ગીર-સોમનાથ જિલ્લાના પવિત્ર સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં 77મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કમિશનર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જાણીતા ગાયક પાર્થ ઓઝાએ દેશભક્તિના ગીતો અને લોકસંસ્કૃતિ આધારિત સંગીત રજૂ કર્યું હતું. ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’ અને ‘એ વતન’ જેવા દેશપ્રેમભર્યા ગીતોના સુરોએ ઉપસ્થિત જનસમૂહને મંત્રમુગ્ધ કર્યા હતા. લોકો દેશભક્તિના ભાવમાં ઝૂમતા જોવા મળ્યા હતા. મંદિર પરિસરમાં ધ્વજના રંગો અને દીપશિખાઓની ઝગમગાહટ સાથે આધ્યાત્મિક શાંતિ અને રાષ્ટ્રગૌરવનો માહોલ છવાઈ ગયો હતો. શિવભક્તિની સાથે દેશભક્તિનો સંદેશ આપતો આ કાર્યક્રમ ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, સોમનાથ મંદિર ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિત જિલ્લા વહીવટી અધિકારીઓ, પદાધિકારીઓ, સામાજિક આગેવાનો અને વિશાળ સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પાર્થ ઓઝાના સૂરિલા અવાજે દેશભક્તિના સુર રેલાવી સમગ્ર પરિસરને મંત્રમુગ્ધ કરી દીધું હતું. શિવની ભૂમિ પર દેશપ્રેમની અલખ જગાવતી આ સાંસ્કૃતિક સંધ્યા સોમનાથના ઇતિહાસમાં એક યાદગાર ક્ષણ તરીકે નોંધાઈ હતી. આ સુમેળ પ્રજાસત્તાક પર્વના એકતા, અખંડતા અને રાષ્ટ્રપ્રેમના સંદેશને વધુ મજબૂત બનાવતો જોવા મળ્યો હતો.
ગુજરાતનું પાટનગર ગાંધીનગર તેના રસ્તાઓ માટે જાણીતું છે, પરંતુ આ જ રસ્તાઓ હવે વાહનચાલકો માટે 'ડેથ ટ્રેપ' સાબિત થઈ રહ્યા છે. તંત્ર દ્વારા માર્ગો પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવા છતાં અકસ્માતોનો ગ્રાફ નીચો આવવાનું નામ લેતો નથી. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષોનો ભોગ લઈ રહ્યા છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં 2201 અકસ્માતોની ઘટનામાં કુલ 640 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, 2026ના પ્રારંભિક મહિના જાન્યુઆરીમાં જ અત્યાર સુધીમાં 20 જેટલી માનવ જિંદગીઓ માર્ગો પર હણાઈ ચૂકી છે. પાટનગર માર્ગ અકસ્માતોનું હબ બન્યુંગુજરાતનું પાટનગર અને હરિયાળું શહેર ગણાતું ગાંધીનગર હવે માર્ગ અકસ્માતોનું હબ બની રહ્યું હોય તેમ જણાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં કુલ 640 લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા ગાંધીનગરના માર્ગો રક્તરંજિત થયા છે.જિલ્લા પોલીસ અને ટ્રાફિક વિભાગના ડેટા પર નજર કરીએ તો અકસ્માતોની સંખ્યામાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ જીવલેણ અકસ્માતોનું પ્રમાણ ઘટવાનું નામ નથી લેતું. અકસ્માતમાં 640નાં મોત, સ્થિતિ અત્યંત ચિંતાજનકગાંધીનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો સ્થિતિ અત્યંત ગંભીર છે. જિલ્લામાં અલગ-અલગ સ્થળોએ થયેલા અકસ્માતોમાં કુલ 640 લોકોએ જીવ ગુમાવ્યા છે. વર્ષ 2023માં 788 માર્ગ અકસ્માતો સર્જાય હતા. જેમાં 211 લોકોએ જીવ ગુમાવ્યા હતા. વર્ષ 2024માં 768 માર્ગ અકસ્માતમાં 215 તેમજ વર્ષ 2025માં 645 માર્ગ અકસ્માતની ઘટનામાં 214 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ ત્રણ વર્ષની સરખામણીમાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટ્યું છે. પરંતુ અપમૃત્યુની સંખ્યા હજી ઘટી નથી જે ચિંતાજનક છે. હાઈ-સ્પીડ વાહનો અને 'હિટ એન્ડ રન'ની ઘટનાઓ વધીગાંધીનગર શહેર અને જિલ્લાના મુખ્ય માર્ગોને સુવિધાસભર બનાવવા માટે તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં જીવલેણ માર્ગ અકસ્માતોના બનાવ કાબૂમાં આવતા નથી. ખાસ કરીને હાઈ-સ્પીડ વાહનો અને 'હિટ એન્ડ રન'ની ઘટનાઓએ શહેર અને જિલ્લાને હચમચાવી દીધા છે. અકસ્માતો માટે 70% થી વધુ કિસ્સામાં 'ઓવર સ્પીડિંગ' જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને રાંદેસણ અને સરગાસણ જેવા પોશ વિસ્તારોમાં લક્ઝુરિયસ ગાડીઓના અકસ્માતોએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. બેફામ SUV ચાલકે રાહદારીઓ અને બે ટુ-વ્હીલરને કચડ્યાવર્ષ 2025માં હચમચાવી દેતા માર્ગ અકસ્માતો ઉપર નજર કરીએ તો,ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં એક બેફામ SUV ચાલકે રસ્તા પર જઈ રહેલા રાહદારીઓ અને બે ટુ-વ્હીલર સવારોને કચડી નાખ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે લોકોએ ચાલકને સ્થળ પર જ પકડી લીધો હતો. સીસીટીવી ફૂટેજમાં ગાડી હવામાં ઉછળતી જોવા મળી હતી. BMW કારે એક્ટિવા સવાર 70 વર્ષીય વૃદ્ધને ટક્કર મારીઆ સિવાય ગાંધીનગરના પોશ ગણાતા સરગાસણ વિસ્તારમાં એક લક્ઝુરિયસ BMW કારે એક્ટિવા સવાર 70 વર્ષીય વૃદ્ધને ટક્કર મારી હતી. દાદા પોતાના પૌત્ર-પૌત્રીને સ્કૂલેથી લેવા જઈ રહ્યા હતા ત્યારે બેફામ કારે તેમને 20 ફૂટ દૂર ફંગોળ્યા હતા, જેમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. 46% કેસોમાં ટુ-વ્હીલર સવારોનો ભોગ લેવાયોવહેલી સવારે અથવા મોડી રાત્રે રોડ ખાલી હોવાથી વાહનોની ગતિ બેકાબૂ હોય છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ કેમેરાનું નેટવર્ક ન હોવાથી 'હિટ એન્ડ રન' કરનારા ચાલકો ભાગી છૂટવામાં સફળ રહે છે. ગાંધીનગરના કુલ અકસ્માતોમાં 46% કેસોમાં ટુ-વ્હીલર સવારો ભોગ બન્યા છે. માર્ગ અકસ્માતની સંખ્યા ચિંતા ઉપજાવે તેવી માર્ગો ઉપર વાહનો વધવાની સાથે અકસ્માતની ઘટનાઓ પણ વધી રહી છે ત્યારે ગાંધીનગર જિલ્લાના આંતરિક માર્ગોની સાથે હાઈવે માર્ગો ઉપર પણ અકસ્માતના બનાવો વધી રહયા છે. રાજયમાં માર્ગ અકસ્માતની સંખ્યા ચિંતા ઉપજાવે તેવી છે કેમ કે છેલ્લા ત્રણ વર્ષમાં સમગ્ર રાજયમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યો છે. હાઈવે ઉપર ટ્રાફિકના નિયમોનું પાલન નહીં થવાના કારણે અકસ્માતો વધતાં હોય છે. ગાંધીનગર જિલ્લામાં પણ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન અકસ્માતની ઘટનાઓમાં મૃત્યુઆંક વધ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 2201 માર્ગ અકસ્માતની ઘટનામાં 640 માનવ જિંદગી હણાઈ ગઈ છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ડ્રાઈવ, પણ પરિણામ શું?આ અકસ્માતના બનાવોમાં હવે હીટ એન્ડ રનની વધતી ઘટનાઓમાં ચિંતાનો વિષય બની ગઈ છે ત્યારે અકસ્માતો ઘટાડવા માટે અવારનવાર ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા ડ્રાઈવ ચલાવવામાં આવતી હોય છે. હાઈવે માર્ગો ઉપર દબાણો દુર કરવાની સાથે અકસ્માતોની સંખ્યાને ધ્યાને રાખી સ્પીડ લીમીટ પણ નક્કી કરવામાં આવતી હોય છે. જોકે સીસીટીવી કેમેરાના નેટવર્કની મર્યાદા અને અંધારાના લાભ લઈને 'હિટ એન્ડ રન'ની ઘટનાઓ વધી રહી છે. જાન્યુઆરીમાં જ 20 લોકોના અકસ્માતથી જીવ ગયાચોંકાવનારી બાબત એ છે કે, 2026ના પ્રારંભિક મહિના જાન્યુઆરીમાં જ અત્યાર સુધીમાં 20 જેટલી માનવ જિંદગીઓ માર્ગો પર હણાઈ ચૂકી છે. જેમાં તાજેતરમાં જ ભાજપના પૂર્વ સંગઠન મહામંત્રીનો જુવાનજોધ પુત્રનું લકઝરી કાર અને બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોતને ભેટ્યો છે. કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ પર હિટ એન્ડ રનની ઘટનાઓ બેકાબૂઆમ માર્ગ અકસ્માતોમાં અપમૃત્યુની ઘટનાઓ ઉપર અંકુશ મેળવવા માટે હાઈવે પર સ્પીડ લિમિટ નક્કી કરવી, સીસીટીવી કેમેરા વધારવા, રોડની આસપાસ આડેધડ પાર્કિંગ દબાણો દૂર કરવા અને સવાર સાંજ પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવવું હવે અનિવાર્ય બન્યું છે. પાટનગરમાં કરોડોના ખર્ચે બનેલા રસ્તાઓ જો માનવ જિંદગીઓ હોમવા માટે જ વપરાતા હોય તો તે વિકાસનો કોઈ અર્થ રહેતો નથી.
1લી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કેન્દ્રીય બજેટ રજૂ કરશે ત્યારે દેશવાસીઓ સાથે સુરતના હીરા ઉદ્યોગપતિઓ પણ આ વર્ષે બજેટથી વિશેષ અપેક્ષાઓ રાખી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના કારણે હીરા બજાર વૈશ્વિક મંદીના ઓથાર હેઠળ દબાયેલું છે, જેને ફરી પાછુ ઊભુ કરવા અને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવા માટે સુરતી ઉદ્યોગપતિઓએ સરકારને અમુક નીતિગત ફેરફારો સૂચવ્યા છે. જો આ ફેરફાર અમલમાં લાવવામાં આવે તો સુરતનું ડાયમંડ માર્કેટ પણ બેલ્જિયમની માફક હીરાનું વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બની શકે છે. સરકાર આ બજેટમાં થોડી રાહત આપે તો ઉદ્યોગને નવું જીવન મળી શકે નેચરલ ડાયમંડ એસોસિએશનના સભ્ય રાજુ ડાયાણીએ જણાવ્યું હતું કે, અમારો હીરા ઉદ્યોગ અત્યારે અત્યંત સખત મંદીનો સામનો કરી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં અમારી મુખ્ય અપેક્ષા છે કે, સરકાર તરફથી થોડી રાહત અને મદદ મળે, જેથી ઉદ્યોગને થોડી શ્વાસ લેવાની તક મળે. આગામી 2026ના કેન્દ્રીય બજેટમાં અમને આશા છે કે નેચરલ ડાયમંડ સેક્ટર માટે કેટલીક રાહતો જાહેર કરવામાં આવે, જેથી રોજગારી અને ધંધો થોડો-થોડો આગળ વધી શકે. અત્યારે નેચરલ ડાયમંડમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને ઉદ્યોગ ખરેખર મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જો સરકાર આ બજેટમાં થોડી રાહત આપે તો ઉદ્યોગને નવું જીવન મળી શકે અને તેનો વિકાસ ફરી શરૂ થઈ શકે. ટ્રેડિંગ હબ બનવા માટે ટેક્સ પ્રણાલીમાં સરળીકરણની માંગસુરતના હીરા ઉદ્યોગના એક્સપર્ટ્સનું એવું માનવું છે કે, ભારત હીરાના કટિંગ એન્ડ પોલિશિંગમાં વિશ્વમાં અગ્રેસર છે પરંતુ, ટ્રેડિંગમાં હજુ પાછળ છે. હાલમાં ભારતમાં 4 ટકા'સેફ હાર્બર ટેક્સ' હોવાને કારણે વિદેશી ખોદકામ કંપનીઓ સીધા ભારતમાં રફ હીરા વેચવા આવતી નથી. ઉદ્યોગપતિઓની માંગ છે કે, જો બેલ્જિયમ જેવી સરળ ટેક્સ સિસ્ટમ અપનાવવામાં આવે અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)માં રફ હીરાના વેચાણ માટે સરળીકરણ કરવામાં આવે તો ભારત વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ બની શકે છે. આ પગલાથી મધ્યસ્થીઓ દૂર થશે અને સીધો ફાયદો સ્થાનિક ઉદ્યોગને મળશે. બેલ્જિયમ જેવી ટેક્સ સિસ્ટમ અપનાવે તો વિશ્વનું સૌથી મોટુ ટ્રેડિંગ હબ બની શકીએઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ આ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, 2026ના કેન્દ્રીય બજેટમાં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરને ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જેમ્સ એન્ડ જ્વેલરી પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફને કારણે ઉદ્યોગમાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ છે. તેમણે ઉમેર્યું કે, વિદેશી ખાણકામ કંપનીઓને ભારતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સરળતાથી રફ હીરા વેચવાની સુવિધા મળે તે માટે પ્રક્રિયાનું સરળીકરણ જરૂરી છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, હાલમાં ભારતમાં 4 ટકા સેફ હાર્બર ટેક્સને કારણે વિદેશી ખાણિયાઓ અહીં રફ વેચવા માટે આવતા નથી અને ઉદ્યોગને તેનો લાભ મળતો નથી. જો આ ટેક્સ હટાવીને બેલ્જિયમ જેવી સિસ્ટમ અપનાવવામાં આવે – જ્યાં રફ હીરાનું વિશ્વનું સૌથી મોટું ટ્રેડિંગ હબ છે – તો ભારત માત્ર કટ એન્ડ પોલિશિંગનું જ નહીં, પરંતુ રફ હીરાના ટ્રેડિંગનું પણ વિશ્વનું સૌથી મોટું કેન્દ્ર બની શકે છે. ઉદ્યોગના લોકોની મુખ્ય અપેક્ષા છે કે સરકાર આ દિશામાં ઝડપી સહયોગ આપે, જેથી વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિમાં થોડી રાહત મળી શકે અને નિકાસ વધારી શકાય. SEZ એકમોને ડોમેસ્ટિક માર્કેટમાં પ્રવેશની છૂટ અને ડ્યુટી ડ્રોબેકની આશાવૈશ્વિક બજારમાં ખાસ કરીને અમેરિકામાં વધતા ટેરિફ અને વેપાર અવરોધોને કારણે SEZમાં કાર્યરત અનેક એકમો મુશ્કેલીમાં મુકાયા છે. જે એકમો અત્યાર સુધી 100% એક્સપોર્ટ પર આધારિત હતા, તેઓ હવે ડોમેસ્ટિક માર્કેટમાં પોતાનો માલ વેચવાની છૂટ મેળવવા સરકાર સમક્ષ માંગણી કરી રહ્યા છે. આ સાથે ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરી ઉદ્યોગને ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપવાની માંગ પણ તેજ થઈ છે. સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારાને કારણે ઘણા એક્સપોર્ટ ઓર્ડર્સ રદ થઈ રહ્યા છે અને સ્પર્ધાત્મક ભાવે વેચાણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. ઉદ્યોગપતિઓનું કહેવું છે કે, જો સરકાર ડોમેસ્ટિક ટેરિફરી વેચાણની મંજૂરી અને જ્વેલરી સેક્ટરને ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપે તો રદ થતા ઓર્ડર્સને બચાવી શકાય અને નવા બજારો (જેમ કે મધ્ય પૂર્વ, યુરોપ અને આફ્રિકા)માં એક્સપોર્ટ વધારી શકાય. SEZ એકમોના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકારને આ બંને મુદ્દાઓ પર ઝડપી નિર્ણય લેવાની અપીલ કરી છે. આ સુવિધા મળે તો નવા બજારોમાં પ્રવેશ મેળવી શકાયGJEPC ગુજરાત રીજનલના ચેરમેન જયંતી સાવલિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની અપેક્ષાઓમાં સૌથી મોટી માંગ ગોલ્ડ અને પ્લેટિનમ જ્વેલરી પર ડ્યુટી ડ્રોબેકની સુવિધા આપવાની છે, જે હાલમાં ઉપલબ્ધ નથી. તેમણે કહ્યું કે, આ સુવિધા મળે તો સોનાના આંતરરાષ્ટ્રીય ભાવમાં થયેલા વધારાને કારણે કેન્સલ થતા એક્સપોર્ટ ઓર્ડર્સને બચાવી શકાય અને નવા બજારોમાં પ્રવેશ મેળવી શકાય. આ ઉપરાંત, SEZમાં કાર્યરત એકમો – જે અત્યાર સુધી 100% એક્સપોર્ટ પર આધારિત છે, તેમને ડોમેસ્ટિક માર્કેટમાં માલ વેચવાની પરવાનગી મળવી જોઈએ. ખાસ કરીને અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ઉચ્ચ ટેરિફને કારણે અમેરિકા પર નિર્ભર કંપનીઓને ભારે તકલીફ પડી છે. તેમના સ્ટોકને બીજા દેશોમાં વેચવું સરળ નથી, જેથી ડોમેસ્ટિક માર્કેટમાં વેચાણની મંજૂરી મળે તો આ એકમોને મોટી રાહત મળી શકે છે. તેમણે સરકારને અપીલ કરી કે આ બંને મુદ્દાઓ પર ઝડપી અને હકારાત્મક નિર્ણય લેવામાં આવે, જેથી ઉદ્યોગની વર્તમાન મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય અને નિકાસ વધારી શકાય. રફ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદનના કારણે વિદેશી હૂંડિયામણમાં બચત સુરતમાં ઝડપથી ઉભરી રહેલા લેબગ્રોન ડાયમંડ (LGD) સેક્ટરે હવે કેન્દ્ર સરકાર પાસેથી વિશેષ પ્રોત્સાહનની માંગ મજબૂત કરી છે. જે રીતે ટેક્સટાઇલ સેક્ટરને વિવિધ પેકેજ અને રાહતો આપવામાં આવે છે, એવી જ રાહત અને પ્રોત્સાહન LGD ઉદ્યોગને પણ મળવી જોઈએ. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડના સીડ્સ પર મળતી કસ્ટમ ડ્યુટી રાહતની મુદત 31 માર્ચે પૂર્ણ થઈ રહી છે, જેને લંબાવવાની માંગ ઉદ્યોગ દ્વારા ભારપૂર્વક કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ભારત હવે પોતે રફ લેબગ્રોન ડાયમંડ ઉત્પાદન કરી રહ્યું છે, જેનાથી વિદેશી હૂંડિયામણમાં બચત થઈ રહી છે. આ બચતના બદલામાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડના નિકાસ પર વિશેષ એક્સપોર્ટ બેનિફિટ્સ તથા અન્ય પ્રોત્સાહનો આપવાની અપેક્ષા ઉદ્યોગ રાખી રહ્યો છે. આ મુદ્દાઓ પર ઝડપી નિર્ણય લેવાથી સુરતના LGD સેક્ટરને વધુ મજબૂતી મળી શકે છે અને નિકાસ વધારવામાં મદદ મળી શકે છે. લેબગ્રોન ડાયમંડે ઉદ્યોગને નવું જીવન આપ્યું છેલેબગ્રોન ડાયમંડ એસોસિએશનના સભ્ય અજય ડોબરિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, આજે લેબગ્રોન ડાયમંડ સુરતના હીરા ઉદ્યોગમાં એક નવો ઉભરતો અને મહત્વનો સેક્ટર બની ગયો છે. લેબગ્રોન ડાયમંડે ઉદ્યોગને નવું જીવન આપ્યું છે. ખાસ કરીને રફ (રો મટિરિયલ)નું ઉત્પાદન હવે મોટા ભાગે સુરતમાં જ થઈ રહ્યું છે, જે અગાઉ નેચરલ ડાયમંડના કિસ્સામાં વિદેશથી ઇમ્પોર્ટ કરવું પડતું હતું અને તે માટે વિદેશી હૂંડિયામણ બહાર મોકલવી પડતી હતી. હવે આપણે પોતે રફ ગ્રો કરીએ છીએ, જેનાથી વિદેશી ચલણની બચત થાય છે. આ સામે જ્યારે આપણે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડનું એક્સપોર્ટ કરીએ છીએ ત્યારે તેની સામે વિશેષ એક્સપોર્ટ બેનિફિટ્સ મળવા જોઈએ. ઉદ્યોગની આ મુખ્ય અપેક્ષા છે કે, સરકાર આ દિશામાં યોગ્ય પગલાં લેશે. 5-6 વર્ષથી લેબગ્રોન ડાયમંડના આધારે જ તેનો વિકાસ થઈ રહ્યો છેલેબગ્રોન ડાયમંડ વેપારી દિલીશ પીકડિયાએ 2026ના કેન્દ્રીય બજેટ અંગે સૂચન આપતા જણાવ્યું હતું કે, મારી મુખ્ય આશા છે કે લેબગ્રોન ડાયમંડના સીડ્સ (રફ) પર મળતી કસ્ટમ ડ્યુટી રાહતની મુદત 31 માર્ચે પૂરી થઈ રહી છે, તેને રિન્યુ કરવામાં આવે. આ રાહત ચાલુ રહે તો ઉદ્યોગને મોટી રાહત મળશે. બીજું, જે રીતે કાપડ અને ટેક્સટાઇલ ઉદ્યોગને સરકાર તરફથી વિવિધ પેકેજ અને રાહતો આપવામાં આવે છે, એ જ પ્રકારના પ્રોત્સાહન અને પેકેજ ડાયમંડ ઉદ્યોગને પણ આપવામાં આવે. છેલ્લા 5-6 વર્ષથી લેબગ્રોન ડાયમંડના આધારે જ આ ઉદ્યોગ ટકી રહ્યો છે અને તેનો વિકાસ થઈ રહ્યો છે. જો સરકાર આવા પગલાં લેશે તો ઉદ્યોગનો વિકાસ વધુ ઝડપથી થઈ શકશે અને સ્પર્ધાત્મકતા પણ વધશે. બજેટમાં ટેકો મળશે તો લાખો લોકોની રોજગારી સુરક્ષિત રહેશેનેચરલ ડાયમંડ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. વૈશ્વિક માંગમાં ઘટાડો અને વધતા ખર્ચને કારણે રત્નકલાકારો અને નાના ઉદ્યોગ સાહસિકોની રોજગારી પર જોખમ ઉભું થયું છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ સરકાર પાસે આર્થિક મદદ અને રાહત પેકેજની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી હીરા બજારની ગાડી ફરી પાટા પર ચડી શકે. જો બજેટમાં યોગ્ય ટેકો મળશે, તો જ લાખો લોકોની રોજગારી સુરક્ષિત રહી શકશે અને બજારમાં ફરી રોનક આવશે.
ભાવનગર અને પ્રજાસત્તાક પર્વ:સમર્પણ, સંસ્કાર અને લોકશાહીની જનની એટલે ભાવનગર
ભારતના ઈતિહાસમાં ૨૬ જાન્યુઆરીનો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે ભારત એક ગણતંત્ર તરીકે સ્થાપિત થયું. પરંતુ, ભારતને એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવવાની જે પ્રક્રિયા હતી, તેનું સૌથી પહેલું અને પવિત્ર બીજ ગુજરાતના ભાવનગરની ધરતી પર રોપાયું હતું. ભાવનગર માત્ર એક શહેર નથી, પણ લોકશાહીના ઇતિહાસનું એક જીવંત પ્રતીક છે. • ત્યાગની પરાકાષ્ઠા:મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું પ્રદાનભારતના પ્રજાસત્તાક માળખાના પાયામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ આદરપૂર્વક લેવામાં આવે છે. 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું, પરંતુ અખંડ ભારતનું સ્વપ્ન હજુ અધૂરું હતું. • પ્રથમ આહુતિ:મહારાજાએ ભાવનગરનું રાજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના ચરણોમાં ધરી દીધું. તેઓ ભારતભરના ૫૬૨ રજવાડાઓમાંથી પ્રથમ એવા રાજા હતા જેમણે લોકશાહીના માનમાં પોતાનું સિંહાસન છોડ્યું હતું. •નિઃસ્વાર્થ નિર્ણય:જ્યારે સરદાર પટેલે તેમને પૂછ્યું કે તમે શું શરતો રાખશો? ત્યારે મહારાજાએ નમ્રતાથી કહ્યું હતું કે, પ્રજાનું હિત એ જ મારો સંકલ્પ છે. આ ઘટનાએ આખા દેશના રજવાડાઓ માટે એક ઉદાહરણ પૂરું પાડ્યું, જેના વગર ભારતના બંધારણનો અમલ અને અમલીકરણ અશક્ય હતું. • ભાવનગરનું બંધારણીય કનેક્શન:પ્રજાસત્તાક દિવસે આપણે જે બંધારણને માન આપીએ છીએ, તે બંધારણના નિર્માણમાં પણ ભાવનગરનો ફાળો છે. શામળદાસ કોલેજ: મહાત્મા ગાંધીએ ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. અહીંથી મળેલી લોકશાહી અને ન્યાયની પ્રેરણાએ ભારતના આઝાદીના આંદોલનને દિશા આપી. શહેરના વિચારો હંમેશા પ્રગતિશીલ અને રાષ્ટ્રવાદી રહ્યા છે. • મોતીબાગ અને નિલમબાગ:ભાવનગરના ઐતિહાસિક મહેલો અને બગીચાઓમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. લોકો ગર્વથી 'મહારાજા કૃષ્ણકુમારસિંહજી અમર રહો' અને ભારત માતા કી જય' ના નારા લગાવે છે. • ગંગાજળિયા તળાવ અને આધુનિક ભાવનગર:પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આખું શહેર રોશનીથી ઝગમગી ઉઠે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે જે ભાવનગરની કલા અને દેશભક્તિનું સંગમ દર્શાવે છે. • વીર શહીદોને અંજલિ:ભાવનગરના અનેક યુવાનો આજે પણ ભારતીય સેનામાં સેવા આપી રહ્યા છે. પ્રજાસત્તાક દિવસે આ શહીદોના પરિવારોનું સન્માન કરી શહેર પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. • ભાવનગરની લોકશાહી પરંપરા:ભાવનગર હંમેશા 'સંસ્કાર નગરી' તરીકે ઓળખાય છે. પ્રજાસત્તાક દિવસ અહીં માત્ર સરકારી રજા નથી, પણ એક ઉત્સવ છે. શાળાઓમાં થતા પ્રભાતફેરીના કાર્યક્રમો, દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાવનગરની 'ગોહિલવાડ' સંસ્કૃતિની ઝલક જોવા મળે છે. જો ભાવનગરના મહારાજાએ પાયાનો પથ્થર બનીને પોતાનું રાજ્ય સમર્પિત ન કર્યું હોત, તો કદાચ ભારતના પ્રજાસત્તાક બનવાની પ્રક્રિયા વધુ જટિલ હોત. તેથી જ, દરેક 26 જાન્યુઆરીએ જ્યારે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાય છે, ત્યારે તેની એક લહેરખી ભાવનગરના એ મહાન રાજા અને અહીંની રાષ્ટ્રપ્રેમી જનતાના સન્માનમાં પણ લહેરાતી હોય છે.
રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું:સંશોધન પદ્ધતિ એ ભારતીય પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાનો ભાગ : કુલપતિ
નંદકુંવરબા મહિલા કોલેજ, દેવરાજ નગર અને જે.કે. સરવૈયા કોલેજના સંયુક્ત ઉપક્રમે રિસર્ચ, ઇનોવેશન એન્ડ આંતરપ્રાન્યોરશિપ ફોર નેશનલ ડેવલોપમેન્ટ વિષય ઉપર રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ ગઇ જેમાં એમ.કે.બી. યુનિ.ના કુલપતિ પ્રો.ડો.ભરતભાઇ રામાનુજે જણાવ્યું હતુ કે પ્રાચીન ભારતથી શિક્ષણ વ્યવસ્થામાં સંશોધનને મહત્વ આપવામાં આવતું હતું. આથી સંશોધન પદ્ધતિ એ મૂળભૂત આપણી શિક્ષણ વ્યવસ્થાનો ભાગ છે.નવી શિક્ષણ નીતિમાં પુન: આ સંશોધન પદ્ધતિ ઉપર ભાર મુકવામાં આવ્યો છે. આથી ભારતનું યુવાધન એ સમગ્ર વિશ્વ નું નેતૃત્વ કરશે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ ઉચ્ચ શિક્ષણમાં સંશોધન,નવીનતા અને ઉદ્યોગ સાહસિકતાની સંભાવનાઓને ઉજાગર કરવાનો તેમજ વિદ્યાર્થીઓ, સંશોધકો અને શિક્ષકોને નવી દિશા પ્રદાન કરવાનો હતો. એમ.કે.બી. યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ તેમજ વેસ્ટર્ન રિજીયોનલ કમિટિ એન.સી.ટી.ઈ.ના ચેરમેન પ્રો. (ડૉ.) શૈલેશભાઈ ઝાલાએ જણાવ્યું હતું કે રિસર્ચ પદ્ધતિ એ વિકસિત ભારતને નવી દિશા આપશે અને યુવાનો બૌદ્ધિક રીતે સક્ષમ બનાવશે. આજના યુગમાં સંશોધન માત્ર શૈક્ષણિક પુરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ તે સમાજ અને ઉદ્યોગ સાથે જોડાય તે ખુબ જ આવશ્યક છે.આ કોન્ફરન્સ દ્વારા વિદ્યાર્થીઓમાં નવીન વિચારધારા અને આત્મનિર્ભરતા વિકસે તે હેતુ રાખવામાં આવ્યો છે. આ કોન્ફરન્સના સમાપન સત્ર દરમિયાન શ્રેષ્ઠ સંશોધન પેપર રજૂ કરનાર સંશોધકોને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉપરાંત આ કોન્ફરન્સમાં ભાગ લેનાર તમામ પ્રતિભાગીઓને ઈ-સર્ટીફીકેટ પણ આપવામાં આવ્યા હતા. આ કોન્ફરન્સમાં યુવા ઉદ્યોગ અને સાહસિકતા, સ્ટ્રેટેજીક મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ ઇન સ્ટાર્ટઅપ, વોકેશનલ એજ્યુકેશન, સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ ઇન ઇન્ડિયા, ઈમ્પેક્ટ ઓફ ફાઈનાન્સિયલ ઇન્કલુઝન ઓન ઇકોનોમિક ડેવલોપમેન્ટ ઇન ઇન્ડિયા, બ્લોકચેઇન ટેકનોલોજી ફોર ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સ એન્ડ આંત્રપ્રિન્યોરશીપ જેવા વિવિધ વિષયના રિસર્ચ પેપર રજુ કરવામાં આવ્યા હતા. સંશોધનથી લઇ સ્ટાર્ટ અપની ચર્ચા કરાઇઆ કોન્ફરન્સ દરમિયાન વિવિધ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સંશોધન પદ્ધતિઓ, નવીન વિચારોના અમલીકરણ, સ્ટાર્ટ-અપ સંસ્કૃતિ, અને આત્મનિર્ભરતાના પડકારો અને તકો જેવા વિષયો પર ચર્ચા થઇ. દેશભરના વિવિધ યુનિવર્સિટી અને સંસ્થાઓમાંથી આવેલા વિદ્વાનો, સંશોધકો અને નિષ્ણાતો પોતાના સંશોધન પેપરો રજૂ કર્યા હતા.
વિસરાતી જતી ગ્રામ્ય સંસ્કૃતિને જીવંત કરાઈ:રંડોળા ગામે જાડેરી જાન, ગ્રામ્ય સંસ્કૃતિને પુનઃજીવિત કરાઈ
પાલિતાણા તાલુકાના રંડોળા ગામના પાદરે ભારતીય સંસ્કૃતિ અને લોક-પરંપરાનો એક એવો ત્રિવેણી સંગમ રચાયો જેની સાક્ષી બનવા માટે દેશના મહારથીઓ ઉતરી આવ્યા હતા. ગણધોળ ગામના ગૌરવ અને પાલિતાણા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન ગોપાલભાઈ નાથાભાઈ વાઘેલાના પુત્ર આશિષના લગ્ન પ્રસંગે આધુનિકતાને બાજુ પર મૂકી, વિસરાતી જતી ગ્રામ્ય સંસ્કૃતિને પુનઃજીવિત કરવામાં આવી હતી. આ ઐતિહાસિક લગ્ન પ્રસંગમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા, મહેન્દ્રસિંહ સરવૈયા તથા ધારાસભ્યો અનેક મહાનુભાવોએ સહપરિવાર આ ગ્રામ્ય સંસ્કૃતિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ગૌમાતાના દૂધે ઉછરેલા આશિષે પોતાની જાનમાં ભારતીય સંસ્કૃતિ અને ગ્રામ્ય વારસાને પ્રાધાન્ય આપીને એક નવો રાહ ચીંધ્યો છે. આ પ્રસંગે ઉપસ્થિત નેતાગણે પણ આ પ્રેરણાદાયી પહેલના મુક્તકંઠે વખાણ કર્યા હતા. આમ ડીજેના ઘોંઘાટ વગર, લોકગીતો અને પરંપરાગત વાજિંત્રો સાથે નીકળેલી આ જાન આપણી આવનારી પેઢી માટે જીવંત પાઠશાળા સાબિત થઈ છે. આમ રંડોળાના આંગણે માત્ર લગ્ન નહીં, પણ ભારતીય સંસ્કૃતિનો મહોત્સવ ઉજવાયો હતો. ગ્રામ્ય સંસ્કૃતિને તાજી થયેલી. 30 શણગારેલા ગાડા અને અશ્વોનો દબદબોલક્ઝરી ગાડીઓના યુગમાં 30 જેટલા શણગારેલા ગાડાઓ અને હણહણતા ઘોડેસવારોની ફોજ જ્યારે રંડોળાની ધરા પર ઉતરી ત્યારે વાતાવરણમાં એક અનોખું ખમીર જોવા મળ્યું હતું. બળદોના ગળાના ઘૂઘરાનો રણકાર અને શરણાઈના સૂર વચ્ચે નીકળેલી આ જાન જોઈને ઉપસ્થિત મહાનુભાવો પણ મંત્રમુગ્ધ થઈ ગયા હતા
ઠગાઇ:ભાવનગરના શિપ બ્રેકર સાથે મેનેજર સહિત 4 શખ્સોની 25 લાખની ઠગાઇ
ભાવનગર શહેરના શિપ બ્રેકર સાથે તેની જ કંપનીના મેનેજર સહિત ચાર શખ્સોએ કોપરનો તોડ ઓછો બતાવી ઊંચી કિંમતે વેચાણ કરી, શિપ બ્રેકર સાથે અંદાજે પચ્ચીસ લાખ રૂપિયાની ઠગાઇ આચરવાના મામલે મેનેજર સહિત ચાર શખ્સો વિરૂદ્ધ અલંગ મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાતા ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. શહેરના રૂપાણી સર્કલ, સરદારનગર રોડ ઉપર આવેલ આશિર્વાદ બંગ્લોમાં રહેતા અને અલંગ ખાતે પ્લોટ નં. 1 અને 2માં પ્રિયા બ્લુ શિપ બ્રેકીંગ કંપની ધરાવતા સંજયભાઇ પ્રતાપરાય મેહતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેની કંપનીમાં મેનેજર તરીકે કામ કરતા હકાભાઇ બચુભાઇ વાજા કોપરનો તોડ ઓછો બતાવી વેચાણ કરતા હોવાનું જણાઇ આવતા શિપ બ્રેકર દ્વારા રેકર્ડની ખાતરી કરવામાં આવી હતી. જે દરમિયાન તેમને મેનેજર હકા વાજા અને રૂવાબઅલી સુવાલે શેખ દ્વારા તેમની કંપનીમાં ક્રેઇન વજન 12.756 અને 9.56 ટન જે એક કિલોની કિ.રૂા. 52.5ના ભાવથી રૂા. 11,71,296માં મુન્નાભાઇ ભગવાનભાઇ દિહોરા ભાવનગર ગુજરાત આયર્ન એન્ડ સ્ટીલવાળા પાસે ખરીદ કરાવી, મુન્ના દિહોરાએ તેની અલંગ આર્યન એન્ડ સ્ટીલ નામની કંપનીમાં આ માલ રૂા. 105 ખરીદી રાકેશ રંજન વાળા હસ્તક રૂા. 165ના ભાવથી મુંબઇ ખાતેની કંપનીને વેચાણ કરી, શિપ બ્રેકર સંજય મેહતા સાથે અંદાજે 25 લાખ રૂપિયાની ઠગાઇ આચરી હતી. જે એકાદ માસમાં ચારેય શખ્સોએ કેબલમાં ખરેખર વજન પાંચ કિલોએ એક કિલો કોપર નિકળે તેના બદલે આઠ કિલો કેબલમાં એક કિલો કોપર દર્શાવી ઠગાઇ આચરતા મેનેજર હકા બચુભાઇ વાજા, રૂવાબઅલી સુવાલે શેખ, મુન્ના ભગવાનભાઇ દિહોરા, મુંબઇના રાકેશ રંજન વિરૂદ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. જે મામલે PSI પી. ડી. ઝાલાએ હકા વાજા, રૂવાબઅલી શેખ અને મુન્ના દિહોરાની ધરપકડ કરી છે.
ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સાક્ષાત જગદંબાનું સ્વરૂપ ગણાતા માતા ખોડિયારનું વિશ્વવિખ્યાત મંદિર આવેલુ છે. એવું કહેવાય છે કે માતાજીની પાસે પાણીનો ધરો આવેલો છે. તેને તાતણીયા ધરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ ખોડિયાર માતાને રાજપરાવાળી અથવા તો તાતણિયા ધરાવાળા ખોડિયાર માતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ખોડિયાર માતાનો જન્મ મૂળ રોહીશાળામાં થયો હતો. એવું કહેવાય છે કે રાજપરામાં ખોડીયાર મંદિરમાં માતાજી હાજરાહજૂર બિરાજમાન છે. મહા સુદ આઠમના રોજ ખોડિયાર માતાનો પ્રાગટય દિવસ ઉજવાશે આ પ્રસંગે એક લાખ ભાવિકો ભાવીકો ઉમટી પડશે. તા.26 જાન્યુઆરીને સોમવારે મહા સુદ આઠમના દિવસે માતાજીનો પ્રાગટ્યોત્સવ હોય માતાજીના મંદિરે જન્મ જયંતિની ઉજવણી કરાશે. બપોરે 12 કલાકે ખોડિયાર રાજપરા માતાજીના મંદિરે વર્ષમાં એક જ વખત બપોર 12 કલાકે થતી વિશેષ આરતી કરવામાં આવશે. આ ઉપરાંત સવારે 5 કલાકે અને સાંજે 6.45 કલાકે માતાજીના મંદિરમાં પરંપરાગત રીતે આરતી કરવામાં આવશે. માતાજીના મંદીરના શિખરે બાવનગજની ધજા ચડાવાશે. મહાપ્રસાદ સવારના મંગળા આરતી બાદ સાંજની સંધ્યા આરતી સુધી કરવામાં આવશે. માતાજીના સેવકો, યાત્રાળુઓ કેક લાવી માતાજીનો જન્મોત્સવ ઉજવશે. ભકતોને કેકનુ વિતરણ કરાશે. માતા ખોડિયારના પ્રાગટય અંગે અનેકવિધ લોકગાથાઓ પ્રચલિત છે તે પૈકીની એક રોચક ગાથા મુજબ હવે નવા થયેલા બોટાદ જિલ્લાના પાળિયાદ નજીકના રોહિશાળા ગામમાં મામડીયા નામનો એક ચારણ રહેતો હતો. તેમના ઘરે ભગવાન ભોળાનાથના વરદાન બાદ મહા સુદ-આઠમના દિવસે સાત પુત્રી અને એક પુત્રનો જન્મ થયો. કન્યાના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઇ, હોલબાઇ, સાંસાઇ, જાનબાઇ (ખોડિયાર) અને ભાઇનું નામ મેરખિયો રાખવામાં આવ્યુ હતુ.
પ્રગતિશીલ ખેડૂત:અલ્ટ્રા હાઈડેન્સિટી પધ્ધતિથી બે હજાર આંબા કલમ વાવી, માત્ર 3 વર્ષમાં ઉતારો શરુ
વલસાડ જિલ્લાના ભીલાડ નજીક આવેલા બોરલાઇ ગામના ગામના યુવા પ્રગતિશીલ ખેડૂત કિરણભાઈ રણછોડભાઈ પટેલે તેમની બે એકર જમીન ઉપર કેસર આંબાની 2000 ડ્રાફ્ટેડ કલમનું વાવેતર કરી ત્રીજા વર્ષથી સંતોષજનક પાક લેવામાં સફળ રહ્યા છે. અલ્ટ્રા હાઈડેન્સિટી આંબા કલમની ખેતીમાં તેમણે મેળવેલી સફળતા અંગે અને આંબાકલમની સાથે શાકભાજીની પ્રાકૃતિક ખેતી વિશે વિગતવાર કિરણભાઇ પટેલ પાસેથી જ જાણીએ. મારા પિતા જૂની પધ્ધતિથી ખેતી કરતા હતા. બાળપણથી જ મેં પણ મારા પિતાને ખેતી કરતા જોયા હતા જેમાં મહેનત વધુ અને ઉત્પાદન અને આવક ઘણી ઓછી રહેતી હતી. હવે હું આધુનિક પધ્ધતિની સાથે પ્રાકૃતિક ખેતીનો સમન્વય કરીને સારી એવી આવક મેળવી રહ્યો છું. મારી બે એકરની જમીનમાં અંદાજે બે હજાર કેસર કેરીના ઝાડનું અલ્ટ્રા હાઈડેન્સિટી પધ્ધતિથી પ્લાન્ટેશન કરેલું છે. જે અગાઉ ખેડૂતો કેરીના ઝાડ રોપતા હતા એમાં બે ઝાડ વચ્ચે અંતર વધારે રહેતું હતું. એ ઝાડ મોટું થતા અને કેરીનો પાક લેતા વર્ષો નીકળી જતા હતા. અગાઉની કહેવત મુજબ આજે આંબાનું ઝાડ વાવ્યું છે તો તેના ફળ પૌત્ર ખાશે. હવે એ જમાનો રહ્યો નથી. અગાઉ 20થી 25 વર્ષ પછી પછી કેરીના ઝાડ પરિપક્વ થઇને તેના ઉપર પાક આવતો હતો. આજે નવી અલ્ટ્રા હાઈડેન્સિટી ટેકનોલોજી મુજબ માત્ર ત્રણ વર્ષની અંદર આંબા કલમના ઝાડ ઉપર કેરી આવતી શરૂ થઇ જાય છે અને કેરીની ગુણવત્તા પણ એક્સપોર્ટ કર્વાલિટીની ઉતરે છે. માત્ર ત્રણ ફૂટના આંતરે આંબાની કલમનું પ્લાન્ટેશન કરાતું હોય છે જેને લઇને ઓછી જમીનમાં વધુ ઝાડ રોપી શકાય છે. કેસરના કલમની સાથે આંતરપાક તરીકે વિવિધ શાકભાજી પણ ઉઘાડવામાં આવે છે જેથી કરીને નિયમિત આવક મળતી રહે છે. અગાઉ મોટા ઝાડો હતા અને તેની સંખ્યા પણ ખૂબ ઓછી હતી. હવે એટલી જ જમીનમાં આંબા કલમની સંખ્યા વધુ છે અને કેરીનું ઉત્પાદન પણ બમણું થયું છે. આંબા કલમનું વાવેતર ત્રણ ફૂટ અંતરે કરવામાં આવે છેકિરણભાઈએ ડ્રિપ ઇરીગેશન પદ્ધતિથી ખેતી કરી આંબાની કલમ સાથે વિવિધ પ્રકારના શાકભાજીનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી મરચા, ટામેટા, કોબી, રીંગણ જેવા શાકભાજીનો પાક લેવામાં સફળતા મેળવી છે. કિરણભાઈની શાકભાજીની વેપારીઓમાં માંગ છે અને વાપી શાકભાજી બજારમાં તેમની શાકભાજીની સારી માંગ છે. અલ્ટ્રા હાઈડેન્સિટી મેંગો પ્લાન્ટેશન સિસ્ટમ એ એક નવી ટેક્નોલોજી છે જેમાં આંબા કલમનું વાવેતર ત્રણ ફૂટ અંતરે કરવામાં આવે છે. આ ટેક્નોલોજીથી ઓછી જમીનમાં વધુ આંબાની ખેતી શક્ય બને છે અને માત્ર ત્રણ વર્ષની અંદર આવક આપતા થઈ જાય છે. કિરણભાઈ પટેલની સફળતાના મુખ્ય મુદ્દા:- અલ્ટ્રા હાઈડેન્સિટી આંબા કલમની પ્રયોગાત્મક ખેતી- ડ્રિપ ઇરીગેશન પદ્ધતિથી ખેતી- ગાય આધારિત પ્રાકૃતિક ખેતી- મરચા, ટામેટા, કોબી, રીંગણ જેવા શાકભાજીનો પાક- વાપી શાકભાજી બજારમાં સારી માંગ- સ્થાનિક ખેડૂતોને નવી દિશા આ પ્રગતિશીલ ખેડૂત કિરણભાઇ પટેલ પાસેથી વિગત જાણો : સંપર્ક 9925258300(યતિન ભંડારી સાથે થયેલી વાતચીતના આધારે)
સૌરાષ્ટ્ર સમાચાર ગ્રાઉન્ડ રિપોર્ટ:હોસ્પિટલનો નવો રસ્તો સત્વરે બનાવવામાં તંત્રના ઠાગાઠૈયા
આરોગ્યલક્ષી સારવાર માટે સાડા આઠ દાયકા જૂની ભાવનગરની સર ટી. હોસ્પિટલ શહેર અને જિલ્લાની જનતા માટે આશીર્વાદરૂપ છે. સર ટી. હોસ્પિટલ જતા બન્ને બાજુના માર્ગ અને આસપાસના રસ્તા એકાદ અઠવાડિયાથી ખોદીને નવા બનાવવાનો આરંભ તો કરાયો છે. પરંતુ ધીમી ગતિએ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવતી હોય હોસ્પિટલ આવતા દર્દીઓ અને તેની એમ્બ્યુલન્સને ખખડધજ રસ્તામાંથી પસાર થતા પરેશાનીનો સામનો એકાદ અઠવાડિયાથી કરવો પડી રહ્યો છે. ખરેખર તો આ સમગ્ર માર્ગને તબક્કામાં વિભાજિત કરીને રોડના કામ કરવાની જરૂર હતી. નહી કે કાળાનાળાથી નિલમબાગ સર્કલ સુધી સમગ્ર માર્ગને તોડીને એક સથે નવો બનાવવાને બદલે. આ સમગ્ર રૂટ જે તોડી પડાયો છે તેમાં ઘણો ખરો રોડ તો સાવ સારો હતો. આ રસ્તે માત્ર એક સર ટી. હોસ્પિટલ જ નહી પણ બિમ્સ હોસ્પિટલ અને સાથે બીજી અનેક નાની મોટી હોસ્પિટલ આવેલી છે. આ રોડ પરથી રોજના હજારો દર્દીઓની અવર જવર રહે છે. ત્યાં આ રોડનું કામ જલદી કરવું જોઇએ. પરંતુ મંથર ગતિએ કામ થાય છે અને રોડ હાલમાં છે ત્યાં સર ટી. હોસ્પિટલની બન્ને બાજુના પ્રવેશ દ્વારે જ ખાડા ખડીયા પડી ગયા છે. જો શહેરમાં વડાપ્રધાન આવ્યા ત્યારે જો એક જ દિવસમાં એરપોર્ટ સુધીનો આરસીસી રોડ બની જતો હોય તો આ પણ સામાન્ય લોકો માટે અને ત્રણ જિલ્લા માટેના લોકોની મુખ્ય હોસ્પિટલ ઉપરાંત અન્ય કોર્પોરેટ હોસ્પિટલો અને ખાનગી દવાખાના છે ત્યાં તત્કાલ રોડનું કામ કરવા અનુરોધ છે.
