SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

કોટંબી સ્ટેડિયમમાં મેચ દરમિયાન ચોરાયેલા 9 મોબાઈલ ઝડપાયા:ઉત્તરપ્રદેશના અલીગઢના ત્રણ શખસોની ધરપકડ, ભીડનો લાભ લઈ મોબાઈલ સેરવી લેતા હતા

વડોદરા શહેરમાં ગઈકાલે કોટંબી સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે યોજાયેલ ક્રિકેટ મેચ દરમ્યાન ચોરાયેલ મોબાઈલની ચોરી કરનાર ઈસમોને સયાજીગંજ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે રેલવે સ્ટેશન અને મેદાનમાંથી ચોરી કરનાર ઉત્તરપ્રદેશના ત્રણ ઈસમોને ઝડપી પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. યુપીના અલીગઢની ત્રિપુટી પાસેથી ચોરીના 9 મોબાઈલ મળ્યાસયાજીગંજ પોલીસે ઉત્તરપ્રદેશના અલીગઢની ત્રણ સભ્યોની ગેંગને બાતમીના આધારે મોબાઈલ વેચે અને ફરાર થાય તે પહેલા જ ઝડપી પાડી હતી. આ ઈસમોએ વડોદરા રેલ્વે સ્ટેશન અને કોટાંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે મોબાઈલ ફોનની ચોરી કરી હતી. આ ગેંગ પાસેથી કુલ 9 મોબાઈલ મળી આવ્યા છે, જેની કિંમત આશરે રૂ. 5,09,000 છે. મેચની ભીડનો લાભ લઈ મોબાઈલ ફોન સેરવી લીધા હતાસયાજીગંજ પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન બાતમીદાર પાસેથી માહિતી મળી કે, સયાજીગંજ ધ કોર્નર શોપ મેડિકલ સામે જમવાની લારી પાસે ત્રણ વ્યક્તિઓ ચોરીના મોબાઈલ વેચવા માટે ઊભા છે. આ બાતમીના આધારે તાત્કાલિક તપાસ કરતા ત્યાં ત્રણ ઈસમો દેખાયા હતા. બાદમાં પોલીસે તેઓની અંગઝડતીમાં અલગ-અલગ કંપનીના કુલ 9 મોબાઈલ મળી આવ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું કે, તેમાંથી એક મોબાઈલ ફોન સયાજીગંજ રેલ્વે સ્ટેશનના ઇન-ગેટ સામે આવેલા શોપિંગ સેન્ટર પાસેની રજવાડી ચાની દુકાનમાંથી ચોરી કર્યો હતો. બાકીના મોબાઈલ ફોન્સ ગઈકાલે કોટાંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડની મેચ દરમિયાન પ્રેક્ષકોની ભીડનો લાભ લઈને ચોરી કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓના નામઆ કાર્યવાહીમાં પોલીસે સુબુર ફાયક પઠાણ (રહે. હમદર્દનગર, સેક્ટર બી, ફાતીમા સ્કૂલ પાસે, તા. કોલ, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ ), ખાલીદ નિયાઝ મેવાતી (રહે. મ.નં. 2/4, ઔરંગાબાદ ટાઉનશીપ, મેવાતી મહોલ્લા, તા.જિ. મથુરા, ઉત્તરપ્રદેશ ), રાશીદ શમસાદ નાઈ (હાલ રહે. મ.નં. ૨6, જમાલપુર ફાટક, બીજલઘર પાસે, તા. બંદાદેવી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ (મૂળ રહે. ગામ બડકલી ચોરા, બાંગલપુર, જિ. પટના, બિહાર) ને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:27 pm

વોન્ટેડ આરોપીને પકડવા જતાં પોલીસ પર પથ્થરમારો:બુટલેગરના બે ભાઈઓએ પથ્થરમારો કરતા ગાડીઓના કાચ તૂટ્યા, નરોડા પોલીસે બે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ શહેરની નરોડા પોલીસ મુઠીયા ગામમાં દારૂના કેસમાં વોન્ટેડ આરોપીને પકડવા ગઈ હતી, ત્યારે આરોપી બુટલેગરના બે કુખ્યાત ભાઈઓએ પથ્થરમારો કર્યો હતો. જેમાં રહીશોની ગાડીઓના કાચ તૂટ્યા હતા. ઉપરાંત બંનેએ તેના બુટલેગર ભાઈને પોલીસની ફરજમાં અડચણ કરીને ભગાડી મુક્યો હતો. આ અંગે નરોડા પોલીસે કુલ ચાર આરોપી સામે ગુનો નોંધીને પથ્થરમારો કરનાર બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ પકડવા જતાં આરોપીઓ ભાગ્યાનરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રદિપસિંહ અન્ય પોલીસકર્મીઓ સાથે પેટ્રોલિંગમાં હતા, ત્યારે બાતમી મળી હતી કે, પ્રોહિબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી અનીલ ઉર્ફે કાલી સોલંકી મુઠીયા ગામના મેદાનમાં હાજર છે. જેથી પોલીસકર્મીઓ તેને પકડવા મુઠીયા ગામે પહોચ્યા ત્યારે અનિલ અને તેની સાથે રહેલો શખસ ગાડી લઈને ભાગવા લાગ્યો હતો. પોલીસના પીછો કરવાથી તે ગાડી મૂકીને ગલીઓમાં ભાગી ગયો હતો. જેથી પોલીસકર્મીઓ તેને પકડવા તેની પાછળ દોડ્યા હતા. પથ્થરમારો કરતા બે આરોપીને ઝડપી પાડ્યાઆ દરમિયાન અનિલના ભાઈઓ જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદિપ ઉર્ફે પદીયો ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો હતો. આ પથ્થરમારામાં રસ્તા પર પાર્ક કરેલી કેટલાકી રહીશોની ગાડીઓને પણ નુકસાન પહોંચ્યું હતું. પોલીસ સાથે સામાન્ય ઝપાઝપી બાદ પોલીસે જીગ્નેશ અને પ્રદિપ સોલંકીને ઝડપી લીધા હતા. ઝડપાયેલા બે આરોપીઓએ પોલીસકર્મીઓને ધમકાવ્યાપકડાયેલા આરોપીઓએ પોલીસ કર્મચારીઓને ધમકાવતા જણાવ્યું હતું કે, તેમના વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે અને તેમને પોલીસનો કોઈ ડર નથી. આરોપીઓએ બહારથી દારૂનો મોટો જથ્થો લાવીને બહારની એજન્સીની રેડ પડાવીને ઉચ્ચ અધિકારીઓ પાસે પીઆઇ અને પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાવવાની અને તેમનું કરિયર ખરાબ કરવાની ધમકી પણ આપી હતી. જ્યારે પોલીસે આરોપીઓની ગાડી અને બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. મુખ્ય આરોપી સહિત બે લોકો ફરારજોકે મુખ્ય આરોપી અનિલ ઉર્ફે કાલી અને તેની સાથેનો એક અજાણ્યો શખસ ભાગવામાં સફળ રહ્યા હતા. આ અંગે નરોડા પોલીસે આરોપીને ભગાડવામાં મદદ કરનાર જીગ્નેશ ઉર્ફે જીગો બળદેવભાઇ સોલંકી અને પ્રદિપ ઉર્ફે પદીયો બળદેવભાઇ સોલંકી અને અનિલ તથા એક અજાણ્યા શખસ સામે ગુનો નોધીને જીગ્નેશ અને પ્રદિપની ધરપકડ કરીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસમહત્વનું છે કે, પકડાયેલા આરોપી જીગ્નેશ સામે અગાઉ પોલીસ પર હુમલો, મારામારી અને પ્રોહિબિશન સહિતના 40 ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે. તેમજ ચાર વખત પાસાની સજા ભોગવી ચૂકેલો છે. ત્યારે પ્રદિપ સામે અગાઉ પોલીસ પર હુમલા સહિત કુલ 18 ગુના પોલીસ ચોપડે નોધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:25 pm

ભરૂચ જિલ્લામાં ઉતરાયણ માટે 108 સેવા સજ્જ:140 કર્મચારીઓ 34 એમ્બ્યુલન્સ સાથે તૈનાત રહેશે

ભરૂચ જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન ઊભી થતી તાત્કાલિક પરિસ્થિતિઓને પહોંચી વળવા 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ છે. 14 અને 15 જાન્યુઆરી, 2026 દરમિયાન જિલ્લામાં કુલ 34 જેટલી 108 એમ્બ્યુલન્સ સતત કાર્યરત રહેશે. આ સેવાઓમાં આશરે 140 જેટલા ડ્રાઈવર, ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન સહિતના કર્મચારીઓ ખડે પગે તૈનાત રહેશે. આ વિશેષ આયોજનનો હેતુ ઝડપી પ્રતિસાદ અને સમયસર સારવાર ઉપલબ્ધ કરાવવાનો છે. ભૂતકાળના અનુભવો દર્શાવે છે કે ઉતરાયણ દરમિયાન સામાન્ય દિવસોની તુલનામાં ઈમરજન્સી કોલ્સમાં નોંધપાત્ર વધારો થાય છે. ખાસ કરીને માર્ગ અકસ્માત, છત પરથી પડી જવાની ઘટનાઓ, પતંગની દોરીથી કપાઈ જવાના બનાવો તેમજ અન્ય ટ્રોમા કેસોમાં વૃદ્ધિ જોવા મળે છે. આ અંગે પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખે જણાવ્યું હતું કે, 108 ઈમરજન્સી મેડિકલ સર્વિસ દ્વારા નાગરિકોને સલામતીના નિયમોનું પાલન કરીને જવાબદારીપૂર્વક ઉતરાયણ ઉજવવા અપીલ કરવામાં આવી છે. કોઈપણ તાત્કાલિક ઈમરજન્સી પરિસ્થિતિમાં વિલંબ કર્યા વગર તરત જ 108 પર સંપર્ક કરવા જણાવાયું છે, જેથી ઉતરાયણનો તહેવાર સૌ માટે સુરક્ષિત અને આનંદમય બની રહે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:04 pm

રાજકોટના ચકચારી ફાયરિંગ કેસમાં વધુ એકની ધરપકડ:જંગલેશ્વરનો સંજય ઉર્ફે સંજલો ફાયરિંગ કરી મોરબી પહોંચ્યો બે દિવસ આશરો આપનાર ઇમરાન જેડા ઝડપાયો, અત્યાર સુધી 35 ઝડપાયા

29 ઓક્ટોબર 2025ના રોજ શહેરના મંગળા રોડ પર જૂની અદાવતમાં પેંડા અને મુર્ગા ગેંગ દ્વારા સામસામે સરાજાહેર ફાયરિંગ કેસમાં ફાયરિંગ કરી મુખ્ય સૂત્રધાર જંગલેશ્વરનો સંજય ઉર્ફે સંજલો મોરબી પહોંચ્યો હતો જ્યાં તેને આશરો ઇમરાન ઈકબાલ જેડા નામના શખ્સે આપ્યો હોવાનું સામે આવતા ઇમરાન ઈકબાલ જેડા (ઉ.વ.32)ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં પકડાયેલ શખ્સે સંજય ઉર્ફે સંજલાને મોરબીમાં બે દિવસ આશરો આપ્યો હોવાનું સામે આવતા વધુ તપાસ અર્થે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે પેંડા અને મુર્ગા ગેંગના કુલ 35 આરોપીની ધરપકડ કરી મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. સોનીબજારમાં ચાંદીના વેપારી સાથે મહારાષ્ટ્રના દેવીલાલની 13.50 લાખની ઠગાઇ અમીન માર્ગ પર રહેતા અને ખત્રીવાડમાં આરકે હાઉસ નામના બિલ્ડીંગમાં આરકે સિલ્વર નામે પેઢી ચલાવતાં રણજીતભાઈ ખેંગારભાઈ વાઢેર (ઉ.વ.58)એ એ.ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહારાષ્ટ્ર સાંગલીના આષ્ટાગામના દેવીલાલ વાધરામ માલી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેમની પેઢીમાં તેઓની સાથે અન્ય ત્રણ ભાગીદાર છે. મહારાષ્ટ્ર સાંગલીના દેવીલાલ માલી કે જેને તેના ગામમાં અર્બુદા સીલ્વર જવેલર્સ નામે દુકાન છે તેની સાથે છેલ્લા 5 વર્ષથી ચાંદીના હોલસેલ દાગીના ઓર્ડર મુજબ આપવાનો વેપાર કરે છે. દાગીના મળ્યે સમયસર રૂપીયા આપી દિધા હતાં. દેવીલાલ માલીને તા.20.05.2024ના 18 કીલો 104 ગ્રામ ચાંદીના અલગ-અલગ દાગીના રૂ.8.06નો ઓર્ડર લખાવેલ તેના રૂ.4.22,400 પેઢીના ખાતામાં જમા કરાવ્યા હતા જેથી કુરીયર મારફત ઓર્ડર મુજબ ચાંદીના દાગીના મોકલાવેલ હતાં. બાદ નવા ઓર્ડર મુજબ 17 કીલો 847 ગ્રામ ચાંદીના અલગ અલગ દાગીના રૂ.9,65,908ના મોકલ્યા હતા. તેઓએ થોડા દિવસમાં આ બીલના તથા અગાઉના બીલના પૈસા આપી દઈશ તેમ વાત કરી હતી પરંતુ પૈસા આપ્યા ન હતા જેને લઇ કુલ રૂ.13,49,197 આજ સુધી પરત ન આપતા એ.ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હાર્ટ એટેકથી યુવકનું મોત નીપજ્યું બહાદુર ખત્રી (ઉં.વ.30) સવારે 8.30 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે કાર સાફ કરી રહ્યો હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેનું મોત નીપજ્યું હતું. ખેમ બહાદુર બે ભાઈમાં નાનો હતો તે એપાર્ટમેન્ટમાં ચોકીદારનું કામ કરતો ઉપરાંત કાર સાફ કરવાનું કામ પણ કરતો હતો નેપાળી યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું મોત હાર્ટ એટેકથી થયા હોવાનું સામે આવ્યું છે. પતંગ લૂંટવા જતા 11 વર્ષનો બાળક છાપરા પરથી જમીન પર પટકાયો સલમાન યુનુસભાઈ શેખ (ઉં.વ.11) આજે બપોરે 12 વાગ્યાં આસપાસ પોતાના ઘર પાસે પહેલા માળ જેટલી ઊંચાઈના છાપરા પરથી પડી જતા પગે, શરીરે, મોઢે ઇજા પહોંચી હતી તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સલમાનના પિતા મજૂરી કામ કરે છે. સલમાન કટ થયેલી પતંગને લૂંટવા માટે તેના ઘર નજીકની શેરીમાં આવેલા એક મકાનના છાપરા ઉપર ચડ્યો હતો અને ત્યાંથી જમીન પર પટકાયો હતો હાલ તેની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 7:03 pm

ગોધરા પતંગ બજારમાં અંતિમ તબક્કાની ઘરાકી:વેપારીઓમાં ખુશી; પતંગ, દોરી, ચશ્મા-ટોપીની ખરીદી માટે લોકોનો ધસારો

ગોધરા શહેરના પતંગ બજારમાં ઉતરાયણ પૂર્વે અંતિમ તબક્કાની ઘરાકી નીકળી છે, જેના કારણે વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પતંગ અને દોરીની ખરીદી સાથે ચશ્મા તેમજ ટોપી જેવી આનુષંગિક વસ્તુઓની ખરીદી માટે પણ ધસારો કરી રહ્યા છે. આકાશી યુદ્ધના પર્વ તરીકે ઓળખાતા ઉતરાયણ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી છે. શરૂઆતના દિવસોમાં પતંગ બજારમાં મંદીનો માહોલ હતો અને વેચાણમાં અપેક્ષિત ઉછાળો ન આવતાં વેપારીઓમાં નિરાશા હતી. જોકે, પર્વ નજીક આવતાની સાથે જ ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે, અને અંતિમ દિવસોમાં ભારે ઘરાકી જોવા મળી રહી છે. ગોધરા શહેરના રામસાગર તળાવની આસપાસ આવેલી પતંગ અને દોરીની દુકાનો પર મોડીરાત સુધી ખરીદદારોની ભીડ ઉમટી પડી હતી. નાના બાળકો, યુવાનો અને પરિવારો પતંગ, દોરી અને માંજાની ખરીદીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. રંગબેરંગી પતંગો અને મજબૂત દોરી માટે ગ્રાહકોમાં ખાસ ઉત્સાહ છે. પતંગ-દોરી ઉપરાંત પીપુડા અને વિવિધ ડિઝાઇનના સ્ટાઇલિશ ચશ્માની ખરીદી માટે પણ બજારમાં ધસારો જોવા મળ્યો છે. આ વર્ષે બજારમાં વિવિધ પ્રકારની પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે. ખાસ કરીને દેશભક્તિના ભાવને ઉજાગર કરતી ઓપરેશન સિંદુર અને રાષ્ટ્રભક્તિ સંબંધિત લખાણવાળી પતંગો લોકોમાં લોકપ્રિય બની છે. દેશપ્રેમની લાગણી સાથે ઉતરાયણ ઉજવવા ઈચ્છતા લોકો આવી વિશેષ પતંગોની ખરીદી કરતા જોવા મળ્યા હતા. પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પતંગ અને દોરીની ખરીદી માટે ઉમટી પડ્યા હતા. જેના કારણે શહેરના મુખ્ય બજારોમાં ભારે ચહલપહલ સાથે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ગોધરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વ્યવસ્થા જાળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આમ, ઉતરાયણ પર્વની નજીકતા સાથે ગોધરા શહેરના પતંગ બજારોમાં ઉત્સાહ, રોનક અને વ્યાપારિક ગતિશીલતા ફરી જીવંત બની છે. અંતિમ તબક્કાની ઘરાકીથી વેપારીઓમાં ખુશીનો માહોલ છે અને શહેરભરમાં ઉતરાયણના ઉત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:50 pm

સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ. 29 કરોડના વિકાસકામોને લીલીઝંડી:શહેરમાં આધુનિક ફૂડ પાર્ક, સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર અને રસ્તા-ડ્રેનેજ જેવા પાયાના પ્રોજેક્ટ્સ સહિતના કાર્યોને બહાલી

ભાવનગર મહાનગર પાલિકા ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કિમીટીની બેઠક સ્ટેન્ડિંગ કમિટી ના હોલ ખાતે ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળી હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વના 41 ઠરાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે આ કામો અંતર્ગત શહેરમાં આધુનિક ફૂડ પાર્ક, સ્પોર્ટ્સ એક્ટિવિટી સેન્ટર અને રસ્તા-ડ્રેનેજ જેવા પાયાના પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે, જેમાં કુલ 29 કરોડથી વધુના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ મળેલ સ્ટેન્ડીંગ કમિટીની મળેલી બેઠકમાં વિવિધ સરકારી ગ્રાન્ટ હેઠળ અંદાજીત રૂ.29.04 કરોડના ખર્ચના 41 જેટલા મહત્વના કામોને મંજૂરી આપવામાં આવી છે, ​આ મંજૂર થયેલા કામોમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ ઘોઘા સર્કલ વિસ્તારમાં પ્લોટમાં આશરે રૂ. 6.28 કરોડના ખર્ચથી બનનાર ફૂડ પાર્ક/ફૂડ સ્ટ્રીટ છે આ ઉપરાંત, શહેરના રાજકોટ રોડ પર આવેલા ફ્લાયઓવરની નીચેની ખાલી જગ્યાનો સદુપયોગ કરી ત્યાં રૂ. 2.50 કરોડના ખર્ચથી સ્પોર્ટ્સ એક્ટિવિટી વિકસાવવામાં આવશે અને RTO સર્કલ પાસે કડિયા નાકાનું નિર્માણ થશે, ​શિવાજી સર્કલથી દુ:ખીશ્યામબાપા સર્કલ સુધી રૂ.11.30 કરોડના ખર્ચથી પેવર રોડ તથા સ્વપ્નશીલ સોસાયટીમાં આર.સી.સી. રોડ બનાવવામાં આવશે, આનંદનગર, ગીતાચોક અને કાળિયાબીડ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવાના કામો હાથ ધરાશે. શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ બે પેકેજ હેઠળ નવા આધુનિક બસ સ્ટોપ બનાવવામાં આવશે, વડવા વોશિંગ ઘાટ પાસે આંગણવાડી (નંદઘર) નિર્માણ અને કાળિયાબીડમાં PHC સેન્ટર સુધી ડ્રેનેજ કનેક્ટિવિટી આપવામાં આવશે, વોર્ડ નં. 10 (સીદસર) માં લેન્ડ કોન્ટ્રીબ્યુશનની જગ્યામાં ભાવનગર ક્લબ ફેઝ-2 અને ફર્સ્ટ ફ્લોર પર યોગા હોલનું નિર્માણ રૂ. 4.63 કરોડના ખર્ચે થશે, ફૂડ પાર્ક / ફૂડ સ્ટ્રીટ (ઘોઘા સર્કલ) 6,28,09,321, પેવર રોડ શિવાજી સર્કલ થી દુ:ખીશ્યામબાપા સર્કલ રૂ.11,30,93,508, ભાવનગર ક્લબ ફેઝ-2 અને યોગા હોલ રૂ. 4,63,16,229, ફ્લાયઓવર નીચે સ્પોર્ટ્સ એક્ટિવિટી રૂ. 2,50,15,633 મળી કુલ 14 વિકાસ કામો 29,04,44,535 કરોડના કામો ને મંજૂરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:49 pm

રાજકોટમાં વિકાસના દાવાની પોલ ખુલી:રાજદીપ સોસાયટીના રહીશોનો રોડના મુદ્દે રસ્તા રોકો આંદોલન અને તંત્ર સામે ઉગ્ર રોષ, થાળીઓ વગાડીને આક્રોશ ઠાલવ્યો

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઓમ નગર સર્કલ પાસે આવેલી રાજદીપ સોસાયટીના રહીશોએ રોડ-રસ્તાના પ્રશ્ને ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોએ 40 ફૂટના મેઈન રોડને બ્લોક કરી દીધો હતો અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેમજ થાળીઓ વગાડી આક્રોશ ઠાલવ્યો હતો. સ્થાનિક મહિલા હંસાબેન મોવૈયા આક્ષેપ કર્યો હતો કે છેલ્લા 3 મહિનાથી રોડ બનાવવા માટે રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સંતોષકારક જવાબ મળતો નથી. અધિકારીઓએ 10 તારીખ સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી આપી હોવા છતાં, આજદિન સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ રોડની બિસ્માર હાલતને કારણે ખાસ કરીને શાળાએ જતા બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અનેક બાળકો સાયકલ પરથી પડી જવાની ઘટનાઓ પણ બની છે. જો અમે નિયમિત મકાન વેરો અને અન્ય ટેક્સ ભરતા હોય, તો તેમને પાયાની સુવિધા કેમ નથી મળતી? જો આગામી દિવસોમાં રોડનું કામ શરૂ નહીં થાય તો સોસાયટીની શેરીઓ બંધ કરવાની ચીમકી પણ તેમણે ઉચ્ચારી હતી. રાજકોટના 80 ફૂટ રોડ ઉપર સિટીબસ હડફેટે 6 લોકો ઘાયલ રાજકોટ શહેરમાં સિટિબસ ચાલકો બેફામ હંકારતા હોવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. આજે આવી જ વધુ એક ઘટના સામે આવી હતી. જેમાં 80 ફૂટ રોડ પર સિટી બસના ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમાં સ્પીડમાં જતી બસે અનેક લોકોને અડફેટે લેતા અફરાતફરી મચી ગઈ હતી. શેઠ હાઈસ્કૂલ પાસે બનેલી આ ઘટનામાં સિટી બસના ચાલકે સ્ટેયરીંગ પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થતા 5 થી 6 લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 3 લોકોને ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિકો અને રાહદારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા, જેના કારણે રોડ પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ સ્થાનિકોમાં સિટી બસના ડ્રાઈવરોની મનસ્વી ગતિ અને બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે આ મામલે સિટી બસના ડ્રાઈવરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. રેલવેની મંજૂરીના અભાવે રાજકોટનો સાંઢિયા પુલ પ્રોજેક્ટ વિલંબમાં મુકાતા લોકો પરેશાન રાજકોટના જામનગર રોડ પર રૂ. 75 કરોડના ખર્ચે બની રહેલા વર્ષો જૂના સાંઢિયા પુલનું નવનિર્માણ કાર્ય વહીવટી મંજૂરીઓના વાંકે અટવાયું છે. રેલવે ટ્રેક પર સ્ટીલ ગર્ડર લોન્ચ કરવા માટે રેલવે તંત્ર પાસેથી જરૂરી મંજૂરી હજુ સુધી મળી નથી, જેના કારણે ડિસેમ્બરમાં પુલનું લોકાર્પણ કરવાનું લક્ષ્યાંક પૂર્ણ થાય તેમ લાગતું નથી. આ વિલંબને કારણે માર્ચ-2026ની સમય મર્યાદામાં કામ પૂરું થવા સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. તંત્રની આ ઢીલી નીતિનો ભોગ બજરંગવાડી, વોરા સોસાયટી, વાંકાનેર સોસાયટી અને રેલનગર જેવા વિસ્તારોમાં રહેતા લાખો લોકો બની રહ્યા છે. હાલ પુલનું કામ ચાલુ હોવાથી વાહનોનો તમામ ભાર ભોમેશ્વર અને પોપટપરા વિસ્તાર પર પડ્યો છે. ભોમેશ્વર ફાટક બંધ થતા જ કિલોમીટરો સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે, જેનાથી સ્થાનિકો પ્રદૂષણ અને ઘોંઘાટથી ત્રસ્ત છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી કોંગ્રેસના પૂર્વ મહામંત્રી કલ્પેશ કુંડલીયા અને અશોકસિંહ વાઘેલાએ તંત્ર પાસે વહીવટી પ્રક્રિયા ત્વરિત પૂર્ણ કરી લોકોને હાલાકીમાંથી મુક્તિ અપાવવા માંગ કરી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ સજ્જ, ઉત્તરાયણે દોરીથી ઈજાગ્રસ્ત થતા દર્દીઓ માટે ખાસ વ્યવસ્થા સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આગામી ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઈજાગ્રસ્ત થતા દર્દીઓ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. 14 જાન્યુઆરીના રોજ રાજકોટમાં પતંગબાજીનો ભારે ઉત્સાહ જોવા મળે છે, પરંતુ તેની સાથે પતંગની ઘાતક દોરી જીવલેણ પણ સાબિત થતી હોય છે. જેને ધ્યાને રાખીને સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલના માઇનોર ઓપરેશન થિયેટરમાં નિષ્ણાત સ્ટાફ સતત ખડેપગે રહેશે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવતી વખતે આંગળીઓ કપાઈ જવી, ધાબા પરથી પડી જવું કે રસ્તા પર જતા બાઈક ચાલકોના ગળામાં દોરી ફસાઈ જવી જેવી ગંભીર ઘટનાઓ બનતી હોય છે. હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાના ભાગરૂપે દોરીથી ગંભીર રીતે કપાયેલા દર્દીઓ માટે અલગ વોર્ડ અને તાત્કાલિક સારવારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. ઘણીવાર દોરી શરીરમાં ઊંડી ઉતરી જવાને કારણે ઈમરજન્સી સર્જરીની જરૂર પડતી હોય છે, જેના માટે માઇનોર OT માં ખાસ સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે. ગત વર્ષોના અનુભવોને આધારે પર્વ દરમિયાન હોસ્પિટલમાં આવતા દર્દીઓને વિના ખર્ચે અને ત્વરિત સારવાર મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં ઠંડી વચ્ચે રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં નોંધાયા 2052 દર્દી, 826 ક્લોરીન ટેસ્ટ રાજકોટમાં કડકડતી ઠંડીના પ્રકોપ વચ્ચે પણ રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ શહેરના સરકારી ચોપડે રોગચાળાના 2052 કેસ નોંધાયા છે. આરોગ્ય શાખા દ્વારા જારી કરાયેલા અઠવાડિક રિપોર્ટ મુજબ, તા. 5-1 થી 11-1 દરમિયાન મચ્છરજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસ અદ્રશ્ય રહ્યા છે, જે એક રાહતના સમાચાર છે. જોકે, અન્ય બીમારીમાં શરદી-ઉધરસના 1083 કેસ, સામાન્ય તાવના 725 અને ઝાડા-ઉલ્ટીના 242 કેસ સામે આવ્યા છે. ઉપરાંત શહેરમાં કમળાના પણ 2 કેસ નોંધાયા છે, જ્યારે ટાઇફોઇડનો એક પણ કેસ જોવા મળ્યો નથી. રોગચાળો નિયંત્રિત કરવા માટે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન 826 ક્લોરીન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ફિલ્ડ વર્કરો દ્વારા 17342 ઘરોમાં પોરાનાશક કામગીરી અને 603 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. મચ્છરોના ઉત્પત્તિ સ્થાનોની તપાસ દરમિયાન 197 જેટલા આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં 168 રહેણાંક અને 29 કોમર્શિયલ મિલકતોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:43 pm

ઉધનામાં દૂષિત પાણીની અનેક રજૂઆત છતાં પાલિકા 'કુંભકર્ણની નિદ્રા':ઝેરી અને રંગીન પાણી આવતા સ્થાનિકોમાં ભારે રોષ, કહ્યું- ગંભીર બીમારી થશે તો જવાબદારી કોણ લેશે?

