SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
...

કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં બાલંભામાં 'જલ અર્પણ દિવસ':જનજાગૃતિ રેલી અને જળ સ્ત્રોતોનું પૂજન કરાયું

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા ગામે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં 'જલ અર્પણ દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. જળ એ જ જીવન છેના સંદેશને સાર્થક કરવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત ગામની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જનજાગૃતિ રેલીથી થઈ હતી. બાળકોએ પ્લેકાર્ડ્સ અને પાણી બચાવો, જીવન બચાવો જેવા સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોમાં જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવી હતી. રેલી બાદ ગામના જળસ્ત્રોતો પાસે ગ્રામજનોએ પરંપરાગત રીતે નાડા-છડી બાંધી જળ પૂજન કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ જળ સ્ત્રોતોની યોગ્ય સંભાળ અને જાળવણી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જિલ્લા કલેક્ટરે તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, પાણીનો સંયમપૂર્વક ઉપયોગ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે ગ્રામજનોને પાણી બચાવવા અને જળ સંરક્ષણ માટે સક્રિય સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે કલેક્ટરના હસ્તે 'ગ્રામ જલ સ્વચ્છતા સમિતિ'ને 'જલ કલશ' અને 'પ્રશસ્તિ પત્ર' એનાયત કરવામાં આવ્યા હતા. પાણીના વિતરણ અને વ્યવસ્થાપન માટે જરૂરી સાધનોની વિશેષ કિટ પણ સમિતિને સોંપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને અધિકારીઓ સહિત સૌએ સામૂહિક રીતે 'જલ શપથ' લીધા હતા. તેમણે પાણીનો બગાડ અટકાવવા અને જળ સંપત્તિનું જતન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:57 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં બ્લાસ્ટ થતાં પોલીસ-ફાયરમાં દોડધામ, રાત્રે પણ ગરમી અકળાવશે

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:55 pm

હીટવેવની આગાહીને વચ્ચે અમદાવાદ DEOની તમામ શાળાઓને સૂચના:પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને તડકામાં ઊભા ન રાખવા સૂચન, ઠંડા પાણી અને આરોગ્યની ટીમની વ્યવસ્થા રાખવા પણ સૂચના અપાઈ

રાજ્યમાં ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી દીધું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. તેમજ 16 માર્ચ સુધી હીટવેવની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. જો કે અત્યારે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જેથી, કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓને તકલીફ ન પડે તે માટે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને સૂચના આપી છે કે, પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને બહાર તડકામાં ઊભા રાખવામાં ન આવે અને તેમને કેમ્પસમાં છાંયડામાં રાખવામાં આવે. તેમજ પૂરતા ઠંડા પાણી વ્યવસ્થા કરવાની અને આરોગ્ય વિભાગની ટીમને રાખવાની સૂચના આપી છે. વિદ્યાર્થીઓને વહેલા પ્રવેશ આપી છાંયડામાં બેસવાની વ્યવસ્થા કરવાની સૂચનાઅમદાવાદ શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, સાથે-સાથે બોર્ડની પરીક્ષા પણ ચાલી રહી છે. જોકે, હવે બોર્ડની પરીક્ષાના સમયમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. જેથી વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને સલામતીના પગલાં ભરવા તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે કારણ કે, ધોરણ-10ની પરીક્ષા બપોરે 1 વાગ્યે પૂર્ણ થતી હોય છે અને ધોરણ 12ની પરીક્ષા 3 વાગ્યે શરૂ થતી હોય છે ત્યારે આ સમયમાં જ ગરમીનો પારો સૌથી વધુ રહેતો હોય છે. જેથી, અત્યાર સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાના સમયમાં અડધો કલાક પહેલા જ પ્રવેશ આપવામાં આવતો હતો પરંતુ, હવે વિદ્યાર્થીઓને વહેલા પ્રવેશ આપી છાંયડામાં બેસવાની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. ઠંડુ પાણી અને આરોગ્યની ટીમની વ્યવસ્થા રાખવા પણ સૂચના અપાઈગરમીના કારણે વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સેન્ટર પર આરોગ્ય વિભાગની ટીમ પણ રાખવામાં આવશે. ઠંડા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવા પણ તમામ શાળાઓને સૂચના આપવામાં આવી છે. જેથી ગરમીના આકરા પ્રકોપ વચ્ચે અસહ્ય તાપમાં વિદ્યાર્થીઓને ઊભા નહી રહેવું પડે તેમજ આરોગ્ય વિભાગની ટીમ રાખવામાં આવશે જેના કારણે કોઈ વિદ્યાર્થી બીમાર થાય તો તાત્કાલિક સારવાર આપી શકાય. વિદ્યાર્થીઓને શક્ય તેટલા વહેલા સેન્ટરમાં પ્રવેશ અપાયઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અત્યારે બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે હિટવેવની આગાહી પણ કરવામાં આવી છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ રાજ્યના અનેક શહેરોમાં ગરમીનો પ્રભાવ વધ્યો છે. બપોરના સમયમાં તાપમાન ઊંચું રહેતા વિદ્યાર્થીઓને પરીક્ષા સેન્ટર બહાર લાંબા સમય સુધી ઊભા રહેવું પડે છે. જેના કારણે કેટલાક વિદ્યાર્થીઓને ગરમીથી બીમાર થાય એવી શક્યતા રહેતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ પરીક્ષા સેન્ટરોને ખાસ સૂચના આપવામાં આવી છે કે, વિદ્યાર્થીઓને શક્ય તેટલા વહેલા સેન્ટરમાં પ્રવેશ અપાય અને તેમને છાંયડામાં બેસાડવામાં આવે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:54 pm

હારીજમાં યુવકનું અપહરણ કરી ઢોરમાર મારતા મોત:પરિવારનો 4 શખ્સો સામે જૂની અદાવતમાં હત્યા કરી હોવાનો આરોપ, પોલીસે તપાસ હાથ ધરી

હારીજ તાલુકાના દાંતરવાડા ગામના 26 વર્ષીય યુવકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે. ગંજ બજારમાં નોકરી કરતા અરવિંદજી ઉર્ફે અરૂણ ઠાકોરને ચાર અજાણ્યા શખ્સોએ ગાડીમાં ઉઠાવી જઈ ઢોર માર માર્યો હતો, જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનો અને સરપંચના પતિએ જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનો આરોપ લગાવ્યો છે. નોકરી પરથી અપહરણ કર્યું હોવાનો આરોપપ્રાપ્ત માહિતી અનુસાર, દાંતરવાડા ગામનો રહેવાસી અરૂણ રમેશજી ઠાકોર હારીજ ગંજ બજારની એક પેઢીમાં નોકરી કરતો હતો. રોજિંદા ક્રમ મુજબ તે નોકરી પર ગયો હતો, ત્યારે ચાર અજાણ્યા ઈસમો ગાડીમાં આવ્યા અને તેનું અપહરણ કર્યું હતું. શખ્સો યુવકને ઢોરમાર મારી ફરાર થઇ ગયાપરિવારજનો અને ગામના મહિલા સરપંચના પતિ વિનોદજી મહાદેવજી ઠાકોરના જણાવ્યા અનુસાર, અપહરણકર્તાઓ યુવકને કોઈ અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. ત્યાં તેને તીક્ષ્ણ હથિયારો અને લાકડીઓ વડે ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તે બેહોશ થઈ ગયો હતો. બાદમાં શખ્સો તેને બેહોશ હાલતમાં છોડીને ફરાર થઈ ગયા હતા. સારવાર દરમિયાન યુવકનું મોતઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા અરૂણને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત નાજુક જણાતા તેને વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરીયુવકના મોતને પગલે પરિવારમાં શોક છવાઈ ગયો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. સરપંચના પતિએ આ ઘટના પાછળ જૂની અદાવત હોવાની શંકા વ્યક્ત કરી છે. હાલમાં ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:48 pm

મનપા તંત્ર દ્વારા ટાર્ગેટ પૂરો કરવા દોડધામ:માર્ચ એન્ડિંગને લઈ બીજા ચોથા શનિ-રવિ અને જાહેર રજાઓમાં વેરા વસૂલાતની કામગીરી ચાલુ રહેશે, વ્યાજ માફીનો લાભ લેવા અપીલ

રાજકોટ મહાપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષ 2025-26નો રૂ. 450 કરોડનો વેરા ટાર્ગેટ પૂરો કરવા માટે દોડધામ શરૂ કરવામાં આવી છે. જેને લઈ દરવર્ષની જેમ આ વર્ષે પણ માર્ચ એન્ડિંગને ધ્યાનમાં રાખીને બીજો-ચોથો શનિવાર, રવિવાર તેમજ જાહેર રજાઓના દિવસોમાં વેરા વસુલાતની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. તા. 15/01/2026થી તા. 31/03/2026 દરમિયાન તમામ રજાઓમાં પણ વેરા વસુલાત શાખા, અસેસમેન્ટ સેલ અને રીકવરી સેલ કાર્યરત રહેશે. જેથી, નાગરિકોને વેરા ભરવામાં કોઈ અસુવિધા ન થાય અને તેઓ સરળતાથી બાકી રકમ જમા કરાવી શકે. ખાસ કરીને મિલકતવેરા અને પાણી વેરા પર અમલમાં રહેલી વ્યાજ માફી યોજનાનો લાભ તા. 31 માર્ચ સુધી જ મળવાપાત્ર હોવાથી નાગરિકોને આ સુવર્ણ તક ઝડપી લેવા અપીલ કરવામાં આવી છે. વધુમાં વધુ લોકોને વ્યાજમાફી યોજનાનો પણ લાભ લેવા અપીલ વેરા વસુલાત વિભાગના મેનેજર વત્સલ પટેલે જણાવ્યા મુજબ નાગરિકોની સુવિધા અને હાલ ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને મનપા તંત્ર દ્વારા સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આવતીકાલથી શરૂ કરી 25 માર્ચ સુધી તમામ દિવસોમાં, જેમાં બીજા-ચોથા શનિવાર અને રવિવારનો પણ સમાવેશ થાય છે, શહેરની તમામ વોર્ડ ઓફિસ, સિવિક સેન્ટર અને ઝોનલ કચેરી સવારે 9:30થી સાંજે 5:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. નાણાકીય વર્ષના અંતિમ દિવસો એટલે કે તા. 26 માર્ચથી 31 માર્ચ સુધી આ કચેરીઓનો સમય વધારીને સવારે 9:30થી સાંજે 6:10 કલાક સુધીનો કરી દેવામાં આવશે ત્યારે વધુમાં વધુ નાગરિકોને તેનો બાકી રહેલો વેરો તાત્કાલિક ભરવા અને વ્યાજમાફી યોજનાનો પણ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. વર્ક આસિસ્ટન્ટ અને ફૂડ સેફ્ટી ઓફિસરની 15 જગ્યાઓ માટે સોમવારે પરીક્ષારાજકોટ મહાપાલિકા દ્વારા લાંબા સમયથી ખાલી પડેલી વર્ક આસિસ્ટન્ટની 11 અને ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટરની 4 મળી કુલ 15 જગ્યાઓ પર ભરતી કરવા માટે આગામી 16 માર્ચ, સોમવારના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં વર્ક આસિસ્ટન્ટ માટે 777 અને ફૂડ ઇન્સ્પેક્ટર માટે 563 ઉમેદવારો સહિત કુલ 1340 ઉમેદવારો નોંધાયા છે. 100 માર્કનું પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે અને પરીક્ષાનો સમય બપોરે 3 થી 4-30 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. મહાપાલિકા દ્વારા આ પરીક્ષા માટે શહેરના 5 વિવિધ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ચૌધરી હાઇસ્કૂલ સ્થિત સદગુરૂ મહિલા હોમસાયન્સ કોલેજના યુનિટ-1 અને યુનિટ-2, કે.એમ. પાંધી ઇંગ્લિશ મીડિયમ લો કોલેજના યુનિટ-1 અને યુનિટ-2 તેમજ સદર બજારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી ગર્લ્સ હાઇસ્કૂલનો સમાવેશ થાય છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો તેમજ કોલ લેટર અંગેની જાણ પાલિકાની વેબસાઇટ દ્વારા કરવામાં આવી છે. રાજકોટ મહાપાલિકાના કર્મચારીઓના પગાર ધોરણમાં સુધારારાજકોટ મહાનગરપાલિકાની ખાસ સાધારણ સભામાં ગઈકાલે 75 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓના પગાર ધોરણમાં સુધારા કરવાનો મહત્વનો ઠરાવ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં 9 કેડરના કર્મચારીને પેન્શન યોજનાનો લાભ અને 2016 થી એરીયર્સ આપવાનો સુધારો જોડી દેવામાં આવતા મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ખાસ કરીને ભાજપ સંકલન દ્વારા જ અગાઉના ઠરાવમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરાતા રાજકીય ગલિયારાઓમાં આશ્ચર્ય ફેલાયું છે. સુધારા મુજબ ચીફ ફાયર ઓફિસર, લીગલ ઓફિસર, સેનેટરી ઇન્સપેક્ટર અને સફાઈ સુપરવાઈઝર સહિતના અધિકારીઓને નવા પગાર ધોરણનો લાભ મળશે. એકતરફ હાલ રાજકોટ મનપાની આર્થિક સ્થિતિ હાલ નાજુક ગણવામાં આવી રહી છે. અગાઉ 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે અને તાજેતરમાં જ કમિશનરને 200 કરોડની લોન લેવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે. બીજીતરફ આ નવા સુધારાના કારણે મનપાની તિજોરી પર વાર્ષિક રૂ. 12 થી 15 કરોડનો વધારે નાણાકીય બોજ આવવાનું અનુમાન છે. જોકે, કર્મચારી યુનિયનોની સતત રજૂઆતો બાદ મળેલી આ સફળતાથી કર્મચારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. મેયર નયનાબેન પેઢડીયાએ નેહલ શુકલની દરખાસ્ત અને વિનુભાઇ ઘવાના ટેકા સાથે આ ઠરાવને આખરી મંજૂરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:43 pm

પાલિકાની વેરા વસૂલાત માટે કડકાઈ:છાણી રોડ ઉપર આવેલા પેટ્રોલપંપનો 2.92 લાખ વેરો બાકી પડતા સીલ કરાયો

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડકાઇથી વેરા વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ મિલકતોને સીલ કરવાં આવી રહી છે. આજરોજ શહેરના વોર્ડ 1માં આવેલા છાણી રોડ ઉપરના નાયરા કંપનીના પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો હતો. 2.92 લાખ વેરો બાકી હોવાના કારણે મિલકતો સીલ કરવામાં આવીપાલિકાના રેવન્યુ વિભાગના અધિકારી સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, વોર્ડ નં. ૧ ઉત્તર ઝોનમાં VMC દ્વારા કર વસૂલાતનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. લાલપુરા ઓલ્ડ છાણી રોડ પાસે સેન્ટ જોસેફ સ્કૂલ નજીક આવેલા ન્યારા પેટ્રોલ પંપને સીલ મારવાની કામગીરી કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂ. 2,92,000 મિલકત વેરાની ચુકવણી ન કરવાને કારણે સીલ કરવામાં આવ્યો છે. વોર્ડ નં. 1 ટીમ રેવન્યુનું નેતૃત્વ સિનિયર ક્લાર્ક જતિનભાઈ, જુનિયર ક્લાર્ક પ્રતિકભાઈ, પટાવાળા રમણભાઈની ટીમે આ કાર્યવાહી કરી છે. 790 કરોડના વેરાની વસૂલાતનો લક્ષ્યાંકમહાનગરપાલિકાના રેવન્યુ વિભાગના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ વર્ષે વેરા વસુલાત માટે 790 કરોડનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. જેના માટે હાલમાં રહેણાંક અને બિન રહેણાંકમાં કડકાઇથી વેરા વસૂલવામાં આવે છે. બિન રહેણાંક મિલકતોને સીલ મારવાની કામગીરી કરાય છે. ગત વર્ષે 724 કરોડનું લક્ષ્યાંક હતુંવડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે 724 કરોડના વેરા વસુલાત માટેનું લક્ષ્યાંક રાખ્યું હતું. જોકે, 31 માર્ચ સુધીમાં પાલિકાએ 712 કરોડની જ વસુલાત કરી હતી. ગત વર્ષે પાલિકાને ફ્લડ ઈફેક્ટના કારણે વેરા વસૂલાતમાં લક્ષ્યાંક પર પાડવામાં સફળતા મળી ન હતી પરંતુ, આ વખતે તેમાં સફળતા મળે એવી આશા છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:41 pm

ગોધરાના કાસુડી ગામે ઝેરી સાપ દેખાયો:વાઈલ્ડ લાઈફ ટીમે રેસ્ક્યૂ કરી સુરક્ષિત જંગલમાં છોડ્યો

ગોધરા તાલુકાના કાસુડી ગામમાં એક રહેણાંક મકાન પાસે ઝેરી સાપ દેખાતા ફફડાટ વ્યાપી ગયો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી સાપને સુરક્ષિત રીતે પકડી નજીકના જંગલમાં છોડી દીધો હતો. આ ઘટના કાસુડી ગામના નિશાળ ફળિયામાં બની હતી. ગણપત બારીયાના મકાનની બહાર અચાનક એક ઝેરી સાપ દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગણપતે તરત જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટીમને જાણ કરી હતી. માહિતી મળતા જ વાઈલ્ડ લાઈફ ટીમના સભ્યો આકાશ ભોઈ અને જનક સોલંકી તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અત્યંત સાવચેતી અને કુશળતાપૂર્વક આ ઝેરી સાપનું રેસ્ક્યૂ ઓપરેશન પાર પાડ્યું હતું. સાપને સુરક્ષિત રીતે પકડી લીધા બાદ તેને નજીકના જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સાપ પકડાઈ જતાં સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ભયમુક્ત થયા હતા.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:32 pm

ગઢડા પોલીસે દુષ્કર્મ આરોપીને ગામમાં ફેરવી માફી મંગાવી:ઘટનાસ્થળે લાવીને રિ-કન્સ્ટ્રક્શન કર્યું, મોટી સંખ્યામાં લોકો એકઠા થયા

ગઢડા પોલીસે સગીરા પર દુષ્કર્મ આચરવાના આરોપી બેચર ધનજી જાડાનું પંચ રોજકામ અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું છે. આ દરમિયાન પોલીસે આરોપીને ગામમાં ફેરવી લોકોની માફી મંગાવી હતી. પોલીસે આરોપી બેચર ધનજી જાડાને ઘટનાસ્થળે લઈ જઈ દુષ્કર્મ કયા સ્થળે આચરવામાં આવ્યું તેની વિગત મેળવી હતી. રીકન્સ્ટ્રક્શન પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. આ કેસમાં સગીરાને દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવવાની ફરિયાદ ગત ૪ માર્ચે ગઢડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ગઢડા પોલીસે આરોપી બેચર ધનજી જાડાને અમરેલીના બોર્ડર પર આવેલા પહાડી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સગીરાને ૨૦ થી ૨૨ સપ્તાહનો ગર્ભ છે. દુષ્કર્મની ફરિયાદ અને આરોપીના રીકન્સ્ટ્રક્શન અંગે ગઢડાના PI ડી. બી. પલાસે માહિતી આપી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:30 pm

એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:અમરોલીમાં કોથળામાંથી મહિલાની લાશ મળી, વરાછામાં દબાણ શાખાની ટીમ પહોંચતા ભારે દોડધામ મચી

દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:30 pm

જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ભરતી મેળો:બિલખા રોડ પર પ્રતિષ્ઠિત કંપનીઓએ લીધા ઇન્ટરવ્યુ, 82 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારીની તક પૂરી પાડવા અને ઉદ્યોગોને કુશળ માનવબળ મળી રહે તે માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. ગત 09/03/2026ના રોજ જૂનાગઢના બિલખા રોડ પર આવેલી જે.જે.સી.ઇ. ટ્રસ્ટ સંચાલિત કોમર્સ એન્ડ બીબીએ કોલેજ કેમ્પસ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું ભવ્ય આયોજન કરાયું હતું. આ મેળામાં જિલ્લાના ઉત્સાહી યુવાનો અને નામાંકિત કંપનીઓ વચ્ચે સીધો સંવાદ સ્થાપિત થયો હતો. ડિજિટલ માધ્યમથી આમંત્રણ અને ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ રોજગાર કચેરી દ્વારા આધુનિક અભિગમ અપનાવીને અંદાજે 4500થી વધુ ઉમેદવારોને ઈ-મેઇલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ ડિજિટલ પ્રસારના પરિણામે મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા. જે પૈકી હાજર રહેલા 95 ઉમેદવારો માટે વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા રૂબરૂ ઇન્ટરવ્યુની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પસંદગી પ્રક્રિયા અને શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો સમગ્ર ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા અને ટેકનિકલ કૌશલ્યને મુખ્ય માપદંડ બનાવવામાં આવ્યા હતા. કસોટીના અંતે વિવિધ સંસ્થાઓ દ્વારા લાયકાત ધરાવતા 82 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી (શોર્ટલિસ્ટ) કરવામાં આવી છે. આ પસંદગી પામેલા યુવાનો હવે નોકરીની સફરમાં આગામી રાઉન્ડ માટે આગળ વધશે. નામાંકિત કંપનીઓની ઉપસ્થિતિ આ ભરતીમેળામાં કોર્પોરેટ જગતની જાણીતી સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાં:જૂનાગઢ જ્વેલરી પ્રા.લી., રિલાયન્સ નિપ્પોન લાઈફ ઇન્સ્યુરન્સ અને એચ.ડી.એફ.સી. લાઈફ, ભારતી એક્સા લાઈફ ઇન્સ્યુરન્સ તથા LIC, વિનય ઇન્ડસ્ટ્રીઝ અને સાવન ઓટોટ્રેડ, સુપરનોબલ ઓટોમોબાઇલ અને બિલિવ્યુ સરોવર પ્રિમિયર વગેરે કંપનીઓ ઉપસ્થિત રહી હતી નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન જિલ્લા રોજગાર અધિકારી ડી.એ. પરમાર, કોલેજના પ્રિન્સિપાલ ત્રાડા તથા પ્લેસમેન્ટ ઓફિસર ઓડેડરાએ ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓએ યુવાનોને સ્પર્ધાત્મક યુગમાં માત્ર ડિગ્રી નહીં પણ 'સ્કિલ ડેવલપમેન્ટ' (કૌશલ્ય વર્ધન) પર ભાર મૂકવા સમજાવ્યું હતું. આ તકનો લાભ લઈ યુવાનો પોતાની ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરી શકે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:29 pm

એમ.એસ. યુનિવર્સિટીમાં ભારતીય રાજકીય ચિંતન પર સેમિના:યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટ અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન, રામરાજ્ય અને કર્તવ્ય પાલનનો અપાયો સંદેશ

વડોદરાની પ્રખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 'આધુનિક ભારતીય રાજકીય વિચારો' વિષય પર 2 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદનો આજથી પ્રારંભ થયો છે. આ પ્રસંગે વિવિધ રાજકીય વિચારધારાઓ અને ભારતીય પરિપ્રેક્ષ્યમાં તેની પ્રસ્તુતતા પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય રાજકીય ચિંતન અને મૂળિયાંકાર્યક્રમના પ્રારંભે પોલિટિકલ સાયન્સ ડિપાર્ટમેન્ટના હેડ પ્રો. અમિત ધોળકિયાએ સ્વાગત પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે 19મી સદીના ઉત્તરાર્ધથી અત્યાર સુધીના ભારતીય રાજકીય વિચારકોના ચિંતન દ્વારા આપણે આપણા મૂળિયાં ઓળખી શકીએ છીએ. સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ, ગાંધીવાદ, માર્ક્સવાદ અને સમાજવાદ જેવી વિવિધ વિચારધારાઓએ ભારતીય રાજનીતિનું ઘડતર કર્યું છે, જે આ સેમિનારનો મુખ્ય વિષય છે. સુખાકારી અને ધર્મ રાજ્યની સંકલ્પનાઇન્ડિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ અને જાણીતા વિચારક રામ માધવે જણાવ્યું હતું કે, કોઈપણ રાજકીય વિચારધારાનું અંતિમ લક્ષ્ય લોકોની સુખાકારી હોય છે. તેમણે ગ્રીક સંકલ્પના 'સિટી ઓફ જોય' અને ભારતીય 'ધર્મ રાજ્ય'ની તુલના કરી હતી. રામ માધવે ઉમેર્યું કે ભારતનું શાસન વર્ષો સુધી એવું રહ્યું છે જ્યાં ધર્મ વધુ અને રાજ્યનું નિયંત્રણ ઓછું હતું. ગાંધીજીના 'રામરાજ્ય'ના વિચારને પશ્ચિમી લોકશાહી કરતા ચઢિયાતો ગણાવતા તેમણે કહ્યું કે, રામરાજ્યમાં બળવાન અને નિર્બળ બંનેનો અવાજ સમાન રીતે સંભળાય છે. માનવ અધિકારો વિશે વાત કરતા તેમણે કર્તવ્ય પાલન પર વધુ ભાર મૂક્યો હતો. એકાત્મ માનવ દર્શન અને વૈકલ્પિક વ્યવસ્થારામ માધવે દીનદયાળ ઉપાધ્યાયના 'એકાત્મ માનવ દર્શન'નો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેમાં મનુષ્યની માત્ર રાજકીય જ નહીં, પરંતુ આર્થિક, સામાજિક અને આધ્યાત્મિક જરૂરિયાતોનો પણ વિચાર કરાયો છે. આ પરિસંવાદનો ઉદ્દેશ્ય વિવિધ વિચારધારાઓના સમન્વય દ્વારા 'આઉટ ઓફ બોક્સ' વિચારો અને વૈકલ્પિક વ્યવસ્થાઓ શોધવાનો છે. રાષ્ટ્રીય હિતમાં વિચારધારાઓનું મિલનઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કટોકટીના સમયના સંસ્મરણો વાગોળ્યા હતા. તેમણે કહ્યું કે લોકશાહી બચાવવા માટે ડાબેરી અને જમણેરી વિચારધારાના નેતાઓ એકસાથે આવ્યા હતા. તેમણે અટલ બિહારી વાજપેયીનો કિસ્સો ટાંકતા જણાવ્યું કે, વિદેશમાં જ્યારે વાજપેયીને વિરોધ પક્ષના નેતા તરીકે મોકલવામાં આવ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે દેશની અંદર ભલે મતભેદ હોય, પણ દેશની બહાર આપણે સૌ એક છીએ. આ પ્રસંગે મહારાજા સયાજીરાવ ગાયકવાડને તેમના જન્મદિવસ નિમિત્તે અંજલિ આપવામાં આવી હતી. આ સત્રમાં નાલંદા યુનિવર્સિટીના પૂર્વ વાઈસ ચાંસલર પ્રો. સુનયના સિંઘ, પ્રો. સોનુ સિંહ અને રજિસ્ટ્રાર પ્રો. કે એમ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:26 pm

રિસાઈને ઘર છોડી વિદ્યાર્થિની વડોદરાથી અમદાવાદ પહોંચી:પરીક્ષા નજીક હોવાથી માતા-પિતાએ મોબાઇલ વાપરવા બાબતે ઠપકો આપતા ઘરેથી નીકળી ગઈ, પોલીસે ગણતરીના કલાકોમાં મિલન કરાવ્યું

વડોદરા શહેરના છાણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા પરિવારની ધોરણ- 6માં અભ્યાસ કરતી 14 વર્ષની વિદ્યાર્થીને મોબાઈલ વાપરવા બાબતે ઠપકો આપતા રિસાઈને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ ફોન પણ ઉપાડતી ન હોવાથી માતા-પિતા સહિતનો પરિવાર ચિંતિત બન્યો હતો. છાણી પોલીસને જાણ કરતા પોલીસે આખી રાત દોડધામ કરીને સગીરાને શોધી કાઢી હતી અને સગીર દીકરીને ગણતરીના કલાકોમાં અમદાવાદ CTM ચાર રસ્તા પાસેથી શોધી કાઢી તેને તેના માતા-પિતા સાથે પુનઃ મિલન કરાવ્યું છે. ધો.6ની વિદ્યાર્થિની રાતે 12.30 એ ઘરેથી નીકળી ને પછી ગુમરાત્રિના આશરે એક વાગ્યાના અરસામાં સગીરાના પિતા છાણી પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની ધોરણ-6માં અભ્યાસ કરતી દીકરી રાત્રે આશરે 12:30 વાગ્યે ઘરેથી નીકળી ગઈ છે અને ફોન પણ ઉપાડતી નથી. આ બાબતની ગંભીરતા સમજીને પી.આઈ આર.એલ. પ્રજાપતિએ તાત્કાલિક પોલીસ ટીમને સક્રિય કરી દીકરીના મોબાઈલ લોકેશનના આધારે શોધખોળ શરૂ કરી હતી. શરૂઆતમાં લોકેશન દેના બ્રિજ અને ત્યારબાદ એરફોર્સ બ્રિજ વિસ્તારનું મળ્યું હતું. ત્યારબાદ લોકેશન કરજણ તરફ જતા હોવાને કારણે કરજણ ટોલનાકા અને કરજણ પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી હતી. આગળ મળેલા લોકેશન મુજબ દીકરી અમદાવાદ એક્સપ્રેસ હાઈ-વે તરફ જતા હોવાની જાણ થતા રામોલ પોલીસ સ્ટેશન તથા હાઈ-વે ટોલ નાકાઓને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા. અમદાવાદના CTM ચાર રસ્તા પાસે સવારે 6 વાગ્યે મળીછાણી પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોસ્ટેબલ ભાવેશભાઈ દેવજીભાઈને દીકરીને શોધવા માટે તેના માતા-પિતા સાથે અમદાવાદ તરફ રવાના કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અમદાવાદના CTM ચાર રસ્તા નજીક દીકરીનું લોકેશન મળતા પોલીસ દ્વારા તપાસ કરતા અંતે દીકરી સવારે 6 વાગ્યે મળી આવી હતી. જેથી, દીકરી મળી આવતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા અને માતા-પિતાએ છાણી પોલીસ સ્ટેશનની કામગીરી માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ દીકરીને સુરક્ષિત રીતે વડોદરા પરત લાવી તેની યોગ્ય કાઉન્સેલિંગ કર્યા બાદ તેને માતા-પિતાને સોંપવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:19 pm

પાળીયાદ વિહળધામમાં મહામંડલેશ્વર નિર્બળા બાના દર્શન:ગ્રીન મેન તરીકે જાણીતા સી.એલ. ભિકડિયાનું સન્માન કરાયું

સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ વિહળધામ પાળીયાદ ખાતે 1008 પ.પૂ. મહામંડલેશ્વર નિર્બળા બાના દર્શનનો લાભ ભક્તોને મળ્યો હતો. આ પ્રસંગે ગ્રીન મેન તરીકે જાણીતા સી.એલ. ભિકડિયા સાહેબનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. પંચાલ પ્રદેશમાં આવેલું વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવે છે. લાખો શ્રદ્ધાળુઓનું આ આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક મનાય છે. તીર્થધામ વિહળધામ ખાતે વિસામણ બાપુના મંદિરે ભક્તિભાવપૂર્વક આરતી અને દર્શન કરવામાં આવ્યા હતા. આ સાથે જગ્યા પરિસરના અદભૂત સ્થળોની મુલાકાત પણ લેવામાં આવી હતી અને 1008 પ.પૂ. મહામંડલેશ્વર નિર્બળા બાના દર્શનનો લ્હાવો પ્રાપ્ત થયો હતો. દર્શન દરમિયાન, પાળીયાદના સહકારી આગેવાન અને ગૌસેવાભાવી કનુભાઈ ખાચર દ્વારા ગ્રીન મેન સી.એલ. ભિકડિયા સાહેબને શાલ ઓઢાડીને અને ગૌમાતાની સ્મૃતિ ભેટ આપીને અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનોખી મહેમાનગતિ જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ જગ્યામાં સ્નેહસભર ભોજન પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:13 pm

જેતલપુરધામમાં ‘અવસર’ મહોત્સવનું સમાપન:મુખ્યમંત્રીની હાજરીમાં ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા પવિત્ર તીર્થના 200 વર્ષની ઐતિહાસિક ઉજવણી સંપન્ન

સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં જેનું વિશેષ મહત્વ છે તેવા જેતલપુરધામ ખાતે આયોજિત દ્વિશતાબ્દી પાટોત્સવ 'અવસર'નું અત્યંત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે સમાપન થયું છે. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના હસ્તે જે 9 મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, તેમાંના અતિ મહત્વના એવા પાંચમા મંદિર જેતલપુરમાં રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાને 200 વર્ષ પૂર્ણ થતા આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પાવન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહારાજના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. ઐતિહાસિક 200 વર્ષની સ્મૃતિ અને શ્રદ્ધાનો સંગમ ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1882 માં ફાગણ વદ આઠમના દિવસે જેતલપુરધામમાં મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. આજે 11 માર્ચ, 2026 ના રોજ આ ઘટનાને બરાબર 200 વર્ષ પૂર્ણ થયા છે. આ દ્વિશતાબ્દી મહોત્સવ નરનારાયણદેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ પ.પૂ. તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી સંપન્ન થયો હતો. આ સમગ્ર મહોત્સવનું નેતૃત્વ અને અધ્યક્ષપદ ભાવિ આચાર્ય પ.પૂ. 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજે સંભાળ્યું હતું. 05 માર્ચથી શરૂ થયેલા આ 7 દિવસીય 'અવસર' કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં હરિભક્તો અને સ્વયંસેવકો ઉમટી પડ્યા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું સંબોધનમહોત્સવના અંતિમ દિવસે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, જેતલપુરધામના 200 વર્ષ પૂર્ણ થવાનો આ અવસર માત્ર સંપ્રદાય માટે જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે. તેમણે ઉમેર્યું કે, આપણે કલ્પના કરીએ કે 200 વર્ષ પહેલાં જ્યારે ભગવાને સ્વહસ્તે આ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હશે, ત્યારે વાતાવરણ કેટલું દિવ્ય હશે! સનાતન સંસ્કૃતિમાં જ્યાં ભગવાનના ચરણ પડ્યા હોય તે ભૂમિના કણેકણને આપણે પવિત્ર માનીએ છીએ. જેતલપુર તો એવું ધામ છે જ્યાં ભગવાને સ્વયં બિરાજમાન થઈને શક્તિ ફૂંકી છે. સમાજ સુધારણા અને સમરસતાનું કેન્દ્રમુખ્યમંત્રીએ ભગવાન સ્વામિનારાયણના સામાજિક પ્રદાનને યાદ કરતા કહ્યું કે, સમાજને કુરિવાજો અને અંધશ્રદ્ધાની જાળમાંથી બહાર કાઢવાનું ભગીરથ કાર્ય સ્વામિનારાયણ ભગવાને કર્યું હતું. તેમણે જેતલપુરમાં આયોજિત ઐતિહાસિક વિષ્ણુ મહાયોગનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, તે સમયે ભગવાને તમામ વર્ગના લોકોને સાથે બેસાડી જમાડીને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ પરંપરા આજે પણ સંપ્રદાયના માધ્યમથી જીવંત છે, જે રાષ્ટ્ર નિર્માણમાં મદદરૂપ થઈ રહી છે. વિકસિત ભારત અને લોકભાગીદારીનું આહ્વાનરાષ્ટ્રના સર્વાંગી વિકાસ વિશે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો હંમેશા રાષ્ટ્રહિત અને સેવાકીય પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યા છે. તેમણે વર્ષ 2047 સુધીમાં 'વિકસિત ભારત' અને 'વિકસિત ગુજરાત'ના સંકલ્પને સાકાર કરવા માટે સૌને એકજૂથ થઈને આગળ વધવા આહ્વાન કર્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા આધ્યાત્મિક ઉત્સવોથી સમાજમાં નવી ઉર્જા અને સકારાત્મકતાનો સંચાર થાય છે. ભવ્ય આયોજન અને હરિભક્તોનો ઉત્સાહ7 દિવસ સુધી ચાલેલા આ 'અવસર' મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરની રોશની અને શણગાર જોનારાના મન મોહી લે તેવા હતા. હજારો સ્વયંસેવકોએ રાત-દિવસ સેવા આપીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મહોત્સવના સમાપન સમયે સંતો-મહંતો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. જેતલપુરધામના આ 200 વર્ષના મહોત્સવે ભક્તિ, સેવા અને રાષ્ટ્રવાદનો ત્રિવેણી સંગમ રચીને ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:12 pm

ગૂજરાત વિદ્યાપીઠમાં દાંડીકૂચ સ્મૃતિ પર્વનો ઉત્સાહ:સાબરમતી આશ્રમથી પ્રારંભ થનારી પદયાત્રામાં 180 પદયાત્રીઓ જોડાશે અને પુસ્તક વિમોચન થશે

મહાત્મા ગાંધી દ્વારા 1920માં સ્થાપિત અને મૂલ્યનિષ્ઠ શિક્ષણનું પ્રતીક ગણાતી ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા આવતીકાલે 12 માર્ચ, 2026ના રોજ 97માં ‘દાંડીકૂચ સ્મૃતિ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે આઝાદીના ઇતિહાસને જીવંત રાખવા માટે વિશેષ કાર્યક્રમો અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સૂતરની આંટી સાથે યાત્રાનું પ્રસ્થાનઆ ઉજવણીનો પ્રારંભ સાબરમતી આશ્રમ ખાતેથી થશે. સવારે 8:30 વાગ્યે પૂજ્ય બાપુની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને આદરણીય કુલપતિ ડૉ. હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવશે. આ યાત્રામાં ગૂજરાત વિદ્યાપીઠના 150થી વધુ ઉત્સાહી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સહભાગી થશે. આ ઉપરાંત, રાષ્ટ્ર જાગરણ પ્રતિષ્ઠાનના નેજા હેઠળ વિવિધ યુનિવર્સિટીઓના અન્ય 30 વિદ્યાર્થીઓ પણ આ પદયાત્રામાં જોડાઈને દેશભક્તિના રંગે રંગાશે. ઐતિહાસિક પ્રથમ પડાવ પર પૂર્ણાહુતિઆ પદયાત્રાનું સમાપન ગૂજરાત વિદ્યાપીઠમાં આવેલા ‘પ્રાણજીવન વિદ્યાર્થી ભવન’ ખાતે થશે. ઉલ્લેખનીય છે કે, 1930માં ગાંધીજીએ જ્યારે ઐતિહાસિક દાંડી યાત્રા શરૂ કરી હતી, ત્યારે આ ભવન તેમનો પ્રથમ પડાવ હતું. અહીં તમામ પદયાત્રીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અને 97 વર્ષ પૂર્વેની એ યાદોને તાજી કરવામાં આવશે. “ઐતિહાસિક દાંડી કૂચ” પુસ્તકનું વિમોચનઆ સ્મૃતિ દિવસને યાદગાર બનાવવા માટે એક વિશેષ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. મહાત્મા ગાંધીની એ સત્યાગ્રહ યાત્રાના અંશોને વણી લેતા “ઐતિહાસિક દાંડી કૂચ” પુસ્તકનું આ અવસરે વિમોચન થશે. ત્યારબાદ પદયાત્રીઓ સાથે દાંડીકૂચના વિષય પર એક ગહન વાર્તાલાપ યોજાશે, જે નવી પેઢીને ગાંધીજીના વિચારો અને સ્વાતંત્ર્ય સંગ્રામના સંઘર્ષથી માહિતગાર કરશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:08 pm

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 પર મંથન:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 'ડો. આંબેડકરનું શિક્ષણ દર્શન' વિષયક રાષ્ટ્રીય પરિસંવાદ સંપન્ન

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંગણે આજે જ્ઞાન અને સંસ્કારનો ત્રિવેણી સંગમ રચાયો હતો. યુનિવર્સિટી સ્થિત બાબાસાહેબ આંબેડકર ચેર-સેન્ટર દ્વારા ‘ડો. આંબેડકરનું શિક્ષણ દર્શન અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020’ વિષય પર એક ભવ્ય રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને મહાનુભાવોએ ઉપસ્થિત રહીને આજના યુગમાં આંબેડકરી વિચારધારાની પ્રસ્તુતતા પર પ્રકાશ પાડ્યો હતો. કિશોરભાઈ મકવાણાનું 'ભીમરત્ન' એવોર્ડથી બહુમાન આ પ્રસંગે એક વિશેષ ગૌરવવંતો ક્ષણ ત્યારે જોવા મળી જ્યારે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણાને તેમના સમાજ અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન બદલ 'ભીમરત્ન' એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલ જોશીના હસ્તે આ સન્માન પદવી અર્પણ કરવામાં આવી હતી. સન્માન સ્વીકારતા કિશોરભાઈએ બાબાસાહેબ આંબેડકર ચેર-સેન્ટરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. શિક્ષણ એ માનવતા તરફ જવાનો માર્ગપોતાના સંબોધનમાં કિશોરભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ડો. બાબાસાહેબ આંબેડકર માત્ર કાયદાશાસ્ત્રી નહોતા, પણ એક મહાન શિક્ષણવિદ હતા. તેમણે તે જમાનામાં પણ દીકરા-દીકરીના સમાન શિક્ષણની હિમાયત કરી હતી. કિશોરભાઈએ ભારપૂર્વક કહ્યું કે, વિદ્યા એ માત્ર ડિગ્રી મેળવવાનું સાધન નથી, પરંતુ તે માનવતા તરફ લઈ જનારું અગત્યનું માધ્યમ છે. તેમણે આજની યુવા પેઢીને અનુરોધ કર્યો હતો કે તેઓ બાબાસાહેબના જીવનમાંથી પ્રેરણા લઈ આત્મસન્માન અને ચારિત્ર્યના ગુણો કેળવે. રાષ્ટ્ર ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અને પડકારોશિક્ષણના આધુનિક પરિપ્રેક્ષ્યમાં વાત કરતા કિશોરભાઈએ ઉમેર્યું કે, શિક્ષણ એવું હોવું જોઈએ જે વિદ્યાર્થીઓને ભવિષ્યના પડકારો સામે લડવાની શક્તિ આપે. તેમણે શિક્ષકોને રાષ્ટ્ર ઘડતરના 'સારથિ' ગણાવ્યા હતા અને શિખવ્યું હતું કે શિક્ષણ પ્રક્રિયા યંત્રવત ન હોવી જોઈએ. શિક્ષકની સજ્જતા એવી હોવી જોઈએ કે જે વિદ્યાર્થીમાં સાચા અર્થમાં જ્ઞાનનું સિંચન કરી શકે. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી કુલપતિ ડો. ઉત્પલ જોશીએ જણાવ્યું હતું કે, બાબાસાહેબ હંમેશા વાણી, વર્તન અને વ્યવહારની શુદ્ધિ પર ભાર મૂકતા હતા. જો વિદ્યાર્થીઓ આ માનવીય ગુણો કેળવે તો જ તેમનું શિક્ષણ સાર્થક ગણાશે. તેમણે ગૌરવ સાથે નોંધ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ડો. આંબેડકર ચેર પોતાની ઉમદા શૈક્ષણિક પ્રવૃત્તિઓને કારણે સમગ્ર રાજ્યમાં એક મોડેલ તરીકે ઉભરી આવી છે. તજજ્ઞોનું માર્ગદર્શન અને સ્પર્ધકોનું સન્માનઆ પરિસંવાદમાં દિલ્હી IGNOU થી આવેલા ડો. કૌશલબેન પંવાર અને પ્રો. નાથાલાલ ગોહિલે પણ પ્રાસંગિક વક્તવ્ય આપ્યા હતા. તેમણે વર્તમાન સમયમાં આંબેડકરજીના વિચારોની ઉપયોગિતા વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ વકતૃત્વ અને નિબંધ સ્પર્ધાના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ફેલોશિપ મેળવતા વિદ્યાર્થીઓ અને સંશોધકોનું પણ સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં રજિસ્ટ્રાર ગઢવી, સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચર, ડો. આંબેડકર ચેરના ચેરમેન પ્રો. રાજાભાઈ કાથડ સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ રજિસ્ટ્રાર ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 5:04 pm

નવસારીના હીરા મેન્શનમાં ગટર ઉભરાવાની સમસ્યાથી રહીશો પરેશાન:રસ્તા પર ગંદા પાણી ફરી વળતા અવરજવર મુશ્કેલ, સમસ્યા હલ ન થતા મતદાન બહિષ્કારની ચીમકી

નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી હીરા મેન્શન કોલોનીમાં લાંબા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા છે. ગટરના ગંદા પાણી અને દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતા, રહીશોએ આગામી ચૂંટણીમાં મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. સ્થાનિક રહીશ નેહા સાવંતે જણાવ્યું કે, હીરા મેન્શનમાં છેલ્લા એક મહિનાથી, ખાસ કરીને ઉત્તરાયણના બીજા દિવસથી ગટર ઉભરાવવાની સમસ્યા શરૂ થઈ છે. નગરપાલિકામાં અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સફાઈ માટે કોઈ આવતું નથી. તેમણે ઉમેર્યું કે, ગંદા પાણી અને દુર્ગંધને કારણે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે. નેહા સાવંતે વધુમાં જણાવ્યું કે, ગટર સફાઈના કેટલાક પ્રયાસો થયા હતા, પરંતુ તે નિષ્ફળ રહ્યા છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે, તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાન નહીં કરે તેવી ચીમકી ઉચ્ચારી છે. હીરા મેન્શન વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે, જ્યાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. તેમને પણ આ ગંદકીમાંથી પસાર થવું પડે છે. રસ્તા પર ગટરના પાણી ફરી વળતા અવરજવર મુશ્કેલ બની છે. સ્થાનિકોના મતે, ગંદકીને કારણે નાના બાળકો અને વડીલોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. રહીશોનો આક્ષેપ છે કે, નગરપાલિકામાં સંપર્ક કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પરંતુ સ્થળ પર કોઈ કર્મચારી તપાસ કરવા આવતો નથી. આ મામલે ડ્રેનેજ વિભાગના અધિકારી રાજેશ ગાંધીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું કે, આ સમસ્યા હાલમાં મારી જાણમાં નથી. હું આ મામલે તપાસ કરાવી લઉં છું અને સ્થિતિ જોયા બાદ જ યોગ્ય જવાબ આપી શકીશ. અધિકારીના આ નિવેદનથી સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે, કારણ કે અનેક રજૂઆતો છતાં તંત્ર હજુ અજાણ હોવાનો દાવો કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે રહીશોની મતદાન બહિષ્કારની ચીમકી બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:51 pm

SSG હોસ્પિટલમાં ‘વ્હીલ્સ પર લેબોરેટરી’:SSGના રેસિડેન્ટ ડોક્ટર્સ લેપારોસ્કોપી અને એડવાન્સ સ્યુચરિંગ જેવી આધુનિક તકનીકોમાં મેળવશે મફત હેન્ડ્સ-ઓન પ્રેક્ટિસ

તબીબી ક્ષેત્રે ટેકનોલોજી જેટલી ઝડપથી બદલાઈ રહી છે, તેટલી જ ઝડપથી ડોક્ટરોએ પણ પોતાની કુશળતાને અપડેટ કરવી અનિવાર્ય બની છે. વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે સીનિયર રેસિડેન્ટ ડોક્ટરો માટે એક અનોખી તક ઊભી થઈ છે. અહીં 'વેટ લેબોરેટરી ઓન વ્હીલ્સ' દ્વારા ડોક્ટરોને અત્યાધુનિક સર્જિકલ તાલીમ આપવામાં આવી રહી છે. જૉનસન એન્ડ જૉનસન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ખાસ ડિઝાઇનર બસ કોઈ હાઈટેક હોસ્પિટલના ઓપરેશન થિયેટરથી ઓછી નથી. તમામ સુવિધાઓથી સજ્જ ‘ઇન્સ્ટિટ્યૂટ ઓન વ્હીલ્સ 2.0’આ તાલીમ કાર્યક્રમ માટે ખાસ ‘જૉનસન એન્ડ જૉનસન ઇન્સ્ટિટ્યૂટ ઓન વ્હીલ્સ 2.0’ બસ વડોદરા આવી પહોંચી છે. આ બસની સૌથી મોટી વિશેષતા એ છે કે તે આધુનિક ઓપરેશન થિયેટરના તમામ સાધનોથી સજ્જ છે. 2 દિવસના આ તાલીમ સત્ર દરમિયાન ડોક્ટરોને એડવાન્સ લેપારોસ્કોપી, એનર્જી ડિવાઇસીસનો ઉપયોગ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હેન્ડલિંગ અને સ્યુચરિંગ (ટાંકા લેવાની) આધુનિક પદ્ધતિઓ શીખવવામાં આવી રહી છે. હોસ્પિટલના ઓપરેશન થિયેટર જેવો જ માહોલ બસમાં ઊભો કરવામાં આવ્યો છે, જેથી ડોક્ટરો વાસ્તવિક પરિસ્થિતિમાં પ્રેક્ટિસ કરી શકે. લાઇવ ટિશ્યૂ પર નિષ્ણાતોનું માર્ગદર્શનમાત્ર થીયરી નહીં, પણ પ્રેક્ટિકલ તાલીમ પર વધુ ભાર મૂકતા આ પ્રોજેક્ટમાં ડોક્ટરોને જીવંત ટિશ્યૂ (Live Tissue) પર પ્રક્રિયાઓ કરવાનો મોકો મળે છે. આ તાલીમ સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોળી અને અન્ય વરિષ્ઠ સર્જનોની સીધી દેખરેખ હેઠળ આપવામાં આવે છે. આ મોબાઈલ લેબમાં એકસાથે 15 તાલીમાર્થીઓ તાલીમ લઈ શકે તેવી વ્યવસ્થા છે. આ તાલીમમાં સામાન્ય સર્જરી ઉપરાંત સ્ત્રીરોગ નિષ્ણાંત, ઓર્થોપેડિક (હાડકાની સર્જરી), પ્લાસ્ટિક સર્જરી અને કાર્ડિયાક (હૃદયની સર્જરી) જેવી વિવિધ સ્પેશિયાલિટીઝને આવરી લેવામાં આવી છે. ₹8 કરોડની મોબાઈલ લેબમાં ₹50 હજારની તાલીમ બિલકુલ મફતઆ ટેકનોલોજી કેટલી મોંઘી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે આ હાઈટેક તાલીમ બસની કિંમત આશરે ₹8 કરોડ છે. સામાન્ય રીતે ખાનગી સંસ્થાઓમાં આવી હેન્ડ્સ-ઓન ટ્રેનિંગ લેવા માટે એક ડોક્ટરે આશરે ₹50,000 જેટલી મોટી ફી ચૂકવવી પડતી હોય છે. જોકે, ગુજરાત સરકારના સહયોગથી SSG હોસ્પિટલના ડોક્ટરોને આ વિશ્વસ્તરીય તાલીમ બિલકુલ મફત આપવામાં આવી રહી છે, જે અંતે તો સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સમગ્ર ગુજરાતમાં પરિવર્તનનું મિશનઆ મોબાઈલ તાલીમ યુનિટ હાલમાં ગુજરાતની મુખ્ય સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં પ્રવાસ કરી રહ્યું છે. વડોદરા પહોંચતા પહેલા આ બસ રાજકોટ, ભાવનગર, જામનગર અને અમદાવાદમાં સફળતાપૂર્વક તાલીમ સત્રો પૂર્ણ કરી ચૂકી છે. વડોદરામાં 2 દિવસનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ હવે આ બસ સુરત તરફ પ્રયાણ કરશે. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યની સરકારી હોસ્પિટલોમાં કાર્યરત ડોક્ટરોની શસ્ત્રક્રિયા ક્ષમતાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવાનો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:49 pm

ભરૂચના ઝઘડિયા નજીક બાઈક અકસ્માત, બેના મોત:ઉમલ્લા પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ખાખરીપૂરાથી ઉમલ્લા માર્ગ પર વળાંક પાસે બે બાઈક સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના પાણેથા ગામના 38 વર્ષીય વિપુલ ઈશ્વર વસાવા તેમના સંબંધી ગુમાન હરિભાઈ વસાવા અને ગુમાનભાઈના પત્ની ધની વસાવા સાથે બાઈક પર ઉમલ્લા ખાતે એક મરણ પ્રસંગે જઈ રહ્યા હતા. ખાખરીપૂરાથી ઉમલ્લા તરફ આવતા માર્ગ પરના વળાંક પાસે સામેથી આવી રહેલી અન્ય એક બાઈક સાથે તેમની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતમાં વિપુલ ઈશ્વર વસાવા અને ગુમાન હરિભાઈ વસાવાને ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. બીજી બાઈક પર સવાર એક મહિલા સહિત બે યુવાનો પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઉમલ્લા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:36 pm

બરોડા ડેરીમાં નોકરી અપાવવાના બહાને 39 લાખ પડાવનાર ઠગ ઝડપાયો:SOG પોલીસની ટીમે આરોપીને સોમા તળાવ ચાર રસ્તા પાસે દબોચ્યો, નોકરી વાંચ્છુકોને ફેક એપોઇન્ટમેન્ટ લેટર આપ્યા હતા

વડોદરા શહેરની બરોડા ડેરીમાં નોકરી અપાવવાનું કહીને બે લોકો પાસેથી આવી રૂપિયા 39 લાખ પડાવનાર ઠગને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. નોકરી વાંચ્છુક લોકોનો વિશ્વાસ કેળવવા માટે એપોઇન્ટમેન્ટ લેટર, નિમણૂક લેટર, ટ્રેનિંગ લેટર અને ભરતી યાદી જેવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવીને લોકોને આપ્યા હતા. બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડથી બચવા છેલ્લા 7 મહિનાથી આરોપી ફરાર હતો. પોલીસે વોચ ગોઠવી આરોપીની ધરપકડ કરીવડોદરા એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, બાપોદ પોલીસ સ્ટેશનના ગુનામાં વોન્ટેડ આરોપી ગમેશ ડુંગર રાઠવા વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવવાનો છે. તેવી બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન આરોપી સ્થળ ઉપર આવતા તેને ઝડપી પાડ્યો હતો. જિલ્લા સહકારી સંઘના નામે ફેક લેટર બનાવી 39 લાખ પડાવ્યાપકડાયેલ આરોપીની પૂછપરછ તેમજ રેકોર્ડ ચકાસણી કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી ગમેશ રાઠવાએ બરોડા ડેરીમાં જુદી-જુદી પોસ્ટ પર સરકારી નોકરી અપાવવાના બહાને યુવક અને તેની કાકી પાસેથી પડાવી છેતરપિંડી કરી હતી. આરોપીએ વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ.ના નામે ખોટા એપોઇન્ટમેન્ટ લેટર, નિમણૂક લેટર, ટ્રેનિંગ લેટર તથા ભરતી યાદી જેવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને ફરિયાદી પાસેથી 39 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપી ધરપકડ થવાના ડરથી છેલ્લા 7 મહિનાથી ફરાર હતોઆ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ગુનો નોંધાયો હતો. આરોપી ધરપકડ થવાના ડરથી છેલ્લા 7 મહિનાથી નાસતો ફરતો હતો. એસઓજી ટીમે આરોપી ગમેશ ડુંગરભાઇ રાઠવા (રહે. નિશાળ ફળિયા, પલાસદા ગામ, તા.કવાટ, જી. છોટા ઉદેપુર)ને વધુ કાર્યવાહી માટે બાપોદ પોલીસ સ્ટેશનમાં સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:36 pm

સાયલામાં ક્રૂડ ઓઈલ પાઈપલાઈન લીકેજની મોક ડ્રીલ:તંત્રની સજ્જતા ચકાસવા કટોકટીનો માહોલ સર્જાયો

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના કાનપર ગામ નજીક આજે સવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની સલાયા-મથુરા પાઇપલાઇનમાં ક્રૂડ ઓઇલ લીકેજ થવાની ઘટના સામે આવી હતી. જોકે, પાછળથી જાણવા મળ્યું કે આ એક સુનિયોજિત 'લેવલ-3 ઓફસાઇટ મોક ડ્રીલ' હતી, જે તંત્રની કટોકટી વ્યવસ્થાપન સજ્જતા ચકાસવા માટે આયોજિત કરવામાં આવી હતી. મોક ડ્રીલ અંતર્ગત, પાઇપલાઇનના 176.800 કિમી ચેઇનેજ પર ભીષણ લીકેજ થયું હોવાની જાણ થતાં જ સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ હતી. ઓઇલ લીકેજને કારણે ગંભીર ખતરાની આશંકા વચ્ચે તંત્ર દ્વારા તાત્કાલિક 'લેવલ-3'ની કટોકટી જાહેર કરવામાં આવી હતી. આસપાસના વિસ્તારમાં સતર્કતા વધારી સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી અને બચાવ દળોને ઘટનાસ્થળે પહોંચવા સૂચના અપાઈ હતી. પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગણતરીની મિનિટોમાં જ જિલ્લા ફાયર ટીમ, 108 મેડિકલ રેસ્ક્યુ ટીમ, પોલીસ વિભાગ, SOG અને ટ્રાફિક નિયંત્રણ દળ સહિત વિવિધ એજન્સીઓ સ્થળ પર પહોંચી ગઈ હતી. બચાવદળોએ તાત્કાલિક મૂલ્યાંકન કરીને વિસ્તારને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ શરૂ કર્યો. વહીવટી તંત્ર સાથે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને ગુજરાત ગેસ લિમિટેડના નિષ્ણાત પ્રતિનિધિઓ પણ આધુનિક સાધનો સાથે લીકેજને કાબૂમાં લેવા યુદ્ધના ધોરણે જોડાયા હતા. કલાકોની જહેમત બાદ લીકેજ સંપૂર્ણપણે કાબૂમાં આવ્યું અને જાન-માલનું નુકસાન અટકાવી દેવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં આવી કોઈ ગંભીર હોનારત સર્જાય તો તંત્ર અને ઉદ્યોગો વચ્ચેનું સંકલન અને પ્રતિસાદ કેવો હોવો જોઈએ તેની ચકાસણી કરવાનો હતો. આ સફળ મોક ડ્રીલનું નિરીક્ષણ કરવા માટે ADISH ઓફિસના અધિકારીઓ, સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ, સાયલા મામલતદાર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગોની ત્વરિત કામગીરી અને સંકલનની ઉપસ્થિત નિરીક્ષકો દ્વારા પ્રશંસા કરવામાં આવી, જે દર્શાવે છે કે સુરેન્દ્રનગરનું વહીવટી તંત્ર અને IOCL કોઈપણ કટોકટીને પહોંચી વળવા સજ્જ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:26 pm

અમદાવાદ અને સુરત માટે 34 નવા ટ્રેનસેટ્સનો ઓર્ડર:અમદાવાદ અને સુરતના લાખો મુસાફરોની મુસાફરી બનશે વધુ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને સુરતની મેટ્રો સેવાઓને વધુ સુદૃઢ બનાવવા માટે એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે કુલ 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે. આ મહત્વકાંક્ષી ઓર્ડરમાં અમદાવાદ મેટ્રો ફેઝ-2 માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટનો સમાવેશ થાય છે. આ તમામ ટ્રેનોનું નિર્માણ કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે કરવામાં આવી રહ્યું છે, જે 'મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતની દિશામાં એક મજબૂત ડગલું છે. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે વધશે ટ્રેનોની ફ્રીકવન્સીવડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1 અને ફેઝ-2 સફળતાપૂર્વક કાર્યરત છે. હાલમાં અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં 68.2 કિમીના નેટવર્ક પર 32 ટ્રેનસેટ્સ દોડી રહ્યા છે. હવે નવા 10 ટ્રેનસેટ્સ ઉમેરાવાથી મુસાફરોને ટ્રેન માટે લાંબી રાહ જોવી નહીં પડે. ટ્રેનોની ફ્રીકવન્સી વધવાથી મુસાફરી વધુ સરળ બનશે અને ભીડમાં પણ ઘટાડો થશે. 24 ટ્રેનોથી સજ્જ થશે ડાયમંડ સિટીસુરતમાં પણ મેટ્રો રેલનું માળખું ઝડપથી આકાર લઈ રહ્યું છે. હાલમાં ત્યાં 40.3 કિમી લાંબા નેટવર્કનું બાંધકામ પ્રગતિમાં છે. સુરતની વધતી જતી વસ્તી અને પરિવહનની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર અપાયો છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા સુરત પર્યાવરણને અનુકૂળ અને ટકાઉ શહેરી પરિવહનનું મોડેલ બનશે, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં પણ મોટી રાહત મળશે. 190 કિમી સુધી વિસ્તરશે નેટવર્કગુજરાતમાં અત્યારે કુલ 108 કિમીનું મેટ્રો રેલ નેટવર્ક કાર્યરત છે, જે આગામી વર્ષોમાં વધીને 190 કિમી સુધી પહોંચવાનો અંદાજ છે. આ વિસ્તરણમાં 6.04 કિમીની એરપોર્ટ લાઇનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મેટ્રો સેવાની સફળતાને જોતા હવે રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં પણ મેટ્રો શરૂ કરવાની દરખાસ્તો સરકારની વિચારણા હેઠળ છે. હાઈટેક સુરક્ષા સુવિધાઓનવી મેટ્રો ટ્રેનો અત્યાધુનિક 'ડ્રાઇવરલેસ' ટેક્નોલોજીથી સજ્જ હશે. આ ટ્રેનોમાં મુસાફરોની સુરક્ષા માટે રિયલ-ટાઇમ મોનિટરિંગ, ઓટોમેટેડ બ્રેકિંગ સિસ્ટમ અને ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ જેવી સુવિધાઓ હશે. આ ઉપરાંત સીસીટીવી સર્વેલન્સ, ફાયર ડિટેક્શન અને ઓબ્સ્ટેકલ ડિટેક્શન (અવરોધ શોધવાની સિસ્ટમ) જેવી આધુનિક વ્યવસ્થાઓ મુસાફરીને સલામત બનાવશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતની હરણફાળબુલેટ ટ્રેન પ્રોજેક્ટથી લઈને દાહોદમાં 9000 HP લોકોમોટિવ એન્જિનના ઉત્પાદન સુધી, ગુજરાત ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દેશમાં અગ્રેસર રહ્યું છે. આ નવા મેટ્રો ઓર્ડરથી માત્ર મુસાફરોને જ સુવિધા નહીં મળે, પરંતુ રોજગાર અને કૌશલ્ય વિકાસની નવી તકો પણ ઉભી થશે. આ પ્રોજેક્ટ્સ સમયસર અમલીકરણ અને આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ પ્રત્યે રાજ્ય સરકારની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:23 pm

ચારૂસેટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી:‘Women in STEM’ થીમ પર રીલ્સ સ્પર્ધા યોજાઈ

ચારૂસેટ યુનિવર્સિટીના વુમન ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિદ્યાર્થીનીઓ માટે ‘WOMEN IN STEM’ થીમ પર રીલ્સ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં CMPICAની ક્વિના પટેલે સોશિયલ મીડિયા પર સૌથી વધુ 586 લાઈક્સ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. DEPSTARની ખુશી મરાઠે બીજા અને RPCPના ધ્યાન પટેલે ત્રીજો નંબર મેળવ્યો હતો. વિજેતાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા. કાર્યક્રમ દરમિયાન કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલે પ્રાસંગિક પ્રવચન આપી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા. યુનિવર્સિટીના તમામ મહિલા સ્ટાફ માટે લંચ અને મનોરંજક ગેમ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે, તમામ મહિલા કર્મચારીઓને યાદગીરી રૂપે પર્સની ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન WDC કન્વીનર ડો. ગાયત્રી દવેના માર્ગદર્શન અને ICC ચેરમેન ડો. મૃણાલિની પટેલના સહયોગથી સફળ બન્યું હતું. જેમાં ઉત્પલા મહેતા, નિશા દવે, ડો. ધાત્રી રાવલ અને ભારતી કકનાની સહિતની ટીમે મહત્વનું યોગદાન આપ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:17 pm

ભાડે આપવાના બહાને 11 કાર લઈને બરોબાર વેચી દેનાર ઝડપાયો:વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોતા જ આરોપી ભાગી છૂટ્યો, પોલીસે અડધો કિમી પીછો કરીને દબોચી લીધો

