SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

28    C
... ...View News by News Source

બનાસકાંઠાના યુવકના સુદર્શન સેતુ પર સીનસપાટા:કારના બોનેટ પર બેસી રીલ બનાવતો હતો ને પોલીસે દોડીને પકડ્યો, મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

દ્વારકાના બેટ દ્વારકામાં સુદર્શન સેતુ પર ફોર વ્હીલર કારથી જોખમી રીતે રીલ બનાવનાર યુવાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઓખા મરીન પોલીસે તેને ઝડપી પાડી ગુનો નોંધ્યો હતો અને કોર્ટે તેને સજા ફટકારી હતી. આરોપીની ઓળખ બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રાનેરા ગામના 23 વર્ષીય કિશન કુવરસિંહ જાદવ તરીકે થઈ છે. તેણે સુદર્શન સેતુ પર પોતાની કારનો ઉપયોગ કરીને જોખમી સ્ટંટ સાથે રીલ બનાવી હતી. ઓખા મરીન પોલીસના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન આ યુવાનને ઝડપી પાડ્યો હતો. તેની સામે કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો હતો. કેસની સુનાવણી બાદ, અદાલતે આરોપી વાહન ચાલક કિશન જાદવને સજાનો હુકમ કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી ઓખા મરીન પોલીસ મથકના પીએસઆઈ આર.આર. ઝરૂની સૂચના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 9:21 pm

1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુ.નગરના પૂર્વ કલેક્ટર સસ્પેન્ડ:રાજેન્દ્ર પટેલ પર જમીન NA કરવા 10 કરોડથી વધુની લાંચ લીધા હોવાનો આરોપ, 7મી સુધી રિમાન્ડ પર

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન NA(બિનખેતી)કરાવવાના કૌભાંડ મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ પહેલાં 2 જાન્યુઆરીની સવારે ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની તેમના બંગલામાંથી જ ધરપકડ કરી હતી. ઈડીની પ્રાથમિક તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. ઈડીએ રાજેન્દ્ર પટેલને સાંજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જો કે કોર્ટે 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આ મામલે ચંદ્રસિંહ મોરી, જયરાજસિંહ ઝાલા, મયૂરસિંહ ડી.ગોહિલે ઈડી સમક્ષ આખા કેસના વટાણા વેરી દેતાં નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું. આ નિવેદન મુજબ સિસ્ટેમિક ચાલતા જમીનકૌભાંડમાં લાંચનો 50% હિસ્સો કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલને મળતો હતો, જ્યારે અન્ય અધિકારી એડિશનલ કલેક્ટર ઓઝાને 25 ટકા મળતો હતો. માત્ર એટલું જ નહીં, આ ત્રણેય લોકોએ મુખ્ય સૂત્રધાર અને લાભકર્તા તરીકે કલેક્ટર રાજેન્દ્ર પટેલનું જ નામ લીધું હતું. ઈડીની પ્રાથમિક તપાસમાં કેટલીક ચોંકાવનારી બાબતો સામે આવી હતી, જે મુજબ, 23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીના ઘરેથી સર્ચ દરમિયાન બેડમાં છુપાવેલી 67.50 લાખ રોકડ મળી હતી. આ તપાસ દરમિયાન ચંદ્રસિંહે કહ્યું હતું કે લાંચમાંથી 50 ટકા હિસ્સો જિલ્લા કલેક્ટરને મળતો હતો. 10 ટકા પોતે રાખતો હતો અને બાકીની રકમ અન્ય અધિકારીઓ, જેમ કે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર આર.કે. ઓઝાને 25 ટકા મળતા હતા. મામલતદાર મયૂર દવેને 10 ટકા અને ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલને 5 ટકા મળતા હતા. આ પણ વાંચો: 1500 કરોડના જમીન કૌભાંડના આરોપીને બચાવવા સંબંધીઓનાં હવાતિયાં બધો 'હિસાબ' કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતોચંદ્રસિંહ મોરીએ ઇડી સમક્ષ નિવેદન રેકોર્ડ કરાવ્યું હતું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગરના જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમાર મહેન્દ્રભાઈ પટેલને મળતો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે આ બધો 'હિસાબ' કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા રાખતો હતો અને લાંચમાં કલેક્ટરનો હિસ્સો પણ તે જ લઈ જતો હતો અને ડો.રાજેન્દ્ર પટેલ સુધી પહોંચાડતો હતો. હિસાબની શીટ જિલ્લા કલેક્ટર સાથે શેર કરતોજ્યારે કલેક્ટરના PA જયરાજસિંહ ઝાલાએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે લાંચનો 50 ટકા હિસ્સો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્ર કુમારને મળતો હતો. આ ઉપરાંત તેણે એ પણ સ્વીકાર્યું કે આ હિસાબની શીટ જિલ્લા કલેક્ટર સાથે શેર કરતો હતો. લાંચની રકમ મેજિસ્ટ્રિયલ બ્રાન્ચ અને જિલ્લા કલેક્ટરના જિયોલોજી ડિપાર્ટમેન્ટમાં સ્વીકારવામાં આવતી હતી. આ પણ વાંચો: 1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR જિલ્લા કલેક્ટર અંતિમ નિર્ણય લેતાકલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂરસિંહ ડી.ગોહિલે ઈડી સમક્ષ કહ્યું હતું કે જમીનના હેતુ ફેર માટે જિલ્લા કલેક્ટર અંતિમ નિર્ણય લેતા હતા. ઇન્કમટેક્સમાં ખેતીની આવક દર્શાવતા નહોતા23 ડિસેમ્બરે ઈડીએ કરેલા સર્ચમાં મોંઘાદાટ મોબાઈલ ફોન્સ મળ્યા હતા, જોકે આ મોબાઈલ ક્યાંથી વસાવ્યા એેનો કોઈ જવાબ આપી શક્યા નહોતા. રાજેન્દ્ર પટેલ ખેતીલાયક જમીન ધરાવતા હોવા છતાં ઇન્કમટેક્સ રિટર્નમાં ખેતીની આવક દર્શાવતા નહોતા. જ્યારે સરકારી પોર્ટલમાં તેઓ 2016થી જમીનની વિગતો બતાવી હતી. દીકરા-દીકરીની સ્કૂલ ફી ન ભરતા, અમદાવાદમાં ફ્લેટઇડીની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે તેઓ સુરેન્દ્રનગરની સ્કૂલ ઓફ એક્સલન્સમાં ભણતાં તેમનાં દીકરા-દીકરીની ફી પણ ચૂકવતા નહોતા. આ ઉપરાંત તેમણે પોતાના નામે અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં વંદે માતરમ સિટીની સામે શુકન પ્લેટિનમમાં ફ્લેટ-નં.J-102 ખરીદ્યો હતો, જેની ભાડાની આવક તેમનાં માતા જસુમતીબેન મહેન્દ્રભાઈ પટેલના ખાતામાં જમા થતી હતી. ક્લાર્ક સાથે શેર કરેલાં પીડીએફ, ફોટોઝ મળ્યાંઈડીને નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરી પાસેથી જે મોબાઈલ ફોન, વ્હોટ્સએપ ચેટ, પીડીએફ ફાઇલ્સ અને ફોટોઝ મળ્યાં હતાં. જે તેણે ક્લાર્ક મયૂરસિંહ ડી. ગોહિલ સાથે શેર કર્યા હતા. એેનાથી લાંચનું આખું રેકેટ સ્થાપિત થયું હતું. આ લાંચ કેસ 10 કરોડનો હોવાનો ઘટસ્ફોટઈડીને મળેલા ડિજિટલ ડિવાઇસમાંથી જે શીટ્સ મળી છે એમાંથી કેવી રીતે જમીન હેતુફેરનું આખું સ્કેમ આચરવામાં આવતું હતું એનો ખુલાસો થયો હતો, જે 10 કરોડનું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. 1થી 68 નંબર સુધી અરજદારોનો હસ્ત લિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડચંદ્રસિંહ મોરીના ઘરેથી અમુક શીટ્સ પણ મળી હતી, જેમાં 1થી 68 નંબર સુધી અરજદારોનો હસ્ત લિખિત અને પ્રિન્ટેડ રેકોર્ડ હતો. એમાં અરજદારનું નામ, લાંચની માગેલી અને મળેલી રકમ, દલાલોની સંડોવણી તથા અધિકારીઓ વચ્ચે લાંચની ભાગ બટાઈની વિગતો લખેલી હતી. આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. લાંચ સિસ્ટેમેટિકલી માગીને કલેક્ટ કરવામાં આવતી અને અરજીના જલદી નિકાલ સ્પીડ મની દ્વારા લાંચ લેતા હતા. જમીનની સ્કવેરમીટરદીઠ લાંચની રકમ ફિક્સ કરેલી હતી. આ લાંચ પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ચંદ્રસિંહ મોરી દ્વારા લેવામાં આવતી હતી. 1- આ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. 2- લાંચ સિસ્ટેમેટિકલી માગીને કલેક્ટ કરવામાં આવતી અને અરજીના જલદી નિકાલ સ્પીડ મની દ્વારા લાંચ લેતા હતા. 3- જમીનની સ્કવેરમીટરદીઠ લાંચની રકમ ફિક્સ કરેલી હતી. આ લાંચ પર્સનલ આસિસ્ટન્ટ જયરાજસિંહ ઝાલા અને ચંદ્રસિંહ મોરી દ્વારા લેવામાં આવતી હતી. જ્યારે 24 ડિસેમ્બરે ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ઘટસ્ફોટ થયો છે કે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને એમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયૂર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોનાં નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું હતું. આ પણ વાંચો: 1500 કરોડના જમીનકૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR સૂત્રોએ માહિતી આપી ને ED ત્રાટકીEDના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વિશ્વસીનય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટે પાયે જમીનકૌભાંડ આચરવામાં આવી રહ્યું છે, જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે. ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણીચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેરમીટરદીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પુરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. પ્રિન્ટેડ શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાંEDને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી છે, જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, કયા પ્રકારની અરજી છે એ સહિતની વિગતો હતી. આ ઉપરાંત કયા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી એની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટનાં પણ નામ હતાં. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2 લાખ 61 હજાર 332 સ્કવેરમીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખ 17 હજાર 320ની લાંચ લેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયાનું લખાણઆ શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયા કાઢવાના છે એની પણ નોંધ કરવામાં આવી છે, જેમાં એમડીના 64 લાખ, સીબીના 60 હજાર, અશોકના 2 લાખ 83 હજાર, એચપીના 6 લાખ, રાકેશભાઈ 5000, આશિષભાઈના 70 હજાર એવી નોંધ કરવામાં આવેલી છે. ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતુંસુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ઘટસ્ફોટ થયો છે કે વચેટિયાઓ અને એજન્ટો મારફત જમીન NA કરાવવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદે રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને એનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસમીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દોસુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢિયે 5 વાગ્યે‎ EDએ રૂ.1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર, નાયબ મામલતદાર,‎ ‎કલેક્ટરના પીએ, વકીલ અને‎ ‎ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. ‎‎રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી ‎‎હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો‎ ‎સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા ‎‎સંભાળ્યા બાદ નળસરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલર‎ પ્લાન્ટમાં મોટેપાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો ‎ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહીવટ‎ કરવાનો હોય એ ઘરે લઇ જતા હતા. 5 લોકોનું નિવાસસ્થાન એપી સેન્ટરસમગ્ર તપાસનું ‎એપી સેન્ટર આ 5 જણાનું નિવાસસ્થાન હતું.‎ કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે.‎ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ (ED)ની ટીમે 1500‎ કરોડના જમીન સંપાદનમાં કટકી-બટકીના ‎આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ,‎ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ‎ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયૂરસિંહ ગોહિલ અને ‎‎હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિની ‎‎પૂછપરછ હાથ કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 9:15 pm

હોસ્પિટલમાં જ સિનિયર નર્સનો ફોર્માલિન પી આપઘાત:ડ્યુટીનો સમય તૈયાર કરવા બાબતે ઇન્ટરનલ સ્ટાફ સાથે ઝઘડો થતાં સુરતમાં ગાયનેક હોસ્પિટલના હેડ નર્સે જીવન ટૂંકાવ્યું

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી જનની ગાયનેક હોસ્પિટલમાં સિનિયર નર્સે આપઘાત કરી લીધો હતો. ડ્યુટીનો સમય તૈયાર કરવા બાબતે સાથી મિત્ર સાથે ઝગડો થતા હેડ નર્સે ઓપરેશન થિયેટરમાં જઈને ફોર્મોલીન નામનું કેમિકલ પી આપઘાત કરી લીધો હતો. હેડ નર્સના આપઘાતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પતિનું અવસાન અને એકની એક પુત્રી સાથે રહેતા હતામળતી માહિતી પ્રમાણે, સુરતના પાલ વિસ્તારમાં સુડા આવાસમાં 45 વર્ષીય અમિષાબેન હેમંતભાઈ શર્મા એક પુત્રી સાથે રહેતી હતી. અમિષાબેનના પતિનું અવસાન થઈ ગયું છે. જ્યાં છેલ્લા સાડા ત્રણ વર્ષથી રાંદેર મોરા ભાગળ ખાતે આવેલ જનની ગાયનેક હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં હેડ નર્સ તરીકે નોકરી કરતા હતા. આ સાથે હોસ્પિટલના અન્ય સ્ટાફને ક્યારે કઈ ડ્યુટી આપવી તે ડ્યુટીની લિસ્ટ પણ તે જ બનાવતા હતા. ઝઘડાનું માઠું લગાવી ફોર્માલિન પી લીધુંઅમિષાબેને ડ્યુટીની લિસ્ટ બનાવી હતી. જેમાં અમિષાબેને ડ્યુટી બરાબર નહીં બનાવી હોવાની વાતથી તેના ઇન્ટર સ્ટાફ સાથે ઝઘડો થયો હતો. તે વાતનું માઠું લાગી આવતા અમિષાબેને ઓપરેશન થિયેટરમાં જઈને ફોર્માલિન નામનું કેમિકલ પી લીધું હતું. અમિષાબેને કેમિકલ પીધા બાદ બહાર આવીને મેડિકલ પાસે અન્ય સ્ટાફ પર ખાલી બોટલ ફેંકી હતી. જેથી સ્ટાફને બનાવની જાણ થતા તેને તત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. ફોર્માલિન શું છે?ફોર્માલિનએ ફોર્માલ્ડિહાઇડનું પાણી દ્રાવણ છે. જેમાં સામાન્ય રીતે 37-40 ટકા ફોર્માલ્ડિહાઇડ હોય છે. ફોર્માલિન ખૂબ જ ઝેરી છે. તેનું સેવન અથવા વધુ માત્રામાં સંપર્ક ગંભીર નુકસાન પહોંચાડે છે. જેનાથી પેટમાં તીવ્ર બળતરા, ઉલટી, શ્વાસની તકલીફ, મેટાબોલિક એસિડોસિસ, કિડની ફેલ્યોર અને મૃત્યુ થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 9:13 pm

સરકારને લાલજી પટેલનો ખુલ્લો પડકાર:'ભાગેડુ લગ્ન અટકાવવા કાયદો બદલો, નહીં તો વિધાનસભા ઘેરીશું'; મેહસાણામાં SPGનું મહાસંમેલન

મહેસાણા જિલ્લાના બલોલ ગામે આજે સાંજે એસપીજી દ્વારા એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગેડુ લગ્નો અટકાવવા અને લગ્ન નોંધણીના વર્તમાન કાયદામાં જડમૂળથી સુધારા કરવાની માગ સાથે યોજાયેલા આ સંમેલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. આ તકે એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે સરકારને સીધો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, જો વહેલી તકે કાયદામાં સુધારો નહીં કરવામાં આવે તો આગામી સમયમાં ગાંધીનગર કૂચ કરી વિધાનસભા ઘેરવામાં આવશે. 'સરકાર માત્ર 'લોલીપોપ' આપવાનું બંધ કરી નક્કર કામગીરી કરે'વાતચીતમાં જણાવ્યું હતું કે, દીકરીઓના લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત હોવી જોઈએ. તેમણે ઉમેર્યું કે, આ માત્ર પાટીદાર સમાજની લડાઈ નથી, પરંતુ 400થી વધુ જ્ઞાતિઓ 80થી વધુ ધારાસભ્યો અને અસંખ્ય સરપંચો તેમજ સહકારી મંડળીઓનું આ અભિયાનને સમર્થન છે. સરકાર માત્ર 'લોલીપોપ' આપવાનું બંધ કરી નક્કર કામગીરી કરે તેવી માગ કરવામાં આવી છે. સંમેલનમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ આંદોલન યુવા દીકરીઓને બચાવવા અને માતા-પિતાના સન્માન માટે છે. SPGની સરકાર સમક્ષ મુખ્ય પાંચ માંગણીઓસંમેલન દરમિયાન એસપીજી દ્વારા સરકાર સમક્ષ મુખ્ય પાંચ માંગણીઓ રજૂ કરવામાં આવી છે. જેમાં દીકરીના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની, લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સંમતિ અને તેમના આધારકાર્ડ ફરજિયાત કરવાની તેમજ ખોટી રીતે લગ્ન કરનારાઓ સામે કડક સજાની જોગવાઈ કરવાની માગનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 'મૈત્રી કરાર'ની પ્રથાને વહેલી તકે રદ કરવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. દીકરી-દીકરાઓની યોગ્ય સંભાળ રાખવા અપીલકાયદાકીય લડતની સાથે લાલજી પટેલે સમાજને આત્મમંથન કરવાની પણ સલાહ આપી હતી. તેમણે વાલીઓને પોતાના સંતાનોના મોબાઈલ વપરાશ પર ધ્યાન આપવા અને દીકરી-દીકરાઓની યોગ્ય સંભાળ રાખવા અપીલ કરી હતી. સમાજમાં વધતા વ્યસનો અને ભાગીને લગ્ન કરવાની પ્રવૃત્તિને અટકાવવા માટે સામાજિક પાબંધીઓ પણ જરૂરી હોવાનું તેમણે જણાવ્યું હતું. આગામી દિવસોમાં તાલુકા અને જિલ્લા મથકોએ વધુ સંમેલનો યોજી આ લડતને તેજ બનાવવાની તૈયારીઓ એસપીજી દ્વારા દર્શાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 9:04 pm

દ્વારકાના લાઈટહાઈસથી ઝંપલાવી માતા-પુત્રનો આપઘાત:ત્રીજા માળેથી પરિણીતાએ 6 વર્ષના વહાલસોયા સાથે મોતની છલાંગ લગાવી, બંનેની લાશને પીએમ માટે ખસેડાઈ

પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં આજે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના સુપ્રસિદ્ધ લાઈટહાઉસના ત્રીજા માળેથી એક મહિલાએ પોતાના 6 વર્ષના પુત્ર સાથે મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. માતા-પુત્રની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બે દિવસ પૂર્વે જ એક યુવાને દરિયામાં ઝંપલાવી આપઘાત કર્યો હતો, ત્યાં બીજી ઘટના બનતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. લાઈટહાઉસ ઉપરથી પટકાતા મોતયાત્રાળુઓની ભીડથી ધમધમતા દ્વારકાના લાઈટહાઉસ ખાતે આજે સમી સાંજે આ કરુણ બનાવ બન્યો હતો. 5 માળના લાઈટહાઉસના ત્રીજા માળેથી 32 વર્ષીય મહિલાએ પોતાના 6 વર્ષના માસૂમ પુત્ર સાથે નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી પટકાતા બંનેના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા. સ્થાનિક રહેવાસી હોવાનું ખૂલ્યુંપ્રાથમિક તપાસમાં મળતી વિગતો મુજબ, મૃતક માતા અને પુત્ર દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલ પ્રવાસન સીઝન હોવાથી લાઈટહાઉસ પર સહેલાણીઓની અવરજવર વધુ હોય છે, તેવામાં આ ઘટના બનતા પ્રવાસીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે દ્વારકા નગરપાલિકાની એમ્બ્યુલન્સ મારફતે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ તપાસનો ધમધમાટદ્વારકા પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ આત્મહત્યા છે કે અકસ્માત, તેમજ કયા કારણોસર મહિલાએ આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:59 pm

'સ્મશાન નહીં તો વોટ નહીં':ભાડજમાં સ્મશાન ગૃહની માંગણી સાથે ગ્રામજનોએ બોર્ડ મારી વિરોધ નોંધાવ્યો, પૂર્વ સ્ટે. ચેરમેને કહ્યું-'2 કિમી દૂર શીલજમાં નવું સ્મશાન છતાં ખોટી માગ'

અમદાવાદ શહેરના ભાડજ ગામમાં સ્મશાન ગૃહ ન હોવાને લઈને સ્થાનિક લોકો દ્વારા ભાજપનો વિરોધ કરતા પોસ્ટર લગાવવામાં આવ્યા છે. થલતેજ વોર્ડમાં આવતા ભાડજ ગામમાં સ્મશાન ગૃહની માંગણી કરવામાં આવી રહી છે. લોકોને મૃતદેહની અંતિમ વિધિ માટે એસજી હાઇવે પર થલતેજ સુધી જવું પડે છે. ત્યારે ભાડજમાં સ્મશાન ગૃહ બનાવવા માટેની માગ કરવામાં આવી રહી છે. ગ્રામજનો દ્વારા ગામમાં સ્મશાન નહીં તો વોટ નહીં. ચૂંટણીનો બહિષ્કાર કરી કોઈપણ ભાજપ વાળાએ કે અંદર મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ લગાવ્યા છે. 'રહીશોની માંગણી ખોટી છે, થલતેજનમાં બે સ્મશાન ગૃહ છે'સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને થલતેજ વોર્ડના ભાજપના કોર્પોરેટર હિતેશ બારોટે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાડજ ગામના રહીશો દ્વારા જે માંગણી કરવામાં આવી રહી છે તે ખોટી છે. થલતેજ વોર્ડમાં બે સ્મશાન આવેલા છે. એસજી હાઇવે થલતેજ ચાર રસ્તા ઉપર સ્મશાન ગૃહ છે, જ્યારે શીલજમાં તાજેતરમાં જ રૂ. 17 કરોડના ખર્ચે નવું સ્મશાન ગૃહ બનાવવામાં આવ્યું છે જે ઉપયોગ માટે શરૂ પણ થઈ ગયું છે. ભાડજ ગામથી શીલજ સ્મશાન ગૃહ માત્ર બે કિલોમીટર દૂર છે જે ખૂબ જ નજીક છે. ખોટો રાજકીય વિષય ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગ્રામજનો દ્વારા સ્મશાન નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણીનો બહિષ્કારઆ અંગેની વિગત એવી છે કે, શહેરના પશ્ચિમ વિસ્તારમાં થલતેજ વોર્ડમાં ભાડજ ગામ આવેલું છે. ભાડજ ગામના સ્થાનિક રહીશો દ્વારા માગ કરવામાં આવી છે કે તેમને ગામમાં સ્મશાન બનાવી આપવામાં આવે. જેને લઇને ગ્રામજનો દ્વારા ગામમાં જાહેર ચેતવણી એવા બોર્ડ મારવામાં આવ્યા છે. બોર્ડ મારીને લખવામાં આવ્યું છે કે, સ્મશાન નહીં તો વોટ નહીંના નારા સાથે ચૂંટણીનો બહિષ્કાર હવે આગળની કોઈ ચૂંટણીમાં ભાડજ ગામ થલતેજ વોર્ડ વિસ્તારમાં કોઈ ભાજપ વાળાએ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ પ્રવેશ કરવો નહીં. આ પ્રમાણેના બોર્ડ લગાવવામાં આવતા ગ્રામજનોની માંગણી હોવાનું સામે આવ્યું છે, પરંતુ સ્થાનિક કોર્પોરેટર દ્વારા દરેક જગ્યાએ સ્મશાન બની શકે નહીં એક જ વોર્ડમાં બે સ્મશાન છે જ છતાં પણ આ માગ ખોટી રીતે કરવામાં આવી હોવાનું કહેવાયું છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:54 pm

ન્યૂ યરની પાર્ટીમાં ખેલાયો લોહીયાળ ખેલ:દારૂની મહેફિલ બાદ ઊંઘમાં રહેલા 23 વર્ષીય મિત્ર પર ચપ્પુના ઘા ઝીંક્યા; સારવાર દરમિયાન આશાસ્પદ યુવકનું મોત

સુરતના ડિંડોલી વિસ્તારમાં નવા વર્ષની ઉજવણી લોહીયાળ સાબિત થઈ છે. 31 ડિસેમ્બરની રાત્રે મિત્રો સાથે દારૂની મહેફિલ માણ્યા બાદ થયેલી માથાકૂટમાં એક 23 વર્ષીય આશાસ્પદ યુવકની હત્યા કરવામાં આવી છે. સુરત શહેરમાં નવા વર્ષની ઉજવણીના ઉત્સાહ વચ્ચે ડિંડોલી વિસ્તારમાં એક કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડિંડોલીના સુમુખ સર્કલ પાસે 31 ડિસેમ્બરની મોડી રાત્રે દારૂની પાર્ટી દરમિયાન થયેલા વિવાદમાં એક મિત્રએ જ બીજા મિત્ર પર ચપ્પુના ઘા ઝીકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા 23 વર્ષીય જતીન શિવહારેનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. યુવક નવા વર્ષની પાર્ટી કરવા ડિંડોલી સુમુખ સર્કલ પાસે ગયો હતોમૂળ ઉત્તર પ્રદેશના વતની અને ડિંડોલીની ક્રિસ્ટલ હોમ સોસાયટીમાં રહેતો જતીન રાજેશ શિવહારે (23) રેડીમેડ કપડાની દુકાનમાં કામ કરી પોતાના પરિવારને આર્થિક મદદ કરતો હતો. 31 ડિસેમ્બરની રાત્રે જતીન તેના મિત્રો સાથે નવા વર્ષની પાર્ટી કરવા માટે ડિંડોલી સુમુખ સર્કલ પાસે ગયો હતો. મૃતકના પરિવારજનોના જણાવ્યા અનુસાર, તમામ મિત્રો ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા. નશાની હાલતમાં મિત્રો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન હિમાંશુ નામના મિત્રે જતીન જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે તેના પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. 'તમારા ભાઈને ચપ્પુ વાગ્યું હોવાનો 3થી 4 વાગ્યે ફોન આવ્યો'મૃતકના ભાઈ ભૂપેન્દ્ર શિવહારેએ જણાવ્યું હતું કે, 31મીની રાત્રે લગભગ 3થી 4 વાગ્યાની આસપાસ મને ફોન આવ્યો કે તમારા ભાઈને ચપ્પુ વાગ્યું છે. હું તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જતીનને ગંભીર હાલતમાં 1 જાન્યુઆરીની વહેલી સવારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આજે અચાનક તેના ધબકારા અટકી જવાથી તેનું મોત થયું છે. અમે ઈચ્છીએ છીએ કે આરોપી હિમાંશુને કડકમાં કડક સજા મળે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાજતીનનું મોત થતા જ ડિંડોલી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. એક સામાન્ય વિવાદમાં યુવાન પુત્ર ગુમાવતા શિવહારે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:48 pm

ગોધરામાં મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો:150થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરાયા

ગોધરામાં એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 150 થી વધુ બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યા હતા. આ કેમ્પનું આયોજન ભારત મીનરલ કોર્પોરેશન અને ભારત સિલીકા વર્ક્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. તે સેવાભાવી નટુભાઈ પટેલની 10મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેમના સ્મરણાર્થે યોજાયો હતો. રેડ ક્રોસ સોસાયટી, ગોધરા ખાતે તા. 4 જાન્યુઆરી, 2026, રવિવારના રોજ આ કેમ્પ યોજાયો હતો. રક્તદાન છે મહાદાન અને રક્તદાન એ જીવનદાનના શુભ આશય સાથે તેનું આયોજન કરાયું હતું. રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન માટે ઉત્સાહ દર્શાવ્યો હતો. ભાઈઓ અને બહેનો સહિત કુલ 150 થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કરીને આ મેગા કેમ્પને સફળ બનાવ્યો હતો. આ લોક કલ્યાણના કાર્યક્રમમાં ગોધરા શહેરના કુંજલતાબેન પટેલ, વૈભવ પરીખ અને ઉદ્યોગપતિ શિલ્પા પરીખ ઉપસ્થિત રહ્યા હતા. પંચમહાલ જિલ્લા કલેકટર અજય દહિયા અને પ્રાંત અધિકારી નીરીલ મોદી પણ હાજર રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:42 pm

GUJCOST દ્વારા નેશનલ STEM ક્વિઝ 4.0 યોજાશે:15 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ઐતિહાસિક પ્રારંભિક ઓનલાઇન ઉત્સવમાં ભાગ લેવા આમંત્રણ

વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) એ દેશભરના તમામ રાજ્યો અને તમામ બોર્ડ્સમાં ધોરણ 9થી 12ના નોંધાયેલા 15,01,249 વિદ્યાર્થીઓને નેશનલ STEM ક્વિઝ 4.0 નવી પેઢીની યાત્રામાં ભાગ લેવા આમંત્રિત કર્યાં છે. પોષણ અને ઉજવણી માટે સશક્ત રાષ્ટ્રીય મંચ પૂરો પાડ્યોભારતની સૌથી મોટી STEM શિક્ષણ પહેલ તરીકે કલ્પિત નેશનલ STEM ક્વિઝ 4.0નો હેતુ યુવાનોમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, જિજ્ઞાસા અને નવીનતાની ભાવના પ્રગટાવવાનો છે. ₹2.00 કરોડની STEM સ્કોલરશિપ્સ અને પ્રોત્સાહનો સાથે આ કાર્યક્રમ વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) ક્ષેત્રે પ્રતિભાની ઓળખ, પોષણ અને ઉજવણી માટે એક સશક્ત રાષ્ટ્રીય મંચ પૂરો પાડે છે। ગાંધીનગર ખાતે બૂટ કેમ્પમાં ભાગ લેવાનો અવસર મળશે સ્પર્ધાથી આગળ વધીને શીખવાની અનુભૂતિને વધુ સમૃદ્ધ બનાવવા માટે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે બૂટ કેમ્પમાં ભાગ લેવાનો અવસર મળશે તેમજ ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (BARC), ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO), ગુજરાત સાયન્સ સિટી અને વિક્રમ એ.સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન, અમદાવાદ જેવી અગ્રણી STEM સંસ્થાઓની મુલાકાત દ્વારા પ્રેરણાદાયી અનુભવ પ્રાપ્ત થશે. પ્રારંભિક ઓનલાઇન ક્વિઝનેશનલ STEM ક્વિઝ 4.0ની પ્રારંભિક ઑનલાઇન ક્વિઝ www.stemquiz.gov.in પર 7 જાન્યુઆરી, 2026 (સવારે 11:00 કલાકથી)થી 10 જાન્યુઆરી, 2026 (સાંજે 6:00 કલાક સુધી) યોજાશે. આ વિસ્તૃત ઓનલાઇન સમયગાળો વિદ્યાર્થીઓને લવચીક, સમાવેશક અને રાષ્ટ્રીય સ્તરે સમાન તક આપે છે, જેથી તેઓ STEM વિષયોમાં પોતાનું જ્ઞાન, વિશ્લેષણાત્મક ક્ષમતા અને સમસ્યા-નિવારણ કૌશલ્ય પ્રદર્શિત કરી શકે. વિદ્યાર્થી-કેન્દ્રિત તૈયારી માટે સહાયઅર્થપૂર્ણ તૈયારી માટે GUJCOST દ્વારા જુનિયર અને સિનિયર કેટેગરી માટે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં નમૂનાની STEM ક્વિઝ પુસ્તિકાઓ પ્રકાશિત કરવામાં આવી છે, જે અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ઉપરાંત, વિદ્યાર્થીઓને ક્વિઝ સ્ક્રીન, પ્રશ્નોના સ્વરૂપ અને સ્પર્ધાત્મક માહોલ સાથે પરિચિત કરવા માટે ત્રણ દિવસની મૉક ટેસ્ટ વિન્ડો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. વૈજ્ઞાનિક ચેતનાનું રાષ્ટ્રીય આંદોલનનેશનલ STEM ક્વિઝ 4.0 માત્ર એક સ્પર્ધા નથી. તે જિજ્ઞાસા, સમાલોચનાત્મક વિચાર અને નવીનતાને પ્રોત્સાહન આપતું રાષ્ટ્રીય આંદોલન છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી ભારતના યુવાનોમાં STEM શિક્ષણ પ્રત્યે વધતા ઉત્સાહ અને ભવિષ્ય માટે તૈયારીની દિશા દર્શાવે છે. ₹2.00 કરોડની સ્કોલરશિપ્સ અને પ્રોત્સાહનો દ્વારા આ પહેલ પ્રતિભાને માન્યતા, ગુણવત્તાને પ્રોત્સાહન અને દેશના દરેક ખૂણે તક પહોંચે તે સુનિશ્ચિત કરે છે. રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ સાથે સુસંગતઆ પહેલ ભારતના વૈજ્ઞાનિક રીતે સજ્જ અને નવીનતા આધારિત સમાજના દૃષ્ટિકોણ સાથે સુસંગત છે અને STEM શિક્ષણ, કુશળતા વિકાસ અને આત્મનિર્ભર ભારત જેવા રાષ્ટ્રીય લક્ષ્યોને મજબૂત બનાવે છે. ડિજિટલ પહોંચ અને સમાવેશક ભાગીદારી દ્વારા GUJCOST વિજ્ઞાનને વર્ગખંડમાંથી સમુદાય સુધી અને જિજ્ઞાસાથી સર્જન સુધી પહોંચાડવાના પોતાના મિશનને આગળ વધારી રહ્યો છે। GUJCOST તમામ 15,01,249 નોંધાયેલ વિદ્યાર્થીઓને અપીલ કરે છે કે, તેઓ નિર્ધારિત સમયગાળા દરમિયાન ઑનલાઇન ક્વિઝમાં સક્રિય રીતે ભાગ લઈને જ્ઞાન, શોધ અને અધ્યયનના આ ઐતિહાસિક રાષ્ટ્રીય ઉત્સવનો ભાગ બને. વૈજ્ઞાનિક રીતે વિચારો. આત્મવિશ્વાસથી સ્પર્ધા કરો. તમારી ક્ષમતાને ઓળખો.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:35 pm

કાલોલમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન:સર્વજ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે રંગ અવધૂત પરિવાર દ્વારા આયોજન

કાલોલમાં રંગ અવધૂત પરિવાર દ્વારા સર્વજ્ઞાતિના પિતૃઓના દિવ્ય આત્માઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ 4 થી 10 જાન્યુઆરી, 2026 દરમિયાન પટેલ પાર્ટી પ્લોટ ખાતે યોજાશે. કથાનું શ્રવણ બપોરના 1 થી 5 વાગ્યા દરમિયાન કરી શકાશે. વ્યાસપીઠ પર શાસ્ત્રી સંજયભાઈ ઉપાધ્યાય પોરવાળા બિરાજી સુમધુર સંગીતમય શૈલીમાં ભાગવત કથામૃતનું રસપાન કરાવશે. આ પ્રસંગે નારેશ્વર ધામના ટ્રસ્ટી યોગેશભાઈ વ્યાસે આર્શીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં રંગ યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ સોની, મંત્રી અમિતભાઈ સોની, સેવા ઓર્ગેનાઇઝેશન ઇન્ડિયાના પ્રમુખ પ્રદિપ સોની, રંગ અવધૂત પરિવાર હાલોલના રોહિતભાઈ પરીખ, તથા કાલોલ નગરપાલિકાના સભ્યો મોનલબેન જોશી અને જ્યોત્સનાબેન બેલદારનું અભિવાદન કરવામાં આવ્યું હતું. કાલોલના જીવનભાઈ પટેલ અને મહેન્દ્રસિંહ રાઉલજી સપ્તાહને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. શ્રીમદ ભાગવત સપ્તાહના શુભારંભે કાર્યક્રમનું સંચાલન અલ્પેશ શાહ પીડીસી વાળાએ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:32 pm

