19 વર્ષ પહેલાં લાંચમાં પકડાયેલા આઈટી અધિકારીને 6 માસની કેદ
19 વર્ષ પહેલાંના કેસનો હવે ચુકાદો આવ્યો અસેસમેન્ટ ફાઈનલાઈઝ કરવાના બદલામાં ૨૦ હજાર રુપિયાની લાંચ માગી હતી મુંબઈ - ટેક્સ સિક્યોરિટી એસસમેન્ટ નક્કી કરવા માટે રૃ. ૨૦ હજારની લાંચ લેવાના ૧૯ વર્ષ જૂના કેસમાં થાણેની વિશેષ સીબીઆઈ કોર્ટે આવકવેરા ખાતાના માજી અધિકારીને છ મહિનાની સખત કેદની સજા સંભળાવી છે. સ્પેશ્યલ જજ (સીબીઆઈ) દેશમુખે આરોપી દીનાનાથ પુથરન (૭૭) પર ચાર હજારનો દંડ પણ લાદ્યો હતો.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર ઈન્ટરનેટ સાથે જોડાયેલા રહ્યા. યુદ્ધના કારણે દુનિયાભરમાં ઈન્ટરનેટ ઠપ્પ થઈ શકે છે. બીજા મોટા સમાચાર નાલંદાના મંદિરમાં મચેલી નાસભાગને લઈને રહ્યા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. વસ્તીગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થશે, જે 30 સપ્ટેમ્બર 2026 સુધી ચાલશે. કાલના મોટા સમાચારો 1. ટ્રમ્પે કહ્યું- અમેરિકા કોઈ દેશની મદદ નહીં કરે:અમારી પાસેથી ઓઈલ ખરીદો, નહીં તો હિંમત બતાવો અને હોર્મુઝ જઈને લઈ લો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે જણાવ્યું હતું કે હવે અમેરિકા કોઈ દેશની મદદ નહીં કરે. દેશોએ પોતે જ પોતાની પરિસ્થિતિ સંભાળવી પડશે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બ્રિટન જેવા દેશો જે હોર્મુઝ સ્ટ્રેટથી ઇંધણ મેળવી શકતા નથી, તેમણે અમેરિકા પાસેથી ઓઈલ ખરીદવું જોઈએ કારણ કે અમેરિકા પાસે તેની કોઈ અછત નથી. ટ્રમ્પે કહ્યું કે જો દેશો ઈચ્છે તો હિંમત બતાવે અને પોતે હોર્મુઝ સ્ટ્રેટ જઈને ઓઈલ લઈ લે. અમેરિકા તેમની મદદ માટે નહીં આવે, જેમ તેઓ અમેરિકાની મદદ માટે આવ્યા ન હતા. પોતાના નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે ઈરાન ઘણી હદ સુધી નબળું પડી ગયું છે અને સૌથી મુશ્કેલ કામ પહેલેથી જ પૂરું થઈ ગયું છે. હવે બાકીના દેશો પોતે જઈને પોતાનું ઓઈલ મેળવી શકે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. બિહારઃ નાલંદાના શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડ, 9નાં મોત:રાષ્ટ્રપતિની સુરક્ષામાં 2500 જવાન, પરંતુ 25 હજાર શ્રદ્ધાળુઓ માટે કોઈ નહીં; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું બિહારમાં નાલંદાના મઘડામાં મંગળવારે સવારે માતા શીતળાષ્ટમી મંદિરમાં ભાગદોડને કારણે 9 લોકોના મોત થયા છે. ભીડમાં કચડાઈ જવાથી 8 મહિલાઓના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક પુરુષનું હોસ્પિટલમાં મોત થયું હતું. ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે, શીતળા અષ્ટમીના દિવસે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ત્યાં મેળો પણ ભરાયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ભીડને સંભાળવા માટે પૂરતી વ્યવસ્થા નહોતી. દર્શન કરવાની ઉતાવળમાં લોકોની ધક્કામુક્કી થઈ ગઈ. અફરા-તફરીમાં ભીડમાં ઘણા લોકો કચડાઈ ગયા. મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા. અકસ્માત બાદ, મંદિર અને મેળો બંધ કરી દેવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 1 એપ્રિલથી ટેક્સના નિયમોમાં થશે મોટો ફેરફાર:ટોલ પ્લાઝા કેશલેસ થશે, આજે જ પતાવો આ 4 કામ, કાલથી બદલાશે આ 10 નિયમ; તમારા ખિસ્સાં પર પડશે સીધી અસર આવતીકાલ એટલે કે 1 એપ્રિલથી દેશના તમામ ટોલ પ્લાઝા કેશલેસ થઈ જશે. વાહનચાલકો માત્ર ફાસ્ટેગ અથવા UPI પેમેન્ટ દ્વારા જ ટોલ ટેક્સ ચૂકવી શકશે. આ ઉપરાંત, આજે રાત્રે 12 વાગ્યા પછી દેશમાં ટેક્સ અને બેંકિંગ સંબંધિત 3 મોટા કામોની ડેડલાઇન પૂરી થઈ રહી છે. આવતીકાલથી ટેક્સ, રેલવે અને બજાર સંબંધિત 10 નિયમો પણ બદલાઈ જશે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. યુદ્ધની ચિંગારી ઘર-ઘર સુધી પહોંચશે, દૂધ-કરિયાણું-સારવાર મોંઘા થશે:રોજિંદા વપરાશની વસ્તુઓના ભાવ વધારવાની તૈયારી; કોમર્શિયલ LPGની અછતથી હજારો પ્લાસ્ટિક યુનિટ બંધ પશ્ચિમ એશિયામાં વધતા તણાવે કંપનીઓની ચિંતાઓ વધારી દીધી છે. ક્રૂડ ઓઇલ અને અન્ય કાચા માલની કિંમતો વધવાથી ખર્ચ વધી રહ્યો છે અને કંપનીઓ ભાવ વધારવા પર વિચાર કરી રહી છે. આનાથી બોટલનું પાણી, મીઠું, તેલ જેવી રોજિંદી વસ્તુઓ, AC, ફ્રિજ જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ્સથી લઈને નોન-સર્જિકલ મેડિકલ આઈટમના ભાવ વધી શકે છે. કારણ એ છે કે આ યુદ્ધે પ્લાસ્ટિક ઉદ્યોગની કમર તોડી નાખી છે. છેલ્લા 30 દિવસમાં કાચા માલના ભાવ 50-70% સુધી વધી ગયા છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટિક દાણા LDPEના ભાવ 110 રૂ/કિલોથી 180 રૂપિયા સુધી પહોંચી ગયા છે.વાંચો સંપૂર્ણ સમાચાર 5. ભારત સહિત દુનિયાભરમાં ઈન્ટરનેટ બંધ થઈ જશે?:યુદ્ધના કારણે હોર્મુઝમાં કેબલ્સને નુકસાનની આશંકા, સમુદ્રની નીચેથી પસાર થાય છે 97% ગ્લોબલ ડેટા અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધને કારણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પ્રભાવિત થવાથી વિશ્વભરમાં ઊર્જા સંકટ પછી હવે ઇન્ટરનેટ ઠપ્પ થવાનો ખતરો છે. તેનું કારણ એ છે કે હોર્મુઝ રૂટ પરથી માત્ર વિશ્વનું 20% ક્રૂડ ઓઇલ અને 25% LNG પસાર થતું નથી, પરંતુ આ રૂટની નીચે ઇન્ટરનેટ કેબલ્સ પણ બિછાવેલા છે. જો આ ક્ષેત્રમાં તણાવ વધે અથવા કેબલ્સને નુકસાન થાય, તો ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઇન્ટરનેટની સ્પીડ ધીમી પડી શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વિસ્તાર માત્ર ઊર્જા ચોકપોઇન્ટ નથી, પરંતુ એક ડિજિટલ ચોકપોઇન્ટ પણ છે. સમુદ્રની નીચેથી પસાર થાય છે 97% ગ્લોબલ ડેટા ઘણીવાર લોકોને લાગે છે કે ઇન્ટરનેટ સેટેલાઇટ દ્વારા ચાલે છે, પરંતુ વાસ્તવિકતા અલગ છે. વિશ્વનો લગભગ 95 થી 97% ડેટા ફાઇબર ઓપ્ટિક કેબલ્સ દ્વારા ટ્રાન્સફર થાય છે. આ કેબલ્સ સમુદ્રની નીચે બિછાવેલા હોય છે. ભારતને યુરોપ, આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે જોડતા મુખ્ય કેબલ્સ આ જ રૂટ પાસેથી પસાર થાય છે. તેમાં SEA-ME-WE, AAE-1 અને EIG જેવી મોટી કેબલ સિસ્ટમ્સ સામેલ છે. ભારતને યુરોપ-આફ્રિકા અને પશ્ચિમ એશિયા સાથે જોડતા કેબલ્સ હોર્મુઝ રૂટ પરથી પસાર થાય છે. ભારત માટે શા માટે મોટો ખતરો છે? ભારતની ડિજિટલ ઇકોનોમી મોટાભાગે આ દરિયાઈ રૂટ્સ પર નિર્ભર છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ‘બ્લાસ્ટ થયો ને દરવાજો તૂટીને સામેના મકાનમાં અથડાયો’:'દાઝેલા 5 લોકો રોડ તરફ ભાગ્યાં, ખૌફનાક અવાજથી અમે ધ્રુજવા લાગ્યા'; અમદાવાદમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલા ચામુંડાનગરમાં એક મકાનમાં આજે 31 માર્ચની વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના સામે આવી છે. ગેસનો બાટલો ફાટવાના કારણે ઘરમાં સૂતેલા પાંચ જેટલા લોકો દાઝી ગયા હતા. સ્થાનિક લોકો દ્વારા પાંચેય દાઝેલા લોકોને સારવાર અર્થે 108 મારફતે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા સ્થળે પહોંચી હતી. મકાનમાં પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે મકાનનો લોખંડનો દરવાજો પણ તૂટીને સામે અન્ય મકાન પર અથડાયો હતો. સાથે જ આજુબાજુના બે મકાનના બારી-બારણાના કાચ પણ તૂટી ગયા હતા. જે લોકો દાઝી ગયા છે તેમનો એબ્યુલન્સમાં બેઠેલો એક વીડિયો સામે આવ્યો છે, જે જોઈને ભલભલાને કંપારી છૂટી જાય. વાંચો સંપૂર્ણ સમાચાર 7. ગાંધીની ભૂમિ પર દારૂની દુકાનથી વિવાદ:કોંગ્રેસે કહ્યું-ગોડસેના વિચારધારા વાળાનું કામ, ગુજરાત સરકારની પોરબંદરમાં લિકર શોપ ખોલવાની તૈયારી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમો સાથે દારૂની છૂટ આપ્યા બાદ હવે પોરબંદરમાં પણ પરમિટધારકો માટે દારૂની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ગાંધીજીની જન્મભૂમિ પર લિકર શોપની મંજૂરીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. ભાજપ ગાંધીની વિચારધારાને અને સંસ્થાઓને ખતમ કરવાનું કામ કરતી હોવાનો આક્ષેપ કર્યો છે. ગાંધીની ભૂમિ પર લિકર શોપની મંજૂરી આપવામાં ન આવે તેવી કોંગ્રેસે માગ કરી છે. આ સાથે જ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજી અને સરદાર પટેલની ભૂમિ પરથી છે તો જાહેરાત કરે કે લિકર શોપને મંજૂરી નહીં અપાય. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કેરળમાં ભાજપનો મેનિફેસ્ટો જાહેર, AIIMSનું વચન આપ્યું:વૃદ્ધો-મહિલાઓને ₹3,000 પેન્શન; આસામમાં બાંગ્લાદેશી મુસ્લિમો દ્વારા કબજે કરાયેલી જમીન પાછી લેવાની જાહેરાત (વાંચો સંપૂર્ણ સમાચાર) 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પના નામ પર હશે ફ્લોરિડા એરપોર્ટનું નામ:તેમના ઘરની નજીક જ એરપોર્ટ, પ્રથમ રાષ્ટ્રપતિ હશે જેના કાર્યકાળમાં નામ બદલાશે (વાંચો સંપૂર્ણ સમાચાર) 3.નેશનલ : 4 વર્ષના માસૂમ સાથે હૃદય કંપાવતી ઘટના:રીક્ષામાં માર માર્યો, હવામાં ઉછાળીને માથાભેર જમીન પર પછાડ્યો, આરોપીએ અંગત વિવાદનો આ રીતે બદલો લીધો (વાંચો સંપૂર્ણ સમાચાર) 4.ઈન્ટરનેશનલ : ઇઝરાયલમાં પેલેસ્ટિનિયન ગુનેગારોને સુનાવણી વિના મોતની સજા:બિલ પાસ, 90 દિવસમાં ફાંસી થશે; મંત્રીઓએ સંસદમાં શેમ્પેન ખોલીને સેલિબ્રેશન કર્યું (વાંચો સંપૂર્ણ સમાચાર) 5.બિઝનેસ : નફાના ચક્કરમાં ગ્રાહકોને ભૂલી ગયેલી કંપની:ક્રાફ્ટ હાઇન્ઝને તોડવાને બદલે નવા સીઈઓ કૈહિલેન તેને સુધારશે; ગ્રાહકોના સ્વાસ્થ્ય પર ભાર (વાંચો સંપૂર્ણ સમાચાર) 6.સ્પોર્ટ્સ : વૈભવની રાજસ્થાન માટે બીજી સૌથી ઝડપી ફિફ્ટી:ઓવરટને ધોનીનો રેકોર્ડ તોડ્યો, રોયલ્સની સૌથી મોટી જીત; રેકોર્ડ્સ (વાંચો સંપૂર્ણ સમાચાર) 7.ધર્મ તહેવાર જ્યોતિષ : ભગવાન મહાવીર જયંતિ:સફળતા, ક્ષમા અને અહંકાર મુક્તિનો માર્ગ દર્શાવતા 3 પ્રેરક કિસ્સાઓ જાણો (વાંચો સંપૂર્ણ સમાચાર) ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ ગુજરાતમાં ઘોરાડના બચ્ચાને મળી Z+ સિક્યોરિટી અમદાવાદના કચ્છમાં જન્મેલા 'ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ' એટલે કે ઘોરાડના નાનકડા બચ્ચાને Z+ જેવી સિક્યોરિટી મળી છે. આ અત્યંત દુર્લભ પ્રજાતિ છે અને ગુજરાતમાં આશરે 10 વર્ષ પછી તેનો જન્મ થયો છે. આ જ કારણે 50થી વધુ જવાનો તેની સુરક્ષા કરી રહ્યા છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor's View: ટ્રમ્પનો નવો બોમ્બ તૈયાર:યુદ્ધનો તોતિંગ ખર્ચ વસૂલવાનો ખતરનાક પ્લાન, અમેરિકાની સિક્રેટ ફોર્મ્યુલાથી આરબ દેશોમાં ડબલ આફત 2. ભાસ્કર સિરીઝ ‘રેપ તો હુઆ હૈ સર’: આસારામના કુકર્મનો ભોગ બનેલી સગીર પીડિતાની આપવીતી સાંભળીને પોલીસ પણ થથરી ગઈ, જુઓ હચમચાવતો એપિસોડ-22 3. આજનું એક્સપ્લેનર:શું UN ઈરાન પર પરમાણુ હુમલાની તૈયારી કરે છે; UN રાજનાયિકના દાવામાં કેટલો દમ, અમેરિકા-ઈઝરાયલનો અસલી પ્લાન શું? 4. MATCH મસાલા જાડેજા RRની ટીમમાં રમ્યો ને CSKના લોગોને કિસ કરી:ચાલુ મેચમાં રડવા જેવો કેમ થઈ ગયો?; બોલ સાથે છેડછાડ કરી પાકિસ્તાનીઓની આબરૂ ગઈ 5. અંધારામાં લૂંટારૂં ત્રાટક્યાં અને ચોકીદારોને લોહીલુહાણ કરી નાખ્યા:સોનું-રૂપિયા છોડીને પ્રાચીન મૂર્તિ જ કેમ ઉઠાવી ગયા? તત્કાલીન CM નરેન્દ્ર મોદીના આદેશ બાદ SIT રચાઇ 6. ફર્ઝી વેબ સિરીઝ જોઇને ગોરખધંધા શીખ્યો:કોન્સ્ટેબલને મળેલી બાતમીએ 7 આરોપીના ઇરાદા પર પાણી ફેરવ્યું, કેવી રીતે પકડાઇ 2.20 કરોડની નકલી નોટ? 7. હમ લોગ બોન્ડા મહિલાઓ શરીરના ઉપરના ભાગે કપડાં પહેરતી નથી:લગ્ન પ્રસ્તાવ ઠુકરાવવા પર છોકરીવાળાનું ઘર તોડી નાખે છે, મૃત્યુભોજમાં ગાયનું માંસ ખાય છે 8. 1000થી શરૂઆત, દર મહિને 4 લાખ રૂપિયાની કમાણી:કેરળમાં આવી 46 લાખ કુડુંબશ્રી દીદીઓ, લેફ્ટના વોટમાં કેવી રીતે ગાબડું પાડશે BJP 9. સસ્પેન્સ ખુલ્યું, ધુરંધર-3 આવશે કે નહીં?:રણવીરને હમઝા બનાવનાર IB અધિકારી સાથે ભાસ્કરની વાતચીત; 'ધુરંધર'ના ગુજરાતી કલાકાર માનવનું નસીબ એક ફોનથી પલટાયું કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:કન્યા અને મકર રાશિના ઘરે પારણું બંધાશે, વૃશ્ચિક જાતકોને મનગમતી નોકરી મળવાના યોગ વાંચો સંપૂર્ણ રાશિફળ
આયોજન:આરોગ્ય કેન્દ્રો, લાઈબ્રેરીને CCTV હેઠળ આવરી લેવાશે
ગાંધીનગરમાં હવે જાહેર સ્થળો વધુ સુરક્ષિત બનશે. મનપા દ્વારા શહેરના અલગ- અલગ 9 મહત્વપૂર્ણ સ્થળોએ CCTV કેમેરા સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. જેમાં મહાનગરપાલિકા મુખ્ય કચેરી, પેથાપુર, વાવોલ, સુઘડ, કુડાસણ, કોબા જેવા અર્બન હેલ્થ સેન્ટર્સ તેમજ જાહેર લાઈબ્રેરીઓનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ અંદાજે 55 જેટલા આધુનિક કેમેરા (બુલેટ, ટરેટ અને PTZ) લગાવવામાં આવશે, જેનાથી સતત મોનિટરિંગ શક્ય બનશે. સાથે જ 8-ચેનલ NVR, સ્ટોરેજ સિસ્ટમ, LED મોનિટર, UPS અને નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી તમામ જરૂરી સુવિધાઓ પણ ઉભી કરવામાં આવશે. આ સંપૂર્ણ સિસ્ટમ એક જ પ્લેટફોર્મ પર સંકલિત રહેશે જેથી દેખરેખ સરળ અને અસરકારક બને. કેમેરાના ઇન્સ્ટોલેશન ઉપરાંત ટેસ્ટિંગ, ટ્રેનિંગ અને 5 વર્ષ સુધી ઓપરેશન તથા મેન્ટેનન્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. એટલે કે, એક વખત સિસ્ટમ શરૂ થયા પછી તે સતત કાર્યરત રહે તે માટે લાંબા ગાળાનો પ્લાન બનાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટથી ખાસ કરીને આરોગ્ય કેન્દ્રો અને જાહેર સ્થળોએ સુરક્ષા વધશે, ચોરી- ચપાટી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ મળશે, તેમજ કોઈ ઘટનાની તપાસમાં સચોટ માહિતી મળશે. મહાનગરપાલિકા દ્વારા 100 દિવસમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. અહીં કેમેરા લાગશે GMC હેડ ઓફિસ (સર્વર અને સ્ટોરેજ રૂમ) પેથાપુર Urban Public Health Center (UPHC) વાવોલ UPHC સુઘડ UPHC કુડાસણ UPHC કોબા UPHC કુડાસણ લાઈબ્રેરી વાવોલ લાઈબ્રેરી રાંધેજા લાઈબ્રેરી
ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ નવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની અને હયાત એસટીપીની ક્ષમતા વધારવાની કવાયત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે ત્યારે એસટીપી મારફતે શુદ્ધ કરવામાં આવેલા ટ્રીટેડ વોટરના ઉપયોગ માટે એસઓપી બનાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ઉદ્યોગોમાં અને બાગ- બગીચાઓમાં આ પાણીનો મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ માટેની ગુજરાત સરકારની નીતિને મહાનગરપાલિકા દ્વારા પણ અપનાવવામાં આવી છે. આ પોલીસી મુજબ 1 લાખ લિટરથી વધુ પાણીનો વપરાશ કરતા ગાંધીનગર ખાતેના ઉદ્યોગોને પણ ટ્રીટેડ પાણીનો ઉપયોગ ફરજિયાત કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં જીઆઈડીસી ખાતેના ઉદ્યોગોનો સર્વે પણ કરવામાં આવશે. હાલના તબક્કે મહાનગરપાલિકા દ્વારા ટ્રીટમેન્ટથી શુદ્ધ કરાયેલા પાણીનો જીઈબી થર્મલ પાવર અને બાગ-બગીચામાં આ પુનઃઉપયોગ કરવામાં આવે છે. આ માટે પેથાપુર અને સરગાસણ એસટીપી ખાતેથી ટ્રીટેડ પાણીને જીઈબી સુધી પહોંચાડવા પાઈપલાઈન નાંખવાની કામગીરી પણ હાલ ચાલી રહી છે. આ સમગ્ર પ્રક્રિયા અને એસઓપીને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. બાગ- બગીચા અને ઉદ્યોગો બાદ મહાનગરપાલિકા દ્વારા કન્સ્ટ્રક્શન સાઇટ પર થતા પાણીના વપરાશમાં પણ ટ્રીટેડ વોટરના ઉપયોગ તરફ વાળવાના પ્રયાસ કરવામાં આવશે. જેથી શુદ્ધ પાણીનો ઉપયોગ ઓછો થઇ શકે. 1 હજાર લિટરે રૂ.15.92નો ભાવ નિયત કરાયોસરકારે નક્કી કરેલા ટ્રીટેડ વોટરના ભાવ મુજબ 1લી એપ્રિલ 2026થી 31 માર્ચ 2027 સુધી ઔદ્યોગિક હેતુ માટે શુધ્ધપાણીનો દર પ્રતિ એક હજાર લિટરે રૂ. 63.68 નક્કી કરાયો છે. એસટીપીના આઉટલેટ પર ટ્રીટેડ વોટરનો ભાવ પ્રતિ એક હજાર લિટરે રૂ. 15.92 રહેશે. 1લી એપ્રિલ 2027થી 31 માર્ચ 2028 દરમિયાન શુધ્ધ પાણીનો ભાવ વધીને રૂ. 65.69 થશે જ્યારે ટ્રીટેડ વેસ્ટવોટરનો દર વધીને રૂ. 16.40 થશે. ગાંધીનગર મહાપાલિકા પણ આ જ દરે પાણી પુરુ પાડશે. ટ્રીટેડ વોટરનો ઉપયોગ વધતાં મનપાને આવક પણ થશેટ્રીટેડ વોટરનો ઉપયોગ પીવા સિવાય બાંધકામ પ્રવૃત્તિઓ, બગીચા- વૃક્ષો માટે, ખેતીમાં અને ઉદ્યોગોમાં કરવા પર ભાર મુકવામાં આવશે. જેથી શુધ્ધ પાણીના વપરાશના ભારણમાં ઘટાડો થઈ શકશે. ટ્રીટેડ પાણી વિવિધ પ્રવૃત્તિઓ માટે પહોંચાડવા બદલ મહાનગરપાલિકાને નવી આવક પણ ઉભી થઇ શકશે. મહાનગરપાલિકાનો મુખ્ય હેતું શુદ્ધ પાણીને બચાવી શકાય અને એસટીપી મારફતે શુદ્ધ થયેલા પાણીનો યોગ્ય ઉપયોગ પણ કરી શકાય.
મોળો પ્રતિસાદ:રજાના દિવસે કચેરી ખુલ્લી પણ બે દિવસમાં માત્ર 201 દસ્તાવેજ
ગાંધીનગરમાં દસ્તાવેજ નોંધણી માટે લોકોના ધસારાને ધ્યાનમાં રાખીને સરકારે શનિવાર અને મંગળવારની જાહેર રજામાં પણ દસ્તાવેજની નોંધણી માટે સબરજિસ્ટ્રાર કચેરીઓ ખુલ્લી રાખવાના આદેશ કરવામાં આવ્યા હતા અને ગાંધીનગરની તમામ 6 સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખુલ્લી પણ રહી હતી પરંતુ સરકારે છેલ્લી ઘડીએ આદેશ કર્યો હોવાથી અરજદારો આયોજન કરી શકે તેવી સ્થિતિમાં ન હતા. જેના કારણે બંને દિવસ કચેરીઓ ચાલું રહી હોવા છતાં માત્ર કુલ 201 દસ્તાવેજ નોંધાયા છે. સરકારે અગાઉથી જાહેરાત કરી હોત તો તમામ ટોકન બૂક થઇ શક્યા હોત પણ શુક્રવારે મોડી સાંજે આદેશ કરાતા જોઇએ તેવો પ્રતિસાદ મળી શક્યો ન હતો. શુક્રવારે સાંજે સરકારે પરિપત્ર કર્યા બાદ 28મી માર્ચના રોજ ચોથા શનિવારની રજાના દિવસે સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયા ચાલું રાખવામાં આવી હતી. ગાંધીનગરમાં શનિવારે 600 ટોકન ફાળવાયા હતા તેની સામે માત્ર 29 દસ્તાવેજો નોંધાયા હતા. એ દિવસે સર્વર ડાઉન થઇ જવાની સમસ્યા પણ સર્જાઇ હતી. 31મી માર્ચે મંગળવારે મહાવીર જયંતિની રજામાં પણ કચેરીઓ ચાલું રહી હતી પરંતુ નોંધપાત્ર દસ્તાવેજોની નોંધણી થઇ શકી ન હતી. રજાઓમાં ગાંધીનગર ઝોન-2માં ઓપન કરાયેલા 300 ટોકન સામે 94 દસ્તાવેજ નોંધાયા હતા. ઝો-1માં 180 ટોકન ખુલ્લા હતા જેની સામે 44 ટોકન અપાયા હતા અને એટલા જ દસ્તાવેજો નોંધાયા હતા. ઝોન-3માં 116 ટોકન હતા પણ 34 દસ્તાવેજની નોંધણી થઇ હતી. આ પ્રકારે 1182 ટોકન બે દિવસ માટે ખુલ્લા રાખવામાં આવ્યા હતા પરંતુ અરજદારો તરફથી પ્રતિસાદ નહીં મળતાં બે દિવસમાં માત્ર 201 દસ્તાવેજોની નોંધણી માટે જ ટોકન લેવામાં આવ્યા હતા. સરકારે છેલ્લી ઘડીએ જાહેરાત કરતાંં અરજદારો આયોજન કરી શકે તેવી સ્થિતિમાં ન હતા.
ગાંધીનગરમાં લગાવવામાં આવેલી પુશ બટન ફ્લેશિંગ ક્રોસવોક સિસ્ટમ હાલમાં સંપૂર્ણપણે બંધ છે. આ સિસ્ટમ શરૂ થયાના ટૂંક સમયગાળામાં જ રાહદારીઓએ તેનો ઉપયોગ કરવાનું છોડી દીધું હતું. અત્યારે આ સિસ્ટમ કાર્યરત નથી અને બટન દબાવવા છતાં ટ્રાફિક સિગ્નલ કે લાઈટોમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી કે પછી પુશ બટનની પાસે જે લાઈટ થવી જોઇએ તે પણ થતી નથી. પરિણામે વર્લ્ડ બેંકની સહાયથી 14 કરોડના ખર્ચે ઉભી કરાયેલી આ સમગ્ર સિસ્ટમ હવે ભંગારમાં ફેરવાઇ ગઇ છે. ત્રણ વર્ષ પહેલા ચ-0થી લઈને ઈન્દિરા બ્રિજ સુધીના માર્ગ પર આવા કુલ 29 જંક્શન પર આ પ્રકારની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ હેઠળ રસ્તો ઓળંગવા માટે લોખંડના થાંભલા પર બોક્સ લગાવવામાં આવ્યા હતા. આ બોક્સ પર એક બટન રાખવામાં આવ્યું હતું, જે દબાવવાથી પાસેનુ સિગ્નલ લાલ થાય જેથી રસ્તા પરના વાહનો થોભે અને રાહદારી રસ્તો પસાર કરી શકે તેવી વ્યવસ્થા હતી. વર્તમાન સમયમાં આ પુશ બટન મશીનો ભંગાર હાલતમાં જોવા મળે છે. મશીન પરના બટન દબાવવા છતાં પણ સિસ્ટમમાં કોઈ હિલચાલ થતી નથી. બટન દબાવ્યા બાદ તે બટનની આસપાસ લાઈટ થવી જોઇએ જે થતી નથી. ઉપયોગ માટે લોકોને જાગૃત પણ ન કરાયાઆ સિસ્ટમ જ્યારે પ્રથમ વખત મૂકવામાં આવી, ત્યારે શરૂઆતના થોડા દિવસો સુધી તેની કામગીરી જોવા મળી હતી. જોકે, અમલીકરણના થોડા જ સમય બાદ સ્થાનિક લોકો અને રાહદારીઓએ આ બટનનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું હતું. લોકો બટન દબાવવાને બદલે સીધા જ રસ્તો ઓળંગતા જોવા મળ્યા હતા. આ સિસ્ટમના ઉપયોગ માટે લોકોને જાગૃત જ કરાયા ન હતા પરિણામે તેનો ઉપયોગ થયો નહીં અને સિસ્ટમ બિનકાર્યક્ષમ બની ગઇ. જોકે, આ અંગે નાગરિકોને જાગૃત કરાયા હોત તો સિસ્ટમ કાર્યરત રહેત. હાલ સિસ્ટમનો ઉપયોગ માત્ર દેખાડા પૂરતો14 કરોડ રૂપિયાના જંગી ખર્ચે કાર્યરત કરવામાં આવેલી આ સિસ્ટમ હાલ માત્ર દેખાડા પુરતી જ રહી છે. રસ્તા પર થાંભલા અને પુશબટન બોર્ડ છે પરંતુ વિદેશ જેવો દેખાવ આપવા પૂરતી જ આ સિસ્ટમ મર્યાદિત બની રહી છે.
આયોજન:ગોરેગાવથી માગાઠાણે નવો 5.5 કિમી હાઈસ્પીડ કોરિડોર પ્રકલ્પ
શહેરમાં ચાલુ ગોરેગાવ-મુલુંડ લિન્ક રોડ પ્રકલ્પની ડેડલાઈન તાજેતરમાં વધારવામાં આવી. એનું કારણ એટલે વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડ સાથે જોડાણ કરવા મંજૂરી આપવામાં આવી છે. એના માટે ગોરેગાવથી માગાઠાણે દરમિયાન 5.5 કિલોમીટર લાંબો હાઈસ્પીડ કોરિડોર બાંધવાનો પ્રસ્તાવ મહાપાલિકાએ રજૂ કર્યો છે. આ કોરિડોરના લીધે આ બંને પ્રકલ્પ દરમિયાન કનેક્ટિવિટી નિર્માણ થશે. ગોરેગાવની ફિલ્મસિટીથી બોરીવલી નજીકના માગાઠાણે સુધી આ પ્રકલ્પ ઊભો કરવામાં આવશે. આ રોડ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને સમાંતર હશે. એના લીધે મુંબઈને પૂર્વ અને પશ્ચિમ ઉપનગરો સાથે સહેલાઈથી જોડવામાં આવશે. સંપૂર્ણપણે નવા બાંધેલા આ પ્રકલ્પના લીધે કોસ્ટલ રોડથી લિન્ક રોડ જોડાણ મળશે. એના લીધે ગોરેગાવથી માગાઠાણે દરમિયાનનું અંતર 10 મિનિટ થઈ જશે. આ રોડ કોસ્ટલ રોડ અને લિન્ક રોડ વચ્ચે એક કડી બનશે. વર્સોવા-ભાઈંદર કોસ્ટલ રોડનો એક ભાગ પૂર્વ દિશામાંથી વિસ્તરણ કરીને એ માગાઠાણે ખાતેના રોડને જોડવામાં આવશે. એના લીધે રોડ પર સીધા પ્રવેશ મેળવવો શક્ય થશે. ત્યાંથી વાહનચાલક સીધા આગળ લિન્ક રોડ પર પ્રવાસ કરીને મુલુંડ સુધી પહોંચી શકે છે. તેમ જ નવા તૈયાર થનારા ફ્લાયઓવરના લીધે સીધા નવી મુંબઈના ઐરોલી સુધી પહોંચવું શક્ય થશે. આ રોડ બાંધવાનો હેતુ મુંબઈના તમામ એલિવેટેડ રોડ અને હાઈસ્પીડ કોરિડોરને જોડવાનો છે. તેમ જ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થતા ટ્રાફિકજામ પર આ એક મહત્વનો ઉપાય સાબિત થશે. ક્યારે પૂરો થશે?અત્યારે પ્રવાસમાં હાઈવે અને નાના રોડ પર પ્રવાસ કરતા ટ્રાફિકજામના સમયમાં 60 મિનિટ સમય લાગે છે. આ પ્રવાસનો સમય હવે ફક્ત 10 મિનિટ થઈ જશે. અત્યારે આ પ્રસ્તાવિત રોડ કેટલાક અતિક્રમણ અને અડચણો હટાવવા પડશે. એ પછી અંદાજિત ખર્ચ, પ્રકલ્પ અહેવાલ રજૂ કરીને ટેંડર કાઢવામાં આવશે. એ પછી બાંધકામની શરૂઆત કરીને 2029 સુધી આ સંપૂર્ણ રોડ શરૂ કરવાનો મહાપાલિકાનો ઉદ્દેશ છે.
તપાસ:ઢોંગી બાબા ખરાત ચાર અલગ અલગ મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હતો
નાશિકમાં ચર્ચાસ્પદ બનેલા ઢોંગી બાબા અશોક ખરાતના કેસમાં તપાસ દરમિયાન નવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની પૂછપરછમાં બહાર આવ્યું છે કે ખરાત એક નહીં પરંતુ ચાર અલગ અલગ મોબાઇલ નંબરોનો ઉપયોગ કરતો હતો. પોલીસ મુજબ, દરેક નંબરનો ઉપયોગ અલગ પ્રકારના લોકો સાથે સંપર્ક રાખવા માટે થતો હતો, જે તેની ગૂંચવણભરી પ્રવૃત્તિઓને વધુ સ્પષ્ટ કરે છે. તપાસ અનુસાર, એક નંબરનો ઉપયોગ તે ખાસ વીઆઈપી અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે વાતચીત માટે કરતો હતો. શંકા છે કે આ માધ્યમથી તેણે કેટલાક રાજકીય નેતાઓ અને અસરકારક લોકો સાથે સંપર્ક જાળવી રાખ્યો હતો. બીજો નંબર તેણે પોતાના નજીકના ભક્તો અને મહિલાઓ સાથે સંપર્ક માટે ઉપયોગમાં લીધો હતો, જેમાંથી અનેક મહિલાઓ હાલ તેના શોષણના આરોપ લગાવી રહી છે. ત્રીજો મોબાઇલ નંબર નાણાકીય વ્યવહારો માટે ઉપયોગમાં લેવાતો હતો, જેમાં દાન, પૈસાની લેવડદેવડ અને અન્ય આર્થિક વિગતો જોડાયેલી હોવાની સંભાવના છે, જ્યારે ચોથો નંબર સામાન્ય લોકો સાથે સંપર્ક માટે વપરાતો હતો. ઉપરાંત, તપાસમાં એક મહત્ત્વપૂર્ણ દિશામાં પણ આગળ વધવામાં આવી રહી છે. માહિતી મળી રહી છે કે ખરાતે નાસિકના એક જાણીતા ડૉક્ટરને પણ પોતાના જાળમાં ફસાવ્યો હતો. શંકા છે કે આ ડૉક્ટરની મદદથી તે કેટલીક મહિલાઓને ગર્ભપાત અથવા ગર્ભનિરોધક ગોળીઓ આપતો હતો. આ કારણે હવે સંબંધિત ડૉક્ટર પણ તપાસના રડારમાં આવી શકે છે. એસઆઈટી આ મુદ્દે વિગતવાર તપાસ કરી રહી છે અને જરૂરી પુરાવા એકત્રિત કરી રહી છે. હાલમાં ખરાત પોલીસ કસ્ટડીમાં છે, અને તેની કસ્ટડી 1 એપ્રિલે પૂર્ણ થવાની છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં પોલીસ ફરીથી કસ્ટડી માંગે તેવી શક્યતા છે. તપાસ આગળ વધતાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દુષ્કર્મની અનેક ફરિયાદો છતાં…જાતીય શોષણના અનેક આરોપો વચ્ચે એક મહત્ત્વનો પ્રશ્ન ઊભો થયો છે કે, અનેક મહિલાઓ શિકાર બનવા છતાં ગર્ભવતી કેમ થઈ નથી. આ પ્રશ્નના જવાબ માટે પોલીસ મેડિકલ એંગલથી પણ તપાસ કરી રહી છે. ફોરેન્સિક ટીમની મદદથી મોબાઇલ ફોનમાંથી મળેલા કોલ રેકોર્ડ, વોટ્સએપ ચેટ અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ ચાલુ છે.
લગ્નપત્રિકા વાઈરલ:ખરાતની પુત્રીના લગ્નમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી
અનેક મહિલાઓનું જાતીય શોષણ કરનારા અને છેતરપિંડી કરનારા ઢોંગી બાબા અશોક ખરાત વિશે રોજ વિસ્ફોટ માહિતી સામે આવી રહી છે. હવે ખરાતની પુત્રીની લગ્નપત્રિકા વાઈરલ થઈ છે, જેમાં મોટા નેતાઓએ હાજરી આપી હતી, જે દર્શાવે છે કે ખરાતને મોટા રાજકીય નેતાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ હતા.ખરાતની પુત્રી તૃપ્તબાલાની લગ્નપત્રિકાનો ફોટો સામે આવ્યો છે. તે કાર્ડ પર રાજ્યના ઉપ મુખ્ય મંત્રી એકનાથ શિંદે, મંત્રી ચંદ્રકાંત પાટીલ, આશિષ શેલાર, રૂપાલી ચાકણર, મિલિંદ નાર્વેકર અને દીપક કેસરકરનાં નામ મુખ્ય મહેમાનો તરીકે લખાયેલાં છે. ખરાતની પુત્રીના લગ્નમાં મહારાષ્ટ્રના ઘણા રાજકારણીઓ હાજર રહ્યા હતા. આનાથી સ્પષ્ટ થાય છે કે ખરાત રાજકારણીઓ સાથે કેટલો નિકટ હતો.આ રાજકીય નેતાઓ ખરાતના નિયમિત સંપર્કમાં હતા. ખરાત વગર તેઓ એક પત્તું પણ ખસેડતા નહોતા. ખરાત આ નેતાઓને ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની ચોક્કસ તારીખ અને સમય પણ આપતો હતો. નવી માહિતી સામે આવી છે કે સંપર્કમાં રહેલા નેતાઓ ખરાતની સલાહ વિના કોઈ રાજકીય નિર્ણય લેતા નહોતા. રાષ્ટ્રવાદી શરદચંદ્ર પવાર જૂથના ધારાસભ્ય રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે પોલીસ કસ્ટડીમાં ઢોંગી ખરાતને આત્મહત્યા બતાવીને કે બીજું કંઈક કરીને મારી નાખવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ઘણા લોકો વિશે ઘણું બધું જાણતા ઢોંગી ખરાતની માહિતી મોટા નેતાઓ સુધી પહોંચી ગઈ છે. તેથી, આત્મહત્યા કે બીજું કંઈક કરીને તેને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દાવાને કારણે, ઢોંગી ખરાતની સુરક્ષા અંગે ભારે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખરાત પર ઘણી મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. તેની સામે નાશિક પોલીસમાં 10 જેટલા કેસ નોંધાયેલા છે. આમાંથી 8 કેસ જાતીય શોષણના છે, જ્યારે બાકીના 2 કેસ નાણાકીય છેતરપિંડીના છે. ખરાત સાથેના તેમના જોડાણને કારણે, શાસક રાષ્ટ્રવાદીનાં નેતા રૂપાલી ચાકણકરને રાજ્ય મહિલા પંચનાં અધ્યક્ષ અને પછી રાષ્ટ્રવાદી મહિલા પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપવું પડ્યું છે. હવે તેમની પણ એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવશે. ઉપરાંત, રાષ્ટ્રવાદીના સુનીલ તટકરે અને શિંદે જૂથના દીપક કેસરકર સહિત ઘણા નેતાઓનાં નામ આ કેસમાં સામે આવ્યાં હોવાથી, તેમની પણ તપાસ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જોતાં રોહિત પવારે ઉપરોક્ત આરોપ લગાવ્યો છે.રોહિતે જણાવ્યું કે દોષિતોને સજા થવી જ જોઈએ, પરંતુ જો સત્યને દબાવવા માટે કોઈનો જીવ લેવામાં આવી રહ્યો હોય અથવા સત્યને દબાવવા માટે કોઈને અપરાધભાવથી બચાવવામાં આવી રહ્યો હોય, તો આ બંને બાબતો યોગ્ય નથી.