'સ્વચ્છ શહેર' તરીકે દેશભરમાં નામના છે તે સુરત મહાનગરપાલિકાના વહીવટના ધાંધિયા ફરી એકવાર સામે આવ્યા છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અમૃતનગર ખાતે છેલ્લા કેટલાય સમયથી પીવાનાં પાણીમાં ગટરનું અને કેમિકલયુક્ત દૂષિત પાણી આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, વારંવારની રજૂઆતો છતાં પાલિકા તંત્ર 'કુંભકર્ણની નિદ્રા'માં હોય તેમ લાગી રહ્યું છે. પીવાલાયક પાણી કે ઝેર?સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દરરોજ સવારે જ્યારે પાલિકા દ્વારા પાણીનો પુરવઠો છોડવામાં આવે છે, ત્યારે નળમાંથી શુદ્ધ પાણીને બદલે અત્યંત દુર્ગંધ મારતું અને રંગીન પાણી નીકળે છે. અમૃતનગરના રહીશોનું કહેવું છે કે, આ પાણી પીવું તો દૂર, ઘરકામ કે નાહવા માટે પણ વાપરી શકાય તેમ નથી. દૂષિત પાણીના કારણે વિસ્તારમાં ઝાડા-ઊલટી અને ચામડીના રોગો ફાટી નીકળવાની દહેશત સેવાઈ રહી છે. નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. ગેરકાયદેસર ડાઈંગ મિલોનો રાફડોઆ સમસ્યા પાછળનું મુખ્ય કારણ સ્થાનિકોએ આજુબાજુમાં ધમધમતા ગેરકાયદેસર તપેલા ડાઈંગ એકમોને ગણાવ્યું છે. આરોપ છે કે આ એકમો કોઈપણ જાતના ટ્રીટમેન્ટ પ્લાન્ટ વગર ડાયરેક્ટ ડ્રેનેજ લાઈનમાં કેમિકલયુક્ત રંગીન પાણી છોડી રહ્યા છે. ડ્રેનેજ અને પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ અથવા લીકેજ હોવાથી આ કેમિકલયુક્ત પાણી પીવાના પાણીમાં ભળી રહ્યું છે. તંત્રની મિલીભગતથી આ એકમો બેરોકટોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. ગાંધીનગર સુધી ગુંજ, છતાં તંત્ર નિષ્ક્રિયસુરત મહાનગરપાલિકાની આ ઢીલી કામગીરીના પડઘા છેક ગાંધીનગર સુધી પડ્યા છે. હજુ થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા સુરત પાલિકાને પાણી અને સફાઈના મુદ્દે કડક ટકોર કરવામાં આવી હતી. તેમ છતાં, નીચલા સ્તરના અધિકારીઓ અને વહીવટી તંત્ર જાણે સુધરવાનું નામ નથી લેતા. લોકોમાં ચર્ચા છે કે જો મુખ્યમંત્રીની સૂચનાનું પણ પાલન ન થતું હોય, તો સામાન્ય નાગરિકની ફરિયાદની શું વિસાત? રહેવાસીઓની માગણીઅમૃત નગરના સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે અને ગેરકાયદેસર ડાઈંગ મિલો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. લોકોની મુખ્ય માગણીઓ છે કે, તાત્કાલિક અસરથી દૂષિત પાણીની સમસ્યા દૂર કરી શુદ્ધ પાણી આપવામાં આવે. ગેરકાયદેસર કેમિકલ છોડતા એકમોને સીલ કરવામાં આવે. બેદરકાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરવામાં આવે. હવે જોવાનું એ રહે છે કે, સુરત મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે જાગશે કે પછી લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા જ રહેશે? લાલ, ભૂરું તો કોઈવાર ગટર જેવી વાસ મારે છે: સોનલબેનસ્થાનિક રહીશ સોનલબેને જણાવ્યું હતું કે, અમારે ઉધનાના અમૃતનગરમાં દોઢ-બે વર્ષથી ખૂબ જ ગંદુ પાણી આવે છે. કોઈવાર લાલ, ભૂરું તો કોઈવાર ગટર જેવી વાસ મારે છે પાણીમાંથી. અધિકારીઓને ઘણીવાર અમે જાણ કરેલી છે SMCમાં, પણ કોઈ જ અમારી દરખાસ્ત સાંભળતું નથી અને કોઈ જ પગલાં લેવાતા નથી આ વિષયે. હવે આપણે બધાએ જાણ્યું છે કે ઈન્દોરમાં કેવા કેસો બન્યા છે આ પાણીના લીધે. આજે એ જ ઝેરી પાણી અમે પણ પી રહ્યા છીએ એવું જ, તો અમારી સાથે પણ આવા જ કેસો બનવા માંગે છે? બે વર્ષથી રજૂઆત કરીએ છીએ છતાં પરિસ્થિતિ એવી જ છે: ગૌતમભાઈસ્થાનિક રહીશ ગૌતમભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીની અંદર અમે ઓછામાં ઓછી આજની તારીખમાં દોઢથી બે વર્ષથી રજૂઆત કરીએ છીએ અને એમાં અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી નવી લાઈનો, પાઈપલાઈન નાખીશું તો તમારી આ બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. અમને નોટિસ આપેલી જેથી અમે એ નોટિસ બેઝ પર તાત્કાલિક કોર્પોરેટર સોમનાથભાઈને વાત કરીને નવી લાઈનો નંખાવી દીધી. તો સોમનાથભાઈએ સહકાર આપીને નવી લાઈન નંખાવડાવીને એના પછી અમે પાછા એ જ પરિસ્થિતિમાં આવી ગયા છીએ કે ગંદુ પાણી, ગટરિયું પાણી, કેમિકલયુક્ત પાણી આવે છે. 'સાંઠગાંઠના લીધે આ બધું ચાલી રહ્યું છે'સામે સિટી ઈન્ડસ્ટ્રીમાં આ જે ટેક્સટાઈલ અને બધી તપેલા ડાઈંગ, બાજુમાં દર્શન મીલ, રામકૃષ્ણ ઠાકોર નગર એ બધામાં તપેલા ડાઈંગો બધા ચાલે છે. અમે કમ્પ્લેઈન કરીએ છીએ તો એમને કહે કે થોડી વાર તમે અડધો કલાક એ પાણી જવા દો બોલે. આ કેવી વાત છે? અડધો કલાક પાણી જવા દો એટલે સારું પાણી આવવા લાગશે બોલે. તો આ તમારી કઈક સાંઠગાંઠ છે એના લીધે આ બધું ચાલી રહ્યું છે. ગંભીર બીમાર થશે તો એની જવાબદારી કોણ લેશે?બીજી વાત અમે કહીએ કે ભાઈ આ પાણીનું તમે સોલ્યુશન લાવો તો અમને એમ કહે છે કે અમને હાઈડ્રોલિક વાળા અમને સપોર્ટ નથી કરતા. હાઈડ્રોલિકના જે સાહેબ છે, તે કહે કે અમને આ લોકો સપોર્ટ કરે તો અમે તમારી લાઈન નવી નાખી આપીએ, એક અલગથી પાઈપ રોડ પર, મેઈન રોડ પર જે નવસારી હાઈવે રોડ છે. તો ત્યાંથી અમારી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે પણ હાઈડ્રોલિક ડિપાર્ટમેન્ટ પણ આ સાંભળવા તૈયાર નથી. અમારે ત્યાં છોકરાઓ જે પાણી પીએ છે તેનાથી ગંભીર બીમાર થશે તો એની જવાબદારી કોણ લેશે?

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:38 pm

ખારાઘોડામાં એક મહિનામાં 7 ગેસ સિલિન્ડર ચોરાયા:ગ્રામજનોમાં રોષ, ચોરીની વધતી ઘટનાઓ વધતા પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ખારાઘોડા ગામમાં ગેસ સિલિન્ડર ચોરીની ઘટનાઓથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રવિવારે રાત્રે વધુ બે ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થતાં ગ્રામજનોએ પાટડી પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી. એક જ મહિનામાં ખારાઘોડા ગામમાં કુલ સાત ઘરમાંથી ગેસ સિલિન્ડરની ચોરી થઈ છે. જગદીશ સોસાયટી અને ખોડીયાર નગર સોસાયટીમાં આ પ્રકારની ઘટનાઓ વારંવાર બની રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને રોષ ફેલાયો છે. રવિવારે રાત્રે થયેલી ચોરીમાં હરિભાઈ પટેલ અને જીતેન્દ્રભાઈ ગજ્જરના રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગ્રામજનોનું ટોળું પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું. ગ્રામજનોએ પોલીસ સમક્ષ ફરિયાદ કરી હતી કે, ગામમાં રાત્રિ પેટ્રોલિંગ બંધ થઈ ગયું છે, જે પહેલા નિયમિત થતું હતું. ચોરીની વધતી ઘટનાઓ અંગે ખારાઘોડાના પૂર્વ સરપંચ બી.ડી. બાથાણી, કનુભાઈ પટેલ, અનિલભાઈ પટેલ, કાળુભાઈ સુથાર અને ધવલભાઈ પટેલ સહિતના આગેવાનોએ પાટડી પીઆઈ બી.સી. છત્રાલીયા અને પોલીસ સ્ટાફને ઉગ્ર રજૂઆત કરી હતી. પોલીસે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી ચોર ગેંગને પકડવાની ખાતરી આપી હતી. જોકે, ગામમાં સતત વધતી જતી ગેસ સિલિન્ડર ચોરીની ઘટનાઓથી લોકોમાં હજુ પણ ફફડાટ અને રોષનો માહોલ યથાવત છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:35 pm

ચંદ્રુમાણા ગૌરી વિદ્યાલયમાં ₹1.51 લાખનો પ્રાર્થના શેડ બન્યો:અમદાવાદ સ્થિત દવે પરિવારે માતાની સ્મૃતિમાં સખાવત કરી

ચંદ્રુમાણા સ્થિત ગૌરી વિદ્યાલયમાં ગામના વતની અને અમદાવાદ નિવાસી દવે પરિવાર દ્વારા ₹1,51,000ના ખર્ચે નવો પ્રાર્થના શેડ બનાવવામાં આવ્યો છે. આ સખાવતથી શાળા પરિવારમાં ખુશીની લાગણી વ્યાપી છે અને વિદ્યાર્થીઓને પ્રાર્થના તથા સાંસ્કૃતિક કાર્યક્રમો માટે સુવિધા મળી છે. શાળામાં અગાઉ મુખ્ય દાતા કાજલબેન ચેતનભાઈ વ્યાસ સરપંચના સહયોગથી શાળાનું રીનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ પ્રાર્થના માટેનો ઓટલો તૂટી ગયો હતો, જેના સમારકામ અને પ્રાર્થના-સાંસ્કૃતિક કાર્યક્રમો માટે શેડની જરૂર અંગે ગૌરી વિદ્યાલયના પ્રમુખ ભાનુભાઈ વ્યાસે અમદાવાદ રહેતા દિલીપભાઈ દવે સમક્ષ રજૂઆત કરી હતી. દિલીપભાઈ દવે અને હેતુલ દવે દ્વારા, પરિવારના મહેન્દ્રભાઈ દવે અને નિરંજન દવે સહિતના સ્વજનોની ભલામણથી, માતા સ્વ. સવિતાબેન દવેની સ્મૃતિમાં ₹1,51,000ની સખાવત કરવામાં આવી હતી. આ ભંડોળમાંથી આધુનિક પ્રાર્થના શેડનું નિર્માણ થયું છે. શાળાના પ્રમુખ ભાનુભાઈ વ્યાસ અને આચાર્ય સતિષ જાદવ સહિત સમગ્ર શાળા પરિવારે દાતા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવારે જણાવ્યું કે આગામી સમયમાં આશરે ₹1.25 લાખના ખર્ચે પ્રાર્થના માટેના ઓટલાનું પણ નવીનીકરણ કરવામાં આવશે. નોંધનીય છે કે આ દવે પરિવાર ગામની રામ સેવા સમિતિ દ્વારા થતા કીટ વિતરણ કાર્યક્રમમાં પણ વર્ષોથી આર્થિક સહયોગ આપી રહ્યો છે, જે તેમની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:30 pm

પાલનપુરમાં ઘાતક દોરીથી બચવા બાઇક પર સેફ્ટી તાર:પોલીસ અને મહારાણા સેવા ગ્રુપે 300થી વધુ બાઇક પર તાર લગાવ્યા

પાલનપુર શહેરમાં ઉત્તરાયણના તહેવારો દરમિયાન ઘાતક દોરીથી થતા અકસ્માતોને રોકવા માટે બનાસકાંઠા પોલીસ અને મહારાણા સેવા ગ્રુપ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત મોટરસાયકલ ચાલકોની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી તાર લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન પાલનપુર શહેરના કોઝી વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું, જ્યાં લોકોની અવરજવર વધુ હોય છે. જિલ્લા પોલીસવડા પ્રશાંત સુંબે, પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ, નેત્રમ શાખાના પીએસઆઇ, સીટી ટ્રાફિક પી.એસ.આઇ અને મહારાણા સેવા ગ્રુપના કાર્યકરોની હાજરીમાં 300થી વધુ મોટરસાયકલ પર સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા. પોલીસ અને સેવા ગ્રુપ દ્વારા લોકોને ઘાતક દોરીના જોખમ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તેમને દોરીનો બેદરકારીપૂર્વક ઉપયોગ ન કરવા અને સલામતીના નિયમોનું પાલન કરવા અપીલ કરાઈ હતી. આ સાથે જ, પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા પણ વિનંતી કરવામાં આવી હતી.પાલનપુરમાં શરૂ થયેલી આ પહેલને નાગરિકો દ્વારા સારો આવકાર મળ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:29 pm

યુવકની છરી મારી હત્યા કેસમાં આરોપીઓનું રિકન્સ્ટર્કશન:વોટ્સએપમાં વાતચીત કરવા મામલે માથાકૂથ, આરોપીઓનો યુવતીના પરિવાર પર જીલવેણ હુમલામાં યુવકનું મોત

ભાવનગરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતાં યુવકની યુવતી સાથે ફોન પર વાતચીત મુદ્દે વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં યુવતીના પરિવારના 3 શખસોએ યુવક અને તેના પરિવાર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં યુવતીના સંબંધી દિનેશ નામના યુવકનું મોત નિપજ્યું હતું, ત્યારે આ હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓને આજ રોજ બનાવસ્થળે લઈ ગઈ હતી અને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. શું છે સમગ્ર મામલો10 જાન્યુઆરીના મોડી રાત્રિના ફરિયાદી દિલીપ રમેશભાઈ ડાભીના મામાના ભાગીદારના સંબંધીની દીકરી સાથે શહેરના અકવાડા નાથીયા તળાવની બાજુમાં જત વિસ્તારમાં રહેતો અલ્પેશ ધીરાભાઈ સોલંકી ફોનમાં વાતચીત તેમજ વોટ્સએપમાં ચેટ કરતો હોય, જે બાબતે ફરિયાદી તથા તેના મામા અને અન્ય લોકો અલ્પેશ સોલંકીને તેના ઘરે ઠપકો આપવા ગયા હતાં. છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરીજે સમયે અલ્પેશ તથા તેનો ભાઈ રાહુલ, તેની સાથે પાછળથી આવેલા સુરેશ ઉર્ફે ઘુધી અને એક સગીર, તેઓએ દિલીપ ડાભી સાથે ઝપાઝપી કરી મારામારી કરી હતી. જે દરમ્યાન અલ્પેશ સોલંકીએ દિલીપના મામા દિનેશને પકડી રાખેલ અને રાહુલે દિલીપના દિનેશ હરભીમભાઈ ચૌહાણ (મામાને) પડખાના ભાગે અને પેટના ભાગે છરીના ઉપરા ઉપરી ઘા મારી ગંભીર ઈજાઓ કરી હતી. વહેલી સવારે દિનેશનું સારવાર દરમિયાન મોત થયુંઆ બનાવ અંગે મૃતકના ભણીયાએ ઘોઘારોડ પોલિસ મથકમાં રાહુલ ધીરાભાઈ સોલંકી, અલ્પેશ ધીરાભાઈ સોલંકી, સુરેશ ઉર્ફે ઘુઘી સોલંકી અને એક સગીર વિરુદ્ધ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. જોકે, 11 જાન્યુઆરીના રોજ વહેલી સવારે દિનેશ હરભીમભાઈ ચૌહાણનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરીઘટનાના પગલે સીટી Dysp, ઘોઘારોડ પોલીસ સ્ટેશનના પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ઘોઘારોડ પોલિસે આ બનાવમાં નોંધાયેલ ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી હતી અને એક સગીર સહિત ચારેય આરોપીની ધરપકડ કરી હતી. ચાર આરોપીને ઝડપ્યારાહુલ ધીરુભાઈ સોલંકી (ઉં.વ. 26)અલ્પેશ ભીમભાઈ સોલંકી (ઉં.વ. 19)સુરેશ ભીમાભાઈ સોલંકી (ઉં.વ. 24)એક સગીર

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:28 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:રેત માફીયાઓ બેફામ બન્યાં, ઉત્તરાયણ પહેલાં જ મોદીએ કાઇટ ફેસ્ટિવલનો માહોલ જમાવી દીધો

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:28 pm

વલસાડમાં શિક્ષક બાળકોને ભણાવવાને બદલે વર્ગમાં જ ઊંધી ગયા:ગ્રામજનોએ શાળામાં પહોંચી ઊંઘતા ઝડપ્યા, શિક્ષક સામે યોગ્ય પગલાં લેવાની માગ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના નારગોલ નવાતળાવ પ્રાથમિક શાળામાં એક શિક્ષક વર્ગમાં બાળકોને ભણાવવાને બદલે ઊંઘતા ઝડપાયા છે. આ ઘટનાથી શાળામાં શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્નો ઊભા થયા છે. શાળાની મુલાકાતે પહોંચેલા ગામના આગેવાનોએ શિક્ષક યાજ્ઞિક મોહનભાઈ ટંડેલને વર્ગખંડમાં ટેબલ પર ઊંઘી રહેલા જોયા હતા. તે સમયે બાળકો વર્ગમાં હાજર હતા અને તેમને ભણાવવાને બદલે શિક્ષક ઊંઘી રહ્યા હતા. આગેવાનો દ્વારા પૂછપરછ કરતા શિક્ષક યાજ્ઞિક ટંડેલે જણાવ્યું હતું કે, તેમણે બાળકોને લેસન આપ્યા બાદ રાત્રિના ઉજાગરાને કારણે ઊંઘી ગયા હતા. શિક્ષકની આ બેદરકારી સામે આવી છે. આ ઘટનાને પગલે ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો શિક્ષક યાજ્ઞિક મોહનભાઈ ટંડેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે શિક્ષણ વિભાગને જાણ કરવામાં આવી છે. ગ્રામજનોએ શિક્ષણ વિભાગને શિક્ષક સામે યોગ્ય પગલાં લેવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:26 pm

સુરતના કતારગામમાં યુવકની હત્યા:જૂની અદાવતમાં ત્રણ-ચાર શખસો વિપુલ કાનાણીની છરીના ઘા ઝિંકી ભાગ્યા

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ફરી એકવાર ગુનાખોરીની ઘટના સામે આવી છે. કતારગામના ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસે યુવકની હત્યા કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. જૂની અદાવતને પગલે આ ખૂની ખેલ ખેલાયો હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી રહી છે. ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખસોએ હત્યા કરીમળતી માહિતી મુજબ, કતારગામના ધનમોરા વિસ્તારમાં આવેલી જે. કે. પી. નગર સોસાયટીમાં આ ઘટના બની હતી. અહીં રહેતા વિપુલ કાનાણી નામના યુવક પર ત્રણથી ચાર જેટલા અજાણ્યા શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી વિપુલની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાનસૂત્રોના જણાવ્યા અનુસાર, વિપુલ કાનાણીની હત્યા પાછળ જૂની અદાવત જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. ભૂતકાળમાં થયેલા કોઈ ઝઘડા અથવા અણબનાવનું વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજનબદ્ધ રીતે આ હુમલો કર્યો હોવાની શક્યતા છે. જોકે, ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાઆ ઘટનાની જાણ થતા જ કતારગામ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે સોસાયટીના CCTV ફૂટેજ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ફરાર થયેલા 3થી 4 આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે વિપુલના પરિવારમાં માતમ છવાઈ ગયો છે અને સ્થાનિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 6:00 pm

ભારત -જર્મનીની ફ્રેન્ડશિપની પતંગ:અમદાવાદના આકાશમાં પતંગ ને દોરી PMના હાથમાં, પરિવર્તન સભા વચ્ચે આપમાં ભડકો, મહિલા નાયબ મામલતદારે ફાંસો ખાધો

જર્મન ચાન્સેલર સાથે પીએમે ચગાવ્યો પતંગ ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલા પીએમ મોદીએ આજે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે ગાંધી આશ્રમની મુલાકાત લીધી. અહીંથી નીકળી પીએમ મોદીએ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો..મોદી અને ફ્રેડરિક મર્ઝે ખુલ્લી જીપમાં ભારત - જર્મનીની ફ્રેન્ડશિપનો પતંગ ચગાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બંને દેશો વચ્ચે વિઝા મુક્ત મુસાફરી થઈ શકશે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં પીએમ મોદી અને ફ્રેડરિક મર્ઝ વચ્ચે બેઠક થઈ. હવેથી બંને દેશો વચ્ચે વિઝા મુક્ત મુસાફરી થઈ શકશે. સાથે જ ઈન્ડિયા- જર્મની સેન્ટર ઓફ એક્સલન્સ સ્થાપિત થશે.. તો બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર થઈ ગયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના સહ પ્રભારીએ આપ્યું રાજીનામું મોરબીમાં આપની પરિવર્તન સભામાં જોવા મળ્યો રાજકીય ડ્રામા.. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીની પરિવર્તનની વાતો વચ્ચે પક્ષના સહપ્રભારીએ આપને ગુંડાઓ અને અમીરોની પાર્ટી ગણાવી રાજીનામું ધરી દીધું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલા નાયબ મામલતદારે ફાંસો ખાઈ આપઘાત કર્યો સુરતમાં મહિલા નાયબ મામલતદારે આત્મહત્યા કરી.ઓફિસ જવાના સમયે પતિ નીચે કાર લેવા ગયા હતા,પરંતુ પત્ની નીચે ઊતર્યાં ન હતાં. ઉપર જઈ ચેક કરતાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા. મૃતકના પતિ પણ નાયબ મામલતદાર છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PSI-LRDના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરુ PSI-LRD એકઝામના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું..13,591 જગ્યાઓ માટે 21 જાન્યુઆરીએ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેર અર્થ અને હાઈડ્રો પ્રોજેક્ટ મામલે રાજકારણ તેજ છોટા ઉદેપુરમાં રેર અર્થ અને હાઈડ્રો પ્રોજેક્ટ મામલે ભાજપ, આપ અને કોંગ્રેસ આમનેસામને. આદિજાતી વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું કે કોઈ પ્રોજેક્ટ નહીં આવે. તો ચૈતર વસાવાએ ગેજેટ બતાવીને કહ્યું - તો સરકારે MOU અને સર્વે કેમ કર્યા? આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ક્રિકેટ મેચ દરમિયાન ઢળી પડ્યા બેંક કર્મચારી સુરતના ડીંડોલીમાં બેંક કર્મચારી ક્રિકેટ મેચ દરમિયાન ઢળી પડ્યા.. 35 વર્ષીય મેહુલ પટેલ બેટિંગ કરી મેદાનમાં જ ડિવાઈડર પર આરામ કરવા બેઠા અને ત્યાં મૃત્યુ પામતા હાર્ટ એટેકની આશંકા છે. જુવાનજોધ દીકરો ગુમાવતા પરિવાર ઘેરા શોકમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાત વર્ષના માસૂમ પર પાડોશી મહિલાનો અત્યાચાર સુરતમાં બાળકોએ મજાકમાં ઘરનો ડોરબેલ વગાડતા મહિલાએ સાત વર્ષના માસુમને ઢસડી ઢસડીને માર માર્યો.. વીડિયો સામે આવતા અને માતાપિતાએ ફરિયાદ કરતા મહિલાની અટકાયત કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટીમ ઈન્ડિયા વડોદરાથી રાજકોટ જવા રવાના કોટંબી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે મેચ જીત્યા બાદ આજે ટીમ ઈન્ડિયા વડોદરાથી રવાના થઈ..બંને ટીમો હવે રાજકોટ જશે, જ્યાં 14મી જાન્યુઆરીએ બીજી વન ડે મેચ રમાશે... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મીની મહાકુંભમાં જોવા મળ્યા વિદેશી શ્રદ્ધાળુઓ શક્તિપીઠ અંબાજી ખાતે ચાલી રહેલા મિની મહાકુંભમાં વિદેશી ભક્તો જોવા મળ્યા.. જર્મની, રશિયા અને ટર્કીના નાગરિકો ભૌતિક સુખ સુવિધાઓ ત્યજીને સંન્યાસના માર્ગે વળી ગયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:55 pm

ભિલોડા વન વિભાગે પક્ષી બચાવ અભિયાન રેલી યોજી:ઉત્તરાયણ પૂર્વે મામલતદારની ઉપસ્થિતિમાં જનજાગૃતિ કરાઈ

ભિલોડામાં ઉત્તરાયણ પૂર્વે પક્ષી બચાવવા માટે જનજાગૃતિ રેલી યોજાઈ હતી. ભિલોડા નોર્મલ રેન્જ વન વિભાગ દ્વારા આ 'કરુણા અભિયાન' અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભિલોડા રેન્જ ફોરેસ્ટ અધિકારી શૈલેન્દ્ર બીહોલા, ભિલોડા મામલતદાર અને જીવદયા પ્રેમી પંકજ પટેલ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સહભાગીઓએ હાથમાં પ્લેકાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે પક્ષીઓને બચાવવાનો સંદેશ આપ્યો હતો. ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચાઈનીઝ દોરી અને પતંગની અન્ય દોરીથી નિર્દોષ પક્ષીઓને ઈજા ન થાય કે તેમનો જીવ ન જાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. સ્થાનિકોને ખાસ કરીને સવારે વહેલા અને મોડી સાંજે, જ્યારે પક્ષીઓ મુક્ત રીતે વિહાર કરતા હોય છે, ત્યારે પતંગ ન ચગાવવા અપીલ કરાઈ હતી. ઉત્તરાયણ પર્વ નજીક આવતા વન વિભાગ સહિત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા પતંગની દોરીથી પક્ષીઓના ભોગ ન લેવાય તે માટે આવા કરુણા અભિયાનો દ્વારા જનતાને જાગૃત કરવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:54 pm

છોટા ઉદેપુરમાં ટ્રાફિક પોલીસે બાઇક ચાલકોને સેફ્ટી તાર લગાવ્યા:ઉતરાયણ પર્વ નિમિત્તે દોરીથી સુરક્ષા માટે કામગીરી હાથ ધરી

છોટા ઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસે ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાઇક ચાલકો માટે સરાહનીય કામગીરી હાથ ધરી છે. પતંગની દોરીથી થતી દુર્ઘટનાઓ અટકાવવા માટે બાઇક ચાલકોને સેફ્ટી તાર લગાવવામાં આવ્યા હતા. જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને લોકોમાં,ખાસ કરીને બાળકો અને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉત્સાહ વચ્ચે પતંગની દોરીથી બાઇક ચાલકોના ગળા કપાવવાની ઘટનાઓ બનતી હોય છે, જેને રોકવા આ પહેલ કરવામાં આવી છે. આ કામગીરી છોટા ઉદેપુરના પેટ્રોલ પંપ ચોકડી પર ટ્રાફિક પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસે સ્થળ પર જ બાઇક ચાલકોને સેફ્ટી તાર લગાવીને સુરક્ષા પૂરી પાડી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:44 pm

વનડે મુકાબલા પૂર્વે ક્રિકેટરોનું આગમન:રાજકોટની સયાજી હોટલ ખાતે ભારતીય ક્રિકેટ ટીમનું ઢોલ-નગારા અને પરંપરાગત ગરબા સાથે સ્વાગત કરાયું, ક્રિકેટરોની ઝલક નિહાળવા લોકો ઉમટ્યા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વનડે શ્રેણીના બીજા મુકાબલા માટે આજે બંને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી હતી. જેમાં ન્યુઝીલેન્ડની ટીમ ખાનગી હોટલ અને ભારતીય ક્રિકેટ ટીમ સયાજી હોટલ પહોંચી હતી. ભારતીય ક્રિકેટરો આવવાના હોવાથી હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓનું સયાજી હોટલ ખાતે ઢોલ-નગારા અને પરંપરાગત રાસ-ગરબા સાથે સ્વાગત કરાયું હતું. જોકે આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આવતીકાલે બંને ટીમો નેટ પ્રેક્ટિસ કરશે. અને બુધવારે ઉત્તરાયણનાં પર્વે વનડે મુકાબલો જામશે. રાજકોટ સંપૂર્ણપણે ક્રિકેટમય બની ગયું છે. વડોદરામાં રમાયેલી પ્રથમ વનડેમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ અને પ્રવાસી ન્યૂઝીલેન્ડની ટીમ આજે ખાસ વિમાન મારફતે રાજકોટ આવી પહોંચી હતી. આ વખતે રાજકોટમાં બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે 14 જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિના પવિત્ર તહેવાર પર આ મેચ રમાવાની છે. ઉતરાયણના પર્વ સાથે ક્રિકેટના રોમાંચનો સમન્વય થતા રાજકોટવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લાંબા સમય બાદ વિરાટ કોહલી અને રોહિત શર્મા રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં મેદાન પર ઉતરવાના હોવાથી ચાહકોની ખુશીનો પાર નથી. આજે બપોરે સ્પાઇસ જેટના ખાસ વિમાન દ્વારા બંને ટીમોનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયું હતું. એરપોર્ટ પરથી ખેલાડીઓને કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે બસ મારફતે તેમની નિયત હોટેલો પર લઈ જવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડની ટીમને શહેરની એક ખાનગી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે, જ્યારે ભારતીય ટીમ માટે કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજી ખાતે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટથી લઈને હોટેલ સુધીના માર્ગો પર ક્રિકેટ ચાહકો પોતાના મનપસંદ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઉમટી પડ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા પણ ખેલાડીઓની સુરક્ષા માટે હોટેલ બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ભારતીય ટીમ જ્યારે હોટલ સયાજી ખાતે પહોંચી ત્યારે તેમનું અત્યંત ભવ્ય અને પરંપરાગત શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. સયાજી હોટેલના પ્રવેશદ્વાર પર જ ઢોલ-નગારાના નાદ સાથે ખેલાડીઓને વધાવવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવતા રાસ-ગરબાના આયોજન સાથે ખેલાડીઓનું અભિવાદન કરાયું હતું. હોટેલ સ્ટાફ દ્વારા ખેલાડીઓને કુમકુમ તિલક લગાવી અને પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને જોઈને હોટેલ પરિસરમાં હાજર ચાહકોએ 'ઇન્ડિયા-ઇન્ડિયા' ના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું. ખેલાડીઓએ પણ સ્મિત સાથે ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું. મેચની પૂર્વ તૈયારીઓ વિશે વાત કરીએ તો, આવતીકાલે એટલે કે 13 જાન્યુઆરીના રોજ બંને ટીમો ખંઢેરી સ્થિત નિરંજન શાહ સ્ટેડિયમે નેટ પ્રેક્ટિસ કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ સવારના સત્રમાં મેદાન પર પરસેવો પાડશે, જ્યારે ભારતીય ટીમ સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન ફ્લડ લાઈટ્સ હેઠળ પ્રેક્ટિસ કરી મેદાનની સ્થિતિનો અંદાજ મેળવશે. વડોદરામાં મળેલી જીત બાદ ભારતીય ટીમ રાજકોટમાં પણ પોતાનું પ્રભુત્વ જાળવી રાખી શ્રેણી કબજે કરવાના મજબૂત ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ ન્યૂઝીલેન્ડની ટીમ શ્રેણીમાં વાપસી કરવા માટે એડીચોટીનું જોર લગાવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં તા. 14 જાન્યુઆરીએ રમાનારી આ મેચ માટે ટિકિટોનું વેચાણ પણ પૂરજોશમાં થયું છે. મકરસંક્રાંતિના દિવસે એક તરફ આકાશમાં રંગબેરંગી પતંગો જોવા મળશે, તો બીજી તરફ મેદાનમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે. ક્રિકેટ રસિકો માટે આ એક યાદગાર સંયોગ બની રહેશે. હાલ આ વનડે મુકાબલાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સૌની નજર બુધવારના મહામુકાબલા પર ટકેલી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:41 pm

ચાંદીમાં એકઝાટકે રૂ. 14 હજારનો ભાવ વધારો, સોનું ફરી ઑલ ટાઈમ હાઈ: બંનેમાં આગઝરતી તેજી

Gold, Silver Touch Record Highs : આજે સોના અને ચાંદીના ભાવમાં નવો રેકોર્ડ સર્જાયો છે. 12 જાન્યુઆરીએ સોનું અને ચાંદી બંનેના ભાવ ફરી ઑલ ટાઈમ હાઈ પર પહોંચ્યા. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર આજે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમતમાં 3,327 રૂપિયાનો વધારો નોંધાયો છે. જ્યારે 1 કિલો ચાંદીની કિંમતમાં આજે 13,968નો વધારો નોંધાયો.

