SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

27    C
...

ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે લાંબુ વેઈટિંગ લિસ્ટ:ડોનર્સના અભાવે 2322 અમદાવાદી દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટની રાહે, વર્લ્ડ કિડની ડે પર ડોક્ટરોની અપીલ-'જીવનશૈલી સુધારો, કિડની બચાવો'

અમદાવાદમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે દર્દીઓની વેઇટિંગ લિસ્ટ ચિંતાજનક રીતે લાંબી થઈ રહી છે. તાજેતરના આંકડા અનુસાર, ગુજરાતમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે, જેમાંથી અમદાવાદમાં જ 2322 દર્દીઓ સમાવિષ્ટ છે. વર્લ્ડ કિડની ડે નિમિત્તે ડૉક્ટરો દ્વારા આ વધતી સમસ્યા અંગે ચેતવણી આપવામાં આવી છે અને લોકોને પોતાની જીવનશૈલી સુધારવા માટે લોકોને અપીલ કરી છે. ગુજરાતના 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. તાજેતરના આંકડા મુજબ ગુજરાતમાં હાલમાં કુલ 2587 દર્દીઓ કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં છે, જેમાંથી માત્ર અમદાવાદમાં જ 2322 દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. આ આંકડા દર્શાવે છે કે કિડનીની જરૂરિયાત ધરાવતા દર્દીઓની સંખ્યા ખૂબ મોટી છે, જ્યારે યોગ્ય ડોનર સમયસર અવેલેબલ હોતા નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં કિડની ફેલ્યોરના કેસોમાં વધારો થતાં ટ્રાન્સપ્લાન્ટ માટે રાહ જોતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ડૉક્ટર પ્રાંજલ મોદીનું કહેવું છે કે દર્દીઓ વધી રહ્યા છે, પરંતુ કિડની દાતાઓની સંખ્યા તે પ્રમાણે વધી રહી નથી. કિડની ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓમાં પુરુષ-સ્ત્રીની સંખ્યા એકસમાનહાલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રાપ્ત કરનારા દર્દીઓમાં પુરુષ અને મહિલાઓનું પ્રમાણ લગભગ સમાન એટલે કે 50 ટકા પુરુષ અને 50 ટકા મહિલાઓ છે. ખાસ વાત એ છે કે, ગુજરાતની G-DOT ગાઇડલાઇન મુજબ મહિલાઓને ટ્રાન્સપ્લાન્ટ માટે 2 વધારાના પોઇન્ટ આપવામાં આવે છે. આ નિયમના કારણે છેલ્લા સમયમાં મહિલાઓમાં કિડની ટ્રાન્સપ્લાન્ટના કેસોમાં વધારો જોવા મળ્યો છે અને તેમને ટ્રાન્સપ્લાન્ટ મેળવવાની વધુ તક મળી રહી છે. આ આદતો તમારી કિડની ખરાબ થવા માટે જવાબદારગુજરાતમાં કિડની ફેલ્યોરના વધતા કેસોના મુખ્ય કારણોમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર સૌથી મહત્વના માનવામાં આવે છે. લાંબા સમય સુધી શુગર અને બ્લડ પ્રેશર કાબૂમાં ન રહેતાં કિડની પર ગંભીર અસર પડે છે. ઉપરાંત વધુ મીઠુંવાળો આહાર, બહારનું ખાવાનું, કસરતનો અભાવ, દવાઓનો બેદરકાર ઉપયોગ અને સમયસર હેલ્થ ચેકઅપ ન કરાવવું પણ કિડનીને નુકસાન પહોંચાડે છે. ડૉક્ટરની સલાહ વગર પેઇનકિલર જેવી દવાઓનો વધારે ઉપયોગ ન કરવોવર્લ્ડ કિડની ડે નિમિત્તે ડૉક્ટરો સામાન્ય લોકોને કિડની સ્વસ્થ રાખવા માટે કેટલીક મહત્વની સલાહ આપે છે. તેમાં નિયમિત રીતે બ્લડ પ્રેશર અને બ્લડ શુગર ચેક કરાવવી, પૂરતું પાણી પીવું અને આહારમાં મીઠું ઓછું લેવું મહત્વનું છે. આ સાથે જ ડૉક્ટરની સલાહ વગર ખાસ કરીને પેઇનકિલર જેવી દવાઓનો વધારે ઉપયોગ ન કરવો, નિયમિત કસરત કરવી, વજન કાબૂમાં રાખવું અને સમયસર હેલ્થ ચેકઅપ કરાવવું પણ એટલું જ જરૂરી છે. ડૉ. પ્રાંજલ મોદીનું કહેવું છે કે, સમયસર તપાસ અને યોગ્ય જીવનશૈલી અપનાવવાથી કિડની સંબંધિત ઘણી ગંભીર સમસ્યાઓથી બચી શકાય છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 7:00 am

યુદ્ધની આર્થિક અસર:યુદ્ધના કારણે કંડલા,મુન્દ્રા બંદરે ઈરાન જતો 345 કરોડનો માલ અટવાયો

મધ્ય-પૂર્વ (પશ્ચિમ એશિયા)માં વકરી રહેલા યુદ્ધની સીધી આર્થિક અસર હવે કચ્છના બે સૌથી મોટા બંદરો કંડલા અને મુન્દ્રા પર જોવા મળી રહી છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા સંયુક્ત હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય શિપિંગ રૂટ ગંભીર રીતે ખોરવાયા છે. જેના પરિણામે કંડલા અને મુન્દ્રા બંદરેથી ઈરાન નિકાસ થવા માટે તૈયાર આશરે 345 કરોડનો માલ અટવાઈ પડ્યો છે. આ પરિસ્થિતિએ સ્થાનિક નિકાસકારો અને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં ભારે ચિંતા જગાવી છે. વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે મંગળવારે લોકસભામાં એક લેખિત જવાબમાં આ ગંભીર સ્થિતિનો ચિતાર આપ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, દીનદયાલ પોર્ટ (કંડલા) પર 1લી માર્ચ સુધીના આંકડા મુજબ, અહીં 35,962 ટન ચોખા, ચા અને જીવનરક્ષક દવાઓનો જથ્થો અટવાયેલો છે. આ માલનું ‘ફ્રી ઓન બોર્ડ’ મૂલ્ય ₹305.67 કરોડ જેટલું માતબર છે. તો દેશના સૌથી મોટા ખાનગી બંદર મુન્દ્રા ખાતે પણ ઈરાન મોકલવા માટે તૈયાર રખાયેલો 5,676 ટન (જેની કિંમત ₹40.72 કરોડ છે) કાર્ગો જહાજોની રાહ જોઈ રહ્યો છે. ભારત અને ઈરાન વચ્ચેનો વેપાર મુખ્યત્વે અનાજ અને દવાઓ પર છે નિર્ભરભારત અને ઈરાન વચ્ચેનો વેપાર મુખ્યત્વે અનાજ અને દવાઓ પર નિર્ભર છે. ખાસ કરીને, ઈરાન ભારતીય બાસમતી ચોખાના સૌથી મોટા અને મહત્વના ખરીદદારોમાંનું એક છે. પરંતુ વર્તમાન ભૌગોલિક-રાજકીય તણાવને કારણે સપ્લાય ચેઈન તૂટી ગઈ છે. માલ પડી રહેવાથી વર્કિંગ કેપિટલ બ્લોક થઈજ્યાં સુધી પશ્ચિમ એશિયાના દરિયાઈ માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા પૂર્વવત નહીં થાય અને શિપિંગ કંપનીઓ પોતાનું ઓપરેશન રાબેતા મુજબ નહીં કરે, ત્યાં સુધી ગુજરાતના બંદરોથી થતો આ વેપાર ખોરવાયેલો રહેશે. માલ ગોડાઉનમાં પડી રહેવાથી નિકાસકારોની વર્કિંગ કેપિટલ બ્લોક થઈ ગઈ છે, જેને કારણે સરકાર પાસે રાહતની અપેક્ષા રખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:35 am

AI કંપની OpenAI અને CEO સેમ ઓલ્ટમેન્ટ:નવી પેઢી માટે કારકિર્દીની દિશા બદલનાર કંપની અને નવો રોલ મોડેલ

હોલિવૂડમાં ક્રિસ્ટોફર નોલન વિજ્ઞાન આધારિત કાલ્પનિક કથાનક પર ફિલ્મ બનાવવા મેદાનમાં આવ્યા એ પહેલા 1968માં સ્ટેન્લી ક્રુબ્રિક નામના દિગ્ગજ સર્જક, દંતકથા સમાન લેખક, આર્થર સી. ક્લાર્કની વાર્તા પરથી 2001-અ સ્પેસ ઓડિસી નામની ફિલ્મ બનાવી ચુક્યા છે. જે આજે પણ એ સમયની સમયથી આગળ, કલ્ટ, ક્લાસિક ફિલ્મની કેટેગરીમાં આવે છે. કલ્પના હકીકત બની ગઇએ ફિલ્મનો ઉઘાડ થાય છે એક અત્યંત મૌલિક દ્રશ્યથી. જેમાં એક વાનર જેવો દેખાતો આદિમાનવ હવામાં એક હાડકાનું બનેલું હથિયાર ઉડાવે છે અને એ હાડકું સ્પેસ રોકેટ બની જાય છે! મુગ્ધાવસ્થામાં જોયેલી ફિલ્મનું આ દ્રશ્ય આજે પણ એટલું જ વિસ્મય પમાડે છે. જ્યારે એ ફિલ્મમાં દર્શાવેલી એક સંકલ્પના નામે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે હકીકત બની ગઇ છે! તાજેતરમાં ભારતમાં AI સમિટ યોજાઇ ગઇ અને વિશ્વમાંથી AI ટેક્નોલોજીમાં મહત્વનું પ્રદાન કરનાર, કંપની સ્થાપનાર દિગ્ગજો આવીને ગયા. એમાં સૌથી વધુ જાણીતું નામ હતું ઓપન એઆઇ કંપનીના સીઇઓ સેમ ઓલ્ટમેન્ટનું! AIને લોકપ્રિય બનાવવાનો શ્રેય સેમ ઓલ્ટમેનને જાય છેઓપન એઆઇ કંપની એ ChatGPT જે એક ચેટ આધારિત AI સહાયક છે તેને માર્કેટમાં લાવીને AI પ્રોડ્કટને લોકભોગ્ય અને લોકપ્રિય બનાવવાનું શ્રેય ઘણું બધું સેમ ઓલ્ટમેનને જાય છે અને અત્યારે AI એટલે ઓપન આઇએ એકબીજાના સમાનાર્થી શબ્દો બની ગયા છે. જ્યારે ગૂગલના જેમિની, એન્થ્રોપિક નામની સ્ટાર્ટ અપનું કલોઉડ આઇ, ઇલોન મસ્કની કંપની xAI નું ગ્રોક વગેરે માર્કેટમાં આવી ગયા પછી પણ! 2015માં OpenAI ની સ્થાપનાસેમ ઓલ્ટમેન, જીનિયસ એલોન મસ્ક અને અન્ય ટેક લીડર્સ દ્વારા 2015માં OpenAI ની સ્થાપના થઇ હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) માનવજાત માટે સુરક્ષિત અને ફાયદાકારક રીતે વિકસિત થાય એવા હેતુથી શરુ થયેલી આ કંપની તેના હરીફો અને દર મિનિટે બીજા ઉમેરાતા AI સંબંધિત સ્ટાર્ટઅપ હરીફોના હાથમાં હવે ફક્ત વિશ્વનું જોબ માર્કેટ, જે તે દેશની ઇકોનોમી, રાજકારણ જ નહીં પણ માનવીનું ભવિષ્ય પણ છે! હાલ Generative AI ક્ષેત્રમાં આગેવાન OpenAI ની વાત કરીએ તો, જેવી AI પ્રોડક્ટ્સ દ્વારા કંપની શિક્ષણ, આરોગ્ય, સોફ્ટવેર ડેવલપમેન્ટ, રિસર્ચ અને અનેક ઉદ્યોગોમાં ઉપયોગી સાબિત થઇ રહી છે અને AIને માનવ કલ્યાણ માટે ઉપયોગી બનાવવા માટે સતત પ્રયત્નશીલ OpenAI અને Sam Altman આજના સમયમાં ટેકનોલોજી વિશ્વના મહત્વપૂર્ણ નામ બની ગયા છે. AI ટેકનોલોજીનું લોકતંત્રિકરણ (Democratization of AI), શિક્ષણ અને સંશોધન ક્ષેત્રમાં નવી તકો, AI સલામતી અને જવાબદારી પર ભાર અને વૈશ્વિક સ્તરે ટેકનોલોજીના વપરાશ પર નિયમો અને કાયદાઓ પર સતત ચર્ચા કરતા રહેતા OpenAI ના સેમ ઓલ્ટમેન્ટ માને છે કે, AI માનવ જીવનને વધુ સારું બનાવી શકે પરંતુ સાથે સાથે તેની સુરક્ષા અને નૈતિકતા પર પણ ભાર મૂકવો જરૂરી છે. સેમ ઓલ્ટમેન નવી પેઢીના રોલ મોડેલઅદ્યતન ભાષા મોડલ ટેકનોલોજી (એલ એલ એમ), વિશાળ યુઝર બેઝ, Microsoft જેવી મજબૂત કંપનીની ભાગીદારી અને રિસર્ચમાં જંગી રોકાણ કરનાર OpenAI અત્યારે દરેક કમ્પ્યુટર ક્ષેત્રમાં કામ કરનાર માટે ડ્રિમ કંપની બની ચૂકી છે અને સેમ ઓલ્ટમેન નવી પેઢીના રોલ મોડેલ! પણ તોતિંગ કોમ્પ્યુટિંગ ખર્ચ, ડેટા પ્રાઇવસી જેવા મુદ્દા અને ગૂગલ, મેટા, એન્થ્રોપિક, માઇક્રોસોફ્ટ ઉપરાંત બીજી દર મિનિટે બજારમાં આવતી AI સ્ટાર્ટ અપ સાથેની હરિફાઇ સામે OpenAI હાલ Generative AI ક્ષેત્રમાં આગેવાન છે પરંતુ સ્પર્ધા ખૂબ જ તીવ્ર છે. અને કંપનીનું ભવિષ્ય આવનાર વર્ષોમાં AI માર્કેટનું વલણ, સતત કંઇ નવું આપવાનો પ્રયત્ન અને AI સલામતી આધારિત જે તે દેશના કાયદા અને રેગ્યુલેશન્સ પર નિર્ભર કરે છે અને આ વાત દરેક AI કંપનીને લાગુ પડશે! કંપની અને સરકારની જવાબદારી વધે છેAI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક એવી ટેકનોલોજી છે જે હેન્ડલ વિથ કેરના લેબલ સાથે આવે છે. કારણ કે, દર સેકન્ડે મજબૂત રહેલી આ ટેક્નોલોજી, બેરોજગારી, સાચી ખોટી માહિતીનો ધોધ અને એનું નિયમન, ડેટા સુરક્ષા અને વિશ્વાસ, નૈતિક જવાબદારી જેવા વિશાળ પ્રશ્નો લઇને પણ આવે છે. જે OpenAI જેવી AI કંપનીઝ અને સરકારની જવાબદારી વધારી દે છે. 1950માં AI ની સંકલ્પના આપનાર બ્રિટિશ ગણિતજ્ઞ એલાન ટુરિંગ એને વાસ્તવિકતામાં બદલવામાં મહત્વનો ભાગ ભજવનાર જ્હોન મેકાર્થી, માર્વિન મિન્સકી, એલન નેવેલ, હર્બર્ટ સિમોન અને આર્થર સેમ્યુલએ ક્યારેય વિચાર્યું નહીં હોય કે એમણે જે સર્જવામાં પાયાનો ભાગ ભજવ્યો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી મનુષ્યને આ ટેક્નોલોજીના વપરાશ માટે પોતાની ઇન્ટેલિજન્સ વાપરવા અને નહી તો એના માઠા પરિણામો ભોગવવા મજબૂર કરશે! AI ના પિતામહની ગંભીર ચેતવણી2024માં ભૌતિક શાસ્ત્રમાં નોબેલ પારિતોષિક મેળવનાર AI ના પિતામહ એવા જ્યોફ્રી હિન્ટને ઇનામ મેળવતી વખતે ગંભીર ચેતવણી આપી કે, AI હવે એવી દિશામાં વધી રહી છે કે તે માનવ બુદ્ધિ કરતાં વધારે હોઇ શકે છે અને ત્યારે તેનું નિયંત્રણ આપણા હાથમાંથી બહાર થઇ શકે છે માટે જ AI સલામતી (AI Safety) પર વધુ ધ્યાન આપવું જોઇએ નહીં તો ઘણા જોખમો માનવ જાતના અસ્તિત્વના પ્રશ્ન સુધી પહોંચી શકે છે! અણુબોમ્બ, કોમ્પ્યુટર, ઇન્ટરનેટ અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવી ટેકનોલોજી વિશ્વ અને એમાં વસતી માનવ સહિતની જીવ સૃષ્ટિ માટે આશીર્વાદ નીવડશે કે એનું અસ્તિત્વ જ ના રહે એ દિશામાં લઇ જશે એ વાત વૈજ્ઞાનિક ડાર્વિનની થીયરી મુજબ વાનરમાંથી કાળક્રમે અસ્તિત્વમાં આવેલા આજના મનુષ્યની ઇન્ટેલિજન્સ પર આધાર રાખે છે!

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:35 am

મુસાફરો અને વિદ્યાર્થીઓ અટવાયા:સ્ટાફઘટનું કારણ આપી ભુજ-નારાયણ સરોવર ઇન્ટરસિટી બસ ચાર દિવસથી બંધ

કચ્છના તીર્થધામ નારાયણ સરોવરને જોડતી મહત્વની ગણાતી ભુજ-નારાયણ સરોવર ઇન્ટરસિટી બસ છેલ્લા ચાર દિવસથી અચાનક બંધ કરી દેવામાં આવતા લખપત તાલુકાના ગ્રામીણ મુસાફરો, યાત્રિકો અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપી પરત ફરતી વિદ્યાર્થીનીઓને આડેધડ બસ સેવા બંધ થવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, બપોરે 3:00 કલાકે ભુજથી ઉપડીને રાત્રે 8:00 વાગ્યે નારાયણ સરોવર પહોંચતી ઇન્ટરસિટી બસ ચાર દિવસથી બંધ છે. અગાઉ બપોરે 1:30 થી 2:00 વાગ્યાના ગાળામાં ત્રણ એક્સપ્રેસ બસો ઉપલબ્ધ છે, પરંતુ ત્યારબાદ સીધી 3:00 વાગ્યાની આ મહત્વની ઇન્ટરસિટી બસ હતી. હવે આ બસ બંધ થતા મુસાફરોએ છેક સાંજે 6:00 વાગ્યા સુધી એસટીની રાહ જોવી પડે છે. આ બસ બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે નારાયણ સરોવરથી રવાના થઈ સવારે 10:00 વાગ્યે ભુજ પહોંચતી હતી, જે અપડાઉન કરતા નોકરિયાતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ હતી. સારી આવક આપતી અને છેવાડાના ગામોને જોડતી આ બસ સેવા એસટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જો આ બસ ચાલુ નહીં થાય તો આગામી દિવસોમાં સ્થાનિકો દ્વારા રજૂઆતના કાર્યક્રમો પણ ઘડવામાં આવી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અવાર નવાર એસટી બસ ખોટવાઇ જાય છે ખાસ કરીને મુન્દ્રા, ગાંધીધામ રૂટમાં લોકલ બસોની અછત છે રાતના પણ બસો મળતી નથી. એસટી જીવાદોરી છે ત્યારે રૂટ સંચાલન યોગ્ય રીતે કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બોર્ડની પરીક્ષા આપતા છાત્રોની કફોડી સ્થિતિહાલમાં બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે. નારાયણ સરોવર વિસ્તારના વિદ્યાર્થીઓ દયાપર કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા જાય છે. નારાયણ સરોવરના ઇસ્માઈલ કુંભારે જણાવ્યું હતું કે, તેમની દીકરી દયાપર પરીક્ષા આપવા જાય છે. સાંજે 6:00 વાગ્યે પેપર પૂરું થયા બાદ આ ઇન્ટરસિટી બસ 6:30 વાગ્યે દયાપર આવી જતી અને રાત્રે 8:00 વાગ્યા સુધી દીકરીઓ સુરક્ષિત ઘરે પહોંચી જતી હતી. હવે બસ બંધ થતા વિદ્યાર્થીઓએ વાયા વર્માનગર સુધી લિફ્ટ માંગીને આવવું પડે છે અને ત્યાંથી વાલીઓએ તેમને તેડવા જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. શું કહે છે ડેપો મેનેજર?આ અંગે નખત્રાણા ડેપો મેનેજર નરેશ પુરી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, હાલમાં સ્ટાફની અછત હોવાને કારણે આ રૂટ કામચલાઉ ધોરણે બંધ કરવો પડ્યો છે. જોકે, તીર્થધામની આ મહત્વની બસ હોવાથી તેને વહેલી તકે પુનઃ શરૂ કરી દેવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:26 am

ASPને રજૂઆત કરાઇ:મુન્દ્રા પંથકમાં કાયદો વ્યવસ્થાની અવગણના સાથે હપ્તાખોરીનો આક્ષેપ

મુન્દ્રા પંથકમાં કાયદો વ્યવસ્થા કથળી હોવા સાથે વિવિધ અસામાજિક પ્રવૃતિઓમાં હપ્તાખોરી પરાકાષ્ઠાએ પહોંચી હોવાના આક્ષેપ સાથેનું આવેદનપત્ર આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટના નેજા તળે સ્થાનિક ASP કચેરીમાં અપાયું હતું. એએસપી ગૌતમ વિવેકાનંદનને રૂબરુ કરાયેલી રજૂઆતમાં મુન્દ્રા પંથકમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા ઉડી રહ્યા હોવાનો આક્ષેપ કરી તમામ ગેરકાયદેસર ધંધાઓને હપ્તાખોરી સાથે ખુલ્લેઆમ છુટ અપાઈ હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી. સિટી પીઆઈનો નામજોગ ઉલ્લેખ કરી પોલીસ સ્ટેશનની આસપાસ દેશી દારૂના અડ્ડા ધમધમતા હોવા ઉપરાંત વિવિધ સ્થળના અનેક વિડીયો વાઇરલ થયા, રેલીઓ નીકળી હોવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરાઈ ન હોવાનું જણાવાયું હતું. ગાંજા જેવા માદક પદાર્થોનું છૂટ વેંચાણ, રેતી અને ખનીજનું ગેરકાયદેસર ખનન કરી ચોરી, આંકડાનો ધંધો, સ્પાના નામે દેહ વેપાર તેમજ પરિવહનકારો અને સ્ક્રેપના ધંધાર્થીઓ સહિત તમામ અસામાજિક ગતિવિધિઓને હપ્તા વસૂલી લીલી ઝંડી અપાઈ હોવાનો આક્ષેપ કરી પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માંગ કરાઇ હતી. તમામ ગોરખધંધા પર બે દિવસમાં રોક લગાવવામાં ન આવે તો જનતા રેડની ચીમકી ઉચ્ચારાઈ હતી.આવેદન આપતી વેળાએ ગજેન્દ્રસિંહ જાડેજા, ભગીરથસિંહ જાડેજા ઉપરાંત ટ્રસ્ટના અન્ય સભ્યો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:25 am

સત્તાનો દુરુપયોગ કરનાર સામે શિક્ષાત્મક કાર્યવાહી:શેરડી ગ્રા. પં.માં 85 મિલકતોના નોંધણી કેસમાં તલાટીને ‘ફરજિયાત નિવૃત્ત’ કરાયા

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના શેરડી જૂથ ગ્રામ પંચાયતમાં વર્ષોથી ચાલી રહેલા મિલકત નોંધણીના મોટા કૌભાંડનો આખરે પર્દાફાશ થયો હતો. પંચાયત રેકોર્ડમાં કોઈ પણ જાતના સત્તાવાર ઠરાવ કે મંજૂરી વગર 85 જેટલી મિલકતોની ગેરકાયદે એન્ટ્રી પાડવાના ગંભીર આરોપમાં તત્કાલીન તલાટી કમ મંત્રી બી.એસ. ચૌહાણ (હાલ આમારા-નખત્રાણા) ને કાયમી ધોરણે ‘ફરજિયાત નિવૃત્ત’ કરવાનો આદેશ જિલ્લા પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણની તપાસ શેરડી ગ્રામ પંચાયતના સરપંચની ડિસેમ્બર 2023ની ફરિયાદ બાદ શરૂ થઈ હતી. તપાસમાં બહાર આવ્યું કે વર્ષ 2008-09ના આકારણી રજિસ્ટરના પાના નંબર 95 થી 98 પર કોઈ પણ પ્રકારના ઠરાવ કે કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વિના 85 મિલકતોની નોંધણી કરી દેવામાં આવી હતી. તલાટીએ પોતાના બચાવમાં દલીલ કરી હતી કે સરપંચ અને સભ્યોની મૌખિક સહમતીથી પંચાયતની આર્થિક સદ્ધરતા માટે આ કામગીરી કરી હતી. જોકે, તપાસ અધિકારીઓએ આ ખુલાસો અસ્વીકાર્ય ગણાવ્યો હતો, કારણ કે સરકારી નિયમ મુજબ સક્ષમ અધિકારીની મંજૂરી વગર આવી નોંધણી કરી શકાય નહીં. દસ્તાવેજો મુજબ, બી.એસ. ચૌહાણ અગાઉ રાપર તાલુકામાં ફરજ દરમિયાન પણ હિસાબ સંબંધિત બેદરકારી બદલ શિસ્તભંગની કાર્યવાહીનો સામનો કરી ચૂક્યા છે. શેરડી પંચાયતના કિસ્સામાં, તેમણે પંચાયતના નિયમોનું સદંતર ઉલ્લંઘન કર્યું હોવાનું સાબિત થયું હતું. ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો, 1997 હેઠળ ખાતાકીય તપાસ બાદ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર સાથે પરામર્શ કરવામાં આવ્યો હતો. મંડળની સહમતી બાદ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) દ્વારા બી.એસ. ચૌહાણને ‘ફરજિયાત નિવૃત્તિ’ ની શિક્ષા કરવાનો આખરી હુકમ 5 માર્ચ 2025ના કરવામાં આવ્યો છે. આ સાથે જ ગેરકાયદે નોંધાયેલી તમામ 85 મિલકતોને પંચાયત રેકોર્ડમાંથી કમી કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:16 am

આજે વિશ્વ કિડની દિવસ:કિડનીની શરૂઆતથી જ માવજત લેવાય તો અનેક વ્યાધિથી બચી શકાય

કિડની શરીરનું મહત્વનું અંગ છે. તેનું મુખ્ય કામ લોહીમાંથી ઝેર દૂર કરવાનું અને ઇલેક્ટ્રોલાઇટને સંતુલન કરવાનું છે. લોકો જેટલી ચિંતા પેટ, માથા કે અન્ય નાના મોટા રોગ માટે સેવે છે એવી કિડની માટે કરતા નથી. એટલે જ દર વર્ષે આ સમસ્યા વધતી જાય છે. આજે વિશ્વમાં દર 10માંથી એક વ્યક્તિ કિડનીના રોગનો સામનો કરે છે. ભારતમાં 13.8 કરોડ લોકો કિડનીના રોગ સાથે જીવે છે ત્યારે કિડનીની શરૂઆતથી જ માવજત લેવાય તો અનેક વ્યાધિથી બચી શકાય તેવી સલાહ ભુજની જનરલ હોસ્પિટલના તબીબોએ આપી હતી. હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ ડો.હર્ષલ વોરાએ વિશ્વમાં માર્ચના દર બીજા ગુરુવારે ઉજવાતા કિડની દિવસ નિમિતે જણાવ્યું કે, કિડનીના રોગોના લક્ષણો શરૂઆતમાં ખયાલ પડતો નથી, માટે લાંબા સમયથી ડાયાબિટીસ અને બી.પી. હોય તેવા તેમજ પેઈન કિલર ગોળી લેતા દર્દીઓએ સાવધ રહેવું જોઈએ. જો આ બાબતોને નઝર અંદાઝ કરાય કિડની ફેઇલ અને પછી કીડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસની નોબત આવે છે. શરીરમાંથી કુદરતી રીતે ઝેર દૂર કરવાનું કામ કીડની કરે છે, તે કામ ડાયાલિસિસ કૃત્રિમ રીતે કરે છે. જી.કે.માં દર મહિને 800 થી 900 ડાયાલિસિસ થાય છે. કિડની બી.પી.ઉપર નિયંત્રણ, વિટામિન ડી સક્રિય કરી હાડકાંને મજબૂત કરવા અને રક્તણોના નિર્માણનું કામ કરે છે. કિડની બગડવાના કરણો અને ઉપાયકિડનીને સ્વસ્થ રાખવા પર્યાપ્ત માત્રામાં પાણી પીવું, નમક સીમિત માત્રામાં જ ખાવું, ઉપરાંત નિયમિત વ્યામ,વજન ઉપર નિયંત્રણ, ડાયાબિટીસ અને હાઈ બી.પી.ને કંટ્રોલમાં રાખવાથી ફાયદો થાય છે. ખાસ કરીને પેઈન કિલર લેવા પહેલા ડોકટરની સલાહ લેવી જરૂરી બને છે.કિડની બગડતી હોય તો ઊબકા, ઊલટી, ભૂખ ન લાગે, થાક, ઊંઘની સમસ્યા, પગમાં અને આંખ નીચે તેમજ ચહેરામાં સુઝન, પેશાબમાં બદલાવ,રાત્રે વારંવાર યુરીન જવું વિગેરે લક્ષણો જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:12 am

નિવૃત કર્મચારીએ પાલિકાને ચીંધ્યો નવો માર્ગ:ભુજના નાળા પરની 180 જર્જરિત દુકાનો હટાવવા સીઓને રજૂઆત

ભુજ શહેરની મધ્યમાં પાણીના નાળા પર દાયકાઓથી બનેલી 180 જેટલી જર્જરિત દુકાનો જોખમી બની છે. સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ આ દુકાનોને કાયમી ધોરણે હટાવવા માટે નિવૃત સરકારી કર્મચારી કે.વી. ભાવસાર દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર ટ્વિંકલ પટેલને વિગતો સાથે રજૂઆત કરવામાં આવી છે. અગાઉ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવાનું આયોજન સુપ્રીમ કોર્ટના ચુકાદાને કારણે અટકી પડ્યું હતું. આ સ્થિતિમાં ભાવસાર દ્વારા સૂચવવામાં આવ્યું છે કે, નવા બસ સ્ટેન્ડ પાછળ રામદેવપીર મંદિર પાસેની વિશાળ ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ. હાલ અહીં કોઈપણ મંજૂરી વગર કેબિનો અને ગેરકાયદે બાંધકામો ખડકાઈ ગયા છે. જો પાલિકા આ દબાણો દૂર કરી ગ્રાઉન્ડ પ્લસ ફર્સ્ટ ફ્લોરનું 200 દુકાનોનું કોમ્પ્લેક્સ બનાવે, તો નાળા પરના 180 વેપારીઓને અહીં સરળતાથી શિફ્ટ કરી શકાય તેમ છે. આ સૂચિત જગ્યા બસ સ્ટેન્ડ અને શાક માર્કેટની નજીક હોવાથી વેપારીઓના ધંધાને કોઈ નુકસાન નહીં થાય. સાથે જ, કોમ્પ્લેક્સમાં ટુ-વ્હીલર પાર્કિંગ માટે ખાસ વ્યવસ્થા કરી પાલિકા ગ્રાહકો પાસેથી નજીવું ભાડું વસૂલી કાયમી આવક ઊભી કરી શકે છે. કલેક્ટર કચેરી દ્વારા પણ 23/07/2024ના રોજ આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા નગરપાલિકાને આદેશ અપાયા હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. હવે જો પાલિકા પ્લાન-એસ્ટીમેટ તૈયાર કરી સરકારની પૂર્વ મંજૂરી લે, તો શહેરના ટ્રાફિક અને જર્જરિત બાંધકામની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:11 am

આરોગ્ય સેવાઓને સુદૃઢ બનાવવા બેઠક યોજાઈ:‘જનારોગ્ય’ સેવાઓ મજબૂત બનાવવા કલેક્ટરે યોજી આરોગ્ય સમિતિની બેઠક

કચ્છ જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તથા ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી વિવિધ આરોગ્યલક્ષી યોજનાઓ અને કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે બાળ અને માતા મરણના કારણો, સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં થતી પ્રસૂતિઓની સંખ્યા, રસીકરણ કાર્યક્રમ, સંચારી અને બિન-સંચારી રોગો, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ સામે લેવાતા અટકાયતી પગલાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. ઉપરાંત સબ સેન્ટર, પી.એચ.સી., સી.એચ.સી. અને એસ.ડી.એચ.માં નિયમિત સ્વચ્છતા જાળવવા તેમજ આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા સૂચના આપી હતી. બેઠકમાં નેશનલ બ્લાઈન્ડ કંટ્રોલ પ્રોગ્રામ, એચપીવી રસીકરણ, નમોશ્રી યોજના, કુટુંબ નિયોજન, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, ટીબી મુક્ત ભારત અભિયાન, એચઆઈવી નિયંત્રણ, પીએમજેએવાય અને બ્લડ સ્ટોરેજ જેવી વિવિધ આરોગ્ય સેવાઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટરે બાળકોની આરોગ્ય તપાસણીમાં ચશ્માની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને સમયસર ચશ્મા ઉપલબ્ધ થાય તે માટે યોગ્ય આયોજન કરવાની સૂચના આપી હતી. ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર પ્રતિબંધ તેમજ શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ 100 મીટરના વિસ્તારમાં તમાકુના વેચાણ પર પ્રતિબંધ અંગે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મિતેષ ભંડેરી તેમજ વિવિધ આરોગ્ય સંસ્થાઓના અધિકારીઓ અને સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:10 am

વેધર રિપોર્ટ:કચ્છમાં આજે ગરમીનું ઓરેન્જ એલર્ટ, બે દિવસ સુધી રાહત નહિ

કચ્છ જિલ્લામાં આ વર્ષે ઉનાળાએ જાણે માર્ચ માસના પ્રારંભથી જ દસ્તક આપી દીધી હોય તેમ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. છેલ્લા ચારેક દિવસથી તાપમાનમાં સતત થઈ રહેલા વધારા અને હવામાં ભેજનું પ્રમાણ ઘટવાને કારણે સમગ્ર જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું છે. બુધવારે ભુજ 39.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ: 39.0 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. બપોરના સમયે આકરા તડકા અને લૂ ને કારણે માર્ગો પર લોકો પસીને રેબજેબ થઇ રહ્યા છે. હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લા માટે ગરમીનું ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કર્યું છે. આ ઉપરાંત 13 અને 14 માર્ચના રોજ પણ યેલો એલર્ટની સ્થિતિ યથાવત રહેશે. જોકે, રાહતની વાત એ છે કે 14 માર્ચ બાદ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી લોકોને આંશિક રાહત મળશે. પરંતુ નિષ્ણાતોના મતે આ વર્ષે સમગ્ર ઉનાળો કચ્છ માટે ભારે રહેવાની શક્યતા છે. ગરમીના કારણે બપોરના સમયે લોકો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, જેના કારણે બજારોમાં પણ પાંખી હાજરી જોવા મળી રહી છે. બુધવારે કચ્છના વિવિધ શહેરોમાં તાપમાનનો પારો મંગળવારની તુલનાએ થોડો ઘટ્યો હતો. બુધવારે કંડલા એરપોર્ટ 39.7 ડિગ્રી તાપમાન સાથે જિલ્લાનું સૌથી ગરમ મથક રહ્યું હતું. અન્ય શહેરોની વાત કરીએ તો ભુજ 39.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલા પોર્ટ: 39.0 ડિગ્રી સેલ્સિયસ અને નલિયામાં 36.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:07 am

