આમોદમાં મગરનો આતંક:ઢાઢર નદીનું પાણી ઓસરતાં શહેરમાં મગરો પ્રવેશ્યા, બે દિવસમાં બે મગરનું રેસ્ક્યૂ
આમોદ તાલુકામાં ઢાઢર નદીનું પાણી ઓસરવાના કારણે મગરો શહેરી વિસ્તારમાં પ્રવેશી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં આમોદ નગરમાંથી બે મગરોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. ગઈકાલે રાત્રે જલારામ નગર વિસ્તારમાં એક મોટો મગર જોવા મળ્યો હતો. મહેન્દ્રભાઈના ઘરના વાડા પાસેની ગટરમાંથી લગભગ 4-5 ફૂટ લાંબો મગર મળી આવ્યો હતો. મગરને જોઈને આસપાસના રહીશો ભયભીત થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમારનો સંપર્ક કર્યો. અંકિત પરમાર પોતાની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. સ્થાનિક રહીશોની મદદથી બે કલાકની મહેનત બાદ મગરને સુરક્ષિત રીતે પકડવામાં સફળતા મળી. મગરને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિક બાળકો અને લોકો એકત્રિત થયા હતા. મગરને વન વિભાગની કચેરીએ લઈ જવામાં આવ્યો છે. તબીબી તપાસ બાદ તેને નજીકના સમયમાં તેના કુદરતી નિવાસસ્થાનમાં મુક્ત કરવામાં આવશે.
રાજકોટના પીઠડીયા ટોલપ્લાઝા પર 10 સપ્ટેમ્બરના રોજ એક ઇનોવા કારચાલકે દાદાગીરી કરી બેરિયર તોડીને ટોલ ચૂકવ્યા વગર નાસી ગયો હતો. આ ઘટનાનો વીડિયો વાઇરલ થતા રાજકોટ રૂરલ પોલીસે કાયદાનો ડંડો ઉગામીને આરોપીને ઝડપી પાડ્યો છે. આ ઘટના બે દિવસ પહેલા બની હતી. જેમાં વીરપુર નજીક આવેલા પીઠડીયા ટોલપ્લાઝા પર GJ 18 BJ 3737 નંબરની ઇનોવા કારના ડ્રાઇવરે ટોલ ટેક્સ ભરવાનો ઇનકાર કર્યો હતો અને બેરિયર તોડીને ભાગી ગયો હતો. પોલીસની તપાસમાં ડ્રાઇવર ગોંડલનો અશોક કોળી હોવાનું સામે આવ્યું હતું. ડ્રાઈવરની ધરપકડ, પોલીસે માફી મગાવીપોલીસે અશોક કોળીને પકડીને તેને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે તેને માફી માંગતો વીડિયો પણ શૂટ કરાવ્યો, જેમાં તે કબૂલે છે કે તેણે પોતાના શેઠની ગાડી લઈને સીન-સપાટા કર્યા હતા. વીડિયોમાં તે પોતાની ભૂલ સ્વીકારે છે અને ભવિષ્યમાં આવી ભૂલ ફરી નહિ કરે તેવી ખાતરી આપે છે. બનાવમાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દાદાગીરી કરનારાઓને કડક સંદેશ આપ્યો છે કે કાયદાથી ઉપર કોઈ નથી. જાણો શુ હતો સમગ્ર મામલોરાજકોટના વીરપુર પાસે પીઠડીયા ટોલ પ્લાઝાના સીસીટીવી સામે આવ્યા હતા. જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલ નેઇમ પ્લેટ સાથેની GJ18 BJ 3737 નંબરની ઇનોવા કાર ચાલક રોફ જમાવતો નજરે પડ્યો હતો. ઇનોવા કાર ટોલનાકામાં પહોંચે એ પહેલા ડ્રાઇવર સાયરન વગાડીને રોફ જમાવતો નજરે પડતો હતો. આ કારમાં GOV.OF GUJARAT લખ્યું છે. જ્યાં ટોલ ટેક્ષ ભર્યા વિના જ ટોલ પ્લાઝાના કર્મીને ધમકી આપી બૂમ બેરિયર તોડીને કાર ચાલક કાર હંકારી નાશી છૂટયો હતો સમગ્ર મામલે વીરપુર પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે ટોલ પ્લાઝા તરફથી કાર ચાલક વિરુદ્ધ અરજી આપવામાં આવી હતી. દાદાગીરી કરીને બૂમ બેરીયર તોડીને ભાગ્યો હતોઇગલ ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડ પીઠડીયા ટોલ પ્લાઝાના જીવરાજ વાણવીએ વીરપુર પોલીસ સ્ટેશનના પીઆઈને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતુ કે, ભારત સરકારના ગેજેટ નોટિફિકેશન મુજબ અમો ટોલ પીઠડીયા ટોલ પ્લાઝામાં કલેક્સનનું કામ કરીએ છીએ જેમાં ટોલ પ્લાઝામાં અમુક વાહન ચાલકો દાદાગીરી કરીને ટોલ ફી ન ભરવા માટે ટોલ ગેટમાં લગાવેલ બૂમ બેરીયર તોડીને વારંવાર નુકસાન કરે છે. આ દરમિયાન 10 સપ્ટેમ્બરના સવારે 7.54 વાગ્યે એક ઇનોવા કાર આવે છે. જેમાં ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલું છે અને અંદરના ગાળામાં ગવર્મેન્ટ સાયરન છે. ટોલ પ્લાઝાનો સ્ટાફ રોકવાની કોશિશ કરે છે તો તેને મારવાની ધમકી આપે છે. જેથી અમારી નમ્ર અરજ છે કે આવી રીતે ગુંડાગીરી કરતા તેમજ સરકારી મિલકતને નુકસાન કરનારા ઇસમો ઉપર તાત્કાલિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર સામે એક સ્વિફ્ટ ડિઝાયર કારમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. આ ઘટનાને પગલે મુખ્ય રોડ પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સે ત્વરિત કાર્યવાહી કરીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. જો કે કારને નુકસાન થયું છે. સ્થાનિક પોલીસે આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે.
પાટણના સરદાર કોમ્પલેક્ષમાં આવેલા જયોના નશા મુક્તિ કેન્દ્રમાં એક યુવકની નૃશંસ હત્યાના કેસમાં સેસન્સ કોર્ટે ત્રણ આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે. 17 ફેબ્રુઆરી 2023ના રોજ મહેસાણાના 25 વર્ષીય હાર્દિક સુથારની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ મૃત્યુનું કારણ લો બીપી દર્શાવી, પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. જજ એમ.એ. શેખે ત્રણેય આરોપીઓ - ગૌરવ રાંદેરી (સુરત), જયદિપ રૂપાપરા (રાજકોટ) અને કિરણ પટેલ (મોટા કોઠાસણા)ની જામીન અરજીઓ નકારી કાઢી છે. કોર્ટે નોંધ્યું કે આરોપીઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી અને પોસ્ટમોર્ટમ પણ થવા દીધું નથી. ઘટનાની વિગતો મુજબ, આરોપીઓએ હાર્દિકને પ્લાસ્ટિકની પાઇપથી માર માર્યો હતો. તેને દોરીથી બાંધી, મોઢામાં રૂમાલ ઠાંસી દીધો હતો. માર મારતી વખતે સ્પીકરમાં ગરબા વગાડી, બૂમોનો અવાજ દબાવ્યો હતો. સીસીટીવી કેમેરા બંધ કરાવ્યા હતા. આરોપીઓએ પીડિતને નગ્ન કરી, લાઇટરથી શારીરિક ઇજાઓ પહોંચાડી હતી. કેસમાં કુલ નવ આરોપીઓ નોંધાયેલા છે. આરોપી કિરણ પટેલ 14 માર્ચ 2023થી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. સરકારી વકીલ જે.ડી. ઠક્કરે કોર્ટમાં રજૂઆત કરી હતી. કોર્ટે જણાવ્યું કે જો આરોપીઓને જામીન મળે તો તેઓ સાક્ષીઓને ધમકાવી કે લાલચ આપી શકે છે.
કતવારા પોલીસે દાહોદમાં ખાંગેલા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ₹48.16 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે આઇશર ટેમ્પોમાંથી ભૂસાના થેલાઓની આડમાં છુપાવેલી 452 પેટીઓમાં 18,696 બોટલો મળી આવી. આ દારૂની કિંમત ₹33.06 લાખ છે. પોલીસે બે આરોપીઓને પકડ્યા છે. તેમાં મધ્યપ્રદેશના ઇન્દોરના ભમરસિંગ વાલસિંગ ડાવર અને અલીરાજપુરના જીતેન્દ્રસિંગ સુમલા ડાવર નો સમાવેશ થાય છે. ત્રણ આરોપીઓ વોન્ટેડ છે. તેમાં સતનામ, કે.જી.એમ. અને એક અજાણ્યો શખ્સ સામેલ છે. આ કામગીરી પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારીના માર્ગદર્શન હેઠળ થઈ છે. જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા અને નાયબ પોલીસ અધિક્ષક જે.પી. ભંડારીના નેતૃત્વમાં કતવારા પોલીસ ઇન્સ્પેક્ટર યુ.એમ. ગાવિત અને તેમની ટીમે આ સફળતા મેળવી છે. પોલીસે ગાડી (₹15 લાખ), બે એન્ડ્રોઇડ મોબાઇલ (₹10,000) અને 60 ભૂસાના થેલા પણ જપ્ત કર્યા છે. આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે વોન્ટેડ આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
સુરતમાં ડી.જે. ઓપરેટર તરીકે કામ કરતો એક યુવાન શોર્ટકટમાં પૈસા કમાવવા માટે મોબાઈલ સ્નેચર બન્યો હોવાનું સામે આવ્યું છે. ચોકબજાર પોલીસે આ યુવાનને ઝડપી પાડી તેની પાસેથી સ્નેચિંગ અને ચોરીના 8 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. યુનિકોર્ન મોટરસાયકલ પર સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતોપોલીસના જણાવ્યા અનુસાર, પિન્ટુ રાજુભાઈ ત્રિવેદી (ઉંમર 22) નામનો આરોપી ડી.જે. ઓપરેટર તરીકે કામ કરે છે અને મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી છે. તે સુરતમાં ઝીલાની બ્રિજ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ આરોપી એક યુનિકોર્ન મોટરસાયકલ પર સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપતો હતો. તેની સાથે એક સગીર પણ આ ગુનાઓમાં સામેલ હતો, જેને પોલીસે અટકાયતમાં લીધો છે. પિન્ટુ ત્રિવેદી અને સગીર સાથીની ધરપકડ સાથે 8 ફોન જપ્તચોકબજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ સ્નેચિંગના કેસનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પિન્ટુ ત્રિવેદી અને તેના સગીર સાથી પાસેથી કુલ 8 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે, જેની કિંમત 56,000 છે. આ ઉપરાંત, સ્નેચિંગમાં ઉપયોગમાં લેવાયેલી યુનિકોર્ન મોટરસાયકલ પણ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત 55,000 છે. આમ, પોલીસે કુલ 1.21 લાખની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છેપિન્ટુ ત્રિવેદી અગાઉ પણ ઓલપાડ, લાલગેટ અને ઉત્રાણ પોલીસ દ્વારા પકડાઈ ચૂક્યો છે. આ વખતે ચોકબજાર પોલીસે તેને ઝડપી પાડીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના દર્શાવે છે કે કેવી રીતે ઝડપી પૈસા કમાવવાની લાલચ એક ડી.જે. ઓપરેટર જેવા યુવાનને ગુનાની દુનિયામાં ધકેલી શકે છે.
એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવવાની છે. AIMIM પાર્ટી ગુજરાત દ્વારા ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદના આસ્ટોડીયા દરવાજા પાસે કાર્યકર્તાઓ રોડ પર ઉતરીને શહીદો કે સન્માનમે AIMIM મેદાન મેં, ઇન્ડિયા-પાકિસ્તાન મેચને બાઈકોટ કરો જેવા નારાઓ લગાવીને વિરોધ નોંધાવ્યો હતો. પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે હુમલો કરી નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા, ત્યારે આ મેચને લઈને વિરોધ કરવામાં આવ્યો છે પહેલગામનો આતંકવાદી હુમલો હજી અમે ભૂલ્યા નથીઃ અસલમ શેખએશિયા કપમાં બંને ટીમો વચ્ચે આજે 14 સપ્ટેમ્બરના રોજ મુકાબલો હશે, ત્યારે આ મેચને રદ કરવા માટે વિરોધ થઈ રહ્યો છે. AIMIM અમદાવાદના પ્રવક્તા અસલમ શેખે જણાવ્યું હતું કે, એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનો વિરોધ કરવા માટે કાર્યકર્તાઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. 22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામ હુમલામાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે શહીદોના સન્માનમાં, અમે સરકારને ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ રદ કરવાની માગ કરીએ છીએ. પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો એને હજી સુધી અમે ભૂલ્યા નહીં. એ ઘા હજી સુધી ભર્યા નથી અને હવે મેચ થઈ રહી છે. એટલે અમારી માગ છે કે, આ મેચને રદ કરવામાં આવે. લોકોને અપીલ કરીએ છીએ કે મેચનો બહિષ્કાર કરેઃ AIMIM નેતાAIMIM પાર્ટીના નેતાએ જણાવ્યું હતું કે, ઇન્ડિયા-પાકિસ્તાનની જે મેચ થવાની છે, તેના વિરોધમાં આજે અમે સડક પર ઉતરીને ભારતના લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આ ક્રિકેટ મેચનો બહિષ્કાર કરે, જેથી આપણા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ મળી શકે. ભારત સરકાર પાકિસ્તાન સાથે ક્રિકેટ રમીને શહીદ પરિવારોના ઘા પર મીઠું ભભરાવી રહી છે, જેને અમે બિલકુલ સહન કરીશું નહીં.
અમરેલી તાલુકાના ઇશ્વરીયા ગામની સરકારી પ્રાથમિક શાળા આધુનિક શિક્ષણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બની છે. 1883માં ગાયકવાડ સરકાર દ્વારા સ્થાપિત આ શાળા આજે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. શાળામાં કુલ 436 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાંથી 324 વિદ્યાર્થીઓ અમરેલી શહેર અને આસપાસના ગામડાઓમાંથી આવે છે. શાળામાં આધુનિક કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ અને લાઇબ્રેરી છે. વિદ્યાર્થીઓને અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા ટેબ્લેટ આપવામાં આવ્યા છે. શાળામાં ઇનડોર-આઉટડોર રમતગમતની સુવિધાઓ ઉપલબ્ધ છે. કલા મહાકુંભ અને ખેલ મહાકુંભ જેવી પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ભાગ લે છે. શાળાની વિશેષતા એ છે કે અહીં 18 વર્ગખંડો છે, જે સામાન્ય શાળાઓની સરખામણીમાં વધારે છે. દરરોજ સવારે વિદ્યાર્થીઓ હનુમાન ચાલીસાથી દિવસની શરૂઆત કરે છે. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઓટોમેટિક ઘંટ વાગે છે. શાળામાં પ્લે હાઉસથી લઈને ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શિક્ષકો વિદ્યાર્થીઓમાં રહેલા ડરને દૂર કરવા માટે પણ પ્રયત્નશીલ રહે છે.
સાબરકાંઠામાં ચોમાસાનો 144 ટકા વરસાદ:ગુહાઈ-હરણાવ ડેમ 96 ટકા ભરાયા, હાથમતી જળાશયમાં આવક-જાવક સમાન
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી વરસાદે વિરામ લીધો છે. જિલ્લાના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો છે. ગુહાઈ ડેમ 96.99 ટકા ભરાયો છે અને હાલમાં તેમાં પાણીની આવક બંધ છે. હરણાવ ડેમ 96.38 ટકા ભરાયો છે જેમાં માત્ર 50 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાથમતી જળાશય 100 ટકા ભરાયેલું છે જ્યાં 865 ક્યુસેક પાણીની આવક અને જાવક સમાન છે. આના કારણે હિંમતનગરમાં હાથમતી પિકઅપ વિયરમાં ઓવરફ્લોનું પ્રમાણ ઘટ્યું છે. જિલ્લામાં અત્યાર સુધી ચોમાસામાં 144 ટકા વરસાદ નોંધાયો છે. તમામ આઠ તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. ખેડબ્રહ્મામાં સૌથી વધુ 196.59 ટકા વરસાદ નોંધાયો છે. વડાલીમાં 190.59 ટકા, ઈડરમાં 162.36 ટકા, વિજયનગરમાં 135.94 ટકા, તલોદમાં 135.64 ટકા, હિંમતનગરમાં 121.31 ટકા, પોશીનામાં 103.98 ટકા અને પ્રાંતિજમાં 103.86 ટકા વરસાદ થયો છે.
રાજકોટ મહાનગરપાલિકામાં લાંબા સમયથી ચાલી રહેલા સફાઈ કોન્ટ્રાક્ટરો દ્વારા સફાઈ કામદારોના પગાર, બોનસ અને અન્ય લાભોમાં કૌભાંડ આચરવામાં આવતું હોવાનો રાજકોટ કામદાર યુનિયન દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર કોન્ટ્રાક્ટર જી. ડી. અજમેરા હોવાનું સામે આવ્યું છે, જેણે કામદારોને લઘુતમ વેતન, પી.એફ., ઈ.એસ.આઈ. અને બોનસ જેવી સુવિધાઓથી વંચિત રાખીને રોકડમાં પગાર ચૂકવવામાં આવતો હતો. આ અનિયમિતતાઓને ઉજાગર કરવા બદલ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાને રૂ. 5,00,000 આપીને ચૂપ રહેવા માટે પ્રલોભન આપવામાં આવ્યું હતું. જોકે, બેડિયા અને તેમની ટીમે આ પ્રલોભનને નકારીને સ્ટિંગ ઑપરેશન કરીને સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. લાંચ આપવા આવેલા યુવકને એ-ડિવિઝન પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. 20 દિવસથી ફોન પર ધમકી આપવામાં આવી રહી છેઃ પારસ બેડિયારાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાના જણાવ્યા અનુસાર, છેલ્લા 20 દિવસથી તેમને આ મુદ્દે મૌન રહેવા માટે ફોન ઉપર ધમકીઓ તેમજ પ્રલોભનો આપવામાં આવી રહ્યા હતા. આજે કોન્ટ્રાક્ટર જી.ડી. અજમેરાનો સુપરવાઈઝર જયદીપ આહીર તેઓને રૂ. 5,00,000 આપવા માટે મોમાઇ ચાવાળા પાસે બોલાવે છે. પારસ બેડિયાએ પોતાની ટીમ સાથે સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઑપરેશન કરવાનું નક્કી કર્યું હતું. નિર્ધારિત સ્થળે જયદીપ આહીર 5 લાખ રૂપિયાની રોકડ સાથે હાજર થતા આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ‘કૌભાંડમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ મિલીભગત’પારસ બેડિયાએ વધુમાં જણાવ્યું કે, આ પૈસા ગરીબ કામદારોના પરસેવાના અને મહેનતના છે, અમને આવા પૈસા ન ખપે. અમે ઈચ્છીએ છીએ કે પૈસા કામદારોના બેંક ખાતામાં જમા થાય. સ્ટિંગ ઑપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય આ ભ્રષ્ટાચારને જાહેર કરીને કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશ કરવાનો હતો. સ્ટિંગ ઑપરેશન બાદ રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ તેમની ટીમ સાથે રાજકોટના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા હતા. તેમણે પોલીસ પાસે કડક કાર્યવાહીની માગ કરી છે. ‘તમામ સાબિતી પણ અમે પોલીસને આપી છે’અમે પોલીસને વિનંતી કરી છે કે, આ મામલે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે. જે પણ અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે, તેમના પર એટ્રોસિટી એક્ટ, ભ્રષ્ટાચાર વિરોધી કાયદો અને પી.એફ., ઈ.એસ.આઈ., બોનસ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે તેવી અમારી માગ છે. આ માટેની તમામ સાબિતી પણ અમે પોલીસને આપી છે. જયદીપ આહીર પાસે રહેલા રૂપિયાને અમે હાથ પણ લગાવ્યો નથી. પારસ બેડિયાને ખરીદી શકે તેવી કોઈ નોટ આ દુનિયામાં બની નથી. ‘કોઈપણ ભોગે ભ્રષ્ટાચાર ચાલવા દેશું નહીં’રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પારસ બેડિયાએ અંતમાં જણાવ્યું કે, અમારા દ્વારા આ ભ્રષ્ટાચાર સામેની લડાઈ ચાલુ રહેશે. અમે કોઈપણ ભોગે કામદારોના હક પર અન્યાય, ભ્રષ્ટાચાર કે ગેરવહીવટ ચાલવા દેશું નહીં. આ ભ્રષ્ટાચારમાં સામેલ તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે લડત ચાલુ રહેશે. આ ઘટનાથી રાજકોટના સફાઈ કામદારોના શોષણનો મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટ પ્રથામાં રહેલી ગેરરીતિઓ પર સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહે છે કે, પોલીસ અને વહીવટી તંત્ર આ મામલે શું પગલાં ભરે છે અને કામદારોને તેમનો હક ક્યારે મળે છે. આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માગઉલ્લેખનીય છે કે, આ ઘટના બહાર આવતા સમગ્ર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આ કૌભાંડમાં સામેલ તમામ આરોપીઓ સામે કડક પગલાં ભરવાની માગ કરી છે. રાજકોટ કામદાર યુનિયન સ્પષ્ટપણે જણાવી ચૂક્યું છે કે, આવનારા દિવસોમાં જો તમામ કોન્ટ્રાક્ટરો સુધરશે નહીં, તો આ જ રીતે સ્ટિંગ ઑપરેશન કરી તેનો પર્દાફાશ કરવામાં આવશે. યુનિયન દ્વારા એ પણ જણાવાયું છે કે, અમારી ઈમાનદારી પર કોઈ ક્યારેય શંકા કરી શકે તેમ નથી.
મહેસાણા-બહુચરાજી હાઈવે પર આવેલા સામેત્રા ગામ નજીક સ્થિત APN સલ્ફર પ્લાન્ટમાં ગત મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પ્લાન્ટમાં કામ કરી રહેલા બે શ્રમિકોના ગંભીર રીતે દાઝીને ભડથું થવાથી કરુણ મોત નિપજ્યા હતા, જ્યારે ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રીના સમયે APN સલ્ફર પ્લાન્ટમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની ગંભીરતાને જોતાં તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. બનાવનો કોલ મળતાં જ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે જવા રવાના થઈ હતી. જોકે, ફાયર ફાઇટરો પહોંચે તે પહેલાં જ પ્લાન્ટના કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ મેળવી લેવાયો હોવાનું જાણવા મળ્યું હતું. આગ પર કાબુ મેળવ્યા બાદ જ્યારે પ્લાન્ટમાં તપાસ કરવામાં આવી, ત્યારે સ્થળ પર બે શ્રમિકોના મૃતદેહ મળી આવતા હાહાકાર મચી ગયો હતો. આ ઉપરાંત અન્ય ચાર લોકોને ઈજાઓ પહોંચી હોવાથી તેમને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દુઃખદ ઘટના બાદ પોલીસ અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં શ્રમિકોના મોત આગમાં દાઝી જવાથી થયા છે કે પછી આગ લાગવા પાછળ કોઈ અન્ય કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસે તપાસ કેન્દ્રિત કરી છે. હાલમાં બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે અને ફેક્ટરીમાં સલામતીના નિયમોના પાલન અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
નારણપુરના નિર્ણયનગર પ્રખંડમાં શનિવાર, તારીખ 13ના રોજ ભાગવત વિભાગમાં માતૃ અને દુર્ગા અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર ગુજરાત પ્રાંતના માતૃશક્તિ સંયોજિકા જવનિકાબેને માર્ગદર્શન આપ્યું હતું. જવનિકાબેને બાળ સંસ્કાર કેન્દ્રની શરૂઆત અંગે માર્ગદર્શન આપ્યું અને પ્રાત્યક્ષિક દ્વારા સમજાવ્યું. તેમણે સત્સંગ અને પરિષદના સેવા કાર્યોની માહિતી આપી. આગામી દુર્ગા સપ્તશ્લોકી ઉત્સવ વિશે માર્ગદર્શન આપ્યું. દુર્ગા વાહિનીના પ્રાંત સંયોજિકા નુપુરબેને દુર્ગાવાહિનીની સ્થાપના અને પરિષદ વિશે માહિતી આપી. તેમણે સપ્તાહિક મિલન શરૂ કરવા અને શક્તિ સાધના કેન્દ્રો વધારવા માટે આહ્વાન કર્યું. કાર્યક્રમમાં નારણપુરા જિલ્લા મંત્રી દેવલભાઈ, સહમંત્રી અજીતભાઈ, ભાગવત વિભાગના મંત્રી ચિરાગભાઈ ચાંદલોડિયા અને જિલ્લા મંત્રી અભિષેકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન ભાગવત વિભાગના સંયોજિકા રંજનબેન અને દુર્ગા સંયોજિકા દિવ્યાબેને કર્યું. નારણપુરા અને ચાંદલોડિયા જિલ્લાની માતૃશક્તિ અને દુર્ગાની ટીમે સફળ આયોજન કર્યું. કાર્યક્રમમાં 35 માતૃશક્તિ, 6 દુર્ગા અને 4 ભાઈઓ મળી કુલ 45 લોકોએ ભાગ લીધો.
અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યામંદિર શાળામાં અમદાવાદ શહેર પોલીસ વિભાગના સ્ટુડન્ટ પોલીસ કેડેટ (એસપીસી) દ્વારા ત્રણ દિવસીય બિન નિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પમાં ધોરણ 8 અને 9ના જુનિયર તથા સિનિયર કેડેટ્સે ભાગ લીધો. કેમ્પમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પ્રાર્થના, યોગાસન, મેડિટેશન, ઇન્ડોર-આઉટડોર રમતો, પુસ્તક વાંચન અને સમીક્ષા, વક્તૃત્વ સ્પર્ધા, સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થયો હતો. વિજ્ઞાન વિભાગમાં નિષ્ણાત લોધા ભાર્ગવે વિદ્યાર્થીઓને રોબોટિક્સ અને વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો કરાવ્યા. દરિયાપુર વિસ્તારના PSI સાહેબ અને ASI અંજલી મેડમે વિદ્યાર્થીઓને સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપી તેમજ કારકિર્દી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું. કેમ્પનું સંચાલન દરિયાપુર પોલીસ સ્ટેશનના એસપીસીના DI શ્રી કિરણભાઈ અને વર્ષા મેડમ તેમજ શાળાના આચાર્ય અને CPO ધવલભાઈ અને ઈશ્વરભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું. આ કેમ્પ દ્વારા વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને સર્વાંગી વિકાસ પ્રત્યે રસ જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
રામનગર, ઉત્તરાખંડમાં આયોજિત ગ્લોબલ રાજપૂત બિઝનેસ સમિટમાં ગુજરાતના રાજપૂત વેપારીઓએ સક્રિય ભાગ લીધો. રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલના સભ્યોએ આ સમિટમાં હાજરી આપી હતી. સમિટમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા વેપારીઓએ IT, સોલાર, હોટેલ ઉદ્યોગ, ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, વીમા, વેલનેસ અને ફિલ્મ ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં વ્યાપાર વિકાસની તકો અંગે ચર્ચા કરી. MSME ક્ષેત્રના અગ્રણીઓ અને મહિલા ઉદ્યોગપતિઓએ પણ આ સમિટમાં ભાગ લીધો. આયોજકોએ આયાત-નિકાસના ક્ષેત્રમાં નવી તકો શોધવા માટે નેટવર્કિંગ સેશનનું આયોજન કર્યું હતું. સમિટનો મુખ્ય ઉદ્દેશ રાજપૂત સમાજના વેપારીઓ વચ્ચે વ્યાપારિક સંબંધો મજબૂત કરવાનો હતો.
ફ્રેન્ડ્સ ઓફ ટ્રાઈબલ્સ સોસાયટી અને એકલ અભિયાન દ્વારા વનબન્ધુ પ્રજ્ઞા સરિતા અંતર્ગત એક વિશેષ ઓનલાઈન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 14 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 11:30 કલાકે ઝૂમ એપ્લિકેશન પર યોજાશે. ગૌ વિશ્વ વિદ્યાપીઠના પ્રોવોસ્ટ અને કુલગુરુ ડૉ. હિતેશ જાની મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેશે. તેઓ અપના રસોઈ ઘર – અપના ઔષધાલય વિષય પર માર્ગદર્શન આપશે. આ સેમિનારમાં ઘરનું રસોઈઘર કેવી રીતે કુદરતી આરોગ્ય કેન્દ્ર બની શકે તે અંગે ચર્ચા થશે. ડૉ. જાની ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગરના સ્થાપક છે. તેઓ આયુર્વેદ ચિકિત્સક અને પંચકર્મ વિશેષજ્ઞ છે. તેમને 40 વર્ષથી વધુનો ક્લિનિકલ અનુભવ છે. તેમણે 40,000થી વધુ દર્દીઓની સારવાર કરી છે. તેઓ પરંપરાગત નાડી પરીક્ષણના નિષ્ણાત છે. કાર્યક્રમમાં FTSના રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશકુમાર મહેશ્વરી, વર્કિંગ પ્રેસિડેન્ટ ત્રિભુવનપ્રસાદ કાબરા, જનરલ સેક્રેટરી રૂપા અગ્રવાલ, રાષ્ટ્રીય મહિલા સમિતિના પ્રમુખ વિનિતા જાજુ અને FTS યુવાના નેશનલ કોઓર્ડિનેટર રસુ જૈન ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં જોડાવા માટે ઝૂમ Meeting ID: 889 0806 0789 અને પાસકોડ: 123નો ઉપયોગ કરી શકાય છે. આ કાર્યક્રમ દ્વારા કુદરતી જીવનશૈલી અને ઘરગથ્થુ ઉપચાર અંગે નવી દિશા મળશે.