દુર્ઘટના:વિરારના કચ્છી વાગડ સમાજના યુવાનનું વડોદરા નજીક ટ્રેન અકસ્માતમાં મોત થયું
મુંબઈ નજીકના વિરાર-વેસ્ટમાં રહેતા યુવક નીર છાડવા (26)નો ગુજરાતમાં થયેલા રહસ્યમય મોતનો બનાવ ચકચાર મચાવી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, નીરનું સોમવારે રાત્રે વડોદરાથી અંદાજે 7 કિમી દૂર ફાસ્ટ ટ્રેનની ટક્કરથી મોત થયું હતું. રેલવે પોલીસને જાણ થતાં, નિર્જન વિસ્તારમાં ઝાડીઓમાંથી ગંભીર ઈજાઓ સાથે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમાચારથી કચ્છી વાગડ સમાજમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. પોલીસે જણાવ્યું કે મૃતદેહ પાસેથી મળેલા આઈડી કાર્ડ, બે મોબાઈલ ફોન અને ટિફિનના આધારે પરિવારને જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મંગળવારે મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. જોકે, કઈ ટ્રેનની ટક્કર લાગી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે. સાથે જ, યુવક ત્યાં કેવી રીતે અને શા માટે પહોંચ્યો તે પણ પોલીસ માટે મોટો પ્રશ્ન બની રહ્યો છે. કચ્છના સામખીયારી ગામનો ચંદ્રિકા મુકેશ છાડવાનો એકમાત્ર પુત્ર નિર વિરાર-વેસ્ટના વિઠ્ઠલ હરિ ટાવરમાં રહેતો હતો અને એક કિચન બનાવતી કંપનીમાં નોકરી કરતો હતો. સોમવારે સવારે તે રોજની જેમ ટિફિન લઈને કામે નીકળ્યો હતો, પરંતુ કામ પર જવાના બદલે તે વડોદરા સુધી કેવી રીતે પહોંચ્યો તે અંગે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે, અને તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. રેલવે પોલીસે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, ઘટના સ્થળ વિશ્વામિત્રી અને મક્કરપુરા રેલવે સ્ટશેનની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં ડાઉન લાઇન પર આશરે રાત્રે 9:05 વાગ્યે કોઈ ફાસ્ટ ટ્રેન સાથે તેની ટક્કર થઈ હોવાનું અનુમાન છે. ત્રણ મહિના પહેલાં જ લગ્ન થયાંપરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, નિર છાડવાને માત્ર ત્રણ મહિના પહેલા જ પ્રેમલગ્ન જ્ઞાતિની ની દીકરી ધર્મી સાથે કર્યા હતા. જો કે દંપતી ખુશ હોવાનું કહેવામાં આવે છે, પરંતુ પરિવારના કેટલાક સભ્યોને આ લગ્ન અંગે વાંધો હતો તેવી શંકા પણ વ્યક્ત થઈ રહી છે. મંગળવારે રાત્રે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ વિરારમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની અંતિમવિધિ કરવામાં આવી હતી. આ ઘટના આત્મહત્યા, અકસ્માત કે અન્ય કોઈ કારણસર બની છે કે કેમ તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે.
ચૂંટણી:નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબરની એફેક્સ બોડીની ચૂંટણીમાં 18 વેપારી બિનહરીફ
નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબર સંલગ્ન 17 સંસ્થાની એપેક્સ બોડીના 2026-30ના ચૂંટણી કાર્યક્રમને અનુસરી 21 ફોર્મ નોમિનેશન ભરાયાં હતાં. ત્રણ વેપારી સભ્ય દ્વારા ફોર્મ પાછા ખેંચી લેવાતાં મસાલા માર્કેટની પ્રતિષ્ઠિત કંપનીઓના માલિકો અને ભાગીદાર એવા 18 વેપારી સભ્યો આ ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આશરે 1300 સભ્યનું આ ચેંબર વૈશ્વિક વેપારના સંપર્કમાં છે તેમ જ વૈશ્વિક નામાંકિત કંપનીઓ દેશવિદેશના વાણિજ્ય વિભાગો- રાજદૂતોના સંપર્કમાં છે. વાણિજ્ય મંત્રી, ભારત સરકાર, રાજ્ય સરકારના સાથસહકારથી હાઈજીનિક વૈશ્વિક બજારો તેમ જ બહુહેતુક કેન્દ્રના વિશાળ પ્રોજેક્ટોમાં ભારત અને વિદેશનાં કોર્પોરેટ ગૃહોના સહયોગ સહકારથી જનહિતમાં યોગ્ય નવી દિશા તેમ જ વડા પ્રધાન નરેંદ્ર મોદીની ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ સૂત્રને સાકાર કરવા તેમ જ રાષ્ટ્રીય સંગઠનો અને મહારાષ્ટ્રની અગ્રણી સંસ્થાઓ- ચેંબરો, ફેડરેશનોના સેતુરૂપી વેપારી એકતાને પ્રોત્સાહન આપવા સમગ્ર ટીમ કામ કરવા માટે કટિબદ્ધ છે. મસાલા માર્કેટના તમામ પરિવારોને ન્યાયહક અપાવવા માટે કેન્દ્રમાં મોદી અને રાજ્યમાં મુખ્ય મંત્રી દેવેંદ્ર ફડણવીસના સાથસહકારથી ચૂંટાયેલા વેપારીઓ કામ કરવા માટે કટિબદ્ધ હોવાનું જણાવાયું છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ૨૦૨૬ /૨૦૨૯ સહભાગીઓ સાથે મળીને સમગ્ર ટીમ સાથે સહુ મેમ્બરોને સાથે રાખી સહકાર સહયોગ સાથ આપી વ્યાપાર વિકાસને પ્રોત્સાહન આપવા માટે માર્ગદર્શન આપી સહુના હકો મેળવીને રક્ષણની જવાબદારી નીતિપૂર્વક નિભાવી ફરજ બજાવી સંસ્થાનું ગૌરવ વધારવા માટે સતત કાર્યરત પ્રયત્નશીલ રહે તેવી શુભેચ્છા સાથે સહુનો આભાર વ્યક્ત કરીએ છીએ, એમ નવી મુંબઈ મર્ચંટ્સ ચેંબરના ચેરમેન કીર્તિભાઈ રાણાએ જણાવ્યું હતું. આ સભ્યો બિનહરીફ ચૂંટાયાબિનહરીફ ચૂંટાયેલા આગેવાન વેપારીઓમાં રમણિકલાલ છેડા, કીર્તિ રાણા, અમૃતલાલ સાવલા, અમરશી કારલા, જયેશ શેઠ, અનિલ દામાણી, વિનેશ શાહ, તેજસ પારેખ, કાંતિલાલ જે. શાહ, યોગેશ ત્રિવેદી, વિશાલ શાહ, ભાવેશ શેઠિયા, ગોપાલ આહુજા, આલોક શિંગલા, મુકેશ શાહ, દિવ્યેશ શાહ, મહેશ ખીમજી ભાનુશાલી, ઉદય ડી શાહનો સમાવેશ થાય છે.
હિસાબી વર્ષના અંતિમ મહિના માર્ચ દરમિયાન જિલ્લા તિજોરી કચેરી ખાતે 27,995 બિલો અને પેટા તિજોરી કચેરીઓમાં 15,338 બિલો મળી કુલ 43,333 બિલોના રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ બિલોના માધ્યમથી કુલ આશરે 8,951 (89.51 અબજ) રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. માર્ચ 2026 દરમિયાન જિલ્લા તિજોરી કચેરી ખાતે કુલ 3,818 બિલોના રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે કચ્છની 9 પેટા તિજોરીઓમાં મળીને કુલ 2,118 બિલોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ રીતે માત્ર માર્ચ મહિનામાં જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ મળીને કુલ 5,936 બિલોના રૂપિયા આશરે 830 કરોડ જેટલા ચૂકવવામાં આવ્યા હતા, 31 તારીખે મહાવીર જયંતી નિમિત્તે જાહેર રજા હોવા છતાં સતત કામકાજ ચાલુ રાખીને બિલોની ચકાસણી અને મંજૂરી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરાઈ હતી. જિલ્લા તિજોરી અધિકારી એ.એચ. ચૌધરી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ દરમિયાનના કુલ આંકડાઓ પર નજર કરીએ તો જિલ્લા તિજોરી કચેરી ખાતે 27,995 બિલો અને પેટા તિજોરી કચેરીઓમાં 15,338 બિલો મળી કુલ 43,333 બિલોના રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આ બિલોના માધ્યમથી કુલ આશરે 8,951 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું હતું. માર્ચ મહિનો હિસાબી દૃષ્ટિએ અત્યંત મહત્વનો ગણાતો હોવાથી વિવિધ સરકારી વિભાગો દ્વારા બાકી રહેલા વિકાસ કામો, પુરવઠા અને અન્ય ખર્ચના બિલો સમયસર રજૂ કરવામાં આવતા હોય છે. આ વર્ષે પણ કચ્છ જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓએ સંકલિત પ્રયાસોથી મોટી સંખ્યામાં બિલોનું સમયસર નિરાકરણ કરીને સરકારી કામગીરીને ગતિ આપી છે. તિજોરી કચેરી ખાતે પગાર બિલ સહિતની કામગીરીઅધિકારી અને સ્ટાફના પગાર બિલ બનાવવા, લાઇટબીલ, ટેલીફોન બિલ, કન્ટીજન્સી બિલ, રીફંડ અંગેના બિલ, પ્રવાસ ભથ્થા અંગેના બિલ, જી.પી.એફ. ઉપાડ, પેશગી અંગેના બિલ, જૂથવીમા અંગેના બિલ, ઉચ્ચક બિલો, તહેવાર પેશગી, અનાજ પેશગી, ચાર્જ એલાઉન્સના બિલો, મોંઘવારી તફાવતના બિલો, ફિક્સેશન તથા એલ.પી.સી. અંગેની કામગીરી કરવી, પેન્શન કેસ, જુદા- જુદા સદરો અંગેના ખર્ચપત્રકો એકત્ર કરી સંકલિત કરવા અને માસિક ખર્ચપત્રકો બનાવવા, ઈન્કમટેક્ષના પત્રકો તૈયાર કરવા, ફોર્મ-16 તૈયાર કરવા, ત્રિ-માસિક પત્રકો તૈયાર કરવા, ઓડિટ પારા સહિતની કામગીરી કરવાની હોય છે. ભુજ નગરપાલિકાએ વર્ષમાં વેરા પેટે 18.58 કરોડ વસૂલ્યાભુજ નગરપાલિકાની આવકમાં રાજ્ય સરકારની વિવિધ ગ્રાન્ટ ઉપરાંત નગરપાલિકાની પોતાની આવક મુખ્યત્વે વિવિધ કર વસૂલાત પરથી મજબૂત બની રહી છે. ટેક્સ બ્રાન્ચના હેડ અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા મુજબ વર્ષ દરમિયાન કુલ 18.58 કરોડ રૂપિયાનું વેરા વસૂલાત કરવામાં આવી હતી. ખાસ વાત એ રહી કે 31 માર્ચના મહાવીર જયંતિની જાહેર રજા હોવા છતાં પણ 81.50 લાખ રૂપિયાનું કલેક્શન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના સુધરાઈ વિભાગના સ્ટાફ દ્વારા સમયસર અને સુવ્યવસ્થિત રીતે ચલાવવામાં આવતી કર વસૂલાત ઝુંબેશના કારણે મિલકત કર, પાણી, ડ્રેનેજ, સફાઈ અને દીવાબત્તી જેવા કરોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં આ તમામ કર તેમજ શિક્ષણ ઉપકર રૂપે આવક મળી છે, જ્યારે વ્યવસાય વેરા તરીકે પણ આશરે 2 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે. નગરપાલિકાએ 31 માર્ચ સુધી 20 કરોડ રૂપિયાનું લક્ષ્ય નક્કી કર્યું હતું. બાકીદારોને નિયમિત રીતે રસીદ પહોંચાડવાની સુવિધાને કારણે લોકોમાં સમયસર કર ચૂકવવાની જાગૃતિ વધતી જોવા મળી છે. 2022-23થી અમલમાં આવેલા નિયમ મુજબ 31 માર્ચ બાદ કર ભરનાર પાસેથી 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે, જેના કારણે સમયસર ચુકવણીનો દર વધ્યો છે. ભુજમાં કુલ 44 હજારથી વધુ મિલકતો છે, જેમાં 30 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ પ્રોપર્ટીનો સમાવેશ થાય છે. છેલ્લા ચાર વર્ષમાં ભુજવાસીઓએ નગરપાલિકાને અંદાજે 100 કરોડ રૂપિયાથી વધુનો કર ચૂકવ્યો છે, જે શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યો છે.
વાતાવરણ:આજે અને ૩-4 એપ્રિલના મીની વાવાઝોડા સાથે માવઠાની શક્યતા
માર્ચ માસની શરૂઆતમાં ભારે ગરમી બાદ 19 માર્ચથી કચ્છના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો, ત્યારે હવે એપ્રિલ માસની શરૂઆત પણ માવઠા સાથે થાવની આગાહી મોસમ વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી કચ્છમાં ફરી એકવાર વાતાવરણમાં પલટો આવવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, પાકિસ્તાન અને તેની આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (માવઠું) પડી શકે છે. આજે કચ્છ સહીત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા જેવા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વાવાઝોડા સાથે વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જયારે આવતીકાલે વરસાદની કોઈ આગાહી નથી. જો કે ફરી ૩ અને 4 એપ્રિલના રોજ ભારે પવન સાથે વરસાદ થવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકના તાપમાન પર નજર કરીએ તો,ભુજમાં 33.0 ડિગ્રી, નલિયા 30.2, કંડલા પોર્ટ 33.5 ડીગ્રી અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 34.8 ડીગ્રી રહ્યું હતું. જો કે કાલથી માવઠાના કારણે તાપમાનમાં પણ 2થી ૩ ડીગ્રીના ઘટાડાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આયોજન:કચ્છમાં ધોરણ 6 થી 8 ના 184 શિક્ષકોને સ્થળ પસંદગી બાદ નિમણૂક પત્ર એનાયત
કચ્છમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાસહાયકોની વિશેષ ભરતી પ્રક્રિયા અંતર્ગત સ્થળ પસંદગી અને હુકમ વિતરણનો કાર્યક્રમ માધાપરમાં યોજાયો હતો. આ પ્રસંગે નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરાયા હતા. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે,, સમાજમાં જો કોઈ સૌથી વધુ આદરપાત્ર વ્યક્તિ હોય તો તે માત્ર શિક્ષક છે. શિક્ષક જ એક એવી વ્યક્તિ છે જે નિવૃત્તિ પછી પણ સમાજમાં એટલું જ માન-સન્માન મેળવે છે. તેમણે નવનિયુક્ત શિક્ષકોને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવા પ્રોત્સાહિત કર્યા હતા.ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે નવનિયુક્ત શિક્ષકોને કચ્છમાં આવકારતા જણાવ્યું કે, તમે કચ્છને પોતાનું વતન બનાવીને સેવા કરજો. ગ્રામ્ય સ્તરે તમને લોકોનો પૂરો સહકાર મળશે અને કોઈ પણ મુશ્કેલી નહીં પડે તેવી ખાતરી તેમણે આપી હતી. શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઈ ગઢવીએ કચ્છ માટે વિશેષ ભરતી કરવા બદલ સરકારનો આભાર માની નવા શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. ઈન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે, કુલ 194 ઉમેદવારોમાંથી 187 ઉમેદવારો હાજર રહ્યા હતા, જેમાંથી 184 શિક્ષકોએ સ્થળ પસંદગી કરી પોતાના નિમણૂક પત્રો મેળવ્યા હતા. વિષય કુલ હાજર ગેરહાજર અસંમત સ્થળ પસંદગી ભાષા 60 59 1 2 57 ગણિત-વિજ્ઞાન 62 58 4 0 58 સા. વિજ્ઞાન 72 70 2 1 69 કુલ 194 187 7 3 184
દુર્ઘટના:ભુજ-માધાપર હાઇવે પર ટ્રેલર અને ટ્રક વચ્ચે અકસ્માત: ચાલકનો આબાદ બચાવ
ભુજ-માધાપર હાઇવે પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, જેમાં મંગળવારે વહેલી સવારે એક ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે અંદાજે 4:35 વાગ્યાના અરસામાં માધાપર હાઇવે નજીક એક ટ્રેલર અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રેલરના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક કેબિનની અંદર લોખંડના પતરાં વચ્ચે ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટના અંગે તાત્કાલિક 112 મારફતે જાણ કરવામાં આવતા ભુજ ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત હરકતમાં આવી હતી અને બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગના જવાનોએ અત્યંત મુશ્કેલ પરિસ્થિતિમાં આધુનિક કટર્સ અને અન્ય સાધનોનો ઉપયોગ કરી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કામગીરીમાં ડીસીઓ ભગતસિંહ જાડેજા અને જગદીશ દનીચાની આગેવાની હેઠળ ફાયરમેન પ્રતીક મકવાણા, રમેશ ગાગલ અને જય ઠકરે ભારે જહેમત ઉઠાવી હતી. કલાકોની જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ડ્રાઈવરને જીવિત અને સલામત રીતે બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ફાયર ટીમની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ બચી શક્યો છે.
સમસ્યા:ભુજમાં 1962 પશુ એમ્બ્યુલન્સ સેવા જ બીમાર
રાજ્ય સરકાર દ્વારા અબોલ પશુ-પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-1962 શરૂ કરવામાં આવી છે. 108 ની જેમ કાર્યરત આ સેવાનો હેતુ અકસ્માત કે બીમારીના સમયે પશુઓને જીવતદાન આપવાનો છે. પરંતુ, કચ્છના મુખ્ય મથક ભુજમાં આ સેવા હાલ માત્ર કાગળ પર દોડતી હોય તેમ લાગી રહ્યું છે. અપૂરતો સ્ટાફ અને ભૌગોલિક મર્યાદાઓને કારણે અનેક પશુઓને સમયસર સારવાર મળતી નથી. ભુજમાં કાર્યરત 1962 સેવાની સૌથી મોટી મર્યાદા એ છે કે તેનો લાભ માત્ર શહેર પૂરતો જ સીમિત છે. શહેરની સાવ નજીક આવેલા માધાપર કે મિરજાપર જેવા વિસ્તારોમાંથી ફોન કરવામાં આવે તો પણ અધિકાર ક્ષેત્ર બહાર હોવાનું કહીને સેવા નકારવામાં આવે છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે શહેરમાંથી દરરોજ સરેરાશ 25 થી 27 જેટલા ઈમરજન્સી કોલ આવે છે. તેની સામે એમ્બ્યુલન્સની કેપેસિટી માત્ર 12 કોલ એટેન્ડ કરવાની છે. જોકે સ્ટાફ 15 - 17 જેટલા કેસ પૂરા કરવાનો દાવો કરે છે, જ્યારે વારંવાર પૂછપરછ કરવામાં આવે ત્યારે ડોક્ટર ઈમરજન્સીમાં વ્યસ્ત છે તેવી કેસેટ વગાડીને લોકોને સરકારી દવાખાને પશુને લઈ આવવા કહી દેવાય છે. ગલુડિયા કે બિલાડીને લઈ જવા શક્ય છે, પણ ગાય-ભેંસ જેવા મોટા પશુઓને દવાખાને કેવી રીતે લઈ જવા તે મોટો પ્રશ્ન છે. જાગૃત લોકોમાં એવો રોષ પણ જોવા મળી રહ્યો છે કે કેટલીક જીવદયા સંસ્થાઓ સેવાના નામે મોટું ફંડ ઉઘરાવે છે, પરંતુ જ્યારે ખરેખર જરૂર હોય ત્યારે ગાડી બંધ છે કે બીજે રોકાયેલી છે તેવા બહાના કાઢીને હાથ ઊંચા કરી દે છે. આખરે લોકોને ભાનુશાલી નગર સામે, છઠ્ઠીબારી કે એરપોર્ટ રોડ સ્થિત પશુ કોલેજના દવાખાના પર નિર્ભર રહેવું પડે છે, જો સમયસર યોગ્ય સ્ટાફ અને સાધનો નહીં ફાળવાય, તો સરકારનો આ ઉમદા હેતુ માત્ર જાહેરાતો પૂરતો જ મર્યાદિત રહી જશે. ભુજમાં કરૂણા એમ્બ્યુલન્સ વધારવાની વર્ષોની દરખાસ્ત હજુ પણ સરકારમાં પેન્ડિંગજીવદયા પ્રેમીઓના મતે, હાલમાં જે મોટી એમ્બ્યુલન્સ છે તે ભુજની સાંકડી ગલીઓ અને આંતરિક વિસ્તારોમાં પહોંચી શકતી નથી.જો સરકાર ઈકો જેવી નાની ગાડી ફાળવે તો તે ઝડપથી શેરીઓમાં પહોંચી શકે. ભુજમાં હાલ એક જ એમ્બ્યુલન્સ છે બીજી નવી એમ્બ્યુલન્સ માટેની દરખાસ્ત વર્ષોથી પેન્ડિંગ છે, પણ હજુ સુધી સરકારે કોઈ નક્કર પગલાં ભર્યા નથી.
માંડવી શહેરમાં આવેલા ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના આશરે 200 વર્ષ જૂના જન્મસ્થળની હાલત ચિંતાજનક બની છે. સરકાર માલિકીનું આ ઐતિહાસિક મકાન જર્જરિત હાલતમાં હોવા છતાં તેની યોગ્ય મરામત અને જાળવણી માટે પૂરતી સરકારી સહાય મળતી નથી, જે આશ્ચર્યજનક બાબત માનવામાં આવે છે. તા. 30 માર્ચે તેમની 96મી પુણ્યતિથિ નિમિત્તે અહીં પુષ્પાંજલિ અર્પણ કરી તેમના જીવન અને યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું, પરંતુ કાર્યક્રમ બાદ સ્થળની હાલત યથાવત રહી છે. સ્થાનિક સ્તરે જણાવ્યા મુજબ આ મકાનની જાળવણી માટે વાર્ષિક અંદાજે દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ જરૂરી છે, છતાં સરકાર તરફથી કોઈ નાણાં ફાળવવામાં આવતા નથી.અહીં લાઇબ્રેરી અને પુસ્તકાલય પણ કાર્યરત છે, પરંતુ કર્મચારીઓના પગાર તેમજ વીજળીના બિલ માટે પણ સરકાર તરફથી કોઈ સહાય મળતી નથી. પરિણામે “શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ફાઉન્ડેશન” ના સભ્યો પોતાના સ્તરે ફંડ એકત્ર કરી સંસ્થાનું સંચાલન કરી રહ્યા છે. અગાઉ જીએમડીસી દ્વારા મકાનની મરામત કરાઇ હતી, પરંતુ ત્યારબાદ કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. વર્ષ પહેલા ગાંધીનગરથી ટીમ સ્થળ મુલાકાતે આવી હતીલગભગ એક વર્ષ પહેલાં ગાંધીનગરથી એન્જિનિયરની ટીમ સ્થળની મુલાકાતે આવી હતી અને જન્મસ્થળને નવી રીતે વિકસાવવાની ચર્ચા થઈ હતી, પરંતુ આજદિન સુધી કોઈ કામગીરી શરૂ થઈ નથી. આજકાલ આ સ્થળ “શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક” તરીકે વિકસાવવામાં આવ્યું છે, જ્યાં તેમના જીવનપ્રસંગો અને સ્વતંત્રતા આંદોલન સાથે જોડાયેલા દસ્તાવેજો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. દર વર્ષે અહીં અનેક પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ મુલાકાતે આવે છે. દેશના મહાન ક્રાંતિકારીના આ ઐતિહાસિક જન્મસ્થળને યોગ્ય સંરક્ષણ અને વિકાસ મળે તે માટે સ્થાનિક સ્તરે તંત્ર પાસે માંગ ઉઠી રહી છે.
પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી લેણાંની વસૂલાત માટે આક્રમક મેગા ડ્રાઈવ અને ડિસકનેક્શનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કડક કાર્યવાહી વચ્ચે કચ્છ જિલ્લાના 19 ગામોએ આર્થિક શિસ્ત અને જાગૃતતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 31 માર્ચના રોજ નાણાકીય વર્ષ પૂર્ણ થતાની સાથે જ આ ગામોના તમામ ગ્રાહકોએ પોતાનું 100% વીજ બિલ ભરીને ગ્રામ્ય સ્તરે ‘ઝીરો પેન્ડન્સી’નો રેકોર્ડ નોંધાવ્યો છે. જાન્યુઆરી માસથી જ PGVCL દ્વારા બાકી વીજ બિલોની વસૂલાત માટે તાલુકા મથકોએ ટીમો બનાવી આયોજનબદ્ધ કામગીરી શરૂ કરાઈ હતી. તંત્રના આ આદેશો વચ્ચે ગ્રામીણ જનતાએ સામે ચાલીને સહકાર આપ્યો છે. કચ્છના અંતરિયાળ વિસ્તારોએ સાબિત કર્યું છે કે જો ગ્રામ પંચાયત અને સ્થાનિકો નિર્ધાર કરે, તો સરકારી લેણાંની સમયસર ચુકવણીમાં કોઈ અવરોધ આવતો નથી.આ નોંધનીય કામગીરી બદલ PGVCL તંત્ર દ્વારા પણ આ તમામ 19 ગામોના ગ્રાહકોનો આભાર માનીને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. સરકારી તંત્રના જણાવ્યા અનુસાર, આ ગામોની પહેલ અન્ય વિસ્તારો માટે પ્રેરણારૂપ બનશે. વીજ બિલની સમયસર ચુકવણીથી નેટવર્ક અપગ્રેડેશન અને વીજ સુવિધામાં વધુ સુધારો કરવામાં વિભાગને સીધી મદદ મળે છે. ગૌરવ મેળવનાર ગામોની યાદી
આત્મહત્યા:મોરગરના તળાવ પાસે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
પશ્ચિમ કચ્છમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે જેમાં નખત્રાણા તાલુકાના મોરગર ગામના તળાવ પાસે યુવાને ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધો હોવાની ઘટના સામે આવી છે.જ્યારે મુન્દ્રા તાલુકાના ભોપાવાંઢ ગામની સીમમાં પરપ્રાંતીય વ્યક્તિએ કોઈ કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. નખત્રાણા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરગરમાં રહેતા 22 વર્ષીય નીતિનસિંહ આમરજી રાઠોડે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ 29 માર્ચના સાત વાગ્યાથી 30 માર્ચના સવા દસ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યો હતો.હતભાગી યુવાને કોઈ કારણોસર મોરગર ગામે આવેલા તળાવ પાસે નાયલોનના રસ્સાથી જારના ઝાડ પર ફાંસો ખાઈ લીધો હતો. બનાવને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ છતીસગઢના 30 વર્ષીય કમલેશ સુધીર બિશ્વાસે આત્મઘાતી પગલું ભરી લીધું હતું.બનાવ 29 માર્ચના સાડા નવ વાગ્યાના અરસામાં બન્યો હતો.જેમાં હતભાગીએ ભોપાવાંઢ થી ટાટા કંપની તરફ જતા રસ્તા પર બાવળની ઝાડીમાં પીળા કલરના પટ્ટાથી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ઘટના સબંધિત વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે.
કાર્યવાહી:માંડવીના દરશડીમાંથી 12.75 લાખના દારૂ સાથે કિશોર પકડાયો
માંડવી તાલુકાના દરશડી ગામથી મોમાયમોરા તરફ જતા રસ્તા પર મફતનગરમાં બોલેરો અને ક્રેટા કારમાં ભરેલો રૂપિયા 12.75 લાખનો દારૂનો જથ્થો સગેવગે થાય તે પહેલા એલસીબીએ ઝડપી લીધો હતો.રેઇડ દરમિયાન કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર પોલીસને હાથ લાગ્યો હતો જોકે બે મુખ્ય આરોપી પોલીસને હાથ લાગ્યા ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,દરશડી ગામનો આરોપી ભાવસંગજી ભગુભા જાડેજા અને ચુનડી ગામનો આરોપી રામસંગજી દોલુભા જાડેજા તેના મળતિયાઓ સાથે મફતનગરમાં ખુલ્લી જગ્યામાં ગાડીઓમાં દારૂનો જથ્થો રાખી સગેવગે કરવાની પેરવીમાં છે. બાતમીને આધારે પોલીસે સ્થાનિકે રેઇડ કરતા બન્ને આરોપી અંધારાનો લાભ લઇને ભાગી ગુઆ હતા.જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પોલીસને હાથ લાગ્યો હતો.પોલીસે તપાસ કરતા બોલેરો અને ક્રેટા કાર લોક કરેલી હતી જેની કાચ તોડી તપાસ કરતા તેમાંથી રૂપિયા 12.75 લાખની કિંમતનો 1026 બોટલ દારૂ મળી આવ્યો હતો.જે બાબતે આરોપી કિશોરને પૂછપરછ કરતા દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મંગાવેલો હતો જે છુપાવવા માટેની પેરવીમાં હતા.પોલીસે દારૂ અને બન્ને કાર સહીતનો મુદ્દમાલ કબ્જે કરી ગઢશીશા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરમાં રસ્તાઓ પર થયેલા દબાણો દૂર કરવા માટે નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલી દબાણ હટાવ ઝુંબેશ માત્ર એક જ દિવસમાં સમેટાઈ જતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. શહેરમાં વર્ષોથી ચાલતી એ લોકચર્ચા ફરી સાચી સાબિત થઈ રહી છે કે, જ્યારે પણ દબાણ હટાવવાની વાત આવે ત્યારે તંત્ર માત્ર ગરીબ અને નાના લારી-ગલ્લાવાળાઓ પર જ કાર્યવાહી કરે છે, પરંતુ વગદાર અને મોટા માથાઓના પાકા દબાણો સામે જેસીબી મશીનો પહોંચતા જ નથી. શહેરમાં વધતા દબાણો અને સાંકડા થતા રસ્તાઓની સમસ્યા મામલે ગત 27-2ના ભચાઉ પ્રાંત કચેરી ખાતે ના. કલેક્ટર, મામલતદાર, પાલિકા પ્રમુખ, નગર સેવકો અને આગેવાનો વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પાલિકાએ 18 માર્ચના રોજ દબાણ હટાવ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. પરંતુ આ કાર્યવાહી માત્ર રેકડીઓ અને પાથરણાં પૂરતી જ સીમિત રહી હતી. નાના ધંધાર્થીઓએ રોષભેર પાલિકાને સ્પષ્ટ સંભળાવી દીધું હતું કે, “પહેલા મોટા લોકોના દબાણ હટાવો, બાદમાં જ અમારી રેકડીઓ હટાવજો.” આ વિરોધ બાદ કામગીરી અટકી પડી હતી અને હવે કેટલીક જગ્યાએ ફરીથી રેકડીઓ ઉભી રહેવા લાગી છે. સરકારી તંત્ર, અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આમુદ્દે વામણા પુરવાર થયા હોવાનો ઘાટ સર્જાયો છે. ભચાઉ શહેરના મુખ્ય માર્ગો પર દબાણોની ભરમારહાલમાં ભચાઉ શહેરમાં બટીયા તળાવથી જૂના બસ સ્ટેશન, ત્યાંથી નવા એસટી બસ સ્ટેશન, મુખ્ય બજાર અને દુધઈ રોડ સહિતના મોટાભાગના વિસ્તારોમાં દબાણોની ભારે ભરમાર છે. દુકાનદારોના ગેરકાયદેસર ઓટલા અને અન્ય દબાણોને કારણે રસ્તાઓ અત્યંત સાંકડા બની ગયા છે, જેથી વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરીજનો ઈચ્છી રહ્યા છે કે આગેવાનો અને મોટા માથાઓ સ્વેચ્છાએ પોતાના દબાણો દૂર કરે તો જ ભચાઉ સ્વચ્છ અને સુંદર બની શકે. નોંધનીય છે કે, તંત્ર દ્વારા દૂર કરાયેલા દબાણો ફરી પાછા ગોઠવાઇ પણ જતા હોય છે. પાલિકા પ્રમુખે કહ્યુ : તહેવારોના લીધે કામ અટક્યુંઆ અધૂરી કામગીરી બાબતે ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઇ રાઠોડે જણાવ્યું હતું કે, “વચમાં તહેવારો આવતા હોવાથી અને પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ન મળી રહેતા દબાણ હટાવવાની કામગીરી હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે. ટૂંક સમયમાં જ તે ફરી શરૂ કરવામાં આવશે અને શહેરના રસ્તાઓ પહોળા કરી લોકોની સુખાકારી વધારવામાં આવશે.” VIP દબાણો તાત્કાલિક હટાવવા જોઈએ : કોંગ્રેસબીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડે તંત્રની નીતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, “શહેરમાં માત્ર નાના માણસોના દબાણ જ ન હટવા જોઈએ. પરંતુ જે પાકા દબાણો છે, હેતુફેર કરીને બનાવાયા છે તેવા તમામ VIP દબાણો તાત્કાલિક હટાવવા જોઈએ. વેપારીઓએ દુકાનની બહાર બનાવેલા અને રસ્તાઓ રોકતા ઓટલાઓ પણ દૂર કરવા જોઈએ. તો જ રસ્તો ટ્રાફિક મુક્ત બનશે”
પીવાના પાણીની ગંભીર કટોકટીથી લોકો ત્રસ્ત:અબડાસાના કેરવાંઢ, કોસા સહિત 7 ગામોમાં જળસંકટ
અબડાસા તાલુકાની કેરવાંઢ જુથ ગ્રામ પંચાયત દ્વારા પીવાના પાણીની વિકટ સમસ્યા અંગે તંત્રને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. સરપંચ કેર જમીલાબાઈ હનીફના જણાવ્યા અનુસાર, કેરવાંઢ અને કોસા ગામમાં ગત તા. 18 અને 19 પાણી મળ્યા બાદ 30 માર્ચ સુધી પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી. છેલ્લા બે મહિનાથી આ ગામોમાં 8-8 દિવસના અંતરે જ પાણી આપવામાં આવે છે.કેરવાંઢ-કોસાની પાણીની લાઈન પર કેરવાંઢ, કોસા, ભારાવાંઢ, મોહાડી, નાની ચારોપડી સહિત કુલ 7 ગામો અને 2 BSF કેમ્પ આધારિત છે, જેના કારણે પૂરતું પાણી વિતરણ થઈ શકતું નથી.વાલ્વ ક્યારે ખોલવામાં આવે છે તેની કોન્ટ્રાક્ટરને પણ ખબર ન હોવાથી તેમની લાપરવાહીનો ભોગ ગામલોકો બની રહ્યા છે. ચરોપડી મોટીની નદીમાં છેલ્લા 4 દિવસથી પાણીની લાઈન તૂટી ગઈ છે, જેનું આજદિન સુધી કોઈ જ રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી. પંચાયતની રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, હજુ તો ઉનાળાની શરૂઆત જ છે અને આજુબાજુના તળાવોમાં પણ મીઠું પાણી બચ્યું નથી. માણસો તો ગમે ત્યાંથી પાણી ભરીને ગુજરાન ચલાવી લે છે, પરંતુ 8-8 દિવસ સુધી પાણી ન મળતા અબોલ પશુધન તળાવનું ખારું પાણી પીને બીમાર પડી રહ્યું છે. જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં ‘સ્વાગત’ કાર્યક્રમમાં રજૂઆત કરવાની ચીમકી પંચાયત દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
અકસ્માત:રસ્તામાં રોઝ આડું પડતાં બાઇક પલટી ખાવાથી આધેડનું મોત
રાજુલાથી વાવેરા જતા માર્ગ પર રોઝ અચાનક રસ્તામાં આડું પડતાં બ્રેક મારતા બાઈક સ્લિપ થઈ જતાં ઇજા થવાથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર, રાજુલાના વાવેરા ગામના કેશુભાઈ વલકુભાઈ ધાખડા (ઉ.વ.48) કોઈ કામથી બાઇક ઉપર રાજુલા ગયા હતા, ત્યાંથી રાત્રે 2:30 વાગ્યે પરત પોતાના ગામ આવી રહ્યા હતા, તે સમયે રસ્તામાં બાઈક આગળ અચાનક રોઝ આડું ફરતા ચાલકે કાબુ ગુમાવતા બાઈક સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં બાઈક પર સવાર કેશુભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમની તબિયત વધુ બગડતાં અંતે આજે તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ભરતભાઈ વલકુભાઈ ધાખડાએ જાણ કરી હતી. સમગ્ર બનાવ અંગે રાજુલા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
લોકોમાં રોષ:બાબરામાં 40 મિનિટ સુધી ગાયોને માર માર્યો
બાબરા શહેરમાં ટ્રાન્સપોર્ટના ધંધા સાથે સંકળાયેલા આશરે 26 વર્ષીય નામના યુવકે ગૌશાળામાં ઘૂસી લાકડીઓ અને દોરી વડે ગાયો પર મારઝૂડ કરી હતી. બીમાર અને અબોલ પશુઓને દોડાવી દોડાવીને માર મારવામાં આવતા સમગ્ર ઘટનાએ લોકોમાં રોષ ફેલાવ્યો છે. આ સમગ્ર ઘટના ગૌશાળામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. વિડિયો સામે આવ્યા બાદ શહેરમાં આ બનાવની ભારે ચર્ચા શરૂ થઈ છે. બાબરાની હરીઓમ ગૌશાળા છેલ્લા આશરે 16 વર્ષથી સ્થાનિક યુવા ગ્રુપ દ્વારા સંચાલિત છે, જ્યાં બીમાર અને વૃદ્ધ ગાયોની સેવા કરવામાં આવે છે. સાથે આ યુવા ગ્રુપ દ્વારા બીમાર અને અપંગ ગાયોની જરૂરી સારવાર પણ કરવામાં આવે છે. અહીં દરેક ગાય બીમાર, વૃદ્ધ અથવાતો વિકલાંગ છે. ગૌશાળાના સંચાલનમાં ગજેન્દ્રભાઈ શીખવા અને મૌલિક તેરૈયા સહિત યુવાનો સક્રિય રીતે સેવા આપી રહ્યા છે. રામનવમીની મધ્ય રાત્રિએ બનેલી આ ઘટના યુવા ગ્રુપની સતર્કતાને કારણે બહાર આવી છે. બીજા દિવસે સીસીટીવી ચેક કરતા સમગ્ર હકીકત સામે આવી હતી. આ શખ્સની હરકતો કેમેરામાં કેદ થતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. કાલે ફરિયાદ કરાશે અંગે ગૌશાળાના સંચાલક ગજેન્દ્રભાઈ શેખવાએ જણાવ્યું હતું કે રામ નવમીની રાત્રે આ ઘટના બની હતી. જે સીસીટીવી માં કેદ થઈ છે. આવતીકાલે આ અંગે પોલીસમાં ફરિયાદ આપવામાં આવશે.