ભાડેથી ગાડીઓ ફેરવવાના બહાને ફરિયાદી અને સાહેદો પાસેથી કુલ 11 જેટલી મોંઘીદાટ ફોર-વ્હીલ ગાડીઓ મેળવીને તેનું ભાડું કે ગાડીઓ પરત ન કરીને બારોબાર વેચી દેતો હતો અને આ કેસમાં નાસતા-ફરતા આરોપી અરવિંદ ઉર્ફે કરણ વાદીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. પોલીસે અડધો કિમી સુધી પીછો કરીને શખ્સને પકડ્યોઆરોપી વડોદરા શહેરના આજવા રોડ પર પરિવાર સાથે બેઠો હતો અને પોલીસને જોતા જ ભાગ્યો હતો. પોલીસે અડધો કિમી સુધી પીછો કરીને આરોપીને દબોચી લીધો હતો.પંચમહાલ જિલ્લાના હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઈના ગુનામાં આ આરોપી લાંબા સમયથી ફરાર હતો. કમલાનગર પાસેથી દબોચી લીધોવડોદરા ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. આર.જી. જાડેજા અને પી.આઈ. એચ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળાની ટીમ પ્રોપર્ટી સંબંધિત ગુનાઓના નાસતા-ફરતા આરોપીઓની શોધમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે અરવિંદ ઉર્ફે કરણ રમણભાઈ વાદી (ઉં.વ. 28, રહે. હાલ તરસાલી વુડાના મકાન, વડોદરા; મૂળ રહે. હાલોલ) ને આજવા રોડ કમલાનગર પાસેથી દબોચી લેવામાં આવ્યો હતો. 30 હજારના ભાડાની લાલચ આપી છેતરપિંડીપકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, તેણે ફરિયાદીને વિશ્વાસમાં લઈ અર્ટિગા ગાડીનું દર મહિને 30 હજાર રૂપિયા ભાડું આપવાનું નક્કી કરી નોટરી કરાવી હતી. આ જ રીતે અન્ય સાહેદો પાસેથી પણ ગાડીઓ મેળવી હતી. આરોપીએ કઈ કઈ કાર લઈ લીધી એમ મળી કુલ 11 ફોર-વ્હીલ ગાડીઓ ભાડે ફેરવવાના બહાને મેળવી હતી. ત્યારબાદ આરોપીએ ન તો ગાડીઓનું ભાડું ચૂકવ્યું કે ન તો ગાડીઓ પરત કરી હતી. ફરિયાદીઓ સાથે છેતરપિંડી આચરી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલો આરોપી અરવિંદ વાદી રીઢો ગુનેગાર છે અને અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે:

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:16 pm

કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધતા હોટલ સંચાલકો પરેશાન:ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ યુદ્ધની અસરથી ભવિષ્યમાં સુરેન્દ્રનગરમાં સિલિન્ડરનો પુરવઠો ખોરવાય તેની ચિંતા

ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર શહેર અને જિલ્લામાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે, જેના કારણે હોટલ, રેસ્ટોરન્ટ અને લારીવાળાઓ સહિતના વ્યવસાયો પર અસર પડી છે. જોકે, હોટલ સંચાલકોના મતે, હાલમાં સિલિન્ડરનો પુરવઠો ઉપલબ્ધ છે, પરંતુ ભવિષ્યની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાતના અનેક શહેરોમાં કોમર્શિયલ સિલિન્ડરનો પુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલો છે, જેની સીધી અસર હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ફરસાણના કારખાનાઓ પર પડી રહી છે. હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના મતે, પાઈપ ગેસની સુવિધા ન ધરાવતા એકમોને વધુ અસર થઈ છે. અન્ય રાજ્યોમાં પણ સપ્લાય પર રોક લાગતા ઘણી હોટલો બંધ થઈ ગઈ છે, અને સુરેન્દ્રનગરમાં પણ આગામી દિવસોમાં આવી સ્થિતિ સર્જાઈ શકે તેવી આશંકા છે. સુરેન્દ્રનગરના જગદંબા પરોઠા હાઉસના પ્રવીણ રસિકભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે, હાલમાં 17 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં રૂ. 600નો વધારો થયો છે. યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભાવ વધ્યા હોવા છતાં, બાટલા હાલમાં સરળતાથી મળી રહે છે. જોકે, તેમણે ચેતવણી આપી હતી કે જો આ પરિસ્થિતિ યથાવત્ રહેશે તો ભવિષ્યમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે. યશ માલકીયાએ જણાવ્યું હતું કે, તેમનો પરિવાર છેલ્લા 75 વર્ષથી હોટલ વ્યવસાય સાથે સંકળાયેલો છે અને હાલમાં ગેસના બાટલાના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે જો આ જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો નાના અને ગરીબ પરિવારોને તો અસર થશે જ, પરંતુ તેમના જેવા લોકોને પણ હોટલ વ્યવસાય બંધ કરવાની નોબત આવી શકે છે. જૈનાબાદના કોંગ્રેસ આગેવાન સિકન્દર કુરેશીએ જણાવ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધના કારણે સરકારે ઘરેલુ ગેસના બાટલામાં રૂ. 60નો અને કોમર્શિયલ ગેસમાં રૂ. 115નો વધારો કર્યો છે. તેમણે આ ભાવવધારાને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તોડી નાખનારો ગણાવ્યો હતો. આ ગરીબ જનતા હવે મોંઘવારીનો માર ઝીલી શકે એમ નથી, આથી સરકાર જો તાત્કાલિક ગેસનો ભાવ વધારો પાછો નહીં ખેંચે તો લોકો રસ્તા પર આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:13 pm

નવસારીના ગ્રીડ વિસ્તારમાં કાયાપલટ:NH-48 અંડરબ્રિજ નીચે ₹2.5 કરોડના ખર્ચે આધુનિક આઈલેન્ડ-વોક-વે બનશે

નવસારી શહેરના વ્યસ્ત ગ્રીડ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 ના અંડરબ્રિજ નીચેની ખાલી જગ્યાનું સૌંદર્યીકરણ કરવામાં આવી રહ્યું છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ અંદાજે ₹2.5 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ સ્થળને અત્યાધુનિક સુવિધાઓ સાથે સુંદર પબ્લિક સ્પેસમાં પરિવર્તિત કરાશે. આ પ્રોજેક્ટમાં ગાર્ડનિંગ અને લેન્ડસ્કેપિંગ પર ભાર મૂકી પર્યાવરણને અનુકૂળ ડિઝાઇન તૈયાર કરાઈ છે. તેમાં વોક-વે, બેઠક વ્યવસ્થા અને આધુનિક લાઈટિંગ સિસ્ટમનો સમાવેશ થાય છે. અંડરબ્રિજના પિલર્સ અને ખાલી જગ્યાને આધુનિક આર્ટ અને ડિઝાઇન સાથે સાંકળી લેવાશે. મહાનગરપાલિકાના સૂત્રો અનુસાર, આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના પ્રથમ તબક્કાની 60% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. એન્જિનિયરોની ટીમ દ્વારા કામગીરીનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેથી નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂરો કરી શકાય. ગ્રીડ વિસ્તાર નેશનલ હાઇવે સાથે જોડાયેલો હોવાથી તે નવસારીનું પ્રવેશદ્વાર સમાન છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી શહેરની ઓળખ 'સ્વચ્છ અને આધુનિક શહેર' તરીકે વધુ મજબૂત બનશે. આગામી દિવસોમાં આ સ્થળને જનતા માટે ખુલ્લું મુકવાની તૈયારીઓ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:13 pm

ભાઈકાકા યુનિવર્સિટીમાં 'તરંગ-2026' મહોત્સવ સંપન્ન:“યુથ ઈન એક્શનઃ ફીટનેસ, કલ્ચર એન્ડ નેશન” થીમ પર કરાયું આયોજન

કરમસદની ભાઈકાકા યુનિવર્સિટી ખાતે વાર્ષિક રમતગમત અને સાંસ્કૃતિક મહોત્સવ 'તરંગ-2026'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પાંચ દિવસીય મહોત્સવમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ સાયન્સીસ અને જી.એચ. પટેલ સ્કૂલ ઓફ નર્સિંગે ઓવરઓલ ચેમ્પિયનશીપ ટ્રોફી જીતી હતી. એન.એસ.એસ. યુનિટના સહયોગથી આ મહોત્સવ “યુથ ઈન એક્શનઃ ફીટનેસ, કલ્ચર એન્ડ નેશન” થીમ પર યોજાયો હતો. યુનિવર્સિટીની નર્સિંગ, ફિઝિયોથેરાપી, એલાઈડ હેલ્થ સાયન્સીસ અને પબ્લિક હેલ્થ જેવી વિવિધ પાંખોના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન પ્રોવોસ્ટ અભય ધરમસીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રજીસ્ટ્રાર જ્યોતિ તિવારી, મેડિકલ સુપ્રિટેન્ડન્ટ જીતેશ દેસાઈ, ડીન સ્વપ્નીલ અગરવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આકાશમાં બલૂન છોડી અને ટોર્ચ રન સાથે શરૂ થયેલા આ ઉત્સવમાં 100 મીટર દોડ, રસ્સાખેંચ, ક્રિકેટ, વોલીબોલ અને ઈ-સ્પોર્ટસ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. મહોત્સવનું સમાપન રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થયું હતું, જેમાં વિદ્યાર્થીઓએ નૃત્ય, સંગીત અને ફેશન શોના માધ્યમથી પોતાની સર્જનાત્મક પ્રતિભા દર્શાવી હતી. ઇનામ વિતરણ સમારોહમાં ઇનડોર અને આઉટડોર રમતોના વિજેતાઓને મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:08 pm

રાધનપુરમાં ગેસ સિલિન્ડર માટે લાંબી લાઈનો:ફોન બુકિંગ બંધ થતા ગ્રાહકો એજન્સી પર ઉમટ્યા; નવા નિયમના બોર્ડ લાગ્યા

રાધનપુર શહેરમાં રાંધણ ગેસ સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ફોન દ્વારા ગેસ બુકિંગ ન થવાને કારણે ગ્રાહકો સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના પરિણામે દિવસભર લાંબી કતારો જોવા મળી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા બે દિવસથી ફોન દ્વારા ગેસ બુકિંગની વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવા છતાં બુકિંગ થઈ શકતું નથી, જેના કારણે લોકોમાં નારાજગી પ્રવર્તી રહી છે. આ સ્થિતિમાં, ઘણા ગ્રાહકો સિલિન્ડર મેળવવા માટે સીધા એજન્સી પર પહોંચી રહ્યા છે, જેના કારણે લાંબી કતારો લાગી છે. સવારથી જ મોટી સંખ્યામાં લોકો ગેસ એજન્સી ખાતે ઉમટી પડતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગના લોકો પણ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા. ઘણા ગ્રાહકોએ જણાવ્યું કે એક સિલિન્ડર મેળવવા માટે પણ તેમને લાંબો સમય રાહ જોવી પડે છે. ગ્રાહકોનો આક્ષેપ છે કે એજન્સી દ્વારા વારંવાર સર્વર ડાઉન છે તેવો જવાબ આપવામાં આવે છે, પરંતુ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. આના કારણે સામાન્ય જનતાને બિનજરૂરી હાલાકી ભોગવવી પડી રહી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ગેસ જેવી આવશ્યક સેવાઓમાં આવી ગેરવ્યવસ્થા અસ્વીકાર્ય છે. લોકોની સુવિધા માટે ફોન અને ઓનલાઈન બુકિંગ વ્યવસ્થા સરળ અને સુલભ હોવી જોઈએ. જોકે, વર્તમાન પરિસ્થિતિમાં ગ્રાહકોને વારંવાર એજન્સીના ધક્કા ખાવા પડે છે. શહેરના નાગરિકોએ જવાબદાર તંત્રને અપીલ કરી છે કે ગેસ બુકિંગની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે. ગ્રાહકોને ગેસ સિલિન્ડર મેળવવામાં સરળતા થાય તેવી વ્યવસ્થા ઊભી કરવા અને એજન્સી ખાતે યોગ્ય વ્યવસ્થા તથા પારદર્શિતા જાળવવા પણ માંગ ઉઠી છે. આ તરફ, નૈમિષ ગેસ એજન્સી દ્વારા એક અગત્યની સૂચના પણ આપવામાં આવી છે. એજન્સીના બોર્ડ પર દર્શાવ્યા મુજબ, કંપનીના નિયમ અનુસાર છેલ્લી રિફિલ ડિલિવરી લીધાના 25 દિવસ પછી જ નવું બિલ બનશે. વહેલું બુકિંગ થયેલું હોવા છતાં બિલ નહીં બને તો કંપનીના નવા નિયમ અનુસાર જ રિફિલ મળશે. આ બાબતે સ્ટાફ સાથે બિનજરૂરી તકરાર ન કરવા પણ સૂચના અપાઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:05 pm

બોરસદમાં પ્રાકૃતિક બજાર લોકપ્રિય બન્યું:ગ્રાહકોમાં હવે પ્રાકૃતિક આહાર પ્રત્યે જાગૃતિ વધી

આણંદ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી બોરસદ ચોકડી પાસે આવેલા એટીક ભવન ખાતે શરૂ કરાયેલું પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્ર નગરજનોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. દર મંગળવારે બપોરે 3 થી 6 દરમિયાન ભરાતા આ બજારમાં જિલ્લાના ખેડૂતો કોઈ પણ વચેટિયા વગર સીધું જ વેચાણ કરી રહ્યા છે. વિરસદના ખેડૂત મિહિર અમીને જણાવ્યું કે, ગ્રાહકોમાં હવે પ્રાકૃતિક આહાર પ્રત્યે જાગૃતિ વધી રહી છે અને વેચાણમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. અહીં હરી કાંગ, કોદરી, મોરૈયો અને સામો જેવા પોઝિટિવ મિલેટ્સ તેમજ કૃષ્ણ કમોદ ચોખા અને ઓર્ગેનિક મસાલાની ભારે માંગ જોવા મળી રહી છે. ખેતીમાં નવા પ્રયોગો કરનારા શિક્ષિત યુવાનો પણ આ મંચનો લાભ લઈ રહ્યા છે. બીકોમ સુધી અભ્યાસ કરી 2018થી પ્રાકૃતિક ખેતી કરતા નાગજીપુરાના પિનાકીન પટેલ અને ઝાખલાના મહેશ પટેલે જણાવ્યું કે, તેઓ ગાય આધારિત ખેતી દ્વારા પકવેલા ઘઉં, બાજરી અને શાકભાજી અહીં વેચે છે. કસુંબાડના રણજીતસિંહ ગોહિલ અને પ્રતાપપુરાના રણજીતસિંહ ચૌહાણે સરગવાનો પાવડર, મીઠા લીમડાનો પાવડર અને વિવિધ સીઝનલ શાકભાજીના વેચાણ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ કેન્દ્ર ખેડૂતો માટે આર્થિક સદ્ધરતાનું નવું માધ્યમ બન્યું છે. બીજી તરફ, નિયમિત ખરીદી માટે આવતા સુનીતાબેન અને લત્તાબેન જેવા ગ્રાહકોનું માનવું છે કે પ્રાકૃતિક શાકભાજીના ભાવ અન્ય બજાર જેટલા જ છે, પરંતુ તેનો સ્વાદ અને ગુણવત્તા ચડિયાતી છે. શુદ્ધ આહાર મળતો હોવાથી સ્વાસ્થ્ય જળવાઈ રહેવાનો વિશ્વાસ ગ્રાહકોમાં જોવા મળ્યો હતો. આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર જી.સી. ભાલોડીયાએ નગરજનોને અપીલ કરી છે કે ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને પોતાના સ્વાસ્થ્યને જાળવવા વધુમાં વધુ સંખ્યામાં આ કેન્દ્રની મુલાકાત લે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:03 pm

મહિનાઓ સુધી રકમ પરત ન કરતા ફરિયાદ:વડોદરામાં વિઝા માટે બેલેન્સ બતાવવાના બહાને ફાયનાન્સ કન્સલ્ટન્ટ સાથે રૂ.25 લાખની ઠગાઈ, પાંચ સામે ફરિયાદ

વડોદરા શહેરમાં ફાઇનાન્સ કન્સલ્ટન્ટ સાથે છેતરપીંડી અંગેનો બનાવ સામે આવ્યો છે. જેમાં 5 આરોપીઓએ વિદેશના વિઝા માટે બેંકમાં બેલેન્સ બનાવવાના બહાને તેમની પાસેથી રૂ.25 લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરાવી લીધા હતા. અનેકવાર રૂપિયા આરોપીઓ પાસે માંગ્યા હોવા છતાં પરત ન આપતાં આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વડોદરા શહેરમાં વિદેશના વિઝા માટે બેન્કમાં બેલેન્સ બતાવવાના બહાને રૂપિયા 25 લાખની છેતરપિંડી થયાનો બનાવ સામે આવ્યો છે. વાઘોડિયા રોડ વિસ્તારમાં પ્રથમ ડુપ્લેક્સમાં રહેતા રહેતા અને ફાયનાન્સ કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા રીકેશભાઈ કનૈયાલાલ ખત્રીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ રીકેશભાઈ ખત્રી વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલ સેન્ટર પોઇન્ટ બિલ્ડિંગમાં રીકેશ ખત્રી એન્ડ કંપની નામે ફાયનાન્સ કન્સલ્ટન્સીનો વ્યવસાય કરતા હતા તેમજ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં એજ્યુકેશન લોન કાઉન્સિલર તરીકે પણ કામ કરે છે. ગત 12 નવેમ્બર 2024ના રોજ તેમના મિત્ર તેજસ કિરીટભાઈ શાહ દ્વારા સાગર જનકભાઈ પટેલ નામના વ્યક્તિ સાથે ઓળખાણ કરાવવામાં આવી હતી. સાગર જનકભાઈએ જણાવ્યું હતું કે તેમના મિત્ર સાગર અશોકભાઈ પટેલ તથા તેમની પત્ની હેમાંગીની ફિનલેન્ડમાં રહે છે અને વિઝા માટે બેન્ક ખાતામાં બેલેન્સ બતાવવાની જરૂર છે. આથી શરૂઆતમાં એક દિવસ માટે 15 લાખ રૂપિયા બેલેન્સ બતાવવાની વાત કરવામાં આવી હતી. વિશ્વાસના આધારે રીકેશભાઈએ પોતાના બેંક ખાતામાંથી વર્ષાબેન અશોકભાઈ પટેલના ખાતામાં 15 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ તે રકમ આગળ સાગર અશોકભાઈ પટેલના ખાતામાં મોકલવામાં આવી હતી અને બીજા જ દિવસે રકમ રીકેશભાઈને પરત મળી ગઈ હતી. આ કામ માટે તેમને 12 હજાર રૂપિયા લીગલ ફી તરીકે આપવામાં આવ્યા હતા. આ ઘટનાના થોડા દિવસ બાદ ફરીથી સાગર જનકભાઈ પટેલે સંપર્ક કરીને આ વખતે પાંચ દિવસ માટે 25 લાખ રૂપિયા બેલેન્સ બતાવવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. વિશ્વાસ વધારવા માટે અશોકભાઈ પટેલ તથા તેમની પત્ની વર્ષાબેને ગેરંટી રૂપે ચેક પણ આપ્યો હતો. જેથી રીકેશભાઈએ 19 નવેમ્બર 2024ના રોજ પોતાના બેન્ક ખાતામાંથી વર્ષાબેનના ખાતામાં 25 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પછી આ રકમ વર્ષાબેનના ખાતામાંથી આરટીજીએસ દ્વારા તેમની વહુ હેમાંગીનીના ઇન્ડસઈન્ડ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. થોડા સમય બાદ રીકેશભાઈએ પોતાની રકમ પરત માગી તો આરોપીઓ વાયદા કરતા હતા. તપાસ કરતાં જાણવા મળ્યું કે હેમાંગીનીએ આ રકમ પોતાના ફિનલેન્ડના ખાતામાં ટ્રાન્સફર કરી દીધી છે. આ બનાવમાં પાંચ મહિના વીતી ગયા છતાં ફાઇનાન્સ કન્સલ્ટન્ટે 25 લાખ રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ રૂપિયા પરત આપતાં ન હતા. આ મામલે બાપોદ પોલીસ મથકમાં સાગર પટેલ સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 4:02 pm

જુગાર પર પોલીસની રેડ:કપુરાઇ પોલીસે તરસાલી વિસ્તારમાંથી જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ સહિત મુદામાલ સાથે ઝડપી પાડ્યા

વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જુગાર રમતા જુગારીઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. તરસાલી નવીનગરી ઝૂંપડપટ્ટીમાં ખુલ્લામાં જુગાર રમતા 6 આરોપીને પોલીસે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી કુલ 11,751 રૂપિયાની રોકડ અને અન્ય મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ અંગે કપુરાઇ પોલીસની ટીમને બાતમી મળતા ટીમે રેડ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે, તરસાલી નવીનગરી ઝૂંપડપટ્ટીમાં કેટલાક વ્યક્તિઓ ખુલ્લામાં પૈસાના હારજીતનો જુગાર રમી રહ્યા છે જે માહિતી આધારે રેડ કરી 6 લોકોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડ રકમ સહિત મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં કપુરાઇ પોલીસે નીતિનભાઈ ઠાકોરભાઈ સોલંકી (ઉંમર 36, રહે. ડેસાઈનગર, તરસાલી તળાવ સામે, તરસાલી, વડોદરા) , તેમની જગદીશભાઈ છીતુભાઈ રાઠોડીયા (ઉંમર 24, રહે. નવીનગરી, તરસાલી બાયપાસ, વડદલા રોડ, વડોદરા), ઇમરાન ખુમાનસિંહ ગરાસીયા (ઉંમર 38, રહે. બેલીમ ફળીયું, તરસાલી ગામ, વડોદરા), સોહીલ હનીફભાઈ શેખ (ઉંમર 25, રહે. બ્લોક નં. 40, રૂમ નં. 49, સ્લમ ક્વાર્ટર્સ, તરસાલી શાક માર્કેટ સામે, વડોદરા), રીયાઝ પીરૂભાઈ શેખ (ઉંમર ૩૬, રહે. મકાન નં. 07, હરેકૃષ્ણ સોસાયટી, નવીનગરી પાછળ, વડદલા રોડ, વડોદરા), મહેમુદ અહેમદભાઈ મકરાણી (ઉંમર 31, રહે. બેલીમ ફળીયું, તરસાલી ગામ, વડોદરા) ને રંગેહાથ ઝડપી લીધા હતા. આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 11751નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ઉપરાંત, જુગાર માટે વપરાતા ૫૨ પાનાના પત્તા પણ જપ્ત કરવામાં આવ્યા છે. કપુરાઇ પોલીસે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:52 pm

હત્યાની ખરાઈ કરવા આરોપી પરત ઘટનાસ્થળે આવ્યો:છારાનગરમાં 3 માર્ચે થયેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, લૂંટના ઈરાદે રેકી કરી ચાર શખસોએ ગુનાને અંજામ આપ્યો

શહેરના કુબેરનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં 3 માર્ચે મોડી રાત્રે મહિલાના ઘરમાં લૂંટના ઇરાદે આવી હત્યા કરવાના કેસમાં બે આરોપીઓની સરદારનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે. છારાનગર વિસ્તારમાં મજૂરી કામ કરતા બે યુવકો દ્વારા ઉત્તર પ્રદેશના આગરાથી બે માણસો બોલાવીને લૂંટના ઇરાદે મહિલાની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ રેલવે ટ્રેકથી અલગ અલગ વાહનોમાં યુપી ખાતે જતા રહ્યા હતા. સરદારનગર પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજીસના આધારે તપાસ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. મહિલાનું મૃત્યુ થઈ ગયું છે કે નહીં તે તપાસ કરવા ફરીથી એક આરોપી ઘરમાં પાછો ગયો હતો અને મહિલા મરી ગઈ છે કે કેમ એની ખાતરી કર્યા બાદ જ ત્યાંથી નીકળ્યો હતો. બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. રેકી કર્યા બાદ હત્યાને અંજામ આપ્યોસરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુબેરનગર ના છારાનગર ફ્રી કોલોની ખાતે ત્રણ માર્ચના રોજ મોડી રાત્રે ભારતીબેન બજરંગે નામની મહિલાની હત્યા કરી ઘરમાં લૂંટનો બનાવ બન્યો હતો. ઘટનાની જાણ થતા સરદારનગર પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ દ્વારા અલગ અલગ સ્થળના સીસીટીવી ફૂટેજીસ તપાસવામાં આવ્યા હતા. જેના આધારે મૂળ આગ્રાનો રહેવાસી અને છારાનગર વિસ્તારમાં વિમલની ચાલીમાં રહેતા સ્થાનિક સોનુ સિંગ સીકરવાર આ કેસમાં સંડોવાયેલો હોવાની જાણ થઈ હતી. યુપીથી બે આરોપીઓને દબોચ્યાપોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ ઉત્તર પ્રદેશ તરફ ભાગ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેથી સીસીટીવી ફૂટેજ ના આધારે અલગ અલગ ટીમ બનાવીને ઉત્તર પ્રદેશથી સલમાન ઉર્ફે લલ્લા અલવી સૈયદ (રહે.મુળ આગ્રા)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સલમાનની ધરપકડ બાદ સોનુસિંગ સીકરવારની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ઉછીના પૈસા માગવાના બહાને મૃતકના ઘરની રેકી કરી હતીઝોન 4 ડીસીપી અતુલ બંસલે જણાવ્યું હતું કે ત્રણ માર્ચના રોજ ભારતીબેન બજરંગે નામના મહિલાની હત્યા કરવામાં આવી હતી જે મામલે સરદાર નગર પોલીસ સ્ટેશનના પીઆઇ શકિતસિંહ ગોહિલ અને એન. બી. કલસરીયા દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરવામાં આવી હતી જેમાં સલમાન અને સોનુ સિંગ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચાર આરોપીઓએ ગુનાને અંજામ આપ્યો હતો સોનું અને બ્રિજ મોહન નામના બંને શખ્સ છારાનગર વિસ્તારમાં જ રહે છે અને છુટક મજૂરી કામ કરે છે. બંને આરોપીઓને લૂંટ કરવાની હોવાથી ભારતીબેન બજરંગે પોતે એકલા રહેતા હોવાથી તેમને ટાર્ગેટ કરી લૂંટ કરવાના ઇરાદે બ્રિજ મોહન નામના આરોપીએ ઉત્તર પ્રદેશના આગ્રાથી સલમાન અને શાદાબને બોલાવ્યા હતા. 24 ફેબ્રુઆરીના રોજ બંને આરોપીઓ અમદાવાદ ખાતે આવ્યા હતા અને સોનુ સિંગ સાથે રહેતા હતા. 500 રૂપિયા ઉછીના માંગવાના ઇરાદે બે માર્ચના રોજ ભારતીબેનના ઘરે રેકી કરવામાં આવી હતી. અરે રેકી કર્યા બાદ બીજા દિવસે તેમને લૂંટવાનો પ્લાન કરી ચારે લોકો રાત્રે ભારતીબેન ના ઘરે ગયા હતા. સોનુ અને બ્રિજ મોહન બંને સ્થાનિક અને ભારતીબેન ઓળખતા હોવાથી તેમનો અવાજ સાંભળી ઘર ખોલ્યું હતું. ઘર ખોલતાની સાથે જ તેઓ અંદર ગયા હતા અને માલ સામાન લેવાની વાત કરતા ની સાથે જ પાછળથી ભારતીબેનને પકડી નીચે પાડી દીધા હતા અને ઓશીકાથી મોઢું દબાવીને ભારતીબેન ને મોતને ઘાટ ઉતારી દીધા હતા. હત્યા કર્યા બાદ ચારે આરોપીઓ ત્યાંથી નીકળી ગયા હતા સીસીટીવી ફૂટેજમાં ક્યાંય પણ દેખાઈ નહીં તેના માટે આરોપીઓ દ્વારા તરકીબ અપનાવવામાં આવી હતી. સોનું અલગ રસ્તે ગયો હતો જ્યારે બ્રિજ મોહન સન્માન અને સાદાબ નામના ત્રણેય આરોપીઓ સરદાર નગર ફ્રી કોલોની પાસે આવેલા રેલ્વે ટ્રેક પરથી ધીમે ધીમે ચાલતા ચાલતા બહારના ભાગે હાઇવે પર પહોંચ્યા હતા અને ત્યાંથી અલગ અલગ વાહનોમાં બેસી રાજસ્થાનના જયપુર અને ત્યાંથી આગ્રા જતા રહ્યા હતા મહિલા મરી જ ગયા છે તે નક્કી કરવા એક આરોપી ભાગ્યા બાદ પાછો આવ્યો હતોમહિલાની હત્યા કરવાની ઘટના બાદ મૃતક ભારતીબેન મરી ગયા છે કે નહીં તેની તપાસ કરવા માટે આરોપી સોનુ સિંગ ફરીથી ભારતીબેનના ઘરમાં ગયો હતો અને ભારતીબેનના ઘરે જઈને તેઓ મરી ગયા છે કે નહીં એની ખાતરી કરી હતી. ભારતીબેન મરી ગયા છે તેની ખાતરી કરી ત્યારબાદ ત્યાંથી નીકળી ગયો હતો. સરદારનગર પોલીસ દ્વારા હાલમાં બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે બાકીના બે આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:50 pm

સોલામાં કીઆ કાર સર્વિસ સ્ટેશનની સામે ગાડીઓમાં ભીષણ આગ:મંગલમૂર્તિ પાસે ખુલ્લા પાર્ટી પ્લોટમાં છ કાર બળીને ખાખ, ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો

અમદાવાદ શહેરના સોલા ગામમાં ખુલ્લા પ્લોટમાં પડેલ ગાડીઓમાં આગ લાગવાનો મેસેજ ફાયર વિભાગને મળ્યો હતો. ફાયર વિભાગની વોટર ટેન્ક સહિતની કુલ 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. કચરામાં આગ લાગતા ગાડીઓમાં ફેલાઈસોલામાં આવેલા કીઆ ગાડીના સર્વિસ સ્ટેશનની આ ગાડીઓ હતી જે તેની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં મૂકવામાં આવી હતી. ફાયર વિભાગના પ્રાથમિક અનુમાન અનુસાર ખુલ્લા પ્લોટમાં કચરામાં આગ લાગતા, ત્યાં પાર્ક કરેલી ગાડીઓ આગના લપેટામાં આવી ગઈ હતી. છ કાર બળીને ખાખ તો છ કારને નુકસાનઆ ઘટનામાં કુલ 6 ગાડીઓ બળીને ખાખ થઈ ગઇ હતી. જ્યારે 5થી 6 જેટલી ગાડીઓને નુકશાન થયું હતું. ફાયર વિભાગને બપોરે 1.26 કલાકે સોલામાં આવેલ મંગલમૂર્તિ પાસે આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે ઉનાળાની શરૂઆતમાં જ અમદાવાદ શહેરમાં તાપમાન 40 ડિગ્રીની ઉપર પહોંચ્યું છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:47 pm

હવે હોટેલ બૂક કરાવતી વખતે સાવધાન થઈ જજો:વડોદરાની મહિલા સાથે હોટલ બુકિંગના નામે સાયબર ઠગાઈ, 3,999 રૂપિયા ટ્રાન્સફર કર્યા, પણ સમયસરની સતર્કતા અને સાયબર નિષ્ણાતના માર્ગદર્શનથી 5 લાખ રૂપિયા બચી ગયા