ભાવનગરમાં શિક્ષકો માટે વાર્તા કહેવાની કળાનો વર્કશોપ યોજાયો:કૃષ્ણલાલ સંઘવી બાલમંદિરે ડૉ. દિપાલસિંહ જાડેજાએ માર્ગદર્શન આપ્યું

ભાવનગરના હલુરિયા ચોક પાસે આવેલા કૃષ્ણલાલ હ. સંઘવી બાલમંદિર ખાતે શિક્ષકો માટે 'વાર્તા કહેવાની કળા' વિષય પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનો મુખ્ય હેતુ શિક્ષકોમાં વાર્તા કહેવાની કળાનો વિકાસ કરવાનો અને બાળકોને વધુ અસરકારક રીતે વાર્તાઓ કહી શકે તે માટે તેમને તાલીમ આપવાનો હતો. આ પ્રસંગે MKBUના ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર અને બાળવાર્તા સર્જક ડૉ. દિપાલસિંહ જાડેજા તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ભાવનગરના નામાંકિત બાલમંદિરોના શિક્ષકો અને આચાર્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને સ્ટાફ પરિવારે પણ ઉપસ્થિત રહીને શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતા.આ બાલમંદિરના આચાર્ય યુગલબેન દવે અને સ્ટાફ પરિવારે આ વર્કશોપને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:20 pm

મોરબી હનીટ્રેપ કેસ: મહિલા આરોપીની ધરપકડ:સોનાના 4 બિસ્કિટ પડાવવાના ગુનામાં 2 દિવસના રિમાન્ડ મંજૂર

ખેતીકામ માટે મજૂરની શોધમાં રહેલા રવાપરના એક ખેડૂતને હનીટ્રેપમાં ફસાવાયો હતો. તેની પાસેથી ₹53.50 લાખની મિલકત પડાવી લેવાઈ હતી. આ ગુનામાં મોરબી પોલીસે અંતે મુખ્ય મહિલા આરોપીની ધરપકડ કરી છે. અદાલતે આ મહિલાના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ કેસમાં અગાઉ 7 પુરુષ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. સમગ્ર બનાવ શું હતો?મોરબીના રવાપર ગામે રહેતા ખેડૂત પરબતભાઈ (નામ બદલ્યું છે)એ મોરબી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, ખેડૂતને ખેતીકામ માટે મજૂરની જરૂર હોવાથી તેમણે પરિચિત પાંચાભાઈ કોળીનો સંપર્ક કર્યો હતો. પાંચાભાઈએ ખુશી નામની મહિલા સાથે તેમનો સંપર્ક કરાવ્યો હતો. જોકે, મહિલા પાસે આધાર પુરાવા ન હોવાથી ખેડૂતે તેને કામે રાખવાની ના પાડી દીધી હતી. ખેડૂતને મદદના બહાને બોલાવી ફસાવ્યોત્યારબાદ ખુશીએ ફોન કરીને કામની તાતી જરૂર હોવાનું જણાવતા ખેડૂત તેને મોરબીના ઉમિયા સર્કલથી પોતાની વાડીએ લઈ ગયા હતા. વાડીએ પહોંચતા જ પૂર્વનિયોજિત કાવતરા મુજબ મહિલાએ કપડાં કાઢી ખેડૂતને પકડી લીધા હતા. આ જ સમયે અન્ય સાગરિતો ત્યાં ધસી આવ્યા હતા અને ખેડૂતના મહિલા સાથે વાંધાજનક ફોટા તથા વીડિયો ઉતારી લીધા હતા. ધમકી આપી 53.50 લાખની લૂંટ ચલાવીઆરોપીઓએ ખેડૂતને આ વીડિયો વાઈરલ કરવાની તથા બળાત્કાર અને છેડતીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. ખેડૂતને ડરાવી-ધમકાવી આરોપીઓએ તેમની પાસેથી 53,50,000નો મુદ્દામાલ પડાવી લીધો હતો. શું શું મુ્દ્દામાલ હતો? પોલીસ કાર્યવાહી અને ધરપકડઆ ગુનામાં મોરબી પોલીસે અગાઉ 7 આરોપીઓ (જીલુભાઈ પરસાડીયા, મુકેશ આલ, કરણ વરુ, પાંચા માણસુરીયા, દેવાંગ વેલાણી, રમેશ ઉર્ફે રામ હાડગડા અને હિતેશ મેર)ની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. તપાસ દરમિયાન પીએસઆઈ જે.સી. ગોહિલ અને તેમની ટીમે ફરાર મહિલા આરોપી પિંકી ઉર્ફે ખુશી (રહે. રાજપીપળા, હાલ રહે. રાજકોટ)ની ધરપકડ કરી છે. પોલીસે મહિલાને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ અને તપાસ માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:16 pm

મહિલા સાથે સાડા ત્રણ વર્ષથી દુષ્કર્મ:'હું અપરણિત છું, તારી સાથે લગ્ન કરીશ' કહી શખ્સે ઘર, હોટેલમાં શરીર સંબંધ બાંધ્યા; 10 ટકા વ્યાજ સાથે રૂપિયા ચૂકવ્યા બાદ પણ પઠાણી ઉઘરાણી

રાજકોટમાં લગ્નની લાલચ આપી વધુ એક મહિલા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. શહેરના ભગવતીપરામાં સમન્વય ફ્લેટની બાજુમાં રહેતા બાવાશા યાશીનશાહ પઠાણ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે. એક મહિલાને બાવાશાએ કહ્યું હતું કે, હું અપરિણીત છું અને હું તારી સાથે લગ્ન કરીશ. આ પ્રકારનું વચન અને લાલચ આપી મહિલા સાથે તેના જ સાધુ વાસવાણી રોડ ઉપરના ભાડાના રૂમમાં દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત હોટલમાં તથા અન્ય જગ્યાએ અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. જોકે તે બાદ મહિલા સાથે લગ્ન ન કરતા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ગત તા.10, મે-2022થી અત્યાર સુધી એટલે કે વર્ષ 2025 સુધી અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની મહિલાની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગૂનો નોંધી આરોપીની ધરપકડ કરવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રૂ.3 લાખ 10 ટકા વ્યાજ સાથે ચૂકવ્યા બાદ પણ પઠાણી ઉઘરાણીશહેરમાં વધુ એક આધેડ વ્યાજના વિષચક્રમાં ફસાયા છે. 10 ટકા લેખે વ્યાજે લીધેલા રૂ.3 લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા 50 વર્ષીય સતારભાઇ ખમીશાભાઇ પતાણીએ ભવાની ચોકમાં રહેતા કુલસુમબેન મેમણ, હનીફભાઇ અને યુવરાજભાઇ ડાંગર સામે ખોટી રીતે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, રીક્ષા રીપેરીંગના કામ માટે રૂપિયાની જરૂરિયાત હતી. જેથી કુલસુમબેન પાસેથી રૂ. 3 લાખ માસીક 10 ટકા લેખે વ્યાજે લીધા હતા. જે બાદ હનીફભાઇ અને યુવરાજભાઇ ડાંગર પાસેથી ડેઇલી કલેકશન ડાયરી ઉપર રૂપિયા વ્યાજે લીધા હતા. જે વ્યાજ ચૂકવી આપ્યું હોવા છતાં આરોપીઓ વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી સતામણી કરે છે. જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાતરાજકોટ શહેરમાં યુવાને ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. અલ્ટોસા લિવરી માસુમ સ્કૂલ પાસે રહેતા મિતભાઇ પ્રફુલભાઇ ખાનપરા રવિવારે સવારે 9 વાગ્યાની આસપાસ પોતે વાવડી પરીન ફર્નિચર પાછળ ઉમીયાજી પંપ ઇન્ડસ્ટ્રીઝમાં હતા, ત્યારે કોઇ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો. જેથી તેને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબે તેનુ મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:12 pm

ટાઈફોઈડનો આતંક, મનપાનું મેગા ઓપરેશન:પાણીપુરી, સોડા અને ગોળાની 100થી વધુ લારીઓ બંધ કરાવી, સેક્ટર 1થી 28મા સપાટો

ગાંધીનગર શહેરમાં તાજેતરમાં વધી રહેલા પાણીજન્ય રોગચાળા અને ખાસ કરીને ટાઈફોઈડના કેસોને ધ્યાનમાં રાખીને, જાહેર સ્વાસ્થ્યના હિતમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાની એસ્ટેટ શાખા અને ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સંયુક્ત રીતે મેગા ડ્રાઇવ યોજીને શહેરના વિવિધ વિસ્તારોમાં ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ખુલ્લામાં ખાદ્યપદાર્થો વેચતી લારીઓ સામે લાલ આંખતંત્ર દ્વારા લેવાયેલા આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને રોગચાળાથી બચાવવાનો અને અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ અટકાવવાનો છે. ફૂડ સેફ્ટી વિભાગ સાથે સંકલન સાધીને એસ્ટેટ શાખા દ્વારા સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી સૂચના ન મળે ત્યાં સુધી, પાણીપુરી, બરફના ગોળા અને સોડા જેવી ચીજવસ્તુઓ વેચતા એકમોને બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી છે. 100થી વધુ લારીઓ અને સ્ટોલ બંધ કરાવવામાં આવ્યાઆજરોજ હાથ ધરવામાં આવેલી આ સઘન ઝુંબેશ અંતર્ગત તંત્ર દ્વારા કુલ 100થી વધુ લારીઓ અને સ્ટોલ બંધ કરાવવામાં આવ્યા છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ઉભી રહેતી 75 જેટલી પાણીપુરી અને રગડાની લારીઓ, 12 સોડા સેન્ટર, 8 પ્રેમ મેવાડ ફ્રુટ સલાડ અને બદામ શેકના સ્ટોલ તથા ૬ બરફના ગોળાની લારીઓનો સમાવેશ થાય છે. આ તમામ એકમોને તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે. રોગચાળો કાબૂમાં ન આવે ત્યાં સુધી ઝુંબેશ યથાવત રહેશેઆ કામગીરી સમગ્ર ગાંધીનગર વિસ્તારને આવરી લેતા હાથ ધરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે સેક્ટર 2, 3, 6, 7, 8, 11, 13, ઘ-5 સર્કલ, સેક્ટર 21, 22, 24, અક્ષરધામ વિસ્તાર, ડી-માર્ટ વિસ્તાર, સેક્ટર ૨૫ અને 28 ગાર્ડન વિસ્તાર, તેમજ સેક્ટર 26, 27, પેથાપુર તેમજ ધોળાકુવા વિસ્તારનો સમાવેશ થાય છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા કોઈપણ પ્રકારના વાસી કે બિનઆરોગ્યપ્રદ ખોરાકનું વેચાણ ચલાવી લેવામાં આવશે નહીં. રોગચાળો કાબૂમાં ન આવે ત્યાં સુધી આ પ્રકારની ઝુંબેશ યથાવત રાખવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 8:09 pm

‘પ્રિઝ્મા 1.0’માં દેખાયું ભવિષ્યનું ભારત:સુરતમાં ઇનોવેશન ફેસ્ટમાં બાળકોના સ્ટાર્ટઅપ, AI મોડલ્સ અને તાઈવાનના 70 લાખના રોબોટે જમાવ્યું આકર્ષણ

ડિજિટલ યુગના ‘કૉપી-પેસ્ટ’ કલ્ચરને પડકાર આપતું અને બાળકોની મૌલિક વિચારશક્તિને મંચ આપતું સ્કોલર ઇંગ્લિશ એકેડમી (CBSE) દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટ ‘પ્રિઝ્મા 1.0’ સિટીલાઈટ સ્થિત સાયન્સ સેન્ટરમાં ભવ્ય રીતે સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં શહેરભરના વિદ્યાર્થીઓ, વાલીઓ અને નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. તાઈવાનથી આવેલા વિશેષ રોબોટે બાળકો સાથે વાતચીત કરી અને ફોટોગ્રાફ્સ ખેંચાવ્યા, જે દર્શકો માટે વિશેષ ઉત્સુકતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સ્કોલર ઇંગ્લિશ એકેડમીના ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગને કારણે બાળકોમાં સ્વયં વિચારવાની અને પ્રયોગ કરવાની પ્રવૃત્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને 'પ્રિઝમા 1.0'ને સંપૂર્ણ ઓફલાઈન પ્રવૃત્તિઓ પર રાખવામાં આવ્યો છે, જ્યાં બાળકો સાયન્સ પ્રોજેક્ટ્સ, એઆઈ મોડલ્સ અને ઇનોવેટિવ આઈડિયાઝ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં સ્કુલના બાળકો પ્રથમ વખત મંચ પરથી સ્ટાર્ટઅપ, બિઝનેસ આઈડિયાઝ લોકો સામે રજૂ કરશે. આ સાથે એક કંપની વિવિધ પ્રકારના રોબોટ લાવવામાં આવ્યા હતા, જેમાં ટીચર, હ્યુમનોઇડ, ડોંગ રોબોટ અને તેને લગતી બીજી વસ્તુઓ ડિસ્પ્લે કરી હતી. આ રોબોટ ઉપસ્થિત લોકો સાથે વાતચીત અને અલગ અલગ એક્ટિવિટીમાં પણ ભાગ લીધો હતો. કંપની અંદાજીત 70 લાખનું રોબોટ સેટઅપ લાવી હતી. રોબોટ ટીચર બાળકોને ભણાવે અને પરીક્ષા પણ લે છે. તેમજ દરેકને રીસ્પોન્ડ પણ અપાયો હતો. આ રોબોટ ટીચર સંપુર્ણ પણે એઆઈથી સજ્જ છે. તે 15 ક્લાક ચાર્જ કરવા પર 8 કલાક સતત કાર્ય કરી શકે છે. જે ડાન્સ, સ્ટંન્ટ સહિતની વિવિધ પ્રકારની એક્ટિવીટી કરી શકે છે. જે 2 ડીઓફેનો આર્મ કંન્ટ્રોલ અને 7 કિલોની પેલોડ કેપેસીટી ધરાવે છે. આ ફેસ્ટ માત્ર પ્રદર્શન પૂરતું સીમિત ન રહ્યું, પરંતુ બાળકોની કલ્પનાશક્તિ, આત્મવિશ્વાસ અને વ્યવહારુ જ્ઞાનને જીવંત રૂપે રજૂ કરતો મંચ બન્યો હતો. બાળકો દ્વારા તૈયાર કરાયેલા સાયન્સ પ્રોજેક્ટ્સ, AI આધારિત મોડલ્સ અને ઇનોવેટિવ આઈડિયાઝે ઉપસ્થિત સૌને આકર્ષ્યા હતા. સ્કોલર ઇંગ્લિશ એકેડમીના ટ્રસ્ટી રાજેશ મહેશ્વરીએ જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતા ઉપયોગ વચ્ચે બાળકોમાં પોતે વિચારવાની અને પ્રયોગ કરવાની ક્ષમતા ઘટી રહી છે. ‘પ્રિઝ્મા 1.0’ દ્વારા અમે સંપૂર્ણપણે ઓફલાઈન પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો, જેથી બાળકો પોતાના હાથોથી બનાવેલા મોડલ્સ અને વિચારોથી લોકો સામે રજૂઆત કરી શકે. કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ એ રહ્યું કે શાળાના બાળકો પ્રથમ વખત મંચ પરથી પોતાના સ્ટાર્ટઅપ અને બિઝનેસ આઈડિયાઝ સામાન્ય જનતા સામે રજૂ કરતા જોવા મળ્યા. સાથે જ તાઈવાનથી આવેલા વિશેષ રોબોટે બાળકો સાથે વાતચીત કરી અને ફોટોગ્રાફ્સ ખેંચાવ્યા, જે દર્શકો માટે વિશેષ ઉત્સુકતા અને આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. નાનાં વિદ્યાર્થીઓએ પોડકાસ્ટ અંતર્ગત શહેરના ક્લાસ-1 અધિકારીઓ અને જનપ્રતિનિધિઓના લાઈવ ઈન્ટરવ્યુ લીધા, જેને પોડકાસ્ટ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું. ઉપરાંત, બાળકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલી આર્ટ ગેલેરીમાં તેમની પેઇન્ટિંગ્સ અને કલાકૃતિઓએ પણ વખાણ મેળવ્યા. ટેકનોલોજી અને ઇનોવેશન સાથે સાંસ્કૃતિક રંગ પણ ઝળહળ્યો. એમ્ફિથિયેટરમાં સિંગિંગ, ડાન્સ અને નાટક જેવા કાર્યક્રમો આખો દિવસ ચાલતા રહ્યા, જેના કારણે ‘પ્રિઝ્મા 1.0’ શૈક્ષણિક કાર્યક્રમ સાથે પારિવારિક મનોરંજનનું પણ કેન્દ્ર બન્યું. આયોજકોના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ કોઈ એક સ્કૂલ સુધી સીમિત ન રાખી, સમગ્ર શહેર માટે ‘ઓપન ફોર ઑલ’ રાખવામાં આવ્યો હતો. ભૂગર્ભ પાર્કિંગ અને સાયન્સ સેન્ટરના ખુલ્લા વાતાવરણને કારણે રવિવારે સપરિવાર આવી શીખવા, જોવા અને બાળકોની પ્રતિભા અનુભવવાની ઉત્તમ તક બની.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 7:55 pm

ઈડરના કાનપુર નજીકથી રૂ. 1.64 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:પોલીસે વેગનઆર, પલ્સર સાથે રૂ. 5.38 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની ધરપકડ કરી

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના કાનપુર પાસેથી ઇડર પોલીસે રૂ. 1.68 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ભિલોડા તરફથી આવતી વેગનઆર કારમાંથી આ દારૂ મળી આવ્યો હતો. પોલીસે વેગનઆર કાર, પાયલોટિંગ કરતું પલ્સર મોટરસાયકલ અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 5.38 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળકિશોર સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ઇડર પોલીસ સ્ટેશનના PI એ.જી. રાઠોડે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, PSI વી.આર. ચૌહાણ અને પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન નિકુલસિંહને મળેલી બાતમીના આધારે, કાનપુર પાસે ભિલોડા તરફથી ઇડર આવતા વાહનો પર નજર રાખવા માટે પુલના બંને છેડે અલગ-અલગ પોઝિશન લેવામાં આવી હતી. બાતમી મુજબ, ભિલોડા તરફથી કાળા અને વાદળી રંગની બજાજ પલ્સર મોટરસાયકલ (નંબર GJ.02.CS.6505) પાયલોટિંગ કરતી આવી હતી, અને તેની પાછળ સફેદ રંગની મારુતિ સુઝુકી વેગનઆર ગાડી (નંબર GJ.01.HS.8221) આવી રહી હતી. પોલીસે ખાનગી વાહનોની આડશ કરીને રોડ બ્લોક કરતા બંને વાહનોના ચાલકોએ વાહનો રોડની સાઈડમાં ઊભા રાખ્યા હતા. પોલીસે વેગનઆર ગાડી અને પલ્સર મોટરસાયકલ પર સવાર ચાર વ્યક્તિઓને પકડી પાડ્યા હતા. વેગનઆરના ચાલકનું નામ કિશોરકુમાર ઉર્ફે ભાલુ કનૈયાલાલ વંઝાણી (ઉ.વ. 47, રહે. ઝુંડાલ, અમદાવાદ) અને બાજુની સીટમાં બેઠેલાનું નામ મુકેશકુમાર શ્રીકેદારસિંઘ યાદવ (ઉ.વ. 26, રહે. ઝુંડાલ, અમદાવાદ; મૂળ આગ્રા, ઉત્તરપ્રદેશ) હોવાનું જાણવા મળ્યું હતું. વેગનઆર ગાડીની તપાસ કરતા, આગળની સીટની નીચે, પાછળની સીટની નીચે અને પાછળની ડેકીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ અને છૂટી બોટલો મળી આવી હતી. પલ્સર મોટરસાયકલના ચાલકનું નામ વિજયકુમાર રૂપશીભાઈ પારઘી (ઉ.વ. 22, હાલ રહે. ડોડીસરા, ભીલોડા; મૂળ ઝરડા, મેઘરજ) અને પાછળ બેઠેલો કાયદાના સંઘર્ષમાં આવેલો એક બાળકિશોર હતો. પોલીસે વેગનઆર ગાડીમાંથી કુલ 494 નંગ વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂ. 1,68,664, વેગનઆર ગાડી રૂ. 3,00,000, પલ્સર મોટરસાયકલ ₹50,000 અને 4 મોબાઈલ ફોન ₹20,000 મળી કુલ ₹5,38,664નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હિંમતનગર-વિજાપુર રોડ પર ખુલ્લી જગ્યા પર ચાઇનીઝ દોરીની 90 ફીરકી સાથે એક શખ્સ ઝડપાયોસાબરકાંઠા જિલ્લાના હિંમતનગર થી વિજાપુર રોડ પરથી SOG એ બાતમી આધારે એક શખ્સ પાસેથી ચાઇનીઝ દોરીની 90 ફીરકી સાથે ઝડપી લઈને તેના સામે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાબરકાંઠા SOG ની ટીમ ATS ચાર્ટરને લગતી કામગીરીને લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલ બાતમી આધારે RTO સર્કલ થી નિકળી વિજાપુર રોડ પર માઉન્ટેન હોટલ આગળ ખુલ્લી જગ્યામા ચાઇનીઝ દોરીનું કાર્ટુન સાથે અશ્વિનકુમાર સુરેશચંદ્ર દંતાણી (ઉ.વ.-30 ધંધો- વેપાર રહે. જી.બી.ઈ ઓફિસની સામે તા-વિજાપુર જી-મહેસાણા)ને ઝડપી લઈને તપાસ કરતા ચાઈનીઝ્ દોરીની 90 ફીરકી રૂ.27000 નો મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી હિમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 7:50 pm

BRTS બસ, ટ્રક અને ટ્રેક્ટરની ટક્કરે ત્રણ લોકોના જીવ લીધા:ભૂયંગદેવ, ઓઢવ અને બારેજામાં કાળમુખા અકસ્માત; 28 વર્ષીય યુવક, આધેડ અને મહિલાનું મોત

અમદાવાદ શહેરમાં બે અકસ્માત અને ગ્રામ્યમાં એક અકસ્માતની ઘટના બની હતી. ત્રણ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પિતાનો જીવ ગુમાવ્યો છે. ભૂયંગદેવ વિસ્તારમાં BRTS બસની ટક્કરના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 67 વર્ષીય આધેડનું મોત થયું હતું. વેપારી મહામંડળ કટ પાસે ટ્રકચાલકે ટક્કર મારતા મંજૂરી કામ ોકરતા 28 વર્ષીય યુવકનું મોત થયું હતું. બારેજા બ્રિજ નીચે રેતી ભરેલી ટ્રોલીએ ટક્કર મારતા ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા મહિલાનું મોત થયું હતું. BRTS બસચાલકે ટક્કર મારતા નાગજીભાઈ રોડ પર પટકાયાભૂયંગદેવ વિસ્તારમાં BRTS બસ ચાલકે ટુ-વ્હીલર ચાલકને ટક્કર મારી હતી. સોલામાં રહેતા 67 વર્ષીય નાગજીભાઈ ગોંડલીયા 31 ડિસેમ્બરે ટુ વ્હીલર લઈને નીકળ્યા હતા. ભુયંગદેવ પહોચ્યા ત્યારે BRTS બસચાલકે ટક્કર મારતા નાગજીભાઈ રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજાઓ થતા બ્રેન હેમરેજ થઈ જતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતા એ-ડિવિઝન ટ્રાફિક પોલીસે BRTS બસચાલક સામે ગુનો નોંધ્યો છે. 28 વર્ષીય યુવકને ટ્રકચાલકે જોરદાર ટક્કર મારીબીજી અકસ્માતની ઘટનામાં મજૂરી કામ કરતા 28 વર્ષીય યુવકનું મોત થયું હતું. ઓઢવમાં રહેતા 28 વર્ષીય સાગર યાદવ વેપારી મહામંડળ વિસ્તારમાં આવેલી કંપનીમાં મજૂરી કરતો હતો. ગત શનિવારે સાંજે વેપારી મહામંડળ કટ પાસે પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વખતે એક ટ્રકચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની ટક્કર એટલી જોરદાર હતી કે યુવક રોડ પર પટકાયો હતો. જે બાદ ટ્રકની ટાયર તેના પર કરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જો કે અકસ્માત થયા બાદ ટ્રકચાલક ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેથી આય ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બારેજા બ્રિજ પાસે ટ્રેક્ટરનું ટાયર ફરી વળતા મહિલાનું મોતત્રીજી ઘટનામાં મૂળ રાજસ્થાનના અને હાલ મહેમદાવાદમાં રહેતા ગોપાલસિંહ રાજપુરોહિત તેમની ભાભી પ્રવિણાબેન સાથે ટુવ્હિલર પર જઈ રહ્યા હતા. બારેજા બ્રિજ પાસે લક્ષ્મીનગર સોસાયટી નજીક રેતી ભરેલી ટ્રેક્ટર ટ્રોલીએ ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા. ટ્રેક્ટરનું ટાયર પ્રવિણાબેન પરથી ફરી વળતા તેમનું મોત નીપજ્યું હતું. અસલાલી પોલીસે ટ્રેક્ટરચાલક અજય ચુનારાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 7:41 pm

પતંગ ચગાવી રહેલા 9 વર્ષના બાળકનું ચોથા માળેથી પટકાતા મોત:ઉધના વિસ્તારનો બનાવ, શ્રમજીવી પરિવારમાં ઉત્તરાયણના તહેવાર પહેલા માતમ છવાયો

સુરતમાં પતંગબાજીનો ઉત્સાહ એક પરિવાર માટે આજીવનનો શોક બની ગયો છે. ઉધના વિસ્તારમાં બે દિવસ પહેલા અગાસી પર પતંગ ચગાવતી વખતે નીચે પટકાયેલા 9 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે શ્રમજીવી પરિવારમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ચોથા માળે અગાસી પર પતંગ ચગાવતા સમયે ઘટના બનીમળતી માહિતી અનુસાર, મૂળ મહેસાણાના ઊંઝાના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા વિજયનગર પાસેના રાધા-કૃષ્ણ આવાસમાં રહેતા પ્રેમલભાઈ પટેલનો 9 વર્ષીય પુત્ર મીર ગત તારીખ 2જી જાન્યુઆરીના રોજ બપોરના સમયે પોતાના બિલ્ડિંગના ચોથા માળે અગાસી પર પતંગ ચગાવી રહ્યો હતો. પતંગ ચગાવવાના આનંદમાં મશગૂલ માસૂમ મીર અચાનક સંતુલન ગુમાવી બેઠો હતો અને ચોથા માળેથી સીધો નીચે પટકાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા બાળકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન દમ તોડ્યોસિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ટીમ દ્વારા મીરને બચાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ આજે તેની જિંદગીની જંગ હારી ગયો હતો. હોસ્પિટલના બિછાને માસૂમ મીરના મોતના સમાચાર મળતા જ પરિવારજનો પર આભ ફાટી પડ્યું હતું. મૃતક મીર ઉધના વિસ્તારની સરકારી શાળામાં ધોરણ-3 માં અભ્યાસ કરતો હતો. મીરને એક મોટો ભાઈ છે. તેના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મહેનત મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તંત્રની ચેતવણી અને અપીલદર વર્ષે ઉતરાયણ પૂર્વે સુરત સહિત રાજ્યભરમાં પતંગ પકડવા કે ચગાવવાની લ્હાયમાં અનેક બાળકો જીવ ગુમાવે છે. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 7:28 pm

લીમડીમાં પરિણીતા પર પતિ-સાસુએ ત્રાસ ગુજાર્યો:શારીરિક-માનસિક રીતે હેરાનગતિ, મારપીટ કરી ઘરેથી કાઢી મૂક્યાનો ફરિયાદમાં આરોપ

દાહોદ જિલ્લાના લીમડી તાલુકાના સુથારવાસા ગામે એક 23 વર્ષીય પરિણીતાએ તેના પતિ અને સાસુ સામે શારીરિક તેમજ માનસિક ત્રાસ, મારપીટ અને ઘરેથી કાઢી મૂકવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી છે. લાંબા સમયથી ચાલતા આ ત્રાસથી કંટાળીને પરિણીતાએ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. ફરિયાદ મુજબ, સુથારવાસા ગામના યુવક સાથે યુવતીના લગ્ન થયા હતા. લગ્નના શરૂઆતના સમયમાં પતિ અને સાસુએ પરિણીતાને સારી રીતે રાખી હતી, પરંતુ થોડા સમય બાદ તેમનું વર્તન બદલાઈ ગયું હતું. પરિણીતા સાથે અવારનવાર ઝઘડા-તકરાર કરી મહેણાં-ટોણાં મારવામાં આવતા હતા. તેમને બેફામ અપશબ્દો બોલવામાં આવતા હતા અને તું અમને ગમતી નથી, તને કોઈ કામ કે જમવાનું બનાવતા આવડતું નથી, તારા બાપના ઘરેથી કન્યાદાનમાં કંઈ લાવી નથી જેવા અપમાનજનક શબ્દો બોલી સતત હેરાન કરવામાં આવતી હતી. આટલું જ નહીં, પતિ અને સાસુ દ્વારા પરિણીતાને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અંતે, પરિણીતાને પહેરેલા કપડાંમાં જ ઘરમાંથી બહાર કાઢી મૂકવામાં આવી હતી. જીવ બચાવીને તેઓ પોતાના પિયર ઝાલોદ તાલુકાના વાઘેલા ગામે આશ્રય લેવા મજબૂર બન્યા હતા. આ સમગ્ર અમાનુષિત ત્રાસથી કંટાળીને પરિણીતાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 7:10 pm

ગોધરાની સિદ્ધિવિનાયક સોસાયટીમાં 15 વર્ષથી રસ્તાની સમસ્યા:નિયમિત વેરો ભરવા છતાં રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલી સિદ્ધિવિનાયક સોસાયટીના રહીશો છેલ્લા 15 વર્ષથી પાકા રસ્તા જેવી પાયાની સુવિધાથી વંચિત છે. સ્થાનિકો નિયમિતપણે નગરપાલિકાને તમામ વેરા ચૂકવે છે, તેમ છતાં તેમની રસ્તા બનાવવાની રજૂઆતો પર કોઈ કાર્યવાહી થઈ નથી. સોસાયટીના મુખ્ય રસ્તાની હાલત અત્યંત બિસ્માર છે, જેમાં ઠેર-ઠેર મોટા ખાડા પડી ગયા છે. ચોમાસામાં અહીંથી પસાર થવું અત્યંત મુશ્કેલ બને છે, જ્યારે સામાન્ય દિવસોમાં પણ વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તા પરના દબાણો અને ખાડાઓને કારણે નાના-મોટા અકસ્માતોનો ભય પણ સતત રહે છે.રહીશોના મતે, આ વિસ્તારમાં સિદ્ધિવિનાયક સોસાયટી પછી બનેલી નવી સોસાયટીઓમાં રસ્તાની સુવિધા ઉપલબ્ધ થઈ ગઈ છે, પરંતુ 15 વર્ષ જૂની આ સોસાયટીના રહેવાસીઓ હજુ પણ કાચા અને તૂટેલા રસ્તા પર ચાલવા મજબૂર છે. આ સમસ્યા અંગે વર્ષ 2015થી સંબંધિત તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી રહી છે. રસ્તા પરના દબાણો દૂર કરવા અને નવો રોડ બનાવવા માટે વારંવાર ધ્યાન દોરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી.લાંબા સમયથી પ્રાથમિક સુવિધાથી વંચિત રહેલા સોસાયટીના રહીશોની માંગ છે કે સત્વરે રસ્તાનું કામ હાથ ધરવામાં આવે. જો આગામી સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે, તો રહીશોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 7:09 pm

પાટણ પાલિકાએ અખાદ્ય બટાકા, સરકારી અનાજનો જથ્થો ઝડપ્યો:પશુવાડામાં તપાસ કરતાં જથ્થો મળ્યો, વેપારીઓને રૂ. 22,000નો દંડ ફટકાર્યો

પાટણ નગરપાલિકાએ રવિવારે મીરાં દરવાજા વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરના માર્ગદર્શન હેઠળ આ મેગા ઓપરેશન દરમિયાન અખાદ્ય બટાકા, સરકારી અનાજનો જથ્થો અને ગેરકાયદેસર ભઠ્ઠીઓ ઝડપાઈ હતી. પાલિકાએ વેપારીઓને કુલ રૂ. 22,000નો દંડ ફટકાર્યો હતો. સફાઈ અભિયાન દરમિયાન રસ્તા પર રખડતી ગાયો જોવા મળતા પાલિકાની ટીમે પશુવાડાઓની તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે, પશુ માલિકોએ ગાયો માટેના વાડામાં ઓરડીઓ બનાવી પકોડી વેચતા વેપારીઓને ભાડે આપી હતી, જેના કારણે ગાયો રસ્તા પર રખડતી હતી. આ ઓરડીઓની તપાસ કરતા ત્યાં પકોડી બનાવવા માટે બટાકા બાફવામાં આવી રહ્યા હતા. પાલિકાની ટીમને સડેલા અને અખાદ્ય બટાકાનો મોટો જથ્થો મળ્યો હતો, જે શહેરીજનોના સ્વાસ્થ્ય માટે જોખમી હતો. આ ઉપરાંત, સ્થળ પરથી સસ્તા અનાજની દુકાનમાંથી મળતું સરકારી મીઠું અને ચણાનો જથ્થો પણ મળી આવ્યો હતો. અખાદ્ય બટાકાનો જથ્થો જપ્ત કરીને ફૂડ સેફ્ટી વિભાગને જાણ કરવામાં આવી હતી. સરકારી અનાજ મળતા જિલ્લા પુરવઠા અધિકારી (DSO) ની ટીમને વધુ તપાસ માટે જાણ કરાઈ હતી. પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોનું ઉલ્લંઘન કરતી તમામ ભઠ્ઠીઓને પાલિકાની ટીમે સ્થળ પર જ તોડી પાડી હતી. પ્લાસ્ટિકના ઝભલા અને ગંદકીના પ્રશ્ને વેપારીઓને કુલ રૂ. 22,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચીફ ઓફિસર હિરલબેન ઠાકોરે જણાવ્યું હતું કે, શહેરના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા સાથે ચેડા કરનાર કોઈપણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. પશુ માલિકો અને વેપારીઓ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આવી તપાસ ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 7:05 pm

વલસાડમાં રાજ્ય વેરા નિરીક્ષક પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ:7 કેન્દ્રો પર 1516 ઉમેદવારોએ પરીક્ષા આપી

વલસાડ જિલ્લામાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક (વર્ગ-3)ની પરીક્ષા રવિવારે સફળતાપૂર્વક યોજાઈ હતી. વલસાડ શહેરના કુલ સાત પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં 1516 ઉમેદવારોએ ભાગ લીધો હતો. પરીક્ષાનું આયોજન વલસાડ જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ તથા જિલ્લા અધિક કલેક્ટર એમ.ડી. ચુડાસમાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. જિલ્લાના સાત પરીક્ષા કેન્દ્રો પર કુલ 1807 ઉમેદવારો નોંધાયેલા હતા, જેમાંથી 1516 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા આપનાર ઉમેદવારોમાં 13 દિવ્યાંગ ઉમેદવારોનો પણ સમાવેશ થયો હતો. પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે હેતુથી તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. અધિકારીઓ અને કર્મચારીઓની સતર્ક દેખરેખ હેઠળ પરીક્ષા શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ હતી. વલસાડ શહેરમાં કુસુમ વિદ્યાલય, સેન્ટ જોસેફ ઇંગલિશ સ્કૂલ, બાઈ આવબાઈ હાઈસ્કૂલ, જમનાબાઈ સાર્વજનીક કન્યા વિદ્યાલય, આર.એમ.વી.એમ. સ્કૂલ તેમજ બીએપીએસ સ્વામીનારાયણ યુનિટ–1 અને યુનિટ–૨ ખાતે પરીક્ષા કેન્દ્રો કાર્યરત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:59 pm

