શાળાઓમાં હવે QR કોડ અને ફેસ રેકગ્નિશનથી પૂરાશે હાજરી, મરણોત્તર સહાયમાં બમણો વધારો સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવાપરા ખાતે શિક્ષણ સમિતિ ના ચેરમેન નિકુંજભાઈ મહેતા ના અધ્યક્ષસ્થાને ગત તા 8 જાન્યુઆરીના રોજ વર્ષ 2026-27નું 170 કરોડ રૂપિયાનું બજેટ અંગે ચર્ચા વિચારણા કરી સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, અને આ બજેટ મહાનગરપાલિકા ખાતે મોકલી આપવામાં આવ્યું હતું અને ગુરુવાર ના રોજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાના અધ્યક્ષસ્થાને મળનારી બેઠકમાં આ બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને મંજૂરી માટે સાધારણ સભામાં મોકલવામાં આવશે, શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 69 શાળાઓ છે જેમાં ગુજરાતી માધ્યમની -66, અંગ્રેજી માધ્યમની-2 અને ઉર્દૂ માધ્યમની -1 શાળાઓનો સમાવેશ થાય છે, આ બજેટમાં વહીવટી સ્ટાફના પગાર-ભથ્થા 5954.08 હજાર, શિક્ષકો અને વિદ્યાસહાયકોના પગાર ભથ્થા 1588915.34 હજાર, ચોથા વર્ગના કર્મચારીઓ પગાર ભથ્થા 32832.98 લાખ, શેક્ષણિક અને શાળાકીય હેતુ 61669 હજાર, કાયમી પ્રોજેકટ 500 હજાર, સમિતિ વહીવટી કાર્યભાર 1957 હજાર, કચેરી વહીવટી ભાર 2280 હજાર, માહિતી અને સંદેશા 1800 હજાર, લોન-એડવાન્સીસ તથા એલ.ટી.સી 1200 હજાર, વિવિધ લક્ષી હેડ 4276 હજાર તથા સમિતિ માટે આઉટસોસીંગ સ્ટાફ ખર્ચ હેડ 4846 હજાર ના ખર્ચાઓ મળી કુલ 1706230.40 લાખ બજેટ માં ચર્ચાઓ કરવામાં આવશે, ભાવનગરના શાશનાધિકારી સમીરભાઈ જાનીએ બજેટ અંગે જણાવ્યું હતું કે, વર્ષ 2026-27 નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, આ બજેટમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓની સુવિધાઓમાં વધારો કરવા માટે અનેક મહત્વના પ્રસ્તાવો મૂકવામાં આવ્યા છે, જેમાં કુલ બજેટ 1,70,62,30,400 (એકસો સિત્તેર કરોડ બાસઠ લાખ ત્રીસ હજાર ચારસો) રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું, ભાવનગરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારની ચાર શાળાઓને આદર્શ (મોડેલ) શાળા તરીકે વિકસાવવામાં આવશે, ભાવનગર પૂર્વ: પ્રભાશંકર પટ્ટણી શાળા નં-66 (અકવાડા) અને ચંદ્રમોલી પ્રાથમિક શાળા નં-67 જ્યારે ભાવનગર પશ્ચિમમાં ગિજુભાઈ બધેકા શાળા નં-75 (સિદસર) અને પ્રમુખ સ્વામી મહારાજ શાળા નં-53, વિદ્યાર્થીના આકસ્મિક અવસાનના કિસ્સામાં અપાતી મરણોત્તર સહાય 20,000 થી વધારીને 40,000 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, શાળાઓમાં પ્રથમવાર સ્કાઉટ અને ગાઈડની પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને યુનિફોર્મ પૂરા પાડવામાં આવશે, તેમજ વિદ્યાર્થીઓની હાજરી માટે ફેસ રેકગ્નિશન અને QR કોડ જેવી આધુનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે અને હવે ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીમાં શિક્ષણ સમિતિના બજેટ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.
EDની કાર્યવાહી:પ્રેમ દેવી લૂનિયા અને પાયલ ચોક્સીના નામની બે સ્થાવર મિલકત કામચલાઉ રીતે ટાંચમાં લીધી
EDએ 12મી જાન્યુઆરીના રોજ આરોપીઓ પ્રેમ દેવી લૂનિયા અને પાયલ ચોક્સીના નામે રાખવામાં આવેલી બે સ્થાવર મિલકતો કામચલાઉ રીતે હાલમાં ટાંચમાં લીધી છે. જેની રૂ. 53.50 લાખ (આશરે હાલમાં બજાર કિંમત રૂ. 4.65 કરોડ) છે. ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ દ્વારા દાખલ કરવામાં આવેલી લેખિત ફરિયાદના આધારે સીબીઆઈએ 24 મે, 2018ના રોજ મેસર્સ શ્રી ઓમ ફેબ (પ્રોપરાઇટર રણજીત લૂનિયા) અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધી હતી. ત્યારબાદ સીબીઆઈ દ્વારા 16 ડિસેમ્બર 2019ના રોજ ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી હતી. જેમાં સીબીઆઈએ શોધી કાઢ્યું હતું કે મેસર્સ શ્રી ઓમ ફેબ, મેસર્સ શ્રી બાબા ટેક્સટાઇલ અને મેસર્સ શ્રી લક્ષ્મી ફેબ તે રણજીત લૂનિયાની બધી માલિકીની કંપનીઓને રૂ. 9.95 કરોડ (NPAની તારીખ મુજબ વ્યાજ સાથે રૂ.10.932 કરોડ)ની ક્રેડિટ મર્યાદા મંજૂર કરવામાં આવી હતી. બનાવટી મૂલ્યાંકન અહેવાલ રજૂ કરીને બેંક સાથે છેતરપિંડી કરીરણજીત લૂનિયાએ પેનલ વેલ્યુઅર મયુર શાહ, બેંક અધિકારીઓ/અન્ય લોકો સાથે ગુનાહિત કાવતરું ઘડ્યું હતું. ખોટા વ્યવસાયિક રેકોર્ડ આપીને, બનાવટી દસ્તાવેજ બનાવીને લોન મેળવવા માટે ગીરવે મૂકેલી મિલકતોનો બનાવટી મૂલ્યાંકન અહેવાલ રજૂ કરીને બેંક સાથે છેતરપિંડી કરી હતી. લોનનો સોના-ચાંદીની ખરીદી અને ઘર લોનની ચુકવણીમાં કર્યોવધુમાં, લૂનિયાએ ઉક્ત રોકડ-ક્રેડિટ મર્યાદાનો ઉપયોગ વાસ્તવિક હેતુઓ માટે કરવાને બદલે, લોનના નાણાં કોઈપણ વાસ્તવિક વ્યવસાય વિના વિવિધ બેંક ખાતાઓમાં ડાયવર્ટ કર્યા, જે પછી રોકડમાં ઉપાડવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ સોના-ચાંદીની ખરીદી અને ઘર લોનની ચુકવણી વગેરે માટે કરવામાં આવ્યો હતો. 3.67 કરોડની કિંમતી વસ્તુઓ રિકવર કરવામાં આવીઉપરોક્ત FIR અને ચાર્જશીટના આધારે EDની અમદાવાદ ઝોનલ ઓફિસે PMLA, 2002 હેઠળ કેસની તપાસ કરી હતી અને અગાઉ આરોપીઓના પરિસરમાં તપાસ હાથ ધરી હતી, જેના પરિણામે આશરે રૂ. 3.67 કરોડની કિંમતી વસ્તુઓ રિકવર કરવામાં આવી હતી. પીએમએલએ તપાસ દરમિયાન, એવું બહાર આવ્યું હતું કે બે સ્થાવર મિલકતો (એક પ્રયાગ રેસિડેન્સી ખાતે અને એક સિએસ્ટા ડ્વેલિંગ ખાતે) ની હાઉસિંગ લોનની ચુકવણી લોન ખાતાઓમાંથી ભંડોળના રૂટિંગ દ્વારા કરવામાં આવી હતી અને તેથી, 12.01.2026 ના રોજનો વર્તમાન PAO જારી કરવામાં આવ્યો છે. ED દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલી મિલકતોની જપ્તી/ટાંચનું વર્તમાન બજાર મૂલ્ય આશરે રૂ. 8.30 કરોડ છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.
આગામી 26 January, 2026ના રોજ ભારત પોતાનો 77th પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યું છે. આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અમદાવાદ જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી મકરબા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કરવામાં આવશે. આ ગૌરવશાળી સમારોહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સવારે 09:00 કલાકે ધ્વજવંદન કરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપશે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર સુજીત કુમારે મકરબા ગ્રાઉન્ડની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ વિભાગોના વડાઓ સાથે સમીક્ષા બેઠક યોજીને સુરક્ષા, શિસ્ત અને વ્યવસ્થા અંગે જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં પરેડનું આયોજન, ટ્રાફિક નિયંત્રણ, આમંત્રિત મહેમાનો માટેની બેઠક વ્યવસ્થા અને વિવિધ વિભાગોના આકર્ષક ટેબ્લો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર સુજીત કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી સંપૂર્ણ ગરિમા અને આન-બાન-શાન સાથે થાય તે માટે તમામ વિભાગોએ પરસ્પર સંકલન સાધવું અનિવાર્ય છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અને નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મકરબા ખાતે અત્યારથી જ વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ધરમપુર તાલુકાના બોપી ગામે એક ખેતરના કોતરમાંથી અજાણ્યા પુરુષનું માનવ કંકાલ મળી આવ્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં સનસનાટી મચી ગઈ છે. ધરમપુર પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બોપી ગામના વડપાડા ફળિયામાં રહેતા ખેડૂત ચંદુભાઈ રાજુભાઈ દળવી (ઉં.વ. 43) 19 જાન્યુઆરી 2026ના રોજ પોતાની આંબાવાડીના ખેતરમાં સફાઈ અને લાકડા શોધવા ગયા હતા. તે દરમિયાન ખેતરની બાજુમાંથી પસાર થતા નાના ઝરણા પાસેના ખાડામાં તેમને આ માનવ કંકાલ નજરે પડ્યું હતું. ચંદુભાઈએ તાત્કાલિક ગામના સરપંચ અને આગેવાનોને આ અંગે જાણ કરી હતી. સરપંચ બાલુભાઈ જીણાભાઈ જાદવે ધરમપુર પોલીસને માહિતી આપતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.કંકાલ પર ગુલાબી રંગનું શર્ટ અને કમરે જીન્સ પેન્ટ જોવા મળ્યા છે. લાંબા સમયથી મૃતદેહ ત્યાં પડ્યો હોવાને કારણે કપડાં કાળાશ પામી ગયા છે અને શરીરના માત્ર હાડકાં જ બચ્યા છે. હાલ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. ખેડૂત ચંદુભાઈએ જણાવ્યું કે નવેમ્બર 2025 દરમિયાન જ્યારે તેઓ લણણી માટે ખેતરમાં આવતા હતા, ત્યારે આ વિસ્તારમાંથી ભારે દુર્ગંધ આવતી હતી. જોકે, નજીકમાં પોલ્ટ્રી ફાર્મ હોવાથી કોઈ મરેલું મરઘું ફેંકાયું હશે એમ સમજી તે સમયે તપાસ કરવામાં આવી નહોતી.ધરમપુર પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-174 મુજબ અકસ્માત મોતનો ગુનો નોંધી FSLની ટીમની મદદ લીધી છે. મૃતક કોણ છે અને તેનું મોત કેવી રીતે થયું તે અંગે વિસ્તૃત તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં ઇન્કમટેક્સ વિભાગે શહેરના અગ્રણી બિલ્ડર ગ્રુપો પર દરોડા પાડતાં બિલ્ડર લોબીમાં ખળભળાટ મચી ગયો છે. કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સને ત્યાં ઇન્કમટેક્સ દ્વારા રેડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સની ઓફિસ અને નિવાસસ્થાનો પર તપાસ કરવામાં આવી રહી છે. ઓફિસ અને રહેઠાણ સહિતના સ્થળોએ રેડકામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલ તથા દીપ ગ્રુપના દિનેશ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિતના ઠેકાણાઓ પર દરોડા છે. કામેશ્વર ગ્રુપના દીપેન પટેલ અને નિકુંજ પટેલની ઓફિસ તથા નિવાસસ્થાનો સહિત, દીપ ગ્રુપના દિનેશ પટેલ અને અન્ય ભાગીદારોના સ્થળોએ પણ દરોડા કરવામાં આવ્યા છે. અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓની તપાસ ચાલુ છે. આ ઓપરેશન શહેરના અલગ-અલગ 30થી વધુ જગ્યાઓ પર ઇન્કમટેક્સ અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. હાલ તપાસ પ્રક્રિયા ચાલી રહી છે. દસ્તાવેજો અને નાણાકીય રેકોર્ડ્સની ચકાસણી કરવામાં આવી રહી છે.
અમરેલીના હાલરીયામાં સિંહોનો આતંક, CCTV:ગૌશાળા પાસે શિકાર કરવા આવતા ગાયોમાં દોડધામ
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હાલરીયા ગામમાં મોડી રાત્રે બે સિંહો શિકારની શોધમાં ગૌશાળા નજીક આવી પહોંચ્યા હતા. સિંહોને જોઈને ગૌશાળામાં બાંધેલી ગાયો અને અન્ય પશુઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના ગૌશાળામાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ગોપાલ ગૌશાળા પાસે બની હતી. સિંહો ગૌશાળાના મુખ્ય દરવાજા પાસે લાંબા સમય સુધી ફરતા રહ્યા હતા. જોકે, દરવાજા બંધ હોવાને કારણે તેઓ અંદર પ્રવેશી શક્યા નહોતા. સિંહો અંદર પ્રવેશી ન શકતા કોઈ જાનહાનિ કે પશુહાનિ થઈ ન હતી. શિકાર ન મળતા બંને સિંહો ગૌશાળા પાસેથી નીકળીને રેવન્યુ વિસ્તાર તરફ રવાના થયા હતા. આ CCTV ફૂટેજ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. હાલરીયા ગામ અને આસપાસના વિસ્તારોમાં સિંહોની સતત અવરજવરને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. લોકો રાત્રિના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને સાવચેતી રાખી રહ્યા છે. આ ઘટના અંગે વન વિભાગને જાણ કરવામાં આવી છે. વન વિભાગ દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ગીર પંથકમાં સિંહોની સંખ્યા વધતા તેઓ હવે વસવાટવાળા વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે, જેના કારણે માનવ અને પશુઓની સલામતી અંગે ચિંતા વધી છે. ગ્રામજનોએ વન વિભાગ પાસે યોગ્ય પગલાં લેવા અને રાત્રિ પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે.
ભાવનગરમાં આજે એકાએક તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો 2 ડીગ્રી ગગડી 14.6 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું અને ગત રાત્રીથી જ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો,જે આજે સાવરથી પવનની ઝડપ વધી ને 8 કિલોમીટર પ્રતિ કલાક પહોંચી હતી, અને વાતાવરણ માં ભેજનું પ્રમાણ 70 ટકા રહેવા પામ્યું હતું, આજે સાવરથી એકાએક ઠંડી નું જોર વધી રહ્યું છે, આજે તાપમાનનો પારો 16.6 થીગગડીને 14.6 ડિગ્રીએ પહોંચ્યો હતો, અને ભેજ નું પ્રમાણ 70 ટકા પહોંચ્યું હતું, આમ, ઉત્તરાયણ બાદ ઠંડીનું જોર ઘટ્યું હતું પરંતુ ગઈકાલથી શહેરભરમાં ઠંડીનું પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો, ગઈકાલે રાત્રે મહત્તમ તાપમાન 27 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ તથા ભેજ 40 ટકા અને પવનની ઝડપ 12 કિલોમીટર પ્રતિ કલાક રહેવા પામી હતી, આમ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો, ઘટાડાના કારણે ઠંડીનું જોર વધ્યું હતું, આમ, ગઈકાલે લઘુત્તમ તાપમાન 16.6 ડિગ્રી હતું તે આજે 2 ડીગ્રી ઘટી ને 14.6 ડીગ્રી પહોંચ્યા હતો, આથી શિયાળાની સિઝનમાં ગઈકાલે રાત્રી થી જ લઘુતમ તાપમાનમાં ઘટાડો થતા શહેરીજનો ઠંડીનું જોર જોવા મળી રહ્યું હતું, આજ સાવરથી 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હિમભર્યા પવનો ફુંકાયો હતો, ગઈકાલ કરતા આજે એકાએક 2 ડીગ્રીમાં ઘડાડો થતાં ઠંડીનું જોર વધ્યું હતું, બપોર સુધી ઠંડા પવનો નું સામ્રાજ્ય અકબંધ જોવા મળ્યું હતું, લોકો ઘર બહાર નીકળતા પૂર્વે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા.
ગાંધીનગરના સૌથી વ્યસ્ત ગણાતા સેક્ટર-21ના શાકમાર્કેટ વિસ્તારમાં તસ્કરોએ જાણે પોલીસનો ભય રહ્યો ન હોય તેમ ભરબજારમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. માર્કેટમાં આવેલ કેરલા એગમાર્ક નામની દુકાનના ડ્રોઅરમાંથી તસ્કરો રૂ. 1.62 લાખની રોકડ ચોરી કરી આસાનીથી પલાયન થઈ જતા બજારની સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. આ અંગે સેકટર 21 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દુકાનનું ડ્રોઅર ખોલતા વકરાના પૈસા ગાયબ હતાંગાંધીનગરના સેક્ટર-21 શાકમાર્કેટમાં હંમેશા લોકોની અવરજવર રહેતી હોય છે, તેમ છતાં તસ્કરોએ આ વિસ્તારમાં હાથફેરો કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કેરલા એગમાર્ક નામની દુકાન માલિક રીયાઝબાબુ સૈયદ અલ્વી ગત ત્રીજી જાન્યુઆરી પરિવાર સાથે વતન કેરલા ગયા હતા. તેમની ગેરહાજરીમાં દુકાનનો વહીવટ કર્મચારી ચંદ્રકુમાર પરિયાણી સંભાળી રહ્યો હતો. ત્યારે ગત 15મીએ તેણે ઈંડાની ગાડી આવતા નાણાં ચૂકવવા માટે દુકાનનું ડ્રોઅર ખોલ્યું હતું. ત્યારે તેમાં મૂકેલા વકરાના 1,62,000રૂપિયા ગાયબ જણાતા તેના હોશ ઉડી ગયા હતા. ભીડભાડ વાળા વિસ્તારમાં આટલી મોટી રકમની ચોરી અંગે તેણે તુરંત જ માલિક રિયાઝબાબુને આ અંગે ફોન પર જાણ કરી હતી. પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધ્યોબાદમાં આસપાસના લોકો અને કામ કરતા માણસોની પૂછપરછ છતાં કોઈ કડી મળી ન હતી. આખરે રિયાઝબાબુએ 21 પોલીસમથકમાં અજાણ્યા તસ્કર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધીને બજારના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે.
મહેસાણા શહેરમાં ગત રાત્રે કારમાં અને લોડિંગ વહિકલમાં આગ લાગવાની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવતા હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. પ્રથમ ઘટના મોઢેરા અંડરપાસ પાસે બની હતી, જ્યાં GJ-08-AY-0048 નંબરના છોટા હાથીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જ્યારે બીજી ઘટના મેવડ ટોલ ટેક્સ પાસે બની હતી, જેમાં એક અર્ટિગા કાર GJ-27-EC-7659ના બોનેટના ભાગે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે અર્ટિગા કારમાં સવાર તમામ મુસાફરો સમયસૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની જાણ થતાં જ મહેસાણા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક બંને સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં ફર્નિચર અને ગાડી બળીને ખાખપ્રથમ ઘટનામાં ભરતભાઈ મકવાણા નામના વ્યક્તિ પોતાની GJ08AY0086 નંબરના છોટા હાથીમાં અમદાવાદથી ફર્નીચર અને સ્કૂટી ભરીને પાલનપુર જઇ રહ્યા હતા. એ દરમિયાન મહેસાણાના મોઢેરા અંડર પાસમાં જ્યારે આ વાહન પસાર થઈ રહ્યું હતું, એ દરમિયાન અચાનક નીચેથી આગ લાગી હતી. આગ લાગતા ડ્રાઇવર તાત્કાલિક બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ ત્યાં હાજર લોકોએ મહેસાણા મનપાના ફાયર વિભાગને જાણ કરતા ટીમ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગમાં ફર્નિચર અને ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનામાં કોઈને પણ જાનહાની થઈ નથી. પછળની કારના ચાલકે હોર્ન મારથા જાનહાની ટળીબીજી ઘટના મહેસાણાના મેવડ ટોલ નાકા પાસે રાત્રે દોઢ વાગે બની હતી. જ્યાં એક GJ27EC7659 નબરની આર્ટિગા ગાડીમાં આગ લાગતા ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. સમગ્ર બાબતે ગાડીમાં સવાર વિનોદભાઈએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે હું અને મારો મિત્ર અમદાવાદથી ડીસા જઇ રહ્યા હતા. એ દરમિયાન મહેસાણાના મેવડ ટોલ નાકા પાસે થોડો ટ્રાફિક હતો. એ ટ્રાફિકમાંથી બહાર આવ્યા એ દરમિયાન પાછળની ગાડી વાળાએ હોર્ન મારીને અમને જાણ કરી હતી કે, તમારી ગાડીમાંથી ધૂમાડા નીકળે છે. ત્યારબાદ અમે ગાડી સાઈડમાં કરી બોઈનેટ ખોલતા એમાં આગ લાગેલી હતી. ત્યારબાદ 112 પર જાણ કરતા ફાયર પોલીસ અને એમ્બ્યુલન્સ આવી ગઈ હતી. ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ત્યારબાદ આગ કાબુમાં આવી હતી, જોકે આગ લાગવાને કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.
વડોદરા શહેરના યાકુતપુરા મદાર મહોલ્લા ખાતે 50 વર્ષથી રહેતા રહીશોના મકાનો તોડી પાડવા માટે નોટિસો બજાવાઈ હતી. આજે(20 જાન્યુઆરી) આ ડિમોલિશન માટે કલેક્ટર અને અન્ય ટીમો સ્થળ પર પોલીસના ચાંપતા બંદોબસ્ત વચ્ચે પહોંચી છે. મામલાની ગંભીરતા જોતા DCP કક્ષાના અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. યાકુતપુરામાં મગરસ્વામી આશ્રમ પાસે આવેલા મદાર મહોલ્લાના રહીશોએ ગઈકાલે કલેક્ટરને આવેદનપત્ર આપીને વૈકલ્પિક વ્યવસ્થાની રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર વિસ્તાર અતિ સંવેદનશીલ હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.
અમદાવાદ શહેરમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે શાહીબાગ અંદરબ્રિજ 5 દિવસ માટે બંધ કરવામાં આવશે. ટ્રાફિક વિભાગના જાહેરનામા મુજબ, શાહીબાગ અંડરબ્રિજ ઉપર બુલેટ ટ્રેનના સેગમેન્ટ લગાવવાની અને પાયલોટીંગની કામગીરી માટે 23 જાન્યુઆરી રાત્રે 08:00 વાગ્યાથી લઈને 28 જાન્યુઆરી રાત્રે 12:00 વાગ્યા સુધી આ બ્રિજના ત્રણેય પ્રવેશ અને બહાર જવાના માર્ગો બંધ રહેશે. નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશેનાગરિકોને હાલાકી ન પડે તે માટે વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. દિલ્હી દરવાજાથી એરપોર્ટ જવા હવે શિલાખેલથી રિવરફ્રન્ટ જવું પડશે. એરપોર્ટ ગાંધીનગર તરફથી રિવરફ્રન્ટનો ઉપયોગ કરી અલગ-અલગ માર્ગે જઈ શકાશે. તેમજ અસારવા, ગીરધરનગર, દિલ્હી દરવાજા, કાલુપુર તરફ જવું હોય તો શાહીબાગ થઈ મહાપ્રજ્ઞજીબ્રીજનો ઉપયોગ શકાશે. અસારવાથી ગાંધીનગર જવા હવે આર્મી કેન્ટોન્મેન્ટ ફરવું પડશે. અગાઉ પણ અંડરબ્રિજ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ તે મોકૂફ રાખવામાં આવ્યો હતો.
કચ્છના આદિપુરમાં આહિર સમાજના દાનવીર બાબુભાઈ ભીમાભાઈ હુંબલ દ્વારા બ્રહ્મ સમાજના પરિવારો માટે ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. માતૃશ્રી ખીમીબેન ભીમાભાઈ હુંબલની પ્રેરણાથી યોજાયેલા આ પ્રસંગે બ્રહ્મ સમાજની 102 દીકરીઓના કન્યાદાન થયા. કચ્છમાં એક જ સ્થળે આટલી મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના સમૂહ લગ્ન પ્રથમવાર યોજાયા હતા. આ ઐતિહાસિક અવસરે 102 નવદંપતીઓએ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પવિત્ર લગ્નના બંધને બંધાયા. આ ઉપરાંત, 168 બટુકોએ યજ્ઞોપવીત ધારણ કરી હતી. શુભ વિવાહની માંગલિક વિધિ આચાર્ય શાસ્ત્રી કપિલ ત્રિવેદી, સહયોગી વિનોદચંદ્ર જે. રાવલ અને દીપકભાઈ રાવલે સંપન્ન કરાવી. પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, જીગ્નેશ દાદા, તેમજ અન્ય વિદ્વાન કથાકારો, સંતો અને મહંતોએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા. રાજકીય, સામાજિક અને ઔદ્યોગિક જગતના અનેક મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા. વહેલી સવારથી જ સ્થાનિક પરિવારો ઉપરાંત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને બિહાર પ્રાંતના યજમાન પરિવારો સંતાન વિવાહ પ્રસંગે લગ્નવિધિમાં જોડાયા. લગભગ 25 હજારથી વધુ લોકો આ ઐતિહાસિક પળના સાક્ષી બન્યા. સમૂહ લગ્નોત્સવની વ્યવસ્થા દાતા પરિવાર અને કચ્છ બ્રહ્મ સમાજના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ દ્વારા સંભાળવામાં આવી. આ સફળ આયોજન બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત રાજ્યમંત્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી. એડવોકેટ અને નોટરી કથાકાર દિનેશચંદ્ર જે. રાવલે માર્ગદર્શન પૂરું પાડ્યું. દાતા પરિવાર વતી બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, જખાભાઈ હુંબલ અને બહેન જખુબેન ગગુભાઈ મ્યાત્રા (શ્રી રામ સોલ્ટ) એ સર્વે સહયોગીઓ, યજમાનો અને મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો.
સુરતના પાંડેસરામાં બનેલી આ ઘટના કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. એટીએમ કાર્ડ બદલીને છેતરપિંડી કરતી UPની રીઢા ગુનેગારોની ટોળકીને પકડવા માટે સુરતના લેડી કોન્સ્ટેબલ કેશવીબેને ગજબની સૂઝબૂઝ બતાવી હતી. જ્યારે પોલીસને બાતમી મળી કે, ATM બદલી લોકોને લૂંટતા આરોપીઓ જીયાવ ગામમાં છુપાયા છે, ત્યારે તેઓ સતર્ક ન થઈ જાય તે માટે કેશવીબેને ડોક્ટરનો સફેદ એપ્રોન પહેરી વેશપલટો કર્યો હતો. બીમારીની તપાસ કરવાના બહાને તેઓ આરોપીઓના મકાનમાં પ્રવેશ્યા અને ખાતરી કરી કે પાંચ આરોપી અંદર જ છે. જે બાદ તેઓએ ટીમને સિગ્નલ આપતા અન્ય પોલીસકર્મીઓએ આ ટોળકીને દબોચી લીધી હતી. મહિલા કોન્સ્ટેબલની આ નવતર પદ્ધતિને કારણે જ આ ઓપરેશન સફળ રહ્યું અને ગુનેગારોને ગંધ પણ ન આવી. માસૂમ શ્રમજીવીઓને નિશાન બનાવતી 'કાર્ડ સ્વાઈપ' ગેંગઆ ગેંગની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતકી અને ચાલાકીભરી હતી. તેઓ ખાસ કરીને પાંડેસરા અને સચિન GIDC જેવા વિસ્તારોના ATM સેન્ટરો પર વોચ રાખતા હતા. જે ભોળા અને અભણ શ્રમજીવીઓને પૈસા ઉપાડતા ન ફાવતું હોય, તેમને મદદ કરવાના બહાને તેઓ વિશ્વાસમાં લેતા. આ દરમિયાન તેઓ નજર ચૂકવીને પિન નંબર જોઈ લેતા અને અસલી કાર્ડ બદલીને પોતાની પાસેનું નકલી કાર્ડ પધરાવી દેતા હતા. મિનિટોમાં જ ગરીબ મજૂરોની આખી જિંદગીની મૂડી તેમના ખાતામાંથી સાફ થઈ જતી હતી. છેલ્લા 6 મહિનાથી આ ટોળકીએ અનેક લોકોના ખિસ્સા ખાલી કર્યા હતા. 150 એટીએમ કાર્ડ અને રોકડ સાથે આંતરરાજ્ય ગેંગ ઝડપાઈલેડી કોન્સ્ટેબલના સિગ્નલ બાદ પોલીસે ઘેરો બનાવીને 5 આરોપીને દબોચી લીધા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે આરોપીઓ પાસેથી 150 જેટલા વિવિધ બેંકોના ATM કાર્ડ મળી આવ્યા હતા. આ ઉપરાંત 57,000ની રોકડ અને 5 મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓ વતન ઉત્તર પ્રદેશ ભાગવાની ફિરાકમાં જ હતા, પરંતુ તે પહેલા જ પોલીસના પાંજરે પુરાઈ ગયા. આ સફળતાથી પાંડેસરા, સચિન અને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 5 જેટલા ગંભીર ગુનાનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે અને કુલ 1,10,000નો મુદ્દામાલ કબજે કરાયો છે. યુપીના રીઢા ગુનેગારો અને મુખ્ય સૂત્રધારનો પર્દાફાશઝડપાયેલી આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર 26 વર્ષીય રામપૂજન ઉર્ફે સૌરભ સરોજ છે, જેની સામે અગાઉ હત્યાના પ્રયાસ અને ગેંગસ્ટર એક્ટ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની સાથે અનિલ (26 વર્ષ), વિશાલ (25 વર્ષ), રાહુલ (24 વર્ષ) અને વિકાસ (26 વર્ષ) નામના શખ્સો પણ સામેલ હતા, જેઓ મૂળ ઉત્તર પ્રદેશના આઝમગઢના વતની છે. આ ટોળકી સુરતના આવાસમાં રહીને ગુનાહિત પ્રવૃત્તિઓ ચલાવતી હતી. રામપૂજનના નેતૃત્વમાં આ ગેંગ ખૂબ જ વ્યવસ્થિત રીતે છેતરપિંડીનું જાળ બિછાવતી હતી. સુરત પોલીસની સમયસૂચકતાએ આ આંતરરાજ્ય ગેંગના મૂળિયા ઉખેડી નાખ્યા છે.