ડિજિટલ યુગમાં પ્રવાસનું આયોજન સરળ બન્યું છે, પરંતુ તેની સાથે સાયબર ગુનેગારોની જાળ પણ વધુ મજબૂત બની છે. તાજેતરમાં વડોદરામાં રહેતા એક મહિલા સાથે હોટલ બુકિંગના નામે મોટી છેતરપિંડી થઈ છે. જોકે, મહિલાની સમયસૂચકતા અને સાયબર નિષ્ણાતના યોગ્ય માર્ગદર્શનને કારણે તેમના બેંક ખાતામાં રહેલા 5 લાખ રૂપિયાથી વધુની રકમ બચી ગઈ છે. મિત્રના રેફરન્સથી મળેલા નંબર પર વિશ્વાસ ભારે પડ્યો મૂળ વડોદરાના મહિલા પરિવાર સાથે શ્રીનાથદ્વારા (રાજસ્થાન) ખાતે દર્શન માટે જવાની યોજના બનાવી રહ્યા હતા. હોટલ બુકિંગ માટે તેમણે કોઈ અજાણી વેબસાઈટને બદલે એક કૌટુંબિક મિત્ર પાસેથી મળેલા સંપર્ક નંબર પર વિશ્વાસ મૂક્યો હતો. તેમણે વોટ્સએપ દ્વારા તે નંબર પર સંપર્ક સાધ્યો હતો, જ્યાં સામેની વ્યક્તિએ હોટલના અધિકૃત કર્મચારી તરીકે ઓળખ આપી રૂમની તસવીરો અને દર મોકલ્યા હતા. QR કોડ અને 'ઓટો-પે'ની જાળ બુકિંગ કન્ફર્મ કરવા માટે કથિત એજન્ટે બે અલગ-અલગ QR કોડ મોકલ્યા હતા. મહિલાએ કુલ ₹3,999 ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ ઠગે ટેકનિકલ કારણો આપીને ફરીથી 2,000 રૂપિયા ચૂકવવા દબાણ કર્યું હતું અને જૂની રકમ રિફંડ આપવાની લાલચ આપી હતી. આ તબક્કે શંકા જતા મહિલાએ વધુ પેમેન્ટ કરવાનો ઇનકાર કર્યો હતો. સાયબર નિષ્ણાતની એન્ટ્રી અને મોટું જોખમ ટળ્યું ઘટનાની ગંભીરતા સમજી તેમની બહેને સાયબર એક્સપર્ટ નીતિન શ્રીમાળીનો સંપર્ક કર્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી કે ઠગ દ્વારા તેમના ખાતામાં ઓટો પે મેન્ડેટ સેટ કરી દેવામાં આવ્યું હતું. જો આ પ્રક્રિયા સમયસર અટકાવવામાં ન આવી હોત, તો ખાતામાં રહેલા 5 લાખ રૂપિયા મિનિટોમાં સાફ થઈ ગયા હોત. હોટલનો સંપર્ક કરતા થયો પર્દાફાશ બાદમાં સાચી વેબસાઈટ પરથી નંબર મેળવી જ્યારે હોટલ મેનેજમેન્ટનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે હોટલનો ડેટા અથવા ફોન નંબર કોમ્પ્રોમાઇઝ થયો હોવાની શક્યતા છે, કારણ કે છેલ્લા કેટલાક દિવસોથી અન્ય પ્રવાસીઓ સાથે પણ આવા જ પ્રયાસો થયા હોવાની ફરિયાદો મળી હતી. સાયબર નિષ્ણાત નીતિન શ્રીમાળીએ જણાવ્યું હતું કે, હંમેશા 'ઝીરો ટ્રસ્ટ પોલિસી' અપનાવો. ઓળખીતા વ્યક્તિ દ્વારા અપાયેલા નંબર હોય તો પણ પેમેન્ટ કરતા પહેલા તેની સત્તાવાર ખરાઈ કરવી જરૂરી છે. QR કોડ સ્કેન કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તે પેમેન્ટ સ્વીકારવા માટે છે કે તમારા ખાતામાંથી રકમ કપાવા માટે. બચાવ માટે લેવાયેલા તાત્કાલિક પગલાં: બેંક એકાઉન્ટના તમામ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને UPI તાત્કાલિક બ્લોક કરાવ્યા. બેંકમાં રૂબરૂ જઈ AutoPay Mandate રદ કરાવ્યું.નેશનલ સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી. નાગરિકો માટે સુરક્ષા ટિપ્સ:સત્તાવાર પ્લેટફોર્મનો ઉપયોગ: હોટલ બુકિંગ હંમેશા વેરિફાઈડ વેબસાઈટ કે એપ પરથી જ કરો. QR કોડથી સાવધાન: અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા QR કોડ સ્કેન ન કરો.ઓટો-પે ચેક કરો: તમારા UPI એપમાં કોઈ અજાણ્યું Mandate કે AutoPay સેટ નથી થયું ને, તેની નિયમિત તપાસ કરો.ત્વરિત ફરિયાદ: છેતરપિંડીના કિસ્સામાં વિલંબ કર્યા વગર 1930 ડાયલ કરો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:43 pm

જલાલપોર પંચાયત બજેટ સભામાં રાજીનામા આપનાર સભ્ય હાજર:મીડિયાને જોતા જ સભ્ય સભા છોડી ગયા, પ્રમુખે કહ્યું- 'રાજીનામા મળ્યા નથી'

જલાલપોર તાલુકા પંચાયતમાં વર્ષ 2026-27નું અંદાજપત્ર રજૂ કરવા માટે ખાસ સભા મળી હતી. આ સભામાં ભાજપ સંગઠનમાં વરણી મુદ્દે નારાજ થઈને રાજીનામું આપનાર સભ્યો પૈકી ભીનાર બેઠકના સભ્ય ચેતના પટેલ હાજર રહેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. મીડિયાના પ્રશ્નોથી બચવા માટે તેઓ સભા છોડીને ચાલ્યા ગયા હતા. પંદર દિવસ અગાઉ જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત બાદ જલાલપોર વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યના નજીકના કાર્યકરની મહામંત્રી તરીકે પસંદગી ન થતા વિવાદ સર્જાયો હતો. આ નારાજગીમાં 50થી વધુ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા હતા, જેમાં તાલુકા પંચાયતના 6 સભ્યોનો પણ સમાવેશ થતો હતો. બજેટ સભામાં હાજર રહેલા ચેતના પટેલે મીડિયાના પ્રતિનિધિઓને જોતા જ ક્ષોભજનક સ્થિતિમાં મુકાયા હતા. મીડિયાએ તેમને રાજીનામું આપ્યા છતાં સભામાં હાજર રહેવા અંગે પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. તેઓ 'બીજા સભ્ય હેમલતાબેનને લઈને આવું છું' તેમ કહીને સભાખંડની બહાર નીકળી ગયા હતા અને પરત ફર્યા નહોતા. તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલે આ વિવાદ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, તેમને કોઈ પણ સભ્યનું રાજીનામું રૂબરૂ કે લેખિતમાં મળ્યું નથી. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી તેમના હાથમાં રાજીનામા ન આવે ત્યાં સુધી તેઓ કશું કહી શકે નહીં. પ્રમુખે ભારપૂર્વક કહ્યું કે તેમના માટે તમામ સભ્યો સમાન છે અને સભાની કાર્યવાહી નિયમ મુજબ જ ચાલી રહી છે. સભામાં વર્ષ 2025-26નું સુધારેલું અને 2026-27નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. અંદાજપત્ર મુજબ, ઉઘડતી સિલક ₹ 20,93,76,640, અંદાજિત આવક ₹ 69,57,10,500, અંદાજિત ખર્ચ ₹ 67,69,89,500 અને બંધ સિલક ₹ 22,80,97,640 દર્શાવવામાં આવી હતી. વિકાસના કામો અંગે વાત કરતા પ્રમુખે જણાવ્યું કે, મોટાભાગના કામો પૂર્ણ થયા છે. હોળીની રજાઓને કારણે મજૂરોની અછત હોવાથી અમુક કામોમાં વિલંબ થયો છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરી દેવામાં આવશે. વિપક્ષી સભ્યો દ્વારા ઉઠાવવામાં આવેલા પેન્ડિંગ કામોના મુદ્દે તેમણે ઉમેર્યું કે ચોક્કસ કયા કામો બાકી છે તેની વિગતવાર રજૂઆત કરવામાં આવશે તો તેનો નિકાલ લાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:39 pm

પાલડીમાં ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલમાં ભેદી ધડાકો:ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પણ ભારે નુકસાન, પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે

અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા પાલડી વિસ્તારમાં આજે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. અહીં આવેલી ફાલ્કન ટ્રાવેલ્સની ઓફિસમાં એક અજાણ્યા પાર્સલમાં અચાનક ભેદી ધડાકો થતા અફરાતફરી મચી ગઈ હતી. આ ધડાકો એટલો તીવ્ર હતો કે ઓફિસના બોર્ડ અને અન્ય ફર્નિચરને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પાર્સલ ક્યાંથી આવ્યું હતું અને તેની અંદર એવી કઈ વસ્તુ હતી જેના કારણે આ ધડાકો થયો, તે હાલ તપાસનો વિષય બન્યો છે. એફ.એસ.એલ. (FSL) ની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે જેથી પાર્સલમાં રહેલા વિસ્ફોટક કે કેમિકલના અંશો જાણી શકાય.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:23 pm

ટેન્કરની ટક્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીના મોત:ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગંભીર અકસ્માત

બનાસકાંઠાના પાંથાવાડા નજીક ગુંદરી હાઈવે પર આજે (11 માર્ચે ) બપોરે 2 વાગ્યાની આસપાસ ભયાનક અકસ્માત સર્જાયો હતો. ભેરૂનાથ હોટેલ પાસે ટેન્કરની ટક્કરે બાઈક સવાર બે વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત થયા છે. ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા ત્યારે બંન્ને વિદ્યાર્થીઓને અકસ્માત નડ્યો હતો. મૃતક વિદ્યાર્થીઓની ઓળખ સાતસણ ગામના લાલાભાઈ વિહાભાઈ ચૌધરી (ઉંમર 17 વર્ષ) અને ગુંદરી ગામના હરેશસિંહ શેરસિંહ રાજપૂત (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, પૂરપાટ ઝડપે આવી રહેલા ટેન્કરે બાઈક પર સવાર બંને વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. અકસ્માતના સમાચાર મળતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પાંથાવાડા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાંથાવાડા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ કરૂણ દુર્ઘટનાને પગલે બંને વિદ્યાર્થીઓના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સમગ્ર પંથકમાં પણ શોકનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે આ રોડ પર વારંવાર અકસ્માતો થાય છે અને અગાઉ પણ તેને 'અકસ્માત ઝોન' જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:22 pm

AAP છોડ્યા બાદ રાજુ કરપડા કિસાન સંકલ્પ યાત્રા યોજશે:19થી 24 માર્ચ સુધી યાત્રા અને સભા યોજવાનું આયોજન, ભૂતકાળમાં ન થઈ હોય એવી સભા કરવાનો દાવો કરાયો

AAPમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ કિસાન સંકલ્પ યાત્રાની જાહેરાત કરી છે. 19થી 24 માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કિસાન યાત્રા યોજવાનું આયોજન કર્યું છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી કે, રાજુ કરપડા AAP સાથે છેડો ફાડ્યા બાદ ભાજપમાં જોડાઈ શકે છે પરંતુ, અન્ય કોઈ પાર્ટી સાથે જોડાવાના બદલે રાજુ કરપડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડૂતોને સાથે લઈને ખેડૂતોના મુદ્દે મોરચો માંડવાની જાહેરાત કરી દીધી છે તેમજ અન્ય કોઈ પાર્ટી સાથે જોડાવવું કે પછી અલગ મોરચો ખોલવો તે બાબતે કિસાન યાત્રા બાદ નિર્ણય લેવાઈ શકે છે. બિન રાજકીય ખેડૂતોની યાત્રા અને સભા સૌરાષ્ટ્રમાં યોજવાનું આયોજનભૂતકાળમાં ન થઈ હોય એવી બિન રાજકીય ખેડૂતોની યાત્રા અને સભા સૌરાષ્ટ્રમાં યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જેટલી મોટી સભાઓ યોજવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં મોટા ફેરફાર થવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. તેમજ અન્ય પાર્ટી જોડાવું કે પછી ખેડૂતોનો અલગ મોરચો ખોલવો તે મુદ્દે પણ 24 પછી નિર્ણય કરવાની તૈયારી બતાવવામાં આવી છે. તેમજ આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાએ પાર્ટી અને તેના નેતાઓ પર તીખા પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટી છોડ્યા ખેડૂતો વચ્ચે દિવસ ઉભી કરવા માટે આમ આદમી પાર્ટીએ અને ગોપાલ ઇટાલીયાએ બદનામ કરવાનું ષડયંત્ર કર્યું હોવાનો પણ રાજુ કરપડાએ આક્ષેપ કર્યો છે. AAPએ 20 મિનિટમાં રાજુ કરપડાને ગદ્દાર ચીતરવા માટેના પોસ્ટર તૈયાર કર્યાનો આક્ષેપઆમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં રાજકારણમાં કેટલાક મહિનાથી ઘણા બધા ફેરફાર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેડૂતોના મુદ્દે રાજકીય પાર્ટીઓ મેદાને આવી છે. હું જે પાર્ટીમાં હતો ત્યાં મેં ખેડૂતો માટે કામ કર્યું, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે દોઢ મહિનો ત્યાં રોકાયો હતો. પરિવારથી દૂર વિસાવદરમાં રહીને પરસેવો પાડ્યો અને પરિણામ પણ મેળવ્યું હતું. આમ આદમી પાર્ટી છોડી પાંચ વર્ષ મહેનત કરી અને આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા પ્લેટ ફોર્મ દ્વારા 20 મિનિટમાં રાજુ કરપડાને ગદ્દાર ચીતરવા માટેના પોસ્ટર તૈયાર કરી અને વાઈરલ કરવામાં આવ્યા. આમ આદમી પાર્ટીએ આભાર માનવાના બદલે ખરાબ ચીતરવા માટે અને ખેડૂતોની વચ્ચે ખરાબ બતાવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રયાસ કર્યા હતા. મારા આખા પરિવારને બદનામ કરવાના પ્રયાસ કરવામાં આવ્યાગોપાલ ઇટાલીયા પર પ્રહાર કરતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, દુઃખ તો ત્યારે થયું કે જે ગોપાલ ઇટાલીયાને જીતાડવા માટે તનતોડ મહેનત કરી તે ગોપાલ ઇટાલીયા મીડિયા સામે 10 વર્ષ જુના કેસની ફરિયાદની કોપી લઈને આવ્યા હતા. માત્ર મારા પર જ નહીં પરંતુ, મારા આખા પરિવાર પર ગોપાલ ઇટાલીયા આક્ષેપ કર્યા હતા. મને બદનામ કરવાની સૌથી વધુ કોશિશ જો કોઈએ કરી હોય તો તે આમ આદમી પાર્ટીના એક બે નેતા અને પ્રદેશના કાર્યકર્તાઓ અને તેમજ પ્રદેશ સોશિયલ મીડિયાનું જે કામ સંભાળે છે તે લોકોએ કર્યું છે. ખેડૂતોનો મારા પ્રત્યે જે પ્રેમ હતો, તેની વચ્ચે દીવાલ ઊભી કરવા માટે ષડયંત્ર કરીને રાજુ કરપડા ડરીને ભાગી ગયા, તેમની 56ની છાતી નથી એવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવી તેનો ઉપયોગ કરી રહી છેઆમ આદમી પાર્ટીની યાત્રાનો ફિયાસ્કો થયો હોવાનું કહી રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, આપ આદમી પાર્ટી દ્વારા ખેડૂતો માટે સૌરાષ્ટ્રમાં યાત્રા કાઢવામાં આવી હતી. જે યાત્રાનો ફિયાસ્કો થયો છે તે જ બતાવે છે કે, ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે. આ બાદ મેં પાર્ટીમાં ખેડૂતોના નામે રાજનીતિ થઈ રહી છે અને ખેડૂતોના નામે રાજનીતિ રોટલા શેકાઈ રહ્યા છે. મારા ખેડૂતોના નામે જો કોઈ રાજનીતિ કરી રહ્યા હોય તો તેની સચ્ચાઈ લોકો વચ્ચે લઈ જવી જરૂરી છે. જે આમ આદમી પાર્ટી ખેડૂતોનું દેવું માફ કરવાની વાત કરી રહી છે તે જ પાર્ટી પંજાબમાં કેમ દેવું માફ કરી શકતી નથી? દેશમાં સૌથી વધુ જો ખેડૂતો પર દેવું હોય તો તે પંજાબમાં છે. આમ આદમી પાર્ટીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા-જુદા છે. પંજાબમાં MSP પર 13 મહિનાથી ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા. તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોને હાથો બનાવી તેમનો ઉપયોગ કરી રહી છે. સૌરાષ્ટ્રમાં આવનાર દિવસોમાં ખેડૂતો સંગઠિત જોવા મળશેઆગામી યાત્રાને લઈને રાજુ કરપડાએ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, જેથી આગામી 19 તારીખથી 24 તારીખ સુધી કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે તુલસી શ્યામથી સાવરકુંડલા, અમરેલી, બગસરા, ધારી, વિસાવદર, માળીયા, હાટીના, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે યાત્રાનું સમાપન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન ખેડૂતોના પડતર પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવી શકાય ? આગામી કોઈ પાર્ટી સાથે જોડાવવું કે, ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરી અલગ મોરચો ખોલવો તે તમામ બાબત પર ચર્ચા કરવામાં આવશે અને મહત્વના નિર્ણય પણ લેવામાં આવશે. ગુજરાતના ઇતિહાસમાં ક્યારે પણ ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય તેવી રીતે સૌરાષ્ટ્રમાં આવનાર દિવસોમાં ખેડૂતો સંગઠિત જોવા મળશે. ખેડૂતોની ભૂતકાળમાં ન જોવા મળી હોય એવી મોટી સભા જોવા મળશેવધુમાં રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, અમારી પાસે કોઈપણ પ્રકારનું કાળું નાળું નથી, અન્ય રાજ્યમાંથી અમારી પાસે પૈસા પણ આવતા નથી. જેથી ખેડૂતો અને સામાજિક આગેવાનોએ આગળ આવવું જોઈએ. જ્યાં સભા અને યાત્રા આવે છે ત્યાં ખેડૂતો નાનું મોટું યોગદાન આપીને સ્વખર્ચે વ્યવસ્થા કરે તેવી અમે વિનંતી કરીએ છીએ. ખેડૂતોનું મજબૂર સંગઠન બનાવીને આગામી સમયમાં ફરી સામે આવીશું. જે લોકોની કથળી અને કરણીમાં તફાવત છે તે લોકોને ખુલ્લા પાડીશું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રમાં ખૂબ મોટી ઉથલ પાથલ જોવા મળશે. બિન રાજકીય રીતે કોઈ ખેડૂતોની ભૂતકાળમાં ન જોવા મળી હોય તેવી મોટી સભા જોવા મળશે. તમામ જિલ્લા અને તાલુકામાં 5- 5 જેટલી ટીમ બનાવવામાં આવી છે. ખેડૂતોનું સંગઠન મજબૂત બનાવવા માટે આ યાત્રા યોજવામાં આવશે. 11 જેટલી ખેડૂતોની મોટી સભા યોજવામાં આવશે, તેમજ અલગ અલગ મિટિંગ પણ કરવામાં આવશે. રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતોએ લખ્યું છે, આવનાર સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:22 pm

કોંગ્રેસમાં જેને ઉમેદવારી નોંધાવવી હશે તે QR કોડથી જોડાઈ શકશે:બિમલ શાહે કહ્યું, સત્તાધીશોએ વડોદરાને ખાડોદરા બનાવ્યું, વડોદરા મનપા ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તનનો શંખનાદ

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં યોજાશે ત્યારે કોંગ્રેસ દ્વારા પોતાની ટીમ મોટી કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા ક્યુઆર કોડ થકી જે લોકો ઉમેદવારી નોંધાવવા ઇચ્છતા હોય તેઓને આમંત્રિત કરવા આવ્યા છે. આ અંગેની માહિતી આપવા માટે વડોદરા ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. વડોદરાના પ્રભારી અને પૂર્વ મંત્રી બિમલ શાહ અને અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નીરવ બક્ષી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી. જેમાં શહેર પ્રમુખ ઋત્વિજ જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પૂર્વ વિપક્ષી નેતા અમી રાવત, નરેન્દ્ર રાવત, પુષ્પા વાઘેલા, જહાં ભરવાડ, હરીશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રબુધ્ધ નાગરિકોને જોડાવા કોંગ્રેસ દ્વારા અપીલ કરાઈવડોદરાના પ્રભારી બિમલ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે જીતવાની નેમ સાથે મેદાનમાં ઉતરશે. હાલ સુધી અનેક મિટિંગ કરવામાં આવી છે. ઉમેદવારોની પસંદગી માટે દરેક વોર્ડમાં અને મધ્યસ્થ કાર્યાલયમાં ઉમેદવારી પત્ર ભરવા માટે ક્યુઆર કોડ થકી પ્રબુધ્ધ નાગરિકો જોડાઈ શકે છે. 'સત્તાધીશોએ વડોદરાને ખાડોદરા બનાવ્યું'બિમલ શાહે આક્ષેપ કર્યો હતો કે, વડોદરામાં દેખાતો ભ્રષ્ટાચાર છે, સત્તાધીશોએ વડોદરાને ખાડોદરા બનાવ્યું છે. પ્રબુધ્ધ નાગરિકો ત્રસ્ત છે. જેથી દરેક ક્ષેત્રના લોકોને આમંત્રિત કરીએ છે અને ભ્રષ્ટાચાર મુક્ત વડોદરા કરવા ઇચ્છીએ છે. તેઓએ અપીલ કરી હતી કે, પ્રાથમિક સુવિધાઓમાં પડતી મુશ્કેલીઓમાંથી વડોદરાને ઉગારીએ, પ્રબુધ્ધ નાગરિકોને કોંગ્રેસમાં ઉમેદવારી કરવા માટે આમંત્રિત કરીએ છે, સાચા અર્થમાં ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન બનાવીએ. '3 દિવસ દરેક વોર્ડમાં ઉમેદવારોને વોર્ડ વાર સાંભળીશું'બિમલ શાહે જણાવ્યું હતું કે, આગામી તા. 13, 14, 15ના રોજ ત્રણ દિવસ દરેક ઉમેદવારોને વોર્ડ વાર સાંભળવાની પ્રક્રિયા કરીશું. દરેક વોર્ડમાંથી અમારી પાસે ઉમેદવારોના નામ આવ્યા છે. કોંગ્રેસમાં સ્પર્ધા છે. 'હાલ સુધી 250 જેટલા નામ આવ્યા'કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે, હાલ સુધીમાં તેઓ પાસે વડોદરાના 19 વોર્ડ માટે 250 જેટલા ઉમેદવારો આવ્યા છે. ટીમ વડોદરામાં ક્યાંય મનભેદ નથી, મતભેદ નથી, કૃત્રિમ રીતે ઊભો કરેલો મતભેદ હશે. 'મારો એ સારો નહીં પણ સારો એ મારો ઉમેદવાર હશે'પ્રભારીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં દરેક લોકો પક્ષને જીતાડવા માથે છે. કાર્યકરોમાં મારો એ સારો નહીં પણ સારો એ મારો ઉમેદવાર હશે તેવી ભાવના લાવવી પડશે. કેટલાક સારા લોકો પાર્ટીમાં જોડાવા માગતા હશે. અને ચૂંટણી લડવા માગતા હશે. અને જરૂર પડે તો અમે ચૂંટણી લડાવીશું. પક્ષમાં કોઈ આંતરિક વિખવાદ નથી તેમ તેઓએ ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:10 pm

અમીરગઢ બોર્ડર પર દારૂની હેરાફેરી ઝડપાઈ:ટ્રકમાં ચોરખાનું બનાવી રાજસ્થાનથી ગુજરાત લવાતો 6.25 લાખનો દારૂ ઝડપાયો

અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે દારૂની મોટી હેરાફેરી ઝડપી પાડી છે. એક ટાટા ટ્રકના ચોરખાનામાંથી 6.25 લાખ રૂપિયાથી વધુનો વિદેશી દારૂનો જથ્થો પકડાયો હતો. પોલીસે કુલ 18.44 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બનાસકાંઠા પોલીસે ટાટા ટ્રક નંબર GJ-11-X-8651 માંથી 1740 બોટલ/ટીન વિદેશી દારૂ જપ્ત કર્યો હતો, જેની કિંમત 6,25,921 રૂપિયા આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત, ટ્રક સહિત કુલ 18,44,154 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ દારૂના વેચાણ અને હેરાફેરીને નાબૂદ કરવા સૂચનાઓ આપી હતી. આ સૂચનાના આધારે દાંતા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.બી. બારડના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. ગોહિલને સચોટ બાતમી મળી હતી કે ટાટા ટ્રક નંબર GJ-11-X-8651 માં ગ્રેનાઈટ પથ્થરોની આડમાં ડ્રાઈવર કેબિન પાછળ ગુપ્ત ખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ રાજસ્થાનથી પાલનપુર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે, ટ્રક રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા જ અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર તેને રોકવામાં આવી. પોલીસે ટ્રકના ડ્રાઈવર લાદુરામ સ/ઓ ગંગારામ બિશ્નોઈ (રહે. ચિત્તલવાના, તા. ચિત્તલવાના, જિ. જાલોર, રાજસ્થાન) ને પકડી પાડ્યો છે. આરોપી અને દારૂનો જથ્થો ભરેલો ટ્રક આપનાર સહ-આરોપી વિરુદ્ધ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:04 pm

9 વર્ષની આરૂષીએ બીમારી હરાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો:4 વર્ષની ઉંમરે ગિલાન-બારે-સિન્ડ્રોમથી સંવેદના ગુમાવી, 30 સેકન્ડમાં નવરસ અભિવ્યક્ત કર્યા

જામનગરની 9 વર્ષીય આરૂષી પ્રેરણારૂપ બની છે. તેણે ગંભીર બીમારીને હરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. પીએમશ્રી કેન્દ્રીય વિદ્યાલય INS વાલસુરામાં અભ્યાસ કરતી આરૂષીએ ભરતનાટ્યમમાં આ સિદ્ધિ મેળવી છે. ચાર વર્ષની ઉંમરે આરૂષીને ગિલાન-બારે-સિન્ડ્રોમ નામની ગંભીર બીમારી થઈ હતી. આ બીમારીને કારણે તેના શરીરના અમુક ભાગોમાં સંવેદના જતી રહી હતી અને તેને બેસવા કે ઊભા રહેવામાં પણ મુશ્કેલી પડતી હતી. હોસ્પિટલમાં લાંબી સારવાર, દવાઓ, ફિઝિયોથેરાપી અને પરિવારના સહયોગથી તે ધીમે ધીમે સ્વસ્થ થઈ. સ્વસ્થ થયા બાદ તેના માતા-પિતાએ આરૂષીની પ્રતિભા પારખી અને તેને ભરતનાટ્યમ શીખવવાનું શરૂ કરાવ્યું. તેણે વર્ષ 2021માં નૃત્યની તાલીમ શરૂ કરી. શારીરિક મુશ્કેલીઓ છતાં, આત્મવિશ્વાસ અને મહેનતથી તેણે ઝડપથી પ્રગતિ કરી. શાળા અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને તેણે અનેક મેડલ, પ્રમાણપત્રો અને પુરસ્કારો જીત્યા.આરૂષી માત્ર નૃત્યમાં જ નહીં, પરંતુ અન્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય છે. તેણે ગુજરાત કલા મહાકુંભ જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈને પોતાની કલાનો પરિચય આપ્યો છે. ગોલ્ડન કટાર આર્મી પ્રી-પ્રાઇમરી સ્કૂલમાં પણ તેણે અનેક મેડલ, પુરસ્કારો અને શિલ્ડ મેળવ્યા છે. તેના શિક્ષકો અને પરિવારજનોએ હંમેશા તેને પ્રોત્સાહન આપ્યું છે. આરૂષીની સૌથી મોટી સિદ્ધિ 12 નવેમ્બર, 2025ના રોજ આવી, જ્યારે તેણે વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયામાં નવો કિર્તીમાન સ્થાપિત કર્યો. તેણે માત્ર 30 સેકન્ડમાં ભરતનાટ્યમના નવરસ – શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત – ના વિવિધ ભાવો અભિવ્યક્ત કરીને અનોખો રેકોર્ડ બનાવ્યો. આ સિદ્ધિએ તેના પરિવાર, શિક્ષકો અને સમાજને ગૌરવ અપાવ્યું. 9 વર્ષની આરૂષીની આ સફર દર્શાવે છે કે દ્રઢ સંકલ્પ, મહેનત અને આત્મવિશ્વાસથી કોઈપણ મુશ્કેલીને પાર કરી શકાય છે. આરૂષી જેવી પ્રતિભાઓ સમાજ માટે પ્રેરણાનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે અને જામનગર માટે ગર્વની વાત છે.ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહિલા દિવસની ઉજવણી નિમિત્તે કલેક્ટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલા સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં આરૂષીએ પોતાની નૃત્યકળાથી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ભરતનાટ્યમ એ તમિલનાડુમાં ઉદ્ભવેલી ભારતની સૌથી પ્રાચીન અને મુખ્ય શાસ્ત્રીય નૃત્ય શૈલી છે. ‘ભરત’ શબ્દ નાટ્યશાસ્ત્રના રચયિતા ભરતમુનિનો નિર્દેશ કરવા ઉપરાંત તેમાં યોજાયેલા ત્રણ અક્ષરો ‘ભ’, ‘ર’ અને ‘ત’ નૃત્યનાં ત્રણ મૂળભૂત તત્ત્વો જેવા કે ભાવ, રાગ અને તાલના મહત્વને સમજાવે છે. જે હસ્તમુદ્રાઓ, અભિનય અને ચોક્કસ પગલાંઓ દ્વારા આધ્યાત્મિક કથાઓ રજૂ કરે છે. પ્રાચીન મંદિરના શિલ્પોમાંથી પ્રેરિત આ નૃત્યમાં શારીરિક અને માનસિક શક્તિનું સુંદર પ્રદર્શન જોવા મળે છે. ભરતનાટ્યમમાં નવરસ (નવ લાગણીઓ) એ કલાકારના ચહેરાના હાવભાવ અને અભિનય દ્વારા દર્શાવવામાં આવતી મુખ્ય ભાવનાઓ છે. તે મુખ્યત્વે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંત રસોનો સમાવેશ કરે છે, જે પદમ્ અને જાવળી જેવી કૃતિઓમાં વ્યક્ત થાય છે. શૃંગાર : પ્રેમ અને સૌંદર્યનો ભાવ.હાસ્ય : આનંદ અને રમૂજનો ભાવ.કરુણ : દુઃખ કે કરુણાનો ભાવ.રૌદ્ર : ક્રોધનો ભાવ.વીર : વીરતા અને સાહસનો ભાવ.ભયાનક : ડરનો ભાવ.બીભત્સ : ઘૃણાનો ભાવ.અદભૂત : આશ્ચર્યનો ભાવ.શાંત : શાંતિ અને સ્થિરતાનો ભાવ.આ નવરસો દ્વારા નૃત્યકાર કલાના માધ્યમથી વિવિધ માનવીય સંવેદનાઓનું મનોહર નિરૂપણ કરે છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:03 pm

સુત્રાપાડા નજીક ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી ઝડપાઈ:લાકડાના જથ્થા સાથે બોલેરો જપ્ત, આરોપી સામે વન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો

સુત્રાપાડા રાઉન્ડ હેઠળના પ્રાચી બીટ વિસ્તારમાં વન વિભાગે ગેરકાયદે બાવળના લાકડાની હેરાફેરી ઝડપી પાડી છે. મોરસા ગામ નજીકથી એક બોલેરો વાહનમાંથી ગેરકાયદેસર લાકડાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ડીસીએફ અક્ષય જોશીની સૂચના અને વેરાવળ રેન્જના ઇન્ચાર્જ આરએફઓ ધવલ વઘાસીયાના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા રાઉન્ડની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પ્રાચી બીટના ગાર્ડને મોરસા ગામ નજીક રસ્તા પર એક શંકાસ્પદ બોલેરો વાહન જોવા મળ્યું. વાહનની તપાસ કરતા તેમાં બાવળના લાકડાનો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું. આ લાકડાની હેરાફેરી માટે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી તેને ગેરકાયદેસર ગણી કાર્યવાહી કરવામાં આવી. વન વિભાગે વાહન સાથે લાકડાનો જથ્થો જપ્ત કરી બોલેરોને સુત્રાપાડા રાઉન્ડ ઓફિસે લાવ્યું છે. પ્રાથમિક તપાસમાં ચાવડા મોઇન મહમદહુસેન દ્વારા આ ગુનો કરાયેલ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ભારતીય વન અધિનિયમ હેઠળ હેરાફેરીનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે. વન વિભાગ દ્વારા ગેરકાયદે લાકડાની કટાઈ અને હેરાફેરી સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 3:02 pm

બોટાદમાં યુવક કોંગ્રેસનો મોંઘવારી મુદ્દે ચક્કાજામ:ગેસ-તેલના ભાવવધારાનો ગેસ સિલિન્ડર, ખાલી ડબ્બા, શાકભાજીના હાર પહેરી વિરોધ; ચક્કાજામ કરતાં પોલીસે અટકાયત કરી