ભાવનગરમાં ઈન્ડિયા ફોર એનિમલ્સ ઝુંબેશ:રસ્તે રખડતા શ્વાનોને કેદ કરવાની કાર્યવાહી સામે જીવદયા પ્રેમીઓએ અવાજ ઉઠાવ્યો, સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણય સામે વિરોધ

ભાવનગર શહેરમાં પશુઓ પર થતી ક્રૂરતા અને ખાસ કરીને શેરીના કૂતરાઓને કેદ કરવાની હિલચાલ સામે આજે ભાવનગરના જીવદયા પ્રેમીઓ રસ્તા પર ઉતર્યા હતા. આતાભાઈ ચોક ખાતે મોટી સંખ્યામાં શ્વાન પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ એકઠા થઈ 'ઈન્ડિયા ફોર એનિમલ્સ' ઝુંબેશ અંતર્ગત વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ કાર્યક્રમ દ્વારા સંદેશ આપવામાં આવ્યો હતો કે પૃથ્વી પર મનુષ્યોની જેમ પ્રાણીઓને પણ જીવવાનો સમાન અધિકાર છે. 'વફાદાર પ્રાણીઓને પાંજરામાં પૂરી દેવા એ અમાનવીય'સુપ્રીમ કોર્ટના સંભવિત નિર્ણયનો વિરોધ આ ઝુંબેશમાં જોડાયેલા ડો. એસીડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'આગામી 7 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટમાં કૂતરાઓને લગતો જે કેસ છે, જેમાં કોઈ પણ વાંક વગર નિર્દોષ શ્વાનોને જેલમાં પૂરી દેવાની વાત છે, તેની સામે અમારો વિરોધ છે. શેરીના કૂતરાઓ કોઈને નુકસાન નથી પહોંચાડતા, ઉલટાનું તેઓ ગુનાહિત તત્વો સામે સોસાયટીઓને રક્ષણ આપે છે. આવા વફાદાર પ્રાણીઓને પાંજરામાં પૂરી દેવા એ અમાનવીય છે.' વિરોધ પ્રદર્શનમાં યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયાબંધારણીય અધિકારો અને જીવદયાની હાકલ વિરોધ પ્રદર્શન દરમિયાન જીવદયા પ્રેમીઓએ જણાવ્યું હતું કે, ભારતીય બંધારણમાં પણ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી એ નાગરિકની ફરજ ગણાવવામાં આવી છે. તેમ છતાં કૂતરા, બિલાડી અને ગાય જેવા પશુઓ પર ક્રૂરતા આચરવામાં આવે છે. કૂતરાઓને ગેરકાયદેસર રીતે પાંજરામાં રાખવા કે તેમને મારપીટ કરવી તે ગુનો છે. લોકોમાં પ્રાણીઓ પ્રત્યે સંવેદના જાગે અને વહીવટી તંત્ર પશુઓ પ્રત્યે ક્રૂરતા અટકાવે તે હેતુથી આ વિરોધ પ્રદર્શનમાં શહેરના યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:45 pm

ગોધરામાં ગોર વણઝારા સમાજનું સ્નેહમિલન યોજાયું:શિક્ષણ, વ્યસનમુક્તિ પર ભાર, નિવૃત અધિકારીઓનું સન્માન કરાયું

પંચમહાલ-વડોદરાના પરમાર વંશજો દ્વારા ગોધરાના ડોડપા તળાવ વિસ્તારમાં આવેલા બંજારા પાર્ટી પ્લોટ ખાતે અખિલ ભારતીય ગોર વણઝારા સમાજના 'બાવાન ટાંડા સ્નેહ સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સહિત રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી સમાજના અગ્રણીઓ તથા વિવિધ પેટા વિભાગોના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સ્નેહમિલનનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં વિખરાયેલા વણઝારા સમાજના સભ્યોને એક મંચ પર લાવી પરસ્પર પરિચય કેળવવાનો અને તેમને સંગઠિત કરવાનો હતો.વિચરતી જાતિ તરીકે ઓળખાતો આ સમાજ આજે પણ અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. સંમેલનમાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પ્રગતિ માટે સામૂહિક સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ આવનારી પેઢી માટે વડીલોના અનુભવ અને સાચા માર્ગદર્શનના મહત્વ પર ભાર મૂક્યો હતો. સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા અને યુવા પેઢીને વ્યસનોથી દૂર રહેવા તેમજ આત્મનિર્ભરતા માટેની વિવિધ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સરકારી સેવાઓમાંથી નિવૃત થયેલા સમાજના તેજસ્વી અધિકારીઓ અને આગેવાનોનું સમાજ પ્રત્યેના તેમના યોગદાન બદલ જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:43 pm

અમરેલી SPની નવી પહેલ, અરજદારોને રૂબરૂ મળ્યાં:પોલીસ તરફથી કેવા પ્રકારની મદદ મળી છે, કામગીરીથી સંતુષ્ટ છે કે કેમ તે અંગે પ્રતિભાવ મેળવ્યો

અમરેલી જિલ્લામાં પોલીસ અધિક્ષક (SP) સંજય ખરાતે નાગરિકોને પોલીસ કામગીરી અંગે સીધો પ્રતિભાવ આપવા માટે એક નવી પહેલ કરી છે. તેઓ પોલીસ સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન અરજદારોને રૂબરૂ બોલાવીને માહિતી મેળવે છે. આ પહેલ અંતર્ગત, SP ખરાત અરજદારોને પૂછે છે કે તેમને પોલીસ તરફથી કેવા પ્રકારની મદદ મળી છે અને બીટમાં કામ કરતા પોલીસ કર્મચારીઓની કામગીરીથી તેઓ સંતુષ્ટ છે કે કેમ. આનાથી નાગરિકોને સંતોષ મળે અને પોલીસ કામગીરીમાં પારદર્શિતા આવે. તાજેતરમાં, રાજુલા પોલીસ સ્ટેશનના નિરીક્ષણ દરમિયાન, SP સંજય ખરાતે લગભગ 20 જેટલા અરજદારોને બોલાવ્યા હતા. આમાં મહિલા અત્યાચાર, ગુમ થયેલા વ્યક્તિઓ, મિલકત સંબંધિત અને શરીર સંબંધિત કેસોના અરજદારોનો સમાવેશ થતો હતો. મોટાભાગના અરજદારોએ પોલીસની કામગીરી સંતોષજનક ગણાવી હતી. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે જણાવ્યું હતું કે, નિરીક્ષણ દરમિયાન અરજદારોને રૂબરૂ બોલાવવાથી પોલીસની કામગીરી, તેમના વર્તન અને અરજદારોના સંતોષ અંગે સીધી માહિતી મળે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે શાંતિ, સલામતી અને સુરક્ષા જાળવવી એ પોલીસની મુખ્ય જવાબદારી છે અને રાજુલા પોલીસે આ દિશામાં સારી કામગીરી કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:41 pm

અમદાવાદ એપલવુડ ટાઉનશીપમાં 'ફન રન' ઉત્સાહભેર સંપન્ન:310થી વધુ રમતપ્રેમીઓએ દોડમાં ભાગ લીધો; ફિટનેસપ્રેમીઓ દ્વાર એકતા અને તંદુરસ્તીનો સંદેશ

સ્વાસ્થ્ય અને સમુદાય ભાવનાને પ્રોત્સાહન આપવા માટે એપલવુડ ટાઉનશીપના 'ઓર્ચિડ લેગસી' દ્વારા આજે વહેલી સવારે એક શાનદાર 'ફન રન' ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ફિટનેસ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલી આ દોડમાં રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ દોડને સોસાયટીના સીનિયર રનર્સ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વરિષ્ઠોના હસ્તે ફ્લેગ-ઓફ થવાથી યુવા અને અન્ય સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઈવેન્ટની મુખ્ય વિગતો વિશે વાત કરીએ તો રમતવીરો માટે ૩ કિમી અને ૫ કિમીની બે કેટેગરી રાખવામાં આવી હતી આ ઈવેન્ટમાં અંદાજે 310 જેટલા રજિસ્ટ્રેશન નોંધાયા હતા, જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના સભ્યો સામેલ થયા હતા. દોડ પૂર્ણ થયા બાદ સ્પર્ધકોના થાકને દૂર કરવા અને મનોરંજન માટે એક ખાસ ઝુમ્બા સેશન રાખવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ કાર્યક્રમ માત્ર રમતગમત પૂરતો મર્યાદિત ન રહેતા, સમુદાયના સભ્યો વચ્ચે એકતા અને તંદુરસ્તીનો સંદેશ ફેલાવવામાં સફળ રહ્યો હતો. વૉકિંગ, રનિંગ અને રોલિંગ જેવી વિવિધ રીતે ભાગ લઈને લોકોએ રવિવારની સવારને સ્વાસ્થ્યમય બનાવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:39 pm

કેળાં વેચતા વેપારી સાથે 49 લાખની ઠગાઈ:'હપ્તા હું ભરીશ' કહી લોન લેવડાવી બે શખ્સોએ દેવું કરાવ્યું, બાદમાં હપ્તા ન ભરી મારી નાખવાની ધમકી આપી

નવસારીમાં કન્સલ્ટન્સીના નામે લોન અપાવવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી સક્રિય છે. વિજલપોરમાં કેળાં વેચતા એક વેપારીને વિશ્વાસમાં લઈ, તેના નામે રૂ. 49.55 લાખની લોન કરાવી હપ્તા ન ભરતા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ વિજલપોર પોલીસ મથકે નોંધાઈ છે. ફરિયાદી રાજીવકુમાર રામબહાદુર વર્મા (રહે. વિજલપોર) કેળાં વેચવાનો વ્યવસાય કરે છે. વર્ષ 2017માં તેમણે ઘર લેવા માટે પી.કે. કન્સલ્ટન્સીના પ્રદિપ રામચરણ મિશ્રા મારફતે લોન લીધી હતી. આ ઓળખાણનો લાભ લઈ પ્રદિપે રાજીવકુમારની મુલાકાત તેના મિત્ર રાજેન્દ્ર ઉર્ફે રાજ ગીરીશભાઈ સોલંકી સાથે કરાવી હતી. વર્ષ 2023માં આરોપી રાજેન્દ્ર સોલંકીએ રાજીવકુમારને એક યોજના બતાવી. જેમાં અમલસાડ અને નવસારી ટાવર પાસેના કુલ ત્રણ ઘર રાજીવકુમારના નામે કરી તેના પર લોન લેવાની હતી. બદલામાં રાજીવકુમારને રૂ. 9 લાખ રોકડા આપવા અને લોનના તમામ હપ્તા રાજેન્દ્ર પોતે ભરશે તેવી ખાતરી આપી હતી. રાજીવકુમારે પોતાની ઓછી આવક અંગે ચિંતા વ્યક્ત કરતા, આરોપીઓએ બધું સેટિંગ થઈ જશે તેમ કહી ખોટા દસ્તાવેજોના આધારે લોન મંજૂર કરાવી દીધી હતી. આરોપીઓએ ભેગા મળીને રાજીવકુમારના નામે યુકો બેંકમાંથી અમલસાડના બે મકાન પર રૂ. 30 લાખ, બેંક ઓફ બરોડામાંથી નવસારી ટાવરના મકાન પર રૂ. 13.55 લાખ અને નિજ મકાન પર રીનોવેશન લોન તરીકે રૂ. 6 લાખ મળી કુલ રૂ. 49.55 લાખની લોન કરાવી હતી. આ તમામ રકમ આરોપીઓએ હડપ કરી લીધી હતી. શરૂઆતમાં બે હપ્તા ભર્યા બાદ આરોપીઓએ હપ્તા ભરવાનું બંધ કરી દીધું, જેના કારણે બેંકે અમલસાડના મકાનો સીલ કરી દીધા છે. જ્યારે રાજીવકુમારે પોતાના નાણાં અને હપ્તા બાબતે આરોપીઓ પાસે ઉઘરાણી કરી, ત્યારે આરોપી રાજેન્દ્ર સોલંકીએ ઉશ્કેરાઈને જણાવ્યું કે, દસ્તાવેજ અને લોન તારા નામે છે, તું મારું કંઈ બગાડી શકીશ નહીં. સાથે જ તેણે વેપારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ટોળકીએ માત્ર રાજીવકુમાર જ નહીં, પરંતુ સુરેશભાઈ રબારી (રૂ,20 લાખની ઠગાઈ), આલોક તિવારી અને અન્ય લોકો સાથે પણ આ જ રીતે લોનના નામે છેતરપિંડી કરી છે. કુલ ઠગાઈનો આંકડો રૂ. 69.55 લાખથી વધુ હોવાનું મનાય છે. હાલ ટાઉન પોલીસે પ્રદિપ મિશ્રા અને રાજેન્દ્ર સોલંકી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:34 pm

અંબાણી પિતા-પુત્ર કષ્ટભંજન હનુમાનજીના દર્શને:સાળંગપુરમાં મુકેશ અંબાણીએ પુત્ર અનંત સાથે પૂજા-અર્ચના કરી, દાદાની લાઈવ આરતી જીયો પ્લેટફોર્મ પર બતાવાશે

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેમના પુત્ર અનંત અંબાણીએ પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની મુલાકાત લીધી હતી. પિતા-પુત્રએ હનુમાનજીના દર્શન કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે મંદિર પરિસરમાં ગૌ પૂજન કર્યું હતું અને મંદિરના શિખર પર ધ્વજા પણ ચઢાવી હતી. જીયો પર લાઈવ આરતીનું પ્રસારણ થશેમંદિરના કોઠારી સ્વામીએ મુકેશ અંબાણીને વિનંતી કરી હતી કે સાળંગપુર હનુમાનજી મંદિરની દૈનિક આરતીનું લાઈવ પ્રસારણ જીયો પ્લેટફોર્મ પર કરવામાં આવે. મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામીના જણાવ્યા અનુસાર, મુકેશ અંબાણીએ આ પ્રસ્તાવને તુરંત સ્વીકારીને તે અંગેની જરૂરી વ્યવસ્થા કરવા માટે પુત્ર અનંત અંબાણીને સૂચના આપી હતી. ભક્તોની ભારે ભીડઅંબાણી પરિવારના આગમનને પગલે સાળંગપુરમાં તેમને જોવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે હાજર રહેલા ભક્તોએ 'જય શ્રી રામ'ના નારા લગાવી વાતાવરણ ગુંજવી દીધું હતું. આ મુલાકાત અંગેની સત્તાવાર માહિતી મંદિરના ટ્રસ્ટી અને શાસ્ત્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:33 pm

ગાંધીનગર ‘ટાઈફોઈડ'ના ડેન્જર ઝોનમાં:20 જાન્યુઆરી સુધી આંકડો 350 વટાવવાની દહેશત; દિલ્હીથી અમિત શાહનું સીધું મોનિટરિંગ, પ્રજા રોગચાળાના ભરડામાં અને કોર્પોરેટરો 'શિસ્ત'ના નામે ચૂપ

પાટનગર ગાંધીનગરના સેક્ટર-24, 26, 28 અને આદિવાડા વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં ગટરનું ઝેર ભળતા ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળાએ અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેમાં 104 બાળકો સહિત અત્યાર સુધી 150થી વધુ દર્દીઓ નોંધાતા શહેર ‘ડેન્જર ઝોન'માં ફેરવાયું છે. પરિસ્થિતિની ગંભીરતાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી પળેપળનું મોનિટરિંગ કરી રહ્યા છે. જ્યારે સિવિલ હોસ્પિટલમાં 22 નિષ્ણાંત તબીબોની વિશેષ ટીમ તહેનાત કરવામાં આવી છે. તબીબોના અનુમાન મુજબ 20 જાન્યુઆરી સુધીમાં કેસનો આંકડો 350ને પાર કરી જવાની દહેશત છે. બીજી તરફ દૂષિત પાણીના કારણે ટાઈફોઈડનો હાહાકાર મચ્યા બાદ હવે મહાનગરપાલિકાના નગરસેવકોની આંતરિક વ્યથા અને લાચારી બહાર આવી રહી છે. અત્યાર સુધી શિસ્તના નામે મૌન રહેલા નગરસેવકો હવે અંદરખાને સ્વીકારી રહ્યા છે કે, પ્રજાના પ્રશ્નો બાબતે અધિકારીઓ સમક્ષ કરાયેલી રજૂઆતોને કાયમ કચરાપેટીમાં નાખી દેવામાં આવી છે. અધિકારીઓની એજન્સીઓ પ્રત્યેની મમતા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યેની અવગણનાએ શહેરને રોગચાળાના મુખમાં ધકેલી દીધું હોવાનો સૂર ઉઠ્યો છે. ટાઈફોઈડને રોકવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવા આદેશહાલમાં તો શહેરના ચાર મુખ્ય વિસ્તારોમાં દૂષિત પાણીને કારણે હાહાકાર મચતા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. ગઈકાલે હર્ષ સંઘવીએ સિવિલમાં દર્દીઓની મુલાકાત લીધા બાદ વહીવટી તંત્રને ખખડાવ્યું હતું. દર્દીઓને યોગ્ય સારવાર મળે તે માટે નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીને સિવિલના વિશેષ સુપરવિઝનની જવાબદારી સોંપાઈ છે. આરોગ્ય વિભાગ અને કોર્પોરેશનની તાકીદની બેઠકમાં ટાઈફોઈડને રોકવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવા આદેશ અપાયા છે. ગંભીર દર્દીઓ 22 સભ્યોની ટીમના નિરીક્ષણ હેઠળસૌથી વધુ અસર આદિવાડા અને સેક્ટર-28 ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં જોવા મળી રહી છે. ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની લાંબી કતારો છે. સિવિલમાં પણ બેડ ખૂટી પડતા નવો વોર્ડ શરૂ કરવાની નોબત આવી છે. તબીબોની 22 સભ્યોની ટીમ સતત ગંભીર દર્દીઓનું નિરીક્ષણ કરી રહી છે. ગઈકાલે રાતે પણ ઉચ્ચ કક્ષાએથી ગાંધીનગર તંત્રના ક્લાસ લેવામાં આવ્યા હતા. આજે પણ નવા સચિવાલય ખાતે આરોગ્ય સચિવે તંત્રની કામગીરીના રિપોર્ટ કાર્ડની સમીક્ષા કરાઈ હતી. 20 જાન્યુઆરી સુધી સ્થિતિ વધુ વણસી શકે છે. આથી નગરજનોએ પાણી ગાળીને અને ઉકાળીને પીવા માટે તંત્ર ધ્વારા અપીલ કરાઈ છે. મહાનગરપાલિકાના વહીવટમાં રહેલા ‘ગાબડાં' ખુલ્લા પાડી દીધાપાટનગરમાં ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળાએ માત્ર પાઈપલાઈનોનું લીકેજ જ નહીં, પરંતુ ગાંધીનગર મહાનગરપાલિકાના વહીવટમાં રહેલા ‘ગાબડાં' પણ ખુલ્લા પાડી દીધા છે. દૂષિત પાણીથી બાળકો હોસ્પિટલમાં પટકાઈ રહ્યા છે, ત્યારે જનતાના પ્રતિનિધિ એવા નગરસેવકોની હાલત અત્યારે ‘પીંજરે પુરાયેલા પંખી' જેવી થઈ ગઈ છે. 250 કરોડના આંધણ છતાં ઠેર-ઠેર લીકેજની રજૂઆત કરનારા નગરસેવકોને શિસ્તનો દંડો બતાવી પ્રદેશ કક્ષાએથી ઠપકો અપાવવાની પરંપરાએ સ્માર્ટ સિટીના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. નગરસેવકોની રજૂઆતને સાંભળવાને બદલે તેમને ‘ચૂપ' રહેવાની સલાહશહેરમાં 24 કલાક પાણી પુરવઠાના પ્રોજેક્ટમાં શરૂઆતથી જ નબળી કામગીરીની ફરિયાદો ઉઠી હતી. જાગૃત નગરસેવકોએ જ્યારે અધિકારીઓનું ધ્યાન દોર્યું, ત્યારે પ્રજાના હિતને બદલે કોન્ટ્રાક્ટર એજન્સીઓની તરફદારી કરવામાં આવી હતી. અધિકારીઓની આ માનસિકતાને કારણે આજે ગાંધીનગર માંદગીના બિછાને છે. આશ્ચર્યની વાત એ છે કે, નગરસેવકોની રજૂઆતને સાંભળવાને બદલે તેમને ‘ચૂપ' રહેવાની સલાહ આપવામાં આવતી હોવાથી અંદરખાને ભારે રોષ વ્યાપી ગયો છે. સ્થાનિકોએ ઘરદીઠ ફાળો ઉઘરાવી પાઈપલાઈન રિપેર કરાવીચોવીસ કલાક પાણી વિતરણની ટ્રાયલ દરમિયાન પણ અનેક સ્થળે લીકેજની સમસ્યા જોવા મળી હતી, જેના કારણે સ્થાનિક નગરજનોએ નગરસેવકો સમક્ષ આકરી રજૂઆતો કરી હતી. નગરજનોની રજૂઆતના આધારે કામગીરી હાથ ધરવા સંબંધિત અધિકારીઓ સાથે નગરસેવકોએ ચર્ચા કરી હતી, પરંતુ માત્ર સંગઠનનો જ આદેશ માનવા ટેવાયેલા અધિકારીઓએ તેમની વાત કાને ધરી ન હતી. નગરસેવકોની લાચારીનો પુરાવો એ ઘટના છે જેમાં મહાત્મા મંદિર જેવા વીઆઈપી વિસ્તાર નજીક વસાહતના રહીશોએ તંત્રની આશા છોડી દીધી હતી. લીકેજને કારણે ગંદકી અને રોગચાળો વધતા સ્થાનિકોએ ઘરદીઠ ફાળો ઉઘરાવી 30,000 રૂપિયાના ખર્ચે ખાનગી મજૂરો બોલાવી પાઈપલાઈન રિપેર કરાવી હતી. પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવનારા ત્રણ નગરસેવકોને પ્રદેશ કક્ષાએથી ઠપકો મહાનગર પાલિકાની સામાન્ય સભા પૂર્વે યોજાતી સંકલન બેઠકમાં નગરસેવકોને બોલવા દેવાતા નથી એ શું સૌ કોઈ જાણે છે. તાજેતરમાં યોજાયેલી ટાઉન પ્લાનિંગ અને રખડતા કૂતરાં જેવા પ્રજાલક્ષી પ્રશ્નો ઉઠાવનારા ત્રણ નગરસેવકોને ‘ગેરશિસ્ત'ના નામે પ્રદેશ કક્ષાએથી ઠપકો અપાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. એમાંય ટર્મ પૂરી થવા આવી છે ત્યારે નગરસેવકો હવે મતદારોના ફોન ઉપાડવાનું ટાળી રહ્યા છે. લોકો પાણી અને ગટરની સમસ્યા માટે ફોન કરે ત્યારે કોઈ ઉકેલ લાવી શકવાની ક્ષમતા ન હોવાથી નગરસેવકો હવે લાચારી અનુભવી રહ્યા છે. પાણીના ટ્રાયલ દરમિયાન અનેક લીકેજની સમસ્યા સામે આવી હતીએક નગરસેવકે નામ નહીં આપવાની શરતે પોતાની વ્યથા ઠાલવી જણાવ્યું કે, નથી અમારી ભલામણ સ્વીકારાતી, નથી અમને બોલવા દેવાતા. પાણીના ટ્રાયલ દરમિયાન અનેક વિસ્તારોમાં લીકેજની સમસ્યા આવી હતી. મનપાની જાહેર કરાયેલી હેલ્પલાઈન શોભાના ગાંઠિયા જેવી હોવાથી સ્થાનિકોએ લીકેજ દૂર કરવા માટે તંત્ર સમક્ષ રૂબરૂમાં રજૂઆતો કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:29 pm

પાટણમાં અંગદાન, કેન્સર જાગૃતિ માટે મેરેથોન 3.0:2000થી વધુ દોડવીરોએ ભાગ લીધો, પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલાને રોકડ પુરસ્કાર અને મેડલ આપી સન્માનિત કરાયા

પાટણમાં અંગદાન અને કેન્સર જાગૃતિ માટે રવિવારે મેરેથોન 3.0નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જીમખાના ગ્રાઉન્ડ ખાતેથી શરૂ થયેલી આ મેરેથોનનું આયોજન પાટણ રોટરી ક્લબ અને આસ્થા હોસ્પિટલના સહયોગથી કરાયું હતું. મેરેથોન 3.0ને જીમખાના ગ્રાઉન્ડ ખાતેથી મહાનુભાવો દ્વારા ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અંગદાન અભિયાનના પ્રણેતા દિલીપ દેશમુખ, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ, હુડકોના સ્વતંત્ર ડિરેક્ટર કે.સી. પટેલ, બેબાભાઈ ઠક્કર, જિલ્લા કલેક્ટર ભટ્ટ, રોટરી ક્લબ પાટણના પ્રમુખ ડો. પરિમલ જાની અને આસ્થા હોસ્પિટલના ડો. સુરેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આયોજકોના પ્રયાસોની સરાહના કરી હતી. આ મેરેથોનમાં પાટણ, ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી 2000થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. પ્રથમ ત્રણ ક્રમાંકે આવેલા દોડવીરોને મહાનુભાવોના હસ્તે રોકડ પુરસ્કાર અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મેરેથોનમાં ભાગ લેનાર તમામ દોડવીરોને પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:27 pm

ગણદેવીમાં વાતાવરણ બદલાયું, બાગાયતી પાકો પર સંકટ:આંબા અને ચીકુના ઝાડ પરથી ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ, ખેડૂતો ચિંતિત

દક્ષિણ ગુજરાતનું ગણદેવી તેના સ્વાદિષ્ટ ચીકુ અને કેસર કેરી માટે જાણીતું છે. જોકે, આ વર્ષે બદલાયેલા વાતાવરણને કારણે અહીંના બાગાયતી પાકો પર મોટું સંકટ ઊભું થયું છે, જેનાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. શિયાળાની જમાવટ વચ્ચે સવારે ગાઢ ધુમ્મસ, બપોરે ગરમી અને રાત્રે પડતી ઝાકળને કારણે આંબા અને ચીકુના ઝાડ પરથી ફ્લાવરિંગ ખરી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતો આ પરિસ્થિતિને 'ટ્રિપલ સીઝન' તરીકે ઓળખાવી રહ્યા છે. નવસારી જિલ્લાનો ગણદેવી તાલુકો બાગાયતી પાકોનો ગઢ ગણાય છે. અહીં અંદાજે 15,000 હેક્ટરમાં કેરી અને ચીકુનું વાવેતર થાય છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત સાથે આંબા પર મોર અને ચીકુ પર ફૂલો બેસે છે, પરંતુ આ વર્ષે વાતાવરણમાં સતત ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે, જેનાથી ઉત્પાદનમાં ધરખમ ઘટાડો થવાનો ભય છે. ખેડૂત પિનાકીન પટેલે જણાવ્યું હતું કે, વર્ષની શરૂઆત કમોસમી વરસાદ સાથે થઈ છે. અત્યારે જે વાતાવરણ છે તે રોગ-જીવાત માટે અનુકૂળ છે, જે પાક માટે અત્યંત વિપરીત છે. આંબાની મંજરી અને ચીકુની કળીઓ ખરવા લાગી છે. આ વિષમ પરિસ્થિતિને કારણે ફ્લાવરિંગમાં ફૂગ લાગવાની અથવા તે ખરી પડવાની શક્યતા વધી ગઈ છે, જેનાથી ઘણા ખેડૂતો ખેતી છોડવા પણ મજબૂર બન્યા છે. નાયબ બાગાયત નિયામક દિનેશ પડાલિયાએ માહિતી આપી હતી કે, જિલ્લામાં 30-32 હજાર હેક્ટરમાં આંબા અને 8 હજાર હેક્ટરમાં ચીકુનું વાવેતર છે. તેમણે ખેડૂતોને સલાહ આપી છે કે જો વાતાવરણ વધુ બગડે અને કણી કાળી પડે, તો યુનિવર્સિટીની ભલામણ મુજબ સલ્ફર પાવડર, કાર્બેન્ડાઝીમ અથવા હેક્ઝાકોનાઝોલ જેવી ફૂગનાશક દવાનો છંટકાવ કરે, જેથી 'ભૂકી છારો' (પાવડરી મિલ્ડ્યુ) રોગથી પાકને બચાવી શકાય.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:23 pm

સાસણ નેશ વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું:1.68 લાખની કિંમતના છોડ કબજે કરાયા, ​આરોપીના ઈન્સ્ટાગ્રામમાં 25 હજારથી વધુ ફોલોઅર્સ

​જૂનાગઢ જિલ્લામાં નશીલા પદાર્થોની બદીને જડમૂળથી ડામવા પોલીસ સતત કાર્યરત છે.ત્યારે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાજડીયા એસપી સુબોધ ઓડેદરાની સૂચના થી એસઓજી દ્વારા એનડીપીએસ હેઠળના ગુનાઓ શોધવા પોલીસે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. એસઓજી પીઆઈ આર.કે. પરમાર અને તેમની ટીમને સાસણ વિસ્તારના એક નેશમાંથી ગાંજાના વાવેતર અંગે મહત્વની સફળતા મળી છે. અને એસઓજી પોલીસે 3 કિલો 360 ગ્રામ વજનના ગાંજાના લીલો છોડ જેની બજાર કિંમત 1.68 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે.. આરોપીના સોશિયલ મીડિયામાં હજારો ફોલોઅર્સ​એસઓજીના એએસઆઈ કરશનભાઈ મોઢા અને મેણસીભાઇ અખેડને મળેલી બાતમીના આધારે મેંદરડા તાલુકાના હરીપુર-ભાલછેલ રોડ પર આવેલા લક્કડવેરા નેશમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાંથી 47 વર્ષીય બાપુમીયા ઈસ્માઈલમીયા બુખારી નામના ઇસમે પોતાના રહેણાંક મકાનના પાછળના ભાગે રસોડાની દીવાલને અડીને ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. પોલીસે તપાસ કરતા 3 કિલો 360 કિલોગ્રામ વજનનો ગાંજાનો લીલો છોડ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત 1.68 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આરોપીના સોશિયલ મીડિયામાં હજારો ફોલોવર્સ છે અને આરોપી ગાંજો પીવાની ટેવ ધરાવતો હોવાથી આ બી વાવ્યું હોવાની કબૂલાત કરી છે. મેંદરડા પોલીસ મથકે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. નશાના વેપલા પર જૂનાગઢ પોલીસની કડક કાર્યવાહીજૂનાગઢ પોલીસે છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થો વિરુદ્ધ આક્રમક અભિગમ અપનાવ્યો છે. અગાઉ પણ એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચે અનેક દરોડા પાડીને ચરસ, ગાંજો અને સિન્થેટિક ડ્રગ્સ જેવા કરોડો રૂપિયાના નશીલા પદાર્થોનો જથ્થો ઝડપી પાડ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને જંગલના અંતરિયાળ નેશ સુધી પોલીસનું નેટવર્ક મજબૂત બન્યું છે, જેના કારણે ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.અગાઉના કેસોમાં પોલીસે કરોડોના મુદ્દામાલ સાથે આંતરરાજ્ય ગેંગના સાગરીતોને પણ જેલના સળિયા પાછળ ધકેલ્યા છે. ​આ કામગીરીમાં પીઆઈ આર.કે. પરમાર, પીએસઆઈ ડી.કે. સરવૈયા, કરશનભાઈ મોઢા, જીતેન્દ્રસિંહ ચૌહાણ, મેણસીભાઇ અખેડ અને વિશાલભાઇ ઓડેદરા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે યુવાનોને અપીલ કરી છે કે ડ્રગ્સથી દૂર રહેવું, કારણ કે તે માત્ર વ્યક્તિને જ નહીં પણ આખા પરિવારને બરબાદ કરે છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:10 pm

55 તોલા સોના સહિતનું દહેજ લીધા બાદ પણ પરિણીતાને ત્રાસ:પતિએ પેટના ભાગે માર મારતા મિસકેરેજ થયાનો પત્નીનો આક્ષેપ, સાસુ-સસરા સહિત ત્રણ સામે ફરિયાદ

અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી એક ગંભીર ઘરેલુ હિંસાનો કેસ સામે આવ્યો છે. રાણીપ વિસ્તારમાં રહેતી એક મહિલા પતિ અને સાસરિયાના ત્રાસનો ભોગ બની છે. લગ્નમાં લાખો રૂપિયાનું કરિયાવર આપવા છતાં એક મહિલાને પતિ અને સાસરિયા પક્ષ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરવો પડ્યો હતો. ગર્ભપાત, મારામારી અને ગંભીર ઈજાઓ બાદ અંતે પીડિત મહિલાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં પતિ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. 55 તોલા સોનું સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ આપ્યો છતા કરિયાવર ઓછો પડ્યોવર્ષ 2017માં રાણીપ વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન અરવલ્લીના સુરેન્દ્રસિંહ રાઠોડ સાથે થયા હતા. જે દરમિયાન મહિલાના માતા પિતાની જે શક્તિ હતી તે પ્રમાણે તેમણે કરિયાવરમાં 55 તોલા સોનાના દાગીના, બે કિલો ચાંદી, ફર્નિચર, ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન સહિત રોકડા 1.25 લાખ રૂપિયા આપ્યા હતા. તેમજ મહિલાના પિતાએ લગ્ન પહેલા ઘરમાં ટાઇલ્સ નાખવા માટે યુવતીના સાસરિયાવાળાને 2 લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નના એક દિવસ બાદ મહિલાનું લગ્ન જીવન સારી રીતે ચાલી રહ્યું હતું. તેમજ કરિયાવરમાં આવેલા તમામ દાગીના મહિલાના સાસુ સસરા તેમની પાસે જ રાખતા હતા. પતિએ લાત મારતા મિસકેરેજ થયાનો પત્નીનો આક્ષેપવર્ષ 2017માં મહિલા અને તેના જેસલમેર ગયા હતા. જ્યાં મહિલા અને તેના પતિ અંદાજે 4 મહિના ત્યાં રહ્યા હતા જે દરમિયાન મહિલા પ્રેગનેટ થઈ ગઈ હતી. જે બાદ અચાનક જ મહિલાના લગ્ન જીવનમાં એક વળાંક આવે છે. એક દિવસ મહિલાના પતિ દારૂ પીને ભાગે નાની નાની વાતોને લઈને ઝઘડો કર્યો હતો. જે દરમિયાન પતિએ પેટના ભાગે માર મારતા બીજા દિવસે મિસ કેરેજ થયેલ હોવાનો પણ મહિલાએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે. તેમજ માલિક દવાખાને લઈ ગયા હોવાનો દાવો પણ મહિલાએ કર્યો છે. તેમજ સાસુ સસરા વશીકરણ કરતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. વશીકરણ કર્યું હોવાથી મહિલા સાસરિયામાં રહેવા માટે ગઈ હતી. મહિલા ફરી સાસરિયામાં રહી હતી અને વર્ષ 2018માં એક સંતાનને જન્મ આપ્યો હતો. તેમ છતાં પતિ તથા સાસરિયા પક્ષ દ્વારા માનસિક અને શારીરિક ત્રાસ યથાવત રહ્યો હોવાનું તેણીએ જણાવ્યું છે. થોડા સમય બાદ યુવતીની માતાને હાર્ટએટેક આવતા તે પિયરમાં ગઈ હતી. પરત ફર્યા બાદ તેના ચારિત્ર્ય પર શંકા રાખી હેરાન પરેશાન કરવામાં આવી હતી. પતિ સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદઅમદાવાદ આવ્યા બાદ એક દિવસ મહિલાએ તેના પતિને ફોનમાં અન્ય સ્ત્રી સાથે વાત કરતા જોઈ ગઈ હતી. તો તેને વિશે પૂછતા મહિલાના પતિએ તેની સાથે ઝઘડો કરીને છૂટાછેડા આપવાની ધમકી આપી હતી. તેમજ મારામારી કરી મંગળસૂત્ર ખેંચીને તોડી પણ નાખ્યું હતું. જે વિશે મહિલાએ જ્યારે તેના સાસુને જાણ કરી તેને આ બધું બાબતમાં વચ્ચે પડવાનો જ ઇનકાર કરી દીધો હતો. એક દિવસ મહિલાને તેના પતિએ માર માર્યો હતો જેના કારણે મહિલાને પેટમાં સતત દુખાવો થતો હતો હોવાથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે આંતરિક ભાગમાં ઇજા થઈ હોવાથી ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી. પતિના માનસિક અને શારીરિક ત્રાસ હોવા છતાં મહિલાએ ઘર સંસાર ન બગડે તે માટે બધું જ મૂંગા મોઢે સહન કર્યું હતું. ઘર સંસાર ન બગડે તે માટે લાંબા સમય સુધી ત્રાસ સહન કર્યા બાદ અંતે મહિલાએ પતિ સહિત સાસરિયા પક્ષ સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાબરમતી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:07 pm

