જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક સગીરાની છેડતી અને સતામણીનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર સતત પરેશાન કરવા અને ત્યારબાદ સગીરાનો પીછો કરીને તેના પરિવારને માર મારવાના મામલે કેશોદ પોલીસ સ્ટેશનમાં બે યુવકો સામે POCSO એક્ટ સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. કેશોદના ગ્રામ્ય પંથકમાં રહેતી એક સગીરા છેલ્લા કેટલાક સમયથી બે યુવકોના નિશાને હતી. ફરિયાદની વિગતો મુજબ, આરોપી યુવકો સગીરાને સોશિયલ મીડિયા માધ્યમ પર સતત મેસેજ અને ચેટ કરીને પરેશાન કરતા હતા. આ સતામણી માત્ર ઓનલાઈન પૂરતી સીમિત ન રહેતા, આરોપીઓ સગીરાનો પીછો કરવા લાગ્યા હતા.વાત એટલી હદે વધી ગઈ કે આરોપી યુવકો સગીરાના ઘર સુધી પહોંચીને બારણું ખખડાવી હેરાનગતિ કરતા હતા. આરોપીઓના આ સતત ત્રાસ અને હેરાનગતિથી ભયભીત બનેલી સગીરાએ આખરે આ સમગ્ર વાત તેની માતાને જણાવી. સગીરાની માતાએ તાત્કાલિક આ ગંભીર ઘટનાની જાણ તેમના પતિ (સગીરાના પિતા)ને કરી હતી. ત્યારબાદ માતા-પિતા બંનેએ સાથે મળીને આરોપી યુવકોને તેમની હરકતો બદલ ઠપકો આપ્યો હતો..પરંતુ આરોપી યુવકોએ ઠપકાની વાત સાંભળવાને બદલે ઉશ્કેરાઈ ગયા હતા. ઠપકો આપવો જ પરિવાર માટે મોટો સંઘર્ષ બની ગયો. આરોપી યુવકોએ સગીરા તેમજ તેના માતા-પિતા સાથે ગાળા-ગાળી કરી હતી અને તેમને માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ ભોગ બનનાર સગીરાના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર ઘટનાને પગલે સગીરાની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં બંને યુવકો વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે કેશોદના એસપી બી. સી ઠક્કરે જણાવ્યું હતું કે કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની દીકરીની છેડતી મામલે માતાએ ફરિયાદ નોંધાવી છે.પોલીસે માતાની ફરિયાદના આધારે મેહુલ વેજાભાઈ માલમ અને તીર્થ ઉર્ફે બુદ્ધો અશ્વિનભાઈ ફળદુ નામના બંને યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય છે પોલીસે આ બંને યુવકો વિરુદ્ધ POCSO (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ) એક્ટ સહિત જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધીને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.કેશોદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસનું કહેવું છે કે સગીરાના મામલે કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવામાં નહીં આવે. આરોપીઓને કડક સજા થાય તે માટે તમામ જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.
સુરતની લાજપોર જેલમાં 14 ડિસેમ્બર રવિવારે એક કેદીના મોતની ઘટના સામે આવી છે. મૃતક કેદી સદામ હુસેન (ઉ.વ. 37)ને સવારે 11 વાગ્યા આસપાસ અચાનક છાતી અને ખભાના ભાગે અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. જેલના ફરજ પરના ડોક્ટરે તપાસ કરી તેને હાર્ટ એટેક આવ્યાની આશંકાએ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ રીફર કરાયો હતો. જોકે, સિવિલ હોસ્પિટલમાં કેદીને સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું. પોલીસે દ્વારા કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ હાથ ધરાઈ છે. આરોપીએ 12 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતુંમૂળ નવસારીના ધારાગીરી વિસ્તારના મુસ્લિમ ફળિયામાં રહેતા મૃતક આરોપી સદામ હુસેન ઉર્ફે ઇરફાન અબ્દુલ અઝીઝ રાયણી સામે વર્ષ 2021માં 12 વર્ષની બાળકીને લગ્નની લાલચ આપી, લલચાવી, ફોસલાવી તેમજ ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી લઈ જઈ તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાધી ગુનો કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતીજોકે, નવસારી કોર્ટમાં આ કેસ ચાલતા સરકારી વકીલે રજૂ કરેલા પુરાવા અને બાળકીની જુબાનીના આધારે આરોપી સદામ હુસેનને દોષિત જાહેર કર્યો હતો. કોર્ટે 5 જૂન 2023ના રોજ આરોપીને આજીવન કેદની સજા અને રૂપિયા 30 હજારના દંડની સજા ફટકારી હતી. આ ચુકાદા બાદ આરોપી સુરતની લાજપોર જેલમાં પાકા કામના કેદી તરીકે રહેતો હતો. જેલની કોટડીમાં સદામને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો હતોજોકે, 14 ડિસેમ્બર 2025 રવિવારના રોજ સવારે 11 વાગ્યા આસપાસ જેલની દૈનિક કાર્યવાહી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક સદામ હુસેનને છાતી અને ખભાના ભાગે અસહ્ય દુ:ખાવો ઉપડ્યો હતો. તેની હાલત જોઇ અન્ય કેદી અને જેલ સ્ટાફ દોડતો થઈ ગયો હતો. જેલમાં ફરજ પરના ડોક્ટર મનિષભાઈએ તાત્કાલિક તપાસ કરી કેદીને હાર્ટ એટેક જેવી ગંભીર સમસ્યા હોવાની આશંકા જણાતા તેને તાત્કાલિક રીફર કરવાનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલમાં સારવાર મળે તે પહેલાં જ કેદીનું મોતજેલ પ્રશાસને કોઈપણ પ્રકારનો વિલંબ કર્યા વગર પોલીસ ગાર્ડના કાફલા સાથે સદામને સુરત સિવિલ હોસ્પિટલ રવાના કર્યો હતો. જોકે, હોસ્પિટલના દરવાજે પહોંચતા જ તેની સ્થિતિ વધુ ગંભીર બની હતી. બપોરે 12:15 વાગ્યા આસપાસ સિવિલ હોસ્પિટલના ડો. અંકિતભાઈએ તેને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. પોલીસે કસ્ટોડિયલ ડેથ મામલે તપાસ હાથ ધરીસચિન પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એ. ગોહિલે આ મામલે જણાવ્યું હતું કે, આ એક કસ્ટોડિયલ ડેથ હોવાથી તેની ગંભીરતાથી તપાસ થઈ રહી છે. એસડીએમ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે. જેલમાં તે કયા વોર્ડમાં હતો, તેની તબિયત અગાઉ ક્યારેય બગડી હતી કે કેમ અને તેની સાથે કોઈ ઝઘડો થયો હતો કે કેમ, તે તમામ પાસાઓ પર પોલીસ નજર રાખી રહી છે હાલમાં સદામ હુસેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો છે. મૃત્યુનું સચોટ કારણ જાણવા માટે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.
મહેસાણા નજીક આવેલ મોટીડાઉ નજીક ઉત્કર્ષ વિદ્યાલય ખાતે ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકે સોટી મારતા વિદ્યાર્થીને ઇજા થતાં તેણે પરિવારને જાણ કરી હતી. પિતાએ ત્યારબાદ પોતાના પુત્રને સારવાર માટે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. વિદ્યાર્થીઓ અંદરોઅંદર મજાક મસ્તી કરી રહ્યા હતામહેસાણા શહેરમાં એરોદ્રામ પાસે આવેલ એક સોસાયટીમાં રહેતા અને મોટી ડાઉ પાસે આવેલ ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ આઠમા અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તેઓના દીકરાની શાળામાં ટેસ્ટ લેવામાં આવ્યો હતો. ટેસ્ટ બાદ વિદ્યાર્થીઓ અંદરોઅંદર મજાક મસ્તી કરી રહ્યા હતા, એ દરમિયાન સ્કૂલના શિક્ષક નિલ પટેલ સાંભળી જતા વિદ્યાર્થી સ્કૂલમાં ગયો એ દરમિયાન વિદ્યાર્થીઓને ઉભા રાખ્યાં હતાં. શિક્ષકે વિદ્યાર્થીને ધમકાવી લાકડાની સોટી મારીત્યારબાદ વિદ્યાર્થીને ધમકાવી શિક્ષક નિલ પટેલે લાકડાની સોટી મારી સ્કૂલમાં બેસાડ્યો હતો. ત્યારબાદ સ્કૂલ છૂટી એ દરમિયાન તેણે શિક્ષકે ફરી સાથળના ભાગે સોટી મારતા તેણે ઇજા થઇ હતી. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીએ ઘરે જઇ પોતાની માતા અને પિતાને જાણ કરી હતી. વિદ્યાર્થીના પિતાએ શિક્ષક સામે ફરિયાદ નોંધાવીત્યારબાદ દુખાવો થતા તેણે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં શિક્ષક નિલ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વલસાડ સિટી પોલીસે 'મિશન મિલાપ' (Mission for Identifying Locating Absent Adolescents Persons) અંતર્ગત નોંધપાત્ર સફળતા મેળવી છે. પોલીસે કાલક વિસ્તારમાંથી ગુમ થયેલા ત્રણ કિશોરોને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું હતું. આ ઘટના 13 ડિસેમ્બર, 2025ના રોજ બની હતી. પોલીસને 11 વર્ષીય કિશોર અને તેના બે મિત્રો ગુમ થયા હોવાની માહિતી મળી હતી. આ માહિતી મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું. વલસાડ જિલ્લાના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ, વલસાડ સિટી પોલીસના પી.આઇ. ડી.ડી. પરમારના નેતૃત્વમાં એક ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ, હ્યુમન સોર્સ અને તકનીકી તપાસનો ઉપયોગ કરીને ગુમ થયેલા કિશોરોને શોધી કાઢ્યા હતા. કિશોરોને સુરક્ષિત રીતે શોધી કાઢ્યા બાદ તેમને તેમના પરિવાર સાથે ફરીથી ભેગા કરવામાં આવ્યા હતા. આ કામગીરી બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પ્રશંસા કરવામાં આવી છે. વલસાડ સિટી પોલીસ ગુમ થયેલા બાળકો અને વ્યક્તિઓને શોધી કાઢવા માટે સતત પ્રયત્નશીલ છે.
અમદાવાદમાં ગાંધીનગર હાઈવે પર આવેલી સાયક્લોન સોસાયટીના રહેવાસીઓ દ્વારા સાયકલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મેરેથોનમાં સોસાયટીના તમામ રહેવાસીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા– અમદાવાદ યુનિટ અને ઈનોવેટીવ થોટ ફોરમ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA) ખાતે એક પ્રેરણાદાયી સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જાણીતા ઉદ્યોગપતિ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ અને કોર્પોરેટ લીડર એસ. બી. દંગાયચે તેમના વિચારો રજૂ કર્યા હતા. તેમણે 'સફળ હોમિયોપેથિ પ્રેક્ટિસના સ્તંભો — ઉદ્યોગસાહસિક શિસ્ત, ડિજિટલ પ્રસાર તથા સમુદાય મૂલ્ય' વિષય પર વક્તવ્ય આપ્યું હતું.દંગાયચે સુલભ આયુષ આરોગ્યસેવા માટે 'સુવિદ હોમિયોપેથી કેન્દ્ર' બનાવવાનો નિર્ણય પણ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદના જાણીતા હોમિયોપેથીક ડોક્ટર્સ, હોમિયોપેથીક કોલેજના વિદ્યાર્થીઓ, એસોસિએશનના સભ્યો અને આરોગ્યસેવા ઉદ્યોગસાહસિકોએ ભાગ લીધો હતો.આ સત્ર હોમિયોપેથીક સમુદાય માટે માહિતીપ્રદ અને પ્રેરણાદાયક રહ્યું હતું.