જામનગર નજીક બસ-ટેન્કર અકસ્માત, 36 મુસાફર સુરક્ષિત:અડાલજની ટૂરિસ્ટ બસ રોડ નીચે ઉતરી, કોઈ જાનહાનિ નહીં
જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ખીજડીયા બાયપાસ નજીક આજે વહેલી સવારે અડાલજથી આવતી એક ટૂરિસ્ટ બસ અને ઓક્સિજન ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી, પરંતુ બસમાં સવાર તમામ ૩૬ મુસાફરો સુરક્ષિત છે. આ અકસ્માત સવારે ૫:૫૫ વાગ્યાના અરસામાં બન્યો હતો. અડાલજથી જામનગર તરફ આવી રહેલી GJ-03-AZ-0642 નંબરની બસ ઓક્સિજન ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે બસ રોડ પરથી નીચે ઉતરીને એક તરફ નમી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ઓફિસરો ઉમેદ ગામેતી, રાકેશ ગોકાણી, કામિલ મહેતા અને જયંતિ ડામોર સહિતની ટીમે બસમાં ફસાયેલા તમામ ૩૬ યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ અકસ્માતમાં કોઈ પણ મુસાફરને ઈજા થઈ ન હતી કે કોઈ જાનહાનિ થઈ ન હતી. પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો:કમલાબાગ પોલીસે બે વાહન સાથે ત્રણ આરોપી ઝડપ્યા
પોરબંદર શહેરમાં કમલાબાગ પોલીસે એક વર્ષથી વધુ સમયથી વણશોધાયેલા મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે બે મોટરસાયકલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા વાહનોની અંદાજિત કિંમત 40,000 રૂપિયા છે. ઝડપાયેલા આરોપીઓમાં કિશન ગોરધનભાઈ સાડમીયા, નવઘણ રામજીભાઈ સાડમીયા અને બહાદુર ગોરધનભાઈ સાડમીયાનો સમાવેશ થાય છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા અપાયેલી માહિતી મુજબ, સંયુક્ત બાતમીના આધારે સર્વેલન્સ સ્ટાફને જાણ થઈ હતી કે પોરબંદરના છાંયા વિસ્તારમાં આવેલા એસ.એસ.સી. ભીમનાથ મહાદેવ મંદિર પાછળ ત્રણ શંકાસ્પદ વ્યક્તિઓ બે મોટરસાયકલ સાથે ઊભા છે. આ માહિતી મળતા જ પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચી પોલીસે ત્રણેય શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ કાળા રંગની હીરો કંપનીની એક મોટરસાયકલ ચોરી કર્યાની કબૂલાત કરી હતી. આ મોટરસાયકલ ચોરી અંગે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11218009250079/2025 મુજબ ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 303(2) હેઠળ ગુનો નોંધાયેલો હતો, જે લાંબા સમયથી વણશોધાયેલો હતો. આ ઉપરાંત, આરોપીઓ પાસેથી મળેલી બીજી એક મોટરસાયકલ અંગે પોલીસે યુક્તિપૂર્વક પૂછપરછ કરી હતી. જોકે, આરોપીઓ આ મોટરસાયકલ અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. આથી, પોલીસે કાળા રંગની સફેદ પટ્ટાવાળી હીરો કંપનીની આ મોટરસાયકલ પણ છળકપટથી અથવા ચોરી દ્વારા મેળવવામાં આવી હોવાની શંકાના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023ની કલમ 106 મુજબ શંકાસ્પદ મિલકત તરીકે જપ્ત કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરી છે. આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ, તેમજ અન્ય ચોરીના બનાવોમાં આ આરોપીઓની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. કમલાબાગ પોલીસની આ કાર્યવાહીથી વિસ્તારમાં ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
પોલેન્ડમાં નોકરી અને વર્ક વિઝાના બહાને 2 આરોપીએ મળીને 9 લોકો સાથે 6.69 લાખ રૂપિયાની ઠગાઈ કરી છે. આ મામલે મહિલાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપીઓએ પોલેન્ડના વર્સો સિટીમાં પ્લેટિનમ હોસ્પિટલમાં કેરટેકરની નોકરીની લાલચ આપી હતી. પગાર 1.10 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું. વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલા ગ્રીનફિલ્ડ-3માં રહેતા અલ્પાબેન નગીનભાઈ પટેલ (ઉંમર 56) એ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2022માં તેઓ દુબઈમાં 9 મહિના માટે ગાર્મેન્ટમાં નોકરી કરવા ગયા હતા. ત્યાં તેઓ શિલ્પાબેન કૈલાસભાઈ રાજપુત (રહે. વાડી ખેડકર ફળીયા, મરાઠીવાડી, વડોદરા) સાથે સાથે રહેતા અને કામ કરતા હતા. નવેમ્બર 2022માં પરત ફર્યા બાદ તેમની વચ્ચે કોઈ સંપર્ક નહોતો. એપ્રિલ 2025માં શિલ્પાબેન અચાનક અલ્પાબેનના ઘરે આવ્યા અને પોલેન્ડના વર્સો સિટીમાં પ્લેટિનમ હોસ્પિટલમાં કેરટેકરની નોકરીની લાલચ આપી હતી. પગાર 1.10 લાખ રૂપિયા મળશે તેમ કહ્યું હતું. અલ્પાબેન તેમનો મોબાઈલ નંબર આપ્યો અને શિલ્પાબેનનો નંબર લીધો હતો. તા. 09/04/2025ના રોજ ફરિયાદી શિલ્પાબેનના ઘરે ગયા અને ત્યાંથી સેમ્યુઅલ ક્રિશ્ચન (રહે. 104, આસોપાલવ એપાર્ટમેન્ટ, સોમા તળાવ, ડભોઈ રોડ, કપુરાઇ ચોકડી પાસે)ના ઘરે લઈ ગયા. સેમ્યુઅલે પણ પોલેન્ડમાં કેરટેકરની નોકરી અને 15 દિવસમાં મોકલવાની વાત કરી. વિઝા ફી રૂ. 37,500 જણાવી હતી, જે પંદર દિવસમાં ન મળતા પરત કરી દીધી હતી. તા. 13/07/2025થી સેમ્યુઅલે ફરીથી સંપર્ક કર્યો અને નોકરીની વાત કરી. ફરિયાદીએ 38,500 રૂપિયા સેમ્યુઅલની પત્ની આનંદ સેમ્યુઅલ ક્રિશ્ચનના નામે ટ્રાન્સફર કર્યા હતા. તા. 06/09/2025ની ટિકિટ અને 2 મહિનાના વિઝિટર વિઝા આપ્યા હતા, પરંતુ વર્ક પરમિટ વિઝા આપ્યા નહોતા. મહિલાએ પૈસા પરત માગતા પૈસા પરત કર્યા નહોતા અને ખોટા વાયદા કર્યા હતા. ત્યારબાદ મહિલાને ખબર પડી કે, આરોપીઓએ અન્ય લોકો સાથે પણ આવી જ છેતરપીંડી કરી છે. કોની સાથે કેટલી ઠગાઈ કરી 1. શીતલબેન હરીભાઈ રાજપુત (રહે. 199 ગાયત્રીનગર, ગુરુકુલ વિદ્યાલય પાસે, હરણી, વડોદરા) – રૂ. 87,560/- 2. ક્રુપાંશી મનુભાઈ વાઘેલા (રહે. પન્નાલાલની ચાલ, છાણી રોડ, વડોદરા) – રૂ. 1,23,000/- 3. રાકેશભાઈ ગણેશભાઈ પટેલ (રહે. C/403, સોનલ હાઈલેન્ડ, નારાયણ ગાર્ડન રોડ, ગોત્રી, વડોદરા) – રૂ. 1,30,000/- 4. દક્ષાબેન ભયજીભાઈ પરમાર (રહે. B/12, VMC કોલોની, અમીન પાર્ટી પ્લોટ પાસે, ગોત્રી, વડોદરા) – રૂ. 38,000/- (રૂ. 5,000/- પરત મળ્યા) 5. વિભુતીબેન ત્રીભોવનભાઈ મકવાણા (રહે. 203 ઓમકારા હાઈટ્સ, રેડ પેટલ રોડ, સેવાસી કેનાલ, વડોદરા) – રૂ. 51,000/- (રૂ. 10,000/- પરત મળ્યા) 6. જયાબેન સંજયભાઈ બિહારી (રહે. B/2 મારુતિનંદન સોસાયટી, પાણીની ટાંકી પાસે, અટલાદરા, વડોદરા) – રૂ. 71,000/- 7. દામીનીબેન મહેન્દરભાઈ ગુરુમ (રહે. 17/477 મંગલદીપ ફ્લેટ, ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગોરવા, વડોદરા) – રૂ. 95,000/- 8. ક્રુષ્ણાકુમાર અલ્પેશભાઈ ત્રીવેદી (રહે. D/102 સહજાનંદ રેસિડેન્સી, ચંદ્રમોલેશ્વરનગર પાસે, ગોત્રી, વડોદરા)ની માતા કાજલબેન – રૂ. 35,000/- (રૂ. 5,000/- પરત મળ્યા) આરોપીઓએ 9 લોકો સાથે 6,69,060 રૂપિયાની છેતરપીંડી કરી છે. આ મામલે શિલ્પાબેન રાજપુત અને સેમ્યુઅલ ક્રિશ્ચન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ધારપુર હોસ્પિટલમાં બ્લેક ફંગસના દર્દીની સફળ સર્જરી:60 વર્ષીય વૃદ્ધને ચહેરા પર ચીરા વગર નવજીવન મળ્યું
પાટણની ધારપુર GMERS હોસ્પિટલમાં 60 વર્ષીય મ્યુકોરમાયકોસીસ (બ્લેક ફંગસ)ના દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે. નિષ્ણાત તબીબોની ટીમે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરીને દર્દીને નવજીવન બક્ષ્યું છે. 14 દિવસની સઘન સારવાર બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાટણ જિલ્લાના હાંસાપુરના 60 વર્ષીય શ્રવજીભાઈ પુનાભાઈ ઠાકોરને બ્લેક ફંગસના ગંભીર લક્ષણો જેવા કે નાક અને ચહેરા પર સોજો, પરુ, આંખે ઝાંખપ અને તાવ સાથે 17 ડિસેમ્બર, 2025ના રોજ ધારપુરની GMERS હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની ગંભીર સ્થિતિને જોતા, સૌપ્રથમ ડાયાબિટીસ નિયંત્રણમાં લેવામાં આવ્યું. MRI રિપોર્ટના આધારે, નિષ્ણાત તબીબો દ્વારા આધુનિક દૂરબીન અને કોબલેશન મશીન વડે ઓપરેશન કરવાનો નિર્ણય લેવાયો. આ સર્જરીમાં ચહેરાના બહારના ભાગે કોઈ ચીરા કે ટાંકા લીધા વગર નાકના સાઇનસ અને આંખની આસપાસ ફેલાયેલી ફૂગ અને રસીને સફળતાપૂર્વક દૂર કરવામાં આવી હતી. ડીન ડૉ. હાર્દિક શાહના માર્ગદર્શન હેઠળ ENT વિભાગના નિષ્ણાત તબીબ ડૉ. ભગીરથસિંહ પરમાર અને ડૉ. ચિરાગ સોલંકીની ટીમે આ જટિલ ઓપરેશન પાર પાડ્યું હતું. આ ઉપરાંત, એનેસ્થેસિયા અને મેડિસિન વિભાગના તબીબોએ પણ દર્દીની સઘન દેખરેખ રાખી હતી. ઓપરેશન બાદ દર્દીને Liposomal Amphotericin-B નામના અત્યંત મોંઘા અને જરૂરી ઇન્જેક્શનનો 14 દિવસનો કોર્સ આપી સઘન સારવાર આપવામાં આવી. તબીબી અધિક્ષક ડૉ. પારુલ શર્મા દ્વારા સારવાર માટે જરૂરી ઇન્જેક્શન અને અન્ય તબીબી સાધનસામગ્રી તાત્કાલિક ઉપલબ્ધ કરાવી સહયોગ આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ દર્દીને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે વોંકળામાંથી પિતા પુત્રની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ગત 16 તારીખના રોજ ખેતમજૂરી કરતા પરપ્રાંતીય શખ્સને દારૂ પીધા બાદ પત્ની સાથે બોલાચાલી થઇ હતી બાદમાં પિતા પુત્ર ગુમ થયાની જાણ પોલીસને કરવામાં આવી હતી દરમિયાન ગઈકાલે મોડી રાત્રે કુવામાંથી બન્નેના મૃતદેહ મળી આવતા પોલીસે મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક વોંકળામાં નાહવા પડ્યો હોય જેને બચાવવા જતા બન્ને ડૂબી જવાથી મોત નિપજ્યાનું સામે આવ્યું છે પરંતુ આ બનાવમાં પિતા પુત્ર સાથે વોંકળામાં ઝંપલાવ્યું હતું કે અન્ય કોઈ કારણ છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ફોરેન્સિક પી રિપોર્ટ બાદ ચોક્કસ કારણ સામે આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખોખરી ગામે વોંકળામાં ડૂબી જવાથી પિતા પુત્રના મોત નિપજ્યા છે. ખોખરી ગામે અનિરુદ્ધસિંહ જાડેજાની વાડીમાં મધ્યપ્રદેશનો ડાવર પરિવાર ખેતમજૂરી કામ કરતો હતો જેમાં રાજેશભાઈ જુવાનસીંગ ડાવર (ઉ.વ.27), પત્ની રેણુકા ડાવર અને પુત્ર અરુણ રાજેશભાઈ ડાવર (ઉ.વ.6)નો સમાવેશ થાય છે. ગત તારીખ 16 જાન્યુઆરીના રોજ પતિ રાજેશ દારૂ પીધેલી હાલતમાં પત્ની સાથે બોલાચાલી કરતો હતો અને બાદમાં ઘરેથી નિકળી ગયો હતો જે અંગે પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. આ દરમિયાન ગઈકાલે મોડી રાત્રે રાજેશ અને પુત્ર અરુણની લાશ ખોખરી ગામે વોંકળામાંથી મળી આવતા બન્નેના મૃતદેહને કોહવાયેલી હાલતમાં બહાર કાઢવામાં આવ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી પોલીસને જાણ કરવામાં આવી હતી જે બાદ પોલીસે બન્નેના મૃતદેહને ફોરેન્સિક પોસમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળક વોંકળામાં નાહવા પડ્યો હોય જેને બચાવવા જતા પિતા રાજેશએ પણ વોંકળામાં ઝંપલાવ્યું હોવાં કહેવામાં આવી રહ્યું છે જેમાં ડૂબી જવાથી બન્ને પિતા-પુત્રના મોત નિપજ્યાનું સામે આવ્યું છે જો કે આ બનાવમાં પિતા પુત્ર સાથે વોંકળામાં ઝંપલાવ્યું હતું કે પછી અન્ય કોઈ કારણ છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર પલટો લેવાની તૈયારીમાં છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાનમાં પલટો આવશે. ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, 20 જાન્યુઆરી સુધી ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં કડકડતી ઠંડી અને ઘન ધુમ્મસ યથાવત્ રહેશે. ત્યારબાદ પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પડી શકે હવામાન વિભાગે માહિતી આપી છે કે, આગામી એક અઠવાડિયામાં ત્રણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ અસર હેઠળ જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પણ પડી શકે છે. જોકે, હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ રાજ્યમાં હવામાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા હાલ દેખાતી નથી. સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધારેરાજ્યના વિવિધ વિસ્તારોના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો-ઘટાડો નોંધાયો છે. આજે નલિયા 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે પોરબંદર, રાજકોટ અને અમરેલીમાં પણ વધુ ઠંડી નોંધાઈ છે. હાલમાં રાજ્યમાં ઠંડી યથાવત્ છે અને આગામી દિવસોમાં કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જો વાદળછાયું વાતાવરણ થશે તો રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે વિજ્ઞાન વિદ્યાશાખા દ્વારા પાંચ દિવસીય નેશનલ વર્કશોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ ક્રાફ્ટિંગ નોલેજ: વર્કશોપ ઓન મટીરીયલ કેરેક્ટરાઇઝેશન ટેકનીકસ વિષય પર 19 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે. તેનું આયોજન રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર વિભાગ તથા કે.સી.જી. અંડર પ્રમોશન ઓફ રિસર્ચ ફેસીલીટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે થયું છે. યુનિવર્સિટીના કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ આ વર્કશોપનું ઉદ્ઘાટન થયું. ઉદ્ઘાટન સત્રમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના કુલપતિ પ્રો. ઉત્પલભાઈ જોશી કી નોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રજીસ્ટ્રાર ડૉ. અનિલભાઈ સોલંકી, સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, વડોદરાના ડીન પ્રો. કે. એલ. અમેટા અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ભૌતિકશાસ્ત્ર વિભાગના વડા પ્રો. આઈ. બી. પટેલ પણ હાજર રહ્યા હતા. વર્કશોપના આરંભમાં ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મોનિકભાઈ જાનીએ વક્તાઓનો પરિચય આપી વર્કશોપના ઉદ્દેશ્ય અને અપેક્ષિત પરિણામો વિશે માહિતી આપી હતી. અધ્યક્ષીય સંબોધનમાં કુલપતિ પ્રો. હરિભાઈ કાતરીયાએ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સંશોધન કરવા, વિવિધ ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરી સંશોધનને પ્રભાવશાળી બનાવવા તથા પ્રતિષ્ઠિત જર્નલમાં પ્રકાશિત કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. કી નોટ સ્પીકર પ્રો. ઉત્પલભાઈ જોશીએ સંશોધનાર્થીઓને એડવાન્સ ટેકનોલોજી અને AI જેવા ટૂલ્સનો ઉપયોગ કરીને ગુણવત્તાયુક્ત અને અદ્યતન સંશોધન કેવી રીતે કરી શકાય તે વિશે માહિતગાર કર્યા હતા. ઉદ્ઘાટન સત્રનું સંચાલન ડૉ. હેમંતભાઈ પ્રજાપતિએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ રસાયણશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ પ્રો. ડૉ. જીગ્નેશ રાવલે કરી હતી. આ વર્કશોપમાં કુલ 60 સંશોધનાર્થીઓ પાંચ દિવસ સુધી ભાગ લેશે. વર્કશોપના પ્રથમ દિવસે પ્રો. ડૉ. કે. એલ. અમેટા અને પ્રો. ડૉ. આઈ. બી. પટેલ દ્વારા વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા.
વડોદરા શહેરમાં ટ્રાફિક અને રસ્તાના કામોને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા એક મહત્ત્વની જાહેર નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ગોરવા વિસ્તારમાં ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી અને ત્યારબાદ નવા રોડના નિર્માણને પગલે વાહનચાલકો માટે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગેની નોટિફિકેશનવડોદરા શહેરના ગોરવા પંચવટી કેનાલથી ઝુબી સર્કલ સુધી એક માર્ગ ડ્રેનેજ લાઇન નાખવાના કારણે રસ્તો ખરાબ થયેલ હોય, તેને સંપૂર્ણ ખોદાણ કરી નવેસરથી બનાવવાની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી આગામી 20 જાન્યુઆરીથી આગામી એક મહિના સુધી ચાલશે. જેના કારણે અહીંથી પસાર થતાં રાહદારીઓ અને વાહનચાલકોએ અન્ય એક માર્ગ પર બંને તરફનો ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગેની નોટિફિકેશન પાલિકાએ જાહેર કરી છે. પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકેઆ કામગીરી દરમિયાન રસ્તાનો એક ટ્રેક સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન બીજા ટ્રેક પરથી જ બંને તરફના ટ્રાફિકની અવરજવર કરવાની રહેશે. કોર્પોરેશનના રોડ શાખા દ્વારા જાહેર જનતાને આ કામગીરીમાં સહકાર આપવા અને વૈકલ્પિક વ્યવસ્થાનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. એક જ ટ્રેક પર બંને બાજુનો ટ્રાફિક હોવાથી આ માર્ગ પર પીક અવર્સમાં ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ શકે છે, જેથી વાહનચાલકોએ સાવચેતી પૂર્વક પસાર થવા જણાવવામાં આવ્યું છે.
BMCમાં મોટો 'ખેલ' થઈ જશે! મેયર અંગે ઉદ્ધવ જૂથના દાવાએ ભાજપ-શિંદે સેનાનું ટેન્શન વધાર્યું
BMC Mayor Race Twist : દેશની સૌથી મોટી અને ધનિક નગરપાલિકા BMCની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે અને મહાયુતિ ગઠબંધને બહુમતીનો આંકડો પણ પાર કરી લીધો છે. તેમ છતાં, મુંબઈના મેયર પદની રેસમાં હવે એક મોટો ટ્વિસ્ટ આવ્યો છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના (UBT) એ દાવો કર્યો છે કે વિપક્ષ બહુમતીથી માત્ર 6 બેઠકો જ દૂર છે અને મુંબઈના રાજકારણમાં ગમે ત્યારે 'ખેલ' થઈ શકે છે. ઉદ્ધવ જૂથનો મોટો દાવો, 6 બેઠકોથી બદલાઈ શકે છે બાજી શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે આ દાવા સાથે રાજકીય ગરમાવો વધારી દીધો છે.
સોના-ચાંદીએ રચ્યો ઇતિહાસ: ચાંદી ₹3.13 લાખને પાર, સોનું ₹1.46 લાખની સર્વોચ્ચ ટોચે
Silver and Gold Latest Rate : ભારતીય વાયદા બજાર (MCX) માં મંગળવારે, 20 જાન્યુઆરી, 2026 ના રોજ સોના અને ચાંદીના ભાવે તમામ જૂના રેકોર્ડ તોડીને નવી ઐતિહાસિક સપાટી બનાવી છે. રોકાણકારોની ભારે ખરીદીને કારણે બંને કિંમતી ધાતુઓમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ચાંદીમાં ઐતિહાસિક ઉછાળો, ₹3.13 લાખને પાર આજના કારોબારમાં ચાંદીએ અભૂતપૂર્વ તેજી દર્શાવી છે.
સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ સવજી કોરાટ બ્રિજ પરથી એક યુગલે તાપી નદીમાં પડતું મૂક્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ફાયર વિભાગ દ્વારા બોટ લઈને હાલ તાપી નદીમાં સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે. યુગલે બ્રિજ પર પહોંચી તાપી નદીમાં ઝંપલાવ્યુંમળતી માહિતી મુજબ, આજે સવારે આશરે 7:30 વાગ્યાના સુમારે એક યુગલ સવજી કોરાટ બ્રિજ પર આવ્યું હતું અને અચાનક જ કોઈ અગમ્ય કારણોસર બંનેએ સાથે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ત્યાંથી પસાર થતાં લોકો આ જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને સમય સૂચકતા વાપરી તુરંત ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરીઘટનાની ગંભીરતાને જોતા મોટા વરાછા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર સિદ્ધાર્થ ગઢવી પોતાની ટીમ અને જરૂરી સાધનો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો દ્વારા બોટની મદદથી નદીના વહેણમાં કપલની શોધખોળ હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે કલાકથી વધુ સમયથી ફાયરની ટીમ નદીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. નદીના ઊંડા પાણીને લીધે શોધખોળમાં મુશ્કેલી પડી રહી છે. હજુ સુધી આ યુગલનો કોઈ પતો લાગ્યો નથી. યુગલ અંગે હજું કોઇ જાણકારી મળી નથીઆ યુગલ કોણ હતું અને તેમણે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. ફાયર વિભાગ દ્વારા શોધખોળ પૂર્ણ થયા બાદ અથવા કોઈ ભાળ મળ્યા બાદ પોલીસ આ મામલે તપાસ તેજ કરશે. એક મહિના અગાઉ ધો-12 કોમર્સની વિદ્યાર્થિનીએ તાપી નદીમાં પડતું મુક્યું હતું સુરતમાં વરાછા વિસ્તારના એ. કે. રોડ પર આવેલા રતનજી પાર્કમાં રહેતી ધોરણ-12 કોમર્સની વિદ્યાર્થિનીએ ફૂલપાડા ખાતે રેલવે બ્રિજ પરથી તાપી નદીમાં પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. માતા બાદ પિતા પણ બે દિવસથી ઘર છોડીને જતાં રહેતા આઘાતમાં પુત્રીએ આપઘાતનું અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત કરતા પહેલા વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં તેણીએ લખ્યું હતું કે, હું તાપી નદીમાં ઠેકડો મારું છું. મોટાભાઈએ પીછો કર્યો પરંતુ તે બહેનને બચાવી શક્યો નહિ અને તેની નજર સામે જ બહેને તાપીમાં કૂદી મોતને વહાલુ કર્યું. (સંપૂર્ણ સમાચાર વાંચો)
બગદાણાના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલા કેસમાં SITની તપાસ દરમિયાન વધુ એક આરોપી ઝડપાયો છે. તળાજા તાલુકાના કોદીયા ગામનો રહેવાસી દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડવામાં આવ્યો છે. ગત મોડી રાત્રિના આરોપીને મેડિકલ ચેકઅપ માટે ભાવનગરની સર્ટી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓનો કોર્ટમાંથી કબજો મેળવાયો હતોમહુવા તાલુકાના બગદાણા ગામના કોળી સમાજના યુવાન નવનીત બાલધીયા પર થયેલા હુમલામાં પ્રથમ 8 આરોપીને પોલિસે ઝડપી પાડ્યા હતા, જ્યારે આ બનાવ અંગે ભાવનગર રેન્જ આઇજી દ્વારા તા.5 જાન્યુઆરીના રોજ એક SIT ટીમની રચના કરવામાં આવી હતી. જેમાં અગાઉ ઝડપાયેલા 8 આરોપીઓની કોર્ટમાંથી કબ્જો મેળવી SIT દ્વારા રિમાન્ડ મેળવ્યા હતા. SITની ટીમે ગત મોડી રાત્રે વધુ એક આરોપીને ઝડપી પાડ્યોરિમાન્ડમાં આરોપીઓની પૂછપરછ દરમિયાન SIT ટીમ દ્વારા પ્રથમ કાનાભાઈ ભીખાભાઇ કામલિયાને અને ત્યાર બાદ સંજય ચાવડાને ઝડપી પાડ્યા હતા. ત્યારે ગત રાત્રિના આ બનાવમાં SITએ વધુ એક શખસ દિનેશભાઈ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેને ગત મોડી રાત્રિના મેડિકલ ચેકઅપ માટે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારે SITની તપાસ દરમિયાન 3 અને અગાઉ 8 મળી કુલ 11 શખસોની ધરપકડ કરવામાં આવી છે. બગદાણા હુમલા પ્રકરણમાં અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડબગદાણા હુમલાની ઘટનામાં આરોપી નાજુ કામળીયા, રાજુ ભમ્મર, આતુ ભમ્મર, વિરેન્દ્ર પરમાર, સતિષ વનાળીયા, ભાવેશ સેલાળા, વિરુ સઈડા, પંકજ મેર સહિત 8ની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આ બનાવમાં SIT ટીમની રચના કરવામાં આવી હતી. તે SITની તપાસમાં પ્રથમ કાનભાઈ ભીખાભાઈ કામલિયા અને ત્યાર બાદ સંજય ચાવડા ને ઝડપી પાડવામાં આવ્યા હતો, અને ગત રાત્રીના દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકીને ઝડપી પાડ્યો છે.
મોરબીના આમરણ ગામ નજીક માવના ગામ પાસે સોમવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. માટી ભરેલા ટ્રકની પાછળ ટ્રેલર ઘૂસી જતાં ટ્રેલરનો ડ્રાઇવર કેબિનમાં ફસાઈ ગયો હતો. તેને જેસીબીની મદદથી મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના મોરબી જિલ્લાના આમરણ ગામ પાસેથી જામનગર તરફ જતા હાઇવે રોડ પર બની હતી. આગળ જઈ રહેલા માટી ભરેલા ટ્રકની પાછળ આવી રહેલા ટ્રેલરના ચાલકે પોતાનું વાહન અથડાવ્યું હતું. ટ્રેલરની કેબિનનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતને કારણે ટ્રેલરનો ચાલક વાહનની કેબિનમાં ગંભીર રીતે ફસાઈ ગયો હતો. તેને બહાર કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જેસીબી દ્વારા કેબિન ખોલીને ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ અકસ્માતને કારણે માળિયા-જામનગર હાઇવે રોડ પર આમરણ ગામ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રાફિક ક્લિયર કરવા માટે અકસ્માતગ્રસ્ત ટ્રેલરને રોડ સાઈડમાં ખસેડવામાં આવ્યું હતું, ત્યારબાદ હાઇવે પરનો વાહનવ્યવહાર પૂર્વવત થયો હતો.
પાટણના મોઢ મોદી (ઘાંચી) જ્ઞાતિ સમાજ દ્વારા વસંતપંચમીના પાવન અવસરે 23 જાન્યુઆરી 2026ના રોજ બહુચર માતાજીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સંગીત સંધ્યા, રાસ-ગરબા અને વિવિધ ધાર્મિક વિધિઓ સાથે જ્ઞાતિના સમૂહ ભોજનનું પણ આયોજન કરાયું છે. મોઢ મોદી જ્ઞાતિ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ કુળદેવી બહુચર માતાજીની નગરયાત્રા નીકાળવામાં આવશે. આ ઉત્સવની શરૂઆત 22 જાન્યુઆરી 2026, ગુરુવારના રોજ રાત્રે 8:30 કલાકે સંગીત સંધ્યા અને રાસ-ગરબાના કાર્યક્રમથી થશે. મુખ્ય મહોત્સવ 23 જાન્યુઆરી, શુક્રવાર એટલે કે મહા સુદ પાંચમ (વસંતપંચમી)ના દિવસે યોજાશે. આ દિવસે વહેલી સવારથી જ ધાર્મિક વિધિઓ શરૂ કરવામાં આવશે, જેમાં સવારે 5:15 કલાકે માતાજીના પ્રથમ દ્વાર ખોલવાના દર્શન, સવારે 6:00 કલાકે સાડી પહેરામણી અને સવારે 7:00 કલાકે આંગીના દર્શન યોજાશે. ધાર્મિક કાર્યક્રમોની શ્રેણીમાં સવારે 8:30 કલાકે ધજા આરોહણ અને સવારે 10:15 કલાકે હવનનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 1:15 કલાકે શ્રીફળ હોમવાની વિધિ પૂર્ણ થયા બાદ માતાજીની પાલખીમાં પધરામણી કરવામાં આવશે. આ શોભાયાત્રા બપોરે 3:15 કલાકે રામશેરી સ્થિત નિજ મંદિરેથી પ્રસ્થાન કરશે અને શહેરના નિયત માર્ગો પર નગરચર્યા કર્યા બાદ રાત્રે 9:00 કલાકે પરત ફરશે. આ શોભાયાત્રા દરમિયાન બજરંગ યુવક મંડળ દ્વારા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. મહોત્સવના અંતે સાંજે 6:00 કલાકે એકતા ગ્રુપ દ્વારા જ્ઞાતિજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર આયોજન પાટણના રામશેરી, રાજકાવાડો સ્થિત બહુચર માતાજીના મંદિરે સંપન્ન થશે.
જિલ્લામાં સિંહોની સાથે હવે દીપડાઓનો વસવાટ અને વસ્તી એટલી હદે વધી ગઈ છે કે વન્યજીવો હવે ગ્રામ્ય વિસ્તારો છોડીને લોકોના સીધા સંપર્કમાં એટલે કે રહેણાક મકાનો સુધી પહોંચી રહ્યા છે. આવી જ એક શ્વાસ અધ્ધર કરી દેતી ઘટના ખાંભા તાલુકાના નાનીધારી ગામમાં મોડી રાત્રે બની હતી, જ્યાં એક દીપડો પરિવારના ઘરમાં ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. પરિવારની સમયસૂચકતાથી જાનહાનિ ટળીનાનીધારી ગામના રહેવાસી પ્રતાપભાઈ માંજરિયાના મકાનમાં મોડી રાત્રે અચાનક એક ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. દીપડો ઘરમાં ઘૂસી જતાં પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા અને ભારે દહેશત ફેલાઈ હતી. જોકે, પ્રતાપભાઈ અને તેમના પરિવારે ગભરાવાને બદલે અદભૂત સમયસૂચકતા વાપરી હતી. તેમણે જીવના જોખમે સાવચેતી દાખવી ઘરના દરવાજા બહારથી બંધ કરી દીધા હતા અને દીપડાને રૂમમાં જ પૂરી દીધો હતો. આ ત્વરિત નિર્ણયને કારણે દીપડો ઘરની બહાર નીકળી શક્યો નહોતો અને ગામના અન્ય લોકો પર થનાર સંભવિત હુમલો કે મોટી જાનહાનિ ટળી હતી. વનવિભાગનું દોઢ કલાકનું ‘મેગા ઓપરેશન’ઘટનાની જાણ થતા જ ખાંભા વનવિભાગનો કાફલો હરકતમાં આવ્યો હતો. RFO નિપુલ લકુમ સહિત ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકરની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રાત્રિના અંધકારમાં દીપડાને પકડવો પડકારજનક હોવાથી વનવિભાગ દ્વારા ખાસ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. અંદાજે દોઢ કલાક સુધી ચાલેલી ભારે જહેમત બાદ, વનવિભાગની ટીમે રૂમમાં પુરાયેલા દીપડાને ટ્રેન્ક્યુલાઇઝર ગન (બેભાન કરવાની ગન) વડે શૂટ કરી બેભાન કર્યો હતો. દીપડો બેભાન થતાં જ તેને સલામત રીતે પાંજરે પૂરી દેવામાં આવ્યો હતો. ગ્રામજનોમાં ભય અને રાહતદીપડો પાંજરે પુરાતા જ પ્રતાપભાઈના પરિવાર સહિત સમગ્ર નાનીધારી ગામના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગ્રામજનોએ વનવિભાગની કામગીરીની પ્રશંસા કરી હતી. જોકે, આ ઘટનાએ વન્યજીવોના વધતા વસવાટ અને માનવ-વસવાટ વચ્ચેના સંઘર્ષની ચિંતા ફરી એકવાર જગાડી છે. અમરેલી જિલ્લામાં વારંવાર રહેણાંક વિસ્તારોમાં દીપડા ઘૂસી આવવાની ઘટનાઓ હવે સ્થાનિકો માટે ચિંતાનો વિષય બની છે. પ્રતાપભાઈ માંજરિયા (ઘરમાલિક)એ જણાવ્યું હતું કે,રાત્રે અચાનક દીપડો અમારા ઘરમાં આવી ગયો હતો. અમે ખૂબ ડરી ગયા હતા, પણ તરત જ બુદ્ધિ વાપરી દરવાજો બંધ કરી દીધો જેથી તે બહાર નીકળી ન શકે. ત્યાર બાદ વનવિભાગને જાણ કરી અને તેમણે સમયસર આવીને દીપડાને પકડી લીધો છે.
મોડાસામાં કુલદીપ હોસ્ટેલ ટીમે 42 કિલો દોરા એકઠા કર્યા:ઉત્તરાયણ બાદ પક્ષીઓને બચાવવા સેવાકાર્ય કર્યું
અરવલ્લીના મોડાસામાં કુલદીપ હોસ્ટેલની ટીમે ઉત્તરાયણ બાદ પક્ષીઓને બચાવવા માટે એક સેવાકાર્ય હાથ ધર્યું હતું. આ અભિયાન અંતર્ગત, ટીમે વિવિધ સોસાયટીઓમાંથી કુલ 42 કિલોગ્રામ પતંગના દોરા એકઠા કરીને તેનો નાશ કર્યો હતો. આ સેવાકાર્યમાં 70થી વધુ વિદ્યાર્થીમિત્રો અને સંચાલકો શૈલેષભાઈ, અલ્પેશભાઈ, વિક્રમભાઈ અને પરેશભાઈ જોડાયા હતા. તેમણે 10 જેટલી મોટી ટીમો બનાવીને શહેરના ડીપ વિસ્તારમાં કામગીરી કરી હતી. આ ટીમોએ માજુમ, દેવભૂમિ, અલંકાર, મારવાડીવાસ, શિવમ, ગોવર્ધન, જલદીપ, જલધારા, પારસ અને સોપાન જેવી મોટી સોસાયટીઓમાં ફરીને પતંગના દોરા એકઠા કર્યા હતા. કુલદીપ હોસ્ટેલ દ્વારા છેલ્લા 11 વર્ષથી ઉત્તરાયણ પછી આ પ્રકારનું જીવદયાનું કાર્ય નિયમિતપણે કરવામાં આવે છે, જે પક્ષીઓના જીવ બચાવવામાં મદદરૂપ થાય છે.
