SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

22    C
... ...View News by News Source

કાર્યવાહી:સમુદ્રમાં ગેરકાયદેસર ફિશીંગ કરવાના ઇરાદે એલઇડી લાઇટ ફિટ કરેલ બોટ ઝડપાઈ

સમુદ્રમાં લાઇન ફિશીંગ, લાઈટ ફિશીંગ, ઘેરા ફિશીંગ કરવા પર પ્રતિબંધ છે ત્યારે વિસાવાડા ગામની સામે સમુદ્રમાં લાઈટ ફિશીંગ કરવાના ઇરાદે લાઇટ ફિટ કરેલ નાની બોટ સામે મિયાણી મરીન પોલીસે કાર્યવાહી કરી શખ્સ સામે ગુન્હો નોંધ્યો છે. ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમાં ગુજરાત મત્સ્યદ્યોગ અધિનિયમના કાયદાનો ભંગ કરી અનઅધિકૃત રીતે જેમ કે, ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ તથા ગેરકાયદેસર પધ્ધતીથી લાઇન ફીશીંગ, ઘેરા ફીશીંગ, લાઇટ ફીશીંગ થી ગેરકાયદેસર રીતે માચ્છીમારી કરતા શખ્સ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા કોસ્ટલ એરીયામાં થતી ગેરકાયદેસર પ્રવૃતીને રોકવા મિયાણી મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ તથા પોલીસ સ્ટાફે બોટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન વિસાવાડા ગામના લેન્ડિંગ પોઇન્ટ સામે દરિયામાં આશિયાના નામની બોટ IND GJ 32 MO 8293 નંબરની નાની બોટમાં અનઅધિકૃત રીતે લાઇટ ફિટ કરેલ બોટ મળી આવતા આ બોટના અકરમ સલીમ ખરાઇ નામના શખ્સ વિરુધ્ધ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમના કાયદાની કલમ મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:58 am

સાંઢીયા ગટરનું કામ પૂર્ણતાના આરે:ચોમાસે વરસાદી પાણીનો 100 ટકા નિકાલ થશે : કમિશનર

પોરબંદરમાં બાલુબા કન્યા શાળા પાસે સાંઢીયા ગટર બનાવવાની કામગીરી પૂર્ણતાના આરે છે ત્યારે ચોમાસા દરમ્યાન ભરાતા પાણીની સમસ્યા દૂર થશે તેવો કમિશનરે દાવો કર્યો છે. મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિએ જણાવ્યું હતુકે, પોરબંદરમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. સાંઢીયા ગટરનું કામ પૂર્ણતાના આરે છે. નામાંકિત એજન્સી દ્વારા સર્વે કરવામાં આવ્યો છે અને એજન્સી દ્વારા લેવલ અને સાઇઝ આપેલ છે તે મુજબની કામગીરી ચાલુ છે. ગત ચોમાસે વાડિયા રોડ પર પાણી ભરાયું હતું તેનું તાકીદે નવું કનેક્શન આપી નિરાકરણ કર્યું છે. ભૂતકાળમાં શહેરમાં પાણીના નિકાલ માટે એક જ સાંઢીયા ગટર હતી, હાલ ગોઢાણીયા પમ્પિંગ સ્ટેશન નવું બનાવેલ છે અને જૂનું પણ કાર્યરત છે, બિરલા પાસે પણ પાણીના નિકાલ માટે પમ્પિંગ સ્ટેશન કામગીરી ચાલી રહી છે. છાંયા રણમાં પણ પમ્પિંગ સ્ટેશન કામગીરી ચાલુ છે. પાણી નિકાલ માટે અગાઉની સુવિધા કરતા 4 ગણી સુવિધા ઉભી કરી છે. સેક્શન ડિઝાઇન મુજબ બાંધકામ થાય છે એટલે આ ચોમાસે પાણી ભરાવાની સમસ્યા માંથી મુક્તિ મળશે તેવો કમિશનરે દાવો કર્યો છે. ઉલ્લેખનીય છેકે, કમિશ્નરના દાવા સામે આવતા ચોમાસે શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા માંથી મુક્તિ મળે છે કે કેમ તે જોવાનું રહ્યું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:57 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જિલ્લાના 138 ગામ અને પાલિકા પાણીના બીલ ભરતી નથી : નોટિસ આપી પાણી પુરવઠા બોર્ડે સંતોષ માન્યો

પોરબંદર જિલ્લાની 138 પંચાયતો તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને રાણાવાવ તેમજ કુતિયાણા નગરપાલિકા પ્રજા પાસેથી પાણી વેરો ઉઘરાવવામાં આવી રહ્યા છે પરંતુ પાણી પુરવઠા બોર્ડને એક રૂપિયો પણ ચુકવવામાં આવતો નથી.પોરબંદર જિલ્લા 138 ગામ અને એકપણ પાલિકા વર્ષોથી એક રૂપિયો પણ પાણીના બિલ પેટે ભરતી નથી છતાં પાણી પુરવઠા બોર્ડ પેનલ્ટી લેવા પ્રયાસો કરતું નથી તો સૌરાષ્ટ્ર કેમિકલ્સ ફેક્ટરીનો કેશ કોર્ટમાં ચાલતો હોવાથીતેની પાસેથી પાણીના રૂ.5.74 કરોડ સલવાઈ ગયા છે.પ્રજા પાસેથી પાણીના પૈસા લઈ લેતી પોરબંદર મનપા અને રાણાવાવ, કુતિયાણા નગરપાલિકાએ પાણી પુરવઠા બોર્ડના રૂ.90.75 કરોડનું બિલ ચૂકવ્યું નથી. પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની વ્યવસ્થા ઉભી કરવાની જવાબદારી પાણી પુરવઠા બોર્ડના શિરે હોય છે.ખાસ કરીને જે વિસ્તારમાં ભૂગર્ભ જળ પીવા લાયક ન હોય તેવા વિસ્તારમાં પાણી પૂરું પડવાની જવાબદારી પાણી પુરવઠાની રહેલ છે.પોરબંદર જિલ્લામાં મોટાભાગના ગામ તેમજ પોરબંદર મહાનગરપાલિકા અને મહાનગરપાલિકાને પીવાનું પાણી પોરબંદર પાણી પુરવઠા બોર્ડ મારફતે વિતરણ વ્યવસ્થા પુરી પાડવામાં આવી રહી છે.પરંતુ સામે આ પાણી વિતરણનું બિલ પંચાયત કે મહાનગરપાલિકા તેમજ નગરપાલિકા દ્વારા વર્ષોથી પાણી પુરવઠા બોર્ડને ચૂકવતું નથી જેથી હાલ કરોડો રૂપિયાનું બિલ પાણી પુરવઠા બોર્ડના શિરે રહેલ છે. પોરબંદર મહાનગરપાલિકા તેમજ રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકા પ્રજા પાસે પાણીના વેરા ઉઘરાવી રહ્યા છે પરંતુ વર્ષોથી પાણી પુરવઠા બોર્ડને એક રૂપિયો પણ ચૂકવાયો નથી જેથી.પાણી પુરવઠા બોર્ડમાં પોરબંદર મહાનગર પાલિકાના રૂ.68, 49,03,291, રાણાવાવ નગર પાલિકાના રૂ.3,03,08,200, કુતિયાણા નગર પાલિકાના રૂ.45,23,758 બાકી છે.તેમજ પોરબંદર તાલુકાના 47 ગામના રૂ. 2,61,33,983,રાણાવાવ તાલુકાના 51 ગામના રૂ.3,91,71,024 અને કુતિયાણા તાલુકાના 40 ગામના રૂ.3,51,69,351 વર્ષોથી બાકી છે પેનલ્ટી માટે પરમિશન લેવી પડે છે પાણીના બિલ આપવામાં આવે છે તેમજ નોટિસ પણ આપવામાં આવે છે.નોટીશ બાદ પેનલ્ટીની જોગવાઈ હોય છે તે માટે સર્કલ ઓફિસ ખાતેથી પરમિશન લેવી પડે છે. > વી.સી.રંજન,કાર્યપાલક ઈજનેર,પાણી પુરવઠા બોર્ડ બિલ બાબતે સરકારમાં રજુઆત કરવામાં આવી છે : કમિશ્નર પાણી પુરવઠા બોર્ડ તેમજ અન્ય બાકી બીલના સર્વે કરાવ્યો હતો.આ બિલ અંગે સરકારમાં પણ રજુઆત કરવામાં આવી છે.ત્યાંથી જે નિર્ણય આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે. > હસમુખ પ્રજાપતિ,મ્યુનિસિપલ કમિશનર

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:56 am

સંશોધન:ફોદાળા ડેમ વિસ્તારની 177 પ્રકારની વનસ્પતિઓનું દસ્તાવેજીકરણ કરાયું

મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના સંશોધકોએ બરડા પર્વતમાળામાં આવેલા પોરબંદર જિલ્લાના ફોદાળા ડેમ વિસ્તારની વનસ્પતિ વૈવિધ્યતા તથા સ્થાનિક સમુદાયોના પરંપરાગત વનસ્પતિ ઉપયોગ વચ્ચેના ગાઢ સંબંધને ઉજાગર કરતું મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક સંશોધન પ્રકાશિત કર્યું છે. ફોદાળા ડેમ પ્રદેશમાં વનસ્પતિ ઉપયોગનો અભ્યાસ શીર્ષક હેઠળનું આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલ ઇથનોબોટની રિસર્ચ એન્ડ એપ્લિકેશનમાં પ્રકાશિત થયું છે. આ જર્નલનું પ્રકાશન જ્યોર્જિયા દેશના ટબિલિસી શહેરમાં આવેલી ઇલિયા સ્ટેટ યુનિવર સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ બોટનીના ઇથનોબોટની વિભાગ દ્વારા કરવામાં આવે છે. આ સંશોધન મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજ, પોરબંદરના વનસ્પતિ શાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. ભૂપેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સંશોધકો રેખા જી. ધમ્મર અને કુણાલ એન. ઓડેદરા દ્વારા કરવામાં આવ્યું છે. વર્ષ 2023થી 2025 દરમિયાન કરાયેલા ક્ષેત્રિય અભ્યાસમાં ફોદાળા ડેમ વિસ્તારની કુલ 177 પ્રકારની વનસ્પતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું હતું. સાથે જ નેસ વિસ્તારમાં વસતા લોકોમાંથી કુલ 60 સ્થાનિક જાણકારો પાસેથી પરંપરાગત વનસ્પતિ જ્ઞાન એકત્રિત કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં દર્શાવ્યું છે કે પર્યાવરણમાં વધુ ઉપલબ્ધ અને દ્રશ્યમાન વનસ્પ તિઓનો ઉપયોગ સ્થાનિક લોકો દ્વારા વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.માર ગદર્શક ડૉ. ભૂપેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, પરંપરાગત વનસ્પતિ જ્ઞાન અંધવિશ્વાસ પર આધારિત નથી, પરંતુ તે પ્રકૃતિ અને પર્યાવરણીય હકીકતો સાથે ઊંડે જોડાયેલું છે. આ જ્ઞાનને સંરક્ષણ યોજન ઓમાં સામેલ કરવું આજના સમયમાં અત્યંત જરૂરી છે.આ અભ્યાસ ગુજરાત સહિત અર્ધ-શુષ્ક વિસ્તારોમાં જીવવૈવિધ્ય સંરક્ષણ અને સ્થાનિક જીવનધ રણાને સંતુલિત રાખવા માટે એક મહત્વપૂર્ણ માર્ગદર્શક સાબિત થશે.મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.વી. ટી. થાનકી અને બોટનિકલ એડવાન્સ્ડ એસોસ એશન, ગુજરાતના પ્રમુખ, ડો. એન.કે. પટેલ એ સંશોધકોને અભિનંદન પાઠવ્યા હતા. સંશોધન અનુસાર વનસ્પતિઓનો સૌથી વધુ ઉપયોગ ઔષધીય હેતુઓ માટે 45 ટકા થાય છે. ત્યારબાદ ખાદ્ય વનસ્પતિઓ 25 ટકા અને પશુખોરાક માટે ઉપયોગમાં લેવાતી વનસ્પતિઓ 15 ટકાનો સમાવેશ થાય છે. અભ્યાસ વિસ્તારમાં ઔષધીય છોડ 39.55 ટકા, અને વૃક્ષો 30.51 ટકા મુખ્ય વનસ્પતિ સ્વરૂપ તરીકે નોંધાયા છે.વનસ્પતિના પાંદડા અને પ્રકાંડ સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ભાગો હોવાનું અભ્યાસમાં જણાયું છે, જે પર્યાવરણીય દૃષ્ટિએ વધુ ટકાઉ માનવામાં આવે છે. ગુગળ જેવી કેટલીક મહત્વપૂર્ણ ઔષધીય વનસ્પતિઓ અતિઉપયોગના કારણે સંરક્ષણની દૃષ્ટિએ સંવેદનશીલ હોવાનું પણ નોંધાયું છે. ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે નવી દવાઓ શોધી શકાશે દવાઓ તરીકે ઉપયોગી સાબિત થશે સંશોધન આધારે જાણવા મળ્યું હતુકે, સ્થાનિકો 177 જેટલી વનસ્પતિનો ઉપયોગ ખાવામાં, રહેઠાણ અને અન્ય બીજા ઉપયોગમાં લે છે ત્યારે આ સંશોધનના આધારે માનવ કલ્યાણ અર્થે ફાર્માસ્યુટિકલ ઉધોગ માટે નવી દવાઓ શોધી શકાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:56 am

હવાઈ પરિવહન વ્યવસ્થામાં એક નવો અધ્યાય:આજથી નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ફ્લાઈટ્સ શરૂ

મુંબઈની હવાઈ પરિવહન વ્યવસ્થામાં એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લગભગ અઢી મહિના પહેલાં ઉદઘાટન કરાયેલા નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક (એનએમઆઈએ) પર નાતાલ- નવા વર્ષના તહેવારોની ઉજવણી સાથે ગુરુવારે પ્રથમ વ્યાવસાયિક ફ્લાઈટ ઊતરશે. આ શરૂઆત મુંબઈના ભારે દબાણવાળા હવાઈ ટ્રાફિક માટે મોટી રાહતરૂપ સાબિત થવાની છે. 1997માં કલ્પના કરેલું આ ગ્રીનફિલ્ડ એરપોર્ટ જમીન અધિગ્રહણ, પર્યાવરણીય મંજૂરીઓ અને અનેક વિલંબોના કારણે લગભગ ત્રણ દાયકામાં સાકાર થયું. 8 ઑક્ટોબર, 2025ના થયેલું ઉદઘાટન વર્ષો સુધી ચાલેલી યોજના અને અમલીકરણનું પરિણામ હતું. આ એરપોર્ટ સિડકો અને અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ) વચ્ચેની જાહેર- ખાનગી ભાગીદારી મોડેલ હેઠળ વિકસાવવામાં આવ્યું છે, જેમાં સિડકોની 26% અને એએએચએલની 74% હિસ્સેદારી છે. 25 ડિસેમ્બરથી વાણિજ્યિક કામગીરી સત્તાવાર રીતે શરૂ થશે, જેમાં બહુવિધ એરલાઇન્સ નવા એરપોર્ટ પર અને ત્યાંથી પેસેન્જર ફ્લાઇટ્સનું સંચાલન કરશે. ઇન્ડિગો, અકાસા એર, એર ઇન્ડિયા એક્સપ્રેસ અને સ્ટાર એર શરૂઆતના દિવસે સેવાઓનું સંચાલન કરશે. ફ્લાઇટ શિડ્યુલ અનુસાર, કુલ 30 એર ટ્રાફિક મુવમેન્ટ્સ (એટીએમ) અપેક્ષિત છે, જેમાં 15 આગમન અને 15 પ્રસ્થાનોનો સમાવેશ થાય છે. આજથી આગમન અને પ્રસ્થાન : ઇન્ડિગો કામગીરીમાં સૌથી મોટો હિસ્સો ધરાવશે, જેમાં નવ આગમન અને નવ પ્રસ્થાનોનો સમાવેશ થશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ, અકાસા એર અને સ્ટાર એર દરેક બે આગમન અને બે પ્રસ્થાનોનું સંચાલન કરશે. પ્રથમ વાણિજ્યિક આગમન ઇન્ડિગો ફ્લાઇટ ઈન્ડિગોની બેંગલુરુથી આવતી ફ્લાઈટ 6ઈ460 સવારે 8 વાગ્યે થશે, જ્યારે પ્રથમ પ્રસ્થાન ફ્લાઈટ 6ઈ882 હૈદરાબાદ માટે સવારે 8.40 વાગે ઉડાણ ભરે તેવી યોજના છે. દિવસનું છેલ્લું આગમન ઇન્ડિગો ફ્લાઇટ 6ઈ2055 ગોવાના મોપા એરપોર્ટથી સાંજે 6.50 વાગ્યે થશે, ત્યારબાદ અંતિમ પ્રસ્થાન, ઇન્ડિગો ફ્લાઇટ 6ઈ461, સાંજે 7.45 વાગ્યે બેંગલુરુ માટે થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:09 am

રાહત:ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે બેન્ક દ્વારા કરાતી સખ્તીની કાર્યવાહી સામે સ્ટે

મુંબઈ હાઈ કોર્ટે બુધવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે બેંક ઓફ બરોડા, આઈડીબીઆઈ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા કરવામાં આવતી તમામ સખ્તીની કાર્યવાહી પર સ્થગિતી મૂકી છે. આ કાર્યવાહી ઓક્ટોબર 2020ના ફોરેન્સિક ઓડિટ રિપોર્ટના આધારે કરવામાં આવી હતી, જે રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આરસીઓએમ) અને તેની ગ્રુપ કંપનીઓ સંબંધિત હતી. ન્યાયમૂર્તિ મિલિંદ જાધવએ પ્રાથમિક દ્રષ્ટિએ અવલોકન કરતાં જણાવ્યું કે, ઓડિટ ફર્મ બીડીઓ એલએલપી દ્વારા તૈયાર કરાયેલ ફોરેન્સિક રિપોર્ટ પર ભરોસો રાખી શકાય નહીં, કારણ કે તે રિપોર્ટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની 2024ની માસ્ટર ડિરેકશન્સ ઓન ફ્રોડ મુજબ પાત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સહી કરાયો નથી. આ 2024ની માર્ગદર્શિકાઓએ 2016ની વ્યવસ્થા બદલી નાખી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, આરબીઆઇની નવી માર્ગદર્શિકાઓ મુજબ ફોરેન્સિક ઓડિટર પાસે સંબંધિત કાયદા હેઠળ જરૂરી કાનૂની લાયકાત હોવી ફરજિયાત છે. પાત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વગર સહી કરાયેલ રિપોર્ટના આધારે બેંકો દંડાત્મક કાર્યવાહી કરી શકે નહીં. ન્યાયમૂર્તિ જાધવે ચેતવણી આપી કે જો બેંકો નિયમો અને સમયમર્યાદાનું પાલન નહીં કરે તો તેનો વ્યાપક અસર દેશની અર્થવ્યવસ્થા પર પડશે. કોર્ટે નોંધ્યું કે બેંકો વર્ષો સુધી ઘેરી ઊંઘમાં હતી અને 2013થી 2017ના સમયગાળાની ઓડિટ 2019માં શરૂ કરી, તે પણ આરબીઆઈની 2016ની માર્ગદર્શિકાઓમાં નક્કી કરેલ સમયમર્યાદાનું પાલન કર્યા વિના. તેથી શો-કોઝ નોટિસ અને ફ્રોડ તરીકે વર્ગીકરણની પ્રક્રિયા આગળ વધારવા પર રોક લગાવવામાં આવી.બેંકો અને બીડીઓ એલએલપીએ આ આદેશને સ્થગિત રાખવાની વિનંતી કરી હતી, પરંતુ કોર્ટે તે નામંજૂર કરી. કોર્ટનું કહેવું હતું કે આરબીઆઈની માસ્ટર ડિરેકશન્સ કાગળ પરના વાઘ નથી કે બેંકો પોતાની સુવિધા મુજબ પગલાં ભરી શકે. અનિલ અંબાણી, જે આરકોમના ભૂતપૂર્વ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે, તેમણે દલીલ કરી હતી કે બીડીઓ એલએલપી માત્ર એક એકાઉન્ટિંગ કન્સલ્ટન્ટ છે, અને આઈસીએમાં નોંધાયેલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફર્મ નથી. ઉપરાંત, રિપોર્ટ પર સહી કરનાર વ્યક્તિ પાસે પ્રેક્ટિસ સર્ટિફિકેટ નહોતું, જેના કારણે આખી કાર્યવાહી0 કાયદેસર નથી. કોર્ટએ આ દલીલોને પ્રાથમિક સ્તરે માન્ય રાખી અનિલ અંબાણીને મોટી રાહત આપી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:08 am

આત્મવિશ્વાસ, ઈમાનદાર- રમતિયાળ ભાવનાનો સંદેશ:અંધેરીની શાળામાં બાળકો દ્વારા માનવ પિરામિડ રચી ઓપરેશન સિંદૂરનું પ્રદર્શન

શ્રી નાગરદાસ ડી. ભુતા હાઈ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી અને પ્રાઈમરી વિભાગ દ્વારા વાર્ષિક રમતોત્સવ ૨૦૨૫–૨૦૨૬નું ભવ્ય આયોજન ૨૧ ડિસેમ્બરે સ્વ. જયસુખલાલ નાગરદાસ ભુટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું. આત્મવિશ્વાસ,ઈમાનદારી, રમતિયાળ ભાવના અને સતત પ્રયત્નનો સંદેશ આપતો આ કાર્યક્રમ ઉત્સાહ અને આનંદથી ભરપૂર રહ્યો. માનનીય મેનેજિંગ ટ્રસ્ટી કમલેશ ભુતા તથા ટ્રસ્ટી દેવાંગી ભુતાના હસ્તે પરંપરાગત લેઝિમ નૃત્ય સાથે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપન, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પી.ટી.એ. સભ્યો અને વાલીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું. દીપ પ્રગટાવ્યા બાદ પ્રાર્થના, શાળા ગાન, મહેમાનોનું સન્માન, પ્રેરણાદાયક ભાષણ, શપથવિધિ, ટોર્ચ પ્રજ્વલન અને માર્ચ પાસ્ટ સાથે રમતોત્સવની શરૂઆત કરવામાં આવી. રમતોત્સવ દરમિયાન માનવ પિરામિડ, “ઓપરેશન સિંદૂર” પ્રદર્શન, પ્રિ-પ્રાઈમરી માટે ફન ગેમ્સ તથા પ્રાઈમરી વિભાગ માટે દોડ સ્પર્ધાઓ, ટ્રેક ઇવેન્ટ્સ અને કબડ્ડી મેચ યોજાઈ.નાનકડા ખેલાડીઓની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર વાતાવરણ આનંદ અને તાળીઓથી ગુંજી ઉઠ્યું. વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા અને રાષ્ટ્રગાન સાથે આ ભવ્ય રમતોત્સવનું સમાપન થયું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:07 am

કરૂણાંતિકા:થાણેમાં રખડુ કૂતરું કરડ્યા બાદ બાળકીનું એક મહિના પછી મૃત્યુ

થાણે જિલ્લામાં રસ્તા પરના કૂતરા કરડવાના એક દુખદ બનાવમાં છ વર્ષની બાળકીનું એક મહિના કરતાં વધુ સમય પછી મોત થયું છે, એવી માહિતી બુધવારે મહાપાલિકા અધિકારીએ આપી. બાળકીના પરિવારજનોએ જણાવ્યું કે, સમયસર તમામ સારવાર, જેમાં એન્ટી-રેબીઝ ઇન્જેક્શનનો સમાવેશ થાય છે, આપવામાં આવી હતી, અને શરૂઆતમાં તેની તબિયત સારી હોવાથી પરિવારજનોએ તેનો જન્મદિવસ પણ ઊજવ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, નિશા શિંદે નામની બાળકી 17 નવેમ્બરે દિવા વિસ્તારમાં પોતાના ઘરની બહાર રમતી હતી ત્યારે એક રસ્તા પરના કૂતરાએ તેના ખભા અને ગાલ પર બચકું ભર્યું હતું. ઘટના બાદ તેને પહેલાં સ્થાનિક ડૉક્ટર પાસે લઈ જવાઈ હતી અને ત્યાર બાદ કલ્યાણ- ડોમ્બિવલી મહાપાલિકા (કેડીએમસી) દ્વારા સંચાલિત શાસ્ત્રીનગર હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ મામલે કેડીએમસીની તબીબી આરોગ્ય અધિકારી ડો. દીપા શુકલાએ જણાવ્યું કે, બાળકીની સારવાર દરમિયાન તમામ નિર્ધારિત તબીબી પ્રોટોકોલનું કડક પાલન કરવામાં આવ્યું હતું.બાળકીની માતા સુષ્મા શિંદે મુજબ, નિશાને નક્કી કરેલી તબીબી માર્ગદર્શિકા અનુસાર તમામ ફરજિયાત એન્ટી- રેબીઝ ઇન્જેક્શન સમયસર આપવામાં આવ્યા હતા. સારવાર બાદ નિશાની તબિયત સામાન્ય જણાતી હતી અને તેણે 3 ડિસેમ્બરે પોતાનો જન્મદિવસ પણ ઊજવ્યો હતો. પરંતુ 16 ડિસેમ્બરે, એન્ટી-રેબીઝ રસીની અંતિમ ડોઝ લીધાના એક દિવસ પછી, નિશાને તીવ્ર તાવ અને માથાનો દુખાવો શરૂ થયો. માતાના જણાવ્યા અનુસાર તેના વર્તનમાં અચાનક ફેરફાર જોવા મળ્યો, તે પથારી પર માથું અથડાવતી અને નજીક રહેલાઓને ખંજવાળતી હતી. ત્યારબાદ તેને ફરી કેડીએમસીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને વધુ સારવાર માટે મુંબઈની એક નાગરિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ તેનું જીવન બચાવી શકાયું નહોતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:06 am

સિટી એન્કર:પાલિકા ચૂંટણીમાં બળવાખોરો-અપક્ષોની સંખ્યા વધી શકે છે

મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે મંગળવાર 23 ડિસેમ્બરથી નોમિનેશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી. આ વખતની ચૂંટણીમાં મુંબઈના મુખ્ય પક્ષ શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના બે ફાડિયા થયા હોવાથી મહાયુતી અને આઘાડીના નવા સમીકરણ તૈયાર થયા છે. તેથી ઈચ્છુકોની ટિકિટ નકારવી પડશે એવી ઘણી શક્યતા છે. આ બધાના પરિણામ સ્વરૂપે બળવાખોરો અને અપક્ષોની સંખ્યા વધે એવી શક્યતા છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ફક્ત 25 દિવ સ બચ્યા છે. 23 ડિસેમ્બરથી નોમિનેશન ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. જો કે હજી પણ મહાયુતી અને શિવસેના-મનસે જેવા મુખ્ય પક્ષોમાં સીટની વહેંચણી બાબતે ચર્ચા ચાલુ છે. આ વખતની મુંબઈ મહાપાલિકાની ચૂંટણી રસાકસીભરી થવાની છે. છેલ્લા લગભગ 27 વર્ષથી સત્તા ભોગવતા શિવસેનામાં ફૂટ પડ્યા બાદ આ પ્રથમ ચૂંટણી છે. શિવસેના ઠાકરે જૂથ અને શિવસેના શિંદે જૂથ બંને માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે. એ સાથે જ સૌથી વધુ સીટ મેળવવા માટે ભાજપે જોરદાર પ્રયત્ન શરૂ કર્યા છે. આ ચૂંટણી શિવસેનાના બે જૂથ માટે જેટલી પ્રતિષ્ઠાની છે એટલી જ ભાજપ માટે પણ છે. આગામી મહાપાલિકા ચૂંટણીમાં શિવસેના શિંદે જૂથ અને ભાજપ મહાયુતીમાં કેવી રીતે સીટની વહેંચણી થશે એના પર બધાનું ધ્યાન છે. છેલ્લા પચ્ચીસ-ત્રીસ વર્ષથી શિવસેનાએ ભાજપને ક્યારેય વધુ સીટ આપી નહોતી. એનો રોષ ભાજપ કાર્યકર્તાઓના મનમાં છે. શિવસેનાના બે ફાડિયા થયા પછી આ પ્રથમ ચૂંટણી છે. તેથી આ ચૂંટણીમાં ભાજપ પોતાની પાસે વધુ સીટ રાખશે એવી પણ શક્યતા છે. આ વખતે વધુમાં વધુ સીટ પર લડીને સૌથી મોટો વિજય મેળવવાનો ભાજપનો પ્રયત્ન છે. બીજી તરફ મનસેની સ્થાપના પછી પહેલી વખત ઠાકરે ભાઈઓ એક થઈને ચૂંટણી લડે એવી શક્યતા છે. તેથી શિવસેનાની હકની સીટમાંથી કેટલીક મનસેને આપવી પડશે. હજી મહાયુતી અને ઠાકરે ભાઈઓ વચ્ચે સીટની વહેંચણી બાબતે ચર્ચા ચાલુ છે. પક્ષાંતર કરનારાની સંખ્યા વધશેચારેય પક્ષમાં ઈચ્છુકોની સંખ્યા મોટી હોવાથી અનેકની ટિકિટ નકારવામાં આવશે. તેથી આ સીટ વહેંચણી બાબતે મહાયુતી અને ઠાકરે ભાઈઓએ ઘણી ગુપ્તતા રાખી છે. 23 ડિસેમ્બરથી નોમિનેશન ફોર્મ ભરવાનું શરૂ થતા હવે ઉમેદવારો જાહેર થતા રહેશે અને નારાજ થનારની સંખ્યા વધતી રહેશે. તેથી દરેક પક્ષમાં બળવાખોરી વધવાની શક્યતા છે. અનેક ઉમેદવારો અપક્ષ તરીકે નોમિનેશન ફોર્મ ભરે એવી શક્યતા છે. ટિકિટ જાહેર થયા બાદ પક્ષાંતર કરનારની સંખ્યા પણ વધશે. જો કે પહેલાં જ મિત્રપક્ષ માટે સીટ છોડવી પડશે તેથી આ વખતે ટિકિટ મેળવવી અનેક કાર્યકર્તાઓ માટે મુશ્કેલ રહેશે. તેમ જ પક્ષાંતર કરીને આવેલા ઉમેદવારોને પણ ઈચ્છિત વોર્ડ આપવા પડશે. ગઈ ચૂંટણીમાં 1142 અપક્ષ2017ની ચૂંટણીમાં 11 વિવિધ પક્ષ અને 1142 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં હતા. એમાંથી 5 અપક્ષ ચૂંટાઈ આવ્યા હતા. આ વખતે પણ સંખ્યા ઘણી વધુ હોવાની શક્યતા છે. ચાર મુખ્ય પક્ષના નારાજ ઈચ્છુકો સાથે જ ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓ, વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ પણ મોટી સંખ્યામાં અપક્ષ તરીકે ચૂંટણી લડે એવી શક્યતા છે. 30 ડિસેમ્બર સુધી નોમિનેશન ફોર્મ ભરી શકાશે અને 2 જાન્યુઆરીના ફોર્મ પાછું ખેંચવાની અંતિમ મુદત છે. તેથી 2 જાન્યુઆરી પછી ચિત્ર સ્પષ્ટ થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:05 am

આક્ષેપ:અજિત પવારના વિધાનસભ્ય પર અપહરણ અને હુમલાનો આરોપ

નાંદેડ જિલ્લામાં 2 કરોડ રૂપિયાના નાણાકીય વિખવાદમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના એક નેતાનું અપહરણ કરાયું હતું અને તેની પર હુમલો કરાયો હતો. આ પ્રકરણમાં પોલીસે સાત જણની ધરપકડ કરી છે. દરમિયાન પીડિતજીવન ઘોગરે નાંદેડ મહાપાલિકાનો માજી વિરોધી પક્ષ નેતા છે. તેણે ઉપ મુખ્ય મંત્રી અજિત પવારની પાર્ટીના વિધાનસભ્ય પ્રતાપરાવ ચીખલીકર આ અપહરણ અને હુમલા પાછળ હોવાનો આરોપ કર્યો છે. ચીખલીકર જિલ્લામાં લોહા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. ચીખલીકરે જોકે આ દાવાને પાયાવિહોણો અને રાજકીય કાવતરું ગણાવ્યો છે. ફરિયાદી પીડિત ઈનોવા કારમાં સોમવારે બપોરે જતો હતો ત્યારે જ્ઞાનેશ્વર નગર વિસ્તારમાં તેને આંતરવામાં આવ્યો હતો. સ્કોર્પિયો જીપમાં આવેલા સમૂહે તેને આંતર્યો હતો. તેના વાહન પર પથ્થરો માર્યા હતા અને તેને વાહનમાંથી બળજબરીથી બહાર ખેંચી કાઢવામાં આવ્યો હતો, એમ ફરિયાદમાં જણાવાયું છે. આ ઘટના વિશે જાણ થતાં પોલીસે તલાશી શરૂ કરી હતી. જોકે ઘોગરેએ પોલીસનો સંપર્ક કરીને કહ્યું કે તેનું અપહરણ થયું નથી, પરંતુ કામ અર્થે પોતે સ્વેચ્છા ગયો છે. જોકે પોલીસને શંકા જતાં તલાશી ચાલુ રાખી હતી. બાદમાં ઘોગરે તરછોડાયેલી અને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું કે તેના અપહરણકર્તાઓએ બંદૂકની ધાકે પોતે સુરક્ષિત છે એવો ખોટો દાવો કરવા માટે મજબૂર કર્યો હતો. આ પ્રકરણમાં સાત જણની ધરપકડ કરવામાં આવી છે, જેમાં શુભમ સુનેવાડ, રાહુલ દાસરવાડ, કૌસ્તુભ રણવીર, વિવેક સૂર્યવંશી, માધવ વાઘમારે, મહંમદ અફરોઝ અને દેવાનંદ ભોલેનો સમાવેશ થાય છે. ઘોગરેએ એવો પણ દાવો કર્યો છે કે પ્રવર્તમાન વિધાનસભ્ય ચીખલીકર અને એક માજી વિધાનસભ્ય આ હુમલાના સૂત્રધાર છે. લાંબા સમય પૂર્વેના આર્થિક વ્યવહાર અને રાજકીય વેરઝેરમાંથી આ હુમલો કરાયો છે. આ નેતાઓ તરફથી પોતાને અને પોતાના પરિવારને ધાકધમકીઓ મળી રહી છે એવો આરોપ પણ તેમણે કર્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:05 am

સિટી એન્કર:નગર પરિષદ, પંચાયતના ચૂંટાયેલા પ્રમુખોને મતદાનનો અધિકાર

મહારાષ્ટ્ર સરકારની બુધવારે યોજાયેલી મંત્રીમંડળ બેઠકમાં 3 નિર્ણયો લીધા છે, જેમાં નગર પરિષદો, અને નગર પંચાયતોના સીધા ચૂંટાયેલા પ્રમુખોને સભ્યપદ અને મતદાનનો અધિકાર આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળ લેવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. આ સાથે, જો ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં બહુમતીનો પ્રશ્ન ઉભો થાય છે, તો મેયરો યોગ્ય પક્ષના હક્કમાં પોતાનો મત આપીને મામલો ઉકેલી શકશે. રાજકીય વર્તુળોમાં આ ફેરફાર શાસક પક્ષને લાભદાયક હોવાનો દાવો થઈ રહ્યો છે.મંત્રીમંડળે વટહુકમ દ્વારા મહારાષ્ટ્ર નગર પરિષદ, નગર પંચાયત અને ઔદ્યોગિક નગર અધિનિયમ, 1965માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી સીધા ચૂંટાયેલા મેયરને સભ્ય તરીકે મતદાનનો અધિકાર ન હતો, પરંતુ નવા સુધારા મુજબ હવે મેયર એક સાથે સભ્ય અને મેયર બંને હોદ્દા ધરાવી શકશે અને મતદાન પણ કરી શકશે. ઉપરાંત, મતોની સમાનતા સર્જાય તો મેયરને નિર્ણાયક મત આપવાનો અધિકાર મળશે. આ સુધારા મુજબ, જે વ્યક્તિ સીધી રીતે મેયર તરીકે ચૂંટાઈ આવે છે અને જે વ્યક્તિ સીધી રીતે સભ્ય તરીકે ચૂંટાઈ આવે છે, તે બંને પદો એકસાથે રાખી શકશે. પરિણામે નગર પરિષદો અને નગર પંચાયતોમાં વહીવટી સ્થિરતા વધશે અને નિર્ણય પ્રક્રિયા વધુ અસરકારક બનશે, એવો સરકારનો દાવો છે. આ શહેરી વિકાસ વિભાગનો મહત્વપૂર્ણ અને દુરગામી અસર ધરાવતો નિર્ણય ગણાઈ રહ્યો છે. ગ્રામ્ય સ્તરે વહીવટ સશક્ત બનાવાશેઆ બેઠકમાં અન્ય પણ કેટલાક નિર્ણયો લેવાયા. સામાન્ય વહીવટ વિભાગ હેઠળ જિલ્લા, તાલુકા અને ગામસ્તરનું વ હીવટ સશક્ત બનાવવા માટે જિલ્લા કર્મયોગી 2.0, અને સરપંચ સંવાદ કાર્યક્રમ અમલમાં મૂકવાનો નિર્ણય થયો. ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ વિભાગ ,હેઠળ જિલ્લા પરિષદના આરોગ્ય વિભાગમાં કાર્યરત તથા નિવૃત્ત બંધુઆ આરોગ્ય કર્મચારીઓની નિમણૂકો નિયમિત કરવાની મંજૂરી આપવામાં આવી. લોકશાહિર અણ્ણાભાઉ સાઠેની પ્રતિમામહેસૂલ વિભાગે ધારાશિવ શહેરમાં સાહિત્યસમ્રાટ લોકશાહિર અણ્ણાભાઉ સાઠેની પ્રતિમા સ્થાપવા માટે ડેરી વિકાસ વિભાગની એક એકર જમીન ફાળવવાનો નિર્ણય લીધો છે. આમ, રાજ્ય મંત્રીમંડળના બુધવારના નિર્ણયો સ્થાનિક સ્વરાજ્ય રાજ્ય સંસ્થાઓના રાજકારણ અને વહીવટ બંને પર મહત્વપૂર્ણ અસર કરશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:04 am

રાજ ઠાકરેનો એલ્ગાર:મુંબઈનો મેયર તો મરાઠી જ બનશે અને તે અમારો જ હશે

“મહારાષ્ટ્ર કોઈ પણ વિવાદ કે લડાઈ કરતાં મોટું છે,” એમ રાજ ઠાકરેએ બુધવારે ​​શિવસેના અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) વચ્ચેના ઐતિહાસિક જોડાણની સત્તાવાર જાહેરાત બાદ જણાવ્યું હતું. મુંબઈ મહાપાલિકાના મહાસંઘર્ષ માટે બંને ઠાકરે ભાઈઓ એકસાથે આવ્યા છે અને રાજ ઠાકરેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મુંબઈનો મેયર મરાઠી હશે અને તે આપણો હશે. તેમણે ફડણવીસ વિરુદ્ધ વિડિયો જારી કરવાના સંકેત પણ આપ્યા હતા. મુંબઈ મહાપાલિકાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ, રાજ ઠાકરેએ ​​શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની પાર્ટી અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે મહત્ત્વાકાંક્ષી જોડાણની જાહેરાત કરી. મુંબઈ સહિત રાજ્યભરમાં ઠાકરે પરિવારના ચાહકો ઇચ્છતા હતા કે રાજ અને ઉદ્ધવ ઠાકરે એકસાથે આવે. આજે તેમની ઇચ્છા રાજકીય રીતે પૂર્ણ થઈ છે. આ જોડાણની જાહેરાત સાથે, ઠાકરે બંધુઓએ મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરી દીધો છે. રાજ ઠાકરેએ આ પ્રસંગે કહ્યું કે અમે જાહેર સભાઓ દ્વારા અમારી બાજુ રજૂ કરીશું. રાજ ઠાકરેએ કહ્યું, મારો એક ઇન્ટરવ્યુ હતો. તેમાં મેં કહ્યું હતું કે મહારાષ્ટ્ર કોઈ પણ વિવાદ અને લડાઈ કરતાં મોટું છે. અમારા ભેગા થવાની શરૂઆત એ વાક્યથી થઈ હતી. કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડશે? સંખ્યા કેટલી છે? હું તે નહીં કહું. હાલમાં, મહારાષ્ટ્રમાં બાળકોના અપહરણ કરનારાઓની ગેંગ ફરી રહી છે. તેમાં વધુ બે ગેંગ ઉમેરવામાં આવી છે. તેઓ રાજકીય પક્ષોના બાળકોનું અપહરણ કરે છે. જે લોકો ચૂંટણી લડવાના છે તે બધા ઉમેદવારોને બંને પક્ષો દ્વારા નામાંકન આપવામાં આવે છે. તે ક્યારે અને કેવી રીતે ભરવા તે જણાવવામાં આવશે. આજે અમે શિવસેના અને મનસેની યુતિની જાહેરાત કરી રહ્યા છીએ, જેની મહારાષ્ટ્ર લાંબા સમયથી રાહ જોઈ રહ્યું હતું, એમ રાજ ઠાકરેએ જાહેરાત કરી. રાજ ઠાકરેએ એવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે મુંબઈનો મેયર મરાઠી હશે અને તે અમારો જ હશે. રાજ ઠાકરેએ ભાજપના નેતા રાવસાહેબ દાનવે પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું હતું કે, “આ ઉદ્ધવ ઠાકરેની છેલ્લી ચૂંટણી હશે. ઉદ્ધવ ઠાકરેની તરફેણમાં બોલતાં રાજ ઠાકરેએ કહ્યું, “તેમના પક્ષમાં કોઈ તેમને પૂછતું નથી. મૂળભૂત રીતે, જવાબો દેવતાઓને આપવાના હોય છે, દાનવોને નહીં. આ નિવેદનથી પત્રકારોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું છે. ફડણવીસ વિરુદ્ધ વિડિયો જારી કરવાનો સંકેતભાજપે ટીકા કરી હતી કે મનસે- શિવસેના યુતિને મત આપવાનો અર્થ મુસ્લિમ- કેન્દ્રિત રાજકારણને મત આપવાનો છે. આ ટીકાનો જવાબ આપતાં રાજ ઠાકરેએ પોતાની શૈલીમાં જવાબ આપ્યો. મુખ્ય મંત્રીનો એક વિડિયો ફરતો થઈ રહ્યો છે જેમાં તેઓ અલ્લાહ હાફિઝ વિશે વાત કરતા જોવા મળે છે. તેથી, રાજ ઠાકરેએ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસને હિન્દુત્વ વિશે કશું નહીં કહેવા કહ્યું. મારી પાસે મુખ્ય મંત્રીના ઘણા વિડિયો છે. તેઓ જે કહે છે તેના પર હું મારા વિડિયો તૈયાર કરીશ. આ કારણે, એવી ચર્ચા ચાલી રહી છે કે શું આગામી મહાપાલિકાની ચૂંટણીઓમાં રાજ ઠાકરે ફરી અગાઉની જેમ જૂના વિડિયો લાવીને વિરોધીઓને જવાબ આપશે કે કેમ?