ગાંધીનગરના લીંબોદરા ખાતે રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ દ્વારા યુવાનો અને ખેડૂતો માટે એક વ્યાપાર વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ખેતીલક્ષી વ્યાપાર, સ્ટાર્ટઅપ અને કૌશલ્ય વિકાસ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતપેદાશોનું માર્કેટિંગ, ખેતી અને ગાય આધારિત આર્થિક યોજનાઓ, વિદ્યાર્થીઓ માટે સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોગ્રામ, કૌશલ્ય વિકાસ, ગૃહ ઉદ્યોગ અને લઘુ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હતો. શિબિરમાં ખેત પેદાશોનું વધુમાં વધુ મૂલ્ય કેવી રીતે મેળવી શકાય, એગ્રી એક્સપોર્ટ માટેની માહિતી, પેકેજિંગ અને ફૂડ પ્રોસેસિંગ બિઝનેસ દ્વારા ખેતપેદાશોમાંથી વધુ નફો કમાવવા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે માણસા, ગાંધીનગર, અમદાવાદ અને પેથાપુરના અનેક વ્યાપાર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે યુવાનો અને ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રતન સેવા ટ્રસ્ટ દ્વારા 1000થી વધુ ધાબળા વિતરણ:અમદાવાદના વિવિધ વિસ્તારોમાં કચરિયાનું પણ વિતરણ કરાયું
રતન સેવા ટ્રસ્ટ (નરોડા) દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં 1000થી વધુ ધાબળા અને કચરિયાનું વિતરણ કરવામાં આવ્યું છે. આ સેવાકાર્ય 13 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હાથ ધરવામાં આવ્યું હતું. આ વિતરણ નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, C.T.M, નારોલ, મણીનગર, કાલુપુર, દરિયાપુર, સિવિલ, ગોતા, રીંગરોડ, સિંધુભવન રોડ, ઘાટલોડિયા, રાણીપ, નવરંગપુરા અને શાહપુર સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના સભ્યોએ જણાવ્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજ સેવા કરવાનો છે.
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુનામાં મદદ કરનાર પતિ-પત્નીને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાંથી ઝડપી પાડ્યા છે. આ બંને આરોપીઓને વધુ કાર્યવાહી માટે મોરવા(હ) પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પંચમહાલ રેન્જના IGP આર.વી. અસારી અને પંચમહાલ SP ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના મુજબ, પેરોલ ફર્લો સ્કવોર્ડ નાસતા-ફરતા આરોપીઓને પકડવા સક્રિય બની હતી. મોરવા(હ) પોલીસ સ્ટેશનમાં BNS કલમ 87, 137(2), 54 અને પોક્સો એક્ટ કલમ 12 મુજબ અપહરણનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના તોયણી સુથાર ફળિયાના રહેવાસી કેશરસિંહ ઉર્ફે કિરણસિંહ ડામોર અને તેમની પત્ની સુમિત્રાબેન ડામોર ફરાર હતા. પો.સ.ઈ. બી.એમ. રાઠોડની આગેવાની હેઠળની પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે તપાસ કરી હતી. એ.એસ.આઈ. રૂપસિંહ કલાભાઈએ ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીઓ જામનગરના કાલાવડમાં મજૂરી કામ કરતા હોવાની માહિતી મેળવી હતી. આ માહિતીના આધારે તેમને કાલાવડના ફગાસ ગામ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ગોધરા-દાહોદ હાઈવે પર કાર-બાઇકનો અકસ્માતગોધરા-દાહોદ હાઈવે પર પરવડી હનુમાનજી મંદિર નજીક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક કાળા રંગની ટાટા નેક્સોન કારે બાઈકચાલકને પાછળથી ટક્કર મારતા યુવકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગોધરા તાલુકાના પૂર્વ ભામૈયા ગામના ટાંડા ફળિયાના રહેવાસી આતમભાઈ પ્રભાતભાઈ પટેલ તેમની બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેમને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે તેમને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં આતમભાઈના સંબંધી પ્રથમસિંહ પટેલ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં આતમભાઈની મોટરસાયકલ અને ટક્કર મારનાર ટાટા નેક્સોન કાર જોવા મળી હતી. પ્રાથમિક તપાસ મુજબ, કારચાલકે બેદરકારીપૂર્વક અને પૂરઝડપે વાહન ચલાવીને આ અકસ્માત સર્જ્યો હતો. આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. માસૂમ મસ્જિદ બહાર પાર્ક કરેલી બાઈક ચોરાઇગોધરા શહેરમાં માસૂમ મસ્જિદ બહાર પાર્ક કરેલી બાઈકની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા વાહનચોર ઈસમે બાઈકનું સ્ટેરીંગ લોક તોડીને ઉઠાંતરી કરી હતી. આ અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગોધરા શહેરના હયાતની વાડી વિસ્તારમાં રહેતા ઇમરાન હુસૈન તોતલે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત 6 ડિસેમ્બરના રોજ રાત્રે સાડા સાત વાગ્યાના સુમારે તેમણે પોતાની બાઈક માસૂમ મસ્જિદ પાસે ખુલ્લી જગ્યામાં સ્ટેરીંગ લોક કરીને પાર્ક કરી હતી. અડધા કલાક બાદ પરત ફરતા તેમને વાહન મળ્યું ન હતું. આસપાસ શોધખોળ કરવા છતાં બાઈકનો પત્તો ન લાગતા, તેમણે 13 ડિસેમ્બરના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ફેસ્ટિવલ કમિટીએ જરૂરિયાતમંદોને મદદ કરી:ગરમ કપડાં, પગરખાં અને રમકડાંનું વિતરણ કર્યું
આવલી ફેસ્ટિવલ કમિટી દ્વારા મોટેરના વિવિધ વિસ્તારોમાં જરૂરિયાતમંદો માટે સામાજિક પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. શિયાળાની શરૂઆત થતાં ગરમ કપડાં, પગરખાં અને રમકડાં જેવી આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું. આ સરાહનીય કાર્ય સોસાયટીના નિવાસીઓના સહયોગથી શક્ય બન્યું હતું. કમિટી અને રહેવાસીઓએ સાથે મળીને જરૂરિયાતમંદ પરિવારોને મદદ પહોંચાડી.વિતરણ કરાયેલી સામગ્રીમાં સ્વેટર, ટોપી અને પગરખાંનો સમાવેશ થાય છે, જે ઠંડીથી રક્ષણ પૂરું પાડે છે. નાના બાળકો માટે ખાસ રમકડાં પણ આપવામાં આવ્યા હતા.
BDSV કલા મહાકુંભમાં વિજેતા:ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું
શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બી ડી સાર્વજનિક વિધાલય, પાટણની ટીમોએ ઉત્તર ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ 2025માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ કલા મહાકુંભ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાની આહીર સમાજની વાડી ખાતે યોજાયો હતો, જેમાં દસ જિલ્લાના વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કલા મહાકુંભ 2025 અંતર્ગત આયોજિત શાળાઓ વચ્ચેની બેન્ડ સ્પર્ધામાં, 15 થી 20 વર્ષના વય જૂથમાં વિધાલયના 22 વિદ્યાર્થીઓએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. આ ઉપરાંત, સુગમ સંગીતમાં શાળાની વિદ્યાર્થીની વિધિશા મોદીએ દ્વિતીય સ્થાન મેળવી શાળા અને સમગ્ર વિસ્તારનું ગૌરવ વધાર્યું. આ સ્પર્ધામાં રાજ્યભરની અનેક શાળાઓના બેન્ડોએ ભાગ લીધો હતો. બી ડી સાર્વજનિક વિધાલય, પાટણની બેન્ડ ટીમે તેમની શિસ્તબદ્ધ રજૂઆત, સંગીતની તાલબદ્ધતા અને મંચ પરના આત્મવિશ્વાસથી ન્યાયાધીશોને પ્રભાવિત કર્યા અને વિજેતા બનવાનું સન્માન પ્રાપ્ત કર્યું. શાળાના પ્રિન્સિપાલ ડૉ. બળદેવભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ પરિણામ વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોનું માર્ગદર્શન અને શાળાની સતત પ્રેરણાનું ફળ છે. બેન્ડના માર્ગદર્શક શિક્ષક એમ. એમ. હીરવાણીયાએ પણ વિદ્યાર્થીઓની સતત પ્રેક્ટિસ અને સમર્પણની પ્રશંસા કરી. આ વિજયથી શાળાના વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી ફેલાઈ છે. શાળા પરિવાર અને વાલીઓ દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન દ્વારા પૂરી પાડવામાં આવેલી સંગીત શાળામાં તૈયાર થયા હતા. પાટણ જૈન મંડળ વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે પાટણમાં સતત કાર્યરત છે.