હિન્દી ભાષા આજે વિશ્વની સૌથી વધુ બોલાતી ત્રીજી ભાષા બની ગઈ છે. ભારત અને વિશ્વના અન્ય દેશોમાં 60 કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે, વાંચે છે અને લખે છે. 1952માં હિન્દી વિશ્વની પાંચમી સૌથી વધુ બોલાતી ભાષા હતી. 1980ની આસપાસ તે ચીની અને અંગ્રેજી પછી ત્રીજા સ્થાને પહોંચી ગઈ. આજે વિદેશી કંપનીઓ પણ હિન્દી ભાષાને પ્રોત્સાહન આપી રહી છે. એમેઝોન ઈન્ડિયાએ તાજેતરમાં પોતાની હિન્દી એપ લોન્ચ કરી છે. દક્ષિણ પ્રશાંત મહાસાગરના ફિજી ટાપુમાં હિન્દીને આધિકારિક ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. ત્યાં તેને ફિજિયન હિન્દી કે ફિજિયન હિન્દુસ્તાની તરીકે ઓળખવામાં આવે છે. પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ, અમેરિકા, બ્રિટન સહિત અનેક દેશોમાં હિન્દી બોલાય છે. 2017માં ઓક્સફોર્ડ ડિક્શનરીમાં પ્રથમ વખત 'અચ્છા', 'બડા દિન', 'બચ્ચા' અને 'સૂર્ય નમસ્કાર' જેવા હિન્દી શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો. 1918માં મહાત્મા ગાંધીએ હિન્દી સાહિત્ય સંમેલનમાં હિન્દીને રાષ્ટ્રભાષા બનાવવાની પહેલ કરી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના સમયથી દર વર્ષે 14 સપ્ટેમ્બરે હિન્દી દિવસની ઉજવણી થાય છે. પ્રથમ હિન્દી દિવસ 14 સપ્ટેમ્બર 1953ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આજે હિન્દી અને અંગ્રેજી ભારતની બે વ્યવહારિક ભાષાઓ છે.
અમદાવાદમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી પાટીદાર અગ્રણી અને બિલ્ડર હિંમતભાઈ રૂડાણીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે. મર્સિડીઝ કારમાંથી દુર્ગંધ આવવાની સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બ્રિજ નીચે સફેદ કલરની પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે. આ મામલે પોલીસે અત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મૃતક પાટીદાર અગ્રણી હોવાનું સામે આવ્યુંમળતી માહિતી મુજબ, શહેરના પૂર્વ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પૂર્વ ઝોનની ઓફિસની સામેના ભાગે વિરાટનગર બ્રિજની નીચેથી સફેદ કલરની એક મર્સિડીઝ કારમાં અજાણી વ્યક્તિનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ સ્થાનિક લોકોને થઈ હતી, તેથી તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઓઢવ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ગાડીમાં તપાસ કરતા અજાણી વ્યક્તિની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ પડેલો હતો. પોલીસની તપાસમાં હિંમતભાઈ રૂડાણી નામના બિલ્ડરનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું. હિંમતભાઈ પોતે પાટીદાર સમાજના અગ્રણી છે. મૃતદેહ ઉપર ધારદાર હથિયારોના ઘાના નિશાનપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, કોઈ અજાણી વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી ગાડીમાં મૃતદેહ મૂકી દેવામાં આવ્યો હતો. રાત્રિના સમયે સ્થાનિક લોકોને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. હિંમતભાઈના મૃતદેહ ઉપર ધારદાર હથિયારોના ઘા જેવા નિશાન મળી આવ્યા છે, જેથી કોઈ વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવી હોવાનું જણાવ્યું છે. ઓઢવ પોલીસે રાત્રે હિંમતભાઈના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે મોકલી આપ્યો છે. આ સમગ્ર મામલે ઓઢવ પોલીસ દ્વારા ગુનો નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ તેમજ તેમની કોલ ડિટેઈલ વગેરેનાં આધારે વધુ તપાસ હાથ ધરી છે. છેલ્લે દીકરાએ 11 વાગ્યે રિંગ રોડ પર જોયા હતાંપોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તેમની ગાડીના ડેકીમાં મૃતદેહ મૂકવામાં આવ્યો હતો. શરીર પર ચપ્પાના ઘા મારીને હત્યા કરી હોય તેવા નિશાન મળ્યા હતા. બિલ્ડર હિંમતભાઈ સવારે પોતાના ઘરેથી કન્સ્ટ્રક્શન સાઇટ પર જવા નીકળ્યા હતા. 11 વાગ્યે મૃતકના દીકરાએ મૃતકને રિંગ રોડ પર પસાર થતા જોયા હતા. હત્યા પૈસાની લેતી દેતીમાં થઇ હોવાની પોલીસને શંકા છે. હાલ પોલીસે પૂછપરછ અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં હેલ્મેટ જાગૃતિ માટે પોલીસની પહેલ:સરસપુર બ્રિજથી મેમકો સુધી પોલીસ કર્મીઓની બાઇક રેલી યોજાઈ
અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર ચાલકોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ લાવવા માટે પોલીસે નવતર પહેલ કરી છે. ઝોન 3ના ડીસીપીના નેતૃત્વમાં 13 સપ્ટેમ્બરે એક વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરસપુર બ્રિજથી શરૂ થઈ અમદુપુરા થઈને મેમકો ચાર રસ્તા સુધી પહોંચી હતી. રેલીમાં જોડાયેલા તમામ પોલીસ કર્મચારીઓએ હેલ્મેટ પહેરીને ટુ વ્હીલર ચલાવ્યા હતા. ગુજરાતના વિવિધ શહેરોમાં હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે પ્રેરિત કરવાનો છે. પોલીસનો આ પ્રયાસ લોકોમાં હેલ્મેટ પહેરવાની આદત વિકસાવવા માટે મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. ડીસીપી, એસીપી અને પીઆઈ તમામ દ્વારા જે લોકોએ હેલ્મેટ નહોતા પહેર્યા તેમને હેલ્મેટ પહેરાવવામાં આવ્યા હતા. જ્યારે પોલીસે તેઓને પૂછ્યું કે તમે કેમ હેલ્મેટ નથી પહેરતા તો તેમણે એવા જવાબ આપ્યા હતા કે હેલ્મેટ મોટું પડે છે, માથામાં આવતું નથી, હું ખાલી શાકભાજી લેવા નીકળી અને હેલ્મેટ નથી પહેર્યું, વગેરે જેવા કારણો દર્શાવવામાં આવ્યા હતા. જોકે તમામ લોકોને હેલ્મેટ પહેરવા માટે પોલીસે જણાવ્યું હતું.
પંજાબમાં આવેલી ભીષણ પૂર પરિસ્થિતિમાં મદદ માટે અમદાવાદની સામાજિક સંસ્થા આગળ આવી છે. મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પૂર પીડિતો માટે રાહત સામગ્રી મોકલવામાં આવી રહી છે. પંજાબમાં 23 જિલ્લાના 1900 ગામો સંપર્ક વિહોણા બન્યા છે. છેલ્લા 50 વર્ષમાં આવી સૌથી મોટી આફત આવી છે. પશુધન અને ખેતીને વ્યાપક નુકસાન થયું છે. લોકોએ જીવ બચાવવા રોડ પર આશરો લીધો છે. ફાઉન્ડેશન દ્વારા 10 સપ્ટેમ્બર 2023ના રોજ રાહત સામગ્રી રવાના કરવામાં આવી છે. સ્થાનિક ધારાસભ્ય અમિતભાઈ ઠાકરે આ રાહત કાર્યને લીલી ઝંડી આપી છે. રાહત સામગ્રીમાં ચાદરો, રૂમાલ, વાસણ, મચ્છરદાની, ચંપલ અને ગાદલાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 5000 ફૂડ પેકેટ, 200 કિલો લાડુ અને 200 કિલો ચવાણું પણ મોકલવામાં આવ્યું છે. જયપુરથી દરરોજ 1500 લોકો માટે ભોજન સામગ્રી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થા લોકોને યથાશક્તિ દાન કરવા અપીલ કરી રહી છે.
નવરાત્રિ પર્વની ઉજવણી અંતર્ગત મનોદિવ્યાંગ લાભાર્થીઓ માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. નવજીવન કલ્ચર એક્ટિવિટી ગ્રુપ ફોર ઇન્ટેલેક્ચુઅલ ડિસેબલ્ડ દ્વારા વિનામૂલ્યે ગરબા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં 30 જેટલા મનોદિવ્યાંગ લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કોરિયોગ્રાફર કૃતિકાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ, લાભાર્થીઓને એકતાલી, બેતાલી, ત્રણતાલી, હિંચ, રાસ અને ટીમલી જેવા વિવિધ પ્રકારના ગરબા શીખવવામાં આવ્યા. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ મનોદિવ્યાંગ વ્યક્તિઓને નવરાત્રિની ઉજવણીમાં સક્રિય રીતે ભાગ લેવા સક્ષમ બનાવવાનો છે. વર્કશોપ દ્વારા તેમને ગરબાના મૂળભૂત સ્ટેપ્સની તાલીમ આપવામાં આવી, જેથી તેઓ પણ નવરાત્રિ દરમિયાન આત્મવિશ્વાસ સાથે ગરબા રમી શકે.
સંઘ પ્રદેશ દિવમાં ચાલી રહેલી રાષ્ટ્રીય મહિલા આયોગની ત્રિદિવસીય બેઠક દરમિયાન આજે શનિવારે મહત્વપૂર્ણ મુલાકાત યોજાઈ. આયોગના અધ્યક્ષ વિજયા રાહટકર સહિત દેશના 22 રાજ્યોના કલેક્ટર અને એસપી સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા. અધિકારીઓએ સોમનાથ મહાદેવને જળાભિષેક અને પૂજા-અર્ચના કરી. ત્યારબાદ પ્રભાસતીર્થના હિરણ, કપિલા અને સરસ્વતી નદીના પવિત્ર ત્રિવેણી સંગમ ઘાટ પર સંધ્યા મહાઆરતીમાં ભાગ લીધો. સ્થાનિક સોમપુરા તીર્થ પુરોહિતોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કરાવી. બનારસના ગંગા ઘાટની જેમ અહીં પણ નિત્ય સંધ્યા મહાઆરતી થાય છે. વર્તમાનમાં મેઘમહેરને કારણે ત્રિવેણી સંગમ ઘાટ જળમગ્ન છે. તીર્થ પુરોહિતોએ કમર સમા પાણીમાં ઊભા રહીને ત્રિવેણી માતાની દિવ્ય મહાઆરતી કરી. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રાહટકરે જણાવ્યું કે દેશના પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કરી દિવ્યતાની અનુભૂતિ કરી. તેમણે સોમનાથ મંદિરના ઐતિહાસિક પુનર્નિર્માણને યાદ કર્યું અને દેશની પ્રગતિ તથા મહિલાઓના સન્માન માટે પ્રાર્થના કરી. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાય સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા. સોમપુરા તીર્થ પુરોહિત સમાજના ઉપપ્રમુખ જયવર્ધન જાની સહિતના પુરોહિતોએ તમામ મહાનુભાવોનું અભિવાદન કર્યું.
વલસાડ જિલ્લામાં શનિવારે વરસાદી માહોલ જામ્યો છે. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. શનિવારે સવારે 6 થી રાત્રે 12 કલાક દરમિયાન વાપી તાલુકામાં સૌથી વધુ 27 મિમી વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય વિસ્તારોમાં વલસાડ તાલુકામાં 14 મિમી, ધરમપુર તાલુકામાં 18 મિમી, પારડી તાલુકામાં 25 મિમી, કપરાડામાં 19 મિમી અને ઉમરગામ તાલુકામાં 16 મિમી વરસાદ ડિઝાસ્ટર વિભાગના રેકોર્ડ મુજબ નોંધાયો છે. વરસાદને કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. 6,389 ક્યુસેક પાણીની આવક સાથે ડેમનું લેવલ વધીને 78.10 મીટરે પહોંચ્યું છે. હાલમાં ડેમના તમામ દરવાજા બંધ રાખવામાં આવ્યા છે. પારડી હાઇવે પર વલ્લભ આશ્રમ સ્કૂલ પાસે NHAI વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. આના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. વલસાડ હાઇવે પર બિસ્માર માર્ગો અને વરસાદી પાણીના નિકાલની અયોગ્ય વ્યવસ્થાને કારણે વાહનોની ગતિ ધીમી પડી છે. સ્થાનિક લોકોએ NHAIની ટીમ પાસે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે.
ભુજ શહેરના મુન્દ્રા રોડ પર સ્થિત પ્રસિદ્ધ શનિદેવ મંદિરે 18મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સવારથી સાંજ સુધી હજારો ભાવિક ભક્તોએ શનિદેવના દર્શનનો લાભ લીધો. દિવસ દરમિયાન હવન, પૂજન-અર્ચન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા સમયે યોજાયેલી મહાઆરતીમાં મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાયા. ત્યારબાદ મંદિર સમિતિ દ્વારા આયોજિત મહાપ્રસાદનો લાભ પણ હજારો ભાવિકોએ લીધો. આ સમગ્ર કાર્યક્રમની આયોજન વ્યવસ્થા રીતેન ગોર, મેરુભા જાડેજા, વિરભદ્રસિંહ જાડેજા અને જયરાજસિંહ વાઘેલા દ્વારા સંભાળવામાં આવી હતી.
કરુણાંતિકા સર્જાઈ:માછણ નદીમાં પગ લપસી પડતાં ડૂબી ગયેલા યુવકનું મોત
થેરકા ગામે 11 સપ્ટેમ્બરે એક કરુણ ઘટના બની હતી. જેમાં 35 વર્ષના યુવાન સુરેશભાઈ આમલીયાર નદીમાં ડૂબી જતા અવસાન થયું હતું. સાંપોઇ ગામના મૃતક સુરેશભાઈ તેઓ પોતાના પરિવાર સાથે માતાના અસ્થિ વિસર્જન માટે થેરકાની માછણ નદી ખાતે ગયા હતા. વિધિ દરમિયાન તેઓ નદીના પુલ પાસે ઉતરીને નદીના પાણીમાં અસ્થિ વિસર્જિત કરી રહ્યા હતા. ત્યારે અચાનક પગ લપસી જતા નદીમાં પડ્યા હતા. સ્થાનિકો અને પરિવારે બચાવ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વહેણ અને ઊંડાણના કારણે તેઓને બચાવી શકાયા નહીં. પોલીસે ઘટનાની જાણકારી મળતાં જ તરત ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. મૃતદેહને બહાર કાઢીને સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે હાલ ઘટનાની તપાસ ચાલુ છે અને જરૂરી કાયદેસર પગલાં લેવાશે. મૃતકના પિતા ભારે દુઃખ સાથે પોલીસમાં જાણ કરી હતી. આ દુર્ઘટનાએ ગામમાં શોકની લાગણી વ્યાપી છે.
દારૂ ઝડપાયો:રામપુર ગામે ઘરમાં ઉતારેલા દારૂ સાથે 2 ઝડપાયા, 2 વોન્ટેડ
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના રામપુર ગામેથી હેરાફેરી માટે ઘરમાં ઉતારેલા દારૂ સાથે બે શખ્સો ઝડપાયા હતા. જ્યારે બે ફરાર થઇ ગયા હતા. 98,520 રૂા.ના દારૂના 456 ક્વાર્ટરિયા અને એક મોટર સાયકલ મળી 1,48,520 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ચાર સામે ધાનપુર પોલીસે કાર્યવાહી કરી હતી. ધાનપુર પોલીસ મથક સ્ટાફના માણસો ગતરોજ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન રામપુર ગામનો અમરસિંહ જેઠા પટેલ તેના ઘરે દેવગઢ બારિયાના વિરોલ ગામના મહેશ સર્જન કોળી તથા ડાંગરીયા ગામનો અમરત સોમા કોળીએ દારૂ મુકી રાખેલ છે. ત્યાંથી મોટર સાયકલ ઉપર લઇ જવાના તેવી ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે બાતમીવાળી જગ્યાએ દારૂની રેઇડ કરતાં ઘરની આગળ બાઇક અને ઘરમાં બે વ્યક્તિ હાજર મળી આવ્યા હતા. પુછપરછ કરતાં એકે પોતાનું નામ અમરસિંહ જેઠા પટેલ તથા બીજાએ મહેશ સર્જન કોળી જણાવ્યું હતું. જ્યારે અમરત સોમા કોળી અને મહેશ સર્જન કોળી ભાગી ગયા હતા. 98,520 રૂા.ના દારૂના 456 ક્વાર્ટરિયા તથા એક મોટર સાયકલ મળી 1,48,520 રૂા.નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બે તથા વોન્ટેડ બે મળી ચાર સામે ધાનપુર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
નેશનલ લોક અદાલત:દાહોદ જિ.માં નેશનલ લોક અદાલતમાં 5.37 કરોડથી વધુનો વળતર ચૂકવાયું
કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીંના ઉદ્દેશ્ય સાથે આજે દાહોદ જિલ્લા અદાલતમાં નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નામદાર નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ આ લોક અદાલતનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, દાહોદ દ્વારા નામદાર ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે.એન. વ્યાસના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં દાહોદ જિલ્લાના વિવિધ અદાલતોમાં અને પ્રિલિટિગેશન સ્ટેજ પર કુલ 51,213 કેસો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6,954 કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. સમજૂતીના આધારે કુલ રૂા. 5,37,47,805નો વળતર આપવામાં આવ્યો છે. નોંધપાત્ર રીતે, પેન્ડિંગ કેસોમાંથી 20.6% કેસોનો નિરાકરણ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં ખાસ કરીને બેંક રિકવરી કેસો, મોટર અકસ્માત વળતર કેસો, ચેક રિટર્ન કલમ 138, વીજ બિલ વિવાદો, અને ઈ-મેમો જેવી અરજીઓનો ઉકેલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલત દ્વારાનું આયોજન જાહેર જનતાને ઝડપી અને સહજ ન્યાય આપવા દિશામાં એક વધુ સફળ પગલું સાબિત થયું છે.
ચોરીનો મામલો આવ્યો સામે:નાનસલાઇમાં રાત્રે બંધ મકાનના તાળા તોડી રોકડા અને દાગીના મળી 1.65 લાખની ચોરી
ઝાલોદના નાનસલાઇ ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર તસ્કરો મુખ્ય દરવાજાનું તાળુ તોડી તિજોરીમાં મુકેલા રોકડા 70 હજાર અને સોના-ચાંદીના દાગીના મળી 1,65,000 રૂા.ની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ સંદર્ભે બે મહિના બાદ ઝાલોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝાલોદના નાનસલાઇ ગામના પ્રજેશકુમાર અશ્વિનભાઇ પટેલ તા.12 જુલાઇના રોજ તેમની પત્નીને લઇને સાસરી રણીયાર ગામે ગયા હતા. જ્યાં તેઓ રાત રોકાયા હતા. તે દરમિયાન રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેમના બંધ ઘરને નિશાન બનાવી આગળના મુખ્ય દરવાજાને મારેલ તાળું તોળી અંદર પ્રવેશી ઘરનો સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તિજોરીમાં મુકી રાખેલ રોકડા રૂા.70,000, સોના ચાંદીના દાગીના જેમાં સોનુ મંગળસુત્ર એક અંદાજે 30,000, સોનાની ચેઇન બે અંદાજે રૂા.50,000, સોનાની વિંટી નંગ 3 અંદાજે રૂા.15,000 અને ચાંદીની ગાય એક અંદાજે 500 રૂા.ની મળી કુલ 1,65,000 રૂા.ની મત્તા ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બીજા દિવસે સવારે પ્રજેશકુમાર અને તેમના પત્ની ઘરે આવતા મુખ્ય દરવાજાનું તાળુ તુટેલું અને દરવાજા ખોલા જોવા મળતાં અંદર જઇને તપાસ કરતાં ઘરમાં ચોરી થઇ હોવાનું જણાવ્યું હતું. ઘરમાં સોના ચાંદીના દાગીના રાખેલ તેની ચોક્કસ ખબર ન હોવાથી જે તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. આ સંદર્ભે પ્રજેશકુમારે બે મહિના બાદ ઝાલોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
MGVCL દ્વારા મેગા ચેકિંગ ડ્રાઇવ:દાહોદમાં MGVCLના સપાટામાં 19 ગ્રાહકોને ₹60 લાખનો જંગી દંડ
દાહોદ શહેર અને જિલ્લામાં વીજચોરીના દૂષણને ડામવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા મેગા ચેકિંગ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં 15 ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મોટા પાયે વીજ ચોરી પકડાતાં ખળભળાટ મચી ગયો છે. દાહોદ MGVCLના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ કંપનીની 15 જેટલી ટીમોએ દાહોદ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન કુલ 447 વીજ કનેક્શનોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. આ સઘન તપાસમાં 19 જેટલા વીજ કનેક્શનોમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાનું માલૂમ પડ્યું હતું. કેટલાક કિસ્સાઓમાં મીટર સાથે ચેડાં તો કેટલાકમાં સીધા જ વાયર નાખીને વીજચોરી કરાતી હતી. જેની સામે કાર્યવાહી હાથ ધરી હતી અને તમામ 19 કસૂરવાર કનેક્શન ધારકોને કુલ ₹60 લાખનો જંગી દંડ ફટકાર્યો છે. 20 દિવસથી દાહોદ શહેર તથા વિસ્તારોમાં તથા ગામો માં MGVCLની ટીમે 100 થી ઉપર મીટરોને ગ્રાહક ની હાજરી માં મીટરો શંકાસ્પદ લાગતા મીટરને પડીકું વાડી સીલ કરી તથા એ જ જગાએ બીજું મીટર લગાડી સદર ગ્રાહકોને નોટિસ આપી ટોટલ 100 માંથી 53 ગ્રાહકો માંથી 47 વીજ મીટરમાં ચેડા નીકળેલ છે તથા આજદિન સુધી એક કરોડથી વધુની વીજ ચોરી મળી આવેલ છે. તથા જે મીટર ની અંદર વીજ ચેડા મળેલ છે તેવા ગ્રાહકોને 135 કલમ હેટલ વીજ ચોરી નો ગુનો દાખલ કરવામાં આવશે. ભાસ્કર ઇનસાઇડકયા પ્રકારની મોડ્સ ઓપરેન્ડીથી વીજ ચોરી કરાય છે 109માંથી 32 મીટરમાંછેડછાડની પુષ્ટિ, બાકીના 74મીટરનું લેબ ટેસ્ટિંગ બાકીદાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાંક દિવસોથી એમજીવીસીએલ દ્વારાવિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાઇ રહ્યુ છે. ત્યારેઅત્યાર સુધી 109 શંકાસ્પદ વીજ મીટર જપ્ત કરવામાં આવ્યાછે. લેબ ટેસ્ટિંગ બાદ 32 મીટરમાં છેડછાડ થયેલી હોવાની પુષ્ટિથઈ છે જ્યારે બાકીના 74 મીટરની તપાસ હજી બાકી છે. ચેકિંગદરમિયાન વપરાશ વધારે અને બિલ ઓછું હોવાનું સામેઆવતા મીટરમાં બાયપાસ, લોડ વિસંગતિ તથા ડિસ્પ્લે ચેડાંજેવી ગેરરીતિઓ ઝડપાઈ. હવે છેડછાડ કરનારાઓ સામે દંડઅને વધારાનું બિલ વસૂલાશે. વીજ ચોરી અટકાવવાMGVCLની કાર્યવાહીથી દાહોદ શહેરમાં હલચલ સાથે ફફડાટમચી ગયો હતો.
પોલીસ કાર્યવાહી:ઝાલોદમાં શંકાસ્પદ હાલતમાં પકડાયેલા શખ્સ સામે કાર્યવાહી
ઝાલોદ શહેર પોલીસ સ્ટાફ ગત રાત્રે નિયમિત નાઇટ પેટ્રોલિંગમાં હતો. ત્યારે રાત્રે અંદાજે 1:15 વાગ્યાના અરસામાં ગોકુલધામ સોસાયટી સામે આવેલા કોટના પાછળના ભાગે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં લપાતો છુપાતો દેખાયો હતો. પોલીસે તરત જ તેને પકડી પુછપરછ હાથ ધરી હતી. તપાસમાં તેણે પોતાનું નામ શૈલેષ કાળુ સુવર (રહે. છાસીયા) જણાવ્યું હતું. પોલીસ દ્વારા મોડી રાત્રે તેના ત્યાં હોવાના કારણ વિશે પૂછવામાં આવતા તે કોઈ સંતોષકારક જવાબ આપી ન શક્યો અને ગોળમટોળ બોલવા લાગ્યો હતો. મળેલી પ્રાથમિક માહિતી અને સ્થિતિને આધારે શૈલેષ પર મિલકત વિરોધી ગુનાનો ઈરાદો હોવાનો શંકાસ્પદ અનુમાન વધ્યું હતું.
પ્રજાજન પરેશાન:ભુવાબારની બસ કોરોના કાળથી બંધ હોવાથી લોકો પગપાળા જવા મજબુર
ખાનપુરના ભુવાબાર ગામની બસ સેવા કોરોનાકાળથી બંધ કરવામાં આવી હતી. જે ફરી શરૂ ન કરતા ગ્રામજનોને ચાલતા ખાનપુર અવર જવર કરવી પડી રહી છે. તંત્ર દ્વારા એસટી બસ પુન: શરૂ કરે તેવી ધારાસભ્ય સુધી રજુઆત કરેલ હોવા છતા બસ શરૂ ન કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ખાનપુર તાલુકાના ગામોમાં મુખ્યત્વે આદિવાસી લોકો વસવાટ કરે છે. ખેતીકામ, શુપાલન અને ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. કેટલાક લોકો મજૂરી કામ માટે તો કેટલાક લોકો નોકરિયાત વર્ગ છે. તાલુકાના ભુવાબાર ગામના 45 વર્ષથી ચાલતી બસ સેવા કોરોના સમયે બંધ કરી દેવાતા ગ્રાજનોને ખાનપુર આવવા પગપાળા જવુ પડતુ હોય છે. ભુવાબારના ગ્રામજનોને ખાનપુર પહોંચવા 10થી 12 કિમી ચાલવું પડે છે. જ્યારે ભુવાબારથી આગળ પૂજેલાવ ગામના લોકોને ખાનપુર સુધી પહોંચવું હોય તો 15થી 17 કિમી ચાલવું પડે છે. કોરોના પછી ગ્રામજનોને પરિવહન સુવિધા ના મળવાના કારણે હાલાકી વેઠી રહ્યા છે. ગ્રામજનો કહી રહ્યા છે કે અમારા બાળકો ભણવા જાય છે એમને ચાલતા જવું પડે છે. નોકરી કરવા જતા લોકો હોય કે રોજકામ માટે જતા લોકોને પણ મુશ્કેલી પડે છે. અમે અનેક ધારાસભ્યો સુધી કોરોના સમયે જે બસો બંધ થઈ તે શરૂ કરવામાં આવે તેવી રજૂઆતો કરી છે. બસ શરૂ થાય તો ગ્રામજનોને પડતી મુશ્કેલી દુર થાય પરંતુ અમારૂ કોઇ સાંભળવા તૈયાર જ નથી. બસ પુન: શરૂ કરવામાં આવી નથીખાનપુર તાલુકાના બાકોર ખાતે નવા એસટી બસ સ્ટોપના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્ય શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની ઉપસ્થિતિમાં જાહેરમંચ પરથી કોરોના વખતના કેટલાક બસ રૂટ બંધ થયેલા છે. તે શરૂ કરવા રજૂઆત કરી હતી. પરંતુ એક પણ બસ પુન: શરૂ કરવામાં આવી નથી. જેથી અંતરીયાળ ગામના લોકોને મુશ્કેલી પડી રહી છે. - ગુલાબસિંહ ચૌહાણ, ધારાસભ્ય, લુણાવાડા ધારાસભ્યે કાલે ફોનથી વાત કરી હતીઅમને હજી કોઈ રજુઆત મળી નથી હાલ એ ગામની એક બસ ચાલુ છે. થોડા દિવસ અગાઉ ધારાસભ્યે મૌખિક ચર્ચા કરી હતી. કાલે ફોનથી વાત કરી હતી. - મહેન્દ્રભાઈ ડામોર, એસટી વિભાગીય નિયામક, ગોધરા
નિચાણવાળા વિસ્તારોને કરાયા સાવચેત:કડાણામા પાણીની આવક ઘટતા દરવાજા બંધ કર્યા, ભયજનક સપાટી 2 ફૂટ દૂર
મહીસાગર જિલ્લામાં તથા ઉપરવાસમાં ગત દિવસોમાં ભારે વરસાદને લઇને કડાણા ડેમમાં સતત પાણી આવક થઇ રહી હતી. ડેમનું રૂલ લેવલ જાળવવા ડેમ પ્રસાશન દ્વારા ડેમના દરવાજા ખોલી મહી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ હતુ. ડેમમાંથી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહેતા નિચાણવાળ વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા હતા. હાલ એક અઠવાડિયાથી જિલ્લામાં તથા ડેમના ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા કડાણા ડેમના પાણીની આવકમાં પણ ઘટાડો નોંધતા ડેમ તેની ભયજનક સપાટી 419 કરતા બે ફુટ ઓછી એટલે 417 ફુટ છે. ડેમમાં જળ સંગ્રહ માટે ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યાં છે. અને ડેમમાંથી પાવર હાઉસ મારફતે 20,400 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ 500 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઇ રહ્યું છે. અત્યારે પાણીની કુલ જાવક 20,900 ક્યુ. છે. હાલમાં 60 મેગાવોટના ચાર યુનિટ કાર્યરત રાખ્યા છે જેમાં 240 મેગા વોટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. કડાણા ડેમ તેની મહત્તમ સપાટીથી દૂર રહેતા પ્રશાસન દ્વારા આવક જાવક સરખી રાખવામાં આવી રહી છે.
