્પષ્ટ સરનામા આપવામાં આવ્યા હતા. આ મર્યાદિત વિગતોને કારણે મુશ્કેલીમાં મુકાયેલા ઉમેદવારોએ જ્યારે ગૂગલ મેપનો સહારો લીધો ત્યારે ટેકનોલોજીએ પણ અધૂરી માહિતીને લીધે તેમને અવળા રસ્તે ચડાવ્યા હતા. એક જ નામની બીજી શાળાએ પહોંચી ગયેલા સેંકડો પરીક્ષાર્થીઓ સાચા કેન્દ્ર સુધી પહોંચવા માટે છેલ્લી ઘડીએ દોડધામ કરતા જોવા મળ્યા હતા.કચ્છમાં પરીક્ષા કેન્દ્ર ન ફાળવીને ઉમેદવારોને 400 કિલોમીટર દૂર અમદાવાદ ધકેલી દેવાયા હતા. અમદાવાદ ગ્રામ્યના અંતરિયાળ વિસ્તારોમાં કેન્દ્રો હોવાથી રિક્ષા ચાલકો અને ખાનગી ટેક્સીઓએ મનસ્વી ભાડા વસૂલીને બેરોજગાર યુવાનોને આર્થિક રીતે લૂંટ્યા હતા.
રેલ ભાડું વધ્યું:26 ડિસેમ્બરથી અમદાવાદથી દિલ્લી એસી ટ્રેનની મુસાફરી રૂ.19 મોંઘી થશે
રેલવે મંત્રાલયે રવિવારે પ્રવાસી ભાડું વધારી દીધું છે. નવા દરો 26 ડિસેમ્બરથી લાગુ થશે. સામાન્ય કેટેગરીમાં 215 કિમી સુધીની યાત્રા પર નવા દરો લાગુ થશે નહીં. પરંતુ 215 કિમીથી વધુ યાત્રા પર સામાન્ય કેટેગરીમાં દરેક કિમી પર 1 પૈસા, મેલ-એક્સપ્રેસ ટ્રેનોની નોન-એસી કેટેગરીમાં 2 પૈસા અને એસી કેટેગરીમાં પણ ભાડું 2 પૈસા પ્રતિ કિલોમીટર વધશે. ઉદાહરણ તરીકે,અમદાવાદથી નવી દિલ્હી 950 કિમી દૂર છે, તો નોન એસી અને એસીમાં 19 રૂપિયા વધશે. એટલે કે, જો એસી-3ની ટિકિટ હાલમાં 1500 રૂપિયા છે, તો તે રૂ. 1519 રૂપિયા થશે. ઉપનગરીય સેવાઓ અને માસિક સીઝન ટિકિટ (એમએસટી) ધારકોના ભાડામાં કોઈ વધારો નથી. એટલે કે, રોજીંદી યાત્રા કરનારા મુસાફરોને રાહત રહેશે. મંત્રાલયે જણાવ્યું કે, આ વધારો ઓપરેશનલ ખર્ચોને સંતુલિત કરવા માટે છે, પરંતુ તેની અસર મુસાફરો પર ઓછામાં ઓછી રાખવાનો પ્રયાસ છે. તે બધું જ જે તમે જાણવા માગો છોભારતમાં દરરોજ કેટલા મુસાફરો યાત્રા કરે છે?આશરે 2.40 કરોડ મુસાફરો. રોજ 13 હજારથી વધુ ટ્રેનો ચલાવવામાં આવે છે, જે 7 હજાર સ્ટેશનોને આવરી લે છે. હાલમાં દેશમાં 22,593 ટ્રેનો છે. જેમાંથી 13,452 યાત્રિક ટ્રેનો છે, બાકીની માલગાડીઓ છે. 2024-25માં આશરે 715 કરોડ લોકોએ રેલવેમાં યાત્રા કરી હતી. જેમાંથી 81 કરોડ લોકોએ રિઝર્વ ટિકિટ પર યાત્રા કરી છે. રેલ ભાડું કેમ વધારવું પડ્યું?રેલવેનો તર્ક છે કે દેશભરમાં ટ્રેનોના સંચાલનનો ઓપરેશન ખર્ચ વધીને રૂ. 2.63 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. જેમાં રેલ સુરક્ષા ખર્ચ 1.15 લાખ કરોડ છે. ભાડું વધવાથી વાર્ષિક રૂ. 600 કરોડની વધારાની કમાણી થશે. કઈ શ્રેણીમાં કેટલું ભાડું વધશે?યાત્રા 215 કિમીથી વધુ છે તો જનરલ ટિકિટ પર 1 પૈસા, મેલ-એક્સપ્રેસના સ્લીપરમાં 2 પૈસા અને તમામ એસીમાં 2 પૈસા પ્રતિ કિમી વધ્યું છે. પહેલા ક્યારે ક્યારે વધ્યું રેલ ભાડું?આ જ વર્ષે જુલાઈમાં નોન-એસી મેલ/એક્સપ્રેસમાં 1 પૈસા, એસી ક્લાસમાં 2 પૈસા/કિમી વધ્યું હતું. તે પહેલાં 1 જાન્યુઆરી 2020એ સામાન્ય ટ્રેનના સેકન્ડ ક્લાસમાં 1 પૈસા, મેલ-એક્સપ્રેસમાં 2 પૈસા, સ્લીપરમાં 2 પૈસા તો તમામ એસીમાં 4 પૈસા પ્રતિ કિમી વધ્યું હતું. વિશ્વની બીજી સૌથી મોટી માલ વહન સેવા બની ભારતીય રેલવેરેલવે મંત્રાલયે જણાવ્યું કે ભારતીય રેલવે હવે દુનિયાની બીજી સૌથી મોટી માલગાડી સેવા બની છે. તાજેતરમાં તહેવારો દરમિયાન રેલવેએ 12,000થી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવી, જેનાથી મુસાફરોની માગને પૂરી કરી શકાય.
રેલવે દ્વારા બિનઉપયોગી કોચને ઉપયોગી બનાવી તેમાંથી સ્ટેશનોમાં રેલ કોચ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી રહ્યા છે.અમદાવાદ મંડળમાં સમાવિષ્ટ ભુજ અને ગાંધીધામ સ્ટેશનમાં પણ રેલ કોચ રેસ્ટોરન્ટ બનાવવા 11 મહિના અગાઉ જાહેરાત કરાઈ હતી છતાં હજી સુધી આ સુવિધા ઉભી થઇ શકી નથી. હાલમાં પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના આંબલી રોડ રેલવે સ્ટેશન પર રેલ કોચ રેસ્ટોરન્ટનું નિર્માણ કરાઈ રહ્યું છે. આંબલી રોડ સ્ટેશનની રેલ કોચ રેસ્ટોરન્ટ અમદાવાદની પ્રથમ રેસ્ટોરન્ટ હશે.આંબલી રોડ ઉપરાંત, મહેસાણા, સાબરમતી, ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ એરિયામાં રેલ કોચ રેસ્ટોરન્ટ વિકસાવવાની યોજના છે. આ માટે 11 મહિના અગાઉ ટેન્ડર મંગાવવામાં આવ્યા હતા.પશ્ચિમ રેલવેમાં બાંદ્રા ટર્મિનસ, અંધેરી, બોરીવલી, રતલામ અને રાજકોટમાં રેલ કોચ રેસ્ટોરન્ટ ચાલુ છે.ભુજમાં સ્ટેશનનું નવીનીકરણ ચાલુ છે તેમજ ગાંધીધામમાં જૂનું સ્ટેશન અને નવું ગોપાલપુરી ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.સંભવત નવા સ્ટેશન બની ગયા પછી આ સુવિધા ઉમેરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રેલવેના કોચમાં જમવા બેઠા હોઈએ તેવો અનુભવજુના રેલ કોચને ડેવલોપ કરી તેમાં રેસ્ટોરન્ટ વિકસાવવામાં આવે છે, જ્યાં બેસીને લોકો મુસાફરી કર્યા વિના જ ચાલતી ટ્રેનમાં હોવાનો અનુભવ મેળવી ભોજનનો આનંદ માણી શકશે. આ રેલ કોચ રેસ્ટોરન્ટમાં 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરોની સાથે સ્થાનિક નાગરિકોને પણ દિવસ-રાત ભોજનની સુવિધા મળશે.ઇનડોર અને આઉટડોર ડાઇનિંગ બંને વિકલ્પો હશે. આ સાથે પાર્કિંગ, પાર્સલ/ટેક-અવે સુવિધા અને બાળકો માટે રમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવાશે,ભારતીય રેલવેના અભિનવ દૃષ્ટિકોણ હેઠળ આ સુધારેલા કોચમાં આધુનિક ડિઝાઇન, સંલગ્ન રસોડાં અને મલ્ટી-ક્યુઝિન મેનૂની સુવિધા હશે.
કાર્યવાહી:ઉધમોની સીમમાં ૩ ગાયનું કતલ કરનાર ૩ જબ્બે
તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ઉધમો ગામની સીમમાં ચાલતા કતલખાના પર સ્થાનિક પોલીસે દરોડો પાડી ત્રણ ગાયનું કતલ કરનાર ૩ ઈસમોને દબોચી લીધા હતા.પોલીસે સ્થળ પરથી 220 કિલો ગૌ માંસ, કતલ કરવા ઉપયોગમાં લેવાયેલ 11 છરી અને કુહાડી સહીતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને કોર્ટમાં રજુ કરતા ૩ દિવસના રિમાન્ડ મળ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ ધોરડો પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,ઉધમો ગામની સીમમાં તળાવની બાજુમાં બાવળની ઝાડીઓમાં કેટલાક ઈસમો ગાયનું કતલ કરી રહ્યા છે.બાતમીને આધારે પોલીસે સ્થાનિકે દરોડો પાડતા સ્થળ પરથી ઉધમો ગામનો આરોપી મામદખાન અબ્દ્રેમાન જત,સગા અસરફ જત અને મોટા ભીટારાના આરોપી નાથુ મુકીમ જતને ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પર તપાસ કરતા ત્રણ ગાયનું કતલ થયું હોવાનું સામે આવ્યું હતું અને પગ,માથુ સહીતના અવશેષો કપાયેલા મળી આવ્યા હતા.તેમજ પોલીસે સ્થળ પરથી રૂપિયા 22 હજારની કિંમતનું 220 કિલો ગૌ માંસ,11 છરી અને 2 કુહાડી સહીતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.સમગ્ર મામલે ધોરડોના ઇન્ચાર્જ પીઆઈ એમ.બી.ચાવડા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે 24 ડીસેમ્બર સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે. 1 ગાયને પોલીસે કતલ પહેલા બચાવી લીધીઉધ્મો ગામના પાટિયા પાસે પહોચેલી પોલીસને બાવળની ઝાડીઓમાં ગાયનું કતલ થતું હોવાનું જાણવા મળતા વધુ પોલીસ સ્ટાફને સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો.જે બાદ પોલીસ સ્થળ પર પહોચતા ત્રણ થી ચાર આરોપીઓ ભાગી જતા હાથ લાગ્યા ન હતા.આરોપીઓએ ત્રણ ગાયનું કતલ કરી નાખ્યું હતું જ્યારે એક ગાયને બાંધી તેને કતલ કરવાના હતા.એ દરમિયાન પોલીસે સ્થળ પર પહોચી ગાયને જીવિત બચાવી લીધી હતી.