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:04 am

રાષ્ટ્રવાદીનું અલ્ટિમેટમ:જો ન્યાય નહીં મળે, તો અમે અલગ વિચારીશું

મુંબઈ સહિત રાજ્યની મહત્ત્વપૂર્ણ મહાપાલિકાની ચૂંટણીઓ માટે બુધવારે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ યુતિની જાહેરાત કરી ત્યારે મહાવિકાસ આઘાડીના સાથી પક્ષ શરદ પવારના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. જો ઠાકરે બંધુઓ અમને ન્યાય નહીં આપે, તો અમારે કોંગ્રેસ સાથે અલગ નિર્ણય લેવો પડશે,” એમ ધારાસભ્ય રોહિત પવારે ‘અલ્ટિમેટમ’ આપ્યું છે. મુંબઈ મહાપાલિકા માટે ઠાકરે જૂથ દ્વારા રાષ્ટ્રવાદીને ફક્ત 15 બેઠક આપવા પર રોહિત પવારે ભારે નારાજગી વ્યક્ત કરી છે. રોહિત પવારે કહ્યું, “અમારા પક્ષના નેતાઓ મંગળવારે ઠાકરે ભાઈઓને મળ્યા હતા. અમે ખ્યાલ આપ્યો હતો કે અમને કઈ બેઠકો જોઈએ છે. જોકે, ઠાકરે બંધુઓ અમને ફક્ત 15 બેઠકો આપવા તૈયાર છે અને તેમાંથી મોટા ભાગની ચૂંટણી માટે યોગ્ય નથી. તેમણે આગ્રહ કર્યા વિના વિજેતા ઉમેદવારોને તક આપવી જોઈએ. અમે મહાવિકાસ આઘાડી તરીકે સાથે આવવાનો પ્રયાસ કરીશું. જો ઠાકરે ભાઈઓ સાથે લડવાનું નક્કી કરે અને અન્ય કોઈને સાથે નહીં લે, તો અમે અને કોંગ્રેસ સાથે મળીને લડીશું. જો આગામી બે દિવસમાં અમને સંતોષકારક નિર્ણય નહીં મળે, તો અમે એકલા અથવા કોંગ્રેસ સાથે મળીને લડવા વિશે વિચારીશું.દરમિયાન પુણે શહેર પ્રમુખ પ્રશાંત જગતાપની નારાજગી પર ટિપ્પણી કરતાં રોહિત પવારે કહ્યું, “પક્ષના હિત માટે કાર્યકરોનું સાંભળવું જરૂરી છે. ફક્ત ભાવનાત્મક થવું પૂરતું નથી. અમને ખાતરી છે કે પ્રશાંત જગતાપ એક અનુભવી નેતા છે અને તેઓ પક્ષનાં હિતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેશે. ભાજપે શિંદેના ગઢને નબળો પાડવાનું કામ શરૂ કર્યુંરોહિત પવારે કહ્યું, “એકનાથ શિંદેની શિવસેના 110 બેઠકોની અપેક્ષા રાખે છે, પરંતુ ભાજપ તેમને ક્યારેય આટલી બેઠકો નહીં આપે. તેમનો ઉપયોગ ફક્ત મરાઠી મતો માટે થઈ રહ્યો છે. બીજી તરફ, ભાજપના રવિન્દ્ર ચવ્હાણ શિંદેના ગઢને તોડવા માટે કામ કરી રહ્યા છે.” તેમણે મયુર શિંદે, જેમની પર ભાજપે સાધુની હત્યાનો આરોપ લગાવ્યો હતો, તેને પાર્ટીમાં લેવા માટે ભાજપની બેવડી વૃત્તિની પણ ટીકા કરી. રામ શિંદે તેમના મતવિસ્તારમાં પણ આવું જ કરી રહ્યા છે. તેઓ બધા ગુંડાઓને ટિકિટ આપી રહ્યા છે. આખરે, રોહિત પવારે કહ્યું કે વરિષ્ઠ સ્તરે જે થઈ રહ્યું છે તે જ અમને નીચલા સ્તરે જોઈએ છીએ.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:03 am

નિવેદન:ઠાકરે બંધુ મુંબઈ કે મરાઠી નથી: બંને ટકી રહેવા માટે ભેગા થયાઃ ફડણવીસ

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે યુતિની સત્તાવાર જાહેરાત પછી, રાજ્યના મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે કેટલાક લોકો એવું બતાવી રહ્યા છે કે જાણે રશિયા અને યુક્રેન વચ્ચે યુતિ થઈ રહી છે. એક ચિત્ર ઊભું કરવામાં આવી રહ્યું છે કે પુતિન એક બાજુથી આવી રહ્યા છે અને ઝેલેન્સકી બીજી બાજુથી. જોકે, આ યુતિ બે એવા પક્ષોની છે જે પોતાના અસ્તિત્વને બચાવવા માટે ભેગા થઈ રહ્યા છે. ઠાકરે ભાઈઓ મુંબઈ કે મરાઠી નથી,” એમ ફડણવીસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું. ફડણવીસે કહ્યું, “મને ખુશી છે કે ઠાકરે બંધુઓ એકત્ર આવ્યા, પરંતુ જો કોઈને એવો વિચાર હોય કે તેમના એકસાથે આવવાથી રાજકીય રીતે ઊથલપાછળ થશે, તો તે મૂર્ખામીભર્યો વિચાર છે. ચૂંટણીમાં ટકી રહેવા માટે કોઈ પણ પક્ષે શું કરવું પડશે તે સંદર્ભમાં, આ બે અસ્તિત્વમાં ન હોય તેવા પક્ષો વચ્ચેનું જોડાણ છે. આનાથી આગળ અર્થઘટન કરવાનું કોઈ કારણ નથી. આ જોડાણની મહાયુતિ પર કોઈ અસર થશે નહીં,” એમ ફડણવીસે કહ્યું. ફડણવીસે કહ્યું, મને નથી લાગતું કે ઠાકરે બંધુઓની યુતિની અમને બહુ અસર થશે. આ લોકોએ સતત મુંબઈગરાના વિશ્વાસ સાથે દગો કર્યો છે. તેમણે મુંબઈમાંથી મરાઠી લોકોને હાંકી કાઢવાનું કામ અને પાપ કર્યું છે. તેથી, મરાઠીઓ તેમની સાથે નથી. જે ​​રીતે તેમણે સતત અમરાઠી લોકો પર હુમલો કર્યો છે, તે રીતે તેઓ પણ તેમની સાથે નથી. મુંબઈમાં કોઈ ઠાકરે બંધુઓની સાથે નહીં આવે. તેમનો ટ્રેક રેકોર્ડ ફક્ત ભ્રષ્ટાચાર અને સ્વાર્થનો છે, જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે તેઓ ભાવનાત્મક રીતે બોલે છે, પરંતુ હવે જનતા ભાવનાત્મક ભાષણ સાંભળવા તૈયાર નથી. ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો કે જો ઠાકરે બંધુઓ બે-ચાર વધુ પક્ષોને સાથે લેશે, તો પણ મુંબઈગરા મહાયુતિની પડખે ઊભા રહેશે. મુંબઈવાસીઓએ મહાયુતિનો વિકાસ જોયો છે. મહાયુતિએ ખાસ કરીને મુંબઈમાં મરાઠી લોકોને યોગ્ય ઘરો પૂરા પાડવાનો કાર્યક્રમ હાથ ધર્યો છે. તેથી, મુંબઈના લોકો વિકાસના મુદ્દા પર મહાયુતિને મત આપશે,” મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિશ્વાસ વ્યક્ત કર્યો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:03 am

રાજકારણ:પાલિકાની ચૂંટણી ઠાકરે બંધુ માટે લિટમટ ટેસ્ટ બની રહેશે

મુંબઈ મહાપાલિકા પર સત્તા એટલે એક રાજ્યના પર સત્તા સમાન છે, કારણ કે, મુંબઈ મહાપાલિકાનું એશિયાનું સૌથી ધનિક અને શક્તિશાળી શહેરી સત્તાકેન્દ્ર છે. વર્ષ 2025-26નું બજેટ રૂ. 74,000 કરોડથી વધુના બજેટ ઘણાં બધાં નાનાં રાજ્યોના બજેટ કરતાં પણ મોટું છે. તેથી 2026ની મહાપાલિકા ચૂંટણીને મહારાષ્ટ્રના રાજકારણની દિશા નક્કી કરનાર નિર્ણાયક લડાઈ તરીકે જોવામાં આવી રહી છે. એથી 20 વર્ષ પછી એકત્ર થયેલા ઠાકરે બ્રાન્ડનો આ લિટમસ ટેસ્ટ સમાન છે. મુંબઈ પર પ્રભુત્વ જમાવવાની સાથે ભવિષ્યના રાજકીય અસ્તિત્વ માટે પણ મહાપાલિકાની ચૂ઼ંટણી મહત્ત્વની છે. મહાપાલિકા પાસે પાણી પુરવઠો, રસ્તા, આરોગ્ય અને શિક્ષણ જેવી મૂળભૂત સેવાઓનું સીધું નિયંત્રણ છે. ઐતિહાસિક રીતે, મુંબઈ પર કાબૂ ધરાવનાર પક્ષને સમગ્ર મહારાષ્ટ્રના રાજકારણમાં મજબૂત પકડ મળી છે, એથી દરેક પક્ષો માટે મુંબઈ મેરી જાન સમાન છે. લગભગ 25 વર્ષ સુધી મુંબઈ મહાપાલિકા પર શાસન કરનાર શિવસેના (ઉદ્ધવ ઠાકરે) માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ સમાન છે. પક્ષના વિભાજન બાદ અસલી શિવસેના કોણ છે તે સાબિત કરવા માટે મહાપાલિકા જીત અત્યંત મહત્ત્વપૂર્ણ બની ગઈ છે. મરાઠી ગૌરવ અને ઠાકરે નામની ભાવનાત્મક અપીલ પર આ છાવણી મોટો દાવ લગાવી રહી છે. એટલે ઠાકરે ભાઈઓ એકત્ર યુતિની જાહેરાત કર્યા પછી પણ મુંબઈગરાનો કોની તરફ ઝુકાવ રહેશે એ ગણિત આગામી સમયમાં જાણવા મળશે. આગામી 29 મહાપાલિકા ચૂ઼ંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેના ઉમેદવારો વધુ સંખ્યામાં જીતે તેની પર ઠાકરે બ્રાન્ડનો મદાર રહેશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:00 am

પ્રાઈવેટ નર્સરી જેવી 53 સ્માર્ટ આંગણવાડી મહેસાણામાં બની:દીવાલો પર આકર્ષક રંગો અને ચિત્રો, બાળકો રમતા-રમતા શીખવાનું શરૂ કરી દે તેવું વાતાવરણ

મહેસાણા શહેરમાં પ્રાઈવેટ નર્સરીઓને પણ ટક્કર આપે તેવી 53 સ્માર્ટ આંગણવાડીઓ તૈયાર કરવામાં આવી છે. આ આંગણવાડીઓની દીવાલો પર કરવામાં આવેલા આકર્ષક રંગો અને સુંદર શૈક્ષણિક ચિત્રો બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા. અહીં એવું જીવંત અને રમણીય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કે જેથી નાના ભૂલકાંઓ તણાવમુક્ત રહીને રમતા-રમતા પાયાનું શિક્ષણ મેળવવાનું શરૂ કરી શકે. આ આધુનિક સુવિધાઓને કારણે સરકારી આંગણવાડીઓનો દેખાવ બદલાયો છે. 53 આંગણવાડીઓને નવો લુક આપી ‘સ્માર્ટ આંગણવાડી’ માં રૂપાંતરિત કરાઈમહેસાણા શહેરમાં બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકા દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત શહેરની 53 જેટલી આંગણવાડીઓને નવો લુક આપી ‘સ્માર્ટ આંગણવાડી’ માં રૂપાંતરિત કરવામાં આવી છે. આ આધુનિકીકરણને કારણે આંગણવાડીઓમાં આવતા નાના ભૂલકાઓના ચહેરા પર અનેરો ઉત્સાહ અને સ્મિત જોવા મળી રહ્યું છે.જેનાથી વાલીઓ અને સંચાલકોમાં પણ ખુશીનો માહોલ છે. 'બાલા' કન્સેપ્ટનો ઉપયોગ કરીને સ્માર્ટ આંગણવાડી બનાવાઈમહેસાણા મહાનગરપાલિકાના કમિશનર રવીન્દ્ર ખટાલે ના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી આંગણવાડીઓમાં ખાનગી શાળાઓ કરતા પણ વધુ સારું અને પ્રોત્સાહક વાતાવરણ પૂરું પાડવાનો છે. આ માટે ખાસ 'બાલા' કન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં બિલ્ડિંગની દીવાલો પર જ શૈક્ષણિક આકારો આકર્ષક રંગો અને ચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે.જેથી બાળક આંગણવાડીમાં પ્રવેશતાની સાથે જ રમતા-રમતા શીખવાનું શરૂ કરી દે. પાયાની સમસ્યાઓના અભાવને દૂર કરવા સ્માર્ટ આંગણવાડી અગાઉ આંગણવાડીઓમાં જોવા મળતી પાયાની સમસ્યાઓ જેવી કે, છતનું લીકેજ, જર્જરિત બારી-બારણાં અને શૌચાલયની સુવિધાનો અભાવ દૂર કરવામાં આવ્યો છે. તમામ કેન્દ્રોમાં ચાઇના મોઝેક દ્વારા વોટરપ્રૂફિંગ, નવા બારી-બારણાં, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા અને આધુનિક શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવીનીકરણથી બાળકોની હાજરીમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. 32 આંગણવાડીઓના મકાન નહોતા, જેનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાંઉલ્લેખનીય છે કે. મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ 92 આંગણવાડીઓ આવેલી છે. જેમાંથી 32 આંગણવાડીઓ પાસે પોતાના મકાન નહોતા.જેનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે. આગામી સમયમાં શહેરની તમામ આંગણવાડીઓને આ રીતે સ્માર્ટ બનાવી આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ બાળકોના શિક્ષણ અને આરોગ્ય પર વિશેષ ભાર મૂકવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 7:00 am

નિવેદન:મુંબઈને ગુજરાતને ગળે બાંધવાનો સત્તાધારીઓનો પ્રયાસઃ વડેટ્ટીવાર

મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ પર અતિક્રમણ થતું હોવાનું કહીને મુંબઈને જબરદસ્તીથી કબજો કરવા અને તેને ગુજરાતના પ્રભાવ હેઠળ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું ગંભીર નિવેદન કોંગ્રેસના વિધાનમંડળ નેતા વિજય વડેટ્ટીવારે કર્યું છે. નાગપુરમાં તેમણે મહાયુતિ સરકારની નીતિઓ પર કડક ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મુંબઈની કીમતી જમીનો ઓહિયા કરી જવાની પ્રક્રિયા ચાલી રહી છે અને હવે મુંબઈ પર ગુજરાતને હાવી કરવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યું છે. આવી સ્થિતિમાં મરાઠી અસ્મિતા અને મરાઠી સંસ્કૃતિના રક્ષણ માટે લડત આપવી જરૂરી બની ગઈ છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈ પર અતિક્રમણ થતું હોવાનું કહીને મુંબઈને જબરદસ્તીથી કબજો કરવા અને તેને ગુજરાતના પ્રભાવ હેઠળ લાવવાની પ્રક્રિયા શરૂ થઈ હોવાનું ગંભીર નિવેદન કોંગ્રેસના વિધાનમંડળ નેતા વિજય વડેટ્ટીવારે કર્યું છે. નાગપુરમાં તેમણે મહાયુતિ સરકારની નીતિઓ પર કડક ટીકા કરી હતી. તેમણે કહ્યું કે મુંબઈની કીમતી જમીનો ઓહિયા કરી જવાની પ્રક્રિયા ચાલી રહી છે અને હવે મુંબઈ પર ગુજરાતને હાવી કરવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ રીતે દેખાવા લાગ્યું છે. આવી સ્થિતિમાં મરાઠી અસ્મિતા અને મરાઠી સંસ્કૃતિના રક્ષણ માટે લડત આપવી જરૂરી બની ગઈ છે. મુંબઈના રાજકારણ પર વાત કરતાં વડેટ્ટીવારે જણાવ્યું કે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે બંને ભાઈઓ એકત્ર આવ્યા હોવાની વાત સાંભળીને આનંદ થયો. કોઈ પણ કૂટુંબ ફરી એકત્ર આવે તો તે ખુશીની બાબત છે, અને તેમને કોંગ્રેસ તરફથી શુભેચ્છાઓ છે. મુંબઈ મહાપાલિકા ચૂંટણી સંબંધે તેમણે સ્પષ્ટ કર્યું કે, કોંગ્રેસની તૈયારી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારના પક્ષો સાથે મળીને ચૂંટણી લડવાની હતી, પરંતુ મનસે સાથે જવાની કોઈ તૈયારી કોંગ્રેસની નહોતી. ઇન્ડિયા એલાયન્સ અને મહાવિકાસ આઘાડી અંગે વડેટ્ટીવારે જણાવ્યું કે, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં મિત્ર પક્ષો અલગ અલગ લડતા હોય તો પણ તેનાથી ઇન્ડિયા એલાયન્સ કે મહાવિકાસ આઘાડીને કોઈ નુકસાન થતું નથી. લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા એલાયન્સ અને વિધાનસભામાં મહાવિકાસ આઘાડી સાથે મળીને લડી હતી, જ્યારે સ્થાનિક ચૂંટણી કાર્યકર્તાઓ અને સ્થાનિક સમીકરણો પર આધારિત હોય છે.અંતમાં તેમણે જણાવ્યું કે કોંગ્રેસ ક્યારેય જાતિવાદ કે, ધર્મવાદની રાજનીતિ કરતી નથી. કોંગ્રેસ સંવિધાનમાં વિશ્વાસ રાખતો અને સમાજના દરેક વર્ગને ન્યાય આપતો પક્ષ છે. આવનારી ચૂંટણીમાં વિકાસ માટે જનતાએ કોંગ્રેસના પડખે ઊભા રહેવું જોઈએ, એવી અપીલ વિજય વડેટ્ટીવારે કરી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:58 am

ભાસ્કર ઈનસાઈટ:ભચાઉ પાસે કચ્છ મેઈન લાઈન ફોલ્ટમાં ૩ની તીવ્રતાનો આંચકો

કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 10 જેટલી ફોલ્ટલાઈન સક્રિય હોવાના કારણે સમયાંતરે ભૂકંપના હળવા આંચકા નોંધાતા રહે છે. બુધવારે સવારે પણ ભચાઉ તાલુકા નજીક ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજી વિભાગની માહિતી અનુસાર આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0 નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉ તાલુકાથી અંદાજે 10 કિલોમીટર દૂર આવેલા કરમરિયા ગામ નજીક, ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે નોંધાયું હતું. આ વિસ્તાર સાઉથ વાગડ ફોલ્ટ લાઈન અને કચ્છ મેઈન ફોલ્ટ લાઈનની વચ્ચે આવતો હોવાથી અહીં અવારનવાર હળવા કંપનો નોંધાતા રહે છે. બુધવારના આંચકાથી આસપાસના વિસ્તારોમાં ખાસ કંપનનો અનુભવ થયો ન હતો, અને આંચકાથી કોઈ જાનમાલના નુકસાની થઇ નથી. આવા નાની તીવ્રતાના આંચકા જમીનની અંદર દબાણ ઘટાડવામાં મદદરૂપ પણ બની શકે છે. જેથી ભવિષ્યમાં મોટો કંપનનો ભય રહેતો નથી. ઉલ્લેખનીય છે ગત 13 ડિસેમ્બરના રોજ જીયાપર નજીક 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.આ પંથકમાં 3 ફોલ્ટલાઇનના ટ્રાઇએંગલ પર કંપનથી આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:53 am

કચ્છમાં વાયબ્રન્ટ પ્રોગ્રામથી ઉદ્યોગોને નવી ગતિ:કચ્છના ઉદ્યોગોને વેગ આપવા ગાંધીધામમાં 2 જાન્યુઆરીએ વાયબ્રન્ટ પ્રોગ્રામ યોજાશે

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અંતર્ગત કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીક્ટ લેવલ વાયબ્રન્ટ પ્રોગ્રામનું આયોજન આગામી તા. 02 જાન્યુઆરી, 2026 ના ગાંધીધામ સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકર કન્વેશન સેન્ટર ખાતે કરવામાં આવશે. આ જિલ્લાકક્ષાનો વાયબ્રન્ટ કાર્યક્રમ ઔદ્યોગિક એકમો, કોમર્શિયલ યુનિટ્સ તેમજ સંલગ્ન વ્યવસાયકારોને એક મજબૂત મંચ પૂરું પાડી કચ્છ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કચ્છ જિલ્લા કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીધામ ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં સમગ્ર ઇવેન્ટનું આયોજન, મહાનુભાવોની ઉપસ્થિતિ, મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ, વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ભાગીદારી, નોલેજ સેગમેન્ટ સેમિનાર, ઔદ્યોગિક અને કમર્શિયલ એકમો દ્વારા યોજાનારી એક્ઝિબિશન તેમજ એમઓયુ સાઇનિંગ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, વાયબ્રન્ટ કચ્છ કાર્યક્રમમાં જિલ્લાના હેન્ડીક્રાફ્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા આર્ટિઝન્સને સ્ટોલની સુવિધા પૂરી પાડવા પણ સૂચના આપી હતી, જેથી સ્થાનિક કળા અને કૌશલ્યને યોગ્ય પ્રોત્સાહન મળી શકે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ગાંધીધામ ખાતે યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત – વાયબ્રન્ટ કચ્છ કાર્યક્રમ દરમિયાન કુલ 139 એમએસએમઈ એકમો સાથે રૂ. 3,370 કરોડના એમઓયુ સાઇન થયા હતા. કચ્છ જિલ્લામાં યોજાનારા આ વાયબ્રન્ટ કાર્યક્રમનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર, ડીપીએ, ફોકિયા, ડીપી વર્લ્ડ તેમજ કચ્છ અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણ, ભુજ પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વાયબ્રન્ટ પ્રોગ્રામથી જિલ્લાને થાય છે મહત્વના લાભવાયબ્રન્ટ પ્રોગ્રામથી જિલ્લાના ઔદ્યોગિક વિકાસને નોંધપાત્ર ગતિ મળે છે, જેમાં નવા ઉદ્યોગો અને વિસ્તરણ માટે રોકાણકારો આકર્ષાય છે, સરકાર અને ઉદ્યોગકારો વચ્ચે MoU થવાથી મૂડીરોકાણ વધે છે અને સ્થાનિક યુવાનો માટે મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય છે. સાથે જ B2B અને B2G બેઠકો દ્વારા ઉદ્યોગકારોને સરકાર સાથે સીધો સંવાદ કરવાનો અવસર મળે છે, જેના પરિણામે મંજૂરી પ્રક્રિયા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, પાણી, જમીન અને લોજિસ્ટિક્સ સંબંધિત પ્રશ્નોનું ઝડપી નિરાકરણ શક્ય બને છે. નોલેજ સેગમેન્ટ સેમિનારો દ્વારા નવી ટેકનોલોજી, નીતિઓ અને યોજનાઓની જાણકારી મળે છે, જ્યારે એક્ઝિબિશનથી MSME, સ્ટાર્ટઅપ્સ, હેન્ડીક્રાફ્ટ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રદર્શન અને માર્કેટિંગનો મંચ મળે છે. આ તમામ બાબતોના પરિણામે જિલ્લાના આર્થિક વિકાસ, રોજગાર સર્જન, સ્થાનિક વ્યવસાયોને પ્રોત્સાહન અને જિલ્લાની ઔદ્યોગિક ઓળખ મજબૂત બને છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:49 am

માનવસેવાની અનોખી મિશાલ:ખડીરની દિકરીને ઇન્ડિયન મેડિકલ એસો.ની એકેડેમી વ્યાખ્યાનમાં વક્તા તરીકેનું આમંત્રણ

ખડીર વિસ્તારની ધરતી પર ઉછરીને વૈશ્વિક સ્તરે પોતાની સેવા અને પ્રતિભા પ્રકાશિત કરનારા ડો. દેવલબહેન પ્રગ્નેશકુમાર ગઢવીને અમદાવાદ ખાતે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની એકેડેમી વ્યાખ્યાનમાં વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. અમદાવાદ મેડિકલ એસોસિએશનના સહયોગથી તા. 27અને 28 ડિસેમ્બરે યોજાનારી આ વ્યાખ્યાનમાળામાં તેઓ પોતાના ડૉક્ટરી અનુભવ અને કેન્સર વિષયક સંશોધન વિષયક ચર્ચા કરશે. મૂળ કચ્છના ખડીર વિસ્તારના જનાણ ગામના અને હાલ અમેરિકા સ્થાયી ડો. દેવલબહેન ગઢવી મહિલાઓમાં વધતા કેન્સર રોગ અંગે ઘણા સમયથી કામ કરી રહ્યા છે. કચ્છમાં અનેક વખત કેન્સર પીડિતો માટે ફ્રી કેમ્પોનું આયોજન કરીને તેમણે માનવસેવાની અનોખી મિશાલ ઉભી કરી છે. છેક અમેરિકા બેઠા હોવા છતાં ખડીર જેવા દુર્ગમ વિસ્તારોમાં નિયમિત કેમ્પો યોજાતા રહે છે, જેના પરિણામે જીવલેણ મનાતી કેન્સર જેવી બીમારીમાંથી અનેક લોકોને જીવનદાન મળ્યું છે. દેવલબહેન અમેરિકા ખાતે ‘સેવ ધ મધર’ (ચાલો માતૃત્વ બચાવીએ) નામની સંસ્થાના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પણ કાર્યરત છે. જ્યાં મહિલા આરોગ્ય અને માતૃત્વ સુરક્ષા માટે સમર્પિત આ સંસ્થા દ્વારા સતત સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડો. દેવલબહેનના પિતા હિંમતદાન ગઢવી ખડીરના જનાણ ગામના પ્રથમ વકીલ રહ્યા છે તથા ગાંધીધામ નગરપાલિકાના બે વખત પ્રમુખ તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. ડો. દેવલબહેનના પતિ તથા ભાઈ બંને પણ ડૉક્ટર છે અને સમગ્ર પરિવાર અમેરિકા સ્થાયી થઈ માનવસેવામાં કાર્યરત છે. ભાસ્કર સાથે વાત કરતાં ડો.દેવલબહેને જણાવ્યું હતું કે કચ્છ પ્રત્યેનો અઢળક પ્રેમ તેમને વારંવાર અહીંની જનસેવા માટે ખેંચી લાવે છે અને પોતાના પરિવારનો સંપૂર્ણ સહયોગ તેમના કાર્યમાં મજબૂત આધાર બને છે. ખડીર જેવા દૂરદરાજ વિસ્તારની દીકરીએ વૈશ્વિક સ્તરે મેળવેલી આ સિદ્ધિને ખડીરના લોકો ગૌરવપૂર્વક ‘ખડીરના ખમીર’ તરીકે વધાવી રહ્યા છે

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:47 am

કચરાના ઢગ, ગાય, આખલાઓને કારણે માર્ગ કદરૂપો અને જોખમી બન્યો:ભુજ શહેર અને સનસેટના સુંદર નજારાને જંગલી બાવળનું નડતર

કચ્છ આવતા પ્રવાસીઓ તેમજ સ્થાનિક નાગરિકો માટે સ્મૃતિવન અને ભુજિયો ડુંગર સિવાય એક આકર્ષક વિકલ્પ તરીકે આત્મારામ રીંગરોડથી આરટીઓ સર્કલ સુધીનો માર્ગ ઓળખાતો રહ્યો છે. આ માર્ગ પરથી ભુજ શહેરનું સુંદર દૃશ્ય નિહાળવા મળતું હોવાથી ખાસ કરીને સાંજના સમયે લોકો અહીં સૂર્યાસ્તની મજા માણવા આવતા હતા. અનેક યુગલો સંધ્યા સમયે આવતા. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ સમગ્ર વિસ્તારની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. રસ્તાની બાજુઓ પર ગંદકી, કચરો ફેલાયેલો છે અને ગાય તેમજ આખલાઓનો ત્રાસ પણ વધી ગયો છે, જેના કારણે અહીં ફરવા આવતા લોકો માટે જોખમ ઊભું થયું છે. સનસેટ પોઇન્ટ તરીકે ઓળખાતું આ સ્થળ હવે જાણે અસ્તિત્વ ગુમાવી રહ્યું છે. વિસ્તારમાં 12 થી 15 ફૂટ ઊંચા જંગલી બાવળ અને ઝાડીઓ ઉગી નીકળી છે, જેના કારણે ક્યાંયથી પણ શહેરનું દૃશ્ય કે સૂર્યાસ્ત સ્પષ્ટ રીતે જોવા મળતો નથી. સહેલાઈથી બેસી કે ઊભા રહીને દૃશ્ય માણી શકાય તેવી એક પણ વ્યવસ્થિત જગ્યા ઉપલબ્ધ નથી. આ સ્થિતિને જોતા જાગૃત નાગરિકોનું માનવું છે કે સુધરાઈના ચીફ ઓફિસર આ વિસ્તારમાં એક લટાર મારી હકીકત નિહાળી તાત્કાલિક સફાઈ, ઝાડી કટીંગ કરી અને વ્યવસ્થિત સનસેટ પોઇન્ટ વિકસાવવા માટે પગલાં ભરવા જોઈએ, જેથી ભુજનું આ સુંદર દૃશ્ય ફરી જીવંત બની શકે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:34 am

ચુકાદો:સિટી સર્વે રેકર્ડ વિવાદમાં કચ્છ કલેક્ટરનો દિશાસૂચક ચુકાદો

રાજ્ય સરકારની સૂચના મુજબ સિટી સર્વે કચેરી દ્વારા શહેરી તથા ગ્રામ્ય મિલ્કતોના રેકર્ડ કમ્પ્યુટરાઇઝ કરી પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન થયેલી નોંધોને લઈને ઉભા થતા વિવાદમાં કચ્છ કલેક્ટરએ મહત્વપૂર્ણ અને દિશાસૂચક ચુકાદો આપ્યો છે. આ કેસ મુજબ, ભુજના આઈયા નગર સ્થિત પ્લોટ નં. 382નું વર્ષ 2009માં પાવરદાર લહેરચંદ મેઘજી શાહ દ્વારા અનિલ સામજી ઠક્કરને કાયદેસર રીતે વેંચાણ કરવામાં આવ્યું હતું. આ વેંચાણની નોંધ તલાટી રેકર્ડ, નગરપાલિકા તથા વીજ વિતરણ કંપની સહિત તમામ સંબંધિત કચેરીઓમાં થયેલી હતી અને ખરીદનાર શાંત કબ્જામાં ભોગવટો કરતો હતો. વર્ષ 2023માં સિટી સર્વે કચેરીમાં મિલકત દાખલ થતાં પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયું, જે દરમિયાન જૂના માલિકે વાંધો ઉઠાવ્યો હતો. સિટી સર્વે સુપરિટેન્ડન્ટ દ્વારા વાંધો નામંજૂર કરી કબ્જેદારના હકમાં નિર્ણય અપાયો હતો, જેને કલેક્ટર સમક્ષ પડકારવામાં આવ્યો. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓની તપાસ બાદ કચ્છ કલેક્ટરએ તા.10/12/2025ના હુકમથી વાદીની અરજી નામંજૂર કરી પાવરદાર અને ખરીદનારની તરફેણમાં ચુકાદો આપી તેના વિવરણમાં જણાવેલ કે પાવરનામું કે મિલકતના વેંચાણ દસ્તાવેજની કાયદેસરતા તપાસવાની ની સત્તા આ હકૂમત ને નથી. સામાવાળા તરફે એડવોકેટ પ્રફુલ એસ. ઠક્કર હાજર રહેલ હતા. આ ચુકાદો સિટી સર્વે રેકર્ડ સંબંધિત વિવાદોમાં મહત્વપૂર્ણ માર્ગદર્શક સાબિત થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:33 am

387 ઉમેદવારો નોંધાયા, કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું:31 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી UGC NET ની પરીક્ષા લેવાશે

રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા ભુજમાં કચ્છ યુનિવર્સિટી ખાતે UGC NET ની પરીક્ષા તા.31 ડિસેમ્બરથી તા.7 જાન્યુઆરી દરમિયાન યોજાનારી છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્‍દ્રના સ્‍થળ તથા તેની આજુબાજુના વિસ્‍તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે માટે કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્‍મક હુકમો જારી કરાયા છે. મળતી માહિતી મુજબ, ભુજમાં 387 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે સંપૂર્ણ પરીક્ષા યુજીસી દ્વારા લેવામાં આવશે આ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.પી.ચૌહાણ દ્વારા પ્રતિબંધો ફરમાવાયા છે. આ પ્રતિબંધો પરીક્ષા કેન્દ્રો તથા બિલ્ડીંગના 100 મીટર ત્રિજયાના વિસ્‍તારમાં અમલમાં રહેશે.જાહેરનામા મુજબ પરીક્ષા કેન્‍દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજયામાં પાંચ કરતા વધારે લોકોએ એકઠા થવું નહીં, સરઘસો કાઢવા નહીં તેમજ સૂત્રો પોકારવા નહીં. પરીક્ષા કેન્દ્રના મુખ્‍ય પ્રવેશદ્વાર પાસે પોલીસ કર્મચારીએ ઉભા રહી જે પરીક્ષાર્થી પાસે પ્રવેશિકા (રસીદ) હોય તે ચકાસીને જ પ્રવેશ આપવાનો રહેશે. કોઇપણ વ્‍યક્તિએ વાયરલેસ ડીવાઇસીસ જેવા કે બ્‍લુટૂથ, પેન કેમેરા, મોબાઇલ કે ઈન્‍ટરનેટ સાથે કનેક્ટેડ ઉપકરણો કે અન્‍ય કોઇપણ ઈલેકટ્રોનિકસ સાધનો લઇ જવા નહીં હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ શિક્ષાને પાત્ર થશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:31 am

છેતરપિંડી:ભુજમાં શેરમાર્કેટમાં રોકાણ અને IPOના નામે યુવાન સાથે 16 લાખની છેતરપિંડી

શહેરમાં શેરમાર્કેટમાં રોકાણ અને આઇપીઓના નામે યુવાન સાથે 16 લાખની ઠગાઈ કરવામાં આવી હતી.જેમાં બોર્ડર રેન્જ સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદી અબડાસા તાલુકાના રેલરીયા મંજલના હાલે ભુજમાં રહેતા અજીતસિંહ ખેંગારજી જાડેજાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, 21 એપ્રિલના તેઓને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યા.જે ગ્રુપમાં એડમીને પોતે દક્ષી એલાઇટ ઇન્વેસ્ટમેન્ટ સર્ક નામની ફર્મ તરફથી હોવાની ઓળખ આપી હતી. આ ગ્રુપમાં દરરોજ શેર માર્કેટમાં રોકાણ અને આઇપીઓને લગતા મેસેજ આવતા હતા.4 જુલાઈના રોકાણ કરવાની વાત કરતા વોટ્સએપમાં ફોર્મ મોકલાવ્યું અને બાદમાં લિંક મોકલાવી હતી. શરૂઆતમાં 5,000નું રોકાણ કર્યું અને 5,245 જેટલી રકમ જમા થઈ હતી જેથી બાદમાં શેર બજારમાં નાણા રોક્યા અને રકમ ઉપાડી હતી.તબક્કાવાર કુલ 16,05,490 રૂપિયા ભરી દીધા હતા અને રોકાણની રકમ વોલેટમાં નફા સાથે દેખાતી હતી બાદમાં આઇપીઓ ભરવા રૂપિયાની જરૂર પડતા વોલેટમાં બેલેન્સ ન હોવાથી ના પાડી હતી પરંતુ આઇપીઓ ભરવા લોન લેવાનો વિકલ્પ આપ્યો અને 18 લાખની રકમ લોન પેટે જમા થઈ હતી આ લોનની રકમથી તેઓના કહ્યા મુજબ આઇપીઓ ભર્યો જેમાં નફો થયો હતો.રકમ ઉપાડવાની કોશિશ કરતા રકમ ઉપડી નહી બાદમાં કહ્યું કે, તમે જે લોન લીધી છે તેના અડધા રૂપિયા 9 લાખ ભરવા જણાવ્યું હતું અલગ અલગ બહાના બતાવી રૂપિયા ઉપડતા ન હતા. જેથી સાયબર ફ્રોડ થયાનું જણાઈ આવતા સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી હતી અને પોલીસમા અરજી આપી હતી. આરોપીઓએ શેર માર્કેટમાં રોકાણ અને આઇપીઓ એલોટમેન્ટમાં સક્સેસ રેટ સારો હોવાની ખોટી લાલચ આપી ફરીયાદી પાસેથી રૂપિયા ટ્રાન્સફર કરાવી અલગ અલગ બહાના બતાવી રકમ ન આપી દક્ષી એલાઇટ ઇન્વેસ્ટમેન્ટ સર્કલ ફર્મના નામે ઠગાઈ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:28 am

SIR:કચ્છના 4100 મતદારોએ ફોર્મ 6 અને 556 મતદારોએ ફોર્મ 7 ભર્યા

ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) અમલમાં મુકવામાં આવી છે.ગત તા. 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી પૂર્ણ થયા બાદ તા. 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જેમાં કચ્છ જિલ્લાના 2.14 લાખ મતદારોના નામ કમી કરવામાં આવ્યા છે. સાથે જ પ્રથમ ડ્રાફ્ટ યાદીમાં કચ્છના 65,078 મેપિંગ થયું નથી, તેવા મતદારો 18 જાન્યુઆરી 2026 સુધીમાં મતદાર યાદીમાં નામ ઉમેરવા, સુધારવા અથવા મતદાર યાદીમાંથી નામ બાકાત કરવા સંબંધિત વાંધા-દાવા રજૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. કચ્છ જિલ્લા ચુંટણી કચેરીમાંથી મેળેલી માહિતી આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે તા. 23 ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 4100 નાગરિકો દ્વારા ફોર્મ 6 તથા 6A રજૂ કરવામાં આવ્યા છે. આ પૈકી 265 ફોર્મ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થવા પૂર્વે પ્રાપ્ત થયા હતા, જ્યારે 3835 ફોર્મ મુસદ્દા યાદી પ્રસિદ્ધ થયા બાદ પ્રાપ્ત થયા છે. આ સાથે મતદાર યાદીમાંથી નામ કમી કરવા માટે રાજ્યના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાંથી કુલ 556 નાગરિકો દ્વારા ફોર્મ 7 રજૂ કરવામાં આવ્યા છે. જેમાંથી 51 ફોર્મ મુસદ્દા યાદી પ્રસિદ્ધ થવા પૂર્વે અને 505 ફોર્મ ત્યારબાદ મળ્યા હોવાનું ચૂંટણી વિભાગે જણાવ્યું છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા મળેલા તમામ વાંધા-દાવાની સત્યતા ચકાસવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને યોગ્ય ચકાસણી બાદ તેના નિકાલની પ્રક્રિયા પણ સાથે સાથે કરવામાં આવશે. ચૂંટણી વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના મતદાર તરીકેના અધિકારને સુનિશ્ચિત કરવા સમયસર જરૂરી કાર્યવાહી કરે. ફોર્મ 6, 6A અને ફોર્મ 7 નો શું છે ઉપયોગલોકશાહીના પર્વમાં ભાગીદાર બનવા માટે મતદાર યાદીમાં નામ હોવું અનિવાર્ય છે. ચૂંટણી પંચ દ્વારા મુખ્યત્વે ત્રણ ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મ 6 જે નાગરિકોની ઉંમર 18 વર્ષ પૂર્ણ થઈ છે અને પ્રથમ વખત મતદાર તરીકે નોંધણી કરાવવા માંગે છે, તેમના માટે ફોર્મ 6 છે. આ ઉપરાંત, એક વિધાનસભા વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રહેઠાણ બદલ્યું હોય ત્યારે પણ આ ફોર્મ ભરવું પડે છે. જયારે ફોર્મ 6-A જે ભારતીય નાગરિકો વિદેશમાં રહે છે (NRI) અને ભારતની ચૂંટણીમાં મતાધિકાર મેળવવા માંગે છે, તેમના માટે ફોર્મ 6-A છે. આ ફોર્મ દ્વારા તેઓ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે છે. ફોર્મ 7 એવા મતદાર માટે છે જે યાદીમાં કોઈ વ્યક્તિનું નામ ખોટી રીતે નોંધાયું હોય, વ્યક્તિનું મૃત્યુ થયું હોય અથવા રહેઠાણ બદલીને અન્યત્ર ગયા હોય, તો નામ રદ કરવા અથવા વાંધો ઉઠાવવા માટે ફોર્મ 7 નો ઉપયોગ થાય છે. નાગરિકો ‘વોટર હેલ્પલાઇન એપ’અથવા ચૂંટણી પંચના પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:28 am

ભાસ્કર ઈનસાઈડ:વડોદરાથી અપડાઉન કરનારાઓને બાજવા, વિશ્વામિત્રી અને છાયાપુરી સુધીનો ધક્કો થશે