ટ્રેનો અસરગ્રસ્ત થઈ:ભાવનગરથી પાલિતાણા, બોટાદ અને સુરેન્દ્રનગર ટ્રેન આજે રદ
ભાવનગર ટર્મિનસ યાર્ડમાં પિટ લાઇનના કાર્ય માટે લેવાયેલ બ્લોકની અવધિ વધારવામાં આવી છે, જેના કારણે કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ ભાવનગર ટર્મિનસ સ્ટેશન યાર્ડમાં પિટ લાઇન નંબર–2ના મરામત કાર્ય માટે અગાઉ 45 દિવસનો બ્લોક લેવામાં આવ્યો હતો, જેની અવધિ હવે વધારવામાં આવી છે. આ કારણે 26 અને 27 જાન્યુઆરી, સોમવાર અને મંગળવારે પણ કેટલીક ટ્રેનો અસરગ્રસ્ત રહેશે તેમ પશ્ચિમ રેલવે‚ ભાવનગર મંડલ વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતુ. રદ કરવામાં આવનાર ટ્રેનો ભાવનગર–સુરેન્દ્રનગર–ભાવનગર પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે.ભાવનગર–પાલિતાણા–ભાવનગર પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે. ભાવનગર–પાલિતાણા–ભાવનગર પેસેન્જર 26 જાન્યુઆરીએએ રદ રહેશે.ભાવનગર–બોટાદ પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે.બોટાદ–ભાવનગર પેસેન્જર 27 જાન્યુઆરીએ રદ રહેશે.ભાવનગર–બોટાદ–ભાવનગર પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે. ધોળા–મહુવા પેસેન્જર 26 જાન્યુઆરીએ રદ રહેશે. મહુવા–ધોળા પેસેન્જર 27 જાન્યુઆરીએ રદ રહેશે.ધોળા–ભાવનગર–ધોળા TOD સ્પેશિયલ 26 જાન્યુઆરીએ રદ રહેશે.અસુવિધાથી બચવા માટે મુસાફરી પહેલા સંબંધિત સ્ટેશન અથવા રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પરથી તાજી માહિતી મેળવી લે.
વીજકાપ:કાલે એરપોર્ટ રોડ, રૂવા ગામ સહિતના વિસ્તારોમાં વીજકાપ
શહેરમાં ભાવનગર પી.જી.વી.સી.એલ. દ્વારા એરપોર્ટ રોડ અને શિશુવિહાર સર્કલ સહિતના વિસ્તારોમાં વીજકાપ જાહેર કર્યો છે. PGVCL ભાવનગર સિટી-1 ડિવિઝન દ્વારા વીજળીની લાઈનના સમારકામના અગત્યના કામ અનુસંધાને આગામી 27મી અને 28મી જાન્યુઆરી-2026ના બે દિવસે 11 કે.વી.ના અનિલ (આંશિક) અને જમનાકુંડ ફિડરોમાં બે દિવસ મરામતની કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરના 1 સુધી સાત કલાકનો વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળીની લાઈનોની મરામતની કામગીરીથી તા.27મી જાન્યુઆરી-2026 મંગળવારે 11 કે.વી. અનિલ (આંશિક) ફિડર નીચે આવતા એરપોર્ટ રોડ પરના રૂવાગામ, બાલાહનુમાન પાર્ક, માનસ શાંતિ-1 અને 2, માનસકીર્તિ બંગલો, માનસપ્રાઈમ-1 અને 2, આરાધના સોસાયટી, રામવાટીકા, લક્ષ્મીપાર્ક, નેચરલપાર્ક, ડી.બી.પાર્ક, ઓમપાર્ક તેમજ આજુબાજુનો વિસ્તાર, પ્રધાનમંત્રી આવાસ તેમજ આજુબાજુના વિસ્તારમાં કામગીરી દરમિયાન વીજકાપ રહેશે. તેમજ તા.28મી જાન્યુઆરી-2026 બુધવારે 11 કે.વી. જમનાકુંડ ફિડર નીચે આવતા ટેકરી ચોક થી રૂવાપરી ચોક, જાફરીફ્લેટ, એહમદ નુર વસાઈવાલા હોસ્પિટલ, ઈબ્રાહીમ મસ્જીદ, એસ.બી.આઈ. ટ્રેઈનીંગ સેન્ટર, આંગણવાડી, શિશુવિહાર સર્કલ તથા આજુબાજુનો વિસ્તાર, વાલ્કેટગેટ સબસ્ટેશન તથા આજુબાજુના સમગ્ર વિસ્તારમાં વીજકાપ રહેશે. PGVCL દ્વારા મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે.
ભાવનગર જિલ્લા આર.ટી.ઓ દ્વારા રોડ સેફ્ટી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના રસ્તાઓમાં ચાલતા વાહન ચાલકોની સેફ્ટીને લઇ વાહન ચાલકો વિરૂદ્ધ કાર્યવાહી કરી, દંડ ફટકારી વાહન ચાલકોને જાગ્રુત કરવામાં આવી રહ્યા છે. બે દિવસથી નિયમ વિરૂદ્ધ ફિટ કરાયેલી એલ.ઇ.ટી. લાઇટ લગાવી વાહનો ચલાવનારા ચાલકો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરી, 67 જેટલા વાહનો ચાલકોને મેમા ફટકારી, 67000 થી વધુનો દંડ ફટકારાયો હતો. ભાવનગર આર.ટી.ઓ. દ્વારા શહેરમાં સિદસર બાયપાસ રોડ તેમજ નારી ગામ નજીક રોડ સેફ્ટી માસ અંતર્ગત એક ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન કેટલાક વાહન ચાલકો નિયમ વિરૂદ્ધ પોતાના વાહનોમાં એલ.ઇ.ટી. લાઇટ ફીટ કરી, રાત્રી દરમિયાન વાહનો પુરપાટ ઝડપે ચલાવે છે અને સામેના વાહન ચાલકોને એલ.ઇ.ડી. લાઇટથી અકસ્માત થવાની શક્યતા રહેલી છે. ત્યારે ભાવનગર આર.ટી.ઓ. દ્વારા બે દિવસ દરમિયાન ટ્રક, બસો તેમજ કાર, બાઇક ચાલકોને રોકવામાં આવ્યા હતા. અને નિયમ વિરૂદ્ધ એલ.ઇ.ડી. લાઇટ લગાવનારા વાહન ચાલકોને મેમા ફટકારાયા હતા. આ ચેકીંગ ડ્રાઇવમાં ભાવનગર આર.ટી.ઓ. દ્વારા 67 જેટલા વાહનોને મેમાફટકારી, અંદાજે 67,000થી વધુનો દંડ ફટકારી, રોડ સેફ્ટી અંગે વાહન ચાલકોને જાગ્રુત કરાયા હતા.
સિટી એન્કર:ઋતુચક્રનું શીર્ષાસન : આ વર્ષે તાપમાન 1.2 ડિગ્રી ઘટ્યું
મકર સંક્રાંતિના પર્વ પછી ઠંડીનું જોર વધ્યું છે. ભાવનગર શહેરમાં આજે પણ સવારથી સાંજ સુધી ટાઢાબોળ પવનના સૂસવાટા ફુંકાતા રહ્યાં હતા. ઉત્તર ભારતમાં થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને હિમવર્ષાને કારણે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાં ભેજનું પ્રમાણ ઘટતાં ઠંડીનું જોર વધ્યું છે, શહેરમાં આજે લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જ્યારે સવારે 14 ડિગ્રી તાપમાન સાથે બરફ વર્ષાની અસરના પવનની ઝડપ 12 કિલોમીટર નોંધાઇ હતી. દિવસભર પણ ઠંડા પવનના સૂસવાટાથી નગરજનોએ બહાર નીકળતા પહેલા ઠંડીથી બચવા ગરમ વસ્ત્રોનો સહારો લેવા પડ્યો હતો. ગત વર્ષે સંક્રાંતિ બાદ 10 દિવસમાં એવરેજ લઘુત્તમ ઉષ્ણતામાન 16.8 ડિગ્રી હતુ તે આ વર્ષે ઘટીને 15.6 ડિગ્રી થઇ ગયુ હતુ. આમ ગત વર્ષેની તુલનામાં આ વર્ષે 14 જાન્યુઆરી બાદ શહેરમાં તાપમાનમાં 1.2 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. શહેરમાં બે દિવસથી ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે. શહેરમાં મહત્તમ તાપમાન સતત ઘટતું જાય છે ગઇ કાલે મહત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેન્ટીગ્રેડ હતુ તે આજે ઘટીને 24.9 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. જે સામાન્ય તાપમાન બપોરે હોવું જોઇએ તેના કરતા 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ઓછું નોંધાયુ હતુ. જ્યારે લઘુત્તમ ઉષ્ણતામાન 24 કલાક અગાઉ 13.1 ડિગ્રી હતુ તે આજે 14 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ હતુ જો કે સવારે પવનની ઝડપ 12 કિલોમીટર હોય ઠંડીની તીવ્રતા યથાવત રહી હતી. આજે સવારથી સાંજ સુધી પવનની ઝડપ 12 કિ.મી. યથાવત રહી હતી. સવારે હવામાં ભેજનું પ્રમાણ 68% હતુ તે આજે સાંજે 60% નોંધાયુ હતુ. બપોરે તાપમાન શું કામ ઘટ્યું ?ભાવનગર શહેરમાં બે દિવસથી મોડી સાંજથી વહેલી સવાર સુધી ઉત્તર ભારતના બરફ વર્ષાના 12 કિલોમીટરથી 14 કિલોમીટરની ઝડપે ઠંડા પવન ફુંકાતા તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતાં ભેજવાળા પવનો ઘટ્યા છે. આથી ઠંડી વધી છે. હજી બે દિવસ ઠંડી રહેશે. ડો.બી.આર.પંડિત, હવામાનશાસ્ત્રી સિઝનની સર્વાધિક ઠંડી મકર સંક્રાંતિ બાદ નોંધાઇઆ વર્ષે શિયાળાની સૌથી વધુ ઠંડી મકર સંક્રાંતિ બાદ નોંધાઇ છે. આમ તો ડિસેમ્બરના અંતિમ તબક્કામાં કડકડકતી ઠંડી પડતી હોય છે. પણ આ વર્ષે ભાવનગર શહેરમાં શિયાળો મોડો હોય તેમ આ સિઝનની સર્વાધિક ઠંડી 10.6 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાને 15 જાન્યુઆરીએ નોંધાઇ હતી. ચાર દિવસમાં બપોરે તાપમાન 6.6 ડિગ્રી ઘટ્યું
મંડે પોઝિટીવ:અહિંસા અને મૈત્રી માટે 10 વર્ષમાં વિશ્વમાં 100 રામવાડી સ્થપાશે
દિલ્હીમાં પૂ. મોરારિબાપુ દ્વારા ગવાયેલી રામકથા “માનસ સનાતન ધર્મ”ના પાંચમા દિવસે લોકભારતી યુનિવર્સિટી, સણોસરાના સૂત્રધાર અરુણભાઇ દવેએ લોકભારતી સંસ્થામાં નવીનતમ તાલીમી કાર્યક્રમ RAAM – Rising Apostles for Ahimsa and Maitri (અહિંસા અને મૈત્રી માટેના આધ્યાત્મિક કર્મદૂતો તૈયાર કરવાનો પ્રકલ્પ)ના આરંભની ઘોષણા કરી. આ શિક્ષણ પદ્ધતિમાં આ તાલીમની સૌથી વિશેષ બાબત એ છે કે તેમાં કોઈ પરીક્ષા નથી. એટલે ન તો કોઈ ડિગ્રી આપવામાં આવશે, ન તો કોઈ પ્રમાણપત્ર. “સેવા દ્વારા સ્વરૂપાંતરણ” એ જ અહીંની સૌથી મોટી ડિગ્રી ગણાશે. આ તાલીમ પૂર્ણ થયા બાદ દરેક રામ-ફ્લાવર પોતાના વતન અથવા દેશમાં એક ‘રામવાડી’ સ્થાપિત કરશે, જે અહિંસા અને મૈત્રીની રચનાત્મક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનશે. આગામી 10 વર્ષમાં સમગ્ર વિશ્વમાં 100 રામવાડી સ્થાપવાનો સંકલ્પ આ યોજનાને વિશ્વશાંતિની દિશામાં એક મોટી આશા તરીકે રજૂ કરે છે. મહાત્મા ગાંધી અને કેન્દ્ર સત્ય, પ્રેમ અને કરુણાના પાયા પર આધારિત અહિંસા અને મૈત્રી માટેના ‘પ્રેરણા દૂત’ તૈયાર કરશે. અરુણભાઇ દવેએ સમગ્ર પ્રોજેક્ટ પાછળનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો.વિશેષ માહિતી માટે લોકભારતી યુનિ.ની વેબસાઈટ www.lokbharatiuniversity.edu.in પર આપવામાં આવી છે. બાપુને ‘થૅન્ક યુ’ કહેવા પોલેન્ડમાં આ વિચારના બીજ રોપાયાઆ અભ્યાસક્રમનો વિચાર અરુણભાઇ દવેને પોલેન્ડમાં થયેલી રામકથાનું શ્રવણ કર્યા બાદ ઉપજ્યો. “બાપુને ‘થૅન્ક યુ’ કહેવું હોય તો શું કરવું?” — આ વિચારમાંથી વિશ્વના વર્તમાન સંકટમય પરિસ્થિતિ પર મંથન શરૂ થયું. આમ જ્યારે આખું વિશ્વ યુદ્ધ તરફ ધકેલાઇ રહ્યું છે ત્યારે વ્યક્તિત્વના ઉર્ધ્વીકરણ સાથે સાથે વિશ્વશાંતિના ક્ષેત્રે યોગદાન આપી શકે એવા ‘રામ-ફ્લાવર્સ’ તૈયાર કરવાની દૃષ્ટિએ આ અભ્યાસક્રમનું બીજ રોપાયા હતા. ડો.વિશાલ ભાદાણી, લોકભારતી સંસ્થા, સણોસરા ગ્રામોત્થાન માટે કાર્યરત સંસ્થાઓમાં પ્રત્યક્ષ કાર્યાનુભવઆ કોર્સમાં પ્રથમ તબક્કા બાદ 7થી 8 મહિના પોતાના રસ-રૂચિ અનુસારના સેવાકાર્યો જેવા કે પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય, પ્રાકૃતિક કૃષિ, મહિલા વિકાસ,ગ્રામોત્થાન માટે કાર્ય કરતી સંસ્થાઓમાં પ્રત્યક્ષ કાર્યાનુભવ માટે મોકલવામાં આવશે. આ ઉપરાંત કૈલાસ ગુરુકુળ (મહુવા), ચિત્રકૂટધામ (તલગાજરડા), સાબરમતી ગાંધી આશ્રમ અને પવનારના વિનોબા આશ્રમ જેવા પવિત્ર સ્થાનો પર જઈ સાધકો RAAMના અભ્યાસક્રમને આત્મસાત કરવામાં આવશે. સત્ય, પ્રેમ, કરુણા જેવા જીવન મૂલ્યના પાસાઓ શીખશેRAAM અભ્યાસક્રમ અંતર્ગત નિવાસી તાલીમાર્થી - ‘રામ-ફ્લાવર્સ’ તરીકે લોકભારતી યુનિવર્સિટી, સણોસરામાં એક વર્ષ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ માટે અરજીપત્રક, પ્રવેશ પરીક્ષા, ઇન્ટરવ્યૂ અને જૂથચર્ચાના આધારે પાત્રતા નક્કી કરવામાં આવશે. વિશ્વના કોઈ પણ દેશના, કોઈ પણ ધર્મ, વિચારધારા, જ્ઞાતિ કે જાતિના સાધક માટે આ અભ્યાસક્રમ ખુલ્લો રહેશે. પ્રશિક્ષણનું પ્રથમ અને મુખ્ય સ્થાન પૂ.. બાપુની રામકથા રહેશે. આ ‘રામ-ફ્લાવર્સ’ 3થી 4 મહિના લોકભારતીમાં રહીને વિવિધ કાર્યશાળાઓમાં સત્ય, પ્રેમ, કરુણા, અહિંસા, મૈત્રી વગેરે જીવન મૂલ્યોના વિવિધ પાસાઓ શીખશે.
કચ્છ ભૂકંપ:ગાંધીનગરને બપોરે 1.30 કલાકે અને દિલ્હીને છેક સાંજે 6 વાગ્યે જાણ થઇ હતી
આજના આધુનિક સમયમાં મોબાઈલ, ઈન્ટરનેટના માધ્યમથી પળવારમાં જ કોઈપણ જાણકારી દેશ-દુનિયા સુધી પહોંચવી શક્ય છે, પરંતુ 25 વર્ષ પહેલાં 26 જાન્યુઆરી 2001ની ગોઝારી સવારે કચ્છમાં આવેલ ભૂકંપ સમયે ચારેતરફ તબાહીના દૃશ્યો વચ્ચે સેંકડો લાચાર લોકો સુધી મદદ કેમ પહોંચાડવી? ઠપ થઇ ગયેલા સંચાર માધ્યમ વગર ગાંધીનગર કે દિલ્હી સુધી ગંભીર સ્થિતિનો ચિતાર કેમ પહોંચાડવો તે સહિતની બાબતોની ચિંતા વચ્ચે પણ તત્કાલીન જિલ્લા કલેક્ટર, ડીડીઓ અને અછતની સ્થિતિમાં ખાસ ફરજ પર મુકાયેલ ત્રણ અધિકારીએ ટાંચા સાધનો વડે લોકોને મહત્તમ મદદ પહોંચાડી ખુલ્લા મેદાનમાં હોસ્પિટલ શરૂ કરાવી હતી. ભૂકંપના 25 વર્ષ સુધી દેશ-દુનિયા માટે અજાણ રહેલી કેટલીક મહત્ત્વની વાતો તત્કાલીન ખાસ ફરજ પરના અછત અધિકારી અને નિવૃત્ત આઈએએસ ડો.ધીમંત કુમારે દિવ્ય ભાસ્કર સમક્ષ વર્ણવી હતી. કચ્છમાં 26 જાન્યુઆરી 2001ના રોજ આવેલ ભૂકંપની ગોઝારી ઘટનાને યાદ કરતા નિવૃત્ત IAS ડો.ધીમંત વ્યાસ જણાવે છે કે, વર્ષ 2001માં તેઓને કચ્છમાં અછતની સ્થિતિમાં ખાસ ફરજ પર મૂકવામાં આવ્યા હતા. શિયાળાની વહેલી સવારે ભુજ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં 9 કલાકે મેદાનમાં પહોંચવાનું હોવાથી તેઓ અને તેમના પાડોશમાં રહેતા નાયબ કલેક્ટર ગઢવીનો પરિવાર એમ્બેસેડર કારમાં લાલન કોલેજ રોડ પર આવેલા સરકારી આવાસથી નીકળ્યા હતા. ઘરથી 300 મીટર દૂર પહોંચતા જ રોડ પર ગાયો ઝડપભેર દોડતી દેખાઈ અને આકાશમાં પક્ષીઓના ટોળેટોળાં ઊડી રહ્યા હતા અને અચાનક જ તેમની કાર દરિયામાં જેમ હોડી હાલક-ડોલક કરે તેવી સ્થિતિમાં થવા લાગી હતી.વિચિત્ર ધણધણાટી જેવા અવાજ સાથે જ તેમની નજર સામે મંદિરનો શિખરનો ભાગ તૂટી પડ્યો. આજુબાજુમાં આવેલ ફ્લેટ હવામાં હીચકાઈને તૂટી પડ્યા અને ચારે તરફ ધૂળની ડમરીઓ ઊડવા લાગતા ધરતીકંપ આવ્યાની અનુભૂતિ થતા પરિવારજનોને પરત આવાસ બહાર કમ્પાઉન્ડમાં છોડી ભુજ કલેક્ટર કચેરી તરફ દોટ મૂકી હતી. ડો.ધીમંત કુમાર વધુમાં ઉમેરે છે કે, કલેક્ટર કચેરીએ પહોંચતા જ તત્કાલીન કલેક્ટર કમલ દયાની અને ડીડીઓ રાજીવ ટોપનો હાજર હોય ત્રણેય અધિકારીઓએ સ્થળ પર ચર્ચા કરી પરિસ્થિતિનો અંદાજ મેળવવા આસપાસના વિસ્તારનો રાઉન્ડ લેતા ધ્યાન પર આવ્યું હતું કે, ભૂકંપના તીવ્ર આંચકાએ કલેક્ટર કચેરીમાં પણ વ્યાપક નુકસાન પહોચાડ્યું હતું. કચેરી સામે આવેલ ટાઉનહોલ હવે માત્ર પથ્થરનો ઢગલો થઇ ગયો હતો. ચારેય બાજુ ઇમારતો આડી, ઊભી, ત્રાસી ફસડાઈ પડી હતી. મદદ માટે આર્મી હેડક્વાર્ટર્સ ગયા તો ત્યાં પણ ઇમારતોમાં નુકસાન હતું અને આર્મી જવાનો તેમના મકાનમાં ફસાયેલા સ્ટાફને બચાવવા પ્રયત્નશીલ હતા. એ જ રીતે એરફોર્સ પ્રિમાઇસિસમાં પણ વ્યાપક નુકસાન વચ્ચે 85થી વધુ જવાન કાટમાળમાં ફસાયેલા હતા. આમ છતાં સ્ટેશન કમાન્ડર ત્રિપાઠીએ વિકટ સ્થિતિમાં પણ બે કલાકમાં રન-વે સાફ કરી મદદ માટે તેમની ટીમ હાજર થશે તેમ જણાવતા ત્રણેય અધિકારીની ટીમમાં હિંમત આવી હતી. જોકે, ટાંચા સાધનો વચ્ચે પણ કલેક્ટર કમલ દયાની, ડીડીઓ રાજીવ ટોપનો અને ખાસ ફરજ પરના ડો.ધીમંતકુમાર વ્યાસે લોકોને શક્ય તમામ મદદ પહોંચાડી સતત 24 કલાક દોડતા રહી બીજા દિવસે ગાંધીનગર-દિલ્હીથી મદદ મળશેની આશા સાથે ઉજાગરો આંખમાં આંજી સવાર પાડી હતી. ભુજની ત્રણ માળની જી.કે. હોસ્પિટલ ધ્વસ્ત થતા 500 લોકો ફસાયાડો.ધીમંતકુમાર જણાવે છે કે, કલેક્ટર, ડીડીઓ સાથે ઘાયલ લોકોને સારવારની વ્યવસ્થા માટે તેઓ ભુજની જી.કે. હોસ્પિટલ પહોંચતા અહીં આંચકાજનક દૃશ્યો જોવા મળ્યા હતા. ત્રણ માળની હોસ્પિટલ સંપૂર્ણપણે ધ્વસ્ત થતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ દર્દીઓ, તેમના સગાંવહાલાં અને આરોગ્ય સ્ટાફ સહિતના 500 લોકો કાટમાળ હેઠળ દબાયેલા હતા ત્રણ મેડિકલ સ્ટોરના તાળાં તોડી ખુલ્લા મેદાનમાં ઘાયલોની સારવાર કરાઈ7.7ની તીવ્રતાના ભૂકંપમાં કચ્છ-ભુજમાં બધું હતું ન હતું થઇ ગયું હતું ત્યારે કાટમાળમાં દટાયેલા લોકોની ચિંતા સાથે ઈજાગ્રસ્ત હાલતમાં જીવિત બહાર નીકળેલા લોકોની સારવારની ચિંતા તંત્રને સતાવતી હતી. એક તરફ ભુજની જી.કે.હોસ્પિટલ ધ્વસ્ત બનીને કાટમાળમાં ફેરવાઈ ગઈ હોય ઘાયલ લોકોની સારવાર ક્યાં કરવી તે પ્રશ્ન મૂંઝવતો હતો ત્યારે જ જ્યુબિલી મેદાનમાં દર્દીઓને સારવાર આપવાનું નક્કી કરી ભુજના ત્રણ મેડિકલ સ્ટોરના તાળાં તોડી તમામ દવાઓ છકડા રિક્ષામાં ભરી મેદાનમાં જ હંગામી હોસ્પિટલ શરૂ કરી લોકોને મદદ પહોંચાડવામાં આવી હતી. કાર બેટરીની મદદથી પીએમઓને ભૂકંપની જાણ કરી શક્યા હતાવર્ષ 2001માં કોમ્યુનિકેશનના ટાંચા સાધનો વચ્ચે ધરતીકંપ બાદ ટેલિફોન લાઈનો ઠપ થઇ ગઈ હતી. જોકે તંત્ર પાસે રહેલો સેટેલાઇટ ફોન પણ લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવ્યો ન હોવાથી બેટરી ડિસ્ચાર્જ થઈ ગઈ હોય ખરા સમયે જ સેટેલાઇટ ફોન કામ આવ્યો ન હતો. બાદમાં સાંજના છ વાગ્યે કારની બેટરીથી ફોન થોડો ચાર્જ થતા દિલ્હી પીએમઓને કચ્છના ભયાવહ ભૂંકપની ગંભીર સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી. રાજકોટ પોલીસના વાયરલેસથી ગાંધીનગર સંદેશો મોકલાયોભૂકંપને કારણે કચ્છની સંચાર વ્યવસ્થા પડી ભાંગી હતી. વીજળી ગુલ હોવાથી વાયરલેસ મારફતે પણ સંપર્ક શક્ય ન હોય સવારે 8.45 કલાકે ભૂકંપે મચાવેલી તબાહીની જાણકારીથી ગાંધીનગર અજાણ હતું. ડો.ધીમંતકુમાર જણાવે છે કે, આવી સ્થિતિમાં બપોરે દોઢેક વાગ્યાના સુમારે સામખિયારી બ્રિજ પાસે પેટ્રોલિંગમાં રહેલી રાજકોટ પોલીસની જીપના વાયરલેસની મદદથી ગાંધીનગર ખાતે જાણ કરી મદદ પહોંચાડવા માટે સંદેશો આપવામાં આવ્યો હતો. તત્કાલીન મંત્રી સુરેશ મહેતાને બારીમાંથી બહાર કાઢ્યાનિવૃત્ત આઈએએસ ડો.ધીમંતકુમાર વ્યાસ ઉમેરે છે કે, 26મી જાન્યુઆરીએ ભુજ ખાતે રાજ્યના તત્કાલીન મંત્રી સુરેશભાઈના હસ્તે ધ્વજવંદન થવાનું હોય તેઓ ભુજ સર્કિટહાઉસના ઉમેદભવનમાં રોકાયા હોય તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા.જોકે, ભૂકંપને કારણે રૂમનું બારણું ખૂલતું ન હોવાથી રાજ્યમંત્રીને બારીમાંથી બહાર કાઢી ખુલ્લી જગ્યામાં સલામત લઇ જવાયા હતા.
26 જાન્યુઆરી અને રવિવારની સવાર પડી. ઘડિયાળનો કાંટો બરાબર 8.50એ આવીને ઉભો હતો. આ એક કાળ ચક્ર હતું પણ ગુજરાતીઓ માટે તો કાળ લઈને જ આવ્યું હતું. રવિવાર અને પ્રજાસત્તાક પર્વ એમ બે રજા ભેગી હતી. સૌ કોઈ પોતાના ઘરમાં પરિવાર સાથે હાજર હતા. અચાનક જ ધરતી ધ્રુજવા લાગી. કોઈને સપનેય ક્યાં ખ્યાલ હતો કે આ કાળમુખી પળ આખી જિંદગીનો જખમ આપીને જવાની છે. હું છઠ્ઠા માળે પરિવાર સાથે હતો. અમે કંઈ સમજીએ એ પહેલા જ ખ્યાલ આવ્યો કે આ ભૂકંપ છે. એટલે અમે બધા એકસાથે નીચે ઉતરવા માંડ્યા. તેમાં મારા ફાધર સાથે મારી મોટી દીકરી, મારા મધર સાથે મારી નાની દીકરી અને હું તથા મારા પત્ની અમારા દીકરા સાથે, અમે સીડી પરથી ઉતરી રહ્યા હતા. એ જ સમયે અમારી બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગઈ. સીડીમાં ઉતરતી વખતે જ અડધો ભાગ તૂટી ગયો હતો, જેમાં હું અને મારા ફાધર બચી ગયા. બાકીનો ભાગ નીચે જતાં મારા મધર, વાઈફ અને ત્રણેય બાળકો મૃત્યુ પામ્યા.આ શબ્દો છે પરિવારના પાંચ-પાંચ સભ્યોને નજર સામે મૃત્યુ પામતા જોનારા અમદાવાદના માનસી ફ્લેટમાં રહેતા મિનેશભાઈ ભટ્ટના. આ મિનેશભાઈની જિંદગી ફિલ્મી સ્ટોરીને આંટી મારી જાય એવી છે. તેમણે 2001ના ભૂકંપમાં માતા ચંદ્રિકાબેન, પત્ની મીતા, અઢી વર્ષનો પુત્ર શૈલ, 5 વર્ષની પુત્રી હેલી અને 8 વર્ષની પુત્રી ઝીલ ગુમાવ્યા હતા. હવે તેની જિંદગી 360 ડિગ્રી ફરી ચૂકી છે. હવે બીજા પત્ની અમી, બીજા પત્નીને પહેલા પતિ દ્વારા થયેલો પુત્ર વંશ તથા મિનેશભાઈ અને અમીબેનનો પુત્ર શ્રેય છે. અમીબેનનો મોટો પુત્ર 6 જાન્યુઆરી, 2001ના રોજ મહારાષ્ટ્રમાં જન્મ્યો હતો. ભૂકંપના સમયે તે માત્ર 20 દિવસનો હતો. આજે ભૂકંપના 25 વર્ષ એટલે કે 9,131 દિવસ થયા છે. જો કે એક પેઢી જેટલો સમય વીતી ગયો છે પણ એ દિવસે લાગેલા ઘા અને નીકળેલી ચીસો હજુ એમની એમ જ છે... માનસી ટાવરના 2 બ્લોક પૈકી A બ્લોકના અલગ અલગ ત્રણ ભાગ થઈ ગયા હતા, જેમાં કેટલાક લોકો દટાયા હતા તો કેટલાકનાં તો સ્થળ પર જ મૃત્યુ થઈ ગયાં હતાં. જ્યારે બી બ્લોક અડીખમ હતો. આ ટાવર ધરાશાયી થતાં 33 લોકોનાં દર્દનાક મોત થયાં હતાં. A બ્લોકના ત્રણ ભાગ થયા હતા, જેમાં એક ભાગ ઊભો હતો, બીજો ભાગ પાછળના બંગલા પર પડ્યો હતો. જ્યારે ત્રીજો ભાગ આગળની તરફ આવેલી દુકાનો પર પડ્યો હતો. 33 લોકોના| જીવ ગયા એમાંથી ભટ્ટ પરિવારના 2 મહિલા અને 3 બાળક એમ કુલ 5 લોકોના જીવ ગયા હતા. ભટ્ટ પરિવાર આજે પણ આ આઘાતમાંથી બહાર આવ્યો નથી. પરિવારના 7 સભ્યો હતા, તેમાંથી 5નાં મોત થતા બાપ અને દીકરો 2 જ જીવતા રહ્યા હતા. પહેલાં B બ્લોકમાં રહેતા પણ નિયતિના લેખ જુદા હતામાનસી ટાવર 1990માં બન્યો હતો. શરૂઆતમાં ત્યાં માત્ર B બ્લોક અને આગળની તરફની દુકાનો તૈયાર થઈ હતી. 1993માં સુરેન્દ્રભાઈ ભટ્ટ (મિનેશ ભટ્ટના પિતા)તેમના પરિવાર સાથે અનેક સપનાઓ લઈને માનસી ટાવરમાં રહેવા આવ્યા હતા. શરૂઆતમાં B બ્લોકમાં રહેતા હતા, ત્યાર બાદ A બ્લોક તૈયાર થતાં A બ્લોકમાં છઠ્ઠા માળે રહેવા ગયા હતા. જે કોલેપ્સ થયો હતો. પરિવારમાં પત્ની, બે દીકરા, એક દીકરી, પુત્રવધૂ અને 3 પૌત્ર હતાં, જ્યારે નાનો દીકરો અને દીકરી વિદેશમાં હતાં. મિનેશભાઈના પિતા સુરેન્દ્રભાઈ, મમ્મી ચંદ્રિકાબેન, પત્ની મિતાબેન અને 3 સંતાન. જેમાં અઢી વર્ષનો દીકરો શૈલ, 5 વર્ષની દીકરી હેલી અને 8 વર્ષની દીકરી ઝીલ રહેતા હતા. જેમાંથી ચંદ્રિકાબેન, મિતાબેન, અને 3 સંતાનો એમ કુલ પરિવારના 5 સભ્યો તેઓએ ગુમાવ્યા હતા. 'એ દિવસ ખૂબ જ ભયાનક હતો'આ કારમા આઘાત અંગે મિનેશ ભટ્ટે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, આ એક કુદરતી હોનારત હતી. જ્યારે પણ આ દિવસ યાદ આવે ત્યારે સ્વાભાવિક છે કે બધું જ નજર સામે આવી જાય છે. અમે જે પરિસ્થિતિનો સામનો કરીને બહાર આવ્યા છીએ, તે જોતા એમ લાગે છે કે એ દિવસ ખૂબ જ ભયાનક હતો. શરૂઆતમાં તો ખબર જ નહોતી કે શું થયું છે, પણ અડધા કલાક પછી ધીમે-ધીમે બધું સમજાવા લાગ્યું. ખાસ કરીને RSSના લોકો જે આજુબાજુ હતા, તેઓ તરત જ આવી ગયા હતા. તેમણે દોરડાની મદદથી બધાને નીચે ઉતાર્યા અને કાટમાળમાંથી ઇજાગ્રસ્તોને અને મૃતદેહોને બહાર કાઢવામાં બહુ જ મહેનત કરી હતી. 'નકારાત્મક છે એનો તો કોઈ અંત નથી'મિનેશભાઈ ભાવુક થતા જણાવે છે કે, કુદરત સામે તો આપણે કોઈ ફરિયાદ કરી શકતા નથી, પણ જેમને ગુમાવ્યા છે તેમની યાદ હંમેશા સાથે રહે છે. કુદરત સામે તો આપણે કોઈ ફરિયાદ કરી શકતા નથી. આમ જોવા જઈએ તો જેણે આ બદલાવને સકારાત્મક લીધો એના માટે ઘણું બધું છે, જે નકારાત્મક છે એનો તો કોઈ અંત નથી. અમારી 10 માળની બિલ્ડીંગ (માનસી અને શિખર)આખા ગુજરાતમાં બે જ જગ્યાએ પડી હતી. ખાસ કરીને માનસીના સભ્યોએ જે સપોર્ટિંગ રોલ ભજવ્યો અને આ બિલ્ડીંગ ફરીથી ઊભી કરી એ અમારા માટે ઘણી ચેલેન્જિંગ વાત હતી. આજે એનો અમને સંતોષ છે કે અમે અમારા ઘરમાં પાછા ફર્યા છીએ. અત્યારે મારા ફાધર અમારી સાથે છે એમની ઉંમર 82 વર્ષ છે. મેં રિ-મેરેજ કર્યા અને મારે બે બાળક છે. હું ઈન્સ્યોરન્સ સર્વેયર છું અને મારા ફાધર રિટાયર્ડ છે. એ સમયે અમારા ખિસ્સામાંથી 6.5 થી 7.5 લાખ કાઢીને ફરીથી બિલ્ડીંગ બનાવ્યું. ધીમે-ધીમે ઘર અને ફેમિલી વસાવ્યું અને હવે અમે સ્ટેબલ છીએ. 'બધાની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી'માનસી કોમ્પ્લેક્સમાં બે બ્લોક હતા, A અને B. તેમાંથી B બ્લોક બરાબર હતો અને A જ કોલેપ્સ થયો હતો. તે સમયે બધા મેમ્બર્સ અને ખાસ કરીને યંગસ્ટર્સ ભેગા થયા અને નક્કી કર્યું કે ફરીથી આપણું ઘર બનાવવું જોઈએ. 2002થી અમે આ પ્રોસેસ સ્ટાર્ટ કરી હતી. તે સમયે બધાની આર્થિક સ્થિતિ બહુ જ ખરાબ હતી, એટલે થોડા-થોડા પૈસા ભેગા કરીને ફરીથી આ બિલ્ડીંગ બનાવ્યું. એક બાજુ ભાડું ચૂકવવાનું અને બીજી બાજુ રિકન્સ્ટ્રક્શન માટે પૈસા આપવા એ બહુ જ અઘરું હતું, પણ અમારી યુનિટીના કારણે આજે અમે 2010માં ફરીથી અમારા ઘરે આવી શક્યા. 'દિવસ-રાત કાટમાળ હટાવવાનું કામ કરતા'એ ટાઈમ એવો હતો કે બધા માટે આ એક ન વિચારેલી ઘટના હતી. એટલે ઘણા બધા દૂર-દૂરથી કંટીન્યુઅસ બધા આવતા હતા અને એ સમય દરમિયાન અમારે જે કાટમાળ હતો તે હટાવવાનું કામ પણ ચાલુ હતું. લોકોએ પૈસા ભેગા કરીને જેસીબી જેવા વાહનોમાં ડીઝલ પુરાવવા માટે મદદ કરી હતી. તેઓ દિવસ-રાત કાટમાળ હટાવવાનું કામ કરતા હતા. તે સમયે સેના પણ આવી ગઈ હતી, જેના લીધે ઘણું બધું કામ સરળ થયું હતું. મને લાગે છે કે લગભગ એક મહિના સુધી ઘણા બધા લોકો આવતા-જતા રહ્યા અને ધીમે-ધીમે કાટમાળ સાફ થયો. આજે પણ જ્યારે યાદ આવે ત્યારે થાય કે આખું મકાન પડી ગયું હતું અને માણસોએ ફરીથી તેને ઉભું કર્યું છે. 'કાટમાળમાંથી જે કિંમતી વસ્તુઓ મળી તે પાછી આપી'એ સમયે એટલો બધો વિકાસ નહોતો થયો. પરંતુ અત્યારે તો ઘણો વિકાસ થઈ ગયો છે. 'માનસી ટાવર' વિશે અત્યારે તો તમે કોઈ પણ રિક્ષાવાળાને પૂછો એટલે તે તમને ત્યાં મૂકી જાય, એટલું તે પ્રખ્યાત છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ઘણી બધી પબ્લિકે મદદ કરી હતી, લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં અને ચેક કરાવવામાં. મારે તો પાંચ વ્યક્તિઓ હતી, એટલે એકલા હાથે પહોંચી વળવું શક્ય નહોતું. પણ મારા મિત્રો અને લોકોએ ઘણો સપોર્ટ કર્યો હતો. એ સમયે વિચારવાનો પણ સમય નહોતો કે કોણ ક્યાં છે. અમારા બી બ્લોકમાં જે સભ્યો હતા એ બધાએ ઘણો સપોર્ટ કર્યો હતો. કાટમાળ હટાવતી વખતે જે કંઈ પણ કિંમતી વસ્તુઓ મળી હતી, તે તેમણે લોકરમાં સુરક્ષિત મૂકી હતી અને ઓળખ કરી કરીને લોકોને પાછી આપી હતી. છેલ્લે તેઓ જણાવે છે કે, મારું એવું માનવું છે કે કુદરત જ્યારે કોઈ આફત આપે છે, ત્યારે તેને સહન કરવાની શક્તિ પણ આપે છે અને નવું સર્જન કરવાની શક્તિ પણ આપે છે. તમે જેટલું ઝડપથી તેને સ્વીકારીને આગળ વધશો એટલું સારું છે. 'અમારા બંનેના વિચારોમાં એક સમાનતા હતી'મિનેશભાઈએ ફરી 2006માં અમી મોદી સાથે લગ્ન કર્યા. તેમના પત્ની અમી ભટ્ટ જણાવ્યું હતું કે, અમારા બંને માટે શરૂઆતના દિવસ થોડા ટફ હતા, કારણ કે અમારું આખું એક ફેમિલી હોય અને તે વિખેરાઈ ગયું હોય અને પછી બીજી વાર આખું ફેમિલી બનાવવાનું અને લાઈફ સ્ટાર્ટ કરવાની એટલે ઘણું ડિફિકલ્ટ થાય. પરંતુ અમારા બંનેના વિચારોમાં એક સમાનતા હતી. 'મારા બાળકને અપનાવશે તેની સાથે જ હું મેરેજ કરીશ'મિનેશને હંમેશા એવો વિચાર આવતો કે જો આ ભૂકંપમાં હું જતો રહ્યો હોત અને મારી વાઈફ મારા બાળકો સાથે હોત તો એમને લાઈફમાં કેટલું અઘરું પડ્યું હોત? કારણ કે એક લેડીને 3 બાળકો સાથે લાઈફમાં સર્વાઈવ કરવું બહુ જ હાર્ડ પડત અને પછી એને મેરેજ કર્યા હોત તો સામેવાળી વ્યક્તિએ મારા 3 બાળકોને અપનાવ્યા હોત? તો આજે હું પણ એવી જ વ્યક્તિ સાથે લગ્ન કરીશ કે જે લેડીના હસબન્ડનું ડેથ કુદરતી રીતે થયું હોય પણ એને એક બાળક હોય, તેને હું નવજીવન આપીશ. એ એમના વિચાર હતા અને મારા પણ એવા જ વિચાર હતા કે જે મારા બાળકને અપનાવશે તેની સાથે જ હું મેરેજ કરીશ. એટલે અમે બંને જ્યારે મળ્યા ત્યારે એકબીજા સાથે આ વિચાર શેર કર્યા અને પછી ધીમે-ધીમે મળતા થયા. અમે અમારા ભૂતકાળની વાતો કરતા હતા, એ રીતે પછી અમારી લાઈફ ધીમે-ધીમે સેટલ થતી ગઈ. મેરેજ કર્યા પછી શરૂઆતમાં ઘણી તકલીફો પડતી હોય છે કારણ કે આપણે નવી લાઈફ સ્ટાર્ટ કરવાની હોય છે. 'બધાએ સાથે મળીને એક ગાયત્રી યજ્ઞ રાખ્યો છે'આ 26 મીએ 25 વર્ષ પૂરા થાય છે, એના માટે માનસી પરિવારના દરેક સભ્યો બહુ સારા છે અને બધાએ સાથ આપીને એક ગાયત્રી યજ્ઞ રાખ્યો છે. અમે એ રીતે શ્રદ્ધાંજલિ આપવાના છીએ જે લોકોએ માનસી પરિવારમાં જીવ ગુમાવ્યો છે. દંપતી પરિવારના ગુમાવેલા 6 સભ્યોના બર્થ ડે સેલિબ્રેટ કરે છેઅમીબેન તેના પરિવારના 6 સભ્યોના જન્મદિવસ વિશે જણાવે છે, તેણીના પૂર્વ પતિ, સાસુ, મિનેશભાઈના પૂર્વ પત્ની અને ત્રણ બાળકો. તેઓ દર વર્ષે ભલે નાની હોય પણ કેક કાપીને સાથે મળીને આ દિવસોની ઉજવણી કરે છે. તેમનો મોટો પુત્ર 6 જાન્યુઆરી, 2001ના રોજ જન્મ્યો હતો. ભૂકંપના સમયે તે માત્ર 20 દિવસનો હતો. 'દિવ્ય ભાસ્કરમાં વાંચ્યું ને મિનેશ મળ્યા'અમીબેન એ દિવ્ય ભાસ્કરનો આભાર માનતા જણાવ્યું હતું કે, જ્યારે તેમના મમ્મીએ દિવ્ય ભાસ્કર ન્યૂઝ પેપરમાં જોયું ત્યારે તેમણે ખબર પડી કે મિનેશભાઈ એક એવા વ્યક્તિ છે જેઓએ હજી સુધી બીજા લગ્ન નથી કર્યા. અને હું પણ એક વિધવા હતી તો મારા મમ્મી અને માસીએ મિનેશને લગ્ન માટે પ્રોત્સાહિત કર્યા હતા. ત્યારબાદ તેઓએ લગ્ન કર્યા. મને થયું કે હવે મારું શું થશે? માનસી ટાવર પાસે જ દુકાન ધરાવતા હિંમત કાકાએ જણાવ્યું હતું કે,મારી દુકાન પણ એ જ વિસ્તારમાં હતી. મારી ઉપરની દુકાન આખી તૂટી પડી હતી. મને થયું કે હવે મારું શું થશે? પણ કુદરતી રીતે મને કંઈ નુકસાન થયું નહોતું. જોકે, આસપાસની પરિસ્થિતિ જોતા જ હૃદય કંપી જતું હતું. લોકો બહુ જ રડતા હતા. કોઈને કંઈ સમજાય એવું નહોતું કે હવે શું કરવું. ઘર તો ફરી બંધાઈ જાય, પણ જેમના સ્વજનો ચાલ્યા ગયા એમની વેદના અસહ્ય હતી. એક ઘટના તો મને આજે પણ યાદ છે, એક ફૂલ જેવી નાની કુમળી છોકરી બીમ નીચે દબાઈ ગઈ હતી. એને બહાર કેવી રીતે કાઢવી એ એક મોટો પ્રશ્ન હતો. એ મંજર જોઈને આજે પણ કંપારી છૂટી જાય છે. 'માનસી ટાવરને આંગળી ચીંધી બતાવે છે કે અહીં આવો વિનાશ થયો'માનસી ટાવર હવે તો બધું ફરી બેઠું થઈ ગયું છે. નવા ફ્લેટ અને ડેવલપમેન્ટ પણ ઘણું થયું છે. પણ જ્યારે 26 જાન્યુઆરી આવે અને એક તરફ દેશનો તિરંગો લહેરાતો હોય અને બીજી બાજુ લોકોનો એ રૂદન યાદ આવે, ત્યારે મન ભારે થઈ જાય છે. આજે પણ બહારગામથી આવતા લોકો આ માનસી ટાવરને આંગળી ચીંધીને બતાવે છે કે અહીં આવો વિનાશ થયો હતો. ભૂકંપને કારણે શિખર ટાવરનો ડી બ્લોક પડી ગયો હવે વાત શ્યામલમાં આવેલા શિખર ટાવરની. ભૂકંપને કારણે શિખર ટાવરનો ડી બ્લોક પડી ગયો હતો. A, B અને C ત્રણેય બ્લોકમાં તિરાડો પડી જવાને કારણે હાઇકોર્ટ દ્વારા તેને ડિમોલિશ કરીને ફરીથી નવી બિલ્ડીંગ બનાવવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ 2004માં બ્લોક એ બનવાનું શરૂ થયું. ત્યારબાદ ધીમે ધીમે 2025 સુધીમાં ટોટલ A, B અને C બ્લોક બનીને તૈયાર થઈ ગયા છે. 'ચારે બાજુ અંધાધૂંધી થઈ ગઈ હતી'શિખર ટાવરના રહીશ દેવાંગ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે ભૂકંપ આવ્યો એ દિવસે અમે અમારા બીજા ઘરે હતા. આસપાસના લોકો દ્વારા તરત જ ખબર પડી ગઈ હતી કે ભૂકંપ થવાથી શિખર ટાવરનો ડી બ્લોક પડી ગયો છે. અમે અહીં આવવાનો ખૂબ પ્રયત્ન કર્યો. પણ બધી બાજુથી બેરીકેડ કરી દેવામાં આવ્યું હતું. અમને એવી જાણ થઈ ડી બ્લોક પડી ગયો છે અને ઘણા બધા લોકો એમાં દટાઈ ગયા હતા. ચારે બાજુ અંધાધૂંધી થઈ ગઈ હતી. શું કરવું શું ન કરવું કશું જ ખબર પડી રહી નહોતી. 'સભ્યોને શોધતા શોધતા જ અઠવાડિયા જેટલો સમય લાગી ગયો'અમને બે દિવસ બાદ સોસાયટીની અંદર આવવા મળ્યું હતું. અમે અંદરનો નજારો જોયો ત્યારે અનુભવ થયો કે જેનું ઘર જતું રહ્યું હોય એ જ આ પરિસ્થિતિને સમજી શકે. આસપાસની પરિસ્થિતિ જોતા એવું લાગતું કે લગભગ દરેક પરિવારના જેટલા પણ સભ્યોના મોત થયા હતા એ સભ્યોને શોધતા શોધતા જ અઠવાડિયા જેટલો સમય લાગી ગયો હતો. કાટમાળ હટાવવામાં જ જેટલા લોકોના મોત થયા હતા તેઓને બે દિવસે ચાર દિવસે એમ કરતા કરતા અઠવાડિયા સુધી બધાની લાશ મળી આવી હતી. '26મી જાન્યુઆરી આવે છે ત્યારે કમકમાટી છૂટી જાય છે'2001માં જ્યારે આ ઘર નવા નવા બન્યા હતા ત્યારે તે વખતના લોકોમાં એટલી પણ સમજણ ન હતી કે ઇન્સ્યોરન્સ લઈ લેવો જોઈએ. ઇન્સ્યોરન્સ ન લીધો હોવાને કારણે ઘણા લોકોને મોટું નુકસાન વેઠવાનું વારો આવ્યો હતો. જ્યારે 26મી જાન્યુઆરી આવે છે ત્યારે કમકમાટી છૂટી જાય છે. આજે 25 વર્ષ બાદ મને મારો ફ્લેટ મળ્યો છે એ વાતનો મને આનંદ છે. પરંતુ એ ગોજારો દિવસ અત્યારે પણ કલ્પના બહારની ધ્રુજારી છોડવી નાખે એવો હતો. આ ભૂકંપનો લગભગ લોકોએ પહેલી વખત અનુભવ કર્યો હશે. મેં પોતે પણ પહેલી વખત ભૂકંપનો અનુભવ કર્યો હતો. હુકમ થયા બાદ પણ ઘણા સમય સુધી આફ્ટર શોક આવતા હતા. તો ત્યારે પણ લોકોમાં એ જ ભયનો માહોલ ઘણા લાંબા સમય સુધી રહ્યો હતો. 'રજાની મજામાંથી લોકોમાં ભયનો માહોલ થઈ ગયો' 26 જાન્યુઆરી રજાનો દિવસ હોવાથી બધા જ લોકો રજાના મૂડમાં હતા. રજાની મજામાંથી લોકોમાં ભયનો માહોલ થઈ ગયો હતો. હું મારા મમ્મી પપ્પાના ઘરે વહેલી સવારે ચા નાસ્તો કરતો હતો એ દરમિયાન ડાઇનિંગ ટેબલ આખું હલવા લાગ્યું હતું. મને તો એ વખત કંઈ ખબર પડી ન હતી. પરંતુ મારા પપ્પાએ કહ્યું કે ભૂકંપ આવ્યો છે બધા ભાગો. એટલે પછી અમે બધા લોકો બહારની તરફ દોડીને આવી ગયા હતા. 'ઘણા દિવસો સુધી એક ગ્રાઉન્ડમાં રહેતા-જમતા'ઘણા દિવસો સુધી શિખરની સામે એક ગ્રાઉન્ડ હતું ત્યાં જ લોકો રહેતા હતા અને ત્યાં જ જમતા હતા. એ વખતે ખૂબ જ ઠંડી પડતી હતી છતાં લોકો ઘરવિહોણા ગાર્ડનમાં જ રહેતા હતા. ટેન્ટ બાંધીને લોકો ફૂટપાથ પર જ રહેતા હતા. જોકે દરેક ધાર્મિક જગ્યાઓ 24 કલાક માટે ખુલ્લી મુકી દેવામાં આવી હતી. જેથી લોકોએ મંદિરનો પણ સહારો લીધો હતો. ડી બ્લોક પડી ગયો હતો પરંતુ એની સાથે સાથે બીજા ત્રણ બ્લોક પણ જર્જરિત થઈ ગયા હોવાથી હાઇકોર્ટે ઓર્ડર કર્યો હતો કે આ ત્રણેય બ્લોકને ડિમોલિશ્ડ કરીને નવેસરથી બનાવવામાં આવે. જેથી હાઇકોર્ટના ઓર્ડર બાદ લગભગ 2004થી નવા બ્લોક બનવાના શરૂ થયા હતા. 'સંગેમરમર એપાર્ટમેન્ટનો એક બ્લોક ધરાશાયી થયો'હવે વાત આંબાવાડીમાં આવેલી સંગેમરમર એપાર્ટમેન્ટની. અહીં પણ 2 બ્લોકમાંથી એક બ્લોક ધરાશાયી થયો હતો અને તેમાં પણ ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા. અત્યારે પણ ત્યાંના લોકો એ દિવસ યાદ કરીને ધ્રુજારી અનુભવે છે. 'જેવા ઉઠ્યા ત્યારે બધું હલતું હતું'સ્થાનિક ચિરાગ પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 26 જાન્યુઆરી હોવાથી અમે બધા રજાના મૂડમાં હતા. રજાના દિવસ હોવાને કારણે અમે મોડા ઉઠ્યા હતા. જેવા ઉઠ્યા ત્યારે બધું હલતું હતું. અમને ખ્યાલ આવ્યો કે ભૂકંપ આવ્યો છે. એ વખતે હું અને મારા વાઈફ એક રૂમમાં હતા અને મારા મમ્મી, બેન બીજા રૂમમાં હતા. હું અને મારા વાઈફ રૂમના એક ખૂણામાં જતા રહ્યા હતા. પરંતુ એ 30 સેકન્ડની અંદર બહુ ભયાનક અવાજ આવવા લાગ્યો અને બિલ્ડીંગ પણ ખૂબ જોરથી હલવા લાગી હતી. ધીમે ધીમે ભૂકંપના આંચકા બંધ થયા. ત્યારબાદ અમે ધીમે ધીમે કાટમાળની અંદર ફસાયેલા હતા ત્યાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો હતો. 'મને બધા લોકોની ચીસો અને બુમો સંભળાતી હતી'જ્યારે બિલ્ડીંગ ધરાશાયી થયું હતું ત્યારે અહીંના ઘણા બધા સ્થાનિકો દટાયા હતા. એ વખતનો સમય એવો હતો કે મને બધા લોકોની ચીસો અને બુમો સંભળાતી હતી. ચારે તરફ લોકોની ચીસો સંભળાતી હતી. ખૂબ જ ભયાનક પરિસ્થિતિ હતી એ વખતની. ભૂકંપના લગભગ ચારથી પાંચ વર્ષ બાદ ફરીથી અમારી સોસાયટી બનાવવાનું શરૂ થયું. જે લોકો આ ભૂકંપમાં બચી ગયા તેણે અહીં જ રહેવાનું નક્કી કર્યું હતું. સ્થાનિકોએ એવું વિચાર્યું હતું કે જે જગ્યાએ અમે બચી ગયા છીએ તો ત્યાં જ રહીશું. 'મને હાઈરાઈઝ બિલ્ડિંગમાં જવાનો ખૂબ જ ડર લાગતો હતો'જ્યારે આ ભૂકંપ આવ્યો હતો એના ઘણા મહિનાઓ સુધી મને હાઈરાઈઝ બિલ્ડિંગમાં જવાનો ખૂબ જ ડર લાગતો હતો. એવું થતું હતું કે હમણાં આ બિલ્ડીંગ પણ પડી જશે. ઘણા લાંબા સમય સુધી મને હાઇરાઇઝ બિલ્ડીંગમાં જવાનો ફોબિયા પણ થઈ ગયો હતો. હું કદાચ કોઈ કારણોસર હાઇરાઇઝ બિલ્ડીંગમાં જાવ તો પણ બને એટલું ફટાફટ કામ પતાવીને નીકળી જતો હતો. એ વાતને આજે 25 વર્ષ થઈ ગયા. પરંતુ અત્યારે એ દિવસ મને સપના જેવો લાગી રહ્યો છે. મને એ વાતનો આનંદ થયો કે બધું જ પતી ગયું હોવા છતાં પણ હું અને મારો પરિવાર બચી ગયા હતા. આવા સમયમાં પોઝિટિવ માઈન્ડ સેટ રાખવું ખૂબ જ જરૂરી છે. સમય એ જ સમય એ સૌથી મોટી દવા છે. અને પેશન્સ રાખવું પણ એટલું જ જરૂરી છે.