સુરત શહેરના પુણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. એક બેફામ બનેલા સ્વિફ્ટ કારચાલકે રોડ સાઈડમાં ઉભેલી કારને એવી જોરદાર ટક્કર મારી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતા. આ સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, આ ઘટના માત્ર આંખના પલકારામાં ઘટી હતી અને કારના ચાલક એવા શિક્ષક માંડ-માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા. શું હતી સમગ્ર ઘટના?પુણા ગામમાં રહેતા અને વેસુની સી.સી. રવિશંકર વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ અમૃતલાલ સુરતીએ આ અંગે પુણા પોલીસ મથકમાં લેખિત ફરિયાદ કરી છે. ઘટના બે દિવસ પહેલા સાંજે આશરે 5.15 વાગ્યાની આસપાસ મહાવીર નગર પાસે બની હતી. શૈલેષભાઈ પોતાના મિત્રની સફેદ કલરની સેલેરિયો કાર (GJ-19-BR-1812) લઈને જઈ રહ્યા હતા. ફૂલ સ્પીડમાં કારના પાછળના ભાગે જોરદાર ટક્કર મારીશૈલેષભાઈ રસ્તામાં મહાવીર નગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા માટે ઉભા રહ્યા હતા. તેમણે પોતાની કાર સાઈડમાં પાર્ક કરી હતી અને તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા. બરાબર એ જ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર (નંબર: GJ-06-EQ-1243) ફૂલ સ્પીડમાં આવી હતી અને શૈલેષભાઈની કારને ડ્રાઈવર સાઈડના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી હતી. કારનો ચાલક કાર લઈને સ્થળ પરથી ફરારસીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે, આ અકસ્માત એટલો જોરદાર હતો કે જો કારચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. શૈલેષભાઈ આ અકસ્માતમાંથી માંડ-માંડ બચ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ સ્વિફ્ટ કારનો ચાલક માનવતા નેવે મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. કારના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાનટક્કરના કારણે સેલેરિયો કારના આગળ અને પાછળના ભાગે ભારે નુકસાન થયું હતું. આ મામલે પુણા પોલીસે શિક્ષક શૈલેષભાઈ સુરતની લેખિત ફરિયાદ નોંધી છે અને સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબર (GJ-06-EQ-1243)ના આધારે ફરાર સ્વિફ્ટ કારચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
સોમનાથ પ્રભાસ પાટણમાં વિદેશમાં વસતા મૂળ ભારતીય સાવલિયા પરિવારે સેવાભાવનાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારે શહેરની વિવિધ શાળાઓના 1500થી વધુ વિદ્યાર્થીઓ તેમજ વૃદ્ધાશ્રમ અને જરૂરિયાતમંદ સંસ્થાઓમાં ફળોનું વિતરણ કર્યું હતું. મૂળ વડોદરાના અને હાલ વિદેશમાં સ્થાયી થયેલા ડૉ. આર.ડી. સાવલિયા પરિવારના સભ્યો સોમનાથ મહાદેવના દર્શનાર્થે પ્રભાસ પાટણ આવ્યા હતા. આ દરમિયાન, ભારતીય સંસ્કૃતિના દાન અને સેવાના ભાવથી પ્રેરિત થઈ તેમણે સમાજસેવાની પહેલ કરવાનું નક્કી કર્યું હતું. પરિવારના સભ્યો હેમલતાબેન, હરેશભાઈ પટેલ, પુત્રી કાશ્મીરાબેન પટેલ અને પુત્ર જનકભાઈ પટેલે બાળકોમાં સંસ્કાર સિંચન અને પરોપકારના હેતુથી શાળાના બાળકોને ફળાહાર કરાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણયના ભાગરૂપે, શહેરની કન્યાશાળા, કુમારશાળા, સરસ્વતી વિદ્યાલય અને ગુરુકુળ પ્રાથમિક શાળા સહિતની સંસ્થાઓમાં અભ્યાસ કરતા આશરે 1500થી વધુ વિદ્યાર્થીઓને સફરજન, કેળા અને બોર જેવા પૌષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું. શાળાના બાળકો ઉપરાંત, પરિવારે વૃદ્ધાશ્રમ અને અન્ય જરૂરિયાતમંદ સંસ્થાઓમાં પણ ફળોનું વિતરણ કર્યું. શિયાળાની ઋતુમાં આરોગ્યદાયક ફળો આપીને વૃદ્ધો અને જરૂરિયાતમંદોને પોષણ પૂરું પાડવામાં આવ્યું. આ સેવા કાર્યને સફળ બનાવવા માટે પ્રભાસ પાટણના ડૉ. આર.ડી. સાવલિયા, તાલુકા શાળાના આચાર્ય જાખોત્રા, કન્યાશાળાના આચાર્ય પંપાણીયા તેમજ શહેરની વિવિધ શાળાના આચાર્યો અને સ્ટાફનો સહકાર પ્રાપ્ત થયો હતો.
જામનગર: સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલમાં સાંસદ પૂનમબેન માડમે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. તેમણે હોસ્પિટલના વિવિધ વોર્ડની મુલાકાત લીધી હતી અને દર્દીઓ તેમજ તેમના પરિવારજનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન સાંસદે દર્દીઓને પડતી સમસ્યાઓ વિશે જાણકારી મેળવી હતી. તેમણે હોસ્પિટલની સારવાર અને અન્ય વ્યવસ્થાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ, તેમણે તાત્કાલિક જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને જરૂરી સૂચનાઓ આપી હતી. સાંસદ પૂનમબેન માડમની આ મુલાકાત સમયે જી.જી. હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો. દીપક તિવારી, મેડિકલ કોલેજના ડીન નંદની દેસાઈ સહિત વિવિધ વિભાગોના એચઓડી અને ડોકટરોની ટીમ હાજર રહી હતી. પૂનમબેન માડમે દર્દીઓને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ ટીમની સમર્પિત સેવાઓની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં વધુ ગુણવત્તાયુક્ત તબીબી સેવાઓ પૂરી પાડવા માટે જરૂરી સૂચનો પણ કર્યા હતા.
બિટકોઈન કૌભાંડમાં રાજ કુંદ્રા સામેની સુનાવણી 20 ફેબુ્રઆરી પર ટળી
વિશેષ પીએમએલએ કોર્ટના સમન્સ છતાં રાજ ગેરહાજર કુંદ્રાના વકીલે ચાર્જશીટની નકલ મળી નહીં હોવાની રજૂઆત કરતાં ઈડીને કોર્ટે નિર્દેશ આપ્યો મુંબઈ - ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સામે બિટકોઈન કૌભાંડ કેસમાં ચાલી રહેલી તપાસને લગતી સુનાવણી કોર્ટે ૨૦ ફેબુ્રઆરીએ રાખી છે. કુંદ્રાના વકીલે જણાવ્યા મુજબ રાજ કુંદ્રા ઈડીને તપાસમાં સહકાર આપી રહ્યા છે. ઈડી દ્વારા તેમને હાજર રહેવા સમન્સ જારી કરાયા બાદ અમે સ્પેશ્યલ પીએમએલએ કોર્ટમાં વકાલતનામું દાખલકર્યું હતું.
મનપા કમિશ્નરને રજૂઆત કરાઈ:મોરબીના સામાકાંઠાના વિસ્તારોમાં વર્ષોથી વિકાસના કામો અદ્ધરતાલ
મોરબીના સામાકાંઠે એટલે વોર્ડ નંબર 4માં આવેલ સોઓરડી સહિતના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વિકાસ કામો અધ્ધરતાલ છે. મોટાભાગે શ્રમજીવી ગણાતા વિસ્તારોમાં આંતરિક રોડ રસ્તાની ખરાબ, હાલત, સફાઈને અભાવે ઉભરાતી ગટર, નિયમિત સફાઈના અભાવે કચરાના ગંજ સહિતના પ્રશ્નો અટકેલા હોવાથી લોકોને હાલાકી ભોગવવી પડે છે. તેમાંય સોઓરડી અંદરના મેઈન રોડને સીસીરોડથી મજબૂત બનાવ્યો હોય પણ ઠેક ઠેકાણે બમ્પ, કોઈને કોઈ કામ માટે વારંવાર ખોદકામ કરાતું હોવાથી રોડની હાલત નાજુક થઈ ગઈ છે. મોરબીના વોર્ડ નં. 4માં અધૂરા પ્રજાકીય કામો ચાલુ કરવા અંગે પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા, જશવંતીબેન સુરેશભાઈ શિરોહીયાએ મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરી હતી કે, સામાકાંઠે આવેલા વોર્ડ નં. 4 (નવો વોર્ડ નં. 5)માં બાકી રહેલા કામો ચાલુ કરવા માટે અનેક વખત રજૂઆતો કરી છે. જેમાં રોડ રસ્તાના કામો ચાલુ કરવા, આંગણવાડી બનાવવા, કોમ્યુનિટી હોલ બનાવવા, સોઓરડીમાં બાલા હનુમાન મંદિર રોડના શેરીના ટુકડા બનાવી અથવા પોટરી શાળાથી અંબિકા ગરબી ચોક સુધી પેવર બ્લોક ફીટ કરવા, નવા વિસ્તારમાં સમાવિષ્ટ ભડીયાદ જવાહર સોસાયટી, જીવરાજ પાર્ક, બૌદ્ધનગર, રામદેવપીરનો ઢોરો આ તમામ નવા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ આપવાની માંગ કરી છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મોરબીની એલ.ઇ. કોલેજની ઇમારતનો ભૂતકાળ ભવ્ય, વર્તમાન ખંડિત
મોરબીના સામાંકાંઠે રાજવી પરિવારે વર્ષ 1880માં ઐતિહાસિક સ્થાપત્યના બેનમૂન કળાના ભવ્ય નજરાણા રૂપે નઝરબાગ પેલેસ બનાવ્યા બાદ આ રાજમહેલમાં તત્કાલીન મહારાજા લખધીરસિંહજી રહેતા હોય અને બાદમાં રાજમહેલમાં રાજવી પરિવારે આઝાદી પહેલા વર્ષ 1940માં ટેક્નિકલ શિક્ષણ માટે ટેક્નિકલ અને પોલિટેક્નિકલ ડિપ્લોમા અભ્યાસ ચાલુ કરાવ્યા હતા. આઝાદી પછી રાજવી પરિવારે સરકારને આ રાજમહેલને ભેટમાં આપતા 1951માં સરકાર હસ્તક આ મહેલમાં ઇજનેરી શિક્ષણ આપતી સંસ્થા એટલે એલઇ કોલેજ શરૂ કરાઇ હતી. ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતી આ કોલેજમાંથી અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ ભણીને દેશ વિદેશમાં મહત્વના હોદા પર રહીને આ કોલેજની પ્રતિષ્ઠા વધારી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં આ કોલેજ જેવું મોટું ક્યાંય પણ કેમ્પસ નથી. આ રીતે ભવ્ય ભૂતકાળ ધરાવતી આ કોલેજને 2001ના ભૂકંપમાં મોટાપાયે નુકશાન થતા એનો વર્તમાન ખંડિત છે. સિરામિકનો ડિગ્રી કોર્સ ન હોવો એ દુઃખદ બાબતસિરામીક ઉદ્યોગ વૈશ્વિક સ્તરે ચીનને ટક્કર આપીને વિશ્વનો બીજા નંબરનો ઉદ્યોગ બન્યો છે. દુઃખની બાબત એ છે કે અહીં સિરામિક કલ્ચર હોવા છતાં એલ.ઇ કોલેજમાં સિરામિકનો ડીગ્રી કોર્સ નથી. સિરામિકનું અસ્તિત્વ જ ન હતું ત્યારે 1980ની આસપાસ સિરામિક ડિપ્લોમા હતું, આ ડીગ્રી કોર્સ ચાલુ કરાયો નથી, આથી આઈઆઈટીનો દરજ્જો આપી નવા કોર્સ ચાલુ કરવા માગણી કરી છે. એલ.ઇ. કોલેજનો કબજો માર્ગ અને મકાન હસ્તકએલ.ઇ.કોલેજની બિલ્ડીંગનો કબજો સરકાર અને માર્ગ તેમજ મકાન હસ્તક છે. સરકારના આદેશ મુજબ રાજ્યમાં શિક્ષણ માટે ઉપયોગમાં લેવાતા હેરિટેજ બિલ્ડીંગના રિનોવેશન માટે ડીપી બનાવવાનો હોય તેમાં મોરબીની આ કોલેજનો સમાવેશ કરી અને 45 લાખના ખર્ચે ડીપી બનાવવા માટેનું કામ ચાલુ હોય આગામી સમયમાં અંદાજે 108 કરોડ જેટલી રકમના ખર્ચે એલઇ કોલેજને રાજવીકાળ સમયની હતી તેવી જ બનાવવાની વાતો કરવામાં આવી છે. સરકારે 2 વર્ષ પહેલાં ગ્રાન્ટ ફાળવી, હજુ કામ ન થયુંએલ.ઇ. કોલેજના ભૂકંપગ્રસ્ત રાજવીકાળના જાજરમાન રાજમહેલ એકદમ ખંડિત હોવાથી તેનું રીનોવેશન કરવા માટે સરકારે ચાર વર્ષ પહેલાં રીનોવેશન કરી ઉપયોગ કરવા માટે સર્વે કરાવી બાદમાં બે વર્ષ પહેલાં આ કોલેજને મૂળ સ્વરૂપમાં લાવવા યોગ્ય ગ્રાન્ટ પણ ફાળવી દીધી હતી. પણ આ ગ્રાન્ટ ફાળવ્યાના બે વર્ષમાં જરાય કામ થયું નથી. -કે.ડી. બાવરવા, ભૂતપૂર્વ વિદ્યાર્થી 2000માંથી હવે 500 જ વિદ્યાર્થીઓ રહ્યાએક સમયે આ કોલેજમાં આશરે 2000 જેટલા વિદ્યાર્થીઓ ભણતા હતા. પણ એમાંથી ઘટીને હવે માત્ર સરેરાશ 500 વિદ્યાર્થીઓ જ ભણે છે. તે સાથે કોલેજમાં માત્ર 40 ટકા જ સ્ટાફ હોય એમાં પણ કોલેજના મેનેજમેન્ટના અણધડ આયોજનને કારણે જે ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ ન હોય ત્યાં ચાર વ્યક્તિનો સ્ટાફ છે અને અને જે ફેંકલ્ટીમાં વિદ્યાર્થીઓ વધુ છે ત્યાં માત્ર એકનો જ સ્ટાફ છે. એડમિશન લેવું હોય તો હોસ્ટેલની સુવિધા નથીએક સમયે હોસ્ટેલની સુવિધા હતી પણ ભૂકંપગ્રસ્ત કોલેજ બંધ કરીને અન્ય કોર્સને જૂના અને નવા બિલ્ડીંગ બનાવીને શિફ્ટ કરી દેવાયા પણ હોસ્ટેલની સુવિધાઓ ઉપર પણ મેનેજમેન્ટે તરાપ મારી છે. વચ્ચે કોલેજ મેનેજમેન્ટે જે ગર્લ્સને કોલેજમાં એડમિશન લેવું હોય તો તેમને હોસ્ટેલની સુવિધા નહિ મળે તેવો નિર્ણય જાહેર કર્યો હતો.
27 કરોડનાં મેફેડ્રોન સાથે પાંચ પકડાયા, એમપથી થાણે દાણચોરીનો પર્દાફાશ
મુમ્બ્રામાં આંતરરાજ્ય ડ્રગ પેડલિંગ રેકેટ પકડાયું રીઢા ગુનેગારની ગેંગ સામે અગાઉ પણ ડ્રગ્સ તથા શસ્ત્રો રાખવા સહિતના કેસો નોંધાયેલા છે મુંબઇ - મુમ્બ્રામાં આંતર રાજ્ય ડ્રગ પેડલિંગ રેકેટનો પર્દાફાશ કરી પોલીસે રૃા.૨૭ કરોડના મેફેડ્રોનના જથ્થા સાથે પાંચ આરોપીને ઝડપી લીધાં છે.આ ગેંગમાં મધ્ય પ્રદેશના ચાર ડ્રગ પેડલરનો સમાવેશ છે. મધ્ય પ્રદેશથી થાણેમાં મેફેડ્રોનની દાણચોરી કરવામાં આવતી હતી.
વાંકાનેરમાં દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર ડો. રમણીકભાઈ મહેતાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે વિનામૂલ્યે નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 251થી વધુ દર્દી ઉમટી પડ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો. વાંકાનેરમાં જન્મેલા અને ડોક્ટરની ડિગ્રી મેળવી યુકેમાં સ્થાયી થયેલા ડોક્ટર રમણીકભાઈ મહેતા અને તેમના મિત્ર લલિતભાઈ મહેતાએ 2001 માં દેવદયા ટ્રસ્ટની સ્થાપના કરી, જેનો મુખ્ય હેતુ લોકોની આરોગ્ય સુખાકારી અને શૈક્ષણિક ક્ષેત્રમાં મદદ કરવાનો હતો. તેઓ હંમેશા કહેતા કે જો મને ટ્રસ્ટ માટે દાન નહીં મળે તો હું ટ્રેનમાં ગાઈ વગાડીને પણ ટ્રસ્ટ માટે દાન ભેગું કરીશ અને દર્દીઓની સેવા કરીશ. આવા અદના આદમીની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે દેવદયા ચેરિ. ટ્રસ્ટ અને લાયન્સ ક્લબના ઉપક્રમે નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ડો. આકાંક્ષા યાદવ પરસાણીયા, શામજીભાઈ, ડો. દર્શિત આંબલીયા, ડો. દિવ્યેશ જેતપરિયા, ડો. શ્રુતિ રાઠોડ, ડો. હર્ષ ઠક્કર ,ડો. જય માધાણીએ સેવા આપી હતી. આ કેમ્પને સફળ બનાવવા ટ્રસ્ટીઓ વિનોદભાઈ દોશી, ચેમ્બર પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, પ્રકાશભાઈ ધરોડિયા, કૌશલભાઈ પંડ્યા, વિરાજભાઈ મહેતા, ભરતભાઈ પટેલ અને સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આ ઉપરાંતઁ હર્ષાબેન ધરોડિયાની સેવાનો પણ લાભ આ કેમ્પમાં મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે દેવદયા ટ્રસ્ટ વર્ષ 2005 થી આરોગ્ય અને શૈક્ષણિક ક્ષેત્રે સેવા કાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં કુલ 25 જેટલી શાળાઓ નવી બનાવી છે અથવા રિનોવેશન કરાવી આપી છે. આ ઉપરાંત શાળાઓમાં ફર્નિચર, બોર્ડ વગેરે પણ આપવામાં આવ્યું છે.
મોરબી જિલ્લાના ટંકારા ગામે આજે જળસંચયના એક ભગીરથ કાર્યનો મંગલ પ્રારંભ થયો હતો. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ચેકડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દુર્લભજી દેથરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાગરિકો અને રાજકીય અગ્રણીઓની વિશાળ ઉપસ્થિતિમાં જળ બચાવવા અને ધરતીને હરિયાળી બનાવવાના સંકલ્પને દોહરાવવામાં આવ્યો હતો. આ તકે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જે રીતે ગામડે-ગામડે ચેકડેમ બનાવી રહ્યું છે, તે જોતા એવું પ્રતીત થાય છે કે જાણે સાક્ષાત નર્મદાના નીરને અહીં ઉતારવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ચેકડેમ ઊંડા ઉતારવાથી તેની જળસંગ્રહ શક્તિમાં અનેકગણો વધારો થશે, જેના પરિણામે કરોડો લીટર પાણીનો સંગ્રહ થઈ શકશે. આનાથી માત્ર ખેડૂતો જ નહીં, પણ પશુ-પક્ષીઓ અને સમગ્ર જીવસૃષ્ટિ માટે આ આશીર્વાદરૂપ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચયના મિશન પર કાર્યરત છે. સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં સેંકડો ચેકડેમોનું નિર્માણ અને તળાવો ઊંડા ઉતારવાની કામગીરી લોકભાગીદારીથી સફળતાપૂર્વક કરવામાં આવી છે. આ કાર્યના ફળસ્વરૂપ સૌરાષ્ટ્રની ધરતી આજે હરિયાળી બની રહી છે અને અનેક ગામોમાં ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે. માત્ર જળસંગ્રહ જ નહીં, પણ પર્યાવરણની જાળવણી અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવામાં આ ટ્રસ્ટનું યોગદાન પાયાનું રહ્યું છે. આ પ્રસંગે ટંકારા તાલુકા પંચાયત પ્રમુખ વસંતભાઈ માંડવીયા, સંજયભાઈ ભાગીયા, દિનેશભાઈ ગડારા, રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા,કાનાભાઈ ત્રિવેદી, પ્રભુલાલ કામરીયા, રસિકભાઈ દુબરિયા, હસમુખભાઈ દુબરિયા, મહેશભાઈ લીખીયા હાજર રહ્યા હતા.
કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું:સરકાર સ્કીમના નાણા એડવાન્સપેમેન્ટ કરાવે અને કમિશન અનિયમિત
સુરેન્દ્રનગર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારોને 4 માસથી કમિશન ચૂકવણી ન થતા અને જૂના પ્રશ્નો હલ ન થતા રોષ ફેલાયો હતો. આથી રેલી સાથે કલેક્ટર કચેરી પહોંચી સમસ્યા નિરાકરણની માંગ કરી હતી. જિલ્લામાં 500 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં 18,06,076 લાભાર્થીઓને રાશન વિતરણ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લા ફેરપ્રાઇઝ એસોસીએશનના આગેવાનીમાં દુકાનદારોએ મંગળાવરે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદન પાઠવ્યું હતું. જે મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પોષણક્ષમ કમિશન અમને નિયમિત મળતું નથી, કમિશનની પ્રક્રિયામાં વારાંવર ફેરફાર થવાથી અમે તમામ દુકાનદારો સાવ કંગાળ અને આર્થિક બોજા તળે દબાઇ રહ્યા છીએ. રાજ્ય સરકારની સ્કીમના નાણા અમોને એડવાન્સમાં પેમેન્ટ કરાવે છે અને કમિશન અનિયમિત આ તે કેવી બેવડી નીતિ. આથી કમિશનની નિયમિત વ્યવસ્થા ગોઠવવા માંગ કરી હતી અને તે પ્રક્રિયા સ્પષ્ટ રીતે જાહેર કરાવ માંગ કરી હતી. દુકાન ધારકોની આર્થિક સ્થિતિ વિકટ છેલ્લા 4 માસથી કેન્દ્ર સરકારનું મળવાપાત્ર કમિશન સમયસર ચૂકવવામાં આવ્યું નથીકમિશન ન મળવાને કારણે દુકાન ધારકોની આર્થિક સ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. તંત્ર દ્વારા અમારી પાસે એડવાન્સમાં ચલણ ભરાવવામાં આવે છે, પરંતુ તેની સામે મળવાપાત્ર કમિશન મહિનાઓ સુધી અટકી પડે છે. કમિશન એકસાથે આપવાને બદલે કટકે-કટકે આપવામાં આવે છે. જેના કારણે અમે દુકાનના સંચાલન અને ખર્ચનું કોઈ યોગ્ય આયોજન કરી શકતા નથી. અમારી માંગ છે કે કમિશનની રકમ એકસાથે અને નિયત સમયે જ જમા થવી જોઈએ. - નારાયણભાઇ ચાવડા, સસ્તા અનાજ દુકાનદાર પ્રમુખ
માનવતાના ધોરણે જે સેવા સૌથી કપરી માનવામાં આવે છે તે સ્મશાન ગૃહમાં રાત-દિવસ ફરજ બજાવતા મનપાના કર્મચારીઓ આજે પોતે જ લાચાર બન્યા છે. છેલ્લા 3 મહિનાથી પગારના એક પણ પૈસા ન મળતા આ શ્રમજીવી પરિવારોની હાલત કફોડી બની ગઈ છે. તંત્રની ઢીલી નીતિ અને એજન્સીઓના ગૂંચવાડાને કારણે સ્મશાનના રખેવાળોને હવે વ્યાજખોરો પાસે હાથ ફેલાવવાનો સમય આવ્યો છે. સુરેન્દ્રનગર મનપા કચેરીએ મનપાના સ્મશાન ગૃહના કર્મચારીઓએ લેખિત રજૂઆત કરી હતી. જે મુજબ મનપાના તમામ સ્મશાન ગૃહના કર્મચારીઓ છેલ્લા 3(ત્રણ) માસથી પગારથી વંચિત છીએ. જેના કારણે અમો સૌ કર્મચારીઓને અમારા ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે, અમારા પગાર બાબતે અવારનવાર અમારા શાખા અધિકારી કુલદીપભાઈ પરમારને રૂબરૂ મળીએ છીએ તો ત્યાંથી અમોને ફક્ત એક જ પ્રત્યુતર મળે છે કે, 2-5 દિવસમાં પગાર થઈ જશે. આમને આમ 3(ત્રણ) મહિનાના અમારા પગાર ચડી ગયા છે. ત્યારે તાજેતરમાં અમો પગાર બાબતે ફરી શાખા અધિકારીને પૂછ્યું તો તેમણે એવું કહ્યું કે, તમારી ફાઈલ કલેક્ટર ઓફિસમાં કલેક્ટર સાહેબની સહીમાં પડી છે ત્યાંથી ફાઈલ સહી થઈને પરત આવે પછી તમારો પગાર થશે ત્યાં સુધી પગાર થવાની શક્યતા નથી એવું જણાવ્યું. સપ્ટેમ્બરમાં તમામ કર્મચારીઓની મીટીંગ બોલાવી ત્યારે તત્કાલીન શાખા અધિકારીને રૂબરૂ સૂચના આપેલ કે, સ્મશાન ગૃહના તમામ કર્મચારીઓને સબ લાઇન એજન્સીમાં લઈ લો, પરંતુ ત્યારથી આજદિન સુધી અમારી કોઈ એજન્સી નક્કી થઈ નથી. અમોએ સપ્ટેબર માસમાં સ્મશાન ગૃહના તમામ કર્મચારીઓની નામ સહિતની યાદી અને તમામ વિગતો પૂરી પાડી હતી તેમ છતાં હજુ સુધી અમો સર્વે કર્મચારીઓને આજદીન સુધી કોઇ એજન્સી નક્કી નથી.
રાજકોટ. પશ્ચિમ રેલવેના રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોની સુખદ અને સુરક્ષિત મુસાફરીની દિશામાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરવામાં આવી છે. ''''અમૃત ભારત સ્ટેશન યોજના'''' (ABSS) અંતર્ગત રૂ.3.98 કરોડના ખર્ચે લખતર સ્ટેશનનું વ્યાપક પુનઃવિકાસ કાર્ય લગભગ પૂર્ણ થઈ ગયું છે. હવે આ સ્ટેશન માત્ર આધુનિક સુવિધાઓથી સજ્જ નથી, પરંતુ તેની નવી ભવ્ય સ્થાપત્ય કલા સાથે સૌરાષ્ટ્રની રેલ કનેક્ટિવિટીને નવી ઊંચાઈ પ્રદાન કરી રહ્યું છે.સ્ટેશનને સંપૂર્ણપણે ''''દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકોને અનુકૂળ'''' બનાવવામાં આવ્યું છે. વિશાળ સર્ક્યુલેટિંગ એરિયાના વિકાસથી સ્ટેશન પરિસરમાં વાહનોની અવરજવર સરળ અને વ્યવસ્થિત બનશે. નવુ પરીસર મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશેઅમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ લખતર સ્ટેશનનો આ પુનઃવિકાસ મુસાફરો માટે સુગમતા અને ગરિમાપૂર્ણ મુસાફરીનો નવો માપદંડ સ્થાપિત કરશે. આધુનિક પ્રતીક્ષાલયોમાં બેસવાની શ્રેષ્ઠ વ્યવસ્થા, વેન્ટિલેશન અને શાંત વાતાવરણ મુસાફરોના અનુભવને વધુ સુખદ બનાવશે. આધુનિક માહિતી પ્રણાલી, બહેતર પ્રકાશ વ્યવસ્થા, સ્વચ્છ પરિસર અને સુવ્યવસ્થિત પ્રવેશ-નિકાસ મુસાફરોને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડશે. - ગિરિરાજ કુમાર મીના, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર 3125 ચોરસ ફૂટમાં ફેલાયેલું નવું સ્ટેશન બિલ્ડિંગ, 24 ફૂટ પહોળો પ્રવેશ/નિકાસ3125 ચોરસ ફૂટમાં ફેલાયેલું નવું સ્ટેશન બિલ્ડિંગ અને 24 ફૂટ પહોળો ભવ્ય પ્રવેશ/નિકાસ દ્વાર મુસાફરોની અવરજવરને અવરોધરહિત બનાવશે. મુસાફરો માટે 1220 ચોરસ ફૂટમાં આધુનિક AC અને સામાન્ય પ્રતીક્ષાલયો બનાવવામાં આવ્યા છે. સાથે જ, એક સુસજ્જ VIP રૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે વિશાળ શેલ્ટર અને પ્લેટફોર્મ: પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર 12,000 ચોરસ ફૂટનો કવર શેડ મુસાફરોને તડકા અને વરસાદથી બચાવશે. આ ઉપરાંત 90,500 ચોરસ ફૂટથી વધુ પ્લેટફોર્મ વિસ્તારનું સુદ્રઢીકરણ કરવામાં આવ્યું છે. સ્ટેશન પરિસરમાં 1,000 ચોરસ ફૂટનો ''''ગ્રીન પેચ'''' વિકસાવવામાં આવ્યો છે, જે મુસાફરોને તાજગીભર્યો અનુભવ આપશે.1180 ચોરસ ફૂટનો પાર્કિંગ વિસ્તાર અને 10,900 ચોરસ ફૂટનો સુવ્યવસ્થિત સર્ક્યુલેટિંગ એરિયા સ્ટેશન પર થતી ભીડને ઓછી કરશે. રેલવેએ સમાવેશી માળખાગત સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને લખતર સ્ટેશન પર ટેક્ટાઈલ ટાઈલ્સ, વિશેષ સાઈનેજ, હેન્ડ રેલ, સમર્પિત પાર્કિંગ સ્લોટ અને રેમ્પની સુવિધા સુનિશ્ચિત કરી છે.480 ચોરસ ફૂટનું આધુનિક શૌચાલય સ્વચ્છતા અને સુવિધામાં વધારો કરશે.
મૂળીના વર્ષો જુના સ્વામિનારાયણ મંદિર ખુદ શ્રીહરીએ મંદિર બંધાવ્યુ હોવાથી ભક્તોમાં સવિશેષ મહત્વ છે અને સમગ્ર ગુજરાતમાંથી હરી ભક્તો દર્શન માટે પધારે છે. ત્યારે આ મંદિર બનાવ્યાને 203 વર્ષ પુર્ણ થતા પાટોત્સવ તેમજ શ્રીહરીએ લખેલ શિક્ષાપત્રીનાં 200 વર્ષનો સમૈયો ઉત્સવ આગામી 21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી દરમિયાન યોજાવા જઇ રહ્યો છે તે અનુસંધાને સોમવારે મંદિર દ્રારા સુરેન્દ્રનગર બાલાશ્રમ અને રામપરા ગામે આવેલ શાળામાં ચોપડા વિતરણ સહિત ધાર્મિક સભાનું આયોજન કરાયુ હતુ. મૂળી સ્વામિનારાયણ મંદિરમાં આગામી તા.21 જાન્યુઆરીથી 23 જાન્યુઆરી સુધી ભવ્ય શિક્ષાપત્રી મહોત્સવ અને કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવના આગમન પૂર્વે જ્ઞાનના પ્રસારના હેતુથી, મૂળી મંદિરના મહંત મુક્તજીવન સ્વામી અને સંતગણની ઉપસ્થિતિમાં શાળાના 600 વિદ્યાર્થીઓને ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયુ હતું. આ કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે બાળકોને ચોપડા અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાય હંમેશા ધર્મની સાથે સમાજ સેવા અને શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર રહ્યો છે.જેનું ઉત્તમ ઉદાહરણ આજની આ પ્રવૃત્તિ છે. શિક્ષાપત્રી મહોત્સવના ઉપલક્ષમાં કરાયેલી આ કામગીરીથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. સમગ્ર આયોજન દ્વારા મહોત્સવ પૂર્વે ભક્તિ અને જ્ઞાનનો અનોખો માહોલ સર્જાયો હતો. જેમાં મંદિરનાં મહંત મુક્તજીવનદાસજી સ્વામી, ધારાસભ્ય જગદિશભાઇ મકવાણા ,વ્રજવલ્લભદાસજીસ્વામ ી, સેવા વત્સલદાસજી સ્વામી, શ્રુતિપ્રકાશ સ્વામી, નિત્યપ્રકાશદાસજી સ્વામી,સત્સંગસાગરદાસ જી સ્વામી, સહિત સંતો અને ભક્તો ઉપસ્થિતિ રહ્યા હતા.