ગુજરાત સમાચાર 12 Jan 2026 5:40 pm

રેકી કરી બાઈક ચોરી કરતા બે શખ્સની ધરપકડ:એક બાઇકને સ્ક્રેપમાં તોડી બીજી વેચી, અન્ય ચાર રિકવર કરાઈ; વાહનચોરીના 6 ગુનાઓનું ડિટેક્ટ

વડોદરા શહેરમાં અવાર નવાર વાહન ચોરીના બનાવોમાં સત્તત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગોરવા ગેંડા સર્કલ અને ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરેલી બાઇકની ચોરી કરતા રીઢા આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં ચોરીના વાહનો ખરીદનારા બીજા આરોપીને પણ ઝડપી લેવામાં આવ્યો છે, આ કાર્યવાહીમાં કુલ 6 વાહન ચોરીના ગુનાઓનું ડિટેક્શન કરવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. ચોરાયેલા બાઈક સાથે બે શખ્સ ઝડપાયાક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા અને અને તેમની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે શહેરના હરણી વારસિયા રિંગ રોડ પરથી રીઢા ચોર દુર્ગેશ ગિરીશકુમાર ઠાકોર (ઉંમર 40 વર્ષ, રહે. જયનારાયણ કુંજ સોસાયટી, છાણી ગામ, વડોદરા; મૂળ રહે. શ્રદ્ધા પાર્ક સોસાયટી, હરણી વારસિયા રિંગ રોડ, વડોદરા)ને શંકાસ્પદ બાઈક સાથે ઝડપી પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો હતો. વડોદરા બહાર જતા નાગરિકોની બાઇકને ટાર્ગેટ કરતોપૂછપરછમાં દુર્ગેશે કબૂલ્યું કે તે મુખ્યત્વે નોકરીયાત વર્ગના લોકો કે વડોદરા બહાર જતા નાગરિકોની બાઇકને ટાર્ગેટ કરતો હતો, જેમને તેઓ ગોરવા ગેંડા સર્કલ પાસે અને ફતેગંજ બ્રિજ નીચે પાર્ક કરીને જતા હતા. તેણે ચોરી કરેલી4 બાઇકમાંથી કેટલીકને હાથીખાના વિસ્તારમાં રહેતા નોમાન સબ્બીરભાઇ વ્હોરા (ઉંમર 32 વર્ષ, રહે. ઝમઝમ પાર્ક, હાથીખાના, પટેલ ફળિયા, વડોદરા)ને વેચી દીધી હતી. ટીમે નોમાનને પણ ઝડપી લીધો અને તેની પાસેથી ચોરીની અન્ય ત્રણ બાઇકો મળી આવી હતી. 6 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટનોમાને કબૂલ્યું કે તેણે આર્થિક લાભ માટે ચોરીના વાહનો ખરીદ્યા હતા, જેમાંથી એકને સ્ક્રેપમાં તોડી નાખ્યું અને બીજીને અન્ય વ્યક્તિને વેચી દીધી હતી. આ કાર્યવાહીમાં ગોરવા અને ફતેગંજ પોલીસ સ્ટેશનના કુલ 6 વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ થયા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:36 pm

મોડાસામાં કોંગ્રેસના મનરેગા બચાવો ધરણા:યોજના નબળી પાડવાના પ્રયાસો સામે પ્રતીક ઉપવાસ યોજાયા

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે મોડાસા ચાર રસ્તા, ટાઉનહોલ સામે મનરેગા યોજના બચાવો સંઘર્ષ અંતર્ગત પ્રતીક ઉપવાસ અને ધરણાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસે ભાજપ સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી કાયદા (મનરેગા) ને નબળો પાડવાના પ્રયાસો સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર મનરેગાનું નામ-સ્વરૂપ બદલવા અને અંતે તેને બંધ કરવાની દિશામાં પગલાં લઈ રહી છે. આ પગલાંઓ સામે કોંગ્રેસે ખુલ્લો અને આક્રમક વિરોધ દર્શાવ્યો હતો, જેમાં ‘રોજગારી આપો’ અને ‘મનરેગા બચાવો – ગરીબ બચાવો’ જેવા નારા ગુંજી ઉઠ્યા હતા. જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણ પટેલે જણાવ્યું હતું કે મનરેગા માત્ર એક યોજના નથી, પરંતુ કરોડો ગરીબ, મજૂર અને ગ્રામિણ પરિવારો માટે રોજી-રોટીની જીવનરેખા છે. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ સરકાર મનરેગામાં બજેટ કાપ, કામના દિવસો ઘટાડવા, ચૂકવણીમાં વિલંબ અને કાયદામાં ફેરફાર કરીને ગરીબ વિરોધી નીતિઓ અમલમાં મૂકી રહી છે, જે ગ્રામિણ ભારત પર સીધો હુમલો છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિએ ચેતવણી આપી હતી કે જો મનરેગા સાથેની છેડછાડ તાત્કાલિક બંધ નહીં થાય, તો આ આંદોલનને વધુ ઉગ્ર બનાવી તાલુકા, જિલ્લા અને ગ્રામસ્તરે રસ્તા પર ઉતારી દેવામાં આવશે. આ પ્રતીક ઉપવાસ અને ધરણાં પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ઉપસ્થિત રહેલા મુખ્ય આગેવાનોમાં અરૂણ પટેલ, જિલ્લા પ્રભારી કીર્તિસિંહ ઝાલા, રાજેન્દ્રસિંહ ઠાકોર, કમલેન્દ્રસિંહ પુવાર, મુકેશ પરમાર, કૌશિક પટેલ, કમલ અમીન અને રેવા ભાંભી સહિત તાલુકા અને જિલ્લાના અન્ય કાર્યકરોનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:34 pm

મકરબા પાસે રેત માફીયાઓની દાદાગીરી, રસ્તા પર રેતી ઠાલવી ફરાર:ખાણખનીજ વિભાગના અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપી, સુરેશ ભરવાડ સહિત ત્રણ સામે ફરિયાદ

અમદાવાદમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. રેતી સહિતની ખનિજોની ગેરકાયદેસર હેરાફેરી કરતા ડમ્પર માલિક સુરેશ ભરવાડની દાદાગીરી સામે આવી છે. ચેકીંગ દરમિયાન ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની ટીમે બે ડમ્પર રોક્યા હતા. ગેરકાયદેસર રેતી ભરીને જતા હોવાથી સરખેજ પોલીસ સ્ટેશન ડમ્પર લઈ જવા પોલીસે કહ્યું હતું. જે બાદ મકરબા રોડ પર ખાણ ખનીજ વિભાગની ચેકિંગ દરમિયાન ડમ્પર માલિકે ટીમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ફરજમાં રૂકાવટ કરવા બદલ સુરેશ ભરવાડ સહિત 3 લોકો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 30-30 મેટ્રિક ટન રેતી ભરેલી ડમ્પર રોકવામાં આવ્યા હતાગત 10 તારીખે રાત્રિના 10 વાગ્યે ખનીજ વિભાગના અધિકારીઓ સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગમાં ઊભા હતા. રાત્રિના સમયે ખનીજ ચોરી થતી હોવાની બાતમી મળી હતી. જેથી ખનીજ ચોરી રોકવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન 11 વાગ્યા આસપાસ મકરબા રોડ પરથી બે પીળા કલરના ડમ્પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. જેથી ખનીજ વિભાગના કર્મચારીઓએ બંને ડમ્પર ઊભા રાખ્યા હતા. જે બાદ ડમ્પરમાં ચેક કરતા સાદી રેતી ભરેલી હોવાનું સામે આવ્યું હતું. ડમ્પર પોલીસ સ્ટેશન લઈ જવાના બદલે ભાગવાનો પ્રયાસ કર્યોજેમાંથી એક ડમ્પરમાં નંબર પ્લેટ હતી અને એક ડમ્પર નંબર પ્લેટ હોવાનું પણ સામે આવ્યું હતું. બંને ડમ્પરમાં અંદાજે 30- 30 મેટ્રિક ટન સાદી રેતી ભરેલી હતી. જેથી પોલીસે ડમ્પર ચાલકો પાસે સાદી રેતી માટેની રોયલ્ટી પાસ પરમિટ માંગી હતી. પરંતુ ડમ્પર પર ચાલકો પાસે આવા કોઈપણ પ્રકારના પરમિટ ન હોવાનો સામે આવ્યું હતું. જેથી પોલીસે વધુ પૂછપરછ કરી હતી જેમાં એક ડમ્પર ચાલકે પોતાનું નામ જણાવ્યું નહીં અને એક ડમ્પર ચાલકે પોતાનું નામ સુરેશ ભરવાડ જણાવ્યું હતું. જે બાદ પોલીસે બંને ડમ્પર ચાલકને ગાડી પોલીસ સ્ટેશન લઈ જવાનું કહેતા જ ડમ્પર ચાલકોએ પોલીસ સ્ટેશન જવાના બદલે ડમ્પર ભગાવી દીધું હતું. રસ્તા પર રેતી ઠાલવી ખનીજ વિભાગના અધિકારીને ધમકી આપીજો કે થોડા આગળ જતા જ એક શખ્સે લાકડી વડે બંને ડમ્પરને અટકાવી દીધા હતા. જે બાદ ખનીજ વિભાગના અધિકારીઓ પણ તરત જ પહોંચી જતા તેમને જોઈને ડમ્પર ચાલક રસ્તા પર જ રેતી ખાલી કરી દીધી હતી. જે બાદ ખનીજ માફીયાઓ એટલે બેફામ થઈ ગયા કે ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઘર્ષણ કરીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેથી ફરજમાં રૂકાવટ કરવા બદલ સુરેશ ભરવાડ અને અન્ય ત્રણ લોકો સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સરખેજ પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:30 pm

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં PhD સંશોધકોની છ-માસિક સમીક્ષા બેઠક યોજાઈ:વેદ-વેદાંગ, પુરાણ વિષયના સંશોધકોને નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું

શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, પ્રભાસતીર્થ ખાતે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના માર્ગદર્શક નિયમો અનુસાર Ph.D. સંશોધકો માટે છ-માસિક પ્રગતિ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક તા. 12 જાન્યુઆરી, 2025ના રોજ યુનિવર્સિટી પરિસરમાં યોજાઈ હતી, જેમાં વેદ-વેદાંગ અને પુરાણ વિષયના Ph.D. સંશોધકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સંશોધકોએ છેલ્લા છ મહિનામાં કરેલા સંશોધન કાર્યની વિસ્તૃત રજૂઆત કરી હતી. સંશોધન પદ્ધતિ, ગ્રંથસંદર્ભો, અભ્યાસક્ષેત્રની પ્રગતિ અને આગામી કાર્યયોજના અંગે ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાતોએ સંશોધન કાર્યને વધુ વૈજ્ઞાનિક, શાસ્ત્રીય અને પ્રમાણભૂત બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાહ્ય વિષય નિષ્ણાંત તરીકે સાવિત્રીબાઈ ફૂલે પૂણે યુનિવર્સિટી, પૂણેના નિવૃત્ત પ્રોફેસર ડૉ.રવિન્દ્ર મૂળેજી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સંશોધકોને સંશોધનની ગુણવત્તા, શાસ્ત્રીય અભિગમ અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્ય ધોરણો અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા હતા. આ બેઠકમાં પ્રભારી શોધનિર્દેશક અને માર્ગદર્શક તરીકે ડૉ.પંકજકુમાર રાવલ હાજર રહ્યા હતા. વેદ-વેદાંગ વિષયના માર્ગદર્શક તરીકે ડૉ. રમેશચંદ્ર શુક્લ અને ડૉકુલદીપ પુરોહિતે, જ્યારે પુરાણ વિષયના માર્ગદર્શક તરીકે ડૉ.આશાબેન માઢક અને ડૉ.કિરણ ડામોરે સંશોધકોને વિષયસંબંધિત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યુનિવર્સિટીના ગ્રંથપાલ અને કુલપતિના OSD શ્રી રવીન્દ્ર કાલે પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના સભ્યસચિવ અને સંયોજક તરીકે સંશોધન અધિકારી ડૉ.કાર્તિકકુમાર પંડ્યાએ કામગીરી સંભાળી હતી, જ્યારે રિસર્ચ એડવાઈઝર ફેસિલીટેટર રાહુલ ત્રિવેદીએ સંકલનકર્તા તરીકે સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું મંચ સંચાલન JRF શોધછાત્ર ઋત્વિક જાની દ્વારા કરવામાં આવ્યું હતું. બેઠકના અંતે સંશોધકોને તેમના સંશોધન કાર્યને વધુ સુવ્યવસ્થિત અને સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકથી સંશોધકોમાં નવી દિશા, આત્મવિશ્વાસ અને સંશોધન પ્રત્યે વધુ પ્રતિબદ્ધતા જોવા મળી, જે યુનિવર્સિટીની સંશોધન ગુણવત્તા અને શૈક્ષણિક સ્તરને મજબૂત બનાવે છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:22 pm

દેશનું પહેલું સ્ટુડન્ટ મેઈડ સેટેલાઈટ 'સંસ્કારસેટ-1' સ્પેસમાં જતુ-જતુ અટક્યું:PSLV-C62 મિશન ત્રીજા સ્ટેજે ફેઈલ થતાં વિદ્યાર્થીઓ નિરાશ, ઈસરોએ ટ્વીટ કરીને જાણ કરી

ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગૌરવની ક્ષણ બનવા જઈ રહેલો દેશનો પ્રથમ સ્ટુડન્ટ-મેઇડ સેટેલાઇટ 'સંસ્કારસેટ-1' આજે રાષ્ટ્રીય યુવા દિવસે અવકાશમાં પહોંચવાની ઘટના બની હતી, જેમાં ધોરણ 7થી 12ના વિદ્યાર્થીઓએ ડિઝાઇન, ફેબ્રિકેશન, ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની સંપૂર્ણ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. ISRO, In-SPACe અને CubeSatના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલું આ લઘુ ક્યુબસેટ (CubeSat) PSLV-C62 મિશન દ્વારા સવારે 10:17 કલાકે શ્રીહરિકોટાથી પિગીબેક પેલોડ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું, જે શૈક્ષણિક પ્રયોગો, અવકાશ સંશોધન અને NEP 2020ના લર્નિંગ આયામને સાર્થક કરવાનું પ્રતીક બન્યું હતું. જોકે, રોકેટના ત્રીજા સ્ટેજ પછી ચોથા સ્ટેજમાં તકનીકી ખામીને કારણે મિશન નિષ્ફળ રહ્યું અને સેટેલાઇટ સ્પેસમાં પહોંચી શક્યું નહીં, જેના કારણે વિદ્યાર્થીઓ અને સંસ્કારધામ પરિવારમાં નિરાશાનું વાતાવરણ છવાઈ ગયું છે તેમછતાં ISROએ આ પ્રયાસને પ્રોત્સાહન આપતા ટ્વીટ કરીને આગામી મિશનો માટે આશાવાદ વ્યક્ત કર્યો છે. મોટા ઉપગ્રહો સાથે ક્યુબસેટ પિગીબેક પેલોડ તરીકે લોન્ચ કરી શકાય ક્યુબસેટ અવકાશ સંશોધન અને તકનીકી નિદર્શન માટે ખાસ ‘ક્યુબ’ આકારમાં બનાવવામાં આવ્યો હતો. સંસ્કારસેટ-1 એક નાનો ક્યુબસેટ છે જે મુખ્યત્વે શીખવા અને પ્રયોગ માટે તૈયાર કરાયો હતો. ક્યુબસેટ એ એક પ્રકારનો લઘુચિત્ર ઉપગ્રહ છે જે અવકાશ સંશોધન અને ટેકનોલોજી પ્રદર્શન માટે ક્યુબ આકારના ફોર્મેટમાં બનાવવામાં આવેલો છે. તેને મોટા ઉપગ્રહો સાથે પિગીબેક પેલોડ તરીકે લોન્ચ કરી શકાય છે. વિદ્યાર્થીઓ શીખશે કે ઉપગ્રહો પૃથ્વી સાથે કેવી રીતે વાતચીત કરે છે અને ડેટા કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેનું વિશ્લેષણ કેવી રીતે થાય છે. જેથી ઉપગ્રહ પૃથ્વી સાથે સંવાદ કંઇ રીતે થાય છે, તે સમજવા માટે આ તૈયાર કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ ડિઝાઇન, ફેબ્રિકેટ ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની પ્રક્રિયામાં ભાગ લીધો હતોસંસ્કારધામના સિનિયર કોર્ડીનેટર સલોની વ્યાસે જણાવ્યું હતું કે, આજે અમારાં સૌ માટે આનંદ અને ગૌરવની ક્ષણ હતી. સંસ્કારધામ ભારતનું પહેલુ સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ થવા જઈ રહ્યું હતું. જે અમારા સૌ માટે અદ્ભુત સિદ્ધિ છે. આ સંસ્કારસેટ-1 છે, તે સંસ્થાની લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. જેના પાછળ ISRO, ઇન સ્પેસ અને ક્યુબિસેટના વૈજ્ઞાનિકોનું પણ માર્ગદર્શન મળ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન, ફેબ્રિકેટ ટેસ્ટિંગ અને લોન્ચિંગ સુધીની તમામ પ્રક્રિયાઓમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સંસ્કારસેટ-1 એ NEP 2020 અંતર્ગત લર્નિંગ અને એજ્યુકેશનના આયામને સાર્થક કરે છે. ભારતનું પ્રથમ સ્ટુડન્ટ બેઝ સેટેલાઈટ લોન્ચ થયું હતુંભારતમાં સૌ પ્રથમ વિધાર્થીઓ દ્વારા બનાવેલ સંસ્કારસેટ-1' સ્ટુડન્ટ સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા PSLV C-62 દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. PSLV-C62 રોકેટનું સફળતાપૂર્વક લોન્ચ થયા બાદ તે રસ્તો ભટકી ગયું છે. ત્રીજા સ્ટેજ પછી ચોથો સ્ટેજ પસાર કરી શક્યું નથી. ઈસરોએ ટ્વીટ કરીએ આ અંગે જાણાકારી આપી છે, અને દુઃખ વ્યક્ત કર્યું છે. આ મિશનમાં 16 સેટેલાઇટ્સને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા હતા. જે બાદ PSLV-C62 મિશન નિષ્ફળ જતા તે ગુમાવવા પડ્યા છે. મિશનમાં તકનિકી ખામી સામે આવતા તેનું વિગતવાર વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:20 pm

ફેવિક્રીલ દ્વારા ‘ધ આર્ટ ચેપ્ટર’ એક્ઝિબિશનનું આયોજન:અમદાવાદની ગુફા ખાતે 50થી વધુ સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા

આર્ટ અને ક્રાફ્ટ સોલ્યુશન્સ ક્ષેત્રે અગ્રેસર ફેવિક્રીલ (Fevicryl) દ્વારા 'ધ આર્ટ ચેપ્ટર – સેલિબ્રેટિંગ ધ લોકલ આર્ટિસ્ટ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર ભારતમાં સ્થાનિક સર્જનાત્મક પ્રતિભાઓને સશક્ત બનાવવાનો અને તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો હતો. ફેવિક્રીલના કેટેગરી હેડ, માનન ચંદરાનાએ જણાવ્યું હતું કે, ‘ધ આર્ટ ચેપ્ટર’ એ ભારતના સ્થાનિક કલા જગતને પોષવાની ફેવિક્રીલની લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. આવા અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવીને અમારો હેતુ કલાકારોની ઉજવણી કરવાનો, તેમના કાર્યને વ્યાપક ઓળખ અપાવવાનો અને તેમને તે સન્માન અને આત્મવિશ્વાસ પ્રદાન કરવાનો છે જેના તેઓ ખરેખર હકદાર છે.આ પ્રસંગે ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો (BRDS) ના સ્થાપક અને પ્રમુખ ડૉ. ભંવર રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાંસ્કૃતિક સમૃદ્ધિ અને કલાત્મક પ્રેરણા માટે જાણીતી એવી પ્રતિષ્ઠિત અમદાવાદની ગુફા ખાતે આ પ્રદર્શન યોજાયું હતું. જેમાં 50થી વધુ કલાકારોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી, જેમાં ફેવિક્રીલ સર્ટિફાઈડ પ્રોફેશનલ્સ અને પસંદગીના ઉભરતા કલાકારોનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનમાં વિવિધ શૈલીઓ અને માધ્યમોની કલાની ઝલક જોવા મળી હતી. છ દિવસમાં 5,000થી વધુ મુલાકાતીઓની હાજરી નોંધાઈ હતી, જે સ્થાનિક કલા પ્રત્યેની વધતી જતી લોકપ્રિયતા અને કદર દર્શાવે છે. ‘ધ આર્ટ ચેપ્ટર’ દ્વારા કલાકારોને પોતાની કૃતિઓ રજૂ કરવા માટે એક સમર્પિત મંચ મળ્યું, જેનાથી કલાપ્રેમીઓ, સંગ્રહકર્તાઓ અને સંભવિત ગ્રાહકો સાથે સીધો સંવાદ સ્થાપિત થયો. આ દરમિયાન ઘણા કલાકારોની કૃતિઓનું વેચાણ થયું હતું, જ્યારે અન્યને કમિશન-આધારિત કામ માટે પૂછપરછ મળી હતી, જેનાથી ભવિષ્યના વ્યવસાયિક વિકાસના નવા દ્વાર ખુલ્યા છે. પ્રદર્શનની સાથે સાથે ખાસ ક્યુરેટેડ ‘ભારતીય કલા વર્કશોપ’નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં સહભાગીઓને પરંપરાગત ભારતીય કલા સ્વરૂપોનો ગહન અનુભવ મળ્યો હતો, જેનાથી સાંસ્કૃતિક આદાનપ્રદાન વધુ સમૃદ્ધ બન્યું હતું. કાર્યક્રમમાં સહભાગી કલાકારોએ આ પહેલની પ્રશંસા કરી હતી અને સ્થાનિક પ્રતિભાઓને ઓળખ તથા વ્યાવસાયિક તકો પૂરી પાડવા બદલ ફેવિક્રીલની કટિબદ્ધતાને બિરદાવી હતી. આ પ્રદર્શન સ્થાનિક કલા સમુદાય માટે એક ઉત્સવ સમાન બની રહ્યું, જેણે ભારતના આર્ટ ઇકોસિસ્ટમને મજબૂત કરવાની ફેવિક્રીલની નેમને વધુ વેગ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:16 pm

યુવકની હત્યા કેસમાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન:ભાવનગરના અકવાડાનો અલ્પેશ મૃતકના સંબંધીની યુવતીને કોલ અને વોટ્સએપ ચેટિંગ કરતો, ઠપકો આપવા જતા છરીથી ઢીમ ઢાળી દીધું હતું

ભાવનગરના અક્વાડા ગામે યુવાન દિનેશ ચૌહાણની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનું ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે. આ ઘટનામાં ઘોઘારોડ પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અક્વાડા ગામના નિતેશ ચુડાસમાની ફઈબાની દીકરીને અલ્પેશ સોલંકી નામનો યુવાન મોબાઈલ પર મેસેજ કરીને હેરાન કરતો હતો.આ બાબતે નિતેશ ચુડાસમા તેના મિત્ર દિનેશ ચૌહાણને સાથે રાખીને અલ્પેશ સોલંકીને સમજાવવા ગયો હતો. તે સમયે અલ્પેશ સોલંકી, રાહુલ સોલંકી અને અન્ય બે વ્યક્તિઓ સહિત કુલ ચાર લોકોએ દિનેશ ચૌહાણ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી હતી. આ હત્યાના ગુનામાં ઘોઘારોડ પોલીસે એક સગીર સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી ત્રણને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને હત્યાની સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:15 pm

અમરેલીમાં કરૂણા અભિયાન-2026 શરૂ, 20 કેન્દ્રો જાહેર:પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓ માટે સારવાર ઉપલબ્ધ

અમરેલી જિલ્લામાં પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે 'કરૂણા અભિયાન-2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન 20 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે, જે અંતર્ગત અબોલ પક્ષીઓના રક્ષણ અને તાત્કાલિક સારવાર પર ભાર મૂકવામાં આવશે. ઘાયલ પક્ષીઓને મદદ કરવા માટે કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઈન નંબર 1962, વન વિભાગ હેલ્પલાઈન નંબર 1926 અને વોટ્સએપ હેલ્પલાઈન નંબર 83200 02000 જાહેર કરવામાં આવ્યા છે. નાગરિકો આ નંબરો પર સંપર્ક કરી શકે છે. આ અભિયાન હેઠળ કુલ 20 કલેક્શન અને સારવાર કેન્દ્રોની યાદી પણ જાહેર કરવામાં આવી છે. આ કેન્દ્રો પતંગ દોરાથી ઘાયલ પક્ષીઓને એકત્રિત કરીને તેમને જરૂરી સારવાર પૂરી પાડશે. ફોરેસ્ટ કલેક્શન સેન્ટર્સમાં વન ચેતના કેન્દ્ર (અમરેલી), મુંજીયાસર ડેમ નર્સરી (બાબરા), બાબરા ફોરેસ્ટ કોલોની (કરિયાણા રોડ-બાબરા), બાબરા રામપરા નર્સરી, દામનગર નર્સરી, રેસીડેન્ટ ફોરેસ્ટ ઓફિસરની કચેરી (લાઠી) અને તુલસીશ્યામ રેંજ (ખાંભા)નો સમાવેશ થાય છે. સારવાર કેન્દ્રોમાં ગીર પૂર્વ વન વિભાગ (વેકરીયાપરા ધારી), વન્યજીવ રેંજ (લીલીયા) અને એનિમલ કેર સેન્ટર (બાબરકોટ) મુખ્ય છે. આ ઉપરાંત, બાબરા, કુંકાવાવ, રાજુલા, લાઠી, દામનગર અને અમરેલીના પશુ ચિકિત્સાલયોમાં પણ સારવાર ઉપલબ્ધ રહેશે. વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ, સાવરકુંડલા ખાતે એક NGO દ્વારા કલેક્શન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે, જે આ અભિયાનમાં સહયોગ આપશે. અમરેલી જિલ્લાના યુવાઓ અને નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પતંગ ઉડાડવા માટે પ્લાસ્ટિક, સિન્થેટિક કે ચાઈનીઝ દોરાનો ઉપયોગ ન કરે અને આવા દોરાની ખરીદી પણ ટાળે. પક્ષીઓના વિહરવાના સમયે, એટલે કે સવારે 7 થી 9 વાગ્યા સુધી અને સાંજે પક્ષીઓ માળામાં પરત ફરવાના સમયે, એટલે કે સાંજે 5 થી 8 વાગ્યા સુધી પતંગો ન ઉડાડવા અથવા અત્યંત સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:13 pm

મનરેગા યોજનાના ફેરફારો સામે કોંગ્રેસનું 45 દિવસનું આંદોલન:ગ્રામ પંચાયત સ્તરથી લઈને સંસદ સુધી આંદોલન ચલાવાશે, ધરણાં પ્રદર્શન, આવેદનપત્ર, ઉપવાસ સહિતના કાર્યક્રમો

કોંગ્રેસે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (MNREGA) યોજનામાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા ફેરફારો અને નવી 'વીરજી રામજી' યોજનાના અમલીકરણ સામે દેશવ્યાપી આંદોલન છેડવાની જાહેરાત કરી છે. પત્રકાર પરિષદમાં કોંગ્રેસના નેતાઓએ સરકારના આ નિર્ણયને ગરીબ વિરોધી ગણાવ્યો હતો. AICC સભ્ય ગૌરવ પંડ્યાએ જણાવ્યું હતું કે મનરેગા યોજના ગરીબોને રોજગારીનો બંધારણીય અધિકાર પૂરો પાડે છે. આ યોજનામાં ફેરફાર કરીને નવી યોજના લાવવી એ ગરીબોના હિતો સાથે ચેડાં કરવા સમાન છે. અગાઉ આ યોજનામાં કેન્દ્ર સરકારનો હિસ્સો 90% અને રાજ્યનો 10% હતો, જે હવે બદલીને 60:40 કરવામાં આવ્યો છે. આક્ષેપ કર્યો હતો કે, બંધારણની કલમ 258 હેઠળ રાજ્યોની સંમતિ લેવી જરૂરી હતી, જે લેવામાં આવી નથી. નવી યોજના હેઠળ કામોની પસંદગી માત્ર 'વિકસિત ભારત 2047' ના માપદંડો મુજબ જ થઈ શકશે. આનાથી ગ્રામ પંચાયતો અને ગ્રામસભાની સ્વાયત્તતા છીનવાઈ જશે, કારણ કે ગામની જરૂરિયાત મુજબના કામો જેમ કે ગટર, રસ્તા કે પાણી હવે સ્થાનિક સ્તરે નક્કી થઈ શકશે નહીં. નીતિ આયોગના અહેવાલને ટાંકીને જણાવ્યું હતું કે, 100 દિવસની રોજગારીના વચન સામે વાસ્તવિકતામાં માત્ર 60 દિવસની જ રોજગારી મળી રહી છે. કોંગ્રેસે આગામી 45 દિવસ માટે દેશવ્યાપી કાર્યક્રમો જાહેર કર્યા છે. આ આંદોલન ગ્રામ પંચાયત સ્તરથી લઈને સંસદ સુધી ચલાવવામાં આવશે. આ કાર્યક્રમોમાં બ્લોક અને પંચાયત સ્તરે ધરણાં પ્રદર્શન, સરકારને આવેદનપત્ર પાઠવવા, ઉપવાસ અને સત્યાગ્રહ જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. કોંગ્રેસ મનરેગા યોજનાને તેની મૂળ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરવાની માંગ કરશે અને આ કાયદાકીય પડકારને પણ અંત સુધી લડવાની જાહેરાત કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 5:02 pm

