SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

'મારો ગાંજાનો ધંધો ન ચાલવા દીધો તો તને મારી નાંખીશ':વડોદરામાં વાતચીત દરમિયાન મિત્ર ઉશ્કેરાઈ ગયો અને તેના મિત્ર પર ચપ્પુ લઈને તૂટી પડ્યો ને ઉપરાછાપરી ચપ્પુના 4 ઘા માર્યા, યુવકને ગોત્રી હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરામાં મિત્રએ જ તેના મિત્ર પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેને પગલે યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ યુવકે તેના મિત્ર સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. અગાઉ ઉત્તરાયણના સમયે પણ લસ્સીએ મનોજની પત્નીને ગાળો બોલી હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. એની અદાવતમાં લસ્સીએ મનોજ પર હુમલો કર્યો હતો. વડોદરા ગોત્રી રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીના રહેવાસી મનોજભાઈ કનુભાઈ ફુલમાળી (ઉંમર 29) એ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ ડી.જે. ઓપરેટર તરીકે છૂટક કામ કરે છે. ગતરોજ સાંજે તેઓ ઘરે હતા ત્યારે તેમના મિત્ર ધ્રુવ બારોટ (રહે.રણછોડ પાર્ક સોસાયટી, વુડા સર્કલ, વડોદરા)નો ફોન આવ્યો હતો અને તેમને વુડા મકાન પર આવવા જણાવ્યું હતું. જેથી રાત્રિના 8 વાગ્યે તેઓ સ્કૂટર લઈને ત્યાં પહોંચ્યા. ત્યાં તેમના મિત્ર ધ્રુવ બારોટ તેમજ વુડામાં રહેતો મિત્ર લસ્સી સંતોષભાઈ વસાવા હાજર હતા. ત્રણેય વ્યક્તિઓ વુડામાં આવેલી દક્ષેશની દુકાન આગળ બેઠા હતા અને વાતચીત કરી રહ્યા હતા. આ દરમિયાન લસ્સી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને મનોજને ગાળો બોલવા લાગ્યો હતો. મનોજભાઈએ તેને ગાળો બોલવાનું બંધ કરવા કહ્યું હતું, તો લસ્સીએ અચાનક તેમને મારવાનું શરૂ કરી દીધું હતું. આ સમયે બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી. લસ્સીએ મનોજને ધમકી આપી કે, હવે હું તને જોઈ લઈશ અને હેરાન કરી નાખીશ. ત્યારબાદ તેણે ખિસ્સામાંથી ચપ્પુ જેવું હથિયાર કાઢીને મનોજની ડાબી પીઠના પાછળના ભાગે ત્રણ-ચાર ઘા માર્યા હતા. આ ઉપરાંત ગડદા-પાટુનો માર માર્યો હતો. જેથી મનોજ ત્યાંથી એક્ટિવા લઈને ઘરે ગયો હતો. ઘરે પહોંચ્યા બાદ તેની માતાએ તેમને ગોત્રી હોસ્પિટલ ખાતે લઈ જઈને સારવાર કરાવી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ તેઓ ફરિયાદ નોંધાવવા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે લસ્સી સામે ફરિયાદ નોંધીને આ ઘટનાની તપાસ શરૂ કરી છે. મનોજભાઈ ફુલમાળીએ જણાવ્યું હતું કે, એ ખંજર લઈને આવ્યો હતો અને મને ખંજરના ચાર ઘા આવ્યા હતા. એણે મને ધમકી આપી હતી કે ઘરમાં આવીને મારીશ. તને તારી મમ્મીને અને તારા ભાઈને મારી નાખીશ અને મારો ગાંજાનો ધંધો ન ચાલવા દીધો તો તને મારી નાંખીશ. લક્ષ્મીપુરા દિન દયાળનગરમાં રહે છે અને મને ખુલ્લેઆમ મારવાની ધમકી આપે છે. મને 10 લોકો બચાવવા પડ્યા હતા. એટલે ખંજર ઓછા વાગ્યા છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઉત્તરાયણના સમયે પણ લસ્સીએ મનોજની પત્નીને ગાળો બોલી હતી, જેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો. તે સમયે સમાધાન થયું હતું. આ જ અદાવતને કારણે લસ્સીએ હુમલો કર્યો હોવાનો મનોજભાઈએ આક્ષેપ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 10:57 am

ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય મહાકવિ માઘ સમારોહ:સરદાર પટેલ યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગે દ્વિ-દિવસીય આયોજન કર્યું

સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા તા. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, 2026ના રોજ દ્વિ-દિવસીય રાષ્ટ્રીય કક્ષાનો મહાકવિ માઘ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ કુલપતિ પ્રોફે. નિરંજન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં ભારતમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્તરે મહાકવિ માઘની કૃતિઓ પર ચર્ચા કરવામાં આવી. ઉદ્ઘાટન સત્રમાં રાષ્ટ્રપતિ પુરસ્કૃત વિદ્વાન પ્રોફે. મિથિલાપ્રસાદ ત્રિપાઠીજીએ બીજરૂપ વક્તવ્ય આપ્યું હતું. તેમણે મહાકવિ માઘનો મહિમા અને તેમની કૃતિ 'શિશુપાલવધ મહાકાવ્ય'ના વિવિધ સાહિત્યિક પાસાંઓ પર પ્રકાશ પાડી માઘની કાવ્યશૈલીની વિસ્તૃત ચર્ચા કરી હતી. બે દિવસ દરમિયાન કુલ પાંચ સત્રો યોજાયા હતા. પ્રથમ સત્રમાં નવ નાલંદા મહાવિહાર, બિહારના પ્રોફે. વિજય કર્ણજીએ મહાકવિ માઘ કે કાવ્ય મેં ભારતીય જ્ઞાન પરંપરા વિષય પર વ્યાખ્યાન આપ્યું. દ્વિતીય સત્રમાં બે સારસ્વત વ્યાખ્યાનો યોજાયા હતા. જેમાં જયનારાયણ વ્યાસ વિશ્વવિદ્યાલય, જોધપુરના નિવૃત્ત પ્રોફેસર સત્યપ્રકાશ દુબેજીએ મહાકવિ માઘ કા શાસ્ત્રીય સમીક્ષણ વિષય પર અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વવિદ્યાલય, પાટણના પ્રોફેસર ડૉ. દિલીપ પટેલજીએ માઘ કા સાહિત્યિક પક્ષ વિષય પર વક્તવ્ય રજૂ કર્યું હતું. બીજા દિવસે તૃતીય સત્રમાં પણ બે વ્યાખ્યાનો યોજાયા. ગુજરાત વિશ્વવિદ્યાલયના પૂર્વ કુલપતિ પ્રોફે. નરેશ વેદજીએ શિશુપાલવધ મહાકાવ્યમાં નૈતિક અને દાર્શનિક વિચાર પર, જ્યારે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફે. નિરંજન પટેલે શિશુપાલવધ મહાકાવ્ય કી લક્ષણિકતા ઔર કૃષ્ણ કા ચરિત્ર પર રસાળ શૈલીમાં વ્યાખ્યાન આપ્યું હતું. આ સત્રો બાદ વિવિધ કોલેજોના અધ્યાપકો, શોધાર્થીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા કુલ 28 શોધપત્રોનું વાંચન કરવામાં આવ્યું. સમાપન સત્ર સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના કુલપતિ પ્રોફે. નિરંજન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયું હતું. જેમાં રાષ્ટ્રપતિ પુરસ્કૃત વિદ્વાન પ્રોફે. કેદારનારાયણ જોષીજીએ (નિવૃત્ત પ્રોફેસર, વિક્રમ વિશ્વવિદ્યાલય, ઉજ્જૈન) માઘે સન્તિ ત્રયો ગુણા: વિષય પર વ્યાખ્યાન આપ્યું. આ સમગ્ર કાર્યક્રમ અનુસ્નાતક સંસ્કૃત વિભાગના કાર્યકારી અધ્યક્ષ પ્રોફેસર મહેન્દ્ર નાયીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. મહાકવિ માઘ સમારોહના સંયોજક ડૉ. પ્રિયંક રાવલ અને સહ-સંયોજક દેવાંશી ભીંડી તથા શ્રેયાબેન પરમાર હતા. આ સમારોહમાં કુલ 126 જેટલાં રજીસ્ટ્રેશન થયા હતા, જેમાં ગુજરાતની વિવિધ કોલેજોના અધ્યાપકો, શોધાર્થીઓ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાકવિ માઘની કૃતિ 'શિશુપાલવધ'માં વર્ણિત ઉપદેશાત્મક સૂક્તિઓની પ્રદર્શની આ કાર્યક્રમનું એક મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 10:37 am

વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી, CCTV:પાણી પીધું ને ગંધ આવી, તબિયત લથડતાં હોસ્પિટલ ખસેડાયો, અમદાવાદની દુર્ગા સ્કૂલે DEOને જાણ ન કરતા નોટિસ

સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી પણ હવે ગંભીર બની જાય એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. સ્કૂલમાં ઝઘડામાં મારામારી બાદ હવે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી દુર્ગા સ્કૂલમાં ધો . 6માં અભ્યાસ કરતા અને એક જ બેન્ચ ઉપર સાથે બેસનારા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીના પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી દીધી હતી. વિદ્યાર્થીએ એ પાણી પીધું હતું અને ત્યારબાદ તરત જ વિચિત્ર ગંધ આવી હતી અને તેની તબિયત વધારે ખરાબ ન થાય તેથી બાળકને હોસ્પિટલ લઈ જવાયો હતો. આ સમગ્ર બાબત સ્કૂલના ધ્યાને આવતા વિદ્યાર્થીના માતા-પિતાને બોલાવી અને આ બાબતે જાણ કરી હતી. ગોળી નાખનાર વિદ્યાર્થીને અત્યારે સ્કૂલે મોકલવાની ના પાડવામાં આવી છે. સામાન્ય બાબતે બોલા ચાલી ને ડામરની ગોળીઓ નાખી દીધીમળતી માહિતી મુજબ શહેરના મણીનગર વિસ્તારમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડામાં કેટલું ઉગ્ર સ્વરૂપ અને બાળકના માનસ પર કેટલી અસર પહોંચે છે તેનો કિસ્સો સામે આવ્યો છે. દુર્ગા સ્કૂલમાં ધોરણ. 6માં અભ્યાસ કરનારા બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બોલા ચાલી થઈ હતી. જેની અદાવત રાખીને એક વિદ્યાર્થીએ 23 જાન્યુઆરીના રોજ રિસેસ દરમિયાન તક મળતા જ તેણે સાથી મિત્રની પાણીની બોટલમાં ઘરેથી લાવેલી પતંગમાં નાખવાની ડામરની ગોળીઓ નાખી દીધી હતી. ભોગ બનનાર વિદ્યાર્થીએ જેવું બોટલમાંથી પાણી પીધું કે તરત જ તેને વિચિત્ર ગંધ આવતા તે અટકી ગયો હતો, પરંતુ ત્યાં સુધીમાં પાણી પેટમાં જવાથી શાળા સંચાલકોએ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. વિદ્યાર્થીની બેગ પાસે જઈ પાણીની બોટલમાં ગોળીઓ નાખીશાળા સંચાલકોને આ બાબતે શંકાના આધારે ક્લાસરૂમના CCTV ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં એક વિદ્યાર્થી છૂપી રીતે બીજા વિદ્યાર્થીની બેગ પાસે જઈ તેની પાણીની બોટલમાં કેમિકલની ગોળીઓ નાખી રહ્યો હતો. આ દ્રશ્યો જોઈને સ્કૂલ મેનેજમેન્ટ અને વાલીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જોકે આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારીને ઘટના અંગે તાત્કાલિક જાણ કરવાની હોય છે પરંતુ આવી કોઈ બાબતે જાણ કરવામાં આવી નથી બે દિવસ પહેલા જ જાણ કરવામાં આવી હોવાનું ધ્યાને આવ્યું છે. વિચિત્ર ગંધ આવી ને તેની સાથે બેઠેલા મિત્રોને સૂંઘાડ્યુંદુર્ગા સ્કૂલના પ્રિન્સિપાલ કેતન શાહે જણાવ્યું હતું કે, 23 જાન્યુઆરીના રોજ બપોરે 4:00 વાગ્યાની રિસેસ દરમિયાન એક જ બેંચ ઉપર બેસતા બે વિદ્યાર્થીઓ જ્યારે રિસેસ પડી ત્યારે બધા વિદ્યાર્થીઓ બહાર નીકળી ગયા હતા. ત્યારે એક વિદ્યાર્થીએ તેના સાથે બેસતા વિદ્યાર્થીના પાણીની બોટલમાં કોઈ ગોળી નાખી દીધી હતી. બાદમાં રિસેસ પૂરી થઈને વિદ્યાર્થી આવ્યો હતો અને પાણીની બોટલ ખોલી હતી અને તેને વિચિત્ર ગંધ આવી હતી, જેથી તેણે આજુબાજુમાં અને તેની સાથે બેઠેલા મિત્રોને સૂંઘાડ્યું હતું. વિદ્યાર્થીની પીડિયાટ્રિક ડોક્ટર પાસે તપાસ કરાવાઈખરાબ ગંધ આવી રહી હોવાના કારણે વિદ્યાર્થીઓ બોટલ લઇ અને કાર્યાલયમાં આવ્યા હતા વિચિત્ર ગંધ હોવાથી આ બાબતે શિક્ષકોએ તરત જ બાળકને કશું થયું છે કે નહીં તેની તપાસ માટે પીડિયાટ્રિક ડોક્ટર પાસે તપાસ કરાવી હતી. વિદ્યાર્થીએ પાણી પીધું નહોતું અને કોઈ એવી પાણી પીવાથી ઘટના બની નહોતી. વિદ્યાર્થીએ પોતે ભૂલ કરી હોવાનું કબુલ્યું બીજા દિવસે બંને વિદ્યાર્થીના વાલીને બોલાવ્યા હતા. વિદ્યાર્થીના માતા પિતાને પૂછતા જાણવા મળ્યું હતું કે પોતે પતંગનો વ્યવસાય કરે છે અને જાણ બહાર આ પતંગની ડામરની ગોળી નાખી દીધી છે વિદ્યાર્થીએ પોતે ભૂલ કરી હોવાનું કબુલ્યું હતું. જેથી વિદ્યાર્થી સામે કાર્યવાહી કરી તેને હવે ઘરે મોકલી દેવામાં આવ્યો છે શાળામાં નહીં મોકલવા જાણ કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકોએ 10 દિવસ સુધી જિલ્લા શિક્ષણાધિકારીને જાણ ના કરીજોકે આ સમગ્ર મામલે દુર્ગા સ્કૂલના સંચાલકોએ આ સમગ્ર ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીએ પાણી પીધું હતું છતાં પણ સ્કૂલ સંચાલકોએ પાણી નથી પીધું તેવું કહેવામાં આવ્યું હતું. વર્ગખંડના સીસીટીવીમાં સ્પષ્ટ વિદ્યાર્થી થોડું પાણી પીવે છે તે જોવા મળે છે તથા સ્કૂલ સંચાલકોએ પોતે પાણી ન પીધા હોવાનો બચાવ કર્યો છે. સ્કૂલ સંચાલકો દ્વારા 10 દિવસ સુધી જિલ્લા શિક્ષણાધિકારીને સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવી નહોતી. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સામેથી સ્કૂલનો સંપર્ક કરી અને આ બાબતે પૂછવામાં આવ્યું હતું ત્યારબાદ સમગ્ર બાબત સામે આવી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા દુર્ગા સ્કૂલ સંચાલકો સામે પણ સવાલ ઊભા થયા છે. સ્કૂલને શો - નોટિસ ફટકારાઈજિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, દુર્ગા સ્કૂલમાં બાળક દ્વારા રિસેસ દરમિયાન વિદ્યાર્થીની બોટલમાં કોઈ કેમિકલની ગોળી નાખી દીધી હતી. આ ગંભીર ઘટના બાબતે સ્કૂલ દ્વારા કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી નથી જેને લઇને સ્કૂલને શો - નોટિસ ફટકારવામાં આવી છે. આવી ગંભીર ઘટના બાબતે જાણ ન કરવા બદલ તેમની સામે પગલા કેમ ન લેવા તે અંગે નોટિસ આપી અને વિગતવાર ખુલાસો માંગવામાં આવ્યો છે. સમગ્ર ઘટના અંગે શિક્ષણ નિરીક્ષક દ્વારા તપાસ કરવામાં આવશે. સ્કૂલમાં બાળકો વચ્ચે કોઈ બાબત થઈ હશે અને તેના કારણે આ ઘટના બની હોવાનું લાગી રહ્યું છે સમગ્ર મામલે સ્કૂલ પાસે સીસીટીવી સહિત વિગતો માંગી અને તપાસ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 10:36 am

નવસારીમાં મતદાર યાદીમાંથી નામ કમી થતાં વિવાદ:કોંગ્રેસે ‘મુસ્લિમ હોલ’ ગજવ્યો, પ્રમુખે કહ્યું: ‘કોઈ નામ કાપી નહીં શકે’

નવસારી જિલ્લામાં સમરી રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ મતદાર યાદીમાંથી મોટાપાયે નામો કમી થવાની આશંકાને કારણે લઘુમતી સમાજમાં ભય ફેલાયો છે. આ મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. ગત રાત્રે દરગાહ રોડ પર આવેલા મુસ્લિમ હોલમાં સુરત અને નવસારીના અગ્રણી નેતાઓની હાજરીમાં એક બેઠક યોજાઈ હતી, જેમાં મતદારોને કાયદાકીય સમજ આપી લડતનું એલાન કરાયું હતું. નવસારી જિલ્લા કોંગ્રેસના સૂત્રો અનુસાર, SIRની કામગીરી હેઠળ માત્ર વાંસદા તાલુકામાંથી જ અંદાજે 700થી વધુ લોકોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ આંકડા સામે આવતા જ સમગ્ર જિલ્લાના કોંગ્રેસી આગેવાનોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કોંગ્રેસે આને માત્ર એક વિસ્તારની નહીં, પરંતુ આખા જિલ્લાની સમસ્યા ગણાવી છે અને છેવાડાના મતદારો સુધી પહોંચવાની રણનીતિ ઘડી છે. બેઠક દરમિયાન નવસારી શહેર કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ માલીએ સરકાર અને તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, કોઈના બાપની તાકાત નથી કે કોઈ પણ કાયદેસરના મતદારનું નામ યાદીમાંથી કાપી શકે. તેમણે મુસ્લિમ સમાજના મતદારોને આશ્વાસન આપતા કહ્યું કે કોંગ્રેસ પક્ષ તેમની સાથે છે અને કોઈપણ અન્યાય સહન કરવામાં આવશે નહીં. આ મિટિંગમાં નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ ઉપરાંત સુરતથી ખાસ આવેલા કોંગ્રેસી આગેવાન અસલમ સાયકલવાલા પણ જોડાયા હતા. નેતાઓએ દરગાહ રોડ વિસ્તારના મુસ્લિમ મતદારો સાથે સીધો સંવાદ કર્યો હતો. જે લોકોના નામ SIR પ્રક્રિયા હેઠળ કાઢી નાખવામાં આવ્યા છે અથવા જેમને નોટિસ મળી છે, તેમને ફોર્મ ભરવાની અને કાયદાકીય લડત કઈ રીતે લડવી તેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી SIR હેઠળ અલગ-અલગ વિસ્તારોમાંથી નામો કમી થવાની ફરિયાદો ઉઠી રહી છે. કોંગ્રેસ આ મુદ્દે લાંબા સમયથી લડત ચલાવી રહી છે. ગઈકાલની બેઠક એ જ આંદોલનનો એક ભાગ હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 10:29 am

AMCએ ખોદેલા ખાડામાં પડતા બે ગાયના મોત:દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ-કોન્ટ્રાક્ટરની બેદરકારી; સૈજપુર-ગોપાલપુર ગામની ઘટના

અમદાવાદના લાંભા વોર્ડમાં સૈજપુર-ગોપાલપુર ગામમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં બે ગાયોના પડી જવાથી મૃત્યુ થયા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ઇજનેર વિભાગ અને કોન્ટ્રાક્ટરની સંપૂર્ણ બેદરકારી સામે આવી છે. ખોદેલા ખાડામાં કોઈપણ પ્રકારનું બેરી કેડિંગ કરવામાં આવ્યું નહોતું જેના કારણે થઈ અને બે ગાયો પડી ગઈ અને મૃત્યુ પામી છે. રાજ્યમાં મહાનગરપાલિકાઓમાં તંત્રની બેદરકારીના કારણે નાગરિકો મોતને ભેટે છે અથવા તો ઇજાગ્રસ્ત થાય છે, ત્યારે હવે નાગરિકોની સાથે પશુઓ પણ મૃત્યુ પામી રહ્યા છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ.....

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 10:22 am

સુરતનો ‘ચીકનો’ પોલીસની માફી માગ્યાના 5 મહિનામાં ફરી બેફામ:મિર્ઝાપુર સ્ટાઈલમાં વીડિયો બનાવ્યો, ‘અમે અહીંના બાહુબલી છીએ’ ડાઈલોગ પર સાથીઓ સાથે રોલો પાડ્યો

સુરતના કુખ્યાત ગુનેગાર અને લાલુ જાલીમ ગેંગના સભ્ય આશિષ ઉર્ફે 'ચીકનો' પાંડેએ ફરી એકવાર કાયદાના લીરેલીરા ઉડાડ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં જ્યારે તે જેલમાંથી બહાર આવ્યો હતો, ત્યારે ગાડીઓના કાફલા સાથે નીકળેલી તેની રેલીએ ભારે વિવાદ સર્જ્યો હતો. તે સમયે સચિન પોલીસે કડક કાર્યવાહી કરી તેની શાન ઠેકાણે લાવી હતી અને ચીકનાએ જાહેરમાં માફી પણ માગી હતી. જોકે, આ માફી માત્ર દેખાવ પૂરતી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે પાંચ મહિના પૂરા થાય તે પહેલાં જ તેણે ફરી સોશિયલ મીડિયા પર પોતાની 'દાદાગીરી' પ્રદર્શિત કરતો વીડિયો મૂક્યો છે. 'આ મિર્ઝાપુર નથી, અમે અહીંના બાહુબલી છીએ', ડાયલોગ સાથે પોલીસને પડકારઆ વખતે વાઇરલ થયેલા વીડિયોમાં આશિષ ચીકનો ફિલ્મી અંદાજમાં લક્ઝરી કારના કાફલા સાથે જોવા મળી રહ્યો છે. વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં મરાઠી ડાયલોગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં કહે છે કે, આ મિર્ઝાપુર નથી, અમે અહીંના બાહુબલી છીએ, તમે મારી તાકાત ભૂલી ગયા છો? આ પ્રકારના ઉદ્ધત ડાયલોગ્સ દ્વારા તે સીધો પોલીસ તંત્ર અને કાયદાના ડર વગર પ્રજામાં ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. સચિન, ઉધના અને ખટોદરામાં કારની રેલીમાહિતી મુજબ, આશિષ ચીકણાનો આ ગાડીઓનો કાફલો શહેરના સચિન, ઉધના અને ખટોદરા જેવા વિસ્તારોમાંથી પસાર થયો હતો. અગાઉ પણ સચિન પોલીસે આ જ પ્રકારના વર્તન બદલ તેની ધરપકડ કરી હતી, છતાં તેની ગુનાહિત માનસિકતામાં કોઈ સુધારો જણાયો નથી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે પ્રસરતા સુરત પોલીસ સફાળી જાગી છે. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ પોલીસે આ મામલે ગંભીરતા દાખવી છે અને ચીકના વિરુદ્ધ ફરીથી કડક કાયદાકીય કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 10:18 am

ઉનાના ગુંદાળામાં સિંહ પરિવારની લટાર:દીવના વણાંકબારામાં પણ સિંહણ દેખાઈ, ગ્રામજનોમાં ભય

ગીરના જંગલોમાંથી નીકળીને હવે ડાલામથ્થા સિંહો છેક દરિયાકાંઠાના વિસ્તારો સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યા છે. ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનો વસવાટ વધ્યો છે, ત્યારે છેલ્લા બે દિવસથી ગુંદાળા ગામમાં સિંહ પરિવારના ધામાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. બીજી તરફ, પર્યટન સ્થળ દીવમાં પણ સિંહણની લટાર જોવા મળતા વન વિભાગ દોડતું થયું છે. ગુંદાળામાં સિંહ પરિવારે બે માલઢોરનું મારણ કર્યું ઉનાના ગુંદાળા ગામમાં છેલ્લા બે દિવસથી બે સિંહણ અને બે સિંહબાળ સહિતના પરિવારની લટાર જોવા મળી રહી છે. આ સિંહ પરિવારે ગામમાં પશુઓ પર હુમલો કરી બે માલઢોરના મારણ કરી મિજબાની માણી હતી. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ છે, જોકે સ્થાનિકો હવે સિંહોના રોજિંદા વિચરણથી ટેવાઈ ગયા હોય તેમ જણાઈ રહ્યું છે. ગ્રામજનોનું કહેવું છે કે, હવે તો સિંહો સાથે પનારો પડી ગયો છે, પણ વન વિભાગ દ્વારા યોગ્ય પેટ્રોલિંગ કરવામાં આવે તે જરૂરી છે. દીવના વણાંકબારામાં સિંહણ દેખાતાં ફફડાટ દરિયાઈ પટ્ટી પર પણ હવે વનરાજોનો દબદબો જોવા મળી રહ્યો છે. દીવના વણાંકબારા વિસ્તારમાં આવેલા સ્મશાન પાસેના ફોરેસ્ટ જંગલ વિસ્તારમાં રાત્રિના સમયે એક સિંહણ જોવા મળી હતી. ત્યાંથી પસાર થતાં રાહદારીઓએ આ સિંહણના દૃશ્યો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલાં દીવના ડાંગરવાડી વિસ્તારમાં પણ સિંહ જોવા મળ્યો હતો, જે સૂચવે છે કે સિંહો હવે જંગલ છોડીને છેક દરિયાકાંઠા સુધી પોતાનો નવો વસવાટ બનાવી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષા માટે સિંહને પાંજરે પૂરવા માગ દીવ એક વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે, જ્યાં દરરોજ હજારો પ્રવાસીઓ ઉમટી પડે છે. સિંહોની સતત હાજરીને કારણે પ્રવાસીઓ અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. માનવ-સિંહ સંઘર્ષની કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે દીવના વણાંકબારા અને અન્ય રહેણાક વિસ્તારોમાં વિચરણ કરતા સિંહોને પાંજરે પૂરી જંગલમાં છોડવામાં આવે તેવી માગ સ્થાનિકોએ વન વિભાગ પાસે કરી છે. વન વિભાગની ભૂમિકા જંગલની બોર્ડરથી લઈને દરિયાકાંઠા સુધી સિંહોનું સામ્રાજ્ય વિસ્તરતા હવે વન વિભાગ માટે પણ મોટો પડકાર ઉભો થયો છે. ખાસ કરીને પર્યટન ક્ષેત્રે સિંહોના વસવાટને પગલે વન વિભાગે પેટ્રોલિંગ વધારવાની અને પ્રવાસીઓને સાવચેત રાખવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 9:52 am

ચાર મહાનગરોમાં હવાની ગુણવત્તા ચિંતાજનક સ્તરે:સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયો, સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધ્યું

રાજ્યના ચાર મોટા શહેરોમાં હવાની ગુણવત્તા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં નોંધાયેલા એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI)ના આંકડાઓ અનુસાર રાજ્યના મુખ્ય મહાનગરોમાં હવા સ્વચ્છતા માપદંડથી ઘણી નીચે પહોંચી ગઈ છે, અને સવાર અને સાંજના સમયે પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. જે સામાન્ય જનતા માટે ચિંતાજનક સ્થિતિ સર્જે છે. અમદાવાદમાં ખરાબ સ્તરની હવાઅમદાવાદમાં AQI 186 નોંધાયો છે, જે ‘મધ્યમથી ખરાબ’ શ્રેણીમાં આવે છે. આ સ્તરની હવા લાંબા સમય સુધી શ્વાસમાં લેતાં શ્વાસનળી સંબંધિત તકલીફો, આંખોમાં બળતરા અને એલર્જી જેવી સમસ્યાઓ ઊભી કરી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને શ્વાસના રોગોથી પીડાતા લોકો માટે આ પરિસ્થિતિ જોખમરૂપ બની શકે છે. સુરતમાં સૌથી વધુ 225 AQI નોંધાયોસુરત શહેરમાં સ્થિતિ વધુ ગંભીર જોવા મળી છે, જ્યાં AQI 225 નોંધાયો છે. આ આંકડો સ્પષ્ટ રીતે ‘ખરાબ’ શ્રેણીમાં આવે છે. નિષ્ણાતો મુજબ, આ સ્તરની હવા સ્વસ્થ વ્યક્તિઓ માટે પણ અસ્વસ્થતા પેદા કરી શકે છે, જ્યારે અસ્થમા અને હૃદયરોગના દર્દીઓ માટે ગંભીર અસર થવાની શક્યતા રહે છે. ઉદ્યોગો, વાહન વ્યવહાર અને બાંધકામ પ્રવૃત્તિઓને હવાના પ્રદૂષણનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. રાજકોટમાં પણ હવાની ગુણવત્તા પર અસર રાજકોટમાં AQI 156 નોંધાયો છે. જો કે આ આંકડો અન્ય શહેરોની સરખામણીમાં થોડો ઓછો છે, તેમ છતાં તે પણ ‘મધ્યમ’ શ્રેણીમાં આવે છે. સતત વધી રહેલા વાહનોની સંખ્યા અને ધૂળકણના કારણે રાજકોટમાં પણ હવાની ગુણવત્તા પર અસર પડી રહી છે. વડોદરામાં AQI 181 નોંધાયોવડોદરા શહેરમાં AQI 181 નોંધાયો છે, જે ફરી એકવાર હવાના પ્રદૂષણ તરફ ઈશારો કરે છે. નિષ્ણાતો જણાવે છે કે શહેરમાં ટ્રાફિક, ઉદ્યોગો અને ઋતુગત પરિબળો હવાની ગુણવત્તા બગાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માસ્કનો ઉપયોગ કરવોપર્યાવરણ નિષ્ણાતો અને આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને સવાર અને સાંજના સમયે બહાર ફરવાનું ટાળવું, માસ્કનો ઉપયોગ કરવો અને શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર રહેવું એવી સલાહ આપવામાં આવી છે. સાથે જ સરકાર અને સ્થાનિક તંત્રને પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં લેવાની જરૂર હોવાનું પણ નિષ્ણાતો જણાવી રહ્યા છે. એકંદરે જોવામાં આવે તો રાજ્યના ચાર મોટા શહેરોમાં હવાની ગુણવત્તા હાલ ચિંતાજનક સ્તરે છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 9:51 am

હિંમતનગરમાં બે સ્થળે પાણીની પાઈપલાઈન તૂટી:ગોકુલનગરમાં સતત બીજા દિવસે પીવાના પાણીનો પ્રશ્ન સર્જાયો

હિંમતનગરમાં બે અલગ-અલગ સ્થળોએ પાણીની પાઈપલાઈન તૂટી જવાના બનાવો સામે આવ્યા છે. મોતીપુરા વિસ્તારમાં કેનાલ પાસે અને ગોકુલનગર રેલવે ફાટક નજીક પાઈપલાઈન તૂટતા પાણીનો મોટા પાયે વ્યય થયો હતો. ખાસ કરીને ગોકુલનગર વિસ્તારમાં સતત બીજા દિવસે પાઈપલાઈન તૂટવાથી સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મંગળવારે સવારે હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં કેનાલ પાસે પાણીની મુખ્ય પાઈપલાઈન તૂટી ગઈ હતી. આના કારણે મોટા પ્રમાણમાં પાણી રસ્તા પર વહી રહ્યું હતું. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક નગરપાલિકાને આ અંગે જાણ કરી હતી, જેથી પાણીનો વધુ વ્યય અટકાવી શકાય. ગોકુલનગર વિસ્તારમાં પીવાના પાણીની પાઈપલાઈન તૂટવાનો આ બીજો બનાવ હતો. સોમવારે જૂની નગરપાલિકા સામે GUDC દ્વારા ચાલી રહેલા પાઈપલાઈનના કામ દરમિયાન એક લાઈન તૂટી ગઈ હતી. આ લાઈનનું સમારકામ કરવામાં આવ્યું હતું. જોકે, મંગળવારે સવારે ફરીથી ગોકુલનગર વિસ્તારમાં બીજી પાણીની પાઈપલાઈન તૂટી ગઈ હતી. આના પરિણામે વહેલી સવારથી જ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું અને માટીનું ધોવાણ થઈ રહ્યું હતું. આ ભંગાણને કારણે મોટાભાગના વિસ્તારોમાં પીવાનું પાણી ધીમું આવ્યું હતું અથવા તો બિલકુલ આવ્યું ન હતું, જેનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આ અંગે પણ નગરપાલિકાને જાણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 9:45 am