માંગ:ભુજ-ખાવડા 73 કિલોમીટરના રાષ્ટ્રીય ધોરીમાર્ગને ફોર-લેનમાં તબદીલ કરો

કચ્છના પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે માર્ગોની સુવિધા ટૂંકી પડી રહી હોય તેમ જણાય છે. અંજારના ભીમાસરથી ધર્મશાળા સુધીના 162 કિલોમીટર લાંબા નેશનલ હાઈવે 341 પર ખાસ કરીને ભુજ એરપોર્ટથી ખાવડા સુધીના 73 કિલોમીટરના પટ્ટાને ચાર માર્ગીય બનાવવાની માંગ ઉઠી છે. લખપત થી ખાવડા થઈ ધોળાવીરા અને સાંતલપુર સુધીના સિંગલપટ્ટી રોડને ટુ લેન બનાવવા 1225 કરોડની જાહેરાત કરવામાં આવી છે ત્યારે સ્થાનિકો અને પ્રવાસીઓ દ્વારા ભુજ-ખાવડા રોડ મુદ્દે સોશિયલ મીડિયા મારફતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી સુધી રજૂઆતો પહોંચાડવામાં આવી છે. ભુજ-ખાવડા માર્ગ અત્યારે દ્વિ-માર્ગીય છે, પરંતુ આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ ક્ષમતા કરતા વધી ગયું છે. ખાવડા વિસ્તારમાં આવેલા વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્ક, નમક ઉદ્યોગ અને ખનીજ વહન કરતા ઓવરલોડ ભારે વાહનો આ માર્ગ પર સતત દોડતા રહે છે. ભીરંડીયારા પાસે ટોલનાકું હોવા છતાં રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોવાની ફરિયાદ ઉઠી છે. ઓવરલોડ પરિવહનને કારણે રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. લોકોનો પ્રશ્ન છે કે જો તગડો ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોય, તો સુવિધા અને સુરક્ષા કેમ નથી? પ્રવાસીઓ અને સ્થાનિકોનું કહેવું છે કે રસ્તો પહોળો ન હોવાથી સામેથી આવતા ભારે વાહનોને કારણે અકસ્માતનું જોખમ રહે છે. સફેદ રણ અને ધોળાવીરા જતા પ્રવાસીઓ માટે આ મુખ્ય માર્ગ છે. જો આ રસ્તાને ચાર માર્ગીય બનાવવામાં આવે તો અકસ્માતોના પ્રમાણમાં ઘટાડો થઈ શકે, તાજેતરમાં જ્યારે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દ્વારા ઘડુલી-સાંતલપુર રસ્તા અંગે જાહેરાતો કરાઈ ત્યારે જાગૃત નાગરિકો અને પ્રવાસીઓએ સોશિયલ મીડિયા દ્વારા ભુજ-ખાવડા હાઈવેને પણ પ્રાથમિકતા આપવા અનુરોધ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:07 am

કોમર્શિયલ ગેસનો કકળાટ:રાજકોટથી ગેસ સપ્લાય બંધ, હોટલો મુશ્કેલીમાં

ઈરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધની અસર હવે કચ્છના રેસ્ટોરન્ટ ઉદ્યોગ સુધી પહોંચી છે. ગ્લોબલ કટોકટીની લોકલ અસર રૂપે કચ્છ જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાવવાની શરૂઆત થઈ છે. રાજકોટ ડેપો, જ્યાંથી સમગ્ર કચ્છમાં કોમર્શિયલ સિલિન્ડરનો મોટો જથ્થો આવતો હતો, ત્યાંથી સપ્લાય બંધ કરી દેવાયો છે. હાલ રેસ્ટોરેન્ટ ઉદ્યોગને જરૂરિયાત સામે માત્ર 50 ટકા જથ્થો મળી રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ આ સંચાલકોને તેમની રોજિંદી જરૂરિયાત સામે સરકાર અને એજન્સીઓ દ્વારા માત્ર 50% જેટલો જ જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. કેટરર્સ દ્વારા ઘરેલુ ગેસનો જ વપરાશ : તંત્ર કરશે ચેકિંગએક તરફ જિલ્લા વહીવટી તંત્ર ઘરેલુ ગેસનો પૂરતો જથ્થો હોવાના દાવા કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ કેટરિંગના વ્યવસાયમાં ઘરેલુ ગેસના સિલિન્ડરોનો ગેરકાયદેસર વપરાશ અને કાળાબજાર ચરમસીમાએ પહોંચ્યા છે. કેટરર્સ સંચાલકો ગેસ એજન્સીઓ અને લોકલ ડીલરો સાથે સાંઠગાંઠ કરી જે બોટલ 1200 રૂપિયામાં બ્લેકમાં મેળવતા હતા, તેના ભાવમાં હવે તોતિંગ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. મોટા ફંક્શન કે પ્રસંગોમાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ ફરજિયાત છે, તેમ છતાં નફાખોરી માટે વર્ષોથી ઘરેલુ ગેસના બોટલોનો જથ્થો ખડકવામાં આવે છે. જો પુરવઠા વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા પ્રસંગોમાં કેટરર્સના સંચાલકોની આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવે, તો મોટા પાયે ગેરકાયદેસર જથ્થો અને કૌભાંડ પકડાઈ શકે તેમ છે. આ જ સ્થિતિ રહેશે, રેસ્ટોરન્ટ બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં : એસોસિએશનઆ બાબતે રેસ્ટોરન્ટ એસોસિએશનમાં પ્રમુખ તપનભાઈ રાઠીએ જણાવ્યું હતું કે જો આગામી સમયમાં પણ જો આ જ સ્થિતિ રહેશે, તો અમારે રેસ્ટોરન્ટ બંધ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં રહે. જેથી હોટેલ ઉદ્યોગ સાથે જોડાયેલા હજારો વેઈટર્સ, રસોઈયા અને સફાઈ કામદારો, ઝોમેટો અને સ્વીગીના રાઈડર્સની આજીવિકા પર જોખમ તોળાઈ રહ્યું છે. પૂરતા ઇંધણના અભાવે હોટેલોએ તેમની ઘણી વાનગીઓ બનાવવાનું બંધ કરવું પડશે. સાથે જ બજારમાં સિલિન્ડરના ભાવ વધવાની ભીતિ છે. કોમર્શિયલ ગેસના જથ્થામાં ઘટાડો: જિલ્લા પુરવઠા વિભાગકચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા પુરવઠા અધિકારી અર્શ હાશ્મીએ જણાવ્કોયું હતું કે કોમર્શિયલ ગેસના જથ્થામાં ઘટાડો કરાયો છે. પણ “સામાન્ય જનતાએ ગભરાવાની જરૂર નથી. ઘરેલુ વપરાશ માટેના ગેસનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેમાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી.” તંત્રએ લોકોને અનુરોધ કર્યો છે કે કોમર્શિયલ ગેસની અછતને ઘરેલુ ગેસ સાથે ન સાંકળે અને ગભરાહટમાં ન આવે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:06 am

ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો:ઉનાળો આકરો બનતા રૂદ્રમાતા ડેમના જળસ્તરમાં ભારે ઘટાડો

કચ્છ જિલ્લામાં આ વર્ષે કુદરતનો મિજાજ બદલાયો છે. સામાન્ય રીતે એપ્રિલ માસમાં જોવા મળતી કાળઝાળ ગરમી આ વખતે માર્ચની શરૂઆતમાં જ અનુભવાઈ રહી છે. જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી જતાં જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે. હીટવેવના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ગરમીના કારણે બાષ્પીભવન વધતા કચ્છના જીવાદોરી સમાન ડેમોમાં પાણી સુકાવા લાગ્યું છે. કચ્છના સૌથી મોટા રુદ્રમાતા ડેમની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે. ડેમમાં અત્યારથી જ પાણી તળિયે પહોંચી ગયું છે અને વિશાળ જળાશયમાં હવે નહિવત પાણી બચ્યું છે. કચ્છમાં સામાન્ય રીતે જૂનના અંતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. હજુ લાંબો ઉનાળો બાકી છે ત્યારે માર્ચ માસમાં જ ડેમો ખાલી થવા લાગતા પશુપાલકો અને ગ્રામીણ જનતામાં ફાળ પડી છે. જો ગરમીની તીવ્રતા આવી જ રહી તો ચોમાસા પૂર્વે જ મોટાભાગના ડેમો સંપૂર્ણ ‘તળિયા ઝાટક’ થઈ જવાની પૂરેપૂરી સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:04 am

NSUI દ્વારા રજૂઆત:કચ્છ યુનિ.માં 2024ની જાહેરાતના આધારે વર્ષ 2026માં ભરતી કેમ ? પ્રક્રિયા રદ કરો

કચ્છ યુનિવર્સિટીમાં ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની હાલની ભરતી પ્રક્રિયા રદ્દ કરી ફરીથી કરવા જિલ્લા NSUI દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. યુનિવર્સિટી દ્વારા ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ કરાઈ છે, જેના ફોર્મ બે વર્ષ અગાઉ 2024માં ભરાવવામાં આવ્યા હતા. ભરતીમાં ગેરરીતિ થવાને કારણે સરકાર દ્વારા સમગ્ર ભરતી રદ્દ કરવાનો આદેશ અપાયો છે. આટલા લાંબો સમય થવાને કારણે ઘણા ઉમેદવારોના હિતોને નુકસાન થયું છે, આ બે વર્ષના સમયગાળામાં ઘણા ઉમેદવારોની વય મર્યાદા વધી ગઈ છે, જેથી તેઓ આ ભરતી માટે અયોગ્ય બની ગયા છે. ઘણા ઉમેદવારો અન્ય જગ્યાએ નોકરીમાં જોડાઈ ગયા છે. બીજી બાજુ જે વિદ્યાર્થીઓએ આ બે વર્ષ દરમિયાન સંબંધિત લાયકાત મેળવી છે, તેમને નવેસરથી ફોર્મ ભરાવાથી આ ભરતીમાં તક મળી શકે તેમ છે. કચ્છ યુનિવર્સિટીના કર્મચારીઓ માટે ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે તે અયોગ્ય છે ઉમેદવારોના હિતમાં આ જૂની ભરતી પ્રક્રિયાને તાત્કાલિક રદ્દ કરી વહેલી તકે નવેસરથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરીને પરીક્ષાની નવી તારીખો જાહેર કરવા માંગ કરાઈ છે. જો તાત્કાલિક ધોરણે નિર્ણય લેવામાં નહી આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું આવેદન આપતી વખતે ક્રિષ્નારાજસિંહ જાડેજા, તીર્થ ઠક્કર, સંદીપ રામ, યાગ્નિકભાઈ, હર્ષદભાઈ અને NSUI આગેવાનો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:03 am

'દર 10માંથી એક વ્યકિત કિડની રોગનો શિકાર બની શકે':તબીબે કહ્યું- આ લોકો પર સૌથી વધુ ખતરો, બચવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખશો?

કિડનીએ મનુષ્યના શરીરનું મહત્વનું અંગ માનવામાં આવે છે. લોહીને શુદ્ધ કરવાનું કામ કિડની કરે છે. શરીરમાં પાણી અને મિનરલ્સનું સંતુલન જાળવવાનું કામ કિડની કરે છે અને તેના જ કારણે હ્ર્દય અને નસોની સમસ્યા ઉદભવતી નથી તેમજ બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. સ્વસ્થ કિડની એટલે સ્વસ્થ જીવનના મંત્રને લોકોના જીવનમાં ઉતારવા માટે વર્લ્ડ કિડની દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. ભારત સહિત વિશ્વભરમાં કિડનીનાં રોગોનું પ્રમાણ ગંભીર રીતે આગળ વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે છેલ્લા 20 વર્ષથી માર્ચ મહિનાના બીજા ગુરુવારે વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે કિડનીનાં રોગો અંગે જનજાગૃતિ માટે વિશ્વનાં 100થી વધુ દેશોમાં 12 માર્ચ, 2026ને ગુરૂવારના રોજ વિશ્વ કિડની દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને આ વિશ્વ કિડની દિવસનું સ્લોગન “સ્વસ્થ કિડની સર્વ માટે” લોકોની સંભાળ, પૃથ્વીની સુરક્ષા” છે. દર 10માંથી એક વ્યકિતમાં જોવા મળે છે કિડનીની સમસ્યા- ડો. સંજય પંડ્યાછેલ્લા 36 વર્ષથી કિડનીના દર્દીઓને સારવાર આપતા રાજકોટના જાણીતા નેફ્રોલોજીસ્ટ ડો. સંજય પંડ્યાએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં વધતું પ્રદૂષણ, ગરમી અને હવામાનમાં થતા ફેરફારો સીધી રીતે માનવ શરીર પર અસર કરે છે અને તેની અસર કિડનીના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. જ્યારે શરીરમાં પાણીની ઉણપ થાય છે ત્યારે કિડની પર વધારાનો દબાણ પડે છે. પરિણામે કિડનીમાં પથરી જેવી સમસ્યાઓ વધતી જોવા મળે છે. હાલમાં સ્થિતિ એવી બની રહી છે કે લગભગ દર 10 વ્યક્તિમાંથી એક વ્યક્તિને કિડની સંબંધિત સમસ્યા જોવા મળી રહી છે. આ આંકડો દર્શાવે છે કે લોકોમાં કિડનીના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવાની જરૂર છે. 'કિડની રોગનું વહેલું નિદાન અને સમયસર સારવાર મહત્વપૂર્ણ'કિડનીના રોગો ઘણીવાર શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો વગર પણ વિકસી શકે છે. તેથી વહેલા નિદાન અને સમયસર સારવાર ખૂબ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને કેટલાક લોકોમાં કિડનીના રોગો થવાનો જોખમ વધુ હોય છે. જેમને બ્લડપ્રેશર, ડાયાબિટીસ, વધારે પડતું વજન હોય અથવા લાંબા સમયથી પેઈન કિલર દવાઓનો ઉપયોગ કરતા હોય, તેઓએ ખાસ સાવધાની રાખવી જોઈએ. ઉપરાંત જો કુટુંબમાં કોઈને કિડનીની તકલીફ રહી હોય તો તેવા લોકોમાં પણ જોખમ વધુ રહે છે. આવા તમામ લોકોએ નિયમિત રીતે કિડનીની તપાસ કરાવવી ખૂબ જરૂરી છે. કિડનીના રોગથી દૂર રહેવા આટલી બાબતોનું ધ્યાન રાખોકિડનીના રોગોથી બચવા માટે દૈનિક જીવનમાં કેટલીક સરળ બાબતો અપનાવવી જરૂરી છે. વધુ પડતું ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ લેવાનું ટાળવું જોઈએ કારણ કે તે શરીર પર નકારાત્મક અસર કરે છે. આ ઉપરાંત નિયમિત એક્સરસાઈઝ અને શારીરિક પ્રવૃત્તિ પણ ખૂબ જરૂરી છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા પાંચ દિવસ 30 મિનિટ સુધી વોકિંગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને અનેક બીમારીઓથી બચી શકાય છે. આ રીતે યોગ્ય જીવનશૈલી અપનાવી, સમયસર તપાસ કરાવી અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી નિભાવીને દરેક વ્યક્તિ કિડનીના સ્વાસ્થ્યને સુરક્ષિત રાખી શકે છે. વર્લ્ડ કિડની ડેનો મુખ્ય સંદેશ પણ એ જ છે કે લોકોની કાળજી રાખવી અને પૃથ્વીનું સંરક્ષણ કરવું, જેથી આવતી પેઢીને પણ સ્વસ્થ જીવન મળી શકે. www.KidneyEducation.com પરથી ઘરબેઠા કિડની અંગેની માહિતી મેળવોરાજકોટના જાણીતા નેફ્રોલોજિસ્ટ ડો. સંજય પંડ્યા દ્વારા 20 વર્ષ પહેલા તમારી કિડની બચાવો નામનું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું હતું. રાજકોટના ડો. સંજય પંડયા અને વિશ્વના 24 દેશોના 100થી વધુ કિડની નિષ્ણાતોના સહયોગથી તૈયાર થયેલ www.KidneyEducation.com વેબસાઈટ કિડનીના રોગોથી બચવા અને સારવાર અંગે સરળ માહિતી 12 ભારતીય અને 28 આંતરરાષ્ટ્રીય ભાષામાં નિઃશુલ્ક આપે છે. આ વેબસાઈટ દ્વારા વિશ્વના કોઈપણ ખૂણેથી લોકો પોતાની માતૃભાષામાં કિડની અંગેની માહિતી મેળવી શકે છે.આ વિશ્વની એકમાત્ર એવી વેબસાઈટ છે જેમાં 200 પાનાનું “તમારી કિડની બચાવો” પુસ્તક 40 ભાષાઓમાં નિઃશુલ્ક ઉપલબ્ધ છે.આ વેબસાઈટને અત્યાર સુધી 10 કરોડથી વધુ મુલાકાતો અને 8 લાખથી વધુ પુસ્તકોના ડાઉનલોડ મળ્યા છે. ડાયાબિટીસ અને બ્લડપ્રેશરના પેશન્ટને કિડની રોગ થવાનું વધુ જોખમકિડનીના રોગો હવે વૈશ્વિક સ્તરે ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહ્યા છે. ત્યારે વર્ષ 2025માં WHO દ્વારા કિડની સ્વાસ્થ્ય અંગે પ્રથમવાર વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પણ કિડની સ્વાસ્થ્યને નોન-કમ્યુનિકેબલ ડિસીઝના વૈશ્વિક એજન્ડામાં મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, જે આ સમસ્યાની ગંભીરતાને દર્શાવે છે. વિશ્વભરમાં કિડનીના રોગની તકલીફ હોય તેવા લોકોની સંખ્યા 85 કરોડથી વધુ છે અને દર 10માંથી એક વ્યકિતને કિડનીની બીમારી થવાનો ભય રહે છે. ડાયાબિટીસના દર 3માંથી એક અને બ્લડ પ્રેશરના દર 5માંથી એક દર્દીને કિડનીના રોગ થવાનું જોખમ રહેલું છે. કિડનીના રોગોને “સાયલન્ટ કિલર” કહેવાય છે કારણ કે લક્ષણો સામાન્ય રીતે ત્યારે દેખાય છે જ્યારે કિડની 80થી 90% સુધી બગડી જાય છે અને મોટા ભાગના દર્દીઓમાં રોગનો ખ્યાલ છેલ્લા તબક્કે આવે છે અને ઘણા દર્દીઓને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવારની જરૂર ઉભી થતી હોય છે. જો સમયસર લોહી અને પેશાબની સરળ તપાસ કરાવવામાં આવે તો કિડની રોગનું વહેલું નિદાન થઈ શકે છે અને ગંભીર સારવારથી બચી શકાય છે. કિડની રોગનું વહેલું નિદાન કરવા માટે બ્લડ પ્રેશર, લોહીમાં ક્રિએટિનિન અને પેશાબમાં પ્રોટીનની તપાસ ખૂબ મહત્વપૂર્ણ છે. લોહીના દબાણમાં વધારો, પેશાબમાં પ્રોટીન અને લોહીમાં ક્રિએટિનિન વધવું ક્રોનિક કિડની રોગના શરૂઆતના સંકેતો હોઈ શકે છે. આ સમાચાર પણ વાંચોઃતમે પણ કિડનીની બીમારીથી પીડાવ છો?:16 દેશોના 37 વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલી 'EAT લેન્સેટ' ડાયટ કિડનીને સ્વસ્થ રાખશે, જાણો કોણે ન ખાવું જોઈએ આજકાલની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો ફિટ અને હેલ્ધી રહેવા માટે અલગ-અલગ પ્રકારની ડાયટ ફોલો કરે છે. આમાંથી એક છે ‘EAT-Lancet ડાયટ’, જે માત્ર સ્વાસ્થ્ય જ નહીં પરંતુ પર્યાવરણને પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ડાયટ ઘણી ગંભીર બીમારીઓના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ મુજબ, આ ડાયટ ક્રોનિક કિડની ડિઝીઝના જોખમને મોટા પ્રમાણમાં ઘટાડી શકે છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:00 am

એથ્લેટની જાતીય સતામણીના આરોપી સ્પોર્ટસ બોડીના વડાને આગોતરા જામીન નહિ

અલ્બાનિયાની હોટેલમાં સતામણી થયાનો આરોપ અનિચ્છાએ કિસ કરી હતીઃ મોબાઈલ પર રોમાન્ટિક મેસેજ મોકલ્યા હતાઃ આરોપોની ગંભીરતાને જોતાં આગોતરા જામીન આપવાનો ઈનકાર મુંબઈ- ૨૦૨૩માં મહિલા એથ્લીટનો પીછો કરીને કથિત જાતીય સતામણી કરવાના કેસમાં સ્પોર્ટ્સ બોડીના માજી પ્રમુખને આગોતરા જામીન આપવાનો બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કર્યો હતો.અરજદાર સામેના આરોપોના પ્રકાર જોતાં અમે આગોતરા જામીન આપવા માગતા નથી, એમ કોર્ટે જણાવ્યું હતું. જૂન ૨૦૨૨માં એથ્લીટ અને તેના પતિ દ્વારા સંચાલિત મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ઈન્ડિયા ફેડરેશન સાથે સંકળાયું હતું.

ગુજરાત સમાચાર 12 Mar 2026 6:00 am

‘ગૃહ ખાવા માટે નથી’ શંકર ચૌધરી આકરા થયા:વિધાનસભામાં ધારાસભ્યોને ટોક્યા; રાજકોટમાં ગાંધીનગરથી નેતા આવ્યા, ફોટો પડાવ્યો ને ટોણો માર્યો

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:00 am

PAKમાં પેટ્રોલ-ડીઝલનું સંકટ, સરકાર પરેશાન:સ્થાનિક પત્રકારે ભાસ્કરને જણાવી વાસ્તવિક પરિસ્થિતિ, કહ્યું- ભાવ વધારો હજુ અઠવાડિયું ટાળી શકાયો હોત

એક લીટર પેટ્રોલના 335 રૂપિયા....એક લીટર ડીઝલના 321 રૂપિયા.... આ ભાવ વાંચીને ગભરાતા નહીં કેમ કે આ આંકડા ભારતના નહીં પણ આપણા પડોશી દેશ પાકિસ્તાનના છે. ઇરાન અને ઇઝરાયલ-અમેરિકા યુદ્ધના વમળમાં ફસાયેલા પાકિસ્તાનને બહાર નીકળવા માટે માત્ર જનતાની પરસેવાની કમાણી નીચોવવાનો રસ્તો જ દેખાઇ રહ્યો છે. વૈશ્વિક ઓઇલ સંકટનું બહાનુ ધરીને શાહબાઝ સરકારે પેટ્રોલમાં એકઝાટકે 55 રૂપિયાનો ભાવ વધારો કરી દીધો છે. જેનાથી પાકિસ્તાની જનતાની કમર તૂટી ગઇ છે. પાકિસ્તાનનું અર્થતંત્ર પણ સંપૂર્ણપણે IMFની ગુલામી હેઠળ છે. શું પાકિસ્તાન આ આર્થિક સુનામીમાં ટકી શકશે કે પછી IMFની શરતો અને ઓઇલ સંકટ તેને સંપૂર્ણપણે બરબાદ કરી નાખશે? ભાવ વધારાથી પાકિસ્તાનીઓમાં કેવો રોષ છે? આવા અનેક સવાલોના જવાબ મેળવવા દિવ્ય ભાસ્કરે પાકિસ્તાનના પત્રકાર જબ્બાર ચૌધરી સાથે વાત કરી હતી. પાક.માં મંત્રીઓને પોતાના ખર્ચે પેટ્રોલ-ડીઝલ પૂરાવવાનો આદેશએકતરફ ભારત રશિયા સાથે સ્માર્ટ ડીલ કરીને પોતાની ઇકોનોમી મજબૂત કરી રહ્યું છે ત્યારે બીજીતરફ પાકિસ્તાન તેના કટ્ટર વલણના કારણે પાયમાલ થઇ રહ્યું છે. પાકિસ્તાનની સરકારે મંત્રીઓને પોતાના ખિસ્સાના ખર્ચે પેટ્રોલ-ડીઝલ પુરાવવાનો આદેશ આપ્યો છે અને સરકારી ગાડીઓના ઉપયોગ પર કાપ મૂકવો પડ્યો છે. 60% ગાડીઓ બંધ રખાશે. અઠવાડિયામાં ફક્ત 4 જ દિવસ ઓફિસો શરૂ રખાશે. પેટ્રોલનો ઓછો ઉપયોગ થાય તે માટે વિદ્યાર્થીઓનું ભણતર પણ ઓનલાઇન કરી દીધું છે. રેલવે ભાડામાં વધારો, LPGના આસમાને પહોંચતા ભાવ અને પેટ્રોલની કિંમત પ્રતિ લીટરે 400-500 રૂપિયા થવાની દહેશતે પાકિસ્તાનને મેન્ટલ ટ્રોમામાં ધકેલી દીધું છે. પત્રકાર જબ્બાર ચૌધરીએ શાહબાઝ સરકારે લીધેલા આવા નિર્ણયો પાછળનું કારણ જણાવ્યું. પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસિસતેમણે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસીસ થવાનો ડર છે જેથી સરકાર ખૂબ જ પરેશાન થઇ ગઇ છે. બીજીતરફ આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તેવો પણ ડર છે. પાકિસ્તાનની ઓઇલ ડિપેન્ડન્સી ગલ્ફ કન્ટ્રીઝ પર છે. હાલમાં આ બધું બંધ છે. આ જ કારણે હાલ પાકિસ્તાનમાં એનર્જી ક્રાઇસીસ જોવા મળી રહી છે. પાકિસ્તાનની એક્સપોર્ટ સિસ્ટમ પર પણ પ્રોબ્લેમ આવશે. હાલમાં જે દરિયાઇ માર્ગ છે તે સુરક્ષિત નથી. પાકિસ્તાન સરકારે એક અઠવાડિયામાં પેટ્રોલની કિંમતમાં 55 રૂપિયાનો વધારો કર્યો છે. પેટ્રોલ અત્યારે 330 રૂપિયા પર પહોંચ્યુંજબ્બાર ચૌધરીએ કહ્યું કે, અત્યાર સુધી પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ 260 રૂપિયાની આસપાસ હતો પણ હવે ભાવ વધતાં પેટ્રોલ 330 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. 1-2 દિવસ પહેલાં ઓઇલની કિંમતમાં ઘટાડો થયો છે. જો હજુપણ ઘટાડો થશે તો કદાચ પાકિસ્તાની 1-2 દિવસ પછી ફરી એકવાર પ્રાઇઝ રિવાઇઝ કરશે. ભારતની જેમ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં રોજેરોજ ફેરફાર નથી થતો. જો કે હવે દર અઠવાડિયે રિવ્યૂ કરાશે. તેમના મતે, પાકિસ્તાનમાં અત્યાર સુધી દર મહિને ભાવમાં ફેરફાર થતો હતો. આ ભાવ પાકિસ્તાનના દરેક ખૂણામાં એક જ સરખો હોય છે. હાલમાં પાકિસ્તાનમાં જે પરિસ્થતિનું નિર્માણ થયું છે એ જોતાં સરકારે નિર્ણય કર્યો છે કે હવે દરેક અઠવાડિયે રિવ્યૂ કરવામાં આવશે. જેના પછી ભાવ નક્કી થશે. ઓઇલ રિઝર્વ કેપેસિટી એક મહિનાની પાકિસ્તાનની ઓઇલ રિઝર્વ કેપેસિટી એકાદ મહિના જેટલી જ છે. જો કે ટ્રમ્પના નિવેદન બાદ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલ પહેલાંના ભાવે મળતા થઇ જશે તેવી આશા પત્રકાર ચૌધરીને છે. તેઓ કહે છે કે, ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર વિશ્વ પર પડી રહી છે. એ લોકો આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકી રહ્યાં છે. પાકિસ્તાન નાની ઇકોનોમી ધરાવતો દેશ છે. આવામાં પાકિસ્તાન પાસે રિઝર્વ કરવાની ક્ષમતા પણ એકાદ મહિના જેટલી જ હોય છે. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હિંટ આપી છે કે યુદ્ધ હવે પૂરૂં થવા આવ્યું છે. જો આવું થાય તો પાકિસ્તાનમાં પહેલાં જે ભાવે પેટ્રોલ મળતું હતું તે જ ભાવે મળવા લાગે. પેટ્રોલ-ડીઝલ મોંઘા થતાં પાકિસ્તાનીઓમાં રોષ હોવાનો સ્વીકાર પણ તેમણે કર્યો.તેમણે જણાવ્યું, પાકિસ્તાન સરકારે જે નિર્ણય કર્યો છે તેનાથી લોકોમાં રોષ છે જ. આ વાતને કોઇ નકારી શકે તેમ નથી. અમારે ત્યાં પેટ્રોલ-ડીઝલમાં તો એક રુપિયો કે બે રૂપિયા પણ વધે તો લોકો કોમેન્ટ કરે છે. પેટ્રોલના ભાવ વધવાને કારણે બાકી બધી વસ્તુઓના ભાવ ઉપર પણ તેની અસર પડે છે. ચીજવસ્તુઓના ભાવ વધવાનો ડરતેઓ આગળ કહે છે કે, આવી પરિસ્થિતિમાં સામાન્ય જનતાની સુવિધાઓ ઉપર ચોક્કસ અસર થઇ જ છે. કેમ કે સરકારે 55 રૂપિયાનો વધારો ઝીંકી દીધો છે. બીજી તરફ પાકિસ્તાની સરકાર પોતાનો બેલ્ટ પણ ટાઇટ કરી રહી છે. શાહબાઝ શરીફે જે રીતે પાકિસ્તાનની જનતાને કરેલા સંબોધનમાં માત્ર એવું કહ્યું છે કે એનર્જીનો જેટલો ઓછો ઉપયોગ થઇ શકે તેટલો કરો. જેથી પેટ્રોલ-ડીઝલ મોંઘા ભાવે બહારથી લેવા ન પડે. ભાવ વધારો થોડા દિવસ રોકી શકાય તેમ હતોપાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવ વધારતા પહેલાં જે હોમવર્ક કરવું પડે તે નથી કર્યું. શું તેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે? આ સવાલ અંગે જબ્બાર ચૌધરીએ કહ્યું, ભાવ વધારાને કેટલાક દિવસ સુધી હજુપણ રોકી શકાય તેમ હતો. જો કે છેવટે તો આ કરવું પડે તેમ હતું. આ સિવાય પાકિસ્તાન પાસે બીજો કોઇ રસ્તો જ નહોતો. પેટ્રોલની કિંમત 400-500 રૂપિયા સુધી પહોંચશે?પેટ્રોલના ભાવ વધતાં પાકિસ્તાનીઓ કહી રહ્યા છે કે આ ભાવ વધારો પેટ્રોલ બોમ્બથી કંઇ ઓછો નથી. આ પરિસ્થિતિ વિશે જબ્બાર ચૌધરીએ જણાવ્યું કે, પાકિસ્તાનના લોકો માનસિક રીતે તૈયાર છે કે પેટ્રોલની કિંમત 400 થી 500 રૂપિયા સુધી પણ જઇ શકે છે. તેમણે ભારતને રશિયા તરફથી મળતાં ઓઇલને સફળતા ગણાવી અને પાકિસ્તાન હાલમાં વૈકલ્પિક રસ્તો શોધી રહ્યું હોવાનું કહ્યું.'હિન્દુસ્તાનને રશિયા તરફથી જે ઓઇલ મળ્યું છે એ ભારતની સફળતા છે. હિન્દુસ્તાનની ઇકોનોમી ખૂબ જ મોટી છે એટલું જ નહીં ઇઝરાયલ સાથે સારા સંબંધો પણ છે. તમે જાણો છો કે પાકિસ્તાનના તો ઇઝરાયલ સાથે સંબંધ છે નહીં, જે જગ્યાએ સંબંધ છે ત્યાં યુદ્ધ ચાલી રહ્યું છે. આવામાં કુવૈત, ઇરાકે પણ એક્સપોર્ટ બંધ કરી દીધું છે. પાકિસ્તાન હાલમાં વૈકલ્પિક રસ્તો કરી રહ્યું છે.' GDP પર નેગેટિવ અસરની શક્યતાતેમણે વધુમાં કહ્યું, પાકિસ્તાનની સરકાર આવી પરિસ્થિતિમાં પેટ્રોલનો ભાવ હજી એક અઠવાડિયા પછી વધારી શકતી હતી. પાકિસ્તાને અત્યાર સુધીમાં આ એક ખરાબ કામ કર્યું છે. બાકી તો આવી પરિસ્થિતિમાં પાકિસ્તાનમાં આવતી વસ્તુઓ અટકે નહીં તે માટે સરકારે કામગીરી કરી છે. હાલમાં જે પરિસ્થિતિ છે તેવી જ પરિસ્થિતિ એક મહિનો સુધી ચાલે તો પણ વાંધો આવે તેમ નથી પણ આવું ને આવું 5 કે 6 મહિના સુધી ચાલ્યું તો મને લાગે છે કે તેની અસર આવી શકે છે. જો એક્સપોર્ટવાળો મામલો લાંબા સમય સુધી ચાલે તો પાકિસ્તાનની GDP ઉપર નેગેટિવ અસર પડી શકે છે. પાકિસ્તાન IMF સાથે જોડાયેલું હોવાથી તે સબસિડી આપી શકે તેમ નથી. આ અંગે જબ્બાર કહે છે કે, પાકિસ્તાનની મજબૂરી એ છે કે તે IMFના પ્રોગ્રામમાં જોડાયેલુ છે. આવામાં પાકિસ્તાન પોતાની મરજીથી કંઇ કરી શકતું નથી. પાકિસ્તાન કોઇ સબસિડી આપી શકે તેમ નથી કેમ કે IMFએ સબસિડી આપવાની ના પાડી છે. જો સ્થિતિ બગડે તો પાકિસ્તાન IMFના પ્રોગ્રામમાંથી બહાર નીકળી શકે છે. એ પછી સરકારની જેટલી પણ બચત છે તેના પર નિર્ભર રહેશે. એવું નહીં બને કે સરકાર જનતાને છોડી દે. પાકિસ્તાન આવી પરિસ્થિતિમાં IMFની પણ ચિંતા નહીં કરે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:00 am

100, 200, 500… માગો એટલી નકલી નોટની એજન્ટે આપી ગેરંટી:ફોન પર ડીલ, 1 લાખ અસલી સામે 10 લાખની રેલવે સ્ટેશને ડિલિવરી, કહ્યું- ગુજરાતથી ઘણા લેવા આવે છે

