SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

ચાર વર્ષથી ફરાર લુટેરી દુલ્હનની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી:લગ્નના 4 જ દિવસમાં દાગીના-રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી, ઉંમરલાયક છોકરાને કરતી ટાર્ગેટ કરતી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે લગ્નના નામે છેતરપિંડી કરીને ફરાર રહેતી લુટેરી દુલ્હનને ઝડપી લઈને મોટી સફળતા મેળવી છે. મૂળ રાજસ્થાનના ઉદયપુરની વતની માનવીની ક્રાઈમ બ્રાન્ચે લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આઈપી મિશન ચર્ચ પાસેથી ધરપકડ કરી છે. છેલ્લા ચાર વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેલી આ આરોપી લગ્ન માટે ઉંમરલાયક પરંતુ લગ્ન ન થતા હોય એવા યુવકોને ટાર્ગેટ બનાવીને છેતરપિંડી કરતી હતી. લગ્નના માત્ર ચાર જ દિવસમાં માનવી દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થઈ જતી હતી. અગાઉ માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી અને અન્ય એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરવામાં આવી હતી. લગ્નના માત્ર ચાર દિવસમાં જ દાગીના અને રોકડ રકમ લઈને રફુચક્કર થતીમાનવી લગ્નની વાત નક્કી કરી યુવક અને તેના પરિવારનો વિશ્વાસ જીતતી હતી. ત્યારબાદ લગ્ન દરમિયાન રોકડ રકમ અને દાગીના લઈ થોડા જ દિવસોમાં ફરાર થઈ જતી. આવા જ એક કેસમાં વર્ષ 2022માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ચિરાગભાઈ નામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આરોપી માનવીએ ચિરાગભાઈ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન માટે આરોપીઓએ 1.50 લાખ રોકડા અને અંદાજે 30,000ના દાગીના લીધા હતા. જોકે લગ્નના માત્ર ચાર દિવસમાં જ માનવી દાગીના અને રોકડ રકમ લઈને અચાનક ગાયબ થઈ ગઈ હતી. પહેલાં ટોળકીના 3ને પોલીસે દબોચ્યા હતાજેથી માધુપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું હતું કે, આ છેતરપિંડી પાછળ માત્ર માનવી નહીં પરંતુ આખું એક ટોળકી સક્રિય હતી. પોલીસે અગાઉ આ કેસમાં માનવીના પિતા સૂરજમલ મીણા, માતા રાજારાણી તથા એક સાથીદાર યોગેશ પરમારની ધરપકડ કરી હતી. જોકે મુખ્ય આરોપી માનવી મીણા લાંબા સમયથી ફરાર હોવાથી પોલીસ માટે તેને પકડવું પડકારરૂપ બન્યું હતું. જેથી પોલીસે દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. આઈપી મિશન ચર્ચ પાસેમાંથી લૂંટેરી દૂલ્હનને ઝડપી લેવાઈલાંબા સમય સુધી અલગ-અલગ શહેરોમાં રહીને પોલીસથી બચતી રહેલી માનવી અંગે ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે ટીમ બનાવી લાલ દરવાજા વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જે દરમિયાન આઈપી મિશન ચર્ચ પાસેમાંથી માનવીને ઝડપી લેવામાં આવી છે. ધરપકડ બાદ તેને આગળની કાર્યવાહી માટે માધુપુરા પોલીસને સોંપવામાં આવી છે. નિર્દોષને લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવતી આ ટોળકીએ માત્ર આ એક કેસમાં નહીં પરંતુ અન્ય અનેક નિર્દોષ લોકોને પણ લગ્નના નામે છેતરપિંડીનો શિકાર બનાવ્યા હોવાની શંકા છે. જેથી આરોપીની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તેના અગાઉના સંપર્કો, ફોન ડેટા તેમજ આર્થિક લેવડદેવડની તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં નવા ભોગ બનેલા લોકો અને અન્ય સાગરીતોના નામો સામે આવે તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:29 pm

વક્તાપુરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો:જી-રામ-જી યોજનાના અમલીકરણ અને લાભો પર ચર્ચા કરી

હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે જી-રામ-જી યોજના અંતર્ગત 'ચોપાલ ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ગામના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે યોજનાના અમલીકરણ, લાભોની પહોંચ અને આગામી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જી-રામ-જી યોજનાના મુખ્ય લાભોમાં ગ્રામ્ય પરિવારોને ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી, ગામડાના વિકાસ કાર્યોને ગતિ, પરિવારોની આવકમાં વધારો અને સ્થિરતા, સ્થાનિક કુશળતા અને કામદારીનો ઉપયોગ, સ્થળાંતરમાં ઘટાડો અને સામાજિક સુરક્ષાનો આધાર સ્તંભ પૂરો પાડવાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સદસ્ય પાર્થભાઈ પરમાર, રાજુભાઈ પંચાલ, જયેશભાઇ બારોટ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:24 pm

નાગરિકો પોતાની ફરિયાદ CMને કરી શકશે:ગાંધીનગરમાં 22 જાન્યુઆરીએ રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજાતો રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 22 જાન્યુઆરીએ યોજાશે. રાજ્યના નાગરિકોને પોતાની રજૂઆતો અને ફરિયાદો સીધી રીતે સરકાર સુધી પહોંચાડવાનો આ મહત્વપૂર્ણ મંચ છે. સવારે 8.00થી 11.00 વાગ્યા સુધી CM ફરિયાદ સાંભળશેવડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2003માં શરૂ કરાયેલ રાજ્ય સ્વાગત કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે નાગરિકોની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવે છે. આ કાર્યક્રમ દ્વારા લાખો નાગરિકોને ન્યાય અને રાહત મળી છે. જાન્યુઆરી, 2026ના રાજ્ય સ્વાગત માટે નાગરિકો ગુરુવાર, 22 જાન્યુઆરીના રોજ સવારે 8.00થી 11.00 કલાક દરમિયાન ગાંધીનગર, સ્વર્ણિમ સંકુલ-2 ખાતે આવેલા મુખ્યમંત્રીના જનસંપર્ક એકમમાં રૂબરૂ રજૂઆતો કરી શકશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે બપોર બાદ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની રજૂઆતો સાંભળશે અને તાત્કાલિક નિવારણ માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:16 pm

ગુજસીટોકના ગુનામાં કુખ્યાત કીટલી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:15 મહિનાથી ફરાર અઝહર કીટલીને જુહાપુરાથી દબોચ્યો, એક ગાડી, રોકડ સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગુજસીટોકના ગંભીર પ્રકારના ગુનામાં છેલ્લા 15 મહિનાથી નાસતા ફરતા જુહાપુરાના કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય સૂત્રધાર અઝહર કિટલીને ઝડપી લેવામાં આવ્યો છે. હત્યાનો પ્રયાસ, ખંડણી, જમીન પચાવી પાડવી સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 21 જેટલા ગુનામાં નાસતા ફરતા કુખ્યાત આરોપી અઝહરની ઝોન 7 LCB સ્કોડ અને વેજલપુર પોલીસની સંયુક્ત રીતે ધરપકડ કરી છે. જુહાપુરા -વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ એક ગાડી, રોકડ, વિદેશી ચલણી નોટો સહિત 25 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજસીટોકના ગુનામાં વોન્ટેડ આરોપી અઝહરની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જુહાપુરાની કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલીની ધરપકડજુહાપુરા વિસ્તારમાં ટપોરીથી માંડીને અનેક કુખ્યાત ગેંગનું વર્ચસ્વ હોવાથી પોલીસે આ ગેંગની કમર તોડી નાખવા અનેક ગુના નોંધી સકંજો કસ્યો હતો. જે દરમિયાન જુહાપુરાની કુખ્યાત કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલીની વધુ એક વખત પોલીસે ધરપકડ કરી છે. અઝહર કિટલી પર 21 ગુના નોંધાયાઅઝહર કિટલીએ હત્યાની કોશિષ, હથિયાર, ખંડણી, મારામારી, ચોરી લૂંટ જેવા 21 ગુના નોંધાયા હતા. આરોપી અઝહર કિટલી સામે નોંધાયેલા ગુજસીટોકના ગુનામાં શરતી જામીન રદ્દ થતાં તે દોઢેક વર્ષથી ભરૂચ અને ખેડામાં રહેતો હતો. અઝહર કીટલી તેના અમદાવાદ ખાતેના ઘરે આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. આરોપી દોઢેક વર્ષથી ફરાર હતોઅનેક ગેંગ પૈકીની કિટલી ગેંગ પર પોલીસે ગુના નોંધી સકંજો કસ્યો હતો. કિટલી ગેંગના મુખ્ય આરોપી અઝહર કિટલી સામે વર્ષ 2021માં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. ગુજરાત હાઇકોર્ટમાંથી શરતી જામીન મળ્યા બાદ તેણે શરતી જામીનના હુકમનો ભંગ કરતા તેના જામીન રદ્દ થયા હતા. જેથી તે દોઢેક વર્ષથી ફરાર રહેતો હતો. તેવામાં અઝહર કીટલી તેના ઘરે આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળતા જ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને કુખ્યાત આરોપી અઝરૂદ્દીન ઉર્ફે કીટલી ઇસ્માઇલ શેખને ઝડપી પાડ્યો છે. 6.50 લાખ રોકડા અને વિદેશી કરન્સી મળી આવીઆરોપી છેલ્લા ઘણા સમયથી ખંડણી, લૂંટ, ખુનની કોશિષ, ધમકી, જમીન પચાવી પાડવી, હથિયાર રાખવા જેવા કુલ 21 ગુનાને અંજામ આપી ચૂક્યો હતો. આરોપી દોઢ વર્ષથી ભરૂચ અને ખેડામાં ફાર્મ હાઉસમાં રહેતો હતો. પોલીસે આરોપી પાસેથી 16.50 લાખ રોકડા અને 51 જેટલી સાઉદી અરેબિયા, યુએઇ, ઇરાક, નેપાળની વિદેશી ચલણી નોટો કબ્જે કરી તે બાબતે પૂછપરછ હાથ ધરી છે. આરોપી ઇ-સીમકાર્ડનો ઉપયોગ કરતોઆરોપી દોઢ વર્ષથી ફરાર હોવાથી પોલીસ સતત તેને ટ્રેસ કરવા પ્રયાસ કરી રહી હતી. પરંતુ તે સાદા ફોનનો ઉપયોગ કરતો હતો. ઇન્ટરનેટનો પણ ઉપયોગ કરતો ન હોવાથી પોલીસ તેને પકડી શકતી નહોતી. પરંતુ તપાસમાં સામે આવ્યુ છે કે આરોપી ઇ-સીમકાર્ડનો ઉપયોગ કરતો હતો. વિવિધ દેશોમાં જઇ આવ્યો છે કે કેમ તે દિશામાં તપાસપોલીસે આરોપી પાસેથી રૂ.16.50 લાખ રોકડા અને વિદેશી ચલણી નોટો કબ્જે કરી છે. રોકડા 16.50 લાખ માતાના દાગીના વેચ્યા હોવાની રકમ હોવાની આરોપી કબૂલાત કરી રહ્યો છે. જ્યારે માતા હજ પઢવા ગઇ હતી ત્યારની વિદેશી ચલણી નોટો તેની પાસે રાખી હોવાની કહાની સંભળાવી રહ્યો છે. પરંતુ તેની પાસેથી નેપાળ સહિતની ચલણી નોટો મળતા તે વિવિધ દેશોમાં જઇ આવ્યો છે કે કેમ તેના મુળ સુધી પહોંચવા પોલીસ તપાસ કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:16 pm

NDPSના નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો.:​માંગરોળ ડ્રગ્સ કેસમાં એક વર્ષથી ફરાર આરોપી મુંબઈથી ઝડપાયો: જૂનાગઢ SOGએ નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં ઓપરેશન પાર પાડી સમદ શેખને દબોચ્યો.

​જૂનાગઢ જિલ્લામાં નશાના કાળા કારોબારને જડમૂળથી ઉખેડવા અને યુવાધનને બચાવવા માટે પોલીસ સતત એક્શન મોડમાં છે. આ અભિયાન અંતર્ગત જૂનાગઢ એસ.ઓ.જી.ની ટીમને મોટી સફળતા મળી છે. માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતો ફરતો આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખ મહારાષ્ટ્રના નવી મુંબઈથી ઝડપાયો છે. આ આરોપી 23.99 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ કિંમત રૂ. 2,39,900 ના કેસમાં પોલીસને થાપ આપી ફરાર હતો. ​જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા અને એસપી સુબોધ ઓડેદરાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમ નાસતા ફરતા આરોપીઓને શોધવા માટે કાર્યરત હતી. આ દરમિયાન એસ.ઓ.જી.ના એ.એસ.આઇ. રમેશભાઇ માલમ અને જીતેન્દ્રસિંહ ચૌહાણને સચોટ બાતમી મળી હતી કે આરોપી સમદ શેખ નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એસપીની મંજૂરી મેળવી એક ટીમ મુંબઈ રવાના કરવામાં આવી હતી. ​એસ.ઓ.જી.ની ટીમે નવી મુંબઈના ઉલ્વા વિસ્તારમાં પ્લોટ નં. 105, સેક્ટર 21 ખાતે દરોડો પાડી આરોપી સમદ ઉર્ફે સહદાબ મહમુદ શેખને હસ્તગત કર્યો હતો. પોલીસ તેને જૂનાગઢ લઈ આવી હતી અને ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી માટે માંગરોળ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળ ઓપરેશનમાં એસ.ઓ.જી.ના પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ ડી.કે. સરવૈયા, એ.એસ.આઇ રમેશભાઇ માલમ, જીતેન્દ્રસીંહ ચૌહાણ અને ડ્રાઈવર હેડ કોન્સ્ટેબલ જયેશભાઇ બકોત્રા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:13 pm

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ:ભરૂચમાં બે મહિના ચાલશે, અધિકારીઓએ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું

ગુજરાત પોલીસમાં PSI અને લોકરક્ષક કેડરની કુલ 13,591 જગ્યાઓ ભરવા માટે શારીરિક કસોટી આવતીકાલ, 21 જાન્યુઆરીથી શરૂ થશે. રાજ્યભરમાં 13 માર્ચ સુધી ચાલનારી આ પ્રક્રિયા માટે ભરૂચને પણ એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ભરૂચ ખાતે યોજાનારી શારીરિક કસોટી માટે જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આવતીકાલે સવારથી ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે રજીસ્ટ્રેશન, દોડ, ઊંચાઈ, વજન અને છાતી માપ સહિતની કસોટીઓ લેવામાં આવશે. આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે આજે વડોદરા રેન્જના આઈજી સંદીપ સિંઘ અને ભરૂચ એસપી અક્ષયરાજ મકવાણાએ પોલીસ ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સુરક્ષા,વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને ઉમેદવારોને કોઈ અડચણ ન પડે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. ભરૂચ જિલ્લામાં આગામી બે મહિના સુધી ચાલનારી આ શારીરિક કસોટીમાં અંદાજિત 60 હજાર ઉમેદવારો ભાગ લેશે. દરરોજ આશરે 1,600 ઉમેદવારો કસોટી આપી શકશે. ઉમેદવારોની સલામતી અને આરોગ્ય માટે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, બહારથી આવનાર ઉમેદવારોને રહેવાની મુશ્કેલી ન પડે તે માટે, જેમની પાસે રહેવાની વ્યવસ્થા ન હોય તેવા ઉમેદવારો માટે પોલીસ દ્વારા રહેવાની સગવડ પણ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:13 pm

મહેસાણામાં હોમિયોપેથી મહિલા ડોક્ટર પર સસરાની છેડતી:પતિ દારૂ પીને મારપીટ કરતો, સાસરિયાં દ્વારા શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ

મહેસાણા શહેરમાં રહેતી એક પરણિત મહિલા ડોક્ટરે પોતાના પતિ અને સસરા વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ આક્ષેપ કર્યો છે કે તેના ક્લિનિકની આવક હડપી લેવા બાબતે તેમજ દહેજ અને લોનના હપ્તા ભરવા માટે તેના પર દબાણ કરી શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો. એટલું જ નહીં, સસરાએ તેની છેડતી કરી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. 'પતિ પિયરમાંથી પૈસા લાવવા કહેતો અને દારૂ પીને મારપીટ કરતો'સમગ્ર બાબતે ભોગ બનનાર મહિલા હોમિયોપેથિક ડોક્ટર છે અને તેણે ડિસેમ્બર 2022માં ભાડે દુકાન રાખી ક્લિનિક શરૂ કર્યું હતું. આ ક્લિનિક માટેનો તમામ ખર્ચ મહિલાએ પોતે ભોગવ્યો હોવા છતાં, ક્લિનિકની માસિક આશરે રૂ. 35,000ની આવક સાસરિયાં લઈ લેતા હતાં. દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે તેના પતિએ ધંધા પર રૂ. 70 લાખની લોન લીધેલી છે. જેના હપ્તા ભરવા માટે પતિ અવારનવાર પિયરમાંથી પૈસા લાવવા દબાણ કરતો હતો અને દારૂ પીને મારપીટ કરતો હતો. સસરાએ છેડતી કરી હોવાનો મહિલા ડોક્ટરનો આક્ષેપમહિલા ડોક્ટરે ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, માર્ચ 2025માં જ્યારે તે તેના સસરાને જમવાનું પીરસવા ગઈ હતી. ત્યારે સસરાએ તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. આ બાબતે પતિને જાણ કરવા છતાં યોગ્ય ઉકેલ આવવાને બદલે ઘરકંકાસ વધ્યો હતો. મહિલાના ક્લિનિક પર તાળાં મારી દીધા હતાસામાજિક આગેવાનોની મધ્યસ્થીથી સમાધાનના પ્રયાસો થયા હતા. પરંતુ થોડા સમય બાદ ફરીથી દારૂ પીને પતિ દ્વારા ત્રાસ આપવાનું શરૂ થયું હતું. પીડિતાના મોબાઈલ વાપરવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. વધતા જતા ત્રાસથી કંટાળી મહિલા 12 ડિસેમ્બર 2025ના રોજ પોતાના પિયર જતી રહી હતી. ત્યારબાદ તેના ક્લિનિક પર સાસરિયાઓએ બીજા તાળાં મારી દીધા હતા. પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા ને ગાળાગાળી કરી15 ડિસેમ્બરના રોજ જ્યારે મહિલા તેના ભાઈ અને માતા સાથે ક્લિનિકે પહોંચી ત્યારે તેના પતિ અને સસરા ત્યાં ધારીયું લઈને ધસી આવ્યા હતા અને ગાળાગાળી કરી હતી. અંતે મહિલાએ પોલીસને બોલાવતા આરોપીઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. હાલમાં મહેસાણા બી ડિવિઝન પોલીસે પીડિત મહિલાની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:05 pm

સંતોના અપમાન સામે ગૌરક્ષકોનો વિરોધ:ઝાલાવાડમાં રક્તથી પત્ર લખી PMને આવેદનપત્ર પાઠવ્યું

સુરેન્દ્રનગર: પ્રયાગરાજમાં સંતોના કથિત અપમાનના વિરોધમાં ઝાલાવાડના ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પ્રદર્શનકારીઓએ પોતાની છાતીમાંથી રક્ત કાઢીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે એક આવેદનપત્ર તૈયાર કરી જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. આ વિરોધ પ્રયાગરાજમાં આયોજિત માઘ મેળા દરમિયાન મૌની અમાસના પવિત્ર દિવસે જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ અને અન્ય હિન્દુ સનાતની સાધુ-સંતો સાથે ઉત્તર પ્રદેશ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલા કથિત દુર્વ્યવહાર અને અપમાનના પ્રત્યાઘાત રૂપે હતો. આક્રોશ વ્યક્ત કરવા માટે, ગૌરક્ષકોએ રક્તથી લખેલા પત્ર દ્વારા સંતોના સન્માનની રક્ષા કરવાની માંગણી કરી હતી. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 'સંતોનું અપમાન નહીં સહે હિન્દુસ્તાન' ના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. હિન્દુ સંગઠનોના કાર્યકરો અને ગૌરક્ષકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા. પ્રદર્શનકારીઓએ જણાવ્યું હતું કે, સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુઓનું અપમાન એ સમગ્ર હિન્દુ સમાજનું અપમાન છે. યુપી પ્રશાસન અને સરકાર દ્વારા સંતો પ્રત્યે દાખવવામાં આવેલી આ ઉપેક્ષા જરા પણ ચલાવી લેવામાં આવશે નહીં. તેમની મુખ્ય માંગણીઓમાં પ્રયાગરાજમાં સંતો સાથે ગેરવર્તન કરનાર જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવા, ધાર્મિક કાર્યક્રમોમાં સંતોની ગરિમા જળવાય તે માટે કેન્દ્ર સરકાર હસ્તક્ષેપ કરે અને સનાતની પરંપરાઓ તથા સાધુ-સંતોની સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાનો સમાવેશ થાય છે. ગૌરક્ષકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આગામી દિવસોમાં સંતોના સન્માનમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે, તો આંદોલનને વધુ તેજ બનાવવામાં આવશે. તેમણે કલેક્ટરને આ મામલે તાત્કાલિક વડાપ્રધાન કચેરી સુધી રજૂઆત પહોંચાડવા વિનંતી કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:04 pm

દંપતી પર ધારિયા-ધોકાથી હુમલો કરનારા લંગડાતા ચાલ્યાં:3 દિવસ પહેલા પતિ-પત્નીને માર મારનાર આઠમાંથી ચારની ધરપકડ, પોલીસે રિ-કન્સ્ટ્રક્શન કર્યું

ભાવનાગરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા દંપતી પર 17 જાન્યુઆરીએ હુમલાની ઘટના સામે આવી હતી. હેબતપુર ગામે લગ્ન પ્રસંગમાં પૈસા બાબતે બોલાચાલી કર્યા બાદ અક્ષર પાર્ક વિસ્તારમાં પોલીસ સ્ટેશને અરજી આપી આવી રહેલા પતિ-પત્નીને ઉભા રાખી 8 શખસે ધોકા, ધારીયા, પાઇપ જેવા હથિયારોથી માર માર્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા આજે (20 જાન્યુઆરી) બોરતળાવ પોલીસે ચાર શખસને ઝડપી પાડી પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમયે આરોપીઓ લગડાતા ચાતલા જોવા મળ્યાં હતાં. જૂની અદાવતમાં લગ્નપ્રસંગે ફરી ઝઘડો થયોઆ અંગેની મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારના અક્ષયપાર્ક સોસાયટીમાં રહેતા અજીત લખમણભાઈ રાહાણી બોરતળાવ પોલીસ મથકમાં નીતિન ગંગાભાઈ રાહાણી, મનીષ ગંગાભાઈ રાહાણી, ભરત ગંગાભાઈ રાહાણી, કુબેર ગંગાભાઈ રાહાણી, વિક્રમ ગંગાભાઈનો દીકરો અને અજાણ્યા 3 શખસ મળી કુલ 8 શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ પોલીસમાં અરજી આપતા હુમલોતેઓએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારે નવીન રાહાણી સાથે અગાઉ પૈસા બાબતે બોલાચાલી થઈ હતી, જેની દાઝ રાખી ગત 17 જાન્યુઆરીના રોજ હેબતપુર ગામે સંબંધીને ત્યાં તેના પત્ની મુક્તાબેન બન્ને લગ્નમાં ગયા હતા. ત્યા નવીન રાહાણી સાથે પૈસા બાબતે અગાવ બોલાચાલી થઈ હતી, જે મારી સામે કાતર મારતો હોવાથી, મેં તેને કહ્યું કે, કેમ મારી સામે કતરાશ?. તેમ કહેતા અમારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેને લઈ મેં ધોલેરા પોલીસ સ્ટેશન ખાતે નવીન વિરુદ્ધ અરજી આપી હતી. દંપતીને હાથ-પગ, મોઢા-માથા સહિતના ભાગે ઈજા પહોંચાડી બાદમાં હું અને મારા પત્ની બંને ભાવનગરના દસનાળા ખાતે પહોંચતા મારા મોબાઈલ ફોનમાં અવાર-નવાર ફોન આવતા ફોન પર નવીન રાહાણી સાથે બોલાચાલી કરી હતી. જેથી હું અને મારી પત્ની સાંજે આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપીને આવી રહ્યા હતા, તે સમયે શહેરના અક્ષર પાર્ક પાસે પહોંચતા આરોપીઓએ ધોકા, પાઈપ, ધારીયા લઈ આવી મારી અને પત્ની ઉપર હુમલો કર્યો હતો. હથીયાર અને ઢીંકાપાટુ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ ચારેય આરોપીને ઘટનાસ્થળે લઈ ગઈઆ ફરિયાદ અનુસંધાને બોરતળાવ પોલીસે તમામ સામે બીએનએસ એકટ 118(1), 117(2), 115(2), 352, 351(3), 125(b), 189(2), 191(2), 190 અને જી.પી.એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી આજે ભરત ગંગારામ રાહાણી, મનીષ ગંગારામ રાહાણી, કુબેર ગંગારામ રાહાણી, પિયુષ રમેશભાઈ રાહાણીને ઝડપી પાડયા હતાં. ઝડપાયેલા તમામને પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળ પર લઈ જઈ રી-કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતુ. ઘટના સમયના સમાચાર માટે ક્લિક કરો…કુંભારવાડામાં દંપતી પર ધોકા-ધારિયાથી હુમલો, હાથ-પગમાં ફ્રેક્ચર સાથે માથા-આંખના ભાગે ઈજા, હોસ્પિટલમાં દાખલ

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 7:02 pm

અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ:વોટ ચોરી મુદ્દે રજૂઆત કરવા જતા પોલીસે અટકાવ્યા, ગેટ બહાર ધરણા કરી ભાજપ હાય હાયના નારા લગાવ્યા

અમદાવાદ કલેક્ટર કચેરીએ કોંગ્રેસ દ્વારા SIRની કામગીરી અને વોટ ચોરી મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર નેતાઓ સહિત ધારાસભ્યો પણ વિરોધ પ્રદર્શન કરવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. મતદારોની જાણ બહાર જ ફોર્મ 7 જમા કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, કલેક્ટર કચેરીમાં પ્રવેશ ન મળતા કોંગ્રેસ કાર્યકર્તાઓએ ગેટ બહાર બેસીને ધરણા પ્રદર્શન કર્યું હતું. જે દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગેટ બહાર ધરણા કરી કલેકટર પ્રશાસન મુર્દાબાદ અને ભાજપ હાય હાયના નારા લગાવ્યા હતા. કોંગ્રેસ નેતા અને કાર્યક્રતાઓની કલેક્ટરને રજૂઆતકોંગ્રેસ દ્વારા વોટ ચોરી મુદ્દે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ વોટ ચોરી મુદ્દે ચૂંટણી પંચને પત્ર લખી રજૂઆત કરી હતી. SIRની કામગીરી દરમિયાન વોટ ચોરી થતો હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેને લઈને શહેર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલ, ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સહિતના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ કલેક્ટર ઓફિસર પહોંચ્યા હતા. કલેક્ટર ઓફિસ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયોSIRની કામગીરી દરમિયાન મતદારોની જાણ બહાર ફોર્મ 7 BLO દ્વારા બરોબર જમા કરી દેવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં 17 લાખ જેટલા ફોર્મ 7 રાતોરાત જમા થઈ ગયા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જેથી તેને લઈને કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ કલેકટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. પરંતુ તે પહેલા જ કલેકટર કચેરી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કોંગ્રેસના નેતાઓનું પોલીસ સાથે ઘર્ષણકોંગ્રેસના નેતાઓને કલેકટર કચેરીની અંદર જતા પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. જેથી કોંગ્રેસના નેતાઓ સહિત તમામ કાર્યકર્તાઓ ગેટની બહાર જ ધરણા પ્રદર્શન પર બેસી ગયા હતા. ધરણા પ્રદર્શન પર બેસી કલેકટર પ્રશાસન મુર્દાબાદ તેમજ ભાજપ હાય હાયના નારા પણ કોંગ્રેસના નેતાઓએ લગાવ્યા હતા. જોકે અનેક રજૂઆત બાદ પણ કલેકટર કચેરીમાં રજૂઆત કરવા માટે જવા ન દેતા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઘર્ષણ બાદ માત્ર પાંચ લોકોને જ કલેકટરને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા. 6,7 અને 8 નંબરના ફોર્મની વિગતો આપવા રજૂઆતઅમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસથી વોટ ચોરી થતી હોવાનો અમે આક્ષેપ કરી રહ્યા છીએ, પરંતુ બે-ત્રણ દિવસમાં તે સાબિત પણ થઈ ગયું છે. છેલ્લી ઘડીએ લાખો ફોર્મ 7 ભરીને તેમના મતદાન રદ કરવા માટે માગ કરી હતી. દરેક નાગરિકને મત આપવાનો અધિકાર છે. કોઈપણ વ્યક્તિનો મત કપાઈ ન જાય તે માટે અમે પૂરેપૂરી લડત લડવાના છીએ. જેથી આજે કલેકટરને રજૂઆત કરી છે. 6,7 અને 8 નંબરના ફોર્મની વિગતો આપવા માટે રજૂઆત કરી છે. કોઈપણ ખોટું ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તેવી અમારી માગ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:51 pm

સપ્તાહ સુધી રેગ્યુલર રૂ.7500 ભાડું આપી વિશ્વાસ કેળવતા:રાજકોટમાં લક્‍ઝરી કાર સેલ્‍ફ ડ્રાઈવિંગમા ભાડે મેળવી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ, આણંદનો શખ્સ GPS કાઢી રાજ્ય બહાર વહેંચી દેતો

રાજકોટ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે આપ્યા બાદ આરોપીઓ દ્વારા કાર પરત ન આપી છેતરપિંડી આચરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીની ધરપકડ કરી છે. પકડાયેલા બન્ને શખ્સો પૈકી એક શખ્સ રાજકોટમાંથી લકઝરી કાર ભાડે મેળવી એક સપ્તાહ સુધી રેગ્યુલર ભાડું આપી બાદમાં તે કાર આણંદના ગેરેજ સંચાલક શખ્સને વહેંચી દેતો હતો આ પછી તેમાંથી GPS હટાવી ગુજરાત બહારના રાજ્યમાં વહેંચી દેવામાં આવતી હતી. આરોપીઓ પાસેથી પોલીસે બે થાર ગાડી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના અલગ-અલગ વિસ્‍તારોમાં સેલ્‍ફ ડ્રાઈવિંગ કારના માલિકો પાસેથી ગાડી ભાડે લઈ ગયા બાદ આરોપીઓ ભાડું ચુકવતા ન હતા અને ગાડી પરત આપતા પણ ન હતા જે અંગે માલવીયાનગર પોલીસ સ્‍ટેશન, ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન અને તાલુકા પોલીસ સ્‍ટેશનમાં બીએનએસની કલમ 316(2) હેઠળ અલગ અલગ ત્રણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટિમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં બે આરોપીઓની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે જેમાં દર્પણ મનસુખલાલ મણવર (ઉ.વ.40) તથા આમીર અસલમભાઈ વોરા (ઉ.વ.32)નો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં આરોપી દર્પણ મણવર રાજકોટમાંથી અલગ અલગ કાર સેલ્ફ ડ્રાઇવમાં ભાડે મેળવતો હતો જેમાં એક દિવસનું રૂ.7500 ભાડું એક સપ્તાહ સુધી નિયમિત ચૂકવતો પણ હતો પછી અચાનક ભાડું ન આપી કાર આણંદના ગેરેજ સંચાલક આમીર વોરાને સસ્‍તા ભાવે વહેંચી દેતો હતો અને તે કારમાંથી GPS હટાવી બાદમાં આ કાર રાજ્ય બહાર વહેંચી દેતો હતો. ઉલ્લેખનીય છે કે દર્પણ મોજશોખ પુરા કરવા માટે પૈસાની જરૂર હોઇ જેથી આ રીતે ભાડેથી કાર લઇ જતો હતો અને ઓછા ભાવે વેંચી જે રોકડ મળે તે વાપરી નાંખતો હતો. હાલ પોલીસે એઓપીઓ પાસેથી મહિન્‍દ્રા થાર જીજે.03.પીજે.9423 કિંમત રૂ.16,20,000ની અને મહિન્‍દ્રા થાર જીજે.09.બીએ.0002 કિંમત રૂ.4,00,000ની કબ્‍જે કરી વધુ કાર રિકવર કરવા રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:49 pm

પોસ્ટ માસ્ટરને પાંચ વર્ષની કેદ:બોરસદ કોર્ટે 7940 રૂપિયાની ઉચાપત બદલ સજા ફટકારી, 5 હજારનો દંડ

બોરસદ કોર્ટે બનેજડા બ્રાન્ચ પોસ્ટ ઓફિસના પૂર્વ પોસ્ટ માસ્ટરને 5 વર્ષની સાદી કેદ અને 5 હજારનો દંડ ફટકાર્યો. અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા ભોગવવી પડશે. પૂર્વ પોસ્ટ માસ્ટરને 7,940 રૂપિયાની ઉચાપત બદલ કોર્ટે સજા ફટકારી છે. ઘટનાની વાત કરીએ તો બનેજડા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા પોસ્ટમાસ્ટર શાંતિલાલ રોહિતે 5 ડિસેમ્બર 2004 થી 28 જાન્યુઆરી 2005 દરમિયાન ખાતેદારો પાસેથી નાણાં લીધા હતા અને પાસબુકમાં નોંધ પણ કરી હતી. પરંતુ નાણાં ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ઉપયોગ માટે વાપર્યા હતા. ઘટના સામે આવતા પોસ્ટમાસ્ટર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અને પોલીસે પુરાવા એકઠા કરીને બોરસદ કોર્ટમાં રજૂ કર્યા. જેના આધારે કોર્ટે પોસ્ટમાસ્ટરને કસૂરવાર ઠેરવીને સજા ફટકારી છે

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:49 pm

ગાંધીનગરમાં આડેધડ પાર્કિંગ કરનારાઓ સામે ટ્રાફિક પોલીસની કાર્યવાહી:માર્ગો પર લારીઓનો અડિંગો અને ટ્રાફિક સમસ્યા વકરી, 30થી વધુ વાહનોને મેમો ફટકારતા ફફડાટ

ગાંધીનગર શહેરમાં એક તરફ પાર્કિંગ પોલિસીની સુફિયાણી વાતો વહેતી થઈ છે ત્યારે બીજી તરફ વાસ્તવિક પરિસ્થિતિ અત્યંત કથળી રહી છે. પાટનગરના મુખ્ય માર્ગો અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ પાસે આડેધડ પાર્કિંગની સમસ્યા દિનપ્રતિદિન માથાના દુખાવા સમાન બની રહી છે. આ સ્થિતિને ડામવા માટે ગાંધીનગર ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. આજે પીડીપીયુ અને ભાઈજીપુરા રોડ પર આડેધડ પાર્કિંગ કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી લાલ આંખ કરવામાં આવતા વાહન માલિકો ફફડી ઉઠ્યા હતાં. ઘ-0થી રિલાયન્સ સર્કલ સુધી દબાણ હટાવાયાગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા રિલાયન્સ સર્કલથી રક્ષા શક્તિ સર્કલ સુધીનો માર્ગ કરોડોના ખર્ચે 'આઈકોનિક રોડ' તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. પરંતુ તંત્રના સંકલનના અભાવે આ માર્ગ હવે ગેરકાયદે લારીઓનું હબ બની ગયો છે. અગાઉ એસ્ટેટ શાખાએ પોલીસ ને આગળ રાખીને ઘ-0થી રિલાયન્સ સર્કલ સુધી દબાણ હટાવવાની કામગીરી કરી હતી. નોનવેજની લારીઓ લાઈનસર રાતે ગોઠવાઈ જવાથી ટ્રાફિક થાય છેપરંતુ થોડા જ દિવસોમાં સ્થિતિ 'જૈસે થે' થઈ ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે રિલાયન્સ સર્કલથી રક્ષા શક્તિ રોડ પર નોનવેજ અને ઈંડાની લારીઓ લાઈનસર ગોઠવાઈ જાય છે. જેના કારણે અહીં આવતા ગ્રાહકો રોડ પર જ વાહનો પાર્ક કરી દે છે. જેના લીધે નાના મોટા અકસ્માતોની પણ ભીતિ ઉભી થઈ છે. દુકાનો અને કોમ્પ્લેક્સ આગળ પાર્કિંગની સમસ્યાએ માઝા મૂકીબીજી તરફ શહેરના મોટાભાગના કોમર્શિયલ કોમ્પ્લેક્સના બેઝમેન્ટ પાર્કિંગ માટે ખોલવામાં આવતા નથી. પરિણામે ખરીદી માટે આવતા નાગરિકો અને ખુદ દુકાનદારો પણ રોડ પર કે સર્વિસ રોડ પર વાહનો ખડકી દે છે. ભાઈજીપુરાથી પીડીપીયુ રોડ પર આવેલી દુકાનો અને કોમ્પ્લેક્સ આગળ પાર્કિંગની સમસ્યાએ માઝા મૂકી છે. આ અંગે ટ્રાફિક પોલીસની તપાસમાં ચોંકાવનારી વિગત સામે આવી છે કે પાર્કિંગના નિયમો તોડવામાં ગ્રાહકો સાથે વેપારીઓ પણ સામેલ છે. 30થી વધુ વાહનોને સ્થળ પર જ નો-પાર્કિંગના મેમો ફટકારાયોઆજે ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણની ટીમે ભાઈજીપુરા, PDPU રોડ પરના કોમર્શિયલ વિસ્તાર અને સર્વિસ રોડ પર આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું. અને અડચણરૂપ પાર્ક કરેલા 30થી વધુ વાહનોને સ્થળ પર જ નો-પાર્કિંગના મેમો ફટકારવામાં આવ્યા હતા. પોલીસની આ આકસ્મિક કામગીરીથી આડેધડ પાર્કિંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો વાહનો લઈને દોડતા થઈ ગયા હતા. ત્યારે ટ્રાફિકથી પરેશાન જાગૃત નાગરિકોએ પોલીસની આ કામગીરી સતત ચાલુ રાખવા માંગ પણ કરી છે. કોમર્શિયલ કોમ્પ્લેક્સ આગળ વાહનો ખડકાયેલા હશે તો ડિટેઈન થશેઆ અંગે ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણે જણાવ્યું હતું કે, આડેધડ પાર્કિંગની સમસ્યા પર અંકુશ મેળવવા માટે હાલ દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને વાહન માલિકોને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. તેમ છતાં જો સ્થિતિમાં સુધારો નહીં આવે અને કોમર્શિયલ કોમ્પ્લેક્સ આગળ આજ રીતે વાહનો ખડકાયેલા જોવા મળશે તો આગામી દિવસોમાં વાહનો સીધા ડિટેન કરવા સુધીના કડક પગલાં ભરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:42 pm