ગંભીર અકસ્માત સર્જાયો:કદવાલી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં ત્રણને ઇજા
નેત્રંગ તાલુકાના કદવાલી ગામ નજીક કાર પલટી મારતા એક બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં કુલ 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. પિંગોટ ગામના વસંત ચૌધરી બાઈક લઈને મોબાઈલ રીપેર કરાવવા ગયા હતા જે મોબાઇલની દુકાને આપી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન કદવાલી ગામના બસ સ્ટેન્ડ નજીકના નાળા પાસે આવતા સામેથી આવતી એક કાર તેમની મોટરસાયકલ નજીક પલટી ખાઇ ગઇ હતી. આ દરમિયાન કારની ટક્કર વાગતા બાઇક ચાલક ઉછળીને નીચે ફંગોળાયો હતો. જેના બાઈક ચાલને સહિત કારમાં બેઠેલા બે આમ 3 વ્યક્તિને ઇજા પહોંચતા નજીકના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. બાઇક ચાલક વસંત ચૌધરીને જમણા પગે ફ્રેક્ચર જાણતા વધુ સારવાર માટે સુરત લઇ જવામાં આવ્યા હતા. પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કાર્યવાહી:ભરૂચમાં ભાડુઆતોની નોંધણી નહિ કરાવનારા 20 સામે કાર્યવાહી કરાઇ
ભરૂચ જિલ્લામાં મકાન કે દુકાન ભાડે આપતાં પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાં ભાડુઆતોની નોંધણી કરાવવી ફરજિયાત છે. એસઓજીની ટીમે વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરીને જાહેરનામાનો ભંગ કરનારા 20 મિલકતધારકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. અસામાજીક તત્વો મકાન કે દુકાન ભાડે રાખી ગુનાહિત પ્રવૃતિને અંજામ આપતાં હોવાની ઘટના બાદ ભરૂચમાં સલામતીના કારણોસર જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે અન્વયે કોઇ પણ મિલકતધારકે મકાન કે દુકાન ભાડે આપતાં પહેલાં ભાડુઆતોની નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે એસઓજી દ્વારા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલી તપાસમાં મકાન અને દુકાન ભાડે આપવામાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 20 માલિકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ તમામ સામે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223(બી) હેઠળ ગુના દાખલ કર્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ અસામાજિક તત્વોને શહેરમાં મિલકતો ભાડે મેળવી ગેરકાયદે પ્રવૃત્તિઓ કરતા અટકાવવાનો છે.
કલેકટર દ્વારા ઓચિંતી મુલાકાત:દાહોદ એપીએમસીની કલેક્ટરે ઓચિંતી મુલાકાત લીધી
દાહોદ જિલ્લા કલેકટરે દાહોદ એપીએમસીમાં ઓચિંતી મુલાકાત લઈ ખાતર અને નેનો યુરિયા સહિતના જથ્થાનું રૂબરૂ નિરીક્ષણ કરી માહિતી મેળવી હતી. કલેક્ટરે એપીએમસીના સંચાલક પાસે અનાજના જથ્થા અને વેચાણ, ખરીદી તેમજ વાર્ષિક ટર્ન ઓવર વિશે માહિતી મેળવી હતી. ખેડૂત મિત્રોને ખરીદી, ભાવ, સબસિડી વિશે વિગતે જાણકારી આપી હતી. ખોળ ખાતરનો ખેતીમાં કઈ રીતે ઉપયોગ કરવાથી વધુ અસરકારક રહે છે, તે અંગે માહિતી આપી હતી. સમયસર નિયમસર ભાવમાં ખેડૂતોને ખાતર મળી રહે તે માટે જરૂરી સૂચન કર્યા હતા.
નાગપુરમાં ઘરની બાલ્કનીમાંથી પસાર થતો ફ્લાયઓવર ચર્ચાનો વિષય બન્યો, મગજ ચકરાવે ચઢી જશે
Nagpur Bridge News : નાગપુરમાં નવો બંધાતો ફલાયઓવર બ્રિજ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે આ ફલાયઓવરનો એક હિસ્સો અશોક ચોક સ્થિત એક મકાનની બાલકનીમાંથી પસાર થાય છે. આ બાલકનીનું દ્રશ્ય સોશ્યલ મિડિયામાં વાઈરલ થયા બાદ દૂર દૂરથી લોકો આ બાલકની જોવા ઉમટવા માંડયા છે. નાગપુરમાં દિગોરી અને ઈંદોરાને જોડતા સૌથી લાંબા ફલાયઓવર બ્રિજનું બાંધકામ આગળ વધી રહ્યું છે. આ બ્રિજનો એક ભાગ અશોક ચોકમાં રહેતા પ્રવીણ પત્રેના મકાનની બાલકનીની અંદરથી પસાર થાય છે.
બ્રિજનું નિરીક્ષણ કરાયું:છોટાઉદેપુર ઓરસંગ બ્રિજનું ટેસ્ટિંગ કરાયું
છોટાઉદેપુર જિલ્લાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ-56 પર આવેલ ઓરસંગ પુલ, સુવાલ પુલ તથા ફેરકુવા પુલ તેમજ સદર રોડ પર આવેલ વિવિધ પુલો આશરે 60 વર્ષ કરતાં વધુ જુના હોઈ સલામતી અર્થે સદર પુલોની વિગતવાર ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે શનિવારે છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ જતા ઓરસંગ બ્રિજ ટેસ્ટીંગ કરવાની કાર્યવાહી ચાલુ છે. પરંતુ પુલોમાં સ્પાનમાં નીચે પાણી હોવાથી ચકાસણી થઈ શકે તેમ ન હોવાથી સ્પાન માટે MBIU (Mobile Bridge Inspection Unit)થી ચકાસણી કરવામાં આવી રહી છે. હોવાથી મશીનની પહોળાઈને ધ્યાને લઈ પુલો પરથી અન્ય વાહનો પસાર થઈ શકે તેમ ન હોઈ તેથી સદર પુલ ઉપર વાહનવ્યવહાર બંધ રાખવામાં આવ્યો છે. આ કામગીરી માટે ડાયવર્જન અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ ગાર્ગી જૈન છોટાઉદેપુર દ્વારા જાહેરનામું પણ પ્રસિધ્ધ કરાયું હતું. હાલમાં બ્રીજની ચકાસણી ચાલુ છે. જેનું ટેસ્ટીંગ કરી શું રિપોર્ટ આવે છે એ જોવાનું રહ્યું. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. હાલ પૂરતું પ્રજાને વાહન વ્યવહાર ખોરવાઈ જવાથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
આખલાને લીધે અકસ્માત:માંડવા પાસે આખલો વચ્ચે આવી જતાં 3 વાહન અથડાયાં, ચાર ઇજાગ્રસ્ત થયા
અંકલેશ્વરના માંડવા પાસે વિકાસ હોટલ પાસે આખલાના લીધે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયો હતો. વિકાસ અને આરામ હોટલ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો જેમાં 4 થી વધુ લોકો ઇજા પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઇવે પર પુરપાટ વાહનો પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન એક આખલો વચ્ચે આવી જતાં તેને બચાવવા જતા પીકઅપ ગાડીના ચાલકે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા તેની સાથે ભટકાયા બાદ ગાડી આઇસર ટેમ્પા અને ટ્રક સાથે ટકરાઈ હતી. આ જોરદાર ટક્કર માં પીકઅપ ગાડી અને આઇસર ટેમ્પો રોડ પર પલટી મારી ગયો હતો. તો ટ્રક રોડ સાઈડ ડિવાઈડર માં ભટકાઈ હતી. અકસ્માતમાં આઇસર ટેમ્પો ચાલક, પીકઅપ ચાલક સહીત 4 વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે. જેમને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એન.એચ.આઈ ટીમને થતા સ્થળ પર દોડી આવ્યા હતા અને અકસ્માત ગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક પુનઃ કાર્યવંતિત કર્યો હતો.
નર્મદા ડેમ સંપૂર્ણ ભરાવવાને આરે:નર્મદા ડેમની સપાટી 136.36 મીટર, પૂર્ણ સપાટીથી હવે માત્ર 2 મીટર દૂર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 17મી સપ્ટેમ્બરના રોજ જન્મદિવસે નર્મદા ડેમને 138.68 મીટરની પૂર્ણ સપાટીથી ભરવાની તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતાં સરદાર સરોવરમાં 1.20 લાખ કયુસેક પાણી આવી રહયું છે. ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા વધુ 5 દરવાજાઓ ખોલી નર્મદા નદીમાં છોડાતા પાણીની માત્રા વધારી દેવામાં આવી છે. હાલ ડેમની સપાટી 136.36 મીટર છે જયારે ડેમના 10 દરવાજાઓ 1.04 મીટરની સપાટીથી ખોલવામાં આવ્યાં છે. શનિવારે બપોરે વધારાના 5 દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચે તે માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. હાલમાં ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે. ડેમમાંથી નર્મદા નદીમાં 1,20,112 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેનાથી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણીના સ્તરમાં વધારો થવાની શક્યતા છે.સાવચેતીના પગલાં જરૂરી છે. નર્મદા ડેમની સપાટીમાં વધારાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
વરસાદનો હાલ:હાંસોટમાં 2 મિમી વરસાદ થયો અન્ય તાલુકામાં મેઘાનો વિરામ
ભરૂચ જિલ્લામાં વરસાદના વિરામ બાદ આજે શનિવારે બપોર બાદ વાદળ છાયું વાતાવરણ જોવા મળ્યું હતું. જે અંતર્ગત દિવસ દરમિયાન ફક્ત હાંસોટ તાલુકામાં 2 મિમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બીજા તાલુકામાં વરસાદી માહોલ હોવા છતાં વરસાદ પડ્યો હતો નહીં. છેલ્લા ઘણા દિવસથી વરસાદ નહીં પડતાં જિલ્લાનું મહત્તમ તાપમાન વધીને 35 ડિગ્રી પહોંચ્યું હતું. જેના કારણે ગરમી પણ અનુભવાય હતી. આમ દિવસ દરમિયાન જિલ્લાનું મહત્તમ તાપમાન 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ ઘટીને 57 થી 85 ટકા અને પવનની ગતિ ઘટીને 7 કિમી પ્રતિ કલાકની રહી હતી. આમ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં તાપમાન ઘટીને 31 ડિગ્રી અને ખુલ્લા આકાશ રહેવાની શક્યતા છે. પવનની ગતિ માં ઘટાડો થતાં ખેડૂતો ખેતી પાકમાં દવાનો છંટકાવ કરી શકશે.
અમદાવાદ - મુંબઇ વચ્ચે દોડનારી હાઇસ્પીડ રેલવેની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે. ભરૂચના દહેગામ પાસે બુલેટ ટ્રેનનું સ્ટેશનનું કામ પ્રગતિમાં છે. સ્ટેશનના આગળના ભાગ અને આંતરિક સજાવટની ડિઝાઇનનો ખ્યાલ 150 વર્ષ જૂની કળા અને તેના કલાકારોને સન્માન આપવા માટે કપાસની વણાટ હેઠળ ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ સ્ટેશન પર બે પ્લેટફોર્મની વચ્ચેથી ચાર રેલવે ટ્રેક પસાર થશે. ટિકિટ કાઉન્ટર, કસ્ટમર કેર, વેઇટિંગ રૂમ, બિઝનેસ લોંજ, સિકયુરીટી, નર્સરી, દુકાનો, એકસેલેટર સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. હાલ રેલવે અને પ્લેટફોર્મ વચ્ચે સ્લેબ કાસ્ટિંગનું કામ પૂર્ણ થયું છે. સ્ટેશન માટે સ્ટ્રક્ચરલ સ્ટીલ ઇરેક્શનનું કામ પૂર્ણ થયું છે અને છતની કામગીરી શરૂ કરવામાં આવી છે.
બળજબરી:અંજારમાં ફાઇનાન્સ કંપનીવાળા પાંચ લાખનો ટેમ્પો લઇ ગયા
અંજારમાં ટેમ્પો સર્વીસના વ્યવસાય સાથે જોડાયેલા ધંધાર્થીએ વાડામાં રાખેલો ટેમ્પો હપ્તાની ઉઘરાણી કરવા આવેલા ફાઇનાન્સ કંપનીના માણસો બળજબરી પૂર્વક લઇ ગયા હોવાની ફરિયાદ વાહન માલિકે અંજાર પોલીસ મથકે નોંધાવી છે. સતાપર રોડ પર માધવવીલામાં રહેતા અને ટેમ્પો સર્વિસનો વ્યવસાય કરતા સાગર કાંતીભાઇ ઠક્કરે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમની પાસે માલિકીનો ટેમ્પો છે તે એચડીબી ફાઇનાન્સમાં રૂ.9,48,796 ની લોન લઇને લીધો છે. તા.11/9 ના સવારે તેઓ કામ અર્થે કબરાઉ ગયા હતા ત્યારે તેમના પત્નીએ ફોન કરી બેંકમાંથી કોઇ ભાઇ આવ્યા છે વાત કરવા માગે છે કહી વાત કરાવતા સામેથી હું અનુપસિંહ બોલું છું બે દિવસથી તમારા વાડામાં ધક્કા ખાઇએ છીએ તમે હાજર મળતા નથી હવે ઝડપથી તમે મારી ઓફિસે આવી જાવ કહી તેમણે ફોન કાપી નાખ્યો હતો. બપોરે બે વાગ્યે તેમણે પોતાના માસિયાઇ ભાઇ દિપને જીઆઇડીસી પાસે આવેલા વાડા પર મોકલ્યો હતો. થોડીવાર રહી ત્રિલોકસિંહે ફોન કરી તું ક્યાં છો ? તું જલદી આવ કહેતાં તેમણે ભચાઉ હાઇવે પર છું. આ વાત થયા બાદ તેમના માસિયાઇ ભાઇ દીપે ફોન કરી આ લોકો વાડાનું તાળું તોડી રહ્યા હોવાનું જણાવતા તેમણે પોતાના મોબાઇલમાં સીસી ટીવી ફૂટેજ જોયા તો કાંતિ મારાજ કટર વડે તાળું તોડ્તો હતો તેની સાથે અનુપસિંહ ત્રિલોકસિંહ અને બે-ત્રણ અન્ય માણસો હતા તેમણે વાડામાંથી ક્રેઇનની મદદથી બળજબરી પુર્વક રૂ.5 લાખની કિંમતનો ટેમ્પો લઇ ગયા હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.
હાય રે કળયુગ:માતાને અડધી રાત્રે ફોનમાં વાત કરતા જોઇ બે પુત્રોએ ગળુ દબાવી હત્યા નીપજાવી
નખત્રાણા તાલુકાના નાના કાદીયા ગામની વાડીમાં 40 વર્ષીય માતાની તેના જ બે દીકરાઓએ ગળુ દબાવી હત્યા નીપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અડધી રાત્રે ફોન પર વાત કરતા કરતા વાડી તરફ જતી માતાના અન્ય કોઈ સાથે આડા સબંધ હોવાનું વહેમ રાખી સગીર વયના કિશોર અને તેના ભાઈએ મળી મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ છે. નાના કાદીયા ગામની વાડીમાં રહેતા 40 વર્ષીય હેમલતાબેન ડાયાલાલ પારાધીની તેનાજ દીકરા અશોક ડાયાલાલ પારાધી અને કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે ગળુ દબાવી હત્યા નીપજાવી હતી. બનાવ શુક્રવારે રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં નિતુભા માધુભા જાડેજાની વાડીમાં બન્યો હતો. જે મામલે મૃતકના પિતા દાનાભાઈ ખીમાભાઈ પારાધીએ બન્ને આરોપી સહોદર સામે ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ વાડીના માલિક વહેલી સવારે તેમના ઘરે આવ્યા હતા અને હેમલતાની તેના બન્ને દીકરાઓએ હત્યા નીપજાવી હોવાની વાત કરી હતી. જે બાદ વાડી પર જતા ફરિયાદીની દીકરી મૃત હાલતમાં જમીન પર પડેલી હતી. જેના નાક પર સુકાઈ ગયેલા લોહીના ડાઘ અને ઉજરડા થયેલા જોવા મળ્યા હતા. વાડી માલિક સવારે છ વાગ્યે વાડી પર આવ્યા ત્યારે આરોપી સહોદરોએ માતાનું ગળુ દબાવી હત્યા કરી દીધી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ બન્ને આરોપીઓને આ મામલે પુછતા રાતે સાડા બાર વાગ્યે હતભાગી માતા કોઈ સાથે ફોન પર વાત કરતા કરતા વાડી તરફ જઈ રહી હતી. જેથી આડા સબંધના વહેમે ગુસ્સો આવતા બન્ને ભાઈઓએ સાથે મળી ગળુ દબાવી મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર અને તેના ભાઈ સામે હત્યાનો ગુનો દાખલ કરી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. શંકાના કારણે માતાનો પતિ-દીકરાઓ સાથે બોલવાનો સંબંધ પણ રહ્યો ન હતોમૃતક માતાને અન્ય કોઈ સાથે આડા સબંધ હોવાથી અવાર નવાર ફોન પર વાત કરતી હતી. જેના કારણે પોતાના પતિ અને દીકરાઓને પણ બોલાવતી ન હતી અને જમવાનું પણ બનાવતી ન હતી. આ મામલે બન્ને આરોપી દીકરાઓએ પોતાની માતાને સમજાવી પણ હતી. જે બાદ અડધી રાતે ફોનમાં વાત કરતા જોઈ ગુસ્સો આવી ગયો હતો અને માતાને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ભાસ્કર ઇનસાઈટગુનાખોરી : કચ્છમાં એક મહિનામાં હત્યાના 7 બનાવકચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનપ્રતિદિન કથળતી જાય છે. જેના કારણે છેલ્લા એક મહિનામાં જ હત્યાના 7 બનાવ બન્યા છે. પૂર્વ કચ્છમાં પડાણામાં લુંટના ઈરાદે હત્યાનો બનાવ બન્યો હતો અને નંદગામમાં પથ્થર મારી યુવાનની હત્યા નીપજાવવામાં આવી હતી. જયારે રાપર તાલુકાના રાજબાઈ માતાજીના મેળામાં સારા જાહેર છરીના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી. જયારે પશ્ચિમ કચ્છમાં બોરાણામાં ગાડી ચલાવવા બાબતે ઝારખંડના યુવાનને ગજીયો ફટકારી મારી નાખવામાં આવ્યો હતો . પદમપરની વાડીમાં ખાટલા પર સુવા બાબતે કામદારની હત્યા કરાઈ હતી. જે બાદ સંસ્કાર કોલેજની બહાર ગળુ કાપી છાત્રાની હતા કરવામાં આવી હતી જેના રાજ્યભરમાં પડઘા પડ્યા હતા. તેવામાં હવે નાના કાદીયામાં બે સંતાનોએ જનેતાને મોતને ઘાટ ઉતારી હોવાનો બનાવ બન્યો છે.
કરુણાંતિકા:સતાપરની વાડીમાં ઝેરી દવા પી લેનાર યુવકનું મોત
અંજારના સતાપરની વાડીમાં ઝેરી દવા પી લેનાર યુવાનને સારવાર બાદ ઘરે લઇ અવાયા પછી તેનું મોત નિપજ્યુ઼ હોવાની, તો અંજારના ગાંધી ફળિયામાં રહેતા વૃધ્ધે ટોયલેટ ક્લીનર ગટગટાવી લીધા બાદ સારવાર દરમિયાન દમ તોડ્યો હોવાની ઘટના અંજાર પોલીસ મથકે નોંધાઇ છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, સતાપરમાં સુખદેવસિંહની વાડીએ 19 વર્ષીય શૈલેષ ભલાભાઇ ઠાકોરે ઝેરી દવા પી લીધા બાદ સારવાર માટે લઇ જવાયા હતા , સારવાર બાદ તેમને ઘરે લઇ અવાયા પછી આજે અચાનક તેનું મોત નિપજ્યું હતું તેમ મૃતદેહ અંજાર સીએચસી લઇ આવનાર ભલાભાઇ ઠાકોરે તબીબને જણાવતાં તબીબે અંજાર પોલીસને જાણ કરી હતી. તો બીજી ઘટનામાં અંજારના ગાંધી ફળિયામાં રહેતા 69 વર્ષીય ધીમંતભાઇ મોહનલાલ સોમૈયાએ તા.12/9 ના સાંજે 5 વાગ્યાના અરસામાં રહસ્યમય સંજોગો વચ્ચે ટોયલેટ ક્લીનર પી લીધા બાદ સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જવાયા હતા. પણ સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હોવાનું તેમનો મૃતદેહ અંજાર સીએચસી લઇ આવનાર જીગ્નેશભાઇએ તબીબને જણાવતાં તબીબે પોલીસને જાણ કરી હતી બન્ને ઘટનામાં અંજાર પોલીસે અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આપઘાતનો મામલો આવ્યો સામે:રવાપરના યુવાને ફાંસો ખાઈ આપઘાત કર્યો
નખત્રાણા તાલુકાના રવાપરમાં રહેતા 25 વર્ષીય યુવાને કોઈ કારણોસર પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. મૃતક યુવાનનો આપઘાત પહેલાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં વ્યાજખોરીના કારણે મોત વ્હાલું કર્યું હોવાની વિગતો સામે આવી છે. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ 25 વર્ષીય આસિફ સિધિક ચાકીએ આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ શનિવારે બપોરે બે વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાનને છેલ્લા છએક મહિનાથી ડાબા પગના ઘૂંટણમાં રસી થઇ હોવાથી તેની સારવાર ચાલુમાં હતી.એ દરમિયાન કોઈ કારણોસર પોતાના ઘરે આડીમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ લીધો હતો.બનાવને પગલે નખત્રાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે. શાકભાજીનો વ્યવસાય કરતો અપરણિત યુવાનનો મોત પહેલાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેમાં નામજોગ આક્ષેપો સાથે વ્યાજખોરીના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. મંજલનો યુવાન ઘરમાંથી મૃત હાલતમાં મળ્યોનખત્રાણા તાલુકાના મંજલમાં રહેલો 33 વર્ષીય યુવાન પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે.પોલીસ મથકેથી મળેલી વિગતો મુજબ હતભાગી ભરતભાઈ રાજેશભાઈ સીરોખા શુક્રવારે મોડી રાત્રે ઘરે આવી સુઈ ગયો હતો. જે બાદ સવારે અગિયાર વાગ્યા સુધી ન ઉઠતા મકાનનો દરવાજો તોડવામાં આવ્યો હતો.ત્યારે હતભાગી નીચે જમીન પર સુતેલી હાલતમાં મળ્યો હતો.જે બાદ મંગવાણા સરકારી હોસ્પિટલ લઇ જતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. નખત્રાણાના પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા હદયરોગના હુમલાને કારણે મોત થયું હોવાનું પ્રાથમિક તારણ છે પીએમ રીપોર્ટ બાદ મોતનું સચોટ કારણ સામે આવશે.
નકલી ઘી ઝડપાયું:ગાંધીધામથી ભેળસેળ વાળુ 1.4 કરોડનું ઘી જપ્ત કરાતા હડકંપ
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં વિવિધ સ્થળ પર ઘીની રેડ કરવામાં આવી રહી છે. જેમાં વધુ તપાસ થતા ભેળસેળિયા તત્વો દ્વારા મોટા ભાગે ઘીમાં ખાસ પ્રકારનું રિફાઇન્ડ પામ તેલ(RPO)ને મુખ્ય ઘટક તરીકે વાપરતાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. જેનું ટેક્સ્ચર તદ્દન ઘીને મળતું આવતું આવે છે. આથી તે શંકાસ્પદ જણાઈ આવતા તેના ઉત્પાદન અંગેની માહિતી એકત્ર કરી અધિકારીઓ દ્વારા આવું ભેળસેળ કરનારા અને તેમની દરેક કડીઓની તપાસ કરતા તેનો છેડો ગાંધીધામ, કચ્છ ખાતેથી મળ્યો હતો.આ કાર્યવાહીમાં શુદ્ધ ઘીમાં ભેળસેળ કરી બનાવટી ઘી બનાવવાનો કાચો માલ સહિત કુલ 1.4 કરોડનો માલ જપ્ત કરાયો છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું હતું. ડૉ.કોશિયાએ વધુમાં કહ્યું હતું કે, મે. ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ., ગાંધીધામ, જિ. કચ્છ ખાતેથી ચાર નમૂના અને મે. ક્રિષ્ના ટ્રેડિંગ કો., ધ્રોલ, જામનગર ખાતેથી ચાર નમુના એમ કૂલ આઠ નમુના તંત્રના દરોડામાં લઇ ચકાસણીમાં અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બાકીનો આશરે 69 ટનથી વધુનો જથ્થો કે જેની કિંમત આશરે રૂ. 1.4 કરોડ જેટલી થાય છે, તે જાહેર જનતાના આરોગ્યની સલામતી માટે જપ્ત કરી ઘી માં ભેળસેળ થતી અટકાવવામાં આવી છે. ગુજરાત રાજ્યનાં નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કટિબદ્ધ છે. રાજ્યમાં ભેળસેળ યુક્ત કે ડુપ્લીકેટ ખોરાક બનાવનાર ઇસમો વિરૂદ્ધ તંત્ર કડક કાયદાકીય કાર્યવાહી કરી રહ્યું છે.તેમણે વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, 11/9ના રોજ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, મુખ્ય મથકની ફૂડ ટીમને આવા ભેળસેળિયા તત્વોને શોધવામાં સફળતા મળી હતી. જેના પગલે ગાંધીધામ ખાતે આવેલ ભારત ફૂડ્સ કો-ઓપરેટીવ લિ. માં (FSSAI License No: 10013021000623) રેડ કરતા 2 રિફાઇન્ડ પામ તેલ(RPO), 1 સવેરા બ્રાન્ડ રિફાઇન્ડ પામ તેલ (RPO) અને 1 વનસ્પતિના એમ કુલ 4 (ચાર) નમૂનાઓ વેપારી અખિલેશકુમર ક્રિશ્નપલ સિંઘની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જેમાં તપાસ દરમિયાન તમામ શંકાસ્પદ 67 ટન રિફાઇન્ડ પામ તેલ (RPO) જેની અંદાજે કિંમત રૂ. 1.32 કરોડથી વધુ થવા જાય છે, તેનો તમામ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ ચાલુ છે. તેમણે કહ્યું હતું કે, પેઢીમાં રિફાઇન્ડ પામ તેલ (RPO) સવેરા બ્રાન્ડથી 15 કિગ્રાના પેકીંગમાં ઉત્પાદન કરી વેચાણ થતુ હતું અને લુઝમાં ટેન્કર મારફતે માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું. આથી સ્થળ પર તેઓને લુઝમાં ટેન્કરથી વેચાણ ન કરવા જાહેર આરોગ્યના હિતમાં નોટીસ આપવામાં આવી છે.