વડોદરામાં 'કવિતાના આંગણે' કવિ સંમેલન યોજાયું:જયંતોર્મિ ટ્રસ્ટ અને સ્નેહલ પીસી ગ્રૂપ દ્વારા આયોજન
વડોદરામાં સાહિત્ય અને કલાની પરંપરા જાળવી રાખતા, 13મી ડિસેમ્બર 2025ના રોજ રેસકોર્સ સ્થિત વાસ્વિક ઓડિટોરિયમમાં 'કવિતાના આંગણે' શીર્ષક હેઠળ એક કવિ સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમનું સંયુક્ત આયોજન જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ અને સ્નેહલ પીસી ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું. અમદાવાદના મુકુંદભાઈ દવે અને જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ મુખ્ય આયોજક હતા. જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં જાહેર જનતા માટે આ ૩૫મો નિઃશુલ્ક કાર્યક્રમ હતો, જે સાહિત્ય પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ કાવ્યસભર સાંજને માણવા માટે ઓડિટોરિયમમાં ૧૦૦થી વધુ સાહિત્યરસિક પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના સુપ્રસિદ્ધ કવિ તેજસ દવેએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. લગભગ અઢી કલાક ચાલેલા આ સંમેલનમાં ભાવનગર, અમદાવાદ અને વડોદરાના નામી કવિઓએ શ્રોતાઓને રસતરબોળ કર્યા હતા. વડોદરાના જાણીતા એડવોકેટ જીતુભાઈ પંડ્યાએ પ્રથમ વખત મંચ પર પદાર્પણ કરી પોતાની કવિતાઓ રજૂ કરી શ્રોતાઓની દાદ મેળવી હતી. આ ઉપરાંત, વડોદરાના દિગ્ગજ કવિ દિનેશ ડોંગરે 'નાદાન', ટ્રસ્ટના પ્રમુખ હરીશ શાહ, અંકિત મહેતા અને ભાવનગરના જયેશ ભટ્ટે પોતાની ગઝલો અને રચનાઓથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું.સંમેલનમાં રજૂ થયેલી કેટલીક હૃદયસ્પર્શી પંક્તિઓ, જેણે શ્રોતાઓની સૌથી વધુ વાહવાહી મેળવી હતી, તે નીચે મુજબ છે: તેજસ દવે: વર્ષો પહેલાની છનછનને શોધે છે, એક હવેલી હજુંયે પાયલને શોધે છે. જીતુભાઇ પંડ્યા: નિર્દોષ છે એ બાળક પુરાવા એટલા, આંખોમાં ગંગાજળ ભરેલું વાંચ તું. હરીશ શાહ: વીલ કરતા વૃદ્ધની હાલત જુઓ, ત્યારથી તર્પણ સુધીનો વસવસો. દિનેશ ડોંગરે 'નાદાન': કંઈક ઈચ્છા દૂધ પીતી થાય છે, એ પછી એકાદ પૂરી થાય છે. અંકિત મહેતા: નજર પહોંચી ગઈ છે ત્યાં કદમ પહોંચી નથી શકતા, અરીસે બિંબ પહોંચે છે સ્વયમ પહોંચી નથી શકતા. જયેશ ભટ્ટ: ઢોલ વાગે છે ને ધમા ધમ ધમ? એવું પશુઓની ખાલ પૂછે છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શ્રોતાઓ મંત્રમુગ્ધ બની કવિતાઓના પ્રવાહમાં વહેતા રહ્યા હતા. અંતમાં, આયોજકો અને કવિઓએ વડોદરાના સાહિત્યપ્રેમીઓનો આભાર માન્યો હતો, અને એક યાદગાર સાંજનું સમાપન થયું હતું.
સુરતના વેડ રોડ પર આવેલી અહિલ્યાબાઈ હોલકર કન્યા શાળા ક્રમાંક 185 ખાતે દિવ્ય ભાસ્કર અને શાળાના સંયુક્ત ઉપક્રમે વસ્ત્રદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓમાં સેવા ભાવના, સંવેદનશીલતા અને મૂલ્ય શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમમાં સી.આર.સી. ધર્મેશભાઈ, એસ.એમ.સી. સભ્ય રાધિકા પાટિલ અને શુભ્રાબેન સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ સુનીલ નેહતેએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. તેમણે વસ્ત્રદાનના સામાજિક અને નૈતિક મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં મૂલ્ય શિક્ષણ અત્યંત આવશ્યક છે. કે.જી.થી ધોરણ 8 સુધીની વિદ્યાર્થિનીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વાલીઓએ પણ આ પુણ્યકાર્યમાં સક્રિય સહયોગ આપ્યો હતો. કાર્યક્રમ દરમિયાન અંદાજે 4 થી 5 હજાર જેટલા વસ્ત્રો એકત્રિત કરવામાં આવ્યા હતા, જે જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન વર્ષાબેન ગાયકવાડે કર્યું હતું. અંતે, ઉપસ્થિત તમામ મહેમાનો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ આયોજનથી વિદ્યાર્થિનીઓમાં સેવા ભાવના અને સામાજિક જવાબદારીની ભાવના જાગૃત થઈ હોવાનું જણાવાયું હતું.
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના બ્યુગલ વાગે તે પહેલા જ સુરત શહેર કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. શનિવારે કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત કરવાના ઈરાદે 151 હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ નવી ટીમ સક્રિય થાય તે પહેલા જ વિખવાદની આગ ફાટી નીકળી છે. સંગઠનનું માળખું જાહેર થયાની ગણતરીની મિનિટોમાં જ પક્ષના જૂના જોગીઓએ નારાજગી વ્યક્ત કરી સંગઠનના હોદા પરથી ટપોટપ રાજીનામા ધરી દેતા રાજકીય આલમમાં ગરમાવો આવી ગયો છે. 6 હોદેદારોએ સંગઠનમાંથી રાજીનામા ધરી દીધાનવા જાહેર થયેલા માળખા સામે અસંતોષ વ્યક્ત કરતા એક સાથે 6 જેટલા મુખ્ય હોદ્દેદારોએ મેદાન છોડ્યું છે. જેમાં ઉપપ્રમુખથી લઈને કારોબારી સભ્યોનો સમાવેશ થાય છે. રાજીનામું આપનારા મુખ્ય હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે:સુરેશ સુહાગિયા (ઉપપ્રમુખ)દીપક પટેલ (મહામંત્રી)ઇમ્તિયાઝ શેખ (મહામંત્રી)અશ્વિન સાવલિયા (મંત્રી)કેસર અલી પીરઝાદા (કારોબારી સભ્ય)નાસિર સિમેન્ટવાળા (કારોબારી સભ્ય) નિલેશ કુંભાણીના 'અભિનંદન'થી હોબાળોસુરત કોંગ્રેસ માટે વધુ શરમજનક સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે લોકસભાની ચૂંટણીમાં પક્ષ સાથે ગદ્દારી કરનાર પૂર્વ ઉમેદવાર નિલેશ કુંભાણી ફરી ચર્ચામાં આવ્યા. લોકસભામાં ફોર્મ ખેંચી લઈને ભાજપનો રસ્તો સાફ કરનાર અને પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા કુંભાણીએ નવનિયુક્ત હોદ્દેદારોને રૂબરૂ મળીને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા પર આ મુલાકાતના ફોટા વાયરલ થતા પક્ષના વફાદાર કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શું આ નવું સંગઠન કુંભાણીના ઈશારે બન્યું છે? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દૌરરાજીનામું આપનાર પૂર્વ શિક્ષણ સમિતિ સભ્ય અને નવા વરાયેલા ઉપપ્રમુખ સુરેશ સુહાગિયાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સંગઠનમાં મારું નામ જાહેર કરતા પહેલા મારી સાથે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી. વળી, વ્યવસાયિક વ્યસ્તતાને કારણે હું પક્ષને પૂરતો સમય આપી શકું તેમ નથી. પદને ન્યાય ન આપી શકું તેના કરતા કોઈ અન્ય કાર્યકરને તક મળે તે હેતુથી મેં રાજીનામું આપ્યું છે. બીજી તરફ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ બચાવ કરતા કહ્યું હતું કે, તમામ નિયુક્તિઓ સભ્યો સાથે ચર્ચા કરીને અને તેમને વિશ્વાસમાં લીધા પછી જ કરવામાં આવી હતી. દરેકનું કન્ફર્મેશન લેવાયું હતું, પરંતુ હવે અચાનક કયા કારણોસર આ પગલું ભરવામાં આવ્યું છે તે તપાસનો વિષય છે. પાલિકાની ચૂંટણી પર અસરસુરત મહાનગરપાલિકાની ચૂંટણી માથે છે ત્યારે કોંગ્રેસમાં આ પ્રકારની યાદવાસ્થળી પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે તેમ છે. એક તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ પોતાની વ્યૂહરચના ઘડી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પોતાના જ આંતરિક અસંતોષને ડામવામાં નિષ્ફળ રહી હોય તેમ લાગે છે.151 સભ્યોની જંગી યાદીમાં જૂના અને વફાદાર કાર્યકરોની અવગણના થઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, જે આગામી દિવસોમાં વધુ રાજીનામામાં પરિણમી શકે છે. આ સમાચાર પણ વાંચોઃસુરત શહેર કોંગ્રેસનું જમ્બો સંગઠન જાહેર, 20 ઉપપ્રમુખ નિમાયાગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા સુરત શહેર કોંગ્રેસ સમિતિના નવા સંગઠન માળખાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આગામી સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે આ વખતે અત્યંત વિશાળ અને જ્ઞાતિ આધારિત સંતુલન જાળવતું માળખું મેદાનમાં ઉતાર્યું છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનો પોરબંદરમાં 'હવાઈ ગયો' શબ્દપ્રયોગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો સાંસદ ખેલ મહાકુંભ મહોત્સવ-2025 દરમિયાન પોરબંદરના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ ખાતેના તેમના સંબોધનનો છે. ભાષણ દરમિયાન, મનસુખ માંડવીયાએ હળવા મિજાજમાં કહ્યું હતું કે, 'પોરબંદરનું હવાઈ ગયું, રાણાવાવનું હવાઈ ગયું, કુતિયાણાનું હવાઈ ગયું, નિરવભાઈ તમારું પણ હવાઈ ગયું.' આ સાંભળીને ઉપસ્થિત લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. ખેલ મહાકુંભ મહોત્સવ-2025 અંતર્ગત પોરબંદરમાં ભવ્ય ખેલોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ખેલાડીઓ, સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. મંત્રી માંડવીયાએ રમતગમતના મહત્વ, યુવાનોને પ્રોત્સાહન અને ફિટ ઇન્ડિયાના સંદેશ પર ભાર મૂક્યો હતો. જોકે, તેમના ભાષણનો આ ખાસ ભાગ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. લોકો તેને હળવી મજાક તરીકે શેર કરી રહ્યા છે અને યુવાઓ તેમજ સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેના પર વિવિધ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.
ભાત શાળાના 910 વિદ્યાર્થીઓને રેઈનકોટનું દાન:દીપની પાંચમી પુણ્યતિથિએ મુકેશભાઈ પટેલે આપ્યા
13 ડિસેમ્બર 2025ના રોજ, ભાત ગામની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓને રેઈનકોટનું વિતરણ કરવામાં આવ્યું. શ્રી મુકેશભાઈ મોહનભાઈ પટેલ (નિવૃત કર્મચારી, બી.જે. મેડિકલ કોલેજ, અમદાવાદ) દ્વારા તેમના પુત્ર ચિ. દીપની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે આ દાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાત પ્રાથમિક શાળાના કુલ 660 વિદ્યાર્થીઓ, એસ.એલ. પટેલ હાઈસ્કૂલ, ભાતના ૨૫૦ વિદ્યાર્થીઓ અને ભાત ગામની તમામ આંગણવાડીના બાળકોને રેઈનકોટ આપવામાં આવ્યા. શાળા છૂટવાના સમયે ભારે વરસાદ પડતો હોવાથી વિદ્યાર્થીઓને થતી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને મુકેશભાઈને આ સેવાકાર્ય કરવાનો વિચાર આવ્યો હતો. શાળા પરિવારે આ દાન બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો અને ચિ. દીપને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અગાઉના વર્ષોમાં પણ શ્રી મુકેશભાઈ પટેલે ભાત ગામની તમામ શૈક્ષણિક સંસ્થાઓના બાળકોને સ્વેટર, પાણીની બોટલ અને બુટ-મોજાનું દાન આપ્યું છે. મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે તેઓ આગામી વર્ષોમાં પણ આવા સેવાકીય કાર્યો દ્વારા ભાત પ્રાથમિક શાળાના બાળકોને યોગદાન આપતા રહેશે. ભાત શાળા પરિવાર તેમના આ ઉમદા કાર્ય બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માને છે.
અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલ દ્વારા સસ્ટેનેબિલિટી, ઇન્ક્લુઝિવનેસ અને સોશિયલ એન્ટ્રપ્રેન્યોરશિપ (ICSISE-2025) પર એક આંતરરાષ્ટ્રીય પરિષદનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યો સાથે સંકલિત જ્ઞાન અને આંતરદૃષ્ટિની આપ-લે કરવાનો હતો. આ પરિષદમાં ભારત અને વિદેશના શિક્ષણવિદો, સંશોધકો, ઉદ્યોગ પ્રેક્ટિશનરો, નીતિ નિર્માતાઓ અને સામાજિક સંશોધકોએ ભાગ લીધો હતો. તે જ્ઞાન અને વિચારોના આદાનપ્રદાન માટે એક મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું હતું. નેપાળના નેશનલ પ્લાનિંગ કમિશનના ભૂતપૂર્વ મેમ્બર અને અર્થશાસ્ત્રી ડૉ. રામ કુમાર ફુયાલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ સસ્ટેનેબિલિટી અને ઇન્ક્લુઝિવનેસ ડેવલપમેન્ટ માટે ઇન્ટરડિસિપ્લિનરી રિસર્ચની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હી સ્થિત AIMAના સેન્ટર ફોર મેનેજમેન્ટ એજ્યુકેશનના ડિરેક્ટર ડૉ. રોહિત સિંહે ટકાઉ વ્યૂહાત્મક નિર્ણય લેવાની અને ભારત સરકારની સહકાર પહેલ પર મુખ્ય ભાષણ આપ્યું. ક્વોન્ટમફોર્સ ઇન્ક., યુએસએના સીઇઓ ડૉ. ભૂપેન્દ્ર ચૌધરીએ કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં સસ્ટેનેબિલિટી અને સોશિયલ એન્ટ્રપ્રેન્યોરશિપની પુનઃકલ્પના પર વિશેષ ભાષણ રજૂ કર્યું. આ પરિષદને કુલ 250 રિસર્ચ પેપર સબમિશન મળ્યા હતા. તેમાંથી 90 ઉચ્ચ-ગુણવત્તાવાળા પેપર્સ પ્રેઝન્ટેશન માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં નેપાળ, યુએસએ, કેનેડા, સિંગાપોર, સેનેગલ અને મેક્સિકોના 13 આંતરરાષ્ટ્રીય સબમિશનનો સમાવેશ થાય છે. કોન્ફરન્સનો એકંદર શ્રેષ્ઠ પેપર એવોર્ડ બર્દવાન યુનિવર્સિટીના દત્તાત્રેય દત્તા અને દેબદાસ રક્ષિતને તેમની અસાધારણ સંશોધન ગુણવત્તા અને યોગદાન બદલ એનાયત કરવામાં આવ્યો હતો. ત્રિભુવન યુનિવર્સિટીના સીઈડીએના ડો. અર્જુન કુમાર બરાલના વિદાય ભાષણ સાથે કોન્ફરન્સનું સમાપન થયું, ત્યારબાદ ડો. તુષાર પાણિગ્રહીએ આભારવિધિ કરી.
RBRC ગર્લ્સ હાઈસ્કૂલે સ્વદેશી અપનાવવા રેલી યોજી::વિદ્યાર્થીઓએ આત્મનિર્ભર ભારત માટે જાગૃતિ ફેલાવી.
અમદાવાદના ખાડિયા સ્થિત આર.બી.આર.સી. ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા તારીખ 13 ડિસેમ્બર શનિવારના રોજ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત એક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુથી આ રેલી યોજી હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓએ વોકલ ફોર લોકલ, સ્વદેશી વસ્તુઓ અપનાવીએ, આપણા ભારતને સમૃદ્ધ બનાવીએ અને હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ રેલી દેસાઈની પોળ, ખાડિયાથી શરૂ થઈને સારંગપુર ચકલા, દોલતખાના અને રાયપુર ચકલા જેવા વિસ્તારોમાંથી પસાર થઈને શાળા પરત ફરી હતી. આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રેરિત કરવાનો હતો, જેથી ભારત દેશ આર્થિક રીતે સમૃદ્ધ બને અને સ્થાનિક લોકોને રોજગારીની તકો પણ મળી રહે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SGVP ગુરુકુલના અધ્યક્ષ સદગુરુ માધવપ્રિયદાસજી સ્વામીના સ્વાસ્થ્ય અંગે ટેલિફોન પર પૂછપરછ કરી હતી. સ્વામીજીની તાજેતરમાં SGVP હોસ્પિટલમાં બાયપાસ સર્જરી થઈ હતી.વાતચીત દરમિયાન, વડાપ્રધાને સર્જરી પછીની તબીબી પ્રગતિ વિશે માહિતી મેળવી હતી. તેમણે સ્વામીજી ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થાય તે માટે હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે બાલકૃષ્ણદાસજી સ્વામીને પણ યાદ કર્યા હતા.આ પહેલા બે દિવસ પૂર્વે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે પણ ટેલિફોન દ્વારા પૂજ્ય સ્વામીજીના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વડાપ્રધાન દ્વારા દર્શાવાયેલ આ સંવેદનશીલતાથી SGVP સંસ્થાના સંતો, હરિભક્તો અને સેવકવૃંદમાં સંતોષની લાગણી જોવા મળી હતી.
રાહી ફાઉન્ડેશન દ્વારા બહેરામપુરામાં 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ સંસ્થાનો 205મો 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' હતો.આ કાર્યક્રમ બહેરામપુરાના વસંત રજબ ક્વાટર્સ, ખ્રિસ્તી સોસાયટી સામે આવેલા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમના સહયોગી રાજેશભાઈ અને બેલાબેન પરીખ પરિવારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આંગણવાડીની કાર્યકર્તા બહેનોએ વ્યવસ્થા સંભાળી હતી.રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, વસંતરાવ, જ્યોત્સ્નાબેન, બાબુલકાકા, માર્કણ્ડભાઈ અને વિજય દલાલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
સિલ્વર ઓક યુનિવર્સિટીની AWS ક્લાઉડ ક્લબ દ્વારા ઇન્ટરનેશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે 2025નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંદાજે 500 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમનો મુખ્ય ઉદ્દેશ AWS ક્લાઉડ ટેકનોલોજીની ઊંડાણપૂર્વક સમજ મેળવવાનો અને ક્લાઉડ ક્ષેત્રે ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે જાણવાનો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય AWS નિષ્ણાતો પાસેથી સીધું માર્ગદર્શન મળ્યું હતું. નિષ્ણાતોએ AWSની વિવિધ સેવાઓ અને ક્લાઉડના મૂળભૂત સિદ્ધાંતો વિશે સરળ ભાષામાં સમજૂતી આપી હતી. તેમણે ક્લાઉડ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાત ડૉ. બિશ્વજિત મોહાપાત્રાએ ઇન્ટરનેશનલ AWS સ્ટુડન્ટ કોમ્યુનિટી ડે 2025ના ઉત્કૃષ્ટ આયોજનની પ્રશંસા કરી હતી. તેમણે વિદ્યાર્થીઓમાં જોવા મળેલા ઉત્સાહને પ્રભાવશાળી ગણાવ્યો અને તેમને ક્લાઉડ ક્ષેત્રે પ્રગતિ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા તેના ત્રણ ટેકનિકલ ટ્રેક્સ હતા, જેમાં હેન્ડ્સ-ઓન સેશન યોજાયા હતા. આ ટ્રેક્સમાં AWS ડીપ રેસર કાર ટ્રેનિંગ, IoT અને સ્માર્ટ ડિવાઇસિસમાં AWSનો ઉપયોગ, તેમજ AWS Amplify જેવા અદ્યતન વિષયોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, એક ખાસ સ્ટુડન્ટ બિલ્ડર ઝોન પણ બનાવવામાં આવ્યો હતો, જ્યાં વિદ્યાર્થીઓએ પોતાના ટેકનિકલ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે એક સાંસ્કૃતિક સેગમેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ બેન્ડ પર્ફોર્મન્સ અને પરંપરાગત ઘુમ્મર નૃત્ય રજૂ કર્યું હતું.