વડોદરાથી અમદાવાદ, ગોધરા-દાહોદ અને વલસાડ તરફ અપડાઉન કરનારા મુસાફરોને હવે વડોદરા રેલવે સ્ટેશનને બદલે બાજવા, વિશ્વામિત્રી અને છાયાપુરી રેલવે સ્ટેશનનો ધક્કો પડવાનો છે. વડોદરા લાઇન નં.3 પર કમ્પ્લિટ ટ્રેક રિન્યૂઅલની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના પગલે 17મી જાન્યુઆરી સુધી રોજે 20 હજારથી વધુ પાસધારકો સહિત અપડાઉન કરનારાઓ અને મુસાફરોને વડોદરા રેલવે સ્ટેશનથી નહીં આ ત્રણ સેટેલાઇટ સ્ટેશનોથી મુસાફરી કરવી પડશે. અમદાવાદ, ગોધરા-દાહોદ કે વલસાડથી નિયત ટ્રેનોમાં આવતા હશો તો આ જ 3 સેટેલાઇટ સ્ટેશનો પર જ ઉતરવું પડશે. પશ્ચિમ રેલવે દ્વારા હાથ ધરવામાં આવી રહેલી આ કામગીરીની જાહેરાત રેલવેએ બુધવારે બપોરે કરી હતી. પેસેન્જર એસોસિયેશનના અધ્યક્ષ ઓમકારનાથ તિવારીએ જણાવ્યું કે, રોજના અપ અને ડાઉનના 20 હજાર જેટલા મુસાફરોને આ બ્લોકની અસર થશે. આ ઉપરાંત કેટલાક લોકો ખાસ કરીને ગોધરા-દાહોદ અને અમદાવાદ તરફ રેલવેમાં અપડાઉન કરતા મુસફરોને રિક્ષા-બસ ભાડા સહિતનું આર્થિક ભારણ પણ વધશે ટ્રેનોની ઝડપ વધારવા સંપૂર્ણ પાટાના નવિનીકરણની કામગીરી હાથ ધરાશેપશ્ચિમ રેલવે દ્વારા ટ્રેનોની ઝડપ વધારવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. આ ટ્રેક પર જો ઝડપ વધારવી હોય તો સંપુર્ણ પાટા નવિનીરપણ(કમ્પ્લિટ ટ્રેક રિન્યૂઅલ) કરવું અનિવાર્ય છે. આ કામગીરીમાં રેઇલ્સ(પાટા), સ્લીપર્સ, ફિટિંગ્સ અને પાટા નીચેના બેલાસ્ટ પણ બદલવામાં આવે છે. જેના લીધે ટ્રેક વધુ મજબૂત અને વધુ ધસારો ખમવા સક્ષમ બને છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ હેતુથી આ કામગીરી સત્વરે હાથ ધરવામાં આવી છે. બીજી તરફ અકસ્માતોની શક્યતાને પણ આ કામગીરીને લીધે અટકાવી શકાય છે. કઈ ટ્રેન કયા રેલવે સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ-ઓરિજિનેટ કરાશે

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:26 am

ભાસ્કર નોલેજ:ગોરવાની યુવતીએ એસિડ પી લેતાં અન્નનળી સંકોચાઈ, એસએસજીમાં સફળ સર્જરી કરાઈ

શહેરનાં ગોરવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ એસિડ પી લેતા તેની અન્નનળી પાતળી થઈ ગઈ હતી અને તેના કારણે તે અન્ન-જળ લઈ નહોતી શકતી. જેને પગલે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં કાઉન્સેલિંગ બાદ ઓકોલોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જે બાદ હાલમાં યુવતી સંપૂર્ણ પણ સ્વસ્થ છે. ગોરવા વિસ્તારમાં રહેતી પૂજા(નામ બદલ્યું છે)એ 6 મહિના પહેલા આવેશમાં આવીને એસિડ પી લીધું હતું. જે બાદ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યા તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. 3 લાખ રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ પૂજા સ્વસ્થ નહોતી થઈ. એસિડ પી લીધા હોવાને કારણે તેની અન્નનળી સંકોચાઈ ગઈ હતી અને જઠરને પણ નુકસાન પહોંચ્યું હતું. જેના કારણે તે ખોરાક નહોતી લઈ શકતી. સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોલી અને ડો.સમરી કચેરીવાલાએ પૂજાનું કાઉન્સેલિંગ કરીને કાયમી ઈલાજ માટે જટિલ સર્જરી કરાવવા માટે તૈયાર કરી હતી. ટીમના સંયુક્ત પ્રયાસના કારણે 6થી 8 કલાકની જહેમત બાદ સફળ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, ખાનગી હોસ્પિટલમાં આ સર્જરીનો ખર્ચ 5 લાખ રૂપિયા જેટલો થઈ શકે છે ત્યારે સયાજીમાં આ સર્જરી સંપૂર્ણ રીતે નિ:શુલ્ક કરવામાં આવી હતી. ઓકોલોપ્લાસ્ટીથી કાયમી નિદાન મળે, અન્નનળીનું સંકોચન એન્ડોસ્કોપિક રીતે દૂર કરવું શક્ય નથીઆવા કિસ્સામાં નિદાનના ભાગરૂપે ગળાના સર્જન તેમજ આંતરડા માટેના સર્જન,ફિજિશિયન દ્વારા લેસર, દૂરબીન દ્વારા ડાયલેટેશન જેવા વિકલ્પ પણ અસ્તિત્વમાં છે. જેના દ્વારા અન્નનળી પહોળી થઈ શકે છે. પરંતુ આ તમામ પદ્ધતિથી કાયમી ઉકેલ મળતો નથી. પરંતુ જટિલ સર્જરી ઓકોલોપ્લાસ્ટીથી કાયમી નિદાન મળે છે. દર્દીનું અન્નનળીનું સંકોચન એન્ડોસ્કોપીક રીતે દૂર કરવું શક્ય નથી થતું, સર્જરી દ્વારા મોટા આંતરડાને ઉદરપટલ પર છાતી ભાગે થઈ ગળા સુધી લઈ જવાય છેે. મોં અને જઠર વચ્ચે એક બાયપાસ બનાવવામાં આવે છે, આ પ્રક્રિયાને ઓકોલોપ્લાસ્ટી કહેવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:24 am

નાણાંનો વ્યય:કલાલી રોડ પર એક મહિના પહેલા બનાવેલા રોડને પાણીની લાઈનના કારણે ખોદી નખાયો

મુખ્યમંત્રીએ રોડ બની ગયા બાદ તેને ખોદવાથી તંત્રની બદનામી થાય છે તેવી ટકોર કરી હતી. જોકે શહેરમાં મુખ્યમંત્રીની ટકોરની ધરાર અવગણના થતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક મહિના અગાઉ 41 લાખના ખર્ચે તૈયાર થયેલા કલાલી રોડને પાણીની લાઈનમાં થયેલા લીકેજના કારણે ખોદવામાં આવતાં લોકોમાં ભારે નારાજગી ફેલાઈ છે. પાલિકાના રોડ પ્રોજેક્ટ દ્વારા કલાલીથી અટલાદરા તરફ કોર્પોરેટ પાર્ક નજીક 200 મીટર સુધી રોડ બનાવ્યો હતો. 41 લાખના ખર્ચે તૈયાર થયેલા આ રોડને બુધવારે બપોરે એકાએક ખોદી નાખતાં આસપાસના રહીશો તેમજ વાહનચાલકોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. બે દિવસ પૂર્વે આ રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું, જેના કારણે બપોરે રોડની વચ્ચે મસમોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. વોર્ડ-12ના કોંગ્રેસના પ્રમુખ રાજેશ ઠાકોરે જણાવ્યું હતું કે, આ રોડ પર માત્ર ટુ-વ્હીલર વાહનો જ અવર-જવર કરે છે. માલધારી વાહનો અહીંથી પસાર થતાં નથી, છતાં પાણી લાઈન કેવી રીતે લીકેજ થઈ તેની તપાસ થવી જોઈએ.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:23 am

ભાસ્કર ઈનસાઈડ:વારસિયાના પ્લોટમાં મોડી રાતે કાર સળગવાના બનાવમાં એક ઝડપાયો

દારૂના ધંધાની જુની અદાલતે વારસિયામાં એક બુટલેગરે બીજા બુટલેગરના સાગરીતની કાર સળગાવી હતી.આ બનાવમાં સંડોવાયેલા ત્રણ પૈકી એક આરોપીને વારસિયા પોલીસે ઝડપી પાડ્યો છે.જ્યારે બે હજી સુધી ફરાર છે. વારસિયા ગણેશનગરમાં રહેતા મનીષ ઉર્ફે માનવ કારડાની ફરિયાદ અનુસાર, તેની ધર્મેશ ઉર્ફે ગોલુ ઈંદ્ર કુમાર સચ્ચદેવ સાથે મિત્રતા છે. જેથી ધર્મેશ અને હિમાંષુ વચ્ચે અવાર-નવાર ઝઘડો થયા કરતો હતો.દરમિયાન ધર્મેશ સચ્ચદેવને ગુજસીટોકના ગુનામાં વડોદરા સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો હતો. ઝઘડા બાદ ફરિયાદી 26 નવેમ્બરની રાતે 11-30 વાગે પોતાની થાર કાર સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરીને ઘરે જઈ સુઈ ગયો હતો.ત્યારે રાતે 2 વાગે સફેદ કારમાં આવેલા હેરી અને વિવેક કેવલાણીએ ફરિયાદીની થાર પર જ્વલનશીલ પદાર્થ નાખીને સળગાવી ભાગી ગયા હતાં. કોમન પ્લોટમાં જઈને જોતા મનીષ કારડાની થાર, ઉપરાંત સોસાયટીમાં જ રહેતા કલ્પેશ પરમારની ટ્રાઈબર કાર, તેમજ મિતેષભાઈ દુધાણીની હુંડાઈ કાર પણ સાથે સળગી ગઈ હતી. સોસાયટીના સભ્યોએ ફાયરબ્રિગેડને બોલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો.આ મામલાના આરોપી વિશાલને કિશનવાડીથી વારસિયા પોલીસે ઝડપી પાડ્યો છે. મુખ્ય બે આરોપી રાજ્ય બહાર ભાગી ગયા છેવારસિયાના બુટલેગર હરિ સિંધી અગાઉ વરણામા પોલીસ મથકેથી ભાગી ગયો હતો.જ્યારે પુત્ર હેરી સાથે હરિયાણાના ગુડગાંવમાં બંનેને અલ્પુ સિંધી માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો.દારૂના ધંધાના કારણે હેરીના રાજ્યબહાર અનેક સંપર્કો છે.એ કાર સળગાવવાના અન્ય આરોપી વિવેક સાથે રાજ્ય બહાર જુદા જુદા સ્થળો ઉપર પોલીસથી બચવા માટે સતત ફરતો રહે છે.અને પોલીસ પગેરું ના મેળવી શકે એ માટે બંને આરોપી મોબાઇલનો પણ ઉપયોગ કરતા નથી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:22 am

ભાસ્કર RTI:બાળકોના ઝઘડામાં બાપોદ પોલીસની એક તરફી કાર્યવાહી, 2 ભાઇઓને ખોટી રીતે ગોંધી રાખ્યા

શહેરના બાપોદ પોલીસ મથકમાં નજીવી મારામારીના બનાવમાં પોલીસે એક તરફી કાર્યવાહી કરીને બે ભાઇઓને ખોટી રીતે ગોંધી રાખ્યા હતા. પોલીસે નીતિ નિયમો નેવે મૂકીને મન મરજી મુજબની કાર્યવાહી કરી હતી. સીસીટીવીમાં પોલીસની કરતૂતનો પર્દાફાશ થયો હતો. શહેરમાં કાયદો અને વ્યવસ્થા સામે છાશવારે સવાલો ઊભા થાય છે ત્યારે બાપોદ પોલીસે એકતરફી કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું હતું. આજવા રોડ પર સયાજીપુરામાં આવેલા આશ્રય ફ્લેટમાં રહેતા મહેશ રોહિતના 7 વર્ષના પુત્રને લઇને તેમના બંને ભાઇ કલ્પેશ અને ભાવેશનો પડોશી સાથે ઝઘડો થયો હતો. બંને પક્ષે મારામારી થતાં કલ્પેશે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો. ગત 27 મેના રોજ બાળકોના ઝઘડામાં વાલીઓ વચ્ચેની માથાકૂટ બાદ સ્થળ પર ગયેલી પોલીસ કોઇ પણ પ્રકારની કાર્યવાહી કર્યા સિવાય પાછી ફરી હતી. થોડા સમય બાદ બાપોદ પોલીસે ફોન કરી બંને ભાઇઓને પોલીસ મથક બોલાવ્યા હતા. જોકે પોલીસે આરટીઆઇમાં બંને ભાઇને અભયમની જીપમાં પોલીસ મથક લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જ્યારે પોલીસ મથક ગેટ પર લાગેલા સીસીટીવી કેમેરામાં બંને ભાઇ ચાલતા આવી રહ્યા હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. ભાવેશ અને કલ્પેશને પોલીસે લોકઅપમાં પૂરી દીધા હતા. આ સમયે બાપોદ પોલીસ મથકમાં તત્કાલીન ડેપ્યુટી કમિશનર પન્ના મોમાયાનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું હતું. પોલીસે કલ્પેશ અને ભાવેશને આખી રાત લોકઅપમાં રાખ્યા બાદ બીજા દિવસે એટલે કે 28 તારીખે બપોરે 3 કલાકે નીચે પોલીસ મથકના પ્રાંગણમાં લાવી હતી. થોડીવાર બાદ બંને ભાઇઓને પોલીસ પહેલા માળે લઇ ગઇ હતી અને પુન: લોકઅપમાં પૂરી દીધા હતા. બપોરના 3 વાગ્યાથી મધરાત સુધી પોલીસે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કર્યા સિવાય ગોંધી રાખ્યા બાદ ગુનો નોંધ્યો હતો. 29 તારીખે સાંજે 5-30 કલાકે પોલીસે બંને ભાઇઓને જામીન પર મુક્ત કર્યા હતા. જોકે પોલીસે આરટીઆઇમાં આપેલી માહિતીમાં એફઆઇઆર 28મી તારીખે સાંજે 18:55 કલાકે નોંધાઇ હતી, જ્યારે બંને ભાઇઓની અટકાયત 29 તારીખે બપોરના 3 કલાકે બતાવવામાં આવી છે. કાયદા અને નીતિ નિયમોને નેવે મૂકીને એકતરફી કાર્યવાહી કરનાર બાપોદ પોલીસનું આ અંગે કહેવું છે કે, અમે પહેલા દિવસે 151 (અટકાયતી) હેઠળ પગલાં લીધાં હતાં. જોકે સામાવાળા દ્વારા બીજા દિવસે ફરિયાદ નોંધવા માટેનો આગ્રહ કરવામાં આવતાં અમે ગુનો નોંધ્યો હતો. આ એક તરફી કાર્યવાહીની સામે ઉચ્ચ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી હતી. ફરિયાદના આધારે બંને તરફે કાર્યવાહી કરાઈ છેબાપોદ પોલીસને ફરિયાદી પક્ષ વચ્ચે મારામારી થઇ હતી. ફરિયાદના આધારે પોલીસ દ્વારા બંને તરફે કાર્યવાહી કરવામાં આવી છે. > એન્ડ્રુ મેકવાન, ડીસીપી ઝોન-4

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:21 am

નાતાલ:દેવળોમાં ક્રિસમસની ઉજવણી,પ્રભુ ઈશુના જન્મ નિમિત્તે રાતે 12 કલાકે વિશેષ પ્રાર્થના કરાઈ

ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર નાતાલની વડોદરા ઉપરાંત દેશભરમાં ઉજવણી થઈ રહી છે. 24 ડિસેમ્બરે નાતાલ પહેલાની સાંજ (નાતાલ ઈવ)થી શહેરના લાલ ચર્ચથી માંડીને અન્ય દેવળોમાં કેરોલ સિંગિંગનું આયોજન કરાયું હતું. રાતે 10 વાગ્યા બાદથી દેવળોમાં બાળ ઈશુની પ્રતિમા મૂકવામાં આવી હતી. જ્યારે રાતે 12 કલાકે ભગવાન ઈશુના જન્મની પ્રાર્થના અને તેમની પરમ પૂજાનું વિશેષ આયોજન કરાયું હતું. લાલ ચર્ચ સહિત શહેરમાં આવેલા 10થી વધારે ચર્ચને રોશની કરાઈ હતી. 25મીએ નાતાલના દિવસે ખ્રિસ્તી ધર્મના લોકો ચર્ચમાં પ્રાર્થના સભામાં ભાગ લઈ એકબીજાને નાતાલની શુભકામનાઓ પાઠવશે. નાતાલની ઉજવણીમાં બાળકોને સાન્તા ક્લોઝે ગિફ્ટ પણ આપી હતી. ફાધર ડ્યુઆર્ટ ફર્નાન્ડિઝે જણાવ્યું હતું કે, નાતાલના દિવસે ભગવાન ઈસુનો જન્મ થયો હતો. પોતાના જીવનમાં ભગવાન ઈસુએ શાંતિનો સંદેશો ફેલાવ્યો હતો. નોલેજ શહેરના ફતેગંજમાં આવેલા પ્રખ્યાત લાલ ચર્ચ સાલ 1902માં બનાવવામાં આવ્યું હતું. જેને મહારાજા સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા પાસેથી મળેલા 500 ચાંદીના સિક્કાના દાનથી ચર્ચની ઈમારતનો વિસ્તાર કરાયો હતો. ચર્ચને એકપણ લોખંડના સળિયાનો ઉપયોગ કર્યાં વિના બનાવવામાં આવ્યું છે. જ્યારે ચર્ચના ટાવર ઉપર 1 ટન વજનનો ઘંટ પણ બેસાડવામાં આવ્યો છે. આ ઘંટની વિશેષતા એ છે કે, દરેક રવિવારે પ્રાર્થના સભાના આમંત્રણ સમયે તેમજ લગ્ન અને મરણ પ્રસંગે ઘંટ વગાડવામાં આવતો હતો. જ્યારે આ ચર્ચનું બાંધકામ પૂર્ણ થતાં ઈ.સ.1906થી 1908ના સમયગાળા દરમિયાન મિશનરીઓ પરદેશથી 3 ઘંટ લાવ્યા હતા. જ્યારે એક ટન વજનનો ઘંટ ઈ.સ. 1908માં લાલ ચર્ચ ઉપર મુકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:17 am

ભાસ્કર ઈનસાઈડ:કોવિડમાં ફરજ બજાવનાર 554 કર્મીના કોન્ટ્રાક્ટ રિન્યુની પ્રક્રિયા શરૂ ન કરાઈ

પાલિકાના આરોગ્ય વિભાગમાં 2016થી કોન્ટ્રાક્ટ પર કામ કરતા પબ્લિક હેલ્થ વર્કર અને ફીલ્ડ વર્કરનો કોન્ટ્રાક્ટ રિન્યુ કરવાની પ્રક્રિયા શરૂ ન થતાં નારાજગી ફેલાઈ છે. કોરોના જેવા કપરા કાળમાં ઘરે ઘરે જઈ ફરજ બજાવનાર 554 કર્મચારીઓની એક મહિના પહેલાં શરૂ થતી રિન્યુ પ્રક્રિયા શરૂ નહીં કરાતાં કર્મીઓમાં ચિંતા ફેલાઈ છે. પાલિકાના આરોગ્ય વિભાગમાં 2016થી પબ્લિક હેલ્થ વર્કર અને ફીલ્ડ વર્કર 11 માસના કોન્ટ્રાક્ટ પર કામકરે છે. પાલિકા દ્વારા આ ભરતી પ્રક્રિયા મેરિટના આધારે કરાતી હોય છે. કોરોનાકાળમાં આ કર્મીએ જીવના જોખમે ઘરે ઘરે જઈ ફરજ નિભાવી છે અને પૂર જેવી સ્થિતિમાં પણ લોકોના સંપર્કમાં રહ્યા છે. દર વર્ષે 11 મહિના બાદ કોન્ટ્રાક્ટ રિન્યુ કરાય છે, પરંતુ જાન્યુઆરીમાં પૂર્ણ થતા કોન્ટ્રાક્ટના રિન્યુની પ્રક્રિયા અત્યાર સુધી શરૂ થઈ નથી, જેથી 554 કર્મીમાં ચિંતા વ્યાપી છે. આરોગ્ય વિભાગની નવી ભરતી કરવાની પેરવી2024ના આંદોલન બાદ પબ્લિક હેલ્થ વર્કર અને ફીલ્ડ વર્કર સહિતના કર્મીઓના પગાર પાવતી, પીએફ, ઈએસઆઇસીના બાકીના લાભો આપવાનું અને એક દિવસનો બ્રેક આપી કરાર લંબાવવાનું નક્કી કરાયું હતું. તાજેતરમાં અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરોને પણ કર્મીઓને 1 દિવસ બ્રેક આપી કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા 18 નવેમ્બરે ઇ-મેલ કરાયો છે. જોકે આરોગ્ય વિભાગ નવી ભરતી પ્રક્રિયા કરવાની ફિરાકમાં હોવાથી કામગીરી કરી રહી નહીં હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:15 am

સિટી એન્કર:જૂના પાદરા રોડ પર નો-પાર્કિંગનાં બોર્ડ લાગ્યાં,પોલીસે દંડ લેવાનું શરૂ કર્યું, આરટીઆઇમાં ખબર પડી, બોર્ડ પાલિકા-પોલીસે નથી લગાવ્યાં

જૂના પાદરા રોડ ટ્યૂબ કંપની પાસે જર્જરિત મકાનમાં રહેતા અને પાલિકાની રોડ શાખામાંથી નિવૃત્ત 77 વર્ષિય વૃદ્ધે મકાન પાસે ગેરકાયદે નો-પાર્કિંગનું બોર્ડ લગાવી દીધું હતું. જેને પગલે ટ્રાફિક પોલીસે 500થી વધુ વાહનોને દંડ કરતાં વૃદ્ધ સામે રહીશો દ્વારા કલેક્ટર, પોલીસ કમિશનરને આવેદન આપી કડક કાર્યવાહી કરવા માગ કરી છે. ઉલ્લેખનિય છે કે, આ નો-પાર્કિંગનું બોર્ડ કોણે લગાવ્યું તે માટે આરટીઆઈ કરાતાં 15 દિવસ બાદ જાણ થઈ હતી કે, આ નો-પાર્કિંગનું બોર્ડ પાલિકાએ લગાવ્યું નથી. જૂના પાદરા રોડના ગજાનંદ કોમ્પ્લેક્સના વેપારીઓ અને ભગવતી પાર્ક સોસાયટીના રહીશે આપેલા આવેદન અનુસાર, ટ્યૂબ કંપની પાસે અટલ બ્રિજના છેડા પાસેથી રાધાકૃષ્ણ ચાર રસ્તા તરફ ભગવતી પાર્ક સોસાયટી છે. જ્યાં રહેતા વૃદ્ધે રોડ પર ગેરકાયદે નો પાર્કિંગનાં 2 સાઈન બોર્ડ લગાડી ટ્રાફિક પોલીસને ગેરમાર્ગે દોરી છે. ટ્રાફિક પોલીસે નો-પાર્કિંગના બોર્ડ લગાવેલા સ્થળે કોઈ વાહન પાર્ક કરે તો દંડ તેમજ ચલણ આપે છે. આ અંગે પોલીસ ફરિયાદ કરાઈ છે. રહીશોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી છે કે, ગેરકાયદે નો પાર્કિંગનાં બોર્ડ લગાવી લોકો પાસે રૂપિયા પડાવતા અને ટ્રાફિક પોલીસને ગેરમાર્ગે દોરતા વ્યક્તિ સામે કાયદેસરનાં પગલાં ભરો. કંટ્રોલમાં ફોન કરી વાહન પાર્ક કરનારને દંડ ભરવા દબાણ કરતોસ્થાનિકોનો આક્ષેપ છે કે, આ વૃદ્ધ ગેરકાયદે લગાવેલા નો-પાર્કિંગના બોર્ડ મારફતે લોકોને ધમકાવીને રૂપિયા પડાવતો હતો. આ ઉપરાંત નજીકની હોસ્પિટલમાં આવતા દર્દીઓના સગાઓને વાહનો મૂકવા બદલ ટ્રાફિક કંટ્રોલમાં ફોન કરી ગેરકાયદે દંડ કરવા દબાણ કરતો હતો. આ વ્યક્તિ પોતે લગાવેલું નો પાર્કિંગનું બોર્ડ પોલીસને બતાવતો અને દંડ કરાવતો હતો. અમે કલેક્ટરને રજૂઆત કરી છે, ગેરકાયદે બોર્ડ દૂર થવાં જોઈએવૃદ્ધે ગેરકાયદે નો-પાર્કિંગનાં બોર્ડ માર્યાં છે. જે અંગે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ.લોકો પાર્કિંગ કરે તો વૃદ્ધ રૂપિયા માગી પોલીસ બોલાવવાની ધમકી આપતો હતો. નો-પાર્કિંગનાં બોર્ડ દૂર થવાં જોઈએ. > હેતલ શાહ, સ્થાનિક વેપારી

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:14 am

ધીમી ગતિએ:દારૂ પીધેલાના કેસમાં નમૂનાના રિપોર્ટમાં વિલંબ, એસએસજીમાં 160 પ્રમાણપત્ર એક સાથે આવ્યાં

શહેરમાં જેટલા પણ પ્રોહિબિશનના ગુના નોંધાય છે, તેની મેડિકલ તપાસ સયાજી હોસ્પિટલમાં કરાય છે. જેમાં આરોપીના લોહીના નમૂના લીધા બાદ તેને તપાસ માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સની પ્રયોગશાળામાં મોકલાય છે. જોકે તેનું સર્ટિફિકેટ આવતાં 2 મહિના થઈ જાય છે. પોલીસે સી-સર્ટિફિકેટ કોર્ટમાં રજૂ કરવાનું હોય છે. શહેરના વિવિધ પોલીસ મથકોમાં રોજ પ્રોહિબિશનના ગુના નોંધાય છે. જેમાં આરોપીના શરીરમાં આલ્કોહોલનું પ્રમાણ કેટલું છે, લોહીમાં આલ્કોહોલ છે કે કેમ તેની વિગતો દર્શાવાય છે. આ સી-સર્ટિફિકેટ કોર્ટમાં મજબૂત વૈજ્ઞાનિક પુરાવો ગણાય છે. આરોપીની મેડિકલ તપાસ સયાજી હોસ્પિટલમા કર્યા બાદ લોહીનો નમૂનો ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સની લેબોરેટરીમાં મોકલાય છે. સયાજી હોસ્પિટલમાંથી રોજ 15 જેટલા નમૂના પોસ્ટથી ગાંધીનગર લેબમાં મોકલાય છે. જોકે નમૂના મોકલ્યા બાદ તેનું સર્ટિફિકેટ આવતાં 2 મહિનાથી વધારે સમય જતો રહે છે. મંગળવારે હોસ્પિટલમાં એક સાથે 160 સર્ટિફિકેટ આવ્યાં હતાં, જે 25 ઓક્ટોબરથી લઈ 11 નવેમ્બર સુધીના હતા. 11 નવેમ્બર બાદનાં સર્ટિફિકેટ તો હજુ મળ્યાં નથી. ઘણીવાર તો 200-300 સર્ટિફિકેટ સાથે આવે છે. વડોદરામાં લેબોરેટરી હોય તો સર્ટિફિકેટ વહેલાં મળી શકેફોરેન્સિક લેબોરેટરી સુરતમાં છે, પણ વડોદરામાં નથી. જેથી નમૂના ગાંધીનગર મોકલવા પડે છે. વડોદરામાં સુવિધા હોય તો 24 કલાકમાં પરિણામ આવી જાય. ગાંધીનગરમાં કામનું ભારણ વધારે હોય એટલે સર્ટિફિકેટ આવતાં સમય લાગે છે. > ડો.રંજન ઐયર, સુપરિન્ટેન્ડેન્ટ, સયાજી હોસ્પિટલ

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:14 am

ભાસ્કર ઈનસાઈડ:ભાંડવાડા,ફતેપુરા સહિતના વિસ્તારમાં ચેકિંગ, 54 લાખની વીજ ચોરી પકડાઈ

વીજ વિભાગની ટીમોએ બુધવારે સિટી વિસ્તારના ભાંડવાડા, ફતેપુરા અને મંગલેશ્વર ઝાંપા વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં લાખો રૂપિયાની વીજચોરી પકડાઇ હતી. ચેકિંગને પગલે આસપાસના વિસ્તારોમાં વીજચોરી કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. એમજીવીસીએલની વિજિલન્સની 47 ટીમોએ બુધવારે સવારથી જ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં એમજીવીસીએલના 119 કર્મચારીઓનો કાફલો વિવિધ વાહનોમાં જોડાયો હતો. આ મેગા અભિયાન દરમિયાન ટીમોએ ઘરે અને કોમર્શિયલ યુનિટોમાં જઇને 1578 વીજ મીટરો અને વીજ લાઇનનું ચેકિંગ કર્યું હતું. જેમાં વીજચોરીના 37 કેસ અને 16 વીજ ગેરરીતિ સહિતના 53 કેસ પકડાયા હતા. આ કેસોમાં એમજીવીસીએલએ તપાસ હાથ ધરીને રૂા.54.42 લાખની વીજ ચોરીની આકારણી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી વીજ ચેકિંગની કામગીરી સઘન બની છે. ઘરેલુ જોડાણથી કોમર્શિયલમાં લાઇટો ચાલુચેકિંગ દરમિયાન એવા કિસ્સા પણ પકડાયા હતા, જેમાં લોકોએ એક કનેક્શન લઇ અન્યને વીજળી આપવા પ્રયાસ કર્યો હતો. આવા કિસ્સા મોટેભાગે કોમર્શિયલ જોડાણ હોય તેવા યુનિટમાં બનતાં હોય છે. કોમર્શિયલ વીજ બિલ ન ભરવાને લીધે જોડાણ કટ થયા બાદ ડોમેસ્ટિકમાંથી કનેક્શન લેવાની ગેરકાનૂની હરકત કરતાં લોકો પણ આ ચેકિંગ દરમિયાન પકડાયા હતા. આવા કેસમાં પકડાયેલા લોકોએ નવું જોડાણ માગ્યું છે, પણ મળ્યું નથી જેવાં બહાનાં કાઢ્યાં હતાં.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:13 am

ભાસ્કર એક્સક્લુસિવ:સિટી કમાન્ડ સેન્ટરમાં 3 છોડ કાઢવા 1 હજાર પેવર બ્લોક ઉખાડી નાખ્યા,હવે ફરી લગાવાશે

બદામડીબાગ સિટી કમાન્ડ સેન્ટરના પરિસરમાં સિસોટીકાંડ ફેઇમ ફાયરબ્રિગેડની કચેરી નીચે પેવર બ્લોકની બિનજરૂરી કામગીરી ચર્ચાનો વિષય બની છે. આ કામગીરી અંતર્ગત 1 હજાર જેટલા પેવર બ્લોક કઢાયા છે. છેલ્લા પખવાડિયાથી સિટી કમાન્ડ સેન્ટરની બિલ્ડિંગના નીચેના ભાગમાં પેવર બ્લોકનું કામ ચાલે છે. જ્યાં પેવર બ્લોક ઉખેડવાનું શરૂ કરતાં ફાયરબ્રિગેડના કર્મીઓને આશ્ચર્ય થયું હતું. આ વિશે સુપરવાઇઝરને પૂછતાં તેણે જવાબ આપ્યો કે, કેટલાક બ્લોક દબાયા હતા અને આ છોડવા (જે 3 હતા)ને દૂર કરવાના છે. ઉલ્લેખનીય છે કે, આ કામગીરી માટે 1 હજાર જેટલા પેવર બ્લોક ઉખેડ્યા છે. પેવર બ્લોક ઉખાડ્યા બાદ બુધવારે તેને બીજી તરફથી ફિટ કરવાનું શરૂ કરાયું હતું. આ કામગીરીના ખર્ચ વિશે ઝોન કચેરીના અધિકારીનો સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો, પણ તેમણે ફોન ઉઠાવ્યો ન હતો. બદામડીબાગ સિટી કમાન્ડ સેન્ટર પરિસરમાં ફાયરબ્રિગેડ કચેરીની નીચે 1 હજાર જેટલા પેવર બ્લોક કાઢી નખાયા છે. દીવાલ પર સળિયા મૂકાયા, કારણ આઇબીનો રિપોર્ટફાયર સ્ટેશન અને સિટી કમાન્ડ સેન્ટર પરિસરમાં ફાયરબ્રિગેડની કચેરી છે. બંને વચ્ચે દીવાલ છે, છતાં ફાયર સ્ટેશનથી કચેરી વચ્ચે દીવાલના રસ્તે આવ-જા રહે છે. જેથી દીવાલ પર સળિયા લગાવ્યા છે. સૂત્રો મુજબ આઇબીના ઇનપુટ બાદ સળિયા નખાયા છે. જીવાતો થતાં પેવર બ્લોક બદલ્યા છેજીવાત વધુ થતી હોવાથી પેવર બ્લોક બદલવા પડે તેમ હતા.ઉધઇ થવાની શક્યતા હતી. સાથે પાછળ પાણીની નલિકા નાખવાની હોવાથી તેની કામગીરી બાદ નવા પેવર બ્લોક નખાયા છે. જે વિસ્તારની વાત થઇ રહી છે તે વિશે તપાસ કરાવીશ. > મનીષ ભટ્ટ, આઇટી વિભાગના હેડ

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:11 am

મુશ્કેલીનો અંત આવશે:2 મહિનાથી વર્ક ઓર્ડર અપાયેલા 30 રોડનું કામ શરૂ થશે, એક જ દિવસમાં રૂા.230 કરોડનાં કામો મૂકાયાં

મુખ્યમંત્રી શુક્રવારે વડોદરા આવી 957 કરોડનાં વિકાસનાં કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી આવવાના હોવાથી વિકાસનાં કામોની યાદી અને રકમ વધારવા સ્થાયીમાં એક સાથે 230 કરોડનાં કામો મંજૂરી માટે મુકાયાં છે. જેમાં છેલ્લા બે મહિનાથી 62 કરોડના ખર્ચે બનનારા 30 રોડનાં ખાતમુહૂર્ત પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે વડોદરા આવશે. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા આવનાર મુખ્યમંત્રી સર સયાજીરાવ નગરગૃહ ખાતે શહેર અને જિલ્લાના વિકાસનાં કામોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. જેમાં શહેરના અંદાજિત 957 કરોડનાં કામોનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રીના હસ્તે વિકાસનાં કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના પગલે પાલિકાની સ્થાયી સમિતિમાં 230 કરોડના સ્વિમિંગ પુલ, પાણીની લાઈન, રોડનાં કામ મંજૂરી માટે મુકાયાં છે. જે કામને સ્થાયીમાં મંજૂરી બાદ મુખ્યમંત્રી તેનું ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી આવવાના હોવાથી કોઇપણ ચર્ચા કે વિવાદ થયા વિના કામોને મંજૂરી આપશે તે પણ નક્કી છે. નોંધનીય છે કે, ઓક્ટોબરથી શહેરમાં 62 કરોડના ખર્ચે નિર્માણ થનાર 30 રોડ ખાતમુહૂર્તની રાહ જોઈ રહ્યા હતા, જે રોડનાં ખાતમુહૂર્ત શુક્રવારે મુખ્યમંત્રી કરશે. સ્થાયીની બેઠકમાં વધારાના અંદાજિત 90 કરોડનાં કામો મૂકાય તેવી પણ શક્યતા છે. સ્થાયીમાં મુકાયેલાં 230 કરોડનાં કામોની યાદી કામોની યાદી ખર્ચ રકમ મુખ્યમંત્રીના હસ્તે થનારાં કામો મુખ્યમંત્રી અને ના.મુખ્યમંત્રી સાથે બેઠક બાદ સાગમટે દરખાસ્તો આવીમુખ્યમંત્રીના આગમન પૂર્વે સ્થાયી સમિતિમાં 230 કરોડના કામો એક સાથે મૂકાતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. છેલ્લા ઘણા સમયથી વહીવટી તંત્ર બાજુથી દરખાસ્તો સ્થાયીને મળતી ન હોવાની ફરિયાદો ઊઠી હતી. તાજેતરમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથેની બેઠક બાદ સામગટે દરખાસ્તો આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રીના બહાને એક સાથે 230 કરોડનાં કામો વિવાદ વિના મંજૂર થઈ જાય તે માટે મોટી રકમનાં કામો મૂકાયાં છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:09 am

દસ હજારના ફોનથી વીડિયો બનાવવાની શરૂઆત ને આજે લાખોમાં કમાણી:ગુજરાતી યુવક રાત્રે સાડા દસ વાગ્યે સ્વામીને મળવા ગયો ને જીવન બદલાયું, દીવાલ પર પડદો લગાવીને પહેલો વીડિયો શૂટ કર્યો