કચ્છમાં સૂકું હવામાન અને તાપમાનમાં વધારો:બે દિવસ બાદ ઠંડી વધવાની વકી
કચ્છ જિલ્લામાં હાલ સંપૂર્ણપણે સૂકું હવામાન જોવા મળી રહ્યું છે . પૂર્વીય પવનોની અસર હેઠળ જિલ્લાના મુખ્ય મથકો પર લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઊંચું નોંધાયું છે, જેના કારણે રાત્રિ દરમિયાન ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે . જિલ્લાના મુખ્ય મથકોની વાત કરીએ તો, ભુજમાં મહત્તમ તાપમાન 33.8 C અને લઘુત્તમ 18.૦ C, નલિયામાં મહત્તમ 33 C અને લઘુત્તમ 13.8 C , કંડલા પોર્ટ પર મહત્તમ 31.1 C અને લઘુત્તમ 18 C, કંડલા એરપોર્ટ પર મહત્તમ 31.8 C અને લઘુત્તમ 15.1 C તાપમાન નોંધાયુ હતું. નલિયામાં 13.8C લઘુત્તમ તાપમાન નોંધાયું છે, જે રાજ્યનું સૌથી નીચું તાપમાન છે. કંડલા પોર્ટ અને એરપોર્ટ પર પણ હવામાન સૂકું રહ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ ૨૩ ડિસેમ્બર પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના હોવાથી કચ્છમાં ઠંડીનું જોર વધી શકે છે. હાલ પૂરતી કોઈ પણ પ્રકારની હવામાન ચેતવણી આપવામાં આવી નથી. કચ્છનું હવામાન અત્યારે એવા તબક્કે છે જ્યાં પવનની દિશાને કારણે ઠંડીમાં થોડો વિરામ મળ્યો છે. ઓછા ભેજના લીધે દેવસે ગરમી વધુહાલ એક તો ઉત્તર દિશાના પવનોની કમી છે. બીજું હવામાનમાં ભેજની પણ કમી છે. જેના કારણે દિવસે ઉનાળા જેવી ગરમી જોવા મળી રહી છે. અને રાત્રે ઠંડી અનુભવાય છે. આ પ્રકારનો વાતાવરણ આખુ ડિેસેમ્બર જોવા મળશે. જોકે આગામી દિવસોમાં ઠંડી વધશે. -ઋષિકેશ આગરે, હવામાન નિષ્ણાંત
અભિયાન:ઘર વિહોણા લોકોને ઠંડીમાં પણ શેલ્ટર હોમ સદતું નથી!
ભુજમાં નગરપાલિકાએ એન.યુ.એલ.એમ. એટલે કે નેશનલ અર્બન લાઈવહૂડ મિશન એટલે કે રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દ્વારા ઘર વિહોળા લોકો માટે શેલ્ટર હોમ ચલાવે છે. પરંતુ, ગરીબોને રેન બસેરા સદતું નથી અને ફૂટપાથ ઉપર જ પડ્યા પાથર્યા રહે છે, જેથી પોલીસ તંત્રના સહકારથી શિયાળાની રાત્રે કડકડતી ઠંડીમાં ફૂટપાથ ઉપર સૂઈ જતા બેઘર લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાનું શરૂ કર્યું છે. હમીરસર તળાવ પાસે પાણી અને ભોજન ઉપરાંત લોકોની ભીડમાં ભીખ માંગીને રોકડ રકમ પણ મળી રહે છે, જેથી સાૈથી વધુ ઘર વિહોળા લોકો શ્રીરામ પથ ઉપર પડ્યા પાથર્યા રહે છે. એ સિવાય રેલવે સ્ટેશન, બસ પોર્ટ, હોસ્પિટલ રોડ સહિતના ભારે ભીડવાળા વિસ્તારોમાં ભીખ માંગી ફૂટપાથ ઉપર જ સૂઈ જતા હોય છે. જેના ઉકેલ રૂપે 50ની ક્ષમતાનું શેલ્ટર રૂમ તૈયાર કરાયું છે, જેમાં સવારે, બપોરે, રાત્રે ભોજન અપાય છે. ન્હાવા માટે પાણીની સગવડ રખાઈ છે. બીમાર લોકો માટે મેડિકલ સારવાર અને તબીબની વિઝિટની સુવિકા પણ ઉમેરાઈ છે. આમ છતાં ભીખ માંગી રોકડની લાલચમાં શેલ્ટર હોમ કોઈને સદતું નથી! રાત્રિ અભિયાનમાં 47 લોકોને ખસેડાયા : મેનેજરએન.યુ.એલ.એમ.ના મેનેજર કિશોર શેખાએ જણાવ્યું હતું કે, મુખ્ય અધિકારી ડો. અનિલ જાદવની સૂચના અને માર્ગદર્શનથી પોલીસ તંત્ર, નગરપાલિકાની સેનિટેશન શાખાના સહયકારથી છેલ્લા એકાદ મહિનાથી રાત્રિ અભિયાન શરૂ કર્યું છે અને અત્યાર સુધી 47 લોકોને શેલ્ટર હોમમાં ખસેડાયા છે. પરંતુ, ત્યાંથી પલાયન કરી જાય છે. હાલ કડકડતી ઠંડી ચાલી રહી છે એટલે જાગૃત નાગરિકો અને બિનસરકારી સંસ્થાઅો દ્વારા એવા લોકો દેખાય તો મોબાઈલ નંબર 9428262083 ઉપર જાણ કરવા અનુરોધ છે. સેવાભાવિ લોકો અભિયાનમાં જોડાઈ શકે છે. ફૂટપાથ સૂઈને મોબાઈલ ગેમ રમેરામધૂનમાં જમવાના સમય જમ્યા બાદ શ્રીરામ ફૂટપાથ ઉપર સૂઈ રહે છે અને ટાઈમ પાસ કરવા મોંઘા મોબાઈલ ઉપર ગેમ પણ રમતા જોવા મળતા હોય છે.
NIDની તમામ 775 સીટ પર પ્રવેશ પરીક્ષા યોજાઇ:ઇતિહાસમાં પહેલી વાર તમામ પ્રશ્નો ડ્રોઇંગ આધારિત પુછાયા
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈન (એનઆઈડી) અમદાવાદ સહિતના પાંચ કેમ્પસોના યુજી અને પીજી કોર્સીસની 575 સીટો પર પ્રવેશ માટેની ડિઝાઈન એપ્ટિટયુડ ટેસ્ટ રવિવારે લેવાઇ હતી. શહેરમાં 3 સેન્ટરના 1260 ઉમેદવારો માંથી 95 ટકા હાજર રહ્યાં હતા. દેશના 40 સેન્ટરમાં 25 હજાર વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આ ટેસ્ટ રવિવારે સવારે 10થી 1 દરમિયાન યોજવામાં આવી હતી. પરીક્ષક વિહા પટેલ અને નિષ્ઠા દવેએ જણાવ્યું કે, ‘વિદ્યાર્થીઓની મગજની ક્ષમતાની કસોટી કરે તેવા ડ્રોઈંગ આધારિત પ્રશ્નો પૂછાયા હતા. સૌથી રસપ્રદ બાબત એ હતી કે અંગ્રેજી, મેથ્સ આધારિત એકપણ પ્રશ્નો પૂછાયા ન હતા. એનઆઈડીના ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. રુપેશ કુમાર જિંદાલે જણાવ્યું કે બીડેસનું એપ્રિલમાં અને એમડેસનું ફેબ્રુઆરીમાં પરિણામ જાહેર કરાશે. પરિણામ આવ્યા બાદ મુખ્ય પરીક્ષા માર્ચ-એપ્રિલમાં થશે તેના આધારે ઈન્ટરવ્યૂ અને સ્ટુડિયો ટેસ્ટના આધારે વિદ્યાર્થીની પસંદગી કરાશે. ગત વર્ષે લાસ્ટ કટ ઓફ 40 આસપાસ રહ્યું હતુંઅમદાવાદ સહિતની પાંચ એનઆઈડીમાં વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓને માટે લાસ્ટ એડમિશન કટ ઓફ 40 આસપાસ રહ્યુ હતુ. તેની સામે ચાલુ વર્ષે વિવિધ કેટેગરીના વિદ્યાર્થીઓને માટે કટ ઓફ 50 આસપાસ રહે તેવી સંભાવના છે. મેથ્સ, અંગ્રેજી આધારિત પ્રશ્નો પૂછાયા જ નહીઆ વર્ષે પહેલીવાર સાત દાયકામાં પ્રશ્નપત્રમાં કુલ 100 માર્કસના છ પ્રશ્નો ડ્રોઈગ આધારિત પૂછાયા હતા. ખાસ કરીને કોઈ પણ પ્રકારના થિયરીના કે જનરલ એપ્ટિટ્યુડ ટેસ્ટના કોઈ પ્રશ્નો શામિલ ન હતા. ડ્રોઈંગ આધારિત પ્રશ્નો પર ભાર મૂકાયો હોવાથી અવલોકન ક્ષમતા મહત્વપૂર્ણ રહી હતી. -ડો ભંવર રાઠૌર, BAD એક્સપર્ટ
ભુજના ચિટરો હવે ભારત સુધી મર્યાદિત ન રહેતા પાકિસ્તાનના કુખ્યાત ગેંગસ્ટરોથી પ્રેરાઇને સોશિયલ મીડિયા પર તેમના નામના નકલી એકાઉન્ટ બનાવી રોફ જમાવવાની કોશિશ કરી રહ્યા છે. તેવામાં પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીની ગુનાહિત માનસિકતાથી પ્રેરાયેલા ભુજના ઇસમેં તેને સોશિયલ મીડિયા પર ફોલો કરી ઇન્સ્ટાગ્રામમાં તેની નકલી આઈડી બનાવી હોવાનું ધ્યાને આવતા ચોંકી ઉઠેલી પોલીસે તાત્કાલિક તેને ઉઠાવી પૂછપરછ કરતા આરોપીના કબ્જામાંથી 669 ગ્રામ ગાંજાનો જથ્થો, દેશી બનાવટની બંદુક, નકલી નોટોના 181 બંડલ, છરી અને કુહાડી સહીતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસ આરોપીને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજુ કર્યા બાદ પૂછપરછ કરવામાં આવશે. પ્રાપ્ત વિગતો મુજબ એસઓજીના પીઆઈ કે.એમ.