નિર્ણય:નળસરોવર અભયારણ્યતા. 31મી જાન્યુઆરી, 1 ફેબ્રુઆરીએ બંધ રહેશે
નળ સરોવર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં વહેચાયેલું કુદરતી સરોવર છે જે શિયાળામાં મહેમાન બનતા યાયાવર પક્ષીઓના વસવાટ માટે પ્રખ્યાત છે. જિલ્લાના લીંબડી તાલુકાનો નળકાંઠો વિસ્તાર નળસરોવર સાથે જોડાયેલો છે. અહીં પક્ષી દર્શન માટે અનેક મુસાફરો આવતા હોય છે. વનવિભાગ દ્વારા પક્ષીઓની વસ્તી ગણતરી માટે કાર્યવાહી હાથ ધરાનાર છે. નળસરોવર અને થોળ પક્ષી અભયારણ્ય ખાતે આગામી સમયમાં પક્ષીઓની વસ્તી ગણતરીનું વિશેષ આયોજન કરાયું છે. વનવિભાગે બહાર પાડેલા જાહેરનામા અનુસાર તા.31-1 અને તા.1-2 એમ બે દિવસ સુધી બંને અભયારણ્યોમાં જળાશયના પક્ષીઓની ગણતરી કરવામાં આવશે. વન્યપ્રાણી સંરક્ષણ ધારા-1972ની કલમ-28 તથા 33 હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, પક્ષીઓની ગણતરી દરમિયાન કોઈ પણ પ્રકારનો ખલેલ ન પહોંચે તે હેતુથી આ બે દિવસોમાં પ્રવાસીઓ માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. ગણતરીની ચોક્સાઇ પર અસર પડે પક્ષીઓની ગણતરીની કામગીરી અત્યંત ઝીણવટભરી હોય છે. આ દરમિયાન પ્રવાસીઓની અવરજવર કે અવાજથી પક્ષીઓને ખલેલ પહોંચી શકે છે, જે ગણતરીની ચોક્સાઈ પર અસર કરે છે. - ડૉ. જયપાલ સિંઘ, ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન
તંત્રની બેદરકારી સામે લોકોમાં રોષ:ભોગાવો નદીમાં ગટરનું પાણી છોડાતું હોવાની જાગૃત નાગરિકની ફરિયાદ
સુરેન્દ્રનગર શહેરના મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદી ગંભીર પ્રદૂષણનો ભોગ બની છે. તે અંગે જાગૃત નાગરીકે વીડિયો બનાવી ફરિયાદ કરી હતી. સુરેન્દ્રનગરના જાગૃત નાગરિક કમલેશભાઈ કોટેચાએ વીડિયો ફરતો કરીને ફરિયાદ કરી હતી કે જોરાવરનગરથી લઈ રતનપર વિસ્તાર વચ્ચે વહેતી આ નદીમાં મનપાના વિવિધ વિસ્તારોમાંથી ગટરનું ગંદું પાણી ખુલ્લેઆમ છોડાઈ રહ્યું છે. જેના કારણે નદીનું કુદરતી અસ્તિત્વ ખતરામાં મૂકાયું છે. ઉલ્લેખનીય છે કે ભોગાવો નદીનો સમાવેશ રાજ્યની 10 અત્યંત પ્રદૂષિત નદીઓમાં કરાયો છે. ગટરનું ગંદું પાણી સીધું નદીમાં છોડાતા આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ રહી છે. આ સ્થિતિ અત્યંત જોખમી બની છે. અનેક રજૂઆતો પણ કાર્યવાહી નહીં આ મુદ્દે સ્થાનિકો દ્વારા મપના તેમજ રાજકીય પ્રતિનિધિઓને અનેક વખત રજૂઆતો કરાઈ છે, છતાં કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. વધુમાં, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાનિક કચેરી દ્વારા પણ જરૂરી તપાસ અને કાર્યવાહી કરવામાં ન આવતા જનતામાં રોષ પેદા કરી રહી છે. આથી સમયસર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરાઈ હતી. - કમલેશભાઇ કોટેચા
સુરેન્દ્રનગર જિલ્લામાં સહજીવન સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી ઘેટાં-બકરાં પાલન સાથે જોડાયેલા માલધારી સમુદાય સાથે સતત કામગીરી કરી રહી છે. આ કાર્યના પરિણામરૂપે માલધારીઓ સંગઠિત બની સુરેન્દ્રનગર જિલ્લા ઘેટાં-બકરાં ઉછેરક માલધારી સંગઠનની રચના કરવામાં આવી છે. હાલ આ સંગઠન સાથે આશરે 2,000 જેટલા માલધારીઓ જોડાયેલા છે. અત્યાર સુધી માલધારીઓ કાતર દ્વારા ઉન કતરાઈ કરતા હતા, જેમાં એક દિવસમાં વધુમાં વધુ 20 જેટલા ઘેટાં કતરાઈ શકતા હતા, જ્યારે હવે મશીન દ્વારા એક દિવસમાં એક મશીનથી 90થી 100 જેટલા ઘેટાં ઓછી મહેનતે કતરાઈ કરી શકાશે. જેનાથી માલધારીઓને અંદાજે 8થી 10 હજારની બચત થશે. જિલ્લામાં ઘેટાનું પાલન કરતા 1 હજારથી વધુ પરિવાર હવે જાતે ઉન કતરાઇ કરી શકશે. તેના માટે 30 માલધારી યુવાનોને ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. જિલ્લામાં ઘેટાં પાલન સાથે જોડાયેલા અંદાજિત 1,000 જેટલા માલધારી કુટુંબો છે, જેમની પાસે કુલ મળીને 40,000થી વધુ ઘેટાં છે. ઘેટાંના ઉન માટે યોગ્ય બજાર વ્યવસ્થા ન હોવાને કારણે માલધારી પરિવારોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે. ઉપરાંત, હાલમાં માલધારીઓને ઉન કતરાઈ માટે બહારથી આવતાં લાવા (ઉન કતરાઈ કરનાર લોકો) ઉપર નિર્ભર રહેવું પડે છે, જેમાં પ્રતિ પશુ રૂ.20થી 25 ખર્ચ ચૂકવે છે. માલધારીઓને વર્ષમાં 2થી 3 વખત ઘેટાંના ઉન કતરાવવાનું કામ કરવું પડે છે. આ ખર્ચ ઘટાડવા તેમજ માલધારી યુવાનોને સ્વરોજગાર સાથે જોડવાના હેતુથી સહજીવન સંસ્થા અને સુરેન્દ્રનગર ઘેટાં-બકરાં ઉછેરક માલધારી સંગઠન દ્વારા સંયુક્ત રીતે માલધારી યુવાનોને ઉન કતરાઈ મશીન દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ અંતર્ગત સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાંથી કુલ 30 માલધારી યુવાનોને તૈયાર કરવામાં આવ્યા છે. સમય, મહેનત અને ખર્ચ ઘટશે અત્યાર સુધી માલધારીઓ કાતર દ્વારા ઉન કતરાઈ કરતા હતા, જેમાં એક દિવસમાં વધુમાં વધુ 20 જેટલા ઘેટાં કતરાઈ શકતા હતા, જ્યારે હવે મશીન દ્વારા એક દિવસમાં એક મશીનથી 90થી 100 જેટલા ઘેટાં ઓછી મહેનતે કતરાઈ કરી શકાશે. સમય, મહેનત અને ખર્ચમાં નોંધપાત્ર બચત થશે. - કિરણ પટેલ, સહજીવન સંસ્થા
સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા અને બાળા યુવા સમિતિ (આઇસીડીએસ)ના ચેરમેન અને આઇસીડીસીએસના ક્લાસ-1 અધિકારી વચ્ચે આંગણવાડી, વાહનના ટેન્ડરમાં ગેરરીતિ મામલે નોટિસ, મુખ્ય સેવિકાની બદલી, મનસ્વી રીતે ભરતી, માતા યશોદા એવોર્ડની ભલામણ જેવા મુદ્દે 3 મહિના પહેલાં ચેરમેનના કેબિનમાં બોલાચાલી, મારામારી થઇ હતી. આ સમગ્ર મામલે 60 દિવસ બાદ જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. હવે કોના આક્ષેપ સાચા છે? કોના હાથ ભ્રષ્ટાચારમાં ખરડાયેલા છે? તે તો તપાસમાં બહાર આવશે. નોંધનીય છે કે, આઇસીડીએસ ઘટકમાં 14 ગાડી ટેન્ડરથી આપવામાં આવી હતી પરંતુ તપાસ કરતાં બતાવેલી ગાડીની જગ્યાએ બીજી ગાડી મૂકવામાં આવતાં એજન્સીને નોટિસ આપી બ્લેકલીસ્ટ કરવા સુધીની કાર્યવાહી પણ થઇ હતી. પક્ષ-૧: આઉટસોર્સ, ટેન્ડર બાબતે ભલામણ કરતા હતા : પ્રોગ્રામ ઓફિસરઆઇસીડીએસ ચેરમેન નંદુબેન વાઘેલાએ મને પૂછ્યું હતું કે, ગાડીના ટેન્ડરમાં પાછું તમે શું ઉભુ કર્યુ, તો મે કહ્યું કે, શરતોનું પાલન ન થતું હોવાથી નોટિસ આપી છે. માતા યશોદા એવોર્ડ, મુખ્ય સેવિકાની બદલી બાબતે મનસ્વી નિર્ણય લો છો તેમ કહેતાં મે કહ્યુ કે, ગાંધીનગરથી પ્રતિયુત્તર આવ્યા બાદ કાર્યવાહી થશે. વાહનોના ભાડા ચૂકવતાં નથી તેમ કહીં મારો દુપટ્ટો ખેંચી લાફો માર્યો હતો. મુખ્ય સેવિકાની બદલી તેમના કહયા મુજબ ન થવાની સાથે માતા યશોદા એવોર્ડમાં ભલામણ કરી હતી. આઉટસોર્સ અને ટેન્ડરની બાબતે પણ ભલામણ કરતા હતા. સરકારી નિયમ મુજબ કાર્યવાહી કરતાં ઓફિસમાં બોલાવી મારી સાથે ઝઘડો કર્યો હતો. — ભાવનાબેન ચતુરભાઇ જીડીયા, પ્રોગ્રામ ઓફિસર પક્ષ-૨: મિટીંગમાં પૂછતાં પ્રશ્નોનો સરખો જવાબ આપતાં ન હતા : ચેરમેનપ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા પાસે આંગણવાડીઓમાં થતી ગેરરીતિ મામલે રિપોર્ટ માંગ્યો હતો. અમૂક અનુ.જાતિના સંચાલકોને જ નોટિસ આપી માનસિક હેરાન કરતાં હતા. આ અંગે મીટિંગમાં પ્રશ્ન પૂછતાં જવાબ આપતાં ન હતા. ઇલેક્ટ્રીક મોટરની ખરીદી, ઘટકમાં ચાલતી ગાડીઓ, હેલ્પ વર્કરની ભરતીમાં ગેરરીતિ મામલે કોઇ જવાબ મળ્યો નથી. 10 નવેમ્બર 2025ના રોજ મારી ચેમ્બરમાં આવી ગાડીના ભાડા ચઢે છે તેમ કહેતાં તેઓએ એજન્સીને બ્લેક લીસ્ટમાં મૂકી છે તેમ જણાવ્યું હતું. તમારા ભાઇની એજન્સી હતી ત્યારે બધુ ચાલતું હતું હવે કેમ નહીં તેમ કહેતાં લાફો મારી દીધો હતો. — નંદુબેન ગુણવંતરાય વાઘેલા, ICDS સમિતીના ચેરમેન ભાસ્કર ઇનસાઇડ: લાફાવાળીનો મામલો છેક દિલ્હી પહોંચતા FIR થઇચેરમેન નંદુબેનની ચેમ્બરમાં પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન વચ્ચે ગાડીના ભાડા ચઢવા મુદ્દે, ભલામણો અસ્વીકાર કરવા મુદ્દે અને મુખ્ય સેવિકાની વિગતો સહિતની બાબતને લઇ ઉગ્ર બોલાચાલી બાદ લાફાવાળીનો બનાવ બન્યો હતો. દેકારો થતાં રૂમના અંદરનો દેકારો બહાર આવ્યો હતો. નવેમ્બર મહિનામાં નંદુબેને પોલીસમાં અરજી આપી હતી. પરંતુ કથિત એક ભાજપના મંત્રીના કહેવાથી ફરિયાદ લેવામાં આવતી ન હોવાનો નંદુબેને આક્ષેપ કર્યો હતો. પોતાને ન્યાય ન મળતા નંદુબેન છેક દિલ્હી સુધી રજૂઆત કરવા માટે ગયા હતા અને દિલ્હીથી આદેશ થતા 60 દિવસની લડત બાદ ફરિયાદ લેવામાં આવી છે. સરકારી વકીલનું મંતવ્ય:બંને ફરિયાદમાં પુરાવા મળે તો કાર્યવાહી થાય આ બંને કેસમાં પોલીસ તપાસ અને પુરાવા મહત્વના છે. ચેરમેનની ફરિયાદમાં એસસીએસટી સેલના ડિવાયએસપી કક્ષાના અધિકારી તપાસ કરે. ફરિયાદમાં કરેલા આક્ષેપોના પુરાવા મળે તો આરોપીને બોલાવી એરેસ્ટ કરી તપાસના અંતે એટ્રોસીટી કોર્ટમાં ચાર્જશીટ દાખલ થાય પછી કેસ ચાલે. તો પ્રોગ્રામ ઓફિસરની ફરિયાદમાં તપાસમાં મળતા પુરાવા મહત્વના બનશે. — એમ.પી.સભાણી (સરકારી વકિલ)
ખાતમુહૂર્ત:બળદિયામાં શાંતિબાગ ભવનનું ખાતમુહૂર્ત, 51 લાખના દાતા રાઘવાણી પરિવાર દ્વારા ભૂમિપૂજન
બળદિયા ખાતે શાંતિબાગ ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. જમીન પણ દાતાઓ દ્વારા દાનમાં આપવામાં આવી હતી. બળદિયા નીચલાવાસ સ્વામિનારાયણ મંદિર સંચાલિત શાંતિબાગના નવા ભવનના નિર્માણના ભૂમિ પૂજનના પાયા ભુજ સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતોના સંગાથે પ્રેમજી કેસરા રાઘવણી પરિવાર દ્વારા રૂપિયા 51 લાખના દાન સાથે રોપાયા હતા. આ પ્રસંગે અનેક દાતાઓએ લાખોના દાનની જાહેરાત કરી હતી. ભુજ મંદિરના ઉપમહંત ભગવતજીવન સ્વામી, પાર્ષદ જાદવજી ભગત અનેક પુરાણી સદગુરુ સંતોની હાજરીમાં હરિભક્ત ભાઈ-બહેનોની વિશાળ હાજરીમાં શાંતિબાગના નવા ભવનની પાયા વિધિ કરાઈ હતી. આ પ્રસંગે આફ્રિકા, લંડન સહિત અનેક દેશોના દાતાઓ હાજર રહ્યા હતા. મંદિર કમિટીના આગેવાનો શિવજીભાઈ વેકરીયા, દિનેશ વાલાણી, ટ્રસ્ટીઓ કે. કે. જેસાણી, જાદવજી ગોરસીયા સહિત અનેક સેવાભાવી ભક્તો જોડાયા હતા. યુવા વર્ગે વ્યવસ્થા સંભાળી હતી. અંજાર, માંડવી, ભુજથી અગ્રણી સંતો આવ્યા હતા.
મેડિકલ અને સર્જીકલ કેમ્પ યોજાયો:બિદડામાં કાન, નાક, ગળા શિબિરમાં 520 દર્દીની તપાસણી કરવામાં આવી
બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે આયોજીત 52મા મેડિકલ અને સર્જીકલ કેમ્પ અંતર્ગત કાન, નાક, ગળા શિબિરમાં 520 દર્દીની તપાસણી કરાઇ હતી. જે પૈકી 78ની શસ્ત્રક્રિયા, 76 દર્દીને શ્રવણ યંત્ર અપાયા હતા. બીનાબેન અને ડો. કિશોર વોરા (યુ.એસ.એ.) ના આર્થિક સહયોગ અને જયાબેન સુંદરજી મુળજી શાહના અનુદાનથી યોજાયેલી આ શિબિરમાં ડો. શશીકાંત મશાલ, ડો. સોહીલ ગાલા,ડો. રોશની મોહંતી, ડો. અમૃતા અનાર્થે, ડો. રાહુલ સીનોય, ડો. મનોહર રેડ્ડી, ડો. અશ્વીની ગાડગે, ડો. ધનાશ્રી બ્રહ્માનંદ અને ડો. હિમાંશુ કોચે દ્વારા 520 દર્દીઓની તપાસણી કરવામાં આવી હતી. જેમાંથી જરૂરતમંદ 78 દર્દીઓના ઓપરેશન વિના મૂલ્યે કરવામાં આવ્યા હતા. એનેસ્થેટીક તરીકે મુંબઈના ડો. તુષાર દેઢીયા, ડો. રાજા નરશાપુરકર અને ડો. શિવાની શાહે સેવાઓ આપી હતી. બિદડા ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન યુ.એસ.એ, હસ્તે વિજય છેડા, ચેરમેન, ડો. મણીભાઈ મેહતા વાઈસ ચેરમેન, ડો. ગીરીશ શાહ પ્રેસિડેન્ટ, અરવીંદ શાહ ટ્રસ્ટી, રમેશ શાહ ખજાનચી, નવીન ગંગર સેક્રેટરીના અનુદાનથી 225 દર્દીઓના ઓડીયોગ્રામ ડો. સ્નેહા સાવલા અને ડો. જીનલ વોરા દ્વારા કરવામાં આવ્યા હતા. રવજી કરશન હાલાઈ, ધનુબેન રવજી હાલાઈના અનુદાનથી વિના મૂલ્યે શ્રવણ યંત્રોઆપવામાં આવ્યા હતા. દાતા પરિવારે કેમ્પ દરમ્યાન સ્વયં મુલાકાત લીધી હતી અને ટ્રસ્ટ ધ્વારા ચાલતી પ્રવૃતિઓથી પ્રભાવિત થયા હતા. લક્ષ્મીચંદ વોરા, પુરવ વોરા, જયેશ શાહ અને ચિન્ટુ સાવલાએ વ્યવસ્થા સંભાળી હતી. ચેરમેન વિજય છેડાએ જણાવ્યું હતું કે ટ્રસ્ટ મધ્યે દર અઠવાડિયે કાન-નાક-ગળા અને ઓડીયોલોજીસ્ટની સેવાઓ રાહત દરે અપાય છે અને ઓપરેશન પણ સ્થાનિકે કરવામાં આવે છે. વધુ માહિતિ માટે ૯૬૮૭૯ ૮૨૪૪૪ નંબર પર સંપર્ક કરવા જણાવ્યું હતું.
જિલ્લામાં ફરી એકવાર 108 એમ્બ્યુલન્સ સેવા જીવાદોરી સાબિત થઈ છે. ભુજ તાલુકાના ખાવડાની હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતા તાત્કાલિક સારવાર માટે લઈ જવાઈ હતી. હોસ્પિટલના તબીબે તપાસ કરતા જાણવા મળ્યું કે મહિલાની ગર્ભાવસ્થા 9 મહિના પૂર્ણ ન થતાં વધુ ઉચ્ચ સારવાર માટે મોટી હોસ્પિટલમાં રિફર કરવી જરૂરી છે.આથી ખાવડા સી.એચ.સી.માંથી મહિલાને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી અને તે માટે 108ને કોલ આપવામાં આવ્યો. એમ્બ્યુલન્સ હોસ્પિટલમાંથી નીકળ્યા બાદ રસ્તામાં મહિલાને પ્રસૂતિની પીડા વધી ગઈ અને સ્થિતિ વધુ ગંભીર બની હતી. આવા સંજોગોમાં 108ના પાયલટ દસરથભાઈ ચારકાટા અને ઇએમટી મહિપાલ ઠાકોરે ધીરજ અને કુશળતાથી તાત્કાલિક નિર્ણય લઈ એમ્બ્યુલન્સમાં નોર્મલ ડિલિવરી કરાવી હતી. આ દરમિયાન રિફર ઇઆરસીપી ડૉ. ટી. આર. પટેલની સલાહ અનુસાર જરૂરી દવાઓ અને પ્રસૂતિ બાદ માતા તથા નવજાત બાળકને જી.કે. જનરલમાં દાખલ કરવામાં આવ્યા.દર્દીના પરિવારે સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છ 108ના ઇએમઇ હિરેનભાઈ જોષી (ખાવડા) દ્વારા સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવનો મંગળવારથી પ્રારંભ થઈ રહ્યો છે. તે પૂર્વે સોમવારે સ્મૃતિ મંદિર ખાતે સાંજે નીકળેલી બે કિમિ લાંબી ભવ્ય પોથી યાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહંત સ્વામી ધર્મનંદનદાસજી, ઉપ મહંત ભગવતજીવન દાસજી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત, વરિષ્ઠ સદગુરુ સંતોમાં શ્રીહરિ સ્વામી, બાલકૃષ્ણદાસજી, વહિવટી કાર્યવાહક કોઠારી સંત દેવપ્રકાશદાસજી વિગેરે સંતો દ્વારા આરતી કરવામાં આવી હતી. 212 બુલેટો ચાલકોની આગેવાની હેઠળ નીકળેલી યાત્રામાં સમગ્ર ચોવીસી માંથી આવેલ રાસ મંડળીઓ ઠાકોરજીની પાલખીઓ સાથે પોતાની આગવી શૈલીમાં ભક્તિમય છંદ મંજીરા ગુમર રાસની રમઝટ બોલાવી હતી. સ્મૃતિ મંદિરથી નીકળેલ વિશાળ પોથી યાત્રા મંગલમ્ ચાર રસ્તા થઈ કોલેજ રોડ, ત્યાંથી ટાઉન હોલ થઈ વાજતે ગાજતે મુખ્ય નૂતન મંદિરે પહોંચી ત્યારે સાંખ્યયોગી બહેનોએ ઠાકોરજી સાથે પોથી પૂજન કરી ઓવારણા લીધા હતા. જય ઘોષ સાથે પોથીને સભા મંડપમાં પધરવામાં આવી હતી. આ પોથી યાત્રામાં દેશવિદેશના હરિભકતો સાથે ચોવીસી અને શહેરીજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જિલ્લા માહિતી કચેરીથી મંદિર તરફના રસ્તા પર 24મી સુધી વાહનોની અવર-જવર બંધશિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત કાયદો અને વ્યવસ્થા તથા ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.24/01 સુધી જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ દ્વારા વાહનોની અવર-જવર પર પ્રતિબંધ અંગે જાહેરનામુ બહાર પાડ્યુ઼ં છે. શહેરની જિલ્લા માહિતી કચેરીથી પૂજા ડાઈનીંગ હોલ સુધીના રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શકશે નહીં. જયારે બહુમાળી ભવનથી ધીંગેશ્વર મહાદેવ મંદિર સુધીના રસ્તા પરથી વાહનો અવર-જવર કરી શકશે. ભુજ શહેરના રસ્તા/માર્ગ પરથી વાહનોની અવર-જવર બંધ થવા તેમજ વૈકલ્પિક રસ્તા/માર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
વાયરોની ચોરી ઝડપાઈ:મમુઆરા પાટિયા પાસે કારમાં લઇ જવાતા 5 લાખના વાયર ઝડપાયા
ખાવડા નજીક આવેલા આરઈ પાર્કમાંથી કોપર વાયરની ચોરી કરી ફોરચ્યુનર કારથી ભાગેલો આરોપી મમુઆરા પાટિયા પાસે કાર મૂકી ફરાર થઇ ગયો હતો.પોલીસે કારમાં તપાસ કરતા 5 લાખની કિંમતનો કોપર વાયર અને વાયર કાપવાનું કટર મળી આવ્યા હતા. એલસીબીની ટીમને બાતમી મળી હતી કે,ખાવડા આરઇ પાર્ક ખાતે કંપંની અંદર કામ કરતા ઇસમો દ્વારા અવાર નવાર કોપરના વાયરો ચોરી કરી બહાર લઈ જવામાં આવે છે અને હાલ આરઈ પાર્ક અંદરથી એક સફેદ કલરની ફોરચ્યુનર નંબર આરજે 08 યુએ 4096 વાળીમાં ચોરી કે છળકપટથી મેળવેલા કોપરના વાયરો લઈ આરોપી ભુજ તરફ રહ્યો છે. બાતમીને આધારે તપાસ કરતા ફોરચ્યુનર કાર પધ્ધર બાજુ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.જેથી પદ્ધર પોલીસની ટીમને ફોરચ્યુનરની વોચમાં રહેવા માટે જાણ કરવામાં આવી હતી. એ દરમિયાન આરોપી કાર લઈને આવતા તેને રોકવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સાઇડમાંથી કાર હંકારી આરોપી ભાગ્યો હતો.જેથી પોલીસે તેનો પીછો કરતા મમુઆરા ફાટક પાસે હસ્તીક હોટલની બાજુમાં ગાડી મુકી આરોપી ભાગી ગયો હતો.
દિવ્ય ભાસ્કર ગ્રુપનું રેડિયો સ્ટેશન MY FM આજે દેશના સૌથી વ્યાપક અને ઝડપી ગતિએ વિસ્તરી રહેલા એફ એમ નેટવર્કમાં સ્થાન ધરાવે છે. 2006થી ‘રીયલ ભારત’નો અવાજ બનીને MY FM દેશના નાના-મોટા શહેરોમાં શ્રોતાઓ સાથે સતત જોડાતો આવ્યો છે. 44 સ્ટેશન્સના આ રાષ્ટ્રીય નેટવર્કમાં હવે ગુજરાત વધુ અસરકારક રીતે જોડાઈ ગયું છે. ગુજરાત અને દમણમાં MY FM હવે 6 સ્ટેશન્સ સાથે એક મજબૂત અને વિશ્વસનીય રેડિયો નેટવર્ક બની ગયું છે. આ જ વિસ્તરણની સૌથી ખાસ અને ઐતિહાસિક કડી છે, ભુજ અને ગાંધીધામ. કચ્છની આ એ જ ધરતી છે, જેણે પોતાની આસ્થાને ક્યારેય તૂટવા નથી દીધી અને ખરાબ પરિસ્થિતિઓમાં પણ પોતાની હિંમતને તુટવા નથી દીધી. ભુજ, જેણે ભયાનક ભૂકંપની આપત્તિ સહન કરીને પણ ફરી એક વખત ઊભા થવાનું સાહસ બતાવ્યું, અને ગાંધીધામ, જે કચ્છનો વ્યાપારિક ધબકાર છે, ઉદ્યોગ, લોજિસ્ટિક્સ અને વેપારની મજબૂત ઓળખ ધરાવે છે. 94.3 MY FM ભુજ અને 91.5 MY FM ગાંધીધામમાં ખૂબ જલ્દી શરૂ થવા જઈ રહ્યું છે. બન્ને શહેરો માટે આ એક ઐતિહાસિક ક્ષણ હશે, કારણ કે ભુજ અને ગાંધીધામના શ્રોતાઓ પહેલી વાર પોતાના એફ એમ રેડિયાનો અનુભવ કરશે. ખાસ વાત એ છે કે MY FM આ વિસ્તારમાં એફ એમ રેડિયોના નવા યુગની શરૂઆત કરવા જઈ રહ્યું છે. 94.3 MY FM ભુજ અને 91.5 MY FM ગાંધીધામ લઈને આવશે શ્રોતાઓની પસંદના ગુજરાતી અને બોલીવુડ ગીતો, પોતાના ગમતા આરજેની વાતો, રસપ્રદ કોન્ટેસ્ટ્સ, લોકલ મુદ્દાઓ, શહેર સાથે જોડાયેલા સમાચારો, વાસ્તવિક વિષયો પર ચર્ચા અને એવું કન્ટેન્ટ જે માત્ર સાંભળવામાં નથી આવતું, અનુભવવામાં આવે છે. આ સફરમાં શ્રોતાઓની પસંદગી નક્કી કરશે કે 94.3 MY FM ભુજ અને 91.5 MY FM ગાંધીધામ પર કયા પ્રકારના કાર્યક્રમો હશે? કેવું સંગીત હશે? રેડિયો જોકી કઈ ભાષામાં અને શું વાત કરશે? આજના દિવ્ય ભાસ્કરમાં તમારી પસંદ જાણવા માટે કેટલાક પ્રશ્નો છે. આ પ્રશ્નોના જવાબ આપી તમે તમારી પસંદનું રેડિયો તૈયાર કરવા માટે MY FM ટીમને તમારા સુચન આપી શકો છો. ભુજ અને ગાંધીધામની માટીમાં ઇતિહાસ છે, આસ્થાની ઊંડાઈ છે, સંઘર્ષમાંથી ઉપજેલો આત્મવિશ્વાસ છે અને વેપારની મજબૂતી છે. હવે ખૂબ જલ્દી તેની હવામાં પણ તમારી પસંદ અનુસાર એક નવો અવાજ હશે, એટલે કે 94.3 MY FM ભુજ અને 91.5 MY FM ગાંધીધામ. MY FM, ચલો અચ્છા સુનતે હૈ.
સિટી એન્કર:પીએચડી સંશોધકો અને રિસર્ચ સ્કોલરના જ્ઞાનમાં થઈ અભિવૃદ્ધિ
કચ્છ યુનિવર્સિટી ખાતે વિશ્લેષણાત્મક ઉપકરણો વિષયક છ દિવસીય વર્કશોપનું આયોજન કરાયું છે, જેનો પ્રથમ દિવસ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક અને અત્યંત રોચક રહ્યો. આ વર્કશોપનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકોને આધુનિક વિશ્લેષણાત્મક તકનીકોનું સિદ્ધાંતાત્મક તેમજ પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કરવાનો છે. વર્કશોપના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ડૉ. પરિનિતા જવાહર ઉપસ્થિત રહ્યા હતા. સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. મોહન પટેલ તથા ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તેજલ શેઠ હાજર રહ્યા હતા. તેમણે સંશોધન, ગુણવત્તા નિયંત્રણ અને વૈજ્ઞાનિક વિકાસમાં વિશ્લેષણાત્મક ઉપકરણોની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વર્કશોપના સંયોજક ડૉ. વિજય રામએ કાર્યક્રમના ઉદ્દેશ્યો અને તેની શૈક્ષણિક ઉપયોગિતા વિષે માહિતી આપી હતી. વિભાગના વડા ડૉ. જ્યોતિન્દ્ર ભટ્ટએ પોતાના સંબોધનમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ, સંશોધકો અને અધ્યાપકોને આધુનિક વિશ્લેષણાત્મક ઉપકરણોનું પ્રાયોગિક જ્ઞાન મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા. તોશવિન એનાલિટિકલ (શિમાડઝુ – જાપાન) તરફથી હરેશભાઈ રાણપરીયા, ઈશાન પારેખ, રશ્મિકાંત વૈષ્ણવ અને પ્રતિક પટેલે વિવિધ વિશ્લેષણાત્મક ઉપકરણો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ માઈલસ્ટોન ઈન્ડિયા (IR ટેક – રીગાકુ) તરફથી સ્નેહભાઈ અને પ્રવીણભાઈ તિરમાલીએ માઈક્રોવેવ ડાઈજેશન વિષય પર માહિતી આપી હતી.સંચાલન કિંજલ ઠક્કર અને નિઝાર ચાકી દ્વારા કરાયું હતું. ડૉ. ગિરિન બક્ષીએ આભારવિધિ કરી હતી. આ છ દિવસીય વર્કશોપમાં કેમિસ્ટ્રી, લાઇફ સાયન્સ, જિઓ સાયન્સ સહિતના વિષયોના વિદ્યાર્થીઓ, પીએચડી સંશોધકો, રિસર્ચ સ્કોલર્સ તેમજ પ્રોફેસરો જોડાયા છે. શરૂઆતમાં માત્ર 30 વિદ્યાર્થીઓ માટે મંજૂરી અપાઈ હતી, પરંતુ અપેક્ષા કરતા અનેકગણો પ્રતિસાદ મળતાં યુનિવર્સિટીએ ખાનગી કંપનીઓના સહયોગથી આયોજન વિસ્તૃત કર્યું, જેના પરિણામે દોઢસોથી વધુ વિદ્યાર્થીઓ આ વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓને રહેવા, જમવા તથા શૈક્ષણિક કીટ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.વર્કશોપ દરમિયાન ઉદ્યોગોના પ્રતિનિધિઓ પણ સક્રિય રીતે જોડાયા છે અને ખાસ કરીને ફાર્માસ્યુટિકલ એનાલિસિસમાં દવાઓની શુદ્ધતા માપવા સહિતના મુદ્દાઓ પર મહત્વપૂર્ણ માહિતી અપાઈ રહી છે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને સિદ્ધાંતાત્મક માહિતી આપવામાં આવી, ત્યારબાદ પ્રાયોગિક સેશન યોજાયા હતા. સંશોધન માટેના ઉપકરણો બનાવતી વિશ્વની વિવિધ અગ્રણી કંપનીઓના પ્રતિનિધિઓ એક જ સ્થળે કચ્છ યુનિવર્સિટીમાં એકત્ર થયા હોવાને કારણે વિદ્યાર્થીઓને સીધો ઉદ્યોગસંપર્ક અને વ્યવહારુ જ્ઞાન મળી રહ્યું છે. સેન્ટ્રલ લેબમાં સેમ્પલ મોકલી એનાલિસિસની ખાતરી અપાઈઆગામી પાંચ દિવસ દરમિયાન દિલ્હી, અમદાવાદ, ચેન્નાઈ અને કોલકત્તા સહિતના વિસ્તારોમાંથી વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ આવશે. પ્રથમ દિવસે વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પુછીને પોતાના જ્ઞાનમાં વધારો કર્યો હતો. કંપનીના પ્રતિનિધિઓ દ્વારા વિદ્યાર્થીઓને ખાતરી અપાઈ હતી કે, સંશોધન દરમિયાન કોઈ મુશ્કેલી પડે તો અમદાવાદ અને મુંબઈ સ્થિત સેન્ટર લેબોરેટરીમાં સેમ્પલ મોકલી એનાલિસિસ કરાવી શકાય છે અને પીએચડી સુધી તમામ પ્રકારનો સહયોગ આપવામાં આવશે.
ડિફેન્સ અને એવિએશન ક્ષેત્રમાં સલામતી ટેકનોલોજી સતત વિકસતી રહી છે અને તેમાં જૈનિલે દાખલ કરેલું પેટન્ટ “A System and Method for Inertial Triggered Auto Locking of Aircraft Canopies” એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. આ નવીન સિસ્ટમ ખાસ કરીને હાઈ-સ્પીડ અને લશ્કરી વિમાનો માટે ડિઝાઇન કરવામાં આવી છે. જ્યાં અતિશય ઇનર્શિયલ પરિસ્થિતિઓ પાયલટના જીવન માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. 17 વર્ષીય જૈનિલ ચાંપાનેરીયાએ જણાવ્યું હતું કે, રાજસ્થાનમાં જગુઆર પ્લેન ક્રેશ વિશે જાણવા મળ્યું કે મીડ એરમાં કેનોપી નેગેટીવ જી-ફોર્સ વધવાના કારણે જામ થઇ હતી અને પાઈલટ ઇજેક્ટ ન કરી શકતા દુર્ઘટના સર્જાઇ હતી. આ વિષયને ધ્યાનમાં રાખીને આવું ફરી ન બને તે માટે થઇને 3 મહીના સુધી રીસર્ચ કરી મિકેનીકલ બેક અપ સિસ્ટમ ડેવલપ કરી. જે જી-ફોર્સને ડિટેક્ટ કરી કેનોપી લોક કરી દે છે. આ સિસ્ટમ બનાવ્યા બાદ તેને યુટીલીટી પેટન્ટ તરીકે ફાઇલ કરવામાં આવી હતી. ટેક્નોલોજી ઈનર્શિયલ સેન્સર્સના આધારે કામ કરે છેફાઈટર જેટ અને અન્ય હાઈ-પરફોર્મન્સ વિમાનોમાં તીવ્ર મેનૂવર્સ, અચાનક એક્સેલરેશન અથવા ડીસેલરેશન, તેમજ કોમ્બેટ પરિસ્થિતિઓ દરમિયાન કેનોપીનું સુરક્ષિત રીતે લોક રહેવું અત્યંત આવશ્યક હોય છે. જો આવી ક્ષણોમાં કેનોપી અચાનક ખૂલી જાય અથવા યોગ્ય રીતે લોક ન રહે, તો પાયલટને ગંભીર ઇજા કે જીવલેણ અકસ્માતનો સામનો કરવો પડી શકે. જૈનિલની પ્રસ્તાવિત સિસ્ટમ આ જ ખતરાને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવી છે. આ ટેકનોલોજી ઇનર્શિયલ સેન્સર્સના આધારે કાર્ય કરે છે, જે વિમાન પર લાગતા વિશિષ્ટ જી-ફોર્સ, એક્સેલરેશન અથવા અચાનક ઝટકાઓને તરત ઓળખી શકે છે. જ્યારે સિસ્ટમ આવા સંવેદનશીલ પરિસ્થિતિઓને ડિટેક્ટ કરે છે, ત્યારે તે આપોઆપ કેનોપી લોકિંગ મિકેનિઝમને સક્રિય કરી દે છે.