અમદાવાદનો વધુ એક બ્રિજ બિસ્માર:ઈન્દિરાબ્રિજ પર ખાડા અને તિરાડો, આપના 400 કાર્યકરોના કેસરિયા, માવઠા બાદ શરૂ થયો ઠંડીનો રાઉન્ડ

હવે ઈન્દિરા બ્રિજ પર તિરાડો અને ખાડા સુભાષ બ્રિજ, ઈન્કમટેક્સ બ્રિજ, દધીચિ બ્રિજ બાદ હવે અમદાવાદ ગાંધીનગરને જોડતા ઈન્દિરા બ્રિજ પર તિરાડો અને ખાડા પડ્યા છે.આ બ્રિજ પરથી રોજના એક લાખ વાહનચાલકો પસાર થાય છે. સીએમ અને પીએમ પણ આ જ બ્રિજથી પસાર થતા હોય છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આજથી લાગુ થશે ઠાકોર સમાજનું બંધારણ ઠાકોર સમાજના બંધારણ માટે મળેલા સંમેલનમાં ગેનીબેન ઠાકોરે સદારામ ધામ માટે ખોળો પાથરી દાન માગ્યું.. જે બાદ સમાજના આગેવાનો અને સાંસદે એક એક વિઘો જમીન દાન આપી. આ સાથે જ આજથી સમાજે નવું બંધારણ લાગુ કર્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના 400 કાર્યકરો ભાજપમાં જોડાયા ચૈતર વસાવાની કામગીરીથી નારાજ આપના 400 કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો. તો સાંસદે ઘવલ પટેલે કહ્યું કે આપ અને કોંગ્રેસને ચૂંટણી લડવા માટે કાર્યકરો પણ નહીં મળે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રિક્ષાચાાલકો અને RPFના જવાનો વચ્ચે મારામારી અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશ પર રિક્ષાચાલકો અને આરપીએફના જવાનો વચ્ચે પેસેન્જર ભરવા મુદ્દે બોલાચાલી થઈ..મામલો ઉગ્ર થકા આરપીએફના વધુ જવાનો આવી ગયા અને રિક્ષાચાલકોને માર માર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અંદરોઅંદરના વિવાદમાં જાહેરમાં લાકડીઓ ઉડી વડોદરાના તરસાલી તરફ જતા રસ્તે ભરવાડ સમાજના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું. અંદરોઅંદરના વિવાદમાં સંબંધીઓએ એકબીજા પર હુમલો કર્યો. પોલીસે પોતે ફરિયાદી બની 6 સામે કાર્યવાહી હાથ ધરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાત 10 મેડલ લાવશે - જય શાહ સુરતમાં યોજાયેલી રન ફોર ગર્લ્ડ ચાઈલ્ડ કાર્યક્રમમાં આઈસીસી ચેરમેન જય શાહે ઓલમ્પિકમાં ગુજરાતીઓ પાસેથી વધુ મેડલની આશા વ્યક્ત કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગૌરક્ષક પર છરીથી હુમલો કરવામાં આવ્યો રાજકોટમાં ગૌવંશને કતલખાને લઈ જતી રિક્ષાને રોકતા ગૌરક્ષકને માર મારી છરીથી હૂમલો કરવામાં આવ્યો..ઈજાગ્રસ્કો ગૌરક્ષકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પંચનાથ સોસાયટી પાસે બનેલી ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 4 વર્ષીય બાળક પર સિંહણનો હુમલો જૂનાગઢમાં વિસાવદરના નાની મોણપરી ગામે ખેતમજૂરી કરતા પરિવારના 4 વર્ષીય માસૂમને સિંહણે શિકાર બનાવ્યો..બાળકના મૃતદેહ પર દાંત-નખથી ફાડી ખાધાના નિશાન મળી આવ્યા.આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાણ-ખનીજ વિભાગમાં 'હપ્તા રાજ'નો આક્ષેપ ગીર સોમનાથમાં ખાણ-ખનીજ વિભાગમાં 'હપ્તા રાજ'નો આક્ષેપ....CMને પત્ર લખી ભ્રષ્ટ અધિકારીઓની બદલીની માગ કરીક્વોરી એસોસિએશનની સપ્લાય બંધ કરવાની ચીમકી ઉચ્ચારીઆ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કમોસમી વરસાદ બાદ શરુ થયો ઠંડીનો રાઉન્ડ 8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. તો રાજકોટ 9.4 ડિગ્રી તાપમાન સાથે બીજા નંબર પર છે.હજુ આગામી દિવસોમાં તાપમાનનો પારો ગગડવાની આગાહી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:05 pm

ગોધરા શાકમાર્કેટમાં CCTV બંધ:અસામાજિક તત્વોના જમાવડાથી વેપારીઓ ભયભીત, તંત્ર દ્વારા નવા કેમેરા લગાવવાની ખાતરી અપાઈ

ગોધરા શહેરના પંડિત દીનદયાળ ઉપાધ્યાય જહુરપુરા શાકમાર્કેટમાં સુરક્ષા અને સ્વચ્છતાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. લાખોના ખર્ચે બનેલા આ માર્કેટમાં સીસીટીવી કેમેરા બંધ હોવાથી અસામાજિક તત્વોનો જમાવડો જોવા મળી રહ્યો છે. અગાઉ અહીં સુરક્ષા માટે પાંચ સીસીટીવી કેમેરા કાર્યરત હતા. જોકે, અસામાજિક તત્વો દ્વારા તેમના વાયરો કાપી નાખવામાં આવતા છેલ્લા લાંબા સમયથી આ સુવિધા બંધ હાલતમાં છે. સીસીટીવી બંધ હોવાનો ફાયદો ઉઠાવી અસામાજિક તત્વોએ અહીં અડિંગો જમાવ્યો છે. આ પરિસ્થિતિને કારણે સ્થાનિક વેપારીઓ, મહિલાઓ અને નજીકના મંદિરે જતા શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ માર્ગ હેડ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ કેન્દ્ર, નાળિયેરી મસ્જિદ, બેઠક મંદિર અને સ્વામિનારાયણ મંદિર જેવા મહત્વના સ્થળોને જોડે છે, જેના કારણે અહીં સતત ટ્રાફિક અને ગંદકીની સમસ્યા પણ રહે છે. સ્થાનિક રહીશો દ્વારા આ બાબતે તંત્રને રજૂઆતો કરવામાં આવી છે. બીજી તરફ, જિલ્લા વહીવટી તંત્ર અને અરજદારને નગરપાલિકાના મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવેલા જવાબ મુજબ, આ વિસ્તારને 'નિર્મળ ગુજરાત 2.0' યોજના હેઠળ સુશોભિત કરવાની ખાતરી આપવામાં આવી છે. નવા સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલેશન માટે ટેન્ડર પ્રક્રિયા સત્વરે પૂર્ણ કરવા સૂચનાઓ અપાઈ છે જોકે, લોકોની માંગ છે કે આ આશ્વાસનો માત્ર કાગળ પર ન રહી જાય અને તાત્કાલિક અસરથી આધુનિક નાઈટ વિઝન કેમેરા લગાવીને સુરક્ષા વ્યવસ્થા ફરી શરૂ કરવામાં આવે. સાથે જ, જનપ્રતિનિધિઓ દ્વારા મૂકવામાં આવેલા પાંચ જૂના કેમેરાને પણ મોનિટરીંગમાં લઈને આ સંવેદનશીલ વિસ્તારની સુરક્ષામાં વધારો થાય અને ટ્રાફિકની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 6:04 pm

ભાવનગરની પીએમ શ્રી મોડેલ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજાયો:કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા

ભાવનગર જિલ્લાના શામપરા (સિદસર) ખાતે આવેલી પીએમ શ્રી મોડેલ સ્કૂલમાં શાળાનો વાર્ષિક ઉત્સવ “કેશવમ્” થીમ હેઠળ ભવ્ય રીતે યોજાયો હતો. ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યો સાથે વિદ્યાર્થીઓની સર્વાંગી પ્રતિભાને ઉજાગર કરતો આ કાર્યક્રમ સૌ માટે પ્રેરણારૂપ રહ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યા હતા. સાથે આગેવાન શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરિયા, શાસનાધિકારી સમીરભાઈ જાની, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ રાઠોડ, યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના સદસ્ય પરેશભાઈ ચૌહાણ, શિક્ષણ સેવા વર્ગ-૨ના અધિકારીઓ તથા સરકારી શિક્ષણ સંઘના અધ્યક્ષ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા નૃત્ય, નાટિકા, સંગીત અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા તેમજ શાળાની શૈક્ષણિક અને સહપાઠ્ય પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય ડૉ. પ્રકાશભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકમંડળ હાજર રહી ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 5:51 pm

એક જ કોમના બે જૂથ વચ્ચે તલવારબાજી:વડોદરામાં લાલબાગ બ્રિજ નીચે પથ્થરમારો, અનેક લોકો ઇજાગ્રસ્ત, 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયા

વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચેના વિસ્તારમાં આજે એક જ કોમના બે જૂથ વચ્ચે તલવારબાજી અને પથ્થરમારાની ઘટના બની હતી, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ ઇજાગ્રસ્તોને 108 ઇમરજન્સી સેવા મારફતે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ નિયંત્રણમાં લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડા દરમિયાન બંને પક્ષે તલવાર અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતોમળતી માહિતી અનુસાર, બે જૂથ વચ્ચે જૂના વિવાદને લઈને બોલાચાલી થઈ હતી, જે ઝઘડામાં ફેરવાઈ ગઈ હતી. ઝઘડા દરમિયાન બંને પક્ષે તલવાર અને અન્ય હથિયારોનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ઘણા લોકોને ગંભીર ઇજાઓ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો પોલીસે આ મામલે બંને જૂથના કેટલાક લોકોને પૂછપરછ માટે હાજર કર્યા છે અને ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. આ ઘટનાએ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે અને પોલીસે વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેથી કોઈ બીજી ઘટના ન બને. વધુ તપાસ ચાલુ છે. આ અંગે રાવપુરા પી આઈ કે કે જાધવે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આ ઘટના અંગેની જાણ થતા અમે સ્થળ પર પોહચ્યા છીએ. એક જ કોમના બે જૂથ વચ્ચે બબાલ થઈ હોવાની વિગતો છે. અમે આ બાબતે તપાસ કરી રહ્યા છીએ .

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 5:41 pm

શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા:કુપોષણ સામેની લડાઈમાં તબીબો સહભાગી બને - હર્ષ સંઘવીની સુરતના બાળરોગ નિષ્ણાતોને મહત્વની અપીલ

ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તબીબોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળાના બાળકોના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તબીબોને ખાસ સલાહ અને માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બાળકો એ દેશનું ભવિષ્ય છે અને તેમને કુપોષણના વિષચક્રમાંથી બહાર કાઢવા માટે સરકારની સાથે સાથે તબીબોનો સહયોગ અનિવાર્ય છે. તેમણે મુખ્યત્વે બાબતો પર ભાર મૂક્યો હતો કે, તબીબોએ શાળાએ જતાં બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ જેથી કુપોષણને શરૂઆતના તબક્કે જ અટકાવી શકાય. માત્ર સારવાર જ નહીં, પરંતુ વાલીઓમાં પોષણક્ષમ આહાર બાબતે જાગૃતિ લાવવા માટે તબીબોએ આગળ આવવું જોઈએ. મંત્રીએ સૂચન કર્યું કે પીડિયાટ્રિક એસોસિયેશનના સભ્યો કુપોષિત બાળકો માટે વિશેષ કેમ્પ અને માર્ગદર્શન સેમિનારનું આયોજન કરે. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનનો પ્રતિસાદ સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવનિયુક્ત હોદ્દેદારો અને હાજર તબીબોએ હર્ષ સંઘવીની આ સલાહને સહર્ષ આવકારી હતી. એસોસિયેશન દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે આગામી સમયમાં શહેર અને આસપાસના વિસ્તારોમાં કુપોષણ નાબૂદી માટે વિશેષ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષ અને તેમની ટીમની નિમણૂક માટે યોજાયો હતો. જેમાં શહેરના નામાંકિત બાળરોગ નિષ્ણાતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હર્ષ સંઘવીએ નવી ટીમને અભિનંદન પાઠવતા તબીબી ક્ષેત્રે સુરતનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ચાર-પાંચ સરકારી શાળાઓની ડેઇલી વિઝિટ કરવામાં આવે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે હું તો આપ સૌને આજે વિનંતી કરવા આવ્યો છું. હું અહીં કોઈ માર્ગદર્શન આપવા કે કોઈ વાત કરવા નથી આવ્યો. હું માત્ર ને માત્ર એ જ વિનંતી કરવા આવ્યો છું કે આપ સૌને મારી કોન્સ્ટીટ્યુન્સીમાં, શહેરમાં, રાજ્યમાં જ્યાં તમને ઠીક લાગે ત્યાં, હું તમને ચાર-પાંચ સરકારી શાળાઓ અપાવું છું. અને તેની અંદર પણ હું તમારી માત્ર એટલી જ મદદ ચાહું છું કે આપ લોકો માર્ગદર્શન આપો અને ડેઇલી વિઝિટ આપના ગ્રુપમાંથી કોઈ એક વ્યક્તિ ત્યાં કરે. એક શેડ્યુલ બની જાય. તે બાળકોની આખી ન્યુટ્રિશન (પોષણ)ની વ્યવસ્થા મારી તરફથી, મારી ટીમ તરફથી અથવા મારા મિત્રો કે સામાજિક સંસ્થાઓ દ્વારા અમે કરીશું. વર્ષે 1થી 5 હજાર બાળકોને આપણે કુપોષણમાંથી બહાર લાવીએ પરંતુ શું આપણે આ પડકાર ઝીલી શકીએ? કે આવનારા એક વર્ષ પછી જ્યારે આપણી નવી ટીમ બને, ત્યાં સુધીમાં આ ટીમ દ્વારા ઓછામાં ઓછા ૧,૦૦૦ થી ૫,૦૦૦ બાળકોને આપણે કુપોષણમાંથી બહાર લાવીએ. આપણે તેમની જવાબદારી એવી રીતે લઈએ કે આપણને પણ લાગે કે સામાજિક પ્રભાવનું એક કામ જે આપણે પડકાર તરીકે લીધું હતું, તેમાં ૧૦૦ ટકા આટલા બાળકોનું જીવન સુધારવામાં સફળતા મળી છે. સામાજિક અને ભગીરથ કાર્યમાં હું તમારી સાથે સહભાગી બની હું મારો અનુભવ જણાવું છું કે નવા કામ પછી જ્યારે તેનું પરિણામ આવે છે ત્યારે તેના જેવો આનંદ બીજો કોઈ નથી હોતો. તો મારી એક વિનંતી છે કે આપ સૌ મળીને એક યોજના બનાવી તેની આખી રૂપરેખા તૈયાર કરો, જેથી આપણે સાથે મળીને આ કામને આગળ વધારી શકીએ.મારા માટે પણ એ સૌભાગ્યની વાત રહેશે કે આ ધર્મના કામમાં, સામાજિક કામમાં અને ભગીરથ કાર્યમાં જો હું તમારી સાથે સહભાગી બની શકું. તો તમે મને પણ કંઈક કામ આપજો, આપણે સાથે મળીને કામ કરીશું.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 5:17 pm

અમદાવાદમાં મુંબઈના સિંગર પર ગુજરાતી સિંગરનો હુમલો:શ્યામ સિધાવત સહિત 6 શખસો જુની અદાવતમાં હાર્દિલ પંડ્યા પર હથિયાર વડે તૂટી પડ્યા; કાનના પડદા ફાટી ગયા, મોઢે ટાંકા આવ્યા

અમદાવાદના એસ.જી. હાઈવે પર પેલેડિયમ મોલ પાસે મુંબઈ સ્થિત સિંગર હાર્દિલ પંડ્યા પર ગુજરાતી સિંગર શ્યામ સિધાવત અને તેના પાંચ સાથીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. એક વર્ષ જૂની સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં કરાયેલા આ હુમલામાં હાર્દિલને મોઢાના ભાગે ટાંકા આવ્યા છે અને કાનનો પડદો ફાટી જતાં ગંભીર ઈજા પહોંચી છે, જેના કારણે તે આગામી ચાર મહિના સુધી ગાઈ શકશે નહીં. આ મામલે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધ્યો છે, તો બીજી તરફ શ્યામ સિધાવતના પત્નીએ પણ હાર્દિલ વિરુદ્ધ બીભત્સ શબ્દો બોલ્યાની વળતી ફરિયાદ નોંધાવતા મામલો ગરમાયો છે. જોકે, હુમલાના ચાર દિવસ બાદ આ ક્રોસ ફરિયાદ નોંધાતા પોલીસની કામગીરી પર પણ અનેક સવાલો ઊભા થયા છે. સોંગ ક્રેડિટની અદાવત અને લીગલ નોટિસના મનદુઃખમાં હુમલો કર્યોમૂળ અમદાવાદના અને મુંબઈમાં રહેતા હાર્દિલ પંડ્યા કેટલાય વર્ષથી સિંગર તરીકે મુંબઈમાં કામ કરે છે. તે અવારનવાર પરિવાર માટે અમદાવાદ અવર-જવર કરે છે. 29 ડિસેમ્બરે રાતના સમયે હાર્દિલ અને તેમના મિત્રો ચાલીને એસજી હાઇવે પર જઈ રહ્યા હતા. ત્યારે પેલેડિયમ મોલની સામે ગુજરાતી સિંગર શ્યામ સિધાવત, પવન પરમાર અને અન્ય ચાર શખ્સે મળીને હાર્દિલ પર હુમલો કર્યો હતો. કઈપણ કારણ વગર હાર્દિલને મોઢા અને શરીરના ભાગે માર માર્યો હતો, જેના કારણે હાર્દિલ બેભાન થઈ ગયો હતો. આ અંગે હાર્દિલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 'મારા મોઢામાં ટાંકા આવ્યા અને કાનના પડદા પણ ફાટી ગયા'હાર્દિકે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એક વર્ષ અગાઉ મેં મારા મિત્રને એક સોંગ આપ્યું હતું. જે સોંગમાં મિત્રએ મને ક્રેડિટ ના આપતા મેં લીગલ નોટિસ મોકલી હતી. જે બાદ અમારો ઇશ્યુ સોલ્વ થઈ ગયો હતો, પરંતુ આ બાબતે મને શ્યામ સિદાવત નામના સિંગરે ધમકી ભર્યા ફોન કર્યા હતા. જો કે, જે તે સમયે આ મામલો પૂરો થઈ ગયો હતો, પરંતુ 29 ડિસેમ્બરે હું મારા મિત્રો સાથે જઈ રહ્યો હતો ત્યારે શ્યામ અને તેના સાથીઓએ મળીને મારા પર હુમલો કર્યો હતો. જેના કારણે મારા મોઢામાં ટાંકા આવ્યા છે અને મારા કાનના પડદા ફાટી ગયા છે. આ કારણથી હવે હું ત્રણથી ચાર મહિના સુધી મારું કામ નહીં કરી શકું. એટલું જ નહીં મારી ફરિયાદ પાછી ખેંચવા માટે મને શરૂઆતમાં દબાણ કરવામાં આવ્યું. હવે મારા ઉપર શ્યામના પત્નીએ ખોટી ફરિયાદ પણ કરી છે. શ્યામના પત્નીએ સામે બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવીહાર્દીલ પંડ્યા વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં સિંગર શ્યામના પત્નીએ બીભત્સ શબ્દો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે. શ્યામના પત્ની ઊભા હતા ત્યારે હાર્દિલે પાછળથી ઉભા રહીને તેમને બીભત્સ શબ્દો કહ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે પણ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહત્વની વાત એ છે કે, મારામારીના બીજા દિવસે હાર્દિલની ફરિયાદ પોલીસે નોધી લીધી હતી, પરંતુ હાર્દિલે બીભત્સ શબ્દો કહ્યાની જે ફરિયાદ હતી તે ફરિયાદ ચાર દિવસ મોડા નોંધવામાં આવી છે. જેને લઇને વસ્ત્રાપુર પોલીસ પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 4:49 pm

ગીર સોમનાથમાં ખાણ-ખનીજ વિભાગમાં 'હપ્તા રાજ'નો આક્ષેપ:ક્વોરી એસોસિએશનની સપ્લાય બંધ કરવાની ચીમકી, CMને પત્ર લખી ભ્રષ્ટ અધિકારીઓની બદલીની માગ કરી

ગીરસોમનાથ જિલ્લામાં બ્લેકસ્ટોન ક્વોરી લીઝ એસોસિએશને ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને હપ્તાખોરીના ગંભીર આરોપો લગાવ્યા છે. એસોસિએશને વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની કનડગત સામે ખુલ્લો મોરચો ખોલ્યો છે. એસોસિએશનના પ્રમુખ દેવશી ચાંડેરાએ જણાવ્યું કે, ખાણ-ખનીજ વિભાગના કરાર આધારિત અધિકારીઓ દ્વારા ખુલ્લેઆમ હપ્તા રાજ ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે એક ગાડી દીઠ રૂ. 15 હજાર અને માસિક રૂ. દોઢ લાખ જેટલા હપ્તાની માંગણી કરવામાં આવે છે. ચાંડેરાના જણાવ્યા અનુસાર, જો આ માંગણીઓ પૂરી ન થાય તો ગાડીઓ ડીટેઇન કરી દંડ ફટકારવામાં આવે છે. આ ઉપરાંત, લીઝ હોલ્ડરોને ધમકીઓ પણ આપવામાં આવે છે.ભ્રષ્ટાચારના આ મુદ્દે એસોસિએશને મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની જાહેરાત કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ભ્રષ્ટ અધિકારીઓની બદલી નહીં થાય, બંધ લીઝો શરૂ નહીં કરાય અને સહકાર નહીં મળે તો આવનારા દિવસોમાં સંપૂર્ણ માલ સપ્લાય બંધ કરવામાં આવશે. એસોસિએશનનું કહેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળતું નથી. આ સ્થિતિ યથાવત રહેશે તો વડાપ્રધાન દ્વારા ખાતમુહૂર્ત કરાયેલા પ્રોજેક્ટો પૂર્ણ થવામાં વિલંબ થશે, સરકારને આર્થિક નુકસાન થશે અને સ્થાનિક રોજગારી પર ગંભીર અસર પડશે.આ ગંભીર મામલે ગીર સોમનાથ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી મિતેષ મોદીનો સંપર્ક કરાતા તેમણે આ આક્ષેપોને નકાર્યા હતા. તેમણે જણાવ્યું કે જો આવા હપ્તા રાજ ચાલતું હોવાના પુરાવા રજૂ કરવામાં આવે તો આવા અધિકારીઓને બરતરફ કરવામાં આવશે.બ્લેકસ્ટોન ક્વોરી લીઝ એસોસિએશનના આ ચોંકાવનારા આક્ષેપોને પગલે સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી છે. હવે સરકાર તરફથી આ મામલે શું કાર્યવાહી થાય છે તેના પર સૌની નજર છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 4:45 pm

જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ:જૂનાગઢમાં ઉદ્યોગોની ઊંચી ઉડાન: વાઇબ્રન્ટ સમિટમાં 1209 કરોડના રોકાણ સાથે 218 એમઓયુ થયા, એગ્રો અને ટૂરિઝમ સેક્ટર બનશે રોજગારીનું હબ.

જુનાગઢ હોટેલ ફર્ન લીઓ ખાતે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાય હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાતનું જે બીજ રોપ્યું હતું તે આજે વટવૃક્ષ બનીને જિલ્લા સ્તરે પણ ફેલાયું છે. જૂનાગઢમાં આયોજિત 'ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ'માં જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં કુલ 1209 કરોડ રૂપિયાના મૂડી રોકાણ માટે 218 એમઓયુ (MOUs) કરવામાં આવ્યા છે. આ રોકાણથી આગામી સમયમાં જિલ્લામાં મોટા પાયે રોજગારીની તકો ઊભી થશે. જિલ્લા પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યત્વે એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં 281 કરોડના 102 એમઓયુ થયા છે. આ ઉપરાંત એન્જિનિયરિંગ અને તકનીકી ક્ષેત્રે 144 કરોડના 55 એમઓયુ, મિનરલ અને માઇનિંગ ક્ષેત્રમાં 403 કરોડના 41 એમઓયુ, ટૂરિઝમ ક્ષેત્રે 114 કરોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે 175 કરોડના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ સમિટમાં હેલ્થ, હોસ્પિટલ અને શિક્ષણ ક્ષેત્રે પણ મહત્વના રોકાણોની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં સી-ફૂડ, સ્પાઈસીસ અને ફૂડ પ્રોસેસિંગની પ્રોડક્ટ્સ આજે વૈશ્વિક સ્તરે એક્સપોર્ટ થાય છે. ગિરનાર રોપ-વે અને એશિયાટિક સિંહને કારણે પ્રવાસનને મોટો વેગ મળ્યો છે. નેશનલ હાઇવે, વંદે ભારત ટ્રેન અને કેશોદ એરપોર્ટના વિસ્તરણ જેવી સુવિધાઓથી ઉદ્યોગો માટે પાયાની જરૂરિયાતો મજબૂત બની છે. મંત્રીએ ઉમેર્યું હતું કે આ સમિટ 'વોકલ ફોર લોકલ' અને 'લોકલ ટુ ગ્લોબલ'ના અભિગમને ચરિતાર્થ કરે છે. જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે જૂનાગઢ ખેતી અને પ્રવાસન આધારિત જિલ્લો હોવાથી એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સી-ફૂડ ઉદ્યોગને વેગ આપવા માટે 22 હેક્ટર જમીન પણ ફાળવવામાં આવી છે. કેશોદ એરપોર્ટના રનવેને 1.5 કિમીથી વધારી 2.5 કિમી કરવામાં આવશે, જેનાથી કાર્ગો સુવિધા વધશે અને સૌરાષ્ટ્રના કોસ્ટલ એરિયાને મોટો ફાયદો થશે. મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકરે જણાવ્યું કે સરકારની વિવિધ યોજનાઓથી યુવાનો હવે જોબ સિકર નહીં પણ જોબ ગિવર બની રહ્યા છે. કાર્યક્રમમાં સ્થાનિક ઉત્પાદનોનું એક્ઝિબિશન પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ સાથે એઆઈ (AI) અને સ્ટાર્ટઅપ વિષય પર સેમિનાર પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, કમિશનર તેજસ પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ સહિતના મહાનુભાવો અને ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 4:33 pm

જૂનાગઢમાં 4 વર્ષીય માસૂમ બન્યો સિંહણનો શિકાર:આખા શરીરમાં દાંત-નખથી ફાડી ખાધાના નિશાન, વાડીમાંથી ગુમ બાળકનો મૃતદેહ ઝાડી-ઝાંખરામાંથી મળ્યો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં ગીરની સરહદે આવેલા વાડી વિસ્તારમાં આજે વહેલી સવારે એક હૃદયવિદારક ઘટના બની છે. ચાર વર્ષના માસૂમ બાળકને સિંહણે હુમલો કરીને મારી નાખ્યો છે. ખેત મજૂરી કરતા પરિવારનો આ નાનકડો માસૂમ વહેલી સવારે ગુમ થયો હતો, જેનો લોહીલુહાણ મૃતદેહ વન વિભાગની ટીમે શોધી કાઢ્યો હતો. બાળકના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન અને ઊંડા જખમો જોવા મળ્યા હતા. ઘટનાસ્થળે વન વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને હુમલાખોર સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવી છે. આ ઘટનાએ આખા વિસાવદર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ ફેલાવી દીધો છે, ખાસ કરીને રાત્રે વાડીએ જતા ખેડૂતો અને મજૂર પરિવારોમાં ભયની લાગણી વ્યાપી ગઈ છે. 4 વર્ષના માસૂમ બાળકને સિંહણે પોતાનો શિકાર બનાવ્યો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામમાં આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે. ગીરની સરહદે આવેલા આ વિસ્તારમાં વનરાજાની દહેશત વચ્ચે એક સિંહણે ચાર વર્ષના માસૂમ બાળકને પોતાનો શિકાર બનાવ્યો છે. વાડી વિસ્તારમાં મજૂરી કામ કરતા પરિવારનો પુત્ર વહેલી સવારે ગુમ થયો હતો, જેનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. વહેલી સવારે બાળક વાડીમાંથી અચાનક ગુમનાની મોણપરી ગામની સીમમાં આવેલી એક વાડીમાં શ્રમિક પરિવાર ખેત મજૂરીનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારે આ પરિવારનો ચાર વર્ષનો પુત્ર અચાનક ગુમ થઈ ગયો હતો. પરિવારજનોએ ભારે શોધખોળ કરવા છતાં બાળકનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. આ અંગે વાડી માલિકને જાણ કરવામાં આવતા, તેમણે તાત્કાલિક વન વિભાગને ફોન કરી બાળક ગુમ થયાની અને હિંસક પ્રાણી દ્વારા તેને ઉપાડી ગયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. લોહીલુહાણ બાળકને જૂનાગઢની સિવિલમાં સારવાર માટે ખસેડાયો હતોઆ ઘટનાની ગંભીરતાને જોઈને વન વિભાગની ટીમ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. વનકર્મીઓએ આસપાસના વાડી વિસ્તાર અને ઝાડીઓમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. આ શોધખોળ દરમિયાન નાની મોણપરી ગામની સીમ નજીકથી બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. બાળકના શરીર પર સિંહણના હુમલાના સ્પષ્ટ નિશાન અને ઊંડા ઘા જોવા મળ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું, પરંતુ કમનસીબે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. સ્થાનિકોમાં ફફડાટ અને વન વિભાગની કાર્યવાહી વિસાવદર પંથક ગીરના જંગલની બોર્ડર પર હોવાથી અહીં અવારનવાર સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ ચડી આવતા હોય છે. વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, સવારે 9 વાગ્યાની આસપાસ વાડી માલિકનો ફોન આવ્યો હતો કે મજૂરનો દીકરો ગુમ છે. શોધખોળ બાદ બાળક મળી આવ્યું હતું પણ તેના પર સિંહણે હુમલો કર્યો હતો. હાલમાં આ હુમલાખોર સિંહણને પકડવા માટે સાસણથી ખાસ રેસ્ક્યુ ટીમ બોલાવવામાં આવી છે. સિંહણને ટ્રેક્યુલાઈઝર કરીને પાંજરે પૂરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે વાડીએ રખોલું કરવા જતા ખેડૂતો અને વાડીમાં રહેતા મજૂર પરિવારો પોતાના જીવને લઈને ચિંતિત બન્યા છે. આ પણ વાંચો- સિંહનો આટલો ભયાનક હુમલો ક્યારેય નહીં જોયો હોય: VIDEO:7 વર્ષના માસૂમનું શરીર ચૂંથી નાખ્યું, મોઢું-હાથ-પગના ટુકડા ભેગા કરતાં વનવિભાગ થાક્યું, 2 કલાકે સાવજ પાંજરે પુરાયો આ પણ વાંચો- ઘેટાં-બકરાં ચરાવતા માલધારી પર સિંહનો હુમલો:રેસ્ક્યૂ કરવા પહોંચેલા વન વિભાગના કર્મીને પણ ઝપટે લીધો, બંને હાલ જૂનાગઢ સિવિલમાં સારવાર હેઠળ આ પણ વાંચો- સફાઈકર્મી પર સિંહનો હુમલો:સક્કરબાગ ઝૂમા સિંહનું પાંજરું સાફ કરનાર સફાઈ કર્મચારી પર સિંહે હુમલો કર્યો આ પણ વાંચો- અમરેલીમાં ખેતી કામ કરી રહેલા મજૂર પર સિંહે હુમલો કર્યો:અન્ય લોકોએ બૂમાબૂમ કરતા સિંહ ભાગ્યો, યુવકને કમરના ભાગે ઈજા પહોંચ્યા હોસ્પિટલમાં ખસેડાયો અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. આ પણ વાંચો- કોડીનારના સિંધાજ ગામે ખેડૂત પર સિંહનો હુમલો:ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા, વન વિભાગે તપાસ શરૂ કરી

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 4:33 pm

વલસાડમાં સમૂહ લગ્ન માટે ભાગવત સપ્તાહનું આયોજન:ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને 7 જાન્યુઆરીથી કથા શરૂ થશે

વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા 10મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સામાજિક કાર્યક્રમના લાભાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પત્રકાર પરિષદમાં આ અંગેની જાહેરાત કરી હતી. સમૂહ લગ્નના આયોજન પૂર્વે 7 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી 2026 દરમિયાન ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ જ્ઞાનયજ્ઞમાં જાણીતા કથાકાર શરદભાઈ વ્યાસ કથાનું રસપાન કરાવશે. 10મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ આગામી 21મી ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. મંડળ દ્વારા અત્યાર સુધીમાં 1210 દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. આ વર્ષે 100 થી 121 નવદંપતીઓ આ સમૂહ લગ્નમાં જોડાશે તેવી અપેક્ષા છે. અત્યાર સુધીમાં 80 જેટલા યુગલોની નોંધણી થઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહેશે. રાજ્યના મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી પૈકી કોઈ એક મહાનુભાવ પણ નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે હાજર રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ધારાસભ્ય ભરત પટેલે જણાવ્યું હતું કે, આ આયોજનનો મુખ્ય હેતુ સમાજના દરેક વર્ગના લોકો એકઠા મળીને આ સામાજિક કાર્યમાં સહભાગી બને અને દીકરીઓના લગ્નમાં મદદરૂપ થઈ શકાય તેવો છે. ધારાસભ્યએ વલસાડની જનતાને આ ધાર્મિક અને સામાજિક પ્રસંગમાં જોડાવા માટે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 4:23 pm

છોટાઉદેપુર મેરેથોન 2026 આગામી 8 ફેબ્રુઆરીએ યોજાશે:કલેક્ટર ગાર્ગી જૈનની આગેવાનીમાં માર્ગ સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ

છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની આગેવાની હેઠળ આગામી 8 ફેબ્રુઆરી, 2026ના રોજ યોજાનાર છોટાઉદેપુર મેરેથોન 2026 પૂર્વે માર્ગ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝુંબેશનો મુખ્ય હેતુ નાગરિકોમાં મેરેથોન પ્રત્યે ઉત્સાહ વધારવાનો અને સ્વચ્છતા પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો છે. રવિવારે યોજાયેલી આ ઝુંબેશમાં કલેક્ટર જૈન પોતે જોડાયા હતા. તેમણે યુવાનો, રમતપ્રેમીઓ અને નાગરિકોને મેરેથોનમાં મોટી સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે, આ સ્વચ્છતા ડ્રાઈવનો એકમાત્ર આશય રસ્તાઓની સફાઈની સાથે લોકોમાં સ્વચ્છતા પ્રત્યેનો અભિગમ વિકસાવવાનો છે. આ સ્વચ્છતા ડ્રાઈવમાં બોડેલી પ્રાંત અધિકારી ભૂમિકા રાઉલ, ચીફ ઓફિસર સહિત જિલ્લા અને તાલુકાના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્વચ્છતાગ્રહીઓ પણ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 4:14 pm

બીલીમોરાના સાગરદર્શન એપાર્ટમેન્ટમાં તસ્કરો ત્રાટક્યાં:ચાર મકાનોને નિશાન બનાવી સોનાના ઘરેણાં, રોકડ સહિત 88 હજારની મત્તા ચોરી ફરાર

નવસારી જિલ્લાના બીલીમોરામાં ચોરીની ઘટના સામે આવી છે. વખારીયા બંદર રોડ પર આવેલા સાગરદર્શન એપાર્ટમેન્ટમાં બે શખ્સોએ ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સોનાના ઘરેણાં અને રોકડ સહિત કુલ 88,000 રૂપિયાની મત્તા ચોરી ફરાર થઈ ગયા હતા. આ મામલે બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે (03/01/2026) બપોરે 4:00 થી 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરી થઈ હતી. એપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા નરેશભાઈ માણસુરભાઈ ગોહીલના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અજાણ્યા શખ્સોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ નરેશના રૂમમાં રાખેલ પતરાનું કબાટ તોડી તેમાંથી આશરે 5 ગ્રામની સોનાની બુટ્ટી અને 5 ગ્રામની સોનાની વીંટી, જેની કિંમત આશરે 60,000 રૂપિયા થાય છે, તેની ચોરી કરી હતી. આ ઉપરાંત, ઘરમાંથી 8,000 રૂપિયા રોકડા પણ ચોરી થયા હતા. આ જ એપાર્ટમેન્ટમાં તસ્કરોએ અન્ય ત્રણ મકાનોમાં પણ હાથફેરો કર્યો હતો. બીજા માળે આવેલા મહેશકુમાર બાબુભાઈ રાણાના ફ્લેટ નંબર 207નું તાળું તોડી 20,000 રૂપિયા રોકડા ચોરી લીધા હતા. એપાર્ટમેન્ટમાં આવેલા અન્ય બે ખાલી મકાનોના પણ તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચોરીની આ ઘટના અંગે રાત્રે 9:50 વાગ્યે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 331(3), 305(એ), અને 54 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીલીમોરા પોલીસ ઇન્સ્પેક્ટર જે.વી. ચાવડા આ કેસની તપાસ ચલાવી રહ્યા છે અને સીસીટીવી ફૂટેજની મદદથી તસ્કરોને ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 4:14 pm

વાંકાનેર નજીકથી દારૂ ભરેલું આઇસર ઝડપાયું:4944 બોટલ દારૂ સાથે બે આરોપીઓની ધરપકડ

મોરબી જિલ્લાની વાંકાનેર તાલુકા પોલીસે જડેશ્વર રોડ પરથી દારૂ ભરેલા એક આઇસર ટ્રકને ઝડપી પાડ્યો છે. રાતીદેવળી ગામ નજીક સંગમ વોટરપાર્ક પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે પુઠાના બોક્સની આડમાં બનાવેલા ચોરખાનામાંથી ૪૯૪૪ બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. ૮,૧૦,૪૮૦ આંકવામાં આવી છે. આઇસર ટ્રક (નંબર જીજે ૩ બીવાય ૧૪૫૧), એક મોબાઈલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૨૨,૨૮,૦૭૮ નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. પોલીસે સબ્બીર ઉર્ફે સબ્બો કાસમભાઇ જામ (ઉં.વ. ૩૯) અને સોયબ ઉમરભાઇ જામ (ઉં.વ. ૪૦), બંને રહે. ધ્રાંગધ્રા, ની ધરપકડ કરી છે. મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી. પંડયાની સૂચના મુજબ, પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, આઇસર વાંકાનેરથી જડેશ્વર રોડ થઈને ટંકારા તરફ દારૂનો જથ્થો લઈ જઈ રહ્યું છે. પ્રાથમિક પૂછપરછમાં મેહુલભાઇ ગોવીંદભાઇ સાબરીયા (રહે. થાનગઢ) નું નામ સામે આવ્યું છે. આરોપીઓ દ્વારા આઇસરની બોડીમાં ડ્રાઈવર કેબિન પાછળ એક ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. આ ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો, જ્યારે પાછળના ભાગે પુઠાના બોક્સનો સામાન ભરવામાં આવ્યો હતો. મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડર પર પુઠાના બોક્સની બિલ્ટી બતાવીને દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. આ મામલે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં ત્રીજા આરોપીને પકડવા માટે વધુ તપાસ અને કાર્યવાહી ચાલી રહી છે. આ કામગીરીમાં એલસીબીના પીઆઇ એમ.પી. પંડયા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, જે.પી. કણસાગરા અને સ્ટાફ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 4:09 pm

ગોધરા વન વિભાગ ગોડાઉન પાસે ઝાડી-ઝાંખરાનો જમાવડો:આગનો ભય, રહેણાક વિસ્તારમાં જોખમ વધ્યું

ગોધરા શહેરના સિંગલ ફળિયા રોડ પર આવેલા વન વિભાગના ઘાસ ગોડાઉનોની આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. આ સ્થિતિને કારણે આગ લાગવાનો ભય વધી ગયો છે, ખાસ કરીને નજીકના રહેણાક વિસ્તાર માટે જોખમ ઊભું થયું છે. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સફાઈની માંગ કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ રોડ પર વન વિભાગના પાંચ જેટલા ઘાસ ગોડાઉન આવેલા છે, જ્યાં મોટા પ્રમાણમાં ઘાસનો સંગ્રહ કરવામાં આવ્યો છે. હાલમાં આ ગોડાઉનોની આસપાસ કાંટાળા ઝાડી-ઝાંખરા અને સૂકું ઘાસ મોટા પ્રમાણમાં ઉગી નીકળ્યું છે, જેના કારણે આખું પરિસર ગંદકી અને વનસ્પતિના સામ્રાજ્ય હેઠળ દબાયેલું જોવા મળે છે. ગોડાઉનોમાં સંગ્રહિત સૂકું ઘાસ અને બહાર ઉગી નીકળેલા સૂકા ઝાડી-ઝાંખરાને કારણે નાની એવી ચિનગારી પણ મોટી આગનું કારણ બની શકે છે. આ પરિસ્થિતિ ગંભીર અકસ્માત સર્જી શકે તેવી સંભાવના છે. આ ગોડાઉનોની બિલકુલ નજીક ગીચ રહેણાક વિસ્તાર આવેલો છે. જો કોઈ અકસ્માત સર્જાય તો આસપાસના મકાનોને ભારે નુકસાન થવાની અને જાનહાનિ થવાની ભીતિ સેવાઈ રહી છે. આ ઉપરાંત, ઝાડી-ઝાંખરાને કારણે જીવજંતુઓનો ત્રાસ પણ વધી ગયો છે. આગના ભય અને જીવજંતુઓના ત્રાસને ધ્યાનમાં રાખીને, વન વિભાગ દ્વારા ગંભીરતા દાખવી તાત્કાલિક ધોરણે આ ઝાડી-ઝાંખરાની સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે. કોઈ મોટી હોનારત સર્જાય તે પહેલાં સમયસર સફાઈ કામગીરી હાથ ધરવી અત્યંત જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:58 pm

અમરેલીમાં 93 કરોડથી વધુના ખર્ચે પુલ બનશે:ચાંચબંદરથી વિકટર પોર્ટને જોડતી દરિયાઈ ખાડી પર ખાતમુહૂર્ત

અમરેલી જિલ્લાના દરિયાકાંઠે ચાંચબંદરથી વિકટર પોર્ટને જોડતી દરિયાઈ ખાડી પર 93 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનનારા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે આ ખાતમુહૂર્ત સંપન્ન થયું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ચાંચબંદર ગામ 10 હજારથી વધુની વસ્તી ધરાવે છે, જેમાં મોટાભાગે કોળી સમાજના અને મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે. આ ગામના લોકોને રાજુલા પહોંચવા માટે 40 કિલોમીટરનું લાંબુ અંતર કાપવું પડતું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ અને મજૂરી કરતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ગ્રામજનો દ્વારા વર્ષોથી રાજ્ય સરકાર સમક્ષ આ પુલ બનાવવાની રજૂઆતો કરવામાં આવી રહી હતી. સ્થાનિક ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને મંત્રી કૌશિક વેકરિયા સહિત પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી સમક્ષ વારંવાર રજૂઆતો કરી હતી, જેના પરિણામે આ પુલને મંજૂરી મળી છે. આ પુલના ખાતમુહૂર્તથી સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ચાંચબંદર ગામના આગેવાન કાનજીભાઈ ચૌહાણે જણાવ્યું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી આ પુલની માંગણી કરી રહ્યા હતા. તેમણે ઉમેર્યું કે, 2011થી આ સમસ્યા હતી અને અગાઉ આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે આ પુલ 30 કરોડમાં બનતો હતો, જે હવે 93 કરોડમાં બનશે. આ પુલ બનવાથી આજુબાજુના ગામડાઓમાં મજૂરી કરવા જતા લોકો, બાળકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં ખૂબ મોટો ફાયદો થશે. હવે તેઓ રોજ જઈને સાંજે પરત આવી શકશે, કારણ કે અંતર ઘટી જવાથી સમય અને શ્રમ બંનેની બચત થશે. રાજય સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું જેમાં ઘણા લાંબા સમયથી ચાંચબંદરથી વિકટર પોર્ટ સુધી આ બ્રિજની માંગણી ઘણા લાંબા સમયથી થતી આવતી હતી આ વિસ્તારના ધારાસભ્ય સહિત લોકોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી જેના કારણે ખાસ કિસામા રાજય સરકાર દ્વારા મંજુર કર્યો છે 22 ગાળા સાથે લંબાઈ બે પોઇન્ટ એક કિલોમીટર બંને બાજુ બ્રિજ સહિત એપ્રોસ રસ્તા આવશે વર્ષીથી માંગ હતી જેમાં ચાંચબંદર ખેરા પટવા જવા 3 ગામડાને અવર જવર કરવા માટે ફાયદો થશે આ કામ ધંધા માટે જવા માટે 40 કિમિ અંતર કાપવું પડતું હતું આ બ્રિજ બનવા માટે અંદાજે 20 કિમિ જેવુ થશે આ વિસ્તાર માટે આ બ્રિજ આશીર્વાદ રૂપ બનશે સમયસર પુલ પૂરો થાય તે માટે જરૂરી અધિકારીઓને સૂચના આપી દેવાય છે.ટેન્ડર 84 કરોડ નું મંજુર થયું છે વહીવટી મંજૂરી 93 કરોડ નું મંજુર થયું છે સારી ગુણવત્તા સાથે સમયસર આ કામ થશે તેવો મને વિશ્વાસ છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ કહ્યું મુખ્યમંત્રીનો હું આજે આભાર માનીશ અમારા નાના એવા ચાંચબંદર જેવા ગામને ધ્યાનમાં લઈ 93 કરોડની વહીવટી મંજૂરી આપી 85 કરોડના ટેન્ડર મજૂરી આપી 2 કિમિ અંતર બ્રિજ બનશે આ જિલ્લાના 5 ધરાસભ્યઓ અને સરકારનો આભાર પુલ આ ગામને આકાર લેશે આટલી મોટી રકમથી આ ગામના લોકો ખૂબ રાજી થયા છે મજૂર વર્ગના લોકો આ ગામમાં રહે છે સવારે જશે અને સાંજે પરત આવશે જેમ કે અંતર નજીક થશે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:36 pm

પંચમહાલ SOG પોલીસે પ્રોહિબિશન ગુનાનો ફરાર આરોપી ઝડપ્યો:દેવગઢ બારીયા કેસમાં હસમુખ બારીયા થાણાગર્જનથી પકડાયો

પંચમહાલ SOG પોલીસે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપી હસમુખ હિંમતભાઈ બારીયાને ઝડપી પાડ્યો છે. આરોપીને તેના વતન થાણાગર્જન ખાતેથી દબોચી લેવામાં આવ્યો હતો. પંચમહાલ-ગોધરા રેન્જ આઈ.જી. આર.વી. અસારી અને પંચમહાલ પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સૂચનાના આધારે SOG પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે પોતાની ટીમને સક્રિય કરી હતી. SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિરેનકુમાર કિરણસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલ અને તેમની ટીમે વોચ ગોઠવી હતી. આ ઓપરેશન દરમિયાન આરોપી હસમુખ બારીયાને સફળતાપૂર્વક પકડી પાડવામાં આવ્યો. પકડાયેલા આરોપી હસમુખ બારીયાનો કબજો મેળવી, આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:34 pm

મોરબીમાં પૂર્વ સૈનિકોનું સંમેલન:જવાનોના પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરાશે: કલેક્ટર કે.બી.ઝવેરી

મોરબીના ભરતનગર ગામે આવેલા ભરત વન ખાતે પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કલેક્ટર કે.બી. ઝવેરી અને પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે સૈનિકોને ખાતરી આપી હતી કે સરકાર અને વહીવટીતંત્ર સેનાના જવાનોના કોઈપણ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ કરવા હંમેશા કાર્યરત રહેશે. મોરબી-માળિયા હાઈવે રોડ પર આવેલા ભરતનગર ગામ નજીક ભરતવન ખાતે આ સંમેલનનું આયોજન કરાયું હતું. કલેક્ટર કે.બી. ઝવેરી અને રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો, શહીદ થયેલા સૈનિકોના ધર્મપત્નીઓ અને મોરબી જિલ્લાના હાલના સેવારત સૈનિકોના પરિવારજનો સહિત અંદાજે 350 થી 400 જેટલા લોકો હાજર રહ્યા હતા. કલેક્ટર કે.બી. ઝવેરીએ સૈનિકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમની સાથે છે. તેમણે જણાવ્યું હતું કે, વહીવટી તંત્રને લગતા જવાનોના કોઈપણ પ્રશ્ન માટે મોરબી જિલ્લા કલેક્ટર કચેરીના દરવાજા ૨૪ કલાક ખુલ્લા છે અને વહીવટી વિભાગનો સ્ટાફ તેમના કામોના ત્વરિત નિકાલ માટે તકેદારી રાખી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાના જવાનોનો જુસ્સો વધારવા માટે વિવિધ રાષ્ટ્રીય પર્વોની ઉજવણી આર્મી કેમ્પ ખાતે જવાનો સાથે કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, અગાઉ ભારતમાં શસ્ત્રો બનતા ન હતા, પરંતુ હવે યુદ્ધના શસ્ત્રો ભારતમાં જ બને છે, જેનાથી ભારતીય સેનાના જવાનોનો જોમ અને જુસ્સો સતત વધી રહ્યો છે. અંતમાં, નિવૃત્ત કમાન્ડર અને રાજકોટ-મોરબીના ડિસ્ટ્રિક્ટ વેલ્ફેર ઓફિસર પવન કુમારે માહિતી આપી હતી કે, ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે સૈનિકોની સમસ્યાઓ જાણવા, સમજવા અને તેનો ત્વરિત નિકાલ કરવા માટે આવા સંમેલનોનું આયોજન કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે, જમીન સહિતના મોટાભાગના પ્રશ્નોનો વહીવટી તંત્ર દ્વારા ઝડપથી નિકાલ કરવામાં આવ્યો છે, અને બાકી રહેલા આશરે ૧૦ ટકા પ્રશ્નોને પણ ઉકેલવા માટે તંત્ર કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:33 pm

કાર્યવાહી:બહુચરાજીના સાંપાવાડા પાસે બે નશાખોર કારચાલકો સામસામે ટકરાયા,પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામ પાસે બે બેફામ કારચાલકો વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે. નવાઈની વાત એ છે કે, જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી ત્યારે બંને કારચાલકો દારૂના નશામાં ધૂત મળી આવ્યા હતા. પોલીસે બંને નશાખોર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બંને કારના ચાલકો નશાની હાલતમાં વાહન હંકારી રહ્યા હતા મળતી વિગતો અનુસાર સાંપાવાડા ગામ નજીક એક ટોયોટા કાર અને ઇકો ગાડી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની જાણ થતા જ બહુચરાજી પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે, બંને કારના ચાલકો નશાની હાલતમાં વાહન હંકારી રહ્યા હતા, જેના કારણે તેમણે સામસામે ગાડીઓ અથડાવી હતી. પોલીસે બંને દારૂડિયા ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરીપોલીસે આ મામલે કલ્પેશ પરમાર અને જિતેન્દ્રસિંહ જાડેજા નામના બંને શખ્સો સામે ફરિયાદ નોંધી છે. જેમાં જિતેન્દ્રસિંહ જાડેજા (રહે. વાગોસણ, તા. હારીજ, જિ. પાટણ) પોતાની HR-55-AR-5473 નંબરની ટોયોટા ગાડી લઈને જઈ રહ્યા હતા, જ્યારે કલ્પેશકુમાર પરમાર (રહે. ચન્દ્રોડા, તા. બેચરાજી) પોતાની GJ-02-KM-2715 નંબરની ઇકો ગાડી હંકારી રહ્યા હતા. હાલમાં બહુચરાજી પોલીસે બંને દારૂડિયા ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:32 pm

નવસારીની સોસાયટીમાં શ્વાન પ્રત્યે ક્રૂરતા:ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં કૂતરાના બચ્ચાનો પગ તોડી નાખ્યો, ઠપકો આપવા ગયેલી મહિલાને શખસે કહ્યું- 'તારાથી જે થાય તે કરી લેજો'

નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં અબોલ જીવ પ્રત્યે ક્રૂરતાનો બનાવ સામે આવ્યો છે. જેમાં સ્થાનિક યુવાને પિત્તો ગુમાવી એક ગલુડિયા પર હુમલો કરી તેના પગ તોડી નાખવામાં આવ્યો હતો. આ મામલે સોસાયટીની જ એક મહિલાએ પડોશી રવિ ટંડેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રીટાબેન ઓઘવજી સાપરીયાએ પોલીસને જણાવ્યું કે, ગત 1 જાન્યુઆરીના રોજ બપોરે તેઓ બીમાર શ્વાનની સારવાર કરાવીને પરત ફર્યા ત્યારે સોસાયટીના રોડ પર એક ગલુડિયું લોહીલુહાણ અને બેભાન અવસ્થામાં મળ્યું હતું. આસપાસના લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે સોસાયટીમાં રહેતા રવિ ટંડેલે આ ગલુડિયાને ક્રૂરતાપૂર્વક માર મારીને ફેંકી દીધું હતું. રીટાબેન ગલુડિયાને તાત્કાલિક એરૂ ચાર રસ્તા ખાતેની વેટરનરી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ પગમાં ફ્રેક્ચર હોવાનું જણાવ્યું. જ્યારે રીટાબેન આ બાબતે રવિ ટંડેલને પૂછવા ગયા ત્યારે તેણે ઉદ્ધત વર્તન કરતા કહ્યું કે, હું તો કુતરાઓને મારીશ જ, તમારાથી થાય તે કરી લેજો. આ ઘટનાના થોડા દિવસો બાદ ફરી એકવાર શ્વાનોની ચીસો સાંભળી રીટાબેન ઘરની બહાર આવ્યા હતા. તેમણે રવિ ટંડેલને હાથમાં લાકડાનો ડંડો લઈ શ્વાનોને નિર્દયતાથી મારતા જોયો. રોકવા જતાં તેણે ફરીથી ધમકીભર્યું વર્તન કર્યું હતું. આખરે અબોલ જીવો પર થતા અત્યાચાર સામે રીટાબેને નવસારી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ અને અન્ય કાયદેસરની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. રીટા નામની મહિલાએ જણાવ્યું હતું કે, હું કૃષ્ણપાર્ક સોસાયટીમાં રહું છું અને જીવદયાનું કામ કરું છું. મારા ઘર પાસે આવે ગલુડિયા કૂતરાં નાના તો એને ખવડાવું ઘર પાસે. એવી રીતના ખવડાવું છું તો આ સોસાયટીવાળાને પસંદ નથી અને બહુ ક્રૂરતા કરે છે. વારંવાર એ લોકો લાઠી ડંડાથી મારે છે, પથ્થરથી મારે છે. બે દિવસ પહેલા એવો બનાવ બન્યો કે મારા પાડોશી રવીભાઇ ટંડેલ કરીને છે એણે ડંડો લઇને એક ગલુડિયાને એટલી ક્રૂર રીતે માર્યું કે બે આગળના પગ તોડી નાખ્યા. મારીને રોડ ઉપર નાખી દીધું એ લોકોએ. અમે બહાર હતા, અમે આવ્યા રસ્તામાં જોયું તરત જ અમે એને હોસ્પિટલ લઇ ગયા. અત્યારે એ સારવારમાં છે અને અમે એની ફરિયાદ કરી. બે દિવસ થયા અને સાંજે 6:00 વાગે પાછું એ જ સિચ્યુએશનમાં બીજા નાના ગલુડિયાને માર્યું અને એ લોકોએ રોડ ઉપર નાખી દીધું. ત્યારે હું એને કહેવા ગઇ હતી કે ભાઇ તમે આટલી ક્રૂર રીતે ના મારો, તમારા ઘર પાસે આવે તમે ભગાવો તો એને ધીમેથી મારો પણ આટલી ક્રૂરતા ના કરો. તો કહે કે તારે મારા ઘર પાસે આવવાનું પણ નહીં અને અમે તો મારશું જ અને મારી જ નાખવાના છીએ. એક પણ ગલુડિયાને નથી રહેવા દેવાના સોસાયટીમાં. અમે મારશું એવી રીતે મને ધમકી આપી કે તારા બધા ગલુડિયાને મારી નાખીશું. પછી અમે તરત પોલીસ સ્ટેશનમાં ગયા અને ટાઉન પોલીસ સ્ટેશનમાં એસપી સર પાસે કમ્પ્લેન નોંધાવી. એમણે કમ્પ્લેન લીધી અને સહકાર આપ્યો છે. જીવદયાવાળાએ પણ સહકાર આપ્યો છે અને અત્યારે અમે એની માટે એક્શન લઇ રહ્યા છીએ. ગૌરાક્ષ્ય મંચના પ્રમુખ ધર્મેશ ગામી જણાવે છે કે નવસારીના કૃષ્ણ પાર્કના પશુ પ્રેમી રીટાબેન પશુ કલ્યાણ માટે કામ કરે છે. જોકે, એ જ સમાજના રવિ ટંડેલ નામના વ્યક્તિએ કથિત રીતે કેટલાક રખડતા ગલુડિયાઓના બંને પગ તોડી નાખ્યા હતા. નવસારી ટાઉનના પીઆઈ સરવૈયાને જાણ કરતા તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હતી. રીટાબેન આ ઘટનાથી ખૂબ જ દુઃખી દુઃખી થઈ ગયા હતા, કારણ કે તેણી માને છે કે નિર્દોષ રખડતા ગલુડિયાઓને નુકસાન પહોંચાડવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. રવિ ટેન્ડેલે કથિત રીતે કર્યું હતું તેમ, આ અવાજ વિનાના પ્રાણીઓના પગ તોડવાની ધમકી આપવી એ ખોટું છે. નવસારીના અન્ય પશુ પ્રેમી મોહિતભાઈ હિરાણીના સહયોગથી ફરિયાદ નોંધાઈ છે.હું તમામ પ્રાણી પ્રેમીઓને વિનંતી કરું છું કે જો શક્ય હોય તો રખડતા કૂતરાઓને ખવડાવો, પરંતુ કૃપા કરીને તેમને નુકસાન ન પહોંચાડો. તેમને પણ આ પૃથ્વી પર રહેવાનો અધિકાર છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:32 pm

છોટાઉદેપુરમાં 62.39 લાખનો લીલો ગાંજો ઝડપાયો:સિંગલદા ગામના ખેતરમાંથી વાવેતર મળ્યું, એકની ધરપકડ

છોટાઉદેપુર જિલ્લાના સિંગલદા ગામના એક ખેતરમાંથી રૂ. 62.39 લાખના વનસ્પતિજન્ય લીલા ગાંજાનું વાવેતર જિલ્લા SOG દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. જિલ્લા SOG ટીમને બાતમી મળી હતી કે સિંગલદા ગામના સરપંચ ફળિયામાં રહેતા ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવા પોતાના ખેતરમાં વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર કરી રહ્યા છે. આ બાતમીના આધારે ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાના કબજા ભોગવટાના ખેતરમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ખેતરમાંથી બિનઅધિકૃત વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના 151 છોડ મળી આવ્યા હતા. આ છોડનું કુલ વજન 124.790 કિલોગ્રામ હતું, જેની કિંમત રૂ. 62,39,500 આંકવામાં આવી છે. જિલ્લા SOG દ્વારા ખેતર માલિક ભગુભાઈ બુઠિયાભાઈ રાઠવાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:29 pm

સુરતમાં GPSC રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પરીક્ષા:27 કેન્દ્રો પર 265 વર્ગખંડોમાં 6,356 ઉમેદવારોએ પરીક્ષા આપી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને CCTVના બાજ નજર હેઠળ પરીક્ષા યોજાઈ

રાજ્યભરમાં આજે જીપીએસસીની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની પ્રાથમિક પરીક્ષા સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 27 શાળાઓને પરીક્ષા કેન્દ્ર તરીકે જાહેર કરવામાં આવી હતી. જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થઈ હતી. 265 વર્ગખંડોમાં 6,356 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને CCTVના બાજ નજર હેઠળ પરીક્ષા યોજાઈ હતી. પરીક્ષાની આંકડાકીય વિગતો મળતી માહિતી મુજબ, સુરત સેન્ટર પરથી આજે કુલ 6,356 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ ઉમેદવારો માટે કુલ 265 વર્ગખંડોમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે હેતુથી તમામ પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા હતા અને તેનું સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું હતું. સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની સજ્જતા પરીક્ષા કેન્દ્રોની સુરક્ષાને ધ્યાને રાખીને શહેર પોલીસ દ્વારા કેન્દ્રોની આજુબાજુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પરીક્ષાર્થીઓને કોઈ અગવડ ન પડે અને પરીક્ષા પારદર્શક રીતે લેવાય તે માટે શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ સતત નિરીક્ષણ કરી રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:21 pm

રાજકોટ-વેરાવળ ટ્રેનમાં મુસાફરોની ભારે ભીડ, VIDEO:ઊભા રહેવાની પણ જગ્યા ન મળતા વધારાના ડબ્બા જોડવા મુસાફરોની માંગ, રેલવેએ પ્લેટફોર્મની મર્યાદા દર્શાવી

રાજકોટથી વેરાવળ વચ્ચેની લોકલ ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતા મુસાફરોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને સાંજે 6.20 કલાકે રાજકોટથી ઉપડતી ટ્રેનમાં પેસેન્જરોની એટલી હદે ભીડ જોવા મળી રહી છે કે, લોકોને ઊભા રહેવા માટે પણ જગ્યા મળતી નથી. ગઈકાલે શનિવાર હોવાથી રજાના માહોલ વચ્ચે ટ્રેનમાં કીડીયારું ઉભરાયું હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ટ્રેનની અંદરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ડબ્બાની અંદર પગ મૂકવાની પણ જગ્યા ન હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પેસેન્જરો દ્વારા ટ્રેનમાં ડબ્બા વધારવાની લાંબા સમયથી માંગવીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રાજકોટ-વેરાવળ વચ્ચે દોડતી આ ટ્રેનમાં ખીચોખીચ મુસાફરો ભર્યા છે. આ ટ્રેનમાં કેટલાક મુસાફરોને બેસવાની તો દૂર સારી રીતે ઉભા રહેવાની પણ જગ્યા મળી નહીં હોવાનું પણ લાગી રહ્યું છે. આ પરિસ્થિતિને કારણે નિયમિત અપડાઉન કરતા મુસાફરો અને અન્ય પેસેન્જરો દ્વારા ટ્રેનમાં ડબ્બા વધારવાની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ રેલવે તંત્ર દ્વારા આ મામલે હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. છેલ્લા ઘણા સમયથી રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય રૂટ પર ટ્રેનમાં મુસાફરોનો ધસારો સતત વધી રહ્યો છે. જેમાં રાજકોટ-વેરાવળ રૂટ પર નોકરીયાત વર્ગ - ધંધાર્થીઓ મોટી સંખ્યામાં મુસાફરી કરતા હોય છે. સાંજના સમયે જ્યારે લોકો પોતાના ઘરે પરત ફરતા હોય છે ત્યારે ટ્રેનમાં ભીડ બેકાબૂ બની જાય છે. શનિવારે આ સ્થિતિ વધુ ગંભીર બની હતી, જેમાં મહિલાઓ અને વૃદ્ધ મુસાફરોને સૌથી વધુ મુશ્કેલી પડી હતી. મુસાફરોએ દરવાજા પાસે લટકીને જોખમી મુસાફરી કરવા મજબૂર બનવું પડ્યું હતુંટ્રેનના જનરલ ડબ્બાઓમાં ખીચોખીચ ભીડ હોવાને કારણે મુસાફરોએ દરવાજા પાસે લટકીને જોખમી મુસાફરી કરવા મજબૂર બનવું પડ્યું હતું. મુસાફરોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો કરવા છતાં રેલવે વહીવટી તંત્ર દ્વારા મુસાફરોની સુવિધા માટે કોઈ વધારાના કોચ જોડવામાં આવતા નથી. જોકે હાઇવેનું કામ ચાલતું હોવાથી ટ્રેનમાં ભીડ વધારે હોવાનો બચાવ કરતા રેલવે તંત્રએ ડબ્બા વધારવાનું કોઈપણ આયોજન ન હોવાનું જણાવ્યું છે. પ્લેટફોર્મની ક્ષમતા કરતા વધુ ડબ્બા જોડવામાં આવે તો પાછળના ડબ્બા પ્લેટફોર્મની બહાર રહી જાયરેલવે તંત્રનું કહેવું છે કે હાલમાં રાજકોટ-વેરાવળ હાઈવે પર રિપેરિંગ અને નિર્માણ કાર્ય ચાલુ હોવાથી લોકો ટ્રેન માર્ગે મુસાફરી કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેને કારણે ટ્રેનમાં ટ્રાફિકનું પ્રમાણ વધ્યું છે. હાલમાં આ ટ્રેનમાં 11 ડબ્બા જોડવામાં આવે છે, જે પ્લેટફોર્મની લંબાઈ અને ક્ષમતા મુજબની મહત્તમ મર્યાદા છે. પ્લેટફોર્મની ક્ષમતા કરતા વધુ ડબ્બા જોડવામાં આવે તો પાછળના ડબ્બા પ્લેટફોર્મની બહાર રહી જાય તેમ છે, જેનાથી મુસાફરોને ચઢવા-ઉતરવામાં અકસ્માતનો ભય રહે છે. આથી હાલમાં ડબ્બા વધારવાનું કોઈ આયોજન નથી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 3:03 pm

રાજકોટમાં વાહનચાલક અને મહિલા ટ્રાફિક પોલીસ વચ્ચે ઝપાઝપી, VIDEO:RTO માન્ય નંબર પ્લેટ ન હોવાથી દંડ ભરવાનું કહેતા મામલો બિચક્યો, ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

રાજકોટમાં ગત 2 જાન્યુઆરીના પ્રેસની ખોટી ઓળખ આપી એક શખ્સે ટ્રાફિક પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જે ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. શહેરની કોઠારીયા ચોકડી પાસે વાહન ચેકિંગમાં રહેલા મહિલા ટ્રાફિક હેડ કોન્સ્ટેબલે આરટીઓ માન્યતા વિનાની નંબર પ્લેટ સાથે આવેલા વાહન ચાલકને રોકતા તે સંજય ધામેચા નામના શખ્સે પ્રેસમાં હોવાની ખોટી ઓળખ આપી દંડ ભર્યો ન હતો. જે બાદ ઝપાઝપી કરી ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરી હતી અને મહિલા ટ્રાફિક પોલીસને કાંડામાં ઇજા પહોંચાડી હતી. જોકે આ અંગે આજીડેમ પોલીસે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોલાચાલી અને ઝપાઝપીનો વીડિયો વાઈરલવાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, આરટીઓ માન્યતા વિનાની નંબર પ્લેટ સાથે આવેલા વાહન ચાલકને રોકવામાં આવતા તે ટ્રાફિક પોલીસ સાથે મારામારી કરે છે અને પછી અન્ય વ્યક્તિને વીડિયો ઉતારવાનું કહે છે. જ્યારે અન્ય વીડિયોમાં સંજય ધામેચા કહે છે કે, મારો કોલર શા માટે પકડ્યો? જેથી પોલીસે કહ્યું કે તમે ગાળ બોલ્યા હતા. જે બાદ યુવાને આક્ષેપ કર્યો હતો કે તમે મારો ફોન તોડી નાખ્યો જ્યારે સામે પક્ષે પોલીસે કહ્યું કે અમે અમારી ફરજ બજાવતા હતા અને ત્યારબાદ તે શખ્સે પોલીસનો કોલર પકડી ઝપાઝપી કરી. વાહનચાલક સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયોરાજકોટ શહેરમાં ટ્રાફિક શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સેજલબેન પરમારે આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, 2 જાન્યુઆરીના બપોરે કોઠારીયા ચોકડી બ્રીજ ઉપર ફરજ પર હતા ત્યારે 12.25 વાગ્યે કોઠારીયા ચોકડી ઉપર વાહન ચેકીંગની કરતા હતા. આ દરમિયાન આર.ટી.ઓ માન્ય નંબર પ્લેટ વગરનુ એક વાહન આવતા તેને રોકી તેના નંબર જોતા GJ10ED 7613 લખ્યુ હતુ. જેથી વાહન ચાલકને દંડ ભરવાનુ કહ્યુ હતુ. જે સમયે તેમણે જણાવ્યુ હતુ કે, હુ પ્રેસમાથી છુ અને મારુ નામ સંજયભાઈ ધામેચા છે તમે કાયમ અહી બધા વાહન ચાલકોને હેરાન કરો છો તેમ કહી બોલાચાલી કરવા લાગ્યા હતા. જે બાદ ઝપાઝપી કરતા મને કાંડાના ભાગે મુંઢ ઈજા થઈ હતી અને આ દરમ્યાન તેનો મોબાઇલ ફોન નીચે પડી ગયો હતો. જેથી તે ભાઈ અમારી પર આક્ષેપ કરવા લાગ્યા હતા કે તમે મારો મોબાઇલ તોડી નાખ્યો છે. જેથી તેનો ખર્ચ આપી દો. ઇન્ચાર્જ PSI ડી.પી.ગોહીલે તે ભાઈને પૂછ્યું હતુ કે તમો કયા પ્રેસમા છો તમારી પાસે આઇકાર્ડ છે? તો તે ભાઈએ આઇકાર્ડ ન હોવાનુ જણાવ્યુ હતુ અને કોઇ પ્રેસનુ નામ આપ્યુ ન હતુ. જેથી પોલીસે ફરજમાં રૂકાવટ ન ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 2:43 pm