સાવરકુંડલામાં વજન કાંટા બનાવતી જુદી જુદી પાંચ પેઢીમાં ગઈકાલે સેન્ટ્રલ જીએસટીની ટુકડીઓએ દરોડાની કાર્યવાહી શરૂ કર્યા બાદ આજે બીજા દિવસે પણ આ કાર્યવાહી શરૂ રહી હતી. 18% જીએસટી બચાવવા માટે જુદી જુદી પેઢીઓ દ્વારા મૂળ વેચાણના માત્ર 20 થી 30 ટકા રકમના જ બીલો બનાવી બાકીની રકમ આંગડિયા મારફત મંગાવી ટેક્સ ચોરી કરાતી હોવાનું ખૂલે તેવી શક્યતા જોવાઈ રહી છે. સાવરકુંડલામાં મોટા પ્રમાણમાં કાંટા ઉદ્યોગ વિકસ્યો છે. અહીંથી દેશભરમાં વજન કાંટા મોકલવામાં આવે છે. બદલાતા જતા સમય સાથે અહીં ઇલેક્ટ્રીક વજન કાંટાનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થઈ રહ્યું છે. જો કે વજન કાંટાના વેપારમાં ટેક્સની મોટા પ્રમાણમાં ચોરી થઈ રહી છે. સુરતની એક પેઢી પર પાડેલા દરોડા દરમિયાન તેનું સાવરકુંડલામાં કનેક્શન ખુલતા સેન્ટ્રલ જીએસટીની જુદાજુદા ત્રણ શહેરની 11 ટીમોએ ગઈકાલ સવારથી જ સાવરકુંડલામાં અલગ અલગ પાંચ પેઢીમાં દરોડો પાડી નાણાકીય વ્યવહારો ચકાસવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ કાર્યવાહી આખો દિવસ ચાલ્યા બાદ આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી અને બપોર સુધીમાં સેન્ટ્રલ જીએસટીની ટીમોએ પોતાની કાર્યવાહી પૂર્ણ કરી હતી. સૂત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા સાવરકુંડલાની આજ જુદી જુદી પાંચ પેઢીમાંથી અલગ અલગ ફાઈલો, રજીસ્ટર, બિલબુક, સ્ટોક રજીસ્ટર વિગેરે કબજે લીધું છે. આ પેઢીઓ દ્વારા વેચાણના નાની રકમના બિલ બનાવી જીએસટીની ચોરી કરવામાં આવે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી રહી છે. સૂત્રોમાંથી એમ પણ જાણવા મળે છે કે આ ટીમોએ બિલ બનાવવાના ઓનલાઈન સોફ્ટવેરના આઈડી પાસવર્ડ પણ પેઢીઓ પાસેથી લીધા છે. હવે તેના આધારે તપાસ શરૂ કરવામાં આવશે. સર્વગ્રાહી મૂલ્યાંકન બાદ જીએસટીની ચોરી જણાશે તો દંડ વસૂલવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બીજી તરફ સેન્ટ્રલ જીએસટીના દરોડાને પગલે આજે બીજા દિવસે પણ અહીંના મોટાભાગના વજન કાંટાના કારખાના બંધ રહ્યા હતા. એટલું જ નહીં અહીં ખેત ઓજારો બનાવતા કેટલાક કારખાનાઓ પણ આજે બંધ રહ્યા હતા. ગઈકાલે શહેરની મોટાભાગની આંગડિયા પેઢીઓ પણ બંધ રહી હતી. જો કે આજે જીએસટીની ટીમો રવાના થયા બાદ આંગડિયા પેઢીના વ્યવહારો રાબેતા મુજબ થયા હતા. નવી સૂચના ન મળે, સોફ્ટવેર ખોલવા મનાઇસેન્ટ્રલ જીએસટીના અધિકારીઓએ વજન કાંટાની પેઢીઓના ઓનલાઈન બીલના આઈડી અને પાસવર્ડ લીધા બાદ આ પેઢીઓને નવી સૂચના ન મળે ત્યાં સુધી તેનો સોફ્ટવેર ખોલવાની મનાઈ કરી છે.
નર્મદામાં જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે પણ 60 થી વધુ તથા છ તાલુકાઓની 90 બેઠકો માટે પણ 200 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પ્રદેશમાંથી આવેલાં નિરિક્ષકોની હાજરીમાં ઉમેદવારો નકકી કરવા માટે સેન્સ લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે આગામી 3 દિવસ સુધી ચાલશે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે રાજપીપલા શહેર અને નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપની ટિકિટો મેળવવા માટે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો છે. એક બેઠક માટે 8 થી 10 કાર્યકરો અને હોદેદારો એ ફોર્મ ભર્યા છે. જિલ્લા પંચાયતની 22 બેઠકો માટે પણ 60 થી વધુ ફોર્મ આવ્યા છે. તથા છ તાલુકાઓ ની 90 બેઠકો માટે પણ 200થી વધુ ફોર્મ ભરાયા છે. પાલિકા અને તાલુકા પંચાયતમાં નાંદોદ તાલુકામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ત્રણ દિવસ આ સેન્સ પ્રક્રિયા ચાલસે. પ્રદેશ કક્ષાથી નિયુક્ત કરાયેલા નિરીક્ષકો પ્રદેશ ઉપપ્રમુખ, ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, પૂર્વ પ્રદેશ સહ પ્રવક્તા ઘનશ્યામ ગઢવી અને પ્રદેશ કિસાન મોરચા પ્રદેશ મહામંત્રી હેમલ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. નર્મદા જિલ્લા અધ્યક્ષ નીલ રાવ અને જિલ્લાના ઉપ પ્રમુખ અનેમહામંત્રીઓ હાજર રહ્યા હતા.
પરિક્રમા અને પ્રવાસન વચ્ચે તંત્રનો નિર્ણય:નર્મદાના 45 ભયજનક સ્થળોએ નહાવા પર પ્રતિબંધ
નર્મદા જિલ્લો હાલ દેશનું લોકપ્રિય પ્રવાસન ધામ બન્યું છે, સાથે જ ચૈત્ર માસમાં નર્મદા સ્નાન અને પરિક્રમાનો મહિમા હોવાથી લાખો ભક્તો અહીં ઉમટી રહ્યા છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને રાખી નર્મદાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.કે. ઉંધાડ દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લાના અત્યંત ભયજનક ગણાતા જળાશયો અને નદીના કિનારે નહાવા તથા પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામા મુજબ, નાંદોદ તાલુકાના જીતગઢ કરજણ ડેમનો નીચલા ભાગ, પોઈચા ભાઠા, માંડણ ગામ, રામપુરા ઘાટ અને કાળીયાભૂત ધોધ જેવા સ્થળોને પ્રતિબંધિત જાહેર કરાયા છે. આ ઉપરાંત ગામડી ભાઠા, કરજણ ઓવારા, ગુવાર ભાઠા, કરજણ બ્રીજ, પોઈચા બ્રીજ નીચે નર્મદા નદી, તેમજ ઓરી, સિસોદ્રા, પાટણા અને વરાછાના નર્મદા કિનારાનો સમાવેશ થાય છે. ચોમાસામાં લોકપ્રિય એવા જુનાઘાંટા ધોધ, વિસાલખાડી, બાર ફળિયા વણઝર પાસેની કરજણ નદી અને જુનારાજ ખાતે પણ પ્રવાસીઓને ન જવા તાકીદ કરવામાં આવી છે. આદેશનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નર્મદા જિલ્લામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધિત સ્થળોની યાદી વિસ્તૃત કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ, હવે ગરૂડેશ્વર, તિલકવાડા અને દેડીયાપાડા તાલુકાના મહત્વના પ્રવાસન સ્થળોએ નહાવા કે પ્રવેશ કરવા પર 30 મે 2026 સુધી કડક મનાઈ ફરમાવવામાં આવી છે. ગરૂડેશ્વર - એસઓયુ વિસ્તારના પ્રતિબંધિત સ્થળો ધાર્મિક સ્થળો: ગોરા હરિધામ આશ્રમ ઓવારો, ગરૂડેશ્વર દત્ત મંદિર ઓવારો, ગોરા ત્યાગી ઘાટ, સૂર્ય કુંડ ડેમ અને વ્યૂ પોઈન્ટ: ગરૂડેશ્વર વિયર ડેમ, સરદાર સરોવર ડેમ, વ્યૂ પોઈન્ટ નં. 1 અને 2, ડાઇક નં. 1, 2 અને 3 ટૂરિસ્ટ પોઈન્ટ: ઝરવાણી ધોધ, ખલવાણી, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેટી પોઈન્ટ, વોટર એરોડ્રોમ, એકતા ક્રુઝ જેટી, અને ઝીરો પોઈન્ટ ભૂમલિયા કેનાલ.
ગૌરવ:વલસાડની આચાર્યાને રાજભવનમાં રાજ્યકક્ષાએ શત સુભાષિત પંડિતની ગરિમામયી પદવી એનાયત
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ગાંધીનગર ખાતે રાજ્ય સ્તરીય સંસ્કૃત સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડની પ્રતિષ્ઠિત શાહ ખીમચંદ મુળજીભાઈ હાઈસ્કૂલના આચાર્યા જયશ્રીબેન ભગતને રાજ્ય કક્ષાએ શિક્ષણમંત્રી દ્વારા શત સુભાષિત પંડિતની ગરિમામયી પદવી એનાયત કરી ગૌરવપૂર્ણ સમારંભમાં સન્માનિત કરાયા છે. જેને લઈ શિક્ષણ આલમમાં ખૂશીની લાગણી પ્રસરી ગઈ છે. આ સફળતા બદલ જયશ્રીબેનને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા અભિનંદન પાઠવ્યા હતા. વલસાડ જિલ્લાના આચાર્ય સંઘ અધિવેશનમાં આ શાળાને બહુ વિધક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ બદલ જિલ્લા કક્ષાનો HHVRનો એવોર્ડ સાથે 11000 પુરસ્કારથી પણ સન્માનિત કરાઇ હતી. આ પ્રસંગે વલસાડ સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ વિનોદચંદ્ર દેસાઈ, મંત્રી દોલતભાઈ દેસાઈ, ઉપપ્રમુખ રશેષ દેસાઈ તથા શાહ ખીમચંદ મૂળજીભાઈ હાઇસ્કુલ સ્ટાફ, સંસ્કૃત ટીમ કન્વીનર વિમલ પટેલ, સહ કન્વીનર મિતેશ પટેલ તથા તેમની ટીમ, સીઆરસી કો.જગદીશ ટંડેલ તથા શિક્ષણ અને સંસ્કૃતિપ્રેમી વલસાડ વાસીઓંએ શુભેચ્છા પાઠવી અભિવાદન કર્યું છે. ઉપાધિ મેળવવા કંઠસ્થ ખુબ કઠિન કસોટી પ્રાચીન પરંપરા મુજબ સંસ્કૃત 100 સુભાષિતો કંઠસ્થ કરવું પડે છે.જે ખુબજ કઠિન કસોટી હોય છે. તેમને ''પંડિત''ની ઉપાધિ આપે છે. આ યોજના હેઠળ યુનિવર્સિટી કક્ષાએ લેવાયેલી અત્યંત કઠિન કસોટીમાં જયશ્રીબેન ઉત્તીર્ણ થયા હતા. રાજ્ય સરકાર અને સંસ્કૃત બોર્ડ દ્વારા જયશ્રીબેનને શત સુભાષિત પંડિતની પદવી સાથે 21 હજારનું રોકડ અર્પણ કરી સન્માનિત કરાયા છે. સંસ્કૃત ભાષા માટે રાજ્ય સરકારની યોજના સંસ્કૃત ભાષાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે રાજ્ય સંસ્કૃત બોર્ડના પ્રયાસો છે. જે માટે ''શત સુભાષિત કંઠપાઠ યોજના'' અમલમાં મૂકવામાં આવી છે જેમાં સંસ્કૃત જેવી દેવભાષાનું જતન એક મહત્વનું પાસું છે. જેની સાથે સંસ્કૃત સંવર્ધનમાં પંડિતની ઉપાધિ માટે એક આચાર્ય તરીકે શિક્ષણકાર્ય સાથે જયશ્રીબેન ભગતે અમૂલ્ય યોગદાન આપ્યું છે.
ગ્રામજનોમાં આનંદની લાગણી:78 વર્ષે નંદાવલાને પંચાયતનું મકાન મળ્યું
વલસાડ તાલુકાના નંદાવલા તેમજ સરોણ ગામ માટે એક જ ગ્રામ પંચાયતનું મકાન સરોણ ખાતે હતું.આઝાદીના 78 વર્ષ બાદ મંગળવારે નંદાવલા ગામને અલાયદુ ગ્રામ પંચાયત મકાન મળતા ગ્રામજનોમાં આનંદની લાગણી ફેલાઇ છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે રીબીન કાપી ભવનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પહેલા નંદાવલા તેમ જ સરોણ માટે એક જ ગ્રામ પંચાયત મકાન હતું, જેથી ગ્રામજનોએ કોઈ સરકારી કામ કે, દાખલો કઢાવવો હોય તો સરોણ જવું પડતું, પણ હવે વર્ષો બાદ નંદાવલા ગામમાં ગ્રામ પંચાયત કાર્યાલય ખુલવાથી, ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળે છે. તેમણે કહ્યું,આ મકાન માટે ઘણા વર્ષથી ગ્રામજનોને અન્યાય થતો હતો, પણ અમો અને સરપંચ, ડેપ્યુટી સરપંચ, તલાટી બધાની મહેનત થકી આ મકાન અર્પણ કરાયું છે.કર્યું. ગ્રામ પંચાયતના આ મકાનમાં તમામ પ્રકારની સુવિધા મળશે. કાર્યક્રમમાં તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ આશિષ ગોહિલ. સરોધી સરપંચ ગિરીશભાઈ, કેવાડા સરપંચ જાગૃતિબેન, ગુંદ લાવ સરપંચ નીતિન પટેલ,માજી જિલ્લા પંચાયત સભ્ય ધવલભાઈ હાજર રહ્યા હતા. સંચાલન રીતેશભાઈ પટેલ, દ્વારા કરવામાં આવ્યું હતું. આખરે નંદાવલા ગામને નવું પંચાયતનું મકાન મળતા ઘર આંગણે સુવિધા મળશે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે નોટિફિકેશન બહાર પડે તે પહેલા વાપી તથા ઉમરગામ તાલુકા ભાજપ દ્વારા તાલુકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણી માટે યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉમેદવારોના સેન્સ લેવાશે.જેમાં વાપીમાં 1 એપ્રિલ તથા 2 એપ્રિલે ઉમગામ ધોડીપાડા સાંસ્કૃતિક ભવનમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં મહાનગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત નવ રચિત 13 વોર્ડના ઉમેદવારઓની પસંદગી અર્થે સેન્સ લેવાની પ્રક્રિયા તા. 1લી એપ્રિલ અને 2જી એપ્રિલના રોજ ભાજપ દ્વારા હાથ ધરાશે. જેમાં વોર્ડના સભ્યો,કાઉન્સિલર તરીકે ચૂંટણી લડવા માંગતા ઇચ્છુક ઉમેદવારઓએ વાપી શહેર ભાજપ કાર્યાલય ઉપર પોતાનું નામ લખાવી દેવા જણાવાયું છે.વોર્ડ 1 થી 6 સુધીના સાંજે 5 થી 7 કલાક સુધી, વોર્ડ 7 થી 13 માટે સાંજે 7 થી 9 સુધી હાજર રહેવા વાપી તાલુકા ભાજપ પ્રમુખ સ્મિત પટેલે જણાવ્યું છે. બીજી તરફ ઉમરગામ તાલુકામાં 30 તા.પંચાયત અને 8 જિલ્લા પંચાયતની બેઠક માટે યોગ્ય ઉમેદવાર શોધવા માટે ભાજપ નિરીક્ષકોની નિમણૂંક કરવામાં આવી છે.જેઓ 2 એપ્રિલને ગુરુવારે સવારે 9 કલાકે તાલુકા-જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારોના સેન્સ લેવા ધોડીપાડા સાંસ્કૃતિક હોલમાં બેઠક યોજશે.
વસૂલાત:નવસારીમાં મનપાએ વેરામુદ્દે વધુ 9 મિલકતો સીલ કરી
નાણાંકીય વર્ષ પૂરું થવાના છેલ્લા દિવસે નવસારી મહાપાલિકાએ બાકી વેરા મામલે 9 મિલકતો સીલ કરી હતી. છેલ્લા દિવસે 21 લાખની વસુલાત પણ થઈ હતી. મંગળવારે જાહેર રજા હતી પણ નાણાંકીય વર્ષનો છેલ્લો દિવસ હોય નવસારી મહાપાલિકાએ વેરા વસૂલાત કામગીરી જારી રાખી હતી. આ દિવસે પણ 21 લાખ વસૂલાત થયાનું મનપા સૂત્રોએ જણાવ્યું હતું. આમ છેલ્લા બે દિવસમાં જ 50 લાખ તિજોરીએ આવ્યા હતા. આ દરમિયાન મંગળવારે પણ વધુ બાકીદાર હોય તેમની સામે કડકાઈ જારી રાખી અને મિલકતો સીલ કરી હતી. શહેરના દરગાહ રોડ પર આવેલ 9 મિલકતો સીલ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે જે મંગળવારે નાણાંકીય વર્ષ 2025/26 પૂર્ણ થયું હતું. આ વર્ષનું કુલ માંગણુ (4 નવા જોડાયેલ ગામ સિવાય) 24.66 કરોડ હતું તેની સામે 20.27 કરોડ વસૂલાત તથા 82.15 ટકા જેટલી થઈ હતી. હાલના સંજોગોને જોતા સુચારૂ આયોજન જરૂરી વર્ષાની શરૂઆતથી જ નિયમિત રીતે એસએમએસ, વોટ્સએપ, ઓનલાઇન પોર્ટલ અને જાહેર અભિયાન દ્વારા લોકોને માહિતગાર કરવામાં આવે તો વેરા ભરવા મુદ્દે કડક કાર્યવાહી કરવાની જરૂરીયાત ઘણી ઘટી શકે. હાલમાં જે સ્થિતિ છે તેમાં છેલ્લી ઘડીની કાર્યવાહી તંત્ર માટે મજબૂરી બની ગઇ છે તે એક સુવ્યવસ્થિત સીસ્ટમના અભાવ તરફ ઇશારો કરે છે.
તર્ક વિતર્ક:વઘઇમાં બે દિગ્ગજની પ્રવાસી ઘરનીઆકસ્મિક મુલાકાતે રાજકારણ ગરમાયું
ડાંગ જિલ્લાના વઘઇમાં સોમવારે બનેલી એક ઘટના સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની છે. જિલ્લા પંચાયતના પ્રવાસી ઘરના વીઆઈપી રૂમમાં ભાજપના સંગઠન પ્રભારી રાજેશ દેસાઈ અને કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાંવિત એક સમયે હાજર હોવાની માહિતી સામે આવતા વિવિધ ચર્ચા ઊભી થઈ છે. મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી વચ્ચે બનેલી આ ઘટનાએ રાજકીય વર્તુળોમાં તર્ક-વિતર્કોને વેગ આપ્યો છે. જોકે, બન્ને પક્ષોના નેતાઓએ આ ઘટનાને સંજોગવશાત ગણાવી કોઈપણ પ્રકારની રાજકીય બેઠક કે ચર્ચા થઈ હોવાનો ઇનકાર કર્યો છે. મંગળ ગાંવિત પ્રવાસી ઘરના વીઆઈપી રૂમમાં હાજર હતા. તે દરમિયાન ચૂંટણી પ્રચાર અંતર્ગત વઘઇ વિસ્તારમાં આવેલા રાજેશ દેસાઈ પણ ત્યાં પહોંચ્યા હતા. રૂમનો દરવાજો ખુલ્લો હોવાને કારણે તેઓ અંદર પ્રવેશ્યા હોવાનું જણાવાયું છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયામાં કેટલાક ફોટા અને મેસેજ વહેતા થતાં ચર્ચાનો માહોલ વધુ ગરમાયો છે. આ અંગે રાજેશ દેસાઈએ જણાવ્યું હતું કે તેઓ ચૂંટણી મુલાકાત દરમિયાન ત્યાં પહોંચ્યા હતા અને કોઈપણ પ્રકારની બંધ બારણે ચર્ચા થઈ નથી. મંગળ ગાંવિતે પણ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે આ માત્ર સંજોગવશાત બનેલી ઘટના છે અને તેમાં કોઈ રાજકીય હેતુ જોડાયેલો નથી. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સ્નેહલ ઠાકરે જણાવ્યું હતું કે પક્ષના તમામ નેતાઓ પક્ષ પ્રત્યે વફાદાર છે અને આ ઘટનાને રાજકીય રીતે જોવાની જરૂર નથી. બીજી તરફ ભાજપ જિલ્લા સંગઠન પ્રમુખ કિશોરભાઈ ગાંવિતે પણ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં ફરતા ફોટા જૂના હોવાનું જણાય છે અને કોઈ રાજકીય ચર્ચા થઈ હોવાનો પ્રશ્ન નથી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે બનેલી આ ઘટના રાજકીય ચર્ચાનો વિષય બની છે, જોકે તેની હકીકત અંગે બંને પક્ષોની સ્પષ્ટતા સામે આવી છે. પરંપરાગત પક્ષને બદલી આપને તક આપોઆ બાબતે આમ આદમી પાર્ટીના નેતા સુનિલભાઈ ગામિતે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટના આધારે એવી શંકા વ્યક્ત થઈ રહી છે કે મંગળ ગાંવિતે અગાઉ પક્ષ પરિવર્તન કર્યા બાદ ફરીથી રાજકીય ગોઠવણી અંગે ચર્ચાઓ થઈ હોઈ શકે. તેમણે આક્ષેપ કર્યો કે આવા પગલાં વ્યક્તિગત હિત સાથે જોડાયેલા હોઈ શકે છે. સાથે જ તેમણે મતદાતાઓને અપીલ કરી હતી કે પરંપરાગત પક્ષોને બદલે વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટીને તક આપવી જોઈએ.
પુણ્યતિથિ:જ્યારે દાદા હરિલાલજી વિશેની ગેરસમજ દૂર કરવા દોહિત્રી નીલમબેને પુસ્તક લખ્યું
ગત 1 એપ્રિલ 2025 ના રોજ મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખનું નિધન થયું હતું.જેને બુધવારે 1 વર્ષ થાય છે. તેઓ છેલ્લા અનેક વર્ષો પોતાના દીકરા અને નવસારીના જાણીતા આંખના તબીબ ડો.સમીર પરીખ સાથે રહેતા હતા. બાપુના સૌથી મોટા દીકરા હરિલાલ ગાંધીની દીકરી રામીબેનની દીકરી નીલમબેન હતા. એક પુસ્તકમાં હરિલાલ ગાંધી વિશે છપાયું અને તેના આધારે નાટક પણ બન્યું ત્યારે નીલમબેન નારાજ થયા કારણકે તેમાં પોતાના દાદા (નાના) હરિલાલજી વિશે હકીકતો બરાબર ન હતી. આ પુસ્તકનો જવાબ આપવા અને હરિલાલજી વિશે પ્રવર્તતી ગેરસમજ દૂર કરવા તેમણે પુસ્તક લખવાનો વિચાર કર્યો અને લખ્યું,જે હતું ‘ગાંધીજીનું ખોવાયેલ ધન હરિલાલ ગાંધી' પુસ્તકમાં હરિલાલ ગાંધીના બાપુ સાથેના સંબંધ, સાચી હકીકતો પણ રજૂ કરી હતી. આ પુસ્તક સાહિત્યની દૃષ્ટિએ પણ ઉત્કૃષ્ટ હોય તેને સાહિત્ય એકેડમીનો એવોર્ડ પણ મળ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે જે નીલમબેન બાપુના ખોળામાં પણ રમ્યા હતા. નીલમબેન પરીખે અન્ય પુસ્તક પણ લખ્યાગાંધીજીના પ્રપૌત્રી સ્વ.નીલમબેન પરીખે માત્ર એક જ પુસ્તક લખ્યું ન હતું,અન્ય પણ લખ્યા હતા. જેમાં બાપુ સાથે પુત્ર, પુત્રવધુ અંગે જ્યાં રહે ત્યાં મહેકતા રહો પુસ્તક, રાષ્ટ્રીય ચેતનાના ભેખધારી, ગાંધીજીના સહસાધકો ઉપરાંત અન્ય પણ લખ્યા હતા. સ્વ.નીલમબેન ગાંધીવિચારને સમર્પિત હતા સાથે ખાદીધારી પણ રહ્યાં હતા. તેમણે લેખિકા તરીકે પણ ખ્યાતિ મેળવી હતી.
આયોજન:ખેડૂતો-વેપારીઓને સીધી એક્સપ્રેસ-વે લીંક, ખારેલ-ગણદેવી રોડ રૂ. 95 કરોડે પહોળો થશે
નવસારી જિલ્લામાં એક્સપ્રેસ હાઈવેના એકમાત્ર ઇન્ટરચેંજ ખારેલથી જિલ્લાના આંતરિક વિસ્તારને જોડતા મહત્વના ખારેલ ગણદેવી માર્ગને પહોળો કરવા અંદાજે 95 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવસારી જિલ્લાના ગણદેવા ખારેલ વિસ્તારમાં એક નહીં પણ બે-બે નેશનલ હાઈવે પસાર થાય છે, જેમાં એક નેશનલ હાઈવે-48 અને બીજો એક્સપ્રેસ હાઈવે છે. મુંબઈ-દિલ્હી એક્સપ્રેસ હાઈવેમાં તો ખારેલમાં ઇન્ટરચેંજ પણ આપવામાં આવ્યું છે. જ્યારથી વડોદરાથી લઈ એના થઈ ખારેલ સુધીનો એક્સપ્રેસ હાઈવે તૈયાર થઈ ગયો ત્યારથી આ માર્ગ પર ટ્રાફિક વધ્યો છે. આ ખારેલ એક્સપ્રેસ વે ઇન્ટરચેંજથી ગણદેવી, બીલીમોરા અને અમલસાડને જોડતો મહત્વનો રાજ્ય ધોરીમાર્ગ ગણદેવી- પીપલધરા, ખારેલનો છે. આ અંદાજિત 8.8 કિલોમીટરનો માર્ગ 7 મીટર જેટલો જ પહોળો છે. જોકે હવે ખારેલ સુધીનો એક્સપ્રેસ વે ધમધમતો થઈ જતા અને ખારેલ ઇન્ટરચેંજથી પ્રવેશવા મહત્વનો માર્ગ હોય ટ્રાફિક વધવાની શક્યતા જોતા સરકારે પહોળો કરવાનો નિર્ણય કર્યો છે.આ માટે 95 કરોડ રૂપિયાની માતબર રકમ પણ મંજૂર કરી દીધી છે. આગામી દિવસોમાં ક્રમશઃ આ પ્રોજેક્ટની કામગીરી આગળ ધપશે. આગામી સમયમાં આ વિસ્તારમાં ઉદ્યોગ-ધંધાને પણ આ રોડને વિકાસને જોતા વધવાની સંભાવના છે. જે આ વિસ્તારના લોકો માટે બહુમૂલ્ય સાબિત થશે. થોડો ફોરલેન, વધુ 10 મીટર પહોળો કરાશે ખારેલથી પીપલધરા, ધનોરી, ચાંગા, રહેજ વગેરે ગામો થઈ ગણદેવી તરફ જતો મહત્તમ માર્ગ હાલ 7 મીટર પહોળાઈનો હોવાનું જાણવા મળે છે. આ કુલ 8.8 કિલોમીટર લંબાઈના માર્ગમાં વધુ માર્ગ હયાત 7 મીટરથી વધારી 10 મીટર કરાશે એવી જાણકારી મળી છે. જોકે કેટલોક ભાગ વધુ પહોળો ફોરલેન પણ થશે. રોડ પહોળો કરવા માટે કેટલીય જગ્યાએ જમીન પણ સંપાદન કરવી પડશે એવું જાણવા મળે છે. ભવિષ્યમાં ફીડર રૂટ વિકસાવવાની યોજનાખારેલ ગણદેવી રોડ માત્ર લોકલ ટ્રાફિક માટે નહીં, પરંતુ નજીકના એક્સપ્રેસ વે સાથે સીધી રીતે જોડવાનું આયોજન છે. જેથી સમગ્ર વિસ્તાર ટ્રાન્સપોર્ટેશન નેટવર્કમાં વધુ મજબૂત રીતે જોડાશે. ચીકુ અને અન્ય પાકો માટે બજારો સુધી પહોંચવામાં વધુ ઝડપી બનશે. ભવિષ્યમાં આ માર્ગને ફીડર રૂટ' તરીકે વિકસાવવાની યોજના છે. એટલે કે એક્સપ્રેસ વે પર જતા ભારે વાહનો માટે આ રોડ મુખ્ય એન્ટ્રી એક્ઝીટ પોઇન્ટ બનશે. આ પ્રોજેક્ટ બાદ આસપાસના વિસ્તારોમાં લોજીસ્ટિક હબ, ગોડાઉન અને નાના ઉદ્યોગો વિકસવાની શક્યતા છે.
ભરૂચ જિલ્લામાં વિકાસના નામે પર્યાવરણના વિનાશની મોટી ઘટના સામે આવી છે. મોવીથી નસારપોર સુધી 29 કીમીના ચાર માર્ગીય રસ્તાના નિર્માણ માટે રોડની બંને તરફ હયાત 3 હજાર જેટલા વૃક્ષોનું નિકંદન કાઢવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. વાહનચાલકોને વધુ સારી સુવિધા મળી રહે તે માટે નવા રસ્તાઓ જરૂરી છે પણ 3 હજાર વૃક્ષો કાપવાની સામે નવા વૃક્ષોનું કયાં અને કેવી રીતે વાવેતર કરાશે તેનું તંત્ર પાસે કોઇ ચોકકસ આયોજનનો અભાવ જોવા મળી રહયો છે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મોવીથી નસારપોર સુધીનો ચાર માર્ગીય અંદાજે રૂપિયા 720 કરોડના ખર્ચે બનવા જઇ રહયો છે. નેત્રંગ પાસે તેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માર્ગ 29.12 કિમી લાંબો બનશે. આ માર્ગની બંને તરફ નાના- મોટા 3 હજાર જેટલા વૃક્ષો હયાત છે. રસ્તો ચાર માર્ગીય કરવાનો હોવાથી બંને તરફના વૃક્ષો કાપવા જરૂરી બની ગયાં છે. ટેન્ડર પ્રક્રિયા બાદ કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સ્થાનિક રહીશ જયેશ વસાવાએ જણાવ્યુ હતું કે, આ વૃક્ષો વર્ષો જૂના છે અને અમારો સમાજ વૃક્ષની પૂજા કરતા આવ્યા છે. ત્યારે તંત્રએ આ વિકાસ માટે વૃક્ષો કાપી રહ્યા છે પરંતુ તેની સામે નવા વૃક્ષો રોપવાનું કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. ત્યારે તંત્રએ આ માર્ગ પર વૃક્ષ નવા રોપી તેનો ઉછેર કરવાનું આયોજન કરવું જોઈએ તેવું જણાવ્યું હતું. ઉલેખનીય છે કે, હાલ કામગીરીને લઈને વૃક્ષો કાપવાની કામગીરી ફૂલ ઝડપે ચાલી રહી છે. અને બીજી તરફ સ્વામીનારાયણ મંદિર નેત્રંગ પાસે ચાર માર્ગીય રસ્તાની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે. 3 હજાર વૃક્ષો કપાય તો 354 ટન ઓકિસજન ઓછો થઇ જશેજો 3 હજાર પુખ્ત વૃક્ષો કાપવામાં આવે, તો તેનાથી વર્ષે અંદાજે 3.54 લાખ કિલોગ્રામ એટલે કે 354 ટન ઓકિસજન ઓછો થઇ શકે છે. આ ગણતરી સામાન્ય રીતે સ્વીકૃત એવા એક તારણ પર આધારિત છે કે એક પુખ્ત વૃક્ષ વર્ષે સરેરાશ 118 કિલોગ્રામ ઓક્સિજન આપે છે. એક વ્યક્તિને આખા વર્ષ દરમિયાન જીવવા માટે અંદાજે 740 કિલોગ્રામ ઓક્સિજનની જરૂર હોય છે, જે પૂરો પાડવા માટે 7 થી 8 પુખ્ત વૃક્ષો જોઈએ. આ રીતે જોઈએ તો 3 હજાર વૃક્ષો કાપવાથી અંદાજે 400 થી 430 લોકોનો વાર્ષિક ઓક્સિજન પુરવઠો છીનવાઈ શકે છે. ઓક્સિજન ઓછો થવાની સાથે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે. એક પુખ્ત વૃક્ષ વર્ષે લગભગ 21 કિલોગ્રામ શોષી લે છે. 3 હજાર વૃક્ષોના અભાવે દર વર્ષે અંદાજે 63 હજાર કિલોગ્રામ જેટલો વધારાનો વાતાવરણમાં રહી જશે, જે ગ્લોબલ વોર્મિંગમાં વધારો કરે છે.પીપળો, વડ અને લીમડો જેવા ઘટાદાર વૃક્ષો અન્ય સામાન્ય વૃક્ષો કરતા વધુ ઓક્સિજન આપે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તાલુકાના મોવીથી નસારપોર સુધી નવીનીકરણ રસ્તાની લંબાઈ 29.12 કિ.મી છે. જેમાં મોવી, કરાઠા, વાંદરવેલી, કોચબાર, કાંટીપાડા, નેત્રંગ, કેલ્વીકુવા, કંબોડિયા, ચાસવડ, ઝરણાવાડી, મૌઝા, કવચીયા અને નસારપોર થઈ પસાર થશે. જે માર્ગની બાજુમાં આવેલા વૃક્ષો કાપવામાં આવશે. રસ્તાની કામગીરી અંદાજે 2 વર્ષના સમયગાળામાં પૂરી કરવામાં આવશે.
તપાસ:નર્મદા કેનાલમાંથી વધુ એકયુવાનનો મૃતદેહ મળી આવ્યો
ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં બે અલગ-અલગ દુર્ઘટનાઓમાં ચાર યુવકો ડૂબી ગયા હતા. અગાઉ બે યુવાનની લાશ મળી હતી જ્યારે આજે વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. હજુ એક યુવાનની શોધખોળ ચાલું છે. પ્રથમ બનાવમાં બે પિતરાઈ ભાઈઓ કેનાલ પાસે હાથ-પગ ધોવા માટે ઉતર્યા હતા. તે દરમિયાન એક ભાઈ લપસી જતા પાણીમાં પડી ગયો હતો. તેને બચાવવા માટે બીજો ભાઈ પણ કેનાલમાં ઉતર્યો, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે બંન્ને ભાઈઓ ડૂબી ગયા હતા. આ ઘટનામાં ભરત આંબલીયાનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે રોશન આંબલીયા હજી સુધી લાપતા છે અને તેની શોધખોળ ચાલુ છે. બીજી ઘટનામાં નિરજ વાઘેલા અને નિખિલ વાઘેલા નામના સગા ભાઈઓ વચ્ચે ઝઘડો થતા તેઓ ઘરેથી નીકળી ગયા હતા. આ દરમિયાન એક ભાઈએ કેનાલમાં પડતું મુક્યું હતું, જ્યારે બીજો ભાઈ તેને બચાવવા માટે પાણીમાં કુદ્યો હતો. પરંતુ બંને પાણીના ભારે પ્રવાહમાં સપડાઈ ગયા હતા. આ બનાવમાં નિરજ વાઘેલાનો મૃતદેહ સાતેજની હદમાં આવેલા કરણ સાગર કેનાલમાંથી મળી આવ્યો હતો, જ્યારે નિખિલનો મૃતદેહ અગાઉ અન્ય સ્થળેથી મળી આવ્યો હતો. આ બંને બનાવોને પગલે વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકો દ્વારા કેનાલ પાસે વધુ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી રહી છે, જેથી આવી દુર્ઘટનાઓને રોકી શકાય. ઉલ્લેખનીય છે કે, સોમવારના રોજ જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલમાં પડી જવાના બે બનાવ બન્યા હતા. જેમાં 2 ભાઇના ડુબી જવાથી મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય એક બનાવમાં ઝઘડો થતાં બે ભાઇ ઘરેથી નીકળી ગયા હતા અને કેનાલમાં કૂદી ગયા હતા. ચાર યુવકોના કેનાલમાં ડૂબી જવાની ઘટનામાં 3 યુવકના મૃતદેહ મળી આવ્યા હતા, જ્યારે હજુ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો નથી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો નજીકના દિવસોમાં એલાન પૂર્વે ભાજપે દાહોદ જિલ્લામાં પોતાની તૈયારીઓના શ્રીગણેશ કરી દીધા છે. દાહોદ જિલ્લા પંચાયતની 50, તાલુકા પંચાયતોની 254 અને નગરપાલિકાની 36 બેઠકો મળી કુલ 340 બેઠકો માટે ઉમેદવારી કરવા માંગતા કાર્યકરોની પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. મંગળવારે પ્રથમ દિવસે પાંચ તાલુકાના ઉત્સુક ઉમેદવારોએ નિરીક્ષકો સમક્ષ પોતાની દાવેદારી નોંધાવી હતી. દાહોદના છાપરી સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે અનોખો નજારો જોવા મળ્યો હતો. ટિકિટ વાંછુ ઉમેદવારો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઉભા રહી પોતાની વારાની રાહ જોતા નજરે પડ્યા હતા. વાતાવરણમાં ઉત્સાહની સાથે ઉત્તેજના પણ વર્તાતી હતી. કોઇ ઉમેદવાર આખરી ઘડીએ પોતાના બાયોડેટાને રીચેક કરતા જોવા મળ્યા, તો ક્યાંક સમર્થકોના ટોળામાં ઉમેદવારી અંગે ગહન ચર્ચાઓ થતી જોવા મળી હતી. 31 માર્ચ મંગળવારે ફતેપુરા, સુખસર, સંજેલી, લીમડી અને દાહોદ તાલુકાના દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જ્યારે 1 એપ્રિલે સિંગવડ, લીમખેડા, ઝાલોદ અને ગરબાડા તાલુકાના દાવેદારોનો વારો રહેશે અને 2 એપ્રિલે અંતિમ દિવસે દેવગઢ બારિયા, ધાનપુર અને દાહોદ નગરપાલિકાના ઈચ્છુક ઉમેદવારો પોતાની વાત રજૂ કરશે. દરેક બેઠક દીઠ અનેક દાવેદારો મેદાનમાં હોવાથી શક્તિ પ્રદર્શનના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ઉમટી પડ્યા હતા. ટિકિટ મેળવવા માટે અત્યારથી જ લોબિંગ અને રજૂઆતોનો દોર તેજ થયો છે.
અનુરોધ:ગેસના બાટલા મળવામાં કેટલા દિવસ લાગે છે તેનું નિયમિત મોનિટરિંગ કરો
દાહોદ જિલ્લામાં ઘરેલુ ગેસ અને ઈંધણના વિતરણમાં પારદર્શિતા લાવવા અને ગ્રાહકોની હાલાકી દૂર કરવા માટે કલેક્ટરે કડક વલણ અપનાવ્યું છે. ગેસ એજન્સીઓ અને પેટ્રોલ પંપ સંચાલકો સાથે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે, ગ્રાહકે ગેસ રિફિલ બુક કરાવ્યા બાદ તેને કેટલા દિવસમાં બાટલો મળે છે તેનું ચોકસાઈપૂર્વક અને નિયમિત મોનિટરિંગ કરવામાં આવે. કોઈપણ ગ્રાહકને બિનજરૂરી વિલંબ ન થાય અને વિતરણ વ્યવસ્થા સુવ્યવસ્થિત રહે તે સુનિશ્ચિત કરવા એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે. બેઠક દરમિયાન કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે, ગેસ એજન્સીઓએ ઈ-કેવાયસી પ્રક્રિયા સ્થાનિક સ્તરે જ સત્વરે પૂર્ણ કરવી જોઈએ. જેથી ગ્રાહકોને કનેક્શન મેળવવામાં કે રિફિલિંગમાં મુશ્કેલી ન પડે. આ સાથે જ પેટ્રોલ પંપ સંચાલકોને દરરોજનો રિપોર્ટ મોકલવા સૂચના અપાઈ છે. જેથી જિલ્લામાં ઈંધણની ઉપલબ્ધતા પર વહીવટી તંત્ર સતત નજર રાખી શકે. કેરોસીનના વિતરણ માટે માત્ર IOCL પેટ્રોલ પંપોને જ અધિકૃત કરી, તાલુકાના મામલતદારોની માંગ મુજબ જ જથ્થો ફાળવવાનું નક્કી કરાયું છે. જો કોઈ ખોટી અફવાને કારણે પેટ્રોલ પંપ કે ગેસ એજન્સીઓ પર અનાવશ્યક ભીડ કે લાંબી લાઈનો જોવા મળે તો સંચાલકોએ તાત્કાલિક પ્રશાસનને જાણ કરવાની સૂચના અપાઇ હતી.