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારાના વિરોધમાં બોટાદમાં યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગેસ અને ખાદ્ય તેલના ભાવમાં થયેલા ધરખમ વધારાને પગલે કાર્યકરોએ શહેરના મુખ્ય માર્ગો પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો. યુવક કોંગ્રેસના કાર્યકરો ગેસના ખાલી સિલિન્ડર અને તેલના ખાલી ડબ્બા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી મોંઘવારી પર નિયંત્રણ લાવવાની માંગ કરી હતી. કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો કે વધતી જતી મોંઘવારીને કારણે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગની કમર તૂટી ગઈ છે. દિનદયાળ ચોકમાં ચક્કાજામશહેરના ટાવર રોડ પર આવેલા દિનદયાળ ચોક ખાતે કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર બેસી જતાં વાહનવ્યવહારના પૈડાં થંભી ગયા હતા. ચક્કાજામના કારણે મુખ્ય માર્ગ પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ અંગેની માહિતી આપતા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સુરેશ પરમારે જણાવ્યું હતું કે, તમામ આવશ્યક ચીજવસ્તુઓના ભાવ બેફામ વધ્યા છે, જેનાથી સામાન્ય માણસ પર આર્થિક બોજ વધ્યો છે. પોલીસની કાર્યવાહી અને અટકાયતઘટનાની જાણ થતાં જ બોટાદ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. રસ્તા પર બેઠેલા કાર્યકરોને હટાવવા માટે પોલીસે બળપ્રયોગ કરવો પડ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી અને પોલીસ વાન દ્વારા તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. મુખ્ય માંગણીઓ: રાંધણ ગેસ અને તેલના ભાવમાં તાત્કાલિક ઘટાડો કરવામાં આવે. સામાન્ય જનતાને હાલાકી પહોંચાડતી મોંઘવારી પર અંકુશ મૂકવામાં આવે. આવશ્યક ચીજવસ્તુઓના ભાવવધારાને નિયંત્રિત કરવા નક્કર પગલાં લેવામાં આવે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:58 pm

સાબરકાંઠામાં 6.11 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:બે અલગ સ્થળેથી 180 બોટલ જપ્ત, ત્રણ ઝડપાયા

સાબરકાંઠા જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ દરોડા પાડી કુલ ₹6,11,970નો 180 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચાર સામે ગુનો નોંધવામાં આવ્યો છે. વિજયનગર પોલીસે વણજ પાસેથી એક મારુતિ એસક્રોસ કાર (રજી.નં. GJ.02.CG.3976)માંથી ₹2,66,760ની કિંમતની 84 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડી હતી. કાર ચાલક બગદારામ ચેનારામ ગોગળ (રબારી)ની ધરપકડ કરવામાં આવી હતી. આ દારૂ કારમાં બનાવેલા ગુપ્ત ખાનાઓમાં સંતાડવામાં આવ્યો હતો. વિજયનગર પોલીસ સ્ટેશનના PI એ.બી. ચૌધરીએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે વણજ ખાતે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે કાર રોકી તપાસ કરતા પાછળની સીટ નીચે, ડેશબોર્ડ, બોનેટ અને બ્રેક લાઇટના ભાગે બનાવેલા ગુપ્ત ખાનાઓમાંથી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર, અને મોબાઇલ સહિત કુલ ₹7,91,760નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં મનદીપસિંઘ નામનો એક આરોપી ફરાર છે. બીજી ઘટનામાં, હિંમતનગર એ ડિવિઝન પોલીસે મોતીપુરા વિસ્તારમાંથી રાજસ્થાનથી અમદાવાદ જતી એક લક્ઝરી બસમાંથી ₹3,45,210ની કિંમતની 96 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે બસ ચાલક નાનુરામ નાનજી નનોમા (મીણા) અને પ્રતાપસિંહ રણજીતસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. હિંમતનગર એ ડિવિઝન PI પી.એમ. ચૌધરીના જણાવ્યા અનુસાર, બાતમી મળી હતી કે રાજસ્થાનથી શામળાજી થઈને અમદાવાદ જતી લક્ઝરી બસમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. મોતીપુરા ખાતે બસને રોકી તપાસ કરતા બસની વચ્ચેની સીટના નીચેના ભાગે બનાવેલા ગુપ્ત ખાનામાંથી પ્લાસ્ટિકની થેલીઓમાં છુપાવેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, બે મોબાઇલ અને લક્ઝરી બસ સહિત કુલ ₹13,58,120નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બંને કેસમાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:51 pm

વોર્ડ-13માં મહિલાઓનો રણચંડી અવતાર:રાજકોટમાં પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓનો ગોવર્ધન ચોક પાસે ચક્કાજામ, કોર્પોરેટરો સામે ઠાલવ્યો ઉગ્ર રોષ, રોડ-રસ્તા પાણીની સુવિધા આપવા માંગ

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો પ્રશ્ન વિકટ બન્યો છે. ખાસ કરીને રોડ-રસ્તા, પાણી અને સફાઈ જેવી પાયાની જરૂરિયાતોથી વંચિત રહી ગયેલા સ્થાનિકોનો આક્રોશ હવે રસ્તા પર જોવા મળી રહ્યો છે. આગામી સમયમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે જનતામાં શાસક પક્ષ પ્રત્યે ભારે નારાજગી ફેલાઈ છે. આ નારાજગીના ભાગરૂપે આજે મોટી સંખ્યામાં મહિલાઓએ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ગોવર્ધન ચોક પાસે ભેગા થઈને ચક્કાજામ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. રોડ-રસ્તા અને પાણીની સમસ્યાથી સ્થાનિકો બેહાલસ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે, ત્યારથી આ વિસ્તારમાં રોડ-રસ્તાના કામો થયા નથી. એક સ્થાનિક મહિલાએ રડમસ અવાજે જણાવ્યું હતું કે, અમારા ઘરમાં 6 સભ્યો છે, પરંતુ પાણી પૂરતું મળતું નથી. નળમાં પાણી આવતું નથી, લાઈનો તૂટી ગઈ છે અને કોઈ રિપેર કરવા આવતું નથી. સફાઈ કામદારો કે કચરાવાળા પણ નિયમિત આવતા નથી. મચ્છોમાના મંદિર પાસે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે ત્યાંથી પસાર થવું મુશ્કેલ છે. મહિલાઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જ્યારે ચૂંટણી આવે છે ત્યારે નેતાઓ રિક્ષાઓ ભરી ભરીને મત માંગવા આવે છે, જમણવારના પ્રોગ્રામો રાખે છે અને મોટા-મોટા વાયદાઓ કરે છે કે તમારા રસ્તા પાસ થઈ જશે. પરંતુ જીત્યા પછી કોઈ નેતા ડોકાવા પણ આવતા નથી. અમે અનેક વખત રજૂઆતો કરી છે પણ પરિણામ શૂન્ય છે. 25 વર્ષથી વિસ્તાર વિકાસથી વંચિત હોવાનો આક્ષેપવિરોધ પ્રદર્શનમાં જોડાયેલા સ્થાનિક નાગરિક પ્રતિનિધિ મનોજભાઈ અમરેલીયાએ તંત્ર અને સ્થાનિક કોર્પોરેટરો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13 માં છેલ્લા 20 થી 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં એક પણ વખત નવા રોડ બનાવવામાં આવ્યા નથી. જ્યારે અમે અધિકારીઓને રજૂઆત કરીએ છીએ, ત્યારે તેઓ કહે છે કે કોર્પોરેટરને કહો, અને જ્યારે કોર્પોરેટરો પાસે જઈએ છીએ ત્યારે તેઓ ગ્રાન્ટ નથી આવી તેવું બહાનું કાઢે છે. છેલ્લા 25 વર્ષમાં ગ્રાન્ટ ક્યાં ગઈ તે એક મોટો પ્રશ્ન છે. કોર્પોરેટરો સામે ફાટી નીકળ્યો રોષસ્થાનિક કોર્પોરેટર નિતીન રામાણી સહિતના અન્ય ત્રણ પ્રતિનિધિઓ સામે પણ જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ વિસ્તારના વિકાસમાં કોઈ રસ નથી. આખા રાજકોટમાં રોડ બને છે તો આ જ વિસ્તારમાં કેમ અન્યાય કરવામાં આવે છે? પ્રાથમિક સુવિધાઓ જેવી કે ગટર, પાણી અને સીસી રોડના અભાવે લોકો નર્ક જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકીઆજનું આ ચક્કાજામ પ્રદર્શન તો માત્ર એક શરૂઆત છે તેવી ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી છે. મનોજભાઈએ જણાવ્યું હતું કે, આ તો અમારું પહેલું પગલું છે. જો આગામી દિવસોમાં રોડ-રસ્તા અને પાણીના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે, તો અમે ગોંડલ ચોકડી જેવા વ્યસ્ત વિસ્તારમાં પણ ચક્કાજામ કરીશું અને ઉગ્ર આંદોલન કરીશું. ચક્કાજામને કારણે 150 ફૂટ રિંગ રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જોકે, મહિલાઓએ મક્કમતાપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં સુધી અમને નક્કર ખાતરી નહીં મળે ત્યાં સુધી અમે પીછેહઠ કરીશું નહીં. હવે જોવાનું એ રહેશે કે મહાનગરપાલિકા આ લોકોની રજૂઆત સાંભળીને કામ શરૂ કરે છે કે પછી ચૂંટણી સુધી લોકોએ આમ જ રઝળવું પડશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:38 pm

પ્રેમિકાએ સંબંધ કાપી નખતા પ્રેમીએ બ્લેકમેઈલીંગ શરૂ કર્યું:અંગત પળોના ફોટો-વીડિયો વાઈરલ કરવાની ધમકી આપતા યુવતીએ અભયમની મદદ માગી

મહેસાણાના ઔદ્યોગિક પંથકમાં રોજગાર માટે આવેલી એક યુવતી માટે પ્રેમસંબંધ જીવનું જોખમ બની ગયો હતો.ચાર વર્ષના લાંબા સંબંધો બાદ પ્રેમીના ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટળેલી યુવતીની વહારે 181 અભયમ મહિલા હેલ્પલાઈન આવતા એક મોટી આફ્ત ટળી હતી.22 વર્ષીય યુવતી મહેસાણાની એક ખાનગી કંપનીમાં નોકરી અર્થે આવી હતી. અહીં તેની સાથે કામ કરતા એક અપરિણીત યુવક સાથે તેની આંખ મળી ગઈ હતી. ધીરે ધીરે આ મૈત્રી પ્રેમમાં પરિણમી હતી. સતત ચાર વર્ષ સુધી બધું બરાબર ચાલ્યા બાદ પ્રેમીના વર્તનમાં અચાનક બદલાવ આવ્યો હતો. પોતાની મરજી મુજબ રહેવા પ્રેમી ફરજ પાડતો હતોપ્રેમી યુવક તેની મરજી વિરુદ્ધ સાથે રહેવા દબાણ કરતો હતો અને જો યુવતી ના પાડે તો તેમની અંગત પળોના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપતો હતો. ગભરાઈ ગયેલી યુવતીએ હિંમત ભેગી કરી 181 હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. જેથી અભયમની ટીમ તુરંત સ્થળ પર પહોંચી બંને પક્ષોનું કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું.કાઉન્સેલિંગ દરમિયાન પ્રેમીએ ચોંકાવનારો આક્ષેપ કર્યો હતો કે પોતે યુવતીને સાચો પ્રેમ કરતો હતો પરંતુ પ્રેમિકાએ તેને દગો આપી બીજા સહકર્મી સાથે સંબંધ કેળવ્યા હતા.યુવતીએ પણ કબૂલ્યું હતું કે પ્રેમીના સતત માનસિક ત્રાસથી બચવા તે અન્ય યુવકના સંપર્કમાં આવી હતી. અભયમની ટીમે માત્ર વિવાદ ઉકેલ્યો જ નહીં પણ યુવતીની પ્રાઈવસીનું રક્ષણ કરી યુવકને કાયદાકીય પરિણામોની કડક શબ્દોમાં સમજ આપી હતી. યુવકના મોબાઈલમાંથી ફોટો-વીડિયો નાશ કરાવ્યાયુવતી કોઈપણ ભોગે આ ત્રાસમાંથી છૂટવા માંગતી હતી. જેથી મામલાની ગંભીરતા જોઈ અભયમના કાઉન્સિલરે યુવકને કાયદાના પાઠ ભણાવ્યા હતા અને તેના મોબાઈલમાંથી તમામ વાંધાજનક ફોટા તેમજ વીડિયો સ્થળ પર જ ડિલીટ કરાવ્યા હતા. યુવક પાસે હવે પછી ક્યારેય યુવતીને પરેશાન નહીં કરવાની બાંહેધરી લેવામાં આવી હતી. યોગ્ય માર્ગદર્શન અને કાયદાકીય સમજ બાદ બંને પક્ષો શાંત પડ્યા હતા અને યુવતીએ હાશકારો અનુભવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:37 pm

પાંડેસરામાં ધોળા દિવસે એક વેપારીનું અપહરણ:પ્લાસ્ટિકના દાણાનો વ્યવસાય કરતા પ્રશાંત સરવૈયાને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો ઉઠાવી ગયા

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ધોળા દિવસે એક વેપારીનું અપહરણ થવાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. પાંડેસરા જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના દાણાનો વ્યવસાય કરતા પ્રશાંત સરવૈયા નામના વેપારીને ત્રણથી ચાર અજાણ્યા શખ્સો દ્વારા ઉઠાવી જવામાં આવ્યા હોવાની વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. આ ગંભીર મામલાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને હાલ સીસીટીવી ફૂટેજના આધારે અપહરણકર્તાઓનું પગેરું મેળવવાના સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:27 pm

સુરતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ:અફરાતફરીનો માહોલ, 30થી વધુ વિસ્ફોટ થયાની પ્રાથમિક જાણકારી

સુરતના સચિન હોજીવાલા કમ્પાઉન્ડમાં ભીષણ આગ સુરતની નામાંકિત કેમિકલ કંપનીમાં આગ આગ લાગતા અફરાતફરીનો માહોલ સુરત ફાયરવિભાગની જાણકારી આપવામાં આવી કેમિકલ કંપનીમાં એક બાદ એક વિસ્ફોટ 30થી વધુ વિસ્ફોટ થયા હોવાનું પ્રાથમિક જાણકારી ફાયર વિભાગે પાણીનો મારો ચાલુ રાખ્યો કોઈ જાનહાનિ નહીં

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:24 pm

હિંમતનગરમાં ઘરફોડ ચોરીનો આરોપી ઝડપાયો:અમરાઈવાડી પોલીસના ગુનામાં બે વર્ષથી ફરાર હતો

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં A ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને હિંમતનગરના મોતીપુરા બસ સ્ટેન્ડ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ આરોપીનું નામ પ્રકાશ જેસાજી ભીલ (ઉંમર ૧૯, રહે. બસ સ્ટેન્ડ સામે, ભીલવાસ, હિંમતનગર) છે. તે અમદાવાદ શહેરના અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનના PI પી.એમ. ચૌધરીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, સર્વેલન્સ સ્કવોડના વિપુલસિંહ અને ગજેન્દ્રસિંહને સંયુક્ત બાતમી મળી હતી. આ બાતમીના આધારે આરોપી મોતીપુરા બસ સ્ટેશન પાસે હોવાની માહિતી મળતા પોલીસે કાર્યવાહી કરી. બાતમીના આધારે સર્વેલન્સ સ્ક્વોડના જવાનો મોતીપુરા બસ સ્ટેશન પાસે પહોંચ્યા અને આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:23 pm

હું 8 પાસ નથી, BA.LLB ભણેલો છું: ઈટાલિયા:સંઘવીએ કહ્યું, ચોપડી ઓછી વાંચી હોય, પણ જૂતું ફેંકવાનું શીખ્યા નથી; વિધાનસભામાં ઇટાલિયાના પોઇન્ટ ઓફ ઓર્ડરથી ગરમાયું ગૃહ

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ બાદ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવતા ગૃહમાં ભારે દલીલો અને રાજકીય ટીકા-ટિપ્પણીઓ જોવા મળી હતી. ઇટાલિયાએ પ્રશ્નોત્તરી કાળમાં મંત્રીઓ લાંબા જવાબ આપતા હોવાનો અને સભ્યો દ્વારા અભિનંદન તથા રાજકીય ટિપ્પણીઓ થતા સમય બગડતો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે એક કલાકના પ્રશ્નકાળમાં અગાઉ વધુ પ્રશ્નોની ચર્ચા થતી હતી, જ્યારે હવે ખૂબ ઓછા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, જેથી પ્રશ્નકાળની અસરકારકતા ઘટી રહી છે. 'હું 8 પાસ નથી, હું BA.LLB ભણેલો છું'આ દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં નિવેદન આપતા કહ્યું હતું કે, હું 8 પાસ નથી, હું BA.LLB ભણેલો છું એટલે મારી જાતને હોશિયાર સમજું છું, પરંતુ હું કોઈને ખોટા બતાવીને પોતાને મોટો બનાવવા માંગતો નથી. તેમના આ નિવેદન બાદ ગૃહમાં ચર્ચા વધુ ગરમાઈ હતી. 'ચોપડી ઓછી વાંચી હોય, પણ જૂતું ફેંકવાનું શીખવવામાં આવ્યું નથી'આ ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટિપ્પણી કરતા જણાવ્યું કે, કોઈ સભ્યે કદાચ ચોપડીઓ ઓછી વાંચી હોય, પરંતુ અહીં કોઈને જૂતું ફેંકવાનું શીખવવામાં આવતું નથી. તેમના આ નિવેદનથી ગૃહમાં રાજકીય ચર્ચા વધુ ઉગ્ર બની હતી. 'સભ્યોના મુદ્દાઓ પૂરતા પ્રમાણમાં ચર્ચાઈ શકતા નથી'કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે ઇટાલિયાના મુદ્દે નિવેદન આપતા જણાવ્યું કે, ધારાસભ્યોને મીડિયા સમક્ષ બાઈટ આપવાનો અધિકાર છે. તેમણે દાવો કર્યો કે એક કલાકની પ્રશ્નોત્તરી દરમિયાન બહુ ઓછા પ્રશ્નો લેવામાં આવે છે, જેથી સભ્યોના મુદ્દાઓ પૂરતા પ્રમાણમાં ચર્ચાઈ શકતા નથી. 'ગૃહમાં મારા સિવાય બધા અજ્ઞાન છે એવું કોઈએ સમજવું નહીં'કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગૃહમાં ઇટાલિયાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગૃહમાં શિષ્ટાચાર અને વિવેકપૂર્ણ રીતે પ્રશ્ન પૂછવા જોઈએ. તેમણે ટિપ્પણી કરતા જણાવ્યું કે, ગૃહમાં મારા સિવાય બધા અજ્ઞાન છે એવું કોઈએ સમજવું નહીં. તેમના આ નિવેદનથી ગૃહમાં ફરી ચર્ચા તેજ બની હતી. 'પ્રશ્નોત્તરી કાળનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ'અંતે વિધાનસભા અધ્યક્ષે સમગ્ર મુદ્દે સભ્યોને સંયમ રાખવાની સૂચના આપતા જણાવ્યું કે, પ્રશ્નોત્તરી કાળનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ અને લાંબા જવાબોથી સમય બગાડવો નહીં. સાથે જ આ મુદ્દે અંતિમ નિર્ણય અંગે અધ્યક્ષે પોતાનો નિર્ણય હાલ પેન્ડિંગ રાખ્યો હોવાનું જણાવ્યું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:19 pm

વ્યારામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું:ખેડૂતોની આવક બમણી કરવા અને આર્થિક સ્થિતિ સુધારવા પર ભાર

તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંગ વસાવાએ આ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ અંગે વિશેષ માહિતી પૂરી પાડી તેમની આવક બમણી કરવાનો હતો. ખેતી અને પશુપાલન ક્ષેત્રને વેગ આપવા તેમજ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન, જિલ્લાના કૃષિ નિષ્ણાતોએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત, સરકારી ખેડૂત કલ્યાણકારી વિવિધ યોજનાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી, જેનો લાભ લઈ ખેડૂતો પોતાની ખેતી સુધારી શકે. આ પ્રસંગે, કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાના ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે કૃષિ પ્રદર્શનીના વિવિધ સ્ટોલ પણ ખુલ્લા મુકાયા હતા. ઉપસ્થિત ખેડૂતોએ આવા કાર્યક્રમો દ્વારા તેમને ખેતી ક્ષેત્રની નવીનતમ અને વિશિષ્ટ માહિતી મળ્યાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:19 pm

મોરબીમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન:મહિલા સમિતિની આગેવાની હેઠળ શાક માર્કેટથી નગર દરવાજા સુધી રેલી

મોરબીમાં બુધવારે જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દમયંતીબેન નિરંજનની આગેવાની હેઠળ શાક માર્કેટ ચોકથી નગર દરવાજા સુધી રેલી કાઢવામાં આવી હતી. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ સસ્તા દારૂ મહેંગા તેલ, હાય રે ભાજપ કેસા તેરા ખેલ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા. કોંગ્રેસે જણાવ્યું કે વર્તમાન સમયમાં મોંઘવારી સતત વધી રહી છે, જેના કારણે સામાન્ય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. ખાસ કરીને રાંધણ ગેસના બાટલાના ભાવ જે અગાઉ રૂ. 300-400 હતા તે હવે રૂ. 900ને પાર કરી ગયા છે. આ ઉપરાંત, ઘરવખરી અને જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા સમિતિના પ્રમુખ દમયંતીબેન નિરંજને જણાવ્યું હતું કે, અગાઉ કોંગ્રેસની કેન્દ્રમાં સત્તા હતી ત્યારે ભાજપના સ્મૃતિ ઈરાની સહિતના મહિલા આગેવાનો ગેસના બાટલા લઈને વિરોધ કરતા હતા. પરંતુ આજે ગેસના ભાવ રૂ. 900થી વધુ હોવા છતાં ભાજપ મોંઘવારી અંગે કશું બોલતું નથી. તેમણે સરકારને તાત્કાલિક મોંઘવારી ઘટાડવા પગલાં લેવાની માંગ કરી હતી. આ વિરોધ પ્રદર્શનમાં મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસના આગેવાનો અને મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:04 pm

પાટણમાં કર્મચારીઓની હડતાળથી શેરીઓમાં અંધારપટ:ખાનગી કંપનીના કર્મીઓની પગારવધારાની માગણી; કોર્પોરેટરે સ્ટ્રીટ લાઇટનો ઉકેલ લાવવા પ્રમુખને રજૂઆત કરી

પાટણ શહેરમાં સ્ટ્રીટ લાઈટની જાળવણી કરતા ખાનગી કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ પગાર વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. આના કારણે શહેરના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો છે, જેનાથી નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર ભરત ભાટિયાએ આ મામલે પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવા માંગ કરી છે. પાટણ નગરપાલિકા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટોની જાળવણી અને સંચાલન ખાનગી કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવે છે. કર્મચારીઓના પગારમાં વધારો ન થવાને કારણે તેઓ હડતાળ પર ઉતર્યા છે. આ હડતાળના પરિણામે શહેરના મુખ્ય માર્ગો, રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં અસંખ્ય સ્ટ્રીટ લાઈટો બંધ હાલતમાં જોવા મળી રહી છે. રાત્રિના સમયે વ્યાપક અંધારપટને કારણે નાગરિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ સ્થિતિ વાહન અકસ્માત, ચોરી અને અન્ય અઘટિત બનાવો બનવાની શક્યતાઓને વધારી રહી છે. સ્થાનિક નેતાઓનું માનવું છે કે સ્ટ્રીટ લાઈટ જેવી આવશ્યક સુવિધા લાંબા સમય સુધી બંધ રહેવી એ ગંભીર બાબત છે. કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકા પ્રમુખ હીરલબેન પરમારને પત્ર લખી રજૂઆત કરી છે. તેમણે પાલિકા તંત્રને આ બાબતે મધ્યસ્થી કરી પગાર વધારાના પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવા જણાવ્યું છે. ઉપરાંત, શહેરમાં બંધ પડેલી તમામ સ્ટ્રીટ લાઈટોનો સર્વે કરાવી તેને યુદ્ધના ધોરણે શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે. આ મામલે ખાનગી કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી કરી તેમની જવાબદારી નક્કી કરવા માટે વહીવટદાર અને ચીફ ઓફિસરને પણ જાણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:04 pm

પોરબંદરમાં જાહેરમાં કચરો ફેંકનાર રિક્ષાચાલકને દંડ:જ્યુબેલી ચાર રસ્તા પાસે પાલિકાએ રૂ. 1000 વસૂલ્યા

પોરબંદર મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ રાખવા માટે કડક કાર્યવાહી કરી છે. જ્યુબેલી ચાર રસ્તા પાસે જાહેરમાં નાળિયેરનો કચરો ફેંકનાર એક રિક્ષાચાલકને સેનિટેશન વિભાગની ટીમે ઝડપી પાડી રૂ. ૧૦૦૦નો દંડ ફટકાર્યો હતો. મ્યુનિસિપલ કમિશનર એચ. જે. પ્રજાપતિ અને નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ)ની સૂચનાથી સેનિટેશન વિભાગે ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી તેજ કરી છે. ૧૧ માર્ચ ૨૦૨૬ના રોજ જ્યુબેલી ચાર રસ્તા નજીકના જીવીપી પોઈન્ટ પર વારંવાર નાળિયેરનો કચરો ફેંકાતો હોવાની ફરિયાદ મળતાં ટીમે વોચ ગોઠવી હતી. અંદાજે ત્રણ કલાકના સતત મોનિટરિંગ બાદ રિક્ષા નંબર GJ-01-BU-4463 નો ચાલક કચરો ફેંકવા આવતા તેને રંગેહાથ ઝડપી લેવાયો હતો. સેનિટેશન સ્ટાફે તાત્કાલિક કાર્યવાહી કરી તેની પાસેથી રૂ. ૧૦૦૦નો દંડ વસૂલ્યો હતો. આ ઉપરાંત, તેણે રસ્તા પર ફેંકેલો તમામ કચરો ફરીથી રિક્ષામાં ભરાવ્યા બાદ જ તેને જવા દેવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાએ સ્પષ્ટતા કરી છે કે જાહેર સ્થળોએ ગંદકી કરવી એ પેટા-નિયમોનો ભંગ છે. આવા કિસ્સામાં જવાબદાર વ્યક્તિ સામે રૂ. ૫,૦૦૦ સુધીનો દંડ થઈ શકે છે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારે ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. સેનિટેશન ઓફિસર જગદીશભાઈ ઢાંકીએ શહેરના નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ જાહેરમાં કચરો ફેંકતી દેખાય, તો તેની જાણ તાત્કાલિક મહાનગરપાલિકાને કરવી. ગંદકી ફેલાવનારાઓ સામે પાલિકા દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 2:03 pm

મહીસાગર પોલીસે 1.43 કરોડથી વધુનો દારૂ કર્યો નાશ:બાલાસિનોર ટાઉન પોલીસે મુલ્તાનપુરા ડમ્પિંગ સાઇટ ખાતે જથ્થા પર બુલડોઝર ફેરવી દીધું

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ટાઉન પોલીસે વર્ષ 2026 દરમિયાન પકડેલા મોટા પ્રમાણમાં વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દારૂના જથ્થાનો નાશ કરવાની કામગીરી નાયબ પોલીસ અધિક્ષક કમલેશ વસાવા (લુણાવાડા વિભાગ)ની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી મિતેશ વસાવા અને નશાબંધી અધિકારી પણ હાજર રહ્યા હતા. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના મુલ્તાનપુરા વિસ્તારમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે આ કાર્યવાહી પાર પાડવામાં આવી હતી. બાલાસિનોર ટાઉન પોલીસે વિવિધ કેસોમાં પકડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 35,556 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરાયેલા દારૂની અંદાજિત બજાર કિંમત રૂ. 1,43,28,971 જેટલી થાય છે. પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ આ જપ્ત કરાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લામાં નશાબંધી કાયદાનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:46 pm

કચરાના નિકાલ માટે 'ઈકો વેસ્ટ મેનેજમેન્ટ' પાસેથી 10 કરોડ વસૂલો:ભરૂચમાં જોખમી કચરાના ગેરકાયદે સંગ્રહ મામલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ

ભરૂચમાં જોખમી કચરાના ગેરકાયદેસર સંગ્રહના મામલે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વેસ્ટર્ન ઝોન બેન્ચ દ્વારા આ સાઇટ માટે જવાબદાર પ્રોજેક્ટ પ્રપોનન્ટ 'ઈકો વેસ્ટ મેનેજમેન્ટ' પાસેથી 10 રકમ વસૂલવાનો નિર્દેશ આપ્યો છે. GPCBએ કહ્યું- કચરાના નિકાલ-વ્યવસ્થાપન માટે કૂલ 10.92 કરોડની જરુરઅરજદાર પઠાણ ફુઝૈલખાન આસિફ ખાન દ્વારા અરજી દાખલ કરવામાં આવેલી. જેની સુનવણી દરમિયાન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ટ્રિબ્યુનલ સમક્ષ સોગંદનામું રજૂ કરીને જાણ કરી હતી કે સાઇટ પર જમા થયેલ જોખમી કચરો પહેલેથી જ ઉઠાવી લેવામાં આવ્યો છે અને હાલમાં ભોંયતળિયું સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. GPCB મુજબ, જોખમી કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે કુલ 10.92 કરોડ રૂપિયાના ખર્ચની જરૂર છે. ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે, નોટિસ ફટકારવા છતાં, પ્રોજેક્ટ પ્રપોનન્ટ 'ઈકો વેસ્ટ મેનેજમેન્ટ' દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો અને ટ્રિબ્યુનલ સમક્ષ કોઈ પ્રતિનિધિ હાજર થયા ન હતા. આ બાબતને ગંભીરતાથી લેતા NGT ની બેન્ચે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પ્રોજેક્ટ પ્રપોનન્ટ પાસેથી 10.92 કરોડ રૂપિયા વસૂલવા અને તે રકમનો ઉપયોગ સંબંધિત સાઇટ પરના જોખમી કચરાના નિકાલ અને વ્યવસ્થાપન માટે કરવાનો નિર્દેશ આપ્યો છે. ટ્રિબ્યુનલે વધુમાં નિર્દેશ આપ્યો છે કે રકમની વસૂલાત થયાના બે અઠવાડિયામાં કચરો હટાવવાની અને સફાઈની કામગીરી પૂર્ણ કરી લેવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:45 pm

બાપુનગરમાંથી ગાંજો અને વસ્ત્રાલમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું:ક્રાઈમ બ્રાંચે એક મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચ ગાંજા અને એમડી ડ્રગ્સ માફિયાઓ સામે એક જ દિવસમાં બે કેસ કર્યા છે. બાપુનગરથી ગાંજો તેમજ વસ્ત્રાલમાંથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યુ છે. બંને કેસમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ગાંજા સાથે મહિલા સહિત એક શખ્સની ધરપકડક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, બાપુનગરની ગાયત્રીનગરમાં રહેતી કાયનાચબાનુ શેખ પોતા ઘરમાં ગાંજાનો વેચી રહી છે બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમ ગાયત્રીનગર પહોચી ગઈ હતી. ક્રાઈમ બ્રાંચ વોચમાં હતી ત્યારે ઈમરાનખાન પઠાણ નામનો યુવક ગાંજો લઈને આવ્યો હતો. ક્રાઈમ બ્રાંચે ઈમરાનખાનની ધરપકડ કરી હતી સાથે કાયનાતબાનુની પણ ધરપકડ કરી હતી. બન્ને પાસેથી ક્રાઈમ બ્રાંચે 3.912 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચે કુલ 3.33 લાખની કિંમતનો મુદ્દામલ જપ્ત કર્યો છે.આ ગાંજાનો જથ્થો ગોમતીપુરના રઉફ ઉર્ફે લાલા સહિત બે લોકોએ આપ્યો હતો. ડ્રગ્સની હેરાફેરી કરતા બે યુવક ઝડપાયાક્રાઈમ બ્રાંચે વસ્ત્રાલ રીંગ રોડ પર આવેલા નૈયા કોમર્શીયલ કોમ્પલેક્ષના બેઝમેન્ટમાંથી ડ્રગ્સની હેરફેર કરતા બે યુવકને ઝડપી લીધા છે. ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે, દાણીલીમડા વિસ્તારમાં રહેતા આફીક શેખ અને અજીમુદ્દીન ઉર્ફે ભુરો ડ્રગ્સની હેરફેર કરી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચ પહોચી ગઈ હતી અને એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરી હતી. એફએસએલની ટીમ ઘટના સ્થળે આવીને તપાસ કરાતા મળી આવેલો પ્રદાર્થ એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યુ હતું. ક્રાઈમ બ્રાંચે આ મામલે 77 હજારનુ ડ્રગ્સ જપ્ત કરીને તપાસ શરૂ કરી થઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:40 pm

100 યુવકમાંથી પાટીદાર એન્જિનિયરને પસંદ કર્યો:5 મહિનાની હતી ત્યારે વડોદરાના બસ સ્ટેન્ડમાંથી મળેલી અનાથ દીકરીના લગ્ન, ભાવુક થઈ રડી પડી