સિટી એન્કર:જીએસટીમાં ઐતિહાસિક સુધારા અંગે આઉટરીચ પ્રોગ્રામ- 2.0 કાર્યક્રમ યોજાયો
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા કેન્દ્ર સરકારના રેવન્યુ અને ફાઇનાન્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘આઉટરીચ પ્રોગ્રામ 2.0 ઓન જીએસટી’ નામે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જીએસટીના સ્લેબમાં સને 2017થી આઠ વર્ષ બાદ થયેલા મહત્વપૂર્ણ સુધારા અંગે ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ વ્યવસાયિક વર્ગને સચોટ માહિતી પહોંચાડવાનો રહ્યો હતો. કાર્યક્રમની પ્રસ્તાવના કેન્દ્ર સરકારના રેવન્યુ અને ફાઇનાન્સ વિભાગના માર્ગદર્શન હેઠળ સીજીએસટી, ગાંધીધામના આસિસ્ટન્ટ કમિશ્નર રંજન રક્ષિત દ્વારા આપવામાં આવી હતી. બાદમાં કમિશ્નર અખીલેશ્કુમાર દ્વારા પ્રસ્તુતિ આપીને હાલના પરિસ્થિતિમાં થયેલા બદલાવ, તેની અમલવારી તથા વ્યાવસાયિક જગત ૫૨ થનારા પ્રભાવ વિશે વિસ્તૃત સમજણ કરાવાઇ હતી. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સુધારા કયા સેક્ટરમાં સુધારા લાભદાયક સાબિત થશે અને કયા ક્ષેત્રમાં નાણાકીય જવાબદારી વધશે તેની સ્પષ્ટ અને સરળ સમજણ આપવામાં આવી હતી. શરૂઆતમાં કાર્યક્રમનું સંચાલન ચેમ્બરનાં કારોબારી સભ્ય કૈલેશ ગોરે નિભાવ્યું જ્યારે ચેમ્બરનાં સક્રિય કારોબારી સભ્ય અનિમેષ મોદીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. પરિવહન ક્ષેત્રે જીએસટીના દરોના તર્કસંગત સરલીકરણ, કોર્ટુગેટેડ બોક્સ પર રીફંડ સંબંધિત અસમંજસ દૂ૨ ક૨વા, મલ્ટિપ્લેક્ષ સિનેમા હોલમાં ટિકિટના દર ઘટાડવા છતાં કોલ્ડડ્રિન્ક્સ અને પોપકોર્નના ઊંચા ભાવ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યો હતો. હોટેલ ઉદ્યોગ માટે નવી સમયમર્યાદા (22મી તારીખ) પહેલાં અને પછીના નિયમો તથા નાના વેપારીઓના માલ - સ્ટોકની કિંમતો અંગે ગ્રાહકોને લાભ આપતા વ્યવસ્થિત હિસાબી માળખાને લઈ સ્પષ્ટતા કરવામાં આવી હતી. આભારવિધિ એડીશનલ કમિશ્નર દેવપ્રકાશ બામ્નાવાતે નિભાવી હતી. કાર્યક્રમમાં, કમલેશ રામચંદાણી, નવનીત ગજ્જર, હેમચંદ્ર યાદવ, સીએ એસો.ના મનીષ તનેજા, રાકેશ મહેતા, ગજેન્દ્ર બલિયા, સીજીએસટી કમિશ્નર અખીલેશ્કુમાર, એડીશનલ કમિશ્નર દેવપ્રકાશ બામ્નાવત, જોઈન્ટ કમીશ્નર્સ અશોક કુમાર ઈન્ડાના, શિવ સાગર, ડેપ્યુટી કમિશ્નર અને કો- ઓર્ડીનેટર એન. મોહન ક્રિશ્ના, સુપ્રીન્ટેન્ડન્ટ સર્વ કૌશલેન્દ્ર, એન.એસ. મહેશ્વરી, અશ્વપતિ રાઓ, તેમજ સી.એ. ટીમ્બર, પોર્ટ-શીપીંગ, હોટેલ અને રિટેઇલર્સ-ટ્રેડર્સ સાથે અનેક ઉદ્યોગ-વેપાર જગતના આગેવાનો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ તથા નાણાકીય નિષ્ણાતોની હાજરી રહી હતી. ચેમ્બર પ્રમુખ મહેશ પૂજ અને માનદ મંત્રી મહેશ તીર્થાણીના જણાવ્યા અનુસાર ચેમ્બરના આ આયોજનને ઉદ્યોગ-વેપાર ક્ષેત્રમાં જીએસટી સુધારા અંગે વ્યાપક જાગૃતિ ફેલાવી હતી. સત્રમાં વિશેષ ધ્યાન ટીમ્બર ઝોન પર કેન્દ્રીતકાર્યક્રમના સવાલ-જવાબ સત્રમાં વિશેષ ધ્યાન ગાંધીધામના એશિયાની સૌથી મોટી ‘ટીમ્બર ઝોન’ ૫૨ કેન્દ્રિત રહ્યું હતું. જેમાં ટીમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જર અને ઉપ પ્રમુખ હેમચંદ્ર યાદવ દ્વારા પ્લાયવુડ જેવા પ્રોસેસ્ડ ઉત્પાદનો માટે પ્રમાણભૂત દર નિર્ધારણ, કાચા લાકડાના ઓછી જીએસટી દરો દ્વારા વનીકરણ પ્રોત્સાહન તથા પર્યાવરણ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બંદર અને શીપીંગ ક્ષેત્રમાં નિકાસ સંબંધી શૂન્ય રેટિંગ, કાર્ગોનું લોડિંગ-વેરહાઉસિંગ, આયાતી સેવાઓ, હેન્ડલિંગ અને જાળવણી સંબંધિત સ્પષ્ટતા પણ આપવામાં આવી હતી.
ચોર ઝડપાયો:કેબલ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પડાયો
આદિપુર પોલીસે કેબલ વાયરની ચોરી કરનાર આરોપીને ફરિયાદ દાખલ થયના કલાકોમાંથી ચોરાઉ મુદામાલ સાથે ઝડપી પાડ્યો હતો. આદિપુર પોલીસ સ્ટેશનના સુત્રોએ જણાવ્યું હતું કે આદિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેબલ વાયર ચોરીની ઘટના સામે આવી છે, જે અંગે તપાસ કરતા પોલીશે આરોપી રમેશભાઈ બાબુભાઈ વઢીયાર (દેવીપુજક) (ઉ.વ.28) (રહે. રવેચીનગર, ઝુપડપટ્ટી, અંતરજાળ) ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કાળા કલરનો 16,510ની કિંમતનો કેબલ વાયર, 21 કિલોના 19 હજારની કિંમત ધરાવતા કોપર વાયરના ગુંચળા સહિત કુલ 35,510નો મુદામાલ જપ્ત કર્યો હતો.
છેતરપિંડી:વિધવા મહિલા અને તેના પુત્રના નામે એકાઉન્ટ ખોલાવી 57 લાખની હેરફેર
ફાટક પાસે કાકરાપાર રોડ નજીક રહેતી સપનાબેન ધીરજભાઈ પરદેશી (39)ના પતિનું 15 વર્ષ પહેલા અવસાન થયું હતું. બીપીએલ કાર્ડ ધરાવતા સપનાબેન ઘરકામ કરી બે પુત્ર અને એક પુત્રી સાથે પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે બે વર્ષ પહેલા પરિચિત કૃણાલ છોટુભાઈ પરદેશી (રહે. વાડીવાલા કોમ્પલેક્ષ, જુનું શાકભાજી માર્કેટ, વ્યારા)એ ઘરે આવી જરૂરી ડોક્યુમેન્ટ લઈ સપનાબેન તથા અભ્યાસ કરતા પુત્ર મનીષના નામે બેંક ખાતા ખોલાવ્યા હતા અને પાસબુક પોતાની પાસે રાખી લીધી હતી. એક પખવાડિયા પહેલા વ્યારા મામલતદાર કચેરીથી સપનાબેનને અન્ન સલામતી કાયદો 2013 અંતર્ગત નોટીસ મળતા તેમણે કૃણાલને જાણ કરી હતી. કૃણાલે મામલતદાર સાથે વાત થઈ ગઈ હોવાનું કહી તેમને આશ્વાસન આપ્યું હતું. સપનાબેને પાસબુક માંગતા તેણે “શોધવી પડશે” કહી ટાળટૂળ કરી હતી. અંતે બેંકમાં જઈ સ્ટેટમેન્ટ કાઢતા જ સપનાબેન અને પુત્ર ચોકી ગયા હતા – છેલ્લા એક વર્ષમાં કુલ રૂ. 57 લાખના ટ્રાન્ઝેક્શન થયેલા હતા.
ACBની મોટી સફળતા:તાપી એસીબીએ નિવૃત્ત મદદનીશ નિયામક સામે 2.35 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધ્યો
ભ્રષ્ટાચાર સામે ઝીરો-ટોલરન્સની નીતિ મુજબ તાપી-વ્યારા એ.સી.બી.એ મોટી સફળતા હાંસલ કરી છે. લાંચ-રૂશ્વત વિરોધી બ્યુરોએ નિવૃત્ત મદદનીશ નિયામક સંતોષ વિનાયક પરૂલકરને 2.35 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત ધરાવવા બદલ ઝડપી પાડ્યા છે. આ અંગે પ્રાપ્ત વિગત મુજબ આરોપી સંતોષ વિનાયક પરુલકર (રહે. એ વન તેજસ સોસાયટી, કે કે નગર ઘાટલોડીયા, અમદાવાદ) જેવો તત્કાલીન મદદનીશ નિયામક ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ કચેરી તાપી ખાતે ફરજ બજાતા હાલ તેઓ વર્ગ ૨ ના નિવૃત કર્મચારી છે. તેમના વિરુદ્ધ સરકાર તરફે નવસારીના એસીબીના પીઆઈએ ફરિયાદ તાપી જિલ્લામાં નોંધાવી હતી. જેમાં તત્કાલીન મદદનીશ નિયામક સંતોષ પરૂલકરે તા. 01/1/2011 થી તા. 31/3/2018 ના સમયગાળા દરમિયાન પોતાની કાયદેસરની આવક કરતાં અનેક ગણી વધુ સંપત્તિ ભેગી કરી હતી. એ.સી.બી.ના પ્રાથમિક અહેવાલ મુજબ, તેમની અપ્રમાણસર મિલકત તેમની કુલ આવકના 112.20% જેટલી વધુ છે, જે સ્પષ્ટ ભ્રષ્ટાચારનો નિર્દેશ કરે છે.કાયદેસરની કાર્યવાહી કરી તાપી એ.સી.બી.ની ટીમે આ ઓપરેશનને અંજામ આપ્યો છે. તપાસ પો.ઇન્સ. એસ.એચ. ચૌધરી કરી રહ્યા છે અને આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન સંભાળી રહ્યા છે. 2017માં તાપી જિલ્લામાં હતાવર્ષ 2012 માં એગ્રીકલ્ચર ઓફિસર તરીકે ફરજ બજાવતા સંતોષ પરુલકરને વર્ષ 2017માં મદદનીશ નિયામક તરીકે પ્રમોશન મેળવી તાપી જિલ્લા ખાતે ફરજ બજાવી હતી. તેઓનો તે સમયે અંદાજિત 50,000 જેટલો પગાર મળતો હતો.જે સમયાંતર વધતો ગયો હતો.તેઓ વર્ષ 2019 માં ફરજ માં વય મર્યાદા એમ નિવૃત્ત થયા હતા.
નિરાકરણ:તાપી જિલ્લાની લોક અદાલતમાં 3774 કેસોનું સુખદ નિરાકરણ
13 સપ્ટેમ્બરના રોજ તાપી જિલ્લાના તમામ કોર્ટમાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતને ઉત્સાહભેર પ્રતિસાદ મળ્યો હતો. જિલ્લા ન્યાયાલય વ્યારામાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ ટી.આર. દેસાઈએ દીપ પ્રાગટ્ય કરી લોક અદાલતનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે ન્યાયાધીશો, બેન્ક અધિકારીઓ, ડીજીવીસીએલના પ્રતિનિધિ અને પક્ષકારોની મોટી સંખ્યામાં હાજરી રહી હતી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશે પોતાના સંબોધનમાં જણાવ્યું કે “લોક અદાલત જીત-હાર માટે નહિ પરંતુ બંને પક્ષોના સુખદ સમાધાન માટેનું મંચ છે.”આ લોક અદાલતમાં ૩,૭૭૪ કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને M.A.C.P. કેસોમાં કુલ રૂ. 2.10 કરોડ વળતર ચૂકવવામાં આવ્યું હતું.
તેરા તુજકો અર્પણ:આદિપુર પોલીસે ઝડપેલા 13 મોબાઈલ માલીકોને પરત કર્યા
ગાંધીધામના આદિપુર પોલીસ દ્વારા અલગ અલગ કારણોસર ગુમ થયેલા 13 મોબાઈલને જે તે માલીકોને પરત સોંપવામાં આવ્યા હતા. આદિપુર પોલીસ સ્ટેશનના સુત્રોએ જણાવ્યું કે ગતરોજ પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન તળે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત જેમના મોબાઈલ ખોવાઈ ગયા હતા જેના મુળ માલીકને શોધીને પરત અપાયા હતા. પોલીસ સુત્રોએ જણાવ્યું કે કે સીઈઆઈઆર પોર્ટર પરથી તેમજ ટેક્નિકલ એનાલીસસથી મળેલા કુલ 13 મોબાઈલના માલીકને આદિપુર પોલીસ દ્વારા બોલાવીને તેમના મોબાઈલ ફોન પરત અપાયા હતા.
આગાહી:આજે વલસાડ સહિત પાંચ જિલ્લામાં વરસાદીની આગાહી
વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હવામાન ખાતા તરફથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત તરફ ગઈકાલનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશા કિનારાના પશ્ચિમ મધ્ય અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર હતું. જે આજે લો પ્રેશર સિસ્ટમમાં સર્જાઈ છે. તેના સાથે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સરેરાશ સમુદ્ર સપાટીથી 5.8 કિમી સુધી ઉંચાઈ સાથે દક્ષિણ તરફ ઝુકાવ્યું છે. આજરોજ તે દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે. 14 સપ્ટેમ્બરે 5 જિલ્લાઓમાં યલ્લો એલર્ટ અપાયું આજ માટે રાજ્યમાં ભારે વરસાદને લઈને કોઈ આગાહી કરવામાં આવી નથી પરંતુ, આવતીકાલે એટલે કે 14 સપ્ટેમ્બરના રોજ રાજ્યના દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવનાને લઇને યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.
ઉત્કૃષ્ટ પ્રદર્શન:કોટડા મઢમાં છાત્રોએ રમત ગમતમાં કૌશલ્ય દર્શાવ્યું
આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં ખેલ ભાવના વિકસાવવાના હેતુથી લખપત તાલુકાના કોટડા મઢ ગામે શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશાપર, સમજીયારો, સુખપર વાંઢ, ભાડરા, કાલરવાંઢ, રાવેશ્વર, જુણાગીયા વગેરે શાળાના 210 બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અલગ અલગ ગામના સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ, અગ્રણીઓ, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હર્ષદ પંચાલે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. ખોખો બહેનોમા કાલર વાંઢ, ભાઈઓમાં આસાલડીની ટીમ વિજેતા રહી હતી. 100 મીટર દોડ, ગોળા ફેંક, ચક્ર ફેંક, લાંબી કુદ વગેરે જેવી વ્યક્તિગત રમતોમાં છાત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આશાપુરા ગ્રુપના ડાયરેક્ટર મનન ચેતન શાહ તેમજ દીનાબેન શાહે શુભેચ્છાઓ પાઠવી હતી. કંપનીના અધિકારીઓ હિતેશ જોશી, હુસેન નોતિયાર તેમજ હરીશ હુરમડે હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા હસ્મિતા ત્રિવેદીના માર્ગદર્શનમાં નૈમિષાબેન સોલંકી, વંદનાબેન ગોસ્વામી, હીનાબેન ભટ્ટ, શકીલ નોતીયાર, અકીલ નોતીયારે જહેમત ઉઠાવી હતી.
વન મહોત્સવ:દેવપર ખાતે 76મો વન મહોત્સવ ઉજવાયો, 150 વૃક્ષોનું રોપણ અને 1500 રોપાનું વિતરણ કરાયું
નખત્રાણા તાલુકાના દેવપર ગામે યક્ષ સંહયોગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન પીપળા, લીમડા, જાંબુ, જામફળ સહિત કુલ 20 જાતિના આશરે 150 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગામમાં વૃક્ષ રથ યોજી 1500 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લોકોને પર્યાવરણ જતનની મહત્વની શિખામણ આપવામાં આવી હતી અને “એક પેડ મા કે નામ” સંકલ્પ હેઠળ દરેક વ્યક્તિએ એક વૃક્ષ વાવી તેને સાચવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે અબડાસા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધર્મેશભાઈ કેસરાણી, સરપંચ કસ્તુરબેન વિરેન્દ્રભાઈ કરવા, હરિસિંહ રાઠોડ હિરેનભાઈ ભટ્ટ, જીતેન્દ્રસિંહ જાડેજા, જયસુખભાઈ વેલજીભાઈ ભીમાણી, બીએસસી પ્રમુખ મોહનભાઈ કેસરા લીંબાળી, આઈ.જે મહેશ્વરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ, કુમારી પી. જી પરમાર વનરક્ષકની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ જતનની લોકોને શીખ આપવામાં આવી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે દેશી અને સ્થાનિક વનની જાતો વિશે છણાવટ કરીને વાડીમાં સેઢા પર આવા ઉપયોગી વૃક્ષો વાવીને પોતાની આવકમાં વધારો કરવાની સલાહ આપવામાં આવી હતી તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના “એક પેડ મા કે નામ” અભિયાનમાં જોડાઈ માતાની યાદમાં એક વૃક્ષ વાવવાની અપીલ કરી હતી. કાર્યક્રમ દરમિયાન આગેવાનો તથા અધિકારીઓએ સ્વયં વૃક્ષારોપણ કરીને વન મહોત્સવને સાર્થક બનાવ્યો. આ આયોજનને સફળ બનાવવા માટે વનપાલ કરણસિંહ પરમાર, આરજે બારેજા, વનરક્ષક પી.જી. પરમાર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રાજેશભાઈ ગઢવીએ કર્યું હતું.
અકસ્માત:દારૂડિયા કાર ચાલકે પશુ અને બે રાહદારીને ઉડાવ્યા
વલસાડના અબ્રામા રોડ ઉપર મોડી સાંજે એક કાર ચાલકે પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે કાર હંકારી 2 રાહદારી અને પશુઓને અડફેટમાં લઇ અકસ્માત સર્જાયો હતો. વલસાડ શહેરના અબ્રામાંથી પસાર થતાં રોડ પર ભારે ટ્રાફિક વચ્ચે એક કાર પુરપાટ ઝડપે દોડી રહી હતી અને તેના ચાલકે બેફકરાઇથી જીંદગી જોખમાય તે રીતે કાર હંંકારતાં બે વ્યક્તિ કારની અડફેટે ચઢી જતાં ઇજા પામ્યા હતા. જેને લઇ રોડ પર લોકોમાં દોડભાગ મચી ગઇ હતી.આટલું જ નહિ પરંતું કાર આગળ ધસી જઇ રોડ પર બેઠેલી એક વાછરડી અને શ્વાન પણ અડફેટે આવી જતાં ગંભીર ઇજા પહોંચાડતા લોકોનું ટોળું ભેગું થઇ હતુુ.લોકોએ કાર બંધ થઇ જતાં કારમાંથી કારચાલકને બહાર કાઢી ખેંચી કાઢ્યો હતો.જ્યાં દારૂ ઢિંચેલી હાલતમાં જણાયો હતો.આ સાથે ગુસ્સે ભરાયેલા લોકોએ તેની ધોબીપછાડ ધોલાઇ કરી હતી. લોકોની ઢોલઢાપટમાં ચાલકના કપડા ફાટી જતાં અર્ધ નગ્ન અવસ્થામાં આવી ગયો હતો.કારમાંથી પોલીસ લખેલી પ્લેટ મળી આવી હતી.ચાલક મારથી બચવા ભાગવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે સ્થાનિકોએ તેની પાછળ દોડી મેથીપાક આપ્યો હતો.કોઇક પોલીસ કન્ટ્રોલમાં જાણ કરતાં સિટી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી 2 ઇજાગ્રસ્તને સિવિલમાં લઇ જવાયા હતા.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:લીલાપોર-વેજલપુર રેલવે નાળામાં 10 દિવસથી પાણીનો ભરાવો,7 કિમીનો ફેરો
વલસાડ શહેરમાં ઔરંગા નદીની ઉત્તરે આવેલા લીલાપોર અને વેજલપુર ગામના લોકોને દૈનિક આવજા અને પંચાયતી કામકાજે આવવા જવામાં ઉપયોગી રેલવે અન્ડર પાસ નં.333માં 10 દિવસથી વરસાદી પાણીનો ભરાવો યથાવત રહેતાં ત્રણે ગામના ગ્રામજનો કફોડી સ્થિતિમાં મૂકાયા છે.સ્થાનિક ગ્રામજનોને પાણી માંથી જ અવરજવર કરવા મજબૂર બન્યા છે. જેમાં વિદ્યાર્થીઓને ભારે કષ્ટ ભોગવવું પડે છે.વલસાડ,લીલાપોર,વેજ લપુર ગામના પૂર્વ અને પશ્ચિમ બંન્ને છેડે આવજા કરવા માટે રેલવે અન્ડરપાસ નં.333 સેતૂ સમાન છે.પરંતું ચોમાસામાં થોડા વરસાદે પણે તેમાં ઘૂંટણથી ઉપર કે અતિભારે વરસાદમાં કમર સુધીના પાણીનો ભરાવો થાય છે. વહીવટીતંત્ર,નગરપાલિકા અને રેલવેતંત્રદ્વારા કોઇ કાયમી ઉકેલ માટે અન્ડરપાસમાં ભરાતા પાણી પ્રશ્ને નિરાકરણ માટેના કામો હાથ ધરવામાં આવે તો જ લોકોને ચોમાસામાં ભોગવવી પડતી હાલાકીમાંથી છુટકારો મળે તેવી સ્થિતિ સર્જાઇ છે. 40 ગામને જરૂરી બ્રિજ નથીસરોણ, સરોધી, કુંડી ફાટકે ત્રણ ત્રણ ઓવરબ્રીજો બની ગયા છે.આ ગામની સીમે ફાટક પડતી હોવાના કારણે ઓવરબ્રિજ થયા છે.પરંતું વલસાડ ગુંદલાવ ખેરગામના 40 ગામના લોકોને વલસાડ આવવા જવા જ્યાં ખુબ જરૂરિયાત છેતે અન્ડરપાસ ઉપર રેલવે ઓવરબ્રિજ અત્યંત જરૂરી છતાં નથી બન્યું જે નિપુણ ગણાતાં તંત્રને દેખાતું નથી તેવો રોષ લોકોમાં વ્યાપ્યો છે. પાણી આ કારણે અવરોધાય છેવરસાદી પાણીના ઝડપી નિકાલ માટેની જૂની ગઢેર અને કાંસ કાદવકિચડ,કાંપનું વર્ષોથી દબાણ વધતું જતાં પાણીનો નિકાલ જ થતો નથી. અંડર પાસમાં નવો ફ્રેટકોરિડોર વાળા અંડરપાસથી જુના અન્ડરપાસ સુધીમાં વરસાદ પછી પણ પાણી ભરાયેલું રહેતા તેમાં બેસાડેલા પેવર બ્લોક અસમતળ થયા છે અને ખાડા પડ્યા છે. પાણી નિકાલ માટે ઉત્તર બાજુની દીવાલે ગટર બાંધવી જરૂરી લેખાઇ રહ્યું છે. દર વર્ષે ચોમાસામાં છીપવાડ અંડરપાસમાં થોડા વરસાદે પાણી ભરાતા 7 કિમી.નો જોખમી ચકરાવો પડે છે.
વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા:સાંભડાથી કોટડામઢને જોડતા માર્ગની હાલત ખરાબ
લખપત તાલુકાના સાંભડા ગામથી કોટડામઢ તરફ જતો માર્ગ હાલમાં દયનીય હાલતમાં છે. માર્ગ પર ઠેરઠેર ખાડા પડી ગયા છે અને રોડમાંથી કાંકરી નીકળતા વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સાંભડા ગામના રાજા રાણા રબારીએ જણાવ્યું હતું કે લગભગ 15 વર્ષ પહેલા બનેલો આ હાઇવે આજે ગાડાવાટ કરતાં પણ ખરાબ સ્થિતિમાં છે. ગામ નજીક આવેલ પુલ પણ જર્જરીત બની ગયો છે, તેમજ પુલ પરના ખાડા અને તૂટી ગયેલા ભાગોને કારણે રાત્રિના સમયે અજાણ્યા વાહન ચાલકો માટે અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ ઉભી થાય છે. તેમ છતાં અત્યાર સુધી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું સમારકામ હાથ ધરાયું નથી. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે હાલ પડેલા વરસાદ દરમિયાન માર્ગ ધોવાઈ જતાં પરિસ્થિતિ વધુ જ વિકટ બની છે. જેથી વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે અથવા નવીનીકરણ કરીને વાહનચાલકોને રાહત મળે અને અકસ્માતોના બનાવો અટકાવાય તે માટે તંત્ર સમક્ષ સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.
ડમ્પરે સર્જ્યો અકસ્માત:ગાગોદર પાસે રેતી ઠાલવી હાઇવે ચડતા ડમ્પર અડફેટે દંપતિને ઈજાઓ પહોંચી
રાપરના ગાગોદર પાસે સર્વિસ રોડ પરથી રેતી ઠાલવી હાઇવે પર ચડી રહેલા ડમ્પરના ચાલકે બાઇક અડફેટે લેતાં બાઇક પર સવાર દંપતિ ઘાયલ થયું હતું, મુળ રાધનપુરના હરિપુરા ગામમાં રહેતા શંકરભાઇ ઠાકોર અને તેમના પત્ની ચંપાબેન બન્ને જણા રાધનપુર તરફથી બાઇક લઇને માણબા તરફ કોલસાનું મજૂરીકામ કરવા અર્થે આવી રહ્યા હતા. તેઓ ગાગોદર પાસે પહોંચ્યા ત્યારે હાઇવેના સર્વિસ રોડ પરથી રેતી ઠાલવી હાઇવે ચડી રહેલા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકે તેમની બાઇકને અડફેટે લેતાં બન્ને ઘાયલ થયા હતા જેમાં 45 વર્ષીય ચંપાબેન શંકરભાઇ ઠાકોરને માથામાં અને પગમાં અતિ ગંભીર ઇજાઓ પહોંચી હતી. તે સમયે જ ગાગોદર રહેતા દિવ્યભાસ્કરના પ્રતિનિધી દીલીપ પંચાલ તેમના સાથીદારો સલીમભાઇ અને અનુભાઇ સાથે પસાર થઇ રહ્યા હતા અને તેમણે જોતાં જ પોતાની જીપમાં ગાગોદર સીએચસી પહોંચાડ્યા હતા જ્યાં મનિષાબેને પ્રાથમિક સારવાર કરી હતી અને ત્યારબાદ ચંપાબેનને ગંભીર ઇજા હોઇ 108 મારફત ભુજ જનરલ હોસ્પિટલ વધુ સારવાર અર્થે લઇ જવાયા હતા. ગાગોદર પટ્ટામાં નંબર પ્લેટ વગર દોડતા વાહનો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરોઆજે અકસ્માત સર્જનાર ડમ્ફરને એક પણ બાજુ નંબર પ્લેટ લગાવેલી ન હતી, ગાગોદર પટ્ટામાં અનેક ફોરવ્હીલ ગાડીઓ પણ નંબર પ્લેટ વગર દોડી રહી છે. નંબર પ્લેટ વગરની ગાડીઓ અકસ્માત સર્જીને જતી રહેશે તો જવાબદારી કોની થશે ? પોલીસ દ્વારા આવા વાહનોના ચાલકો અને માલિકો વિરૂધ્ધ ધાક બેસાડતી કાર્યવાહી કરાય તે જરૂરી બન્યું છે.