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... આ સપ્તાહે પોસ્ટિંગ વગરના IPSને પોસ્ટિંગ મળે તેવી શક્યતારાજ્યના પોલીસતંત્રમાં લાંબા સમયથી એક પ્રકારની ‘અસ્થાયી વ્યવસ્થા’ ચાલી રહી છે. પ્રમોશન મળી ગયું છે, પણ પોસ્ટિંગ મળ્યું નથી, એવી સ્થિતિમાં બેઠેલા DIG અધિકારીઓની સંખ્યા વધી રહી છે. પોલીસ બેડામાં એવી ચર્ચા છે કે આ ગોઠવણ હવે વધુ લાંબા સમય સુધી ચાલવાની નથી. આ સપ્તાહમાં ગમે ત્યારે બદલીના આદેશો બહાર આવે તેવી સંભાવના છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન આ અધિકારીઓને ખાસ પ્રસંગે જવાબદારી આપવામાં આવી હતી, પરંતુ નિયમિત નિમણૂક ન મળતા અંદરખાને અસંતોષ છે. હવે રાજકીય સ્તરે લીલી ઝંડી મળતાં જ આખી યાદી ખૂલવાની ચર્ચા ચાલી રહી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી લઈને વિધાનસભા ચૂંટણી સુધીની તમામ બાબતોને ધ્યાનમાં રાખી અધિકારીઓની પોસ્ટિંગ કરવામાં આવનાર છે. 9 રેન્જ આઇજીમાંથી પાંચ અધિકારીઓની બદલીઓ નિશ્ચિત માનવામાં આવી રહી છે. વેઇટિંગ ફોર પોસ્ટિંગના અધિકારીઓ પોસ્ટિંગની રાહ જોઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાંથી અધિકારીઓ પણ પોતાને બહાર જિલ્લામાં પોસ્ટિંગ મળે તેના માટે તત્પર છે. વિદેશ જઈ રહેલા નેતાને વળાવવા ભાજપના કાર્યકર્તાઓ એરપોર્ટ પહોંચ્યા!તાજેતરમાં જ ભાજપના એક નેતા વિદેશ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ગયા હતા ત્યારે એરપોર્ટ ઉપર મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓને ભેગા કરવામાં આવ્યા હતા. ભાજપના નેતા વિદેશમાં એક કાર્યક્રમમાં ભાગ લેવા જતા હતા ત્યારે શહેરના ભાજપના નેતાઓએ કાર્યકર્તાઓને એરપોર્ટ ઉપર ભેગા કરીને નેતાને ખુશ કરવા માટે આ કાર્યક્રમ ગોઠવ્યો હોવાની ચર્ચા છે. જ્યારે કોઈ નેતા વિદેશ કાર્યક્રમમાં ભાગ લેવા જતા હોય ત્યારે વિદાય આપવા માટે કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં ભેગા કર્યા હોય એવું જોવા મળ્યું નથી પરંતુ પ્રથમ વખત મોટા શહેરના નેતાઓએ નવો ચીલો શરૂ કરી અને નેતાને દેશમાંથી વિદેશ જતી વખતે વિદાય આપવા માટે મોટી સંખ્યામાં ભેગા કરી અને સારું દેખાડવાનો પ્રયત્ન કરાયો હોવાની ભાજપના જ કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે. MP લખેલી ગાડી અથડાઈ, પણ ગાંધીનગરની શાંતિ જળવાઈ—ન ઝઘડો, ન હોબાળોસ્વર્ણિમ સંકુલ બહાર એક નાની પણ ચર્ચાસ્પદ ઘટના બની. ‘મેમ્બર ઓફ પાર્લામેન્ટ’ લખેલી ગાડી પાછળથી બીજી ગાડી સાથે ધડાકા સાથે અથડાઈ, બંને વાહનોને મોટું નુકસાન થયું. સામાન્ય રીતે આવા કિસ્સામાં માહોલ ગરમ થઈ જાય, પરંતુ અહીં કંઈક અલગ જ જોવા મળ્યું. ગાડીમાં સાંસદ હાજર ન હોવા ઉપરાંત બંને પક્ષે કોઈ ઉગ્ર પ્રતિક્રિયા નહીં, ન ઝઘડો, ન હોબાળો. ‘બંને એકબીજા સામે જોયા વગર પોતાના રસ્તે ચાલ્યા ગયા. ગાંધીનગરમાં લોકો કહી રહ્યા છે, અહીં અકસ્માત પણ શાંતિથી પતાવી દેવામાં આવે છે! IAS શાલિની અગ્રવાલને સુરતના કમિશનરપદેથતી એકાએક કેમ હટાવાયા ?2005ની બેચના IAS અધિકારી શાલીની અગ્રવાલની સુરતના મ્યુનિસિપલ કમિશનર પદેથી એકાએક બદલી કરાઈ હતી. તેમને વડોદરામાં GUVNL- ગુજરાત ઉર્જા વિકાસ નિગલ લિમિટેડના મેનેજીંગ ડીરેક્ટર તરકે મુકી દેવાયા છે. આઈએએસ જેનુ દેવમ પાસે તેનો વધારાનો હવાલો હતો. શાલિની અગ્રવાલની જગ્યાએ ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એમડીનો હવાલો સંભાળતા અને 2009ની બેચના એમ. નાગરાજનને સુરતના મ્યુનિ.કમિશનર બનાવાયા છે. જેને લઈને બ્યુરોક્રેટ્સમાં ગણગણાટ વધ્યો છે. કેમકે નાગરાજન ખુબ જ જૂનિયર ગણાય છે. કઈ રીતે તેમને રાતોરાત સુરત માટે પસંદ કરાયા તે અંગે હજુ ટોચના અધિકારીઓ પણ માથું ખંજવાળી રહ્યા છે. હજુ આગામી દિવસોમાં કલેકટરોની સામૂહિક બદલીઓ આવશે. કૌભાંડીઓને છાવરનારા અધિકારીઓ સામે હવે કડક કાર્યવાહી, COSમાં CSએ લાલ આંખ કરતા સન્નાટોમુખ્ય સચિવ એમ.કે. દાસે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી વહીવટી તંત્રને રીતસરનુ દોડતુ કરી દીધુ છે. કેબિનેટની સમાંતર મળતી COS-કમિટી ઓફ સેક્રેટરીઝની મીટીંગમાં મુખ્ય સચિવે આ વખતે ભ્રષ્ટાચાર કરનારાઓને ચેતવણી સાથે સુધરી જવાની આખરી ચેતવણી આપી છે. તેઓએ આ બેઠકમાં કહ્યુ કે, છેલ્લા કેટલાક સમયથી મોટાભાગના સરકારી ડીપાર્ટમેન્ટોમાં ચાલી રહેલી પ્રાથમિક ખાતાકીય તપાસમાં કોઈ જ પ્રગતિ થતી નથી. કેટલાક વિભાગોમાં તો ત્રણથી પાંચ વર્ષ સુધી આવી તપાસ ચાલી રહી છે. જે તે કર્મચારી કે અધિકારી સામે ચાલતી ખાતાકીય તપાસને ત્રણ મહિનાની અંદર પૂરી કરી દેવાની મહેતલ ટોચના અધિકારીઓને અપાઈ છે. જેને કારણે કેટલાક અધિકારીઓ એવા છે કે જેમના પર ખરેખર ખોટા આક્ષેપો થયા હતા છત્તા તેઓ પીડાઈ રહ્યા છે. જ્યારે ભ્રષ્ટાચારીઓને તપાસ નહી થવાને કારણે છૂટો દોર મળી ગયો છે. તપાસમાં વિલંબ કરનારા જવાબદાર અધિકારીઓને નોટીસો આપો અને કૌભાંડીઓને બચાવવા બદલ તેમની સામે પણ કડક કાર્યવાહી કરો. કેમકે ખાતાકીય તપાસની જેમની જવાબદારી છે તેઓ જ કૌભાંડીઓને બચાવે તે ચલાવી લેવાય નહી. જ્યાં સૌથી વધુ લાંબો સમય ચાલી રહ્યો છે તેમાં શિક્ષણ વિભાગ, રોડ એન્ડ બિલ્ડિંગ, ઈરીગેશન હેલ્થ વિભાગનો સમાવેશ થાય છે. મુખ્ય સચિવે કૌભાંડીઓને છાવરતા તત્વો સામે લાલ આંખ કરતા મીટંગમાં સન્નાટો બોલી ગયો હતો. પબ્લિક ડે ‘ફાઈલ ડે’ બની ગયો? સ્વર્ણિમ સંકુલમાં મંગળવારે પણ મિટિંગોના લીધે અરજદારો મંત્રીઓને ના મળી શક્યાગાંધીનગરમાં પબ્લિક ડેના દિવસે લોકો પોતાના કામ લઈને આવે છે, પરંતુ ગત મંગળવારે સ્થિતિ કંઈક અલગ હતી. મંત્રીઓ પોતાના કેબિનમાં નહીં, પરંતુ મિટિંગ રૂમમાં જોવા મળ્યા. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બહારગામ હોવા છતાં મિટિંગોની લાઈન લાગેલી હતી. પરિણામે ધારાસભ્યો અને અરજદારોને ‘આજે સાહેબ વ્યસ્ત છે’ એવો જવાબ સાંભળવો પડ્યો. મુખ્યમંત્રીએ અગાઉ પણ સૂચના આપેલ છે કે પબ્લિક ડે પર મિટિંગ ન રાખવી અને પોતાના વિસ્તારમાં પણ ના જવું તેમ છતાં શેઠની શિખામણ ઝાંપા સુધી. શિક્ષણ મંત્રી ભાજપના નેતાઓની વાત પણ પૂરી રીતે સાંભળતા નથી!શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાઝાએ મંત્રીપદના શપથ લીધા બાદ સતત વિવાદમાં રહે છે. ભારે વરસાદ વખતે ખેતરોમાં લાંબા અને સ્ટાઈલીસ્ટ બુટ પહેરીને ફોટા પડાવનારા આ મંત્રી સામે એ સમયે પણ ભારે રોષ વ્યાપ્યો હતો. ત્યારબાદ પણ તેઓના એટીટ્યુડની ફરિયાદો થતી રહી હતી. હવે ભાજપના જ કેટલાક નાના મોટા નેતાઓમાં શિક્ષણમંત્રીના વર્તનથી નારાજગી ઉભી થઈ રહી છે. તાજેતરમાં જ અમદાવાદના ભાજપના કેટલાક નેતાઓ સરકારી કામને લઈને તેમને મળવા ગયા હતા. એ અગાઉ પણ અન્ય જીલ્લાના નેતાઓ પોતાના વિસ્તારોના પ્રશ્નોને લઈને તેમને મળવા ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે, આ તમામ નેતાઓને સરખા વર્તનનો અનુભવ થયો હતો. તેઓને બેસવા માટે પણ કહેવાયુ નહોતુ. જેને બેસાડ્યા તેની માત્ર એક મિનિટ વાત સાંભળીને જવાબ આપ્યો કે, હું જોવડાવી લઈશે. આ જ રીતે શિક્ષણ મંત્રીના કાર્યાલયની બહાર મુલાકાતીઓની લાંબી કતાર જોવા મળતી હોય છે. મળવા માટે એકથી બે કલાક રાહ જોયા બાદ મંત્રી તેમને બે મિનિટ પણ સાંભળતા ન હોવાની ચર્ચા છે. જેને લઈને ભાજપના નેતાઓ તેમજ નાગરિકો પૂર્વ શિક્ષણ મંત્રીઓને યાદ કરી રહ્યા છે. તેમજ સચિવાલયમાં ચર્ચા કરી રહ્યા છે કે, આ અગાઉ આવો અનુભવ ક્યારેય થયો નથી. અમદાવાદમાં થતા ગેરકાયદે બાંધકામમાં પોલીસને 'રસ' જાગ્યોજો અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામો બને તો હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ કરતા પોલીસને વધારે રસ હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય ઓફિસની આસપાસના વિસ્તારોમાં થયેલા ગેરકાયદેસર દબાણો અને લઈ હવે કોર્પોરેશનના અધિકારીઓ ધ્યાન નથી આપતા પરંતુ જે તે પોલીસ સ્ટેશનના ખાસ લોકો આ બાબતે ધ્યાન આપી રહ્યા છે. તાજેતરમાં જ ગેરકાયદેસર બાંધકામોની સ્કીમ માટે એક પોલીસ સ્ટેશનના ખાસ માણસને વધારે રસ હોય એમ જેટલી પણ બાંધકામની સ્કીમો છે એના વિશે એમને પાસે બધી માહિતી પહોંચી જાય છે અને જ્યાં પણ ગોઠવણ કરવાની હોય ત્યાં ગોઠવણ પણ કરી નાખે છે. ત્યારે હવે જો ગેરકાયદેસર બાંધકામમાં કોઈ ઘટના બને તો કોર્પોરેશનની સાથે પોલીસની પણ તપાસ થવી જોઈએ એવી ચર્ચા છે. પ્રાથમિક શિક્ષણના નિયામક 31મીએ નિવૃત્ત થશે, એક્સ્ટેન્શન પર આ પદ પર રહેવાની પણ ના પાડીપ્રાથમિક શિક્ષણના નિયામકપદેથી મહેશ જોશી 31મી જાન્યુઆરીના રોજ વયનિવૃત્ત થઈ રહ્યા છે. તેમનો સેવાકાળ ખુબ જ સરસ રહ્યો છે. જોકે, પૂર્વ શિક્ષણમંત્રી ડીંડોરના સમયગાળો તેમના માટે સૌથી કઠીન સમય રહ્યો હતો. હવે તેમની જગ્યાએ કોને મુકવા તે સરકાર માટે માથાનો દુઃખાવો બની ગયુ છે. એમ.આઈ. જોશીને સરકારે બોલાવીને તેમની ઈચ્છા જાણી હતી. તેમજ આ જગ્યા પર જ કોન્ટ્રાક્ટ બેઝ પર નિમણૂક આપવાની ઓફર પણ આપી હતી. ચર્ચા મુજબ જોશીએ ખુબ જ વિનંતીથી આ પદ પર રહેવાની ના પાડી દીધી છે. અન્ય કોઈ જગ્યા પર ઓફર અપાશે તો કદાચ જોશી પોતાની સેવાનો લાભ આપવા તૈયાર થશે. બીજી બાજુ,સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષણની ગુણવત્તાને જાળવી રાખવાનુ તેમજ બાળકોનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનુ કે જાળવવો એ મોટો પડકાર છે. તેના માટે શિક્ષણમાં જ ખુંપેલા રહેતા અધિકારીઓ જ કામ કરી શકે છે. જ્યારે હવે સરકાર પાસે એ સ્તરની લાયકાત ધરાવતા અધિકારીઓની પણ મોટી ઘટ છે. સરકાર પાસે હાલમાં માત્ર ત્રણ જેટલા જ વિકલ્પ છે. જો સરકાર ઈચ્છે તો કોઈ અન્ય શેક્ષિણિક સંસ્થામાંથી પણ લાયકાતવાળા નિયામકની પસંદગી કરી શકે છે. વર્ષ પૂરું થવા પહેલાં ખર્ચ પર સરકારનું દબાણ, ‘ગ્રાન્ટ છે પણ વપરાતી નથી’નાણાંકીય વર્ષના અંતની નજીક સરકારે વિભાગોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે—ફાળવેલા નાણાં ફાઇલોમાં નહીં, વિકાસના કામોમાં દેખાવા જોઈએ. ઘણી વખત સ્થાનિક સ્તરે ‘ગ્રાન્ટ નથી’ કહી કામ અટકાવાતું હોવાની ફરિયાદો સામે આવી છે. તાજેતરમાં થયેલી બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું કે ગુણવત્તા જાળવીને વિકાસકાર્ય ચાલુ રાખવા અને નાણાંના બહાને વિલંબ ન કરવો. જો ખર્ચ વધે તો સમયસર વધારાની માંગ મૂકવાની સૂચના આપવામાં આવી છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
કચ્છના એ વિનાશકારી ભૂકંપના આજે 25 વર્ષ પૂરાં થઇ ગયાં. કુદરતે કચ્છી માડુઓને કારમી થપાટ મારી, પણ એનાં ખમીરને તોડી શકી નહીં. ભાસ્કરની ખાસ સિરીઝ ‘ભૂકંપ@25’માં આજે કચ્છ પાસેથી જ સાંભળીએ એમની દાસ્તાન. હું કચ્છ બોલું છું.અનોખું, અલબેલું અને અડિખમ, તમારું કચ્છ. આજે હું 25 વર્ષ પહેલાંની કુદરતની એ કારમી થપાટ અને મારા બેઠાં થવાની કહાણી કહું છું. 8 વાગ્યાને 46 મિનિટે ઘડિયાળના કાટા સ્થિર થયાઅચાનક મારી ધરતી ફાટી.........અને દોઢથી બે મિનિટમાં તો.......મારી છાતીએ ઊભેલી બિલ્ડિંગો મારાં પેટાળમાં સમાઇ ગઈ. મારી રેતાળ ધરામાં હજારો કચ્છી માડુઓ જીવતેજીવ દફન થઈ ગયા. એ દિવસે મેં જીવ બચાવવાની દોડાદોડી જોઈ અને મરણચીસો સાંભળી. મારા મુકુટ સમા રણમાં આંસુની ધારાઓ વહેતી જોઈ. હજારો જીવ, લાખો ઘર અને અબજોની મિલકત. સેકન્ડોમાં જ બધુય સ્વાહા થઈ ગયું.નજર નાખો ત્યાં તારાજી. જાણે મારું અસ્તિત્વ જ કાટમાળમાં ધરબાઇ ગયું.7.7ની તીવ્રતાના ભૂકંપનો આ ભયાવહ મંજર હતો.અને હું એ બધુ નિ:શબ્દ બનીને જોતો રહ્યો. સૂરજબારીનો પુલ તૂટતાં મારું નાકું જ બંધ થઈ ગયું, લાઇટ નહીં, ટેલિફોન નહીં અને કોઇનો સંપર્ક પણ નહીં.પણ આવનારા આવવા લાગ્યા. દેશમાંથી, પરદેશમાંથી.ધીરેધીરે રાહત, સહાય, મદદ, માનવતા અને કરૂણાનો ધોધ વહ્યો રાત-દિવસ જોયા વિના સૌ કોઈ મારી ભાંગી ગયેલી કમરને સાંધા મારી મને બેઠું કરવા મથવા લાગ્યા. સમયની સાથે મારા ઘા રૂઝાતા ગયા. મુંજી છાતી તેં ભલે ને રિણ વિછાયલ આય પ કચ્છી માડુ જો પાણી આય...મારી છાતીએ ભલે રણ પથરાયેલું છે પણ કચ્છી માડુઓમાં પાણી છે. કુદરતે બે હાથે છીનવ્યું અને હજાર હાથે આપવાનું શરૂ કર્યું. દરિયામાં નવાં પોર્ટ અને સૂકાભાઠ પટમાં ઇન્ડસ્ટ્રીઝ આવી. અરે સેટેલાઇટથી દેખાય એવા મસમોટા પ્રોજેક્ટે મારાં અફાટ રણમાં આકાર લીધા. મિંજો વિકાસ ડીંજો નિતરે, રાતજો થીએ પ્યો...હા, મારો વિકાસ દિવસે નહિ એટલો રાત્રે થઈ રહ્યો છે. મા નર્મદાએ તો મારું સૂકાભાઠ પ્રદેશનું કલંક જ મિટાવી દીધું. આજે હું ખારા નમકની ચાદર ઓઢીને સૂતું છુંએ જ કાળો ડુંગર, એ જ સફેદ રણ અને એ જ બ્લૂ દરિયો આજે મારી શોભા છે. કાળની આ થપાટે મને ઘણું શીખવ્યું છે. મને એવી બિલ્ડિંગો મળી છે જેને ભલભલા ભૂકંપ પણ હવે હલાવી નહીં શકે.આજે મારા ગામડાં અને શહેરોની દશા ને દિશા બદલાઇ ગઇ છે.હાઇવે, બ્રિજ અને રેલવેની કનેક્ટિવિટીથી હું ફરી દુનિયા સાથે દોડવા લાગ્યું છું. આફત પછી પણ અડીખમ રહેવું એજ તો મારું કચ્છીપણું છે.છેવટે હુંય તો દાદા સોમનાથનું જ વારસ છું ને.આઉં કચ્છ, જડેં જડેં તુટધો તડે તડે ઊભો થીંધોસ..હા, એમ જ, જ્યારે જ્યારે ભાંગીશ ત્યારે ત્યારે ફરી બેઠું થઈશ.કેમ કે, હું કચ્છ છું.......ખમીરવંતું કચ્છ.
દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ભૂકંપ @25માં આજે વાત એવા 2 લોકોની જે ધરતીકંપ બાદ નરેન્દ્ર મોદી માટે ભોમિયા બન્યા હતા. એક વ્યક્તિએ નરેન્દ્ર મોદીને બાઇક પર બેસાડીને ભૂકંપની તબાહી બતાવી હતી તો બીજી વ્યક્તિ એવી હતી જેની બાઇક પાછળ મોદીનો કાફલો ચાલ્યો અને વિનાશને નજરે જોયો. પહેલાં વાત કરીએ ચોબારી ગામના રામજી મેરિયાની. ફોટો ક્લિક કર્યો ને બીજી મિનિટે ભૂકંપ આવ્યોકચ્છના ભચાઉના ચોબારી ગામે એક પંચાયત ઘર હતું. જ્યાં મોટા પ્રસંગે ગામના લોકો ભેગા થતાં હતા. 2001ની 26 મી જાન્યુઆરીના દિવસે પણ અહીંયા આગેવાનો અને વિદ્યાર્થીઓ ધ્વજ વંદન માટે એકઠા થયા હતા. ગામના જ રામજી મેરિયા તેમાં એન્કરિંગ કરી રહ્યા હતા. ભૂકંપની 2 મિનિટ પહેલાં તેમણે બાળકીઓ પ્રાર્થના કરતી હોય તેવો એક ફોટો ક્લિક કર્યો હતો અને બીજી જ મિનિટે ભૂકંપ આવ્યો હતો. ધરતી હલવા લાગી હતી, મકાનો પડવાથી જોરદાર અવાજ આવવા લાગ્યો હતો. હાજર સૌ કોઇને પહેલાં તો એવું થયું કે કોઇ બ્લાસ્ટ થયો છે પણ પછી ખબર પડી કે આ તો ભૂકંપ છે. રામજી મેરિયાએ ઝંડાને પકડી રાખ્યો હતો. ભૂકંપના કારણે તેમના પર જેટલા લોકો આવીને પડ્યા તે બધા બચી ગયા હતા. બાકીના લોકો મૃત્યુ પામ્યા હતા. ગામમાં 550 લોકોનાં મોતચારેતરફ મૃતદેહો પડેલા હતા. કાટમાળની નીચે કોઇનો હાથ દેખાય, કોઇનું ડોકું દેખાય તો કોઇના પગ દેખાય. બધા મકાનો પડી ગયા હતા. ભૂકંપની બીજી જ મિનિટે આખું ગામ હતું નહોતું થઇ ગયું હતું. ગામમાં 550થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. ભૂકંપની તીવ્રતા એટલી બધી હતી કે 2 ફૂટની દીવાલ પણ નહોતી બચી. પંચાયત ઘરથી 200 મીટર દૂર જ રામજી મેરિયાનું ઘર હતું. કાટમાળ પર થઇને તેઓ જ્યારે પોતાના ઘરે જતાં હતા ત્યારે વીજળીના તાર તેમના હાથમાં આવી ગયા હતા. રામજીભાઇને થયું કે હું ભૂકંપમાં તો બચી ગયો છું પણ તાર પકડ્યા એટલે નહીં બચી શકું. જોકે એ સમયે સદભાગ્યે વીજળી નહોતી એટલે કોઇ તકલીફ ન થઇ. આગળ રામજીભાઇની બાઇક, પાછળ મોદીની કારરામજીભાઇનો મૂળ વ્યવસાય ખેતી છે. તેઓ મીડિયા સાથે પણ જોડાયેલા છે. નેચર કલ્ચર અને વાઇલ્ડ લાઇફ તેમના શોખના વિષય છે. ચોબારી ગામ ભૂકંપનું એપીસેન્ટર હતું અને ભૂકંપ પછી પહેલી દિવાળી આવી રહી હોવાથી દિવાળીના દિવસે નરેન્દ્ર મોદી આ ગામમાં આવ્યા હતા. એ સમયે રામજીભાઇએ તેમની સાથે રહીને કઇ જગ્યાએ કેટલું નુકસાન થયું છે તે બતાવ્યું હતું. રામજીભાઇ બાઇક લઇને આગળ જતા અને નરેન્દ્ર મોદીનો કાફલો તેમની પાછળ જતો. રામજી મેરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં એ દિવસને યાદ કર્યો. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ચોબારીમાં પગ મૂક્યો ત્યારે તેમની સાથે પોલીસની ગાડીઓ નહીંવત હશે, કોઇ સિક્યોરિટીની જરૂર નહોતી. હું મારી બાઇકથી આગળ જતો હતો, પાછળ તેમની કાર હતી અને એક પોલીસની કાર હતી. ચોબારીમાં જ્યાં-જ્યાં નુકસાની થઇ હતી. એ બધે અમે ફર્યા હતા. વાડી વિસ્તાર વચ્ચે આવતો હતો એ પણ જોયો હતો. નરેન્દ્ર મોદીએ સવારથી માંડીને બપોર સુધીનો સમય અહીં ચોબારી ગામમાં વીતાવ્યો હતો. બાજુમાં આવેલા ત્રમ્બો ગામે જઇને ભોજન લીધું હતું. શિવાલય પાસે સભા અને લોકોને સાંત્વનાગામની મુલાકાત દરમિયાન જ્યાં લોકો બેઠાં હતા ત્યાં જઇને નરેન્દ્ર મોદીએ તેમની સાથે હાથ મિલાવ્યા હતા, રામ રામ કર્યા પણ ત્યારે લોકો આઘાતમાં હતા. બધાના ઘરમાંથી કોઇને કોઇનું મૃત્યુ થયું હતું. ગામમાં આવેલા ચાઉમુખી ધામ એટલે કે શિવાલય પાસે કાટમાળ પડ્યો હતો ત્યાં નરેન્દ્ર મોદીએ સભા સંબોધી હતી. લોકોને સાંત્વના આપી હતી અને પોતે પણ ભાવુક થઇ ગયા હતા. બોલતા બોલતા મોદીની આંખમાં આંસુ આવી ગયાતેઓ કહે છે કે, નરેન્દ્ર મોદી આખું ગામ ફરીને મંદિર પર આવ્યા હતા અને લોકોને સંબોધ્યા હતા. કેટલાક મીડિયાકર્મીઓ પણ હતા ત્યારે સવાલ કરવામાં આવ્યો કે આજે આખો દેશ દિવાળી મનાવી રહ્યો છે પંરતુ તમે આ ગામમાં આવ્યા છો. તેનું કારણ શું છે? એ સમયે નરેન્દ્ર મોદી પણ ભાવુક બની ગયા હતા અને મીડિયાને કહ્યું હતું કે આજે આખો દેશ દિવાળીના દીવા પ્રગટાવી રહ્યો છે..... આટલું કહેતાં જ તેમના ગળે ડૂમો બાજી ગયો હતો. મોદી આગળ બોલી ન શક્યા. ત્રીજી વખત જ્યારે મીડિયાએ પૂછ્યું ત્યારે એટલું જ બોલી શક્યા કે આજે આખો દેશ દિવાળીના દીવા પ્રગટાવી રહ્યો છે પરંતુ આ ગામના દરેક ઘરમાં જીવનદીપ બુઝાઇ ગયો છે. આટલું કહીને એ ખૂબ જ ભાવુક થઇ ગયા હતા. તેમની આંખમાં પાણી આવી ગયું હતું. ‘ગામમાં સૌથી પહેલાં મેં મૃતકો, ઇજાગ્રસ્તો અને લાપતા લોકોનો સર્વે કરી રાખ્યો હતો. જેથી નરેન્દ્ર મોદીને ગામમાં ક્યાં લઇ જવા, કેવી રીતે બધું નુકસાન બતાવવું તેનો મને ખ્યાલ હતો. એ હિસાબે મારે આખા ગામમાં એમની સાથે રહેવાનું થયું હતું.’ ચોબારીના લોકો સાથે મોદીનો સતત સંપર્કરામજીભાઇએ કહ્યું, એપીસેન્ટર હોવાના કારણે સ્વભાવિક છે કે ચોબારી ગામમાં તીવ્રતા વધુ હોય. એ પરિસ્થિત નિહાળીને નરેન્દ્ર મોદીને લાગ્યું કે કચ્છમાં આટલી બધી ખાનાખરાબી થઇ છે. માત્ર દિવાળી મનાવી એટલું જ નહીં એ પછી પણ એ સતત ચોબારીના લોકો સાથે સંપર્કમાં હતા. ‘ઘણીવાર મારે મળવાનું થતું હતું ત્યારે પણ મોદી હાલચાલ પૂછતાં હતા. આ વિસ્તારના ત્યારના ધારાસભ્ય ધીરુભાઇ શાહ એ સમયે વિધાનસભાના અધ્યક્ષ હતા. એના કારણે મારે મોદીને મળવાનું થતું ત્યારે તેઓ મને પૂછતાં કે ચોબારીની હાલત કેવી છે? શું ચાલે છે ત્યાં? વડાપ્રધાન બન્યા પછી આજે પણ મોદી કચ્છમાં આવે તો ચોબારીનો ઉલ્લેખ કરે છે. એ પહેલા અમારે એમની સાથે કોઇ સબંધ નહોતા પણ ભૂકંપ વખતે વિઝિટ થઇ એ પછી ઘણીવાર સંપર્કમાં રહેવાનું થયું હતું.’ જ્યારે રામજીભાઇને મુખ્યમંત્રીની ઓફિસમાંથી ફોન આવ્યોભૂકંપ સમયે રામજી મેરિયાએ જે ફોટો ક્લિક કર્યા હતા તે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તેમની પાસે માગવામાં આવ્યા હતા. આ કિસ્સાને યાદ કરતા તેમણે કહ્યું કે, ભૂકંપ સમયે મેં ફોટોગ્રાફી કરી હતી જેથી એ ફોટો ફક્ત મારી પાસે હતા. CMOમાંથી ત્રણેક વાર મારા પર ફોન આવ્યા હતા કે આ ફોટો મારે પહોંચાડવાનો છે. ‘એક વખત સામખિયાળીમાં પ્રોગ્રામ હતો. મેં એમને રૂબરૂ ફોટો આપ્યો ત્યારે ધીરુભાઇએ (વિધાનસભાના તત્કાલીન અધ્યક્ષ) કહ્યું કે નરેન્દ્રભાઇ રામજી તમારા માટે ફોટો લાવ્યો છે. એ જોઇને તેમણે રાજીપો વ્યક્ત કર્યો હતો કે તમારી પાસે આ ફોટો છે. 2011 માં સદભાવના મિશન વખતે મને કહેવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી વાગડ આવી રહ્યાં છે ત્યારે મે એક સૂત્ર આપ્યું હતું કે ભાતીગળ વાગડ, સૌથી આગળ. આજે વાગડમાં આ સૂત્ર બહુ ચાલે છે.’ આ તો હતી ચોબારી ગામના રામજી મેરિયાની વાત. રામજીભાઇ જેવી જ અન્ય એક વ્યક્તિ છે દિલીપ દેશમુખ. બસ, બન્નેમાં ફેર માત્ર એટલો કે રામજીભાઇ પોતાની બાઇક પર હતા અને મોદીનો કાફલો તેમની પાછળ. જ્યારે દિલીપ દેશમુખે નરેન્દ્ર મોદીને પોતાની બાઇક પાછળ બેસાડીને ભૂકંપગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરાવી હતી. દિલીપ દેશમુખ બાઇક ચલાવતા હોય અને મોદી તેમની પાછળ બેઠાં હોય તેવો 25 વર્ષ જૂનો ફોટો આજની તારીખે પણ તમને ઇન્ટરનેટ પર જોવા મળે. દિવ્ય ભાસ્કરે દિલીપ દેશમુખ સાથે વાત કરીને એ દિવસનો ઘટનાક્રમ અને મોદી સાથેના કિસ્સાઓ અંગે માહિતી મેળવી હતી. દિલીપ દેશમુખ આજે 'દાદા' તરીકે ઓળખાય છે. તેઓ 1982થી RSSના પ્રચારક હતા. મહારાષ્ટ્રમાં થોડો સમય કામ કર્યા પછી પ્રચારક તરીકે ગુજરાત આવ્યા. શરૂઆતમાં 10 વર્ષ દક્ષિણ ગુજરાતમાં પ્રચારક તરીકેની જવાબદારી નિભાવી હતી બાદમાં 3.5 વર્ષ ઉત્તર ગુજરાતમાં પ્રચારક તરીકે કામ કર્યું હતું. 2004 સુધી સંઘના પ્રચારક હતા, હવે પ્રચારક નથી. 2005થી માંડવી તાલુકાના બીદડા ગામમાં એક શાળાના સંચાલક છે. અત્યારે ફૂલ ટાઇમ ફ્રી લાન્સર છે. 2020માં તેમણે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડ્યું હતું ત્યારબાદ તેમણે અંગદાન માટે ઝુંબેશ શરૂ કરી છે. ભાસ્કર સાથેની વાતચીતમાં તેમણે ભૂકંપના દિવસની ગોઝારી યાદોને વાગોળી. 26મી જાન્યુઆરી, 2001ના દિવસે તેઓ સામખિયાળી હતા. ભૂકંપ બાદ તેમણે ભૂજ જવાનું નક્કી કર્યું હતું. અંજારમાં સેંકડો લાશો જોઇતેમણે કહ્યું, ભૂકંપ આવ્યો એટલે સંચાર તંત્ર ઠપ થઇ ગયું હતું. મેં નક્કી કર્યું કે મારે ભૂજ જવું જોઇએ. પહેલા હું ભચાઉ ગયો ત્યાંથી ગાંધીધામ, આદિપુર, અંજાર અને વચ્ચે આવતા ગામોમાં થઇને સાંજે હું ભૂજ પહોંચ્યો. અંજારમાં તો મેં મારી નજરે સેંકડો લાશો જોઇ હતી. લોકોમાં અતિશય ભયનો માહોલ હતો. શું કરવું એ ખબર નહોતી પડતી. હું રતનાલ ગયો ત્યાં તે સમયે સંઘના જિલ્લા સહકાર્યવાહ અને અત્યારના ભાજપના પ્રમુખ દેવજીભાઇ વરચંદને હાથલારીમાં 2 લાશો લઇને જતાં જોયા હતા. 26 તારીખે ધરતીકંપ આવ્યો અને 27મી તારીખે નરેન્દ્ર મોદી કચ્છ આવી ગયા હતા. વહેલી સવારે દિલીપ દેશમુખે ભૂજના જ્યૂબિલી ગ્રાઉન્ડમાં નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. મોદીએ કહ્યું- લખીને આપો કે શું કરવું જોઇએ?આ વાતને યાદ કરતા દિલીપ દેશમુખ આગળ કહે છે કે, બંડારૂ લક્ષ્મણ પણ નરેન્દ્ર મોદી સાથે હતા. મારી નરેન્દ્ર મોદી સાથે 10 મિનિટની મુલાકાત થઇ હતી. હું નરેન્દ્ર મોદીને કંઇક કહેવા ગયો હતો ત્યારે તેમણે મને કહ્યું હતું કે તમે મને લખીને આપો કે શું કરવું જોઇએ? 'ચારેક દિવસ બાદ નરેન્દ્ર મોદી ફરી આવ્યા હતા. હું તેમને મળ્યો ત્યારે તેમણે મને કહ્યું કે આપણે બધે ફરીને જોવું છે. ચાલો, આપણે કોઇ કાર્યકર કે અન્ય લોકોને મળીએ.' આ વાતચીત પછી દિલીપ દેશમુખ નરેન્દ્ર મોદીને પોતાની બાઇક પર બેસાડીને ભૂજમાં નીકળી પડ્યા હતા. નરેન્દ્ર મોદી 3-4 કલાક બાઇક પર ફર્યાતેઓ કહે છે કે, લગભગ 3-4 કલાક સુધી અમે લોકો સમગ્ર ભૂજ ફર્યા હતા એ મને બરાબર યાદ છે. એમની પાસે કાર હતી પણ તેમાં બધે જવાય તેમ નહોતું, જેમ કે વાણિયાવાડમાં આજે પણ કાર લઇ જવી મુશ્કેલ છે એટલે અમે મારી મોટરસાયકલ પર ગયા હતા. જે જગ્યાએ મોટરસાયકલ જાય તેમ નહોતી ત્યાં અમે ચાલીને ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું. મોદી સંઘ કાર્યાલય પાસે આવ્યા હતા ત્યાંથી હું તેમને મોટર સાયકલ પર બેસાડીને ફરી પાછા ત્યાં જ લઇ આવ્યો હતો.' મોદીએ કાર્યકરના ઘરે રાત વિતાવીઆફ્ટર શોકની ભીતિ વચ્ચે મોદી બે માળના મકાનમાં અંદર જઇને બીજા માળે રહ્યા હતા. આ કિસ્સાને યાદ કરતા દિલીપ દેશમુખે કહ્યું, અમે જ્યારે મોટર સાયકલ પર ફર્યા હતા ત્યારે મોદી ભાજપના મહામંત્રી હતા. એ સમયે રાત પડી ગઇ હતી. ભાજપના કાર્યાલયમાં રહેવાની કોઇ વ્યવસ્થા નહોતી કારણ કે બધા લોકો શેતરંજી પર સૂતા હતા. સાંજે સાડા સાત વાગ્યા હતા. મેં તેમને પૂછ્યું કે તમે રોકાવાના છો? તેમણે મને કહ્યું કે હા, રોકાવાની ઇચ્છા છે પછી અહીંના કાર્યકર ઉષાબેન માંડલકરના ઘરે રહ્યાં હતા. ઉષાબેનનો આખો પરિવાર અને તેમની શેરીના લોકો ઘરની બહાર સૂતા હતા પણ નરેન્દ્ર મોદી એકલા ઉષાબેનના ઘરના બીજે માળે રહ્યાં હતા. નરેન્દ્ર મોદીએ પુનઃવસન અને કચ્છને બેઠું કરવા માટે જે કર્યું તેનો ઉલ્લેખ પણ દિલીપ દેશમુખે કર્યો. તેમણે ઉમેર્યું કે, રિહેબિલિટેશન અંગે નરેન્દ્ર મોદીએ પોતાનો મત રજૂ કર્યો હતો. જે ગામ પડી ગયા છે તેને એમ જ રાખીને ત્યાંથી દૂર નવી રચના સાથે રિહેબિલિટેશન કરવું જોઇએ તેવું કહ્યું હતું. ત્યારે મારી એટલી સમજ નહોતી. મેં તેમને કહ્યું હતું કે આવવા-જવા માટે દૂર પડશે તો મોદીએ મને કહ્યું હતું કે ભલે તમને દૂર લાગે છે પણ ભવિષ્યમાં બધા પાસે સાધનો આવી જશે, કોઇને કશું દૂર નહીં લાગે. નરેન્દ્ર મોદીએ નસલી વાડિયાને ફોન કરીને ભૂકંપગ્રસ્ત કચ્છીઓ માટે બ્રિટાનિયા બિસ્કિટના 10 લાખ કાર્ટૂન મગાવ્યા હતા. દિલીપ દેશમુખે કહ્યું, ભૂકંપ બાદ ઘણા વીઆઇપી લોકો અહીંયા આવ્યા હતા. નાનાજી દેશમુખ સાથે નસલી વાડિયા પણ આવ્યા હતા. મને ખબર નહોતી કે નસલી વાડિયા કોણ છે.