ગાંધીનગરમાં વરિયા પ્રજાપતિ સમાજનું સ્નેહમિલન:ઇનામ વિતરણ અને રમતોત્સવનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે વસતા વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા સ્નેહમિલન સમારોહ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ સમાજની વાડી ખાતે આયોજિત કરાયો હતો. આ પ્રસંગે ડાન્સ પર્ફોમન્સ, ડિબેટ અને રમતોત્સવ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજનમાં પૂર્વ પ્રમુખ ઠાકરશી ભલગામિયા, હાલના પ્રમુખ વાલજી ગોલાણીયા અને સમાજના મંત્રી જગદીશ માંડણકા સહિતની ટીમે સહિયારો પ્રયાસ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 2:42 pm

રાણાવાવ પોલીસે ખોવાયેલો ₹15 હજારનો મોબાઇલ:માત્ર એક કલાકમાં ફોનને શોધી મૂળ માલિકને પરત આપ્યો

રાણાવાવ પોલીસે એક નાગરિકનો ખોવાયેલો ₹15,000ની કિંમતનો મોબાઇલ ફોન માત્ર એક કલાકમાં શોધી કાઢી મૂળ માલિકને પરત કર્યો છે. આ ઝડપી કાર્યવાહીથી પોલીસની કાર્યક્ષમતા પ્રદર્શિત થઈ છે. રાણાવાવના ગ્રીનસીટી વિસ્તારમાં રહેતા હીતેષ વશરામભાઇ કરથીયાનો XIOMI કંપનીનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હતો. આ મોબાઇલની અંદાજિત કિંમત ₹15,000 હતી. મોબાઇલ ખોવાયાની જાણ થતાં જ રાણાવાવ પોલીસ સ્ટાફે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને ફિલ્ડ તપાસના આધારે પોલીસે એક કલાકના ટૂંકા ગાળામાં ગુમ થયેલો ફોન શોધી કાઢ્યો. કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, પોલીસે શોધી કાઢેલો મોબાઇલ અરજદાર હીતેષ વશરામભાઇ કરથીયાને પરત સોંપ્યો હતો. પોતાનો કિંમતી મોબાઇલ ઝડપથી પાછો મળતા અરજદારે પોલીસનો આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 2:25 pm

વલસાડમાં AAPને ઝટકો, 400 કાર્યકરો BJPમાં જોડાયા:ધરમપુર વિધાનસભાના ફલધરા ખાતે ભાજપનો ખેસ પહેર્યો, MP ધવલ પટેલે ટોણો માર્યો- કોંગ્રેસ-આપને ચૂંટણી લડવા કાર્યકરો પણ નહીં મળે

વલસાડ જિલ્લામાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. ધરમપુર વિધાનસભાના ફલધરા ખાતે આયોજિત એક કાર્યક્રમમાં AAPના 400થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત અન્ય અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 400 થી વધુ AAP કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો. ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ આમ આદમી પાર્ટી અને તેના સંયોજક અરવિંદ કેજરીવાલ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે પક્ષ છોડવા પાછળના કેટલાક મુખ્ય કારણો જણાવ્યા હતા. કાર્યકરોએ દિલ્હી સરકારના કથિત લિકર સ્કેમ અને બસ ટેન્ડર સ્કેમ જેવા ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે નારાજગી દર્શાવી હતી. આ ઉપરાંત, સરકારી ખર્ચે બનેલા 'શીશ મહેલ' વિવાદને લઈને પણ કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આદિવાસી નેતા ચૈતર વસાવા દ્વારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવા અને દેવમોગરા માતાના મંદિરના શણગાર બાબતે વિરોધ નોંધાવવાને કારણે પણ કાર્યકરોમાં રોષ ફેલાયો હતો. નવા જોડાયેલા કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' ના સંકલ્પમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ભાજપના નેતાઓએ આ બદલાવને લોકજુવાળ ગણાવતા જણાવ્યું હતું કે, હવે વિરોધ પક્ષોને ચૂંટણીમાં લડવા માટે કાર્યકરો પણ નહીં મળે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 2:19 pm

સુરતમાં અનોખી રન ફોર ગર્લ ચાઇલ્ડ ચેરિટી રન:ICC ચેરમેન જય શાહે ઉપસ્થિત રહી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો, કહ્યું- '2036 ઓલમ્પિકમાં ગુજરાત 10 મેડલ લાવશે અને બે મહિલા મેડલવીર હશે'

સુરતમાં સમાજના શોષિત વંચિત અને પીડિત વર્ગની દીકરીઓના સર્વાંગી વિકાસ માટે ડોક્ટર હેગડેવાર સેવા સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત AM/NS Run for Girl Child ચેરિટી રનની બીજી આવૃત્તિ આજરોજ VNSGU કેમ્પસ, સુરત ખાતે ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી. જેમાં ICC ચેરમેન જય શાહે પણ ઉપસ્થિત રહી દોડવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. આ સાથે 2036 ઓલમ્પિકમાં ગુજરાત લાવવાનો અને ગુજરાત 10 મેડલ લાવશે અને બે મહિલા મેડલવીર હશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 'આપણે 2036માં ઓલિમ્પિક પણ અહીં જરૂર લાવવાનું છે'આયોજન સ્થળ પર સવારથી જોશ, શિસ્ત અને સમાજસેવાની ભાવના જોવા મળી હતી. આ પ્રસંગે ICC ચેરમેન જય શાહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને દોડવીરો સાથે જ આયોજકોનો પણ ઉત્સાહ વધાર્યો હતો. જય શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન 2030માં કોમનવેલ્થ ગેમ્સ લઈ આવ્યા છે, પરંતુ આપણે કોમનવેલ્થ પર અટકવાનું નથી. આપણે 2036માં ઓલિમ્પિક પણ અહીં જરૂર લાવવાનું છે. 2024ના ઓલિમ્પિકમાં આપણે 8 મેડલ જીત્યા હતા, પરંતુ હું તમને બધાને કહેવા માગુ છું કે, 2036માં 8 મેડલથી નહીં ચાલે, આપણે ઓછામાં ઓછા 100 મેડલ જીતવાના છે. તે 100 મેડલમાંથી ઓછામાં ઓછા 10 મેડલ આપણે ગુજરાતમાંથી જીતીશું તેનો મને પાકો ભરોસો છે. એ 10 મેડલમાંથી 2 મેડલ આમાંથી જ બે મહિલા જીતશે તેનો પણ મને પાકો ભરોસો છે. '2023ના ODI વર્લ્ડ કપમાં આપણે દિલ જીત્યા પણ કપ ન જીતી શક્યા'વધુમાં જણાવ્યું હતું કે, આજે હું તમને બધાને જણાવવા માંગુ છું કે ‘સંકલ્પ’ શું હોય છે. આપ સૌને યાદ હશે કે 2023ના ODI વર્લ્ડ કપમાં 10 જીત પછી આપણે દિલ જીત્યા પણ કપ ન જીતી શક્યા. તમને યાદ હશે કે રાજકોટમાં એક કાર્યક્રમમાં મેં કહ્યું હતું કે, 2024માં આપણે દિલ પણ જીતીશું, કપ પણ જીતીશું અને બાર્બાડોસમાં ઝંડો પણ ગાડીશું! 'આજે જ્યાં પણ જાઉં છું બધા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વખાણ કરે છે' વધુમાં જણાવ્યું હતું કે, સંકલ્પ એટલી મોટી વસ્તુ છે કે એકવાર તમે સંકલ્પ કરીને ઠાણી લો, તો પછી તેને તમે મેળવી જ શકો છો, તેનો મને પાક્કો ભરોસો છે. હું 2019થી BCCIમાં છું. હું દેશમાં ફરું છું, વિદેશમાં ફરું છું. બધા લોકો 2025 મહિલા વર્લ્ડ કપની જીત પહેલા એરપોર્ટ પર જે પણ પેરેન્ટ્સ મળતા હતા, તે મને કહેતા હતા કે મારા બાળકને વિરાટ કોહલી બનાવવો છે, રોહિત શર્મા બનાવવો છે, હાર્દિક પંડ્યા બનાવવો છે. પણ 2025 પછી, વર્લ્ડ કપની જીત પછી, હું જ્યાં પણ જાઉં છું ત્યાં બધા કહે છે કે મારે મારી દીકરીને સ્મૃતિ મંધાના બનાવવી છે, હરમન પ્રીત કૌર બનાવવી છે, જેમિમાહ રોડ્રિગ્સ બનાવવી છે. 8થી 10 હજાર દોડવીરોએ ભાગ લઈ સમાજને એક સશક્ત સંદેશ આપ્યોએટલા માટે જ આજની આ ઈવેન્ટનું નામ છે 'રન ફોર ગર્લ ચાઈલ્ડ'. તો જેમ મેં કહ્યું હતું કે 2036માં 100 મેડલનો સંકલ્પ છે અમારો. 8થી 100... 100માંથી 10 ગુજરાતના મેડલ હશે, પણ એ 10માંથી 2 મેડલ આપણી મહિલાઓ ચોક્કસ જીતશે તેનો મને પૂરો ભરોસો છે. દીકરીઓના સર્વાંગી વિકાસને સમર્પિત આ આયોજનમાં 8થી 10 હજાર દોડવીરોએ ભાગ લઈ સમાજને એક સશક્ત સંદેશ આપ્યો હતો. મેરેથોનમાં 21 કિ.મી., 10 કિ.મી., 5 કિ.મી. અને 2 કિ.મી. જેવી વિવિધ કેટેગરી રાખવામાં આવી હતી અને વિજેતાઓને કુલ મળીને રૂ. 2,20,000ના રોકડ ઇનામો આપવામાં આવ્યા હતા. સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગ થશેસમિતિના સહ સહયોજક શ્યામજી રાઠીએ જણાવ્યું કે, ‘AM/NS Run for Girl Child’ માત્ર દોડ નથી, પરંતુ દીકરીઓના સર્વાંગી ઉત્થાન માટેનું એક અભિયાન છે. સ્લમ વિસ્તારોમાં રહેતી શોષિત, વંચિત અને પીડિત દીકરીઓને શારીરિક, માનસિક, આધ્યાત્મિક, બૌદ્ધિક અને સામાજિક આ પાંચ ક્ષેત્રોમાં સશક્ત બનાવવા માટે ટ્રસ્ટ સતત કાર્ય કરી રહી છે. ગયા વર્ષે જ્યાં માત્ર 7 કિશોરી વિકાસ કેન્દ્રો હતા, ત્યાં આજે 159 કેન્દ્રો કાર્યરત બન્યા છે. તે ઉપરાંત ટ્રસ્ટનો ‘જ્ઞાન મંદિર’ પ્રકલ્પ પણ 60 કેન્દ્રોથી વધીને 105 કેન્દ્રો સુધી વિસ્તર્યો છે. આ મેરેથોન દ્વારા કિશોરી વિકાસ કેન્દ્ર આવનારા વર્ષમાં 159માંથી 500 તેમજ જ્ઞાન મંદિર પ્રકલ્પ 105માંથી 300 સુધી પહોંચાડવાનો લક્ષ બનાવ્યો છે. આ ચેરિટી રનથી મળનારી સમગ્ર રકમ દીકરીઓના શિક્ષણ, વિકાસ અને કલ્યાણ કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવશે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 2:07 pm

પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જતા પતિ લટકી ગયો:સુરતમાં આડા સંબંધને લઈ ઝઘડામાં પત્ની પિયરમાં જતી રહેતા પતિનો આપઘાત, સંબંધીએ કહ્યું - મારીને લટકાવી દીધાની શંકા

સુરતમાં સચિન જીઆઇડીસી ખાતે એક સંતાનના પિતાએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પતિએ પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. પત્નીના આડા સંબંધને લઈ દંપતિ વચ્ચે થયેલા ઝઘડામાં પત્ની પિયરમાં જતી રહી હતી. બાદમાં પતિએ આપઘાતનું પગલું ભર્યું હોવાનું પરિવારે જણાવ્યું હતું. આ સાથે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારીને લટકાવી દીધાની આશંકા છે. એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતોપ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશ પ્રતાપગઢના વતની અને હાલ સચિન જીઆઇડીસી ખાતે મહાદેવ મંદિરની પાછળ આવેલ એક મકાનમાં 25 વર્ષીય યુવક પત્ની તેમજ એક પુત્ર સહિતના પરિવાર સાથે રહેતો હતો અને એમ્બ્રોડરીના કારખાનામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઈકાલે રાત્રે યુવકે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રેમી સાથે કઢંગી હાલતમાં યુવક જોઈ ગયો હતોમૃતક યુવકના સંબંધીએ જણાવ્યું હતું કે દસેક દિવસ પહેલા પત્નીને તેના પ્રેમી સાથે કઢંગી હાલતમાં યુવક જોઈ ગયો હતો. જે વાતને લઈ દંપતી વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પત્ની રિસાઈને પિયરમાં જતી રહી હતી. બાદમાં યુવકે અંતિમ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ સચિન જીઆઇડીસી પોલીસ કરી રહી છે. 'પત્ની સાથે મારામારી થઈ હશે'મૃતકના સંબંધીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, શંકા એટલા માટે છે કે એક-બે મહિનાથી કોઈ પારિવારિક વિવાદ ચાલતો હતો, પણ અમને એની કોઈ જાણકારી નહોતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે તેની પત્નીને કોઈ બીજા છોકરા સાથે સંબંધ હતો. એક દિવસ છોકરાએ તેને રંગેહાથે પકડી પાડી હતી. પકડાયા પછી કદાચ છોકરા કે પત્ની સાથે મારામારી થઈ હશે. એ પછી તે પત્ની કોઈ પરિચિત સાથે ગામ જતી રહી. 'માર મારીને ફાંસીએ લટકાવી દીધો'વધુમાં જણાવ્યું હતું કે, 10 દિવસ પછી સમાચાર આવ્યા કે પંખે લટકેલી હાલતમાં તેની લાશ મળી છે. લાશ જમીનને અડેલી હતી. અમને બે દિવસ પછી ખબર પડી. બોડી જે રીતે લટકી રહી છે તે રીતે માર મારીને ફાંસીએ લટકાવી દીધી હોય તેવી શંકા છે. અમારી માંગ એ જ છે કે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ આ મામલે ઊંડી તપાસ કરે અને જે પણ દોષિત હોય તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 2:02 pm

જીતુ વાઘણીના પિતાની 11મી પુણ્યતિથિ અન્વયે આરોગ્ય નિદાન કેમ્પ:ભાવનગરમાં સાત મેડિકલ કેમ્પ યોજાયા; જરૂરિયાતમંદોને વિનામૂલ્યે દવા અને ચશ્માનું વિતરણ કરાયું

ભાવનગર પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીના પિતાની અગિયારમી પુણ્યતિથિ અન્વયે તેમના મત વિસ્તારમાં કુલ 7 વોર્ડમાં આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૈકી આજરોજ શહેરના બોરતળાવ વિસ્તારમાં આવેલા ઈશ્વરનગર મારુતિ સ્કૂલ ખાતે 7મા અને છેલ્લા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અલગ-અલગ 7 સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજનગુજરાત રાજ્યના કૃષિમંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય જીતુ વાઘાણીના પિતા સવજી કરશનભાઈ વાઘાણીની 11મી પુણ્યતિથિ અન્વયે શહેરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં અલગ-અલગ 7 સ્થળોએ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજરોજ અંતિમ મેડિકલ કેમ્પ શહેરના બોરતળાવ વિસ્તારના ઇશ્વરનગર મફતનગર વિસ્તારમાં આવેલા મારુતિ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સર્ટી હોસ્પિટલ તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથી કોલેજના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ આરોગ્ય નિદાન કેમ્પનો લાભ લીધોઆ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા અને આરોગ્ય નિદાન કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં ઉપસ્થિત આ વિસ્તારના વોર્ડ મંત્રી તેમજ કોર્પોરેટરો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્ય દવાઓ તથા ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:57 pm

સરકારમાંથી સહાય મળવાનું કહી ખાતા ખોલાવ્યાં:બે ઠગે 12 મ્યૂલ એકાઉન્ટ ખોલાવી ફ્રોડના 50 લાખ ટ્રાન્સફર કર્યા; ખાતા ધારકોને રૂ.2500 પકડાવી દેતા

સાયબર માફિયા મ્યૂલ એકાઉન્ટ ખોલાવીને લોકો પાસેથી ફ્રોડના નાણા ટ્રાન્સફર કરતા હોય છે, જેમાં ખાતા ધારકોને સામાન્ય રકમ ચૂકવી દેતા હોય છે. ત્યારે વડોદરામાં સરકારમાંથી રૂપિયા 2500 સહાય આપવામાં આવે છે, તેવી લાલચ આપી બે ઠગોએ નવેમ્બરથી ડિસેમ્બર, 2025 સુધીમાં 12 લોકોના એકાઉન્ટ ખોલાવ્યા હતા. ગ્રાહકો પાસેથી ચેકબુક, પાસબુક અને એટીએમ કાર્ડ લઈ લીધા હતાં. એટીએમમાં લઈ ગયા બાદ એટીએમ પીન જનરેટ કરીને ઠગોએ રૂપિયા 2500 ગ્રાહકોને ચૂકવી દીધા હતા. આ 12 એકાઉન્ટનો મ્યૂલ ખાતા તરીકે ઉપયોગ કરી તેમાં લોકો સાથે કરેલા ફ્રોડના રૂપિયા 50.01 લાખ ટ્રાન્સફર કર્યા હતા. જે રૂપિયા પણ યુપીઆઈ દ્વારા ટ્રાન્સફર કરી લેવામાં આવતી હતી. ત્યારે આ 12 પૈકી ચાર એકાઉન્ટ સામે એનસીઆરપી પોર્ટલ પર ફરિયાદો પણ નોંધાઇ છે, જેથી બાપોદ પોલીસે આ બંને વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. સહાયના નામે લોકો પાસે ખાતા ખોલાવ્યાંવડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા માજીનગરમાં રહેતા જોત્સનાબેન રાયમલભાઈ બાપોદ પોલીસ સ્ટેશનમાં અરજી આપી જણાવ્યું હતું કે, નિતિન રાજપૂત તથા હની સિંધી નામના શખસે મને તથા અન્ય મહિલાઓને સરકાર દ્વારા 2500 રૂપિયાની સહાય આપવામાં આવે છે અને જેના માટે તેઓના દાંડીયા બજારમાં આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં લઈ ગયા હતાં. અહીં તેઓના ખાતા ખોલાવ્યા હતાં. ઇંડિયન ઓવરસિસ બેંકના 12 ખાતાની તપાસઆ બેંક ખાતામાં સાયબર ફ્રોડના નાણા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેથી બાપોદ પોલીસે દાંડીયા બજાર ખાતે આવેલી ઇંડિયન ઓવરસિસ બેંક ખાતે અલગ-અલગ 12 જેટલા એકાઉન્ટના સ્ટેટમેંટો મેળવી તપાસ કરી હતી. તપાસમાં આ તમામ બેંક ખાતાઓમાં આશરે નવેમ્બર તથા ડિસેમ્બર, 2025 સુધીના સમયગાળા દરમ્યાન આશરે રૂપિયા 50.01 લાખના ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હોવાનું માલુમ પડ્યું હતું. સાયબર અરજીઓની તપાસ કરતા ખાતા ધારકો મળ્યાંઆ બેંક ખાતા ઉપર એનસીઆરપી (નેશનલ સાયબર કાઈમ પોર્ટલ) પર સાયબર અરજીઓની તપાસ કરતા 12 એકાઉન્ટ પૈકી 4 પર સાયબર ફ્રોડની અરજીઓ નોંધાયેલી છે. પોલીસે ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં આ ખાતાના ધારકોની પૂછપરછ કરતા નિતીન શીવમંગસિંગ ભદોરીયા ઉર્ફે નિતીન રાજપૂત (રહે.વાઘરીવાસ જોગણીમાતા મંદીર પાસે વારસીયા વડોદરા) તથા હર્ષ રવિ ગુરબક્ષાની ઉર્ફે હની સિંધી (રહેવમીરાનગર હરણી વારસીયા રીંગ રોડ વડોદરા) અલગ-અલગ ગ્રાહકોને લઈ આવી તેઓને ભૂતડીઝાપા ખાતેથી નવા સીમ કાર્ડની ખરીદી કરાવી તેઓના બેંક ખાતા ખોલાવવા માટે જરૂરી ડોક્યુમેંટ આધાર કાર્ડ, પાનકાર્ડ સાથે રખાવી તેઓને દાંડિયા બજાર ખાતે આવેલી ઇન્ડિયન ઓવરસીઝ બેંકમાં લઈ જતા હતા. તેઓ બેંકની નીચે ઉભા રહેતા હતા અને ગ્રાહકને બેંકમાં ખાતુ ખોલાવવા મોકલી આપતા હતા. ઠગો બેંક ખાતાની કીટ લઈ રૂ.2500 આપી દેતાગ્રાહકો બેંક ખાતા ખોલાવી તેઓની પાસેથી નવા ખોલાવેલા બેંક ખાતાની પાસબુક, ચેકબુક તથા એટીએમ લઈ લેતા અને ગ્રાહકોને એટીએમમા લઈ જતી તેઓના એટીએમનો પીન નંબર જનરેટ કરાવી તેઓને 2500 રૂપિયા આપી દેતા હતા. તેઓની પાસેથી બેંકની પુરે પુરી કીટ જેમા નવા ખોલાવેલા બેંક ખાતાની પાસબુક ચેકબુક તથા એટીએમ લઈ લેતા હતા અને જેમાં સાયબર ફ્રોડના રૂપિયા નખાવી યુપીઆઈ દ્વારા ખાતામાં આવેલા સાયબર ફ્રોડના રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરવામાં આવતી હતી. જેથી સાયબર ક્રાઇમ પોલીસે બંને ઠગ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:48 pm

અરવલ્લી વન વિભાગે મેઢાસણ નર્સરીમાં ચિંતન શિબિર યોજી:વન કર્મીઓને કાર્યક્ષમતા અને સંકલન મજબૂત બનાવવા એક દિવસીય તાલીમ અપાઈ

અરવલ્લી જિલ્લામાં વન વિભાગની કાર્યક્ષમતા અને સંકલન મજબૂત બનાવવા માટે મેઢાસણ નર્સરી ખાતે એક દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગના DCF ધવલ ગઢવી અને ACF બી.સી. ડાભીના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં વિસ્તરણ રેન્જ મોડાસા, ધનસુરા અને બાયડના રેન્જ વનપાલ, વનરક્ષક, રોજમદાર અને ઓફિસ સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિર દરમિયાન સ્ટાફને શિસ્તબદ્ધ પરેડ, નર્સરી ઉછેરની કામગીરી, વાવેતર પ્રક્રિયા અને વર્ષ દરમિયાન કરવામાં આવતી સિલ્વીકલ્ચર ઓપરેશન્સ અંગે વિગતવાર માર્ગદર્શન અપાયું હતું. માર્કિંગથી લઈને ખાડા તૈયાર કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. સરકારના ફ્લેગશિપ પ્રોજેક્ટોને ધ્યાનમાં રાખી સમયસર ફોટોગ્રાફ્સ મોકલવા, દસ્તાવેજીકરણ અને દેખરેખ બાબતે પણ સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી. પ્રશ્નોત્તરી સેશન દ્વારા સ્ટાફને રોજિંદી કામગીરી દરમિયાન ઉદ્ભવતા પ્રશ્નોના વ્યવહારુ નિરાકરણ પૂરા પાડવામાં આવ્યા હતા. ACF દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન અપાતા વિષયોને ઊંડાણપૂર્વક સમજાવવામાં આવ્યા હતા, જેનાથી સ્ટાફના આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતામાં વધારો થયો હતો. આ સુવ્યવસ્થિત આયોજનને કારણે ચિંતન શિબિર સફળ રહી અને વન સંરક્ષણ તથા વિકાસના લક્ષ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:45 pm

રાજકોટમાં ગૌરક્ષક પર હુમલાના CCTV:પંચનાથ સોસાયટીમાંથી ગૌવંશને ભરી કતલખાને જતી રિક્ષાને રોકતા યુવાનને છરી મારી, ઈજાગ્રસ્ત યુવાન હોસ્પિટલમાં

રાજકોટમાં ગૌવંશને કતલખાને લઈ જતી રિક્ષાને રોકતા ગૌરક્ષકને માર મારી છરીથી હૂમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. શહેરના પંચનાથ સોસાયટી વિસ્તારમાં શનિવારે(3 જાન્યુઆરી) રાત્રે ભેસવંશના પાડાને કતલ કરવા માટે ભરીને લઇ જવાના હોવાની બાતમીના આધારે ગૌરક્ષક સહિતના યુવાનોએ વોચ ગોઠવી હતી. જે દરમિયાન પશુને ભરી લઈ જતી રિક્ષાને રોકવામાં આવી હતી. જે બાદ રિક્ષાચાલક નાસવા જતા તેને અટકાવવામાં આવતા રિક્ષાચાલક દ્વારા અન્ય 6 શખસોને બોલાવતા ગૌરક્ષક કિશનભાઇને માર મારી છરીથી હૂમલો કર્યો હતો. જેથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના CCTV સામે આવતા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પાડાને કતલ કરવા માટે ભરીને લઇ જવાની બાતમી મળતા વોચ ગોઠવી હતીજયેન્દ્ર ઉર્ફે જેકી અનીલભાઇ ચંદવાણીયા (ઉં.વ.31,રહે.આજીડેમ પાસે સમપાર્ક સોસાયટી શેરી નં.2, અમીતભાઇ આહિરના મકાનમાં ભાડેથી) એ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, જીવદયા અને ગૌરક્ષાનું કામ કરતા હોય 3 જાન્યુઆરીના હકીકત મળી હતી કે, વસીમ ઉર્ફે વાસલો બેલીમ લીલા કલરની CNG પેસેન્જર રીક્ષા (નં.GJ03CT 6458)માં સદર બજારમાં ભેસવંશના પાડાને કતલ કરવા માટે ભરીને લઇ જવાના છે. જેથી ગતરાત્રે વોચ ગોઠવી હતી. છરીનો એક ઘા મારતા ઈજાગ્રસ્તજે દરમિયાન શનિવારે રાત્રે 9:30 વાગ્યે પંચનાથ સોસાયટી શેરી નંબર-16માંથી રિક્ષા નીકળી હતી. જેથી તેને અટકાવવામાં આવી હતી. જોકે આ દરમિયાન રિક્ષાચાલક ભાગવા જતો હતો. જોકે મીતભાઈની રિક્ષામા ભટકાતા રિક્ષા ઉભી રાખી હતી અને વસીમ ઉર્ફે વાસલાએ ફોન કરી અન્ય શખસોને બોલાવ્યા હતા. જેથી અબુ ઉર્ફ આફતાબ બેલીમ, શાબાજ બેલીમ, વસીમ ઉર્ફ વાસલો અને અજાણ્યા 3 શખસોએ ગેરકાયદેસર મંડળી રચી પોતાની સાથેના કિશનભાઈને ગાળો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો. જ્યારે શાબાજ બેલીમે છરીનો એક ઘા જમણી બાજુ થાપાના ભાગે મારી દીધો હતો. જેથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:43 pm

વીજળીથી પગ ગુમાવ્યા, હવે વીજળીવેગે દોડશે ગગદાસ!:પેરા ઓલિમ્પિકનું સપનું સાકાર કરવા CM ભૂપેન્દ્ર પટેલ વહારે આવ્યા, CSR ફંડ મંજૂર કરાવી પ્રોસ્થેટિક પગ અપાવ્યા

વાવ-થરાદના યુવાન ગગદાસ પરમાર માટે જીવનની દોડ 2017માં અચાનક થંભી ગઈ હતી. વીજળીના ભયાનક ઝટકાથી બન્ને પગ ગુમાવનાર આ યુવાન આજે ફરીથી ટ્રેક પર દોડતો થયો છે અને આ વખતે લક્ષ્ય છે પેરા ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો. ખેતમજૂર થાનાભાઈ પરમારના પરિવાર પર વીજળી સમાન આફત આવી પડી ત્યારે ગગદાસના ઘૂંટણની નીચેના બન્ને પગ કપાવવા પડ્યા. પરિવારે બે વર્ષ સુધી સારવારમાં આઠથી દસ લાખ રૂપિયાનો ગજા બહારનો ખર્ચ કરીને દીકરાને નવજીવન આપ્યું. પગ તો ગુમાયા, પરંતુ ગગદાસનો આત્મવિશ્વાસ અડગ રહ્યો. અભ્યાસ માટે પાલનપુર પહોંચેલા ગગદાસે વિદ્યામંદિર શાળાની દિવ્યાંગ હોસ્ટેલમાં રહીને જીવનને નવી દિશા આપી. અહીં કોચ નીલેશભાઈ રબારીના માર્ગદર્શનથી ગગદાસ સ્પોર્ટ્સ તરફ વળ્યો. માત્ર છ મહિનાની તૈયારીમાં ડિસ્ક થ્રો અને પેરા પાવરલિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે સ્વર્ણ અને કાંસ્ય પદકો જીતી લઈને તેણે પોતાની ક્ષમતા સાબિત કરી. સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે એડવાન્સ પ્રોસ્થેટિક પગ જરૂરી હતા, જેનો ખર્ચ 14થી 15 લાખ રૂપિયા જેટલો હતો. આર્થિક રીતે નબળા પરિવાર માટે આ અશક્ય લાગતું હતું. પરંતુ ગગદાસે હિંમત ન હારી. તેણે ગાંધીનગર આવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાની વાત રજૂ કરી. સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકારી સહાય ઉપરાંત CSR ફંડ થકી તાત્કાલિક મદદ મળે તેવા પ્રયાસો કર્યા. પરિણામે ગગદાસને અદ્યતન ટેકનોલોજીથી સજ્જ પ્રોસ્થેટિક પગ મળ્યા અને ઉચ્ચ સ્તરનું કોચિંગ પણ શરૂ થયું. આજે ગગદાસ રોજ 100 અને 200 મીટર રેસની તૈયારીમાં પરસેવો પાડી રહ્યો છે. તેની આંખોમાં હવે એક જ સપનું છે — પેરા ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતવાનો. વીજળીના ઝટકાથી શરૂ થયેલી કરુણ કહાણી હવે સાહસ, સરકારના સહકાર અને અદમ્ય આત્મવિશ્વાસથી પ્રેરણાદાયક ગાથામાં ફેરવાઈ ગઈ છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:35 pm

લક્ષ્મી વિલાસ પેલેસમાં સંડેઝ ઓન સાયકલ રેલી:પૂર્વ ભારતીય ક્રિકેટર રાજેશ ચૌહાણ, હેપ્ટાથ્લોનમાં એશિયન ગોલ્ડ મેડલ વિજેતા નંદિની અગાસ સહિતના મહાનુભાવો જોડાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ચાલતા ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત વડોદરામાં 'સંડેઝ ઓન સાયકલ' રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પૂર્વ ભારતીય ક્રિકેટર રાજેશ ચૌહાણ, હેપ્ટાથ્લોનમાં એશિયન ગોલ્ડ મેડલ વિજેતા નંદિની અગાસરા, સાંસદ ડૉ. હેમાંગ જોશી, વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તથા અન્ય મહાનુભાવો જોડાયા હતા. સાયકલ સવારો અને રમતવીરોને સન્માનિત કરાયાઆ પ્રસંગે યોગા, ઝુંબા, બેડમિન્ટન, દોરડા કૂદ અને ગરબા જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલી લક્ષ્મી વિલાસ પેલેસથી શરૂ થઈને શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, સાયકલ ચલાવવા તથા વિવિધ રમતો રમવાનો સંદેશ આપ્યો હતો. આ રેલીમાં શાળાના વિદ્યાર્થીઓ, સાયક્લિંગ ક્લબના સભ્યો અને રમતવીરો મોટી સંખ્યામાં જોડાયા હતા. ઉપસ્થિત મહેમાનોના હસ્તે સાયકલ સવારો અને રમતવીરોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ‘ગામડાઓમાં પણ હવે 'સન્ડે ઓન સાયકલ' અભિયાન’વડોદરાના યુવા સાંસદ ડો હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, આજે વડોદરા માટે ખૂબ જ હર્ષની ક્ષણ છે. કારણ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી પ્રેરાઈ અને 'ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત દેશના જે મુખ્ય શહેરો છે એવા તમામ મુખ્ય શહેરોની અંદર 'સન્ડે ઓન સાયકલ' આ અભિયાન થતું હોય છે. આમ તો 'મન કી બાત'ની અંદર પણ એમણે આ વાત મૂકેલી છે અને એમના આહ્વાનને માન આપીને ઘણા બધા દેશના ગામડાઓમાં પણ હવે 'સન્ડે ઓન સાયકલ' અભિયાન ચાલી રહ્યું છે. ‘અભિયાનમાં 500થી વધારે સાયકલિસ્ટો જોડાયા’વધુમાં કહ્યું કે, મિનિસ્ટ્રી ઓફ યુથ એન્ડ સ્પોર્ટ્સ અફેર્સ દ્વારા, ભારત સરકાર દ્વારા આજે જ્યારે વડોદરાને આ કાર્યક્રમ આપવામાં આવ્યો છે. ત્યારે 55મું અભિયાન 'સન્ડે ઓન સાયકલ'નું વડોદરા ખાતે યોજાઈ રહ્યું છે. આ અભિયાનની અંદર 500થી વધારે સાયકલિસ્ટો જોડાયા છે. સાથે સાથે તમામ મહાનુભાવો, અધિકારીઓ અને પદાધિકારીઓ પણ આ મુહિમમાં જોડાયા છે. વડાપ્રધાનના 'ફિટ ઈન્ડિયા'ના આહ્વાનમાં જોડાવા અપીલવધુમાં કહ્યું કે, ભારતીય જનતા યુવા મોરચા પણ મોટી સંખ્યામાં જિલ્લા અને મહાનગરના તમામ કાર્યકરો પણ આ 'સન્ડે ઓન સાયકલ'માં જોડાયા છે. ત્યારે આ સુંદર અભિગમ બદલ હું ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ સૌને અપીલ કરું છું કે આવો આપણે સૌ વડાપ્રધાનના 'ફિટ ઈન્ડિયા'ના આહ્વાન સાથે જોડાઈ અને 'સન્ડે ઓન સાયકલ' જેવા અભિયાનની અંદર મોટી સંખ્યામાં ભાગ લઈએ.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:34 pm

તરસાલીમાં 6જાન્યુ.એ કલ્સ્ટર કક્ષાનો રોજગારભરતી મેળો યોજાશે:8 પાસથી વધુ લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના મહિલા- પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે

વડોદરામાં ૦૬ જાન્યુઆરી૨૦૨૬ ના રોજ ચાર જીલ્લાનો કલ્સ્ટર કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીશ ભરતી મેળો યોજાશે.મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી,વડોદરા તેમજ જિલ્લા રોજગાર કચેરી,ખેડા, આણંદ, અને છોટાઉદેપુર તથા યુ ઈ બી વડોદરા અને વિધ્યાનગરના સંયુકત ઉપક્રમે કલસ્ટર કક્ષાનો રોજગાર અને એપ્રેન્ટીસ ભરતી મેળો તા. 06/01/2026 ના રોજ સવારે 9:00 કલાકથી મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી ,આઈટીઆઈ કેમ્પસ,તરસાલી ખાતે યોજાશે. આ મેળામાં 60 થી વધુ કંપનીની સીફટ એન્જિનિયર, ફાર્માસીસ્ટ,ફાર્મસી આસિસ્ટન્ટ,કસ્ટમર સર્વીસ ટ્રેઈની,ફીલ્ડસ્ટાફ, ક્વોલિટી સોર્ટર,રિલેશનશિપ મેનેજર,આસિસ્ટનટ પરચેસ,ઓપરેટર,આસિસ્ન્ટ,ગેસ્ટ સર્વિસ એજન્ટ,સુપરવાઇઝર,નાઇટ સુપર્વાઇઝર,ફ્લોરકોર્ડીનેટર,ટેલીકોલર,અકાઉન્ટર,સી.એન.સી./વી.એમ.સી,બોઇલર ઓપરેટર, આસિસ્ટન્ટ મેનેજર,બ્રાંચ મેનેજર, કસ્ટમર રિલેશનશિપ ઓફિસર, ટીચર,બેક ઓફીસ એપ્રેન્ટીસ,ટ્રેઇની, ગાર્ડનર,હેલ્પર જેવી 2000 કરતા વધુ સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચરિંગ, ફૂડ, ફાર્મા, સેલ્સ, હોસ્પિટ,સ્કૂલ, ઈન્સયુરંન્સ સેકટરની જગ્યાઓ માટે હાજર રહેશે. આ રોજગાર મેળામાં 8 પાસથી વધુ લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષના તમામ સ્ત્રી અને પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે તેમજ સ્વતંત્ર હલનચલન કરી શકે તેવા તેમજ બોલવાની અને સાંભળવાની ક્ષતિ કે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો પણ ભાગ લઈ શકશે.તેમજ એકસ સર્વીસમેન પણ ભાગ લઈ શકશે. ભરતી મેળામાં ઉમેદવારોને રોજગારી ઉપરાંત વિદેશ રોજગાર અને અભ્યાસ માટે સેફ લીગલ માઈગ્રેશન અંગે તેમજ પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના (PMVBRY)તેમજ સ્વરોજગાર લોન સહાય યોજના અંગે તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ પર નામ નોંધણી અને તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામા આવશે રસ ધરાવતા ઉમેદવારોએ બાયોડેટા /રેઝયુમની 5 નકલો સાથે સ્વ ખર્ચે ભરતી મેળાના સ્થળ પર હાજર રહેવા તેમજ જે ઉમેદવારોને એસ ટી કુપન મોકલવામા આવેલ છે તેઓએ એસ ટી કુપનનો ઉપયોગ કરવા વિનંતી છે સદર ભરતી મેળામાં આયોજન માટે અને પસંદગી પ્રક્રિયામાં ઉમેદવાર કે નોકરીદાતાએ કોઈ ફી કે ચાર્જ ચુકવવાનો નથી તેની તમામે ખાસ નોંધ લેવા મદદનીશ નિયામક રોજગાર ની યાદીમા જણાવેલ છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:20 pm

રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે મારામારી, VIDEO:કાલુપુર રેલવે સ્ટેશને રિક્ષાચાલકોએ ઘેરીને ગાળાગાળી કરી, RPFએ ઢોર માર મારતા એક ઢળી પડ્યો

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર 3 જાન્યુઆરીની સવારે રિક્ષાચાલકો અને RPF (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાનો વચ્ચે પેસેન્જર ભરવાના મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદ રિક્ષાચાલકોએ RPFના જવાનને ઘેરીને કોલર પકડી ગાળાગાળી કરી ધમકીઓ આપી હતી. આ ઝપાઝપી બાદ વધુ RPFના જવાનો આવી પહોંચ્યાં હતાં અને રિક્ષાચાલકોને ઢોર માર માર્યો હતો. આ દરમિયાન એક રિક્ષાચાલક ઢળી પડ્યો હતો. આ સમગ્ર ઘટનાના બે પણ સામે આવ્યાં છે, જે સોશિયલ મીડિયા પર પણ વાઇરલ થઈ રહ્યાં છે. આ મામલે રેલવે PRO અજય સોલંકીએ જવાબ આપવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે, અમારી પાસે આ અંગે કોઈ સોલિડ માહિતી કે પ્રૂફ આવ્યું નથી, તેથી કોઈ જવાબ આપી શકતા નથી. આ ઘટનાએ રેલવે સ્ટેશન પર રિક્ષાચાલકો અને RPF વચ્ચે અવારનવાર થતા ઘર્ષણના મુદ્દાને ફરી એકવાર ઉજાગર કર્યો છે. પેસેન્જર ભરવા બાબતે ઘર્ષણ થયું હતુંકાલુપુર રેલવે સ્ટેશન પર ગઈકાલે વહેલી સવારે રિક્ષાચાલકો અને RPF જવાનો વચ્ચે પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી બાદ ઘર્ષણ થયું હતું. આ દરમિયાન RPFના કેટલાક જવાનોએ ઉભેલા રિક્ષાચાલકોને ડંડા વડે ફટકાર્યા હતા. એક રિક્ષાચાલકને બેફામ રીતે માર મારતા તે ઢળી પડ્યો હતો. આ વ્યક્તિને બચાવવા બીજા રિક્ષાચાલકો વચ્ચે પડ્યા તો તેમને પણ RPFના જવાનોએ ઢોર માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આજે બીજો વીડિયો પણ સામે આવ્યોગઈકાલે RPF જવાનોએ રિક્ષાચાલકોને માર મારવાના વીડિયો બાદ આજે વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રિક્ષાચાલકોએ આરપીએફના જવાનને ઘેરેલો છે અને કોલર પણ પકડેલો છે. જવાને રિક્ષાચાલકને હટી જવાનું કહેતા આરપીએફના જવાનાને ગાળો આપીને ધમકી પણ આપી હતી. રિક્ષાચાલકોની દાદાગીરી બાદ આરપીએફ જવાનો ભેગા થયા હતા અને રિક્ ચાલકો સાથે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણ દરમિયાન આરપીએફના જવાનોએ રિક્ષાચાલકને માર માર્યો હતો. રિક્ષાચાલકોએ કરેલા વર્તન અને મારામારી અંગે આરપીએફએ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અવારનવાર પેસેન્જર ભરવા બાબતે બોલાચાલીઉલ્લેખનીય છે કે, RPF જવાનો અને રિક્ષાચાલકો વચ્ચે અવારનવાર પેસેન્જર ભરવા બાબતે બોલાચાલી થતી રહે છે. રિક્ષાચાલકો છેક અંદર જઈને પેસેન્જરને રિક્ષા સુધી લઈ જવાનો પ્રયત્ન કરતા હોય, ત્યારે RPF જવાન દ્વારા તેમને રોકવામાં આવે છે. આ વાતને લઈને ઘર્ષણ થયું હોય છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:16 pm

મહીસાગર SOGએ રાજસ્થાનથી વોન્ટેડ આરોપીને ઝડપ્યો:2021થી ફરાર જગદીશ પટેલ રાજસ્થાનથી પકડાયો

મહીસાગર જિલ્લા પોલીસે વર્ષ 2021 થી નાસતા ફરતા એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબિશન એક્ટના ગુનામાં વોન્ટેડ જગદીશ લાલુરામ પટેલને મહીસાગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ઉદયપુરથી પકડી પાડવામાં આવ્યો હતો. જિલ્લા પોલીસ વડા સફીન હસનની સૂચના બાદ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે મહીસાગર SOG પીઆઈ વી.ડી. ધોરડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.એમ. બારીઆ, એચ.બી. સિસોદિયા અને SOG સ્ટાફની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ દરમિયાન, SOG પીઆઈ વી.ડી. ધોરડાને બાતમી મળી હતી કે, બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહી એક્ટ 65(એ)(ઈ), 116(બી), 81, 98(2) મુજબના ગુનાનો આરોપી જગદીશ લાલુરામ પટેલ, જે કારછા, તા. ખેરવાડા, જી. ઉદયપુર (રાજસ્થાન) નો રહેવાસી છે, તે હાલ તેના ઘરે છે. આ બાતમીના આધારે SOG પીએસઆઈ એચ.બી. સિસોદિયા, એ.એસ.આઈ. કિર્તિપાલસિંહ, હેડ કોન્સ્ટેબલ અજીતભાઈ, અક્ષયકુમાર અને કોન્સ્ટેબલ નથુભાઈ મયુરસિંહની ટીમે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરી હતી. ત્યાંથી આરોપી જગદીશ લાલુરામ પટેલ મળી આવતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને મહીસાગર જિલ્લા ખાતે લાવવામાં આવ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે બાલાસિનોર ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:15 pm

બાટલી ગેંગને 'બાટલી'માં પૂરી બૂચ માર્યું, ગુજસીટોક લગાવ્યો:9 વર્ષમાં હત્યા, ખૂનની કોશિશ, પોલીસ પર હુમલાના 57 ગુના આચરતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે જેલમાં ધકેલી

રાજકોટ શહેરમાં આતંક ફેલાવી લોકોમાં ભયનો માહોલ ઉભો કરતી બાટલી ગેંગ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોકનો દાખલ કરવામાં આવ્યો છે. 14 સાગરીતોની ગેંગ સામે વર્ષ 2016 થી 2025 દરમ્યાન ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, ગેરકાયદેસર મંડળી રચી શરીર સંબધી ગુનાઓ આચરવા, ઘરફોડ ચોરી, પોલીસની ફરજ રૂકાવટ તથા ઇજા, ધમકીઓ આપવી તેમજ એન.ડી.પી.એસના વેચાણ સહિતના 57 ગુના નોંધાઈ ચૂક્યા છે. જેનો મુખ્ય લીડર સાવન ઉર્ફે લાલી સહિત 10 શખ્સો પોલીસના કબજામાં છે. જ્યારે 4 આરોપીઓ હજુ પકડવાના બાકી છે. આ બાબતે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના DCP જગદીશ બાંગરવાએ જણાવ્યુ હતુ કે, રાજકોટમાં ગુનાહિત પ્રવૃત્તિ અને ડામવા માટે પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચના છે ત્યારે ગેંગ વોરને ખતમ કરવા માટે ક્રાઈમ બ્રાંચ સજ્જ છે. આ દરમિયાન રાજકોટમાં બાટલી ગેંગના 14 શખ્સો સામે ગુજસીટોક દાખલ કરવામાં આવ્યો છે. આ ગેંગ રેલનગર અને રૂખડીયાપરામાં એક્ટિવ છે. ગેંગનો મુખ્ય લીડર સાવન ઉર્ફે લાલી વડોદરા જેલમાંઆ ગેંગનો મુખ્ય લીડર સાવન ઉર્ફે લાલી સંજયભાઈ વાઘેલા (રહે. વાલ્મીકીવાડી શેરી નં.3, જામનગર રોડ રાજકોટ શહેર) હાલ પાસા હેઠળ વડોદરા જેલ ખાતે છે. જેનો કબ્જો મેળવી ધરપકડ કરવામા આવશે. આ સિવાય 9 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. જ્યા 4 આરોપીઓ પકડવાના બાકી છે. આ શખ્સોને દબોચ્યાજ્યારે સરફરાજ ઉર્ફે ઇડો આરીફભાઇ કાદરી (રહે. રૂખડીયાપરા નળલંગપરા શેરી નં.4, સેન્ટ્રલ જેલની પાછળ), કમલેશ ઉર્ફે લાલુ કાળુભાઇ પરમાર (રહે. વાલ્મીકીવાડી શેરી નં.2, કીરીટીભાઇ વાઘેલાના મકાનમા ભાડેથી જામનગર રોડ), સમીર ઉર્ફે ધમો બસીરભાઇ ઇસ્માઇલભાઇ શેખ (રહે.સેન્ટ્રલ જેલની પાછળ રૂખડીયાપરા શેરી નં.5), ઇશોભા રીઝવાન દલ (રહે. હુડકો ક્વાર્ટર ક્વાર્ટર નં.71, જામનગર રોડ), મીરખાન રહીશભાઇ દલ (રહે. હુડકો ક્વાટર,શેરી નં.6,જામનગર રોડ), અસલમ ઉર્ફે સર્કીટ બસીરભાઇ ઇસ્માઇલભાઇ શેખ (રહે. સેન્ટ્રલ જેલની પાછળ, રૂખડીયાપરા શેરી નં.5), સુલેમાન નિઝામભાઇ દલ રહે. જંગલેશ્વર, હુશેની ચોક, શેરી નં.6), ઇરફાન ખમીશભાઇ ભાણુ (રહે. સેન્ટ્રલ જેલ પાછળ રૂખડીયાપરા શેરી નં.3) અને સાહીલ ઉર્ફે ભુરો મુકેશભાઈ પાટડીયા ઝાલા (રહે. સંજરી મસ્જીદની સામે, વાલ્મીકીવાડી વસંતબેનના મકાનમા)ને પોલીસે ઝડપી પાડ્યા છે. બીજી ટોળકીઓને ઝડપવા કાર્યવાહી ચાલુ: ડીસીપીક્રાઇમ બ્રાન્ચ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું કે આ સાથે જ રાજકોટમાં બીજી ટોળકીઓને પણ પકડવા માટે કાર્યવાહી ચાલુ છે અને તેમના વિરુધ્ધ પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં ગેંગ બનાવી આતંક ફેલાવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી હોય તેમ ટોળકી સામે ગુજસીટોક દાખલ કરી કડક કાર્યવાહી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 1:00 pm

સિટિબસનાં મુસાફરો માટે રાહત:રાજકોટમાં રૂ. 25 કરોડના ખર્ચે 100 ઇલેક્ટ્રિક બસની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક ચાર્જિંગ સ્ટેશન બનશે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી પ્રોજેક્ટ સાકાર થશે

રાજકોટ શહેરમાં પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત પરિવહન સેવાને વેગ આપવા માટે મહાપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં ઇલેક્ટ્રિક સિટિબસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શહેરના પ્રજાપતિ ચોક પાસે રૂ. 25 કરોડના અંદાજિત ખર્ચે નવું અને અત્યાધુનિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે ટેન્ડર જાહેર કરી દેવામાં આવ્યા છે. આ નવું સ્ટેશન તૈયાર થવાથી શહેરમાં ચાલતી ઇલેક્ટ્રિક બસોના સંચાલનમાં મોટી રાહત થશે. સાથે જ જાહેર પરિવહન સેવા વધુ ઝડપી બનશે. મનપા દ્વારા આ ચાર્જિંગ સ્ટેશન માટે પ્રજાપતિ ચોક પાસે 20092 સ્કવેર મીટરનો વિશાળ પ્લોટ ફાળવવામાં આવ્યો છે. આ સ્ટેશનની વિશેષતા એ હશે કે તેમાં એકસાથે 100 સિટિબસ ચાર્જ થઈ શકે તેવી ક્ષમતા વિકસાવવામાં આવશે. હાલમાં રાજકોટમાં અમૂલ સર્કલ પાસે એક ચાર્જિંગ સ્ટેશન અને અટલ સરોવર નજીક એક ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે. આ બંનેની મળીને કુલ ક્ષમતા 150 બસ ચાર્જ કરવાની છે. હાલ શહેરમાં 150 ઇલેક્ટ્રિક અને 100 સીએનજી બસો સેવામાં રાખવામાં આવી છે. પરંતુ ભવિષ્યમાં ઇલેક્ટ્રિક સિટિબસની સંખ્યા વધવાની છે. જેને ધ્યાનમાં રાખીને અત્યારથી જ નવા ચાર્જીગ સ્ટેશનના નિર્માણની તૈયારી શરૂ કરવામાં આવી છે. આ સ્ટેશન બન્યા બાદ 150 બસોને ચાર્જ કરવા માટે 250ની કેપેસિટીનાં 3 ચાર્જીગ સ્ટેશન થતા લાંબો સમય રાહ જોવી પડશે નહીં અને બસોનું સંચાલન વધુ ઝડપી બનશે. આ પ્રોજેક્ટના આર્થિક પાસાંની વાત કરીએ તો, આમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો મોટો ફાળો રહેલો છે. કુલ ખર્ચના 60% રકમ કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ પેટે આપવામાં આવશે, જ્યારે 20% રકમ રાજ્ય સરકાર અને બાકીની 20% રકમ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભોગવવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવશે અને ત્યાંથી 18 મહિનાના નિર્ધારિત સમયગાળામાં આ ચાર્જિંગ સ્ટેશન ઊભું કરી દેવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. આ સ્ટેશનમાં હાઈ-વોલ્ટેજ ચાર્જિંગ પોઈન્ટ્સ અને અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.નવા ચાર્જિંગ સ્ટેશનના નિર્માણથી માત્ર મનપાને જ નહીં, પરંતુ રાજકોટના હજારો નાગરિકોને પણ સીધો ફાયદો થશે. હાલમાં ચાર્જિંગની મર્યાદિત સુવિધાને કારણે ઘણીવાર રૂટ પર બસોની સંખ્યા મર્યાદિત રાખવી પડે છે અથવા ચાર્જિંગ માટે બસોને લાંબો સમય ડેપોમાં ઉભી રાખવી પડે છે. હવે ઝડપી ચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ થતાં સિટિબસના રૂટની સંખ્યામાં વધારો કરી શકાશે, જેનાથી મુસાફરોને બસની રાહ જોવામાંથી મુક્તિ મળશે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 12:19 pm

સુરેન્દ્રનગર જમીન કૌભાંડ: કલેક્ટરના PA, કારકુનની બદલી:અધિક કલેક્ટર, મામલતદાર પર પણ તપાસનો સંકજો કસાશે

સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં તપાસનો વ્યાપ વધ્યો છે. નાયબ મામલતદારની ધરપકડ બાદ તત્કાલીન કલેક્ટર ડો. રાજેન્દ્ર પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેમના રિમાન્ડ મંજૂર થયા છે. આ કૌભાંડમાં હવે વધુ અધિકારીઓ પર તપાસનો સંકજો કસાઈ રહ્યો છે. કૌભાંડમાં સંડોવાયેલા તત્કાલીન કલેક્ટરના PA જયરાજસિંહની મૂળી અને કારકુન મયુરસિંહ ગોહિલની ધ્રાંગધ્રા બદલી કરી દેવામાં આવી છે. રિમાન્ડ અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે બિનખેતી કરવાની રકમમાંથી અધિક જિલ્લા કલેક્ટર આર.કે.ઓઝાને 25% અને મામલતદારને 5% હિસ્સો અપાતો હતો. આ કારણે આ બંને અધિકારીઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 12:18 pm

ગાંધીનગરમાં ટાઇફોઇડ વિસ્ફોટ, CM હાઉસમાં હાઇલેવલ બેઠક:આરોગ્ય અગ્ર સચિવ, કલેક્ટર-કમિશનર, સિવિલ સુપિ. હાજર; સિવિલમાં 100થી વધુ બાળકો દાખલ, 3 દિવસમાં કેસમાં 50%નો ઉછાળો

પાટનગર ગાંધીનગરમાં ટાઇફોઇડ વિસ્ફોટને લઈને CM હાઉસમાં હાઇલેવલ બેઠક ચાલી રહી છે. આરોગ્ય અગ્ર સચિવ, કલેક્ટર, મ્યુનિ. કમિશનર, સિવિલ સુપ્રિટેન્ડન્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર છે. બેઠકમાં શહેરી વિસ્તારોમાં ટાઇફોઇડ કેસોને લઈને સમીક્ષા થઈ રહી છે. ગાંધીનગરમાં દૂષિત પાણીને કારણે ટાઇફોઇડના કેસોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેમાં 100થી વધુ બાળકો સહિત અનેક લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં ગટરનું પાણી ભળી જવાની ગંભીર બેદરકારી સામે આવતાં સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા વિસ્તારો રોગચાળાની લપેટમાં આવ્યા છે તપાસ દરમિયાન પાણી પીવાલાયક ન હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધતાં તાત્કાલિક નવો વોર્ડ શરૂ કરવાની ફરજ પડી છે, બીજી તરફ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર 'જનઆંદોલન'ની ચીમકી ઉચ્ચારી છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં આવા દૂષિત પાણી પીવાથી અત્યારસુધીમાં 16 લોકો મોતને ભેટ્યા છે. ગાંધીનગરમાં તંત્ર સમયસર પગલાં નહીં લે તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે. અમિત શાહે સ્થિતિની ગંભીરતાથી નોંધ લઈ કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરીગાંધીનગરમાં ટાઈફોઇડના વકરતા પ્રકોપને પગલે ગૃહમંત્રી અમિત શાહે સ્થિતિની ગંભીરતાથી નોંધ લઈ કલેક્ટર સાથે ટેલિફોનિક ચર્ચા કરી હતી. હાલમાં 104 જેટલા શંકાસ્પદ કેસો નોંધાયા હોવાથી તંત્ર દ્વારા 22 ડોક્ટરોની સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે અને ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. કલેક્ટર અને મેયર દ્વારા હોસ્પિટલોમાં રૂબરૂ નિરીક્ષણ કરી દર્દીઓની સારવાર તેમજ તેમનાં પરિવારજનો માટે રહેવા-જમવાની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમગાંધીનગર શહેરના જૂનાં સેક્ટરોમાં છેલ્લા કેટલાક સમયથી દૂષિત પાણીના વિતરણને કારણે જન આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે. સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડોના ખર્ચે નખાયેલી નવી પાઈપલાઈનોમાં વારંવાર પડતા ભંગાણને કારણે પીવાના પાણીમાં ગટરનું ગંદું પાણી ભળતું હોવાની ગંભીર ફરિયાદો ઊઠી છે. લીકેજ રિપેરિંગ અને સુપર ક્લોરિનેશનની કામગીરી પણ કરવામાં આવી છે. પાણીજન્ય રોગચાળો હોવાથી તંત્ર દ્વારા પાણીનાં જોડાણોમાં તપાસ કરતાં 10 નાનાં-મોટાં લીકેજ મળ્યાં હતાં, જેનું તાત્કાલિક રિપેરિંગ કરી દેવામાં આવ્યું હતું. હાલ સમગ્ર વિસ્તારમાં પાણીનું 'સુપર ક્લોરિનેશન' કરવામાં આવી રહ્યું છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા 40 ટીમ મેદાનમાં ઉતારવામાં આવીઆ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ફીમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થવર્કર અને આશાબહેનો સહિત 80થી વધુ સ્ટાફની 40 ટીમો મેદાનમાં ઉતારવામાં આવી છે. આરોગ્ય ટીમો દ્વારા અત્યારસુધીમાં 38,000થી વધુની વસતિને આવરી લેતાં 10,000 ઘરોમાં તપાસ કરવામાં આવી છે. દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાયોગાંધીનગર શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ જણાવ્યું હતું કે શહેરના જૂનાં સેક્ટરોમાં દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાયો છે. પરિણામે સ્થાનિક દવાખાનાં અને હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહ્યાં છે. સ્માર્ટ સિટી અંતર્ગત 24 કલાક પાણી આપવાની ગુલબાંગો વચ્ચે નાગરિકોને નળમાં ગંદું અને પીવા અયોગ્ય પાણી મળી રહ્યું છે, જે શાસકો અને વહીવટી તંત્રની નિષ્ફળતા છતી કરે છે. પાણી અને ગટરની લાઈનોમાં હલકી ગુણવત્તાવાળી વસ્તુનો ઉપયોગવસાહત મહાસંઘનો આક્ષેપ છે કે પાણી અને ગટરની લાઈનો નાખવાની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળી પાઈપલાઈનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોન્ટ્રેક્ટર એજન્સીઓની બેદરકારીને કારણે ટ્રાયલ રન દરમિયાન જ લાઈનો તૂટી રહી છે. આ અંગે મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગોને અનેકવાર લેખિત આવેદનપત્રો આપ્યા છે, પરંતુ તંત્ર તરફથી માત્ર ‘ગોળ-ગોળ’ જવાબો આપીને કોઈ કામગીરી કરવામાં નથી આવતી. કોઈ નક્કર કે અસરકારક કામગીરી જમીન સ્તર પર દેખાતી નથી. 'નાગરિકો રસ્તા પર ઊતરી ઉગ્ર જનઆંદોલન કરશે'મહાસંઘે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે શહેરના નિર્દોષ નાગરિકો તંત્રની આ અણગમતી નીતિનો ભોગ બની રહ્યા છે. જો સરકાર દ્વારા આ ગંભીર પ્રશ્નનો તાત્કાલિક નિકાલ લાવવામાં નહીં આવે અને દોષિત એજન્સીઓ સામે તપાસ કરી કડક પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર શહેર વસાહત મહાસંઘના નેજા હેઠળ તમામ નાગરિકો રસ્તા પર ઊતરી આવશે અને ઉગ્ર જનઆંદોલન છેડશે. 'છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકાનો વધારો'ગાંધીનગર સિવિલ તંત્ર અલગ જ ચિતાર દર્શાવી રહ્યું છે. સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડો. મીતાબેન પરીખે પરિસ્થિતિની ગંભીરતા જણાવતાં કહ્યું હતું કે હોસ્પિટલમાં અત્યારે 104 જેટલાં બાળકો સારવાર હેઠળ છે અને છેલ્લા ત્રણ દિવસમાં પોઝિટિવ કેસોના દરમાં 50 ટકા જેટલો જંગી વધારો થયો છે. સિવિલ હોસ્પિટલમાં 1થી 16 વર્ષની વયનાં બાળકો સૌથી વધુ ભોગ બની રહ્યાં છે. હાલમાં 104 બાળકો F2 અને E2 વોર્ડમાં સારવાર લઈ રહ્યાં છે. દર્દીઓનો ધસારો એટલો વધ્યો છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે 'વોર્ડ નંબર 604' નવો શરૂ કરવાની ફરજ પડી છે. બાળકોમાં હાઇ ગ્રેડ ફીવર, પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદઅગાઉ ડૉ. મીતાબેન સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બાળકો હાઈ ગ્રેડ ફીવર, પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ સાથે આવી રહ્યાં છે, જેમને હાલ આઈ.વી. ફ્લુઈડ્સ અને એન્ટીબાયોટિક્સ દ્વારા સ્થિર કરવામાં આવ્યાં છે. રેપિડ રિસ્પોન્સ ટીમ (RRT) દ્વારા સેક્ટર-24, 28 અને આદિવાડા જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારોમાંથી લેવામાં આવેલાં પાણીનાં સેમ્પલની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે વિતરણ કરવામાં આવતું પાણી પીવાલાયક નહોતું. આ અશુદ્ધ પાણીના કારણે જ વિડાલ ટેસ્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટમાં ટાઇફોઇડના બેક્ટેરિયા જોવા મળ્યા છે. નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા ખાસ તાકીદઆંકડાકીય માહિતી મુજબ ડિસેમ્બર મહિનામાં કુલ 685 વિડાલ ટેસ્ટમાંથી 130 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, પરંતુ છેલ્લા માત્ર ત્રણ દિવસમાં કરવામાં આવેલા ટેસ્ટના 50 ટકાથી વધુ રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. માત્ર બાળકો જ નહીં, પરંતુ પુખ્ત વયના લોકોમાં પણ રોગચાળો ફેલાયો છે. મેડિસિન વિભાગની ઓ.પી.ડી.માં 50 દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 15 ગંભીર દર્દીઓને વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. તંત્ર દ્વારા નાગરિકોને પાણી ઉકાળીને પીવા અને ખોરાકમાં સાવચેતી રાખવા ખાસ તાકીદ કરવામાં આવી છે. દૂષિત પાણીને લીધે 60 કરોડ લોકો જોખમમાં, GDPમાં 6 ટકા નુકસાનની આશંકાદેશમાં પીવાનું પાણી આશરે 70% દૂષિત છે. પાણીની ગુણવત્તાની દ્રષ્ટિએ ભારત 122 દેશોમાં 120મા ક્રમે છે. દેશમાં 60 કરોડ લોકો સૌથી વધુ અથવા ગંભીર જળસંકટનો સામનો કરી રહ્યા છે. દર વર્ષે આશરે 2 લાખ લોકો દૂષિત પાણીને કારણે મૃત્યુ પામે છે. આ આંકડા ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સસ્ટેનેબિલિટી દ્વારા પ્રકાશિત એક અહેવાલમાં નોંધાયેલા છે. 2030 સુધીમાં દેશમાં પાણીની માગ ઉપલબ્ધ પુરવઠા કરતા બમણી થવાનો અંદાજ છે, જે લાખો લોકો માટે નોંધપાત્ર કટોકટી ઊભી કરશે. તેનાથી દેશના જીડીપીના 6% સુધીનું નુકસાન થઈ શકે છે. 2005 અને 2022ની વચ્ચે ભારતમાં પાણીજન્ય રોગોના 20.98 કરોડથી વધુ કેસ નોંધાયા હતા. જેમાં ઝાડા, કોલેરા, ટાઇફોઇડ અને વાયરલ હેપેટાઇટિસ સામેલ છે. સૌથી વધુ કેસ ડાયરિયા (86%)ના રહ્યા છે, ત્યારબાદ ટાઇફોઇડનો ક્રમ આવે છે. પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયા છે. ઇન્દોરમાં દૂષિત પાણીથી અત્યાર સુધીમાં 14 લોકોના મોતસતત 8 વર્ષથી દેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરના ભગીરથપુરામાં દૂષિત પીવાના પાણીને કારણે 14 મૃત્યુ થયા છે. 1400 લોકો બીમાર પડ્યા છે અને 200થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટે શુક્રવારે આ કેસની સુનાવણી કરી હતી. કોર્ટે કહ્યું, જો લોકો પાણીના કારણે મરી રહ્યા છે, તો તે ખોટું છે. કોર્ટે ઇન્દોર મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારને તાત્કાલિક વધારાના પાણીના ટેન્કર મોકલવાનો આદેશ આપ્યો. વોટર પ્યુરીફાયર પર જીએસટી ઘટી શકે છેજીએસટી કાઉન્સિલ આગામી 15 દિવસોમાં બેઠક કરી ઘરેલું ઉપયોગના એર અને વોટર પ્યુરીફાયર પર જીએસટી ઘટાડવા પર વિચારણા કરી શકે છે. સૂત્રોના મતે, આ પરનો 18% જીએસટી ઘટાડીને 5% કરવાનો અને બિન-આવશ્યક વસ્તુઓને બદલે તેમને આવશ્યક વસ્તુઓ તરીકે વર્ગીકૃત કરવાનો પ્રસ્તાવ છે. અહેવાલ મુજબ, દૂષિત પાણીના રોગોને કારણે 2025માં વોટર પ્યૂરીફાયરના વેચાણમાં 32%નો વધારો થયો હતો. દેશમાં દર વર્ષે દૂષિત પીવાના પાણીને કારણે 2 લાખ લોકો મૃત્યુ પામે છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 12:16 pm

NH-48 પર વઘાસી પાસે છોટા હાથી ટેમ્પોમાં ભીષણ આગ:આણંદ-કરમસદ ફાયર ટીમે સમયસૂચકતા વાપરી, જાનહાનિ ટાળી

નેશનલ હાઇવે 48 પર વઘાસી નજીક ગઈકાલે રાત્રે એક છોટા હાથી ટેમ્પોમાં આગ લાગી હતી. કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગઈકાલે રાત્રે કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસના કંટ્રોલરૂમને આગનો કોલ મળ્યો હતો. માહિતી મુજબ, વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહેલો GJ 20 X 3335 નંબરનો છોટા હાથી ટેમ્પો વઘાસી નજીક પુરોહિત કાઠિયાવાડી હોટલ સામે આગની ઝપેટમાં આવી ગયો હતો. કોલ મળતા જ ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચના મુજબ, ફાયર ડ્રાઈવર, ફાયરમેન અને ટ્રેની સહિતની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર ટીમે પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લીધી અને તેને વધુ ફેલાતી અટકાવી. જોકે, આગની તીવ્રતાને કારણે છોટા હાથી ટેમ્પો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટનામાં ટેમ્પો માલિકને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 12:12 pm

વલસાડમાં ટ્રાન્સજેન્ડર સામે નોંધાયો ગુનો:પોલીસ સ્ટેશનમાં હોબાળો, જાહેરમાં બીભત્સ વર્તન અને આત્મહત્યાનો પ્રયાસ

વલસાડ જિલ્લામાં એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિ દ્વારા પોલીસ સ્ટેશન પરિસરમાં ગંભીર ગેરવર્તનનો બનાવ સામે આવ્યો છે. ઝોયા ઉર્ફે ઝુબેર મંજુરઅલી શેખ (ઉંમર 27, રહે. ધરમપુર) નામના આ વ્યક્તિ સામે જાહેરમાં બીભત્સ વર્તન, આત્મહત્યાનો પ્રયાસ અને પોલીસની ફરજમાં અડચણ ઊભી કરવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઝોયા શેખે વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કંપાઉન્ડમાં સૌરવ નાયકા સાથે ઝપાઝપી કરી હતી. આ ઉપરાંત, તેણે ગૌતમ નાયકાને જાહેરમાં અપશબ્દો કહી, કપાળ અને કાન પર લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સમયે આરોપી દારૂના નશામાં હોવાનું પોલીસે જણાવ્યું છે. વલસાડ રૂરલ તેમજ વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે મહિલા પોલીસ કર્મચારીઓ અને મહિલા અરજદારોની હાજરીમાં તેણે પોતાના શરીરે પહેરેલા કપડાં ઉતારી જાહેરમાં બીભત્સ વર્તન કર્યું હતું. તેણે પોલીસની કાયદેસરની ફરજમાં પણ અડચણ ઊભી કરી હતી. આરોપી પોલીસ સ્ટેશનમાંથી બહાર દોડી જઈ જાહેર રોડ પર અર્ધનગ્ન હાલતમાં સૂઈ ગયો હતો, જેના કારણે વાહનવ્યવહારને અવરોધ થયો હતો. વધુમાં, તેણે પોલીસ સ્ટેશનના લોકઅપમાં કપડાં વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસ સ્ટાફે સમયસર હસ્તક્ષેપ કરીને તેને બચાવી લીધો હતો. તપાસ દરમિયાન આરોપી પાસે દારૂ પીવાની કોઈ પાસપરમીટ ન હોવાનું પણ સામે આવ્યું છે. આ સમગ્ર ઘટનાને લઈને વલસાડ પોલીસે આરોપી સામે BNS–2023, પ્રોહિબિશન એક્ટ તેમજ ગુજરાત પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 12:10 pm

શિક્ષાપત્રી જયંતી મહોત્સવ: આમંત્રણ પત્રિકાનું સામૈયું:વસંતપંચમીએ 200 વર્ષીય ઉજવણી, હિંમતનગર મંદિરે તૈયારીઓ

આજે હિંમતનગરમાં શ્રી નરનારાયણ દેવ દેશ ગાદીતાંબાના શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે વસંતપંચમીએ યોજાનાર શિક્ષાપત્રી જયંતી મહોત્સવ નિમિત્તે આમંત્રણ પત્રિકાનું ભવ્ય સામૈયું કરવામાં આવ્યું હતું. આ પત્રિકા ભગવાનને અર્પણ કરાયા બાદ મહંત દ્વારા આશીર્વચન અને આરતી કરવામાં આવી હતી. આ અંગે હિંમતનગર સ્વામીનારાયણ મંદિરના મહંત સદગુણદાસજી સ્વામીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન સ્વામીનારાયણે સ્વહસ્તે લખેલી 212 શ્લોકની શિક્ષાપત્રીનો આગામી વસંતપંચમીના દિવસે 200મો વર્ષીય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. કાલુપુર અમદાવાદ સ્થિત શ્રી નરનારાયણ દેવના દરબારથી આવેલી આ આમંત્રણ પત્રિકા હિંમતનગર વાસીઓ માટે મોકલવામાં આવી હતી. શરણાઈના સૂર અને વાજતે ગાજતે સંતો, મહંતો, હરિભક્તો, પાર્ષદો અને નાના બાળકોએ ઉત્સાહભેર સામૈયામાં જોડાઈને તેનું સ્વાગત કર્યું હતું. કાલુપુર મંદિર તરફથી આજે 60મા મંદિરે આ આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી. સામૈયા ઉત્સવ પ્રસંગે ઉપસ્થિત સૌ હરિભક્તોને મહંતોએ પધારવા આમંત્રણ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. ત્યારબાદ હરિભક્તો અને યજમાનોએ ભગવાન સ્વામીનારાયણની આરતી ઉતારી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 12:08 pm