અંગદાન:નવસારીના દત્તનગરની મહિલાના અંગદાનથી ત્રણને મળશે નવજીવન
નવસારીના દત્તનગર ખાતે રહેતા 50 વર્ષીય શંકુતલા કિશોરભાઇ બાગલેને ચક્કર આવવાથી પડી ગયા હતા, જેથી પરિવારજનો દ્વારા 108 મારફતે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં શંકુતલાબેનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ માથાના પાછળના ભાગે ગાંઠ હોવાથી હાલત ગંભીર જણાતા તા.26મી ઓગસ્ટે વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડમાં રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં તા.11મી સપ્ટેમ્બરે બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બાગલે પરિવારને સોટોની ટીમે અંગદાનનું મહત્વ સમજાવ્યું અને પતિ તથા પુત્રએ દુઃખની ઘડીમાં પણ અંગદાન માટે ભારે હૈયે સંમતિ આપી હતી. અંગદાનથી અન્યનું જીવન બચી શકે છે અંગદાન કરવાની પ્રેરણા અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટના લાગેલા અંગદાનના પોસ્ટર થકી તેમજ થોડા દિવસ પહેલા જ અંગદાન કરતાં એક પરિવારને જોયું હતું, જેથી વિચાર આવ્યો કે, અંગદાન કરવાથી બીજા અન્ય લોકોનું જીવન બચી શકે છે, જેથી માતા અંગોનું દાન કરતા અન્ય ત્રણ લોકોને નવજીવન મળશે.> ભરતભાઇ બાગલે, સ્વ.શકુંતલાબેનના પુત્ર
ઠગાઈ:ગઢશીશામાં વેપારીની જાણ બહાર 2 બેંકમાંથી 9 લાખ ઉપડી ગયા
માંડવી તાલુકાના ગઢશીશામાં સ્પેરપાર્ટનો વ્યવસાય કરતા વેપારીના એચડીએફસી બેંકના બે ખાતામાંથી બારોબાર રૂપિયા સવા નવ લાખ ઉપાડી ગયા હોવાની ઘટના સામે આવી છે. જે બાદ તાત્કાલિક બેંકમાં જાણ કરી સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર ફરિયાદ કરવામાં આવી છે. જિલ્લામાં આ પ્રમાણેના બનાવો વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશામાં વર્ષોથી સ્પેરપાર્ટનો ધંધો કરતા પદમપરના હીરાભાઈ પટેલ અને તેમની પત્ની નર્મદાબેન પટેલ ના સેવિંગ બેંક ખાતામાંથી સવા નવ લાખ જેટલી રકમ બારોબાર ઉપડી ગઈ હતી.હીરાભાઈ પટેલ અને એમની પત્નીનું એકાઉન્ટ એચડીએફસી બેંક માંડવી શાખામાં આવેલા છે. જેમાં 11 સપ્ટેમ્બરના બપોરે સાડા બાર વાગ્યે રૂપિયા ઉપાડી ગયા હોવાનું સામે આવ્યું હતું.જે બાદ વેપારીએ તરત જ માંડવી બેંકમાં જઈ ને સમગ્ર મામલે જાણ કરી અને તપાસ કરવા લેખિતમાં જાણ કરી છે.જોકે વેપારીના જણાવ્યા અનુસાર બેંકમાંથી કોઈ સારો પ્રતિભાવ મળ્યો ન હતો.જેથી આ મામલે 1930 પર સાયબર ક્રાઇમમાં જાણ કરીને ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે,આટલી મોટી રકમ કોઈ પણ જાતના કનફર્મેશન વગર ખાતામાંથી ઉપાડી જાય છે જેની ગ્રાહકને બેંક દ્વારા જાણ પણ કરવામાં આવતી નથી.બેંકમાં થતા આવા ફ્રોડના લીધે લોકો અને વેપારીઓ ચિંતિત બન્યા છે.
કાર્યવાહી:નવસારી જિલ્લામાં એક બિલ્ડર ગ્રુપે અલગ અલગ તાલુકામાં ગેરકાયદે બાંધકામો કરી લાખો ગજવે કર્યા
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આંતલિયા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં એક બાંધકામ ગામની સર્વે નંબર 248વાળી બિનખેતી જમીનમાં બની રહ્યું છે. હાલ આ બિલ્ડીંગ બનવાની કામગીરી ચાલુ હોય ત્યારે આ કોમર્શિયલ બિલ્ડીંગના બિલ્ડર દ્વારા 28 એપ્રિલ 2025ના રોજ બાંધકામ કંપલીશન સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. તા. 28/05/25ના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં આ બિલ્ડીંગની 138 દુકાનની આકારણી કરવામાં આવી હતી. જ્યારે આ પ્રત્યેક દુકાનોની કિંમત બિલ્ડરના જણાવ્યાનુસાર 30થી 45 લાખ જેટલી હોવા છતાં ગ્રામ પંચાયત દ્વારા તેની માત્ર રૂ. 2.60 લાખ કિંમત આંકીને ફક્ત રૂ. 1300 જેટલો જ વેરો આંકવામા આવ્યો હોવાની બાબત સામે આવી છે. ગામના સરકારી આવાસનો પણ રૂ. 900 જેટલો વેરો પંચાયત દ્વારા વસૂલવામાં આવતો હોય ત્યારે આંતલિયા ગ્રામ પંચાયત અને બિલ્ડરની મીલીભગતમાં મોટો ખેલ ખેલાઈ ગયો છે.જ્યારે જાગૃત નાગરિક દ્વારા લડત આપતા આ બાંધકામ પર શરતભંગની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોય ત્યારે આવનારા દિવસોમાં આ બિલ્ડર અને તેના મળિયાઓ પર સરકારી બાબુઓ શું પગલાં લેશે એ જોવું રહ્યું. જિલ્લામાં અનેક ઠેકાણે નિયમો નેવે મુકી બાંધકામો કર્યાઆ બિલ્ડર દ્વારા ચીખલીના સુરખાઈ ગામની હદમાં હેતુથી વિપરીત બાંધકામો કરી દુકાનો વેચી મારી અને એની શરતભંગની કાર્યવાહી હાલ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવી રહી છે. જ્યારે નાંદરખા ગ્રામ પંચાયતની હદમાં પ્લોટની જગ્યામાં દુકાનો બનાવી ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હોય એ બાબતે પ્રાંત અધિકારી તપાસ કરવામાં આવી રહી છે. ગ્રા.પં. દ્વારા સ્થળ તપાસ કરવા વગર આકારણી કરી દેવામાં આવી?જ્યારે ગ્રામ પંચાયતના ચોપડે દુકાન બની ગઈ હોય એનું કમ્પ્લીસનનો ઠરાવ કરવામાં આવ્યો હોય ત્યારે પંચાયત દ્વારા સ્થળ તપાસ કર્યા વગર જ આકારણી કરી દીધી ? કે પછી પંચાયત અને બિલ્ડરોના મેણાપીપળામાં સમગ્ર ખેલ ખેલાઈ ગયો. શરતભંગ માટે પ્રાંત અધિકારી કક્ષાએથી કાર્યવાહી ચાલુ છેઆગામી 2 ઓક્ટોબરે ગ્રામ સભામાં વેરો રિવાઈઝ કરવા માટે વાતચીત થઈ છે અને આખા ગામમાં સરખો વેરો થાય તેવી સૂચના આપવામાં આવી છે. આ બાંધકામ બાબતે કોઈ નોટીસ આપવામાં આવી નથી. શરતભંગ માટે પ્રાંત અધિકારી કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે ત્યાંથી કાર્યવાહી ચાલુ છે. >ચેતન દેસાઇ, ટીડીઓ, ગણદેવી બિલ્ડર સાથે સીધો સંવાદબિલ્ડર સાથે દુકાનનો સાચો ભાવ શું છે અને કઈ કિંમતમાં દુકાનો વેચી એની વિગત જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.સ. : બીલીમોરા આંતલિયાનું ઝુડિયોની બાજુનું બિલ્ડીંગ તમારું છે ?બિલ્ડર : હા અમારું જ છે.સ. : દુકાનનો શું ભાવ છે ? આગળની દુકાન છે ? ઝુડીયોવાળી ગલીમાં અને ઉપરની દુકાનનો શું ભાવ છે?બિલ્ડર: આગળની બધી દુકાનો વેચાઈ ગઈ છે. રૂ. 40થી 45 લાખમાં આપી છે. જ્યારે ઝુડીયોવાળી ગલીમાં નીચેની દુકાનના 35 લાખ અને ઉપરની 25 લાખમાં આપવી છે.સ: મારે તો નથી લેવી પણ મારા મિત્રએ લેવી છે. દુકાનનો આ ભાવ ફાઈનલ રહેશે કે કંઈ ઓછું થશે?બિલ્ડર: મને વોટસએપ પર હાય કરીને મેસેજ કરો એટલે હું જે દુકાન વેચવાની બાકી છે એ મોકલું અને પછી થોડું જે થશે એ કરી લઇશું.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:આસો નવરાત્રિને પગલે માતાનામઢમાં તડામાર તૈયારીઓનો ધમધમાટ શરૂ
આસો નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે. મોટી સંખ્યામાં માઇભક્તો પદયાત્રા તેમજ વાહનો દ્વારા માં આશાપુરાના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે ત્યારે યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે વહીવટી તંત્ર, જાગીર ટ્રસ્ટ તેમજ સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા આગોતરા આયોજનની તૈયારીઓ શરૂ કરાઈ છે. માતા ના મઢ આવતા પદયાત્રીઓ માટે કચ્છના પ્રવેશદ્વાર સુરજબારીથી લઈ માતાનામઢ સુધી સંસ્થાઓ તેમજ દાતાઓ દ્વારા ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરવામાં આવી રહ્યા છે મઢમાં તા.21/9 ને રવિવારે રાત્રે 8:30 કલાકે ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસે સોમવારથી નવરાત્રીપર્વનો આરંભ થશે. માતાનામઢમાં જાગીર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં મંડપ બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ભાવિકોના ભોજન માટે રાશનનો જથ્થો આવી પહોંચ્યો નવરાત્રીમાં આવતા ભાવિકો માટે જાગીર ટ્રસ્ટ દ્વારા 24 કલાક અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે જેને લઈને ચણાદાળ, ખાંડ, તેલ, ઘી, ગોળ સહિતના રાશનના જથ્થાની આવક શરૂ થઈ હોવાનું જાગીરના મેનેજર મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. રસ્તાનું કામ પૂર્ણ કરવામાં આવતા રાહત થશે યાત્રિકોને અગવડ ન પડે તે માટે યાત્રાધામ વિભાગ દ્વારા છોડી દેવાયેલ માર્ગનું કામ જાગીર ટ્રસ્ટ તેમજ ગ્રામ પંચાયતે કર્યું હતું.ચોમાસા દરમિયાન વરસાદમાં કાદવ કિચડનો માહોલ સર્જાતા ગ્રામ પંચાયત દ્વારા માર્ગનું કામ કરવા લેખિત રજૂઆત કરાઈ હતી. છતા તંત્ર દ્વારા કામગીરી ન કરાતા જાગીર ટ્રસ્ટ દ્વારા અંદાજે 8 લાખના ખર્ચે બજારમાં ફ્રી મિક્સ સીસી રોડ તેમજ બસ સ્ટેશન ચોકમાં અંદાજે 5 લાખના ખર્ચે ફ્રી મિક્સ સીસી કામ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાંથી કરવામાં આવી રહ્યું હોવાનું સરપંચ કાસમભાઈ કુંભારે જણાવ્યું હતું. ચાચરાકુંડથી બજાર સુધી લાઇટો બંધવડાપ્રધાન દ્વારા અહીં બે મહિના અગાઉ વિકાસકામોનું લોકાર્પણ કરવામાં આવ્યું પણ કામો અધૂરા હોવાનુ સામે આવ્યું છે. વિકાસલક્ષી કામ દરમિયાન લાઇટિંગ કામનો સમાવેશ કરાયો હતો જે કામોમાં ચાચરાકુંડથી બજાર ચોક દીવડાસ્થંભ સુધી વીજપોલ ઉભા કરીને વીજ લાઈનો નાખી દેવામાં આવી છે પરંતુ લાઈટ ચાલુ ન થઈ હોવાથી આ માર્ગ અંધારામાં છે લાઇટ ક્યારે ચાલુ થશે તેવો સવાલ યાત્રિકો પૂછી રહ્યા છે. ભાવિકો ગેટ નંબર 4 માંથી પ્રવેશ મેળવી શકશેછેલ્લા કેટલાક વર્ષોથી શ્રાધ્ધપક્ષના પાછલા બે ત્રણ દિવસથી અહીં ભાવિકોનું આગમન શરૂ થઈ જાય છે જેને લઈને દર્શનાથી ભાવિકો ગેટ નંબર 4 માંથી પ્રવેશ મેળવી સરળતાથી દર્શન કરી શકે તે માટે રેલિંગ બાંધવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
આસો નવરાત્રી:પદયાત્રીઓનો પ્રવાહ શરૂ, સામખિયાળી પાસે કેમ્પ ધમધમ્યા
આગામી 22 સપ્ટેમ્બરથી આસો નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માં આશાપુરાના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ પગપાળા માતાના મઢ તરફ જઈ રહ્યા છે. હજુ નવરાત્રીને એક સપ્તાહનો સમય બાકી છે, તેમ છતાં કચ્છ બહારથી આવતા પદયાત્રીઓનો પ્રવાહ શરૂ થઈ ગયો છે. સામખિયાળી માર્ગ પર સેવાભાવી સંસ્થાઓ અમે મંડળો દ્વારા પદયાત્રીઓ માટે કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે. સામખીયાળી ટોલગેટથી આગળ સેવા કેમ્પ શરૂ થઈ ગયા છે, જ્યાં પદયાત્રીઓને ભોજન, પાણી, અને આરામ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
હીરા બજારમાં વિશ્વાસઘાત:10થી વધુ વેપારી સાથે રૂ. 89.92 લાખની છેતરપિંડી
નવસારીના હીરા બજારમાં લાખો રૂપિયાની છેતરપિંડીનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વેપારી 10થી વધુ વેપારીઓ પાસેથી કુલ રૂ. 89.82લાખના કાચા હીરા ખરીદીને પૈસા ન ચૂકવતા હીરા બજારમાં ખળભળાટ મચી ગયો છે. જલાલપોર પોલીસ સ્ટેશનમાં ભાવનગરના હીરાના વેપારી કાર્તિક મહેશભાઈ પંડ્યા વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો નવસારીના આશિષ મહેતા દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું કે ભાવનગરના કહેવાતા વેપારી કાર્તિક પંડ્યાએ નવસારી અને આસપાસના વિસ્તારના અનેક હીરા વેપારીઓને વિશ્વાસમાં લીધા અને મોટી રકમના કાચા હીરાની ખરીદી કરી પરંતુ ત્યારબાદ પૈસા ચૂકવ્યા વિના જ ગાયબ થઈ ગયો હતો. ફરિયાદી અને અન્ય વેપારીઓએ જ્યારે કાર્તિકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેનો ફોન બંધ આવવા લાગ્યો હતો. નવસારીના વેપારીઓએ ભાવનગરમાં તેના પિતા મહેશભાઈ પંડ્યાનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે કાર્તિક ‘નવસારી જાઉં છું' કહીને ઘરેથી નીકળી ગયો છે અને તેમનો પણ તેની સાથે કોઈ સંપર્ક થયો ન હોવાનું જણાવ્યું હતું. જેની જાણ નવસારી હીરાના વેપારીઓમાં થતા નવસારીના અન્ય દસ વેપારીઓના કાચા હીરાનો માલના રૂ. 89.82 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. ઠગાઈની આ છે મોડસ ઓપરેન્ડી ભાવનગરના ઠગ કાર્તિક પંડ્યાએ શરૂઆતમાં વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે થોડા હીરાના વેપારનું પેમેન્ટ સમયસર કરી આપ્યું હતું. ફરિયાદી આશિષ મહેતાએ જણાવ્યું કે, કાર્તિકે બે વખત પૈસા ચૂકવીને તેમનો વિશ્વાસ જીત્યો હતો, જેના કારણે તેમણે મોટી રકમના હીરા ઉધારમાં આપ્યા હતા. કાર્તિક વેપાર દરમિયાન દરેક ડીલની વિગત સાથે એક ચિઠ્ઠી બનાવતો હતો, જેમાં પેમેન્ટ 36 દિવસમાં કરવાનો ઉલ્લેખ કરતો હતો અને તેના પર સહી કરતો હતો પરંતુ, છેલ્લે મોટા પ્રમાણમાં હીરા લીધા બાદ તેણે પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેને લઇ વેપારીઓએ અરજી કરી ત્યારબાદ ત્રણ મહિના બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી. છેતરપિંડીનો ભોગ બનનાર નવસારીના હીરાના વેપારીઓફરિયાદી આશિષ દિનેશ મહેતા જે પોતે પણ હીરાનો વેપાર કરે છે, તેમને રૂ. 18.21 લાખનું નુકસાન થયું છે. અન્ય વેપારીઓમાં નિલેશભાઈ કિકાણી (રૂ. 34.91 લાખ), રિતેશભાઈ શાહ (રૂ. 8.62 લાખ), મેહુલભાઈ ભંડેરી (7.36 લાખ), રોનક શાહ (રૂ. 2.88 લાખ), વિમલભાઈ શાહ (રૂ. 70,689), ધનપાલ જોગાણી (રૂ. 6.66 લાખ), પરેશ પુરોહિત (રૂ. 2.40 લાખ), મનહરભાઈ સ્વામીનારાયણ (રૂ. 95125૯), મધુભાઈ કાનાણી (રૂ. 50732) અને રાજુભાઈ ખસિયા (રૂ. 6.59 લાખ)નો પણ સમાવેશ થાય છે. આમ રૂ. 89.82 લાખની છેતરપિંડી થઈ હતી. ઠગાઈની આ છે મોડસ ઓપરેન્ડીભાવનગરના ઠગ કાર્તિક પંડ્યાએ શરૂઆતમાં વેપારીઓનો વિશ્વાસ જીતવામાટે થોડા હીરાના વેપારનું પેમેન્ટ સમયસર કરી આપ્યું હતું. ફરિયાદીઆશિષ મહેતાએ જણાવ્યું કે, કાર્તિકે બે વખત પૈસા ચૂકવીને તેમનો વિશ્વાસજીત્યો હતો, જેના કારણે તેમણે મોટી રકમના હીરા ઉધારમાં આપ્યા હતા.કાર્તિક વેપાર દરમિયાન દરેક ડીલની વિગત સાથે એક ચિઠ્ઠી બનાવતો હતો,જેમાં પેમેન્ટ 36 દિવસમાં કરવાનો ઉલ્લેખ કરતો હતો અને તેના પર સહીકરતો હતો પરંતુ, છેલ્લે મોટા પ્રમાણમાં હીરા લીધા બાદ તેણે પૈસાઆપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેને લઇ વેપારીઓએ અરજી કરીત્યારબાદ ત્રણ મહિના બાદ પોલીસમાં ફરિયાદ કરી હતી. સાવચેતી એ જ સલામતી સાથે વેપારીઓ ધંધો કરેમને ઘટનાની સવારે જાણ થઈ. આ બાબતે ઘણી વાત મિટિંગમાં પણ વેપારીઓને કરી કે તમે નવસારી કે અન્ય જિલ્લામાં રહેતા વેપારીને ઘણાં સમયથી ઓળખીતા હોય અને તેમનું ઘર જોયું હોય તો જ વેપાર કરવો પણ હાલમાં મંદીના કારણે અમુક વેપારીઓ તેમના ઘરના માલ વેચાણ કરવા અજાણ્યા લોકો સાથે ધંધો કરે છે અને તેઓના નાણાં ફસાઈ જાય છે. સાવચેતી એજ સલામતી ના જાણકારી વચ્ચે વેપારીઓ ઓછો વેપાર કરે પણ નાણાં મળી જતા હોય તેવા પરિચિત વેપારી સાથે ધંધો કરે. આ બાબતે હું માર્ગદર્શન આપીશ. > જગમલ દેસાઈ, પ્રમુખ, નવસારી જિલ્લા ડાયમંડ મરચંટ
બે ચોરીની ઘટના:આટ ગામમાં પરિવાર સુતેલુ રહ્યું ને ઘરમાંથી રૂ. 1.13 લાખની મતાની ચોરી
જલાલપોર તાલુકાના આટ ગામમાં પરિવાર રાત્રે સૂતેલું હતું તે સમયે ચોરટાઓએ તેમના ઘરમાં પ્રવેશ કરી ઘરમાંથી રૂ. 1,13,400ની કિંમતના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. જલાલપોર તાલુકાના આટ ગામના પારસ ફળિયામાં રહેતા બિપીનભાઈ ભાણાભાઈ પટેલ (ઉ.વ. 60)એ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે તા.11 સપ્ટેમ્બરના રોજ રાત્રે પરિવારના સભ્યો જમીને સુઇ ગયા હતા. દરમિયાન ચોર ઈસમોએ ઘરમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ કબાટ તોડી અને સામાન અસ્તવ્યસ્ત કરીને કબાટમાં મૂકેલ સોનાના દાગીના અને રોકડ રૂ. 13,500 મળી રૂ. 1.13 લાખની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ બનાવની તપાસ પીઆઈ ડી.ડી.લાડુમોર કરી રહ્યાં છે. આ રીતે ચોરીને અંજામ અપાયોબિપીનભાઈના જણાવ્યા મુજબ, ચોરોએ તેમના ઘરના પાછળના દરવાજા પાસેની જાળીમાંથી હાથ નાખીને અંદરની સ્ટોપર ખોલી હતી. ત્યારબાદ મુખ્ય દરવાજામાં કોઈ સાધન વડે કાણું પાડીને અડાગરો ખોલીને તેઓ અંદર પ્રવેશ્યા હતા. ઘરમાં પ્રવેશ્યા બાદ, ચોરોએ લોખંડના કબાટને ચાવીથી ખોલ્યો હતો અને અંદર મુકેલા સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.
આવેદન:વિસ્થાપન ઘરનું નહીં પણ સમાજ, નોકરી અને અભ્યાસનું પણ છે : ડો. ચેતન પટેલ
નવસારીમાં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિતે ગ્રીડથી નીકળેલ રેલીમાં બિરસા મુંડા સર્કલ પર પ્રતિમાને ફૂલહાર ચડાવી જયકાર કર્યો હતો. જ્યાંથી જુનાથાણા થઈ લુન્સીકૂઈ ડો.બાબાસાહેબ આંબેડકર પ્રતિમાને વંદન કરી આદિવાસી સમાજના અગ્રણીઓ ડો. શરદકુમારે પર્યાવરણ વિદ, ભોપાલ મધ્ય પ્રદેશ અને ડો.રાજન ભગોરા પ્રમુખ સાચા આદિવાસી અધિકાર બચાવ સમિતિ ગુજરાત , ડૉ.પ્રદીપ ગરાસિયા, ડો.ચેતન પટેલ, ધરમપુરના કલ્પેશ પટેલ, પંકજ પટેલ દેગામ,આદિવાસી જન જાગૃતિ સમિતિના કમલેશ પટેલ, વિજય રાઠોડ, પૂર્વ નગરસેવક સહિત હોદેદારોએ સંબોધન કર્યું હતું. નવસારીના અગ્રણી ડો.ચેતન પટેલે શહેરના લોકોની રેલીમાં ન આવવા બાબતે ટકોર કરી જણાવ્યું કે આજે બાજુમાં રહેતા લોકોને મુશ્કેલી છે. મારું શું કામ, તકલીફ એને પડશે આપણને નહીં પણ એ લોકો વિચારે કે હાલમાં ઘણાં પ્રોજેક્ટ આવવાના છે. જેમાં મોટાભાગના પ્રોજેક્ટમાં આદિવાસી સમાજના ઘરને અસર થવાની છે. સુરતમાં રહેતા આદિવાસી લોકો આજે સુરતના નાકે રહે છે. તેઓ ઘરનું નહીં પણ નોકરી, અભ્યાસ,સ્થળનું પણ વિસ્થાપન થયું છે. નવસારીમાં તિઘરા-ઇટાળવા ટીપી સ્કિમમાં મોટાભાગે આદિવાસીઓના ઘર જવાના છે પણ મનપા પાસે એજ વિસ્તારમાં પ્લોટ માંગો તેવી રજૂઆત કરવા સંગઠન બનાવો અને રજૂઆત કરો. આજે શહેરમાં અન્ય જિલ્લાના લોકો પણ આવ્યા છે કારણ કે એમણે ખબર છે કે આજે બીજાને વિસ્થાપન થશે. કાલે અમારું પણ થશે એક બની રહ્યાં છે પણ શહેરના લોકોમાં જાગૃતિ નથી, કાલે એવા પ્રશ્નો આવશે ત્યારે તેઓ ઘર,નોકરી અને સમાજથી વિસ્થાપિત થશે. જેથી આજે જ સંગઠિત થવો તેમ જણાવી આગળ આવવા જણાવ્યું હતું. ડો. રાજન ભગોરાએ જણાવ્યું કે તાપી પાર રિવર લીંક યોજના 50 થી 60 કિમીના મોટાભાગના આદિવાસી લોકો જ્યાં રહે છે તેને અસર થવાની છે આવા પ્રોજેક્ટ સરકારને કહો નહીં જોઈએ એકતા સંગઠન બતાવો તો જ સરકાર ઝૂકશે તેમ કહી લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. ત્યારબાદ આદિવાસી સમાજ ગુજરાતના ડો.પ્રદીપ ગરાસિયાની આગેવાનીમાં કલેક્ટરને આવેદન આપ્યું હતું. લોકોએ પ્લે કાર્ડ બતાવી વિરોધ નોંધાવ્યોરેલીમાં આદિવાસી સમાજ દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ, ડીએફસીસી ગુડસ પ્રોજેક્ટ બંધ કરો, ભાણ મેરી ઝાંઝરી મસોટા કુંડળ પ્રોજેક્ટ રદ કરો, બોગસ આદિવાસી પ્રમાણપત્રો, ગીર બરડા આલેચના ચારણ,રબારી, ભરવાડના 56000 સહિતના તમામ બોગસ આદિવાસી પ્રમાણ પત્ર રદ કરવા અને તમામ જાતિઓને એસટી યાદીમાંથી રદ કરવા, ડેમ હટાવો આદિવાસી બચાવો, જળ જમીન જંગલ બચાવો, સરકારી સ્કૂલ બચાવો આધુનિક બનાવો, નદી હમારી માતા હૈ ઉસે બચાના હૈ અને તમામ ભરતીમાં 40 ટકા કટ ઓફ માર્ક દૂર કરવા, જિલ્લા કક્ષાએ 143 રોસ્ટર પોઇન્ટ પાછળ રાખ્યા છે. કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરો, બંધારણની 5મી અને 6થી અનુસૂચિનું પાલન કરો આદિવાસીઓને બંધારણીય અધિકાર આપો ના પ્લે કાર્ડ બતાવી વિરોધ કરાયો હતો.
મેઘરાજાની પધરામણી:ખેરગામમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો
નવસારીમાં આખો દિવસ કાળઝાળ ગરમી અને બફારા બાદ મોડી સાંજે હવામાનમાં પલટો આવ્યો અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું હતું. છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ વિરામ લીધો હતો, જેના કારણે વાતાવરણમાં ઉકળાટ વધી ગયો હતો. શનિવારના રોજ સાંજે લગભગ 4 વાગ્યા બાદ શરૂ થયેલા આ વરસાદથી લોકોને ગરમીથી ઘણી રાહત મળી હતી. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને ખેરગામ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ખેરગામમાં માત્ર બે કલાકમાં જ બે ઈંચ વરસાદ નોંધાયો હતો તો નવસારીમાં 3 મિમી, જલાલપોરમાં 1 મિમી, ચીખલીમાં 15 મિમી, વાંસદા અને ગણદેવીમાં છાંટણા પડ્યા હતા. આખા દિવસના અસહ્ય ઉકળાટ અને ગરમી પછી નવસારીના વાતાવરણમાં મોડી સાંજે ઠંડક પ્રસરી હતી. શનિવારે 4 વાગ્યા બાદ વાતાવરણમાં અચાનક પલટો આવી વરસાદ શરૂ થતા શહેરીજનોને રાહત અનુભવી હતી.
હાલાકી:સંસ્કાર ભારતી શાળામાં વરસાદી પાણી ભરાતા છાત્રોને હાલાકી
નવસારીના સંસ્કાર ભારતી શાળાના મેદાનમાં વરસાદનું પાણી ભરાતા તેનો નિકાલ ઝડપથી નહીં થતા શાળાના છાત્રો પાણીમાંથી પસાર થતા હોવાનો વીડિયો વહેતો થયો હતો. જેને લઇ નવસારી શહેરમાં અન્ય શાળાઓમાં પણ વરસાદનું પાણી ભરાતા છાત્રોને મુશ્કેલી પડી રહી કે કેમ તે બાબતે શિક્ષણવિદોમાં ચિંતા પ્રસરી છે. નવસારીમાં આવેલી ખાનગી શાળાઓમાં પણ આ પ્રમાણે છાત્રો પાણીમાં ચાલવા મજબૂર નહીં બને તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ઘટના સ્થળની તપાસ કરી શાળા સંચાલકોને સૂચના આપે તેવી ચર્ચા પણ મીડિયામાં થઇ રહી છે.