ગઢવીને બાતમી મળી હતી કે, ભુજના ખાટકી ફળિયામાં રહેતો આરોપી આફતાબ ઉર્ફે અલ્તાફ રજાક ખાટકી પાકિસ્તાની ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે છે અને પોતાના મોબાઈલમાં શાહબાજ ભટ્ટીના નામની બોગસ આઈડી બનાવી ગુનાહિત માનસિકતાથી પ્રેરાય તેવા વિડીયો અપલોડ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. બાતમી મળતા જ શનિવારે મોડી રાત્રે આરોપીને ભુજના ભીડનાકા વિસ્તારમાંથી ઉઠાવી લેવાયો હતો. જે બાદ એસઓજી કચેરી ખાતે તેની પૂછપરછ કરવામાં આવી હતી. એ દરમિયાન આરોપીએ પોતે ગાંજાનું વેચાણ કરતો હોવાની કબુલાત આપતા પોલીસે આરોપીના “સલીમ મંઝીલ” નામના ઘરમાં તપાસ કરી હતી. ત્યારે આરોપીના કબ્જામાંથી રૂપિયા 33 હજારની કિંમતના 669 ગ્રામ ગાંજા સહીત ગેરકાયદેસર રીતે રાખેલ દેશી બનાવટની બંદુક, ફૂટેલા કાર્ટીજ નંગ-૩ તેમજ ટ્રોલીબેગ અને પેટીમાં રાખેલ ભારતીય ચલણી નોટો જેવી નકલી નોટોના 181 બંડલ,1 છરી અને 2 કુહાડી મળી આવી હતી. જે મામલે આરોપી વિરુદ્ધ એનડીપીએસ,આઈટી એક્ટ,આર્મ્સ એક્ટ સહીતની કલમો તળે ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આરોપીને સોમવારે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરી વધુ પૂછપરછ કરવામાં આવશે. વેચાણ માટે ગાંજો, શોખ માટે બંદૂક, ઠગાઈ માટે નોટોપાકિસ્તાની ગેંગસ્ટરથી પ્રેરાયેલા આરોપીની પોલીસે તપાસ કરી ત્યારે ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે બાબતે પૂછપરછ કરતા પંદરેક દિવસ અગાઉ ગળપાદરથી ભરત વાઘેલા નામના શખ્સ પાસેથી 1 કિલો ગાંજો રૂપિયા 18 હજારમાં છુટક વેચાણ કરવા માટે ખરીદ્યો હતો. આરોપીને બંદુક રાખવાનો શોખ હોવાથી 2 મહિના અગાઉ ભચાઉ તાલુકાના શિકારપુર ગામના મિત્ર સિકંદર ઈસ્માઈલ ત્રાયા પાસેથી લાવ્યો હોવાની કબુલાત આપી હતી. આ ઉપરાંત નકલી નોટોના બંડલના વિડીયો બનાવી પોતે ઠગાઈ આચરતો હોવાનું અને વિડીયો વોટ્સએપ મારફતે પોતાના મિત્રને પણ મોકલાવ્યો હોવાની કબુલાત આપી હતી. 2024 માં બોગસ આઈડી બનાવી 5 વખત યુઝરનેમ બદલાવ્યુંસમગ્ર મામલે એસઓજીના પીઆઈ કે.એમ.ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,આરોપીએ પોતાના અન્ય એક નંબર પરથી અલગ અલગ બે ઇન્સ્ટાગ્રામ આઈડી પોતાના નામની બનાવેલી હતી. જે બાદ મોબાઈલ ગુમ થઇ જતા નવો નંબર આરોપીએ વસાવ્યો હતો. જેમાં વર્ષ 2024 માં પોતાની જ એક આઈનું નામ બદલી પાકિસ્તાનના ગેંગસ્ટર શાહબાજ ભટ્ટીના નામે બોગસ આઈડી બનાવી હતી અને આરોપીએ પાંચ વખત આઈડીના યુઝરનેમ બદલાવેલ હતા. ગુનાહિત માનસિકતાથી પ્રેરાયેલા ઇસમે ગેંગસ્ટરનું એક વિડીયો પણ આઈડી પર પોસ્ટ કરેલો હતો. જે પોલીસને ધ્યાને આવતા કાર્યવાહી કરવામાં આવી હતી અને આરોપીનો મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યો છે.
પાલડીમાં પ્રાથમિક સુવિધાઓ સુધરી પણ કચરાની ગાડીઓની અનિયમિતતા અને રસ્તાઓ પર અંધારાની સમસ્યા યથાવત છે. રખડતા કૂતરાં, વાંદરાનો આતંક અને મચ્છરોનો ઉપદ્રવ લોકોની ચિંતા વધારી રહ્યો છે. ફોગિંગની પણ થતી નથી. વહીવટી સ્તરે પ્રોપર્ટી કાર્ડની કામગીરી બે વર્ષથી વિલંબમાં છે. વિસ્તારના રહીશોએ અશાંત ધારા ભંગ કરનાર વેચાણકર્તાની મિલકત ‘શ્રી સરકાર’ કરવાની માગ કરી છે. વધુમાં, ધોળા દિવસે થતા ચેઈન સ્નેચિંગના બનાવોને રોકવા પોલીસ પેટ્રોલિંગ વધારવા, બંધ CCTV કેમેરા તાકીદે રિપેર કરવા માંગણી ઊઠી છે. ઝાડનું યોગ્ય ટ્રીમિંગ પણ થતું નથી જેને પગલે અંધારાની સ્થિતિ સર્જાય છે. 'વિસ્તારમાં રિડેવલપમેન્ટ થઈ રહ્યું છે, પણ સાથે સાથે પાર્કિંગની સમસ્યા વધી રહી છે' પાણી ડહોળું આવવાની ફરિયાદ પાલડી ગામમાં આવેલ ઠાકોરવાસમાં પીવાના પાણી ડહોળું આવવાની સમસ્યા છે, જેને પગલે સ્થાનિકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવતો હોવાની ફરિયાદો સ્થાનિક કરી રહ્યા છે. આ અંગે અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ ઉકેલ આવતો નથી. સ્થાનિકો બહારથી પાણી ખરીદવાની ફરજ પડે છે. તંત્રનો જવાબલોકોની ફરિયાદો આવે કે તરત જ નિરાકરણ માટે કામ કરાય છેગાર્ડન વિભાગ દ્વારા સ્ટ્રીટલાઈટ આસપાસ ટ્રીમિંગ ચાલુ જ છે. વાંદરાઓ માટે ફોરેસ્ટ વિભાગની મદદ લેવાય છે, જ્યારે કૂતરાઓને ટ્રીટમેન્ટ અપાય છે પણ શેલ્ટરના અભાવે દૂર કરી શકાતા નથી. પાણીની ફરિયાદો નહિવત છે અને આવે તો તુરંત નિકાલ કરાય છે. સ્નેચિંગની ઘટના અંગે પોલીસ જ જણાવી શકે. • પૂજાબેન દવે, કોર્પોરેટર અશાંતધારાનો ભંગ કરે તે મિલકત `શ્રી સરકાર' કરવા માગ કરાઈ છેઅશાંતધારાનો ભંગ કરે તે મિલકત ‘શ્રી સરકાર’ હસ્તક લેવાય તે માટેની સરકારમાં રજૂઆત કરી છે. હાલની જ સંકલન બેઠકમાં પણ કલેક્ટરને માગ કરી છે. સુરક્ષાને લઈને પોલીસનું અનેકવાર ધ્યાન દોર્યું છે, જે બાદ રીવરફ્રન્ટમાં કેમેરા આવ્યા, વિસ્તારમાં પણ વધારવા કહ્યું છે. લોકહિતની માંગણીઓ કરી રહ્યો છું. • અમિત શાહ, ધારાસભ્ય
ભાસ્કર ઈનસાઈડ:દુબઈના શેઠના કહેવાથી માંજલપુરના ઠગ નીલે મ્યૂલ ખાતાં ખોલાવ્યાં, ચાર સામે ગુનો
સાયબર ફ્રોડ આચરવા માટે માંજલપુરના ગઠિયાએ દુબઈ ખાતે રહેતા પોતાના શેઠના કહ્યા મુજબ પોતાના બે મિત્રો થકી અલગ અલગ લોકો પાસે એકાઉન્ટ ખોલાવડાવી રૂપિયા 44,500ની છેતરપિંડી કરતા મકરપુરા પોલીસે કુલ 4 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ટોળકી એક મ્યૂલ એકાઉન્ટ ખોલાવવા પાછળ રૂપિયા 50,000 આપતા હતા. સાયબર ક્રાઇમ આચરનારા આરોપીઓ દ્વારા મ્યૂલ એકાઉન્ટ ખોલાવડાવી જે તે બેંક એકાઉન્ટ ધારકોને તેમનું કમિશન આપી છેતરપિંડીથી મેળવેલા રૂપિયા આ મ્યૂલ એકાઉન્ટમાં જમા કરાવી રહ્યા છે. શહેર પોલીસ કમિશનરની સૂચના બાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં મ્યૂલ એકાઉન્ટને લગતા ગુનાઓની ફરિયાદ દાખલ કરવામાં આવી રહી છે. આ દરમિયાન મકરપુરા પોલીસને બાતમી મળી હતી કે, નીલ મજમુદાર નામનો વ્યક્તિ બેંક એકાઉન્ટ ભાડે લઈને અન્ય વ્યક્તિઓને ગેરકાયદે આર્થિક વ્યવહારો માટે આ એકાઉન્ટ વેચાણથી આપે છે. જ્યારે તેની પાસે ઘણા બધા એટીએમ કાર્ડ પણ છે. પોલીસે નીલને પ્રતાપનગર ઓએનજીસી ગેટની સામેથી ઝડપી લીધો હતો. પોલીસને નીલ પાસેથી ઇન્ડિયન ઓવરસીઝ બેન્કના અન્ય વ્યક્તિઓના એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. આરોપીના મોબાઇલમાં સોશિયલ મીડિયા એપની ચેટ ખોલીને જોતા તેમાં આરોપીએ ઓનલાઈન સાયબર ફ્રોડ કરતો હોવાની હકીકત પણ જાણવા મળી હતી. નીલ પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનની ચકાસણી કરી પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે તેના મિત્ર આકાશ પટેલે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલાવી આપ્યું હતું. તે બેંકની ઓનલાઇન એપ્લિકેશન મારફતે નીલ દુબઈ ખાતેથી તેના શેઠ હેરીભાઈના કહ્યા મુજબ એકાઉન્ટ ઓપરેટ કરતો હતો. અને નીલ એટીએમ મારફતે રૂપિયા ઉપાડી લેતો હતો. આ ઉપરાંત નીલના મિત્ર અફ્ફાન કાનીએ પણ નીલની માગણી મુજબ સાયબર ફ્રોડ કરવાના ઇરાદે અલગ અલગ ખાતાધારકોના બેન્ક એકાઉન્ટ ખોલાવ્યા હતા. જ્યારે નીલ એક બેંક એકાઉન્ટ ટિકિટ પેટે ₹50,000ની રકમ મોકલાવતો હતો. પોલીસે નીલ વિનલકુમાર મજમુદાર, (રહે- વિવેકાનંદ સોસાયટી, પ્રતાપ નગર), અફ્ફાન ઉસ્માનભાઈ કાની (રહે - મદીના પાર્ક,ભરૂચ), આકાશ ચંદ્રકાન્ત પટેલ (રહે - રેવા પાર્ક, માંજલપુર) સામે ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે દુબઈના હેરીભાઈએ નીલને ઇન્ડિયન ઓવરસીઝ બેંકના બે એકાઉન્ટ ઓપરેટ કરવા માટે રૂપિયા 70-70 હજાર આપ્યા હતા. જેમાંથી રૂપિયા 50,000ની રકમ આકાશ પટેલને આપી હતી. અગાઉ ગર્લફ્રેન્ડના અપહરણની ફરિયાદ નોંધાવી હતીપોલીસના જણાવ્યા અનુસાર,અફ્ફાન ઉસ્માનભાઈ કાની દ્વારા અંદાજે એકથી દોઢ મહિના પહેલા પોતાની ગર્લફ્રેન્ડના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તે વડોદરાથી ભરૂચ જતાં રસ્તામાં કારમાંથી તેની ગર્લફ્રેન્ડનું અપહરણ થયું હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ ઘટનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. દુબઈથી પરત આવ્યા બાદ સાયબર ફ્રોડ કરવાનું ચાલુ કર્યુંપોલીસે સમન્વય પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, નીલ મજમુદાર આજથી ત્રણ વર્ષ પહેલા દુબઈ નોકરી કરવા ગયો હતો. દુબઈથી પરત આવ્યા બાદ તેને તેને પોતાના આર્થિક ફાયદા માટે અન્ય લોકોના મ્યૂલ એકાઉન્ટ ખોલાવીને સાયબર ક્રાઇમને લગતા ગુના કર્યાં હતા.