પ્રણવસિંહ પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર દક્ષિણ ગુજરાતના ગાઢ જંગલોમાં લાંબા સમયથી ચાલી રહેલા વન્યજીવ તસ્કરીના કાળા કારોબારનો આખરે પર્દાફાશ થયો છે. નવસારીમાં દિવ્ય ભાસ્કર અને જિલ્લા પોલીસના સંયુક્ત ‘ઓપરેશન વાઈલ્ડલાઈફ’ દરમિયાન ચીખલી તાલુકાના સાદડવેલ ગામેથી ઘુવડની તસ્કરી કરતા 4 રીઢા તસ્કરોને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયા કમાવાની લાલચમાં નિર્દોષ પક્ષીઓ અને પ્રાણીઓનો ભોગ લેનારા આ નેટવર્કના તાર છેક સુરત સુધી જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર રેકેટને ખુલ્લું પાડવા માટે દિવ્ય ભાસ્કરની ટીમે ઈન્વેસ્ટિગેશન હાથ ધર્યું હતું. રિપોર્ટરોએ પોતે ગ્રાહક બની એજન્ટોનો સંપર્ક સાધ્યો હતો. જ્યારે ખાતરી થઈ ગઈ કે આ ટોળકી ખરેખર વન્યજીવોની હેરાફેરી કરે છે, ત્યારે તાત્કાલિક જિલ્લા પોલીસ વડાને વિશ્વાસમાં લઈ આખું પ્લાનિંગ કરાયું હતું. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને ભાસ્કરની ટીમની સંયુક્ત ટ્રેપમાં તસ્કરો ત્યારે ફસાયા જ્યારે તેઓ 10,00,000 (દસ લાખ) રૂપિયામાં ઘુવડનો સોદો કરી રહ્યા હતા. કોડવર્ડની માયાજાળ : ઘુવડ માટે ‘અંધાબાબા ’ જેવા શબ્દનો પ્રયોગ થાય છે ભાસ્કર અને તસ્કર ગેંગ વચ્ચેની વાતચીત ભાસ્કર | પક્ષી ક્યાંથી લાવ્યા? સમસ્યા તો નહીં આવે ને?તસ્કર | સુરતથી લાવ્યા છીએ, સવારે ઇકો ગાડીમાં માલ આવી ગયો છે. ચિંતા ન કરો, કંઈ નહીં થાય.ભાસ્કર | કિંમત કેટલી નક્કી થઈ છે?તસ્કર | 10,00,000 (દસ લાખ). અત્યારે ઘુવડ લો, આગળ તમારે જે જોઈએ એ બધું મળી જશે.ભાસ્કર | આગળ પોલીસનો કોઈ પ્રોબ્લેમ તો નહીં આવે ને?તસ્કર | એકવાર પૈસા આપ્યા પછી કોઈ પ્રોબ્લેમ નહીં આવે, બધું સેટિંગ છે. તાંત્રિક વિધિના નામે કરોડોની ઠગાઈજંગલમાં સક્રિય તસ્કરો ભોળી જનતાને ‘કરોડો રૂપિયાનો વરસાદ કરવાની વિધિ’ની લાલચ આપી ફસાવતા હતા. હકીકતમાં, ઘુવડ કે સાપ જેવા જીવોનો ઉપયોગ કરીને કરવામાં આવતા આ દાવા માત્ર છેતરપિંડી જ છે. અનેક લોકોએ અંધશ્રદ્ધામાં જિંદગીની મૂડી ગુમાવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. કાયદાકીય જોગવાઈ: જેલ અને દંડઘુવડ વન્યજીવ સુરક્ષા (સુધારા) અધિનિયમ, 2022 ની અનુસૂચિ-1 હેઠળ સુરક્ષિત પક્ષી છે.સજા: તસ્કરી કે હાનિ પહોંચાડવા બદલ 3 થી 7 વર્ષની જેલ થઈ શકે છે.દંડ: ઓછામાં ઓછો 50,000 રૂપિયાનો દંડ વસૂલવાની જોગવાઈ છે. 5 તંત્ર મૂળ સુધી પહોંચે એ જરૂરી દક્ષિણ ગુજરાતમાં ફેલાયેલું આ તસ્કરી નેટવર્ક પર્યાવરણના સંતુલન માટે ગંભીર ખતરો છે. અંધશ્રદ્ધાના નામે થતી આ લૂંટ રોકવા માટે જાગૃતિ જરૂરી છે. વન વિભાગ અને સરકાર આ મામલે વધુ ઊંડી તપાસ કરી મૂળ સુધી પહોંચે તે અનિવાર્ય છે. કોડવર્ડથી ચાલતો કાળો ધંધોઆ ગેરકાયદે નેટવર્કમાં પોલીસ અને એજન્સીઓથી બચવા માટે ચોંકાવનારા કોડવર્ડનો ઉપયોગ થતો હતો: ઘુવડ: “અંધા બાબા” , ચારણ સાપ: “ડબલ એન્જીન”. કાચબો: “20 નખ” , તાંત્રિક: “ડોક્ટર”
આગામી મહાપાલિકાની ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ઉમેદવારોની પસંદગી માટે સંગઠનાત્મક સ્તરે કવાયત તેજ કરતા ભાજપ દ્વારા 1 એપ્રિલથી નિરીક્ષકોની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પ્રથમ તબક્કામાં વોર્ડ નંબર 1 થી 12 ના દાવેદારોને સાંભળવામાં આવશે. નિરીક્ષકો તમામ દાવેદારોની રજૂઆત સાંભળી એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરશે, જે પ્રદેશ કક્ષાએ મોકલ્યા બાદ આખરી નામો પર મહોર મારવામાં આવશે. ચાર ગ્રુપમાં વહેંચણી, ઉધના કાર્યાલય ખાતે બેઠક વ્યવસ્થાભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે સમગ્ર વોર્ડ માળખાને ચાર મુખ્ય જૂથોમાં વહેંચી દેવામાં આવ્યું છે. ઉધના કાર્યાલયના અલગ-અલગ ફ્લોર પર આ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જહાંગીરપુરા, અમરોલી અને વરાછા જેવા વિસ્તારો માટે ગ્રાઉન્ડ ફ્લોર ફાળવાયો છે, જ્યારે કાપોદ્રા અને કતારગામના દાવેદારોને અપર ગ્રાઉન્ડ વોર રૂમમાં સાંભળવામાં આવશે. આ પ્રક્રિયા સવારે 10 વાગ્યાથી શરૂ થઈ સાંજ સુધી સતત ચાલશે, જેથી દરેક ઈચ્છુક કાર્યકર પોતાની વાત નિરીક્ષકો સમક્ષ મૂકી શકે. દાવેદારો માટે કડક નિયમો, વેરા પાવતી અને દસ્તાવેજો અનિવાર્યઆ વખતે ભાજપે ઉમેદવારી માટેના નિયમોમાં પણ કડકાઈ દાખવી છે. દાવેદારી કરવા ઈચ્છતા કાર્યકરોએ સાબિત કરવું પડશે કે તેઓએ તમામ પ્રકારના સરકારી વેરાની ચુકવણી કરી દીધી છે. જે-તે વોર્ડના નિયત સમયના એક કલાક પૂર્વે જ કાર્યાલય પરથી ફોર્મ મેળવી લેવાના રહેશે. આ ઉપરાંત, વર્ષ 2026ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાર યાદીમાં નામ હોય તે પેજની નકલ રજૂ કરવી પણ ફરજિયાત બનાવવામાં આવી છે, જેના વગર દાવેદારી સ્વીકારવામાં આવશે નહીં. અનામત બેઠકો માટે લેટેસ્ટ પ્રમાણપત્રોની શરતચૂંટણીમાં અનામત બેઠકો પર દાવેદારી નોંધાવતા OBC, SC અને ST કેટેગરીના ઉમેદવારો માટે પક્ષે સ્પષ્ટ સૂચના આપી છે. આ ઉમેદવારોએ તેમની દાવેદારી સાથે લેટેસ્ટ જાતિ પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પક્ષનો ઉદ્દેશ્ય છે કે ઉમેદવારી પ્રક્રિયા પારદર્શક રહે અને કાયદાકીય રીતે સક્ષમ ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવે. આ દસ્તાવેજી ચકાસણી બાદ જ નિરીક્ષકો આગળની કાર્યવાહી હાથ ધરશે. જૂથવાદ ડામવા નિરીક્ષકોની ભૂમિકા મહત્વનીસુરત મહાપાલિકામાં ટિકિટ વાંચ્છુઓની સંખ્યા મોટી હોવાથી નિરીક્ષકો માટે પણ યોગ્ય ઉમેદવારની પસંદગી પડકારજનક બની રહેશે. 1 થી 12 વોર્ડ બાદ બાકીના વોર્ડ માટે પણ ટૂંક સમયમાં શિડ્યુલ જાહેર કરવામાં આવશે. ભાજપ આ પ્રક્રિયા દ્વારા પાયાના કાર્યકરોનો મૂડ પારખવાનો પ્રયાસ કરી રહી છે. નિરીક્ષકો દ્વારા રજૂ કરવામાં આવનારો આ રિપોર્ટ જ નક્કી કરશે કે કયા ચહેરાઓ આવનારા પાંચ વર્ષ માટે સુરત મહાનગરપાલિકામાં ભાજપનું પ્રતિનિધિત્વ કરશે.
ચૂંટણીના વર્ષમાં અમદાવાદીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટેક્સ પેટે કરોડો રૂપિયા ચૂકવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં AMCને ટેક્સ પેટે કુલ રૂ. 2373.17 કરોડની ટેક્સ આવક મેળવી છે, જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇતિહાસમાં એક વર્ષમાં થયેલી અત્યાર સુધીની સૌથી વધુ આવક છે. સૌથી વધારે પશ્ચિમ ઝોન વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, નારણપુરા, નવાવાડજ, રાણીપ, ન્યુ રાણીપ, વાસણા, પાલડી, આશ્રમરોડ, આંબાવાડી, નેહરુનગર વિસ્તારમાં રહેતા નાગરિકોએ રૂ. 411 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. 31 માર્ચની સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ પેટે 40 કરોડની આવકનાણાકીય વર્ષના અંતિમ દિવસે એટલે કે 31 માર્ચ 2026ના રોજ સાંજ સુધીમાં પ્રોપર્ટી ટેક્સ પેટે રૂ. 40.07 કરોડની આવક થઈ હતી. અધિકારીઓના અંદાજ મુજબ રાત્રે 12 વાગ્યા સુધીમાં વધુ 5 કરોડ ઉમેરાયા હોવાની શક્યતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ટેક્સ આવકમાં ગત વર્ષ કરતા આ વર્ષે 119 કરોડનો વધારોગત વર્ષ 2024-25 માં કુલ ટેક્સ આવક રૂ. 2254.15 કરોડ હતી, જેની સરખામણીએ આ વર્ષે રૂ. 119.03 કરોડનો માતબર વધારો નોંધાયો છે. આ કુલ આવકમાં મુખ્યત્વે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશન ટેક્સ અને વ્હીકલ ટેક્સનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ આવકમાં પ્રોપર્ટી ટેક્સ 1833.24 કરોડ, પ્રોફેશન ટેક્સ 274.79 કરોડ, વ્હીકલ ટેક્સ 238.87 કરોડ અને TSF ચાર્જીસ 26.27 કરોડ નોંધાયો છે. 1 જાન્યુઆરી 2026 થી અમલી બનેલી વ્યાજ માફીની ઇન્સેન્ટિવ/રિબેટ યોજનાનો અંદાજે 3,01,980 કરદાતાઓએ લાભ લીધો હતો. આ યોજના દરમિયાન કુલ રૂ. 512.37 કરોડની ગ્રોસ આવક થઈ હતી, જેમાં રૂ. 48.39 કરોડની વ્યાજ માફી આપવામાં આવી હતી. આમ, આ સ્કીમ દ્વારા કોર્પોરેશનને રૂ. 463.98 કરોડની નેટ આવક પ્રાપ્ત થઈ છે. પશ્ચિમ ઝોન 411 કરોડની આવકપ્રોપર્ટી ટેક્સની આવકમાં સૌથી વધારે પશ્ચિમ વિસ્તારમાંથી આવક થઈ છે, જેમાં પશ્ચિમ ઝોન રૂ. 411.08 કરોડ, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 259.42 કરોડ જ્યારે ઉત્તર-પશ્ચિમ ઝોન રૂ. 399.78 કરોડની આવક થઈ છે. ટેક્સ વસૂલાત માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં 2,49,965 જેટલી મિલકતોને સીલ અથવા નોટિસ આપવામાં આવી હતી. 807 મિલકતો પર બોજો નોંધવામાં આવ્યો હતો અને 218 મિલકતોની હરાજી કરવામાં આવી હતી. સૌથી વધુ સીલિંગની કાર્યવાહી પશ્ચિમ ઝોન (75,834) અને પૂર્વ ઝોનમાં (62,422) કરવામાં આવી હતી.
ટેકનિકલ શિક્ષણ કમિશનર કચેરી દ્વારા પ્રોફેશનલ કોર્સિસમાં પ્રવેશ પ્રક્રિયાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ઇજનેરી અભ્યાસક્રમની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓ આજે 1 એપ્રિલથી 31 મે સુધી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે. અંદાજે 78,611 બેઠક પર પ્રવેશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે 41,442 બેઠકો પર વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવ્યો હતો. ડિગ્રી એન્જિનિયર માટે આજે 1 એપ્રિલથી ફોર્મ ભરી શકાશેધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછીના ડિગ્રી એન્જિનિયરિંગ અભ્યાસક્રમોના શૈક્ષણિક વર્ષ 2026- 27માં પ્રથમ વર્ષ માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગ્રાન્ટ ઈન એડ સંસ્થાની તમામ બેઠકો અને સ્વનિર્ભળ સંસ્થાની માન્ય બેઠકોની 50 ટકા બેઠક અને મેનેજમેન્ટ બેઠકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 78,612 બેઠક પર એડમિશન પ્રોસેસ થશેરાજ્યની 16 સરકારી સંસ્થાઓ, ત્રણ અનુદાનિત સંસ્થાઓ, એક ઓટોનોમસ સંસ્થા અને 120 સ્વનિર્ભર સંસ્થાઓ પર પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેમાં 16 સરકારી સંસ્થાઓ અને ત્રણ અનુદાનિત સંસ્થાઓની 10,957 બેઠક, એક ઑટોનોમસ સંસ્થાની 156 બેઠક તેમજ સ્વનિર્ભર સંસ્થાની 67,654 બેઠકો એમ કુલ 78,611 બેઠક પર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રવેશ પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકશેઅત્યારે ઉમેદવારો HSC માર્કશીટ ની જગ્યાએ પરીક્ષા હોલ ટિકિટ અને ગુજકેટ અથવા JEE ની માર્કશીટની જગ્યાએ પ્રવેશ પરીક્ષાની હોલ ટિકિટ અપલોડ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકશે. તો ગત વર્ષે જે ઉમેદવારોએ પૂરક પરીક્ષામાં HSC પરીક્ષા પાસ કરી છે, તેવા ઉમેદવારોએ તમામ માર્કશીટ અપલોડ કરવી પડશે. જે ઉમેદવારોએ ગુજકેટ 2026 અથવા JEE 2026 અથવા બંને પરીક્ષામાં હાજર થયા હોય માત્ર તેવા જ ઉમેદવારો પ્રવેશ રાઉન્ડમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ડોક્યુમેન્ટ અપલોડ કરીને રૂ. 350 રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશેસરકારી તથા અનુદાનિત બેઠકોની માન્ય બેઠકોની 95 ટકા બેઠકો અને સ્વનિર્ભર સંસ્થાઓની 50 ટકા બેઠકો માટે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને ગુજકેટની 2026ની પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હોય તેવા ઉમેદવારો આ બેઠક માટે લાયક ગણાશે. સરકારી થતા અનુદાનિત બેઠકોની માન્ય બેઠકોની 5 ટકા બેઠક માટે જે વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને JEE 2026ની પરીક્ષામાં હાજર રહ્યા હોય તેવા ઉમેદવારો બેઠક માટે લાયક ગણાશે. તો સેન્ટર ઓફ એક્સેલેન્સની 25 ટકા સરકારી બેઠકો માટે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હોય અને ઉલ્લેખિત પ્રવેશ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હોય તેવા ઉમેદવારો બેઠકો માટે લાયક ગણાશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ડોક્યુમેન્ટ અપલોડ કરી 350 રૂપિયા રજીસ્ટ્રેશન ફી વિદ્યાર્થીઓએ ઓનલાઇન ભરવી પડશે.
ભારતીય ઇતિહાસના સુવર્ણ અક્ષરે લખાયેલું નામ એટલે સમ્રાટ સંપ્રતિ. સમ્રાટ અશોકના પૌત્ર અને અહિંસાના અનન્ય ઉપાસક એવા સંપ્રતિ મહારાજના આદર્શોને જીવંત રાખવા માટે હવે ગાંધીનગરના કોબા જૈન દેરાસર ખાતે ભવ્ય સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પિત થયેલું આ મ્યુઝિયમ ભારતીય સંસ્કૃતિ, જૈન દર્શન અને જ્ઞાન પરંપરાનો એક શક્તિશાળી સેતુ બની રહેશે. સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમમાં 5મીથી 15મી સદી સુધીનો ઈતિહાસનો અમૂલ્ય ખજાનો 7 અલગ-અલગ ગેલેરી અને 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓ 23 એપ્રિલથી લોકો જોઈ શકશે. ઈમરજન્સી માટે ખાસ એક્ઝિટ સિસ્ટમ પણ તૈયાર કરવામાં આવી છે. 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓનું પ્રદર્શનનવનિર્મિત આ મ્યુઝિયમ 95,000 સ્ક્વેર ફૂટ વિસ્તારમાં ફેલાયેલું છે અને તેમાં 2000થી વધુ દુર્લભ હેરિટેજ વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. જૈન ધર્મના ઉદભવથી લઈને આધુનિક સમય સુધીના ઇતિહાસને 7 અલગ-અલગ ગેલેરીમાં રજૂ કરવામાં આવ્યો છે. ઓડિયો-વિઝ્યુઅલ ટેક્નોલોજી અને આધ્યાત્મિક સંગીત દ્વારા દર્શકોને દિવ્ય અને જીવંત અનુભવ કરાવવામાં આવશે. ઇતિહાસને 7 અલગ-અલગ ગેલેરીમાં જોઈ શકશોમ્યુઝિયમની ગેલેરીઓમાં જૈન ઇતિહાસનો વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. પ્રથમ ગેલેરીમાં નવપદ અને પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવથી લઈને 22મા તીર્થંકર ભગવાન નેમિનાથ સુધીનો ઈતિહાસ દર્શાવવામાં આવ્યો છે. દ્વિતીય ગેલેરીમાં 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથનું જીવન અને તેમની આધ્યાત્મિક પરંપરા રજૂ કરવામાં આવી છે. તૃતીય ગેલેરીમાં ભગવાન મહાવીર સ્વામીની 72 વર્ષની દિવ્ય જીવનયાત્રા અને પ્રાચીન આગમ ગ્રંથોનો સમાવેશ થાય છે. રાજા કુમારપાળનું વિશેષ પ્રદાન રજૂ થયુંચતુર્થ ગેલેરીમાં 13મીથી 17મી સદીનો સુવર્ણકાળ દર્શાવવામાં આવ્યો છે જેમાં આચાર્ય હેમચંદ્ર અને રાજા કુમારપાળનું વિશેષ પ્રદાન રજૂ થયું છે. પંચમ ગેલેરીમાં 18મીથી 20મી સદીના જૈન સાહિત્ય અને યશોવિજયજી જેવા મહાન વિદ્વાનોની કૃતિઓ પ્રદર્શિત છે. સપ્તમ ગેલેરીમાં આધુનિક ઓડિટોરિયમષષ્ઠમ ગેલેરીમાં ભારતીય સંસ્કૃતિ, વેદ, પુરાણ, આયુર્વેદ અને સનાતન પરંપરાનો અદ્ભુત સંગ્રહ રજૂ થયો છે. જ્યારે સપ્તમ ગેલેરીમાં આધુનિક ઓડિટોરિયમ દ્વારા શત્રુંજય અને ગિરનાર જેવા પવિત્ર તીર્થોના જીવંત અનુભવની વ્યવસ્થા કરવામાં આવી છે. 5મીથી 15મી સદી સુધીનો અમૂલ્ય ખજાનો જોઈ શકશોસમ્રાટ સંપ્રતિએ પોતાના સમયમાં હજારો જૈન મંદિરો અને ધર્મશાળાઓનું નિર્માણ કરાવ્યું હતું અને તેમના અહિંસા તથા લોકકલ્યાણના આદર્શોને આ મ્યુઝિયમ દ્વારા નવી પેઢી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અહીં 5મીથી 15મી સદી સુધીની પ્રાચીન પ્રતિમાઓ, હસ્તલિખિત ગ્રંથો અને કલાત્મક ચિત્રોનો અમૂલ્ય ખજાનો સંગ્રહિત કરવામાં આવ્યો છે. 'ફરી-ફરીને જ્યાંથી જે વસ્તુ મળી તે લાવીને મને આપી'આચાર્ય પદ્મ સાગર સુરિશ્વરજી મહારાજે દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે, મારા ઘણા એવા પરિચિત લોકો હતા જેમને મેં આ વિશે વાત કરી હતી. એ લોકોએ મારા માટે ફરી-ફરીને જ્યાંથી જે વસ્તુ મળી તે લાવીને મને આપી છે. હું દરેક ઠેકાણે તો ન પહોંચી શકું, કારણ કે સાધનો ન હોય અને પદયાત્રા કરવાની હોય. ‘ગુરુદેવના આશીર્વાદથી આ કાર્ય સરળ બન્યું છે’આચાર્ય પદ્મ સાગર સુરિશ્વરજીએ કહ્યું, આ સાધુ જીવનમાં કોઈ કષ્ટ આવતું નથી, કેમ કે અમારો અંતરાત્મા અને મન બધું તે કામમાં હોય છે. એમાં મને કોઈ અફસોસ નથી, આનંદ જરૂર છે કે મારો પ્રયત્ન સફળ થાય. ગુરુદેવના આશીર્વાદ અને તે ભાવનાથી મને કોઈ તકલીફ પડી નથી. PM મોદીના હસ્તે લોકાર્પણ અંગે જણાવ્યું કે, ભારતની પરંપરા મુજબ યોગ્ય વ્યક્તિના હાથે ઉદ્ઘાટન થવાથી લોકોમાં વિશ્વાસ વધે છે અને મીડિયા દ્વારા લોકો સુધી માહિતી પહોંચે છે. જેથી વધુ લોકો આનો લાભ લઈ શકે. વિવિધ તીર્થોના પટ, તેમજ રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમ્યુઝિયમના ટ્રસ્ટી શ્રીપાલ શાહે જણાવ્યું કે, આ અમારા માટે જીવનનો સુવર્ણ અવસર છે. આ મ્યુઝિયમ 7 ગેલેરી સાથે ભારતનો અમૂલ્ય વારસો રજૂ કરે છે. રાષ્ટ્રીય સંત આચાર્ય પદ્મસુરિમહારાજના આશીર્વાદ અને પ્રેરણા સાથે તેમજ ટ્રસ્ટના પ્રેસિડન્ટ સુધિર મહેતા અને યુએનએમ ફાઉન્ડેશનના ચીફ પેટ્રનની સાથે મળીને આ ભવ્ય પ્રોજેક્ટ સાકાર થયો છે. 23 એપ્રિલથી જનતા માટે ખુલ્લું મુકાશેઆ મ્યુઝિયમ 23 એપ્રિલથી જનતા માટે ખુલ્લું મુકવામાં આવશે અને મોટી સંખ્યામાં લોકો અહીં મુલાકાત લે તેવી સંભાવના છે. આ સંજોગોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અદ્યતન ટેક્નોલોજી આધારિત ઇમરજન્સી એક્ઝિટ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો, સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ એ એવું સ્થાન છે જ્યાં ઇતિહાસ બોલે છે, સંસ્કૃતિ મહેકે છે અને અધ્યાત્મ હૃદયને સ્પર્શે છે. આ પણ વાંચો 31 માર્ચે PM નરેન્દ્ર મોદીના હસ્તે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું લોકાર્પણ પીએમ મોદી એક મહિનામાં જ બીજીવાર 31 માર્ચે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે સવારે ગાંધીનગરના કોબા ખાતે 31 માર્ચ,2026મહાવીર જયંતી નિમિત્તે ‘સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ’નું લોકાર્પણ કર્યું હતું. (વાંચો સંપૂર્ણ સમાચાર)
પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે હરાવ્યું, કૂપર કોનોલીએ ફટકાર્યા વિસ્ફોટક 72 રન
IPL 2026: આજે ઇન્ડિયન પ્રીમિયર લીગના ચોથા મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થઈ હતી, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ (PCA) સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પંજાબે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી, ગુજરાત ટાઈટન્સ(GT)એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટને સર કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે 5 બોલ બાકી રહેતા 3 વિકેટે મેચ જીતી લીધી છે. કૂપર કોનોલીએ શાનદાર પ્રદર્શન કરતા 44 બોલમાં 72 રન તો પ્રભસિમરન સિંહે 24 બોલમાં 37 રન ફટકાર્યા હતા. ગુજરાતના બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ તો અશોક શર્મા, સુંદર, રાશિદ ખાન, રબાડાએ એક એક વિકેટ ખેરવી હતી. કેપ્ટન શુભમન ગિલે 39 અને જોસ બટલરે 38 રન તો પંજાબના બોલર વિજયકુમાર વૈશાખે 3 અને યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ ચટકાવી હતી.
જૂનાગઢના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગિરનાર પર્વત પર આવતા યાત્રિકો અને પર્યટકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. એશિયાના સૌથી લાંબા અને આધુનિક ગિરનાર રોપ-વેની સેવાઓ આગામી એપ્રિલ માસમાં સતત સાત દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રોપ-વેની વાર્ષિક મેઈન્ટેનન્સની કામગીરીને પગલે આ નિર્ણય લેવાયો છે જેથી ભવિષ્યમાં મુસાફરોની સુરક્ષા અને સુવિધા જળવાઈ રહે. 12થી 18 એપ્રિલ ગિરનાર રોપ-વે બંધ રહેશેગિરનાર રોપ-વેનું સંચાલન કરતી સંસ્થા ઉષા બ્રેકો લિમિટેડ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે, આગામી તારીખ 12 એપ્રિલ 2026થી 18 એપ્રિલ 2026 સુધી રોપ-વેની કામગીરી સંપૂર્ણપણે સ્થગિત રહેશે. મેઈન્ટેનન્સની કામગીરીને પગલે નિર્ણયઆ સમયગાળા દરમિયાન રોપ-વેના મશીનરી ચેકઅપ, વાયર રોપનું નિરીક્ષણ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. દર વર્ષે આ પ્રકારે મેઈન્ટેનન્સની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે, જે મુસાફરોની સલામતી માટે અત્યંત અનિવાર્ય હોય છે. સાત દિવસ સુધી પગથિયાં ચઢીને ઉપર જવું પડશેગિરનાર પર્વત પર બિરાજમાન માં અંબાના દર્શન કરવા માટે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. ખાસ કરીને વડીલો, બાળકો અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે રોપ-વે આશીર્વાદ સમાન સાબિત થયો છે. રોપ-વે શરૂ થયા બાદ અંબાજી સુધી પહોંચવાનો સમય અને શ્રમ બંનેમાં મોટો ઘટાડો થયો છે. જોકે, સાત દિવસ સુધી આ સેવા બંધ રહેવાના કારણે જે પ્રવાસીઓએ આ દિવસો દરમિયાન જૂનાગઢ આવવાનું આયોજન કર્યું હોય, તેઓએ પોતાની મુસાફરીમાં ફેરફાર કરવો પડશે અથવા પગથિયાં ચઢીને ઉપર જવું પડશે. 19 એપ્રિલથી સેવા પુનઃ શરૂ થશેરોપ-વે મેનેજમેન્ટે વધુમાં સ્પષ્ટતા કરી છે કે મેઈન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ તારીખ 19 એપ્રિલ 2026ના રોજ સવારથી જ રોપ-વે સેવા ફરી પૂર્વવત કરી દેવામાં આવશે. તમામ ટ્રોલી અને સેન્સરનું બારીકાઈથી પરીક્ષણ કરાશેગિરનાર રોપ-વે પ્રવાસન ક્ષેત્રે જૂનાગઢની શાન માનવામાં આવે છે. પર્વતની ઉંચાઈ અને પવનની ગતિને ધ્યાનમાં રાખીને તેની સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ ચુસ્ત રાખવી પડતી હોય છે. ટેકનિકલ ટીમ દ્વારા આ સાત દિવસમાં તમામ ટ્રોલી અને સેન્સરનું પણ બારીકાઈથી પરીક્ષણ કરવામાં આવશે. વેકેશન અને જાહેર રજાઓના દિવસો પહેલા આ મેઈન્ટેનન્સ પૂર્ણ કરી લેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેથી આગામી સમયમાં આવતા પ્રવાસીઓના ધસારાને કોઈ પણ અવરોધ વિના પહોંચી વળાય.
ચંદ્રુમાણામાં નેધરલેન્ડ યોજનાની નવી પાઇપલાઇનની કામગીરી ચાલુ:બંને સમ્પ જોડાતા મીઠા પાણીનો સપ્લાય વધશે
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા નેધરલેન્ડ યોજના હેઠળ નવી મોટી પાઇપલાઇન શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગામના બંને પાણીના સમ્પને એકબીજા સાથે પાઇપલાઇન દ્વારા જોડવામાં આવ્યા છે. આ નવી વ્યવસ્થાને કારણે ગામમાં મીઠા પાણીનો પુરવઠો વધશે. અગાઉ, અડિયા વોટર વર્કસ પરથી ફિલ્ટર થયેલું નેધરલેન્ડ યોજનાનું પાણી નાની પાઇપલાઇન મારફતે પૂરું પાડવામાં આવતું હતું. પાણી પુરવઠા બોર્ડ દ્વારા વર્ષો પહેલાં નાખવામાં આવેલી નવી મોટી પાઇપલાઇનને હવે પાણીના સમ્પ સાથે જોડવામાં આવી છે. પાણી પુરવઠા બોર્ડના એન્જિનિયર અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આ કામગીરી પૂર્ણ થતાં બંને સમ્પ પૂરતા પ્રમાણમાં મીઠા પાણીથી ભરાઈ રહેશે. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસે પોતાના ખર્ચે તૂટેલા ઢાંકણા બદલીને સમ્પ પર નવા ઢાંકણા લગાવ્યા છે, જેથી પાણીની શુદ્ધતા જળવાઈ રહે. તેમણે ઉમેર્યું હતું કે, હવે ગામને નેધરલેન્ડ યોજના હેઠળ જરૂરિયાત મુજબ મીઠા પાણીનો પુરવઠો મળી શકશે. આ ઉપરાંત, પાણી પુરવઠાના બોર અને સમ્પ આસપાસ ભરાઈ રહેતા પાણીની સમસ્યા દૂર કરવા માટે માટી નાખવામાં આવી છે. તળાવડીનું વધારાનું પાણી જૂના બોરની પાઇપલાઇનમાં ઉતારી દેવાતા મોટાભાગનું પાણી ભૂગર્ભમાં રિચાર્જ થયું છે. સરપંચે ગ્રામજનોને પાણીનો બગાડ ન કરવા અને વિવેકપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી હતી.
માધવપુર ઘેડ મેળાના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન કૃષ્ણ અને રુક્મણીજીના વિવાહને સત્કારવા માટે દ્વારકા ખાતે ભવ્ય સમારોહ યોજાયો હતો. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે હાથી ગેટ પાર્કિંગ ખાતે આ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા હતા.રાજ્યપાલે સત્કાર સમારોહમાં જણાવ્યું હતું કે, ભારતની પવિત્ર ભૂમિ કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી અરુણાચલ પ્રદેશ સુધી તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, આધ્યાત્મિક મૂલ્યો અને જીવંત પરંપરાઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમણે કૃષ્ણ અને રૂક્મણીજીને દ્વારકા ખાતે આવકારવાનું સદભાગ્ય મળ્યું તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, ભારતની સંસ્કૃતિમાં મર્યાદા પુરુષોત્તમ રામ અને કૃષ્ણ મુખ્ય કેન્દ્ર રહ્યા છે. કૃષ્ણએ ચરિત્ર, કર્મ, ધર્મ, નીતિ અને દાયિત્વ સહિત આદર્શ માનવ જીવન માટે પ્રેરણા આપી છે. આ પ્રસંગે કૃષ્ણ અને રુક્મણીજીના જીવન પર આધારિત અદભુત મનહર માધવપુર મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ સહભાગી બન્યા હતા.ગુજરાતની ધરતી પર જન્મેલા મહાન વિચારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ પણ કૃષ્ણના જીવનને અત્યંત પવિત્ર ગણાવ્યું હતું. તેમજ કૃષ્ણએ ગીતા જેવા મહાન ગ્રંથનો ઉપદેશ આપ્યો, જે આજે સમગ્ર વિશ્વમાં માનવજીવન માટે માર્ગદર્શક બન્યો છે.આ તકે પૂર્વ મંત્રી અને ધારાસભ્ય મુળુભાઇ બેરાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, માધવપુર મેળા રૂપે કૃષ્ણ અને રુકમણીના વિવાહની ઉજવણીની પરંપરા સ્થાનિક લોકો દ્વારા સચવાયેલી હતી. તેને વિશ્વ ફલક પર અંકિત કરવાનું કાર્ય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરાયું છે.આ સમારોહમાં દ્વારકા નગરપાલિકા પ્રમુખ કોમલબેન ડાભી, ધારાસભ્ય પબુભા માણેક, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના, પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણીયા, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને કર્મચારીઓ માટે તાલીમ કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. તા. 31-03-2026ના આદેશ મુજબ રાજ્યભરના જિલ્લા સ્તરેથી લઈને મતદાન મથક સુધીના તમામ સંબંધિત કર્મચારીઓને તબક્કાવાર તાલીમ આપવામાં આવશે. મતદાર યાદી, મતદાન મથક, સુરક્ષા વ્યવસ્થા સહિતની તાલીમ અપાશેઆ તાલીમ કાર્યક્રમ અંતર્ગત નોડલ અધિકારીઓ, ચૂંટણી અધિકારીઓ, સહાયક અધિકારીઓ, પોલિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓને ચૂંટણી પ્રક્રિયા, મતદાન વ્યવસ્થા, ઈવીએમ/બેલેટ ઉપયોગ, મતગણતરી પ્રક્રિયા, આચાર સંહિતા અને કાયદાકીય બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવશે. તાલીમ દરમિયાન મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા, મતદાન મથકની વ્યવસ્થા, સુરક્ષા વ્યવસ્થા અને ઈમરજન્સી સ્થિતિમાં કરવાના પગલાં અંગે પણ વિશેષ સમજ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓને રિપોર્ટ સોંપાશેજિલ્લા સ્તરે માસ્ટર ટ્રેનર્સ દ્વારા આ તાલીમ આપવામાં આવશે અને તાલીમ પૂર્ણ થયા બાદ સંબંધિત અધિકારીઓએ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. તાલીમ માટે નિર્ધારિત સમયપત્રક મુજબ જુદા જુદા તબક્કામાં કાર્યક્રમ યોજાશે, જેમાં એક દિવસીય સત્રો દ્વારા પ્રાયોગિક અને સિદ્ધાંત આધારિત માર્ગદર્શન આપવામાં આવશે. વ્યવસ્થા અને સંબંધિત કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા સૂચનારાજ્ય ચૂંટણી આયોગે તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓને તાલીમ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવા અને સંબંધિત કર્મચારીઓની હાજરી સુનિશ્ચિત કરવા સૂચના આપી છે. આ આયોજનથી આવનારી ચૂંટણીઓ પારદર્શક, નિષ્પક્ષ અને સુવ્યવસ્થિત રીતે યોજાય તેવો આશય વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્યના હિસાબ અને તિજોરી નિયામક કચેરી દ્વારા આજે રાજ્યભરમાં મોટા પાયે બદલીના હુકમો જાહેર કરવામાં આવ્યા છે. ગાંધીનગર સ્થિત “વિમા અને લેખા ભવન”માંથી જારી કરાયેલા આ આદેશ મુજબ વિવિધ વર્ગ-3ના હિસાબનિશ/નાયબ હિસાબનિશ તથા સંબંધિત અધિકારીઓને તેમની હાલની જગ્યાથી બદલી કરીને નવી નિમણૂક આપવામાં આવી છે. આ બદલીમાં ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા, મહેસાણા, જુનાગઢ સહિત અનેક જિલ્લાઓનો સમાવેશ થાય છે. અધિકારીઓને પ્રમોશન સાથે નવી પોસ્ટિંગજારી કરાયેલા હુકમ મુજબ અનેક કર્મચારીઓને જિલ્લા તિજોરી કચેરી, તાલુકા પંચાયત, નગરપાલિકા તેમજ વિવિધ વિભાગોમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. કેટલાક અધિકારીઓને પ્રમોશન સાથે નવી પોસ્ટિંગ આપવામાં આવી છે તો કેટલાકને વહીવટી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને સ્થળાંતર કરાયા છે. આ બદલીનો મુખ્ય ઉદ્દેશ કાર્યક્ષમતામાં વધારો કરવો અને વહીવટ વધુ સુગમ બનાવવાનો હોવાનું જણાવાયું છે. હાજર ન થનાર સામે નિયમ મુજબ કાર્યવાહીઆદેશમાં જણાવ્યા મુજબ સંબંધિત તમામ કર્મચારીઓએ તાત્કાલિક અસરથી નવા સ્થળે હાજર થવું રહેશે. હાજર ન થનાર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત, બદલી પામેલા કર્મચારીઓએ ચાર્જ હસ્તાંતરણ અને કામગીરી સંબંધિત તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વ્યાપક બદલીને કારણે વિવિધ કચેરીઓમાં કામકાજની ગતિ તેજ બનશે અને નાણાકીય વ્યવસ્થાપનમાં પારદર્શિતા વધશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સંકટમોચન મહાવીર હનુમાન મંદિર દ્વારા હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતી)ની ભવ્ય ઉજવણી રાંચરડામાં 2 એપ્રિલ, 2026ને ગુરુવારના રોજ કરવામાં આવશે.આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે, જેનો ભક્તો દ્વારા સમગ્ર દિવસ દર્શન અને પૂજા કરી શકાશે.સાંજે 6 વાગ્યે સુંદરકાંડ પાઠ અને 8 વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ, હનુમાન પ્રકોટોત્સવના દિવસે સમગ્ર દિવસ ભંડારો યોજાશે. મંદિરના સ્થાપક ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ મંદિરનું વિશેષ વર્ણન કરતાં જણાવ્યું કે, આ મંદિરનું 23 ઓગસ્ટ, 2024ના રોજ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં હનુમાનજીની વિશ્રામ કરતી મુર્તિ સ્થાપિત છે. આ હનુમાનજીની દુર્લભ મૂર્તિ છે, જે ભારતનું ચોથું મંદિર છે. જેમાં આવી અનોખી મૂર્તિ છે. મૂર્તિમાં પાતાળ લોક સાથે રાવણનો ભાઈ અહિરાવણ તેમના પગ નીચે દબાયેલો, રામ-લક્ષ્મણ અને પુત્ર મકરધ્વજ સાથેનું અદ્ભુત રૂપ દર્શાવાયું છે. આ 2000 કિલો વજનની મૂર્તિ દુર્લભ રાજસ્થાની પથ્થરથી નિર્મિત છે. ડૉ. પ્રવીણભાઈ ગર્ગએ વધુમાં જણાવ્યું કે, “આ પ્રસંગે અમે માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં, પરંતુ સેવાનો સંદેશ ફેલાવ્યો છે. આ મંદિર સમગ્ર ભારતમાં ચોથું એવું સ્થાન છે. જ્યાં હનુમાનજીની રેક્લીંગ (વિશ્રામ કરતી) મુર્તિ સ્થાપિત છે અને બાબા નીબ કરોરીની અસીમ કૃપાનો ભક્તો અનુભવ કરી શકે છે.” તેઓએ બધા ભક્તોને આ પવિત્ર અવસરે વધારાના આશીર્વાદ મેળવવા આવવા વિનંતી કરી છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી આ મંદિર ધીમે ધીમે પ્રખ્યાત બની રહ્યું છે. મંદિર પરિસરમાં લોકોને દિવ્યાનંદનો અનુભવ થાય છે. બાબા નીબ કરોરી મહારાજની કૃપાથી વિકસિત આ મંદિરમાં અનેક ભક્તોએ તેમના પ્રેમની અનુભૂતિ થયેલી છે. તેમની કૃપાથી મંદિરમાં 3 રામ રોટી સેવા રથ ચલાવવામાં આવે છે, જે દરરોજ સવાર-સાંજ 500 જરૂરિયાતમંદ લોકોને સેવા પૂરી પાડે છે.આ ઉપરાંત, દર બુધવાર અને રવિવારે નિઃશુલ્ક રોગ ચકાસણી-દવા, સાધુ-સંતો માટે રહેવાની વ્યવસ્થા અને રાહદારીઓ માટે ઠંડા પાણી ઉપલબ્ધ છે.દર મહિનાના પ્રથમ મંગળવારે સવારે હવન, જેમાં ભક્તો ભાગ લઈ શકે.દર રવિવારે સુંદરકાંડ, કીર્તન અને આર્તી – સૌ માટે ખુલ્લું. હનુમાન જયંતિ, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, રક્ષાબંધન, ગણેશ સ્થાપના અને વિસર્જન, કાળી ચૌદસ હવન, દશેરા પર ફાફડા-જલેબી વિતરણ વગેરે તહેવારો ભક્તિભાવે ઉજવાય છે.મંદિર ના સ્થાપક ડો.પ્રવેણભાઈ ગર્ગ તથા નિત્ય સેવા આપતા કીર્તિભાઈ પટેલ (કીર્તિ કાકા ) , ભરતભાઈ જોષી , રાહુલભાઈ બારોટ , ઋષભભાઈ શાહ અને નિરવભાઈ પટેલે આ પ્રસંગે બધા ભક્તોને હાજર રહેવા અને હનુમાનજીની તથા બીન કરોરી મહારાજ ની અસીમ કૃપા મેળવવા આમંત્રણ આપ્યું છે.
અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં AMC પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતા 9 આરોપીઓની PCB સ્ક્વોડ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 3 લાખ રોકડા, 10 મોબાઈલ ફોન સહિત 5.23 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ બહારથી આવીને જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપી કુંતલ પટેલની પોલીસે શોધખોળ શરૂ કરી છે. AMC પાર્કિંગ પ્લોટમાં જુગાર રમતાં 9 ઝડપાયાપોલીસ કમિશનરની PCB સ્ક્વોડની ટીમને બાતમી મળી હતી કે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નારણપુરા AEC ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં કેટલાક લોકો બેસીને જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે PCB ટીમના માણસો વોચમાં ગોઠવાયા હતા અને પાર્કિંગ પ્લોટમાં આવેલા એક કન્ટેનરમાં કેટલાક લોકો ભેગા થયેલા હોવાનું જાણ થતાની સાથે દરોડો પાડયો હતો. પોલીસે જુગાર રમતા 9 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા જ્યારે કુંતલ પટેલ નામનો શખ્સ મળી આવ્યો ન હતો. 3 લાખ રોકડા સહિત 5.23 લાખનો મુદ્દામાલ જપ્તપોલીસે અંગજડતી તથા દાવના મળી કુલ્લે નાણા રૂ.3,03,000, મોબાઇલ ફોન નંગ-10 કિ.રૂ.2,20,000 મળી કુલ્લે કિ.રુ.5,23,000/-ની મત્તાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બહારથી આવીને જુગારીઓ જુગાર રમતા હતા. ગુજરાત યુનિવર્સિટી પોલીસની હદમાં જુગાર ધામ ચાલતું હતું જેને લઈને આ મામલે પણ સ્થાનિક પોલીસ કેમ અજાણ હતી કે કેમ તેને લઈને તપાસ થઈ શકે છે. પકડાયેલા આરોપીઓ
સુરતનું ઘરેણું સરથાણા નેચર પાર્ક:એક જ વર્ષમાં 9.50 લાખ પ્રવાસીઓ ઉમટ્યા, પાલિકાને 2.57 કરોડની આવક
આધુનિક યુગના કૃત્રિમ મનોરંજનના સાધનો અને મોલ-સિનેમાની સંસ્કૃતિ વચ્ચે પણ સુરતીઓનો કુદરત પ્રત્યેનો પ્રેમ અકબંધ રહ્યો છે, જેનો જીવંત પુરાવો સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કના તાજેતરના આંકડાઓ આપી રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2025-26ના વાર્ષિક અહેવાલ મુજબ, છેલ્લા 12 મહિનામાં આ નેચર પાર્કે લોકપ્રિયતાના તમામ જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે. માત્ર સુરત શહેર જ નહીં, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના પ્રકૃતિ પ્રેમીઓ માટે આ સ્થળ હવે એક ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે. એક વર્ષમાં 9 લાખ પ્રવાસીઓએ પાર્કની મુલાકાત લીધીઆ વર્ષ દરમિયાન અંદાજે 9,50,033 જેટલા મુલાકાતીઓએ નેચર પાર્કની મુલાકાત લીધી હતી, જે દર્શાવે છે કે લોકો હવે શહેરના કોંક્રિટના જંગલો અને ઘોંઘાટથી દૂર કુદરતના ખોળે સમય વિતાવવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં મુલાકાતીઓના ધસારાને કારણે સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં પણ માતબર વધારો જોવા મળ્યો છે. ગત નાણાકીય વર્ષ દરમિયાન માત્ર ટિકિટ બારી અને ઓનલાઈન બુકિંગના માધ્યમથી કુલ 2,57,75,460 રૂપિયાની જંગી આવક નોંધાઈ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ આવક માનવામાં આવે છે. વન્યજીવોની માવજત, તેમના ખોરાક અને પાર્કના આધુનિકીકરણ પાછળ જે ખર્ચ થાય છે, તેની સામે આ આવક પાલિકા વહીવટદારો માટે ખૂબ જ પ્રોત્સાહક સાબિત થઈ રહી છે. સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્રતાપી નદીના મનોરમ અને શાંત કિનારે 81 એકર જેટલી વિશાળ જમીન પર પથરાયેલું આ નેચર પાર્ક તેની કુદરતી બનાવટ અને ગાઢ હરિયાળી માટે પ્રખ્યાત છે. નેચર પાર્કના મુખ્ય અધિકારી ડૉ. રાજેશ દેસાઈના જણાવ્યા અનુસાર, અહીંનું વાતાવરણ એટલું શુદ્ધ અને શાંત છે કે જે કોઈપણ પ્રવાસીના મનને પ્રફુલ્લિત કરી દે છે. આટલા મોટા વિસ્તારમાં પથરાયેલી હજારો વનસ્પતિઓ અને ઘટાદાર વૃક્ષોને કારણે ભર ઉનાળામાં પણ અહીં તાપમાનમાં ઘટાડો અનુભવાય છે, જે સુરતીઓને કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવે છે. વન્યજીવોની વાત કરીએ તો, અહીં રાખવામાં આવેલા સિંહ, વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ હંમેશાથી બાળકો અને મોટેરાઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. આ હિંસક પ્રાણીઓ ઉપરાંત, પાર્કની શોભા વધારતા અત્યંત સુંદર અને દુર્લભ ગણાતા સફેદ મોર તેમજ જળબિલાડી જોવા માટે પણ મુલાકાતીઓની ભારે ભીડ જામતી હોય છે. પક્ષીઓની સેંકડો પ્રજાતિઓ અને સરીસૃપો માટે તૈયાર કરવામાં આવેલા ખાસ વિભાગોને કારણે શહેરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે આ એક શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રવાસનું સ્થળ પણ બની ગયું છે, જ્યાં તેઓ પ્રત્યક્ષ રીતે વન્યજીવનનો અભ્યાસ કરી શકે છે. ટિકિટ બારી પર લાંબી કતારોમાં ઉભા રહેવાની મુસીબતમાંથી છુટકારોનેચર પાર્કની સફળતા પાછળ તેના વ્યવસ્થિત મેનેજમેન્ટ અને આધુનિક સુવિધાઓનો પણ મોટો ફાળો રહ્યો છે. પાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી ઓનલાઈન ટિકિટિંગ વ્યવસ્થાને કારણે રજાના દિવસોમાં પ્રવાસીઓને ટિકિટ બારી પર લાંબી કતારોમાં ઉભા રહેવાની મુસીબતમાંથી છુટકારો મળ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ જાહેર રજાઓ અને વેકેશનના ગાળામાં અહીં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. ખાસ કરીને દિવાળી, નાતાલ અને ઉનાળુ વેકેશન દરમિયાન રોજના હજારો પ્રવાસીઓ અહીં મુલાકાતે આવતા હોય છે. મોટી સંખ્યામાં લોકો આવતા હોવા છતાં સ્વચ્છતા અને સુરક્ષા બાબતે પાલિકા સતર્ક રહે છે. આગામી દિવસોમાં મુલાકાતીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે પાલિકા દ્વારા વધુ સુવિધાઓ વિકસાવવાનું અને વિદેશી કે અન્ય રાજ્યોના નવા પ્રાણીઓ લાવવાનું આયોજન પણ વિચારાધીન છે. આ પ્રયાસોનો મુખ્ય હેતુ પ્રવાસન ક્ષેત્રે સુરતનું નામ સમગ્ર દેશમાં મોખરે લાવવાનો અને લોકોને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત કરવાનો છે. 9.50 લાખથી વધુ પ્રવાસીઓનો આ રેકોર્ડ એ વાતની સાબિતી છે.
જૂનાગઢની પવિત્ર ધરતી અને ગિરનારની તળેટીમાં વર્ષોથી શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતા આદિકવિ નરસિંહ મહેતાની પ્રતિમા સાથે છેડછાડની એક અત્યંત આઘાતજનક ઘટના સામે આવી છે. શહેરના ગિરનાર દરવાજા જેવા મુખ્ય અને ધમધમતા વિસ્તારમાં આવેલી નરસિંહ મહેતાની પ્રતિમાનો હાથ આજે બપોરના સમયે કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા કાપી નાખવામાં આવ્યો અથવા તો ક્રૂરતાપૂર્વક તોડી નાખવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનીક લોકો અને નરસિંહ મહેતાના ભક્તોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પ્રતિમાનો તૂટેલો ભાગ નીચે જમીન પર પડેલો જોવા મળતા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ છે અને નગરજનોમાં વહીવટી સુરક્ષા વ્યવસ્થા સામે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર બનાવ અંગે નરસિંહ મહેતા પ્રતિમા ટ્રસ્ટના સક્રિય ટ્રસ્ટી વિજયભાઈ કેકાણીએ જણાવ્યું હતું કે, આ પ્રતિમા માત્ર પથ્થરની મૂર્તિ નથી પરંતુ જૂનાગઢના ભવ્ય વારસા અને ભક્તિ માર્ગનું પ્રતીક છે. તેમણે ટ્રસ્ટના ઇતિહાસ વિશે વાત કરતા ઉમેર્યું હતું કે આ ટ્રસ્ટની સ્થાપના મુરબ્બી વલ્લભદાસભાઈ દેવકાનંદભાઈ નાણાવટીના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી, જેઓ વર્ષોથી આ પવિત્ર કાર્ય સાથે જોડાયેલા છે. આ પ્રતિમા જૂનાગઢની સૌથી પહેલી અને ઐતિહાસિક પ્રતિમા છે, જેની સ્થાપના પૂજ્ય દેવેન્દ્ર વિજયજીના વરદ હસ્તે વર્ષ ૧૯૮૨માં કરવામાં આવી હતી. આ સ્થળ પસંદ કરવા પાછળ પણ એક મોટું ધાર્મિક મહત્વ રહેલું છે કારણ કે જ્યારે નરસિંહ મહેતા જીવંત હતા ત્યારે તેઓ દરરોજ વહેલી સવારે દામોદર કુંડમાં સ્નાન કરવા જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરતા હતા, તેથી તેમની સ્મૃતિ કાયમી રાખવા માટે ગિરનાર દરવાજા પાસે જ આ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. વિજયભાઈએ અત્યંત દુઃખ સાથે જણાવ્યું હતું કે કોઈ અજાણ્યા ઈસમોએ આ પવિત્ર સ્થાને પહોંચીને પ્રતિમાને નુકસાન પહોંચાડ્યું છે જે કોઈ પણ કાળે ચલાવી શકાય તેમ નથી. આ કમનસીબ ઘટના અંગે ટ્રસ્ટ દ્વારા તાત્કાલિક ધોરણે નજીકની પોલીસ ચોકીમાં લેખિતમાં જાણ કરવામાં આવી છે અને વિધિવત ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમણે પોલીસ વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્રને કડક શબ્દોમાં અપીલ કરી છે કે આ ગુનામાં સામેલ શખ્સોને તાત્કાલિક શોધી કાઢી તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં શહેરના કોઈ પણ ધાર્મિક કે ઐતિહાસિક વારસાને કોઈ નુકસાન પહોંચાડવાની હિંમત ન કરી શકે. વધુમાં ટ્રસ્ટી વિજયભાઈએ જૂનાગઢ મહાનગરપાલિકા અને તંત્ર પાસે એવી પણ માંગણી કરી છે કે આ પ્રતિમા જે જગ્યાએ આવેલી છે ત્યાં પૂરતા પ્રમાણમાં લાઈટિંગની સુવિધા હોવી અત્યંત જરૂરી છે. રાત્રિના સમયે અંધારાનો લાભ લઈને અસામાજિક તત્વો ત્યાં અડિંગો જમાવતા હોય છે, જેને અટકાવવા માટે પ્રતિમાની આસપાસ મજબૂત લોખંડની જાળીનું પ્રોટેક્શન મૂકવું જોઈએ. આ ઉપરાંત તેમણે વિનંતી કરી છે કે જે રીતે પ્રતિમાનો હાથ તોડવામાં આવ્યો છે તેનું સમારકામ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કુશળ કારીગરો પાસે કરાવવામાં આવે જેથી પ્રતિમાની ગરિમા જળવાઈ રહે. જૂનાગઢના લોકો અત્યારે આ ઘટનાની નિંદા કરી રહ્યા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રહ્યા છે.
મિલકત વેરાની બાકી વસૂલાત માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જેમાં આજે મનપા ના નાણાકીય વર્ષના અંતિમ દિવસ તથા આજે મહાવીર જયંતિની જાહેર રજા હોવાથી મનપા કચેરીએથી વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં આજે ભારે ધસારો જોવા મળ્યો હતો જેમાં એક દિવસમાં 3129 જેટલા કરદાતાઓ એ રૂ.3.18 કરોડ નો વેરો ભર્યો હતો, ભાવનગર મહાનગરપાલિકાના નાણાકીય વર્ષ ના અંતિમ દિવસે તથા મહાવીર જયંતીની જાહેર રજા ના દિવસે મનપા કચેરી ખાતે મિલ્કત વેરો ભરવા માટે બારી ખુલ્લી રાખવામાં આવી હતી જેમાં એક જ દિવસમાં 3 હજારથી વધુ કરદાતાઓ દ્વારા વેરો ભર્યો હતો જેમાંથી રૂ.3.18 કરોડની આવક થવા પામી હતી, આ સાથે જ નાણાકીય વર્ષ 2025-26 ની મનપાની કુલ આવક રૂ.184.69 કરોડ પર પહોંચી છે, નાગરિકોની સુવિધા માટે માર્ચ મહિનાની તમામ જાહેર રજાઓમાં પણ વેરો સ્વીકારવા માટે કેશ બારીઓ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો જેનાથી મનપાની આવકમાં વધારો થયો હતો, નવા નાણાકીય વર્ષ 2026-27 ના મિલકતવેરાના બીલો કરતાઓ તા.3/4/2026 થી રાબેતા મુજબ ઓનલાઇન તથા મહાનગરપાલિકાની મુખ્ય ઝોનલ તથા પૂર્વ અને પશ્ચિમ કચેરી પરથી કેશબારીઓ પરથી ભરપાઈ કરી એપ્રિલ માસમાં કરવેરા અને સફાઈવેરાની રકમ પર 10 ટકા તથા ઓનલાઈન પેમેન્ટ કર્યાથી વધારાનું 2 ટકા મળી કુલ 12 ટકા જેટલું રિબેટ મેળવી શકશે.
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા ચામુંડા માતાજીના દર્શને જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી રતનપર બાયપાસ રોડ પર આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે આ કેમ્પ શરૂ કરાયો છે. આ ગ્રુપ છેલ્લા 9 વર્ષથી અવિરતપણે આ સેવા પૂરી પાડી રહ્યું છે. આ સેવા કેમ્પ ચૈત્ર નવરાત્રી દરમિયાન માઈભક્તો અને યાત્રાળુઓ માટે ભોજન, રહેવા અને નાહવા સહિતની તમામ સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડે છે. અહીં વણેલા ગાંઠિયા, પાપડી, ભજીયા, ચા, લીંબુ-વરિયાળીનું શરબત અને આઈસ્ક્રીમ જેવી વસ્તુઓ પણ પીરસવામાં આવે છે. ઝાલાવાડ પંથકમાં ઉત્તર ગુજરાત સહિત દૂર-દૂરથી આવતા પદયાત્રીઓ માટે 100થી વધુ સેવા કેમ્પ ધમધમી રહ્યા છે. વિશ્વ પ્રસિદ્ધ ચોટીલા ખાતે બિરાજમાન ચામુંડા માતાના દર્શનાર્થે ભક્તો બારે મહિના ઉમટી પડે છે. ખાસ કરીને ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવાનું અનોખું અને પરંપરાગત મહત્વ છે. ચૈત્રી પૂનમ નજીક આવતા અમદાવાદ, મહેસાણા, કડી, કલોલ સહિત ઉત્તર ગુજરાત અને રાજ્ય બહારના અનેક ગામોમાંથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો ચોટીલા દર્શનાર્થે આવી રહ્યા છે. આ પદયાત્રીઓ માટે રસ્તા પર અનેક જગ્યાએ સેવાભાવી લોકો દ્વારા કેમ્પ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં રહેવા-જમવા, રાત્રી રોકાણ, દવા, સારવાર, પગ દબાવવા અને માલિશ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ચામુંડા માતાજી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધા સાથે ચૈત્રી પૂનમના દિવસે ચોટીલા ખાતે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. સુરેન્દ્રનગર તરફ પણ ઠેરઠેર મા ચામુંડાના ભક્તો પગપાળા સંઘો અને રથો સાથે નાચતા-ગાતા ચોટીલા તરફ પ્રયાણ કરી રહ્યા છે, જેના કારણે લાખો પદયાત્રીઓનું ઘોડાપૂર ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. PSI એ એન પાટીલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હેડ ક્વાર્ટરના પોલીસ કર્મચારીઓના જાપ્તા દ્વારા આરોપીને જેલમાંથી લઈને કોર્ટમાં રજૂ કરવા માટે લવાયો હતો. આ સમયે તે ભાગી ગયો હતો. વડોદરા શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાળકી પર દુષ્કર્મના ગુનામાં આરોપી અજય ઉર્ફે આકાશ રોકડીને વડોદરા મધ્યસ્થ જેલમાં રાખવામાં આવ્યો હતો. સોમવારના રોજ આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર્ટમાં રજૂ કરવાનો હતો. જેના કારણે પોલીસ હેડક્વાર્ટરના સ્ટાફ દ્વારા કેદીને સેન્ટ્રલ જેલમાંથી કોર્ટમાં કડક બંદોબસ્ત વચ્ચે લાવવામાં આવ્યો હતો. આરોપીને લઈ પોલીસ સ્ટાફના માણસો ઊભા હતા. તે દરમિયાન આ આરોપીએ વોશરૂમ જવા માટે પોલીસ સ્ટાફને જણાવ્યું હતું. જેથી તેને વોશરૂમ તરફ લઈ જવામાં આવતો હતો ત્યારે જ આરોપી પોલીસ કર્મચારીની નજર ચૂકવીને અચાનક ફરાર થઈ ગયો હતો. આ ઘટના બનતા જ પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. પોલીસની અલગ અલગ ટીમો દ્વારા આ ભાગી છૂટેલા આરોપીને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી, પરંતુ આરોપી હાથમાં આવ્યો ન હતો. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં ચેકિંગ વધારવામાં આવ્યું છે. હાલ પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. આ દરમિયાન PSI એ એન પાટીલને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
રાજકોટ મહાપાલિકાની ચૂંટણીને લઈ તૈયારીઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આવતીકાલથી બે દિવસ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રદેશ ભાજપ દ્વારા 9 નિરીક્ષકોની નિમણુંક કરવામાં આવી છે તે 9 નિરીક્ષકોમાં રાજ્ય સરકારના મંત્રી દર્શનાબેન વાઘેલા, જીતુભાઈ પટેલ, જીમેશભાઈ સેવક, પૂર્વ સાંસદ ભાવનાબેન, યુવા મોરચાના મહામંત્રી ડો.નરેશ દેસાઈ, રાજેન્દ્રભાઈ પટેલ, નટુજી ઠાકોર, સુરેશભાઈ પટેલ અને સીતાબેન પટેલ ઉપસ્થિત રહી દાવેદારોને સાંભળી રાજકોટના 18 વોર્ડની યાદી બનાવી પ્રદેશમાં મોકલી આપશે. આવતીકાલથી બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે આવતીકાલે સવારે 9 વાગ્યાથી શરુ થનાર સેન્સ પ્રક્રિયા માટે શહેર ભાજપ દ્વારા દરેક વોર્ડના કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે અને દરેક વોર્ડ વાઇઝ ચોક્કસ સમય આપવામાં આવ્યો છે જે આપેલા સમય મુજબ વોર્ડના દાવેદારો સમયસર ઉપસ્થિત રહી કાર્યાલય ખાતે વોર્ડના પ્રભારી, પ્રમુખ, મહામંત્રીને સાથે રાખી ફોર્મ જમા કરાવી શકશે. આ માટે સક્રિય સભ્ય નંબર અને કોર્પોરેશનની મતદારયાદીના ભાગ ક્રમ નંબર તેમજ ચુંટણી કાર્ડ સાથે રાખવા સુચના આપવામાં આવી છે. એટલું જ નહિ આરક્ષિત સીટ માટે પ્રમાણપત્ર, ભુતકાળમાં કોઇ પણ જાતના ગુના હોય તો પોલીસ વિગત કે રિપોર્ટ સાથે જોડવા પણ સૂચના આપવામાં આવી છે. અને નિરીક્ષકો સમક્ષ માત્ર વ્યક્તિગત રજુઆત જ કરવાની રહેશે સમર્થકોના જૂથ સાથે રજુઆત કરવા મનાઈ ફરમાવવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજકોટ મહાપાલિકાની આગામી ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી ઉમેદવારો અંગેનો ક્રાઈટેરિયા જાહેર કર્યો નથી પરંતુ પક્ષના વર્તુળોમાં ચર્ચાતી વિગતો મુજબ ત્રણ ટર્મ ચૂંટણી લડી ચૂક્યા હોય, 60 વર્ષથી વધુની ઉંમર હોય, સંગઠનમાં મહત્વના પદ ઉપર હોય તેને ટિકિટ નહીં અપાય તેવી ચર્ચા ચાલી રહી છે જો કે હજુ સુધી આ પરિપ્રેક્ષ્યની સત્તાવાર જાહેરાત કરાઇ ન હોવાથી આવતીકાલે સેન્સ પ્રક્રિયા દરમિયાન ભાજપના સક્રિય સભ્ય હોય તેવા કોઇ પણ વ્યક્તિ દાવેઘરી કરી શકશે. ઉલ્લેખનીય છે કે પક્ષની સક્રિય સભ્યની વ્યાખ્યા એવી છે કે જેમણે ઓછામાં ઓછા 100 સભ્ય બનાવ્યા હોય તેને સક્રિય સભ્ય કહેવામાં આવે છે. વર્ષ 2021ની ગત મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત સાથે રાજકોટ મનપામાં શાસન કર્યું હતું આ ચૂંટણીમાં પણ ભાજપ દ્વારા માત્ર 12 કોર્પોરેટરને જ રિપીટ કરવામાં આવ્યા હતા અને બાકીના 60 નવા ચહેરા મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા આમ છતાં 72 પૈકી 68 બેઠક પર ભાજપે ભવ્ય જોત મેળવી હતી. એક માત્ર વોર્ડ નંબર 15માં કોંગ્રેસના ચાર ઉમેદવારોએ જીત હાસિલ કરી હતી જો કે વોર્ડ નંબર 15માં ભાજપ અત્યાર સુધી કોઈ ચૂંટણીમાં જીત મેળવી શક્યું નથી પરંતુ આ વખતે પ્રદેશ ભાજપ દ્વારા યુવા પ્રમુખ ડો. માધવ દવેને વોર્ડ નંબર 15માં જીત હાસિલ કરવા માટે ચેલેન્જ આપી છે જેમાં પરિવર્તન થશે કે પુનરાવર્તન તે જોવું મહત્વનું રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન વાવ-થરાદ ખાતેથી રૂ. 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પૈકી, રૂ. 900 કરોડના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 257 કરોડના ખર્ચે 27 કિલોમીટર લાંબા કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ પણ સામેલ હતું. આ પરિયોજનાના ઈ-લોકાર્પણના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન ખાતે એક ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટ સહિતના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુજરાત સહિત દેશના રેલવે માળખાકીય વિકાસને નવી ગતિ આપી છે. આ જામનગર માટે ગૌરવની વાત છે. કાનાલુસ-જામનગર રેલવે ટ્રેક ડબલિંગ થવાથી ટ્રેનોની અવરજવર વધુ સુગમ બનશે. આનાથી મુસાફરોને સમયસર અને સુરક્ષિત મુસાફરીની સુવિધા મળશે, તેમજ ઔદ્યોગિક વિકાસને પણ પ્રોત્સાહન મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણે વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. મજબૂત કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તાર સુધી વિકાસ શક્ય બને છે. આ ડબલિંગ લાઇન માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ તે વિકાસ, ઝડપી પરિવહન અને નવી તકોનું પ્રતીક છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવ-થરાદ ખાતેના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, રાજકોટ ડિવિઝનના ડીઆરએમ ગિરિરાજ મીના, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો. વિનોદ ભંડેરી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખઓ, મહામંત્રીઓ, રાજકોટ ડિવિઝન તથા જામનગર રેલવે વિભાગના અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા-અસારવા MEMU ટ્રેન સેવા શરૂ:વડાપ્રધાને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી, પરિવહન સુવિધામાં વધારો
સાબરકાંઠા જિલ્લામાં રેલવે ક્ષેત્રે એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. ખેડબ્રહ્માથી અસારવા સુધી હિંમતનગર વાયા નવી મેમુ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી આ ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. નવી બ્રોડગેજ ઇલેક્ટ્રિક રેલવે લાઇન તૈયાર થયા બાદ આ માર્ગ પર ટ્રેન દોડતી થઈ છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુસાફરોએ ટ્રેનમાં મુસાફરી કરી હતી, જે દર્શાવે છે કે લોકોમાં આ સેવા પ્રત્યે ઉત્સાહ છે. ખેડબ્રહ્માથી અસારવા તરફ પ્રથમ ટ્રેન રવાના થઈ તે પ્રસંગે ખેડબ્રહ્મામાં એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાને વાવ-થરાદથી વર્ચ્યુઅલ સંબોધન પણ કર્યું હતું. આ નવી રેલવે સેવા ખાસ કરીને આદિવાસી વિસ્તારોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. નાના અંબાજી જતા યાત્રાળુઓ માટે પણ આ સેવા સુવિધાજનક બનશે. આ ટ્રેન સેવા શરૂ થવાથી પરિવહન સુવિધામાં વધારો થશે અને વિસ્તારના આર્થિક તથા સામાજિક વિકાસને ગતિ મળશે. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાદું, રેલવેના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ખેડબ્રહ્માના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. ખેડબ્રહ્માથી હિંમતનગર તરફ પ્રસ્થાન કરતી મેમુ ટ્રેનને રસ્તામાં ગ્રામજનોએ ઉત્સાહભેર વધાવી લીધી હતી. ખેડબ્રહ્મા બાદ આ ટ્રેન ઇડર અને જાદર સ્ટેશન પર પણ ઉભી રહી હતી.
શહેરામાં જૂની અદાવતમાં ઇકો ચાલક પર હુમલો:પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા, અન્યની શોધખોળ
શહેરાના અણિયાદ પાસે જૂની અદાવતમાં ઇકો કાર ચાલક પર પાંચ જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો. આ ઘટનામાં 112 પોલીસ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. ગત 30 માર્ચની વહેલી સવારે અણિયાદ ચોકડી પાસેથી પસાર થઈ રહેલી ઇકો કારને પાંચથી છ અજાણ્યા ઈસમોએ આંતરી હતી. હુમલાખોરોએ લાકડાના દંડા વડે કારના કાચ તોડી નાખ્યા હતા અને ચાલક સાથે ઝપાઝપી કરી તેને ઈજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતાં જ 112 પોલીસ વેન તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ત્રણ ઈસમોને દબોચી લીધા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, અગાઉ ગાડી ઊભી રાખવા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે સુરેશ પટેલ, હંસરાજ ચાવડા અને હિમાંશુ બારિયા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા અન્ય બાઇક સવારોને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી યશ વસાવા ઉર્ફે લસ્સી નામના આરોપીના આતંકથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. તેની સામે 17 ગુના નોંધાયેલા હતા અને સમગ્ર વિસ્તારના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જી ડી રાજપૂત દ્વારા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે આરોપી યશ વસાવાને જાહેરમાં વિસ્તારમાં તેનું સરઘસ કાઢીને લોકોનો ભય દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારના નાગરિકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ પોલીસ અધિકારીએ લુખ્ખા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે, કાયદાની અંદર રહીને જ વર્તવું, નહીં તો કડક પગલાં ભરવામાં આવશે. લક્ષ્મીપુરા પોલીસની આ કાર્યવાહી એક સ્પષ્ટ સંદેશ આપે છે કે ગુનાખોરી સહન કરવામાં નહીં આવે. વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાં રહેતી 23 વર્ષીય મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મહિલા અને તેમના પતિ પોતાના નિવાસ સ્થાને ગઈકાલે સોમવારે બપોરના સમયે જમવા બેઠા હતા, ત્યારે તેમના પતિના મોબાઇલ ફોન પર ગોત્રી વિસ્તારના જુના વુડાના મકાનમાં રહેતા સાસુના પાડોશીનો ફોન આવ્યો હતો. ફોન પર તેમણે જાણ કરી હતી કે, યશ ઉર્ફે લસ્સી વસાવા નામનો ઈસમ તેમના પરિવાર સાથે ઝઘડો કરી રહ્યો છે. આ માહિતી મળતા મહિલાના પતિએ પોતાની માતાને ફોન કરીને ઘટના અંગે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, યશ ઉર્ફે લસ્સી વસાવા દ્વારા મહિલાના નણંદ સાથે છેડતી કરવામાં આવી રહી છે તેમજ ગાળાગાળી કરીને ઝઘડો કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ મહિલા અને તેમના પતિ એક્ટીવા પર ગોત્રી વિસ્તારના દિનદયાળ નગર સ્થિત જુના વુડાના મકાન ખાતે પહોંચ્યા હતા, જ્યાં આરોપી યશ ઉર્ફે લસ્સી વસાવા હાજર હતો અને આસપાસના લોકો સાથે ગાળાગાળી કરી રહ્યો હતો. મહિલાના પતિએ આરોપીને નણંદ સાથે છેડતી કરવા બાબતે પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો બોલતા બોલતા મહિલાના પતિ પર હુમલો કરવા લાગ્યો હતો. આ દરમિયાન મહિલાએ પતિને બચાવવા વચ્ચે પડતાં આરોપીએ સિમેન્ટનો બ્લોક ફેંકીને મહિલાના જમણા હાથ પર હુમલો કર્યો હતો, જેના કારણે તેમને ઈજા પહોંચી હતી. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ભાગી ગયો હતો અને જતા જતા મહિલા તથા તેમના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત મહિલાને હાથમાં દુખાવો થતા તેમના પતિ દ્વારા તેમને ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી, જ્યાં સારવાર આપવામાં આવી હતી, ત્યારબાદ મહિલાએ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આવીને સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવી છે. જેને પગલે લક્ષ્મીપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને સમગ્ર વિસ્તારમાં તેનું સરઘસ કાઢ્યું હતું. ઇજાગ્રસ્ત યુવતીએ જણાવ્યું હતું કે, યશ વસાવા નામનો વ્યક્તિ છેલ્લા અઢી મહિનાથી મને હેરાન કરી રહ્યો હતો. તે મને ધમકી આપતો હતો કે, જો હું મારા પરિવારને કઈ પણ કહીશ, તો તે આખા પરિવારને ખતમ કરી નાખશે. એટલે ડરના કારણે મેં ઘરે કોઈને વાત કરી નહોતી. આ દરમિયાન ગઈકાલે રાત્રે અમે રસ્તા પરથી પસાર થતા હતા, ત્યારે તેણે અચાનક મારી છેડતી કરી અને મારી આબરૂ પર હાથ નાખ્યો હતો. તે મને જબરદસ્તી એવું કહેવા લાગ્યો કે તું મારી સાથે રિલેશનશિપ રાખ. જ્યારે મેં ના પાડી ત્યારે તે મને ટોર્ચર કરવા લાગ્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારી બહેન 8 મહિનાની ગર્ભવતી છે. જ્યારે તેણે જોયું કે, યશ મને હેરાન કરે છે, ત્યારે તેણે વિરોધ કર્યો હતો અને પૂછ્યું કે, તું મારી બહેનને કેમ હેરાન કરે છે? આ સાંભળીને યશ ઉશ્કેરાઈ ગયો અને તેણે મારી ગર્ભવતી બહેનના પેટ પર જોરથી લાત મારી દીધી હતી. મારી બહેન ત્યાં જ પડી ગઈ હતી. અમે તરત જ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસનો અમને સહકાર ખૂબ જ સારો રહ્યો છે. અમારી ફરિયાદને પગલે લક્ષ્મીપુરા પોલીસના તમામ સ્ટાફે ત્વરિત કાર્યવાહી શરૂ કરી હતી અને ગણતરીના સમયમાં જ આરોપીને પકડી પાડ્યો હતો. યુવતીએ ઉમેર્યું હતું કે, પહેલા મને ખૂબ જ ડર હતો, પણ પોલીસની મદદ બાદ હવે મને બિલકુલ ડર નથી. હું ઈચ્છું છું કે તેને એવી કડક સજા થવી જોઈએ, તે આખી જિંદગી જેલમાં જ રહેવો જોઈએ. તેને થવું જોઈએ કે, તેણે એક યુવતીની ઈજ્જત પર હાથ નાખ્યો હતો અને ગર્ભવતી મહિલાને લાત મારી હતી.
'અમારી ધરતી પર પગ મૂકનાર આક્રમણખોરોના પગ કાપી નાખીશું...' ઈરાનની દુશ્મનોને ચેતવણી
વાઈરલ તસવીર Strait of Hormuz: ઈરાને મંગળવારે ફરી એકવાર અમેરિકાને કડક ચેતવણી આપી છે કે જો કોઈ દેશ તેના પર હુમલો કરશે, તો તેની સેના તેને જડબાતોડ જવાબ આપશે. તેહરાનમાં ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના ખાતમ અલ-અનબિયા મુખ્યાલયના પ્રવક્તા ઈબ્રાહિમ જોલફાઘરીએ કહ્યું કે, ઈરાના સશસ્ત્ર દળો દેશ પર હુમલો કરનાર કોઈપણ હુમલાખોરના પગ કાપી નાખશે.
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસના 50થી વધુ કાર્યકરો ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા છે. ભરૂચ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રીની હાજરીમાં આ કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. કોંગ્રેસના પાલિકા પૂર્વ ઉમેદવાર શંકર પટેલ અને આમ આદમી પાર્ટીના આકાશ પટેલે સત્તાવાર રીતે ભાજપમાં પ્રવેશ કર્યો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો દ્વારા નવા જોડાયેલા કાર્યકરોનું સ્વાગત કરી પક્ષની નીતિઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. અન્ય અનેક કાર્યકરો પણ ભાજપમાં જોડાતા રાજકીય માહોલ વધુ ગરમાયો છે. રાજકીય વિશ્લેષકો માને છે કે આ પક્ષપલટા આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીના સમીકરણોને પ્રભાવિત કરી શકે છે. ખાસ કરીને, ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માંથી ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરાજિત થયેલા શંકર પટેલનું ભાજપમાં જોડાવું રાજકીય રીતે મહત્વપૂર્ણ ગણાય છે. આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના કાર્યકર આકાશ પટેલે પણ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનો ખેસ ધારણ કરી AAP છોડી દીધી છે. નોંધનીય છે કે, તેઓ અગાઉ AAPના નેતા ચૈતર વસાવાના સમર્થનમાં કોર્ટ ખાતે હાજર રહ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમને કારણે ભરૂચ જિલ્લામાં પક્ષપલટાનો દોર શરૂ થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. આવનારા દિવસોમાં આ પરિવર્તનો ચૂંટણી પરિણામો પર કેવો પ્રભાવ પાડશે તે જોવું રસપ્રદ રહેશે.