ચેઇન સ્નેચરને પોલીસે પકડ્યો:નિવૃત્ત બેંકકર્મીના ગળામાંથી સોનાની ચેન તોડી ભાગેલો આરોપી પકડાયો
નિવૃત બેંકકર્મીના ગળામાંથી ધોળા દિવસે ચેન તોડી ભગવાનો બનાવ કપુરાઇ પોલીસ મથકે નોંધાયો હતો. જેમાં ગણતરીના કલાકોમાં પોલીસે આરોપીને ઝડપી 2.5 લાખની ચેન જપ્ત કરી છે. સોમા તળાવ વિસ્તારની ઉમા નગર સોસાયટીમાં રહેતા અને સ્ટેટ બેંકમાંથી નિવૃત થયેલા વિનોદભાઈ હીરાભાઈ સોલંકી ગઈ કાલે રવિવાર સવારે 10 વાગે બહાર નીકળ્યા હતા. શાકભાજીની ખરીદી કરી 10.30 વાગે ઘર તરફ આવી રહ્યા હતા.ત્યારે સોસાયટીની અંદરના રોડ પર એક યુવક પાછળ આવ્યો હતો.જેને વિનોદભાઈના ગળામાં પહેરેલી બે તોલા વજનની ચેન તોડી દોડતો ભાગ્યો હતો. બુકાની બાંધેલા યુવક ચેન તોડી ભાગતા બૂમાબુમ થઈ હતી. યુવક સોસાયટી બહાર મુકેલી પોતાની બાઇક ઉપર બેસી ભાગી ગયો હતો. કપુરાઇ પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિકસ્થળ ઉપર પહોંચી હતી અને આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન કપુરાઇ બ્રિજ પાસે રહેતો યુવક અલ્પેશ બાબુભાઈ પગીનાં ઘરમાં તપાસ કરતા એની પાસેથી સોનાની ચેન મળી આવી હતી. ભાસ્કર ઇનસાઇડદારૂની લત માટે નાણાંની જરૂર ઊભી થતાં ચેન તોડી હતીબુકાની બાંધેલા યુવકને ભાગતા અનેક લોકોએ જોયો હતો.અને બાદમાં બાઇક લઈને જતા પણ કેટલાકે જોયો હતો.આ વર્ણનના આધારે પોલીસ આરોપી સુધી પહોંચી હતી. આરોપી અલ્પેશ કોઈ કામ ધંધો કરતો ન હતો. જ્યારે રોજે રોજ દારૂ પીવાની ટેવ હતી. એના માટે નાણાંની જરૂર ઊભી થતાં એને મોટી રકમ મેળવવા માટે સોનાની ચેન તોડવાનો પ્લાન બનાવ્યો હતો અને ચેન તોડી હતી. પરંતુ અંતે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
‘વ્હાલી દીકરી’ યોજના:1291 બાળકીને ‘વ્હાલી દીકરી’ યોજના હેઠળ રૂા.51.64 લાખની સહાય મળશે
રાજ્ય સરકારે 7 વર્ષ પહેલાં શરૂ કરેલી ‘વ્હાલી દીકરી’ યોજનાના લાભો અંતર્ગત 2019માં જે દીકરીઓનાં નામ નોંધાયાં હતાં, તેવી 1291 દીકરીઓને પ્રથમ હપ્તા પેટે 51.64 લાખ મળશે. આ યોજના અંતર્ગત દીકરી પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે તેને રૂા.4 હજાર મળતા હોય છે. શહેર-જિલ્લામાં યોજના અંતર્ગત 13,248 અરજી મંજૂર થઇ છે. વધુમાં વધુ પાત્ર દીકરીઓને ‘વ્હાલી દીકરી’ યોજનાનો લાભ મળી રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્રે વિશેષ ઝુંબેશના આયોજન કર્યું છે. આ યોજનામાં અરજી કરવા મામલતદાર કચેરી તેમજ ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ વીસી પાસેથી અરજીનાં ફોર્મ નાગરિકો લઈ શકશે. યોજનામાં 1.10 લાખની સહાય 3 તબક્કામાં અપાય છે યોજનામાં અરજી કરતી વખતે આ પુરાવા જરૂરી રહેશે
વરણી:ભાજપ પ્રદેશ કારોબારીમાં પરાક્રમસિંહ અને સત્યેન કુલાબકર સહિત 5ની વરણી
ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કારોબારી 79 સભ્યોની વરણી કરવામાં આવી છે. જેમાં વડોદરા શહેરના પાંચ અને જિલ્લાના બે સભ્યોની પસંદગી કરાઈ છે. વડોદરા શહેરમાંથી હાલના શહેર મહામંત્રી સત્યેન કુલાબકર, સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન સતીશ પટેલ (છાણી), પૂર્વ મેયર ભરત ડાંગર, કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજા અને પ્રદેશ મહિલા મોરચાના મહામંત્રી સીમાબેન મોહીલેને પ્રદેશ કારોબારી સભ્ય તરીકેની જવાબદારી સોંપાઈ છે. જ્યારે જિલ્લામાંથી ધર્મેશ પંડ્યા અને કલ્પનાબેન પટેલનો પ્રદેશ કારોબારી બોડીમાં સમાવેશ કરાયો છે. જોકે પ્રદેશ આમંત્રિત સભ્યોની યાદીમાંથી વડોદરાના પીઢ નેતાઓને બાકાત રખાયા છે.
ગમખ્વાર અકસ્માત સર્જાયો:ઈનોવાએ ટક્કર મારતાં વેગેનાર કાર અને બાઇકનો અકસ્માત,6 વર્ષની બાળકીનું મોત
શહેરના મકરપુરા રોડ પર એક ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો, જેમાં સફાઈ કામદાર તરીકે 2 દીકરીઓને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. તે દરમિયાન રોડની બીજી બાજુ એક એક વેગેનાર કારને પાછળથી આવતી ઈનોવા કારે ટક્કર મારતા વેગેનાર કાર રોડની બીજી બાજુ આવી હતી અને તેણે બાઈકને અડફેટે લેતા બાઈકની પેટ્રોલની ટાંકી પર બેઠેલી 6 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, વેગેનાર કાર ચાલક એક્સ આર્મીમેન છે. માણેજા ખાતે આવેલા શીવબા નગર સોસાયટીમાં રહેતા ચેતનભાઈ સોલંકી સફાઈ સેવક તરીકે કામ કરે છે. તેમની 7 વર્ષીય મોટી દીકરી ધારા અને 6 વર્ષીય દીકરી જીઆન મકરપુરા ખાતે આવેલી શારદા મેમોરિયલ વિદ્યાલયમાં અભ્યાસ કરે છે. જેથી તેઓ બપોરે 12 વાગ્યાના અરસામાં બંને દીકરીઓને શાળાએ મૂકવા બાઈક લઈને નીકળ્યા હતા. ત્યારે તેમની નાની દીકરી જીઆન બાઈકની ટાંકી પર બેઠી હતી અને ધારા પાછળ બેઠી હતી. તેઓ મકરપુરા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વેગેનાર કારે ડિવાઈડરથી રોડની બીજી તરફ જવા માટે વળાંક લેવાનો પ્રયાસ કર્યો હતો. જેને કારણે પાછળથી આવતી ઈનોવા કારે તેને ટક્કર મારતા વેગેનાર કારે ચેતનભાઈની બાઈકને અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે ચેતનભાઈ અને જીઆન રોડ પર પટકાયા હતા અને તેઓને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જીઆનને ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું.માંજલપુર પોલીસે બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. ચેતનભાઈનાં પત્ની 8 મહિનાના ગર્ભવતી, અકસ્માતના બનાવને લઈ તબિયત લથડીચેતનભાઈને 3 દીકરીઓ છે. જેમાંથી જીઆન બીજા નંબરની હતી. હાલમાં તેઓની પત્ની ગર્ભવતી છે અને તેમનો 8મો મહિનો જઈ રહ્યો છે. અકસ્માતને કારણે તેમની પત્નીની તબિયત પણ લથડી હતી. ઉપરાંત ધારા અકસ્માતને જોઈને આઘાતમાં સરી ગઈ હતી. ઘણા કલાકો સુધી તે બોલી પણ નહોતી શકતી. પોલીસે બંને કાર ચાલકની અટકાયત કરીઅકસ્માતમાં એક વેગેનાર જેનો નંબર MP-09-ZY-3238 છે તે 33 વર્ષીય યોગેશ બલદાર નામને રજિસ્ટર છે અને ઘટના સમયે તે જ કાર ચલાવી રહ્યા હતા. યોગેશ એક્સ આર્મી મેન છે અને તે ડિવાઈડરના કટમાં ઊભા હતા. ત્યારે ઈનોવા કાર જેનો નંબર GJ-06-PE-8663 છે. જે અજીત આહીરના નામે રજિસ્ટર છે અને તે સમયે તે જ કાર ચલાવી રહ્યા હતા અને તેઓએ વેગેરનારને ટક્કર મારી હતી. હાલમાં માંજલપુર પોલીસે આ બંને કારના ચાલકોની અટકાયત કરીને તેઓની પૂછપરછ હાથ ધરી હતી. 2 મહિનામાં 10થી વધારે અકસ્માતમાં 15થી વધુ લોકોનાં મોતનવેમ્બર મહિનાથી લઈને જાન્યુઆરી મહિનામાં શહેરમાં અલગ-અલગ ઠેકાણે 10થી પણ વધારે અકસ્માતના બનાવો બન્યા છે. આ અકસ્માતમાં 15થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે પોલીસ માત્ર માર્ગ સુરક્ષા સપ્તાહનું આયોજન કરીને સંતોષ માણી રહે છે. મારી કાર 15 દિવસ પહેલાં વેચી દીધી છે: સનાભાઈ ઠાકોરસના ઠાકોરે જણાવ્યું હતું કે, મે મારી કાર 15 દિવસ પહેલા વિજય પંચાલને વેચી છે.જોકે હજુ નામ બદલી કરવાનું બાકી છે. ઘટના સ્થળે અજીતને લેવા માટે તે માટે ગયા હતા કે, લોકો તેને મારે નહીં, તેને પોલીસ મથકમાં હાજર થવા કહી દેવામાં આવ્યું હતું. ભાસ્કર ફર્સ્ટ પર્સનજીલુને માથામાં વાગતાં પપ્પા હોસ્પિટલમાં લઈ ગયાઅમે ઘરેથી નીકળીને સ્કૂલે જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં અકસ્માત થયો હતો. જ્યારે અકસ્માત થયો ત્યારે હું ઊભી થઈ ગઈ હતી, પણ પપ્પા અને જીલુને માથામાં વાગ્યું હતું. પપ્પા જીલુને લઈને હોસ્પિટલ ગયા હતા.(ચેતનભાઈની મોટી દીકરી ધારા સાથે થયેલી વાતચીત અનુસાર)
દેશભરમાં ભારે ચકચાર જગાવનાર અને સૌથી મોટા મનાતા ડિજિટલ એરેસ્ટના દિલ્હીના મામલામાં વડોદરાના ત્રણ આરોપીઓને દિલ્હી પોલીસ ઝડપીને લઈ ગઈ છે. વૃદ્ધ એનઆરઆઇ તબીબ દંપતી પાસેથી 14.82 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલામાં ઝડપાયેલા ત્રણના ખાતામાં ઠગાઈની રકમ પૈકી 6 કરોડ રૂપિયા જમા થયા હોવાનું મનીટ્રેલમાં દિલ્હી સાયબર ક્રાઈમ દ્વારા શોધી કાઢવામાં આવ્યું હતું. યુનીસેફમાં અમેરિકામાં કામ કર્યા બાદ નિવૃત્ત થયેલા 81 વર્ષીય ઓમ તનેજા અને 77 વર્ષીય ઇન્દિરા તનેજા સાથે 24મી ડિસેમ્બરે આ ઠગાઈની શરૂઆત થઈ હતી.જે 9 જાન્યુઆરી સુધી ચાલુ રહી હતી. જેમાં ઇન્દિરા તનેજાએ TRAI ના નામે ફોન કરી તમારા નામે રજિસ્ટર થયેલા મોબાઇલ નંબરથી કરોડો રૂપિયાનું મની લોન્ડરિંગ થયું હોવાનું જણાવ્યું હતું અને મુંબઈના કેનેરા બેંકમાં તમારા આધારકાર્ડથી ખોલાવેલા ખાતામાં વિજય ગોયલના કરોડોના કૌભાંડના નાણાં જમા થયા હોવાની ફરિયાદ કોલાબા પોલીસ મથકે નોંધાઈ છે. બાદમાં ભેજાબાજોએ મુંબઈ પોલીસના નામે વીડિયો કોલ કરી દંપતીને વેરિફિકેશનના નામે ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. દંપતીના બેંક ખાતામાંથી અલગ અલગ ખાતામાં કુલ 14.85 કરોડ ટ્રાન્સફર કરાવ્યા હતા.જે પ્રક્રિયા બાદ પરત કરવાની ખાતરી આપી હતી.પરંતુ લાંબા સમય બાદ પણ રૂપિયા પરત બેંક ખાતામાં નહીં આવતા દંપતિને શંકા જતા દિલ્હી સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ઠગાઈની આ રકમ પૈકી 6 કરોડ રૂપિયા વડોદરાના બેંક ખાતાઓમાં ટ્રાન્સફર થઈ હોવાથી દિલ્હી પોલીસ વડોદરા આવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈ દિવ્યાંગ પટેલ, રોનક ગલતરીયા અને કૃતિક શીતોડ એમ ત્રણ આરોપીને ઝડપી પ્રકિયા પૂર્ણ કર્યા બાદ દિલ્હી લઈ જવા રવાના થઈ હતી. આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા, રકમ કંબોડિયાથી ચલાવતા સ્કેમના સંચાલકો સુધી પહોંચી પોલીસ તપાસ દરમિયાન દંપતીના ખાતામાંથી ટ્રાન્સફર થયેલી રકમ પૈકી 6 કરોડ રૂપિયા વડોદરાના બે બેંક ખાતામાં ટ્રાન્સફર થયા હતા, જેમાં એનજીઓ ચલાવતા અને યોગેશ્વર કૃપા સોસાયટી વાસણા ભાયલી રોડ ખાતે દિવ્યાંગ પટેલના ખાતામાં 4 કરોડ રૂપિયા જમા થયા હતા. આ રકમ એના સાગરિત અને અક્ષરવિંગ સન ફાર્મા રોડ પર રહેતા રોનક ગલતરીયા દ્વારા કેશ ઉપાડી અન્ય ખાતામાં જમા કરાવી હતી. જ્યારે વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા કૃતિક શીતોડેના ખાતામાં પણ 2 કરોડ રૂપિયા જમા થયા હતા. રકમ અન્ય ખાતાઓમાં અને છેલ્લે ચાઇનીઝ ગેંગ દ્વારા કંબોડિયાથી ચલાવતા સ્કેમના સંચાલકો સુધી પહોંચી હતી. પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ એક બીજા સાથે સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા હોવાનું જણાવ્યું છે. ભાસ્કર ઇનસાઇડબે આરોપીઓને ઝડપી પાડવા માટે ગોત્રી પોલીસે મદદ કરી હતીદિલ્હી પોલીસે આવી બે આરોપી ગોત્રી પોલીસ મથકની હદમાં રહેતા હોવાથી અમારી મદદ માગી હતી. જેના માટે જરૂરી એફઆઈઆર અને કોર્ટના દસ્તાવેજ રજૂ કર્યા હતા.દિવ્યાંગ પટેલને વાસણા રોડના નિવાસસ્થાનેથી અને રોનક ગલતરિયાને સન ફાર્મા રોડ પરના નિવાસસ્થાનેથી પકડ્યા હતા. આરોપીઓને લઈ દિલ્હી પોલીસ રવાના થઈ હતી. > રવિ પટેલ, પીઆઇ, ગોત્રી પોલીસ મથક
વારસિયા લૂંટ:વિદેશી ચલણી નોટો પોતાની હોવાની વેપારીની કબૂલાત
વારસિયા પોલીસ મથકે નોંધાયેલી 10 લાખની લૂંટમાં પોલીસે સૂત્રધાર સહિત 7 આરોપીને ઝડપી પાડ્યા હતા.લૂંટાયેલી રકમમાં વિદેશી ચલણની 2.71 કરોડની ચલણી નોટો મળતાં ક્રાઈમ બ્રાન્ચ મૂંઝવણમાં મુકાઈ હતી. આ મામલામાં વિદેશી ચલણની જાણકારી નહીં આપી હોવાથી હવે ફરિયાદી વેપારી શંકાના દાયરામાં આવ્યો હતો.ત્રીજા દિવસે ફરિયાદીએ વિદેશી ચલણી નોટો પોતાની હોવાની કબૂલાત કરી છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરતા કોર્ટે ફગાવી હતી. ફરિયાદી વેપારી લીલારામ રેવાણી જીવન ભારતી સ્કૂલ પાસે ગિફ્ટ શોપ ધરાવે છે. જ્યાં ફોરેન કરન્સી એક્સચેન્જ ઉપરાંત હવાલાનો ધંધો કરતો હતો. ફરિયાદીની પૂછપરછ બાદ નોટો પોતાની હોવાનું કબૂલ્યું હતું.
પાલિકાએ ત્રણ સ્કૂલોને 30 વર્ષ અને ત્યારબાદ વધુ 10 વર્ષ માટે ભાડાપટે આપેલી જમીનનું વાર્ષિક બાકી ભાડું અને વ્યાજની વસૂલાત કરવાનું મન બનાવ્યું છે. જેમાં કેળવણી ટ્રસ્ટ, ઉદય એજ્યુકેશન સોસાયટી અને ન્યુ ઈરા સ્કૂલને રૂ. 201 કરોડ ભરવા માટે પાલિકાએ નોટિસ આપી છે. પાલિકાએ ટીપી સ્કીમ નંબર 12 ફાઇનલ પ્લોટ 430 વાળી જમીન 1978માં 30 વર્ષ માટે રૂ. 1240ના ભાડાપટ્ટે ધ ગુજરાત ન્યુ ઈરા એજ્યુકેશન ટ્રસ્ટ (ન્યુ ઇરા સ્કૂલ)ને આપી હતી. વર્ષ 2008માં ભાડાપટ્ટો પૂર્ણ થતા વધુ 10 વર્ષ માટે મંજૂરી આપી હતી. 2008થી 2018 સુધી ભાડાની 6.79 કરોડ અને વ્યાજની રકમ 15.35 કરોડ, વર્ષ 2018થી 2026 સુધી 7.08 કરોડ અને વ્યાજની રકમ 4.63 કરોડ મળી કુલ 33.87 કરોડ ભરપાઈ કરવા જમીન મિલકત કોમર્શિયલ વિભાગે ડિસેમ્બરમાં નોટિસ આપી હતી. તેવી જ રીતે કેળવણી ટ્રસ્ટ (મહારાણી હાઇસ્કૂલ)ને પણ વર્ષ 1978માં 30 વર્ષ માટે 1410ના ટોકન ભાડે અને ત્યારબાદ વધુ 10 વર્ષ માટે જમીન ભાડાપટ્ટે આપી હતી. જેમાં વ્યાજ સહિત કુલ 89.73 કરોડ પાલિકાએ લેવાના કાઢ્યા છે. આ સિવાય ઉદય એજ્યુકેશન સોસાયટીને પણ વર્ષ 1978માં 1250ના ટોકન ભાવે 30 વર્ષ માટે અને ત્યારબાદ 10 વર્ષ માટે ભાડાપટ્ટો લંબાવી આપ્યો હતો. જેમાં 78.07 કરોડ વ્યાજ સહિત વસૂલાત કરવા નોટિસ આપી છે. સ્કૂલ પાસેથી વસૂલાત કરશો તો વેરો નહીં વધારવો પડેકોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વે પાલિકાની સભામાં અનેક વખત ત્રણેય સ્કૂલ પાસેથી ભાડું અને વ્યાજ વસૂલવા અંગેની રજૂઆતો કરી હતી. બાળુ સુર્વે જણાવ્યું હતું કે પ્રજા પર વેરાનો વધારો કરવાની જગ્યાએ જો આ શાળાઓ પાસેથી ભાડું અને વ્યાજ વસૂલ કરવામાં આવે તો વેરો વધારવાની જરૂરિયાત નહીં રહે. કામનો ખર્ચ વધતાં પાલિકાએ ભાડું વસૂલવાનું નક્કી કર્યુંપાલિકાના આધારભૂત સૂત્રો મુજબ આ વર્ષે વિકાસના કામો બહોળા પ્રમાણમાં મંજૂર થતાં પાલિકાની આર્થિક સ્થિતિ કથળે તેવી શક્યતાઓ સેવાઇ હતી. જેના પગલે વધારાના આવક તરીકે સુચવેલા સૂચનો પૈકી શાળાઓને આપેલી જમીનનું બાકી ભાડું વ્યાજ સહિત વસૂલવાનું નક્કી કરાયું હતું. આ સિવાય કેબિન-પથારાના બાકી ભાડાની વસૂલાત, પાણીના ડમી કનેક્શનને કાયમી કરવા સહિતની આવક વધારવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.
શહેરની મધ્યમાં આવેલા બદરી મોહલ્લામાં રવિવારે સવારે હેરિટેજ ટ્રસ્ટના સભ્યો માટે હેરિટેજ વૉકનું આયોજન થયું હતું, જેમાં 36 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આ વૉક સવારે 11 વાગે નૂરાની મસ્જિદથી શરૂ થઇ હતી. જ્યાં તમામે મસ્જિદનું આર્કિટેક્ચર જોયું હતું. આ મસ્જિદને 53 વર્ષ પૂરા થયા છે. આ જગ્યા પર 350 વર્ષ જૂની મસ્જિદ હતી. આ મસ્જિદને મારબલનું વન્ડર કહેવામાં આવે છે.ત્યાંથી એક 90 વર્ષ જૂના મકાનની મુલાકાત લીધી હતી. આ ઘરમાં મુખ્ય આકર્ષણ બેલ્જિયમના સિરામિક ટાઇલ્સ છે જે આજે પણ એજ હાલતમાં છે. ત્યાર બાદ તમામ સભ્યોએ સૈયદના સાહેબની મુલાકાત લીધી હતી. જ્યાં એમને 670 વર્ષ જૂની હસ્તલિપી બતાવી હતી. સૈયદના હાતિમ ઝકિયુદ્દીન સાહેબ એ ઉમેર્યું હતું કે ધરોહરને સાચવવું આપણું કર્તવ્ય છે. ડૉ ભાઈસાહેબ ઝુલકરનૈન જેઓએ આ વૉક હોસ્ટ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળ એ ધાર્મિક ક્રિયા માટે નહીં પણ એક સામાજિક કેન્દ્રબિંદુ હતું. આજે બધું જુદુ થઈ ગયું છે. આપણી ધરોહર જ આપણી ઓળખ અને એજ અમારા અસ્તિત્વનું કારણ છે. સુરતી હવેલીમાં વિદેશની ક્રોકરી નિહાળી મોગલવાડામાં સુરતી હવેલીમાં રહેતા હુસેનીભાઇ સુરતીએ એમની હવેલીની જૂની ક્રોકરી બતાવી હતી. જે જર્મની, ફ્રાન્સ અને હોલેન્ડની છે. અંદાજે 100 વર્ષ જૂની છે. 100 વર્ષ જૂના કેમેરા આકર્ષણનું કેન્દ્રવોક દરમિયાન જૂના કેમેરાનું કલેક્શન જોયું હતું જે હુસેનીભાઇ એડનવાળા એ પોતાના પિતા ઝિયાઉદ્દીન ભાઈની ધરોહર સાચવેલી છે. 100 વર્ષ જૂના કેમેરા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
એમ.એસ. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર યુવકના જાહેરમાં ચેનચાળા બાદ સત્તાધીશો એક્શનમાં આવ્યા છે. હોસ્ટેલ સત્તાધીશોએ પોલીસ પેટ્રોલિંગ તથા શી-ટીમના પોઇન્ટ મૂકવાની માગ કરી છે. જ્યારે ગર્લ્સ હોસ્ટેલમાં પોલીસ અને શી-ટીમનું કાઉન્સેલિંગ સેશન યોજાશે. યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર એક યુવક બાઈક પર બેસી અભદ્ર વર્તન કરી રહ્યો હતો. જેનો વીડિયો યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીએ ઉતાર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ હોસ્ટેલ સત્તાધીશો એક્શનમાં આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ યુનિવર્સિટી હોસ્ટેલની બહારના ફતેગંજથી કાલાઘોડા જવાના મુખ્ય માર્ગ પર, પેવેલિયન ગ્રાઉન્ડના રસ્તા પર તથા હોમ સાયન્સથી રેલવે સ્ટેશન જવાના માર્ગ પર પોલીસ પેટ્રોલિંગ વધારવા માટે હોસ્ટેલ સત્તાધીશોએ માગ કરી છે. ઉપરાંત હોમ સાયન્સ ફેકલ્ટી પાસે શી-ટીમનો પોઇન્ટ મૂકવાની માગ કરવામાં આવી છે. આગામી સપ્તાહમાં પોલીસ અને શી-ટીમનું કાઉન્સેલિંગ સેશન ગર્લ્સ હોસ્ટેલમાં યોજાશે. દર વર્ષે યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલમાં શી-ટીમનું કાઉન્સેલિંગ સેશન યોજવામાં આવે છે. જેમાં વિદ્યાર્થીઓને મહિલા હેલ્પ લાઈન સહિત પોલીસની મદદ લેવા માટેના નંબરો વિશેની માહિતી અપાય છે. આ ઉપરાંત ગર્લ્સ હોસ્ટેલમાં મહિલા હેલ્પ લાઇનના નંબર મૂકાય છે. હોમ સાયન્સના ગેટથી રેલવે સ્ટેશનના વળાંક સુધીમાં સાંજે વિદ્યાર્થિનીઓને ઘણીવાર અસામાજિકોનો સામનો કરવો પડે છેવિદ્યાર્થિનીઓ વારંવાર આ પ્રકારનો સામનો કરી રહી છે, પણ ફરિયાદ કરી રહી નથી. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની હોમ સાયન્સના ગેટથી રેલવે સ્ટેશનના વળાંક સુધીમાં સાંજે વિદ્યાર્થિનીઓ અનેકવાર અસામાજિકોનો સામનો કરી રહી છે. પેવિલિયન પાસે ગર્લ્સ હોસ્ટેલથી સેફ્રોનના માર્ગ પર પણ આવી હરકતનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, પરંતુ હોસ્ટેલની બહાર પોલીસ પેટ્રોલિંગના અભાવે અસામાજિક તત્ત્વો બેફામ બની રહ્યાં છે. એનએસયુઆઇ દ્વારા ઘટનાના વિરોધમાં ધરણાં, સિક્યોરિટી બદલવા માગ કરાઈએનએસયુઆઇ દ્વારા ઘટનાના વિરોધમાં ધરણાં કરાયાં હતાં. સંગઠને જણાવ્યું કે, મ.સ. યુનિવર્સિટી દ્વારા દર વર્ષે કેમ્પસની સુરક્ષા પાછળ કરોડોનો ખર્ચ કરાય છે, છતાં વારંવાર બહારનાં અસામાજિક તત્ત્વો કેમ્પસમાં પ્રવેશી વિદ્યાર્થીઓ સાથે મારામારી, વિદ્યાર્થિનીઓની છેડતી, કેમ્પસમાં જાહેરમાં દારૂ-સિગારેટ જેવા નશીલા પદાર્થોના સેવન કરવા જેવી ગંભીર ઘટના સામે આવી રહી છે. એનએસયુઆઇ દ્વારા માગ કરાઈ હતી કે, હાલ કાર્યરત અયોગ્ય સિક્યોરિટી કોન્ટ્રાક્ટને તાત્કાલિક રદ કરાય, નવી અને જવાબદાર સિક્યોરિટી એજન્સીને જવાબદારી સોંપાય, દરેક પ્રવેશદ્વારે કડક આઇડી કાર્ડ ચેકિંગ કરવા સહિત સીસીટીવી દેખરેખ સુનિશ્ચિત કરાય.
વિદ્યાર્થીઓને તૈયારીમાં પડી મુશ્કેલી:કોમર્સમાં 10મીથી પરીક્ષા,છાત્રોને હજુ સ્ટડી મટિરિયલ ન અપાયું
એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફવાય, એસવાય, ટીવાય બીકોમની મીડ સેમ પરીક્ષા 10મી ફેબ્રુઆરીથી લેવાશે. જોકે વિદ્યાર્થીઓને હજુ સુધી સ્ટડી મટિરિયલ મળ્યું ન હોવાથી તૈયારી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મીડ સેમ પરીક્ષાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સ્ટડી મટિરિયલ ન મળવાથી વિદ્યાર્થી પરેશાન છે. નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે મીડ સેમ પરીક્ષા 50 માર્કની હોવાથી વિદ્યાર્થીઓ માટે તેના માર્ક મહત્ત્વના છે. જેને કારણે વિદ્યાર્થીઓ મીડ સેમ પરીક્ષાને લઇને પહેલાથી જ તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. કોમર્સ ફેકલ્ટીના એફવાય, એસવાય, ટીવાય અને એમકોમમાં અમુક વિષયોનાં સ્ટડી મટિરિયલ હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યાં નથી. કોર્સ પૂરો થઇ ગયો છે, છતાં સત્તાધીશો દ્વારા સમયસર સ્ટડી મટિરિયલ ઝેરોક્સ સેન્ટર પહોંચાડ્યું ન હોવાની રજૂઆતો પણ વિદ્યાર્થી આગેવાનો દ્વારા કરાઈ છે. કોમર્સના ટીવાયમાં 6 હજાર અને એફવાયમાં પણ અંદાજિત 5500 વિદ્યાર્થી પરીક્ષા આપશે. એસવાય બીકોમમાં 3500 અને એમકોમમાં 3 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કયા વિષયનું સ્ટડી મટિરિયલ બાકી છે?
વેધર રિપોર્ટ:ઉત્તરના ફૂંકાતાં ઠંડીનો પારો 14 ડિગ્રી થયો,ધુમ્મસનું પ્રમાણ વધ્યું
શહેરમાં ઉત્તરના પવનો ફૂંકાતાં દિવસ દરમિયાન ઠંડીનો પારો 14 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે છેલ્લા બે દિવસથી ધુમ્મસ પણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલાં પશ્ચિમના પવનો ફૂંકાતાં ઠંડી ઘટી ગઈ હતી. જોકે ઠંડા પવનોનો મારો શરૂ થતાં જ ઠંડી ધીરે ધીરે વધવા લાગી છે. સોમવારે દિવસ દરમિયાન ઠંડા પવનો ફૂંકાયા હતા. મંગળવારે પણ ઉત્તરથી 5 થી 8 કિમી સુધીના પવનો ફૂંકાય તેવી સંભાવના છે. વડોદરા સહિત ગુજરાતમાં ફરી એક વખત કડકડતી ઠંડીનું જોર વધતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન વડોદરામાં ઠંડીનું પ્રમાણ યથાવત્ રહેવાની શક્યતા છે. જોકે ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશાથી આવતા પવનને કારણે રાતના તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગના આંકડા અનુસાર, સોમવારે મહત્તમ તાપમાનનો પારો 27.8 ડિગ્રી અને લઘુતમ તાપમાનનો પારો 14.8 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને સાંજે 36 ટકા નોંધાયું હતું. જ્યારે ઉત્તર-પશ્ચિમની દિશાથી 4 કિમીની ઝડપે પવનો ફૂંકાયા હતા.