ટેટની પરીક્ષા:શહેરમાં 28,260 ઉમેદવારે ટેટ આપી, ધો. 6થી 8ના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાતીના પ્રશ્ન પુછાયા
21 ડિસેમ્બરે રવિવારે ટેટની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા શિક્ષક બનવા માટે જરૂરી લાયકાત મેળવવા માટે અનિવાર્ય છે. જિલ્લામાં કુલ 147 પરીક્ષા કેન્દ્રો પર 30,480 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી 2220 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જયારે 28,260 ઉમેદવારો હાજર રહ્યા હતા. ટેટની પરીક્ષામાં ગુજરાતી ભાષાના પ્રશ્નો ધો.6 થી 8ના પાઠય પુસ્તકમાંથી પૂછાયો હતો. શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટની પરીક્ષા રવિવારે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ હતી. પરીક્ષાને લઇને દરેક કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બપોરે 12 થી 2 વાગ્યા સુધીનો સમય પરીક્ષા હતી. તમામ પરીક્ષાર્થીઓએ પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલાં કે 11:30 વાગ્યા સુધીમાં પોતાના કેન્દ્ર પર હાજર થઇ ગયા હતા. કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેર ઉપરાંત મધ્ય ગુજરાતમાંથી ટેટની પરીક્ષા માટે ઉમેદવારો હાજર રહ્યા હતા. છોટાઉદેપુર, પંચમહાલ, આણંદ, નડીયાદ, ભરૂચ સહિતના જિલ્લાઓમાંથી વડોદરા ખાતે પરીક્ષા આપવા માટે આવ્યા હતા. 147 જેટલા પરીક્ષા કેન્દ્રો પર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સુપરવાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાઇટરની મદદથી દિવ્યાંગ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી કારેલીબાગ શ્રી કૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં દિવ્યાંગ વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે આવ્યા હતા. વિદ્યાર્થીએ રાઇટરની મદદથી પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીની દેવાંશીની માતાએ જણાવ્યું હતું કે પહેલી વાર ટેટની પરીક્ષા આપવા માટે આવી છે. તે નેશનલ લેવલ પર વિવિધ રમતોમાં 16 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. દિવ્યાંગ વિદ્યાર્થી 4 જાન્યુઆરીના રોજ જીપીએસસીની પરીક્ષા પણ આપનાર છે. શિક્ષણ નીતિ 2020, સર્વાંગી વિકાસ જેવા વિવિધ પ્રશ્નો પૂછાયા, મેથ્સના લીધે કટ ઓફ ડાઉન જવાની શક્યતાકેટકેટલું વિચાર્યું હતું! તેમાનું કઈ જ ન થયું! આ પ્રશ્ન ટેટ ની એક્ઝામ માં પૂછાયો હતો. ગુજરાતી ભાષામાં વ્યાકરણ માં દ્વિરુકત પ્રયોગ નો આ પ્રશ્ન ટેટ 1ની એક્ઝામ માં પૂછાયો હતો. ગુજરાતી ભાષાના મોટે ભાગના પ્રશ્નો 6 થી 8માં ધોરણ ની ચોપડીમાંથી જ પૂછયા હતા. ધોરણ 5 માં આવતી કવિતા વેન યુ આર સેડ પૂછાઇ હતી. શિક્ષણ નીતિ 2020, સર્વાંગી વિકાસ અને અધ્યયન નિષ્પતિ એટલે કે બી.એડ.ના ટોપિક ના પ્રશ્નો વધારે પૂછયા હતા. પરંતુ મેથ્સ ન લીધે કટ ઓફ ડાઉન જવાની શક્યતા છે.
વૃક્ષારોપણ:ગણેશપુરા ખાતે હરિ પ્રબોધમમાં વૃક્ષારોપણ કરાયું,51 છોડ રોપ્યા
હરિત ભારતના સંકલ્પ સાથે પ્રગટ ગુરુહરિ પ. પૂ. પ્રબોધજીવન સ્વામીજીની પ્રેરણા અને આશિષથી હરિપ્રબોધમ ધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે સાંજે 4થી 7 દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 51 છોડ વાવવામાં આવ્યા હતા. હરિપ્રબોધમ પરિવારના સંતો પૂ. સુહૃદજીવન સ્વામી, પૂ. ગુરુપ્રસાદસ્વામી, પૂ. સુચેતનસ્વામી સાથે વૃક્ષારોપણ કરવાની સાથે વૃક્ષો, પાણી, જમીન વગેરેની જાળવણી કરી ભાવિ પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણની ભેટ આપવા પ્રેરણા આપી હતી. પ્રાસંગિક ઉદબોધન કરતાં પૂ. સુહૃદજીવન સ્વામી અને પૂ.સુચેતન સ્વામીજીએ પ્રગટ ગુરુહરિ પ. પૂ.પ્રબોધ જીવન સ્વામીજીની જીવનભાવના સમજાવી તેમનો વૃક્ષો, પાણી અને કુદરતી સંસાધનોના જતન થકી જીવપ્રાણી માત્ર પ્રત્યેનો સુહૃદભાવ વર્ણવ્યો હતો.અને ભાવિ પેઢીને પ્રેરણા આપવામાં આવી હતી. ભગવાન સ્વામિનારાયણને પ્રિય એવા લીમડાનાં છોડ વાવવામાં આવ્યાંહરિપ્રબોધન ધામમાં 5,000 જેટલા વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે ત્યારે પ્રથમ ચરણમાં 51 વૃક્ષ વાવવામાં આવ્યા હતા, જેમાં ભગવાન સ્વામિનારાયણને ખૂબ પ્રિય એવા લીમડાના વૃક્ષ અને ભગવાન વિષ્ણુના સ્વરૂપ એવા વાંસના વૃક્ષને વાવવામાં આવ્યા હતા.
રવિવારથી મેમનગર ગુરુકુળમાં 21 દિવસીય મહાયજ્ઞનું આયોજન શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રકારનો મહાયજ્ઞ સૌથી પહેલાં જૂનાગઢ ખાતે યોજવામાં આવ્યો હતો. આ યજ્ઞમાં 1008 તીર્થોનું જળ તેમ જ માટી લાવવામાં આવી હતી. આ મહાયજ્ઞમાં સંપ્રદાયના તમામ સંતો સહિત 600થી વધારે ઋષિકુમારો હાજર રહેશે. - માધવપ્રિયદાસજી, ગુરુકુળ સંપ્રદાયના વડા યજ્ઞકર્મ એ વિજ્ઞાન છે, ઔષધિ હોમથી વાતાવરણ શુદ્ધ થશેહું સ્પષ્ટપણે માનું છું કે સંસ્કાર પર આક્રમણ થતું હોય ત્યારે વાતો નહીં પણ ‘વૈદિક પરિવર્તન’ લાવવું પડે. મેમનગર ગુરુકુળની સ્થાપનાનાx 50 વર્ષ એ માત્ર આંકડો નથી પણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના લોહી-પરસેવાનું તપ છે. આજે દુનિયા પ્રદૂષણ અને નકારાત્મકતામાં સબડી રહી છે, ત્યારે અમે 21 દિવસનો મહા વિષ્ણુયાગ છેડી પ્રકૃતિ સામે મોરચો માંડ્યો છે. 51 અગ્નિ કુંડમાં શુદ્ધ ગૌઘી અને ઔષધિ હોમાશે ત્યારે 10 કિમી વિસ્તારનું વાતાવરણ શુદ્ધ થશે. આ વિજ્ઞાન છે, આ આપણી તાકાત છે.