અમે આખો દિવસ સાથે પ્રવાસ કર્યો હતો. રસ્તામાં આવતા તેમણે નરેન્દ્ર મોદીની વાત કરી હતી. નસલી વાડિયાએ મને કહ્યું હતું કે, એક રાતે નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો હતો. તેમણે મને કહ્યું હતું કે નસલી મારે બિસ્કિટ જોઇએ છે. મેં તેમને પૂછ્યું કે કેટલા જોઇએ છે? તેમણે કહ્યું કે 10 લાખ. મેં પૂછ્યું કે 10 લાખ શું? તો મોદીએ કહ્યું કે 10 લાખ કાર્ટૂન જોઇએ છે. આના પછી નસલી વાડિયાએ બ્રિટાનિયા બિસ્કિટ મોકલ્યા હતા. જે 6 મહિના સુધી કચ્છના લોકોએ ખાધા હતા. તેઓ કહે છે કે, હું 1987 થી નરેન્દ્ર મોદીને ઓળખું છું. એ સમયના અમે જેટલા કાર્યકરો છીએ એ સાર્વજનિક રીતે સાહેબ બોલીએ છીએ પણ વ્યક્તિગત રીતે તેમને નરેન્દ્રભાઇ તરીકે જ એમને સંબોધન કરીએ છીએ. એ તેમની ખાસિયત છે કે મુખ્યમંત્રી અને વડાપ્રધાન બન્યા પછી પણ અમારા માટે તો એ નરેન્દ્રભાઇ જ છે. પાકિસ્તાને મોકલેલી સહાય અને કેશુબાપાનો જવાબભૂકંપ બાદ અન્ય દેશોની જેમ પાકિસ્તાને પણ સહાય સામગ્રી મોકલી હતી પણ પાકિસ્તાનની સહાય સ્વીકારવી કે નહીં તે મુદ્દો ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો કેમ કે કારગિલ યુદ્ધ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસેલા હતા. આ અંગે દિલીપ દેશમુખે કહ્યું કે, મને યાદ છે ત્યાં સુધી કેશુભાઇ પટેલ 4-5 ફેબ્રુઆરીએ અહીંયા આવેલા અને ટેન્ટમાં રાત રહ્યાં હતા. એમની સાથે મુલાકાત કર્યા બાદ હું એરપોર્ટ સુધી મૂકવા પણ ગયો હતો. તેમની સાથે રાજેન્દ્રસિંહ રાણા પણ સાથે હતા. પાકિસ્તાન સહિત અલગ અલગ દેશોમાંથી પણ ખૂબ સહાય આવી હતી. પાકિસ્તાને મોકલેલી સહાય સ્વીકારવી કે નહીં એ મુદ્દો ખૂબ ચર્ચાસ્પદ બન્યો હતો. હું એ સમયે ઉંમરમાં નાનો હતો. જનમાનસ એવું હતું કે આપણે એ સહાય ન લેવી. મેં સહજભાવે કેશુભાઇને પૂછ્યું હતું કે પાકિસ્તાનથી સહાય આવી એનું શું છે? ત્યારે તેમણે મને કહ્યું કે આટલું મોટું આભ ફાટી નીકળ્યું છે ત્યારે કોઇને કઇ રીતે કહી શકાય કે આ સહાય નથી જોઇતી. દુનિયામાંથી કચ્છને મદદ મળી'કેટલા લોકોના મૃત્યુ થયા છે અને ક્યાં કેટલું નુકસાન થયું છે, કેટલા ઘર પડ્યા છે તેનો અંદાજો આવતા આવતા તો ઘણા દિવસો થયા. ભૂકંપના બીજે દિવસે દેશના સંરક્ષણ મંત્રી જ્યોર્જ ફર્નાન્ડિસ એર સર્વેલન્સ કરીને ગયા હતા. તેમણે દિલ્હી પહોંચીને એવું કહ્યું કે એક લાખ લોકોના મોત થયા છે. જેના કારણે પણ કચ્છમાં ખૂબ મદદ આવી હતી.' તેઓ આગળ કહે છે કે, એટલી મદદ આવી કે વિતરણ કેવી રીતે કરવું એ સમસ્યા હતી. વિતરણ કરવા માટે પણ માણસો જોઇએ એટલે સરકારે બીજા દિવસે નિર્ણય કર્યો કે સમગ્ર કચ્છમાંથી કોઇને અહીંયા આવવું હોય તો એક મહિના સુધી બસમાં મફત મુસાફરી કરી શકશે. એ સમયે આસપાસના ગામના ઘણા લોકો ફક્ત જમવા માટે અહીંયા આવતા હતા. ઘણી સંસ્થાઓએ પોતાના રસોડાં ચાલુ કર્યા હતા, જોકે આ 10 દિવસ પછીની વાત છે. શરૂઆતના દિવસોમાં તો લોકો બહુ ભયમાં હતા કે રોગચાળો ફાટી નીકળશે. ------------ ભૂકંપ સિરિઝના આ અહેવાલ પણ વાંચો…. 'મેં કમસેકમ 140 લાશ કાઢી હતી':રામજી મંદિર ઊભું રહ્યું પણ ભગવાનનું સિંહાસન ફરી ગયું, ભરચક બજાર મેદાન થઈ ગઈ, ભૂકંપના કેન્દ્રબિંદુ ચોબારીમાં કુદરતે વિનાશ વેર્યો ભુજથી ચોબારી ગામ બરાબર 100 કિલોમીટર દૂર થાય. ચોબારી આમ તો ભચાઉ તાલુકાનું ગામ છે. ભચાઉથી માત્ર 31 કિલોમીટરનું અંતર છે. ચોબારી ગામ કચ્છનું છેવાડાનું ગામ કહી શકાય. ચોબારીથી કચ્છના સુકા પવન પૂરા થાય ને ચોબારી પછી ભીના પવન શરૂ થાય. કચ્છના ઈતિહાસમાં ચોબારીનું મહત્વ ઘણું. 400 વર્ષ પહેલાંના ધિંગાણા પછી 752 પાળિયા આજેય ઊભા છે. પણ 26 જાન્યુઆરી 2001ના ધરતીકંપે ચોબારીને કચ્છના ઈતિહાસમાં જ નહિ, વિશ્વના ઈતિહાસમાં અંકિત કરી દીધું. જી હા, આ એ જ ચોબારી છે જ્યાં 2001ના પ્રજાસત્તાક દિવસની સવારે 8:46 વાગ્યે ધરતી ધણધણી ઉઠી હતી. ચોબારી એટલે મોટા ભૂકંપનું કેન્દ્રબિંદુ. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------------- એકસાથે 185 બાળકો હોમાઇ ગયા:અંજારના ખત્રી ચોકમાં મોતનું તાંડવ, પેશાબ પીને કાટમાળમાં ચાર દિવસ કાઢ્યા, જીવિત રહેનારે ખૌફનાક વાત કહી કચ્છના ભૂકંપના સમાચારથી દુનિયા સ્તબ્ધ હતી પણ અંજારની એક ઘટનાએ વિશ્વને મોટો આંચકો આપ્યો હતો. અંજારના એ સમાચાર સાંભળીને ભલભલા રડી પડ્યા હતા. ઘટના 26 જાન્યુઆરી 2001ની જ હતી. અંજારની સ્કૂલોના વિદ્યાર્થીઓની ભવ્ય રેલી નીકળી હતી. થોડી મિનિટો પછી આ રેલી ભરચક્ક વિસ્તાર ખત્રી ચોકમાં પહોંચી. અહિયા રેલી પહોંચી ને પ્રચંડ વિસ્ફોટ સાથે ધરતી ધણધણી ઉઠી. આસપાસ સિંગલ માળ અને વધીને બે-ત્રણ માળના મકાનો હતા તે ધડાધડ પડવા લાગ્યા. નગરપાલિકાની 18 સ્કૂલ અને 2 કન્યાશાળા મળીને કુલ 20 સ્કૂલના વિદ્યાર્થીઓ તે દિવસે રેલી માટે ભેગા થયા હતા. દરેક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શિક્ષકોને ત્યાં પહોંચવાનું હતું. રેલી ટાઉનહોલ સુધી જવાની હતી. રેલી નીકળી તો ખરી પરંતુ ટાઉનહોલ સુધી પહોંચી ન શકી. ધરતીકંપ રૂપી કાળ 185 વિદ્યાર્થીઓ અને 20 શિક્ષકોને ભરખી ગયો. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------ કચ્છનો ભૂકંપ રબારી:8 મહિનાનું માસૂમ બાળક 84 કલાકે કાટમાળમાંથી જીવિત નીકળ્યું, મગજ બહાર નીકળી ગયું, દરગાહે દુઆ કર્યાના અડધી કલાકમાં ચમત્કાર અંજારની વ્હોરા કોલોનીમાં પોતાના ઘરે બેઠેલા જાહિદ અસગરઅલી લાકડાવાલા 26 જાન્યુઆરી, 2001ની સવારે આવેલા પ્રચંડ ધરતીકંપમાં ધ્રૂજી ગયા હતા. તેઓ ઘરમાંથી દોડીને બહાર આવ્યા તો ચારેય બાજુ દોડાદોડી થઈ રહી હતી. અફરાતફરીનો માહોલ હતો. અસગરઅલીને ખબર પડી કે ભૂકંપમાં વ્હોરા કોલોનીમાં રહેતા 300 લોકોમાંથી 123 લોકોનાં મોત થયાં છે. સદનસીબે અસગરઅલીના ઘરને ખાસ નુકસાન થયું નહોતું. તેનો પરિવાર પણ બચી ગયો હતો. વાંચો સંપૂર્ણ અહેવાલ ------------------- મોદીએ કહ્યું, આપણે ભુજ જવાનું છે:તારાજી જોઈને સાંસદ રડી પડ્યા, લોકો સ્મશાનમાં મૃતદેહો મૂકી ભાગી જાય, કચ્છને કાટમાળમાંથી બેઠું કરનારાઓની કહાની ભૂકંપ બાદ કચ્છમાં ચારેતરફ વિનાશ જ વિનાશ હતો. કેટલા લોકોનાં મોત થયાં એનો એ સમયે ફક્ત અંદાજો જ લગાવાતો હતો, કોઇ ચોક્કસ આંકડો નહોતો. ઘર, દુકાન, ઓફિસ, સ્કૂલ કંઇ બચ્યું નહોતું. બધું નાશ પામ્યું હતું. એક રીતે કહીએ તો જનજીવન થંભી ગયું હતું. એવું લાગતું હતું કે કચ્છ હવે ક્યારેય બેઠું નહીં થઇ શકે, પણ મજબૂત ઇચ્છાશક્તિ, કુનેહ, વિઝન અને મહેનતે હજુ હાર નહોતી માની. આવા સમયે સરકાર, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓ આગળ આવ્યા અને કચ્છની કાયાપલટ કરવાનો દૃઢ સંકલ્પ લીધો. જાણ્યા-અજાણ્યા ઘણા ચહેરા એવા છે, જેણે આમાં કચ્છની કાયાપલટ કરવામાં યોગદાન આપ્યું છે. વાંચો સંપૂર્ણ અહેવાલ
13 ડિસેમ્બર 2024 થી 21 ડિસેમ્બર 2024 સ્થળ: વાસણા, અમદાવાદ વાત છે અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતા 57 વર્ષીય જયેશભાઈ દેસાઈની. ઘર પાસે જ વર્ષોથી કરિયાણાની દુકાન ચલાવે છે. પરિવારમાં પત્ની છે, એક દીકરો અને એક દીકરી છે. પહેલાં તો દુકાનમાં તમામ વ્યવહાર રોકડમાં થતા હતા. ધીમે ધીમે ડિજિટલ ઇન્ડિયાનો જમાનો આવ્યો. ઓનલાઈન ફોન-પે, ગૂગલ-પે, પેટીએમ દ્વારા પેમેન્ટની સુવિધા વધવા માંડી. દુકાને નાનકડા બિસ્કિટના પેકેટથી લઇને આખા મહિનાની ખરીદી કરવા આવતા લોકો પૈસા ચૂકવવાનું આવે એટલે ખિસ્સામાંથી સીધો મોબાઇલ જ કાઢે. હવે જયેશભાઈ રહ્યા પ્રૌઢ માણસ. બદલાતા જમાના સાથે તાલ મિલાવી રહ્યા છે, પણ ઓનલાઇન પેમેન્ટની આંટીઘૂટીઓમાં થોડી ઓછી ટપ્પી પડે. પરંતુ દુકાન ચલાવવા માટે ગ્રાહકો પરત ન જાય એટલે તેમણે પણ તેમની દુકાનમાં 2020માં PAYTM દ્વારા ઓનલાઈન રુપિયા લેવાનું શરૂ કર્યું. આ બધું કરવા માટે તેમના દીકરાએ તેમને ઘણી મદદ કરી કારણ કે, જયેશભાઈને તો આ બધું ખાસ ફાવતું નહીં. સામાન્ય રીતે જૂની પેઢી નવી ટેક્નોલોજીને થોડી શંકા અને થોડા ભયથી જોતી હોય છે. તેમને સતત કોઈ છેતરપિંડી થઈ જવાનો ભય રહેતો હોય છે. પરંતુ જયેશભાઈને ક્યાં ખબર હતી કે એમની સાથે જ લાખો રૂપિયાનો ફ્રોડ થવાનો છે અને આ ‘પેટીએમ’ નામનું ડિજિટલ પ્લેટફોર્મ જ તેમાં નિમિત્ત બનવાનું છે. ‘PAYTM’ સાઉન્ડ બોક્સના નામે લાખોનો ફ્રોડ ડિજિટલ ઇન્ડિયાના આ સમયમાં રોજબરોજનાં લગભગ તમામ નાનાં-મોટાં ટ્રાન્ઝેક્શન ડિજિટલ થઇ ગયાં છે. કોથમીરથી કાર સુધીની તમામ ખરીદીઓમાં લોકો પોતાનો સ્માર્ટફોન અથવા તો ડેબિટ-ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા થઇ ગયા છે. હજારો રૂપિયાની ખરીદી હવે ખિસ્સામાં પાકિટ ન હોય તો પણ થઇ જાય છે. પરંતુ આ સગવડની સાથોસાથ સાયબર ફ્રોડમાં પણ જંગી ઉછાળો આવ્યો છે. આપણા ગુજરાતમાં જ ગયા વર્ષે 1.75 લાખથી પણ વધુ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ હતી. જેમાં લોકોએ ₹1,334 કરોડથી પણ વધુ રકમ ગુમાવી હતી. સાયબર ગઠિયાઓ લોકો કરતાં ચાર ડગલાં આગળ રહે છે અને તેમને છેતરવાની નવી નવી પદ્ધતિઓ શોધતા રહે છે. આથી આપણે જ પાણી પહેલાં પાળ બાંધવાના ભાગરૂપે સાવચેત રહેવું જરૂરી બને છે. આ માટે દિવ્ય ભાસ્કર આજથી ખાસ સિરીઝ શરૂ કરી રહ્યું છે ‘ઠગ લાઇફ’, જેમાં દરરોજ અજાણ્યા ઇ-ચોરટાઓએ નવી નવી પદ્ધતિઓથી કરેલા ફ્રોડ વિશે વાત કરીશું, જેમાં તેનો ભોગ બનેલા લોકો પોતે જ પોતાની વાત કહેશે. આજના કિસ્સામાં અમદાવાદના જયેશભાઇ દેસાઇ સાથે કેવી રીતે ‘પેટીએમ’ સાઉન્ડ બોક્સના નામે લાખોનો ફ્રોડ થયો તેની વાત આગળ ધપાવીએ. 13 ડિસેમ્બર 2024ની સવારે જયેશભાઇએ રોજની જેમ પોતાની દુકાન ખોલી. થોડી સાફ સફાઈ કરીને બધો સામાન બહાર ગોઠવ્યો. ગ્રાહકોની અવર જવર ચાલુ હતી, એટલામાં 11 વાગ્યાની આસપાસ બે અજાણ્યા માણસો કોઈ મોટા સાહેબની જેમ ટિપટોપ તૈયાર થઈને તેમની દુકાને આવ્યા. પોતાની ઓળખ આપી કે અમે PAYTM કંપનીમાંથી આવીએ છીએ. તમારા PAYTM મશીન સાઉન્ડ બોક્ષનો ચાર્જ મહીને જે 99 રુપિયા લાગે છે, તેનો ચાર્જ હાલમાં ચાલતી એક સ્કીમમાં ઘટીને મહીને 1 રુપિયો થઈ ગયો છે. આવું સાંભળીને જયેશભાઈ પણ જાણવા ઉત્સાહિત થયા અને તરત બોલ્યા કે, મારે પણ આ સ્કીમનો લાભ લેવો છે. જયેશભાઇનો જવાબ સાંભળીને સામેવાળા બે માણસોએ કહ્યું કે, આના માટે તમારા ફોનમાંથી થોડી પ્રોસેસ કરવી પડશે. ‘1 રુપિયાનો ચાર્જ ભરવા માટે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે.’ જયેશભાઈને તેમના પર વિશ્વાસ આવી ગયો હતો એટલે તેમણે પોતાનો ફોન તે બંને અધિકારીઓના હાથમાં આપી દીધો. જયેશભાઈ સાઇડમાં શેર માર્કેટિંગનું કામ પણ કરતા હતા અને IPO પણ ભરતા હતા. એટલે ફોનમાં નેટ બેન્કિંગની બધી વ્યવસ્થા પણ રાખતા હતા. બાદમાં તે માણસોએ જયેશભાઈને કહ્યું કે, ‘1 રુપિયાનો ચાર્જ ભરવા માટે ડેબિટ કાર્ડ હોવું જરૂરી છે.’ જોકે જયેશભાઈ ડેબિટ કાર્ડનો ઉપયોગ પહેલાથી નહોતા કરતા કારણ કે, તેમને આ બધું ફાવતું નહીં. એટલે તેમણે ના પાડી દીધી કે, મારી પાસે ડેબિટ કાર્ડ નથી. એ બેમાંથી એક વ્યક્તિએ કહ્યું કે, આના માટે ડેબિટ કાર્ડ લેવા માટેની અરજી કરવી પડશે. એક બાજુ દુકાનમાં ગ્રાહકોની અવર જવર ચાલુ હતી અને બીજી બાજુ જયેશભાઈ આ PAYTMના અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. જયેશભાઈને વાતચીત કરતાં તેમની પર વિશ્વાસ આવી ગયો એટલે તેઓ ગ્રાહકો પર વધુ ધ્યાન આપી રહ્યા હતા. બીજી બાજુ પેલા PAYTMના અધિકારી તેમના ફોનમાંથી ડેબિટ કાર્ડ મેળવવા માટેની ઓનલાઈન અરજી કરી રહ્યા હતા. ડેબિટ કાર્ડની અરજી કર્યા બાદ જયેશભાઈને તેમનો ફોન પરત આપી દેવાયો અને કહ્યું કે, તમારા ડેબિટ કાર્ડ માટેની અરજી કરી દીધી છે. જેવું ડેબિટ કાર્ડ આવે એટલે અમને ફોન કરજો કારણ કે, આ બધી પ્રોસેસ અમે કરી છે, જેથી અમને કંપની તરફથી આનું કમિશન મળશે. આવું કહીને આ PAYTMના બંને અધિકારીઓ ત્યાંથી જતા રહ્યા. જયેશભાઇ પણ બે પૈસા બચે તેવું સમજદારીનું કામ કર્યાના સંતોષ સાથે ગ્રાહકોમાં પરોવાઈ ગયા. જયેશભાઈએ સામેથી જાણ કરી કે, ડેબિટ કાર્ડ ઘરે આવી ગયું છે 7 દિવસ પછી 20 ડિસેમ્બર 2024ના રોજ આ બંને માણસો ફરી જયેશભાઈની દુકાને આવ્યા અને પૂછ્યું કે, ડેબિટ કાર્ડ આવ્યું કે નહીં? ત્યારે જયેશભાઈએ ના પાડીને કહ્યું કે, હજી ડેબિટ કાર્ડ આવ્યું નથી. PAYTMના એ બંને લોકોએ જયેશભાઈનો ફોન ચેક કરવા માગ્યો અને કહ્યું કે, તમારો ફોન આપો અમે જોઈ લઈએ. જયેશભાઈ એ બંને માણસોને અગાઉ મળી ચૂક્યા હતા, એટલે તેમણે નિશ્ચિંતપણે પોતાનો ફોન આપી દીધો. થોડી વાર તે બંને જણાએ જયેશભાઈનો ફોન ચેક કર્યો અને કહ્યું, ‘અમે ચેક કરી લીધું છે, ડેબિટ કાર્ડ હજી આવ્યું નથી. ડેબિટ કાર્ડ આવી જાય એટલે અમને જાણ કરજો. અમે આવી જઈશું.’ આવું કહીને બંને જણા ત્યાંથી રવાના થઇ ગયા. પછી બીજા જ દિવસે એટલે કે 21 ડિસેમ્બરની સવારે જયેશભાઈના વાસણા સ્થિત ઘરે કુરિયર દ્વારા ડેબિટ કાર્ડ આવ્યું. ડેબિટ કાર્ડ ઘરે આવ્યાની જાણ થતાં જયેશભાઈએ PAYTMના તે અધિકારીને ફોન કરીને જાણ કરીને કહ્યું કે, મારું ડેબિટ કાર્ડ આવી ગયું છે. અધિકારીઓને જાણ થતાં તે બંને જણા માત્ર અડધાથી પોણા કલાકમાં બપોરે 12 વાગ્યની આસપાસ જયેશભાઈની દુકાને પહોંચી ગયા. દુકાને પહોંચીને તેમણે જયેશભાઈ પાસેથી ફોન માગ્યો અને કહ્યું કે, ‘તમારું ડેબિટ કાર્ડ આપો PAYTMનો મહિનાનો ચાર્જ 1 રુપિયો કરી દઈએ.’ જયેશભાઈએ ફોન આપ્યો અને થોડીવારમાં તો તે અધિકારીઓએ જયેશભાઈને તેમનો ફોન પરત પણ આપી દીધો અને કહ્યું કે, ‘તમારું કામ થઈ ગયું છે, હવેથી PAYTM મશીન સાઉન્ડ બોક્ષનો ચાર્જ મહીને જે 99 રુપિયા લાગતા હતા તે હવે માત્ર 1 રુપિયો જ લાગશે.’ આવું કહીને તેઓ બંને PAYTMના કહેવાતા અધિકારી જયેશભાઈની દુકાનેથી રવાના થઈ ગયા. જમવાની તૈયારી કરતા હતા અને ખબર પડી કે સાયબર ફ્રોડ થયો છે જયેશભાઈ તે વખતે દુકાનમાં ગ્રાહકોમાં વ્યસ્ત હતા એટલે તેમણે તેમનો ફોન ચેક ન કર્યો અને મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો. થોડી વાર પછી જયેશભાઈને એક ફોન કરવાનો હતો એટલે તેમણે પોતાનો મોબાઈલ બહાર કાઢ્યો અને જોયું તો તેમનો મોબાઈલ એરોપ્લેન મોડ પર હતો. આવું કઈ રીતે થયું તે તેમને સમજાયું નહીં, પણ ભૂલથી બટન દબાઈ ગયું હશે એવું માનીને એરોપ્લેન મોડ બંધ કરીને પોતાનો કૉલ કરી લીધો. ફરી પાછા તેઓ પોતાના કામે વળગ્યા અને આખો દિવસ એમ જ નીકળી ગયો. હજુયે જયેશભાઈને ખ્યાલ નહોતો કે, તેમની સાથે મોટી છેતરપિંડી થઈ ચૂકી છે. એ જ તારીખની રાત્રે જયેશભાઈ દુકાન વસ્તી કરીને ઘરે ગયા ઘરે તેમનો છોકરો નોકરી પરથી આવી ગયો હતો. જમવાની તૈયારી કરતા હતા અને જયેશભાઈએ તેમના દીકરાને જાણ કરી કે, મારું નવું ડેબિટ કાર્ડ આવી ગયું છે. જયેશભાઈના દીકરાએ ડેબિટ કાર્ડ લઈને તેના પપ્પાનો ફોન ચેક કર્યો અને ફોનમાં બેન્કની એપ્લિકેશન ઓપન કરીને જોયું તો તેમાંથી 4 લાખ 99 હજાર અને 1 લાખના બે ટ્રાન્ઝેક્શન થયાં હતાં. એટલે કે તેમના ખાતામાંથી 6 લાખ રુપિયા ઊપડી ગયા હતા! મોબાઈલ પરત આપ્યો ત્યારથી ફોન એરોપ્લેન મોડમાં હતો આના વિશે જયેશભાઈને તેમના દીકરાએ પૂછ્યું તો તેમણે ના પાડી અને કહ્યું કે, મેં કોઈને પણ આટલી રકમ આજની તારીખમાં આપી જ નથી. દીકરો સમજી ગયો કે પપ્પા સાથે કંઈક મોટી ગેમ રમાઈ ગઈ છે. થોડીવારમાં જયેશભાઇને પણ ખ્યાલ આવ્યો કે, દુકાને બે PAYTMના અધિકારી હોવાનું કહેતા બે માણસો આવ્યા હતા અને ડેબિટ કાર્ડ લઈને ફોનમાં બધી પ્રોસેસ કરી હતી. પછી તેમણે ફોન પરત આપ્યો ત્યારથી ફોન એરોપ્લેન મોડમાં પણ હતો. એટલે તરત જયેશભાઈને તેમની ઉપર શંકા ગઈ. મોબાઈલમાંથી PAYTMના તે અધિકારીઓને ફોન કરવા ગયા તો મોબાઈલમાં તેમનો નંબર હતો જ નહીં! બંને જણા જયેશભાઈના ફોનમાંથી તેમનો નંબર, રુપિયા ડેબિટ થવાના મેસેજ બધું ડિલીટ કરીને ગયા હતા. જયેશભાઈ એ જ રાત્રે તાત્કાલિક તેમના દીકરા સાથે પોતાની કરિયાણાની દુકાને પહોંચી ગયા. ત્યાં તેમણે પોતાની ડાયરીમાં તે PAYTMના કથિત અધિકારીઓનો નંબર લખીને રાખ્યો હતો, તે કાઢ્યો અને તેના પર ફોન કર્યો. અપેક્ષા પ્રમાણે જ તે નંબર સ્વિચ ઓફ આવતો હતો. મહિનાનો ચાર્જ 1 રુપિયો કરવાની લાલચ આપી 6 લાખની છેતરપિંડી આચરી ફાઇનલી, જયેશભાઈ અને તેમના દીકરાને પાકે પાયે ખાતરી થઇ ગઇ કે તેમને PAYTM સાઉન્ડ બોક્ષનો મહિનાનો ચાર્જ 1 રુપિયો કરવાની લાલચ આપી તેમની સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડી કરાઈ છે. જયેશભાઈને છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેમણે તાત્કાલિક સાયબર ક્રાઈમમાં ઓનલાઈન ફરીયાદ નોંધાવી. બાદમાં સ્થાનિક વાસણા પોલીસ સ્ટેશન ગયા, પરંતુ ફ્રોડ 6 લાખનો હોવાથી સ્થાનિક પોલીસે તેમને શાહીબાગ સાયબર ક્રાઈમની ઓફિસમાં મોકલ્યા કારણ કે, 3 લાખથી વધુના ફ્રોડની રકમનો કેસ હોય તો તે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં જાય છે અને તેનાથી ઓછો હોય તો સ્થાનિક પોલીસ જ હેન્ડલ કરે છે. જયેશભાઈ હવે ઘરેથી કરિયાણાનો ધંધો કરે છે એ પછી શું થયું એ જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે જયેશભાઈ દેસાઈનો સંપર્ક કર્યો. તેમણે અમને તેમના ઘરે મળવા બોલાવ્યા. તેઓ વાસણામાં પહેલાં જ્યાં રહેતા હતા ત્યાં હાલમાં રિ-ડેવલપમેન્ટનું કામ ચાલી રહ્યું હોવાથી તેમણે ઘર બદલી નાખ્યું હતું. હવે તેઓ વાસણામાં જ બીજા કોઈ ઠેકાણે રહે છે. તેમની કરિયાણાની દુકાન પણ એ જ એપાર્ટમેન્ટમાં હોવાથી તે પણ રિ-ડેવલપમેન્ટમાં ગઈ. આથી હાલમાં જયેશભાઈ ઘરેથી જ નાનો મોટો કરિયાણાનો સામાન વેચે છે. આમાં તેમનાં પત્ની પણ તેમને મદદ કરે છે. જ્યારે તેમનો એક દીકરો અને એક દીકરી બંને અભ્યાસ કરે છે. ‘તે રાત્રે ઘરમાં કોઈ જમ્યું પણ નહોતું, બધાં આખી રાત જાગ્યાં હતાં’ અમે જયેશભાઈને તે બનાવ વિશે પૂછતાં તેમણે જણાવ્યું કે, જ્યારે અમને ખબર પડી કે અમારી સાથે આવી રીતે ₹6 લાખની છેતરપિંડી થઈ છે ત્યારે અમને જબરદસ્ત આઘાત લાગ્યો હતો. જયેશભાઈએ કહ્યું, ‘હું 21 ડિસેમ્બર 2024ની રાત્રે દુકાન બંધ કરીને વહેલો ઘરે આવ્યો હતો કારણ કે, ત્યારે અમારા ઘરે મહેમાન આવ્યા હતા. તેમનું જમવાનું અમારા ઘરે હતું. અમે હજી જમવાની તૈયારી જ કરી રહ્યાં હતાં અને મેં મારા દીકરાને ડેબિટ કાર્ડ ઘરે આવ્યું હોવાની વાત કરી. તેણે ફોનમાં બધું ચેક કર્યું તો ખબર પડી કે ખાતામાંથી ₹6 લાખ ઊપડી ગયા છે. ત્યારે તો અમે બધા ખાધા વગર રહ્યા ઘરમાં બધા રડવા લાગ્યાં હતાં, કારણ કે અમે મહેનત કરીને આ રુપિયા ભેગા કર્યા હતા અને કોઈ આવીને આવી રીતે આપણને છેતરીને રુપિયા લઈ જાય તેનો આઘાત લાગ્યો હતો. તે રાત્રે ઘરમાં કોઈ જમ્યુ પણ નહોતું. આવું સાંભળીને હવે કોને જમવાનું ગળે ઊતરે? બધા આખી રાત જાગ્યાં હતાં. ઘરે આવેલા મહેમાન પણ ચિંતા કરવા લાગ્યા હતા.’ PAYTMના અધિકારીની ઓળખ આપીને કુલ 5 લાખ 99 હજાર લઈ લીધા જયેશભાઈ પોતાની વાત આગળ વધારતાં કહે છે, ‘આમ તો અમારા ખાતામાં 6 લાખની ઉપર રૂપિયા હતા, પરંતુ આ PAYTMના અધિકારી હોવાનું કહેતા ગઠિયાઓએ મારા ફોનમાં લિમિટ સેટ કરીને પહેલાં 4 લાખ 99 હજાર અને પછી 1 લાખ એમ કરીને કુલ 5 લાખ 99 હજાર લઈ લીધા હતા. મને તો ખબર પણ નહીં આ લોકોએ ક્યારે લિમિટ સેટ કરી હશે. સારું થયું વધારે લિમિટ સેટ ના કરી નહીંતર હજી વધારે નુકસાન થયું હોત.’ ‘જે ₹1 લાખ UPI દ્વારા જે ખાતામાં ગયા હતા તે ખાતું સાયબર ક્રાઈમે સીઝ કરાવી દીધું હતું અને તે ₹1 લાખ મને પરત અપાવ્યા હતા. જોકે તે પાછા મળતાં 3 મહિના નીકળી ગયા હતા કારણ કે, રુપિયા લેવા માટે કોર્ટમાંથી ઑર્ડર લાવવાનો હોય, જેની પ્રોસેસ થોડી લાંબી હતી એટલે વાર લાગી. જોકે હજી સુધી બાકીના 4 લાખ 99 હજાર રુપિયા મને પરત મળ્યા નથી.’ ડેબિટ થયેલા રુપિયા વડોદરાના મોહસીન પટેલના એકાઉન્ટમાં ગયા હતા સાયબર ક્રાઈમના આ પ્રકારના નવા ફ્રોડની ફરીયાદ મળતાં સાયબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો, જેમાં પોલીસને આરોપીઓ સુધી પહોંચતા 3 મહિના નીકળી ગયા! તપાસ કરતાં સામે આવ્યું કે, ફરીયાદી જયેશભાઈના એકાઉન્ટમાંથી ઊપડી ગયેલા રૂપિયા વડોદરાના મોહસીન પટેલના એકાઉન્ટમાં ગયા હતા અને UPIથી ગયેલા 1 લાખ રુપિયા ઝારખંડના કોઈ એકાઉન્ટમાં ગયા હતા. પોલીસ આ માહિતીના આધારે પહેલાં વડોદરા મોહસીન પટેલ સુધી પહોંચી. મોહસીનની પૂછપરછમાં સામે આવ્યું કે, તેણે સદ્દામ પઠાણ અને સલમાન શેખના નામના શખ્સોના કહેવાથી તેમનું બેન્ક એકાઉન્ટ ભાડેથી વાપરવા આપ્યું હતું, એટલે પોલીસે સદ્દામ અને સલમાનને પણ ઉઠાવી લીધા. આ ત્રણેયની પૂછપરછ કરતાં PAYTMના અધિકારી બનીને આવેલા બ્રિજેશ પટેલ અને રાજસ્થાનના ગોવિંદ ખટીક સુધી પહોંચી. 500 લોકોને ટાર્ગેટ કરીને 3 કરોડ કરતાં પણ વધુની છેતરપિંડી આચરી આ તમામની ધરપકડ કરી તો ચોંકાવનારી માહિતી સામે આવી. તેમાં જાણવા મળ્યું કે, આ લોકો પકડાયા ત્યાં સુધીમાં 2 વર્ષમાં ગુજરાતમાં 500 લોકોને ટાર્ગેટ કરીને 3 કરોડ કરતાં પણ વધુની છેતરપિંડી આચરી ચૂક્યા છે, જેમાં બ્રિજેશ પટેલ તો અગાઉ 2021માં PAYTMનો કર્મચારી રહી ચૂક્યો છે! પેટીએમમાં તે સેલ્સ માર્કેટીંગનુ કામ-કાજ કરતો હતો. બ્રિજેશ PAYTMમાં નોકરી કરતો હતો તે દરમિયાન કેટલાક ગ્રાહકો સાથે છેતરપિંડી કરી હતી એટલે તેને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારપછી બ્રિજેશે આ જ કામ કરવાનું શરૂ કર્યું. PAYTM સ્કેનરમાં 1 રુપિયો સ્કેન કરવાનું કહીને વિશ્વાસમાં લેતા હતા 2022માં PAYTM કંપનીના અન્ય કર્મચારીઓને પણ બ્રિજેશે આ રેકેટમાં જોડ્યા અને સાથે મળી એક ગેંગ બનાવી. આ લોકો ગુજરાતનાં અલગ અલગ શહેરોમાં PAYTM સાઉન્ડ બોક્સ ધરાવતા દુકાનદારને ટાર્ગેટ કરતા અને તેમાં પણ એવા દુકાનદારો કે જે વૃદ્ધ હોય ઓછું ભણેલા ગણેલા હોય. આ લોકો તેમને ટાર્ગેટ કરીને PAYTM સાઉન્ડ બોક્સ વિશે માહિતી આપતા અને દુકાનદારને પોતાના PAYTM સ્કેનરમાં 1 રુપિયો સ્કેન કરવાનું કહીને વિશ્વાસમાં લઈને દુકાનદારનો ફોન લઈને ફોન બેન્કિંગ એપ્લિકેશનનો પાસવર્ડ મેળવી લેતા અને છેતરપિંડી આચરતા... આ લોકોની ગેંગમાં અલગ અલગ માણસો કામ કરતા હતા. જયેશભાઈ દેસાઈના કેસમાં સાયબર ક્રાઈમે આ ગેંગના કુલ 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં બધાનું કામ અલગ અલગ હતું. જેમાં ગોવિંદ ખટીકનું કામ દુકાનદારો પાસે જઇ PAYTM સાઉન્ડ બોક્સ વિશે માહિતી આપીને દુકાનદારના મોબાઇલ ફોનથી રિક્વેસ્ટ અંગેનો મેઇલ કરવાનું કહી દુકાનદારનો મોબાઇલ ફોન મેળવી અન્ય બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરવાનું કામ કરતો હતો. પરાગ નામનો આરોપી આર.બી.આઇ. બેન્કમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતો અને અલગ અલગ વ્યક્તિઓનાં બેન્ક એકાઉન્ટ મેળવી આપવાનું કામ કરતો હતો. રાજ પટેલ દુકાનદાર પર વૉચ રાખવાનું કામ કરતો હતો. આરોપી ‘ડિલક્ષ’ ઉર્ફે ‘ડબુ’ પોતે PAYTMનો કર્મચારી રહી ચૂક્યો છે જે ગેરકાયદે ઓનલાઇન ગેમિંગ સાઇટમાં રજિસ્ટ્રેશન કરી ગેમિંગના એકાઉન્ટમાં ફ્રોડના રૂપિયા મેળવવાનું કામ કરતો હતો. આરોપી પ્રીતમ પણ PAYTM નો કર્મચારી રહી ચૂક્યો છે, જે રાજસ્થાનથી અલગ અલગ વ્યક્તિઓનાં નામનાં બેન્ક એકાઉન્ટ તથા નકલી સિમકાર્ડ મંગાવી આપવાનું કામ કરતો હતો. બધાને પોત પોતાનાં કામ માટે નક્કી કરાયેલી ચોક્કસ રકમ આપવામાં આવતી હતી. બ્રિજેશ પટેલ આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું. આરોપીઓ જે પણ રૂપિયા પડાવતા તે રૂપિયા ઓનલાઈન ગેમિંગ એપમાં જમા કરાવતા હતા. ત્યારબાદ તે રૂપિયા ઉપાડવા માટે રાજસ્થાનના માણસોનો ઉપયોગ કરતા હતા. ગુનાની મોડ્સ ઓપરેન્ડીઃ સાઉન્ડ બોક્સના નામે મોબાઇલમાં ઘૂસી જતા સાયબર ક્રાઈમની તપાસમાં નવા પ્રકારની મોડ્સ ઓપરેન્ડી સામે આવી હતી. જેમાં આ આરોપીઓ દ્વારા અમદાવાદ શહેર સહિત ગુજરાતનાં અલગ અગલ શહેરમાં જઇ PAYTM સાઉન્ડ બોક્સના મશીન ધરાવતા દુકાનદારોને ટાર્ગેટ બનાવતા. બાદમાં દુકાનદારને PAYTM કંપનીમાંથી આવતા હોવાની ખોટી ઓળખ આપી, PAYTM સાઉન્ડ બોક્સ મશીનના જે અલગ-અલગ માસિક ચાર્જ આવે છે, તે ચાર્જ હાલમાં રૂ.1/- અથવા ફ્રી થઇ જશે તેવું કહી, દુકાનદારને વિશ્વાસમાં લેતા. ત્યારબાદ દુકાનદારને તેમની બેન્ક એપ્લિકેશનથી પોતાના જ PAYTM સ્કેનરમાં રૂ.1/- ટ્રાન્સફર કરવાનું કહી બેન્કિંગ એપ્લિકેશનનો પિન જાણી લેતા. એ પછી દુકાનદારના મોબાઇલ ફોનમાંથી PAYTMને રિક્વેસ્ટ અંગેનો મેઇલ કરવાનું કહી મોબાઇલ ફોન લઇ દુકાનદારના મોબાઇલ ફોનથી બેન્કની એપ્લિકેશન દ્વારા નાણાં ટ્રાન્સફર કરી દેતા અને બાદમાં ટ્રાન્ઝેક્શનના મેસેજ ડિલીટ કરી દેતા જેથી કરીને ભોગ બનનાર વ્યક્તિને પોતે છેતરાયા હોવાની જાણ ઘણી મોડી થતી હતી. તેનો લાભ આ આરોપીઓને મળતો હતો અને પકડમાં આવતા નહોતા. આ ગેંગ મોટા ભાગે ગેરકાયદે ઓનલાઇન ગેમિંગ સાઇટમાં રજિસ્ટ્રેશન કરી ગેમિંગના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરી, ત્યારબાદ આવી સાઇટ પરથી પોતાનાં એકાઉન્ટ્સમાં નાણાં જમા કરતા હતા. ઓછું ભણેલા વેપારીઓ વધુ ભોગ બન્યા આ કેસ ડિટેક્ટ કરનાર મહિલા પોલીસ અધિકારી સાયબર ક્રાઈમનાં પોલીસ ઈન્સ્પેક્ટર ભૂમિકા પટેલ સાથે દિવ્ય ભાસ્કરે વાતચીત કરી. તેમાં તેમણે જણાવ્યું, ‘આ મારી લાઇફનો અત્યાર સુધીનો એક મહત્ત્વનો કેસ હતો, કારણ કે આ ટોળકીએ ઘણા લોકો સાથે છેતરપિંડી આચરી હતી, જેમાં આ લોકો નાના લારી, ગલ્લા, કરિયાણાની દુકાનવાળાઓને ટાર્ગેટ કરતા હતા. મોટા ભાગે કોઈ ફરિયાદ કરતું નથી, કારણ કે ભોગ બનનાર લોકો મોટા ભાગે ઓછું ભણેલા હતા અને આ લોકો નાની રકમની છેતરપિંડી કરતા હતા. એટલે ભોગ બનનાર એવું વિચારી લેતા કે આટલી રકમ માટે કોણ પોલીસના ધક્કા ખાય? આવું વિચારીને લોકો પોલીસ કેસ કરે નહીં એટલે આ લોકોની હિંમત વધતી ગઈ હતી. પરંતુ આ કેસમાં ₹6 લાખનો ફ્રોડ થયો હતો અને ભોગ બનનારે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતાં અમે આ આખી ગેંગ સુધી પહોંચ્યા હતા.’ 9 માંથી 4 આરોપી તો PayTMના જ પૂર્વ કર્મચારી નીકળ્યા! પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતાં તેમના મોબાઈલ ફોનમાંથી 150થી 250 જેટલા કિરાણા સ્ટોર્સનાં નામ પિન નંબર સાથે સેવ કરેલા મળ્યા હતા! આ લોકો મોટેભાગે સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હતા. આ કેસમાં કુલ 9 આરોપીઓની ધરપકડ કરાઈ હતી, જે તમામ ભણેલા ગણેલા છે. આ નવ આરોપીઓમાંથી 4 આરોપીઓ તો અગાઉ PAYTMમાં નોકરી હતા! આવા જ પ્રકારના ફ્રોડ કરતા કંપનીની સામે આવતા તેમને નોકરીમાંથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. આ લોકો નોકરીમાંથી નીકળી ગયા, પરંતુ આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આ ફ્રોડસ્ટરોની પૂછપરછમાં એવું પણ સામે આવ્યું કે, દરેક આરોપીનો અલગ અલગ રોલ હતો. જેમાં આ લોકો પહેલાં તે દુકાનની રેકી કરતા હતા અને જોતા હતા ક્યાં કેવો માહોલ છે અને કેવી ગ્રાહકી છે, દુકાનદાન સપોર્ટ કરશે કે નહીં વગેરે. વાતચીતમાં તેઓ જાણી લેતા હતા કે દુકાનદારને કેટલું નોલેજ છે. અમુક લોકો તો ડાયરેક્ટ ના પાડી દે કે અમારે આવું કંઈ કરાવવું નથી એટલે આ લોકો એ દુકાનના નામની સામે ચોકડી મૂકી દેતા અને અન્ય કોઈ દુકાનને ટાર્ગેટ કરતા. કોઈ દુકાનદાર હા પાડે એટલે આ લોકો પહેલી વિઝિટમાં દુકાનદાર પાસે સ્કીમનો લાભ લેવા માટે ફોર્મ ભરાવતા. બાદમાં બીજી મુલાકાત લઈને દુકાનદારના મોબાઈલમાં નેટ બેંકિંગમાં બેનિફીશિયરી એકાઉન્ટ એડ કરતા. પછી ત્રીજી મુલાકાત કરીને દુકાનદારના ફોનમાં જે બેનિફિશિયરી એડ કરેલા છે, તે એકાઉન્ટમાં આ લોકો રૂપિયા દુકાનદારના ફોનમાંથી ઓનલાઇન ડિપોઝીટ કરી નાખતા હતા. પછી ‘તિરંગા’ અને ‘ડોરાબેટ’ જેવી ગેમિંગ એપ્લિકેશન દ્વારા તે રૂપિયા વિથડ્રો કરી લેતા હતા. PI ભૂમિકા પટેલ કહે છે, ‘આ ગુનો દાખલ થયા બાદ સમાચારમાં આવતાં આવી જ રીતે ભોગ બનેલા કેટલાક લોકો અમારી પાસે સામેથી ફરિયાદ કરવા આવ્યા હતા, જેમાં અમે આ લોકોની વિરુદ્ધ અન્ય 5 ગુના દાખલ કર્યા હતા. જોકે, સમય જતાં આરોપીઓ જામીન પર બહાર આવી ગયા છે.’