“1 લાખ રૂપિયાની અસલી ચલણી નોટ આપો અને 10 લાખ રૂપિયાની નકલી નોટ લઈ જાવ. ATM, કેશ કાઉન્ટિંગ મશીન અને બેંકમાં પણ ચાલી જશે.” દેશમાં નોટબંધીને 10 વર્ષ થવા આવ્યા છતાં નકલી નોટો પર રોક લાગી હોય એમ લાગતું નથી. સોશિયલ મીડિયા પરના કેટલાક એવા એકાઉન્ટ ધ્યાને આવ્યા, જેના મારફતે નકલી કરંસીનો કારોબાર બેફામ રીતે ચાલી રહ્યો છે. “ફર્ઝી” વેબસિરિઝની માફક બિન્દાસ્ત રીતે ચાલતા આ ધંધાદારીઓને એક્સપોઝ કરવા માટે દિવ્ય ભાસ્કરે ઇન્વેસ્ટિગેશન કર્યું. આ દરમિયાન જે હકીકત સામે આવી એ મહેનતથી કમાનારા લોકોને તેમજ દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડે એવી હતી. ઇન્વેસ્ટિગેશનના પહેલાં તબક્કામાં અમે જે ઇન્ટાગ્રામ એકાઉન્ટ પરથી નકલી નોટો વેચવાની જાહેરાત થતી હોય તેને આઇડેન્ટીફાય કર્યા. અમને મળેલા ઘણા બધા એકાઉન્ટમાં વીડિયો બનાવનાર લોકો અલગ-અલગ હતા છતાં કેટલીક વાતો એકદમ સરખી હતી. 1- લોકોને લોભ જાગે એ માટે નોટોનો થપ્પા બતાવવામાં આવ્યા હતા.2- વીડિયોની શરૂઆતમાં જ કાગળ પર તારીખ લખેલી બતાવવામાં આવતી, જેથી વીડિયો ક્યારનો છે એ જોનારાને તરત જ ખ્યાલ આવે.3- તમામ વીડિયોમાં સેકન્ડ સિરીઝ, જેન્યુઅન ડિલ, હેન્ડ ટુ હેન્ડ ડિલિવરી જેવા શબ્દો વાપરવામાં આવ્યા હતા.4- તમામ એકાઉન્ટ માત્ર નકલી નોટ વેચવા માટે જ બનાવ્યા હોય એમ ત્યાં બીજી કોઈ એક્ટિવિટી નહતી. ઇન્સ્ટાગ્રામ પર બનેલું veer_7**** (એકાઉન્ટની પૂરી ઓળખ નથી આપી રહ્યા) નામનું એક એકાઉન્ટ અમારા ધ્યાને આવ્યું. જેના પર ચલણી નોટ વેચવાના ઘણા બધા વીડિયો અપલોડ થયા છે. કેટલાક વીડિયો ઘરની અંદર બેસીને બનાવવામાં આવ્યા છે, જેમાં પતરાની પેટીમાં 50, 100, 200 અને 500 રૂપિયાની નોટ દેખાય છે. સાથે જ કાઉન્ટિગ મશીન પણ છે. અમુક વીડિયો ઘરની બહારના પણ છે, જેમાં કડક નોટ બતાવીને બેફામ પ્રચાર થઈ રહ્યો છે. એક વીડિયો સાથે હિન્દી ભાષામાં લખ્યું છે, “જે કોઈ ભાઈને માલ જોઈએ તે આ નંબર પર કોલ કરે.” સાથે જ નંબર આપ્યો હતો 80871*****. અમે એક વીડિયો પ્લે કર્યો. જેમાં યુવક બોલે છે…“સેકન્ડ સિરિઝ, સેકન્ડ કરંસી. વન પ્લસ ટેન, એ-વન ક્વોલિટીનો માલ મળશે. 1 લાખના 10 લાખ છે. ATM, બેંકના મશીન ક્યાંય પણ ચાલી જશે. આ સિરિયલ નંબર અલગ-અલગ છે. ચેક કરી શકો છો.” અમે 80871***** નંબર પર નોર્મલ કોલ કર્યો. પણ કોલ જ ન લાગ્યો. એટલે પછી અમે વ્હોટ્સએપ કોલ કર્યો. પાંચ રિંગ વાગ્યા પછી એક પુરુષે ફોન ઉપાડ્યો. તે હિન્દી ભાષામાં વાતચીત કરી રહ્યો હતો. કરંસી વેચનાર અને રિપોર્ટર વચ્ચે શું વાતચીત થઈ એના મુખ્ય અંશો વાંચો. રિપોર્ટર: કરંસી માટે ફોન કર્યો છેએજન્ટ: મળી જશે રિપોર્ટર: ક્યાંથી બોલો છો તમે?એજન્ટ: ગુજરાતથી બોલું છું રિપોર્ટર: કરંસી માટે કોલ કર્યો છે, તો શું સીન છે?એજન્ટ: તમને મળી જશે. 1ના બદલે 10 રિપોર્ટર: ઓછામાં ઓછા કેટલા આપવા પડશે?એજન્ટ: 1 લાખનો માલ લેવો પડશે રિપોર્ટર: તો સામે કેટલા મળશે?એજન્ટ: 10 રિપોર્ટર: 1 લાખથી જ શરૂ થાય છે? એજન્ટ: હા રિપોર્ટર: કોઈ લફરું તો નહીં થાય ને? એજન્ટ: કોઈ વાંધો નહીં, એક હાથથી આપવાના, બીજા હાથથી લેવાના રિપોર્ટર: તમે ડિલિવરી કેવી રીતે કરશો?એજન્ટ: તમારે લેવા માટે આવવું પડશે મોટાભાઈ. તમે આવો, ચેક કરો અને લઈ જાવ. રિપોર્ટર: કોઈ મોકલાવી ન શકે?એજન્ટ: તો એવું કરી શકો છો કે તમે તમારું એડ્રેસ અને નંબર મોકલો. હું કુરિયર કરી દઉં છું. અડધા રૂપિયા અત્યારે મોકલી આપો, બાકીના કુરિયર મળ્યા પછી આપજો. રિપોર્ટર: જો મારે લેવા આવવું હોય, માલ જોવો હોય તો ક્યાં આવવું પડશે?એજન્ટ: તમે અત્યારે ક્યાંથી નીકળશો? રિપોર્ટર: હું સુરતની આસપાસ છુંએજન્ટ: તો અમદાવાદથી આવતી ટ્રેન પકડો, ભુસાવલથી આગળ મલકાપુર આવશે ત્યાં આવી જાવ. રિપોર્ટર: શું આ નોટ બેંકમાં નીકળી જશે?એજન્ટ: ATM મશીનમાં અને કાઉન્ટર મશીનમાં નીકળી જશે, તમે મને Hi લખીને મેસેજ કરો, હું તમને વીડિયો મોકલું છું. ખાસ નોંધવા જેવી વાત એ પણ છે કે સોશિયલ મીડિયા પર થઈ રહેલા દાવા પ્રમાણે 1 લાખની અસલ નોટ સામે આપવામાં આવતી 10 લાખની નોટ લાંબા સમય સુધી એવીને એવી રહેતી જ નથી. તેનો રંગ ઉડવા લાગે છે. એટલે આ મુદ્દે પણ અમે એજન્ટને સવાલ કર્યા. તેણે 1 વર્ષ સુધી નોટને કાંઈ ન થાય એ વાતની ગેરંટી આપી દીધી. રિપોર્ટર: કેટલા વર્ષ સુધી આ નોટ ચાલશે?એજન્ટ: 1 વર્ષ સુધી ચાલશે. રિપોર્ટર: કઈ નોટ મળશે?એજન્ટ: તમે માગશો એ મળી જશે, 100..200…500 રિપોર્ટર: તમારું નામ શું છે?એજન્ટ: તમને નામથી મતલબ છે કે કામથી મતલબ છે? તમે ફક્ત નીકળો એટલે મને ફોન કરી દેજો અને ટિકિટનો ફોટો મોકલી દેજો. તમને રેલવે સ્ટેશને જ માલ મળી જશે. રિપોર્ટર: તમે જ રેલવે સ્ટેશને આવશો ને? તમારા સિવાય કોઈની સાથે ડિલ નહીં કરીએ.એજન્ટ: અરે ભાઈ… હું કરું છું, મારો ભાઈ આ કામ કરે છે. ઓકે, તો હું જ આવી જઈશ. આટલી વાતચીત થયા પછી ફોન મૂકી દીધો. હવે અમે અન્ય એક એકાઉન્ટ પર જોવા મળેલી માહિતી પર ફોકસ કર્યું. ઇન્સ્ટાગ્રામ પર રામેશ્વરમ નામના એક એકાઉન્ટ પર નકલી કરંસીના વેપારની એક અલગ મોડસઓપરેન્ડ જોવા મળી. આ એકાઉન્ટ પર અપલોડ થતાં દરેક વીડિયોમાં જાણે ખરીદદારોને કદાચ વિશ્વાસ આવે કે પછી વીડિયો કેટલો નવો-જૂનો છે એ તરત જાણી શકાય એ માટે કાગળ પર તારીખ લખીને બતાવવામાં આવતી હતી. આવા જ એક વીડિયોમાં એક મહિલા કાગળ પર તારીખ લખેલી બતાવે છે 19 ઓક્ટોબર, 2025. પછી તે વીડિયોમાં બોલે છે, “સેકન્ડ સિરિઝ કરંસીનો સ્ટોક મારી પાસે અવેલેબલ છે. 1 લાખના 10 લાખ છે. કાઉન્ટિંગ મશીન, AMT, CDM બધામાં પાસ થઈ જશે. એ-વન ક્વોલિટીનો માલ છે. મળી જશે.” સ્ક્રીન પર મોબાઇલ નંબર આવ્યો… 95792*****. આ નંબર પર વ્હોટ્સએપ પ્રોફાઇલમાં એક ડોગીનો ફોટો હતો. વ્હોટ્સએપ કોલ ફોન કર્યો તો એક મહિલાએ જ ઉપાડ્યો. થોડી વાતચીત થયા પછી તેણે પોતાની ઓળખ ‘રાની’ તરીકે આપી. આ વખતે અમે ન માત્ર લાખો રૂપિયાની ડીલ કરવાની તૈયારી બતાવી. પરંતુ મોટો ઓર્ડર આપવાની લાલચ આપીને આ રેકેટ ચલાવનાર સાથે મિટિંગ કરાવી આપવાનો પણ પ્રસ્તાવ મૂક્યો. એટલું જ નહીં, નોટ ક્યાંથી આવે છે? કોણ છાપે છે? એ જાણવાનો પણ પ્રયાસ કર્યો. રિપોર્ટર અને કરંસી વેચવાનો દાવો કરનાર રાણી વચ્ચેની વાતચીતના કેટલાક અંશો વાંચો. રિપોર્ટર: કરંસી માટે કોલ કર્યો છેરાની: હા બોલો રિપોર્ટર: કેવી રીતે મળશેરાની: તમારે મહારાષ્ટ્રના મલકાપુરમાં આવવું પડશે. રિપોર્ટર: 1 લાખના કેટલા મળશે? રાની: 10 લાખ રિપોર્ટર: 1થી નીચે છે?રાની: હા સર, 50 હજારની નોટ પણ લઈ શકો છો. એના માત્ર 5 લાખ રૂપિયા આવશે. મલકાપુર આવીને કોલ કરજો. રિપોર્ટર: તમે મલકાપુર શહેરથી જ છો?રાની: હા… એ જ શહેરથી છીએ. રિપોર્ટર: કેટલાની કરંસી મળશે? 500વાળી કે 200 વાળી?રાની: 100…200…500 તમારે જે જોઈએ એ મળી જશે. રિપોર્ટર: સિરિયલ નંબર અલગ આવશે?રાની: બધી નોટના સિરિયલ નંબર અલગ હશે. કોઈ ચિંતા ન કરતા. રિપોર્ટર: આ નોટ કેટલા સમય સુધી ચાલી શકશે?રાની: 1 વર્ષ રિપોર્ટર: કોઈ લફરું તો નહીં થાય ને?રાની: ના… કાંઈ નહીં થાય. તમે ચેક કરીને લઈ જજો. રિપોર્ટર: 10, 20ની નોટ મળશેરાની: ના… એ નહીં મળે. રિપોર્ટર: શું આ નેપાળથી આવે છે?રાની: ના… આ નેપાળનો માલ નથી. અમારો માલ અલગ હોય છે. રિપોર્ટર: તમે પોતે જ કરો (છાપો) છો?રાની: ના… અમારા સર કરે છે. રિપોર્ટર: તમારા સર કોણ છે?રાની: તમારે એનાથી શું? તમારે રૂપિયાથી જ મતલબ ને. રિપોર્ટર: એક પાર્ટી છે તેને મોટું જોઈએ છે, એટલે કહું છું.રાની: કોઈ પ્રોબ્લેમ નહીં, તમને મળી જશે. રિપોર્ટર: સર સાથે મિટિંગ કરાવી શકો છો?રાની: સર કોઈની સાથે વાત નથી કરતા, બહાર નથી જતા. રિપોર્ટર: નોટના સેમ્પલ મળી જશે? રાની: હા… મળી જશે. રિપોર્ટર: કેવી રીતે મળશે?રાની: એના માટે પણ તમારે આવવું પડશે. રિપોર્ટર: લોકેશન મળી શકે છે?રાની: હા… મોકલું છું. જો કે અમને કોઈ લોકેશન મોકલવામાં આવ્યું નહીં. પરંતુ આ વાતચીત પરથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે મહારાષ્ટ્રના ભૂસાવલની આસપાસના શહેરોમાંથી નકલી ચલણી નોટનું રેકેટ ઓપરેટ થઈ રહ્યું છે. હવે, આ રેકેટમાં સામેલ લોકો પાસેથી અમારે એ જાણવું હતું કે શું ગુજરાત સુધી આવી નોટો પહોંચી રહી છે કે કેમ? આ જ શોધખોળમાં અમને વધુ એક સોશિયલ મીડિયા એકાઉન્ટ અને મોબાઇલ નંબર મળી આવ્યો. મહાદેવી ભોંસલે નામના એક એકાઉન્ટ પર તો 500ની નોટના બેગ ભરી-ભરીને બંડલ જોવા મળ્યા. કાઉન્ટિંગ મશીનમાં ગણીને એક ખોખામાં મૂકવામાં આવી રહ્યા હતા. જો કે આ વીડિયોમાં કોઈ કાંઈ જ બોલતું નથી. પણ તારીખ, મોબાઇલ નંબર અને ખોખામાં ભરેલી ચલણી નોટો ઘણું સૂચવી જાય છે. આ વીડિયોની સાથે આપેલા મોબાઇલ નંબર 83293***** પર અમે અગાઉની માફક કોલ કર્યો. વ્હોટ્સએપ પ્રોફાઇલ પિક્ચર પર આલ્ફાબેટ D લખેલું આવ્યું. ત્રણથી ચાર રિંગ વાગી એટલામાં એક મહિલાએ ફોન ઉપાડ્યો. આ વખતે અમારી પાસે ગુજરાતને લગતા અને મોટી ડીલ કરવા અંગે ઘણા સવાલો હતા. રિપોર્ટર: કરન્સી માટે કોલ કર્યો છે.એજન્ટ: હા… બોલો રિપોર્ટર: ક્યાંથી છો મેડમ?એજન્ટ: મહારાષ્ટ્રના શેગાંવથી રિપોર્ટર: કેટલાથી શરૂ થાય છે?એજન્ટ: 1 લાખથી. 1 લાખના 10 લાખ મળશે. રિપોર્ટર: માલ લેવા માટે મારે ક્યાં આવવું પડશે?એજન્ટ: તમારે શેગાંવ સ્ટેશન બહાર આવવું પડશે. રિપોર્ટર: નજીકમાં કયું શહેર છે? મારે કાર લઈને આવવું હોય તો?એજન્ટ: તમે ક્યાંથી છો? રિપોર્ટર: હું સુરતથી છું.એજન્ટ: સારું તો હું સાંજે ભાઈ સાથે વાત કરાવી દઈશ. રિપોર્ટર: તમારા ભાઈ આ બધું સંભાળે છે?એજન્ટ: હા રિપોર્ટર: બેંકમાં કોઈ પ્રોબ્લેમ તો નહીં થાય ને?એજન્ટ: ના રિપોર્ટર: કેટલો સમય ચાલે છે આ નોટ?એજન્ટ: 1 વર્ષની ગેરંટી આપીએ છીએ. પછી (નોટનો) રંગ ફિકો પડી જશે. રિપોર્ટર: તમે જ છાપો છો કે બહારથી લાવો છો?એજન્ટ: એ અમારો માલ નથી. હું ભાઈ સાથે વાત કરાવીશ, એમને પૂછી લેજો. રિપોર્ટર: 1 લાખથી ઓછાની નોટ જોઈએ તો મળે?એજન્ટ: ના… ભાઈ એક લાખથી ઓછામાં તો નહીં રિપોર્ટર: ગુજરાતના કસ્ટમર લેવા માટે આવે છે?એજન્ટ: હા… આવે છે… ઘણીવાર આવ્યા છે રિપોર્ટર: મારી પાસે બે મોટી પાર્ટી છે. તમારે દરરોજનો કેટલો માલ નીકળી જાય છે? 5-7 લાખનો માલ નીકળે?એજન્ટ: અરે ભાઈ… બહુ વેચાય છે. તમે ભાઈ સાથે વાત કરી લેજો. સોશિયલ મીડિયા મારફતે નકલી નોટનો ધંધો કરવા માટે બનાવવામાં આવેલા એકાઉન્ટ બાબતે અમે વધુ એક વાત નોંધી. અમે જેટલા પણ એકાઉન્ટ સુધી પહોંચ્યા એ થોડાક સમય પહેલાં જ બનાવવામાં આવ્યા હતા. લગભગ 3 મહિના કરતા પણ વધુ સમય સુધી આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવાની એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે અમુક ચોક્કસ સમય સુધી આવા એકાઉન્ટ એક્ટિવ રહે છે અને દરરોજ તેના પર નકલી નોટના વીડિયો અપલોડ કરવામાં આવે છે, જેની સાથે મોબાઇલ નંબર પણ હોય છે. જો કે અમુક સમયગાળા પછી આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ બંધ થઈ જાય છે અને મોબાઇલ નંબર પર ડિએક્ટિવેટ કરી દેવામાં આવે છે. પછી નવા મોબાઇલ નંબર અને નવા સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી એજન્ટો ફરીથી એક્ટિવ થાય છે. જેના કારણે કોઈ એક એજન્ટને ટ્રેક કરવો મુશ્કેલ બની જાય છે. દેશમાં નકલી ચલણી નોટના સરક્યુલેશનને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કેવી રીતે કામ કરે છે, વિવિધ બેંકો શું સાવધાની રાખે છે તેમજ સામાન્ય વ્યક્તિ પાસે નકલી નોટ આવી જાય તો શું કરવું જોઈએ, એ સમજવા માટે અમે સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન બેંક ફેડરેશનના CEO પુરષોત્તમ પીપળિયાને કેટલાક સવાલ કર્યા. તેમણે અમને એક સર્ટિફાઇડ મશીનમાં નકલી નોટ કેવી રીતે ઓળખી શકાય તેને ડેમો પણ બતાવ્યો. સવાલ: ગુજરાત સહિત દેશભરમાં નકલી નોટ ઘુસાડવા પર રોક કેમ લાગી નથી શકતી?જવાબ: નકલી નોટ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમયાંતરે ગાઇડલાઇન જાહેર કરે છે. જેમાં નકલી નોટ કેવી રીતે ઓળખી શકાય એ પણ જણાવવામાં આવે છે. બેંકો આ જાણકારીથી ગ્રાહકોને પણ વાકેફ કરે છે. ડુપ્લિકેટ કે રદ્દી નોટ અલગ તરવાઈ જાય એવા મશીન દેશભરની બેંકમાં રાખવાનો નિયમ છે. સવાલ: રિઝર્વ બેંક તેમજ ગૃહ વિભાગે નજીકના ભૂતકાળમાં ક્યારે અને કેવા પ્રકારની ચેતવણી આપી હતી?જવાબ: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સમયાંતરે વિવિધ ફ્રોડની જાણ બેંકને કરે છે. પછી નોટ કાઉન્ટિંગ મશીનમાં પણ ફિચર અપડેટ કરવામાં આવે છે. એટલે બેંકો નકલી નોટોના વહનનું સાધન ન બની શકે. સવાલ: નિયમોમાં કેવા ફેરફારોની જરૂર છે? જવાબ: અત્યારના નિયમો કડક જ છે. છતાં ગુનેગારો એક સ્ટેપ આગળ જ ચાલતા હોય છે. એટલે જેમ-જેમ રિઝર્વ બેંકને આવી જાણ થાય તે દેશભરની બેંકોને સજાગ કરતી હોય છે. સવાલ: નકલી નોટ મળે તો સામાન્ય લોકોએ શું કરવું જોઈએ?જવાબ: જો કોઈ વ્યક્તિને પોતાની પાસે રહેલી નોટ નકલી હોવાની શંકા હોય તો બેંકમાં જઈને ચેક કરાવી શકે છે. આ નોટ ક્યાંથી આવી એ બાબતની જાણ પોલીસને કરવી જોઈએ. જો 4 કરતા ઓછી નોટ હોય અને કોણ આપી ગયું છે એ ખબર ન હોય તો પોલીસમાં રિપોર્ટ કરવો જોઈએ. દિવ્ય ભાસ્કરે આ તમામ ઘટનાક્રમ અંગે એક જાગૃત નાગરિક અને મીડિયા હાઉસ તરીકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પુરાવા સાથે ઇમેલ કર્યો છે. આ સાથે જ રિઝર્વ બેંકનો આ વિષય પર જવાબ પણ માગ્યો છે. RBIનો જવાબ આપતા જ તેને આ આર્ટિકલમાં અપડેટ કરી દઈશું. અમે જેટલા પણ એજન્ટો સાથે વાત કરી એ દરમિયાન તેમની પાસેથી ડીલ કરવાના નામે માત્ર જાણકારી મેળવી છે. કારણ કે ભારતમાં નકલી ચલણી નોટો બનાવવી, રાખવી કે તેનો ઉપયોગ કરવો એ ગંભીર ફોજદારી ગુનો છે. ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNS 2023 હેઠળ અલગ-અલગ કલમો લાગૂ પડી શકે છે. રિઝર્વ બેંકના વર્ષિક રિપોર્ટ મુજબ, વર્ષ 2023-24માં પકડાયેલી નકલી ચલણી નોટના ડેટાની તુલના 2024-25 સાથે કરીએ તો કેટલીક ચિંતાજનક હકીકતનો ખ્યાલ આવે છે. 500ની નવી નોટોમાં 37.35% નો વધારો થયો છે. આ આંકડો સૂચવે છે કે બજારમાં 500ની નકલી નોટોનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. આવી જ રીતે 200 રૂપિયાની નોટમાં 13.91 ટકાનો વધારો થયો છે. જો કે 100ની ચલણી નોટ પણ 50 લાખ રૂપિયાની પકડાઈ છે. પણ પાછલા વર્ષની સરખામણીએ એમાં 23 ટકાનો ઘટાડો થયો છે. રિઝર્વ બેંકે 1 એપ્રિલ, 2025 ના રોજ Master Direction on Counterfeit Notes, 2025 જારી કર્યો હતો. જેમાં તમામ બેંકોને આ બાબતે અવગત કરી હતી. ગૃહ મંત્રાલયે પણ ગયા વર્ષે આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને હાઈએલર્ટ જારી કર્યું છે. સરકારે ચેતવણી આપી છે કે આ નકલી 500 રૂપિયાની નોટો વાસ્તવિક નોટો જેવી જ દેખાય છે અને સામાન્ય રીતે તેમની વચ્ચે તફાવત કરવો મુશ્કેલ છે. જોકે, સરકારે કેટલાક ઓળખ ચિહ્નો સૂચવ્યા છે જેનાથી નકલી નોટો ઓળખવાનું શક્ય બનશે. ગૃહ મંત્રાલયે આ ચેતવણી DRI, FIU, CBI, NIA, SEBI જેવી મુખ્ય નાણાકીય અને નિયમનકારી સંસ્થાઓ સાથે શેર કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 6:00 am

દારૂડિયા ઝડપાયા:સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીઘેલી હાલતમાં ઇજનેર અને બે ડોકટર ઝડપાયા

દુમાડ પાસે કારને ટક્કર મારી ભાગેલા અમદાવાદના બે ડૉક્ટર અને ઇજનેર સમા-સાવલી રોડ પર કારમાંથી દારૂ પીધેલી હાલાતમાં પકડાયા હતા. જનરક્ષક પોલીસના વાહનને વિકાસ પટેલે મંગળવારે જાણ કરી હતી કે, સમા સાવલી રોડ આઈઓસીએલ પેટ્રોલ પંપની સામે એક શખ્સ નશાની હાલતમાં કાર ચલાવી રહ્યો છે. જેના આધારે પોલીસ સ્થળ પર પહોંચી હતી. જ્યાં એક કારમાં ત્રણ જણા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા તે ત્રણેયે દારૂ પીધો હોવાનું જણાયું હતું. અકસ્માત થયો હોવાથી તેમની કાર પણ ચાલે તેવી સ્થિતિમાં રહી નહોતી. કારમાંથી અમદાવાદના ઇજનેર પરાગ ચૌહાણ, અને બે તબીબ ડો.અંકુર ચૌહાણ, ડો.ધૈર્ય આચાર્ય દારૂ પીધેલા પકડાયા હતા. અમદાવાદથી મિત્રના લગ્નમાં વડોદરા આવતાં કારમાં જ દારૂ પીધો હોવાનું પોલીસનું અનુમાન છે. પરાગ ચૌહાણને ઓવરસ્પીડિંગના મેમો મળ્યા હતાપરાગ ચૌહાણે ઓગસ્ટ-2024માં ખેડા સોનીપુરમાં ઓવરસ્પિડિંગ કર્યું હતું, જેને લઈ તેને લાયસન્સ ન હોવાનો અને ઓવસ્પિડિંગનો મેમો અપાયો હતો.ઉપરાંત તે જ મહિનામાં પરાગે ગોધરામાં ઓવરસ્પિડિંગ કર્યું હતું અને તેમાં પણ તેને મેમો અપાયો હતો. ઓક્ટોબર-2024માં તેને અમદાવાદમાં ઓવસ્પિડિંગ કરતા ચલણ અપાયું હતું. પરાગને દંડ કરાતો હતો. જોકે તે તેમ છતાં ઓવરસ્પિંડિંગ કરતો હતો તેમ જાણવા મળ્યું છે. ત્રણ જણા સામે દારૂ પીધેલા હોવાનો કેસ નોંધ્યોત્રણ જણા પીધેલા પકડાયા હતા, તેમની સામે દારૂ પીધેલા હોવાનો કેસ કર્યો છે અને તેમની કાર કબ્જે કરી છે. મારામારી અંગે કોઈ ફરિયાદ મળી નહોતી. > બી.બી.કોડિયાતર, પીઆઈ, સમા પોલીસ સ્ટેશન. ફર્સ્ટ પર્સનએકે ફોરેસ્ટ ઓફિસરની ઓળખ આપીહું કાર લઈને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે દુમાડ પાસે મારી કારને પાછળથી એક કારે અથાડી ભાગી ગયો હતો. મેં પીછો કરીને પેટ્રોલ પંપ પાસે પકડી લીધા હતા. કારમાંથી ત્રણ જણે ઉતરી મને માર માર્યો હતો. એક જણ પોતે ફોરેસ્ટ ઓફિસર હોવાનું કહેતો હતો. રાહદારીઓ એકત્ર થઈ જતા ત્રણેય ભાગી ગયા હતા.ત્રણેવે પોલીસ સાથે પણ તુ-તુ મેં-મેં કરી હતી. વિકાસ પટેલ, કાર ચાલક

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:58 am

ઠગાઈ:મહીસાગરના નિવૃત્ત પીએસઆઈને તબેલાની દોઢ કરોડની લોનનું કહીને 2 ઠગે 4.37 લાખ પડાવ્યા

મહિસાગરના નિવૃત્ત પીએસઆઈને તબેલાની લોન કરાવવાના બહાને સારાભાઈ કોમ્પ્લેક્ષમાં આવેલા નમો નમઃ ફિન સર્વ પ્રા.લી.ની ઓફિસ ચલાવતા બે ગઠિયાએ રૂ.4.37 લાખ પડાવતાં ગોરવા પોલીસે ગુનો નોંધ્યો હતો. મહિસાગરના ખાનપુરમાં રહેતા ઉદેસિંહ ફતાભાઈ માલિવાડ પોલીસ સબ ઈન્સ્પેક્ટર તરીકે 2017માં નિવૃત્ત થઇ ખેતીકામ કરતા હતા. સાથે તબેલો બનાવવાનું આયોજન કર્યું હતું. તેમને જાણવા મળ્યું હતું કે, ગેંડા સર્કલ સારાભાઈ કોમ્પ્લેક્ષના નમો નમઃ ફિન સર્વ પ્રા.લી.માં તબેલા માટે લોન મળે છે. જેથી ઉદેસિંહ 2019માં ત્યાં પહોંચ્યા હતા, જ્યાં સદ્દામહુસેન મકબુલઅહેમદ કુરેશી (રહે, સ્લમ ક્વાટર્સ, નવાપુરા) મળ્યો હતો. તેમને જમીન બતાવતાં વેલ્યુએશન ત્રણ કરોડનું આવ્યું હતું. સદ્દામે ઉદેસિંહને જાણ કરી હતી કે, 3 કરોડની લોન મંજૂર કરવામાં આવે તો તમારે એડવાઇઝર, કિમીટીના છ મેમ્બર, એડવાન્સ હપ્તા થઈને 3 કરોડમાંથી 2 કરોડ હાથમાં આવશે. જેથી તમે દોઢ કરોડની લોન મંજૂર કરાવશો, તો તમારે ઓછુ પેમેન્ટ આપવું પડશે. તેઓ દોઢ કરોડની લોન લેવા રાજી થયા હતા. તેમની પાસે ફાઇલ ચાર્જ પેટે રૂ.5.51 લાખ લેવાયા હતા. પરંતુ લોન મંજૂર ન થતા રૂ.5 લાખ પરત કરાયા હતા. ત્યારે સદ્દામે દોઢ કરોડની લોન અપાવવા ઉદેસિંહ પાસેથી રૂ.1.11 કરોડ અલગ અલગ બહાને લીધા હતા, પરંતુ ઉદેસિંહ પાસે તેમના કોઈ પૂરાવા નહોતા. ઉદેસિંહે આંગડિયા પેઢી મારફતે ઉદેસિંહે રૂ.4.37 લાખ મોકલ્યા હતા. જેના પૂરાવા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારે નમો નમઃ ફિનસર્વ પ્રા.લી.ની ઓફિસના મેનેજર ગજેન્દ્રસિંહ ભરતસિંહ જાદવ (રહે, મોરા, તીલકવાડા) પણ ઓફિસે મળી કેટલાક ડોક્યુમેન્ટ લીધા હતા. બંને જણાએ ભેગા મળીને ઉદેસિંહ પાસે લોન કરાવી આપવાના બહાને ખોટી રીતે રૂપિયા પડાવી લઈને છેતરપિંડી કરી હતી. આ મામલે ગોરવા પોલીસે બંને સામે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. બે વર્ષ અરજી ઈકો સેલમાં રખાઇ દફ્તરે કરી દેવાઇ ગૃહમંત્રીને રજૂઆત કરાતાં ગુનો નોંધવામાં આવ્યોઠગાઈ મામલે નિવૃત્ત પીએસઆઈએ ઉચ્ચ અધિકારીને રજૂઆત કરી હતી. ત્યારબાદ અરજી 2024માં ઈકો સેલમાં અપાઈ હતી. પરંતુ અરજીને દફતરે કરી દેવાઈ હતી. જેથી નિવૃત્ત પીએસઆઈએ જે-તે સમયે પૂર્વ એડી.સીપી મનોજ નિનામાને રજૂઆત કરી હતી. ત્યારબાદ ત્યાંથી પણ કોઈ ઉકેલ ન આવતા ગૃહ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત બાદ અરજી રીઓપન કરીને કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ભેજાબાજોએ 17 ઓફિસ ખોલી અન્યને પણ ઠગ્યાઉદેસિંહ માલિવાડે કહ્યું હતું કે, સદ્દામ કુરેશી અને ગજેન્દ્રસિંહ જાદવે શહેરમાં 17 જેટલી ઓફિસ ખોલી હતી. તેમને અન્ય લોકો સાથે પણ ઠગાઈ કરી છે. તપાસ કરતા તે ઓફિસ બંધ મળી હતી. મેં ઘર, ટ્રેક્ટર સહિત વેચીને રૂપિયા ચૂકવ્યા હતા. મેં રૂ.65 લાખ જેટલા ચૂકવ્યા તેના પૂરાવા એકત્ર કરીને રજૂ કર્યા છે. પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:52 am

સત્યજિતસિંહ ગાયકવાડની માગ:મહારાજા સયાજીરાવને તેમના કાર્યો બદલ ભારતરત્ન આપો

મહારાજા સયાજીરાવ ગાયકવાડનો વડોદરા, બરોડા સ્ટેટમાં 63 વર્ષના સુદીર્ધ શાસનકાળ હતો. તેમાં તેમણે અનેક લોકોપયોગી કાર્યો કર્યા હતા. શિક્ષણ, દેશપ્રેમ, વેપાર-ઉદ્યોગો અને વિકાસકાર્યો કર્યા હતા. તેમના આ કાર્યો માટે ભારત સરકારે તેમને દેશનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતરત્નથી સન્માનિત કરવા જોઇએ. આ માગ મહારાજા સયાજીરાવના મોટાભાઇના પ્રપૌત્ર સત્યજિતસિંહ ગાયકવાડે કરી છે. તેમણે કહ્યું કે, મહારાજાએ શિક્ષણ ક્ષેત્રે બરોડા કોલેજ (મ.સ.યુનિ.), આજવા સરોવર, બીઓબી, સયાજીબાગ, રેલવે, વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન, ગામેગામ લાઇબ્રેરીઓ ઉપરાંત અનેક સંસ્થાઓને દાન કર્યું છે. દેશના અને લોકોના વિકાસ માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા છે. આ બાબતોને ધ્યાનમાં લઇને તેમને ભારત રત્ન એવોર્ડ એનાયત કરવો જોઇએ. તેમણે આ માગણી 2019માં પણ કરી હતી. મહારાજાએ અરવિંદ ઘોષ, લોકમાન્ય ટિળક અને સુભાષચંદ્ર બોઝને પણ મદદ કરી હતીદેશની આઝાદીની લડત સાથે સંકળાયેલા તત્કાલિન સ્વાતંત્ર્યવીરો અરવિંદ ઘોષ, લોકમાન્ય ટિળક, સુભાષચંદ્ર બોઝને પણ તેમણે આર્થિક સહિતની તમામ સહાય કરી હતી. દેશની આઝાદી માટે હિટલર સાથે પણ ગુપ્ત બેઠકની વાત જાણીતી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:49 am

મહારાજાને જન્મજયંતીએ સ્મરણાંજલિ:સયાજીરાવે વર્ષ 1910માં જ બળદ ગાડા અને ટ્રેન મારફતે ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ સ્થાપ્યા

મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતી નિમિત્તે ‘ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા’ની આર્ટસ ફેકલ્ટી ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આર્ટસ ફેકલ્ટીના ડીન પ્રો. કલ્પના ગવળી તેમજ ફેકલ્ટીના વિવિધ વિભાગોના અધ્યક્ષો, અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગુજરાતી વિભાગના સિનિયર રિસર્ચ ફેલો જય મકવાણા દ્વારા મહારાજાના જીવનના પ્રેરણાદાયી પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, મહારાજા માનતા હતા કે જ્ઞાન પોતાની માતૃભાષામાં મળે તો જ તેનો સાચો વિકાસ થાય. આ જ હેતુથી તેમણે વિશ્વના ઉત્તમ સાહિત્યને ગુજરાતી અને મરાઠીમાં અનુવાદિત કરાવવા માટે ‘શ્રી સયાજી સાહિત્યમાળા’ની શરૂઆત કરી હતી. તેમણે પ્રાદેશિક ભાષાઓમાં વિજ્ઞાન, ઈતિહાસ અને ટેકનોલોજીના પુસ્તકો તૈયાર કરાવ્યા હતા, જેનો આજે પણ અભ્યાસુઓ લાભ લઈ રહ્યા છે. પુસ્તકથી વધુ સારો કોઈ મિત્ર નથી અને જ્ઞાનનું આથી ઉત્તમ સાધન નથી આ વિચારમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા મહારાજા સયાજીરાવે શિક્ષણવ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા વડોદરામાં 1907થી પુસ્તકાલય પ્રવૃત્તિ શરૂ કરાવી. 1910માં ‘રાજ્ય ગ્રંથાલય ખાતું’ સ્થાપીને ગ્રંથાલય પ્રવૃત્તિ વેગીલી બનાવી. નગરો અને ગામડાંની પ્રજા જ્ઞાનમાં વધારો કરી શકે તે માટે શરૂઆતમાં પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રોને બળદ ગાડા અને ટ્રેન મારફતે ‘હરતાં-ફરતાં પુસ્તકાલયો’ દ્વારા અંતરિયાળ વિસ્તારોમાં મોકલવાની વ્યવસ્થા કરાઇ હતી. વડોદરા શહેરના મધ્યવર્તી પુસ્તકાલયો ઉપરાંત 46 પ્રાંત પુસ્તકાલયો, 1100 ગ્રામ પુસ્તકાલયો, 16 મહિલા પુસ્તકાલયો અને 10 ખાસ પુસ્તકાલયોની સાથે 343 પુસ્તકપેટી સ્વરૂપે ફરતા વાંચનાલયો કાર્યરત બન્યા. ‘સિંધી તહેવાર એક સાંસ્કૃતિક ઓળખ’ પર સ્પર્ધા યોજાઇમહારાજાની જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે આર્ટસ ફેકલ્ટીના સિંધી વિભાગ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. ‘સિંધી તહેવાર - એક સાંસ્કૃતિક ઓળખ’ વિષય પર આધારિત આ સ્પર્ધામાં 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સિંધી સંસ્કૃતિ તથા તહેવારોની મહત્તા વિશે પોતાના વિચારો વ્યક્ત કરી સિંધી સંસ્કૃતિનો સૌને પરિચય કરાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:46 am

પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટ ખાતે વક્તવ્ય યોજાયું:આધુનિકતાનો ટચ લોક શૈલીને જીવંત રાખી વર્તમાનથી જોડશે: રૈના

મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટ ખાતે ભારતીય રંગભૂમિ અને સિનેમાના દિગ્ગજ વ્યક્તિત્વ એમ.કે. રૈનાનું એક વિશેષ વક્તવ્ય અને ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું. પાંચ દાયકાથી વધુનો અનુભવ ધરાવતાએમ.કે. રૈનાએ વિદ્યાર્થીઓ સાથે પોતાની જીવનયાત્રા, અભિનયની બારીકીઓ અને લોકશૈલીના મહત્વ વિશે સંવાદ કર્યો હતો. જેમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના ડીન પ્રોફેસર અજય અષ્ટપુત્રે અને ડ્રામેટિક્સ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. પ્રોફેસર દર્શન પુરોહિત સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. એમ.કે. રૈનાએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ’ ભગવાન બોલે અને ભક્તો સાંભળે’ તેવું ન હોવું જોઈએ, પરંતુ તે વિચારોનું આદાન-પ્રદાન હોવું જોઈએ. તેમણે લોક કલાનું ઘણુ મહત્વ છે. જ્યારે ગુજરાતના ભવાઈ કલાકારો અને વિદ્વાનો અમારી પાસે આવ્યા ત્યારે અમને ખ્યાલ આવ્યો કે લોકશૈલી કેટલી મુક્તિ આપનારી છે. ભવાઈ અને લોકશૈલીઓ જ આપણા ભારતીય થિયેટરનો અસલી ચહેરો છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, લોકશૈલી માત્ર ઢોલક-નગારા વગાડવા પૂરતી સીમિત નથી. જ્યાં સુધી આપણે આપણી લોકશૈલીમાં આધુનિકતાના બીજ નહીં રોપીએ અને તેને વર્તમાન સમાજ સાથે નહીં જોડીએ, ત્યાં સુધી તે કલા જીવંત નહીં રહે. આપણે તેને એક મ્યુઝિયમની વસ્તુ બનાવવાને બદલે નવા વિચારો સાથે જોડીને આગળ વધારવી પડશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:45 am

મહારાણી રાધિકારાજેની સોશિયલ મીડિયા પર પોસ્ટ:એક્ટર વિજય દેવેરકોંડાનો વાદળી રંગનો કોટ મહારાજાના ક્લોકની યાદ અપાવે છે

વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની રોયલ સ્ટાઈલ અને વારસાને યાદ કરતી એક રસપ્રદ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેમણે મહારાજા સયાજીરાવની જન્મજયંતિ નિમિત્તે ડ્રેસિંગ સ્ટાઈલની વાત કરી છે. પોસ્ટમાં લખ્યું છે કે, તાજેતરના સમયમાં સાઉથ ફિલ્મ સ્ટાર વિજય દેવેરકોંડાના ગ્રૂમ લુકને પ્રશંસા મળી રહી છે. જે મહારાજા સયાજીરાવ ગાયકવાડના ક્લોકની યાદ અપાવે છે. મહારાણી રાધિકારાજે ગાયકવાડની પોસ્ટ અનુસાર, 1919માં બ્રિટિશ દ્વારા આપવામાં આવેલા ‘સ્ટાર ઓફ ઇન્ડિયા’ સન્માન સમયે મહારાજાએ પહેરેલો વાદળી રંગનો સિલ્ક ક્લોક ચર્ચિત રહ્યો હતો. તેઓ ‘ડ્રેસિંગની શક્તિ’ સારી રીતે સમજનારા મૂળ ‘મેઇન કેરેક્ટર’ હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:43 am

યુનિવર્સિટીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો:દીવા નૃત્યથી શરૂઆત કરી શ્રીરામ ઉત્સવે દિવાળીનો માહોલ સર્જ્યો

આઇસીસીઆરના અમદાવાદ સ્થિત પ્રાદેશિક કાર્યાલયના સહયોગથી મ.સ.યુનિ. ના પંડીત દિનદયાન ઉપાધ્યાય ઓડિટોરીયમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આઇસીસીઆરના પેનલ કલાકાર ભરત બારીયા, અક્ષય પટેલ અને નૃત્યાવલી ગ્રૂપે વિવિધ નૃત્ય પ્રસ્તુતિઓ આપી હતી. કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિક સ્પર્શ આપતા દીવા નૃત્યથી થઈ, ત્યારબાદ ભક્તિભાવથી ભરપૂર કૃષ્ણા વંદના રજૂ કરવામાં આવી. અંતે ‘અસવાર આયો રે’ અને ‘શ્રીરામ ઉત્સવ’ની રજૂઆતથી દિવાળીનો માહોલ સર્જ્યો હતો. ગુજરાતના એકમાત્ર ‘નૃત્યાવલી ગ્રૂપે’ અયોધ્યા રામ મંદિરમાં ‘શ્રીરામ ઉત્સવ’ નૃત્યની રજૂઆત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કલાકારોના સજીવ અભિનય, લોકસંગીત અને પરંપરાગત વેશભૂષાઓએ આકર્ષણ જમાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:42 am

હોળી રસિયાનો કાર્યક્રમન યોજાયો:બેઠક મંદિર ખાતે વૈષ્ણવ પર ફૂલોની વર્ષા કરી ફૂલ ફાગનો મનોરથ યોજાયો

વૈષ્ણવોની સૌપ્રથમ હવેલી બેઠક મંદિર ખાતે‌ પૂ. રશ્મિકા વહુજીના જન્મદિન નિમિત્તે રંગા રંગ કાર્યક્રમ યોજાયો હતો. ગોસ્વામી ડો.વાગીશ કુમારજી મહારાજ, વહુજી, લાલન વેદાંતકુમારજી મહોદય , સિદ્ધાંત કુમાર‌જી મહોદયની ઉપસ્થિતિમાં રસિયાનું આયોજન કરાયું હતું જેમાં રસિયા ગાન સંગીતના સથવારે મનહર ગાંધર્વ ગ્રૂપ દ્વારા રમઝટ જમાવી હતી. ફૂલોની વર્ષા વૈષ્ણવ ઉપર વરસાવીને અનેરો ફૂલ ફાગ મનોરથ સાથે વ્રજના રસિયાની ભારે રમઝટ જમાવી હતી. જેમાં મહિલાઓ ગ્રૂપમાં રાધાકૃષ્ણના પાત્રને વિશેષ નૃત્યાંગનો દ્વારા પ્રસ્તુતિ દ્વારા પ્રભુ કૃષ્ણને રાધાની લીલાઓને યાદ છતી થઈ. પૂજ્ય અમ્માજીને જન્મદિનની મંગલ વધાઈ આપવા માટે વહેલી પરોઢથી જ સાંજ સુધી દેશ વિદેશના વૈષ્ણવો આવ્યા હતા. કાંકરોલી યુવરાજ પૂજ્ય સિદ્ધાંતકુમારજી મહોદય વૈષ્ણવને જણાવ્યું કે ગમે તેટલો સંઘર્ષ હોય પણ જીવનમાં આનંદ અને ઉત્સાહ છોડવો નહીં. રંગપંચમી શબ્દ રંગ અને પંચમીના સમૂહથી બનેલો છે. સામાજિક એકતા રંગોની નીચે દરેક માનવી સમાન લાગે છે. હવામાં ઉડતો ગુલાલ અબીલ નકારાત્મક ઊર્જાને દૂર કરી હકારાત્મકતા ફેલાવે છે. વિવિધ વૈષ્ણવ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા .

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:38 am

સર સયાજીરાવ ગાયકવાડને પુષ્પાજંલિ અર્પણ કરાઈ:મહારાજ સાહેબથી પ્રેરણા લઈ શહેરને સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ છે: રાજમાતા

વડોદરાના દિર્ઘદ્રષ્ટા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનો બુધવારે 164ની જન્મ જયંતી હતી. આ અવસરે કિર્તી મંદિર ખાતે શ્વરાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. કાર્યક્રમમાં રાજમાતાએ મહારાજાની પ્રતિમા પર પુષ્પહાર ચડાવીને તેમને પુષ્પાજંલિ અર્પણ કરી હતી. તો આ સાથે મ્યુઝિક કોલેજના વિદ્યાર્થીઓએ સંગીત દ્વારા મહારાજાના શ્વરાજંલિ આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા અને તેઓએ પુષ્પાજંલિ આપી હતી. રાજમાાતાએ મીડિયાને જણાવ્યું હતું કે, આજે મહારાજાનો 164મો જન્મ દિવસ છે.મને આનંદ છે કે,શહેરના વરિષ્ઠ નાગરિકો આવ્યા અને મહારાજા સાહેબને પુષ્પાજંલિ આપી. આ આનંદના અવસરમાં અમે તેમના કામને યાદ કરીએ છે. તે કામની જ પ્રેરણા લઈને આપણા શહેરને સુંદર અને વ્યવસ્થિત બનાવી શકીએ, તેવી હું આશા વ્યક્ત કરુ છું. આ સાથે સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્ય ફેકલ્ટીમાં પણ પુષ્પાજંલિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટીના સત્તાધીશો અને પ્રોફેસરો દ્વારા સયાજીરાવ ગાયકવાડની પ્રતિમાને પુષ્પહાર ચડાવીને પુષ્પાજંલિ આપી હતી. ઉપરાંત સયાજી હૉસ્પિટલ, કાલાઘોડા ખાતે પણ પુષ્પાજંલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:37 am

77 વિદ્યાર્થીઓની ફી સંપૂર્ણ માફ કરાઈ:મ.સ.યુનિ.ના 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખની શિષ્યવૃત્તિ

મ.સ.યુનિ.માં 2025-26ની ડીએસડબલ્યુ સ્કોલરશીપ આપવામાં આવી હતી. 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખ સ્કોલરશીપ આપી છે. માતા કે પિતા ન હોય તેવા કિસ્સામાં 77 વિદ્યાર્થીઓને સંપૂર્ણ ફી માફી અપાઇ છે. એક હેન્ડીકેપ વિદ્યાર્થીને સંપૂર્ણ સ્કોલરશીપ આપવામાં આવી છે. યુનિવર્સિટીમાં 2012-13માં ડીએસડબલ્યુની સ્કોલરશીપની શરૂઆત કરવામાં આવી હતી. 1789માંથી 1306 ગ્રાન્ટ ઇન એઇડના તથા 483 હાયર પેમેન્ટ કોર્સના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીમાં તમામ કેટેગરીના જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશીપ સ્કીમની શરૂઆત કરવામાં આવી હતી. દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા આના માટે અરજી કરતાં હોય છે અને તેના આધારે વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ ફાળવવામાં આવતી હોય છે. કમિટી દ્વારા વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટના આધારે તેમને સ્કોલરશીપની રકમ ફાળવતા હોય છે. 2025-26નું શૈક્ષણિક વર્ષ પૂરું થવા આવ્યું ત્યારે સ્કોલરશીપની રકમ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવી છે. યુનિવર્સિટીની 14 ફેકલ્ટી 2 કોલેજના મળીને 1789 વિદ્યાર્થીઓને 95.12 લાખની રકમ ચૂકવવામાં આવી છે. જેમાં 868 વિદ્યાર્થીઓ અને 921 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થાય છે. ગત વર્ષે 1552 વિદ્યાર્થીઓને 91.27 લાખ રૂપિયાની રકમની સ્કોલરશીપ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે 237 વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. સૌથી વધારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ચૂકવામાં આવી હતી. ટેકનોલોજી ફેકલ્ટીના 204 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. રાજય સરકારે ડિજીટલ ગુજરાત, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના જેવી સ્કોલરશીપની સંખ્યા વધતા ડીએસડબલ્યુમાં પણ લાભ મળ્યો છે. ગત વર્ષ કરતાં વધુ વિદ્યાર્થીને આ વર્ષે ડીએસડબલ્ય મળી છે. જરૂરીયાતમંદ સુધી મદદ પહોંચી છે. 2018-19માં સૌથી વધુ 3537ને સ્કોલરશિપ મળી કઇ ફેકલ્ટીના કેટલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:35 am

અનોખો વિરોધ:હવે ભ્રષ્ટાચારીઓને વહીવટ ન મળે તેવી પ્રાર્થના સાથે પાલિકાની કચેરીની આરતી

પાલિકામાં ચૂંટાયેલી પાંખે 5 વર્ષની ટર્મ પૂરી થતાં વિદાય દીધી છે. ત્યારે સામાજિક કાર્યકરોએ પાલિકાના ગેટ બહાર અનોખો વિરોધ કર્યો છે. નવા બોર્ડમાં નિષ્ઠાવાન વ્યક્તિઓ આવે અને ભ્રષ્ટાચારીઓ દૂર થાય તેવી પ્રાર્થના સાથે સામાજિક કાર્યકરોએ આરતી કરી હતી. 2021ની ચૂંટણી બાદ ભાજપનું બોર્ડ બન્યું હતું. 5 વર્ષમાં ભાજપ બોર્ડમાં અનેક વિવાદો થયા હતા. પ્રજા હજી પણ ગંદા પાણી, તૂટેલા રોડ, રોડના ખાડા, ઉભરાતી ડ્રેનેજ જેવી સમસ્યાઓથી પરેશાન છે. શહેરમાં અસંખ્ય ફરિયાદો અને ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ચૂંટાયેલી પાંખે 5 વર્ષ પૂર્ણ કર્યા છે. તો હવે ફરીથી આ બોર્ડ ન આવે તેવી પ્રાર્થના થઈ રહી છે. સામાજિક કાર્યકરોએ પાલિકાની કચેરી બહાર ગેટ પર પૂજા કરી આરતી કરી અનોખો વિરોધ કર્યો હતો. પાલિકાના ગેટ પર હારતોરા અને પુષ્પો નાખી પ્રભુને પ્રાર્થના કરી હતી. સામાજિક કાર્યકરોનું કહેવું હતું કે, પાલિકામાંથી ભ્રષ્ટાચારીઓએ વિદાય લીધી છે. જેથી હવે નવા બોર્ડમાં નિષ્ઠાવાન લોકો આવે, વડોદરા વિશે વિચારધારા લોકો આવે તેમ જ પાલિકામાં નૈતિક શાસન જળવાઈ તે માટે પ્રભુને પ્રાર્થના કરી છે. તેઓએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, પાલિકા સંકુલમાં પૂજા વિધિ કરવી હતી પરંતુ સિક્યુરિટી તેમને રોક્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:30 am

વેધર રિપોર્ટ:ગરમીનો પારો 41.6 ડિગ્રી, આજે યલો એલર્ટ, આગામી સપ્તાહે વાદળો રહેશે

બુધવાર વડોદરા માટે આ ઉનાળાનો હોટેસ્ટ ડે બન્યો હતો. મહત્તમ તાપમાન 41.6 ડિગ્રી નોંધાયું હતું. બપોરે શહેર ગરમીમાં શેકાયું હતું. જ્યારે ગુરૂવારે પણ હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. પારો 41 ડિગ્રી સુધી નોંધાઈ શકે છે. વડોદરામાં સતત ત્રીજો દિવસ હોટેસ્ટ ડે નોંધાયો હતો. શુક્રવારથી ગરમીનો પારો ધીરે ધીરે ઘટશે. જેથી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી શકે છે. 14મીથી સર્જાતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આગામી સપ્તાહે વાતાવરણમાં વાદળો સર્જાતાં બફારો વર્તાશે. હવામાન નિષ્ણાંતોના મુજબ, રસ્તા પર પથરાયેલો ક્રોકીંટ તેમજ આસપાસની બિલ્ડીંગ ગરમીનો શોષી રાખે છે. જેના કારણે શહેરોમાં ગરમીનું પ્રમાણ વધુ લાગતું હોય છે. આ ઉપરાંત પવનો પણ બિલ્ડીંગોના કારણે રોકાઈ જાય છે. જે ગરમી વધુ રાખવાનું મુખ્ય કારણ પણ છે. જ્યારે શહેરો કરતા ગામડાંમાં ગરમીનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 16થી 20 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.શહેરમાં ગુરૂવારના રોજ પણ ગરમીનો પારો 40 થી 41 ડિગ્રી વચ્ચે રહેશે. જ્યારે 14 માર્ચના રોજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે અરબી સમુદ્ર પરથી અને બંગાળની ખાડી તરફથી ભેજયુક્ત પવનો ફુંકાતા 16થી 20 માર્ચ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જ્યારે રાજસ્થાનના પ્રદેશોમાં વરસાદ વરસશે.> મુકેશ પાઠક,હવામાન શાસ્ત્રી છેલ્લા 3 દિવસનું તાપમાન બુધવારનું તાપમાન

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:26 am

પાલિકાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસની તૈયારી શરૂ:કોંગ્રેસમાં ક્યુઆર કોડથી ભરતી, નવો સભ્ય સક્ષમ ઠરશે તો ચૂંટણી લડાવશે

પાલિકાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ સક્રિય થઈ છે. શહેરને સમસ્યાઓમાંથી ઉગારવા પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓને જોડી, ઉમેરવારી કરવા કોંગ્રેસે આહવાન કર્યું હતું. લોકો કોંગ્રેસ સાથે જોડાય તે માટે ક્યુઆર કોડ જાહેર કર્યો છે. પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ, પૂર્વ મંત્રી અને વડોદરાના પ્રભારી બિમલ શાહ તેમજ અમદાવાદ પક્ષના ઉપનેતા નીરવ બક્ષી વડોદરા આવ્યા હતા. તેઓએ પ્રબુદ્ધ નાગરિકો અને વિદ્યાર્થીઓને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. બિમલ શાહે કહ્યું કે, પાલિકાના હાલના બોર્ડથી નાગરિકો ત્રસ્ત છે, 13, 14 અને 15 માર્ચે ઉમેદવારી કરનાર કાર્યકરોને સાંભળીશું. દરેક વૉર્ડમાંથી મોટી સંખ્યામાં ઉમેદવારી થઇ છે. અમને આશા છે કે પાલિકામાં કોંગ્રેસનો તિરંગો લાગશે. બિમલ શાહે માન્યું કે, અત્યાર સુધી અમે લોકો સુધી પહોંચી શક્યા નથી. બુથ લેવલે કામ શરૂ થયું છે, જનતાનો રોષ જોઈ લાગે છે કે લોકો જોડાશે અને પાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનશે. વોર્ડ 14માં સૌથી વધુ 24 કાર્યકરોએ ઉમેદવારી કરી નવાને જોડવાથી જૂના નારાજ થશે તેવી સ્થિતિ, પ્રભારીએ કહ્યું, કાર્યકરો સાથે મનોમંથન કર્યું છેકોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ છે. ઉમેદવારોના નામ જાહેરાત થતાં જ કકળાટ શરૂ થતો હોય છે. આ વખતે કોંગ્રેસ નવા લોકોને જોડી ઉમેદવાર બનાવશે. તેવામાં ફરી ડખા શરૂ થશે તેવું જાણકારો માને છે. સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદમાં પ્રભારી બિમલ શાહને પૂછાયું હતું કે, નવા ઉમેદવારો બનશે તો જૂના નારાજ નહીં થાય? જવાબમાં તેઓએ જણાવ્યું કે, હોદ્દેદારો અને કાર્યકરો સાથે મનોમંથન કર્યું છે. સક્ષમ હશે તેને ટિકિટ અપાશે, ભલે તેઓ નવા હોય.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:25 am

પ્રજાજન પરેશાન:બુકિંગના 15 દિવસે ગેસ સિલિન્ડર ન મળતા પાણીગેટમાં લાઈનો પડી, રાંધવાની વ્યવસ્થામાં લોકો ગરમીમાં શેકાયા

ઈરાન-ઇઝરાયેલ-અમેરિકા વચ્ચે યુધ્ધ વચ્ચે કોમર્શીયલ સિલિન્ડર સાથે ઘરેલું ગેસના સિલિન્ડરો પણ 15 દિવસ સુધી ન મળતા બુધવારે પાણીગેટની ભારત પેટ્રોલીયમની ગાયત્રી ગેસ એજન્સી બહાર લોકોની લાઈનો જોવા મળી હતી. ગ્રાહકોએ જણાવ્યું કે, પહેલા ઓનલાઈન ગેસની નોંધણી થતી હતી ત્યારે બેથી ત્રણ દિવસમાં સિલિન્ડર ઘરે આવી જતો હતો. 15 દિવસથી સિલિન્ડર મળતો નથી. ઓનલાઈન નોંધણી બંધ કરી દેવાઇ છે. પુરવઠા વિભાગ અનુસાર, યુધ્ધ પહેલાં પ્રતિદિન 8 હજાર બુકિંગ સામે, હાલ રોજના 12 હજાર બુકિંગ થાય છે. ગાયત્રી ગેસ એજન્સી બહાર સવારે 7 વાગ્યાથી ઉભેલા લોકોએ જણાવ્યું કે, 15 દિવસ પહેલાંથી સિલિન્ડર બુક કર્યો પરંતું સિલિન્ડર ન આવતા અમે એજન્સીમાં આવ્યાં છે. એજન્સી પુરતો સ્ટોક ન હોવાનું જણાવે છે. આવ્યાં ત્યારથી રસીદ આપી છે, જેનાથી ગોડાઉન પરથી સિલિન્ડર લેવા માટે જઈશું. બાળકોની પરીક્ષાઓ ચાલી રહી છે, ધંધા રોજગાર છે. આ તમામ વચ્ચે સમય બગાડીને અમારે સિલિન્ડર લેવા માટે એજન્સીમાં આવવું પડ્યું છે. શહેરમાં ઘરેલું ગેસનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે, ગ્રાહકો ગભરાટમાં બુકિંગ ના કરાવે : કલેક્ટરકેન્દ્ર સરકારે એસ્મા લાગુ કર્યા બાદ કલેક્ટરે બુધવારે ગેસ ઉત્પાદકો, વિતરકો, મામલતદારો સાથે બેઠક કરી ખાતરી આપી છે કે, શહેર-જિલ્લામાં ઘરેલું ગેસના ગ્રાહકોને 25 દિવસના અંતરાલે સિલિન્ડર મળશે. ગેસનો પૂરવઠો યોગ્ય માત્રામાં છે. કલેક્ટરે કાળાબજારી, સંગ્રહખોરી કરતા તત્વોને ડામવા માટે ટીમોનું ગઠન કરવાની સૂચના આપી છે. કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારી ગીતા દેસાઈ દ્વારા બુધવારે આઈઓસીએલ, બીપીસીએલ, એચપીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બુકિંગની સિસ્ટમ માત્ર ધીમી પડી છેબુકિંગની સિસ્ટમ ધીમી પડી હતી. જેના કારણે બુકિંગ થયા ન હતાં. આ કારણે લોકો પેનીક થઈને એજન્સી ખાતે સિલિન્ડર લેવા પહોચી ગયા હતાં. જોકે લોકોને ઘરેલું ગેસ સિલિન્ડર મળી ગયા છે. > હિમાંશુ પરીખ, સંચાલક, ગાયત્રી ગેસ એજન્સી સિલિન્ડર નહી મળે તેવું માની લોકો બીજો સિલિન્ડર ભરાવીને રાખી રહ્યાં છેઅમેરિકા-ઈરાન યુધ્ધ વચ્ચે શહેરમાં કોમર્શીયલ સિલિન્ડર બાદ ઘરેલું ગેસ સિલિન્ડરોની પણ અછત ઉભી થશે તેવી અફવામાં લોકો પોતાના ઘરમાં રહેલો બીજો સિલિન્ડર પણ ભરાવીને રાખી રહ્યાં છે. સરકારે હાલ 25 દિવસ બાદ બીજો સિલિન્ડર બુક કરી શકાસે તેવી સિસ્ટમ લાગુ કરી દિધી છે. જોકે પરિવારો 25 દિવસ બાદ બીજો ખાલી સિલિન્ડર ભરાવીને રાખી રહ્યાં છે. આ ઉપરાંત હાલ મહોરમનો તહેવાર ચાલી રહ્યો છે.તેવામાં મુસ્લિમ સમાજના ઘરોમાં સિલિન્ડરનો વપરાશ વધી જતા તેવા પરિવારોમાં પણ સિલિન્ડર રિફિલ કરાવવા માટે બુકિંગ કરાવી રહ્યાં છે. જેના કારણે ઘરેલું ગેસની માંગ એકાએક વધી ગઈ છે.જ્યારે લોકોએ ગેસ ઉપરાંત વિજળીથી ચાલતા ઈન્કશન પણ વસાવી લીધા છે. બીજી તરફ કલેક્ટરે મામલતદાર કક્ષાની ટીમો બનાવી ફિલ્ડ સ્તરે મોનિટરિંગ કરાશે. જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા પણ સ્ટોક પોઝિશન અંગે નિયમિત સમીક્ષા કરી રહ્યાં છે. ગેરરીતિ, ડાયવર્ઝન કે બ્લેક માર્કેટિંગ સામે આવશે તો કાર્યવાહી કરવામાં આવશે. કોમર્શિયલ ઉપયોગ માટે જથ્થો મર્યાદિત હોવાથી પ્રાથમિકતાઓ નક્કી કરીને સપ્લાય સુનિશ્ચિત કરાશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:22 am

સિટી એન્કર:સ્કૂલનું બાથરૂમ ગંદુ હોવાથી છાત્રા જતી ન હતી, ધો.9નો વિદ્યાર્થી વોશરૂમમાં કોઇ હોય તો રોકી રાખતો, બન્નેને કિડનીના રોગ થયા

શહેરની સ્કુલોમાં ગંદા બાથરૂમ-ટોયલેટના કારણે 12 વર્ષની વિદ્યાર્થીનીને લેઝી બ્લેડર સિન્ડ્રોમનો કિડનીનો રોગ થયો હતો. રેર ગણાતા આ સિન્ડ્રોમમાં વિદ્યાર્થીની સ્કુલમાં ગંદા ટોયલેટના કારણે યુરીન ન જતા તેનું મુત્રાશય 400 એમએલની ક્ષમતા સામે 1 લીટરની ક્ષમતા જેટલું પહોળું થઈ ગયું હતું. જેથી તેને પેશાબમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. અન્ય એક કિસ્સામાં ધો.9માં ભણતા વિદ્યાર્થીને શાય બ્લેડર સિન્ડ્રોમ થયો હતો. તે પેશાબ કરવા જાય અને આસપાસ કોઈ બાળક પેશાબ કરતો હોય તો તે પેશાબ જતો ન હતો. જેના કારણે તેના મુત્રાશયમાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. આ બંને કિસ્સામાં વડોદરાના યુરોલોજિસ્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. હરેશ ઠુમ્મરે બાળકોની સારવાર કરી હતી. વર્લ્ડ કિડની ડેનો ઉદ્દેશ સમાજમાં કિડનીના રોગમાં જાગૃતિ લાવવાનોદર વર્ષે માર્ચના બીજા ગુરુવારે વર્લ્ડ કિડની ડે ઉજવાય છે. 2026ની થીમ ‘કિડની હેલ્થ ફોર ઓલ-કેરિંગ ફોર પીપલ, પ્રોટેક્ટિંગ ધ પ્લેનેટ’ છે. જેનો ઉદ્દેશ કિડનીના રોગ વિશે જાગૃતિ વધારવાનો છે. કિડનીના રોગો ઝડપથી વધે છે. વિશ્વમાં લગભગ દર 10માંથી 1 વ્યક્તિ કિડનીના કોઈને કોઈ રોગથી પીડાઈ રહ્યાં છે. > ડૉ. હરેશ ઠુમ્મર, યુરોલોજિસ્ટ, ટ્રાન્સપ્લાન્ટ સર્જન લેઝી બ્લેડર સિન્ડ્રોમના રોગના આ મુખ્ય લક્ષણો

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:18 am

અધૂરી કામગીરીથી લોકો થયા પરેશાન:માલપુરના ઉભરાણ-ગોતાપુર એપ્રોચ રોડની અધૂરી કામગીરીજલ્દી પૂર્ણ કરો

માલપુર તાલુકાના ઉભરાણથી ગોતાપુર અને દેવળીયા હનુમાનજી મંદિરને જોડતા વર્ષો જૂના રસ્તાને ડામર રોડ બનાવવાની કામગીરી છેલ્લા એક વર્ષથી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી આ કામ અધૂરું હોવાથી સ્થાનિક ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તકના આ રસ્તા પર કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલતી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ વિસ્તારના ખેડૂતોની માંગ છે કે બાયડ-માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા આ બાબતે અંગત રસ લઈ યોગ્ય કાર્યવાહી કરાવે. ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે આગામી ચોમાસા પહેલા તંત્ર દ્વારા આ રસ્તાની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી ખેતીકામ અને અવર-જવરમાં પડતી અડચણો દૂર થાય. મુખ્ય સમસ્યાઓ

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:03 am

કેબલ ચોર પોલીસના સકંજામાં:શામળાજી પોલીસે કેબલ ચોર આરોપી ઝડપી લીધો

શામળાજી પોલીસે તાજેતરમાં થયેલી કેબલ વાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલ નાખીને ગલિસેમરો ગામના આરોપીને તેના જ ગામમાંથી રૂપિયા 10500ની કિંમતના કેબલ વાયરના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ચોરી તસ્કરી જેવા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આપેલી સૂચનાના ભાગરૂપે શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને પીઆઈએસએસ માલ એ આપેલા માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એએસઆઇ રસિકભાઈ કાવજીભાઈ ને ખાનગી માહિતી મળી હતી કે શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ મોટર કેબલ વાયરની ચોરી થઈ હતી અને તેનો ગુનો પણ નોંધાયો હતો. ગલીસેમરો ગામનો ભરતભાઈ કાંતિભાઈ ભગોરા રહે ગલી સેમેરો તાલુકો શામળાજી જીલ્લો અરવલ્લી હોવાની હકીકત જાણવા મળતા પોલીસે ઉપરોક્ત આરોપી ને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેણે ચોરીના ગુનાને કબુલાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:02 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:થાઈલેન્ડથી કંડલા પોર્ટ આવી રહેલા જહાજ પર હુમલો; દેશમાં પહેલીવાર ઈચ્છામૃત્યુની પરવાનગી; દેશભરમાં LPGની અછત; IPL શેડ્યૂલ જાહેર