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની મિસાઈલો મધ્ય પૂર્વમાં વરસે છે, જેની અસર આખી દુનિયામાં સહિત પાડોશી દેશ નેપાળમાં પણ થઈ! ઈઝરાયલ-ઈરાન યુદ્ધની તમામ અપડેટની તો વાત કરીશું જ પણ અબુ ધાબીમાં નેપાળી યુવાનના મોતે મા સીતાના દેશમાં સન્નાટો મચાવ્યો છે તેની પણ વાત કરીશું. વિચારો, 35 વર્ષનો એક રૈપર અને એન્જિનિયર દેશના પ્રધાનમંત્રી ગયા છે. જેણે સોશિયલ મીડિયા બેન કરનારા દિગ્ગજોને જેન-ઝી એટલે કે યુવાનોના પાવરથી પત્તાની જેમ પાડી દીધા! કેપી શર્મા ઓલીની ધરપકડના આદેશ આપી દીધા અને તેમના જેવા નવા અને યુવા નેતા ફરી નેપાળમાં પેદા ન થાય તેના માટે સ્ટુડન્ટ પોલિટિક્સ પર પણ બેન લગાવી દીધો છે. માત્ર આટલું જ નહીં નેપાળમાં બનેલી નવી સરકાર દુનિયાની સૌથી યુવાન સરકાર બની ગઈ છે. 15 મંત્રીઓમાંથી 14ની ઉંમર 50 વર્ષથી ઓછી છે અને એવરેજ ઉંમર 38 વર્ષ છે. એટલા માટે આપણે એ જાણવું ફરજિયાત બની જાય કે આપણા પાડોશી દેશમાં શું ચાલી રહ્યું છે? નેપાળનું નવું અને ગરમ લોહી ભારત ચીન સાથે કેવા સંબંધો રાખશે? વિગતે વાત કરીએ. નમસ્કાર.... ઈઝરાયલ-ઈરાન યુદ્ધના 32માં દિવસે પણ જંગ ચાલુ છે! અમેરિકા અને ઈઝરાયલે પાવર ગ્રીડ સિસ્ટમ પર હુમલાઓ કરીને તહેરાનને અંધારામાં ધકેલી દીધું છે, જ્યારે ઈરાનના ઈસ્ફહાનમાં બંકર બસ્ટર બોમ્બે તબાહી મચાવી છે. સામે પક્ષે લેબનોન હિઝબુલ્લાહ સામે લડવામાં ઈઝરાયલને જાનહાનિ થઈ છે અને હિઝબુલ્લાહના ડ્રોન ઈઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમ પર ગાજી રહ્યા છે. હોર્મુઝથી નહીં નીકળે અમેરિકન કે ઈઝરાયલી જહાજો આ બધા વચ્ચે ઈરાને હવે દરિયામાં પણ મોરચો ખોલ્યો છે; દુબઈ બંદર પરના ઓઈલ ટેન્કર પર હુમલો અને પાર્લામેટમાં નક્કી થયા મુજબ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ટેક્સ વસૂલવાનો પ્લાન છે. હોર્મુઝથી અમેરિકા અને ઈઝરાયલના જહાજોને ઈરાન નહીં નીકળવા દે તેવો પણ પ્લાન છે. બીજા બાજુ ટ્રમ્પે ઈરાનને તેલના કુવા રાખ કરી દેવાની ધમકી આપી છે, તો નેતન્યાહુ ઈરાન સરકાર ઉથલાવવાની અને યુદ્ધ અડધું પૂરું થઈ ગયું છે તેવી વાતો કરી રહ્યા છે. આ મહાયુદ્ધ વચ્ચે ઈરાનના સતત હુમલાઓના કારણે સાઉદી, કતાર અને જોર્ડન પણ જેદ્દાહમાં એકઠા થઈને ઈરાન સામે લાલ આંખ કરી રહ્યા છે. ઇઝરાયલના ખભે બંદૂક રાખી અમેરિકાએ ઇરાનને તબાહ કરી દીધું છે. હવે આ જ અમેરિકા આરબ દેશોને પણ બરબાદ કરવા જઈ રહ્યું છે. હા, જગત જમાદાર ટ્રમ્પ આ યુદ્ધનો સંપૂર્ણ ખર્ચ આરબ દેશો પાસેથી વસૂલવાનો કારસો ઘડી રહ્યા છે. યુદ્ધમાં કેટલો ખર્ચ થઈ રહ્યો છે? વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની ઇચ્છા છે કે, યુદ્ધના ખર્ચમાં આરબ દેશો યોગદાન આપે. કારણ કે, 1990-91નાં યુદ્ધમાં કુવૈત અને સાઉદી અરેબિયાએ જ અમેરિકાનાં યુદ્ધનો ખર્ચ ઉઠાવ્યો હતો. 32 દિવસનાં યુદ્ધમાં અમેરિકાના 35 અબજ ડોલર ખર્ચાઇ ગયા છે.એક્સપર્ટનું માનીએ તો આ યુદ્ધનો કુલ ખર્ચ 200 અબજ ડોલર થઈ શકે છે. યુદ્ધમાં દર સેકન્ડે 9 લાખ રૂપિયા સ્વાહા રોયટર્સના રિપોર્ટ મુજબ યુદ્ધમાં અમેરિકાના પ્રતિ સેકન્ડ 10,300 ડોલર એટલે કે, 9.08 લાખ રૂપિયા વેડફાઈ રહ્યા છે. જે ટેક્સપેયર્સ પર સીધો 2.63 લાખ કરોડનો બોજ છે. યુદ્ધનો ખર્ચ ક્યાં અને કેટલો? હવે એ સમજીએ કે, રોજનો આટલો ખર્ચ ક્યાં થાય છે? હથિયારો અને મિસાઇલો પાછળ 320, એરફોર્સ ઓપરેશનમાં 245, નેવી ઓપરેશનમાં 155, મિસાઇલ ડિફેન્સ સીસ્ટમમાં 95, સાયબર ઓપરેશનમાં 45 અને લોજિસ્ટિક્સ પાછળ 30 મિલિયન ડોલર ખર્ચાઇ રહ્યા છે. યુદ્ધનો ખર્ચ આરબ દેશોને ઉઠાવવો પડશે? જો અમેરિકા આવું કરે તો આરબ દેશોની હાલત પડ્યા પર પાટાં સમાન થશે. રણ કે, ઇરાનના હુમલાઓથી સાઉદી, UAE અને બહેરીનની રિફાઇરીઓ ઠપ છે. ડેટા સેન્ટર્સને પણ નિશાન બનાવ્યાં છે. પર્યટન અને એવિયેશન સેક્ટરમાં 40 અબજ ડોલરનું નુકસાન થયું છે. એમાં જો વધારાના 200 અબજ ડોલરનું બિલ થોપવામાં આવશે તો આરબ દેશોની સ્થિતિ વિકટ બની શકે છે. લાખો નેપાળીઓ મિડલ ઈસ્ટમાં ફસાયાં જેમ ભારતના લાખો લોકો મિડલ ઈસ્ટમાં કામ કરે છે કે રહે છે તે રીતે નેપાળમાં પણ એવું જ કંઈક છે. અંદાજે 19થી 25 લાખ નેપાળીઓ મીડલ ઈસ્ટના યુદ્ધમાં ફસાયા છે. અબુ ધાબી એરપોર્ટ પર 29 વર્ષના નેપાળી વ્યક્તિનું મોત થયું છે અને 15 જેટલા નેપાળી ઘાયલ થયા છે. સરકાર પર 5 હજાર લોકોને સહી સલામત નેપાળ લાવવાની જવાબદારી છે. મિડલ ઈસ્ટમાં બોમ્બ ને નેપાળમાં ધડાકો બોમ્બ અને મિસાઈલ ભલે ઈઝરાયલ-ઈરાન સહિત મિડલ ઈસ્ટમાં ફૂટી રહ્યા છે પણ તેનો ધમાકો નેપાળમાં બીજી રીતે જોવા મળ્યો. 27 માર્ચ 2026નો એટલે કે ઠીક ચાર દિવસ પહેલા નેપાળની રાજધાની કાઠમાંડુના શીતલ નિવાસમાં બાલેન્દ્ર શાહ ઊર્ફે બાલેને નેપાળના પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપતા લખ્યું કે, હું ભારત-નેપાળની મિત્રતા અને સહયોગને આપણા બંને લોકોના પરસ્પર લાભ માટે વધુ ઊંચાઈએ લઈ જવા માટે તમારી સાથે નજીકથી કામ કરવા આતુર છું. સોશિયલ મીડિયા પર બેન અને યુવાનો ભડક્યાં પણ નેપાળમાં આટલો મોટો ઝટકો રાતોરાત નથી આવ્યો. તેની પાછળ ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં નેપાળમાં આવેલી જેનઝી એટલે કે જનરેશન ઝેડ યુવા ક્રાંતિ જવાબદાર છે. થયું કંઈક એવું હતું કે નેપાળના પૂર્વ વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ યુટ્યૂબ અને ટિકટોક જેવી 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બેન મૂક્યો, અને યુવાનોના ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. નેતાના સંતાનોને મોજ ને નેપાળી યુવા બેરોજગાર ડિસ્કોર્ડ અને સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી યુવાનોએ જૂના નેતાઓ અને તેમના દીકરા-દીકરીઓની લગ્ઝુરિયસ લાઈફને પડકારી. નેપાળના યુવાનો બેરોજગાર બની રહ્યા હતા અને નેતાઓના ભ્રષ્ટાચારના જોરે તેમના દીકરા-દીકરીઓ વિદેશમાં ફરી રહ્યા હતા કે મોજમજા કરી રહ્યા હતા. નેપાળના યુવાનોથી આ સહન ન થયું. નેપાળમાં દુનિયાની સૌથી યુવાન સરકાર! વિરોધ ચાલુ થયો અને બાલેન શાહે કાઠમાંડુ મેયર પદેથી રાજીનામુ આપીને નેશનલ પોલિટિક્સમાં કૂદકો માર્યો. આ મહિને નવી નેશનલ ચૂંટણીઓ થઈ અને બાલેનની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી એટલે કે RSPએ 275 બેઠકોમાંથી 182 બેઠકો જીતી લીધી. નેપાળની ચૂંટણીએ દુનિયાનું ધ્યાન ત્યારે ખેંચ્યું જ્યારે નેપાળની સરકાર માટે મંત્રીઓના નામની જાહેરાતો થઈ. વિશ્વભરના રાજકીય વિશ્લેષકો ચોંક્યા કારણ કે આ લગભગ દુનિયાની સૌથી યુવાન સરકાર છે. બધુ સમજીએ તે પહેલા બાલેન શાહને જાણી લઈએ બાલેન શાહ એક પરિચય બાલેનઃ મધેશી સમુદાયના પહેલા વડાપ્રધાન જે સમાજમાંથી બાલેન આવે છે તેની વાત કરીએ તો મધેશી સમુદાય નેપાળના દક્ષિણમાં આવેલા તેરાઈ વિસ્તારનો છે. બાલેનનો સમુદાય વર્ષોથી મુખ્ય પ્રવાહથી વંચિત રહ્યો છે પણ બાલેને આ સીમાઓને તોડી નાખી છે. પણ એક સવાલ થાય કે લોકોએ બાલેનને કેમ પસંદ કર્યા? તો તેમણે મેયર પદે કરેલા કામોનો ટ્રેક રેકોર્ડ જોવો પડે બાલેનની કામગીરીને 7 મુદ્દાથી સમજો ભારતમાં ભણતર અને ટેક્નોલોજીનો સંગમ યુવા છે અને ભારતની દિગ્ગજ ઈજનેર સંસ્થામાંથી ભણ્યા છે તો સીધી વાત છે ટેક્નોલોજી સાથે પ્રેમ હોય જ. જેને તેણે પોતાની રાજનીતિમાં ઉતારી. લોકો સાથે વન ટુ વન બેઠકો અને સોશિયલ મીડિયા ગ્રુપ્સથી પોતાની પોલિટિકલ ઈમેજ બનાવી. બાલેને પોતાની રાજનીતિને એક પ્રોજેક્ટ તરીકે લોકો સામે મૂકી જે લોકોને ગમી. લોકોએ વિચારધારા કરતા રસ્તા પર થતા વિઝિબલ વિકાસ પર ભરોસો કર્યો અને બાલેનની રાજકીય ગાડીએ રોકેટ સ્પીડ પકડી. હવે આપણે એ મુદ્દાની વાત કરીએ જેણે ભારત કે ચીનમાં જ નહીં પણ દુનિયામાં ચર્ચા જગાવી છે. કારણ કે નેપાળની સરકારે દુનિયા સામે કંઈક એવું કરી બતાવ્યું છે જે અત્યાર સુધી લગભગ થયું નહીં હોય. સામાન્ય રીતે નેતાઓની ઉંમર ખૂબ મોટી હોય છે પણ નેપાળમાં એવું નથી. નેપાળના મહિલા મંત્રી માત્ર 29 વર્ષનાં બાલેન શાહની કેબિનેટમાં 15 મંત્રીઓ છે, જેની સરેરાશ ઉંમર 38.21 વર્ષ છે. 10 એટલે કે 66 ટકા મંત્રીની 40 વર્ષથી ઓછી છે. માત્ર 1 જ મંત્રીની ઉંમર 50 વર્ષથી મોટી છે. મહિલા મંત્રીઓ 5 એટલે કે 33 ટકા છે. નેપાળના ઈતિહાસમાં મહિલાઓને લગભગ આટલું માન ક્યારેય નહીં મળ્યું હોય. દુનિયાના નેતાઓની સરેરાશ ઉંમર કેટલી? તેની સામે દુનિયાની વાત કરીએ તો 1970માં દુનિયાના નેતાઓની સરેરાશ ઉંમર 55 હતી જે હવે 62 વર્ષ છે. લોકતાંત્રિક દેશોમાં 59 છે જ્યારે સરમુખત્યારશાહી દેશોમાં 68 વર્ષ છે. ટૂંકમાં નેપાળની સરેરાશ 38 વર્ષની સરકાર દુનિયા માટે એક કેસ સ્ટડી બની ગઈ છે. હવે નેપાળી મંત્રાલયના અમુક નેતાઓની પણ વાત કરીએ જેણે તો 30 પણ પાર નથી કર્યા. સસ્મિતા પોખરેલઃ 29 વર્ષના શિક્ષણ મંત્રી શિક્ષણ, વિજ્ઞાન અને રમતગમતના મંત્રી સસ્મિત પોખરેલની ઉંમર 29 વર્ષ જ છે. તે કેબિનેટના સૌથી યુવાન મંત્રી છે અને સરકારના પ્રવક્તા પણ છે. અમેરિકામાં અભ્યાસ કર્યો, પોખરેલમાં મેયર અને બાલેન શાહના સલાહકાર પણ રહી ચૂક્યા છે. 30-30 વર્ષના નેપાળી મહિલા મંત્રીઓ કાયદો, ન્યાય વિભાગના મંત્રી સોવિતા ગૌતમ માત્ર 30 વર્ષના જ છે. પત્રકાર અને વકીલ તરીકે ઈમેજ બનાવી 2023માં યંગ વર્લ્ડ પોલિટિશિયન ઓફ ધ યરનો ખિતાબ જીત્યો. મહિલા અને બાળક વિભાગના મંત્રી સીતા બાદીની ઉંમર 30 છે. હાંસિયામાં ધકેલાયેલી બાદી સમુદાયના પહેલા મંત્રી છે. સૌથી વધુ ઉંમર એટલે કે 51 વર્ષ નાણામંત્રી સ્વર્ણિમ વાગ્લેની છે. તેઓ વર્લ્ડ ફેમસ ઈકોનોમિસ્ટ અને UNDP ના પૂર્વ સલાહકાર પણ રહી ચૂક્યા છે. યુવા નેતાઓની વાત અધિકારીઓ સાંભળશે ખરાં? આવી પરિસ્થિતિમાં એક સવાલ થાય કે મંત્રીઓ હજુ સાવ યુવાન છે અને રાજકીય લેવલે કામ કરવાના અનુભવ વગરના છે તો શું તેઓ અનુભવી બ્યૂરોક્રેટ્સ એટલે કે બાબુઓ પાસે કામ કરાવી શકશે? જ્યારે 30 વર્ષના મંત્રી 50-60 વર્ષના અનુભવી સચિવો પાસે કામ કરાવે તો બની શકે કે મતભેદો થઈ શકે જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ બાલેન સરકાર આ મામલે કામ કરી રહી છે. હાલ તો બાલેન સરકારે વહીવટી તંત્રને રાજનીતિથી ફ્રી કરવાનું કામ શરૂ કરી દીધું છે. શિક્ષણ અને રમતગમત જેવા મંત્રાલયના વિભાગોમાંથી કામ વગરના બાબુઓને બીજે શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. મંત્રીઓને પણ પોતાના વિષય મુજબ મંત્રાલયો અપાયા છે જેથી બાબુઓ તેમને ગોટે ન ચઢાવી શકે. ઉપરથી બધા મંત્રીઓને એક ઈન્ડિપેન્ડેન્ટ ટીમ અપાઈ છે જે સરકારી કામકાજ અને ડેટા પર ધ્યાન રાખી શકે. સોશિયલ મીડિયાના જોરે સરકાર પાડી અને બનાવી હવે આપણે સમજીએ કે બાલેન શાહે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ચૂંટણી કેવી રીતે જીતી? તો પહેલા તો તેમણે મીડિયા કે ન્યૂઝ પેપરને બદલે પોડકાસ્ટ અને નાના વીડિયો બનાવીને યુથ સાથે ડાયરેક્ટ કોમ્યુનિકેશન કર્યું. ડિસ્કોર્ડ અને સ્નેપચેડ જેવી એપથી વર્ચ્યુઅલ વોર રૂમ બનાવ્યો. જાણીને નવાઈ લાગશે પણ અહીંથી જ નક્કી થયું કે કયો ઉમેદવાર કઈ બેઠક લડશે. આ સિવાય ઈમોશનલ કનેક્શન માટે નેતાઓના દીકરા-દીકરીઓની લગ્ઝુરિયસ લાઈફ સ્ટાઈલ અને સામાન્ય બેરોજગાર નેપાળીનું કમ્પેરિઝન આપ્યું જેણે યુવાનોમાં ગુસ્સાનો જ્વાળામુખી તરીકે કામ કર્યું. લોકોએ નેપાળી કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટીઓના દાયકા જૂના રાજને પાયામાંથી હલાવી નાખ્યું. અહીં એક વાત એ પણ જોવી જોઈએ કે બાલેન શાહની પાર્ટીએ એઆઈનો ઉપયોગ કરીને લોકોને પોતાની ભાષામાં વ્યક્તિગત મેસેજ મોકલ્યા હતા. અને આ બધુ થયું જેન-ઝી આંદોલન પછી. માટે આપણે આ આંદોલન વિશે પણ જાણવું પડે અને સમજવું પડે કે દુનિયાના કેટલા દેશોમાં યુવાનોના જેનઝી આંદોલનો થયા છે અને તેમણે સરકારોના સિંહાસન હલાવ્યા છે. જેનઝી આંદોલન અને તેની અસરો બાલેન શાહ નેપાળના પ્રધાનમંત્રી બની ભલે ગયા પણ તેમના ઘરઆંગણે ઘણા એવા કામો છે જે તેમને કરવા જ પડશે. આપણે નેપાળના 10 મોટા પડકારોની વાત કરીએ તો નેપાળ હવે ભારત-ચીન વચ્ચે બેલેન્સ રાખશે? આમાં સૌથી મોટો અને મહત્વના મુદ્દામાંનો એક છે ભારત અને ચીન વચ્ચે સંતુલન બનાવવું. હાલ નેપાળ ભારત અને ચીન વચ્ચે એક બફર સ્ટેટ છે. એટલે કે એક નાનો વિસ્તાર છે. જેમાંથી તેમને વિકસિત બનવું પડશે અને વિશ્વમાં અલગ છાપ છોડવી પડશે. બીજું કે ભારત કે ચીનમાંથી કોઈ એકની પડખે રહેવાની આઈડિયોલોજીની જગ્યાએ પોતાની જરૂર મુજબ બંને દેશ સાથે વ્યવહારવાદના પ્રેક્ટિકલ સંબંધો બનાવવા પડશે. જો કે એક્સપર્ટનું કહેવું છે કે નેપાળના યુવા નેતાઓ પાસે વિદેશ નીતિનો અનુભવ નથી માટે તે એકડો જ ઘૂંટશે. માટે આ ભારત માટે સારી તક છે કે પાડોશી દેશ સાથે સારા સંબંધો બનાવી રાખે. PM બન્યા અને 24 કલાકમાં પૂર્વ PMને જેલભેગા કર્યા હવે આપણે નેપાળની એવી બે ઘટનાઓની વાત કરીએ જે આજકાલની રાજનીતિમાં બધે જોવા મળી રહી છે. જી હાં નેપાળના વિપક્ષનું માનીએ તો આ છે નફરતની પોલિટિક્સ. કારણ કે આ જ બાલેન શાહે પ્રધાનમંત્રી બનતાની સાથે 24 કલાકમાં જ પોતાના વિરોધમાં અને નેપાળના પ્રધાનમંત્રી રહી ચૂકેલા કેપી શર્મા ઓલીની ધરપકડ કરાવી લીધી છે. તેમના પર આરોપ છે કે જેનઝી પ્રોટેસ્ટમાં તેમણે જવાબદારીમાં લાપરવાહી રાખી હતી, જેના કારણે 77 લોકોના મોત થઈ ગયા છે. પૂર્વ પ્રધાનમંત્રી ઓલીની સાથે પૂર્વ ગૃહમંત્રી રમેશ લેખકને પણ ઝપેટામાં લીધા છે. કહેવાય છે કે 10 વર્ષની જેલ તો પાક્કી જ છે. સ્કૂલ-યુનિવર્સિટીમાં નો સ્ટુડન્ટ પોલિટિક્સઃ નેપાળી PM માત્ર આટલું જ નહીં બીજો સૌથી મહત્વનો નિર્ણય લીધો તે છે કે શાળાઓ અને યુનિવર્સિટીઓમાં પાર્ટી બેઝ્ડ સ્ટુડન્ટ પોલિટિક્સ નહીં ચાલે. એટલે કે આપણે જેમ ભાજપની ABVP કે કોંગ્રેસની NSUI જેવી રાજકીય વિદ્યાર્થી પાંખો છે તેવી સ્ટુડન્ટ પોલિટિકલ વિંગ નેપાળમાં કામ કરી શકશે નહીં. 60 દિવસમાં બધી વિંગ્સે કેમ્પસ ખાલી કરવું પડશે, જેની જગ્યાએ બાલેન સરકાર 90 દિવસમાં સ્ટુડન્ટ કાઉન્સિલ જેવા નોન પોલિટિકલ પ્લેટફોર્મ શરૂ કરશે. નેપાળ પ્રગતિના પંથે કે લોકશાહીનો ડાઘ બીજી બાજુ આ જ મામલે બાલેન સરકારનો નવો વિચાર એ છે કે શિક્ષકો, પ્રોફેસર્સ કે સરકારી અધિકારીઓ કોઈ પોલિટિકલ પાર્ટી કે યુનિયન્સ વગેરેમાં જોડાઈ નહીં શકે. જો કે આ બધા પર મિક્સ્ડ ઓપિનિયન છે કારણ કે ઘણા આને એન્ટી ડેમોક્રેટિક નિર્ણય કહે છે અને ઘણાનું કહેવું છે કે આનાથી દેશમાં સારી અસર પડશે. અને છેલ્લે... બાલેન શાહ ભારત માટે એક ઉદાહરણ છે કે એન્જિનિયર, ડોક્ટર, પત્રકાર કે રૈપર પણ રાજકારણમાં સફળ થઈ શકે છે અને દેશના પ્રધાનમંત્રી બની શકે છે. બીજું કે ભારતના નેતાઓ માટે નેપાળની ઘટના એક રેડ સિગ્નલ પણ છે કે યુવાનોને નજરઅંદાજ કરવામાં આવે છે ત્યારે તે સરકારો પણ પલટી શકવાની ક્ષમતા રાખે છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચ- સમીર પરમાર)
ભરૂચમાં 40થી વધુ લૂના કેસ નોંધાયા:ગરમીનો પારો ઊંચો, હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી
ભરૂચ જિલ્લામાં ઉનાળાની તીવ્રતા વધતા તાપમાનનો પારો સતત ઊંચો ચડી રહ્યો છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ભરૂચ શહેરમાં અત્યાર સુધીમાં 40થી વધુ લોકોને લૂ લાગી હોવાના કેસ નોંધાયા છે, જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ કેસોમાં વૃદ્ધો, બાળકો અને બહાર કામ કરતા મજૂરો સૌથી વધુ અસરગ્રસ્ત વર્ગ તરીકે સામે આવ્યા છે. બપોરના સમયે બહાર નીકળતા લોકોમાં ચક્કર આવવા, ડિહાઇડ્રેશન અને થાક જેવી તકલીફો સામાન્ય બની છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ તાપમાનમાં ઘટાડાની કોઈ શક્યતા નથી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. લોકોને બપોરના 12 થી 4 દરમિયાન અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને હલકા તેમજ કપાસના કપડા પહેરવા માટે માર્ગદર્શન અપાયું છે. ભરૂચના તબીબ ડો. દુષ્યંત વરિયાએ જણાવ્યું હતું કે, વધતી ગરમીને કારણે હિટ સ્ટ્રોકના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને વૃદ્ધો અને બાળકો તાપમાનના ફેરફારથી ઝડપથી પ્રભાવિત થાય છે, જેથી તેઓએ ખાસ કાળજી લેવી જરૂરી છે. લૂ લાગવાના લક્ષણોમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, શરીરમાં ડિહાઇડ્રેશન, પેશાબ ઓછું થવું, તરસ વધવી, આંખો આગળ અંધારું છવાવું તેમજ છાતીમાં દુખાવો જેવા લક્ષણો જોવા મળી શકે છે. ડો.વરિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આવા લક્ષણો જણાય તો તરત જ તબીબી સારવાર લેવી જરૂરી છે. લૂથી બચવા માટે માથું ઢાંકવું, લીંબુ પાણી, છાસ અને નાળિયેર પાણી જેવા પ્રવાહી પદાર્થોનો વધુ ઉપયોગ કરવો અને તડકામાં બહાર જવાનું ટાળવું હિતાવહ છે.
સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં વિકાસની ગતિ તેજ છે, પરંતુ આજે વરાછા વિસ્તારમાં જોવા મળ્યા હતા. વરાછા જેવા ગીચ અને વ્યસ્ત વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં ભંગાણ સર્જાતા સમગ્ર રોડ પર પાણીની રેલમછેલ થઈ ગઈ હતી. આ ગંદા પાણીમાંથી પસાર થતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડ્રેનેજ લાઈનમાં મોટું ભંગાણ, રસ્તા પર પાણીની રેલમછેલવરાછા વિસ્તારમાં અચાનક રોડની વચ્ચેથી પાણીના ફુવારા ઉડતા જોવા મળ્યા હતા. જોતજોતામાં આખા રસ્તા પર પાણીની રેલમછેલ સર્જાઈ હતી. ડ્રેનેજ લાઈનમાં મોટું ભંગાણ સર્જાયું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે પાકા ડામરના રોડને તોડીને પાણી બહાર આવી રહ્યું છે. મેટ્રોની કામગીરીના કારણે નુકસાન થયું હોઈ શકે છેઆ ઘટના જે સ્થળે બની છે, તેની બિલકુલ નજીકમાં જ સુરત મેટ્રો રેલનું કામ ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ મેટ્રોની કામગીરી જે ચાલી રહી છે તેના કારણે અનેક વખત નુકસાન થયું છે અને આ પણ તેના કારણે જ નુકસાન થયું હોઈ શકે છે. ભૂતકાળમાં પણ મેટ્રોની કામગીરી વખતે લાઈન તૂટવાની ઘટનાઓ બની છે, તો તેમાંથી બોધપાઠ કેમ લેવામાં આવ્યો નથી? પાણીનો આટલો મોટો વેડફાટ થઈ રહ્યો હોવા છતાં લાઈન બંધ કરવામાં કેમ વિલંબ થયો? પાણી ભરાઈ જવાને લોકો પરેશાનવરાછા વિસ્તારમાં હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે રોડ પર પાણી ભરાઈ જવાને કારણે ટુ-વ્હીલર અને રિક્ષા ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી.
યાત્રાધામ બહુચરાજીમાં આગામી 31 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન યોજાનારા ચૈત્રી પૂનમના મેળાને લઈને વહીવટીતંત્ર સતર્ક બન્યું છે. મેળામાં પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા તેમજ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મહેસાણા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર માર્ગો પર ઢોરની અવરજવર પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ બેચરાજી પોલીસે બે શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાહેર રસ્તા પર ઢોર લઈ નીકળતા બે પશુપાલકો સામે ફરિયાદઆ ઘટનાની વિગત એવી છે કે આજે સવારે દસ વાગ્યાના સુમારે બહુચરાજી શક્તિ સર્કલ પાસે પોલીસ કર્મચારીઓ ફરજ પર હતા. આ દરમિયાન બે શખ્સો પોતાના ઢોર સાથે જાહેર માર્ગ પરથી પસાર થતા મળી આવ્યા હતા. પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ શખ્સો બેચર પરા વિસ્તારના રહેવાસી 58 વર્ષીય ચેલાભાઈ લક્ષ્મણભાઈ ભરવાડ અને 44 વર્ષીય દિનાભાઈ મોહનભાઈ ભરવાડ છે. જાહેરનામાની જાણ હોવા છતાં તેનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગ પર ઢોર લાવવા બદલ પોલીસે બંને વિરુદ્ધ ધી ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની કલમ 131 મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસે ઘટનાસ્થળે પંચનામું કરવાની કાર્યવાહી પૂર્ણ કરી ઢોરને તેમના સંબંધીઓને પરત સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મેળા દરમિયાન દર્શનાર્થીઓને કોઈ અડચણ ન પડે તે માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે.
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલી ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન) દ્વારા સંચાલિત જનરલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળવાની ઘટના બની છે. દર્દીઓના ભોજનમાં જીવાત નીકળવા અંગે હોસ્પિટલના સત્તાધીશોને આ બાબતે જાણ કરી હતી, તો તેને કહ્યું, જે બાકી હોય એને ફરીથી નવું ભોજન બનાવીને આપ્યું હતું. ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા ભારત સરકારના લેબર મંત્રી મનસુખ માંડવીયા, મેડિકલ કમિશનર (વેસ્ટ ઝોન) તથા રિજનલ ડાયરેક્ટર, ESIC ભવન (ઇન્કમટેક્સ)ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. ખીચડીમાં જીવાત (ઇયળો) જોવા મળતા દર્દીઓ ચોંક્યામળતી માહિતી અનુસાર, બાપુનગર વિસ્તારમાં 320 જેટલા બેડ ધરાવતી જનરલ હોસ્પિટલમાં દર્દીઓને પીરસવામાં આવતા ભોજનમાંથી જીવાત નીકળી હતી. જેને લઈને દર્દીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. હોસ્પિટલમાં રોજબરોજ સરેરાશ 180થી 200 જેટલા દર્દીઓ ઇન્ડોર તરીકે દાખલ રહે છે. દરરોજની જેમ દર્દીઓને જમવાનું (પાલકની ભાજી, ખીચડી અને રોટી) પીરસવામાં આવ્યું હતું. પરંતુ પીરસવામાં આવેલી ખીચડીમાં જીવાત (ઇયળો) જોવા મળતા દર્દીઓમાં ભય અને આક્રોશ ફેલાયો હતો. દર્દીઓએ હોબાળો મચાવ્યો અને જમવાનું પરત આપી દીધુંઆ ઘટનામાં બાબુભાઈ પરમાર (ગોમતીપુર), વિજયાબેન મહેન્દ્રભાઈ દવે (નિકોલ), અશોકભાઈ એચ. જાદવ (મેમકો) નામના દર્દીઓના જમણામાં જીવાત જોવા મળી હતી. જેના પગલે તમામ દર્દીઓએ હોબાળો મચાવ્યો અને ગભરાઈને જમવાનું લીધા વગર પરત આપી દીધું હતું. આ અંગે ગોમતીપુરના દર્દીઓ દ્વારા ગોમતીપુર વોર્ડના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચી ગયા હતા. સ્થળ પર જઈ સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હોસ્પિટલના CMO અને નાઈટ સુપરિન્ટેન્ડન્ટને મૌખિક ફરિયાદ કરી હતી. પૂર્વ કોર્પોરેટરે લેખિતમાં ફરિયાદ કરીપૂર્વ કોર્પોરેટર ઈકબાલ શેખે જણાવ્યું હતું કે, તમામ દર્દીઓને તાત્કાલિક સ્વચ્છ અને તાજું જમવાનું ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી કડક રજૂઆત કરવામાં આવી હતી. જેના અનુસંધાને હોસ્પિટલના કિચનમાં ફરીથી સફાઈ કરીને દર્દીઓને નવું જમવાનું તૈયાર કરીને પીરસવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈને સિનિયર કોર્પોરેટર ઈકબાલ શેખ દ્વારા ભારત સરકારના લેબર મંત્રી શ્રી મનસુખ માંડવીયા, મેડિકલ કમિશનર (વેસ્ટ ઝોન) તથા રિજનલ ડાયરેક્ટર, ESIC ભવન (ઇન્કમટેક્સ)ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. અધિકારીના સગા હોવાના કારણે શું કાર્યવાહી થતી નથી?પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, હોસ્પિટલમાં વપરાતી તમામ ખાદ્ય સામગ્રી (શાકભાજી, દૂધ વગેરે) કોન્ટ્રાક્ટર દ્વારા સપ્લાય કરવામાં આવે છે. કિચન અને સ્ટુઅર્ડની સંપૂર્ણ જવાબદારી કૈલાશ મીણા પાસે છે. છતાં, તેઓ એક સિનિયર અધિકારીના સગા હોવાના કારણે તેમના સામે કોઈ કડક કાર્યવાહી થતી નથી તેવી માહિતી સામે આવી રહી છે. દર્દીઓના આરોગ્ય સાથે બેદરકારી!તેઓએ હોસ્પિટલ મામલે કેટલીક માંગણીઓ કરી છે જેમાં મુખ્ય માંગણીઓમાં જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. હોસ્પિટલના કિચન વ્યવસ્થામાં પારદર્શિતા અને નિયમિત ચકાસણી કરવામાં આવે. દાખલ ગરીબ દર્દીઓને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને પોષણયુક્ત ભોજન મળવાની ખાતરી કરવામાં આવે. આ ઘટના હોસ્પિટલ વ્યવસ્થાપન માટે ચેતવણી સમાન છે. દર્દીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આ પણ વાંચો CG રોડ પરની BEEKEY BEKARSની નાનખટાઈમાંથી જીવાત નીકળી 6 દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન ખાણીપીણીની ચીજ વસ્તુઓમાંથી જીવાતો અથવા અન્ય કોઇ વસ્તુ નીકળવાની ઘટના સામે આવતી રહે છે, ત્યારે શહેરના સીજી રોડ ઉપર આવેલી BEEKEY BEKARS નામની બેકરીની નાનખટાઈમાંથી જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. ગ્રાહક દ્વારા છૂટક ખરીદેલી નાનખટાઈમાંથી જીવાતો નીકળી હતી. ગ્રાહકના મિત્રએ નાનખટાઈ ખાઈ લીધી હતી જેને કારણે તેને ઉલટીઓ પણ થઈ હતી. ખરીદી કરવામાં આવેલી તમામ નાનખટાઈ ફેંકી દેવી પડી હતી. ગ્રાહક દ્વારા ફૂડ વિભાગ અને AMCના ફૂડ વિભાગમાં ઈમેલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. (વાંચો સંપૂર્ણ સમાચાર) રાજકોટની પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમાની કેન્ટીનમાં સેન્ડવીચ પર વંદો ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવ જંતુઓ મળી આવવાની અનેક ઘટના સામે આવતી હોય છે, ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટના પ્રીમિયમ આર વર્લ્ડ INOX સિનેમા કેન્ટીનનો વીડિયો વાઇરલ થવા પામ્યો છે. જેમાં ગઈકાલે (19 માર્ચે) રાત્રે ધુરંધર ફિલ્મ જોવા ગયેલા ગ્રાહકે સેન્ડવીચ પર વંદો ફરતો જોઈ વીડિયો બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ. અમદાવાદના 'Komo by Kaffa'ની ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી 17 માર્ચે 2026: અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લીમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. ₹280ના ટિફિન સાથે મળેલી છાશમાં જીવડું નીકળ્યું, VIDEO 12 માર્ચ 2026: અમરેલીની જાણીતા અવધ રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. ગ્રાહકે રૂ. 280નું ટિફિન મંગાવ્યું હતું. ઘરે આવીને પાર્સલ ખોલતા જ ટીફિન સાથે મળેલી છાશમાંથી જીવાત નીકળી હતી. જેથી ગ્રાહક ચોંકી ગયો હતો. સમગ્ર માલે ગ્રાહકની ફરિયાદ બાદ ફૂડ વિભાગની ટીમે તાત્કાલિક રેસ્ટોરન્ટ પર દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ. અમદાવાદની MOCHA રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, VIDEO 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના ખાસ ઉપસ્થિત રહ્યા રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પર 5 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું, જેના સમાપન સમારોહમાં ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર ડો.એન.કે. મીના, IAS મુખ્ય અતિથિ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર શિક્ષકો ને માર્ગદર્શન આપ્યું અને તેમને કીટબેગ તથા સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. ભાગ લીધેલ શિક્ષકોએ વર્કશોપમાં એમને ખૂબ જ નવું જાણવા અને શીખવા મળ્યું તથા તે તેમને ખૂબ ઉપયોગ બની રહેશે તેના વિષે ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો હતો,આ 5 દિવસીય વર્કશોપ દરમિયાન GEC ભાવનગર, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, શાંતિલાલ શાહ એન્જીનિયરીંગ કોલેજ ભાવનગર, IIIT વડોદરા, IITE ગાંધીનગર, સાયબર સેલ ભાવનગર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ માંથી નિષ્ણાંતો પધારેલ હતા, તેમણે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, શિક્ષકો ને શિક્ષણ પ્રણાલી માં કેવી રીતે મદદરૂપ થઈ શકે, AI બેસ્ડ ઇફેક્ટિવ ક્લાસરૂમ પ્રોજેક્ટ, હેન્ડસ-ઓન રૉબોટિક્સ સેશન, પાયથોન પ્રોગ્રામિંગ, સ્માર્ટ બોર્ડ દ્વારા વર્ગખંડમાં AI નો ઉપયોગ, વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં અને કારકિર્દી ઘડતર માં કેવી રીતે ઉપયોગી નીવડે તેનું માર્ગદર્શન આપ્યું હતું, સાથે સાથે આરએસસી ગેલેરી વિઝિટ, નેચર વોક, સ્કાય ગેઝીંગ તથા વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી જેમાં શિક્ષકો એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ 5 દિવસીય વર્કશોપ માટે સમગ્ર ગુજરાત ના જુદા જુદા જિલ્લાઓ ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર, સુરત, રાજકોટ, પંચમહાલ, જામનગર, ડાંગ, છોટાઉદેપુર તથા બોટાદ જેવા 10 જીલ્લાઓ માંથી ધોરણ 8 થી 12 ના 100 શિક્ષકોએ ભાગ લીધો હતા, જેમાં 37 મહિલા તથા 71 પુરુષ શિક્ષકો સહભાગી છે, આ વર્કશોપ માટે 91 સ્ટેટ બોર્ડ, 2 EMRS અને 7 સીબીએસઇ શાળાના શિક્ષકો ની પસંદગી કરવામાં આવી છે. આરએસસી ભાવનગર દ્વારા અગાઉ એક વર્કશોપ શાળાના શિક્ષકો માટે તથા બે વર્કશોપ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યા હતા. જેમાં ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો, આ સમગ્ર કાર્યક્રમ નું આયોજન રીજીયોનલ સાયન્સ સેન્ટર ભાવનગર ના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો.ગિરીશ ગોસ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યુ હતું.