આજે સોશિયલ મીડિયા માત્ર એન્ટરટેઇનમેન્ટનું જ નહીં, પણ ઇન્ફર્મેશન માટે પણ મહત્ત્વનું માધ્યમ બની ગયું છે. સો. મીડિયામાં ઇન્ફર્મેટિવ રીલ્સ પણ જોવા મળતી હોય છે. 'રીલ્સના રાજ્જા'ના આજના ચોથા એપિસોડમાં આપણે વાત કરીશું, ગુજરાતના એક નાનકડા ગામમાંથી પોતાની સો.મીડિયાની જર્ની શરૂ કરનાર માત્ર 24 વર્ષના વિવેક સોલંકી તથા વેદાંત દવેની. કેવી રીતે બંનેએ માત્ર એક ફોનથી શરૂ કરેલી સફર આજે પાંચ-છ લાખના કેમેરા સુધી પહોંચી? વિવેકને જ્યારે કરિયર અંગે મૂંઝવણ થઈ ત્યારે સ્વામીને શું સવાલ કર્યો? વિવેકની પહેલી કમાણી કેટલી હતી? 'મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મ'અમેરલી જિલ્લાના બાબરા ગામના મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા વિવેક સોલંકીના પરિવારમાં પિતાને ફૂટવેરની દુકાન ને મમ્મી હોમ મેકર છે. બાબરામાંથી પ્રાથમિક સ્કૂલિંગ સરકારી શાળામાં અને પછી પ્રાઇવેટ સ્કૂલમાંથી 11-12 સાયન્સમાં અભ્યાસ કર્યો. વેદાંતના પિતા પણ ટીચર અને મમ્મી હોમ મેકર છે. વિવેક પરિવાર ને સ્કૂલિંગ અંગે વાત કરતાં કહે છે, 'મારા પપ્પાને ત્રણ ભાઈઓ ને પપ્પા સિવાય બંને ભાઈઓનો પરિવાર, મારી બંને મોટી બહેનો ટીચર છે. ટૂંકમાં મારો આખો પરિવાર ટિચિંગ સાથે જોડાયેલો છે. ભણવામાં હું હોંશિયાર હતો ને નાનપણથી જ આધ્યાત્મિક છું. મારા પરિવારનો માહોલ પણ આવો જ છે. આ જ કારણે મારો સ્વભાવ ઘણો જ શાંત છે અને મેં ક્યારેય સ્કૂલ કે કોલેજમાં કોઈ જાતની મસ્તી ધમાલ કરી નહોતી. હું સ્કૂલમાં પહેલી બેંચ પર બેસીને ભણનારો વિદ્યાર્થી હતો.' '60% સાથે 12મું ધોરણ પાસ કર્યું'વિવેક વાતને આગળ વધારતાં કહે છે, 'નાનપણમાં મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું આ જ બનીશ. હા, પણ મારું નક્કી હતું કે મારે ટીચિંગ ફિલ્ડમાં જવું નથી. એક કઝિન સિવિલ એન્જિનિયર હતા તો વિચાર્યું કે હું પણ એ જ બનીશ. આગળ ભણતો થયો તેમ ખ્યાલ આવ્યો કે તેમાં તો મેથ્સ ભણવું પડે. મારે ને મેથ્સને 36નો આંકડો પછી બીજા એક કઝિન બેંકમાં જૉબ કરતા, તો થયું કે આવું કંઈક કરીશ, પણ થોડા સમયમાં જ ખ્યાલ આવી ગયો કે આમાં પણ અકાઉન્ટ આવે એટલે આંકડાઓ સાથે જ મગજમારી કરવી પડે. દસમામાં સારા ટકા આવ્યા એટલે સાયન્સમાં એડમિશન લીધું. મેથ્સ લેવું નહોતું એટલે માઇક્રોબાયોલોજીમાં 12 સાયન્સ 60% સાથે પાસઆઉટ કર્યું. પછી અમેરલીમાંથી B.Sc કર્યું.' 'કોલેજની સાથે કમાણીની શરૂઆત''હું ને વેદાંત દવે સ્કૂલથી સાથે હતા, પણ 11-12માં અમે અલગ હતા. કોલેજમાં ફરી પાછા ભેગા થયા. વેદાંતને ટેક ફિલ્ડનું સારું નોલેજ હતું. મને રાઇટિંગનો શોખ અને હું કવિતા-આર્ટિકલ સારાં લખતો. વેદાંત સાથે રહીને મને પણ ટેક્નોલોજીમાં રસ પડવા લાગ્યો ને શીખવા લાગ્યો. વેદાંત જાણીતી ડિજિટલ બ્રાન્ડ ‘ટેક બર્નર’ના શ્લોક શ્રીવાસ્તવ સાથે કામ કરતો. ટેક બર્નરની સબ બ્રાન્ડ ‘બર્નર બિટ્સ’ને પછી કન્ટેન્ટ રાઇટરની જરૂર હતી તો મેં અપ્લાય કર્યું ને હું રાઇટર તરીકે જોડાયો. મહિને 1500 રૂપિયા મળતા. આ સમયે હું કોલેજના બીજા વર્ષમાં હતો. મારી પહેલી કમાણીની વાત કરું તો કોલેજના પહેલા વર્ષમાં હતો ત્યારે એક ગુજરાતી સાઇટ પર આર્ટિકલ લખવા બદલ 300-350 રૂપિયા મળ્યા હતા. B.Sc પૂરું કર્યા બાદ મેં જર્નલિઝમના કોર્સ માટે અપ્લાય કર્યું, પરંતુ ત્યાં સુધીમાં મારી કન્ટેન્ટ ક્રિએટરની જર્ની આગળ વધી ગઈ હતી. પછી મેં વચ્ચે જ બ્રેક લઈ લીધો. મને લાગે છે કે આર્ટ્સ લીધું હોત તો કળા ક્ષેત્રમાં આગળ હોત, પણ મને ત્યારે કોઈએ દિશાસૂચન કર્યું નહીં. કોલેજકાળમાં ગિટાર ને વાંસળી વગાડતાં પણ શીખ્યો.' 'સ્વામી પાસે જઈને મનની મૂંઝવણ રજૂ કરી'વિવેકના મતે, 'વેદાંત ને મારું ટ્યૂનિંગ સારું થઈ ગયું ને તેને ટેકમાં વધારે ખ્યાલ આવે. કોલેજ પૂરી થયા બાદ વેદાંતને ટેક બર્નરની નોઇડાની ઑફિસમાં જોબ મળી. મારે હવે શું કરવું તે એક સવાલ હતો. હું 1500 રૂપિયા કમાતો, પણ હવે તો આગળ વધવાનું હતું. મને ખ્યાલ નહોતો આવતો કે 70% સાથે માઇક્રોબાયોલોજી સાથે B.Sc પાસ આઉટ કર્યું છે તો તેમાં આગળ વધું કે હું જે કામ કરી રહ્યો છું તેમાં? એ વાત નક્કી હતી કે મારે લેબમાં નોકરી કરવી નહોતી. પછી તો હું આધ્યાત્મિક હોવાથી રાજકોટ નજીક સરધાર ગામમાં સ્વામિનારાયણના મંદિરમાં ગુરુશ્રી નિત્યસ્વરૂપ સ્વામીને મળ્યો. મેં ક્યાંક સાંભળ્યું હતું કે જીવનમાં જ્યારે મૂંઝવણીભરી સ્થિતિ આવે ત્યારે સદપુરુષ પાસે જઈને પ્રશ્ન પૂછવો. રાતના સાડા દસ વાગ્યાનો સમય હતો ને સ્વામીને સવાલ પૂછ્યો કે મારે હવે શું કરવું? 10-15 મિનિટ તેમને વિચારીને કહ્યું કે તારે મીડિયા ફિલ્ડમાં આગળ જવું હોય તો તેમાં જ જા અને તું તેમાં સફળ થઈશ. આ સાથે જ આ ત્રણ સૂત્રો આપ્યાંઃ 'અઢી મહિના અમદાવાદમાં નોકરી કરી''રાતના 11 વાગ્યે કુટિરની બહાર નીકળ્યો ને નક્કી કર્યું કે હવે મીડિયામાં જ આગળ વધીશ. મારો પરિવાર આર્થિક રીતે સામાન્ય છે, પણ પેરેન્ટ્સે ત્રણ ભાઈ-બહેનોને ક્યારેય પોતાની મરજીનું કરવામાં રોક્યાં-ટોક્યાં નથી. પછી મેં લિંક્ડ ઇન (પ્રોફેશનલ્સ માટેની જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ)માં પ્રોફાઇલ બનાવીને અરજીઓ કરી. 2022-23માં ડિજિટલ પ્લેટફોર્મની સો.મીડિયા ટીમમાં કામ કરવા લાગ્યો ને અમદાવાદ શિફ્ટ થયો. આ સમયે મારો પગાર ₹23 હજાર હતો. નવાઈની વાત એ છે કે ત્યારે વેદાંત પણ અમદાવાદની ટેક કંપનીમાં કામ કરતો એટલે અમે પાછા અમદાવાદમાં ભેગા થયા ને સાથે રહેવા લાગ્યા. અમદાવાદ આવ્યા પછી 23 હજાર રૂપિયા કંઈ દેખાય જ નહીં. મારી સમસ્યા એ હતી કે સો.મીડિયા મેનેજમેન્ટ કરતો ને ત્યાં ટેક ફિલ્ડનું કંઈ જ કામ આવતું નહીં. જૉબ પૂરી કરીને ઑફિસમાં એક્સ્ટ્રા બે કલાક બેસીને અલગ-અલગ પોડકાસ્ટ સાંભળતો. છેવટે અઢી મહિના જૉબ કરીને પાછો બાબરા આવી ગયો. મારું નક્કી હતું કે મારે ઘરે જઈને શું કરવું છે. આ સમયે પરિવારે ભરપૂર સપોર્ટ કર્યો', તેમ વિવેકે ઉમેર્યું. 'દસ હજારના ફોનથી દીવાલ પર પડદો લગાવી વીડિયો બનાવવાની શરૂઆત કરી''બાબરા આવીને મેં સો.મીડિયામાં વીડિયો મૂકીશ તેવું નક્કી કર્યું ને મારી પાસે દસ હજારનો સ્માર્ટફોન હતો ને મારા ઘરના રૂમમાં શૂટિંગ કરવાનું વિચાર્યું. મારું ઘર જૂનવાણી એટલે દીવાલ પર પોપડા ખરી ગયા હતા, તો મમ્મી- પપ્પાએ મરૂન રંગનો પડદો આપ્યો. ફ્રેન્ડ પાસેથી ટ્રાઇપોડ માગ્યું ને વેદાંતે માઇક આપ્યું. હું અડધી રાત્રે શૂટ કરતો, કારણ કે, મારું ઘર હાઇવેની નજીક હોવાથી આખો દિવસ વાહનોનો અવાજ આવે. ગરમીમાં પંખો બંધ રાખીને શૂટ કરતો. પહેલો વીડિયો કંઈક ગુજરાતી ભાષાના પાંચ ફેક્ટ્સ એવો બનાવ્યો હતો. હવે વીડિયો બનાવવાની સાથે સાથે હું ફ્રીલાન્સિંગમાં કામ શોધતો. ઇન્ડિયાના જાણીતા ટેકગુરુ ધનંજય ભોસલેને સ્ક્રિપ્ટ રાઇટરની જરૂર હતી અને ત્યાં અપ્લાય કર્યું, તો મને કામ મળી ગયું. મારે ઘરેથી જ કામ કરવાનું ને મારો પગાર ₹35 હજાર હતો. હું જૉબની સાથે સાથે મારું પેજ પણ જોતો ને એડિટિંગ પણ કરતો. દોઢ-બે મહિના સુધી આ રીતના વીડિયો બનાવ્યા ને પછી ટેકના વીડિયો બનાવવાનું શરૂ કર્યું. 2021-22માં ચેનલ શરૂ કરી ત્યારે મારો ગોલ તો એ જ હતો કે મારે ગુજરાતની નંબર વન ટેક ચેનલ બનાવવાની છે. અમારા પેજના નામની વાત કરું તો, કોલેજ પછી મેં નક્કી કર્યું હતું કે પોતાનું કંઈક કરવું છે ત્યારે એ વાત નક્કી હતી કે ગુજરાતીમાં જ બનાવીશું એટલે અમે ‘ગુજરાતી મીડિયા ફેક્ટરી’ નામ રાખ્યું.' 'બે મહિનાની સેલરી ન લઈને આઇફોન લીધો'વિવેક વીડિયોની વાત કરતાં કહે છે, 'ધીમે ધીમે વીડિયો પ્રોડક્શન વધતું ગયું અને મેં દસ હજારવાળા ફોનમાં એક વર્ષ સુધી શૂટિંગ કર્યું. સારું પ્રોડક્શન આપવા આઇફોન લેવો હતો. ટેક ક્રિએટર ધનંજય પાસે આઇફોન હતો તો મેં તેમની પાસે બે મહિનાની સેલરી ના લેવાની શરતે આઇફોન લીધો. આ બાજુ વેદાંત અમદાવાદથી ગુરુગ્રામ સારી નોકરી મળી જતાં શિફ્ટ થયો. હવે હું આઇફોનમાં વીડિયો શૂટ કરું ને વેદાંત જોબ પૂરી થયા બાદ સમય મળે ત્યારે ગુરુગ્રામથી એડિટ કરીને મોકલે. અમારો પહેલો વાઇરલ વીડિયો જીબી વ્હોટ્સ એપ અંગે માહિતી આપતો હતો. આ વીડિયો 10 લાખથી વધુ ચાલ્યો. પછી તો હું સવારે શૂટ કરું, રાત્રે વેદાંત એડિટ કરે. અત્યારે હું ને વેદાંત એમ બે જણા છીએ.' 'શોપમાંથી કે બ્રાન્ડનો અપ્રોચ કરીને ફોન લેતા'ફોનના રિવ્યૂ કરવા ફોન કેવી રીતે લાવતા તે સવાલના જવાબમાં વિવેક કહે છે, 'શરૂઆતમાં ટેક્નોલોજીની ટિપ્સ આપતા એટલે ફોનની જરૂર પડતી નહીં. પછી ગેજેટના રિવ્યૂ આપવાનું નક્કી કર્યું. આ માટે અમે સામેથી બ્રાન્ડનો અપ્રોચ કરતા અને તેમાંથી જિયોનો કિપેડવાળો ફોન લોન્ચ થયો તો તે અમને સામેથી મળ્યો. બાકી તો ફ્રેન્ડ્સ સર્કલમાંથી કોઈએ લીધો હોય તો તેમની પાસેથી લઈએ અથવા શોપમાં ડેમો પીસ હોય તે લઈને રિવ્યૂ કરીએ. અમારા પેજના એક લાખ જેટલા ફોલોઅર થયા ત્યારે વેદાંત પાછો બાબરા આવી ગયો. અમે નક્કી કર્યું કે હવે આપણે આ જ ફુલ ટાઇમ કરીશું. મેં પણ જૉબ છોડી દીધી. વેદાંતનું ઘર બાબરામાં સોસાયટીમાં એટલે ત્યાં બહુ અવાજ ના આવે. આ જ કારણે તેના ઘરના ઉપરના માળે શૂટિંગ કરવાનું નક્કી કર્યું. ચાર મહિના પહેલાં સુધી અમે ત્યાં જ શૂટ કરતા. એડિટિંગ અમે એપલના લેપટોપ મેક બુકમાં કરવાનું શરૂ કર્યું.' 'પાંચ-છ લાખની કેમેરા કીટ'કેમેરાની વાત કરતાં વિવેક જણાવે છે, 'થોડો સમય આઇફોનથી શૂટ કર્યું. પછી વિચાર્યું કે હાઇ ક્વૉલિટી કન્ટેન્ટ આપીએ. અમારું કન્ટેન્ટ પણ ખાસ્સું વાઇરલ થતું.. મારા એક ફ્રેન્ડ પાસે કેમેરા હતા તો તેમની સાથે વાત કરી. તેમની પાસેથી કેમેરાનું સેટઅપ 60-80 હજારમાં લીધું પછી ધીમે ધીમે બ્રાન્ડ્સ પણ સામેથી અમારો અપ્રોચ કરવા લાગી એટલે અમારે હાઇ ક્વોલિટી વીડિયો આપવા પડતા. આ જ કારણે દોઢ-બે વર્ષ પહેલાં સોનીનો FX3 કેમેરા લીધો. આ કેમેરા નેટફ્લિક્સ સર્ટિફાઇડ છે. નેટફ્લિક્સનાં મૂવી આ કેમેરાથી શૂટ થાય તો અપલોડ થઈ શકે. મારા ખ્યાલે ગુજરાતના કન્ટેન્ટ ક્રિએટરમાંથી માંડ 2% લોકો પાસે આ કેમેરા છે. આ કેમેરાની બોડી જ અઢી -ત્રણ લાખની આવે છે. અમને આ આખી કિટ પાંચથી છ લાખમાં પડી.' 'મહિના ચાર આઇફોન પ્રો મેક્સ ખરીદી શકાય તેટલી કમાણી'વિવેકને કમાણીની વાત પૂછવામાં આવી તો, તેમણે કહ્યું, 'યુ ટ્યૂબમાં હાલમાં અમે એટલા એક્ટિવ નથી પણ એનું પ્લાનિંગ ચાલે છે. યુ ટ્યૂબમાં મોનેટાઇઝ થયા પછી ત્રણથી ચારવાર પેમેન્ટ આવ્યું પણ તેમાંથી માત્ર ખર્ચા નીકળે. ઇન્સ્ટામાં શરૂઆતમાં બાર્ટર કોલાબ્રેશન હોય એટલે એ લોકો પ્રોડક્ટ મોકલે પણ પેમેન્ટ ના આપે. સ્પોન્સર્ડ વીડિયો માટે અમને પહેલું પેમેન્ટ 5-10 હજાર રૂપિયા મળ્યું હતું. લાસ્ટ બે વર્ષથી સ્માર્ટ ફોન લોન્ચ થાય તો હું મોટાભાગે ઇવેન્ટ્સમાં જતો હોઉં છું. દિલ્હી તો મહિને 5-6 વાર જવાનું થાય. આ ઉપરાંત વિદેશની સ્પોન્સર્ડ ત્રણ ટ્રિપમાં દુબઈ, હોંગકોંગ ને મોરેશિયસ ગયો હતો. હાલમાં દર મહિને ચાર આઇ ફોન 17 પ્રો મેક્સ ખરીદી શકીએ તેટલી આવક તો થઈ જાય છે. સામાન્ય રીતે સો.મીડિયા ઇન્ડસ્ટ્રીમાં ત્રણ રીતે ડીલ થતી હોય છે... 'શૂટથી એડિટ કરવામાં દોઢ દિવસનો ટાઇમ જાય'શૂટિંગમાં કેટલો ટાઇમ જાય તે અંગે વિવેક સમજાવતાં કહે છે, 'ફોનમાં દોઢ કલાકમાં થઈ જતું. અત્યારે કેમેરામાં શૂટિંગ કરીએ છીએ ને તેમાં નોર્મલ વીડિયો સ્ક્રિપ્ટ વગર જ પાંચથી દસ મિનિટમાં શૂટ કરી લઉં, પરંતુ સેટઅપ ઊભું કરતાં એકાદ-દોઢ કલાક થાય. પછી એડિટિંગમાં બેથી ત્રણ કલાક એટલે એક નોર્મલ વીડિયોમાં પાંચથી છ કલાક જેટલો સમય જાય. સ્પોન્સર્ડ વીડિયો શૂટ થતાં આખો દિવસ થાય અને પછી અડધો દિવસ એડિટિંગ એટલે દોઢેક દિવસ થાય. 60 સેકન્ડના વીડિયોમાં દોઢ દિવસની મહેનત અમે કરીએ. આ વીડિયોમાં માઇક્રો સેકન્ડના શોટ્સ લેવામાં આવે છે અને તેમાં અડધો-પોણો કલાક થઈ જાય છે.' 'પરિવારને આર્થિક ટેકો આપું ત્યારે કંઈક સારું કામ કર્યાની લાગણી થાય'પરિવાર વીડિયો અંગે કંઈ કહે છે કે નહીં તેવા એક સવાલના જવાબમાં વિવેકે જણાવ્યું, 'આજે પણ પેરેન્ટ્સ મારા વીડિયો જોતા નથી. તેમને વીડિયો બતાવું તો તેઓ ખુશ થાય. પેરેન્ટ્સ ટેક સેવી નથી એટલે એમને બહુ ખ્યાલ ના આવે પણ તેઓ મારા કામથી ઘણા જ ખુશ છે. હું ઘરની બહાર નીકળું તો ઘણા લોકો મારી સાથે સેલ્ફી લે છે. જોકે, સફળતા મેળવવી અલગ બાબત છે. અમે હજી શરૂઆત કરી છે. મમ્મી માર્કેટ જાય ત્યારે ત્યાં શાકભાજી વેચનારે તેમને કહે, 'હું તમારા છોકરાને ફોનમાં જોઉં છું. તે સારું કામ કરે છે. સારા વીડિયો બનાવે છે.' મમ્મીએ પછી મને આ વાત કરી ત્યારે એવું થયું કે જીવનમાં કંઈક તો કર્યું છે. ઘણીવાર અજાણી જગ્યાએ જાઉં ને લોકો નામથી બોલાવીને કહે કે તમે સારા વીડિયો બનાવો છો. ઘરમાં આર્થિક ટેકો આપું ત્યારે લાગે કે હું કંઈક તો સારું કામ કરું છું.' 'એજન્સી સાથે સંકળાયેલા છીએ'વિવેકે ક્રિએટર મોટાભાગે એજન્સી સાથે સંકળાયેલા હોવાની વાત કહી હતી. તેઓ હાલમાં ‘સોશિયલ કરન્ટ’ નામની એજન્સી સાથે છે. આ એજન્સીથી તેમને મેનેજર પણ મળ્યા છે અને તે જ બ્રાન્ડ સાથે વાત કરે અને તેમના માધ્યમથી જ તેમને બધું મળે. તેઓ સ્ક્રિપ્ટિંગ ને બધું મોકલે પછી એ લોકો ક્લાયન્ટ સાથે ડીલ કરે. મોટાભાગે એજન્સીના માધ્યમથી જ ટાઇ-અપ કરે છે. 'દોઢ વર્ષમાં એક મિલિયન ફોલોઅર્સ થયા'પેજ અંગે વાત કરતાં વિવેક કહે છે, 'અમે પેજ બનાવ્યું તેના દોઢેક વર્ષની અંદર જ એક મિલિયન ફોલોઅર્સ થયા. અમે હાલમાં રીલ્સ પર વધુ ફોકસ કરીએ છીએ. યુ ટ્યૂબમાં 25-30 વીડિયો બનાવ્યા છે. બાકી રીલ્સ 1100-1200 જેટલી બનાવી છે. અમે રોજ સાંજે સાડા પાંચથી સાડા છની વચ્ચે એક વીડિયો પોસ્ટ કરીએ. આટલા વર્ષમાં માંડ દસેક વાર એવું બન્યું હશે કે અમારી કોઈ પોસ્ટ ના આવી હોય. અમારા કામની વહેંચણી એ રીતે છે કે ટોપિક, સ્ક્રિપ્ટિંગ, રિસર્ચ હું કરું ને કેમેરા સેટઅપ, એડિટિંગનાં કામ વેદાંત કરે છે.' 'ફુલ ટાઇમ કન્ટેન્ટ ક્રિએટર બનતાં પહેલાં આ વાત ધ્યાનમાં લો...'વિવેકને પૂછવામાં આવ્યું કે કન્ટેન્ટ ક્રિએટર બનવા માટે શું કરવું, જવાબમાં તેઓ જણાવે છે, 'હું એમ જ કહેતો હોઉં છું કે એક મિલિયન ફોલોઅર કરવા હાલના સમયે પહેલા જેટલું અઘરું નથી. લોકો ઇન્ફ્લુએન્સર બનવાનું વિચારતા હોય છે, પરંતુ ઇન્ફ્લુએન્સરની સાથે ભણવાનું કે જૉબ હોય તો તે ક્યારેય અધવચ્ચે છોડવી નહીં. હું એ મેસેજ આપવા માગું છું કે જો વિદ્યાર્થી હોય તો તેણે ફાજલ સમયમાં આ કામ કરવું અને ભણવામાં પૂરતું ધ્યાન આપવું. આ એક બિઝનેસ છે અને તેમાં સફળ થશો તે નક્કી છે, પરંતુ કેટલા સમયની અંદર થશો તેની કોઈ ગેરંટી નથી. ભણવાનું પડતું મૂકીને આમાં ફુલટાઇમ જોડાવ તે યોગ્ય નથી. જોબ કરતાં કે બીજું કંઈ કામ કરતા હો તો જ્યારે સમય મળે ત્યારે કરવું જોઈએ. જ્યાં સુધી વ્યક્તિને લાગે નહીં કે પ્રોપર ઇનકમ આવે છે અને સ્ટેબલ થઈ ગઈ છે ત્યાં સુધી જોબ છોડવી જોઈએ નહીં. સાઇડ ઇનકમ ચાલુ રહે તો જ તમે કન્ટેન્ટ ક્રિએટ કરી શકશો. જો જૉબ છોડી દીધી અને સો.મીડિયામાંથી એટલી આવક થશે નહીં તો નવાં ઇક્વિપ્મેન્ટ્સ ને પ્રોડક્શનને લગતી ખરીદી કરી શકાશે નહીં.' 'હવે ઓછા ફોલોઅર્સ હોય તો પણ બ્રાન્ડ સામેથી અપ્રોચ કરે છે'વધુમાં વિવેક કહે છે, 'આજથી બે વર્ષ પહેલાં દસ હજાર ફોલોઅર્સ હોય તો બ્રાન્ડ જાહેરાત માટે સંપર્ક કરે તેવું નહોતું. હાલમાં ઘણી બ્રાન્ડ પોતે નવી હોય ને માર્કેટમાં ચર્ચા થાય તે માટે ઓછા ફોલોઅર્સ હોય તો પણ બાર્ટર ડીલ કરે છે, જેમાં પેમેન્ટ નથી મળતું પણ પ્રોડક્ટ મોકલે છે. શરૂઆતમાં ક્રિએટરને પ્રોડક્ટ મળવી એ મોટી વાત છે. નંબર ખરી રીતે મેટર નથી કરતો, પરંતુ સ્ટેબલ થવા માટે એ જરૂરી છે. આ ઉપરાંત બ્રાન્ડને બતાવવા માટે નંબર મેટર કરે છે.' 'કન્ટેન્ટ ક્રિએટર બનવાની ચાવી'કન્ટેન્ટ ક્રિએટર તરીકે સફળ થવું હોય તો વિવેકના મતે, 'સૌથી મહત્ત્વની વાત નિયમિતતા છે. અમે અઢી વર્ષથી આ ફિલ્ડમાં છીએ અને તેમાંથી માત્ર 10-15 દિવસ એવા હશે કે અમે વીડિયો પોસ્ટ નહીં કર્યો હોય. ઘણીવાર લોકો મને પૂછતા હોય છે કે તમે વેકેશનમાં જલસાથી ફરો છો ત્યારે હું એટલું જ કહું કે વેકેશનમાં જતાં પહેલાં એડવાન્સમાં રીલ્સ બનાવું છું. અમે રાતોની રાતો જાગીને ઓવરટાઇમ કરીએ છીએ. શરૂઆતમાં વ્યૂ ના આવે એટલે લોકો હતાશ થઈને છોડી દેવાનું વિચારે છે. એક સમયે હું પણ હતાશ થયો હતો, પરંતુ મારી જીદ હતી કે હું રોજ એક વીડિયો તો પોસ્ટ કરીશ જ. મારી સાઇડ ઇનકમ ચાલુ હતી એટલે મને બહુ વાંધો ન આવ્યો. જો તમે બધું છોડીને સો.મીડિયા પર જ ફોકસ કરશો અને પછી વ્યૂઝ નહીં આવે તો ડિપ્રેશનમાં સરી પડશો. તમને B.A, B.Com, B.Sc કરતાં ત્રણ વર્ષ થાય, MBBSમાં ચાર.. કહેવાનો અર્થ એ જ કે તમે ગમે તેટલા કુશળ હો પણ તમારે ડિગ્રી માટે રાહ તો જોવી જ પડે છે. તમે મનથી નક્કી કરો કે ઇન્ફ્લુએન્સર તરીકે બે- ત્રણ વર્ષ સુધી સતત મહેનત કર્યા બાદ જ સફળતા મળશે પછી ભલે તમને છ મહિનામાં કદાચ મળી જાય. બે વર્ષ મહેનત કરવાની જ છે. અત્યારે જો ઇન્ફ્લુએન્સર પ્રોપર રિસર્ચ ને પ્રોપર ટાર્ગેટ ઓડિયન્સ માટે 100 દિવસ સુધી રોજ એક એક વીડિયો નાખે તો તેને બૂસ્ટ મળે જ તેમાં કોઈ શંકા નથી.' તો વેદાંત યુવાનોને મેસેજ આપે છે, 'આજકાલ કોલેજ સ્ટૂડન્ટ્સને કન્ટેન્ટ ક્રિએટર બનવું છે અને તેમાં કંઈ ખોટું પણ નથી. અલબત્ત, તેઓ શરૂઆતથી જ ફૅમ ને મનીની અપેક્ષા રાખે તે ખોટું છે. સ્કિલ્સને શાર્પ કરવામાં તથા કન્ટેન્ટને ઇમ્પ્રૂવ કરવામાં સમય વધુ ફાળવવો જોઈએ. તમે જેટલું સારું ને જેટલું વધારે કન્ટેન્ટ બનાવશો તમારું મોનેટાઇઝેશન એક લેવલ પછી ઓટોમેટિક ચાલુ થઈ જશે. આ ઉપરાંત યુઝર્સની જરૂરિયાત પ્રમાણે કન્ટેન્ટ આપશો તો સફળતા 100% મળશે જ.' વિવેક માને છે, 'સો.મીડિયા અભિશાપ ને આશીર્વાદ બંને છે. હું સો.મીડિયામાં કામ કરું છું છતાં ક્યારેય પણ આજના યુવાનોની જેમ કલાકોના કલાક સ્ક્રોલ કરતો નથી. મારે બિઝનેસ હોવા છતાં આટલું યુઝ કરતો નથી પણ આજના યુવાનો માત્ર ટાઇમપાસ માટે વાપરતા હોય છે. સો.મીડિયા ભલે બે કલાક કનઝ્યૂમ કરો પણ ઇન્ફર્મેટિવ, નોલેજ, રિસર્ચના વીડિયો જુઓ અને તેમાંથી કંઈક સારું જાણવા મળશે. 2-3 કલાક સતત રીલ્સ જોવી તે આપણી મેન્ટલ હેલ્થ માટે પણ યોગ્ય નથી. મારું ડ્રીમ એવું છે કે અમે તો હજી શરૂઆત કરી છે. દરેક બિઝનેસમેનને એમ જ લાગે કે હજી તો ઘણું બધું અચીવ કરવાનું બાકી છે. હાલમાં અમે બાબરામાં છીએ. હવે અમદાવાદ શિફ્ટ થવાની યોજના છે. ઇન્સ્ટાગ્રામ, યુ ટ્યૂબ પર વધારે ફોકસથી કામ કરવું છે. સારું કન્ટેન્ટ આપવું છે. ટેકને રિલેટેડ અન્ય કેટેગરી એક્સપ્લોર કરવી છે.' (આવતીકાલે 'રીલ્સના રાજ્જા'ના પાંચમા ને છેલ્લા એપિસોડમાં વાંચો, પોરબંદરના સાવ નાના ગામમાં રહેતો યુવક કેવી રીતે કોમેડી વીડિયોમાં કામ કરતો ને વિદેશમાં ફરતો થયો?)

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:00 am

ગણેશ ગોંડલ-રાજુ સોલંકીએ વેર ભૂલી સમાધાન કેમ કર્યું?:સોલંકીનો સ્ફોટક ખુલાસો- જયરાજસિંહે 2 કરોડની ઓફર કરી હતી, આખા પ્રકરણ પાછળ અનિરૂદ્ધસિંહનો હાથ

મને સમાધાન માટે જયરાજસિંહે 2 કરોડ રૂપિયાની ઓફર કરી હતી....-રાજુ સોલંકી આ વિવાદ 2 દિવસમાં જ પૂરો થઇ જવાનો હતો પણ અમુક લોકોએ રાજકીય રંગ આપ્યો....-ગણેશ ગોંડલ સૌથી પહેલાં આ તસવીર જુઓ એક સમયે જે લોકો સામસામે હતા તે લોકો હવે એકબીજાની સાથે છે. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્ર ગણેશ ગોંડલ સામે બાથ ભીંડનારા રાજુ સોલંકીએ પિતા પુત્રને જાહેરમાં ચેલેન્જ ફેંકી હતી કે હું ગોંડલમાં આવીને જાહેરમાં ફરીશ, થાય તે કરી લેજો. તેણે ગણેશ ગોંડલ સામે ફરિયાદ કરીને જેલમાં મોકલ્યો હતો. આ જ રાજુ સોલંકીએ હવે અચાનક ગણેશ ગોંડલ સાથે સમાધાન કરી લેતા ફરી આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. ટોક ઓફ ધ સ્ટેટ બનેલા મુદ્દે દિવ્ય ભાસ્કરે ગણેશ ગોંડલ અને રાજુ સોલંકી સાથે ખાસ વાતચીત કરી હતી. વાંચો ગણેશ ગોંડલના શબ્દો.... 'આખા દલિત સમાજની લાગણી હતી કે અમારૂં અને રાજુભાઇનું સુખદ સમાધાન થાય. સમાજની લાગણી ધ્યાને લઇ આ રસ્તો અપનાવ્યો છે. ગોંડલમાં વસતા દલિત સમાજના લોકો 30 વર્ષથી મારા પરિવાર સાથે જોડાયેલા છે. ગોંડલ દલિત સમાજના આગેવાનો તેમને જણાવ્યું કે આ વેરના બીજ આગળ ન લઇ જાઓ અને સુખદ અંત લઇ આવો. રાજુભાઇ સોલંકી પણ માની ગયા અને સમાજના આગેવાનોના કહેવાથી અમે પણ સમાધાનનો રસ્તો અપનાવ્યો છે.' 'રાજુ સોલંકીને દલિત સમાજમાંથી દૂર કરવાની વાત ક્યાંથી આવે? કારણ કે આ સમાધાનમાં દલિત સમાજના મુખ્ય આગેવાનો હાજર હતા. જે રાજુભાઇની તરફેણમાં હતા. અમુક 2-5 લોકો જે એવું બોલતા હોય તેને સમાજમાં કોઇ ધ્યાને લેતું નથી.' 'અમારે થોડા દિવસ પહેલાં જ સમાધાન થઇ જાત પરંતુ અનિરૂદ્ધસિંહ રીબડાના લોકો દ્વારા રાજુ સોલંકીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા. આવું રાજુભાઇ જ પોતાના મોંઢામાંથી બોલ્યા છે કે મને ગેરમાર્ગે દોરવામાં આવ્યો હતો, મને પૈસા આપીને ગીતાબાનું રાજીનામું માંગવા કહેવાયું હતું. રાજુભાઇએ કહ્યું છે કે તેણે આ બધું અનિરૂદ્ધસિંહના કહેવાથી કર્યું હતું.' ગણેશ ગોંડલ બાદ દિવ્ય ભાસ્કરે રાજુ સોલંકી સાથે પણ ખાસ વાતચીત કરી હતી. આ સમગ્ર મામલે રાજુ સોલંકીએ શું કહ્યું તે વાંચો તેમના જ શબ્દોમાં.... 'મને ગણેશ ગોંડલ સાથે સમાધાનનો વિચાર આવ્યો હતો કેમ કે હું જેલમાંથી છૂટ્યો તે પછી મારા જ સમાજના જૂનાગઢ જિલ્લાના આગેવાને મારી વિરૂદ્ધ ફરિયાદ કરી અને જામીન રદ કરવાની માગણી કરી હતી. મારો સાથ આપવાને બદલે મારા જ સમાજના લોકો મને હેરાન કરતા હતા જેનાથી કંટાળીને મેં સમાધાન કર્યું છે.' 'જયરાજસિંહ તરફથી પહેલાં પણ કોઇ હેરાનગતિ નહોતી અને અત્યારે પણ નથી. જયરાજસિંહ જૂનાગઢના ભાણેજ છે, તેમના મામા વનરાજસિંહ રાયજાદા સાથે મારે 30 વર્ષ જૂના સંબંધો છે. હું વનરાજસિંહને મળવા ગયો હતો અને કહ્યું હતું કે મારે જયરાજસિંહ સાથે સમાધાન કરવું છે.' 'મારા પત્નીને શરતી જામીન મળ્યાં હતા પરંતુ તેની વિરૂદ્ધ દેવદાનભાઇ મૂછડિયા અને રાજકોટ જિલ્લાના આગેવાન યોગેશભાઇ ભાશાએ એસપીને આવેદન પત્ર આપીને રજૂઆત કરવા ગયા હતા કે રાજુ સોલંકીના પત્નીને જૂનાગઢ જિલ્લામાં રહેવાની મનાઇ હોવા છતાં તે જૂનાગઢ જિલ્લામાં રહે છે એટલે તેના શરતી જામીન રદ કરો. આમાં ક્ષત્રિય સમાજના કોઇપણ આગેવાન આવેદન પત્ર આપવા માટે ગયા નહોતા. માત્ર દલિત સમાજના આગેવાને અમારી વિરૂદ્ધમાં આવેદન આપ્યા અને અમને હેરાન પરેશાન કર્યાં એટલે મેં નિર્ણય લીધો કે હવે મારે સમાધાન કરી લેવું જોઇએ.' 'એકપણ રૂપિયાના લોભ લાલચ વગર મેં સમાધાન કર્યું છે. અમારા સમાજના મેંદરડા તાલુકાના એક આગેવાન છે તેને અલ્પેશ ઢોલરિયાએ વાત કરી હતી કે રાજુ સોલંકી અને જયરાજસિંહ વચ્ચે સમાધાન થતું હોય તો જે કંઇ પૈસા જોઇતા હોય તે આપીએ. એ સમયે મને 2-3 કરોડ રૂપિયાની ઓફર હતી પણ મેં પૈસા નથી લીધા.' 'જ્યારે અકસ્માત થયો હતો અને ઝઘડો થયો હતો ત્યારે અમારા સમાજના તોડટાળિયા આગેવાનોને પૈસાની લાલચ હતી કેમ કે સામા પક્ષે મોટા માણસના દીકરા (જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ) હતા. અમારા સમાજના આવા લોકોને સમાજ સાથે કોઇ પ્રેમ નથી પરંતુ ક્યાંકથી પૈસા મળતા હોય તો સમાજ માટે લડવા જતા રહે છે. આવા આગેવાનોને એવું હતું કે આ ઝઘડામાંથી તેમને કંઇક રૂપિયા મળશે જેથી ખોટા આક્ષેપો કરે છે.' 'મને અનિરૂદ્ધસિંહ ડિસ્ટર્બ નથી કરતાં પણ રાજુ સખિયા, દિનેશ પાતર જેવા તેના 2-4 માણસો ડિસ્ટર્બ કરે છે.' 'ધોરાજીમાં થનારા આંદોલનમાં કોઇને રસ નથી. ઘોઘાવદરની બેઠકમાં પણ ફક્ત 15-20 જણા જ હતા. ધોરાજીમાં પણ જે લોકો વિઘ્ન સંતોષી છે, જેને કોઇ લાલચ છે તેવા 20-25 જણા જ ભેગા થશે. બાકીનો સમાજ તો મારી સાથે જ છે.' 'ભવિષ્યમાં જો અનિરૂદ્ધસિંહ રીબડા તરફથી કોઇ હેરાનગતિ થશે તો સમય આવ્યે જોયું જશે, મને પણ ભગવાને 2 હાથ આપ્યાં છે અને તેમને (અનિરૂદ્ધસિંહને) પણ 2 હાથ આપ્યાં છે.' 'જૂનાગઢમાં મારા દીકરા અને ગણેશ ગોંડલ વચ્ચે અકસ્માત અને ઝઘડો થયા પછી ફરિયાદ થઇ અને ગણેશ ગોંડલની ધરપકડ થઇ. તેના પછીનો આખો વિષય ડાયવર્ટ થયો. મારે ગોંડલ આવવાનું થયું, મેં ગીતાબાનું રાજીનામું માંગ્યું એ બધું રીબડાવાળાની સૂચનાથી જ થયું હતું. રીબડાવાળાની સૂચનાથી જ ગાંધીનગર આવવાનું થયું હતું. આ આખા પ્રકરણ પાછળ અનિરૂદ્ધસિંહનો હાથ હતો.' 'અમારા સમાજનો જે જમણવાર થયો હતો તે અનિરૂદ્ધસિંહે કર્યો હતો. અમારા સમાજના મોટા આગેવાનો અનિરૂદ્ધસિંહ પાસેથી પૈસા પણ લઇ આવ્યા છે. ' અહીં રાજુ સોલંકીની વાત પૂરી થાય છે. જ્યારે રાજુ સોલંકી ગણેશ સામે પડ્યા હતા ત્યારે દલિત સમાજ તેમની પડખે ઊભો રહ્યો હતો. હવે તેમણે સમાધાન કરી લેતા દલિત સમાજ અને તેમાં પણ ખાસ કરીને ભીમ સેના ગુસ્સે ભરાઇ છે. રાજુ સોલંકીને સમાજમાંથી બહાર હાંકી કાઢવાની કવાયત શરૂ કરી છે. જેના માટે જાન્યુઆરી મહિનાના પહેલાં અઠવાડિયામાં મોટું સંમેલન યોજવાનું નક્કી કરાયું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:00 am

હવે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી બનવા લાગી ઇમારતો:મહેંદીની જેમ મશીન કોંક્રિટ પાથરી બાંધકામ કરશે, IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ આર્મીના બંકર બનાવ્યા