400 બાળકોને સ્વેટરનું વિતરણ:મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 400 બાળકોને સ્વેટર, સ્કાફ અને ટોપીનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ જાયનટસ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 3, જાયન્ટ્સ અમદાવાદ નોર્થ અને જાયન્ટ્સ અમદાવાદ ગોપાલના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાળકો માટે ડાન્સ અને યોગા સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે અભિષેકભાઈ વૈધરાજ દ્વારા કરાવવામાં આવ્યું હતું. બાળકોને છોલેચણા અને પુરીનું પોષણયુક્ત ભોજન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે યુ.એસ.એ.થી નીરૂબેન શાહ અને કિર્તીભાઈ શાહ, મુંબઈથી ભરતભાઈ શાહ અને વંદનાબેન શાહ, તેમજ અમદાવાદથી પ્રકાશભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા.અતિથિ વિશેષ તરીકે જાયનટસ પીપલ્સ ફાઉન્ડેશનના વાઇસ ચેરમેન શ્રી બળદેવભાઈ જે પટેલ, જાયનટસ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન 3ના પ્રમુખ ધીરુભાઈ પટેલ, વીણાબેન વી પટેલ, લાલજીભાઈ પંચાલ અને મહેશભાઈ પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ તારીખ 11 ડિસેમ્બર, ગુરુવારના રોજ સાંજે 5 કલાકે મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ, ગોપાલ આવાસ, પ્રેરણાતીર્થ દેરાસર રોડ, સેટેલાઈટ, અમદાવાદ ખાતે યોજાયો હતો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય (VNSGU), સુરત ખાતે મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન વિભાગ દ્વારા તાજેતરમાં માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ ફેલાવવાનો અને શૈક્ષણિક, સામાજિક તથા માનસિક પડકારોને પહોંચી વળવા માટે માનસિક આરોગ્યના મહત્વ પર ભાર મૂકવાનો હતો. આ કાર્યક્રમનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલયના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા અને ઈ.ચા. કુલસચિવ ડો. નરેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન વિભાગના કોઓર્ડીનેટર ડો. પ્રીતિબેન ચૌધરીએ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું. ગુજરાત રાજ્યના યુવાનોના યુથ એમ્બેસેડર શ્રીમાન વિદિત શર્મા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓ અને અધ્યાપકશ્રીઓને સંબોધિત કરીને માનસિક સ્વાસ્થ્ય વિશે ખૂબ જ સરળ ભાષામાં સમજૂતી આપી હતી. શ્રીમાન વિદિત શર્માએ તેમના વક્તવ્યમાં આત્મહત્યા નિવારણ અંગેની મહત્વપૂર્ણ માહિતી પણ પૂરી પાડી હતી. તેમણે માનસિક સ્વાસ્થ્ય સહાયતા માટેના રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર, ટેલી માનસ નંબર ૧૪૪૧૬ વિશે પણ જાણકારી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઊર્મિન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. મનોવૈજ્ઞાનિક સલાહ અને માર્ગદર્શન વિભાગમાંથી મનોવૈજ્ઞાનિક સલાહકાર ઊર્મિન દેસાઈ, ઉલ્કા પટેલ અને દર્શન પરમાર પણ આ કાર્યક્રમમાં સક્રિય રીતે જોડાયા હતા. આ જાગૃતિ કાર્યક્રમમાં વિશ્વવિદ્યાલયના વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સંલગ્ન સંસ્થાઓના વિદ્યાર્થીઓ સહિત કુલ ૯૫૧ શ્રોતાઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા ગ્રામ્ય LCBએ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના અરણીયા ગામમાં એક ઘરના રસોડામાં ગેસના સિલિન્ડરની ટાઇલ્સ નીચે બનાવેલા અંડરગ્રાઉન્ડ ગુપ્ત ભોયરામાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 3.31 લાખની કિંમતના 1368 ક્વાર્ટરીયા અને બીયરના ટીન કબ્જે કરવામાં આવ્યા છે અને બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે. વડોદરા ગ્રામ્ય LCBના પીઆઈ કે.આર. સિસોદીયાના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે વધુ પ્રોહિબિશન કેસો શોધી કાઢવા અને વિદેશી દારૂની હેરાફેરી કરનારા ઇસમો પર નજર રાખવા માટે સતત પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન LCBના ASI ભૂપતભાઈ વિરમભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રણવીરસિંહ અને હેડ કોન્સ્ટેબલ વિનોદકુમાર કિશનસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે અરણીયા ગામે રહેતા દિનેશભાઈ ઉર્ફે પકો શનાભાઈ બારીયા પોતાના ઘરના રસોડામાં ગેસના બોટલની ટાઇલ્સ નીચે ગુપ્ત ભોયરું બનાવી તેમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે. આ બાતમીના આધારે LCB ટીમે તાત્કાલિક રેઇડ હાથ ધરી હતી. રેઇડ દરમિયાન આરોપી દિનેશભાઈ ઘરે મળી આવ્યો નહોતો, પરંતુ રસોડાના ભાગે તપાસ કરતાં ટાઇલ્સ નીચે અંડરગ્રાઉન્ડ ભોયરું મળી આવ્યું હતું. આ ગુપ્ત ભોંયરું જોતાની સાથે જ પોલીસ પણ ચોકી ગઈ હતી. ભોયરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ 1368 ક્વાર્ટર અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે આરોપી દિનેશભાઈ ઉર્ફે પકો શનાભાઈ બારીયા (ઉં.વ., રહે. અરણીયા, તા. ડભોઈ, જિ. વડોદરા) વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી ડભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીને ઝડપી પાડવા પોલીસે શોધખોળ શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે, બુટલેગરો પોલીસની નજરથી બચવા માટે વિવિધ પ્રકારના કીમીયા અજમાવીને દારૂની હેરાફેરી કરતા હોય છે અને દારૂ છુપાવતા હોય છે. જોકે પોલીસ આવા બુટલેગરોને પણ પકડી પાડે છે.
મોરબી-માળિયા હાઈવે પર વીર વિદરકા ગામ નજીક સ્થાનિક લોકોએ દારૂ ભરેલી સ્કોર્પિયો ગાડી ઝડપી પાડી હતી. નેશનલ હાઈવે પર વાહનો આડા મૂકીને આ કાર્યવાહી કરવામાં આવી હતી. જનતા રેડ દરમિયાન ગાડીમાંથી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, લોકોને દારૂ ભરેલું વાહન પસાર થવાની બાતમી મળી હતી. જેના આધારે લોકોએ સ્કોર્પિયો ગાડીને રોકાવી તપાસ કરતા તેમાંથી આશરે 400 થી 500 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ સ્કોર્પિયો ગાડી સાથે એક શખ્સને દબોચી લીધો હતો, જ્યારે ગાડીમાં બેઠેલા અન્ય કેટલાક શખ્સો નાસી છૂટ્યા હોવાનું જનતા રેડ કરનારા લોકોએ જણાવ્યું હતું. આ ઘટના અંગે તાત્કાલિક માળિયા તાલુકા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસને ઘટનાસ્થળે પહોંચવામાં લગભગ પોણો કલાક જેટલો સમય લાગ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂની હેરાફેરી થતી રહે છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યભરમાં દારૂ અને નશાકારક દ્રવ્યોના વેચાણને રોકવા માટે જન આંદોલનો અને જનતા રેડ જેવી પ્રવૃત્તિઓ જોવા મળી રહી છે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના ભૌતિકશાસ્ત્ર વિભાગની વિદ્યાર્થીની ચાંદ વિઠ્ઠલભાઇ પાદરિયાની IIT બોમ્બે રિસર્ચ ઇન્ટર્નશિપ એવોર્ડ 2025–26 માટે પસંદગી કરવામાં આવી છે. આ પ્રતિષ્ઠિત ઇન્ટર્નશિપ માટે તેમની પસંદગી યુનિવર્સિટી માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે. ચાંદ પાદરિયા IIT બોમ્બેના ભૌતિકશાસ્ત્ર વિભાગના પ્રોફેસરના માર્ગદર્શન હેઠળ સંશોધન કાર્ય કરશે. આ ઇન્ટર્નશિપ 20 જાન્યુઆરી 2026 થી 15 જુલાઈ 2026 દરમિયાન ચાલશે. આ સમયગાળા દરમિયાન તેમને દર મહિને સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. તેમના સંશોધન પ્રોજેક્ટનું શીર્ષક “2D મટીરિયલ્સ પર હેલાઇડ પેરોસ્કાઇટ ક્વાન્ટમ મટીરિયલ્સના ઉત્સર્જનનું પરીક્ષણ” છે. આ પ્રોજેક્ટ તેમને એડવાન્સ્ડ મટીરિયલ્સ સાયન્સ ક્ષેત્રે પ્રાયોગિક અનુભવ મેળવવામાં મદદ કરશે અને ક્વાન્ટમ ઓપ્ટોઇલેક્ટ્રોનિક મટીરિયલ્સના અભ્યાસમાં યોગદાન આપશે. આ સિદ્ધિ બદલ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડા અને ભૌતિકશાસ્ત્ર વિભાગ દ્વારા ચાંદ પાદરિયાને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. તેમને ભવિષ્યની સંશોધન કારકિર્દી માટે શુભેચ્છાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
સુરત સ્થિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા ડિસેમ્બર 2025 થી જાન્યુઆરી 2026 દરમિયાન વિવિધ રાષ્ટ્રીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો અને ખેલકૂદ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ ચાવડા અને રજિસ્ટ્રાર ડો. આર.સી. ગઢવીએ આ અંગે વિગતો આપી હતી. આ કાર્યક્રમોની શૃંખલાનો પ્રારંભ 16 થી 19 ડિસેમ્બર દરમિયાન ગર્લ્સ ટેબલટેનિસ ટુર્નામેન્ટથી થશે. ત્યારબાદ 20 થી 23 ડિસેમ્બરના રોજ 'રાણી અબક્કા દેવી પર' મો યુવા મહોત્સવ' યોજાશે, જેમાં યુવા વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાઓ અને પ્રસ્તુતિઓ દ્વારા તેમની પ્રતિભા અને સાંસ્કૃતિક અભિવ્યક્તિ રજૂ કરશે. 21 થી 27 ડિસેમ્બર દરમિયાન સાંસ્કૃતિક અને જનજાતીય સંસ્કૃતિ પ્રદર્શન મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં જનજાતિ સંસ્કૃતિ, હસ્તકલા, વાનગીઓ અને પરંપરાનો અનોખો સંગમ જોવા મળશે. વધુમાં, 22 થી 24 ડિસેમ્બરના રોજ પરિચિત ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત ગ્લોબલ એક્સ્પો યોજાશે. 26 થી 28 ડિસેમ્બર દરમિયાન શિક્ષા સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ દ્વારા રાષ્ટ્રીય સેમિનારનું આયોજન થશે. આ સેમિનારમાં રાષ્ટ્રીય સ્તરના શિક્ષણ, સંસ્કૃતિ અને સંશોધન સંબંધિત વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શક સત્રો યોજાશે. 31 ડિસેમ્બરના રોજ રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમોની શૃંખલા 29 થી 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી, 2026 દરમિયાન 'સરદાર વલ્લભભાઈ પટેલ અને ભગવાન બિરસા મુંડા ૫૨મા સ્પોર્ટ્સ ફેસ્ટ'ના આયોજન સાથે સમાપ્ત થશે.
દાદરા નગર હવેલીના નરોલી રોડ પર ગઈકાલે મોડી રાત્રે એક ચાલુ હાઈવા ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં વાહન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર, ચાલુ વાહનના પાછળના ટાયરના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો હતો. આગ લાગ્યાની જાણ થતાં જ ચાલકે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક વાહનને રસ્તા પર ઉભું રાખી દીધું હતું. ગણતરીની મિનિટોમાં જ આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને જોતજોતામાં હાઈવા ટ્રકનો પાછળનો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે ત્યાં સુધીમાં વાહનનો પાછળનો ભાગ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.
Bondi Beach Shooting : ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર ગોળીબારની ઘટનામાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વૉનનો પણ આબાદ બચાવ થયો છે. આતંકવાદીઓએ યહૂદી સમુદાય હનુક્કા ફેસ્ટિવલને ટાર્ગેટ કરીને આડેધડ ગોળીબાર કર્યો હતો. અત્યાર સુધી ઘટનામાં 12 લોકોના મોત અને 13થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ગોળીબાર થયો ત્યારે માઈકલ વૉર્ન પર ઘટનાસ્થળે જ હતા. વૉર્ને કહ્યું કે, જ્યારે ગોળીબાર થયો ત્યારે હું રેસ્ટોરન્ટમાં લૉક હતો, જે મને ભયાનક લાખ્યું હતું.