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ભારત આવી રહેલા થાઈ જહાજ પર થયેલા હુમલાના છે. બીજા સમાચાર દેશમાં પ્રથમ વખત મળેલી ઈચ્છામૃત્યુની પરવાનગી સાથે જોડાયેલા છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે IPLની પ્રથમ મેચ ક્યાં યોજાશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કાનો ચોથો દિવસ છે. ઓમ બિરલા વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ ફગાવી દેવાતા હોબાળો થઈ શકે છે. કાલના મોટા સમાચારો 1. ભારત આવી રહેલા થાઈલેન્ડના જહાજ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો, ઓમાનના નૌકાદળે 20 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું, ત્રણ લોકો ગુમ મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના એક કાર્ગો જહાજ પર હુમલો થયો છે. ઓમાન નજીક જઈ રહેલા આ જહાજને પ્રોજેક્ટાઈલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું, ત્યારબાદ થાઈ નૌકાદળે બચાવ અભિયાન શરૂ કર્યું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, થાઈ ધ્વજ ધરાવતું બલ્ક કેરિયર 'માયુરી નારી' ઓમાનની ઉત્તરે લગભગ 11 નોટિકલ માઈલ દૂર હતું, ત્યારે તેના પર હુમલો થયો હતો. થાઈ મીડિયા રિપોર્ટ્સ મુજબ, જહાજ પર સવાર 20 ક્રૂ મેમ્બર્સને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રણ લોકો હજુ પણ જહાજ પર હોવાનું કહેવાય છે. રોયલ થાઈ નેવીએ જણાવ્યું છે કે તેઓ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે મળીને જહાજ અને ક્રૂની મદદ કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ઇચ્છામૃત્યુનો ચુકાદો સંભળાવતા ભાવુક થયા જસ્ટિસ પારડીવાલા:SCએ 13 વર્ષથી કોમામાં રહેલા હરીશ રાણાને મંજૂરી આપી, આ પ્રકારનો દેશમાં પહેલો કિસ્સો સુપ્રીમ કોર્ટે બુધવારે 31 વર્ષના એક યુવકને ઈચ્છામૃત્યુની મંજૂરી આપી છે. ગાઝિયાબાદના રહેવાસી હરીશ રાણા છેલ્લા 13 વર્ષથી કોમામાં છે. હરીશ હાલ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે અને દેશમાં આ પ્રકારનો આ પ્રથમ કિસ્સો છે. જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચે એઈમ્સ (AIIMS)ને નિર્દેશ આપ્યો છે કે, હરીશ રાણાને પેલિએટિવ કેર (Palliative Care)માં દાખલ કરવામાં આવે, જેથી જીવનરક્ષક સારવારને તબક્કાવાર રીતે હટાવી શકાય. વાંચો સંપૂર્ણ સમાચાર 3. દેશભરમાં LPGની અછત, એજન્સીની બહાર લાંબી લાઈન:UP-બિહારમાં પોલીસ સુરક્ષામાં સિલિન્ડર વહેંચાઈ રહ્યા છે, રાજસ્થાનમાં કાળાબજારી શરૂ અમેરિકા-ઇઝરાયલના ઇરાન સાથેના યુદ્ધને કારણે દેશભરમાં LPGની અછત સર્જાઈ રહી છે. ગેસ સિલિન્ડર લેવા માટે એજન્સીઓ પર લાંબી લાઈનો લાગી છે. દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના સપ્લાય પર પ્રતિબંધ મૂકતા હોટલો અને રેસ્ટોરન્ટમાં ભોજન બની શકતું નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો સપ્લાય ઠપ થવાથી સૌથી મોટો સંકટ હોટલ-રેસ્ટોરન્ટ પર છે. જ્યારે ઘરેલું રસોઈ ગેસ લેવા માટે ગેસ એજન્સીઓની બહાર લાંબી લાઈન લાગી છે. જે ઘરોમાં લગ્ન છે, તેઓ તણાવમાં છે. એકલા ભોપાલમાં જ 20 દિવસમાં એક હજારથી વધુ લગ્નો છે. કેટરર્સનું કહેવું છે કે આ ઇમરજન્સી જેવી સ્થિતિ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. JKના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા પર ફાયરિંગનો પ્રયાસ, VIDEO:હુમલાખોરે માથા પર બંદૂક તાકી, સુરક્ષાકર્મીઓએ બચાવ્યા; ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા જમ્મુમાં નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા પર બુધવારે મોડી સાંજે ફાયરિંગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, અબ્દુલ્લા ગ્રેટર કૈલાશ વિસ્તારમાં એક લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તેમની સાથે જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સુરિન્દર ચૌધરી પણ હાજર હતા. ઘટનાનો સીસીટીવી પણ સામે આવ્યો છે. તેમાં જોઈ શકાય છે કે જ્યારે ફારૂક અબ્દુલ્લા લગ્નમાંથી જઈ રહ્યા હતા ત્યારે હુમલાખોર કમલ સિંહ જમ્વાલે પાછળથી આવીને અબ્દુલ્લાના માથા પર બંદૂક તાકી દીધી અને ગોળી ચલાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તેમની સાથે હાજર સુરક્ષાકર્મીઓએ તેમને બચાવી લીધા અને હુમલાખોરને પકડી લીધો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને હુમલા પાછળના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. વાંચો સંપૂર્ણ સમાચાર… 5. ઓમ બિરલા પરથી ઘાત ટળી!:સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, અમિત શાહ બોલ્યા- જે આંખ મારે છે, ફ્લાઈંગ કીસ આપે છે તે સ્પીકર પર સવાલ ઉઠાવે છે લોકસભામાં બુધવારે સ્પીકર ઓમ બિરલાને પદ પરથી હટાવવાનો અવિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિમતથી ફગાવી દેવામાં આવ્યો. તેમના પર ગૃહની કાર્યવાહી દરમિયાન ભેદભાવ કરવાનો આરોપ હતો. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહે 56 મિનિટ સુધી જવાબ આપ્યો. તેમણે આ દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા અને ગણાવ્યું કે 17મી, 18મી લોકસભામાં બોલવા માટે કેટલો સમય મળ્યો. તેમણે સ્પષ્ટ કહ્યું કે ગૃહ નિયમ મુજબ ચાલશે. સ્પીકરને નિયમોના ઉલ્લંઘન પર રોકવાનો અને ટોકવાનો અધિકાર છે. આ ગૃહ મેળો નથી, જે નિયમ મુજબ નહીં ચાલે, તેમનું માઈક બંધ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. IPLની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર:28 માર્ચે બેંગલુરુમાં RCB-SRHની ઓપનિંગ મેચ, ગયા વર્ષે વિક્ટ્રી પરેડમાં ત્યાં જ નાસભાગ મચી હતી BCCIએ IPL 2026ની શરૂઆતની 20 મેચનું શેડ્યૂલ જાહેર કર્યું છે. બુધવારે જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત 28 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થશે. દેશના 5 રાજ્યોમાં ચૂંટણીને કારણે IPLની ઓપનિંગ મેચ બે દિવસ લંબાવવામાં આવી છે. અગાઉ લીગની શરૂઆત 26 માર્ચે થવાની હતી, પરંતુ હવે લીગ 28 માર્ચે થશે. ઓપનિંગ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. જ્યાં ગયા વર્ષે RCBની વિક્ટરી પરેડ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી અને 11 લોકોના મોત થયા હતા. વાંચો સંપૂર્ણ સમાચાર 7. માર્ચના છેલ્લા વીકમાં UCC બિલ વિધાનસભામાં લાવવા તૈયારીઓ:ઈટાલિયાએ કહ્યું, હું 8 પાસ નથી, LLB છું; સંઘવીનો જવાબ 'ચોપડી ઓછી વાંચી, પણ જૂતું ફેંકવાનું શીખ્યા નથી' ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે દલીલો અને રાજકીય ટીકા-ટિપ્પણીઓ જોવા મળી હતી. આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું હતું કે, હું 8 પાસ નથી, હું BA.LLB ભણેલો છું એટલે મારી જાતને હોશિયાર સમજું છું, પરંતુ હું કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બનાવવા માંગતો નથી. તેમના આ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ગરમાઈ હતી. આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે, કોઈ સભ્યે કદાચ ચોપડીઓ ઓછી વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી. તેમના આ નિવેદનથી ગૃહમાં રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 8. રૂ.70માં અનલિમિટેડ ટિફિન આપવું હવે નહીં પોસાય':સુરતની હોટેલોના મેનૂમાંથી ઈડલી-ઢોસા ગાયબ; ગ્રાહકે કહ્યું- ગેસના બાટલા નહીં મળે તો અમારે ગુજરાત છોડવું પડશે ઈરાન સાથે અમેરિકા-ઈઝરાયના ચાલી રહેલા યુદ્ધની અસર દુનિયાભરમાં દેખાવા લાગી છે. ગુજરાતમાં કોમર્શિયલ સિલિન્ડરનો ઉપયોગ કરતા રેસ્ટોરન્ટ અને લારીવાળાઓની મુશ્કેલીમાં પણ રાતોરાત વધારો થયો છે. ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા જે રેસ્ટોરન્ટ પાસે પાઈપ ગેસની સુવિધા નથી તેઓની મુશ્કેલી વધી છે. તેમજ લારી-ગલ્લા વાળાની હાલત પણ કફોડી બની ગઈ છે. કેટરર્સ સંચાલકોએ પણ પોતાના ઓર્ડર પૂરા કરવા મુશ્કેલ બની શકે છે. ગેસ સપ્લાયની તંગી સર્જાવાને લઈ સ્થાનિકોએ અગાઉથી ગેસના બાટલા ઓનલાઈન બુક કરાવી દીધા હતા. જે બાદ આજે સવારથી અલગ અલગ શહેરોમાં ગેસ એજન્સી બહાર ગેસના બાટલા લેવા લોકોની લાઈનો લાગી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : PMએ કહ્યું- કેરળને મલયાલી નામ મળ્યું:આની ખુશી ચહેરાઓ પર દેખાઈ રહી છે; રાજ્યમાં લગભગ ₹11 હજાર કરોડની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઈરાનની ટોપ લીડરશિપ ખતમ, તો કેવી રીતે યુદ્ધ લડે છે?:7 ટુકડામાં તાકાત વહેંચી રાખી છે, દરેક પદ માટે 4 ઉત્તરાધિકારી પહેલેથી નક્કી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : આસારામ રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યો:કહ્યું- તીર્થ સ્થળોએ જવાથી નરક ભોગવવું પડતું નથી, સારવાર માટે 6 મહિનાના જામીન પર છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 133 મુસાફરોના જીવ માંડ બચ્યા!:એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટનું લેન્ડિંગ દરમિયાન પૈડું નીકળી ગયું, નોઝ ગિયર તૂટતા થાઈલેન્ડમાં હાર્ડ લેન્ડિંગ વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રશિયા પાસેથી 3 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ ખરીદશે ભારત:રિલાયન્સ-IOCએ બુકિંગ કર્યું, ઈરાન યુદ્ધ વચ્ચે સપ્લાય બંધ થયા બાદ નિર્ણય વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : પાકિસ્તાની બેટરને પછાડીને ઈશાન નંબર-1 બનવાની નજીક:સેમસનની પણ ICC રેન્કિંગ્સમાં લાંબી છલાંગ, હાર્દિકે કરિયરનું સર્વશ્રેષ્ઠ રેન્કિંગ મેળવ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ગુરુની બદલાતી ચાલ, પથ્થરમાંથી સોનું બનાવશે!: 120 દિવસનો સુવર્ણકાળ, અર્થતંત્રમાં સુધારો અને શેરબજારમાં તેજીના સંકેત વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ખાડાના ઝટકાથી જીવ પાછો આવ્યો યુપીના પીલીભીતની એક મહિલાને બરેલીના ડોક્ટરોએ 'બ્રેન ડેડ' જાહેર કરી દીધી હતી. જ્યારે પરિવાર તેને ઘરે લઈ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં એમ્બ્યુલન્સ એક ખાડામાં ઉછળી, જેના કારણે મહિલાના શરીરમાં હલચલ થઈ અને શ્વાસ ચાલુ થઈ ગયા. હોસ્પિટલમાં 13 દિવસની સારવાર બાદ તે સાજી થઈને ઘરે પરત ફરી. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: 12 દિવસમાં ઈરાને અમેરિકાને કેટલું ઘાયલ કર્યું; 17 બેઝને નુકસાન થયું, 8 સૈનિકો માર્યા ગયા, દરરોજ અબજો ડોલરનો ખર્ચ થયો 2. મુંબઇમાં રોડ પર હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે ગુજરાત પોલીસે મનીષસિંહને પકડ્યો: એક્ટ્રેસ મનીષા કોઇરાલાના સેક્રેટરીની હત્યામાં સંડોવણી, વેશ બદલી રવીના ટંડનના પતિના બારમાં કામ કર્યું 3. ભાસ્કર એક્સક્લૂસિવ : 'હોસ્ટેલ પાસે મિસાઈલો પડી, ખબર નથી બચીશ કે નહીં': તેહરાનમાં ચારે તરફ દારૂગોળો, મિડલ ઈસ્ટમાં ફસાયેલા 90 લાખ ભારતીયોને બચાવવા પડકાર 4. 'ઘરની હરાજી થશે તો મારે ઝેર ખાવાનો વારો આવશે': ફાયનાન્સ કંપનીની જીદ સામે લાચાર માતાની વેદના; પતિનું મોત, બે બાળકોની જવાબદારી, હવે મકાન છીનવાશે? 5. ભાસ્કર એક્સપ્લેનર માર્ચમાં આટલી ગરમી, એપ્રિલ-જૂનમાં શું થશે?: ગુજરાતમાં પારો 40 ડિગ્રીને પાર, આ વર્ષે વધારે ગરમી પડશે? ભાસ્કર એક્સપ્લેનરમાં 5 જરૂરી સવાલોના જવાબ 6. Editor’s View: ઈરાન યુદ્ધની આગ આપણાં રસોડાં સુધી પહોંચી: બાટલાની બબાલ વચ્ચે પાઈપ ગેસવાળાને પણ પરસેવા છૂટશે, ગેસની અછત પાછળના કારણોનું સચોટ એનાલિસિસ કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: મિથુન-મકર રાશિ માટે 'ગોલ્ડન ડે', કુંભ અને ધન રાશિ લોકોના સંબંધોમાં આવશે મધુરતા વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 5:00 am

ઉ.ગુ.યુનિવર્સિટીનું રૂ. 167 કરોડનું બજેટ તૈયાર કરાયું:ઉ.ગુ. યુનિ. દ્વારા આ વર્ષે શૈક્ષણિક કાર્યની સુવિધાના બદલે સંશોધન અને સ્પોર્ટ્સ ક્ષેત્રે વિશેષ ખર્ચ કરાશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2026-27 માટે 38 વર્ષના ઇતિહાસનું સૌથી મોટું રૂ. 167 કરોડનું અંદાજિત બજેટ તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં વહીવટમાં શિસ્ત અને પારદર્શકતા લાવવા માટે આ વખતે ''ડિમાન્ડ'' નહીં પણ ''નીડ'' બેઝ્ડ બજેટ ફાળવવાનો નિર્ણય લેવાયો છે. સૌથી મોટો ફેરફાર એ છે કે હવે વિભાગો સીધું પેમેન્ટ કરી શકશે નહીં, તમામ વ્યવહારો સેન્ટ્રલ એકાઉન્ટ વિભાગ હસ્તક રહેશે. કુલપતિની અધ્યક્ષતામાં મળેલી ફાઇનાન્સ કમિટીની બેઠકમાં પ્રાથમિક બજેટની સૂચિ રજૂ કરવામાં આવી હતી.જેમાં શૈક્ષણિક પાસાઓ કરતા સંશોધન અને રમતગમતની સુવિધાઓ વધારવા પર બજેટમાં વિશેષ ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે. સાથે વિભાગોના બજેટમાં 30% જેટલો કાપ મુકાયો છે. વિભાગોની માગણી મુજબ નહીં પરંતુ તેની આર્થિક સ્થિતિ એટલે કે આવક અને ખર્ચને જોઈ જરૂરિયાત મુજબ બજેટની જ જોગવાઈ કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં અત્યાર સુધી વિભાગો પોતાની રીતે નાણાકીય વ્યવહારો કરતા હતા, પરંતુ હવેથી તમામ વિભાગોએ પોતાના ખર્ચના બિલો નાણાં વિભાગમાં રજૂ કરવા પડશે. જો નિયમ મુજબનો વધુ ખર્ચ હશે તો તેની સત્તાવાર મંજૂરી વગર બિલ પાસ થશે નહીં, જેનાથી નાણાકીય ગેરરીતિઓ પર અંકુશ આવશે. ફાઇનાન્સ કમિટી દ્વારા સૂચવેલા સુધારા વધારા આધીન તૈયાર થયેલું બજેટ હવે આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી અર્થે મૂકવામાં આવશે. પ્રથમવાર બજેટ તજજ્ઞોની કમિટીએ તૈયાર કર્યું‎પ્રથમવાર કુલપતિ દ્વારા વિકાસલક્ષી અને જરૂરિયાત મુજબનું બજેટ તૈયાર થાય માટે તજજ્ઞોની કમિટી દ્વારા બજેટ બનાવવાનું આયોજન કરાયું છે. જેમાં CA અને ચીફ એકાઉન્ટ ઓફિસર , સિનિયર પ્રિન્સિપાલ સહિતના એ ફાઇનાન્સ તજજ્ઞ મળી 5 લોકોની કમિટી રચી બજેટ તૈયાર કરાયું છે. જેમાં દરેક વિભાગની આવક-ખર્ચનું ઊંડું એનાલિસિસ કર્યું છે. આ ઉપરાંત, દરેક વિભાગનું અલગથી ઓડિટ કરવામાં આવશે જે અત્યાર સુધી સંયુક્ત રીતે થતું હતું. આ નવી વ્યવસ્થાથી યુનિવર્સિટીની ગ્રાન્ટનો અને પૈસાનો સદુપયોગ સંશોધન અને વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓમાં વધુ થશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:59 am

અંગ્રેજીના પેપરમાં એસે અને શોર્ટનોટ સરળ:ધો. 10માં અંગ્રેજી- દ્વિતિય ભાષાનું પેપર સરળ નીકળ્યું

26 ફેબ્રુઆરીથી શરૂ થયેલ બોર્ડની પરીક્ષામાં અત્યાર સુધીમાં ધો.10માં ગુજરાતી પ્રથમ ભાષા,વિજ્ઞાન, બેઝિક અને સ્ટાર્ન્ડડ ગણિતના પેપર પૂરા થઇ ગયા છે. જેમા સ્ટાર્ન્ડડ ગણિત સિવાયના પેપર એકંદરે સરળ રહ્યાં હતા. બુધવારના રોજ યોજાયેલ અંગ્રેજી દ્રિતિય ભાષાનું પેપર પણ સરળ નિકળતા વિદ્યાર્થીઓને ભારે રાહત થઇ છે. અંગ્રેજી દ્રિતિય ભાષાનું પેપર મોટાભાગે પુસ્તકમાંથી પૂછવામાં આવ્યું હોવાથી વિદ્યાર્થીઓને સારા માર્કસ આવવાની આશા લાગી રહી છે. ધો. 10ના વિદ્યાર્થી રવિએ જણાવ્યું હતું કે, અંગ્રેજીના પેપરમાં એસે અને શોર્ટનોટ ખૂબ જ સરળ હતા, વિભાગ સી પુસ્તકમાંથી પુછાત સરળ લાગ્યા હતાં. જયારે અન્ય વિદ્યાર્થિની સંજનાએ જણાવ્યું હતું કે, અંગ્રેજીનું પેપર ખૂબ સરળ હતું. મારે 75 જેટલા માર્કસ આવશે. શેઠ બી.જે. હાઇસ્કૂલ જાદરના અંગ્રેજીના શિક્ષક મહેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, એસે, ઇમેઇલ રાઇટીંગ,પીકચર રાઇટીંગ તથા વિભાગ સી, શોર્ટનોટ મોટાભાગે પુસ્તકમાંથી પુછાતાં વિદ્યાર્થીઓને સરળતા રહી છે. હિંમતનગર ખાતે આવેલ જૈનાચાર્ય વિદ્યાલયના શિક્ષક અજીતભાઇ પરમારે જણાવ્યું હતું કે, હોશિયાર વિદ્યાર્થીઓને ઘણા સારા માર્કસ આવી શકે છે. એસે પુનરાવર્તિત થયા છે. જેથી વિદ્યાર્થીઓને ખૂબ સરળ લાગ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:55 am

ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાયો:મોડાસા-થરાદ એસટી બસનો ડ્રાઈવર દારૂ ઢીંચેલી હાલતમાં ઝડપાતાં સસ્પેન્ડ

પાલનપુરના ચડોતર ગામ નજીક મોડાસા-થરાદ રૂટની એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં બસ આડીઅવળી ચલાવતો હોવાની જાણ કંડકટરે ડેપોને કરતા પોલીસે કાર્યવાહી કરી ડ્રાઈવરને ઝડપી લીધો હતો. બસમાં બેઠેલા 40થી વધુ મુસાફરોની જિંદગી જોખમમાં મુકનાર ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. પાલનપુરના ચડોતર નજીક મોડાસા-થરાદ રૂટની બસ નંબર જીજે-18-ઝેડટી- 1882 ના ડ્રાઈવર હરિચંદ્રસિંહ નટવરસિંહ જાડેજા (રહે.બેડઝ, દરબારફળી તા.મેઘરજ, જિ.અરવલ્લી) રાત્રે નવ વાગ્યાની આસપાસ 40 થી વધુ પેસેન્જર ભરેલ બસ આડીઅવળી હંકારી રહ્યો હોવાની જાણ બસના કંડકટર વિનોદકુમાર લક્ષ્મણભાઈ તરાલ દ્વારા થરાદ ડેપોને કરવામાં આવી હતી. થરાદ ડેપો મેનેજરે પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીને જાણ કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને બ્રેથએનાલાઈઝર મશીન દ્વારા તપાસ કરતા ડ્રાઈવર હરિચંદ્રસિંહ દારૂ પીધેલ જણાયો હતો.જેના આધારે 112 મોબાઈલ ટીમને જાણ કરાતા પોલીસે ઝડપી લીધો હતો. તમામ પેસેન્જરોને થરાદની અન્ય બસમાં બેસાડવામાં આવ્યા હતા.પાલનપુર ડેપો મેનેજર ચેતનભાઇ ચૌધરીએ વિભાગીય નિયામક મુકેશભાઈ રાવલને રિપોર્ટ આપતા પરિવહન અધિકારી વિનુભાઈએ તેને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:45 am

તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ:વડગામ- પાલનપુરના 126 તળાવો મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે

ઘણા મહિનાઓની વ્યાપક રજૂઆતોના અંતે વડગામ- પાલનપુરના 126 તળાવો હવે મહેસુલી રેકોર્ડમાં સમાવાયા છે.જેના લીધે તે તમામ તળાવ કુદરતી તળાવ તરીકે નોંધાતા નર્મદાના પાણીથી ભરાશે. વહીવટી તંત્રે સરપંચો સાથે બેઠક કર્યા બાદ તળાવોની માપણી અને કાર્યવાહી પૂર્ણ કરાઈ છે. જેમાં વડગામના 73 અને પાલનપુરના 53 તળાવોનો સમાવેશ કરાયો છે. સરપંચ એસો.ના કામરાજભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડગામ અને પાલનપુર તાલુકામાં વર્ષોથી પીવાના પાણી અને સિંચાઈ માટે પાણીની તંગી છે. અહીં ભૂગર્ભ જળસ્તર સતત નીચે જતા ખેડૂતો અને ગ્રામજનોમાં ચિંતા છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકાર દ્વારા નર્મદા કેનાલ આધારિત ઉદ્ધવ સિંચાઈ યોજના અંતર્ગત વિવિધ પાઈપલાઈન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે. આ યોજના મુજબ વિસ્તારમાં આવેલા તળાવો સુધી નર્મદાનું પાણી પહોંચાડવાનું આયોજન હતું, પરંતુ તેના માટે જરૂરી હતું કે ગામના મહેસુલી રેકોર્ડ એટલે કે 7/12માં તે તળાવો કુદરતી તળાવ તરીકે નોંધાયેલા હોવા જોઈએ. જો આ નોંધ ન કરવામાં આવે તો બંને તાલુકાના અનેક ગામોના તળાવો નર્મદાના પાણીનો લાભ લઈ શક્યા હોત નહીં. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા તા. 24/12/2025ના રોજ મહેસુલી પરિપત્ર બહાર પાડી મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવો નોંધવાની સત્તા સ્થાનિક પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી. જેના અનુસંધાને વડગામ અને પાલનપુર તાલુકાના વહીવટીતંત્ર દ્વારા સરપંચ મંડળ સાથે બેઠક યોજી તમામ ગામોના તળાવોની માપણી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા પૂર્ણ થતા હવે વડગામ તાલુકાના 73 અને પાલનપુર તાલુકાના 53 મળી કુલ 126 તળાવો મહેસુલી રેકોર્ડમાં કુદરતી તળાવ તરીકે નોંધાયા છે. અગાઉ વિરોધ સાથે રજૂઆત થઈ હતી સિધ્ધપુરના ડિંડરોલથી વડગામના કરમાવદ તળાવ સુધીની પાઈપ લાઈન નાખવાની પૂરી થઈ છે જોકે નજીકના ગામોના કેટલાક તળાવો સરકારી રેકર્ડ પર તળાવ ન હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ હતી. આસપાસના ગામોમાં વિરોધ ઉઠ્યો હતો. કેટલાક ખેડૂતોએ કલેક્ટર કચેરી રૂબરૂ પહોંચી તળાવો ભરવા રજૂઆત પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:39 am

પાટણ મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલનો ચુકાદો‎:મૃતકના વારસદારને 1.05 લાખ ચૂકવવા વીમા કંપનીને આદેશ

વર્ષ 2004માં સર્જાયેલા એક માર્ગ અકસ્માતના કેસમાં પાટણની મોટર એક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે ચુકાદો આપ્યો છે. જીપ પલટી જવાની ઘટનામાં મૃત્યુ પામેલા પુનાજી કુવરાજીના વારસદારોને રૂ.1,05,000નું વળતર 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે. મહત્વનું છે કે, આ કેસ અગાઉ હાઈકોર્ટમાં રિમાન્ડ થયો હતો અને લાંબી કાનૂની લડત બાદ અરજદારોને ન્યાય મળ્યો છે. 2 નવેમ્બર 2004ના રોજ પુનાજી કુવરાજી જીપ નંબર GJ-8-T-8363માં મુસાફરી કરી રહ્યા હતા. ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જીપ પલટી ગઈ હતી, જેમાં ગંભીર ઈજાઓને કારણે પુનાજીનું મોત નીપજ્યું હતું. વીમા કંપનીએ બચાવ કર્યો હતો કે વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા, પરંતુ પૂરતા પુરાવાના અભાવે ટ્રિબ્યુનલે આ દલીલ ફગાવી દીધી હતી. મૃતકના વારસદારોને રૂ.1,05,000નું વળતર 7.5 ટકા વ્યાજ સાથે ચૂકવવાનો કોર્ટે હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:35 am

મહિલાઓનો સન્માન કાર્યક્રમ યોજાયો:પાટણમાં દીકરીઓને જન્મ આપનાર 44 માતાઓનું સન્માન,જરૂરિયાતની કીટ ભેટ

પાટણના ભગિની સમાજ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દીકરી જન્મને ઉત્સવ બનાવી નારી સશક્તિકરણનું સન્માન કરવાના ઉદ્દેશથી પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અને મહિલા-બાળ કલ્યાણ કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં શહેરમાં છેલ્લા 6 માસમાં જન્મેલ 44 નવજાત દીકરીઓ અને માતાઓનું વિશેષ સન્માન કરી સમાજમાં સકારાત્મક સંદેશ વહેતો કરાયો હતો. સાથેસાથે 6 માસ સુધીની વયની 44 બાળકીઓને સંસ્થા તરફથી સુંદર કીટ ભેટમાં આપી હતી. જેમાં રમકડાં, કપડાં અને બેબી કેર પ્રોડક્ટ્સ જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓનો સમાવેશ થતો હતો. મહિલા અને બાળ વિકાસ અધિકારી મેઘાબેન ગોસ્વામીએ ઉપસ્થિત માતાઓને સંબોધતા જણાવ્યું હતું કે, દીકરી એ માત્ર ઘરની લક્ષ્મી નથી, પણ આત્મનિર્ભર બની સમાજનું નેતૃત્વ કરવાની શક્તિ ધરાવે છે. તેમણે બાળ ઉછેર અને મહિલા અધિકારો અંગે સમજણ આપી દરેક માતાને પોતાની દીકરીને શિક્ષિત અને સશક્ત બનાવવા આહવાન કર્યું હતું. ઉદ્યોગપતિ રમેશભાઈ પટેલે આ પ્રવૃત્તિથી પ્રભાવિત થઈ 25,000નું દાન આપી સામાજિક જવાબદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. પાટણના નગરસેવકો અને અગ્રણીઓની હાજરીમાં યોજાયેલો આ કાર્યક્રમ માત્ર એક ઉજવણી નહીં, પરંતુ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટેનો એક મક્કમ નિર્ધાર બની રહ્યો હતો. અંધશ્રદ્ધા દૂર કરવા પ્રયોગ કર્યા કાર્યક્રમમાં માત્ર સન્માન જ નહીં, પરંતુ નારીને માનસિક રીતે મજબૂત બનાવવા માટે અહીં અંધશ્રદ્ધા દૂર કરવા માટે પ્રયોગ સાથે માર્ગદર્શન અપાયું હતું.જેમાં કાર્યક્રમમાં સૌથી આકર્ષક પાસું અંધશ્રદ્ધા વિરુદ્ધની જાગૃતિનું રહ્યું હતું. પુનાભા લોક વિજ્ઞાન કેન્દ્રના દર્શનભાઈ ચૌધરીએ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમજાવ્યું હતું કે કેવી રીતે ધુતારાઓ અને ભુવાઓ ભોળી મહિલાઓને છેતરે છે. તેમણે નાળિયેરમાંથી ચૂંદડી કાઢવી, લોટામાંથી વિવિધ નદીઓના નીર કાઢવા અને કંકુના પગલાં પાડવા જેવા પ્રયોગો પાછળના રાસાયણિક રહસ્યો ખુલ્લા પાડી મહિલાઓને સતર્ક રહેવા અપીલ કરી હતી. વિજ્ઞાન કેન્દ્રના નિષ્ણાતોએ વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા સમજાવ્યું હતું કે, સાચું સશક્તિકરણ ત્યારે જ આવશે જ્યારે મહિલાઓ અંધશ્રદ્ધા અને છેતરપિંડીના જાળમાંથી મુક્ત થશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:33 am

ગાય આડી આવતાં અકસ્માત‎ સર્જાયો:બાઈક સ્લીપ ખાતા યુવાનનો પગ ટાયરમાં ફસાતાં ફ્રેક્ચર

પાટણના બોરસણ-હાંસાપુર રોડ પર ગાય આડે ઉતરતા બાઇક સ્લીપ ખાતાં પિતરાઈ ભાઈના બાઇક ટાયરમાં પગ ફસાઈ જતાં યુવાનને ગંભીર ફ્રેક્ચર થઇ હતી. આ અંગે મામલે રણુંજ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. પાટણના બોરસણ ગામે રહેતા મનુજી રાયસંગજી ઠાકોર નામના યુવાન સાથે રવિવારની સાંજે અકસ્માત સર્જાયો હતો. મનુજી તેમના પિતરાઈ ભાઈ વિશાલજી ઠાકોરના બાઇક (GJ-24-AS-3142) પર પાછળ બેસીને નાસ્તો કરવા પાટણ જઈ રહ્યા હતા. આ દરમિયાન બોરસણથી હાંસાપુર જતા માર્ગ પર અચાનક રખડતી ગાય આડે આવતા ચાલકે સંતુલન ગુમાવ્યું હતું અને બાઇક જોરદાર સ્લીપ ખાઈ ગયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે મનુજીનો જમણો પગ બાઇકના પાછળના ટાયરમાં ફસાઈને વળી ગયો હતો. ઘટના બાદ તાત્કાલિક અન્ય ભાઈ વિનુજીને ઇકો ગાડી સાથે બોલાવી મનુજીને પાટણની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવાતા ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ અંગે ઇજાગ્રસ્તે રણુંજ પોલીસે વિશાલજી વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:30 am

ભાસ્કર ખાસ:પાટણમાં 382 વાહન ચાલકો RC બુક વગર જ વાહનો દોડાવી રહ્યા છે

દસ્તાવેજ વગર વાહન રસ્તા પર ચલાવવું ગુનો બને છે છતાં આરસી બુક લેવા માટે વાહન માલિકો વર્ષો સુધી કચેરીમાં આવ્યા નથી. જે ગંભીર બેદરકારી સામે આવી છે. વાહન તો ખરીદી લીધું, પણ તેની ઓળખ સમાન RC બુક (Registration Certificate) લેવાની તસ્દી 382 જેટલા માલિકોએ વર્ષોથી લીધી નથી. આનો સીધો અર્થ એ છે કે, અત્યારે પાટણના માર્ગો પર 382 વાહનો કોઈપણ માન્ય દસ્તાવેજ વગર દોડી રહ્યા છે. પાટણ આરટીઓ ઓફિસ દ્વારા નવીન વાહન ખરીદી બાદ બનાવેલી આરસીબુકો પોસ્ટ મારફતે જેતે મૂળ માલિકોને મોકલી હતી. વર્ષ 2019થી 2026 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, કુલ 682 જેટલી આરસી બુક જે તે મૂળ માલિકના સરનામાની માહિતીમાં વિસંગતતાના કારણે માલિકોનો સંપર્ક ના થતા પરત આવી છે. 300 ચાલકો આરટીઓ કચેરીમાં આવીને RC બુક લઈ ગયા છે. વાહન ખરીદતી વખતે માલિકો દ્વારા અપાયેલાં એડ્રેસમાં ભૂલ અથવા ઘર બદલાઈ ગયું હોય ત્યારે પોસ્ટમેનને માલિકનો સંપર્ક ના થતા પરત લઈને આવી આરટીઓ કચેરીમાં બુક પરત કરી રહ્યા છે. વર્ષ 2024માં 275 અને વર્ષ 2025માં 125 આરસી બુક પોસ્ટ દ્વારા પરત ખેંચાઈ છે.વર્ષ 2019થી 2026 સુધી કુલ 682 આરસી બુક પરત આવી છે. તેમાંથી 300 અરજદારો લઈ ગયા છે. અત્યારે 382 આરસી બુક પેન્ડિંગ પડી છે. કચેરીના સૂત્રોના જણાવ્યુ હતું કે ઘણા કિસ્સામાં અરજદારો 2020ની સાલની આરસી બુક લેવા માટે અત્યારે આવે છે.અધિકારીઓએ આશ્ચર્ય વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, એક-બે મહિના દસ્તાવેજ વગર ચલાવી લેવું સમજ્યા, પણ 5 વર્ષ સુધી પોતાના જ વાહનના ઓરિજિનલ પેપરની શોધ ન કરવી એ માત્ર બેદરકારી નહીં, પણ કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે. RC વગર ટુ-વ્હીલર માટે 1,000, કાર માટે 3,000 દંડ‎ વાહન માલિકો માટે કામની વાત‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:29 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાટણમાં રાંધણગેસના બુકિંગમાં 50%નો ઉછાળો

ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનાં કારણે ગેસનો સપ્લાય ઘટતાં અછત શરૂ થઈ છે. ગેસના પુરવઠામાં સર્જાયેલી વૈશ્વિક અછતને પગલે પાટણમાં રાંધણ ગેસના બુકિંગમાં અચાનક 50%નો ધરખમ ઉછાળો આવ્યો છે, જેના કારણે બુધવાર સવારથી જ ગેસ એજન્સીઓના સર્વર હેંગ થઈ જતાં ઓનલાઈન બુકિંગ માટે લોકો ફાંફે ચડ્યા છે. આ સંકટ માત્ર રસોડા સુધી સીમિત નથી, પરંતુ ગેસ કંપનીઓએ કોમર્શિયલ PNG સપ્લાયમાં પણ 50%નો કાપ મૂક્યો છે અને જમ્બો સિલિન્ડરનો પુરવઠો સંપૂર્ણપણે બંધ કરી દેતા હોટલ-રેસ્ટોરન્ટ ઉદ્યોગ ઠપ થવાની ભીતિ સેવાઈ રહી છે. ગેસની અછત શરૂ થતાં જ પાટણમાં ગેસની એજન્સીઓમાં બોટલ માટે બુકિંગ દોઢું થઈ ગયું છે. પહેલાં દરરોજ એક ગાડી બાટલાનું વેચાણ થતું હતું તેની સામે હાલમાં દોઢ ગાડી બાટલા માટેનું બુકિંગ ગેસ એજન્સીને મળી રહ્યું છે. એટલે પહેલાં કરતાં 50 ટકા વધુ બુકિંગ થઈ રહ્યું છે. એક સાથે વધારે લોકો બુકિંગ કરી રહ્યા હોવાથી સર્વર પર લોડ વધારે હોવાથી હેંગ થઇ રહ્યું હોય જેના કારણે સર્વરનો ઇસ્યુ થઈ રહ્યો છે. લાંબો સમય પ્રયાસ કરતા ક્યાંક ક્યાંક બુકિંગ થઈ જાય છે. તેવું ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલક ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું. ગેસ કંપનીઓએ કોમર્શિયલ સિલિન્ડરનો સપ્લાય બંધ કરી દેતાં હોટલ સંચાલકો પાસે જે સ્ટોક છે.તેનો વપરાશ કરી હોટલો ચાલી રહી છે. સ્ટોક પૂરો થઈ ગયા બાદ હોટલ રેસ્ટોરન્ટો અને નાસ્તાની દુકાનો બંધ કરવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. હોટલ સંચાલકો ગેસ સિલિન્ડર લેવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ કંપનીમાંથી જ સિલિન્ડર આવતા ન હોવાથી ક્યાંથી સિલિન્ડર મળે તેવી શક્યતા નથી. જે હોટલોમાં પીએનજી પાઇપલાઇનથી ગેસ સપ્લાય થઈ રહ્યો છે તેમાં પણ સપ્લાય ઘટાડીને 50 ટકા કરી દેવાયો છે.આ ઉપરાંત 425 કિલોનો જમ્બો સિલિન્ડર 47 કિલો 19 કિલોના સિલિન્ડર પણ બંધ કરી દેવાયા છે. તેવું ગેસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું. રાધનપુરમાં બુકિંગ બંધ થતા ગ્રાહકો એજન્સી પર ઉમટ્યા‎રાધનપુરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે બે દિવસથી ફોન બુકિંગ ન થવાને કારણે ગ્રાહકો સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, બુકિંગની વ્યવસ્થા ખોરવાઈ જતા લોકો પરેશાન થઈ રહ્યા છે. ગ્રાહકોએ જણાવ્યું કે એક સિલિન્ડર મેળવવા માટે તેમને લાંબો સમય રાહ જોવી પડે છે. ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડે છે. ગેસ નહીં મળે તો બંધ કરવાની ફરજ પડશેહાલમાં બે દિવસ ચાલે એટલો જ ગેસના બાટલાનો સ્ટોક બચ્યો છે. કોમર્શિયલ બાટલાની માગણી કરી હોવા છતાં હજુ સુધી પુરવઠો મળ્યો નથી. આગામી સમયમાં બાટલાની તંગી યથાવત રહે તો અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી હોટલ થોડા સમય માટે બંધ કરવાની નોબત આવી શકે છે. હોટલ ચાલુ રાખવા માટે 4 સગડાની જરૂરિયાત ઊભી થાય છે એક સગડા પાછળ 8,000નો ખર્ચ થાય છે. આ ઉપરાંત લાકડાની પણ વ્યવસ્થા કરવી પડે છે. જે પોષાય તેમ નથી.તેવુ હોટલ સંચાલક વાસુદેવભાઈ, વનરાજસિંહએ જણાવ્યું હતું. ઘરેલું ગેસ માટે કોઈ સમસ્યા નથી : તંત્ર કોમર્શિયલ ગેસ સપ્લાયનો સમગ્ર રાજ્યમાં પ્રશ્ન છે. કંપનીમાંથી સપ્લાય બંધ છે.ઘરેલુ ગેસ માટે કોઈ સમસ્યા નથી. ગેસ કંપનીઓ સાથે પણ વાત થઈ છે. તંત્ર દ્વારા મોનિટરિંગ ચાલુ છે. તેવું જિલ્લા પુરવઠા અધિકારી હેમાંગીબેન ગુર્જરે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:26 am

દુષ્કર્મનો મામલો આવ્યો સામે:ઉછીના લીધેલ 24 હજાર પરત ન આપતાં મહિલા પર દુષ્કર્મ આચર્યું

હાથ ઊછીના લીધેલા રૂપિયા પરત ન આપી શકતા ઊંઝા તાલુકાના ટુંડાવ ગામના શખ્સે મહિલાના ઘરમાં જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વારંવાર સંબંધ બાંધવાની માંગણી કરી અને અગાઉ બનાવેલો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતાં મહિલાએ ઝેરી દવા પી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ મહિલા બચી ગઈ છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બે સંતાનોની માતા 36 વર્ષીય મહિલાએ ટુંડાવ ગામના સુરેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ પાસેથી ટુકડે ટુકડે રૂ.₹24 હજાર હાથ ઊછીના લીધા હતા. કેટલાક સમય બાદ આરોપી દ્વારા રૂપિયા પરત આપવા માટે વારંવાર ઉઘરાણી કરવામાં આવતી હતી. બે મહિના અગાઉ આરોપી મહિલાના ઘરમાં ગયો હતો અને પૈસા પરત ન આપી શકવાની સ્થિતિનો લાભ લઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આરોપી વારંવાર મહિલાને સંબંધ બાંધવા દબાણ કરતો હતો. મહિલાએ તેની માંગણી ન સ્વીકારતાં આરોપીએ અગાઉના બનાવનો વીડિયો તેની‎દેરાણીને બતાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. આ‎ઘટનાથી આઘાતમાં આવી મહિલાએ ખેતરમાં જઈ જીવાત મારવાની ઝેરી દવા‎પી લીધી હતી. પરિવારજનોને જાણ થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઇ‎હતી. જ્યાં સારવાર બાદ તેનો બચાવ થયો હતો. આ ઘટનાની જાણ થતાં‎મહિલાએ ઊંઝા પોલીસ સ્ટેશનમાં સુરેશભાઈ હીરાભાઈ પ્રજાપતિ સામે દુષ્કર્મની‎ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીની ધરપકડ કરવા‎તજવીજ હાથ ધરી છે.‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:22 am