શરૂઆતમાં રોકાણ પર મોટી નફો આપી વિશ્વાસ જીત્યો:શેરબજારમાં રોકાણના બહાને ફાર્મા કંપનીના નિવૃત્ત મહિલા સાથે 86 લાખની છેતરપિંડી

મદાવાદમાં સાયબર ઠગોએ નિવૃત લોકોને ટાર્ગેટ કરવાનું શરૂ કર્યું છે ત્યારે શેરબજારમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર મેળવવાની લાલચ આપીને સેટેલાઈટ વિસ્તારના એક નિવૃત્ત મહિલા પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાની ઘટના સામે આવી છે.આરોપીઓએ મહિલાનો વિશ્વાસ જીતવા માટે શરૂઆતમાં નફાની રકમ પરત આપી હતી. ત્યારબાદ મોટી રકમનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હતી.આ મામલે અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વિક્રમ કપૂર નામના વ્યક્તિની પ્રોફાઈલ પરથી રોકાણની જાહેરાત જોઈઅમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય પારૂલબેન ગોપાણી એક જાણીતી ફાર્મા કંપનીમાં ક્વોલીટી હેડ તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયા છે અને હાલ નિવૃત્ત જીવન ગુજારે છે.પારૂલબેને ફેસબુક પર વિક્રમ કપૂર નામના વ્યક્તિની પ્રોફાઈલ પરથી રોકાણની જાહેરાત જોઈ પારૂલબેને તેના પર ક્લિક કર્યું હતું, જેનાથી તેઓ એક વ્હોટ્સએપ ગ્રુપમાં જોડાયા હતા.વિક્રમે પોતાની ઓળખ એનાલિસ્ટ તરીકે આપી તેમને 'VIP26996MIB | Study Board. Alpha Desk' નામના ગ્રુપમાં ઉમેર્યા હતા. ત્યારબાદ ઈશિતા પાંડે નામની યુવતીએ કસ્ટમર સપોર્ટ તરીકે વાત કરી પારૂલબેન પાસે 'MIBAFSS' નામની એક નકલી એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી અને તેમાં પાનકાર્ડ સહિતની વિગતો ભરાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 5000નું રોકાણ કરાવી 37000 વિડ્રો કરાવ્યાઠગોએ શરૂઆતમાં પારૂલબેને માત્ર 5000 રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે એપ્લીકેશનમાં જમા થયેલું દેખાતું હતું. આ રકમ પર નફો થયો હોવાનું જણાવી આરોપીઓએ પારૂલબેનને 37,000 વિડ્રો કરવા દીધા હતા.પોતાના બેંક ખાતામાં પૈસા જમા થતા પારૂલબેનને આ પ્લેટફોર્મ પર સંપૂર્ણ વિશ્વાસ બેસી ગયો હતો.જેના કારણે તેમણે અને તેમના પતિ મોટી રકમ રોકવાનું શરૂ કર્યું હતું. 5 નવેમ્બર થી 30 ડિસેમ્બરના ગાળામાં પારૂલબેને ટુકડે-ટુકડે કુલ 86,71,645 જુદા-જુદા બેંક ખાતાઓમાં જમા કરાવ્યા હતા.આ તમામ રકમ નકલી એપ્લીકેશનમાં નફા સાથે ખૂબ જ મોટી દેખાતી હતી. જોકે, જ્યારે પારૂલબેને પોતાની મૂળ રકમ અને નફો પરત મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપીઓએ કમિશન અને ટેક્સના નામે વધુ પૈસાની માંગણી કરી હતી.વારંવાર નાણાં માંગવામાં આવતા પારૂલબેનને છેતરપિંડીનો અહેસાસ થયો હતો.જેથી તેમને સાયબર ક્રાઈમ પોલીસમાં વિક્રમ કપૂર અને ઈશિતા પાંડે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 12:03 pm

રાજ્ય સભા સાંસદની અનોખી પહેલ:મહેસાણામાં પ્લાસ્ટિક મુક્ત ભારત અને નારી સશક્તિકરણનો અનોખો સંગમ, જૂના કપડાં આપી મેળવો નવી થેલી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં તેમના વતન મહેસાણામાં એક પ્રેરણાદાયી પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યસભાના સાંસદ મયંક નાયક દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ પર્યાવરણ સુરક્ષા અને સામાજિક સેવાનો સુંદર સમન્વય રજૂ કરે છે. આ વિશિષ્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના નાગરિકો પોતાના ઘરના જૂના કે ફાટેલા કપડાં જમા કરાવીને તેના બદલામાં કાપડની નવી મજબૂત થેલી મેળવી શકે છે. આ અભિયાન માત્ર પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા પૂરતું મર્યાદિત નથી પરંતુ તેની પાછળ રોજગારીનો ઉમદા હેતુ પણ છુપાયેલો છે.નાગરિકો પાસેથી મેળવેલા કપડાંમાંથી થેલીઓ બનાવવાનું કાર્ય વિધવા મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. આ પ્રવૃત્તિને કારણે આ મહિલાઓને સન્માનજનક રોજગારી મળી રહી છે અને તેઓ આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહી છે.મહેસાણા સ્થિત સાંસદ મયંકભાઈ નાયકના 'સેવાલય' કાર્યાલય ખાતે આ પ્રવૃત્તિ હાલ જોરશોરથી ચાલી રહી છે. સ્થાનિક નાગરિકો જ્યારે નકામા કપડાં લઈને સેવાલય પહોંચે છે, ત્યારે તેમને તૈયાર કરેલી કાપડની થેલી આપવામાં આવે છે. આ વ્યવસ્થાથી બજારમાં પ્લાસ્ટિકની થેલીઓનો વપરાશ ઘટશે અને લોકોમાં કાપડની થેલી વાપરવાની જાગૃતિ આવશે. સાંસદના આ અનોખા પ્રયોગને મહેસાણાના લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પર્યાવરણ જાળવણીની સાથે જરૂરિયાતમંદ મહિલાઓને પગભર બનાવતી આ પહેલ અન્ય શહેરો અને જિલ્લાઓ માટે પણ એક ઉદાહરણ પૂરું પાડી રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:55 am

રાજ્યભરમાં જ્વેલરી શોરૂમ્સ પર તોલમાપ તંત્રની તપાસ!:370 સોના-ચાંદીની દુકાનોમાં અચાનક તપાસ, 253 કેસ નોંધાયા; સ્થળ પર જ 6.79 લાખ વસૂલાયા

ગ્રાહકોના હિતોની રક્ષા અને વેપારમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારે તોલમાપ તંત્ર મારફતે સખત કાર્યવાહી હાથ ધરી છે. કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત તપાસ અને ગ્રાહક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે તા. 2 અને 3 જાન્યુઆરી-2026ના રોજ રાજ્યના 25 જિલ્લાઓમાં 370 જેટલા સોના-ચાંદીના વેપારીઓ અને જ્વેલરી શોરૂમ્સ પર સામૂહિક આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી. 6.79 લાખ જેટલી માંડવાળ ફી સ્થળ પર જ વસૂલીઆ તપાસ દરમિયાન વિવિધ ગેરરીતિઓ સામે આવતા તોલમાપ તંત્ર દ્વારા 253 કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પરિણામે રૂ. 6.79 લાખ જેટલી માંડવાળ ફી સ્થળ પર જ E-POS, UPI, ઈ-પેમેન્ટ અને ચેક મારફતે વસૂલ કરવામાં આવી હોવાનું કાનૂની માપવિજ્ઞાન તંત્ર, ગાંધીનગર દ્વારા જણાવાયું છે. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસતપાસમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 61 એકમોની તપાસ સામે 22 કેસ નોંધાયા હતા. જ્યારે ભરૂચ-નર્મદા જિલ્લામાં 27 એકમોમાંથી 25 કેસ, જૂનાગઢ-ગીરસોમનાથમાં 21 એકમોમાંથી 20 કેસ, ભાવનગર-બોટાદમાં 20 એકમોમાંથી 17 કેસ અને સુરતમાં 20 એકમોમાંથી 14 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, પાટણ, તાપી, વલસાડ, નવસારી, રાજકોટ, મોરબી સહિત અનેક જિલ્લાઓમાં પણ કાર્યવાહી કરવામાં આવી. આ તપાસ દરમિયાન જ્વેલરી દુકાનોમાં વપરાતા વજનકાંટા અને માપોમાં ચકાસણી-મુદ્રાંકન વગરના વજનનો ઉપયોગ, ઓછું વજન આપવું, ખરાઈ પ્રમાણપત્ર પ્રદર્શિત ન કરવું અને ચકાસણી વગરના વજનો રાખવા જેવી ગંભીર ગેરરીતિઓ બહાર આવી હતી. કાનૂની માપવિજ્ઞાન તંત્રના જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન વિવિધ વિશેષ ઝુંબેશોમાં દિવાળી દરમિયાન મીઠાઈ અને ફરસાણની દુકાનો, પેટ્રોલ-ડીઝલ પંપ, ખાતર-બિયારણના વિક્રેતાઓ, ગોડાઉન અને હાઈવે હોટલોમાં તપાસ કરી ગેરરીતિ બદલ કુલ રૂ. 18.77 લાખથી વધુની માંડવાળ ફી વસૂલવામાં આવી છે. રાજ્ય સરકારની આ સક્રિય કામગીરીથી ગ્રાહકોને યોગ્ય માપ-તોલ સાથે વિશ્વાસપૂર્ણ વેપાર સુનિશ્ચિત થતો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:49 am

દંડા-ધોકા વડે જાહેરમાં ધીંગાણું, VIDEO:ભરવાડ સમાજના અંદરોઅંદરના વિવાદમાં જાહેર માર્ગ યુદ્ધનું મેદાન બન્યું; વડોદરા પોલીસની 6 સામે કાર્યવાહી

વડોદરા શહેરના સોમાતળાવ બ્રિજ પાસે તરસાલી તરફ જતા રોડ પર જાહેરમાં ધીંગાણું મચાવનાર શખસોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વીડિયો સામે આવતા મકારપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ફરિયાદી બની બન્ને પક્ષના છ શખસ સામે જાહેરમાં દંડા, ધોકા ઉડાવીને ભય ફેલાવવા બદલ ગુનો દાખલ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે, ભરવાડ સમાજના અંદરોઅંદરના વિવાદમાં જાહેર માર્ગ પર આ ધીંગાણું થયું હતું. સંબંધીઓએ એકબીજા પર લાકડીઓ વરસાવીપોલીસે નોંધેલી ફરિયાદ મુજબ, વીડિયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રસ્તા પર એકબીજા સાથે તકરાર કરતા, બુમરાણ કરતા અને હાથ તથા લાકડીઓ વડે મારામારી કરતા જોવા મળે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઝઘડો ભરવાડ સમાજના સંબંધીઓ વચ્ચે અંદરોઅંદરના વિવાદને કારણે થયો હતો. અંદરોઅંદર થયેલ ઝઘડામાં જાહેર માર્ગ પર જાણે યુદ્ધનું મેદાન હોય તેમ લાકડીઓ વડે એકબીજા પર પ્રહાર કરતા જોવા મળ્યાં હતાં. પોલીસે બન્ને પક્ષો સામે કાર્યવાહી શરૂ કરીપોલીસે કરેલી આ કાર્યવાહીમાં એક પક્ષમાં લાલા ભોપાભાઈ ભરવાડ હતાં, જ્યારે બીજા પક્ષમાં (1) કવા વાહાભાઈ ભરવાડ (2) ભાથુ વાહાભાઈ ભરવાડ (3) દેહુર વાહાભાઈ ભરવાડ (4) રાકેશ કાળુભાઈ ભરવાડ અને (5) ભરત કાળુભાઈ ભરવાડ સામેલ છે. તમામ આરોપીઓ વડોદરાના દંતેશ્વર વિસ્તારમાં સંતોષવાડીના ભરવાડ વાસમાં રહે છે. આ તમામ સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. લાલા ભરવાડને માથા-છાતીના ભાગે ઈજાઆ ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં લાલા ભરવાડ (ઉં.વ.30)ને માથામાં ચીરા, છાતી પર ઈજાઓ તથા ડાબા હાથ પર મારના નિશાન જોવા મળ્યા છે. આ ઈજાઓ ગુરુનાનક સ્કૂલ સામેની બાજુમાં થયેલા હુમલાને કારણે થઈ હોવાનું સામે આવ્યું છે. પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યોઆ ઘટનામાં આરોપીઓએ જાહેરમાં અનધિકૃત મંડળી રચી, લાકડી જેવા હથિયારોનો ઉપયોગ કરીને ઝઘડો કર્યો અને જાહેર શાંતિ ભંગ કર્યો હોવાથી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:47 am

મહિલા આપઘાત કરવા સાતમા માળે બાંધકામના વાંસ પર પડી ગઈ:સુરત સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડીંગમાં બાળકને જન્મ બાદ પેટીમાં રખાયું, માતા આઘાતમાં આપઘાત કરવા પહોંચી, ફાયર વિભાગે માંડ માંડ રેસ્ક્યુ કર્યું

સુરત સિવિલ હોસ્પિટલના કોવિડ બિલ્ડિંગમાં બનેલી આ હૃદયદ્રાવક અને શ્વાસ અધ્ધર કરી દે તેવી ઘટનાના બની છે. એક મહિલા સાતમા માળે લિફ્ટના કામ માટે બાંધવામાં આવેલા વાંસ પર ચઢી જઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઈ હતી. જોકે, મજુરા ફાયર સ્ટેશનની ટીમે ભારે જહેમત બાદ મહિલાને સહીસલામત રેસ્ક્યુ કરી નવું જીવન આપ્યું હતું. બાળક પેટીમાં હોવાથી માતા આઘાતમાં મળતી માહિતી મુજબ, આ મહિલાએ તાજેતરમાં જ સિવિલ હોસ્પિટલમાં કોવિડ બિલ્ડિંગમાં બાળકને જન્મ આપ્યો હતો. જન્મ બાદ બાળકની તબિયત નાજુક હોવાથી તેને કાચની પેટીમાં રાખવામાં આવ્યું હતું. પોતાના વહાલસોયા બાળકને આવી હાલતમાં જોઈ માતા ઊંડા આઘાતમાં સરી પડી હતી અને માનસિક સંતુલન ગુમાવતા તેણે અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યું હતું. સાતમા માળે વાંસ પર જીવસટોસટનો ખેલ કોવિડ બિલ્ડિંગમાં હાલ લિફ્ટનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હોવાથી બહારની તરફ સાતમા માળ સુધી વાંસનું સ્ટ્રક્ચર બાંધવામાં આવ્યું છે. મહિલા આ વાંસ પર ચઢી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ હોસ્પિટલ સ્ટાફ અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા મજુરા ફાયર સ્ટેશનના ઓફિસર અભિષેક ગઢવી તેમની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ફાયર ઓફિસરોએ મહિલાને નીચે ઉતરવા ઘણી સમજાવી, પરંતુ તે કશું સાંભળવા તૈયાર નહોતી. ફાયરના જવાનો જ્યારે તેની નજીક પહોંચવાનો પ્રયાસ કરતા, ત્યારે મહિલા વાંસ પર આમતેમ ભાગવા લાગતી હતી, જેના કારણે નીચે પડવાનું જોખમ વધી ગયું હતું. અંતે ફાયરના જવાનોએ વ્યુહરચના બનાવી મહિલાને ચારે બાજુથી વાંસ પર ઘેરી લીધી હતી. જવાનોએ અત્યંત સાવધાનીપૂર્વક મહિલાને પકડી પાડી હતી અને તેને વાંસના સહારે નીચે ઉતારી પહેલા માળ સુધી લાવ્યા હતા, જ્યાંથી તેને સહીસલામત બહાર કાઢવામાં આવી હતી. પરિવારમાં રાહતની લાગણી સફળ રેસ્ક્યુ બાદ ફાયર વિભાગે મહિલાને સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી સ્ટાફ અને ત્યારબાદ તેના પરિવારને સોંપી હતી. મહિલા સુરક્ષિત હોવાનું જાણી તેના પરિવારે અને હોસ્પિટલના સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. ફાયર વિભાગની આ ત્વરિત અને બહાદુરીભરી કામગીરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:38 am

વિરાટ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ યોજાયો:બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર, શાહીબાગ અમદાવાદ દ્વારા 50 લાખથી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી

ભારતીય સનાતન સંસ્કૃતિમાં યજ્ઞનો આગવો મહિમા છે. યજ્ઞ એ ભારતીય-વૈદિક સંસ્કૃતિનું જીવંત સ્મારક છે. સનાતન શાસ્ત્રોમાં પણ યજ્ઞનો અપાર મહિમા કહ્યો છે ત્યારે આજથી 215 વર્ષ પૂર્વે પોષીપૂર્ણિમાના પવિત્ર અને ઐતિહાસિક દિને ડભાણમાં વિશ્વશાંતિ મહાવિષ્ણુયાગ કરીને ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી હતી. તે પ્રસંગની અપૂર્વ સ્મૃતિરૂપે ૩ જાન્યુઆરી, શનિવારના રોજ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિમાં વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગ નું આયોજન બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર - શાહીબાગ સામે, યોગીજી મહારાજ હોસ્પિટલ ગ્રાઉન્ડમાં પ્રમુખ વાટિકા ખાતે કરવામાં આવ્યું હતું. સાંજે 4 થી રાત્રિના 8 વાગ્યા સુધીમાં ચાલેલા આ મહાયજ્ઞમાં જુદા જુદા વિસ્તારના હજારો હરિભક્તોએ યજ્ઞમાં ભાગ લીધો હતો. આ વિશ્વશાંતિ સત્સંગદીક્ષા મહાયાગમાં જુદા જુદા મંડપમ બનાવવામાં આવ્યા હતા, જેવા કે ગુણાતીતાનંદ મંડપમ, ભગતજી મહારાજ મંડપમ, શાસ્ત્રીજી મહારાજ મંડપમ, યોગીજી મહારાજ મંડપમ, પ્રમુખસ્વામી મહારાજ મંડપમ તેમજ મહંત સ્વામી મહારાજ મંડપમનો સમાવેશ થયો હતો. આ તમામ મંડપોમાં કુલ મળીને 400 જેટલા યજ્ઞકુંડમાં આશરે 12000 થી વધુ વ્યક્તિઓએ યજ્ઞકુંડમાં આહુતિ આપવાનો અવસર પ્રાપ્ત કર્યો હતો; જેમાં આશરે ૫ લાખથી વધુ હોમાત્મક દ્રવ્યોથી અર્ઘ્ય તેમજ 50 લાખથી વધુ મંત્રોની આહુતિ આપવામાં આવી હતી. જેમાં હજારો યજમાન હરિભક્તો - ભાવિકો આ યજ્ઞવિધિમાં જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:32 am

કલોલમાં પાડોશીઓ વચ્ચે લોહિયાળ જંગ:ઘરે બકરી જવાં અને કોગળા કરવાની બાબતે સામસામે તલવાર, દાતરડા, ધોકા ઉછળ્યા; બેને ફેક્ચર, એકને માથામાં ટાંકા

કલોલ શહેરના ઉસ્તાદપુરા વિસ્તારમાં ગઈકાલે શનિવારે નજીવી બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે ઘાતક જૂથ અથડામણ સર્જાઈ હતી. બકરી પાડોશીના ઘર પાસે જવા અને કોગળા કરવા જેવી સામાન્ય બાબતોમાં શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો. બંને પક્ષોએ ધારિયા, દાતરડા, તીર અને ધોકા વડે એકબીજા પર હુમલો કર્યો હતો. આ હિંસક અથડામણમાં ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થઈ છે. આ અંગે કલોલ શહેર પોલીસે બંને પક્ષે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બકરી ઘરે જતાં પાડોશીએ ગાળાગાળી બાદ હુમલો કર્યોકલોલ શહેરના ઉસ્તાદપુરામાં રહેતા રિક્ષાચાલક અનવરખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, સવારે તેઓ પત્ની સાથે આંગણામાં તાપણી કરતા હતા, ત્યારે તેમની બકરી સામે રહેતા સમીમબાનુ લુહારના ઘર પાસે ગઈ હતી. આ બાબતે સમીમબાનુએ ગાળાગાળી શરૂ કરી હતી. જોતજોતામાં તેમનો પુત્ર સરફરાજ ધોકો, સમીર દાતરડું અને હસન તીર લઈને ધસી આવ્યા હતા. આ હુમલામાં અનવરખાનને જમણા હાથે ધોકો વાગતા ફેક્ચર થયું હતું, જ્યારે હસને છોડેલું તીર ઘરની દીવાલ પર વાગ્યું હતું. વચમાં છોડાવવા પડેલા તેમના પત્નીને પણ ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો. સામાપક્ષે કોગળા કરવા બાબતે હુમલો થયાની ફરિયાદ નોંધાવીસામા પક્ષે સરફરાજ લુહારે વળતી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, તેમની દિવ્યાંગ બહેન સલમાબેન ઘરની બહાર કોગળા કરી રહી હતી, ત્યારે સામે રહેતા સાહિલે ‘તું મને જોઈને કોગળા કેમ કરે છે?’ તેમ કહી ઝઘડો કર્યો હતો. સાહિલે ઘરમાંથી દાતરડું લાવી સરફરાજના કપાળ પર મારી દેતા ગંભીર ઈજા થઈ હતી. ત્યારબાદ સાહિલના પક્ષે યાકુબભાઈ પઠાણ, મોઈન અને અનવરખાને ભેગા મળી લાકડાના ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં સરફરાજની બહેન હુસેનાબાનુને પગના નળાના ભાગે ધોકો વાગતા ગંભીર ફેક્ચર થયું છે. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ લઈ તપાસ શરૂ કરીઆ અથડામણ બાદ બંને પક્ષોને કલોલની શ્રદ્ધા હોસ્પિટલ અને ગાંધીનગર સિવિલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં અનવરખાન પઠાણ અને હુસેનાબાનુ લુહારને ફેક્ચર હોવાનું નીદાન થયું છે. આ મામલે કલોલ શહેર પોલીસે બંને પક્ષે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:25 am

ગોધરામાં શ્વાનનો આતંક, વર્ષે 4444 ડોગ બાઈટ કેસ:ખસીકરણ ટેન્ડરમાં એજન્સીઓ ભાગ લેવા તૈયાર નથી

ગોધરા શહેરમાં રખડતા શ્વાનોનો આતંક વધી રહ્યો છે, જેના કારણે નિર્દોષ બાળકો અને રાહદારીઓ પર જીવલેણ હુમલાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે. છેલ્લા ચાર વર્ષથી નગરપાલિકા દ્વારા શ્વાનના ખસીકરણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ કોઈ એજન્સી ભાવ ભરવા તૈયાર નથી. પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં શ્વાનોની સંખ્યા એટલી હદે વધી ગઈ છે કે લોકો દિવસે પણ એકલા નીકળતા ડરી રહ્યા છે. સરકારી સિવિલ હોસ્પિટલ, ગોધરામાં વર્ષ દરમિયાન 4,444 ડોગ બાઈટના કેસ નોંધાયા છે, જે દર્શાવે છે કે દરરોજ સરેરાશ 12થી વધુ લોકોને શ્વાન કરડી રહ્યા છે. આ આંકડા અત્યંત ચિંતાજનક છે. રખડતા શ્વાનના હુમલાનો સૌથી વધુ ભોગ માસૂમ બાળકો અને વૃદ્ધો બની રહ્યા છે. આ પરિસ્થિતિ શહેરીજનો માટે ગંભીર જોખમ ઊભું કરી રહી છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે ખસીકરણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવે છે, પરંતુ એજન્સીઓ તેમાં રસ દાખવતી નથી. ટેન્ડરની શરતો અઘરી છે કે પછી એજન્સીઓને અપાતા ભાવ ઓછા છે, તે એક મોટો પ્રશ્ન છે. આ પ્રક્રિયામાં વિલંબ થવાથી સામાન્ય નાગરિકોનો જીવ જોખમમાં મુકાયો છે. ડોગ બાઈટના કેસોનો આંકડો 10,000 ને પાર કરી શકે છેજો આગામી સમયમાં તાત્કાલિક ધોરણે ખસીકરણની કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો ડોગ બાઈટના કેસોનો આંકડો 10,000 ને પાર કરી શકે છે. ગોધરા નગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયામાં ફેરફાર કરીને અથવા રાજ્ય સરકારની સીધી મદદ લઈને આ આતંકમાંથી જનતાને મુક્તિ અપાવવી પડશે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:20 am

36 નવજાત દીકરીઓને વધામણાં કીટ વિતરણ:ભાવનગરની સર. ટી. હોસ્પિટલ ખાતે ધારાસભ્ય સેજલબેન પંડ્યાના અધ્યક્ષ સ્થાને ‘બેટી બચાવો બેટી પઢાવો’ કાર્યક્રમ યોજાયો

‘બેટી બચાવો બેટી પઢાવો’ અભિયાન અંતર્ગત શનિવારે ભાવનગર જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સર તખ્તસિંહજી (સર.ટી.) હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના ગાયનેક વિભાગમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યાના હસ્તે 36 નવજાત દીકરીઓને ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના અંતર્ગત દીકરી વધામણાં કીટ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે દીકરી સમાજની શાન છે અને તેના જન્મથી લઈને શિક્ષણ તથા સશક્તિકરણ માટે સરકાર દ્વારા અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે સગર્ભા માતાઓ અને તેમના પરિવારજનોને ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘વ્હાલી દીકરી યોજના’, ‘સુકન્યા સમૃદ્ધિ યોજના’ સહિત વિવિધ સરકારશ્રીની યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન સગર્ભા બહેનોને વિવિધ મહિલા અને બાળ કલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. તેમજ દીકરીઓના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રતિબદ્ધ હોવાનું પણ જણાવી તેમણે સમાજને દીકરીઓ પ્રત્યે સકારાત્મક અભિગમ અપનાવવા અપીલ કરી હતી.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:17 am

મોરબીના રાજપર નજીક 5 થી 6 કાર પર પથ્થરમારો:અજાણ્યા શખ્સો ફરાર, પોલીસ પેટ્રોલિંગની લોકોની માંગ

મોરબીના રાજપરથી ચાચાપર ગામ તરફ જતા માર્ગ પર રાત્રિના સમયે પસાર થતી 5 થી 6 કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં વાહનોને નાનું-મોટું નુકસાન થયું હતું. મોરબી તાલુકા પોલીસને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ગઈકાલે રાત્રે 10 થી 11 વાગ્યાના અરસામાં રાજપરથી ચાચાપર ગામ તરફ જતા રસ્તા પર આવેલી રાધે રેસીડેન્સીના વંડા પાસેથી પસાર થતી કારોને નિશાન બનાવવામાં આવી હતી. ખેતર જેવા વિસ્તારમાંથી અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેના કારણે 5 થી 6 કારને નુકસાન થયું હતું. ઘટનાની જાણ ગ્રામજનોને થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. ગામના સરપંચ દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ગ્રામજનો સાથે આસપાસના વિસ્તારમાં તપાસ કરી હતી, પરંતુ પથ્થરમારો કરનારા કોઈ મળી આવ્યા ન હતા. પથ્થરમારા પાછળનો હેતુ અને આરોપીઓ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી. સામાન્ય રીતે શિયાળામાં ઠંડી વધતા રાત્રિના સમયે સુમસાન રસ્તાઓ પર ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ બનતી હોય છે. આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય અને રાત્રિ દરમિયાન એકલદોકલ પસાર થતા લોકો સાથે લૂંટફાટ ન બને તે માટે લોકો દ્વારા તાલુકા પોલીસને સમગ્ર વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવાની માંગ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:05 am

હિંમતનગરમાં રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-3 ની પરીક્ષા:11 કેન્દ્રો પર 2574 ઉમેદવારો પ્રિલિમનરી પરીક્ષા આપશે

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા રાજ્યવેરા નિરીક્ષક વર્ગ-3 ની પ્રિલિમનરી પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા 11 કેન્દ્રો પર 108 બ્લોકમાં કુલ 2574 ઉમેદવારો આપશે. પરીક્ષા સવારે 11 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ચાલશે. ઉમેદવારોને સવારે 9 વાગ્યાથી કેન્દ્રો પર તપાસ કરીને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું. હિંમતનગરના ટાવર ચોક સ્થિત હિંમત હાઈસ્કૂલ જેવા કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષા લેવામાં આવી રહી છે. પરીક્ષા આપવા માટે ઉમેદવારો વહેલી સવારથી જ સેન્ટરો પર પહોંચી ગયા હતા. પોલીસ દ્વારા જરૂરી તપાસ બાદ તેમને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 11:03 am

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો વહેલી સવારે શંખનાદ:હાડ થીજાવતી ઠંડીમાં રાજ્યભરના 1,115 જેટલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને સર કરવા દોટ લગાવી

ગરવા ગઢ ગિરનાર પર આજે વહેલી સવારે સાહસ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો આજે (4 જાન્યુઆરી) વહેલી સવારે શંખનાદ થયો છે. હાડ થીજાવતી ઠંડીની પરવા કર્યા વગર રાજ્યભરમાંથી આવેલા 1115 જેટલા સ્પર્ધકો અત્યારે ગિરનારના કઠિન પગથિયાં સર કરી રહ્યા છે. મંત્રીએ લીલી ઝંડી બતાવી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો આજે વહેલી સવારે 6:45 કલાકે ભવનાથ તળેટીના સાંસ્કૃતિક મંચ પરથી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ડો. પ્રદ્યુમન વાજાએ ફ્લેગ ઓફ આપી ખેલાડીઓને પ્રસ્થાન કરાવ્યું હતું. મંત્રીએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 'ફિટ ઈન્ડિયા' અને 'ખેલે ગુજરાત'ના સંદેશને સાકાર કરતી આ સ્પર્ધા આજે ગિરનારની ગોદમાં યોજાઈ રહી છે. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના આ આયોજનને વહીવટી તંત્ર દ્વારા શ્રેષ્ઠ રીતે સંચાલિત કરવામાં આવ્યું છે. ​RFID અને સીસીટીવીથી ડિજિટલ મોનિટરિંગઆ વર્ષની સ્પર્ધામાં ખાસ આકર્ષણ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ છે. મંત્રીએ ઉમેર્યું હતું કે, સ્પર્ધામાં પારદર્શિતા લાવવા માટે RFID (રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન), સીસીટીવી કેમેરા અને વાઈફાઈના માધ્યમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વેબકાસ્ટ દ્વારા સ્પર્ધાનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે, જેથી ટેકનોલોજીના ઉપયોગથી સ્પર્ધકોના ચોક્કસ નંબર અને સમય જાહેર કરી શકાય. ​1115 સ્પર્ધકો વચ્ચે ખરાખરીનો જંગ જિલ્લા યુવા વિકાસ અધિકારી એન. ડી.વાળાના જણાવ્યા મુજબ આ વર્ષે ગુજરાતના 30 જિલ્લાઓમાંથી 1115 સ્પર્ધકો મેદાનમાં છે. જેમાં 14 થી 35 વર્ષ સુધીના યુવાનોએ ચાર અલગ-અલગ કેટેગરીમાં ભાગ લીધો છે. ​ભાઈઓ 5500 અને બહેનો 2200 પગથિયાં ખૂંદશે આકરી ઠંડી વચ્ચે ભાઈઓ માટે અંબાજી મંદિર સુધીના 5,500 પગથિયાં ચઢવાના અને ઉતરવાના છે, જ્યારે બહેનો માટે માળીની પરબ સુધીના આશરે 2,200 પગથિયાંનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. સ્પર્ધા દરમિયાન ખેલાડીઓની સુરક્ષા માટે કલેક્ટરના માર્ગદર્શન હેઠળ રૂટ પર મેડિકલ ટીમ અને પેરામેડિકલ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. સ્પર્ધકો માટે પીવાનું પાણી અને એનર્જી ડ્રિંક્સની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. પોલીસ જવાનો અને વોલેન્ટિયર્સ ભવનાથ તળેટીથી લઈને અંબાજી સુધી ખડેપગે ફરજ બજાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે 39મી સ્પર્ધામાં 1,200થી વધુ સ્પર્ધકોએ કઠિન પરિસ્થિતિઓમાં પોતાની ક્ષમતા બતાવી હતી, જે પરંપરા આજે પણ ખેલાડીઓ જાળવી રહ્યા છે. આજે બપોરે વિજેતાઓનું થશે સન્માન પરોઢિયે ગિરનારના આકરા ચઢાણને પાર કરવા માટે ખેલાડીઓએ પૂરી તાકાત લગાવી દીધી છે. આ સ્પર્ધા માત્ર રમત નથી પણ ગુજરાતના યુવાનોની શારીરિક ક્ષમતાની સાચી કસોટી છે. સ્પર્ધા પૂર્ણ થયા બાદ આજે બપોરે 1:00 કલાકે વિજેતાઓને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 10:56 am

ઉત્તરાયણ પહેલાં પોલીસનું ચેકિંગ, ત્રણ સામે ગુનો:ચાઈનીઝ દોરી, માંજો, તુક્કલો, ગ્લાસ કોટેડ દોરી થ્રેડના વેચાણને રોકવા કાર્યવાહી

મકરસંક્રાંતિના તહેવારના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી, માંજો, તુક્કલો, ગ્લાસ કોટેડ દોરી થ્રેડ અને પાકા ઈન્થેટિક મટીરિયલનો કાચા પાવડરનો ઉપયોગ કરી તૈયાર કરેલ માંજો ઘાતક હોવાથી વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે આખરે કાર્યવાહી શરૂ કરવાના આવી છે. શહેરના કારેલીબાગ, ગોરવા અને કપુરાઇ પોલીસે આ પ્રકારે વેચાણ કે પાસે રાખી મટિરિયલનો વેપલો કરતા ઇસમો સામે કાર્યવાહી કરી છે. ચાઈનીઝ રીલ સાથે શખસ ઝડપાયોશહેરના કપુરાઇ પોલીસ મથક હદ વિસ્તારમાં ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમી મળી હતી કે, સોમા તળાવ બ્રિજ પાસે સર્વિસ રોડ પર ચાઈનીઝ રીલ લઈને યુવક જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ કરતા ભાવેશ વિલાસભાઈ બારીયા (રહે. સોમતળવા) પાસેથી 15 જેટલા ચાઈનીઝ દોરીના રીલ મળી આવતા કપુરાઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગોરવા પોલીસનું દોરાની દુકાનો પર ચેકિંગગોરવા પોલીસે પણ આ તહેવારને લઇ ચેકિંગ શરૂ કર્યું છે અને માલ સપ્લાય થાય તે પહેલા જ કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસ નિયંત્રણ આવે છે. ગોરવા પોલીસના સ્ટાફ દ્વારા દુકાનો પર ચેકિંગ કરતા ગોરવા વિસ્તારમાં આવેલ સંતોષનગર પાસે આવેલ હરસિદ્ધિ રીલ સેન્ટરમાં રણજીતભાઈ રાજેન્દ્રભાઈ પરમાર (રહે. સુભાનપુરા વડોદરા) પાસેથી પ્રતિબંધિત કાચના એક કિલો જથ્થો અને ફિરકી મળી આવી છે, જેથી જાહેરનામાં ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સયાજીગંજ પોલીસે કાચ વાળો માંજો ઝડપ્યો આજ રીતે સયાજીગંજ પોલીસે પણ વિવિધ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરી નટરાજ ટાઉનશિપ પાસે આવેલી રાજુ માંજાની દુકાનમાં જઈ તપાસ કરતા જાહેરમાં યુવક માંજવાનું કામ કરતો હતો. જેમાં કાચ વાળો માંજો મળી આવતા હિતેશ રાજુ ધનાવડે (રહે. પરશુરામ ભઠ્ઠો સયાજીગંજ વડોદરા)ને ઝડપી જાહેરનામાં ભંગ અંગેનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Jan 2026 10:47 am