વડોદરા શહેરના નિઝામપુરા ખાતે આવેલા નારી સંરક્ષણ ગૃહમાં એક યુવતી માટે 100 છોકરાઓનાં માગાં આવ્યા બાદ અમદાવાદના એક મુરતિયાને પસંદ કરી આજે ધામધૂમથી લગ્ન થયા હતા. આ સમયે દીકરી ભાવુક બની ગઈ હતી. દીકરીને ધારાસભ્ય કેયુર રોકડિયાએ કન્યાદાન આપ્યું હતું અને તેને તમામ જવાબદારી પણ ઉપાડી લીધી છે. દીપા જ્યારે પાંચ મહિનાની હતી ત્યારે વડોદરાના નિઝામપુરા બસ ડેપોમાંથી મળી આવી હતી. લગ્નની ઉંમર થતા નારી સંરક્ષણ ગૃહ દ્વારા તેના લગ્ન કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં લગ્ન માટે 100 બાયોડેટા આવ્યા હતા. જેમાં યુવતીએ અમદાવાદના યુવક જતીન પટેલને પસંદ કર્યો હતો. યુવક અમદાવાદમાં સિવિલ ઈજનેર તરીકે નોકરી કરે છે અને તેનો પરિવાર પણ વ્યવસ્થિત છે. આજે જતીન જાન લઈને વડોદરાના નારી સંરક્ષણ ગ્રુપ ખાતે પહોંચ્યા હતા. જ્યાં બંનેના ધામધૂમથી લગ્ન થયા. વરરાજા જતીન પટેલે જણાવ્યું હતું કે, સૌથી પહેલા મેં મારો બાયોડેટા નારી સંરક્ષણ ગૃહમાં આપ્યો હતો. ત્યારબાદ સંસ્થા દ્વારા બધી બાબતોની ખરાઈ કરવામાં આવી. પછી અમને બંનેને મળવા માટે બોલાવ્યા હતા અને અમારી એકબીજા સાથે વાતચીત થઈ હતી. પરસ્પર સંમતિ બાદ આ લગ્ન નક્કી થયા છે. ખૂબ જ સરસ અનુભવ છે અને મને ઘણો આનંદ થઈ રહ્યો છે. મને લાગે છે કે આવી દીકરીઓને જો કોઈ સાથ-સહકાર આપીને જીવનમાં આગળ લાવે, તો તે ખૂબ જ ઉત્તમ કાર્ય છે. અમે બંને મળીને એક નવું અને સારું જીવન જીવી શકીએ તેવો મારો પ્રયાસ રહેશે. હું તેને બેટર લાઇફ આપીશ. તેઓએ કહ્યું કે, સંસ્થાનો અને ખાસ કરીને મેડમ તેમજ તેમની આખી ટીમનો ખૂબ જ સારો સપોર્ટ રહ્યો છે. તેમની મહેનતને કારણે જ આજે આ બધુ શક્ય બન્યું છે. મારી સમાજને એટલી જ વિનંતી છે કે નારી સંરક્ષણ ગૃહમાં જે દીકરીઓ છે, તેમને આપણે અપનાવીએ અને તેમને નવું જીવન આપીએ. સરકાર જે આટલી સરસ કામગીરી કરી રહી છે, તેમાં આપણે પણ સહભાગી બનીએ અને આવી દીકરીઓને આગળ લાવીને તેમનું જીવન સુધારીએ. નવવધૂ દીપાએ જણાવ્યું હતું કે, હું જ્યારે 5 મહિનાની હતી, ત્યારે અહીં આવી હતી. અહીં મારી ઘણી બધી બહેનપણીઓ છે. અમે બધા સાથે મળીને ખૂબ જ પ્રેમથી રહેતા હતા. મને અત્યારે ખૂબ જ આનંદ થઈ રહ્યો છે, હું ઘણી ખુશ છું. મારા લગ્ન જતિન સાથે નક્કી થયા છે, તેઓ અમદાવાદના રહેવાસી છે. હું આગળ જઈને પણ આ બધા લોકોને મળવા ચોક્કસ આવીશ, તેવું મેં વિચાર્યું છે. તેમની સાથે ગાળેલા દરેક દિવસો મને યાદ રહેશે. મને તેમની બહુ યાદ આવશે. દીપાની બહેનપણી અનિતાએ જણાવ્યું હતું કે, અમે બાળપણથી જ આ સંસ્થામાં સાથે રહ્યા છીએ. મારા લગ્ન પણ અહીંથી જ થયા હતા. આજે તેના લગ્ન થઈ રહ્યા છે, તે જોઈને મને ખૂબ જ આનંદ થાય છે. હું ઈચ્છું છું કે તે જીવનમાં ખૂબ આગળ વધે. અમારી ઘણી બધી યાદો છે. અમે નાનપણથી જ સાથે ઉછર્યા છીએ, સાથે બેસીને એક જ થાળીમાં જમતા અને દરેક પ્રવૃત્તિમાં સાથે ભાગ લેતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આજે થોડું દુઃખ તો થાય છે, પણ આખરે છોકરીએ એક દિવસ લગ્ન કરીને સાસરે તો જવું જ પડે. હું તેના લગ્નથી ખૂબ ખુશ છું. અહીંનો અનુભવ ખૂબ સારો રહ્યો છે. સંસ્થામાં દરેક વ્યક્તિનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખવામાં આવે છે અને સાચવવામાં આવે છે. ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, કન્યાના પિતા બનવું એ પોતે જ એક સૌભાગ્યની વાત હોય છે અને ભગવાને મને એ સૌભાગ્ય બક્ષ્યું છે. પરંતુ આજે નારી સંરક્ષણ ગૃહની દીકરીના મારા હસ્તે કન્યાદાન થઈ રહ્યું છે, તેના પિતા બનવાની જે તક ભગવાને મને આપી છે, એ માટે હું સૌથી પહેલા ભગવાનનો આભાર વ્યક્ત કરીશ. આ એવી દીકરી છે જે કદાચ સરકારના નારી સંરક્ષણ ગૃહમાં જ બાળપણથી લઈને આજ દિન સુધી મોટી થઈ છે. તો આ દીકરીના સમાજમાં પિતા બનવું એ વધારે સૌભાગ્યની વાત છે. જેનું કોઈ નથી એના ખરેખર ભગવાન છે અને ભગવાને મને આજે નિમિત્ત બનાવ્યો છે આ દીકરીના લગ્નમાં કન્યાદાન માટે, તો હું ભગવાનનો આભાર માનું છું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે ભવિષ્યમાં પણ દીકરીને કંઈ પણ જરૂર પડશે, તો હું એ કરવા માટે કટિબદ્ધ છું. આજે પણ દીકરીએ કન્યાદાન પેટે જે કંઈ પણ મારી પાસે જરૂરિયાત વ્યક્ત કરી હતી, એ તમામ જરૂરિયાતો મેં પૂરી કરવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાને મને આમાં નિમિત્ત બનાવ્યો છે, તો સ્વાભાવિક રીતે ભવિષ્યમાં જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત દીકરીને હશે તો અમે ચોક્કસ એ પૂરી કરીશું. મહિલા અને બાળ અધિકારી શૈલેષ અંબારિયાએ જણાવ્યું હતું કે, આજે નિઝામપુરા સ્થિત નારી સંરક્ષણ ગૃહમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો અવસર છે. અહીંની આપણી એક આશ્રિત દીકરી, દીપાના લગ્ન અમદાવાદના એક યુવક સાથે નક્કી થયા છે. આજે ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે કન્યાદાન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્થાનિક પદાધિકારીઓ, કાઉન્સિલરો અને અમારા બિન-સરકારી સભ્યોની આખી ટીમ સાથે મળીને ખૂબ જ સુંદર આયોજન કર્યું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 18 વર્ષ સુધી તેનો ઉછેર 'બાલ સંભાળ ગૃહ'માં થયો અને 18 વર્ષ પછી તે નારી સંરક્ષણ ગૃહની આશ્રિત બની. છેલ્લા 6 મહિનાથી તેના લગ્નની પ્રક્રિયા ચાલતી હતી, જેને રાજ્ય સરકારે મંજૂરી આપતા આજે આ શુભ દિવસ આવ્યો છે. તેઓએ કહ્યું કે, અમારી પાસે 100 બાયોડેટા આવ્યા હતા. જેમાંથી 12થી 15 બાયોડેટા ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી છોકરાની આર્થિક સંપત્તિ, તેનો અભ્યાસ અને પરિવારની સ્થિતિને ધ્યાનમાં રાખીને 4 બાયોડેટા શોર્ટલિસ્ટ કર્યા હતા. અંતે દીપાની પસંદગી અને મેળ ખાતા પાત્ર સાથે આ લગ્ન નક્કી કરવામાં આવ્યા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા માટે આ અનેરો આનંદ અને ગર્વનો વિષય છે. અમે સંસ્થામાં ગમે તેટલી સુવિધાઓ આપીએ, પણ દીકરીનું સાચું પુનઃસ્થાપન ત્યારે જ કહેવાય જ્યારે તે સમાજમાં પોતાના પરિવાર સાથે રહે. બે વર્ષ પહેલા પણ અમે આવી જ રીતે બે દીકરીઓના લગ્ન કરાવ્યા હતા, જેમને આજે અમે ખાસ અહી આમંત્રણ આપ્યું છે. તેમાંથી એક દીકરીને તો અમે સંસ્થામાં જ રોજગારી પણ પૂરી પાડી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:35 pm

BREAKING: દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈરાનનો ડ્રોન હુમલો, 1 ભારતીય સહિત 4 ઘાયલ

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક બુધવારે(11 માર્ચ) 2 ડ્રોન ક્રેશ થયા હતા, જેના કારણે હડકંપ મચી ગયો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 2 ઘાના, એક બાંગ્લાદેશી અને એક ભારતીય નાગરિકનો સમાવેશ થાય છે. સુરક્ષા પ્રોટોકોલ મુજબ ઘટના પછી તરત જ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઈ ટ્રાફિક પર કોઈ નકારાત્મક અસર પડી નથી, અને હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.

ગુજરાત સમાચાર 11 Mar 2026 1:26 pm

મુસ્લિમ યુવક-હિન્દુ યુવતીને સ્પે. મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા હુકમ:લિવઈનમાં રહેતા કપલને પરિવારે છુટા પાડતા યુવકે HCમાં હેબિયસ કોર્પસ કરી હતી, યુવતીના નામે 3 લાખ મૂકવાના રહેશે

મહેસાણા જિલ્લામાં લિવઈનમાં રહેતા 22 વર્ષીય મુસ્લિમ યુવક અને 21 વર્ષીય હિન્દુ યુવતીને પરિવારે છુટા પાડ્યા બાદ યુવક તરફથી હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરાતા કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. નારી સંરક્ષણ ગૃહમાં રહેતી યુવતીને હાઈકોર્ટમાં બોલાવી કોર્ટે તેની ઈચ્છા જાણી હતી. ત્યારબાદ અલગ અલગ ધર્મના યુવક-યુવતીને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા હુકમ કર્યો હતો. સાથે જ જો ભવિષ્યમાં અલગ થાય તો સ્ત્રીની સુરક્ષા માટે તેના પક્ષમાં 3 લાખ રૂપિયા જમા કરાવવા પણ યુવકને હુકમ કર્યો છે. સાથે રહેતા યુવક-યુવતીને અલગ કરાતા યુવકે કોર્ટમાં અરજી કરી હતીઆ કિસ્સો મહેસાણા જિલ્લાનો છે, જ્યાં અલગ-અલગ ધર્મના 22 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતી સાથે રહેતા હતા. તેઓને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને બનાસકાંઠાના પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ બળજબરીપૂર્વકના અલગાવ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. યુવકે તેની પાર્ટનરની કસ્ટડી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે. હાઈકોર્ટે યુવતીની ઈચ્છા જાણવા માટે તેને બોલાવી હતી. હાઈકોર્ટે ભવિષ્યમાં કોઈ કમનસીબ પરિસ્થિતિ ઊભી થાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ યુવકને 03 લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું ફાઇલ કરવા જણાવ્યું હતું. યુવકે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા તૈયારી બતાવીતેણે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા અને તે માટેની તમામ કાનૂની જરૂરિયાતોનું પાલન કરવા તૈયાર છે. તેણે એવી પણ બાહેંધરી આપી હતી કે તે તેની ક્ષમતા અને સાધનો મુજબ તેના ભરણપોષણ, રહેઠાણ અને જીવનની તમામ જરૂરિયાતો પૂરી પાડશે. તે યુવતી સાથે ગરિમા અને સન્માન સાથે વર્તશે અને તમામ બાબતોમાં તેની સુખાકારી સુનિશ્ચિત કરશે. હાઈકોર્ટે યુવકને રાષ્ટ્રીયકૃત બેંકમાં રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ યુવતીનું બેંક ખાતું ન હોવાથી હાઈકોર્ટે રજિસ્ટ્રીને તેના નામે ખાતું ખોલવા અને ફિક્સ્ડ ડિપોઝિટનું વ્યાજ સમયાંતરે તેના ખાતામાં જમા કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે જો ભવિષ્યમાં આ કપલ અલગ થાય, તો 3 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ તેની આર્થિક સુરક્ષા માટે તેને સોંપી દેવામાં આવશે. 6 અઠવાડિયાના ગાળામાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશહાઈકોર્ટે વધુમાં યુવકને લગ્નનો ઈરાદો હોવાની નોટિસ આપવા અને 6 અઠવાડિયાના ગાળામાં આખી પ્રક્રિયા પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. હાઈકોર્ટે સંબંધિત સરકારી અધિકારીઓને પણ નિર્દેશ આપ્યો હતો કે અરજદાર અને પ્રતિવાદીની લગ્નની અરજી પર પ્રક્રિયા કરે અને ખાતરી કરે કે તમામ જરૂરિયાતો પૂર્ણ થાય અને કાયદા અનુસાર લગ્ન સંપન્ન થાય. હાઈકોર્ટે આ મામલે વધુ સુનાવણી 24 એપ્રિલ પર મુલતવી રાખી છે અને યુવતીને અમદાવાદના મહિલા સંરક્ષણ ગૃહમાં રહેવાનું ચાલુ રાખવા નિર્દેશ આપ્યો છે. તેને લગ્નની નોંધણીની વિધિઓ પૂરી કરવા માટે અરજદાર યુવક સાથે જવાની મંજૂરી આપવામાં આવી છે. કોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને તેને જન્મનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પૂરા પાડવા માટે પણ નિર્દેશ આપ્યો છે. આ સમાચાર પણ વાંચોઃ‘અમારી જિંદગી બરબાદ કરવા માટે યશવી ફાઉન્ડેશનનો આભાર’ સુરત શહેરમાં સામાજિક સેવાના નામે કાર્યરત યશવી ફાઉન્ડેશને હિન્દુ યુવક અને મુસ્લિમ યુવતીના લગ્ન કરાવવાના નિર્ણય બાદ પીછેહઠ કરતા વિવાદ સર્જાયો છે. જે યુવક અને યુવતીના લગ્ન કરાવવાનો સંસ્થાએ ઈન્કાર કર્યો છે તેના દ્વારા સંસ્થા પર ગંભીર આક્ષેપ કરાયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. યશવી ફાઉન્ડેશને TRP મેળવવા માટે આ કૃત્ય કર્યું હોવાનો ફરહા નામની યુવતીએ આક્ષેપ કર્યો છે. સંસ્થાના કારણે તેઓનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યાનો દાવો કરાયો છે. ફરહાએ વીડિયોમાં કહ્યું છે કે, પોતાની જિંદગી બરબાદ કરવા બદલ યશવી ફાઉન્ડેશનનો આભાર. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:23 pm

કરચલિયા પરામાં બે ભાઈઓ પર છરી અને લાકડીથી જીવલેણ હુમલો:ફરિયાદ કર્યાની અદાવતે 4 શખ્સોએ બાઈક રોકીને તૂટી પડ્યા, એકને હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર

ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં અગાઉ થયેલી મારામારીની ફરિયાદને લઈને ઊભી થયેલી અદાવતના કારણે બે ભાઈઓ પર છરી અને લાકડાના ધોકાથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ખારેશ્વર મહાદેવ મંદિર પાસે બનેલી આ ઘટનામાં એક ભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સર ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે ગંગાજળિયા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સ્કૂટર પર નીકળ્યા ને બે ભાઈઓને અટકાવીને ધમકાવ્યામળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કરચલિયા પરા શિવનગરમાં ભાંગના કારખાના પાસે રહેતા શાંતિભાઈ ઉર્ફે સાજન ધીરુભાઈ પરમાર (ઉ.વ. 27) એ ફરિયાદ નોંધાવી છે કે તેઓ તથા તેમનો ભાઈ જીતેશ બપોરના સમયે સ્કૂટર પર વૈશાલી સિનેમાથી ઘરે જવા નીકળ્યા હતાં. સ્કૂટર તેઓ ચલાવતા હતા અને તેમનો ભાઈ જીતેશ પાછળ બેઠેલો હતો. બકાએ છરીના ઘા માર્યાઘરની નજીક ખારેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચતા ત્યાં બેઠેલા આકાશ ઉર્ફે બકો રમેશભાઈ રાઠોડ, જીતેશ ઉર્ફે કાળીયો લાખાભાઈ મકવાણા, સમીર ઉર્ફે સંતોષ રાજુભાઈ વાઘેલા અને આનંદ તનસુખભાઈ રાઠોડે સ્કૂટર આડે ઉભા રહી બંને ભાઈઓને અટકાવ્યા હતા અને આકાશ ઉફે બકો તથા જીતેશ ઉર્ફે કાળીયાએ તેઓને અપશબ્દો બોલીને થોડા દિવસ પહેલા અમારા વિરૂધ્ધ ફરીયાદ શું કામ કરી તેવું કહેતા તેઓએ જણાવેલ કે મારા ભાઇને મારેલ જેથી ફરીયાદ કરેલ છે. આમ જણાવતા સામેવાળા શખ્સો ઉશ્કેરાયા હતાં અને ત્યારબાદ આકાશ ઉર્ફે બકાએ છરી કાઢી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે ઘા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ શાંતિભાઈ નમી જતા છરીનો ઘા કાનના ભાગે લાગ્યો હતો અને બીજો ઘા ડાબા હાથ પાસે વાગ્યો હતો. ચાર શખ્સોએ બંને ભાઈ પર લાકડાના ધોકા લઈને હુમલો કર્યોઆ દરમિયાન શાંતિભાઈનો ભાઈ જીતેશ વચ્ચે પડતા અન્ય શખ્સોએ મંદિર પાસે પડેલા લાકડાના ધોકા લઈને હુમલો કર્યો હતો. જીતેશ ઉર્ફે કાળીયાએ માથા અને કાનના ભાગે ધોકાના ઘા મારતા શાંતિભાઈ ચક્કર ખાઈને પડી ગયા હતા, જ્યારે સમીર ઉર્ફે સંતોષે પગના ગોઠણ પર અને આનંદે પગના નળા તેમજ જમણા હાથ પર ધોકાના ઘા માર્યા હતાં. સાથે જ હુમલાખોરોએ તેમના ભાઈ જીતેશને પણ આડેધડ માર માર્યો હતો. બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવ્યાબંને ભાઈઓ બૂમાબૂમ કરતા પરિવારજનો દોડી આવી તેમને વધુ મારથી બચાવ્યા હતા, જેથી હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચરજ્યાં શાંતિભાઈને માથામાં હેમરેજ તેમજ હાથ-પગમાં ફ્રેક્ચર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે જીતેશને પણ ઈજા થતા ઓપીડી સારવાર આપવામાં આવી હતી. ચાર શખ્સો સામે ગુનો નોંધાયોફરિયાદના આધારે ગંગાજળિયા પોલીસે આકાશ ઉર્ફે બકો, જીતેશ ઉર્ફે કાળીયો, સમીર ઉર્ફે સંતોષ અને આનંદ સામે BNS કલમ 109(1), 115(2), 117(2), 118(2), 352, 54 તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:19 pm

અમરોલીમાં કોથળામાંથી મહિલાની લાશ મળી:હત્યા કરી લાશ ફેંકી હોવાની શંકા, પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી

સુરતના અમરોલીમાં કોસાડ આવાસમાં કોથળામાંથી 57 વર્ષીય મહિલાની લાશ મળી છે. પાલિકાના કર્મચારી સફાઈ કરતા હતા તે સમયે શંકાસ્પદ કોથળો ધ્યાને આવતા તેમણે પોલીસને જાણ કરી હતી. બાદમાં અમરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા કોથળામાંથી લાશ મળી હતી. હત્યા કરી લાશ કોથળામાં ફેંકી હોવાની શંકા સેવાઈ રહી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:15 pm

બોટાદની સોસાયટીમાં PGVCL થાંભલામાં શોર્ટ સર્કિટ:ધડાકા થતા વીજ પુરવઠો બંધ કરાયો, તપાસ શરૂ

બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી મોહમ્મદ ગફુર સોસાયટીમાં PGVCLના વીજ થાંભલામાં શોર્ટ સર્કિટ થયું હતું. આ ઘટનાને કારણે વિસ્તારમાં મોટા ધડાકા સંભળાયા હતા. શોર્ટ સર્કિટની જાણ થતાં જ સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક PGVCLના કર્મચારીઓને જાણ કરી હતી. સુરક્ષાના પગલારૂપે, આ વિસ્તારનો વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલ બોટાદ PGVCLની ટીમ દ્વારા શોર્ટ સર્કિટના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. PGVCL દ્વારા માહિતી આપવામાં આવી છે કે, શક્ય તેટલી વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:11 pm

ઉત્રાણ અને સારોલીમાં બે હવસખોરની ધરપકડ:10 વર્ષની બાળકી પર 35 વર્ષના ઢગાએ દુષ્કર્મ આચર્યું, બીજા યુવકે પ્રેમ ઓથે શારીરિક શોષણ કરી પટેલ પરિવારની કિશોરીને ગર્ભવતી બનાવી

સુરતની બે અલગ અલગ દુષ્કર્મની ઘટનાઓમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉત્રાણના વેલંજા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારની કિશોરીનું પ્રેમ ઓથે શારીરિક શોષણ કરી ગર્ભવતી બનાવી દેનાર લસકાણાનાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાતા ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સારોલીમાં રહેતા શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી સાથે સાડા સાત મહિના અગાઉ દુષ્કર્મ કરી તેને મારી નાખવાની પણ ધમકી આપનાર 35 વર્ષના અપરિણીત વિધર્મી યુવાન વિરુદ્ધ સારોલી પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. ઘટના 1 મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લાનો વતની એવો પટેલ પરિવાર વેલંજામાં રંગોલી ચોકડી વિસ્તારમાં રહે છે. આ પરિવારની સોળ વર્ષ ઉંમરની કિશોરીને ગત નવેમ્બર મહિનામાં કાર્તિક અરવિંદભાઈ સભાડિયા (રહે, રામવાડી સોસાયટી સામે, લસકાણા) એ પ્રેમ અને લગ્નની વાતોમાં ફસાવી હતી. સગીરવયની હોવાનું જાણવા છતાં યુવકે આ કિશોરીને બહેલાવી ફોસલાવી બહાર લઇ જઈ અડપલાં કરવા માંડયા હતાં. ગત ડિસેમ્બર મહિનામાં કાર્તિક આ કિશોરીને આપણા પ્રેમ સંબંધની વાત મેં ઘરે કરી દીધી હતી. મારા ઘરવાળા લગ્ન કરાવવા તૈયાર છે. પરંતુ મારી મમ્મીએ તેને જોવી છે તો તુ મારી સાથે ચાલ એમ કહીને કિશોરીને ભોળવી હતી. કાર્તિકની વાતમાં આવેલી ગયેલી કિશોરી તેની સાથે જવા રાજી થઈ ગઇ હતી. બાદમાં કાર્તિક તેણીને વેલંજા ખાતે નાયરા પેટ્રોલ પંપ પાસે આવેલી ગોકુલધામ સોસાયટી લઇ ગયો હતો. જ્યાં કાર્તિકની માતા તો ન હતી, પરંતુ તેણે કિશોરીને બહેકાવી તેની સાથે બળજબરી પૂર્વક શરીર સંબંધ બાંધ્યા હતાં. ડિસેમ્બર મહિનામાં બંધાયેલા આ શરીર સંબંધના કારણે કિશોરી ગર્ભવતી બની ગઈ હતી. ચાર માસનો ગર્ભ થતાં કિશોરીને શરૂ થયેલી શારીરિક તકલીફ ના કારણે મામલો બહાર આવ્યો હતો. પરિવારની પૂછપરછમાં કિશોરીએ હકીકત જણાવી દીધી હતી. પટેલ પરિવારે પોલીસનો સંપર્ક કરી કાર્તિક સામે ફરિયાદ નોંધાવી હતી. જેથી ઉત્રાણ પોલીસ દ્વારા આરોપી કાર્તિકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના 2 મળતી માહિતી પ્રમાણે, મૂળ હરિયાણાના વતની અને સુરતના સારોલી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 10 વર્ષની દીકરી ગત જુલાઈ 2025 ના અંતમાં એક દિવસે રાત્રે 10 વાગ્યે ધાબા ઉપર સુકવેલા કપડાં લેવા ગઈ હતી ત્યારે ત્યાં નજીકમાં રહેતા પરિચિત વિધર્મી ફકરૂદીન ઉર્ફે સમીર શાહિદઅલી તુરક (ઉ.વ.35) એ તેને બોલાવી પકડી લીધી હતી. બાદમાં તેણે બાળકીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને કહીશ તો તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ધમકીને લીધે ગભરાયેલી બાળકીએ બનાવ અંગે કોઈને જાણ કરી નહોતી.જોકે, થોડા સમય અગાઉ બાળકી તેના વતન હરિયાણા ગઈ હતી.ત્યાં તેણે બનાવ અંગે પોતાની મામીને વાત કરી હતી.મામીએ બાળકી સુરત પરત ફરી ત્યારે તેની માતાને જાણ કરતા માતાએ ગતરાત્રે બનાવ અંગે સારોલી પોલીસ મથકમાં ફકરૂદીન ઉર્ફે સમીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સારોલી પોલીસે અપરિણીત ફકરૂદીન ઉર્ફે સમીરની ધરપક્ડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:08 pm

16 વર્ષથી ફરાર લિસ્ટેડ આરોપી પકડાયો:ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે રાજસ્થાનથી ઝડપી પાડ્યો

ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે 16 વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીકને રાજસ્થાનમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી વર્ષ 2009માં ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચંદન ચોરીના ગુનામાં વોન્ટેડ હતો. પેરોલ-ફર્લો જમ્પ કરનાર અને લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે, પો.સબ ઇન્સ્પેક્ટર આર.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે એક વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાન દરમિયાન, પોલીસ કોન્સ્ટેબલ અનિલ દિતાભાઈ કટારાને બાતમી મળી હતી કે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુનો રજિસ્ટર નં. 253/2009 હેઠળ વોન્ટેડ આરોપી પિન્ટુ ઉકારલાલ (ઓમકારલાલ) ખટીક તેના વતન રાજસ્થાનમાં છે. આ બાતમીના આધારે, પેરોલ-ફર્લો સ્ક્વોડની ટીમ રાજસ્થાન પહોંચી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી, આરોપી પિન્ટુ ઉકારલાલ ખટીક (ઉંમર 35), રહે. નિકુમ્ભ, ગુર્જર મહોલ્લા, તા. બડીસાદડી, જી. ચિત્તોડગઢ (રાજસ્થાન)ને તેના વતન ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી સામે ભારતીય દંડ સંહિતા કલમ 447, 379 અને ફોરેસ્ટ એક્ટની કલમ 90, 91, 41(બી) હેઠળ ગુનો નોંધાયેલો હતો. પકડાયેલા આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023 મુજબ કાર્યવાહી કરી તેને આગળની તપાસ માટે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 1:02 pm

આગામી ચૂંટણી પૂર્વે કોંગ્રેસ સજ્જ:કાલચક્ર અને ક્ષતિઓને સુધારી હવે પ્રજાને આપીશું શ્રેષ્ઠ શાસન - કુલદીપ શર્મા

કુલદીપ શર્માના અધ્યક્ષ સ્થાને કાર્યકરો માટે ખાસ પ્રશિક્ષણ શિબિરનું આયોજન આગામી કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો માટે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કોંગ્રેસના પ્રભારી કુલદીપ શર્મા ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં કોંગ્રેસના ઈતિહાસ, બંધારણની રક્ષા અને ચૂંટણી લક્ષી વ્યુહરચના અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, ​આ અંગે ભાવનગરના પ્રભારી કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે, કોંગ્રેસે દેશને આઝાદી અપાવવા જે સંઘર્ષ કર્યો છે અને ત્યારબાદ જે સબળ વહીવટી પદ્ધતિ અમલમાં મૂકી છે, તેનાથી દરેક કાર્યકર માહિતગાર હોવો જોઈએ અને ભારતનું બંધારણ દુનિયામાં સર્વશ્રેષ્ઠ છે અને તેને બનાવવામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો સિંહફાળો રહ્યો છે, જેના કારણે જ આજે ભારત એક સફળ લોકશાહી તરીકે વિશ્વમાં પ્રસ્થાપિત છે, ​વર્તમાન રાજકીય સ્થિતિ અંગે જણાવ્યું હતું કે, આ સમયનું એક 'કાલચક્ર' છે, દરેક સંગઠનમાં સમય જતાં કેટલીક ક્ષતિઓ આવતી હોય છે, પરંતુ અમે હવે તમામ બદીઓ અને ક્ષતિઓને દૂર કરી રહ્યા છીએ, જનતાને જૂઠી વાતો અને ગેરમાર્ગે દોરનારા નિવેદનોથી બચાવી, એક પારદર્શક અને અસરકારક શાસન આપવાનો અમારો મુખ્ય ઇરાદો છે,​​આગામી મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીના તમામ નિયમોનું પાલન કરી અસરકારક રીતે મેદાનમાં ઉતારશું, તેમજ ભાવનગરના વિકાસ માટે પક્ષ અને પ્રજાના હિતને સર્વોપરી માનતા હોય તેવા સક્ષમ અને સેવાભાવી ઉમેદવારોની જ પસંદગી કરવામાં આવશે, ચૂંટાયા બાદ કોર્પોરેટરો માત્ર સત્તા ભોગવવાને બદલે જનતાની સાચી સેવા કરે તેવું માળખું તૈયાર કરવામાં આવશે, ​આ શિબિરમાં રમેશ શિલું બોટાદ જિલ્લા પંચાયત વિરોધપક્ષના નેતા, ભાવનગર જીલ્લા પંચાયત કોંગ્રેસ ના પૂર્વ પ્રમુખ સંજયસિંહ સરવૈયા, કોંગ્રેસ પ્રમુખ લાલભા ગોહિલ વિરોધ પક્ષના નેતા જીતુ સોલંકી, પૂર્વ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા, કોર્પોરેટર કાંતિભાઈ ગોહેલ, કોંગ્રેસ સેલના તમામ વિભાગના આગેવાન કાર્યકરો મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જે આગામી ચૂંટણીમાં ભાજપ સામે મજબૂત લડત આપવા માટે ઉત્સાહિત છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:55 pm

જૂનાગઢ જેલનો ફરાર કેદી ભરૂચની વાડીમાંથી મજૂરના વેશે ઝડપાયો.:જૂનાગઢ પોલીસે કેદીને પકડવા મજુર બની,જામીન પર છૂટી ફરાર થયેલો બળાત્કારનો આરોપી ભરૂચથી મજૂરના વેશે પકડાયો, પેરોલ ફર્લો સ્ક્વોડની સફળતા.