વડોદરા જિલ્લા પંચાયતમાં સોમવારના રોજ કારોબારીની બેઠક મળી હતી. જેમાં વર્ષ 2026-27નું રૂા.39.52 કરોડનું બજેટ ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આ બજેટને હવે આગામી સામાન્ય સભામાં મંજૂર કરવા માટે મુકવામાં આવશે. જિલ્લા પંચાયતમાં સૌ પ્રથમ વખત સીએમ હેલ્પ ડેસ્કની જેમ જિલ્લા પંચાયત મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવા માટે રૂા.30 લાખની જોગવાઈ કરવામાં આવી છે. અંદાજપત્રમાં કર્મચારીઓ માટે વર્ક સ્ટેશન, અધિકારીઓની ચેમ્બર રિનોવેશન માટે રૂા.2 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સમાજકલ્ણાય ક્ષેત્રે ગાંધી જયંતિ, બાબા સાહેબ આંબેડકર જન્મજયંતી તેમજ નબળા વર્ગો માટે કરવાના વિકાસના કામો માટે રૂા.55 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ડેસ્ક બોર્ડ કેવી રીતે કામ કરશે ? અંદાજપત્રની મહત્ત્વની જોગવાઈઓ
ખોરાક શાખા એક્શન મોડમાં:ફતેગંજ,ભાયલી સહિતના સ્થળ પર ચેકિંગ, 8 દુકાનો સીલ,560 કિલો અખાદ્ય ચીજોનો નાશ
પાલિકામાં ધારાસભ્યોની સંકલનની બેઠકમાં ખોરાક શાખા અખાદ્ય ચીજોનું વેચતાં તત્ત્વોની દુકાનો સીલ નથી કરતી તેવી ફરિયાદ થઈ હતી. જેને પગલે ખોરાક શાખા દોડતી થઈ હતી. 29 દુકાનો, રેસ્ટોરન્ટ અને મેન્યુફેક્ચરિંગ એકમોમાં ચેકિંગ કરી 8 દુકાન સીલ કરી હતી. ખોરાક શાખાએ ફતેગંજ, સરદાર એસ્ટેટ, તાંદલજા, ભાયલી અને માંજલપુરમાં ચેકિંગ કર્યું હતું. જેમાં 1 ઉત્પાદક પેઢી, રેસ્ટોરન્ટ, 3 કેટરિંગ, 6 ફુડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ, 6 રિટેલર અને 14 હોકર મળી 46 યુનિટમાં ચકાસણી કરી હતી.જે પૈકી 15 યુનિટમાં ગંદકી જણાતાં નોટિસ ફટકારી હતી. સાથે 560 કિલો જથ્થાનો નાશ કર્યો હતો. જ્યારે 30 કિલો સિંગલ યૂઝ પ્લાસ્ટિક કબ્જે લીધું હતું. સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ 50 હજારનો દંડ કર્યો હતો. જ્યારે ખાણીપીણીની 8 દુકાનોને સીલ કરી હતી. સીલ કરાયેલી દુકાનો/રેસ્ટોરન્ટ
શહેરના આજવા રોડ વિસ્તારના રહેણાક ફ્લેટમાં રાત્રે એક યુવક ગેસ સિલિન્ડર ચાલુ કહીને રૂમમાં પૂરાઇ જતાં તેની પત્નીનો જીવ અધ્ધર થઇ ગયો હતો. આ યુવકે બધી બાજુથી દરવાજા બંધ કરી દેતાં આખરે પત્નીએ 112ને કોલ કર્યો હતો. આ કોલ પોલીસમાં અને ફાયરબ્રિગેડમાં ટ્રાન્સફર થતાં લાશ્કરોએ પત્ની પાસે ચાવી લઇને રૂમ ખોલતાં મામલો થાળે પડ્યો હતો. ફાયરબ્રિગેડની નોંધ મુજબ આજવા રોડ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રવિવારે રાત્રે 9 વાગ્યાના સુમારે એક વ્યક્તિ રૂમમાં સિલિન્ડર ચાલુ કરીને બેસી ગઇ છે અને અંદરથી રૂમ બંધ કરી દીધો છે. બીજી તરફ ફાયરબ્રિગેડને કોલ મળતાં ટીમ સીધી તેમના ઘરે પહોંચી હતી. દરમિયાન રહીશોને જાણ થતાં તેઓ ફલેટ બહાર ભેગા થઇ ગયા હતા. જ્યારે બાપોદ પોલીસના અધિકારી પણ તપાસ માટે પહોંચ્યા હતા અને પત્ની પાસેથી રૂમની ચાવી લઇને રૂમ ખોલવામાં આવ્યો હતો. રૂમ ખૂલતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. આ યુવકનાં પત્ની તબીબ છે. તેમણે જણાવ્યું કે, તેમની માનસિક રોગની દવા ચાલે છે. આ અમારો આંતરિક મામલો હતો, મેં જ પોલીસને જાણ કરી હતી. હવે સમાધાન થઇ ચૂક્યું છે. બીજી તરફ પતિ સાથે વાત કરતાં તેમણે પણ સમાધાનની વાત કરી હતી. ઘટનાને પગલે ફ્લેટના રહીશોમાં તરેહ-તરેહની ચર્ચા ચાલી હતી. એક પાડોશીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, કોઇ વ્યક્તિની માનસિક રોગ માટેની દવા ચાલતી હોય અને આવી હરકત કરે અને તે એન્જિનિયરિંગ મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી માટે કેવી રીતે જઇ શકે. માનસિક રોગની દવા ચાલતી હોય અને લાગણીને ધક્કો પહોંચે ત્યારે આ પ્રકારની વર્તણૂક શક્યસોશિયલ મીડિયા અને અન્ય અસરને લીધે આધુનિક સમયમાં આવી રહેલા બદલાવને કારણે સંબંધોમાં નવી બાબતો અને કિસ્સા સતત ઉમેરાતા જાય છે, જે સમાજ શાસ્ત્રીય-માનસ શાસ્ત્રીય અભ્યાસથી બહાર આવ્યું છે. આ વિશે શહેરના મનોચિકિત્સક ડો.હિમાંશુ ચૌહાણ કહે છે કે, માનસિક રોગની દવાઓ ચાલતી હોય અને અંગત વ્યક્તિની કોઇ હરકતને લીધે કોઇ લાગણીને ધક્કો પહોંચે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે.
હરણી બોટકાંડની બીજી વરસીના એક દિવસ બાદ પાલિકામાં મળેલી સામાન્ય સભામાં વિપક્ષ અને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા કાઉન્સિલરોએ વળતર મુદ્દે સભા ગજવી હતી. સભામાં વિવાદ વધતાં સત્તા પક્ષે વળતર અંગેની પોલિસી બનાવીશું, કહેતાં કોંગ્રેસે ઝટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે, છેલ્લી સભા છે ત્યારે 2 વર્ષ પછી પોલિસી બનાવવાનું યાદ આવ્યું. સભામાં વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવે માંજલપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી વિપુલસિંહ ઝાલાના મોતની ઘટના બાદ સત્તાપક્ષે વળતર તો ન આપ્યું, પરંતુ શ્રદ્ધાંજલિ તો આપી શકે ને, તેમ કહી કટાક્ષ કર્યો હતો. કાઉન્સિલર અમી રાવતે વળતરની માગ કરી હતી. તેઓએ પણ તંત્રનો કાન આમળી બે જલસા કાર્યક્રમ ઓછા કરી મૃતકના વળતર ચૂકવવાની જાહેરાત કરવા રજૂઆત કરી હતી. તેઓએ વેધક પ્રશ્નો ઉઠાવતાં કહ્યું હતું કે, શહેરને શણગારવા ખર્ચ કરાય છે તો વળતર ન આપી શકાય. આ ચર્ચા વચ્ચે સ્થાયી ચેરમેન ડો.શીતલ મિસ્ત્રીએ સત્તાપક્ષ આ બાબતે સંવેદનશીલ છે અને કોઈ પણ ઘટનામાં એફઆઇઆર થયા પછી વળતર આપવાનું થાય છે, પણ કેટલું આપવું તે માટેની પોલિસી નથી, પોલિસી બનાવવી જોઈએ. જોકે કોંગ્રેસના કાઉન્સિલરોએ સામે પ્રહાર કર્યો હતો કે, આ છેલ્લી સભા છે, હરણી બોટકાંડને બે વર્ષ વીતી ગયા પછી હવે તમને પોલિસી બનાવવાનું યાદ આવ્યું, આ છેલ્લી સભા છે હવે ક્યારે બનાવશો. ગોરવા આઇટીઆઇથી નારાયણ ગાર્ડન રોડને જય શ્રી રામ નામ અપાયુંવોર્ડ 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરેએ જુલાઈ-2024માં મ્યુ. કમિશનરને રજૂઆત કરી હતી કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બિરાજમાન થઈ તેવી રીતે ગોરવા આઈટીઆઈથી સપના વાવેતરથી નારાયણ ગાર્ડનવાળા રોડનું નામ જય શ્રી રામ માર્ગ કરો.જેને સભામાં મંજૂરી અપાઈ છે. જ્યારે ખોડિયાર ચોકડીથી માધવ પાર્ક, લક્ષ્મીપુરા સ્મશાન સુધીના રોડને મહારાણી પદ્માવતી નામ અપાયું છે. આશિષ જોષીનો મેયર પર પ્રહાર, કહ્યું, તમે મૌન રહ્યાં તેથી શહેરને ઘણું ભોગવવું પડ્યુંસભામાં આશિષ જોષીએ મેયર અને વહીવટી તંત્રની મનમાની સામે આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે, પીડિતોને વળતર ચૂકવતા નથી અને આરોપીઓને પતંગ ઉત્સવમાં બોલાવો છો, બિલ્ડિંગનું ઇન્ટિરિયર બનાવવા આપો છો. મેયર તમે બોલતાં નથી તે અમે જાણીએ છીએ, પણ આ મૌનથી શહેરને ઘણું ભોગવવું પડ્યું છે. તમે નિવેદન કર્યું કે, અધિકારીઓ હડતાળ પર ગયા, મને મીડિયા દ્વારા જાણ થઈ. તમને પૂછ્યા વિના હડતાળ પર કેવી રીતે ગયા. ભૂતકાળના મેયરને પૂછ્યા વિના કોઈ વોશરૂમ જતું ન હતું. છાણી જકાતનાકાના ફોર્ચ્યુન ગેટવેના દબાણ હટાવોવોર્ડ 1નાં કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ છાણી જકાતનાકાના ફોર્ચ્યુન ગેટવે દ્વારા દાદરનું દબાણ અને રોડ પર પાર્કિંગ કરાતું હોવાની ફરિયાદ કરી હતી. જહા ભરવાડે કહ્યું કે,ટીપીના નકશામાં હોય તેટલો રોડ ખુલ્લો કરી નો પાર્કિંગ ઝોન કરો. શહેરમાં દબાણોને કારણે અકસ્માત વધ્યા છે. મુખ્યમંત્રી પીડિત પરિવારોને વળતર આપે : કેજરીવાલબોટકાંડને 2 વર્ષ થતાં પીડિતોએ હરણી લેકઝોનની બહાર મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. સોમવારે આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ વડોદરા આવતાં બોટકાંડના પીડિતો તેમને મળવા ગયા હતા. કેજરીવાલે કાઉન્સિલર આશિષ જોષી અને પીડિતોને સાંભળ્યા હતા. કેજરીવાલે કહ્યું કે, 2 વર્ષે પણ આરોપીઓને સજા નથી મળી તે દુઃખદ છે. આરોપીઓને સખત સજા થાય અને પીડિત પરિવારોને વળતર મળે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરું છું.
સિંગલ યુઝ પ્લાસ્ટિક અને 20 માઈક્રોનથી ઓછા માઈક્રોન વાળી થેલીના ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતા બેરોકટોક ઉપયોગ થઈ રહ્યો છે. પ્લાસ્ટિક પર્યાવરણ માટે નુકસાનકારક હોવા છતા લોકો જાણે અજાણે અનુકૂળતા મુજબ આવી બેગનો ઉપયોગ કરતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કપડાની બેંગનું વિતરણ કરાયા બાદ પણ છાનેખૂણે પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થઈ રહ્યો છે. ત્યારે ભાસ્કરે અમદાવાદીઓને મત જાણવાનો પ્રયાસ કર્યો હતો. મોટાભાગના લોકોએ કપડાની થેલીનો જ ઉપયોગ કરતા હોવાનો સ્વીકાર કર્યો હતો. જો કે, સાથે સવાલ પણ ઉઠાવ્યો હતો કે, જે કંપનીમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગ બને છે ત્યાં જ કેમ દરોડો નથી પડાતો?, જો નબળી ગુણવત્તાની પ્લાસ્ટિકની બેગ બજારમાં જ નહીં આવે તો આપોઆપ સમસ્યા હલ થઈ જશે.
ગઈ કાલે દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘બંદીવાન’માં ઘાયલ પ્રેમી વિશ્વાસ સાથે વાત કર્યા બાદ આજે આપણે વાત કરીશું શકીલ અને સુમિત સાથે. શકીલ અને સુમિત બંને મર્ડરના જ ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. બંનેની કહાની અલગ, બંનેના કેસ અલગ, જેલમાં બંનેનાં લોકેશન અલગ, પરંતુ બંને કેદીઓ એક કડીથી જોડાયેલા છે, જે છે દારૂ! ‘દારૂ’ ફક્ત પીનારની નહીં પરંતુ બીજાની પણ જિંદગી બરબાદ કરે છે, એ વાત અહીં પુરવાર થાય છે. દારૂડિયાઓના કારણે આ બંને કેદીઓ (જે પોતે દારૂ પીતા પણ નહોતા) હાલમાં સાબરમતી જેલની દીવાલો વચ્ચે કેદ છે. *** બડા ચક્કર, છોટા ચક્કર, અંડા સેલ એ વળી શું?‘બંદીવાન’ના ગઇકાલના એપિસોડમાં આપણે જાણ્યું કે અમદાવાદની સાબરમતી જેલમાં ત્રણ અલગ વિભાગ આવેલા છે. આજે એ જેલની અંદરની વ્યવસ્થા સમજીશું. નવી જેલ, જેમાં કોર્ટમાંથી સજા મેળવી ચૂકેલા પાકા કામના કેદીઓ રહે છે. એમાં ટોટલ ચાર વિભાગ; બડા ચક્કર, છોટા ચક્કર, બસ્સો ખોલી અને અંડા સેલ. દરેક વિભાગનું જેવું નામ એવું જ કામ. બડા ચક્કરમાં, એક મોટ્ટું સર્કલ. એમાં વચ્ચે ખાલી મેદાન જેવું અને સૂર્યનાં કિરણો નીકળે એ રીતે સર્કલની બારે દિશામાં એક એક લંબચોરસ બેરેક. દરેક બેરેક એટલી મોટી કે એમાં 50 કેદીઓ આરામથી રહી શકે. તે ઓરડીમાં એક બાજુની દીવાલને અડકીને લાઇનસર 25 ગાદલાં, વચ્ચે ચાલવાની જગ્યા ને એની એક્ઝેક્ટ સામે 25 ગાદલાં. દરેક કેદીનાં ગાદલાંના ઓશિકા પાસે જ એમનો સામાન, એમની જમાપૂંજી કે એમની આજીવિકા, જે ગણો એ એટલી જ જગ્યા! 200 બેરેક હતાં, તો નામ પડી ગયું ‘બસ્સો ખોલી’આ જ રીતે છોટા ચક્કરમાં થોડી ઓછી બેરેક, પણ પેટર્ન સેમ. છોટા ચક્કર, બડા ચક્કર સેમ, પણ હવેના બે વિભાગ થોડાં ડેન્જર! ત્રીજો વિભાગ બસ્સો ખોલી, બસ્સો ખોલીમાં પણ જેવું નામ એવું કામ. 200 બેરેક હોવાના કારણે એનું નામ ‘બસ્સો ખોલી’ પડી ગયું. બસ્સો ખોલીમાં ફક્ત એવા જ કેદીઓને રાખવામાં આવ્યા છે, જેઓ ખૂબ જ ખૂંખાર છે અથવા તો અતિશય ગંભીર ગુનો કરીને જેલમાં આવ્યા છે. આતંકી હુમલાના આરોપીઓ કે સમાચારોમાં ચમકતા ગેંગસ્ટર અહીં કેદ હોય. સૌથી છેલ્લો વિભાગ ‘અંડા સેલ’. અંડા સેલમાં સાવ ઓછી બેરેક, પણ બેરેકનો આકાર ઇંડા જેવો એટલે નામ પડી ગયું ‘અંડા સેલ’. સાબરમતીની સૌથી હાઇ સિક્યોરિટીવાળી બેરેક, જેમાં નામચીન કેદીઓનો વિસામો. હવે આજના કેદી સાથે મુલાકાત કરીએ. આજે એક નહીં, બે કેદીઓને મળીશું. *** બનવું હતું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અને બની ગયો ‘બંદીવાન’‘બંદીવાન’ સિરીઝના બીજા એપિસોડમાં આજે પહેલાં વાત કરીશું અમદાવાદના ‘શકીલ’ સાથે. અમદાવાદના રામોલનો શકીલ 27 વર્ષની ઉંમરથી જેલમાં સજા ભોગવી રહ્યો છે અને આજીવન કેદની સજા કાપતાં કાપતાં હાલ 36 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યો છે. દેખાવે એકદમ એકદમ ડિસન્ટ અને વેલ ડ્રેસ્ડ. કદ-કાઠીએ સિંગલ બોડી, વેલ ટ્રિમ્ડ દાઢી અને એકદમ ક્લીન બોલી. જેલમાં આવ્યા પહેલાં શકીલ એકાઉન્ટન્ટની જોબ કરતો, પણ થોડી વાર વાતચીત કરી એટલે એની બોલીના કારણે મારે અચાનકથી વચ્ચે વાત કાપીને પૂછવું પડ્યું કે, તમે ભણ્યા છો શું? જવાબ હતો, CA! યસ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ! શકીલ કહે છે, ‘એકાઉન્ટન્સી મારો શોખ હતો એટલે 12 કોમર્સ પછી બી.કોમ. કર્યું. 91.7% સાથે ગ્રેજ્યુએશન પૂરું કરી સુરેન્દ્રનગરમાં નોકરી કરતાં કરતાં સાથે CAનું ભણતર ચાલુ હતું. જે દરમ્યાન અમદાવાદ ઘરે આવવાનું થયું અને આ ગુનો થઈ ગયો. CAમાં હાજરી કમ્પલસરી હોય છે, પણ જેલમાં આવ્યા પછી હાજરી ન પૂરી શક્યો એટલે CA અધૂરું છોડવું પડ્યું.’ બીજા એક દારૂડિયાની દારૂની લતે શકીલની જિંદગી બરબાદ કરી નાખી. વેલ, શકીલ અત્યારે જેલમાં પણ કૂપન (જેલની ચલણી નોટ)ના વિભાગમાં કામ કરે છે. ચલો, આપણે શકીલ સાથે વાત ચાલુ કરીએ. ‘માણસ બહુ સારો, પણ એને દારૂની લત’જે દિવસે ક્રાઇમ બન્યો, ત્યારે શું થયું હતું? શકીલે વાતની શરૂઆત કરી, ‘આજથી 8-9 વર્ષ પહેલાંની વાત છે. સુરેન્દ્રનગર જોબમાંથી રજા લઈ હું અહીં રામોલમાં મારા ઘરે આવ્યો હતો. અમારી જ નાતનો મારો એક ફેમિલી ફ્રેન્ડ. બંનેના ઘરે ઘર જેવા સબંધ. માણસ બહુ સારો પણ એને દારૂની લત, પૂરો દારૂડિયો. રોજ દારૂ પી જાય એટલે કોઇની પણ સાથે કારણ વિના ઝઘડે રાખે. અમારી સાથે તો રોજ ઝઘડા કરતો, પણ અમારો મિત્ર એટલે અમે ઓળખીએ કે, આ દારૂની લતના કારણે છે. નશો ઊતરશે પછી એ બહુ સારો માણસ છે. અમારી આખી સોસાયટીના લોકોએ મળીને પણ એને ઘણી વાર સમજાવ્યો, પણ એનામાં રત્તીભરનો ય ફરક નહીં. પત્થર પર પાણી રેડવા જેવું હતું. પણ એમાં એક દિવસ…’ ‘દીવાલ સાથે એનું માથું અથડાયું અને…’શકીલે વાત ચાલુ રાખી, ‘હું બહાર હતો ને એ દિવસે એનું વર્તન થોડું વધારે બગડી ગયું. એ દિવસે એણે લિમિટ ક્રોસ કરી ને મારા પરિવાર પર તૂટી પડ્યો. રોજે અમારી સાથે ઝઘડતો હતો, ત્યાં સુધી બરોબર હતું, પણ એ દિવસે તો બહાર નીકળી મારા પરિવાર સાથે ગંદી ગાળાગાળી અને મારામારી ચાલુ કરી દીધી. ઘરમાં મહિલા છે કે પુરુષ, એ જોયા વિના જ ગાળાગાળી અને હાથાપાઈ કરવા માંડ્યો હતો. ત્યાં હું પહોંચી ગયો. એ પછી તો બે મિનિટમાં માહોલ શાંત થઈ ગયો, પણ… શોકમય શાંત! એ બે મિનિટ મારા નહીં, કોઈના પણ કંટ્રોલ બહારની હતી.’ ‘હું વચ્ચે પડ્યો, એને સમજાવવાનો પ્રયાસ કર્યો, શાંત થવા સમજાવ્યો. ફેમિલીને એની પાસેથી છોડાવવાની ટ્રાય કરી, એણે ગાળાગાળી ચાલુ રાખી. મને ગાળો આપી. મેં તો પણ એ બધું ભૂલી સમજાવવાનું ચાલુ રાખ્યું, પણ એણે જોરથી હાથ ફેરવી મને દૂર ધકેલી દીધો. હું થોડો દૂર જઈ નીચે પડ્યો, હું ફરી ઊભો થયો, ફરી સમજાવવાની ટ્રાય કરી, એ સમજવા તૈયાર જ નહોતો, મેં એને જોરથી ખેંચીને મારા ફેમિલીથી દૂર કર્યો ને બસ… દીવાલ સાથે એનું માથું અથડાયું ને હેમરેજ થઈ ગયું!’ ‘મારા પરિવાર પર આવ્યું એટલે મારાથી સહન ન થયું’એ ટાઈમે મગજમાં શું ચાલતું હતું? શકીલ કહે, ‘કશું જ નહીં. એ ટાઈમે મારા મગજમાં કોઈ જ ગુસ્સો કે કોઈ આક્રોશ પણ નહોતો, હું ખાલી ડિફેન્સમાં હતો. હું મારા ફેમિલીને બચાવવામાં લાગ્યો હતો. એ રોજે શેરીનાં બાળકોને મારતો. રિસ્કી ડ્રાઇવિંગ કરતો તો પણ એનો પરિવાર એને એક શબ્દ નહોતો બોલતો. પણ એ દિવસે મારા પરિવાર પર આવ્યું એટલે મારાથી સહન ન થયું. આવું થઈ જશે, એ તો ક્યારેય વિચાર્યું પણ નહોતું. પછી તો મારા પર કેસ થયો અને હાઇકોર્ટે મને આજીવન કેદની સજા ફટકારી. છેલ્લાં 8 વર્ષથી જેલમાં સજા ભોગવું છું.’ *** ‘દુનિયાનાં મેણાં-ટોણાથી ત્રાસીને પત્નીએ આપઘાત કરી લીધો’તમારા ઘરે શું પરિસ્થિતિ છે? કોણ કોણ છે? શકીલ કહે, ‘અત્યારે તો ઘરે મમ્મી-પપ્પા, ભાઈ-ભાભી અને મારો દીકરો છે, બંને બહેનોનાં લગ્ન થઈ ગયાં છે.’અમને વાઈફનું નામ ન સંભળાયું એટલે ફરી પૂછ્યું, વાઈફ? શકીલ કહે, ‘આત્મહત્યા! મારા જેલમાં આવ્યા પછીના એક મહિનામાં જ એણે સુસાઇડ કરી લીધું. મીડિયા અને બધાનાં મેણાં એનાથી સહન ન થયાં ને છેલ્લે અમને બધાને છોડીને આ દુનિયામાંથી જ જતી રહી.’અત્યારે તમારું બાળક કોણ સાચવે છે? શકીલ કહે, ‘અત્યારે તો અમારું ઘર ને મારું બાળક બંને મારો ભાઈ જ સાચવે છે. ભાઈ ઈલે. એન્જિનિયર છે. આટલું થયું તો પણ ભાઈ મને એમ જ કહે છે કે, તું ચિંતા ન કરતો, ઘર માટે હું બેઠો છું, એ હું સાચવી લઇશ. તું ખાલી શાંતિથી વર્તાવ કરીને બહાર નીકળવાનું વિચાર.’ ‘મમ્મી-પપ્પા આજે પણ રડ્યાં કરે છે, દીકરાએ મારા વિના નાનપણ કાઢ્યું’એ લોકો પર શું વીતી રહી છે? શકીલ ઝીણી આંખો કરી ધીરેથી માથું નકારમાં હલાવી કહે, ‘ઘરની વ્યથા મારાથી નથી બોલાય એમ. આટલાં વર્ષોએ પણ દર અઠવાડિયે મારું આખું ફેમિલી અહીં મને મળવા આવે છે. ભાઈ તો મને હજુ થોડી હિંમત આપે છે પણ મમ્મી-પપ્પા તો કશું બોલી જ નથી શકતાં. એમનાં આંસુઓ જ મારી સાથે વાતો કરે છે. આઠ વર્ષેય એ રડ્યા સિવાય એક શબ્દ નથી બોલી શકતાં.’‘બાળક?’ અમે પૂછ્યું;‘ઘરે ક્યારે આવશો?’ શકીલ બોલ્યો;‘બીજું?’‘પ્લીઝ ન પૂછો એના વિશે!’રૂમમાં શાંત માહોલ થઈ ગયો, હું અને શકીલ બંને મૌન, મારી આંખો શકીલ સામે અને શકીલની નીચે.થોડી વાર ચૂપ રહી દુ:ખી ચહેરાથી લાચાર અવાજે શકીલ બોલ્યો, ‘મારા બાળકે મારા વિના નાનપણ કાઢ્યું છે! ફેમિલી ફંક્શન, તહેવારો, ઑકેઝન બધી જગ્યાએ મારા વિના જવું પડે છે.’ ‘જેલમાં મને ઘરની જ ચિંતાનાં સપનાં આવે છે’જેલમાં કોઈ સપનાં આવે છે? રડવું આવે છે? શકીલ કહે, ‘ઓલવેઝ! ક્યારે રડવું નથી આવતું એ પૂછો! એમાં પણ તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય ત્યારે તો વધારે રડવું આવે છે. પણ સમાજે ઘણો સપોર્ટ કર્યો છે. આજ સુધી કોઈએ મારા પર આંગળી નાથી ચીંધી. કારણકે લોકો એને પણ ઓળખતા હતા અને મને પણ. એટલે આજે પણ લોકો એ જ કહે છે કે, વાંક એનો જ હતો, પણ તમારી સાથે આ નહોતું થવું જોઈતું. અત્યારે મારા ઘરે પણ ઘણી તકલીફો હશે, મારા વિના ઘણી મુશ્કેલી પડતી હશે, પણ એ લોકો મને ક્યારેય નથી કહેતા. આજે ય મને ઘરની ચિંતાનાં સપનાં આવે છે.’ ‘હું હજુ લાઇફથી હાર્યો નથી’જે થયું એ વાતનો પસ્તાવો છે? શકીલ કડવા સ્મિત સાથે કહે, ‘મેં જાણી જોઇને કોઈ ક્રાઇમ કર્યો જ નહોતો. પણ હા, આવું થઈ જશે એ તો ક્યારેય વિચાર્યું પણ નહોતું. પરંતુ હું હજુ લાઈફથી હાર્યો નથી. હજુ પણ મારા મગજમાં એ જ છે કે, અહીંથી બહાર કેમ નીકળવું. મારા લીગલ પ્રયાસો ચાલુ જ છે. મને આશા છે કે હું જલ્દી જ બહાર નીકળીશ.’ ‘શાંતિ રાખો, ગુસ્સામાં ક્યારે શું થઇ જાય તેની ખબર નથી રહેતી’બહાર નીકળશો ત્યારે સમાજ સ્વીકારી લેશે? શકીલ કહે, ‘કોની પાસે સમય છે? સમાજ પાસે એવો કોઈ ટાઈમ નથી કે દરેકનો ભૂતકાળ સમજવા બેસે. અને જે લોકો મને ઓળખે છે, એમને મારે કશું સમજાવવાની જરૂર નથી. એ લોકોને ખ્યાલ છે કે, આ બધું અજાણતા થઈ ગયેલું છે. અહીંથી બહાર નીકળી ફરી એકાઉન્ટન્ટની જોબ કરીશ, નહિતર બિઝનેસ કરીશ. પણ લોકોને ખાસ કહીશ કે, બને ત્યાં સુધી શાંતિ રાખો, ગુસ્સો ન કરો, ગુસ્સામાં ક્યારે શું થઈ જાય ખબર નથી રહેતી.’ એક ક્ષણનો ગુસ્સો અને જીવનભરનો સન્નાટોએક ઉજ્જ્વળ ભવિષ્ય ધરાવતા આશાસ્પદ યુવાનનું ભવિષ્ય થોડી ક્ષણોના ગુસ્સાને કારણે ભસ્મીભૂત થઇ જાય, તેનો પરિવાર બરબાદ થઇ જાય, તેવી થરથરાવી દેતી શકીલની કહાની રિમાઈન્ડર છે કે, એક ક્ષણનો ગુસ્સો શું કરાવી શકે છે. સમય-સંજોગો અને શકીલની કિસ્મતે એને આજીવન સાબરમતી જેલની દીવાલો વચ્ચે કેદ કરી નાખ્યો. પોતાની વાત પૂરી કરી શકીલ ટેબલ પરથી ઊભો થયો, નીચું જોઈ પોચા પગે રૂમની બહાર નીકળ્યો ને સુમિતે પોતાની સ્ટોરી સાથે રૂમમાં પગ મૂક્યો. *** દારૂનો નશો બીજાની જિંદગી પણ બરબાદ કરી શકેસુમિતનું પણ એવું જ. ડ્રાઇવિંગનું કામ કરતા સુમિતને પણ સમય સંજોગોએ જેલમાં પહોંચાડી દીધો. દારૂ ઢીંચ્યો બીજા કોઈએ અને સજા મળી સુમિતને. એકદમ ગરીબડો ચહેરો. શ્યામ વર્ણ, ગાલ પર ઝીણા ઝીણા ખાડા, થોડી વધી ગયેલી દાઢી ને મીડિયમ બાંધો! સુમિત અંદર આવી સામેના ટેબલ પર બેઠો અને અમે વાતચીતનો દોર શરૂ કર્યો. ગાંધીનગરમાં કલોલ પાસેના આમજા ગામે સુમિતનું ઠેકાણું. ઘરે પપ્પા નહિ એટલે ફક્ત 8 ધોરણ સુધી જ ભણ્યો ને પછી ડ્રાઇવિંગનું કામ કરી ઘર ચલાવવાનું શરૂ કરી દીધું. ઉંમર થતાં લગ્ન થયાં. જે બાદ એક દીકરી અને બે દીકરા જન્મ્યાં. દીકરી આજે 13 વર્ષની ને દીકરાઓ અનુક્રમે 10 વર્ષ-12 વર્ષના થઇ ગયાં છે. બધું બરોબર ચાલતું હતું ત્યાં એક આઘાતજનક ઘટનાએ એના આખા પરિવારને વિખેરી નાખ્યો. વેઇટ, સુમિત પાસેથી જ સાંભળીએ કે એ દિવસે શું થયું હતું. ‘મારી ગાડીના આગળના પૈડા નીચે કોઈ આવીને સૂઈ ગયેલું’નવેમ્બર 2017સમયઃ સાંજના 6:30 વાગ્યાનોસુમિત કહે, ‘એ દિવસે હું ગાડીનો ફેરો મારવા ગયો હતો. ત્યાં પહોંચી ગાડી ખાલી કરી એટલી વારમાં મારી ગાડીના આગલા ટાયર પાસે એક વ્યક્તિ સૂઈ ગયો. પાછા આવીને મેં જેવી ગાડી શરૂ કરી ત્યાં ફ્રન્ટ હેડલાઇટ ઑન થતાં જ મારું ધ્યાન પડ્યું કે અહી તો આગળ કોઈ સૂતું છે. હું તો ડરી ગયો કે, જો ભૂલથી ગાડી થોડી પણ આગળ ચાલી ગઈ હોત તો આનો જીવ જતો રહેત. ગુસ્સામાં નીચે ઊતર્યો ને નીચે ઊતરી પેલાને બે લાફા ઝીંકી દીધા. એ દારૂડિયો હતો, ને પૂરેપૂરો પીધેલો હતો, એટલે લાફો મારી ભગાડ્યો તો ઘરે પણ જતો રહ્યો. મેં પણ ગાડી ચાલુ કરી ને હું પણ ઘરે જવા નીકળ્યો.’ ‘ઘરે પહોંચી મારાં ત્રણેય બાળકો સાથે રમ્યો. પછી અમે છ જણાએ સાથે જમ્યાં ને પછી સૂઈ ગયાં. ત્યાં બીજા દિવસે મને ગામવાળાએ કહ્યું કે, તમે કાલે એને લાફો માર્યો હતો ને એ આજે ઊલટીઓ કરે છે. હવે એક-બે લાફામાં શેની ઊલટી થાય? તો પણ હું એના ઘરે ગયો અને પૂછ્યું કે, કશું થાય છે? દવાખાને જવું છે? તો એણે ના પાડી કે, ‘ના ના, બધું બરોબર છે. ખાલી ઊલટીઓ જ થઈ હતી.’ ‘મને ખબર પડી કે પેલો દારૂડિયો તો મરી ગયો છે’રાત્રે 2 વાગ્યે‘પરંતુ એના પછીના દિવસે અડધી રાત્રે પોલીસ અમારા ઘરે પહોંચી. ઘરનો દરવાજો ખખડાવ્યો ને મને કહ્યું કે, ‘એક સહી કરવા અત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે.’ એમ કહી પોલીસ સ્ટેશન લઈ ગયા. થોડી વાર બેસાડી મને તો લોકઅપમાં નાખી દીધો. મારી સાથે શું થયું? મેં શું કર્યું? મને કોઈ જ ખબર નહોતી. નહીં મને કે નહીં મારા પરિવારને. સવારે જ્યારે કોર્ટમાં લઈ ગયા ત્યારે મને ખબર પડી કે, આગળના દિવસે પેલો મરી ગયો છે.’ ‘ડાઇંગ ડિક્લેરેશનમાં મારું નામ લીધું અને…’હેં? કેવી રીતે? સુમિત કહે, ‘એ દિવસે રાત્રે એને ઊલટીઓ ચાલુ થઈ ગઈ હતી. 108માં હોસ્પિટલ લઈ ગયા હતા. દવાખાને રાત્રે બે વાગ્યે એણે જીવ ગુમાવી દીધો હતો. ડોક્ટરે કહ્યું કે, એની ડાબી પાંસળીમાં ક્રેક હતું, જેમાં આલ્કોહોલ મિક્સ થઈ જતાં મોત થયું છે. જતાં જતાં એ બે વ્યક્તિઓનાં નામ લખવાતો ગયો કે, એ લોકોએ મને માર્યો હતો. હવે એ સ્ટેટમેન્ટના કારણે પોલીસ મને લઈ ગઈ અને કોર્ટે જેલની સજા ફટકારી. એ પછી હાઇકોર્ટમાં કેસ ચાલ્યો ને દોઢ મહિના જામીન મળ્યા. એ પછી હું જામીન પર હતો ત્યારે પાંચ વર્ષ સુધી કેસ ચાલ્યો ને અંતે કોર્ટે મને IPS 304 (હત્યાના ઈરાદા વિના થયેલ દોષિત હત્યા : હત્યાનો ઇરાદો ન હોય પણ જાણ હોય કે આનાથી મોત થઈ શકે છે) હેઠળ સાત વર્ષની સજા ફટકારી.’ ‘સતત એ જ વિચાર ચાલે છે કે ક્યારે જેલમાંથી છૂટીશ’કેટલાં વર્ષથી અહી સાબરમતી જેલમાં છો? સુમિત કહે, ‘30 વર્ષની ઉંમરે જેલ થઈ હતી. અત્યારે 34 વર્ષનો થયો છું. હજુ ત્રણ વર્ષ અહીં વિતાવવાનાં છે. સતત મનમાં એ જ ચાલ્યે રાખે છે કે, ક્યારે અહીંથી છૂટીશ. મારાં મમ્મી-પપ્પા પણ મજૂરી કરતાં અને હું પણ મજૂરી જ કરું છું. એટલે બીજું કશું તો આવડતું નથી. અહીં જેલમાં ક્લાર્ક ઓફિસમાં પ્યૂનનું કામ કરું છું. એમને કાગળ લેવા-મૂકવાનું અને બીજું જે કંઈ પણ ચીંધે એ કરવાનું. એમાં રોજના 110 રૂપિયા મળે છે. રવિવારે રજા હોય એટલે મહિને 2500 રૂપિયા જેવી કમાણી થાય, એમાંથી બે હજાર જેટલા વપરાઈ જાય અને બાકીના 500 જેવા બચે છે.’ ‘એ દિવસે ગુસ્સો કંટ્રોલ કરીને એને લાફો ન માર્યો હોત તો…’મતલબ કે ઘરે તમે એકલા જ કમાણી કરતાં હતા, તો ગામડે એ લોકો પોતાનું જીવન કેવી રીતે વિતાવે છે? સુમિતની આખો મુરઝાઈ ગઈ, ‘ઘરે હું એકલો જ પરિવારનું ગુજરાન ચલાવતો, પણ મારા અહીં આવ્યા પછી મમ્મી અને મારી પત્નીએ ઘર ચલાવવા મજૂરીએ જવું પડે છે. એ બધું જોઈને બહુ દુ:ખ થાય છે કે, જો ત્યારે ગુસ્સા પર કંટ્રોલ કરી એને લાફો ન માર્યો હોત તો આજે આવા દિવસો ન આવત. મમ્મી-પત્નીએ મજૂરીએ ન જવું પડત ને હું સારી રીતે ઘર સાચવી લેત.’ ‘જેલમાં આવીને ગુસ્સો કંટ્રોલ કરતાં શીખ્યો’‘અહીં આવીને હું બીજું બધું શીખતાં શીખ્યો, સૌથી પહેલાં ગુસ્સા પર કાબૂ કરતાં શીખ્યો છું. સાત વર્ષની સજા ભોગવવી પડી છે. એનો ગુનો માત્ર એટલો જ કે મેં એ દારૂડિયાને લાફો માર્યો. આના કરતાં તો ગાડી લઈને નીકળી ગયો હોત તો વધારે સારું હતું. પણ સાંજે કોઈ ગાડી નીચે સૂઈ જાય તો કેમ કંટ્રોલ કરવો? બસ, એટલો કંટ્રોલ કરી લીધો હોત તો આજે આ દિવસ ન જોવો પડ્યો હોત.’ ‘મને છોડાવવા મમ્મી-પત્ની મજૂરી કરે છે’મમ્મી-બાળકો અત્યારે મળવા આવે છે? સુમિતની આંખોમાં આંસુ દેખાયા, ‘હા, દર 15 દિવસે મળવા આવે છે. એ બંને મજૂરી કરી મારાં ત્રણેય છોકરાંઓને ય ભણાવે છે અને મારો કેસ પણ લડે છે. પરંતુ જામીન કરાવવા પૈસા જોઈએ, એ પૈસા કેમ ભેગા કરવા? શરૂઆતમાં તો જેટલા હતા એ બધા પૈસા ભેગા કરી મારો કેસ લડ્યા ને જામીન માટે અરજીઓ કરી, પણ ન થયું. હવે પૈસા નથી. મજૂરીમાંથી જેટલા આવે એમાંથી ઘર માંડ ચાલે છે અને બાળકોના ભણતરનું પૂરું પડે છે. એમાં મારો કેસ તો કેમ લડે? એટલે હું ના જ પાડુ છું. હું જ્યાં સુધી ઘરે હતો ને ત્યાં સુધી મમ્મી-પત્નીને કામ કરવા ઘરની બહાર ક્યારેય નથી નીકળવા દીધાં. એના બદલે આજે એ લોકોની મજૂરીનું સાંભળી ખુદ પર ધિક્કાર થાય છે.’ ‘એક મિનિટના ગુસ્સાએ મને સાત વર્ષની સજા અપાવી’સમાજના લોકો કે ગામવાળા કશું કહે છે? સુમિત કહે, ‘ના ના, બધા એવું જ કહે છે કે, છોકરો બહુ સીધો હતો. એ દારૂડિયાએ નામ આપી બિચારાને ફસાવી લીધો. મારી આટલી ઉંમર સુધી મારે કોઈ સાથે ક્યારેય ઝઘડો નથી થયો. બધા સાથે સારી એવી મિત્રતા જ છે, પણ આ એક મિનિટના ગુસ્સાએ મને 7 વર્ષની સજા અપાવી. અત્યારે ઘરની યાદ આવે ત્યારે અફસોસ થાય છે. આખો દિવસ ઘરની યાદ આવે છે ને રાત્રે સપનાં આવે તો પણ ઘર અને પરિવાર દેખાય છે. જો ભૂતકાળમાં પાછું જવા મળે તો ક્યારેય એક ક્ષણમાત્ર પણ ગુસ્સો ન કરું. અને બધાને પણ એ જ કહીશ કે, સમયનો સદુપયોગ કરી લેજો, સમય જતો રહેશે તો પરિવાર રઝળી પડશે. અને ખાસ, બે મિનિટનું મૌન તમારી જિંદગી બદલી શકે છે, એટલે ગુસ્સો કરતાં પહેલાં 10 વાર વિચારો.’ સાબરમતી જેલમાં આવા કેટલા કેદીઓ હશે કે, જે સમય-સંજોગનો શિકાર બની જેલની સજા ભોગવતા હશે? એમાં ય ખાસ કરી સુમિત જેવા કેટલા હશે? કે જેમના પરિવાર પાસે નથી ઘર ચલાવવાના પૈસા કે નથી કોર્ટમાં કેસ લડવાના પૈસા. જેમની પાસે નસીબનું ઠીકરું ભગવાન પર ફોડી પરિસ્થિતિ સ્વીકારવા સિવાય કોઈ રસ્તો નથી. ભીની આંખોએ સુમિત ટેબલ પરથી ઊભો થયો, ટોપી માથે ચડાવી ને બે હાથ જોડી નીચું માથું કરી દરવાજા બહાર નીકળી ગયો. ફરી બીજા કેદીએ બીજી કહાની સાથે રૂમમાં પ્રવેશ કર્યો.(નોંધઃ આ સ્ટોરીમાં કેદીઓ વિેશે જે પણ વાત કહેવામાં આવી છે, એ કેદીઓએ એમના મુખેથી સ્ટોરી લખનારને કહેલી છે. કેદીઓની ગુપ્તતા જાળવવાના હેતુથી દરેક કેદીનાં નામ બદલાવેલાં છે.)