આમ તો પોલીસનું કામ લાપતા લોકોને શોધવાનું પણ છે પરંતુ, સમયાંતરે એક સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવે છે. એકાદ મહિના અગાઉ અમે ગુજરાતભરની પોલીસને 15 દિવસનું એક સ્પેશિયલ ટાસ્ક આપ્યો. જેમાં પોતાના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ લોકોની યાદી બનાવવી, અલગ- અલગ ટીમો બનાવવી અને દરેક ગુમ વ્યક્તિને શોધવાના કામને પ્રાથમિકતા આપવામાં આવે. આ ટાસ્કનું સુપરવિઝન અમારી પાસે એટલે કે, સીઆઈડીએ કર્યું. આ અભિયાનમાં ડી-સ્ટાફ, શી ટીમ, એલઆઈબી, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, મિસિંગ સેલની ટીમો બનાવાઈ હતી. આ ટાસ્ક દરમિયાન પહેલાં જ 15 દિવસમાં 300થી વધુ લાપતા લોકોને શોધી કાઢવામાં આવ્યાં. જેનાથી ટીમના ઈરાદા વધુ મજબૂત બન્યાં અને આ ડ્રાઈવ વધુ 15 દિવસ સુધી લંબાવવામાં આવી. કુલ 30 દિવસમાં 901 ગુમ વ્યક્તિઓને શોધીને તેમના પરિવાર સાથે મેળવી આપ્યા હતા. ( મિહિર ભટ્ટ સાથેની વાતચીતના આધારે) પહેલાં પંદર દિવસમાં 300થી વધુ લોકો મળ્યાં તો હિંમત આવી અને અભિયાન એક મહિના સુધી લંબાવ્યુંદાહોદઃદાહોદના ઝોઝ પોલીસે એક માનસિક અસ્થિર 48 વર્ષની મહિલાને ગામ નજીકના જંગલમાંથી શોધી કાઢી . પોલીસ સ્ટાફે જંગલમાં માલઢોર ચરાવવા જતાં ગોવાળોની પૂછપરછ કરી અને તેમની મદદથી જંગલ અને ડુંગરોમાં શોધખોળ કરી બે જ દિવસમાં મહિલાને શોધી કાઢી. દ્વારકાઃ દ્વારકામાં સાળાએ બનેવીનું અપહરણ કર્યું હતું, ડ્રાઈવ દરમિયાન આ કેસની વિગતો મળી. અપહરણની ઘટનામાં પરિવાર પાસેથી પ્રાથમિક વિગતો મેળવી ત્યારે જ અપહરણકાર અપહ્યતનો સાળો હોવાનું ખુલ્યું અને ટેક્નિકલ સપોર્ટ આધારે પોલીસને રાજસ્થાનનું પગેરું મળ્યું. તપાસના અંતે 22 દિવસ બાદ અપહ્યતને હેમખેમ રાજસ્થાનથી છોડાવી લેવાયો. વડોદરાઃશહેરમાં એક શાકભાજી વેચનારાને તેના પિતાએ ઠપકો આપતા તે ઘરેથી નીકળી ગયો હતો. દિવસો સુધી તેનો પતો લાગ્યો નહીં, અંતે ડ્રાઈવ દરમિયાન પોલીસે તેના ઘરથી સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું અને તે વડોદરા રેલ્વે સ્ટેશનથી અયોધ્યાની ટ્રેનમાં બેઠો હોવાનું જાણવા મળ્યું. જેના આધારે અયોધ્યા પોલીસને આ ગુમ યુવકના ફોટા અને વિગતો આપી તપાસ કરાવતા તે પણ 22 દિવસે મળી આવ્યો હતો. સુરતઃશહેરમાં એક યુવક પ્રેમિકા સાથે લગ્ન કરવા ઘર છોડી ગયો ત્યાર બાદ પ્રેમિકાએ પણ તેને છોડી દેતા પોતે ફસાઈ ગયો હોવાનું જાણીને સુરતમાં જ એકલો રહેવા લાગ્યો. પૈસા માટે તેણે નોકરી પણ શરૂ કરી નાંખી હતી. દરમિયાન તેણે એક દિવસ તેના પપ્પાના ફોનમાં ફોન કર્યો અને તેના પિતા ફોન ઉપાડે તે પેહલાં તેણે કાપી નાંખ્યો. આ એક મિસ્ડ કોલને પણ પોલીસે ગંભીરતાથી લીધો અને તેની શંકાના આધારે તપાસ કરી વૃધ્ધ દંપતિને તેના દિકરાનો મેળાપ કરાવ્યો હતો. એઆઈ થી જાણ્યું લાપતા વ્યક્તિને શોધવાનો ગોલ્ડન પિરિયડ કયો?રાજ્યના લાપતા લોકોને શોધવાની સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન જે-જે ડેટા મળ્યો તેનો અમે આર્ટીફિશિયલ ઈન્ટેલીજન્સની મદદથી અભ્યાસ કર્યો. ગુજરાત પોલીસ એ દિશામાં આગળ વધી રહી છે કે, લાપતા વ્યક્તિઓ ફરિયાદ નોંધાયાના ગણતરીના સમયમાં મળી જાય તેવી ટેક્નોલોજી કે સિસ્ટમ ઉભી કરવી. જેમાં AI ના અભ્યાસથી ખ્યાલ આવ્યો કે, લાપતા વ્યક્તિને શોધવાનો ગોલ્ડન પિરિડય 7થી 30 દિવસનો છે. આ ઉપરાંત ગુમ થવાનું કારણ, સંજોગ, જુવેનાઈલ એક્ટ અને પોક્સો જેવા એક્ટને ધ્યાનમાં રાખી ભવિષ્યમાં પોલીસે કેવી અને કઈ કામગીરી કરવી તેની ઘણી વિગતો મેળવી.
આરટીઆઈમાં ઘટસ્ફોટ:ઝાડ કાપ્યા પછી ત્યાં રોપા વાવવા માટેનો મ્યુનિ.માં કોઈ નિયમ નથી
ઝાડ કપાયા બાદ તેની અવેજીમાં ક્યાં છોડ રોપવા તે અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે કોઈ સ્પષ્ટ નિયમ કે જોગવાઈ નથી. આ હકીકત માહિતી આયોગની સુનાવણી દરમિયાન સામે આવી છે. સોલા વિસ્તારમાં ઝાડ કાપવાના કેસમાં થયેલી અરજીની સુનાવણી વખતે મ્યુનિ.ના ગાર્ડન વિભાગના અધિકારીએ આયોગ સમક્ષ સ્વીકાર્યું હતું કે, ઝાડ કપાયા બાદ તે જ સ્થળે કે અન્ય કોઈ વિસ્તારમાં રોપા વાવવા તે બાબતે વર્તમાન નિયમોમાં સ્પષ્ટતા નથી. સ્થાનિક મહિલા વકીલ અને એન્વાયર્મેન્ટ એક્ટિવિસ્ટ ઝલક અમીને સોલા વિસ્તારમાં ઝાડ કાપ્યા બાદ તેના બદલામાં કયા સ્થળે છોડ રોપ્યા તેની માહિતી માટે આરટીઆઈ કરી હતી. સોલાના લોકો ઓક્સિજન લેવા વૈષ્ણોદેવી જશે?સુનાવણી દરમિયાન માહિતી આયોગે નોંધ્યું હતું કે, જે વિસ્તારમાં ઝાડ કપાયા હોય ત્યાંના નાગરિકોને પર્યાવરણની સીધી અસર પડે છે, ત્યારે અન્ય વિસ્તારમાં રોપા વાવવાથી પર્યાવરણીય સંતુલન જળવાતું નથી. આયોગે કડક ટિપ્પણી સાથે કહ્યું હતું કે, ‘શું સોલા વિસ્તારના લોકો ઓક્સિજન લેવા વૈષ્ણોદેવી જશે?’ મહિલા વકીલે માગ કરી છે કે, જે વોર્ડમાં ઝાડ કાપ્યા છે તે વોર્ડમાં જ ઝાડ રોપવાનો નિયમ લાવવો જોઈએ.
ભાસ્કર એક્સક્લૂસિવ:ફડચામાં ગયેલી આર્યોદય મિલના 3288 કામદારને 36 વર્ષે 88 કરોડ વળતર મળશે
શહેરની સૌથી જૂની આર્યોદય સ્પિનિંગ મિલ 1983માં ફડચામાં ગઇ હતી. હાઇકોર્ટમાં કામદારો વતી મજૂર મહાજને વળતર માટે દાવો કર્યો હતો. 36 વર્ષની કાનૂની લડાઇ બાદ દેવભૂમિ એગ્રોફ્રેશ નામની કંપનીએ મિલની જમીન ખરીદતા કોર્ટે કામદારોને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. 3288 કામદારોને 88 કરોડનું વળતર મળશે. મૃત્યુ પામેલા કામદારોના વારસદારને ઓળખપત્રથી વળતર મળશે. વળતર માટે જરૂરી તમામ દસ્તાવેજો રજૂ કરવા પડશેમિલ ફડચામાં ગઇ ત્યારે કામદારો વિવિધ રજિસ્ટ્રરમાં નોંધાયા હતા તેમની વિગતો કોર્ટમાં રજૂ કરાઇ હતી. મિલના પ્રોવિડન્ડ ફંડના રજિસ્ટ્રરમાં 2022 કામદારોના નામો, સેલેરી રજિસ્ટરમાં 546 કામદાર, સેલેરી રજિસ્ટરમાં અને પીએફ રજિસ્ટરમાં બંનેમાં નોંધાયેલા 720, માત્ર મજૂર મહાજનની યાદીમાં હોય તેવા 265 કામદારો,વળતર માટે ઉપયોગી દસ્તાવેજો રજૂ ના કરી શકનારા 109ને નોકરીના વર્ષોની ગણતરી મુજબ વળતર ચુકવાશે. હવે તો વળતર લેવા પણ જાતે જઈ શકું તેમ નથી : મિલકામદારમિલ જયારે ફડચામાં ગઇ ત્યારે મેં દીકરીના લગ્ન લીધા હતા.પૈસાની ખૂબ જરૂર હતી ત્યારે કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. વ્યાજે પૈસા લાવીને દીકરીના લગ્ન કર્યા હવે દીકરીના ઘરે સંતાનો છે ત્યારે વળતર મળે તેનો શું મતલબ? કોર્ટમાં આટલા વર્ષે કેસનો ચુકાદો આવ્યો હવે તો વળતર લેવા પણ જાતે જઇ શકું તેમ નથી. આટલો મોડો ન્યાય મળે તેને ન્યાય ના કહી શકાય. - અચિકેત દવે, મિલ કામદાર, 89 વર્ષ