માઁ ઉમિયાના મંદિર નિર્માણ માટે 24 કલાકમાં 6 કરોડનું દાન:આર. પી. પટેલના 69મા જન્મદિવસની ઉજવણીમાં અમદાવાદ-મુંબઈના દાતાઓએ દાનની ગંગા વહાવી

સનાતન ધર્મ અને જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે કાર્યરત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, જાસપુર-અમદાવાદના પ્રમુખ આર.પી. પટેલના 69મા જન્મદિવસ નિમિતે દાતાઓ દ્વારા માત્ર 24 કલાકમાં અમદાવાદ અને મુંબઈમાંથી કુલ 6 કરોડ 90 લાખ રૂપિયાનું દાન એકત્ર કરવામાં આવ્યું હતું. આર. પી. પટેલે શુભેચ્છકોને દાન આપવા પ્રેરણા આપી હતીપ્રમુખ આર. પી. પટેલે પોતાના જન્મદિવસની વિશેષ ઉજવણી માઁ ઉમિયાના મંદિરના નિર્માણ માટે દાન એકત્ર કરીને કરી હતી. અમદાવાદ અને મુંબઈમાં જન્મદિવસની શુભેચ્છા આપવા આવેલા શુભેચ્છકોને તેમણે વિશ્વ ઉમિયા ધામ માટે દાન આપવા પ્રેરણા આપી હતી, જેના પરિણામે માત્ર 24 કલાકમાં અમદાવાદ અને મુંબઈમાંથી કુલ 6.9 કરોડ રૂપિયાનું દાન એકત્ર થયું છે. સર્વ સમાજને જોડતા બિઝનેસ ગ્રુપ્સ કાર્યરતસંસ્થાના પ્રમુખ આર.પી. પટેલે પોતાના જન્મદિવસની ઉજવણી મુંબઈમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના બિઝનેસ વિભાગ VIBES ચેપ્ટરના ઉદ્ઘાટન સાથે કરી હતી. આજના સમયમાં જ્યારે યુવાનો વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે, ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના VIBES વિભાગ દ્વારા રાજ્યના વિવિધ શહેરોમાં સર્વ સમાજને જોડતા બિઝનેસ ગ્રુપ્સ ચલાવવામાં આવી રહ્યા છે. વિશ્વ ઉમિયાધામના નિર્માણ માટે ભરાયો દેશનો સૌથી મોટો પાયાનો સ્લેબ, જમીનથી 51 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થપાશે વિશ્વનાં સૌથી ઊંચાં મંદિરોમાંના એક અમદાવાદના જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં 2 હજાર કરોડના ખર્ચે 1551 ધર્મસ્તંભ ઉપર ઉમિયાધામનું નિર્માણ થઈ રહ્યું છે. 504 ફૂટ ઊંચા વિશ્વ ઉમિયાધામ મંદિરમાં દેશનું સૌથી મોટું કોંક્રીટ રાફ્ટ ભરાયું છે. માતા ઉમિયા જેના પર બિરાજમાન થવાના છે એ પાયાનો સ્લેબ 3600 ટન સિમેન્ટ અને 4800 ટન સ્ટીલથી ભરવામાં આવ્યો. આ કોંક્રિટની માત્રા એટલી છે કે તેનાથી 20 ફૂટ પહોળો અને 27 કિલોમીટર લાંબો રોડ બનાવી શકાય છે. જાસપુરમાં 100 વીઘા જમીનમાં બની રહેલા 504 ફૂટના વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના શિલાન્યાસ સમયે ગર્ભગૃહથી 10 ફૂટ નીચે સોનું, ચાંદી, તાંબું, ઝવેરાત, મોતી એમ પંચધાતુનું 14 કિલો મિશ્રણ શુદ્ધીકરણ માટે નાખવામાં આવ્યું હતું. મંદિરમાં જમીનથી 51 ફૂટ ઊંચા સ્થાન પર માતાજીની પ્રતિમા સ્થાપવામાં આવશે. જ્યારે 270 ફૂટ ઊંચાઈએ વ્યૂઇંગ ગેલરી બનાવવામાં આવશે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 9:35 am

સુરત મર્ડર કેસનો ફરાર આરોપી હૈદરાબાદથી ઝડપાયો:ડિલિવરી બોય બની છુપાયો હતો, પોલીસે પણ ડિલિવરી બોય બનીને ધરપકડ કરી

સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યાના ગંભીર ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 9 મહિનાથી પોલીસને થાપ આપી નાસતા ફરતા રીઢા ગુનેગારને પકડવામાં લિંબાયત પોલીસને મોટી સફળતા મળી છે. આરોપી હૈદરાબાદના માધાપુર વિસ્તારમાં પોતાની ઓળખ છુપાવી ઝેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકે નોકરી કરતો હતો, જેને સુરત પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડી ઝડપી લીધો છે. હત્યાના ગુનામાં વચગાળાના જામીન મેળવી જેલમાં હાજર ન થયોઆ કેસની વિગત એવી છે કે, હત્યાના ગુનામાં લાજપોર જેલમાં બંધ આરોપી સાઈ ગણેશ ઉર્ફે ફાફડા ઉર્ફે છોટા પપ્પી (રહે. લક્ષ્મીનારાયણ સોસાયટી, ગોડાદરા) ને ગત 3 એપ્રિલ, 2025ના રોજ 10 દિવસના વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા હતાં. નિયમ મુજબ તેને 13 એપ્રિલ, 2025ના રોજ જેલમાં પરત હાજર થવાનું હતું. જોકે, આરોપી નિયત સમયે જેલમાં હાજર થવાને બદલે ફરાર થઈ ગયો હતો. છેલ્લા 9 મહિનાથી તે પોલીસની ધરપકડથી બચવા માટે સતત સ્થળ બદલી રહ્યો હતો. હૈદરાબાદમાં છુપાઈને 'ડિલિવરી બોય'નું કામ કરતોસુરત પોલીસની તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આરોપી સાઈ ગણેશ તેલંગણા રાજ્યના હૈદરાબાદ શહેરમાં છુપાયો છે. તે હૈદરાબાદના હાઈ-ટેક વિસ્તાર ગણાતા માધાપુરમાં પોતાની ઓળખ બદલીને રહેતો હતો. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે, પોલીસથી બચવા માટે તેણે ઝેપ્ટો કંપનીમાં ડિલિવરી બોય તરીકેની નોકરી શરૂ કરી દીધી હતી. તે દિવસભર શહેરમાં ડિલિવરી કરતો હતો જેથી કોઈને તેના પર શંકા ન જાય. પોલીસ જવાને ડિલિવરી બોય બનીને આરોપીને દબોચ્યોઆરોપીને પકડવા માટે લિંબાયત પોલીસની એક વિશેષ ટીમ હૈદરાબાદ મોકલવામાં આવી હતી. માધાપુર જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં આરોપીને પકડવો એ મોટો પડકાર હતો. જો પોલીસ યુનિફોર્મમાં જાય તો આરોપીને ગંધ આવી જાય તેમ હતી. આથી, પોલીસે સામે રણનીતિ ઘડી હતી. સુરત પોલીસના જવાનોએ પણ ડિલિવરી બોય/કુરિયર બોયનો પહેરવેશ ધારણ કર્યો હતો. આ વેશપલટાને કારણે આરોપી પોલીસને ઓળખી શક્યો નહીં અને સતત વોચ રાખ્યા બાદ પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપીને ફરીથી લાજપોર જેલના ધકેલાયોઆરોપી સાઈ ગણેશ ઉર્ફે ફાફડાની ધરપકડ બાદ તેને સુરત લાવવામાં આવ્યો છે. તેની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે તે જામીન પરથી છૂટ્યા બાદ સીધો હૈદરાબાદ ભાગી ગયો હતો અને ત્યાં તે સામાન્ય નાગરિકની જેમ ડિલિવરીનું કામ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરતો હતો. હાલમાં લિંબાયત પોલીસે આરોપીને ફરીથી લાજપોર જેલના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 9:30 am

સમી મંડળીના તત્કાલિન પ્રમુખ-મંત્રી સામે રૂ. 2.90 લાખની છેતરપિંડી:જમીન માલિકની જાણ બહાર વર્ષ 2012માં ધિરાણ મેળવી વિશ્વાસઘાત, FIR દાખલ

સમી તાલુકાના ભદ્રાડા ગામે આવેલી ભદ્રાડા સેવા સહકારી મંડળીના તત્કાલિન પ્રમુખ, મંત્રી અને મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના તે સમયના મેનેજર સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, 15 વર્ષ પૂર્વે ખેડૂત સભાસદ રામાભાઈ પૂંજાભાઈ પરમાર અને તેમના માતાની જાણ બહાર રૂ. 2.90 લાખનું ધિરાણ મેળવવામાં આવ્યું હતું. પોલીસે ત્રણેય સામે આઈપીસી કલમ 406, 420, 114 હેઠળ ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, 1 જૂન 2012 થી 30 જૂન 2012 દરમિયાન રામાભાઈ અને તેમના માતા અજીબેનની સીમ જમીનના પુરાવા મેળવીને તેમના નામે અનુક્રમે રૂ. 1,50,000 અને રૂ. 1,40,000નું ધિરાણ લેવામાં આવ્યું હતું. આ ધિરાણ રામાભાઈ અને તેમના માતાની સંપૂર્ણ જાણ બહાર મેળવવામાં આવ્યું હતું. રામાભાઈ, જેઓ મંડળીના સભાસદ હતા અને તેમનું ખાતું મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની સમી શાખામાં 2012માં ખોલાવેલું હતું, તેઓ 2024માં તેમની મિલકતના ઉતારા મેળવવા સમી મામલતદાર કચેરી ગયા હતા. ત્યાં તેમને જાણ થઈ કે તેમની જમીન પર 20 જૂન 2012ના રોજ ભદ્રાડા સેવા સહકારી મંડળીમાંથી રૂ. 50,000નું ધિરાણ મેળવવામાં આવ્યું હોવાની નોંધ સાથે બોજો દાખલ થયેલો છે. આ જાણ થતાં, રામાભાઈએ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકની કચેરીમાં અરજી કરીને ધિરાણની વિગતો માંગી હતી. 9 જુલાઈ 2025ના રોજ બેંકે તેમને ધિરાણની વિગતો આપતાં, તેમને અને તેમના માતાના નામે કુલ રૂ. 2.90 લાખનું ધિરાણ લેવાયું હોવાની પુષ્ટિ થઈ હતી. રામાભાઈએ આ બાબતે મંડળીના પ્રમુખ અને મંત્રીને પૂછતાં, તેઓએ ધિરાણના પૈસા ભરી બોજો હટાવી દેવાની ખાતરી આપી હતી અને કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું. જોકે, તેઓએ જમીન પરનો બોજો હટાવ્યો ન હતો. આથી, રામાભાઈએ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકને 20 જાન્યુઆરી 2026ના રોજ અરજી કરી હતી, જેના આધારે સમી પોલીસે રામાભાઈનું નિવેદન લઈને FIR નોંધી હતી. રામાભાઈએ આક્ષેપ કર્યો છે કે 2014 સુધી જુદી જુદી રકમ ઉપાડીને રૂ. 2.90 લાખનું ધિરાણ મેળવીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 9:12 am

મોરબી મહાનગરપાલિકાએ 36 ઘરવિહોણાને આશ્રય આપ્યો:ઠંડીથી બચાવવા નાઈટ ડ્રાઈવ યોજી, આશ્રયગૃહમાં સુરક્ષિત કર્યા

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા ઠંડીથી બચાવવા માટે નાઈટ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત 36 ઘરવિહોણા લોકોને તેમના પરિવાર સાથે મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા હતા. મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રયગૃહ શહેરી ઘરવિહોણા અને નિરાધાર વ્યક્તિઓ માટે નિઃશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી મહાનગરપાલિકા દ્વારા નિયુક્ત શ્રી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. ગત રાત્રિના સમયે કમિશનર અને નાયબ કમિશનરના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી. શાખાના સ્ટાફ અને સંસ્થાના કર્મચારીઓએ ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની મુલાકાત લીધી હતી. ઠંડીની પ્રતિકૂળ અસરથી તેમના સ્વાસ્થ્યને બચાવવા માટે, કાઉન્સેલિંગ દ્વારા તેમને આશ્રયગૃહની સુવિધાનો લાભ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. મોરબી મહાનગરપાલિકાના કમિશનર દ્વારા વધુને વધુ ઘરવિહોણા લોકોને આ આશ્રયગૃહની સુવિધાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 9:12 am

અંત્રોલીમાં શ્રમિક મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ:108 સ્ટાફે સફળતાપૂર્વક દીકરીનો જન્મ કરાવ્યો

માંગરોળ નજીક આવેલા અંત્રોલી ગામમાં એક શ્રમિક મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સના સ્ટાફે રસ્તામાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. આ ઘટનામાં એક સ્વસ્થ દીકરીનો જન્મ થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. અંત્રોલીમાં રહેતી આ શ્રમિક મહિલાની આ ત્રીજી પ્રસૂતિ હતી. તેમને અચાનક તીવ્ર પ્રસૂતિ પીડા શરૂ થતા તાત્કાલિક એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. મહિલાની ગંભીર સ્થિતિને જોતા, હોસ્પિટલ પહોંચતા પહેલા જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. માંગરોળ 108 ટીમના ઈ.એમ.ટી. વિજય મેતા અને પાયલોટ દિનેશે હેડ ઓફિસના ફિઝિશિયન ડો. ટી.આર. પટેલના માર્ગદર્શન હેઠળ પોતાની તાલીમ અને સમયસૂચકતાનો ઉપયોગ કર્યો હતો. તેમણે એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી, જેના પરિણામે એક તંદુરસ્ત દીકરીનો જન્મ થયો. પ્રસૂતિ બાદ, માતા અને નવજાત દીકરીને એમ્બ્યુલન્સમાં જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ, તેમને વધુ સારવાર અને દેખરેખ માટે માધવપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 108ની આ સમયસર અને કાર્યક્ષમ સેવાને કારણે માતા અને બાળકી બંને સુરક્ષિત રહ્યા હતા. આ સફળ કામગીરી બદલ ઈ.એમ.ટી. વિજય મેતા, પાયલોટ દિનેશ અને સમગ્ર માંગરોળ 108 ટીમને જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ સર અને જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી સર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 9:04 am

પંચમહાલના શહેરામાં કમોસમી વરસાદ:રેના-મોરવા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું, પાકને નુકસાનની ભીતિ

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ નોંધાયો હતો. રેના-મોરવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, પરંતુ ખેતી પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગ્લોબલ વોર્મિંગના પ્રભાવ હેઠળ બદલાતા હવામાનને કારણે આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારથી જ આકાશ વાદળોથી ઘેરાયેલું હતું, ત્યારબાદ પવન સાથે હળવા ઝાપટાં પડ્યા હતા. કૃષિ નિષ્ણાતોના મતે, આ કમોસમી વરસાદ રવિ પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને શિયાળુ પાકો જેવા કે ઘઉં, ચણા અને શાકભાજીને માવઠાથી અસર થવાની સંભાવના છે. આ કમોસમી વરસાદ (માવઠું) ખાસ કરીને ઘઉં, જીરું અને ચણા જેવા રવિ પાકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેને લઈને ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 8:44 am

બોટાદમાં ખાણખનીજ વિભાગના અધિકારીની બે શખસોએ રેકી કરી:એક ઝડપાયો, બીજો ફરાર, સરકારી કામમાં રૂકાવટ બદલ ફરિયાદ, પોલીસ તપાસ શરૂ

બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ખાણખનીજ વિભાગના માઈન સુપરવાઈઝર ચિંતનભાઈ લંગાળીયાની જાસૂસી (રેકી) કરવા અને સરકારી કામમાં દખલગીરી કરવા બદલ બે વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અધિકારી ચિંતનભાઈ લંગાળીયા ચેકિંગ પૂર્ણ કરી ઓફિસ પરત ફરી રહ્યા હતા. તે સમયે બે શખ્સોએ તેમની અને સરકારી વાહનોની તસવીરો લીધી હતી. જ્યારે અધિકારીએ ફોટા પાડવાનું કારણ પૂછ્યું, ત્યારે આરોપીઓએ ગાળાગાળી કરી હતી. પોલીસ તપાસમાં ખનીજ માફિયાઓ સાથેના કનેક્શનનો ખુલાસો થયો છે. ઝડપાયેલા આરોપી કિરણભાઈ અબાસણાના મોબાઈલ ફોનમાંથી અધિકારીઓના વાહનોની તસવીરો મળી આવી છે. આ શખ્સો અધિકારીનું લોકેશન ટ્રેક કરીને ખનીજ માફિયાઓને માહિતી પહોંચાડતા હોવાનું સામે આવ્યું છે. બોટાદ ટાઉન પોલીસે આ મામલે કિરણભાઈ અબાસણા અને ફરાર આદિલભાઈ મીર વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 8:39 am

વલસાડની BSNLની ઓફિસમાં દારૂની મહેફિલ જામી:પોલીસે દરોડો પાડી ઓફિસનો દરવાજો ખોલતા બે શખ્સો નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યા

વલસાડ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ધરાવતા પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલી BSNL ઓફિસમાંથી બે શખ્સોને દારૂ પીતા ઝડપી લેવામાં આવ્યા છે. વલસાડ સિટી પોલીસે બાતમીના આધારે હેડ પોસ્ટ ઓફિસની બાજુમાં આવેલી BSNL ઓફિસમાં દરોડો પાડી આ કાર્યવાહી કરી હતી. આ ઘટનાને કારણે રાજ્યમાં દારૂબંધીના અમલીકરણ પર સવાલો ઉભા થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગઈકાલે રાત્રે વલસાડ સિટી પોલીસ મથકના પોલીસ જવાન એ.ડી. પાલવા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ સ્ટેશનના અમલદાર ભાવેશકુમાર રમણલાલને ટેલિફોનિક બાતમી મળી હતી કે, BSNL ઓફિસના એક રૂમમાં કેટલાક ઈસમો મોટા અવાજે વાત કરી રહ્યા છે અને ત્યાં દારૂની મહેફિલ ચાલી રહી છે. આ બાતમીને આધારે પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઓફિસનો દરવાજો ખોલી અંદર તપાસ કરતા બે શખ્સો નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યા હતા. રૂમમાં પડેલા ટેબલ પરથી વિદેશી દારૂની ખાલી બોટલો પણ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન બંને શખ્સોની બોલચાલ અસ્પષ્ટ હતી અને તેમનું શારીરિક સંતુલન પણ ખોરવાયેલું જણાયું હતું. બ્રેથ એનેલાઈઝર દ્વારા તપાસ કરતા બંનેએ દારૂ પીધો હોવાની પુષ્ટિ થઈ હતી. ઝડપાયેલા આરોપીઓની ઓળખ અબ્રામા સ્થિત પોલીસ હેડક્વાર્ટર નજીક રહેતા રાકેશભાઈ હરીશચંદ્ર કોરી (ઉંમર 42) અને રમેશચંદ્ર રામગરીબ કોરી (ઉંમર 42) તરીકે થઈ છે. બંને તુલસીવન સોસાયટી, ગીતા શોપની સામે, પોલીસ હેડક્વાર્ટર રોડ, અબ્રામાના રહેવાસી છે. વલસાડ સિટી પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંને આરોપીઓને મેડિકલ તપાસ માટે મોકલી આપ્યા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાથી વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલવારી અંગે ફરીથી ચર્ચાઓ શરૂ થઈ છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 8:32 am

વલસાડમાં નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી:નગર પાલિકાના પૂર્વ પ્રમુખે નબળી ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યાં

વલસાડ શહેરમાં નિર્માણાધીન પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થતાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને રોષની લાગણી ફેલાઈ છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપક રાણાએ સ્થળ પર પહોંચી કામગીરીમાં ગંભીર ભ્રષ્ટાચાર અને ગુણવત્તાના અભાવના આક્ષેપો કર્યા છે. દીપક રાણાએ જણાવ્યું હતું કે, મોટી એજન્સીઓ ટેન્ડર મેળવીને પોતે કામ કરવાને બદલે પેટા કોન્ટ્રાક્ટરોને જવાબદારી સોંપી દે છે. તેમણે આક્ષેપ કર્યો કે મોટી એજન્સીઓ માત્ર 'ઉપરની મલાઈ' ખાવામાં રસ રાખે છે, જેના કારણે કામની ગુણવત્તા સાથે સમાધાન થાય છે. જો સમયસર અને યોગ્ય સ્તરે નિરીક્ષણ થયું હોત, તો આવી દુર્ઘટના ટાળી શકાઈ હોત. ઘટનાસ્થળે ટાંકીના ધરાશાયી થયેલા સ્લેબમાંથી સળિયા સ્પષ્ટ દેખાતા હોવાથી કામમાં નબળી ગુણવત્તા અને ટેકનિકલ ક્ષતિ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. પૂર્વ પ્રમુખે વધુમાં જણાવ્યું કે, આટલી મોટી ઘટના છતાં મોડી રાત સુધી નગરપાલિકાના કોઈ અધિકારી, એન્જિનિયર કે કોન્ટ્રાક્ટર સ્થળ પર હાજર રહ્યા ન હતા, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે. આ પ્રોજેક્ટમાં કામની દેખરેખ માટે કન્સલ્ટન્ટ એજન્સીને 2 ટકા ફી ચૂકવવામાં આવે છે, તેમ છતાં તેમની ગેરહાજરી સામે સવાલો ઉઠ્યા છે. સાથે જ ચીફ ઓફિસર અને સંબંધિત એન્જિનિયરની જવાબદારી નક્કી કરી નોટિસ ફટકારવાની માંગ ઉઠી છે. નગરપાલિકા અને GIDC વચ્ચે થયેલા કરાર મુજબ જવાબદારીઓ સ્પષ્ટ હોવા છતાં મોનિટરિંગનો અભાવ દેખાઈ રહ્યો હોવાનું જણાવાયું છે. દીપક રાણાએ માહિતી આપતા જણાવ્યું કે, તેમણે ચાર દિવસ અગાઉ જ આ પ્રોજેક્ટ અંગે RTI દાખલ કરી હતી. હવે તેઓ નિરીક્ષણ અહેવાલ અને કરારની નકલો મેળવી કોની ક્ષતિ છે તે જાહેર કરશે. તેમણે ઉમેર્યું કે, આવતીકાલે પાલિકા પાસે લેખિતમાં જવાબ માંગવામાં આવશે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં નગરપાલિકાની કામગીરી સામે રોષ વધી રહ્યો છે અને સમગ્ર મામલે નિષ્પક્ષ તથા કડક તપાસની માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 8:25 am

પ્રિ-બોર્ડ પરિક્ષાનું કરાયું આયોજન:હળવદ સદભાવના વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું

એસએસસી ધોરણ 10ની બોર્ડ પરીક્ષા પહેલા સદભાવના વિદ્યાલય હળવદના વિદ્યાર્થીઓએ આપી પ્રિ-બોર્ડ પરીક્ષાનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. 155થી વધુ વિદ્યાર્થીઓને હોલ ટીકીટ આપી મોં મીઠું કરાવી પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. હળવદ સદભાવના વિદ્યાલય હળવદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વાર બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે સદભાવના વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર દિનેશભાઈ પરમારે જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષા દરમિયાન અનેક વિદ્યાર્થીઓ પરીક્ષાના માહોલને લઇને તણાવ અનુભવતા હોય છે. પ્રશ્નપત્રની પધ્ધતિ, સમય વ્યવસ્થા, પરીક્ષા કેન્દ્રનો માહોલ, કડક દેખરેખ જેવી બાબતોમાં ગભરાટ ઉભો થતો હોય છે. બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ ઉભો કરી ભયમુક્ત અને તણાવમુક્ત વાતાવરણમાં આત્મવિશ્વાસ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે તે માટે પ્રિ-બોર્ડ પરીક્ષાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. શાળા સંચાલક કે.સી. કણઝરીયાએ જણાવ્યું હતું કે પ્રથમ વાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષા અંગેનો ભય દૂર કરવો અને તેમને બોર્ડની પરીક્ષા પધ્ધતિથી સંપૂર્ણરીતે પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે પ્રિ-બોર્ડ પરીક્ષા યોજવામાં આવી હતી. પ્રિ-બોર્ડ પરીક્ષા માટે 155થી વધુ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી મોં મીઠું કરાવી પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બારકોર્ડ સ્ટીકર, ખાખી સ્ટીકર, સમય નિયંત્રણ, જવાબ લખવાની પધ્ધતિ અને સ્કવોડ જેવી બાબતોથી વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. સમગ્ર પરીક્ષાનું સંચાલન માધ્યમિક વિભાગના આચાર્ય સંજયભાઈ સોનગ્રા અને જીતેન્દ્રભાઈ પરમાર કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:15 am

108 દિવસના જેલવાસ બાદ આપ નેતા ઘરે આવ્યા‎:જેલમાં રહી ખેડૂતો માટે લડવાનાં જુસ્સામાં વધારો થયો : રાજુ કરપડા

મૂળી તાલુકાનાં દુધઇ ગામના વતની અને આમ આદમી પાર્ટીનાં કિશાન સેલના પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ કરપડા અને પ્રવિણ રામને હડદડ ગામે થયેલ પોલીસ ફરિયાદ મામલે અંદાજે 108 દિવસ પહેલા રિમાન્ડ બાદ જજના બંગલે રજૂ કરવામાં આવ્યા હતા. બાદમાં જેલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યારે લાંબો જેલવાસ ભોગવ્યા બાદ બહાર આવી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમે ભલે ખેડૂતો માટે જેલમાં રહ્યા પણ અમારું મનોબળ સરકાર તોડી નથી શકી. ખેડૂતો માટે લડવા જુસ્સામાં વધારો થયો સાથે કેટલીક બાબતોનો અભ્યાસ અને રણનીતિ ઘડવાનો સમય મળ્યો છે. આગામી સમયમાં હજુ પણ ખેડૂતો માટે લડતા રહીશું. સાથે દરકે કાર્યકર અને શુભેચ્છકોનો પરિવારને સહકાર આપવા માટે આભાર માન્યો હતો. સાથે અમારા શરીરમાં જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી ખેડૂતો માટે લડતા રહીશું અને ખેડૂતોનાં દરેક પ્રશ્નોને વાચા આપતા રહીશું. જેલમાંથી બહાર આવેલ રાજુભાઇ કરપડાને મળવા મોટી સંખ્યામાં કાર્યકર, સ્નેહીજનો ઉપસ્થિતિ રહી એકબીજાના મોં મીઠા કરાવી ઉજવણી કરી હતી. મૂળી તેમજ અન્ય તાલુકાનાં ખેડૂતો અને કાર્યકરો મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:15 am

ઐતિહાસિક તળાવોની કરાઈ સાફ સફાઈ:આખરે તંત્રે સફાઈ કરાવી મહિલાઓએ આંદોલન, રેલીની ચીમકી આપી હતી

લખતર શહેરના 2 ઐતિહાસિક તળાવો મોતીસર અને કાદેસર તળાવના આરાઓની વર્ષોથી બાકી રહેલી સફાઈ બાબતે મહિલાઓએ આપેલી ચીમકી બાદ આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. મહિલાઓએ 15 દિવસની અંદર આરાઓની સફાઈ નહીં થાય તો આંદોલન અને રેલી કરવાની ખુલ્લી ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે તંત્રએ તાત્કાલિક કામગીરી શરૂ કરી છે. લખતર શહેરના ગાંધીચોક ખાતે જાહેર બોર્ડ મૂકીને મહિલાઓએ પોતાની માંગ સ્પષ્ટ કરી હતી. લાંબા સમયથી બંને તળાવોના આરાઓમાં કચરો, ઝાડી ઝાંખરા અને ગંદકી ભરાઈ જતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હતો તેમજ દુર્ગંધથી તળાવે આવતા મહિલાઓ પરેશાન હતા. આ બાબતે વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતાં મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મહિલાઓના આક્રોશ બાદ તંત્રએ પ્રથમ તબક્કામાં મોતીસર તળાવના આરાની સફાઈ કામગીરી શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં કાદેસર તળાવના આરાઓની પણ સફાઈ હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, તંત્રએ હવે કામગીરી શરૂ કરી છે તે આવકારદાયક છે, પરંતુ કામ અડધું છોડી દેવામાં આવે તો ફરી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવે તો નહીં. હાલ શરૂ થયેલી સફાઈ કામગીરીથી શહેરની મહિલાઓ અને સ્થાનિક નાગરિકોમાં રાહતનો શ્વાસ લેવાઈ રહ્યો છે, પરંતુ હવે તમામની નજર કામગીરી પૂર્ણ થવા પર છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:14 am

ઝાલાવાડના શિક્ષણમાં નવા પ્રાણ ફૂંકાયા:283 શિક્ષક સહાયકોને નિમણૂક હુકમો એનાયત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શાળામાં 500થી વધુ શિક્ષકોની ઘટ હતી. આથી 283થી વધુ શિક્ષક સહાયકોની પસંદગી કરવાં આવી છે. આ સહાયકો ધોરણ 1થી 5માં બાળકોને શિક્ષણ આપશે. ઝાલાવાડની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો ન હોવાથી શિક્ષણને અસર થઈ રહી છે. આથી રાજ્ય સરકારે શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 283ની ફાળવણી કરવામાં આવી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી કચેરી દ્વારા શાળા પસંદ કરવા સોમવારે કેમ્પ યોજાયો હતો. અગાઉ દિવાળી વેકેશન પહેલા ધોરણ 1થી 5 માટે કરાર આધારિત 137 જેટલા શિક્ષકોને હુકમો કરવામાં આવ્યા હતા. આ કેમ્પ 80 ફૂટ રોડ સરદાર પટેલ શાળા ખાતે તા 2 ફેબ્રુઆરીના રોજ યોજાયો હતો. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી ડો. ભદ્રસિંહ વાઘેલા અને મહાસંઘના હોદેદારો વગેરેની ઉપસ્થિતમાં સ્થળ પસંદગી અને હુકમો અપાયા હતા. જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5માં પસંદગી કરવામાં આવી છે. જ્યારે આશ્રમ શાળા પ્રાથમિક ગાન્ટેન્ડ શાળા પણ પસંદગી થઈ છે. આથી આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 283થી વધુ સહાયકો શિક્ષકો કામ કરતા થઈ જશે જેના કારણે હજારો વિદ્યાર્થીઓને ફાયદા થનારા છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:13 am

મારામારી:લોખંડના સળિયા અને લાકડીથી મારામારી, 10 ઘાયલ, 10 સામે ગુનો

સુરેન્દ્રનગર જિલ્લામાં નજીવી બાબતે મારામારીના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વઢવાણ તાલુકાના મેમકા ગામના પગીવાસમાં ઓરડી પાછળ ચણતર કામ બાબતે મામલો બિચકાયો હતો. જેમાં સામસામે લોખંડના સળીયા, લાકડી જેવા હથિયારોથી મારમારી થઇ હતી. આ બનાવમાં ભરતભાઈ, દશરથભાઇ, વિષ્ણુભાઈ, હર્ષદભાઈ, ગીતાબેન, પરબતભાઈ દિનેશભાઈ તેમજ સામા પક્ષે પરબતભાઈ મનજીભાઈ, શનીભાઇ તેમજ શૈલેષભાઈ સહિત અંદાજે 10 લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ઇજાગ્રસ્તોને વઢવાણ, ગાંધી બાદ વધુ સારવાર માટે ટીબી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતા. વઢવાણ પોલીસ મથકમાં મેમકા ગામના ભરતભાઈ જેસીંગભાઈ થરેશા અને સામા પક્ષે પરબતભાઈ મનજીભાઈએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે પરબતભાઈ મનજીભાઈ થરેશા, શનીભાઇ પરબતભાઈ થરેશા, રમેશભાઈ જેરામભાઈ થરેશા, શૈલેષભાઈ પરબતભાઈ થરેશા, રોહિતભાઈ હસમુખભાઈ થરેશા તેમજ સામા પક્ષે ભરતભાઈ જેસીંગભાઈ થરેશા,દશરથભાઈ ભરતભાઈ થરેશા, હર્ષદભાઈ ભરતભાઈ થરેશા, વિશ્વાસભાઈ ઇશ્વરભાઈ થરેશા અને હિતેશભાઈ ભરતભાઇ થરેશા સામે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ જે.એલ.ઓડેદરા ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:10 am