જરા વિચારો… કોઈ બિલ્ડિંગ ઈંટોથી નહીં પરંતુ મશીનની મદદથી 3D પ્રિન્ટીંગ મારફતે તૈયાર થાય તો!!! એટલે કે જેમ હાથમાં મહેંદી મુકાય છે એમ પ્રોગ્રામિંગવાળુ મશીન લેયર પ્રમાણે કોંક્રિટ પાથરીને આખેઆખી ઇમારત ઉભી કરી દે. વાત થોડી અજૂગતી છે પણ અમદાવાદના ત્રણ મિત્રોએ આ ટેક્નોલોજીને ડેવલપ કરી છે. જેના થકી તેઓએ ભારતીય સેના માટે મજબૂત બંકર બનાવવાથી લઈને અદાણી જેવી કંપનીઓ માટે અલગ-અલગ પ્રકારના બિલ્ડિંગના સ્ટ્રક્ચર તૈયાર કર્યા છે. ગાંધીનગર IITમાં ભણતા ત્રણ મિત્રોને ચાની કિટલી પર આ પ્રોજેક્ટનો વિચાર આવ્યો, 10 હજાર રુપિયાની પોકેટ મનીમાંથી સ્ટાર્ટઅપની કામગીરી થઈ અને ગણતરીના વર્ષોમાં જ આજે કરોડોનું ટર્નઓવર કરતી કંપની બની ગઈ છે. ઈંટ અને બ્લોકનું સ્થાન લેનાર 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજી છે શું? આ ટેક્નોલોજી કેવી રીતે ડેવલપ કરી? તેનાથી હાલમાં કેવા સ્ટ્રક્ચર તૈયાર થઈ રહ્યાં છે? પરંપરાગત રીતે થતાં બાંધકામની સરખામણીએ આ ટેક્નોલોજીથી તૈયાર થતાં સ્ટ્રક્ચરની મજબૂતી કેવી હોય છે? આવનારા વર્ષોમાં આ ટેક્નોલોજીથી કેવી ઇમારતો બની શકશે? આવા મહત્વના સવાલોના જવાબો જાણવા માટે દિવ્ય ભાસ્કરે MiCoB કંપનીના કો-ફાઉન્ડર અંકિતા સિન્હા અને રિષભ માથુર સાથે વાતચીત કરી હતી. 3 સાહસિક મિત્રોની કમાલ કંપનીના કો-ફાઉન્ડર અંકિતા સિન્હાએ કોલેજના દિવસોને યાદ કરતા વાત શરૂ કરી. રિષભ અને શશાંક તેમના જૂનિયર હતા. શશાંક 3D કોંક્રિટ પર કામ કરતા હતા. એક દિવસ ચાની કિટલીએ બેઠા હતા ત્યારે તેમણે બાંધકામ ક્ષેત્રે ચાલતા ક્વોલિટી ઇશ્યુ મુદ્દે ચર્ચા કરી હતી. પછી ત્રણેયે મળીને એ દિશામાં આગળ વિચાર્યું કે આ સમસ્યાનો ઉકેલ શું લાવી શકાય? આ સવાલના જવાબરૂપે ત્રણેયને 3D કોંક્રિટ ટેક્નોલોજીનો વિચાર સૂઝ્યો. ત્યારબાદ 2018માં ત્રણેય મિત્રોએ નક્કી કરેલા સાહસનું પહેલું સ્ટેપ હતું રિસર્ચ. સિવિલ કંસ્ટ્રક્શનમાં નવી ટેક્નોલોજીને લાવવા માટે રિસર્ચનું કામ ચાલતું હતું, એ સમયે કોરોનાએ દસ્તક દીધી. એકબાજુ લોકડાઉનને કારણે સંશોધન-સ્ટડી માટે પૂરતો સમય મળ્યો અને બીજી બાજુ IIT ગાંધીનગરે સપોર્ટ કર્યો. નવી ટેક્નોલોજી ઘર બનાવવાની રીત બદલી દેશે કંપનીના કો-ફાઉન્ડર રિષભ માથુરના મતે અત્યાર સુધી કંસ્ટ્રક્શનમાં પહેલાં ઇંટો, પછી બ્લોક અને ધીરે-ધીરે ટેક્નોલોજીનું પ્રમાણ વધી રહ્યું છે. 3D કોંક્રિટ પ્રિન્ટીંગમાં રોબોટની મદદથી સાઇટ પર પહેલાં મોડ્યુલર બનાવાય છે. જેમાં અલગ-અલગ પ્રકારના આકારવાળા પાર્ટમાં તેને તૈયાર કરીએ છીએ. પછી તૈયાર થયેલા પાર્ટ્સને સાઇટ પર લઇ જવાય છે અને તેને જોડીને એટલે કે સામાન્ય ભાષામાં એસેમ્બલ કરીને કોઇપણ પ્રકારનું ઘર કે ઇમારત તૈયાર કરી શકાય છે. અઘરામાં અઘરી કંસ્ટ્રક્શનની ડિઝાઇન પણ સરળતાથી બની શકે છે. એમના શબ્દોમાં કહીએ તો આ ટેક્નોલોજીમાં મટીરિયલ સાયન્સનો કમાલ છે. નાનકડા મશીનથી મસમોટી કંપની ઊભી કરી આઇડિયા આવ્યા બાદ તેને સફળ કરવા પાછળના પ્રયાસોને યાદ કરતા અંકિતા સિન્હાએ કહ્યું, શશાંક અને રિષભે એમેઝોન, ઇન્ડિયા માર્ટ, અલીબાબા જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પરથી પાર્ટ્સ ખરીદીને પોતાના હાથે એક નાનો સેટઅપ તૈયાર કર્યો હતો. ત્યારે માત્ર એક મીટરનું મશીન તૈયાર કર્યું હતું. મશીનમાં મટીરિયલ કયું વાપરવાનું છે તેનું રિસર્ચ પણ પહેલાંથી જ કરી રહ્યા હતા એટલે કંઇક બનાવવાનું વિચાર્યું. તો સવાલ ઉઠ્યો કે બનાવીએ શું? આ સવાલનો જવાબ મેળવવા માટે ત્રણેય સાહસિક મિત્રોએ IIT ગાંધીનગરનો કોન્ટેક્ટ કર્યો અને પૂછ્યું કે અમારે આ 3D પ્રિન્ટિંગ મશીનમાં શું બનાવવું જોઇએ? તો તેમણે કહ્યું ફર્નિચર બનાવી શકો. આ રીતે એક પ્રોડક્ટ તૈયાર કરી જે બધાને ખૂબ પસંદ પડી. આર્મીની ચેલેન્જે નવી દિશા દેખાડી પહેલો પ્રયાસ સફળ ગયો. પછી વર્ષ 2020 આવતા આવતા અંકિતા, રિષભ, શશાંકની ટીમે ઇન્ક્યુબેશન પણ નોંધાવી લીધું. આ દરમિયાન કેમ્પસમાં આર્મી ડિઝાઇન્સ બ્યુરોના કેટલાક અધિકારીઓ મુલાકાતે આવ્યા હતા અને જાણેકે કિસ્મતે પડખું ફેરવ્યું. આર્મીના અધિકારીઓએ MiCoB કંપનીએ 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીની કેટલીક વસ્તુઓ જોઈ અને સવાલ કર્યો, આનાથી કઇ કઇ વસ્તુઓ બની શકે? એ દિવસને યાદ કરતા અંકિતા સિન્હા કહે છે, અમે જવાબમાં ઘર, બંકર, સ્ટ્રક્ચર બની શકે એવું કહ્યું હતું. આટલું સાંભળીને આર્મી ઓફિસરે અમે ચેલેન્જ આપી કે અમારે એક એવા સ્ટ્રક્ચરની જરૂર છે જે કોઇપણ જગ્યાએ લઇ જઇ શકાય. સાથે જ ક્વોલિટી ઓફ કંસ્ટ્રક્શન હાઇ હોય જેથી તેને બોર્ડર વિસ્તારમાં દુશ્મનો હુમલો કરી શકે એવી જગ્યાએ પણ લગાવી શકાય. એ પછી લગભગ 9 મહિના જેટલો સમય પ્રોજેક્ટ માટે વાતચીતમાં ગયો. આર્મી ઓફિસરે શરૂઆતના તબક્કે ટેસ્ટિંગ કર્યા, કેટલાક ઇનપુટ આપ્યા. આર્મીના આ જ ઇનપુટના આધારે 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજી આધારિત એક સ્ટ્રક્ચર તૈયાર થયું. પોખરણમાં રોકેટ લોન્ચર, હેન્ડ હેડ લોન્ચર બધા જ પ્રકારે આ સ્ટ્રક્ચરને પારખવામાં આવ્યું. ત્યારબાદ T-90 ટેન્ક દ્વારા ટેસ્ટિંગ થયું અને 3D કોંક્રિટ પ્રિન્ટીંગથી બનેલું સ્ટ્રક્ચર આર્મીએ પાસ કરી દીધું. પહેલા જ ઓર્ડરમાં બંકર બનાવ્યા ગુજરાતમાં બનેલા 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીના પહેલા ટેસ્ટ મોડલ માટે પણ આર્મીએ ચાર્જ ચુકવ્યો. પહેલું બંકર બનાવ્યા બાદ 8 બંકરનો ઓર્ડર મળ્યો. આજે ઇન્ડિયન આર્મીને 500થી વધુ બંકર બનાવી આપ્યા છે. દુશ્મનોનો ખાત્મો કરવા બોર્ડર પર લગાવ્યા છે. MiCoB કંપનીના ફાઉન્ડર્સને પણ અંદાજો ન હતો કે સ્ટ્રક્ચર આટલું મજબૂત બનશે. ત્યારબાદ આ ત્રણેય જણાની ટીમને ખાતરી થઇ ગઇ કે તેમણે બનાવેલું સ્ટ્રક્ચર એકદમ બરાબર છે. સિમેન્ટ ઓછી વપરાય ને ટકાઉ બાંધકામ મળે મજાની વાત એ છે કે કંસ્ટ્રક્શનની તુલનાએ આ ટેક્નોલોજી પર્યાવરણની દૃષ્ટિએ પણ ઘણી સારી છે. કંસ્ટ્રક્શનમાં સૌથી વધુ સિમેન્ટ વપરાય છે જ્યારે 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીમાં સિમેન્ટના ઓછા વપરાશથી કાર્બન ફૂટપ્રિન્ટ પણ ઘટાડી શકાય છે. સ્ટ્રક્ચરમાં 20 થી 30 ટકા સિમેન્ટનો ઉપયોગ ઓછો થાય છે. સિમેન્ટનો ઓછો ઉપયોગ છતાંય મજબૂતી એટલી જ હોવાનો દાવો કરતા અંકિતા સિન્હા કહે છે, અમારા સ્ટ્રક્ચરમાં બધી જ જગ્યાએ સોલિડ નથી હોતા. પણ એનો મતલબ એવો નથી કે સ્ટ્રક્ચર સ્ટ્રોંગ નથી બનતા. રિપોર્ટ જુઓ તો ખ્યાલ આવી જશે કે સ્ટ્રેન્થ એટલી જ જોવા મળશે. કારણ કે સ્ટ્રક્ચરમાં ઈન્સ્યુલેશન ખૂબ સારી રીતે થાય છે. આ ઉપરાંત, પ્લાન્ટમાં વોટર રિસાયકલ, કોંક્રિટ વેસ્ટનો રિયુઝ કરવામાં આવે છે. રક્ષા અને બાંધકામ ક્ષેત્રે મોટી ક્રાંતિ વિદેશમાં તો 8 માળ સુધીની ઇમારતો આ ટેક્નોલોજી દ્વારા બની રહી છે. જ્યારે MiCoB કંપનીએ વિકસાવેલી 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી 3 માળ સુધીની ઇમારત બનાવી ચુકી છે. અત્યારે ભલે મોટા સ્ટ્રક્ચરમાં ઓછી સફળતા મળી છે પરંતુ આવનારા દિવસોમાં આ ટેક્નોલોજીની મદદથી વધુ ઝડપી અને સસ્ટેનેબલ ઇમારતો ઉભી થઇ શકે એ માટે ટેક્નોલોજીને અપડેટ કરવાની કામગીરી ચાલી રહી છે. અંકિતા સિન્હાના મતે, 3D પ્રિન્ટિંગ વડે તૈયાર થતાં સ્ટ્રક્ચર માટે દર વખતે પાર્ટ પાડવા જરૂરી નથી, ટીમ પાસે એવી ટેક્નોલોજી છે જેમાં કોઇ પાર્ટ પાડ્યા વગર પણ માળખું તૈયાર કરી શકે છે. જેમકે પબ્લિક ટોયલેટ એક જ પાર્ટમાં આખું તૈયાર થઇ શકે છે. જ્યારે બંકર બનાવવા માટે નાના-નાના પાર્ટ તૈયાર કરવામાં આવે છે. 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજી ડિઝાઇન પર જરૂરથી નિર્ભર કરે છે. પરંતુ તેનાથી થતું બાંધકામ પરંપરાગત પદ્ધતિ જેવું જ થાય છે. આ ટેક્નોલોજીમાં મહત્વનું પાસું એ છે કે અંકિતા સિન્હા અને તેમની ટીમ માળખું તૈયાર થયા પછી તેને ચેક કરીને રિપોર્ટ આપે છે અને થર્ડ પાર્ટી ટેસ્ટ પણ કરાવે છે. થર્મલ ઇન્સ્યુલેશનવાળી દીવાલ તાપમાન સંતુલિત રાખશે કંસ્ટ્રક્શનની દુનિયામાં અત્યારે સૌથી મોટો પડકાર યોગ્ય સમયે બાંધકામ પૂરું કરવાનો અને સલામતીનો છે. કંપનીના કો-ફાઉન્ડર રિષભ માથુરનું માનવું છે કે તેમણે વિકસાવેલી ટેક્નોલોજીથી પ્રોજેક્ટનો સમય બચાવી શકાશે. સાઇટ પર ચાલતા કામની સાથે જ ફેક્ટરીમાં પેરેલલ થર્મલ ઇન્સ્યુલેશનવાળી દીવાલ તૈયાર થશે. જે બહારનું અને અંદરનું તાપમાન અલગ રાખી શકશે. બહારનું વાતાવરણ ગરમ હોય તો પણ અંદર ઠંડક મેઇન્ટેઇન થઇ શકે છે. જે કામ કંસ્ટ્રક્શન વર્ક સામાન્ય રીતે પૂરું થતાં 5થી 6 મહિના લાગે છે તે આ ટેક્નોલોજીની મદદથી એક મહિનામાં પૂર્ણ થઇ જાય છે. 3 મિત્રોના સ્ટાર્ટઅપે ગયા વર્ષે 12 કરોડનું ટર્નઓવર કર્યુંસ્ટાર્ટઅપ કંપની MiCoBનો અર્થ છે માઇક્રો કોંક્રિટ બિલ્ડર્સ. એટલે કે બધા જ પાર્ટીકલ્સ માઇક્રો સાઇઝના છે. 3 મિત્રો દ્વારા શરૂ થયેલી કંપનીમાં આજે 31 લોકોનો સ્ટાફ છે. માત્ર 10 હજારમાં પહેલી પ્રોડક્ટ તૈયાર કરીને શરૂઆત કરી હતી. જે આજે કરોડોનું ટર્નઓવર ધરાવે છે. ગયા વર્ષે 12 કરોડની રેવન્યૂ જનરેટ કરી છે. આર્મી તેમજ અદાણી કંપની માટે પણ સ્ટ્રક્ચર તૈયાર કરી આપે છે. આજે તો સોનીપતમાં એક યુનિટ શરૂ કર્યું છે પરંતુ, આવનારા વર્ષોમાં નવા 25 જેટલા પ્લાન્ટ શરૂ થાય તેવું કંપનીના ફાઉન્ડર્સનું આયોજન છે. સૌથી મોટો માઇલસ્ટોન બંકર બનાવાનો કોન્ટ્રાક્ટ હતોએમની આ જર્નીમાં સૌથી મોટો માઇલસ્ટોન હતો એ ઇન્ડિયન આર્મીનો બંકર બનાવવાનો કોન્ટ્રાક્ટ. પણ આ સિદ્ધિ પહેલાં ત્રણ સાહસિકોએ ઘણી મહેનત કરી હતી. પ્રાથમિક તબક્કે તો કંપનીની પહેલી ચેલેન્જ હતી તેમનું અસ્તિત્વ. એ સમયે 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજી શું છે એ કોઇને ખબર જ નહોતી. કેટલાક તો મશીનથી ઘર બનાવી આપશો? આવું પૂછીને હસતા, ટિપ્પણીઓ કરતા. કહેતા કે બાળકો છે ખાલી બોલી નાખે છે. પરંતુ, જ્યારે હિંમત હાર્યા વગર 3D કોંક્રિટ પ્રિન્ટીંગ ટેક્નોલોજીથી સ્ટ્રક્ચર બનાવવાનું કામ ચાલું રાખ્યું તો દુનિયાને આપોઆપ જવાબ મળી ગયો. I-HUB અને IIT ગાંધીનગરે ભરપૂર સપોર્ટ કર્યો ગુજરાતમાં આ ટેક્નોલોજીનું ચલણ વધી રહ્યું છે ત્યારે MiCoB કંપનીની શરૂઆત કેવી રીતે થઇ તે વિશે અંકિતા સિન્હા કહે છે, પહેલાં તો ડિફેન્સ સેક્ટરને પકડી રાખ્યું અને તેમાં નવા નવા ઇનોવેશન કર્યા. જે બંકર બનાવ્યા હતા તે ઇમ્પ્રુવ કર્યા. આ રીતે અમારી જર્નીની શરૂઆત થઇ. આ જર્નીમાં અમને I-hub, IIT ગાંધીનગર અને ગુજરાત સરકારે અમને ગ્રાન્ટ આપીને ખૂબ જ સપોર્ટ કર્યો છે. SSIP પોલિસીમાં સ્ટાર્ટઅપ માટે 10 લાખ સુધીની ગ્રાન્ટ મળે I-HUBના પ્રોગ્રામ હેડ જયકુમાર જોષી સાથે પણ વાત કરી. જેઓ આ ત્રણ મિત્રોના સ્ટાર્ટઅપ અંગે વાત કરે છે. એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં SSIP (Student Startup and Innovation Policy) પોલિસી હેઠળ સુજન સ્કીમમાંથી ત્રણેય મિત્રોને ગ્રાન્ટ મળી. આ ફંડમાંથી તેમણે થ્રીડી પ્રિન્ટિંગ ટેક્નોલોજીનો પહેલો પ્રોટોટાઇપ બનાવ્યો હતો. આજે તેમની રિયલ-ટાઇમ સ્ટ્રક્ચર સુધીની સર્વિસ પ્રોવાઇડ કરે છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની કેટલીક અલગ અલગ સ્કીમ છે. જેના થકી સ્ટાર્ટઅપને I-HUB દ્વારા સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. SSIP પોલિસી હેઠળ સુજન સ્કીમ દ્વારા I-HUB 10 લાખ સુધીની ગ્રાન્ટ સ્ટાર્ટઅપ માટે આપે છે. આ ઉપરાંત, સ્ટાર્ટઅપ ઇન્ડિયાના ફંડનું એક કોર્પ્સ છે. જેના થકી 30થી 40 લાખ સુધીની ગ્રાન્ટ અને ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ તરીકે મદદ કરીએ છીએ. આપણી પાસે અન્ય ગર્વમેન્ટની સ્કીમ છે તેના થકી અમે તેમને મદદ કરીએ છીએ.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 6:00 am

ગોપાલ ઈટાલિયાનું દિલનું દર્દ છલકાયું?:લેટર લખીને ઈન્સ્ટાગ્રામમાં મુકતા ચર્ચા ઉપડી; બાપ રે, BJPના નેતા ના બોલવાનું બોલી ગયા!

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:55 am

ડિજિટલ એરેસ્ટ ફ્રોડમાં 85 વર્ષના વૃદ્ધ પાસેથી 9 કરોડ પડાવાયા

- મની લોન્ડરિંગ, આતંકી કૃત્યોમાં સંડોવણીની દમદાટી - ઠગાઈના પાંચ કરોડ જમા લેનારો ખાતાંધારક 24 કલાકમમાં પકડાયો : આ ખાતાં બાબતે આવી છ ફરિયાદો મુંબઈ : દક્ષિણ મુંબઈના ઠાકુરદ્વાર વિસ્તારમાં રહેતા એક નિવૃત્ત શિક્ષક સાથે ફ્રોડસ્ટરોએ રૂ. નવ કરોડની છેતરપિંડી કરી હતી. ફ્રોડસ્ટરોએ મની લોન્ડરિંગ અને આતંકવાદી ભંડોળ માટે તેમના ખાતાનો ઉપયોગ થયો હોવાનું જણાવી તેમની ડિજિટલ એરેસ્ટ કરી આ રકમ પડાવી હતી. આ બાબતે વૃદ્ધે ફરિયાદ કરતા સાયબર પોલીસે કેસને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કરી એક કંપનીના ૨૭ વર્ષના ડિરેકટરની ધરપકડ કરી હતી.

ગુજરાત સમાચાર 25 Dec 2025 5:35 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:યુપીના મંત્રીએ ઉન્નાવ રેપ પીડિતાની મજાક ઉડાવી; ચાંદી ₹8,000 મોંઘી; વૈભવે 39 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર સોના અને ચાંદીના રેકોર્ડ તોડવાના હતા. એક જ દિવસમાં ચાંદીના ભાવમાં ₹8,000નો વધારો થયો. બીજા મોટા સમાચાર ઉન્નાવ બળાત્કાર કેસ સાથે સંબંધિત હતા. યુપીના એક મંત્રીએ પીડિતાની મજાક ઉડાવી. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. PM મોદી લખનૌમાં રાષ્ટ્રીય પ્રેરણા સ્થળ ખાતે અટલ બિહારી વાજપેયી, દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની 65 ફૂટ ઊંચી પ્રતિમાઓનું અનાવરણ કરશે. 2. ગૃહમંત્રી અમિત શાહ 'અભ્યુદય મધ્યપ્રદેશ વિકાસ સમિટ'નું ઉદ્ઘાટન કરશે. કાલના મોટા સમાચારો 1. ઉન્નાવ રેપ પીડિતા રાહુલને મળી, બોલી-રેપિસ્ટને જામીન મળ્યા:મને બંધક બનાવી હતી, મારા જીવને ખતરો; UPના મંત્રીએ પીડિતાની મજાક ઉડાવી યુપીના ઉન્નાવ રેપ કેસની પીડિતાએ બુધવારે સાંજે દિલ્હીમાં રાહુલ અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. આ મુલાકાત 10 જનપથ સ્થિત કોંગ્રેસ સાંસદ સોનિયા ગાંધીના નિવાસસ્થાને થઈ. જોકે, મુલાકાતની તસવીરો હજુ સુધી આવી નથી. પીડિતાએ કહ્યું, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને મળવા વિનંતી કરી હતી, પરંતુ મને કોઈ મળ્યું નહીં. રાહુલ ભૈયાનો પોતે ફોન આવ્યો અને તેમણે મને મળવા બોલાવી. મેં સોનિયા ગાંધી અને રાહુલ ભૈયા સાથે મુલાકાત કરી. મેં તેમને જણાવ્યું કે મને બંધક બનાવવામાં આવી હતી. મારા જીવને ખતરો છે. રાહુલ ભૈયાએ મને કહ્યું કે આ લડાઈમાં તેઓ મારી સાથે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ચોખ્ખી હવા નથી, તો એર પ્યુરિફાયર પર ટેક્સ કેમ:સરકારને દિલ્હી હાઈકોર્ટનો સવાલ; ગડકરીએ સ્વીકાર્યું- 40% પ્રદૂષણ ટ્રાન્સપોર્ટ સેક્ટરથી ફેલાઈ રહ્યું છે દિલ્હી હાઈકોર્ટે બુધવારે કેન્દ્ર સરકાર અને અધિકારીઓને પૂછ્યું કે જ્યારે રાજધાનીમાં હવાની સ્થિતિ ઇમરજન્સી જેવી બનેલી છે ત્યારે એર પ્યુરિફાયર પર 18% GST શા માટે લગાવવામાં આવી રહ્યો છે. કોર્ટે કહ્યું કે જો સરકાર લોકોને સ્વચ્છ હવા ઉપલબ્ધ કરાવી શકતી નથી તો ઓછામાં ઓછું એર પ્યુરિફાયર પરનો ટેક્સ જ ઓછો કરી દે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તુષાર રાવ ગડેલાની ડિવિઝન બેન્ચે કહ્યું કે દરેક નાગરિકને સ્વચ્છ હવામાં શ્વાસ લેવાનો અધિકાર છે. આવી પરિસ્થિતિઓમાં એર પ્યુરિફાયરને લક્ઝરી આઇટમ માનીને 18% GST લગાવવો યોગ્ય નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. 20 વર્ષ પછી ઉદ્ધવ-રાજ ઠાકરેની પાર્ટીમાં ગઠબંધન:કહ્યું- અમારી વિચારધારા એક, વહેંચાઈશું તો વિખેરાઈ જઈશું; 29 નગર નિગમ ચૂંટણીમાં 15 જાન્યુઆરીએ મતદાન મહારાષ્ટ્રમાં ઉદ્ધવ અને રાજ ઠાકરે 20 વર્ષ પછી એકસાથે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. શિવસેના (યુબીટી) અને મનસે મળીને બીએમસી ચૂંટણી લડશે. બુધવારે બંને ભાઈઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને તેની જાહેરાત કરી. ગઠબંધન અંગે ઉદ્ધવે કહ્યું કે અમારી વિચારસરણી એક છે, જો વહેંચાઈશું તો વિખેરાઈ જઈશું. મહારાષ્ટ્ર માટે આપણે બધા એક છીએ. આ પહેલા બંને નેતાઓ શિવાજી પાર્ક સ્થિત બાળાસાહેબ ઠાકરેના સ્મારક પહોંચ્યા અને શ્રદ્ધાંજલિ આપી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. સોના-ચાંદીના ભાવે સતત ત્રીજા દિવસે રેકોર્ડ તોડ્યો:ચાંદીમાં એક જ દિવસમાં રુ. 8 હજારનો વધારો, 10 ગ્રામ સોનાનો ભાવ રુ. 1.37 લાખ થયો, તેજીનાં મુખ્ય કારણો જાણો સોના-ચાંદીના ભાવ આજે 24 ડિસેમ્બરે સતત ત્રીજા દિવસે ઓલટાઇમ હાઈ પર છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર સોનું 352 રૂપિયા વધીને 1,36,635 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું છે. આ પહેલાં મંગળવારે એ 1,36,283 રૂપિયા પર હતું. 1 કિલો ચાંદીની કિંમત 7,934 રૂપિયા વધીને 2,18,954 રૂપિયા પ્રતિ કિલોના ઓલટાઇમ હાઈ પર પહોંચી ગઈ છે. ગઈકાલે એની કિંમત ₹2,11,020/કિલો હતી. 10 દિવસમાં ચાંદી 30,673 રૂપિયા મોંઘી થઈ છે. 11 ડિસેમ્બરે એની કિંમત 1,88,281 રૂપિયા પ્રતિ કિલો હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 5. 16 ચોગ્ગા...15 છગ્ગા... અને 190 રન:14 વર્ષના વૈભવની વધુ એક વિક્રમી ઇનિંગ; વિજય હઝારે ટ્રોફીમાં બિહારે અરુણાચલ પ્રદેશ સામે 574 રન ફટકાર્યા વિજય હઝારે ટ્રોફીનો પ્રથમ દિવસ યુવા બેટર્સના નામે રહ્યો હતો. વૈભવ સૂર્યવંશીએ બુધવારે અરુણાચલ પ્રદેશ સામે માત્ર 36 બોલમાં સદી ફટકારી હતી. બીજી તરફ, બિહારના કેપ્ટન સાકિબુલ ગનીએ 32 બોલમાં અને ઝારખંડ તરફથી રમતા ઈશાન કિશને 33 બોલમાં તોફાની સદી ફટકારી હતી. 14 વર્ષનો વૈભવ લિસ્ટ-A ક્રિકેટમાં સદી ફટકારનારા વિશ્વનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. બિહાર તરફથી રમતા વૈભવે પાકિસ્તાનના ઝહૂર ઈલાહીનો 39 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાખ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 6. 2026ની શરૂઆતમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના:ગુજરાતમાં અત્યારે ઠંડી ન પડવાનું કારણ લા નીનો અને અલ નીનો, નલિયા-અમરેલીમાં પારો 12 ડિગ્રીએ પહોંચ્યો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે. ત્યાર બાદ સમગ્ર પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. સૌથી ઓછું લઘુતમ તાપમાન નલિયા અને અમરેલીમાં નોંધાયું હતું. બન્ને શહેરમાં 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. નલિયામાં અગાઉ 14.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જે રાત્રે 2.6 ડિગ્રી સેલ્સિયસ ઘટીને 12 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 7. નવરાત્રિમાં અંબાજી મંદિરની પૂજાનો વિશેષ અધિકાર દાંતા રાજવી પાસેથી છીનવાયો:હવેથી ભક્તોએ આઠમની પૂજા સમયે મંદિર બહાર ઉભું રહેવું પડશે નહીં, હાઇકોર્ટનો હુકમ શક્તિપીઠ અંબાજી મંદિરમાં નવરાત્રિની આઠમની પૂજા અને દર્શનનો વિશેષાધિકાર માત્ર દાંતા મહારાજા અને એમના વંશજો પાસેથી છીનવાયો છે. આ અંગે હાઇકોર્ટે હુકમ કર્યો છે. જેથી હવે આઠમની પૂજાના દિવસે દર્શનાર્થીઓએ મંદિરની બહાર રહેવું પડશે નહીં અને તેઓ પણ આઠમની પૂજામાં સહભાગી બની શકશે અને દર્શન કરી શકશે. ગુજરાત હાઈકોર્ટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાનને પબ્લિક ટ્રસ્ટ તરીકે નોંધાણીનો નિર્ણય યથાવત રાખ્યો છે, અગાઉના દાંતા રાજ્યના વારસદાર મહારાજા મહેન્દ્રસિંહજી પરમાર દ્વારા દાખલ અપીલ રદ્દ કરી દીધી છે. કોર્ટે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટકર્તા દ્વારા એડવોકેટ અર્ચના.આર.આચાર્ય દ્વારા દાખલ ક્રોસ-ઓબ્જેક્શનને પણ મંજૂરી આપી છે, જેનાથી દાંતાના મહારાજાના અગાઉ આપેલા વિશેષાધિકારો રદ્દ થઈ ગયા છે. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લખનઉ કોર્ટે રાહુલ, સોનિયા-પ્રિયંકા ગાંધીને નોટિસ મોકલી:કોંગ્રેસ સાંસદે કહ્યું હતું- ઈન્ડિયન સ્ટેટ સાથે અમારી લડાઈ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ચીનની બેવડી ચાલ પર અમેરિકાની ભારતને ચેતવણી:એક તરફ દિલ્હી સાથે સંબંધો સુધારવાના પ્રયાસો, બીજી તરફ પાકિસ્તાનને હથિયારો આપી રહ્યું છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ઇસરોએ 6100 કિલોનો અમેરિકી સેટેલાઇટ લોન્ચ કર્યો:ભારતમાંથી મોકલવામાં આવેલો સૌથી ભારે સેટેલાઇટ; પૃથ્વી પર ગમે ત્યાંથી વીડિયો કૉલ કરી શકાશે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અમેરિકી રિપોર્ટ- બાંગ્લાદેશમાં મિલિટરી બેઝ બનાવવા માગે છે ચીન:દુનિયાના દરિયાઈ માર્ગો પર નજર, રોકાણના બહાને ગુપ્ત માહિતી એકઠી કરી શકે છે વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : જાન્યુઆરી 2026માં 16 દિવસ બેંકો બંધ રહેશે:4 રવિવાર, 2 શનિવાર અને ગણતંત્ર દિવસ ઉપરાંત 9 રજા; જુઓ RBIનું હોલિડે લિસ્ટ વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વિજય હઝારે ટ્રોફીમાં RO-KOની સેન્ચુરી:કોહલીએ 131, રોહિતે 155 રન બનાવ્યા; ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો; બંનેની ટીમોએ જીત મેળવી વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : વર્ષ 2025ની અંતિમ વિનાયક ચતુર્થી:આજે ગણેશ પૂજાનો શુભ સમય માત્ર 1 કલાક 52 મિનિટ, ચોથ તિથિએ ભૂલ્યા વગર દાન કરો આ વસ્તુઓ વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન અજબ ગજબ પંચાયતે મહિલાઓને સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યો રાજસ્થાનના જાલોરમાં, એક પંચાયતે 15 ગામોમાં મહિલાઓ અને છોકરીઓને 26 જાન્યુઆરીથી કેમેરાવાળા સ્માર્ટફોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. તેમને ફક્ત કીપેડ ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે. વિરોધનો સામનો કરતા, પંચાયતે દલીલ કરી હતી કે મોબાઇલ ફોનનો ઉપયોગ આંખોને નુકસાન પહોંચાડે છે. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. આજનું એક્સપ્લેનર: સુપ્રીમ કોર્ટનો નિર્ણય ને દેશભરમાં #SaveAravalli ટ્રેન્ડ, ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલા અરવલ્લીને બચાવવા કેમ લોકો રસ્તા પર ઉતર્યા? 2. સુરતમાં કિડનેપરે યુવકને વૂડકટરથી કાપ્યો, ખરીદીના બિલથી કેસ ઉકેલાયો: બે થેલામાંથી લાશના કટકા મળ્યા, યુવકની બેવાર અંતિમવિધિ થઈ, કોર્ટમાં પિતાની વેદના-દીકરાનું માથું નથી મળ્યું 3. રીલ્સના રાજ્જા-3 : પાઉડર ઉછાળવાનો વીડિયો બનાવ્યો અને જિંદગી બદલાઈ ગઈ: માહી પટેલે કહ્યું, 'શરૂઆતમાં પરિવારને મારું કામ પસંદ નહોતું, એક સમયે કુર્તી પણ વેચતી’ 4. ‘દીકરાને મારીને સળગાવી દીધો, હવે ઘર છોડવાની ધમકી’: બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા, પરિવારે કહ્યું- સરકારે મરવા માટે છોડી દીધા 5. અતુલને સુસાઈડ માટે ઉશ્કેરનારાઓને સજા ક્યારે?: ભાઈએ કહ્યું, એક વર્ષથી અસ્થિઓ ઘરમાં છે; અતુલે કહ્યું હતું કે ન્યાય ન મળે તો ગટરમાં વહાવી દેજો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ: ધન જાતકોને સુખદ સમય પસાર થશે, કન્યા જાતકોને વ્યાવસાયિક ફેરફાર માટે અનુકૂળ સમય (સંપૂર્ણ રાશિફળ વાંચો)

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 5:00 am

યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ:સપનાની સિદ્ધિ ; 43 હજાર વિદ્યાર્થીના જીવનનો આજે ઐતિહાસિક દિવસ, રાજ્યપાલ ડિગ્રી આપશે

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રાંગણ માત્ર પદવીઓ એનાયત કરવાનું સ્થળ નથી, પરંતુ હજારો યુવાનોના વર્ષોના તપ, રાત-દિવસના ઉજાગરા અને મા-બાપની આંખોમાં રહેલા સપનાઓ સાકાર થવાનું સાક્ષી બની રહ્યું છે. યુનિવર્સિટીના 60મા ગરિમાપૂર્ણ પદવીદાન સમારંભમાં આજે 14 વિદ્યાશાખાના 43,792 દીક્ષાર્થી જ્યારે પદવી ધારણ કરશે, ત્યારે તેમના જીવનનો એક નવો અને ઐતિહાસિક અધ્યાય શરૂ થશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે આજે ખુશીઓનો અવસર છે. આજના આ ખાસ દિવસે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં જ્યારે વિદ્યાર્થીઓ પદવી મેળવશે, ત્યારે તે માત્ર એક શૈક્ષણિક લાયકાત નહીં પરંતુ તેમની મહેનતનું સર્વોચ્ચ સન્માન હશે. ક્લાસરૂમની બેન્ચથી શરૂ થયેલી આ સફર આજે સ્ટેજ સુધી પહોંચી છે. પદવીદાન સમારંભમાં એનાયત થનારા 178 ગોલ્ડ મેડલ એ સાબિતી છે કે જો લક્ષ્ય મક્કમ હોય તો સફળતા ચોક્કસ મળે છે. આ સમારંભ રાજ્યપાલ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને યોજાશે. સાથે રાજ્યના કેબિનેટ શિક્ષણમંત્રી પ્રદ્યુમ્ન વાજા અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી ત્રિકમ છાંગા ઉપસ્થિત રહીને દીક્ષાર્થીઓને આશીર્વચન પાઠવશે. કુલપતિ પ્રોફે. ઉત્પલભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ આ મહોત્સવની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ચાલુ વર્ષે પણ મેડલ મેળવવામાં દીકરીઓએ મેદાન માર્યું છે. જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થિની અઘારા ધ્રુતિ લલિતભાઈ એમ.બી.બી.એસ.માં સૌથી વધુ 07 ગોલ્ડ મેડલ અને 08 પ્રાઈઝ મેળવી યુનિવર્સિટીમાં પ્રથમ રહી છે. રાજ્યપાલ ગામવાસીના ઘેર સાદું ભોજન કરશે, લોકો સાથે ખાટલા પરિષદ કરશે, ખેડૂતો સાથે સંવાદ કરશેરાજ્યપાલ તા.25 ડિસેમ્બરનાં રોજ સવારે યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપ્યા બાદ સાંજે 5 કલાકે ગોડલનાં લુણીવાવ પ્રાથમિક શાળા ખાતે ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ સાંજે 5.30 કલાકે લુણીવાવ ગામની મુખ્ય બજારમાં ગામલોકો સાથે સફાઈ અભિયાનમાં સહભાગી બનશે. સાંજે 7 કલાકે સ્થાનિક ગામવાસીનાં ઘરે સાદુ ભોજન લીધા બાદ રાત્રે 8 કલાકે રાજ્યપાલ ગામલોકો સાથે ગરબી ચોક ખાતે વાર્તાલાપ (ખાટલા પરિષદ) કરશે. રાજ્યપાલ પ્રાથમિક શાળા લુણીવાવ ખાતે રાત્રિરોકાણ કરશે. બીજા દિવસે તા.26 ડિસેમ્બરે સવારે સાત કલાકે રાજ્યપાલ લુણીવાવ ખાતે પશુપાલક/ખેડૂત પંકજભાઈ મોહનભાઈ મારકણાના ફાર્મ ખાતે ગીર ગૌ દોહન તથા પ્રાકૃતિક ખેતી અને ખેતી અંગે સંવાદ કરશે. 160 તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ 178 ગોલ્ડ મેડલ એનાયત થશે કુલ પદવીઓ : 14 વિદ્યાશાખાના કુલ 43,792 વિદ્યાર્થીને પદવીઓ એનાયત કરવામાં આવશે. સુવર્ણ ચંદ્રક : 160 તેજસ્વી વિદ્યાર્થીને કુલ 178 ગોલ્ડ મેડલ એનાયત થશે, જેમાં 49 વિદ્યાર્થી અને 129 વિદ્યાર્થિનીનો સમાવેશ થાય છે. પારિતોષિક : વિદ્યાર્થીઓને કુલ 271 પ્રાઈઝ આપી પ્રોત્સાહિત કરાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

PSE-SSEનું પરિણામ જાહેર:પ્રાથમિક-માધ્યમિકના 97,466 વિદ્યાર્થીને 35% માર્ક, માત્ર એક જ વિદ્યાર્થીને 95% માર્ક મળ્યા!

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 29 નવેમ્બરના રોજ પ્રાથમિક અને માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ માટેની PSE (પ્રાઇમરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ) અને SSE (સેકન્ડરી એજ્યુકેશન સ્કોલરશિપ એક્ઝામ) લેવામાં આવી હતી જેનું પરિણામ બુધવારે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામોની સાથે બોર્ડે આંકડાકીય વિશ્લેષણ અને મેરિટ યાદી અંગેના નિયમોની પણ સ્પષ્ટતા કરી છે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, બંને પરીક્ષામાં મળીને કુલ 97,466 વિદ્યાર્થીએ લઘુતમ 35% (42 ગુણ)થી વધુ ગુણ મેળવીને ક્વોલિફાઈંગ માર્કસ પ્રાપ્ત કર્યા છે. PSE (પ્રાથમિક)માં 54,607 વિદ્યાર્થીએ 35% થી વધુ ગુણ મેળવ્યા છે. નોંધનીય છે કે, માત્ર 1 વિદ્યાર્થીએ 95% થી વધુ ગુણ મેળવી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. SSE (માધ્યમિક)માં 42,859 વિદ્યાર્થી સફળ રહ્યા છે. જેમાં 89 વિદ્યાર્થીએ 85% થી વધુ ગુણ મેળવી પોતાની તેજસ્વિતા સાબિત કરી છે. જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6માં અભ્યાસ કરતા હોય અને ધોરણ-5માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવ્યો હોય તેઓ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા હતા. જ્યારે જે વિદ્યાર્થીઓ ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધોરણ-9માં અભ્યાસ કરતા હોય અને ધોરણ-8માં ઓછામાં ઓછા 50 ટકા ગુણ મેળવ્યા હોય તેઓ માધ્યમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં ઉપસ્થિત રહી શક્યા હતા. પ્રાથમિકમાં રૂ.750, માધ્યમિકમાં રૂ.1000 શિષ્યવૃત્તિ મળશેપરીક્ષા બોર્ડે અગાઉ જ જાહેરનામાં દ્વારા ઓનલાઈન આવેદન અને ફી ભરવાની પ્રક્રિયા અંગે સૂચનાઓ જાહેર કરી હતી. 29 નવેમ્બરે રાજકોટ સહિત રાજ્યભરમાં પરીક્ષા લેવામાં આવી હતી. રાજ્ય સરકારની PSE યોજનામાં વિદ્યાર્થીને વર્ષે રૂ. 750 મળશે જયારે SSE યોજનામાં વર્ષમાં એક વખત રૂ.1000ની સ્કોલરશિપનો લાભ મળવાનો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિકના 54,607, માધ્યમિકના 42,859 વિદ્યાર્થીને 120માંથી 42 જ માર્ક મળ્યા! ગુણ પ્રાથમિકના વિદ્યાર્થી માધ્યમિકના વિદ્યાર્થી 35% (42 માર્ક)થી વધુ 54,607 42,859 40% (48 માર્ક)થી વધુ 34,286 30,671 45% (54 માર્ક)થી વધુ 21,095 21,072 50% (60 માર્ક)થી વધુ 12,708 14,133 55% (66 માર્ક)થી વધુ 7,571 9,196 65%(78 માર્ક)થી વધુ 2,316 3,499 75% (90 માર્ક)થી વધુ 520 875 85% (102 માર્ક)થી વધુ 52 89 95% (114 માર્ક)થી વધુ 01 00 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ-પ્રમાણપત્રો અપાશે પ્રાથમિક શિષ્યવૃત્તિ : તાલુકાવાર પ્રથમ 1000 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. ઉત્તીર્ણ થનારા તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત થશે. માધ્યમિક શિષ્યવૃત્તિ : તાલુકાવાર ક્વોટા પ્રમાણે કુલ 2900 વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળશે. ઉત્તીર્ણ થનારા તમામને માર્કશીટ કમ પ્રમાણપત્ર એનાયત કરાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

રજૂઆત:અમદાવાદ-પુના એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવો, રાજકોટ અને દ્વારકા વચ્ચે સ્પેશિયલ મેમુ ટ્રેન દોડાવો

રાજકોટ વેસ્ટર્ન રેલવેની ‘ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી’ (DRUCC) ની તાજેતરમાં યોજાયેલી મહત્ત્વની બેઠકમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મુસાફરોની સુખાકારી માટે વિવિધ પ્રસ્તાવ રજૂ કર્યા છે. ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ DRM ગિરિરાજ કુમાર મીનાને જણાવ્યું કે, રાજકોટ અને પુણે બંને શહેર ઓટોપાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ છે. આથી, અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસને રાજકોટ સુધી લંબાવવી અનિવાર્ય છે. આ ઉપરાંત, રાજકોટ-મુંબઈ વચ્ચે અત્યાધુનિક ‘વંદે ભારત સ્લીપર ટ્રેન’ શરૂ કરવા માટે પણ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. યાત્રાધામ દ્વારકા જતાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે રાજકોટ-દ્વારકા સ્પેશિયલ મેમુ ટ્રેન શરૂ કરવાની દરખાસ્ત મુકાઈ છે. સાથોસાથ, અગાઉ જાહેરાત થયા મુજબ અમદાવાદથી પટના, કોલકાતા, પ્રયાગરાજ અને નાગપુર જતી 6 જેટલી ટ્રેનને તાત્કાલિક રાજકોટ સુધી લંબાવવા માંગ કરવામાં આવી છે. આ 6 ટ્રેન રાજકોટ સુધી લંબાવવાનો ફિયાસ્કો થયો છે. જે હજુ મળી નથી. DRUCC સેક્રેટરી સુનિલકુમાર મીનાની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં તમામ પ્રશ્નોને ગંભીરતાથી સાંભળવામાં આવ્યા હતા. DRM ગિરિરાજ કુમાર મીનાએ આ તમામ રજૂઆતો અંગે હકારાત્મક અભિગમ દાખવી, યોગ્ય ઘટતું કરવાની ખાતરી આપી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

માંગ:રાજકોટની 200 સોસાયટીમાં અશાંતધારો અમલી બનાવવા કલેક્ટર સમક્ષ માગણી

રાજકોટ શહેરમાં હાલમાં જુદી-જુદી 42 જેટલી સોસાયટીમાં અશાંતધારો અમલી છે ત્યારે આગામી સમયમાં અશાંતધારો ઉઠાવી લેવામાં આવશે તેવી દહેશતને લઈ રાજકોટ શહેરની વિવિધ સોસાયટીના પ્રમુખો અને સભ્યો દ્વારા આંતરિક બેઠકો બાદ બુધવારે સાંજે 150થી 200 જેટલા આગેવાનો શહેરની 200 જેટલી સોસાયટીમાં આગામી 10 વર્ષ સુધી અશાંતધારો અમલી બનાવવાની માંગ સાથે રજૂઆત માટે દોડી આવ્યા હતા. સોસાયટીના મકાન ધારકોએ સુલેહ-શાંતિ જળવાઈ રહે તેવા હેતુથી બહુમત સમાજની માગણી ધ્યાને લેવા રજૂઆત કરી હતી. સાથે જ જો અશાંતધારાની મુદત નહીં વધારવામાં આવે તો કાનૂની લડત તેમજ આંદોલન શરૂ કરવા પણ ચીમકી આપી હતી. રાજકોટ શહેરમાં હાલમાં કોઠારિયા રોડ પર આવેલ વિવિધ સોસાયટીઓ તેમજ રૈયા રોડ વિસ્તાર, એરપોર્ટ રોડ સહિતની અંદાજે 42 જેટલી સોસાયટીઓમાં અશાંતધારો અમલી છે જેની 12 જાન્યુઆરી 2026ના મુદત પૂર્ણ થઇ રહી હોય સરકાર દ્વારા હજુ સુધી મુદત વધારવા નિર્ણય લેવામાં આવ્યો ન હોવાથી શહેરની 200 જેટલી સોસાયટીના પ્રમુખ અને સભ્યો દ્વારા લાંબા સમયથી બેઠકોના દોર બાદ બુધવારે 150થી 200 જેટલા આગેવાનો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અશાંતધારાની મુદત વધારી 10 વર્ષ કરવા તેમજ સાધુ વાસવાણી રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના અન્ય પોશ વિસ્તારમાં પણ હિન્દુ બહુમતી હોવા છતાં મુસ્લિમ સમાજને પ્રોપર્ટી વેચાણ થઇ રહી હોય તેમની સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવા માંગ કરી હતી. 12 જાન્યુઆરી-2026ના અશાંતધારાની મુદત પૂર્ણ થાય છે રાજકોટમાં 13 જાન્યુઆરી 2021ના રોજ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે પાંચ વર્ષની મુદત માટે શહેરમાં બજરંગવાડી, ગાંધીગ્રામ, એરપોર્ટ રોડ, રૈયા રોડ, સહિતની જુદી-જુદી 28 સોસાયટીઓ તેમજ આજી ડેમ પોલીસ મથક હેઠળ આવતા કોઠારિયા રોડ, હુડકો વિસ્તારની 14 જેટલી સોસાયટી મળી કુલ 42 સોસાયટીમાં અશાંતધારો પાંચ વર્ષ માટે અમલી બનાવ્યો હતો.જેની મુદત આગામી તા.12 જાન્યુઆરી 2026ના રોજ પૂર્ણ થઇ રહી હોય વિવિધ સોસાયટીઓ દ્વારા વધુ 10 વર્ષ માટે અશાંતધારો અમલી રાખવા માગણી કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

હુકમ:જિલ્લાની 592 ગ્રામપંચાયતને બે દિવસમાં ગ્રામસભા યોજવા આદેશ

કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનાને બદલે નવી વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન અમલી બનાવવામાં આવનાર છે ત્યારે રાજ્યના વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ જિલ્લામાં ગ્રામપંચાયતોને તા.26 ડિસેમ્બર સુધીમાં ગ્રામસભા યોજી ફોટો-વીડિયો સાથેની ગ્રામસભાની કાર્યવાહી મોકલી આપવા આદેશ જારી કરાયો છે જે અન્વયે રાજકોટ જિલ્લાની 592 ગ્રામપંચાયતને જી રામ જી યોજના અંગે બે દિવસમાં તાકીદે ગ્રામસભા યોજવા સૂચના જારી કરવામાં આવી છે. રાજ્યના વિકાસ કમિશનરના આદેશ અન્વયે રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લાની તમામ 592 ગ્રામપંચાયતને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન યોજનાના અમલને લઈ તા.26 ડિસેમ્બર સુધીમાં ગ્રામસભા યોજવા સૂચના અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, નવી જી રામ જી યોજના અન્વયે પંચાયત એપ મારફતે ગ્રામપંચાયતોને ગ્રામસભાની કાર્યવાહીના ફોટો, વીડિયો જીઓ ટેગિંગ સાથે ફરજિયાત અપલોડિંગ કરવા સૂચના આપવામાં આવી છે. જી રામ જી અન્વયે મુખ્ય ચાર શ્રેણીમાં કામ મળશેજી રામ જી યોજના અન્વયે સંશોધિત બિલમાં ગ્રામીણ શ્રમિકોને મુખ્યત્વે ચાર શ્રેણીમાં રોજગાર આપવામાં આવશે. જેમાં અગાઉની જેમ જળ સુરક્ષા અને સંરક્ષણ સંબંધિત કામગીરી, ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આજીવિકા વૃદ્ધિના કામ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જ સંબંધિત પર્યાવરણીય કામોમાં રોજગારી આપવામાં આવશે. રૂ. 288 લેખે 125 દિવસની રોજગારી મળશેઅગાઉ મનરેગા યોજના અંતર્ગત ગ્રામીણ શ્રમિકોને 100 દિવસની રોજગારી આપવામાં આવતી હતી જેમાં સુધારા સાથે કેન્દ્ર સરકારે અમલી બનાવેલ જી રામ જી યોજના સંપૂર્ણ લાગુ થવાથી 125 દિવસની રોજગારી આપવામાં આવશે. હાલમાં રાજકોટ જિલ્લામાં પ્રતિદિન રૂ.288ના દરથી રોજગારી આપવામાં આવતી હતી. જેમાં એક્ટની જોગવાઈ મુજબ વધેલા વેતનદર વધારાનો પણ લાભ મળી શકશે. બેરોજગારી ભથ્થા સાથે વિલંબિત ભથ્થું પણ મળશેઅત્યાર સુધી મનરેગા યોજનામાં રોજગારી માટે નોંધણી કરાવનાર શ્રમિકોને કામ માગ્યા બાદ રોજગારી જ મળવાના કિસ્સામાં બેરોજગારી ભથ્થું મળી શકતું ન હતું, પરંતુ જી રામ જી યોજનામાં રોજગારી નહીં મળવાના કિસ્સામાં આપો આપ રોજગારી ચૂકવાશે. સાથે જ અગાઉ શ્રમિકોને ચૂકવણા મોડા થતા હોવાની ફરિયાદો પણ ઉઠતી હોય નવી યોજના અન્વયે શ્રમિકોને ચૂકવણામાં વિલંબ થયે વિલંબિત ભથ્થું પણ ચૂકવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