ભાસ્કર એક્સક્લુસિવ:કચ્છમાં રેશન કાર્ડની ચકાસણીમાં શંકાસ્પદ 16,500 NFSA કાર્ડ રદ્દ કરાયા
કચ્છ જિલ્લામાં 1.28 લાખ રેશનકાર્ડ ધારકો એવા હોવાનું બહાર આવ્યું છે કે તેઓ ઇન્કમટેક્સ, જીએસટી ભરતા હોવા ઉપરાંત કિસાન સન્માન નિધિનો લાભ લેતા હોવા છતાં રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ મફત અનાજ મેળવી રહ્યા છે. સરકારી યોજનાનો ખોટો લાભ લેતા આવા શંકાસ્પદ કાર્ડ ધારકોની તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી 1.28 લાખ લોકોને નોટીસ મોકલી ખુલાસા માંગવામાં આવ્યા છે, જયારે 16,542 જેટલા રેશન કાર્ડને NFSAમાંથી નોન NFSA માં કન્વર્ટ કરવામાં આવ્યા છે. એટલે હવે આ લોકોને અત્યાર સુધી મળતો રાશનનો પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. FSA હેઠળ ગરીબ પરિવારોને મફત ઘઉં-ચોખા સહિતનો પુરવઠો આપવામાં આવે છે. પરંતુ અનેક પરિવારો પાત્રતા ધરાવતા ન હોવા છતાં યેનકેન પ્રકારે રેશનકાર્ડ મેળવીને યોજનાનો લાભ લઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા આધારકાર્ડના ડેટા પરથી કચ્છ જિલ્લાના 1.28 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ તારવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે દરેક રાજ્ય અને જિલ્લાને શંકાસ્પદ કાર્ડનો ડેટા મોકલ્યો છે, જેના આધારે કચ્છમાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ વેરીફિકેશન શરૂ ચાલી રહ્યું છે. આ તપાસમાં 25 લાખથી વધુનો ટર્નઓવર ધરાવતા 288 લોકો, પીએમ કિસાન સન્માન નિધિનો લાભ લેતા 72,321 કાર્ડધારકો, છેલ્લા 12 માસથી રાશન ન લેનાર તેમજ 100 વર્ષથી વધુ ઉંમરના 550 કાર્ડધારકો સામેલ છે. આ કાર્ડ NFSAની માર્ગદર્શિકા મુજબ પાત્રતા ન ધરવતા લોકોના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી કરવામાં કરવામાં આવી રહી છે. નોટીસનો મતલબ એ નથી કે તમારું કાર્ડ રદ્દ જ થશેકચ્છના 1.28 લાખ શંકાસ્પદ રેશન કાર્ડ ધરવતા લોકોને પુરવઠા વિભાગ દ્વારા નોટીસ આપવામાં આવી છે. જો કે નોટીસનો મતલબ એ નથી કે તમારું કાર્ડ રદ્દ જ થશે. કેમ કે નોટીસમાં તંત્ર દ્વારા માંગવામાં આવેલા પુરાવા તાલુકા કક્ષાએ રજુ કરવાના થાય છે. તંત્ર દ્વારા તમારા આધાર-પુરાવાની ચકાસણી કરવામાં આવશે. જો ચકાસણીમાં તમે રાશન મેળવવા પાત્ર છો તો તમારું રેશન કાર્ડ રદ્દ નહી થાય. જો કે લોકો હાલ એવું માની રહ્યા છે કે નોટીસ આવી એટલે અમારું કાર્ડ રદ્દ થઇ જશે
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 14 સપ્ટેમ્બરના રોજ એક દિવસીય ગુજરાતની મુલાકાતે છે, ત્યારે ગાંધીનગર અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ મંત્રી દ્વારા આજે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રૂ. 824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશે. અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ઔડા-ગુડાના અને ગાંધીનગર લોકસભામાં સમાવેશ સાણંદ, બાવળા, કલોલ સહિતની નગરપાલિકાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ અને ગટર લાઈન સહિતની કામગીરીને લઈને બેઠક કરશે. અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર કાર્યક્રમકેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજ સવારથી અમદાવાદ અને ગાંધીનગરમાં કુલ ચાર કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સવારે 10.45 વાગ્યે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસ સમારોહ 2025 અને 5મા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે. હિન્દી દિવસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે ત્યારબાદ બપોરે અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલા સરદારધામ કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જ્યાં સરદારધામ કન્યા છાત્રાલયના અભિવાદન સમારોહમાં હાજર રહેશે અને તમામ ટ્રસ્ટીગણ અને યુવા ઉદ્યોગસાહસિકો સાથે તેઓ સંવાદ પણ કરશે. ગત મહિને સરદારધામ કન્યા છાત્રાલય ખાતેના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કરશેભારતમાં વર્ષ 2036માં ઓલમ્પિક યોજવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં અલગ અલગ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવી રહ્યા છે. શહેરના નારણપુરા વિસ્તારમાં ભારત અને રાજ્ય સરકાર દ્વારા સરકારની ગ્રાન્ટમાંથી રૂ. 824 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. જેનું બપોરે 2.30 વાગ્યે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. ત્યાર બાદ નારણપુરા ખાતે જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાના છે. ગાંધીનગરમાં નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠકકેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી નારણપુરા ખાતેના સ્પોર્ટ કોમ્પ્લેક્સનું ઉદઘાટન કર્યા બાદ સાંજે 5:00 વાગ્યે શાહીબાગ વિસ્તારમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે અમદાવાદ અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના તેમજ ઔડા અને ગુડાના અધિકારીઓ તેમજ સાણંદ, કલોલ, બાવળા નગરપાલિકાઓના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાવવાની સમસ્યાઓ સર્જાઈ હતી અને જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જે દરમિયાન અમદાવાદ જિલ્લાના સાણંદ અને બાવળા સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાના પગલે લોકોનો ભાજપના નેતાઓ સામે ખૂબ રોષ જાગ્યો હતો. જેથી ગૃહ મંત્રી દ્વારા આ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને સમસ્યાઓ કેમ ઉદભવી અને તેના નિરાકરણને લઈને ચર્ચા કરવામાં આવશે. નારણપુરામાં બનેલો આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સવર્ષ 2036માં ઓલિમ્પિક અને 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ભારતમાં તૈયારીઓ ચાલી રહી છે. ગુજરાત પણ આ માટે સજ્જ થઈ રહ્યું છે. ત્યારે આવો જોઈએ અમદાવાદના નારણપુરા ખાતે બનેલા ગુજરાતના સૌથી મોટા અને અત્યાધુનિક 1.18 લાખ ચોરસમીટરના વિસ્તારમાં ફેલાયેલા અને રૂ. 824 કરોડના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો અંદરનો નજારો. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ તથા ઓસ્ટ્રેલિયન સ્પોર્ટ્સ એક્સેલન્સ ફોરમ જેવાં આંતરરાષ્ટ્રીય સંગઠનોના પ્રતિનિધિઓએ મુલાકાત લીધી છે અને એની ગુણવત્તા અને સુવિધાઓને માન્યતા આપી છે. એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ અને વર્લ્ડ વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની ટુર્નામેન્ટ આ નવા બનેલા સ્પોર્ટ્સ ખાતે યોજશે. આમ વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ કમિટી દ્વારા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સુવિધાઓ બાબતે માન્યતા આપવામાં આવી ચૂકી છે. આ ભવ્ય સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 2036ના ઓલિમ્પિકને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. 824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયારઅમદાવાદના નારણપુરા વિસ્તારમાં પ્રગતિનગર, નંદનવન પાસે રૂ. 824 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર થઈ ગયું છે. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો 29 મે 2022ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે શિલાન્યાસ થયો હતો. આધુનિક ટેકનોલોજી, વૈશ્વિક નોર્મ્સ અને જુદી જુદી ગેમ્સનાં ફેડરેશન દ્વારા કરવામાં આવેલાં સૂચનો અને ભલામણોને આધારે લગભગ 1.18 ચો.મી.ના બિલ્ટઅપ એરિયા સાથે ડિઝાઈન કરી અને રૂ. 824 કરોડના અંદાજિત ખર્ચે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને કેન્દ્ર સરકારના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે. 6 ભાગમાં વહેંચાયેલું છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને 6 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં એક્વાટિક સ્ટેડિયમ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઈન્ડોર સ્પોર્ટ્સ એરેના અને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર નામના અલગ અલગ 4 બ્લોક બનાવવામાં આવ્યા છે. એમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડાઈવિંગ પૂલ, સ્વિમિંગ પૂલ, બાસ્કેટબોલ, વોલીબોલ કોર્ટ, બેડમિન્ટન કોર્ટ, રેસલિંગ કોર્ટ, ટેનિસ, ટેબલ ટેનિસ, ઝુડો-કરાટે, કબડ્ડી, કેરમ, ચેસ, સ્નૂકર સહિતની વિવિધ પ્રકારની આંતરરાષ્ટ્રીય રમતો રમી શકાય એવી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય સામાન્ય નાગરિકો પણ પોતાને મોબાઈલમાંથી બહાર કાઢીને ફિટ રહી શકે એ માટે કોમ્પ્લેક્સની અંદર જ ફિટ ઈન્ડિયા ઝોન બનાવાયો છે, સાથે જ ખેલાડીઓ માટે રહેવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કુલ 4 બિલ્ડિંગ અને 6 ગેટ બનાવાયાં છે. 850 ટૂ-વ્હીલર અને 800 ફોર-વ્હીલર પાર્ક થઈ શકે એવું વિશાળ પાર્કિંગ બનાવાયું છે. અહીં આવવા માટે લોકોને ટ્રાન્સપોર્ટેશનની સરળ વ્યવસ્થા મળી રહે એ માટે અમદાવાદ શહેરની વચ્ચોવચ આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ઊભું કરાયું છે. હવે આપણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના 6 ભાગ વિશે વિગતવાર સમજીએ...બ્લોક A : એક્વાટિક સ્ટેડિયમસ્પોર્ટસ કોમ્પ્લેક્સના બ્લોક-Aને એક્વાટિક સ્ટેડિયમ નામ અપાયું છે, જેની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયો છે, જેમાં 1500 પ્રેક્ષકની બેસવાની વ્યવસ્થા કરાઈ છે, જોકે આ સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ ઓલિમ્પિક ગેમ્સમાં ઉપયોગમાં નહીં લઈ શકાય, કારણ કે ઓલિમ્પિકના નિયમ પ્રમાણે એની ઓડિયન્સ કેપેસિટી 12,000 જેટલી હોવી જોઈએ અને અહીં 1500 પ્રેક્ષકની બેસવાની વ્યવસ્થા છે. પરંતુ નેશનલ અને ઈન્ટરનેશનલ ગેમ્સમાં કે કોમનવેલ્થ ગેમ્સમાં આ સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલનો ઉપયોગ થઈ શકે છે, જેમાં વિશાળ કોમ્પિટિશન પૂલ-ડાઈવિંગ પૂલ બનાવાયો છે. આ સ્વિમિંગ પૂલ FINA નોર્મ્સ મુજબ બનાવાયો છે. FINA એ ફ્રેન્ચ શબ્દનું શોર્ટ ફોર્મ છે. એનું ફ્રેન્ચમાં આખું નામ છે - ફેડરેશન ઈન્ટરનેશનલ દે નાટાશન. સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલના નિયમો બનાવતી આ ઈન્ટરનેશનલ ગવર્નિંગ બોડી છે. એના નિયમ મુજબ અહીં સ્વિમિંગ પૂલ અને ડાઈવિંગ પૂલ બનાવાયા છે. જે મર્થા ટેક્નોલોજીથી સ્વિમિંગ પૂલ બનાવાયો છે એ શું છે?સામાન્ય રીતે આપણે જોયું છે કે સ્વિમિંગ પૂલ બનાવવા માટે ખાડો ખોદવામાં આવે. બ્લૂ કલરની ટાઈલ્સ ફિટ કરવામાં આવે અને પછી પાણી ભરવામાં આવે, પણ મર્થા ટેક્નોલોજીમાં એવું નથી. એમાં પહેલા ખાડો ખોદવામાં આવે. પછી ટાઈલ્સ ફિટ કરવામાં આવે. પછી હાઈટવાળા સ્ટીલના ગર્ડર અને સ્ટીલની પ્લેટ મૂકવામાં આવે છે. આ ગર્ડર અને પ્લેટ PVC કોટેડ હોય છે. ગર્ડર મૂક્યા પછી એના પર ખાસ પ્રકારની પીવીસી કે રબર જેવા મટીરિયલની શીટ મૂકવામાં આવે. આ શીટ ઉપર પાણી ભરવામાં આવે, એટલે કોઈ સ્વિમર ડાઈ મારે કે ઝડપથી તરે તોપણ તેને જમીનની ટાઈલ્સ વાગે નહીં. કોઈ પ્રકારની ઈજા થાય નહીં. મર્થા ટેકનોલોજી હોય તેવા પૂલમાં જ કોમનવેલ્થ કે ઓલિમ્પિક જેવી ગેમ્સ રમી શકાય છે. મર્થા પૂલ ટેક્નોલોજીમાં પૂલને કસ્ટમાઈઝ કરી શકાય છે, એટલે કે પૂલને એની કેપેસિટી મુજબ નાનો-મોટો કરી શકાય છે. માનો કે બાળકો માટે સ્વિમિંગ કોમ્પિટિશન હોય તો પૂલ નાનો કરી દેવામાં આવે. મોટી સ્પર્ધા હોય તો પૂલની સાઈઝ વધારીને લાંબો કરી દેવામાં આવે. પૂલમાં વચ્ચે ખાસ પ્રકારનું પાર્ટિશન હોય છે. મર્થા ટેક્નોલોજીમાં કોંક્રીટ ઓછું વપરાય છે અને પાણી પણ ઓછું વપરાય છે. મોડ્યુલર સ્ટ્રક્ચર રિસાઇકલ કરી શકાય છે, આ મટીરિયલ ઈકોફ્રેન્ડલી હોય છે. મર્થા પૂલ ટેકનોલોજીમાં ભૂકંપની અસર ઓછી થાય છે. એ પૂલમાં લીકેજ અટકાવે છે. બ્લોક B : સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સનારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના બીજા બ્લોક-Bને સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સલન્સ નામ અપાયું છે. એમાં 42 બાય 24ના બે મોટા હોલ છે, જેમાં 2 બાસ્કેટ બોલ કોર્ટ, 2 વોલી બોલ કોર્ટ અથવા 8 બેડમિન્ટન કોર્ટનો એક સમયે ઉપયોગ થઈ શકશે. આ સેન્ટરના મલ્ટીસ્પોર્ટ્સ હોલમાં 2 ટેકવાન્ડો કોર્ટ અથવા બે કબડ્ડી કોર્ટ, બે રેસલિંગ અથવા 12 ટેબલટેનિસની મેચ એક જ સમયે યોજી શકાશે. આ સેન્ટરમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું એક સ્પોર્ટ્સ સાયન્સ અને ફિટનેસ સેન્ટર, ચેન્જ રૂમ, લોકર્સ, ઈક્વિપમેન્ટ સ્ટોર, મેડિકલ સર્વિસ સ્ટેશન, ઓડિયો-વીડિયો ફેસિલિટી સાથેનો ટ્રેનિંગ રૂમ અને એડમિનિસ્ટ્રેશન ઓફિસ પણ બનાવાઈ છે. વધુમાં આ સેન્ટરમાં કોચ માટે 8 ડબલરૂમ, ખેલાડીઓ માટે 100 ટ્રિપલ બેડરૂમ તેમજ 150 કોર્પોરેટ માટેના ડાઈનિંગ હોલનો સમાવેશ થાય છે. આ બ્લોક-Bમાંથી ખેલાડીઓ અને કોચ ડાયરેક્ટ બ્લોક-C (ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેના)માં જઈ શકે એ માટે ખાસ અલાયદો ફૂટઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. બ્લોક C : ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેનાત્રીજો C બ્લોક સૌથી મોટો બ્લોક છે. આ ઈન્ડોર મલ્ટીસ્પોર્ટ્સ એરેનામાં 81 બાય 45ની સાઈઝના વિશાળ હોલમાં વિવિધ ઈન્ટરનેશનલ કક્ષાની ઓલિમ્પિક સહિતની ઈવેન્ટ કરવામાં આવશે, જેમાં કુલ 16 બેડમિન્ટન કોર્ટ, 4 બાસ્કેટબોલ કોર્ટ, 4 વોલીબોલ કોર્ટ, 4 જિમ્નેસ્ટિક મેટ આ સિવાય ટેબલ ટેનિસ, કબડ્ડી, કુસ્તી સહિતની મલ્ટીપર્પઝ હોલની સુવિધા કરવામાં આવી છે. એકસાથે 5200 પ્રેક્ષક બેસીને મેચ નિહાળી શકે એવી વ્યવસ્થા છે. આ સિવાય વોર્મ-અપ એરિયા, ખેલાડીઓ, કોચ, રેફરી અને વી.આઈ.પી. માટે લોન્જ એરિયા, સેન્ટ્રલ એડમિન ઓફિસ, સ્પોર્ટ્સ ફેડરેશન રૂમ, ડોપિંગ એરિયા, મેડિકલ સર્વિસ સ્ટેશન, મીડિયા રૂમ, કોલ રૂમ અને આ સિવાય ટેક્નિકલ ઓપરેશનલ સુવિધાઓ માટેના રૂમની વ્યવસ્થા છે. બ્લોક D : કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરઆ કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર એક પ્રકારનું ક્લબ હાઉસ હશે, જે નાગરિકો માટે બનાવાયું છે. એમાં ક્લબની મેમ્બરશિપ લઈને કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટરમાં અલગ અલગ રમતો રમી શકાશે. એની અંદર કાફેટેરિયા, લાઈબ્રેરી, જિમ-એરોબિક્સ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય 6 બેડમિન્ટન કોર્ટ, 6 ટેબલટેનિસ, 6 કેરમ ટેબલ, 9 ચેસ અને સ્નૂકર, અને બિલિયર્ડના 10 ટેબલનો સમાવેશ કરી શકે એવો મલ્ટીપર્પઝ હોલ બનાવાયો છે. જેની ઓડિયન્સ કેપેસિટી 300 લોકોની છે તેમજ 6 સ્કવોશ કોર્ટ અને ઈન્ડોર શૂટિંગ રેન્જ માટેનું પણ આયોજન કરાય એવી વ્યવસ્થા ઊભી કરાઈ છે. પબ્લિક માટે ફિટ ઈન્ડિયા ઝોનનારણપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ગેટ નંબર 2થી એન્ટર થતાં જ ડાબી બાજુ ફિટ ઈન્ડિયા ઝોન બનાવવામાં આવ્યો છે, જેમાં કોઈપણ નાગરિક જઈ શકશે અને જનતા માટે હંમેશાં ખુલ્લો રહેશે. આ ફિટ ઈન્ડિયા ઝોનની અંદર સિનિયર સિટિઝન માટે સિટિંગ એરિયા, બાળકો માટે ચિલ્ડ્રન ઝોન, યોગા લોન તેમજ શહેરીજનોના ઉપયોગ માટે પ્લાઝા કમ સ્કેટિંગ રિંક, કબડ્ડી, ખો-ખો ગ્રાઉન્ડ, આઉટડોર જિમ અને જોગિંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. આઉટડોર સ્પોર્ટ્સઉપરોક્ત સુવિધા ઉપરાંત આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ગેટ નંબર 2થી એન્ટર થતાં જ જમણી બાજુ આઉટડોર સ્પોર્ટ્સ માટે 6 ટેનિસ કોર્ટ, 1 બાસ્કેટબોલ કોર્ટ, 1 વોલીબોલ કોર્ટનો સમાવેશ કરાયો છે. આ સિવાય બ્લોક-A અને બ્લોક-B ની વચ્ચે ખુલ્લી જગ્યામાં FINA નોર્મસ મુજબ વોર્મ અપ સ્વિમિંગ પૂલ બનાવાયો છે, જેથી ખેલાડીઓ મેચ શરૂ થાય એની પહેલાં થોડી પ્રેક્ટિસ કરી શકે. 2030ની કોમનવેલ્થ ગેમ્સ માટે પણ અમદાવાદ સજ્જ2036ના ઓલિમ્પિક પહેલાં 2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય એ માટે ભારતે બીડ પણ કરી દીધી છે. જો મંજૂરી મળશે તો 2030-કોમનવેલ્થ ગેમ્સનું આયોજન અમદાવાદમાં થઈ શકે છે અને એના પરથી દુનિયાને એક મેસેજ પણ આપી શકાય છે કે 2036ની ઓલિમ્પિક ભારતમાં ગુજરાતનું અમદાવાદ કરવા સક્ષમ છે. આ માટે કોમનવેલ્થ ગેમ્સનું ડેલિગેટ્સ નારણપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું આવીને નિરીક્ષણ પણ કરીને ગયું છે, જેનો પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક ગેમ્સના નિયમો મુજબ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવું પડકાર છે અને અમદાવાદે આ કરી કરી બતાવ્યું છે.
રાજકોટના ઐતિહાસિક રણજીતવિલાસ પેલેસમાં નવરાત્રિ દરમિયાન શૌર્ય અને પરંપરાનું અનોખું પ્રદર્શન જોવા મળશે. આ વર્ષે સતત 19મી વખત ક્ષત્રિય સમાજની 150 બહેનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવશે, જે માટે પ્રેક્ટિસ શરૂ થઈ ચૂકી છે. આ અદ્ભુત પ્રસ્તુતિમાં બહેનો તલવાર, ઢાલ, દીવડા, થાળી અને ટિપ્પણી જેવા વિવિધ રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનર્જીવિત કરશે. રાજવી પરિવારના રાણીબા કાદમ્બરીદેવીના માર્ગદર્શન હેઠળ, ભગિની ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બહેનો દર વર્ષે કંઈક નવું કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. આ ભવ્ય કાર્યક્રમ નવરાત્રિના બીજા, ત્રીજા અને ચોથા નોરતે યોજાશે, જેમાં સામાન્ય જનતાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 15થી 40 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશેરાજકોટનાં રાજવી પેલેસના માંધાતાસિંહજીના પત્ની રાણીબા કાદંબરીદેવીએ જણાવ્યું હતું કે, રણજીતવિલાસ પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિવર્ષ તલવાર રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરે છે. જે અંતર્ગત ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બીજા અને ત્રીજા નોરતે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને 15થી 40 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશે. જ્યારે ચોથા નોરતે ભગિની ફાઉન્ડેશનની બહેનો માટે ગરબા કોમ્પિટિશન રાખવામાં આવી છે. ત્રણ દિવસ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદ્ભુત રાસની પ્રસ્તુતિ કરવામાં આવશે જે નિહાળવા માટે સામાન્ય જનતા પણ રાજવી પેલેસમાં આમંત્રિત છે. ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરતી પરંપરાગુજરાતના ગરબા એટલે માત્ર ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે ગરબા રમાય છે. જેમાં એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતો તલવાર સાથેનો રાસ છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિયાણીઓના શોર્ય સમાન તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150 કરતા વધુ બહેનો દ્વારા અવનવા કરતબ રજૂ કરવામાં આવશે. હાલ આ રાસની જોરશોરથી તૈયારી રાજવી પેલેસ ખાતે કરવામાં આવી રહી છે. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. અગાઉ મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો. બહેનોએ દીવડા, થાળી અને ટીપ્પણી રાસ પણ રજૂ કર્યો હતોરાજકોટના રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસ રમાય છે. ગતવર્ષે બીજા અને ત્રીજા નોરતે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસ લીધા હતા. દરમિયાન બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ પ્રથમ વખત તલવાર રાસ રમી ઉપસ્થિત સૌ કોઇને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત બહેનોએ દીવડા, થાળી અને ટીપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો. આ વર્ષે પણ કાંઈક નવું કરવાની તૈયારીઓ: જાનકીબા ચુડાસમાતલવાર રાસની પ્રેક્ટિસ કરતા જાનકીબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે ભગીની સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે. જેના પ્રમુખ રાજકોટનાં રાણીસાહેબ કાદમ્બરી દેવી જાડેજા છે. તેમનું માનવું છે કે, સ્ત્રીઓ દરેક કાર્યમાં આગળ વધે અને ઘરની બહાર નીકળી તેમનું કૌશલ્ય બતાવે. જે અંતર્ગત અમે નવરાત્રિમાં તલવાર રાસ રજૂ કરીએ છીએ. તલવાર રાસ એ શક્તિનું પ્રદર્શન છે. આ રાસની સાથે માતાજીની આરાધના માટે અમે પ્રાચીન રાસ પણ રજૂ કરીએ છીએ. જેમાં તાલી રાસ, ગરબા રાસ, દીવા રાસ અને દાંડિયા રાસ સામેલ છે. તલવાર રાસ અહીંનું ખાસ આકર્ષણ છે. જેમાં પણ અમે દરવર્ષે કંઈક નવું કરીએ છીએ. બે વર્ષ પહેલાં અમે બાઈક પર સ્ટંટ કર્યા હતા. ગતવર્ષે ખુલ્લી જીપ અને બુલેટ ઉપર સ્ટંટ કર્યા હતા. આ વર્ષે પણ અમે કાંઈક નવું કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 13 વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઈક પર તલવાર રાસ રમતા શીખવવાની ખાસ શિબિર યોજવામાં આવે છે. અંદાજે પાંચ વર્ષ પહેલા ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ પણ સ્થાપ્યો હતો. ત્યારે આ વર્ષે બાઈક અને જીપ સિવાયના અન્ય કરતબ કરવાની તૈયારી પણ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવી રહી છે. જેને નિહાળીને લોકો મંત્રમુગ્ધ થઈ જશે તે નિશ્ચિત છે.
ગુજરાતના વેપારીઓનો સમય અને પૈસા બચે તેવા મહત્વના સમાચાર એ છે કે હવે રાજ્યના 3 મહત્વના શહેરોમાં GST ટ્રિબ્યુનલ શરૂ થઇ શકે છે. જેના કારણે વેપારીઓએ હવે GSTના કેસ માટે હાઇકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી નહીં જવું પડે. વેપારીઓ GSTના વિવાદને આ ટ્રિબ્યુનલમાં પડકારી શકશે. આ ત્રણેય શહેરમાં શરૂ થનારી GST ટ્રિબ્યુનલમાં નજીકના દિવસોમાં નિમણુક કરવામાં આવશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયથી GST અંગેના પેન્ડિંગ રહેલા કેસોનો ઝડપથી નિકાલ થશે. સામાન્ય રીતે વેપારીઓની એવી ફરિયાદ હોય છે કે GST વિભાગ આડેધડ આકારણી કરે છે. આવા સમયે વેપારી કે કરદાતાને GSTના અપીલ કમિશનર સમક્ષ જવું પડતું હોય છે. આવા કિસ્સામાં વેપારીઓને ન્યાય મળતો નથી તેની પાછળનું કારણ એવું છે કે આકારણી કરનાર અધિકારી પણ GSTના હોય છે અને અપીલ કમિશનર પણ GSTના જ હોય છે. જો વેપારીને અપીલ કરવી હોય તો દાવાની કુલ રકમના 10% રૂપિયા જમા કરવવા પડતા હોય છે. જો અપીલમાં સંતોષ ન થાય તો વેપારીએ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડવો પડે છે. જેમાં વેપારીઓનો સમય અને પૈસા વધુ વપરાય છે સાથે જ કરવેરા સલાહકારોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ 3 શહેરમાં GST ટ્રિબ્યુનલ શરૂ થઇ શકેહવે અમદાવાદ, સુરત અને રાજકોટમાં GST ટ્રિબ્યુનલ શરૂ થાય તેવી શક્યતા છે. જેના કારણે જો અધિકારીઓએ આડેધડ આકારણી કરી હશે તો વેપારીઓ પોતાના શહેરની નજીક આવેલી GST ટ્રિબ્યુનલમાં તેને પડકારી શકશે. ગુજરાતના 2 હજાર કેસ પેન્ડિંગએક અહેવાલ પ્રમાણે, હાલમાં ગુજરાતના અંદાજે 2 હજારથી વધારે કેસો અપીલ કમિશનર, હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યા છે. જેના કારણે કરોડો રૂપિયાની GST આવક પણ અટવાઇ ગઇ છે. 5 હજાર કરોડથી વધુની રકમ અટવાઇહવે જ્યારે ટ્રિબ્યુનલમાં જજોની નિમણૂક કરવાની પ્રોસિજર શરૂ થઇ ગઇ છે ત્યારે ફસાઇ ગયેલી રકમ પાછી મેળવવા માટે ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર કોઇ પહેલ કરે તેવી વેપારીઓમાં માંગ ઉઠી છે. એક અંદાજ પ્રમાણે દેશના કરદાતાઓની 5000 કરોડથી વધારેની રકમ અટવાયેલી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે. GST ટ્રિબ્યુનલમાં નિમણુક માટેની સમય મર્યાદા 4 વર્ષ અથવા 67 વર્ષની વય નક્કી કરવામાં આવી છે. તેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી નિમણુક કરવામાં આવશે. નિવૃત્ત IRS, IAS ટ્રિબ્યુનલમાં જવા તૈયારકેન્દ્ર સરકાર જે ટ્રિબ્યુનલ રચશે તેમાં રિટાયર્ડ જજ સહિત નિવૃત્ત IRS, નિવૃત્ત IAS, રિટાયર્ડ ચીફ કમિશનર તેમજ એડવોકેટ જજ તરીકે ફરજ બજાવશે. જો કે હજુ સુધી ટ્રિબ્યુનલ સ્થાપવામાં આવી નથી. 36 અધિકારીઓએ શપથ લઇ લીધાકેન્દ્ર સરકારે આ અંગેની કવાયત શરૂ કરતા દેશના જુદા જુદા રાજ્યોમાંથી નિવૃત્ત થયેલા કસ્ટમ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ, હાઇકોર્ટના નિવૃત્ત જજ અને IRS અધિકારી તેમજ IAS અધિકારીઓની પણ ટેકનિકલ મેમ્બર તરીકે સેવા લેવાનો નિર્ણય કર્યો છે. જેના ભાગરૂપે દેશભરમાંથી 96 જેટલા નિવૃત્ત અધિકારીઓએ GSTમાં ફરજ બજાવવાની તૈયારી બતાવી હતી. જેમાંથી 36 જેટલા નિવૃત્ત અધિકારીઓએ સેન્ટ્રલ GST જ્યુડિશિયલ મેમ્બર અને ટેકનિકલ મેમ્બર સમક્ષ શપથ લીધા છે અને હવે તેમની જુદા જુદા રાજ્યોમાં નિમણુક કરવામાં આવશે. નજીકના દિવસોમાં બાકીના નિવૃત્ત અધિકારીઓ પણ શપથ લઇને પોતાના નવા હોદ્દા ગ્રહણ કરે તેવી સંભાવના છે. વેપારીઓના નાણાં જલ્દી છૂટા થશેઃ જૈનિક વકીલઆ અંગે GCCIની ડાયરેક્ટ ટેક્સ ટાસ્ક ફોર્સના ચેરમેન અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જૈનિક વકીલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, GST ટ્રિબ્યુનલ શરૂ થવાથી વેપારીઓના રોકાયેલાં નાણાં વહેલાં છૂટાં થશે. જેનાથી બિઝનેસમેનની વર્કિંગ કેપિટલ અનબ્લોક થશે. નાણાંકીય રોટેશન થશે અને દેશું અર્થતંત્ર વધુ મજબૂત થશે. તેમણે ઉમેર્યું કે, એકવાર ટ્રિબ્યુનલનું ગઠન થયા બાદ વેપારીઓ GSTના પડતર કેસોના નિકાલ માટે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જતાં પહેલાં ટ્રિબ્યુનલમાં જઇ શકશે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાથી ઘણો સમય વ્યતિત થાય છે અને ખર્ચો પણ વધારે થાય છે એટલે ટ્રિબ્યુનલનું ગઠન થવાથી તેમાં પણ ફાયદો થશે. બીજુ હાલના પડતર કેસોનો ઝડપી નિકાલ થશે અને તેમાં તીવ્ર ઘટાડો થશે. GST કાયદો આવ્યો ત્યારથી ટ્રિબ્યુનલ રચાઇ નહોતીદેશભરમાં જ્યારથી GST કાયદો અમલમાં આવ્યો ત્યારથી અત્યાર સુધી ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી નહોતી. અગાઉ દેશમાં કયા કયા રાજ્યોમાં GST ટ્રિબ્યુનલ બનાવવામાં આવશે તેની જાહેરાત તો કરવામાં આવી હતી પરંતુ તેનો અમલ થઇ શક્યો ન હતો. માત્ર નવી દિલ્હી ખાતે GST ટ્રિબ્યુનલની સેન્ટ્રલ એટલે કે પ્રિન્સિપલ બેન્ચની સ્થાપના કરીને ટેકનિકલ મેમ્બર (સ્ટેટ) તરીકે એ. વેણુપ્રસાદ અને અનિલકુમાર ગુપ્તા (ટેકનિકલ કમિટી મેમ્બર, સેન્ટ્રલ)ની નિમણૂક કરાઇ હતી. આના પછી અલ્હાબાદ હાઇકોર્ટના નિવૃત્ત જજ મયંકકુમાર જૈનની જ્યુડિશિયલ મેમ્બર તરીકે નિમણુક કરાઇ હતી. પરંતુ દેશના બીજા રાજ્યોમાં ટેકનિકલ મેમ્બરોની નિમણુક થઇ નહોતી. હવે GSTમાં 2 સ્લેબથોડા દિવસો પહેલાં GSTમાં 4ની જગ્યાએ ફક્ત 2 સ્લેબ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ સ્લેબ નવરાત્રિના પહેલા દિવસથી, એટલે કે 22 સપ્ટેમ્બરથી અમલમાં આવશે. GSTમાં ટેક્સ સ્લેબમાં સુધારાની જાહેરાત પછી તેનો લાભ ગ્રાહકોને મળે તે માટે સરકારે savingwitgst.in નામની વેબસાઈટ લોન્ચ કરી છે. 22 સપ્ટેમ્બરથી નવા દરનો અમલ થાય તે પહેલાં અને પછી વસ્તુની કિંમતની સરખામણી કરી શકશે.