અમદાવાદમાં એક જ દિવસમાં આગના 9 કોલ મળ્યા:અઠવાડિયામાં ફાયરવિભાગને 51 ઇમરજન્સી કોલ, શિયાળામાં આગના બનાવમાં વધારો

સામાન્ય રીતે ઉનાળાની સીઝનમાં આગના બનાવો વધતા હોય છે. ગરમી વધારે હોવાના કારણે શોર્ટ સર્કિટ તેમજ અન્ય કારણોસર આગ લાગતી હોય છે. જોકે, અમદાવાદમાં હવે શિયાળાની સીઝનમાં પણ આગના બનાવોમાં વધારો થયો છે. એક અઠવાડિયામાં અમદાવાદ ફાયર બ્રિગેડ ઇમરજન્સી સર્વિસને આગના 51 જેટલા કોલ મળ્યા છે. સામાન્ય રીતે આગ-રેસ્ક્યુના દરરોજ ત્રણથી પાંચ કોલ આવતા હોય છે, પરંતુ એક દિવસમાં 5થી 7 જેટલા કોલ મળી રહ્યા છે. શિયાળામાં આગના બનાવો વધવાના કિસ્સામાં વીજ જોડાણમાં શોર્ટ સર્કિટના કારણો હોઈ શકે છે, જેથી વીજ પર થતા લોડના કારણે પણ આગ લાગી શકે છે. સાત દિવસમાં માત્ર આગના 51 ફાયર કોલ મળ્યાઅમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના ચીફ ઓફિસર અમિત ડોંગરેએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ઉનાળામાં આગના કોલમાં વધારો થતો હોય છે પણ અમદાવાદમાં શિયાળાની સીઝનમાં થોડા દિવસથી આગના કોલમાં વધારો થયો છે. છેલ્લા સાત દિવસમાં માત્ર આગના 51 ફાયર કોલ મળ્યા છે. રેસ્ક્યુ કોલ 98 મળ્યા હતા. 8 જાન્યુઆરી, 13 જાન્યુઆરી અને 11 જાન્યુઆરી રવિવારે એક જ દિવસમાં આગના 9 કોલ મળ્યા હતા. આ અંગે ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ વીજ કરંટ અને શોર્ટ સર્કિટ એક કારણ હોઈ શકે તેવું અનુમાન થઈ રહ્યું છે. વર્ષ 2024-25માં ફાયર વિભાગને 6,441 ઇમરજન્સી કોલ મળ્યાઅમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ દ્વારા વર્ષ 2024–25 દરમિયાન માત્ર આગ બુઝાવવાની કામગીરી જ નહીં, પરંતુ આગ અને અકસ્માત જેવી ગંભીર દુર્ઘટનાઓમાં ફસાયેલા નાગરિકોને બચાવી તેમને જીવનદાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ફાયર વિભાગે કુલ 6,441 ઇમરજન્સી કોલ પર તાત્કાલિક પ્રતિસાદ આપ્યો હતો, જેમાં 2,835 આગના કેસ તેમજ 3,606 રેસ્ક્યુ ઓપરેશનનો સમાવેશ થાય છે. આ વ્યાપક કામગીરી દરમિયાન ફાયર વિભાગે 678 લોકોના જીવ બચાવી અનેક પરિવારોને ફરીથી જીવનની ખુશી આપી છે. આગ, અકસ્માત, ઊંચાઈ પરથી પડવાના બનાવો કે પાણીમાં ફસાયેલા નાગરિક હોય, દરેક પરિસ્થિતિમાં ફાયર જવાનોએ પોતાના જીવને જોખમમાં મૂકી બીજાને નવુ જીવન આપ્યું છે. સાબરમતી નદીમાં આપઘાત કરતા 271 લોકોના જીવ બચાવવાવર્ષ 2021થી આજ સુધી સાબરમતી નદીમાંથી 271 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. લોકો સાબરમતી નદીમાં પડતું મૂકે છે અને તરત જ સ્થાનિક લોકો જીવ બચાવવા માટે થઈ ફાયર બ્રિગેડને કોલ કરે છે, ત્યારે ફાયર રેસ્ક્યુની ટીમ તાત્કાલિક પહોંચી જઈ બહાર કાઢી લે છે અને હોસ્પિટલ મોકલી આપતા તેનો જીવ બચી જાય છે. ખાસ કરીને આત્મહત્યા કરવા માટે લોકો નદીમાં પડતા મૂકતા હોય છે, ત્યારે ફાયરની ટીમ સતત ત્યાં હાજર હોવાથી જીવ બચી જાય છે. અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસ આજે માત્ર એક વિભાગ નહીં, પરંતુ નાગરિકો માટે વિશ્વાસ અને સુરક્ષાનું મજબૂત કવચ બની ગયું છે, જ્યાં કોઈ પણ જીવ જોખમમાં હોય, ત્યાં ફાયર બ્રિગેડ હંમેશા હાજર હોય છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:55 pm

સિલિકોસિસ ગ્રસ્ત શ્રમિકોને સહાય અને મફત મેડિકલ સારવાર:સિલિકોસિસ ગ્રસ્ત વ્યક્તિને 03 લાખ સુધીની સહાય, મૃત્યુ ઉપર પરિવારને 4 લાખની સહાય

ગુજરાત હાઇકોર્ટમાં પીપલ્સ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર ટ્રસ્ટ અને 19 અરજદારો દ્વારા અરજી કરવામાં આવી છે. જેમાં સિલિકોસિસથી મૃત્યુ પામેલા પુરુષોની વિધવા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અરજદાર સંસ્થા અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે કામ કરે છે. જેને સુપ્રીમના હુકમ મુજબ સિલિકોસિસ બીમારીથી મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતર ચૂકવવા અને સારવાર માટે પોલીસી બનાવવા માંગ કરી છે. સિલિકોસિસ ગ્રસ્ત વ્યક્તિને 03 લાખ સુધીની સહાયઆ અરજી ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ ચાલી રહી છે. જેમાં આજે સરકારી વકીલે જણાવ્યું હતું કે, સિલિકોસિસ ગ્રસ્ત વ્યક્તિને 3 લાખ રૂપિયા સુધીની સહાય કરવામા આવશે. તેમની તપાસ અને સારવારની ખર્ચો આપવામાં આવશે. દવાઓ માટે મહિને 1500 રૂપિયા સુધીની સહાય કરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલમાં મફત સારવાર આપવામાં આવશે. સિલિકોસિસ બીમારીથી ઓળખવા કોઈ ઓળખકાર્ડ કે પ્રાવધાન કરોકોર્ટે સૂચન કર્યું હતું કે, સિલિકોસિસ બીમારીથી ઓળખવા કોઈ ઓળખકાર્ડ કે એવું પ્રાવધાન કરો અને તેઓ સુધી આ સહાયની માહિતી પહોંચાડો. સરકારી વકીલે કહ્યું હતું કે, અસરગ્રસ્ત શ્રમિકે મદદ મેળવવા માટે લેબર કમિશનર અને ડાયરેક્ટર ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ સેફ્ટી સમક્ષ અરજી કરવી પડશે. તેના મેડિકલ ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે. સિલિકોસીસ ગ્રસ્ત શ્રમિકો કાયમી અશક્ત થતા કામ કરી શકે નહીંઅરજદારે જણાવ્યું હતું કે, આવા શ્રમિકોના પુનઃવસન માટે તેમને માસિક પેન્શન આપવાની પણ જરૂર છે. કોર્ટે તેમાં સુર પુરાવ્યો હતો કે સિલિકોસીસ ગ્રસ્ત શ્રમિકો કાયમી અશક્ત થતા તેઓ કામ કરી શકે નહીં, તો તેમને આર્થિક સહાયની જરૂર પડે. સરકારી વકીલે કહ્યું હતું કે, અહીં ગુજરાતમાં સૌથી વધુ અસરગ્રસ્ત શ્રમિકો છે. જેથી કોર્ટે કહ્યું હતું કે, ગુજરાત એક ઔધોગિક રાજ્ય છે, જેથી અહીં બહારથી શ્રમિકો આવતા હોય છે. સરકારી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને ક્લિનિકમાં સારવાર થશેસરકારી વકીલે જણાવ્યું હતું કે, ઉપરોક્ત બાબતો સિવાય અંતિમ ક્રિયા, બાળકોના ભણતર વગેરે માટે પણ અલગ અલગ સ્કીમમાં તેઓ એપ્લાય કરી શકે છે. કોર્ટે 8 જાન્યુઆરી, લેબર અને સ્કીલ વિકાસ વિભાગના સેક્રેટરીની એફિડેવિટ રેકર્ડ ઉપર લીધી હતી. જેમાં સરકારે 7 જાન્યુઆરી, 2026 એ કરેલ ઠરાવ અંગે જણાવવામાં આવ્યું છે. જે મુજબ સિલિકોસીસ બીમારીથી પીડિત શ્રમિકોને 3 લાખ સુધી પીડિતને વળતર આપવામાં આવશે. તેઓનું નિદાન અને સારવાર ફ્રી કરવામાં આવશે. દરેક સરકારી હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને ક્લિનિકમાં સારવાર થશે. આ મુદ્દે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ યોજાશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:44 pm

કચ્છના નાના રણમાં પારો 13 ડિગ્રી:મીઠું પકવતા અગરિયાઓ ઠંડીમાં ઠુઠવાયા, 24 કલાક પાણીમાં રહી કામ કરતા અગરિયાઓની હાલત દયનીય

રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું જોર વધ્યું છે. કચ્છના નાના રણમાં તાપમાન ગગડીને 13 ડિગ્રી સેલ્સિયસની અંદર પહોંચી ગયું છે, જેના કારણે મીઠું પકવતા અગરિયાઓ ઠંડીમાં ઠૂઠવાઈ રહ્યા છે. રાત-દિવસ 24 કલાક પાણીમાં રહીને કામ કરતા અગરિયાઓની હાલત અત્યંત દયનીય બની છે. રણકાંઠાના આશરે 3,000 અગરિયા પરિવારો દર વર્ષે ઓક્ટોબરથી મે મહિના સુધી, એટલે કે આઠ મહિના સુધી, કડકડતી ઠંડી અને ધોમધખતા તાપમાં મીઠું પકવવાનું આકરું કામ કરે છે. છેલ્લા બે-ત્રણ દિવસથી રાજ્યમાં ઉત્તર-પૂર્વીય ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીર સહિત ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષા અને શીત લહેરના કારણે આ ઠંડા પવનોનું જોર વધ્યું છે, જેના પરિણામે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી છે. રણમાં 13 ડિગ્રીથી નીચે પહોંચેલા તાપમાનને કારણે મીઠું પકવતા અગરિયાઓ ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. ખાસ કરીને, રાત-દિવસ 24 કલાક ઉઘાડા પગે પાણીમાં રહીને કામ કરતા અગરિયાઓ માટે આ સ્થિતિ વધુ કપરી છે. વૃદ્ધ અગરિયાઓ, મહિલાઓ અને બાળકોની હાલત સૌથી કફોડી બની છે. દિવસનો સમય તો જેમ તેમ પસાર થઈ જાય છે, પરંતુ કડકડતી ઠંડી અને સુસવાટા મારતા પવનોમાં રણમાં રાત વિતાવવી તેમના માટે અસહ્ય બની જાય છે. રણમાં કોઈપણ જાતની સુવિધા વગર કંતાનના ઝૂંપડામાં રહેતા આ પરિવારો માટે જાન્યુઆરી મહિનામાં જો ઠંડીનો ચમકારો વધશે તો મીઠું પકવવાનું કામ વધુ મુશ્કેલ બનશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:33 pm

ડૉ. વિજય બારીઆને PhD પદવી:વંદના વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીનું સન્માન કરાયું

ડૉ. વિજય બારીઆને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા તરફથી PhDની પદવી એનાયત કરવામાં આવી છે. આ સિદ્ધિ બદલ વંદના વિદ્યાલય, કેવડિયા ખાતે તેમનો સન્માન સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે 12 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અને જનજાગૃતિ યુવક મંડળ સંચાલિત વંદના વિદ્યાલય, કેવડિયાના પ્રમુખ અરવિંદસિંહ બી. પરમાર અને મંત્રી પી. એસ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ડૉ. વિજય બારીઆ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામના વતની છે. તેમણે 1995-96માં વંદના વિદ્યાલયમાંથી ધોરણ 10નો અભ્યાસ કર્યો હતો. તેઓ ગુજરાતી, અંગ્રેજી અને રાજ્યશાસ્ત્ર વિષયમાં સ્નાતક છે, અને ઉચ્ચ શિક્ષણમાં M.A. તથા M.Ed.ની પદવી પણ ધરાવે છે. હાલ તેઓ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના મોજરી ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. પંચમહાલ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન એ.બી. પરમારે ડૉ. બારીઆની સિદ્ધિને બિરદાવતા તેમને યુવાનો માટે આદર્શ વિદ્યાર્થીનું ઉદાહરણ ગણાવ્યા હતા. વંદના વિદ્યાલય, કેવડિયાના શાળા પરિવારે આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. ડૉ. વિજયભાઈ બારીઆએ આ પ્રસંગે શાળાને માતા સમાન ગણાવી પોતાના ગુરુજનોને યાદ કર્યા હતા. તેમણે શાળાના ઉત્કર્ષ અને વિકાસ માટે રૂપિયા 1,11,111નો ચેક દાન કર્યો હતો. શાળાના આચાર્ય રમેશભાઈ એમ. બારીઆ અને શાળા પરિવારે તેમની આ પહેલને સહર્ષ સ્વીકારી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક પરેશ પટેલે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:31 pm

આટકોટના ચકચારી દુષ્કર્મ કેસનો આજે ચૂકાદો આવી શકે:7 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી ક્રુરતા આચરી, પોલીસે ફાયરિંગ કરતા આરોપી ફફડી ઉઠ્યો હતો

રાજકોટ જિલ્લાના આટકોટ તાલુકામાં સાત વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મના ચકચારી કેસમાં કોર્ટ આજે ચુકાદો આપી શકે છે. 33 દિવસ પહેલા ત્રણ સંતાનોના પિતા એવા રેમસીંગ નામના આરોપીએ બાળકીનું અપહરણ કરી આવાવરું જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ માસૂમના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો નાખી લોહીલુહાણ કરી નાખી હતી. બાળકીને તાત્કાલીક સારવાર માટે ખસેડી દેવાતા બચાવ થયો હતો. પોલીસે આરોપીને ઝડપી 11 દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી હતી. જે મામલે બંને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટ આજે ચૂકાદો આપી શકે છે. 4 ડિસેમ્બરે બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતુંકાનપર ગામે બપોરના 12 વાગ્યે ભોગ બનનાર બાળકી પોતાના ભાઈ–બહેનો સાથે રમતી હતી ત્યારે આરોપી રેમસીંગ તેરસીંગ મોટર સાઈકલ ઉપર આવી અને ભોગ બનનાર બાળકીને ઉપાડી બાજુના ઝાડ પાસે લઈ જઈ તેણીના ગુપ્ત ભાગમાં 5 ઈંચનો લોખંડનો સળીયો ભરાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીની ચીસો સાંભળી બાજુના રૂમમાં રહેલ તેની મામી દોડી આવી ત્યારે આરોપી રેમસીંગ સ્થળ ઉપરથી ભાગી ગયો હતો. બાળકીની ગંભીર હાલત અને સખ્ત રકતસ્ત્રાત જોતા મામીએ બાળકીના પિતા અને પોતાના પતિને તાત્કાલીક બોલાવી કાનપર ગામના સાર્વજનીક દવાખાને એમ્બ્યુલન્સમાં લઈ ગયા હતા. બાળકીની હાલત અતિશય ગંભીર હોવાથી યોગ્ય સારવાર માટે જસદણ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી રાજકોટ જનાના હોસ્પિટલ ખાતે રાત્રીના 9 વાગ્યે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમય દરમિયાન અતિશય રકતસ્ત્રાવ થવાથી બાળકીનુ ઓપરેશન થઈ શકશે કે કેમ તે માટે રેડયોલોજીસ્ટ અને ગાયનેકોલોજીસ્ટના અભિપ્રાય મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ જ બેભાન બાળકીની વિસ્તૃત સારવાર કરવામાં આવતા બચી ગઈ હતી. આ સમયે બાળકીના પિતાએ બનાવ અંગે પોલીસને જાણ કરેલ પરંતુ આરોપીને કોઈએ જોયો ન હોવાથી પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી. તા.08.12.2025ના રોજ આરોપી રેમસીંગને શંકાના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની પોલીસ રીમાન્ડ દરમ્યાન આરોપીએ કાનપર ગામના એક ઝાડની નીચેથી લોખંડનો સળીયો કાઢી આપ્યો જે રકતથી ખરડાયેલો હતો. આ ઉપરાંત બનાવ સ્થળે એફ.એસ.એલ. અધિકારીને પરીક્ષણ માટે બોલાવવામાં આવ્યા હતા જયાંથી આરોપીના માથાના વાળનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ મુદામાલ પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા માથાના વાળ આરોપીના હોવાનુ ડી.એન.એ. પરીક્ષણમાં સામે આવ્યું હતું તેમજ લોખંડના સળીયા ઉપરનુ લોહી બાળકીનુ હોવાનુ સામે આવ્યું હતું. 11 દિવસમાં આરોપી સામે ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતીતપાસ દરમિયાન આરોપીનો મોબાઈલ ફોન જપ્ત કરી સી.ડી.આર. મેળવતા આરોપીની હાજરી કાનપર ગામના વિસ્તારમાં મળી આવી હતી. પોલીસ તપાસ પુર્ણ થયા બાદ તપાસનીશ અધિકારીએ ફકત 11 જ દિવસમાં સમગ્ર પોલીસ તપાસ પુર્ણ કરી ચાર્જશીટ રજુ કરી દીધું હતું. આ સમય દરમ્યાન બાળકીના પિતાએ કોર્ટમાં એક વિસ્તૃત પત્ર લખી તેની બાળકીની આ હાલત કરનાર આરોપી સામે તાત્કાલીક કેસ ચલાવી સખ્ત સજા આપવા રજુઆત કરી હતી. આરોપી પક્ષે બચાવમાં કોર્ટમાં વિવિધ દલીલો કરવામાં આવીઆરોપી તરફે બચાવ લેવામાં આવ્યો હતો કે, બનાવ સ્થળેથી જે વાળ મળી આવ્યા હતા તે વાળ મુળ સહિત ન હતા અને કપાયેલા હતા. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવ્યું કે, મુળ સહિતના વાળ એક ચોકસ પ્રક્રિયાથી જ કાઢી શકાય. બનાવ સમયે બાળકીને થતી અનહદ પીડા વખતે આરોપીના વાળ ખેંચવામાં આવેલા હોય ત્યારે કપાયેલી પરિસ્થિતિમાં જ મળી શકે. આરોપી તરફે બીજો બચાવ લેવામાં આવ્યો હતો કે, કાનપર ગામે સરકારી ડોકટરે ગુપ્ત ભાગેથી નીકળતુ લોહી બંધ થઈ ગયું હોવાનુ જણાવ્યું છે પરંતુ ત્યારબાદના મેડિકલ પેપર્સમાં રકતસ્ત્રાવ થતો હોવાનુ જણાવ્યું છે, જેનાથી જણાય છે કે ભોગ બનનારને થતો રકતસ્ત્રાવ થોડા સમયમાં જ બંધ થઈ ગયો હતો તેથી ભોગ બનનારને ગંભીર ઈજા થઇ નથી. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવ્યું હતુ કે, અતિશય ગંભીર ઈજાઓના કારણે કાનપરથી જસદણ હોસ્પિટલ અને જસદણ હોસ્પિટલથી રાજકોટ જનાના હોસ્પિટલ માટે લાવવામાં આવતી વખતે ફરીથી ભોગ બનનારને રકતસ્ત્રાવ ચાલુ થઈ શકે. આ કારણે કાનપરના એક ડોકટરની મામુલી નોધ ના કારણે પ્રોસીકયુશનનો કેસ નબળો થતો નથી. આરોપી તરફે ત્રીજો બચાવ લેવામાં આવ્યો કે, આરોપીની ધરપકડ કરવામાં આવી ત્યાં સુધી આરોપીને ભોગ બનનાર બાળકી કે અન્ય કોઈએ ઓળખ બતાવી ન હતી આ આરોપીને ફક્ત શંકાના આધારે પકડેલ હતો. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવ્યું હતુ કે, કોઈપણ ફોજદારી ગુનામાં આરોપીને શંકાના આધારે જ પકડવામાં આવતો હોય છે. પ્રોસીકયુશન માટે જરૂરી એ છે કે, પોલીસ તપાસ પુર્ણ થાય ત્યારે તપાસનીશ અધિકારી પુરતા પુરાવા મેળવી શકે છે કે કેમ. આ કેસમાં તપાસનીશ અધિકારીની આરોપી ઉપરની શંકા સંપુર્ણ વ્યાજબી ઠેરવવા માટે મેડીકલ, મૌખિક અને ઈલેકટ્રોનીક ત્રણેય પ્રકારના પુરાવા મળી આવ્યા છે. ભોગ બનનાર બાળકી અને બાળ સાહેદ બંનેએ આટલી નાની ઉમર હોવા છતા પણ આરોપી અને લોખંડનો સળીયો સાંકેતિક રીતે ઓળખી આપ્યો છે. આરોપી તરફે ચોથો બચાવ લેવામાં આવ્યો કે, ઓળખ પરેડ વખતે આરોપી જેવો સમાન દેખાવ ધરાવતા 7 વ્યકિતઓ ખરેખર સમાનતા ધરાવે છે કે કેમ તે અંગે વિસંગગતા છે. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવ્યું હતુ કે, પ્રસ્થાપિત સિધ્ધાંત મુજબ જેટલી હદે શકય હોય તેટલી હદે સમાન દેખાવ ધરાવતા વ્યકિતઓને લાવવાના હોય છે. પરંતુ આ અર્થે આખા શહેરમાં તપાસ કરી સમાન દેખાવના વ્યકિતઓને ગોતી લાવવા જરૂરી નથી. આ બંને ઓળખ પરેડ કોર્ટમાં વલ્નરેબલ સેન્ટરમાં થઇ છે જેથી કોર્ટમાં શક્ય હોય તેટલા સમાન દેખાવ વાળા વ્યકિતઓને લાવવાનો પ્રયાસ થયો છે. આરોપી તરફે પાંચમો બચાવ લેવામાં આવ્યો કે, આરોપી વિરૂધ્ધ પક્ષપાતી રીતે તપાસ કરી ખોટુ ચાર્જશીટ કરવામાં આવ્યું છે. જવાબમાં સરકાર તરફે જણાવવામાં આવ્યું હતુ કે,આ ગુન્હામાં આરોપી તરફે કાનપર ગામમાં હાજર નહી હોવાનો એકમાત્ર બચાવ હોય શકે. રીલાયન્સ જીયોના સી.ડી.આર. રીપોર્ટમાં મોબાઈલ ફોનનુ લોકેશન બનાવવાળા વિસ્તારનુ જ જણાઈ છે. આરોપી પાસેથી કબ્જે થયેલ મોબાઈલનુ આ સીમકાર્ડ આરોપીનુ હોવાનો કોઈ ઈન્કાર નથી. આ સંજોગોમાં બનાવ સમયે આરોપી આ વિસ્તારમાં શું કરતા હતા અને ક્યાં હતા તે અંગે ઉલટ તપાસમાં કે ફર્ધર સ્ટેટમેન્ટમાં કોઈ ચોખવટ નથી. બળાત્કાર જેવા કિસ્સામાં આરોપી તરફે ફક્ત 'એલીબી'નો જ બચાવ માન્ય છે. આ માટે સમગ્ર બર્ડન આરોપી ઉપર છે. આવુ કોઈ બર્ડન આરોપીએ ડીસ્ચાર્જ કરેલ નથી તેથી પ્રોસીકયુશનનો આરોપી વિરૂધ્ધનો કેસ પુરવાર થાય છે. આ કેસમાં જિલ્લા સરકારી વકિલ સંજય કે. વોરા અને મદદગારીમાં એ.પી.પી. પ્રશાંત પટેલ રોકાયેલા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:27 pm

પોલીસ પર હુમલો કરનારા સગા ભાઈઓ ‘ગાય’ બન્યાં:રંગોલી ચોકડી નજીક ગાળો બોલી ASIને છાતીના ભાગે મૂંઢ ઈજા પહોંચાડનારની ધરપકડ, કાર જપ્ત

ભાવનગર શહેરના વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 9 જાન્યુઆરીના રોજ ફરજ દરમિયાન પોલીસ કર્મચારીઓ સાથે ગેરવર્તણૂક અને હુમલાનો બનાવ સામે આવ્યો હતો. રંગોલી ચોકડી નજીક ટ્રાફિક વ્યવસ્થા સંભાળતા પોલીસ જવાન સાથે બે શખસે ઉશ્કેરાઈ જઈ જાહેરમાં ગાળાગાળી કરી ફરજમાં અડચણ ઉભી કરી હુમલો કર્યો હતો. આ ઘટનામાં વરતેજ પોલીસે બે સગા ભાઈને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સાથે ગાળાગાલી કરી હુમલો કર્યોભાવનગર શહેરના વરતેજ પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રંગોલી ચોકડી નજીક ઉત્સવભાઈ યોગેશભાઈ દવે (ઉં.વ.22) અને ઉતકર્ષ યોગેશભાઈ દવે (ઉં.વ.22) જે ભાવનગર દેવરાજનગરના રહેવાસીએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. આ બંનેએ ઉશ્કેરાઇ જઇ ફરિયાદી વરતેજ પોલિસ સ્ટેશનના એએસઆઈ રાજેન્દ્રસિંહ ગોહિલ તથા તેની સાથે હોમગાર્ડ સભ્યો તથા જી.આર.ડી. સભ્યોને જેમ ફાવે તેમ બોલી જાહેરમાં ગેરવર્તુણક કરી હતી. પોલીસે બન્ને ભાઈને ધરપકડ કરીઆ સાથે જ આરોપીઓએ ફરીયાદી ઉપર હુમલો કરી છાતીના ભાગે ઘક્કો મારી સામાન્ય મૂંઢ ઇજા કરી હતી. આ બાબતે 10 જાન્યુઆરીના રોજ ફરજમાં રૂકાવટ કર્યાની વરતેજ પોલીસ સ્ટેશનમાં બે શખસ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં વરતેજ પોલીસે આરોપી ઉત્સવ દવે અને ઉતકર્ષ દવેને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. ભાવનગર-રાજકોટ હાઇવે પર પોલીસ ફરજમાં હતીઃ DYSPઆ બનાવ અંગે સિટી DSYP આર. આર. સિંધાલએ જણાવ્યું હતું કે, વરતેજ વચ્ચે પોલીસ સ્ટેશનનો રંગોલી વિસ્તાર, જ્યાં ભાવનગરથી રાજકોટ હાઇવે પર સામાન્ય અકસ્માત થતા ટ્રાફિક થયેલાની કંટ્રોલ દ્વારા વર્ધી મળી હતી. જેને લઇ પોલીસની ટીમ, હોમગાર્ડ અને જીઆરડીના જવાન ટ્રાફિક નિયંત્રણમાં હતા. તે દરમિયાન આ બનાવના આરોપી ઉત્સવ યોગેશભાઈ દવે અને ઉત્કર્ષ યોગેશભાઈ દવે બંને ભાઈઓ તેઓને આ ટીમ દ્વારા અવારનવાર ટ્રાફિકનો રૂલ્સનું પાલન કરવા સમજાવ્યું હતું, તેમ છતાં તેઓ પાલન ન કરી અને પોલીસ સાથે બોલાચાલી કરી હતી. આરોપીઓ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલબન્નેએ પોલીસકર્મીઓ સાથે ગેર ગેરવર્તુણક કરી હતી, તેમજ વરતેજ પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ રાજેન્દ્રસિંહને ધક્કો માર્યો હતો. આરોપીઓ સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવમાં બંને ઉત્કર્ષ દવે અને ઉત્સવ દવેને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:26 pm

પાવાગઢમાં કલેશ્વરી માતાજી મંદિરના પુનઃસ્થાપનની માંગ:ગુર્જર સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું, VHPએ આંદોલનની ચીમકી ઉચ્ચારી

પંચમહાલના પાવાગઢ ખાતે કલેશ્વરી માતાજીના મંદિરના પુનઃસ્થાપન માટે ગુર્જર સમાજે માંગ કરી છે. સમાજના લોકોએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ મંદિર ડિમોલિશન કામગીરી દરમિયાન હટાવવામાં આવ્યું હતું. પાવાગઢમાં ચાલી રહેલા વિકાસકાર્યો અંતર્ગત ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પૌરાણિક શ્રી કલેશ્વરી માતાજીના મંદિરને પણ હટાવવામાં આવ્યું હતું. શ્રી કલેશ્વરી માતાજી ગુર્જર સમાજના કુળદેવી છે, અને ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વસતા લાખો લોકોની આસ્થા આ મંદિર સાથે જોડાયેલી છે. ડિમોલિશન સમયે તંત્ર દ્વારા મંદિરના પુનઃસ્થાપન માટે વૈકલ્પિક જગ્યા ફાળવવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, આ ઘટનાને બે વર્ષથી વધુનો સમય વીતી ગયો હોવા છતાં, તંત્ર દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ગોધરા ખાતે આવેદનપત્ર આપવા પહોંચેલા સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા અન્યત્ર જગ્યા ફાળવવાની માંગ તે સમયે સ્વીકારવામાં આવી હતી. પરંતુ લાંબો સમય વીતવા છતાં મંદિરનું નિર્માણ ન થતા શ્રદ્ધાળુઓની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચી રહી છે. સમાજની માંગ છે કે પાવાગઢ ડુંગર પર યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવી માતાજીનું મંદિર ફરીથી સ્થાપિત કરવામાં આવે. આ મુદ્દે હવે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) પણ મેદાને આવ્યું છે. VHPએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર અને તંત્ર દ્વારા વહેલી તકે મંદિર માટે જગ્યા ફાળવવામાં નહીં આવે, તો આગામી સમયમાં વ્યાપક આંદોલન છેડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:07 pm

છોટાઉદેપુર હાઇડ્રો અને રેર અર્થ પ્રોજેક્ટ મુદ્દે રાજકીય જંગ:મંત્રી નરેશ પટેલે કહ્યું કોઈ - કોઈ હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો નથી, ચૈતર વસાવાએ ગેજેટ બતાવીને કહ્યું - તો સરકારે MOU અને સર્વે કેમ કર્યા?