આયોજન:નાતાલની ઉજવણી નિમિત્તે 2 કલાક સામૂહિક ધ્યાન, સાધના, જીસસના ઉલ્લેખનું વાંચન કરાશે

શહેરમાં નાતાલના ઉજવણી કાર્યક્રમ નિમિત્તે યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્રના ઉપક્રમે આજે તા.25 ડિસેમ્બરના રોજ ગુરુવારે, સાંજે 6થી 8 વાગ્યા દરમિયાન વિશેષ સત્સંગ, સમૂહ ધ્યાન કરાશે. આ તકે શહેરના પરમહંસ યોગાનંદ માર્ગ, M-4 ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નં.-1, સ્વામિનારાયણ મંદિરની સામે, કાલાવડ રોડ ખાતે 150થી વધુ લોકો સામૂહિક ધ્યાન કરશે. આ તકે 2 કલાક દરમિયાન ધ્યાન, સાધના, ગુરુજીના પુસ્તકમાં લખાયેલા જીસસના ઉલ્લેખનું વાંચન કરાશે. આ દરમિયાન ભજન, કીર્તન, ધ્યાન તથા વાંચન કરાશે. અત્યારની તણાવભરી જિંદગીમાં યુવાન-યુવતીઓ માટે મેડિટેશન ખૂબ જરૂરી છે તેથી આ તકે વધુમાં વધુ લોકો ધ્યાનનો સહારો લે છે. વિશ્વભરમાં આધ્યાત્મિક વારસાનો પ્રચાર-પ્રસાર કર્યોસંસ્થાના મેનેજિંગ કમિટીના સભ્ય જગદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, પરમહંસ યોગાનંદજી દ્વારા આ સંસ્થાની 1917માં સ્થાપના કરાઇ. સ્વામી વિવેકાનંદ પછીના બીજા સંત કે જેમને આધ્યાત્મિક પરિષદ ભરાતી ત્યારે 1920માં વિશ્વ ધાર્મિક પરિષદમાં ભારતના બીજા પ્રતિનિધિ તરીકે હાજર રહ્યા હતા. પતંજલિ ઋષિની અષ્ટાંગ યોગ સાધનાની પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કર્યો. અમેરિકામાં લોકોને બાઇબલ અને ભગવદ્ ગીતાની સામ્યતા વિશે સમજાવ્યું. બાઇબલના ક્વોટ્સ આપીને જીસસના બતાવેલા યોગ અને ભગવદ્ ગીતાની સામ્યતા બતાવી સમજાવયું હતું. વિશ્વભરના દેશોમાં ગુરુજી ફર્યા અને આધ્યાત્મિક વારસાનો પ્રચાર-પ્રસાર કર્યો. યોગાનંદજીની આત્મકથા 55 ભાષામાં ભાષાંતર તરીકે છે કે જેને દરેક લોકો તેની માતૃભાષામાં વાંચન કરી શકે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

વિદ્યાર્થીઓનો હોબાળો ખોટો:સમરસ હોસ્ટેલમાં અપાતું ભોજનગુણવત્તાયુક્ત જ હોવાનું ખુલ્યું

રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને જીવાતવાળુ ભોજન અપાતું હોવાના મુદ્દે એનએસયુઆઇ દ્વારા વિદ્યાર્થીઓને સાથે રાખીને મંગળવારે હોબાળો મચાવ્યો હતો. જોકે વિદ્યાર્થીઓએ ભોજન મુદ્દે મચાવેલો હોબાળો ખોટો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ફૂડ વિભાગના અધિકારી ડો.હાર્દિક મેતાએ જણાવ્યું હતું કે, ટીમે હોસ્ટેલમાં જઇ ચેકિંગ કરતા પાણી આરોયુક્ત અને શુદ્ધ હતું. તેમજ ફૂડની ચકાસણી કરતા કાચો માલ ગુણવત્તાવાળો અને સ્ટાન્ડર્ડ હતો. જોકે રસોડામાં ગંદકી જોવા મળતા કેટરિંગના કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ હતી. ફૂડના સેમ્પલ લેબમાં મોકલાયા હતા. ફૂડ લાઇસન્સ ઇસ્યૂ બાકીસમરસ હોસ્ટેલમાં ફૂડ બનાવવાનો કોન્ટ્રાક્ટ ધરાવતી વાપીની યુવરાજ કેટરિંગ પાસે ફૂડ લાઇસન્સ ન હોવાની વિગતો ખુલ્લી હતી. જો કે, આ અંગે તપાસ કરતા અરજી કરી દીધાનું અને ડોક્યુમેન્ટ સ્ક્રૂટિનીમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

આયોજન:10મીએ રેસકોર્સમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ

રાજકોટમાં તા.10 જાન્યુઆરીએ યોજાનાર વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને પ્રવાસન વિભાગ દ્વારા રેસકોર્સના મેદાનમાં અમદાવાદના કાંકરિયાની જેમ ભવ્ય આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે. સામાન્ય રીતે રાજ્યના પ્રવાસન વિભાગ દર વર્ષે મહાનગરપાલિકાને સાથે રાખીને ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજતું હોય છે પણ આ વખતે વાઇબ્રન્ટ સમિટને અનુલક્ષીને પ્રવાસન વિભાગ એકલુ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજશે. રાજકોટ મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યા અનુસાર સામાન્ય સંજોગોમાં પ્રવાસન વિભાગ જાન્યુઆરીના પહેલા સપ્તાહમાં મહાનગરપાલિકાને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી માટે પત્ર લખતું હોય છે, પરંતુ આ વખતે અગાઉથી જ પત્ર લખીને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને અનુલક્ષીને તા.10મી જાન્યુઆરીએ રેસકોર્સ મેદાન ખાલી રાકવા જણાવી દીધુ છે. આ વર્ષે આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં મહાનગરપાલિકાને સદભાગી બનાવવામાં આવ્યું નથી. પ્રવાસન વિભાગ દ્વારા કાંકરિયા ખાતે યોજાઇ છે તે કક્ષાનો જ જાજરમાન અને ભવ્ય પતંગ મહોત્સવ યોજવા કવાયત હાથ ધરવામાં આવી છે. ભીતરમાંથી જાણવા મળ્યા મુજબ રાજકોટમાં યોજાનાર પતંગ મહોત્સવમાં અત્યાર સુધીમાં 52 દેશના અને ગુજરાત તથા અન્ય રાજ્યોના 150થી વધુ પતંગબાજોનું રજિસ્ટ્રેશન થઇ ચૂક્યું છે. જોકે ક્યાં દેશના કેટલા પતંગબાજોએ પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેના આંકડા મોડેથી જાહેર કરાશે. રાજકોટ ઉપરાંત સુરત, અમદાવાદ, વડનગર અને કેવડિયામાં પણ આ જ પ્રકારના આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનું આયોજન કરાયું છે. સંભવત: PM પતંગોત્સવ ખુલ્લો મૂકશેજાન્યુઆરીમાં રાજકોટમાં વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ ઉપસ્થિત રહેવાના છે ત્યારે સંભવત: આ પતંગ મહોત્સવને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલ્લો મૂકે તેવી શક્યતા પણ સેવાઇ રહી છે. જોકે સત્તાવાર રીતે આ બાબતે હજુસુધી કોઇ જાહેરાત થઇ નથી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કાર્યવાહી:વેરો નહીં ભરતા 267 બાકીદારની મિલકત સીલ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26 માટે મિલકતવેરા તથા પાણીવેરાની વસૂલાત માટે 1 એપ્રિલથી સઘન કામગીરી શરૂ કરવામાં આવી છે. તા.24 ડિસેમ્બર સુધીમાં કુલ 3,93,005 કરદાતા દ્વારા રૂ.315.05 કરોડનો વેરો ભરપાઈ કરવામાં આવ્યો છે, જે શહેરની નાગરિક જવાબદારી અને વેરા જાગૃતિ દર્શાવે છે. જોકે, વેરા ન ભરનાર બાકીદારો સામે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે અને સાડા નવ માસમાં 267 બાકીદારની મિલકત સીલ કરી દીધી છે. મહાપાલિકાના વેરા વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર તા.9 એપ્રિલથી તા.24 ડિસેમ્બર દરમિયાન કુલ 267 મિલકતને સીલ કરવામાં આવી છે. બાકી મિલકતવેરા વસૂલાત અંતર્ગત વોર્ડવાર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વોર્ડ નં.1માં 9, વોર્ડ નં.2માં 11, વોર્ડ નં.3માં 38, વોર્ડ નં.5માં 2, વોર્ડ નં.6માં 5, વોર્ડ નં.7માં સૌથી વધુ 134, વોર્ડ નં.8માં 4, વોર્ડ નં.9માં 7, વોર્ડ નં.10માં 18, વોર્ડ નં.11માં 8, વોર્ડ નં.12માં 8, વોર્ડ નં.13માં 9, વોર્ડ નં.14માં 6, વોર્ડ નં.17માં 6 તથા વોર્ડ નં.18માં 2 મિલકતને સીલ કરવામાં આવી છે. સૌથી વધુ વોર્ડ નં.7માં મિલકત સીલ, મેયરના વોર્ડ સહિત 3 વોર્ડમાં એકપણ સીલ ન કરાઈસૌથી વધુ વોર્ડ નં.7માં 134 મિલકત સીલ કરવામાં આવી છે. જ્યારે મેયર નયનાબેન પેઢડિયાના વોર્ડ નં.4,15 અને 16માં એકપણ મિલકત સીલ ન કરાયાનું મહાનગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ફરિયાદ:ટ્રેનમાં નિવૃત્ત PI પર ખૂની હુમલો કરી બે મોબાઇલ ફોન લૂંટી લીધા

જામનગર રહેતા નિવૃત્ત પીઆઇ જાડેજા અમદાવાદ કોર્ટની મુદતે જવા ટ્રેનમાં નીકળ્યા હતા અને ટ્રેન પડધરી નજીક પહોંચી હતી ત્યારે એક મુસાફરે વાત કરવા માટે નિવૃત્ત પીઆઇ પાસે ફોન માગ્યો હતો, જે મુદ્દે બંને વચ્ચે બોલાચાલી થતાં મુસાફરે નિવૃત્ત અધિકારીને માર મારી પછાડી દઇ ફાયર એક્સટિંગ્વિશરનો બાટલો માથામાં ફટકારી દઇ બે મોબાઇલ લૂંટી લીધા હતા, ગંભીર રીતે ઘવાયેલા અધિકારીને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પોલીસે આરોપી પંજાબી શખ્સને ઝડપી લીધો હતો. જામનગરની જયપ્રકાશ સોસાયટીમાં રહેતા નિવૃત્ત પીઆઇ ધર્મેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (ઉ.વ.77)એ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અજાણ્યો શખ્સ હોવાનું કહ્યું હતું. ધર્મેન્દ્રસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે હાલમાં નિવૃત્ત જીવન ગાળે છે. અમદાવાદ કોર્ટની મુદત હોવાથી તા.24ની વહેલી સવારે 4 વાગ્યે જામનગર રેલવે સ્ટેશનથી જાનગર વડોદરા ઇન્ટરસિટી ટ્રેનમાં પાછળ જનરલ ડબ્બામાં બેઠા હતા. સવારે 5 વાગ્યાના આસપાસ ધર્મેન્દ્રસિંહ જ્યાં બેઠા હતા ત્યાં એક 28 વર્ષની વયનો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને વાત કરવા માટે મોબાઇલ માગ્યો હતો. ધર્મેન્દ્રસિંહે અન્ય પાસેથી લેવાનું કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને ગાળાગાળી થઇ હતી, અજાણ્યા શખ્સે ધર્મેન્દ્રસિંહને લાત મારતા તે નીચે પટકાયા હતા, ત્યારબાદ તે શખ્સે ડબ્બામાં રહેલો ફાયરનો નાનો બાટલો ઉપાડી તે બાટલો ધર્મેન્દ્રસિંહના માથામાં ઝીંકી દીધો હતો. હિચકારો હુમલો થતાં ધર્મેન્દ્રસિંહ લોહિયાળ હાલતમાં ઢળ‌ી પડ્યા હતા અને તેમની પાસે રહેલા બે મોબાઇલ લૂંટી આરોપી નાસી ગયો હતો. રાજકોટ જંક્શન રેલવે સ્ટેશને ટ્રેન પહોંચી ત્યારે ધર્મેન્દ્રસિંહ લોહિયાળ હાલતમાં મળી આવતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. નિવૃત્ત પીઆઇ પર ખૂની હુમલો અને લૂંટની ઘટના બનતા રેલવે પોલીસ સ્ટેશનના એચ.એમ.રાણા અને પીએસઆઇ બલભદ્રસિંહ જાડેજા સહિતની ટીમ હરકતમાં આવી ગઇ હતી અને લૂંટ ચલાવનાર પંજાબના નિશાદસિંઘ ગુલજારસિંઘને ઝડપી લીધો હતો, પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નિશાદસિંઘે કેફિયત આપી હતી કે, પોતે ટ્રેનમાં બીડી પીતો હતો અને ધર્મેન્દ્રસિંહે ટપારતાં મામલો બિચક્યો હતો. પોલીસે લૂંટાયેલા બંને મોબાઇલ કબજે કરવાની કવાયત શરૂ કરી હતી. નિવૃત્ત PIની સારવારમાં લાપરવાહી બહાર આવીટ્રેનમાં મુસાફરે કરેલા હુમલામાં ઘવાયેલા નિવૃત્ત પીઆઇ ધર્મેન્દ્રસિંહને સાતેક વાગ્યે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાને પગલે રેલવે પોલીસના અધિકારીઓ અને ડીડી લેવા માટે મામલતદાર હોસ્પિટલે પહોંચ્યા હતા, દોઢ બે કલાક વીતી ગઇ હતી છતાં ગંભીર રીતે ઘવાયેલા ધર્મેન્દ્રસિંહની યોગ્ય સારવાર થઇ ન હોવાથી અધિકારીઓ રોષે ભરાયા હતા અને હાજર તબીબોનો ઊધડો લીધો હતો. રોજગારી ન મળતાં આરોપી પંજાબ પરત જતો હતોટ્રેનમાં નિવૃત્ત પીઆઇ પર હુમલો કરી બે મોબાઇલ લૂંટી નાસી છૂટેલા પંજાબના નિશાદસિંઘને પોલીસે ઝડપી લઇ પૂછપરછ કરતાં તેણે કેફિયત આપી હતી કે, પોતે રોજગારી મેળવવા માટે કાનાલુસ આવ્યો હતો, કોઇ સ્થળે કામ નહી મળતાં પરત વતન જવા નીકળ્યો હતો, હુમલો કર્યા બાદ તે રોડ મારફતે ભાગ્યો હતો, પરંતુ લીંબડી નજીકથી તે ઝડપાઇ ગયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

તંત્રનું વાઇબ્રન્ટ ડિમોલિશન:હિરાસર એરપોર્ટથી કુવાડવા સુધીમાં હાઇવે પરના 500 દબાણ હટાવાયા

આગામી તા.10,11 અને 12 જાન્યુઆરીના રોજ રાજકોટના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ યોજાનાર છે જેનું તા.10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીના હસ્તે ઉદઘાટન થનાર હોવા ઉપરાંત દેશ-વિદેશના મહેમાનો પણ આવનાર હોય ટ્રાફિકથી ધમધમતા બન્ને હાઇવે પર ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હિરાસર એરપોર્ટથી લઈ મારવાડી યુનિવર્સિટી સુધીના દબાણો હટાવવાનું શરૂ કર્યું છે. બે દિવસમાં રાજકોટ તાલુકા મામલતદાર, રૂડા અને આરએન્ડબીની ટીમ દ્વારા સાઈનબોર્ડ, ઓટલા, છાપરાં સહિતના 500 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે અને હજુ પણ બે દિવસ સુધી આ કામગીરી ચાલુ રાખવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સરકારી જમીન પર બેફામ દબાણો ખડકાઈ ગયા છે. ખાસ કરીને હાઇવે પર જ્યાં-જ્યાં કરોડોની કિંમતી સરકારી જમીન ખુલ્લી જોવા મળે ત્યાં દબાણકારો ચાની લારીથી લઇ આલિશાન હોટેલ, વરંડા, વાડા, રહેણાક કાચા-પાકા બાંધકામ અને ઈચ્છા પડે ત્યાં જાહેરાત માટેના મસમોટા હોર્ડિંગ અને સાઈનબોર્ડ ખડકી નાખ્યા છે ત્યારે રાજકોટ-અમદાવાદ હાઇવેથી લઇ મોરબી રોડ સુધીના દબાણો હટાવવા તંત્ર હરકતમાં આવ્યું છે. આગામી તા.10ના રોજ વડાપ્રધાન મોદી કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના ઉદઘાટન સમારોહમાં હાજરી આપનાર હોય ઉપરાંત જાપાન, કેનાડા સહિતના ડેલિગેશન ઉપરાંત દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ આ કોન્ફરન્સમાં આવનાર હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે હાઇવે પરના દબાણો દૂર કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સને લઈ નેશનલ હાઇવે ઓથોરિટી, માર્ગ અને મકાન વિભાગ, રૂડા અને તાલુકા મામલતદાર કચેરી દ્વારા બે દિવસથી ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં હિરાસરથી કુવાડવા ગામ સુધીમાં હાઈવેની બન્ને તરફના 500થી વધુ દબાણ દૂર કરવામાં આવ્યા છે અને હજુ પણ મોરબી રોડ પર બેડી, ગવરીદળ સહિતના ગામમાં દબાણ હટાવવા માટે બે દિવસ કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. સાથે જ તંત્ર દ્વારા દબાણકારોને સ્વૈચ્છિક દબાણ હટાવી લેવા બે દિવસનો સમય આપવામાં આવ્યો હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. દબાણ હટાવવામાં મુખ્યત્વે હાઇવે પરના હોર્ડિંગ્સ, સાઈનબોર્ડ, ઓટલા, કેબિન, ઓટલા તેમજ કાચા-પાકા બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા. વાવડીમાં રૂ.50 કરોડની જમીન ખુલ્લી કરાવાઈરાજકોટ તાલુકા મામલતદાર દ્વારા વાવડી ગામના સરકારી ખરાબાના રેવન્યુ સરવે નંબર 149 પૈકીની અંદાજે 5000 ચોરસમીટર જમીન પર દબાણકારોએ 20 જેટલા કાચા-પાકા ઝૂંપડાંઓ તેમજ લારી રાખી અનધિકૃત દબાણ કરી લીધા હોવાથી તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરી અંદાજે 50 કરોડની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર ફોલોઅપ:આખરે ભાટપુર પ્રાથમિક શાળાનું‎નબળું ચણતર તોડી પાડવા આદેશ‎

વ્યારા તાલુકાના ભાટપુર ગામે ધોરણ 1 થી 5 માટેની નવી બની રહેલી પ્રાથમિક શાળાના બાંધકામમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો અને દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. મંગળવારે શિક્ષણ વિભાગના ઇજનેર અધિકારીએ સ્થળ તપાસ કરી નબળી ગુણવત્તાનું બાંધકામ પકડી પાડ્યું હતું. અધિકારીએ સ્થળ પર જ પ્રથમ લેયરનું ચણતર તોડી પાડવાનો આદેશ આપી કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી છે. કોન્ટ્રાક્ટરને ફટકારાયેલી કારણ દર્શક નોટિસમાં ઇજનેર અધિકારીએ કડક ચેતવણી આપી છે કે જો હવે પછી બાંધકામની ગુણવત્તામાં સહેજ પણ ખામી જણાશે તો દંડાત્મક કાર્યવાહીની સાથે બ્લેકલિસ્ટ કરવા જેવી પ્રક્રિયા હાથ ધરાશે. નિયમો નેવે મુકી કરાતુ હતું ચણતર ભાટપુર ગામે સ્થળ તપાસ દરમિયાન પ્રથમ લેયરનું કામ ગુણવત્તાવિહીન જણાયું છે. અમે તેને તાત્કાલિક બદલવા અને ધોરણસર કામ કરવા સૂચના આપી છે. કોન્ટ્રાક્ટરને નોટિસ પણ પાઠવવામાં આવી છે. > નીતેશભાઈ ચૌધરી, ઇન્ચાર્જ ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ મેનેજર પ્રથમ લેયરનું કામ ગુણવત્તાવિહીન ભાટપુર ખાતે નવી શાળાનું નિર્માણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગ્રામજનો દ્વારા બાંધકામમાં હલકી કક્ષાની સામગ્રી અને નબળા ચણતર અંગે રજૂઆતો કરવામાં આવી હતી. તપાસ દરમિયાન ઇજનેર નિતેશભાઈ ચૌધરીએ નોંધ્યું હતું કે, પ્રથમ લેયરનું કામ ટેકનિકલ ધોરણો મુજબ કરવામાં આવ્યું નથી. દીવાલની મજબૂતીમાં ગંભીર ખામીઓ જણાતા તેમણે તાત્કાલિક સમગ્ર બાંધકામ દૂર કરવા સૂચના આપી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કલેક્ટર, ડીડીઓની અધ્યક્ષતામાં તાપીમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમ‎:8 અરજદારોના પ્રશ્નો રજૂ, નિરાકરણ માટે અધિકારીઓને સ્પષ્ટ સૂચના

પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી તથા અસરકારક નિરાકરણના હેતુથી તાપી જિલ્લામાં જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો સંબંધિત અરજીઓ રજૂ થઈ હતી. જિલ્લા સ્વાગત દરમિયાન કુલ 8 જેટલા અરજદારોએ પોતાના પ્રશ્નો અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ મૂકી હતી. ઇન્ચાર્જ કલેક્ટર બુગાલિયાએ તમામ અરજદારોની વાત ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને અરજીઓની પ્રાથમિકતા નક્કી કરી ત્વરિત ધોરણે કાર્યવાહી કરવા તાકિદ કરી હતી. સાથે જ અરજદારોને સંપૂર્ણ સહયોગ આપવા તથા પ્રશ્નોના સ્થાયી ઉકેલ માટે રચનાત્મક સૂચનો પણ કર્યા હતા. આ સ્વાગત કાર્યક્રમમાં નાયબ વન સંરક્ષક સચિન ગુપ્તા, નિવાસી અધિક કલેક્ટર આર.આર. બોરડ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા તંત્ર દ્વારા સ્વાગત કાર્યક્રમ મારફતે જનસંપર્ક મજબૂત બનાવી નાગરિકોની સમસ્યાઓને ઝડપી ઉકેલ આપવાનો પ્રયાસ સતત ચાલુ રાખવામાં આવી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કાર્યવાહી:દેવળીયા નાગનેશ ગામ વચ્ચેથી સરકારી અનાજ ભરેલી રીક્ષા ઝડપાઈ

બોટાદ જિલ્લાના ના રાણપુર શહેરના નાયબ મામલતદાર પુરવઠા અધિકારી જયપાલસિંહ એમ બારડ દ્વારા દેવળીયા અને નાગનેશ ગામ વચ્ચેના રોડ પરથી સરકારી અનાજ ભરેલી એક રિક્ષા ઝડપી પાડી છે. પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યું કે આ સરકારી રેશન સામગ્રી જરૂરી પરવાનગી વિના રાખવામાં આવી હતી. આથી, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 અને સંબંધિત નિયમો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 22 કિલોગ્રામ ઘઉં, 39.500 કિલોગ્રામ ચોખા અને એક વજન કાંટોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રિક્ષા સાથે કુલ સામગ્રી અને વાહનની અંદાજિત કિંમત આશરે 11.982 રૂપિયા થાય છે. પુરવઠા વિભાગે જપ્ત કરાયેલી તમામ સામગ્રી અને વાહનને સરકાર હસ્તક કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે સંબંધિત અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર વિતરણ પ્રણાલીમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે કાયદા ભંગ સહન કરવામાં આવશે નહીં. આવા કિસ્સાઓમાં કડક પગલાં લેવામાં આવશે અને રેશન કાર્ડધારકોના હિતોનું રક્ષણ કરવા માટે તપાસ અને કાર્યવાહી સતત ચાલુ રહેશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

બનાસકાંઠાના 6 તાલુકામાં નવું સામાજિક બંધારણ ઘડવા માટે બેઠક યોજાઇ‎:ઠાકોર સમાજમાં ભાગીને લગ્ન કરવાના કિસ્સામાં માતા- પિતાની સહી ફરજિયાત

બનાસકાંઠા જિલ્લામાં છ તાલુકામાં વસવાટ કરતાં ઠાકોર સમાજમાં નવું સામાજિક બંધારણ ઘડવા માટે પાલનપુર અને ધાનેરામાં બેઠકો યોજાઇ હતી. જેમાં અગ્રણીઓએ સમાજમાંથી નાસીને લગ્ન કરવાના કિસ્સામાં માતા- પિતાની સહી ફરજીયાત લેવા સહિતના નિર્ણયો કરવા માટે ચર્ચા- વિચારણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, દાંતા, દાંતીવાડા, અમીરગઢ અને ધાનેરા તાલુકામાં વસવાટ કરતાં ઠાકોર સમાજમાં સામાજિક રિત રિવાજોમાં સુધારો આવે તે માટે નવું બંધારણ ઘડવામાં આવનાર છે. જેના માટે પાલનપુર ખાતે છાત્રાલયમાં બેઠક યોજાઇ હતી. જ્યાં સાંસદ ગેનીબેન ઠાકોર, કેશાજી ઠાકોર, મેરૂજી ઘુંખ, અમૃતજી ઠાકોર, ડો. જગદીશ ઠાકોર સહિત અગ્રણીઓની ઉપસ્થિતિમાં નવા બંધારણ માટે ચર્ચા વિચારણ કરવામાં આવી હતી. જેમાં અંધશ્રધ્ધા દૂર કરવી, ભાગીને લગ્ન કરનારા દિકરા- દીકરીઓના કિસ્સામાં માતા- પિતાની સહી ફરજીયાત બનાવવી, લગ્નમાં વાસણ પ્રથા, ઓઢમણા પ્રથા બંધ કરવા ઉપર ભાર મુકવામાં આવ્યો હતો. મરણ પ્રસંગે જલો, જમણની પ્રથા બંધ કરવા ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. જ્યારે ધાનેરા ખાતે ઠાકોર સમાજ દ્વારા એક સમાજ એક બંધારણના ઉદ્દેશ્ય સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના કલ્યાણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવું બંધારણ ઘડવા પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. 6 તાલુકામાં નવું સામાજીક બંધારણ ઘડવા માટે બેઠક યોજાઇ હતી

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:કિસાન સૂર્યોદય યોજના 818 ગામોના ખેડૂતોને દિવસે વીજળીની જાહેરાત,વાધણા-મડાણામાં મધરાતે વીજળી

કિસાન સૂર્યોદય યોજના ખેડૂતોને દિવસે ખેતી માટે નિયમિત વીજ પુરવઠો ઉપલબ્ધ કરવા અમલી બનાવાઇ છે. આ યોજના હેઠળ ખેડૂતોને સવારના સમયથી સાંજ સુધી વીજ પુરવઠો આપવામાં આવે છે. પરિણામે ખેડૂતો હવે દિવસે સિંચાઈ કરી શકે છે દિવસે વીજળી મળવાથી ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને પાક ઉત્પાદનની ગુણવત્તા તથા માત્રામાં વધારો થયો છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા ખેડૂતોના જીવનમાં સામાજિક અને આરોગ્યલક્ષી પરિવર્તન પણ આવ્યું છે. બનાસકાંઠામાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બનાસકાંઠા જિલ્લામાં જેટકોના કુલ 112 સબ સ્ટેશન હેઠળ 818 ગામડા અને 117,845 ખેડૂતો લાભ લઈ રહ્યા છે. જેમાંથી 27 સબ સ્ટેશન સાથે જોડાયેલા 92 ગામડામાં 13,528 ખેડૂતોને બે શિફ્ટમાં દિવસ દરમિયાન વીજ પુરવઠો આપવામાં આવે છે.તો બીજી બાજુ કેટલાક ગામમાં રાત્રે આવે છે. રાત્રે બાર વાગ્યાથી લાઈટ આવે છે: ખેડૂતોપાલનપુર તાલુકાના વાધણા ડાંગીયા મડાણા ગામના ખેડૂતોએ જણાવ્યું કે પહેલા રાત્રે 8:00 વાગ્યાથી આઠ કલાક માટે થ્રી ફેઝ લાઈન આપી, જે સમય રાત્રે 10:00 વાગ્યાનો કર્યો અને હવે રાત્રે બાર વાગ્યાથી લાઈટ ચાલુ કરે છે. એટલે અમારે શિયાળામાં મોડી રાત સુધી જાગવું પડે. જો આંખ લાગી જાય તો મોટર ચાલુ ન કરી શકીએ અને પાકને પાણી ન મળે. આ બાબતે ચંડીસર વીજ કંપનીને રજૂઆત કરી પરંતુ વાધણા કે મડાણા ફીડરમાં કોઈ સુધાર થયો નથી. ખેડૂતોને રાત્રિના મોડા વીજળી મળે. જેના કારણે ઉજાગરા, આરોગ્ય સમસ્યાઓ, જંગલી પ્રાણીઓનો ભય અને ખેતી ખર્ચમાં વધારો જેવી મુશ્કેલીઓ ઉભી થાય. ખેડૂતોને પૂરતી ઊંઘ ન મળે તો કાર્યક્ષમતા ઘટી જાય અને આરોગ્યમાં જોખમ જોવા મળે છે. સાથે જ, રાત્રિના સમયે ખેતરમાં જંગલી પ્રાણીઓ અથવા અકસ્માતનો ભય પણ વધી જાય ત્યારે આ સમસ્યાનું નિવારણ લાવો.. માલણ ફીડરમાં બે રાઉન્ડમાં વીજળી પાલનપુર તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં જુદા જુદા ફીડરમાં જુદા જુદા સમયે વીજળી આપવામાં આવી રહી છે જેમાં સપ્તાહમાં બે રાઉન્ડમાં વીજળી આપવામાં આવી રહી છે. ખેડૂતોએ કહ્યુ કે, એક સપ્તાહ દરમિયાન વહેલી સવારે 4 કલાક થી બપોરના 1 વાગ્યા સુધી જ્યારે બીજા સપ્તાહમાં બપોરે 1 થી 9 વાગ્યા સુધી વીજળી આપવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર ઈન્સાઈડ:કમોસમી વરસાદમાં સહાયમાં લોલમલોલ, ખેડૂતોને રૂ.35000 ના બદલે માત્ર 6000

ચાલુ વર્ષે પડેલા કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લાના લાખો ખેડૂતોના ખેતર પરના મગફળી સહિતના પાકો તબાહ થયા હતા. ઓક્ટોબર નવેમ્બર મહિનામાં થયેલા વરસાદના કારણે મગફળી સહિતના મુખ્ય પાકોમાં વ્યાપક નુકસાન થયું, જિલ્લામાં અમીરગઢ અને દાંતીવાડા તાલુકા સૌથી વધુ અસરગ્રસ્ત હોવાનું સર્વેમાં સામે આવ્યું હતું. રાજ્ય સરકારે પરિસ્થિતિની ગંભીરતા સ્વીકારી સમગ્ર રાજ્ય માટે રૂ. 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું અને એસડીઆરએફ (SDRF)ના ધોરણ મુજબ પાક નુકસાન સહાયની જાહેરાત કરી હતી. આ મુજબ પિયત અને બિનપિયત જમીન માટે મહત્તમ 2 હેક્ટર સુધી પ્રતિ હેક્ટર કુલ રૂ. 44,000 સુધી સહાય બેન્ક એકાઉન્ટ મારફતે આપવાની જોગવાઈ કરી હતી. હાલમાં અસરગ્રસ્ત ખેડૂતોના ખાતામાં સરકારની સહાયની રકમ જમા થઈ રહી છે.જોકે સહાયની અમલવારીમાં ખામીઓ સામે આવી છે. ખેડૂતોએ જણાવ્યું કે ખોટા સર્વે, અધૂરી માહિતી અને ડેટા એન્ટ્રીની ભૂલોના કારણે નુકસાન ભોગવનારા ખેડૂતોને રૂ. 35,000થી 37,000 મળવા બદલે ફક્ત રૂ. 6,000થી 7,000 જેવી નામ માત્ર રકમ જમા થઈ છે. સર્વે ટીમોના લાપરવાહ કર્મીઓની બેદરકારી અને નિષ્ક્રિયતાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. 9 ગામોના ખેડૂતો સુધી પહોંચવું મુશ્કેલ હતું ખેતીવાડી વિભાગ દ્વારા જુદા જુદા ગ્રામસેવકોને સર્વે માટે કામગીરી સોંપવામાં આવી હતી. એક સર્વેયરે નામ ન આપવાની શરતે જણાવ્યું કે મને નવ ગામો ફાળવવામાં આવ્યા હતા અને માત્ર ત્રણ જ દિવસ હતા જે તમામ 9 ગામોના ખેડૂતો સુધી પહોંચવું અત્યંત મુશ્કેલ હતું. જેથી બને એટલું ઝડપથી સર્વે થાય તેવો પ્રયાસ કર્યો હતો. પરંતુ કેટલાક ખેડૂતો સર્વેમાં બાકી રહી ગયા હતા.> સર્વેયર (ખેતીવાડી વિભાગ) ફરિયાદ હશે તો નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું સર્વેયર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તે મુજબ ચુકવણું કરવામાં આવી રહ્યું છે. કોઈ ખેડૂતની ફરિયાદ હશે તો નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું. : ખેતીવાડી વિભાગ બનાસકાંઠા ટીમ પાંચ-છ ખેડૂતોનો જ સર્વે કરી જતી રહી અમીરગઢના ખેડૂતએ જણાવ્યું કે અગાઉ સર્વે માટે બનાવેલી ટીમો ગામડાઓમાં માત્ર દેખાવ પૂરતી જઈ પાંચ-છ ખેડૂતોનો જ સર્વે કરી પરત ફરી ગઈ હતી. મને વરસાદમાં મગફળીનો પાક સંપૂર્ણ નાશ પામ્યો હતો પરંતુ મામુલી 8 હજારનું વળતર આવ્યું. જેમને મારા કરતાં ઓછું નુકસાન હતો તેવા ખેડૂતોને 16,000 થી 32 હજાર સુધીનું વળતર આવ્યું. આમ આડેધડ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવ્યું છે. ફરિયાદ હશે તો નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું‎સર્વેયર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તે મુજબ ચુકવણું કરવામાં આવી રહ્યું‎છે. કોઈ ખેડૂતની ફરિયાદ હશે તો નિવારણ લાવવાનો પ્રયાસ કરીશું. :‎ખેતીવાડી વિભાગ બનાસકાંઠા‎

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

રેસ્ક્યૂ:ઓડદર ગામે વાડી વિસ્તારમાં અજગર ચઢી આવ્યો

પોરબંદરના ઓડદર ગામે વાડી વિસ્તારમાં એક અજગર ચડી આવતા ઈગલ ગ્રુપને જાણ કરવામાં આવતા ટીમના રેસ્ક્યુઅર દ્વારા અજગરનું રેસ્ક્યુ કરાયુ હતું.પોરબંદરના ઓડદર ગામે સતીઆઈનાં વિશામાં પાસે વાડી વિસ્તારમાં રહેતાં મહાકાય અજગર ચડી આવ્યો હતો, સ્થાનિક અરભમભાઈ ઓડેદરા દ્વારા પોરબંદરની ઈગલ ગ્રુપ સંસ્થાને અજગર અંગે જાણ કરી હતી, જેથી ગ્રુપના રેસ્ક્યુઅર વિમલ મોકરિયા, સાહિલ માડમ અને અશોક ગોહેલ સ્થળ પર પહોંચ્યા હતા. 6 ફૂટ લંબાઈ ધરાવતા અજગરનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. અજગરને પકડીને પ્રકૃતિનાં ખોળે મુક્ત કર્યો હતો. અજગરનું રેસ્ક્યુ થતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

આયોજન:પોરબંદર મનપા દ્વારા પ્રથમ વખત સાયકલોથોન યોજાઈ

હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફિટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.હર ઘર સ્વદેશી, ઘર-ઘર સ્વદેશી અભિયાન અને ફિટ ઇન્ડીયા મુવમેન્ટ અંતર્ગત સ્વદેશી અપનાવવામાં આવે જેથી દેશનો રૂપિયો દેશમાં રહે અને સ્થાનિક કારીગરો, વેપારીઓને પ્રોત્સાહન મળે તે હેતુ તેમજ લોકોની તંદુરસ્તી સારી રહે તેવા હેતુથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત સાયકલોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોપાટી પાસે કનકાઈ મંદિરથી સવારે 6 વાગ્યે મનપાના કમિશનર એચ.જે. પ્રજાપતિ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું અને મનપાના કમિશનર પણ સાયકલ ચલાવી જોડાયા હતા. આ તકે ડેપ્યુટી કમિશનર, પોલીસ વિભાગ, શ્રીરામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો, સરકારી કર્મીઓ, વિદ્યાર્થીઓ સાથે નગરજનો જોડાયા હતા. 2000થી વધુ લોકો જોડાયા હતા. વિવિધ રૂટ પરથી સાયકલ ચલાવી લોકો પસાર થયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કાર્યવાહી:ગોસા ગામે બંદૂકથી ફાયરિંગ કરી યુવાનની હત્યા નિપજાવનાર આરોપી જેલ હવાલે

ગત તા. 11/12ના રોજ ગોસા ગામે રહેતા કાનાભાઇ નાથાભાઇ ઓડેદરાએ ફરીયાદ જાહેર કરેલ હતીકે, અજાણ્યા શખ્સે ભરતભાઈ નાથાભાઇ ઓડેદરા નામના યુવાનને જમણા પગે સાથળના ભાગે દેશી હાથ બનાવટની બંદૂકથી ઇજા કરી મોત નિપજાવેલ. એલસીબી ટીમ દ્વારા આરોપી બાબતે તપાસ કરતા આ ગુન્હામાં ગોસા ગામ વાડી વિસ્તારમાં વાડીઓમાં રખોલુ કરવા માટે ગામ લોકો દ્વારા ધોરાજી તાલુકાના મોટી મારડ ગામે રહેતા કાસમ જુમા ખારી તથા સાજણ ખારીને રૂ.90 હજાર આપી રખોલુ કરવા માટે સીમમાં રાખવામાં આવેલ. અને આ હત્યાના બનાવ બાદ બંન્ને શખ્સની શોધખોળ કરતા શખ્સો મળી આવ્યા ન હતા. કાસમ અને સાજણ બંન્ને કાકા-ભત્રીજા થતા હોય, બનાવ બન્યા બાદ બંન્ને શખ્સ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાં છુપાયેલ હોવાની બાતમી આધારે એલસીબી ટીમે સુરેન્દ્રનગર ખાતે પહોંચીને કાસમ જુમા ખારીને સુરેન્દ્રનગર દુધરેજ કેનાલ કાંઠે આવેલ ઝુપડપટ્ટી માંથી ઝડપી લઇ કાર્યવાહી કરી હતી અને 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

રજૂઆત:પોરબંદરના ઔદ્યોગિક વિકાસ,રોડ અને બ્રિઝના રિપેરીંગ, એરપોર્ટનો રન-વે વધારવા અને વંદેભારત ટ્રેન ફાળવવા માંગ

પોરબંદરના ધ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના એક પ્રતિનિધિ મંડળ દ્વારા દિલ્હી ખાતે મંત્રીઓને મળી પોરબંદરના ઔદ્યોગિક વિકાસ,રોડ અને બ્રિઝના રીપેરીગ, એરપોર્ટનો રનવે વધારવા અને વંદેભારત ટ્રેન ફાળવવા અંગે રજુઆત કરી હતી. પોરબંદર બંદર વિદેશો સાથે આયાત-નિકાસ માટે દરિયાઈ સુવિધા તેમજ દેશના વિવિધ સ્થળો સુધી આયાત કરેલો માલ પહોંચાડવા અને નિકાસ માટેનો માલ સામાન બંદર સુધી પહોંચાડવા રેલ્વે સહીતની સુવિધાઓ ઉપલબ્ધ હતી જે પોરબંદર અને તેની આસપાસનો વિસ્તાર વેપાર વાણિજયની બાબતે સોળે કળાએ ખીલી ઉઠયો હતો તેવા ભવ્ય ભૂતકાળની ઝાંખી કરાવી રહી છે. આયાત નિકાસ અને વેપાર વાણિજયને લગતી સંપૂર્ણ સુવિધાઓથી સજજ પોરબંદર શહેર અને આસપાસ નો વિસ્તાર મહારાણા મિલ, જગદીશ ઓઇલ મીલ, સિમેન્ટ ઉદ્યોગો, સૌરાષ્ટ્ર કેમિકલ જેવા મોટા ઉદ્યોગો અને જીઆઇડીસી ના ધમધમતા નાના મોટા ઉદ્યોગો એવી અનેક નાની મોટી કંપનીઓથી ધમ ધમી રહ્યું હતું. પરંતુ હાલ ઉધોગો ક્ષેત્રે મંદી જોવા મળી રહી છે જેથી પોરબંદરના ઉદ્યોગોનો વિકાસ સહિતના પ્રશ્નો બાબતે દિલ્હી ખાતે ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના પ્રતિનિધિ મંડળના સભ્ય અનિલભાઈ કારીયા, જતીનભાઈ હાથી, ટી. કે. કારીયા, જયેશભાઈ પતાણી, સુરેશભાઈ રાયઠઠ્ઠા, નવઘણભાઈ મોઢવાડિયા તથા સુમિતભાઈ સેલેટ એ મુલાકાત કરી રજુઆત કરી હતી. ક્યાં ક્યાં મુદ્દાઓ પર રજુઆત કરી (1) પોરબંદર બાયપાસના સર્વિસ રોડ અને બંદરને જોડતા રોડને તથા તેના પર આવેલા બ્રીજોના સમારકામ, પોરબંદરના ત્રણ નેશનલ હાઇવે અને પોરબંદર બાયપાસના સર્વિસ રોડના કામને તથા બંદરને જોડતા ટુ-લેન રોડને ફોર-લેન તરીકે અપગ્રેડ કરી તેના જર્જરીત પુલોની જગ્યાએ નવા પુલો બનાવવું (2) પોરબંદર થી અમદાવાદ સીધી ફ્લાઈટ,પોરબંદર એરપોર્ટના રનવે કે જે હાલ 1300 મીટરનો છે તેને લંબાવીને 2600 મીટરનો કરવા (3) વંદે ભારત જેવી ટ્રેનો પોરબંદરને મળે ઉપરાંત પોરબંદર ના ઔદ્યોગિક વિકાસ માટે રેલવે ને લગતા મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ નું આયોજન પણ હાથ ધરવામાં આવે (4) પોરબંદરના ઔદ્યોગિક વિકાસ માટે ડિફેન્સને લગતા મોટા મેન્યુફેકચરીંગ ઉદ્યોગને પોરબંદર વિસ્તારમાં સ્થાપવા