સુરેન્દ્રનગર ખાતે ભક્તિનું પૂર:ઈસ્કોન દ્વારા નિત્યાનંદ ત્રયોદશીની ઉજવણી થઈ

સુરેન્દ્રનગર સ્થિત ઈન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણ કોન્શિયસનેસ (ISKCON) દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ નિત્યાનંદ ત્રયોદશી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે સમગ્ર વાતાવરણ હરિનામ સંકીર્તન અને દિવ્ય આનંદથી ગુંજી ઉઠ્યું હતું. કરુણાના અવતારનું પૂજન આ કાર્યક્રમમાં નિત્યાનંદ પ્રભુજી, જેમને સાક્ષાત બલરામજીના અવતાર માનવામાં આવે છે.તેમનું વિશેષ પૂજન કરવામાં આવ્યું હતું. શાસ્ત્રોક્ત વિધિ મુજબ રાધા ગોપીનાથજીને 100થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓનો ભોગ ધરાવાયો હતો. આ મહોત્સવમાં 200થી વધુ ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહીને કીર્તન અને કથાનો લ્હાવો લીધો હતો. આ મહોત્સવ દરમિયાન સમજાવવામાં આવ્યું હતું કે નિત્યાનંદ પ્રભુ કૃષ્ણપ્રેમનું નિઃશુલ્ક વિતરણ કરનાર કરુણાના સાગર છે. તેમની કૃપા વિના ચૈતન્ય મહાપ્રભુની ભક્તિ પ્રાપ્ત કરવી અશક્ય છે. કોઈપણ ભેદભાવ વિના દરેક જીવ પર કૃપા વરસાવવાની તેમની દિવ્યતાને ભક્તોએ વંદન કર્યા હતા.આ આયોજન સફળ બનાવવા ઈસ્કોન સુરેન્દ્રનગરના સંચાલક મુરલીમો હનદાસજી તથા હર્ષગોવિંદ દાસજી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવાઈ હતી. તેમણે તમામ દાતાઓ, સેવકો અને સહયોગીઓએ સેવા આપી હતી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:09 am

વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું:વિજ્ઞાન મેળાના આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ અને પ્રતિભા કેળવાય છે

વઢવાણની સંસ્કાર સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરાયુ હતું. આ પ્રદર્શનમાં શાળાના ધો. 5 થી 8ના વિદ્યાર્થીઓએ તેમની વૈજ્ઞાનિક સૂઝબૂઝ અને સર્જનાત્મકતાનો પરિચય આપ્યો હતો. અને 80 વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લઇને 48 જેટલા જુદા જુદા પ્રોજેકટ્સ રજૂ કરતા 600થી વધુ લોકોએ મેળાને માણ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી તેમજ ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક ક્ષેત્રે આગળ આવે તે માટે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે વઢવાણ શહેરની શ્રી સંસ્કાર સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળા યોજાતા શાળાના ધો. 5 થી 8 ના 80 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા 48થી વધુ લાઇવ મોડેલ્સ અને પ્રોજેક્ટ્સ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન મેળાને માણવા 600થી વધુ લોકો ઉમટી પડ્યા હતા, જેમાં વાલીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ લોકોએ જણાવ્યુ કે, આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે. અને તેમને પોતાની પ્રતિભા દર્શાવવા માટે એક મજબૂત પ્લેટફોર્મ બાળકોને મળે છે. આ મેળાને સફળ બનાવવા માટે વઢવાણની શ્રી સંસ્કાર સ્કૂલના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. વિદ્યાર્થીઓએ કેવા મોડેલ્સ બનાવ્યા? વિદ્યાર્થીઓએ વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જુદા જુદા વિષયો પર મોડેલ્સ તૈયાર કર્યા હતા. જેમાં પર્યાવરણની જાળવણી માટે પ્રકૃતિને બચાવવાના નવતર પ્રયોગો, સોલર એનર્જી (સૌર ઊર્જા) માટે પુનઃપ્રાપ્ય ઊર્જાના સ્ત્રોતોનો ઉપયોગ, નકામી વસ્તુઓનો ઉપયોગ કરીને ઉપયોગી ચીજો બનાવવી. તેમજ આધુનિક ટેકનોલોજી માટે વિજ્ઞાન, ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:07 am

છેતરપીંડીનો મામલો આવ્યો સામે:સુરેન્દ્રનગરમાં સોનીએ ઘરેણા ન બનાવી આપી રૂ. 1.38 લાખની છેતરપિંડી કરી

સુરેન્દ્રનગર નવા જંક્શન પાસે દેવ સોસાયટીમાં રહેતા જુવાનસિંહ પથુભા ઝાલાને કુંથુનાથ દેરાસર પાસે શિવ શક્તિ પાનનું કેબિન છે. તેમના કેબિને ગોકુલ પ્લાઝા ફ્લેટમાં રહેતો અને શ્રીમા રૂદ્દી ઓર્નામે નામની સોનીની દુકાન ધરાવતો રીતેશ ભરતભાઇ રોજાસરા અઢી વર્ષથી પાન ખાવા માટે આવતો હતો. આથી જુવાનસિંહ અને રીતેશને સારી ઓળખાણ હતી. જાનસિંહના દીકરાના લગ્ન હોય દીકરાની પત્નીને ચડાવવા માટે જુવાનસિંહે રીતેશને ત્યાં સોના ચાંદીના ઘરેણા બનાવવા માટે આપ્યા હતા. અને તેની સામે જુવાનસિંહે પૈસા પણ આપ્યા હતા. લગ્ન પહેલા થોડા ઘણા ઘરેણા આપ્યા હતા. બાદમાં બાકીના ઘરેણા આપવામાં રીતેશ ગલ્લા તલ્લા કરતો હતો. લગ્ન પતિ ગયા બાદ પણ બાકીના ઘરેણા આપ્યા ન હતા. આથી જુવાનસિંહે સિટી એ ડિવિઝનમાં સોની રીતેશ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરાવ્યો છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:06 am

ભગવાન બુદ્ધના અવશેષો શ્રીલંકા મોકલાશે:વડોદરા MSU યુનિવર્સિટીમાંથી કોલંબો બુદ્ધિસ્ટ સંમેલનમાં જશે, CMની હાજરીમાં કાર્યક્રમ; જાણો શું છે આખો ઇતિહાસ

બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધના અસ્થિના અવશેષો વડોદરામાં છે. વડોદરાની એમ એસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજિ પાસે આજે પણ સચવાયેલા છે. જે આજે પાડોશી દેશ શ્રીલંકાના કોલંબો શહેર ખાતે આયોજિત બુદ્ધિસ્ટ સંમલેનમાં ભાગ લેનારા ભાવિકોના દર્શનાર્થે વડોદરામાં રહેલા ભગવાન બુદ્ધના અવશેષો મોકલવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી એમ એસ યુનિવર્સિટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી આ અવશેષોને કોલંબો મોકલશે. વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે યોજાનાર કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રીની વિશિષ્ટ ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવા જઈ રહ્યો છે. જેમાં બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ કરવામાં આવશે. ભગવાન બુદ્ધના અવશેષોને મુખ્યમંત્રી દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવશે. ત્યારબાદ આ અવશેષોને પ્લેન મારફત વાયા દિલ્હી થઇ કોલંબો મોકલવામાં આવશે. શું છે ઇતિહાસ?બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધના અસ્થિના અવશેષો વડોદરામાં છે. આ અવશેષો એમએસ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજિ પાસે આજે પણ સચવાયેલા છે. વર્ષ 1960થી 1963 દરમિયાન આ શામળાજીથી 50 કિમી દૂર અને ગુજરાતના જગપ્રસિદ્ધ બૌદ્ધ સ્થળ દેવની મોરી સ્તૂપના ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા. આ સ્તૂપના પાયાથી 24 ફૂટની ઊંચાઈએથી ગ્રીન શિસ્ટ (લીલા પથ્થર) માંથી બનેલી એક કલાત્મક અવશેષ મંજૂષા મળી આવી હતી. આ પથ્થરની મંજૂષા (શબપેટી) પર બ્રાહ્મી લિપિ અને સંસ્કૃત ભાષામાં દશબલ શારીર નિલય અંકિત કરવામાં આવ્યું છે, જેનો અર્થ 'ભગવાન બુદ્ધના શારીરિક અવશેષોનું નિવાસસ્થાન' એવો થાય છે. આ મંજૂષા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. જેમાં મુખ્ય ભાગ પાયો 6.8 ઈંચ અને ઊંચાઈ 2.9 છે. સાથે ઢાંકણ 6.7 ઈંચ વ્યાસ અને 1.05 ઈંચની જાડાઈ છે સાથે નોબ ગોળાકાર ટોચ ધરાવતો 1.1 ઈંચ વ્યાસનો ભાગ આવેલો છે. આ મુખ્ય મંજૂષાની અંદરથી તાંબાની એક પેટી મળી આવી હતી, જેમાં રેશમી કાપડ, મણકા અને પવિત્ર ભસ્મ સાથેના કાર્બનિક પદાર્થો સચવાયેલા હતા. આ તાંબાની પેટીની અંદર ચાંદી અને તાંબાના મિશ્રણથી બનેલી અને તેના પર સોનાનું પડ ધરાવતી એક નાની શીશી મળી આવી હતી. આ બોટલ નળાકાર આકારની અને સ્ક્રૂવાળા ઢાંકણવાળી છે, જેની સુરક્ષા માટે કાળી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હાલમાં આ પવિત્ર અવશેષોને વધુ ખરાબ થતા અટકાવવા માટે હવાચુસ્ત કાચના ડેસીકેટરમાં સુરક્ષિત રાખવામાં આવ્યા છે. આ અવશેષો પર સોનાનું પડ ચઢાવેલી શીશી અને રેશમી કાપડને કપાસના નરમ પાયા પર રાખવામાં આવ્યા છે જેથી તેના સંરક્ષણમાં કોઈ ખામી ન રહી જાય. વર્ષ 1963 થી આજદિન સુધી આજે પણ આ અવશેષો વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સંગ્રહ કરાયેલ જોવા મળી રહ્યા છે. વર્ષ 2010 માં ઇન્ટરનેશનલ બુદ્ધ કોન્ફરન્સ હતી ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને દલાઈલમાજીની ઉપસ્થિતિમાં ઇમિગ્રન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારથી આનો ખૂબ પ્રચાર થયો હતો.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 7:00 am

મનપાએ રહી રહીને સંવેદના દાખવી‎:મોરબીમાં ઠંડીમાં ઠુંઠવાતા 26 લોકોને આશ્રયસ્થાન અપાયું

કાતિલ ઠંડીમાં રાહત થઈ છે. 31 ડીગ્રી મહત્તમ તાપમાન ઉંચું જતા દિવસભર ઉનાળા જેવું વાતાવરણ રહે છે અને રાત્રે લઘુતમ તાપમાન 10થી 12 ડીગ્રી આસપાસ રહેતા રાત્રે ઠંડી રહેતી હોય શહેરમાં ફૂટપાથ પર રહેતા ઘર વિહોણા લોકો પાસે પૂરતા ગરમ વસ્ત્રો પણ ન હોવાથી રાત્રે ઠંડીમાં તેઓ રીતસર ઠુંઠવાઈ જતા હોવાથી મોરબી મનપાએ સંવેદના દાખવીને ફૂટપાથ પરના 36 ઘરવિહોણા લોકોને તમામ સુવિધા સાથે સલામત રીતે આશ્રયસ્થાનમાં ખસેડયા છે. મોરબીમાં મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ખાતે ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિઃશુલ્ક રહેવા જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા નિમણુક થયેલી સિધ્ધી ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે. દરમિયાન મોરબી મનપાના કમિશનર સ્વપ્નિલ ખરેના માર્ગદર્શન હેઠળ યુ.સી.ડી શાખા તથા સંસ્થાના સ્ટાફ દ્વારા રાત્રી સમયે ફૂટપાથ પર રહેતા ઘરવિહોણા લોકોની સ્થળ પર મુલાકાત કરીને કાઉન્સેલીંગ દ્વારા આશ્રયગૃહનો લાભ લેવા પ્રેરિત કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેથી ઠંડીને કારણે ઘરવિહોણા લોકોના આરોગ્ય પર વિપરીત અસર ન થાય તે હેતુથી રાત્રી દરમ્યાન નાઈટ-ડ્રાઈવનું આયોજન કરી શહેરી ઘરવિહોણા લોકોને આશ્રયગૃહમાં મોકલવામાં આવ્યા હતા.આ ડ્રાઈવ દ્વારા 36 ઘરવિહોણા લોકોને પોતાના પરિવાર સાથે આશ્રયગૃહ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:59 am

મોબાઇલ ચોરનાર પકડાયો:મોરબીના પીપળિયા ચાર રસ્તા પાસેથી મોબાઇલની ચોરી કરનાર ઝડપી લેવાયો

મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે આવેલ કામધેનુ ગોલ્ડ કોમ્પ્લેક્સમાં મોબાઇલની દુકાનને તસ્કરે નિશાન બનાવીને બારી તોડીને અંદર પ્રવેશ કરી તેમાંથી નવ મોબાઇલની ચોરી કર્યાની ફરિયાદ દુકાનદારે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી. આથી માળીયા પોલીસે કાર્યવાહી કરી ચોરી કરેલા ફોનનું વેચાણ કરે તે પહેલાં ચોરાઉ મોબાઈલ ફોન સાથે તસ્કરને ઝડપી લીધો હતો. મોરબી તાલુકાના લૂંટાવદરમાં રહેતા અર્જુનભાઈ ખાંભલાએ અજાણ્યા શખ્સ સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, ગત તા.29ના રોજ રાત્રિના સમયે મોરબીની પીપળીયા ચોકડી પાસે આવેલ કામધેનુ ગોલ્ડ કોમ્પલેક્ષમાં ફરિયાદીના માલિકીની મોબાઈલની દુકાનમાં બારી તોડીને અંદર પ્રવેશ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ દુકાનમાંથી જુદી જુદી કંપનીના 9 મોબાઈલની ચોરી કરાઇ હતી. જેથી કરીને 50,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોનની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવતા તાત્કાલિક આરોપીને પકડવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી અને માળિયા તાલુકા પોલીસને બાતમી મળી હતી કે પીપળીયા ચાર રસ્તા પાસે મોબાઈલ ફોનની દુકાનમાં ચોરી કરનાર શખ્સ મોબાઇલ વેચવા માટે માળિયામાં આવેલ છે. જેથી કરીને પોલીસે વોચ રાખીને એક શખ્સને પકડ્યો હતો અને તેને ચેક કરાતા નવ મોબાઈલ મળી આવ્યા હતા, જેથી કરીને 50,000 રૂપિયાની કિંમતના મોબાઈલ સાથે પોલીસે આરોપી ભરતભાઈ ભાટી રહે. માંડવી જિલ્લો કચ્છની ધરપકડ કરી હતી અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:59 am

નેત્રમણી આરોપણ કેમ્પ બન્યું વરદાન સમાન:6700થી વધુ લોકોને મળ્યું જીવન નવી જ દૃષ્ટિએ જોવાનું સદભાગ્ય

મોરબીના જલારામધામ ખાતે દર મહિને યોજાતા નેત્રમણી આરોપણ કેમ્પમાં અત્યાર સુધીમાં 6700થી વધુ લોકોને જીવન અલગ દ્રષ્ટિએ જોવાનું સદભાગ્ય સાંપડ્યું છે. જાણીતી આંખની હોસ્પિટલ રણછોડદાસ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ-રાજકોટ, જલારામ ધામ-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામૂલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહિનાની 4 તારીખે શહેરના જલારામ ધામ, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાય છે. જે અંતર્ગત આવતીકાલે બુધવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન સ્વ. હેમકુંવરબેન ધીરજલાલ કારીયા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલના ડો. બળવંતભાઈ, ડો. સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામાં આવશે તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ એટલે નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામૂલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દર મહિનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. જ્યારે ગત ૫૨ માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 14771 લોકોએ લાભ લીધો હતો તેમજ 6717 લોકોના વિનામૂલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન થયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:57 am

મુંબઇની ટ્રેનો આંશિક રદ થશે:કચ્છના રેલવે વ્યવહારને 10 દિવસની ‘બ્રેક’

ગાંધીધામ-ભુજ સેક્શનમાં ગાંધીધામ-આદીપુર ચૌહરિકરણ (Quadrupling) પરિયોજના હેઠળ ગાંધીધામ કેબિન-આદીપુર સ્ટેશનો વચ્ચે કમીશનીંગથી સંબંધિત સૂચિત કામને લીધે 04 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી 2026 સુધી કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે. આ પરિયોજના ક્ષેત્રમાં રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરવાની દિશામાં એક મહત્વનું પગલું છે. ચારગણું થવાથી આ સેક્શનની લાઈન ક્ષમતામાં વૃદ્ધિ થશે, જેનાથી ટ્રેનોનું સંચાલન વધુ સુગમ, સમયબદ્ધ અને સુરક્ષિત થશે. સાથે જ માલ અને યાત્રી ટ્રાફિકનું ઉત્તમ વ્યવસ્થાપન થશે, જેનાથી ક્ષેત્રીય વેપાર, ઉદ્યોગ અને યાત્રીઓને લાભ મળશે. અમદાવાદ મંડળ દ્વારા પરિયોજનાને સમય-સીમામાં પૂર્ણ કરવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પહેલ ભારતીય રેલવેની આધુનિક, ઝડપી અને વિશ્વાસપાત્ર રેલવે સેવાઓ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પૂર્ણરૂપે રદ ટ્રેનો આંશિક રદ ટ્રેનો20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 4,7 અને 8 ફેબ્રુઆરીના રોજ ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. ટ્રેન નંબર 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ 5,8 અને 9 ફેબ્રુઆરીના ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. ટ્રેન નંબર 22955 બાન્દ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ 5,6 અને 9 ફેબ્રુઆરીના ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. ટ્રેન નંબર 22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 6,7 અને 10 ફેબ્રુઆરીના ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. ટ્રેન નંબર 14321/14311 બરેલી-ભુજ એક્સપ્રેસ 4 ફેબ્રુઆરીથી 09 ફેબ્રુઆરી સુધી ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 10 અને 11 ફેબ્રુઆરીના સામખિયાળી અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. ટ્રેન નંબર 14322/14312 ભુજ-બરેલી એક્સપ્રેસ 5 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી સુધી ભુજ-ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 અને 12 ફેબ્રુઆરીના ભુજ-સામાખ્યાલી વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. ટ્રેન નંબર 22903 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એસી એક્સપ્રેસ 4,6 અને 8 ફેબ્રુઆરીના ગાંધીધામ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે તથા 11 ફેબ્રુઆરીના અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. ટ્રેન નંબર 16336 નાગરકોઈલ-ભુજ એક્સપ્રેસ 10 ફેબ્રુઆરીના અમદાવાદ અને ભુજ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. ટ્રેન નંબર 22904 ભુજ-બાન્દ્રા ટર્મિનસ એક્સપ્રેસ 5,7 અને 9 ફેબ્રુઆરીના ભુજ અને ગાંધીધામ વચ્ચે આંશિકરૂપે રદ રહેશે. માર્ગ પરિવર્તિત ટ્રેનો20907 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 5,6,9 અને 10 ફેબ્રુઆરીના પરિવર્તિત માર્ગ વાયા આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં. 20908 ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ 6,7,10,11 અને 12 ફેબ્રુઆરીના પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં. 22955 દાદર-ભુજ સયાજી નગરી એક્સપ્રેસ 7,8,10 અને 11 ફેબ્રુઆરીના પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.22956 ભુજ-બાન્દ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ 5,8,9,11 અને 12 ફેબ્રુઆરીના પરિવર્તિત માર્ગ વાયા આદિપુર-ગાંધીધામ કેબિન-ભીમાસરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં. ટ્રેન નંબર 20984 દિલ્લી સરાય રોહિલ્લા-ભુજ એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી ના પરિવર્તિત માર્ગ વાયા ભીમાસર-ગાંધીધામ કેબિન-આદિપુરના રસ્તે ચાલશે. આ દરમિયાન આ ટ્રેન ગાંધીધામ સ્ટેશન પર જશે નહીં.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:41 am

કુસ્તી સ્પર્ધામાં અદ્ભૂત પ્રદર્શન:રાજ્યકક્ષાએ કુસ્તીની વિવિધ સ્પર્ધામાં કચ્છની વિદ્યાર્થીનીઓએ મેડલ જીત્યા

ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધા ઓપન વિભાગમાં ભુજ સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓએ રાજ્યકક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. વરસાણી ધ્વનિ (76 કિલો)માં પ્રથમ, કણઝરીયા જાહનવી (62 કિલો)માં દ્વિતીય, પોકાર જૈની (65 કિલો)માં તૃતીયા અને ડાંગર તમન્ના (59 કિલો)માં તૃતીય નંબર પ્રાપ્ત કર્યો છે. સમગ્ર જિલ્લામાં ચેમ્પિયન થઈ રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરી કચ્છ અને સંસ્થાનું નામ ગૌરવવંતુ કરતા દીકરીઓના પ્રશંસનીય પ્રદર્શન બદલ ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ, મંદિર ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પીન્ડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પીન્ડોરિયા, કોચ રશ્મિતાબેન સહ સ્ટાફ પરિવાર તેમજ દેશ વિદેશના હરિભક્તોએ અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:30 am

દાણચોરીથી પોણા બે કરોડનું સોનું લાવ્યો, પણ વિમાનની સીટ નીચેથી કાઢતાં ન આવડયું

કસ્ટમે પહેલાં સીટ નીચેથી પેકેટ શોધ્યું, પછી તે પ્રવાસીની શોધખોળ કરી પેેકેટ લીધા વિના ગ્રીન ચેનલમાંથી બહાર પણ જતો રહ્યો, જોકે, એરપોર્ટ પરિસરમાંથી જ કસ્ટમ અધિકારીઓએ ઝડપી લીધો મુંબઈ - મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ અધિકારીઓએ દુબઈથી આવી રહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં એક પ્રવાસીની સીટ નીચે છુપાયેલું સોનું ભરેલું પેકેટ જપ્ત કર્યું છે. સીટ પર બેસેલા પ્રવાસીની ઓળખ કરવામાં આવી હતી અને ગ્રીન ચેનલ પાર કર્યા પછી તેને અટકાવવામાં આવ્યો હતો.રસપ્રદ વાત એ છે કે આ પેસેંજરને કસ્ટમ અધિકારીઓને કહ્યું કે દાણચોરી કરેલું સોનું વિમાનમાંથી કેવી રીતે બહાર કાઢવાનું એની તેને ખબર નહોતી.આથી તે પેકેટ લીધા વગર જતો રહ્યો, પરંતુ તે એરપોર્ટ પરિસરમાં કસ્ટમ્સ દ્વારા પકડાઈ ગયો હતો.

ગુજરાત સમાચાર 3 Feb 2026 6:30 am

ભુજની સંસ્થા દ્વારા વિવિધ સેવાકાર્યો:શાળાને 10 હજારના પુસ્તકો અપાયા

ભુજ ઈન્નર વ્હીલ ક્લબ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો કરાયા હતા. ડિસ્ટ્રિક્ટ 305ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન બિન્દુબેન ગુપ્તા અને સેક્રેટરી રચનાબેન શાહ દ્વારા મુલાકાત લેવાઈ હતી. ક્લબ પ્રમુખ પંકજબેન રામાણીએ શાબ્દિક સ્વાગત કર્યું, સેક્રેટરી અવનીબેન ઠક્કરે સેવાકીય પ્રવૃત્તિનો અહેવાલ રજૂ કર્યો હતો. ક્લબના પાસ્ટ પ્રમુખ ડો.સુનંદાબેન ચેરમેનનો પરિચય આપ્યો હતો. ચેરમેનની વિઝિટ દરમિયાન ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કૂલમાં છાત્રો માટેની લાયબ્રેરીમાં ક્લબ ફાઉન્ડર મેમ્બર કુંજલતાબેન સાવલા દ્વારા રૂ.10,000ના પુસ્તકો ભેટ અપાયા હતા. લાયન્સ ક્લબ ભુજ દ્વારા જયપુર ફૂટ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જયપુર કેમ્પમાં ક્લબ મેમ્બર શારદાબેન ગણાત્રા અને અન્ય મેમ્બર્સના સહયોગથી 25,000નો અનુદાન જયપુર ફૂટ કેમ્પમાં અપાયું અને ત્રણ દિવસ કેમ્પ યોજાયો હતો. જેનો 49 લોકોએ લાભ લીધો હતો. ઉપરાંત સ્વર્ગ પ્રયાગ ધામ માટે રોટરી ફ્લેમિંગોને રૂ.10,000નું અનુદાન ક્લબ દ્વારા અપાયું હતું. છ માસ દરમ્યાન ડિસ્ટ્રીક અને ઇન્ટરસ્ટિક દ્વારા યોજાયેલ વિવિધ સ્પર્ધામાં નંબર મેળવેલ ક્લબના સભ્યોને ચેરમેન અને સેક્રેટરી સન્માનિત કરાયા હતા. રોટરી પ્રમુખ ધર્મેન્દ્ર વાઘેલા, મંત્રી અજયસિંહ જાડેજા તેમજ ભરત ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા મધુબેન ઠક્કર, નિરંજનાબેન ઠક્કર અને રેશ્માબેન શાહે સંભાળી હતી. સંચાલન અમીતાબેન શાહ અને આભાર વિધિ ગોપીબેન રાઠોડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:27 am

વનવિભાગની બેઠક યોજાઇ:રામસર સાઈટ છારીઢંઢમાં 5 ગામના લોકો સાથે સંવાદ

‘વિશ્વ વેટલેન્ડ દિવસ’ નિમિત્તે છારીઢંઢ ખાતે ડો. ધીરજ મિત્તલ, વન સંરક્ષક, કચ્છ વન વર્તુળની અધ્યક્ષતામાં પરિસંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો, જેમાં હર્ષ.જે.ઠક્કર,નાયબ વન સંરક્ષક, કચ્છ પશ્વિમ, આયુષ વર્મા, નાયબ વન સંરક્ષક, કચ્છ પુર્વ તથા એન.વી.ચૌધરી, નાયબ વન સંરક્ષક, બન્ની ગ્રાસ લેન્ડ વિભાગ સાથે સ્થાનિક સ્ટાફ, આજુબાજુ વિસ્તારના ગામના લોકો જોડાયા હતા. વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે છારીઢંઢ ખાતે યોજાયેલ પરિસંવાદ કાર્યક્રમમાં છારીઢંઢ આજુબાજુના પાંચ ગામના પચાસ જેટલા લોકો પરિસંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ દરમિયાન સ્થાનિક લોકોએ વન સંરક્ષક સમક્ષ સ્થાનિકે તેઓના પડતર પ્રશ્નો અંગેની રજુઆત કરેલ હતી, જે બાબતે વન સંરક્ષક દ્વારા તમામ લોકોને તેઓને પડતર પ્રશ્નોનો સુચારુરુપે નિકાલ લાવવામાં આવશે તે અંગે આસ્વસ્થ કરવામાં આવ્યા. તેમજ છારીઢંઢના સર્વાંગી વિકાસ માટે સ્થાનિકોને સાથે રાખી સંકલિત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વેટલેન્ડના વૈશ્વિક મહત્વ, સંરક્ષણની આવશ્યકતા તથા સ્થાનિક લોકોની સક્રિય ભાગીદારી તેમજ છારીઢંઢ વેટલેન્ડને રામસર સાઇટ તરીકે મળેલી ઓળખથી આવનાર સમયમાં પર્યાવરણ સંરક્ષણ, પર્યટન તથા સ્થાનિક વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ વન વિભાગ છારીઢંઢના સંરક્ષણ અને સ્થાનિક સમુદાયના સહભાગથી તેના વિકાસ માટે પ્રતિબધ્ધ છે છારીઢંઢનું સન્માન પોરબંદરમાં સ્વીકારાયુંગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના, રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળીની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર ખાતે “છારીઢંઢ વેટલેન્ડ” ને રામસર સાઇટ તરીકે જાહેર થતા, વેટલેન્ડના આંતરરાષ્ટ્રીય મહત્વ અંગેનું સન્માન કચ્છ વન વર્તુળના પ્રતિનિધિ ભરતભાઇ.પી.ચૌધરી, મદદનીશ વન સંરક્ષક, કચ્છ પુર્વ વન વિભાગ, ભુજ તેમજ ફુલાય ગામના વતની મુતવા સાલાર કરીમ દ્વારા સ્વીકારવામાં આવેલ હતુ.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:26 am

ચોરો ઝડપાયા:ગુંદીયાળીની સીમમાંથી ભેંસ ચોરનાર 2 ઇસમ ઝડપી લેવાયા

માંડવી તાલુકાના ગુંદીયાળી ગામની સીમમાં આવેલ વાડા પરથી રૂપિયા 50 હજારની કિંમતની ભેંસ ચોરી કરનાર બે આરોપીઓને એલસીબીએ દબોચી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ માંડવી મરીન પોલીસ મથકે સલાયા ગામના ફરિયાદી નરેશ જોગીએ ચોરીનો ગુનો નોધાવ્ય્પો હતો.એલસીબીના પીઆઈ એ.એમ.મકવાણાએ ટીમને ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા સુચના આપી હતી. જેના આધારે તપાસમાં રહેલી ટીમને બાતમી મળી હતી કે,ચોરીના બનાવને અંજામ ગુંદીયાળી ગામના આરોપી હુશેન આમદ સુમરાએ આપ્યો છે. બાતમીને આધારે આરોપીને ઉઠાવી લઇ તેની પૂછપરછ કરવામાં આવી હતી.ત્યારે આરોપીએ પોતે અને લુડીયા ગામના આરોપી નુરમામદ કલામ નોડે એ સાથે મળીને રૂપિયા 50 હજારની કિંમતની ભેંસ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. એલસીબીએ બન્ને આરોપીને ઝડપી લઇ ચોરીમાં ગયેલી ભેંસ અને બોલેરો ગાડી નંબર જીજે 06 એએક્ષ 3287 કબ્જે કરી આગળની કાર્યવાહી માટે માંડવી મરીન પોલીસ મથકે સોપ્યા છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:20 am

લખપતથી ભુજ સુધી ‘આંખોનું રક્ષણ:બાલ્ડ ઇગલ બ્રિગેડે 2500થી વધુ લોકોને આપી નેત્રસેવા

સેનાના સધર્ન કમાન્ડ હેઠળ બાલ્ડ ઇગલ બ્રિગેડ દ્વારા કચ્છના લખપત અને ભુજના સરહદી વિસ્તારોમાં વ્યાપક આંખ તપાસ અને મોતિયા સારવાર અભિયાન હાથ ધરાયું હતું. જેથી નિવૃત્ત સૈનિકો અને સરહદી સમુદાયોને આરોગ્ય લાભ મળ્યો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર, આરોગ્ય કેન્દ્રો અને આશા બહેનોના સંકલન સાથે 120થી વધુ ગામોમાં 2500થી વધુ લોકોની તપાસ કરાય હતી. જેણે મહત્વપૂર્ણ નેત્ર ચિકિત્સા સંભાળ અને પ્રાદેશિક આરોગ્ય સંભાળમાં ભાગીદાર તરીકે સેનાની ભૂમિકાને મજબૂત બનાવી હતી. રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત લશ્કરી સર્જન બ્રિગેડિયર સંજય કુમાર મિશ્રાની દેખરેખ હેઠળ 3થી 5 ફેબ્રુઆરી સુધી ભુજ મિલિટરી હોસ્પિટલ ખાતે 150થી વધુ દર્દીઓની અદ્યતન મોતિયા અને આંખની સર્જરી માટે પસંદ કરાયા છે. આ પહેલ દ્વારા સેનાએ સરહદે સુરક્ષા સાથે માનવીય સેવા અને મિલિટરી–સિવિલ જોડાણનું મજબૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:19 am