છોટાઉદેપુર જિલ્લામાં પ્રસ્તાવિત બે મોટા પ્રોજેક્ટ્સ નસવાડીના વાડિયાનો હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અને કડીપાણીનો GMDC રેર અર્થ પ્રોજેક્ટ હાલ રાજકારણનું કેન્દ્ર બન્યા છે. આ પ્રોજેક્ટ્સના કારણે વિસ્થાપિત થવાની ભીતિ સેવતા સ્થાનિક આદિવાસીઓના વિરોધ વચ્ચે હવે ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે. પ્રોજેક્ટ અને વિરોધનું મુખ્ય કારણછોટાઉદેપુર જિલ્લામાં આ બે પ્રોજેક્ટ્સને કારણે મોટા પાયે જમીન સંપાદન અને ગામો પ્રભાવિત થવાની શક્યતા છે. નસવાડીના હાઇડ્રો પાવર પ્રોજેક્ટને કારણે અંદાજે 18 ગામોને અસર થવાની ચર્ચા છે. તો GMDC - કડીપાણીના રેર અર્થ પ્રોજેક્ટમાં અંદાજે 28 ગામોની જમીન આ પ્રોજેક્ટ હેઠળ જવાની વાત વહેતી થઈ છે. પોતાની જમીન અને અસ્તિત્વ ગુમાવવાના ડરથી સ્થાનિક ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. 24 એપ્રિલ 2025ના રોજ નસવાડી તાલુકાના વાડિયા ગામમાં કેન્દ્ર સરકારની કંપની નેશનલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન-NHPCના અધિકારીઓ નર્મદા નદી પાસે 4000 કરોડના પાવર પ્રોજેક્ટના સર્વેની કામગીરી કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. પરંતુ આ સમયે વાડિયા સહિત નસવાડી તાલુકાના 20 ગામના આદિવાસીઓ ભેગા થઇ ગયા હતા અને ભારે વિરોધ સાથે પ્રોજેક્ટના સર્વેની કામગીરી અટકાવી દીધી હતી. આદિવાસીઓએ એક થઈને મજબૂત વિરોધ નોંધાવતા કલેકટર, સાંસદ અને ધારાસભ્ય પરત ફર્યા હતા. કેબિનેટ મંત્રી નરેશ પટેલનું નિવેદનઆ વિવાદને શાંત પાડવા માટે 8 જાન્યુઆરીના રોજ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે એક જાહેર મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, છોટાઉદેપુરમાં આવા કોઈ પ્રોજેક્ટ આવવાના નથી અને કોઈ સર્વે પણ થયો નથી. મંત્રીના આ નિવેદનથી સ્થાનિકોમાં હૈયાધારણ આપવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ વિપક્ષે આને ગેરમાર્ગે દોરવાની રમત ગણાવી છે. ચૈતર વસાવાના પુરાવા સાથેના પ્રહારઆમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કવાંટની પરિવર્તન સભામાં મંત્રીના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સરકારના જ દસ્તાવેજો ટાંકીને પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે 25 સપ્ટેમ્બર 2020ના રોજ સરકારે રેર અર્થ પ્રોજેક્ટ માટે 28 ગામોની જમીન સંપાદનનું ગેજેટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જો પ્રોજેક્ટ નથી થવાનો, તો સરકારે NHPC સાથે MOU કેમ કર્યા અને સર્વેની કામગીરી કેમ હાથ ધરી? ચૈતર વસાવાએ જાહેરાત કરી છે કે આગામી વિધાનસભાના બજેટ સત્રમાં આ મુદ્દો ઉઠાવવામાં આવશે અને સરકાર પાસે શ્વેતપત્રની માંગણી કરવામાં આવશે. કોંગ્રેસે કહ્યું - પ્રોજેક્ટ રદ થયો હોય તો સરકાર સત્તવાર જાહેરાત કરેપૂર્વ વિપક્ષી નેતા અને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પણ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે “આ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ્સ છે, જેમાં રાજ્ય સરકાર સીધો હસ્તક્ષેપ કરી શકતી નથી. મંત્રી દ્વારા પ્રોજેક્ટ બંધ હોવાની વાત માત્ર 'મતોનું રાજકારણ' છે. જો ખરેખર પ્રોજેક્ટ રદ થયો હોય, તો સરકારે તેનો સત્તાવાર પરિપત્ર જાહેર કરવો જોઈએ.” જનતાની નજર હવે સરકાર પરહાલમાં છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં આ મુદ્દો ગરમાયો છે. એક તરફ સરકાર પ્રોજેક્ટ ન હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ વિપક્ષ ગેજેટ નોટિફિકેશન બતાવીને સરકારને ઘેરી રહ્યો છે. આગામી દિવસોમાં વિધાનસભા સત્ર દરમિયાન આ મુદ્દો વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:07 pm

હિંમતનગરમાં ગરીબ બાળકોને પતંગ કીટનું વિતરણ:ધારાસભ્ય કાર્યાલયે ઉત્તરાયણ પર્વ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર આવેલા ધારાસભ્ય કાર્યાલય ખાતે ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે પતંગ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા કરાયું હતું. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, નગરપાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા અને વડગામના પૂર્વ ધારાસભ્ય મણીભાઈ વાઘેલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્તરાયણ પર્વની ઉજવણીના ભાગરૂપે આયોજિત આ કાર્યક્રમમાં બાળકોને પતંગ કીટનું વિતરણ કરાયું હતું. આ કીટમાં પતંગ, દોરી, બ્યુગલ, ચશ્મા અને ચીક્કીનો સમાવેશ થતો હતો. બાળકોએ બ્યુગલ વગાડી કેનાલ ફ્રન્ટને ગુંજવી દીધો હતો. તહેવારો સૌ માટે આનંદદાયક બને તેવા ઉદ્દેશ્યથી આવા સામાજિક કાર્યક્રમોનું આયોજન કરાય છે. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 4:03 pm

ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ:શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ભવ્ય સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ગ્રંથરત્ન શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે જ્ઞાનમહોદધિ આચાર્ય જિતેન્દ્રિયપ્રિયયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં શ્રી સ્વામિનારાયણ મંદિર, કરજીસણ (ભાઈઓનું) શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવ - નવનિર્માણ મહોત્સવ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર કરજીસણ (બહેનોનું) ઘનશ્યામ મહારાજ રજત પ્રતિષ્ઠા મહોત્સવે ભવ્ય શિક્ષાપત્રી વિજય યાત્રા પાંચ ગજરાજ ઉપર નિકળી હતી. જેમાં હકડેઠઠ માનવ મેદની હૈયે હૈયું દળાય એવી ત્રણ કિલોમીટરની લંબાઈમાં પ્રદર્શિત થતી હતી. ચતુર્થ દિવસીય મહોત્સવના કાર્યક્રમની વિગતો આપતાં મહંત સદ્ગુરુ ભગવત્પ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, મહોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક આધ્યાત્મિક સભર કાર્યક્રમો યોજાયા હતા જેવા કે વિવિધ ગ્રંથોની પારાયણો, મહાપૂજા, આરતી, સાંસ્કૃતિક કાર્યક્રમ, સમૂહ રાસ, ભવ્ય અન્નકૂટ સાથે ભગવાનના મૂર્તિ પધરાવ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પ, પર્યાવરણ જતન માટે દાન, ગામના પશુઓ ગાયો, ભેંસો માટે ઘાસ તથા પક્ષીઓ માટે ચણ, કીડીયારું પુરવામાં તેમજ જરૂરીયાતમંદને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. આ અણમોલ અવસરનો લ્હાવો ધણી મોટી સંખ્યામાં દેશ વિદેશના હરિભકતોએ ભકિતભાવપૂર્વક લીધો હતો. શ્રી સ્વામિનારાયણ સિધ્ધાંત સજીવન મંડળ, કરજીસણના હરિભકતોએ સેવાનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:54 pm

મોડાસામાં રાષ્ટ્રીય યુવા દિવસે 'રન ફોર સ્વદેશી' દોડ:400 થી વધુ વિદ્યાર્થીઓ 'હર ઘર સ્વદેશી' સંકલ્પ સાથે જોડાયા

અરવલ્લી જિલ્લાના મોડાસામાં 12 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે 'સ્વદેશી જાગરણ મંચ' દ્વારા 'રન ફોર સ્વદેશી' સંકલ્પ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં 400થી વધુ વિદ્યાર્થીઓ 'હર ઘર સ્વદેશી'ના સંકલ્પ સાથે જોડાયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને આર્થિક રીતે સમૃદ્ધ અને આત્મનિર્ભર બનાવવાનો હતો. આ સ્વદેશી સંકલ્પ દોડને મોડાસા સ્થિત મ.લા. ગાંધી કોલેજ કેમ્પસ ખાતેથી કોલેજના પ્રમુખ મહેન્દ્ર શાહ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. સ્વદેશી જાગરણ મંચ અરવલ્લી દ્વારા આયોજિત આ દોડમાં મોડાસા કેળવણી મંડળ અને કોલેજ મંડળની તમામ શાળાઓ અને કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દોડ દરમિયાન યુવા વર્ગમાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. સ્વદેશી અપનાવો – દેશ બચાવો અને ભારત માતા કી જય જેવા સૂત્રોચ્ચારોથી સમગ્ર શહેર દેશપ્રેમના રંગે રંગાઈ ગયું હતું. આ સંકલ્પ દોડની પૂર્ણાહુતિ મોડાસા સ્કૂલ ખાતે કરવામાં આવી હતી, જ્યાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપીનભાઈ શાહ દ્વારા દોડનું સમાપન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ઘરમાં અને પરિવારમાં સ્થાનિક તથા સ્વદેશી વસ્તુઓને પ્રાથમિકતા આપવા, વિદેશી કંપનીઓની બનાવટોનો ઉપયોગ ન કરવા, સ્વદેશી લે-વેચ, ભાષા, વેશભૂષા અને ઉત્સવોની પરંપરાઓનું સંરક્ષણ કરવા તેમજ 'હર ઘર સ્વદેશી'ના વિચારને જનજન સુધી પહોંચાડવા સતત પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:38 pm

ઉંઝા મિત્ર મંડળ અમદાવાદનો 35મો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો:વિદ્યાર્થીઓ સહિત ઉજ્જવળ કારકિર્દી ધરાવતા સભ્યોને પ્રોત્સાહિત કરાયા

અમદાવાદમાં વસવાટ કરતા ઉંઝા મિત્ર મંડળ અમદાવાદનો ૩૫મો સ્નેહમિલન કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ વાર્ષિક કાર્યક્રમ દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. 11 જાન્યુઆરી 2026ના રોજ યોજાયો હતો. આ સ્નેહમિલન કાર્યક્રમમાં મંડળના મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવારોમાં એકતા જાળવવાનો અને સભ્યોને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પ્રસંગે ધોરણ 1 થી 12ના વિદ્યાર્થીઓ તેમજ બીએસસી, ડોક્ટર, સીએ, પીએચડી, એમફાર્મ જેવી ઉજ્જવળ કારકિર્દી ધરાવતા પરિવારના સભ્યોને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દરેક સભ્ય માટે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. મંડળના કારોબારી સભ્યો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:37 pm

ઉતરાયણમાં પક્ષીઓની જીવાદોરી બચાવતુ કરૂણ અભિયાન:રાજકોટમાં મકર સંક્રાંતિના ઘાયલ કબૂતર, હોલો, સમડી, ઘુવડની 16 મેડિકલ કેમ્પમાં સારવાર, વહેલી સવારે - સાંજે પતંગ ન ઉડાવવા તબીબોની અપીલ

ગુજરાત રાજ્યમાં 10 થી 20 જાન્યુઆરી પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન કાર્યરત છે ત્યારે રાજકોટના 16 સ્થળો પર અબોલ જીવોની સારવાર માટેના મેડિકલ કેમ્પનો આજથી પ્રારંભ થયો છે. જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિતના પક્ષીઓ ઘાયલ થઈને આવે છે. જેમાં 30 વેટરનિટી તબીબો તેમની ખડેપગે સારવાર કરી રહ્યા છે. દિવ્ય ભાસ્કરની ટીમ જ્યારે આ કેમ્પ સ્થળ પર પહોંચી ત્યારે ત્યાં પેલિકન અને કબૂતર પતંગની દોરીથી કપાયેલી હાલતમાં લાવવામાં આવ્યું હતું જ્યાં ડોક્ટર દ્વારા તેમની ટાંકા અને ડ્રેસિંગ લઈ સારવાર કરવામાં આવી હતી. તબીબોની એક જ અપીલ છે કે પતંગ રસિયાઓ વહેલી સવારે અને સાંજે પતંગ ન ઉડાવે તેમજ ચાઇનિઝ કે કાચ પાયેલી દોરીનો ઉપયોગ ન કરી અબોલ જીવોની જીવાદોરી બચાવે. ગત વર્ષે 2000 પક્ષીઓ ધારદાર દોરીના લીધે ઘવાયા હતા જ્યારે 400 પક્ષીઓના મૃત્યુ થયા હતા. રાજકોટના ત્રિકોણ બાગ ખાતે આજથી શરૂ થયેલા કરુણા અભિયાનના મેડિકલ કેમ્પનો રાજ્યના મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ તકે ડૉ. નિકુંજ પીપળીયાએ જણાવ્યું હતું કે, 10 થી 20 જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન અંતર્ગત અહીં સવારે 7 થી સાંજે 6 વાગ્યા દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. 12 થી 15 જાન્યુઆરી સુધી મેડિકલ કેમ્પ કાર્યરત છે આ સિવાય ત્રણ હોસ્પિટલ અને એમ્બ્યુલન્સ 24 કલાક પક્ષીઓની સારવાર માટે રહે છે. આ સિવાય 10 થી વધુ જગ્યાએ આ કેમ્પ થઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે મકરસંક્રાંતિ દરમિયાન પતંગ ની દોરીના કારણે કબૂતર, હોલો, બગલો, ઘુવડ અને સમડી જેવા પક્ષીઓ ઇજાગ્રસ્ત થતા હોય છે. કરૂણા અભિયાન અને હેલ્પલાઈન નંબર 1962 માં ફોન કરી લોકો પક્ષીઓના ઘાયલ થવાની જાણ કર્યા બાદ જે તે જગ્યાએ પહોંચી તે પક્ષીને કેમ્પ સ્થળ પર લઈ આવવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવે છે. પક્ષીઓની પાંખ કે ગરદન તૂટી ગઈ હોય તો ત્યાં ટાંકા લઈ મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને ત્યારબાદ તે જ્યાં સુધી સાજુ ન થાય ત્યાં સુધી શેલ્ટરમાં રાખવામાં આવે છે અને ત્યારબાદ તેને આકાશમાં વિહરવા માટે મુક્ત કરવામાં આવે છે. તેમણે અંતમાં જણાવ્યું કે ગત વર્ષે મકરસંક્રાંતિ દરમિયાન 13, 14 અને 15 જાન્યુઆરીના મેડિકલ કેમ્પ કાર્યરત હતો. જે દરમિયાન પતંગની કાતિલ દોરીથી ઘાયલ થયેલા 2000 પક્ષીઓ આવ્યા હતા. જેમાંથી 1,400 પક્ષીઓની કેમ્પ સ્થળે ટ્રીટમેન્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત વર્ષે 400 પક્ષીઓના મૃત્યુ પણ થયા હતા. જો કોઈ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજયભરમાં આ વર્ષે 700 થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, 620 થી વધારે તબીબો તેમજ 5000 ઉપરાંતની સંખ્યામાં સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ઉતરાયણ જેવા તહેવારો અને લોકોત્સવોની ઉજવણી દરમ્યાન અબોલ જીવોની ચિંતા કરી તેની સારવાર-માવજતનું આ કરૂણા અભિયાન ગુજરાતની આગવી પહેલ બન્યું છે. છેલ્લા 5 વર્ષોમાં અંદાજે 60 હજારથી વધુ પક્ષીઓની કરૂણા અભિયાન અન્વયે સારવાર સુશ્રુષા કરવામાં આવી છે. સારવારનાં સ્થળો 1.ત્રિકોણબાગ, રાજકોટ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનીમલ હેલ્પલાઈન2.અર્હમ યુવા સેવા ગ્રુપ, મોદી સ્કુલ પાસે, રાજકોટ 3.અર્હમ યુવા સેવા ગ્રુપ, ઓમ નગર સર્કલ, મવડી,૧૫૦ ફૂટ રીંગ રોડ4.અર્હમ યુવા સેવા ગ્રુપ,ક્રિસ્ટલ મોલ સામે,કાલાવડ રોડ5.અર્હમ વેટરનરી કલીનીક, હનુમાન મઢી, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 6.રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ, પાંજરાપોળ-સામા કાંઠે7.પંચનાથ વેટરનરી કલીનીક, પંચનાથ મહાદેવ મંદિર, રાજકોટ8.બાલક હનુમાન, પેડક રોડ, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ 9.કિસાનપરા ચોક, રાજકોટ, શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ10.કરુણા એનીમલ હોસ્પિટલ, ગોંડલ ચોકડી પાસે, તુલીપ પાર્ટી પ્લોટ, વાવડી11.શેણી સદભાવના એનીમલ હેલ્પલાઈન હોસ્પિટલ શેલ્ટર), શ્રેયાંસ સ્કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્સેસ સ્કૂલનાં ગ્રાઉન્ડ પાછળ, જામનગર રોડ12.ઈમ્પીરીયલ હાઈટ્સ, જીવદયા ઘર13.આજીડેમ, જીવદયા ઘર14.મુંજકા, વન વિભાગ15.મોરબી રોડ જકાતનાકા, કરુણા અભિયાન16.વેટરનરી પોલીટેકનીક, ડૉ. ગરાળા સાહેબ રાજય સરકાર સંચાલિત કરુણા એનિમલ હેલ્પલાઈન નંબર -1962 રાજકોટ જીલ્લો (ગ્રામ્ય)1.ગોંડલ અર્હમ યુવા સેવા ગૃપ2.ગોંડલમાં હિતેશભાઈ દવે3.ઉપલેટા જીવ સાર્થક ફાઉન્ડેશન4.ધોરાજી ક્રિષ્ના ગૌશાળા5.વિંછીયા વિંછીયા મહાજન પાંજરાપોળ6.પડધરીમાં દિપેશભાઈ પરમાર ઘવાયેલા પશુ-પક્ષીઓની સારવાર માટેના ઈમરજન્સી નંબર ડીસ્ટ્રીકટ ડીઝાસ્ટર કંટ્રોલ રૂમ નં. - 0281 2471573પતંગના દોરાથી વિદ્યુત તારોમાં ફસાયેલા પક્ષીની મદદ માટે પી.જી.વી.સી.એલ. ટોલ ફ્રી નંબર - 1800233155333

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:34 pm

ગાગોદર પોલીસે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરી:'શીખ સે સુરક્ષા' થીમ હેઠળ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ગાગોદરની સરકારી હાઈસ્કૂલ ખાતે યોજાયો હતો. પીઆઈ વી.એ. સેગલ અને તેમના સ્ટાફ દ્વારા 'શીખ સે સુરક્ષા, ટેકનોલોજી સે પરિવર્તન' થીમ અંતર્ગત ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓ અને વાહનચાલકોને માર્ગ સલામતીના નિયમો વિશે જાગૃત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં ડ્રાઇવિંગ લાયસન્સ, ઓવરસ્પીડિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ, અને અનઅધિકૃત પાર્કિંગ જેવા નિયમો વિશે વિગતવાર સમજણ આપવામાં આવી. આ પ્રસંગે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓ તેમજ 12 જેટલા વાહનચાલકો ઉપસ્થિત રહ્યા હતા. રોડ સેફ્ટીના નિયમો અંગેના પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:34 pm

વિરાટ કોહલીની એક ઝલક જોવા વડોદરામાં પડાપડી:બે નાના ફેન્સને ઓટોગ્રાફ ન મળતા નિરાશ, 12 વર્ષની દીકરી રડી પડી; કહ્યું- વિરાટને જોવા બે દિવસ જમી નથી

વડોદરાના ઇન્ટરનેશનલ કોટંબી સ્ટેડિયમમાં 15 વર્ષ બાદ ગઈકાલે ભારત અને ન્યુઝીલેન્ડની પ્રથમ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાઈ હતી. આ મેચની યાદગાર ક્ષણ એ રહી કે, ભારતને ન્યૂઝીલેન્ડએ આપેલા પડકાર સામે ભારતે ચાર વિકેટથી ભારે રસાકસી બાદ જીત મેળવી હતી. ભારતની આ જીત બાદ હજારો ચાલકોને આશા બંધાઈ છે કે, ફરી એકવાર અહીંયા ઈન્ટરનેશનલ મેચ યોજાય. આજે ટીમ ઈન્ડિયા અને ન્યૂઝીલેન્ડ બંને ટીમ આગામી મેચ માટે રવાના થઈ છે. વડોદરા એરપોર્ટ પર બંને ટીમના ખેલાડિઓને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. આ લોકોમાં વિરાટ કોહલીના બે નાના ફેન્સ પણ હતાં, જેઓ હાથમાં બેનર લઈ વિરાટના ઓટોગ્રાફ માટે ઊભા હતાં. કોહલીની સાઈન ન મળતા એક 12 વર્ષીય સિરોની રેડ્ડી રડી પડી હતી. વડોદરાથી ભારતીય ટીમ રાજકોટ રવાના11 જાન્યુઆરીને રવિવારના રોજ વડોદરાના કોટંબી સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 300 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 49 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. ઈન્ડિયન ટીમે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. હવે બીજી મેચ 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસે રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. આજે તમામ ખેલાડીઓ વડોદરાથી રાજકોટ જવા રવાના થયા છે. ઓટોગ્રાફ્સ ન મળતા ફેન્સમાં નિરાશાખેલાડીઓના આગમન પૂર્વે વડોદરા એરપોર્ટ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. ટીમ ઈન્ડિયાના એક-એક ખેલાડીની ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો કલાકોથી રાહમાં હતા. મહત્વની બાબત છે કે, બંને ટીમો જ્યારે એરપોર્ટ પર જવા નીકળી, ત્યારે હોટેલ પર પણ પ્રશંસકોની ભારે ભીડ જોવા મળી હતી. જે બાદ એરપોર્ટ પર પણ ફેન્સની ભારે ભીડ હતી. કેટલાક પ્રશંસકોને ખેલાડીઓના ઓટોગ્રાફ મળતા ખુશી વ્યક્તિ કરી હતી તો કેટલાકને નિરાશ જોવા મળ્યાં હતાં. વિરાટ કોહલીના બે નાના ફેન્સને પણ ઓટોગ્રાફ્સ ન મળતા દુખી થયાં હતાં. 12 વર્ષીય સિમોની રેડ્ડી નામની દીકરી તો છેલ્લા બે દિવસથી વિરાટને જોવા માટે ભૂખી રહી આજે એરપોર્ટ પર એક ઝલક જોવા અને ઓટોગ્રાફ્સ માટે પહોંચી ગઈ હતી પણ મળ્યો નહિ. દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા સિમોનીએ રડતી આંખે સાઈન ન મળવાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:32 pm

PSI-LRD એકઝામના કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું:13,591 જગ્યાઓ માટે 21 જાન્યુઆરીએ ફિઝિકલ ટેસ્ટ

ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જગ્યાઓ માટેની શારીરિક કસોટીની તારીખો જાહેર કરી દીધી છે. 12 જાન્યુઆરી બપોરે 2.00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું છે. ફિઝિકલ ટેસ્ટ 21 જાન્યુઆરીએ ભરતી બોર્ડની જાહેરાત અનુસાર, PSI અને LRD માટેની ફિઝિકલ ટેસ્ટ આગામી 21 જાન્યુઆરીએ શરૂ થશે. રાજ્યના વિવિધ કેન્દ્રો પર ઉમેદવારોની દોડ, ઉંચાઈ-છાતી માપ તેમજ અન્ય શારીરિક કસોટીઓનું આયોજન કરવામાં આવશે. લાંબા સમયથી ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે આ સમાચાર રાહતરૂપ સાબિત થયા છે. આજે 2.00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું 12 જાન્યુઆરી બપોરે 2.00 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ થયું છે. ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. કોલ લેટરમાં ઉમેદવારની પરીક્ષા તારીખ, સમય, કેન્દ્ર તેમજ જરૂરી સૂચનાઓ આપવામાં આવશે. લાખો ઉમેદવારો લેશે ભાગPSI અને LRD ભરતી માટે રાજ્યભરમાંથી લાખો યુવાનો અરજી કરી ચૂક્યા છે. આ ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ દળમાં જોડાઈને રાજ્યસેવા કરવાનો અવસર મળતા યુવાનો લાંબા સમયથી તૈયારીમાં જોડાયેલા હતા. ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ઉમેદવારોને અપીલ કરી છે કે, કોલ લેટરમાં આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરે અને સમયસર પરીક્ષા કેન્દ્ર પર હાજર રહે. શારીરિક કસોટી દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં આવશે નહીં.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:31 pm

પોલીસ પર હુમલો કરનાર બંને ઝડપાયા:ભાવનગરના વરતેજમાં ટ્રાફિક નિયમન દરમિયાન બની હતી ઘટના

ભાવનગરના વરતેજમાં ટ્રાફિક નિયમન કરી રહેલા પોલીસ કર્મચારીઓ પર હુમલો કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના શુક્રવારે સવારે રંગોલી પુલ પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવારે સવારે વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રંગોલી પુલ પાસે ASI રાજેન્દ્રસિંહ નટુભા ગોહિલ, હોમગાર્ડ અને જી.આર.ડી.ના સભ્યો ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહ્યા હતા. તે સમયે ઉત્સવભાઈ યોગેશભાઈ દવે અને ઉત્કર્ષભાઈ યોગેશભાઈ દવે નામના બે ઈસમોએ પોલીસ સ્ટાફ સાથે માથાકૂટ કરી અસભ્ય વર્તન કર્યું હતું.આ ઘટના બાદ ASI રાજેન્દ્રસિંહ નટુભા ગોહિલે વરતેજ પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઉત્સવભાઈ દવે અને ઉત્કર્ષભાઈ દવે બંનેને ઝડપી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:29 pm

નવસારી LCBએ 48 લાખનો દારૂ ઝડપ્યો:ખેરગામ પાસે 10,956 બોટલ ભરેલી હાઈવા ટ્રક જપ્ત કરી

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ ખેરગામના જામનપાડા પાસેથી ₹48.58 લાખનો દારૂ અને હાઈવા ટ્રક જપ્ત કરી છે. સેલવાસથી આવતી આ ટ્રકમાંથી ₹33.58 લાખની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. જોકે, ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને ફરાર થઈ ગયો હતો. LCBના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ગણેશભાઈ અને બ્રિજેશભાઈને બાતમી મળી હતી કે સેલવાસથી એક સફેદ કલરની ભારત બેન્ઝ હાઈવા ટ્રક (GJ-16-AU-5683) દારૂનો મોટો જથ્થો લઈને નાનાપોંઢા અને ધરમપુર થઈને વડપાડા તરફ આવી રહી છે. આ બાતમીના આધારે પોલીસે સ્ટેટ હાઈવે નંબર 177 પર જામનપાડા ચાર રસ્તા પાસે નાકાબંધી કરી હતી. શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે તેને રોકવાનો ઇશારો કર્યો, પરંતુ ચાલકે ટ્રક રોકવાને બદલે વધુ ઝડપે હંકારી મૂકી. પોલીસે પીછો કરતા ટ્રક ચાલકે આશરે 300 મીટર દૂર ટ્રક ઉભી રાખી દીધી હતી. તે રોડની બાજુમાં આવેલી ઝાડી-ઝાંખરા અને આંબાવાડીમાં થઈને અંધારાનો લાભ લઈને નાસી છૂટ્યો હતો. પોલીસે શોધખોળ કરી હોવા છતાં ચાલક મળી આવ્યો નહોતો. ટ્રકની તલાશી લેતા તેમાંથી વ્હીસ્કી, વોડકા, રમ અને ટીન બીયરનો મોટો જથ્થો મળી આવ્યો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 10,956 નંગ વિદેશી દારૂ અને બીયરની બોટલોનો સમાવેશ થાય છે, જેની અંદાજિત કિંમત ₹33,58,320 છે. આ ઉપરાંત, ₹15,00,000 ની કિંમતની ભારત બેન્ઝ હાઈવા ટ્રક (GJ-16-AU-5683) પણ જપ્ત કરવામાં આવી છે. આમ, કુલ ₹48,58,320 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે ખેરગામ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં સિનિયર PI વી.જે. જાડેજા, PI એસ.વી. આહીર, PSI વાય.જી. ગઢવી, PSI એમ.બી. ગામીત અને LCBના અન્ય કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:14 pm

પૂરઝડપે આવતી કાર આંખના પલકારમાં પલટી, CCTV:ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ, સદનસીબે જાનહાનિ ટળી

હળવદ-મોરબી હાઈવે પર ચરાડવા ગામ નજીક ગઈકાલે રાત્રે એક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર પેટ્રોલ પંપ પાસેના થાંભલા સાથે અથડાઈ હતી. જે બાદ પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેણે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર રોડ સાઈડમાં આવેલા પેટ્રોલ પંપ નજીક એક થાંભલા સાથે જોરદાર રીતે અથડાઈ હતી, જેના કારણે થાંભલો તૂટી પડ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલકને ઈજા પહોંચી છે જેથી ઘાયલ થયેલા કાર ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 3:09 pm

બોડેલી પોલીસે રૂ. 5.32 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો:મોડાસર ચોકડી પાસેથી બોલેરો ગાડીમાંથી મુદ્દામાલ જપ્ત

બોડેલી પોલીસે મોડાસર ચોકડી પાસેથી રૂ. 5,32,800/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. એક બોલેરો પિકઅપ ગાડીમાંથી આ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 13,32,800/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયાસો થતા રહે છે. જિલ્લા પોલીસ આવા પ્રયાસોને નિષ્ફળ બનાવી રહી છે. બોડેલી પોલીસને બાતમી મળી હતી કે, MP 46 ZH 1666 નંબરની બોલેરો પિકઅપ ગાડીમાં વિદેશી દારૂ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે બોડેલી પોલીસે મોડાસર ચોકડી પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરાયો હતો. જોકે, ચાલક ગાડી ભગાવીને આગળ જઈ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 3120 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂ. 5,32,800/- આંકવામાં આવી છે. પોલીસે વિદેશી દારૂ અને બોલેરો પિકઅપ ગાડી સહિત કુલ રૂ. 13,32,800/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:48 pm

અમરેલી જિલ્લાને સ્માર્ટ GIDC મળશે:સાવરકુંડલાના બોઘરિયાણીમાં 41 હેક્ટર પર પ્રોજેક્ટ વિકસાવાશે

રાજકોટમાં યોજાયેલી રિજિયોનલ વાઇબ્રન્ટ સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા સાત જિલ્લાઓ માટે સ્માર્ટ GIDCની જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત અમરેલી જિલ્લાના સાવરકુંડલાને નવી સ્માર્ટ GIDC ફાળવવામાં આવી છે. આ પ્રોજેક્ટ સાવરકુંડલા તાલુકાના બોઘરિયાણી (ધજડી) ખાતે 41 હેક્ટર જમીન પર વિકસાવવામાં આવશે. આ સ્માર્ટ GIDC દ્વારા સૌરાષ્ટ્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. તે ઔદ્યોગિક રોકાણ, સ્થાનિક રોજગાર નિર્માણ અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. સ્થાનિક ધારાસભ્ય મહેશ કસવાળા સહિતના લોકપ્રતિનિધિઓએ આ મંજૂરીને આવકારી છે, જેનાથી વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છે. અમરેલી જિલ્લા ભાજપના અગ્રણી રીતેષ સોનીએ આ અંગે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટથી સાવરકુંડલાને ઔદ્યોગિક નગર બનાવવાનો સંકલ્પ સાકાર થશે. તેમણે ઉમેર્યું હતું કે, આનાથી રોજગારીની તકો વધશે અને વિકાસને ગતિ મળશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ગુજરાતના લોકપ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:45 pm

નવસારી પોલીસે દિવ્યાંગ બાળકો સાથે પતંગ ઉત્સવ ઉજવ્યો:SP રાહુલ પટેલ સહિતના અધિકારીઓ ટ્રાફિક કચેરીએ જોડાયા

નવસારી જિલ્લા પોલીસે સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે એક પ્રશંસનીય પહેલ કરી છે. જિલ્લા ટ્રાફિક કચેરી ખાતે મમતા મંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો અને તેમને ઉત્સવનો આનંદ આપવાનો હતો. આ પતંગ ઉત્સવમાં નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) રાહુલ પટેલ, DYSP અને PI સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ માત્ર મહેમાન તરીકે નહીં, પરંતુ બાળકોના સાથી બનીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. ડીજેના તાલે ગુંજતા સંગીત વચ્ચે પોલીસ અધિકારીઓ પણ બાળકો સાથે મન મૂકીને ઝૂમ્યા હતા, જેનાથી વાતાવરણમાં અનેરો ઉત્સાહ છવાઈ ગયો હતો. પોલીસ વિભાગ દ્વારા બાળકો માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી. દરેક દિવ્યાંગ બાળકને પતંગ અને ફિરકીની કીટનું વિતરણ કરાયું હતું. ઉત્તરાયણના પર્વ નિમિત્તે બાળકો માટે લાડુ અને પૌષ્ટિક નાસ્તાની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકોએ ખુલ્લા આકાશમાં પતંગ ચગાવીને તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. નવસારી જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યાંગ બાળકો સમાજનો અભિન્ન અંગ છે. મોટાભાગે આ બાળકો સામાજિક ઉત્સવોથી દૂર રહેતા હોય છે, પરંતુ તેમને પણ અન્ય નાગરિકોની જેમ ઉત્સવ માણવાનો પૂરો હક છે. તેઓ પણ સમાજનો હિસ્સો છે તેવો અનુભવ કરાવવો એ જ અમારો ઉદ્દેશ્ય છે. આ કાર્યક્રમ દ્વારા નવસારી પોલીસે સાબિત કર્યું છે કે ખાખી વર્દી માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જ નથી, પરંતુ જરૂર પડ્યે સંવેદનશીલ બની સમાજની સાથે ખભેખભા મિલાવીને ચાલવા માટે પણ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:41 pm

SC/ST અનામતમાં ક્રિમી લેયર લાગુ કરાશે? સુપ્રીમ કોર્ટની કેન્દ્ર-રાજ્ય સરકારોને નોટિસ

PIL Filed in Supreme Court to Introduce Creamy Layer in SC/ST Quota : સુપ્રીમ કોર્ટે સોમવારે એક જાહેર હિતની અરજી મામલે સુનાવણી દરમિયાન કેન્દ્ર તથા તમામ રાજ્ય સરકારોને નોટિસ આપી છે. અરજીમાં SC તથા ST અનામતમાં પણ ક્રિમી લેયર સિસ્ટમ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. PILમાં શું છે માંગણી? અશ્વિની ઉપાધ્યાય નામના વકીલે આ અરજી કરી છે. તેમનો તર્ક છે કે SC અને ST વર્ગમાં જે પરિવારની કોઈ એક વ્યક્તિને સરકારી અથવા બંધારણીય પદ મળે, તેમના બાળકોને અનામતનો લાભ મળવો જોઈએ નહીં.