ગાંજો ઝડપાયો:કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2 કિલો ગાંજા સાથે શખ્સ ઝડપાયો
શહેરમાં માદક પદાર્થોનું વેચાણ અટકાવવા “say no to drugs’ મિશન અંતર્ગત નાર્કોટિક્સ પદાર્થોનું ખરીદ-વેચાણ કે સેવન કરનાર શખ્સને પકડી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવા પોલીસ મેદાને ઉતરી છે. રાજકોટના કેનાલ રોડ નવા કુંભારવાડામાંથી રૂ.1.03 લાખના 2.077 કિલો ગાંજા સાથે પોલીસે વધુ એક શખ્સની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન પોતે કોલકાતાથી ગાંજો મગાવી રાજકોટમાં છૂટક વેચાણ કરતો હોવાનું પોલીસ સમક્ષ રટણ કર્યું છે. કોલકાતાથી રાજકોટ ગાંજો પહોંચાડનાર શખ્સનું નામ ખૂલતા એસઓજીની ટીમે તેને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના કેનાલ રોડ નવા કુંભારવાડા શેરી નં.12/9ના ખૂણેથી માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક શખ્સ ઊભો હોવાની એસઓજી અને સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસે દરોડો માદક પદાર્થના જથ્થા સાથે શખ્સને ઝડપી લીધો હતો. પૂછતાછ દરમિયાન શખ્સે તેનું નામ સૂરજ રાજુભાઇ રાય(ઉ.વ.27 ધંધો-મજૂરીકામ રહે- હાલ નવા કુંભારવાડા શેરી નં.12 મુરલીધર એપાર્ટમેન્ટ ત્રીજા માળે ભાડેથી) હોવાનું જણાવ્યું હતું. આરોપી મૂળ હુગલી પશ્ચિમ બંગાળનો છે. અહીં દોઢેક વર્ષથી રહી મજૂરીકામ કરતો હતો. પૂછપરછ દરમિયાન પોતે કોલકાતાથી ગાંજો મગાવી રાજકોટમાં છૂટક વેચાણ કરતો હોવાનું રટણ કર્યું હતું. પોલીસે આરોપીની ફોન-કોલ્સની ડિટેલ મગાવી ગાંજાના ખરીદ વેચાણની ચેનલ જાણી રાજકોટમાં નાર્કોટિક્સ પદાર્થો લાવનારને પકડવાની તજવીજ હાથ ધરી છે. આ સફળ કામગીરી એસઓજી પીઆઈ એસ.એ. જાડેજા અને સાયબર ક્રાઈમ પોલીસ મથકના પી.આઈ આર.જી.પઢિયાર સહિતની ટીમે પાર પાડી છે. છેલ્લા એક વર્ષમાં એસઓજીએ 27 દરોડા પાડ્યા, રૂ.97.70 લાખના માદક પદાર્થ સાથે 38ને ઝડપી લીધાએસઓજીની ટીમે શહેરમાં માદક પદાર્થની આપ-લેને જડમૂળથી ડામી દેવા છેલ્લા એક વર્ષમાં 27 દરોડા પાડી રૂ.97.70 લાખના મેફેડ્રોન, હેરોઈન અને ગાંજા સાથે કુલ 38 આરોપીની ધરપકડ કરી છે. જેમાં મેફેડ્રોનના 12 કેસ, હેરોઈનના 02 કેસ અને ગાંજાના કુલ 13 કેસ નોંધાયા છે. આ ઉપરાંત ગેરકાયદેસર હથિયાર રાખી તે સંબંધી ગુનો આચરનાર કુલ 13 આરોપીને દેશી બનવાટની રિવોલ્વર તેમજ તમંચા સાથે પકડી લેવામાં આવ્યા છે. આવા કુલ 13 કેસ નોંધાયા છે જેમાં હથિયારની સંખ્યા 13 તેમજ જીવતા કાર્ટિસની સંખ્યા 25 નંગ છે. જેને પોલીસે હસ્તગત કરેલ છે. માદક પદાર્થ સાથે પકડાનાર સામે કડક કાર્યવાહી કરાશે: PIએસઓજી પીઆઈ એસ.એમ. જાડેજા જણાવે છે કે, શહેરમાં વધતા દૂષણોને ડામી દેવા તથા માદક પદાર્થના વ્યસની તેમજ અસામાજિક તત્ત્વોને અંકુશમાં લેવા(રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ)એ નવી રણનીતિઓ ઘડી છે. જે છેલ્લા એક વર્ષમાં ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી પરથી જણાઈ આવે છે, જેમાં ગુનાના સ્વરૂપને પ્રાધાન્ય નથી આપવામાં આવ્યું. ગુનાનું સ્વરૂપ નાનું હોય કે મોટું, પરંતુ પોલીસની કામગીરી તો સમાન જ રહેવાની છે. આરોપીને 100 કિલો નાર્કોટિક્સ સાથે પકડવામાં આવશે કે પછી 100 ગ્રામ માદક પદાર્થ સાથે, આરોપી વિરુદ્ધની પોલીસની કામગીરી એટલી જ કડક રહેવાની છે. જેથી શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસે નશાખોરોને ચેતી જવાની સૂચના આપી છે.
શહેરની ભાગોળે રૈયાધાર વિસ્તારની બાંધકામ સાઇટ પરથી રવિવારે બપોરે 45 વર્ષનો શખ્સ 8 વર્ષની બાળકીને બદઇરાદે ઉઠાવી ગયો હતો. જોકે પોલીસે ગણતરીની મિનિટમાં જ આરોપીને ઝડપી લઇ બાળકીને તેના સકંજામાંથી મુક્ત કરાવી હતી. દાહોદના વતની, રાજકોટમાં ત્રણ વર્ષથી પરિવાર સાથે રહેતા આધેડ રવિવારે સવારે તેની પત્ની અને 8 વર્ષની પુત્રી સાથે રૈયાધાર વિસ્તારમાં નવી બની રહેલી સાઇટ પર કડિયાકામની મજૂરીએ ગયા હતા. બપોરે દંપતી અને તેની પુત્રીએ સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ દંપતી કડિયાકામ કરવા લાગ્યું હતું અને તેની પુત્રી ઓરડી નજીક રમતી હતી, થોડીવાર બાદ બાળકી નજરે નહી ચડતાં દંપતી અને સાઇટના કોન્ટ્રાક્ટરે શોધખોળ શરૂ કરી હતી. તે વખતે જ કોન્ટ્રાક્ટરનો ભત્રીજો ત્યાં આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, આપણી સાઇટ પર અગાઉ કામ કરતો નાગેશ્વર પાછળના પચ્ચીસ વારિયામાં રહેતો ભરત મગન મકવાણા એક બાળકીને લઇને જતો દેખાયો હતો. આ અંગેની જાણ થતાં જ દંપતીએ પોલીસને ફોન કરતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી, પીઆઇ એચ.એન.પટેલે સંપૂર્ણ વિગતો મેળવી આરોપીના મોબાઇલ નંબરના આધારે તેનું લોકેશન મેળવતા આરોપી કોઠારિયા નજીકના રસૂલપરા વિસ્તારમાં હોવાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને ભરતને ઝડપી લઇ બાળકીને મુક્ત કરાવી હતી. બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે રમતી હતી ત્યારે ભરત ત્યાં આવ્યો હતો અને વેફર અપાવવાનું કહી લઇ ગયો હતો, ભરતે તેવી કેફિયત આપી હતી કે, તેને બે સંતાન છે અને તેની પત્ની સંતાનો સાથે લાંબા સમયથી રિસામણે પિયર બેઠી છે. આ બાળકી તેની પુત્રી જેવી લાગતાં તેના પર પ્રેમ ઊભરાયો હતો અને વેફર આપી શાપર ફરવા લઇ જતો હતો, જોકે આરોપીની કથની પોલીસને ગળે ઉતરી નહોતી, પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીથી બાળકી સાથે કંઇક અજુગતું થતા અટક્યું હતું. પોલીસે આરોપી ભરતની ધરપકડ કરી વિશેષ પૂછપરછ શરૂ કરી હતી.
રાજકોટ બ્રાંચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્ટોરમાંથી સ્ટોકમાં રાખેલો માલ જેની કિંમત રૂ.8.29 લાખ હોય તે માલને સ્ટોર મેનેજર અને તેની નીચે કામ કરતા યુવકે નોકરી દરમિયાન વિશ્વાસઘાત કરી ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં અમદાવાદના દાણીલીમડાની છીપા સોસાયટીમાં રહેતા મોહમ્મદ યાસીન મોહમ્મદ સરિફ રંગવાલા(ઉં.વ.32) દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પંકજ ચોરવાડ અને પ્રથમ બખ્તરિયાનું નામ આપ્યું હતું. મોહમ્મદભાઈએ ફરિયાદમાં જણાવ્યું છેકે, પોતે અમદાવાદ, રાજકોટ અને સુરત શહેરમાં એમ.એન.ટી. રિટેલ ક્લસ્ટર મેનેજર તરીકે નોકરી કરે છે. ગત તા.17/09/2025ના રોજ રાજકોટ બ્રાંચના માધાપર ચોકડી ખાતે આવેલ મેગા માર્ટ શોપના સ્ટોર મેનેજર પંકજનો તેના ફોનમાં કોલ આવેલો કે, તમારી અન્ડરમાં આવતા રાજકોટ ખાતેના મેગા માર્ટ કંપની દ્વારા ત્રિમાસિક ઓડિટ કરાવેલ હોય અને આ ઓડિટ એપ્રિલ માસથી હાલ સુધી એટલે કે 17/09/2025 સુધી હોય જેમાં ઓડિટ બાદ કંપનીના માણસોએ એપ્રિલ માસથી આજદિન સુધીમાં આવેલ યુ.એસ.પોલો, એરો તથા ફ્લાઇન્ગ મશીનના પીસની ગણતરી કરતા તેમાં કુલ 829 પીસ સ્ટોકમાં ઓછા બતાવે છે. જેનું ફરી વાર ઓડિટ કરવામાં આવતા 829 પીસ ઓછા જણાઈ આવતા સ્ટોર મેનેજર અને તેની નીચે કામ કરતા યુવક વિરુદ્ધ નોકરી દરમિયાન વિશ્વાસઘાત કરી માલ ઉચાપત કરવા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
ધમકી આપી:જૂની અદાવતનો ખાર રાખી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી
રાજકોના નવા થોરાળા ન્યૂ સર્વોદય સોસાયટીમાં રહેતા નયનાબેન પ્રવીણભાઈ પરમારએ પાડોશી વિશાલ જયેશભાઈ વાઘેલા સામે થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા.10 જાન્યુઆરીના રોજ તેઓ ઘરે એકલા હતા ત્યારે પાડોશમાં રહેતો વિશાલ તેમના ઘરે આવ્યો હતો. વિશાલે વર્ષ 2013માં ફરિયાદીના સંબંધી દ્વારા કરવામાં આવેલી જૂની પોલીસ ફરિયાદનો ખાર રાખી નયનાબેન સાથે ઝઘડો શરૂ કર્યો હતો. વિશાલે ઉશ્કેરાઈ મહિલાને બેફામ ગાળો ભાંડી હતી. જ્યારે મહિલાએ ઘરનો દરવાજો બંધ કરી દીધો ત્યારે આરોપીએ દરવાજા પર પાટા મારી ‘સાંજે પાછો આવીશ અને તારા પરિવારના સભ્યોને પતાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. પોલીસે આ મામલે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાનાર મુખ્ય પરીક્ષા પહેલાં હવે પ્રાયોગિક પરીક્ષાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 5 ફેબ્રુઆરીથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાની જાહેરાત થતા જ રાજકોટ જિલ્લા શિક્ષણ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દીક્ષિત પટેલ દ્વારા પરીક્ષાના સુચારુ આયોજન માટેની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ પરીક્ષામાં પારદર્શિતા જળવાય તે માટે દરેક શાળાની લેબ દીઠ બે-બે સુપરવાઈઝરોની નિમણૂક કરવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ વિજ્ઞાન પ્રવાહ ધરાવતી તમામ ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓને પરિપત્ર મોકલીને શૈક્ષણિક સ્ટાફ અને પ્રયોગશાળા (લેબ)ની ઉપલબ્ધતા અંગેની માહિતી મગાવી છે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી જેવા વિષયો માટેની આ પરીક્ષા રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી સેન્ટરો પરથી લેવામાં આવશે. આ વખતે પરીક્ષા પદ્ધતિમાં ચુસ્ત અમલીકરણ જોવા મળશે. વિદ્યાર્થીઓએ પ્રાયોગિક પરીક્ષામાં મેળવેલા ગુણ તે જ દિવસે બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર રોજેરોજ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. આ માટે શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉથી જ માર્ગદર્શિકા શિબિર યોજીને તમામ સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં આશરે 7500થી વધુ વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષામાં પોતાની ક્ષમતા સાબિત કરશે. બોર્ડ દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને આ પરીક્ષા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો પર લેબના સાધનો અને કેમિકલ્સની ચકાસણી પણ વહેલી તકે પૂર્ણ કરી લેવામાં આવશે.
અનુદાન:પાંજરાપોળને મકરસંક્રાંતિએ રૂ.8.07 લાખનું અનુદાન
રાજકોટમાં સેવા અને જીવદયાના કાર્યોમાં અગ્રેસર રહેતા પીયૂષ હસમુખભાઈ દોશી અને તેમના મિત્રમંડળ દ્વારા મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે અબોલ જીવો માટે એકત્ર થયેલ રૂ.8,07,000ની માતબર રકમ રાજકોટ મહાજન પાંજરાપોળની ઓફિસે વિધિવત રીતે અર્પણ કરવામાં આવી હતી. 25 વર્ષ પહેલાં પીયૂષ દોશી દ્વારા રાજકોટના પંચનાથ મંદિર ખાતે મકરસંક્રાંતિના દિવસે ગૌસેવા માટે દાન એકઠું કરવા એક નાના સ્ટોલથી શરૂઆત કરવામાં આવી હતી. વર્ષોવર્ષ અબોલ અંધ નિરાધાર અને નિ:સહાય જીવ માત્ર માટે નિ:સ્વાર્થ ભાવે વાવેલું આ સેવાનું બીજ આજે મિત્રોના સહકારથી એક વિશાળ વટવૃક્ષ બની ચૂક્યું છે. આ ભગીરથ કાર્યમાં અનેક નામી અનામી દાતાઓ, સંસ્થાઓ, ઉત્સાહી મિત્રોના પરિશ્રમને લીધે આ વર્ષે રૂ.8 લાખથી વધુનું ઐતિહાસિક દાન એકત્ર થયું છે.
સ્વામી વિવેકાનંદની 164મી જન્મજયંતીના પાવન અવસરે, રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા આયોજિત વિવિધ સ્પર્ધાઓનો ભવ્ય ‘પુરસ્કાર વિતરણ સમારોહ’ રવિવાર, 25 જાન્યુઆરીના રોજ સંપન્ન થયો હતો. ‘પુણ્ય ભૂમિ ભારતવર્ષ’ થીમ પર આધારિત આ મહોત્સવે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભક્તિ અને સાંસ્કૃતિક ચેતનાનો નવો સંચાર કર્યો છે. છેલ્લા 59 વર્ષથી ચાલતી આ પરંપરામાં આ વર્ષે રેકોર્ડબ્રેક 165 શાળાના 9,454 વિદ્યાર્થીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ગત 14થી 28 ડિસેમ્બર દરમિયાન યોજાયેલી ફેન્સી ડ્રેસ, સમૂહ ગાન, વક્તૃત્વ, શીઘ્રચિત્ર તેમજ વિવિધ ભાષાઓમાં પઠન જેવી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલા-શક્તિનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. આ સ્પર્ધાઓમાંથી ઉત્તીર્ણ થયેલા 196 વિજેતાને સમારોહમાં પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ અને રાજકોટ (દક્ષિણ)ના ધારાસભ્ય રમેશ ટીલાળાએ વિજેતાઓને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રભાવના અને સંસ્કારોનું સિંચન કરે છે. તેમણે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ 165 શાળા તેમજ 9454 વિદ્યાર્થીને અભિનંદન પાઠવીને પ્રોત્સાહિત કર્યા હતા તેમણે વિજેતાઓના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી. આશ્રમના સ્વામી ગુણેશાનંદજી, સ્વામી દર્પહાનંદજી અને સ્વામી મેઘજાનંદજીના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા હતા. સ્વામીજીઓએ વિદ્યાર્થીઓને અપીલ કરી હતી કે તેઓ સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચે અને તેમના વિચારોને જીવનમાં ઉતારે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વામી શંકરેશાનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ સ્વયંસેવકો દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. સહભાગી થનાર તમામ શાળાઓના આચાર્ય, ટ્રસ્ટીઓ અને શિક્ષકોનો આશ્રમ દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમાં ટ્રાફિકથી ધમધમતા રહેતા કાલાવડ રોડ પર ડબલ હાઇટનો ઓવરબ્રિજ બનવા છતાં લોકોની ટ્રાફિક સમસ્યા યથાવત્ છે. ખાસ કરીને ઓવરબ્રિજની નીચેના ભાગે બનાવાયેલા રસ્તા પર ટેક્સી પાર્સીંગની ટુરિસ્ટ બસ અને ટેક્સીઓ રાત્રીના સમયે પાર્ક કરી દેવાતી હોવાથી લોકો હાલાકીનો ભોગ બની રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના કાલાવડ રોડ પર ટ્રાફિક સમસ્યા હળવી કરવા કોટેચા ચોકથી ક્રિસ્ટલ મોલ સુધી ડબલ હાઇટ બ્રિજ બનાવાયો છે. જોકે આ બ્રિજ નીચે ગેમ ઝોન શરૂ કરવામાં આવ્યા બાદ પાર્કિંગની સમસ્યા વિકરાળ બની છે. ખાસ કરીને આત્મીય કોલેજથી પશ્ચિમ મામલતદાર કચેરીના વચ્ચેના અન્ડર પાસમાં રાત્રીના સમયે પ્રસ્તુત તસવીરમાં દેખાય છે તે રીતે વાહન પાર્ક કરી દેવામાં આવતા હોવાથી લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. દિવસ દરમિયાન પણ અનેક વાહનો અહીં ખડકાયેલા રહે છે જેથી શાળા-કોલેજ છુટવા સમયે અહીં દરરોજ ટ્રાફિકજામના દૃશ્યો સર્જાતા હોવાનું સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ જણાવી રહ્યા છે. ટ્રાફિક પોલીસને ફરિયાદ છતાં નથી લેવાતા પગલાંઆત્મીય કોલેજ અને પશ્ચિમ મામલતદાર કચેરી વચ્ચે ઓવરબ્રિજના પાસ-વેમાં ગેરયકાદેસર રીતે થતા વાહન પાર્કિંગ મામલે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ દ્વારા ટ્રાફિક પોલીસને અનેક વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઇ નક્કર પગલાં લેવામાં આવતા ન હોવાથી ટૂર-ટ્રાવેલ્સના ધંધાર્થીઓ બેરોકટોકપણે જાહેર માર્ગ પર પોતાના વાહનો પાર્ક કરી વાહન ચાલકો માટે આફત નોતરી રહ્યા છે.
ભાસ્કર ફોલોઅપ:સફલ-2માં પાર્કિંગમાં પાકા દબાણને દૂર કરવા દબાણ હટાવ શાખાનો ટીપીને રિપોર્ટ
રાજકોટના રામકૃષ્ણનગર મેઇન રોડ પર મ્યુનિસિપલ કમિશનરના બંગલા સામે આવેલા સફલ-2 બિલ્ડિંગમાં ઉપરના માળે આવેલી હોસ્પિટલોમાં સારવાર માટે આવતા ઇમર્જન્સી વાહનોને અડચણરૂપ થાય તે રીતે પાર્કિંગનો કબજો કરાયાના ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ હવે મનપાનું તંત્ર એક્શનમાં આવ્યું છે અને દબાણ હટાવ શાખાની ટીમે સવારમાં જ સ્થળની વિઝિટ લીધા બાદ ટીપી શાખાને રેલિંગનું પાકું દબાણ હોય દૂર કરવા રિપોર્ટ કર્યો છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના બંગલાની સામે જ સફલ-2માં ઉપરના માળે હાર્ટ સર્જન, ડાયાબિટીસ સર્જન અને લેબોરેટરી આવેલા છે. જ્યારે ગ્રાઉન્ડ ફલોરમાં જાની લોચો એન્ડ ખમણ હાઉસ નામના ધંધાર્થીનું દબાણ છે. ખાણીપીણીના ધંધાર્થીએ પાર્કિંગમાં રેલિંગ બનાવી લીધી છે અને બાકીની જગ્યામાં ટેબલો નાખી દેતા હોય ઇમર્જન્સીમાં આવતી એમ્બ્યુલન્સ ગેટ સુધી પહોંચતી નથી તેમજ વ્હિલચેર લાવવામાં આવતા દર્દીઓને પણ હોસ્પિટલમાં લઇ જવા મુશ્કેલ બનતા હોય સફલ-2 એસોસિએશને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. છતાં દબાણ દૂર ન થતા દિવ્ય ભાસ્કરે દર્દીઓ માટે સર્જાતી કપરી સ્થિતિને વાચા આપતા મનપા તંત્ર એક્શનમાં આવ્યું છે.
મનપાએ કરી કરોડોની બચત:મનપાએ સોલાર રૂફટોપ લગાવી 9 માસમાં રૂ.2.87 કરોડની બચત કરી
રાજકોટ મહાનગરપાલિકાએ વિવિધ વિસ્તારોમાં આવેલા રેસકોર્સ, કોમર્સિયલ બિલ્ડિંગો, પાર્ટી પ્લોટ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ સહિત કુલ 202 બિલ્ડિંગોમાં સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ લગાવ્યા છે, જેના કારણે ચાલુ નાણાકીય વર્ષના સાડા નવ માસમાં મનપાને રૂ.2.87 કરોડની બચત થઈ છે. રાજકોટ મહાનગરપાલિકાના રોશની વિભાગ દ્વારા કુલ 2489.26 KWp ક્ષમતાના સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્લાન્ટ દ્વારા પર્યાવરણ સુરક્ષા સાથે સાથે મનપાની આર્થિક સ્થિતિને પણ મોટો લાભ થયો છે. સોલાર ઊર્જાના ઉપયોગથી પરંપરાગત વીજળી પરની નિર્ભરતા ઘટી છે અને વીજબિલમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. મનપાના સૂત્રોના જણાવ્યા મુજબ સોલાર રૂફટોપ પાવર પ્લાન્ટથી દર મહિને અંદાજિત 2,98,711 યુનિટ વીજ ઉત્પાદન થાય છે, જ્યારે વાર્ષિક ઉત્પાદન આશરે 25,84,534 યુનિટ સુધી પહોંચે છે. આથી મહાનગરપાલિકાને દર મહિને સરેરાશ રૂ.23.90 લાખની અને વાર્ષિક રૂ.2.87 કરોડની બચત થાય છે.
શિક્ષણના હબ તરીકે ઓળખાતા રાજકોટમાં દરરોજ હજારો આશાઓ અને અરમાનો બસના પૈડાં સાથે ગતિ કરે છે. આધુનિક સમયમાં જ્યારે મોંઘવારી આસમાને છે, ત્યારે રાજકોટ એસ.ટી. ડિવિઝન ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં ‘વિદ્યાવાહિની’ સાબિત થઈ રહ્યું છે. રાજકોટ એસ.ટી. ડિવિઝન હેઠળ આવતા રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કુલ 56,769 વિદ્યાર્થીઓએ પાસ સુવિધાનો લાભ લીધો છે. આ રાહત યોજનાને કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ખિસ્સામાંથી ખર્ચાતા અંદાજે 3 કરોડ રૂપિયા બચ્યા છે. સસ્તી, સરળ અને સલામત સફરના સૂત્રને સાર્થક કરતા એસ.ટી. નિગમે છેલ્લા એક વર્ષમાં હજારો વિદ્યાર્થીઓના શૈક્ષણિક સપનાઓને આર્થિક ટેકો પૂરો પાડ્યો છે. મહિલા સશક્તિકરણને વેગ આપતા ડિવિઝનમાં તમામ વિદ્યાર્થિનીઓને 100 ટકા ફ્રી પાસ આપવામાં આવ્યા છે. દીકરાઓને 82.5% નું માતબર ડિસ્કાઉન્ટ અપાય છે એટલે કે વિદ્યાર્થીઓને કુલ ભાડાના માત્ર 17.5 ટકા જ ચૂકવવા પડે છે. આ રાહત યોજનાને કારણે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના ખિસ્સામાંથી ખર્ચાતા અંદાજે 3 કરોડ રૂપિયા બચ્યા છે. આ રકમ વિદ્યાર્થીઓના અન્ય શૈક્ષણિક ખર્ચમાં કામ આવી રહી છે, જે મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મોટો આશીર્વાદ છે. શિક્ષણનો સેતુ : વિદ્યાર્થીઓ માટે 500થી વધુ ટ્રિપરાજકોટ શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હોવાથી આજુબાજુના સેંકડો ગામડાઓમાંથી હજારો વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે શહેર તરફ આવે છે. વિદ્યાર્થીઓની સુવિધા માટે રાજકોટ ડિવિઝન દ્વારા દરરોજ 500થી વધુ ટ્રિપ્સ દોડાવવામાં આવે છે. આ સેવાની સૌથી મોટી ખાસિયત એ છે કે, વિદ્યાર્થીઓ લોકલ અને એક્સપ્રેસ બંને પ્રકારની બસમાં આ પાસનો ઉપયોગ કરી શકે છે. ડિજિટલ ક્રાંતિ : પાસ માટે ડેપોના ધક્કામાંથી મુક્તિરાજકોટ એસ.ટી. વર્તુળે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની મુશ્કેલીનો અંત આણ્યો છે. વિદ્યાર્થીઓએ પાસ કઢાવવા માટે ડેપોની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. એસ.ટી. નિગમે શૈક્ષણિક સંસ્થાને ખાસ આઈડી અને પાસવર્ડ આપ્યા છે. વિદ્યાર્થીઓ પોતાના ડોક્યુમેન્ટ્સ શાળામાં જમા કરાવે એટલે ત્યાંથી જ ઓનલાઇન પાસ જનરેટ થઈ જાય છે. આ સુવિધાને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસના કલાકો બચે છે. ક્યાં ડેપોમાંથી કેટલા વિદ્યાર્થી રાજકોટ આવે છે
કોલ્ડસિટી બન્યું રાજકોટ:9.2 ડિગ્રી સાથે રાજ્યનું બીજું સૌથી ઠંડું શહેર બન્યું, ઠંડા પવનોએ ધ્રુજાવ્યા
ગુજરાતમાં ફરી એકવાર શિયાળાએ અસલી મિજાજ દેખાડ્યો છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સીધી અસર હેઠળ સમગ્ર રાજ્યમાં ઠંડીનો પારો ગગડ્યો છે. સૌરાષ્ટ્રનું હાર્દ ગણાતું રાજકોટ 9.2 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે રાજ્યનું બીજું સૌથી ઠંડું શહેર નોંધાયું છે, જ્યારે પોરબંદર 9 ડિગ્રી સાથે મોખરે રહ્યું છે. છેલ્લા 48 કલાકથી તાપમાનમાં આવેલા મોટા ઘટાડાને કારણે રાજકોટવાસીઓ હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. રવિવારે શહેરમાં લઘુતમ તાપમાન 9.2 ડિગ્રી અને મહત્તમ તાપમાન 27 ડિગ્રી નોંધાયું હતું. ઠંડા પવનોની ગતિ વધવાને કારણે વહેલી સવાર અને મોડી રાત્રિના સમયે લોકો ગરમ કપડાંમાં લપેટાયેલા જોવા મળ્યા હતા. હવામાં ભેજનું પ્રમાણ અને ઉત્તર-પૂર્વીય ઠંડા પવનોને કારણે અનુભવાતી ઠંડી વાસ્તવિક તાપમાન કરતા પણ ઓછી હોવાનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારના સમયે રાજકોટના રસ્તાઓ પર ટ્રાફિક ઓછો જોવા મળ્યો હતો અને લોકોએ ઠંડીથી બચવા માટે તાપણા તેમજ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. વડીલો અને શ્વાસની તકલીફ ધરાવતા દર્દીઓને વહેલી સવારે બહાર ન નીકળવા અને પૂરતી સાવચેતી રાખવા અપીલ કરી છે. કારણ : હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડી વધી 1. હિમવર્ષાની અસર : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. ત્યાંથી આવતા બર્ફીલા પવનો સીધા ગુજરાત તરફ ફંટાયા છે. 2. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ : વાતાવરણમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પવનની દિશા બદલાઈ છે, જે ઠંડીના જોરમાં વધારો કરી રહી છે. જાન્યુઆરી અંત સુધીમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ આવી શકેહવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બેથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થશે. બપોરના સમયે સૂર્યપ્રકાશને કારણે ઠંડીમાં આંશિક રાહત મળી શકે છે, પરંતુ રાત્રિના તાપમાનમાં હજુ પણ ઘટાડો થવાની સંભાવના છે. ખાસ કરીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં ઠંડીનો વધુ એક મજબૂત રાઉન્ડ જોવા મળી શકે છે, ફેબ્રુઆરીની શરૂઆત સુધી તાપમાન સરેરાશ કરતા નીચું રહી શકે છે. સૌરાષ્ટ્રમાં ક્યાં કેટલી ઠંડી
સિટી એન્કર:નાના હાથોમાં આવી કલમ, ધોરણ 1થી 9ના બાળકો બન્યાં ‘ઓથર’
આજના ડિજિટલ યુગમાં જ્યાં બાળકોનો મોટાભાગનો સમય મોબાઈલ, ગેમ્સ અને સોશિયલ મીડિયામાં વિતતો જાય છે, ત્યાં વાંચન અને લેખન જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ધીમે ધીમે પાછળ ધકેલાઈ રહી છે. શહેરની આર્ય સ્કૂલ દ્વારા છેલ્લા 7 વર્ષથી વિદ્યાર્થીઓને વાંચન અને લેખન તરફ વાળવાનો એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ કરવામાં આવે છે. આ વર્ષે પણ સાતમો ‘બુક લોન્ચ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધોરણ એકથી નવ સુધીના બાળકોને શાળા દ્વારા ત્રણ વિષય આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી કોઈ એક વિષયને પસંદ કરીને તેના પર વાર્તા લખે છે. આ વાર્તા અંગ્રેજી ભાષામાં લખવાની હોય છે જેમાં દરેક વિદ્યાર્થીઓ દ્વારા લખાયેલી વાર્તામાંથી શિક્ષક દ્વારા સર્વશ્રેષ્ઠ લખાણની પસંદગી કરવામાં આવે છે. આ પસંદ કરાયેલ વાર્તાઓને સંપાદિત કરીને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે વિદ્યાર્થીઓ પોતાનું લખાણ અને પોતાનો ફોટો પુસ્તકમાં છપાયેલો જુએ છે, ત્યારે તેમના ચહેરા પર આત્મવિશ્વાસ અને આનંદ સ્પષ્ટ દેખાય છે. આ અનુભવ બાળકોને વધુ સારું લખવા માટે પ્રેરિત કરે છે અને તેમની અંદર છુપાયેલી પ્રતિભાને આગળ લાવે છે. નાના વિદ્યાર્થીઓ માટે કલ્પનાશક્તિ વિકસે એવા વિષયો આપવામાં આવે છે, જેમ કે જો તમે પતંગિયા, પક્ષી, વાતાવરણ અથવા જંગલ હોત તો તમારો અનુભવ કેવો હોત. જ્યારે મોટા વિદ્યાર્થીઓને મુસાફરીના અનુભવ, જીવનમાં બનેલી કોઈ યાદગાર ઘટના અથવા જાદુઈ અનુભવો પર આધારિત વિષયો આપવામાં આવે છે. શાળાના ડિરેક્ટર ડો.સૂરજસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, બાળકો પુસ્તકો સાથે જોડાય, પોતાની લાગણીઓ અને વિચારોને શબ્દોમાં વ્યક્ત કરે તે હેતુથી ‘બુક લોન્ચ’ જેવી પહેલ કરાય છે. એક બુકમાં 20થી વધુ વાર્તાવર્ષમાં બાળકો દ્વારા લખાયેલી વાર્તાની એક બુક લોન્ચ કરવામાં આવે છે અત્યાર સુધી સાત બુક લોન્ચ કરાય છે. શિક્ષક દ્વારા બાળકોના લખાણની પસંદગી કરવામાં આવે છે જેમાં બાળકોએ ઘરે ચેટજીપીટી કે અન્ય સોશિયલ મીડિયાનો ઉપયોગ તો નથી કર્યો ને તે પણ ચકાસણી કરવામાં આવે છે. બુકને પ્રિન્ટ કરવામાં આવે તેમાં 20થી 25 વાર્તાનો સમાવેશ કરાય છે. આ કાર્ય કરવા પાછળનો હેતુ, બાળકો આપણી માતૃભાષામાં તો શબ્દો કે વાર્તા સાંભળી હોય, પરંતુ અંગ્રેજી ભાષામાં તેઓ થોડું વિચારે અને લખી શકે.
મંડે પોઝિટીવ:9 મહિનામાં 32 લાખથી વધુ સારવાર-ટેસ્ટ, રાજકોટ મનપાની આરોગ્ય સેવા દર્દીઓ માટે બની સંજીવની
રાજકોટ શહેરમાં પ્રજાજનોના આરોગ્યની સાર સંભાળ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યાપક આરોગ્ય સેવાઓ આપવામાં આવી રહી છે. શહેરમાં હાલ 31 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર તથા 45 મહોલ્લા ક્લિનિક એટલે કે પંડિત દીનદયાળ ઔષધાલય કેન્દ્ર કાર્યરત છે. એપ્રિલથી ડિસેમ્બર 2025ના માત્ર 9 માસના સમયગાળામાં આ તમામ કેન્દ્ર પરથી કુલ 21,79,685 દર્દીએ OPD સારવારનો લાભ લીધો છે, જ્યારે 10,82,693 નાગરિકોએ વિવિધ પ્રકારના લેબોરેટરી ટેસ્ટ વિનામૂલ્યે કરાવ્યા છે. શહેરની કુલ વસતીના અનુપાતે જોવામાં આવે તો મનપાની આ આરોગ્યલક્ષી સેવાઓ ખાસ કરીને ગરીબ, નિમ્ન મધ્યમવર્ગ અને મધ્યમવર્ગના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. મનપાના આરોગ્ય અધિકારી ડો.જયેશ વંકાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના તમામ 31 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સવારે 9થી 1 અને બપોરે 4થી 6 વાગ્યા સુધી કાર્યરત રહે છે. અહીં જનરલ OPD ઉપરાંત ડાયાબિટીસ, બ્લડપ્રેશર, ટીબી તથા મેલેરિયા જેવા રોગના નિદાન અને સારવાર વિનામૂલ્યે કરવામાં આવે છે. દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સપ્તાહમાં એક દિવસ સ્ત્રીરોગ નિષ્ણાત તથા બાળરોગ નિષ્ણાતની સેવા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત સગર્ભા બહેનો માટે HB, બ્લડપ્રેશર, પેશાબ તપાસ, થેલિસિમિયા, બ્લડ શુગર, સિફિલિસ, હેપેટાઈટિસ-બી, ટીડી રસીકરણ જેવી તમામ જરૂરી તપાસ અને સારવાર આપવામાં આવે છે. 0થી 5 વર્ષના બાળકોને બાળ ટીબી, પોલિયો, ન્યુમોકોકલ, પંચગુણી, ઓરી-રુબેલા, રોટાવાઇરસ, વિટામિન-એ અને ત્રિગુણી રસી આપવામાં આવી રહી છે. ચાલુ વર્ષના 9 માસમાં 31 પીએચસીમાં 40,791 સગર્ભા માતાઓની નોંધણી, 41,444 ડિલિવરી, 1 વર્ષ સુધીના 42,042 બાળકોનું ફુલ રસીકરણ અને 2 વર્ષ સુધીના 41,081 બાળકોનું રસીકરણ કરાયું છે. પીએચસી ઉપરાંત 46 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સવારે 9થી 1 અને સાંજે 5થી 9 સુધી કાર્યરત છે, જ્યારે 45 પંડિત દીનદયાળ ઔષધાલય કેન્દ્રો પણ સેવા આપી રહ્યા છે. લેબોરેટરીમાં કરાતા વિનામૂલ્યે ટેસ્ટ મનપા હસ્તકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની લેબોરેટરીમાં કુલ 32 પ્રકારના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં હીમોગ્લોબિન, રેન્ડમ અને ફાસ્ટિંગ બ્લડ શુગર, યુરિન શુગર, યુરિન આલ્બ્યુમિન, TLC, ESR, મેલેરિયા પેરાસાઇટ, HBsAg, બ્લડ ગ્રૂપ, HIV, વિદાલ, VDRL રેપિડ ટેસ્ટ, ગળફાની તપાસ સહિતના રિપોર્ટ સામેલ છે. માત્ર 9 માસમાં કુલ 10,82,693 નાગરિકોએ લેબોરેટરી ટેસ્ટનો લાભ લીધો, જેમાં હીમોગ્લોબિનના 7,07,023 ટેસ્ટ, RBCના 92,397 ટેસ્ટ અને ટી.બી.ના શંકાસ્પદ દર્દીઓની થૂંકની તપાસના 55,944 ટેસ્ટ કરવામાં આવ્યા છે
યુવતીએ કર્યો આપઘાતનો પ્રયાસ:લગ્નના 45 દિવસમાં યુવતીએ 5માં માળેથી કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો
કામરેજની કર્મેશ્વર રેસીડેન્સીના પાંચમા માળેથી એક નવપરિણીતાએ રહસ્યમય સંજોગોમાં નીચે ઝંપલાવતા ચકચાર મચી ગઈ છે. ગંભીર રીતે ઘવાયેલી સોનલ મકવાણા (પટેલ) હાલ પર્વત પાટીયાની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. લગ્નના માત્ર દોઢ મહિનામાં જ પરિણીતાએ આ પગલું કેમ ભર્યું તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. નનસાડની સોનલના લગ્ન ગત 12 ડિસેમ્બર 2025ના રોજ ડિંડોલીના સચિન પટેલ સાથે થયા હતા. બુધવાર રાત્રે સોનલે તેની માતા સજનબેનને ફોન કરીને જણાવ્યું હતું કે, હું કદાચ આવતીકાલે પિયર (ઘરે) આવીશ. ગુરુવાર બપોરે સોનલ સાસરેથી કામરેજ પિયર આવવા નીકળી હતી. દરમિયાન તેણે કામરેજ ગામ પાસે આવેલી કર્મેશ્વર રેસીડેન્સીના પાંચમા માળેથી ઝંપલાવી દીધું હતું. ગંભીર રીતે ઘવાયેલા સોનલને લોકોએ હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી અને તપાસ શરૂ કરી છે. ભાઈએ ફોન કરતા અજાણ્યાએ ફોન ઉપાડ્યોસોનલની નણંદ નીપલે તેના ભાભીને ફોન કર્યો હતો, પણ ફોન ન લાગતા સાવન (સોનલનો ભાઈ)ને પૂછ્યું હતું. સાવને બેનને ફોન કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી સોનલ લોહીલુહાણ હાલતમાં પડી હોવાની જાણ કરી હતી. ઘટના બાદ 108 મારફતે સોનલને સુરત સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પરિવારનો આક્ષેપ છે કે સિવિલના આઈસીયુમાં ફરજ પરના ડોક્ટરોએ સંતોષકારક જવાબ ન આપતા અને સારવારમાં ઉદાસીનતા દાખવતા પરિવાર તેને પરવટ પાટીયાની હર્ષલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. હાલ સોનલ બેભાન અવસ્થામાં છે. ભાઈ સાથે છેલ્લી વાત:બુધવારે રાત્રે 8 વાગ્યે સોનલે ભાઈ સાવનને ફોન કર્યો હતો. સાવને પોતે બાઈક પર હોવાથી ઘરે જઈને વાત કરવાનું કહ્યું હતું. ત્યારબાદ અડધા કલાકમાં સોનલે માતાને ફોન કરીને ઘરે આવવાની વાત કરી હતી. આ મામલે સાવને કામરેજ પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. પોલીસ હવે સોનલના સાસરી પક્ષ અને પિયર પક્ષના નિવેદનો લઈ તપાસ તેજ કરશે.
વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ હતી. દરેકને મતદાનનો તેમના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી હતી. સરમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. વડોદરામાં 16મો રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવાયો હતો. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઑફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસના મૃણાલિનીદેવી પુવાર ઓડિટોરિયમમાં જિલ્લા ચૂંટણી કાર્યાલય દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાંં નાગરિકોને તેમના મતદાન અધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરાઈ હતી. મતદાન અંગે જાગૃતિ લાવવા સાથે નૈતિક, જવાબદાર અને જાણકાર મતદાન કરવાની જરૂરિયાત પર ભાર મૂકાયો હતો. જિલ્લા ચૂંટણી કાર્યાલયના અધિકારીઓએ નાગરિકોને તેમના મતના મહત્વને સમજવા અને પ્રામાણિકતા સાથે મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
કરંટ લાગવાથી બે અલગ બનાવમાં બેના મોત:કાપોદ્રામાં કાર વોશ કરતી વખતે કરંટથી યુવકનું મોત
શહેરમાં કરંટ લાગવાના અલગ અલગ બે બનાવોમાં બે વ્યક્તિના મોત નીપજ્યા છે. યોગી ચોક નિલકંઠ એપાર્ટમેન્ટ ખાતે રહેતા 30 વર્ષીય રવિ દેત્રોજા કાપોદ્રામાં કાર વોશીંગ સેન્ટર ચલાવતા હતા. રવિવારે બપોરે તેઓ વોશીંગ સેન્ટરમાં કાર વોશ કરતા હતા. ત્યારે કોઈક રીતે ઈલેક્ટ્રિક કરંટ લાગતા તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. જેથી તેમને તાત્કાલિક સ્મીમેર લઇ જતા તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કરંટ લાગવાથી મોતના બીજા બનાવમાં ડિંડોલી મીરાનગર ખાતે રહેતા 30 વર્ષીય કૈલાસ ગોડ એસી ટેક્નીશ્યન હતો. રવિવારે બપોરે તે ઉધના બીઆરસી લક્ષ્મી નારાયણ ઈન્ડસ્ટ્રીમાં સ્વરાજ ક્રિએશનમાં એસી ફીટીંગ કરતો હતો ત્યારે કરંટ લાગતા બેભાન થઈ ઢળી પડ્યો હતો. જેથી તેને નવી સિવિલ હોસ્પિટલ લઇ જવાતા તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
શહેરનો સૌથી મોટો સૌરાષ્ટ્રવાસી બહુલ વિસ્તાર વરાછા રોડ આજે સીમાડાને પણ વટાવી ચૂકયો છે. પરંતુ પાલિકાના વોર્ડની દ્રષ્ટિએ વરાછા-1 અને 2 બન્યા છે પરંતુ પાયાની સુવિધાના નામે મીંડુ જ રહ્યું છે. વસ્તીની દ્રષ્ટિએ ફાટ ફાટ થતાં આ વિસ્તારમાં ટી.પી. રોડ જ નહીં કોઈપણ રોડ ઉપર ચારે બાજુના દબાણને કારણે ફોર લેન રોડ પણ સિંગલ પટ્ટીનો બની જાય છે. વિસ્તારમાં અને સિમાડા ચાર રસ્તા ઉપર અંડર પાસ બનાવાની વાતો માત્ર કાગળ ઉપર છે. દૈનિક દિવ્ય ભાસ્કરના પ્રજાના અવાજમાં સ્થાનિક રહીશોએ સિસ્ટમના છીંડા ઉપર ખુલ્લી ચર્ચા કરી હતી. વરાછામાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ફેલાયું છે, નદીમાં હોડકામાં બેસાડીને ગ્રાહકોને લઇ જઈ સવજી કોરાટ બ્રિજના છેડે ડ્રગ્સ પીવાની સુવિધા આપવામાં આવી રહી છે સરથાણા પોલીસ સ્ટેશન વર્ષોથી પણ કન્ટેનરમાં છેસરથાણાનું પોલીસ સ્ટેશન પણ ભાડાની જમીન ઉપર છે. હાઈકોર્ટની ફટકાર બાદ પણ ખાલી થતું નથી. એક રસ્તો અવરોધીને પોલીસ સ્ટેશન ચાલી રહ્યું છે અને તેના કારણે રસ્તો ખુલતો નથી. રેલવેની એક બિન ઉપયોગી દિવાલ તોડાય તો પતરાંના પોલીસ સ્ટેશનને દૂર કરાય તો પુણા ગામથી ટી.પી.ના રોડ ઉપર સીધા રિંગરોડ પહોંચી શકાય છે. > નિલેશ જિકાદરા વરાછાના દરેક વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ખૂબ વધુવરાછાના દરેક વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ ફેલાઈ ગયું છે. માંગો તે મળી જાય છે. સવજી કોરાટ બ્રિજના છેડે આવેલા સ્મશાન ગૃહ પાસેના તાપી નદીમાં જવાના કાચા રસ્તા ઉપર હોડકા હોય છે. ગ્રાહક આવે એટલે સીધા તેને નદીની વચ્ચે લઈ જવાય અને ત્યાં ડ્રગ્સ પીવાની સુવિધા અપાય છે. > હીલ ગાંગાણી અને હાર્દિક જાસોલિયા મહાપાલિકા સૌથી વધુ ટેક્સ અહીંથી લે છે પણ સુવિધા નથીપાલિકાને સૌથી વધુ વેરો વરાછા એ અને બીમાંથી મળે છે પરંતુ આંતર માળખાકિય સુવિધા આપવામાં ઓરમાયુ વર્તન રખાય છે. વરાછાના સૌથી જૂના બ્રિજની નીચે દબાણ દૂર કરાયા બાદ ફરી થઈ ગયા. અહીં અંધારીયા બ્રિજ પોલની નીચે દારૂ જુગાર નહીં પરંતુ ડ્રગ્સ પેડલરોનો ધંધો આસાનીથી ચાલે છે. > ભાર્ગવ ભાયાણી અને ઘારાબેન વઘાશિયા ટીપીઓ દ્વારા બનેલા નકશામાં પણ ગટર મેન હોલ મળતો નથીવરાછામાં ટી.પી.ઓ. દ્વારા બનેલા નકશામાં પણ ગટર મેન હોલ મળતો નથી. જેને કારણે મોટી સંખ્યામાં સોસાયટીઓ ખાડીમાં દૂષિત પાણી ડાયવર્ટ કરી દે છે. સિમાડા, લસકાણા, મિશન રોડ, વાલક, ગઢપુર અને કઠોદરામાં હાલમાં મોટી સંખ્યામાં સોસાયટીઓ બની રહી છે પરંતુ ગટર લાઈનનું જોડાણ કયાંય નથી. > ઘાર્મિક માલિવયા અને ભાર્ગવ ભાયાણી લકઝરી બસ ચાલકો ઉપર કોઈ અંકુશ નથી, કાર્યવાહીની જરૂરવરાછાનો એક પણ વિસ્તાર લકઝરી બસના ત્રાસથી બાકી રહ્યો નથી. ગમે તેમ રીતે પાર્કિંગ અને પેસેન્જર મેળવવા માટે રસ્તા ઉપર અડધો કલાક સુધી ઊભા રહેતી હોવાને કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાય છે. પોલીસની સીધી રહેમ નજર હેઠળ આ બસ ચાલકો મનમાની કરે છે. > અલ્પેશ કથિરિયા અને હીલ ગાંગાણી આખો વરાછા વિસ્તાર દબાણથી ઘેરાયેલો છેવરાછામાં દબાણ વિનાનો એક પણ વિસ્તાર નથી. પાલિકાએ બનાવેલ શાક અને ફ્રૂટ માર્કટ એવા સ્થળે છે કે, ત્યાં કોઈ વેચાણ માટે બેસતું નથી. તમામ ફેરીયાઓ લારી અને પાથરણા લઈને રસ્તા ઉપર જ બેસે છે. માર્કેટના રસ્તા ઉપરથી રોજ એવરેજ એક લાખ લોકો પસાર થતાં હશે પરંતુ આ રસ્તો સાંકડો થઈ ગયો છે. > પિયુષ વેકરીયા અને મયુર હરખાણી બ્રીજ માટે બે વર્ષથી રસ્તો બંધ કર્યો, સવાર-સાંજ ટ્રાફિકજામવરાછા રોડ ઉપર ગીતાંજલી ચાર રસ્તા પાસે બ્રીજ બનાવા માટે છ મહિના માટે રસ્તો બંધ કરવા જાહેરનામુ બહાર પડ્યું હતું પરંતુ પાલિકા અને સીટકો વચ્ચેના સંકલનના અભાવમાં આ રસ્તા ઉપર પતરાં બાધીને કરાયેલી આડાશ હવે ગોડાઉન બની ગયું છે. સવાર-સાંજ ટ્રાફિક જામ રહે છે. > મહેશ ગઢિયા અને હિતેશ જાસોલિયા
આરોપી નાસી ગયો:ગોત્રીમાં ઘરનો દરવાજો ખખડાવી ભાગતો અફઝલ પકડાયો, પોલીસ સ્ટેશનેથી ભાગ્યો
ગોત્રીમાં દંપતીના ઘરનો દરવાજો ખખડાવી ભાગી જતા શખ્સને પતિએ પકડી પોલીસ સ્ટેશન લઇ જતાં તે નજર ચૂકવી ભાગી ગયો હતો. ગોત્રીના વુડાના મકાનમાં સાંજે કોઈ શખ્સ એક મહિનાથી દરવાજો ખખડાવી ભાગી જતો હતો. તા.21એ મહિલા ઘરે હતી ત્યારે દરવાજો ખખડાવતાં મહિલાએ પતિને ફોન કરતા પતિએ અફઝલને પકડી ગોત્રી પોલીસમાં અરજી આપી હતી. પોલીસને બોલાવી તમામ લોકો ગોત્રી પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ગોત્રી પોલીસ બંને પક્ષને તપાસ માટે લઈ ગઈ હતી. અફઝલ ત્યાંથી ભાગી ગયો હતો. દંપતીએ અફઝલ વિરૂદ્ધ ફરિયાદ આપી નથી. ગોત્રી પીઆઈ આર.એન.પટેલે કહ્યું કે, 21 જાન્યુઆરીએ અરજી આપી હતી. આરોપીને પકડવાની કાર્યવાહી ચાલુ છે.