દારૂની હેરાફેરી ઝડપાઈ:ફિલ્મી ઢબે પીછો કરી 7.06 લાખનો દારૂ ઝડપ્યો

પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) બાતમીના આધારે લાકડિયા પુલ પાસે વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી એક સફેદ કલરની ક્રેટા ગાડીને ફિલ્મી ઢબે પીછો કરીને ઝડપી પાડી છે. પોલીસને જોઈ બૂટલેગરોએ પુલ નીચેથી ગાડી ભગાવી હતી, પરંતુ પોલીસે સતત પીછો ચાલુ રાખતા નરા ગામની સીમમાં ગાડી મૂકી ત્રણ શખ્સો નાસી છૂટ્યા હતા. પોલીસે ગાડીમાંથી રૂ. 7,06,120ની કિંમતનો દારૂ અને ખોટી નંબર પ્લેટ વાળી કાર મળી કુલ રૂ. 13.06 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCB પીઆઈ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહીલને બાતમી મળી હતી કે, સામખીયાળી તરફથી એક સફેદ ક્રેટા કાર વિદેશી દારૂ ભરી ગાંધીધામ તરફ જઈ રહી છે. પોલીસે ચોપડવા પુલ પાસે ટ્રાફિક જામ કરી નાકાબંધી કરી હતી. જોકે, પોલીસને જોતા જ ચાલકે ગાડી પુલ નીચેથી પાછી વાળી ભચાઉ તરફ ભગાવી હતી. બૂટલેગરોએ લોઘીડા ચાર રસ્તાથી ખારોઈ અને કંથકોટ તરફ ગાડી હંકારી હતી. પોલીસે સતત પીછો કરતા આરોપીઓએ નરા ગામની સીમમાં રોડ નીચે બાવળની ઝાડીમાં ગાડી નાખી દીધી હતી અને ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈ અલગ-અલગ દિશામાંનાસી ગયા હતા. પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રૂ.7,06,120 ના મુલ્યના વિદેશી દારૂની 108 થી વધુ બોટલો મળી આવતાં કાર સહિત રૂ.13,06,120 નો મુદ્દામાલ જપ્ત કરી નાસી છૂટેલા ત્રણ અજાણ્યા શખ્સો અને માલ મંગાવનાર વિરુદ્ધ સામખિયાળી પોલીસ મથકે ગુનો દાખલ કરાવાયો હતો. ગાડીમાંથી એકજ નંબરની બે બીજી નંબર પ્લેટો મળીદારૂની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કારના ચેસીસ નંબર ઉપરથી પોલીસે ઇ-ગુજકોપમાં સર્ચ કરતાં તે ફોર્ચ્યુનર ગાડી બતાવતા આ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી દારુની હેરાફેરી કરાતી હોવાનું ખુલ્યું તેમજ તલાશી દરમિયાન કારમાંથી એક જ નંબરની બે અન્ય નંબર પ્લેટો પણ મળી આવી હતી. બેગમાં રસિદ અને ટ્રાવેલ્સની ટિકિટ મળીપોલીસે કારની લીધેલી તલાશી દરમીયાન કારમાંથી મળેલી બેગમાંથી એસકે ફાઇનાન્સની રસિદ મળી જેમાં ગ્રાહકના નામમાં કૈલાશ પપુ નું નામ છે બ્રાન્ચ ધોરીમાના લખેલું છે તેમજ ઝાખડ ગણેશ ટ્રાવેલ્સની બ્યાવર થી અણીયાલી ની ટીકિટ મળી જે 13/1/2026 ની છે જેમાં કૈલાશ અને મોબાઇલ નંબર લખેલા છે. લાકડિયા પુલ પાસે નાકાબંધી તોડી ભાગેલી ક્રેટા ગાડી નરાની સીમમાં રાખી બુટલેગરો નાઠા

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:16 am

આર્ટ્સ વિષય પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજાયો:વર્તમાન સમયે અધ્યાપકોએ નવી શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવી અત્યંત આવશ્યક

ભુજમાં કેએસકેવી કચ્છ યુનિવર્સિટીના આર્ટસ ફેકલ્ટી દ્વારા એડવાન્સ્ડ પેડાગોજીસ એન્ડ રિસર્ચ મેથડ ઇન આર્ટ્સ વિષય પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યાપકોને નવી શૈક્ષણિક પધ્ધતિ અપનાવવા સૂચન કરાયું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ના હેતુઓને અનુરૂપ શિક્ષકોમાં શૈક્ષણિક ગુણવત્તા, સંશોધન ક્ષમતા અને નવીન શિક્ષણ પદ્ધતિઓનો વિકાસ કરવાનો હતો. જેમાં આર્ટસ ના લગભગ 15 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આરંભે ડૉ. કલ્પના સતીજાએ જણાવ્યું કે, આજના સમયમાં અધ્યાપકો માટે સતત જ્ઞાન અપડેટ રાખવું અને નવી શૈક્ષણિક પદ્ધતિઓ અપનાવવી અત્યંત જરૂરી છે. હેડ ઓફ અર્થ એન્ડ એન્વાયર્નમેન્ટ ડો. મૃગેશ ત્રિવેદીએ જણાવ્યું કે, ઉચ્ચ શિક્ષણમાં ગુણવત્તા, જવાબદારી અને સતત સુધારણા અત્યંત મહત્વના બની ગયા છે. નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા નિર્ધારિત માપદંડો શિક્ષણ સંસ્થાઓમાં શૈક્ષણિક ઉત્તમતા અને સંશોધન સંસ્કૃતિ વિકસાવવા માટે માર્ગદર્શક બને છે. મુખ્ય અતિથિ કુલપતિ ડો. મોહન પટેલે ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે શિક્ષકોના સતત વ્યાવસાયિક વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષકોને માત્ર પાઠ્યક્રમ પૂરતું મર્યાદિત ન રહેવા, પરંતુ વૈશ્વિક સ્તરે ચાલી રહેલા શૈક્ષણિક અને સંશોધન પ્રવાહો સાથે જોડાવા પ્રોત્સાહિત કર્યા હતા. રજીસ્ટ્રાર ડૉ. અનિલ ગોરએ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો. રાજેશ દવેએ નવીન શિક્ષણ રણનીતિઓ, વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અને વર્ગખંડમાં ટેક્નોલોજીના અસરકારક ઉપયોગ પર પ્રકાશ પાડ્યો હતો. બાવળા કોલેજના ડો. બ્રિજેન પટેલે ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉપલબ્ધ વિવિધ સંશોધન ફંડિંગ એજન્સીઓ જેવી કે UGC, ICSSR, ICSR, નીતિ આયોગ અને અન્ય સંસ્થાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. ઉદ્ઘાટન સમારંભમાં વિવિધ સંસ્થાઓના ૪૩ જેટલા પ્રાધ્યાપકો, અને શિક્ષણવિદોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આભાર વિધિ ડૉ. ગૌરવ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી. સંચાલન ડો. અતુલ કનૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રોફ. ડો આર. વી. બસિયા, ડો બકરાણીયા, ડો. જે. જે. ભટ્ટ, ડો. રાયજાદા, પ્રો. હિરાણી, ડો. મનીષા બારડ, ડો તેજલ શેઠ, ડો. નંદલાલ છાંગા, ડો અમર મહેતા હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:09 am

જી.કે. જનરલ હોસ્પિટલમાં બાળરોગ વિશે સેમિનાર યોજાયો:બાળકમાં શીખવાની ખામી જણાય તો તબીબી તપાસ કરાવવી હિતાવહ

ભુજની અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલમાં બાળરોગ અને મનોચિકિત્સા વિભાગના સંયુક્ત ઉપક્રમે સાતત્ય મેડિકલ શિક્ષણ અંતર્ગત બાળક ગર્ભમાં હોય ત્યારથી લઈ, જન્મે અને પછી મોટું થાય ત્યાં લાગી શારીરિક અને માનસિક વિકાસને લગતી સમસ્યાઓની ઓળખ અને સારવાર ઉપર સંબંધિત તબીબો માટે સેમિનાર યોજાયો હતો. દીનદયાળ પોર્ટના કન્સલ્ટન્ટ મનોચિકિત્સક ડો.નીલમ નેનવાણીએ કહ્યું કે બાળકમાં પ્રતિક્રિયા આપવાની કે શીખવાની ખામી જણાય અથવા એકલું જ રહેતું હોવાના કોઈ સંકેત મળે તો સાવધ થઈ જઈ તપાસ કરાવી લેવી જોઈએ. ડો.રેખાબેન થડાનીએ દવાની સારવાર ઉપરાંત ઘરનો માહોલ, સામાજિક માહોલ તેમજ માતાપિતાએ લેવાની થતી કાળજી ઉપર ભાર મૂક્યો હતો. મનોચિકિત્સક ડો. રિધ્ધિ ઠક્કરે આવા બાળકની માનસિક નબળી સ્થિતિમાં મનોચિકિત્સક શું કરી શકે એ બાબત ઉપર માર્ગદર્શન આપતા વધુમાં ઉમેર્યું કે સારવાર સાથે પોષણ અને પ્યાર પણ બાળકના માનસિક વિકાસનો મજબૂત પાયો બની શકે છે. ડો.સંદીપ ટીલવાણીએ બાળક ગર્ભમાં હોય ત્યારે લેવાની થતી કાળજીનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે મીલીટરી હોસ્પિટલના તબીબો પણ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:08 am

એનએસયુઆઇ દ્વારા કુલપતિ સમક્ષ રજૂઆત કરાઇ:કચ્છ યુનિ.માં પરીક્ષાના બે માસ બાદ પણ પરિણામો જાહેર ન થયા

કચ્છ યુનિવર્સિટી દ્વારા બે માસ પહેલાં લેવાયેલી સ્નાતક અને અનુસ્નાતકના વિવિધ સેમેસ્ટરોની પરીક્ષાઓના પરિણામો જાહેર કરવામાં ન આવતાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને ચિંતા પ્રવર્તી રહી છે તેમ એનએસયુઆઇ દ્વારા કુલપતિ સમક્ષ કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું. UGCના નિયમ મુજબ પરીક્ષાના 45 દિવસની અંદર પરિણામો જાહેર કરવાના હોય છે પણ કચ્છ યુનિ.ની કસોટીઓને બે મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પરિણામો જાહેર નથી થયા . જો ત્રણ દિવસમા તમામ પરિણામો જાહેર કરવામાં નહીં આવે તો NSUI દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી. કચ્છ જિલ્લા NSUI ના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં કૃષ્ણરાજસિંહ જાડેજા, સંદીપ રામ, યાજ્ઞિકભાઈ, જયપાલસિંહ તથા હોદ્દેદારો અને વિદ્યાર્થીઓ રજૂઆતમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:07 am

પાઇપલાઇનમાં લીકેજ થતાં પાણી વહેતું થયું:ભુજ–માધાપર રિંગરોડ મરમ્મતના કામ દરમિયાન મુક્તજીવન સર્કલ પાસે નર્મદાની પાઇપલાઇન તૂટી

ભુજ–માધાપર વચ્ચે સ્મૃતિવન પાસેથી પસાર થતા રાજ્ય ધોરીમાર્ગનું હાલ વિસ્તૃતિકરણનું કામ ચાલુ છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચાલી રહેલા આ કામમાં બંને બાજુ ત્રણ–ત્રણ મીટર સુધી રસ્તો પહોળો કરવામાં આવી રહ્યો છે. શહેરના વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલું આ કામ ભવિષ્યમાં વાહનવ્યવહાર માટે રાહતરૂપ બનશે તે ચોક્કસ છે, પરંતુ ત્યાં સુધી માર્ગના કામગીરી દરમિયાન ટ્રાફિક જામ સમસ્યા રહેશે. માર્ગની કામગીરી દરમિયાન કેટલાક ટેક્નિકલ પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે. ભુજથી આરટીઓ સર્કલ તરફ જતા માર્ગ પર થોડા મહિના પહેલાં જ નર્મદા પાણી પુરવઠાની પાઇપલાઇન નાખવામાં આવી હતી. પાણીની સમસ્યા દૂર કરવા માટે બનાવેલી આ મહત્વની વ્યવસ્થાને રીંગરોડના કામ દરમિયાન ઠેકેદારના ભારે સાધનો દ્વારા અજાણતા નુકસાન પહોંચ્યું હતું. પાઇપલાઇનમાં લીકેજ થતાં પાણી વહેતું થયું હતું, પરંતુ સંબંધિત વિભાગે તાત્કાલિક મરમ્મત હાથ ધરી સાંજ સુધી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી. તેમ છતાં આગળ પણ ખોદકામ દરમ્યાન આવી પાઇપલાઇનોને સુરક્ષિત રાખવા ખાસ કાળજી લેવાની જરૂરિયાત નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ, આરટીઓ સર્કલથી આગળ રસ્તો પહોળો કરવાની કામગીરીમાં વાણિજ્ય સંકુલ આગળની ફૂટપાથ, ત્યારબાદનો આર્મીનો રક્ષિત વિસ્તાર અને ડીઆઈજી બંગલાની હદ પણ અડચણરૂપ બનશે. સંબંધિત વિભાગો વચ્ચે સંકલન બાદ જ અંતિમ ડિઝાઇન અમલમાં મૂકવી પડશે. સ્મૃતિવન પાસે માર્ગ પહોળો અને ફૂટપાથ નાની કરવામાં વિલંબ !ભુજથી માધાપર વચ્ચે સૌથી મહત્વની જગ્યા કે જ્યાં અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે તે સ્મૃતિવન પાસેનો માર્ગ તાત્કાલિક પૂર્ણ કરવાની જરૂર છે. કામગીરી થઈ રહી છે પરંતુ ફૂટપાથ કે જે 15 થી 20 ફૂટ પહોળી છે તેને નાની કરવામાં હજુ પણ વિલંબ થઈ રહ્યો છે. શક્ય છે કે પ્રવાસન ઋતુ હોવાને કારણે અથવા મુખ્યમંત્રીની મુલાકાત જેવા કારણથી મોડું થયું હોય. અન્ય બધા સ્થળોએ ખોદકામ અને પુરાણ પણ થઈ ગયું છે ત્યારે હવે આ પેચ શા માટે બાકી રહ્યો છે તે પ્રશ્ન છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:06 am

સિટી એન્કર:જળપ્લાવિત વિસ્તારોનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ

વિશ્વ વેટલેન્ડ દિવસ નિમિત્તે ભુજમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેટલેન્ડ્સ અને પરંપરાગત જ્ઞાનના સંગમ દ્વારા સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવામાં આવી હતી. વન વિભાગના કચ્છ વર્તુળ, ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી સહીત સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં વનવિભાગના અધિકારીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને તજજ્ઞો જોડાયા હતા. ગાઈડના વૈજ્ઞાનિક ડો. જી. જયંતી દ્વારા મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એ.સી.એફ શિવરાજ એ. ગઢવીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું અને ડી.સી.એફ આયુષ વર્માએ ઉદ્ઘાટન સંબોધન દ્વારા વેટલેન્ડની અગત્યતા સમજાવી હતી. મુખ્ય વક્તા કચ્છ વન વર્તુળના વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલે જળપ્લાવિત વિસ્તારોના સંરક્ષણનું મહત્વ ભારપૂર્વક સમજાવ્યું હતું. ટેકનિકલ સત્ર દરમિયાન વિવિધ નિષ્ણાતોએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા, જેમાં આર.આર લાલન કોલેજના ઝૂલોજી વિભાગના વડા ડો. પ્રણવ પંડ્યાએ દરિયાકાંઠાના વેટલેન્ડ વિશે અને ડો. રચના ચંદ્રાએ વેટલેન્ડના સામાન્ય મહત્વ પર વાત કરી હતી. આ સત્રમાં ડો. પંકજ જોશી અને વરિષ્ઠ પક્ષીવિદ શાંતિલાલ વરુએ પોતાના અનુભવો વિસ્તૃત રીતે વર્ણવ્યા હતા. ડો. એસ. કે. સાજન દ્વારા ભારતના મીઠા પાણીની જીવસૃષ્ટિ વિશે તકનીકી માહિતી પૂરી પાડવામાં આવી હતી. વિજ્ઞાન શિક્ષક દીપક ગોસ્વામીએ વેટલેન્ડના પક્ષીઓ વિશે રસપ્રદ વિગતો આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ડો. એલ. પ્રભાદેવી દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વન સંરક્ષક ડો. ધીરજ મિત્તલ, પૂર્વ કચ્છ ડીસીએફ ડો.આયુષ વર્મા, પશ્ચિમ કચ્છ ડીસીએફ હર્ષ ઠક્કર, બન્ની ડી.સી.એફ નેવીલ ચૌધરી સાથે એ.સી.એફ શિવરાજ ગઢવી, હસમુખ ચૌધરી અને રમેશ ચૌધરી જોડાયા હતા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સમાં આર.ડી ગઢવી, કે.બી ભરવાડ,એ.જી રબારી, વનરાજસિંહ બિહોલા, અજયસિંહ સોલંકી, ગણપતભાઈ પટેલ, ધવલ દેસાઈ, મહેન્દ્રસિંહ સોલંકી સહીત રેન્જ સ્ટાફ, ફોરેસ્ટર્સ સહીત જોડાયા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. સ્થાનિક સમુદાય અને ચિંતન-મનન કરાયું વિવિધ સત્રોમાં થયેલી ચર્ચા અનુસાર જળપ્લાવિત વિસ્તારોનું આપણા સાંસ્કૃતિક વારસામાં ભૂમિના રક્ષણનું મહત્વ, જળપ્લાવિત વિસ્તારોના પક્ષીઓની ઓળખ, સ્થાનિક સમુદાયના પશુપાલકો,ખેડુતો,માછીમારો સહીતની આજીવિકા સાથે-સાથે પર્યાવરણીય સમતુલા જાળવવા માટે કાર્યોથી જળપ્લાવિત વિસ્તારના સંરક્ષણ-સંવર્ધન માટે પ્રયત્નો મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. સિટી એન્કર

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:04 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:એરપોર્ટ રિંગરોડ પર દરરોજ ટ્રાફિક જામની સમસ્યા

શહેરમાં વિકાસની ગતિ સાથે ટ્રાફિકનું ભારણ પણ ઝડપથી વધી રહ્યું છે, જેના કારણે કેટલીક જગ્યાઓ પર રોજિંદા ટ્રાફિક જામની સમસ્યાઓ ઊભી થઈ છે. ખાસ કરીને નળ સર્કલથી આરટીઓ સર્કલ, મુકતજીવન સર્કલ અને આઈયા સર્કલ થઈને પશ્ચિમ કચ્છ તરફ જતા મુખ્ય માર્ગ પર અકસ્માતોની વધતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને લોક લાગણી અને ધારાસભ્યની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે આ માર્ગ ભારે વાહનો માટે બંધ કરવાનો જાહેર હુકમ બહાર પાડ્યો હતો. ત્યારબાદ ભારે વાહનોને નાગોર રેલવે ઓવરબ્રિજથી એરપોર્ટ રિંગ રોડ મારફતે પ્રિન્સ રેસીડેન્સી ત્રિભેટા તરફ વાળવામાં આવ્યા છે. પરંતુ હવે નવી મુશ્કેલી એરપોર્ટ રિંગ રોડ પર ઊભી થઈ છે. અહીંથી પસાર થતા સેંકડો ભારેથી અતિ ભારે વાહનોને કારણે સેવન સ્કાય પાસે અને રેલવે ટ્રેક નજીક બપોરના સમય તેમજ રાત્રે 8 થી 9 વાગ્યા દરમિયાન લગભગ એક કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી જાય છે. ટ્રાફિકની આ સમસ્યાથી સ્થાનિક રહેવાસીઓ માટે રોજિંદી અવરજવર મુશ્કેલ બની ગઈ છે. આસપાસ વિસ્તારના રહેવાસીઓના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દિવસોમાં અહીં નાના-મોટા અકસ્માતોના બનાવો પણ બન્યા છે. રવિવારે બપોરે બે કાર વચ્ચે અથડામણ થઈ હતી, જ્યારે સાંજે એક ભારે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા બોલાચાલી અને તંગદિલી સર્જાઈ હતી. હાલ રિંગ રોડનું કામ ચાલુ હોવા છતાં તે પૂર્ણ ન થાય ત્યાં સુધી સમસ્યા વધુ ગંભીર બનશે. સ્થાનિક રહેવાસીઓએ પીક આવર્સ દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે અહીં ટ્રાફિક પોલીસના જવાનોની તાત્કાલિક નિમણૂક કરવાની માંગ ઉઠાવી છે. ‘બાયપાસ’ની માંગ તેજ: સ્થાનિકો અને વાહનચાલકો પરેશાનમુખ્ય મથક ભુજમાં ટ્રાફિકની સમસ્યા હવે કાયમી શિરદર્દ બની ગઈ છે. શહેરમાં યોગ્ય બાયપાસ રોડના અભાવે ભારે વાહનો અને લાંબા અંતરની બસો શહેરની મધ્યમાંથી પસાર થાય છે, જેના કારણે સતત જામની સ્થિતિ સર્જાય છે. ટ્રાફિક નિષ્ણાતો અને સ્થાનિકોનું માનવું છે કે, આ સમસ્યાનો એકમાત્ર કાયમી ઉકેલ શહેરની બહારથી પસાર થતો બાયપાસ જ છે. લાંબાગાળાના આયોજન માટે હવે સરકાર અને વહીવટી તંત્રએ આ દિશામાં ગંભીરતાથી વિચારવું અનિવાર્ય બન્યું છે. જો વહેલી તકે બાયપાસનું નિર્માણ કરવામાં આવે, તો જ શહેરના આંતરિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ ઘટશે અને અકસ્માતોનું પ્રમાણ પણ ઘટાડી શકાશે. લોકમાંગ ઉઠી છે કે તંત્ર આ બાબતે નક્કર આયોજન હાથ ધરે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:02 am

'દારૂની જેમ કારમાં વ્હાઈટ લાઈટ પણ ક્યારેય બંધ નહીં થાય':આંખો આંજી દેતી લાઈટનો કાળો કારોબાર, ભાસ્કરના કેમેરામાં ખુલાસો; વેપારીએ કોન્ફીડન્સથી કહ્યું-'કંપની ફિટેડમાં રિઝલ્ટ નથી મળતું'

વાહનોમાં લગાવવામાં આવતી નિયમ વિરુદ્ધની વ્હાઈટ લાઈટના કારણે અકસ્માત સર્જાતા હોય ગાંધીનગરથી કાર્યવાહીના આદેશ છૂટ્યા છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં RTOએ આંખે અંધારા લાવી દેતી લાઈટ્સ સાથેના વાહનચાલકો સામે કાર્યવાહી પણ શરૂ કરી છે. પરંતુ, સૌથી ગંભીર બાબત એ છે કે, એક તરફ RTOની ડ્રાઈવ ચાલી રહી છે તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં બેરોકટોક ગેરકાયદે લાઈટ્સનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે દિવ્યભાસ્કરે રાજકોટ અને વડોદરા શહેરની બજારમાં રિયાલિટી ચેક કર્યું હતું. ભાસ્કરે કરેલા સ્ટિંગમાં રાજકોટ અને વડોદરાના વેપારીઓ કોન્ફીડન્સથી ગેરકાયદે વ્હાઈટ લાઈટનું વેચાણ કરતા જોવા મળ્યા. અમે જ્યારે RTOની કાર્યવાહીની યાદ અપાવી તો ક્હ્યું- દર વર્ષ થોડી ગરમાગરમી હોય. આ કોઈ દિવસ બંધ થવાનું જ નથી. રાજકોટમાં ગેરકાયદે વ્હાઈટ લાઈટનું બેરોકટોક વેચાણનિયમ વિરુદ્ધની વ્હાઈટ LED લાઈટ પર કાર્યવાહી કરવાના વાહન વ્યવહાર કમિશરના પરિપત્ર બાદ બજારામં નિયમ વિરુદ્ધની લાઈટ મળે છે કે નહીં તેનું ભાસ્કરે રિયાલિટી ચેક કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે. ફોર વ્હીલર લાઈટમાં નિયમ મુજબ 70 વોટની લાઈટ જ લગાવી શકાય છે. પરંતુ, ભાસ્કરના સ્ટીંગ ઓપરેશનમાં વેપારીઓ 250થી 300 વોટની લાઈટનું કોન્ફીડન્સથી વેચાણ કરતા કેમેરામાં કેદ થયા. જ્યારે આ બાબતે દિવ્યભાસ્કર ડિજિટલ દ્વારા ગોંડલ રોડ પરના સિતારામ કાર ડેકોર ખાતે ગ્રાહક બની સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. જે દરમિયાન વેપારીને પૂછવામાં આવ્યું કે, બલેનો કારમાં કંપની ફિટેડ લાઇટ ડીમ છે તો અલગથી લાઇટ ફિટ કરાવવી છે ત્યારે વેપારી કહે છે કે એક 250 વોટની વ્હાઇટ લાઇટ આવશે. જેના રૂ.5500 છે. જ્યારે 300 વોટની વ્હાઇટ લાઇટ રૂ.6500 ની આવશે. અમે નવી બલેનોમાં 250 વોટના પ્રોજેક્ટર નાખીએ છીએ કારણકે કંપની ફિટિંગ લાઇટમાં રિઝલ્ટ મળતું નથી. 'ચેકિંગ હોય ત્યારે ધ્યાન રાખવાનું બાકી આખું વર્ષ કંઈ હોતું નથી'વેપારીને જ્યારે RTOના ચેકિંગને લઈ સવાલ કર્યો તો કહ્યું- ચેકિંગ હોય ત્યારે ધ્યાન રાખવું પડે બાકી આખું વર્ષ કંઈ હોતું નથી. આ હોય કે દારૂ હોય કોઈ દિવસ બંધ થવાનું નથી. હાઈવે પર જતા હોઈએ અને કંપની ફિટેડ લાઇટ હોય તો દૂર સુધી પ્રકાશ પડતો નથી. જેને લીધે અકસ્માત થઈ જાય. વ્હાઇટ ઉપરાંત વોર્મ વ્હાઈટ લાઈટ પણ નાંખી શકાય. જે પીળા શેડમાં આવે. ગેરકાયદે લાઈટ લગાવવા પર રૂ. 5000 સુધીના દંડની જોગવાઈRTO અધિકારીએ કહ્યું -વાહનોમાં કંપની ફિટેડ વ્હાઇટ લાઇટમાં કોઈ વાંધો નથી પરંતુ મોડીફાઇ કરેલી અથવા તો અલગથી વ્હાઇટ લાઈટ લગાવી ન શકાય. સાદી લાઇટમાં ડિફ્યુઝર હોય અને લિમિટેડ લેન્થ સુધી જતી હોય છે. જ્યારે મોડીફાય વ્હાઈટ લાઈટ દૂર સુધી પથરાતી હોય છે. જેને લીધે અન્ય વાહન ચાલકો અંજાય જાય છે અને અકસ્માતો સર્જાય છે. કારમાં 70 વોટ સુધીની લાઇટ રાખી શકાય છે. વાહનમાં જૂની લાઇટને મોડીફાય કરાવો તો રૂ.1000 અને જૂની લાઇટ કાઢી નવી ગેરકાયદેસર વ્હાઇટ લાઇટ લગાવો તો રૂ.5000 ના દંડ થાય છે. આ ઉપરાંત વાહનના રજીસ્ટ્રેશન ની સાથે સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ છે. જોકે લાયસન્સ રદ કરવાની કોઈ જોગવાઈ નથી. તેમણે જણાવ્યું કે, ઓથોરાઈઝેશન ડીલર આ પ્રકારની વ્હાઈટ લાઈટનું વેચાણ કરતા નથી પરંતુ એસેસરીઝ વેચનારા વેપારીઓ આ વ્હાઈટ લાઈટ વેચે છે. જોકે આ પ્રકારના ડીલરો સામે કાર્યવાહી કરવાના કોઈ જ અધિકારો આરટીઓ પાસે નથી. આ ઉપરાંત મોડીફાય લાઇટ છે કે કેમ તેની માપણી માટેનું લક્સ મીટર હોય છે પરંતુ આ પ્રકારનું કોઈ સાધન રાજકોટ આરટીઓ પાસે નથી. રાજકોટ સિવાય વડોદરાની બજારમાં પણ ગેરકાયદે વ્હાઈટ લાઈટનું વેચાણ કઈ રીતે થાય છે તે જાણવા રિયાલિટી ચેક કરાયું હતું.વડોદરાના જ્યુબિલીબાગ પાસે ધમધમતું અને વાહનોની LED અને અન્ય જરૂરી વસ્તુઓ મળે છે ત્યાં અમે પહોંચ્યા હતા. અમે એક બાદ એક વેપારી સાથે આ બાબતે જાણવાનો પ્રયાસ કર્યો કે LED લાઈટ અને યેલો લાઈટમાં વોટમાં કેટલો ડિફરન્ટ આવે છે અને ગ્રાહકોની ડિમાન્ડ શું હોય છે. આ આરટીઓના નિયમો અનુસાર અહીંયા વેચવામાં આવે છે કે કેમ? ગ્રાહકોને શું ગમે છે તે તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. વેપારીએ કહ્યું- '200 વોટ સુધીની લાઈટ મળી જશે'ગેરકાયદેસર લાઈટનું વેચાણ કરતા એક વેપારીએ જણાવ્યું કે, અમારી પાસે અલગ અલગ પ્રકારની LED અને ફોક લાઇટો આવેલી છે. આરટીઓ દ્વારા કંપનીએ પ્રોવાઈડ કરેલ લાઈટ કરતા વધારે વોટની એટલે કે 30, 60, 80 ,120 અને 200 વોલ્ટ સુધીની વેચીએ છીએ. અમને આરટીઓ 200 સુધી છૂટ હોય છે. અત્યારે કંપની બાઈટ લાઈટ આપે છે અને તે ઓછી પડે તો ફોક લેમ્પ લગાવે છે. આ એક્ટિવાના યલો લાઈટ છે તો અમે તેને વધારે વોટ કરી લગાવી આપીએ છીયે. સફેદ લાઈટો મેડ ઇન ચાઇના આવે છે. એમાં ગેરન્ટી વાળી જોઈએ તો તે પણ હેવી મળે છે. કંપની જે લાઈટ આપે છે તે કહેવા પૂરતી હોય છે- વેપારીઆ બાબતે અમે અન્ય એક વેપારી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે સફેદ લાઈટ વેચીએ છીએ. લાઈટો તો હજાર જાતની આવે છે. આ બાબતે આ વેપારી કઈ પણ વાત કહેવા તૈયાર ન હતો. આ સાથે અન્ય એક વેપારીએ જણાવ્યું હતું કે, ટુ વ્હીલરમાં કંપનીની લાઈટ તો 35 વોલ્ટની જ આવે છે. પરંતુ ગ્રાહકોની ડિમાન્ડ પ્રમાણે 40, 60 અલગ અલગ વોટની લગાવતા હોઈએ છીયે. ફ્લેશ વધારવા માટે જ લોકો વાઈટ લાઈટ મારતા હોય છે. કંપની જે આપે છે તે માત્ર કહેવા પૂરતી હોય છે. અમારી પાસે 40,60, 80,100 અલગ અલગ વોલ્ટની લાઇટો હોય છે. અહીંયા બધા યલો લાઈટ માંથી વાઇટ લાઈટ કરાવે છે. માર્કેટમાં બધુજ આવે છે ચાઇના પણ આવે છે. આ સાથે અમે ફોર વ્હીલર ડીલરો સાથે પણ આ અંગે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એક પણ ડીલર આ બાબતે કંઈપણ ઓન કેમેરા બોલવા માંગતો ન હતો. શક્યતાઓ છે કે વડોદરામાં ફોર વ્હીલર ડીલર કંપનીના અને RTO ના નિયમોને નેવે મૂકી LED લાઈટ વધારે વોટની લગાવી ગ્રાહકોને ડિમાન્ડ પૂરી કરતા હોઈ શકે છે. આ બાબતે કોઈ પણ ડીલર ખુલીને બોલવા તૈયાર ન હતો. આ અંગે અમે આરટીઓ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ બાબતે દરેક વાહનની કંપની ફિટિંગ લાઈટ હોય તેજ વાપરી શકે છે. અન્ય વધારાની કે કંપનીએ લગાવેલ લાઈટ બદલી શકે નહીં. આ બાબતે ARI( એરોમેટિક રિસર્ચ ઈન્ડસ્ટ્રીજ) પરમિશન આપતી હોય છે. તેજ પ્રમાણે દરેક કંપની આ લાઈટ ફિટ કરતી હોય છે. લક્સ મીટરની ઉપસ્થિતિ વગર જ વાહનવ્યવહાર કમિશનરે પત્ર કરી દીધો!રાજ્યના વાહનવ્યવહાર વિભાગે ગેરકાયદે વ્હાઇટ એલઈડી લાઇટ લગાવીને ચલાવનારા વાહનચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની સૂચના તમામ આરટીઓને આપી છે, પરંતુ આવી લાઇટોની ઇન્ટેન્સિટી (તીવ્રતા) માપવાનાં લક્સ મીટર જ આરટીઓને અપાયાં નથી. ભૂતકાળમાં ગેરકાયદે વ્હાઇટ એલઈડી લાઇટ લગાવનારા વાહનચાલકો સામે ચેકિંગની કામગીરી માત્ર વ્હાઇટ લાઇટની તીવ્રતા જોઈને જ કરાતી હતી, જેમાં કાર, સ્કૂટર અને રિક્ષા પ્રકારનાં વાહનોનું ચેકિંગ કરાતું ન હતું. માત્ર ખાનગી બસોનું જ ચેકિંગ કરવામાં આવતું હતું. કાર, સ્કૂટર, રિક્ષામાં લગાવેલી આવી હાઈ ઇન્ટેન્સિટી ધરાવતી એલઈડી લાઇટનું ચેકિંગ કરવા માટે લક્સ મીટરની જરૂર પડે છે, પરંતુ રાજ્યના વાહન વ્યવહાર વિભાગે હજુ સુધી લક્સ મીટર જ આપ્યાં ન હોવાનું સામે આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:00 am