ગુજરાત સમાચાર 12 Jan 2026 2:41 pm

સ્વામી વિવેકાનંદની 164મી જન્મજયંતિ: રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવાયો:એમ.પી. શાહ કોલેજે 'રન ફોર સ્વદેશી' રેલીનું આયોજન કર્યું

સ્વામી વિવેકાનંદજીની 164મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'રન ફોર સ્વદેશી' અંતર્ગત સ્વદેશી દોડ સંકલ્પ રેલીનું આયોજન કરાયું હતું. રાજકોટની શ્રી એમ.પી. શાહ કોમર્સ કોલેજ દ્વારા ઇનોવેશન ક્લબ અને સ્વદેશી જાગરણ મંચના સહયોગથી આ કાર્યક્રમ યોજાયો. 'કેન ડુ એક્ટિવિટી' અંતર્ગત આ ઉજવણી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારણી સદસ્ય ડો. નિલેશ ત્રિવેદી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો. દિલીપ વજાણી પણ હાજર રહ્યા હતા. સ્વદેશી સંકલ્પ દોડ એમ.પી. શાહ કોમર્સ કોલેજથી શરૂ થઈ એસ.એમ.વી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરે પૂર્ણ થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ જોડાયા હતા. ડો. નિલેશ ત્રિવેદીએ યુવાનોના પ્રેરણાસ્ત્રોત સ્વામી વિવેકાનંદજીના જીવન અને સંદેશાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સંઘર્ષમય જીવન જીવી પોતાના પંથને ઉજ્જવળ બનાવવા અને 'વસુધૈવ કુટુંબકમ'ની ભાવના કેળવવા પ્રેરણા આપી હતી. આ ઉપરાંત, તેમણે સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને આત્મનિર્ભર બની ભારતની આર્થિક સ્થિતિ સુધારવા માટેના પગલાંઓ વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું, જેનાથી વિદ્યાર્થીઓ લાભાન્વિત થયા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:39 pm

પડાણામાં પતંગ ઉડાવતા 10 વર્ષના બાળકનું વીજ કરંટથી મૃત્યુ:ખુલ્લા પગે ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ તારમાં ફસાઈ જતાં દુર્ઘટના

જામનગરના લાલપુર તાલુકાના પડાણા પાટીયા પાસે પતંગ ઉડાવતી વખતે વીજ કરંટ લાગવાથી દસ વર્ષના બાળકનું મૃત્યુ થયું છે. ભીની જમીન પર પતંગ ઉડાવી રહેલા બાળકનો પતંગ વીજ તારમાં ફસાઈ જતાં આ દુર્ઘટના બની હતી. સારવાર દરમિયાન બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક બાળકનું નામ રોહિત બારીયા (ઉંમર 10 વર્ષ) છે. તે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ લાલપુર તાલુકાના પડાણા ગામના પાટીયા પાસે મજૂરી કામ કરતા કમજીભાઈ અદુભાઈ બારીયા (ઉંમર 40)નો પુત્ર હતો. આ ઘટનાથી શ્રમિક પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગત 1 જાન્યુઆરી, 2026ના રોજ સવારે 10 વાગ્યાના અરસામાં રોહિત પડાણા ગામના પાટીયા પાસે ખુલ્લા મેદાનમાં પતંગ ઉડાવી રહ્યો હતો. જમીન ભીની હતી અને તે ખુલ્લા પગે પતંગ ઉડાવી રહ્યો હતો. આ દરમિયાન તેનો પતંગ ઉપરથી પસાર થઈ રહેલી વીજ લાઈનમાં ફસાઈ ગયો હતો. પતંગ વીજ તારમાં ફસાતા રોહિતને એકાએક વીજ કરંટ લાગ્યો અને તે બેભાન થઈ ગયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 5 જાન્યુઆરીના રોજ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું. આ બનાવ અંગે મૃતક બાળકના પિતા કમજીભાઈ બારીયાએ પોલીસને જાણ કરી હતી. મેઘપર પડાણા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ આર.એમ. થાનકી હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે બાળકના મૃતદેહનો કબજો સંભાળીને વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:29 pm

શાસક-વિપક્ષ વચ્ચે તડાફડીની શક્યતા:રાજકોટ મનપામાં 20 જાન્યુઆરીએ ચૂંટણી પૂર્વેનું સંભવત: છેલ્લું જનરલ બોર્ડ, 1થી 5 ક્રમે ભાજપનાં 5 કોર્પોરેટરોનાં 10 સરકારી પ્રશ્નો, પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા નહીં થાય

આગામી ફેબ્રુઆરીમાં રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીઓ જાહેર થવાની શક્યતા છે. ત્યારે ભાજપનાં શાસકો દ્વારા આગામી 20 જાન્યુઆરીનાં દ્વિમાસિક જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. વર્તમાન શાસકોનાં આ સંભવત: છેલ્લા જનરલ બોર્ડમાં પણ પ્રથમ 1થી 5 ક્રમે ભાજપનાં 5 કોર્પોરેટરોનાં 10 સરકારી પ્રશ્નો મુકવામાં આવ્યા છે. ત્યારબાદ વિપક્ષનાં નગરસેવક વશરામભાઈ સાગઠિયાનો પ્રશ્ન છે. જોકે બે મહિને 1 કલાક મળનારા જનરલ બોર્ડમાં માંડ બે-ત્રણ પ્રશ્નોની ચર્ચા કરાતી હોય છે. ત્યારે વિપક્ષનાં પ્રજાલક્ષી કોઈપણ પ્રશ્નોની ચર્ચાઓ આગામી બોર્ડમાં થાય તેવી શક્યતા નથી. આ કારણે જ આગામી જનરલ બોર્ડમાં શાસક અને વિપક્ષની વચ્ચે તડાફડી થવાની પૂરતી શક્યતા છે. આજરોજ મેયર નયનાબેન પેઢડીયા દ્વારા જનરલ બોર્ડ માટેનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પ્રથમ ક્રમે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન વસાણીએ અમૃત યોજના અને સ્વર્ણિમ યોજના હેઠળ મળવાપાત્ર ગ્રાન્ટ અને મળેલી ગ્રાન્ટ અને તે અંતર્ગત હાથ ધરવામાં આવેલ કામની વિગતો માંગી છે. જ્યારે બીજા ક્રમે ભાજપના જ રુચિતાબેન જોષીએ સ્ટ્રીટ લાઈટ અને વોર્ડ વાઇઝ નવા બનેલા રોડ-રસ્તાની વિગતો માંગી છે. ત્રીજા ક્રમેં પણ ભાજપના કોર્પોરેટર કંકુબેન ઉધરેજાએ ટાઉન પ્લાનિંગ હસ્તકના ખુલ્લા પ્લોટની વોર્ડ વાઇઝ માહિતી ઉપરાંત વોર્ડ વાઇઝ આંગણવાડીઓ અને તેમાં અપાતા નાસ્તા જેવી વિગતો પૂછી છે. ચોથા ક્રમે ભાજપના નગરસેવક વિનુભાઈ સોરઠીયા દ્વારા આરોગ્ય વિભાગને છેલ્લા 2 વર્ષમાં મળેલી ગ્રાન્ટ અને તેનો ઉપયોગ કઈ રીતે થયો છે તેની માહિતી માંગી છે. તેમજ ફાયર વિભાગ પાસે હાલમાં ક્યાં અને કેટલા વાહનો છે તેનો આકસ્મિક સંજોગોમાં કેવી રીતે પ્રયોગ કરવામાં આવે છે તે પૂછ્યું છે. પાંચમા ક્રમે ભાજપના જ કોર્પોરેટર દક્ષાબેન વાઘેલા દ્વારા મનપા હસ્તકની તમામ મિલ્કતો અને તેના ઉપયોગ અંગેની માહિતી ઉપરાંત મનપા હસ્તકની લાયબ્રેરી અને તેમાં નોંધાયેલા સભ્યોની વિગતો પૂછવામાં આવી છે. ભાજપનાં 5 કોર્પોરેટરોનાં આ 10 પ્રશ્નો બાદ વિપક્ષનાં નગરસેવક વશરામ સાગઠિયાએ ટીપી વિભાગની સામે સવાલો ઉઠાવ્યા છે. જેમાં 11-11-2025 સુધીમાં 49 બિલ્ડીંગની સ્થળ તપાસ કરીને માત્ર 8 બાંધકામોને જ ભોગવટા પ્રમાણપત્રો અપાયા છે. તેમાંથી કેટલા માટેના રૂપિયા ભરાયા ? અને નથી ભરાયા તેની સામે શુ પગલાં લેવાયા ? અથવા ન લીધા હોય તો શું પગલાં લેવા માંગો છો ? તેમજ 12-11-2025થી 12-01-2026 સુધીમાં ફ્લાવર બેડનાં કારણે કેટલી મિલ્કતઓને ભોગવટાની પરવાનગી આપવામાં આવી ? જેવા ઘગ્ઘગતા સવાલો ઉઠાવ્યા છે. જોકે વિપક્ષના આ પ્રશ્નની જનરલ બોર્ડમાં ચર્ચા થવાની શક્યતા નથી. આ ઉપરાંત 12માં ક્રમે વિપક્ષના કોર્પોરેટર કોમલબેન ભારાઈએ પણ કોર્પોરેશનની શાળા નંબર 99 છેલ્લા 2008થી ભાડાનાં મકાનમાં ચાલતી હોવા અંગે તેમજ ટીપી વિભાગે મારેલા સીલ જાતે ખોલીને બાંધકામ શરૂ કરે તેની સામે થતી કાર્યવાહીની વિગતો પૂછી છે. જ્યારે 14માં ક્રમે કોંગી નગરસેવક મકબુલ દાઉદાણીએ પણ મનપાનાં ઈજનેર ઉપર થયેલા હુમલા અંગે કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો માંગી છે. તેમજ મનપાનાં આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળો અટકાવવા માટેના જે પગલાં લેવામાં આવ્યા તેની વિગતો પૂછવામાં આવી છે. આગામી જનરલ બોર્ડમાં જુદી-જુદી 12 દરખાસ્તોનો નિર્ણય પણ લેવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે 200 કરોડ રૂપિયા લોન કે ઓવરડ્રાફ્ટ દ્વારા મેળવવા માટેની સ્ટેન્ડિંગમાં મંજુર થયેલી દરખાસ્ત, રેલવે જંકશન સામે દૂર કરવામાં આવેલ દુકાનમાલિકો માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા, વોર્ડ નંબર 12 ખાતેની મનસુખભાઇ છાપીયા ટાઉનશીપની દુકાનો હરરાજીથી આપવા, તેમજ સફાઈ કામદારોનાં વારસદારોને નોકરી આપવા સહિત અગાઉ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર થયેલી દરખાસ્તો ઉપરાંત જુદા જુદા નામકરણ સહિત દરખાસ્તો અંગે ફાઇનલ નિર્ણય આગામી જનરલ બોર્ડમાં લેવામાં આવશે. નોંધનીય છે કે, આગામી જનરલ બોર્ડની બેઠક સંભવત: ચૂંટણી પૂર્વેની છેલ્લી મિટિંગ હોવા છતાં પ્રથમ 5 ક્રમમાં શાસક પક્ષનાં 10 પ્રશ્નો છે. આ કારણે છેક 11માં ક્રમમાં રહેલા વિપક્ષ નેતા વશરામ સાગઠિયાનાં પ્રશ્ન અંગે ચર્ચા થવાની શક્યતા નથી. જેને લઈને પોતાના પ્રશ્નોની ચર્ચા કરવા માટે તેઓ દ્વારા અવાજ ઉઠાવવામાં આવશે. તો નિયમોનું બહાનું ધરીને ભાજપ દ્વારા તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવાનું ટાળવામાં આવશે. જેને લઈને શાસક અને વિપક્ષનાં નગરસેવકો વચ્ચે ભારે તડાફડી થવાની પૂરતી શક્યતા છે. ત્યારે આગામી જનરલ બોર્ડમાં ભારે ઘર્ષણ અને આક્ષેપ-પ્રતિ આક્ષેપો જોવા મળે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:22 pm

પાણેથામાં રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત્:ગ્રામસભાએ સર્વાનુમતે ઠરાવ કરી DDOને આવેદન આપ્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પાણેથા ગામમાં રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ યથાવત્ રાખવા ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારી (DDO) ને આવેદનપત્ર આપ્યું છે. સરપંચ સહિતના ગ્રામજનોએ સ્મશાન-કબ્રસ્તાન તરફ જતા ખેડૂતોના સ્થાનિક રસ્તા પરથી રેતીના વાહનો કાયમી ધોરણે બંધ કરવાની માંગ કરી છે. ગ્રામસભાએ ખેડૂતોના સ્થાનિક ખેતી માર્ગ પરથી રેતી ભરેલા અતિ ભારે વાહનોની અવરજવર બંધ રાખવાનો સર્વાનુમતે નિર્ણય યથાવત્ રાખ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, છેલ્લા ચાર માસથી ઓવરલોડ અને રોયલ્ટી વગરની ભીની રેતીના વાહનો પસાર થવાથી ખેતીના માર્ગોને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, ખેડૂતોના પાકને ધૂળ લાગવાથી કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગ્રામ પંચાયત મુજબ, પાણેથા ગામમાં કોઈ રેતીની ક્વોરી લીઝ મંજૂર નથી. અન્ય ગામો અને જિલ્લાની લીઝ ધરાવતા વાહનો આ ખેતી માર્ગોનો ગેરકાયદેસર ઉપયોગ કરી રહ્યા છે. આ માર્ગોનો ઉપયોગ સ્મશાન, કબ્રસ્તાન તેમજ 500 થી વધુ ખેડૂતો અને ખેતમજૂરો કરે છે. ભારે વાહનોના કારણે જાહેર સલામતીને જોખમ ઊભું થતાં પંચાયતે નટ-બોલ્ટવાળા બેરીકેટ લગાવી માત્ર રેતીના ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે. ગ્રામસભાએ સ્પષ્ટતા કરી છે કે રસ્તો સંપૂર્ણ બંધ કરાયો નથી. તે ખેડૂતોના ખેતી કામ, પાક વહન તથા આવશ્યક સેવાઓ માટે ખુલ્લો રાખવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને PESA અધિનિયમ- 1996 તથા ગુજરાત પંચાયત અધિનિયમ-1993 હેઠળ ગ્રામસભાના અધિકારો મુજબ લેવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતે સક્ષમ અધિકારીઓને નિયમ મુજબ મંજૂરી આપવા વિનંતી કરી છે. જાહેર હિત,ખેતી પાકના સંરક્ષણ અને માર્ગ સલામતી માટે રેતીના ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ અત્યંત આવશ્યક હોવાનું પંચાયતે જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:22 pm

યુનિવર્સિટીમાં કોપી કેસ મુદ્દે કમિટીની બેઠક:378 વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી, અંતિમ નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટ લેશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન કોપી કરતા ઝડપાયેલા 378 વિદ્યાર્થીઓ માટે માલ પ્રેક્ટિસ એક્ઝામિનેશન કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. યુનિવર્સિટી દ્વારા લેવાયેલી પ્રથમ અને બીજા તબક્કાની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓ સામે શિસ્તભંગના પગલાં લેવાની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે. કમિટી સમક્ષ હાજર થયેલા તમામ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. સુનાવણી દરમિયાન, વિદ્યાર્થીઓ પાસેથી જપ્ત કરાયેલા ડોક્યુમેન્ટ્સ અને અન્ય પુરાવાઓની કમિટીના સભ્યો દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. કમિટીએ આ સમગ્ર મામલે પોતાની કામગીરી પૂર્ણ કરી છે. હવે આ અંગેનો અહેવાલ બોર્ડ ઓફ મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓને થનારી સજા કે અન્ય શિક્ષાત્મક પગલાં અંગેનો આખરી નિર્ણય આગામી સમયમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવશે. આ કમિટીમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય દિલીપ ચૌધરી અને કોકિલાબેન પરમાર, ઈસી મેમ્બર જગદીશ પ્રજાપતિ (પ્રિન્સિપાલ) તેમજ પરીક્ષા નિયામક મિતુલ દેલિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સુનાવણીની સમગ્ર કાર્યવાહી પૂર્ણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:11 pm

થોર ટીમે SSRPL વિન્ટર ટુર્નામેન્ટ જીતી:સ્પાઈડરમેનને હરાવી ટ્રોફી પર કબજો કર્યો

SSRPL વિન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ 2026ની ફાઇનલ મેચ આજે રમાઈ હતી, જેમાં થોર ટીમે વિજય મેળવી ટ્રોફી જીતી લીધી હતી. આ અંતિમ મુકાબલો થોર અને સ્પાઈડરમેન ટીમો વચ્ચે સાઉથ બોપલ સ્થિત સન સાઉથ રેયઝ ગ્રાઉન્ડ પર યોજાયો હતો. 12 ઓવરની આ રોમાંચક મેચમાં બંને ટીમો ટ્રોફી જીતવા માટે મેદાનમાં ઉતરી હતી. આખરે, થોર ટીમે સ્પાઈડરમેન ટીમને હરાવી ભવ્ય વિજય મેળવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:10 pm

ડોરબેલ વગાડનારા માસૂમ બાળકને જમીન પર પટકી પટકીને માર્યો, CCTV:ઘટના સમયે હાજર અન્ય બાળકો ફફડી ઉઠ્યા, ક્રુરતા આચરનારી સુરતની મહિલા સામે ફરિયાદ

સુરતના સરથાણા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે. યોગીચોક વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં માત્ર ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે એક મહિલાએ સાત વર્ષના માસૂમ બાળક પર અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી મુજબ, સરથાણાના યોગીચોક વિસ્તારમાં આવેલી સિલિકોન રેસીડેન્સીમાં સુધીરભાઈ વઘાસિયા પરિવાર સાથે રહે છે. તેમનો સાત વર્ષનો પુત્ર દેવાંશ સોસાયટીમાં રમી રહ્યો હતો. રમતા-રમતા બાળકોએ પડોશમાં રહેતા અપેક્ષાબેન નામની મહિલાના ઘરની ડોરબેલ વગાડી હતી. માત્ર આટલી વાતથી ઉશ્કેરાયેલી મહિલાએ પિત્તો ગુમાવ્યો હતો અને માસૂમ દેવાંશ પર તૂટી પડી હતી. મહિલાએ બાળકને પકડીને જમીન પર પટક્યો હતો અને ત્યારબાદ તેને નિર્દયતાથી ઢસડ્યો હતો. બાળકને ગંભીર ઇજાઓ આ હુમલામાં માસૂમ દેવાંશને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે. બાળકને જમીન પર ઢસડવાને કારણે તેના પગમાં ગંભીર ઈજાઓ થઈ છે. માર મારવાને કારણે દેવાંશનો જમણો પગ સોજી ગયો છે. બાળકના પેટના ભાગે પણ ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં કેદ થઈ ક્રૂરતા સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં મહિલાની આ હેવાનિયત સ્પષ્ટપણે કેદ થઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે મહિલા કઈ રીતે બાળકને પકડીને પછાડે છે અને ખેંચીને લઈ જાય છે. આ વીડિયો વાયરલ થતા લોકોમાં મહિલા સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. પરિવારની ન્યાય માટે માંગ બાળકના પિતા સુધીરભાઈ વઘાસિયાએ આ મામલે તુરંત સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો છે અને મહિલા વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. પરિવારના સભ્યોની એક જ માંગ છે કે, એક માસૂમ બાળક સાથે આવું અમાનવીય વર્તન કરનાર અપેક્ષાબેન સામે પોલીસ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરે જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ બાળક પર હાથ ઉપાડતા પહેલા સો વાર વિચારે. 9 જ્નાયુઆરીના રોજ રાત્રે ઘટના બની હતી સુધીરભાઈ વઘાસિયાએ જમાવ્યું હતું કે, સિલિકોન રેસીડેન્સીમાં રહું છું. મારા છોકરાને 9 તારીખે સાંજે 9 થી 10 ના ગાળામાં ઢોર માર મારવામાં આવ્યો છે. તો મને ખ્યાલ નહોતો, 10 વાગે હું નીચે ઉતર્યો, કલાક પછી મને ખબર પડી. ત્યાં મને બાળકોએ કીધું કે તમારા છોકરાને માર્યો છે. એટલે મેં એના ગાલ ઉપર ચાંભા પડી ગયા હતા અને મેં એને જોયું કે ભાઈ ગાલ ઉપર ચાંભા પડી ગયા છે, આંખ સોજી ગઈ છે. એટલા માટે મેં સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મારા સી-3 બિલ્ડીંગના પ્રમુખને મેં જાણ કરી કે મારા છોકરાને માર માર્યો છે, મારે સીસીટીવી કેમેરા જોવા છે. ઢસડીને લાવી અને માર માર્યો પ્રમુખે મને બીજે દિવસે સાંજે સીસીટીવી કેમેરા જોયા, ઓફિસમાં મેઈન કેમેરો છે એ ચેક કર્યો અને અમારી બિલ્ડીંગની નીચે કેમેરો ચેક કર્યો. તો ઢસડીને ખૂણામાંથી લાવે છે પીલર પાસે, ત્યાં પહેલા ઢસડીને ત્યાં લાવે છે ત્યારે માર મારે છે. ત્યારે ઢસડીને લાવ્યા પછી પીલર પાસે એને ઘા કરે છે અને માર મારે છે. માર માર્યા પછી ઈ સીસીટીવી ફૂટેજમાં રેકોર્ડ છે. એટલે અમે બીજે દિવસે સરથાણા પોલીસ સ્ટેશનમાં સવારમાં કમ્પ્લેન કરી કે મારા છોકરાને ઢોર માર માર્યો છે. કહેવા ગયા તો ધમકી આપી કે હજુ માર મારીશ મારા વાઈફને સવારમાં બીજે દિવસે એને કહેવા ગયા કે મારા છોકરાને તમે આટલો બધો કેમ માર્યો? તો એ લેડીઝે એવું કીધું કે હજી મારો ડોરબેલ મારશે તો હજી હું એને મારીશ. એટલે અમે પછી કમ્પ્લેન કર્યા ત્યાર પછી હજી હું આગળ કાર્યવાહીની માંગ કરું છું કે મારા છોકરાને ન્યાય મળે અને કાયદો કાયદાનું કામ કરે. અમે કોઈ ઝગડો નથી કર્યો, અમે તેને કીધું નથી કઈ, અમે કાયદાને માનીએ છીએ અને કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી માંગ છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:07 pm

મોડાસા BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકોને સાધન સહાય:અરવલ્લીમાં 138 બાળકોને શિક્ષણ માટે આધાર મળ્યો

અરવલ્લી જિલ્લાના મોડાસા BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર, નિયામક, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ આ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. આ કેમ્પમાં મોડાસા અને માલપુર તાલુકાના કુલ 138 દિવ્યાંગ બાળકોને વિવિધ સાધનોનું વિતરણ કરાયું હતું. વિતરિત કરાયેલા સાધનોમાં સીપી ચેર, વ્હીલ ચેર, ટ્રાઇસિકલ, હિયરિંગ એડ અને રોલર જેવા ઉપકરણોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ મોડાસા અને માલપુર તાલુકાના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જીવદયાપ્રેમી અને સામાજિક અગ્રણી નિલેશભાઈ જોશી, BRC કોઓર્ડિનેટર હાર્દિકભાઈ પટેલ, જિલ્લા ID કોઓર્ડિનેટર અમિતભાઈ કવિ સહિત સમગ્ર શિક્ષા વિભાગના અધિકારીઓ અને સ્પેશિયલ એજ્યુકેટર કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોને જરૂરી સાધન સહાય પૂરી પાડીને તેમને શિક્ષણની મુખ્ય ધારામાં જોડવાનો હતો. આયોજકોનો હેતુ દિવ્યાંગ બાળકો ધોરણ 1 થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરીને સામાન્ય વિદ્યાર્થીઓની જેમ આત્મનિર્ભર અને સશક્ત બને તે સુનિશ્ચિત કરવાનો છે. આ સાધન સહાય વિતરણ કેમ્પ દિવ્યાંગ બાળકોના જીવનમાં કોઈ અછત ન રહે અને તેઓ સમાજમાં પુનર્વસિત થઈને શ્રેષ્ઠ નાગરિક તરીકે પોતાની ઓળખ બનાવે તેવા ઉદ્દેશ્ય સાથે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનોએ દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓને પ્રોત્સાહક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ સમગ્ર શિક્ષા વિભાગ દ્વારા મળતી વિવિધ સુવિધાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:05 pm

બ્રાઇટ સ્કૂલ વાસણા GSEBનો 25મો વાર્ષિક રમતોત્સવ:શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ઉત્સાહ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં ઉજવાયો

ધ બ્રાઇટ સ્કૂલ (વાસણા – GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટેનો ૨૫મો વાર્ષિક રમતોત્સવ ઉત્સાહ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાયો. આ કાર્યક્રમની શરૂઆત ચાર હાઉસ – અર્જુન, અશોક, પ્રતાપ અને શિવાજી – દ્વારા ભવ્ય પરેડથી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓની એકતા અને શાળા પ્રત્યેનું ગૌરવ જોવા મળ્યું. રમતોત્સવની જ્યોત પ્રગટાવવાની વિધિ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ હતી. ત્યારબાદ, રમત માટેની શપથવિધિ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ રમતોત્સવના નિયમો અને રમતભાવનાનું પાલન કરવાનો સંકલ્પ લીધો. શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ દ્વારા રમતોત્સવને સત્તાવાર રીતે ખુલ્લો જાહેર કરવામાં આવ્યો, જેના પછી વિવિધ રમતગમત સ્પર્ધાઓનો પ્રારંભ થયો. આ કાર્યક્રમમાં ફ્રી હેન્ડ ડ્રિલ, ડમ્બેલ્સ અને લેઝિયમ વ્યાયામ, યોગ પ્રદર્શન તેમજ ઝુંબા નૃત્ય જેવી વિવિધ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. યોગ રચનામાં વિદ્યાર્થીઓએ '૨૫' આકાર બનાવી શાળાની રજત જયંતિની ઉજવણી કરી. આ પ્રસ્તુતિઓએ વિદ્યાર્થીઓની શારીરિક ક્ષમતા અને તાલીમનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ, દોડ સ્પર્ધા, રિલે રેસ, હર્ડલ રેસ અને બાસ્કેટબોલ ડ્રિબ્લિંગ રેસ જેવી મેદાની સ્પર્ધાઓ યોજાઈ. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતકુશળતા દર્શાવી. સ્પર્ધાના વિજેતાઓને શાળાના પ્રમુખ શ્રી સૌમિલ શાહ અને પ્રિન્સિપાલ દ્વારા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે આભારવિધિ કરવામાં આવી, જેમાં શાળા વ્યવસ્થાપન, શિક્ષકો, રમત શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહકાર તથા મહેનત બદલ પ્રશંસા વ્યક્ત કરવામાં આવી. આ સહકારને કારણે રમતોત્સવ સફળ અને યાદગાર બન્યો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 2:05 pm