નમસ્તે,ગઈકાલના મોટા સમાચાર રેલવે ભાડામાં વધારો હતા. બીજા મોટા સમાચાર એપસ્ટિન સેક્સ સ્કેન્ડલમાંથી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ફોટો ગાયબ થવાના હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કાલના મોટા સમાચારો 1. ભારતીય રેલવેએ ભાડું વધાર્યું:દર કિમીએ 1-2 પૈસા વધુ ચૂકવવા પડશે, અમદાવાદથી દિલ્હીનાં ભાડામાં 20 રૂપિયા વધુ આપવા પડશે; 26 ડિસેમ્બરથી લાગુ ભારતીય રેલવેએ લાંબા અંતરની મુસાફરી માટે મુસાફર ભાડામાં વધારાની જાહેરાત કરી છે. આ નવું ભાડું 26 ડિસેમ્બર 2025 થી લાગુ પડશે. 215 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરનારા મુસાફરોને હવે દર કિલોમીટર દીઠ 1 થી 2 પૈસા વધારાના ચૂકવવા પડશે. રેલવેનો અંદાજ છે કે આ ફેરફારથી તેને વાર્ષિક 600 કરોડ રૂપિયાની વધારાની કમાણી થશે. જોકે, 215 કિલોમીટરથી ઓછી દૂરીની મુસાફરી કરનારાઓ અને માસિક સીઝન ટિકિટ ધારકોના ભાડામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સંપૂર્ણ સમાચાર વાંચો 2. એપસ્ટીન ફાઈલમાંથી ટ્રમ્પ-મેલાનિયાની તસવીર અચાનક ગાયબ:ન્યાય વિભાગ પર કવર-અપના આરોપ; ટ્રમ્પ-એપસ્ટીનના સંબંધોનો ચોંકાવનારો ઇતિહાસ અમેરિકાના યૌન અપરાધી જેફ્રી એપસ્ટીન સંબંધિત ફાઇલોમાંથી 16 ફાઇલો શનિવારે મોડી રાત્રે વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ છે. રોઇટર્સ અનુસાર, આ ફાઇલોમાં મહિલાઓની પેઇન્ટિંગ્સની તસવીરો અને એક ફોટો શામેલ હતો, જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જેફ્રી એપસ્ટીન, મેલાનિયા ટ્રમ્પ અને ગિઝલેન મેક્સવેલ (એપસ્ટીનની ગર્લફ્રેન્ડ) સાથે જોવા મળી રહ્યા હતા. ન્યાય વિભાગે આ ફાઇલો હટાવવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફાઇલો ઇરાદાપૂર્વક હટાવવામાં આવી હતી કે તકનીકી ખામીને કારણે ગાયબ થઈ હતી. અમેરિકી જસ્ટિસ ડિપાર્ટમેન્ટે જેફ્રી એપસ્ટીન સંબંધિત તપાસ હેઠળ શુક્રવારે રાત્રે અઢી વાગ્યે (ભારતીય સમય અનુસાર) ત્રણ લાખ દસ્તાવેજો જાહેર કર્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ભારતના ટોપ-40 ધનકુબેર જેટલી સંપત્તિ એકલા મસ્ક પાસે:પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળની કુલ GDP કરતાં વધારે, નેટવર્થ 4 દિવસમાં 150 બિલિયન ડોલર કેવી રીતે વધી? દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની સંપત્તિ પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળની GDP કરતા વધારે થઈ ગઈ છે. 4 દિવસમાં તેમની નેટવર્થ 150 બિલિયન ડોલર વધીને 750 બિલિયન ડોલરને પાર કરી ગઈ છે. જ્યારે આ ત્રણેય દેશોની કુલ GDP આશરે 555 બિલિયન ડોલર છે. મસ્ક નેટવર્થનો આ આંકડો સ્પર્શનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બન્યા છે. આ પહેલા 16 ડિસેમ્બરના રોજ મસ્કની સંપત્તિ 600 બિલિયન પર પહોંચી હતી. તેમની સંપત્તિમાં આ વધારો ડેલાવેર સુપ્રીમ કોર્ટના નિર્ણયથી આવ્યો, જેનાથી મસ્કનું 56 બિલિયન ડોલરનું ટેસ્લા પે પેકેજ વધીને 139 બિલિયન ડોલર થઈ ગયું. સંપૂર્ણ સમાચાર વાંચો 4. યુથ એશિયા કપ ફાઈનલમાં ઈન્ડિયા પાકિસ્તાન સામે 191 રનથી હારી: U-19 ક્રિકેટમાં ભારતની સૌથી મોટી હાર, 348 રનના ચેઝ સામે ટીમ 156 રનમાં ઓલઆઉટ પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપનો ખિતાબ જીતી લીધો છે. રવિવારે રમાયેલી ફાઈનલ મેચમાં પાકિસ્તાને ભારતને 191 રનના મોટા અંતરથી હરાવ્યું હતું. દુબઈની ICC એકેડમીમાં પાકિસ્તાને સમીર મિન્હાસની શાનદાર સદીની મદદથી ભારત સામે 348 રનનો વિશાળ ટાર્ગેટ રાખ્યો હતો. જવાબમાં ભારતીય ટીમ 26.1 ઓવરમાં માત્ર 156 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓપનર વૈભવ સૂર્યવંશી માત્ર 26 રન બનાવી શક્યો હતો, જ્યારે દીપેશ દેવેન્દ્રને સૌથી વધુ 36 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી બોલિંગમાં અલી રઝાએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે મોહમ્મદ સૈયમ, હુઝૈફા અહસાન અને અબ્દુલ સુભાનને 2-2 વિકેટ મળી હતી. રનચેઝ વખતે પાવરપ્લેની પહેલી જ 10 ઓવરમાં ઈન્ડિયન ટીમે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાં જ ગેમ પૂરી થઈ ગઈ હતી. સંપૂર્ણ સમાચાર વાંચો 5. હાદી હત્યા કેસ-બાંગ્લાદેશ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ:વિદ્યાર્થી નેતાએ કહ્યું- હત્યારાઓની ધરપકડ કરો, અનિશ્ચિતકાળ ધરણાની ધમકી; હોમ એડવાઈઝરનું રાજીનામું માંગ્યું ભારત અને શેખ હસીનાના વિરોધી બાંગ્લાદેશી નેતા ઉસ્માન હાદીની હત્યાના કેસમાં ન્યાયની માંગ તેજ બની છે. ઇન્કલાબ મંચે બાંગ્લાદેશ સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. ઇન્કલાબ મંચના સચિવ અબ્દુલ્લા અલ જાબેરે જણાવ્યું કે જો સરકાર આજે સાંજ સુધીમાં હાદીની હત્યામાં સામેલ તમામ લોકોને ધરપકડ નહીં કરે, તો શાહબાગ ચોક પર રવિવાર સાંજથી અનિશ્ચિતકાળ માટે ધરણાં શરૂ કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. સુરતમાં ABVPની કાર રેલીમાં નિયમોના ધજાગરા, VIDEO:જોખમી સ્ટન્ટ્સ અને બ્લેક ફિલ્મનો વીડિયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ, ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે સુરત શહેરના વેસુ-અલથાણ વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના કાર્યકરો દ્વારા કાયદો અને વ્યવસ્થાને નેવે મૂકીને કાર રેલી કાઢવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. શિસ્તની વાતો કરતી વિદ્યાર્થી પાંખના કાર્યકરો જાહેર રોડ પર જોખમી સ્ટન્ટ્સ કરતા નજરે પડતા ચકચાર મચી ગઈ છે. વીડિયો વાયરલ થતા ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરી ફોર્ચ્યુનર સહિત બે કાર કબ્જે કરવામાં આવી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 7. હરિયાણાની કુખ્યાત ગેંગના શૂટરને ATSએ કચ્છમાંથી દબોચ્યો:રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગનો સાગરિત હત્યા કેસમાં ફરાર હતોગુજરાત ATSએ હરિયાણાના રોહિત ગોદારા અને નવીન બોક્સર ગેંગનો શૂટર કચ્છના રાપરમાંથી ઝડપી પાડ્યો છે.આરોપીએ હરિયાણાના કોર્ટ પરિસરમાં ગેંગવોરમાં હત્યા કરી હતી.આરોપીને આશ્રય આપનારની પણ ATSએ ધરપકડ કરી છે. વિકાસ ઉર્ફે ગોલુ હરિયાણાની નવી બોક્સર ગેંગનો સાગરિત ગુજરાત ATSએ બાતમીના આધારે કચ્છના રાપરમાંથી હરિયાણાના નવીન બોક્સર ગેંગના શૂટર વિકાસ ઉર્ફે ગોલુ શ્યોરણની ધરપકડ કરી છે.વિકાસ નાગેશ્વર પાર્ક આર. ઓ પ્લાન્ટ કંપનીમાં પોતાના ઓળખીતા દિન્કેશ ગર્ગના ત્યાં રોકાયો હતો.ATS એ દિનેશ ગર્ગની પણ ધરપકડ કરી છે.ATSની પૂછરપછમાં સામે આવ્યું છે કે વિકાસે 4 સપ્ટેમ્બરે હરિયાણાના ભીવાની શહેરના કોર્ટ પરિસરમાં અજય તથા રોહિત સાથે મળીને લવજીત નામના વ્યક્તિની હત્યા કરી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ રક્ષા મંત્રાલયમાં પોસ્ટેડ લેફ્ટનન્ટ કર્નલ લાંચ લેતા પકડાયા:CBIએ 2.36 કરોડ રોકડ, વાંધાજનક સામગ્રી જપ્ત કરી; ખાનગી કંપનીઓને ફાયદો પહોંચાડતા હતા; પત્ની પણ સામેલ (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ ધીસ ઇઝ ન્યૂઝીલેન્ડ, નોટ ઈન્ડિયા...!:ઓકલેન્ડમાં શીખ સમુદાયના નગર કીર્તનનો વિરોધ; સ્થાનિક લોકોના જૂથે હાકા ડાન્સ કરીને રસ્તો રોક્યો (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ અરુણાચલમાં ચીન-પાક. જાસૂસી નેટવર્ક સક્રિય:એન્ક્રિપ્ટેડ ચેનલથી પાકિસ્તાન મોકલતા માહિતી, બોર્ડર પર એજન્સીઓ એલર્ટ; ચીનની હિલચાલ પર ચાંપતી નજર (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. બિઝનેસઃ કેન્દ્રીય બજેટ-2026 રવિવારે રજૂ થઈ શકે છે:1 ફેબ્રુઆરીએ રવિદાસ જયંતિની પણ રજા, નાણામંત્રી સીતારમણનું સતત 8મું બજેટ હશે (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ક્રિકેટઃ વૈભવે પાકિસ્તાની ખેલાડીઓને બુટ બતાવ્યું:સૂર્યવંશીએ પહેલી બોલ પર સિક્સર ફટકારી, આયુષ મ્હાત્રેની અલી રઝા સાથે દલીલ; મોમેન્ટ્સ (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ 23 કે 24 ડિસેમ્બર ક્યારે છે વર્ષની અંતિમ વિનાયક ચતુર્થી?:જો તમે કોઈ નવું કામ કે પ્રોજેક્ટ શરૂ કરવા માંગો છો, તો ગણેશ પૂજન પછી શરૂ કરી શકો છો (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ચીનમાં 