નાનાભાઈનું અકસ્માતમાં મોત, મોટોભાઈ ગુમ અને ઘેરાતું રહસ્ય:પિતાએ પોલીસને કહ્યું, અંતિમવિધિ પછી બધું કહીશ; જીપના માલિકે પૂછપરછમાં વટાણા વેરી દીધા

ગુનો આચરતા પહેલાં ઘણા અપરાધીઓ એવું સમજતા હોય છે કે પોલીસ તેમના સુધી ક્યારેય પહોંચી જ નહીં શકે. પરંતુ ઘટનાસ્થળનું નિરિક્ષણ, બનાવ પાછળના સંજોગો અને પુરાવાના આધારે કુનેહપૂર્વક તપાસ થતાં જ કાયદાનો ગાળિયો આરોપીઓના ગળા સુધી પહોંચી જ જાય છે. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે એક એવા કેસની વાત, જેમાં સગા નાનાભાઈની હત્યાનો મોટાભાઈને પ્લાન બનાવ્યો. હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે વ્યવસ્થિત ગોઠવણ કરી. પણ એક ભૂલ એવી કરી જેનાથી લોહીયાળ ખેલનો ભાંડો ફૂટી ગયો. 5 જૂન, 2017રાજકોટની ધોમધખતી બપોરનો સૂરજ આભમાંથી જાણે અગનગોળા ફેંકી રહ્યો હતો. રાજકોટથી એકદમ નજીક આવેલા રૈયા ગામની સીમમાં ખેડૂતોના ટ્રેક્ટર, વાડીએ ચાલતા પંપ અને પક્ષીઓનો અવાજ સંભળાતો હતો. પણ આવી કર્ણપ્રિય શાંતિ થોડા જ સમયમાં એક મોટા ઘોંઘાટમાં બદલાઈ જવાની આ વાત છે. 35 વર્ષનો મુકેશ મોહનભાઈ રોજાસરા એક વાડી વાવવા માટે રાખી હતી, એ ત્યાં પરિવાર સાથે રહેતો હતો. અચાનક સંપમાં પાણી આવવાનું બંધ થઈ ગયું, તેણે જોયું કે લાઇટ તો છે પણ પાણી નથી આવી રહ્યું. એટલે તે પોતાની બાઈક પર પરશુરામ મંદિર પાસેના કાચા રસ્તે થઈને પાણીના સંપ તરફ જઈ રહ્યો હતો. તેને ક્યાં ખબર હતી કે કાળ પાછળ જ છુપાઈને બેઠો છે. મુકેશ અડધે રસ્તે પહોંચ્યો ત્યારે અચાનક પાછળથી એન્જિનનો કર્કશ અવાજ સંભળાયો. કોઈ વાહન ખૂબ જ પૂરઝડપે તેની તરફ ધસી રહ્યું હતું. મુકેશે સાઈડ મિરરમાં જોયું તો એક બેફામ જીપ ધૂળની ડમરીઓ ઉડાડતી તેની સાવ નજીક આવી ગઈ હતી. અરે… મગજ ઠેકાણે નથી કે શું? મુકેશે ગભરાઈને પોતાની બાઈક રસ્તાની સાઈડમાં ઉતારવાનો પ્રયાસ કર્યો. પણ રસ્તો સાંકડો હતો અને જીપના ચાલકના મનસૂબા કંઈક અલગ જ હતા. મુકેશ કાંઈ સમજીને બચવાનો પ્રયાસ કરે એ પહેલાં તો પાછથી આવેલી રહેલી ગાડી મુકેશની બાઈક સાથે અથડાઈ. મુકેશ ગાડી સાથે ઘસડાતો ગયો પણ ગાડી થોભી નહીં. જાણે ડ્રાયવરને ખાતરી કરવી હતી કે શ્વાસ બચવો ન જોઈએ. બાઈક અને મુકેશ ગાડીની નીચે ફસાયા અને 20-25 ફૂટ સુધી પથરાળ જમીન પર ઢસડાતા ગયા. લોહીના લાલ લસરકા સફેદ ધૂળ પર ઉભરી આવ્યા. જીપ ઉભી રહી પણ માત્ર થોડી સેકન્ડો માટે. ડ્રાયવરે દરવાજો ખોલ્યો અને નીચે ઉતર્યો. તેણે એક નજર મુકેશના લોહીલુહાણ શરીર અને કાટમાળ બની ગયેલા બાઇક પર નાખી. તરત જ તેણે આસપાસ જોયું કે કોઈ આવી તો નથી રહ્યું ને. બપોરના સમયે આમ પણ ખેતરમાં જવલ્લે જ લોકો હતા. એટલે કોઈ આવી ચડે એ પહેલાં જીપ ત્યાં મૂકીને નાસી છૂટ્યો. બપોરનો એક વાગ્યો હતો. એક ખેડૂત ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર રસ્તા વચ્ચે પડેલા બાઈક અને થોડે દૂર પડેલી જીપ પર પડી. નજીક જઈને જોયું તો તેના હોશ ઉડી ગયા. અરે બાપ રે… આ તો એક્સિડન્ટ થયું છે ખેડૂતના હાથ ધ્રૂજવા લાગ્યા. તેની બૂમાબૂમ સાંભળીને બીજા કેટલાક ખેડૂતો પણ આવી ગયા. ટોળામાંથી કોઈકે પોલીસને જાણ કરી. થોડી જ વારમાં પોલીસનો કાફલો નાના એવા રૈયા ગામમાં આવી પહોંચ્યો. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના તત્કાલિન પીઆઈ કે.કે.ઝાલા, પીએસઆઈ વી.આર. જાડેજા અને તેમની ટીમ ઘટનાસ્થળે તપાસ માટે ઉતરી પડી. આમ તો આવા કેસમાં પોલીસ એડી એટલે કે અકસ્માતને મોતનો કેસ દાખલ કરીને કાયદાકીય કામગીરી પતાવી દેતી હોય છે. પણ આ કેસમાં પોલીસની નજર તીક્ષ્ણ હતી. પીઆઈ ઝાલાએ સ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું. આમ તેમ ત્રણથી ચાર ચક્કર લગાવ્યા. આ સમયે એક પોલીસકર્મીએ કહ્યું પણ ખરું, સાહેબ, દેખીતી રીતે તો આ 'હિટ એન્ડ રન'નો કેસ લાગે છે પીઆઈ ઝાલાએ જમીન પર ટાયરના નિશાન જોયા. 25 ફૂટ સુધી ઘસડાયેલી બાઈકની સ્થિતિ કંઈક અલગ જ થિયરી કહેતી હોય એમ લાગ્યું. તેમણે ગંભીર અવાજે કહ્યું, એક્સિડન્ટ ત્યારે કહેવાય જેમાં ડ્રાયવર બચાવવાનો પ્રયાસ કરે. પરંતુ આ નિશાન જોઈને તો લાગે છે કે ડ્રાયવરે બ્રેક મારવાને બદલે એક્સિલરેટર દબાવ્યું હશે. આ અકસ્માત નથી લાગતું ઇરાદાપૂર્વકનું ષડયંત્ર લાગે છે. આ દરમિયાન આસપાસના લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તેમાંથી એક યુવક આગળ આવ્યો. લાશ તરફ જોઈ તેના મોઢામાંથી ચીસ નીકળી ગઈ, અરે… આ તો લઘરો... આ તો આપણો મુકેશ છે… મુકેશ રોજાસરા. પછી તો ભીડમાંથી ઘણા લોકોને ખ્યાલ આવી ગયો કે મૃતક કોણ છે. પોલીસ અધિકારીઓના મનમાં સવાલ ઉઠ્યો, જો આ હત્યા છે તો આ કાચા રસ્તે મુકેશને મારી નાખવાની યોજના કોણે ઘડી? મુકેશ જેવો સાધારણ માણસ, જે વાડીએ રહીને પોતાનું ગુજરાન ચલાવતો હતો તેની સાથે આવું કોણ કરે? મુકેશની લાશ હજુ ઘટનાસ્થળે જ હતી. પોલીસ અને મેડિકલ ટીમ પોતપોતાનું કામ કરી રહી હતી. એ સમયે ભીડને ચીરતી એક મહિલા હૈયાફાટ રુદન કરતી આવી, એ મહિલા એટલે મુકેશની પત્ની મનુબેન. ત્યારે તેમણે રોડ પર લોહીલુહાણ પતિનો મૃતદેહ દેહ જોયો તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઓ મુકેશ... તમે અમને નોંધારા મૂકીને ક્યાં વયા ગયા મનુબેન પતિના નિશ્ચેતન દેહને વળગીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. થોડા કલાકો પહેલાં જ હસતા મોઢે વાડીએથી નીકળેલો મુકેશ હવે કાયમ માટે મૌન સાધી ચૂક્યો હતો. મનુબેનની વેદના ત્યાં ઉભેલા પથ્થર દિલના માણસોને પણ હચમચાવી દે તેવી હતી. પીઆઈ કે.કે.ઝાલાએ થોડીવાર મનુબેનને સ્વસ્થ થવા દીધા અને પછી અત્યંત નરમાશથી પૂછપરછ શરૂ કરી. ડૂસકાં ભરતા મનુબેને જે વિગતો આપી એ ઇન્વેસ્ટિગેશનમાં મોટો રોલ ભજવવાની હતી. સાહેબ, અમે તો ગરીબ માણસો છીએ. મૂળ ચોટીલાના રોજસરા ગામના વતની. અહીં રૈયામાં જાફરભાઈ ઉમરભાઈની વાડી ભાગમાં વાવવા રાખી છે એટલે મુકેશ, હું, મારા જેઠ રાજાભાઈ અને જેઠાણી વાસંતીબેન અમે બધા અહીં જ રહીએ છીએ. મારા સસરા એટલે મુકેશના પિતા મોહનભાઈ અને પરિવારના બીજા લોકો તો વતનમાં જ રહે છે. મુકેશ એક સામાન્ય ખેડૂત પરિવારનો નાનો દીકરો હતો. કોઈની સાથે ભૂતકાળથી અત્યાર સુધી કોઈ દેખીતું વેરઝેર નહોતું. પોલીસે પંચનામું પૂરું કરી મુકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ રવાના કર્યો. બપોરે બનેલી ઘટના પછી કોઈ મોટો ઉહાપોહ ન થયો. હવે સાંજ પડવા આવી હતી. ધીમે-ધીમે લોકોનું ટોળું વિખેરાઈ ગયું. પણ પીઆઈ ઝાલા અને પીએસઆઈ જાડેજા હજુ પણ ઘટનાસ્થળે જાણે કે રસ્તાની ધૂળ ફાંકી રહ્યા હતા. તેમની નજર રસ્તા પરના ટાયરના નિશાન પર અટકી ગઈ હતી. કઈ જગ્યાએ બન્ને વાહનો ટકરાયા, ત્યાંથી કેટલે દૂર બાઇટચાલક ઢસડાયો અને સિંગલપટ્ટી રોડ પર અંદાજે ગાડીની ઝડપ કેટલી હોઈ શકે એ તમામ ગણિત બેસાડવા માટે બન્ને પોલીસ અધિકારીઓ મથામણ કરી રહ્યા હતા. જાડેજા, આ નિશાન જોયા? પીઆઈ ઝાલાએ જમીન પર બેસીને જીપના ટાયરના ઘસરકા તપાસતા પૂછ્યું. હા સાહેબ, લગભગ 25 ફૂટ લાંબા ઘસરકા છે. જીપ અને બાઈક વચ્ચેની ટક્કર પછી પણ જીપે ઊભા રહેવાની કોશિશ નથી કરી એમ લાગે છે જાડેજાએ જવાબ આપ્યો. પીઆઈ ઝાલા ગંભીર વિચારમાં હતા કે બરાબર એ જ મુદ્દો છે. જો આ સામાન્ય અકસ્માત હોત તો ચાલકે ગભરાઈને પણ એકવાર બ્રેક મારી હોત. માનવ સહજ સ્વભાવ છે કે આવી પરિસ્થિતિમાં પગ બ્રેક પર જાય અથવા તો વાહનને બીજી દિશામાં લઈ જવાનો પ્રયાસ કરવામાં આવે. પણ મુકેશના એક્સિડન્ટને કેસમાં તો બાઈકને 25 ફૂટ સુધી ઢસડવામાં આવી હતી. એનો અર્થ એ કે ડ્રાયવરે સ્ટીયરિંગ મજબૂતીથી પકડી રાખ્યું હશે અને એક્સિલરેટર જરાય ઓછું થવા નહીં દીધું હોય. તેમણે જીપ તરફ ઈશારો કર્યો અને બોલ્યા આ કાચો રસ્તો છે જાડેજા. અહીં ગાડી આપોઆપ પૂરઝડપે ન ચાલે, એને ભગાવવી પડે. આ અકસ્માત અચાનક નથી થયો, આ તો ટાર્ગેટ પૂરો કરવામાં આવ્યો હોય એમ લાગે છે. પોલીસ અધિકારીઓની આ શંકા હવે દ્રઢ બની રહી હતી કે આ હિટ-એન્ડ-રનનો કેસ નથી પણ અત્યંત ઠંડા કલેજે ઘડાયેલું સુનિયોજિત કાવતરું છે. જીપને હથિયાર તરીકે વાપરવામાં આવી હતી. પરંતુ સવાલ એ હતો કે એક સામાન્ય વાડીના ભાગીદાર એવા મુકેશની હત્યા કરવા માટે આટલી જોખમી રીત કોણે અપનાવી? અને આ જીપ કોની હતી? પીઆઈ ઝાલાએ હવે મદદનીશ યોગરાજસિંહને આદેશ આપ્યો, યોગરાજસિંહ, આ જીપના રજીસ્ટ્રેશન નંબર પરથી તરત જ માલિકની કુંડળી કાઢો. આ જીપ કોની છે અને અત્યારે કોની પાસે હતી? યોગરાજસિંહે થોડા જ સમયમાં RTOમાંથી માહિતી કઢાવી અને પોલીસ સ્ટેશનમાં પીઆઈ પાસે આવીને ઉભા રહ્યા. સાહેબ, જીપ રૈયા ગામના એક પ્રૌઢ વ્યક્તિના નામે રજીસ્ટર છે. તુરંત જ એ પ્રૌઢને પોલીસ સ્ટેશને તેડાવવામાં આવ્યા. પોલીસની ખાખી વર્દી જોઈને પ્રૌઢ ફફડી ગયા હતા. પીઆઈ ઝાલાએ કડક અવાજે પૂછ્યું, આ જીપ તમારી છે? આજે સવારે આ જીપ કોણ લઈ ગયું હતું? પ્રૌઢે ધ્રૂજતા અવાજે જવાબ આપ્યો, હા સાહેબ, જીપ મારી જ છે. સવારે મારો એક પરિચિત આવીને કહી ગયો કે તેને થોડું કામ છે, એટલે હું ના ન પાડી શક્યો. એનું નામ રાજા છે. રાજા એટલે કોણ? પુરું નામ શું છે એનું?”, પોલીસ અધિકારીએ સવાલ કર્યો. જવાબ મળ્યો, “રાજા રોજાસરા” આ નામ સાંભળતા જ પોલીસ સ્ટેશનમાં હાજર તમામ પોલીસકર્મીઓમની આંખો પહોળી થઈ ગઈ. એક વખતનો તેમને જાણે આ શબ્દો પર વિશ્વાસ ન આવ્યો. પીઆઈએ કન્ફર્મ કરવા માટે સવાલ કર્યો, “રાજા? રાજા એટલે મૃતક મુકેશનો સગો મોટો ભાઈ?” જીપના માલિકે માથુ ધૂણાવીને હકારમાં જવાબ આપ્યો. શું વાત કરો છે? રાજા જ જીપ લઈ ગયો હતો? એ બંને ભાઈઓ વચ્ચે કોઈ માથાકૂટ હતી? કોઈ અણબનાવ? પોલીસ અધિકારીઓએ હવે ઉપરાછાપરી સવાલો કરી દીધા. પ્રૌઢે ફરી માથું ધુણાવ્યું અને કહ્યું, ના સાહેબ, મારી જાણ પ્રમાણે તો બંને ભાઈઓ વચ્ચે સારું જ બનતું હતું. કોઈ દિવસ ઝઘડો થયો હોય એમ સાંભળ્યું નથી. પીઆઈ અને પીએસઆઈ સહિત તમામ પોલીસકર્મીઓનું મગજ ચકરાવે ચડી ગયું. જો સંબંધો સારા હતા તો સગો ભાઈ જ નાના ભાઈને જીપ નીચે કચડી નાખે એ વાત ગળે ઉતરતી નહોતી. એકવાર તો એવુું પણ લાગ્યું કે કદાચ સાચે અકસ્માત જ થયો હોય, કોઈ ષડયંત્ર ન હોય. પણ શંકા કરવી એ તો પોલીસનું કામ. વળી, અકસ્માત થયો ત્યારથી રાજા ગુમ હતો. હવે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ શંકાસ્પદ આરોપી રાજાની શોધખોળમાં નીકળી પડી. કારણ કે અકસ્માત અને હત્યા વચ્ચે ઝોલા ખાતા આ કેસમાં રાજા જ એવો માણસ હતો તે ઘણું બધું જાણતો હતો. એક તરફ કેસને ઉકેલવા માટે પોલીસ સ્ટેશનમાં રણનીતિ બની રહી હતી, મિટિંગોનો દોર ચાલી રહ્યો હતો, અપડેટ્સ લેવાઇ રહી હતી. એ જ અરસામાં ચોટીલામાં રહેતા મુકેશના પરિવાજનો હોસ્પિટલે આવી ચડ્યા, જ્યાં રાજાનું પોસ્ટમોર્ટમ ચાલતું હતું. ચોટીલાથી આવેલા લોકોની સાથે રાજા તો ન જ હતો. પરંતુ તેના અને મૃતકના પિતા મોહનભાઈ ભીની આંખે હોસ્પિટલ બહાર બેઠાં હતા. પુત્રના અકાળ અવસાનથી તેઓ ભાંગી પડ્યા હતા. પુત્ર ગુમાવનાર પિતાની પીડા પોલીસ અધિકારીઓ સમજતા હતા પણ સત્ય જાણવું પણ એટલું જ જરૂરી હતું. પોલીસ અધિકારીઓએ મોહનભાઈને સાંત્વના આપી અને ધીમેથી પૂછ્યું, મોહનભાઈ, મુકેશ અને રાજા વચ્ચે કેવું બનતું હતું? પિતાની આંખોમાંથી આંસુ સરી પડ્યા. તેમની આંખમાં લાચારી હતી. પોલીસના સવાલના જવાબમાં તેમણે એટલું જ કહ્યું, બહારથી ભલે દુનિયાને એમ લાગે કે બંને ભાઈઓ પ્રેમથી રહે છે પણ હકીકત કંઈક અલગ જ છે. આમાં મારો જુવાનજોધ દીકરો જતો રહ્યો છે. મોહનભાઈ આટલું બોલીને થોડીવાર માટે ચૂપ રહ્યા. પોલીસે બીજો કોઈ સવાલ ન કર્યો. પછી મોહનભાઈએ જ વાતને આગળ વધારતા કહ્યું, સાહેબ, અત્યારે મારે મારા દીકરાની અંતિમવિધિ માટે વતન જવું છે. વિધિ પતી જાય પછી હું જ રૂબરૂ આવીને બધી માહિતી આપીશ. માનવતાના નાતે પોલીસે મોહનભાઈની વાત માની લીધી. પણ મોહનભાઈએ કહેલી નાની અમથી વાતે પણ મહોર મારી દીધી કે આ કેસમાં રાજાનો મોટો રોલ છે. હવે, રાજા પોલીસની રડાર પર હતો. ટેકનિકલ સર્વેલન્સથી માંડી ખબરીઓ મારફતે રાજાની શોધખોળ શરૂ કરી દેવામાં આવી. સગા નાનાભાઈની હત્યા કરીને અકસ્માતમાં ખપાવવાનું કારણ શું હતું?મૃતકના પિતા દીકરાઓની કંઈ વાત પોલીસથી સંતાડી રહ્યા હતા?ધરપકડ બાદ આરોપી રાજા રોજાસરાએ પોલીસ સામે શું ખુલાસા કર્યા? વાંચો, આવતીકાલે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા ભાગમાં.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 6:00 am

ભાસ્કર વિશેષ:ઉંડેરામાં મહિલાના મોં પર સિગારેટનો ધુમાડો ફૂંકી 2 ગઠિયાઓ બુટ્ટી રૂમાલમાં મૂકાવી રફુચક્કર, તપાસ કરતાં કાંકરા નીકળ્યા

ઉંડેરા ગામમાં પાન-પડીકીનો ગલ્લો ચલાવતી મહિલા પાસે 2 ગઠિયાએ જઈને તેને વાતોમાં ભેળવી દીધી હતી. તે પછી એકે મહિલાના મોં પર સિગારેટનો ધુમાડો ફૂંકી તેમની સોનાની બે બુટ્ટીઓ રૂમાલમાં મુકાવી ગાંઠ બાંધી દીધી હતી. જોકે મહિલાએ રૂમાલ ખોલતાં તેમાંથી બે કાંકરા નીકળ્યા હતા અને ગઠિયા ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. ઉંડેરા ગામ નવી વસાહતમાં રહેતાં 65 વર્ષીય જશોદાબેન સોલંકી ઘર નજીક મહાકાળી માતાના મંદિર પાસે પાન-પડીકીનો ગલ્લો ચલાવે છે. 29 જાન્યુઆરીએ ગલ્લા પર બપોરે 3 વાગે એક શખ્સ આવ્યો હતો. તેણે સિગારેટ અને પડીકી માગી હતી. થોડીવારમાં અન્ય એક શખ્સ પણ પહોંચ્યો હતો. તેણે સેવ-મમરાનું પેકેટ અને પાણીની બોટલ લીધી હતી. પહેલાં આવેલો શખ્સ બંધ શાકભાજીની લારીએ જઈને પરત આવ્યો હતો અને જશોદાબેનને વાતોમાં ભેળવી દીધાં હતાં. તેણે જશોદાબેનને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટીઓ સફેદ રૂમાલમાં મૂકવા જણાવ્યું હતું. વાતોમાં આવી જશોદાબેને અઢી ગ્રામની રૂા.30 હજારની કિંમતની બુટ્ટીઓ રૂમાલમાં મૂકી દીધી હતી. જ્યારે બીજા શખ્સે ત્યાં આવી રૂમાલને ગાંઠ મારી જશોદાબેનને પરત કરી દીધી હતી. બંને ગઠિયા ત્યાંથી નીકળી ગયા હતા. મહિલાએ રૂમાલ ખોલી જોતાં તેમાં બે નાના પથ્થરના ટુકડા મળ્યા હતા. તેમણે સમગ્ર મામલે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંને યુવકને પકડી પાડ્યા હતા અને સોનું કબ્જે કર્યું હતું. ગઠિયાઓએ વાતોમાં ભેળવી દીધા બાદ મને કંઈ ખબર ન પડી,બુટ્ટી રૂમાલમાં મૂકાવતાં મને ભાન ન રહ્યુંહું ગલ્લે બેઠી હતી ત્યારે છોકરો આવ્યો હતો. તેણે સિગારેટ અને પડીકી લીધી હતી. આ દરમિયાન બીજો છોકરો આવ્યો અને ગલ્લા પાસે બેસી ગયો હતો. પહેલાં આવેલો છોકરાએ મારી પાસે આવીને મોં પર સિગારેટનો ધુમાડો ફૂંક્યો હતો. તેણે મને વાતોમાં ભેળવી દીધી હતી. મને કંઈ ખબર પડી નહોતી. તેને મારી બુટ્ટીઓ રૂમાલમાં મુકાવી અને મને ભાન રહ્યું નહોતું. બંને છોકરા ત્યાંથી જતા રહ્યા હતા. રૂમાલમાંથી બે કાંકરા નીકળ્યા હતા. (જશોદાબેન સોલંકી સાથે થયેલી વાતચીત મુજબ) પકડાયેલા આરોપી

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:49 am

સફળ સર્જરી:અમદાવાદમાં ની-રિપ્લેસમેન્ટની સર્જરી નિષ્ફળ જતાં ગોત્રી હોસ્ટિલમાં ફરી કરાઈ

તાંદલજાના 62 વર્ષીય વૃદ્ધની ની-રિપ્લેસમેન્ટ સર્જરી અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં કરાઇ હતી. જોકે સર્જરી બાદ સંક્રમણ થતાં તેઓ ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં તેઓની રિવિઝન ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાઇ હતી. સામાન્ય રીતે આ પ્રકારની સર્જરીનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં 5 લાખ થતો હોય છે, પણ જીએમઈઆરએસ હોસ્પિટલમાં આ સર્જરી આયુષ્યમાન કાર્ડ હેઠળ તદ્દન નિ:શુલ્ક કરાઈ હતી. 62 વર્ષીય વૃદ્ધને ઘૂંટણમાં તકલીફ હોવાને કારણે તેઓએ અમદાવાદ જઈને ની-રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. સર્જરી બાદ તેઓને સારું થવાને બદલે તકલીફમાં વધારો થવા લાગ્યો હતો. જેથી તેઓ ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા. જ્યાં જાણવા મળ્યું હતું કે, તેઓને ઘૂંટણમાં સંક્રમણ થઈ ગયું છે. જેથી તેઓની પુખ્ત સાંધાના પુનર્નિર્માણ (એડલ્ટ જોઇન્ટ રિકન્સ્ટ્રક્શન) સર્જરી કરવાની નક્કી કરાયું હતું. હૉસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડૉ.ચિરાગ ઠક્કર દ્વારા 2 કલાકની સફળ સર્જરી કરાઈ હતી. સર્જરી બાદ હવે વૃદ્ધ કોઈ પણ ટેકા વગર ચાલી ચાલી શકે છે. આ બાબતે ડૉ.ચિરાગે જણાવ્યું હતું કે, આ પ્રકારની સર્જરી ખૂબ જ જટીલ કહેવાય છે. તેઓની 1 વર્ષ પહેલાં ની-રિપ્લેસમેન્ટ સર્જરી થઈ હતી. પહેલી સર્જરી ફેઈલ થઈ ગઈ હતી, હાલમાં દર્દીને ફરી ચાલતા કર્યા છે. સર્જરી બાદ હું એક ઓરડાની અંદર કેદ થઈ ગયો હતોવૃદ્ધે જણાવ્યું કે, સર્જરી બાદ મારી તકલીફ વધી રહી હતી. હું વધારે ચાલી-ફરી શકતો નહોતો. હું ઓરડીમાં જ ફરી શકતો હતો. જોકે જીએમઈઆરએસ હોસ્પિટલમાં મારી સર્જરી બાદ મને દુ:ખાવો નથી થઈ રહ્યો અને હું ઘૂંટણ વાળી શકું છું અને દૈનિક કાર્યમાં પણ કંઈ તકલીફ પડતી નથી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:43 am

યં સૈનિક દળે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:યુજીસી બિલમાં સુધારાથી છાત્રોને પ્રતિભા દેખાડવાની નવી તક મળશે

યુજીસી બિલના સમર્થનમાં સ્વયં સૈનિક દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંસ્થાનું માનવું છે કે, બિલમાં કરાયેલા સુધારાઓ દ્વારા દરેક વર્ગના વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા દેખાડવાની નવી તક મળશે. અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપી શકશે. સ્વયં સૈનિક દળના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે યુજીસી બિલ રજૂ કરવામાં આવ્યું છે. તેના સમર્થનમાં અમે કલેક્ટર કચેરીમાં એકત્રિત થયા છે. આ બિલ આમ તો 1956થી અમલમાં હતું. હાલની સરકારે તેમાં સુધારા કર્યાં છે તે આવકારદાયક છે. આ સુધારાઓ દ્વારા ઓબીસી, માઈનોરિટી, મહિલાઓ, વિકલાંગો અને દરેક વર્ગના વિદ્યાર્થીઓને વધુ સુરક્ષા પ્રાપ્ત થશે. કેટલાક લોકો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તેમનો હેતુ એવો છે કે આ બિલ પાસ ન થાય. અમે યુજીસી બિલને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને તે જ હેતુથી આજે અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. 29 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે યુનિવર્સિટી-કોલેજમાં ભેદભાવ રોકવા માટેના યુજીસીના નવા નિયમ પર રોક લગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે નિયમોની જોગવાઈઓ સ્પષ્ટ નથી. આનો ખોટો ઉપયોગ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:42 am

ભગવાન બુદ્ધના અસ્થિઓનું શ્રીલંકા ખાતે પ્રયાણ:મ. સ. યુનિવર્સિટીમાં સચવાયેલા ભગવાન બુદ્ધના અસ્થિઓ આજે શ્રીલંકા લઈ જવાશે

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગમાં સચવાયેલા ભગવાન બુધ્ધના અસ્થિ શ્રીલંકા લઇ જવામાં આવશે. આર્ટસ ફેકલ્ટીમાં ભગવાન બુદ્ધના અસ્થિ શ્રીલંકા જવાની પ્રક્રિયા મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આર્ટસ ફેકલ્ટીથી બુલેટ પ્રુફ ગાડીમાં અસ્થિઓ એરપોર્ટ સુધી લઇ જવાશે. વડોદરાથી દિલ્હી આ અસ્થિઓ લઇ જવાશે, જ્યાંથી આર્કિયોલોજી વિભાગના આધ્યાપકો, ડે.સીએમ, ગર્વનર શ્રીલંકા જશે. મંગળવારે આર્ટસ ફેકલ્ટીમાં લેકચર કેન્સલ કરવામાં આવ્યા છે. શ્રીલંકાના કોલંબો ખાતે યોજાનારા પ્રદર્શનમાં યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગમાં રાખવામાં આવેલા ભગવાન બુદ્ધના અસ્થિ લઇ જવામાં આવશે. જ્યાં ભાવિકોના દર્શનાર્થે મૂકવામાં આવશે. આ પ્રદર્શનનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શ્રીલંકાની સરકારના સહયોગથી થઈ રહ્યું છે. શ્રીલંકામાં બહુમતી લોકો બૌદ્ધ ધર્મનું પાલન કરે છે. ત્યારે ભારતની પ્રાચીન અને ભવ્ય બૌદ્ધ પરંપરાની ઝલક ત્યાંના લોકોને મળે તે માટે ભારત સરકાર પ્રયાસો કરી રહી છે. 3 ફેબ્રુઆરીએ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. તે સમયે બુદ્ધિસ્ટ સંતો દ્વારા જાપ કરવામાં આવશે. ભગવાન બુદ્ધના અવશેષોના મુખ્યમંત્રી દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી શોભાયાત્રા કાઢવામાં આવશે. બાદમાં પ્લેન મારફત વાયા દિલ્હી થઇ કોલંબો મોકલવામાં આવશે. દિલ્હી ખાતે શ્રીલંકાનું ડેલિગેશન સાથે એમ.એસ.યુનિવર્સિટીના આર્કિયોલોજી વિભાગના વડા સહિતના 3 અધ્યાપકો તથા ડે.સીએમ હર્ષ સંઘવી, રાજ્યપાલ ભગવાન બુદ્ધના અસ્થિ શ્રીલંકા રવાના થશે. શ્રીલંકાના કોલંબો ખાતે 4થી 11 ફેબ્રુઆરી સુધી પ્રદર્શનમાં આ અસ્થિને મૂકવામાં આવશે. યુનિવર્સિટીના ઈતિહાસમાં પહેલી વખત એવું બનશે કે ભગવાન બુદ્ધના અસ્થિ આર્કિયોલોજી વિભાગના મ્યુઝિયમની બહાર જશે. આ અસ્થિ જ્યારથી મળ્યા છે ત્યારથી તેને આર્કિયોલોજી વિભાગમાં જ સાચવીને રાખવામાં આવ્યા છે. મુખ્યમંત્રી આર્કિયોલોજી વિભાગમાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લેશેમુખ્યમંત્રી ભગવાન બુદ્ધના અવશેષોને શ્રીલંકા મોકલવાની પ્રક્રિયામાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે આર્ટસ ફેકલ્ટીના આર્કિયોલોજી વિભાગના મ્યુઝિયમની વિઝિટ કરશે. ઉપરાંત જો મુખ્યમંત્રી ઇચ્છા વ્યકત કરશે તો તેમને આર્ટસના ઐતિહાસિક ડોમની પણ મુલાકાત કરવામાં આવશે. કોન્વોયના માધ્યમથી ભગવાન બુદ્ધનાં અસ્થિ એરપોર્ટ લઇ જવાશેઆર્ટસ ફેકલ્ટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભગવાન બુદ્ધના અવશેષોને મુખ્યમંત્રી દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરશે. બાદમાં ગાર્ડ ઓફ ઓનર આપી તેને વડોદરા એરપોર્ટ ખાતે રવાના કરાશે. જે કોન્વોયના માધ્યમથી લઇ જવાશે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:40 am