જૂનાગઢ શહેરના શૈક્ષણિક અને સામાજિક જગતમાં છેલ્લા ચાર દિવસથી ભારે ચર્ચામાં રહેલો પટેલ કેળવણી મંડળનો વિવાદ આખરે શાંત પડ્યો છે. સંસ્થાના ટ્રસ્ટીઓના રાજીનામાની માંગ સાથે આંદોલન પર ઉતરેલા વાલીઓ અને મેનેજમેન્ટ વચ્ચે સર્જાયેલી મડાગાંઠનો અંત લાવવા માટે કડવા પટેલ સમાજના અગ્રણીઓ અને રાજકીય નેતાઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જૂનાગઢ જિલ્લાના ધારાસભ્ય સંજય કોરડીયા સહિત અન્ય ધારાસભ્યો અને સમાજના વડીલોની ઉપસ્થિતિમાં મળેલી મેરેથોન બેઠક બાદ આ સમગ્ર પ્રકરણમાં સુખદ સમાધાન જાહેર કરવામાં આવ્યું છે. આ બેઠક બાદ વાલી મંડળના પ્રતિનિધિ જીતુભાઈ જસાણીએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી જે વિવાદ અને પ્રશ્નો ચાલી રહ્યા હતા, તેનો આજે સત્તાવાર રીતે અંત આવ્યો છે. વાલી મંડળ અને સમાજના તમામ આગેવાનોએ સાથે મળીને આ પ્રશ્નોનું ઊંડું ચિંતન અને ગંભીર ચર્ચા કરી છે. સમાજના વડીલો અને આગેવાનોએ જે કાંઈ પણ નિર્ણયો લીધા છે, તે વાલી મંડળને સંપૂર્ણપણે શિરોમાન્ય છે. વડીલોનું માન જાળવીને અને સામાજિક એકતાના હિતમાં તેઓ આ વિવાદને અહીં જ પૂર્ણ જાહેર કરે છે. તેમણે આ સમાધાનને સત્યના માર્ગે થયેલો સુખદ અંત ગણાવ્યો હતો. પોલીસ કાર્યવાહી અને અગાઉ કરવામાં આવેલી અરજીઓ અંગે જ્યારે જીતુભાઈ જસાણીને પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબ આપતા કહ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં આપેલી કોઈ પણ અરજી કે ફરિયાદ વિશે હાલ તેમને કોઈ ચોક્કસ જાણકારી નથી, પરંતુ સમાજના મધ્યસ્થી અને વડીલોના નિર્ણય બાદ હવે આ પ્રકરણ આગળ વધારવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. તેમણે તમામ આગેવાનોની સૂચના અને સમજાવટને માન આપીને આ આંદોલન સમેટી લેવાની જાહેરાત કરી હતી અને અંતમાં જય ઉમિયાજી ના નારા સાથે સામાજિક સંગઠનનો સંદેશ આપ્યો હતો. બીજી તરફ, બેઠક બાદ સમાજના અગ્રણીઓએ પણ આ મુદ્દે પોતાનો પક્ષ રાખ્યો હતો. કમલેશ ધારાસભ્ય સંજય કોરડીયા એ જણાવ્યું હતું કે પટેલ કેળવણી મંડળ એ માત્ર એક શૈક્ષણિક સંસ્થા નથી,પરંતુ તે દીકરીઓના ભવિષ્ય માટે સમગ્ર સમાજ દ્વારા ઊભું કરવામાં આવેલું એક મંદિર છે. આ સંસ્થા સમાજની છે અને તેનું હિત જળવાઈ રહે તે જ સૌની પ્રાથમિકતા હોવી જોઈએ. બેઠકમાં સ્વીકારવામાં આવ્યું હતું કે વહીવટ દરમિયાન ક્યારેક ભૂલો થતી હોય છે, પરંતુ આવી ભૂલોને કારણે કોઈની સાથે ગેરવર્તન કે માનહાનિ ન થાય તેનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. લાંબી ચર્ચાઓના અંતે એવું નક્કી થયું કે હવેથી સંસ્થાની આગળની વ્યવસ્થા જૂનાગઢ જિલ્લાના સમાજના આગેવાનો સંભાળશે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુના રાજીનામા અંગે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે સંજયભાઇએ જણાવ્યું કે રાજીનામું આપવું કે ન આપવું તે કોઈ વિષય નથી. કોઈપણ સંસ્થા કોઈ એક વ્યક્તિના આવવાથી કે જવાથી ચાલતી હોતી નથી, પરંતુ તે સમાજ અને જ્ઞાતિના લોકોના અવિરત સહયોગ અને સમર્પણથી ચાલે છે. તમામ લોકોએ સાથે મળીને કાર્ય કરવાનું રહેશે જેથી દીકરીઓનું શિક્ષણ અને સંસ્થાની ગરિમા જળવાઈ રહે. આમ છેલ્લા ચાર દિવસથી ટ્રસ્ટીઓના રાજીનામાની જીદ સાથે આંદોલન કરી રહેલા વાલીઓ હવે શાંત પડ્યા છે. ધારાસભ્ય સંજય કોરડીયા અને સમાજના મોભીઓની હાજરીમાં થયેલા આ સમાધાને સાબિત કર્યું છે કે સામાજિક પ્રશ્નોને ચર્ચા અને સમજાવટથી ઉકેલી શકાય છે. હવે આગામી દિવસોમાં સંસ્થાના વહીવટમાં નવા ફેરફારો જોવા મળી શકે છે, કારણ કે સંસ્થાનું સંચાલન અને દેખરેખ હવે જિલ્લાના આગેવાનોના માર્ગદર્શન હેઠળ રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. વાલીઓએ આંદોલન સમેટી લેતા સંસ્થામાં ફરી એકવાર શૈક્ષણિક વાતાવરણ અને શાંતિ સ્થપાયા છે
રાજકોટમાં ભગવાન મહાવીર સ્વામીનાં જન્મ કલ્યાણાક મહોત્સવ નિમિત્તે રાજકોટમાં સમસ્ત જૈન સમાજ અને ‘જૈનમ’ દ્વારા ભવ્ય અને દિવ્ય ધર્મયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મણીયાર દેરાસર ખાતે પૂ. આચાર્ય ભગવંત પ્રસન્નચંદ્રસાગરજી મહારાજ સાહેબના મુખેથી માંગલિક ફરમાવ્યા બાદ પ્રસ્થાન થયેલી આ યાત્રામાં અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોએ પાવન નિશ્રા પૂરી પાડી હતી. આ પ્રસંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહે ભગવાન મહાવીરના પંચશીલ સિદ્ધાંતો—સત્ય, અહિંસા, અચૌર્ય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યને વિશ્વ શાંતિ માટે અનિવાર્ય ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, 'જીવો અને જીવવા દો' તેમજ 'ક્ષમા વીરસ્ય ભૂષણમ્'ના સંદેશ સાથે વસુધૈવ કુટુંબકમની ભાવના કેળવવી એ જ સાચી ભક્તિ છે. ધર્મયાત્રામાં ભગવાન મહાવીર શુદ્ધ ચાંદીના રથમાં બિરાજમાન થયા હતા, જેને પ્રહલાદ પ્લોટ યુવક મંડળના સભ્યોએ ઉઘાડા પગે ખેંચી નગરચર્યા કરાવી હતી. માર્ગો પર 24 તીર્થંકરોની યાદ આપતા 24 આકર્ષક ફ્લોટ્સ, કળશધારી બહેનો અને બેન્ડની સુરાવલીઓએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. સમગ્ર રૂટ પર નવપદ પર આધારિત 9 સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ભાવિકો દ્વારા ધર્મયાત્રાનું સ્વાગત કરાયું હતું. યાત્રાના અંતે વિરાણી પૌષધશાળા ખાતે ધર્મસભા યોજાઈ હતી, જેમાં મહાનુભાવો દ્વારા વિવિધ સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ, દૂધના ખરીદભાવમાં રૂ. 20નો ધરખમ વધારો કરાયો નવા નાણાકીય વર્ષના પ્રારંભ પૂર્વે જ રાજકોટ ડેરી દ્વારા પશુપાલકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા અને નિયામક મંડળ દ્વારા દૂધના ખરીદભાવમાં એકસાથે રૂ. 20નો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હાલની ઉનાળાની કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદી વાતાવરણના કારણે પશુપાલકોને થતા આર્થિક નુકસાનમાં રાહત આપવાના ઉદ્દેશ્યથી આ ભાવવધારો અમલી બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, સંઘ દ્વારા પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 810થી વધારીને રૂ. 830 કરવામાં આવ્યો છે. આવતીકાલ તા. 1/4/2026થી દૂધ સંઘ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ. 830 ચૂકવશે, જ્યારે મંડળીઓ દૂધ ઉત્પાદકોને રૂ. 825 ચૂકવશે. રાજકોટ દૂધ સંઘના આ નિર્ણયથી જિલ્લાના 50,000થી વધુ દૂધ ઉત્પાદકોને સીધો ફાયદો થશે. પશુપાલકોના સામાજિક અને આર્થિક ઉત્થાન માટે લેવાયેલા આ પગલાથી ગ્રામ્ય અર્થતંત્રને પણ વેગ મળશે. રાજકોટ જિલ્લાનાં 17 ગામમાં રૂ. 38.97 લાખના પાણી પુરવઠાના કામોને કલેક્ટરની મંજૂરી, પીવાના પાણીની સુવિધામાં વધારો થશે રાજકોટ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયેલી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાના માળખાને વધુ મજબૂત બનાવવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લાના 11 તાલુકાના 17 ગામોમાં રીજુવેનેશન કાર્યક્રમ અંતર્ગત રૂ. 38.97 લાખના વિવિધ વિકાસલક્ષી કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. પ્રોજેક્ટ હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટે નવા બોરનું શારકામ, પમ્પિંગ મશીનરીની સ્થાપના, હયાત બોર અને સંપ પર જરૂરી મશીનરીના કામો હાથ ધરવામાં આવશે. આજે કલેક્ટરે ઉનાળાના આગામી સમયમાં ગ્રામજનોને પીવાના પાણીની કોઈ તકલીફ ન પડે તે માટે અત્યારથી આગોતરું આયોજન કરવા અને જૂના કામોની સમીક્ષા કરવા સૂચના આપી હતી. બેઠક દરમિયાન વાસ્મો કચેરીની કામગીરી જેવી કે પાણી વેરા વસૂલાત, પંપ ઓપરેટર તાલીમ અને ગ્રામ્ય સ્તરે પાણીના ટેસ્ટિંગની પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. એક મહત્વના નિર્ણયમાં, ગ્રામીણ વિસ્તારોમાં આવેલી જૂની અને જોખમી પાણીની ટાંકીઓને તોડી પાડવા માટે એન્જિનિયરોની એક વિશેષ કમિટી રચવા આદેશ અપાયો છે. આ કમિટીમાં જિલ્લા પંચાયત, સિંચાઈ, આર.એન્ડ બી. અને પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઈજનેરોનો સમાવેશ કરવામાં આવશે, જેઓ ટાંકી તોડવા માટેની બેઝિક અપસેટ પ્રાઈઝ નક્કી કરશે. આ બાદ નિયમોનુસાર જર્જરિત ટાંકીઓને દૂર કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદા વધારીને રૂ. 30,000 કરાઈ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, જેમાં રાજકોટ મહાપાલિકા, જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા માટે વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા આ વખતે મતદાન મથક દીઠ ખર્ચની મર્યાદામાં રૂ. 5000નો વધારો કરી કુલ મર્યાદા રૂ. 30000 નક્કી કરવામાં આવી છે. આ ખર્ચમાં કર્મચારીઓના મહેનતાણા સહિતની તમામ આનુષંગિક બાબતોનો સમાવેશ થાય છે. મહાવીર જયંતીની રજા હોવા છતાં કલેક્ટર કચેરીમાં કામગીરી ચાલુ રહી હતી અને ચૂંટણીનું જાહેરનામું પણ ચાલુ સપ્તાહમાં પ્રસિદ્ધ થવાની શક્યતા છે. મતદાન પ્રક્રિયાને સુલભ બનાવવા માટે આ વખતે દરેક મતદાન મથક દીઠ 1200 મતદારોની સંખ્યા નિયત કરવામાં આવી છે. અગાઉની પ્રાથમિક યાદી મુજબ, રાજકોટ કોર્પોરેશનમાં અંદાજે 1172, જિલ્લા પંચાયતમાં 1197 અને ગોંડલ નગરપાલિકામાં 107 મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા હતા. આ તમામ બેઠકો માટેની આખરી મતદાર યાદી આવતીકાલે 1 એપ્રિલના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. તંત્ર દ્વારા ચૂંટણી માટે જરૂરી ફોટોગ્રાફી, મંડપ અને CCTV જેવી સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.
સાવન અશોકભાઈ આમેણીયા (ઉં.વર્ષ.17) ગત તા.10 ફેબ્રુઆરીએ પોતાના બહેન પાયલના લગ્નની કંકોત્રી સગા સંબંધીને આપવા માટે કાકાના દીકરા નમન અજયભાઈ આમેણીયા (ઉં.વ.18) સાથે બાઈક પર નીકળ્યો હતો. બાઈક નમન ચલાવતો હતો અને સાવન પાછળ બેઠો હતો. દરમ્યાન લાખાપર અને સમઢીયાળા વચ્ચે સ્પીડ બ્રેકર પાસે બાઈક આડે શ્વાન આવતા બાઈક સ્લીપ થયું હતું અને બંને પિતરાઈ ભાઈઓ રોડ પર ફંગોળાઇ ગયા હતા જેથી 108 મારફત રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં નમનને ગંભીર ઈજા નહોતી એટલે સારવાર બાદ રજા અપાઈ હતી જ્યારે સાવનને માથામાં ઈજા હોવાથી ઓપરેશન કરવામાં આવ્યું હતું જે પછી તેની તબિયત બગડતી ગઈ હતી અને આજે તેમનું મોત નીપજ્યું હતું. સાવન 2 ભાઈ અને 1 બહેન નાનો હતો. લગ્ન પ્રસંગ વખતે જ આવો બનાવ બનતા પરિવારમાં ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. જલારામ હોટલમાં કામ કરતા યુવાને ગળાફાંસો ખાઈ કરી આપઘાતપવનકુમાર રામયશભાઈ યાદવ (ઉં.વ.25) ગઈકાલે સાંજે પોતે હોટેલ ખાતે આવેલ રૂમમાં હતો ત્યારે નાઈટ સીફ્ટમાં કામ કરવા માટે તેનો સાથી કર્મચારી તેને બોલાવવા જતા રૂમનો દરવાજો બંધ હતો જેથી દરવાજો તોડી જોતા પવનકુમાર પંખા સાથે દોરી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો બનાવ અંગે 108 અને પોલીસને જાણ કરતા 108ના EMTએ આવી તપાસી સ્થળ પર તેને મૃત જાહેર કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પવનકુમાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો અને રાજકોટના કાલાવડ રોડ પર આવેલ જલારામ હોટેલમાં રહી કામ કરતો હતો તેમને સંતાનમાં એક દીકરી છે જેને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. કટલેરીનો ધંધાર્થી ગોવાથી દારૂ લાવી રાજકોટમાં વેચાણ શરૂ કરે તે પહેલા ઝડપાઇ ગયો રાજકોટ અમદાવાદ હાઈવે પર બામણબોર ચેકપોસ્ટ નજીક ખાનગી બસમાંથી ઉતરેલા એક શખસને પોલીસે શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. આ શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ સુરેશ પ્રહલાદભાઈ અમરાણી (ઉ.વ.44) હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ શખસ પાસે રહેલી ટ્રોલી બેગમાં તપાસ કરતા તેમાંથી રૂપિયા 52,800ની કિંમતના 192 દારૂની બોટલ મળી આવી હતી. જેથી પોલીસે દારૂના અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 57,800 નો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન આ શખ્સ પોતે કટલેરીનો વેપાર કરતો હોવાથી ગોવા કટલેરી ખરીદવા માટે ગયો હતો અને ત્યાંથી પોતાની સાથે વેપાર કરવા માટે દારૂ પણ લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. મહિલાએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો રવિનાબેન મોટવાણીએ આરોપી ભગવાનદાસ મૈયાણી અને તેની પત્ની સીમાને અગાઉ 1 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા જેમાંથી 45 હજાર રૂપિયા પરત મળી ગયા હતા પરંતુ બાકીના 55 હજાર રૂપિયા લાંબા સમયથી લેવાના બાકી હતા. દરમિયાન ગઈકાલે રાત્રિના 8 વાગ્યા આસપાસ રવિનાબેન બાકી નીકળતા નાણાંની ઉઘરાણી કરવા માટે ગયા ત્યારે સામેવાળા પક્ષે ઉશ્કેરાઈ તેમની સાથે ગાળાગાળી કરી હતી. મામલો બિચકતા ભગવાનદાસ અને તેની પત્ની સીમાએ રવિનાબેન પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જાહેરમાં થયેલા આ અપમાન અને મારપીટની ઘટનાથી રવિનાબેન માનસિક રીતે ભાંગી પડ્યા હતા અને તેઓએ ઘરે પરત આવી ફિનાઈલ પી લીધું હતું જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રવિનાબેનના લગ્ન 8 વર્ષ પૂર્વે થયા હતા અને સંતાનમાં એક દીકરી હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે મહિલાનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. ઉશ્કેરાટમાં યુવકનો પોતાના અને સાથે ઉભેલા શખસ પર પેટ્રોલ છાંટી જાત જલાવવા પ્રયાસ મોરબી રોડ પર ફિલ્ડમાર્શલની વાડી નજીક સંગીતા સોસાયટી-2માં રહેતા સુનિલ પ્રવીણભાઈ અને કોઠારીયા વિસ્તારમાં રહેતા જયદીપ દિનેશભાઈ વચ્ચે સાંજના 6 વાગ્યા આસપાસ ફર્નિચરના એક શોરૂમમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વકર્યો હતો કે સુનિલએ ઉશ્કેરાઈ પોતાના શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું અને સાથે જ સામે ઉભેલા જયદીપ પર પણ પેટ્રોલ ફેંકી આગ ચાંપી દેવાનો પ્રયાસ કર્યો હતો જેથી બંને યુવકો શરીરના ભાગે સામાન્ય દાઝી જતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે સુનિલ ગોંડલ હતો ત્યારે જયદીપે તેને ફોન કરીને બોલાવ્યો હતો અને ત્યારબાદ બંનેની મુલાકાત દરમિયાન આ કાંડ સર્જાયો હતો. સદનસીબે બંનેની ઈજાઓ ગંભીર ન હોવાથી પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી તેઓને રજા આપી દેવામાં આવી હતી. પતિ ઘરેથી ઝઘડો કરી ક્યાંક ચાલ્યા જતા પત્નીએ ઝેરી દવા પીધી હંસાબેન રાજુભાઈ સોલંકી (ઉં.વ.45) આજે સવારે 11 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતા ત્યારે ઝેરી દવા પી જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓના લગ્ન 22 વર્ષ પહેલાં થયા હતા અને સંતાનમાં 3 બાળકો છે. તેમના પતિ ગેસ કુકર રીપેરીંગનું કામકાજ કરે છે. પતિ પત્ની વચ્ચે અવારનવાર નાની મોટી બાબતે ઝઘડો થતો હતો. આ ઝઘડાથી કંટાળીને પતિ આશરે 15 દિવસ પહેલા ઘરેથી ઝઘડો કરીને કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા અને આજ દિવસ સુધી પરત ન આવતા હંસાબેને આ પગલું ભર્યું હતું. હાલ હંસાબેન રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે પોલીસે તેનું નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના દલપુર ગામે એક દીવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય બે શ્રમિકો ઘાયલ થયા છે. આ ઘટના બાજુના મકાનમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક દીવાલ તૂટી પડી હતી. દીવાલ પડતાં ત્રણ વ્યક્તિઓ તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટના બનતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને દબાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દલપુર ગામના રહેવાસી અને મકાન માલિક પરેશભાઈ બાબુભાઈ પટેલ (ઉંમર 27)નું અવસાન થયું હતું. ઘાયલ થયેલા અન્ય બે શ્રમિકોની હાલ સારવાર ચાલી રહી છે.
સુરતમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સૂર્યનારાયણે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચના અંતમાં જ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, ત્યારે સુરતના રસ્તાઓ બપોરના સમયે સુમસાન ભાસી રહ્યા છે. ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલી જનતાને રાહત આપવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ટ્રાફિક સિગ્નલો પર મંડપ બાંધવામાં આવ્યા છે, પરંતુ પીપલોદ જેવા વ્યસ્ત વિસ્તારમાં જે પ્રકારની મંડપ વ્યવસ્થા કરવામાં આવી તે જોઇને જનતામાં રોષ અને આશ્ચર્ય જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય જંક્શનો પર શેડ અથવા મંડપની વ્યવસ્થાછેલ્લા એક અઠવાડિયાથી સુરતમાં ગરમ પવનો (લૂ) ફૂંકાવવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં વધારો થઈ શકે છે. ખાસ કરીને ટુવ્હીલર ચાલકો માટે આ ગરમી અસહ્ય બની રહી છે. ટ્રાફિક સિગ્નલ પર જ્યારે 60થી 90 સેકન્ડનું લાલ સિગ્નલ હોય છે, ત્યારે રસ્તા પર ઉભા રહેવું એ જાણે ધોમધખતા તાપમાં ઉભા રહેવા સમાન ભાસે છે. આ સમસ્યાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા શહેરના મુખ્ય જંક્શનો પર શેડ અથવા મંડપની વ્યવસ્થા કરવાનું આયોજન કરાયું હતું. પીપલોદમાં SMCએ સિગ્નલ પર 12 ફૂટનો જ મંડપ બાંધ્યોસુરતના પોશ ગણતા અને અત્યંત વ્યસ્ત એવા પીપલોદ વિસ્તારમાં સિગ્નલ પાસે SMC દ્વારા મંડપ તો બાંધવામાં આવ્યો છે, પરંતુ તેની સાઈઝ અને ક્ષમતા જોઇને વાહનચાલકો મજાક ઉજાવી રહ્યા છે. આ મંડપ માત્ર 10થી 12 ફૂટનો હોવાનું જોવા મળ્યું છે. શહેરના હજારો વાહનો જે રસ્તા પરથી પસાર થયા છે, ત્યાં આટલો નાનો મંડપ ઊંટના મોઢામાં જીરૂં સમાન સાબિત થઈ રહ્યો છે. વાસ્તવિકતા એ છે કે, આ મંડપ નીચે માત્ર 4થી 5 મોટરસાયકલ કે એક્ટિવા ઉભા રહી શકે છે, જ્યારે સિગ્નલ પર એકસાથે 50થી 100 વાહનો ઉભા રહેતા હોય, ત્યારે બાકીના ચાલકોએ તો કાળઝાળ તડકામાં જ શેકાવું પડે છે. કામગીરી બતાવવા નાનો મંડપ કેમ બાંધવામાં આવ્યો?વર્ષોથી સુરત મનપા ગરમીના સમયે ગ્રીન નેટ અથવા મંડપની વ્યવસ્થા કરે છે. ભૂતકાળમાં મોટા જંક્શનો પર લાંબી ગ્રીન નેટ બાંધવામાં આવતી હતી, જેનો લાભ અનેક વાહનચાલકોને મળતો હતો. પરંતુ આ વખતે પીપલોદ જેવા વિસ્તારમાં માત્ર ફોટા પડાવવા ખાતર કે કામગીરી બતાવવા ખાતર આટલો નાનો મંડપ કેમ બાંધવામાં આવ્યો, તે એક મોટો પ્રશ્ન છે. સ્થાનિકોનું કહેવું છે કે, જો વ્યવસ્થા કરવી જ હોય તો વ્યવસ્થિત રીતે કરવી જોઈએ, નહીંતર આ માત્ર સરકારી નાણાંનો વેડફાટ છે. 'આ મંડપ થોડો મોટો થઈ જાય તો અમને રાહત મળે'વાહનચાલક જાવેદભાઈએ જણાવ્યું હતું કે, હું પોર્ટર કરું છું. આખો દિવસ અમે લોકો રોડ પર જ હોઈએ છીએ. અહીંયા જેમ કે તમે જોઈ રહ્યા છો કે સિગ્નલ થઈ ગયું છે, અમે બધા લોકો તડકામાં ઊભા રહીએ છીએ. અહીં મંડપ પણ લગાવ્યો છે, પણ ઘણો નાનો છે, જો આ મંડપ થોડો મોટો થઈ જાય ને, તો અમને ખૂબ રાહત મળશે. આ બહુ સારી વસ્તુ છે અને સરકારે કર્યું હોય કે કોઈ પ્રાઇવેટ વ્યક્તિએ કર્યું હોય, આ બહું જ સારું છે, આના તો જેટલા પણ વખાણ કરીએ એટલા ઓછા છે. અમારા માટે આ બહુ જ આરામદાયક વસ્તુ છે. બસ થોડી આની સાઈઝ મોટી થઈ જાય તો ઘણું સારું રહેશે. 'આ મંડપ તો માત્ર શોભાના ગાંઠિયા જેવો'પીપલોદ સિગ્નલ પર ઉભેલા એક વાહનચાલકે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમે ટેક્સ ભરીએ છીએ અને આશા રાખીએ છીએ કે ઉનાળામાં થોડી રાહત મળે. પરંતુ આ મંડપ તો માત્ર શોભાના ગાંઠિયા જેવો છે. જે આગળ પહોંચી ગયા તેમને છાંયડો મળે છે, બાકીના બધા તડકામાં જ ઉભા રહે છે. પાછળથી લોકો હોર્ન મારે છે અને અંદર ઘૂસવા માટે લડે છે. અન્ય એક રિક્ષાચાલક શરીફજીએ જણાવ્યું હતું કે, આ મંડપ ખૂબ જ નાનો બાંધ્યો છે. થોડો મોટો બાંધ્યો હોત તો સારું હતું. પેલા બિચારા બાઈકવાળા ઉભા રહે છે એમને તડકો લાગે છે. થોડો મોટો કરે તો સારું રહેશે. 'આવા ટૂંકા આયોજનો તંત્રની પોલ ખોલી'સુરત મહાનગરપાલિકા સ્માર્ટ સિટીના બણગા ફૂંકે છે, પરંતુ જ્યારે જમીની હકીકત પર નાગરિકોની સુવિધાની વાત આવે છે, ત્યારે આવા ટૂંકા આયોજનો તંત્રની પોલ ખોલી નાખે છે. પીપલોદનો આ મંડપ એ વાતનું પ્રતીક છે કે તંત્ર પાસે સંસાધનો તો છે, પણ યોગ્ય દ્રષ્ટિકોણનો અભાવ છે. હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ બાદ SMC જાગે છે અને મંડપની લંબાઈ વધારે છે કે પછી સુરતની જનતાએ આ આખા ઉનાળામાં આ રીતે જ અધૂરી સુવિધા વચ્ચે શેકાવું પડશે.
સુરત શહેરના પુણા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. ઘરકંકાસથી કંટાળેલી માત્ર 14 વર્ષની સગીરાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તળાવમાં મોતની છલાંગ લગાવે તે પહેલા સગીરાને રેસ્ક્યૂ કરી હેમખેમ બહાર કાઢી હતી. આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થઈ છે. 14 વર્ષીય સગીરા તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવવા પહોંચીમળતી માહિતી પ્રમાણે, પુણા વિસ્તારમાં આવેલા સૌરાષ્ટ્ર પાટીદાર ભવનની વાડી પાસે એક મોટું તળાવ આવેલું છે. અહીં 14 વર્ષની એક સગીરા અચાનક દોડી આવી હતી અને કઈ પણ વિચાર્યા વગર તળાવના ઊંડા પાણીમાં ઝંપલાવવા જતી હતી. આસપાસના લોકોએ આ દૃશ્ય જોઈ બૂમાબૂમ કરી મૂકી હતી અને તાત્કાલિક પોલીસ અને ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ‘જો કોઈ નજીક આવ્યું તો હું કૂદી જઈશ’કોલ મળતા જ પુણા પોલીસ અને ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. કિશોરીને બચાવવા માટે પ્રયાસ ચાલી રહ્યા હતા ત્યારે કિશોરી કરી હતી કે, 'જો કોઈ નજીક આવ્યું તો હું કૂદી જઈશ, આ તરફથી અને સામેની તરફથી પણ કેટલાક લોકો અંદર આવ્યા છે જો કોઈ મારી નજીક આવ્યું તો હું કદી જઈશ'. ત્યારબાદ સગીરા પાણીમાં છલાંગ લગાવે તે પહેલા પોલીસ અને ફાયરના જવાનોએ જીવના જોખમે તળાવમાં ઉતરી રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. ગણતરીની મિનિટોમાં જ સગીરાને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવવામાં આવી હતી. સમયસૂચકતાને કારણે સગીરાનો આબાદ બચાવ થયો હતો. ઘરકંકાસના કારણે સગીરાએ જીવન ટૂંકાવવાનું વિચાર્યુંપોલીસ અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. સગીરાએ જણાવ્યું હતું કે, તેના ઘરમાં સતત ચાલતા ઝઘડા અને ઘરકંકાસથી તે માનસિક રીતે થાકી ગઈ હતી. સતત તણાવમાં રહેતી સગીરાને બીજો કોઈ રસ્તો ન દેખાતા તેણે આ આઘાતજનક પગલું ભર્યું હોવાનું કબૂલ્યું હતું. સગીરાની કાઉન્સેલિંગ બાદ વાલીઓને પરત સોંપીબચાવ કામગીરી પૂર્ણ થયા બાદ સગીરાને સમજાવવામાં આવી હતી અને તેને જીવનનું મહત્ત્વ સમજાવ્યું હતું. બાદમાં તેના માતા-પિતાનો સંપર્ક કરી, જરૂરી સમજૂતી આપી સગીરાનો કબજો તેમને સોંપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોએ પોલીસ અને ફાયર વિભાગની કામગીરીના વખાણ કર્યા હતા.
સુરત ડાયમંડ બુર્સ (SDB) હવે માત્ર વિશ્વનું સૌથી મોટું ઓફિસ સંકુલ જ નથી રહ્યું, પરંતુ રફ અને પોલિશ્ડ હીરાના વેપારનું વૈશ્વિક કેન્દ્ર બની ગયું છે. 2025-26 દરમિયાન અહીંના કસ્ટમ વિભાગે અદભૂત કામગીરી બજાવી છે. કેન્દ્ર સરકારના પ્રોત્સાહક નીતિગત નિર્ણયો અને અત્યાધુનિક સુવિધાઓને કારણે સુરતના હીરા ઉદ્યોગકારો હવે મુંબઈ પર નિર્ભર રહેવાને બદલે સીધું જ સુરતથી આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરી રહ્યા છે, જે ગૌરવપૂર્ણ બાબત છે. બે દિગ્ગજ કંપનીઓની પહેલથી અન્ય વેપારીઓ પણ SDB સાથે જોડાયા ઓગસ્ટ 2024માં જ્યારે SDB ખાતે કસ્ટમ ક્લિયરન્સની સુવિધા શરૂ થઈ, ત્યારે શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK) દ્વારા પ્રથમ ઇમ્પોર્ટ પાર્સલ અને ધર્મનંદન ડાયમંડ દ્વારા પ્રથમ એક્સપોર્ટ પાર્સલ ક્લિયર કરવામાં આવ્યું હતું. આ બે દિગ્ગજ કંપનીઓની પહેલ જોઈને સુરતના અન્ય સેંકડો વેપારીઓ પણ SDB સાથે જોડાયા છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે, સુરતના ઉદ્યોગકારો પોતાના ઘરઆંગણે જ વિશ્વ કક્ષાની સુવિધાઓ મેળવવા માટે સક્ષમ છે અને તેનો પૂરેપૂરો લાભ લઈ રહ્યાં છે. 41,515 કરોડના રફ હીરાનું સુરતમાં આગમનનાણાકીય વર્ષ 2025-26 દરમિયાન SDBમાં ઇમ્પોર્ટ પ્રવૃત્તિમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આખા વર્ષમાં કુલ 4160 પાર્સલ દ્વારા 512.75 લાખ કેરેટ રફ ડાયમંડ સુરત લાવવામાં આવ્યા હતા. આ માલની અંદાજિત કિંમત 41,515 કરોડ (4673 મિલિયન US ડોલર) નોંધાઈ છે. મુખ્યત્વે નેચરલ રફ ડાયમંડ અને લેબગ્રોન ડાયમંડ સીડ્સનું ઇમ્પોર્ટ વધતા સુરતના હીરાના કારખાનાઓમાં કામકાજ અને રોજગારીની તકોમાં પણ મોટો વધારો થયો છે, જે અર્થતંત્ર માટે પ્રોત્સાહક છે. 1,121 કરોડના પોલિશ્ડ હીરા અને જ્વેલરીની નિકાસસુરતથી તૈયાર હીરા અને કલાત્મક જ્વેલરી હવે સીધી જ વિદેશી બજારોમાં પહોંચી રહી છે. વર્ષ 2025-26માં SDBમાંથી કુલ 928 પાર્સલ એક્સપોર્ટ કરવામાં આવ્યા હતાં. જેમાં 17.30 લાખ કેરેટ નેચરલ અને લેબગ્રોન પોલિશ્ડ હીરાનો સમાવેશ થાય છે. આ નિકાસની કુલ વેલ્યુ 1,121 કરોડ (172 મિલિયન US ડોલર) રહી છે. સુરતથી સીધું એક્સપોર્ટ થવાને કારણે વેપારીઓને મુંબઈ સુધીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ બચ્યો છે અને ડિલિવરીનો સમય પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. ડિસેમ્બરમાં 4,791 કરોડનું જંગી ઇમ્પોર્ટવર્ષ 2025-26ના તમામ મહિનાઓમાં ડિસેમ્બર મહિનો SDBમાટે સૌથી સફળ રહ્યો હતો. આ એક જ મહિનામાં નેચરલ રફ ડાયમંડના 350 પાર્સલ અને લેબગ્રોન સીડ્સના 85 પાર્સલ મળીને કુલ ₹4,791 કરોડનું ઇમ્પોર્ટ થયું હતું. આ આંકડો બતાવે છે કે સુરતના વેપારીઓનો વિશ્વાસ બુર્સની સુવિધાઓ પર સતત વધી રહ્યો છે. તહેવારો અને વૈશ્વિક માંગને પહોંચી વળવા માટે સુરતના ઉદ્યોગકારોએ SDB કસ્ટમ હાઉસનો મહત્તમ ઉપયોગ કરીને નવો ઇતિહાસ રચ્યો છે. 31,300 સ્ક્વેર ફૂટનું અત્યાધુનિક કસ્ટમ હાઉસવેપારીઓની સુવિધા માટે SDBમાં 31,300 સ્ક્વેર ફૂટનું વિશાળ અને સંપૂર્ણ એર કન્ડિશન્ડ કસ્ટમ હાઉસ બનાવવામાં આવ્યું છે. અહીં હીરાની ચકાસણી માટે હાઇટેક DRC મશીન અને જ્વેલરી માટે જર્મન બનાવટના ફીશર ગોલ્ડ સ્કોપ મશીનો તૈનાત છે. વેઇટિંગ એરિયા, સુરક્ષિત પાર્કિંગ અને સેફ વોલ્ટ જેવી સુવિધાઓને કારણે ક્લિયરન્સની પ્રક્રિયા અત્યંત ઝડપી અને પારદર્શક બની છે. આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મુંબઈના ભારત ડાયમંડ બોર્સને પણ ટક્કર આપી રહ્યું છે, જે સુરત માટે ગર્વની વાત છે. KYC અને ટ્રાન્સશિપમેન્ટ ફીમાં મોટી બચતCBIC દ્વારા લેવાયેલા નિર્ણયોએ SDB ને વેગ આપ્યો છે. હવે જો વેપારીએ અન્ય કસ્ટમ હાઉસમાં KYC કરાવ્યું હોય, તો SDB માં ફરીથી KYC કરવાની જરૂર નથી. વધુમાં, મુંબઈથી સુરત માલ લાવવા માટેની ટ્રાન્સશિપમેન્ટ ફી માફ કરવામાં આવી છે અને બોન્ડની સમયમર્યાદા 10 દિવસથી ઘટાડીને 5 દિવસ કરાઈ છે. આ નીતિગત ફેરફારોને કારણે નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે પણ ઇમ્પોર્ટ-એક્સપોર્ટની પ્રક્રિયા ખૂબ જ સરળ અને આર્થિક રીતે સસ્તી બની છે. ICEGATE અને ફાસ્ટ ક્લિયરન્સથી સવારે માલ મુંબઈ, સાંજે વેપારીના હાથમાંનવી વ્યવસ્થા મુજબ, TP (Transshipment Permit) જનરેટ કરવાની જવાબદારી હવે SDB કસ્ટોડિયનને સોંપાઈ છે. આનાથી ICEGATE પોર્ટલ પર સીધું જ પરમિટ જનરેટ થાય છે. જો કોઈ પાર્સલ વહેલી સવારે મુંબઈ એરપોર્ટ પર ઉતરે, તો તેને તાત્કાલિક ક્લિયર કરી સુરત રવાના કરી શકાય છે, જેથી સાંજ સુધીમાં વેપારીને માલ મળી જાય છે. આ ઝડપી પ્રક્રિયાને કારણે ટ્રાન્ઝેક્શનની ગતિ વધી છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સુરતના વેપારીઓની વિશ્વસનીયતામાં પણ મોટો વધારો જોવા મળ્યો છે.
2025માં સુરત જિલ્લાના માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શંકર ઠાકોરભાઈ ચૌધરીએ DDOના હુકમ સામે રક્ષણ મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઇકોર્ટે અરજદારને રાહત આપી છે. હવે તેઓ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાગ લઈ શકશે. લાંચના આરોપમાં DDOએ પદ ઉપરથી દૂર કર્યા'તાDDOએ લાંચના આરોપસર અરજદાર તાલુકા પંચાયતના સદસ્યને પદ ઉપરથી 1 જાન્યુઆરી, 2025ના રોજ દૂર કર્યા હતા. જેની સામે અરજદાર સક્ષમ ઓથોરિટી સમક્ષ અપીલ કરી હતી. પરંતુ ઓથોરિટીએ પણ 19 એપ્રિલ, 2025ના રોજ DDO ના હુકમને યોગ્ય ઠેરવેલ હતો. જેની સામે અરજદારે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ફરીથી પદ પર સ્થાપિત કરવા અરજદારની માગમૂળ અરજદારની માંગ હતી કે, તેમને જાન્યુઆરી, 2025 માં પદ ઉપરથી દૂર કરાતા તેમને ફરીથી પદ પર સ્થાપિત કરવામાં આવે. જો કે ટર્મ પૂરી થઈ જતા એક વધુ પડકાર તેમની સામે હતો કે તેમને ગુજરાત પંચાયત એક્ટની કલમ 71 અંતર્ગત દૂર કરાયા હોવાથી, તેઓ ફરીથી હોદ્દો સંભાળવા મહતમ 5 વર્ષ સુધી ગેરલાયક ઠરતા હતા. ચૂંટણી લડવા માંગતા હોવાથી હાઈકોર્ટમા અરજી કરીજો કે આગામી ચૂંટણીમાં તેઓ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગતા હોવાથી તેમને ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ઓથોરિટીના હુકમ સામે રક્ષણ માંગ્યું હતું. સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, હોદ્દાના દુરુપયોગ અને લાંચ જેવા સિસ્ટમ વિરુદ્ધનો ગુન્હો અરજદારે આચર્યો હોવાથી DDOનો હુકમ યોગ્ય છે. 'અરજદારને દોષિત ઠેરવીને ચૂંટણી લડવાથી દૂર કરી શકાય નહીં'જો કે ગુજરાત હાઇકોર્ટે નોંધ્યું હતું કે, ફક્ત પોલીસ ફરિયાદ અને ચાર્જશીટના આધારે અરજદારને દોષિત ઠેરવીને ચૂંટણી લડવાથી દૂર કરી શકાય નહીં. વળી હત્યા જેવા ગંભીર ગુનાઓમાં પણ જ્યાં સુધી અદાલતી કાર્યવાહીથી આરોપીને દોષિત ન ઠેરવાય ત્યાં સુધી કેટલાય નેતાઓ ચૂંટણી લડ્યા છે. ગુજરાત હાઇકોર્ટે હરિભાઈ પટેલ અને જાલાભાઇ પટેલના કેસ મુજબ અરજદારને રાહત આપી છે.