ભાજપના ધારાસભ્યએ ST બસ ચલાવી, VIDEO:રાજકોટ-ગાંધીનગર વચ્ચે આજથી AC સીટર બસનો પ્રારંભ, સમય અને ટિકિટની સંપૂર્ણ માહિતી

રાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટી વિભાગની વોલ્વો બાદ વધુ એક પ્રિમિયર બસ સર્વિસનો આજથી પ્રારંભ થયો છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે હવે વોલ્વો ઉપરાંત એસી સીટર બસ પણ દોડશે. બસના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિત ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ એસી બસ ચલાવી સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. રાજકોટ ગાંધીનગર વચ્ચે આજથી શરૂ થયેલી AC સીટર બસ બપોરે 4 વાગ્યે ઉપડશે. જ્યારે ગાંધીનગરથી રાજકોટ આવવા માટે આ બસ સવારે 7-30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. રાજકોટ-ગાંધીનગરનું ભાડું રૂ. 452 નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટ-ગાંધીનગર વચ્ચે AC સીટર બસનો પ્રારંભરાજકોટ-ગાંધીનગર વચ્ચે એસટીની પ્રિમિયમ બસ સેવા અંતર્ગત વોલ્વો બસ ચાલી રહી છે. હવે તેમાં એસી સીટર બસનો ઉમેરો થયો છે. આજથી એસી સીટર બસનો પ્રારંભ કરાયો છે. જેનું ભાડુ વોલ્વો બસ કરતા ઓછું રહેશે. ધારાસભ્ય રમેશ ટીલાળા અને દર્શિતા બહેન શાહ સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં બસ સેવાનો પ્રારંભ કરાયો હતો. ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસના સ્ટીયરીંગ પર હાથ અજમાવ્યોએસી સીટર બસના પ્રારંભ સમયે ભાજપના ધારાસભ્ય રમેશ ટીલાળાએ બસ ચલાવી હતી. વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટથી ગાંધીનગર હાલ 4 વોલ્વો બસ છે અને હવે એસી સીટર બસ શરૂ થઈ છે. મારા વિધાનસભા મત વિસ્તારમાં આવતા બસ સ્ટેશનથી ગાંધીનગર સાંજના સમયે જવા માંગતા અધિકારીઓ અને લોકોની બસ શરૂ કરવાની માંગણી હતી. જે પૂર્ણ થતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કરું છું. તેમણે જણાવ્યું કે, આ બસ માત્ર 5 કલાકમાં ગાંધીનગર પહોંચાડે છે. જેથી અપ ડાઉન કરતા મુસાફરોને ફાયદો થશે. ગાંધીનગરથી સવારે 7-30 કલાકે અને રાજકોટથી બપોરે 4 કલાકે બસ ઉપડશેરાજકોટ એસટીના વોલ્વો વિભાગના ડેપો મેનેજર એન.વી.ઠુમ્મરે જણાવ્યુ હતુ કે, હાલ રાજકોટ - ગાંધીનગર વચ્ચે સવારે 5 અને 5.30 વાગ્યે વોલ્વો દોડે છે. જોકે રાજકોટ - ગાંધીનગર પ્રથમ એસટી સીટર બસ શરૂ થવા જઈ રહી છે. જે દરરોજ સાંજે 4 વાગ્યે રાજકોટથી ઉપડશે અને ચોટીલા હાઈવે, સાયલા, લીંબડી, બગોદરા, ઇસ્કૉન, નેહરુનગર, રાણીપ થઈ ગાંધીનગર બસ સ્ટેશન પહોંચશે. જેનું ભાડું રૂ.452 રાખવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા 10 વોલ્વો સીટર સર્વિસનું સંચાલન થાય છે. જેમાં અમદાવાદ, બરોડા, ભુજ અને નાથદ્વારા રૂટ છે. જ્યારે 20 એ.સી. સીટર બસ ભાવનગર, દીવ, ઉના, સુરેન્દ્રનગર, અમરેલી, મોરબી, જામનગર-જુનાગઢ, મુન્દ્રા, મહુવા, દ્વારકા તથા અંબાજી રૂટ પર દોડે છે. આ ઉપરાંત 23 ઇલેક્ટ્રીક એસી બસ દોડે છે. જેમાં જામનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ (હીરાસર) ઇન્ટરનેશનલ એરપોર્ટ તેમજ જુનાગઢ-સોમનાથ રૂટનો સમાવેશ થાય છે. વોલ્વોની સરખામણીએ એસી સીટર બસમાં રૂ. 163નો ફાયદોજ્યારે આ બસમાં મુસાફરી કરતી યુવતી જીલે જણાવ્યું હતું કે હું અમદાવાદમાં જોબ કરું છું અને રાજકોટ છે ઘણીવાર અમદાવાદ એસટી બસમાં જાઉં છું મને ખ્યાલ ન હતો કે આ પ્રથમ એસી સીટર બસ છે. જોકે બુકિંગ કરાવતા માલૂમ પડ્યું કે વોલ્વો કરતા આ બસનું ભાડું ઓછું છે. રાજકોટથી અમદાવાદ વોલ્વો ભાડું રૂ.562 છે. જ્યારે આ એસી સિટર બસનું અમદાવાદ સુધીનું ભાડું રૂ.399 છે. જેથી રૂ.163 નો ફાયદો થાય તેમ છે. સૌરાષ્ટ્ર માટે અલગ ઈન્કવાયરી બારીનો પ્રારંભ કરાયોરાજકોટ એસટીના વિભાગીય નિયામક હિમાંશુ જોશીએ જણાવ્યુ હતુ કે, રાજકોટ શહેરના લોકો અને પદાધિકારીઓની માંગણી હતી કે રાજકોટ થી ગાંધીનગરની સાંજની એસી સીટર બસ શરૂ કરવામાં આવે. જેથી આ બસ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને શનિ - રવિવારે કે અન્ય કોઈ દિવસે ગાંધીનગર સાંજના સમયે જવું હોય તો તેઓ જઈ શકશે. આ સાથે જ રાજકોટનું હબ ગણાતા સૌરાષ્ટ્ર માટે અલગ ઇન્ક્વાયરી બારી પણ શરૂ કરવામાં આવી છે. હાલમાં રાજકોટ સેન્ટ્રલ બસપોર્ટ ખાતે 1 થી 22 પ્લેટફોર્મ કાર્યાન્વિત છે. જેની ઇન્કવાયરી ઓફિસ પ્લેટફોર્મ નં.1/2 ની સામે સંયુક્ત રીતે કાર્યરત હોવાથી પ્લેટફોર્મ નં. 14 થી 22 પરથી મુસાફરી કરતા મુસાફરોને પૂછપરછ માટે પ્લેટફોર્મ નં.1/2 સુધી આવવું પડતું હતુ. જેના કારણે મુસાફરોને અસુવિધા અનુભવાતી હતી. આ મુસાફરોની અગવડતા દૂર કરવા હેતુસર હવે પ્લેટફોર્મ નં. 17ની સામે અલાયદી પૂછપરછ બારી ઉભી કરવામાં આવી છે. આ નવી પૂછપરછ બારી ઉપર પ્લેટફોર્મ નં. 14 થી 22 પરથી ચાલતી સૌરાષ્ટ્ર તરફની બસ સેવાઓ જેમ કે અમરેલી, ધારી, જેતપુર, જુનાગઢ, સોમનાથ, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, દીવ તેમજ પંચમહાલ તરફની દાહોદ, ગોધરા, ઝાલોદ, મંડોર, પીટોલ વગેરે સ્થળોની કુલ આશરે 650 ટ્રિપની ઇન્કવાયરી થવા પામશે. આ વ્યવસ્થાના અમલથી મુસાફરોને પડતી અસુવિધા દૂર થવા પામશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:38 pm

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના હોદ્દેદારોની વરણી:શ્રી સરસ્વતી શિશુમંદિર ખાતે યોજાયેલ બેઠકમાં 25 જેટલા નિષ્ઠાવાન કાર્યકર્તાઓને મહત્ત્વની જવાબદારી સોંપાઈ

મોરબી જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદની વ્યાપક બેઠક યોજાઈ હતી, જેમાં બજરંગ દળ સહિત વિવિધ પ્રખંડના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી. આ બેઠક શ્રી સરસ્વતી શિશુમંદિર વિદ્યાલય ખાતે યોજાઈ હતી. સૌરાષ્ટ્ર પ્રાંતના પદાધિકારીઓએ બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, સુરેન્દ્રનગર વિભાગ અને મોરબી જિલ્લાના જવાબદાર પદાધિકારીઓની ઉપસ્થિતિ રહી હતી. આગામી કાર્યક્રમો અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના મોરબી પ્રખંડ માટે નીચે મુજબના કાર્યકર્તાઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી: જીતુભાઈ રાજેશભાઈ સેતા - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ, નિલેશભાઈ સામતભાઈ ડાંગર - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ ઉપાધ્યક્ષ, વિવેકભાઈ રજનીભાઇ સીતાપરા - વિશ્વ હિન્દુ પરિષદ મોરબી પ્રખંડ સહમંત્રી, કૃષપભાઈ જીતેન્દ્રભાઈ રાઠોડ - બજરંગ દળ મોરબી પ્રખંડ સંયોજક, પંકજભાઈ દિનેશભાઈ નકુમ - બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક, વિશાલભાઈ સુરેશભાઈ ડોડીયા - બજરંગ દળ મોરબી પ્રખંડ સહસંયોજક, મેહુલભાઈ રમેશભાઈ ડોડીયા - મોરબી પ્રખંડ સામાજીક સમરસતા સંયોજક, યશભાઈ પ્રફુલભાઈ પરમાર - મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સંયોજક, ગૌરાંગભાઈ વિક્રમભાઇ દવે - મોરબી પ્રખંડ પ્રચાર પ્રસાર સહસંયોજક, જયદીપભાઈ રાયધનભાઇ સોઢિયા - મોરબી પ્રખંડ ધર્મ પ્રસાર સંયોજક, હિતરાજસિંહ હરૂભા પરમાર- મોરબી પ્રખંડ ગૌ રક્ષા પ્રમુખ, યશભાઈ ગિરીશભાઈભાઈ વાઘેલા - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, સંદીપભાઈ - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, નિકુંજભાઈ પટેલ - મોરબી પ્રખંડ ગૌ રક્ષા સહપ્રમુખ, રાજેશભાઈ રમેશચંદ્ર શાહ - મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સંયોજક, અનિલભાઈ મેઘજીભાઈ દુદકિયા - મોરબી પ્રખંડ ધર્માચાર્ય સંપર્ક સહસંયોજક, જગદીશભાઈ નાનજીભાઈ રાઠોડ - મોરબી પ્રખંડ સેવા પ્રમુખ, ગુંજનભાઈ જયંતભાઈ ઠાકર - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા પ્રમુખ, ભરતભાઈ ભગવાનજીભાઈ જિંજુવાડીયા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, સનિભાઈ રતિલાલભાઈ કલોલા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, ભાવેશભાઈ કુંભારવાડીયા - મોરબી પ્રખંડ બજરંગ દળ સુરક્ષા સહપ્રમુખ, કિશનભાઇ રાકેશભાઈ વરસડા - મોરબી પ્રખંડ બજરંગ દળ સાપ્તાહિક મિલન કેન્દ્ર સહ પ્રમુખ, હરિભાઈ લવજીભાઈ ઉભડિયા - મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં પ્રમુખ, અભયભાઈ ભરતભાઈ રામાનુજ - મોરબી પ્રખંડ બજરંગ દળ બાલોપાસનાં સહપ્રમુખ, દેવાંશભાઈ દિપકભાઈ હિરાણી - મોરબી પ્રખંડ બજરંગ દળ કોલેજીયન પ્રમુખ. મોરબી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ તમામ નવનિયુક્ત જવાબદાર કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:32 pm

આણંદમાં રૂ. 1.63 કરોડની છેતરપિંડી:તાંત્રિક વિધિના બહાને ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) સોજીત્રાના એક વેપારી પાસેથી રૂ. 1.63 કરોડથી વધુની ઠગાઈ કરવાના કેસમાં એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી રફીક ઉર્ફે બાબા પુજાભાઈ રાઠોડને આણંદના ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી ઝડપી પાડી સોજીત્રા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ છેતરપિંડીની શરૂઆત સોજીત્રાના હામી સોસાયટીમાં ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ચલાવતા કામિલભાઈ ઇકબાલભાઈ વ્હોરા સાથે થઈ હતી. ગત 5 જાન્યુઆરી, 2024ના રોજ કામિલભાઈના શોરૂમ પર તેમના ફળિયામાં રહેતા જાવેદભાઈ ઐયુબભાઈ વ્હોરા આવ્યા હતા. તેમણે પોતાના બનેવી સફીમહંમદભાઈ સબુરભાઈ વ્હોરા માટે ભાડાનું મકાન શોધવા કહ્યું હતું. કામિલભાઈએ સમીરપાર્ક સોસાયટીમાં મિત્ર મોહસીનભાઈ અબ્દુલજબ્બાર વ્હોરાનું મકાન સફીમહંમદભાઈને ભાડે અપાવ્યું હતું. બે દિવસ પછી, સફીમહંમદભાઈ તેમના પુત્ર સાહિલ, પત્ની ઇમરાબાનેબ, સિરાજભાઈ મહોમદસઈદભાઈ વ્હોરા (રાજુ ઉર્ફે કચી) અને અયાન સિરાજભાઈ વ્હોરા સાથે કામિલભાઈની દુકાને આવ્યા. તેમણે જણાવ્યું કે મુંબઈમાં ONGCનો તેમનો ટેન્ડર બે મજૂરોના મૃત્યુને કારણે અટકી ગયો છે અને તેને ફરી શરૂ કરવા માટે ONGC અધિકારીને 8 લાખ રૂપિયા આપવાના છે. બેંક એકાઉન્ટ બ્લોક હોવાનું કહી, તેમણે 7 દિવસમાં પરત કરવાની બાંહેધરી સાથે 8 લાખ રૂપિયા ઉછીના લીધા. આ પછી, ટોળકીએ કામિલભાઈને બે મોઢાવાળા સાપ, શેરવો અને બાર નખવાળો કાચબો બતાવીને તાંત્રિક વિધિ દ્વારા આખા પરિવારને મારી નાખવાની ધમકીઓ આપી. આ ધમકીઓ આપીને તેમણે કામિલભાઈ પાસેથી 3.50 લાખ રૂપિયા પડાવી લીધા. પરિવારને તાંત્રિક વિધિથી બચાવવાના બહાને, ટોળકીએ એક દિવસના 21 હજાર રૂપિયા લેખે 60 દિવસના કુલ 12.60 લાખ રૂપિયા પણ કામિલભાઈ પાસેથી લીધા. આ ઉપરાંત, હીરા છોડાવવા, સોનાના બિસ્કિટ લેવા, મકાન વેચાણ રાખવા, મિત્રના બીમાર દીકરાની સારવાર, તાંત્રિક વિધિનો સામાન ખરીદવા અને મુંબઈના સ્ક્રેપ માટે રૂપિયા છોડાવવા જેવા અનેક બહાના હેઠળ કામિલભાઈ પાસેથી કુલ 1,63,33,511 રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ ગુનાની તપાસ કરી રહેલી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આ કેસમાં સંડોવાયેલા રફીક ઉર્ફે બાબા પુજાભાઈ રાઠોડ (રહે. દહેમી, તા. બોરસદ) ને ઇન્દિરા સ્ટેચ્યુ પાસેથી ઝડપી પાડ્યો હતો. તેને વધુ તપાસ માટે સોજીત્રા પોલીસ મથકે સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:32 pm

મવડી વિસ્તારમાં બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક:રાજકોટ મહાપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનોની હરરાજી કરાશે, રૂ. 15.80 લાખથી અપસેટ કિંમત શરૂ થશે

રાજકોટ મહાપાલિકા દ્વારા મવડી વિસ્તારમાં આવેલી લાલુભાઈ પારેખ ટાઉનશીપના શોપિંગ સેન્ટરની 10 દુકાનોની જાહેર હરરાજી આવતીકાલ 21 જાન્યુ.નાં રોજ સવારે 9:00 કલાકે યોજાશે. મવડી ટી.પી. સ્કીમ 27ના પ્લોટ નં. 51 B ખાતે વેસ્ટ ઝોન પેકેજ-5 હેઠળ તૈયાર થયેલી આ મોકાની દુકાનો માટેની અપસેટ કિંમત રૂ. 15,80 લાખથી રૂ. 25,70 લાખ સુધી રાખવામાં આવી છે. ટાઈટલ ક્લિયર અને 100% દસ્તાવેજ સાથેની આ દુકાનો માટે કોઈપણ બેંકમાંથી લોન મેળવી શકાશે. અહીં વિશાળ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ હોય મિની સુપર માર્કેટ, ડેરી, ક્લિનિક તેમજ સલૂન જેવા વ્યવસાયો માટે ઉત્તમ છે. આ હરરાજીમાં ભાગ લેવા ઈચ્છુકોએ રૂ. 2,00,000 ની ડીપોઝીટનો ચેક કે ડીડી 'રાજકોટ મહાનગરપાલિકા' ના નામે જમા કરાવવાનો રહેશે. બોલીની શરૂઆત રૂ. 10,000 ના ગુણાંકમાં કરવાની રહેશે. જેની બોલી મંજૂર થાય તેણે કુલ કિંમતના 25% રકમનો ચેક સ્થળ પર જ આપવાનો રહેશે, જ્યારે બાકીના 75% રકમ મંજૂરી મળ્યાના 60 દિવસમાં ભરપાઈ કરવાની રહેશે. હરરાજી અંગેની વધુ વિગતો અને ડીપોઝીટ માટે એસ્ટેટ શાખા, ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે. મ્યુનિસિપલ કમિશનરનો નિર્ણય આ બાબતે આખરી ગણાશે. મનપાનાં ફૂડ વિભાગે, 8 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરી 7 ધંધાર્થીઓને નોટિસ ફટકારી રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાણી-પીણીના એકમો પર સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી દરમિયાન નાના મવા રોડ પર ભીમનગર ચોક પાસે આવેલી કિંગ ઓફ ફૂડ નામની પેઢીમાંથી 8 કિ.ગ્રા. વાસી ગ્રેવી, બાફેલા શાકભાજી અને મંચુરિયન જેવો અખાદ્ય જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરાયો હતો. ઉપરાંત, મવડી રોડ પર આવેલી બાલાજી ઢોસા અને શ્રી રેસ્ટોરેન્ટ ને હાઈજેનિક કન્ડિશન તેમજ લાયસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમ અને FSW વાન દ્વારા જય ભીમ ચોક અને રેસકોર્ષ વિસ્તારમાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 15 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી અને લાયસન્સ વગર વેપાર કરતા 07 ધંધાર્થીઓને નોટિસ આપવામાં આવી હતી. જેમાં મારુતિ જનરલ સ્ટોર, મેલડી કૃપા પ્રોવિઝન, જેનીલ કાવો અને શ્રી રાજલ ઘૂઘરા સહિતના એકમોનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી અખાદ્ય ચીજવસ્તુઓ વેચતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. રેલનગર હેડ વર્કસમાં મેઇન્ટેનન્સ અને પાઇપલાઇન જોડાણની કામગીરી પૂર્ણ થતા પાણી વિતરણ ફરી શરૂ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલનગર હેડ વર્કસ ખાતે તા. 17/01/2026ના રોજ પાણી વિતરણ બંધ રાખીને વિવિધ વિભાગો દ્વારા જાળવણી અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મિકેનીકલ વિભાગ દ્વારા સંપની અંદર ખરાબ થયેલી સક્શન પાઇપલાઇન બદલાવીને રિપેરિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે ઇલેક્ટ્રિકલ વિભાગ દ્વારા ટુ પોલ સ્ટ્રકચરની સર્વિસ અને એલ.ટી. પેનલનું ક્લીનિંગ તથા પ્રિવેન્ટિવ મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું હતું. આ સાથે જ સિવિલ વિભાગ દ્વારા નવા GSRનું જુના GSR અને પાઇપલાઇન સાથે જોડાણ કરવાની મહત્વની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને OM વિભાગ દ્વારા જુના સંપની સફાઈ કરવામાં આવી હતી. આ તમામ કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ થતા તા. 18/01/2026થી રેલનગર હેડ વર્કસ હેઠળના વિસ્તારોમાં રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:31 pm

વડોદરામાં ભાઈ બહેનની દાદાગીરી:રાજરાણી તળાવ પાસે MGVCLની કચેરી પર ભાઈ બહેને આવી હંગામો મચાવ્યો, વીજ કનેક્શન કાપી મીટર લઈ જનાર કર્મચારીઓને ચાકુ બતાવી મારી નાખવાની ધમકી આપી

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં આવેલા રાજરાણી તળાવ પાસે રહેતા ગ્રાહકે ચાર મહિનાથી 11 હજાર રૂપિયા વીજ બિલ ભર્યું ન હતું. જેના કારણે જીઈબીના કર્મચારીઓ તેમનું વીજ કનેક્શન કાપી મીટર લઈ ગયા હતા. આ દરમિયાન રોષે ભરાયેલો ગ્રાહક સબ ડિવિઝનની વીજ કચેરી ખાતે પહોંચી ગયો હતો અને કર્મચારીઓને ગાળો બોલવા સાથે તમને હું ઓળખું છું બહાર નીકળશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી લાઈન મેને ગ્રાહક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના સ્વસ્તિક એપાર્ટમેન્ટમાં રહેતાં દશ્વતભાઇ અબ્બાસભાઈ શેખ પાણીગેટ રાજારાણી તળાવ પાસે આવેલા જી.ઈ.બી. સબ ડીવિઝન ઓફીસમા છેલ્લા 22 વર્ષથી લાઈનમેન તરીકે નોકરે કરે છે.19 જાન્યુઆરીના રોજ અધિકારી તરફથી વીજ બીલ બાકી હોય તેમને વીજ બીલ ભરવા જાણ કરવી અને વીજ બીલ ના ભરે તો બીજા દિવસે વીજ કનેક્શન કાપવાની સાથે મીટર કાઢી લાવવાની સુચના મળી હતી. જેથી સવારના આશરે દસેક વાગ્યાની આસપાસ પાણીગેટ જીઈબી સબ ડીવીઝનમાથી ઈંચાર્જ નાયબ ઇજનેર પંકજ એમ. પાટીલે ઈલેક્ટ્રીકલ આસીસ્ટન્ટ સંદિપભાઈ જયંતીભાઈ રાણા તથા રામસીંગભાઈ રાઠોડને રાજારાણી તળાવ જીઈબીની બાજુનો વિભાગ ફાળવ્યો હતો અને જેમના વીજ બીલ ભરેલ ન હોય તેઓના કનેક્શન કાપી નાખવા તેવી સૂચના આપી હતી.જેના આધારે આ વીજ કર્મચારીઓ ગ્રાહક સૈયદખાન નિઝામખાન પઠાણના ઘરે જઈને તપાસ કરી હતી. ગ્રાહકે છેલ્લા ચાર માસથી અનિયમીત બિલ ભરતા હોય તથા તેઓનુ રૂપિયા 11,312 બીલ બાકી હોય તેમને જાણ કરાઈ હોવા છતાં તેઓ બિલ ભર્યું ન હતું. લાઈનમેન સહિતના કર્મચારી સવારના દસેક વાગ્યાની આસપાસ તેઓનુ મીટર કાપીને પાણીગેટ જીઈબી ઓફીસ લઈને આવ્યા હતા.દરમિયાન બપોરના ત્રણેક વાગ્યા આસપાસબધા કર્મચારી હાજર હતા. ગ્રાહક સૈયદખાન ઉર્ફે રાજુ પઠાણ જીઈબી ઓફીસ પર આવ્યો હતો અને મીટર કાપવા બાબતે ત્યા હાજર જીઈબી ના કર્મચારીઓને બિભત્સ ગંદી ગાળો આપવા સાથે તેણે બધાને ઓળખુ છુ તમે બહાર આવો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી જતો રહ્યો હતો. થોડી જ વારમાં ગ્રાહક ચાકુ હાથમા ચપ્પુ લઈને આવ્યો હતો અને ત્યા બહાર ઉભો રહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતો હતો. દરમિયાન તેની બહેન જુબેદા મલેક ત્યા આવી ગાળો તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગી હતી. જેથી સરકારી કર્મચારીને ધમકી આપવા બદલ પોલીસે ભાઈ બહેન વિરુદ્ધ ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:30 pm

એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મારામારી મામલે 8 સગીર સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ, મહા મહિનામાં માવઠાની દહેશત

દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા દરરોજ અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન આપી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર પબ્લિશ કરવામાં આવે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:29 pm

ગોધરામાં પતંગ ચગાવતો બાળક ધાબા પરથી પટકાયો:આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી, વડોદરા રિફર કરાયો

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વિંઝોલ ગામે પતંગ ચગાવતી વખતે 8 વર્ષીય બાળક ધાબા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં બાળકને ગંભીર ઈજાઓ થતાં તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિંઝોલ ગામનો 8 વર્ષીય ક્રિષ્ના ચૌહાણ પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવતી વખતે તેણે અચાનક સંતુલન ગુમાવ્યું અને ધાબા પરથી નીચે પટકાયો હતો. આ અકસ્માતમાં ક્રિષ્નાને આંખ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક કાકણપુર હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જોકે, ઈજાઓ વધુ હોવાથી પ્રાથમિક સારવાર બાદ તેને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકની ગંભીર સ્થિતિ જોતા તેને વધુ સઘન સારવાર માટે વડોદરા રિફર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:28 pm

મોરબીમાં સતવારા સમાજના 15 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા:સતવારા સહકાર મંડળે 11મો સમૂહ લગ્નોત્સવ સફળતાપૂર્વક યોજ્યો

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી રામકો રેસીડેન્સી ખાતે શ્રી સતવારા સહકાર મંડળ મોરબી દ્વારા11મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે સતવારા સમાજના 15 યુગલો લગ્નગ્રંથિથી જોડાઈ નવા દાંપત્યજીવનનો પ્રારંભ કર્યો હતો. સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ સવારે મંડપ મુહૂર્તથી થયો હતો. ત્યારબાદ સવારે 9.15 કલાકે જાન આગમન, 9.55 કલાકે સામૈયા અને 10.45 કલાકે હસ્તમેળાપ વિધિ સંપન્ન થઈ હતી. બપોરે ભોજન સમારોહ બાદ ૨ કલાકે આશીર્વચન કાર્યક્રમ અને કન્યા વિદાય યોજાઈ હતી. નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સંતો-મહંતો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મોરબી મહાનગરપાલિકા કમિશનર સ્વપ્નીલ ખરે, ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા અને પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી આશાબેન નકુમ સહિતના રાજકીય અગ્રણીઓએ પણ ખાસ હાજરી આપી હતી. આ ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ લલિતભાઈ કણઝારીયા, ઉપપ્રમુખ જયંતિલાલ ડાભી અને મનસુખભાઈ નકુમ, મંત્રી વિજયભાઈ પરમાર, કન્વીનર વિનોદભાઈ પરમાર, પ્રભુભાઈ ડાભી, હિતેશભાઈ હદીયાદ, સહ-કન્વીનર વિજય ડાભી અને અનિલ પરમાર સહિતની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:23 pm

શાળામાં માતૃ-પિતૃ પૂજન:મોરબીની શાળામાં 400થી વધુ વિદ્યાર્થિનીઓએ કર્યું પૂજન, મૂલ્ય શિક્ષણ અને સંસ્કાર સિંચનનો પ્રયાસ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાની 400થી વધુ વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર પોતાના માતા-પિતાનું પૂજન કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ પોતાના માતા-પિતાને હાર પહેરાવી, આરતી ઉતારી અને પ્રદક્ષિણા ફરીને વિશેષ પૂજન કર્યું હતું. આ પૂજન દ્વારા બાળકોમાં માતા-પિતા પ્રત્યે આદર અને પ્રેમની ભાવના દ્રઢ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને મૂલ્યશિક્ષણ આપવાનો, માતા-પિતાના પ્રેમને સમજાવવાનો અને જીવનમાં તેમના મહત્વને સમજાવવાનો હતો. આનાથી બાળકોમાં સંસ્કાર સિંચન થાય અને પારિવારિક સંબંધો વધુ મજબૂત બને. વર્તમાન સમયમાં વૃદ્ધાશ્રમોની વધતી સંખ્યા અને વિભક્ત થતા પરિવારોને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમોનું મહત્વ ઘણું વધી જાય છે. આવા આયોજનો દ્વારા બાળકોમાં પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવામાં આવે છે.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ વેદાંત સમિતિના નિલેશભાઈ, જયેશભાઈ, રસીલાબેન, નયનાબેન તથા શાળાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:22 pm

AMCએ ફાયર સ્ટેશન ઓફિસરો માટેની પરીક્ષા રદ કરી:આજે પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયાનો ઉમેદવારોનો આક્ષેપ, આગામી 11 ફેબ્રુઆરીના ફરી પરીક્ષા લેવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછાયા હોવાનો આક્ષેપ ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યો તેના પગલે કોર્પોરેશન દ્વારા પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 20 જાન્યુઆરીના રોજ ફાયર વિભાગના સ્ટેશન ઓફિસરો માટેની પરીક્ષા લેવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. પરીક્ષામાં સિલેબસ બહારના પ્રશ્નો પૂછવામાં આવ્યા હોવાના આક્ષેપને લઈને અમદાવાદ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે પરીક્ષા રદ કરી આગામી 11 ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે. ‘પ્રશ્નો સિલેબસ બહારના પૂછાતા પરીક્ષાને રદ કરી’અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસ વિભાગના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એજન્સીને અમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસર તરીકે ભરતી માટેની લિમિટ પરીક્ષા લેવા માટે કામગીરી આપવામાં આવી હતી. પરીક્ષામાં કેટલાક પ્રશ્નો સિલેબસ બહારના પૂછવામાં આવ્યા હોવાના પગલે હવે પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. સિલેબસ બહારના પ્રશ્નો કેવી રીતે આવ્યા તે અંગેની તપાસ પણ કરવામાં આવશે. 8 ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી માટે 32 જેટલા ઉમેદવારોઅમદાવાદ ફાયર વિભાગમાં સ્ટેશન ઓફિસરની ભરતી કરવામાં આવનાર હતી, જેને લઈને જાહેરાત બહાર પાડવામાં આવી હતી. 8 જેટલા ફાયર સ્ટેશન ઓફિસરની ભરતી માટે 32 જેટલા ઉમેદવારો ક્વોલિફાય થયા હતા. આજે સાંજે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ આક્ષેપ કર્યોઆ ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે 20 જાન્યુઆરીના રોજ લેવામાં આવી હતી. સાંજે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો કે જે પરીક્ષા લેવામાં આવી છે તેમાં સિલેબસ બહારના કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને પરીક્ષા લેવા માટે એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાશેસમગ્ર બાબત સામે આવતાની સાથે જ કોર્પોરેશનના સેન્ટ્રલ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. એ બાદ પરીક્ષા રદ કરી આગામી 11 ફેબ્રુઆરીના રોજ પરીક્ષા લેવાનો નિર્ણય લેવાયો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:07 pm

પૂર્વ ધારાસભ્યના પુત્રએ જન્મદિવસની ઉજવણી કરી:1200થી વધુ વિદ્યાર્થીઓને 600 કિલો ચિક્કીનું વિતરણ કર્યું

વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાના પુત્ર અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (PFC)ના ડિરેક્ટર નરેશભાઈ કેલાએ 20 જાન્યુઆરીના રોજ તેમનો જન્મદિવસ સામાજિક સેવા સાથે ઉજવ્યો હતો. તેમણે આ પ્રસંગે વઢવાણ વિસ્તારની ચાર શાળાઓના 1200થી વધુ વિદ્યાર્થીઓને પૌષ્ટિક શીંગ-ગોળની ચિક્કીનું વિતરણ કર્યું હતું. આ ઉજવણી અંતર્ગત, વઢવાણની શાળા નં. 13, શાળા નં. 17, ડાંગશિયા વસાહત પ્રાથમિક શાળા અને નકલંકપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ચિક્કી આપવામાં આવી હતી. કુલ અંદાજે 600 કિલોગ્રામ ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું. નરેશભાઈએ દરેક શાળાની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે બાળકો સાથે સંવાદ સાધ્યો અને તેમને અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ તેમને સ્વહસ્તે બનાવેલા ગ્રીટિંગ કાર્ડ્સ પણ અર્પણ કર્યા હતા. નરેશભાઈ વર્ષોથી પોતાના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને ઉજવે છે. પૌષ્ટિક આહારના મહત્વને સમજાવતા આ કાર્યક્રમથી શાળાઓમાં સારો પ્રતિસાદ મળ્યો હતો અને શૈક્ષણિક જગતના અગ્રણીઓએ પણ આ પહેલની સરાહના કરી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:05 pm

આણંદમાં સગીરા પર દુષ્કર્મ કેસમાં બે ઝડપાયા:નડિયાદના ઉત્તરસંડામાં મિત્રએ ઘર બંધ કરી આપ્યું અને તુષારે રાધમ કૃત્ય આચર્યું , બન્ને જેલહવાલે

આણંદ શહેરના સાંગોળપુરા વિસ્તારમાં રહેતા અને ફેબ્રિકેશનના કારખાનામાં કામ કરતા તુષાર બારૈયાએ 17 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે. આ ગુનામાં મદદગારી કરનાર તેના મિત્ર સહિત બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઘટનાની વિગત મુજબ, આરોપી તુષાર બારૈયાએ સગીરા સાથે મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી હતી. ગત 1 જાન્યુઆરીના રોજ 'તને મારી માતા સાથે મુલાકાત કરાવું' તેમ કહી સગીરાને એક્ટિવા પર બેસાડી નડિયાદના ઉત્તરસંડા ખાતે તેના મિત્ર કિશન તડવીના ઘરે લઈ ગયો હતો. ત્યાં કિશન ઘરને બહારથી તાળું મારી ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તુષારે સગીરાને બદનામ કરવાની અને મેસેજો ઘરે બતાવી દેવાની ધમકી આપી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. નરાધમે એટલેથી ન અટકીને સગીરાનો નગ્ન વીડિયો ઉતારી લીધો હોવાની અને તેને વાયરલ કરવાની ધમકી આપી ગ્રીડ ચોકડી પાસે ઉતારી ફરાર થઈ ગયો હતો. ગભરાયેલી સગીરાએ ઘરે જઈ આપવીતી જણાવતા પરિવારે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે BNS ની વિવિધ કલમો અને પોકસો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી ગત રાત્રે મુખ્ય આરોપી તુષાર અને તેના મિત્ર કિશનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 6:04 pm

મહારાષ્ટ્રની આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ:નવસારી LCBએ 9 ચોરીનો ભેદ ઉકેલ્યો, ₹3.69 લાખનો મુદ્દામાલ જપ્ત

નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ મહારાષ્ટ્રની એક આંતરરાજ્ય ઘરફોડ ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં બંધ ફ્લેટોને નિશાન બનાવી ચોરી કરતી હતી. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને કુલ 9 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. આરોપીઓ પાસેથી સોનાની લગડી, રોકડ અને મોબાઈલ ફોન સહિત કુલ ₹3.69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નવસારી જિલ્લામાં વધતી ઘરફોડ ચોરીઓને રોકવા માટે રેન્જ આઈ.જી. પ્રેમવીર સિંહ અને નવસારી એસ.પી. રાહુલ પટેલની સૂચનાથી LCB પી.આઈ. વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે PSI એમ.બી. ગામીત અને તેમની ટીમને બાતમી મળી હતી. બાતમીના આધારે, ચોરી કરનાર ગેંગ મહારાષ્ટ્રથી બાઈક પર દાગીના વેચવા સુરત તરફ જઈ રહી હતી. પોલીસે સીસોદ્રા બ્રિજ પાસે વોચ ગોઠવી સર્વિસ રોડ પરથી બે રીઢા તસ્કરોને પકડી પાડ્યા હતા. આ ગેંગની કાર્યપદ્ધતિ (મોડસ ઓપરેન્ડી) વિશે પોલીસે માહિતી આપી હતી. આરોપીઓ મહારાષ્ટ્રના નાલાસોપારા અને વિરારથી બાઈક પર નીકળતા હતા. પોલીસને ગેરમાર્ગે દોરવા તેઓ બાઈક પર ગુજરાત પાસિંગની ખોટી નંબર પ્લેટ લગાવતા હતા. દિવસ દરમિયાન તેઓ એપાર્ટમેન્ટ્સમાં રેકી કરતા હતા અને બંધ ફ્લેટોના તાળા-નકુચા તોડી ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ તે જ દિવસે તેઓ પરત મહારાષ્ટ્ર ભાગી જતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં શાવેઝ દુલારે અનવર ખાન (ઉંમર 39, રહે. નાલાસોપારા, પાલઘર) અને મોન્ટુ ઉર્ફે મોનુ વિભૂતિ ચૌધરી (ઉંમર 36, રહે. વિરાર, પાલઘર) નો સમાવેશ થાય છે. આ ગુનામાં સાજીદ અકબરઅલી શેખ (રહે. વિરાર વેસ્ટ) અને જતીન ઉર્ફે જીતુચુરી રમેશ પાટીલ (રહે. નાલાસોપારા) વોન્ટેડ છે. LCB પી.આઈ. વી.જે. જાડેજા, એસ.વી. આહીર, PSI એમ.બી. ગામીત, વાય.જી. ગઢવી તથા એલ.સી.બી. નવસારીનો અન્ય સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલી હતો. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ કુલ 9 ચોરીઓની કબૂલાત કરી છે. આ ચોરીઓ નવસારી (રુરલ, જલાલપોર, બિલીમોરા, ટાઉન), સુરત (રાંદેર, ભેસ્તાન), આણંદ (ભગતસિંહ ચોક પાસે) અને ભરૂચ (અંકલેશ્વર) જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:57 pm

ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી આવતીકાલથી શરૂ:જામનગર હેડક્વાર્ટરમાં તૈયારીઓ પૂર્ણ, પ્રથમ દિવસે 700 ઉમેદવારો કસોટી આપશે

જામનગર જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ચેલા-13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ સહિતના અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી શરૂ થશે અને આશરે દોઢ મહિના સુધી ચાલશે. જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે કુલ 42,000થી વધુ ઉમેદવારો ભાગ લેશે. પ્રથમ દિવસે 700 ઉમેદવારો કસોટી આપશે. ત્યારબાદ 1200 ઉમેદવારો અને રજાના દિવસો બાદ દરરોજ 1600 ઉમેદવારો શારીરિક પરીક્ષા આપશે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક સાથે 200 ઉમેદવારો રનિંગ ટ્રેક પર દોડશે. આશરે 385 મીટરનો રનિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. 5000 મીટરની દોડ માટે ઉમેદવારોએ 13 રાઉન્ડ 25 મિનિટમાં પૂર્ણ કરવાના રહેશે. ઉમેદવારોની સુવિધા માટે તંત્ર દ્વારા કેન્ટીન અને ટોયલેટ બોક્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા માટે ગ્રાઉન્ડ પર 250 જેટલા પોલીસકર્મીઓ તૈનાત રહેશે. ચેલા-13 SRP ગ્રુપના સેનાપતિ કોમલ વ્યાસ પણ સતત હાજર રહેશે. મેડિકલ સુવિધા માટે 108 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રહેશે, તેમજ જી.જી. હોસ્પિટલના ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ પણ ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ રહેશે. ગ્રાઉન્ડમાં ફક્ત શારીરિક કસોટી આપનાર ઉમેદવારોને જ પ્રવેશ મળશે. કોઈપણ પ્રકારની ડિજિટલ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ભરતી પ્રક્રિયા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પારદર્શી રીતે હાથ ધરવામાં આવશે. અનધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પણ પ્રતિબંધ છે. ઉમેદવારોની સુરક્ષા અને સુવિધા માટે એસ.ટી. બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન સહિતના સ્થળોએ પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:52 pm

212 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4 આરોપીની ધરપકડ:ધો.8થી 10 પાસ ભેજાબાજોએ ખોટા ડોક્યુમેન્ટથી બેંક એકાઉન્ટ ખોલાવ્યા, બેંકર્સને છેતરવા નકલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કર્યું

સુરત સાયબર ક્રાઈમ સેલે 212.87 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આ કૌભાંડમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે, આ ચાર આરોપીઓમાંથી ત્રણ માત્ર ધો. 8થી 10 સુધી જ ભણ્યા છે, પરંતુ તેઓએ આખી બેંકિંગ સિસ્ટમ પર જ પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરી દીધું છે. સાયબર ફ્રોડ માટે જે એકાઉન્ટ્સનો ઉપયોગ કરવામાં આવતો હતો તે માટે આ ચારેય આરોપીઓએ બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કર્યા હતા. આ ડોક્યુમેન્ટમાં ઉદ્યમ સર્ટિફિકેટથી લઈને GSTના દસ્તાવેજોનો સમાવેશ થાય છે. તેઓએ કરંટ અને સેવિંગ એકાઉન્ટ્સ બોગસ ડોક્યુમેન્ટ પર બનાવી દીધા અને બેંકના કર્મચારીઓને કાનોકાન ખબર પણ પડી નહીં. હાલમાં બેંક કર્મચારીઓની આ નેટવર્કમાં ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો?આ સમગ્ર પ્રકરણની શરૂઆત ગત 9 ઓક્ટોબર 2025 ના રોજ થઈ હતી. જ્યારે સાયબર સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે અમરોલી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન મુખ્ય આરોપી પ્રવીણ ધાંધલ પકડાયો હતો, જેની પાસેથી મોટી માત્રામાં શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતા. પોલીસે દરોડા દરમિયાન આરોપીના કબ્જામાંથી 132 જેટલી કોરી ચેકબુક, 19 પાસબુક, 12 ડેબિટ કાર્ડ અને 35 ક્યુઆર કોડ જપ્ત કર્યા હતા. આ ઉપરાંત 54 સિમકાર્ડ કવર અને 7 રબર સ્ટેમ્પ પણ મળી આવ્યા હતા, જેનો ઉપયોગ બોગસ બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા માટે કરવામાં આવતો હતો. તપાસ દરમિયાન સુરત સાયબર સેલને કુલ 154 જેટલા શંકાસ્પદ બેંક એકાઉન્ટની વિગતો મળી હતી. જ્યારે આ ખાતાઓની બેંક સ્ટેટમેન્ટ તપાસવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આ ખાતાઓમાં અત્યાર સુધીમાં કુલ 212,87,97,974 (212.87 કરોડ) રૂપિયાના ટ્રાન્જેક્શન થઈ ચૂક્યા હતા. સાયબર ફ્રોડમાં વધુ ચાર આરોપીઓની ધરપકડઆ રેકેટમાં પોલીસે વધુ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેઓ આ મસમોટા રેકેટમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. આ આરોપીઓ પૈકી મોટાભાગના માત્ર ધોરણ 8 અને 10 સુધી જ ભણેલા છે, છતાં તેઓએ બેંકિંગ સિસ્ટમની ખામીઓનો લાભ ઉઠાવીને હજારો કરોડોના વ્યવહાર ધરાવતા એકાઉન્ટ્સ ઊભા કર્યા હતા. આરોપી અંકિતપરી ગૌસ્વામીધરપકડ કરાયેલો પ્રથમ આરોપી અંકિતપરી ગોરધનપરી ગૌસ્વામી છે. જેની ઉંમર 28 વર્ષ છે. તે મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુંટવડા ગામનો વતની છે અને હાલ સુરતના પુણા ગામ વિસ્તારમાં રહે છે. અંકિતપરી નોકરી કરીને પોતાનું જીવન ગુજારતો હતો, પરંતુ વધુ પૈસાની લાલચમાં તે આ સાયબર ગેંગમાં જોડાઈ ગયો હતો. તેની મુખ્ય ભૂમિકા ગેંગને પોતાના નામના બેંક એકાઉન્ટ્સ પૂરા પાડવાની હતી. અંકિતપરી માત્ર ધોરણ 8 સુધી જ ભણેલો છે. આટલું ઓછું શિક્ષણ હોવા છતાં તેણે HDFC, RBL અને DCB જેવી બેંકોમાં 3 સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા. તેણે આ એકાઉન્ટ્સ સાયબર ફ્રોડ કરતી ગેંગને વાપરવા માટે આપ્યા હતા. દરેક એકાઉન્ટ દીઠ તેણે 30,000 રૂપિયા કમિશન મેળવ્યું હતું. તેના ખાતાઓમાં અંદાજે 88,32,054 રૂપિયાના ટ્રાન્જેક્શન થયા છે, જેના આધારે તેની સામે 5 જેટલી ફરિયાદો દેશભરમાં નોંધાયેલી છે. આરોપી ચેતન લિંબાણીબીજો મહત્વનો આરોપી ચેતન પ્રફુલભાઇ લિંબાણી છે. જેની ઉંમર 32 વર્ષ છે. તે સુરતના અમરોલી વિસ્તારમાં રહે છે અને મૂળ ગીર સોમનાથના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામનો વતની છે. ચેતન પોતે વેપાર સાથે સંકળાયેલો હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયો હતો. તેની ધરપકડ બાદ સાયબર ક્રાઈમની મોટી કડીઓ પોલીસના હાથે લાગી છે. તે પ્રવીણ ધાંધલના સીધા સંપર્કમાં રહીને કરંટ એકાઉન્ટ્સ મેનેજ કરતો હતો. ચેતન લિંબાણી માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ ધરાવે છે. તેણે Indian Bank, Bank of Maharasthra અને IDFC First Bank માં 3 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે વ્યવસાયના પુરાવા જરૂરી હોય છે, જે તેણે બોગસ બનાવ્યા હતા. તેણે એકાઉન્ટ દીઠ 1,00,000 રૂપિયા લેખે કુલ 3,00,000 નું કમિશન લીધું હતું. તેના ખાતાઓમાંથી 7,52,28,940 થી વધુના ટ્રાન્જેક્શન થયા છે. આરોપી બીપીન સાવલીયાત્રીજો આરોપી બીપીન અશોકભાઇ સાવલીયા છે, જેની ઉંમર 32 વર્ષ છે. બીપીન મૂળ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ઝરખીયા ગામનો વતની છે અને સુરતના પુણાગામ વિસ્તારમાં રહે છે. તે વ્યવસાયે મજૂરી કામ કરતો હતો. એક સામાન્ય મજૂર તરીકે કામ કરતો વ્યક્તિ આટલા મોટા આંતરરાષ્ટ્રીય કક્ષાના સાયબર ફ્રોડમાં સામેલ હોય તે પોલીસ માટે પણ આશ્ચર્યની વાત હતી. તેની આર્થિક નબળાઈનો લાભ ગેંગે ઉઠાવ્યો હતો. બીપીન સાવલીયાએ પણ માત્ર ધોરણ 10 સુધીનો જ અભ્યાસ કર્યો છે. તેણે HDFC, RBL, YES Bank અને Kotak Bank માં કુલ 4 સેવિંગ એકાઉન્ટ ખોલાવ્યા હતા. મજૂરી કામ કરનાર બીપીને આ એકાઉન્ટ્સ કમિશનના બદલામાં ગેંગને સોંપી દીધા હતા. તેણે કુલ 1,20,000 રૂપિયા કમિશન તરીકે મેળવ્યા હતા. તેના એકાઉન્ટ્સમાં 40,34,359 રૂપિયાના વ્યવહારો થયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેમાં 2 ફરિયાદો નોંધાયેલી છે. આરોપી અજય ગૌસ્વામીચોથો આરોપી અજય ગોરધનપરી ગૌસ્વામી છે, જે 31 વર્ષનો છે. તે અંકિતપરીનો ભાઈ છે અને ભાવનગરના મોટા ખુંટવડા ગામનો વતની છે. અજય સુરતના સીતાનગર સોસાયટી વિસ્તારમાં રહે છે અને નોકરી કરતો હતો. આ ટોળકીમાં અજયની ભૂમિકા કરંટ એકાઉન્ટ્સ ખોલાવીને મોટા ટ્રાન્જેક્શનને સરળ બનાવવાની હતી. તે પોતાના ભાઈ સાથે મળીને આ નેટવર્કને સુરતમાં મજબૂત કરવામાં મદદ કરતો હોવાનું જણાયું છે. આ આખી ટોળકીમાં અજય ગૌસ્વામી સૌથી વધુ ભણેલો છે, તેણે B.Com સુધીનો અભ્યાસ કર્યો છે. કોમર્સના સ્નાતક હોવાથી તેને બેંકિંગ પ્રક્રિયાઓની સારી જાણકારી હતી. તેણે IDBI અને Bank of Baroda માં 2 કરંટ એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ માટે તેણે બોગસ ઉદ્યમ સર્ટિફિકેટ અને GST નંબરનો ઉપયોગ કર્યો હતો. તેણે 2,00,000 રૂપિયા કમિશન મેળવ્યું હતું અને તેના ખાતામાંથી 2,64,73,866 ના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આરોપીઓએ બોગસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓફિસ પણ ઉભી કરી હતીડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ચાલાકીભરી હતી. તેઓ માત્ર નકલી આધાર કાર્ડ કે પાન કાર્ડ જ નહોતા બનાવતા, પરંતુ કરંટ એકાઉન્ટ ખોલાવવા માટે જરૂરી ઉદ્યમ સર્ટિફિકેટ અને GST નંબર પણ બોગસ ઉભા કરતા હતા. જ્યારે બેંક કર્મચારીઓ સ્થળ તપાસ માટે આવે, ત્યારે આ આરોપીઓ કામચલાઉ ધોરણે બોગસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓફિસ જેવું વાતાવરણ ઉભું કરી દેતા હતા, જેથી બેંક કર્મચારીઓને શંકા ન જાય.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:51 pm

દારુની હેરફેર માટે સ્કૂલના વિદ્યાર્થીને બનાવ્યો હાથો:અમદાવાદ- વડોદરામાં મેગા ડિમોલીશન, બેલારુસમાં નોકરીના નામે મહિલા સાથે ઠગાઈ, રાજ્ય પર મંડરાયું માવઠાનું સંકટ

વિદેશમાં નોકરીની લાલચે મહિલા સાથે ઠગાઈ બેલારુસમાં નોકરી આપવાના બહાને નવસારીની મહિલા સાથે ઠગાઈ.. મહિલાને બેલારુસથી 300-400 કિમી દૂર મોકલી, એજન્ટે તેનો નંબર બ્લોક કરી દીધો છે. મહિલા ત્રણ સંતાનોને નવસારી મુકી, દેવું કરી બેલારુસ ગઈ હતી. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વાંદરવટ તળાવમાં મેગા ડિમોલીશન હાથ ધરાયું અમદાવાદના વટવામાં વાંદરવટ તળાવમાં મેગા ડિમોલીશન હાથ ધરાયું.3 કલાકમાં 450 દબાણ હટાવાયા..24 મીટરના 2 TP રોડ અને 18 મીટરનો રોડ ખોલાયો.. તો ઘર તૂટતાં મહિલા રડી પડી..વિસ્થાપિત પરિવારોને આશ્રયગૃહમાં ખસેડાયા. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યાકુતપુરાના મદાર મહોલ્લામાં ડિમોલીશન હાથ ધરાયું વડોદરાના યાકુતપુરામાં મદાર મહોલ્લામાં ડિમોલીશન હાથ ધરાયું.. આ વિસ્તાર સંવેદનશીલ ગણાતો હોવાથી તેને કોર્ડન કરી, ડ્રોન સર્વેલન્સ સાથે કામગીરી હાથ ધરાઈ. વર્ષ 1995થી પ્રોસેસ ચાલતી હતી જેનીઆજે અમલવારી થઈ. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બજરંગદળના કાર્યકર્તાઓએ બે યુવકોને ફટકાર્યા વિરાટનગર બ્રિજ નીચે બજરંગદળના કાર્યકર્તાઓએ લઘુમતી યુવકો સાથે મારામારી કરી. યુવકો યુવતીઓની રેકી કરતા હોવાની શંકા રાખી માર માર્યો હતો.કાર્યકરોએ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને પણ ધક્કો મારી રવાના કરી દીધી હતી. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લેડી કોન્સ્ટેબલની સૂઝબઝથી પકડાઈ ગેંગ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાઈ UPની રીઢા ગુનેગારોની ગેંગ. આ ગેંગને પકડવા લેડી કોન્સ્ટેબલ ડોક્ટરનું એપ્રન પહેરીને ચેકઅપના બહાને રુમમાં ગયા, ને ટીમે આખી ગેંગને પકડી લીધી.. ગેંગ એટીએમ કાર્ડ બદલી લોકોને લૂંટતી હતી.. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દારુની હેરફેર માટે બાળકને બનાવ્યો હાથો સુરેન્દ્રનગરમાં દારુની હેરફેર માટે સ્કૂલના વિદ્યાર્થીનો ઉપયોગ.. બાળકની સ્કૂલબેગમાંથી દારુની પોટલી મળી આવતા સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં જમા કરાવી, જો કે મહિલા બુટલેગર પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ લઈ ફરાર થઈ ગઈ.. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તાપી નદીમાં ઝંપલાવી યુવકે આત્મહત્યા કરી સુરતમાં તાપી નદીમાં ઝંપલાવી યુવકે આત્મહત્યા કરી.. બે કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ હાથ લાગ્યો. પરિવારે કામ કરવાની બાબતે ઠપકો આપતા અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા છે. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો GPSCની પરીક્ષાઓના કોલલેટરની તારીખો જાહેર GPSCની વિવિધ પ્રિલિમનરી તેમજ મેઈન્સ માટે કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર કરાઈ છે. GPSCની ઓફિશિયલ વેબસાઇટ પરથી કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ નાખીને કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શાહીબાગ અંડરબ્રિજ પાંચ દિવસ માટે બંધ અમદાવાદનો શાહીબાગ અંડરબ્રિજ 23 થી 28 જાન્યુઆરી સુધી બંધ રહેશે. અંડરબ્રિજ ઉપર બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની કામગીરીને કારણે પાંચ દિવસ બંધ રહેશે.. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક વાર માવઠાની હવામાન વિભાગની આગાહી ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. એક અઠવાડિયામાં ત્રણ ત્રમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા તેની અસર ગુજરાતના હવામાન પર પડી શકે છે. સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:50 pm

બાવકા PHC ખાતે ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમ:અધિક જિલ્લા આરોગ્ય અધિકારીએ મુલાકાત લીધી; ગ્રામજનોએ સેવાઓનો લાભ લીધો

બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને વધુ સુલભ અને અસરકારક બનાવવાના હેતુથી ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયાએ સ્થળ મુલાકાત લઈ આયોજનની સમીક્ષા કરી હતી અને સેવાઓની ગુણવત્તા સુધારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. ભગીરથ બામણીયા તેમજ મેડિકલ ઓફિસર ડૉ. પન્ના ડામોર અને ડૉ. વિકાસ રાવલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. બાવકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિર, ચાંદાવાડા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ અભિયાનમાં ગ્રામ્ય જનતાને આરોગ્યના તમામ ક્ષેત્રોમાં લાભ મળે તેવું વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સામાન્ય આરોગ્ય તપાસ, લેબોરેટરી ટેસ્ટ, પીએમજેએવાય (PMJAY) કાર્ડ બનાવટ, ABHA ID નોંધણી, નવી ડાયાબિટીસ તથા હાઇપરટેન્શન નોંધણી, તેમજ નવી સગર્ભા મહિલાઓની તપાસ જેવી મહત્વપૂર્ણ સેવાઓ એક જ સ્થળે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. આ સાથે જ આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવા આરોગ્ય કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી લોકો નિયમિત તપાસ અને સારવાર તરફ પ્રોત્સાહિત થાય. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ગિરિવર બારીયાએ આરોગ્ય સ્ટાફના કાર્યની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, સરકારની આરોગ્ય યોજનાઓનો લાભ અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તે માટે આવા કાર્યક્રમો અત્યંત જરૂરી છે. તેમણે આરોગ્ય સેવાઓમાં ગુણવત્તા, સમયબદ્ધતા અને સંવેદનશીલતા જાળવવાની ખાસ અપીલ કરી હતી. આ કાર્યક્રમને ગ્રામજનો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આરોગ્ય વિભાગના સંયુક્ત પ્રયાસોથી ‘ગામે ગામે આરોગ્ય કિરણ’ કાર્યક્રમ ગ્રામ્ય આરોગ્ય મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગથિયું સાબિત થયો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:47 pm

રેલવેની મંજૂરીના અભાવે સાંઢિયા પુલની કામગીરી ખોરંભે ચડી:જામનગર રોડ પર ચાલી રહેલા બ્રિજનું કામ હવે એપ્રિલના અંતમાં પૂર્ણ થાય તેવી શક્યતા

રાજકોટ-જામનગર હાઇવે પર બનેલા સાંઢીયા પુલની જગ્યાએ રૂ. 74.32 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા ફોરલેન બ્રિજના બાકી કામમાં વિલંબ થયો છે. હાલમાં બ્રિજની 80 ટકા કરતા વધુ કામગીરી પુરી થઈ છે. જોકે રેલવેની મંજૂરીનાં અભાવે હાલ કામગીરી અટકી છે. આ મંજૂરી મળ્યા બાદ જ આગળની કામગીરી થઈ શકે તેમ હોવાથી માર્ચ-2026ની ડેડલાઇનનાં બદલે હવે આ કામ એપ્રિલ-2026નાં અંતમાં પૂર્ણ થાય તેવી શક્યતા મેયર નયનાબેન પેઢડીયાએ વ્યક્ત કરી છે. હાલમાં હાઇવેનો ટ્રાફિક શહેરના અન્ય વિસ્તારોમાંથી પસાર થઈ રહ્યો છે, જેના કારણે ભારે ટ્રાફિકજામ અને અસુવિધા સર્જાઈ છે. આ સમસ્યા એક મહિનો વધુ લંબાય તેવી શક્યતા છે. અગાઉ જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂર્ણ કરવાની ખાતરી સ્ટે. ચેરમેને આપી હતી. ત્યારબાદ માર્ચ અંતમાં કામ પૂર્ણ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જોકે હવે કામ એપ્રિલનાં અંત સુધી ચાલે તેવી પુરી શક્યતા છે. માર્ચ 2026 સુધીમાં સાંઢિયા પુલની કામગીરી પૂર્ણ કરવાની હતીપ્રાપ્ત વિગત મુજબ, મોરબી દુર્ઘટના બાદ અસલામત જાહેર કરાયેલા અને પાંચ દાયકા જૂના ટુ-લેન સાંઢીયા પુલને તોડીને નવો ફોરલેન બ્રિજ બનાવવાની કામગીરી ચેતન કન્સ્ટ્રકશન કંપનીને ગત તા. 14-3-2024ના રોજ સોંપવામાં આવી હતી. પુલની કામગીરી પૂર્ણ કરવાની મૂળ સમયમર્યાદા માર્ચ 2026 નક્કી કરાઈ હતી. જોકે જાન્યુઆરીનાં અંત સુધીમાં કામ પૂરું કરવાની ખાતરી અગાઉ સ્ટે. ચેરમેન જયમીન ઠાકરે આપી હતી. પરંતુ રેલવેની મંજૂરી નહીં મળતા કામગીરી ધીમી પડી હતી. અને બાદમાં માર્ચ-2026નાં અંત સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ પોર્શનમાં સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાની કામગીરી બાકીમેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે પુલની કામગીરી અંદાજે 80%થી વધુ પૂર્ણ થઈ ગઈ છે. જોકે આ પુલના સેન્ટ્રલ પોર્શનમાં, એટલે કે રેલવે ટ્રેક ઉપરના ભાગે સ્ટીલ ગર્ડર લોન્ચ કરવાનું મહત્ત્વનું કામ બાકી છે. આ કામ માટે રેલવે દ્વારા બ્લોક આપવો ફરજિયાત છે, કારણ કે અહીં તોતિંગ ગર્ડરનું લોન્ચિંગ રેલવેની મંજૂરી અને સહકાર વગર શક્ય નથી. મનપા દ્વારા ગર્ડર લોન્ચિંગની મંજૂરી માટે છ મહિના પૂર્વે રેલવે વિભાગને પત્રવ્યવહાર કરવામાં આવ્યો હતો અને ભલામણ પણ કરાઈ હતી. આ મંજૂરી મલવામાં સામાન્ય રીતે 6-7 મહિના લાગતા હોય છે. ત્યારે હવે ગણતરીના દિવસોમાં મંજૂરી મળતા જ કામ શરૂ કરી દેવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું કે, કોર્પોરેશનની હદમાં આવતું પુલનું અન્ય તમામ કામ ઝડપથી પૂર્ણ થઈ ગયું છે, પરંતુ રેલવેના ટ્રેક પરના ભાગની મંજૂરીમાં જ વિલંબ થઈ રહ્યો છે, જે રેલવેનાં નિયમોને કારણે ધીમું છે. આ પુલનું કામ ઝડપથી પૂર્ણ થાય અને નાગરિકોની અસુવિધા દૂર થાય તે માટે સતત પ્રયત્નો ચાલુ છે. રેલવે દ્વારા તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે અને બાકીના બે બ્લોકનું કામ ઝડપથી થાય, તે માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવી ચૂકી છે. અને કામમાં કોઈ કચાશ ન રહે તેના માટે પુલના કામકાજની સ્થિતિની સમયાંતરે વિઝીટ પણ કરવામાં આવે છે. 2026માં ડેડલાઈન મુજબ કામગીરી પૂર્ણ કરવી મુશ્કેલઉલ્લેખનીય છે કે, અગાઉ સ્ટે. ચેરમેને જાન્યુઆરીનાં અંત સુધી એટલે કે મનપાની ચૂંટણી પહેલા કામ પૂર્ણ કરવા માટેની ખાતરી આપી હતી. જોકે ત્યારે રેલવેની મંજૂરી મળી જશે તેમ માની લેવામાં આવ્યું હતું. પરંતુ આ મંજૂરી ન મળતા હાલ કામગીરી ધીમી થઈ છે. જેના કારણે હવે બ્રિજનું કામ માર્ચ 2026ની ડેડલાઇન સુધીમાં પણ પૂરું કરવું મુશ્કેલ છે. અગાઉ બ્રીજનું લોકાર્પણ મહાપાલિકાની ચૂંટણી પૂર્વે થાય તેવી સંભાવના હતી. જે હવે શક્ય લાગતું નથી. મેયરે પણ કામગીરી પૂર્ણ કરવાની નિયત સમયમર્યાદા એટલે કે આગામી માર્ચ-2026ને બદલે એકાદ મહિનો વધુ કામ ચાલે તેવી શક્યતા દર્શાવી છે. ત્યારે હજારો વાહન ચાલકોએ 1 મહિનો વધુ હેરાન થવું પડશે તેવું લાગી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:30 pm

મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.ના ક્રિકેટ ગ્રાઉન્ડમાંથી ગાંજો મળ્યો:NSUIએ રેડ કરતા કેટલાક શખસો ભાગ્યાં, ગાંજો, દારૂની ખાલી બોટલો અને ગોગોપેપર મળ્યાં; કુલપતિનો લૂલો બચાવ

એકબાજુ રાજ્ય સરકાર અને પોલીસ પ્રસાશન દ્વારા નશીલા પદાર્થોના સેવન સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે ભાવનાગરમાં સરકાર અને પોલીસની કામગીરીના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. આજરોજ (20 જાન્યુઆરી) NSUI ગુજરાત પ્રદેશ પ્રમુખે મોટી સંખ્યામાં કાર્યકરોને સાથે રાખી ભાવનગર શહેરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી કેમ્પસમાં રેડ કરી હતી. આહીં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક અવાવરું સ્થળ પર તપાસ કરતા દારૂ-ગાંજાનો નશો થતો હોવાનું સામે આવ્યું છે. રેડ દરમિયાન સ્થળ પર વિદ્યાર્થીઓ નશીલા પદાર્થનું વેશન કરતા હતાં. જ્યારે NSUI સ્થળે પહોંચ્યું તો નશો કરનારા નાસી છૂટ્યા હતાં. તપાસ દરમિયાન એક બાઈકમાંથી અંદાજિત 150/200 ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો હતો. તે સ્થળેથી 20થી વધુ દારૂની ખાલી બોટલો, તેમજ નશીલા પદાર્થનું સેવન કરવા વપરાતા ગોગોપેપર સહિતની વસ્તુઓ મળી આવી હતી, સમગ્ર બનાવ અંગે NSUI દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેને લઈને પોલીસ કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને પંચનામાં સહિતની કાર્યવાહી શરૂ કરી હતી. અહીં મોટો પ્રશ્ન એ છે કે, આ શિક્ષાના મંદિરમાં વિદ્યાર્થી અભ્યાસ માટે આવે છે અને તે નશાના રવાડે ચડતા હોય છે, ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉભા થાય છે. યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ હોવા છતાં નશીલા પદાર્થનો પ્રવેશ કેમ થયો? એ સોથી મોટો સવાલ ઉભો થયો છે. જ્યારે આ મુદ્દે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે આ બનાવને સ્વીકારી સાથે બચાવ પણ કર્યો હતો. વિદ્યાર્થીએ માહિતી આપી હતી કે નશો થાય છેઃ નરેન્દ્ર સોલંકીઅંગે ગુજરાત પ્રદેશ NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે ગુજરાતમાં નશાનું પ્રમાણ વધતું જાય છે. ત્યારે ગુજરાત NSUI દ્વારા ડ્રગ્સ મુક્તના પ્રોગ્રામ કરવામાં આવી રહ્યાં છે, તેના માધ્યમથી આજે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ઇન્ટ્રકશનનો પ્રોગ્રામ હતો. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, આ યુનિવર્સિટી કેમ્પસની અંદર ખુલ્લેઆમ દારૂ-ગાંજાનું સેવન થઈ રહ્યું છે. ‘રેડમાં અમને 150થી 200 ગ્રામ જેટલો ગાંજો મળ્યો’આજે NSUI દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ નજીક રેડ પાડવામાં આવી હતી. કેમ્પસની આજુબાજુમાં હોસ્ટેલો છે, કેમ્પસમાં સ્પોટ ગ્રાઉન્ડ છે, જ્યાં વિદ્યાર્થીઓને નશાનું સેવન કરી રહ્યા હતા ત્યારે NSUIએ જનતા રેડ કરી હતી. આ રેડમાં 150થી 200 ગ્રામ જેટલો ગાંજો, કફ સીરપ જેનાથી નસો થાય, ગોગો પેપર, દારૂની ખાલી બોટલો મળી આવી હતી. એટલે અહીંયા આવીને એવું થાય કે, આ શું બાર છે કે નશાનું સેવન કરનારું કેમ્પસ છે કે શિક્ષા નું કેમ્પસ છે. ‘આ દુષણને રોકવાની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે’આ ગાંધી અને સરદારના કેમ્પસમાં આજે હું ગૃહ મંત્રીને હર્ષ સંઘવીને પૂછવા માગું છું કે, મોટી-મોટી વાતો કરનારા આ શિક્ષાના ધામમાં આવડી માત્રામાં નશાનું પ્રમાણ વધતું હોય તો તમે ક્યાં શું કામ કરી રહ્યા છો? આ જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની પણ છે. પોલીસ ડિપાર્ટમેન્ટને પણ અમે વિનંતી કરીએ છીએ અને ગુજરાત સરકારને વિનંતી કરીએ તો આવું ને આવું રહેશે તો યુવા પેઢી બરબાદ થઈ જશે. આપણે આપણા યુવા પેઢીને બરબાદ ન થવા દેવા હોય તો આ ડ્રગ્સ માફિયાઓ આવા દારૂ માફિયાઓ ઉપર કડક પગલાં લેવા જોઈએ. અન્યથા આવનાર દિવસોમાં આવી જ રીતે ક્યાંક કેમ્પસો અથવા તો યુનિવર્સિટીમાં આવા પ્રકારના કાર્યો થતા હશે તો NSUI જનતા રેડ કરીને ખુલ્લા કરશે. સિક્યુરિટી 24 કલાક એક જગ્યાએ ઉભી હોય એવું શક્ય ન બનેઃ કુલપતિઆ અંગે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે ભરત રામાનુજએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આ પ્રકારની બાબતો જોવા મળી છે, એ આપણા સૌ માટે ગંભીર બાબત છે. આવું ન થવું જોઈએ. એનો કોઈ બચાવ પણ ન હોઈ શકે, પરંતુ આવડું મોટું 200 એકરનું કેમ્પસ હોય અને કોઈ જગ્યા પણ એવી હોય જ્યાં નિયમિત અવરજવરની વ્યવસ્થા ન રહેતી હોય. 24 કલાકની અંદર સિક્યુરિટી હોવા છતાં પણ દરેક જગ્યાએ સિક્યુરિટી 24 કલાક ઉભી હોય એવું શક્ય પણ ન બને. આમ છતાં અમે એની કાળજી રાખીશું. ‘હવે આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું’મને માહિતી મળી છે કે, કોઈ જગ્યા એ કોઈ વિદ્યાર્થી સ્કૂટર ઉપર બેઠો હશે અને એક યુનિયનના કાર્યકર્તાઓ આવ્યા એટલે એ લોકો ભાગી ગયા. એમના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો છે. એટલે કોઈના સ્કૂટરમાંથી ગાંજો મળ્યો હોય એ બનવા જોગ છે અને બન્યું પણ હોય અને સાચી વાત પણ હોય. પણ કોઈ આવીને આ કેમ્પસની અંદર સ્કૂટર લઈને બેઠું હોય તો નજર પણ ન હોય, સિક્યુરિટીનું ધ્યાન પણ ન હોય. આમ છતાં જેવી જ આ ખબર પડી, એટલે અમે તાત્કાલિક તે આખો વિસ્તારમાં સાફ-સફાઈ થાય અને સિક્યુરિટીને કડક ધ્યાન રાખવાની સૂચના તાત્કાલિક આપી દીધી છે. ફરીવાર યુનિવર્સિટીનો જે કંઈ વિસ્તાર છે, એ વિસ્તારની અંદર સિક્યુરિટી વધારી અને આવી ઘટના ન બને તેની કાળજી રાખીશું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:28 pm

ભાદરોલી ગ્રામજનોએ મનરેગા કામોના આરોપો નકાર્યા:કોંગ્રેસના નેતાઓ પર પંચાયતને બદનામ કરવાનો આક્ષેપ

કાલોલ તાલુકાના ભાદરોલી ગામના ગ્રામજનોએ મનરેગા યોજના હેઠળ થયેલા કામો અંગેના આરોપોને નકારી કાઢ્યા છે. ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે ગામમાં થયેલા તમામ કામો સ્થળ પર ૧૦૦ ટકા પૂર્ણ થયા છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોંગ્રેસના આગેવાનો રાજેન્દ્રસિંહ ઉદેસિંહ સોલંકી અને શૈલેષભાઈ દ્વારા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપીને કામો સ્થળ પર ન થયા હોવા અને ખોટા બિલ ઉપાડી લેવાયા હોવાના કરાયેલા આક્ષેપો તદ્દન ખોટા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, ઉપલી કક્ષાએથી આવેલી ટીમે આ કામોની તપાસ કરી લીધી છે અને પંચાયતને ક્લીનચીટ પણ મળી ચૂકી છે. તમામ કામો યોગ્ય રીતે પૂર્ણ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગ્રામજનોએ દાવો કર્યો હતો કે ગામમાં અત્યાર સુધી સારો વિકાસ થયો છે અને સરપંચ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક લોકો પંચાયતની જૂની અદાવત રાખીને પંચાયત અને ભાજપના આગેવાનોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ અંગે ભાદરોલી ગામના મેઘરાજસિંહ નટવરસિંહે જણાવ્યું હતું કે આવા ખોટા આક્ષેપો કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:25 pm

બોટાદના તુરખામાં ઘર્ષણનો મામલો:વધુ બે આરોપીઓ ઝડપાયા, પોલીસે ઘટનાસ્થળે રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું; ધરપકડનો આંક છએ પહોંચ્યો

બોટાદના તુરખા ગામે પરિવાર પર હુમલો અને એક મહિલાના મોતના કેસમાં પોલીસે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ છ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દિલીપ પ્રતાપભાઈ ખાચર અને ભગીરથ ફુલાભાઈ ધાંધલની ધરપકડ કરી છે. ધરપકડ બાદ પોલીસે બંને આરોપીઓને ઘટનાસ્થળે લાવી ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ દરમિયાન બંને આરોપીઓની આ ઘટનામાં શું ભૂમિકા હતી તે અંગે પોલીસે વિગતવાર માહિતી મેળવી હતી. આ હુમલો 15 જાન્યુઆરીના રોજ થયો હતો, જેનો મૂળ કારણ 12 જાન્યુઆરીએ એક સગીરાને ભગાડી જવા અંગે પરિવારે કરેલી ફરિયાદની દાઝ હતી. આ હુમલામાં નાનીબેન પરમાર નામની મહિલાનું મોત થયું હતું, જ્યારે અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ કેસમાં 13 નામજોગ અને 2 અજાણ્યા શખ્સો સહિત કુલ 15 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. અગાઉ આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક આરોપી હોસ્પિટલમાં દાખલ હતો. આજે વધુ બે આરોપીઓની ધરપકડ થતા, 15 આરોપીઓ પૈકી કુલ 6 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:16 pm