પુસ્તક વિમોચન કરાયું:ડીઈઓ કચેરીમાં પરિણામ સુધારણા પુસ્તકનું વિમોચન

જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં પરિણામ સુધારણા પુસ્તકનું કરાયું વિમોચન કરાયું હતું. પરિણામમાં ગુણાત્મક સુધારો લાવવા તથા અધ્યયન પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા પુસ્તક તૈયાર કરાયું છે. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે એસ.એસ.સી. બોર્ડની માર્ચ–2025ની પરીક્ષામાં 30 ટકા કરતાં ઓછું પરિણામ ધરાવતી શાળાઓના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલા પરિણામ સુધારણા પુસ્તકનું વિમોચન તથા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામમાં સુધારો લાવવા આ પુસ્તક તૈયાર કરાયું છે. આ કાર્યક્રમ અંતર્ગત સાવલી તથા ડેસરની તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ તેમજ વડોદરા જિલ્લાની અન્ય શાળાને કુલ 5000 કરતાં વધુ પુસ્તકોનું વિતરણ કરાશેય આ પ્રસંગે કેજેઆઇટી સાવલીના ટ્રસ્ટી સમીર પંડયા તેમજ જિલ્લા શિક્ષણાધિકારી મહેશ પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:38 am

સદકાર્ય માટે 11 કરોડની રકમની ફાળવણી:અટલાદરામાં જૈન સમાજની ડીએમબી તપોવન વિદ્યાવિહાર સ્કૂલનું ભૂમિ પૂજન

જૈનો દ્વારા સંસ્કારનું સિંચન કરવા આંતરરાષ્ટ્રીય કક્ષાની ડીબીએમ તપોવન વિદ્યાવિહાર સ્કૂલ બનાવાશે. આજે શહેરનાં તમામ જૈન સંઘોના શ્રેષ્ઠીઓ તથા લલિત ધામી દ્વારા સંચાલિત થનારી સ્કૂલનું મંત્રોચ્ચાર દ્વારા રવિપુષ્ય નક્ષત્રમાં મહા પૂર્ણિમાના દિવસે ભૂમિપૂજન કરાયું હતું. આ અંગે સ્કૂલ મેનેજમેન્ટના દિવ્યેશ દેસાઈએ જણાવ્યું કે, અટલાદરામાં બનનારી સ્કૂલમાં 12 ધોરણ સુધી કોમર્સ અને સાયન્સ સુધી અભ્યાસ કરાવાશે. જેમાં લેબોરેટરી, ઓડિટોરિયમ, પ્રિન્સિપાલ રૂમ, રમત-ગમતનું મેદાન તથા નાનું જિન મંદિર પણ બનાવવામાં આવશે. જ્યારે જૈનાચાર્ય જિન સુંદરસુરી મહારાજે જણાવ્યું હતું કે, આજે વડોદરાની મેરેથોનમાં મોટી સંખ્યામાં જૈનો પણ જેમ જોડાયા છે એમ સંસ્કાર આપવાના આ કાર્યને મેરેથોન સમજી દરેક જૈન સાજન મંત્રી તથા સાકરિયા શેઠ બની વડોદરાના દાનવીરો પોતાનો પૈસો લૂંટાવે તેવું આહ્વાન છે. માંજલપુરનાં દેવિનદ્રાબેન શાહની દીકરી બિનિતાબેને 11 કરોડ જેવી રકમ આ સદકાર્યમાં ફાળવી હતી, તેમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:37 am

દેહદાન:પૌત્રીના એનાટોમીના અભ્યાસથી પ્રેરણા લેનાર શિક્ષકના નિધન બાદ દેહદાન કરાયું

કારેલીબાગ ખાતે રહેતા 89 વર્ષીય શિક્ષકે પૌત્રીના મેડિકલ અભ્યાસથી પ્રેરિત થઈ 2022માં દેહદાનનો સંકલ્પ લઈ ફોર્મ ભર્યું હતું. 27મીએ તેઓનું મૃત્યુ થતાં પરિવારે તેમની ઈચ્છા મુજબ મેડિકલ કોલેજમાં તેમના દેહનું દાન કર્યું હતું. કારેલીબાગના માધવલાલ ઠક્કર શિક્ષક હતા. તેમની પૌત્રીએ મેડિકલનો અભ્યાસ શરૂ કર્યો ત્યારે અભ્યાસક્રમમાં આવતા એનાટોમી વિષયમાં તેઓને ખાસ રસ પડ્યો હતો. દેહદાન કેવી રીતે થઈ શકે તે માટે પૌત્રી પાસેથી માહિતી મેળવી 2022માં તેઓએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. તેમણે જે તે સમયે પત્નીને દેહદાનનો આગ્રહ કર્યો હતો, પણ તેમનાં પત્ની લૌકિક ક્રિયામાં માનતાં હતાં. જોકે તેઓએ પતિને દેહદાન કરવા સહમતી આપી હતી. તેમની પૌત્રી ડૉ.નુપુરે કહ્યું કે, તેઓ ઘરમાં સતત કહ્યા કરતા હતા કે, મારું ફોર્મ સાચવી રાખ્યું છે ને. ડિસેમ્બરમાં પણ મને ફોર્મ વિશે ફોન કરી પૂછ્યું હતું. સ્વજનોએ પણ માધવલાલથી પ્રેરણા મેળવીમાધવલાલના મૃત્યુ બાદ દેહદાનની પ્રક્રિયા ઝડપથી કરવાની હોવાથી પરિવારે સ્વજનોને પણ દર્શન માટે જલ્દી બોલાવી દીધા હતા. સ્વજનોને દેહદાનની જાણ થતાં તેમણે નિર્ણયને આવકાર્યો હતો અને દેહદાન કરવાની પ્રેરણા પણ મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:34 am

વેધર રિપોર્ટ:શહેરમાં વાદળો છવાતાં ઠંડી ઘટી, પારો 20.40 થયો

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અઠવાડિયા સુધી ઠંડીનો પારો 17 થી 19 ડિગ્રી વચ્ચે રહેશે. જેથી ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં ઠંડીની અસર નહીં વર્તાય. હવામાન નિષ્ણાત મુકેશ પાઠકના મતે 7 ફેબ્રુઆરી સુધીમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યાં છે, જેથી ઠંડી નહીં પડે. જ્યારે પખવાડિયા બાદ ઠંડીની તીવ્રતા ઘટશે. જ્યારે મંગળવારે પણ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. શહેરમાં સોમવારે મહત્તમ પારો 31.4 ડિગ્રી અને લઘુતમ પારો 20.4 ડિગ્રી નોંધાયો હતો. ભેજટસવારે 84 ટકા અને સાંજે 56 ટકા નોંધાયો હતો. જ્યારે નોર્થ અને નોર્થ-વેસ્ટની દિશાથી 5 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:33 am

ઓનલાઈન ફરિયાદોમાં ચિંતાજનક વધારો:પાલિકાને 1.38 લાખ ઓનલાઇન ફરિયાદ મળી, ડ્રેનેજ-પાણીની સૌથી વધુ 52,999

પાલિકામાં દર વર્ષે લોકો દ્વારા કરાતી ઓનલાઈન ફરિયાદોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. પાણી, ડ્રેનેજ, સફાઇ અને રોડ સહિત 30થી વધુ વિભાગોમાં 1.38 લાખ ફરિયાદ ઓનલાઇન મળી છે. જેમાં આ વર્ષે સૌથી વધુ 52,999 ફરિયાદ પશ્ચિમ ઝોનમાંથી મળી છે. 1 વર્ષમાં વિવિધ વિસ્તારમાંથી ઓનલાઈન મળેલી ફરિયાદોમાં સૌથી વધુ ડ્રેનેજ-વરસાદી પાણીની છે. શહેરમાં ઈન્દોર અને સુરત જેવી સફાઇ થાય તે માટે અઢળક ખર્ચ કરતા તંત્રને બીજા નંબરે સૌથી વધુ ફરિયાદ સફાઇ-કચરાની 17,289 મળી છે. શહેરભરમાંથી પાણીની 14,914 અને સ્ટ્રીટ લાઇટની 14,273 ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે, ડ્રેનેજ અને વરસાદી ગટર, કચરો અને સફાઈ તેમજ પાણી પુરવઠા સંબંધિત ફરિયાદો સૌથી વધુ છે. ઝોન વાઇઝ ઓનલાઈન ફરિયાદો વોર્ડ 2 માં સૌથી ઓછી 3341 ફરિયાદ સૌથી વધુ ફરિયાદો ધરાવતા ટોચના 10 વિભાગ

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:30 am

આજે પાલિકાનું બજેટ:સયાજીગંજમાં ઇ-બસ ટર્મિનલ,અનગઢ ડબ્લ્યુટીપીનું કામ રિપીટ થશે

પાલિકાના મ્યુનિ. કમિશનર મંગળવારે સવારે સ્થાયીમાં 2025-26નું રિવાઇડ્ઝ અને 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરશે. આ બજેટમાં પાલિકામાં સમાવિષ્ટ કરાયેલા ઓજી વિસ્તારમાં સ્પેશિયલ પેકેજ તરીકે 450 કરોડના ખર્ચે 82 રોડ બનાવવાનું આયોજન છે. જોકે ગત વર્ષના અનગઢ WTP અને સયાજીગંજમાં ઈ-બસ ટર્મિનલ ઊભું કરવાના કામને રિપીટ કરાશે. પાલિકાનું તંત્ર વરસાદી પાણીના નિકાલ માટે વાઘોડિયા ચોકડીથી જાંબુઆ નદી સુધી વરસાદી ચેનલ બનાવશે. પૂર નિયંત્રણના પગલા હેઠળ આ વર્ષે પણ આજવા અને પ્રતાપપુરા સરોવરને ઊંડું કરાશે. સાથે જ રખડતાં પશુઓ માટે ખટંબાની જેમ મકરપુરા સહિત અલગ-અલગ ઝોનમાં શેલ્ટર હોમ બનાવશે. તળાવોની સફાઈ સાથે તેની ફરતે ચાલવા માટેનો ચાર્જ લઈ પાલિકા નવી આવક ઊભી કરશે. ચૂંટણીનું વર્ષ હોવાથી વેરામાં વધારો કરવામાં નહીં આવે તેવી શક્યતાઓ છે. જોકે લાગતો વધારી આડકતરી રીતે પ્રજાના ખિસ્સા ખંખેરશે. ગત વર્ષે મૂકેલા અનગઢ ખાતે 200 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને ઈ-બસ માટેનું ટર્મિનલ સયાજીગંજ ખાતે બનાવવાનું કામ પણ ફરીથી બજેટની ચોપડીમાં જોવા મળશે. નોંધનીય છે કે, ગત વર્ષે 50 કરોડનો સફાઈ વેરો મૂકી 6200 કરોડનું બજેટ મુકાયું હતું. જેમાં ડિસેમ્બર મહિનામાં ચૂંટણી યોજવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી 50 કરોડનો વેરો પાછો લેવાયો હતો. પાલિકાના માથે સફાઈ અને સ્માર્ટ સિટીનું 150 કરોડનું ભારણ આવશેપાલિકા દ્વારા દર વર્ષે શહેરમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા સાથે સફાઈ પાછળ 50 કરોડનો ખર્ચ કરાતો હતો, પરંતુ આ ખર્ચ વધીને હવે 150 કરોડ થશે. તદુપરાંત સ્માર્ટ સિટીના વિવિધ પ્રોજેક્ટનો અંદાજિત 20 કરોડનો ખર્ચ પણ પાલિકાના માથે આવશે. જે માટે આવકની કોઈ વ્યવસ્થા ઊભી નહીં થાય તો પાલિકાના માથે 150 કરોડનું ભારણ આવશે. બે વર્ષ પહેલાંના આ કામો બજેટમાં ફરી જોવા મળશે1. નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, જીએસએફસી, જીઆઇપીસીએલ અને જીએસીએલ કંપનીને ટ્રિટેડ વેસ્ટ વોટર વેચવાનું કામ 2. 4 ઝોનમાં લાઇબ્રેરી, યોગ સ્ટુડિયો, ત્રણ સ્થળોએ સ્વિમિંગ પુલ 3. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પબ્લિક ટોયલેટ બનાવવા 4. વેમાલી, હરણી, ઉંડેરામાં નવા ફાયર સ્ટેશન 5. પ્રધાનમંત્રી આવાસ યોજનાના આવાસો બનાવવા 6. સુશેન સર્કલ, વુડા સર્કલ, અટલાદરા સ્વામિનારાયણ મંદિર તરફથી કલાલી બ્રિજ તરફ, બાજવા-છાયાપુરી બાયપાસ લાઇન બ્રિજ બનશે 7. બ્રિજ નીચે ગેમ ઝોન અને સામાજિક પ્રવૃત્તિ ઝોન ઊભું કરાશે 8. પોઇચા અને ફાજલપુર ખાતે ઇન્ટેકવેલ અને 100 MLD ક્ષમતાનો WTP બનશે 9. 100 પ્લોટ પર જિઓ ફેન્સિંગ કરી પે એન્ડ પાર્કિંગની વ્યવસ્થા કરાશે 10. રૂા.200 કરોડના બોન્ડ બહાર પાડીને આવક મેળવવામાં આવશે 11. મકરપુરા અને બાકીનાં 3 સ્થળો પર શેલ્ટર હોમ બનાવવામાં આવશે

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:27 am

ભાસ્કર એક્સક્લુસિવ‎:ચાંદીના ચળકાટથી શહેરના બજારમાં અંધારાં, 6 કારખાનાં બંધ થઈ જતાં 300 કારીગર બેકાર

ચાંદીના વધેલા ભાવની અસર વડોદરાના વેપારીઓ પર પણ થઈ છે. શહેરમાં ચાંદીનાં નાનાં-મોટાં 6થી વધુ કારખાનાં બંધ થયાં છે, જેથી તેમાં કામ કરતાં 300થી વધુ કારીગરો બેકાર થયા છે. વડોદરામાં ખાસ થાળી, વાટકી, ગ્લાસ, લગડી બને છે અને તેની માગ હાલ બંધ થઈ ગઈ છે. એમજી રોડના પુરુષોત્તમદાસ એન્ડ સન્સના સંચાલક અને વડોદરા જ્વેલર્સ એસો.ના સભ્ય સંજય સોનીએ કહ્યું કે, ચાંદીની માગ 95 ટકા ઓછી થઈ છે. મહિને 53 લાખની 20 કિલો ચાંદીમાંથી વિવિધ વસ્તુનું ઉત્પાદન થતું હતું, જે ઠપ થયું છે. ચાંદીનો ભાવમાં દર વર્ષે 10-15 ટકા જેટલો વધારો થતો હતો, પરંતુ હાલ એક સાથે ભાવમાં વધારો થતાં માર્કેટ તૂટ્યું છે. ચાંદીનું મેન્યુફેક્ચરિંગ ફક્ત 3 ટકા જ બચ્યું છે. સારા ગણદેવીકર જ્વેલર્સના સુનીલ ગણદેવીકરે કહ્યું કે, ગ્રાહકોએ ગભરાઈને સોદા ન કરવા જોઈએ. પાયલ, કંદોરા, કડા, લક્કી, ચેન સહિતના દાગીના બહારથી આવે છેશહેરમાં પાયલ, કંદોરા, કડા, લક્કી, ચેન, બ્રેસલેટ, રાખડી, પેન્ડલ સેલ, ઝૂડો વગેરે બનતાં નથી. જે ખાસ રાજકોટ, અમદાવાદ, આગ્રા અને કોલ્હાપુરથી મગાવાય છે. આ ચાંદીની વસ્તુઓ હવે ફક્ત 10 ટકા જ મગાવાઈ રહી છે. પહેલાં 70થી 75 ટકા વસ્તુ મગાવાતી હતી, તેની માગ હવે ખૂબ ઓછી થઈ છે. 1 મહિનામાં જ ભાવ બમણા થઈ ગયા, 1 દિવસમાં 30 ટકાનો ઉછાળોચાંદીના ભાવમાં એક જ દિવસમાં 30 ટકા ભાવનો ઉછાળો આવી ગયો હતો. જ્યારે એક મહિનામાં ભાવ ડબલ થઈ ગયો હતો. અત્યારે ચાંદીના ધંધા બંધ જેવા પડ્યા છે, મોટાભાગના લોકો પાસે કામ નથી. બજેટ બાદ મંગળવારે ફોરેન બુલિયન માર્કેટ ખૂલે તે પછી ચાંદીના ભાવની અસર જણાશે. શહેરમાં ચાંદીની લગડી, સિક્કા, ગિફ્ટ અને વાસણો બનાવાય છે

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:20 am

સિટી એન્કર:લકવાની બીમારીથી કંટાળીને યુવક અડધી રાતે આપઘાત કરવા હાઈવે પર જતો રહ્યો, અભયમે સમજાવી પરત વાળ્યો

શહેરના ગોરવામાં રહેતા 22 વર્ષીય યુવકને 6 મહિનાથી લકવાની બીમારી હોવાથી તે આત્મહત્યા કરવા માટે ઘરેથી નીકળી ગયો હતો. જેથી માતાએ અભયમને કોલ કરીને મદદ માગતાં ટીમ યુવક પાસે પહોંચી હતી. યુવકે અભયમને જણાવ્યું હતું કે, બીમારીથી કંટાળી ગયો છું અને જીવવું નથી. જેથી ટીમે યુવકનું કાઉન્સેલિંગ કરીને તેને ઘરે પરત વાળ્યો હતો. ગોરવા વિસ્તારમાં રહેતા યુવકને છેલ્લા 6 મહિનાથી જીબીએસની બીમારી હતી, જેમાં દર્દીને લકવો થઈ શકે છે અને ચાલવામાં તકલીફ પડી શકે છે. દરમિયાન રવિવારે રાત્રે 12 વાગે તે કોઈને કહ્યા વગર મોપેડ લઈને નીકળી ગયો હતો. ઘરમાં તે જણાઈ ન આવતાં તેના ભાઈએ ફોન કરીને પૂછતાં તેણે જણાવ્યું હતું કે, હું હાઈવે તરફ નીકળી ગયો છું. જેથી તેનો ભાઈ તેની પાછળ-પાછળ ગયો હતો. જ્યાં યુવકે ભાઈને ધમકી આપી કે, હું આત્મહત્યા કરી લઈશ. જેથી તેના ભાઈએ માતાને ફોન કરીને જાણ કરી હતી. માતાએ તાત્કાલિક અભયમને જાણ કરી હતી. યુવક ઘરેથી અંદાજિત 7 કિલોમીટર દૂર હતો, જેથી મોબાઈલના લાઈવ લોકેશનને આધારે અભયમ યુવક પાસે હાઈવે પર પહોંચ્યું હતું. અભયમની ટીમને યુવકે જણાવ્યું હતું કે, હું આ બીમારીથી કંટાળી ગયો છું, મારે આવું જીવન જીવવું નથી. આવા જીવનનો કોઈ મતલબ નથી. મારું કોઈ ભવિષ્ય નથી, મારે ઘરે જવુ નથી અને મારે મરી જવું છે. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને તેને સમજાવ્યો હતો કે, આત્મહત્યા કરવી એ કોઈ વિકલ્પ નથી. બીમારીમાં તમારે દવા લેવી જોઈએ. ઘરના લોકો સાથે ઝઘડા ન કરવા જોઈએ. ટીમ યુવકને સમજાવીને ઘરે પરત લઈ આવી હતી, જેથી માતાને પણ હાશકારો થયો હતો. તબીબની સલાહ માનતો નહોતો અને દવા ખાતો નહોતોયુવકની માતાએ અભયમની ટીમને જણાવ્યું હતું કે, દીકરાને જીબીએસનો રોગ છે, જેને કારણે હાથ-પગમાં પેરાલિસીસ છે. જેથી તબીબે વાહન ચલાવવાની ના પાડી છે, છતાં મોપેડ લઈને ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો. 6 મહિનાથી સારવાર ચાલુ છે, પણ તે દવા લેવાની ના પાડે છે. ઉપરાંત મને ગમે તેમ બોલે છે અને ઘરે આવવાની ના જ પાડે છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:13 am

સરપંચ અને અગ્રણીઓ દ્વારા ખાતમુહૂર્ત કરાયું:મેઢાસણ પં.ને પોતાનું તલાટી આવાસ સહિતનું મકાન મળશે

મોડાસાના મેઢાસણ ગ્રામ પંચાયતનું મકાન લાખોના ખર્ચે અદ્યતન બનશે. એમાં તલાટી આવાસનો પણ સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રામ પંચાયતો માટે પોતીકા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસના એક સાથે એક જ સ્થળેથી ઈ-ખાતમૂહર્ત કર્યા હતા. જેમાં મેઢાસણ ગામનું ઈ-ખાતમુહૂર્ત કર્યું હતું. જેના ભાગરૂપ મેઢાસણ ગ્રામ પંચાયતનું બાંધકામનું ખાતમૂહર્ત અને કથાનું આયોજન કરાયું હતું. ખાતમુહર્તના અગાઉ દિવસે નેત્ર નિદાન કેમ્પ યોજાતાં 192 દર્દીઓએ લાભ લીધો હતો. ખાતમુહૂર્ત સરપંચ મુકેશભાઈ રાઠોડ અને તેમના પત્ની હીનાબેન રાઠોડના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે પૂર્વ સરપંચ જગદીશભાઈ.ડી.પટેલ,ઇજુ બેન.એલ પટેલ,જગદીશભાઈ દયાળજી ભાઈ પટેલ, મેઢાસણ કેળવણી મંડળના કારોબારી સદસ્યો હીરાભાઈ. એસ. પટેલ,રાજે ન્દ્રસિંહ જોધ્ધા, ઉપસરપંચ રાકેશભાઈ. પટેલ,ગ્ર સદસ્ય પ્રકાશભાઈ ભોઈ , કૈલાશબેન વાળંદ,રમેશજી મગાજી રાઠોડ,જુજારજી દાનાજી તરાર તલાટી નાગેન્દ્રસિંહ.એલ.બિહોલા સહિત હાજર હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:07 am

સખીવન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી:મોડાસા સખીવન સ્ટોપ સેન્ટરે રાજસ્થાની મહિલાનું પરિવારથી પુન: મિલન કરાવ્યું

અરવલ્લી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા રાજસ્થાનની માનસિક રીતે અસ્વસ્થ મહિલાનું 4 દિવસની શોધખોળ બાદ પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું. કાઉન્સિલિંગ દરમિયાન મહિલાના પતિનો સંપર્ક થતા તેણે મહિલાને સ્વીકારવાની ના પાડતાં સખીવન સ્ટોપ દ્વારા રાજસ્થાનના ખજૂરીમાં આવેલું મહિલાના પિયરનું સરનામું શોધીને તેના પરિવાર સાથે પુનઃસ્થાપન કરાવ્યું હતું. મોડાસાના સખીવન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવેલ મહિલાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે મહિલા માનસિક રીતે અસ્વસ્થ છે. ત્યારબાદ તેણે કાઉન્સેલિંગ દરમિયાન અલગ અલગ ગામના નામ આપ્યા હતા. તે આધારે નજીકના પોલીસ સ્ટેશનમાં ફોન દ્વારા સંપર્ક કરી મહિલાનું નામ ફોટો સરનામું આપતાં પોલીસ સ્ટેશન દ્વારા મહિલાના પરિવારનો સંપર્ક નંબર મેળવી સખી વન સ્ટોપ દ્વારા દ્વારા મહિલાની સાસરીના ગામનું નામ મળતાં તેની સાસરીમાં સંપર્ક કરાયો હતો પરંતુ મહિલાના પતિએ તેને સ્વીકારવાની ના પાડતાં અને મહિલા સાસરીમાં જવા ન માંગતા હોવાથી તેનું વધુ કાઉન્સેલિંગ કરાયું હતું. કાઉન્સલિંગ દરમિયાન મહિલાએ પિયરનું સરનામું આપ્યું હતું જે રાજસ્થાન ખજૂરી ગામનું છે. તેવું જાણવા મળતા તેના આધારે મહિલાના પિયરના ગામમાં સ્ટાફ પહોંચ્યો હતો અને ત્યાં પૂછપરછ કરતાં મહિલાનો પરિવાર મળ્યો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પરિવાર સાથે કાઉન્સેલેંગ કરી તેમજ પરિવારજનોના આધાર પુરાવાની ખરાઈ કરી હતી. મહિલાના પરિજનોએ જણાવ્યું હતું કે તે ઘણા વર્ષોથી તે ઘરેથી નીકળી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:05 am

ઘઉંની ખરીદી માટે ટેકાનો ભાવ જાહેર કરાયો:અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ઘઉંની ખરીદી માટે પંચાયતોમાં નોંધણી શરૂ, ખેડૂતોને મણે 517 મળશે

અરવલ્લીમાં ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે તા.1 ફેબ્રુઆરીથી પંચાયતમાં વીસીઈ મારફતે નોંધણી શરૂ કરાઇ છે. આ વર્ષે સરકારે ઘઉંના પ્રતિ એક ક્વિન્ટલના ટેકાના ભાવ રૂ.2585 જાહેર કર્યા છે એટલે ઘઉંના પ્રતિ મણે ટેકાના ભાવ 517 થાય છે. ગત વર્ષે સરકારે ઘઉંના ટેકાના ભાવ રૂ.485 જાહેર કર્યા હતા. જે આ વર્ષે રૂ.32 વધુ જાહેર કર્યા છે. ખેડૂતોને નોંધણી બાબતે મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યા છે. જિલ્લામાં તા.1 માર્ચ 2026 સુધી નોંધણી કરી શકાશે. તેમજ જિલ્લાના તાલુકા મથકોમાં ફાળવવા આવનાર કેન્દ્રો ખાતે ઘઉંની ખરીદી તા. 4 માર્ચથી તા.15 મે 2026 સુધી કરાશે. ખેડૂતોને ગ્રામ પંચાયત કક્ષાએ વીસીઇ મારફતે નોંધણી કરાવવા અનુરોધ કરાયો છે. ખેડૂત ખાતેદારોના બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન દ્વારા નોંધણી કરાશે. જિલ્લાના ખેડૂતોને રજિસ્ટ્રેશન માટે ડોક્યુમેન્ટ્સ નોંધણી માટે જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે. ખેડૂતોને તેઓનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક હોય તો ઓનલાઇન નોંધણી ફરજીયાત હોઇ આ માટે સબંધિત પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવવા ખાસ અનુરોધ કરાયો છે. આ માટે સરકારે ખેડૂતોને નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 અને 8511171719 પર સંપર્ક કરવા જણાવ્યું છે. ખરીદી વખતે ખેડૂતે આધારકાર્ડ સાથે રાખવાનું રહેશે‎ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરાશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરાશે. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તેવા કિસ્સામાં ખેડૂતનો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહીં કરાય.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:03 am

ઘઉંના ભાવમાં નોંધાયો ઘટાડો:મોડાસા યાર્ડમાં નવા ઘઉંના હરાજીમાં પ્રતિ મણનો 685 ભાવ બોલાયો

મોડાસા યાર્ડમાં શિયાળુ સિઝનના નવા ઘઉંની આવક શરૂ થઈ છે. શરૂઆતના દિવસે જાહેર હરાજીમાં ઘઉંના પાકનો રૂ.516 થી 685 ભાવ બોલાયો હતો. ઘઉંનો પાક લઈને આવેલા મોડાસાના સાકરીયા અને માલપુરના ગોવિંદપુરના ખેડૂતનું માર્કેટયાર્ડ સત્તાવાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી વેપારીઓ અને ખેડૂતોને મોં મીઠું કરાવી સિઝનની ખરીદીની શરૂઆત કરી હતી. સોમવારે મોડાસા માર્કેટયાર્ડમાં જાહેર હરાજીમાં ઘઉંના રૂ.505 થી 550 ભાવ બોલાયો હતો. એક દિવસમાં ઘઉંમાં રૂ.100 થી 130નો ઘટાડો નોંધાયો હતો. અરવલ્લીમાં આ વર્ષે શિયાળુ સિઝનમાં 85 હજાર હેક્ટર કરતાં વધુ જમીનમાં ઘઉંનો પાક લહેરાઈ રહ્યો છે. આ વર્ષે મબલખ ઉત્પાદન થવાની ખેડૂતોને આશા બંધાઈ છે. શનિવારે મોડાસાના સાકરીયા અને માલપુરના ગોવિંદપુરના બે ખેડૂતો રવિ પાકની સિઝનનો ઘઉં લઈ મોડાસા યાર્ડમાં પહોંચતા બંને ખેડૂતોનું માર્કેટ યાર્ડના કર્મચારી કૌશિકભાઈ જોશી, રાકેશભાઈ પટેલ, લાલાભાઇ દેસાઈ અને સ્ટાફ દ્વારા કુમકુમ તિલક કરી નવા આવેલા અન્ન ઘઉંનું પણ પૂજન કરાયું હતું. વેપારીઓએ શનિવારથી જ સિઝનના નવા ઘઉંની ખરીદીની શરૂઆત કરી હતી. જેમાં ઘઉંના પ્રતિ મણના રૂ.516 થી રૂ.685 ભાવ બોલાયા હતા. પ્રથમ દિવસે 76 બોરી ઘઉંની આવક નોંધાઈ હતી. સોમવારે પણ રાબેતા મુજબ યાર્ડમાં ખરીદી શરૂ થતા ઘઉંના પાકના 505 થી રૂ.550 ભાવ બોલાવ્યો હતો. જો કે બીજા દિવસે પણ 68 બોરી આવક થઈ હોવાનું નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:02 am

દારૂ ઝડપાયો:મોડાસાના નાંદીસણ પાસે ગાડીમાંથી 2.77 લાખના દારૂ સાથે ચાલક ઝબ્બે

મોડાસાના નાંદીસણ પાસેથી શામળાજી હિંમતનગર હાઇવે ઉપર ગાડીમાં 2.77 લાખનો વિદેશી દારૂ ભરીને પસાર થઈ રહેલા રાજસ્થાનના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો હતો.ત્રણ વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. એલસીબીને માહિતી મળી હતી કે ગાડી નં.જીજે 18 બીપી 73 27 નો ચાલક દીપકકુમાર ભગવતીલાલ હીરાજી કલાલ રહે. ચાટપુર સરાડા જિ.સલુમ્બરનો આરોપી વિદેશી દારૂ ભરી શામળાજી હિંમતનગર થઈ અમદાવાદ તરફ જવાનો હોવાની માહિતીના આધારે એલસીબીએ નાદીસણ પાસેથી ગાડી સાથે ઝડપી ગાડીમાંથી 2,77,280નો વિદેશી દારૂ, મોબાઈલ તેમજ ગાડી સહિત કુલ રૂ.7,87,280 નો મુદ્દામાલ વોન્ટેડ આરોપી લોકેશ હીરાલાલ મીણા રહે. ખલ્લા જિ.સલુમ્બર રાજસ્થાન, પ્રેમારામ ભેરાજી મીણા રહે. ટોપલી મગરી જાંબુડી જિ.સલુમ્બર અને ગાંધીનગર મોટા ચિલોડા ખાતે વિદેશી દારૂ લેવા આવનાર લોકેશના માણસ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ટ્રમ્પે ભારત પરનો ટેરિફ ઘટાડ્યો, રાહુલ ગાંધીના નિવેદનથી લોકસભામાં હોબાળો, શાહ ભડક્યાં, રાજકોટમાં સેલ્ફી લેતા 3 યુવકને વંદે ભારતે ઉડાવ્યા, 2નાં મોત