વલસાડ તાલુકાના પાથરી ગામે એક ખાનગી તળાવમાં ધરમપુર નગરપાલિકાનો કચરો ઠાલવવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ મામલે સરપંચ અશોક પટેલે જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી હતી. કલેક્ટરે તળાવમાંથી પ્લાસ્ટિક વેસ્ટ ખાલી કરવા અને ધરમપુર નગરપાલિકાના COને કોન્ટ્રાક્ટર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના આપી છે. હાલ તળાવમાંથી કચરો ખાલી કરી ધરમપુર વેસ્ટ સાઈટ પર પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર વિવાદમાં તળાવના જમીન માલિક સંપત પટેલે સરપંચ અને ઉપસરપંચ પર જૂની અદાવત રાખી હેરાનગતિ કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. સંપત પટેલે જણાવ્યું હતું કે, આ તળાવ તેમની માલિકીનું છે. અગાઉ તેઓ અહીં મત્સ્યપાલનનો વ્યવસાય કરતા હતા, પરંતુ તેમાં સતત નુકસાન થતું હોવાથી અને આર્થિક રીતે પોસાતું ન હોવાથી તેમણે તળાવ પૂરી દેવાનો નિર્ણય કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, તેમણે તળાવ પૂરવા માટે ગ્રામ પંચાયતમાં સરપંચ પાસે મૌખિક પરવાનગી માંગી હતી, પરંતુ તેમને કોઈ લેખિત મંજૂરી મળી ન હતી. માટી વડે તળાવનું પુરાણ કરવું ખૂબ મોંઘું પડતું હોવાથી, તેમણે ધરમપુર નગરપાલિકાનો વેસ્ટ (કચરો) પોતાના તળાવમાં નાખવા દીધો જેથી જમીન સમતળ થઈ શકે. તેમણે સ્વીકાર્યું કે, સિંગલ યુઝ પ્લાસ્ટિક અને વેસ્ટ કચરાના પુરાણ માટે સંબંધિત વિભાગની મંજૂરી લેવી પડે તે અંગે તેઓ અજાણ હતા. સંપતે વધુમાં જણાવ્યું કે, આ વિવાદ તેમને હેરાન કરવા માટે ઉભો કરવામાં આવ્યો છે. અગાઉ તેમના તળાવની પાળ તોડી નાખવામાં આવી હતી, જેના કારણે તેમને રૂપિયા 1.10 લાખની માછલીઓનું નુકસાન થયું હતું. આ બાબતે તેમણે સરપંચ અને ઉપસરપંચ સામે કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો. આ જૂની અદાવતને કારણે જ અત્યારે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને કચરો ખાલી કરાવવા દબાણ કરવામાં આવી રહ્યું છે. પરવાનગી અને દુર્ગંધનો મુદ્દોજ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કચરો નાખવા માટે GPCB કે અન્ય અધિકારીઓની મંજૂરી લીધી હતી? ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે, તેમને આ અંગે કોઈ જાણકારી ન હતી. વધુમાં, દુર્ગંધ ફેલાવવાના આક્ષેપ પર તેમણે કહ્યું હતું કે, તેમને કોઈ ખાસ દુર્ગંધ આવતી નથી, પરંતુ માત્ર અદાવત રાખીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, કચરો નાખવા બદલ તેમણે કોન્ટ્રાક્ટર પાસેથી કોઈ પૈસા લીધા નથી કે આપ્યા નથી, માત્ર સસ્તામાં પુરાણ થાય તે હેતુ હતો.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તથા શિક્ષણ વિભાગના મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે લખતર ખાતે રૂ. 8.52 કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલય (KGBV)ના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ શાળાના નવા ભવનનું નિરીક્ષણ કરી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, દીકરીઓ આ દેશનું ઘરેણું છે અને કોઈપણ દેશની પ્રગતિનું મૂળ તેની કેળવણી ઉપર રહેલું છે. તેમણે વર્ષ 2002માં શરૂ કરાયેલા કન્યા કેળવણી રથ અને તેનાથી ડ્રોપઆઉટ રેશિયોમાં થયેલા ઘટાડાને યાદ કર્યો હતો. તેમણે KGBVને સરકારના આ પ્રયત્નોનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું. ભારત સરકાર દ્વારા 2004માં શરૂ કરાયેલો આ રેસિડેન્શિયલ શૈક્ષણિક કાર્યક્રમ શાળા બહારની, ડ્રોપઆઉટ થયેલી કે દુર્ગમ વિસ્તારમાંથી આવતી દીકરીઓના શિક્ષણને પ્રાથમિકતા આપે છે. ગુજરાતમાં કુલ 257 KGBV શાળાઓ આવેલી છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પછાત વર્ગ અને લઘુમતી વર્ગની આશરે 34,000 કન્યાઓ અભ્યાસ કરે છે. અહીં દીકરીઓને શિક્ષણની સાથે ભોજન, યુનિફોર્મ અને તબીબી સુવિધાઓ પણ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કરતા ડૉ. વાજાએ ઉમેર્યું હતું કે, જો દીકરી શિક્ષણ સુધી ના જતી હોય, તો શિક્ષણને દીકરી સુધી લઈ જવું એ સરકારનો મુખ્ય પ્રયાસ છે. આ પ્રયાસ હજારો દીકરીઓને આત્મનિર્ભર બનાવીને સમૃદ્ધિ તરફ લઈ જવાનો છે. તેમણે નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ જેવી શિક્ષણ ક્ષેત્રની મહત્વની યોજનાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેટી બચાવો અને બેટી પઢાઓ સૂત્રની સરાહના કરતા તેમણે કહ્યું કે, એક દીકરી ભણે તો બે પરિવાર આગળ વધે છે. નવા આધુનિક ભવનમાં જીવન કૌશલ્ય તાલીમ જેવી કે સિવણ કામ, હેન્ડીક્રાફ્ટ, કોમ્પ્યુટર સ્કિલ, આરોગ્ય ચકાસણી, માનસિક માર્ગદર્શન, સુરક્ષા માટે સીસીટીવી અને મહિલા સ્ટાફ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરની દીકરીઓનું શિક્ષણ અવિરત રહે તે હેતુથી સરકારે અહીં નિવાસી ક્ષમતા 50માંથી વધારીને 200 કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય થકી જ 2047ના 'વિકસિત' અને 'આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને સિદ્ધ કરી શકાશે. આ પ્રસંગે ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, ગ્રામ્ય સ્તરની દીકરીઓનું શિક્ષણ અવિરત રહે તે હેતુથી સરકારે અહીં નિવાસી ક્ષમતા 50માંથી વધારીને 200 કરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે, અહીંની બાલિકાઓ અભ્યાસ થકી IAS, IPS, ડૉક્ટર કે એન્જિનિયર બનીને પ્રગતિ કરશે. તેમણે કન્યા કેળવણી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૂકેલા વિશેષ ભારને કારણે સુરેન્દ્રનગર જિલ્લાએ શિક્ષણ ક્ષેત્રે કરેલી નોંધપાત્ર પ્રગતિનો ઉલ્લેખ કર્યો હતો. શિક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું કે, 86 શાળાઓમાં ઓરડાની ઘટ અંગે રિપોર્ટ રજૂ કરાતાં મુખ્યમંત્રીએ તમામ કામો મંજૂર કરીને રૂ. 102 કરોડ ફાળવ્યા છે. શિક્ષણ ઉપરાંત અન્ય વિકાસ કાર્યોની માહિતી આપતા તેમણે જણાવ્યું કે, લખતર પાટડી ક્ષેત્રમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણી માટે રૂ. 59 કરોડની યોજના મંજૂર થઈ છે અને રોડ રસ્તાના સંદર્ભમાં પણ 64 પંચાયત હસ્તકના અને 9 સ્ટેટ હસ્તકના રસ્તાઓ મંજૂર થયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ભદ્રસિંહ એ. વાઘેલાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમજ જિલ્લામાં આવેલી શાળાઓ, શિક્ષણનું સ્તર સહિત તમામ શૈક્ષણિક બાબતોમાં પ્રગતિની વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરી હતી. કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ અને જુસ્સાભેર કરાટેના દાવપેચ રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ શાળાઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ તેમજ જુદી જુદી સરકારી યોજનાઓનું માહિતી પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું, જેનું મંત્રીએ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રસપૂર્વક નિરીક્ષણ કર્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ, મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા સહિતના મહાનુભાવોએ ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વંદન કરી તેમને આદરપૂર્વક યાદ કર્યા હતા. આ તકે સરકારી સેવાઓમાં કાર્યરત શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું મહાનુભાવોના હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ. ઓઝાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું, જ્યારે મદદનીશ જિલ્લા કો- ઓર્ડીનેટર, ગર્લ્સ એજ્યુકેશન અંજનાબેન પટેલે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મહિલા બાળ વિભાગના ચેરમેન નંદુબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવ પટેલ, અગ્રણી જયેશ પટેલ, દશરથસિંહ રાણા, સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, ડાયટ પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડીયા, શિક્ષણ વિભાગના અધિકારીઓ, બી.આર.સી., સી.આર.સી., આચાર્યો, શિક્ષકગણ, વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સાયબર ફ્રોડના બનાવને જડમૂળથી ખતમ કરવા માટે રાજ્યના ગૃહ મંત્રી અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં સાયબર ફ્રોડના ગુનામાં બેંક એકાઉન્ટ ભાડે આપનાર તેમજ બેંક એકાઉન્ટ ભાડે મેળવનાર અને વચેટીયા તરીકે કામ કરનારા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બે દિવસમાં 36 જેટલા આરોપીઓ વિરુદ્ધ BNSની કલમ 317(2), 61 (2) સહિતની કલમ અંતર્ગત 15 જેટલી ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં 36 પૈકી હાલ 23 આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાંથી સાયબર ફ્રોડનો શિકાર બનેલી બે મહિલાઓ દ્વારા ન માત્ર લાખો રૂપિયાની રકમ પરંતુ પોતાનો જીવ પણ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી હતી ત્યારે દિન પ્રતિદિન વધતા જતા સાયબર ફોડના બનાવને અટકાવવા માટે ગૃહ વિભાગ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં એકાઉન્ટ ભાડે આપનારા તેમજ એકાઉન્ટ ભાડે લેનારા અને વચેટીયા તરીકે કામ કરનારા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સમન્વય પોર્ટલ પરથી ડેટા મેળવીને એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં બે દિવસની અંદર કુલ 15 ફરિયાદ દાખલ કરી 36 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમાં 23 આરોપીઓને ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. સાયબર ક્રાઇમ પોલીસે આરોપીઓની પુછપરછ કરતા પ્રાથમિક તપાસમાં સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવામાં આવેલ 20 એકાઉન્ટ રાજકોટ ખાતેથી ઓપરેટ થયા હોવાનું સામે આવ્યું છે. તેમજ તે બેન્ક એકાઉન્ટમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર, તેલંગણા, તમિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઓરિસ્સા, કેરળ, હિમાચલ, ઉતરાખંડ તેમજ ઝારખંડ સહિતના રાજ્યોમાંથી ફરિયાદ 1930 હેલ્પલાઇન પર નોંધાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. દેશભરમાં કુલ 30 કરોડ રૂપિયા જેટલી રકમનો સાયબર ફ્રોડ આચરવામાં આવ્યો હતો જે પૈકી અંદાજિત 1.36 કરોડ રકમ રાજકોટના 20 જેટલા એકાઉન્ટમાં જમા થઈ હોવાનું આરોપીઓની પુછપરછમાં સામે આવ્યું છે. પોલીસે હાલ ઝડપી પાડેલા 23 આરોપીઓ પૈકી કેટલાક આરોપીઓ હાલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તો કોઈ રીક્ષા ચાલક તો કોઈ શાકભાજી વેચનાર તો કોઈ છૂટક મજૂરી તેમજ કોઈ પ્રાઇવેટ નોકરી કરનાર હોવાનું સામે આવ્યું છે. આ આરોપીઓને પોતાના બેંક એકાઉન્ટમાં જમા થતી રકમ પર એકાઉન્ટ ભાડે આપવા બદલ 5000, 10000, 15000, 20000 રૂપિયા જેટલી રકમ કમિશન પેટે મળતી હતી. ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત રાજ્યભરમાં કાર્યવાહી શરૂ થતા બેન્ક એકાઉન્ટ ભાડે આપનારા વ્યક્તિઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. અને ખાસ રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે કે, માત્ર નજીવી રકમની લાલચમાં આવી પોતાના બેંક એકાઉન્ટ સાયબર ફ્રોડના ગુનામાં ભાડે આપવાનું ટાળે જેથી તેઓ ભવિષ્યમાં થનારા કાયદાકીય કાર્યવાહીથી બચી શકે તેમજ સાયબર ફ્રોડના ગુનામાં ઘટાડો લાવી શકાય.