જો તમારા વાહનનું પીયુસી, ફાસ્ટટેગ કે વીમો એક્સપાયર થતો હશે અથવા તમારું ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યૂ કરવાનું હશે, તો અવધિ પૂરી થતાં પહેલાં જ તમારા મોબાઈલ ફોન ઉપર મેસેજ આવી જશે. કરોડો વાહનચાલકો માટે RTO નવી સિસ્ટમ ઊભી કરવા જઈ રહ્યું છે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે દરેક વાહનચાલકે પોતાની રીતે વાહન વ્યવહાર વિભાગની વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો રજિસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો આવનારા સમયમાં ભારે દંડ પણ ભરવાનો વારો આવી શકે છે. ઘણી વખત ટ્રાફિક પોલીસ ડ્રાઇવ ચલાવે અને વાહનોનું સઘન ચેકિંગ કરે ત્યારે ફિટનેસ સર્ટિફિક્ટથી માંડીને વીમો, પીયુસી તેમજ વાહનચાલકના ડ્રાઇવિંગ લાયસન્સ બાબતે ગેરરીતિ સામે આવે છે. આવા સમયે વાહનચાલકો પણ ઘણી બહાનેબાજી કરતા હોય છે. એટલા માટે જ હવે રાષ્ટ્રીય સ્તરે વાહનવ્યવહાર વિભાગે વિદેશ જેવી સિસ્ટમ ઊભી કરવાનો નિર્ણય લીધો છે. વિશ્વના ઘણા દેશોમાં વાહનના વીમા, ફિટનેસ, લાયસન્સ રિન્યૂઅલ સહિતની અનેક જરૂરી બાબતો માટે વાહનવ્યવહાર વિભાગ દ્વારા SMS અને ઇમેઇલ મારફતે જાણકારી આપવામાં આવે છે. હવે આ જ પ્રકારે આપણા દેશમાં પણ વાહનચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનને લગતી તમામ માહિતી બાબતે આગોતરી સૂચનાઓ આપી માહિતગાર કરવામાં આવશે. દિવ્ય ભાસ્કરની આજની સન્ડે બિગ સ્ટોરીમાં વાંચો RTO નવી સિસ્ટમથી તમારા પર શું અસર થશે? એટલું જ નહીં, જો તમારે ઘરે બેઠાં મોબાઇલથી રજિસ્ટ્રેશન કરાવવું હોય તો કેવી રીતે કરશો તેની પણ સ્ટેપ બાય સ્ટેપ જાણકારી અહીંયાં આપવામાં આવી છે. બન્ને વેબસાઇટ પર તમને વાહન અને સારથિ એમ બે પોર્ટલના ક્યૂઆર કોડ જોવા મળશે. નીચે બન્નેની લીંક આપેલી હશે. તમે આ બન્નેમાંથી કોઈપણ એક પર ક્લિક કરી શકો છો. પોર્ટલની લિંક પર ક્લિક કરતા જ તમારી સામે એક નાનકડું ફોર્મ ખુલી જશે. જેમાં કુલ 6 વિગતો ભરવાની હશે. ધ્યાન રહે કે તમે ચેસિસ નંબર અને એન્જિન નંબર એકવાર લખી દેશો પછી આપમેળે ત્યાં આંકડા બદલાઈ જશે, જેને અવગણશો. આ તમામ વિગતો ભર્યા પછી નીચે આપેલા ત્રણ બટનમાંથી વેલિડેટ પર ક્લિક કરો. વેલિડેટ પર ક્લિક કરતા જ આ ફોર્મની નીચે બીજા ત્રણ ખાના ખુલશે. જેમાં તમારો આધાર નંબર, આધાર કાર્ડ મુજબ તમારું નામ અને ત્રીજા ખાનામાં આધાર નંબર સાથે લિંક હોય એ મોબાઇલ નંબર લખવો. આટલી વિગતો લખાઈ ગયા પછી તમામ માહિતી એકવાર વાંચી લેવી. પછી નીચે આપેલી સૂચનાઓના અંતે i agreeની બાજુના બોક્સ પર ક્લિક કરી દેવી. આ પછી મોબાઇલ પર એક OTP આવશે. તેને સ્ક્રિન પર આપેલા બોક્સમાં લખ્યા પછી Update Mobile Number બટન પર ક્લિક કરશો એટલે તમારો મોબાઇલ નંબર સફળતાપૂર્વક અપડેટ થઈ જશે. જેનું તેમને કન્ફર્મેશન પણ મળશે. જો તમને ઓનલાઇન એન્ટ્રી કરવામાં કોઈ ટેકનિકલ મુશ્કેલી આવતી હોય અથવા તમે કોઈ અન્ય કારણસર ઓફલાઇન જ અરજી કરવા ઇચ્છતા હોવ તો તેના માટે પણ બે વિકલ્પ છે. એજન્ટને કામ સોંપવામાં વધી જશે મુશ્કેલીવાહનચાલકોની બહાનેબાજી ઉપરાંત એક મુદ્દો એજન્ટ પ્રથાનો પણ છે. ગુજરાતની ઘણી RTOમાં એજન્ટો વગર કામ ન થતાં હોવાની ફરિયાદો ભૂતકાળમાં પણ આવી ચૂકી છે. વળી, RTOમાં વાહનની માલિકી ટ્રાન્સફર ફરાવવી કે ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાની કામગીરીમાં ખૂબ સમય જતો હોય છે. આથી મોટાભાગના લોકો આ પ્રકારની કામગીરી એજન્ટો પાસે કરાવે છે. RTOએ પારદર્શિતા જાળવવા માટે આવી કામગીરીમાં OTP મોકલવાની સિસ્ટમ પણ રાખી છે. પરંતુ ઝડપી કામ પૂરા કરવાની લ્હાયમાં ઘણા એજન્ટો વાહનના રજિસ્ટ્રેશનની વિગતોમાં પોતાનો અંગત મોબાઇલ નંબર લખી દેતા હોય છે. પરિણામે RTOના કોઈપણ પ્રકારના મેસેજ વાહનમાલિક કે લાયસન્સધારકના મોબાઇલ નંબરને બદલે એજન્ટના ફોન નંબર ઉપર જતા હોય છે. એટલે સમયસર કોઈ માહિતી ન મળતા છેવટે તો વાહનમાલિક કે લાયસન્સધારકને જ હેરાનગતિનો સામનો કરવો પડે છે. આવી તમામ પ્રકારની ગેરરીતિ કે ગફલત ટાળવા માટે કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રાલયે નવી સિસ્ટમ અમલમાં મૂકી છે. તમે પણ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને માત્ર ચાર સ્ટેપમાં ખૂબ સરળતાથી મોબાઇલ નંબર લિંક કરી શકો છો. આ કામગીરી કરવામાં પાંચ મિનિટ કરતા પણ ઓછો સમય લાગશે. અમદાવાદના RTO નીરવભાઈ બક્ષીએ જણાવ્યું, જ્યારે વાહનચાલકનો મોબાઈલ નંબર એક વખત અપડેટ થઈ જશે ત્યાર બાદ જે તે વાહનનું પીયુસી, ફિટનેસ કે પછી કોઈ ચલણ ઇશ્યૂ થાય, આ તમામ માહિતી વાહનચાલકના આધારકાર્ડ સાથે લિંક્ડ મોબાઈલ નંબર પર મેસેજ થકી મળી જશે. લોકોને ફાયદો એ મળશે પિયુસી, લાયસન્સ એક્સપાયર થાય, આરસી બુક, તેમજ ફિટનેસ અને વેલિડિટી એક્સપાયર થતી હોય એ તમામ મેસેજ ફોન પર મળી રહેશે. નવી પદ્ધતિ સંપૂર્ણ રીતે લાગુ થયા પછી ગુજરાતભરમાં જેટલા પણ વાહનો રાજ્યમાં રજિસ્ટર થયેલા છે, જેટલા પણ લાઈસન્સનો ડેટા રજિસ્ટર થયેલો છે, આમાં કોઈ ગુનાખોરીમાંથી કોઈ પકડાશે તો એનું પણ ટ્રેકિંગ સરળતાથી કરી શકાશે.
કાર્યવાહી:ઘરેબેઠા પરીક્ષા આપી ઉત્તીર્ણ થનારા 80 અરજદારોના લર્નિંગ લાઈસન્સ રદ
કચ્છ સહિત રાજ્યની આરટીઓ કચેરીમાં અરજદારોની સવલત માટે ઘરેબેઠા લર્નિંગ લાઇસન્સની કામગીરી છેલ્લા બે મહિનાથી શરૂ કરવામાં આવી છે જેમાં પરીક્ષા આપી ઉત્તીર્ણ થયા હોય તેવા 80 અરજદારોના લર્નિંગ લાઇસન્સ ગેરરીતિ જણાઈ આવતા રદ કરાયા હોવાનું સામે આવ્યું છે. વાહન વ્યવહાર વિભાગ દ્વારા 7 જુલાઇથી ઘરેબેઠા લર્નિંગ લાઇસન્સનો વિકલ્પ શરૂ કરાયો છે. આધાર કાર્ડના આધારે લોગીન કરી ઓનલાઈન ઘરેબેઠા કોમ્પ્યુટર કે લેપટોપ પર પરીક્ષા આપી શકાય છે. જો ડોક્યુમેન્ટમાં અધૂરાશ કે ત્રુટીઓ જણાય તો સીસ્ટમ દ્વારા જ અરજી રિજેક્ટ કરવામાં આવે છે અને ઓનલાઈન લેવાતી પરીક્ષાનું પણ સંપૂર્ણ રેકોર્ડિંગ થાય છે જો નિયમ પ્રમાણે પરીક્ષા આપી હોય તો અરજદાર પાસ થાય અને જો સિસ્ટમને કોઈ વાયોલેશન જણાય તો આરટીઓ અધિકારીને કેસ ટ્રાન્સફર કરવામાં આવે છે જેમાં વાયોલેશન જણાઈ આવતા ભુજની કચેરી દ્વારા 80 લર્નિંગ લાઇસન્સ રદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ખાસ કરીને પરીક્ષા આપતી વખતે સ્ક્રીનના બદલે અન્યત્ર જોવું, અન્ય મુવમેન્ટ, બીજો વ્યક્તિ પરીક્ષા આપે તે સહિતની બાબતે સીસ્ટમ દ્વારા જ વાયોલેશનની નોંધ કરવામાં આવે છે. પરીક્ષા આપતી વખતે અરજદારે પોતે જ કસોટી આપવી જોઇએ, અન્યત્ર વાતચીત ન કરવી જોઇએ, માત્ર કોમ્પ્યુટરની સ્ક્રીન સામે જોવું જોઇએ તે સહિતની તકેદારી જરૂરી બની રહે છે. અન્યથા 900 રૂપિયા ફી ભરી ફરીથી નવેસરથી પ્રક્રિયા કરવાની રહે છે. બીજી તરફ આ કાર્યવાહીથી ખોટો માર્ગ અખત્યાર કરી લાઈસન્સ મેળવવાનો પ્રયાસ કરનારા તત્વોમાં પણ ફફડાટ ફેલાયો છે.
73 વર્ષના વૃધ્ધની વ્યથા:વાહન અકસ્માત યોજના મુદ્દે ભુજના વૃદ્ધને કડવો અનુભવ
રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માત થાય અને તાત્કાલિક સવાર મળી રહે તે માટે 48 કલાક સુધીમાં આપવામાં આવતી કોઈપણ સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ વળતર સ્વરૂપે આપવામાં આવે છે. આ માટેની સરકારે જાહેરાતો બાદ તેની શું વિધિ અને કેમ થાય તેના પ્રચાર પ્રસારના અભાવે લોકોમાં અજ્ઞાનતાને કારણે જીએમડીસીના નિવૃત્ત કર્મચારી 73 વર્ષીય શૈલેષભાઈ સી. ગાંધીને એક રૂપિયો પણ વળતર પેટે ન મળ્યો. ભુજના અરિહંત નગરમાં રહેતા નિવૃત્ત સરકારી કર્મચારી શૈલેષભાઈ ગાંધીના જણાવ્યા મુજબ 11મી ઓગસ્ટના બપોરે ઘરે જતી વેળાએ પ્રિન્સ રેસીડેન્સીના ત્રિભેટે સ્કૂટરેટ સ્લીપ થઈ જતા હાથ, પગ અને માથામાં ગંભીર ઇજાઓ થઈ હતી. બેભાન અવસ્થામાં જ લોકો જી.કે.જનરલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપીને માથાની ઇજા હોવાને કારણે ન્યૂરો ફિઝિશિયન કે સર્જનનો સંપર્ક કરવા કહ્યું હતું. ડોક્ટર ચિરાગ કુંડલીયા પાસે ગયા પણ તેમણે એકોર્ડ હોસ્પિટલમાં તાત્કાલિક લઈ જવાનું કહેતા ત્યાં દાખલ કરાયા. એમ. આર.આઈ કરાવ્યું. સારવાર બધી કરી અને ત્રણ દિવસ આઈસીયુ અને બાદમાં સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા. છ દિવસના અંદાજે 1 લાખ જેટલો ખર્ચ થયો. પ્રધાનમંત્રી દ્વારા ઘોષિત વાહન અકસ્માત સહાય યોજના અંતર્ગત 50 હજાર મળે તેવી માહિતી હોવાથી અમે ફરીથી જ્યારે મોંઘી દવાઓ લેવા ગયા ત્યારે હોસ્પિટલના ડોક્ટરને પૂછતા તેમણે જણાવ્યું કે હેડ ઇન્જરી છે માટે એક રૂપિયો પણ નહીં મળે. આરોગ્ય વિભાગમાં તપાસ કરતા તેમણે પણ સ્પષ્ટ ના કહી દીધી. આજે સ્વસ્થ છું પરંતુ મધ્યમ વર્ગ કઈ રીતે પૈસાની વ્યવસ્થા કરી અને હોસ્પિટલનો ખર્ચ કરે છે તે મને જ ખબર છે. પાંચ લાખ સુધીની સહાય કે તાત્કાલિક 50 હજાર તાત્કાલિક સારવારના મળે છે તેવી જાણ છે પરંતુ તેની પ્રક્રિયાથી અજાણ હોવાને કારણે લોકોને એટલી જ અપીલ કરીશ કે જે કોઈપણ વિધિ કરવાની હોય તે તાત્કાલિક કરવામાં આવે અને બીજું કે માર્ગ અકસ્માતમાં દરરોજ કોઈને કોઈકને ઇજા પહોંચે છે તો તે પણ રસ્તાઓ સુધરે. જોકે આ અંગે જનરલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેન્ડન્ટ ડોક્ટર નરેન્દ્ર હિરાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વાહન અકસ્માત સહાય યોજના માટે ખાનગી હોસ્પિટલ તરફથી જ તાત્કાલિક બિલની વિધિ થાય અને માથામાં ઇજાની સારવાર માટે જીકે જનરલ હોસ્પિટલમાં કોઈ સર્જન ન હોવાથી ખાનગી હોસ્પિટલ જવું પડે માટે રિફર કરાયા હોય.
લ્યો બોલો:ઓનલાઇન ચલણ ભરપાઈ કરવામા પણ જીએસટી ભરવાનો...!
ડિજિટલ યુગમાં હાલે તમામ પ્રકારની સુવિધા ઓનલાઇન થઈ ગઈ છે ફાયદાની સાથે તેના ગેરફાયદા પણ સામે આવી રહ્યા છે ખાસ તો ઠગાઈના બનાવો પણ બને છે તેવામાં હવે ઓનલાઇન મેમો ભરવામાં GST ચૂકવવો પડતો હોવાનુ સામે આવ્યું છે. ભુજના એક અરજદારે જણાવ્યું કે,તેઓ રાજસ્થાનમાં ગયા ત્યારે ઓવરસ્પીડીંગ માટે આરટીઓ ઇન્ટરસેપ્ટર મારફતે મેમો આપવામાં આવ્યો હતો. મોબાઈલમાં મેસેજ મારફતે 2 હજારનું ચલણ ભરપાઈ કરવા જણાવાયું હતું મેસેજમાં દર્શાવેલી લિંક સ્લો છે અને ઇ-ચલણની સાઈટ પણ ખુલતી નથી જેથી અન્ય કાર સેવા આપતી સાઈટ પર તપાસ કરતા 2 હજાર મેમો તેમજ 189 લીગલ ફિ અને 34 રૂપિયા જીએસટી ચાર્જ દર્શાવવામાં આવ્યો જેથી રકમ 2223 થઈ. નવાઈની બાબત એ છે કે, આ ચલણ માત્ર ઓનલાઇન ભરાય છે અને સરકારી સાઈટ સ્લો છે અને ખાનગી થર્ડ પાર્ટીમાં વધારે રકમ ભરવી પડે તેમજ રાજ્ય બહારનો મેમો સ્થાનીકે ઓફલાઇન ભરાતો નથી આવા તો ઘણા કિસ્સા છે ત્યારે ખરેખર સરકારે ઇ-ચલણ ભરપાઇ કરવાની યોગ્ય સાઇટ વિકસાવવી જોઇએ અથવા જેમ આખા દેશમાં વન નેશન વન ચલણ છે તેવી રીતે ચલણની રકમ કોઈપણ આરટીઓમાં ઓફલાઇન ભરાય તેવી વ્યવસ્થા રાખવી જોઇએ. થર્ડ પાર્ટી ચલણમાં વસુલાતા ટેક્ષ મામલે સત્તાવાર રીતે કોઈ પરિપત્ર ન હોવાનું સુત્રો જણાવે છે.
સીટી એન્કર:મોટી ખાખરના 15 વર્ષના કનૈયાનું કિડની પ્રત્યારોપણ થતા નવજીવન મળ્યું
દેશભરમાં અંગદાન માટેની જાગૃતિએ વેગ પકડ્યો છે. તેમજ અનેક દર્દીઓ અંગ પ્રત્યારોપણને કારણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે, ત્યારે કચ્છનો એક પ્રેરણારૂપ કિસ્સો આંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે પત્રકાર પરિષદમાં જણાવ્યો હતો. માંડવી તાલુકાના મોટી ખાખરાના 15 વર્ષીય બાળકને કિડની ટ્રાન્સપ્લાન્ટ થતા નવજીવન મળ્યું છે. ટ્રાન્સપ્લાન્ટ એ ટ્રાન્સફોર્મેશન છે તે આ કિસ્સા ઉપરથી કહી શકાય. પત્રકારોને વિગત આપતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે, મોટી ખાખરના ખેડૂત પિતા દેવાંગભાઈના પુત્ર કનૈયાને જન્મથી જ એક કિડની હતી અને તે પણ ખરાબ હતી. જેની જાણ ત્રીજા વર્ષે થઈ. ત્યારબાદ સૌ પ્રથમ ભુજમાં જી.કે.જનરલ હોસ્પિટલ અને લાયન્સ હોસ્પિટલમાં ડાયાલિસિસ કરવામાં આવતું હતું. અઠવાડિયે બે વખતથી વધીને ત્રણ વખત ડાયાલિસિસ કરવું પડતું હતું. છેલ્લા ત્રણ વર્ષમાં જ 280 થી વધુ વખત આ નાના બાળક કનૈયાનું ડાયાલિસિસ થયું. ડિસેમ્બર, 2023 માં અંગદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જાણકારી મળતા તેમણે કીડની પ્રત્યારોપણ માટે નામ નોંધાવ્યું હતું. ત્રણ વખત બોલાવવામાં પણ આવ્યા હતા પરંતુ નિયમ મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયા વખતે એક સાથે છ દર્દીને હાજર રાખવામાં આવે છે. પ્રાથમિક તપાસણીમાં તાવ, બ્લડપ્રેશર કે અન્ય કોઈ કારણથી યોગ્ય ન લાગે તો ડોક્ટર કિડની ટ્રાન્સપ્લાન્ટ નથી કરતા. આખરે 21 મે, 2025 ના રોજ તેમની કિડની પ્રત્યારોપણ કરવામાં આવી. સફળ ઓપરેશન બાદ કનૈયાને આઠ દિવસમાં જ રજા મળી ગઈ. નવમા ધોરણમાં અભ્યાસ કરતા આ બાળક એકદમ સ્વસ્થ છે. દિલીપભાઈ ઉમેરે છે કે, મેં જોયું છે અને જાણ્યું છે તે મુજબ કિડની ટ્રાન્સપ્લાન્ટ બાદ 40 વર્ષ સુધી યોગ્ય કાળજી અને પરેજી રાખવામાં આવે તો કોઈ જ તકલીફ નથી થતી. હાલ 15 દિવસે અને બાદમાં છ મહિને એક વખત ચેક અપ કરાવવાનું થાય છે. કિડનીના દર્દીને પ્રતિ દિવસ માત્ર એક લીટર લિક્વિડ આપી શકાય છે. આ એક લીટરમાં છાશ, દૂધ, પાણી, દાળ વગેરે બધું જ આવી જાય. ખેડૂત પિતા દેવાંગભાઈ જણાવે છે કે છેલ્લા ત્રણ વર્ષમાં અંદાજે 280 વખત ભુજ ડાયાલિસિસ કામથી આવું પડતું હતું. એક વખતમાં ચાર કલાક કનૈયાને ટ્રીટમેન્ટ પૂર્ણ થાય ત્યાં સુધી હોસ્પિટલમાં બેડ પર રહેવું પડે. આ આખી પ્રોસેસ દર્દી માટે પણ અસહ્ય રહે છે. અંગ પ્રત્યારોપણ થતા મારા દીકરાને નવું જીવન મળ્યું છે. હું હવે દૈનિક પાંચ લિટર પાણી પીઉં છુંજન્મથી જ મને એક જ કિડની હતી અને તે પણ ડેમેજ હોવાથી ધીરે ધીરે લોહી શુદ્ધ કરવા માટે ડાયાલિસિસની સાઇકલ વધી ગઈ હતી. અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલ જવું પડતું. અત્યાર સુધી દરરોજ એક લીટર લિક્વિડ લઈ શકતો હતો હવે દરરોજ પાંચ લીટર પાણી પીવું છું. એકદમ સ્વસ્થ છું, રમી શકું છું અને આંગદાન દ્વારા જીવન બચે છે ત્યારે વધુ જાગૃતિ લાવવી જોઈએ તેવી મારી સૌને અપીલ છે. –કનૈયા ગઢવી, મોટી ખાખર
સન્ડે ફોટો સ્ટોરી:યુવાવર્ગ અને પરિવારોનો પ્રિય છતરડીનો બગીચો સરોવરમાં ફેરવાયો
વરસાદ પડતા નાના-મોટા ખાબોચિયા પણ ભરાઈ ગયા છે, ત્યારે ભુજના હમીરસર તળાવથી પહેલા મંગલમ ચાર રસ્તા પાસે આવેલી કેન્દ્ર સરકાર પુરાતત્વ વિભાગની કચેરી હસ્તકની વિશાળ જગ્યા હાલ તળાવમાં ફેરવાઈ ગઈ છે. આ વિભાગ છતરડી સુધીના બે થી ત્રણ એકર વિસ્તારની જાળવણી કરીને બારે મહિના હરિયાળું રાખવા ઘાસિયું મેદાન અને વૃક્ષો મેન્ટેઈન કરાય છે. પરંતુ દર ચોમાસે હમીરસર તરફ જતું પાણી આ બગીચાની બાજુમાંથી પસાર થતાં ધસમસતા વહેણનું પાણી બગીચામાં ભરાઈ જાય છે. વર્ષ દરમિયાન 11 મહિના સુધી અહીં બગીચામાં પરિવારો અને યુવા વર્ગ સમય ગાળવા આવતા હોય છે પરંતુ એક મહિનો અહીં પાણી ભરાઈ જાય છે. કચેરીના માધ્યમથી મળેલી માહિતી મુજબ આગામી એકાદ વર્ષમાં જ આ સમગ્ર વિસ્તારને પાળ બનાવીને સુરક્ષિત કરાશે અને પાણી ન ભરાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે. પ્રવાસીઓ માટે ઐતિહાસિક છતરડી આકર્ષણનું કેન્દ્ર છે માટે કચ્છ બહારથી આવતા ગ્રુપ અહીં બપોરે વિસામો પણ કરતા જોવા મળે છે.
સ્વચ્છતા ઉત્સવ:જિલ્લામાં તા.17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા ઉત્સવનો પ્રારંભ થશે
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રાજ્યભરની સાથે અમરેલી જિલ્લામાં પણ તા.17 સપ્ટેમ્બરથી સ્વચ્છતાત્સવનો પ્રારંભ થશે. આ સંદર્ભે ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશીના અધ્યક્ષતામાં આયોજિત વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્વચ્છતા હી સેવા અભિયાનને જનભાગીદારીથી સાર્થક બનાવવા માટે માર્ગદર્શન કરવામાં આવ્યું હતું. આ વીડિયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જાડેજા સહિતના અધિકારીઓ જોડાયા હતા. જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં તા.31 ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા ઉત્સવ દરમિયાન જાહેર સ્થળો ઉપરાંત પ્રવાસન, ધાર્મિક, ઔદ્યોગિક વિસ્તારો સહિતના સ્થળોએ જન ભાગીદારીથી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાશે. સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, ક્લીન ગ્રીન ઉત્સવ, અવેરનેસ કેમ્પેઇન, શ્રમદાન સહિતના રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવશે. આ કાર્યક્રમ થકી લોકોનો સ્વચ્છતા સ્વભાવ અને સ્વચ્છતા આગ્રહી બને તે માટે પ્રેરિત કરવામાં આવશે.