આજે પ્રજાસત્તાક દિવસ:શાળા, સરકારી કચેરીઓમાં ધ્વજવંદન, વિવિધ સંસ્થામાં રક્તદાન શિબિર યોજાશે
સોમવારને 26 જાન્યુઆરીના રોજ 77મો પ્રજાસત્તાક પર્વ મનાવવામાં આવશે. આ દિવસની ભવ્યાતિ ભવ્ય ઉજવણી શહેર-જિલ્લામાં કરવામાં આવશે. બીજી તરફ ખાદી ગ્રામોદ્યોગ કેન્દ્રમાં રાષ્ટ્રધ્વજના વેચાણમાં પણ વધારો નોંધાયો છે. 30 ટકા જેટલો રાષ્ટ્રધ્વજનું વેચાણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે જ સોમવારે શહેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે સોસાયટીઓ, સરકારી કચેરી, સામાજિક સંગઠન તેમજ શાળાઓમાં પણ ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરાયું છે. વિવિધ સંસ્થાઓ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ તેમજ રક્તદાન શિબિર પણ યોજવામાં આવનાર છે. પ્રજાસત્તાક પર્વ પહેલા શહેરમાં તિરંગો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના રાજમાર્ગો ઉપર ઠેર ઠેર રાષ્ટ્રધ્વજ વેચતી હાટડીઓને પગલે દેશભક્તિનો માહોલ ખડો થઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાટેલો, મેલો કે ચૂંથાયેલા રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ શકશે નહીં. રાષ્ટ્રધ્વજની બંને બાજુ અશોક ચક્ર હોવું જોઈએ. તેમજ રાષ્ટ્રધ્વજ ઉપર કોઈપણ પ્રકારનું લખાણ ન હોવું જોઈએ. આજે ફ્રી મેડિકલ-આઈ ચેકઅપ સહિતના કાર્યક્રમ યોજાશે
VNSGU જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પ્રશ્નો કરતાં સમય વધુ અઘરો સાબિત થયો છે. ટાઈમ ઓડિટ મુજબ મેથ્સ અને રીઝનિંગની લાંબી રકમો ઉકેલવા અને બોલપેનથી OMR ઘૂંટવા માટે પ્રશ્ન દીઠ 55 સેકન્ડ જોઇતી હતી, જેની સામે યુનિવર્સિટીએ માત્ર 36 સેકન્ડ ફાળવતા હજારો ઉમેદવારો સમયના ચક્રવ્યૂહમાં ફ સાઈ ગયા હતા. અડધું પેપર તો ગણિતના અટપટા દાખલાઓમાં જ વીતી ગયું, પરિણામે 60% ઉમેદવારો 25 થી વધુ પ્રશ્નો એટેમ્પટ કરી શક્યા નથી. સ્થિતિ એટલી ગંભીર હ તી કે 0.25 નેગેટિવ માર્કિંગથી બચવા માટે E વિકલ્પ ઘૂંટવાની પણ ઉમેદવારોને ફુરસદ મળી નથી. જ્ઞાન હોવા છતાં સ્પીડની દોડમાં ઉમેદવારો હારતા હવે મેરિટ લિસ્ટ નીચું જવાની પૂરી શક્યતા છે. અહીંયા પાંચ સેન્ટર પર 4,337માંથી 2619 ઉમેદવારો હાજર રહેતા હાજરી 60% હાજરી નોંધાઈ હતી. સંભવત અપેક્ષીત કટઓફ જનરલમાં 60 માર્ક્સ સુધી, ઓબીસીમાં 55 માર્ક્સ સુધી અને એસસી-એસટીમાં 50 માર્ક્સ સુધી રહેવાનું નિષ્ણાતોથી જણાય છે. ટાઈમ-કિલર: આ અઘરા પ્રશ્નો 36 સેકન્ડમાં ઉકેલવા અશક્ય જૂનિયર ક્લાર્કના પેપરનો રિપોર્ટ કાર્ડસૌથી અઘરું મેથ્સ અને રિઝનિંગ રહ્યું; ઉમેદવારોને 0.25 નેગેટિવ માર્કિંગથી બચવા ‘E’ પસંદ કરવાનો પણ સમય ન મળ્યો જૂનિયર ક્લાર્કના પેપરનો રિપોર્ટ કાર્ડમેથ્સ-રીઝનિંગમાં વધુ સમય લાગી જતા અનેક ઉમેદવારો ‘સ્કોરિંગ વિભાગ’ સુધી નહીં પહોંચ્યા
વિવાદ:બાળમેળામાં કચરાના ઢગલાં, આડેધડ પાર્કિંગ થતાં મ્યુનિ. કમિશનરે કર્મચારીઓને ખખડાવ્યા
પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના બાળમેળામાં વિવાદ યથાવત રહ્યો છે. બાળમેળાના પગલે કમાટીબાગમાં આડેધડ પાર્કિંગ અને કચરાના ઢગલા જોતા મ્યુનિ.કમિશનર નારાજ થયા હતા અને વાહન કમાટીબાગની બહાર પાર્ક કરવા માટે સૂચના આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિમાં પ્રથમ વખત ખાનગી કોન્ટ્રાક્ટરના હવાલે બાળમેળો હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. બાળકો માટે અને બાળકો થકી થતાં બાળમેળો વિવાદસ્પદ બની ગયો છે. આનંદબજાર ખાનગી કેટરર્સના હવાલે કર્યા બાદ વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. કમાટીબાગમાં બાળમેળાના પગલે ગાર્ડનમાં જયાં ત્યાં વાહનોનો ખડકલો થઇ ગયો હતો, જેને પગલે મ્યુ.કમિશનરે કર્મચારીઓને ખખડાવી નાખ્યા હતા અને તમામ વાહનો કમાટીબાગની બહાર પાર્ક કરવા માટેની સૂચના આપી હતી. આ ઉપરાંત કચરાના ઢગલાં જોઇ કમિશનરે કચરો યોગ્ય રીતે નિકાલ કરવા માટે જણાવ્યું હતું. મ્યુનિ.કમિશનરની સૂચના બાદ બાળમેળામાં આવેલા શિક્ષકોને પણ વાહન કમાટીબાગમાં લઇ જવા દેવામાં આવ્યા ના હોવાથી વિવાદ થયો હતો. સિક્યોરિટી સ્ટાફને માત્ર માલસમાન પહોંચાડવા માટે આવેલા વાહનોને જ અંદર લઇ જવા માટે મંજૂરી આપવામાં આવી હતી. શિક્ષણ સમિતિના બાળમેળાના હોર્ડિંગ્સમાંથી મ્યુનિ.કમિશનર જ ગાયબકોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિના બાળમેળામાં જ મ્યુનિ.કમિશનરનો ફોટો લગાડવામાં આવ્યો નથી. બીજી તરફ શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની પાસે પક્ષનો હોદ્દો હોવા છતાં પણ તેમનો ફોટો લગાડવામાં આવ્યો હોવાથી શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ વિરોધ નોંધાવ્યો છે. વીઆઇપી ટેન્ટમાં જમવાની ડિશ મૂકીને જતા રહેલા શિક્ષકો સાથેે સમાધાન કરાયુંબાળમેળાના પ્રથમ દિવસે વીઆઇપી ટેન્ટમાં પહોંચી ગયેલા શિક્ષકોને કડવો અનુભવ થયો હતો. શિક્ષકો વીઆઇપી ટેન્ટમાં પહોંચ્યા અને ડિશ લીધી ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે સામાન્ય કૂપન નહીં ચાલે વીઆઇપી કૂપન જોઇશે. આ પ્રમાણે શિક્ષકોનું અપમાન થતાં શિક્ષકોએ ડિશ મૂકી દીધી હતી અને જતા રહ્યા હતા. વિવાદ વકરી જતાં બાળમેળાના બીજી દિવસે શિક્ષણ સમિતિના સત્તાધીશોએ શિક્ષકોને બોલાવીને સમાધાન કર્યું હતું અને પ્રસંગ ઘરનો છે જે વાત બની તેને ભૂલી જવા કહ્યું હતું.
ભાસ્કર ઈનસાઈડ:સરદાર ભવનમાં મકાનની જમીન ધસી પડી,3 પરિવારને ઘરમાંથી બહાર કઢાયા
સરદાર ભવનમાં હનુમાન વાડીની બાજુમાં ખાનગી માલિકીના 4 દાયકા જૂના 2 માળના મકાનની બહાર જમીન ધસી પડી હતી. જેથી દોડધામ મચી હતી. મકાનમાં રહેતા 3 પરિવારને બહાર કાઢ્યા હતા. સરદાર ભવનના ખાંચામાં વર્ષો જૂના મકાનની બહારની બાજુએ રવિવારે સવારે 8.30 વાગ્યે એક ભાગમાં ભૂવો પડતાં રહીશોએ કાઉન્સિલરને જાણ કરી હતી. ત્યારબાદ 1 કલાકમાં જ 5 ફૂટનો ખાડો પડી ગયો હતો. ઘટનાને પગલે વોર્ડ 7ના ડે.ઇજનેર, ગેસ ખાતા અને પાણી પુરવઠાના સ્ટાફે તપાસ કરી હતી. જ્યાં પાણી, ગેસ અને વીજ કનેક્શન કાપી દેવાયું હતું. કાઉન્સિલર શ્વેતા ઉત્તેકરે કહ્યું કે, બિલ્ડિંગમાં રહેતા 3 પરિવારોને બહાર કાઢી સલામત સ્થળે જવા સૂચના આપી હતી. વોર્ડ 7ના ડે.ઇજનેર પ્રણવ શુકલે કહ્યું કે, રહીશોને ફરી મકાનમાં ન જવા સૂચના આપી છે. પાણીની મોટર ચાલુ કરતાં જમીન ધસી પડીઇમારતમાં વર્ષો જૂની પાણીની અંડરગ્રાઉન્ડ ટાંકી હતી. રહીશોએ પાણીની મોટર શરૂ કરી હતી અને તે સમયે જમીન ધસી પડી હતી. જેથી રહીશો ગભરાઇ ગયા હતા. મકાનમાં ઉપરના માળે રહેતા પરિવારોને બાજુના ઘરની અગાશી પરથી નીચે ઉતારાયા હતા. જ્યારે નીચે રહેતો પરિવાર ઘટના બાદ બહારની બાજુએ નીકળી ગયા હતા.
મ.સ.યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં ઘટી રહેલા આત્મવિશ્વાસ, ડિપ્રેશનનું કાઉન્સેલિંગ કરવા યુનિ. અનમોલ જિંદગી વર્કશોપ યોજશે. રીલ્સ, ચિત્રકલા, સ્કેચ, ફોટોગ્રાફીના માધ્યમથી વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિનું આકલન કરી કાઉન્સેલિંગ કરાશે. અનમોલ જિંદગી માટે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાશે. મ.સ.યુનિ. દ્વારા અમમ ફાઉન્ડેશનના સહયોગથી અનમોલ જિંદગી, પોઝિટિવ લાઈફ માટે પોઝિટિવ સાઇકોલોજી વિષયક કાર્યક્રમનું આયોજન કરાયું છે. જે 13 ફેબ્રુઆરીએ સવારે 10 થી 4 વાગ્યા સુધી આર્ટ્સ ફેકલ્ટીના ડોમ સામે યોજાશે. યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ભાગ લેશે. ચિત્રકલા, સ્કેચ, નૃત્ય, રંગોળી, નાટક, ફોટોગ્રાફી, શોર્ટ ફિલ્મ તથા ડિજિટલ રીલ્સ જેવી પ્રવૃત્તિ દ્વારા આંતર ફેકલ્ટી અને આંતર વિષયક સહભાગિતાને પ્રોત્સાહન અપાયું છે. કાર્યક્રમનું માર્ગદર્શન પ્રો.હિતેશ રવિયા, ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ્સ ડેવલપમેન્ટ, એમએસયુ દ્વારા કરાશે. સાથે ડૉ.રશ્મિન સોમપુરા, નોડલ ઓફિસર, નેશનલ ટાસ્ક ફોર્સ ઓન સ્યૂસાઇડ પ્રિવેન્શન તથા ડૉ.પૂર્વી ભીમાણી, સ્થાપક, અમમ ફાઉન્ડેશન ઉપસ્થિત રહેશે. યુનિ.માં વોલન્ટિયર્સનાં ગ્રૂપ બનાવાશેયુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં વોલન્ટિયર્સનાં ગ્રૂપ બનાવાશે. જે વિદ્યાર્થી નાસીપાસ હોય અને તેની તકલીફો વાલી કે શિક્ષકને ન કહી શકે તો તે મિત્રોને તો કહેશે, તેવા કિસ્સામાં ગ્રૂપ મદદ કરશે. પરામર્શ સેલ છાત્રોનું કાઉન્સેલિંગ કરે છેયુનિવર્સિટીમાં ચાલતો પરામર્શ સેલ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરે છે. વિદ્યાર્થીઓ નાસીપાસ હોય, ડિપ્રેશનમાં હોય, આપઘાતની ટેન્ડન્સી હોય તેમાં કિસ્સામાં કાઉન્સેલિંગ કરવામાં આવે છે. સાઇકોલોજી વિભાગ દ્વારા પરામર્શ સેલ ચલાવાય છે. આ સેલ પોલીસ અને કલેક્ટર કચેરી સાથે સંકળાયેલો છે. જીવન પ્રત્યે મજબૂત થવાનો અભિગમ શીખવાડાશેવિદ્યાર્થીઓ દ્વારા વિવિધ એક્ટિવિટી કરાશે, જેના થકી તેમના મનની દશા જાણી કાઉન્સેલિંગ કરાશે. સોશિયલ મીડિયામાં લાઇક ઓછી આવે તો પણ યુવાનો દુ:ખી થાય છે.યુવાનો કોઇ સ્થિતિને સમસ્યા સમજી લે છે. વર્કશોપના માધ્યમથી વિદ્યાર્થીઓને જીવન પ્રત્યે મજબૂત થવાનો અભિગમ શીખવાડાશે. > કે.એમ. ચુડાસમા, રજિસ્ટ્રાર
ભાસ્કર એક્સક્લૂસિવ:નવી આવક મુદ્દે પાલિકાનો ‘વચલો રસ્તો’ બ્લ્યુ બોન્ડ બહાર પાડી 200 કરોડ મેળવશે
વડોદરા મહાનગર પાલિકા આ વર્ષે બજેટમાં બ્લ્યુ બોન્ડ બહાર પાડી રૂા.200 કરોડની આવક ઊભી કરવાની તૈયારીમાં છે. આ રકમથી શહેર માટે પાણીના નવા સ્રોત, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણીની ટાંકી અને લાઈનોના નેટવર્ક જેવાં મહત્ત્વનાં કામો હાથ ધરાશે. જોકે પાલિકા બોન્ડ સિવાય કોઈ નવી આવક ઊભી કરવાની જાહેરાત કરશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે. પાલિકાને દર વર્ષે સરકાર પાસેથી અલગ-અલગ ગ્રાંટ પેટે અંદાજિત 1200 કરોડ મળે છે. તદુપરાંત પાલિકા વેરાથી 700 કરોડ મેળવે છે. આ સિવાય લાગતો અને ભાડાની આવક થાય છે. આ પહેલાં પણ પાલિકાએ બે વખત રૂા.100-100 કરોડનાં મ્યુનિસિપલ બોન્ડ અને ગ્રીન બોન્ડ બહાર પાડી નાણાં મેળવ્યાં હતાં. હવે ફરી એકવાર પાલિકા આ વર્ષે બોન્ડ મારફતે રૂા.200 કરોડ મેળવશે. 2025-26ના ડ્રાફ્ટ બજેટમાં બ્લ્યુ બોન્ડ થકી 200 કરોડ મેળવવાનું આયોજન હતું. જોકે આ વર્ષે ફરીથી તેને બજેટમાં સમાવેશ કરાશે. પાણી જેવી મૂળભૂત જરૂરિયાત માટે બોન્ડ જરૂરી છે, પરંતુ શહેરની આર્થિક આત્મનિર્ભરતા માટે નવી આવક મેળવવાનું વિઝન ક્યારે ઊભું થશે એ સવાલ યથાવત્ છે. 2022માં મ્યુ. બોન્ડ, 2024માં ગ્રીન્ડ બોન્ડ બહાર પાડ્યા હતા મ્યુનિસિપલ બોન્ડ - 2022 ગ્રીન બોન્ડ - 2024 પાલિકા સુએજ ટ્રીટેડ પાણી વેચી 9 કરોડની આવક ઊભી કરશે પ્લોટ વેચી 660 કરોડની આવકનો લક્ષ્યાંક પણ 221 કરોડ જ આવ્યાપાલિકાએ 2021થી 2025 સુધી પ્લોટ વેચી 660 કરોડ આવક ઊભી કરાશે તેવો લક્ષ્યાંક મૂક્યો હતો. જોકે 5 વર્ષમાં પ્લોટ વેચી 221 કરોડ જ એકત્ર કર્યા છે. જેથી આવકમાં 439 કરોડનો ઘટાડો નોંધાયો છે.
શહેરના સૌથી પોશ અને ટ્રાફિકથી ધમધમતા ડુમસ રોડ પર વાહનચાલકોને મોટી રાહત મળવા જઈ રહી છે. ત્રણ વર્ષ પહેલાં કરાયેલી જાહેરાત બાદ આખરે SVNIT સર્કલથી કારગીલ ચોક સુધીના બ્રિજ બનાવવાનો ફિઝિબિલિટી રિપોર્ટ આવી ગયો છે. કન્સલ્ટન્ટના રિપોર્ટ મુજબ, અહીં એક મોટો બ્રિજ બનાવવાને બદલે SVNIT સર્કલ અને કારગીલ ચોક જંકશન પર બે અલગ-અલગ ફ્લાયઓવર બનાવવો વધુ વ્યવહારુ છે. અંદાજે ₹100 કરોડના ખર્ચે સાકાર થનારા આ પ્રોજેક્ટ અંગે આગામી જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં આખરી નિર્ણય લેવાશે. કેબલ સ્ટેડ અને પાલ-ઉમરા બ્રિજ બન્યા બાદ ટ્રાફિકનું ભારણ વધ્યુંતાપી નદી પર કેબલ સ્ટેડ બ્રિજ અને ત્યારબાદ પાલ-ઉમરાને જોડતો નવો બ્રિજ શરૂ થતાં જ SVNIT અને આરટીઓ જંકશન પર ટ્રાફિકનું ભારણ વધી ગયું છે. હજીરા રોડ, SVNIT, યુનિવર્સિટી, સ્કૂલો હોવાથી પિક અવર્સમાં વાહનચાલકો માટે માથાનો દુખાવો બને છે. નિર્માણ પહેલાં નડતરરૂપ આ કામગીરી શરૂ કરાશે ત્રણ ટેક્નિકલ કારણોસર સળંગ બ્રિજનો પ્રોજેક્ટ પડતો મુકવો પડ્યો1. સર્વિસ રોડની સમસ્યા: જો SVNITથી કારગીલ સુધી સળંગ બ્રિજ બને તો પીપલોદ અને શારદાયતન સ્કૂલ પાસે ઉતરવા ‘રેમ્પ’ આપવો પડે, જેથી સર્વિસ રોડ કપાઈ જાય તેમ હતો, જે ટ્રાફિક માટે મુશ્કેલી સર્જતે.2. પાલ-ઉમરા બ્રિજનો ટ્રાફિક: પાલ-ઉમરા બ્રિજ તરફથી આવીને SVNIT થઈ ડુમસ તરફ જવા માંગતા વાહનચાલકો સળંગ બ્રિજનો ઉપયોગ કરી શકે તેમ ન હતા.3. નવો ફાયદો: હવે બે અલગ બ્રિજ બનવાથી પાલ-ઉમરા બ્રિજથી આવતા વાહનો SVNIT જંકશન નીચેથી પસાર થઈ, આગળ જઈને કારગીલ જંકશન બ્રિજ પર ચઢી સીધા ડુમસ તરફ જઈ શકશે. બંને સર્કલનો ટ્રાફિક જુદો-જુદોકન્સલ્ટન્ટ સર્વે બાદ તારણ નીકળ્યું કે, બંને જંકશન પર ટ્રાફિકની પેટર્ન જુદી છે. SVNIT પાસે યુનિવર્સિટી અને સ્કૂલનો ટ્રાફિક વધુ છે, જ્યારે કારગીલ ચોક હજીરા અને ડુમસ જતા ટ્રાફિકનું કેન્દ્ર છે. બે બ્રિજ બનાવવાથી સ્થાનિક ટ્રાફિકને સરળતા થશે અને પ્રોજેક્ટ કોસ્ટમાં પણ સંતુલન જળવાશે.
નમસ્તે, ગઈકાલના સૌથી મોટા સમાચાર પદ્મ પુરસ્કારોની જાહેરાતના રહ્યા. દિવંગત અભિનેતા ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ (મરણોત્તર) એનાયત કરવામાં આવશે. જ્યારે ભારતીય ક્રિકેટર રોહિત શર્માને પદ્મ શ્રીથી સન્માનિત કરવામાં આવશે. બીજા સમાચાર એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા સાથે જોડાયેલા છે, જેમને અશોક ચક્ર એનાયત કરવામાં આવશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દેશભરમાં 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે. દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડ યોજાશે. 2. WPLમાં RCB અને MI વચ્ચે 16મી મેચ સાંજે 7.30 વાગ્યે વડોદરામાં રમાશે. કાલના મોટા સમાચારો 1. ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, રોહિત શર્માને પદ્મશ્રી:શિબુ સોરેન-અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણ, 5 ગુજરાતી સહિત 131 હસ્તીઓને પદ્મ પુરસ્કાર કેન્દ્ર સરકારે પ્રજાસત્તાક દિવસની પૂર્વસંધ્યાએ રવિવારે 2026 માટે 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. જેમાં 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મ ભૂષણ અને 113 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. દિવંગત એક્ટર ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણ, ઝારખંડના પૂર્વ સીએમ દિવંગત નેતા શિબુ સોરેન અને બોલિવૂડ સિંગર અલકા યાજ્ઞિકને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લાને અશોક ચક્ર:3 આર્મી ઓફિસરને કીર્તિ ચક્ર, 13ને શૌર્ય ચક્ર એનાયત; 982 પોલીસ કર્મીઓને સેવા મેડલ એનાયત રવિવારે પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા, કેન્દ્ર સરકારે શૌર્ય પુરસ્કારો અને સર્વિસ મેડલની જાહેરાત કરી. અવકાશયાત્રી અને વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને અશોક ચક્ર એનાયત કરવામાં આવશે. ત્રણ અધિકારીઓને કીર્તિ ચક્ર અને 13 લોકોને શૌર્ય ચક્ર પ્રાપ્ત થશે. આ વર્ષે, પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ્સ, સિવિલ ડિફેન્સ અને કરેક્શનલ 982 કર્મચારીઓને ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરવામાં આવશે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. ‘ગમે તે કરો, હું પીછેહટ નહીં કરું’:અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- અમે ભાજપની આંખમાં કણાની જેમ ખૂંચીએ છીએ, તેઓ જેટલો અત્યાચાર કરશે, હું તેટલાં જ મજબૂત પગલાં લઈશ પ્રયાગરાજમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ અને મેળા પ્રશાસન વચ્ચે 7 દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. શિબિરમાં યુવકોના હંગામા પર અવિમુક્તેશ્વરાનંદે પહેલીવાર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું- અમારા પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો છે, કારણ કે અમે ગૌ-રક્ષાની વાત કરી રહ્યા છીએ. અમે તેમની (ભાજપ) આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યા છીએ, ગમે તેટલો અત્યાચાર કરો, હું પીછેહટ નહીં કરું. જેટલો અમારા પર અત્યાચાર થશે, તેટલી જ મજબૂતીથી હું પગલાં ભરીશ. સંપૂર્ણ સમાચાર વાંચો 4. મસ્જિદ માર્કેટમાં હિંદુને જીવતો સળગાવ્યો:દુકાનમાં સૂતો હતો; પેટ્રોલ છાંટી આગ લગાવી, 1 કલાક તરફડિયાં માર્યા પણ કોઈ મદદે ન આવ્યું; બાંગ્લાદેશની હચમચાવતી ઘટના બાંગ્લાદેશના નરસિંદી જિલ્લામાં વધુ એક હિન્દુ યુવકને જીવતો સળગાવીને હત્યાનો મામલો સામે આવ્યો છે. 23 વર્ષીય ચંચલ ચંદ્ર ભૌમિકનો સળગેલો મૃતદેહ શુક્રવારે રાત્રે એક દુકાનમાંથી મળ્યો હતો. પરિવારે તેને સુનિયોજિત હત્યા ગણાવી છે. આ ઘટના નરસિંદી શહેરના પોલીસ લાઈન્સ નજીક આવેલા મસ્જિદ માર્કેટ વિસ્તારમાં બની હતી. ચંચલ જે ગેરેજમાં કામ કરતો હતો, તેની અંદરથી જ તેનો મૃતદેહ મળ્યો. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા, લોકો બરફમાં દટાયા:કેટલાકે બસમાં ભૂખ્યાં-તરસ્યાં રાત વિતાવી, 1300થી વધુ રસ્તાઓ બંધ, CM ઓમરે ‘સ્કીઈંગ’ કર્યું જમ્મુ-કાશ્મીરની ભદ્રવાહ ઘાટીમાં લાંબી વાટ બાદ આ મોસમની પ્રથમ હિમવર્ષા થઈ. પટનીટોપ, નથાટોપ, સનાસર અને બટોટેમાં પણ આ મોસમની પ્રથમ હિમવર્ષા થઈ. હિમાચલમાં હિમવર્ષાથી તાપમાન વધુ ઘટ્યું છે. અહીં કુસુમકેરીનું તાપમાન માઇનસ 7C રહ્યું. હિમાચલ પ્રદેશમાં પણ હિમવર્ષાના કારણે 1291 રસ્તાઓ બંધ છે. તેમને ખોલવા માટે 385 મશીનો લગાવવામાં આવ્યા છે. હિમાચલ અને કાશ્મીરમાં 1300થી વધુ રસ્તાઓ ખોલવાનું કામ સતત ચાલુ છે. સંપૂર્ણ સમાચાર વાંચો 6. જયરાજ જેલભેગો, માયાભાઈના પુત્રની જામીન અરજી નામંજૂર:મહુવા કોર્ટમાં રજૂ થતાં જ ઢીલો પડ્યો ને જેલ અંદર જતાં હસ્યો, ચૂસ્ત બંદોબસ્ત સાથે ભાવનગર લવાયો નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં SITની તપાસમાં જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની ગત (24 જાન્યુઆરી)ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજરોજ જયરાજ આહીરને ભાવનગર આઈજી ઓફિસથી પોલીસ કાફલા સાથે મહુવા કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તેને મહુવા કોર્ટેમાં જામીન અરજી કરી હતી, જેમાં કોર્ટે જયરાજની જામીન અરજી નામંજુર કરી છે. માયાભાઈ આહીરનો પુત્ર જયરાજ જેલભેગો થયો. SIT ટીમ જયરાજને લઈ ભાવનગર રવાના થઈ હતી. જયરાજ આહિરને 25 જાન્યુઆરીએ સાંજે 7 વાગ્યે ભાવનગર જેલના સળિયા પાછળ ધકેલાયો છે. જ્યારે મહુવા કોર્ટમાં રજૂ થતાં જ ઢીલો પડ્યો હતો અને ભાવનગર જેલ અંદર જતાં હસ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો 7. રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો ચમકારો:પોરબંદર સહિત ત્રણ શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રી કરતા નીચે નોંધાયો, બે દિવસ બાદ હજુ પણ ઠંડીનું જોર વધે તેવી શક્યતા રાજ્યમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો સતત નીચે ગગડી રહ્યો છે, જેના કારણે સવાર અને રાત્રિના સમયે ઠંડીનું જોર વધુ જોવા મળી રહ્યું છે. ગઈકાલે નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. જો કે છેલ્લા 24 કલાકમાં પોરબંદરમાં સૌથી નીચું તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. સાથે રાજ્યના ત્રણ જેટલા શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાતા ઠંડીનું જોર યથાવત્ રહ્યું છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ તમિલનાડુ CM બોલ્યા-રાજ્યમાં હિન્દી માટે કોઈ સ્થાન નથી:તેને લાદવાનો હંમેશા વિરોધ કરીશું, તમિલ માટેનો અમારો પ્રેમ ક્યારેય મરશે નહીં (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. વિદેશઃ કેનેડિયન PMએ કહ્યું- લોકો સ્વદેશી સામાન ખરીદે:ટ્રમ્પની 100% ટેરિફની ધમકી પછી કહ્યું-આપણી અર્થવ્યવસ્થા પર બાહ્ય જોખમ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. નેશનલઃ PMએ મન કી બાતમાં મતદાતા-દિવસની શુભકામના પાઠવી:2016ના ફોટો શેર ટ્રેન્ડ પર વાત કરી, કહ્યું-10 વર્ષમાં સ્ટાર્ટઅપ ઝડપથી વધ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. વિદેશઃ NATO દેશોની નારાજગી બાદ ટ્રમ્પના સૂર બદલાયા:બ્રિટિશ સૈનિકોના વખાણ કર્યા, કહ્યું- અફઘાનિસ્તાનમાં જે શહીદ થયા, તેઓ મહાન યોદ્ધા હતા (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. ક્રિકેટઃ ભારતે 154 રનનો ટાર્ગેટ માત્ર 10 ઓવરમાં ચેઝ કર્યો:સતત 11મી T20 સિરીઝ જીતી, અભિષેકે 14 બોલમાં ફિફ્ટી ફટકારી, કેપ્ટન સૂર્યાની સતત બીજી ફિફ્ટી (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. બિઝનેસઃ વોટ્સએપના એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પર સવાલ:કેસમાં દાવો- મેટા તમારી પ્રાઈવેટ ચેટ્સ જોઈ શકે છે; કંપનીએ આરોપોને નકલી ગણાવ્યા (સંપૂર્ણ સમાચાર વાંચો) 7. ધર્મઃ 26 જાન્યુઆરીનું અંકફળ:અંક 1ના જાતકો માટે એક નંબર દિવસ, અંક 8ના જાતકો પર રહેશે માતા લક્ષ્મીની કૃપા (સંપૂર્ણ સમાચાર વાંચો) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ યુપીમાં 'પતિ'ને બે પત્નીઓ વચ્ચે વહેંચવામાં આવ્યો, એક દિવસની રજા ઉત્તર પ્રદેશના રામપુરમાં એક પુરુષને બે પત્નીઓ છે. વિવાદ ઉકેલવા માટે, પંચાયતે પતિને અલગ કરવાનો નિર્ણય લીધો છે. કરાર હેઠળ, પતિ તેની પહેલી પત્ની સાથે ત્રણ દિવસ અને બીજી પત્ની સાથે ત્રણ દિવસ વિતાવશે, જ્યારે રવિવાર તેની સાપ્તાહિક રજા રહેશે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. એકસાથે 185 બાળકો હોમાઇ ગયા:અંજારના ખત્રી ચોકમાં મોતનું તાંડવ, પેશાબ પીને કાટમાળમાં ચાર દિવસ કાઢ્યા, જીવિત રહેનારે ખૌફનાક વાત કહી 2. 'મેં કમસેકમ 140 લાશ કાઢી હતી':રામજી મંદિર ઊભું રહ્યું પણ ભગવાનનું સિંહાસન ફરી ગયું, ભરચક બજાર મેદાન થઈ ગઈ, ભૂકંપના કેન્દ્રબિંદુ ચોબારીમાં કુદરતે વિનાશ વેર્યો 3. આજનું એક્સપ્લેનર:ચીનના પાવરફુલ જનરલ ઝાંગને પદ પરથી કેમ હટાવાયા; અત્યાર સુધી બે-તૃતીયાંશ ઓફિસર્સ ગાયબ કાં તો બરતરફ, જિનપિંગનું તખ્તાપલટ થશે? 4. ફાંસીના માંચડે ચડનારા ભારતના એકમાત્ર ન્યાયાધીશ!:ઠંડા કલેજે પત્ની, ત્રણ દીકરીની હત્યા કરીને ઘરમાં જ દાટી દીધી, ઘર ‘ભૂત બંગલો’ બન્યું 5. રિપબ્લિક ડે પર ચીફ ગેસ્ટની ખુરશી કેટલી કિંમતી:પહેલીવાર યુરોપિયન યુનિયનને આમંત્રણ કેમ મળ્યું; શું છે 'મધર ઓફ ઓલ ડીલ્સ' 6. 168 વર્ષથી સડી રહ્યા છે 282 શહીદોના હાડપિંજર:અંગ્રેજોએ કૂવામાં જીવતા દફનાવ્યા હતા; હત્યારા કૂપરના નામે અમૃતસરમાં રસ્તો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ સોમવારનું રાશિફળ: મેષ-કર્ક રાશિના જાતકો માટે પ્રગતિના નવા દ્વાર ખુલશે, મકર રાશિના લોકોનું પ્રમોશન પાક્કું (સંપૂર્ણ રાશિફળ વાંચો)
આગામી બોર્ડની પરીક્ષા દરમિયાન વીજ પ્રવાહ ખોરવાય નહીં અને વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે માટે એમજીવીસીએલ દ્વારા સમારકામની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. એક મહિનામાં શહેરનાં 375થી વધુ ફીડરના મેન્ટેનન્સનું કામ કરાશે. ઉત્તરાયણ બાદ વીજ વાયર, ટ્રાન્સફોર્મર, જમ્પર વગેરેમાં ફસાયેલા દોરા, પતંગને હટાવવાની પણ ખાસ ઝુંબેશ આ સાથે હાથ ધરાશે. વીજ કંપનીના 700થી વધુ અધિકારી-કર્મચારીની ટીમો 26 ફેબ્રુઆરી પહેલાં ફીડરોના સમારકામની કામગીરી પૂર્ણ કરશે. એક ફીડર પર 50 કર્મીની ટીમ બનાવી કામગીરી કરવામાં આવે છે. શટડાઉન લીધા બાદ સવારે 7થી 11 વાગ્યા દરમિયાન કામગીરી કરાશે. જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન કરાય ત્યાં સુધી વીજ પ્રવાહ બંધ રખાશે, જેની જાણકારી અગાઉથી વીજ ગ્રાહકોને આપવમાં આવશે. બોર્ડની પરીક્ષા દરમિયાન ખાસ કરીને વિદ્યાર્થીઓને તકલીફ પડે નહીં તેને લઈ કામગીરીને વધુ વેગ અપાયો છે. શહેરના 11 કેવીના હાઇ-ટેન્શન ફીડરોની લાઇન પર કામગીરી કરવામાં આવશે. સેફ્ટી સાધનોને સાથે રાખી તમામ કામગીરી કરાશે. હાલ ઠંડીનું વાતાવરણ ચાલી રહ્યું છે અને વીજ માગમાં ઘટાડો થતાં કામગીરી કરવામાં આવી રહી છે. શટ-ડાઉનના દિવસે તમામ સ્ટાફની રજા રદ કરાશેએમજીવીસીએલ દ્વારા વિવિધ વિસ્તારના ફીડરનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જે-તે સબ ડિવિઝન હેઠળ આવતા ફીડરનું સમારકામ કરાશે તે દિવસે સ્ટાફની રજા રદ રાખવાનું આયોજન કરાયું છે, જેથી સમયસર કામગીરી પૂર્ણ થઈ શકે. કર્મીની રજા બીજા કોઈ દિવસે ટ્રાન્સફર કરાશે તેમ એમજીવીસીએલના અધિકારીએ કહ્યું હતું. વીજ વાયર અને ટ્રાન્સફોર્મરમાં ફસાયેલા દોરા કે પતંગ ભીના થાય તો શોર્ટ સર્કિટ થવાની શક્યતાહાલ ઠંડીનું વાતાવરણ ચાલી રહ્યું છે અને ભેજનું પ્રમાણ પણ વધ્યું છે. ભેજથી વાયરો, ટ્રાન્સફોર્મર સહિત પર ફસાયેલા પતંગ-દોરા ભીના થઈને શોર્ટ-સર્કિટ થવાની સંભાવના વધી જાય છે. સાથે જ 27 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. જેથી આયોજન કરી શટડાઉન લઈ વીજ કર્મી દ્વારા સમારકામ વહેલું પૂર્ણ કરાશે. સમયસર કામગીરી પૂર્ણ કરવાની સૂચના આપી છેબોર્ડ પરીક્ષા પહેલાં સમારકામની કામગીરી પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. પ્લાન્ડ શટડાઉન સમયસર લઈ અને ઓછામાં ઓછા સમયમાં કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરવા કર્મચારીઓને સૂચન આપ્યાં છે. > પી.એન. થાનાવાલા, સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર. વડોદરા સિટી સર્કલ વીજ કર્મીઓ દ્વારા કઈ કામગીરી કરાશે?
ગૌરવ:માણભટ્ટની પરંપરાને જીવંત રાખનારા ધાર્મિકલાલ પંડ્યા પદ્મશ્રીથી નવાજાયા
ભારત સરકારે પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ 2026ના પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. જેમાં વડોદરાનું ગૌરવ એવા 94 વર્ષિય માણભટ્ટ આખ્યાનકાર ધાર્મિકલાલ ચુનિલાલ પંડ્યાને પણ પદ્મશ્રી એવોર્ડ જાહેર કરાયો છે. ગુજરાતની પ્રાચીન લોક સંગીત પરંપરા આખ્યાન કલાને જીવંત રાખનાર માણભટ્ટ તથા આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાએ 73 વર્ષથી આખ્યાન કલાને જીવન સમર્પિત કર્યું છે. તેઓ મેટ્રિક સુધી પહોંચ્યા તે અરસામાં તેમના પિતાનું નિધન થયું હતું. ઘરની જવાબદારી આવતાં કથા-વાર્તાને આજીવિકાના સાધનરૂપે સ્વીકારી હતી. શરૂઆતનાં 5-6 વર્ષ તેમણે પોળોમાં આખ્યાન કથા શરૂ કરી હતી. વડોદરાના રેડિયો સ્ટેશનના માધ્યમથી તેમની કીર્તિ ચોમેર પ્રસરી હતી. તેઓએ ભારત સહિત 5થી વધુ દેશ તથા વિવિધ મીડિયા માધ્યમો દ્વારા 2500થી વધુ આખ્યાન પ્રસ્તુત કર્યાં છે. ઓલ ઇન્ડિયા રેડિયો, વડોદરા પર હરિવંશ પુરાણના 28 એપિસોડ, દિલ્હી ઇન્ટરનેશનલ આર્ટ્સ ફેસ્ટિવલ અને સંગીત નાટક અકાદમી જેવાં મંચો પર તેમની કલા પ્રસ્તુતિ નોંધપાત્ર રહી છે. 94 વર્ષે પણ તેઓ આખ્યાન લેખન સાથે સંકળાયેલા છે. 1983માં તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. ધાર્મિકલાલના પુત્ર અને પૌત્રો નવી પેઢીને તાલીમ આપી રહ્યા છેહરિવંશ પુરાણ, શિવ મહાપુરાણ અને ભાગવત, રામાયણ અને મહાભારત આધારિત આખ્યાનો દ્વારા અમેરિકા, યુકે અને કેનેડામાં ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનો પ્રચાર કર્યો છે.હવે તેઓના પુત્ર-પૌત્રો આ કલાને શીખી વિદ્યાર્થીઓને આખ્યાન ગાયનની તાલીમ આપી રહ્યા છે. હાલ તેઓ મન્ન આખ્યાનકલા શિક્ષણ કેન્દ્રના સંચાલક છે. આખ્યાન કલાના વિષય પર તેમણે ગુજરાતી આખ્યાન, ગોવિંદગુણ સાગર નામે પુસ્તકો લખ્યાં છે. આ સન્માન મારા ગુરુ અને પિતાને સમર્પિતમને મળેલું સન્માન ગુરુ પ્રેમાનંદ, પિતા ચુનિલાલ અને ગુજરાતી કલાને મળેલું સન્માન છે. આ લુપ્ત થતી કલાને શાળાના અભ્યાસક્રમમાં દાખલ કરવી જોઈએ. ભાષા, સંસ્કૃતિ અને સંગીત એકબીજા સાથે સંકળાયેલાં છે. યુવા પેઢી અને બાળકોને આ કલા શીખવવી જોઇએ. સરકાર અને સમાજ પરંપરાગત કલાને લુપ્ત થતાં અટકાવી શકે છે. > ધાર્મિકલાલ પંડ્યા, માણભટ્ટ
ટ્રેકિંગ ડિવાઇસમાં ટેકનિકલ ખામી સર્જાઈ:15 દિવસથી ટેક્સી-મેક્સી વાહનોનું રજિસ્ટ્રેશન બંધ
છેલ્લા 15 દિવસથી ટેક્સી અને મેક્સી કેટેગરીના કોમર્શિયલ વાહનોનું રજિસ્ટ્રેશન સંપૂર્ણપણે બંધ કરી દેવાયું છે. આરટીઓમાં આશરે 150 વાહનોનું રજીસ્ટ્રેશન બાકી હોવાનું જાણવા મળે છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં, આ સંખ્યા લગભગ 300 સુધી પહોંચી ગઈ છે. રાજ્યભરમાં, 1000 થી વધુ ટેક્સી-મેક્સી વાહનોને અસર થઈ છે. સમસ્યાનું મૂળ કારણ વાહન સ્થાન ટ્રેકિંગ ડિવાઇસ (VLTD) સંબંધિત ટેકનિકલ ખામી છે. વાણિજ્યિક વાહનોમાં VLTD ઉપકરણો લગાવવા ફરજિયાત છે. સરકાર દ્વારા અધિકૃત એજન્સીઓ આ ઉપકરણ ઇન્સ્ટોલ કરે છે અને પ્રમાણપત્ર જારી કરે છે. વાહન નોંધણી દરમિયાન આ પ્રમાણપત્રનો સીરીયલ નંબર ઓનલાઈન પોર્ટલ પર દાખલ કરવો આવશ્યક છે. જો કે, ગયા અઠવાડિયાથી, જ્યારે પણ VLTD ડેટા પોર્ટલ પર અપલોડ કરવામાં આવે છે, ત્યારે સિસ્ટમ “ડેટા મિસમેચ” સંદેશ પ્રદર્શિત કરી રહી છે. આ વાહન નોંધણી નંબર જનરેટ થવાથી અટકાવે છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયા અટકી જાય છે.
ટેક્સટાઈલમાં નવેમ્બર અને ડિસેમ્બરની મંદી વચ્ચે રાહતના સંકેતો જોવા મળી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી ગ્રે કાપડની માંગ અચાનક વધતાં વેપારીઓ અને વીવરોમાં ફરી ચહલપહલ જોવા મળી છે. ખાસ કરીને એરજેટ અને વોટરજેટ લૂમ્સમાં બનતા એનસી સાર્ટિન તેમજ પીવી ચંદેરીના ગ્રે ફેબ્રિકની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, જેના કારણે બજારમાં ભાવ પણ ઊંચા જતા રહ્યા છે. એનસી સાર્ટિન કાપડ 26થી 27 રૂપિયામાં મળતું હતું તે હવે 32 સુધી પહોંચી ગયું છે. પીવી ચંદેરી 25થી 27 રૂપિયાથી સીધું 34 રૂપિયા થયું છે. ઉદ્યોગકારો માને છે કે, જાન્યુઆરી પછી શરૂ થતી લગ્નસિઝન મુખ્ય કારણ છે. સાડી, ડ્રેસ મટિરિયલ્સ અને ગાર્મેન્ટ્સ માટે આ કાપડનો ઉપયોગ વધુ હોવાથી સ્ટોક ભેગો કરી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં તો ઘણીવાર મશીનો બંધ રખાયાં હતાંનવેમ્બર અને ડિસેમ્બરમાં ગ્રે કાપડની ડિમાન્ડ ખૂબ ઘટી ગઈ હતી, જેના કારણે મશીનો બંધ રાખવા પડતા હતાં, પરંતુ છેલ્લા 10થી 15 દિવસથી ઓર્ડર ફરી મળવા લાગ્યા છે. ખાસ કરીને પીવી ચંદેરી અને એનસી સાર્ટિનની માંગ વધારે છે. માંગ વધતાં યાર્નના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આવનારા મહિનાઓમાં માંગ સ્થિર રહે તો સુરતનું ટેક્સટાઈલ બજાર ફરી ગતિ પકડશે.’ > હરેશ પટેલ, અગ્રણી વીવર
ભાસ્કર એક્સક્લુસિવ:16 વર્ષમાં ત્રીજીવાર જાન્યુઆરી માસમાં ઠંડીનો પારો 13 ડિગ્રીથી નીચે નહીં ઉતર્યો
સુરતીઓ માટે આ શિયાળો ‘મિશ્ર’ અનુભવનો રહ્યો. છેલ્લા 16 વર્ષમાં ત્રીજીવાર એવું બન્યું કે જાન્યુઆરી માસમાં ઠંડીનો પારો 13 ડિગ્રીની નીચે ગયો જ નહીં. જો કે, ઠંડીના દિવસોની સંખ્યા વધુ રહી છે, પરંતુ ‘કોલ્ડવેવ’ના રાઉન્ડ ખાસ જોવા મળ્યા નથી. આગાહી મુજબ, છેલ્લા અઠવાડિયામાં પણ તાપમાન 13 ડિગ્રીથી નીચે જવાની શક્યતા નહિવત છે. એટલે કે, હવે કડકડતી ઠંડી માટે આવતા વર્ષની રાહ જોવી પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે. 1929માં 4.4 ડિગ્રી સાથે સુરત ‘કાશ્મીર’ બની ગયું હતુંજાન્યુઆરીમાં સુરતમાં સૌથી ઓછી ઠંડીનો ઓલટાઇમ રેકોર્ડ 1929માં નોંધાયો હતો, જેમાં પારો ગગડીને 4.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. તેની સામે છેલ્લા દોઢ દાયકામાં 2022માં સૌથી વધુ ઠંડી 10.2 રહી હતી. શા માટે ઠંડીનું જોર ઘટ્યું? 2022માં પારો 16 વર્ષમાં સૌથી નીચો 10.2 રહ્યો હતો
માત્ર ડોમેસ્ટિક સિવેજના પાણીના શુદ્ધિકરણ માટે બનાવાયેલા બમરોલી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેરકાયદે કલર-કેમિકલ અને ઊંચા TDSવાળું પાણી ઠલવાતાં શહેરના ડ્રેનેજ નેટવર્ક સહિતની સમગ્ર સિસ્ટમને ગંભીર અસર પહોંચી છે. સ્થિતિ એટલી વણસેલી છે કે બમરોલી STP ખાતે રોજના 35 MLD પાણીનું પ્રોસેસિંગ છેલ્લા બે દિવસથી સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે. પ્લાન્ટના ટેકનિકલ ફેલ્યોર કારણે આગામી એક સપ્તાહ સુધી સ્થિતિ સુધરવાની શક્યતા નબળી હોવાનું સપાટી પર આવ્યું છે. આ કારણે સચિન–પાંડેસરા વિસ્તારના આશરે 2 હજાર ઔદ્યોગિક એકમોને આપવામાં આવતું ટ્રીટેડ રો-વોટર સપ્લાય પણ બંધ થઈ ગયું છે. ઉદ્યોગોને પાણી ન મળતાં ઉત્પાદન પ્રક્રિયા ખોરવાઈ છે અને વેપાર જગતને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવું પડી રહ્યું છે જેના પગલે ઉદ્યોગકારોમાં ભારે રોષ ફેલાયો છે. કલર-કેમિકલની અસરથી પ્લાન્ટ બંધ થઈ ગયાબમરોલીમાં 40 અને 35 MLDના 2 પ્લાન્ટ પૈકી 35ના પ્લાન્ટને કલર કેમિકલ, ઊંચા TDSની અસર વર્તાતાં બ્રેક ડાઉન થયું છે. શનિવારે સાંજથી પ્રોસેસ બંધ છે. હવે લાઇન મરામત પછી સ્થિતિ થાળે પડશે. ઝોનને પત્ર લખી તપેલા ડાઇંગ સામે કાર્યવાહી કરવા સૂચના અપાશે. > મૌલિક રાવ, કાર્યપાલક ઇજનેર, ટર્સરી વિભાગ ઘણા ઉદ્યોગોનાં બુકિંગો કેન્સલ થવાની આરેએક અગ્રણી ઉદ્યોગપતિએ કહ્યું કે, કાપડ વણાટમાં પાણીનો ભરપૂર ઉપયોગ હોય છે ત્યારે 2 દિવસથી પાણી ઠપ હોવાથી ઉત્પાદનને ગંભીર અસર થતાં બુકિંગો કેન્સલ થવાની આરે છે. STPને ગંભીર નુકસાન પહોંચાડતી ગેરકાયદે તપેલા ડાઇંગોને ઝોનનું ‘સુરક્ષા કવચ’ઉધના, લિંબાયત અને ભટારમાં ગેરકાયદે તપેલા ડાઇંગો બિલાડીના ટોપીની જેમ ફૂટી નીકળી છે, જ્યાં ઝેરી કેમિકલ અને ઊંચા TDSવાળા પાણીનો બેફામ ઉપયોગ થાય છે. આ બદીને ઝોન સ્તરે જ ડામી દેવા સૂચના હોવા છતાં રાજકીય પીઠબળ અને ‘હપ્તાખોરી’ને કારણે કોઈ જ કાર્યવાહી થતી ન હોવાનો ઉદ્યોગકારોનો મત છે. કરોડોના STPમાં એવી કોઇપણ સિસ્ટમ જ નથી કે જે કેમિકલ અને કલરને ટ્રીટ કરી શકે, જેથી STPને મોટાપાયે નુકસાન થતું અટકે. નાનપુરાની રાઇઝિંગ લાઇનમાં લીકેજ થયું છેનાનપુરામાં ગટરનું પાણી પમ્પ કરતાં 2 પ્લાન્ટની રાઇઝિંગ લાઇનમાં લીકેજ હોવાથી મરામત ન થાય ત્યાં સુધી વોટર ટ્રીટમેન્ટને અસર વર્તાઇ છે. આ સ્થિતિમાં ભટાર STP પર પાણી પમ્પ થઇ રહ્યું છે. જો કે, લીકેજ મરામત પછી જ રાબેતા મુજબ પ્રક્રિયા થઇ શકશે. રાકેશ મોદી, કાર્યપાલક ઇજનેર, ડ્રેનેજ વિભાગ
અકસ્માતનો ભય:દયાપર નજીક ડાયવર્ઝન પર ઉડતી ધૂળથી ચાલકો બન્યા ત્રાહિમામ
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ગામ નજીક હાઇવે પર આવેલી આવ વાળી પાપડી પાસે હાલ નવા પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આ કામગીરીને પગલે વાહનોની અવરજવર માટે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું છે, પરંતુ આ કાચો માર્ગ હાલ વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે મુસીબતનું કારણ બન્યો છે. આ ડાયવર્ઝન પર માત્ર મેટલ અને માટી પાથરવામાં આવી છે. આ મુખ્ય હાઇવે હોવાથી અહીંથી સતત મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, પરંતુ રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવતો નથી. પરિણામે, વાહનો પસાર થતાં જ પુષ્કળ પ્રમાણમાં ધૂળ (ડસ્ટ) ઉડે છે, જેના કારણે અન્ય વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે અને અકસ્માતનો ભય પણ રહેલો છે. આ ગંભીર સમસ્યાને લઈને ગામના જાગૃત યુવાનો કિશોર ધોળું, મુકેશ પારસિયા અને લખમશી લોચાએ જણાવ્યું હતું કે, પુલની કામગીરી લાંબો સમય ચાલવાની શક્યતા છે. તેથી, લોકોની મુશ્કેલી નિવારવા માટે કાચા ડાયવર્ઝનને બદલે ત્યાં ડામર પાથરીને પાકો રસ્તો બનાવવામાં આવે તેવી પ્રબળ માંગ કરવામાં આવી છે.