જૂનાગઢ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા રાજ્યમાં નાસતા-ફરતા અને જેલમાંથી પેરોલ કે જામીન પર છૂટ્યા બાદ ફરાર થયેલા કેદીઓને પકડવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સના સચોટ ઉપયોગ દ્વારા પોલીસની ટીમે અત્યંત ચાલાકી પૂર્વક ઓપરેશન પાર પાડીને કાયદો અને વ્યવસ્થાની ગરિમા જાળવી રાખી છે. આ કેસની વિગત મુજબ, કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કાર અને એટ્રોસિટી જેવા ગંભીર ગુનાનો આરોપી ભીખુ ઉર્ફે સાગર ભુવાજી ધીરુભાઈ બગથરીયા (રહે. ડેડકયાળી, તા. મેંદરડા) જૂનાગઢ જેલમાં સજા ભોગવી રહ્યો હતો. આરોપી વચગાળાના જામીન પર જેલની બહાર આવ્યો હતો.જામીનની શરત મુજબ તેણે ફરી જેલમાં હાજર થવાનું હતું, પરંતુ તે હાજર થવાને બદલે પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. ​વાડી વિસ્તારમાં પોલીસનો વેશપલટો ફરાર કેદી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ગોલાકોતર ગામની વાડી વિસ્તારમાં હોવાની સચોટ બાતમી પેરોલ ફર્લો સ્ક્વોડને મળી હતી. આરોપીને કોઈ શંકા ન જાય તે માટે સ્ક્વોડના પોલીસ કર્મચારીઓએ મજૂરનો વેશ ધારણ કર્યો હતો. વેશપલટો કરી વાડીઓમાં તપાસ કર્યા બાદ ખાતરી થતા પોલીસે ઘેરો ઘાલ્યો હતો અને આરોપી ભીખુ ઉર્ફે સાગર બગથરીયાને દબોચી લીધો હતો. પકડાયેલા આરોપીએ જૂનાગઢ જેલમાંથી ફરાર હોવાની કબૂલાત કરી હતી. તેને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી બાદ ફરીથી જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ કામગીરી એલસીબી પીઆઈ કે.એમ. પટેલ, પીએસઆઈ એસ.એ. સોલંકી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:55 pm

બોટાદમાં કોંગ્રેસનું મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન:વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસે કરી અટકાયત

બોટાદમાં કોંગ્રેસ દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કરાયું. આ પ્રદર્શન દિનદયાળ ચોક ખાતે યોજાયું હતું. પ્રદર્શનમાં યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ, હોદ્દેદારો, મહિલા મોરચા અને શહેર કોંગ્રેસના સભ્યો જોડાયા હતા. તેમણે તેલના ડબા, શાકભાજીના હાર અને ગેસના બાટલા સાથે રાખી ભાવવધારા સામે વિરોધ નોંધાવ્યો. કોંગ્રેસ પક્ષનો ઉદ્દેશ્ય મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને ભાવવધારા અંગે જાગૃત કરવાનો હતો. આ વિરોધ પ્રદર્શનને કારણે જાહેર માર્ગો પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા તમામ કોંગ્રેસી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની અટકાયત કરી હતી. તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:51 pm

મોરબીમાં બુધવારે અઠવાડિક દબાણ હટાવ ઝૂંબેશ:દલવાડી સર્કલ પાસે 30 ગેરકાયદે દબાણો પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું, રસ્તો ખુલ્લો કરાયો

મોરબીમાં દલવાડી સર્કલ નજીક કેનાલ કિનારેથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. મનપાની ટીમે વડાપ્રધાન આવાસ યોજના તરફ જતા રસ્તા પરથી આશરે 30 જેટલા ઝૂંપડાં હટાવીને રોડ સાઈડની જગ્યા ખુલ્લી કરી હતી. મોરબી મનપા અસ્તિત્વમાં આવ્યા બાદ દર બુધવારે રોડ સાઈડના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. આજે ડેપ્યુટી કમિશનર સંજય સોનીની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. દલવાડી સર્કલથી વડાપ્રધાન આવાસ યોજના તરફના માર્ગ પરના કાચા ઝૂંપડાંના દબાણોને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ જ જગ્યાએ એક વર્ષ અગાઉ, એટલે કે માર્ચ 2025માં પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક મહિનાઓમાં ફરીથી ત્યાં ઝૂંપડાંના દબાણો થઈ ગયા હતા, જેને પગલે મનપાનું બુલડોઝર ફરીથી સક્રિય બન્યું હતું. ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, રોડ સાઈડના દબાણોનો સફાયો કરવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ અન્ય કોઈપણ વિસ્તારમાં આવા દબાણો હશે તો તેને દૂર કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:47 pm

'જે કરે તે ભરે' કહીને મેયરનો કશુંક ખોટું થયાનો ઈશારો:ભાસ્કરને કહ્યું, પરિવાર મોટો થાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય, પણ હું તેને મહત્વ આપતી નથી

રાજકોટ મહાપાલિકાના બીજી ટર્મના અઢી વર્ષના મેયર તરીકે નયનાબેન પેઢડીયાનો કાર્યકાળ આજે પૂર્ણ થયો છે. અવિરત વિકાસની મશાલ, ગતિશીલ રાજકોટના સુત્રોને સાકાર કરતા તેમણે શહેરને સ્વચ્છ, રળીયામણું, રહેવા લાયક અને માણવા લાયક બનાવવા માટે શહેરીજનો અને રાજ્ય સરકારનો સહકાર બદલ આભાર માન્યો છે. આ તકે મેયરે દિવ્યભાસ્કરની સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપમાં કોઈ આંતરિક વિવાદ નથી. પરિવાર જ્યારે મોટો થાય ત્યારે થોડા મનદુઃખ થતા હોય છે, પણ હું તેને મહત્વ આપતી નથી. જોકે જે કરે તે ભરે કહીને તેમની સાથે કશુંક ખોટું થયાનો ઈશારો કર્યો હતો. ગેરકાયદે બાંધકામ અને મેયરના પ્રવાસને લઈને વિવાદરાજકોટ મેયર નયનાબેન પેઢડીયાએ તેમના કાર્યકાળના અનુભવો અને વિવાદો અંગે જણાવ્યું હતું કે, આ બાબતે હું સ્પષ્ટતા કરું છું કે જ્યારે હું પ્રયાગરાજ ગઈ હતી ત્યારે પણ મ્યુ. કમિશ્નરનો હુકમ મારી સાથે હતો. મેં જરૂરી પરવાનગી લીધી હતી અને તેનો ચાર્જ પણ ભરી દીધો હતો. ત્યારે જૂની વાતો વાગોળવી કદાચ કોઈને ગમતી હશે, પણ મેં આ અંગે અગાઉ પણ ખુલાસો કરી દીધો છે. 'એક પણ ઇંચ જગ્યા દબાવેલી નથી, જે સૌ જાણે છે'મેયરે વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી સૂચિત બાંધકામની વાત છે, તો રાજકોટમાં ઘણી સોસાયટીઓ સૂચિતમાં છે. હું આ વિવાદમાં પડવા માંગતી નથી. આપણને આપણા હકનું જે મળ્યું છે તેમાં જ કામ કર્યું છે અને એક પણ ઇંચ જગ્યા દબાવેલી નથી, જે સૌ જાણે છે. નિષ્ઠા અને પ્રમાણિકતાથી કામ કરવું એ જ મારી ભૂમિકા રહી છે. 'જે કરે તે ભરે' કહીને મેયરનો કશુંક ખોટું થયાનો ઈશારો મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે, જાહેર જીવનમાં લોકો સાથે રહેવું મને ગમે છે, અને ક્યારેક કોઈને આવા મુદ્દા ઉછાળવાનું મન થતું હોય છે, ભાજપમાં કોઈ આંતરિક વિખવાદ જેવી વાત નથી. પરિવાર જ્યારે મોટો થતો હોય ત્યારે થોડા મનદુઃખ થતા હોય છે, પણ હું આવી બાબતોને મહત્વ આપતી નથી. જોકે મારું માનવું છે કે “જે કરે તે ભરે”. આવું કહીને તેમણે પોતાને જાણીજોઈને વિવાદમાં સંડોવી દેવાયા હોવાનો ઈશારો કર્યો હતો. 'અમારા પદાધિકારીનો 911 દિવસનો આ કાર્યકાળ હતો'વધુમાં તેમણે જણાવ્યું હતું કે, દરમિયાન શહેરમાં રોડ-રસ્તાની સાથે સાથે નવા પુલ, આરોગ્ય કેન્દ્રો તેમજ નવી વોર્ડ ઓફિસો, બગીચા જેવી અનેકવિધ સુવિધાઓ રાજકોટને અમે ભેટ આપી છે. રાજકોટ જ્યારે દિવસે દિવસે મોટું થતું જાય છે ત્યારે રાજકોટનો વિકાસની દ્રષ્ટિએ પણ ત્રીજો ક્રમાંક આવ્યો છે. 'રાજકોટની પ્રિય જનતાનો હું આભાર માનું છું'આગામી સમયમાં અન્ય મહાનગરપાલિકા ભળવાની હોય એટલે ગુજરાતની અંદર મહાનગરપાલિકાઓની સંખ્યામાં વધારો થવાનો છે. મારું અઢી વર્ષનું શાસન ખૂબ સારું રહ્યું અને કામ કરવાની પણ ખૂબ મજા આવી. લોકોનો પણ એટલો જ સાથ અને સહકાર મળેલો છે. રાજકોટની પ્રિય જનતાનો પણ હું એટલો જ આભાર માનું છું કે અમારા કાર્યકાળ દરમિયાન અમારાથી જે પણ કામ થયા છે તે કામ અમે જ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને સોંપેલા છે. આ ગામો રાજકોટમાં ભળ્યા ને ક્ષેત્રફળ વધ્યુંમેયર નયનાબેન પેઢડીયાએ પોતાના કાર્યકાળમાં કરેલા કામો અને પ્રમાણિક ઇરાદાઓ અંગે સંતોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, રાજકોટ આજે માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં, પણ સમગ્ર ગુજરાતનું અગ્રેસર ’ગ્રોથ એન્જિન’ બની રહ્યું છે. ભાજપ શાસનનો આ અઢી વર્ષનો સમયગાળો રાજકોટની કાયાપલટ કરનારો રહ્યો છે. જેમાં 2020માં મોટા મૌવા, મુંજકા, ઘંટેશ્વર, માધાપર(મનહરપુર-1 સહિત)ના ગામો રાજકોટમાં ભળ્યા અને રાજકોટનું ક્ષેત્રફળ વધીને 161.86 ચો.કિ.મી. થયું છે તે સાથે પ્રાથમિક સુવિધાઓ આપવાની નવી સફર આગળ વધી છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ, રામ વન(અર્બન ફોરેસ્ટ), અટલ સરોવર સહિતના કામોઆજે શહેરની વસતિ 20 લાખથી વધુ થવા જઇ રહી છે. 2026-27માં બજેટનું કદ રૂ.3604.90 કરોડ થયું છે. રાજકોટમાં 137 એકરની વિશાળ જગ્યામાં ફેલાયેલું પ્રદ્યુમન પાર્ક ઝૂ છે. તેમજ લાયન સફારી પાર્કની કામગીરી પણ પૂર્ણતાને આરે છે. ઉપરાંત 47 એકરમાં ફેલાયેલું રામ વન(અર્બન ફોરેસ્ટ) છે. આરોગ્ય કેન્દ્રો, નવી વોર્ડ ઓફિસ, કોમ્યુનિટી હોલ, નવા જુના વિસ્તારોમાં ડામર રોડ સહિતની સુવિધા, ગાંધી મ્યુઝીયમ, અટલ સરોવર સહિતના લોકભોગ્ય કામો શાસકોએ કર્યા છે. 2006માં પ્રથમ વેસ્ટ ઝોન, 2007માં ઇસ્ટ ઝોન બન્યા બાદ હવે કોઠારીયામાં રાધાકૃષ્ણ સોસાયટી બાજુમાં 27.58 કરોડના ખર્ચે વોર્ડ નં.15, 16, 17, 18 માટે સાઉથ ઝોન ઓફિસનું કામ શરૂ કરાયું છે. મેયરના કાર્યકાળમાં થયેલા મુખ્ય કામોની યાદી 'અઢી વર્ષનો શાસનકાળ મને ખૂબ યાદ રહેશે'ઉલ્લેખનીય છે કે, મેયર નયના પેઢડીયાએ રાજકોટની જનતાનો આભાર માનતા જણાવ્યું કે, મારા કાર્યકાળમાં જનતાએ પણ મને ખૂબ સાથ-સહકાર આપ્યો છે. જોકે જ્યારે વિકાસ થતો હોય ત્યારે ક્યાંક અડચણ પણ થતી હોય, પણ તેમાં પણ સાથ-સહકાર મળેલો છે. અત્યારે રાજકોટમાં ભાગ્યે જ એવા વિસ્તાર હશે જ્યાં રોડના કામ બાકી હોય, જ્યાં બાકી છે ત્યાં પણ ટૂંક સમયમાં પુરા કરવામાં આવશે. ત્યારે આ અઢી વર્ષનો શાસનકાળ મને ખૂબ યાદ રહેશે અને તે મારા માટે અસ્મરણીય કાળ બની રહેશે. જોકે અંદરખાને વારંવાર થયેલા વિવાદોમાં આવવાને કારણે તેઓ દુઃખી હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું હતું. પણ આ માટે જવાબદાર વ્યક્તિનું નામ લેવાનું તેમણે ટાળ્યું હતું.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:41 pm

સુરેન્દ્રનગરમાં વીજ લોસ 25% થી ઘટી 9% થયો:PGVCL અને પોલીસના સંયુક્ત પ્રયાસોથી મોટી સફળતા

સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરી રોકવા માટે PGVCL અને પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના પરિણામે જિલ્લાનો વીજ લોસ 25 ટકાથી ઘટીને માત્ર 9 ટકા પર આવી ગયો છે, જે એક નોંધપાત્ર સફળતા છે. આ સિદ્ધિ બદલ PGVCL દ્વારા પોલીસ વિભાગ અને પોતાની ટીમને સન્માનિત કરવામાં આવી હતી. PGVCL અને પોલીસ વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ચાલતી વીજચોરી પર સતત દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં ભૂમાફિયાઓ, બુટલેગરો અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વોના ઘરોમાં ઇલેક્ટ્રિક ઉપકરણોની તપાસ કરવામાં આવી હતી. વીજચોરી કરતા એકમોને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિદ્ધિની ઉજવણી અને સન્માન માટે સુરેન્દ્રનગર શહેરના પંડિત દીનદયાળ હોલ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PGVCLના મેનેજિંગ ડિરેક્ટર (MD) કેતન જોશી, સુરેન્દ્રનગર જિલ્લા હેડ એન.એન. અમીન અને જિલ્લા પોલીસ વડા (SP) પ્રેમસુખ ડેલૂ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, PGVCLના જિલ્લા હેડ એન.એન. અમીન અને તેમની ટીમે SP પ્રેમસુખ ડેલૂ અને તેમની ટીમને વીજચોરી વિરોધી અભિયાનમાં આપેલા સહકાર બદલ સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત, મોટીવેશનલ સ્પીકર જય વસાવડાએ PGVCLની સમગ્ર ટીમને પ્રોત્સાહિત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં વીજ એકમો પાસેથી ₹151 કરોડથી વધુની બાકી રકમ વસૂલવાની છે. આ ઉઘરાણીની કામગીરી માટે પણ PGVCL દ્વારા અલગ-અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે. જે ગ્રાહકોના વીજ બિલ બાકી છે, તેમના વીજ કનેક્શન કાપી નાખવા સહિતની કાર્યવાહી પણ હાલ ચાલી રહી છે. વીજચોરી ઉપરાંત, થાનગઢમાં ચાલતી ખનીજ ચોરી પર પણ દરોડા પાડીને ગેરકાયદેસર ચાલતા ટ્રાન્સફોર્મર (TC) જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં પ્રાંત અધિકારી, પોલીસ વિભાગ અને PGVCL વિભાગે સંયુક્ત રીતે કામગીરી કરી હતી. જિલ્લામાં વીજ લોસમાં થયેલો આ ઘટાડો PGVCL અને પોલીસ તંત્રના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે. PGVCLના મેનેજિંગ ડિરેક્ટર સહિતના સ્ટાફે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અને PGVCL વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે આ 9 ટકાના વીજ લોસને જાળવી રાખવા અને ભવિષ્યમાં પણ આવી જ સક્રિય કામગીરી ચાલુ રાખવા માટે સૂચનાઓ આપી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:29 pm

મોરબી પાસે યુવકનું અપહરણ લૂંટ કેસમાં ફરિયાદ:ફરજમાં બેદરકારી દાખવનાર ASIને SPએ સસ્પેન્ડ કર્યા, અપહરણ કરી માર મારીને 4 શખસોએ લૂંટ ચલાવી હતી

મોરબીના બેલા ગામ નજીક એક યુવાનનું અપહરણ કરી, તેને ઢોર માર મારી ₹37,000ની લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મામલે ફરિયાદ લેવામાં વિલંબ કરનાર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ASIને મોરબી SP મુકેશકુમાર પટેલ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જોકે, આ ગંભીર ગુનામાં ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાનું સામે આવતા મોરબી એસપીએ કડક વલણ અપનાવ્યું છે. ફરજમાં બેદરકારી બદલ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ASI સબળસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દેશી દારૂ લેવા ગયોને બનાવ બન્યોટંકારાના નેકનામ ગામના રહેવાસી અને વ્યવસાયે ડ્રાઈવર પ્રકાશ શેરસીયા (35) ગત 8 માર્ચના રોજ સાંજે 6 વાગ્યે જેતપર રોડ પર આવેલા બેલા ગામની સીમમાં રેન્જ સિરામિક પાસેથી પસાર થઈ રહ્યા હતા. રંગપર ગામ તરફ જવા દરમિયાન તેઓ મજૂરો માટે દેશી દારૂ લેવા રોકાયા હતા. આ સમયે એક્ટિવા અને સીએનજી રિક્ષામાં આવેલા 4 અજાણ્યા શખ્સોએ અહીં કેમ ઉભો છે? તેમ કહી ઝઘડો કરી મારપીટ શરૂ કરી હતી. અપહરણ અને લૂંટઆરોપીઓએ પ્રકાશનું રિક્ષામાં અપહરણ કરી તેને રેન્જ સિરામિક પાછળના ભાગે લઈ ગયા હતા. ત્યાં લાકડાના ધોકા અને પટ્ટા વડે તેને નિર્મમ રીતે માર મારવામાં આવ્યો હતો, જેના કારણે યુવાનને આંખ અને પીઠના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી યુવાન પાસેથી 35,000 રોકડા, સેમસંગ કંપનીનો મોબાઈલ મળી કુલ 37,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પોલીસ કાર્યવાહી અને સસ્પેન્શનભોગ બનનાર યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણ, લૂંટ અને મારામારીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરી છે. રેન્જ IGની સમીક્ષા બેઠક મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે રેન્જ IG નિર્લિપ્ત રાયના અધ્યક્ષ સ્થાને 10 માર્ચે અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુનાખોરી ડામવા અને કાયદાનું ચુસ્ત પાલન કરાવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન, ફરજમાં શિથિલતા દાખવનાર કર્મચારી સામે જિલ્લા પોલીસ વડાએ લાલ આંખ કરી છે. 2 દિવસ પહેલા મોરબી તાલુકાના પીપળી રોડ પર મારામારીની એક ઘટના બની હતી. આ બનાવમાં ભોગ બનનાર વ્યક્તિની ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વિલંબ પાછળ વહીવટી બેદરકારી જવાબદાર હોવાનું જણાયું હતું. ફરજમાં બેદરકારી બદલ ASI સસ્પેન્ડ ફરિયાદ લેવામાં થયેલા વિલંબને ગંભીર ગણતા મોરબી જિલ્લા પોલીસ વડા મુકેશકુમાર પટેલે ત્વરિત પગલાં લીધા છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સબળસિંહ સોલંકીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:26 pm

જેતલપુરધામમાં દ્વિશતાબ્દી મહોત્સવ:ભાજપ પ્રદેશ પ્રમુખે આપી હાજરી, ટેકનોલોજીના યુગમાં નવી પેઢીને મંદિર સાથે જોડવા આહ્વાન

ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પોતાના હસ્તે જે 9 મંદિરોનું નિર્માણ કર્યું હતું, તેમાં જેતલપુરધામનું વિશેષ મહત્વ છે. અહીં બિરાજમાન રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજના સાનિધ્યમાં અત્યારે ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. મૂર્તિ પ્રતિષ્ઠાના 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત 'દ્વિશતાબ્દી પાટોત્સવ' તેના 6ઠ્ઠા દિવસે પહોંચ્યો છે. ભાવિ આચાર્ય 108 વ્રજેન્દ્રપ્રસાદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ઉજવાઈ રહેલા આ 'અવસર' મહોત્સવમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હાજરી આપી હરિભક્તોને પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું. જગદીશ વિશ્વકર્માનું ભાવુક સંબોધનકાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત જગદીશ વિશ્વકર્માએ પોતાની જૂની સ્મૃતિઓ વાગોળતા જણાવ્યું હતું કે, અમે નાના હતા ત્યારથી જેતલપુરની પૂનમ ભરવા આવતા હતા, પરંતુ ક્યારેય કલ્પના નહોતી કરી કે ભગવાન સ્વામિનારાયણના આટલા આશીર્વાદ પ્રાપ્ત થશે. તેમણે જેતલપુરધામના 200 વર્ષના ભવ્ય ઇતિહાસને બિરદાવતા કહ્યું કે, આ તીર્થધામ દ્વારા સનાતન ધર્મનો જે પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે, તેના જ માર્ગે સરકાર અને સમાજ આગળ વધી રહ્યા છે. વધતી જતી ટેક્નોલોજીના પડકારો વિશે વાત કરતા તેમણે ઉમેર્યું કે, આજના AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને અદ્યતન ટેક્નોલોજીના યુગમાં જો આપણી નવી પેઢી મંદિર અને સંસ્કારોથી દૂર જશે, તો જીવનનું સૌથી અગત્યનું પાનું ખોવાઈ ગયું હોય તેવો ખાલીપો અનુભવાશે. તેમણે દરેક માતા-પિતાને વિનંતી કરી હતી કે બાળકોને મંદિર સાથે જોડી રાખવા જોઈએ જેથી તેઓ જીવનના દરેક તબક્કે જીવંત અને સકારાત્મક રહી શકે. આધ્યાત્મિકતા સાથે વિજ્ઞાન અને સમાજસેવાનો સંગમઆ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિઓ પૂરતો સીમિત નથી, પરંતુ અહીં સામાજિક ઉત્થાન માટેના વિવિધ આયામો પણ જોવા મળ્યા છે. જગદીશ વિશ્વકર્માએ મહોત્સવ સ્થળે તૈયાર કરાયેલી વિવિધ પ્રદર્શનીઓની મુલાકાત લીધી હતી. જેમાં સ્વચ્છતા અભિયાન, પર્યાવરણ શુદ્ધિ, અંતરિક્ષ વિજ્ઞાનની નગરી, ઓપરેશન સિંદૂર પ્રદર્શની, બાળકો માટેની બાળ નગરી, રક્તદાન શિબિર અને વ્યસન મુક્તિના સ્ટોલ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ તમામ આયોજનો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આવનાર દરેક મુલાકાતીને જ્ઞાન અને સંસ્કાર સાથે પરત મોકલવાનો છે. મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિઆ ભવ્ય મહોત્સવમાં સમાજ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ પણ હાજરી આપી દર્શનનો લાભ લીધો હતો. જેમાં મેઘમણી પરિવારના નટુભાઈ પટેલ, સ્માર્ટ મીટર્સ ટેકનોલોજીસના રાકેશભાઈ શાહ, ગુજકોમાસોલના ચેરમેન બિપિનભાઈ પટેલ અને ગુજરાત રાજ્યના રીટાયર્ડ ચીફ જસ્ટીસ એ. એલ. દવે સહિતના મહાનુભાવોએ આશીર્વાદ મેળવ્યા હતા. ઐતિહાસિક મહત્વ અને પાટોત્સવની વિગતોઉલ્લેખનીય છે કે, આગામી વિક્રમ સંવત 2082 ના ફાગણ વદ આઠમ એટલે કે તારીખ 11-03-2026 ના રોજ આ મંદિરના 200 વર્ષ પૂર્ણ થાય છે. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા માટે નરનારાયણદેવ પીઠાધિપતિ 1008 આચાર્ય કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ તથા મોટા મહારાજ 1008 તેજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી તારીખ 05 માર્ચથી 11 માર્ચ સુધી આ ભવ્યાતિભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે આ ઉત્સવની ભવ્ય પૂર્ણાહુતિ થશે, જેમાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:23 pm

વારસિયામાં ટેઉરામજી સર્કલનું લોકાર્પણ:ચેટ્ટીચંડ પર્વે 19 માર્ચે મહાભંડારો અને 20 મીએ ભવ્ય શોભાયાત્રાનું વિશેષ આયોજન

વડોદરાના વારસિયા વિસ્તારમાં આવેલ પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ દરબાર અને સિંધુ સાગર પાસે નવનિર્મિત સદગુર સ્વામી ટેઉરામજી સર્કલનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાધુ-સંતો, મહંતો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓની વિશાળ હાજરીમાં વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. આ સર્કલ આસપાસ લગાડવામાં આવેલા આકર્ષક રંગબેરંગી ફુવારાઓ સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રાજકીય અને સામાજિક અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિઆ લોકાર્પણ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, કોમલબેન કુકરેજા અને શીતલ મિસ્ત્રી વિશેષ રૂપે હાજર રહ્યા હતા. તેમની સાથે વોર્ડ નંબર 6ના કાઉન્સિલરો, પૂર્વ કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખો અને મંત્રીઓ પણ જોડાયા હતા. સિંધી સમાજના પ્રમુખ અગ્રણીઓ સન્મુખ જ્ઞાનચંધાણી અને સુનિલ બાલાણી સહિત મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ દરબારના ભક્તોએ આ ઉત્સવમાં સહભાગી થઈને કાર્યક્રમની શોભા વધારી હતી. ચેટ્ટીચંડ પર્વ નિમિત્તે વિવિધ કાર્યક્રમોની જાહેરાતલોકાર્પણ પ્રસંગે સન્મુખ જ્ઞાનચંધાણીએ આગામી સિંધી સમાજના પવિત્ર તહેવાર 'ચેટ્ટીચંડ' વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે પણ આ પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત 19 માર્ચના રોજ પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ ખાતે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ 20 માર્ચના રોજ સમગ્ર વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:17 pm

બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓનો જ્ઞાન-પ્રકૃતિનો સંગમ:NEP-2020 સેમિનારમાં બૌદ્ધિક જ્ઞાનાર્જન, સેમિનારમાં 74 છાત્રો સહભાગી

જૂનાગઢની બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ દ્વારા તાજેતરમાં તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ માટે 'લર્નિંગ એન્ડ એક્સપોઝર કમ સ્ટડી ટુર'નું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. વર્ગખંડના શિક્ષણને વ્યાવહારિક અનુભવો સાથે જોડવાના ઉદ્દેશ્યથી યોજાયેલા આ પ્રવાસમાં 51 વિદ્યાર્થીનીઓ સહિત કુલ 74 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રવાસ દ્વારા વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષાના શૈક્ષણિક મંચ પર અભિવ્યક્તિની તક મળી હતી. NEP-2020 સેમિનારમાં બૌદ્ધિક જ્ઞાનાર્જનપ્રવાસના પ્રથમ તબક્કે વિદ્યાર્થીઓએ ધારીની યોગીજી મહારાજ વાણિજ્ય અને વિનયન મહાવિદ્યાલય ખાતે 'રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020' વિષયક સેમિનારમાં હાજરી આપી હતી. આ પ્રસંગે મનોજ સોની અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારમાં સક્રિય યોગદાન આપનાર તમામ 74 વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આંબરડી સફારી પાર્કમાં પ્રકૃતિ દર્શનશૈક્ષણિક સત્ર બાદ વિદ્યાર્થીઓએ ગળધરા ખોડિયાર માતાજીના દર્શન કરી આધ્યાત્મિક શાંતિ અનુભવી હતી. ત્યારબાદ આંબરડી સફારી પાર્કની મુલાકાત દરમિયાન એશિયાટિક સિંહોને નિહાળવાનો લ્હાવો લીધો હતો. અહીં વિદ્યાર્થીઓએ જંગલની ઇકોસિસ્ટમ, વન્યજીવોના વર્તન અને સિંહોના સંવર્ધન વિશેની ગહન માહિતી મેળવી હતી. સફળ આયોજન અને વ્યવસ્થાપનઆચાર્ય ડો. જે. આર. વાંઝાના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર ભાવસિંહ બારડ, સિનિયર પ્રાધ્યાપક આર. એચ. પરમાર, ડો. દીનાબેન લોઢીયા, ડો. ભરત રાઠોડ, ભાવિક ચાવડા અને અમિતભાઈ આચાર્યએ પ્રવાસનું સુચારુ સંચાલન કર્યું હતું. આ પ્રવાસ વિદ્યાર્થીઓના માનસિક અને બૌદ્ધિક વિકાસ માટે અત્યંત ફળદાયી રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:14 pm

સંગઠન પ્રભારી અનિરુધ્ધ દવે રાજકોટની મુલાકાતે:સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા અલગ અલગ શ્રેણીના કાર્યકર્તા સાથે કરશે બેઠક, ત્રિ-પાંખિયા જંગ વચ્ચે પણ તમામ વોર્ડમાં ભાજપનો વિજય નિશ્ચિત છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પ્રદેશ ભાજપના મહામંત્રી અને રાજકોટના પ્રભારી અનિરુધ્ધ દવે આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને રાજકોટમાં તેઓ તમામ શ્રેણીના કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે બેઠક યોજી ચૂંટણી લક્ષી માર્ગદર્શન પણ આપવાના છે. આમ આદમી પાર્ટી દ્વારા દરેક બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત બાદ ત્રિપાંખિયો જંગ થવાનો છે ત્યારે રાજકોટ મહાનગર પાલિકા ચૂંટણીમાં તમામ 18 વોર્ડમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજકોટ કમલમ ખાતે પ્રભારીના આગમન પૂર્વે ઉપસ્થિત કાર્યકર્તાઓમા નવા સંગઠન માળખા અને હોદેદારોની નિમણુંકને લઇ ક્યાંક નારાજગી અને રોષ જરૂર જોવા મળ્યો હતો જો કે ખુલીને કોઈ વિરોધ ન કરી શકતા હોવાથી આગામી ચૂંટણીમાં પાયાના કાર્યકર્તાનો અસંતોષ કેટલી અને કેવી અસર પહોંચાડશે તે જોવું મહત્વનું રહેશે. રાજકોટ શહેર ભાજપના પ્રભારી અનિરુધ્ધભાઈ દવે આજે રાજકોટની મુલાકાતે આવી પહોંચ્યા છે. સવારે રાજકોટ પહોચતાની સાથે 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક ચોકથી કમલમ કાર્યાલય સુધી યુવા મોરચા દ્વારા ખુલ્લી જીપમાં બાઈક રેલી યોજી તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સત્કાર સમારંભ, આ પછી મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટરો સાથે બેઠક યોજવામાં આવશે આ પછી પ્રદેશ ભાજપના હોદેદારો, શહેર સંગઠનના હોદેદારો, અલગ અલગ મોરચાના પ્રમુખ અને મહામંત્રી સાથે બેઠક યોજી છેલ્લે તમામ 18 વોર્ડના પ્રમુખ, મહામંત્રી અને પ્રભારી સાથે બેઠક યોજવામાં આવશે. આ દરમિયાન તેમના દ્વારા તમામ આગેવાનો અને કાર્યકર્તાને ચૂંટણી લક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. અનિરુધ્ધ દવેએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓ રાજકોટના પ્રભારી બન્યા બાદ આજે પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા છે. રાજકોટમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. આ પછી તમામ શ્રેણીના આગેવાનો અને કાર્યકર્તા સાથે બેઠક યોજવામાં આવશે. રાજકોટમાં પણ આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણી લક્ષી માર્ગદર્શન પણ આપવામાં આવશે અને આગામી ચૂંટણીમાં તમામ 18 વોર્ડમાં ભાજપનો ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ તમામ વોર્ડની અંદર ચૂંટણીમાં ઝંપલાવવાની જાહેરાત કરતા ત્રિ-પાંખિયો જંગ થવાથી કેટલી અસર થશે પૂછતાં તેમને વિશ્વના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદી છે માટે તેમના નેતૃત્વમાં ભાજપનો ભવ્ય વિજય ગુજરાતની તમામ ચૂંટણીઓમાં નિશ્ચિત ગણાવ્યો હતો. રાજકોટ શહેર ભાજપ દ્વારા સવારે 9 વાગ્યે તમામ કાર્યકર્તાને બોલાવવામાં આવ્યા હતા જો કે પ્રભારી 10 વાગ્યા બાદ આવતા લગભગ એકાદ કલાક સુધી રાજકોટ કમલમની અંદર અને બહાર અલગ અલગ ખૂણે નવા સંગઠન માળખાને લઇ નારાજગી અને રોષ જોવા મળતો હતો. કોંગ્રેસમાંથી આવી અને ભાજપના નેતા બનેલા નેતાઓથી ભાજપના પાયાના કાર્યકર્તાઓમાં આ વખતે ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો હતો જો કે ભાજપ શિસ્ત બદ્ધ પાર્ટી કહેવામાં આવતી હોવાથી પ્રભારી આવતાની સાથે તમામ કાર્યકર્તા સ્વાગતમાં જોડાઈ ગયા હતા. જો કે હવે પાયાના કાર્યકર્તાઓની નરાજગી અને રોષ આવતી ચૂંટણીમાં કેટલી અને કેવી રીતે જોવા મળશે તે જોવું મહત્વનું રહેશે.. પ્રભારીના આગમન બાદ તમામ નેતાઓ પ્રમુખ ચેમ્બરમાં ચા-પાણી પીવા બેઠા હતા અને ફોટો પડાવી રહ્યા હતા આ સમયે પણ મીઠો કકળાટ થયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાજકોટ શહેર ભાજપમાં નવું સંગઠન માળખું બનાવવામાં આવ્યું છે જો કે આમ છતાં જુના હોદેદારોને હજુ મોહ ન છુટતો હોય તેમ પ્રમુખ ચેમ્બરમાં નવા મહામંત્રીના બદલે જુના મહામંત્રી પ્રમુખ અને પ્રભારી સાથે ફરતે ખુરશી પર બેસી ચા પુત્ર હતા અને નવા મહામંત્રી ઉભા હોવાનો ગણગણાટ કાર્યકર્તામાં થતો સંભળાયો હતો. એટલું જ નહિ મનપાના પદાધિકારીઓ ફોટો પડાવતા હતા આ સમયે એક પૂર્વ પ્રમુખે કટાક્ષ કર્યો હતો કે છેલ્લો ફોટો પડાવી લો જેથી તુરંત એક પદાધિકારીએ શું બોલ્યા પૂછતાં તેમણે કહ્યું કે આજે છેલ્લો દિવસ છે એટલે કવ છું છેલ્લો ફોટો પડાવી લો.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:14 pm