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

જાગૃતિ:હરિપરમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી વિશે વિસ્તૃત સમજણ, સરકારી યોજનાથી વાકેફ કર્યા

પશુપાલન વ્યવસાયને વધુ આધુનિક અને નફાકારક બનાવવાના ઉમદા હેતુ સાથે પશુપાલન શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા લાલપુર તાલુકાના હરિપર ગામે ઘંટેશ્વર મહાદેવ મંદિરે જિલ્લા કક્ષાની પશુપાલન શિક્ષણ શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર, કાલાવડ અને જામજોધપુર તાલુકાના કુલ 300 જેટલા પશુપાલકો ઉત્સાહભેર સહભાગી થયા હતા. કાર્યક્રમ સ્થળે પશુપાલન સંબંધિત વિવિધ પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા, જેની પશુપાલકોએ રસપૂર્વક મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, જિલ્લામાં ચાલતી ''પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી'' વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. પશુપાલકો સરકારી યોજનાઓથી સતત વાકેફ રહે તે માટે પશુપાલન ખાતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફોલો કરવા પણ અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પશુપાલકોએ પોતાના વ્યવસાયને મૂંઝવતા પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેનું તજજ્ઞો દ્વારા સંતોષકારક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી પશુપાલકોને તેમની આવક વધારવા અને પશુપાલન વ્યવસાયને નવી ઊંચાઈએ લઈ જવા માટે અમૂલ્ય માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. શિબિર દરમિયાન પશુપાલન ખાતાના તજજ્ઞો દ્વારા આધુનિક પશુપાલન પદ્ધતિઓ, પશુઓમાં રોગ નિવારણ અને પશુપાલન થકી આર્થિક સમૃદ્ધિ મેળવવા અંગે જ્ઞાનવર્ધન માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે મહાનુભાવોના હસ્તે પશુપાલન ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ હેઠળ 6 લાભાર્થીઓને કુલ રૂ. 2.76 લાખની સહાયની રેપ્લિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત વેટરનરી કાઉન્સિલના પ્રમુખ ડો. ભગીરથ પટેલ, જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટીના ડો. કિરીટ પટેલ તેમજ જિલ્લા પશુપાલન અધિકારી ડો. તેજસ શુક્લા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંચ પર જિલ્લા પંચાયત સભ્ય વિનોદભાઈ વડોદરિયા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, સભ્ય કરશનભાઈ સોચા અને હરિપરના સરપંચ તુલસીભાઈ અકબરીએ હાજર રહી પશુપાલકોને પ્રોત્સાહિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

સુવિધા:મિલ્કત વેરાની કામગીરી માટે આધુનિક સોફટવેર ઘણો ઉપયોગી

જામનગર મહાનગરપાલિકો જીઆઈબેઝ આરએડપીના કાર્યક્ષેત્ર મુજબ જીબાઇબેશ સોફ્ટવેરનું અમલીકરણ કરી રહી છે. જે મહાનગરપાલિકાના વિભાગીને તેમની પ્રતિદિન સંચાલન પ્રવૃત્તિઓ. નિર્ણય લેવાની પ્રક્રિયા અને આવકમાં ભારે ફાયદાકારક થશે. જીઆઈએસ સોફ્ટવેર, પ્રોપર્ટી ડેટાના નકશાના (મેપિંગ) અને જોડાણ સાથે. મિલકત વૈરાની વસૂલાતની સારી સમજ પૂરી પાડે છે અને વેરા પ્રણાલીમાં ન હોય તેવી મિલકતોની ઓળખ કરવામાં મદદ કરે છે. સેટેલાઇટ ઇમેજીસ નો ઉપયોગ કરીને જમીનના ફેરફારની શોધ (પેન્જ ડિટેક્શન), શહેરના વિકાસની પેટર્ન અને ચૌક્કસ શ્રેણીમાંથી જમીનના ઉપયોગમાં થતા ફેરફારોને જાણવામાં સક્ષમ બનાવે છે, જેમ કે કેટલી જમીન હવે બાંધકામ (બિલ્ટ અપ) માં વપરાય છે, કેટલો વિસ્તાર ગ્રીન કવર હેઠળ આવરી લેવાયો છે. ખુલ્લી જમીનમાંથી કેટલી જમીન બાંધકામમાં તબદીલ થઈ છે અથવા ગ્રીન કવર ઘટાડો થયો છે. અને ગેરકાયદેસર દબાણ (એન્કોયમેન્ટ) ની ઓળખ છે. વહીવટી સીમાઓ, માસ્ટર પ્લાન, ટીપી સ્કીમ, મિલકત, રસ્તાઓ, પાણી પુરવઠો, ડ્રેનેજ, સ્ટ્રીટલાઇટ અને અન્ય ડેટા સંબંધિત તમામ માહિતીને સેટેલાઇટ ઇમેજીસ સાથે એકત્રિત કરવામાં આવે છે. તેથી, આ સંકલનપૂર્ણ (કોઓર્ડિનેશન) રીતે કાર્ય કરવા અને યોગ્ય રીતે આયોજન કરવા માટે ઉપયોગી છે. જામનગર મહાનગરપાલિકા પાસે જીઆઈએસ સોફટવેરનું કાયમી લાઇસન્સ રહેશે અને તે એડવાન્સ્ડ ફીયર્સ સાથેના તમામ 2ડી, 3ડી નકશા અને વિશ્લેષણ ને સપોર્ટ કરે છે. એજન્સી મેન્ટેનન્સ તબક્કામાં પોતાના મેનપાવર ને નિયુક્ત કરશે, જેઓ જીઆઈએસ સંબંધિત દૈનિક પ્રવૃત્તિઓ કરશે અને વિભાગના કર્મચારીઓને તેમના જીઆઈએસ વપરાશ અને જેસ-રિયાતો માટે સપોર્ટ પણ આપશે. ડ્રોન ડેટાનો પણ સપોર્ટેડ છે. તેથી ડ્રોનનો ઉપયોગ કરીને ડેટા જનરેટ કરવો અને કેટલાક મુખ્ય સ્થાનોનું 3ડી લેઉટ અથવા કેટલીક મહત્વપૂર્ણ ઇવેન્ટ દરમિયાન જ્યાં 3ઉ ડેટા આયોજન માટે ઉપયોગી હોય, તે જનરેટ કરવા માટે તે ફાયદાકારક છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ટુરીઝમને વેગ મળશે‎:દેવભૂમિના ગાંધવીથી હર્ષદ માતા મંદિર સુધી 68 કરોડના ખર્ચે ફોરટ્રેક રોડ બનશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવીથી સુપ્રસિધ્ધ યાત્રાધામ હર્ષદ માતા મંદિર સુધી લગભગ 68 કરોડના ખર્ચે અંદાઝીત સાત કિલોમીટરનો આધુનિક ફોર ટ્રેક સીસી રોડ બનાવવામાં આવશે.ચોવીસ મીટર પહોળો આ સુચિત માર્ગ પર ફુટપાથ,લાઇટ જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ બનાવાશે. રાજ્ય સરકાર પ્રવાસીઓની સુવિધામાં વધારો થાય અને પ્રવાસન થકી જિલ્લામાં રોજગાર અને વિકાસની નવી દિશાઓ ખુલે તે માટે સતત પ્રયત્નશીલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પ્રસિદ્ધ યાત્રાધામ હર્ષદ માતા મંદિર અગત્યનું પ્રવાસન કેન્દ્ર છે. ગાંધવી (પોરબંદર- દ્વારકા હાઈવે) થી હર્ષદ માતા મંદિરનો આ પ્રસ્તાવિત ફોર ટ્રેક સી.સી. રોડ ધાર્મિક પ્રવાસન સ્થળને સારી કનેક્ટીવીટી પુરી પાડશે અને કોસ્ટલ ટુરીઝમને વેગ આપશે. આ પ્રોજેક્ટ થકી વિસ્તારમાં પ્રવાસીઓની સંખ્યા વધશે અને સ્થાનિક વિકાસને વેગ મળશે. આ રોડ અંદાજિત 7 કી.મી.નો 24 મીટર રસ્તો વરસાદી પાણી નિકાલ, ફુટપાથ, લાઈટ્સ જેવી સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. જે દરિયાકાંઠા નજીક એક સુંદર દૃશ્યનું નિર્માણ કરશે. રસ્તાઓ વચ્ચેની જગ્યામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવશે. આ રસ્તો માર્ગ અને મકાન વિભાગ- સ્ટેટની દેખરેખ હેઠળ બનાવવામાં આવશે. ભાણવડ ચાર પાટીયાથી કપુરડી પાટીયા સુધી રોડનું રીસર્ફેસીંગ દેવભૂમિ દ્વારકા જિલ્લાના રસ્તાઓની મરામત કરી રોડ નેટવર્ક દુરસ્ત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે, જે અનુસંધાને લાલપુર અને પોરબંદરને જોડતાં રસ્તાના ભાણવડ ચાર પાટિયાથી કપુરડી પાટિયાને જોડતા ભાગનું રીસરફેસીંગ કામ મંજુર કરવામાં આવેલ છે. લગભગ 8.6 કી.મી. રોડનું રીસરફેસાંગ અંદાજિત 9.53 કરોડના ખર્ચે કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

વાતાવરણ:10 દિ' બાદ ઠંડીનું જોર વધ્યુ, પારો 14 ડિગ્રી

જામનગર શહેરમાં દશ દિવસ સુધી તિવ્ર ઠ઼ડીથી આંશિક રાહત બાદ ગુરૂવારે ફરી લઘુતમ તાપમાન બે ડિગ્રી ગગડી 14 ડિગ્રી પર સ્થિર થતા ઠંડીનુ જોર વધ્યુ હતુ.જેના પગલે જનજીવન પણ પ્રભાવિત થયુ હતુ. મહતમ પારો પણ એક ડિગ્રી ગગડીને 29 ડિગ્રી રહેતા બપોર સિવાયના સમયગાળા દરમિયાન વાતાવરણમાં ટાઢોડુ છવાયુ હતુ. જામનગર સહિત હાલારભરમાં ગત નવેમ્બર માસથી ઠંડીના પગરવ બાદ હજુ સુધી શિયાળાએ દર વર્ષ જેવી જમાવટ કરી ન હોવાનો અહેસાસ જનજીવન કરી રહયુ છે.ડીસે.ના બીજા સપ્તાહ બાદ રાત્રીનુ તાપમાન મોટા ભાગે 16-17 ડિગ્રી પર સ્થિર રહેતા સામાન્ય ઠંડીનો મુકામ રહયો હતો જે દરમિયાન ગુરૂવારે ફરી શિયાળાએ આગવો મિજાજ દર્શાવતા લઘુતમ તાપમાન એક જ દિવસમાં બે ડિગ્રી ગગડયુ હતુ અને પારો 14 ડીગ્રી પર સ્થિર થયો હતો. જે સાથે મહતમ તાપમાનમાં પણ એક ડિગ્રીનો ઘટાડો થતા 29 ડિગ્રી નોંધાયુ હતુ.સાથો સાથ પવનનુ જોર વધ્યુ હતુ.પ્રતિ કલાક સરેરાશ દશથી વીશ કિ.મિ.ની ઝડપે પવન ફૂ઼કાયો હતો.જેના પગલે સુર્યાસ્ત બાદ વાતાવરણમાં ટાઢોડુ છવાય હતુ. અત્રે ઉલ્લેખનીય છેકે, હાલારીઓ હજુ સુધી હેમાળાની જમાવટથી અલપ્તિ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

લોકો ત્રસ્ત‎:રણજીતસાગર રોડ પર ઈંડાકળીની‎22 રેંકડીઓનું દુષણ

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર નાનકપુરીથી પંપ હાઉસ સુધીના રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ઈંડાકળીની રેંકડીઓનો રાફડો ફાટી નીકળ્યો છે. હાલ આ વિસ્તારમાં અંદાજે 22થી વધુ ઈંડાકળીની રેંકડીઓ સાંજ પડતા જ એકસાથે ઉભી થઈ જાય છે. શરૂઆતમાં રોજગારનું સાધન ગણાતી આ રેંકડીઓ હવે સ્થાનિક રહેવાસીઓ માટે મોટી મુશ્કેલીનું કારણ બની રહી છે. રાત્રીના સમયે નશામાં ચૂર લોકો મોટી સંખ્યામાં અહીં ઈંડાકળી ખાવા આવતા હોય છે. નશાકારક પદાર્થોના સેવન બાદ તેઓ જાહેર સ્થળે ઉંચા અવાજે ગાળો બોલતા, ઝઘડા કરતા અને અવ્યવસ્થિત વર્તન કરતા હોવાથી આસપાસના રહેવાસીઓ, ખાસ કરીને મહિલાઓ અને બાળકોને ભારે હાલાકી સહન કરવી પડે છે. કેટલાક પ્રસંગોમાં તો મોડી રાત સુધી હંગામા થતા શાંતિપૂર્ણ વાતાવરણ ખોરવાઈ જાય છે. તો અમુક રેંકડીવાળા સફાઈ કરીને ઈંડાકળીના ફોતરાઓ નહેરમાં નાંખવામાં આવે છે. ઈંડાની છાલ અને પ્લાસ્ટિક ફેલાતાં દુર્ગંધ ફેલાઈ રહી છે, જે સ્વચ્છતા માટે પણ ખતરો બની રહ્યો છે. સ્થાનિક રહેવાસીઓની લાગણીઓને માન આપીને હિન્દુ સંસ્થા દ્વારા તહેવારોમાં આ ઈંડાકળીની રેંકડીઓ બંધ કરવાની મ્યુ.તંત્ર અને પોલીસ તંત્રને રજુઆત કરવામાં આછી છે. પરંતુ તેની અસરકારક કાર્યવાહી થતી નથી.અત્રે ઉલ્લેખનિય છે કે, ઈંડાકળીની રેંકડીઓ માટે નિયત સમય અને સ્થળ નક્કી કરવામાં આવે તેમજ રાત્રીના સમયે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે, જેથી વિસ્તારની શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે, તેવી લોકોની માંગ છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુઝિવ:મહાનગરપાલિકા મૃત્યુ બાદ પેન્શનરને સહાયના રૂા.500 આપી મજાક ઉડાવે છે

​જામનગર મહાનગરપાલિકામાં વર્ષોથી સેવા આપતા કર્મચારીઓ જ્યારે જૂની પેન્શન યોજના હેઠળ નિવૃત્ત થાય તે બાદ એક પેન્શન સહાયરૂપે આપવાના બદલે મહાપાલિકા રૂા.500 સહાય આપી તેનો મજાક ઉડાવે છે. જ્યારે આવી જ હાલત 2005 પછી ભરતી થયેલા કર્મચારીની છે. જેને રાજ્ય સરકારે ચાલુ ફરજે અવસાન પામે તો ફેમિલી પેન્શન આપવું તેવો પરિપત્ર કર્યો હોવા છતાં મહાપાલિકાની તેની અમલવારી કરતી નથી. જામનગર મહાનગરપાલિકામાં પેન્શનર જ્યારે અવસાન પામે ત્યારે એક પેન્શન તેને સહાય તરીકે આપવાનું હોય છે પરંતુ માત્ર રૂપિયા 500 જેવી નજીવી રકમ આપીને કર્મચારીની સેવા અને તેના પરિવારની આજીવિકાની મજાક ઉડાવવામાં આવી રહી છે. ​ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ૧ એપ્રિલ ૨૦૦૫ પછી નિમણૂક પામેલા કાયમી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જો આવા કર્મચારીનું ચાલુ ફરજે મૃત્યુ થાય, તો તેમના પરિવારને આર્થિક રક્ષણ આપવા માટે 'ફેમિલી પેન્શન' (કુટુંબ પેન્શન) આપવાનો સ્પષ્ટ પરિપત્ર કરવામાં આવ્યો છે. પરંતુ મહાનગરપાલીકાને કર્મચારીઓના હિતમાં રસ ન હોય તેમ ફેમિલી પેન્શન હજુ ચાલુ કરવામાં આવ્યું નથી. જે કર્મચારીએ મ્યુનિસિપલ સેવામાં પોતાની જિંદગી આપી દીધી, તેના મૃત્યુ બાદ તેના બાળકો અને પત્નીને આર્થિક સહાયથી વંચિત રાખવા એ કાયદાકીય અને નૈતિક ગુનો છે. મનપાએ પેન્શનરોના હિતમાં તાત્કાલિક અમલવારી કરવી જોઈએ ​કર્મચારીએ કોઈપણ વહીવટી તંત્રની કરોડરજ્જુ હોય છે. જામનગર મહાનગરપાલિકાએ તુરંત જ રાજ્ય સરકારના 2005 પછીના ફેમિલી પેન્શનના પરિપત્રનો અમલ કરવો જોઈએ. તેમજ જૂની પેન્શન યોજના હેઠળ આવતા કર્મચારીઓના કિસ્સામાં માત્ર 500 રૂપિયાની નજીવી રકમ બંધ કરી, કાયદા મુજબ મળવાપાત્ર આખું પેન્શન ચુકવવું જોઈએ જેથી કર્મચારીના પરિવારને સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર મળે. હાલ નવા અને જૂના બન્ને પેન્શરોને અન્યાય થઇ રહ્યો છે, પરંતુ આ બાબતે ન તો અધીકારીઓ કે નેતાઓ કંઇ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

તપાસ:પુલ ઉપરથી અજાણી વ્યકિતએ છલાંગ લગાવ્યાની ભેદી ઘટના

જામનગર શહેરના કલાવડ નાકા બહાર આવેલા રંગમતી નદીના પુલ પરથી કોઈ અજાણ્યા શખ્સે ઝંપલાવી દીધુ હોવાની ઘટના બાદ ત્યાં ટ્રાફિકજામ થઈ ગયો હતો પરંતુ પોલીસ અને ફાયરબ્રિગેડની મોડે સુધી શોધખોળ છતાં યુવાન મળી આવ્યો ન હતો. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રંગમતી નદીના પુલ ઉપરથી એક અજાણ્યા વ્યક્તિ દ્વારા છલાંગ લગાવી આત્મહત્યાની કોશીષ કરી હતી.તે દરમ્યાન પુલ પરના રાહદારીઓએ તાત્કાલિક સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. આ ઘટના પુલ પર મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટના ની જાણ થતા સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા સહિત સર્વેલન્સ ટીમ પુલ પર આવીને લોકોના ટોળા અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા જામનગર ફાયર વિભાગ ને જાણ કરાઇ હતી. ત્યારબાદ, જામનગર મહાનગર પાલિકાની ફાયર વિભાગ આવી પહોંચ્ચી હતી અને પોલીસ અને ફાયર વિભાગના જવાનો દ્વારા અજાણ્યા વ્યક્તિને શોધવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી.પરંતુ આ ઘટનામાં અજાણ્યા વ્યક્તિ ની શોધ સવારે 5 વાગ્યા સુધી કરવામાં આવી હતી પણ વ્યક્તિ મળી આવેલ ન હોવાથી આશ્ચાર્ય સાથે રહસ્યના તાણાવાણા સર્જાયા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

મેરી ક્રિસ્મસ:જામનગર શહેરના ચર્ચમાં મધરાત્રે ભગવાન ઈસુના જન્મના વધામણા થયા, કેથોલિક પરિવાર જોડાયા

જામનગર શહેરમાં છેલ્લા 58 વર્ષથી એકમાત્ર કેથોલિક સેક્રેટ હાર્ટ ચર્ચમાં પ્રતિવર્ષ નાતાલ પર્વની ભવ્ય ઉજવણી થાય છે. ત્યારે આ વર્ષે પણ નાતાલ તહેવાર લઈ ને તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. કેથોલિક પરિવારો દ્વારા ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મની વધામણી અને પ્રાર્થના સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી રહી છે. શહેરમાં આવેલા અન્ય નાના ચર્ચોમાં પણ નાતાલની ઉજવણી માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 1967માં સ્થાપિત જામનગરના અંબર ચોકડી પાસે આવેલ સેક્રેટ હાર્ટ ચર્ચમાં નિયમિત પ્રાર્થનાઓ યોજાય છે. રેવ. ફાધર ડો. મનુ ચેરુમુત્તથુપદીના માર્ગદર્શન હેઠળ ચર્ચ ધાર્મિક પ્રવૃત્તિઓથી જીવંત છે. નાતાલ નિમિત્તે ચર્ચ અને ખ્રિસ્તી પરિવારોના ઘરોને ઝળહળતી રોશની અને ક્રિસમસ ટ્રીથી શણગારવામાં આવ્યા છે. 24 ડિસેમ્બરે રાત્રે 12 વાગ્યે મધ્યરાત્રિ નાતાલની ઉજવણી કરવામાં આવી અને સમાજમાં શાંતિ, પ્રેમ અને આનંદ પ્રસરે તેવી પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે સેન્ટ એન્સ અને સેન્ટ ઝેવિયર્સ શાળાઓમાં પણ નાતાલની વિશેષ ઉજવણી યોજાઈ રહી છે, જેને જોવા નગરજનો ઉમટી રહ્યા છે. મુખોટા, લાલ ટોપી સહિતના વેશભૂષાનું વેચાણ શરૂજામનગરની બજારોમાં તહેવારી માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શહેરના મુખ્ય બજાર વિસ્તારોમાં સાન્તાક્લોઝના મુખોટા, લાલ ટોપી, દાઢી તેમજ સંપૂર્ણ વેશભૂષાના વેચાણ શરૂ થયું છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

નિર્ણય:સ્પોટર્સ કોમ્પલેક્ષ માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના કામ માટે 81.62 લાખ મંજુર

જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં સફાઇ, રોડ, ભૂગર્ભ ગટર,સિકયુરીટી સહિતના જુદા જુદા વિકાસ કામો માટે રૂા. 9.82 કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.જેમાં ખંભાળિયા રોડ પર સ્પોટર્સ કોમ્પલેક્ષ(ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસી આપવાના કામ માટે રૂા. 81.62 લાખના ખર્ચને મંજુરી આપવાનો નિર્ણય લેવાયો હતો. મહાપાલિકાની સ્થાયી સમિતિની બેઠક બુધવારે બપોરે ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં વોટર વર્કસ શાખામાં દશ સીટી ઇએસઆરના ઓપરેશન એન્ડ મેઇન્ટેનન્સ(બે વર્ષ) કરવાના કામ માટે રૂા. 241.64 લાખ, શહેર ઝોન-2માં જુદીજુદી પાઇપલાઇનના મજુરી કામ માટે વધારાના 22.49 લાખ,ખંભાળિયા રોડ પર હોટલ વિશાલ પાછળ ટીપી સ્કીમ નં.2,અંતિમ ખંડ નં. 98 વાળી જગ્યામાં સ્પોટર્સ કોમ્પલેક્ષ ( ફેઝ-1) બનાવવાના કામે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સર્વિસીસ આપવાના કામ માટે રૂા. 81.62 લાખ મંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો. વોર્ડ નં.7માં પ્રમુખ પાર્ક સોસાયટી માર્ગ તથા કવાલીટી વોલ આઇસક્રિમ પાસેના રસ્તા પર સીસી રોડ માટે 207.58 લાખ,વોર્ડ નં.9માં ગુરૂધ્વારા બાજુની શેરીમાં સીસી રોડ માટે 37.71 લાખ વોર્ડ નં. 5માં સીસી રોડ કામ માટે રૂા. 33.63 લાખ ઉપરાંત મનપામાં સિકયુરીટી સેવાઓની મુદત લંબાવવા તથા વધારાના ખર્ચ સંદર્ભે 13.90 લાખના ખર્ચને મંજુરી સહિતની દરખાસ્તોને બહાલી અપાઇ હતી. જયારે ખાલી જગ્યા પર ડે.સેક્રેટરી તરીકે ચંદ્રેશ બી. સંધાણીને બઢતી આપવાની દરખાસ્ત મંજુર કરાઇ હતી. 25 પૈકી 1 દરખાસ્ત નામંજુર કરાઈ,1 પેન્ડીંગ રાખવાનો નિર્ણયસ્થાયી સમિતની બેઠકમાં ચેર સહિત વિવિધ 25 દરખાસ્તોને મંજુરી આપવામાં આવી હતી.જયારે મનપાની જુદી જુદી શાખાઓ માટે કોમ્પ્યુટર,પ્રિન્ટર, લેપટોપ, યુપીએસ વગેરેની ખરીદીની દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી હતી. જયારે વોર્ડ નં. 5માં સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ અંગેની દરખાસ્તને નામંજુર કરવાનો નિર્ણય લેવાયો હતો.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

હુમલો:અમરેલીમાં જાહેરમાં દાડમા ગામના 30 વર્ષીય યુવકને છરીના 6 ઘા મારી દીધા

અમરેલીમાં હીરામોતી ચોકમાં બપોરના સમયે દાડમા ગામના 30 વર્ષિય યુવકને ગાવડકાના શખ્સે છરીના છ ઘા ઝીંકી દીધા હતા. એક વર્ષ પૂર્વે થયેલા ઝગડાનું મનદુ:ખ રાખી યુવક પર ખુની હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે ગાવડકાના શખ્સ સામે હત્યાની કોશિષનો ગુનો નોંધાયો હતો. લીલીયાના દાડમાં ગામે રહેતા આણંદભાઈ દેહાભાઈ સારીખડા (પરમાર)એ સીટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના દિકરા જીજ્ઞેશભાઈ આણંદભાઈ સારીખડા (પરમાર) (ઉ.વ.30)ને ગાવડકાના મેહુલ ખોડાભાઈ હેલૈયા સાથે એક વર્ષ પૂર્વે ઝગડો થયો હતો. 23 ડિસેમ્બરના રોજ બપોરના સમયે જીજ્ઞેશભાઈ સારીખડા પર મેહુલ ખોડાભાઈ હેલૈયાએ અમરેલીના હીરામોતી ચોક બીનહરીફ દાબેલી પાસે છરી વડે હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટનામાં જીજ્ઞેશભાઈ સારીખડાને ગંભીર ઈજા પહોંચી હતી. મેહુલે જીજ્ઞેશભાઈને છરીના છ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે તેને લોહીલુહાણ હાલતમાં અમરેલી સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં હત્યાની કોશિષનો ગુનો નોંધાતા પીએસઆઈ જે.બી.ત્રિવેદી વધુ તપાસ ચલાવી રહ્યા છે. યુવક કારખાના તરફ દોડ્યો પરંતુ હુમલાખોર ત્યા ધસી હુમલો કર્યો અમરેલીમાં બપોરના સમયે 30 વર્ષિય યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જીજ્ઞેશભાઈ હુમલાખોરથી બચવા હીરાના કારખાના તરફ દોડ્યા હતા. પરંતુ મેહુલ હેલૈયા કારખાનામાં ધસી ગયો હતો અને છરીના ઘા ઝીંકી દીધા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

કચરાના ઢગમાંથી રોજગાર શોધ્યો:પ્લાસ્ટિક વેસ્ટનો કચરો વેચી 35 મહિલા સ્વસહાય જૂથ દર મહિને રૂપિયા 4 હજારની આવક મેળવે છે

અમરેલી જિલ્લામાં 156 ગામડાઓમાં ડોર ટુ ડોર કચરા કલેકશન દ્વારા સ્વચ્છતા કામગીરી કરવામાં આવી રહી છે. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીની 100મી જન્મ જયંતી સાથે સુશાસન દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે. ગ્રામીણ વિસ્તારોમાં શૌચાલય અને સ્વચ્છતા માટે નિર્મળ ગ્રામ પુરસ્કાર જેવી યોજનાઓનો તેમણે પાયો નાંખ્યો હતો. પૂર્વ વડાપ્રધાન અટલજીએ હંમેશા મજબૂત ગ્રામીણ માળખાનું સ્વપ્ન જોયું હતું. આ સ્વપ્નને સાકાર કરવા માટે જિલ્લામાં નિર્મળ ગુજરાત 2.0 હેઠળ નગરપાલિકા વિસ્તારના 156 ગામોમાં ડોર-ટુ-ડોર કચરા કલેક્શનનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યુ છે. ગ્રામ્ય કક્ષાએ પીયુઆરએ મોડેલને કેન્દ્રમાં રાખી સુવ્યવસ્થિત રીતે ડોર-ટુ-ડોર કચરાનું કલેક્શન કરવામાં આવી રહ્યું છે. જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાએ જણાવ્યું હતુ કે હાલમાં જિલ્લામાં કુલ 8 નગરપાલિકાના શહેરી હદ વિસ્તારથી 10 કિલોમીટર ત્રિજ્યામાં સમાવિષ્ટ ગામડાઓમાં રહેણાંક તથા બિન-રહેણાંક મિલ્કતોમાંથી દરરોજ નિયમિત રીતે ઘન કચરાનું કલેક્શન કરવામાં આવે છે. આ નવતર અભિગમ થકી ગામડાઓ સ્વચ્છ બનશે. પ્લાસ્ટિક વેસ્ટ સહિતનો કચરો એકત્ર કરી તેના વેચાણ દ્વારા 35 મહિલા સ્વસહાય જૂથ દર મહિને 4 હજાર સુધીની આવક મેળવે છે. નારી શક્તિનો આ નવો રાહ તેમને આત્મનિર્ભર બનાવી રહ્યો છે. મિશન મંગલમની મહિલાઓએ કચરાના ઢગલામાંથી આર્થિક ઉન્નતિને શોધી છેનિર્મળ ગુજરાત 2.0 અભિયાન માત્ર ઘન કચરાનું ડોર-ટુ-ડોર વૈજ્ઞાનિક ઢબે કલેક્શન અને વ્યવસ્થાપન સુધી જ મર્યાદિત નથી. પરંતુ અમરેલીમાં તેનું મિશન મંગલમ યોજના સાથે પણ જોડાણ છે. મિશન મંગલમની બહેનોએ કચરાના ઢગલામાંથી રોજગાર અને આર્થિક ઉન્નતિને શોધી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

આવેદનપત્ર:નર્મદા જિલ્લામાં નાતાલ પર્વએ ધર્માંતરણની પ્રવૃતિ રોકવા માટેની રજૂઆત કરવામાં આવી

નાતાલનું પર્વ નજીક આવી રહયું છે ત્યારે નર્મદા સહીતના આદિવાસી જિલ્લાઓમાં ધર્માંતરણની પ્રવૃતિએ વેગ પકડયો હોવાની રજૂઆત કરવામાં આવી છે. અંતરિયાળ વિસ્તારમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપો ગુજરાત આદિવાસી મંચ દ્વારા લગાવાયા છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસીઓને ધર્માંતરણ કરાવી ખ્રિસ્તી બનાવી દેવાતા હોવાના ગંભીર આક્ષેપ સાથે હિન્દુ ધર્મના સંતો, રાષ્ટ્રીય આદિવાસી મંચના આગેવાનો અને હોદ્દેદારો ભેગા થયા હતાં. ધર્માંતરણ રોકવા દેડિયાપાડા પ્રાંત અધિકારીને લેખિત રજુઆત કરી હતી. રાષ્ટ્રીય આદિવાસી મંચ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સોનજી વસાવાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં ચર્ચો બનાવી ખ્રિસ્તી (હાલેલુયા), પાષ્ટરો તરફથી આદિવાસી સમાજનુ મોટા પ્રમાણમાં ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં ધર્માંતરણ વિરોધી કાયદો હોવા છતાં પણ પાષ્ટરો દ્વારા આદિવાસી સમાજમાં ધર્માંતરણ કરાવાય છે. અહીંયા બિન અધિકૃત ખ્રિસ્તીઓ હોવા છતાં નાતાલ પર્વની પરવાનગી આપવામાં આવે છે એ પરવાનગી આપવામાં ન આવે એવી અમારી માંગ છે.ધર્માંતરણ રોકવામાં નહી આવે તો અમે મોટુ આંદોલન કરીશું.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

નવી આશાનું કિરણ:વલસાડમાં વિજ્ઞાન છાત્રો માટે આધુનિક પ્રયોગશાળા

વલસાડ જુજવા ખાતે આઇપી ગાંધી સાર્વ. માધ્યમિક શાળામાંઅભ્યાસ કરવા આવતા ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે ઘણા વર્ષોથી અદ્યતન સાયન્સ લેબોરેટરીની ખોટ વર્તાઈ રહી હતી.જેને ધ્યાને લઇ આખરે આ સ્વપ્ન સાકાર કરવા ગાંધી પરિવાર દ્વારા શાળામાં શ્રીચંદ્રકાંત ગાંધી સાયન્સ સેન્ટરન નિર્માણ ગાંધી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે. સંસ્થાના વડીલ ધનલક્ષ્મી ગાંધી દ્વારા આ અદ્યતન સેન્ટર ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે સખી ગાંધી પરિવારના બંને પુત્રો રાજેશભાઈ અને વીરાજ ગાંધી. ઉપસ્થિત રહ્યા હતા. ચાહના બેન ગાંધી, અગ્રવાલ તથા તેમની ટીમનો વિશેષ સહકાર મળ્યો હતો‌. મંડળના માર્ગદર્શક અને પથ દર્શક ભરતભાઈ દેસાઈએ પ્રવચનમાં જણાવ્યું હતું કે ,ગાંધી પરિવાર જોડે તેમનો ગાઢ સંબંધ છે અને રહેશે, તેમજ શાળાની પ્રગતિ સતત વધતી રહે તેવી અભ્યર્થના ગુજારી હતી.ડીઈઓ ડો. રાજેશ્રી ટંડેલે મંડળ અને શાળાને અભિનંદન પાઠવી વધુ બાળકો વિજ્ઞાન પ્રવાહ તરફ વળે તે માટે પ્રયત્ન કરવા સૂચન કર્યું હતુ.હાલ વલસાડ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહના બાળકોની સંખ્યા ઘટી રહી છે, ત્યારે આવી અદ્યતન પ્રયોગશાળા અને સરકારની બે યોજના, નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના દ્વારા રૂ.50,000ની સહાય પ્રાપ્ત કરી શકે છે, જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં જાય. વિજ્ઞાન પ્રવાહમાં આગળ અભ્યાસ કરી વલસાડ જિલ્લામાં જ આવેલી જુદી જુદી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરીની તકો વિશે વાત કરી હતી.મંડળના ઉપપ્રમુખ હર્ષદભાઈ પટેલે સૌનોઆભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા સોનલબેન અને દીપિકાબેન પટેલ અને મંડળના સંચાલક પ્રમુખ સુનિલભાઈએ પ્રાસંગીક વક્તવ્ય રજૂ કરી ગાંધી પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં અતિઆધુનિક પ્રયોગશાળા મળવાથી ગ્રામ્ય વિસ્તારના વિજ્ઞાનના વિદ્યાર્થીઓને વિષય મુજબ કોઇપણ પ્રયોગ કરવામાં સરળતા રહેશે. આ પ્રયોગ શાળાના નિર્માણથી સ્થાનિક બાળકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી ઘડવામાં ઉપયોગી નીવડશે બાળકોને જીવ વિજ્ઞાન, રાસાયણ વિજ્ઞાન, અને ભૌતિક વિજ્ઞાનની, અદ્યતન પ્રયોગશાળા દ્વારા આ વિશાળ ગ્રામિણ અને આસપાસના ગામો તથા અન્ય પંથકના બાળકોને વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી ઘડવામાં આ શાળાની આધુનિક પ્રયોગ શાળા ખૂબ લાભદાયી નીવડશે. >સુનિલ પટેલ, પ્રમુખ,સંચાલક

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

બીએલઓને નોટિસ:જિલ્લામાં 1.65 લાખ નોમેપિગ મતદારોના પૂરાવા અપલોડ કરવા બીએલઓને સૂચના

વલસાડ જિલ્લામાં સઘન મતદાર સઘન સુધારણાં કાર્યક્રમ હેઠળ 14 ડિસેમ્બર 2025 સુધીની મુદ્દત આપવામાં આવ્યા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી બહાર પડી છે. નોટિસોનો દૌર હજી શરૂ કરાયો નથી.આ પહેલાં 2002ની યાદીમાં બાકાત રહી ગયેલા કે અન્ય અપ્રાપ્ય 1,65,451 મતદારોના નામો મુસદ્દા મતદાર યાદીમાં સમાવેશ કરાયો છે,પરંતું તેમને નોટિસ આપી પુરાવા મગાવી સુનાવણી બાદ 19 ફેબ્રુઆરી 2026ની આખરી મતદાર યાદીમાં સમાવેશ કરાશે. હાલે ફોર્મની સાથે સ્વીકારેલા પૂરાવાઓ હવે ચૂંટણી પંચના પોર્ટલ પર અપલોડ કરવા જણાવાયું છે.બાદમાં પણ જો જેના પૂરાવા બાકી રહેશે તેમને નોટિસો જારી કરી તક આપવામાં આવશે તેવું જાણવા મ‌ળ્યું છે.જેને લઇ જિલ્લાના 1300થી વધુ બીએલઓને નો મેપિંગ શ્રેણીના મૃત્યુ પામેલા સિવાયના મતદારોને નો મેપિંગ કેટેગરીમાં ટાર્ગેટ થઇ ગયા છે.જેના પણ પુરાવા હવે પોર્ટલ ઉપર અપલોડ કરી દેવાની કામગીરી બીએલઓ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.અપ્રાપ્ય અન્ય મતદારોને આ કામગીરી બાદ નોટિસો જારી કરવામાં આવશે. મેપિંગ માટે નોટિસ કાર્યવાહી સ્થળાંતર કરેલા મતદારો – 1,25,488 {અન્ય સ્થળે પણ નોંધાયેલા – 9,947 ( બે સ્થળે નોંધયેલાને કોઇ એક સ્થળ રાખવું પડશે) {ઘર બંધ / ફોર્મ પરત ન આપનાર – 4,635 {ગેરહાજર મતદારો – 39,100 ( જે બીએલઓને મળ્યા નથી) જિલ્લામાં સૌથી વધુ ન મળતા મતદારોમાં ઉમરગામ અને પારડી વિધાનસભાનો સમાવેશ થાય છે. 1.65 લાખ મતદારના ઘર અથવા‎લોકેશનના પ્રશ્ને મેપ થયું ન હતું‎‎‎દસ્તાવેજ મુજબ જિલ્લામાં‎‎1,65,451 મતદારો (11.94 ટકા)‎‘No Mapping’ કેટેગરીમાં નોંધાયા છે. જેમાં મતદારોના નામ તો મુસદ્દા‎મતદાર યાદીમાં સમાવાયા છે,પરંતુ તેમનું ઘર અથવા લોકેશનના ઉભા‎થયેલા પ્રશ્નના પગલે મેપ થયું ન હતું. આવા મતદારોને BLO તથા AERO‎દ્વારા મેપિંગ માટે પુરાવા મેળ‌‌વવામાં આવશે.‎ બીએલઓની મદદ લેવાશે જિલ્લામાં નવી મતદાર યાદીમાં પાત્રતા ધરાવતા તમામ મતદારોનો સમાવેશ થઇ શકે તે માટે જિલ્લા કલેકટર ભવ્ય વર્મા સતત પ્રયત્નશીલ છે.એક પણ મતદાર જે બધી જ પાત્રતા ધરાવે છે તે કોઇક કારણસર રહી ન જાય તે માટે કલેકટરે બીએલઓને સતર્ક રહી કામગીરી કરવા પ્રોત્સાહિત કર્યા છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

જન્મદિન વિશેષ:જ્યારે અટલજીને સાંભળવા આવેલ લોકોથી લુન્સીકૂઇ ખીચોખીચ ભરાયું

25 ડિસેમ્બરનો દિવસ ભારતના પૂર્વ વડાપ્રધાન, ભારતરત્ન વાજપેયીનો જન્મદિન છે. તેમની સાથે નવસારીની યાદો પણ જોડાયેલ છે.આમ તેઓ એકથી વધુ વખત જિલ્લામાં આવ્યા, સભા સંબોધી હતી પણ 1980 ના અરસામાં શહેરના લુન્સીકૂઇમાં કરેલ જાહેરસભા યાદગાર હતી અને તેઓ ભારે ખીલ્યા હતા. ‘તેલ દેખો તેલકી ધાર દેખો ઈન્દિરાકી સરકાર દેખો’ એ તેમનું મોઘવારી અંગેનું વાક્ય ભારે પ્રચલિત બન્યું હતું. સભા સ્થળ ઉપરથી હેલિકોપ્ટર પસાર થતા ઇન્દિરા ગાંધીને લઇ ટકોર પણ કરી હતી. અનેક માર્મિક કટાક્ષ પણ અટલજી એ તે સમયે કર્યા હતા. લુન્સીકૂઇ મેદાન ઉપર તેમને સાંભળવા માત્ર નવસારી નહીં જિલ્લાભરના ગામે ગામથી લોકો આવ્યા હતા અને વિશાળ મેદાન ખીચોખીચ ભરાઈ પણ ગયું હતું. સ્થાનિક અગ્રણી નવીનભાઈ ધીમ્મર જણાવે છે કે તે સમયે શહેરમાં ફુવારાથી રેલી પણ નીકળી હતી. વાજપેયીજી ઐતિહાસિક દાંડી પણ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર એક્સક્લુસિવ:અમલસાડના રેલવે બ્રિજ પર ડામર ગાયબ