યુવકે જીવન ટૂંકાવ્યું:યુવકે દવા પી ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો

વિજાપુર તાલુકાના કમાલપુર ગામે ઘરની બહાર શૌચાલય બનાવવા મામલે પડોશીએ ધમકી આપતાં મકાન માલિકે ઉંદર મારવાની ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સારવારથી બચી ગયેલા મકાન માલિકે પડોશી સામે ફરિયાદ નોંધાવી હતી. કમાલપુર ગામે સેનમાવાસમાં રહેતા મુકેશભાઈ ગાંડાભાઈ સેનમા તેમના ઘરની બહાર શૌચાલય બનાવતા હોઇ બાજુમાં રહેતા મન્સુરી ગનીભાઇ આદમભાઈ અને મન્સુરી બિલકીસ ગનીભાઇએ આવીને તેમની સાથે ઝઘડો કરી અપમાનિત શબ્દો બોલતાં મુકેશભાઈને લાગી આવ્યું હતું. તેમણે ખેતરમાં જઈ ઉંદર મારવાની દવા પીધા બાદ ઘરે આવીને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોએ બેભાન હાલતમાં તેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તેમણે ભાનમાં આવ્યા બાદ ઘરની બહાર શૌચાલય બનાવવા મામલે ધમકી આપનાર પડોશી સામે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:20 am

વેધર રિપોર્ટ:ઉત્તર ગુજરાતનો 80 ટકા વિસ્તાર હીટવેવની ચપેટમાં‎, 40.7 ડિગ્રી સાથે ડીસા દેશનું સાતમું સૌથી ગરમ શહેર રહ્યું

બુધવારે 40.7 ડિગ્રી સાથે ડીસા દેશનું સાતમું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ઉત્તર ગુજરાતનો 80 ટકા વિસ્તાર હીટવેવની ચપેટમાં આવી ગયો હતો. ઉત્તર ગુજરાતમાં બુધવારે રાત્રે તાપમાનમાં પોણા બે ડિગ્રીના વધારા સાથે લઘુત્તમ તાપમાન 22.5 ડિગ્રી આસપાસ રહ્યું હતું. જ્યારે અડધા ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાન 39.6 થી 40.7 ડિગ્રી વચ્ચે રહ્યું હતું. તાપમાન ઘટવા છતાં આકરી ગરમીનું જોર યથાવત રહ્યું હતું. તેની પાછળ બનાસકાંઠા અને પાટણમાં ઓરેન્જ એલર્ટ તેમજ મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ હીટવેવ જવાબદાર રહી હતી. સામાન્ય રીતે 11 માર્ચે ઉત્તર ગુજરાતમાં દિવસનું તાપમાન 33.7 થી 34 ડિગ્રી વચ્ચે રહેવું જોઈએ, તેની સામે 7 ડિગ્રી સુધી ઊંચું રહ્યુ઼ં છે. ગરમી વધતાં જનજીવન પર તેની અસર દેખાઇ બપોરના સમયે લોકો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આકરી ગરમીના કારણે લૂ લાગવાની તેમજ ડિહાઇડ્રેશન જેવી સમસ્યા વધવાની ભીતિ રહે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મજૂરો માટે મુશ્કેલી વધી રહી છે. બીજી તરફ, પીવાના પાણી અને વીજળીની માંગમાં પણ વધારો થયો છે. બજારો અને જાહેર સ્થળોએ બપોરના સમયે લોકોની અવરજવર ઘટી ગઈ છે, તબીબો દ્વારા લોકોને પૂરતું પાણી પીવા અને બપોરના સમયે તડકામાં બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. સતત 11 કલાક પારો 31 ડિગ્રીની પાર રહ્યો બુધવારે સવારે 8.30 કલાકે તાપમાન 25.4 ડિગ્રી હતું. ત્યારબાદ માત્ર 3 કલાકમાં 10 ડિગ્રીના વધારા સાથે 11.30 કલાકે 36 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. બપોરે તાપમાન 40.7 ડિગ્રીએ પહોંચ્યા બાદ ઉતરવાનું શરૂ થયું હતું. સાંજે 5.30 કલાકે 37 ડિગ્રી અને રાત્રે 8.30 કલાકે પણ 31 ડિગ્રી તાપમાનના કારણે વાતાવરણ ગરમ રહ્યું હતું. દિવસ દરમિયાન સતત 11 કલાક તાપમાન 31 ડિગ્રી પાર રહ્યું હતું. આજથી હીટવેવનું જોર ઘટશે, છતાં 2 દિવસ રાહત નહીં‎હવામાન વિભાગની આગાહી મુજબ આજે બનાસકાંઠા અને‎પાટણમાં તથા શુક્રવારે બનાસકાંઠામાં હીટવેવ રહેશે. હીટવેવનું જોર‎ઘટવા છતાં બે દિવસ હજુ આકરી ગરમી રહેશે. જો કે 14 માર્ચથી‎વાતાવરણમાં પલટા સાથે ગરમીનું જોર 2 થી 4 ડિગ્રી ઘટી શકે છે. આ‎દરમિયાન વાતાવરણ વાદળછાયું રહી શકે છે.‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:08 am

ભાસ્કર એક્સક્લુસિવ:મનપાના બજેટ માટે 395 સૂચનો, સૌથી વધુ 337 આંતરિક રસ્તા નવા બનાવાની માગણી

મહેસાણા મહાનગરપાલિકાના આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ પૂર્ણતાના તબક્કે પહોંચી ગઈ છે. એકાદ અઠવાડિયામાં બેઠક યોજી બજેટ રજૂ કરવામાં આવશે. તે પહેલાં નગરજનો પાસેથી બજેટ માટે જાહેર સૂચનો માગ્યા હતા, જેમાં શહેરમાંથી ઓનલાઇન કુલ 395 સૂચનો મળ્યા છે. જેમાં સૌથી વધુ 337 સૂચનો આંતરિક રસ્તાઓના નવીનીકરણને લગતાં છે. જેમાં નાગલપુર કોલેજ રોડ, સનાપાર્ક, શોભાસણ રોડ સહિતના વિસ્તારોમાંથી રસ્તા સુધારણા અને નવા રસ્તાઓના કામ અંગે રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત નર્મદા પાણી અને ડ્રેનેજ લાઇનથી વંચિત વિસ્તારોમાંથી પણ પાણી અને ડ્રેનેજની સુવિધા માટે સૂચનો કરાયાં છે. રાધનપુર રોડ, બાવનના નેળિયા, સી-લિંક રોડ, રાજકમલ પાછળ તથા સૌંદર્ય ગ્રીન સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ અને નર્મદા પાણી માટે સૂચન છે. પ્રાથમિક સુવિધાઓ સાથે નાગરિકોએ નવા સિનિયર સિટિઝન પાર્ક, ગાર્ડન, યુવાનો માટે સ્પોર્ટ્સ સંકુલ, પુસ્તકાલય તથા આધુનિક શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવા પણ સૂચનો કર્યા છે. મળેલા સૂચનો પૈકી મોટા ભાગના સૂચનો બજેટમાં વોર્ડવાર અને શાખાવાર તારવીને લઇ લીધા છે. કેટલાકે એકથી વધુ મુદ્દા અંગે સૂચનો આપ્યા હોવાથી કોમન મુદ્દા અલગ કરી સમાવ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:06 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:લોકો ડરના માર્યા એક જ દિવસમાં 500ને બદલે 1300 ગેસ બોટલ લઇ ગયા, તંત્રે કહ્યું-સમસ્યા નથી

ખાડી દેશોના યુદ્ધને પગલે દેશમાં ગેસ સંકટ ઘેરું બની રહ્યું છે. ત્યારે ઘરેલું ગેસ સિલિન્ડર નહીં મળે અથવા ભાવ વધી જશેની ચિંતા અને ભય વચ્ચે બુધવારે મહેસાણા શહેર સહિત જિલ્લાની ગેસ એજન્સીઓ પર ગ્રાહકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જ્યાં રોજના 500 જેટલા સિલિન્ડરનું વિતરણ થતું હતું, ત્યાં આજે 1300થી વધુ સિલિન્ડરનું એક જ દિવસમાં વિતરણ થયું હતું. જોકે, જિલ્લા વહીવટી તંત્રનું કહેવું છે કે, ઘરેલુ LPG સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેથી લોકો બિનજરૂરી સંગ્રહ ન કરે તેમજ જરૂરિયાત વગર બુકિંગ ના કરાવે. બીજીતરફ, ગેસ સંકટને લઇ સંભવિત કાળાબજારી અને સંગ્રહખોરી અટકાવવા સ્થાનિક મામલતદારોને ઓ ચિંતી તપાસ કરવા આ દેશ કરાયા છે. મહેસાણા શહેરના મોહનપુરા રોડ પર આવેલી પી.બી. પટેલ એજન્સી પર સવારથી ગ્રાહકોની લાંબી લાઇનો લાગી હતી. વાહન પાર્ક કરવાની પણ જગ્યા મળવી મુશ્કેલ હતી. આ અંગે એજન્સીએ જણાવ્યું કે, હોમ ડિલિવરી બંધ હોવાના કારણે લાંબી લાઇનો લાગી છે. યુદ્ધની સ્થિતિ પહેલાં રોજના 500 થી 550 સિલિન્ડરનું વિતરણ થતું હતું. 1674 સિલિન્ડરનો નવો સ્ટોક આવ્યો છે, તેમાંથી 1300 સિલિન્ડરનું એક જ દિવસમાં વિતરણ થઇ ચૂક્યું છે. એટલે કે, સરેરાશ કરતાં અઢી ગણા વધુ સિલિન્ડરનું વિતરણ થયું છે. ફોન પર બુકિંગ ન થતાં મગુનાથી બાટલો લેવા આવ્યો છું‎ ગ્રાહકોને સમયસર‎ગેસ આપવા સૂચના‎જિલ્લાની 38 ગેસ‎એજન્સીઓના પ્રતિનિધિઓ‎તેમજ IOCL, HPCL અને‎BPCLના સેલ્સ ઓફિસરો તેમજ‎સાબરમતી ગેસના પ્રતિનિધિ‎સાથે નિવાસી અધિક કલેક્ટર‎જે.કે.જેગોએ કલેક્ટર કચેરી ખાતે‎બેઠક યોજી હતી.‎ LPG સિલિન્ડરોનો બિનજરૂરી‎સંગ્રહ તથા કાળાબજારી ન થાય‎તેની તકેદારી રાખવા, તેમજ‎ગ્રાહકોને સમયસર ગેસ પૂરો પાડ‎વા, નિયત ભાવ, રિસિપ્ટ અને‎વજન મુજબ સિલિન્ડર આપવા‎કડક સૂચના આપી હતી.‎ ઓનલાઇન માધ્યમથી જોડાયેલા‎તમામ તાલુકા મામલતદારો,‎નાયબ મામલતદારોને ગેસ‎એજન્સીઓની નિયમિત તપાસ‎કરવા તેમજ ગેરરીતિના કિસ્સામાં‎આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ‎તથા LPG કંટ્રોલ ઓર્ડર મુજબ‎શિક્ષાત્મક કાર્યવાહી કરવા તાકીદ‎કરાઇ હતી.‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:05 am

ભાસ્કર એક્સક્લુસિવ:CCTVથી એક વર્ષમાં 54 ગુના ઉકેલાયા, ઓનલાઇન પેમેન્ટ નહીં કરી ચીટિંગ કરનારા બાઇકચાલકને ફૂટેજથી શોધી કાઢ્યો

વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણા શહેરમાં મુખ્ય ચાર રસ્તા તેમજ શહેરમાં પ્રવેશ અને બહાર જવાના તમામ માર્ગો સહિત વિવિધ વિસ્તારોમાં કુલ 221 CCTV કેમેરા લગાવાયા છે. આ તમામ કેમેરાનું સંચાલન પોલીસ દ્વારા હેડ ક્વાર્ટર ખાતે બનાવાયેલા કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરના ત્રણેય પોલીસ મથકોમાં નોંધાયેલા તેમજ અન્ય મળી કુલ 54 ગુનાઓનો ભેદ CCTVની મદદથી ઉકેલાયો છે. હાલમાં જ, રાધનપુર ચોકડી પાસે મોડી‎રાત્રે બનેલા ઉત્તર પ્રદેશના યુવકના અકસ્માત કેસમાં CCTV ફૂટેજના આધારે‎ટ્રેલરે અકસ્માત કર્યો નહોતો, પરંતુ યુવકે જ ટ્રેલર સામે પડતું મૂકીને આત્મહત્યા‎કરી હોવાનું બહાર આવ્યું હતું. કમાન્ડ કંટ્રોલ રૂમના PSI સુથારના જણાવ્યા‎મુજબ, ચેઇન સ્નેચિંગ, ચોરી, મારામારી અને ખાસ કરીને મહિલાઓને રિક્ષામાં‎બેસાડી તેમની નજર ચૂકવીને મુસાફર બની બેઠેલા અજાણ્યા લોકો દ્વારા કરાતી‎રોકડ અને દાગીનાની ચોરી જેવા કેસોમાં CCTV મદદરૂપ બન્યા છે. એટલું જ‎નહીં, કોઈ વ્યક્તિ લેપટોપ, પ્રોજેક્ટર જેવી વસ્તુ વાહનમાં ભૂલી જાય તો પણ‎કેમેરાની મદદથી વાહનનો નંબર મેળવી ડ્રાઈવરનો સંપર્ક કરીને તે વસ્તુ પરત‎અપાવવાની કામગીરી પણ કરવામાં આવી છે.‎ ફટાકડાની લારીવાળી મહિલાને ₹8000 અપાવ્યા મહેસાણા શહેરનાં સંતોષબેન દંતાણી બીકે સિનેમા પાસે લારીમાં ફટાકડાનું વેચાણ કરે છે. ગત દિવાળીના દિવસોમાં એક અજાણ્યો યુવક બાઇક પર આવી ₹8000ના ફટાકડા ખરીદી ઓનલાઇન પેમેન્ટ કર્યાનું કહી ચાલ્યો ગયો હતો. પરંતુ તેમના ખાતામાં રકમ જમા ન થતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો. કમાન્ડ કંટ્રોલ રૂમની ટીમે CCTV ફૂટેજ તપાસી GJ 02 BR 5583 નંબરના બાઈક ચાલક સુધી પહોંચી, સંતોષબેનને તેમના ₹રૂ.8000 પરત અપાવ્યા હતા. વાયબ્રન્ટ સમિટમાં લેપટોપ પરત મળ્યુંમહેસાણા નજીક ખેરવા ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ સમિટ 2025 દરમિયાન વડોદરાની સવિતા ઓઇલ મિલ કંપનીના પ્રતિનિધિ લોકેશ મિસ્ત્રી યુનિવર્સિટીમાં જતા સમયે બોલેરો ગાડીમાં પોતાનું લેપટોપ ભૂલી ગયા હતા. કમાન્ડ કંટ્રોલ રૂમની ટીમે CCTV ફૂટેજનું વિશ્લેષણ કરી ONGCની બોલેરો ગાડી શોધી કાઢી અને લેપટોપ પરત મેળવી લોકેશ મિસ્ત્રીને આપ્યું હતું. ભૂલથી લઈ ગયેલ એક્ટિવા શોધી પરત અપાવ્યું‎ડાહ્યાભાઈ ગોવાભાઈ ચૌધરી 23 ડિસેમ્બર 2025ના રોજ GJ 02 BF‎3293 નંબરનું એક્ટિવા કોઈ લઈ ગયું હોવાની ફરિયાદ સાથે કમાન્ડ‎કંટ્રોલ રૂમ પહોંચ્યા. CCTV તપાસમાં એક શખ્સ તે લઈને રાધનપુર‎સર્કલ તરફ જતો જોવા મળ્યો. બાદમાં આસપાસ તપાસ કરતા જાણવા‎મળ્યું કે યુવકે ભૂલથી પોતાની ચાવી બીજા એક્ટિવામાં લાગી જતા તે‎લઈ ગયો હતો. પોલીસે એક્ટિવા શોધી માલિકને પરત આપ્યું હતું.‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:03 am

કાર્યવાહી:મોમાઈનગરમાંથી જુગાર રમતી 8 મહિલા ઝડપાઈ

જામનગર શહેરના મોમાઈનગર વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આઠ મહિલાઓને જુગાર રમતા રૂા.10 હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે પકડી ગુનો દાખલ કર્યો છે. જામનગરના ડિવિઝનના પોલીસ સ્ટાફને મળેલી બાતમી ના આધારે મોમાઈ નગર શેરી નંબર પાંચમાં દરોડો પાડયો હતો. જ્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી નીલમબા નરેન્દ્ર સિંહ જાડેજા, ભારતીબા ભરતસિંહ ચુડાસમા, મીનાબા રામદેવસિંહ જાડેજા, પ્રવિણાબેન હસમુખભાઈ કણસાગરા, રાધાબેન રમેશભાઈ નકુમ, ભાવનાબા વિજયસિંહ જાડેજા, રેખાબા દિલીપસિંહ ઝાલા, વિલાસબા હેમંતસિંહ રાઠોડ વગેરે સહિત 8 મહિલાઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 10,200 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. પોલીસે જુગાર રમતી મહિલાઓ પાસેથી રોકડ તેમજ ગંજીપાનાઓ કબજે કર્યા હતા અને તમામ મહિલાઓને નોટીસ આપીને જવા દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ દરોડાથી મોમાઈનગર વિસ્તારમાં ચકચાર જાગી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ફરિયાદ:શહેરમાં કોર્પોરેટરના ભાઈની હોટલે 3 શખસોનું દંગલ, તોડફોડ

જામનગર શહેરમાં બે કોર્પોરેટરો વચ્ચે ચાલતા રાજકિય દુશ્મનાવટના કારણે કોર્પોરેટર ઉપર થોડા સમય પહેલા હુમલો થયો હતો. જે બાદ ફરી કોર્પોરેટરના ભાઈની હોટલે ત્રણ શખસોએ દંગલ મચાવીને કારીગર અને કોર્પોરેટરના ભાઈને ફડાકા મારીને ધમકી આપી હતી અને હોટલમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના વોર્ડનં-12ના કોર્પોરેટર અસ્લમ ખીલજી ઉપર હુમલો થયો હતો. જેમાં નગરસેવક અને પુર્વ વિપક્ષી નેતા અલ્તાફભાઈ ખફીના કહેવાથી ખુની હુમલો કર્યો હતો. જે અંગેની કોર્પોરેટરે પોલીસમાં અગાઉ ફરિયાદ નોંધાવી હતી. જે બાબતનો ખાર રાખીને કોર્પોરેટર અસ્લમ ખીલજીના ભાઈ રફીકભાઈ કરીમભાઈ ખીલજી (ઉ.વ.57) નામના પ્રૌઢની કાલાવડ નાકા બહાર એસ.એ.નામની ચાની હોટલે ગત તા.20 ફેબ્રુઆરીના રોજ હતા. ત્યારે આરોપી તબરેજ ખફી, મહમદ ઈકબાલ ખફી અને શાહીદ ખફી આવ્યા હતા અને અપશબ્દો બોલીને કારીગરને ફડાકા મારવા લાગતા રફીકભાઈ છોડાવવા વચ્ચે પડ્યા હતા. જેથી તેમને પણ અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્રણેય શખસોએ હોટલની બહાર પડેલ ટેબલ ખુરશી પછાડી તોડી નાંખીને રૂ.10 થી 12 હજારનું નુકશાન કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહોર્રમ શરૂ થયાના બીજા જ દિવસે પૂર્વ વિપક્ષી નેતાના સંબંધી પટ્ટણીવાડમાં નાસ્તો કરવા માટે જતા સાતથી આઠ જેટલા લોકોએ હથિયારો સાથે ફિલ્મી ઢબે પીછો કરીને હુમલો ક ર્યો હતો. જે બનાવના પગલે પોલીસમાં પણ દોડધામ મચી ગઈ હતી અને આખા વિસ્તારમાં ચૂસ્ત બંદોબસ્ત બે દિવસ સુધી ગોઠવવામાં આવ્યો હતો. તો રાત્રિના પણ ખાણી પીણીની લારીઓ બંધ કરાવતા હતા. હાલ પણ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ફરિયાદ:શહેરના ભરચક્ક વિસ્તારમાં વેપારીને 4 શખસે ધમકી આપી

જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસે જુની ફરિયાદનો ખાર રાખીને વેપારી પ્રૌઢને ચાર શખસોએ હથિયારો સાથે આવીને માર મારવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવથી તે વિસ્તારમાં થોડીવાર માટે વાતાવરણ તંગ બની ગયું હતું. આ બનાવના પગલે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે અને તે માટેના તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. શહેરના પંચેશ્વર ટાવર, ક્રિષ્ના સીટ કવરવાળી શેરીમાં રહેતા ભરતભાઈ ઉર્ફે ભલાભાઈ કાનજીભાઈ ઢાપા (ઉ.વ.52) નામના વેપારી ગત તા.25 ફેબ્રુઆરીના રોજ પંચેશ્વર ટાવર રોડ, ત્રિશાલી પાંઉભાજીની બાજુમાં ભોલેનાથ ડીસ ગોલા દુકાન પાસે હતા. ત્યારે અગાઉ કરેલી ફરિયાદનો ખાર રાખીને આરોપી રાહુલ અશોકભાઈ રાઠોડ, હાર્દીક ઉર્ફે પાણો, ભાવેશ ઉર્ફે ભાવલો ભોય અને સાગર ચૌહાણ નામના શખસો લોખંડના પાઈપ સાથે ધસી આવ્યા હતા. વેપારીને અપશબ્દો બોલવા લાગ્યા હતા. માર મારવાની ધમકી આપી હતી. આ બનાવના પગલે તે વિસ્તારમાં વાતાવરણ થોડીવાર માટે તંગ બની ગયું હતું. પરંતુ જાહેરમાં અથડામણ થઈ ન હતી. બનાવના 15 દિવસ પછી વેપારીએ પોલીમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે એએસઆઈ એચ.આર.બાબરીયાએ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

દુર્ઘટના:મોટા થાવરીયા પાસે કારનું ગોથું INSના કર્મચારી ઘાયલ

જામનગર-કાલાવડ માર્ગ પર મોટા થાવરીયા ગામ પાસે રવિવારે સાંજે પુરપાટ જતા એક બાઈકને બચાવવા જવાના પ્રયાસમાં સ્કોર્પિયો ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં સ્કોર્પિયોના ચાલક આઈએનએસ કર્મચારીને ઈજા પહોંચી હતી. બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના બેડી વિસ્તાર પાસે આવેલા આઈએનએસ વાલસુરામાં રહેતા પૂનમચંદ નોપારામ જાખડ (ઉ.વ.29) નામના કર્મચારી ગત રવિવારે સાંજે જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મોટા થાવરીયા ગામ પાસેથી સ્કોર્પિયોમાં પરત આવતા હતા ત્યારે એમપી-11 પાસીંગની એક મોટરસાયકલના ચાલકે ફુલસ્પીડમાં ડ્રાઈવીંગ કરતા તેને બચાવવા જવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં આઈએનએસ વાલસુરાના કર્મચારીની સ્કોર્પિયો કાર ગોથું મારી ગઈ હતી. અકસ્માતમાં પૂનમચંદને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં વાલસુરાના કર્મચારીઓ તેમજ અધિકારીઓ પણ હોસ્પિટલ ખાતે પોંચી ગયા હતા. આ બનાવની પુનમચન્દનું પંચકોશી એ ડિવિઝન પોલીસે નિવેદન નોંધ્યું હતું અને બાઈક ચાલક સામે ગુનો નોંધીને ધરપકડ માટેની શોધખોળ આરંભી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

વેરા વસુલાત:આણંદમાં 14 અને નડિયાદમાં 3 દુકાનો સીલ કરાઇ

આણંદ અને નડિયાદમાં વેરો ન ભરતી 17 દુકાનોને સીલ કરાઇ હતી. કરમસદ આણંદ મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી વેરાની વસુલાત ઝુંબેશ અંતર્ગત મહેન્દ્ર શાહ હોસ્પિટલ પાસે સ્વરૂપ કોમ્પ્લેક્સમાં, નયા પડકારના ખાંચામાં અને ટૂંકી ગલી પાસે મનીષ માર્કેટમાં આવેલી કુલ 14 દુકાનો 2.35લાખનો બાકી વેરો ભરપાઈ ન કરતા હોવાથી સીલ કરાઈ છે. નડિયાદ મનપા દ્વારા નટપુર કોમ્પલેક્ષની વધુ 3 દુકાનો 1.11 લાખના બાકી વેરાને લઈને સીલ કરવામાં આવી હતી. વિદેશી મિલકત ધારકોના સંબંધીઓને વેરાની તાકીદ આણંદ,કરમસદ અને વિદ્યાનગરમાં કેટલાંક મિલકત ધારકો વિદેશ રહેતા હોવાથી નિયમિત વેરો ભરી શકતાં નથી. જેના કારણે સતત ચોપડે મોટી રકમ બાકી બોલતી હોય છે. ત્યારે આ વખતે મનપાની ટેકસ વિભાગની ટીમોએ વિદેશ રહેતા નજીક સંબંધીઓ જાણ કરીને વેરો ભરાઇ કરવા માટે તાકીદ કરી છે. બાકી વેરો નહીં ભરાય તો 31 માર્ચ બાદ પાણી અને ગટર જોડાણ કાપી નખાશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ભાસ્કર ઇન્વેસ્ટીગેશન:ખેડામાં રૂ 10.47 લાખનો સીસી રોડ 2 વર્ષમાં તૂટ્યો, સિમેન્ટ ઓછો વપરાતા રેતી-કપચી સાથે પકડ ન રહી

મયંક પંડ્યા ખેડાના લાલ દરવાજાના લોખંડિયા બ્રિજથી ભગતસિંહ ચોક સુધી 10.47 લાખના ખર્ચે બનેલો આરસી સી રોડ માત્ર 2 વર્ષમાં તૂટી ગયો છે. આ અંગે નિષ્ણાંતોના મત મુજબ સીસી રોડમાં જે પ્રમાણમાં સિમેન્ટ ખૂબ ઓછાં પ્રમાણમાં વાપર્યો હોવાથી રેતી અને કપચી સાથે પકડ જમાવી શક્યો નથી અને રોડ તૂટવા માંડયો છે. ખેડા પાલિકા દ્વારા વર્ષ-2023 નવેમ્બર માં 14માં નાણાપંચની ગ્રાન્ટમાંથી કન્સ્ટ્રક્શન ઓફ સિમેન્ટ કોંક્રિટ રોડ બ્લોક ફૂટપાથ એન્ડ ડીવાઈડરનું કામ લાલ દરવાજા લોખંડિયા બ્રિજથી ભગતસિંહ ચોક સુધી રૂ 10.47 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું હતું. જે તે સમયે પણ એજન્સી દ્વારા કામ પૂર્ણ કર્યાના એક મહિનામાં જ આર સી સી રોડ તુટી ગયો હતો, જેને લઈને પાલિકા દ્વારા એને નોટિસ ફટકારાતા એજન્સીએ બે વર્ષ અગાઉ રોડ ઉપર થિંગડા મારીને કામ ચલાવી લેવાયું હતું, પણ એજન્સી પાસે નવીન રોડ બનાવાયો નહીં. જોકે એજન્સીએ થિંગડાની કામગીરી કર્યા બાદ માત્ર થોડા જ મહિનામાં રોડ તૂટી ગ્યો હતો અને આજે થિંગડા ઉખડીને રોડ પર મોટા ખાડા પડી ગયા છે. તેમ છતાં પાલિકા દ્વારા એજન્સી પાસે કામ કરવામાં આવતું નથી અને થિંગડા મારવામાં પાલિકાને પણ જોર આવતું હોય તેવું લાગી રહ્યું છે. લાખોના ખર્ચે બનાવેલ રોડ માત્ર 2 વર્ષમાં તૂટી જઈને ઉબડખાબડ બનતા રોજ ચાલકો પછડાટ ખાય છે. જોકે, પાંચ વર્ષ સુધી રોડ તૂટી જાય કે રોડ માટે ખાડા પડે તો તેના મરામતની જવાબદારી એજન્સીની હોય છે, પણ પાલિકા દ્વારા પણ ક્યાંકને ક્યાંક આવી એજન્સી સામે પગલાં લેવાતા નથી. જેથી એજન્સી દ્વારા કામ વેઠ ઉતારી પ્રજાના નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સી.સી રોડમાં સિમેન્ટનું પ્રમાણ તદ્દન ઓછું હોવાથી તૂટ્યોસી.સી રોડ અંગેનાં બાંધકામ બાબતે ટેકનિકલ દ્રષ્ટિએ જોતા સી.સી રોડમાં સિમેન્ટનું પ્રમાણ તદ્દન ઓછું જણાઈ આવેલ છે તેની સામે તેના અવેજમાં રેતી અને કપચી વધારે પ્રમાણમાં વપરાયેલ છે. જેથી સિમેન્ટ કોંક્રિટ સજ્જડ થવો જોઈએ તેની જગ્યાએ તેનું કમ્પોઝિશન યોગ્ય રીતે ન થઈ શકતા આ સી.સી રોડ હલકી ગુણવત્તાવાળો બન્યો હોવાથી તે વહેલો તૂટી ગયો હોય તેવું પ્રાથમિક તપાસમાં જણાઈ આવેલ છે. - એસ કે ચૌહાણ, ઇજનેર ક્યુબિક ટેસ્ટ રિપોર્ટ કરાયો કે કેમ? તપાસનો વિષય આ સી.સી રોડનું કામ ટેન્ડરના ધારા ધોરણ મુજબ થયેલ હોય તેવું જણાતું નથી. આ કામમાં નગરપાલિકાના એન્જિનિયરે ક્યુબિક ટેસ્ટ રિપોર્ટ ( સી .સી રોડની ગુણવત્તા બાબતની ખરાઇ કરતો રિપોર્ટ) કર્યો છે કે કેમ ? તે પણ એક તપાસનો વિષય છે. હાલમાં પ્રાથમિક તબક્કે આ કામમાં એજન્સી દ્વારા મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેવું જણાઈ આવે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ફરિયાદ:બગસરાના ખીજડીયા કોટડા ગામે ભત્રીજાનો કાકા પર કુહાડીથી હુમલો

બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામે પરિવારિક ઝઘડો શાંત કરાવવા ગયેલા વૃદ્ધ પર ભત્રીજાએ કૂહાડીથી હુમલો કરતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ઘટનાની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૂળ ખીજડીયા કોટડા અને હાલ જુનાગઢના વિસાવદર તાલુકાના રામપરા ખાતે રહેતા લાખાભાઇ ગોબરભાઇ માધડ (ઉ.વ.60) મજૂરી કામ કરતા હોય ગત સાંજે 7:30 વાગ્યે ખીજડીયા કોટડા ગામે તેમના ભાભીના પાણીઢોળમાં આવેલા હતા. તે સમયે તેઓ તથા તેમની પત્ની કંકુબેન તેમના ભાઇ નથુભાઇના ઘરે બેઠા હતા. આ દરમિયાન લાખાભાઇના ભત્રીજા હરેશ ઉર્ફે જીગો માધડ, જે પોતાના ભાઇ રાહુલ સાથે ઝઘડો કરી રહ્યો હતો. ઝઘડો વધતો જોઈ લાખાભાઇ તેમને સમજાવવા તેમના ઘરે ગયા હતા. પરંતુ જીગાએ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઢીકાપાટુનો મુઢ માર માર્યો હતો. આગળ વધીને તેણે ઘરમાં પડેલી કૂહાડી લઈ લાખાભાઇના માથામાં એક ઘા મારી ઈજા પહોંચાડી હતી. સાથે જ હાજર અન્ય લોકોને પણ ઢીકાપાટુનો મુઢ માર મારી લાખાભાઇને મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે તેમણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી હરેશ ઉર્ફે જીગો માધડ સામે ગુનો નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

માર્ગ સલામતી સમિતિની બેઠક:અમરેલી શહેરમાંથી પસાર થતાં વ્યસ્ત માર્ગ પર પાલિકા સ્ટ્રીટ લાઈટ સતત ચાલુ રાખે: કલેકટર

અમરેલી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાની માર્ગ સલામતીની વિવિધ કામગીરી બાબતે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં સ્પીડ લિમિટ, નિયમ મુજબનાં સાઇનેઝ બોર્ડ લગાવવા, વૃક્ષનું યોગ્ય સમયે ટ્રીમીંગ કરાવવું, સ્પીડ બ્રેકર, રમ્બલ સ્ટ્રીપ, શેવરોન બોર્ડ, કેટ આઈઝ વગેરેનો ઉપયોગ કરી રોડ અકસ્માત ઘટાડવા, રોડ એન્જિનીયરીંગને લગત પગલાં લેવા બાબતે સંબંધિત અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર દ્વારા ફેટલ બાદ મૃત્યુ થયું હોય તેવા અકસ્માતોમાં એ.આર.ટી ઓ અને ટ્રાફીક પોલીસને સંયુક્ત સ્થળ મુલાકાત કરી અને અકસ્માતનું કારણ ચકાસવા માટે સંયુક્ત કામગીરી કરવા માટે સૂચના આપી હતી. અમરેલી નગરપાલિકાને સાવરકુંડલા બાયપાસ ચોકડથી ગુરૂદત્ત પેટ્રોલ પંપ સુધીના માર્ગે શહેરની હદમાંથી પસાર થતા વ્યસ્ત માર્ગ પર સ્ટ્રીટલાઇટ નિયમિત રીતે કાર્યરત રહે તે સુનિશ્ચિત કરવા માટે સૂચના આપવામાં આવી હતી. શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ સ્કુલ કોલેજમાં જાગૃત્તિ કાર્યક્રમો હાથ ધરાયા હતાં. વિભાગીય નિયામક એસ.ટી. દ્વારા ડ્રાઇવર અને કંડક્ટરો માટે માર્ગ સલામતીના કાયદા સહિતની વિગતો આવરી લેતા કાર્યક્રમો કરાયા છે. વાહન ચાલકોની સલામતી જળવાઈ અને ટ્રાફિકને લગતા નિયમોનું પાલન થાય તે માટે હેલમેટ, સીટબેલ્ટ, ઓવર સ્પીડીંગ સહિતના કાયદાઓનું વાહચાલકો અસરકારક પાલન કરે તે માટે કલેક્ટરે જરૂરી સૂચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

પ્રમાણિકતા:અમરેલીથી વડોદરાની મુસાફરી કરતા યુવાનની રસ્તામાં તબીયત અચાનક લથડતા સિવિલ હોસ્પિટલે ખસેડાયો

એસટી કર્મચારીની ફરજ પ્રત્યેની કર્તવ્યનિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અમરેલી એસટી ડેપોના કંડક્ટર નકવીબાપુએ સમયસૂચકતા બતાવી એક યુવાનનો જીવ બચાવી એસટી નિગમની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. અમરેલીથી નાસિક જતી એસટી બસમાં સાળંગપુરથી વડોદરા જવા માટે એક જ ગ્રુપના પાંચ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. બસ બરવાળાથી અંદાજે 2 કિલોમીટર આગળ વધતા તેમાંના એક 22 વર્ષીય યુવાનની તબિયત અચાનક બગડી ગઈ અને તેને ઝટકા આવતાં બેભાન થઈ ગયો હતો. જેને લઈ ફરજ પર રહેલા કંડક્ટર નકવીબાપુએ તરત બસ ઉભી રખાવી યુવકને પાણીનો છંટકાવ કરી ભાનમાં લાવવાનો પ્રયાસ કર્યો હતો, અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી દર્દીને નજીકની બરવાળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલાયો હતો. ઘટના બાદ 108 કર્મચારી દ્વારા જાણ કરવામાં આવી કે દર્દીનો મોબાઇલ ફોન બસમાં રહી ગયો છે. તપાસ કરતાં અંદાજે રૂ.15 હજાર કિંમતનો મોબાઇલ મળી આવ્યો હતો. બાદમાં દર્દીના મામા રાકેશભાઈ સોલંકીએ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આવી મોબાઇલ પરત મેળવી લીધો હતો. અહીં બસના ડ્રાઈવર કાદરભાઈ બિલખિયા અને સુનિલભાઈ રાઠોડનો પણ સહયોગ રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