2 વર્ષ સુધી રૂમમાં કેદ રહ્યો શખસ, કચરાનો પહાડ બન્યો એક ચીની ગેમિંગ શોખીન બે વર્ષથી હોટલના રૂમમાં બંધ હતો. જ્યારે તેણે ચેકઆઉટ કર્યું તો રૂમની અંદર કચરાનો ઢગલો જોવા મળ્યો. જેમાં ફૂડ પેકેટ, ટોઇલેટ પેપર અને કચરો ત્રણ ફૂટ સુધી ભરાયેલો હતો. તેને સાફ કરવામાં સ્ટાફને ત્રણ દિવસ લાગ્યા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સન્ડે જઝબાત: 300 પોલીસકર્મીઓ સાથે શિવ મંદિર પહોંચ્યો:લોકો લાકડી લઈને ઊભા હતા, કહેતા હતા કે- 'ગાયનું ચામડું ઉતારનારા ભગવાનને સ્પર્શી ન શકે' 2. શું છે તલાક-એ-હસન, જેણે બરબાદ કરી હિના-ઝરીનાની જિંદગી:દહેજ-મારપીટ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો તો પત્ર લખીને તલાક, ફરિયાદ કરી તો કાઝીએ કહ્યું- 'તું કૂતરાની ઓલાદ છે' 3. ટ્રિપલ મર્ડરના ગુનેગારની ફાંસી રોકવા ત્રણ CM મેદાને પડ્યા:રાજકોટના શશિકાંત માળીએ ત્રણને રહેંસી નાખ્યા, પછી કિડની દાન કરીને ફાંસીએ ચડ્યો 4. સ્કૂલ, કોર્ટ, સ્ટેડિયમમાં બોમ્બની ધમકી આપનારા કેમ નથી પકડાતા?:6 મહિનામાં 14 મેલ, ભારત પાસે ફાયરવોલ નથી; US, ઇઝરાયલની શાળામાં મળે છે બચવાની ટ્રેનિંગ 5. આજનું એક્સપ્લેનર:8મું પગાર પંચ 10 દિવસ પછી લાગુ થશે, શું વધીને આવશે જાન્યુઆરીનો પગાર-પેન્શન; તમારા કેટલા રૂપિયા વધશે; 7 સવાલોમાં બધું જ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ:કર્ક જાતકોને આજે કાર્યો શ્રેષ્ઠ રીતે પૂર્ણ થતા જશે; ધન જાતકોને વ્યક્તિગત સમસ્યાનો ઉકેલ મળવાથી શાંતિ થશે (સંપૂર્ણ સમાચાર વાંચો)
નવો સોશિયલ સિક્યોરિટી કોડ લાગુ:40 હજાર સુધી પગાર ધરાવતા કોર્પોરેટ કંપનીના કર્મચારીને પણ ESICનો લાભ
કર્મચારી રાજ્ય વીમા યોજના (ઈએસઆઈસી) હેઠળ અત્યાર સુધી રૂ.21 હજાર સુધીનો પગાર મેળવનારા કર્મચારીઓ લાભ મેળવવા પાત્ર હતા. પરંતુ કેન્દ્રે શ્રમ કાયદામાં સુધારા કરી ‘કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી’ લાગુ કરાતા હવે આ મર્યાદામાં ફેરફાર કરાયો છે. નવા નિયમ મુજબ હવે 21 હજારથી વધુ અને મહત્તમ રૂ.35થી 40 હજાર સુધીનો પગાર મેળવનારા કોર્પોરેટ કંપનીના કર્મચારી ઈએસઆઈસીનો લાભ મેળવી શકશે. જોકે લાભ માટે ખાસ ગણતરી પદ્ધતિ લાગુ થશે. ઈએસઆઈસી ગુજરાતના રિજનલ ડાયરેક્ટર હેમંત કુમાર પાંડેએ જણાવ્યું કે, કર્મચારીના કુલ પગારમાંથી બેઝિક પગાર, ડીએ અને રિટર્નિંગ એલાઉન્સ ગણાશે. આ ફેરફારથી કોર્પોરેટ ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ, દુકાનો, મોલ, સંસ્થાઓ તથા સિક્યોરિટી કર્મચારીને લાભ મળશે. એક અંદાજ મુજબ શહેરના 2 લાખ કર્મચારીને ફાયદો થવાની શક્યતા છે. મારા કામની વાત40 હજાર હશે તો આ રીતે લાભ મળશે- બેઝિક પગાર + ડીએ + આરએ : રૂ.16 હજાર- એચઆરએ સહિત અન્ય એલાઉન્સ : રૂ.24 હજાર- કુલ પગારનો 50 ટકા : રૂ. 2 હજાર- વધારાના એલાઉન્સ અને 50 ટકા વચ્ચેનો તફાવત :24000 – 20000 = રૂ.4 હજાર- ઈએસઆઈસી મુજબ ગણતરીમાં લેવાતો પગાર : 16000 + 4000 = રૂ.20 હજાર- ગણતરીમાં આવતો પગાર 21 હજારથી ઓછો હોવાથી કર્મચારી ઈએસઆઈસીના લાભ માટે પાત્ર બનશે. પરિવારના સભ્યોને પણ આવરી લેવાશે- નિઃશુલ્ક સારવાર (આઉટડોર–ઇન્ડોર) - પરિવારના સભ્યોને પણ આરોગ્ય સેવા - અકસ્માત કે બીમારી સમયે કેશલેસ સારવાર - મેટરનિટી અને ડિસેબિલિટી લાભ - નોકરી ગુમાવ્યાના સમયે મર્યાદિત સુરક્ષા
બાપુનગર અકબરનગરના છાપરામાં રહેતા 1200 રહીશોને ડિમોલિશન બાદ ત્યાંથી હટાવાયા હતા. એસઆઈઆરની પ્રક્રિયા દરમિયાન જૂના સરનામા પર જ તમામ લોકોના એન્યુમરેશન ફોર્મ આવ્યા હતા. અને 600 લોકોએ ફોર્મ ભરીને જમા કરાવ્યા હતા. જોકે બીએલઓએ તમામના ફોર્મને સ્થળાંતરિતની યાદીમાં દર્શાવ્યા હતા. પહેલા જે બુથ પર મતદારોની સંખ્યા 1168 મતદારોની હતી ડ્રાફ્ટ યાદી રજૂ થયા બાદ બુથ પર મતદારોની સંખ્યા ઝીરો બતાવે છે. જોકે ચંડોળા તળાવમાં ડિમોલિશન કરાયું અને ત્યાં રહેતા અમુક સ્થાનિકોના એન્યુમરેશન ફોર્મ જૂના સરનામાં પર જ નોંધાાયા હતા. અહીં વિસ્થાપિતો માટે બે દિવસ માટે અલગથી કેમ્પ કરાયો હતો. અકબરનગરના રહીશોએ બીએલઓનો સંપર્ક કરીને 2002ની યાદીમાંથી નામ શોધીને જાતે જ ફોર્મ ભરીને બીએલઓને આપ્યા હતા. જે લોકોના નામ યાદીમાં સમાવી શકાયા નથી. બાપુનગર બેઠક પર છેલ્લી 3 વિધાનસભા ચૂંટણીમાં હાર-જીતનું માર્જિન 2600 થી 12000 રહ્યું હતું
શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને કાબૂમાં લેવા માટે મ્યુનિ.એ રોડ પર ગેરકાયદે પાર્કિંગ, દબાણો સામે કડક વલણ અપનાવ્યું છે. મ્યુનિ.એ જાહેર કરાયેલા આદેશ મુજબ હવે શહેરમાં કોઈપણ કોઇપણ કોમ્પ્લેક્સ, મોલ, હોટેલ, દુકાનો, તેમજ રહેણાંક બિલ્ડિંગની સામે રોડ અથવા ફૂટપાથ પર વાહન પાર્ક કરી શકાશે નહીં. કોમ્પ્લેક્સના સેક્રેટરી કે ચેરમેને, સિક્યોરિટી ગાર્ડે આ બાબતોનું ધ્યાન રાખવું પડશે. બિલ્ડિંગ સંચાલકોએ પોતાની તરફથી પાર્કિંગ મેનેજમેન્ટની વ્યવસ્થા કરવી પડશે. જો રોડ પર વાહનો પાર્ક થયેલાં જોવા મળશે તો વાહનને લોક કરાશે. તેમજ ધંધાકીય એકમને નોટિસ આપી સિલિંગ કરાશે. તેના પછી પણ કોઈ સુધાર નહીં આવે તો બીયુ રદ કરવા સુધીની કાર્યવાહી કરાશે. એસ્ટેટ વિભાગ મુજબ કોમ્પ્લેક્સ, મોલ, દુકાનો, રહેણાંક વિસ્તારોમાં યોગ્ય રીતે વાહન પાર્ક નથી કરાતા. જેથી વાહનચાલકોને અવર-જવરમાં સમસ્યા પડે છે અને ટ્રાફિકનું નિયમન થઈ શકતું નથી. તમામ વાણિજ્ય-રહેણાંક વિસ્તારની બિલ્ડિંગો અને જગ્યામાં નીતિ-નિયમો અનુસાર વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે પ્લોટ-પ્રિમાઈસીસની અંદર કરાવવુ તેમજ પાર્કિંગ અંગેના જરૂરી સાઈનેજીસ, પાર્કિંગના પટ્ટા લગાવવા તથા પાર્કિંગનું સંચાલન થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. ભાસ્કર ઇનસાઇટઅમદાવાદના 40 ટકા વાહન એકસાથે ચાલે તો રસ્તા ખીચોખીચ ભરાઇ જાયઅમદાવાદમાં 59.03 લાખ વાહનો નોંધાયા છે. શહેરમાં 3321 કિમીનું રોડ નેટવર્ક છે. હવે 40% એટલે કે 23.61 લાખ વાહનો એકસાથે રોડ પર ચાલે તો એક કિમીમાં 711 વાહન સમાઇ શકે છે. શહેરમાં 44.06 લાખ ટુ-વ્હીલર છે, તેમાંથી 40% પણ રોડ પર ઉતરે તો એક કિમીમાં 531 ટુ-વ્હીલર અને 11.43 લાખ ફોર વ્હીલરમાંથી 40% પ્રમાણે એક કિમીમાં 138 કાર સમાઇ શકે છે. આ આંકડા માત્ર પેસેન્જર વાહન એટલે કે રોજબરોજ માટે ઉપયોગ કરાય છે તેના છે. જે દર્શાવે છે કે પાર્કિંગની સમસ્યા ગંભીર બની છે અને રોડ પર વધતા દબાણનું મુખ્ય કારણ છે. જગ્યા હોવા છતાં પાર્કિંગ નહીં કરવા દે તો કાર્યવાહી કરાશેજે કોમ્પ્લેક્સ-બિલ્ડિંગમાં વિઝિટર માટે પાર્કિંગની જગ્યા છે અથવા પાર્કિંગની જગ્યા ખાલી રહેતી હોય છે ચોકીદાર વિઝિટરને અંદર વાહન પાર્ક કરવા નથી દેતાં. આ સિવાય માર્જિનની જગ્યામાં બિલ્ડર ખાણી-પીણીની લારીઓ કે સ્ટોલને ભાડેથી આપી દે છે તેઓને નોટિસ અપાશે જરૂર પડે સિલિંગ, બીયુ રદ સુધીની કાર્યવાહી કરાશે. રાવલ, ડે. મ્યુનિ. કમિશનર, એસ્ટેટ વિભાગ કોમર્શિયલમાં 20 ટકા, રહેણાંકમાં 10 ટકા, પાર્કિંગ ફરજિયાત છેજીડીએસઆર મુજબ કોમ્પ્લેક્સમાં પાર્કિંગ આપવું ફરજિયાત છે. જો ફ્લેટનું પ્લિન્થ એરિયા 100 ચોરસ મીટરથી વધુ અને 300 ચોરસ મીટર સુધી હોય તો દરેક ફ્લેટ માટે એક કાર પાર્કિંગ જરૂરી છે. દરેક વધારાના 100 ચોરસ મીટર માટે એક વધારાનું કાર પાર્કિંગ આપવું જરૂરી બને છે. વિઝિટર માટે 10 ટકા, કોમર્શિયલ માટે 20 ટકા પાર્કિંગ વિઝિટર માટે અનામત રાખવું ફરજિયાત છે.