બાલાસર પોલીસે 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટ આપ્યા:મહિલા સશક્તિકરણ અને સાયબર ક્રાઇમ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો

બાલાસર પોલીસે સરહદી વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લોક જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં 300 મહિલાઓનું એનિમિયા માટે રક્ત પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમજ 300 બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરાયું હતું. બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો. બાલાસરના પીએસઆઈ વી.એ. ઝા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના ગોપાલ સોઢમે ઉપસ્થિત મહિલાઓને સશક્તિકરણ અને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કર્યા હતા. તેમને વિવિધ સાયબર ફ્રોડ અને સાયબર હેલ્પલાઈન નંબર 1930 વિશે સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2026 અંતર્ગત રોડ સેફ્ટી અને ટ્રાફિક જાગૃતિ માટે પણ કાર્યક્રમ યોજાયો હતો. લોકોને વાહન ચલાવતી વખતે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને ટુ-વ્હીલર પર ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે સમજાવવામાં આવ્યું હતું. આ પહેલના ભાગરૂપે 300 જેટલા બાઈક ચાલકોને મફત હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પીએસઆઈ વી.એ. ઝા, વાડીલાલ સાવલા, માજી ધારાસભ્ય પંકજ મહેતા, ત્રિકાલદાસજી મહારાજ, ભારત વિકાસ પરિષદ કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી ડો. અનંત હોંગલ અને સંયોજક ડો. સંજય પટેલ સહિત બાલાસર પોલીસ સ્ટાફ અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ બાલાસર પોલીસ સ્ટેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:06 pm

ચાર અને એક વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા:સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે અમદાવાદ-ધ્રાંગધ્રાથી પકડ્યા

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે ચાર અને એક વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. એક આરોપીને અમદાવાદના નરોડાથી અને બીજાને ધ્રાંગધ્રાથી પકડવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવની સૂચનાથી સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ જિલ્લામાં ફરાર આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવી હતી. આ ઝુંબેશ અંતર્ગત, એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ એન.એ. રાયમાએ ટીમના કર્મચારીઓને ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને આરોપીઓને શોધી કાઢવા માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન, પેરોલ ફર્લો સ્કવોડને મળેલી બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર રાજુભાઈ ગાંડાજી પરમાર (રહે. દેવનંદન એપાર્ટમેન્ટ, નરોડા, અમદાવાદ)ને નરોડા આઈકોન રીંગરોડ, અમદાવાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની કાયદેસરની કાર્યવાહી બાદ સાયલા પોલીસને સોંપવામાં આવ્યો છે. તેવી જ રીતે, ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનના જુગારના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી ફીરોજશા સલીમશા ફકીર (રહે. જૂની મોચીવાડા, ધ્રાંગધ્રા)ને ધ્રાંગધ્રાના દિલ્હી દરવાજા પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. કાયદેસરની કાર્યવાહી બાદ તેને ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 5:04 pm

પોરબંદરમાં કરોડોની જમીન છેતરપિંડીનો પર્દાફાશ:કૌટુંબિક વિવાદનો લાભ લઈ આરોપીઓએ કૌભાંડ આચર્યું

પોરબંદરના ખાપટ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીન છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. નાયરા પેટ્રોલ પંપની પાછળ રહેતા રાંભીબેન વેજા કાના ભુવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, પતિના દાદાની રાતડા સીમ, ખાપટ ગામે આવેલી ૨૫ વીઘા જમીનના હિસ્સા બાબતે પતિ અને તેમના બે ભાઈઓ વચ્ચે કૌટુંબિક વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદનો લાભ ઉઠાવી આરોપી લાખા અરજન કેશવાલાએ ફરિયાદીના પતિનો વિશ્વાસ કેળવી તેમના હિસ્સાની જમીન પરત અપાવવાની લાલચ આપી સહીઓ મેળવી લીધી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે, જમીનની માપણી વખતે આરોપીઓ રાજો મેર, વજશી આલાભાઈ ઓડેદરા ઉર્ફે વજશીમામા અને ઈબ્રાહીમ લાખાની હાજરીમાં ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું. ફરિયાદીના પતિને ૩.૫ વીઘા જમીન મળ્યા બાદ, તેમની જાણ બહાર અને સહમતી વિના ખોટા દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા. આ જમીન રૂ. ૧ કરોડ ૪૨ લાખ ૫૦ હજારની કિંમતમાં કિશોર હાજાભાઈ આંત્રોલીયા અને આયુષ વિરમભાઈ કારાવદરાને વેચી દેવામાં આવી હતી. જમીન વેચાયા બાદ, તેનો કબજો કિશોર આંત્રોલીયા, આયુષ કારાવદરા અને દિલીપ હરભમભાઈ રાણાવાયાને સોંપવા માટે ફરિયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. જમીન વેચાણની કુલ રકમમાંથી ફરિયાદીના પતિના બેન્ક ખાતામાં માત્ર રૂ. ૫૪,૯૪,૯૯૯ જમા કરાવવામાં આવ્યા હતા. બાકીની મોટી રકમ આરોપીઓએ પોતાના હિસ્સામાં વહેંચી લીધી હોવાનો આક્ષેપ છે. આરોપી લાખા કેશવાલાએ ફરિયાદીના પતિના ખાતામાંથી રૂ. ૨૬.૫૦ લાખ ચેક દ્વારા પોતાના ખાતામાં જમા કરાવ્યા હતા, તેમજ અન્ય રકમ ATM મારફતે ઉપાડી લીધી હતી. વધુમાં, ફરિયાદમાં જણાવાયું છે કે જમીનના માલિક ન હોવા છતાં, આરોપી લાખા કેશવાલાએ નોટરી સમક્ષ ખોટું લખાણ કરી રૂ. ૩૦ લાખની રકમ મેળવી હતી. આ લખાણમાં દિલીપ રાણાવાયા અને ઈબ્રાહીમ લાખાએ સાક્ષી તરીકે સહીઓ કરી હતી. આ સમગ્ર કિસ્સામાં તમામ આરોપીઓએ ગુનાહિત કાવતરું રચી ફરિયાદીના પતિ અને તેમના પરિવાર સાથે વિશ્વાસઘાત કરી કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આક્ષેપ છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી સમગ્ર મામલે દસ્તાવેજો, બેન્ક ટ્રાન્ઝેક્શન્સ અને આરોપીઓની ભૂમિકા અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:53 pm

ઈનામી ડ્રોમાં 1.20 કરોડની છેતરપિંડી:મંદિરના વિકાસ માટે ટિકિટો વેચી, 606 વિનરને 5 દિવસે થયાં છતાં કંઈ ન મળ્યું, એક કરોડથી વધુની છેતરપિંડી બાદ આયોજક ફરાર

હળવદ તાલુકાના માથક ગામ પાસે આવેલા મામાદેવ મંદિરના વિકાસના નામે ઇનામી ડ્રોની ટિકિટો વેચી આયોજકો ગુમ થઈ ગયા છે. ડ્રો થયાના પાંચ દિવસ બાદ પણ 606 વિજેતાઓને કોઈ ઇનામ મળ્યા નથી. આ મામલે એક કરોડથી વધુની છેતરપિંડીનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. માથક અને કડીયાણા ગામ વચ્ચે ખરબાની જગ્યા પર આવેલા મામાદેવ મંદિરના વિકાસ માટે આ ઇનામી ડ્રોનું આયોજન કરાયું હતું. ગત તા. 15 જાન્યુઆરી, 2026ના રોજ મામાદેવ મંદિર ખાતે આ ડ્રો કરવામાં આવ્યો હતો. આ ડ્રોની ટિકિટો વિશુભાઈ રાજપુત (મામાદેવના ભુવા), મેહુલભાઈ આચાર્ય, ક્રિપાલસિંહ પરમાર, શક્તિસિંહ પરમાર, અર્જુનસિંહ ટાંક, યશપાલસિંહ રાઠોડ, અનિરુદ્ધસિંહ ડોડીયા અને જશુભા ડોડીયા સહિતનાઓએ બહાર પાડી હતી. ડુંગરપર ગામના રમેશભાઈ સોમાભાઇને 11 લાખનું ઇનામ લાગ્યું હોવા છતાં તેમને કંઈ મળ્યું નથી. આ જ રીતે અન્ય 605 વિજેતાઓને પણ તેમના ઇનામો કે રોકડ રકમ આપવામાં આવી નથી. સાપકડા ગામના રતભાઈ ભરવાડના ભત્રીજાને 2.51 લાખનું ઇનામ લાગ્યું હતું. તેમણે જણાવ્યું કે ડ્રોમાં 40,000 સુધીની સિરીઝના નંબર જોવા મળ્યા હતા, જે દર્શાવે છે કે આયોજકોએ અંદાજે 40,000 ટિકિટો વેચી હતી. એક ટિકિટનો દર 299 રૂપિયા હતો, જેથી આયોજકોએ લોકો પાસેથી અંદાજે 1.20 કરોડ રૂપિયા એકત્રિત કર્યા હતા. આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ટિકિટ વેચાણમાંથી વધેલી રકમનો ઉપયોગ મંદિરના વિકાસ અને સેવાકીય કાર્યોમાં કરવામાં આવશે. જોકે, ડ્રો થયાના બીજા દિવસથી જ આયોજકોના મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવે છે અને તેઓ ગુમ થઈ ગયા છે. આ ઘટનાને કારણે લોકોમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની લાગણી પ્રવર્તી રહી છે, અને આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. હાલમાં છેતરપિંડીનો ભોગ બનેલ હળવદના રહેવાસી મહેશભાઇ કુપેણીયા સહિતના લોકોના કહેવા મુજબ ધર્મ અને સેવાકીય કામ કરવાના બહાને ઇનામી ડ્રો ની ટિકિટો બહાર પાડવામાં આવી હતી. જેથી ધર્મનું કામ કરે છે તેવું સમજીને લોકોએ એક નહીં પરંતુ 20 થી 25 જેટલી ટિકિટો આયોજકો પાસેથી ખરીદી કરી હતી અને ઇનામી ડ્રો થયા બાદ પીડીએફમાં વિજેતાઓના નામ જાહેર કરવામાં આવશે અને પછી જુદી જુદી વસ્તુઓના વિજેતાઓને આપવામાં આવશે તેવું કહેવામા આવ્યું હતું પરંતુ ઇનામી ડ્રો પૂરો થયા બાદ આયોજક વિશુભાઈ રાજપુતનો મોબાઇલ નંબર સ્વીચ ઓફ આવે છે. અને હાલમાં તેનો કોઈ જગ્યાએથી પત્તો લાગતો નથી જેથી ટિકિટ ખરીદનારાઓ તેમજ જે લોકોને ઈનામી ડ્રોમાં ઇનામ લાગેલ છે તેઓની સાથે વિશ્વાસઘાત અને છેતરપીડી કરવામાં આવેલ છે. જેથી આ મામલો ભવિષ્યમાં પોલીસ મથક સુધી પહોંચે તો નવાઈ નથી. મોરબી જિલ્લામાં મામાધણી ગ્રૂપ દ્વારા કરવામાં આવેલ ઇનામી ડ્રો હાલમાં ચર્ચાનો વિષય બનેલ છે કેમ કે, માત્ર ગુજરાત જ નહીં ગુજરાત બહાર પણ આ ટિકિટોનું વેચાણ કરવામાં આવ્યું છે. અને જે રીતે ડ્રો સમયે 40,000 જેટલા નંબર સુધીની ટિકિટ બોક્સમાં નાખવામાં આવી હતી તે જોતાં આયોજકો દ્વારા 1.20 કરોડ રૂપિયા ભેગા કરીને વિજેતા બનેલા લોકો કશું જ આપવામાં આવ્યું નથી અને મંદિરનો પણ વિકાસ કરવામાં આવેલ નથી. જેથી ભોગ બનેલ લોકો દ્વારા હવે પોલીસ ફરિયાદ કરવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવેલ છે. જો કે, હજુ સુધી આ બાબતે પોલીસમાં કોઈ અરજી કે ફરિયાદ થયેલ નથી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:44 pm

મોરબીમાં 3 લાખમાં લગ્ન, ત્રીજા દિવસે દુલ્હન ફરાર:છેતરપિંડી કેસમાં લુંટેરી દુલ્હન સહિત બે આરોપી જેલ હવાલે

મોરબીમાં એક યુવાન સાથે 3 લાખ રૂપિયામાં લગ્ન કર્યા બાદ ત્રીજા જ દિવસે દુલ્હન ફરાર થઈ ગઈ હતી. આ છેતરપિંડીના કેસમાં મોરબી બી ડિવિઝન પોલીસે લુંટેરી દુલ્હન અને તેના એક સાથીની ધરપકડ કરી તેમને જેલ હવાલે કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં રહેતા આધેડે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમના દીકરાના લગ્ન કરાવવા માટે રાજુભાઈ તન્નાનો સંપર્ક થયો હતો. રાજુભાઈએ ચાંદની નામની યુવતી સાથે દીકરાના અમદાવાદ ખાતે લગ્ન કરાવ્યા હતા અને તે બદલ તેમની પાસેથી 3 લાખ રૂપિયા લીધા હતા. લગ્નના માત્ર ત્રણ દિવસ બાદ ચાંદનીએ તેના પિતાનું અવસાન થયું હોવાનું કહીને મોરબીથી જતી રહી હતી. ત્યારબાદ તે પરત ફરી ન હતી, જેના કારણે ફરિયાદી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હતી. આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ બી.એ. ગઢવી અને તેમની ટીમે આરોપીઓ રજેશ જીવણભાઈ ઠકકર (48), રહે. સ્વામિનારાયણ પાર્ક, નવા નરોડા, અમદાવાદ અને ચાંદની રમેશભાઈ ઠાકોર (24), રહે. અસારવા, ઠાકોર વાસ, અમદાવાદની ધરપકડ કરી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે કરાયા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આ આરોપીઓ વિરુદ્ધ બહુચરાજી, ઈડર, રાજકોટ, દેહગામ અને મોરબી સહિતના વિસ્તારોમાં પણ આવા જ પ્રકારના ગુનાઓ નોંધાયેલા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:30 pm

સુરત રેલવે સ્ટેશન પર માનવતાના દર્શન:મહિલા તબીબ અને યુવકોની સમયસૂચકતાથી બેભાન થઈ ઢળી પડેલા મુસાફરનો જીવ બચ્યો

કહેવાય છે કે 'સેવા પરમો ધર્મ', આ ઉક્તિ સુરત રેલવે સ્ટેશન પર સાચા અર્થમાં સાર્થક થતી જોવા મળી હતી. રેલવે સ્ટેશનના ભીડભાડ વાળા વિસ્તારમાં અચાનક બેભાન થઈ ઢળી પડેલા એક મુસાફર માટે ત્યાં હાજર મહિલા ડોક્ટર અને સ્થાનિક યુવકો 'દેવદૂત' બનીને આવ્યા હતા, જેના કારણે એક કિંમતી જીવ બચાવી શકાયો છે. યુવકને અચાનક ચક્કર આવતા બેભાન થઈ જમીન પર પટકાયોમળતી માહિતી મુજબ, સુરત રેલવે સ્ટેશન પરથી પસાર થઈ રહેલા એક યુવકને અચાનક ચક્કર આવતા તે બેભાન થઈને જમીન પર પટકાયો હતો. સ્ટેશન પર મુસાફરોની અવરજવર વચ્ચે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, આ સમયે સ્ટેશન પર હાજર એક મહિલા ડોક્ટરની નજર આ યુવક પર પડી હતી. તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના યુવકની તપાસ શરૂ કરી હતી. ત્વરિત મેડિકલ સહાય અને યુવકોનો સાથમહિલા ડોક્ટરે યુવકની ગંભીર સ્થિતિ જોઈ તાત્કાલિક મેડિકલ ટીમને જાણ કરી હતી. આ દરમિયાન સ્ટેશન પર હાજર અન્ય જાગૃત યુવકો પણ મદદે દોડી આવ્યા હતા. ડોક્ટરના માર્ગદર્શન હેઠળ યુવકોએ પ્રાથમિક સારવારમાં મદદ કરી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. ડોક્ટરે સમયસર યુવકની નાડ તપાસી તેને જરૂરી પ્રાથમિક સારવાર આપી, જેથી તેની સ્થિતિ વધુ બગડે નહીં. હાજર યુવકોએ ચાદરની વ્યવસ્થા કરવામાં અને દર્દીને સુરક્ષિત રીતે એમ્બ્યુલન્સ સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવી હતી. હોસ્પિટલમાં સારવાર હેઠળ108 મારફતે યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમયસર પ્રાથમિક સારવાર મળી જવાથી યુવકની સ્થિતિ અત્યારે સ્થિર છે અને તે ભયમુક્ત છે. જો ડોક્ટર અને પેલા યુવકોએ સમયસર મદદ ન કરી હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત. ખરેખર આજે સુરત સ્ટેશન પર માનવતા જીવતી હોવાનો પુરાવો મળ્યો છે. કટોકટીના સમયે દાખવેલી થોડીક જાગૃતિ કોઈનો જીવ બચાવી શકેરેલવે સ્ટેશન પર હાજર અન્ય લોકોએ મહિલા ડોક્ટર અને મદદે આવેલા યુવકોની આ કામગીરીને બિરદાવી હતી. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કટોકટીના સમયે દાખવેલી થોડીક જાગૃતિ કોઈનો જીવ બચાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:29 pm

ધરોઈ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટના વિરોધમાં પાંચ ગામના ખેડૂતો આકરા પાણીએ:મહેસાણા કલેક્ટર કચેરીએ ધરણાં કરી આવેદનપત્ર આપ્યું, આંદોલનની ચીમકી ઉચ્ચારી

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકા સ્થિત ધરોઈ જળાશય યોજના અને સાબરમતી નદીની આસપાસના વિસ્તારમાં સરકાર દ્વારા હાથ ધરાયેલા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધરોઈ ડેવલોપમેન્ટના કારણે પાંચ ગામના ખેડૂતો પોતાની હક્કની જમીન ગુમાવી દેશે તેવી ભીતિ વચ્ચે આજે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સરપંચોએ મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પાંચ ગામની જમીન સંપાદન થતાં ખેડૂતોમાં રોષસરકાર દ્વારા ધરોઈ વિસ્તારને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાની યોજના અંતર્ગત ધરોઈ, ફત્તેપુરા, મ્હોર, બાપસર અને અંબાવાડા એમ પાંચ ગામોની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પાંચેય ગામના ખેડૂતોની જમીન ધરોઈ ડેવલોપમેન્ટ સત્તા મંડળમાં જવાની હોવાથી સ્થાનિક ખેડૂતો સાવ જમીન વિહોણા થઈ જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. સરપંચો સાથે લોકોના કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણાંઆ મામલે પોતાનો વિરોધ નોંધાવવા માટે પાંચેય ગામના સરપંચો અને અગ્રણીઓ કલેક્ટર કચેરીના પટાંગણમાં ધરણાં પર બેઠા હતા અને સુત્રોચ્ચાર કરી પોતાની જમીન બચાવવા માંગ કરી હતી. 'ખેડૂતો પાસે માત્ર જીવવા પૂરતી જ થોડી જમીન બચી છે'આ અંગે ધરોઈ ગામના સરપંચ ધનાજી ભાટીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, વર્ષો અગાઉ જ્યારે ધરોઈ ડેમનું નિર્માણ થયું હતું ત્યારે પણ આ જ ગામોના ખેડૂતોએ ડેમ માટે પોતાની મહામૂલી જમીન આપી દીધી હતી. હવે જ્યારે ખેડૂતો પાસે માત્ર જીવવા પૂરતી જ થોડી જમીન બચી છે, ત્યારે ધરોઈ સત્તા મંડળ દ્વારા ફરીથી આ જમીન છીનવી લેવાની તૈયારીઓ ચાલી રહી છે. જો આ જમીન સંપાદિત કરી લેવામાં આવશે તો ખેડૂતો પાસે રોજગારી કે ગુજરાન ચલાવવા માટે કોઈ સાધન બચશે નહીં. ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલનનીખેડૂતોએ અધિક કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, ભૂતકાળમાં ડેમ માટે જમીન આપ્યા બાદ હવે બાકી બચેલી જમીન પર જ ખેડૂતોનો આજીવિકાનો આધાર છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે અને જમીન સંપાદનની પ્રક્રિયા રોકવામાં નહીં આવે તો આગામી સમયમાં આ આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:28 pm

સાળંગપુરમાં હનુમાનજીને 251 કિલો બુંદીના લાડુનો અન્નકૂટ:દાદાનો દિવ્ય શણગાર કરાયો, ભક્તો ઉમટી પડ્યા

સાળંગપુરધામ ખાતે મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે દાદાને 251 કિલો બુંદીના લાડુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો હતો. હનુમાનજી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા કલાત્મક વાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને રંગબેરંગી શેવંતી અને ઓર્કિડના મિશ્ર ફૂલો વડે શણગારવામાં આવ્યું હતું. આ અન્નકૂટ ભક્તો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દિવ્ય શણગાર અને અન્નકૂટના દર્શનનો લાભ લીધો હતો. મંગળવારના વિશેષ દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭:૦૦ કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં પવિત્ર મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં અનેક યજમાનોએ આહુતિ આપી હતી. દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ‘જય કષ્ટભંજન’ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:27 pm

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ યોજાયો:રાજ્યપાલ દેવવ્રતે કહ્યું, ગાંધીજી સંસ્કૃત ન ભણી શક્યા તે દુર્ભાગ્ય

વેરાવળ સ્થિત શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીનો 18મો દીક્ષાંત સમારોહ મંગળવારે ભવ્ય રીતે યોજાયો હતો. કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારોહમાં સંસ્કૃત વિદ્યા, સંશોધન પરંપરા અને ભારતીય જ્ઞાનપરંપરાનું ગૌરવસભર દર્શન થયું હતું. સમારોહ દરમિયાન યુનિવર્સિટીના વિવિધ અભ્યાસક્રમોમાં કુલ 902 ડિગ્રી પ્રમાણપત્રો તથા ગોલ્ડ-સિલ્વરના કુલ 31 પદકો પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા. સંસ્કૃત શિક્ષણના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ માટે આ ક્ષણ ગૌરવપૂર્ણ રહી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના પ્રેરણાદાયી ઉદબોધનમાં ભારતીય જ્ઞાનપરંપરા અને સંસ્કૃતના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે, દુનિયાના નિર્માણને અંદાજે 1 અબજ 96 કરોડ 08 લાખ 53 હજાર 126 વર્ષ થઈ ચૂક્યા છે અને આટલા લાંબા સમયથી માનવ સંસ્કૃતિ સાથે જ્ઞાન, શોધ અને સંશોધનની પરંપરા અવિરત ચાલી આવી છે. રાજ્યપાલે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતમાં શોધ અને સંશોધન કોઈ નવી બાબત નથી. અનાદિ કાળથી આપણા ઋષિમુનિઓએ જ્ઞાનસાધના દ્વારા વિશ્વને માર્ગદર્શન આપ્યું છે. તેમના શબ્દોમાં, અંગ્રેજીનો ‘Research Crawler’ શબ્દ એ ‘ઋષિ’ શબ્દનો અપભ્રંશ છે, અને ભારતવર્ષનો દરેક ઋષિ એક સંશોધક હતો. તેમણે પ્રશ્નાર્થ રીતે જણાવ્યું કે, યોગશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, મીમાંસા જેવી ઊંડાણસભર વિદ્યાઓ શું સંશોધન વિના રચાઈ શકી હોત? આ તમામ શાસ્ત્રો આપણા ઋષિઓની તપસ્યા અને બૌદ્ધિક સંશોધનનું પરિણામ છે. તેમણે ઉમેર્યું કે, સંપૂર્ણ તત્વજ્ઞાન અને વર્તમાન જ્ઞાન આપણા વેદો, ઉપનિષદો, શાસ્ત્રો અને દર્શનગ્રંથોમાં સમાયેલું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહાત્મા ગાંધીજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ગાંધીજીએ પોતે કહ્યું હતું—“મારું સૌથી મોટું દુર્ભાગ્ય એ છે કે હું સંસ્કૃત ભણી શક્યો નથી.” તેમણે જણાવ્યું કે, જે લોકો સંસ્કૃતથી વંચિત રહે છે તેમનું જીવન ઘણી વખત અધૂરું રહી જાય છે. તેથી વેદભાષા સંસ્કૃતનો વ્યાપક પ્રચાર-પ્રસાર આજના સમયમાં અત્યંત જરૂરી છે. રાજ્યપાલે પ્રશંસા કરતાં જણાવ્યું કે, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને તેની સંલગ્ન વિદ્યાલયો સંસ્કૃત ભાષા અને ભારતીય જ્ઞાનપરંપરાના સંવર્ધનમાં મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છે. જુનાગઢ ગોપાલ કૃષ્ણ ટ્રસ્ટ અને યુનિવર્સિટી વચ્ચે થયેલા MOU અંતર્ગત, આ વર્ષે પણ ગુજરાતના સંસ્કૃત વિદ્વાન હરિપ્રસાદ યાદવરાય બોબડેને શ્રીમતી સરસ્વતીબેન જયંતિલાલ ભટ્ટ સંસ્કૃત વિદ્વાન-2026 પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. આ દીક્ષાંત સમારોહમાં દિલ્હી સ્થિત સ્વામીનારાયણ શોધ સંસ્થાનના નિયામક ભદ્રેશદાસ સ્વામી, તેમજ લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી ના કુલપતિ પ્રો. મુરલી મનોહર પાઠક સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. 18મા દીક્ષાંત સમારોહે સંસ્કૃત વિદ્યા, સંશોધન પરંપરા અને ભારતીય જ્ઞાનસંસ્કૃતિના વૈભવને ફરી એકવાર ઉજાગર કર્યો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પ્રેરક ઉદબોધનથી વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે ગૌરવ અને જવાબદારીની ભાવના વધુ દ્રઢ બની.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:21 pm

લંડનમાં રહેતું કપલ સમુહલગ્ન કરશે:આહીરા સમાજના સમુહલગ્નમાં 50 ડોક્ટર-એન્જિનિયર સહિત 194 યુગલ પ્રભુતામાં પગલાં પાડશે, CM-DYCM હાજર રહેશે

સુરતમાં આહિર સમાજ સેવા સમિતિ આયોજીત 32માં સમૂહલગ્ન સમારોહ 23 જાન્યુઆરીના રોજ 194 નવયુગ્લો પ્રભુતામાં પગલા માંડશે. નવયુગલોને આશિર્વાદ પાઠવવા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ પણ હાજર રહેશે. આ સમૂહ લગ્નમાં એક વિશેષ એક નંબરનો મંડપ છે જેમાં લંડન રહેતા યુવક-યુવતી લગ્ન કરશે. આ સાથે 50 ડોક્ટર એન્જિનિયર પણ સમૂહલગ્નમાં કરી રહ્યા છે. લંડનમાં રહેતા દીકરા-દીકરીએ સમાજની વ્યવસ્થા સ્વીકારી: જીતુભાઈ કાછડઆહીર સમાજ સેવા સમિતિના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે, આહીર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32માં સમૂહ લગ્ન સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે અને 23 જાન્યુઆરીએ 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે. આ લગ્ન પ્રસંગમાં અમારી પાસે એક આનંદનો વિષય એ છે કે આમાં એક નંબરનો જે મંડપ છે, એ દીકરો અને દીકરી બંને લંડનની અંદર જોબ કરે છે પણ એને સમાજની વ્યવસ્થાને સ્વીકારી અને આજે આ સમૂહલગ્નમાં જોડાયા છે. 'સમુહલગ્નમાં 50 ડોક્ટર અને એન્જિનિયર યુગલ'આવા 194માંથી લગભગ 50 દીકરા-દીકરીઓ એવા છે કે જે ડોક્ટર અને એન્જિનિયર છે. એ એમના લગ્ન સમૂહલગ્નમાં કરે છે, એ સમાજની યુવા પેઢીને સૌથી મોટો સંદેશો આપે છે કે સામાન્ય પરિવારને મજબૂત કરવો હશે તો સમાજ વ્યવસ્થાની અંદર જોડાશો તો 100% સમાજની પ્રગતિ થશે. 'કરિયાવરો કે અન્ય કોઈ ખોટી હરીફાઈઓ કરવી નહીં'આની સાથે સાથે સામાજિક બંધારણ કે ખોટા ખર્ચ કઈ રીતે બચાવી શકાય? તો વરઘોડા કાઢવાની, ફટાકડા ફોડવાની, કરિયાવરો પાથરવાની કે કોઈ ખોટી હરીફાઈઓ કરવી નહીં. પરિવાર-પરિવાર વચ્ચેની. આ સામાજિક બંધારણને કારણે આજે પરિવારો મુક્ત થયા છે અને જે અમુક આપણા રિવાજોને કારણે સ્થિતિ સારી હોય કે ન હોય, પણ સમાજમાં રહેવા માટે અમુક વસ્તુ જે ફરજિયાત કમ્પલસરી હતી, એને અમે ક્યાંક ને ક્યાંક એમાંથી પરિવારોને મુક્ત કર્યા છે. 'એક લાખ લોકો દીકરા-દીકરીઓને આશીર્વાદ આપશે'આ સમાજની વ્યવસ્થામાં જોડાઈને આજે એક લાખ લોકો આ દીકરા-દીકરીઓને આશીર્વાદ આપવા માટે ઉપસ્થિત રહેવાના છે. 300 આગેવાનો ઉપસ્થિત રહેવાના છે અને આની સાથે સાથે અનેક પ્રવૃત્તિઓને જોડીને, પછી શહેરની ટ્રાફિકની વાત હોય તો વરઘોડા નહીં કાઢવા એ પણ એક સમસ્યા છે, તો તેની સાથે આરોગ્યની વાત હોય તો આજે આહીર સમાજના 200 ડોક્ટરો અહિંયા ટીમ સાથે ઉપસ્થિત રહીને બ્લડ ડોનેશન કેમ્પ અને આરોગ્ય માટેની જાગૃતિની વાત કરશે. 'સમાજને નવી દિશા આપવા અમારો પ્રયાસ'સુરતમાં આહીર સમાજનું વકીલ એસોસિએશન છે તો એ આજે સાયબર ગુનાઓ બને છે એના માટે કઈ રીતે બચી શકાય એના માટેની પણ અહીંયા વાતો થવાની છે. એટલે આ મંચના માધ્યમથી સમાજની વ્યવસ્થાને અનેક ભાગમાં સ્પર્શ કરીને એક સમાજને નવી દિશા આપી શકાય એના માટેનો પૂરો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. 'અમે એમના ઘર સુધી બધી જ વસ્તુઓ પહોંચાડી દીધી'અંદાજે દીકરીઓને જે અમે કરિયાવર આપીએ છીએ એમાં 51 વસ્તુ આપીએ છીએ. આપણે ત્યાં એમ કહેવાય છે કે દીકરી એનું ઘર ચાલુ કરવું હોય તો સમાજે આપેલો કરિયાવર છે એ એના ઘરમાં જાય એટલે એનું ઘર ચાલુ થઈ જાય. એ રીતની ટોટલ 51 વસ્તુઓમાંથી લઈ અને માનો કે ચમચીથી લઈ અને કબાટ સુધી, બેડ સુધીની વસ્તુ આજે એના ઘરે પહોંચી ગઈ છે. એક મહિના અગાઉ એમના ઘરે અમે અહીંથી વ્યવસ્થા કરી અને કોઈ એને મુશ્કેલીઓ ન પડે એના માટે થઈને અમે એમના ઘર સુધી બધી જ વસ્તુઓ પહોંચાડી દીધી છે. CM, DYCM સહિતના આગેવાનો હાજરી આપશેનવયુગલોને આશિર્વાદ પાઠવવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાહેબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા અને મંત્રીઓ અને ધારાસભ્યો અને સુરત શહેરભરમાંથી અને ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે. ભાવી પેઢીનાં ઘડતર માટે પૈસાનો સદઉપયોગ કરવા આહવાનઆ સમારોહમાં નવયુગલોને આશિર્વાદ પાઠવવા 1,00,000 કરતાં વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે. ત્યારે આહીર સમાજના આ મંચના માધ્યમથી લગ્ન પ્રસંગની સાથે સામાજીક સમરસતા વધે અને સમાજ સંગઠિત બની 21મી સદીમાં ઉત્તરોતર પ્રગતિ કરે તેમના માટે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સામાજીક સમારોહના માધ્યમથી મધ્યમ વર્ગના પરિવારો ખોટા ખર્ચ બંધ કરી આવનારી પેઢીને શિક્ષિત બનાવી સમાજની ભાવી પેઢીનાં ઘડતર માટે બચત કરેલા પૈસા વાપરી સદઉપયોગ કરવા સમાજનાં આગેવાનો દ્વારા આહવાન કરવામાં આવશે. વિવિધ સંસ્થાના 300 કરતાં વધારે યુવાનો સેવા આપશેઆ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતી અભિયાન, તેમજ જળ એજ જીવનના સુત્રને સાર્થક કરવાં અનેક વિધ કાર્યક્રમો કરવમાં આવી રહ્યા છે. સમૂહલગ્ન મહોત્સવ દ્વારા જન જાગૃતી લાવી, સમાજમાં શિક્ષણનો વ્યાપ વધે, કન્યા કેળવણી ક્ષેત્રે જાગૃતિ આવે અને ઉચ્ચ શિક્ષણમાં પણ સમાજની યુવા પેઢી આગલ વધે તેના માટે સમાજના આગેવાનો દ્વારા હાકલ કરવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા સ્વયં સેવક તરીકે વિવિધ સંસ્થાના 300 કરતાં વધારે યુવાનો સેવા આપશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:07 pm

ઝાલોદ કોર્ટમાં 23 વર્ષીય મહિલા વકીલ ઢળી પડ્યા:સારવાર દરમિયાન મોત, હાર્ટ એટેકની આશંકા

ઝાલોદ કોર્ટમાં ફરજ દરમિયાન 23 વર્ષીય મહિલા વકીલ વૈશાલી હઠીલાનું અચાનક ચક્કર આવતા સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાથી કોર્ટ પરિસર અને તેમના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રળીયાતી ભુરા ગામના રહેવાસી વૈશાલી હઠીલા ગઈકાલે ઝાલોદ કોર્ટમાં વકીલ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન તેમને અચાનક ચક્કર આવ્યા અને તેઓ કોર્ટ પરિસરમાં જ ઢળી પડ્યા હતા. આ ઘટનાને પગલે હાજર વકીલો અને કોર્ટ સ્ટાફમાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિક 108 ઇમર્જન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા વૈશાલીને સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ, વૈશાલીનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ થયા બાદ આજે મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. યુવાન વયે થયેલા આ અવસાનથી પરિવાર, સગાસંબંધીઓ, મિત્રવર્તુળ અને કોર્ટના સહકર્મીઓમાં દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:04 pm

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા EWS અનામતનો મુદ્દો ગરમાયો:ગાંધીનગરમાં બિન અનામત આગેવાનોની ચિંતન બેઠક મળી, સરકારને અલ્ટિમેટમ

ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત બિન અનામત વર્ગના આગેવાનોની મહત્વની ચિંતન બેઠક યોજાઈ હતી. બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EWS (આર્થિક રીતે પછાત વર્ગ) માટે 10 ટકા રાજકીય અનામત લાગુ કરવાની જોરદાર માંગ ઉઠી હતી. બેઠકમાં બે મુખ્ય ઠરાવો રજૂ કરાયા હતા—રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી 10 ટકા અનામત જોગવાઈ બદલ આભાર ઠરાવ, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં EWS માટે અનામતની વ્યવસ્થા તાત્કાલિક અમલમાં મૂકવાની માંગ. તમામ ધારાસભ્ય-સાંસદોનું સમર્થન માગવાનો નિર્ણયપાટીદાર આગેવાન દિનેશ બાંભણીયાએ જણાવ્યું હતું કે, ઝવેરી કમિશનના આધારે જાહેર કરાયેલા રોસ્ટરમાં ગંભીર ખામીઓ છે અને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થયું છે. આડેધડ સીટ ફાળવણીથી સામાજિક ન્યાયને આંચ આવે છે. સરકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે અને તમામ 182 ધારાસભ્યો તથા સાંસદો પાસેથી સમર્થન માગવામાં આવશે. જો સરકાર નિર્ણય નહીં લે તો જનજાગૃતિ કાર્યક્રમો નક્કી કરાશે અને 109 જ્ઞાતિઓના પ્રતિનિધિઓ મળીને આગળની રણનીતિ બનાવશે. સમર્થન ન આપનાર ધારાસભ્યો અને સાંસદોના નામ જાહેર કરવાની પણ ચેતવણી અપાઈ છે. સરકાર સામેની ઝુંબેશમાં તમામ EWS વર્ગને જોડાશેરાજપૂત સમાજના આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું કે સરકાર સામેની ઝુંબેશમાં તમામ EWS વર્ગ જોડાશે. જ્યારે બ્રહ્મ સમાજના આગેવાન અશ્વિન ત્રિવેદીએ કહ્યું કે વસ્તી આધારે EWS ઉમેદવારોને ચૂંટણીઓમાં યોગ્ય સ્થાન મળવું જોઈએ અને ઝવેરી પંચની મર્યાદામાં કાયદાકીય કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટના સૂચનોનું પાલન જરૂરી છે. બેઠકમાં અલ્પેશ કથીરિયા, વરુણ પટેલ, ધાર્મિક માલવિયા, મનોજ પનારા, ગીતા પટેલ, હેમાંગ રાવલ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. EWS અનામત લાગુ કર્યા બાદ જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર કરવાની માંગ સાથે બેઠક પૂર્ણ થઈ હતી. આ સમચાર પણ વાંચોઃ'EWS નહીં મળે તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે'ભારતીય જનતા પાર્ટીના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરુણ પટેલે તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક ગંભીર પોસ્ટ કરીને રાજકીય ક્ષેત્રે હલચલ મચાવી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ વ્યક્ત કર્યો છે કે, જો પાટીદારોને 'આર્થિક રીતે નબળા વર્ગ (EWS)'નું અનામત વહેલી તકે લાગુ નહીં કરવામાં આવે, તો પાટીદારોના રાજકારણનો અંત આવી જશે. વરુણ પટેલના આ નિવેદનને સુરતના પાટીદાર અને ભાજપ નેતા અલ્પેશ કથીરિયાએ ખુલ્લું સમર્થન આપીને આ મુદ્દાને વધુ વેગ આપ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 4:03 pm

HNGUમાં 36મો યુવા મહોત્સવ શરૂ:5 જિલ્લાની 132 કોલેજોના 1500થી વધુ કલાકારો ઉમટ્યા, યુવતીઓની સંખ્યા બમણી

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) ખાતે 20 અને 21 જાન્યુઆરીના રોજ બે દિવસીય આંતર કોલેજ યુવા મહોત્સવ ‘કલ્પવૃક્ષ’નો પ્રારંભ થયો છે. આ મહોત્સવમાં ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાની 132 કોલેજોમાંથી 1500થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ વર્ષે 992 યુવતીઓએ નોંધણી કરાવી છે, જે યુવકોની સંખ્યા કરતાં બમણી છે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત આ મહોત્સવનું ઉદ્ઘાટન નેશનલ કમિશન ફોર શેડ્યુઅલ કાસ્ટ (NCSC)ના ચેરપર્સન કિશોર મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર કિશોર પોરિયા, રજિસ્ટ્રાર આર.એન.દેસાઈ, લોકગાયક સાગર પટેલ અને યોગીરાજ રૂખડનાથજી મહારાજ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ યુનિવર્સિટી ગીત અને મહેમાનોના સન્માન સાથે થયો હતો. NCSCના ચેરપર્સન કિશોર મકવાણાએ ઉદ્ઘાટન પ્રવચનમાં જણાવ્યું હતું કે યુવાનો દેશની સાચી સંપત્તિ છે. તેમણે કલ્પવૃક્ષને પરિશ્રમ અને સાધનાથી ઈચ્છાપૂર્તિ કરનારું ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે નવી શિક્ષણ નીતિ અને આવા સાંસ્કૃતિક મહોત્સવો ‘વિકસિત ભારત@2047’ના સ્વપ્નને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કલા અને સંસ્કૃતિ યુવાનોમાં રાષ્ટ્રીય ચેતના અને સામાજિક સમરસતાના બીજ રોપે છે. યોગીરાજ રૂખડનાથજી મહારાજે યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે આજના સમયમાં વ્યક્તિનું મન જ કલ્પવૃક્ષ છે, જે તેનો શત્રુ અને મિત્ર બની શકે છે. યુનિવર્સિટીના કુલપતિ કિશોર પોરિયાએ જણાવ્યું હતું કે HNGU વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે યુવાનોને વિવેકાનંદ અને બાબાસાહેબ આંબેડકરના મૂલ્યો આત્મસાત કરી વિજ્ઞાન સાથે જોડાવા આહવાન કર્યું હતું. રજિસ્ટ્રાર આર.એન.દેસાઈએ આ મહોત્સવને યુવાઓની ઉર્જા અને નેતૃત્વનું પ્રતીક ગણાવ્યો હતો. મહોત્સવમાં લોકગાયક સાગર પટેલની શિવભક્તિની પ્રસ્તુતિ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહી હતી. સોમનાથ મહાદેવના ઇતિહાસને રજૂ કરતા ગીતોથી હોલ ‘હર હર મહાદેવ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો. આ વર્ષના આંકડા મુજબ, કુલ 1533 સ્પર્ધકોમાંથી 992 યુવતીઓ અને 536 યુવકો છે, જે કલાક્ષેત્રે દીકરીઓની બમણી ભાગીદારી દર્શાવે છે. સંગીત, નાટ્ય અને નૃત્ય જેવી 23 વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીનીઓએ મોટા પાયે ભાગ લીધો છે, જે બદલાતી સામાજિક માનસિકતાનું પ્રતિબિંબ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:49 pm

સાયબર ક્રાઈમે સોલાર પેનલ ઠગાઈ ગેંગના 5 સભ્યો પકડ્યા:જામનગરમાં સોશિયલ મીડિયાથી 100થી વધુ લોકોને છેતર્યા હતા

જામનગર સાયબર ક્રાઈમ સેલે સોશિયલ મીડિયા દ્વારા સોલાર પેનલ લગાવવાના બહાને 100થી વધુ લોકોને છેતરનાર એક ટોળકીના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી 12 મોબાઈલ ફોન, બે સીપીયુ અને 8 બેંક પાસબુક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ છેતરપિંડીનો પર્દાફાશ જામનગરના હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા એક નાગરિકની ફરિયાદ બાદ થયો હતો. આ નાગરિકે પોતાના ઘેર સોલાર પેનલ ફીટ કરાવવા બાબતે એક ખાનગી કંપનીના બે સંચાલકો વિરુદ્ધ સિટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમની તપાસમાં સામે આવ્યું કે, આ ટોળકી 'ઇન્ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ' નામની કંપનીની જાહેરાતો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપતી હતી. તેઓ લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવવાનું પ્રલોભન આપી, બેંકમાંથી લોન કરાવી, લોનની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા હતા. ત્યારબાદ સોલાર પેનલ ફીટ ન કરીને છેતરપિંડી આચરતા હતા.વધુ તપાસમાં ખુલાસો થયો કે આરોપીઓએ આ રીતે 100થી વધુ લોકો સાથે સાયબર ફ્રોડ કર્યું હતું. સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. છેતરપિંડીથી મેળવેલા આ નાણાંનો ઉપયોગ આરોપીઓ પોતાના અંગત લાભ માટે કરતા હતા. આ નાણાં ઠગાઈના હોવા છતાં, આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરીને ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(5), 318(4), 61(2) તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2000ની કલમ 66(સી), 66(ડી) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે હિરેનભાઈ નાથાલાલ લાઠીયા (ઉ.વ.37), ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા (ઉ.વ.36), રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ (ઉ.વ.52), અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર (ઉ.વ.28) અને રામજી કમોદસિંઘ લોધી (ઉ.વ.25)ની ધરપકડ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:44 pm

અરવલ્લી કોંગ્રેસના નવા સંગઠન માળખાની જાહેરાત:41 હોદ્દેદારોની નિમણૂક, પ્રદેશ પ્રમુખે મંજૂરી આપી

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની મંજૂરીથી જિલ્લા પ્રમુખ અરૂણભાઈ પટેલે કુલ 41 હોદ્દેદારોની નિમણૂક કરી છે. આ નવા સંગઠન માળખામાં 4 ઉપપ્રમુખ, 15 મહામંત્રી અને 22 મંત્રીઓનો સમાવેશ થાય છે. આ નિમણૂકોથી અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ સંગઠન વધુ મજબૂત અને સક્રિય બનશે તેવી અપેક્ષા છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના આગેવાનો, કાર્યકર્તાઓ અને સામાન્ય જનતાને સાથે રાખીને મોંઘવારી, બેરોજગારી, ખેડૂત સંકટ, રસ્તા, સિંચાઈ, શિક્ષણ અને આરોગ્ય જેવી જનસમસ્યાઓને દૃઢતાપૂર્વક ઉજાગર કરવામાં આવશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ પ્રજાના હક્ક માટે અવાજ ઉઠાવતો રહેશે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમને સંગઠનના હિતમાં નિષ્ઠાપૂર્વક અને સક્રિય ભૂમિકા નિભાવી, સંગઠનને તળિયે સુધી મજબૂત બનાવવા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:42 pm

બુલેટ ટ્રેન, ફ્રેઇટ કોરિડોરથી ભરૂચના ખેડૂતો મુશ્કેલીમાં:ચોમાસામાં ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા, યોગ્ય નિકાલ ન થાય તો આંદોલનની ચીમકી

ભરૂચ જિલ્લામાંથી પસાર થતી બુલેટ ટ્રેન અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરના કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં ખેતરોમાં ચોમાસામાં પાણી ભરાઈ રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે આનાથી ચોમાસા દરમિયાન હજારો વિઘા જમીનમાં પાકને ભારે નુકસાન થાય છે. તંત્ર સમક્ષ અનેક રજૂઆતો છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં ખેડૂતોમાં ભારે રોષ છે અને તેમણે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ તરીકે ઓળખાતી બુલેટ ટ્રેનનું કામ હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના અનેક ગામોમાંથી રેલવે લાઇન પસાર થાય છે. આ પ્રોજેક્ટ તેમજ ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે અનેક ખેડૂતોએ પોતાની જમીન સરકારને સોંપી છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પ્રગતિમાં છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ રેલવે ટ્રેક પરથી પાણીના નિકાલ માટે પીવીસી પાઇપો પિલર્સની સાથે સીધા નીચે ઉતારી દેવાયા છે. આ પાઇપો મારફતે આવતું વરસાદી પાણી આસપાસના ખેતરોમાં ફેલાઈ જતું હોવાથી ખેતી કરવી મુશ્કેલ બની છે. મહુધલા, ત્રાલસી, ત્રાલસા, દયાદરા, કેલોદ, પીપરીયા, થામ, કંથારીયા સહિતના અનેક ગામોના ખેડૂતોને હજારો વિઘા જમીનમાં કરેલી ખેતીને ભારે આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર પ્રોજેક્ટમાં પણ પાણીના નિકાલ માટે માત્ર સીમિત અને નાની જગ્યાઓ રાખવામાં આવતાં વરસાદી પાણી પસાર થવામાં અડચણ સર્જાય છે. આ સમસ્યાના વિરોધમાં આજે ત્રાલસા અને ત્રાલસી સહિત આસપાસના ગામોના ખેડૂતો એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોનું કહેવું છે કે, હાઇસ્પીડ રેલવે લાઇન અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોર બંને જમીન સપાટીથી ઊંચાઈ પર બનાવવામાં આવ્યા છે, તેમ છતાં પાણીના નિકાલ માટે વૈજ્ઞાનિક અને યોગ્ય વ્યવસ્થા કરવાને બદલે સીધા પાઇપો નાખી દેવાયા છે. ખેડૂતો સ્પષ્ટ રીતે જણાવે છે કે તેમને વિકાસ કે પ્રોજેક્ટ સામે કોઈ વિરોધ નથી, પરંતુ વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય અને કાયમી વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની મુખ્ય માંગ છે. ખેડૂતોએ તંત્રને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે અને ખેતરોમાં ભરાતા વરસાદી પાણી અંગે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:41 pm

GPSCની પરીક્ષાઓના લોકલેટરની તારીખો જાહેર:જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાનાર સાત ભરતીની હોલ ટિકિટ ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં યોજાનારી વિવિધ ભરતી પ્રક્રિયાઓની પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષાઓ માટે કોલલેટર (હોલ ટિકિટ) ડાઉનલોડ કરવાની તારીખ અંગે મહત્વપૂર્ણ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. આયોગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ સંબંધિત પરીક્ષાઓના કોલલેટર પરીક્ષા પૂર્વે નક્કી કરેલી તારીખે માત્ર ઓનલાઈન માધ્યમથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉમેદવારોને GPSCની અધિકૃત વેબસાઇટ પરથી પોતાનો કન્ફર્મેશન નંબર તથા જન્મતારીખ દાખલ કરીને કોલલેટર ડાઉનલોડ કરવા સૂચના આપવામાં આવી છે. ઉમેદવારોને આયોગની વેબસાઇટ પરથી કોલલેટર મેળવી શકશેઆયોગે સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ ઉમેદવારને પોસ્ટ કે અન્ય માધ્યમથી કોલલેટર મોકલવામાં નહીં આવે. પરીક્ષા કેન્દ્ર, તારીખ, સમય અને જરૂરી સૂચનાઓ કોલલેટરમાં જ દર્શાવવામાં આવશે. ઉમેદવારોને સમયસર કોલલેટર ડાઉનલોડ કરીને તેની તમામ વિગતો ચકાસી લેવા અને પરીક્ષા દિવસે અનિવાર્ય રીતે સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. સાથે જ GPSC દ્વારા ઉમેદવારોને આયોગની વેબસાઇટ નિયમિત રીતે ચેક કરતા રહેવા તથા તમામ સૂચનાઓનું કડક પાલન કરવા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:40 pm

કુખ્યાત આરોપીને દોરડા બાંધી પોલીસ રસ્તા પર લાવી, VIDEO:હત્યા, ફ્રોડ અને ખંડણીના આરોપી યુસુફ પઠાણે બે હાથ જોડી માફી માગી, લોકો ટોળે વળ્યા

સુરતના લિંબાયત વિસ્તારમાં ફરિયાદી મોહમ્મદ સિદકી પાસે ચપ્પુની અણીએ ક્રેટા ગાડી અને આરસી બુક પડાવી લેનાર કુખ્યાત આરોપી યુસુફ પઠાણને લિંબાયત પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આ આરોપી વર્ષ 2019માં લખનઉમાં થયેલ હિન્દુવાદી નેતા કમલેશ તિવારી હત્યાકાંડમાં પણ સામેલ હતો. આજે લિંબાયત પોલીસ દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જ્યાં લોકો સામે યુસુફએ હાથ જોડીને કહ્યું- ‘હવે ક્યારેય ગુનો નહીં કરું’, બીજી બાજુ લિંબાયત પીઆઈએ કહ્યું-'ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે'. આરોપી યુસુફ વિરુદ્ધ લુણાવાડામાં 5.50 કરોડના સાયબર ફ્રોડનો પણ ગુનો નોંધાયેલ છે. લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી માથાભારે તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. લખનઉના બહુચર્ચિત કમલેશ તિવારી હત્યાકાંડમાં જેનું નામ ઉછળ્યું હતું તેવા રીઢા ગુનેગાર યુસુફ પઠાણને લિંબાયત પોલીસે પકડી પાડી તેની સાન ઠેકાણે લાવી છે. જામીન પર મુક્ત થયા બાદ સુધરવાને બદલે ફરી ગુનાખોરીના રસ્તે ચઢેલા યુસુફને આજે જે-તે ઘટના સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ભરબજારમાં હાથ જોડીને માંગી માફીજે વિસ્તારમાં યુસુફ પોતાની ધાક જમાવતો હતો અને લોકોને ડરાવતો હતો, આજે એ જ વિસ્તારમાં પોલીસ તેને ચલાવીને લઈ ગઈ હતી. પોલીસની કડકાઈ જોઈને માથાભારે યુસુફ નરમ પડી ગયો હતો. તેણે જાહેરમાં બંને હાથ જોડીને માફી માંગી હતી અને કબૂલાત કરી હતી કે તે હવે પછી ક્યારેય કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર કામ કે ગુનો કરશે નહીં. પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી પુરાવા એકત્રિત કર્યાલિંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ એન.કે. કામલિયા અને તેમની ટીમે આરોપી યુસુફ પઠાણને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. ફરિયાદી મોહમ્મદ સિદકીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, યુસુફે તેમને ચપ્પુ બતાવી ડરાવી-ધમકાવીને તેમની કિંમતી ક્રેટા કાર અને તેની આરસી બુક પડાવી લીધી હતી. પોલીસે આજે સ્થળ પર જઈને આરોપીએ કઈ રીતે ગુનો આચર્યો, ક્યાં ચપ્પુ રાખ્યું હતું અને કઈ દિશામાં ભાગ્યો હતો તેની વિગતો મેળવી હતી. કમલેશ તિવારી મર્ડર કેસ અને કરોડોનું ફ્રોડઆરોપી યુસુફ પઠાણનો ગુનાહિત ઈતિહાસ અત્યંત ચોંકાવનારો છે. વર્ષ 2019માં ઉત્તર પ્રદેશના લખનઉમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેમાં યુસુફની સંડોવણી હોવાનું બહાર આવી હતી. આ ગંભીર ગુનામાં જેલવાસ ભોગવ્યા બાદ તે જામીન પર બહાર આવ્યો હતો. એટલું જ નહીં, તેની સામે અરવલ્લી જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશનમાં 5.50 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડનો પણ ગુનો દાખલ થયેલો છે. આટલા મોટા ફ્રોડ અને મર્ડર કેસમાં સંડોવાયેલો હોવા છતાં તેની ગુનાહિત માનસિકતા ઓછી થઈ નહોતી અને સુરતમાં ફરી ખંડણીના ગુનામાં તે સપડાયો છે. જે આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે- PIPI એન.કે. કામલિયાએ જણાવ્યું હતું કે, જે પણ આરોપી કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. આ જે આરોપી છે યુસુફ પઠાણ, જેણે અહીં ચપ્પુની અણીએ ક્રેટા ગાડીની ખંડણી કરી હતી, તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને અત્યારે તે જગ્યાએ લાવીને રિકન્સ્ટ્રક્શન પંચનામું ચાલુ છે. આ આરોપી ખૂબ જ રીઢો અને ખુંખાર આરોપી છે; તે અગાઉ પણ યુપીમાં કમલેશ તિવારી નામના એક યુવકની હત્યામાં સામેલ છે અને અરવલ્લી જિલ્લાના લુણાવાડા ખાતે સાયબર ક્રાઇમના 5.5 કરોડના મ્યુલ એકાઉન્ટ ખોલાવવાના ગુનામાં પણ વોન્ટેડ છે. જે બાબતે આગળની તજવીજ ચાલુ છે.સુરત પોલીસ કમિશનર સાહેબની સૂચના મુજબ, જે પણ માણસ કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે. બાકી જે ગુનાખોરી કરશે તે સારી રીતે ચાલી નહીં શકે અને શાંતિથી જીવી પણ નહીં શકે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:36 pm

આધુનિક ટેકનોલોજી સાથે પણ છેતરપીંડી !:રાજકોટનાં વોર્ડ 12માં કરોડોનાં ફેઇસ રીડિંગ મશીનમાં મોબાઈલના ફોટાથી ડમી હાજરી પૂરવાનું કૌભાંડ ખુલ્યું, જવાબદારોને સસ્પેન્ડ કરવા કામદાર યુનિયનની માંગ

રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા ઉતરેલા છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓની હાજરીમાં પારદર્શિતા લાવવા માટે લાખો રૂપિયાના ખર્ચે 'ફેસ રીડિંગ મશીન' જેવી અત્યાધુનિક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. પરંતુ, ભ્રષ્ટ તત્વોએ આ ટેકનોલોજીમાં પણ છીંડા શોધી કાઢ્યા છે. રાજકોટના વોર્ડ નં. 12 (વાવડી) વિસ્તારમાં સફાઈ કામદારોની ડમી હાજરી પૂરવાનું એક ચોંકાવનારું કૌભાંડ બહાર આવ્યું છે. જેને લઈ કામદાર યુનિયન દ્વારા આ મુદ્દે તટસ્થ તપાસ કરી જવાબદારોને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી છે. મોબાઈલના ફોટાથી મશીન થાય છે 'હેક' સામાન્ય રીતે ફેસ રીડિંગ મશીન વ્યક્તિનો જીવંત ચહેરો સ્કેન કરીને હાજરી નોંધતું હોય છે, પરંતુ વાવડી વોર્ડ ઓફિસમાં આ ટેકનોલોજીનો ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, સફાઈ કામદારે રૂબરૂ હાજર રહેવાની જરૂર પણ નથી પડતી. માત્ર અન્ય વ્યક્તિના મોબાઈલ ફોનમાં રહેલા સફાઈ કામદારના ફોટાને મશીન સામે રાખવામાં આવે છે અને મશીન તેને અસલી ચહેરો માનીને હાજરી સ્વીકારી લે છે. આવા કૌભાંડને કારણે અનેક સફાઈ કામદારો ઘરે બેઠા જ સરકારી પગાર મેળવી રહ્યા હોય તેવી આશંકા છે. ભ્રષ્ટાચારની નવી મોડસ ઓપરેન્ડી આ હાજરી કૌભાંડ માત્ર ટેકનોલોજીની ખામી નથી, પરંતુ અધિકારીઓ અને વચેટિયાઓની મિલીભગતનું પરિણામ છે. આ પદ્ધતિથી એવા કામદારોની પણ હાજરી પુરાઈ જાય છે જેઓ ખરેખર ફરજ પર આવતા જ નથી. અને આ રીતે કાગળ ઉપર કામદારોની સંખ્યા બતાવીને કોન્ટ્રાક્ટરોના ખિસ્સા ભરવામાં આવી રહ્યા હોય તેવી શક્યતા છે. આ ઘટનાથી સાબિત થાય છે કે સરકારી નાણાંનો કેવી રીતે ખુલ્લેઆમ દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. કામદાર યુનિયનનો આક્રોશ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ આ મુદ્દે ઉગ્ર વિરોધ નોંધાવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચાર હવે સીમા વટાવી રહ્યો છે. ફેસ રીડિંગ મશીન હોવા છતાં મોબાઈલના ફોટાથી હાજરી પૂરી દેવામાં આવે છે, જે અત્યંત ગંભીર બાબત છે. આ કૌભાંડ વોર્ડના સેનેટરી ઇન્સ્પેક્ટર (SI) તેમજ જવાબદાર ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વિના શક્ય નથી. કોન્ટ્રાક્ટ પર કામ કરતા ગરીબ સફાઈ કામદારોનું શોષણ કરીને ભ્રષ્ટાચારીઓ પોતાનું ઘર ભરી રહ્યા છે. કડક કાર્યવાહીની માંગ વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારી સ્પષ્ટ માંગ છે કે, વોર્ડ નં. 12 ના સેનેટરી ઇન્સ્પેક્ટર અને આ કૌભાંડમાં સામેલ તમામ જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ આવુ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું અને તેમાં કેટલા રૂપિયાનું કૌભાંડ થયું છે તેની તટસ્થ તપાસ કરવામાં આવે. સાથે જ ડમી હાજરીના આધારે લેવાયેલા પગારની રકમ વસૂલ કરવામાં આવે અને જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે રાજકોટનાં વોર્ડ 12માં કૌભાંડ બહાર આવતા જ કોર્પોરેશનના અન્ય વોર્ડમાં પણ આ પ્રકારે હાજરી પુરાતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો યોગ્ય તપાસ કરવામાં આવે તો રાજકોટમાં સફાઈ કામદારોની હાજરીનું જ કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. ત્યારે હવે જોવાનું એ છે કે તંત્ર આ મામલે ક્યારે અને કેવા પગલાં ભરે છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:35 pm

દગાબાજ પત્નીની બેવફાઈનો બદલો લેવા એક્ટિવા ચોરી કરતો:પેટ્રોલ પૂરું થાય ત્યાં ગાડી મૂકી દેતો, 150થી વધુ એક્ટિવા ચોરનાર શાહિબાગના શખ્સને LCBએ દબોચ્યો

અમદાવાદના ઝોન 1 એલસીબી સ્કોડે એક એક્ટિવા ચોરની ધરપકડ કરી પાંચ એક્ટિવા કબજે કર્યા છે. ચોરની તપાસમાં સામે આવ્યું હતું કે, ચોરે અમદાવાદનો એક પણ વિસ્તાર છોડ્યો નથી કે જ્યાં તેને ચોરી કરી હોય. ચોર દગાબાજ પત્નીના દગા બાદ ચોરી કરતો થયો હતો. જ્યારે ચોરને લાગે કે પેટ્રોલ પૂરું થાય તો ગાડી છોડી મૂકતો હતો. હાલ પોલીસે ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. શાહિબાગના શખ્સે 150થી વધુ એક્ટિવા ચોરી, 5 ગાડી જપ્તઝોન 1 ડીસીપી હર્ષદ પટેલના એલસીબી સ્કોડે બાતમીના આધારે એક્ટિવા ચોરી કરતા શાહીબાગના હિતેશ જૈન(કિરણ એપાર્ટમેન્ટ,શાહીબાગ)ની ધરપકડ કરી છે. આ ચોર જેવો તેવો ચોર નથી પરંતુ રીઢો ગુનેગાર છે જેને અત્યાર સુધી 150થી વધુ એક્ટિવા ચોરી કર્યા છે. ચોર પાસેથી હાલ તો પાંચ જેટલા ચોરીના એક્ટિવા મળી આવ્યા છે. ચોરની તપાસમાં ચોરી કરવા પાછળનું અજીબ કારણ જાણવા મળ્યું હતું. દગાબાજ પત્નીના બેવફાઈનો બદલો લેવા ચોરી કરતોઆરોપી હિતેશ જૈને પત્નીને એક્ટિવા લઈ આપ્યું હતું, જે લઈને પત્ની તેના પ્રેમીને મળવા જતી હતી. જેથી આરોપીને બેવફાઈના બદલો લેવા એક્ટિવા ચોરી કરવાનું ચાલુ કર્યું હતું. પત્નીની બેવફાઈને બદલો લેવા ચોર રીઢો એક્ટિવા ચોર બન્યો હતો. આરોપી પર 71 ગૂના નોંધાયાઆ ચોરે કુલ 150થી વધુ એક્ટિવા ચોરી કર્યા છે. શહેરનો એક વિસ્તાર એવો નથી કે જ્યાંથી ચોરે એક્ટિવા ચોરી ન કર્યું હોય. આરોપી વિરુદ્ધ 71 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:30 pm

બોમ્બ હોવાના મેસેજ વચ્ચે સુરત રેલ્વે સ્ટેશન નધણિયાતું:બેગ સ્કેનિંગ મશીન ‘શોભાના ગાઠિયા' સમાન, બેગ સ્કેનિંગ બંધ હોવાથી લોકો બેસવા માટે કરી રહ્યાં છે ઉપયોગ

દેશના એરપોર્ટ પર જે રીતે બેગ સ્કેનિંગ કર્યા બાદ જ પ્રવાસીઓને એરપોર્ટની ટર્મિનલ તરફ એન્ટ્રી આપવામાં આવે છે. તેવી જ રીતે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર બેગ સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું હતું. સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસેથી પ્લેટફોર્મ પર આવતા મુસાફરોની બેગ આ અદ્યતન મશીનમાં સ્કેનિંગ થતી હતી, પરંતુ હવે બેગ સ્કેનિંગ મશીન શોભાના ગાઠિયા સમાન બની ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલું આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. મશીન બંધ હોવાથી હવે મુસાફરો આ મશીનનો બેસવા માટે ઉપયોગ કરી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશનના સત્તાધીશોની ગંભીર લાપરવાહીવીતેલા કેટલાક મહિનાઓથી ખાનગી સ્કૂલો અને કોર્ટ સહિતની સરકારી કચેરીઓમાં બોમ્બ હોવાના ધમકીભર્યા ઈ-મેલ આવી રહ્યા છે. સપ્તાહ અગાઉ સુરત સહિતની કોર્ટમાં બોમ્બ હોવાનો મેસેજ મળતાં પોલીસે કામે લાગી હતી. એટલું જ નહીં સવારના સમયે કોર્ટની કામગીરી મુલત્વી રાખવામાં આવી હતી અને બપોર બાદ અતિ મહત્ત્વની હોય તેવી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આવા સમયે સુરત રેલવે સ્ટેશનના સત્તાધીશોની ગંભીર લાપરવાહી સામે આવી છે. બેગ સ્કેન કરવા માટે કોઈ કર્મચારી ત્યાં હાજર હોતું નથીસુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની બેગની ચકાસણી કરવા માટે બેગ સ્કેનર મશીન મૂકવામાં આવ્યું છે, પરંતુ લાંબા સમયથી આ મશીન ધૂળ ખાઈ રહ્યું છે. હાલમાં બેગ સ્કેનર મશીન બંધ હાલતમાં છે. રોજિંદા હજારો મુસાફરો અવરજવર કરે છે, પરંતુ બેગ સ્કેનિંગ મશીન બંધ હોવાથી હાલ રેલવે સ્ટેશન ભગવાન ભરોસે હોવાનું કહી શકાય. ઘણી વખત બેગ સ્કેનિંગ મશીન કાર્યરત હોય તો બેગ સ્કેન કરવા માટે કોઈ કર્મચારી ત્યાં હાજર હોતું નથી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:24 pm

રેડ નેપ્ડ આઇબિસ પક્ષીનું ઊંચા વૃક્ષ પરથી રેસ્ક્યૂ:પંચમહાલ કલેક્ટર નિવાસસ્થાને વન વિભાગ, વોઈસ ઓફ નેચરે બચાવ્યો જીવ

પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે કલેક્ટરના નિવાસસ્થાનમાંથી એક દુર્લભ પક્ષીનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વન વિભાગ અને સ્થાનિક સંસ્થાના સંયુક્ત પ્રયાસોથી આ પક્ષીનો જીવ બચાવી શકાયો. ગોધરામાં પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના નિવાસસ્થાન સંકુલમાં આવેલા એક ઊંચા વૃક્ષ પર 'ઇન્ડિયન રેડ નેપ્ડ આઇબિસ' (રાતા ગળાની આઇબિસ) નામનું પક્ષી ફસાઈ ગયું હતું. પક્ષી ઊંચાઈ પર હોવાથી જાતે નીકળવામાં અસમર્થ હતું. આ ઘટનાની જાણ થતા જ વન વિભાગ, ગોધરા અને વોઈસ ઓફ નેચર ફાઉન્ડેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. વૃક્ષની વધુ પડતી ઊંચાઈને કારણે રેસ્ક્યૂ ઓપરેશન પડકારજનક બન્યું હતું. જોકે, બંને ટીમોના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી પક્ષીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યું. પક્ષીને નીચે લાવ્યા બાદ તુરંત જ તેને જરૂરી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:24 pm

108 સેવાની 'ગોલ્ડન અવર'માં સરાહનીય કામગીરી:છેલ્લા એક વર્ષમાં 35 હજારથી વધુ કિસ્સામાં દર્દીઓને સેવા આપી, સૌથી વધુ કેસ માર્ગ અકસ્માત અને સગર્ભા મહિલાઓની સહાયતાના

જ્યારે જીવન અને મરણ વચ્ચે સેકન્ડોની લડાઈ ચાલતી હોય ત્યારે સફેદ અને વાદળી રંગની એમ્બ્યુલન્સનો સાયરન કોઈ દેવદૂતના અવાજ જેવો સંભળાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન 108 ઇમરજન્સી મેનેજમેન્ટ સર્વિસીસેઆ વાતને સાર્થક કરી બતાવી છે. સત્તાવાર જાહેર થયેલા આંકડાઓ મુજબ જિલ્લામાં 108 સેવા દ્વારા વર્ષ દરમિયાન કુલ 35,804 કટોકટીના કેસોમાં ત્વરિત પ્રતિસાદ આપીને હજારો નાગરિકોને હોસ્પિટલ સુધી પહોચાડવામાં આવ્યા છે. વાહન અકસ્માતના 6,423 કેસમાં સમયસર સારવારગાંધીનગર જિલ્લો હાઈવે અને સ્ટેટ હાઈવેથી ઘેરાયેલો હોવાથી માર્ગ અકસ્માતની ઘટનાઓ પડકારરૂપ હોય છે. ત્યારે સત્તાવાર ડેટા દર્શાવે છે કે વર્ષ દરમિયાન વાહન અકસ્માતના 6,423 કેસોમાં 108 દ્વારા સમયસર સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત, બિન-વાહન અકસ્માતના 4,177 કેસોમાં પણ ટીમ મદદે પહોંચી હતી. નિષ્ણાતોના મતે, અકસ્માત પછીના પ્રથમ એક કલાક એટલે કે 'ગોલ્ડન અવર'માં જો યોગ્ય સારવાર મળે તો બચવાની શક્યતા 80% વધી જાય છે. અને 108ની ટીમે આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી છે. 5,686 મહિલાઓને પ્રસૂતિ સમયે કટોકટીમાં હોસ્પિટલ પહોંચાડીગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સગર્ભા મહિલાઓ માટે 108 આશીર્વાદરૂપ સાબિત થઈ છે. વર્ષ દરમિયાન 5,686 જેટલી મહિલાઓને પ્રસૂતિ સંબંધિત કટોકટીમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી. અનેક કિસ્સાઓમાં તો હોસ્પિટલ પહોંચતા પહેલા એમ્બ્યુલન્સની અંદર જ 108ના તાલીમબદ્ધ પેરામેડિકલ સ્ટાફ દ્વારા સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી માતા અને બાળક બંનેના જીવ બચાવવામાં આવ્યા છે. હૃદયરોગ અને શ્વાસ સંબંધી દર્દીઓની પણ સેવાબીજી તરફ બદલાતી જીવનશૈલી વચ્ચે કાર્ડિયાક એરેસ્ટ અને શ્વાસની તકલીફોના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ગાંધીનગરમાં હૃદયરોગ સંબંધી 2,765 અને શ્વાસની તકલીફ ધરાવતા 3,336 દર્દીઓને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ ખસેડાયા હતા. આ સિવાય પેટમાં દુખાવાના 4,503 કેસ અને તીવ્ર તાવના 1,471 કેસમાં પણ 108ની મદદ લેવામાં આવી હતી. ઇનએક્સેસિબલ સ્થળોએથી 32 જેટલા દર્દીનું રેસ્ક્યૂજ્યારે કેસ વાઈઝ વિગતો પર નજર કરીએ તો ખેંચ 1236 કેસો ઝેરી અસર 664 કેસો, ડાયાબિટીસની સમસ્યાના 654 કેસો,પેરાલિસીસના 423 કેસો,ગંભીર માથાનો દુખાવો 268 કેસ માં પણ 108 દ્ધારા દર્દીઓને સેવા પુરી પાડવામાં આવી છે. જિલ્લામાં ઇનએક્સેસિબલ સ્થળોએથી પણ 32 જેટલા દર્દીઓને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. 108 સામાન્ય નાગરિકનો સૌથી મોટો ભરોસો બનીઆમ ગાંધીનગર જિલ્લામાં 108 સેવા માત્ર દર્દીઓને લઈ જવાનું સાધન નથી, પરંતુ તે અદ્યતન તબીબી સાધનોથી સજ્જ એક ચાલતી-ફરતી હોસ્પિટલ છે. એમ્બ્યુલન્સમાં હાજર ઈમરજન્સી EMT અને પાઈલટ ડ્રાઈવરની ટીમ કોઈપણ પરિસ્થિતિ કે સમયને જોયા વગર ખડેપગે રહે છે. સેવાના મંત્ર સાથે કામ કરતી આ સંસ્થા આજે સામાન્ય નાગરિકનો સૌથી મોટો ભરોસો બની ગઈ છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:17 pm

કરોડોના બિટકોઈન હેરાફેરી કેસમાં EDની કાર્યવાહી:શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજૂર

ગુજરાત બહુચર્ચિત બીટકોઈન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શૈલેષ ભટ્ટ અને નલિન કોટડીયાના પરિવારજનોની ઈડી દ્વારા ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. કરોડો રૂપિયાના બીટકોઈન હેરાફેરી કેસમાં ઈડી દ્વારા શૈલેષ ભટ્ટનો ભત્રીજો નિકુંજ ભટ્ટ અને નલિન કોટડીયાના સંબંધી સંજય કોટડીયાની ધરપકડ કરવામાં આવી છે. બિટકોઈન અને ક્રિપ્ટો કરન્સીની ગેરકાયદે હેરાફેરી મામલાની તપાસ કરવા 10 દિવસના રિમાન્ડ માંગ કરી હતી. EDની વિશેષ કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:15 pm

અજરામર એક્ટિવ અસોર્ટનો 'પ્રોજેક્ટ અર્પણ':ખારાઘોડાના રણમાં અગરિયા પરિવારોને 8મા વર્ષે સહાય