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સંસદમાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીના ભાષણને લઈને રહ્યા. તેમણે કહ્યું કે જ્યારે ચીની ટેન્ક ભારતની સીમામાં પહોંચી ગયા હતા, ત્યારે 56 ઈંચની છાતીને શું થયું હતું. બીજા મોટા સમાચાર અમેરિકા દ્વારા ટેરિફ ઘટાડવાને લઈને રહ્યા, જેના પર PM મોદીએ ખુશી વ્યક્ત કરી.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. કેન્દ્રીય બજેટને લઈને PM મોદી NDA સંસદીય દળની બેઠકને સંબોધિત કરશે. 2. પશ્ચિમ બંગાળમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. 3. જ્ઞાનવાપી મસ્જિદના વજૂખાનાનો ASI સર્વે કરાવવાની અરજી પર અલ્હાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. રાહુલ બોલ્યા- ચીની ટેન્ક લદ્દાખ પહોંચી, શાહ-રાજનાથે ટોક્યા:સ્પીકરે માઈક બંધ કરાવ્યું, જનરલ નરવણેની પુસ્તકના 9 પોઈન્ટ્સ, જેના પર હંગામો થયો લોકસભામાં સોમવારે રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન જોરદાર હોબાળો થયો. રાહુલે પૂર્વ આર્મી ચીફ જનરલ નરવણેના અનપબ્લિશ્ડ પુસ્તકનો હવાલો આપતા કહ્યું- ડોકલામમાં 4 ચીની ટેન્ક ભારતની સીમામાં પહોંચી ગયા હતા. રાહુલના આવું કહેતા જ પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પછી ગૃહમંત્રી શાહે તેમને ટોક્યા. ત્યારબાદ સ્પીકરે નિયમોનો હવાલો આપતા તેમને રોક્યા. રાહુલ આશરે 46 મિનિટ સુધી પોતાની વાત કહેવાની કોશિશ કરતા રહ્યા. ત્યારબાદ સ્પીકરે લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી. બપોરે 3 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતા જ રાહુલે બોલવાનું શરૂ કર્યું. પરંતુ હોબાળાને કારણે માત્ર 9 મિનિટ બાદ જ કાર્યવાહી સાંજે 4 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. વાંચો સંપૂર્ણ સમાચાર 2. અમેરિકાએ ભારત પર ટેરિફ 50%થી ઘટાડીને 18% કર્યો:ટ્રમ્પે કહ્યું- ટ્રેડ ડીલ પર પણ સહમતિ બની, મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરશે અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલી 25% રેસિપ્રોકલ (જેવા સાથે તેવા) ટેરિફને 7% ઘટાડીને 18% કરી દીધી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે સોશિયલ મીડિયા 'ટ્રુથ સોશિયલ' પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે પીએમ મોદી રશિયન તેલ ખરીદવાનું બંધ કરીને અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે. સાથે જ ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર સહમતિ બની ગઈ છે. આ પછી પીએમ મોદીએ પોસ્ટ કરીને કહ્યું- એ જાણીને ખુશી થઈ કે હવે મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટીને 18% થઈ જશે. જોકે, તેમની પોસ્ટમાં ટ્રેડ ડીલ અંગે કોઈ જાણકારી નથી. ભારત પર ટેરિફ હવે 50% ને બદલે 18% લાગશે અમેરિકાએ ઓગસ્ટ 2025માં ભારત પર બે વાર ટેરિફ લગાવ્યો હતો. પહેલી વાર 1 ઓગસ્ટે વેપાર ખાધને લઈને 25% ટેરિફ લગાવવામાં આવ્યો. ત્યારબાદ 27 ઓગસ્ટે રશિયા પાસેથી તેલ ખરીદવાને કારણે 25% વધારાનો ટેરિફ લગાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. કેન્દ્ર સરકાર: વાંગચુક લદ્દાખને નેપાળ-બાંગ્લાદેશ બનાવવા માંગતા હતા:સુપ્રીમ કોર્ટમાં કહ્યું- તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો, ઝેર ઓકવાની પરવાનગી આપી શકાય નહીં કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે સોનમ વાંગચુક લદ્દાખને નેપાળ કે બાંગ્લાદેશ જેવું બનાવવા માંગે છે. આવા વ્યક્તિને વધુ ઝેર ઓકવાની પરવાનગી આપી શકાય નહીં. જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ પ્રસન્ના બી વરાલેની બેન્ચ લદ્દાખ હિંસા કેસમાં એક્ટિવિસ્ટ વાંગચુકની ધરપકડ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું, વાંગચુકના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષા સાથે સીધો ખતરો દેખાય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) એ પરિસ્થિતિને જોતા ધરપકડનો યોગ્ય નિર્ણય લીધો. મહેતાએ કહ્યું કે નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા ઉદાહરણો આપવા, યુવાનોને ભડકાવવા અને દેશની એકતા વિરુદ્ધ માહોલ બનાવવા બરાબર છે. આ રાષ્ટ્રીય સુરક્ષા માટે પૂરતો આધાર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મમતા બેનર્જી કાળી શાલ ઓઢીને મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા:તેમણે કહ્યું- ચૂંટણી પંચ ભાજપનો IT સેલ છે, આવા જૂઠા ચૂંટણી કમિશનર ક્યારેય જોયા નથી પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ સોમવારે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) વિરુદ્ધ કાળી શાલ ઓઢીને દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) સાથે મુલાકાત કરી. તેઓ પોતાની સાથે SIR પ્રભાવિત 13 પરિવારો અને TMCના નેતાઓને પણ લાવ્યા હતા. મુલાકાત પછી મમતાએ કહ્યું, હું ખૂબ દુઃખી છું. હું દિલ્હીની રાજનીતિમાં લાંબા સમયથી સક્રિય છું. હું ચાર વખત મંત્રી અને સાત વખત સાંસદ રહી ચૂકી છું. મેં આજ સુધી આવા અહંકારી અને જૂઠા ચૂંટણી કમિશનર જોયા નથી. મેં તેમને કહ્યું, 'હું તમારી ખુરશીનું સન્માન કરું છું કારણ કે કોઈ પણ ખુરશી હંમેશા માટે રહેતી નથી. એક દિવસ તમારે જવું જ પડશે. બંગાળને શા માટે નિશાન બનાવવામાં આવી રહ્યું છે? વાંચો સંપૂર્ણ સમાચાર 5. બ્રિટિશ-પ્રિન્સે એપસ્ટીનને પોતાની દીકરીઓની તસવીરો મોકલી હતી:દીકરીએ પિતા સાથે સંબંધ તોડ્યો; સર્વાઈવરે કહ્યું- શાહી મહેલમાં સેક્સ માટે મજબૂર કરવામાં આવી હતી બ્રિટિશ પ્રિન્સ એન્ડ્રુએ 2008માં યૌન અપરાધી જેફ્રી એપસ્ટીનને પોતાની દીકરીઓની તસવીરો મોકલી હતી. આ ખુલાસો 2010 અને 2011ના ઈમેઈલ્સથી થયો છે, જેને જસ્ટિસ ડિપાર્ટમેન્ટે 30 જાન્યુઆરીએ જાહેર કર્યા હતા. આ ઈમેઈલ્સમાં પ્રિન્સેસ બીટ્રિસ અને પ્રિન્સેસ યુજેનીની તસવીરો શામેલ છે. ત્યારબાદ 20 ડિસેમ્બર 2012ના રોજ બીજું કાર્ડ મોકલવામાં આવ્યું. તેમાં કુલ 4 તસવીરો હતી. બે તસવીરોમાં પ્રિન્સેસ બીટ્રિસને ફેબ્રુઆરી 2012માં મોન્ટ બ્લેન્ક પર ચઢતા દર્શાવવામાં આવી છે, જ્યારે પ્રિન્સેસ યુજેની જૂન 2012માં 'નાઈટ રાઈડર' ચેરિટી સાયકલ ઈવેન્ટમાં જોવા મળે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. સેલ્ફી લેતા 3 યુવકને વંદે ભારત ટ્રેને ઉડાવ્યા, 2નાં મોત:રેલ્વે ટ્રેક પાસે એક યુવાન ઉછળતા ગંભીર, રાજકોટની ગોંડલ ચોકડી પાસેનો બનાવ રાજકોટમાં આજે બપોરના સમયે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં હાઈસ્પીડ વંદે ભારત ટ્રેનની હડફેટે ત્રણ વ્યક્તિઓ આવી ગયા હતાં. ભક્તિનગર અને રિબડા રેલવે સ્ટેશન વચ્ચે આવેલા માલધારી ફાટક નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એકનું સારવાર દરમિયાન મોત નીપજયું છે એન એકને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે રેલવે તંત્ર અને સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ હતી અને લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયાં હતાં. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ચાલુ ટ્રેને સગીરાને વોશરૂમમાં ખેંચી:વિધર્મીએ મોઢા પર સિગારેટ ફૂંકી, મહિલાઓ-બાળકોને લાત-મુક્કાથી માર્યા; દાહોદનો પરિવાર અસ્થિવિસર્જન કરવા ઉજ્જૈન જતો'તો ગુજરાતના દાહોદથી અસ્થિ વિસર્જન માટે ઉજ્જૈન જઈ રહેલા પરિવાર સાથે મેમુ (મેઈનલાઈન ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ) ટ્રેનમાં મારપીટનો મામલો સામે આવ્યો છે. રતલામ સ્ટેશનથી કેટલાક યુવકો ટ્રેનમાં સવાર થયા હતા, જેઓ નાગદા જવાના હોવાનું કહેવાય છે. આરોપ છે કે રતલામથી ખાચરોદ વચ્ચેની યાત્રા દરમિયાન આમાંથી એક મુસ્લિમ યુવકે પરિવારની એક છોકરી સાથે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે પરિવારે તેનો વિરોધ કર્યો, ત્યારે વિવાદ શરૂ થયો. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર, વિવાદ વધતા ખાચરોદ સ્ટેશનથી મુસ્લિમ સમાજના વધુ લોકોને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 50થી 60 લોકોએ ટ્રેનમાં ચડીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિત આખા પરિવાર સાથે નિર્દયતાથી મારપીટ કરી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લંડનમાં એર ઈન્ડિયા ડ્રીમલાઈનરની ફ્યુઅલ સ્વીચમાં ખામી:પાયલટે કહ્યું- બે વખત સ્વીચ બંધ થઈ, દાવો- અમદાવાદ પ્લેન ક્રેશમાં પણ આવું જ થયું હતું વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : બે મહિલાથી ફફડે છે પાકિસ્તાનની સેના:બલૂચ મહિલાઓએ ISI હેડક્વાર્ટર ફૂંકી માર્યું, 40 કલાકમાં જ પાકિસ્તાનના 200 જવાનને ગોળી મારી વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાજસ્થાન, યુપી-MPમાં વરસાદ સાથે કરા પડ્યા:ઊભા પાકને નુકસાન; જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ફરીથી હિમવર્ષા શરૂ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : મોદીના માસ્ટર સ્ટ્રોકથી પાકિસ્તાનની કમર ભાંગી ગઈ:પાકિસ્તાન યુરોપના દેશો પાસેથી ડ્યૂટી ફ્રી માલ મગાવતું હતું, એ બંધ થઈ ગયું; શાહબાઝને પરસેવો વળી ગયો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : સોનું-ચાંદી ફરી ક્રેશ:ચાંદી ત્રણ દિવસમાં ₹1.60 લાખ ઘટી, સોનું ગબડીને ₹1.40 લાખ પર આવ્યું; રોકાણ કરતાં પહેલાં આટલું વાંચો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડ કપ છોડવો પાકિસ્તાનને ભારે પડશે:ICC લગાવશે કરોડોનો દંડ-પ્રતિબંધ, ક્રિકેટજગતમાં એકલું અટૂલું પડી જશે પાકિસ્તાન; BCCIએ આ મુદ્દે બોલવાનું ટાળ્યું વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સંતની દુઃખી વ્યક્તિને શીખ:દરેક પ્રયાસ તરત પરિણામ આપતો નથી, સફળતા માટે મહેનતની સાથે જ ધીરજ પણ જરૂરી છે વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ દારૂની સાથે ચખના ન મળતા ચોર નારાજ થયો રાજસ્થાનના જેસલમેરમાં એક સરકારી એન્જિનિયરના ક્વાર્ટરમાં ચોર ઘૂસ્યા હતા. ચોરી દરમિયાન તેમને મોંઘી દારૂની બોટલ મળી, તો તેઓ ઘરમાં જ બેસીને પીવા લાગ્યા. ચખના ન મળતા નારાજ થઈને ચોર કાગળ પર નોટ છોડી ગયો કે, દારૂ રાખો છો તો બટેટાની ચિપ્સ પણ રાખો. ચોર લેપટોપ, કપડાં, ટીવી અને પરફ્યુમ લઈને ફરાર થઈ ગયો. જતી વખતે દીવાલ પર લિપસ્ટિકથી 'સોરી' પણ લખ્યું. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: બલૂચ આતંકીઓનો પાકિસ્તાનમાં સૌથી મોટો હુમલો, મહિલાઓને સુસાઈડ બોમ્બર કેમ બનાવી રહ્યા છે, ચીન-અમેરિકા પર પણ તેની અસર 2. એક્સક્લૂસિવ : મતદારયાદીમાંથી નામ કાઢવાનું જબરું તૂત: જે વ્યક્તિના નામે ઢગલો અરજીઓ થઈ, એ વ્યકિત જ અજાણ; BLOને સાઇડ લાઇન કરીને કોણ ખેલ કરી ગયું? 3. સેન્ટ્રલ વિસ્ટા જેવી બનશે ઓડિશા વિધાનસભા, બજેટ 3600 કરોડ: 100 વર્ષની તૈયારી, 300 ધારાસભ્ય માટે જગ્યા, પણ વિવાદ કેમ? 4. મંડે મેગા સ્ટોરી : ડોલરના દિવસો ભરાઈ ગયા: શું આ જ કારણ છે કે દેશો આડેધડ સોનું ખરીદી રહ્યા છે, ટ્રમ્પે દુનિયામાં ઊથલપાથલ કરાવી દીધી 5. Editor's View: ભીખનો કટોરો ને બલૂચોનો વિદ્રોહ: ક્રિકેટથી કૂટનીતિ સુધી પાંચ-પાંચ મોરચે પાકિસ્તાન ઘેરાયું, ભારતની એક ડીલથી દેવાળિયા દેશમાં એક કરોડ નોકરી જોખમમાં કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ મંગળવારનું રાશિફળ: મેષ, સિંહ અને કુંભ રાશિનો દિવસ 'મંગળમય' રહેશે, મકર-કન્યા રાશિના જાતકોએ સાવચેત રહેવું વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 5:00 am

અનોખી પરંપરા:હિંમતનગરના રૂપાલકંપામાં ગામના સ્થાપના દિને દરેક પરિવારો ગામના ઝાંપા બહાર જ ભોજન બનાવી જમે છે

હિંમતનગરના રૂપાલકંપાની સ્થાપના 70 વર્ષ અગાઉ મહા સુદ પૂનમના દિવસે થઈ હતી. ત્યારથી એક વર્ષ પૂરું થતાં ગામના તમામ પરિવારો સ્થાપના દિને ઢોર ઢાંખર લઈને ગામની બહાર નીકળી જાય છે અને ગામ બહાર જ રસોઈ બનાવી ભોજન લીધા બાદ ગામ ફરતે બાંધેલ સુતરનો દોરો તલવાર અથવા ધારિયાથી કાપી દૂધ પાણીના છંટકાવ સાથે ગ્રામજનો અને ઢોર ઢાંખરનો ગામમાં પ્રવેશ કરાય છે. આ પરંપરા પાછળ ઢોર ઢાંખર, મનુષ્યને રોગચાળાથી બચાવવા અને સુખ સમૃદ્ધિમાં વધારો થતો હોવાનું મનાઇ રહ્યું છે. રૂપાલકંપામાં સ્થાપના દિન નિમિત્તે ગામના 50 પરિવારોએ એક દિવસ માટે ઘરના રસોડાના ચૂલા બંધ રાખી, ગામના ઝાંપાથી બહાર દરેક પરિવાર દ્વારા બપોરના ભોજનનું આયોજન કરાયું હતું. ગામના અગ્રણી કાંતિભાઈ કેશરાભાઈ પટેલે જણાવ્યું કે સ્થાપના દિને ગામના તમામ પરિવાર ઢોર ઢાંખર લઈને ગામના ઝાંપા બહાર નીકળે છે અને ભાઈઓના પરિવાર ગ્રુપમાં ગામ બહાર જ ભોજન બનાવી જમે છે. ગામની સ્થાપના સમયના પુરાણા હનુમાન મંદિરે વિધિવત પૂજન કરાય છે. વડીલોની પરંપરા મુજબ બપોરે ગામની ચારે બાજુ સુતરની આંટી (દોરો) બાંધી, માતાજીનો ધૂપ ફેરવી દૂધની ધારા સાથે ઘઉંના ઠોઠા ઉડાડી માતાજીના જયઘોષ સાથે ગ્રામજનોના આરોગ્ય, સુખાકારી અને પ્રગતિ માટે સમૂહ પ્રાર્થના કરાય છે. બાદમાં ગામના ઝાંપા આગળ આવી હનુમાન મંદિરથી ગામ ફરતે બાંધેલ સૂતરની દોરી ધારિયા અથવા તલવારથી દોરી કાપી દૂધ-પાણીના છાંટણા કરી ગામમાં પ્રવેશ કરાય છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:58 am

હિંમતનગર સર્વોદય નાગરિક બેંકની ચૂંટણી:હિંમતનગર સર્વોદય નાગરિક બેંકમાં 6 નવા ચહેરા અને 6 જૂના ડિરેકટર ચૂંટાયા

હિંમતનગર સર્વોદય નાગરિક સહકારી બેંકના બોર્ડના ડિરેક્ટર્સની 1 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાયા બાદ પરિણામ જાહેર થતાં 6 નવા ચહેરાનો બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવેશ થયો હતો. તેની પાછળ સતત દસ વર્ષ પૂરા કરનાર ડિરેક્ટરોએ કાયદાની કોઈપણ છટકબારીનો ઉપયોગ કર્યા વગર ચૂંટણી લડવાનું યોગ્ય ન માન્યું હોવાનું જણાવાઈ રહ્યું છે. બે મહિલા ડિરેક્ટર બિનહરીફ થઈ છે. જ્યારે અનુસૂચિત જાતિ જનજાતિ અનામત વિભાગમાં ત્રણ ઉમેદવારો વચ્ચે એક બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. હિંમતનગરની સર્વોદય નાગરિક સહકારી બેંકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મુદત પૂરી થતાં 14 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરી 9 સામાન્ય બેઠક 2 મહિલા અનામત અને 1 અનુસૂચિત જાતિ જનજાતિ અનામત મળી કુલ 12 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કુલ 8697 મતદાર પૈકી 3642 મતદારોએ એટલે કે 41.88 ટકા મતદાન થયું હતું. જેમાં 6 નવા ચહેરાને બોર્ડમાં સ્થાન મળ્યું હતું. ગત ટર્મના ચેરમેન ઇમરાનભાઈ જણાવ્યું કે કાદરભાઈ હરસોલિયા, મકબુલભાઈ ડોઈ, કાંતિભાઈ ગામેતી અને બે મહિલા ડિરેક્ટર મળી અમે કુલ છ જણા એ સતત દસ વર્ષ પૂરા થઈ ગયા હોવાથી સંસ્થાનું હિત નજરમાં રાખી આરબીઆઈએ કાયદામાં કરેલ સુધારાનું પાલન કરવા ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. જેને પગલે 6 નવા ચહેરાને તક મળી છે. બે મહિલા ઉમેદવાર બિનહરીફ થઈ હતી બેંકના મેનેજર અને ચૂંટણી અધિકારી અલ્તાફભાઈ સાબુગરે જણાવ્યું કે આગામી 4થી ફેબ્રુઆરીએ બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:57 am

ખેલ મહાકુંભ:કબડ્ડીની સ્પર્ધા અંડર-14માં મહેસાણા, અંડર-17માં ગાંધીનગર ગ્રામ્યની ટીમ ચેમ્પિયન બની

દાંતીવાડામાં ખેલ મહાકુંભ અંતર્ગત કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર-14 અને અંડર-17 સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અંડર-14 કેટેગરીમાં મહેસાણા, અંડર-17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્યએ પ્રથમ જ્યારે ગીર સોમનાથ અંડર-14 માં ત્રીજા સ્થાને જ્યારે અંડર-17 માં બીજા ક્રમે રહ્યું હતું. બનાસકાંઠા જિલ્લા રમત ગમત અધિકારી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,ખેલ મહાકુંભ 2025 અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડા ખાતે કબડ્ડીની રાજ્ય કક્ષાની અંડર-14 અને અંડર-17 ભાઈઓની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં રાજ્યની 16 ટીમોના 192 ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંડર-14 કેટેગરીમાં 8 ટીમોના 96 ખેલાડીઓ અને અંડર-17 કેટેગરીમાં પણ 8 ટીમોના 96 ખેલાડીઓએ પોતાની રમત રજૂ કરી હતી. મહા મુકાબલાઓ બાદ અંડર-14 કેટેગરીમાં મહેસાણા જિલ્લો ચેમ્પિયન બન્યો, જ્યારે ડાંગ જિલ્લાએ દ્વિતીય અને ગીર સોમનાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. અને અંડર-17 કેટેગરીમાં ગાંધીનગર ગ્રામ્ય ટીમે પ્રથમ, ગીર સોમનાથે દ્વિતીય અને પંચમહાલે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ખેલાડીઓના ઉત્સાહ અને શિસ્તબદ્ધ રમતની દર્શકોએ પ્રશંસા કરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:55 am

ભાસ્કર એક્સક્લુસિવ:યુનિવર્સિટીએ પ્રોફેસર પર તાત્કાલિક પરીક્ષાની કામગીરી પર પ્રતિબંધ મૂકી કાર્યવાહી માટે તપાસ બેસાડી

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાયેલી MA સેમેસ્ટર-3ની પરીક્ષામાં મહેસાણાની એક ગ્રાન્ટેડ કોલેજના આળસુ પ્રોફેસરે 200 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ વાંચવાની તસ્દી લીધા વગર જ, માત્ર પોતાની ગણતરીની સરળતા માટે રેવડીની જેમ એકસરખા 12-13ગુણ પધરાવી દીધા હતા. આ ગંભીર લાપરવાહી પકડાતાં જ યુનિવર્સિટીએ લાલ આંખ કરી પ્રોફેસરને પરીક્ષાની તમામ કામગીરીમાંથી આજીવન બરતરફ કરી વધુમાં કાર્યવાહી માટે તપાસ બેસાડી છે. આગામી સમયમાં કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં MA સેમ-3 ના વિદ્યાર્થીઓની પરીક્ષાના મૂલ્યાંકન કયા બાદ તેનું મોનિટરિંગ કરવા મૂકાયેલા ચેરમેન પાસે ઉત્તરવહીઓનું સરવૈયું આવતા ગુણમાં રહેલી અસમાનતા અને શંકાસ્પદ એકરૂપતા પકડી પાડી હતી. ચેરમેને જ્યારે માનવતાના ધોરણે પ્રોફેસરને આ ભૂલ સુધારવા અને ન્યાયી મૂલ્યાંકન કરવા ટકોર કરી ત્યારે પ્રોફેસર સુધરવાને બદલે ઉદ્ધતાઈ પર ઉતરી આવ્યા હતા. પ્રોફેસરે ખુલ્લેઆમ ધમકીભર્યા સૂરે કહ્યું હતું કે હું તો આવી રીતે જ પેપર જોઉં છું. તારાથી જે થાય એ કરી લેજે. આ મામલો કુલપતિ સુધી પહોંચતા જ તંત્રે તાત્કાલિક તપાસ કમિટી રચી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જ પ્રોફેસરની ગંભીર ક્ષતિઓ અને બેદરકારીના પુરાવા મળ્યા હતા. ગ્રાન્ટેડ કોલેજના જવાબદાર પદ પર હોવા છતાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર આ પ્રોફેસર પર યુનિવર્સિટીએ કાયમી પ્રતિબંધનો કોરડો વીંઝ્યો છે. હવે બીજી બેઠકમાં તેમને કેવી આકરી સજા કરવા અંગે નિર્ણય લેવાશે બેદરકાર પ્રોફેસરો સામે કડક પગલાં લેવાશે:કુલપતિઆ મામલે કુલપતિ ડૉ. કે. સી. પોરીયાએ ચેતવણી આપતાં જણાવ્યું હતું કે યુનિવર્સિટી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ કર્મચારીની તરફેણમાં નથી. જેવી ગેરરીતિ હશે તેવી જ કડક કાર્યવાહી થશે. પ્રવેશ હોય કે પરિણામ, હવે દરેક સ્તરે પારદર્શિતા રહેશે અને બેદરકાર પ્રોફેસરો કડકમાં કડક દાખલો બેસાડાશે. ઉત્તરવહીઓનું ફરીથી બીજા પ્રોફેસર પાસે મૂલ્યાંકન કરાવાશે પરીક્ષા નિયામક મિતુલ દેલીયાએ જણાવ્યું હતું કે પ્રોફેસરની ગંભીર બેદરકારીને લઈ વિદ્યાર્થીઓને અન્યાય ના થાય અને પરિણામમાં વિસંગતતા ના આવે માટે બીજા પ્રોફેસર પાસે આ પ્રોફેસર દ્વારા જોયેલી તમામ ઉત્તરવહીનું પુનઃમૂલ્યાંકન કરાવાશે અને ત્યારબાદ જ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે. જવાબ વાંચ્યા વગર ગણતરીની‎ આળસમાં પ્રોફેસરે બધાને ‎એકસરખા માર્ક આપી દીધા‎પ્રોફેસરે દરેક ઉત્તરવહી ખોલી તો હતી. પરંતુ તે માત્ર દેખાવ પૂરતું જ હતું. પ્રશ્નોના ઉત્તર વાંચવાની તસ્દી લીધા વગર જ પોતાના ગુણના સરવાળામાં સરળતા રહે તે માટે તમામ છાત્રોને 12 કે 13 ( અંદાજિત આંકડો) ગુણ આડેધડ પધરાવી દીધા હતા. મોનિટરિંગ ચેરમેને જ્યારે આ એકસરખા આંકડા પકડ્યા અને સુધારવા માટે 3 વાર બોલાવ્યા ત્યારે પણ પ્રોફેસરના અહંકારમાં ઓટ ન હોતી આવી. તેમણે નિર્લજ્જતાથી કહી દીધું કે હું તો આવી રીતે જ પેપર જોઉં છું. બેદરકારી નથી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:54 am

મહિલા કોન્સ્ટેબલે કર્યો આત્મહત્યાનો પ્રયાસ:ઘર કંકાસને લઈ ઇડરની મહિલા કોન્સ્ટેબલે ઝેર પીધું

રવિવારે સવારે ઘરેલુ કંકાસને લઈ ઇડરની મહિલા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં જ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવી લેવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો જો કે પતિને કંઈક અજુગતું થવાનો અણસાર મળી જતાં તાત્કાલિક પોલીસ સ્ટેશન દોડી આવતાં સમયસર સારવાર મળી જવાને પગલે હાલ સ્વસ્થ છે અને કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી કરવા મહિલાએ ઇનકાર કર્યો છે. વિશ્વસ્ત સૂત્રોના જણાવ્યાનુસાર ઘરેલુ કંકાસને પગલે મહિલા કોન્સ્ટેબલ તણાવમાં હતી અને પતિ સાથે વાતચીત પણ ચાલુ હતી. તેણે છેલ્લે સોરી નો મેસેજ કરતાં કંઈક અજુગતું થવાનો અણસાર આવી જતાં ક્વાટર્સમાં સાથે જ રહેતો પતિ પણ પોલીસ સ્ટેશન દોડી આવ્યો હતો અને પત્નીએ દવા પી લીધી હોવાનું જણાતા હાજર પોલીસ કર્મીઓની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડી હતી. ખાનગી હોસ્પિટલના ડો.કેવલ પટેલે જણાવ્યું હતું કે દર્દીની હાલત સ્થિર છે અને એકંદરે સ્વસ્થ છે દર્દીની પ્રાયવસી જાળવવા એનાથી વિશેષ કોઈ માહિતી આપી ન શકાય.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:51 am

ગ્રામજનો થયા પરેશાન:રેવન્યુ તલાટીઓ ગ્રા. પં.ના બદલે તાલુકાની કચેરીમા બેસીને કામ કરતાં ગ્રામજનોને ધક્કા

પાટણ જિલ્લામાં રેવન્યુ તલાટીઓ ગ્રામ્ય સ્તરે હાજર રહેતા ન હોવાના મુદ્દે પાટણ જિલ્લા પંચાયત સદસ્ય અશ્વિન પટેલે કલેક્ટરને પત્ર લખી રેવન્યુ તલાટીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્ય સરકારે ગ્રામ પંચાયતના મહેસૂલી કામો ઝડપી બને તે માટે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી એમ બે અલગ જગ્યાઓ ઊભી કરી છે. જોકે, પાટણ જિલ્લામાં રેવન્યુ તલાટીઓ ગ્રામ્ય કક્ષાએ પોતાની કામગીરીમાં નિષ્ક્રિય રહેતા હોવાની વ્યાપક ફરિયાદો મળી રહી છે. સામાન્ય રીતે ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રી ઉપલબ્ધ હોય છે, પરંતુ રેવન્યુ તલાટીઓ ક્યારે હાજર રહેશે તેની કોઈ વિગતો ઉપલબ્ધ હોતી નથી. આ તલાટીઓ ગ્રામ પંચાયતના બદલે તાલુકા કક્ષાએ મામલતદાર કચેરીમાં બેસીને જ કામ કરતા હોવાથી ગ્રામજનોને પેઢીનામા કે અન્ય મહેસૂલી કામો માટે વારંવાર તાલુકાના ધક્કા ખાવા પડે છે. આના કારણે લોકોનો સમય અને નાણાં બંનેનો વ્યય થઈ રહ્યો છે.આ સમસ્યાના ઉકેલ માટે અશ્વિન પટેલે સૂચન કર્યું છે કે, રેવન્યુ તલાટીઓ કયા દિવસે કયા ગામે હાજર રહેશે તેનું બોર્ડ નક્કી કરવામાં આવે. તેમજ દરેક સેજાના ગામમાં તેમનું હાજરી પત્રક નિભાવી સરપંચના રેકોર્ડમાં રાખવામાં આવે. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારની જમીનોના ફેરફાર અંગે યોગ્ય રેકોર્ડ નિભાવવા અને ગ્રામસભા જેવા મહત્વના કાર્યક્રમોમાં રેવન્યુ તલાટીની હાજરી ફરજિયાત બનાવવાની માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:49 am

પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે:રાધનપુર- સાંતલપુરના 121 ગામોમાં 5 અને 6 ફ્રેબુઆરીએ પાણીનો કાપ રહેશે

રાધનપુર અને સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારો માટે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત સમાન સાતુન જળ શુદ્ધિકરણ પ્લાન્ટ (WTP)માં સમારકામની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી 5 અને 6 ફેબ્રુઆરી એમ બે દિવસ સુધી 121 ગામો અને રાધનપુર શહેરમાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. નર્મદાની કચ્છ શાખાની મુખ્ય નહેર પર આધારિત આ યોજનામાં લાંબા સમય બાદ મોટા પાયે મેઇન્ટેનન્સ લેવાનું હોવાથી વોટરબોર્ડ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. શુદ્ધિકરણ પ્લાન્ટની ટેકનિકલ કામગીરીને પગલે રાધનપુર તાલુકાના 55 ગામો અને શહેર વિસ્તાર તેમજ સાંતલપુર તાલુકાના 65 જેટલા ગામોમાં પીવાના પાણીની અછત સર્જાઈ શકે છે. સામાન્ય રીતે આ પ્લાન્ટ દ્વારા દરરોજ લાખો લિટર પાણી શુદ્ધ કરીને પાઈપલાઈન મારફતે છેવાડાના ગામો સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ આગામી ગુરુવાર અને શુક્રવારે પ્લાન્ટની મશીનરીના સર્વિસિંગ અને પાઈપલાઈન ચેકિંગને કારણે પમ્પિંગ બંધ રાખવામાં આવશે, જેની સીધી અસર લાખો લોકો પર પડશે. વોટરબોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉનાળાની શરૂઆત પૂર્વે પ્લાન્ટની ક્ષમતા વધારવા અને ભવિષ્યમાં અચાનક આવતા બ્રેકડાઉનને અટકાવવા માટે આ આગોતરું આયોજન જરૂરી છે. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતો અને સ્થાનિક વહીવટી તંત્રને અગાઉથી જાણ કરી દેવામાં આવી છે, જેથી લોકો પાણીનો જરૂરી સંગ્રહ કરી શકે. બે દિવસની જહેમત બાદ શનિવારથી પાણી વિતરણ ફરી શરૂ થશે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:44 am

ભવ્ય સ્વાગત કરાયું:સરસ્વતીના ખારેડાનો યુવાન બીએસએફમાં ટ્રેનિંગ પુરી કરીને વતન આવતા સ્વાગત કર્યું

સરસ્વતીના ખારેડાના ઠાકોર સમાજનો યુવાન બીએસએફ મહારાષ્ટ્રમાં ટ્રેનીંગ પૂરી કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા સ્વાગત કર્યુ હતું. ખારેડાના રમેશજી વરસુંગજી ઠાકોરનો દિકરો પ્રકાશજી ઠાકોર બીએસએફની મહારાષ્ટ્રમાં તાલીમ કેન્દ્ર પર 9 માસની તાલીમ પૂરી કરી સોમવારે વતન ખારેડા ખાતે પરત ફર્યા હતા. ગ્રામજનો અને ઠાકોર સમાજ દ્વારા બીએસએફ પ્રકાશ ઠાકોરનું ઢોલના તાલે વાજતે ગાજતે સામૈયું કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:40 am