મંડે પોઝિટીવ:આંસુથી આત્મવિશ્વાસ સુધી: કેન્સરને માત આપનાર મહિલાઓનું રેમ્પ વોક
આ તસવીરમાં દેખાતી મહિલાઓ કોઇ સામાન્ય નથી, તેમણે કેન્સરને હરાવી નવા જીવનની શરૂઆત કરી છે. કોઇ 17 વર્ષના હતા ને થાયરોઇડ કેન્સર થયું, કોઇ પોતે ડોક્ટર છે અને બ્રેસ્ટ કેન્સર થઇ ગયું, આ તમામે કેન્સરને માત આપી છે. રોટરી ક્લબ ઑફ અમદાવાદ સ્કાયલાઇન, એચસીજી આસ્થા સેન્ટર દ્વારા સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા ચેરિટી ફેશન શૉ ‘ધ વૉક ઑફ કરેજ’નું આયોજન કરાયું હતું. વિવિધ પ્રકારના કેન્સરને હરાવનાર 70 મહિલાએ ફેશન શૉમાં ભાગી લીધો હતો. તેનો ઉદ્દેશ સર્વાઇકલ કેન્સરને અટકાવવાની HPV રસી માટે ફંડ એકત્ર કરવાનો હતો. તેનાથી 5 હજાર વંચિત છોકરીઓને આ રસી પૂરી પાડવામાં આવશે. સર્વાઇકલ કેન્સરને સમયસર HPV રસીકરણ દ્વારા 95% થી વધુ કેસોમાં અટકાવી શકાય છે. ડૉ.અંવિષ ઉપાધ્યાય,17 વર્ષની વયે થાયરોઇડ કેન્સર નિદાન થયું અને બાદમાં કેન્સરને હરાવી પોતે ડૉક્ટર બન્યા. કેન્સરના ડોક્ટર પૂર્વી પટેલે જ બ્રેસ્ટ કેન્સરને હરાવ્યું. ઇલાબેન વોરા બ્રેસ્ટ કેન્સરને હરાવી ‘લાઇફ બિયૉન્ડ કેન્સર’ થકી સેવા આપી રહ્યા છે. રૂપેન્દ્ર કૌર કેન્સરને હરાવી 12 વર્ષથી સમાજસેવા કરી રહ્યા છે.
સિટી એન્કર:ફ્લાવર શોમાં સમુદ્ર મંથન, રામસેતુ સહિત 127 સ્કલ્પચર હશે
મ્યુનિ.એ ફ્લાવર શોની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે આ વખતે ફ્લાવર શો ભારત-એક ગાથા થીમ પર થવાનો છે. જેમાં પાંચ અલગ-અલગ ઝોન બનાવાયા છે. જેમાં ભારતના તહેવારો, નૃત્ય કળા, પૌરાણિક કથાઓ, ભારતના વિકાસના કામો, વિવિધ રમત-ગમતના સ્ટ્રક્ચર, કિડ્સ ઝોન, ભવિષ્યમાં થનારા કામો સહિતના સ્કલ્પચર ઊભાં કરવામાં આવી રહ્યા છે. આ વખતે ફ્લાવર શોમાં પૌરાણિક ઝોનમાં સમુદ્ર મંથન, રામસેતુનું સ્કલપ્ચર ઊભું કરવામાં આવ્યું છે. આ સિવાય ભારતના નૃત્ય ઝોનમાં ગરબા, કુચીપુડી, કઠકલી, ભાંગડા સહિતના નૃત્ય દર્શાવતા સ્કલ્પચર હશે. ફ્લાવર શોમાં બે ગિનીસ વર્લ્ડ રેકોર્ડની તૈયારી ચાલી રહી છે. જેમાં સરદાર પટેલનું પોટ્રેટ તૈયાર કરાશે. જેની લંબાઈ 40 મીટર અને ઊંચાઈ 12 મીટર હશે. 60 ફૂટ લાંબું સમુદ્ર મંથનનું સ્કલ્પચર, દરિયાની અનુભતિ માટે મોજા પ્રકારનું સ્ટ્રક્ચર બનાવાયુંસમુદ્ર મંથનની લંબાઈ 60 ફૂટ છે અને ઉંચાઈ 20 ફૂટ છે. 7 દાનવ 7 દેવ છે. દરિયાની અનુભૂતિ થાય તેના માટે મોજા પ્રકારનું સ્ટ્રક્ચર બનાવાયું છે. સમુદ્ર મંથન દ્વારા ઉત્પન્ન થયેલા શંખ, કળશ, ઘોડા સહિતની વસ્તુઓ મૂકવામાં આવી છે. નટરાજનું સ્કલ્પચરની ઉંચાઈ 20 ફૂટ છે અને પહોળાઈ 12 ફૂટ જેટલી છે. સ્ટૂડિયોમાં તૈયાર થયા હતા. હવે તે સાઇટ પર લાગી ગયા છે. શું ખાસિયત હશે?
અજંતાની ગુફામાં મળેલા ચિત્રોના આધારે 2,000 વર્ષ જૂની ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું આઈએનએસવી કૌંડિન્ય જહાજ ડિસેમ્બરના અંતમાં પોરબંદરથી ઓમાન જવા રવાના થશે. નાળિયેરના દોરડાથી સીવેલા લાકડાના પાટિયાથી બનેલા આ જહાજમાં કોઈ ખીલા નથી. તેમાં એન્જિન કે જીપીએસનો અભાવ છે. તે ફક્ત કાપડના સઢની મદદથી પવન દ્વારા ચાલશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેને લીલી ઝંડી આપશે. ભૂતકાળ... ખલાસી મહિનાઓથી તાલીમ લઈ રહ્યાંવર્ષો જૂના ભારતના ભવ્ય દરિયાઈ વેપાર ઇતિહાસને પ્રતિબિંબિત કરતા આ જહાજનું નામ મહાન ખલાસી ‘કૌંડિન્ય’ પરથી રખાયું છે. કોઈને આવા જહાજ ચલાવવાનો અનુભવ નથી, તેથી ક્રૂ ઘણા મહિનાથી તાલીમ લઈ રહ્યા છે. જહાજ નિર્માણ...વિશ્વ ભારતીય કૌશલ્ય વિશે જાણશેભારત સરકારે 2023 માં ભારતના પ્રાચીન જહાજ નિર્માણ કૌશલ્યને પ્રદર્શિત કરવા માટે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. ગોવાની એક કંપનીએ 2,000 વર્ષ જૂની ટાંકા પદ્ધતિનો ઉપયોગ કરીને તેનું નિર્માણ કર્યું છે. જહાજ વિશે માહિતી
દેશભરમાં વધી રહેલા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ સૌથી વધુ વૃદ્ધો બની રહ્યા છે, તેઓ તેમની જીવનભરની બચત ગુમાવી રહ્યા છે. જોકે ગુજરાતના અમદાવાદમાં સતર્ક બેન્ક મેનેજરો અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ ત્રણ વૃદ્ધોને ન માત્ર 2.21 કરોડની છેતરપિંડીથી બચાવ્યા, પરંતુ તેમને ડિજિટલ ધરપકડના ભયથી પણ મુક્ત કર્યા છે. આ ત્રણેય વૃદ્ધો પર સાઇબર ગુનેગારોનો એટલો બધો ડર હતો કે તેઓ અસલી પોલીસને પણ સાંભળવા તૈયાર નહોતા. તેમને જ ફ્રોડ સમજતા હતા. બે કિસ્સામાં તેમણે અસલી પોલીસ સાથે ઝપાઝપી કરી, દાંત વડે બચકા પણ ભર્યા હતા. ત્રણેય બનાવ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં બન્યા હતા. ત્રણેય બનાવમાં વૃદ્ધો દ્વારા અચાનક અને ઉતાવળે પૈસા ઉપાડવાથી બેન્ક મેનેજરો અને ફંડ મેનેજરોને આંશકા થઈ હતી કે કદાચ આ લોકો છેતરપિંડીનો ભોગ તો નથી બન્યા. જાગૃતિને લીધે બાજી પલટાઈ: ત્રણ મોટી સફળતા મળીવૃદ્ધે ફંડમાંથી પોતાના બધા પૈસા ઉપાડ્યા તો ફંડ મેનેજરે સાઇબર સેલ એલર્ટ જારી કર્યુંકેસ 1: અમદાવાદના ઘાટલોડિયામાં 71 વર્ષીય વૃદ્ધે મ્યુચ્યુઅલ ફંડમાંથી તમામ રકમ 93 લાખ રૂપિયા ઉપાડી દીધી અને 50 લાખની એફડી પણ તોડાવી. જ્યારે તેમણે આ મોટી રકમ ખાનગી બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે ફંડ રોકાણકાર પલક દોશીને કંઈક ગડબડ હોવાની આશંકા ગઈ. તેમણે તરત જ સાયબર સેલને જાણ કરી. બેન્ક કર્મચારીઓ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી વૃદ્ધને ટ્રાન્જેક્શન કરતાં અટકાવ્યા હતા અને તેમના રૂ. 1.43 કરોડ બચાવી લેવાયા હતા. તમામ રકમ ઓડિશાના એક ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો, મેનેજરે પોલીસ બોલાવીકેસ 2: અમદાવાદના સેટેલાઇટમાં સેન્ટ્રલ બેન્કના 65 વર્ષીય ગ્રાહક રૂ. 45 લાખની એફડી તોડીને ઓડિશાના એક ખાતામાં ટ્રાન્સફર કરવા માંગતા હતા. બેન્ક મેનેજર જયેશ ગાંધીને ઓડિશાના ખાતા પર શંકા ગઈ. તેમણે વૃદ્ધને વાતચીતમાં રોકી પોલીસને ફોન કર્યો. તેમની ડિજિટલ ધરપકડ કરાઇ હતી. મહિલા સતત વીડિયો કોલ પર હતી, પરંતુ મેનેજરે ફોન છીનવી ડિજિટલ એરેસ્ટથી બચાવી લીધીકેસ 3: મણિનગરમાં રહેતા ભારતીય ક્રિકેટના પૂર્વ મહિલા કોચ રૂ.33.35 લાખ મોકલવા માટે બેન્ક ગયા. બ્રાન્ચ મેનેજર અભિષેક સિંહે જોયું કે મહિલા સતત વીડિયો કોલ પર હતી. શંકા જણાતાં મહિલાનો ફોન છીનવી અને પોલીસને જાણ કરી. સાઇબર સેલને સમજાવવામાં 3 કલાક લાગ્યા કે ત ઠગાઇના ભોગ બન્યા છે. પોલીસે ડિજિટલ એરેસ્ટની ઓળખ માટે કેટલાક ‘રેડ ફ્લેગ્સ’ જારી કર્યા

22 C