સુરેન્દ્રનગર સ્થિત અજરામર એક્ટિવ અસોર્ટ દ્વારા પાટડી-ખારાઘોડાના રણ વિસ્તારમાં મીઠું પકવતા અગરિયા પરિવારો માટે સતત આઠમા વર્ષે 'પ્રોજેક્ટ અર્પણ' અંતર્ગત સેવા સેતુ બાંધવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ ડો. ગુરુદેવ નિરંજન મુનિજી અને ગુરુદેવ ચેતન મુનિજીની પ્રેરણાથી હાથ ધરવામાં આવ્યો છે. રણના કાળઝાળ ગરમી અને અતિશય ઠંડી જેવી કપરી પરિસ્થિતિઓમાં જીવન ગુજારતા અગરિયા પરિવારો માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થયો છે. સંસ્થા દ્વારા એકત્રિત કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું સુઆયોજિત રીતે વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં રણના છેવાડાના માનવી સુધી મદદ પહોંચાડવામાં આવી. વિતરણ કરવામાં આવેલી મુખ્ય વસ્તુઓમાં નવા કપડાં, સાડી, સ્વેટર, ટોપી અને ઠંડીથી બચવા માટે બ્લેન્કેટનો સમાવેશ થાય છે. ખાદ્ય સામગ્રીમાં અનાજની કીટ, બિસ્કિટના પેકેટ અને નમકીન જેવી પૌષ્ટિક વસ્તુઓ આપવામાં આવી હતી. બાળકો માટે રમકડાં, શિક્ષણ માટે જરૂરી સ્ટેશનરી કીટ, લંચબોક્સ અને પાણીની બોટલ પણ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પગરખાં (બુટ-ચપ્પલ) જેવી અન્ય જરૂરી ચીજોનું પણ વિતરણ કરાયું હતું.આ અભિયાનમાં લોકોએ પોતાના વપરાયેલા પરંતુ સારી સ્થિતિમાં હોય તેવા કપડાંનું દાન આપીને અગરિયા પરિવારોના ચહેરા પર સ્મિત લાવવાનું ઉમદા કાર્ય કર્યું. રણના દુર્ગમ માર્ગો પર વાહનોના કાફલા સાથે પહોંચેલી ટીમે જાતે જઈને દરેક પરિવારને વસ્તુઓ પહોંચાડી હતી. રણની વચ્ચે બાળકોનો કિલકિલાટ અને યુવાનોનો ઉત્સાહ જોઈને સમગ્ર વિસ્તાર એક પરિવાર બની ગયો હોય તેવો માહોલ સર્જાયો હતો.આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સંસ્થાના સેવાભાવી સભ્યો અને દાતાઓએ ખભેખભા મિલાવીને કામ કર્યું છે. Give a little help a lot ના મંત્ર સાથે શરૂ થયેલું આ કાર્ય આજે એક વટવૃક્ષ બની ગયું છે, જે રણના જરૂરિયાતમંદોને સતત મદદ પૂરી પાડી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:15 pm

AMC ટેક્સ વોર્ડ ઇન્સ્પેક્ટરને નોટિસ અપાશે:શહેરમાં 158 જેટલી બિલ્ડિંગની બી.યુ. પરમિશન બાદ ટેક્સની આકારણી ન કરી, લાખો રૂપિયાનું નુકસાન

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ઊંચી-ઊંચી રહેણાંક અને કોમર્શિયલ બિલ્ડિંગો બનાવી દેવામાં આવે છે, પરંતુ બિલ્ડિંગને બીયુ મળી ગયા બાદ પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સની આકારણી કરવામાં આવતી નથી, જેથી કોર્પોરેશનને લાખો રૂપિયાના ટેક્સની આવકને નુકસાન થાય છે. શહેરમાં 158 જેટલી બિલ્ડિંગો અને બીજું પરમિશન મળી ગઈ છતાં પણ તેના ટેક્સની આકારણી કરવામાં આવી નથી. જે તે વોર્ડમાં આવી બિલ્ડિંગની આકારણી ન કરનાર વોર્ડ ઇન્સ્પેક્ટરને શો- કોઝ નોટિસ આપવા માટેની સૂચના રેવન્યુ કમિટી ચેરમેન દ્વારા આપવામાં આવી છે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જ્યારે પણ તેઓ પોતાની મિલકતની ખરીદી કરે ત્યારે તેની મિલકતની ટેક્સ માટેની આકારણી થઈ છે કે નહીં તેની પણ ચકાસણી કરી લેવી જોઈએ. 158 રહેણાંક-કોમર્શિયલનો ટેક્સ બાકીઃ અનિરુદ્ધસિંહરેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, જે પણ મિલકતને બીયુ પરમિશન મળી ગઈ હોય તેના ટેક્સની આકારણી કરવાની હોય છે. મારા ધ્યાન ઉપર આવ્યું હતું કે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 158 રહેણાંક-કોમર્શિયલ સ્કીમને બીયુ પરમિશન મળી ગઈ છતાં ટેક્સ અંગેની આકારણી કરવામાં આવી નથી. આ અંગે રેવન્યુ કમિટીમાં ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી હતી. લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ અંગે આકારણી ન કરનાર AMCના વોર્ડ ઈન્પેક્ટરોને શો- કોઝ નોટિસ આપવા અધિકારીઓને સૂચના આપી છે. ‘નાગરિકો મિલકત ખરીદતા પહેલાં ટેક્સની તપાસ કરે’વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈપણ નાગરિક પોતાની મિલકત ખરીદતા પૂર્વે ડેવલપરે પ્રોપર્ટી ટેક્સ ભર્યો છે કે નહીં તેની ગ્રાહકે ખાતરી કરવી જોઈએ. નાગરિકોએ પોતે ન વાપરેલી મિલકતોનો ટેક્સ ન ભરવાનો થાય, જેથી આવી તપાસ કરી લેવી જોઈએ. કારણ કે, બીયુ પરમિશન મળ્યા બાદ આકારણી થાય ત્યાં સુધીનો પ્રોપર્ટી ટેક્સ ડેવલપરે ભરવાનો હોય છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:11 pm

HNGU: 23 કોલેજોના તપાસ રિપોર્ટને BOMની મંજૂરી:હવે શિક્ષણ વિભાગને પણ સોંપાશે, જવાબદાર સામે કાર્યવાહી થશે

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) સંલગ્ન 23 કોલેજો સામેની તપાસ સમિતિનો સર્વગ્રાહી રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરવામાં આવ્યો છે. બોર્ડ ઓફ મેનેજમેન્ટ (BOM) દ્વારા આ અહેવાલને મંજૂરી આપવામાં આવી છે. હવે રિપોર્ટના આધારે જવાબદાર કોલેજો સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરાશે. HNGU હેઠળ કુલ 764 કોલેજો કાર્યરત છે. યુનિવર્સિટીને વારંવાર શૈક્ષણિક કાર્યમાં અનિયમિતતા, લેક્ચર ન લેવાતા હોવા અને બોગસ કોલેજો ચાલતી હોવા અંગેની ફરિયાદો મળતી રહે છે. તાજેતરમાં મળેલી રજૂઆતોના આધારે 7 ટ્રસ્ટો હેઠળની 23 કોલેજો સામે તપાસના આદેશ અપાયા હતા. આ તપાસ માટે વાઇસ ચાન્સેલર, કોલેજ આચાર્ય, વકીલ અને નિષ્ણાતોનો સમાવેશ કરતી એક સમિતિની રચના કરવામાં આવી હતી. તપાસ સમિતિએ તમામ કોલેજોની રૂબરૂ મુલાકાત લઈ સત્યતા ચકાસી હતી. કેટલીક કોલેજોએ તપાસમાં પૂરતો સહયોગ આપ્યો ન હતો અને માહિતી છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં, ઉપલબ્ધ માહિતીના આધારે સમિતિએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી યુનિવર્સિટીને સોંપ્યો હતો. આ રિપોર્ટ યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં રજૂ કરાયો હતો, જ્યાં તેને મંજૂરી મળી ગઈ છે. નિયમ મુજબ કોલેજો સામે પગલાં લેવા માટે ચોક્કસ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવું પડે છે, જેના માટે BOM દ્વારા લીલી ઝંડી મળી છે. કેટલીક કોલેજો અંગે શિક્ષણ વિભાગમાંથી પણ તપાસ માટે રજૂઆતો મળી હતી. આથી, યુનિવર્સિટી આ સર્વગ્રાહી રિપોર્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને પણ મોકલી આપશે. યુનિવર્સિટી કક્ષાએથી થતી કાર્યવાહી ઉપરાંત, શિક્ષણ વિભાગ પણ આ કોલેજો સામે સત્વરે યોગ્ય પગલાં ભરે તેવી ભલામણ રિપોર્ટના આધારે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:08 pm

ગોધરાના ગોવિંદી બાયપાસ પાસે ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત:પરીક્ષા આપવા જઈ રહેતા ITI વિદ્યાર્થીનું ઘટનાસ્થળે મોત, ટ્રક ચાલક સામે કાર્યવાહી હાથ ધરાઈ

ગોધરા તાલુકાના ગોવિંદી બાયપાસ નજીક આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બેફામ ગતિએ આવતા ટ્રકે બાઇક સવાર યુવકને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવકની ઓળખ ગોધરા તાલુકાના એરંડી ગામના વતની 27 વર્ષીય સંજયકુમાર રમણભાઈ સાંપા તરીકે થઈ છે. સંજયકુમાર ITI ખાતે ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં અભ્યાસ કરતા હતા. આજે તેઓ પોતાની ટ્રેડની પરીક્ષા આપવા માટે બાઇક પર જઈ રહ્યા હતા. ગોવિંદી બાયપાસ પાસેથી પસાર થતી વખતે ટ્રક અને તેમની બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત બાદ પોલીસે સંજયકુમારના મૃતદેહને સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 3:03 pm

વધુ ફી ઉઘરાવતી થલતેજની ઉદગમ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ:ફી મંજૂર કરાવ્યા વગર વિદ્યાર્થીઓ પાસેથી વસૂલતા અમદાવાદ ઝોન FRCએ ખુલાસો માંગ્યો

અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ થલતેજ વિસ્તારમાં આવેલી ઉદગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ ફટકારી છે. બન્ને સ્કૂલે અમદાવાદ ઝોન FRC પાસે ફીની મંજૂરી વગર પ્રિ-પ્રાઈમરીની ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલી હતી, જેથી વિદ્યાર્થીઓએ અમદાવાદ ઝોન FRC સમક્ષ ફરિયાદ કરી હતી. આ મામલે FRCએ બન્ને સ્કૂલને નોટિસ ફટકારી ફી મંજૂર કરાવ્યા વગર કેમ વસૂલાઈ તે અંગે બંને સ્કૂલે જવાબ રજૂ કરવા આદેશ અપાયો છે. સ્કૂલ FRC પાસે ફી મંજૂરી લીધા બાદ જ વાલી પાસેથી લઈ શકેનિયમ પ્રમાણે જ્યારે પણ કોઈ સ્કૂલ કેમ્પસમાં ધોરણ 1થી 8 સાથે જ પ્રિ-પ્રાયમરી સ્કૂલ ચાલતી હોય તો તેની ફી ઉઘરાવતા પહેલા સ્કૂલ સંચાલકોએ FRCમાં દરખાસ્ત કરવી પડતી હોય છે. જેથી દરખાસના આધારે જેટલી ફી મંજૂર કરવામાં આવે તેટલી જ ફી વાલીઓ પાસેથી લેવામાં આવતી હોય છે, પરંતુ અનેક સ્કૂલો આ નિયમોનો પણ કરી રહી છે. અમદાવાદ ઝોનની FRCએ અનેક વખત રજૂઆત કરવા છતાં ધોરણ 1થી 8 સાથે એક કેમ્પસમાં ચાલતી પ્રિ-પ્રાયમરી સ્કૂલને ફી મંજૂર કરવામાં આવતી નથી. જોકે, અગાઉ પણ કેટલીક સ્કૂલોની આ પ્રકારની ફરિયાદ સામે આવતા પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. જો કે શહેરની વધુ બે સ્કૂલોની આ પ્રકારની બેદરકારી સામે આવતા નોટિસ પડકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશેઃ DEOઅમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, FRC કમિટી અમદાવાદ ઝોન દ્વારા ખાસ કરીને કેમ્પસમાં ચાલતી ફ્રી સ્કૂલો હોય, ભલે તેનું રજીસ્ટ્રેશન ન થયું હોય પરંતુ એક જ કેમ્પસમાં ચાલતી હોય તો તેવી સ્કૂલોને પ્રિ-સ્કૂલની ફી મંજૂર કરાવવી ફરજિયાત છે. પરંતુ ઉદગમ સ્કૂલ અને સત્વ વિકાસ સ્કૂલને નોટિસ ફટકારી ખુલાસો માંગવામાં આવ્યો છે. એક જ કેમ્પસમાં ચાલતી હોવાથી કેમ FRC કમિટીમાં ફી મંજૂર કરાવી નથી, તેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે. વાલીઓની ફરિયાદ FRCને મળી હતી, જેથી તેના દ્વારા સ્કૂલો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્કૂલ દ્વારા ખુલાસો રજૂ કર્યા બાદ આગળની કાર્યવાહી કરાશે. અગાઉ આ મુદ્દે અન્ય સ્કૂલોને 5-5 લાખનો દંડ થયો હતોવધુમાં રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, જોકે અગાઉ પણ ફ્રી સ્કૂલની ફી મંજૂર કર્યા વગર વિદ્યાર્થીઓ પાસેથી ફી ઉઘરાવતા ફી રેગ્યુલેટરી કમિટીએ સ્કૂલોને પાંચ-પાંચ લાખનો દંડ પણ ફટકાર્યો હતો. ફી મંજૂર કરાવ્યા વગર જ વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. FRC એક્ટ 2017 પ્રમાણે એક જ કેમ્પસમાં સ્કૂલ ચાલતી હોય તો તેને ફી મંજૂર કરાવવી ફરજિયાત છે. જો સ્કૂલ એવું કારણ બતાવતી હોય કે અમારું રજીસ્ટ્રેશન થયું નથી, પરંતુ રજીસ્ટ્રેશન ન થયું હોય તો પણ એ મંજૂર કરાવવી ફરજીયાત છે. પ્રિ સ્કૂલની ફી મંજૂર કરાવવા માટેની ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ દરખાસ્ત કરવી પડે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:56 pm

ઈડરમાં પૂર્વ દિવ્યાંગ કમિશનર પ્રો. ભાસ્કર મહેતાનું સન્માન:રાષ્ટ્રીય અંધજન મંડળ ખાતે અમૃત મહોત્સવ ઉજવાયો

ઈડર સ્થિત રાષ્ટ્રીય અંધજન મંડળ સાબરકાંઠાના 'ભાસ્કર ભવન' ખાતે પૂર્વ દિવ્યાંગ કમિશનર પ્રોફેસર ભાસ્કર વાય. મહેતાનો સન્માન સમારોહ યોજાયો હતો. વિચાર વાટિકા ગ્રુપ સ્નેહ મિલન અને અપંગ અભ્યુદય મંડળ અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આ વિશેષ કાર્યક્રમનું આયોજન પ્રો. મહેતાના અમૃત મહોત્સવ નિમિત્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ કુમારી અમિતા ખાંટ દ્વારા પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા પ્રજ્ઞાચક્ષુઓ માટે સુગમ સંગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં અમિતા ખાંટ પ્રથમ, સુરેશ સાવલિયા દ્વિતીય અને રાજેશ રાઠોડ તૃતીય ક્રમે વિજેતા બન્યા હતા. તેમને રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સંસ્થાના જનરલ સેક્રેટરી સંદીપ કે. રામીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કર્યા હતા. સંસ્થાના ઉપપ્રમુખ પ્રવિણાબેન મહેતાએ સંસ્થાનો પરિચય આપ્યો હતો. પ્રોફેસર ભાસ્કર મહેતાએ દિવ્યાંગોના ઉત્કર્ષ અને સમાજમાં સન્માનભેર સ્થાન મેળવવા અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અપંગ અભ્યુદય મંડળ અમદાવાદના મંત્રી ગુણવંતભાઈ શાહ અને લાયન્સ ક્લબ ઓફ વસ્ત્રાપુરના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોલંકી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રજ્ઞાચક્ષુ વિચાર વાટિકા સંચાલન ગ્રુપના અધ્યક્ષ ઉમેશભાઈ પરમારે કર્યું હતું, જ્યારે વિચાર વાટિકા ગ્રુપના સહ-સંચાલક અનિકેતભાઈ પરમારે આભાર વિધિ કરી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અંધજન મંડળ સાબરકાંઠાના ઉપપ્રમુખ પૂર્વેશ પંડ્યા, કારોબારી સભ્ય મયુર ચૌધરી, અમિતા ખાંટ અને ખજાનચી ભરતભાઈ પંડ્યાએ સક્રિય ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:39 pm

દમણમાં બિલ્ડિંગના ત્રીજા માળે દીપડો ઘૂસ્યો:ભરબજારે અફરાતફરી મચી, વનવિભાગે દીપડાને પકડવા ઓપરેશન હાથ ધર્યું

દમણમાં સતત બીજા દિવસે દીપડાની લટાર જોવા મળી છે. આજે સવારે દમણના માર્કેટ વિસ્તારમાં એક દીપડો બિલ્ડિંગના ત્રીજા માળના ઘરમાં ઘૂસી ગયો હતો, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. ગતરોજ પણ દમણના શહેરી વિસ્તારમાં દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ આજે ફરી દીપડો રહેણાંક વિસ્તારમાં દેખાતા તંત્ર એલર્ટ બન્યું છે. દીપડાને પકડવા માટે દમણ વન વિભાગે તાત્કાલિક વલસાડ વન વિભાગની મદદ માંગી હતી. વલસાડથી ચણવઈ વન વિભાગની ટીમ દમણ જવા રવાના થઈ છે. ઘટનાસ્થળે દમણ ફાયર વિભાગ, વન વિભાગ અને દમણ પોલીસની ટીમો પહોંચી ગઈ છે. દીપડાને સુરક્ષિત રીતે પકડવા માટે એક વિશેષ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. માર્કેટ વિસ્તાર હોવાથી અને દીપડો ઘરમાં ઘૂસી જતાં લોકોમાં ભારે ફફડાટ અને ગભરાટ જોવા મળી રહ્યો છે. સુરક્ષાના ભાગરૂપે વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:38 pm

'ભાજપ-સરકાર મને ગમે તેટલો ત્રાસ આપે, હું આખરી-શ્વાસ સુધી લડીશ':ખંડણી કેસમાં જામીન પણ આપ નેતા 'પાસા'હેઠળ જેલમાં, સુરત લાજપોર જેલના દરવાજે હાઈવોલ્ટેજ ડ્રામા

સુરતની લાજપોર જેલના દરવાજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. ખંડણીના કેસમાં જામીન મેળવીને બહાર નીકળેલા આમ આદમી પાર્ટીના નેતા શ્રવણ જોશી હજુ મુક્ત હવામાં 50 કદમ પણ નહોતા ચાલ્યા ત્યાં જ પોલીસે તેમને દબોચી લીધા હતા. જેલમુક્ત થવાની ખુશી ક્ષણભરમાં ચિંતામાં ફેરવાઈ ગઈ જ્યારે પોલીસની ટીમે તેમને પાસાના વોરંટની બજવણી કરી. જેલની બહાર નીકળતા જ ફરીથી પોલીસ જીપમાં બેસવાનો વારો આવતા શ્રવણ જોશીએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે, ભાજપ સરકાર મને ગમે તેટલો ત્રાસ આપે, હું આખરી શ્વાસ સુધી લડીશ. શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહીશ્રવણ જોશી જ્યારે પોલીસ જીપમાં બેસી રહ્યા હતા ત્યારે તેઓ સતત પૂછતા રહ્યા હતા કે, કોર્ટે મને જામીન આપી દીધા છે, તો પછી તમે મને કયા ગુનામાં લઈ જઈ રહ્યા છો?. જોકે, પોલીસ અધિકારીઓએ કાયદાકીય મર્યાદામાં રહીને તેમને જણાવ્યું હતું કે, આ પાસા હેઠળની કાર્યવાહી છે. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન જેલની બહાર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માત્ર શ્રવણ જોશી જ નહીં, પરંતુ તેમના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ પણ પાસાનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. આ ઓપરેશન એટલું ગુપ્ત હતું કે આરોપીઓને બચવાની કોઈ તક મળી ન હતી. ફેસબુક લાઈવ અને વીડિયો દ્વારા ખંડણીનું નેટવર્ક: ડીસીપીનો ખુલાસોડીસીપી રાજદીપ સિંહ નકુમે આ મામલે ખુલાસો કરતા જણાવ્યું હતું કે, શ્રવણ જોશી અને તેની ગેંગનો મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતો. તેઓ લિંબાયત અને ગોડાદરા વિસ્તારની સસ્તા અનાજની દુકાનોને નિશાન બનાવતા હતા. આરોપીઓ દુકાન પર જઈને મોબાઈલથી ફેસબુક લાઈવ અથવા વીડિયો રેકોર્ડિંગ શરૂ કરી દેતા હતા અને વેપારીઓને કાળાબજારીના ખોટા આરોપો લગાવી સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકી આપતા હતા. આ વીડિયોનો ઉપયોગ હથિયાર તરીકે કરીને તેઓ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. નાના વેપારીઓને માનસિક ત્રાસ આપીને આર્થિક ઉઘરાણી કરતાંઆરોપીઓ માત્ર ધમકી જ નહોતા આપતા, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી ગરીબ ગ્રાહકોને પણ વેપારીઓ વિરુદ્ધ ઉશ્કેરવાનું કામ કરતા હતા. તપાસ દરમિયાન શ્રવણ જોશી અને સંપત ચૌધરીના બે વીડિયો પુરાવા તરીકે સામે આવ્યા છે, જેમાં તેઓ વેપારીઓને ડરાવી રહ્યા છે. આ પુરાવાઓને આધારે જ તેમની વિરુદ્ધ બે અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાઈ હતી. પોલીસના મતે, આ ટોળકી દ્વારા અનેક નાના વેપારીઓને માનસિક ત્રાસ આપીને આર્થિક ઉઘરાણી કરવામાં આવતી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તેમનો ભારે ખોફ અને દહેશત ફેલાયેલી હતી. પાસાની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ એ છે કે આરોપીઓ જેલની બહાર આવીને ફરીથી પુરાવાઓ સાથે છેડછાડ ન કરે અથવા ફરીથી સમાન પ્રકારના ગુનાઓને અંજામ ન આપે.આ આકરી કાર્યવાહીથી ખંડણીખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેલમાંથી છૂટતાની સાથે જ તેમની ફરી ધરપકડ થઈશ્રવણ જોશી વારંવાર પોતાની ધરપકડને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યા છે, પરંતુ પોલીસનું કહેવું છે કે તેમની પાસે નક્કર વીડિયો પુરાવા અને પીડિત વેપારીઓના નિવેદનો છે. જે રીતે જેલમાંથી છૂટતાની સાથે જ તેમની ફરી ધરપકડ થઈ, તે બતાવે છે કે પોલીસ આ કેસમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી. લાંબો સમય જેલના સળિયા પાછળઆગામી સમયમાં આ કેસમાં વધુ કેટલા વેપારીઓ સામે આવે છે તે જોવું રહ્યું. હાલ તો આમ આદમી પાર્ટીના આ નેતા માટે પાસાના કારણે મુશ્કેલીઓ વધી ગઈ છે અને તેમને લાંબો સમય જેલના સળિયા પાછળ વિતાવવો પડશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:36 pm

હિંમતનગર હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓને કાયદાકીય જાગૃતિ અપાઈ:ટ્રાફિક નિયમો, પોક્સો અને સાયબર ક્રાઈમ પર માર્ગદર્શન અપાયું

હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે કાયદાકીય જાગૃતિ અને સુરક્ષા અંગે વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં કાયદાકીય સમજ અને સુરક્ષા પ્રત્યે જાગૃતિ કેળવવાનો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગર પોલીસ સ્ટેશનના શી ટીમના પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન. પટેલ અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી. શાળાના આચાર્ય એસ.એસ. પટેલે મુખ્ય મહેમાન અને આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી વિદ્યાર્થીઓને તેમનો પરિચય કરાવ્યો હતો. પી.આઈ. જે.એન. પટેલ અને તેમની ટીમે વિદ્યાર્થીઓને વર્તમાન સમયમાં અત્યંત ઉપયોગી એવા વિવિધ વિષયો પર વિસ્તૃત માહિતી આપી હતી. જેમાં મુખ્યત્વે ટ્રાફિકના નિયમોનું પાલન, રોડ સેફ્ટી, બાળકોની સુરક્ષા માટેનો પોક્સો એક્ટ (POCSO Act), ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર 1098, અને સાયબર ક્રાઈમથી બચવાના ઉપાયોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શાખા ગાઈડલાઈન અને તાજેતરમાં અમલમાં આવેલા નવા ભારતીય પોલીસ કાયદાઓ વિશે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા. ખાસ કરીને વિદ્યાર્થિનીઓને સંબોધતા, તેમણે જીવનમાં સમજી-વિચારીને યોગ્ય નિર્ણયો લેવા અને પોતાની સુરક્ષા અંગે જાગૃત રહેવા માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે વોર્ડ નં. ૫ ના નગરપાલિકા સદસ્ય શશીભાઈ સોલંકી અને સુનિલભાઈ પ્રજાપતિએ પણ હાજરી આપી હતી. કાર્યક્રમના અંતે, ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ કાયદાનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:35 pm

વડોદરામાં નકલી PSI ઝડપાયો:વૈભવી બંગલામાંથી નકલી આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ અને એરગન મળી આવી, જમીન લે-વેચના ધંધામાં દમ મારી તોડ કરતો

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા વૈભવી બંગલોમાંથી નકલી PSIને વડોદરા SOGએ ઝડપી પાડ્યો છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે પોતાની ખોટી ઓળખ આપીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. તેની પાસેથી ખોટા પોલીસના આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ તથા વિવિધ સરકારી-ખાનગી કચેરીઓના ડુપ્લીકેટ સિક્કાઓ અને આવકનાં દાખલા મળી આવ્યા છે. આ સાથે જ પોલીસે તેની પાસેથી એરગન પણ જપ્ત કરી છે. જેને આધારે વડોદરા SOGએ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના વૈભવી બંગલામાંથી નકલી આઈકાર્ડ, પોલીસ યુનિફોર્મ અને સિક્કા મળી આવ્યાSOGના પી.આઈ. એસ.ડી. રાતડાના માર્ગદર્શન અને મળેલી બાતમીના આધારે વડોદરા શહેરના વાસણા-તાંદલજા રોડ પર આવેલા ઝમઝમ ટાવરની પાછળ અલકબીર બંગલા નંબર -3માં રેડ કરવામાં આવી હતી. આ સમયે ઘરનો દરવાજો આરોપીની પત્નીએ ખોલ્યો હતો. પોલીસે આરોપી વિશે પુછતા તે ઘરમાં હોવાની વાત કરી હતી. જેથી પોલીસ તેના ઘરમાં પ્રવેશી હતી અને રેડ દરમિયાન મોબીન ઇકબાલભાઇ સોદાગર (ઉંમર.38) નામનો શખસ મળી આવ્યો હતો. તેના બંગલાના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ વગરની સફેદ કલરની ક્રેટા ગાડી તથા બહાર નંબર પ્લેટ વગરની અર્ટીગા ગાડી પાર્ક કરેલી મળી આવી હતી. પોલીસે બંને કારમાં તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બંને કારમાંથી પોલીસના નકલી આઈકાર્ડ, યુનિફોર્મ અને સિક્કા સહિતનું મુદ્દામાલ મળી આવ્યો હતો. આરોપીએ પોતાને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર તરીકે રજૂ કરીને રોડ પર તથા જમીન લે-વેચના ધંધામાં દમ મારીને વ્યવહારોમાં મોટા તોડ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેણે પોતાની ગાડીઓમાં પોલીસનો ખાખી ડ્રેસ લટકાવી રાખ્યો હતો અને પોતાના નામ-ફોટાવાળા ડુપ્લીકેટ પી.એસ.આઈ. આઈકાર્ડનો ઉપયોગ કર્યો હતો. પોલીસે બાતમીના આધારે રેડ કરીને નકલી પીએસઆઇને ઝડપી પાડ્યો હતો. કબજે કરાયેલ પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ આરોપીએ રાજ્ય સેવક ન હોવા છતાં પોલીસ અધિકારી તરીકેના ખોટા દસ્તાવેજો બનાવીને ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હોવાથી જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે. આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે. તેણે પીએસઆઇ ની ખોટી ઓળખ આપીને કોની કોની સાથે ઠગાઈ કરી તે પણ બહાર આવશે. એસ.ઓ.જી.ના પીઆઈ એસ ડી રાતડાએ જણાવ્યું હતું કે, બાતમીના આધારે અમે અલકબીર બંગલાના મકાન નંબર -3માં રેડ કરી હતી અને રેડ દરમિયાન આરોપી પાસેથી પોલીસ યુનિફોર્મ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને આધારે અમે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે ફરિયાદ નોંધાવી છે અને આ મામલે વધુ કાર્યવાહી શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:21 pm

વાપીમાં મનપા દ્વારા ડિમોલિશન:મુખ્ય બજારમાં ટ્રાફિક સમસ્યા નિવારવા શાકભાજી માર્કેટ ખસેડી, 125 પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

વાપી શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક અને સ્વચ્છતાની સમસ્યાના નિવારણ માટે વાપી મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી કરી છે. મ્યુનિસિપલ કમિશનરના આદેશ અનુસાર, મુખ્ય બજારના જાહેર રસ્તાઓ પરથી લારી-ગલ્લા, પાથરણા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી 125 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત સાથે JCB અને ટ્રેક્ટરની મદદથી હાથ ધરવામાં આવી હતી. મનપા દ્વારા અગાઉ ચાર વખત નોટિસ આપવામાં આવી હોવા છતાં ફેરિયાઓ અને દબાણકર્તાઓએ દબાણ દૂર કર્યા ન હતા, જેના કારણે કાયદો અને વ્યવસ્થા જાળવવા આ કાર્યવાહી અનિવાર્ય બની હતી. હવે ફિશ માર્કેટ રોડ અને નાગ્રાબાઈ રોડ સહિત મુખ્ય બજાર વિસ્તારમાં કોઈ પણ ફેરિયો બેસી શકશે નહીં. મનપાની સૂચના મુજબ, તમામ શાકભાજી અને લારી સંચાલકોને ચલા કસ્ટમ ફ્રીઝર રોડ પર આવેલા સરદાર પટેલ શાકભાજી માર્કેટ પાસેની ખુલ્લી જગ્યામાં વ્યવસાય કરવા જણાવાયું છે. આ નિર્ણય 20 જાન્યુઆરી 2026થી કડક અમલમાં રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:20 pm

આ તો ગજબ કહેવાય!!:75 વર્ષ જૂની ટાંકી JCBથી ય માંડ તૂટી, નવી નક્કોર ટાંકી એક ઝાટકે મેળે જ કડડભૂસ થઈ ગઈ

ગુજરાતના બે અલગ અલગ સ્થળોએ બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક ઘટના અમદાવાદના સારંગપુર સર્કલ પાસેની છે અને બીજી ઘટના સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામની છે. અમદાવાદના સારંગપુર સર્કલ પાસે 10 માળની બિલ્ડીંગ જેટલી ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી હતી. આ ટાંકી 75 વર્ષ જૂની હતી. તેને તોડવાનું શરૂ થયું પણ કામ એટલું મજબૂત કે તૂટે જ નહિ. તેને તોડવા માટે 8 ટન વજનનું JCB મશીન ક્રેનથી ઉપર ચડાવવું પડ્યું હતું. બીજી તરફ સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ધામ છે તે તડકેશ્વર ગામમાં 21 કરોડના તોતિંગ ખર્ચે પાણીની મસમોટી ટાંકી બનાવાઈ. ટાંકી બની તો ગઈ પણ ટ્રાયલ માટે પાણી ભરવામાં આવતું હતું ત્યાં આપમેળે જ લોંદાની જેમ કડડડભૂસ થઈને બેસી પડી. હવે વિચારો, 75 વર્ષ પહેલાં કેટલું મજબૂત કામ થયું હશે ને આ નવું નક્કોર કામ કેટલું નબળું હશે!! આ બે ઘટનાઓ વિશે ક્રમવાર વિસ્તારથી જાણીએ... પહેલા અમદાવાદની 75 વર્ષ જૂની મજબૂત ટાંકીની વાત કરીએ. વર્ષો જૂની ટાંકી તોડવા JCB મશીન ક્રેનથી ચડાવવું પડ્યું હતું10 માળની બિલ્ડીંગ જેટલી ઊંચાઇ ધરાવતી પાણીની ટાંકી ઉપર 8 ટન જેટલું વજન ધરાવતા જેસીબી મશીનને જોઈને કોઈ પણ વ્યક્તિ ચોંકી જાય એવા દ્રશ્યો અમદાવાદના સારંગપુર વિસ્તારમાં જોવા મળ્યા હતા. આમ તો આ ટાંકીનું ડિમોલિશન ડિસેમ્બરમાં શરૂ કરાયું હતું પણ ઉપરના ભાગને તોડવા માટે 13 જાન્યુઆરીએ JCB મશીન ટાંકી પર ચડાવાયું હતું. સારંગપુર સર્કલ પર આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટાંકીને તોડવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મોટી ક્રેન મારફતે મશીનને ઉપર ચડાવાયું હતું. જોકે આ મશીનને પાણીની ટાંકીની ઉપર ચડાવી આજુબાજુનો ભાગ તોડવામાં આવી રહ્યો છે. દૂરથી પાણીની ટાંકી ઉપર જેસીબી મશીન જોઈને ત્યાંથી પસાર થતાં લોકો પણ એક સમયે વિચારતા થઈ ગયા હતા કે, આ ટાંકી આટલી મજબૂત હશે કે તેને તોડવા માટે JCB ચડાવવું પડ્યું હોય? એ સમયે થયેલા બાંધકામ કેટલા મજબૂત હતા, તેની પણ લોકો ચર્ચા કરતા જોવા મળ્યા હતા. આ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મધ્ય ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રમ્ય ભટ્ટે જણાવ્યું હતું કે, સારંગપુર પાણીની ટાંકી તોડવાની શરૂઆત કરવામાં આવી છે જેના માટે મજૂરો દ્વારા ડિમોલેશન કરવામાં આવતું હતું જોકે ટાંકીનો ભાગ ખૂબ જ મજબૂત છે. જેથી કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની ટાંકીનો સાઇડનો ભાગ તોડવા માટે જેસીબી મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પાણીની ટાંકી તોડવા માટે આ જેસીબી ક્રેન મારફતે ઉપર લઈ જવામાં આવ્યું હતું, જેના માટે તમામ પ્રકારની સેફટીને ધ્યાનમાં રાખવામાં આવી હતી. પાણીની ટાંકીના ડિમોલેશન માટે આજુબાજુ બેરીકેડ મારી દેવામાં આવ્યા હતા અને રોડથી 20-20 ફૂટ દૂર આ બેરિકેડ મારી કોઈપણ જાનહાની ન થાય તેના તમામ પ્રકારના પગલા લીધા બાદ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. અમદાવાદના કોટ અને ખાડિયા વિસ્તારના લોકોને પાણી પૂરું પાડતી હતી આ ટાંકીઅમદાવાદના કોટ વિસ્તારમાં ખાડિયા અને સારંગપુર વિસ્તારને આ ટાંકી પીવાનું પાણી પૂરું પાડતી હતી. 75 વર્ષ જૂની સારંગપુર પાણીની ટાંકીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવાની કાર્યવાહી ડિસેમ્બર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. 20 દિવસ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલા કોન્ટ્રાક્ટર કંપનીના મજૂરો મારફતે પાણીની ટાંકીનો ઉપરનો ભાગ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. પણ ટાંકી એટલી મજબૂત હતી કે મજૂરોના હથોડા પણ કામ કરતા નહોતા. અંતે ટાંકી પર JCB મશીન ચડાવાયું હતું. દરરોજ ઉપરના ભાગેથી જેસીબી મશીન ચલાવી અને ટાંકીનો આસપાસનો ભાગ તોડવામાં આવી રહ્યો છે. સારંગપુર પાણીની ટાંકી 1500 ટન જેટલું વજન ખમી શકે છે. જેથી 8 ટન વજનનું જેસીબી મશીન મૂકીને તેને તોડવામાં આવી રહી છે. હવે વાત કરીએ, સુરતના કામરેજ તાલુકાના ગાયપગલા ગામની ટાંકીની... 19 જાન્યુઆરીના દિવસે કામરેજ તાલુકાના ગાયપગલા ગામમાં એક ઘટના બની. થયું એવું કે, અહિં ગામને તાપીનું શુદ્ધ પાણી મળી રહે તે માટે 21 કરોડના ખર્ચે પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. નવી નક્કોર, ચકાચક ટાંકી બની તો ગઈ હવે તેનું ટ્રાયલ બાકી હતું. એટલે તેમાં પાણી ભરીને લાઈન, પમ્પ બધું બરાબર છે કે નહિ તે ચેક કરવાનું હતું. આ ટ્રાયલ વખતે ટાંકીમાં ઉપર પાણી ચડાવવામાં આવ્યું. ટાંકી અડધી પડધી ભરાઈ ત્યાં કડડભૂસ થઈને તૂટી પડી. આ ટાંકી 15 મીટર ઊંચી હતી, તેમાં 11 લાખ લીટર પાણી ભરવાની ક્ષમતા હતી. આ ટાંકી બનાવવા માટે 21 કરોડનો જંગી ખર્ચો થયો હતો. આ ટાંકીમાં ટ્રાયલ માટે પાણી ભરવાનું કામ ચાલુ હતું ત્યારે એકાએક તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં એક મહિલા સહિત ત્રણ મજૂરોને ઈજા પહોંચી હતી, જેના કારણે સ્થાનિકોમાં તંત્ર વિરુદ્ધ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગાયપગલા જગ્યામાં તાપી પાણી પુરવઠા યોજના યોજનાથી 33 ગામોને પીવાનું પાણી પૂરું પાડવાનું લક્ષ્ય હતું પણ હવે નવી ટાંકી નહીં બને ત્યાં સુધી આ ગામો પાણીની સુવિધાથી વંચિત રહેશે. ટાંકીમાં વપરાયેલો માલ હલકી ગુણવત્તાનો હતો એટલે ટાંકી તૂટીસત્તાધિશોએ સ્થળ પર તપાસ કરતાં ટાંકીના સ્ટ્રક્ચરની હલકી ગુણવત્તા સામે આવી છે. ટાંકીના કાટમાળમાંથી સિમેન્ટના પોપડા ઉખડી રહ્યા છે, જે કામમાં થયેલા મોટા પાયે ભ્રષ્ટાચાર તરફ આંગળી ચીંધે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે લોખંડ અને સિમેન્ટના વપરાશમાં કોન્ટ્રાક્ટર દ્વારા ભારે ગેરરીતિ આચરવામાં આવી છે. ઘટના સ્થળે પહોંચેલા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર જય ચૌધરીએ જણાવ્યું હતું કે, “ટાંકી અત્યારે ટ્રાયલ હેઠળ હતી. સમગ્ર મામલે SVNIT (સુરત)ના એન્જિનિયરોની ટીમ દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જવાબદાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:08 pm

અમદાવાદની શાળાના વિદ્યાર્થી પર હુમલા બાદ ટ્રસ્ટી આસપાસ બાઉન્સર ગોઠવાયા:ABVPએ રોકડું પરખાવતા કહ્યું- સોમવારે વિદ્યાર્થી પર હુમલો થયો ત્યારે બાઉન્સરો ક્યાં ગયા હતા?