હમીરબંધા પ્રાથમિક શાળા (ભીમાસર ગ્રુપ)ના શિક્ષક જીતેન્દ્રભાઈ મનુભાઈ બારોટનું માંદગીના કારણે અવસાન થયું હતું. જે માટે શિક્ષક સમાજે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેઓ કચ્છ જિલ્લાની કાયમી ભરતી અંતર્ગત માત્ર બે માસ પૂર્વે જ હમીરબંધા પ્રાથમિક શાળામાં નિમણૂક પામ્યા હતા. અલ્પ સમયગાળા છતાં પણ તેમણે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને શિક્ષકોના હિત માટે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હતી. તાલુકાના શિક્ષકમિત્રોએ ટૂંકા ગાળામાં ફાળો એકત્ર કરી સ્વ. શિક્ષકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો માનવીય પ્રયાસ કર્યો હતો. તેમના વતન ગાંધીનગરના માણસા તાલુકાના વિહાર ખાતે રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી પ્રમુખ ભરતસિંહ પરમાર, મહામંત્રી મહાદેવભાઈ કાગ, આંબાભાઈ મકવાણા, સુરેશગીરી ગોસ્વામી, રોહિતભાઈ પટેલ, પરસોતમભાઈ સોલંકી, કિશોરભાઈ પટેલ તેમજ સમગ્ર તાલુકાના શિક્ષકોની વતીથી રૂ.1,35,200ની રકમ સ્વ. જીતેન્દ્રભાઈ બારોટના પરિવારજનોને શ્રદ્ધાસુમન સ્વરૂપે અર્પણ કરાઈ હતી. પરસોતમભાઈ સોલંકી, કિશોરભાઈ પટેલ તેમજ સમગ્ર તાલુકાના શિક્ષકોની વતીથી રૂ.1,35,200ની રકમ સ્વ. જીતેન્દ્રભાઈ બારોટના પરિવારજનોને શ્રદ્ધાસુમન સ્વરૂપે અર્પણ કરાઈ હતી.
રણ, દરિયો અને ડુંગરની સાક્ષીએ જે પ્રદેશે કુદરતના સૌથી મોટા પ્રકોપને પચાવીને ફરીથી વિકાસની હરણફાળ ભરી છે, તેવા કચ્છની શિરમોર કલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. દૈનિક ભાસ્કર જૂથના રેડિયો ડિવિઝન ‘માય એફએમ’નું ભુજ અને ગાંધીધામ સ્ટેશનનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શાનદાર લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ માત્ર એક રેડિયો સ્ટેશનના ઉદ્ઘાટન પૂરતો સીમિત ન રહેતા, કચ્છની ખુમારી, અદમ્ય સાહસ અને લોકપરંપરાના ઉત્સવ સમાન બની રહ્યો હતો. વિકાસના પંથે અગ્રેસર કચ્છને ‘માય એફએમ’ના સ્વરૂપે એક નવો અવાજ અને એક નવું પ્લેટફોર્મ મળ્યું છે. કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ક્ષણને કચ્છ માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કચ્છ તો સંસ્કૃતિ, સંકલ્પ, સંઘર્ષ, સ્વાભિમાન અને સમૃદ્ધિનું પ્રતીક છે. ગોઝારા ભૂકંપ બાદ કચ્છી માડુઓએ જે રીતે રાખમાંથી બેઠા થઈને વિકાસમાં જે યોગદાન આપ્યું છે, તે સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ છે. આજે શરૂ થઈ રહેલું ભાસ્કર જૂથનું આ એફએમ સ્ટેશન કચ્છની આ વિકાસગાથાની વધુ એક સિદ્ધિ છે.” મુખ્યમંત્રીએ રેડિયોની વિશ્વસનીયતા પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, સોશિયલ મીડિયાના યુગમાં પણ રેડિયો સાથે દરેક પેઢીનો અતૂટ સંબંધ રહ્યો છે. આ એક એવું માધ્યમ છે જે ઓછા ખર્ચે, સ્થાનિક ભાષામાં છેવાડાના માનવી સુધી પહોંચે છે.મને શ્રદ્ધા છે કે આ એફએમ ચેનલ સરકારની જનકલ્યાણકારી યોજનાઓને ખેડૂતો, પશુપાલકો અને માછીમારો સુધી પહોંચાડવામાં સેતુરૂપ ભૂમિકા ભજવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 2047 સુધીના ‘વિકસિત ભારત’ના સ્વપ્નમાં આ નવું સોપાન ‘વિકસિત ગુજરાત’ થકી સહયોગી બનશે. આ કાર્યક્રમમાં માય એફએમના સીઇઓ રાહુલ નામજોશી, યજુુવેન્દ્રસિંહ પરમાર, જય ગાંધી, દિવ્ય ભાસ્કર ભુજના તંત્રી નવીન જોષી, માર્કેટિંગ મેનેજર હરદીપસિંહ જાડેજા, દિવ્ય ભાસ્કરના યશસ્વી દીપક, ન્યૂઝ એડિટર હર્ષિલ પરમાર તેમજ માય એફએમ ટીમમાંથી સૌરવ પંડ્યા, મોહિત દેસાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન જાણીતા આરજે અર્ચનાએ પોતાની આગવી શૈલીમાં કર્યું હતું. કચ્છમાં 25 વર્ષનો વિશ્વાસ અને સંકલ્પદૈનિક ભાસ્કરના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગરે ‘માય એફએમ’ના કચ્છમાં આગમન પાછળના ઉદ્દેશ્યને સ્પષ્ટ કરતા એક લાગણીસભર વાત મૂકી હતી. તેમણે કહ્યું હતું કે, “ભાસ્કર જૂથે હંમેશા લોકોનો અવાજ બનવાનું કામ કર્યું છે, પછી તે ખેડૂતની પીડા હોય કે યુવાનોના સપના. કચ્છને પસંદ કરવાનું સૌથી મોટું કારણ તેની ‘જીજીવિષા’ છે. ૨૫ વર્ષ પહેલા આપણે અહીં વિનાશ જોયો હતો, પણ કચ્છે સાબિત કર્યું કે પુનઃનિર્માણ માત્ર ઈમારતોનું નથી હોતું, પણ આત્મવિશ્વાસનું હોય છે. આજનું કચ્છ ઉદ્યોગ અને પ્રવાસનમાં નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે ત્યારે માય એફએમ આ સફળતાની કહાનીઓને ઘર-ઘર સુધી પહોંચાડશે.” ભુજ અને ગાંધીધામને હવે આ અવાજો ‘ડોલાવશે’રેડિયોની દુનિયામાં અવાજ જ જેની ઓળખ છે, તેવા યુવા અને જોશીલા આરજેની ફોજ હવે ભુજ અને ગાંધીધામના શ્રોતાઓનું મનોરંજન કરવા સજ્જ છે. ગાંધીધામની ટીમમાં આરજે મયંક, આરજે ચાર્મી, આરજે શૈલી, અને ભુજ માટે આરજે પાયલ, આરજે અજય, આરજે રવિ. આ તમામ આરજે માત્ર ગીત-સંગીત જ નહીં પીરસે, પરંતુ સ્થાનિક લોકપરંપરા, કચ્છની વિરાસત, હસ્તકળા અને પ્રવાસનને લગતા વિશેષ કાર્યક્રમો દ્વારા શ્રોતાઓને જ્ઞાન સાથે ગમ્મત પણ આપશે. આ મહાનુભવોએ કાર્યક્રમની શોભા વધારીઆ પ્રસંગે મહંત ત્રિકમદાસજી મહારાજ, રાજ્યકક્ષાના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયા, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વે કેશુભાઇ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા, અનિરુધ્ધભાઇ દવે, માલતીબેન મહેશ્વરી, ભુજ નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, જીએસડીએમએના સીઈઓ આલોક પાંડે, અગ્રણી દેવજીભાઈ વરચંદ, ધવલ આચાર્ય, ગાંધીધામથી મનિષ ગુપ્તા, પ્રાચી ગુપ્તા, દિનેશ ગુપ્તા, દિલીપભાઇ દેશમુખ, લાલ રાંભિયા, અખિલેશ અંતાણી, કુલપતિ મોહનભાઈ પટેલ, જીગર છેડા, શિતલભાઇ શાહ, મીત ઠક્કર, બાબુભાઈ ભીમા હુંબલ, મુકેશ ચંદે, જટુભા રાઠોડ, અભિષેક શર્મા સહિતના અગ્રણીઓએ કાર્યક્રમની શોભા વધારી હતી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ કચ્છના લક્કીનાળા સ્થિત બકલબેટ પર ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. સરહદી વિસ્તારમાં આયોજિત સમારોહમાં રાષ્ટ્રધ્વજને સલામી અપાઈ અને દેશની એકતા, અખંડતા તથા સુરક્ષા પ્રતિ પ્રતિબદ્ધતાનો સંદેશ અપાયો હતો. આ અવસરે જિ.પં. પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, 176 બટાલિયનના CO યોગેશકુમાર, નારાયણ સરોવરના ગાદીપતિ સોનલલાલજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ સરોવર પોલીસ સ્ટાફ, વાયોર પોલીસ સ્ટાફ, લખપત તાલુકા ભાજપ પ્રમુખ ગણપત રાજગોર, તા. પં. પ્રમુખ પ્રતિનિધિ જસુભા જાડેજા, આજુબાજુના સરપંચો, તાલુકાના આગેવાનો, વિકાસ રાજગોર, હરિસિંહ રોઠોડ સહિતના જોડાયા હતા. સમારોહ દરમિયાન વક્તાઓએ રાષ્ટ્રસેવા, સરહદની સુરક્ષા અને દેશના વિકાસ માટે સૌને એકજુટ રહી કાર્ય કરવાની અપીલ કરી હતી.
ખોખરા પોલીસે ગેરકાયદે કોલ સેન્ટર પર દરોડો પાડી મંજીલ રાઠોડની ધરપકડ કરીને આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા આરોપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાતાં 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. સરકારી વકીલ વિજય સોલંકીએ રજૂઆત કરી હતી કે આ સામાન્ય કોલ સેન્ટર નથી પરંતુ તેની પાછળ સોનાની દાણચોરી અને હવાલા કૌભાંડનું મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. આરોપીઓના આંતરરાષ્ટ્રીય કનેક્શન, દુબઈ સ્થિત સૂત્રધારો અને નાણાકીય વ્યવહારોની તપાસ કરવી જરૂરી છે. આ કૌભાંડમાં કેટલા કરોડના સોનાની દાણચોરી કરાઈ છે તે સહિતની તપાસ પોલીસ કરશે.
હિટ એન્ડ રનની જીવલેણ ઘટના બની:અંજલિબ્રિજ પર વાહનની ટક્કરથી યુવકનું મોત
અંજલિ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટનામાં લગ્ન પ્રસંગ પૂર્ણ કરી ઘરે જઈ રહેલા 22 વર્ષીય ટુવ્હીલર ચાલકને એક વાહને અડફેટે લેતા ટુવ્હીલર ચાલકનું મોત નીપજ્યું હતું. આ અંગે એન-ડિવિઝન ટ્રાફિક પોલીસે ફરાર વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ આદરી છે. ધોળકાના જકાતનાકા પાસે રહેતો અને મજૂરીકામ કરતો કરન ભીલ (22) તા. 24મીએ રાતે શેઠનું ટુવ્હીલર લઈ લગ્નમાંથી વહેલી સવારે પરત ફરતા અંજલિ બ્રિજ થઈ વાસણા તરફ જતો હતો ત્યારે અકસ્માતમાં તેનું મોત થયું હતું. 30 બ્રિજ પર CCTV સિસ્ટમ ડેડ, 22 પર લગાવ્યા જ નથીશહેરમાં નાના-મોટા 92થી વધુ ઓવરબ્રિજ છે, ઈસ્કોનકાંડ બાદ તમામ બ્રિજ પર કેમેરા લગાવવાનો આદેશ કરાયો હતો. જેથી મ્યુનિ. દ્વારા 70 બ્રિજ પર કેમેરા લગાવ્યા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ વાસ્તવમાં માત્ર 40 બ્રિજ પર જ કેમેરા લાઈવ છે બાકીના 30 બ્રિજ પર કેમેરા તો છે પણ ઈન્ટરનેટ કે પાવર વગર તે ડેડ હાલતમાં થઈ ગયા છે. જ્યારે બાકીના 22 બ્રિજ પર તો કેમેરા લગાવ્યા જ નથી.
CIDએ ડિજિટલ ઠગ ઝડપ્યા:ગ્રોસરી શોપિંગ એપના ડેટા ચોરી 17 લાખની ઠગાઈમાં બે ઝડપાયા
રોજિંદી વસ્તુઓ ખરીદવા માટે વપરાતી ગ્રોસરી શોપ એપ્લિકેશનના ડેટાની ચોરી કરીને ગ્રાહકોના વર્ચ્યુઅલ નંબર જનરેટ કરી વિવિધ શોપિંગ એપના એકાઉન્ટનું એક્સેસ મેળવી રૂ. 17 લાખની છેતરપિંડી આચરનાર ગ્વાલિયરના બે ડિજિટલ ઠગને સીઆઈડી વિભાગે ઝડપી પાડ્યા છે. બંનેને અમદાવાદની મેટ્રો કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગ્વાલિયરના અબ્દેશ રાવત (ઉ.વ. 23) અને શિવમ રાવત (ઉ.વ. 18) એ એકાઉન્ટ હેક કરવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લીધો હતો. પોલીસ દ્વારા ચલાવવામાં આવતી ‘મ્યુલ એકાઉન્ટ’ પહેલ હેઠળ સીઆઈડીની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બંને શખ્સોને મધ્યપ્રદેશથી પકડી લીધા હતા. શનિવારે આરોપીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલ વિજય સોલંકીએ દલીલ કરી હતી કે, આ ઠગાઈમાં અન્ય કોઈ મોટી આંતરરાજ્ય ગેંગ સામેલ છે કે કેમ તેની તપાસ કરવા માટે રિમાન્ડ ખૂબ જ જરૂરી છે. ઠગ ટોળકી કેવી રીતે ‘ડિજિટલ લૂંટ’ને અંજામ આપતી હતી ?ઠગ ટોળકી ડાર્ક વેબ પરથી લિક થયેલા ગ્રાહકોના નંબર મેળવી OTPBUY.ORG જેવી સાઈટ્સ દ્વારા વર્ચ્યુઅલ નંબર જનરેટ કરી ગેરકાયદે લોગઈન કરતી હતી. ત્યારબાદ, સેવ કરેલા કાર્ડથી કિંમતી વસ્તુઓનો ઓર્ડર કરી, તેને તુરંત કેન્સલ કરી રિફંડ મેળવી લેતી. પકડાઈ ન જવાય તે માટે આ નાણાં ગરીબ લોકોના ભાડે રાખેલા ‘મ્યુલ એકાઉન્ટ્સ’માં ડાયવર્ટ કરવામાં આવતા હતા.
પ્રજાસત્તાક દિવસ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મહત્ત્વનો:દેશની કુંડળીમાં કર્મ સ્થાને 4 ગ્રહ, ઘૂસણખોરી અટકે
સોમવારે ભારતનો 77મો પ્રજાસત્તાક દિવસ છે. આ વખતે આવતી 26-01-26 તારીખ પણ મિરર ઇમેજ ઊભી કરે છે. આથી જ્યોતિષ શાસ્ત્ર અને અંકશાસ્ત્ર પ્રમાણે 77મો પ્રજાસત્તાક દિવસ મહત્ત્વનો છે. દેશની મેષ લગ્નથી ઉદિત કુંડળી પ્રમાણે ચર લગ્નમાં તૃતીય ભાવે મિથુન રાશિના સ્વામિ ગુરુ મહારાજ બિરાજ્યા છે જ્યારે પાંચમા સ્થાનમાં, સિંહ રાશિમાં કેતુ છે. કર્મ સ્થાન કહેવાતા દસમા સ્થાનમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર એમ ચતુરસ્થ ગ્રહો છે અને તેમાં પણ લગ્નેશ મંગળ છે. અગિયારમા ભાવે કુંભ રાશિમાં રાહુ છે અને બારમા ભાવે મીન રાશિમાં શનિ મહારાજ બિરાજમાન છે. જ્યોતિષાચાર્ય આશિષ રાવલના જણાવ્યા અનુસાર ઉપરોક્ત કુંડળી મુજબ ગ્રહયોગોનો વિચાર કરતાં દેશમાં ધૂસણખોરો વધશે પણ સરકાર ઘૂસણખોરી અટકાવવા સફળ થશે. દેશદ્રોહીઓનું દમન થાય. અનેકવિધ સંસ્થામાં નાણાકીય કૌભાંડો બહાર આવે. અનેકવિધ સરકારી નીતિ-નિયમો સાથે પરિવર્તનના યોગ રચાય. અંકશાસ્ત્ર પ્રમાણે તારીખ (2+6+01+20+2+6)=19= (1+9) = 10 = (1+0) = 1 આવે છે, તે પણ સૂર્યનો અંક છે. તારીખમાં અંકનું પુનરાવર્તન થતું હોવાથી યાદગાર બની રહે!
મંડે પોઝિટીવ:54 ઉપાશ્રયમાં 21-21 હજારનું દાન કરી પત્નીની પ્રથમ પૂણ્યતિથિ ઊજવી
જૈનશ્રેષ્ઠી અને શહેરના ઉદ્યોગપતિએ પત્નીના અવસાન પછી દાનને જીવનકર્મ બનાવ્યું છે. પત્નીની પ્રથમ માસિક પૂણ્યતિથિ, 26 જાન્યુઆરી સુધીમાં તેમણે 50 લાખથી વધુનું દાન કર્યું છે. અમદાવાદ જિલ્લાના વિંછીયા ગામના વતની અને શેલામાં રહેતા કાઠિયાવાડ સ્થાનકવાસી જૈન સમાજના મંત્રી મેહુલભાઈ ધોળકીયાનાં પત્ની રીમાબહેનનું 26 ડિસેમ્બરે અવસાન થયું હતું. રીમાબહેને મહારાજ સાહેબોની સેવા-સુશ્રૂષામાં અને દાનધર્મમાં જીવન વ્યતિત કર્યું હતું. પાંજરાપોળ, ઉપાશ્રય અને જરૂરિયાતમંદો માટે ઉદાર દાન જાહેર કરીને મૂંગા જીવના આશીર્વાદ મેળવ્યા હતા. 36 વર્ષના સહજીવન પછી પત્નીની અણધારી વિદાયથી વ્યથિત થયેલા ઑટોમોબાઇલ ઉદ્યોગના અગ્રણી મેહુલભાઈએ પણ દાન અને ધર્મનો માર્ગ પકડ્યો અને પત્નીના આત્માને શાંતિ મળે એ માટે અમદાવાદ, વિંછીયા, ગાંધીનગર અને દિલ્હીનાં 54 સ્થાનકવાસી જૈન ઉપાશ્રયોમાં મહારાજ સાહેબોની વૈયાવચ્ચના સેવાકાર્ય માટે રૂ. 21-21 હજારનું દાન કર્યું છે. એ સાથે નવકાર મંત્રના જાપ અને ત્રિરંગીનું પણ આયોજન કર્યું છે. ડિસેમ્બરમાં જ દીકરા જેનીલનાં લગ્ન થયાં હતાં એટલે પુત્રપવધૂ ખુશી સાસુ સાથે માત્ર 20 દિવસ જ રહી શકી હતી. આટલા ટૂંકા ગાળામાં પણ સાસુની ધર્મભાવના પુત્રવધૂને સ્પર્શી ગઈ અને તે પણ સસરાના દાનધર્મના કાર્યમાં જોડાઈ ગઈ છે. ખુશી ધોળકીયા પણ દેરાસરોમાં નવકાર મંત્રના જાપ કરાવે છે.
દરિયાપુર વોર્ડમાં દિવ્ય ભાસ્કર દ્વારા યોજાયેલા પ્રજા સંવાદમાં સ્થાનિકોએ પાયાની સુવિધાઓ અંગે ભારે આક્રોશ ઠાલવ્યો છે. આ વિસ્તારમાં ડ્રેનેજ, ગંદા પાણી, ટ્રાફિક અને સફાઈની સમસ્યાઓ વિકરાળ બની છે. ખાસ કરીને પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી નાગરિકોને પોતાના ખર્ચે પાણીની બોટલો ખરીદવાની નોબત આવી છે. તંત્રમાં વારંવાર રજૂઆત બાદ પણ કોઈ ઉકેલ આવતો નથી અને અધિકારીઓ દ્વારા પણ સંતોષકારક જવાબ આપવાને બદલે ઉડાઉ જવાબો આપવામાં આવે છે. આ ઉપરાંત, સ્ટ્રીટલાઈટના અભાવ અને સીસીટીવી કેમેરા ન હોવાને કારણે રાત્રિના સમયે મહિલાઓની સુરક્ષા અંગે મોટો પ્રશ્ન ઊભો થયો છે. જાહેર શૌચાલયોમાં સફાઈનો સદંતર અભાવ જોવા મળે છે. ટ્રાફિકની વાત કરીએ તો, ફ્રૂટ માર્કેટ, ચોખા બજાર અને તંબુ ચોકીથી પ્રેમ દરવાજા સુધીના માર્ગો પર દબાણોનો રાફડો ફાટ્યો છે. ફૂટપાથો જાણે દબાણકારો માટે જ બની હોય તેવી સ્થિતિ છે. ડ્રેનેજની સફાઈ માટે પણ મહિનાઓ સુધી નિકાલ નથી આવી રહ્યો. આ ઉપરાંત સફાઈ માટે આવતાં લોકો નાણાંની પણ માગણી કરવાની ફરિયાદો ઉઠી છે. 'પાણીની જૂની લાઇનો બદલવામાં આવતી નથી, દબાણો વધ્યાં' રેખાબેન પટેલ: વાડીગામની મોટી મહેતાની પોળમાં આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે. આ રોડ લેવલમાં ઊંચા બનાવતા બની રહ્યા છે. તંત્રમાં ફરિયાદ કરી પણ કોઈ સાંભળતું નથી. અંજનાબેન પટેલ, વિમલાબેન: આડાવાળી પોળ, છીંકણીવાડી પોળ સહિત વોર્ડમાં દૂષિત પાણીની ફરિયાદો વધી છે. બહારથી પાણી ખરીદવાની ફરજ પડી છે. ડ્રેનેજની પણ સમસ્યા વધી છે. અનીશ શેખ: સુલતાન મહોલ્લાથી બલુચવાડ ટોપીવાળાની પોળ સુધી નવી ડ્રેનેજ લાઈન માટે બજેટ ફાળવ્યું પણ કાર્ય થયું નથી. પીવાના પાણીની સમસ્યાઓ પણ ઘણી વધી છે, ખરીદીને પાણી લેવું પડે છે. અમિત પંચાલ, ભૂપેન્દ્ર નાડિયા: સફાઈ, ડ્રેનેજની સમસ્યા મુખ્ય બની છે. ચાલીઓમાં ગંદા પાણી ભરાય છે, બીમારીએ ઘરોમાં માજા મૂકી છે. જૂની લાઈનો બદલવામાં આવતી નથી, દબાણો વધ્યા છે. જિજ્ઞેશ ડાભી, રોહિત મોદી: પ્રેમ દરવાજાથી ઘી કાંટા માર્ગ, ફ્રૂટબજાર, ચોખા બજાર, કાલુપુર દરવાજા પાસે દબાણોથી ટ્રાફિકની સમસ્યા ઘણી વધી છે. શૌચાલયોમાં સફાઈ થતી નથી. ઈમરાન અરબ: સબઝોનલ ઓફિસમાં પૂરતા કર્મીઓ નથી. ડ્રેનેજ ઓવરફ્લો થવાની, કચરાના ઢગલાંઓ અને ગંદા પીવાના પાણીની સમસ્યા છેલ્લાં એક વર્ષથી વધી છે. તંત્ર કે નેતાઓ કોઈ ધ્યાન આપતું નથી. સ્ટ્રીટલાઇટ, સીસીટીવી વધારવા માગૉજમનાબાઈ સ્કૂલ માર્ગ પર સીસીટીવી કેમેરા લગાવવા માગ ઉઠી છે. આ ઉપરાંત સ્ટ્રીટલાઈટો પણ વધારવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. સ્નેચિંગ અને છેડતીના કેસો ભૂતકાળમાં બન્યા છે, જેને પગલે સ્થાનિકો માગ કરી રહ્યા છે. હપતાનીતિને લીધે દબાણોની સમસ્યા છે, પાણી-ડ્રેનેજનાં કામો હાલ ચાલુ છેપાણી-ડ્રેનેજની સમસ્યાઓ છે સાચી વાત છે. વર્ષો જૂની લાઈનો અને પાણી-ડ્રેનેજની લાઈન પર થયેલાં બાંધકામોને પગલે કામગીરીમાં મુશ્કેલી થઈ રહી છે, પરંતુ ઘણી જગ્યાઓ પર પાણી- ડ્રેનેજની કામગીરી કરાઈ રહી છે. દબાણોની સમસ્યાઓ પાછળ મ્યુનિ. પોતે છે. હપતાનીતિને પગલે ઠેર ઠેર દબાણો છે. ઘણી વાર આ મુદ્દાને રજૂ કરાયો છે. કચરાના ઢગલા અને શૌચાલયોની સફાઈ અંગે હરહંમેશ વિભાગને જાણ કરાય છે. સ્ટ્રીટલાઇટ, સીસીટીવીની રજૂઆત આવી નથી, આવશે તો ચોક્કસ કામગીરી કરાશે. • નીરવ બક્ષી, કોર્પોરેટર શૌચાલયો પાસે તેમજ જાહેર માર્ગો પર કચરાના ઢગલાથી સ્થાનિકોને મુશ્કેલીદરિયાપુર વોર્ડમાં શૌચાલયો પાસે તેમજ અન્ય જગ્યાએ કચરાના ઢગલાં જોવા મળે છે. વોર્ડમાં યોગ્ય સફાઈ કરાતી ન હોવાની સમસ્યાઓ વધુ છે. આ ઉપરાંત ગટરમાંથી નિકાળવામાં આવતી ગંદકી પણ સમયસર ઉપાડતા નથી. આ ઉપરાંત ગટરના પાણી રસ્તાઓ પર ભરાઈ જવાની સમસ્યા છાસવારે સર્જાય છે. વિસ્તારમાં સફાઈ કરવામાં કોઈ ધ્યાન અપાતું ન હોવાની સ્થાનિકોની ફરિયાદ છે.
દેશમાં ભારતીય સશસ્ત્ર દળો- શહીદોના યોગદાન અને બલિદાન તેમજ દેશભક્તિ વીરતાની જાગૃતિ લાવવાના હેતુસર ગુજરાત ટૅક્નોલોજિકલ યુનિવર્સિટીની 400થી વધુ કૉલેજોના 5 લાખથી વધુ વિદ્યાર્થી જાન્યુઆરીથી સંસ્કૃતિ-શૌર્યનો નાદ કરશે. કૉલેજોમાં કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ ભારતીય સૈન્ય (આર્મી-એરફોર્સ-નેવી)માં જોડાય તે માટેના પ્રયાસો કરશે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત સહિતના જીટીયુના 6 ઝોનની ઈજનેરી ફાર્મસી, એમબીએ, એમસીએ કોર્સની કૉલેજોમાં ‘પ્રાઈડ ઓફ નેશન’ હેઠળ 6થી વધુ કાર્યક્રમો થશે. જીટીયુએ લોન્ચ કરેલા પ્રાઈડ ઓફ નેશનલ પ્રોજેક્ટ (અભિયાન) અંતર્ગત વિવિધ કાર્યક્રમો થશે. જીટીયુની દરેક કૉલેજોને લગતી મહત્ત્વની બાબતો વિવિધ વિભાગોને સાંકળવામાં આવશે ‘પ્રાઇડ ઓફ નેશન કાર્યક્રમના ભાગરૂપે જીટીયુ કેમ્પસ સહિતની વિવિધ કૉલેજોમાં પૂર્વ સૈનિકોને આમંત્રિત કરીને સ્વતંત્રતા દિવસ, પ્રજાસત્તાક દિવસ સહિતના દિવસોમાં કાર્યક્રમો થશે. પ્રોફેશનલ કોર્સીસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક ડીગ્રી જ ના મેળવે, ઉપરાંત વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારીમાં વધારો થાય અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવનમાં વધારો થાય તે માટેનો છે. - ભરત વાઢિયા, એનએસએસ કો-ઓર્ડિનેટર, જીટીયુ સંરક્ષણ ક્ષેત્રમાં કારકિર્દી તૈયારી વિધાર્થીઓ માટે• એનડીએ (નેશનલ ડિફેન્સ સર્વિસ), સીડીએસ (કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ), એસએસબી (સ્ટાફ સિલેકશન બોર્ડ), (એએફસીએટી) એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ)ની માહિતી અપાશે.• સરંક્ષણ ક્ષેત્રમાં રસ ધરાવતા ઉમેદવારો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનારનુ આયોજન દળો અને શહીદોના પરિવારના કલ્યાણ માટે•સશસ્ત્ર દળોના પૂર્વ સૈનિકો દ્વારા વ્યાખ્યાન તથા પ્રેરણાત્મક પ્રવચનોનું આયોજન.• પૂર્વ સૈનિકોનાં બાળકો માટે શિષ્યવૃત્તિઓ તથા આરક્ષિત બેઠકો અંગે માહિતી આપવી.• સશસ્ત્ર દળોના સન્માન માટે કાર્યક્રમો તથા પરેડનું આયોજન• શહીદોના સન્માન માટે કાર્યક્રમો. સશસ્ત્ર દળોને બિરદાવવાની યોજના‘અભિયાનનો હેતુ માત્ર વિદ્યાર્થીઓને શૈક્ષણિક ડિગ્રી આપવા માટેનો નથી પરંતુ વિદ્યાર્થીઓમાં સામાજિક જવાબદારી અને રાષ્ટ્ર પ્રત્યેનો આદર જગાડવાનો છે. જેના અનુસંધાને દરેક કૉલેજોએ એનસીસી અને એનએસએસ વિભાગ, સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટના માધ્યમથી શહીદ વંદના અને શૌર્યના નાદ સહિતના કાર્યક્રમોનું આયોજનો કરીને રીપોર્ટિંગ કરવાનું રહેશે.’ - ડૉ. કે. એન. ખેર, રજિસ્ટ્રાર, જીટીયુ
ભાસ્કર એક્સક્લુસિવ:34 હજાર સરકારી બાલવાટિકા, ધોરણ 1 અને 2ના 12 લાખ વિદ્યાર્થીઓ રમતાંરમતાં ભણશે
બાળકોનું શિક્ષણ ગોખણપટ્ટી બનવાને બદલે જાદુઈ પિટારા જેવું બની જાય તો કેવું? બસ આ જ લક્ષ્યને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકારે ‘લર્ન વીથ ફન’નો નવતર પ્રયાસ કર્યો છે. એટલે કે રાજ્યની 34 હજારથી વધુ સરકારી બાલવાટિકા તથા ધોરણ 1 અને 1ના 12 લાખથી વધુ વિદ્યાર્થી ‘જાદુઈ પીટારા’ થકી શિક્ષણ મેળવશે. ગુજરાત રાજ્યમાં આ પ્રથમ વાર પ્રયોગ થશે. તેમાં બાળકોને રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ-પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ પ્રયાસોથી ટોય બેઝ શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જાદુઈ પીટારામાં સંગીતનાં સાધનો, રમત-ગમતનાં સાધનો, પપેટ્સ, મણકા, શૈક્ષણિક રમકડાં, પઝલ, રસોડા સેટ જેવી અનેક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમામ જિલ્લાની સ્કૂલોમાં 30 જેટલી સામગ્રી આધારિત કિટ અપાશેસમગ્ર શિક્ષા અભિયાનના નેજા હેઠળ ‘જાદુઈ પીટારા’ને લગતી કિટ આપવાની શરૂઆત વલસાડની સરકારી સ્કૂલોથી કરાઈ છે. જાન્યુઆરીથી માર્ચ સુધીમાં તમામ જિલ્લાઓની સરકારી સ્કૂલોમાં 30 જેટલી સામગ્રી આધારિત કિટ અપાશે. પછી પ્રવૃત્તિ આધારિત શિક્ષણ અપાશે. આ માટે તમામ જિલ્લાઓની સરકારી સ્કૂલોના શિક્ષકોને ડિસેમ્બરમાં તાલીમ અપાઈ હતી. ઉપરાંત જાદુઈ પીટારાને કેન્દ્રમાં રાખીને કેવી રીતે પ્રેક્ટિકલ શિક્ષણ આપવુ તેની એનસીઈઆરટીની માર્ગદર્શિકાની પુસ્તિકા 34 હજાર સ્કૂલોમાં અપાશે. NEP, નિપુણ ભારતના આધારે યોજનાનેશનલ એજ્યુકેશન પોલિસી NEP-૨૦૨૦ અને નિપુણ ભારત મિશનના લક્ષ્યોને ધ્યાને લઇ એનસીઈઆરટી, ભારત સરકાર દ્વારા નિર્મિત જાદુઈ પીટારા બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ના વર્ગખંડોમાં આપવામાં આવી રહ્યા છે. આ જાદુઈ પીટારા નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ને ધ્યાને લઇ ટોય બેઝ પેડાગોજી એટલેકે કઈ પદ્ધતિ દ્વારા શિક્ષણ અપાય છે એને અનુલક્ષીને વિવિધ પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન પીરસવાનું આયોજન કરાયું છે.
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા રાજ્યની એમબીએ-એમસીએ કૉલેજોમાં પ્રવેશ માટેની સીમેટ રવિવારે અમદાવાદ સહિતના રાજ્યમાં 5 હજારથી વધુ વિદ્યાર્થીએ આપી હતી. કુલ 400 માર્ક્સના 100 પ્રશ્નની ટેસ્ટનું પ્રશ્નપત્ર ઓવરઓલ મોડરેટ ટુ ઈઝી પૂછાયું હોવાનો મત નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો અંગ્રેજી, મેથ્સ-રીંઝનીંગ, જનલર નોલેજ, આંત્રપ્રિન્યોરશિપ સેક્શનમાં પેપર સ્ટાઇલ મુજબ મગજની કસોટી કરે તેવા પ્રશ્નો હતા. સીમેટનું પરિણામ જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર થવાની તથા આન્સર કી 1થી 2 દિવસમાં જાહેર થવાની સંભાવના છે. જેમાં આન્સર કીને લગતો કોઈ પણ વાંધો હોય તો વિદ્યાર્થીઓ રજૂઆત કરી શકશે. MBA-MCAની 200 કૉલેજમાં પ્રવેશ અપાશેએનટીએ દ્વારા લેવાયેલી સીમેટનુ પરિણામ જાન્યુઆરીના અંત સુધીમાં જાહેર થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓના આ પરિણામના આધારે એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફેશન કોર્સીસ ) કુલ 200થી વધુ એમબીએ-એમસીએ કૉલેજોની 2026-2027ના વર્ષ માટે નિર્ધારિત થનારી એમબીએ-એમસીએ કૉલેજોની બેઠકો પરની પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે.
નોકરી ન્યૂઝ:નાબાર્ડમાં 162 ડેવલપમેન્ટ આસિ.ની ભરતી, પસંદ થનારને 46,500 સુધીનો પગાર મળશે
નેશનલ બૅન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)એ વિવિધ રાજ્યોમાં ડેવલપમેન્ટ આસિસ્ટન્ટની 162 જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે. ભરતી પ્રક્રિયા અંતર્ગત ગુજરાતમાં 9 જગ્યાઓ ભરાશે. પસંદ થયેલા ઉમેદવારોને દર મહિને રૂ. 46,500 જેટલો ગ્રોસ પગાર મળશે. કોઈપણ વિદ્યાશાખામાં 50% ગુણ સાથે સ્નાતકની પદવી ધરાવતા અને 21થી 35 વર્ષની વય ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. સરકારના નિયમ મુજબ અનામત વર્ગ માટે વયમર્યાદામાં છૂટ અપાશે. 3 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે. આ રીતે ઓનલાઇન અરજી કરી શકાશે • સૌથી પહેલા www.nabard.org પર જઈ કેરીયર્સ નોટીસ સેકશનમાં જાવ.• તેની ઉપર ન્યુ રજીસ્ટ્રેશન પર ક્લિક કરીને બેઝિક વિગતો ભરો.• શૈક્ષણિક લાયકાત અને સરનામાની વિગતો ચોકસાઈ પૂર્વક ભરો• પાસપોર્ડ સાઈઝનો ફોટો,હસ્તાક્ષર, ડાબા હાથનો અંગૂઠો, પોતાના હસ્તાક્ષર સાથેની જાહેરાતની વિગતો અપલોડ કરો.• ફી : જનરલ,ઓબીસી, ઈડબલ્યુએસ માટે રુ 649ની ફી, જ્યારે એસસી-એસટી- પરસન વીથ બેન્ચ માર્ક ડિસેબિલિટી 118 રૂપિયા ભરો આ પ્રમાણે પરીક્ષા પદ્ધતિ રહેશે•પ્રીલિમ્સ પરીક્ષા (100 માર્ક્સ): જેમાં અંગ્રેજી (40 ગુણ), ન્યુમેરિકલ એબિલિટી (30 ગુણ) અને રીઝનિંગ (30 ગુણ) પૂછાશે• મેઈન પરીક્ષા (200 માર્ક્સ): જેમાં રીઝનિંગ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, જનરલ અવેરનેસ (ખેતી અને ગ્રામીણ વિકાસ પર ભાર સાથે), કોમ્પ્યુટર નોલેજ અને અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ ટેસ્ટનો સમાવેશ થાય છે. નોંધ: બંને પરીક્ષામાં 1/4 નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અમલમાં રહેશે.
2001ના ભૂકંપને ભારતીય સિસ્મોલોજીના ઈતિહાસમાં એક “વોટરશેડ ઈવેન્ટ” ગણવામાં આવે છે. ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો, આ એક “ઈન્ટ્રાપ્લેટ” (Intraplate) ભૂકંપ હતો. સામાન્ય રીતે, વિશ્વના મોટા ભાગના ભૂકંપો બે ટેક્ટોનિક પ્લેટોની સીમા પર (જેમ કે હિમાલયમાં જ્યાં ભારતીય અને યુરેશિયન પ્લેટ ટકરાય છે) થતા હોય છે. પરંતુ કચ્છનો ભૂકંપ પ્લેટની મધ્યમાં થયો હતો, જે વિજ્ઞાન માટે દુર્લભ અને અત્યંત ખતરનાક ઘટના ગણાય છે. આવા ભૂકંપો સદીઓમાં એકવાર આવે છે અને જ્યારે આવે છે ત્યારે વિનાશ વેરે છે કારણ કે બાંધકામો અને લોકો તેની અપેક્ષા રાખતા નથી. આ ભૂકંપના આંચકા એટલા પ્રચંડ હતા કે તેનો વ્યાપ કલ્પનાતીત હતો. સામાન્ય રીતે ભૂકંપ અમુક સો કિલોમીટર સુધી મહેસુસ થતા હોય છે, પરંતુ કચ્છના ભૂકંપે ભારતીય ઉપખંડના મોટા ભાગને હચમચાવી દીધો હતો. ભૂસ્તરશાસ્ત્રીય પરિવર્તનો અને વિજ્ઞાન2001નો ભૂકંપ માત્ર જમીન પરના મકાનો પાડવા પૂરતો સીમિત ન હતો; તેણે કચ્છના ભૂગોળ અને ભૂસ્તરને કાયમ માટે બદલી નાખ્યું હતું. આ ઘટનાએ વૈજ્ઞાનિકોને પૃથ્વીના પેટાળમાં ચાલતી જટિલ પ્રક્રિયાઓને સમજવાની એક દુર્લભ તક પૂરી પાડી હતી. અનેક જગ્યાએ પાણી અને રેતીના ફુવારા ઉડ્યાભૂકંપની સૌથી અદભૂત અને ભયાનક ભૂસ્તરીય ઘટના હતી “લિક્વિફેક્શન” અથવા પ્રવાહીકરણ. પાણીના દબાણે રેતીના કણો વચ્ચેનું ઘર્ષણ ખતમ કરી નાખ્યું. પરિણામે, જમીન ઘન પદાર્થ મટીને પ્રવાહી જેવી બની ગઈ. ખેતરો અને રણમાં હજારો જગ્યાએ જમીન ફાટી અને તેમાંથી પાણી અને રેતીના ફુવારા ઉડ્યા. આ ફુવારા 2 થી 3 મીટર ઊંચા હતા.
મંડે પોઝિટીવ:ભૂકંપમાં 5 સ્વજનો ગુમાવ્યા, આજે કેમિસ્ટ્રીમાં કરે છે PhD
26 જાન્યુઆરી 2001નો એ કાળમુખો દિવસ સેજલ રમેશચંદ્ર મોતા માટે માત્ર કુદરતી આફત નહોતી, પણ જિંદગીની સૌથી મોટી કસોટી હતી. મુંબઈથી કચ્છ પોતાના કાકાના ઘરે ફરવા આવેલી 13 મહિનાની સેજલને ક્યાં ખબર હતી કે આ પ્રવાસ તેની જિંદગી કાયમ માટે બદલી નાખશે. લાલ ટેકરી પાસેની ત્રણ માળની ઇમારત ધરાશાયી થતાં સેજલનો આખો પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો. સેજલે આ દુર્ઘટનામાં પોતાના માતા, ભાઈ અને કાકા-કાકીના ત્રણ સંતાનો મળી કુલ 5 સ્વજનો ગુમાવ્યા હતા. પોતે 8 કલાક સુધી કાટમાળમાં દટાયેલી રહી. જ્યારે તેને બહાર કાઢવામાં આવી ત્યારે તેનો એક પગ કપાઈ ચૂક્યો હતો. ઈઝરાયેલ કેમ્પમાં પ્રાથમિક સારવાર બાદ તેને હેલિકોપ્ટર દ્વારા વધુ સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવી. માતાની છત્રછાયા ગુમાવનાર 13 માસની સેજલને તેના કાકા-કાકીએ દત્તક લીધી અને પોતાની સગી દીકરીથી પણ વિશેષ પ્રેમ આપીને ઉછેરી. પ્રોસ્થેટિક લેગ (કૃત્રિમ પગ) સાથે ચાલવાનું શીખવું એ નાનકડી સેજલ માટે ખૂબ જ પીડાદાયક હતું, તે ચાલવા જતી ત્યારે રડી પડતી, પણ પરિવારે તેને હિંમત હારવા ન દીધી. શાળામાં જ્યારે અન્ય બાળકોને બે પગે રમતા જોઈ ત્યારે તેને પોતાની ખામીનો અહેસાસ થતો, પણ માતા-પિતાએ તેને હમેશા ‘તું સ્પેશિયલ છે’તેમ કહીને પ્રોત્સાહિત કરી.આ ભયાનક ભૂકંપમાં સેજલ જેવા હજારો માસુમોની જિંદગી છીનવાઇ ગઇ હતી. જેમને કુદરતે બીજો મોકો આપ્યો તેમણે કઇક કરી છુટવાની ભાવના સાથે આવળ વધ્યા છે. શિક્ષણ ક્ષેત્રે મેળવી ભવ્ય સિદ્ધિઆજે સેજલ ઉચ્ચ શિક્ષણમાં પણ ડંકો વગાડી રહી છે. તેણે BSC, MSC અને GSET ની પરીક્ષા પાસ કરી છે અને હાલ કેમિસ્ટ્રીમાં PhD કરી રહી છે. હાલમાં તે SLVP દેસલપર ખાતે ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને સાયન્સ ભણાવી રહી છે. સેજલનું માનવું છે કે જિંદગીમાં મુસીબતો ગમે તેટલી મોટી હોય, પણ જો તમારામાં દ્રઢ મનોબળ હોય તો તમે કંઈ પણ હાંસલ કરી શકો છો. તેણી હવે ગવર્મેન્ટ જોબ મેળવીને પોતાના માતા-પિતાનું સપનું પૂરું કરવા માંગે છે.