ભવ્ય સ્વાગત કરાયું:પાટણમાં CISFની તાલીમ પૂર્ણ કરનાર દીકરીનું સ્વાગત કરાયું

શહેરમાં રહેતા કાંતિભાઈ પ્રજાપતિની પુત્રી સોનલબેન CISF (સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ) માં પસંદ થયા બાદ બાર માસની તાલીમ પૂર્ણ કરી વતન આવતા ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સેનામાં જોડાઈ દેશસેવાનું સપનું સાકાર કરનાર સોનલબેન ચેન્નાઈ ખાતે તાલીમ લીધા બાદ હાલ દિલ્હી ખાતે ફરજ બજાવી રહ્યા છે. આ પ્રસંગે સ્નેહીઓ અને પરિવાર ઉપસ્થિત રહી સોનલબેનનું ફૂલહાર પહેરાવી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:38 am

પ્રખ્યાત ગઝલકારે ગઝલનો આસ્વાદ પીરસ્યો‎:પાટણમાં મને જાણો કાર્યક્રમમાં મુસાફિર પાલનપુરીએ શ્રોતાઓ સમક્ષ શ્રદ્ધા,ઇશ્વર પ્રેમના વિષય પર ગઝલોની રમઝટ જમાવી

શહેરના શ્રીમંત ફતેસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલયમાં મને જાણો કાર્યક્રમ અંતર્ગત ગઝલ અને સાહિત્યની મહેફિલ જામી હતી. સ્વ. કીર્તિકુમાર જયસુખરામ પારઘીની સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમમાં પ્રખ્યાત ગઝલકાર મુસાફિર પાલનપુરીએ શ્રોતાઓને ગઝલના છંદ અને લયમાં ડોલાવ્યા હતા. મુસાફિર પાલનપુરીએ પોતાની 60 વર્ષની દીર્ઘ ગઝલ સાધનાનો નિષ્કર્ષ રજૂ કરતા શ્રદ્ધા, ઈશ્વર, પ્રેમ અને માનવ સહજ ચેષ્ટાઓને કેન્દ્રમાં રાખી ગઝલો પીરસી હતી. તેમની લોકપ્રિય રચનાઓ જેવી કે ''પીછાનો અમને'', ''ઘેન ચઢે છે'' અને ''તું કઈ વાડીની મૂળી'' રજૂ કરી સાહિત્ય રસિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. ખાસ કરીને પાલનપુરી બોલીમાં રજૂ કરેલો ''ડખો'' સામાજિક કટાક્ષ અને રાજકારણ પરના તીખા પ્રહારોને કારણે શ્રોતાઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તેમણે પોતાના જીવનના પ્રેરણાદાયી કિસ્સાઓ વહેંચતા જણાવ્યું હતું કે, સાહિત્ય સાધના માત્ર કલા નથી, પરંતુ તે જીવનની અનુભૂતિ છે. એક શિક્ષક તરીકેના ઇન્ટરવ્યૂથી લઈને ટ્રેનની મુસાફરીમાં શાયરી પ્રેમીઓ તરફથી મળેલા આદરના સ્વાનુભવો દ્વારા તેમણે શબ્દ દેવતાની શક્તિનો પરિચય કરાવ્યો હતો. કાર્યક્રમના અંતમાં મુસાફિર સાહેબનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. મંચસ્થ મહાનુભાવ અશોકભાઈ વ્યાસ અને સંયોજક નગીનચંદ્ર ડોડીયાએ વક્તાનો કાવ્યાત્મક પરિચય આપ્યો હતો, જ્યારે રાજેશભાઈ પરીખે આભારવિધિ કરી હતી

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:36 am

રક્તદાન કેમ્પ યોજાયો:પાટણમાં આચાર્યએ જન્મદિને કેમ્પ યોજીને 31 બોટલ રક્ત એકત્ર કર્યું

પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કરે પોતાના 54મા જન્મદિવસને રક્તદાન કેમ્પ યોજી 46મી વખત રક્તદાન કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ચિત્રકૂટ સોસાયટી અને રોટરી ક્લબના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં કુલ 31 બોટલ રક્ત એકત્ર થયું હતું. આ પ્રસંગે ડૉ. ઠક્કરે રક્તદાતાઓનું સન્માન પક્ષીઓના માળા અને કુંડા આપીને કર્યું હતું, .ડૉ. ધનરાજભાઈના પુત્ર ડૉ. શિવમે પિતાના ચીલે ચાલી રક્તદાન કર્યું. એક પેરાલિસિસ અસરગ્રસ્ત યુવાને પણ રક્તદાન કરી સૌને પ્રેરિત કર્યા. ગુરુદક્ષિણા રૂપે મહેસાણાથી આવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રક્તદાન કરી ગુરુ પ્રત્યે આદર વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:35 am

ભાસ્કર એક્સક્લુસિવ:સરકારે ગ્રાન્ટમાં 2.52 કરોડનો કાપ મૂકતાં પાટણમાં ફાયર સ્ટેશનનું કામ અટવાયું

પાટણના જનતાની સુરક્ષા માટે કરોડોના ખર્ચે આકાર લઈ રહેલું મોડલ ફાયર સ્ટેશન અત્યારે વહીવટી ઉદાસીનતા અને બજેટની કાતરના કારણે વર્ષ 2025 પૂરું કરવાની મર્યાદા સામે ફાયર સ્ટેશનના વર્કશોપની કામગીરી અટકી પડી હોવાથી સમગ્ર પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો છે. વર્ષ 2023 માં ગાંધીનગરથી આધુનિક ફાયર સ્ટેશનના પ્રોજેક્ટ માટે 7.75 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.પાલિકાએ ઉત્સાહમાં આવીને 7.12 કરોડનું ટેન્ડર પણ બહાર પાડ્યું. પરંતુ, જૂન 2025માં રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓએ નવો પરિપત્ર બહાર પાડી ગ્રાન્ટની મર્યાદા ઘટાડીને માત્ર રૂ.7.75 કરોડના ખર્ચે સામે રૂ.5.14 કરોડ કરી દીધી. આ નિર્ણયથી પ્રોજેક્ટમાં સીધો રૂ.2.52 કરોડની ખોટ પડી છે.જેથી આ આર્થિક બોજ કોણ ઉપાડે તે પ્રશ્ને પાટણ નગરપાલિકા સામે આવ્યો હતો. ઓક્ટોબરમાં મળેલી સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો છે કે પાલિકા પોતાના સ્વભંડોળમાંથી આ વધારાનો ખર્ચ ભોગવશે નહીં. પાલિકાનું કહેવું છે કે જો સરકાર મોડલ ફાયર સ્ટેશન બનાવવા માંગતી હોય તો ગ્રાન્ટ પણ સરકારે જ આપવી પડશે. સરકાર અને નગરપાલિકા વચ્ચે ગ્રાન્ટના મામલે હાલમાં ફાયર સ્ટેશનની કામગીરી વિલંબમાં મુકાઈ છે. પ્રોજેક્ટમાં હાલમાં ફાયર સ્ટેશન નું બિલ્ડીંગ તૈયાર થઈ ગયેલ છે.જો ગ્રાન્ટ સરકાર માંથી મળે અથવા પાલિકા ફાળવણી કરે તો વર્કશોપ સહિતની અન્ય કામગીરી પૂર્ણ થઈ શકે તો છ મહિનામાં જ ફાયર સ્ટેશન તૈયાર થઈને શરૂ થઈ શકે છે. ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું કે વધારાની ગ્રાન્ટ માટે દરખાસ્ત મોકલાઈ છે, જ્યારે એન્જિનિયર નરેન્દ્રભાઈ પ્રજાપતિના મતે સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાથી મોડે મોડે પણ સરકાર આ નાણાં આપશે તેવો આશાવાદ છે. ઝડપથી ગ્રાન્ટ મેળવી કામગીરી પૂર્ણ કરાવવામાં આવશે. વર્કશોપ - ગાર્ડનનું કામ બંધ , ગ્રાન્ટ વગર શરૂ નહીં થાય‎કોન્ટ્રાક્ટર દિલીપ પટેલે જણાવ્યું કે અત્યાર સુધી માત્ર 3 કરોડ મળ્યા છે. જગ્યા અને ગ્રાન્ટના વિવાદમાં સમય બગડ્યો અને હવે પૈસાનો પ્રશ્ન નડ્યો છે. જ્યાં સુધી રૂ.2.52 કરોડનો તફાવત નહીં મળે ત્યાં સુધી વર્કશોપ અને ગાર્ડનનું કામ શરૂ કરવું અશક્ય છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:33 am

ઐતિહાસિક ‎વિરાસતની જાળવણી કરાઈ:અમીરગઢના ડાભેલામાં રખડુ ટોળી દ્વારા વાવની સફાઈ કરાઈ

અમીરગઢ તાલુકાના ડાભેલા ગામની ઐતિહાસિક ઓળખ સમાન રાણીઓની વાવના સંરક્ષણ અને સાફસફાઈ માટે રખડુ ટોળી ગ્રુપ દ્વારા વિસરાતી વિરાસત વાવ શીર્ષક હેઠળ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના મુખ્ય પ્રેરક રાહુલ તુરીના જન્મદિવસને અનોખી રીતે ઉજવવા ટીમના સભ્યો દ્વારા વાવની સફાઈ હાથ ધરાઈ હતી. શ્રમદાન કરી વાવમાં ભરાયેલો કચરો અને પથ્થરો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આર.બી. રાઠોડ, ઇસ્માઇલ અજીબ, કમલ પાલનપુરી, રોશન પાલનપુરી, રોનક દરજી, ઇમરાનખાન પઠાણ સહિત ડાભેલા ગામના યુવાનો અને ગ્રામજનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમથી ગ્રામજનોમાં ઐતિહાસિક વિરાસતની જાળવણી અંગે નવી જાગૃતિ જોવા મળી હતી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:32 am

તસ્કરોએ પોલીસની ઠંડી ઉડાડી દીધી:પાંથાવાડામાં એકજ રાતમાં ત્રણ મકાનનાં તાળાં તૂટ્યાં,દાગીના અને રોકડની ચોરી

પાંથાવાડા ખાતે રવિવારની રાત્રિ દરમિયાન તસ્કરોએ અલગ-અલગ વિસ્તારોમાં આવેલા ત્રણ ઘરોમાં તાળા તોડી ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. તસ્કરો સોનાં-ચાંદીના દાગીના, રોકડ તેમજ દસ્તાવેજો સહિતનો માલ લઈ ફરાર થતા ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.આ ત્રણેય ઘટનાઓ મામલે પાંથાવાડા પોલીસે તપાસ હાથ ધરી હતી. પાંથાવાડાની વૃંદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રભાઈ ચૌધરી રવિવારે રાત્રિના સમયે ઘરેથી બહાર હોવાથી ચોરોએ ઘરના તાળાં તોડી તિજોરીમાંથી આઠ આની સોનાની કાનની બુટ્ટી, ચાંદીની તોડી તેમજ ઘરમાં પડેલા રૂ. 18,000 રોકડ, મહત્વના દસ્તાવેજો અને ક્રેડિટ કાર્ડની ચોરી કરી હતી. જ્યારે શ્રદ્ધા સોસાયટીમાં રહેતા ગેનાભાઈ ચતરાજી પંચાલના ઘરના બંધ દરવાજાના તાળાં તોડી ચોરોએ ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. આ ઉપરાંત પાંથાવાડામાં પોતાનું ઘર બંધ રાખી અંજારમાં રહેતા મોતીલાલ દરજીના ઘરમાં ઘૂસી તસ્કરોએ પાંચ તિજોરીના તાળાં તોડી લગ્નના કપડા-સાડીઓ તેમજ ત્રણ જૂના મોબાઈલ સહિત અંદાજે રૂ. 70,000થી વધુ કિંમતનો સામાનની ચોરી કરી હતી. પાંથાવાડા પોલીસે ત્રણેય ઘટનાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી અને ચોરોને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:30 am

અકસ્માતોની વણઝાર:ભાગળ (પીં) નજીક ધાણધાનો યુવક બાઇક પરથી 20 ફૂટ ઘસડાયો,પૂરઝડપે આવતી કાર ફંગોળાઈ

પાલનપુર તાલુકાના ભાગળ (પીં) શાળા નજીક બનાવવામાં આવેલો બમ્પ વાહનચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન સાબિત થઈ રહ્યો છે. આ બમ્પ પર સફેદ પટ્ટા મારવામાં ન આવતા રાત્રિના સમયે તો ઠીક દિવસે પણ તે નજરે પડતો નથી. જેને કારણે અહીં અકસ્માતોની હારમાળ સર્જાઈ છે.ધાણધાનો યુવક બાઇક પરથી 20 ફૂટ ઘસડાયો હતો તેમજ પૂરઝડપે આવતી કાર હવામાં ફંગોળાઈને પછડાઈ હતી. પાલનપુર ધનિયાણા ચોકડીથી વાયા ધાણધા થઇ જલોત્રા વચ્ચે નવો રોડ બનાવવામાં આવ્યો છે. જ્યાં જુદાજુદા ગામના બસ સ્ટેન્ડ નજીક બમ્પ બનાવાયા છે. પરંતુ સફેદ પટ્ટા મારવામાં આવ્યા નથી. દરમિયાન ભાગળ (પીં) સ્કુલ નજીક બનાવેલો બમ્પ દેખાતો નથી જ્યાં ધાણધા ગામનો એક યુવક પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બમ્પ પર તેનું વાહન પછડાતા તે હવામાં ફંગોળાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર,યુવક રોડ પર અંદાજે 20 ફૂટ સુધી ઘસડાયો હતો, જેના કારણે તેને શરીરે ગંભીર ઇજા પહોંચી છે. સ્થાનિકોએ તાત્કાલિક તેને સારવાર માટે ખસેડ્યો હતો. આ માર્ગ પરથી પસાર થતી પૂરઝડપે કારોને જ્યારે બમ્પ દેખાતો નથી, ત્યારે તે એક-એક ફૂટ ઊંચી કૂદીને નીચે પછડાય છે. આનાથી વાહનોને તો નુકસાન થાય જ છે, પણ પાછળ આવતા અન્ય વાહનો સાથે પણ અથડાવાનો ભય રહે છે. વાહન ચાલકોએ જણાવ્યું હતુ કે, શાળા નજીક બમ્પ બનાવ્યો તે સારી વાત છે. સ્થાનિક લોકોએ સફેદ પટ્ટા દોરવાનો પ્રયાસ કર્યો છે. જ્યાં તંત્ર દ્વારા પટ્ટા મારવામાં આવે તે ઇચ્છનિય છે. બમ્પ પર સફેદ પટ્ટાના અભાવે વાહન ચાલકોને દેખાતો નથી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:25 am

ટ્રાન્સપોર્ટ વેપારીના પરિવાર પર હુમલો‎ કરાયો:ડીસામાં વાડાની જમીન મુદ્દે લોખંડની પાઈપ અને ધોકાથી જીવલેણ હુમલો

ડીસામાં જમીન વિવાદમાં વેપારીના પરિવાર પર લોખંડની પાઈપ અને ધોકા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ઝઘડામાં પતિ-પત્ની સહિત ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.જેમાં મહિલાને માથામાં હેરલાઈન ફ્રેક્ચર થયું છે. ઘટના બાદ ઘાયલોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડીસા શહેરમાં જમીન વિવાદને લઈને ગંભીર હિંસાની ઘટના સામે આવી છે. આશીષ ટ્રાન્સપોર્ટના સંચાલક આશીષકુમાર ઠક્કરની ફરીયાદ મુજબ, તેમના ઘરની પાછળ આવેલી આશરે 10 હજાર ચોરસ ફૂટ વાડાની જમીન બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે, જે મામલો હાલમાં ડીસા કોર્ટમાં વિચારાધીન છે. રવિવારના રોજ સવારે આશરે 10.30 વાગ્યે વાડામાં ફોટા પાડવાના મુદ્દે પંકજભાઈ મંડોરા સાથે ઝઘડો થયો હતો. ઝઘડો વધતા પંકજભાઈ મંડોરા, તેમના પુત્ર મિહિર, પત્ની જ્યોત્સનાબેન અને ભત્રીજા નિગમ લોખંડની પાઈપો અને લાકડાના ધોકા લઈને વાડામાં ઘુસ્યા હતા. આરોપીઓએ આશીષકુમાર, તેમના પિતા, માતા અને પત્ની પર જીવલેણ હુમલો કરી ગંભીર રીતે ઘાયલ કર્યા હતા.ઘટનામાં આશીષકુમાર અને તેમના પિતાને માથામાં ઈજા થઈ હતી, જ્યારે પત્ની પાયલબેનને માથામાં હેરલાઈન ફ્રેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું છે. તમામ ઘાયલોને પ્રથમ ડીસા સિવિલ અને બાદમાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર આરોપીઓ પંકજભાઈ મફતલાલ મંડોરા, મિહિર પંકજભાઈ મંડોરા, જયોત્સનાબેન પંકજભાઈ મંડોરા અને નિગમ મંડોરા(તમામ રહે.મંડોરા પાર્ક ડીસા)સામે ફરિયાદ નોંધાઈ છે અને તપાસ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:23 am

બમ્પ બનાવવાની કરાઈ માંગ:પાલનપુરની મમતા મંદિર શાળા આગળ બમ્પ ન હોવાને કારણે અકસ્માતનો ભય

પાલનપુરમાં દિવ્યાંગ બાળકોની મમતા મંદિર શાળા આગળ સ્પીડ બમ્પ ન હોવાને કારણે વિદ્યાર્થીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. નગરસેવકના પતિએ બમ્પ બનાવવાની આપેલી બાંહેધરી સમયમર્યાદામાં પૂર્ણ ન થતાં હવે સ્થાનિકોએ આંદોલનની ચેતવણી આપી છે. પાંચ દિવસમાં કામ ન થાય તો પાલિકાનો ઘેરાવ કરવાની સાથે રવિવારે જાતે બમ્પ બનાવવાની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક રહીશ રવિ સોનીએ જણાવ્યું હતું કે,પાલનપુર શહેરમાં ડેરી રોડ પર સરકારી હાઈસ્કૂલ, મમતા મંદિર તેમજ સરસ્વતી માતા સર્કલ આસપાસ સ્પીડ બ્રેકર ન હોવાથી અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરોએ નગરપાલિકાને વારંવાર રજૂઆત કરી છે. પરંતુ પરિણામ શૂન્ય મળ્યું છે. રવિવાર સુધી બમ્પ બનાવવા વિનંતી કરી હતી, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આ મુદ્દે આ વિસ્તારના નગરસેવકોએ 5 દિવસમાં કામ થઈ જશે તેવી બાંહેધરી આપી છે. જો નક્કી સમયમાં કામગીરી નહીં થાય તો આવતા શનિવારે શાળા બાળકો સહિત નગરપાલિકા કચેરીએ ધરણા અને રવિવારે જાતે બમ્પ બનાવીશું. સ્થાનિક રહીશ દીપકભાઈએ જણાવ્યું કે ડેરી રોડ પરના SBI પાસેના ત્રણ રસ્તા પાસે બમ્પ જરૂરી છે. શાળા વિસ્તારોમાં પ્રતિ શાળા બે સ્પીડ બ્રેકર અને જ્યાં નથી ત્યાં સફેદ પટ્ટા દોરવાની પણ તેઓએ માગ ઉઠાવી છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:22 am

એટામાં બ્રહ્મ સમાજનો ઐતિહાસિક નિર્ણય‎:સુધારેલું બંધારણ માત્ર કાગળ પર જ નહીં પરંતુ જીવનમાં ઉતારવું જરૂરી: શ્યામસ્વરૂપજી બાપુ

પરમ પૂજ્ય બ્રહ્મલીન શ્રી આનંદપ્રકાશ ગુરુ મહારાજની ગાદી એવા એટા ગામે માઁ પીઠેશ્વરી તથા ગુરુ ગાદીના પાવન સાનિધ્યમાં વાવેચી, નાની વાવેચી અને થરાદરી આ ત્રણ પરગણા ઔદીચ્ય સહસ્ત્ર બ્રહ્મ સમાજની બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમાજના બંધારણમાં વ્યાપક સુધારા કરી સર્વસંમતિથી મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં પરમ પૂજ્ય શ્યામસ્વરૂપજી બાપુએ સમાજને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે, સુધારેલ બંધારણ માત્ર કાગળ પર નહીં પરંતુ જીવનમાં ઉતારવું જરૂરી છે. સમાજના લોકો વ્યસન, ફાજલ ખર્ચ અને દેખાડાથી દૂર રહી સંસ્કાર સાદગી અને શિક્ષણને પ્રાધાન્ય આપે તે માટે તેમણે આહ્વાન કર્યું હતું.બેઠકમાં લગ્ન, મામેરા તથા મરણ પ્રસંગને લઈને ચાલતા ખર્ચાળ અને સમય સાથે બદલાઈ ગયેલા રિવાજોમાં સુધારા કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. લગ્ન પ્રસંગે ડીજે, લાઈવ પ્રોગ્રામ, ભવ્ય એન્ટ્રી, ફાજલ ડેકોરેશન તેમજ સોશિયલ મીડિયા માટે રીલ બનાવવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સાથે જ જાનમાં માણસો અને વાહનોની સંખ્યા મર્યાદિત રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ભોજન વ્યવસ્થામાં પણ સાદગી અપનાવવાની સાથે સમાજના રસોઈયાથી જ રસોઈ બનાવવાની જોગવાઈ રાખવામાં આવી છે. સોનાના દાગીના, કરિયાવર અને ઓઢામણી પર નિયંત્રણ મૂકી બિનજરુરી ખર્ચ અટકાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. લગ્ન બાદ સમાજહિતમાં શૈક્ષણિક સંસ્થામાં ફરજિયાત દાન કરવાની જોગવાઈ પણ બંધારણમાં સામેલ કરવામાં આવી છે. મામેરા પ્રસંગે ખર્ચની મર્યાદા નક્કી કરી રોકડ વ્યવહારને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જ્યારે મરણ પ્રસંગે પણ બે ધાન, પોણો માસ, નાત સહિતના ખર્ચાળ રિવાજો બંધ કરી સાદગી જાળવવાનો નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:18 am

મંદિરમાં થઈ ચોરી:ગઠામણ ગામે જોગણી માતાના મંદિરમાં છત્રની ચોરી

પાલનપુર તાલુકાના ગઠામણ ગામે આવેલા વાલ્મિકીવાસમાં જોગણી માતાજીના મંદિરમાં રવિવારે ચાંદીના છત્રની ચોરી થઈ હતી. જોકે, ગામની વચ્ચે લગાવેલા સીસીટીવી કેમેરામાં ત્રણ શંકાસ્પદ શખ્સો નજરે પડતાં ગ્રામજનોએ આ મામલે તાલુકા પોલીસને જાણ કરી હતી. ગઠામણ ગામના વાલ્મિકીવાસમાં આવેલ જોગણી માતાજીના મંદિરમાં રવિવારે રાત્રે ચોરીની ઘટના બની હતી.ચોર મંદિરમાં લગાવેલ 500 ગ્રામથી વધુ વજનના ચાંદીના છત્રની ચોરી કરી હતી. બીજા દિવસે સવારે ગામની વચ્ચે મૂકેલા ગ્રામ પંચાયતના સીસીટીવી કેમેરામાં તપાસ કરાતા તેમાં રાત્રે દોઢ વાગ્યાના આરસામાં ત્રણ શખ્સો ગામમાં ફરતા નજરે પડ્યા હતા. આથી આ અંગે પાલનપુર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:17 am

ભાસ્કર ફોલોઅપ:નળાસરના યુવકને હડકવા ન હતો,હવે માનસિક સ્થિતિ સહિતની તપાસ ચાલુ

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ નળાસરના યુવકને હડકવા ન હોવાનું સામે આવ્યું છે. સોમવારે તે સંપૂર્ણ સ્વસ્થ જણાયો હતો. દરમિયાન યુવકે શા માટે હડકવા જેવું વર્તન કર્યુ તેની તપાસ હાથ ધરી છે. પુનાથી તેના રિપોર્ટ પણ આજે આવ્યા પછી રોગની સાચી જાણકારી મળશે.માનસિક સ્થિતિ સહિતની તપાસ ચાલુ છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં હડકવાના લક્ષણો સાથે સારવાર માટે દાખલ કરવામાં આવેલો નળાસરનો યુવક સોમવારે સંપૂર્ણ સ્વસ્થ જણાયો હતો. આ અંગે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. સુનિલ જોષીએ જણાવ્યું હતુ કે, હડકવાના મુખ્ય લક્ષણોમાં પાણીથી, પવનથી ડર લાગવો તે મુખ્ય છે. જોકે, આ યુવક પાણી પી રહ્યો છે. સામાન્ય વ્યકિતની જેમ દવા લે છે. વાતચિત પણ કરી રહ્યો હોઇ તેને હડકવા છે જ નહી. તેણે શા માટે હડકવા જેવું વર્તન કર્યુ તે માટે તેની માનસિક સ્થિતિ સહિત આજે પુનાથી આવનારા રિપોર્ટ ઉપરથી બિમારીનો ખ્યાલ આવશે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:15 am

તંત્ર દ્વારા બુદ્ધિનું પ્રદર્શન કરાયું:પાલનપુરના લક્ષ્મીપુરામાં આરસીસી રોડની વચ્ચોવચ વીજથાંભલો

પાલનપુરના લક્ષ્મીપુરામાં આરસીસી રોડની વચ્ચોવચ વીજથાંભલો તંત્રની બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યો છે. પાલનપુર તાલુકાનું લક્ષ્મીપુરા ગામ એવું છે જે જુદી જુદી શેરીઓમાં વસેલું છે. ગામમાં 30થી વધુ શેરીઓ આવેલી છે. આખું ગામ શેરી નંબરના આધારે ઓળખાય છે તેવામાં લક્ષ્મીપુરા રેલવે ફાટકથી શેરીઓના છેડે ટાવર તરફ જવાના માર્ગ પર આરસીસી રોડની વચ્ચોવચ વીજ પોલ આવેલો છે. સ્થાનિકો જણાવ્યું કે વીજપોલ વર્ષોથી છે. પંચાયત દ્વારા થાંભલાની આસપાસ રોડ બનાવવામાં આવ્યો છે. પંચાયતનો આશય માત્ર એટલો છે કે કોઈ જગ્યા માટી વાળી ન રહે એટલા માટે અહીં સીસી રોડ અંદર સુધી લીધો છે એટલે થાંભલો રોડની વચ્ચે આવી ગયો છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:14 am

મહેસાણા પોક્સો કોર્ટે ફટકારી સજા:સગીરા પર દુષ્કર્મ આચરનારા આદુન્દ્રા- લક્ષ્મીપુરાના શખ્સને 20 વર્ષની સજા

17 વર્ષની સગીરાને રેલવેમાં બેસાડી ઉદેપુર લઈ જઈને અવારનવાર દુષ્કર્મ આચરનારા કડી તાલુકાના (આદુન્દ્રા) લક્ષ્મીપુરા ગામના 19 વર્ષના યુવકને મહેસાણાની પોક્સો કોર્ટે 20 વર્ષની સખત કેદ ની સજા ફટકારી હતી સાથે ભોગ બનનાર સગીરાને 50000 રૂપિયા નું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કડી પંથકમાં પોતાના પરિવાર સાથે રહેતી 17 વર્ષની સગીરાને તાલુકાના લક્ષ્મીપુરા ગામે રહેતો 19 વર્ષનો વિશાલ ભરતભાઈ બજાણીયા લગ્નની લાલચ આપીને 3 જાન્યુઆરી 2024ના રોજ અપહરણ કરીને અમદાવાદના આસારવા રેલવે સ્ટેશનથી રેલવેમાં બેસાડીને ઉદેપુર લઈ ગયો હતો. જ્યાં તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. કડી પોલીસ મથકે નોંધાયેલી પોકસોની ફરિયાદમાં પોલીસે ચાર્જશીટ કર્યા બાદ સોમવારના રોજ મહેસાણાની પોક્સો કોર્ટમાં સમગ્ર કેસ ચાલી જતાં સરકારી વકીલ રેખાબેન જોશીની દલીલોને આધારે જજ એસ એસ કાળેએ આરોપી વિશાલ બજાણીયાને પોક્સોની કલમ અંતર્ગત દોષિત ઠેરવીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સાથે કોર્ટે ભોગ બનનાર સગીરાને 50000 રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો. કેસ ચાલવા દરમિયાન સરકારી વકીલ દ્વારા 18 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા જે આરોપીને સજા આપવા માટે મહત્વના સાબિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:09 am

બાગાયત વિભાગની ખેડૂતોને તકેદારી લેવા અપીલ:કમોસમી વરસાદની આગાહીથી ઉ.ગુ.માં બાગાયતી પાકોને જોખમ

મહેસાણા બાગાયત વિભાગે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે તાત્કાલિક ચેતવણી જાહેર કરી છે, જેમાં હવામાન વિભાગની આગાહી મુજબ તા. 3 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે જિલ્લામાં ક્યાંક હળવા કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે. મહેસાણા નાયબ બાગાયત નિયામકની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, આ સંજોગોમાં હાલ આંબાના અત્યંત સંવેદનશીલ મોર આવવાના તબક્કે તેમજ ઉભા શાકભાજીના પાકોને નુક્સાન થવાની સંભાવના હોવાથી બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર તકેદારીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. બાગાયત વિભાગના જણાવ્યા મુજબ, મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે, અને આ દરમિયાન વધુ ભેજ તથા કમોસમી વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે. કમોસમી વરસાદના કારણે મોર લાંબા સમય સુધી ભીનો રહેતા ફૂલ અને નાની કણીઓ ઝડી જવી, પરાગનયન પ્રક્રિયામાં અડચણ આવવી, પાઉડરી મિલ્ડ્યુ (ભૂકી છારો) અને એન્થ્રાક્નોઝ (કાળવણ) જેવા રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:08 am

મહિલાએ કર્યો આપઘાત:દિગડીમાં મહિલાએ ઝેરી દવા પી લેતાં મોત

દિગડી ગામે રહેતી 27 વર્ષીય પરણિત મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેનું મોત થયું હોવાનું બનાવ સામે આવ્યો છે. મૂળ ઉદયપુર જિલ્લાના બોડાદર ગામની વતની શાંતાબેન પ્રવીણભાઈ પરમાર લગ્ન બાદ પતિ સાથે દિગડી ગામે તબેલામાં મજૂરી કામ કરતી હતી. તેમના લગ્નને માત્ર ત્રણ વર્ષ જ થયા હતા.શનિવારે સાંજના સમયે શાંતાબેને ઉંદર મારવાની ઝેરી દવા પી લેતાં મોત થયું હતું.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:07 am

પશ્ચિમ રેલવે દ્વારા જાહેરાત કરાઈ:મહેસાણામાંથી પસાર થતી 6 ટ્રેન ટ્રેકના કામને લઈ રદ

ગાંધીધામ–ભુજ રેલવે સેક્શનમાં ગાંધીધામ અને આદીપુર વચ્ચે ચાલી રહેલા ટ્રેકના કામકાજને કારણે 4 થી 13 ફેબ્રુઆરી દરમિયાન કુલ 34 ટ્રેનો પ્રભાવિત થવાની જાહેરાત પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી છે. આમાંથી ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી કુલ 15 ટ્રેનોને અસર થશે. જેમાં 6 ટ્રેનો સંપૂર્ણ રીતે રદ, 8 ટ્રેનો આંશિક રીતે રદ અને 1 ટ્રેનના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ 6 ટ્રેનો રદ રહેશે

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:03 am

હવામાન વિભાગ દ્વારા આગાહી:ઉ.ગુ.માં 9 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહેશે

ઉત્તર ગુજરાતમાં સોમવારે પણ વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. દિવસ અને રાતના તાપમાનમાં અડધા ડિગ્રી જેટલો નજીવો ઘટાડો નોંધાયો હોવા છતાં ઠંડીનું ખાસ કોઈ જોર જોવા મળ્યું નહોતું. રાત્રીનું તાપમાન 17 ડિગ્રી પાર અને દિવસનું તાપમાન સરેરાશ 30.5 ડિગ્રી આસપાસ રહેતાં ઠંડી લગભગ ગાયબ રહી હતી. હવામાન વિભાગે આ સ્થિતિ આગામી 9 ફેબ્રુઆરી સુધી યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનથીઉત્તર ગુજરાતમાં સોમવારે મોટા ભાગે પશ્ચિમી પવનો ફૂંકાયા હતા. જેના પરિણામે દિવસભર વાદળછાયું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. વાદળોની હાજરીને કારણે દિવસ-રાતના તાપમાનમાં અડધા ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. આ દરમિયાન લઘુત્તમ તાપમાન 17 થી 19.2 ડિગ્રી વચ્ચે રહ્યું હતું, મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી આસપાસ નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 3 Feb 2026 4:02 am