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર અન્ય કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલો હુમલો શિક્ષણવર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે AVBP (અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ)ના કાર્યકર્તાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા શાળા પર પહોંચ્યા હતા અને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ સમયે શાળાના ટ્રસ્ટી આસપાસ બે બાઉન્સર જોવા મળતા એબીવીપીએ સવાલ કર્યો હતો કે, ગઈકાલે જ્યારે વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું ત્યારે આ બાઉન્સરો ક્યાં હતા? શાળાના ટ્રસ્ટીઓએ પોતાની સુરક્ષાના બદલે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખવા જોઈએ. ઘાટલોડિયાની નેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતીગઈકાલે (સોમવારે) 11 વાગ્યા આસપાસ ધોરણ 10ના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓ અને અન્ય શખ્સોએ હુમલો કર્યો હતો. જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીને માથામાં ભાગે કડુ વાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેથી શાળામાં અને શાળા બહાર વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલ ઉભા થઈ રહ્યા છે. જેથી શાળામાં વિદ્યાર્થીની સુરક્ષા જળવાય તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા શાળા પર નારાબાજી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ન્યાય આપો ન્યાય આપોના નારા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ લગાવ્યા હતા. તેમજ નારા બાજી કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર આપવા માટે ટ્રસ્ટીની ઓફિસ પાસે પહોંચ્યા હતા. જે દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ ગંભીર આક્ષેપ કર્યા હતા. સ્કૂલ ડમી વિદ્યાર્થીઓથી ચાલતી હોવાનો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ગંભીર આક્ષેપ કર્યો છે. જે દરમિયાન એક શિક્ષક એવું કહ્યું હતું કે, સ્કૂલ ડમી ભલે હોય પરંતુ અમે વિદ્યાર્થીઓને સુરક્ષાની ચિંતા કરીએ છીએ. શિક્ષક આ પ્રકારનું નિવેદન આપતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ આક્રમક થઈ ગયા હતા. જે બાદ ટ્રસ્ટીને આવેદનપત્ર આપી ત્રણ પ્રકારની માંગણી કરી હતી. હુમલાની ઘટનામાં સંડોવાયેલા વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે, શાળામાં સીસીટીવી અને વિદ્યાર્થીઓને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ માટે મનોચિકિતની નિમણૂક કરવામાં આવે. જો આ વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ટ્રસ્ટી આસપાસ બાઉન્સરો જોવા મળતા ABVPનો સવાલઆવેદનપત્ર સ્વીકારવા માટે જ્યારે ટ્રસ્ટી ઓફિસની બહાર નીકળ્યા ત્યારે તેમની સાથે બે બોડીગાર્ડ પણ જોવા મળ્યા હતા. આવેદનપત્ર સ્વીકાર્યા બાદ ટ્રસ્ટી પોતાના ઓફિસમાં જતા રહ્યા હતા તે બાદ પણ બોડીગાર્ડ તેમની ઓફિસની બહાર જ પહેરો રાખીને ઉભેલા જોવા મળ્યા હતા. જે બાદ બીજી વખત ટ્રસ્ટી જ્યારે મીડિયા બાઈટ આપવા માટે બહાર નીકળ્યા ત્યારે પણ બોડીગાર્ડ તેમની સાથે આવતા હોવાથી ટ્રસ્ટીએ તેમને રોક્યા હતા. સ્કૂલના ટ્રસ્ટીએ મીડિયાને સામે જોતા જ બોડીગાર્ડને ઈશારો કરી દૂર હટી જવા આદેશ કર્યો હતો. જેને લઇને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓએ કહ્યું હતું કે બોડીગાર્ડ પોતાની સુરક્ષા માટે નહીં પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવા જોઈએ. ABVP કર્ણાવતી મહાનગર સહમંત્રી પ્રિયમ ભાટીયાએ જણાવ્યું હતું કે, ગઈકાલે ધોરણ 10માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી પરીક્ષા પૂર્ણ થયા બાદ સ્કૂલની બહાર નીકળે છે ત્યારે અમુક વિદ્યાર્થીઓ અને અસામાજિક તત્વો દ્વારા તેને ઢોર મારવામાં આવે છે. તેથી આજે શાળામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે ઘટના બની છે તેના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તે પણ અસામાજિક તત્વો છે તેના પર કડક ઉદાહરણરૂપ કાર્યવાહી કરવી જોઈએ. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવી જોઈએ. વધુમાં પ્રિયમ ભાટીયાએ જણાવ્યું હતું કે, તેમજ સુરક્ષા વ્યવસ્થાની પણ અહીંયા અછત જોવા મળી રહી છે તેથી તે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માગણી છે. વિદ્યાર્થીઓ ઈન્સ્ટાગ્રામના કારણે ખોટા રવાડે ચડી રહ્યા છે. જેથી મનોવિજ્ઞાનિક કાઉન્સિલરની ભરતી કરવામાં આવે તેવી પણ અમારી માંગણી છે. આ પ્રકારની ઘટના બીજી વખત ન બને તેની તકેદારી રાખવામાં આવે તેવી અમારી માંગણી છે. જો ફરી આ પ્રકારની ઘટના બનશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરશે તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. સોમવારે વિદ્યાર્થી પર જ્યારે હુમલો થયો ત્યારે આ બોડીગાર્ડ ક્યાં હતા?- પ્રિયમ ભાટીયાટ્રસ્ટી સાથે બોર્ડીગાર્ડ સાથે જોઈને પ્રિયમ ભાટીયાએ જણાવ્યું હતું કે, આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે સુરક્ષા વ્યવસ્થા દેખાડવા માટે બે બોડીગાર્ડ રાખવામાં આવ્યા હતા. પરંતુ વિદ્યાર્થી પર જ્યારે હુમલો થયો ત્યારે આ બોર્ડીગાર્ડ ક્યાં હતા ? તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો ત્યારે બોર્ડીગાર્ડ ક્યાં જતાં રહ્યા હતા ? બોર્ડીગાર્ડ પોતાની સુરક્ષા માટે નહીં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવા જોઈએ. સ્કૂલ પણ ડમી ચાલે છે. ડમી સ્કૂલમાં વિદ્યાર્થી માત્ર પરીક્ષા આપવા માટે જ આવે છે. જ્યારે અમે રજૂઆત કરી ત્યારે એક શિક્ષક જ બોલ્યા કે ડમી સ્કૂલ ભલે રહી પરંતુ વિદ્યાર્થીઓની સુરક્ષા અમે રાખીએ છીએ. વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાય તે માટે જ અમે સુરક્ષાકર્મી રાખ્યા છે- રમેશ અમીનનેશનલ સ્કૂલના ટ્રસ્ટી રમેશ અમીને જણાવ્યું હતું કે, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી છે વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે. જેથી અમે જે બે સિક્યુરિટી રાખ્યા છે તે અમે તેમને બોલાવ્યા છે. શાળા દ્વારા હવે વિદ્યાર્થીઓનું કડક ચેકિંગ કરવામાં આવશે. સ્કૂલ છૂટ્યા સમયે શિક્ષકોને બહારના ભાગમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે રાખવામાં આવશે. ડમી સ્કૂલના આક્ષેપ ખોટા છે. સ્કૂલ દ્વારા શિષ્ટ સમિતિની રચના પણ કરવામાં આવી છે. જેમાં વાલી, શિક્ષક, આચાર્ય અને વિદ્યાર્થીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો મોનિટરિંગ પણ કરવામાં આવે છે. દર અઠવાડિયે અમે મોનિટરિંગ કરીએ છીએ. શાળામાં તમામ સીસીટીવી ચાલુ હાલતમાં છે. સ્કૂલમાં બબાલ મામલે હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી નેશનલ સ્કૂલ બહાર વિધાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી.સ્કૂલના વિધાર્થીઓએ જ બહારથી અન્ય લોકોને બોલાવ્યા હતા.આ ઘટનામાં એક વિધાર્થીને છરી વાગતા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે.મારામારી કરનાર આરોપીઓ પૈકી એક જ આરોપી પુખ્ત વયનો છે જ્યારે બાકીના 8 સગીર વયના છે.પોલીસે તમામ આરોપીઓની અટકાયત કરી લીધી છે. સોમવારે સવારે નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો ધોરણ 10નો વિધાર્થી પરીક્ષા આપીને મિત્રો સાથે બહાર આવ્યો હતો ત્યારે સ્કૂલના જ ધોરણ 10ના ચાર વિધાર્થીઓ અને અન્ય 5 લોકો બહાર ઊભા હતા.9 લોકોએ સાથે મળીને સ્કૂલના 3 વિધાર્થીઓ સાથે બોલાચાલી કરી હતી.બોલાચાલી ઉગ્ર થતા બહારથી આવેલા વિધાર્થીઓ ખેંચીને ત્રણેય વિદ્યાર્થીઓને આગળ લઈ ગયા હતા. તમામ લોકોએ ભેગા મળીને પટ્ટા,પાઇપ અને છરી વડે ત્રણેય વિધાર્થીઓ પર હુમલો કર્યો હતો.આ ઘટનામાં ત્રણેય વિધાર્થીઓને માથામાં,હાથમાં અને અલગ અલગ જગ્યાએ ઈજાઓ પહોંચી હતી.મારામારી થતાં પોલીસને જાણ થઈ હતી જેથી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.ઇજાગ્રસ્ત વિધાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.પોલીસે સમગ્ર મામલે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. ઝોન 1 ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે આરોપીઓએ હુમલો કર્યો તે માટે હત્યાના પ્રયાસનો ગુનો નોંધવા આવ્યો છે.આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે.આરોપી પૈકી એક જ પુખ્ત વયનો છે જ્યારે બાકીના સગીર વયના અને વિધાર્થીઓ છે.વિધાર્થીઓ વચ્ચે 3 મહિના અગાઉ બોલાચાલી થઈ હતી જે બાદ ગઈકાલે મારામારી થઈ હતી.શનિવારે પણ વિધાર્થીઓ વચે સામે જોવા બાબતે બોલાચાલી થઈ હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:01 pm

ગંગાજળીયા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણો હટાવ્યા:PM ઈ-બસ સેવાના પ્રારંભ પૂર્વે તંત્ર એક્શનમાં આવી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા, રિક્ષાચાલકોને દંડ

શહેરમાં પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત કુલ 17 રૂટો પર બસો દોડવાની તૈયારીઓ ચાલી રહી છે તેના ભાગરૂપે આ સેવાના પ્રથમ ચરણમાં જે 6 મુખ્ય રૂટો શરૂ થવાના છે, તેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તળાવ વિસ્તારમાં ટ્રાફિક અને દબાણ હટાવવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને આગામી સમયમાં બીજા રુટ પર દબાણો હટાવવામાં આવશે, દબાણ હટાવ સેલના અધિકારી સુરેન્દ્રસિંહ રાણા એ માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી દિવસો પ્રધાનમંત્રી ઈ-બસ સેવાનો પ્રારંભ થવા નો છે તેના ભાગરૂપે 17 રુટ નક્કી કરવામાં આવ્યા છે ત્યારે આજરોજ તેના ભાગરૂપે ​આગામી સમયમાં અંદાજે 40 જેટલી ઈ-બસો ગંગાજળિયા બસ સ્ટેશન ખાતે આવવાની હોવાથી, ત્યાં ટ્રાફિકની ગંભીર સમસ્યા ન સર્જાય તે માટે મહાનગરપાલિકા દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી, બસોની સુચારૂ અવરજવર માટે રોડ પર નડતરરૂપ તમામ કાચા-પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે, રોડ પર આડેધડ પાર્કિંગ કરીને અડચણ ઊભી કરતી રિક્ષાઓને લોક મારવામાં આવ્યા હતા અને અંદાજિત રૂ. 10,000 જેટલો પેનલ્ટી પેટે દંડ વસૂલવામાં આવ્યો છે. ​અધિકારીએ જણાવ્યું હતું કે, હાલ પ્રથમ તબક્કાના 6 રૂટો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, પરંતુ આગામી સમયમાં તમામ 17 રૂટો પરથી નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવશે, દબાણ હટાવવાની ટીમ જ્યાં પણ જશે ત્યાં જો રિક્ષાઓ કે અન્ય વાહનો અડચણરૂપ જણાશે, તો તેમની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, આ ઉપરાંત, કાયમી ધોરણે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગને પણ આ કામગીરીમાં સામેલ કરવા માટે લેખિત જાણ કરવામાં આવશે,

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 2:00 pm

ભરૂચમાં મેદસ્વિતામુક્તિ શિબિર-3નો પ્રારંભ:30 દિવસ સુધી ચાર સ્થળોએ યોગ અભ્યાસ

ભરૂચ શહેરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતામુક્તિ શિબિર–3નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ શિબિર જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માતરીયા તળાવ (શક્તિનાથ), ઝાડેશ્વર શ્રીનાથજી સોસાયટી અને ચાવજ માંગલ્ય રેસીડેન્સી એમ ચાર સ્થળોએ યોજાઈ રહી છે. ભરૂચ જિલ્લા કોર્ડિનેટર બીનીતા પ્રજાપતિના સાનિધ્યમાં તેનું આયોજન થયું છે. આ શિબિર 20 જાન્યુઆરી 2026થી 20 ફેબ્રુઆરી 2026 સુધી કુલ 30 દિવસ ચાલશે. દરરોજ સવારે 6:30થી 8:00 વાગ્યા સુધી યોજાનારી આ શિબિરમાં મેદસ્વિતાથી પીડિત વ્યક્તિઓ ભાગ લઈ શકે છે. શિબિરનો મુખ્ય હેતુ યોગાભ્યાસ દ્વારા મેદસ્વિતા ઘટાડવાનો અને શરીરના વિવિધ રોગોમાંથી મુક્તિ મેળવવા માટે માર્ગદર્શન પૂરું પાડવાનો છે. શિબિર દરમિયાન ભાગ લેનારાઓના મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ઉપરાંત, વિવિધ નિષ્ણાત ડોકટરો અને તજજ્ઞો દ્વારા મેદસ્વિતા નિવારણ અંગે ઉપયોગી માહિતી આપવામાં આવશે. સર્ટિફાઇડ યોગ ટ્રેનર અને કોચના માર્ગદર્શન હેઠળ યોગાભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને શંખનાદ સાથે શિબિરનો શુભારંભ કરાયો હતો. ચારેય સ્થળોએ મળીને 250 થી વધુ સાધકોએ ઉત્સાહભેર ભાગ લઈ શિબિરની શરૂઆત કરી હતી.આ મેદસ્વિતામુક્તિ શિબિર આગામી 30 દિવસ સુધી નિયમિત રીતે ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:53 pm

જામનગરમાં સિક્સ લેન રોડ માટે સર્વે શરૂ:તંત્રએ ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગનું નિરીક્ષણ કર્યું, શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારના ઓશવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવા માટે સિક્સ લેન રોડ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર આજથી જ સક્રિય બન્યું છે અને સર્વેની કામગીરી શરૂ કરી દેવાઈ છે. મ્યુનિસિપલ કમિશનર ડી.એન. મોદીના નેતૃત્વ હેઠળ ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસિસ્ટન્ટ કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને એસ્ટેટ શાખાના અનવર ગજણ સહિતની ટીમે ખોડીયાર કોલોનીથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યા હતા. આ સિક્સ લેન રોડ બન્યા બાદ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. આ માર્ગ નિરીક્ષણ બાદ, અધિકારીઓની ટીમે જામનગરમાં ચાલી રહેલા રણમલ તળાવ-2 પ્રોજેક્ટ સ્થળની પણ મુલાકાત લીધી હતી. ત્યાં પણ સમગ્ર કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:47 pm

ગોધરાના શહેરા ભાગોળ માર્ગ ખખડધજ, વેપારીઓમાં રોષ:પાલિકાની નિષ્ક્રિયતા સામે આંદોલનની ચીમકી; પાલિકા પ્રમુખે કહ્યું- 1.28 કરોડના ખર્ચે શહેરના તમામ રોડની કામગીરી પ્રગતિમાં

ગોધરા શહેરના શહેરા ભાગોળ વિસ્તારમાં મુખ્ય માર્ગની અત્યંત ખરાબ હાલતને કારણે સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી માર્ગ બિસ્માર હોવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની નિષ્ક્રિયતા સામે આંદોલનની ચીમકી આ અંગે પાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, રૂપિયા એક કરોડ 28 લાખના ખર્ચે શહેરના તમામ નવા રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે. હાલ ભાગોળ વિસ્તારમાં રેલ્વે અંડરપાસની કામગીરીને કારણે ડામર રોડની કામગીરી શરૂ કરવામાં આવી નથી. વેપારીઓના જણાવ્યા અનુસાર, ચોમાસા બાદ શહેરા ભાગોળ વિસ્તારના રસ્તાની સ્થિતિ વધુ વણસી છે. રસ્તા પર મોટા ખાડા, ઉખડેલા પેચ અને છૂટા પડેલા કાંકરા જોવા મળે છે, જેના કારણે માર્ગ સંપૂર્ણપણે જર્જરિત બન્યો છે. આ માર્ગ ગોધરા શહેરનો મુખ્ય માર્ગ હોવાથી દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે. વાહનોની અવરજવર દરમિયાન રસ્તા પરથી ઉડતા કાંકરા સીધા દુકાનોમાં પડે છે, જેનાથી માલસામાનને નુકસાન થાય છે અને ગ્રાહકોને પણ મુશ્કેલી પડે છે. આખો દિવસ ધૂળની ડમરીઓ ઉડતી રહેતા વેપારીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. સ્થાનિક વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે ગોધરા શહેરના અન્ય ઘણા વિસ્તારોમાં તાજેતરમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા છે, ત્યારે શહેરા ભાગોળ જેવા વ્યસ્ત અને મહત્વપૂર્ણ વિસ્તારમાં આવેલા આ મુખ્ય રસ્તાની અવગણના શા માટે કરવામાં આવી રહી છે તે સમજાતું નથી. વેપારીઓએ તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતાં જણાવ્યું છે કે જો વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં નહીં આવે, તો આવનારા દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવાની ફરજ પડશે. હાલ શહેરા ભાગોળ વિસ્તારના વેપારીઓ તંત્રની તાત્કાલિક કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:40 pm

રાજકોટ મનપાનું સંભવિત અંતિમ બોર્ડ તોફાની બન્યું:વિકાસના કામો અને ભ્રષ્ટાચારના આક્ષેપો મુદ્દે શાસક અને વિપક્ષ વચ્ચે ઘમાસાણ, BMW બાઈક પર સવાર થઈ કોર્પોરેટર વિરોધ કરવા પહોંચ્યા

રાજકોટ મહાનગરપાલિકામાં વર્તમાન બોડીની ટર્મ પૂર્ણ થવાના આરે છે, ત્યારે આજે મળેલી સંભવિત અંતિમ જનરલ બોર્ડની બેઠક અપેક્ષા મુજબ અત્યંત હંગામેદાર અને વિવાદોથી ઘેરાયેલી રહી હતી. 11 માર્ચનાં રોજ વર્તમાન ટર્મ પૂરી થઈ રહી હોવાથી, આ બેઠક પ્રજાના પડતર પ્રશ્નોના નિકાલ માટે મહત્વની માનવામાં આવતી હતી. જોકે, વાસ્તવિકતામાં લોકશાહીના ગૌરવશાળી ગૃહમાં પ્રજાલક્ષી ચર્ચાઓને બદલે શાસક અને વિપક્ષના સભ્યો વચ્ચે ભારે શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. વિપક્ષના કોર્પોરેટરોએ ભ્રષ્ટાચારનાં આરોપો લગાવ્યા હતા. જ્યારે શાસક પક્ષે 5 વર્ષમાં રૂ. 5,000 કરોડનાં વિકાસ કામો કર્યા હોવાનો દાવો કર્યો હતો. આજના જનરલ બોર્ડના એજન્ડામાં કુલ 14 કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવેલા 31 પ્રશ્નોનો સમાવેશ થતો હતો. આ પ્રશ્નોમાં કોંગ્રેસના 3 સભ્યોના 9 પ્રશ્નો અને ભાજપના 11 સભ્યોના 22 પ્રશ્નો પર ચર્ચા થવાની હતી. પરંતુ ગૃહની કાર્યવાહી શરૂ થતા જ શાસક પક્ષના કોર્પોરેટર દક્ષાબેન મસાણીના પ્રથમ પ્રશ્નનો જવાબ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાકીના 30 પ્રશ્નો પર કોઈ પણ પ્રકારની ગંભીર ચર્ચા કર્યા વિના જ બોર્ડ સમેટી લેવાની જાહેરાત કરાતા વિપક્ષે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે છેલ્લા બોર્ડમાં ખાસ વિપક્ષને બોલવાનો મોકો આપવો જોઈએ. પરંતુ આવો મોકો મેયરને ટેલીફોનિક અને લેખિતમાં જાણ કરી હોવા છતાં આપવામાં આવ્યો નથી. બોર્ડની કાર્યવાહી દરમિયાન વાતાવરણ ત્યારે વધુ વણસ્યું જ્યારે ભાજપના કોર્પોરેટર વિનુ ધવાએ પિત્તો ગુમાવ્યો હતો. તેમણે વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને દ્વિઅર્થી શબ્દનો પ્રયોગ કરી શાંતિ રાખવા કહેતા બોર્ડમાં ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષી સભ્યોએ ભાજપના શાસકોનાં રાજમાં ટીપી શાખાની શંકાસ્પદ કામગીરી, ફ્લાવર બેડના પ્રોજેક્ટ્સ ઉપરાંત અન્ય વિકાસલક્ષી યોજનાઓમાં થતી અનિયમિતતાઓ મુદ્દે સત્તા પક્ષની આકરી ઝાટકણી કાઢી હતી. વિપક્ષી નેતાએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે શાસકો આંકડા રજૂ કરે છે તે માત્ર કાગળ પરની માયાજાળ છે. ભ્રષ્ટાચારના મુદ્દે પ્રહાર કરતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા રૂ. 5000 કરોડ ના વિકાસ કામો થયા હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતામાં રાજકોટની જનતા આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહી છે. પાંચ વર્ષમાં માત્ર ભાજપના મળતિયા નેતાઓનો જ આર્થિક વિકાસ થયો છે, જ્યારે શહેર ખાડા અને ભ્રષ્ટાચારમાં ગરકાવ છે. હકીકતમાંજો બિલ્ડરો પાસેથી નિયમ મુજબ FSI વસૂલવામાં આવે તો મનપાને રૂ. 400 કરોડથી વધુ આવક થવાની શક્યતા છે. અને મનપાને 200 કરોડની લોન લેવાની પણ જરૂર પડે તેમ નથી. પરંતુ શાસકો અને બિલ્ડર એસોસિએશન વચ્ચેની મિલીભગતને કારણે મનપાની તિજોરીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. સામે પક્ષે પલટવાર કરતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે તમામ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું કે રાજકોટમાં પાંચ વર્ષમાં રૂ. 5000 કરોડથી વધુના રેકોર્ડબ્રેક વિકાસલક્ષી કાર્યો પૂર્ણ થયા છે જે જનતા જોઈ શકે છે. તેમણે વિપક્ષ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, વિરોધ પક્ષના નેતાઓ ગંભીર નથી અને આજે પણ તેઓ બોર્ડમાં 20 મિનિટ મોડા આવ્યા હતા. વિપક્ષ પાસે કોઈ મુદ્દા બચ્યા નથી, તેથી તેઓ માત્ર મીડિયામાં હેડલાઇન્સ મેળવવા માટે ડ્રામા કરી રહ્યા છે અને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા મથે છે. આજના બોર્ડ પહેલાનું સૌથી મોટું આકર્ષણ કોંગ્રેસના કોર્પોરેટર મકબુલ દાઉદાણી રહ્યા હતા. તેઓ એક અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવા માટે રૂ. 15 લાખની કિંમતનું લક્ઝરિયસ BMW બાઈક લઈને મહાપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. આ બાઈકનો નંબર 0002 છે, જેના માટે તેમણે રૂ. 1.85 Lakh નો વધારાનો ખર્ચ કરીને સ્પેશિયલ નંબર મેળવ્યો છે. મકબુલ દાઉદાણીએ ટીપી શાખાના ભ્રષ્ટાચાર વિરુદ્ધ પોતાનો રોષ વ્યક્ત કરતા કહ્યું કે, તંત્રમાં ગરીબોના કામ થતા નથી, માત્ર માલેતુજારોનું જ હિત જોવામાં આવે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બાઈક ચલાવવી એ તેમનો શોખ છે અને તેઓ રાજકોટમાં સૌથી પહેલું BMW બાઈક લાવ્યા છે. વિપક્ષ દ્વારા મનપાના વહીવટમાં એક પદાધિકારી વચેટિયા તરીકે કામ કરતા હોવાનો અને તાજેતરના 'ફડાકાકાંડ'માં સંડોવાયેલી એજન્સી સામે કોઈ પગલાં નહીં લેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો. વશરામ સાગઠિયાએ સવાલ કર્યો હતો કે કયા 'આકા' ના ઈશારે ભ્રષ્ટ એજન્સીઓ બચી રહી છે? આમ, રાજકોટ મહાનગરપાલિકાનું આ છેલ્લું બોર્ડ શહેરના વિકાસની સકારાત્મક ચર્ચા કરવાને બદલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ, મોંઘીદાટ ગાડીઓના પ્રદર્શન અને રાજકીય કાવાદાવાની ભેટ ચડયું હતું.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:35 pm

'મને ગાયના તબેલામાં પૂરી દીધી, એજન્ટે નંબર બ્લોક કર્યો':નવસારીની મહિલા બેલારૂસમાં ફસાઇ, ભાસ્કરને કહ્યું- ગુજરાત પાછા આવવાના પણ પૈસા નથી

વિદેશમાં નોકરીની લાલચ આપીને ગુજરાતીઓ સાથે થતી ઠગાઇનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. નવસારીની એક મહિલા બેલારૂસમાં ફસાઇ છે. દિવ્ય ભાસ્કરને આપેલી માહિતીમાં એજન્ટે પોતાની સાથે ફ્રોડ કર્યાનો આરોપ તેણે લગાવ્યો છે. મહિલાનું નામ મીના જોશી છે. તેને બેલારૂસમાં ફ્રૂટ પેકિંગમાં નોકરી અને 70 હજારથી 80 હજાર પગાર મળશે તેવું કહીને મોકલાઇ હતી. તેને જે પ્રકારના કામ અને પગારની લાલચ અપાઇ હતી તે મળ્યાં નથી. હવે તે ભારત પાછી આવવા માગે છે પણ સ્થિતિ એવી છે કે તેની પાસે રિટર્ન ટિકિટના પણ પૈસા નથી. 70 હજારથી 80 હજારના પગારની લાલચ આપીમીનાએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, એજન્ટે મને એમ જણાવ્યું હતું કે 8 કલાકના કામના 70થી 80 હજાર રૂપિયા પગાર મળશે. ઓવરટાઇમના મળીને 90 હજાર કે એક લાખ રૂપિયાનો પગાર મળશે. હું વિધવા છું અને દેવુ કરીને અહીં બેલારૂસ આવી છું. મને અહીંયા ગાયના તબેલામાં રહેવા માટે મુકી દીધી છે. મીંક્સ (બેલારૂસની રાજધાની)માંથી મને 350-400 કિલોમીટર દૂર રાખી દીધી છે. ઘણા લોકો અહીંયા ફસાયેલા છે. મહિલાએ વડોદરાના એજન્ટ પર આરોપ લગાવ્યોતેણે જણાવ્યું કે, બેલારૂસ મોકલવા માટે મારી પાસેથી 5.50 લાખ રૂપિયા લીધા હતા. તેમણે મને જે કામ અને પગાર કહ્યા હતા તે મળ્યાં નથી. વડોદરામાં ગજાનંદ ઓવરસીસ નામથી તેમની મેઇન ઓફિસ છે. તેઓ 2 ભાઇઓ એજન્ટ છે. મેં એક અઠવાડિયા જેટલું કામ કર્યું હતું. હું અહીંયા જેમ તેમ રહું છું. પાછા ફરવાના પણ પૈસા નથીતેણે કહ્યું કે, મારી સાથે ફ્રોડ થયું છે. મારી પાસે ભારત આવવાના પૈસા નથી. મારા 3 દીકરા ભારતમાં છે, તેમને હું એકલા મૂકીને આવી છું. મારા પતિ નથી. મારે ભારત પાછું આવવું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:27 pm

ભાડાની 5 ઓરડીમાં ચાલતી રાજકોટ મનપાની શાળા:206 વિદ્યાર્થીઓ માટે માત્ર 2 જ વોશરૂમ, તંત્રને 17 વર્ષથી સરકારી પ્લોટ નથી મળતો

રાજકોટ શહેરની ખોખળદડી નદી પાસે 17 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી શાળા નંબર 99ને લઈ રાજનીતિ તેજ થઈ છે. બે દિવસ પહેલા જ રાજકોટની મુલાકાતે આવેલા શિક્ષણમંત્રી સમક્ષ વશરામ સાગઠિયાએ આ શાળાનો મુદ્દો ઉઠાવ્યા બાદ શિક્ષણ મંત્રી જવાબ આપવામાં ગેંગેફેંફે થઈ ગયા હતા. 10 બાય 10ની પાંચ ઓરડીઓમાં 206 વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરી રહ્યા છે અને કેવી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તે જાણવા ભાસ્કરે શાળાની મુલાકાત કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો હતો. 206 વિદ્યાર્થીઓના અભ્યાસ માટે 5 નાની રૂમ અને 2 વોશરૂમદિવ્યભાસ્કરની ટીમ દ્વારા વર્ષ 2008થી કોઠારીયા રોડ પર ચાલતી શાળા નંબર-99ની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં આ શાળામાં જેમાં માત્ર દસ બાય દસના પાંચ નાનકડા રૂમ અને તેમાં એક રૂમમાં પ્રિન્સીપાલની ઓફિસ હોવાનું જોવા મળ્યું હતું. અને માત્ર 5 રૂમમાં 206 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. અહીં પ્રાથમિક રીતે જરૂરી કહી શકાય તેવા માત્ર 2 બાથરૂમ આ શાળામાં જોવા મળ્યા હતા. જેને કારણે રીસેસ પડે ત્યારે છાત્રો 15 મિનિટ સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અનેક રજૂઆતો બાદ પણ પ્લોટની ફાળવણી ન થતા બિલ્ડિંગ નથી બનતુંઆ અંગે અહીંના જ વોર્ડ નંબર - 15 ના કોર્પોરેટર કોમલબેન ભારાઈના પતિ અને કોંગ્રેસ આગેવાન હરેશભાઈએ જણાવ્યુ હતુ કે, શાળા નંબર 99 છેલ્લા 17 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે. જે બાબતે કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠીયા દ્વારા શિક્ષણ મંત્રી સમક્ષ જાહેરમાં રજૂઆત કરવામાં આવી હતી. અગાઉ અનેક વખત વોર્ડ નંબર 15 ના કોંગ્રેસના કોર્પોરેટર રજૂઆત કરી ચૂક્યા છે તેમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા પ્લોટ ફાળવણી ન થતા સ્કૂલનું બિલ્ડિંગ બની શક્યું નથી. વિધાનસભા 68 ના ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડ એમ કહેતા હોય કે ટર્મ પૂર્ણ થવા આવી ત્યારે કોંગ્રેસના વિપક્ષ નેતાને સ્કૂલ નંબર 99 યાદ આવે છે ત્યારે હું કહેવા માગીશ કે આપ આ સ્કૂલની મુલાકાત લો તો પરિસ્થિતિની ખબર પડશે કે અહીં વિદ્યાર્થીઓને કયા પ્રકારની અગવડતા છે. કોર્પોરેટર કોમલબેન ભારાઈ દ્વારા એક વર્ષમાં ત્રણ વખત કોર્પોરેશનની સામાન્ય સભામાં આ પ્રશ્નની રજૂઆત કરેલી છે પરંતુ તેનો ઉકેલ હજુ સુધી આવ્યો નથી. તેમણે જણાવ્યું કે, હુડકો ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચેના આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 5,000 થી વધુ લોકો વસવાટ કરે છે. અહીં વિદ્યાર્થીઓના માતા - પિતા ઇન્ડસ્ટ્રીઝમાં મજૂરી કામ કરે છે ખૂબ જ ગરીબ પરિવારના બાળકો અહીં અભ્યાસ માટે આવે છે ત્યારે તેમના માટે માત્ર એક જ સરકારી સ્કૂલ છે અને એ પણ ભાડાના મકાનમાં ચાલે છે. આ ઉપરાંત અહીં આંગણવાડી પણ નથી. જે બાબતે પણ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરેલી છે. ઉનાળામાં તો વિદ્યાર્થીઓને અહીં એટલી ગરમી થાય છે કે અમૂક વખત શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે. હાલ માત્ર નાના 5 ઓરડાને કારણે બધું વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં સમાવી શકાતા નથી અને ધોરણ 6 થી 8 ના વર્ગ પણ શરૂ થઈ શક્યા નથી. CMOમાંથી ખુલાસો પૂછાયા બાદ થોડા દિવસ દોડધામ થઈ પછી બધું શાંત પડી ગયુંતેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, ગત વર્ષે શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળા નંબર 99 બાબતે જાહેરમાં રજૂઆત કરી હતી. જે બાદ CMO માંથી મહાનગરપાલિકા તંત્ર નો ખુલાસો પૂછવામાં આવ્યો હતો જે બાદ કલેક્ટર સમક્ષ ખરાબાની જગ્યા માગવામાં આવી હતી અને તે પછી ડેપ્યુટી કલેક્ટર દ્વારા અહીં સર્વે પણ કરવામાં આવ્યો હતો તે વખતે હરીઓમ પાર્ક, કે. પી. ઈન્ડસ્ટ્રીઝ અને એન. પી. ઈન્ડસ્ટ્રીઝમાં ખાલી જગ્યા બતાવેલી છે. જોકે ત્યારબાદ તે ડેપ્યુટી કલેક્ટરની સુરેન્દ્રનગર બદલી થઈ ગઈ. જે પછી અહીં કોઈ આવ્યુ નથી. શાળા નંબર 99 એક માત્ર ભાડાના મકાનમાં ચાલતી શાળાનગરપાલિકાની શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 93 સ્કૂલ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની 3 મળી કુલ 96 શાળા છે. અત્યારે એકમાત્ર શાળા નંબર 99 ભાડાનાં મકાનમાં છે. જ્યાં હાલ આચાર્ય સહિત 7 શિક્ષકો છે અને 206 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. બાકીની તમામ શાળામાં કોર્પોરેશનનાં પોતાના બિલ્ડીંગ છે. આ વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા TP ફાઇનલ કરવામાં આવી ન હોવાથી શાળા માટેના પ્લોટની ફાળવણી થઈ શકી નથી. જેના વિકલ્પ તરીકે કલેક્ટર સમક્ષ ખરાબાની જગ્યા માંગવામાં આવી છે. જે માટે હાલ જે સ્કૂલ છે ત્યાંથી પોણો કિલોમીટર દૂર એક જગ્યા છે પરંતુ તે જગ્યા મળ્યા બાદ સ્કૂલના નવા બિલ્ડીંગ માટે કાર્યવાહી શરૂ થઈ શકશે. જ્યાં વધારાના ધોરણ 6 થી 10 સુધીના વર્ગો શરૂ થાય તેવું આયોજન છે. શાળાનું ભાડું હાલ 33,000 આપવામાં આવી રહ્યું છે. જે થોડું વધારે છે પણ અન્ય કોઈ વિકલ્પ ન હોય બાળકોનો અભ્યાસ ચાલુ રહે તે માટે આ ભાડું ચુકવવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:21 pm