સૌરાષ્ટ્ર તરફ જતી ટ્રેનોમાં સતત વધી રહેલા પેસેન્જરોના ધસારાને પગલે પશ્ચિમ રેલવેએ વાયા અમદાવાદ થઈ ભુજ, ઓખા અને વેરાવળ માટે ફેબ્રુઆરી સુધી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો છે. આ સ્પેશિયલ ટ્રેનો શરૂ થતા રેગ્યુલર ટ્રેનોમાં વેઈટિંગ ઘટશે તેમજ મુસાફરોને કન્ફર્મ સીટ સાથે સુરક્ષિત અને આરામદાયક મુસાફરીની સુવિધા મળશે. તમામ સ્પેશિયલ ટ્રેનોમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર તથા જનરલ સેકન્ડ ક્લાસના કોચ ઉપલબ્ધ રહેશે. તાજેતરના દિવસોમાં લગ્નસિઝન અને પ્રવાસનના કારણે સૌરાષ્ટ્ર રૂટ પરની ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઓખા–બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ–ભુજ સુપરફાસ્ટ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસ–વેરાવળ સ્પેશિયલ ટ્રેન
ભૂકંપ વખતે દેશમાં એનડીઆરએફની હજુ સ્થાપના થઇ ન હતી. જેના પગલે સેનાએ જ રાહત અને બચાવ કામગીરી સંભાળી હતી. 2 ફેબ્રુઆરીની સ્થિતિએ સેનાની ત્રણેય પાંખોએ કેવી રીતે યુદ્ધના ધોરણે કામગીરી સંભાળી હતી તેનો ચિતાર તત્કાલિન માહિતી પરથી મળે છે. સેનાની ત્રણેય પાંખો - આર્મી, નેવી અને એરફોર્સ તેમજ સંરક્ષણ મંત્રાલયના જાહેર ક્ષેત્રના એકમો પીડિતોની વહારે આવ્યા છે. આર્મી : મેડિકલ કોર્પ્સ અને એન્જિનિયર્સની ફોજ તૈનાત : આર્મીના આશરે 22500 જવાનો તૈનાત કર્યા હતાં. આ ટુકડીઓમાં ઇન્ફન્ટ્રી, ફિલ્ડ અને એર ડિફેન્સ આર્ટિલરી, મેડિકલ કોર્પ્સ, એન્જિનિયર્સ, EME અને આર્મી એવિએશન ફ્લીટનો સમાવેશ થયો હતો. સેના દ્વારા હેલિકોપ્ટર, એમ્બ્યુલન્સ, ડોઝર, જનરેટર, વોટર પ્યુરિફિકેશન પ્લાન્ટ્સ, ગેસ વેલ્ડિંગ પ્લાન્ટ્સ અને INMARSAT જેવી સંચાર વ્યવસ્થા કામે લગાડી હતી. ડોક્ટરોની ટીમ દ્વારા અનેક મેજર અને માઈનોર સર્જરીઓ કરીને ગંભીર ઘાયલોને બચાવવામાં આવ્યા હતાં. સેનાના IL-76 અને AN-32 વિમાનો દ્વારા હજારો ટન વજનની સામગ્રી એરલિફ્ટ કરવામાં આવી છે. એરફોર્સ : પાંચ દિવસમાં 550થી વધુ ઉડાન અને 3000 ટન રાહત સામગ્રી : ભારતીય વાયુસેનાએ રાહત કામગીરી માટે પોતાના જવાનો અને વિમાનોને સેવામાં લગાવી દીધા છે. પાંચ દિવસમાંમાં ટ્રાન્સપોર્ટ ફ્લીટ દ્વારા 550થી વધુ ઉડાન ભરવામાં આવી છે, જેમાં IL-76 વિમાનોએ જ 120 ઉડાન ભરી છે. વાયુસેનાએ એન્જિનિયરિંગના સાધનો, ફિલ્ડ એમ્બ્યુલન્સ, મેડિકલ ટીમો, રાશન અને ટેન્ટ સહિત 3000 ટનથી વધુ રાહત સામગ્રી એરલિફ્ટ કરી છે અને 700થી વધુ લોકોને સુરક્ષિત રીતે સ્થળાંતરિત કર્યા છે. નેવી : જહાજો બન્યા ‘ફ્લોટિંગ હોસ્પિટલ’ : નૌકાદળે કંડલા ખાતે બે સર્વેક્ષણ જહાજોને ‘હોસ્પિટલ શિપ’માં ફેરવી હતી. કંડલા પોર્ટ ટ્રસ્ટને રેફ્રિજરેટેડ કન્ટેનર દ્વારા વીજ પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હતો. INS ગંગા સુકો નાસ્તો, ધાબળા અને રાશન લઈને તથા INS હિમગિરી એમ્બ્યુલન્સ, ચોખા, લોટ, શાકભાજી અને બિસ્કિટ લઈને કંડલા પહોંચી ગઇ હતી. અંજાર અને ગાંધીધામમાં વિતરણ માટે નૌકાદળના મથકો પરથી સૂકો નાસ્તો રોડ માર્ગે મોકલવામાં આવ્યો છે, જ્યારે કંડલામાં અસરગ્રસ્તોને રાંધેલું ભોજન અને પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું.
વેધર રિપોર્ટ:ગયા સપ્તાહના ઉતાર-ચઢાવ બાદ તાપમાનમાં સ્થિરતા
જિલ્લામાં આજે હવામાન સામાન્ય અને સ્થિર રહ્યું છે. હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારે મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. વહેલી સવાર અને મોડી સાંજે હળવી ઠંડક અનુભવાઈ રહી છે, જ્યારે દિવસ દરમિયાન નરમ તડકા અને હળવા પવનના કારણે વાતાવરણ આરામદાયક બન્યું છે. આ સાથે ભેજનું પ્રમાણ પણ નિયંત્રિત રહ્યું છે, સવારના સમયે આશરે 53 ટકા અને બપોર બાદ ઘટીને લગભગ 46 ટકા નોંધાયું છે. ગયા સપ્તાહ દરમિયાન હવામાનમાં સ્પષ્ટ ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. સપ્તાહની શરૂઆતમાં મહત્તમ તાપમાન 26થી 27 ડિગ્રી આસપાસ હતું, પરંતુ મધ્ય સપ્તાહમાં પવનની દિશામાં ફેરફાર અને ઠંડા પવનના પ્રવાહને કારણે તાપમાનમાં 4થી 4.5 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન લઘુતમ તાપમાન 11થી 13 ડિગ્રી વચ્ચે રહ્યું, જેના કારણે સવાર-સાંજે ઠંડકમાં વધારો થયો હતો. ભેજનું પ્રમાણ પણ કેટલાક દિવસોમાં 60થી 82 ટકા સુધી પહોંચ્યું હતું, જ્યારે બપોર બાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસોમાં હવામાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. તાપમાન હાલના સ્તર આસપાસ જ રહેવાની સંભાવના છે. નાગરિકોને સવાર અને સાંજના સમયે હળવી ઠંડકને ધ્યાનમાં રાખીને જરૂરી કાળજી રાખવાની સલાહ આપવામાં આવી છે.
કરમસદ આણંદ મનપા બનેય એક વર્ષ પૂર્ણ થવા આવ્યું છે. ત્યારે આણંદ શહેર સહિત તેમાં જોડાયેલા ગામોની કાયપલટ માટે મનપા દ્વારા વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યાં છે. જેમાં ખાસ ખરીને નગરજનોને હાલાકી વેઠવી પડતી હોય તેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.મનપા જોડાયેલા ગામડી, જીટોડિયા, લાંભવેલ અને મોગરી ગામમાં વરસાદી પાણીના નિકાલની કોઇ જ વ્યવસ્થા ન હોવાથી ચોમાસામાં ભારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઇ જતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડતી હતી. જેને ધ્યાને લઇને આણંદ મનપાએ ચારે ગામોમાં રૂ 7.5 કરોડના ખર્ચે સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન કામગીરી હાથ ધરવામાં આવશે. જેથી જનતાને ચોમાસામાં વરસાદી પાણી ભરવાની સમસ્યામાંથી મુકિત મળશે. કરમસદ આણંદ મનપા હેઠળ આવેલા ગામડી ગામમાં છેલ્લા એક દાયકાથી તળાવમાં ઠલવાતા કાંસના પાણીને કારણે તળાવની આસપાસની સોસાયટીઓમાં ચાર માસ દરમિયાન વારંવાર વરસાદી પાણી ઘુસી જતાં હતા. તેમજ ગામના નીંચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતાં રહેતા હતા. તેવી પરસ્થિતી મોગરી, જીટોડિયા અને લાંભવેલ ગામમાં કેટલાંક વિસ્તારમાં જોવા મળતી હતી.તેને ધ્યાને કરમસદ આણંદ મનપા કમિશ્નરે વરસાદી પાણીના નિકાલ માટે માસ્ટર પ્લાન તૈયાર કરાવીને તેને પ્રાધાન્ય આપીને ચારેય ગામોમાં સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાંખવા કામગીરી હાથ ધરવામાં આવશે. આ સાથે સાથે વરસાદી પાણીના નિકાલ માટે જે તે ગામ નજીક યોગ્ય વ્યવસ્થા કરવામાં આવનાર છે. જેથી આગામી ચોમાસ પહેલા સ્ટ્રોમ ડ્રેનેજ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે. જેથી ચાર ગામોના 60 હજારથી વધુ લોકોને ચોમાસામાં રાહત થશે. તેમ મનપાના સૂત્રોએ જણાવ્યું હતું. આણંદ, કરમસદ અને વિદ્યાનગરમાં વરસાદી પાણીથી તુટી જતાં માર્ગો આરસીસી રોડ બનાવાશેકરમસદ આણંદ મનપા ડેપ્યુટી કમિશ્નર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે, મનપા દ્વારા હાલમાં વરસાદી પાણી ભરાઇ રહેતા માર્ગો અને વિસ્તારોની યાદી તૈયાર કરવામાં આવી છે. વરસાદી પાણીના નિકાલ માટે જૂની વ્યવસ્થા બદલી ને નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. તેમજ વરસાદી પાણી ભરાતાં હોય તેવા મુખ્ય તમામ માર્ગો આરસીસી કે વ્હાઇટ ટોપી રોડ બનાવવામાં આવી રહ્યાં છે. હાલમાં શહેરમાં ત્રણ વ્હાઇટ ટોપીંગ રોડ અને ચાર થી વધુ આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે.
કેન્દ્રિય આરોગ્ય મંત્રી દ્વારા અપાઈ સૂચના:જિલ્લા હોસ્પિ.માં જનઔષધી કેન્દ્ર ઊભા કરવાની સૂચના
રાજ્યના નાગરિકોને દરજ્જાવાળી અને પરવડનારી દવા સહેલાઈથી ઉપલબ્ધ થાય એ માટે દરેક જિલ્લા હોસ્પિટલમાં જનઔષધી કેન્દ્ર અને અમૃત ફાર્મસીના કેન્દ્ર ઊભા કરવા એવી સૂચના કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ રાજ્યના સાર્વજનિક આરોગ્ય તથા કુટુંબ કલ્યાણ વિભાગને આપી છે. તેમ જ રાજ્યમાં રાષ્ટ્રીય આરોગ્ય યોજનાની અસરકારક અમલબજાવણી, સાર્વજનિક આરોગ્ય પાયાભૂત સુવિધા મજબૂત કરવી અને દર્દી કેન્દ્રિત સેવા બાબતે તેમણે માર્ગદર્શન કર્યું હતું. મહારાષ્ટ્રમાં આરોગ્ય સેવા વધુ સક્ષમ અને ઝડપી કરવા કેન્દ્રિય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા તથા રાજ્યના સાર્વજનિક આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રી પ્રકાશ આબિટકર વચ્ચે મહત્વની કયાસ બેઠક થઈ હતી. આ બેઠકમાં રાજ્યમાં રાષ્ટ્રીય આરોગ્ય યોજનાઓની અસરકારક અમલબજાવણી કરવી, સાર્વજનિક આરોગ્ય પાયાભૂત સુવિધા મજબૂત કરવી અને દર્દી કેન્દ્રિત સેવા આપવા બાબતે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંકલ્પનાથી હોસ્પિટલોમાં જનઔષધી કેન્દ્ર અને અમૃત ફાર્મસી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યની દરેક જિલ્લા હોસ્પિટલમાં આ કેન્દ્રો શરૂ કરવાની સૂચના નડ્ડાએ કરી હતી. એના લીધે નાગરિકોને દરજ્જાવાળી અને પરવડનારા દરમાં દવાઓ સહેલાઈથી ઉપલબ્ધ થશે અને સામાન્ય નાગરિકો પર દવાના ખર્ચનો તાણ ઓછો થશે એમ તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વયથી રાજ્યના આરોગ્ય ક્ષેત્રના ઉપક્રમોને ઉતેજન આપતા લોકાભિમુખ, સક્ષમ અને વિશ્વાસપાત્ર આરોગ્ય વ્યવસ્થા ઊભી કરવાનો સંકલ્પ આ સમયે વ્યક્ત કરવામાં આવ્યો. મહારાષ્ટ્રની સાર્વજનિક આરોગ્ય વ્યવસ્થા વધુ અસરકારક બનાવવાની દિશામાં આ બેઠક મહત્વની હતી.
CCTVના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો:મલાડ સ્ટેશન પર ધક્કો લાગવાથી થયેલા વિવાદમાં પ્રોફેસરની હત્યા
મુંબઈમાં ઉપનગરીય ટ્રેનની મુસાફરી દરમિયાન ધક્કો લાગતાં થયેલા ઝઘડામાં એક પ્રોફેસરની હત્યા કરવામાં આવી હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શનિવારે રાત્રે, મલાડ સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર, વિલે પાર્લેમાં એન.એમ. (એનએમ) કોલેજના પ્રોફેસર આલોક સિંહ (31) ની હીરાજડિત વસ્તુઓ માટે વપરાતા ચીપિયાના ઘા કરીને ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં, રેલવે પોલીસે ઝડપથી કાર્યવાહી કરી અને વસઈ સ્ટેશન પરથી આરોપી ઓમકાર શિંદે (27) ની ધરપકડ કરી છે.આલોક સિંહ શનિવારે રાત્રે લોકલ ટ્રેન દ્વારા વિલે પાર્લેથી મલાડ પહોંચ્યા હતા. ટ્રેન મલાડ સ્ટેશન પર ઊભી રહી, ત્યારે ઊતરતી વખતે દરવાજા પાસે ઊભેલા ઓમકાર શિંદેને ધક્કો લાગ્યો હતો. આને લઈ બંને વચ્ચે શાબ્દિક ઝઘડો થયો. મામલો ઉગ્ર બનતાં ઓમકારે ગુસ્સામાં ચીપિયો કાઢીને આલોક સિંહના પેટમાં ભોંકી દીધો હતો. સિંહ લોહીના ખાબોચિયામાં લથપથ થઈ ગયો અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું.ઘટના બાદ આરોપી ઓમકાર શિંદે ત્યાંથી ભાગી ગયો હતો. રેલવે પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. સ્ટેશન પરથી સીસીટીવી ફૂટેજ તપાસ્યા બાદ આરોપીની ઓળખ થઈ હતી. ટેકનિકલ તપાસના આધારે પોલીસે છટકું ગોઠવીને વસઈ રેલવે સ્ટેશનથી ઓમકારની ધરપકડ કરી હતી. આરોપી ઓમકાર મલાડના કુરાર ગામનો રહેવાસી છે,ઓમકારે ખીચોખીચ ભીડ વચ્ચે પ્રોફેસરની હત્યા કરી, છતાં કોઈએ તેને રોકવાનો પ્રયાસ કર્યો નહીં. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજના આધારે પોલીસે આરોપી ઓમકારને શોધી કાઢ્યો અને 12 કલાકમાં તેની ધરપકડ કરી.
ગંભીર ઘટના સામે આવી:પરેલ ST બસ ડેપોમાં મંત્રીની અચાનક મુલાકાતમાં દારૂની ખાલી બોટલો મળી
શરાબ પીને વાહન ચલાવનારા અથવા ફરજ બજાવનારા ડ્રાઈવર અને અન્ય કર્મચારીઓ સાથે કોઈ પણ બાંધછોડ કર્યા વિના તેમને તુરંત સસ્પેન્ડ કરવાના કડક નિર્દેશ પરિવહન મંત્રી અને એસટી મહામંડળના અધ્યક્ષ પ્રતાપ સરનાઈકે રવિવારે આપ્યા હતા. રવિવારે મુંબઈમાં પરેલ બસ ડેપોની તેમણે અચાનક મુલાકાત લીધી હતી. તે સમયે ડ્રાઈવર અને કંડક્ટરના રેસ્ટ રૂમનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં રેસ્ટ રૂમમાં અનેક ઠેકાણે દારૂની ખાલી બોટલો મળી આવી હતી. આ જ રીતે અમુક કર્મચારીઓએ શરાબ સેવન કર્યું હોવાનું તેમના મોઢામાંથી આવતી દુર્ગંધ પરથી ધ્યાનમાં આવ્યું હતું. આ ગંભીર ઘટનાને કારણે ક્રોધિત થયેલા મંત્રી સરનાઈકે ત્યાં હાજર વરિષ્ઠ અધિકારીઓના ક્લાસ લીધા હતા. આ સમયે સરનાઈકે જણાવ્યું કે બહારગામની ફરજ બજાવનારા ડ્રાઈવર- કંડક્ટરો માટે રેસ્ટ રૂમમાં ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરી આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે. જોકે આવાં ઠેકાણે શરાબ સેવન જેવાં નિંદનીય કૃત્યો બનતા હોય તો ફક્ત શિસ્તભંગ નહીં પરંતુ પ્રવાસીઓના જાન સાથે રમત રમવી તે અત્યંત જોખમી કૃત્ય છે. શરાબ સેવન કરીને ફરજ બજાવતા કર્મચારી દુર્ઘટનાને નિમંત્રણ તો આપે જ છે, પરંતુ એસટીના સુરક્ષિત અને વિશ્વસનીય પ્રવાસ સામે પણ પ્રશ્નચિહન ઉપસ્થિત કરે છે. આવા બેજવાબદાર કર્મચારીઓને તપાસને અંતે સેવામાંથી બરતરફ કરવામાં આવશે એવો કડક ઈશોરા પણ તેમણે આપ્યો હતો. જોકે આવી ઘટનાઓ પર સમયસર અંકુશ નહીં લાવી શકનારા અકાર્યક્ષમ અધિકારીઓ પણ તેટલાં જ જવાબદાર હોવાનું સ્પષ્ટ કરીને મંત્રી સરનાઈકે જણાવ્યું કે એસટીનો સુરક્ષા અને વિજિલન્સ વિભાગ અને સંબંધિત અધિકારીઓના દુર્લક્ષને લીધે આવા બેદરકાર વર્તનને પ્રૌત્સાહન મળે છે. આથી સંબંધિત સુરક્ષા અને વિજિલન્સ અધિકારીઓની વિભાગીય તપાસ કરીને તેમની સામે કઠોર કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. પ્રસાધનગૃહ, બસના નિયોજનનું નિરીક્ષણઆ મુલાકાતમાં મંત્રી સરનાઈકે બસ ડેપોમાં સ્વચ્છતા, પ્રસાધનગૃહો અને બસના નિયોજનનું પણ નિરીક્ષણ કર્યું. પ્રવાસીઓની સુરક્ષા અને સુખસુવિધાઓ બાબતે વધુ સતર્ક રહેવાની સ્પષ્ટ સૂચના પણ તેમણે સંબંધિત અધિકારીઓને આપી હતી. બ્રેધ એનલાઈઝર દ્વારા તપાસઆ પછી ફરજ પર આ તા દરેક કર્મચારીઓની, ખાસ કરીને ડ્રાઈવરોની બ્રેધ એનલાઈઝર દ્વારા તપાસ અનિવાર્ય છે. પરીક્ષણમાં દોષ જણાય તો સંબંધિત કર્મચારીને તુરંત સસ્પેન્ડ કરવાનો આદેશ પણ મંત્રી સરનાઈકે આપ્યો છે. આ જ રીતે રવિવારે બહાર આવેલી ગેરરીતિ બાબતે સ્વતંત્ર વિભાગીય તપાસ સમિતિ નીમવામાં આવી હોઈ અહેવાલને આધારે દોષીઓ સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
આપત્તિ વ્યવસ્થાપનની દિશામાં મહત્વની પહેલ:પરમાણું ઉર્જાનો ઉપયોગ થતો હોય તેવી જગ્યાએ અકસ્માત નિવારાશે
ગાંધીનગરમાં આપત્તિ વ્યવસ્થાપનની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. હવે પરમાણુ ઊર્જાનો ઉપયોગ થતો હોય તેવી જગ્યાઓ પર શક્ય અકસ્માતોને નિયંત્રિત કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી રહી છે, જેના કારણે આવનારા સમયમાં આપત્તિ વ્યવસ્થાપન વધુ મજબૂત બનશે. આ કડીમાં પરમાણુ ઊર્જા વિભાગ (ડીએઈ)ના ક્રાઇસિસ મેનેજમેન્ટ ગ્રુપ (સીએમજી) દ્વારા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (જી.આઈ.ડી.એમ.)ના સહયોગથી ગયા અઠવાડિયે પરમાણુ અને રેડિયોલોજિકલ આપત્તિઓ (એનઆરઈ)ના વ્યવસ્થાપન વિષય પર બે દિવસીય ક્ષમતા નિર્માણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના આવક વિભાગ, પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ (એસડીઆરએફ) અને જિલ્લા તબીબી સેવાના અધિકારીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ કામગીરીની તૈયારી વધારવી અને આપત્તિ સમયે ઝડપી તથા અસરકારક પ્રતિસાદ માટે આત્મવિશ્વાસ વધારવાનો હતો. નિષ્ણાત વ્યાખ્યાન, પ્રાયોગિક તાલીમ અને ટેબલ-ટોપ અભ્યાસ દ્વારા ભાગ લેનારને કિરણોત્સર્ગના મૂળ સિદ્ધાંતો, સુરક્ષા ઉપાયો, નિયમનાત્મક માળખું, પ્રથમ પ્રતિસાદ આપનારની ભૂમિકા તેમજ કિરણોત્સર્ગ આપત્તિમાં તબીબી વ્યવસ્થાપન અંગે તાલીમ અપાઇ હતી. ડીએઈની ભૂમિકા, કિરણોત્સર્ગ ટેક્નોલોજીના સામાજિક ઉપયોગ અને કિરણોત્સર્ગ અંગેના ભ્રમ અને હકીકતો વિષયક સત્રોને ખાસ સરાહના મળી હતી. જી.આઈ.ડી.એમ. આવનારા વર્ષોમાં વધુ અદ્યતન અને વિશિષ્ટ આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર તરીકે વિકસવાની દિશામાં આગળ વધી રહ્યું છે. ભવિષ્યમાં રિયલ-ટાઇમ નિર્ણય સહિતના અભ્યાસોને સામેલ કરવામાં આવશે.
મંડે પોઝિટીવ:જૂનાગઢના હાજી રમકડુંની આઠ દાયકાની અવિરત ઢોલકયાત્રાને મળશે પદ્મશ્રી
જૂનાગઢની ધરતી સંતો અને શૂરવીરોની ભૂમિ રહી છે, પરંતુ અહીં કળાના રત્નો પણ પાક્યા છે. તાજેતરમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયેલા હાજી રમકડું (હાજીભાઈ મીર) તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. માત્ર 9 વર્ષની નાની ઉંમરે હાથમાં ઢોલક પકડનાર હાજીભાઈ આજે 80 વર્ષની વયે પણ તેટલા જ ઉત્સાહથી તબલાના તાલે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે. તેમનો પરિવાર મૂળ 'મીર' જ્ઞાતિનો છે, જે પેઢીઓથી સંગીત સાથે જોડાયેલો છે. તેમના દાદા અને પિતા પણ નવાબના સમયમાં રિયાસત માટે તબલા વગાડતા હતા, આમ સંગીત તેમને વારસામાં મળ્યું છે. હાજીભાઈની કળા માત્ર મનોરંજન પૂરતી મર્યાદિત નથી, પણ તે નવાબી કાળના વારસાને જીવંત રાખવાનું એક માધ્યમ છે. સોરઠના લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત બંનેમાં તેમનું પ્રભુત્વ અદભૂત છે. જીવનના આઠ દાયકા પસાર થયા હોવા છતાં, તેમની આંગળીઓ જ્યારે તબલા પર પડે છે, ત્યારે આજે પણ નવાબી સમયનો દબદબો અને ખાનદાની રણકાર સંભળાય છે. કલાકારનું જીવન ઘણીવાર આર્થિક સંઘર્ષો વચ્ચે વીતતું હોય છે. હાજીભાઈના કિસ્સામાં પણ તેમની કલાની કદર મોડી પણ ખૂબ સુંદર રીતે થઈ છે. વર્ષ 2007 માં જ્યારે તેમની પરિસ્થિતિ કપરી હતી, ત્યારે લોકસાહિત્યકાર નારસિંહ પઢિયારે એક ડાયરાનું વિશેષ આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હાજીભાઈની કળાને પ્રોત્સાહન આપવાનો અને તેમને મદદ કરવાનો હતો. તે સમયે તેમને મકાન બનાવવા માટે અઢી લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો, જે તેમની વર્ષોની સાધનાનું એક ભાવાત્મક વળતર હતું. આજે જ્યારે ભારત સરકાર દ્વારા તેમને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે, ત્યારે આખા સોરઠ પંથકમાં ખુશીનો માહોલ છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા અને નાનપણથી જ સંગીતને જીવન સમર્પિત કરનાર મીર પરિવારના આ લાલનું સન્માન એ વાસ્તવમાં ગુજરાતની લોકકળાનું સન્માન છે.
આપઘાતનો મામલો આવ્યો સામે:લોનના હપ્તા ચડી જતા કેશોદના વૃધ્ધે ઝેર પી આપઘાત કરી લીધો
લોનના હપ્તા ચડી જતા કેશોદના વૃધ્ધે ઝેર પી આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. કેશોદમાં 66 કેવી પાછળ, ઉતાવળી નદી પાસે રહેતા 66 વર્ષીય સમીરશા ઇસ્માઇલશા શાહમદારને કામ ધંધો ચાલતો ન હોય જેથી તેના પર દેવું વધી ગયું હતું. જેના કારણે બેંકની લોનના હપ્તા પણ ચડી ગયા હતા. જેનું લાગી આવતા વૃદ્ધે શનિવારની સાંજે ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન મૃત્યુ થતા પોલીસે મૃતકના ભાઈ સતારશાનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી હતી. આવા એક અન્ય કિસ્સામાં કેશોદમાં એરપોર્ટ રોડ પર આવેલ ધારેશ્વર રોડ પાસે રહેતા અશોક શંભુગર અપારનાથી ઉ.વ. 68એ પણ શનિવારની સાંજે એસિડ ગટગટાવી મોતની સોડ તાણી લીધી હતી. મૂંઝવણ થતી હોય આખરે કંટાળી જઈને વૃધ્ધે અંતિમ પગલું ભરી લેતા પોલીસે આગળની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
પ્રજાસત્તાક પર્વની તડામાર તૈયારી:રાણાવાવમાં પ્રજાસતાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો
પોરબંદર જિલ્લા કક્ષાના 77 મા પ્રજાસત્તાક દિવસના મુખ્ય કાર્યક્રમનું આયોજન આ વર્ષે તા.26 જાન્યુઆરી 2026ના સરકારી વિનયન કોલેજ, રાણાવાવ ખાતે કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમની અધ્યક્ષતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા કરશે. સવારે 9 કલાકે મંત્રીની હસ્તે ધ્વજવંદ કરાશે.આ કાર્યક્રમનું આયોજન શિસ્તબદ્ધ, સુવ્યવસ્થિત અને ભવ્ય રીતે થાય તે હેતુસર જિલ્લા પ્રશાસન દ્વારા પૂર્વ તૈયારીના ભાગરૂપે વિવિધ વિભાગો દ્વારા આયોજન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તા. 25 જાન્યુઆરીના રોજ પોરબંદર જિલ્લા પોલીસ વડા બી.યુ. જાડેજાની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમની ફૂલડ્રેસ રીહર્સલનું આયોજન કરવામાં આવ્યું હતું. ફૂલડ્રેસ રીહર્સલ દરમિયાન કાર્યક્રમના આરંભથી અંત સુધીના તમામ ઘટકોનું ક્રમબદ્ધ અમલીકરણ કરવામાં આવ્યું હતું. તેમાં મુખ્ય મહેમાનોના આગમન, ધ્વજવંદન, રાષ્ટ્રધ્વજને સલામી, રાષ્ટ્રગાન, માર્ચ પાસ્ટ, પરેડનું નિરીક્ષણ, ડોગ શો, મંચ પરના ઔપચારિક કાર્યક્રમો, ઉદબોધન, વિવિધ સરકારી વિભાગોની વિકાસાત્મક ઝાંખીઓ (ટેબલો)નું નિદર્શન, ચેક વિતરણ, દેશભક્તિ આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સમાપન પ્રક્રિયા સહિત દરેક મુદ્દાને સમયપાલન સાથે રીહર્સલમાં સામેલ કરવામાં આવ્યા હતા. કઈ કઈ વ્યવસ્થા અંગે ચકાસણી પણ કરવામાં આવી'તીમંચ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, માઈક સિસ્ટમ વ્યવસ્થા, પ્રવેશ વ્યવસ્થા, સુરક્ષા આયોજન તથા પ્રોટોકોલ સંબંધિત તમામ મુદ્દાઓની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓ, આયોજન સમિતિના સભ્યો, સ્વયંસેવકો, કલાકારો તથા ટેકનિકલ ટીમે ઉપસ્થિત રહી પરસ્પર સંકલન સાથે કામગીરી કરી હતી.
દારૂનું દૂષણ વધ્યું:જિલ્લામાં દારૂ અંગેના 14 કેસ નોંધાયા
પોરબંદર જિલ્લામાં દારૂની બદી દૂર કરવા જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ, ચેકીંગ અને બાતમી આધારે દરોડા પાડવામાં આવે છે ત્યારે છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં દારૂ અંગેના 14 કેસ નોંધાયા હતા, જેમાં 7 શખ્સ નશો કરેલ હાલતમાં મળી આવતા, પોલીસે તેઓની સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અન્ય 7 કેસમાં પોલીસે 34 લિટરથી વધુનો દેશી દારૂનો જથ્થો કિંમત રૂ.6,880નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.
સેતુગીરી ગોસ્વામીસમસ્ત ઝાલાવાડ ભરવાડ સમાજ બંધારણ-સમિતિ દ્વારા સમાજમાં વ્યાપેલા આર્થિક અને સામાજિક કુરિવાજોને નાબૂદ કરવા માટે એક ઐતિહાસિક પહેલ કરવામાં આવી છે. સામાન્ય પરિવારો પર પડતા આર્થિક બોજને હળવો કરવા અને દેખાદેખીના ઝેરને દૂર કરવા માટે સમાજે એક નવું અને આદર્શ બંધારણ અમલી બનાવ્યું છે. તેમજ સમસ્ત ઝાલાવાડ ભરવાડ સમાજ બંધારણ-સમિતિ દ્વારા સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરવા અને આર્થિક ભારણ ઘટાડવા માટે બંધારણમાં મહત્વના સુધારા કરવામાં આવ્યા છે. આ નવા નિયમો દ્વારા લગ્ન, મામેરું અને શ્રીમંત જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર લગામ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બંધારણના મુખ્ય નિયમો શિક્ષાણ તરફ વધારે ધ્યાન આપવું { જમાઈ કરવાની પ્રથા બંધ કરવી { દિકરીને ચૂંદડી ઓઢાડવા જવાની પ્રથામાં 21 લોકોએ જવુ, લગ્નમાં વધુમાં વધુ 6 તોલા સોનુ { લગ્નમાં લાઈવ દાંડીયારાસ, ફટાકડા, રૂપિયા ઉડાવવા સદંતર બંધ માત્ર ઢોલ અથવા શરણાઈ જાનમાં ગાડીઓની લાઈન કરી એન્ટ્રી કરવાની પ્રથા બંધ { મામેરામાં દિકરીને 3 તોલા સોનું વધારેમાં વધારે 51000 રૂપિયા { મામેરામાં ફટાકડા અને ડીજે નહિ તેમજ રૂપિયા ઉડાવવા નહિ { શ્રીમંતના પ્રસંગમાં 1 તોલા અથવા 51000 એકાવન હજાર રૂપિયા જ આપવા { શ્રીમંતના પ્રસંગમાં 51 સ્ત્રીઓએ જ જવાનું { દિકરી-દિકરાના લગ્ન બાદ અભ્યાસ પૂરો કરવા દેવો { જે કોઈ નિયમ ભંગ કરે તો 2,51,000 દંડ. દેખાદેખીમાં થતા ખોટા ખર્ચ બચાવશેઆજે દરેક ઘરની પરિસ્થિતિ અલગ હોય છે ત્યારે ભરવાડ સમાજમાં દેખાદેખીમાં નાના માણસોને ખોટા ખર્ચ થતા હતા તેથી બંધારણ જરૂરી હતું. વળી સોનાના ભાવ વધતા લગ્નનો ખર્ચ અનેક ગણો વધ્યો છે. તેથી મર્યાદાથી વધારે દાગીનાની લેવડ દેવડ ન થાય તે સર્વ સમાજના હિતમાં છે. નિયમ નહીં પાળે તેના પર નાત બહાર મુકવા સુધીના કડક પગલા જ્ઞાતિ લેશે.{ રેવાભાઇ ગમારા, અગ્રણી, ભરવાડ સમાજ નવા ઘડાયેલા નિયમોથી દીકરા દીકરીના ખર્ચમાં રાહત થશે મારા દીકરા અને દીકરી બંનેના આ વરસે એક સાથે જ લગ્ન છે. હજી સોનુ લેવાનું બાકી છે એટલે ચિંતા હતી પણ જ્ઞાતિમાં સોનુ ચડાવવાનું બંધારણ ઘડાયું તેનાથી રાહત થઈ છે. નાતમાં કોઈ નાનું મોટુ નથી સૌ સરખા છે. { ગેલાભાઈ ભરવાડ
ભાસ્કર એક્સપર્ટ:સુરેન્દ્રનગરમાં 2 કરોડના ખર્ચે જળસંચય માટે 200 બોર બનાવાશે
સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરની જમીનમાં પાણીના તળ તો ઊંચા છે. પરંતુ તે પાણી પીવાલાયક ન હોવાને કારણે ઉપયોગમાં લઇ સકાતું નથી. ત્યારે જમીનના તળના પાણીને શુધ્ધ કરવા માટે મનપાએ રૂ.2 કરોડના ખર્ચે શહેરમાં બોર બનાવવાનું આયોજન કર્યું છે. સુરેન્દ્રનગર શહેરમાં એક સમયે પાણીની મોટી સમસ્યા હતા. 8થી 10 ફૂટના ખાડા કરીને તેમાં ઉતરીને પાણી ભરવું પડતું હતું. જ્યારે પાલિકા બોર બનાવીને લોકોને પાણી પહોંચાડતી હતી. પરંતુ તે સમયે પણ બોરના પાણી મોળા લાગતા હતા અને ટીડીએસનું પ્રમાણ ખુબ ઊંચું આવતું હતું. વર્તમાન સમયે લોકોને પીવા માટે નર્મદાનું પાણી તો છે તેમ છતાં આજે પણ અનેક વિસ્તારના લોકો મનપાની ડંકીનો ઉપયોગ કરીને પાણીનો વપરાસ કરે છે. આથી પાણીની મુશ્કેલી નથી પરંતુ શહેરના તળમાં જે પાણી છે તે હજુ પણ મોળા અને ટીડીએસ વાળા છે. તેને શુધ્ધ કરવા માટે મનપાએ રૂ. 2 કરોડના ખર્ચે શહેરમાં 200 જગ્યાએ બોર બનાવવાની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના માટે સુરેન્દ્રનગર અને વઢવાણમાં અલગ અલગ જગ્યાની પસંદગી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને જ્યાં ચોમાસામાં વધારે પાણી ભરાય છે તેવા વિસ્તારોમાં બોર બનાવવાનું આયોજન કરવામાં આવશે. વર્તમાન સમયે મનપાએ કરેલા આયોજનનો ઠરાવ કરવામાં આવશે. ઠરાવ થયા બાદ ટેન્ડર સહિતની કામગીરી કરવામાં આવશે. આ પ્રોજેક્ટને અંદાજે 2 વર્ષ જેટલો સમય લાગે તેમ છે. પાણીના તળની ઊંડાઇ સુધી બોર કરવા જરૂરીસુરેન્દ્રનગરમાં આ બોર બનાવવાનું આયોજન કરવામાં આવે તો ખાસ કરીને શહેરના તળમાં જે પાણી છે તે ઊંચા તો આવશે જ પરંતુ તેની સાથે પાણીનું રિસાઈલકલિંગ થવાથી પાણી શુધ્ધ બનશે. પરંતુ તેના માટે પાણીના તળ સુધી બોર બનાવવો ખૂબ જરૂરી છે.{ કશ્યપ શુકલ, ફાલ્કન એનવારમેન્ટ ચેરીટેબલ ટ્રસ્ટ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા હળવીસુરેન્દ્રનગર અને વઢવાણમાં ચોમાસાના સમયમાં અનેક વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળે છે. મનપા ભૂગર્ભ ગટરમાં આ વરસાદી પાણીનો નિકાલ કરે છે. જે પાણી એસટીપી પ્લાન્ટમાં જાય છે અને શુધ્ધ થઇને નદીમાં વહાવી દેવામાં આવે છે. તે પાણી કામમાં આવતું નથી. જ્યારે આ બોરને કારણે ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા પણ હળવી બનશે.
લીંબડી સુધરાઈએ લોકોનું આરોગ્ય સ્વસ્થ રહે તે માટે દુકાનોમાંથી 250 કિલો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ કરતાં વેપારીઓને રૂ. 5000નો દંડ ફટકાર્યો હતો. લીંબડીમાં લોકોનું આરોગ્ય સારું રહે તે માટે પાલિકાએ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેચાણ કરતાં વેપારીઓ ભાન કરાવવા મુહિમ હાથ ધરી છે. જેના ભાગરૂપે એસઆઈ જગદીશ પરમાર સહિત ટીમે શહેરની દુકાનોમાં આકસ્મિક ચેકિંગ કામગીરી હાથ ધરી 250 કિલો સિંગલ યુઝ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓને રૂ.5000 દંડ ફટકારવામાં આવ્યો હતો. સિંગલ યુઝ પ્લાસ્ટિકના જથ્થા સાથે પકડાયેલા વેપારીઓ ફરીથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનું વેચાણ કરતા પકડાશે તો દંડની રકમ વધુ ચૂકવી પડશે તેવી ચીમકી આપવામાં આવી છે.
ઝાલાવાડનું ગૌરવ:ભોપાલમાં નેશનલ શૂટિંગ સ્પર્ધામાં વઢવાણના જાનકીબાએ રિનોવેટેડ શૂટરની ખ્યાતિ મેળવી
વઢવાણની વીરાંગના રિનોવેટેડ શૂટરની ખ્યાતિ મેળવી ગૌરવ વધાર્યું. 46 વર્ષની અને 3 પુત્રની માતાએ 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. આગામી સમયમાં રાજ્ય બાદ દેશનું પ્રતિનિધિત્વ કરશે. ઝાલાવાડ પંથકમાં રમત કૌશલ્ય માટે સંકલ્પ કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પુરૂષો સાથે મહિલા પણ સમોવડી બની રહી છે. ત્યારે મધ્યપ્રદેશ ભોપાલમાં 68મી નેશનલ શૂટિંગ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વઢવાણના જાનકીબા હરપાલસિંહ ડોડીયાએ ભાગ લીધો હતો. અને રિનોવેટેડ શૂટરની ખ્યાતિ મેળવી છે. ત્યારે દીકરી હોય કે મહિલા પુરૂષથી પાછળ નથી એ આ રાજપૂત સમાજની મહિલાએ શૂટરમાં નામના મેળવી સાબિત કરી બતાવ્યું છે. રાજપૂત સમાજની આ મહિલાએ રાજપૂત સમાજ સાથે સમગ્ર ઝાલાવાડનું ગૌરવ વધાર્યું છે. આ અંગે ડોડિયા જાનકીબાએ જણાવ્યું કે રાયફલ શૂટિંગની માત્ર 2 વર્ષની કારકિર્દીમાં વધુ કામ કર્યું છે. જેમાં ડિસ્ટ્રિક્ટ લેવલની કોમ્પિટિશનમાં 6 ગોલ્ડ મેડલને 1 બ્રોન્ઝ પ્રાપ્ત થયો હતો. ગુજરાત સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં 1 સિલ્વરને 1 ગોલ્ડ મેડલ પ્રિનેશનલ કોમ્પિટિશન ભોપાલમાં પણ ગોલ્ડ મેડલ મેળવેલ છે. તાજેતરમાં મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલ 68 નેશનલ કોમ્પિટિશનમાં renowned shooterની ખ્યાતિ પ્રાપ્ત કરીને સમગ્ર કારડીયા રાજપૂત સમાજનું નામ રોશન કર્યું છે.
મહેસાણાના કસ્બા વિસ્તારમાં ચોકની લીમડીથી આંબેડકર ચોક થઈ રોહિતવાસ સુધી વર્ષોથી ચાલતી માર્ગ સમસ્યાનો અંત આવ્યો છે.દોઢ વર્ષ સુધી ચાલેલી પ્રક્રિયા બાદ દબાણો દૂર કરી,ખુલ્લી વરસાદી કેનાલ ઢંકીને અંદાજે 600 મીટરનો સળંગ નવો અને પહોળો ડામર રોડ તૈયાર થતાં વાહનચાલકો તથા રાહદારીઓને મોટી રાહત મળી છે. ચોકની લીમડી થી રોહિતનગર સુધીના રસ્તામાં કામગીરી દોઢ વર્ષ પહેલા શરૂ કરાઇ હતી,જેમાં કેટલાક ધાર્મિક દબાણો પણ હોઇ લોકો ના હકારાત્મક અભિગમ ના લીધે તંત્રની કામગીરી આગળ વધી.રાણાવાસ અને આંગણવાડી પાસે વીજ થાંભલો પણ રસ્તામાં આવતા હતા એટલે આ થાંભલાને પણ હટાવી લેવાયા.આંબેડકર ચોકથી રોહિતનગર સુધી ખુલ્લી વરસાદી લાઇન દેખાતી હતી અને ગંદકીથી ખદબદતી હતી હવે આ કેનાલ ઉપર આરસીસી કરી રોડ એપ્રોચ સાથે પહોળો કરી દેવાયો છે. આ મામલે બાંધકામ ઈજનેર જતીનભાઇ પટેલે કહ્યુ કે,આખાયે 600 મીટરના અંતરમાં અલગ અલગ જગ્યાએ 4 થી 5.5 મીટર સુધીનો રસ્તો હતો,જે હવે એવરેજ અઢી મીટર પહોળો બનતા 6. થી 7.5 મીટર પહોળો નવો ડામર રોડની સુવિધા થઇ છે.આ વિસ્તારના ચંદ્રકાન્તભાઇ પરમારે કહ્યું કે,દબાણો દૂર થયા,નવો રોડ પહોળો થયો અને કેનાલ ઢંકાઇ છે.
સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના પાંચ તાલુકામાં વસતા ચૌધરી સમાજના 42 ગામના ચૌધરી સમાજનો આજે ચોથો સમૂહલગ્ન ઉત્સવ યોજાઈ ગયો હતો. જેમાં 29 જેટલી દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે વિશ્વ આંજણા ધામના પ્રમુખ મણીભાઈ ચૌધરી સહમંત્રી નાનજીભાઈ ચૌધરી ઇડર વિધાનસભાના ધારાસભ્ય રમણલાલ વોરા સહિત સમાજના સમૂહલગ્ન ઉત્સવના મુખ્ય દાતા તરીકે સતિષભાઈ પટેલ અને ભોજન દાતા તરીકે બાબુભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઇડરના નવારેવાસમાં દેહ ગોળ પાટીદાર સમાજની વાડીમાં યોજાયેલા સમૂહલગ્ન ઉત્સવમાં ભાગીદાર બનેલા સમાજના તમામ લોકોને પાયારૂપ સુવિધા આપી આવનાર સમયમાં સમાજના તમામ લોકો સમૂહલગ્નમાં જોડાય તેવી અપીલ કરાઈ હતી. આ તબક્કે બોલતા વિશ્વ આંજણા ધામમાં 51 કરોડનું દાન આપનાર મણીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સમાજમાં આર્થિક સામાજિક નૈતિક અને આધ્યાત્મિક રીતે ઉન્નત થવાની જરૂરિયાત છે. ત્યારે હાલના તબક્કે કેટલાય સમાજો એકરૂપ થઈ ઉન્નત થઈ રહ્યા છે. ત્યારે ચૌધરી સમાજે પણ ઉન્નત થવાની જરૂરિયાત છે. આશીર્વાદ આપવા માટે રામજીબાપા ધોલવાણી ખાસ હાજર રહ્યા હતા. આ તબક્કે પૂજ્ય રામજી બાપાએ જણાવ્યું હતું કે દીકરીઓ પારકી થાપણ કહેવાય. દીકરીઓના જીવનમાં ખુશી માટે આજનું જેવું વર્તન છે તેવું રાખશે તો કોઈ તાકાત તેમને દુઃખી કરી શકશે નહીં. 42 ગોળ આંજણા ચૌધરી પાટીદારની કોર કમિટી, ગામ પ્રમુખ સહિત સહયોગી સમિતિએ અભૂતપૂર્વ સહકાર આપ્યો હતો.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ (ABRSM) ગુજરાત દ્વારા આગામી વસ્તી ગણતરી 2027ની કામગીરી અંગે સરકાર સામે એક મજબૂત વિકલ્પ રજૂ કરવામાં આવ્યો છે. સંગઠને સ્પષ્ટપણે જણાવ્યું છે કે શિક્ષકોને વારંવાર બિન-શૈક્ષણિક કામગીરીમાં જોતરવાને બદલે શિક્ષિત બેરોજગાર યુવાનોને આ જવાબદારી સોંપવી જોઈએ, જેથી યુવાનોને રોજગારી મળે અને શિક્ષણનું સ્તર જળવાઈ રહે. મહાસંઘે નિયામકને પાઠવેલા પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, જ્યારે શિક્ષકોને વર્ગખંડની બહાર અન્ય કામોમાં રોકવામાં આવે છે ત્યારે તેનો સીધો ભોગ વિદ્યાર્થીઓ બને છે. નેશનલ એચિવમેન્ટ સર્વેમાં ગુજરાતનું નબળું પરિણામ આવવા પાછળનું એક મુખ્ય કારણ શિક્ષકોને સોંપાતી અન્ય વહીવટી કામગીરી છે. સંગઠનનું માનવું છે કે શિક્ષકની પ્રાથમિક ભૂમિકા માત્ર મેન્ટર તરીકે હોવી જોઈએ. ડો. હસમુખભાઈ અઢિયા સમિતિ સમક્ષ કરેલી અગાઉની રજૂઆતોને દોહરાવતા મહાસંઘે જણાવ્યું કે, વસ્તી ગણતરી જેવી કામગીરી માટે અલગ કેડર બનાવીને લાયક બેરોજગાર યુવાનોને કામ સોંપવું જોઈએ. આ પગલાંથી રાજ્યના હજારો શિક્ષિત યુવાનોને કામચલાઉ રોજગારી મળી રહેશે. શિક્ષકો સંપૂર્ણ સમય બાળકોના શિક્ષણ પાછળ ફાળવી શકશે.

23 C