નવસારીના અમલસાડમાં રેલવે ફ્રેઇટ કોરિડોર અંતર્ગત નિર્મિત ફલાય ઓવરબ્રિજની કામગીરી અને તેની ગુણવત્તા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. આ ઓવરબ્રિજને ખુલ્લો મુકાયાને માંડ એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યાં જ સરીબુજરંગ તરફના પશ્ચિમ છેડે એપ્રોચ રોડ પરનો ડામર તૂટી ગયો છે. હાલત એવી છે કે ડામરના બદલે માત્ર રેતી અને ધૂળની ડમરીઓ જોવા મળી રહી છે, જે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહી છે. અમલસાડ બ્રિજના અંતે રોડ પર ફેલાયેલી રેતીને કારણે ખાસ કરીને ટુ-વ્હિલર અને મોપેડ ચાલકો સ્લીપ થઈ રહ્યા છે. આ પોઈન્ટ પર ત્રણ રસ્તાઓ મળતા હોવાથી જો કોઈ બાઈક સવાર સ્લીપ થાય, તો સામેથી આવતા અન્ય વાહન સાથે અકસ્માત થવાનું ગંભીર જોખમ રહેલું છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોની માંગ છે વહેલી તકે ઉખડી ગયેલો ડામર દૂર કરી ઉચ્ચ ગુણવત્તાનું રિપેરીંગ કામ હાથ ધરે, જેથી કોઈ મોટી દુર્ઘટના સર્જાતી અટકાવી શકાય. એક વર્ષ પહેલા અમલસાડ બ્રિજ બન્યો હતો 15 ડિસેમ્બર 2024ના રોજ લોકાર્પણ કરાયેલા આ બ્રિજના ઉતરતા છેડે ત્રણ રસ્તાઓ ભેગા થાય છે. અહીં વાહનોનું ભારણ વધુ રહેતું હોવાથી બ્રેકનો ઉપયોગ પણ વધુ થાય છે. જોકે, સ્થાનિક જાણકારોના મતે આટલા ટૂંકા ગાળામાં રોડ તૂટવા પાછળ હલકી ગુણવત્તાનું મટિરિયલ કારણભૂત હોઈ શકે છે. ટેકનોલોજીના જમાનામાં પણ નબળું કામ થયું છે.> અમરભાઈ પટેલ, સ્થાનિક

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ભાસ્કર ઈનસાઈડ:દશેરા ટેકરી વિસ્તારના લોકોને ગંદા પાણીની સમસ્યાથી મળશે મુક્તિ

નવસારી દશેરા ટેકરી વિસ્તારમાં ગટર લાઇન બાબતે મનપાના કમિશનરને રજૂઆત કરી હતી. ઘણાં સમય બાદ મનપા દ્વારા નવી ગટર લાઇન નાંખવાના કામની શરૂઆત કરી દેતા વિસ્તારના લોકોમાં આનંદની લાગણી છવાઈ હતી. નવસારીના પૂર્વ નગર સેવક વિજય રાઠોડે જણાવ્યું કે દશેરા ટેકરી રામજીખત્રી નાળ ઘોડાના તબેલા પાસે ગટર લાઈનનુ ગંદુ પાણી રસ્તા પર વહેતુ હતું. તે બાબતે સ્થાનિક રહેવાસીઓ અને સ્થાનિક નગરસેવક સાથે કમિશનરને રજૂઆત કરતા નવી ગટર લાઈનની કામગીરી સ્વયમ બંગલા તરફથી રામજી ખત્રીની નાળા તરફ લઇ જવાનું કામગીરી આવી રહી છે. આ નવી ગટર લાઇન નાંખવામાં આવતા હવે ગટર લાઇન ઉભરાવાની સમસ્યાથી રાહત મળશે. નવસારી મહાપાલિકા દ્વારા હાલમાં અંતરિયાળ વિસ્તારોમાં પણ ગટર લાઇન નંખાઇ રહી છે. છેલ્લા બે વર્ષથી સમસ્યા હતીરામજી ખત્રી વિસ્તારમાં છેલ્લા બે વર્ષથી ગટર લાઇન ઉભરાતી હતી. જેને લઇ કલેક્ટર સુધી રજૂઆત નગર સેવક સાથે લોકોએ ફરિયાદ કરી હતી પણ કામગીરી થઈ ન હતી. જેનો અહેવાલ દિવ્ય ભાસ્કરમાં પ્રસિદ્ધ થતા પહેલા મનપાએ એક સપ્તાહમાં દબાણ દૂર કર્યું અને નવી ગટર લાઇનથી લોકોને કાયમી નિરાકરણ મળશે. મનપા દ્વારા નવી લાઇન નંખાશેનવસારીના સુબેદાર એવા સયાજીરાવ ગાયકવાડ શાસનમાં જે તે સમયે નવસારી શહેરના લોકો માટે ગટર લાઇન સહિત પાયાની સુવિધા ઉભી કરાઇ હતી પણ હવે વસ્તી વધતા મનપા દ્વારા નવી ગટર લાઇન નંખાઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ખેડૂતોમાં રોષ:દહેજ પીસીપીઆઇઆરમાં ગેરકાયદેસર રીતે માટીખનનના વિરોધમાં ખેડૂતોમાં રોષ

ભરૂચ જિલ્લાના દહેજ પીસીપીઆઇઆર ઝોનમાં ખેતીની જમીનમાં માલિકની મંજૂરી વિના ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કલેકટરને આપવામાં આવેલાં આવેદનમાં જણાવ્યાં અનુસાર મગનલાલ વસાવાના સર્વે નંબર 465 ની તેમની માલિકીની 73-એએ પ્રકારની ખેતીલાયક જમીનમાં છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે ખોદકામ થઈ રહ્યું છે. દહેજ વિસ્તારમાં સક્રિય ભૂમાફિયાઓએ માલિકની પરવાનગી વિના આશરે 15 થી 20 ફૂટ ઊંડું ખોદકામ કરી જમીનને સંપૂર્ણપણે બિનખેતીલાયક બનાવી દીધી છે. ખેડૂતોનો આરોપ છે કે આ સમગ્ર ખોદકામ અમુક ભૂમાફિયા અને અસામાજિક તત્વોની મિલીભગતથી કરવામાં આવ્યું છે. ખોદકામ માટે પીસીપીઆઇઆર ઝોન કે સરકારી પટ્ટાની જમીનમાં જરૂરી કોઈ પણ પ્રકારની સરકારી મંજૂરી લેવામાં આવી નથી. ગેરકાયદેસર ખોદકામના કારણે ખેતીને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત, પર્યાવરણ અને ભૂગર્ભ જળ સ્તર પર પણ ગંભીર નકારાત્મક અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક તપાસ કરવા અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

ચુકાદો:યુવકને કચડનાર ટ્રકની વીમા કંપનીને રૂ.21.80 લાખ ચૂકવવા પાટણ ક્લેમ ટ્રિબ્યુનલ કોર્ટનો ચુકાદો

પાટણના હારિજ-દંતરવાડા રોડ પર વર્ષ 2022માં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દિનેશજી ઠાકોરનું મોત થયું હતું. પાટણની મોટર અકસ્માત ક્લેમ ટ્રિબ્યુનલે મૃતકના વારસદારોને 9 ટકા વ્યાજ સાથે રૂ.21.80 લાખનું વળતર ચૂકવવા ટ્રક ચાલક, માલિક અને ટાટા AIG વીમા કંપનીને આદેશ કર્યો છે. 23 જુલાઈ 2022ના રોજ દિનેશજી ઠાકોર બાઈક પર હારિજ જતા હતા ત્યારે પાછળથી અજાણી ઇકોચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે (GJ-01-JT-6233) તેમને કચડી નાખ્યા હતા, જેમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.પોલીસ તપાસમાં ઈકો કાર ચાલક વિરુદ્ધ ચાર્જશીટ થઈ હોવા છતાં તેની ધરપકડ થઈ ન હતી. અરજદાર પક્ષના એડવોકેટ રાજેશ એમ. સોલંકીએ દલીલ કરી હતી કે જો ટ્રકની સ્પીડ ઓછી હોત તો જીવ બચી શક્યો હોત. કોર્ટે કમ્પોઝિટ નેગ્લિજન્સના સિદ્ધાંતને ગ્રાહ્ય રાખી ઠેરવ્યું કે ઈકો કાર શોધાઈ ન હોવા છતાં, અકસ્માતમાં સામેલ અન્ય પક્ષકાર (ટ્રક) સંપૂર્ણ વળતર ચૂકવવા જવાબદાર છે. આથી અદાલતે કમ્પોઝિટ નેગ્લિજન્સ (સંયુક્ત બેદરકારી) ગણીને અરજદારોને સંપૂર્ણ વળતર મેળવવા હકદાર ઠેરવ્યા છે. ન્યાયાધીશ પી.એચ. શેઠે નોંધ્યું કે 33 વર્ષીય યુવાનના નિધનથી તેની પત્ની, ત્રણ સંતાનો અને વૃદ્ધ માતાએ આજીવિકા ગુમાવી છે. કોર્ટે ભવિષ્યની આવક અને પારિવારિક નિર્ભરતાને ધ્યાને રાખીને આ વળતરની રકમ મંજૂર કરી છે. વળતરની 50 ટકા રકમ પત્નીને, જ્યારે બાકીની રકમ બાળકો અને માતા વચ્ચે વહેંચાશે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 4:00 am

રાજકોટના ખ્રિસ્તી દેવળોને રોશનીનો ઝગમગાટ:નાતાલના ગીતો-કુરબાનાથી ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ કરી મધરાતે ભગવાન ઈસુના જન્મના કરાયા વધામણા, ખ્રિસ્તી લોકોએ એકબીજાને પાઠવી શુભેચ્છા

• ઈશુ ખ્રિસ્તનો જન્મ ગમાણમાં થયો હોવાથી ચર્ચમાં ખાસ ગમાણ તૈયાર કરવામાં આવ્યું પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતી નિમિત્તે શહેરના તમામ ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે ત્યારે રાજકોટ સહીત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆત થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે. નતાશાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આજે નાતાલની ઉજવણી અમે બધા જ લોકો સાથે મળીને કરી રહ્યા છીએ. 24 તારીખે રાત્રે બધા સાથે મળી ચર્ચની અંદર પ્રાર્થના કરીએ છીએ આ પછી 12 વાગ્યે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાં કરીએ છીએ. આજે કેક અને કોફી સાથે એન્જોય કરીશું બધા જ લોકો આખી રાત સાથે મળીને ઉજવણી કરીશું. આવનાર વર્ષમાં મારી અને બધાની ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ. ક્રિસમસ જોયફુલ સેલિબ્રેશન છે આપણે ખુશ રહેવાનું અને બીજાને પણ ખુશ રાખવાના, એક બીજાને પ્રેમ આપવો એ છે સાચું ક્રિસમસ. નાતાલની ઉજવણી સમગ્ર દુનિયા સાથે મળીને કરે છે. પ્રભુ ઈશુ મુક્તિ દાતા સમગ્ર માનવ જાતિના છે. પ્રભુ ઈશુના જન્મના વધામણાં થયા ત્યારે ફરિસ્તાઓએ સમગ્ર દુનિયાના મુક્તિ દાતાનો જન્મ થયો છે. કોઈ વ્યક્તિ પરિવાર કે સમાજ નહિ પરંતુ સમગ્ર દુનિયાના સમગ્ર લોકો માટેના મુક્તિ દાતાનો જન્મ થયો છે. જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય, અંધકારમાં રહેતા હોય, બંધનમાં રહેતા હોય એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા, મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઇ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના દ્વાર ખોલી આપવા પ્રભુ ઈશુએ માનવ રૂપ ધારણ કર્યું છે. બ્રિટિશકાળમાં વર્ષ 1854 દરમિયાન રાજકોટ શહેરમાં મોચી બજાર ખાતે સૌરાષ્ટ્રના પ્રથમ ચર્ચની સ્થાપના કરવામાં આવી હતી જે રાજકોટમાં 'ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ' તરીકે ઓળખાય છે. 170 વર્ષ જુના આ ચર્ચમાં મધર ટેરેસા પણ પધાર્યા હતા. આજે મધરાતે 12 વાગ્યે પ્રથમ નાતાલના ગીતો-કુરબાનાથી ક્રિસમસનું સેલિબ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં નાના બાળકોથી લઇ વૃધ્ધો સહિત મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાર્થના કરી એક બીજાને મેરી ક્રિસમસ કરી શુભેચછાઓ પાઠવી હતી. આ ઉજવણી મોડી રાત સુધી રાજકોટના ચર્ચમાં ચાલુ રહી હતી. એવું કહેવાય છે કે ઈસુનો જન્મ જેરુસલેમના બેથલહેમમાં પ્રાણીઓથી ભરેલા તબેલા કે ગમાણમાં થયો હતો અને જન્મ બાદ તેમને વીંટાળવા માટે કપડું પણ ન હતું આ બાળ ઈસુ મસીહાને જંગલમાં પ્રાણીના ચામડામાં વીંટાળીને રાખવામાં આવ્યા હતા. માટે ખાસ દરેક ચર્ચમાં ચર્ચ ડેકોરેશન સાથે એક ખાસ ગમાણ તૈયાર કરવામાં આવે છે અને સાથે ક્રિસમસ ટ્રી પણ જોવા મળે છે જેના થકી સમાજને ઈશુ ક્ષારીસ્ટના જન્મ અને જીવનનો સંદેશ આપવામાં આવે છે. રાજકોટમાં એક-બે નહીં પરંતુ પાંચ ચર્ચ આવેલા છે. મોચીબજાર ખાતે આવેલું 'ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ' સૌથી જૂનું અને પહેલું ચર્ચ છે. આ ઉપરાંત આઈ.પી. મિશન સ્કૂલમાં આવેલું ચર્ચ, કાલાવડ રોડ ઉપર આવેલું પ્રેમ મંદિર નામથી જાણીતું ચર્ચ, શ્રોફ રોડ પર અને જામનગર રોડ ઉપર પણ ચર્ચ આવેલું છે. ઉલ્લેખનીય છે કે 1854ના સમયમાં જ્યુબિલી ગાર્ડનમાં નાની જગ્યામાં ચર્ચની સ્થાપના કરાઇ હતી. ત્યારબાદ સમયાંતરે વિશાળ જગ્યામાં સ્થાપના થઇ.1985માં આ ચર્ચનું ફરી નવીનીકરણ કરી દિવ્ય બનાવવામાં આવ્યું. 'ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચ'માં કેથોલિક સંપ્રદાયના ખ્રિસ્તીઓ આજે પણ અહીં આવે છે અને પ્રાર્થનામાં ભાગ લે છે.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 2:44 am

એક શીટ મળી ને સુરેન્દ્રનગરનું 1500 કરોડનું કૌભાંડ ખૂલ્યું:ના.મામલતદારનો ED સમક્ષ ધડાકો, કૌભાંડમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ પણ સામેલ, કમિશન અને દલાલો નામ લખેલા કાગળો મળ્યા

1500 કરોડના જમીન NA (બીન ખેતી)કરાવવાના કૌભાંડ મામલે EDએ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યાર બાદ બપોરે આ કેસમાં એસીબી સુરેન્દ્રનગરમાં ઇડીના અધિકારીએ સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રૂશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. ACBમાં નોંધાયેલી ફરિયાદમાં ખુલાસો થયો છે કે, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 1 કરોડની લાંચ લીધી છે અને તેમાં કલેક્ટર રાજેન્દ્ર પટેલ, ક્લાર્ક મયુર ગોહિલ અને પીએ જયરાજસિંહ ઝાલા સામેલ છે. માત્ર એટલું જ નહીં, એક શીટમાં દલાલોના નામ અને તેમને આપવાની રકમ પણ લખેલી હોવાનું સામે આવ્યું છે. બેડરૂમમાંથી 67 લાખની કેશ મળી23 ડિસેમ્બરે દિલ્હી ખાતે આવેલી ઈડીની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને ત્યાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના રહેણાંક પરિસરમાં PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન 67.50 લાખની રોકડ રકમ રિકવર કરી જપ્ત કરવામાં આવી હતી. આ રોકડ રકમ તેમના બેડરૂમમાં છુપાવેલી મળી આવી હતી. આરોપી ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું છે કે જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા અરજદારો પાસેથી માંગેલી અને એકઠી કરેલી લાંચની રકમ છે. આ પણ વાંચો: 1500 કરોડના જમીન કૌભાંડ મામલે સુરેન્દ્રનગર કલેક્ટર સામે એસીબીમાં FIR સૂત્રોએ માહિતી આપી ને ઈડી ત્રાટકીઈડીના ડાયરેક્ટર સિદ્ધાર્થ જૈને ACBમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું કે, વિશ્વસીનય સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે, સુરેન્દ્રનગરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટા પાયા પર જમીન કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના લોકો સામેલ છે. ચંદ્રસિંહે લીધેલી 1 કરોડની લાંચમાં કલેક્ટરની પણ સંડોવણીચંદ્રસિંહ મોરીએ ઈડી સમક્ષ સ્વીકાર્યું કે, જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે સ્કવેર મીટર દીઠ 10 રૂપિયાના ભાવથી લાંચ લેવામાં આવતી હતી. ચંદ્રસિંહ મોરીના પ્રિમાસિસમાંથી મળેલા દસ્તાવેજોમાં 1 કરોડની લાંચ લીધી હોવાના દસ્તાવેજી પૂરાવા મળ્યા છે. જ્યારે સૌથી આંચકાજનક વાત તો એ છે કે, ચંદ્રસિંહ મોરીએ સ્વીકાર્યું છે કે, જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયુર ગોહિલ, કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સામેલ છે અને લાંચના પણ ભાગીદાર છે. પ્રિન્ટેડ શીટમાં હજુ અનેક રહસ્યો ધરબાયેલાઈડીને સર્ચ દરમિયાન એક પ્રિન્ટેડ શીટ મળી આવી છે. જેમાં ઓનલાઇન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર, ક્યા પ્રકારની અરજી છે તે સહિતની વિગતો હતી. આ ઉપરાંત ક્યા અરજદાર પાસે કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો હતી. આ શીટમાં વચેટિયાઓ, કમિશન એજન્ટના પણ નામ હતા. માત્ર એટલું જ નહીં, શીટના ડેટા મુજબ 2 લાખ 61 હજાર 332 સ્કવેર મીટર જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે 26 લાખ 17 હજાર 320ની લાંચ લેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયાનું લખાણઆ શીટના નીચેના ભાગ પર પેનથી કોના કેટલા રૂપિયા કાઢવાના છે તેની પણ નોંધ કરવામાં આવી છે. જેમાં એમડીના 64 લાખ, સીબીના 60 હજાર, અશોકના 2 લાખ 83 હજાર, એચપીના 6 લાખ, રાકેશભાઈ 5000, આશિષભાઈના 70 હજાર એવી નોંધ કરવામાં આવેલી છે. ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવાતુંસુરેન્દ્રનગર કલેક્ટર ઓફિસમાં ચાલતા આ સિસ્ટેમેટિક NA કૌભાંડની મોડસ ઓપરેન્ડી પણ ભલભલાને ચોંકાવી દે એવી છે. જમીન NA કરાવવા મામલે EDની તપાસમાં ખુલાસો થયો છે કે, વચેટિયાઓ અને એજન્ટો મારફતે જમીન NA કરાવામાં આવતી હતી. આયોજનબદ્ધ રીતે ખંડણી અને ગેરકાયદેસર રીતે લાભ કરાવીને NA કૌભાંડ ચલાવવામાં આવ્યું હતું. ચંદ્રસિંહ મોરી પાસે જમીન NAના પાવર હતાઆ કૌભાંડ CLU(ચેન્જ ઓફ લેન્ડ યુઝ) એટલે કે હેતુફેર અંતર્ગત થયેલી અરજીઓને લઈ આચરવામાં આવતું હતું. નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી પાસે જમીન NA બાબતે પાવર હતા અને તેનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. આયોજનબદ્ધ રીતે જમીન NA કરી આપવા બાબતમાં રૂપિયા લેવામાં આવતા હતા. આ રૂપિયા સ્પીડ મનીના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા સિવાય કામ કરી આપવામાં આવતું હતું. અરજીના આધારે પર ચોરસ મીટર મુજબ રકમ નક્કી કરવામાં આવતી હતી. વચેટિયાઓના માધ્યમથી આ રકમ અધિકારીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. સોલાર‎ પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દોસુરેન્દ્રનગરમાં મંગળવારે (24 ડિસેમ્બર, 2025)ને સવારે પરોઢીયે 5 વાગ્યે‎ EDએ રૂ. 1500 કરોડના જમીન સંપાદન કેસ મામલે ‎‎કલેક્ટર, નાયબ મામલતદાર,‎ ‎કલેક્ટરના પીએ, વકીલ અને‎ ‎ક્લાર્કની પૂછપરછ હાથ ધરી હતી. ‎‎રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી ‎‎હતી. ત્યાં સુધી કોઇ સત્તાવાર વિગતો‎ ‎સામે આવી નહોતી, પરંતુ કલેક્ટરે સત્તા ‎‎સંભાળ્યા બાદ નળસરોવર, ‎‎ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના ‎‎તલસાણા અને પાટડીમાં સોલાર‎ પ્લાન્ટમાં મોટાપાયે થયેલી જમીન સંપાદનનો મુદ્દો ‎ચર્ચામાં આવ્યો હતો. કલેક્ટર જે ફાઇલનો વહિવટ‎ કરવાનો હોય તે ઘરે લઇ જતા હતા. 5 લોકોનું નિવાસસ્થાન એપી સેન્ટરસમગ્ર તપાસનું ‎એપી સેન્ટર આ 5 જણાંનું નિવાસસ્થાન હતું.‎ કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલ જપ્ત કરાઇ છે.‎ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટેરેટ EDની ટીમે 1500‎ કરોડના જમીન સંપાદનમાં કટકી બટકીના ‎આરોપસર વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ.પટેલ,‎ નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ‎ રવિરાજસિંહ ઝાલા, કલાર્ક મયુરસિંહ ગોહિલ અને ‎‎હાઇકોર્ટના એક વકીલ સહિત પાંચ વ્યક્તિઓની ‎‎પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 25 Dec 2025 12:05 am

રૂફટોપ સોલારમાં ગુજરાત અવ્વલ:5 લાખ ઇન્સ્ટોલેશન્સ, 1,879 મેગાવોટ ક્ષમતા હાંસલ, માર્ચ 2027નો 50% લક્ષ્ય સમય પહેલાં પૂરો

ગુજરાતે નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યમાં 5 લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ ક્ષમતા 1,879 મેગાવોટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પીએમ સૂર્ય ઘર- મુફ્ત બિજલી યોજના હેઠળ આ સિદ્ધિ મેળવવામાં આવી છે, જે રૂફટોપ સોલાર અપનાવવામાં ગુજરાતની અગ્રણી ભૂમિકા દર્શાવે છે. માર્ચ 2027નો 50% લક્ષ્ય સમય પહેલાં પૂરોઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને પ્રોત્સાહનોને કારણે રાજ્યમાં કુલ મળીને 11 લાખથી વધુ સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થઈ ચૂકી છે. વધુમાં, માર્ચ 2027 સુધીમાં 10 લાખ આવાસીય રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યના 50 ટકા ભાગને પણ ગુજરાતે સમય પહેલાં હાંસલ કરી લીધા છે. સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત દેશમાં અગ્રણીઆ મહત્વપૂર્ણ સિદ્ધિ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વર્તમાન સમય સૌર, પવન અને હાઇબ્રિડ નવીનીકરણીય ઊર્જા તેમજ ગ્રીન હાઇડ્રોજનથી સંચાલિત ગ્રીન ગ્રોથથી વ્યાખ્યાયિત થઈ રહ્યો છે. ગુજરાતે આ બદલાવ માટે લાંબા સમયથી તૈયારી કરી છે અને આજે રાજ્ય ભારતની કુલ નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ખાસ કરીને સોલાર રૂફટોપ યોજનામાં ગુજરાત દેશમાં અગ્રણી છે અને સતત પ્રગતિ માટે માનદંડ સ્થાપિત કરી રહ્યું છે. આ સિદ્ધિ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ સંભવ બની છે, જેમની નવીનીકરણીય ઊર્જા અને સતત વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ ગુજરાતને પોતાના વિઝનને વાસ્તવિકતામાં બદલવા પ્રેરિત અને સક્ષમ કર્યું છે. રૂફટોપ સોલાર અપનાવવું હવે વધુ સરળ, સરકાર આપી રહી છે સબસિડીરૂફટોપ સોલારને વ્યાપકપણે અપનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર આકર્ષક સબસિડીના લાભ આપી રહી છે. આ હેઠળ 2 કિલોવોટ સુધીની ક્ષમતા વાળી સિસ્ટમ પર ₹30,000 પ્રતિ કિલોવોટ, 2 કિલોવોટથી વધુ અને 3 કિલોવોટ સુધીની ક્ષમતા પર ₹18,000 પ્રતિ કિલોવોટની સબસિડી આપવામાં આવે છે, જ્યારે 3 કિલોવોટથી વધુ ક્ષમતા વાળી સિસ્ટમ માટે મહત્તમ ₹78,000 સુધીની સબસિડીનો પ્રાવધાન છે. અત્યાર સુધી આવાસીય ગ્રાહકોને આ યોજના હેઠળ ₹3,778 કરોડની સબસિડીનો લાભ મળી ચૂક્યો છે. આ ઉપરાંત, 6 કિલોવોટ સુધીની સિસ્ટમ માટે ₹2,950 સુધીનું નિયામક શુલ્ક સહાય પણ આપવામાં આવે છે, નેટવર્ક મજબૂતીકરણ શુલ્ક માફ કરવામાં આવ્યું છે અને ગ્રાહકોને નેટ મીટરિંગ કરારથી પણ છૂટ આપવામાં આવી છે. વધુમાં, આવાસીય સોલાર ઇન્સ્ટોલેશન માટે કોઈ લોડ મર્યાદા નથી. ગ્રાહકોને વધારાની બિજલી વેચવાની સુવિધા મળે છે અને તેમના પર કોઈ બેન્કિંગ શુલ્ક પણ લાગતું નથી. આગામી વાઇબ્રન્ટમાં ગુજરાતનું રૂફટોપ સોલાર મોડલ પ્રદર્શિત થશે10 જાન્યુઆરીથી રાજકોટમાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ગુજરાતની રૂફટોપ સોલારની પ્રેરક સફળતાઓની વાર્તાઓને ખાસ પ્રદર્શિત કરવામાં આવશે. જેમાં તે ઘરોના ઉદાહરણો હશે જેમણે માત્ર પોતાના બિજલી ખર્ચમાં ઘટાડો જ નહીં કર્યો પરંતુ આજે રૂફટોપ સોલારથી વધારાની બિજલી ઉત્પાદન કરીને ગ્રીડને પણ આપી રહ્યા છે અને તેમાંથી વધારાની આવક પણ મેળવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:34 pm

જૂનાગઢમાં GST વિભાગનું સર્ચ ઓપરેશન,:'જે ડી જ્વેલર્સ' પર GST ત્રાટક્યું: જૂનાગઢમાં સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન યથાવત; સોના-ચાંદીના આસમાની ભાવ વચ્ચે વેપારી આલમમાં મચ્યો ખળભળાટ

જૂનાગઢમાં લાંબા સમય બાદ GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવતા સોના-ચાંદીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના જાણીતા 'જે ડી જ્વેલર્સ' ખાતે જીએસટી વિભાગની ટીમોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ કામગીરી છેલ્લા બે દિવસથી ચાલી રહી છે, જેમાં આજે પણ ત્રણ કલાકથી વધુ સમય સુધી અધિકારીઓએ હિસાબોની ઝીણવટભરી તપાસ કરી હતી. એક તરફ બજારમાં સોના અને ચાંદીના ભાવ પ્રતિદિન નવા રેકોર્ડ સર્જી રહ્યા છે અને કિંમતો આસમાને પહોંચી છે, ત્યારે બીજી તરફ ટેક્સ ચોરીની શંકાના આધારે જીએસટી વિભાગની ટીમો ત્રાટકતા સ્થાનિક જ્વેલર્સમાં ચિંતા જોવા મળી રહી છે. દરોડા દરમિયાન સ્ટોક રજિસ્ટર, ખરીદ-વેચાણના બિલ અને કિંમતી ધાતુઓના સ્ટોકની ગણતરી કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે ડી જ્વેલર્સમાં હાથ ધરવામાં આવેલા સર્ચ દરમિયાન શંકાસ્પદ વ્યવહારો અને ટેક્સની વિસંગતતાઓને ધ્યાનમાં રાખીને મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે. હજુ પણ તપાસ ચાલુ હોવાથી અંતિમ આંકડો કામગીરી પૂર્ણ થયા બાદ જ સામે આવશે. જૂનાગઢમાં થયેલી આ આકસ્મિક કાર્યવાહીને પગલે અન્ય મોટા જ્વેલર્સ પણ સાવધ થઈ ગયા છે. વિભાગ દ્વારા આગામી સમયમાં અન્ય પેઢીઓ પર પણ તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:32 pm

હર્ષ સંઘવીનો કડક સંદેશ 'ડ્રગ્સ સામે અભિયાન નહીં, જંગ લડો':ગાંધીનગરમાં ક્રાઈમ કોન્ફરન્સમાં ડેપ્યુટી સીએમએ પોલીસને કહ્યું- નિયમ વાંચીને નહીં, આક્રોશ સાથે ડ્રગ્સની ચેન તોડો

ગાંધીનગરમાં યોજાયેલી બે દિવસીય ઐતિહાસિક ક્રાઈમ કોન્ફરન્સમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસને સ્પષ્ટ અને કડક સંદેશ આપ્યો કે, ડ્રગ્સ સામે કોઈ અભિયાન નહીં પરંતુ પૂર્ણ જંગ લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ગુજરાતની ધરતી પર પગ મૂકતાં જ ડ્રગ માફિયાના પગ ધ્રુજવા જોઈએ અને જો એ ન ધ્રુજે તો કાયદાની કડક કાર્યવાહીથી ધ્રુજાવા જોઈએ. ડ્રગ્સ મામલે ગુજરાત પોલીસ કોઈપણ બાંધછોડ નહીં કરે તેવું ગૌરવપૂર્વક જણાવતાં તેમણે 2022ની સરખામણીએ ડ્રગ્સ સંબંધિત ગુનાઓમાં ઘટાડો થયો હોવાનું પણ કહ્યું અને સમગ્ર પોલીસ દળને અભિનંદન પાઠવ્યા. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આ ક્રાઈમ કોન્ફરન્સ માત્ર આંકડાઓ માટે નહીં પરંતુ સમસ્યાઓના વાસ્તવિક નિરાકરણ માટે યોજાઈ છે. તમામ પોલીસ અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નાગરિકોને વધુ મદદરૂપ થવા માટે ટેકનોલોજી આધારિત પ્રેઝન્ટેશન મારફતે અનેક મહત્વપૂર્ણ માહિતી રજૂ થઈ. કેટલાક અધિકારીઓ તેમના જિલ્લાના કામકાજને વધુ મજબૂત બનાવવા નવી પહેલ કરી રહ્યા છે, જે આવનારા સમયમાં મહત્વપૂર્ણ સાબિત થશે. PI, PSI અને કોન્સ્ટેબલ સુધીના સ્ટાફને ખુલ્લા મનથી સાંભળવાપોલીસમાં ટીમવર્ક અને નેતૃત્વ પર ભાર મૂકતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, સિનિયર અધિકારીઓ પાસેથી જુનિયર શીખે એવી પરંપરા સાથે ટેકનોલોજી જોડાય તે સરાહનીય છે. SP કક્ષાના અધિકારીઓએ મિટિંગ દરમિયાન PI, PSI અને કોન્સ્ટેબલ સુધીના સ્ટાફને ખુલ્લા મનથી સાંભળવા જોઈએ. રેન્કના આધારે નહીં પરંતુ કામના આધારે દરેકની વાત સાંભળવી જરૂરી છે. ટીમ લીડર મજબૂત હોવો જોઈએ અને જુનિયર સ્ટાફની ભૂલોને સુધારીને તેમને આગળ વધારવા જોઈએ, રોજ ભૂલો શોધવી નહીં. તેમણે સ્પષ્ટ કર્યું કે કેટલાક અધિકારીઓ આખો દિવસ ઓફિસમાં ન હોવા છતાં પોતાના જિલ્લામાં શું ચાલી રહ્યું છે તેની સચોટ માહિતી ધરાવે છે, જે સારા નેતૃત્વનું ઉદાહરણ છે. આવનારા અઠવાડિયામાં VC મારફતે બે દિવસીય શિબિરના મંતવ્યો રજૂ કરવામાં આવશે, જેથી ફરિયાદો પર ગંભીરતા વધે અને પોલીસ વધુ પ્રજા સાથે જોડાય. DGP તરીકે કરેલા પ્રયાસોથી અનેક સકારાત્મક બદલાવ આવ્યારાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ બે દિવસીય ક્રાઈમ કોન્ફરન્સ ઐતિહાસિક રહી છે. તમામ વિષયો પર સર્વગ્રાહી પ્રેઝન્ટેશન થયા અને અધિકારીઓની સાચી મહેનત સ્પષ્ટ રીતે જોવા મળી. તેમણે DGP તરીકે કરેલા પ્રયાસોથી અનેક સકારાત્મક બદલાવ આવ્યા હોવાનું જણાવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને તેમની ટીમે માત્ર એક અઠવાડિયામાં 21 કેસ ઉકેલ્યા તે સફળતા તરીકે રજૂ કરવામાં આવ્યા. 2022 અને 2023 માટે ‘મેડલ ફોર એક્સેલન્સ’ એવોર્ડ્સ એનાયતATSના પ્રેઝન્ટેશનમાં જોવા મળેલી નાની-મોટી ખામીઓને દૂર કરવા અંગે હર્ષ સંઘવીએ સ્પષ્ટતા કરી અને નાગરિકોના હિતમાં બદલાવ લાવવા ખાસ કમિટી બનાવવાની જાહેરાત કરી, જે સિનિયોરિટીના આધારે નહીં બને. કોન્ફરન્સના અંતિમ દિવસે વર્ષ 2022 અને 2023 માટે ‘મેડલ ફોર એક્સેલન્સ’ એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા. ડ્રગ્સ સામે ગુજરાત પોલીસ અડગ રીતે લડત આપશેસમગ્ર કોન્ફરન્સમાંથી સ્પષ્ટ સંદેશ મળ્યો કે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ, મજબૂત ટીમવર્ક અને કડક કાર્યવાહીથી જિલ્લા પોલીસ કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવી શકે છે અને ડ્રગ્સ જેવી ગંભીર સમસ્યાઓ સામે ગુજરાત પોલીસ અડગ રીતે લડત આપશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 11:27 pm

31st પહેલા જ ક્રાઈમ બ્રાન્ચ અને SOGનું મેગા ઓપરેશન:પોલીસે 21 કેસમાં 25 પેડલરો-સપ્લાયરોને ઝડપી પાડ્યા, 1 કરોડથી વધુનો ગાંજા-ડ્રગ્સ સહિતનો જથ્થો જપ્ત

31st ડિસેમ્બર આવી રહી છે ત્યારે હવે અમદાવાદમાં દારૂ, ડ્રગ્સ અને ગાંજાની હેરાફેરી વધી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચ અને SOGની ટીમે એક અઠવાડિયામાં ડ્રગ્સ, ગાંજો અને ચરસના કુલ 21 કેસ કરી 25 પેડલરો-સપ્લાયરોને ઝડપી લીધા છે. જ્યારે તેમની પાસેથી એક કરોડ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. જોકે, આ તમામ પેડલરોને ઝડપી લેવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ સાબિત થઈ છે, ત્યારે ક્રાઈમ બ્રાન્ચે સપાટો બોલાવી દીધો છે. 1 કરોડના મુદ્દામાલ સાથે 25 પેડલરો-સપ્લાયરો ઝડપાયાઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે ડીસીપી ક્રાઈમ અજીત રાજીયાન અને ડીસીપી SOG રાહુલ ત્રિપાઠીને શહેરમાં ડ્રગ્સ પેડલરો પર વોચ રાખી ડ્રગ્સના વેપારને અટકાવવા માટે કવાયત શરૂ કરવા આદેશ આપ્યો હતો. જેના પગલે તમામ સ્ક્વોડ કામે લાગી ગયા હતા અને માત્ર અઠવાડિયામાં જ ડ્રગ્સ સપ્લાયરો અને પેડલરોની જુદી જુદી સિન્ડિકેટ પર વોચ રાખીને પોલીસે 21 કેસ કરી એક કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે 25 પેડલરો-સપ્લાયરોને ઝડપી લીધા છે. પાનમસાલાની પડીકીઓની જેમ નશીલા પદાર્થોનું વેચાણઆ કવાયત દરમિયાન હવે પાનના ગલ્લા પર જેમ પાનમસાલાની પડીકીઓ મળતી હોય તેમ ડ્રગ્સ, હાઈબ્રિડ ગાંજો અને ચરસ જેવા નશીલા પદાર્થો સરળતાથી મળતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની કવાયતથી પેડલરો સ્તબ્ધ થઈ ગયા છે. હવે જોવાનું એ રહ્યું કે, આ કડકાઈ ક્યાં સુધી ટકી રહે છે. એજન્સીઓની નાર્કો ફાઈનાન્સ અને નાર્કો ટેરરિઝમ અંતર્ગત તપાસક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના જણાવ્યા મુજબ આ કવાયત માત્ર નશાનો કારોબાર અટકાવવા કે નશીલા પદાર્થો જપ્ત કરવા સુધી મર્યાદિત રાખવામાં આવી નથી. આ કવાયત હેઠળ એજન્સીઓ દ્વારા નાર્કો ફાઈનાન્સ અને નાર્કો ટેરરિઝમ અંતર્ગત પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓ ડ્રગ્સના વેચાણથી પ્રાપ્ત થતી રકમની મની ટ્રેલ શોધી રહી છે, જેથી આ ગેરકાયદે નફાને ક્યાં અને કેવી રીતે લોન્ડરિંગ કરવામાં આવે છે તે બહાર લાવી શકાય. અમદાવાદના પેડલરોને ખાસ કરી રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાયગુનાહિત સિન્ડિકેટની આર્થિક કરોડરજ્જુ તોડવાનો આ પ્રયાસ છે, જેથી ભવિષ્યમાં આ નેટવર્ક ફરીથી સક્રિય ન થઈ શકે. આ પ્રકરણમાં જે પણ હવાલા મળ્યા છે તેમાં અમદાવાદના પેડલરોને ખાસ કરીને રાજસ્થાનથી ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતું હોવાની માહિતી મળી છે, જેને પગલે આ કવાયતની તપાસ દેશભરમાં વિસ્તારી દેવામાં આવી છે. મોટા સપ્લાયરોથી માંડીને છુટક ડ્રગ્સ વેચતા પેડલરો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે યુવાનોને પણ આ દુષણથી દૂર રહેવા માટે સતર્ક કરવામાં આવી રહ્યા છે. પેડલરો-સપ્લાયરોને ડ્રગ્સની ચુંગાલમાંથી બહાર નીકળવા હાકલક્રાઈમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ પેડલરો અને સપ્લાયરોને ડ્રગ્સની ચુંગાલમાંથી બહાર નીકળવા માટે હાકલ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે, “જે લોકો વ્યસનમાંથી બહાર આવવા માગે છે તેમના માટે કાયદો અને તંત્ર મદદરૂપ બનશે.” આ અભિગમ હેઠળ સાચા વ્યસનીઓને જેલને બદલે પુનઃવસન અને નવું જીવન શરૂ કરવાની તક આપવામાં આવશે. PI અથવા PSIના નેતૃત્વ હેઠળ નાર્કો સ્ક્વોડ બનાવાયુંપોલીસ કમિશનરની સૂચનાથી દરેક પોલીસ મથકમાં સેકન્ડ PI અથવા PSIના નેતૃત્વ હેઠળ નાર્કો સ્ક્વોડ બનાવવામાં આવ્યું છે. જેની કામગીરી માત્ર નશીલા પદાર્થોના વેપાર પર રોક લગાવવાની અને પેડલરો-સપ્લાયરોને ઝડપી લેવાની છે. કમનસીબે, શહેરના તમામ પોલીસ મથકોમાં રચાયેલા આ સ્ક્વોડ દ્વારા હજુ સુધી કોઈ મોટું કન્સાઇનમેન્ટ પકડવામાં આવ્યું નથી.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:14 pm

અનંત અંબાણીએ સોમનાથ મંદિરને 5 કરોડનું દાન આપ્યું:યાત્રાળુ સુવિધાઓ માટે દાન, મહાપૂજા અને જલાભિષેક કર્યો

દેવાધિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના પાવન ધામે ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણી ભાવપૂર્વક દર્શનાર્થે સોમનાથ તીર્થમાં પધાર્યા હતા. તેમણે આશુતોષ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ નમાવી ભક્તિભાવ સાથે મહાપૂજા અને જલાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચારના ગુંજારવ વચ્ચે અનંત અંબાણીએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર મહાપૂજાનો સંકલ્પ કર્યો હતો. ભગવાન સોમનાથનો જલાભિષેક કરી પૂજન સામગ્રી અર્પણ કરી, તેમણે રાષ્ટ્રની ઉન્નતિ, લોકકલ્યાણ અને સર્વજન સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું. મુખ્ય મંદિરના દર્શન બાદ અનંત અંબાણી સમુદ્ર કિનારે પહોંચ્યા હતા, જ્યાં તેમણે સૂર્યનારાયણના દર્શન કરી પ્રકૃતિની દિવ્ય શાંતિનો અનુભવ કર્યો હતો. ત્યારબાદ તેઓ શ્રી કપર્દી વિનાયક ગણેશજીના મંદિરે જઈ વિઘ્નહર્તા ગણેશજીના આશીર્વાદ લીધા હતા. આ પાવન અવસરે શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ અનંત અંબાણીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ટ્રસ્ટ દ્વારા તેમને સ્મૃતિચિહ્નરૂપે શ્રી સોમનાથ મહાદેવનું ચિત્ર તથા પવિત્ર પ્રસાદ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. અનંત અંબાણીએ આ અવસરે શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં ₹5 કરોડનું શિવાર્પણ કર્યું હતું. આ દાનનો ઉપયોગ સોમનાથ તીર્થ ખાતે યાત્રાળુઓ માટેની આધુનિક સુવિધાઓ, વિકાસલક્ષી પ્રકલ્પો તથા તીર્થના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવશે. આ શિવાર્પણ સોમનાથ તીર્થના સતત વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાનરૂપ બનશે.

દિવ્ય ભાસ્કર 24 Dec 2025 10:00 pm