બજરંગ દળની જાહેરમાં મારામારી, પોલીસને પણ રવાના કરી દીધી, VIDEO:વિરાટનગરમાં બે યુવકને અહીં કેમ બેઠા છો? કહી ફોન ચેક કરી ફટકાર્યા; રોડ પર બેઠી બસને રોકી, ટ્રાફિકજામ

અમદાવાદના વિરાટનગર બ્રિજ નીચે લધુમતી સમાજના બે યુવક ગેરેજમાંથી બાઈક લેવા માટે આવ્યા હતા. આ દરમિયાન બજરંગ દળના કાર્યકરોએ આ યુવકો છોકરીની રેકી કરતા હોવાની શંકા કરી ગડદાપાટુનો માર માર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ટી-શર્ટ પણ નીકળી ગયું હતું. તો સામે બન્ને યુવકે પણ કેટલાક કાર્યકરો સાથે મારામારી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટના અંગેની જાણ થતાં પોલીસ પહોંચતા બજરંગ દળના કાર્યકરોએ પોલીસ કર્મચારીને ગાડીમાં બેસાડી ત્યાંથી રવાના કરી દીધા હતા. બનાવ બનતા રસ્તા પર ભારે ટ્રાફિકજામ થયો હતો. નિકોલ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. બજરંગ દળના કાર્યકરોએ યુવકને અહીં કેમ બેઠો કહી માર માર્યો ગોમતીપુરમાં રહેતો 23 વર્ષીય આયમઅલી શેખ એમબીબીએસનો અભ્યાસ કરે છે. 19 જાન્યુઆરીના બપોરના સમયે તે એક્ટિવા લઈને તેના મિત્ર નદીમ અંસારી સાથે વિરાટનગર બ્રિજના છેડે આવેલા ગેરેજ ખાતે ગયો હતો. જોકે, ગેરેજ બંધ હોવાથી થોડીવાર રાહ જોઈને તે વિરાટનગર બ્રિજની નીચે બેઠો હતો. આ સમયે બજરંગ દળના સાતથી આઠ કાર્યકરો આવ્યા હતા, જેમણે અહીંયા કેમ બેઠો છે? તેમ જણાવી બંનેના ફોન ચેક કર્યા હતા. બાદમાં બંનેને ગડદાપાટુનો માર માર્યો હતો, જેથી બંને ત્યાંથી ભાગી ગયા હતા અને 112 નંબર પર ફોન કરતા પોલીસની ગાડી પણ આવી હતી. પોલીસે સામે પણ મારામારી કરીબંને જ્યારે પોલીસને જે જગ્યાએ મારામારી થઈ તે બતાવતા હતા, ત્યારે બે-ત્રણ યુવકે તેમને પકડીને ગાળો આપી હતી અને મારામારી કરી હતી. આ અંગે આયમ અલીએ બાબા ગોસ્વામી, જીતુ ચૌહાણ, વિશાલ રાજપૂત, રવિન્દ્ર રાજપુત, સાહિલ ભદોરીયા અને અન્ય ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. સામે બજરંગ દળના કાર્યકરોએ પણ ફરિયાદ નોંધાવીઆયમ અલી સાથે જ્યારે મારામારી થઈ હતી, ત્યારે આયમ અલી અને તેના મિત્રએ પણ બજરંગ દળના કાર્યકરોને માર્યા હતા. આ અંગે બજરંગ દળના કાર્યકરોએ આયમ અને તેના મિત્ર વિરુદ્ધમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી છે. નિકોલ પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવી તપાસ શરૂ કરી છે. પોલીસે કેટલાક આરોપીઓને રાઉન્ડ અપ પણ કરી લીધા છે. બજરંગ દળે રોડ પર બેસી બસ રોકી, પોલીસને રવાના કરી દીધીસમગ્ર બનાવ દરમિયાન પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે બજરંગ દળના કાર્યકરોએ પોલીસ પણ ગાડીમાં બેસાડી રવાના કરી દીધા હતા. કાર્યકરોએ રસ્તા પર બેસી બસ રોકીને બેસી ગયા હતા. બનાવ બનતા ભારે ટ્રાફિકજામ થયો હતો અને લોકોના ટોળા પણ ભેગા થયા હતા. ઝોન 5 ડીસીપી જીતેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, બનાવ બનતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી આરોપીની અટકાયત કરી છે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:12 pm

હિંમતનગરમાં ગોકુલેશ્વર મંદિરનો રજત જયંતી મહોત્સવ:ત્રિદિવસીય 11 કુંડી મહારુદ્ર યાગનો પ્રારંભ થશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા ગોકુલેશ્વર મહાદેવ મંદિરનો રજત જયંતી મહોત્સવ શરૂ થશે. આ પ્રસંગે ત્રિદિવસીય 11 કુંડી મહારુદ્ર યાગનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે મંદિર પરિસરમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કુંડ બનાવવાની અને મંડપ બાંધવાની કામગીરીનો સમાવેશ થાય છે. ધાર્મિક પ્રસંગોની શરૂઆત 20 જાન્યુઆરી, મંગળવારના રોજ બપોર બાદ પ્રાયશ્ચિત કર્મવિધિથી થશે. મુખ્ય ત્રિદિવસીય યાગ 21 જાન્યુઆરી, બુધવારથી શરૂ થશે. 21 જાન્યુઆરી, બુધવારના રોજ સવારે 9 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. ત્યારબાદ સવારે 11:30 કલાકે યજમાનોનો મંડપ પ્રવેશ થશે અને સાંજે 6:30 કલાકે આરતી કરવામાં આવશે. બીજા દિવસે, 22 જાન્યુઆરી, ગુરુવારના રોજ સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન અને 9:30 કલાકે શોભાયાત્રા યોજાશે. બપોરે 12 કલાકે ધજાનો ચઢાવો અને બપોરે 2:30 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે. સાંજે 6:30 કલાકે આરતી થશે. ત્રીજા અને અંતિમ દિવસે, 23 જાન્યુઆરી, શુક્રવારના રોજ સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન થશે. બપોરે 2:30 કલાકે ઉત્તર પૂજનનો પ્રારંભ થશે અને સાંજે 4 કલાકે યજ્ઞની પૂર્ણાહુતિ બાદ મહાઆરતી કરવામાં આવશે. સાંજે ૫ કલાકે મહાપ્રસાદનું વિતરણ શરૂ થશે. આ ઉજવણી નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 21 જાન્યુઆરી, બુધવારના રોજ પ્રસંગ પાર્ટી પ્લોટમાં રવિરામ હરિયાણી અને ગીતાબેન પટેલ દ્વારા સંતવાણી રજૂ કરાશે.22 જાન્યુઆરી, ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે હિંમતનગરના પ્રવીણભાઈ પંચાલના નિજાનંદ ગ્રુપ દ્વારા ભજન સંધ્યા યોજાશે. આ ત્રિદિવસીય 11 કુંડી મહારુદ્ર યાગમાં 10 કુંડ પર 20 યજમાનો અને એક મુખ્ય યજમાન સહિત કુલ 21 યજમાનો દ્વારા યાગ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 1:06 pm

પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન

BCCI to Scrap A+ Contract : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એક ક્રાંતિકારી ફેરફાર કરવાની તૈયારીમાં છે. એવા અહેવાલો છે કે બોર્ડ તેના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી 'A+' કેટેગરીને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, જે અત્યાર સુધી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સુપરસ્ટાર ખેલાડીઓ માટે હતી. BCCIમાં મોટા ફેરફારના સંકેત ભારતીય ક્રિકેટમાં આ એક મોટો ફેરફાર હોઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ તાજેતરમાં આવી જ વ્યવસ્થા લાગુ કરી છે, જ્યાં ટોચની કેટેગરીને સમાપ્ત કરી દેવામાં આવી છે.

ગુજરાત સમાચાર 20 Jan 2026 1:06 pm

સાળંગપુર હનુમાનજીને 251 કિલો બુંદી લાડુનો અન્નકૂટ:એમ્બ્રોઇડરી વાઘા, રંગબેરંગી ફૂલોથી દાદાનો દિવ્ય શણગાર કરાયો

સાળંગપુરધામ સ્થિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં મંગળવારે દાદાને ભવ્ય શણગાર અને અન્નકૂટ ધરાવાયો હતો. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને ખાસ એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા હતા. દાદાના સિંહાસનને રંગબેરંગી શેવંતી અને ઓર્કિડના મિશ્ર ફૂલોથી મનોહર રીતે શણગારવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શ્રીકષ્ટભંજન દેવને ૨૫૧ કિલો બુંદીના લાડુનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. મંગળવારના આ વિશેષ દિવસે વહેલી સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી અને સવારે ૭:૦૦ કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી ઉતારવામાં આવી હતી. મંદિરના પ્રાંગણમાં પવિત્ર મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું હતું, જેમાં અનેક યજમાનોએ આહુતિ આપી હતી. દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. 'જય કષ્ટભંજન' ના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને ભક્તોએ દાદાના શણગાર તેમજ અન્નકૂટના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:52 pm

શિક્ષાપત્રી મંથન:સાધુ પ્રેમવત્સલદાસજીએ કહ્યું- વ્યક્તિનું જીવન વાણી અને વર્તનમાં સમાન હોવું જોઈએ

શ્રી સ્વામિનારાયણ મંદિર, કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ શિક્ષાપત્રી મંથન પ્રસંગે જણાવ્યું હતું કે, વ્યક્તિનું જીવન વાણી અને વર્તનમાં સમાન હોવું જોઈએ. તેમણે ભારપૂર્વક કહ્યું કે, વ્યક્તિએ મંદિર હોય ત્યારે રામ અને ધંધામાં રાવણ જેવું જીવન ન જીવવું જોઈએ. તેમણે અવલોકન કર્યું કે આજના સમયમાં ઘણા લોકો બહારથી સારા દેખાય છે, પરંતુ અંદરથી તેમનું વર્તન અલગ હોય છે. મંદિરમાં ભગવાનની ભક્તિ કર્યા પછી, મંદિરની બહાર આવીને તેઓ અયોગ્ય કાર્યો કરતા હોય છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ સ્પષ્ટ કર્યું કે આને સાચી ભક્તિ કહી શકાય નહીં. તેમણે ભાર મૂક્યો કે વ્યક્તિના વાણી અને વર્તન સુસંગત હોવા જોઈએ, એટલે કે 'જેવા અંદરથી તેવા બહારથી' હોવા જોઈએ. આ સંદર્ભમાં, તેમણે શિક્ષાપત્રી ગ્રંથનું મહત્વ સમજાવ્યું. શ્રી સ્વામિનારાયણ ભગવાને ભક્તિમય અને સદાચારમય જીવન જીવવા માટે આ ગ્રંથ આપ્યો છે. તેમણે શ્રોતાઓને શિક્ષાપત્રીનું વાંચન કરીને તે મુજબ જીવન જીવવા અનુરોધ કર્યો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:51 pm

નારાયણ સાંઈની સજા સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં અરજી:હાઇકોર્ટે પીડિતા સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી, 26 ફેબ્રુઆરીએ સુનાવણી

2019માં સુરતની સેશન્સ કોર્ટે દુષ્કર્મના કેસમાં નારાયણ સાંઈને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી, જે સુરતની જેલમાં બંધ છે. ત્યારે તેણે પોતાની સજા સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં અરજી કરી છે. ગુજરાત હાઇકોર્ટ એ અરજી સંદર્ભે પીડિતા અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 26 ફેબ્રુઆરીએ રાખી છે. અગાઉ આસારામને મળવા જવા નારાયણ સાંઈએ હંગામી જામીન માંગ્યા હતાઉલ્લેખનીય છે કે, નારાયણ સાંઈના પિતા આસારામ પણ દુષ્કર્મના કેસમાં હંગામી જામીન ઉપર બહાર છે. અગાઉ આસારામને મળવા જવા નારાયણ સાંઈએ હંગામી જામીન માંગ્યા હતા. ત્યારે સરકારી વકીલે નારાયણ સાંઈની વર્તણૂક અને તેને છોડવાથી ઉભી થનારી પરિસ્થિતિ અંગે કોર્ટને જાણ કરી હતી. તે 12 વર્ષથી જેલમાં છે. વર્ષ 2021માં અરજદારની માતાની તબિયત ખરાબ થતા તેને 4 દિવસ માટે જેલ મુક્તિ આપવામાં આવી હતી. છેલ્લે તેણે તેના પિતા આસારામને મળવા જવા હંગામી જામીન અપાયા હતા. 'જેલમાં પણ વર્તણૂક અયોગ્ય, બહાર આવશે તો સાહેદોને ખતરો'સરકાર પક્ષે અગાઉ રજૂઆત થઈ ચૂકી છે કે, અરજદારના મોટાપાયે ફોલોઅર્સ છે. અગાઉ તે સાહેદોને ધમકી આપી ચૂક્યો છે, ખોટા સર્ટિફિકેટ બનાવેલા છે. તેમજ સાહેદો ઉપર હુમલો કરાવી ચુક્યો છે. તેણે સરકારી અધિકારીઓને પણ લાંચ આપવાની કોશિશ કરી છે. અરજદારની જેલમાં વર્તણૂક પણ યોગ્ય નથી. જેથી તેને જેલના નિયમો મુજબ અયોગ્ય વર્તણૂક બદલ જેલમાં અપાતી સજા પણ કરવામાં આવી છે. જો તેને જેલ મુક્ત કરવામાં આવે તો અયોગ્ય ઘટના ઘટવાની શક્યતાઓ રહેલી છે. જેથી તેને જેલમુક્ત કરવો યોગ્ય જણાતું નથી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:48 pm

નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ ગંભીર ગુનો:પાટણ પોલીસે ચંદ્રુમાણામાં જાગૃતિ સેમિનાર યોજ્યો

પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામે દુધેશ્વર મહાદેવ મંદિર સંકુલમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાર્કોટિક્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પાટણ જિલ્લા SOGના PSI ડી.કે. ચૌધરી અને ASI રણજીતસિંહની ટીમ દ્વારા યોજાયો હતો. સેમિનારમાં નશીલા પદાર્થોના સેવન અને વેચાણના ગંભીર પરિણામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. PSI ડી.કે. ચૌધરીએ ઉપસ્થિતોને સમજાવ્યું કે, વનસ્પતિજન્ય તેમજ સિન્થેટિક ડ્રગ્સનું સેવન શારીરિક અને સામાજિક રીતે અત્યંત નુકસાનકારક હોય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કોઈપણ પ્રકારના ડ્રગ્સનું સેવન જીવલેણ બની શકે છે અને તેનાથી દૂર રહેવું જોઈએ. નશીલા પદાર્થોનું સેવન કે વેચાણ કરવું એ કાયદાકીય રીતે ગંભીર ગુનો બને છે. આ પ્રસંગે વિહિપના નીતિનભાઈ વ્યાસ, ચંદ્રુમાણા ગ્રામ પંચાયતના તલાટી ભરતભાઈ ઠાકોર, બળવંતસિંહ પરમાર, નવીનભાઈ દરજી, ભાજપના વિરેશભાઈ વ્યાસ, બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજ સહિત ગ્રામજનો અને ગ્રામ્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત લોકોએ PSI ચૌધરી સાથે નશીલા પદાર્થોના સેવન અને વેચાણ બાબતે વાર્તાલાપ પણ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:48 pm

પુરુષોતમ માસને લીધે લગ્નના મુહૂર્ત 70 થી ઘટી 55:રાજકોટમાં આજથી શુભ મુહૂર્તમાં દૈનિક 400 વર - વધૂ લગ્ન ગ્રંથિથી જોડાશે, ડીજે - ઢોલના તાલે જાનૈયાઓ થીરકતા દેખાશે

આ વર્ષે પુરુષોતમ અધિક માસ હોવાને કારણે લગ્નના મુહૂર્ત 70 થી ઘટી 55 થઈ ગયા છે. જેથી લગ્નના ઢોલ ઓછા ઢબૂકશે. 20 મી જાન્યુઆરીથી શુક્રના અસ્ત વચ્ચે કુંવારિકાઓને જમાડી લગ્ન શરૂ થઈ ચૂક્યા છે. જેમાં પણ વસંત પંચમી અને અખાત્રીજના વણજોયા શુભ મુહૂર્તમાં લગ્ન વધુ થશે. રાજકોટમાં હવે દરરોજ 400 લગ્નો થશે. જેથી શહેરમાં ડીજે અને ઢોલના તાલે જાનૈયાઓ થીરકતા દેખાશે. શાસ્ત્રી રાજદીપ જોશીએ જણાવ્યુ હતુ કે, આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા છે. દર વર્ષે લગ્નના 70 જેટલા લગ્નના મુહૂર્ત હોય છે પરંતુ આ વખતે 17 મે થી 15 જૂન સુધી પુરુષોત્તમ માસ હોવાને કારણે એ દરમિયાન લગ્ન થઈ શકતા નથી જેથી આ વખતે લગ્નના મુહૂર્ત 15 જેટલા ઓછા છે. જાન્યુઆરી માસમાં શુક્રનો અસ્ત હોવાથી લગ્ન થઈ શકતા નથી. જોકે અમૂક પંચાંગોના કહેવા પ્રમાણે કુંવારિકાઓને જમાડી લગ્ન થઈ શકે છે. જેથી લોકો લગ્ન કરે પણ છે. તેમણે જણાવ્યું કે રાજકોટના લગ્નના મુહૂર્ત શરૂ થતા દરરોજ 400 જેટલા લગ્નો થાય છે. જોકે 23 જાન્યુઆરીના વસંત પંચમી ઉપરાંત અખાત્રીજના દિવસે 600 જેટલા લગ્નો થાય છે. કારણકે વસંત પંચમીનું લગ્નનું વણજોયું મુહૂર્ત હોય છે. જાન્યુઆરીમાં લગ્નના 6 અને ફેબ્રુઆરીમાં 11 શુભ મુહૂર્ત છે. તા.24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી હોળાષ્ટક છે. જેથી તેમાં લગ્ન થઇ શકતા નથી. જ્યારે 14 માર્ચથી મિનારક કમૂરતા હોવાથી લગ્નના 9 મુહૂર્ત જ છે. કયા માસમાં કેટલા લગ્નના મુહૂર્ત? જાન્યુઆરી 20,23,24,25,26,29ફેબ્રુઆરી 3,5,6,7,8,10,12,13,20,21 અને 22 માર્ચ 5,6,7,8,9,10,11,12એપ્રિલ 21,26,27,28,29,30 મે 3,7,9,10,14

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:45 pm

ડાયમંડ બુર્સની ઓફિસો શરૂ કરવા મુહૂર્ત પર મુહૂર્ત:શરૂ થયાના બે વર્ષ બાદ પણ 4700માંથી માત્ર 250 ઓફિસ ખુલ્લી, મહિધરપુરાના વેપારીઓને મનાવવા પ્રયાસો ચાલુ

સુરત શહેરમાં હીરાના વેપાર માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ડાયમંડ બુર્સમાં જવા માટે હીરાના વેપારીઓ બે વર્ષ બાદ પણ તૈયાર ન હોવાનું સામે આવ્યું છે. ડાયમંડ બુર્સમાં આવેલી 4700 ઓફિસોમાંથી અત્યાર સુધીમાં માત્ર 250 ઓફિસો ભરાઈ છે. અહીં વેપારીઓ પોતાની ઓફિસ શરૂ કરે તે માટે પાંચમી વાર પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. 18મી ફેબ્રુઆરીએ 68 વેપારીઓએ મુહૂર્ત કરવાની તૈયારી બતાવી છે. મહિધરપુરા સહિતની બજારના વેપારીઓ અહીં આવે તે માટે હર્ષ સંઘવીએ પણ વેપારીઓ સાથે બેઠક કરી પ્રયાસો હાથ ધર્યા છે. 4700 ઓફિસોના જંગી પ્રોજેક્ટની વાસ્તવિકતાઆ પ્રોજેક્ટની વિશાળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં કુલ 9 હાઈ-ટેક ટાવર્સમાં 4700 જેટલી અત્યાધુનિક ઓફિસો આવેલી છે. અમેરિકાના પેન્ટાગોન કરતા પણ મોટી આ ઈમારત હીરા ઉદ્યોગના વૈશ્વિક હબ તરીકે નિર્માણ પામી હતી. પરંતુ, કમનસીબ વાસ્તવિકતા એ છે કે બે વર્ષના સમયગાળા બાદ માત્ર 250 જેટલી ઓફિસોના તાળા ખુલ્યા છે. તેમાં પણ નિયમિત વ્યાપાર થતો હોય તેવી ઓફિસોની સંખ્યા તો માંડ 80 જેટલી જ છે, જે ગંભીર પ્રશ્નાર્થો ઉભા કરે છે. મુહૂર્ત પર મુહૂર્ત: આ વખતે પાંચમી ટ્રાયલકોઈપણ નવો વ્યાપાર શરૂ કરવા માટે મુહૂર્ત જોવામાં આવે છે, પરંતુ સુરત ડાયમંડ બુર્સ માટે તો મુહૂર્તોની હારમાળા સર્જાઈ છે. છેલ્લા બે વર્ષમાં ઓફિસો શરૂ કરવા માટે અલગ-અલગ ચાર તારીખો નક્કી કરવામાં આવી હતી, પરંતુ દર વખતે નિષ્ફળતા મળી છે. હવે, પાંચમી વખત 18 ફેબ્રુઆરી 2026નું નવું મુહૂર્ત કાઢવામાં આવ્યું છે. અગાઉ 23 જાન્યુઆરીની તારીખ નક્કી થઈ હતી, પરંતુ વેપારીઓના અસંતોષ અને તૈયારીઓના અભાવે ફરી એકવાર તારીખ લંબાવવાની ફરજ પડી છે. હર્ષ સંઘવીએ વેપારીઓ સાથે બેઠક કરી સમજાવવાનો પ્રયાસ કર્યોજ્યારે વ્યાપારી સંગઠનો નિષ્ફળ રહ્યા ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીએ જાતે મોરચો સંભાળવો પડ્યો છે. પ્રોજેક્ટની જટિલતાઓને ઉકેલવા માટે તેમણે ગત અઠવાડિયે હીરા ઉદ્યોગના અગ્રણીઓ સાથે મેરેથોન બેઠક કરી હતી. 68 જેટલા મોટા વેપારીઓની હાજરીમાં મંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે હવે વિલંબ સહન કરવામાં આવશે નહીં. સરકારના આ સક્રિય અભિગમ પાછળ ડાયમંડ બુર્સને ફ્લોપ શો બનતો અટકાવવાનો મજબૂત રાજકીય અને આર્થિક ઈરાદો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. મહિધરપુરાના વેપારીઓની નવી ખાતરીહર્ષ સંઘવી સાથેની બેઠકમાં મહિધરપુરા હીરા બજારના વેપારીઓએ 18 ફેબ્રુઆરીથી બુર્સમાં શિફ્ટ થવાની ખાતરી આપી છે. આ બેઠકમાં માત્ર નેચરલ ડાયમંડ જ નહીં, પરંતુ વ્હાઈટ પાતળા, સોલિટેર અને લેબગ્રોન ડાયમંડના વેપારીઓએ પણ સહમતિ દર્શાવી છે. વેપારીઓએ મંત્રી સમક્ષ વચન આપ્યું છે કે તેઓ મહિધરપુરાની પોતાની ઓફિસો બંધ કરીને સંપૂર્ણપણે ખજોદ સ્થિત બુર્સમાં કાર્યરત થશે. આ ખાતરી જો અમલમાં મુકાશે તો જ બુર્સમાં સાચા અર્થમાં ધમધમાટ જોવા મળશે અને અંધાધૂંધીનો અંત આવશે. આંતરિક રાજકારણ અને જૂથવાદની અસરબુર્સને કાર્યરત કરવામાં સૌથી મોટો અવરોધ આંતરિક જૂથવાદ હોવાનું મનાય છે. વરાછા મીનીબજાર અને કતારગામના વેપારીઓ સ્થળાંતર કરવા માટે ઉત્સાહી છે, પરંતુ મહિધરપુરા બજાર પર વર્ચસ્વ ધરાવતા પાલનપુર, ડીસા અને ધાનેરાના જૂના વેપારીઓ હજુ પણ ખચકાટ અનુભવી રહ્યા છે. આ વેપારીઓ વર્ષો જૂના પોતાના સ્થાપિત બજારને છોડવા તૈયાર નથી. ચોક્કસ લોબી દ્વારા કરવામાં આવતા આ વિરોધને કારણે જ વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોવા છતાં વેપારીઓ ત્યાં જવા તૈયાર થતા નથી તે કડવી વાસ્તવિકતા છે. જૂના ગઢને બચાવવાની મથામણમહિધરપુરાના વર્ચસ્વવાળા વેપારીઓને મનાવવા માટે હર્ષ સંઘવીએ અરવિંદ અજબાની અને અશેષ દોશી જેવા પ્રભાવશાળી નામોની મદદ લીધી છે. આ વેપારીઓનો તર્ક છે કે વર્ષો જૂનું નેટવર્ક મહિધરપુરામાં સ્થિત છે અને ત્યાંથી ખજોદ જવું જોખમી હોઈ શકે છે. આ માનસિકતાને તોડવી એ મેનેજમેન્ટ માટે લોઢાના ચણા ચાવવા સમાન છે. જ્યાં સુધી મુખ્ય ધારાના વેપારીઓ પોતે પહેલ નહીં કરે ત્યાં સુધી નાના વેપારીઓ અને દલાલો બુર્સ તરફ આકર્ષાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. પાયાની સુવિધાઓના અભાવના કારણે વેપારીઓ ચિંતિતકોઈપણ કોમર્શિયલ હબ માટે બેંકિંગ અને ફૂડ કોર્ટ કરોડરજ્જુ સમાન હોય છે, પરંતુ SDBમાં ઉંધી ગંગા વહી રહી છે. ગ્રાહકો અને ફૂટફોલના અભાવે અગાઉ શરૂ થયેલી ઘણી રાષ્ટ્રીયકૃત અને ખાનગી બેંકોની શાખાઓ બંધ થઈ ગઈ છે. એટલું જ નહીં, અમૂલ પાર્લર અને સુમુલ બ્રાન્ડની રેસ્ટોરન્ટ્સને પણ તાળા મારવાની નોબત આવી છે. સુવિધાઓ જતી રહેવાથી વેપારીઓમાં ડર બેસી ગયો છે કે ત્યાં જઈને ધંધો કેવી રીતે કરવો, જે આ પ્રોજેક્ટ માટે ચિંતાનો વિષય છે. નાના વેપારીઓ અને દલાલોની આશાજો 18 ફેબ્રુઆરીનું મુહૂર્ત સફળ રહે, તો તેનો સૌથી મોટો ફાયદો નાના વેપારીઓ અને હીરા દલાલોને થશે. હર્ષ સંઘવીએ ભારપૂર્વક કહ્યું છે કે એક જ છત નીચે તમામ સુવિધાઓ મળવાથી મધ્યમ વર્ગના વેપારીઓની દોડાદોડી ઓછી થશે. અત્યારે વેપારીઓને મહિધરપુરાથી વરાછા અને કતારગામ વચ્ચે ભટકવું પડે છે, પરંતુ બુર્સમાં બધું એકસાથે ઉપલબ્ધ હશે. આ વ્યવસ્થાથી વિશ્વભરના ખરીદદારો માટે સુરત એક સિંગલ-વિન્ડો સોલ્યુશન બની જશે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ અનુકૂળ રહેશે. મહિધરપુરાના વેપારીઓ અહીં આવી જાય તો બુર્સ ધમધમતું થઈ જાયડાયમંડ બુર્સના ચેરમેન લાલજી પટેલએ જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા જ્યારે આપણે જુલાઈ મહિનાની તારીખ આપેલી, ત્યારે 250 ઓફિસના ફર્નિચર થઈ ગયા હતા અને 250 ઓફિસોના એક સાથે મુહૂર્ત કર્યા હતા. પરંતુ મંદીના માહોલ વચ્ચે એટલી બધી ઓફિસો ધમધમતી થઈ શકી નહોતી. આજની તારીખમાં 70 થી 80 ઓફિસો કાર્યરત છે.અમારો ટાર્ગેટ એ છે કે મહિધરપુરા અને મીની બજારના જે મુખ્ય વેપારીઓ છે, તે જો ત્યાં પોતાનો કારોબાર ચાલુ કરે, તો તેની પાછળ મહિધરપુરા અને મીની બજારમાં નાની-મોટી 1000 ઓફિસો છે. એટલે જો આ 1000 ઓફિસો ટ્રાન્સફર થાય તો આખું ડાયમંડ બુર્સ ધમધમતું થઈ જાય.એના માટે હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં ગયા અઠવાડિયે મીટિંગ મળેલી અને 68 વેપારીઓ પોતે રૂબરૂ હતા. બધાએ ખાતરી આપી છે કે અમે 18 ફેબ્રુઆરી સુધીમાં અમારી ઓફિસ સંપૂર્ણપણે મહિધરપુરાથી ત્યાં (ડાયમંડ બુર્સમાં) અમારો ધંધો-કારોબાર શરૂ કરી દઈશું. એટલે હવે અમને 100% ભરોસો છે કે 18 ફેબ્રુઆરીએ ડાયમંડ બુર્સની અંદર આ મોટા 70 વેપારીઓ આવશે, એટલે એની સાથે મોટા દલાલો, નાના-મોટા કારખાનાદારો - બધા જ આવવા આતુર છે અને 100% અમારી ઓફિસો ધમધમતી થવાની છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે, ડાયમંડ બુર્સની અંદર 4,000 લોકોએ પોતે ટાઈમ-ટુ-ટાઈમ પેમેન્ટ આપીને ઓફિસો ખરીદી છે, એટલે પોતે પણ ઈચ્છે છે કે અમારો કારોબાર જલ્દી શરૂ થાય. કારણ કે મહિધરપુરા અને મીની બજારમાં સિક્યુરિટીનો પણ પ્રશ્ન છે, પાર્કિંગનો પણ પ્રશ્ન છે અને ત્યાં (બુર્સમાં) દુનિયાનું નંબર-1 ઇન્ફ્રાસ્ટ્રક્ચર બન્યું છે તો શા માટે ન જવું? વાત એટલી જ હતી કે થોડા માહોલના હિસાબે લોકો ઢીલા હતા, પણ હવે અમને ખાતરી છે કે 18 ફેબ્રુઆરીએ વેપારીઓ 100% આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:44 pm

એલ.જે. યુનિવર્સિટીમાં 20 જાન્યુઆરીએ દીક્ષાંત સમારોહ:બિહારના રાજ્યપાલ અરિફ મહમ્મદ ખાનના હસ્તે 4,386 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે

અમદાવાદની ખ્યાતનામ એલ.જે. યુનિવર્સિટીનો તૃતીય દીક્ષાંત સમારોહ આજે, 20 January 2026ના રોજ સાંજે 06:00 કલાકે સરખેજ કેમ્પસ ખાતે ભવ્ય રીતે યોજાશે. આ પ્રસંગે બિહારના માનનીય રાજ્યપાલ શ્રી અરિફ મહમ્મદ ખાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી દીક્ષાંત સંબોધન કરશે. આ વર્ષે કુલ 4,386 વિદ્યાર્થીઓને સત્તાવાર રીતે પદવી એનાયત કરવામાં આવશે. જેમાં 1,157 પોસ્ટગ્રેજ્યુએટ, 2,100 ગ્રેજ્યુએટ અને 1,129 ડિપ્લોમા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા 48 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણ પદક (Gold Medals) એનાયત કરી સન્માનિત કરાશે. આ ઉપરાંત પી.એચ.ડી.ના સંશોધક વિદ્યાર્થીઓને પણ ડિગ્રી એનાયત થશે. યુનિવર્સિટીના અધિકારીઓ, ગૌરવવંતા વાલીઓ અને અધ્યાપકોની ઉપસ્થિતિમાં આ સમારોહ વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનનો એક અવિસ્મરણીય પ્રસંગ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:32 pm

નવસારીમાં મરીન ટાસ્ક ફોર્સનું સઘન કોસ્ટલ પેટ્રોલીંગ:દાંડીથી સામાપોર સુધી દરિયાઈ સુરક્ષા તકેદારી માટે તપાસ

નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા તકેદારીના ભાગરૂપે સઘન કોસ્ટલ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પેટ્રોલીંગનો મુખ્ય હેતુ આતંકવાદી પ્રવૃત્તિઓ, શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ, તેમજ શંકાસ્પદ બોટ, ડ્રોન, ડ્રગ્સ પેકેટ્સ, બેગ અને કેફી પદાર્થોની હેરાફેરી અટકાવવાનો છે. આ સઘન કોસ્ટલ પેટ્રોલીંગ અધિક પોલીસ મહાનિર્દેશક અમિતકુમાર વિશ્વકર્મા (દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ), પોલીસ મહાનિરીક્ષક પી.એલ. માલ અને પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. નવસારી સેક્ટરના અધિકારીઓ અને મરીન કમાન્ડોની ટીમે આ કામગીરી કરી હતી. પેટ્રોલીંગ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દરિયાઈ વિસ્તાર દાંડીથી સામાપોર સુધીના કાંઠા વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, મરીન કમાન્ડોની અલગ અલગ ટીમો દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ, વાહનો, બોટો અને અવાવરુ જગ્યાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:31 pm

શિક્ષણ સમિતિનું રૂ.170 કરોડનું બજેટ અંગે ચર્ચા-વિચારણા:ગુરુવારે શિક્ષણ સમિતિના બજેટ અંગે સ્ટેન્ડિંગમાં ચર્ચા બાદ મંજૂરી માટે સાધારણ સભામાં મોકલવામાં આવશે

શાળાઓમાં હવે QR કોડ અને ફેસ રેકગ્નિશનથી પૂરાશે હાજરી, મરણોત્તર સહાયમાં બમણો વધારો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાપરા ખાતે શિક્ષણ સમિતિ ના ચેરમેન નિકુંજભાઈ મહેતા ના અધ્યક્ષસ્થાને ગત તા 8 જાન્યુઆરીના રોજ વર્ષ 2026-27નું 170 કરોડ રૂપિયાનું બજેટ અંગે ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, અને આ બજેટ મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યું હતું અને ગુરુવાર ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં આ બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને મંજૂરી માટે સાધારણ સભામાં મોકલવામાં આવશે, શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 69 શાળાઓ છે જેમાં ગુજરાતી માધ્યમની -66, અંગ્રેજી માધ્યમની-2 અને ઉર્દૂ માધ્યમની -1 શાળાઓનો સમાવેશ થાય છે, આ બજેટમાં વહીવટી સ્ટાફના પગાર-ભથ્થા 5954.08 હજાર, શિક્ષકો અને વિદ્યાસહાયકોના પગાર ભથ્થા 1588915.34 હજાર, ચોથા વર્ગના કર્મચારીઓ પગાર ભથ્થા 32832.98 લાખ, શેક્ષણિક અને શાળાકીય હેતુ 61669 હજાર, કાયમી પ્રોજેકટ 500 હજાર, સમિતિ વહીવટી કાર્યભાર 1957 હજાર, કચેરી વહીવટી ભાર 2280 હજાર, માહિતી અને સંદેશા 1800 હજાર, લોન-એડવાન્સીસ તથા એલ.ટી.સી 1200 હજાર, વિવિધ લક્ષી હેડ 4276 હજાર તથા સમિતિ માટે આઉટસોસીંગ સ્ટાફ ખર્ચ હેડ 4846 હજાર ના ખર્ચાઓ મળી કુલ 1706230.40 લાખ બજેટ માં ચર્ચાઓ કરવામાં આવશે, ભાવનગરના શાશનાધિકારી સમીરભાઈ જાનીએ બજેટ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, આ બજેટમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે, જેમાં ​કુલ બજેટ 1,70,62,30,400 (એકસો સિત્તેર કરોડ બાસઠ લાખ ત્રીસ હજાર ચારસો) રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ચાર શાળાઓને આદર્શ (મોડેલ) શાળા તરીકે વિકસાવવામાં આવશે, ​ભાવનગર પૂર્વ: પ્રભાશંકર પટ્ટણી શાળા નં-66 (અકવાડા) અને ચંદ્રમોલી પ્રાથમિક શાળા નં-67 જ્યારે ​ભાવનગર પશ્ચિમમાં ગિજુભાઈ બધેકા શાળા નં-75 (સિદસર) અને પ્રમુખ સ્વામી મહારાજ શાળા નં-53, વિદ્યાર્થીના આકસ્મિક અવસાનના કિસ્સામાં અપાતી મરણોત્તર સહાય 20,000 થી વધારીને 40,000 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, શાળાઓમાં પ્રથમવાર સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ પૂરા પાડવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓની હાજરી માટે ફેસ રેકગ્નિશન અને QR કોડ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને હવે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં શિક્ષણ સમિતિના બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 20 Jan 2026 12:27 pm