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા ત્યારથી જ કંઇને કંઇ નવા જૂની કરતા જ રહે છે. પહેલા ઇમિગ્રન્ટ્સ માટેના નિયમોમાં સતત ફેરફાર, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને હાથમાં હથકડી બાંધી પોતાના વતન પાછા મોકલવા સહિતના કારણોને લીધે તેઓ સતત ચર્ચામાં રહ્યાં. હવે તેઓ H-1B વિઝા માટે લોટરી સિસ્ટમની જગ્યાએ નવી ગ્રેડિંગ સિસ્ટમ એટલે કે 'વેજ વેઇટેડ સિલેક્શન સિસ્ટમ' લઇને આવ્યા છે. આ નવી સિસ્ટમ આવતા મહિને ફેબ્રુઆરીથી જ લાગુ થશે. એક્સપર્ટના મતે આ નવી વિઝા નીતિના કારણે ભારતીયો અને તેમાં પણ ગુજરાતીઓને ખૂબ મોટો ફટકો પડવાનો છે. જેથી સ્ટુડન્ટે અમેરિકા સિવાયનો પણ બેકઅપ પ્લાન તૈયાર રાખવો પડશે. આ વેજ વેઇટેડ સિલેક્શન સિસ્ટમ છે શું? લોટરી સિસ્ટમથી કેટલી અલગ છે? સૌથી મહત્વની વાત આનાથી ગુજરાતીઓ પર શું અસર થશે? તે જાણવા દિવ્ય ભાસ્કરે જાણીતા ઇમિગ્રેશન એક્સપર્ટ પાર્થેશ ઠક્કર અને ભાવિન ઠાકર સાથે વાત કરી હતી. જૂની લોટરી સિસ્ટમ એ એક એવી પદ્ધતિ હતી જેમાં લાયકાત કરતા નસીબનું મહત્વ વધુ હતું. દર વર્ષે અમેરિકા 85 હજાર H-1B વિઝા આપે છે, પરંતુ અરજીઓ લાખોમાં આવતી હોવાથી લોટરીથી એટલે કે 'રેન્ડમ સિલેક્શન' કરવામાં આવતું હતું. વિઝા કન્સલ્ટન્ટ ભાવિન ઠાકર નવી સિસ્ટમને લઇને કહે છે કે, આ વેજ વેઇટેડ સિલેક્શન સિસ્ટમમાં નામ પ્રમાણે સેલેરીના બેઝ પર સિલેક્શન થશે એટલે કે પગારનું મહત્વ વધી જશે. અત્યાર સુધી લોટરી બેઝ સિલેક્શન થતું. જેમાં નામ નીકળે તો તેને H-1Bનું અપ્રુવલ મળે પરંતુ હવે નવી સિસ્ટમ ચાર લેવલમાં છે. ‘હાઇ સેલરી વાળા લેવલ 4માં આવશે. એમને 4 વખત એપ્લાય કરવાની તક મળશે. એ રીતે લેવલ 3માં 3 તક, લેવલ 2માં 2તક જ્યારે લેવલ 1માં 1 તક મળશે. ઓછી સેલેરી અથવા વ્યવસાય ડિમાન્ડ લિસ્ટમાં નથી એ પણ એપ્લાય કરી શકશે પણ એના ચાન્સ ઓછા રહેશે.' ‘અમેરિકન સિટીઝન, પ્રોફેશનલ અને હાઇ સ્કિલ્ડ વર્કર્સને રક્ષણ આપવા માટે આ નિયમ બનાવ્યો છે. આની અમેરિકાના એમ્પ્લોયરને પણ અસર થશે. એમની માટે ઓપ્શન ઓછા થઇ જશે. સેલેરી થ્રેશ હોલ્ડ આવી હશે. જો કે ગ્રેડમાં એવું પણ નથી કે ખાલી સેલેરી જ કામ કરશે એવું નથી.’ 'આમાં ત્રણ બાબતો મહત્વની છે. તમારી સેલેરી કેટલી છે? કયા વ્યવસાયમાં છો અને કઇ કાઉન્ટી કે કયા સ્ટેટમાં છો? આ ત્રણેય પર આધાર રાખે છે કે તમને વિઝા મળવાના કેટલા ચાન્સ છે. OFLC નામની વેબસાઇટ છે. જેના પર H-1B એપ્લિકેન્ટ પોતાનો ગ્રેડ અને કયા સેક્શનમાં છે એ જોઇ શકે છે.' આ નવી સિસ્ટમથી ગુજરાતીઓને શું અસર થશે તે અંગે વિઝા કન્સલ્ટન્ટ પાર્થેશ ઠક્કર કહે છે કે, ગુજરાતી કે ભારતીયો કેટલા H1 વિઝા પર છે એનો કોઈ ચોક્કસ આંકડો નથી. H1માં સિલેક્શન મોટેભાગે ભારતીયોનું જ થાય છે એમ કહી શકાય. ઇન્ડિયન ટેક કંપનીઓ પણ પોતાના વધુમાં વધુ કર્મચારીને ત્યાં મોકલતી હતી. જે હવે નહીં થાય. 85 હજારમાંથી મોટાભાગની એપ્લિકેશન IT વાળાની જ આવતી હતી એમ કહેવાય છે. ‘2024માં 1 લાખથી 1.30 લાખ ભારતીય સ્ટુડન્ટને USAમાં વિઝા મળ્યા હતા. જે આંકડો 2025માં ઘટીને 29 હજાર થઇ ગયો. 2026માં એટલા પણ આપશે એમ લાગતું નથી. હવે અમેરિકામાં છે એ જ નવી એપ્લિકેશન કરી શકશે. તેમાં પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાં ભારતીયો હાઇએસ્ટ હોય છે. બીજા ચાઇનીઝ હોય છે. એ બધા મોટાભાગે ભણીને એમના દેશમાં પરત જાય છે. જ્યારે ભારતના 100માંથી 90 સ્ટુડન્ટ્સ પાછા નથી આવતા.’ ‘આ પ્રપોઝલ ફાઇનલ સ્ટેજમાં છે. એની સામે કોઇ કાયદાકીય અડચણ નહીં આવે તો ઇમ્પલિમેન્ટ થઇ જશે. કાયદાકીય અડચણ આવવાની શક્યતા હવે દેખાતી નથી. 2026માં નવી લોટરી આવશે એમાં ઇમ્પલિમેન્ટ થશે.’ નામ ન આપવાની શરતે અન્ય એક કન્સલ્ટન્ટે કહ્યું કે, નવા નિયમની પાછળનું કારણ એવું હોય શકે કે ઘણા બધા કર્મચારીઓ ઘણી કંપની માટે ખૂબ મહત્વના હોય. ટ્રમ્પ સરકારે કોર્પોરેટ કાર્ડ લોન્ચ કર્યું છે જેમાં 2 મિલિયન ડોલર (18 કરોડથી વધુ) ભરીને બે નોમિનેશન મળે અથવા ક્ષમતા ધરાવતો કર્મચારી 1 મિલિયન ડોલર(9 કરોડથી વધુ) ભરીને ગોલ્ડ કાર્ડ લઇ લે. ‘ડૉક્ટર માટે આ નિયમ લાગુ કરે તો અમેરિકાની મેડિકલ સિસ્ટમ ભાંગી પડે’ 'એ રૂપિયા ક્યારેય પાછા નથી આવવાના. USAમાં હાઇ અર્નિંગ કેટેગરીમાં વિદેશીઓમાં H1 ધારક હોય છે. એમાં ડૉક્ટર પણ આવે છે. પરંતુ ડૉક્ટર માટે આ નિયમ લાગુ કરે તો અમેરિકાની મેડિકલ સિસ્ટમ ભાંગી પડે. જેથી એમણે ટેક્નોલોજીને ટાર્ગેટ કરી છે.' 'ગોલ્ડ કાર્ડ ન ચાલ્યું તો કંઇ નવું પણ આવી શકે''જેમાં આવક ઘણી સારી છે. જેમ કે કેલિફોર્નિયામાં તો ઘણા ભારતીયોની 2 લાખ ડોલર સેલરી હોય છે. ઘણા એવા ભારતીયો છે જેમની આવક 200-300 મિલિયન ડોલર સુધી પહોંચે છે. પણ એવું કોઈ ન હોય જે H1 ચાલતું હોય તો 2 મિલિયન ડોલર ભરવા રાજી થાય. એવા લોકોની પાસે રૂપિયા ભરાવવા માટે અને પ્રુવ કરવા કે ગોલ્ડ કાર્ડ સક્સેસફૂલ છે આ કવાયત થઇ રહી છે એવી વાતો ચાલે છે. જો ગોલ્ડ કાર્ડમાં એમનો ટાર્ગેટ પૂરો નહીં થાય તો હવે નવું પણ કઇ આવી શકે છે.' ‘ગ્રેડ 4માં છે એનું 100 ટકા સિલેક્શન થવાના ચાન્સ છે’ પાર્થેશ ઠક્કર કહે છે કે એક લાખ ડોલરની ફીનો રૂલ બધાને ખબર છે ત્યાંની કોર્ટે એ એપ્રુવ કર્યો છે. હવે જે લોકો ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ પર છે. તેમને એમનું સ્ટેટસ H1માં કન્વર્ટ કરવા નવી વેજ બેઝ ગ્રેડિંગ સિસ્ટમ લાવી છે. એના ગ્રેડ 1થી 4 લેવલ છે. કેન્ડિડેટ લોકેશન અને કયા વ્યવસાયમાં છે તેના પર વેજ લેવલ નક્કી થશે. ગ્રેડ સિસ્ટમ મુજબ ગ્રેડ-1માં હોય એની 1 ટિકિટ, 2માં 2 ટિકિટ, 3માં ટિકિટ અને 4માં ટિકિટ મળે. જેથી એમ કહી શકાય કે, ગ્રેડ 4માં છે એનું 100 ટકા સિલેક્શન થવાના ચાન્સ છે. ઉદાહરણ તરીકે સમજીએ તો કેલિફોર્નિયામાં ટેક એમ્પ્લોયીનો 1 લાખ ડોલરથી વધુ પગાર હોવા છતાં તેને લેવલ-1માં ગણવામાં આવે છે, કારણ કે ત્યાં આટલો પગાર સામાન્ય છે. પરંતુ, જો આટલો જ પગાર બીજા કોઈ એવા શહેરમાં હોય જ્યાં ટેક એમ્પ્લોયીની સંખ્યા ઓછી છે, તો ત્યાં તેને લેવલ-2 અથવા 3માં ગણી શકાય. તેવી જ રીતે, જો શિકાગોમાં કોઈ ડેટા સાયન્ટિસ્ટનો પગાર 75 હજાર ડોલર હોય તો તે લેવલ-1માં આવે, 1.25 લાખ ડોલર હોય તો લેવલ-3 અને 1.50 લાખ ડોલર હોય તો લેવલ-4માં ગણાય. પરંતુ, એ જ વ્યક્તિ જો 1.50 લાખ ડોલરના પગાર સાથે કેલિફોર્નિયામાં કામ કરતી હોય તો તે લેવલ-1માં જ આવ. 'USA ગવર્નમેન્ટે વેબસાઇટ પર એક ડોક્યુમેન્ટ મૂક્યું છે. એ મુજબ ગ્રેડ 4માં સિલેક્શન ચાન્સ 100%, ગ્રેડ 3માં ચાન્સ 55%, ગ્રેડ 2માં 3 % છે જ્યારે ગ્રેડ 1માં માઇનસ 48 % ચાન્સ છે. મતલબ, નસીબ હોય તો જ ગ્રેડ 1વાળાને H1 વિઝા મળશે. જો તમે કોઈ એવી સ્ટ્રીમમાં અને લોકેશન પર છો જ્યાં એ સ્ટ્રીમની જરૂર છે ત્યાં ગ્રેડ ઉપર જઇ શકે છે. એમ લોકેશન, સેલરી અને વ્યવસાય પ્રમાણે ક્લાસિફિકેશન થશે.'
સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણ વિશે તો આખું જગત જાણે છે પરંતુ મર્યાદાની સીમાઓ ઓળંગીને જ્યારે બે પુરુષો વચ્ચેના સજાતીય સંબંધોની વાત આવે ત્યારે સમાજ આજે પણ મૌન ધરી લે છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાઓએ ભલે કાયદાકીય માન્યતાની મહોર મારી હોય પણ ગામડાના ઉંબરે આ સંબંધો આજે પણ એક 'કાળો ડાઘ' ગણાય છે અને જ્યારે આ ડાઘ લોહીના રંગમાં ફેરવાય ત્યારે પરિણામ ભયાનક હોય છે. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આજે વાત આવા જ એક કેસની. પંચમહાલના આદિવાસી પટ્ટામાં આવેલું એક નાનકડું ગામ. જ્યાં કોઇએ કલ્પના પણ નહોતી કરી એવી ઘટના બની અને નાનું એવું ગામ સમાચારોની હેડલાઇનમાં આવી ગયું. ગામના એક ખેડૂત પરિવારમાં બે દીકરા હતા. પરિવારનો મોટો દીકરો અજય ખેતી સંભાળતો, જ્યારે નાનો દીકરો રાજ ભણવામાં તેજસ્વી નીકળ્યો. રાજ નામાંકિત ફાર્મા કંપનીમાં નોકરીએ લાગ્યો અને ધીરે-ધીરે હાલોલમાં જ સ્થાયી થયો. પત્ની અને બાળકો સાથે સુખી જણાતા રાજનું જીવન બહારથી જેટલું સફળ અને સ્થિર હતું, અંદરથી એટલું જ તોફાની. 7 જાન્યુઆરી, 2023સાંજનો સમય હતોઅજયભાઇના ઘરના આંગણે અચાનક રણછોડ (જયવીર) નામનો એક શખસ આવી ચડ્યો. તે નજીકમાં આવેલા નવાગામ બાધેલી ગામમાં રહેતો હતો. તેનો ચહેરો ગુસ્સાથી લાલચોળ હતો. જોઇને જ લાગતું હતું કે તે મનમાં ગુસ્સો દબાવીને આવ્યો છે. એ સમયે ઘરમાં અજયભાઇ, તેમના માતા-પિતા અને પત્ની બેઠાં હતા. રણછોડને અજયભાઇએ આવકાર આપ્યો. તેની હાલતનો જરાક અંદાજો હતો છતાં જરાક ઉમળકા સાથે પૂછ્યું, કેમ રણછોડ? અત્યારે આ વખતે? જાણે રણછોડ આવા જ કોઇ સવાલની રાહ જોઇ રહ્યો હતો. તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હોય એમ બોલ્યો, અજયભાઇ, તમારો ભાઇ રાજ મને જીવવા નથી દેતો. તે મને વારંવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવા માટે દબાણ કરે છે. આ બધું હવે મારાથી સહન નથી થતું! અજયભાઇ તો પરિવાર સાથે ઘરે બેઠાં હતા. અચાનક આવી વાત સાંભળીને સૌ કોઇ સ્તબ્ધ થઇ ગયા. કોઇ કંઇ બોલે એ પહેલાં જ દૂરથી બાઇકનો અવાજ સંભળાયો. હવે બધાનું ધ્યાન એ તરફ ગયું કારણ કે બાઇકનો અવાજ જાણીતો લાગ્યો. થોડી જ વારમાં ચિત્ર વધુ સ્પષ્ટ થયું. સૌ કોઇના મનમાં ફાળ પડી કારણ કે બાઇક લઇને બીજું કોઇ નહીં પણ રાજ જ આવી પહોંચ્યો હતો. રણછોડને જોતા જ રાજની આંખો લાલ થઇ ગઇ. તેણે બાઇક સ્ટેન્ડ પર ચડાવી અને સીધો રણછોડ સામે જઇને ઊભો રહ્યો અને પૂછ્યું, તું અહીં શું કરવા આવ્યો છે? રણછોડ બોલ્યો, “આજે મારે તારી પોલ ખોલવી જ હતી રાજ.” રાજ જરાક હસ્યો પણ એ હાસ્યમાં ડર નહીં કંઇક અલગ જ ભાવ છલકાતો હતો. તેણે પરિવારની હાજરીની પરવાહ કર્યા વગર રણછોડને કહી દીધું, રણછોડ, તારે જ્યારે બીજી જરૂર હતી ત્યારે મેં તારી બધી જ જરૂરિયાતો પૂરી કરી હતી. આજે જ્યારે મને તારી જરૂર છે, ત્યારે તું મને મદદ કરવાને બદલે આવું કરે છે? બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ. મારામારી થવાની જ જાણે બાકી હતી. શબ્દો સીમા ઓળંગી જાય એવા હતા અને લાજ, શરમ અને સંબંધોની મર્યાદાઓ તૂટતી ગઇ. રણછોડ અપમાનનો ઘૂંટડો ગળીને ગુસ્સામાં ત્યાંથી નીકળી ગયો. જતી વખતે તેણે એકવાર રાજ સામે જોયું. તેની આંખો ટૂંક સમયમાં જ આવનારા કોઇ મોટા તોફાનના સંકેત આપી રહી હતી. થોડીવાર ઘરમાં સોંપો પડી ગયો. કોઇએ કોઇને સવાલ-જવાબ કર્યા નહીં. રાજ પણ શાંત થઇ ગયો હતો પણ આ શાંતિ જાણે કે તોફાન પહેલાની હતી. રાતના આશરે આઠ વાગ્યા હતા. અંધારું ગાઢ બની ચૂક્યું હતું. રાજે બાઇકની ચાવી ઉપાડી અને મોટાભાઇ અજયને કહ્યું, હું હાલોલ જાઉં છું… ઘરે અજય તેને રોકવા માગતો હતો, એનાથી પણ વિશેષ કદાચ કંઇક પૂછવા માગતો હતો પણ રાજે આ બાબતની કોઈ તસ્દી લીધી નહીં અને માત્ર એક વાક્ય બોલીને ઘરેથી નીકળી ગયો. રાત વીતી ગઇ પણ અજયભાઇના ઘરમાં હજુ પણ ગઇકાલે સાંજે થયેલી બોલાચાલીની અસર દેખાતી હતી. ઘરનો કોઇ સભ્ય આ મુદ્દે ચર્ચા નહોતો કરી રહ્યો પણ દરેકના મનમાં ઘણા સવાલો હતો. સવાર પડી. ખેડૂત પરિવારના આંગણે પશુઓના ભાંભરવાનો અવાજ ગૂંજ્યો. ગામડાનો વણલખ્યો નિયમ છે કે ગમે તેટલો ઝઘડો થાય પણ લોહીના સંબંધોમાં થતો વ્યવહાર અટકતો નથી. રાજ ભલે હાલોલ રહેતો હતો પણ ભેંસનું શુદ્ધ દૂધ તેને અજયભાઇ જ ઘરેથી પહોંચાડતા હતા. 8 જાન્યુઆરી, 2023ની સવારે અજયભાઇએ દૂધના કેન ભરતા પહેલાં આદત મુજબ નાના ભાઇ રાજને ફોન લગાવ્યો. હા રાજ, દૂધ મોકલી આપું કે પછી તું આજે લેવા આવીશ? અજયના અવાજમાં ગઇકાલની ઘટનાનો થોડો ખચકાટ હતો. સામે છેડેથી રાજનો અવાજ એકદમ સાધારણ હતો, જાણે કંઇ બન્યું જ ન હોય. હા ભાઈ, દૂધ મોકલી આપજો. મારાથી નહીં અવાય. અજયભાઇએ દૂધ હાલોલ મોકલી આપ્યું. બધું જ રાબેતા મુજબ ચાલતું હોય તેવું લાગતું હતું પણ સામાન્ય દેખાતી સવાર પછીના દિવસો ઘણા મુશ્કેલભર્યા અને ભયંકર રીતે વિતવાના હતા. એ જ દિવસે સાંજના સાત વાગ્યા હતા. અચાનક અજયભાઇના મોબાઇલની રિંગ વાગી. સ્ક્રીન પર રાજની પત્ની હિરલનું નામ આવ્યું. અજયભાઇના મનમાં ઘણા પ્રશ્નો થયા. ક્ષણભરમાં તો ગઇકાલનો સમલૈંગિક સંબંધોવાળો આખો ઘટનાક્રમ યાદ આવી ગયો કારણ કે સંભાવના એવી પણ હતી કે લડાઇની વાત હિરલ સુધી પહોંચી ગઇ હોય. તેમણે થોડું અચકાતા ફોન ઉપાડ્યો. જેઠજી, રાજ હજુ ઘરે આવ્યા નથી, રોજ તો આટલી વાર નથી થતી. મેં ફોન કર્યો પણ ક્યારથીય લાગતો નથી., હિરલનો અવાજ ગભરાયેલો હતો. અજયના મનમાં ફાળ પડી. ગઇકાલની રણછોડ સાથેની બોલાચાલી તેના મગજમાં વીજળીની જેમ ઝબકી ગઇ. તેણે તરત જ રાજનો નંબર ડાયલ કર્યો. “તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર અત્યારે બંધ છે...” એક વાર, બે વાર, દસેક વાર... અજય સતત ફોન કરતો રહ્યો, પણ પરિણામ શૂન્ય હતું. આખી રાત પરિવાર ચિંતામાં ડૂબેલો રહ્યો. અજયે આસપાસના સગાં-સંબંધીઓ, મિત્ર વર્તુળમાં તપાસ કરી. સવાર પડતાં જ રાજ જે રસ્તેથી જતો હતો તે નદી-નાળા અને કોતરો ખૂંદી વળ્યા. પણ તમામ પ્રયત્નો નકામા નીવડ્યા. બે દિવસ વિતી ગયા હતા પણ રાજનો કોઇ જ પતો નહોતો. પરિવારની ધીરજ ખૂટી રહી હતી. આખરે કાકાના દીકરા અરૂણ સાથે અજય હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યો. સાહેબ, મારો ભાઇ ગુમ થયો છે... આ જ વાક્યથી પોલીસ સ્ટેશનમાં વાતચીત શરૂ થઇ. હાલોલના ગ્રામ્ય વિસ્તારમાંથી કોઇ વ્યક્તિ બે દિવસ સુધી ગુમ થઇ જવો એ પોલીસ માટે ખૂબ જ ગંભીર બાબત હતી. એટલે પોલીસ ડાયરીમાં વિગતો લખાવા લાગી. અજય એક-એક શબ્દ વર્ણવી રહ્યો હતો. સાહેબ, ભાઇનું નામ રાજ. છેલ્લે જ્યારે જોયો ત્યારે તેણે સફેદ રંગનું ટી-શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું. અંદાજે પાંચ ફૂટની ઊંચાઇ, શ્યામ વર્ણો વાન અને ગોળ ચહેરો. 12 ધોરણ ભણેલો છે અને ગુજરાતી સરસ બોલે છે. હા, સાહેબ... એની આંખે ચશ્મા છે અને તે તેની સફેદ રંગની હીરો ઇગ્નેટર મોટરસાયકલ લઇને નીકળ્યો હતો. એનો મોબાઇલ પણ સાથે જ છે પણ ફોન લાગતો નથી. પોલીસ અધિકારીએ આ બધી વિગતો જાણવાજોગ તરીકે નોંધી લીધી પણ પોલીસ સ્ટેશનના એ કાગળો પર લખાતી આ વિગતો પાછળ એક એવું સત્ય છુપાયેલું હતું. જેની કલ્પના કદાચ અજયભાઇ કે પોલીસે પણ કરી નહોતી. રાજ ગુમ થયો હતો કે તેને ગુમ કરી દેવામાં આવ્યો હતો? અને રણછોડ સાથેનો એ વિવાદ શું માત્ર બોલાચાલી હતી કે કોઇ મોટા ષડયંત્રની શરૂઆત? હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં રાજ ગુમ થયાની ફરિયાદ નોંધાઇ. તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ.જાડેજા અનુભવી અધિકારી હતા. તેમણે આ કેસની કડીઓને પારખી લીધી અને તરત જ સર્વેલન્સ સ્ક્વોડના કાબેલ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર પ્રહલાદસિંહ ચુડાસમાને બોલાવ્યા. ચુડાસમા, આ કેસ સાધારણ મિસિંગ પર્સનનો નથી લાગતો. ઝીણામાં ઝીણી વિગતો તપાસો. મારે રાજનો પતો જોઇએ છે પીઆઇએ પીએસઆઇને આદેશ કર્યો. પીએસઆઇ ચુડાસમાએ તપાસના ચક્રો ગતિમાન કર્યા. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સહારો લેવામાં આવ્યો. તપાસના બીજા જ દિવસે એક એવા સમાચાર મળ્યા જેણે પરિવારના શ્વાસ અટકાવી દીધા. હાલોલમાં નર્મદા કેનાલ પાસે સફેદ રંગની હીરો ઇગ્નેટર બાઇક મળી આવી. પોલીસ કાફલો અને પરિવારના સભ્યો કેનાલ કિનારે પહોંચી ગયા. બાઇક બિનવારસી હાલતમાં પડી હતી. પોલીસે બાઇકની તપાસ કરી પણ અકસ્માતના કોઇ નિશાન નહોતા ચાવી પણ ગાયબ હતી. સાહેબ, શું રાજે કેનાલમાં ઝંપલાવ્યું હશે? એક કોન્સ્ટેબલે શંકા વ્યક્ત કરી. પીએસઆઇ ચુડાસમાના મનમાં અનેક વિચારો ચાલતા હતા. જો આ આત્મહત્યા હોય તો કારણ શું? અને જો ખૂન હોય તો લાશ ક્યાં? તપાસનો દોર હવે નર્મદા કેનાલની આસપાસ કેન્દ્રિત થયો. તરવૈયાઓને બોલાવવામાં આવ્યા. કેનાલના ઊંડા પાણીમાં કલાકો સુધી શોધખોળ ચાલી. પોલીસની સાથે-સાથે અજયભાઇ અને તેમના સગાં-સંબંધીઓ પણ આશા છોડવા તૈયાર નહોતા. બપોરની રાત થવા આવી. કેનાલના દરેક પુલ પર રાજના પરિવારજનો હાથમાં તિવ્ર પ્રકાશની બેટરીઓ લઇને બેસી રહ્યા હતા. તરવૈયાઓ શોધખોળ કરી રહ્યા હતા. સૌથી વધારે ચિંતા અજયભાઇને હતી. મનમાં સવાલ થતાં ક્યાં ગયો મારો ભાઇ? જો તેણે આપઘાત કર્યો હોય તો લાશ કેમ નથી મળતી? અને જો એ જીવતો હોય તો તેનો ફોન કેમ બંધ છે? નર્મદા કેનાલના કિલોમીટરો સુધીના પટમાં તપાસ કરવામાં આવી પણ રાજની લાશનો કોઇ અતોપતો ન મળ્યો. સૌથી વધુ રહસ્યમય વાત એ હતી કે રાજનો મોબાઇલ પણ ગુમ હતો એટલે ઘણા ગંભીર સવાલો ઊભા થઇ રહ્યા હતા. પોલીસ માટે આ કેસ હવે માથાના દુખાવા સમાન બની ગયો હતો. પીએસઆઈ ચુડાસમા સમજી ગયા હતા કે આ કોઇ સીધો-સાદો કેસ નથી. કોઇ બહુ હોંશિયારીથી પોલીસને ભટકાવી રહ્યું હતું. બાઇક કેનાલ પાસે હોવી એ કદાચ કોઇ મોટું ષડયંત્ર પણ હોઇ શકે. સાહેબ, જો પાણીમાં લાશ નથી તો પછી ધરતી ગળી ગઇ કે આકાશ? એક પોલીસ અધિકારીએ તેના ઉપરી અધિકારી સામે જોઇને પોતાના મનની મૂંઝવણ છતી કરી. પોલીસ હવે તપાસની દિશા બદલવાનું વિચારી રહી હતી. શું રણછોડ સાથેની એ રાતની બોલાચાલીમાં જ કોઇ રહસ્ય છૂપાયેલું હતું? રાજ ગુમ થયો તેને બે દિવસ વિતી ગયા હતા. ન તો લાશ મળી હતી, ન તો તેનો મોબાઇલ. પોલીસ હવે અંધારામાં ફાંફા મારી રહી હતી પરંતુ આધુનિક ટેકનોલોજી ક્યારેક એવા પુરાવા છોડી દે છે જે ગુનેગારની ગણતરીમાં પણ નથી હોતા. ઘણા મોબાઇલમાં એવી સિસ્ટમ હોય છે કે જો લાંબા સમયથી બંધ રહેલો ફોન ચાલુ થાય તો તેના નિકટના સંપર્કોને તુરંત નોટિફિકેશન કે મેસેજ દ્વારા જાણ થાય છે. 10 જાન્યુઆરીની રાત્રે રાજના કાકાના દીકરા અરૂણના મોબાઇલમાં અચાનક એક મેસેજ આવ્યો. રાજનો મોબાઇલ ચાલુ થયો હતો. અરૂણ માટે માનવામાં ન આવે એવી આ સ્થિતિ હતી. તેણે જરાય રાહ જોયા વગર રાજના નંબર પર ફોન લગાવ્યો. દિલના ધબકારા વધી ગયા હતા. સામે છેડે રિંગ વાગી અને ફોન ઉપડ્યો પણ સામેથી કોઇ બોલ્યું નહીં. અરૂણે કાન સરવા કર્યા. ફોન પર કોઇનો ઝીણો-ઝીણો અવાજ આવી રહ્યો હતો. જો કે તે અરૂણ સાથે નહીં પણ બાજુમાં ઊભેલી કોઇ ત્રીજી વ્યક્તિ સાથે વાત કરી રહ્યો હતો. અરૂણ ચોંકી ગયો કારણ કે એ અવાજ પરિચિત હતો. પંચમહાલનો એ લહેકાવાળો અવાજ પાવાગઢના નવાગામમાં રહેતા રણછોડનો જ હતો. અરૂણે સમય બગાડ્યા વિના પીએસઆઇ ચુડાસમાને જાણ કરી. આમ તો રણછોડ કેટલાય દિવસથી પોલીસના રડાર પર હતો પણ તેને પોલીસ સ્ટેશનના પગથિયા ચડાવવા માટે હવે પોલીસને નક્કર પુરાવો મળી ચૂક્યો હતો. રાતોરાત પોલીસની એક ટીમ નવાગામ પહોંચી અને રણછોડને પોલીસ સ્ટેશન લઇ આવી. (નોંધ- પાત્રોના નામ બદલેલા છે)
ગુનો દાખલ કરાયો:હિંમતનગરના ગામડી ગામમાં યુવકને મારતાં ત્રણ સામે ગુનો
હિંમતનગરના ગામડીમાં યુવક ગામના જ મિત્રોને તેમનું બાઈક લઈને સાસરીમાં મૂકવા લઈ ગયા બાદ મિત્રોએ તેમની માતાએ તેની સાથે રહેવા બોલવાની ના પાડી હોવાનું કહી અપશબ્દો બોલી ઘેર આવી લાકડીઓ ફટકારતાં ગાંભોઈ પોલીસે બંને ભાઈ અને મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. ગામડીના જયદીપસિંહ કાળુસિંહ પરમાર તેમના મિત્રો યુવરાજસિંહ સુરેશસિંહ પરમાર અને ભરતસિંહ સુરેશસિંહ પરમાર (બંને રહે. ગામડી) તેમનું બાઈક લઈને જયદીપસિંહને તેમની સાસરી ચાંપલાનાર ખાતે મૂકવા ગયા હતા. ભરતસિંહ સુરેશસિંહ પરમારે જયદીપસિંહને ફોન કરીને કહ્યું હતું કે તું મને અને મારા ભાઈ યુવરાજને તારી સાસરીમાં મારું બાઈક લઈને મૂકવા માટે લઈ ગયો હતો તે બાબતે મારી મમ્મીએ મને હવે તારી જોડે રહેવાની તથા તારી સાથે બોલવાની ના પાડી છે. જેથી તારે મારી સાથે કે મારા ભાઈ સાથે કોઈ સંબંધ રાખવાનો નથી તેમ કહી અપશબ્દો બોલી ભરતસિંહ સુરેશસિંહ પરમાર, યુવરાજસિંહ સુરેશસિંહ પરમાર અને ગીતાબેન સુરેશસિંહ પરમારે જયદીપસિંહને દંડાથી માર્યો હતો.