વિરોધ:અમરેલીમાં વીજળી સુધારા બિલના સામે વીજ કર્મચારીઓનો વિરોધ

અમરેલીમાં વીજળી સુધારા બિલ સામે વીજ કર્મચારીઓએ વિરોધ કર્યો હતો. આ વીજળી સુધારા બિલ પરત કરવા માટે વીજ કર્મચારીઓએ માંગણી કરી હતી. દેશભરમાં વીજળી સુધારા બિલ–ના વિરોધમાં વીજ કર્મચારીઓ અને એન્જિનિયરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ઓલ ઈન્ડિયા પાવર એન્જિનિયર્સ ફેડરેશન (AIPEF) અને નેશનલ કોઓર્ડિનેશન કમિટી ઓફ ઇલેક્ટ્રિસિટી એમ્પ્લોઈઝ એન્ડ એન્જિનિયર્સના એલાનના પગલે અમરેલીમાં પણ વીજ કર્મચારીઓએ આ બિલનો વિરોધ કર્યો હતો. અમરેલીમાં વીજ વતુર્ળ કચેરી ખાતે વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી બિલ પરત કરવાની માંગણી કરી હતી. વીજ કર્મચારીઓએ બિલ પ્રસ્તાવિત વીજળી સુધારા બિલનો વીજ વિતરણ ક્ષેત્રમાં મોટા પાયે ખાનગીકરણને પ્રોત્સાહન આપવાનો હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પુરવઠા વિભાગનું ગેસના ગોડાઉનોમાં સરપ્રાઈઝ ચેકીંગ: અમરેલીમાં ઘરેલું સિલિન્ડરની સપ્લાય ઘટી

દેશમાં વર્તમાન સ્થિતિને પગલે ગેસની સપ્લાઈ અને પુરવઠા પર અસર પડવાની સંભાવના વચ્ચે અમરેલીમાં કોમર્સીયલ સીલીન્ડરનું વેચાણ બંધ છે અને ઘરેલું ગેસ સીલીન્ડર માટે પણ વેઈટીંગ લીસ્ટ બન્યું છે. ત્યારે પુરવઠા વિભાગ દ્વારા શહેરના તમામ ગેસ ગોડાઉનમાં અચાનક ચકાસણી કરવામાં આવી હતી. અમરેલી શહેરમાં હાલમાં એલપીજી ગેસ સીલીન્ડરની કોઈ અછત નથી. પરંતુ લોકોએ અચાનક બુકીંગમાં ધસારો કર્યો હોય વેઈટીંગ લીસ્ટ બની રહ્યું છે. અત્યાર સુધી ગેસની સપ્લાઈ રાબેતા મુજબ હતી પરંતુ આજે ગેસ એજન્સીના સંચાલકોને કંપનીમાંથી સીલીન્ડરની ગાડી ફાળવાઈ ન હતી. આવતીકાલે પણ ગાડી આવશે કે કેમ તે નક્કી નથી. પૈસા ભર્યા બાદ ગેસ એજન્સીના સંચાલકો સીલીન્ડરની રાહ જોઈ રહ્યા છે. જો કે હાલમાં ઓછી સપ્લાઈ વચ્ચે પણ શહેરના લોકોને પુરતા ગેસ સીલીન્ડર મળી રહ્યા છે. પરંતુ લોકોએ અચાનક સીલીન્ડર નોંધાવવા માટે ધસારો કર્યો હોય વેઈટીંગ લીસ્ટ બની રહ્યું છે. અગાઉ 21 દિવસે સીલીન્ડર આપવામાં આવતો હતો. પરંતુ હવે 30 દિવસ બાદ જ નોંધણી થઈ રહી છે. બીજી તરફ છેલ્લા પાંચ દિવસથી શહેરમાં કોમર્શિયલ ગેસ સીલીન્ડરનું વિતરણ ઠપ્પ થઈ ગયું છે. ઉપરથી જ કોમર્શિયલ સીલીન્ડર આવતા નથી. જો કે અમરેલીમાં સીએનજી વાહન ચાલકો માટે રાહતની વાત એ છે કે દરેક ઓનલાઈન પંપ પર ગેસનું વિતરણ યથાવત ચાલુ છે. હજુ સુધી વાહનોનો ગેસમાં કોઈ કાપ મુકવામાં આવ્યો નથી. શહેર અને સમગ્ર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની તો કોઈ જ અછત જોવા મળી નથી. પુરવઠાની ટુકડીઓ દ્વારા જુદી જુદી એજન્સીઓમાં ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ભરેલા અને ખાલી કેટલા ગેસ સીલીન્ડર પડ્યા છે. તેની તપાસ કરાય હતી. ઉપરાંત દરેક એજન્સીમાં રેન્ડમ 10થી વધુ સીલીન્ડરનું વજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ડીલીવરી ચાર્જના નામે વધુ પૈસા લેવાઈ છે કે કેમ ? તેની ચકાસણી કરાય હતી. અમરેલીમાં રેસ્ટોરન્ટમાં રાંધણ ગેસનો ગેર ઉપયોગઅમરેલી શહેરમાં અનેક રેસ્ટોરન્ટ અને હોટલમાં કોમર્શિયલ ગેસ સીલીન્ડરના સ્થાને રાંધણ ગેસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવી જ રીતે ખાણી પીણીના સ્ટોલ અને લારી –ગલ્લાઓમાં પણ આ પ્રકારનો ગેર ઉપયોગ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સીલીન્ડરનો 2 દિવસનો સ્ટોક ઉપલબ્ધ અમરેલી જિલ્લામાં રાંધણ ગેસની દૈનિક જરૂરીયાત સામે હાલમાં માત્ર 2 દિવસનો સ્ટોક ઉપલબ્ધ છે. ભારત પેટ્રોલીયમના સીલીન્ડરનો અઢી દિવસનો જથ્થો ઉપલબ્ધ છે. દરરોજ સરેરાશ 63,317 કિલો રાંધણ ગેસનો વપરાશઅમરેલી જિલ્લામાં હાલમાં દરરોજ 1980 કિલો કોમર્શિયલ ગેસનો વપરાશ થાય છે. જ્યારે ઘરેલું ગેસનો વપરાશ 63317 કિલો છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

વાતાવરણ:માર્ચ અડધો વીત્યો નથી ત્યાં જ અમરેલીમાં તાપમાનનો પારો 40.9 ડિગ્રી સુધી પહોંચ્યો

અમરેલીમાં હવામાન વિભાગે જણાવ્યું હતું કે આજે અમરેલીમાં ન્યુનત્તમ તાપમાન 19.6 ડિગ્રી નોંધાયું હતું. સાથે સાથે હવામાં ભેજનું પ્રમાણ 40 ટકા રહ્યું હતું અને પવનની ગતિ પ્રતિ કલાક 4.1 કિલોમીટર નોંધાઈ હતી. પવનની ગતિ ઓછી હોવાને કારણે ગરમીમાં ખાસ રાહત મળી ન હતી. ગરમી વધતા લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળ્યું હતું. બજારો સૂમસામ જોવા મળી હતી. જ્યારે સાંજ પડતાં ફરીથી અમરેલીની બજારોમાં ચહલપહલ વધી હતી. આરોગ્ય વિભાગ દ્વારા લૂ-થી બચવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. લોકોને ગરમીથી બચવા પૂરતું પાણી પીવું, બપોરના સમયે તડકામાં બહાર ન નીકળવું અને હલકા કપડાં પહેરવાની સૂચના આપી હતી. અમરેલી સહિત રાજ્ય ભરમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. અમરેલી જિલ્લાભરમાં આકરી ગરમી પડતા લોકો અકળાયા હતા. અમરેલીમાં ઉનાળાની શરૂઆતમાં જ અસહ્ય ગરમી પડી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

રેસ્ક્યુ:ઉનાળાની શરૂઆત થતા અજગર દેખાવા લાગ્યા : દુધાળામાં ભુતડાદાદા મંદિર નજીક નદી પટ વિસ્તારમાંથી વનવિભાગે અજગરનું રેસ્ક્યુ કર્યું

જાફરાબાદના દુધાળા ગામે ભુતડાદાદાના મંદિર નજીક નદીના પટ વિસ્તારમાં અચાનક મોટો અજગર દેખાયો હતો. અજગર દેખાતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ હતી મહાકાય અજગર દેખાતા સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. અમરેલીના જાફરાબાદ તાલુકાના દુધાળા ગામે ભુતડાદાદાના મંદિર નજીક નદીના પટ વિસ્તારમાં અચાનક મોટો અજગર દેખાયો હતો. અજગર દેખાતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અજગરને જોવા માટે સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક જાફરાબાદ વનવિભાગને જાણ કરતા જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને મહાકાય અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા આવા જંગલી પ્રાણીઓ દેખાય ત્યારે સવચેતી રાખવી તેમજ જાનવરની નજીક ન જવું અને તરત જ વનવિભાગને જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:અમરેલી યાર્ડમાં ધાણીની મબલખ આવક હાઇવે પર 3 કિમી લાંબી વાહનોની કતાર

અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હાલ ધાણીની મબલખ આવક થતાં યાર્ડમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં પોતાનું ઉત્પાદન વેચવા માટે વાહનો લઈને આવી રહ્યા હોવાથી યાર્ડથી લઈ સાવરકુંડલા બાયપાસ સુધી આશરે ત્રણ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી રહી છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ધાણીનું ઉત્પાદન સારૂ થતાં યાર્ડમાં પુષ્કળ આવક થઈ રહી છે. જેના કારણે ખેડૂતો વહેલી સવારથી જ પોતાના ટ્રેક્ટર અને વાહનો સાથે લાઈનમાં ઊભા રહી જાય છે. અને બપોર સુધીમાં હજારો વાહનોની કતાર જોવા મળી રહી છે. પરંતુ બપોર બાદ યાર્ડના ગેટ ખુલવાના કારણે ઉનાળાના ધોમધખતા તડકામાં રોડ ઉપર રહેવા ખેડૂતો મજબૂર બન્યા છે. પોતાના વાહનો રેઢા મૂકી ખેડૂતો ક્યાંય જઈ શકતા નથી જેના કારણે રોડ ઉપરના વૃક્ષોને જ પોતાનો આશરો બનાવી યાર્ડના દરવાજા ખુલવાની રાહ જોઈ રહે છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હાલ ધાણીના ભાવ હરરાજીમાં રૂ. 1700 થી લઈને રૂ. 2768 સુધી નોંધાઈ રહ્યા છે. આજે 6760 ક્વિન્ટલ ધાણીની આવક સાથે તે યાર્ડમાં પહેલા નંબરે રહી છે, જ્યારે તેનો સરેરાશ ભાવ રૂ. 2080 જેટલો મળી રહ્યો છે. તો ઘઉંની પણ નોંધપાત્ર આવક થઈ રહી છે. ધાણી બાદ ઘઉંની આવક પણ માર્કેટીંગ યાર્ડમાં સારી જોવા મળી રહી છે. લોકવન અને ટુકડા મળી ઘઉંના ભાવ રૂ. 385 થી રૂ. 390 સુધી નોંધાઈ રહ્યા છે. દરરોજ આશરે 5000 ક્વિન્ટલ ઘઉંની આવક થઈ રહી છે, જેમાં સરેરાશ ભાવ રૂ. 530 અને રૂ. 450 ખેડૂતોને મળી રહ્યા છે. હાલ મસાલા અને ઘઉંની સિઝન શરૂ થઇ ગઇ છે ત્યારે માર્કેટીંગ યાર્ડમાં મોટા જથ્થામાં ધાણી પુષ્કળ આવક થતાં ભાવ સામાન્ય રહેવાની આશા જીવંત થઇ છે. ખેડૂતોને ચણાના પણ સરેરાશ રૂ. 1020 ભાવ મળ્યાઅમરેલી માર્કેટિંગ યાર્ડમાં ચણાની આવક પણ નોંધપાત્ર રહી છે. ચણાના ભાવ રૂ. 905 થી રૂ. 1050 સુધી જોવા મળી રહ્યા છે. દરરોજ આશરે 1800 ક્વિન્ટલની આવક સાથે ખેડૂતોને સરેરાશ રૂ. 1020 જેટલો ભાવ મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

મહિલાઓનો બેડા સાથે વિરોધ‎:‘પાણી આપો’ ના સૂત્રોચ્ચાર સાથે બોટાદના 2 વિસ્તારના રહીશોની આંદોલનની ચીમકી

બોટાદ શહેર વોર્ડ નં- 11ઢાંકણિયા રોડ પર આવેલ બાપા સીતારામ નગર અને તુલસીનગર - 2 ના રહીશો પીવાના પાણી અને રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વંચિત છે. જેને લઇ આ વિસ્તારના રહીશોમા તંત્ર સામે રોષની લાગણી જન્મી છે.આ વિસ્તારના સ્થાનિકો એકત્રિત થઈ “પાણી આપો”ના સુત્રોચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને આગામી દિવસોમાં આ પ્રશ્ન એ કોઈ હલનહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે સોસાયટીમાં પાકા રોડના અભાવે લોકોને ધૂળીયા માર્ગો પરથી અવરજવર કરવી પડે છે ચોમાસા માં આ રસ્તાઓ કાદવ કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે. આ વિસ્તારોમાં પીવાના પાણી માટે પણ કોઈ નિયમિત વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને પાણી માટે વલખાં મારવા પડે છે ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયોછે કે આ બાબતે અનેકવાર તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરાઈ છે છતાં નિરાકરણ નહિ આવતા અનેક મહિલાઓએ બેડા સાથે વિરોધ કર્યો હતો. તંત્ર વારંવાર માત્ર આશ્વાસન આપે છે આ બાબતે સંજયભાઈ ચેખલિયા એ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં ચોમાસામાં પાણી ભરાય છે, મચ્છરનો ઉપદ્રવ રહે છે છોકરાઓ માંદા પડે છે, પીવાનું પાણી દૂર દૂરથી લેવા જવું પડે છે ટેન્કર મંગાવવા પડે છે આઠ નવ વર્ષથી આ સમસ્યા છે આ બાબતે તંત્રને વારંવાર જાણ કરેલી પરંતુ માત્ર આશ્વાસન મળે છે આ પ્રશ્ને કોઈ નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન કરાશે તેમ જણાવ્યું હતું ગાંધીનગરથી મંજુરી મળતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ જશે વિસ્તારની પીવાના પાણીની સમસ્યા અને રસ્તાની સમસ્યા અંગે આ વોર્ડના કોર્પોરેટર રવજીભાઈ વાટુકિયાએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વર્ષોથી પાણી અને રસ્તાની સમસ્યા છે, આ વિસ્તારમાં ટાંકી નું તેમજ લાઈનની કામગીરી પૂર્ણ થઈ છે અને ગાંધીનગરથી મંજુરી મળતા આ વિસ્તારમાં પાણી ની સમસ્યા હલ થશે તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ધરપકડ:તુરખાના ફરાર શખસને બોટાદ એસ. ઓ.જી.એ ઝડપી પાડ્યો

હળવદ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.એક્ટ ગુન્હામાં દોઢ વર્ષથી નાસતા ફરતા મૂળ બોટાદ જિલ્લાના તુરખા ગામના અને હાલ બોટાદ ભાવનગર રોડ, દ્વારકાનગરીની બાજુમાં રહેતા શખ્સને બોટાદ એસ.ઓ.જી. ટીમે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે બનાવ અંગેની વિગત પ્રમાણે, બોટાદ એસ.ઓ.જી. પી.આઈ એ એન.ડી.પી.એસ.એક્ટ ગુન્હામાં નાસતા ફરતા આરોપીને અટકાવવા સ્ટાફને ચેકીંગ કરવા જરૂરી સૂચના આપવામાં આવતા અલગ અલગ ટીમો બનાવી 10 માર્ચના રોજ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. ગોવિંદભાઈ કાળુભાઈ ગળચર તથા હેડ કોન્સ્ટેબલ. યુવરાજસિંહ અભેસંગભાઇ પરમારને હકિકત મળી હતી કે એન.ડી.પી.એસ.એક્ટ ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઉદય ખોડાભાઈ ખાચર (રહે, તુરખા) ભાવનગર રોડ, ન્યુ સહજાનંદ સિરામિકની બાજુમાં ઉભો હોય જેથી બાતમીવાળી જગ્યાએ જતા આરોપી મળી આવતા તેને ઝડપી પૂછપરછ કરતા આરોપી ઉદય ખોડાભાઇ ખાચર હળવદ પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ. એક્ટ કલમ 8(સી), 15(બી), 29 મુજબના ના ગુન્હામા દોઢ વર્ષથી ફરાર હોવાની કબુલાત કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ફરાર આરોપી ઝડપાયો:અઢી વર્ષથી દારૂ કેસમાં ફરાર આરોપી આખરે વલસાડના વાઘલધરાથી ઝડપાયો

આહવા પોલીસ સ્ટેશનમાં વર્ષ-2023મા નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં પોલીસને થાપ આપી રહેલા નાની દમણના બુટલેગરને ડાંગ એસઓજીની ટીમે વલસાડ જિલ્લાના વાઘલધરાથી દબોચી લીધો છે. ડાંગ-આહવા પોલીસ અધિક્ષક પૂજા યાદવ દ્વારા જિલ્લાના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા કડક સૂચના અપાઇ હતી. ડાંગ એસઓજી પીએસઆઇ એમ.જી.શેખ અને તેમની ટીમ ફરાર આરોપીઓની તપાસમાં હતી. તપાસ દરમિયાન એસઓજી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સના આધારે બાતમી મળી હતી કે, આહવા પોલીસ સ્ટેશનમાં વર્ષ-2023માં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ આરોપી મયુરભાઇ મહેશભાઇ હળપતિ (રહે. એન્કર કોલોની, ભીમપોર, નાની દમણ) હાલ વલસાડ જિલ્લાના વાઘલધરા ગામે આવ્યો છે. આ બાતમીના આધારે એસઓજી ટીમે તાત્કાલિક વલસાડના વાઘલધરા બસ સ્ટેશન પાસે વોચ ગોઠવી હતી.બાતમી મુજબના વર્ણન વાળો ઇસમ દેખાતા જ પોલીસે તેને કોર્ડન કરી પુછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે આહવા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં પોતાની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે તેની ધરપકડ કરી ડાંગ-આહવામાં લાવી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં 3 આરોપી વોન્ટેડ હતા, જેમાંથી મયુર હળપતિ ઝડપાઈ ગયો છે. આજ ગુનામાં સંડોવાયેલા અન્ય બે વોન્ટેડ આરોપીને પકડવા માટે ડાંગ-આહવા એલસીબી ટીમે ચક્રો ગતિમાન કર્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:વલસાડમાં સરદાર આવાસ એફોર્ડેબલ હાઉસિંગમાં હપ્તા ઉપર લીધેલા 500 ફ્લેટો ભાડે પધરાવી દેવાયા

ઘરવિહોણાંને ઘરનું ઘર મળી રહે તે માટે વલસાડમાં સરકારે બનાવેલ સરદાર હાઇટ્સ નિર્માણ કરાયું હતું પણ કેટલાક લાભાર્થી ફલેટધારકોએ સરકારના આ સૂત્રને ફળિભૂત થવા દીધું નથી તેવા આક્ષેપો સાથે ગાંધીનગર સુધી ફરિયાદ થઈ છે.જેને જોતા હાલે આવુ પ્રતિત થઇ રહ્યું છે. જો કે આ વિવાદ મામલે સત્ય શું છે તેનો જાણવા અને તેનો નિવેડો લાવવો ગુજરાત હાઉસિંગ બોર્ડ માટે તપાસનો વિષય બન્યો છે. મુખ્ય મંત્રી ગૃહ યોજના હેઠળ એફોર્ડેબલ આવાસ માટે વલસાડમાં 2900 ફલેટો સાથે નિર્માણ કરાયેલા સરદાર હાઇ્ટસ સંકુલમાં અમુક લાભાર્થીઓ દ્વારા અંદાજિત 500 ફલેટો ભાડે આપી દેવામાં આવ્યા હોવાનું સ્થાનિક રહીશે વડાપ્રધાન કાર્યાલયને કરેલી ફરિયાદોના પગલે બહાર આવતાં રાજ્ય સરકારના ગુજરાત હાઉસિંગ બોર્ડ અને રાજ્ય સરકારની મુખ્યમંત્રી ગૃહ યોજના સામે પ્રશ્નો ઉભા કર્યો છે. પ્રધાનમંત્રી સુઘી પહોંચેલા આ વિવાદના આક્ષેપો મુજબ ભાડેથી મિલકત આપવા માટેના કોઇ નિયમો ન હોવા છતાં મૂળ માલિકોએ સરકાર પાસે લીધેલા ફલેટો ભાડેથી આપી દેવાના આક્ષેપો મામલે વિવાદ છેડાયો છે. આ સમગ્ર વિવાદમાં ગુજરાત હાઉસિંગ બોર્ડે ન્યાયિક કાર્યવાહી નહિ કરતાં મામલો વડાપ્રધાન કાર્યાલયમાં પહોંચ્યો છે. જેમાં આગામી દિવસોમાં કાર્યવાહી કરાશે કે કેમ તેના પર મૂળ રહીશોની મીટ મડાઇ છે.આ બિલ્ડંગોમાં ભાડેથી અપાયેલા ફ્લેટોમાં ભાડૂઆતો કોણ છે ક્યાંથી આવે છે તેની જાણકારી અપાતી નથી તેવી રાવ કરવામાં આવી છે. વડાપ્રધાન સમક્ષ પહોંચેલા આ પ્રકરણમાં ભાડાના ધોરણે અપાતાં કેટલાક ફલેટોના મામલે કાર્યવાહી કરવાનો મુદ્દો ખરેખર સ્થાનિક રહીશો માટે ચિંતાનો વિષય બન્યો છે.આ સાથે સંકુલમાં રહીશો માટે જરૂરી પાર્કિંગ સુવિધાનો પણ મોટો પ્રશ્ન ઉદભવી રહ્યો હોવાની રાવ ઉઠી છે. લાભાર્થીઓ 99 વર્ષના ભાડા કરાર પરસરદાર હાઇટ્સ આવાસ સંકુલના ફલેટો 99 વર્ષના ભાડા કરાર પેટે માલિક છે.જે અરજદારોએ મકાનના 100 ટકાની રકમ ભરપાઇ કરેલ છે તથા તેના નામનો કન્વેયન્સ ડીડ રજિસ્ટર કચેરીમાં સ્ટેમ્પ ડ્યુટી ભરીને કરેલો છે તેઓ મકાનના 99 વર્ષના ભાડા કરાર હેઠળ રહીશો કબજેદાર છે.રાજ્યની ગૃહ યોજના છે ત્યારે CM,Dep.CMને પણ રાવ કરાઇ છે. હાઉસિંગ બોર્ડથી નિરાકરણ ન થયું‎સરદાર હાઇટ્સ મુખ્યમંત્રી ગૃહ યોજના હેઠળના આવાસોના ફલેટોને‎ભાડે આપવામાં આવતા હોવાની રાજ્ય સરકાર અને ગુજરાત હાઉસિંગ‎બોર્ડને છેલ્લા 4 વર્ષથી સીએમ સુધી ફરિયાદ થઇ છતાં ન્યાયિક કાર્યવાહી‎થતી નથી. પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ થકી ઘરવિહોણાંને ઘરનું ઘર મળી‎રહે તે માટે સરદાર પટેલના નામે સરદાર હાઇટ્સ સંકુલ હેઠળ મુખ્યમંત્રી‎ગૃહ યોજના ફલેટો બનાવવામાં આવ્યા હતા.સરકારે બનાવેલા ઘરો‎એફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ બનાવાયા છે સ્કીમના ઘરો ભાડે આપી‎શકાય નહિ.‎

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

વિરોધ:બોટાદમાં ગેસના ભાવ વધારા સામે યુથ કોંગ્રેસના કાર્યકરોનો ચક્કાજામ

બોટાદ યુવક કોંગ્રેસ દ્વારા બેનરો , ખાલી ડબ્બા અને ગેસના બાટલા સાથે હાય રે ભાજપ હાય ...હાય ...ગેસ નો ભાવ વધારો ઓછો કરોના નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અને મોંઘવારી પર નિયંત્રણ લાવવા માંગ કરી હતી. કાર્યકરો દ્વારા શહેરના દિન દયાળ ચોકમાં ચક્કા જામ કરી રસ્તા પર બેસી જતા થોડીવાર માટે વાહન વ્યવહાર ખોવાયો હતો અને ટ્રાફિક જામ સર્જાયો હતો અને વિરોધ કરતા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી. આ તકે જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પરમારે મીડિયાને જણાવ્યું હતું કે આ સરકાર ગરીબોનો અવાજ બનવાની જગ્યાએ ગરીબોની કમર તોડવાનું કામ કરી રહી છે ગેસના સિલિન્ડર ઉપર 60 થી 70 રૂપિયાનો ભાવ વધારો કરી દેવામાં આવ્યો છે ખાદ્ય પદાર્થ હોય કે તેલના ભાવ હોય આ સરકાર કોઈ જાતની રાહત દેવા માંગતી નથી જિલ્લા યુથકોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ બોટાદની જનતા વચ્ચે જઈ રહી છે અને આગામી દિવસોમાં ભાજપ સામે બોટાદની જનતા માટે લડતા રહીશું તેમ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ગંભીર અકસ્માત સર્જાયો:દુવાડા પાટિયા પાસે ટેકનિકલ ‎ખામી સર્જાતા પીકઅપ પલટી‎

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48 પર દુવાડા પાટિયા પાસે બુધવારે પીકઅપ પલટી જતા અકસ્માત નોંધાયો હતો. જોકે આ અકસ્માતમાં કોઈ ઇજા કે જાનહાનિ ન થતા તંત્રએ રાહત અનુભવી હતી. અમદાવાદથી મુંબઈ જતી લાઇનમાં અમદાવાદથી મુબઈ તરફ જતી પીકઅપ વહેલી સવારે 5 કલાકે એંધલના દુવાડા પાટિયા આગળથી પસાર થઇ રહી હતી. દરમિયાન સાંઈ સીતારામ હોટલની સામે પીકઅપમાં ટેકનિકલ ખામી સર્જાતા પલટી મારી ગઈ હતી. આ અકસ્માત જોતા જ વાહનચાલકો દોડી આવી ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો અને ટ્રાફિક જામ થતા જ હાઇવે પેટ્રોલિંગ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે આવી 1 કલાકમાં પીકઅપને ક્રેઈનની મદદથી સાઈડમાં ખસેડી હાઇવે ખુલ્લો કર્યો હતો. આમ આવા અકસ્માતો બાદ હાઇવે પર પડેલ અકસ્માતગ્રસ્ત વાહનોના કાચ કે અન્ય સામાનની સાફસફાઈ થતી નથી. જેને લઈને ફરી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. એંધલ પાસે પણ બે દિવસ પહેલા પીકઅપ અને લક્ઝરી વચ્ચે વહેલી સવારે અકસ્માત નોંધાયો હતો. જેમાં અકસ્માતગ્રસ્ત વાહનોના કાચ એંધલ કટ પાસે ત્રણ ચાર દિવસથી પડ્યાં છે. જેની સાફસફાઇની જવાબદારી સંભાળનાર કંપનીની બેદરકારી સામે આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

રાજ્યપાલની સહજતા અને આત્મીયતા:રૂમલામાં રાજ્યપાલે આદિવાસી પરિવાર સાથે સંવાદ કરી સાદા ભોજનનો આસ્વાદ માણ્યો

નવસારી જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામે આદિવાસી પરિવારના અમરતભાઈ પટેલના ઘરે પહોંચીને તેમના પરિવાર સાથે સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલે અત્યંત સહજતા અને આત્મીયતા સાથે પરિવારના તમામ સભ્યો સાથે વાતચીત કરી તેમની જીવન પરિસ્થિતિ અંગે પૃચ્છા કરી હતી. પરિવારના વડીલ અમરતભાઈ તથા નાના બાળકો સાથે પણ તેમણે પ્રેમભર્યો વાર્તાલાપ કરી પરિવારના જીવન વિશે રસપૂર્વક માહિતી મેળવી હતી. ભોજન દરમિયાન રાજ્યપાલે પરિવારના સભ્યોના રોજગાર, ખેતી અને જીવન નિર્વાહ અંગે પણ માહિતી મેળવી હતી. તેમણે પરિવારને પ્રાકૃતિક ખેતીના મહત્વ વિશે સમજ આપી અને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આદિવાસી પરંપરા મુજબ રાજ્યપાલે ચોખાના રોટલા, જુવારના રોટલા, મગની દાળ, મિક્સ શાકભાજી, નાગલીનો શિરો તથા દાળ-ભાત જેવા સાદા ભોજનનો આસ્વાદ માણ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમરતભાઈ પટેલ અને તેમનો પરિવાર ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. રાજ્યપાલ તેમના ઘરે પધાર્યા અને પરિવાર સાથે ભોજન કર્યું તે બદલ પરિવારના સભ્યો ભાવવિભોર બની ગયા હતા. રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલી પ્રાકૃતિક ખેતીની સમજણથી પરિવાર પ્રાકૃતિક ખેતી અપનાવવા સંકલ્પબદ્ધ બન્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

રાજ્યપાલના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ':ધરતીમાતાને પુનઃ જીવિત કરવા અને ભૂગર્ભ જળના‎સ્તર બચાવવા હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ‎

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજથી બે દિવસીય નવસારી જિલ્લાના મહેમાન બન્યા છે ત્યારે ચીખલી તાલુકાના રૂમલા ગામમાં તેમના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી પ્રાકૃતિક ખેતીના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે ગ્લોબલ વોર્મિંગના કારણે અસહ્ય ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. જે માટે રાસાયણિક ખેતી પણ જવાબદાર છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના છંટકાવથી ગરમી વધી, બિમારી વધી અને પર્યાવરણને નુકસાનન થઈ રહ્યું છે. રાજ્યપાલે પોતાનું જ દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે, પહેલા હું પણ રાસાયણિક ખાતરથી ખેતી કરતો હતો પરંતુ જ્યારે મને ખબર પડી કે, મારી જમીન વેરાન બની રહી છે, પાણીનો વધુ વપરાશ થઇ રહ્યો છે અને ઉત્પાદન વધુ ન મળતા આખરે 200 એકર જમીનમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ આમાં ખર્ચ નહિવત છે અને પાણીનો વપરાશ પણ 50 ટકા જેટલો ઓછો થાય છે. તેમણે ખેડૂતોને પ્રોત્સાહિત કરતા આગ્રહ કર્યો કે, શરૂઆતમાં ભલે આખા ખેતરમાં નહીં, પણ માત્ર એક એકરના એક ખૂણેથી પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ શરૂ કરો અને તેના સકારાત્મક પરિણામો જોઈને ધીમે-ધીમે તેનો વિસ્તાર વધારો. તેમણે વધુમાં જણાવ્યું કે, રાસાયણિક ખેતીને કારણે વેરાન થઈ રહેલી આપણી ધરતી માતાને પુનઃ જીવિત કરવા અને ભૂગર્ભ જળના સ્તર બચાવવા માટે હવે પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે. કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલનું ગાર્ડ ઓફ ઓનર દ્વારા સન્માન કરાયું હતું. જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ વારલી પાઈન્ટિંગથી રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેત પેદાશના 22 સ્ટોલની રાજ્યપાલે મુલાકાત કરી સ્ટોલ ધારકો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. પ્રગતિશીલ 6 ખેડૂતોનું રાજ્યપાલના હસ્તે સન્માન કરાયું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનો સમાવેશ કરતું નૈસર્ગિક નવસારીની પ્રેરક સાફલ્ય ગાથા’ પુસ્તકનું રાજ્યપાલે વિમોચન કર્યું હતું. પ્રાકૃતિક ખેતી કરશો તો આવક વધશે અને જમીન પણ ફળદ્રુપ બનશેરાજ્યપાલે વધુમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત અને આચ્છાદન જેવી પદ્ધતિઓ અપનાવાથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે. અળસિયા દ્વારા થતું કુદરતી 'વોટર હાર્વેસ્ટિંગ' જમીનને પોચી બનાવી તેની ભેજ સંગ્રહશક્તિમાં નોંધપાત્ર વધારો કરે છે, જેનાથી ઉત્પાદન પણ ઉત્તરોત્તર વધતું જાય છે. જો ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક ખેતીના પાંચ આયામનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરશો તો આવક વધશે અને જમીન પણ ફળદ્રુપ બનશે. આ માર્ગ અપનાવીને જ આપણે આવનારી પેઢીને ઝેરમુક્ત પર્યાવરણ, ફળદ્રુપ જમીન અને નિરોગી જીવનનો વારસો આપી શકીશું.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

સેવા સેતુ કાર્યક્રમ:બીલીમોરા પાલિકાના સેવાસેતુ કેમ્પમાં 790 અરજીનું સ્થળ પર જ નિરાકરણ

રાજ્ય સરકારના સેવાસેતુ કાર્યક્રમના 11મા તબક્કા અંતર્ગત બુધવારે બીલીમોરાના જલારામ હોલમાં વિશેષ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વોર્ડ નં. 1થી 5ના નગરજનો માટે વિવિધ સરકારી યોજનાઓ અને સેવાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 790 અરજીનું સ્થળ પર જ હકારાત્મક નિરાકરણ લાવી નગરજનોને વચેટિયામુક્ત સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ​ આ પ્રસંગે ગણદેવી મામલતદાર ડી. રોઝ, ચીફ ઓફિસર સંદીપ પટેલ, પાલિકા પ્રમુખ મનીષ પટેલ, નિરવ ટેલર, મનીષ દેસાઈ, ભરત પટેલ, દિગીશા પટેલ, અર્ચના સોલંકી, સુમિત્રા પટેલ તેમજ વિવિધ નગરસેવકો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં 545 લોકોની હેલ્થ ચકાસણી, 51 આવકના દાખલા અને 24 આધારકાર્ડ સુધારા સહિતની કામગીરી હાથ ધરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે વોર્ડ નં. 6થી 9ના રહીશો માટે આ જ સ્થળે કેમ્પનું આયોજન ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ક્રિકેટ ટુર્નામેન્ટનું પરિણામ:ચીખલી કોલેજ સતત બીજા વર્ષે વીર દ.ગુ. યુનિ. ડી ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન

વીર નર્મદ દ.ગુ.યુનિ. ઇન્ટર કોલેજ ડી-ઝોન ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26નું આયોજન ચીખલીની એમ.આર. દેસાઈ આર્ટસ એન્ડ ઈ.ઈ.એલ.કે. કોમર્સ કોલેજ ચીખલી દ્વારા કરવામાં આવ્યુ છે. જેમાં 31 કોલેજોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ મોહનલાલ દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ચીખલી કોલેજમાં નવસારી એસ.એસ. અગ્રવાલ કોલેજ અને એમ.આર. દેસાઈ આર્ટસ એન્ડ ઈ.ઈ. એલ.કે.કોમર્સ કોલેજ ચીખલી કોલેજ વચ્ચે રમાઇ હતી. જેમાં ચીખલી કોલેજે ટોસ જીતી પ્રથમ બેટીંગ પસંદ કરી નિર્ધારીત 50 ઓવર મેચમાં 299 રન બનાવ્યા હતા. જેમા ચીખલી કોલેજ તરફ્થી અમન વમન 152 બોલમાં 108 રન નોટઆઉટ, કેપ્ટન સુજલ જીવાણી 38 બોલમાં 70 રન બનાવ્યા હતા. જ્યારે આદિત્ય રાય 48 બોલમાં 48 રન અને આદિત્ય યાદવ 33 બોલમાં 43 રનનો મુખ્ય ફાળો રહ્યો હતો. જેના જવાબમાં નવસારીની અગ્રવાલ કોલેજ 25.4 ઓવરમાં 115 રનમાં ઓલઆઉટ થઈ જતાં ચીખલી કોલેજે 184 રનથી જીત મેળવી હતી. જેમાં ચીખલી કોલેજ વતી હર્ષલ સોલંકીએ 5 વિકેટ, વિનોદ ચૌધરીએ 3 વિકેટ અને આદિત્ય રાય એ 2 વિકેટ ઝડપી હતી. ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચ આદિત્ય રાય જાહેર કરાયો હતો. તેઓએ 48 રન અને બે વિકેટ ઝડપી હતી. આ ટુર્નામેન્ટમાં ચીખલી કોલેજે સતત બીજા વર્ષે ચેમ્પિયનશીપ હાંસલ કરી છે અને છેલ્લા 10 વર્ષમાં 8મી વખત ચેમ્પિયન બની છે તેમજ વીર નર્મદ દ.ગુ.યુનિ સુરત ઇન્ટર ઝોનલ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025-26 માટે ક્વોલિફાય પણ કરી લીધું છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