દુબઈમાં ખોલેલી ટ્રેડિંગ કંપનીમાં દર મહિને ચારથી પાંચ ટકાના વળતરની લાલચ આપી રોકાણકારો સાથે અંદાજે રૂપિયા દોઢ કરોડનું કૌભાંડ આચરવાના કેસમાં આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા બે આરોપીઓ ગૌરાંગ મનસુખ ખુંટ (ઉ.વ.38) અને અરવિંદ લાલજીભાઈ ખૂંટ (ઉ.વ.61)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી અરવિંદને સુરતથી અને ગૌરાંગને રાજકોટથી ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ બંને આરોપીઓને ત્રણ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે જયારે આ કેસમાં હજૂ બે આરોપીઓ સાગર અરવિંદ ખુંટ અને જયોત્સનાબેન અરવિંદ ખુંટ વોન્ટેડ છે જેને ઝડપી પાડવા શોધખોળ હાથ ધરી છે. ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના નામે રાજકોટ રહેતા ચાર મિત્રો સાથે 1.48 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચરવામાં આવી છે જેમાં પ્રાઇવેટ નોકરી કરતા વિરેન્દ્રસિંહ પરમાર (ઉ.વ.28) દ્વારા રાજકોટ શહેરના ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 316 (5), 3(5) તેમજ ગુજરાત પ્રોટેક્શન ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સની કલમ 3 મુજબ સાગર ખુંટ, અરવિંદ ખુંટ, જ્યોત્સના ખુંટ તેમજ ગૌરાંગ ખુંટ તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ નોંધાવવામાં આવી હતી. જેને લઇ આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા ગૌરાંગ ખુંટ અને અરવિંદ ખુંટની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી સાગર ખુંટ તેમજ તેની માતા જ્યોત્સના ખુંટની શોધખોળ હાથ ધરવામાં આવી છે. વિરેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, 10 વર્ષ પહેલા માયાણી ચોક ખાતે ગેમ ઝોનમાં ગેમ રમવા જતો હતો તે સમયે સાગર ખુંટ સંપર્ક સાથે થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી. વર્ષ 2023માં સાગર ખુંટએ જણાવ્યું હતું કે પોતે દુબઈ ખાતે ટ્રેડિંગનું કામકાજ શરૂ કર્યું છે તેમજ રોકાણ કરવાથી સારો એવો નફો પણ મળે છે અને તે કંપનીનું નામ NISHA INVESTMENT CONSULTANTS - FZCO જણાવ્યું હતું. જો તેમાં રોકાણ કરશો તો રોકાણ કરેલ રૂપિયા પર 4-5 ટકાનું વળતર આપવામાં આવશે તેવું જણાવ્યું હતું. ભારતમાં રાજકોટ ખાતે રહેતા પોતાના પિતા માતા તેમજ પોતાનો પિતરાઈ ભાઈ સહિતના વ્યક્તિઓ કંપનીના રૂપિયાની લેતીદેતીનો વ્યવહાર સંભાળતા હોવાનું જણાવ્યું હતું. દરમિયાન વિરેન્દ્રસિંહ પરમાર દ્વારા કટકે કટકે મળીને કુલ 56,43,500 રૂપિયા જેટલી રકમનું રોકાણ કર્યું હતું. જેની સામે માર્ચ 2025 સુધી આરોપીઓ દ્વારા વળતર પેટે દર મહિને 4 થી 4.50 ટકા જેટલી રકમ આરોપીઓ દ્વારા ચૂકવવામાં પણ આવતી હતી. તેમજ અંદાજિત 11,53,200 રૂપિયા જેટલી રકમ વળતર પેટે આપવામાં આવી હતી. આમ આજ દિવસ સુધી 44,90,300 રૂપિયા જેટલી રકમ આરોપીઓ દ્વારા પરત આપવામાં આવી ન હતી. વિરેન્દ્રસિંહ પરમારને દર મહિને રોકાણ કરેલ રૂપિયા ઉપર 4 થી 4.5 ટકા જેટલું વળતર મળતું હોવાથી તેમના અન્ય મિત્રો દ્વારા પણ આરોપીઓની કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું. કુલ મળીને 1,74,93,500 રૂપિયા જેટલી રકમનું રોકાણ સાગર ખુંટની કંપનીમાં કરવામાં આવ્યું હતું. જેની સામે સાગર ખુંટ દ્વારા વિરેન્દ્રસિંહ પરમાર તેમજ તેના મિત્રોને વળતર પેટે 26,77,400 રૂપિયા જેટલી રકમ પરત આપી હતી. પરંતુ આજ દિવસ સુધી 1.48 કરોડથી પણ વધુની રકમ પરત નહીં આપી છેતરપિંડી આચરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુંટ પરિવારના સભ્યો દ્વારા ઇન્વેસ્ટમેન્ટના નામે અન્ય 15 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ છેતરપિંડીનો આંક 5 કરોડથી પણ વધુનો હોવાનો પોલીસને અંદાજ છે. આ ઉપરાંત આરોપીઓના બેન્ક એકાઉન્ટની માહિતી પણ મંગાવવામાં આવી છે. તેમજ આરોપીઓ દ્વારા છેતરપિંડી દ્વારા મેળવવામાં આવેલ કરોડો રૂપિયાની રકમમાંથી કોઈ મિલકત વસાવી છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
સુરતના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને વાલીઓની આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. અહીંના પાલી ગામમાં રહેતા એક પરિવારની માત્ર અઢી વર્ષની માસૂમ બાળકી બીજા માળે ટેરેસ પર રમતા રમતા ગ્રીલના સળિયા વચ્ચે રહેલી જગ્યામાંથી નીચે પટકાઈ હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીનું ટૂંકી સારવાર બાદ સિવિલ હોસ્પિટલમાં મોત નીપજતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટનાએ બહુમાળી મકાનોમાં રહેતા પરિવારો માટે સુરક્ષાના ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. માસૂમ ગ્રીલના ગેપમાંથી સરકીને સીધી જમીન પર પટકાઈસચિન GIDC નજીક આવેલા ન્યુ કૈલાશ નગરમાં રહેતા અરુણ ચૌહાણની અઢી વર્ષની પુત્રી એશવી મંગળવારે સવારે નવેક વાગ્યાના અરસામાં ઘરના બીજા માળે ટેરેસ પર રમી રહી હતી. ટેરેસની ફરતે લોખંડની ગ્રીલ લગાવવામાં આવી હતી, પરંતુ બે સળિયા વચ્ચે આશરે 10 ઇંચ જેટલી મોટી જગ્યા (ગેપ) હતી. રમતી વખતે અચાનક એશવી આ ગેપમાંથી સંતુલન ગુમાવીને સીધી જમીન પર પટકાઈ હતી. બાલ્કની કે ટેરેસની ગ્રીલમાં રાખવામાં આવતી આવી બેદરકારી માસૂમ માટે કાળ સાબિત થઈ હતી. બાળકીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી બાળકી નીચે પડતા જ જોરદાર અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. પડોશમાં રહેતા વિકાસભાઈએ સમયસૂચકતા વાપરી તુરંત 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એશવીને લોહીલુહાણ હાલતમાં સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સિવિલના તબીબોએ તેને બચાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી, પરંતુ કમનસીબે બપોરે 2:00 વાગ્યાના સુમારે સારવાર દરમિયાન એશવીએ અંતિમ શ્વાસ લીધા હતા. મોતના સમાચાર સાંભળીને આખો મહોલ્લો હિબકે ચડ્યોબાળકીના પિતા અરુણભાઈ વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે અને તેઓ મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. છેલ્લા 15 થી 20 વર્ષથી તેઓ સુરતમાં સ્થાયી થયા છે અને મહેનત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અચાનક એકાએક વહાલસોયી દીકરીનું મોત થતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે. પિતાની છત્રછાયા અને માતાના લાડકોડમાં મોટી થતી એશવીના મોતના સમાચાર સાંભળીને આખો મહોલ્લો હિબકે ચડ્યો હતો. એશવીના કિસ્સામાં આ 10 ઇંચનો ગેપ જ તેના માટે કાળ બન્યોઆ ઘટનામાં સૌથી મોટું કારણ બાલ્કનીની ગ્રીલની ખામીયુક્ત ડિઝાઇન સામે આવ્યું છે. સામાન્ય રીતે બાળકોના માથા અને શરીર નાના હોય છે, ત્યારે ગ્રીલના સળિયા વચ્ચે 10 ઇંચનો ગેપ રાખવો એ જીવલેણ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, ગ્રીલના બે સળિયા વચ્ચેનું અંતર 4 ઇંચથી વધુ ન હોવું જોઈએ જેથી બાળક તેમાંથી પસાર ન થઈ શકે. એશવીના કિસ્સામાં આ 10 ઇંચનો ગેપ જ તેના માટે કાળ બનીને આવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોનો વધુ એક છબરડો સામે આવ્યો છે. 42 કરોડથી વધુનો ખર્ચ કરી ધ્રુવ કમલ બિલ્ડિંગ તૈયાર કરાયું અને 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન પણ કરી દેવાયું હતું. જોકે, બિલ્ડિંગના ઉદ્ધાટનના થોડા દિવસ બાદ યુનિવર્સિટીના સત્તાધિશોને યાદ આવ્યું કે, લેબ બનાવવા માટે ગ્રાઉન્ડ ફ્લોરની 12 ફૂટ હાઈટ રાખી છે તે ઓછી પડશે. જે બાદ હવે બેઝમેન્ટની હાઈટ 24 ફૂટ કરવા લાખોના ખર્ચે તોડફોડ કરવામાં આવી રહી છે. બેઝમેન્ટનો સ્લેબ જ તોડી નાખતા બિલ્ડિંગ વિદ્યાર્થીઓ માટે જોખમી બની ગઈ હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. 42 કરોડના ખર્ચે ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવાઈગુજરાત યુનિવર્સિટીના સત્તાધિસો દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે કેમ્પસમાં બિલ્ડિંગો બનાવવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના પૈસાથી બનાવવામાં આવતી બિલ્ડિંગના આયોજનમાં બેદરકારી સામે આવી છે. થોડા સમય પહેલા જ ગુજરાત યુનિવર્સિટી દ્વારા અટલ કલામ પાસે 42 કરોડ 50 લાખના ખર્ચે બિલ્ડિંગ બનાવવામાં આવી હતી. જેનું નામ ધ્રુવ કમલ રીસર્ચ પાર્ક આપવામાં આવ્યું હતું. અધિકારીઓનું અણધડ આયોજન ને સત્તાધીશોનો ગંભીર છબરડોધ્રુવ કમલ રીસર્ચ પાર્ક જ્ઞાનનું પ્રતિક બનશે અને એસ્ટ્રો ફિઝિક્સ, મેડિકલ સાયન્સ અને ગણિત જેવા વિષયમાં ભારતનું માર્ગદર્શક કેન્દ્ર બનશે તેવો દાવો ઉદ્ઘાટન સમયે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો. 42 કરોડનો ખર્ચ કર્યો હોવા છતાં તમામ ખર્ચ પાણીમાં ગયા હોવાનું સામે આવ્યું છે. અધિકારીઓના અણધડ આયોજન અને સત્તાધીશોની ઉદાસીનતાના કારણે ગંભીર છબરડો સામે આવ્યો છે. ગ્રાઉન્ડ ફ્લોરની 24 ફૂટને બદલે 12 ફૂટ હાઈટ રખાઈધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવ્યા બાદ તેમાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જોકે, તે બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પર લેબ બનાવવા માટે 24 ફૂટ હાઈટની જરૂર પડશે, પરંતુ ગ્રાઉન્ડ ફ્લોર પર માત્ર 12 ફૂટની હાઈટ રાખવામાં આવી હતી. જે બાદ એક તરફ વિદ્યાર્થીઓનો અભ્યાસ અને પરીક્ષા ચાલી રહી છે ત્યાં બીજી તરફ ગ્રાઉન્ડ ફ્લોર પર જોખમી રીતે તોડફોડ શરૂ કરાઈ. ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્રુવ કમલ બિલ્ડિંગનું ઉદ્ધાટન કર્યું હતું અને બારીઓના કાચ તૂટેલા હોવાનું સામે આવ્યું હતું. જ્યાં કામ ચાલે છે ત્યાં લાખોના ખર્ચે લાવેલા સોફા પણ હટાવવામાં આવ્યા નથી. જેથી સોફા પણ ધૂળ ખાતી હાલતમાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થીઓની પરીક્ષા વચ્ચે બિલ્ડિંગમાં તોડફોડ શરૂગ્રાઉન્ડ ફ્લોરની 24 ફૂટની ઊંચાઈ કરવા માટે પાયામાં મસમોટો ખાડો કરવામાં આવ્યો છે. જેને લઈને NSUI દ્વારા બિલ્ડિંગની ગુણવત્તાને અસર થઈ શકે છે તેવો આક્ષેપ કર્યો છે. અત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને ધ્રુવ કમલમાં પરીક્ષાઓ પણ ચાલી રહી છે, ત્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર જે રીતે મસમોટો ખાડો કરવામાં આવ્યો છે તેના કારણે કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની રહેશે. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 20 ટકા કમિશન કુલપતિ અને રજીસ્ટ્રારને મળી જાય છે, જેથી વિદ્યાર્થીઓના પૈસાની દિવાળી થઈ રહી છે. સત્તાધીશોન હવે યાદ આવ્યું કે બિલ્ડિંગમાં બેઝમેન્ટની જરૂરગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી દ્વારા ધ્રુવ કમલ નામનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યું તેનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ધાટન પણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે બાદ સત્તાધીશોને યાદ આવ્યું કે, હવે બિલ્ડિંગમાં બેઝમેન્ટ બનાવવાની જરૂર પડી છે, ત્યારે નવું બનાવેલું બિલ્ડિંગ તોડવામાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીના એન્જિનિયરો માત્ર એસી ઓફિસમાં બેસતા હોય તેવું જ લાગી રહ્યું છે. કુલપતિ અને રજીસ્ટ્રાર 25 ટકા કમિશનમાં ધરાઈ ગયાએન્જિનિયરો ફિલ્ડ પર ગયા વગર જ બે-બે લાખ રૂપિયા પગાર લઈ લે છે. ગ્રાઉન્ડ ફ્લોર તોડવામાં આવી રહ્યો છે તેને લઈને બિલ્ડિંગની ગુણવત્તા પર અસર પડશે. જો બિલ્ડિંગ તૂટી જશે તો તેની જવાબદારી કોની રહેશે? કુલપતિ અને રજીસ્ટ્રાર 25 ટકા કમિશનમાં ધરાઈ ગયા છે. પૂર્વ કુલપતિ જે એજન્સીને બ્લેક લિસ્ટ કરે છે તે જ એજન્સીને કુલપતિ પરત લાવીને બિલ્ડિંગો ઊભી કરવાની કામગીરી સોંપે છે. વિદ્યાર્થીઓની ફીના પૈસાથી દિવાળીએજન્સીઓ દ્વારા કુલપતિ અને રજીસ્ટ્રારને જે ફંડ આપવામાં આવે છે તેના લીધે આ બધી બેદરકારી સામે આવી રહી છે. ફરી લાખો રૂપિયાના ખર્ચે કામ સોંપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓની ફીના પૈસાથી દિવાળી કરવામાં આવી રહી છે. બિલ્ડિંગ બનાવી ત્યારે અધિકારીઓને યાદ ન આવ્યું કે આ રીતની કામગીરી કરવાની હતી. જો કોઈ કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન કરીશુંઉગ્ર આંદોલનની માંગ સાથે વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, બિલ્ડિંગ બન્યા બાદ અધિકારીઓને યાદ આવ્યું કે 12 ફૂટ નહીં પરંતુ 24 ફૂટની હાઈટની જરૂર હતી. જો કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરીશું. કુલપતિ જતા જતા પોતાના પર વધુ એક ડાઘ લગાવીને જતા હોય તેવું લાગી રહ્યું છે.
વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાની યુવકે શારીરિક છેડછાડ કરી હતી. અશ્લીલ ઈશારા કરીને શારીરિક અડપલા કરનાર શખ્સ સામે મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં રહેતી 35 વર્ષીય પરિણીત મહિલા 30 માર્ચના રોજ બપોરના સમયે પોતાના કાકીના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન શિયાબાગ વિસ્તારમાં નારાયણ કોમ્પલેક્ષ પાસે પહોંચતા એક યુવક મહિલાની નજીક આવ્યો હતો. આરોપી સલીમ ઈબ્રાહીમ રાઠોડે મહિલાને જોઈ અશ્લીલ ઈશારા કર્યા અને શારીરિક અડપલા કર્યા હતા. આ ઘટનાથી ગભરાયેલી મહિલાએ આરોપીને ઠપકો આપતાં તેણે મહિલાને ગંદી ગાળો બોલી ધમકી આપી હતી. આ દરમિયાન મહિલાની નણંદ અને અન્ય ઓળખીતાઓ ત્યાં આવી જતા આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ મહિલાએ નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સોમનાથની પવિત્ર ભૂમિ પર સ્થિત સરકારી સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીના હાથમાં સોંપાવાના નિર્ણય બાદ વિવાદ ઊભો થયો હતો.ત્યારે વિવાદને ઠારવા માર્ગ અને મકાન (RB) વિભાગે અતિથિગૃહને PPP (પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ) મોડેલ હેઠળ ખાનગી ક્ષેત્રને લીઝ પર સોંપવાના નિર્ણય અંગે સત્તાવાર સ્પષ્ટતા કરી છે. વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશ ચારણીયાએ ખાતરી આપી છે કે આ સમગ્ર હસ્તાંતરણ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક અને નિર્ધારિત કાયદાકીય માળખાને અનુસરીને સંપન્ન કરવામાં આવી છે. કરાર અંતર્ગત દર વર્ષે ફીમાં 5 ટકાનો ફરજિયાત વધારો થતો રહેશેRB વિભાગના જણાવ્યા અનુસાર, સર્કિટ હાઉસના સંચાલન અને રખરખાવ (OM) માટે ઓનલાઈન RFP પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે વાર્ષિક લાયસન્સ ફીનો અંદાજ 30.72 લાખ રૂપિયા રાખવામાં આવ્યો હતો. જોકે, સ્પર્ધાત્મક હરાજીના અંતે MCWAY MANAGEMENTS LTD એ સૌથી ઊંચી 81 લાખ રૂપિયાની બોલી લગાવી આ કોન્ટ્રાક્ટ પોતાના નામે કર્યો છે. નોંધનીય છે કે આ કરાર અંતર્ગત દર વર્ષે ફીમાં 5 ટકાનો ફરજિયાત વધારો થતો રહેશે, જે લાંબા ગાળે ફાયદાકારક રહેશે. 132 લાખના ખર્ચ સામે આવક માત્ર 21 લાખ થતી હતીઆ વ્યૂહાત્મક નિર્ણયથી સરકારી તિજોરીને મોટું આર્થિક સંરક્ષણ મળશે. અગાઉના આંકડાઓ પર નજર કરીએ તો, સર્કિટ હાઉસના નિભાવ પાછળ સરકાર વાર્ષિક આશરે 132 લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરતી હતી, જેની સામે આવક માત્ર 21 લાખ રૂપિયા જ થતી હતી. આમ, દર વર્ષે તિજોરીને 111 લાખ રૂપિયાની આર્થિક ખોટ સહન કરવી પડતી હતી. PPP મોડેલના અમલીકરણથી આ આર્થિક ભારણ હવે ભૂતકાળ બની જશે. પ્રોટોકોલની ગરિમા જળવાઈ રહેશે ખાનગી સંચાલન હોવા છતાં, ગરિમાપૂર્ણ સરકારી શિષ્ટાચાર જાળવી રાખવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, રાજ્યપાલ અને મુખ્યમંત્રી જેવા સર્વોચ્ચ હોદ્દેદારોના આગમન માટે સર્કિટ હાઉસમાં 2 રૂમ કાયમી ધોરણે અનામત રાખવામાં આવ્યા છે, જેથી પ્રોટોકોલ જાળવવામાં કોઈ અવરોધ ન આવે. રોજગારીમાં ઘટાડો નહીં થાયસ્થાનિક રોજગારના મોરચે પણ આ નિર્ણય આશાસ્પદ રહ્યો છે. અગાઉ અહીં 53 કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાર્યરત હતા, જેમના હિતોનું રક્ષણ કરતા નવી એજન્સી દ્વારા ફ્રન્ટ ડેસ્ક, હાઉસકીપિંગ, સિક્યુરિટી અને કેટરિંગ જેવા વિવિધ વિભાગો માટે અંદાજે 50 જેટલા કુશળ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવશે. આમ, રોજગારીની તકોમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયા વિના સેવાનું સ્તર સુધરશે. હોસ્પિટાલિટીના ઉચ્ચત્તમ માપદંડો જળવાઈ રહેશેસોમનાથ આવતા શ્રદ્ધાળુઓ માટે આ નિર્ણય આશીર્વાદરૂપ સાબિત થશે, કારણ કે હવે તેમને અહીં 'ફોર-સ્ટાર' કક્ષાની આધુનિક સુવિધાઓનો લ્હાવો મળશે. PPP મોડેલ હેઠળ ખાનગી સંચાલક પોતાના વ્યક્તિગત રોકાણથી ઇમારતની જાળવણી કરશે અને હોસ્પિટાલિટી ક્ષેત્રના ઉચ્ચતમ માપદંડો મુજબની સેવાઓ પૂરી પાડશે. આ તમામ સેવાઓ પર રાજ્ય સરકારની સતત અને કડક દેખરેખ રહેશે. નુકસાનમાંથી બહાર નીકળી નફાનો હેતુવિભાગના મતે, સોમનાથ સર્કિટ હાઉસનું આ પરિવર્તન એક સુવિચારિત અને ડેટા-આધારિત કદમ છે. આ આધુનિક અભિગમ દ્વારા સરકારી અસ્કયામતને નુકસાનના ગર્તામાંથી બહાર કાઢી નફાકારક બનાવવાની સાથે યાત્રિકોને વિશ્વસ્તરીય સુવિધાઓ પીરસવાનો મુખ્ય ઉદ્દેશ્ય સાકાર કરવામાં આવ્યો છે. કાર્યપાલક ઇજનેર સુરેશ આર. ચારણીયાનું શબ્દશ: નિવેદનગીર સોમનાથ સ્ટેટના માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશ આર. ચારણીયાએ જણાવ્યું હતું કે, વર્ષ 2022 માં નિર્મિત આ ભવ્ય સોમનાથ અતિથિગૃહનું વર્ચ્યુઅલી લોકાર્પણ સ્વયં માનનીય વડાપ્રધાનશ્રીના હસ્તે થયું હતું. ભક્તોની સુવિધા માટે બનેલા આ ગૃહમાં પ્રવાસીઓ સુવિધાઓથી સંતુષ્ટ તો હતા, પરંતુ તેઓ વધુ આધુનિક સેવાઓની અપેક્ષા પણ રાખતા હતા. સરકારી સંચાલન દરમિયાન માસિક સરેરાશ આવક માત્ર 2 થી 3 લાખ રૂપિયા રહેતી હતી, જેની સામે નિભાવણી ખર્ચ 14 થી 15 લાખ રૂપિયા જેટલો ઊંચો રહેતો હતો. પ્રવાસીઓને હોટલ જેવો લક્ઝુરિયસ અનુભવ આપવા અને આર્થિક ખોટને નફામાં બદલવા માટે જ PPP મોડેલનો નિર્ણય લેવાયો છે. પારદર્શક ટેન્ડર પ્રક્રિયામાં ગાંધીનગરની મેકવે મેનેજમેન્ટ લિમિટેડનું 81 લાખ રૂપિયાનું વાર્ષિક ટેન્ડર મંજૂર કરાયું છે. તારીખ 16-03-2026 થી આ સંચાલન ખાનગી હાથોમાં સોંપાયું છે. વ્યવસ્થાના ભાગરૂપે 10 રૂમ સરકારી કામકાજ માટે ફાળવેલા રહેશે, જેમાંથી 8 રૂમમાં સરકારી રેન્ટ મુજબ જ રોકાણ કરી શકાશે. અમારો અંતિમ લક્ષ્યાંક સોમનાથ મહાદેવના શરણે આવતા પ્રત્યેક યાત્રાળુને શ્રેષ્ઠ આતિથ્ય સત્કાર આપવાનો અને આ સરકારી મિલકતની આજીવન માવજત કરવાનો છે. આ પણ વાંચો સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કિટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂમ ભાડામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્ય સરકારે સોમનાથ, આબુ અંબાજી અને દ્વારકાના નવા સર્કિટ હાઉસોના સંચાલન માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અમદાવાદની મેક વે કંપનીએ ત્રણેય સર્કિટ હાઉસનો કબજો સંભાળ્યો છે. 16 માર્ચથી કંપનીએ સોમનાથ સર્કિટ હાઉસનું સંચાલન શરૂ કરી પોતાનો સ્ટાફ પણ નિયુક્ત કર્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચવા અહીં ક્લીક કરો)
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પાટણની રાણકીવાવ ખાતે પ્રવાસન વિભાગ દ્વારા રૂ. 18 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક 3D પ્રોજેક્શન મેપિંગ શો અને લાઈટ એન્ડ સાઉન્ડ શોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાવ-થરાદ ખાતેથી ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. 24 મિનિટની આ શોર્ટ ફિલ્મમાં ક્યારેય ના સાંભળી હોય એવી પાટણના રાણ કી વાવની ગાથા રજુ કરાઈ છે. આ પ્રોજેક્ટથી રાણકીવાવના ઐતિહાસિક વારસાને આધુનિક ટેકનોલોજી સાથે જોડી પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે. 3D શોમાં વિવિધ આકર્ષણો રજુ કરાશેઆ 3D શો માં પાટણની રાણકી વાવ ઉપરાંત સોમનાથ, મોઢેરા, કીર્તિ સ્તંભ, 100ની ચલણી નોટ, યુનેસ્કો, કુંભારીયા દેરાસર, પાલિતાણા જૈનના મંદિર, પાટણના પટોળા, શસ્ત્રલીગ તળાવ, પાટણના ઓતીયા પરિવાર દ્વારા દશામાની મૃતિ બનાવવામાં આવે છે તેનો ઇતિહાસ, પાટણના દોરી ગરબા સહિતના આકર્ષણો રજુ કરવામાં આવશે. નવા નજરાણાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદની મુલાકાત દરમિયાન ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને નવી ઊંચાઈ પર લઈ જવાના હેતુથી રાણકીવાવના આ મહત્વકાંક્ષી પ્રોજેક્શન લોકાર્પણ કર્યું હતું. પાટણની રાણકીવાવ જે વાર્ષિક આશરે 3.5 થી 4 લાખ પ્રવાસીઓને આકર્ષે છે, ત્યાં હવે આ નવા નજરાણાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ દ્વારા રાણી ઉદયમતિની પ્રેરણાદાયી ગાથા, પ્રાચીન જળ વ્યવસ્થાપન પદ્ધતિ અને પૂર્વજોની સ્થાપત્ય કળાના વૈભવને 3D ટેકનોલોજીના માધ્યમથી રજૂ કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ પ્રોજેક્ટ અમદાવાદની ઓરા બ્રાઇટ લાઇટ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ એજન્સી મારફતે પૂર્ણ કરવામાં આવ્યો છે. રાણકીવાવ પરિસરની સુરક્ષા અને ઐતિહાસિક પ્રતિમાઓની જાળવણીને ધ્યાનમાં રાખીને, કોઈપણ પ્રકારની તોડફોડ વગર 10 અત્યાધુનિક લેસર પ્રોજેક્ટર ઇન્ટ્રીગ્રેસન કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, સમગ્ર પરિસરમાં હેરિટેજ લાઇટિંગ, પાથ-વે લાઇટિંગ અને એક અલાયદો કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. આ શો દરમિયાન અંદાજિત 24 મિનિટની શોર્ટ ફિલ્મ વોઈસ ઓવર સાથે દર્શાવવામાં આવી રહી છે. જેના માટે પરિસરમાં 250 જેટલા પર્યટકોની બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. રાણકીવાવનો અદભૂત રાત્રિ નજારો જોવાનો લ્હાવો મળશેઆ પ્રોજેક્ટ સાકાર થવાથી દેશ-વિદેશના પ્રવાસીઓને રાણકીવાવનો અદભૂત રાત્રિ નજારો જોવાનો લ્હાવો મળશે. રાત્રિના સમયે પર્યટકોની અવરજવર વધવાથી પાટણ શહેરમાં નાસ્તા અને ખાણીપીણીના વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક લોકો માટે રોજગારીની નવી તકો પણ સાંપડશે. ભારત સરકારના પુરાતત્વ વિભાગ અને રાજ્યના પ્રવાસન વિભાગના સંકલનથી તૈયાર થયેલો આ શો ઐતિહાસિક વારસાને જીવંત રાખવાની દિશામાં મહત્વનું પગલું ગણવામાં આવે છે. લેસર શોની વિશેષતારાણકી વાવને નુકસાન ન થાય તે માટે સાઈડમાં જમીન અંદર પ્રોજેક્ટર ફિટ કરવામાં આવ્યા છે, જે શો સમયે જમીનમાંથી લિફ્ટ મારફતે 10 ફૂટ બહાર આવશે જેથી રાણકી વાવની સુંદરતા ન બગડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. દરરોજ બે શો ચલાવવામાં આવશે. આ પ્રોજેક્ટનું 5 વર્ષનું સુચારુ સંચાલન અને મેન્ટેન્સ પ્રવાસન વિભાગ કરશે. રાણકી વાવનો ઇતિહાસઅણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્ની અને જુનાગઢના ચુડાસમા વંશના રાજા રા' ખેંગારના પુત્રી રાણી ઉદયમતીએ 11 મી સદીના અંતિમ ચતુર્થાંશમાં પ્રજા માટે પાણીની વ્યવસ્થા ઉભી કરવા વાવનું નિર્માણ કરાવ્યું હતું. સદીઓ અગાઉ સરસ્વતી નદીમાં આવેલા પૂર અને અન્ય ઘટનાક્રમથી આ વાવ જમીનમાં દટાઈ ગઈ હતી, જેથી ધરતી તળે દબાયેલી આ વાવ પર કોઈની નજર પહોંચી શકી ન હતી. પરંતુ, 20 મી સદી સુધી લોકોથી અલિપ્ત રહેલી આ વાવને મૂળ સ્વરૂપમાં લાવવા ભારતીય પુરાતત્વ વિભાગે ઇ.સ. 1986માં વાવમાં ભરાયેલી માટીને બહાર કાઢવા ઉત્ખનન કાર્યવાહી આરંભતા ઘણા વર્ષો બાદ વાવ તેના મૂળ સ્વરૂપમાં આવી હતી. રાણકી વાવનું મુખ પૂર્વ તરફ ખુલે છે. રાણકી વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. તે સાત માળ જેટલી ઊંડી છે.આ વાવ નંદા પ્રકાર ની વાવ છે. વાવમાં દેવીદેવતાઓની સાથે-સાથે અનુચરતી અપ્સરાઓ અને નાગકન્યાઓની પણ કલાત્મક મૂર્તિઓ કંડારવામાં આવી છે.ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2018માં બહાર પાડેલી નવી જાંબલી રંગની રૂપિયા 100ની ચલણી નોટોમાં પાછળની તરફ રાણકી વાવ દર્શાવવામાં આવી છે.
19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીએ સાણંદમાં કેઈન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. સાથે જ વાવ-થરાદથી અમદાવાદ-ધોલેરા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસ-વે સહિત કુલ 19,806 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પોરબંદરને લિકર પરમિટ આપવાની તૈયારીથી વિવાદ પોરબંદરમાં લિકર પરમિટની તૈયારીને લઈને વિવાદ થયો છે.. કોંગ્રેસે કહ્યું કે ભાજપ ગાંધીની વિચારધારા અને સંસ્થાઓને ખતમ કરી રહ્યું છે. એટલું જ નહીં પીએમ મોદીને અપીલ કરી કે આજે તેઓ ગુજરાતમાં જ જાહેરાત કરી દે કે મંજૂરી નહીં અપાય. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો PSIની રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગ રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી મિસ ફાયરિંગ થયું. PSI એન. કે. પંડ્યા પોતાના ફ્લેટ પર હતા ત્યારે રાત્રિના એક વાગ્યે આ ઘટના બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે રિવોલ્વર સાફ કરતી વખતે અચાનક મિસફાયરિંગ થયું હતું. જેમાં તેઓ અને તેમની મહિલા મિત્ર ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો દેશી દારુની કોથળીઓનું ઘરમાં પેકિંગ સાબરમતીના સરસ્વતી નગરમાં બુટલેગર ઘરમાં બેસીને દેશી દારુની કોથળીઓનું પેકિંગ કરતો હોય તેવો વીડિયો સામે આવ્યો. તેની સાથે બે મહિલાઓ પણ ગૃહઉદ્યોગની જેમ ઘરમાં આ કામ કરતી જોવા મળી.આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો મકાનમાં લાગેલી વિકરાળ આગમાં 5ના મોત સુરતના લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં એક ઘરમાં લાગેલી ભયાનક આગમાં 5 લોકોના મોત નીપજ્યા. રૂમમાં 8 ટન સાડીનું મટિરિય અને બે ગેસના બાટલા પડ્યા હતા જેનાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુપ્ત ભાગમાં સંતાડ્યું હતું 83 લાખનું સોનુ કુઆલાલુમ્પુરથી ગુપ્તભાગમાં સોનાની પેસ્ટ સંતાડીને આવતી મહિલા અમદાવાદ એરપોર્ટ પર ઝડપાઈ. કસ્ટમની તપાસમાં સામે આવ્યું કે, મહિલા 83 લાખનું સોનું કેપ્સ્યુલમાં પેસ્ટના રુપે લઈને આવી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ટ્રક ચાલકે કચડી નાખતા બેનું કમકમાટીભર્યું મોત બહુચરાજી જતાં પદયાત્રીને ટ્રક ચાલકે કચડી નાખતા બેનું ઘટનાસ્થળેજ કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. જ્યારે 7 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભર ઉનાળે પાણીની તંગીથી લોકો ભારે હેરાન નડિયાદના પીજ ગામે 4 પાણીની ટાંકીઓ અને 12 પંચાયતી બોર હોવા ભર ઉનાળે લોકોને પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ટેન્કરમાં મરેલો ઉંદર નીકળતા અંતિમ યાત્રા લઈ લોકો પંચાયત પહોંચ્યા હતા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો રહેણાંક મકાનમાં સિલિન્ડર બ્લાસ્ટથી પાંચ દાઝ્યા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં વહેલી સવારે સિલિન્ડર બ્લાસ્ટ થયો. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ઘરનો દરવાજો તૂટી સામેના ઘરે અથડાયો. બ્લાસ્ટમાં પાંચ લોકો ગંભીર રીતે દાઝ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ઈન્ડિગોની દિલ્હી-શિરડી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ સુરત એરપોર્ટ પર ઈન્ડિગોની દિલ્હી-શિરડી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. ખરાબ હવામાનને કારણે પ્લેને શિરડીના આકાશમાં એક કલાક સુધી ચક્કર માર્યા. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ધ્રાંગધ્રામાં બોગસ ડોક્ટર ઝડપાયો:વિરેન્દ્રગઢ ગામે SOGએ કાર્યવાહી કરી, દવાઓ જપ્ત
સુરેન્દ્રનગર SOG શાખાએ ધ્રાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢ ગામેથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. આ ડોક્ટર કોઈપણ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરતો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 18,381ની દવાઓ જપ્ત કરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ તથા ઇન્ચાર્જ જિલ્લા પોલીસ અધિક્ષક વેદિકા બિહાનીની સૂચના મુજબ, બોગસ ડોકટરોને પકડી પાડવા અને ગુનાહિત પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે, SOG શાખાના કર્મચારીઓ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ વિશાલભાઈ અરવિંદભાઈને બાતમી મળી હતી કે, વિરેન્દ્રગઢ ગામે હરેશભાઈ પોપટભાઈ ઠાકોર નામનો વ્યક્તિ કોઈપણ ડિગ્રી વગર એલોપેથીની સારવાર કરી માનવ સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો છે. બાતમીના આધારે, SOG ટીમે કુડા PHCના મેડિકલ ઓફિસર ક્લાસ-2 ડો. પ્રશાંતભાઈ એસ. સોલંકીને સાથે રાખીને વિરેન્દ્રગઢ ગામે હરેશભાઈ પોપટભાઈ ઠાકોરના રહેણાંક મકાન પર દરોડો પાડ્યો. દરોડા દરમિયાન, 26 વર્ષીય હરેશભાઈ ઠાકોર મળી આવ્યો હતો. પોલીસે તેના કબજામાંથી અલગ અલગ કંપનીઓની એલોપેથીક દવાઓનું લિસ્ટ અને કુલ રૂ. 18,381નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બોગસ ડોક્ટર મૂળ રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામનો રહેવાસી છે. આરોપી હરેશભાઈ પોપટભાઈ ઠાકોર વિરુદ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં PI બી.એચ. શીંગરખીયા, PSI એન.એ. રાયમા, PSI આર.જે. ગોહિલ, ASI અનિરુદ્ધસિંહ મહિપતસિંહ, HC અરવિંદભાઈ દિલુભા, PC સાહિલભાઈ મહંમદભાઈ, PC મહાવીરસિંહ જોરુભા અને PC વિશાલભાઈ અરવિંદભાઈ સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન:આવતીકાલે ભાજપના નિરીક્ષકો વડોદરામાં દાવેદારોને સંભાળશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે ભાજપ દ્વારા દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાનો આરંભ કરી દેવામાં આવ્યો છે. વડોદરા મહાનગર ખાતે આવતીકાલે વિવિધ 19 વોર્ડના દાવેદારોને ફોર્મ ભરવા તેમજ સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચાર ઝોનમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂનિરીક્ષકો દ્વારા ચાર ઝોનમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એમ ચાર ઝોનમાં વહેંચાયેલા વોર્ડ મુજબ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. શહેરના ટીપી 13 છાણી, તરસાલી, ખોડિયાર નગર તથા વાસણા રોડ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બે દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશેતા. 1 એપ્રિલ અને 2 એપ્રિલ એમ બે દિવસ વડોદરા મહાનગરપાલિકાના દાવેદારોને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 1 એપ્રિલના રોજ વોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 8, 9, 10, 16, 17, 18 ની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. બાકીના વોર્ડની સેન્સ પ્રક્રિયા 2 એપ્રિલના રોજ કરવામાં આવશે. તાલુકા-જિલ્લા પંચાયત માટે પણ સેન્સ પ્રક્રિયાવડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ સેના પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પણ યોજાશે, ત્યારે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એના પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી સમયમાં ચૂંટણીઓ જાહેર થશે ત્યારે મહાનગર તેમજ સ્થાનક સ્તરે રાજકીય ક્ષેત્રમાં ભારે ચહલ પહલ જોવા મળી રહી છે.
પોરબંદરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને દેવી રુક્મિણીની પ્રતિકાત્મક વૈવાહિક શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માધવપુરના મેળામાં વિવાહોત્સવ સંપન્ન થયા બાદ, દ્વારકા ખાતે યોજાનાર સત્કાર સમારોહ પૂર્વે આ શોભાયાત્રા પોરબંદર પહોંચી હતી. પોરબંદર નગરપાલિકા દ્વારા આયોજિત આ યાત્રામાં શહેરના રાજમાર્ગો ભક્તિમય બન્યા હતા. આ શોભાયાત્રાનો પ્રારંભ વીરભાનુની ખાંભીથી થયો હતો. તે કમલાબાગ, હાર્મની ફુવારો, સુદામા ચોક અને લીમડા ચોક જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને બોખીરા બસ સ્ટેન્ડ સુધી પહોંચી હતી. સુશોભિત રથમાં બિરાજમાન ભગવાન અને દેવીના પ્રતિકાત્મક સ્વરૂપોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો રસ્તા પર ઉમટી પડ્યા હતા. માર્ગો પર ફૂલોની વર્ષા, ઢોલ-શરણાઈના સૂર અને પરંપરાગત રાસની રમઝટ જોવા મળી હતી. સુદામા ચોક ખાતે જિલ્લા કલેક્ટર એચ.ડી. ધાનાણી, મ્યુનિસિપલ કમિશનર એચ.જે. પ્રજાપતિ અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિતના અધિકારીઓએ પ્રતિકાત્મક ભગવાનનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વાતાવરણમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ શોભાયાત્રામાં કલેક્ટર એચ.ડી. ધાનાણી અને જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ રાસમાં જોડાઈને લોકઉલ્લાસમાં સહભાગી થયા હતા. શહેરના વિવિધ સંગઠનો દ્વારા પણ શિસ્તબદ્ધ અને ભક્તિમય માહોલમાં શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક ઉત્સવમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ચેતનાબેન તિવારી, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મનન ચતુર્વેદી, મામલતદાર બી.વી. ચંચાણીયા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. આ કાર્યક્રમ ભક્તિ અને સાંસ્કૃતિક વારસાના સમન્વય સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
પોરબંદરમાં આગામી બાલા હનુમાન મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની વિગતો આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. આ વર્ષે મહોત્સવ દરમિયાન યોજાનારા મહારક્તદાન કેમ્પમાં 9,000 થી 10,000 બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બાલા હનુમાન ગ્રુપના કેતન ગજ્જરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષે 5,500 બોટલ રક્ત એકત્ર થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે વ્યવસ્થા બમણી કરવામાં આવી છે. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમ વખત સુદામા ચોકમાં એસી ડોમની વ્યવસ્થા કરાઈ છે. રક્તદાતાઓ માટે અમદાવાદની લેબોરેટરી દ્વારા 4 પ્રકારના બ્લડ ટેસ્ટ નિઃશુલ્ક કરાશે અને તેમને ભેટ પણ અપાશે. રામદેવ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, એકત્રિત થયેલું રક્ત ભાવસિંહજી હોસ્પિટલ, રાજકોટ સિવિલ, જામનગર જી.જી. હોસ્પિટલ તેમજ અમદાવાદની કિડની, કેન્સર અને યુ.એન. મહેતા જેવી મોટી હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. આ રક્ત પોરબંદરથી બહારગામ સારવાર માટે જતા દર્દીઓ માટે ઉપયોગી સાબિત થશે. કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને સાંસદ મનસુખ માંડવિયા 31 માર્ચ, 2026ના રોજ સાંજે 8:00 કલાકે સુદામા ચોક ખાતે 80,000 લાડવા પ્રસાદીના પેકિંગ કાર્યમાં સહભાગી થશે. ત્યારબાદ રાત્રે 9:30 કલાકે બ્રીજદાન ગઢવીના લોકડાયરામાં પણ તેઓ હાજરી આપશે. 1 એપ્રિલ, 2026ના રોજ સવારે 8:00 વાગ્યે મનસુખ માંડવિયા સ્વયં રક્તદાન કરીને કેમ્પનો પ્રારંભ કરાવશે. આ કેમ્પમાં પોલીસ પરિવાર, ડિફેન્સ અને કોસ્ટગાર્ડના જવાનો પણ જોડાશે. 2 એપ્રિલ, 2026ના રોજ પોરબંદર, રાણાવાવ, કુતિયાણા, બગવદર અને કડછ ખાતે સવારથી રક્તદાન શરૂ થશે. બપોરે 4:00 કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા હાજરી આપશે. તેઓ સાંજે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે અને પ્રસાદી વિતરણનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. મહોત્સવના અંતિમ દિવસે રાત્રે ગીતાબેન રબારીનો લોકડાયરો યોજાશે.

27 C