પાટણમાં 62.92 લાખના ખર્ચે 17 વિસ્તારોમાં પાણી લાઈન:ઈન્દ્રપ્રસ્થ સોસાયટી સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે

પાટણ નગરપાલિકા દ્વારા શહેરના 17 વિસ્તારોમાં પીવાના પાણીની નવી પાઈપલાઈન નાખવાના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 62.92 લાખ રૂપિયા છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના હસ્તે પદાધિકારીઓની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના માળખાગત વિકાસ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવાનો હેતુ છે. કુલ 17 વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે, જ્યાં નવી પાઈપલાઈન નાખવામાં આવશે. મુખ્યત્વે ઈન્દ્રપ્રસ્થ સોસાયટીના પ્રવેશદ્વારથી રોયલ પેલેસ સોસાયટીના પ્રવેશદ્વાર સુધી 8 ઇંચ ડાયાની પાઇપલાઇન નાખવાનું કામ શરૂ કરાયું છે. આ ઉપરાંત, સિદ્ધપુર રોડ પર આવેલા ફાઈવ એલપી બોરથી ગણેશ વિહાર થઈ સુરમ્ય સોસાયટી સુધી 6 ઇંચ ડાયાની પીવાના પાણીની લાઈન નાખવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ સમગ્ર પેકેજની કુલ રકમ 62,92,140 રૂપિયા છે, જે 17 વિસ્તારોમાં પાણીની સમસ્યા હલ કરવામાં મદદ કરશે. આ વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સંજય પટેલ, પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, કોર્પોરેટર દેવચંદભાઈ પટેલ અને જયેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પક્ષના નેતા દશરથજી ઠાકોર સહિત વિવિધ વોર્ડના નગરસેવકો અને સંગઠનના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આગામી સમયમાં આ નવી પાઈપલાઈન નંખાઈ જવાથી સંબંધિત સોસાયટીઓના રહીશોને પીવાના પાણીની સુવિધામાં મોટી રાહત મળશે. આનાથી લાંબા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેવી અપેક્ષા છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:12 pm

ઝાંપોદર ગામે 'સેવાસેતુ 2.0' કાર્યક્રમ:આઠ ગામોના અરજદારોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરાયો

જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ઝાંપોદર ગામે 'સેવાસેતુ 2.0 (ગ્રામ્ય)' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના અભિગમ મુજબ, છેવાડાના નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાધા વગર ઘર આંગણે જ વિવિધ યોજનાઓનો લાભ મળે તે હેતુથી આ કેમ્પ યોજાયો હતો. ઝાંપોદરના કનેરિયા પટેલ સમાજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં આસપાસના 8 જેટલા ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 8 ગામોના પ્રશ્નોનો સ્થળ પર નિકાલઆ સેવાસેતુ કાર્યક્રમમાં ઝાંપોદર સહિત ડુંગરી, નરેડી, નાવડા, મેઘપુર, ઘંટીયા, બંટીયા અને સાંતલપુર ગામના નાગરિકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલી વ્યક્તિલક્ષી અરજીઓ અને વિવિધ સરકારી સેવાઓના ફોર્મનો વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેના કારણે ગ્રામજનોનો સમય અને શક્તિ બંનેની બચત થઈ હતી. લાભાર્થીઓએ વ્યક્ત કર્યો સંતોષકાર્યક્રમના સફળ આયોજન અંગે લાભાર્થી મેહુલભાઈ જાનીએ જણાવ્યું હતું કે, સરકારની તમામ સેવાઓ એક જ છત નીચે મળી રહેતી હોવાથી ગ્રામજનો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. મોટી સંખ્યામાં હાજર રહેલા લોકોએ વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની આ પારદર્શક કામગીરીની પ્રશંસા કરી આભાર માન્યો હતો. આ કાર્યક્રમ થકી જનસુખાકારીના કાર્યોમાં ઝડપ આવતા ગ્રામીણ સ્તરે સંતોષની લાગણી ફેલાઈ છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:11 pm

ગીર સોમનાથ LCBનો વેરાવળમાં દરોડો:રહેણાંક મકાનમાંથી 1680 બોટલ વિદેશી દારૂ સાથે ₹10.70 લાખનો મુદ્દામાલ જપ્ત, 'રેમ્બો' પોલીસને થાપ આપી ફરાર

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે (LCB) પ્રોહિબિશનના ગુના હેઠળ મોટી કાર્યવાહી કરી છે. ડાભોર રોડ પર આવેલા ગુરુ નાનક ચોક વિસ્તારમાં એક રહેણાંક મકાન પર દરોડો પાડી પોલીસે 1,680 બોટલ વિદેશી દારૂ અને રેનોલ્ટ ડસ્ટર કાર સહિત કુલ 10.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, દરોડા દરમિયાન લિસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે 'રેમ્બો' પોલીસને થાપ આપી ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. બાતમીના આધારે દરોડોLCB ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ગુરુ નાનક ચોક વિસ્તારના એક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને ત્યાંથી તેનું ગેરકાયદે વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે મોડી રાત્રે આયોજનબદ્ધ રીતે મકાન પર દરોડો પાડ્યો હતો. જપ્ત કરાયેલો મુદ્દામાલપોલીસ તપાસ દરમિયાન મકાનમાંથી વિદેશી દારૂની કુલ 1,680 બોટલો મળી આવી હતી. આ ઉપરાંત ગુનામાં વપરાયેલી રેનોલ્ટ ડસ્ટર કાર પણ સ્થળ પરથી મળી આવી હતી. પોલીસે દારૂ અને વાહન મળી કુલ 10.70 લાખની મતા જપ્ત કરી છે. લિસ્ટેડ બુટલેગર 'રેમ્બો' ફરારઆ કેસમાં વેરાવળ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂના નેટવર્ક પાછળ લિસ્ટેડ બુટલેગર રોહિત ઉર્ફે રેમ્બો રમેશ બારીયાનો મુખ્ય હાથ છે. દરોડા સમયે આરોપી હાજર ન મળી આવતા પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ તેજ કરી છે. શહેરના રહેણાંક વિસ્તારમાંથી આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી લાંબા સમયથી દારૂના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલો છે અને તેના નેટવર્કના અન્ય સભ્યોની પણ તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:07 pm

બોટાદમાં પાણી-રસ્તાના અભાવે સ્થાનિકોનો વિરોધ:બાપા સીતારામ નગર, તુલસી નગર-2ના રહીશો વર્ષોથી સુવિધાઓથી વંચિત

બોટાદ શહેરના વિકાસના દાવાઓ વચ્ચે ઢાંકણિયા રોડ પર આવેલા બાપા સીતારામ નગર અને તુલસી નગર-2ના રહીશો આજે પણ મૂળભૂત સુવિધાઓ માટે સંઘર્ષ કરી રહ્યા છે. પીવાના પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓથી વર્ષોથી વંચિત હોવાથી સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો છે. આજે સ્થાનિકોએ એકત્રિત થઈ પાણી આપોના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે જણાવ્યું કે વોર્ડ નંબર 11માં આવેલા આ વિસ્તારોમાં સ્થાપના થઈ ત્યારથી આજદિન સુધી રોડ-રસ્તા કે પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પહોંચી નથી. સોસાયટીમાં પાકા રોડના અભાવે રહીશો કાચા અને ધૂળિયા માર્ગો પરથી અવરજવર કરવા મજબૂર છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન આ રસ્તાઓ કાદવ અને કીચડમાં ફેરવાઈ જાય છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. પીવાના પાણી માટે પણ કોઈ નિયમિત વ્યવસ્થા ન હોવાથી મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે અથવા ખાનગી ટેન્કરો પર નિર્ભર રહેવું પડે છે. આ સ્થિતિ વર્ષોથી યથાવત છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ પ્રશ્નોને લઈને અનેક વખત તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજદિન સુધી કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે સોસાયટીમાં વહેલી તકે પાકા સીસી રોડ બનાવવામાં આવે અને પીવાના પાણીની કાયમી વ્યવસ્થા કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે, તો રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 12:07 pm

બોટાદ જિલ્લામા LPG સિલિન્ડર વિતરણમાં કાપ:યુદ્ધને કારણે હવે મહિને ફક્ત એક જ સિલિન્ડર મળશે; મોટા પરિવારોને મુશ્કેલી

બોટાદ જિલ્લામાં LPG ગેસ સિલિન્ડરના વિતરણમાં કાપ મૂકવામાં આવ્યો છે. યુદ્ધની સ્થિતિના પ્રભાવ હેઠળ, હવે ગ્રાહકોને મહિનામાં ફક્ત એક જ ગેસ સિલિન્ડર મળશે. અગાઉ, ગ્રાહકોને મહિનામાં બે થી ત્રણ સિલિન્ડર મળતા હતા. આ નિર્ણયથી મોટા પરિવારોને મુશ્કેલી પડી રહી છે, કારણ કે તેમને એક સિલિન્ડર પૂરતો નથી. ગ્રાહકોએ સરકાર સમક્ષ રાબેતા મુજબ વિતરણ ફરી શરૂ કરવાની માંગ કરી છે. ગઢડા પટેલ ગેસ એજન્સીના મેનેજર કલ્પેશભાઈ ડાભીએ જણાવ્યું કે ગેસની કોઈ અછત નથી, પરંતુ યુદ્ધની સ્થિતિને કારણે ઓઈલ કંપનીઓ દ્વારા 50 ટકા જ જથ્થો પૂરો પાડવામાં આવી રહ્યો છે. આથી, જે બુકિંગ અગાઉ 15 દિવસે થતું હતું, તે હવે મહિનામાં એક જ વાર થશે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:57 am

ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા યુવકના મોબાઈલમાંથી દેહવેપારનો પર્દાફાશ:સો. મીડિયામાં દેહવેપાર ચલાવતા હતા, ગોવા પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાંચને રીપોર્ટ આપતા ભાંડો ફૂટ્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે સોશિયલ મીડિયા મારફતે ચાલતા દેહવેપારનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચના સંકજામાં આવેલા લોકો ગોવામાં ડ્રગ્સ રેકેસમાં ઝડપાયા હતાં. જેમના મોબાઇલની તપાસ બાદ ગોવાના અધિકારીએ ક્રાઈમ બ્રાંચને જાણ કરતા ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. FSLમાં મોબાઈલ મોકલ્યો ને દેહવેપારનો કાળો કારોબાર ખુલ્યોનોર્થ ગોવા પોલીસે પણજી ખાતે રેડ કરી હતી અને 4.325 કિલો કોકેન સાથે નીબુ વિન્સેન્ટ, રેશ્મા વાડેકર, માંગેશ વાડેકર અને ચિરાગ દુધાતની ધરપકડ કરી હતી. ગોવા પોલીસે ચિરાગ દુધાતનો મોબાઈલ જપ્ત કર્યો હતો અને તેને FSLમાં મોકલી આપ્યો હતો. એફએસએલના રીપોર્ટમાં ઘણો ચોંકાવનારો પર્દાફાશ થયો હતો. જેમાં સામે આવ્યુ હતું કે, ચિરાગ દેહવેપારનો કારોબાર ચલાવી રહ્યો છે. ચિરાગ ઉર્ફે મોન્ટી દુધાત અને માસુમ ઉર્ફે માહી (બન્ને રહે, દેવનંદર સંકલ્પ સીટી, નવાનરોડા) વિરૂદ્ધ ફરિયાદ થઈ છે કે દેહવેપારનો કારોબાર કરી રહ્યા છે. ક્રાઈમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમે ઘટનાની ગંભીરતા લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બંને સોશિયલ મીડિયા મારફતે દેહવેપાર ચલાવતા હતાંતપાસ દરમિયાન સામે આવ્યુ હતું કે, ચિરાગ દુધાત અને માસુમ દેહવેપારના ધંધામાં સંડોવાયેલા છે અને ગ્રાહકોનો ડેટા પણ તેમની પાસે છે. ચિરાગ અને માસુમ દેશભરમાંથી રૂપલલનાઓને લાવતા હતા અને ત્યારબાદ દેહવેપારનો કાળો કારોબાર ચલાવી રહ્યા હતાં. વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, લિંકડીન એકાઉન્ટ તેમજ ઈન્ટરનેટના માધ્યમથી દેહવેપાર ચલાવતા હતાં. એક યુવક ગોવાની જેલમાં હાલ ચિરાગ દુધાત ગોવાની જેલમાં છે અને ક્રાઈમ બ્રાંચે ઉડાણ પુર્વક તપાસ સરૂ કરી છે. ગોવાના ઉચ્ચ અધિકારીએ અમદાવાદ ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરી છે. મોબાઈલમાંથી યુવતીના ફોટોગ્રાફ્સ સહિતની વિગતો મળીગોવા પોલીસે અનુપ નામના સાક્ષીનું નિવેદન પણ લીધુ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, જ્યારે ચિરાગ અને માહી અમદાવાદમાં રહેતા હતા ત્યારે તે ઓનલાઈન દેહવેપારનો ધંધો ચલાવતા હતાં. અનુપ 20 દીવસ સુધી અમદાવાદમાં રોકાયો હતો જ્યા બન્નેનો ધંધો જોયો હતો. ચિરાગના મોબાઈલમાંથી હોટેલના નામ, યુવતીના ફોટોગ્રાફ્સ તેમજ વિવિધ વિગતો મળી આવી છે. ગોવાના અધિકારીએ પત્ર લખ્યા બાદ ગુનો દાખલ કર્યો છે. ડ્રગ્સ કેસ ને દેહવ્યાપારના કાળા કરતૂતચિરાગ દુધાત જે યુવતીઓના ફોટોગ્રાફ્સ મોકલી આપતો હતો તેના રેટનું લિસ્ટ પણ મોકલી આપતો હતો. સોશિયલ મીડિયા મારફતે આ કારોબાર થતો હતો જેનાથી પોલીસ ખુદ અજાણ હતી. ડ્રગ્સ કેસમાં ચિરાગ ઝડપાયો તે પહેલા તે દેહવેપારમાં પણ ઝડપાઈ ચુક્યો હતો. હાલ ચિરાગ દુધાત જોડે કેટલાક કેટલા દલાલો સંડોવાયેલા છે તે મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:49 am

છોટા ઉદેપુરના જર્જરિત ભીલપુર બસ સ્ટેન્ડનો વીડિયો વાયરલ:મુસાફરોમાં જાનહાનિનો ભય; નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ ઉઠી

છોટા ઉદેપુર તાલુકાના ભીલપુર ખાતે આવેલું બસ સ્ટેન્ડ અત્યંત જર્જરિત હાલતમાં છે. સ્થાનિક યુવકોએ આ અંગે એક વીડિયો બનાવી વાયરલ કર્યો છે અને તંત્ર સમક્ષ નવું બસ સ્ટેન્ડ બનાવવાની માંગ કરી છે. છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો પ્રદેશ છે. અહીં વર્ષો પહેલા ગામેગામ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ઘણા હાલ જર્જરિત થઈ ગયા છે. ભીલપુરનું બસ સ્ટેન્ડ પણ તેમાંથી એક છે અને ગ્રામજનોને ભય છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. મહત્વની વાત એ છે કે દર શનિવારે ભીલપુર ખાતે હાટ બજાર ભરાય છે. આ સમયે આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવે છે અને બસ સ્ટેન્ડ પર બેસીને વાહનોની રાહ જોતા હોય છે. સ્થાનિક યુવકોએ સવાલ ઉઠાવ્યો છે કે જો આ જર્જરિત બસ સ્ટેન્ડ તૂટી પડે અને કોઈ જાનહાનિ થાય, તો તેની જવાબદારી કોની રહેશે? તેમણે તાત્કાલિક ધોરણે નવું અને સુરક્ષિત બસ સ્ટેન્ડ બનાવવાની અપીલ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:43 am

હળવદના કડીયાણા ગામે બે જૂથો વચ્ચે સશસ્ત્ર અથડામણ:જૂના ઝઘડાના સમાધાન માટે મળ્યાં; વાત વણસતાં છરી, તલવાર, કુહાડી અને લોખંડની પાઇપ ઉછળી, વીડિયો વાઈરલ

હળવદ તાલુકાના કડીયાણા ગામે જૂના ઝઘડાનું સમાધાન કરવા એકઠા થયેલા બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ હિંસક મારામારી થઈ હતી. 9 માર્ચના રોજ સાંજે 4:30 વાગ્યાના અરસામાં બનેલી આ ઘટનામાં છરી, તલવાર, કુહાડી અને લોખંડના પાઇપ જેવા હથિયારો ઉડ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામં વાઈરલ થયો છે. આ સંઘર્ષમાં બંને પક્ષના લોકો લોહીલુહાણ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. હળવદ પોલીસે આ મામલે બંને પક્ષોની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલોકડીયાણાના દેવીપુજક વાસમાં રહેતા જશીબેન કાળુભાઈ વાઘેલા (47)એ મહાદેવ કાળુ કોળી, સામત મહાદેવ કોળી અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. આક્ષેપ મુજબ, આરોપીઓએ સમાધાનના બહાને બોલાવી ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ છરી, તલવાર અને કુહાડી વડે હુમલો કરી જશીબેનને પેટ અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમના પુત્ર નવઘણને પણ છાતી અને પેટના ભાગે હથિયારોના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. સામા પક્ષની ફરિયાદ બીજી તરફ, રાયધ્રા ગામના મહાદેવ કાળુ દેત્રોજા (40)એ નવઘણ કાળુ દેવીપુજક અને વિક્રમ (બંને રહે. કડીયાણા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, અગાઉની અદાવતમાં નવઘણે ફોન પર ગાળો આપી હતી. આ બાબતે વાતચીત કરવા માટે માથક ચોકડી પાસે એકઠા થયેલા પક્ષો વચ્ચે વિવાદ વકર્યો હતો. આ દરમિયાન નવઘણે લોખંડના પાઇપથી મહાદેવના હાથમાં ઈજા કરી હતી, જ્યારે વિક્રમે લાકડાના ધોકા વડે મહાદેવ અને સામતને આડેધડ માર માર્યો હતો. હુમલામાં મહાદેવને માથા અને હાથના ભાગે તથા સામતને કાન પાસે ઈજાઓ પહોંચી છે. સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલઆ હિંસક અથડામણનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ચકચાર મચી છે. જાહેરમાં થયેલી આ મારામારીને પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે. હળવદ પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓને ઝડપી લેવા તજવીજ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:39 am

લૂંટેરી દુલ્હન ગેંગ સામે વધુ એક ફરિયાદ:તલોદમાં દંપતી સહિત ચાર સામે છેતરપિંડીનો ગુનો, ઘરે તપાસ

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 'લૂંટેરી દુલ્હન' ગેંગ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. તલોદ પોલીસ સ્ટેશનમાં દંપતી સહિત ચાર વ્યક્તિઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં, હિંમતનગર બી ડિવિઝન પોલીસે રિમાન્ડ પર રહેલા મુખ્ય દંપતીના ઘરે તપાસ હાથ ધરી હતી. હિંમતનગરના કાંકરોલ રોડ પર આવેલી અર્બુદાનગર સોસાયટીમાં ઝડપાયેલા મનોજભાઈ સોની અને કવિતાબેન મનોજભાઈ સોનીના ઘરે પોલીસ ટીમ તપાસ માટે પહોંચી હતી. આ તપાસ દરમિયાન, 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો'ના કાર્ડ સહિતના કેટલાક મહત્વના દસ્તાવેજો મળી આવ્યા હતા. હિંમતનગર પોલીસે આ ગેંગનો ભોગ બનેલા અન્ય પીડિતોને આગળ આવવા અને કાર્યવાહી માટે 9998828188 નંબર પર સંપર્ક કરવા અપીલ કરી છે. તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી નવી ફરિયાદ મુજબ, તલોદ તાલુકાના મોઢુકા ગામના ખેડૂત પરેશકુમાર ભોગીલાલ પટેલ 10 માર્ચ, 2024ના સમયગાળામાં છેતરપિંડીનો ભોગ બન્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, 'દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો'ના સંચાલક મનોજભાઈ સોની અને તેમની પત્ની કવિતાબેન સોનીએ પરેશભાઈને સારી છોકરી સાથે લગ્ન કરાવી આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. મનોજભાઈ, કવિતાબેન અને મધ્યપ્રદેશના ઈન્દોરમાં રહેતા જ્યોતિબેન પ્રતાપસિંહ વણઝારાએ મળીને ઈન્દોરની પ્રતિભાબેન જગદીશભાઈ ચૌધરી સાથે પરેશભાઈના લગ્ન કરાવવાનું કાવતરું ઘડ્યું હતું. આ લગ્ન કરાવવા પેટે પરેશભાઈ પાસેથી રૂ. 3,25,000 દલાલી તરીકે લેવામાં આવ્યા હતા. લગ્નના આશરે એક મહિનામાં જ પ્રતિભા ચૌધરીએ પરેશભાઈના ઘરે ફાવતું ન હોવાના અને અન્ય ખોટા બહાના રજૂ કરી છૂટાછેડા લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ, મનોજભાઈ, કવિતાબેન અને જ્યોતિબેને મળીને પ્રતિભા ચૌધરીના પરેશભાઈ સાથે છૂટાછેડા કરાવી દીધા હતા. આ પ્રક્રિયામાં, પરેશભાઈ પાસેથી લીધેલા રૂ. 3,25,000 પરત કરવામાં આવ્યા ન હતા, આમ ગેંગ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ફરિયાદમાં નીચે મુજબના ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે: 1. મનહરલાલ ઉર્ફે મનોજભાઈ બાબુલાલ સોની, રહે. મ.નં. 46, અર્બુદાનગર સોસાયટી, કાંકરોલ રોડ, હિંમતનગર. 2. કવિતાબેન વા.ઓ. મનહરલાલ ઉર્ફે મનોજભાઈ બાબુલાલ સોની (દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના સંચાલક), રહે. મ.નં. 46, અર્બુદાનગર સોસાયટી, કાંકરોલ રોડ, હિંમતનગર. 3. જ્યોતિબેન પ્રતાપસિંહ વણઝારા, રહે. ઈન્દોર (મધ્યપ્રદેશ). 4. પ્રતિભાબેન જગદીશભાઈ ચૌધરી, રહે. 903/6 નેહરુનગર, ઈન્દોર (મધ્યપ્રદેશ).

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:26 am

બોરતળાવ મફતનગરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા:રામાપીર ચોકમાં રમતા હતા ને પોલીસ ત્રાટકી, 13 હજાર રોકડ જપ્ત; જુગારધારા હેઠળ ગુનો નોંધાયો

ભાવનગર બોરતળાવ પોલીસે બોરતળાવ મફતનગર રામાપીર ચોક પાસે ખુલ્લી જગ્યામાં દરોડો પાડી હારજીતનો જુગાર રમતા 3 શખ્સોને ગંજીપતા અને રોકડ 13,580 સહીતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. પોલીસે તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મફતનગર રામાપીર ચોક પાસે જુગાર રમતા 3 શખ્સ મળતી માહિતી અનુસાર, બોરતળાવ પોલીસ પ્રોહી જુગાર દ્રાઈવ અન્વયે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન બાતમી મળી હતી કે, શહેરના બોરતળાવ મફતનગર રામાપીર ચોક પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક શખસો જાહેરમાં ગંજીપાના વડે હાર-જીતનો જુગાર રમે છે. 13 હજારનો મુદ્દામાલ જપ્ત કરાયોજે બાતમી આધારે પોલીસે સ્થળ પર રેડ કરી હતી. તપાસ દરમ્યાન કમલેશ ઉર્ફે કમો શાંતિભાઈ પરમાર, નયન ભુપતભાઇ ડાભી, મહેશ ઉર્ફે મયલો રમેશભાઈ પરમાર તમામ ભાવનગર રહેવાસીઓને ગંજીપતા અને રોકડ 13,580 સાથે ઝડપી પાડવામાં આવ્યા હતાં. જુગારધારા હેઠળ ગુનો નોંધાયોપોલીસે ગંજીપતા અને રોકડ રૂ.13,580 સહિતનો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ બોરતળાવ પોલિસ મથક માં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:21 am

પોરબંદરમાં વિરાટ હિંદુ સંમેલન યોજાયું:સામાજિક એકતા અને સંસ્કૃતિ સંરક્ષણનો સંદેશ અપાયો

પોરબંદર શહેરના કનકાઈ ઉપનગર સ્થિત વાધેશ્વરી વસતી વિસ્તારમાં આવેલા પંચનાથ મહાદેવ મંદિર ખાતે હિંદુ સમાજ દ્વારા એક વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક હિંદુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત ભારત માતાના પૂજન સાથે કરવામાં આવી હતી. આ અવસરે Xtreme Gym દ્વારા ‘Operation Sindoor’ વિષય પર એક પ્રેરણાદાયી કૃતિ રજૂ કરવામાં આવી હતી, જેને ઉપસ્થિત જનમેદનીએ વધાવી લીધી હતી. સંમેલન દરમિયાન હિંદુ સમાજમાં એકતા, સાંસ્કૃતિક સંરક્ષણ અને સામાજિક જાગૃતિ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વક્તાઓએ પોતાના સંબોધનમાં હિંદુ સમાજને સંસ્કાર, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય ભાવના મજબૂત બનાવવા માટે એકજૂથ થઈને કાર્ય કરવા આહવાન કર્યું હતું. આ પ્રસંગે ઓરડીધામ સતાપરના ભુવા આતા અમરાઆતા પરબતઆતા ઉલવા, ભાનુપ્રકાશ સ્વામીજી, ચમ સ્કૂલના આચાર્ય સુરેનાબેન ડોગરા, ડો. નાનજીભાઈ હોદર તેમજ પોરબંદર જિલ્લા સહકાર્યવાહ કૌશલભાઈ પરમાર વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે સામૂહિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરાયું હતું. આ સંમેલનને સફળ બનાવવા માટે વાધેશ્વરી વસતી વિસ્તારના ભાઈઓ અને બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:18 am

શૈક્ષિક મહાસંઘની શિક્ષણમંત્રીને રજૂઆત:ગરમીના કારણે શાળાઓનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારનો કરવા માંગ

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાતના અધ્યક્ષ મીતેશભાઇ ભટ્ટ અને મહામંત્રી પરેશકુમાર પટેલે રાજ્યના શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાને લેખિત રજૂઆત કરી છે. મહાસંઘે રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય ઉનાળુ વેકેશન સુધી સવારનો કરવા વિનંતી કરી છે. આ રજૂઆત રાજ્યમાં વધી રહેલા ગરમીના પ્રમાણ, યલો એલર્ટ અને તાપમાન વધવાની આગાહીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. વર્તમાન વર્ષે ગરમીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જેમાં સવારે 11 વાગ્યાથી જ તાપમાનનો પારો યલો એલર્ટ અનુસાર ખૂબ ઊંચો જઈ રહ્યો છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓને લૂ લાગવાની અને બીમાર પડવાની શક્યતા વધી જાય છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓની હાજરી અને શૈક્ષણિક કાર્ય પર પણ નકારાત્મક અસર જોવા મળે છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધુ વધવાની અને રેકોર્ડબ્રેક તાપમાન નોંધાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ જ્યારે ગરમીનું પ્રમાણ વધુ હતું કે હીટવેવની સ્થિતિ હતી, ત્યારે શાળાઓનો સમય સવારનો કરવામાં આવતો હતો. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો સમય સવારનો કરવા માટે ફરીથી વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:16 am

ગઢડાના વનાળી ગામે મારામારી:ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ, તપાસ શરૂ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના વનાળી ગામે મારામારીની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અનિલભાઈ જાદવ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હતો, જેના પગલે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. ગઢડા પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વનાળી ગામના વિનુભાઈ જાદવ, જયસુખભાઈ જાદવ, કિશોરભાઈ જાદવ અને રમેશભાઈ જાદવ અનિલભાઈ જાદવના ઘરે પહોંચ્યા હતા. તેઓએ અનિલભાઈના ભાઈ અને પોતાની દીકરી ભાગી જવાના મુદ્દે બોલાચાલી કરી હતી. બોલાચાલી ઉગ્ર બનતા, આરોપીઓએ ઉશ્કેરાઈને અનિલભાઈ પર લાકડાના ધોકા અને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં અનિલભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઈજાગ્રસ્ત અનિલભાઈને તાત્કાલિક સારવાર માટે ગઢડાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ તપાસ અને સીટી સ્કેન માટે તેમને બોટાદ રિફર કરવામાં આવ્યા હતા. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 115(2), 352, 351(3), 54 તથા ગુજરાત પોલીસ એક્ટ (GP Act) કલમ 135 હેઠળ ચાર આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:08 am

ડ્રેનેજ કામગીરી બાદ પુરાણ ન થતા ટેમ્પો ખૂંપ્યો:નવસારી-ગણદેવી રોડ પર વિશાલનગર પાસે પાલિકાની બેદરકારી

નવસારી-ગણદેવી માર્ગ પર વિશાલનગર પાસે નવસારી વિજલપોર નગરપાલિકાની બેદરકારીને કારણે એક માલવાહક ટેમ્પો રસ્તામાં ખૂંપી ગયો હતો. ડ્રેનેજ અને પાણીની લાઇન નાખ્યા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ ન કરાતા આ ઘટના બની હતી. આ અકસ્માતને કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, વિશાલનગરની બહાર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ડ્રેનેજ અને પાણીની નવી લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ પાલિકાએ રસ્તાની કિનારે માટીનું યોગ્ય પુરાણ કે લેવલિંગ કર્યું નહોતું. પરિણામે, રસ્તાની ધાર નબળી પડી ગઈ હતી. આજે આ માર્ગ પરથી પસાર થતો એક ટેમ્પો અચાનક નરમ જમીનમાં ઉતરી ગયો હતો. ટેમ્પો એવી રીતે ખૂંપ્યો હતો કે તે ગમે ત્યારે પલટી જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. ટેમ્પોમાં રહેલો સામાન અને વાહનને બચાવવા માટે તાત્કાલિક લાકડાના મોટા ટેકા ગોઠવવા પડ્યા હતા. આ ઘટનાને પગલે ગણદેવી રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ ટાળવા માટે વિશાલનગર પાસેનો એક તરફનો રસ્તો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે પાલિકા વિકાસના કામો કરે છે, પરંતુ કામ પૂર્ણ થયા બાદ રસ્તાને પૂર્વવત કરવામાં બેદરકારી દાખવે છે, જે વાહનચાલકો માટે જોખમી બની શકે છે.

દિવ્ય ભાસ્કર 11 Mar 2026 11:06 am