એક વર્ષમાં 1.83 લાખ મહિલા-યુવતી અને વિદ્યાર્થિનીઓએ અભયમની મદદ માગી:મહેસાણામાં હેલ્પ માટે 4558 કોલ્સ મળ્યા, સૌથી વધુ ઘરેલુ હિંસાના કેસ

સમગ્ર વિશ્વ અને દેશમાં મહિલાઓ પર થતા અત્યાચારો અને સામાજિક સમસ્યાઓ ચિંતાનો વિષય બની રહી છે, ત્યારે ગુજરાત રાજ્યમાં કાર્યરત '181 અભયમ' મહિલા હેલ્પલાઈન પીડિત મહિલાઓ માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. રાજ્યભરમાં છેલ્લા એક વર્ષમાં 1,83,520 જેટલા કોલ્સ મળ્યા હતાં. જેમાંથી 37,380 કિસ્સાઓ અત્યંત સંવેદનશીલ હોવાનું નોંધાયું છે. આ કતારમાં મહેસાણા જિલ્લો પણ પાછળ નથી, જ્યાં હજારો મહિલાઓએ મુશ્કેલીના સમયે આ હેલ્પલાઈનનો ભરોસો કર્યો છે. સૌથી વધુ ઘરેલુ હિંસા અને જાતીય સતામણીના કેસોમહેસાણા જિલ્લાના આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા એક વર્ષમાં મહિલાઓ, યુવતીઓ અને વિદ્યાર્થિનીઓ તરફથી મદદ માટે કુલ 4558 કોલ્સ મળ્યા હતા. અભયમની ટીમે તમામ કિસ્સાઓમાં ત્વરિત પ્રતિસાદ આપી પોતાની ફરજ નિભાવી હતી. આ કોલ્સમાં સૌથી વધુ ચોંકાવનારો આંકડો ઘરેલુ હિંસાનો છે, જેમાં 2,387 મહિલાઓ ઘરકંકાસ કે હિંસાનો ભોગ બની હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત 574 મહિલાઓએ જાતીય સતામણી અંગે પોતાની ફરિયાદ નોંધાવી મદદ માંગી હતી. પીડિત મહિલાઓની વહારે 181 અભયમ ટીમ આવી181 અભયમની ટીમ દિવસ હોય કે રાત, 24 કલાક સતત ખડેપગે રહીને પીડિત મહિલાઓ સુધી પહોંચી છે. માત્ર ઘટનાસ્થળે પહોંચવું જ નહીં, પરંતુ મહિલાઓની માનસિક સ્થિતિ સમજીને અસરકારક કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ટીમે સામાજિક સ્તરે પ્રશ્નો ઉકેલવા માટે સામેવાળા પક્ષનું પણ કાઉન્સેલિંગ કરી સમાધાનકારી માર્ગ અપનાવ્યો હતો. મહેસાણામાં 811 જેટલી મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુઆ એક વર્ષના સમયગાળા દરમિયાન મહેસાણા 181ની ટીમ દ્વારા 811 જેટલી મહિલાઓનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તે પૈકી 481 મહિલાઓના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ સમાધાન લાવવામાં આવ્યું હતું, જ્યારે 290 મહિલાઓને વધુ સહાય કે કાયદાકીય મદદની જરૂર જણાતા અન્ય બચાવ એજન્સીઓ તરફ રીફર કરવામાં આવી હતી. આમ, મહેસાણા જિલ્લામાં મહિલા સુરક્ષા માટે 181 અભયમ હેલ્પલાઈન એક મજબૂત કવચ તરીકે ઉભરી આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:59 pm

રાહી ફાઉન્ડેશન 800થી વધુ શ્રમજીવીઓને ખીચડી-છાશનું વિતરણ:આંગણવાડી કેન્દ્ર, મીરા ટૉકીઝ પાસેના પરિવારોને લાભ મળ્યો

રાહી ફાઉન્ડેશન દ્વારા તેના 209મા ખીચડી વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત 800થી વધુ શ્રમજીવી પરિવારો અને તેમના બાળકોને વેજિટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ આંગણવાડી કેન્દ્ર, મીરા ટૉકીઝ પાસે, ભૈરવનાથ રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના આયોજનમાં શ્રી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારે સહયોગ આપ્યો હતો. રાહી ફાઉન્ડેશનના સભ્યો જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, સ્વપ્નિલ, બાબુલકાકા, માર્કણ્ડભાઈ, વસંતભાઈ, જ્યોત્સ્નાબેન અને વિજય દલાલે ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું. આંગણવાડી કેન્દ્રની કાર્યકર્તા બહેનોએ પણ કાર્યક્રમની વ્યવસ્થામાં સુંદર સહયોગ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:53 pm

મોરબીમાં પરિણીતાને ધમકી, પતિને જાતિગત અપમાનિત કર્યોં:ભાઈને ચડામણી કરતો હોવાનો વહેમ રાખી શખસે હુમલો કર્યો, એટ્રોસિટી હેઠળ ગુનો

મોરબીના જાંબુડિયા ગામે એક પરિણીતા અને તેના સાસુ પર હુમલો કરી, પતિને જાતિગત અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પરિણીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી તાલુકાના નવા જાંબુડિયા ગામે રહેતા જ્યોતિબેન કમલેશભાઈ ખરા (ઉં.વ. 24) એ તે જ ગામના વિજય બાબુભાઈ વિંજવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, આરોપી વિજયનો ભાઈ પ્રકાશ ફરિયાદીના પતિ કમલેશ સાથે ફરતો હતો. પ્રકાશ પોતાના ઘરમાં ઝઘડા કરતો હોવાથી વિજયને શંકા હતી કે કમલેશ તેને ચડામણી કરે છે. આ વહેમના આધારે આરોપી વિજય ફરિયાદીના ઘર પાસે શેરીમાં આવ્યા હતા. ત્યાં તેમણે જ્યોતિબેન અને તેમના સાસુ સાથે બોલાચાલી કરી અપશબ્દો બોલ્યા હતા. એટલું જ નહીં, તેમણે બંનેને લાફા મારી મારપીટ પણ કરી હતી. આ દરમિયાન ફરિયાદીના પતિ કમલેશ ઘરમાંથી બહાર આવતા, આરોપી વિજયે તેમને જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. તેમણે કમલેશને 'મારા ભાઈ ભેગા ફરવું નહીં, નહીં તો તારા પતિને મારી નાખીને જેલમાં જતો રહીશ' તેવી ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના બાદ ભોગ બનેલા જ્યોતિબેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસીની કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:49 pm

શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન:SG હાઈવે પરના ફાર્મહાઉસમાં વાર્ષિક આયોજન કરાયું

શ્રી વિદ્યાનગર હાઇસ્કૂલ (ઉસ્માનપુરા) ના ૧૯૮૪ SSC અને ૧૯૮૬ HSC બેચના પૂર્વ વિદ્યાર્થીઓનું વાર્ષિક સ્નેહમિલન ગત રવિવાર, ૪ જાન્યુઆરીના રોજ SG હાઈવે પર આવેલા મિકેશ સુરતીના ફાર્મહાઉસ ખાતે યોજાયું હતું. આ પરંપરા મુજબ દર વર્ષે જાન્યુઆરીના પ્રથમ રવિવારે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ સ્નેહમિલનમાં શાળાના હાજરીપત્રકની જેમ જ અત્યાર સુધીના તમામ કાર્યક્રમોનું હાજરીપત્રક રાખવામાં આવ્યું હતું. કીર્તિદાબા રાણા દ્વારા એક પણ સ્નેહમિલન ન ચૂકાવનાર સભ્યોને વ્યક્તિગત ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. દરેક ટ્રોફી પર સભ્યોની લાક્ષણિકતા અનુસાર ઉખાણું લખેલું હતું, જેના આધારે સભ્યોએ પોતાની ઓળખ આપવાની હતી. આ ઉપરાંત, હાજરીની તર્જ પર અમુક સભ્યોને સુવર્ણ, રજત અને કાંસ્ય પદક પણ એનાયત થયા હતા. ગોધરા નિવાસી ડૉ. મનીષા મહેતાએ ગીત અને વસ્તુની જુગલબંધી પર આધારિત રમત રમાડી હતી, જેમાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંગીત ખુરશીની રમતમાં પણ બધાએ ઉન્મુક્ત આનંદ માણ્યો હતો. મુંબઈ નિવાસી નિર્મળ શાહે સંગીતના ઉપકરણોનો મોરચો સંભાળી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવ્યા હતા. ડૉ. મનીષ રાવલ, જેમના નિવાસસ્થાને એક અંગત સંગ્રહસ્થાન છે, તેમણે દરેકને પૌરાણિક સિક્કાની પ્રતિકૃતિ ભેટ આપી હતી. સંદીપ શાહ તરફથી દરેકને હેલ્ધી ફૂડ હેમ્પર આપવામાં આવ્યું હતું. સુરતી સભ્ય ડૉ. કિંજલ પટેલ ખાસ પોંક અને ઘારી લઈને આવ્યા હતા, જ્યારે અમેરિકાથી આવેલા દેવ શાહને બધાએ ઉમળકાભેર આવકાર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ગ્રુપ એડમિન ભવ્યા શાહ, કર્ણિક શાહ અને ખજાનચી મેહુલ શાહની પડદા પાછળની મહેનતને સૌ કોઈએ બિરદાવી હતી. અંતે, સૌએ ભોજન લીધું અને ફરીથી મળવાના સંકલ્પ સાથે છૂટા પડ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:46 pm

શાકોત્સવનું આયોજન:મહેસાણા SMVS સ્વામિનારાયણ મંદિરમાં હજારો ભક્તોની ઉપસ્થિતિમાં આયોજન કરાયું

મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા SMVS સ્વામિનારાયણ મંદિરમાં 11 જાન્યુઆરી, 2026 રવિવારના રોજ શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મહેસાણા જિલ્લાના હજારોથી વધુ સત્સંગી ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. ગાંધીનગર સ્થિત સ્વામિનારાયણ ધામથી વડીલ સંતવર્ય પૂજ્ય ધર્મપ્રિયસ્વામીએ ઉપસ્થિત રહી સત્સંગનો લાભ આપ્યો હતો. પૂજ્ય ધર્મપ્રિયસ્વામીએ શાકોત્સવના મહત્વ વિશે પ્રવચન આપ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભક્તોએ શાક-રોટલાની દિવ્ય પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:42 pm

VNSGU વિદ્યાર્થીઓએ કેમ્પસની જૈવવિવિધતાનું ડોક્યુમેન્ટેશન કર્યું:મલ્ટીડિસિપ્લિનરી વર્કશોપમાં ફોટોગ્રાફી અને ડિજિટલાઇઝેશન તાલીમ અપાઈ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય (VNSGU) ના બાયોસાયન્સ અને ફાઈન આર્ટસ વિભાગ દ્વારા પાંચ દિવસીય મલ્ટીડિસિપ્લિનરી વર્કશોપનું આયોજન કરાયું હતું. કેપ્ચરિંગ કેમ્પસ: બાયોડાયવર્સિટી હેન્ડ્સ-ઓન ફોટોગ્રાફી અને ડિજિટલાઇઝેશન ટ્રેનિંગ શીર્ષક હેઠળ આ વર્કશોપ ૬ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાયો હતો. PM-USHA MERU સોફ્ટ કમ્પોનન્ટ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને કલાત્મક અભિવ્યક્તિનો સમન્વય કરવાનો હતો. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસની સમૃદ્ધ જૈવવિવિધતાને કેમેરામાં કેદ કરી હતી. નિષ્ણાત મેન્ટર્સ ડૉ. જય પંડ્યા, શ્રી અમિત જારીવાલા, શ્રી ધ્રુવિન જૈન, શ્રી ભૂપત જેબલિયા, શ્રી ઉમંગ ગજ્જર અને શ્રી અમન અગ્રવાલના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવી હતી. તાલીમ દરમિયાન, વિદ્યાર્થીઓને મોબાઈલ, પ્રોફેશનલ DSLR કેમેરા અને માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીને કેમ્પસના વનસ્પતિ અને પ્રાણીસૃષ્ટિ (Flora Fauna), પક્ષીઓ, જીવજંતુઓ તેમજ સ્થાનિક અને ઔષધીય છોડની ફોટોગ્રાફીનું હેન્ડ્સ-ઓન શિક્ષણ મળ્યું હતું. આ ડિજિટલાઇઝેશન અભિગમથી વિદ્યાર્થીઓએ કેમ્પસને નવી દ્રષ્ટિથી જોયું. આ વર્કશોપનું આયોજન કન્વીનર ડૉ. કૈલાશ પટેલ (બાયોસાયન્સ વિભાગના વડા) અને કો-કન્વીનર શ્રી અંકિત એમ. ચાંગાવાલા (ફાઈન આર્ટસ વિભાગના કો-ઓર્ડિનેટર) ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સુશ્રી પાયલ પાંડવ, ડૉ. રાજશ્રી પી. પટેલ અને ડૉ. વિશાલ મકવાણાએ અનુક્રમે કો-ઓર્ડિનેટર અને ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી તરીકે સેવા આપી હતી. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા અને રજિસ્ટ્રાર ડૉ. આર. સી. ગઢવીએ આ પહેલ અને તેના પરિણામો બદલ સમગ્ર ટીમ અને વિદ્યાર્થીઓની પ્રશંસા કરી હતી. વર્કશોપની સફળ પૂર્ણાહુતિ પછી પણ કેમ્પસની જૈવવિવિધતાને કેપ્ચર કરવાની આ પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:39 pm

વિસનગરમાં ભારત વિકાસ પરિષદ દ્વારા મૈત્રી ક્રિકેટ મેચ:સભ્યોમાં સંગઠન અને સહકાર વધારવા ટૂર્નામેન્ટ યોજાઈ

વિસનગરમાં ભારત વિકાસ પરિષદની મહિલા પાંખ દ્વારા સભ્યો માટે મૈત્રી ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. શહેરના કડા રોડ પર આવેલા સેવન સ્ટાર બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં લગભગ ત્રીસ જેટલા સભ્યોએ પોતાના પરિવાર સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ ટૂર્નામેન્ટમાં મહિલા અને પુરુષની અલગ અલગ ટીમો બનાવીને ક્રિકેટનો આનંદ માણવામાં આવ્યો હતો. સભ્યો વચ્ચે સંગઠન અને સહકારની ભાવના કેળવાય તે મુખ્ય ઉદ્દેશ્ય સાથે આ મૈત્રી મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, સામાજિક કાર્યકર ભાનુપ્રસાદ શાસ્ત્રી અને મેલાજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દીપ પ્રાગટ્ય કરીને સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પરિષદના સભ્ય અમિતભાઈ સુખડીયા દ્વારા નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રમુખ ડૉ. જયેશકુમાર શુક્લ, મંત્રી હર્ષદભાઈ પટેલ, મહિલા સંયોજિકા હેમાબેન સોની, સહ-સંયોજિકા રશ્મિબેન ગુપ્તા અને વૈશાલીબેન કોઠારી સહિત ભારત વિકાસ પરિષદના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:37 pm

વડોદરાના કરાટે ખેલાડીઓએ નેશનલ ચેમ્પિયનશિપમાં ૫ મેડલ જીત્યા:મુંબઈમાં આયોજિત સિનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું

મુંબઈ ખાતે જાપાન કરાટે એસોસિએશન ઓફ ઈન્ડિયા દ્વારા સિનિયર નેશનલ કરાટે ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચેમ્પિયનશિપમાં વડોદરાના કરાટે ઇન્સ્ટ્રક્ટર સેન્સાઇ વિશાલ નિઝામા અને તેમના વિદ્યાર્થીઓએ કુલ ૫ મેડલ જીતીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સેન્સાઇ વિશાલ નિઝામાએ બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. તેમના વિદ્યાર્થીઓમાંથી શાલીન શુક્લાએ એક સિલ્વર મેડલ, સુહાન ઝાલાએ એક ગોલ્ડ મેડલ અને કનુ ચૌધરીએ એક ગોલ્ડ તથા એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં આસામ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સહિતના વિવિધ રાજ્યોના સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:33 pm

કુતિયાણા 108 એમ્બ્યુલન્સે એક રાતમાં બે પ્રસુતિ કરાવી:માતા અને જોડિયા બાળકો સહિત 5 જીવ બચાવ્યા

કુતિયાણા તાલુકાના ચૌટા ગામમાં રહેતા જોશનાબેનને પ્રસુતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. EMRI ગ્રીન હેલ્થ સર્વિસના EMT ડો. કેવિનગીરી અપારનાથી અને પાયલોટ રાજેશભાઈ બેસ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના થયા હતા. સ્થળ પર સગર્ભાની સ્થિતિ ગંભીર જણાતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરી કીટનો ઉપયોગ કરીને સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવાઈ. જોડિયા બાળકો હોવા અને એક બાળકના ગળામાં નાળ વીંટળાયેલી હોવા છતાં, 108 ટીમે કુદરતી રીતે પ્રસુતિ કરાવી માતા અને બે બાળકો સહિત કુલ ત્રણ જીવ બચાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ 108ના ERCP ફિઝિશિયન ડો. તુષાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી સારવાર આપી દર્દીને પોરબંદરની લેડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દર્દીના સગા-સંબંધીઓએ 108ના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. તે જ રાત્રે, કુતિયાણાના ખાગેશ્રી ગામમાં મજૂરી કરતા ભુરી કિકરીયાને પણ પ્રસુતિ પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. EMT કેવિનગીરી અપારનાથી અને પાયલોટ રાજેશ બેસ ફરીથી ઘટનાસ્થળે પહોંચ્યા હતા. દર્દીને લઈને CHC કુતિયાણા સરકારી હોસ્પિટલ તરફ રવાના થયા હતા, પરંતુ મેવાસા નજીક પહોંચતા સગર્ભાની સ્થિતિ ગંભીર બનતા એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરાવવી પડી હતી. EMT કેવિનગીરી અપારનાથીએ પાયલોટ રાજેશને એમ્બ્યુલન્સ સાઈડમાં પાર્ક કરવા જણાવ્યું હતું. એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ ડિલિવરીના સાધનો અને કીટનો ઉપયોગ કરીને સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી માતા અને બાળક સહિત બે માનવ જીવ બચાવ્યા હતા. ત્યારબાદ અમદાવાદ 108ના ERCP ફિઝિશિયન ડો. તુષાર સાથે ટેલિફોનિક વાતચીત કરીને જરૂરી સારવાર આપી દર્દીને CHC સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કુતિયાણા 108 ટીમની આ પ્રશંસનીય કામગીરી બદલ પ્રોગ્રામ મેનેજર આકાશ અને પોરબંદર જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગિરી મેઘનાથી દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:33 pm

ઉદય ફાઉન્ડેશન દ્વારા ગતરાડમાં ગૌ સેવા:વીસ વીઘા ગૌશાળામાં ગૌ પૂજાનું આયોજન કરાયું

ઉદય ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ગતરાડ ગામમાં આવેલી વીસ વીઘા ગૌશાળા ખાતે ગૌ સેવા અને ગૌ પૂજાનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ અંતર્ગત ફાઉન્ડેશનની ટીમના સભ્યો દ્વારા ગાયોની પૂજા કરવામાં આવી હતી. ગૌશાળામાં નિવાસ કરતા પૂજ્ય બાપુએ મંત્રોચ્ચાર સાથે ગૌ પૂજા સંપન્ન કરાવી હતી. ટીમના સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ગૌ સેવામાં ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:25 pm

સોમનાથ સ્વાભિમાન પર્વ, શિવ બારાત, રુદ્ર મહાયજ્ઞ યોજાશે:ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ભવ્ય આયોજન કરાશે

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે ભવ્ય શિવ બારાત અને રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ મહાશિવરાત્રીના દિવસે યોજાશે. પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુરે આ અંગે માહિતી આપી હતી. શિવ બારાતમાં ભગવાન ભોળાનાથની મૂર્તિ સાથે વિવિધ દરબારો, ભૂત અને બેતાલની વેશભૂષામાં મંડળો, ગરબા ગ્રુપ, રાજ્યોની વેશભૂષા, બેન્ડબાજા, ડીજે લાઇટ અને વિવિધ સરકારી યોજનાઓના ટેબલો તેમજ વટવાની વિકાસ ગાથાના ટેબલોને સ્થાન અપાશે. આ શિવ બારાતમાં મોટી સંખ્યામાં કળશ યાત્રીઓ અને ૧૦૧ કાંવડ યાત્રીઓ જોડાશે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા શિવ બારાતમાં જોડાનાર તમામ ભક્તોને મંત્રોથી અભિમંત્રિત કરેલા રુદ્રાક્ષ અને રુદ્રાક્ષ માળા નિઃશુલ્ક આપવામાં આવશે. શિવરાત્રીના એક દિવસ પહેલા રુદ્ર મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. શિવ બારાતના મુખ્ય યજમાન તરીકે શ્રી મહેશસિંહ કુશવાહ અને શ્રી શ્યામસિંહ ઠાકુર રહેશે. ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ કુશવાહે જણાવ્યું કે, શિવ બારાતના આયોજન માટે કારોબારી બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવ ભક્તો ભાગ લેશે, અને તેમના માટે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:23 pm

પોરબંદરની સગીરાનો અપહરણ કેસ:જામનગરથી મુખ્ય આરોપીની ધરપકડ, મદદ કરનાર 2 ઝડપાયા; સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી

પોરબંદર જિલ્લાના રાણાવાવ પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલા સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ત્રણ શખ્સોને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી સગીરાને સુરક્ષિત રીતે મુક્ત કરાવી છે. મુખ્ય આરોપીને જામનગર જિલ્લાના બજરંગપુર ગામેથી પકડવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટના રાજપરા ગામના કરણ સિંહોરા દ્વારા એક સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ અંગે રાણાવાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપી અને ભોગ બનનાર જામનગર જિલ્લાના બજરંગપુર ગામે છુપાયેલા છે. જેના આધારે પોલીસે દરોડો પાડીને મુખ્ય આરોપીને ધરપકડ કરીને સગીરાને મુક્ત કરાવી હતી પોલીસે આરોપીને મદદ કરનાર સંદીપ લુદરિયા અને લખમણ સિંહોરાની પણ પોલીસે ધરપકડ કરી છે. સંદીપે અપહરણમાં મદદ કરી હતી. જ્યારે લખમણ સિંહોરાએ અલગ-અલગ જગ્યાએ આશરો આપ્યો હતો. રાણાવાવ પોલીસે તમામ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:22 pm

શિક્ષાપત્રી મંથન:સંતોનાને કુસંગથી બચાવવા માતાપિતાએ સમય કાઢી સંસ્કાર આપવા જરૂરી

શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે માનવશરીર એ દુનિયાની સૌથી અદ્ભૂત રચના છે. જીવન કેવી રીતે જીવવું તેની સાચી કળા શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી ગ્રંથમાં શીખવી છે. આજના બાળકો અને યુવાનો ઘણીવાર કુસંગના કારણે વ્યસનો તરફ વળી જાય છે. આથી દરેક માતાપિતાની ફરજ છે કે તેઓ સમય કાઢીને સંતાનોને સંસ્કાર આપે. ઘણા માતાપિતા બાળકોને સાચવવા માટે સમયના અભાવે અને પૈસાની ઉપલબ્ધતાને કારણે નોકરને ઘરમાં રાખી દે છે. નોકર બાળકોને ખાવા-પીવા આપશે અને રમાડશે, પરંતુ તે સારા સંસ્કાર આપી શકશે નહીં. સાધુ પ્રેમવત્સલદાસજીએ પ્રશ્ન કર્યો કે શું માતાપિતા પોતાના ઘરના કબાટમાં રાખેલા દાગીના અને પૈસાની ચાવી નોકરને સોંપે છે? જો સંપત્તિ નોકરને સોંપવાની તૈયારી નથી, તો ભવિષ્ય અને વારસો સમાન સંતાનોને નોકરના હવાલે શા માટે કરી દેવામાં આવે છે તે વિચારવું જોઈએ. બાળકોને નાનપણથી સારા સંસ્કાર આપવા માટે સમય કાઢીને મહેનત કરવી અનિવાર્ય છે. જો આ મહેનત કરવામાં નહીં આવે તો બાળકોને શું કરવું અને શું ન કરવું તે અંગેનો વિવેક શીખવી શકાશે નહીં. આ વિવેક માતાપિતાએ જ શીખવવો પડશે, અને જે માતાપિતા આ વિવેક શીખવશે તેમના સંતાનો સારા પાકશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન રચિત શિક્ષાપત્રી એ સારા સંસ્કાર કેવી રીતે શીખવવા તે માટે માર્ગદર્શન આપતો ગ્રંથ છે. આ ગ્રંથનું વાંચન અને મનન કરીને સંતાનોને સંસ્કાર આપવા જોઈએ.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:14 pm

ડીંડોલીમાં ક્રિકેટ રમતા બેંક કર્મચારીનું ઢળી પડ્યાં બાદ મોત:બેટિંગ કરી ડિવાઈડર પર બેઠો ને બેભાન; પરિવારે જુવાનજોઘ દીકરો ગુમાવ્યો; હાર્ટ-એટેકની આશંકા

સુરતના ડીંડોલી-નવાગામ વિસ્તારમાં રવિવારની રજામાં ક્રિકેટ રમવાની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ છે. રમત દરમિયાન 35 વર્ષીય યુવાન મેહુલ સતીશ પટેલનું હાર્ટ-એટેકથી નિધન થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મેહુલ પટેલ દર રવિવારે મિત્રો સાથે ક્રિકેટ રમવા જતો હતો, પરંતુ આ રવિવાર તેના જીવનનો અંતિમ દિવસ સાબિત થયો હતો. મૃતક મેહુલ પટેલ ડીંડોલી નવાગામના ધોડિયાવાડ વિસ્તારમાં રહેતો હતો અને બેંક ઓફ બરોડા ગ્રામીણ બેંકની ડુભાલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રવિવારે સવારે તે હંમેશાની જેમ મિત્રો સાથે નંદનવન ટાઉનશીપ પાસેના મેદાનમાં મેચ રમવા ગયો હતો. બેટિંગ પૂરી કર્યા બાદ તે મેદાનમાં જ એક ડિવાઈડર પર આરામ કરવા બેઠો હતો, જ્યાં અચાનક તે બેભાન થઈને ઢળી પડ્યો હતો. નવી સિવિલમાં લઈ જતાં ડોક્ટરે મૃત જાહેર કર્યોમેહુલને અચાનક ઢળી પડતો જોઈ તેના મિત્રો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક પોતાની કારમાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. તબીબોના મતે યુવાનને હાર્ટ-એટેક આવ્યો હોવાની શક્યતા છે, જેના કારણે તેને સંભાળવાની તક પણ મળી ન હતી. આ ઘટના અંગે વોર્ડ નંબર 27ના કોર્પોરેટર સુધાકર ચૌધરીએ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. બે વર્ષની પુત્રએ પિતા ગુમાવ્યાં, પરિવારમાં માતમમેહુલના અકાળે અવસાનથી તેના બે વર્ષના માસૂમ પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘરમાં વૃદ્ધ માતા-પિતા અને પત્નીનો આક્રંદ સાંભળી આખું ગામ હિબકે ચઢ્યું છે. જુવાનજોધ દીકરાની અર્થી ઉઠતા પિતા સતીશભાઈ પર આભ તૂટી પડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સુરત સહિત ગુજરાતમાં યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓએ ફરી એકવાર ચિંતાનો વિષય બનાવી દીધો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 1:05 pm

બૌદ્ધ સમાજે ચાર મુખ્ય મુદ્દાઓ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું:બુદ્ધ પૂર્ણિમાની રજા અને પવિત્ર સ્થળોના રક્ષણ મુદ્દે ઉગ્ર રજૂઆત, દેશવ્યાપી આંદોલનની ચીમકી આપી

ભાવનગર ખાતે બૌદ્ધ સમાજના આગેવાનો અને અનુયાયીઓ દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને કલેક્ટર કચેરીએ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. જેમાં વિવિધ ચાર મુખ્ય મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર કલેકટરને આપી રજુઆત કરવામાં આવી હતી. જો આગામી સમયમાં માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 'બુદ્ધ પૂર્ણિમા'ની ધાર્મિક રજા જાહેર કરવા માગબૌદ્ધ સમાજના આગેવાનો દ્વારા આપેલ આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓમાં તમામ ધર્મોના તહેવારો પર સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે છે, પરંતુ વારંવારની રજૂઆત છતાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે 'બુદ્ધ પૂર્ણિમા'ની ધાર્મિક રજા જાહેર કરવામાં આવતી નથી. આ ભેદભાવ દૂર કરી તુરંત રજા જાહેર કરવાની માંગ કરી છે. બોધિગયાને કબજો મૂળ વારસદારો એટલે કે બૌદ્ધોને સોંપવા માંગભગવાન બુદ્ધને જ્યાં બોધિજ્ઞાન પ્રાપ્ત થયું તે પવિત્ર સ્થળો (બોધિગયા) પર ગેર-બૌદ્ધો દ્વારા પિંડદાન જેવી પ્રવૃત્તિઓ કરી ધમ્મની પવિત્રતા બગાડવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. આ સ્થળોનો કબજો મૂળ વારસદારો એટલે કે બૌદ્ધોને સોંપવાની માંગ કરવામાં આવી છે. હિમાલચ ઘટનાને લઈને રોષતેમજ હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં અભ્યાસ કરતી પલ્લવી નામની SC દીકરી પર કોલેજના પ્રોફેસરો દ્વારા રેગિંગ અને માનસિક ત્રાસ ગુજારવામાં આવતા તેનું મૃત્યુ થયું છે, આ મામલે હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ ન નોંધાતા રોષ વ્યક્ત કરી દોષિતો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ​દેશવ્યાપી આંદોલન કરવાની ચીમકીઆવેદનપત્ર આપતા આગેવાનોએ જણાવ્યું હતું કે, જો અમારી વાજબી માંગણીઓ જલ્દી સંતોષવામાં નહીં આવે, તો ભારતના તમામ મૂળ નિવાસીઓ ભેગા થઈને મોટું આંદોલન કરશે, દેશભરમાં શાસન અને પ્રશાસન વિરુદ્ધ ઘેરાવો કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:59 pm