યુવકની હત્યા:પત્ની સાથે આડો સંબંધ રાખનાર યુવકને ટપારતા ગળામાં છરીનો ઘા ઝીંકી પતિની હત્યા કરી નાખી
ખાંભા તાલુકાના નવા માલકનેશ ગામે આજે 30 વર્ષીય યુવકની ત્રણ શખ્સોએ ગળા પર છરીનો જોરદાર ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. મૃતક યુવકની પત્ની સાથે હુમલાખોર યુવકને આડો સંબંધ હોય આ મુદ્દે આજે બંને વચ્ચે બોલાચાલી થતા ખૂની ખેલ ખેલાયો હતો. મૃતક યુવાનના શરીર પર છરીની ઈજાના 10 જેટલા ઘા જોવા મળ્યા હતા. ખાંભા પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણેય શખ્સોની તાબડતોબ ધરપકડ કરી હતી. યુવકની હત્યાની આ ઘટના ખાંભા તાલુકાના નવા માલકનેસ ગામે આજે મોડી સાંજે બની હતી. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ નવા માલકનેશના મેહુલ પુંજાભાઈ સોલંકી (ઉં. વ. 30) નામના યુવકને તે જ ગામના અલ્પેશ બારૈયા, હિતેશ સોલંકી અને ગોપાલ બારૈયા નામના શખ્સોએ ઘાતકી હત્યા કરી નાખી હતી. મૃતક મેહુલ સોલંકીની પત્ની સાથે અલ્પેશ બારૈયાને આડો સંબંધ હતો. જેની જાણ મેહુલને થતા અગાઉ પણ બોલાચાલી થઈ હતી. આજે મેહુલ પોતાના ઘર નજીક અવેડા પાસે બેઠો હતો. તે સમયે અલ્પેશ બારૈયા ત્યાં આવતા તેણે તેને ત્યાંથી કાઢી મૂક્યો હતો. જેના પગલે અલ્પેશ ઉશ્કેરાયો હતો અને હિતેશ તથા ગોપાલને બોલાવીને મેહુલના ઘરે ગયો હતો. હુમલાખોર ત્રણેય શખ્સો તે અવેડા પાસે આવવાની કેમ ના પાડી ? તેમ કહી ઉગ્ર બોલાચાલી કરી હતી. જેને પગલે તેમની વચ્ચે ઝપાઝપી થઈ ગઈ હતી. આ દરમિયાન અલ્પેશ બારૈયાએ પોતાની પાસે રહેલી છરી કાઢી મેહુલના ગળામાં ઊંડે સુધી ખુપાવી દીધી હતી. આ ઉપરાંત તેણે મેહુલના શરીર પર છરી વડે 10 જેટલા ઘા માર્યા હતા. જેના પગલે મેહુલ ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. હુમલો કરી ત્રણેય શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. જ્યારે મૃતક મેહુલની લાશને પોસ્ટ મોર્ટમ માટે રાજુલા હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. બનાવની જાણ થતા ખાંભા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. મૃતક મેહુલના ભાઈએ આ બારામાં ત્રણેય યુવાન સામે ફરિયાદ નોંધાવ્યા બાદ સ્થાનિક પીએસઆઇ અને તેની ટીમે હત્યારા ત્રણેય શખ્સોને ઝડપી લીધા છે. મેહુલને 10 દિવસ પહેલાપ્રેમ સંબંધની જાણ થઈ હતીમેહુલની પત્નીને અલ્પેશ બારૈયા સાથે પ્રેમ સંબંધહોવાની જાણ તેને દસ દિવસ પહેલા થઈ હતી. અને તેસમયે પણ મારા મારી કરી તેણે અલ્પેશને કાઢી મુક્યોહતો. જેનો ખાર રાખી આજે હુમલો કરાયો હતો. ગોપાલ બાઈક પર હત્યારાને ડુંગરોમાં છુપાવી આવ્યોહત્યા સમયે ગોપાલ બારૈયા પણ ઘટના સ્થળે હાજર હતો અને મેહુલની હત્યા બાદ અલ્પેશ અને હિતેશને પોતાના મોટરસાયકલ પર તે ગામ બહાર ડુંગરની વચ્ચે મૂકી આવ્યો હતો. જો કે પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.
ફતેગંજ પોલીસે તપાસ હાથ ધરી:15 વર્ષનો કિશોર સમાજ સુરક્ષા સંકુલની દીવાલ કૂદીને ભાગ્યો
નિઝામપુરા સમાજ સુરક્ષા સંકુલમાંથી 15 વર્ષીય કિશોર સંસ્થાની દિવાલ કુદીને ભાગી ગયો હતો. ત્યારે ફતેગંજ પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. ઉલ્લેખનીય છે કે, બાળક અગાઉ પણ દિવાલ કુદી ભાગી ગયો હતો. જોકે તે મળી આવતા ફરી તેને સંસ્થામાં રખાયો હતો. મુળ પંચમહાલના મેહુલ ઈન્દ્રકાંતભાઈ ભાટીયા નિઝામપુરા સમાજ સુરક્ષા સંકુલ ખાતે પ્રોગ્રામ મેનેજર તરીકે ફરજ બજાવે છે. સંકુલમાં કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને આશ્રય આપી તેમનો ઉછેર કરી સમાજમાં સારા નાગરીક બને તેનો પ્રયાસ કરાય છે. 8 સપ્ટેમ્બરે સાંજે સાડા આઠ વાગે સંસ્થામાં જમવાના સમયે બાળકો કેન્ટીનમાં ભેગા થયા હતા. જોકે ત્યારબાદ બાળકો જમીને પરત હોસ્ટેલમાં આવી ગયા હતા. ત્યારે સંસ્થામાં આશ્રીત બાળકોની ગણતરી કરતા મુળ ઉત્તરપ્રદેશનો એક 15 વર્ષીય કિશોર મળી આવ્યો નહોતો. કિશોરને ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા સંસ્થામાં ટ્રાન્સફર કરાયો હતો. ત્યારે સીસીટીવી તપાસ કરતા કિશોર સંસ્થાની દિવાલ કુદીને જતો રહ્યો હોવાનું જણાયું હતું. કિશોર અગાઉ 1 સપ્ટેમ્બરે સંસ્થાની દિવાલ કુદીને ભાગી ગયો હતો. ત્યારબાદ તે બીજા દિવસે ગોધરા રેલવે પોલીસને મળતા તેને પરત સંસ્થામાં લવાયો હતો. ત્યારે ફરીથી બાળક દિવાલ કુદીને ભાગી ગયો હતો. 8 સપ્ટેમ્બરથી કિશોર ભાગી ગયા બાદ તે મળી આવ્યો નહોતો. ત્યારે આ મામલે ફતેગંજ પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બાળક અગાઉ પણ દિવાલ કુદી ભાગી ગયો હતો. જોકે તે મળી આવતા ફરી તેને સંસ્થામાં રખાયો હતો.
સિદ્ધિ:અમૃતસરની પ્રાચીન હેરિટેજ સ્ટ્રીટના ફોટોગ્રાફને એવોર્ડ
ખોડિદાસ પરમાર આર્ટ ફાઉન્ડેશન ભાવનગર દ્વારા રસિકભાઇ હેમાણી ફોટોગ્રાફી સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વડોદરાના ચિત્રકાર અને ફોટોગ્રાફર શૈલેષ પટેલને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ વિજેતા ફોટોગ્રાફની માહિતી આપતા શૈલેષ પટેલે જણાવ્યું હતું કે આ ફોટોગ્રાફી સ્પર્ધાનો વિષય” સ્ટ્રીટ લાઇફ’ હતો કે જેમાં મેં અમ્રૃત સર-પંજાબની સૌથી જૂનામાં જૂની પ્રાચીન “હેરિટેજ સ્ટ્રીટ’ નો ફોટોગ્રાફ રજૂ કર્યો હતો કે જે મેં અમ્રૃતસર જઇને ક્લિક કર્યો હતો. આ ઓલ ગુજરાત ફોટોગ્રાફી કોમ્પિટિશનમાં મારા સહિત વડોદરાનાં પંદરેક જેટલા ફોટોગ્રાફરોના ફોટોગ્રાફ એક્ઝિબિશન માટે સિલેક્ટ થયા હતા કે જેમાં મારા આ ફોટોગ્રાફને એવોર્ડ મળ્યો છે કે જે વડોદરા માટે ગૌરવવંત ઘટના છે. શૈલેષ પટેલે ક્લિક કરેલા અમ્રૃતસર પંજાબની સૌથી જૂનામાં જૂની પ્રાચીન “ હેરિટેજ સ્ટ્રીટ’ ના ફોટોગ્રાફને એવોર્ડ મળ્યો હતો.
શહેરના હોટેલ સંચાલકને અપહરણની ધમકી આપી આબીદ સૈયદ દ્વારા 15 લાખની ખંડણી માંગવામાં આવતી હોવાનો આરોપ લગાવતી રજૂઆત પોલીસ કમિશનરને લેખિતમાં કરવામાં આવી છે. યાકુતપુરા વિસ્તારમાં રહેતા ઇસમોના ત્રાસથી કંટાળી જઈ આત્મહત્યા કરવાનું નક્કી કર્યું હોવાનું પણ રજૂઆતમાં જણાવ્યું છે.પોલીસે એને ગંભીરતાથી લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી છે. યાકુતપુરા વિસ્તારમાં રહેતા કુતુબુદ્દીન અલાઉદ્દીન સૈયદે પોલીસ કમિશનરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.કે હું હોટલ ચલાવુ છું. વિસ્તારમાં રહેતા અરબાઝ રંગરેજ અને અનસ રંગરેજ રહે પટેલ ફળિયું અને આબીદ નિસારહુસૈન સૈયદ રહે મિનારા મસ્જિદ પાસે ગુનાહિત પ્રવૃતિઓ કરે છે અને લાકડાના પીઠામાં લઈ જઈ માર મારી ધાક ધમકીઓ આપી ખંડણી વસૂલવા જેવી પ્રવૃતિઓ કરે છે, જેમની સાથે અમારે વિવાદ બાદ ઝઘડો થયો હતો. આ આરોપીઓને અમારી વિરુદ્ધ ઉશ્કેરણી કરે છે. આબીદ ખુબજ માથાભારે અને ઝનૂની છે. અને ખંડણી ઉઘરાવવાની પ્રવૃત્તિ કરે છે.અગાઉ અનેક ગુનામાં સંડોવણી બહાર આવી હતી. આબીદ દ્વારા અમારા અરબાઝ અને અનસ સાથેના વિવાદમાં સમાધાન કરાવી આપવા માટે 15 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી.જેનો મે ઇનકાર કર્યો હતો.પરિણામે ઉશ્કેરાઈ ગયો હતો. આબીદ હુસેને 15 નહીં આપે તો તારી માતા-બેનની ઈજ્જત લૂંટવાની અને અમારા છોકરાને ઉઠાવી અપહરણ કરવાની ધમકીઓ આપે છે.પરિણામે અમારો પરિવાર ગભરાઈ ગયો છે. આરોપીઓ અમારી હોટેલ પાસે આવી અમારે ત્યાં કામ કરતા માણસોને અપશબ્દો બોલી ઝઘડો કરે છે. આરોપી સામે તાત્કાલિક પગલા લેવા હોટલ સંચાલકે માંગ કરી છે.અને અને આરોપી અમારા ફરિયાદીના પરિવારને ગમે ત્યારે મોટું નુકસાન પહોંચાડી શકે એમ છે. જો પોલીસ કોઈ પગલા નહીં લે તો અમારે આત્મઘાતી પગલું ભરવું પડશે એના જવાબદાર આરોપીઓ હશે એમ હોટેલ સંચાલક કુતુબુદ્દીને લેખિત રજૂઆતમાં જણાવ્યું છે.જેના પગલે સિટી પોલીસ મથકે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. યાકુતપુરામાં સમાંતર કોર્ટ ચાલે છેઃ વેપારી કુતુબુદ્દીનપોલીસ કમિશનરને થયેલી રજૂઆતમાં વેપારી કુતુબુદ્દીને જણાવ્યું છે કે આબીદ નિસાર હુસૈનનો પુત્ર છે અને લાંબા સમયથી ડેલા તરીકે ઓળખાતા લાકડાના પીઠામાં સમાંતર કોર્ટ ચલાવે છે. અંડરવર્લ્ડના ભાઇની જેમ મનફાવે એવો ચુકાદો આપે છે. તે બંને પક્ષોને ધમકી આપી કબૂલ રાખવો પડે છે. વિવાદની રકમના અમુક ટકા લવાદ તરીકે વસૂલે છે. વિસ્તારમાં ભયનું વાતાવરણ માથાભારે તત્વો ફેલાવી રહ્યા હોવાનું ઉમેર્યું છે. મામલાની ગંભીરતા જોતાં તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છેવેપારી ને ધમકી આપી ખંડણી માંગી હોવાની અરજી અમને મળી છે.જેમાં ગંભીર આરોપો હોવાથી તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે.અને ફરિયાદી તેમજ આરોપીઓને બોલાવી નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. > આર.બી.ચૌહાણ, પીઆઈ, સિટી પોલીસ મથક મારી પર ખોટા આરોપ કર્યા, મેં ધમકી આપી નથીઃઆબીદશહેર પોલીસ કમિશનર સમક્ષ થયેલી લેખિત રજૂઆતમાં જેની ઉપર ધમકી અને ખંડણીના આરોપ લાગ્યા છે એ આબીદ નિસારહુસૈન સૈયદે જણાવ્યું છે કે કુતુબુદ્દીન અને અન્ય વચ્ચે ઝઘડો થયો હતો. જેનું સમાધાન નહીં થતાં મારી ઉપર ખોટા આરોપ લગાવી રહ્યા છે. હું સમાજસેવા કરું છું, જેમાં મારી ખોટી રીતે બદનામી કરવા માટે કેટલાક લોકો સક્રિય થયા છે. મેં ધમકી આપી નથી કે પછી કોઈ પણ ખંડણી માંગી નથી.
દારૂ ઝડપાયો:નિમેટા કમ્પાઉન્ડ પાસેથી 3.11 લાખના દારૂ સાથે 2 ઝડપાયા
વડોદરા ગ્રામ્ય એલસીબીને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે નિમેટા કમ્પાઉન્ડ પાસેના બોર્ડ પાસે સાંજે વોચ ગોઠવી હતી. મારુતી સુઝુકી કંપનીની જેન ઈસ્ટીલો ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પકડાયેલ ઈસમ ડેનિસ રમેશ પોદ્દાર (ઉં.વ. 31) રહે. માધવ નગર, વાઘોડિયા તથા બીપીન કમલેશભાઈ ભાલીયા (ઉં.વ.26 ) દત્તનગર હોલમાર્કની પાછળ આજવા રોડ વડોદરા શહેરના આ બંને ઈસમોએ આરોપી શર્મા પાસેથી વિદેશી દારૂનો મુદ્દામાલ લાવી વડોદરા શહેરમાં નંદસરી રહેતા અલ્પેશ ગોહિલને આપવા જતા હતા. દરમિયાન વડોદરા ગ્રામ્ય એલસીબીના હાથે નિમેટા પાસે ઝડપાઈ ગયા હતા. ફોરવીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બિયર અને બોટલ 1236 નંગ જેની કિંમત 3,11,172તથા જેન ઇસ્ટીલો ગાડી ની કિંમત 1 લાખ તેમજ મોબાઇલ એક નંગ કિંમત 10 હજાર કુલ મળી રૂપિયા 4,21,172ના મુદ્દામાલ સાથે ડેનિસ અને બીપીન નામના શખ્સની એલસીબીએ ધરપકડ કરી વિદેશી દારૂનો મુદ્દામાલ આપનાર અને મંગાવનાર કુલ મળી 4 ઈસમો સામે વાઘોડિયા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ઠગાઈ:શાળાનાં આચાર્યા અને પતિને યોગ ડેના સેલિબ્રેશનમાં મોરેશિયસ લઈ જવાનું કહી 2.87 લાખની ઠગાઈ કરી
લક્ષ્મીપુરા રોડની સી.કે.પ્રજાપતિ વિદ્યાલયના વિભાગ-1ના પ્રિન્સિપાલ તેમજ તેમના પતિને યોગા ડેના સેલિબ્રેશન માટે મોરેશ્યસ લઈ જવાનું કહી રૂ.2.87 લાખ ઠગી લીધા હતા. ઠગે સ્કુલ પર જઈ તે વિવિધ દેશમાં સાંસ્કૃતિક પ્રોગ્રામ કરે છે. અને પ્રિન્સિપાલ તથા વિદ્યાર્થીને લઈ જવાનો ખર્ચ ઉઠાવે છે કહી લાલચ આપી હતી. સુભાનપુરા સ્નેહધારા સોસાયટીમાં રહેતા 61 વર્ષીય હિમેશભાઈ ઉપેન્દ્રભાઈ ઓઝાના પત્ની વંદનાબેન ઓઝા લક્ષ્મીપુરા રોડ સી.કે.પ્રજાપતિ વિધ્યાલય વિભાગ-1 પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા હતા. ડિસેમ્બર 2024માં કનુભાઈ બાલુભાઈ પટેલ(રહે, ગોત્રી યશ કોમ્પ્લેક્ષ સામે વુડાના મકાન) સહિત તેમની ટીમ સ્કુલ પર ગયા હતા. જ્યાં કનુભાઈએ વંદનાબેનને કહ્યું હતું કે, નટરાજ ગ્રુપ ઓફ પર્ફોમિંગ આર્ટ્સ તથા સાવી એન્ટરટેનમેન્ટ આર્ટની સંસ્થા તેમની છે. કનુભાઈએ કહ્યું હતું કે, અમારૂં ગ્રુપ મોરેશ્યસ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા સ્થળે ભારતીય સંસ્કૃતિને વિસ્તારવા માટે અવનવા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરે છે. દરેક સ્કુલમાંથી પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમજ આચાર્ય સહિતને જવાનું કામ કરે છે. તમામ વ્યક્તિનો ખર્ચો ગ્રુપ ઉઠાવે છે. જાન્યુઆરીમાં કનુભાઈએ વંદનાબેનને એક લેટર મોકલ્યો હતો. જેમાં હિન્દુ હાઉસના ગ્રુપ તરફથી જુન મહિનામાં યોગા ડે સેલિબ્રેશન માટે વડોદરાથી 15 શાળાના પ્રિન્સીપાલને મોરીશ્યસનું ઈન્વિટેશન અપાયું છે. ત્યારબાદ કનુભાઈના કહેવા મુજબ વંદનાબેન અને તેમના પતિના પાસપોર્ટ તથા આધારકાર્ડના ફોટો મોકલ્યા હતા. ત્યારબાદ કનુભાઈ હિમેશભાઈના ઘરે ગયા હતા અને હિમેશભાઈ તથા તેમની પત્નીને ઈન્વિટેશન ફોર મોરીશ્યસ-2025ના ઉલ્લેખવાળો લેટર આપ્યો હતો. તે વખતે તેને કહ્યું હતું કે, 4 દિવસ પહેલાં અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બની છે. જેથી ગ્રુપ દ્વારા પ્રોગ્રામને એક મહિના પાછળ ઠલવાયું છે. તેને વિઝા પ્રોસેસ તથા ટ્રાવેલ્સ ઈન્સ્યોરન્સના ખર્ચ રૂ.1.03 લાખ લીધા હતા. મેડિકલ ફાઇલ મોકલવાના નામે રૂ.7,200 અને કરન્સી એક્સચેન્જ કરાવવા રૂ.87 હજાર લીધા હતા. તેને 30 ગ્રામ સદભાવના ભેટ તરીકે સોનું લાવવા કસ્ટમમાં પરવાનગી નહીં મળે કહી ત્રીજી વ્યક્તિનું નામ આપવા કહી વધુ રૂ.90 હજાર લીધા હતા. ત્યારે હિમેશભાઈએ તમામ લેટર તપાસ કરતા તે બનાવટી હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે દંપતીને મોરેશ્યસ મોકલવાના બહાને કુલ રૂ.2.87 લાખની ઠગાઈ કરાઈ હતી. ગોરવા પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
કાર્યવાહી:દારૂના કટિગ સમયે પોલીસ ત્રાટકી, બૂટલેગર સાથે રૂા.2.62 લાખનો દારૂ જપ્ત
પાણીગેટ પોલીસે અંબિકા ધામ સોસાયટીમાં ચાલતા દારૂના કટીંગ સમયે દરોડો પાડીને રૂા. 2.62 લાખનો દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે, બી.પી.એસ સ્કુલ પાસે આવેલી અંબિકા ધામ સોસાયટીમાં રહેતો રવિ કહાર નામનો વ્યક્તિ પીકઅપ ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને પોતાના મકાનમાં ઉતારી રહ્યો છે. બુટલેગર રવિ કનુભાઈ કહાર (ઉ.વ.38)ની ધરપકડ કરી હતી. જ્યારે પીકઅપ વાનનો ચાલક ભાગી ગયો હતો. પોલીસે રૂા.2.62 લાખનો 1268 દારૂની બોટલ મળી કુલ રૂા.6.72 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી રવિ કહાર સામે પાણીગેટ, રાવપુરા, છાણી અને બાપોદ પોલીસ મથકમાં કુલ 7 ગુના દાખલ થયેલા છે.
પરણિતાએ જીવન ટૂંકાવ્યું:ચાર મહિનાના ટૂંકા લગ્નજીવનમાં મહિલાનો આપઘાત, સાસરીમાં ત્રાસ આપવાનો આક્ષેપ
શહેરના ગાજરાવાડી વિસ્તારમાં રહેતી 20 વર્ષની પરણીતાએ ચાર મહિનાના ટૂંકા લગ્ન જીવનમાં ગળાફાંસો ખાઇ જીવાદોરી ટૂંકાવી નાખી હતી. મૃતક મહિલાના પિયર પક્ષના લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સાસરીમાં ત્રાસ આપતા હોવાને કારણે આ પગલું તેમની દીકરીએ ભર્યું છે. શહેરના ગાજરાવાડિ વિસ્તારમાં ગોકુલ નગર ખાતે રહેતી રામલ્લની જયસ્વાલ ના પતિ મનજિત કુમાર સીંગ ચણાની લારી ચલાવે છે. 13 સપ્ટેમ્બર ના રોજ બપોરે 3:30 વાગે રસોડાની છતના ભાગે લોખંડની જાળી સાથે દોરી બાંધી રામલ્લીએ આપઘાત કરી લીધો હતો. પાણીગેટ પોલીસ દ્વારા મૃતદેને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે જણાવ્યું હતું કે પિયરના સભ્યો પૈકિ કોઈ ફરિયાદ નોંધાવશે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
પાટોત્સવનું આયોજન:ઓસ્ટ્રેલિયામાં વ્રજરાજકુમારજીની હાજરીમાં 2થી 6 ઓક્ટોબરે હવેલીનો પાટોત્સવ યોજાશે
ઓસ્ટ્રેલિયાના દક્ષિણ હેમ્સફાયર ખાતે વિશ્વની સૌથી મોટી વૈષ્ણવ હવેલીનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. 2 એકર વિસ્તારમાં નિર્માણ પામેલી આ હવેલીનું વૈષ્ણવ આચાર્ય વ્રજરાજ કુમારજી મહોદય ની ઉપસ્થિતિમાં પાટોત્સવ ઉજવાશે. આ સાથે તારીખ 2 થી 6 ઓક્ટોબર 2025 દરમિયાન શ્રી ઠાકોરજી સ્વરૂપ પુરુષોત્તમ આવીર્ભાવ મહોત્સવ આ કૃષ્ણધામ હવેલી ખાતે યોજવામાં આવનાર છે. તારીખ 2 ઓક્ટોબર ના રોજ વાસ્તુપૂજન અને વૈષ્ણવ આચાર્યના વચનામૃત કાર્યક્રમનું પ્રારંભ થશે.
PMના જન્મદિન નિમિત્તે વિશેષ આયોજન:સ્વસ્થ-મેદસ્વિતા મુક્ત ગુજરાત હેઠળ શહેરમાં 4 સ્થળો પર કેમ્પ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે રાજ્ય વ્યાપી સ્વસ્થ ગુજરાત–મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવાશે. જે અંતર્ગત વડોદરા જિલ્લામાં 4 સ્થળોએ 30 દિવસીય રિઝલ્ટ ઓરિએન્ટેડ મેદસ્વિતા મુક્ત કેમ્પ યોજાશે. આ આયોજન વડોદરા જિલ્લાના ઝોન કોર્ડિનેટર, યોગ કોર્ડિનેટર, યોગ કોચ તથા સમગ્ર ટ્રેનર ટીમના સહયોગથી કરવામાં આવ્યું છે. આ અભિયાનનું માર્ગદર્શન ગુજરાત સરકારના રમત-ગમત વિભાગ હેઠળ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિશપાલજીની અધ્યક્ષતામાં આપવામાં આવી રહ્યું છે. આગામી 17 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી કેમ્પ યોજાશે. જેમાં દરરોજ સવારે 6:30 થી 8 વાગ્યા સુધી યોગ તથા આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. સાથે જ મેદસ્વિતા દૂર કરવા માટેની જીવનશૈલી, એક્યુપ્રેશર તથા આરોગ્યલક્ષી બાબતોની માહિતી પણ આપવામાં આવશે. કેમ્પનાં સ્થળ
આદ્યશક્તિ માતાજીની આરાધનાના મહાપર્વ નવરાત્રી નજીક આવતા કચ્છ ખાતે બિરાજમાન આઈ આશાપુરા માતાજીના મઢે જવા માટે દૂર દૂર પદયાત્રીનો પ્રવાહ શરૂ થયો છે. આથી મોરબી નજીક નેશનલ હાઇવે ઉપર કોઈ માથે ગરબા લઈને તો કોઈ આંખે પાટા બાંધીને અનેક કષ્ટો વેઠીને પદયાત્રિકો કચ્છ માતાના મઢે પગપાળા જતા જોવા મળ્યા છે. જેમાં એક મહિલા માટેલ આઈ ખોડિયાર માતાજીના મંદિરે ધરામાંથી જલ માથે ભરીને કચ્છ માતાના મઢે જવા નીકળ્યા છે. આ મહિલાએ કહ્યું હતું કે, ભાદરવાનો ધોમધખતો તાપ હોય એમાં ચાલવામાં અમારે નહિ માતાજીને ધ્યાન રાખવાનું હોય છે. કારણ કે, માતાજી ખુદ જ અમારી રક્ષા કરે છે. એટલે 400 કિમિ કરતા વધુ પગપાળા અંતર કાપવામાં જરાય વાંધો આવતો નથી. આ જલ માથે ઉપાડીને ચાલીને આઠ દિવસે માતાના દરબારમાં પહોંચી મતાજીને અર્પણ કરવાનું છે. ચિત્રાખડાના યુવાને આંખે પાટા બાંધી દર્શને આવવાની માનતા રાખી હતીવાંકાનેરના ચિત્રખડાના યુવાન આંખે પાટા બાંધીને કચ્છ પગપાળા જવા નીકળ્યા છે. સામાન્ય રીતે આંખે દેખાતો માણસ થોડા અંતરે પણ ચાલી શકતો નથી. ત્યારે આ યુવાન આશરે 450 કિમિ આંખે પાટા બાંધીને કઠિન પદયાત્રા કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, તેમને આશાપુરા માતાજી પ્રત્યે અતૂટ શ્રદ્ધા છે. આથી માતાજી તેમનું ધાર્યું કામ કરે છે અને દરેક મનોકામના પૂર્ણ કરે છે. ગયા વર્ષે તેમના ફઇના દીકરાને ઓપરેશન થાય એમ ન હોવાથી હોસ્પિટલમાંથી રજા આપી દીધી હતી. આથી તેઓએ માતાના મંદિરે આંખે પાટા બાંધીને ચાલીને જવાની માનતા રાખી હતી. અત્યારે એ દીકરો માતાજીની કૃપાથી એકદમ સાજો નરવો છે. તેમજ એક ભાઈબંધ પણ હોસ્પિટલમાં હોય તેમની ખબર કાઢવા જતા તેની પીડા જોઈને કઠિન માનતા રાખી હતી અને એ ભાઈબંધને પણ સારું થઈ ગયું છે. એટલે આ ચોથી વખત આશાપુરાના મઢે આંખે પાટા બાંધીને જાય છે. પડધરીના ખાખડાબેલાનો યુવાન 6 કિલોનો ગરબો માથે ઉપાડી કચ્છ પહોંચશેપડધરીના ખાખડા બેલા ગામેથી વનરાજસિંહ મેરુભા જાડેજા 6 કિલો વજન સાથેનો ગરબો માથે ઉપાડી કચ્છ ખાતે આશાપુરા માતાના મઢે ચાલીને જવા નીકળ્યા છે.તેઓ કહે છે કે, 28 વર્ષથી આ રીતે કઠિન પદયાત્રા કરતા હોય રસ્તામાં ક્યારેય પણ માતાજીની કૃપાથી જરાય થાક લાગ્યો નથી કે, ક્યારેય પણ રસ્તામાં મેડિકલ કેમ્પમાં દવા લીધી નથી.