ભાસ્કર વિશેષ:હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એસપીના લોક દરબારમાં ટ્રાફિક સમસ્યાનો મુદ્દો ઉછળ્યો
હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સાબરકાંઠા એસપીના લોક દરબારમાંમાં સ્થાનિકોએ ટ્રાફિક, કાયદો વ્યવસ્થાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કાર્યક્રમ સાબરકાંઠા અધિક્ષક એસ.પી. પાર્થરાજસિંહ ગોહિલ, તથા ડી.વાય.એસ.પી. એ.કે. પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. ઇન્સ્પેકશન દરમિયાન પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડ વ્યવસ્થા, સ્વચ્છતા તેમજ જનસેવા સંબંધિત વિવિધ મુદ્દાઓની વિગતવાર સમીક્ષા કરાઇ હતી. લોક દરબાર સંવાદ દરમિયાન આસપાસના વિવિધ ગામોના આગેવાનો, પ્રતિનિધિઓ તથા નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. હાજર રહેલ આગેવાનોએ સ્થાનિક પ્રશ્નો, કાયદા-વ્યવસ્થા, ટ્રાફિક સમસ્યાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ અંગે પોતાની રજૂઆત જિલ્લા પોલીસવડાને કરી હતી. એસપીએ તમામ રજૂઆતોને ગંભીરતાપૂર્વક સાંભળી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ પ્રસંગે જિલ્લા એસપીએ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે માર્ગ સલામતીનું મહત્વ સમજાવતા હેલ્મેટ અને સીટ બેલ્ટનો ફરજિયાત ઉપયોગ, ટ્રાફિક નિયમોનું પાલન, ઓવર સ્પીડિંગથી બચવા તેમજ નશામાં વાહન ન ચલાવવાની બાબતો પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે પોલીસ અને પ્રશાસન સાથે-સાથે નાગરિકોની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે. માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમો, વાહન ચેકિંગ અભિયાન તેમજ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવશે.
દારૂની હેરાફેરી ઝડપાઈ:માલપુરના મેવડા પાસેથી 3.10 લાખના દારૂ સાથે ગાડી ચાલક ઝબ્બે,2 વોન્ટેડ
મેઘરજથી મોડાસા તરફ આવતાં રોડ ઉપર માલપુરના મેવડા પાટિયા પાસે પુલ ઉપરથી 3.10 લાખનો વિદેશી દારૂ બિયરનો જથ્થો ભરીને મોડાસા તરફ જઈ રહેલા શામળાજીના દહેગામડાના આરોપીને એલસીબીએ ખાનગી માહિતીના આધારે ઝડપી પાડ્યો હતો. એલસીબીને માહિતી મળી હતી કે રાજસ્થાનથી ગાડી નંબર જીજે 31d6751 નો ચાલક વિદેશી દારૂ ભરી રેલ્લાવાડા કુણોલ બેડજ પાટિયા થઈ મોડાસા તરફ જનાર હોવાની માહિતીના આધારે એલસીબી માલપુરના મેવડા પાટિયાના પુલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપરોક્ત ગાડી સાથે ચાલકને ઝડપી ગાડીમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની પેટી નંગ 35 અને છૂટી બોટલો સહિત કુલ નંગ 1323 મળ્યા હતા. પોલીસે રૂ.3,10,500નો વિદેશી દારૂ અને ઇકો તેમજ મોબાઇલ સહિત કુલ રૂ.8,13,800 નો મુદ્દામાલ કબજે લઈ આરોપી કૌશિકભાઇ ભલાભાઇ પાંડોર રહે. દહેગામડા તા. શામળાજીને ઝડપી પાડ્યો હતો. પોલીસે વોન્ટેડ આરોપી પ્રકાશચંદ્ર નારાયણભાઈ પટેલ કલાલ અને જગદીશભાઈ ઉર્ફે પપ્પુ નારાયણભાઈ પટેલ બંને રહે. દહેગામડા વિરુદ્ધ ગુનો નોંધી બંનેને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા.
મેઘરજમાં આવેલા ભાયલા શોપિંગ સેન્ટરના પાછળના ભાગે ખૂલ્લી જગ્યામાં જાહેરમાં ગંજી પાના વડેહાર જીતનો જુગાર રમતાં પાંચ શખ્સોને એલસીબીએ ખાનગી માહિતીના આધારે અચાનક રેડ કરીને ઝડપી પાડ્યા હતા. જો કે મોકાનો ફાયદો ઉઠાવીને ચાર શખ્સો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. એલસીબીએ ઝડપાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂ. 11,660 અને ગંજીપાના સહિતનો મુદ્દામાલ કબજે લઈ ભાગી છૂટેલા આરોપીઓની શોધખો હાથ ધરી છે. ઝડપાયેલા જુગારીઓ 4 ફરાર જુગારીઓ
ખેડૂતોમાં આનંદનો માહોલ:ટેકાના ભાવ 1452 સામે ખૂલ્લા બજારમાં મગફળીના 1900 મળતાં ખેડૂતોમાં ખુશી
સાબરકાંઠામાં ટેકાના ભાવ 1452 કરતાં ખૂલ્લા બજારમાં મગફળીના 1900 મળતાં જિલ્લામાં મગફળીના ટેકાના ભાવે વેચાણ માટે નોંધાવેલા ખેડૂતોમાંથી અડધાથી વધુ ખેડૂતોએ સરકારી કેન્દ્રો પર જવાને બદલે સ્થાનિક માર્કેટ યાર્ડમાં પોતાની જણસ વેચવાનું પસંદ કર્યું હતું. ખેડૂતોએ માર્કેટયાર્ડમાં પોતાની મગફળી વેચી હોવાના કારણોમાં એક તો ટેકાના ભાવ કરતાં વધારે ભાવ મળવો તથા સરકાર દ્વારા મગફળીની મોડી ખરીદી શરૂ કરાતાં ખેડૂતોને રવિ સિઝન માટે ખાતર, બિયારણ તથા અન્ય જરૂરિયાતના કારણે ખેડૂતો દ્વારા માર્કેટયાર્ડમાં મગફળી વેચવામાં આવી હતી. સરકાર દ્વારા મગફળી માટે પ્રતિ મણ રૂ. 1452 નો ટેકાનો ભાવ નક્કી કરાયો હતો. આ ભાવનો લાભ લેવા માટે સાબરકાંઠા જિલ્લામાં કુલ 29,842 ખેડૂતોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જોકે, જ્યારે વેચાણની વાત આવી ત્યારે માત્ર 14,382 ખેડૂતો જ સરકારી ખરીદ કેન્દ્રો પર પહોંચ્યા હતા. એટલે કે, નોંધણી કરાવનારા કુલ ખેડૂતોમાંથી 50% થી પણ ઓછા ખેડૂતોએ સરકારને મગફળી વેચી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હિંમતનગર અને અન્ય યાર્ડમાં મગફળીના ભાવ પ્રતિ મણ રૂ. 1,900 સુધી પહોંચ્યા છે. સરકારી ભાવ અને બજાર ભાવ વચ્ચે મણ દીઠ આશરે રૂ.400 થી રૂ. 450 જેટલો મોટો તફાવત હોવાથી ખેડૂતોએ આર્થિક ફાયદાને પ્રાધાન્ય આપ્યું છે.
મોડાસામાં એ આરટીઓ કચેરીના સ્ટાફ દ્વારા ઉચ્ચ અધિકારીઓએ આપેલી સૂચનાના ભાગરૂપે રોડ સેફટી ડ્રાઇવ શરૂ કરાઇ છે. શહેરની જુદી જુદી સ્કૂલોમાં સોમવારે હાથ ધરવામાં આવેલી ડ્રાઈવમાં સીટ બેલ્ટ અને વાહનના દસ્તાવેજી પુરાવા તેમજ પીયુસીના પ્રશ્ને 60 જેટલા વાહન ચાલકોને મેમો ફટકારાયો હતો. આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા સ્કૂલમાં વાહન લઈને આવતાં વિદ્યાર્થીઓની વાહનોની ઝીણવટભરી તપાસ હાથ ધરાઇ હતી. અરવલ્લી કલેક્ટ અને જિલ્લા રોડ સેફ્ટી કમિટીના આદેશથી મોડાસાની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ, આઈટીઆઈ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં આરટીઓના અધિકારીઓ દ્વારા સોમવારે અચાનક વાહન ચેકિંગ કામગીરી હાથ ધરાઇ હતી. આરટીઓ કચેરીના સ્ટાફ દ્વારા હેલ્મેટ, સીટ બેલ્ટ પીયુસી અને વાહનોના દસ્તાવેજી પુરાવા ની ચકાસણી શરૂ કરાઇ હતી. આરટીઓની ડ્રાઈવમાં સ્કૂલ કોલેજ અને આઈટીઆઈમાં પ્રવેશતા વાહન ચાલકો હેલ્મેટ વગર અને પીયુસી તેમજ સીટ બેલ્ટ વગરના હોવાનું ધ્યાને આવતા એચ કે કનોજીયા અને એનડી ચૌધરી તેમજ બીબી પરમાર દ્વારા 60 જેટલા વાહન ચાલકોને મેમો આપી તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઇ હતી.
ભાસ્કર એક્સક્લુસિવ:સાબરકાંઠામાં 9 માસમાં 127 સગીરા માતા બની, 8 તો માત્ર 14 વર્ષની
આધુનિકતા અને શિક્ષણના દાવાઓ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાંથી એક હચમચાવી દેનારો આંકડો સામે આવ્યો છે. છેલ્લા 9 માસના ટૂંકા ગાળામાં જિલ્લામાં કુલ 127 સગીરાઓ માતા બની હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આ આંકડાઓ માત્ર આરોગ્ય વિભાગની ચિંતા જ નથી વધારી રહ્યા. પરંતુ સમાજમાં હજુ પણ ઘર કરી ગયેલા બાળલગ્નના કુરિવાજ અને જાગૃતિના અભાવને ખૂલ્લો પાડી રહ્યા છે. આરોગ્ય વિભાગના આંકડા મુજબ સાબરકાંઠામાં માતૃત્વ ધારણ કરનાર સગીરા-કિશોરીઓની ઉંમર જોતાં હૃદય દ્રવી ઉઠે તેવી સ્થિતિ છે. છેલ્લા 9 માસમાં જિલ્લામાં 14 વર્ષની વયની 8 સગીરાઓએ બાળકને જન્મ આપ્યો છે. જ્યારે 15 વર્ષની 43 સગીરાઓ માતા બની છે અને 16 વર્ષની 76 સગીરાઓએ માતૃત્વ ધારણ કર્યું છે. જે ઉંમરે આ બાળાઓએ હાથમાં રમકડાં પેન અને પુસ્તક પકડવાના હોય, તે ઉંમરે તેઓએ પારણું ઝૂલાવવાની અને બાળકની સાર સંભાળ લેવાની ફરજ પડી રહી છે. 14 અને 15 વર્ષની વયે ગર્ભધારણ કરવો એ માત્ર કાયદાકીય ગુનો જ નથી. પરંતુ તે કિશોરીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જિલ્લાના તાલુકાવાર આંકડાઓ તપાસતાં માલૂમ પડે છે કે ઈડર અને ખેડબ્રહ્મા તાલુકામાં આ પ્રમાણ સૌથી વધુ ચિંતાજનક છે. આ વિસ્તારોમાં ખાસ કરીને અંતરિયાળ અને આદિવાસી પટ્ટામાંથી ખેતમજૂરી માટે આવતાં પરિવારોમાં શિક્ષણનો અભાવ અને સામાજિક રીત રીવાજના નામે નાની ઉંમરે દીકરીઓને સાસરે વળાવી દેવાની પરંપરા હજુ પણ અકબંધ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય કાયદા મુજબ 18 વર્ષથી ઓછી વયની છોકરીના લગ્ન કરાવવા એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુનો બને છે. તેમ છતાં આટલી મોટી સંખ્યામાં સગીરાઓ માતા બની રહી છે, જે તંત્રની દેખરેખ અને કાયદાના અમલીકરણ સામે પ્રશ્નાર્થ ચિન્હ મૂકે છે. ઓછી ઉંમરે ગર્ભધારણ અતિ જોખમી: આરોગ્ય અધિકારીસાબરકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાએ જણાવ્યું કે 18 વર્ષથી ઓછી ઉંમરે ગર્ભધારણ કરવાથી કિશોરીઓમાં એનીમિયા (લોહીની કમી), પ્રી-મેચ્યોર ડિલિવરી અને પ્રસૂતિ દરમિયાન મૃત્યુનું જોખમ અનેકગણું વધી જાય છે. કુમળા શરીરમાં ગર્ભનો વિકાસ થવાથી શારીરિક જટિલતાઓ સર્જાય છે. સગીર માતા પોતે જ શારીરિક રીતે અપરિપક્વ હોવાથી તેના આવનાર બાળકનું વજન ઓછું રહેવું અથવા બાળક કુપોષિત જન્મવું જેવી સમસ્યાઓ સર્જાય છે, જે આવનારી પેઢીને નબળી બનાવે છે. આની પાછળના મુખ્ય કારણો
ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું:પાંથાવાડામાં ઠેરઠેર કચરાના ઢગ, ગટર- રસ્તા અને પાણી જેવી સુવિધાનો અભાવ
દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં ગ્રામ પંચાયતને ગટર, વ્યવસાયવેરો, પાણીવેરો અને સફાઈ જેવા અનેક વેરા નિયમિત ભરવા છતાં લોકોને પાયાની સુવિધાઓથી વંચિત રહેવું પડી રહ્યું છે. પાંથાવાડા ગ્રામ પંચાયતમાં કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવવામાં આવે છે, છતાં ગામના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. પાંથાવાડાને અગાઉ હરિભાઈ ચૌધરી દ્વારા આદર્શ ગામ તરીકે દત્તક લેવામાં આવ્યું હતું. ત્યારે પાકા રસ્તા, ગટર, સ્વચ્છતા સહિતની અનેક સુવિધાઓ આપવાના વચનો આપવામાં આવ્યા હતા, લોકો રસ્તા, ગટર અને કચરાની સમસ્યાથી ભારે પીડાઈ રહ્યા છે. રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. પાંથાવાડામાં ઠેરઠેર કચરાના ઢગ જોવા મળે છે.તસવીર મેવા ચૌધરી
ફરાર આરોપી પોલીસના સકંજામાં:મોડાસાની ચાંદ ટેકરીમાંથી ત્રણ ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
પાટણ જિલ્લાના સિદ્ધપુર પોલીસ સ્ટેશન તથા પાટણ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ કુલ-3 ગુનામાં છેલ્લા કેટલાય સમયથી નાસતા ફરતા આરોપીને મોડાસા ટાઉન પોલીસે ચાંદ ટેકરી ખાતે તેના ઘરેથી ઝડપ્યો હતો. અરવલ્લી જિલ્લામાં તથા અન્ય જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી તેમની સામે કડક કાર્યવાહી કરવા એસપી મનોહરસિંહ જાડેજાએ આપેલી સૂચનાના ભાગરૂપે મોડાસા ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર ડીબી વાળાએ સ્ટાફને જરૂરી સૂચન આપ્યા હતા. પોલીસ સ્ટાફ મોડાસા શહેરમાં બસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. દરમિયાન અંગત માહિતી મળી હતી કે પાટણના સિદ્ધપુર પોલીસ સ્ટેશન અને પાટણ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ગુનામાં છેલ્લા કેટલા સમયથી નાસ્તો ફરતો આરોપી મુશરફ રાજમહંમદ લાલુભાઈ મુલતાની (25) રહે.ચાંદટેકરી, હુસેની ચોક, મોડાસા ઉપરોક્ત ગુનામાં આજ દિન સુધી નાસતો ફરતો હોવાનું અને તે ચાંદ ટેકરી ખાતે પોતાના હાજર છે તેવી માહિતી આધારે ટાઉન પોલીસે ઉપરોક્ત આરોપીને ઝડપી લીધો હતો.
હુમલો:બડોદરામાં ભત્રીજીને હેરાન ન કરવાનું કહેવા જતાં તલવાર, પાઇપથી હુમલો
તલોદના બડોદરામાં રવિવારે સવારે ભત્રીજી ને હેરાન કરતાં નાણાં ગામના શખ્સને ઠપકો કર્યા બાદ એકાદ કલાકમાં 6 શખ્સો બડોદરા ખાતે આવતાં તેમને મળવા ગયેલ કાકા ભત્રીજાને અપશબ્દો બોલી લોખંડની પાઇપ તલવાર બાઈકની ચેન વગેરેથી ઇજાઓ પહોંચાડી જાનથી ધમકી આપવા મામલે તલોદ પોલીસે 6 શખ્સો વિરુદ્ધ ગુનો નોધ્યો હતો. તલોદના પનાપુરની યુવતીને નાણા ગામનો હર્ષદસિંહ યોગેન્દ્રસિંહ ઝાલા રોજ હેરાન કરતો હોવાની ગોપાલસિંહ તખતસિંહ ઝાલાને રવિવારે સવારે નવેક વાગે ફરિયાદ કરતાં તેમણે યુવરાજસિંહ પ્રહલાદસિંહ ઝાલાને વાત કરતાં તેમણે હર્ષદસિંહને ફોન કરી ઠપકો આપ્યો હતો. તેના એકાદ કલાકમાં બડોદરાના સિકોતર માતાના મંદિર પાસે આવેલ પુલ જોડે હર્ષદસિંહ આવ્યો હોવાની જાણ થતાં ગોપાલસિંહ તખતસિંહ ઝાલા અને યુવરાજસિંહ બાઇક લઈને દસેક વાગે તેને મળવા જતાં હર્ષદસિંહ યોગેન્દ્રસિંહ ઝાલાને તું કેમ મારી ભત્રીજીને હેરાન કરે છે તેવું કહેતા હર્ષદસિંહે બોલાચાલી કરી ઝપાઝપી ચાલુ કરી હતી અને લોખંડની પાઇપ લઈને ગોપાલસિંહના માથામાં જીંકી દીધી હતી. આ દરમિયાન વિશ્વજીતસિંહ મનહરસિંહ ઝાલા તલવાર લઈને આવી જતાં તલવાર પકડી લેતાં તેની સાથેના ચિરાગસિંહ ઝાલા અને અરુણસિંહ ઝાલાએ માર મારવા માંડ્યો હતો.
દાંતા તાલુકાના સુલતાનપુરા ગામની 11 વર્ષની આદિવાસી દીકરીને પાલનપુર સ્થિત બનાસ જનરલ સિવિલ હોસ્પિટલમાં ગંભીર અને દુર્લભ સિસ્ટેમિક લુપસ એરીથેમેટોસસ જેવી બીમારીથી પીડાતી બાળકી છેલ્લા એક મહિનાથી ખોરાક લેતી ન હતી અને ખાવા સાથે ઊલટી તથા ઊબકાથી શરીર અત્યંત નબળું પડી ગયું હતું. બનાસ સિવિલ હોસ્પિટલમાં 20 દિવસની સારવાર બાદ નોંધપાત્ર સુધારો થયો હતો. દાંતા તાલુકાના સુલતાનપુરા ગામની 11 વર્ષની મનીષાબેન ડામોર છેલ્લા એક મહિનાથી ખોરાક લેતી ન હતી. ખોરાક લેતા જ ઊલટી અને ઊબકા થવાથી તેનું શરીર દિવસે દિવસે અત્યંત નબળું બની ગયું હતું.જે ગંભીર અને દુર્લભ સિસ્ટેમિક લુપસ એરીથેમેટોસસ (SLE) જેવી બીમારી સામે ઝઝૂમી રહી હતી.જેને પરિવારે શરૂઆતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી, પરંતુ કોઈ ખાસ સુધારો ન થતાં આખરે તેને પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી. તબીબોએ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી તાત્કાલિક સારવાર શરૂ કરી અને બાળ વિભાગમાં ખસેડી હતી. તપાસ દરમિયાન ANA પ્રોફાઇલ, C3 લેવલ ઓછું અને ds-DNA પોઝિટિવ આવતાં તબીબોએ સિસ્ટેમિક લુપસ એરીથેમેટોસસનું નિદાન કરવામાં આવ્યું હતું. બાદમાં પીડિયાટ્રિક વિભાગની ટીમે મોંઘા ઇન્જેક્શન, જરૂરી દવાઓ અને એન્ટીબાયોટિક સારવાર શરૂ કરી, જેના પરિણામે માત્ર બે દિવસમાં જ બાળકીની તબિયતમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. અંતે 20 દિવસની સતત સારવાર બાદ બાળકી સંપૂર્ણ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થતા પરિવારજનોમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી.
સરાહનીય કામગીરી:પાલનપુરની સ્કુલના બાળકોએ 483 કિલોગ્રામ દોરીના ગુંચળા એકત્ર કર્યા
ઉત્તરાયણ પછી પતંગની દોરીના ગુચ્છા ખુલ્લા મેદાનો, રસ્તાઓ અને વૃક્ષોમાં ફસાઈ રહેતા હોય છે. જે પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી હોય છે. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને પાલનપુર સ્થિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા વિદ્યાર્થીઓને તૂટેલી દોરીઓ અને દોરીના ગુચ્છો એકત્ર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત બાલમંદિરથી લઈને ધોરણ 8 સુધીના ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ કુલ 24 મણ 3 કિલોગ્રામ (483 કિલોગ્રામ) વજનની દોરી એકત્ર કરી હતી. સૌથી વધુ દોરી એકત્ર કરનારા વિદ્યાર્થીઓને સમાજસેવક નરેશભાઈ ખોલવાડિયા તરફથી વિશેષ ઇનામ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આયોજન સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કરાયું હતુ.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાલનપુરમાં સર્વિસ રોડના ટ્રાફિકથી બચવા માટે બસ બારોબાર પસાર
પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટિયાએ પુલ બનાવ્યા પછી સર્વિસ રોડ ઉપર એસ. ટી.બસો ફરજીયાત હંકારવા માટે સૂચન કરાયું છે. જોકે, ડેપો મેનેજરના હુકમની અવગણના કરી બસ ચાલકો ટ્રાફિકથી બચવા માટે બારોબાર પુલ ઉપરથી પસાર થઇ રહ્યા હોઇ મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર ગઠામણ પાટિયાએ પુલ બનાવ્યા પછી સર્વિસ રોડ ઉપર બસો આવતી ન હતી. આ અંગે અહેવાલ પ્રસિધ્ધ કરાયા પછી વર્તમાન સમયે બસો સર્વિસ રોડ ઉપર આવે છે કે કેમ તેની રૂબરૂ તપાસ કરી હતી. જ્યાં સર્વિસ રોડ ઉપરના ટ્રાફિકથી બચવા માટે બસ ચાલકો પુલ ઉપરથી બારોબાર બસો પસાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ અંગે કિશોરભાઇ દવેએ જણાવ્યું હતુ કે, મારે મહેસાણા જવું છે અને હું અડધા કલાકથી અહીં બસની રાહ જોઈ રહ્યો છું. એકપણ બસ સર્વિસ રોડ પર આવતી નથી. બધી બસો પુલ પરથી જતી રહે છે. ડેપો મેનેજરના આદેશનો અહીં કોઈ અમલ થતો હોય તેવું લાગતું નથી. એરોમા સર્કલ સુધી બસ પકડવા જવું પડે છે: છાત્રાવિધાર્થીની મિનાક્ષીબેન દવેએ જણાવ્યું હતુ કે, ગઠામણ પાટિયા અમારું નજીકનું સ્ટોપ છે, પણ અહીં બસ ઉભી રહેતી જ નથી. છેક એરોમા સર્કલ સુધી બસ પકડવા માટે જવું પડે છે. સવારના સમયે બસ ન મળવાને કારણે ઘણીવાર કોલેજમાં લેક્ચર ચૂકી જવાય છે. તંત્ર માત્ર કાગળ પર હુકમ કરે છે પણ ડ્રાઈવરો માનતા નથી.
વાહનચાલકોને સાંપડશે રાહત:રૂપેણ નદી પરના બ્રિજ પાસે ડાયવર્ઝન રોડ બનાવતાં ભારે વાહનો માટે શરૂ
પાટણ જિલ્લાના વિરમગામ-માંડલ-પંચાસર -સમી રાજ્ય ધોરીમાર્ગ પર મુસાફરી કરતા વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રૂપેણ નદી પરનો જૂનો બ્રિજ જર્જરિત હોવાથી ગત નવેમ્બર માસથી ભારે વાહનો માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો. જોકે, હવે મુખ્યમંત્રીના દિશા-નિર્દેશ હેઠળ માર્ગ અને મકાન વિભાગે બ્રિજની બાજુમાં જ તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન તૈયાર કરી રસ્તો ભારે વાહનો માટે શરૂ દીધો છે. અગાઉ ભારે વાહનોને વૈકલ્પિક લાંબા રસ્તા પર ડાયવર્ટ કરાતા વાહનચાલકોને વધારાનું અંતર કાપવું પડતું હતું, જેમાંથી હવે મુક્તિ મળી છે. આ માર્ગ યાત્રાધામ શંખેશ્વરને જોડતો હોવાથી હજારો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને મુસાફરીમાં સરળતા રહેશે. ઉપરાંત આસપાસના ગામોના લોકોને શિક્ષણ અને આરોગ્ય જેવી ઈમરજન્સી સેવાઓ માટે હવે ઝડપી રસ્તો ઉપલબ્ધ બન્યો છે. કલેક્ટરના જાહેરનામા બાદ બંધ થયેલો આ માર્ગ ફરી શરૂ થતા સ્થાનિક ટ્રાન્સપોર્ટરો અને માલવાહક વાહનચાલકોએ રાહત અનુભવી છે.
ઘરફોડ ચોરીનો બનાવ:હારિજના રૂગનાથપુરા ગામમાં બંધ ઘરમાં રૂ.44 હજારના દાગીનાની ચોરી
હારીજ તાલુકાના રૂગનાથપુરા ગામમાં રાત્રે અજાણ્યા તસ્કરોએ બંધ મકાન નું તાળું તોડી સોના-ચાંદીના દાગીના ચોરી જતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. મજૂરી અર્થે અમદાવાદ ગયેલા પરિવારના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી અંદર પ્રવેશ કરી કબાટમાંથી રૂ.44,070 ની ચોરી કરી હતી રૂગનાથપુરા ગામનાં વતની અને અમદાવાદ ખાતે રહેતા ધનજીભાઈ બોધાભાઈ પરમાર અમદાવાદ ખાતે મજૂરી કામે ગયા હતા. તે દરમિયાન સવારે આશરે 9:30 ગામના બાબુભાઈ મણાભાઈ મકવાણાએ ફોન કરીને તેમના મકાનનું તાળું તૂટેલું અને ઘરનો સામાન અસ્તવ્યસ્ત હોવાનું જણાવ્યું હતું. જાણ થતાં ધનજીભાઈ પરમાર કામ પૂરું કરી સાંજે 4:00 વતનમાં રૂગનાથપુરા ગામે ઘરે આવી તપાસ કરતાં મુખ્ય દરવાજાનું લોક તોડેલું, દરવાજો ખુલ્લો અને ઘરવખરી વેરવિખેર હાલતમાં મળી આવી હતી. મકાન માલિક એક મહિના અગાઉ પરિવાર સાથે ઘર બંધ કરી અમદાવાદ ગયેલ હોવાથી મકાન બંધ હાલતમાં હતું. ગામમાં અવરજવર હોવા છતાં રાત્રિ દરમિયાન આ ચોરી કરવામાં આવી હોવાનું અનુમાન છે. ઉપરાંત, રૂગનાથપુરાના અન્ય મકાનો જેમ કે મુફદ્દલ ફકરૂદ્દીન વાણા, અમુસા પીરૂસા ફકીર સહિતના ઘરોમાં પણ એક જ રાત્રે ચોરી થયાની ચર્ચા છે.
દીપડાનું રેસ્ક્યુ કરાયું:શામળાજીના ખેરંચા પાસે વાહનની ટક્કરે અર્ધબેભાન દીપડાને વન વિભાગે બચાવ્યો
મોડાસા-શામળાજી હાઇવે ઉપર આવેલા ખેરંચા નજીક રાત્રે અજાણ્યા વાહનની ટક્કરથી દીપડો ઘાયલ થતાં કોઈ જાગૃત નાગરિકે વન વિભાગને જાણ કરતાં વન વિભાગની ટીમ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને દીપડાને રેસ્ક્યુ કરી તેને દેવની મોરી ખાતે આવેલી નર્સરીમાં લઈ જવાયો હતો. જ્યાં શામળાજી પશુ ચિકિત્સા અધિકારી કે.કે. પટેલે રાત્રે જ પ્રાથમિક સારવાર આપી હતી. ખેરંચા પાસેથી રાત્રે પસાર થઈ રહેલા દીપડાને અજાણ્યા વાહનની ટક્કર લાગતાં દીપડો રસ્તાની બાજુમાં ફંગોળાઈને પડ્યો હતો. આ ઘટનામાં દીપડાએ હાઇવે પરથી પસાર થતાં વાહન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું મનાઈ રહ્યું છે. હાઈવેની બાજુમાં દીપડો ઘાયલ અવસ્થામાં પડ્યો હોવાની માહિતી મળતાં વન વિભાગની ટીમ તેને બચાવવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. રસ્તાની બાજુમાં અર્ધબેભાન હાલતમાં શ્વાસ લઇ રહેલા દીપડાને બચાવવા વન વિભાગ દ્વારા પ્લાસ્ટિકની જાળ બિછાવીને તેને સહી સલામત રેસ્ક્યુ કર્યો હતો.

25 C