તરસાલી NH-48ના સર્વિસ રોડ પર બાઈક સ્લીપ થતાં એકનું મોત:એક ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો, ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં પોલીસ તપાસ શરૂ

વડોદરા શહેર અને જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે શહેરના તરસાલીથી કપુરાઈ તરફ જતા નેશનલ હાઈવે(NH) પર રવિવારે(11 જાન્યુઆરી) સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત સર્વિસ રોડ પર સર્જાયો છે જેમાં અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી. બાઈક પર સવાર બે લોકો આ માર્ગ પર ફંગોળાયા હતાં. જેમાં એકનું ગંભીર ઇજાઓને લઈ ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે કપુરાઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સર્વિસ રોડ પર બાઈક પર નીકળ્યાને અકસ્માતમળતી માહિતી મુજબ, રવિવારે(11 જાન્યુઆરી) મોડી સાંજે તરસાલી નેશનલ હાઇવે 48 પાસે સર્વિસ રોડ પર બે યુવકો પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ નેશનલ હાઇવે પરથી સર્વિસ રોડ પર આવી રહ્યા હતા તે દરમ્યાન બાઈક સ્લીપ થવાથી કે અન્ય કોઈ વાહનની ટક્કરથી બાઈક સ્લીપ થઈ જતા બંને લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં. અકસ્માતને પગલે સર્વિસ રોડ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. આ અકસ્માતમાં ઘનશ્યામનગર મકરપુરામાં રહેતા શ્યામ કુશેશ્વર યાદવ (ઉં.વ. 55)નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત રાજેશભાઈ વખતસિંહ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એકનું મોત, એક ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયોઆ ગમખ્વાર અકસ્માતમાં શ્યામ યાદવનું ગંભીર ઇજાઓને લઈ સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રાજેશ ઠાકોરને તાત્કાલિક 108 મારફતે એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ચાલક નશામાં હતો કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવી સમગ્ર ઘટના અંગેની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:50 pm

વિસાવદરનો ગુજસીટોકનો આરોપી ઝડપાયો.:આઠ મહિનાથી પોલીસને થાપ આપતો ગુજસીટોકનો આરોપી 'પોપટ' પકડાયો: રાજકોટની કોર્ટે વોરંટ જાહેર કર્યા બાદ SOG એ વિસાવદરમાંથી દબોચ્યો.​

સંગઠિત ગુનાખોરી અને આતંકવાદી પ્રવૃત્તિઓને નાથવા માટેના કડક કાયદા 'ગુજસીટોક' (GUJCTOC) હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે જૂનાગઢ પોલીસ એક્શન મોડમાં છે. વિસાવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોકના ગંભીર ગુનામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચને પકડી પાડવામાં જૂનાગઢ એસ.ઓ.જી ને મોટી સફળતા મળી છે. આરોપીના જામીન રદ થતા કોર્ટે તેની સામે વોરંટ ઈસ્યુ કર્યું હતું. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ખાસ સૂચના આપવામાં આવી હતી. આ અભિયાન હેઠળ SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર અને તેમની ટીમ સતત વોચ રાખી રહી હતી. ખાસ કરીને ગંભીર ગુનામાં સંડોવાયેલા શખ્સો પોલીસ પકડથી દૂર ન રહે તે માટે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ​ટેકનિકલ સર્વેલન્સથી મળી સફળતા SOG ના હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, રોહીતભાઇ ધાધલ અને વિશાલભાઇ ઓડેદરાને બાતમી મળી હતી કે વિસાવદરના હનુમાનપરા વિસ્તારમાં રહેતો ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ જાવીદભાઇ બ્લોચ વિસાવદર ખાતે હાજર છે. આ શખ્સ વિરુદ્ધ વિસાવદર પોલીસ મથકે ગુજસીટોક એક્ટની કલમ-3(1)(2), 3(2), 3(4) હેઠળ ગુનો નોંધાયેલો હતો (GCTOC/4/2022). મુખ્ય જિલ્લા ન્યાયાલય રાજકોટ દ્વારા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા અને તેની ધરપકડ માટે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આરોપી ઇમ્તીયાઝ ઉર્ફે પોપટ છેલ્લા આઠ મહિનાથી ધરપકડથી બચવા માટે નાસ્તો ફરતો હતો. જોકે, SOG ની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિસાવદર ખાતેથી તેને હસ્તગત કર્યો હતો. ધરપકડ બાદ આરોપીને આગળની કાર્યવાહી માટે વિસાવદર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.​​આ કામગીરીમાં SOG ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. પરમાર, એ.એસ.આઇ. કરશનભાઇ મોઢા, હેડ કોન્સ્ટેબલ મેણસીભાઇ અખેડ, કોન્સ્ટેબલ રોહીતભાઈ ધાધલ, વિશાલભાઇ ઓડેદરા અને ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ પરબતભાઇ દિવરાણીયા જોડાયેલા હતા.​

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:42 pm

મોદીનો 'હટકે' અંદાજ:બ્લેક ગોગલ્સ, ટ્રેડિશનલ કોટી અને પટોળાના ખેસમાં એન્ટ્રી, અવનવી પતંગોની દોર થામી પતંગબાજોને લગાડ્યું ઘેલું, જૂઓ VIDEO

અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ આજે એક અનોખા સંગમનો સાક્ષી બન્યો છે. આસમાનમાં રંગબેરંગી પતંગોની જમાવટ છે અને જમીન પર ભારતની સંસ્કૃતિનો શણગાર. 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026' માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનું ભવ્ય સ્વાગત કરાયું. આ વખતે લોકોની નજર માત્ર પતંગો પર જ નહીં, પણ PM મોદીના લુક પર અટકી. આંખો પર બ્લેક ગોગલ્સ, ટ્રેડિશનલ કોટી અને ગળામાં ગુજરાતની વિરાસત સમાન 'પટોળા'નો શાહી સ્ટોલ પહેરીને PM મોદીએ એન્ટ્રી લીધી, આ અલગ અંદાજ સૌ કોઈના મનમોહ્યા હતા. ઉત્સવમાં 'સોનામાં સુગંધ ભળે' તેવા દ્રશ્યો ત્યારે જોવા મળ્યા જ્યારે PM મોદીએ પોતે પતંગની દોર હાથમાં લીધી. 'I Love Modi' અને 'India' લખેલી પતંગો સાથે તેમણે પતંગબાજોના મન મોહી લીધા. ખાસ કરીને, જ્યારે તેમણે તિરંગાના રંગની પતંગ ચગાવી અને ઢીલ છોડી. આ પહેલાં બંને નેતાઓએ કાઈટ ફેસ્ટિવલનું એક્ઝિબિશન નિહાળ્યું હતું. આ દરમિયાન PM મોદી અને ફ્રેડરિક મર્ઝ કોઈ સામાન્ય વ્યક્તિની જેમ એક ઓટલા પર બેસીને વાતચીત કરતા નજરે પડ્યા. ઉપરના વીડિયોમાં જુઓ આ હટકે અંદાજ...

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:10 pm

પાવીજેતપુરમાં ખેતરમાંથી બે મહાકાય અજગર મળ્યા:10 અને 6 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યૂ કરી સુરક્ષિત રીતે જંગલમાં છોડાયા

પાવીજેતપુર તાલુકાના ભીંડોલ ગામે એક ખેતરમાંથી બે મહાકાય અજગર મળી આવ્યા હતા. કરસણ ગામના સર્પ નિષ્ણાત મિતેશભાઈ રાઠવાએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે પકડી જંગલમાં મુક્ત કર્યા હતા, જેનાથી ગ્રામજનોએ રાહત અનુભવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ભીંડોલ ગામના કાબલાભાઈ અમરસિંગભાઈ રાઠવાના ખેતરમાં સૂકાઈ ગયેલા વૃક્ષોને જેસીબી મશીન દ્વારા દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બે અલગ-અલગ વૃક્ષોના પોલાણવાળા થડમાંથી અચાનક અજગરો દેખાઈ આવતા કામ કરી રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ અજગરો પૈકી એક આશરે 10 ફૂટ લાંબો અને બીજો 6 ફૂટ લાંબો હોવાનું જણાયું હતું. ઘટનાની જાણ થતાં જ કરસણ ગામના સાપ પકડવાના નિષ્ણાત મિતેશભાઈ દેવેન્દ્રભાઈ રાઠવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. મિતેશભાઈએ ભારે જહેમત બાદ બંને અજગરોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી લીધા હતા અને બાદમાં તેમને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યા હતા. મિતેશભાઈ રાઠવા આ ક્ષેત્રમાં લાંબા સમયથી માનદ સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, માનવ અને વન્યજીવ બંનેના જીવ બચાવવા તે તેમનો મુખ્ય હેતુ છે. તેમણે અત્યાર સુધીમાં ૫૦૦૦થી વધુ સાપ અને અજગરોને પકડીને જંગલમાં છોડી ચૂક્યા છે. તેમની આ નિઃસ્વાર્થ કામગીરીની પંથકમાં ભારે પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:08 pm

ICDS પાલનપુર ઘટક-1 દ્વારા કિશોરીઓ માટે પતંગ ઉત્સવ:પૂર્ણા યોજના, આયર્ન અને સ્વચ્છતા પર માર્ગદર્શન અપાયું

આઇસીડીએસ પાલનપુર ઘટક-1 દ્વારા જામપુર પ્રાથમિક શાળા, પાલનપુર ખાતે કિશોરીઓ માટે પતંગ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓને પૂર્ણા યોજના, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિશે જાગૃત કરવાનો હતો. ઉત્સવ દરમિયાન કિશોરીઓને પૂર્ણા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આયર્નની ગોળીનું મહત્વ, પૂર્ણા શક્તિ પેકેટના ઉપયોગ અને તેના ફાયદાઓ સમજાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, અંગત સ્વચ્છતા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા (મેન્સ્ટ્રુઅલ હાઇજીન) વિષયક જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. કિશોરીઓએ પૂર્ણા યોજના અંતર્ગત પતંગનું સુશોભન કર્યું હતું. તેમની BMI, વજન, ઊંચાઈ અને હિમોગ્લોબિન (HB) સ્તરની પણ તપાસ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ કિશોરીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા. ઉત્તમ હિમોગ્લોબિન સ્તર ધરાવતી અને સુંદર પતંગ સુશોભન કરનાર કિશોરીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીડીપીઓ ડિમ્પલ પંચાલ, આઇસીડીએસના સુપરવાઇઝરઓ, પીએસઇ સ્ટાફ, એફએચડબલ્યુ, આરોગ્ય વિભાગના સુપરવાઇઝર, આઇસીડીએસ સ્ટાફ, આંગણવાડી કાર્યકરઓ તેમજ મોટી સંખ્યામાં કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:04 pm

અંગદાન જાગૃતિ માટે ભરૂચમાં પતંગોત્સવ યોજાયો:સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરાયું

ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સ્કૂલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભરૂચના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અંગદાન કરનાર પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ સેવા કાર્યો કરે છે. જિલ્લામાં અંગદાનની શરૂઆત આ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, જેના થકી અનેક લોકોના જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય થયું છે. અત્યાર સુધીમાં સંસ્થાએ 1225 ચક્ષુદાન, 20 દેહદાન અને 20 જેટલા અંગોના દાન કરાવ્યા છે. ઉપરાંત, 4 બ્રેઈન ડેડ વ્યક્તિઓ દ્વારા 400થી વધુ પરિવારોને સાધન સહાય પણ પૂરી પાડવામાં આવી છે. સંકલ્પ ફાઉન્ડેશન સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી દર વર્ષે પતંગોત્સવનું આયોજન કરે છે. આ પરંપરાના ભાગરૂપે આ વર્ષે પણ શહેરની પ્રાર્થના સ્કૂલ ખાતે પતંગોત્સવ અને દેહદાન-નેત્રદાન કરનારા પરિવારોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શાળાના મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પતંગો પર રક્તદાન, નેત્રદાન અને અંગદાનના સૂત્રો લખીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પ્રાર્થના સ્કૂલના ટ્રસ્ટી ડો. જીગ્નેશ પટેલ અને જયાબેન મોદી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો. આત્મી ડેલીવાલા ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ યોગેશ જોશી,સામાજિક અગ્રણી જીતેન્દ્ર મહેતા, આમોદ દેરાસરના ટ્રસ્ટી પારસ શાહ, વાણી ફાઉન્ડેશનના પ્રમુખ માર્ટિન પટેલ, સામાજિક અગ્રણી પ્રદીપ રાવલ અને પરાગ શેઠ પણ હાજર રહ્યા હતા. સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સંજય તલાટી,પ્રમુખ અશોક જાદવ અને સેક્રેટરી જતીન પ્રજાપતિ સહિતના સભ્યોએ અંગદાન, દેહદાન અને નેત્રદાન કરનારા લોકો તેમજ તેમના પરિવારજનોનું સન્માન કર્યું હતું. સન્માન સમારોહ બાદ બાળકોએ પતંગોત્સવનો આનંદ માણ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 12:03 pm

વલસાડમાં ચાઈનીઝ દોરી વેચાણ રોકવા ગયેલી પોલીસ પર હુમલો:બે મહિલા સહિત પાંચ લોકો સામે ગુનો નોંધાયો

વલસાડ શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના વેચાણ સામે કાર્યવાહી કરવા ગયેલા પોલીસકર્મી પર હુમલો થયો છે. આ ઘટના મોગરાવાડી હનુમાન ફળીયા વિસ્તારમાં તા. 11 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 10:15 વાગ્યે નાગેશ્વર મંદિર શારદાધામ પાસે બની હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં તા. 12મી જાન્યુઆરી, 2026ના રોજ ભારતીય ન્યાય સંહિતા 2023 અને જી.પી. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસના સર્વેલન્સ સ્કોડના હેડ કોસ્ટબલ સહદેવસિંહ પ્રવિણસિંહને બાતમી મળી હતી કે યશ દીપકભાઈ નિકમ ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. તપાસ દરમિયાન યશના એક્ટિવા વાહનમાંથી ચાઈનીઝ દોરીની ફિરકીઓ મળી આવી હતી. પૂછપરછ ચાલી રહી હતી ત્યારે યશ નિકમના માતા-પિતા દીપકભાઈ નિકમ અને ડિમ્પલબેન નિકમ સહિત અન્ય લોકોએ ઉશ્કેરાઈને પોલીસકર્મી સહદેવસિંહ પર લાકડાના ધોકા અને ઢીકા-મુક્કા વડે હુમલો કર્યો હતો. તેમણે ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હુમલામાં સહદેવસિંહને જમણા હાથની આંગળીમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થઈ હતી. તેમનો મોબાઈલ ફોન પણ તોડી નાખવામાં આવતા અંદાજે ૪૦,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું હતું. ઘટનાની જાણ થતાં 112 હેલ્પલાઈનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ મામલે યશ નિકમ, દીપકભાઈ નિકમ, ડિમ્પલબેન નિકમ, સંદીપ અને રીનાબેન સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:59 am

વલસાડ રેલવે સ્ટેશન પાસે 108 એમ્બ્યુલન્સમાં પ્રસુતિ:ટ્રેનમાં જતી મહિલાની સફળ ડિલિવરી, બાળકનો જીવ બચ્યો

વલસાડ રેલવે સ્ટેશન નજીક 108 એમ્બ્યુલન્સમાં એક મહિલાની સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી. નિઝામુદ્દીનથી બોરીવલ્લી જઈ રહેલી 39 વર્ષીય મહિલાને 11 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે 7:15 વાગ્યે પ્રસુતિ પીડા શરૂ થઈ હતી. પરિવારે તાત્કાલિક 108 ટીમની મદદ માંગી હતી. વલસાડ રેલવે સ્ટેશન પર 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. 108ની ટીમે પ્લેટફોર્મ નંબર 2 પર પહોંચી ઝોલી સ્ટ્રેચરની મદદથી સગર્ભા મહિલાને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી. એમ્બ્યુલન્સમાં બેસાડ્યા બાદ મહિલાની પ્રસુતિ પીડા વધુ તીવ્ર બની હતી. આથી, રેલવે ગોદી પાસે રોડની બાજુમાં એમ્બ્યુલન્સ રોકીને તેમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય લેવાયો. અગાઉ તેમને હોસ્પિટલમાંથી નોર્મલ ડિલિવરી શક્ય ન હોવાનું અને ઓપરેશન કરવું પડશે તેવું જણાવાયું હતું. વલસાડ 108ના EMT ચંદ્રાવતી પટેલ અને પાયલોટ બિપિન પટેલે પરિસ્થિતિ સંભાળી. EMTએ તપાસ કરતા જાણ્યું કે બાળકને સ્ટૂલ પાસ થઈ ગયું હતું અને ગળા પર નાળ વીંટળાયેલી હતી. તાત્કાલિક નાળ સરકાવીને બાળકનું માથું બહાર આવતા બાળકનો જીવ બચી ગયો. સફળ નોર્મલ ડિલિવરી બાદ ડોક્ટર કૃષ્ણાના નિર્દેશ મુજબ જરૂરી ઇન્જેક્શન, બોટલો અને ઓક્સિજન આપવામાં આવ્યા. બાળકને બેબી વોર્મ કરીને મધર્સ કેર આપવામાં આવી અને માતાની પ્લેસેન્ટા ડિલિવરી કરાવવામાં આવી. વધુ સારવાર માટે માતા અને બાળકને વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:59 am

જામનગરમાં ફ્લેટમાં તોડફોડ, પ્લોટના દસ્તાવેજ ચોરાયા:રિસામણે બેઠેલી પત્ની, સાળી-સાઢુ સામે ફરિયાદ

જામનગરમાં કાલાવડ નાકા બહાર આવેલા અલમહંમદી એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય યુવાનના બંધ ફ્લેટમાં તોડફોડ અને કિંમતી પ્લોટના દસ્તાવેજોની ચોરી થઈ છે. આ મામલે યુવાને તેની રિસામણે બેઠેલી પત્ની, સાળી અને સાઢુભાઈ સામે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ મુજબ, ફરિયાદીની પત્ની છેલ્લા છ મહિનાથી રિસામણે પોતાના માવતરે રહે છે. જે તેની બહેન અને બનેવી સાથે યુવકના બંધ ફ્લેટમાં પ્રવેશ્યા હતા. આરોપીઓએ ફ્લેટમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, બારીના કાચ અને રસોડાના પ્લેટફોર્મ સહિતની ચીજવસ્તુઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ, પેટી પલંગમાં રાખેલા પડાણા ગામ પાસેના કિંમતી પ્લોટના દસ્તાવેજોની મૂળ અને નકલ બંને ફાઈલોની ચોરી કરી હતી. ફરિયાદી યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાથી ફ્લેટને તાળું મારીને ગયો હતો. એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસતા, પત્ની, સાળી અને સાઢુભાઈ દિવસ દરમિયાન એપાર્ટમેન્ટમાં પ્રવેશતા અને દસ્તાવેજોની ફાઈલ સાથે બહાર નીકળતા સ્પષ્ટ દેખાયા હતા. આ ફરિયાદના આધારે પી.એસ.આઇ. વી.આર. ગામેતી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:58 am

હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિ ઉજવાઈ:ધારાસભ્ય સહિત અગ્રણીઓએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

હિંમતનગરમાં સ્વામી વિવેકાનંદની 163મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. મહેતાપુરા ખાતે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિત સ્થાનિકો અને વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. હિંમતનગરના મહેતાપુરા સ્થિત સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે નગરપાલિકા દ્વારા સ્થાપિત કરવામાં આવેલી સ્વામી વિવેકાનંદની પ્રતિમાને ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફુલહાર પહેરાવી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય, કારોબારી અધ્યક્ષ જીનલ પટેલ અને પૂર્વ પ્રમુખ અનિરુદ્ધભાઈ સોરઠીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉજવણી દરમિયાન સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ વિશેષ રીતે ભાગ લીધો હતો. કેટલાક વિદ્યાર્થીઓએ સ્વામી વિવેકાનંદનો પોશાક ધારણ કરીને હાથમાં ગીતા પકડી હતી, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ સ્વામી વિવેકાનંદની તસવીર સાથે વિસ્તારમાં રેલી સ્વરૂપે ફર્યા હતા.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:54 am

પ્રકૃતિ અને સ્વાસ્થ્યનો સંગમ સાથે ગિરનાર પરિક્રમા સાયકલ યાત્રા:રાજ્યકક્ષાની સાયકલ પરિક્રમામાં ગોહિલવાડના 22 સાયકલિસ્ટોએ જોડાયા

420 સાયકલિસ્ટોએ 73 કિમીની સફર ખેડી ઈતિહાસ રચ્યો ગિરનારની પ્રાકૃતિક સુંદરતા, આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્યના ત્રિવેણી સંગમ સમાન ‘રાજ્યકક્ષાની ગિરનાર પરિક્રમા સાયકલ યાત્રા’ માં આ વર્ષે ગુજરાત સહિત અન્ય રાજ્યોના કુલ 420 સાયકલિસ્ટોએ ઉત્સાહભેર ભાગ લઈને એક નવો ઈતિહાસ રચ્યો છે જેમાં ભાવનગરના 2 મહિલા સહિત 22 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, ​આ સાયકલ યાત્રાનું આયોજન અમદાવાદના ‘ગ્રીન રાઈડર્સ સાયકલિંગ ગ્રુપ’ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ફિટ ઈન્ડિયા ભાવનગર સાયકલ ક્લબ અને રાજ્યના અન્ય 11 સાયકલિંગ ક્લબોએ સહકાર આપ્યો હતો. જેમાં સવારે સરદાર પટેલ દરવાજા જૂનાગઢ થી શરૂ થઈ પૂર્ણ વિવેકાનંદ સ્કૂલ જેનું કુલ 73 કિલોમીટર થાય છે, ​ભાવનગર સાયકલ ક્લબના ઉત્સાહમાં આ વર્ષે મોટો ઉછાળો જોવા મળ્યો છે ગયા વર્ષે માત્ર 9 સભ્યો જોડાયા હતા, જેની સામે આ વર્ષે 22 સાયકલિસ્ટોએ ભાગ લીધો હતો, જેમાં 3 મહિલા સાયકલિસ્ટોનો પણ સમાવેશ થાય છે આ તમામ સભ્યોએ 73 કિમીની કપરી ગણાતી રાઈડ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી, ​ભાવનગર સાયકલ ક્લબના ફાઉન્ડર અને યુનિવર્સિટી કેમ્પસ ઓફિસર કલ્પેશસિંહ ઝાલાએ આ સફળતા બદલ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ યાત્રા માત્ર એક ઈવેન્ટ નથી, પરંતુ સ્વાસ્થ્ય, પર્યાવરણ અને આધ્યાત્મિકતાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે, ​યાત્રા પૂર્ણ કરનાર ભાવનગરના તમામ સાયકલિસ્ટોને ક્લબ દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવશે, યાત્રાના આગલા દિવસે સાયકલિસ્ટોએ જૂનાગઢના ઐતિહાસિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી, આ આયોજન દ્વારા લોકોમાં સ્વસ્થ જીવનશૈલી અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:51 am

કદવાલ પાસે ગેરકાયદે બંદૂક સાથે એક ઝડપાયો:વાહન ચેકિંગમાં બારબોરની બંદૂક અને ગાડી સહિત 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત

છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી એક બારબોરની બંદૂક અને ગાડી મળી કુલ 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત રાત્રે પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે. પરમાર અને તેમની ટીમ કદવાલ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી. વહેલી સવારે આશરે ૧:૩૦ વાગ્યે કદવાલ કસ્બા ફળિયા તરફથી આવી રહેલી લાલ કલરની મહિન્દ્રા કોન્ટો સી-૮ ગાડીને પોલીસે અટકાવી હતી. ગાડીની તપાસ કરતા તેની પાછળની સીટ પરથી એક નાળીવાળી બારબોરની બંદૂક મળી આવી હતી. ગાડી ચલાવી રહેલા ઈસમની પૂછપરછ કરતા તેનું નામ સોહીલ ઉર્ફે બારોટ હબીબભાઈ શેખ (ઉંમર ૨૨, રહે. છોટાઉદેપુર, હાલ રહે. દેવગઢ બારીયા) હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે સોહીલ શેખ પાસેથી બંદૂક રાખવા અંગેના લાયસન્સ કે પાસ-પરવાનાની માંગણી કરતા, તે કોઈ માન્ય દસ્તાવેજ રજૂ કરી શક્યો ન હતો. લાંબી પૂછપરછ બાદ આરોપીએ કબૂલાત કરી હતી કે તેની પાસે આ હથિયાર રાખવાનો કોઈ કાયદેસરનો પરવાનો નથી. કદવાલ પોલીસે આરોપી સોહીલ શેખ વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹૧૦,૦૦૦/- ની એક નાળીવાળી બારબોર બંદૂક અને ₹૧,૫૦,૦૦૦/- ની મહિન્દ્રા કોન્ટો સી ગાડીનો સમાવેશ થાય છે, જેની કુલ કિંમત ₹૧,૬૦,૦૦૦/- છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:26 am

લુટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:સુરેન્દ્રનગરના યુવકને લગ્નની લાલચ આપી 3.75 લાખ પડાવ્ચા, મહિલા સહિત ત્રણ વોન્ટેડ

સુરેન્દ્રનગર જિલ્લાના યુવકને લગ્નની લાલચ આપી રૂ.3.75 લાખની છેતરપિંડી કરનાર લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધારને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. આ અગાઉ આ ટોળકીના બે સભ્યોને ઝડપી લેવામાં આવ્યા હતા. હાલમાં લુટેરી દુલ્હન સહિત ત્રણ આરોપી વોન્ટેડ છે. લુટેરી દુલ્હન ગેંગે 3.75 લાખ પડાવી લીધાવડોદરાના તરસાલી ખાતે રહેતી સોનાલીબેનના સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં આવેલા ગામે રહેતા તારાબેન ભલગામાના દિકરા લાલજી મનસુખભાઇ ભલગામા સાથે લગ્ન કરાવી નોટરાઇઝ સોગંદનામુ તથા લગ્ન સબંધી સમજુતી કરાર કરાવી રાજેશગીરી ગોસ્વામી, હેમંત રાજગીરી ગોસ્વામી, મહેંદ્ર પ્રજાપતિ, નાજીર તથા શરીફાબેન બચુભાઈ મુસ્લીમ તથા તોસીફ બચુભાઈ મુસ્લીમ દ્વારા તેમની પાસેથી રોકડા તથા ઓનલાઇન મળી કુલ રૂપિયા 3.28 લાખ, સોના અને ચાંદીના દાગીના સહિત અન્ય રોકડ રકમ, મોબાઇલ ફોન તમામ મળી રૂપિયા 3.75 લાખ પડાવી લીધા હતાં. સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ.…પરંતુ લગ્ન બાદ આરોપીઓએ સાસરીમાંથી એકવાર પિયરમાં સોનાલીને તેડી લાવ્યા હતા. દુલ્હન પણ સાસરીમાંથી દાગીના સહિતની રોકડ લઇ આવી ગઈ હતી. જેના કારણે દુલ્હન સોનાલીને પરત સાસરીમાં પરત નહી મોકલી યુવક તથા મહિલા સાથે ઠગાઈ આચરવામાં આવી હતી. જેની મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. લુટેરી દુલ્હન ગેંગનો મુખ્ય સુત્રધાર ઝડપાયોમકરપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે તપાસ કરી લગ્નની લાલચ આપી છેતરપીંડી કરનાર લુટેરી દુલ્હન ગેંગના મુખ્ય સુત્રધાર મહેન્દ્ર મોહન ઉર્ફે મોહનલાલ અંબાલાલ પ્રજાપતિ (રહે.ગોરાદ ગામ, પ્રજાપતિવાસ પો.સ્ટ.ગોરાડ તા-જી.મહેસાણા)ને ઝડપી પાડ્યો હતો. મહિલા સહિત ત્રણ વોન્ટેડઆ ઘટનામાં પોલીસે અગાઉ તોસીફભાઈ બચુભાઈ સંધી તથા સરીફાબેન બચુભાઈ સંધી ઝડપાયા હતા. જ્યારે લૂંટેરી દુલ્હન સોનાલીબેન નિલેશ શ્રીવાસ્તવ તથા હેમંતભાઈ ઉર્ફે ભયલુ બારોટ તથા નજીરભાઈ વોન્ટેડ જાહેર કર્યા છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:25 am

પાટણના સિદ્ધિ સરોવરમાં મહિલાનો આત્મહત્યાનો પ્રયાસ:ફાયર ટીમ અને સેવકોએ જીવ બચાવ્યો, મહિલાને સારવરા માટે હોસ્પિટલ ખસેડાઈ

પાટણના ઐતિહાસિક સિદ્ધિ સરોવરમાં રવિવારે રાત્રે એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તળાવના બ્યુટીફિકેશનના મજૂરો, કુબેરેશ્વર મહાદેવના સેવકો અને પાટણ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. રવિવારની રાત્રે સિદ્ધિ સરોવરમાં કામ કરતા મજૂરોને 'બચાવો બચાવો'ના અવાજો સંભળાયા હતા. તેમણે તરત જ કુબેરેશ્વર મહાદેવના સેવક તેજસ બારોટને આ અંગે જાણ કરી હતી. તપાસ કરતા જણાયું કે એક મહિલા સરોવરના પાણીમાં ડૂબી રહી હતી. આ ઘટનાની જાણ ફાયર ઓફિસર સ્નેહલને ટેલિફોન દ્વારા કરાતા, ફાયરની ટીમ બોટ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અંધારા અને કડકડતી ઠંડી વચ્ચે સ્નેહલ, તેમની ટીમ અને તેજસ બારોટે બોટમાં બેસી સરોવરની વચ્ચે પહોંચી મહિલાને પાણીમાંથી બહાર કાઢી હતી. પાણીમાં લાંબા સમય સુધી રહેવાને કારણે મહિલાનું શરીર ઠંડીથી અકડાઈ ગયું હતું. સેવકોએ તેમને બ્લેન્કેટ ઓઢાડી હૂંફ આપી હતી. ત્યારબાદ, 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને કિનારે લાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સ અને પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બચાવાયેલી મહિલા શહેરના હાઉસિંગ વિસ્તારમાં રહે છે. માનસિક અસ્થિરતાના કારણે તેમણે આ આત્યંતિક પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ મહિલાને હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. ફાયર ટીમ અને સ્થાનિક સેવકોની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે મહિલાનો જીવ બચાવી શકાયો છે.

દિવ્ય ભાસ્કર 12 Jan 2026 11:05 am