મનપા એક્શન મોડમાં:નવસારીમાં ખાનગી પ્લોટમાં ગંદકી થવા મુદ્દે 18 મિલકતધારકોને નોટિસ

નવસારીમાં ખાનગી જગ્યામાં ગંદકી મુદ્દે 18 મિલકતધારકોને નોટિસ અપાઇ છે. જો ગંદકી દૂર નહી કરાય તો કડક પગલા લેવાની ચીમકી પણ અપાઈ છે. નવસારી મનપા શહેર વધુ સ્વચ્છ રહે તે માટે પગલા લઈ રહી છે. જાહેર સ્થળે ગંદકી દૂર કરવા સાથે હવે ખાનગી જગ્યાએ પણ ગંદકી નહીં રહે અને રોગચાળો નહીં ફેલાય તે માટે કડક પગલા લેવાની શરૂઆત કરી છે. પ્રથમ તબક્કે 18 મિલકતધારકોને મનપાએ નોટિસ આપી પણ દીધી છે. આ મિલકતધારકોમાં વોર્ડ-11માં 3, વોર્ડ-10માં 7, વોર્ડ-9માં 5, વોર્ડ-6માં એક મિલકતધારક અને અન્ય બે છે. મનપા સૂત્રોના જણાવ્યા મુજબ હાલ નોટિસ આપી છે, જેમાં સમયમર્યાદામાં ગંદકી દૂર કરવાની રહેશે, જો નહીં કરે તો ભારે દંડ પણ કરાશે. કેટલાક ખાનગી પ્લોટોમાં કચરાના ઢગલા થઇ ગયા છે. તો કેટલાક પ્લોટોમાં જંગલી ઘાસ ઉગી નીકળ્યું અને ગંદા પાણી જોવા મળી રહ્યા છે. અહીં ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કે હાલ આ 18 મિલકતધારકોની જગ્યામાં ગંદકી નજરે પડી છે, મનપા અગામી દિવસો દરમિયાન જ્યાં પણ ખાનગી જગ્યાના ગંદકી નજરે પડશે ત્યાં પગલા લેશે એમ જાણવા મળે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

નવસારી કૃષિ યુનિ.નો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ:નવસારી કૃષિ યુનિ.માં આજે રાજ્યપાલના હસ્તે 693‎ વિદ્યાર્થીને પદવી અને 57 ગોલ્ડ મેડલ એનાયત થશે‎

દક્ષિણ ગુજરાતની પ્રતિષ્ઠિત નવસારી કૃષિ યુનિવર્સિટીનો 21મો વાર્ષિક પદવીદાન સમારોહ આજરોજ યુનિવર્સિટીના અસ્પી ઓડિટોરીયમમાં યોજાશે. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહી તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અને પદવી એનાયત કરશે. આ ગરિમામય સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે મહારાષ્ટ્ર પશુ અને મત્સ્ય વિજ્ઞાન વિશ્વવિદ્યાલય (નાગપુર)ના કુલપતિ ડૉ. એન. વી. પાટીલ દીક્ષાંત પ્રવચન આપશે. આ ઉપરાંત, અતિથિ વિશેષ તરીકે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ રાજ્યકક્ષાના મંત્રી રમેશભાઈ કટારા વિશેષ હાજરી આપશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે વિવિધ વિદ્યાશાખાઓના કુલ 693 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આવશે. જેમાં સ્નાતક કક્ષાના 400 વિદ્યાર્થીઓ, અનુસ્નાતકના 210 વિદ્યાર્થીઓ, પીએચ.ડી.ના 80 (નવસારી) અને 3 (ગુજરાત કૃષિ યુનિવર્સિટી)ના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. શિક્ષણ ક્ષેત્રે સર્વોચ્ચ દેખાવ કરનાર સ્નાતક કક્ષાના 35 અને અનુસ્નાતક કક્ષાના 22 તેજસ્વી વિદ્યાર્થીઓને મળીને કુલ 57 ગોલ્ડ મેડલ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવશે. વિદ્યાર્થીઓ ઉપરાંત યુનિવર્સિટીના શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધક અને શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિકના એવોર્ડ્સ પણ એનાયત કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રે પ્રગતિશીલ અભિગમ અપનાવનાર શ્રેષ્ઠ ખેડૂત (પુરુષ) અને શ્રેષ્ઠ ખેડૂત (મહિલા)ને પણ સન્માનિત કરાશે. જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ પર ભાર અપાશેરાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિ પ્રત્યે હંમેશા વધારે મહત્વ અને ભાર આપતા હોય છે. પદવીદાન સમારોહમાં પણ તેઓ ભવિષ્યમાં પર્યાવરણ રક્ષક તરીકે કામ કરનારા છાત્રોને પણ તેઓ પ્રાકૃતિક કૃષિનું મહત્વ સમજાવી તેના ફાયદા જણાવી લોકોને પ્રેરણા આપશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:મનપાના ખર્ચે યોજાયેલ કાર્યક્રમના ફોટા મૂકી વાહવાહી લૂંટનાર મહામંત્રીએ પોસ્ટ ડિલીટ કરી

રાજ્યમાં જ્યારે કોઈ મોટું આયોજન થતું હોય ત્યારે તેનો યશ લેવા માટે નેતાઓમાં હોડ જામતી હોય છે. આવો જ એક કિસ્સો નવસારીમાં પ્રકાશમાં આવ્યો હતો, જ્યાં નવસારી મહાનગરપાલિકા દ્વારા કરાયેલા જાહેર આયોજનને ભાજપ યુવા મોરચાનું હોવાનું કહી સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ ભાજપ યુવા મોરચાના મહામંત્રીએ પોસ્ટમાંથી ફોટા જ નહીં પણ સમગ્ર પોસ્ટ જ સોશિયલ મીડિયા પરથી હટાવી દીધી છે. અમદાવાદમાં રમાયેલી રોમાંચક ટી-20 ફાઈનલ મેચના ઉત્સાહ વચ્ચે નવસારીના ક્રિકેટ પ્રેમીઓ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર લુન્સીકૂઇ મેદાનમાં મોટી એલ.ઈ.ડી. સ્ક્રીન મૂકીને લાઈવ પ્રસારણ જોવાની વ્યવસ્થા કરાઇ હતી. આ આયોજનમાં હજારોની મેદની ઉમટી પડી હતી. જોકે, આ ભીડ અને આયોજનનો જશ ખાટવા નવસારી જિલ્લા યુવા મોરચાના મહામંત્રી ઉમંગ દેસાઈએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ આયોજનની તસવીરો શેર કરી હતી. તેમણે પોસ્ટમાં એવો દાવો કર્યો કે, ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના આયોજન મુજબ દરેક તાલુકા અને શહેર મથકે લાઈવ પ્રસારણ કરાયું હતું. તેમણે મનપાના કાર્યક્રમના ફોટા પણ પોતાની પોસ્ટ સાથે જોડી દીધા હતા. આ સમગ્ર મામલો મીડિયામાં અને જાહેરમાં આવતા જ મહામંત્રીએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ હટાવી દીધી છે. પોસ્ટ હટાવવાની આ ઉતાવળ જ સૂચવે છે કે હાઇકમાન્ડની આંખમાં સારા દેખાવા માટે આ પોસ્ટ ક્યાંકને ક્યાંક જાણી જોઈને જ મૂકવામાં આવી હતી, જેનો હવે ફિયાસ્કો થયો છે. ઉલ્લેખનીય છે કે, આ પોસ્ટનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કર્યો હતો. જે બાદ જ યુવા મોરચાના મહામંત્રીએ પોસ્ટમાંથી માત્ર ફોટા જ નહીં પણ સંપૂર્ણ પોસ્ટ જ ડિલીટ કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

મનુબર ગામે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો:રેશનકાર્ડ, આયુષ્યમાન સહિતના કાર્ડ એક જ સ્થળ પરથી મળી રહ્યાં

ભરૂચ તાલુકાનાં મનુબર ગામે પ્રાથમિક કુમાર શાળામાં સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો લાભ આસપાસના કુલ 9 ગામોના ગ્રામજનોએ લીધો હતો. રાજ્ય સરકાર તરફથી ગામડાંના અંતિમ વ્યક્તિ સુધી સરકારી યોજનાઓ અને સેવાઓ સરળતાથી પહોંચે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મનુબર ખાતે યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ પોતાની વિવિધ અરજીઓ રજૂ કરી હતી, જેમાંથી મોટાભાગની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રેશનકાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, પશુપાલન સહાય, એનઆરએલએમ યોજના, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ પીએમ કિસાન યોજના સહિતની સેવાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો લાભ મનુબર, કંથારિયા, વહાલુ, સરનાર, શેરપુરા, દેત્રાલ, દહેગામ, વાંસી અને કુરલા સહિતના ગામોના ગ્રામજનોએ લીધો હતો. એક જ સ્થળે વિવિધ વિભાગોની સેવાઓ ઉપલબ્ધ થઇ હતી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

20થી વધારે સોસાયટીના રહીશો પરેશાન:ભરૂચની શ્રવણ ચોકડી પાસે 15 દિન પહેલાં ખોદાયેલો ખાડો પૂરાયો નથી

ભરૂચની શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધી બની રહેલાં રસ્તાની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. શ્રવણ ચોકડી પાસે પાઇપલાઇન નાખવા માટે 15 દિવસ પહેલાં ખોદવામાં આવેલો ખાડો હજી સુધી પુરવામાં આવ્યો નથી જેના કારણે 20થી વધારે સોસાયટીના રહીશો દરરોજ હાલાકી ભોગવી રહયાં છે. શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધી રસ્તાની કામગીરી મંથરગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. હાલ ધૂળ તથા ગંદકીથી પરેશાન લોકોએ અગાઉ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું પણ આજદિન સુધી નકકર પગલાં ભરવામાં આવ્યાં નથી. આ વિસ્તારમાં 20 જેટલી સોસાયટીઓ આવેલી છે અને આ વિસ્તાર વિકાસ પામી રહયો હોવા છતાં માળખાકીય સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે. અહીં બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇન તૂટી જવાથી ગંદા પાણીનો ભરાવો થઇ જતાં લોકો દુુર્ગંધથી પરેશાન થઇ ગયાં છે. શ્રવણ ચોકડીથી ગેઇલ ટાઉનશીપ સુધી આવેલ 15 થી 20 સોસાયટીના રહીશો રસ્તાની મંથરગતિએ ચાલી રહેલી કામગીરીના કારણે રોજ હાલાકી ભોગવી રહયાં છે. 15 દિવસ પહેલાં શ્રવણ ચોકડી પાસે પાઇપલાઇન નાખવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો પણ આજદિન સુધી કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી અને કામ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ખાડાના કારણે અગવડ પડી રહી હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તે જરૂરી દિવસ દરમિયાન હું અહીંથી અવરજવર કરું છું કોણ જાણે કોને કામગીરી સોંપવામાં આવી છે.ગેઇલ કંપનીથી શ્રવણ ચોકડી નજીક મોટી ખાડો કરીને મૂકી દેવામાં આવ્યો છે અને છેલ્લા 15-20 દિવસથી કામ બંધ છે. લાગતા વળગતાને કહીને આ કામ જલ્દીથી પૂરું કરે.બોર્ડની પરીક્ષા ચાલે છે દહેજનો દરરોજનો ટ્રાફિક છે. - રમીલાબેન, સ્થાનિક

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ભરૂચ જિલ્લામાં 22,561 છાત્રોએ પરીક્ષા આપી‎:ધો-10મા અંગ્રેજી પેપરમાં ફકરાના પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા

ભરૂચ જિલ્લામાં ધોરણ-10 અને 12 નું બુધવારે અંગ્રેજી, કમ્પ્યુટર અધ્યયન, હિન્દી બીજી ભાષા ની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ થઈ હતી. તેમજ પરીક્ષા દરમિયાન એક પણ ચોરીના કેસ સામે આવ્યા નથી. ધોરણ-10 ના અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર મધ્યમ રહ્યું હતું. જોકે ફકરા માથી જે સવાલો પૂછવામાં આવ્યા હતા તે ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા. તેથી થોડો સમય લઈ લેય તેવા પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા. જોકે તે સિવાય વ્યાકરણ નિબંધ સહિત ના સવાલો સરળ પૂછવામાં આવ્યા હતા. તેથી છાત્રો આરામ થી પાસ તો થઈ જશે આમ એકંદરે અંગ્રેજીનું પ્રશ્નપત્ર મધ્યમ રહ્યું હોવાનું વિષય એક્સપર્ટે જણાવ્યું હતું. જોકે તે સિવાય ના અન્ય પ્રશ્ન પત્રો સરળ રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આમ પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને 12 ના કુલ 22,561 છાત્રોએ પરીક્ષા આપી હતી જ્યારે 503 છાત્રો કોઈ કારણ સર ગેરહાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

લૂંટેરી દુલ્હનએ ફેરાવ્યું ફુલેકું:અંકલેશ્વરની યુવતીએ બનાસકાંઠામાં ત્રણ લોકો સાથે લગ્ન કરી લૂંટી લીધાં

અંકલેશ્વર ની લૂંટેરી દુલ્હન ગેંગ એ બનાસકાંઠામાં એક બે નહિ ત્રણ ત્રણ દુલ્હાનું ફુલેકુ ફેરવી ફરાર થઇ ગઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અંદાડા, છાપરા, કાંસીયા સહીત ગામ ની યુવતી ઓ જોડે લગ્ન નક્કી લગ્ન કરાવી ને 3 દિવસ માં દુલ્હન રફુચક્કર થઇ જતી હતી પત્ની શોધમાં અંકલેશ્વર આવતા પોતાની સાથે લગ્નના નામે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું છે. ઘટના અંગે બનાસકાંઠાના 4 ઈસમો ને અંકલેશ્વર પોલીસ મથકે ધામા નાખ્યા છે. આ યુવકો એકત્ર થઇ અંકલેશ્વર ખાતે યુવતી ગામ આવતા પોતે છેતરાયા હોવાનો અહેસાસ થયો છે. હવે તેઓ પોલીસ મથકે પહોંચ્યો છે. બનાસકાંઠાના ગોકુળ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મારા સાળાના લગ્ન અંકલેશ્વરના અંદાડા ખાતે બનાસકાંઠાના ગોવિંદભાઇ ઉર્ફે લવધણના સંપર્ક થી અંદાડા ગામની યુવતી જોડે કરાવ્યા હતા જે અમારા ધરે આવ્યા બાદ 4 દિવસ રોકાઈ હતી જે બાદ મોત થયું છે કહી પરત અંકલેશ્વર આવી ગઈ હતી જે બાદ આજદિન સુધી પરત આવી નથી.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

DGVCL દ્વારા દંડનીય કાર્યવાહી:ભરૂચના દહેગામ સહિતના અન્ય ગામોમાં‎તપાસ, 40.45 લાખની વીજચોરી ઝડપાઇ‎

ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચ તાલુકાના 4 થી વધુ ગામોમાં વીજ વિભાગે આકસ્મિક તપાસ કરીને 47 વીજ ગ્રાહકો વીજ ચોરી કરતા પકડાતા રૂપિયા 40.45 લાખનો દંડ ફટકાર્યો છે. ડીજીવીસીએલની ટીમ અવારનવાર ભરૂચ જિલ્લામાં આકસ્મિક તપાસ કરીને વીજ ચોરી ઝડપી રહી છે. ડીજીવીસીએલનીકોર્પોરે ટ ઓફિસ અને ગુજરાત ઉર્જા નિગમ લિમિટેડ ની 36 જેટલી ટીમોએ વહેલી સવારે 6 થી 10 વાગ્યા સુધી ભરૂચ તાલુકામાં દરોડો પડ્યો હતો. જેમાં ભરૂચ તાલુકાના દહેગામ, હિંગલોટ, વેસાદડા, વડવા વગેરે ગામોમાં વીજ ગ્રાહકોના જોડાણ તપાસવામાં આવ્યા હતા. આમ પાંચ કલાકમાં વીજ વિભાગની ટીમે 1375 ગ્રાહકોનાં વીજ જોડાણ ની તપાસ કરી હતી. જેમાં થી 47 વીજ જોડાણમાં ગેરરીતિ જોવા મળી હતી. વીજ ચોરી કરનારને રૂપિયા 40.45 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.વીજ વિભાગના તપાસ દરમિયાન મીટર સાથે છેડ છાડ સહિત અન્ય રીતે વીજ ચોરી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. દર મહિને ફીડરના લોસીસના આધારે‎ વીજ ચોરી પકડવામાં આવે છે‎દર મહિને ફીડરના લોસીસ થાત હોય છે - એટલે કે વીજ વિભાગ 100 યુનિટ આપે તો તેની સામે બિલ કેટલા થયા જો 100 ની સામે 80 યુનિટના બિલ થયા તો 20 ટકા ચોરી જે તે વિસ્તારમાં થતી હોવાનું સાબિત થાય છે. તેવા ફીડરને શોધવામાં આવે છે અને તેના પર આવતા કેટલા ગામ છે તે શોધીને તે વિસ્તારમાં વીજ વિભાગની ટીમ તપાસ કરીને વીજ ચોરી કરનાર તત્વોને પકડી ને દંડ કરવામાં આવે છે. તપાસ દરમિયાન વીજ 135 ની કલમ મુજબ ચોરી કરે છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

વાતાવરણ:સોરઠમાં હજુ 2 દિવસ તાપમાન 41 ડિગ્રી રહેશે

ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વર્ષે માર્ચ મહિનાના બીજા અઠવાડિયાથી સૂર્યદેવતા ક્રોધિત થતા અને સવારથી જ આકરી ગરમી શરૂ થતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સોરઠ પંથક સહિત જૂનાગઢ માં સતત બે દિવસ મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીએ સ્થિર રહ્યા બાદ બુધવારે સામાન્ય જોટાણા સાથે બપોરનું તાપમાન 40.4 ડિગ્રી નોંધાયું હતું. સવારથી જ સૂર્યનારાયણ લાલઘૂમ થઈ ગયા હતા અને બપોરે ગરમ પવન સાથે ગરમીએ માજા મૂકી દીધી હતી. દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાના જણાવ્યા અનુસાર હજુ 2 દિવસ શુક્રવાર સુધી મહતમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. જોકે શનિવારથી એક અઠવાડિયું ગરમીથી લોકોને આંશિક રાહત મળી શકે. બાદમાં માર્ચ મહિનાના અંત ભાગમાં ગરમીના સામના માટે માનસિક તૈયારી રાખવી પડશે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 4:00 am

ગાય પકડવા મામલે AMCના કર્મચારી પર ઢોર માલિકોનો હુમલો, CCTV:કોન્ટ્રાક્ટ કર્મીનો પીછો કરી સોસાયટીમાં ઘૂસ્યા, લાકડીથી ફટકાર્યો; કહ્યું- હવે ગાય પકડી તો જાનથી મારી નાખીશ

અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગાયો પકડવા મુદ્દે ભરવાડ વાસમાં રહેતા શખસો દ્વારા CNCD વિભાગમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. રખડતા ઢોરને પકડવામાં આવી રહ્યા છે, ત્યારે ઢોર માલિકો કાયદો હાથમાં લઈને મારામારી પર ઉતરી આવ્યા હતા. જોકે, મારામારી કરવા આવ્યા હતા અને માર માર્યા બાદ ભાગતા હોવાની સમગ્ર ઘટના નજીકના એક ફ્લેટમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચાર શખસો વિરૂદ્ધ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટર કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે. ઢોર માલિકોના સરકારી કર્મચારીઓ પર હુમલારાજ્યમાં રખડતા ઢોરને કારણે અકસ્માતો અને લોકોના જીવને જોખમ હોવાથી રખડતા ઢોર નિયંત્રણ પોલિસી લાગુ કરવામાં આવી છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કેટલાક ઢોર માલિકો ઢોર પકડવાની કામગીરીને લઈ સરકારી કર્મચારીઓ પર હુમલા કરતા હોય છે. રજનીકાંતભાઈ 10 માર્ચે ગાયો પકડવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતાશહેરના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મધુવન ગ્લોરી ફ્લેટમાં રહેતા રજનીકાંત વાઘેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિબાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ઉત્તર ઝોનમાં નોકરી કરે છે. તેમની શિફ્ટમાં પોલીસ કર્મચારીઓને સાથે લઇને રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી હોય છે. રજનીકાંતભાઈ 10 માર્ચના રોજ બપોરે નોકરી પર ગયા હતા અને CNCD વિભાગના પોલીસકર્મીઓ સાથે ઢોર પાર્ટી લઈને સૈજપુર ટાવર SRP ગ્રાઉન્ડ થઈ કેનાલથી આલગ અલગ જગ્યા ઉપર ગાયો પકડવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ભરવાડવાસના શખસો ગાયોને ભગાડીને જતા રહ્યા હતારજનીકાંતભાઈ ફરતા ફરતા સાંજે નરોડા વિસ્તારમાં મોટા ઠાકોરવાસ પાસે કુમારશાળા નજીક આવેલા ભરવાડવાસ નજીક પહોંચ્યા હતા. જ્યાં ત્રણ ગાયો ઉભી હતી. જેથી ઢોર પાર્ટીના માણસો દ્વારા ગાયોને કોર્ડન કરી તેને ટ્રેક્ટરમાં ચડાવતા હતા, ત્યારે ભરવાડવાસમાંથી કેટલાક શખસો આવ્યા હતા અને ગાયોને ભગાડીને જતા રહ્યા હતા. જેથી ગાય પકડી શક્યા નહોતા. ગાયો ભાગી જતા ત્યાંથી તેઓ ફરી ફરતા ફરતા ભરવાડ વાસ પાસે આવ્યા, ત્યારે ત્રણ ગયો મળી આવી હતી જેને પકડીને નીકળ્યા હતા. અમારી ગયો પકડવા આવે છે કહી ઝઘડો કરવા લાગ્યોબાદમાં તેઓ રાત્રે ચાર્જ સોંપીને નોકરી પૂરી કરી એક્ટિવા લઈને ઘરે પહોંચ્યા હતા. મધુવન ગ્લોરી ખાતે તેમના ફ્લેટમાં તેઓ પહોંચ્યા ત્યારે ભરવાડવાસમાં રહેતા મિહિર ભરવાડ, જયેશ ભરવાડ, પપ્પુ ભરવાડ અને અજાણ્યો શખસ ગેટ પાસે આવ્યા હતા અને મિહિર ભરવાડે તું અમારી ગયો પકડવા મ્યુનિસિપાલિટીના સાહેબોને લઈને અમારા ઘર પાસે આવે છે એમ કહીને ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી તેમણે બોલાચાલી કરવાની ના પાડતા તેમના બરડાના ભાગે માર મારવા લાગ્યા હતા. ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીઆ ઉપરાંત જમણાં હાથ પર પણ માર માર્યો હતો. ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેના કારણે આસપાસના અને ફ્લેટના લોકો ભેગા થઈ ગયા હતા. ચારેય લોકોએ ધમકી આપી હતી કે, હવે મ્યુનિસિપલના માણસો લઈ ભરવાડવાસમાં ગાયો પકડવા આવીશ તો જાનથી મારી નાખીશ. માર માર્યો હોવાને લઈને તેમણે ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે CNCD વિભાગના અધિકારીને પણ જાણ કરી હતી. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:05 am

અમદાવાદ ટ્રાફિક પોલીસનું સો. મીડિયા X એકાઉન્ટ સસ્પેન્ડ:T20 ફાઇનલ મેચની એક પોસ્ટ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટથી એકાઉન્ટ બંધ, ગુરૂવારે ચાલુ થાય તેવી શક્યતા

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદ ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા X એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું જેને X દ્વારા હાલ પૂરતું સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સોશિયલ મીડિયા X દ્વારા એકાઉન્ટનો ઉપયોગ કરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જે નિયમોનો ભંગ કરવામાં આવતા @PoliceAhmedabad નામથી X પર ટ્રાફિક પોલીસનો એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે જેથી લોકો તેના ઉપર પોસ્ટ કરી શકતા નથી. ટ્રાફિક પોલીસનું સોશિયલ મીડિયા X એકાઉન્ટ સસ્પેન્ડઅમદાવાદીઓ સૌથી વધુ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. દિન પ્રતિદિન વધતા જતા વાહનોની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે, ત્યારે નાગરિકો ટ્રાફિકને લગતી અપડેટ અને ટ્રાફિક વિશે માહિતી પોલીસ સુધી પહોંચાડી શકે તેના માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા સોશિયલ મીડિયા X એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું. જેમાં દિન પ્રતિદિન ટ્રાફિક પોલીસને લગતી અપડેટ મૂકવામાં આવતી હતી. કોઈપણ વ્યક્તિ ટ્રાફિકને લગતી ફરિયાદ કરે તો ટ્રાફિક પોલીસ તરફથી પોસ્ટ પણ કરવામાં આવતી હતી. જોકે સોશિયલ મીડિયા X પર @PoliceAhmedabad નામથી બનાવવામાં આવેલા એકાઉન્ટને હાલ પૂરતું સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. એક પોસ્ટ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટથી એકાઉન્ટ બંધપોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્લ્ડ કપ T20 ફાઇનલ મેચની એક પોસ્ટ કરવામાં આવેલી હતી. જે પોસ્ટમાં ખૂબ મોટા પ્રમાણમાં રીપોસ્ટ અને કોમેન્ટ આવેલી હતી જેના પગલે સોશિયલ Xના ધ્યાન પર આ બાબત આવી હતી અને કોઈ નીતિ નિયમનો ભંગ થયો હોવાને લઈને ટેમ્પરરી એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ X એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવતા તાત્કાલિક ધોરણે ટ્રાફિક પોલીસના અધિકારીઓ દ્વારા આ બાબતે ધ્યાન લઈને X કંપનીને ઇમેલ કરીને જાણ કરી છે. જેથી ગુરૂવાર સાંજ સુધીમાં ફરીથી એકાઉન્ટ ચાલુ થાય તેવી શક્યતા જણાય છે. દિલ્હી પોલીસની પોસ્ટથી એકાઉન્ટને કોમ્પ્રોમાઇઝ કરી દેવાયુંપોલીસ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, વર્લ્ડ કપ ટી20 ફાઇનલ મેચના દિવસે દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા પોસ્ટ બાબતે X એકાઉન્ટને કોમ્પ્રોમાઇઝ કરી દેવામાં આવ્યું હોવાનું લાગ્યું હોવાથી તાત્કાલિક ધોરણે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. ટ્રાફિક પોલીસના ઉચ્ચ અધિકારીઓને આ બાબતે સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઈ શક્યો નહોતો.

દિવ્ય ભાસ્કર 12 Mar 2026 12:05 am

MSU કોમર્સ ફેકલ્ટીમાં ‘અર્થરંગ 2026’ નો બીજો દિવસ:સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત, વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની કોમર્સ ફેકલ્ટીમાં ‘અર્થરંગ 2026’ ફેસ્ટના બીજા દિવસે વિવિધ સાંસ્કૃતિક અને સર્જનાત્મક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેના કારણે કેમ્પસમાં આનંદનો માહોલ છવાયો હતો. આ દિવસે ઝુંબા ડાન્સ, ટ્રેઝર હન્ટ, ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ (સોલો), ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક વોકલ સોલો/ડ્યુએટ, શોર્ટ ફિલ્મ મેકિંગ, રીલ્સ મેકિંગ, ફોટોગ્રાફી અને કલ્ચરલ ડાન્સ (સોલો/ગ્રુપ) જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી.દિવસની શરૂઆત ઝુંબા ડાન્સથી થઈ હતી, જેમાં વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લઈ સમગ્ર કેમ્પસને ઉર્જાથી ભરી દીધું હતું. ટ્રેઝર હન્ટ સ્પર્ધામાં ટીમોએ વિવિધ ક્લૂઝ શોધી પોતાની બુદ્ધિશક્તિ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધામાં ત્રણ ટીમો વિજેતા બની હતી, જેને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મળ્યું હતું.ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ અને ક્લાસિકલ મ્યુઝિક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. જ્યારે શોર્ટ ફિલ્મ મેકિંગ, રીલ્સ મેકિંગ અને ફોટોગ્રાફી જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા અને ટેકનિકલ કુશળતા દર્શાવી હતી.દિવસના અંતે યોજાયેલી કલ્ચરલ ડાન્સ (સોલો અને ગ્રુપ) સ્પર્ધાએ વાતાવરણને વધુ રંગીન અને ઉત્સાહભર્યું બનાવ્યું હતું. વિવિધ પ્રકારના ડાન્સ પરફોર્મન્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પાંચ વર્ષ પછી આવા ફેસ્ટનું આયોજન થવાથી તેઓ ખુશ છે અને તેમને પોતાની પ્રતિભા રજૂ કરવાની અનોખી તક મળી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:59 pm

ગુજરાતમાં નેશનલ હાઈવે પરથી 5 વર્ષમાં ₹20,383 કરોડનો ટોલ વસૂલાયો:તેની સામે ₹47,236 કરોડની ફાળવણી, સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા સવાલ પર નીતિન ગડકરીએ આપી માહિતી

કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પરથી કુલ રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો છે. આ જ સમયગાળા દરમિયાન, રાજ્યના નેશનલ હાઈવેના વિકાસ અને જાળવણી માટે કેન્દ્ર સરકારે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ 11 માર્ચ, 2026ના રોજ આ માહિતી આપી હતી. મુખ્ય હાઈવે પ્રોજેક્ટ્સની સ્થિતિ અને સમયમર્યાદાવિવિધ હાઈવે પ્રોજેક્ટ્સના કામ અને તેની પૂર્ણ થવાની સંભવિત સમયમર્યાદા વિશે પણ વિગતો રજૂ કરી હતી: NH-48 (વાપી-સુરત-ભરૂચ): આ સ્ટ્રેચ પર 16 પુલ અને ફ્લાયઓવરનું કામ પ્રગતિ હેઠળ છે, જે જાન્યુઆરી 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ભરૂચ-વડોદરા સેક્શન: અહીં 7 પુલ અને ફ્લાયઓવરનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. શામળાજી-મોટા ચિલોડા: સિક્સ-લેનિંગનું બાકી રહેલું કામ જૂન 2026 સુધીમાં પૂર્ણ થશે. રાજકોટ-જેતપુર (NH-27): આ સેક્શનનું સિક્સ-લેનિંગ કાર્ય જાન્યુઆરી 2027 સુધીમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે: આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ માર્ચ-2028 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. જાળવણી અને સમારકામ પરિમલ નથવાણીએ ભરૂચ-સુરત અને અમદાવાદ-હિંમતનગર જેવા મુખ્ય માર્ગો પરના ખાડાઓ અને તૂટેલી સપાટી અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેના જવાબમાં જણાવાયું હતું કે NH-48ના મોટાભાગના સ્ટ્રેચ હાલ પર્ફોર્મન્સ બેઝ્ડ રોડ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ (PBMC) હેઠળ જાળવણી હેઠળ છે. નોંધનીય છે કે રાજકોટ-અમદાવાદ પ્રોજેક્ટ હાલ ગુજરાત સરકારના અધિકારક્ષેત્રમાં છે અને રાજ્યના બજેટમાંથી તેનું કામ કરવામાં આવી રહ્યું છે. પાંચ વર્ષનો ટોલ વસૂલાતનો ચાર્ટ (રૂ. કરોડમાં): સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા મુજબ દર વર્ષે ટોલ કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે:

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:57 pm

સુરત મનપામાં એકસાથે 2700થી વધુ જગ્યાઓ પર મેગા ભરતી:1 એપ્રિલથી શહેરના તમામ સિનિયર સિટીઝનો સીટી બસ અને BRTSમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે, ડુમસમાં દોડશે AC ડબલ ડેકર

સુરત મહાનગરપાલિકાએ શહેરના વિકાસ અને નાગરિકોની સુવિધા માટે એકસાથે ત્રણ મોટા નિર્ણયો લીધા છે. એકતરફ બેરોજગાર યુવાનો માટે પાલિકામાં નોકરીના દ્વાર ખુલ્યા છે તો બીજી તરફ પરિવહન સેવાને વધુ હાઈટેક અને પારદર્શક બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 1લી એપ્રિલથી વડીલો માટે મફત મુસાફરી અને ડુમસના દરિયાકિનારે પ્રવાસીઓ માટે ડબલ ડેકર બસના આકર્ષણ સાથે સુરતની રોનક બદલાશે. 45 કેડરની 2700થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભસુરત મહાનગરપાલિકામાં નોકરીની રાહ જોતા બેરોજગાર યુવાનો માટે વર્ષ 2026ની સૌથી મોટી ભેટ આવી છે. મેહકમ વિભાગ દ્વારા વિવિધ 45 કેડરની 2700થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં ક્લાર્કની 717, ડ્રાઈવરની 444 અને માર્શલની 323 જેવી મહત્વની પોસ્ટનો સમાવેશ થાય છે. આ ભરતીમાં માત્ર સીધી ભરતી જ નહીં પણ વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે બઢતીની લોટરી પણ લાગી છે. સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જેવી જગ્યાઓ ખાતાકીય પરીક્ષા દ્વારા ભરાશે. લાયકાત ધરાવતા ઉમેદવારો માર્ચ, 2026 દરમિયાન પાલિકાની વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે, જેમાં સરકારના નિયમ મુજબ અનામતનો લાભ પણ મળશે. ટિકિટ ચોરી રોકવા 'બેંચ માર્કિંગ' અને વડીલોને ફ્રી મુસાફરીની ભેટસુરત સીટીલિંક લિમિટેડ દ્વારા પરિવહન સેવામાં થતી આવકનું ગાબડું રોકવા માટે આક્રમક 'બેંચ માર્કિંગ એક્ટિવિટી' શરૂ કરાઈ છે. હવે શહેરના દરેક રૂટની બસમાં સવારથી રાત સુધી વિજીલન્સ અને માર્શલની ટીમો દ્વારા 100% ટિકિટ ચેકિંગ કરવામાં આવશે, જેથી ભાડાની ચોરી અટકાવી શકાય. બીજી તરફ, વડીલો માટે આનંદના સમાચાર એ છે કે 1લી એપ્રિલ 2026 થી તમામ સિનિયર સિટીઝનો સીટી બસ અને BRTSમાં તદ્દન મફત મુસાફરી કરી શકશે. આ સુવિધા માટે શહેરમાં નવા 9 ડિસ્કાઉન્ટ સેન્ટરો શરૂ કરાયા છે અને અત્યાર સુધીમાં 62 હજારથી વધુ વડીલોએ પોતાના પાસ ઇસ્યુ કરાવી લીધા છે. ડુમસ સી-ફેઝ પર લંડન જેવો અહેસાસસુરતીઓના માનીતા પિકનિક ડેસ્ટિનેશન ડુમસ સી-ફેઝના લોકાર્પણ બાદ હવે પ્રવાસીઓ માટે પાલિકાએ ખાસ આકર્ષણ ઉમેર્યું છે. સ્થાયી સમિતિએ બે નવી ઇલેક્ટ્રિક એસી ડબલ ડેકર બસ ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. ચેન્નાઈની કંપની પાસેથી ખરીદવામાં આવનારી આ હાઈટેક બસો અઠવાથી ડુમસ સી-ફેઝ વચ્ચે દોડશે. મુલાકાતીઓ બસના ઉપરના માળે બેસીને દરિયાકિનારાના સુંદર નજારા સાથે ઠંડી હવામાં સવારીનો આનંદ માણી શકશે. આમ, સુરત પાલિકા એકતરફ રોજગારી આપી રહી છે તો બીજી તરફ પરિવહન સેવાને અત્યાધુનિક બનાવીને શહેરીજનોની સુવિધામાં વધારો કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 9:52 pm