સોજીત્રા તાલુકાના પલોલ ગામની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગ્રામજનો સાથે મળી સફાઈ કરી હતી. તેમણે સ્વચ્છતાનું મહત્વ સમજાવી સ્વચ્છ ભારતનો સંદેશ આપ્યો હતો.રાજ્યપાલે ઝાડુ લગાવીને સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ સાથે જ તેમણે ગામના સફાઈ કર્મીઓનું જાહેરમાં સન્માન કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ મુલાકાત દરમિયાન, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતા, વ્યસનમુક્તિ, સામાજિક સમરસતા, આરોગ્ય, પર્યાવરણ અને પ્રાકૃતિક ખેતી જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ વધે તેવું સૂચન કર્યું હતું.તેમણે વ્યસનમુક્તિ પર ભાર મૂકતા જણાવ્યું કે, આજે ભણેલા ગણેલા લોકોમાં વ્યસનનું પ્રમાણ વધવું એ ચિંતાજનક બાબત છે. જો મોટા લોકો સ્વયં સારા કામો કરશે તો નાના બાળકોમાં સુટેવો કેળવાશે. આચાર્ય દેવવ્રતે પલોલને સ્વચ્છ ગ્રામ બનાવવા સૌ ગ્રામજનોને સક્રિય થવા અપીલ કરી હતી. આ માટે તેમણે ગામની પ્રત્યેક શેરી દીઠ સ્વચ્છતાની ટુકડીઓ બનાવી આયોજન પ્રમાણે કામ કરવા સૂચન કર્યું.સ્વચ્છતા ઉપરાંત, રાજ્યપાલએ પર્યાવરણ સંવર્ધનમાં વૃક્ષારોપણના મહત્વ વિશે વાત કરી. તેમણે સૌ ગ્રામજનોને અપીલ કરી કે તેઓ પોતાના બાળકોના જન્મદિવસના અવસરે ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરે અને ત્રણ વર્ષ સુધી તેનું જતન પણ કરે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવાહુતિ, જિલ્લા પોલીસ વડા જસાણી, પેટલાદ મદદનીશ કલેકટર હિરેન બારોટ સહિત જિલ્લા પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ, પલોલ ગ્રામ સરપંચ કેતનભાઈ પટેલ સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ સિટી પોલીસે ગ્રીનપાર્ક વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી પાંચ ઈસમોને તીન પત્તીનો જુગાર રમતા ઝડપી પાડ્યા છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. વલસાડ SP યુવરાજસિંહ જાડેજાએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, વલસાડ સિટી PI દિનેશ પરમારના નેતૃત્વ હેઠળ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે, પોલીસે ગ્રીન પાર્ક ખાતેની નેશનલ સ્કૂલના ખુલ્લા ગ્રાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, પાંચ વ્યક્તિઓ તીન પત્તીનો હાર-જીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 7,790 જપ્ત કર્યા હતા. આ મામલે વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં રમઝાન સીદીક શેખ (ઉ.વ.35, રહે. ઘડોચી તળાવ, કરલાની વાડી), અલમાસ ઝુબેર તારા (ઉ.વ.33, રહે. મોટા તાઇવાડ), મોહમદ ઝૈદ સિંધા (ઉ.વ.35, રહે. ગ્રીન પાર્ક-04 ઝીન્નતનગર), યશ વિજય પટેલ (ઉ.વ.24, રહે. ખડકીભાગડા) અને અલીમ રફીક પઠાણ (ઉ.વ.૨૮, રહે. નાના તાઇવાડ) નો સમાવેશ થાય છે.
સમગ્ર ગુજરાતમાં સાયબર ક્રાઇમના ગુનાઓ રોકવા માટે ગુજરાત પોલીસ દ્વારા રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન મ્યુલ હન્ટ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં જુનાગઢ એસઓજી દ્વારા ભારત સરકારના NCCRP પોર્ટલ અને સમન્વય પોર્ટલ પરથી મળેલી ટેકનિકલ વિગતોની તપાસ કરતાં, આરોપીના નામના બે અલગ-અલગ બેંક ખાતાઓમાં દેશભરમાંથી આવેલા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનોની માહિતી મળી હતી.આ ઓપરેશન હેઠળ, જુનાગઢ ડિવિઝન પોલીસે ફરિયાદી નિલેશભાઈ ચૌહાણની ફરિયાદના આધારે જુનાગઢના રહેવાસી અન્સારી ઈકરામ અશરફભાઈ અને સાહિલશા ઉર્ફે ડાડો જાહિદશા બાનવા નામના બે ઇસમોની વિરુદ્ધ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.આ આરોપીએ ગુનાહિત પ્રવૃત્તિ માટે પોતાના બેંક ખાતાનો ઉપયોગ થવા દીધો હતો. પોલીસે આ વ્યક્તિની સંડોવણીના આધારે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ₹16 લાખથી વધુની છેતરપિંડી, 52 ફરિયાદો નોંધાઈ આરોપી અન્સારી ઈકરામ અશરફભાઈના બેંક ઓફ બરોડા અને ઈન્ડસઈન્ડ બેંક (વ્યવસાયિક નામ સાથે) ના બે અલગ-અલગ ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા માટે થયો હતો. આ ખાતાઓમાં જુલાઈ 2025થી નવેમ્બર 2025 દરમિયાન ભારતભરના વિવિધ રાજ્યોના ભોગ બનનારાઓ પાસેથી મેળવેલી ફ્રોડની રકમ જમા થઈ હતી. તપાસ મુજબ, આ બંને ખાતાઓ પર કુલ 52 ફરિયાદો (50 ફરિયાદો એક ખાતા પર અને 2 ફરિયાદો બીજા ખાતા પર) NCCRP પોર્ટલ પર નોંધાયેલી છે. આરોપીના આ બે ખાતાઓમાં ફ્રોડ દ્વારા મેળવેલી કુલ રકમ ₹16,04,255 (સોળ લાખ, ચાર હજાર, બસ્સો પંચાવન રૂપિયા) જમા થઈ હતી, જે દર્શાવે છે કે આ એકાઉન્ટ્સનો ઉપયોગ રાષ્ટ્રીય સ્તરના સાયબર ગુનાઓમાં થઈ રહ્યો હતો. ઓનલાઈન લાલચ આપી નાણાં સગેવગે કરાયા આ ગુના આચરનાર મુખ્ય સૂત્રધારો અને આરોપી અન્સારી ઈકરામ અશરફભાઈની મોડસ ઓપરેન્ડી (ગુનો કરવાની પદ્ધતિ) સ્પષ્ટ છે. મુખ્ય સાયબર ક્રિમિનલો દેશભરના લોકોને ઓનલાઈન શોપિંગ, શેર બજારમાં રોકાણ, ક્રિપ્ટોકરન્સી, ફોરેન ટ્રેડિંગ અને વિવિધ પ્રકારની નાણાકીય લાલચ આપીને છેતરતા હતા. છેતરપિંડીની આ રકમોને સીધી રીતે રોકડમાં ન મેળવતા, તેને આરોપી અન્સારી ઈકરામ જેવા વ્યક્તિઓના 'મ્યુલ એકાઉન્ટ્સ' માં જમા કરાવતા હતા. આરોપીઓ કમિશન કે ભાડાની લાલચમાં આ ખાતાઓનો ઉપયોગ થવા દેતા હતા. નાણાં જમા થતાં જ, આરોપી નેટ બેન્કિંગ જેવી ઓનલાઈન સુવિધાઓ દ્વારા તેને અલગ-અલગ લેયરમાં અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને, રોકડમાં ઉપાડીને સગેવગે કરી દેતા હતા, જેથી નાણાંનો મૂળ સ્ત્રોત શોધી શકાય નહીં. આરોપી અન્સારી ઈકરામ અશરફભાઈએ પોતાના બેંક ખાતાઓનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિઓ માટે થવા દીધો હતો .જેમાં ઓનલાઈન શોપિંગની લાલચ આપી ફ્રોડ,શેર બજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની લાલચ આપી ફ્રોડ,ઓનલાઈન નાણાકીય ફ્રોડ (જેમ કે ટ્રેડિંગ, લોન વગેરેની લાલચ), યેનકેન પ્રકારે વિવિધ લાલચ આપીને ફ્રોડ આચરવામાં આવ્યો હતો. સાયબર ક્રાઈમ કરનારા મુખ્ય ઈસમો, ભોગ બનનાર વ્યક્તિઓના નાણાં આ મ્યુલ એકાઉન્ટ્સમાં મેળવતા હતા. ત્યારબાદ એકાઉન્ટ ધારક અન્સારી ઈકરામ અશરફભાઈ અથવા તેની સાથે સંડોવાયેલા અન્ય ઈસમો, બેંક ખાતાની ઓનલાઈન નેટ બેન્કિંગ સુવિધા મારફતે આ નાણાં અન્ય અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતા હતા અને પછી જુદી જુદી રીતે રોકડમાં મેળવીને સગેવગે કરી દેતા હતા. આરોપી અન્સારી ઈકરામ અશરફભાઈના નામના બે અલગ-અલગ બેંક ખાતાઓ સાયબર ફ્રોડની એક્ટિવિટી માટે વપરાયા હતા. ચિતાખાના ચોક ખાતે આવેલી બેંક ઓફ બરોડાના ખાતામાં NCCRP પોર્ટલ પર કુલ 50 (પચાસ) ફરિયાદો દાખલ થયેલી છે. આ ફરિયાદોમાં બિહાર, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, પંજાબ, ઓડિશા, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, ગોવા અને પશ્ચિમ બંગાળ જેવા દેશના વિવિધ રાજ્યોના ભોગ બનનારાઓનો સમાવેશ થાય છે. મોતીબાગ ઈન્ડસઈન્ડ બેંકની બ્રાન્ચમાં યમી બેકરી કેક શોપ નામનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું હતું .આ એકાઉન્ટમાં કુલ 2 (બે) ફરિયાદો દાખલ થયેલી છે, જેમાં ઉત્તરાખંડ અને કર્ણાટકના ભોગ બનનારાઓનો સમાવેશ થાય છે.આમ આ સમગ્ર મામલે કુલ 52 ફરિયાદો નોંધાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, ખાતાધારક અન્સારી ઈકરામ અશરફભાઈએ પોતાના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના રૂપિયા જમા થતા હોવાનું જાણવા છતાં, પોતાના આર્થિક ફાયદા માટે આ ગુનાહિત પ્રવૃત્તિમાં સાથ આપ્યો છે. આ બદદાનતભર્યું કૃત્ય ગણીને, પોલીસે આરોપી અને તેની સાથે સંડોવાયેલા અન્ય ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 317(2), 317(4) તેમજ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ-2000 ની કલમ 66(ડી) મુજબ ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહીનો હેતુ મ્યુલ એકાઉન્ટ્સની ચેઈન તોડીને સાયબર ગુનાઓના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવાનો છે.
મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં આવેલી શ્રીમતી એસ.એસ. પટેલ હાઈસ્કૂલના 1985ની બેચના ધોરણ-10ના વિદ્યાર્થીઓનો સ્નેહમિલન અને ગુરુ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વર્ષો બાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે એકઠા થયા હતા. શાળા પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા સ્કૂલના પૂર્વ આચાર્ય એચ.એમ. પટેલ સાહેબે કરી હતી. આ પ્રસંગે શિક્ષક સી.જી. સુથાર, વાય.બી. પંડ્યા અને ગોર સાહેબ સહિતના ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ જિગરભાઈ મહેતા અને શાળાના આચાર્ય પંકજભાઈ પટેલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં પૂર્વ વિદ્યાર્થીઓએ ઉપસ્થિત રહી ગુરુજનોનું બહુમાન કર્યું હતું અને તેમના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. 40 વર્ષ બાદ એકઠા થયેલા આ વિદ્યાર્થીઓએ એકબીજાની સફળતાના અનુભવો અને તેમાં ગુરુજનોના આશીર્વાદના યોગદાન અંગે ચર્ચાઓ કરી હતી. આ કાર્યક્રમ દરમિયાન સૌએ સાથે મળીને ગરબા અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓનો આનંદ માણ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓ પોતાના પાયાના જ્ઞાનમાં યોગદાન આપનાર શિક્ષકો પ્રત્યે ઋણ અદા કરતા હોય છે.
વેરાવળમાં જિલ્લા તંત્રએ બાળ લગ્ન અટકાવ્યા:માતા-પિતાની સહમતિથી માત્ર સગાઈ કરાવી, લગ્ન મુલતવી રખાયા
ગીર જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના નિર્દેશ હેઠળ વેરાવળમાં બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. આ ઘટના રેલવે સ્ટેશન સામેના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં બની હતી. બાળ લગ્ન થઈ રહ્યા હોવાની માહિતી મળતા જ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને જિલ્લા સમાજ સુરક્ષાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે લગ્ન અટકાવી યુગલના પરિવારજનોને બાળ લગ્ન કાયદા વિશે સમજાવ્યું હતું. કાયદાકીય સમજૂતી અને નોટિસ આપ્યા બાદ બંને પક્ષના વાલીઓ અને માતા-પિતાએ લગ્ન મુલતવી રાખવા સંમતિ આપી હતી. ત્યારબાદ માત્ર સગાઈનો કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. તંત્રની સલાહ અને માર્ગદર્શનને પગલે સમાજના અગ્રણીઓએ પણ ખાતરી આપી હતી કે આ લગ્ન યુગલ પુખ્ત વયનું થાય ત્યારે જ કાયદાકીય રીતે કરવામાં આવશે. જિલ્લા તંત્રની સમયસરની કાર્યવાહી અને સતર્કતાને કારણે આ બાળ લગ્ન અટકાવી શકાયા હતા.
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લગ્ન પ્રસંગ દરમિયાન ઘરે જવાના રસ્તા પર લોકો બેઠા હોવાથી રસ્તો માંગવા જતાં વિવાદ થયો હતો, જેને પગલે મારામારી થઈ હતી. આ ઘટનામાં પિતા - પુત્રીને ઈજા પહોંચી હતી. આ બનાવને લઈને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ ટાઈમ્સ સ્ક્વેર અર્થ આર્ટિકામાં રહેતા ફરિયાદી મહમદ હનીફ અસરફખાન બીહારી (ઉં.વ.50)એ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, રાત્રે લગભગ 9.30 વાગ્યે તે ઘરે જતા હતા, ત્યારે સોસાયટીના ડી બ્લોકની નીચે લગ્ન પ્રસંગ ચાલુ હતો. લગ્નના મહેમાનો અને સગાંઓ રસ્તા પર બેઠા હોવાથી ઘરે જવાના માર્ગમાં રૂકાવટ ઊભી થઈ હતી. તેમણે લગ્ન પ્રસંગમાં હાજર અઝીમ જમાદારને વિનંતી કરી કે લિફ્ટ સુધી જવાનો રસ્તો આપો, પરંતુ અઝીમે કહ્યું કે પ્રસંગ પૂરો થવા દો. આ પછી લગ્નમાં હાજર અન્ય લોકોએ ફરિયાદીને કહ્યું હતું કે, તું કોણ છે? તને જ બધો પ્રોબ્લેમ થાય છે, તેમ કહીને ઝપાઝપી કરવા લાગ્યા હતા. જેથી ગભરાઈને ફરિયાદી ઘરે જતા રહ્યા અને પત્ની તથા પુત્રીને બનાવની જાણ કરી હતી. પત્ની અને પુત્રીએ સોસાયટીના સભ્યોને ફોન કરીને માહિતી આપતાં સભ્યો ભેગા થયા હતા. બાદમાં પત્નીએ ફરિયાદીને નીચે બોલાવ્યા હતા. જ્યારે તે સી ટાવરના પાર્કિંગમાં પહોંચ્યા ત્યારે ત્યાં ઊભેલા બે-ત્રણ વ્યક્તિઓ ગાળો આપીને હાથ અને ગડદા પાટું મારવા માંડ્યા હતા. ફરિયાદીને બચાવવા પત્ની અને પુત્રી ફૈઝાખાન વચ્ચે આવતાં લીલા કલરના ડ્રેસ પહેરેલી મહિલા સબાનાએ ઉશ્કેરાઈને પુત્રી પર હુમલો કર્યો હતો. આ મારામારીમાં પિતા-પુત્રીને શરીરે ઈજા પહોંચી હતી. જેથી તેઓએ ગભરાઈને તેમણે 112 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી હતી. પોલીસ આવતાં ફરિયાદી પત્ની અને પુત્રી સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનમાં પહોંચીને આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહીની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
ચાર ફૂટ લાંબો ઝેરી સાપ ઘરમાં ઘૂસ્યો:પાટણના ખીમિયાણામાં અબોલ જીવ સેવા ટ્રસ્ટે રેસ્ક્યુ કર્યું
ખીમિયાણા ગામમાં એક પરિવારના ઘરમાં ચાર ફૂટ લાંબો ઝેરી ઇન્ડિયન કોમન ક્રેટ સાપ ઘૂસી આવ્યો હતો. આ ઘટનાથી પરિવાર અને આસપાસના સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.ઇન્ડિયન કોમન ક્રેટ સાપ ભારતના સૌથી ઝેરી સાપો પૈકી એક ગણાય છે. આવા સાપ ઘરોમાં ઘૂસી આવવાના બનાવો પાટણ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર બનતા રહે છે. એક જીવદયા પ્રેમીએ આ અંગે અબોલ જીવ સેવા ટ્રસ્ટ, પાટણને જાણ કરી હતી. માહિતી મળતા જ ટ્રસ્ટની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ ઝેરી સાપનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું.સાપનું રેસ્ક્યુ થતાં ખીમિયાણાના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારબાદ આ ઝેરી સાપને પાટણની સરસ્વતી નદીના પટમાં સુરક્ષિત રીતે છોડી દેવામાં આવ્યો હતો.
શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમણે શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી અને સ્થળ નિરીક્ષણ કર્યું. મંત્રીએ અધિકારીઓને ગુણવત્તા અને સમયસર કામ પૂર્ણ કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી દર્શનાબેન વાઘેલાએ તેમની મુલાકાત દરમિયાન મહત્ત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સૌ પ્રથમ રાજકોટ હાઈવે રોડ પર થયેલા કામની ગુણવત્તા તપાસી. આ રોડ શહેરના ટ્રાફિકને હળવો કરવામાં અને આંતર-કનેક્ટિવિટી સુધારવામાં મદદરૂપ થશે. ત્યારબાદ, મંત્રીએ અતિથિ ભવન - જળ ભવનથી જિલ્લા પંચાયત સુધીના સિમેન્ટ કોંક્રીટ (CC) રોડની પ્રગતિનું નિરીક્ષણ કર્યું. તેમણે આ પ્રોજેક્ટને નિર્ધારિત ધોરણો અને સમયમર્યાદા મુજબ ઝડપી બનાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, મંત્રીએ દૂધરેજ નર્મદા કેનાલ પર નિર્માણાધીન દૂધરેજ પુલની પણ મુલાકાત લીધી અને તેના વિકાસ કાર્યોની પ્રગતિ જાણી. આ સમીક્ષા મુલાકાત દરમિયાન, સ્થાનિક વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મંત્રીને ચાલી રહેલા કાર્યોની વર્તમાન સ્થિતિ, પડકારો અને પૂર્ણતાની સમયરેખા વિશે માહિતી આપી. મંત્રીએ પ્રોજેક્ટ્સને અસરકારક રીતે અને સમયસર પૂર્ણ કરવા માટેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ નિરીક્ષણ મુલાકાતમાં નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા, જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર આર.કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિક ટમાલિયા સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી દર્શનાબેન વાઘેલાએ ખમીસણા શાળાની મુલાકાત લીધીશહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ સુરેન્દ્રનગર જિલ્લાના ખમીસણા ખાતે આવેલી આદર્શ નિવાસી કુમાર શાળાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને ભૌતિક માળખાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિદ્યાર્થીઓની સુખાકારી અને વ્યવસાયલક્ષી શિક્ષણ પર ભાર મૂક્યો હતો. મંત્રી વાઘેલાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમના રહેઠાણ, ભોજન અને અન્ય પ્રાથમિક સુવિધાઓ વિશે વિગતવાર પૂછપરછ કરી હતી. તેમણે શાળાના આચાર્યને બાળકોની પસંદગી મુજબનો અને પોષણયુક્ત આહાર પીરસવા તેમજ સરકારી યોજનાઓ અંતર્ગત અપાતા આહારની ગુણવત્તા જાળવી રાખવા સૂચનો કર્યા હતા. મંત્રીએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવી શકે તેવી વ્યવસાયલક્ષી પ્રવૃત્તિઓ શીખવવા પર ભાર મૂક્યો હતો. તેમણે સરકારના 'મેદસ્વિતા મુક્ત અભિયાન' અંતર્ગત બાળકોને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા નિયમિત યોગ અને શારીરિક પ્રવૃત્તિઓ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ પરંપરાગત નૃત્ય રજૂ કરીને મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, નિવાસી અધિક કલેકટર આર.કે. ઓઝા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર.એમ. જાલંધરા, અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલિયા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિનું સંવર્ધન કરીને જન જનને સન્માર્ગે વાળી ભગવત ભક્તિ થકી અર્ચન પૂજન કરીને સદાચારી જીવન વ્યતિત કરતા કર્યા છે, એવા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી આગામી બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ઉજવણી થનારી છે. જેને લઈને આજે સંધ્યા સમયે સંતોના માર્ગદર્શન હેઠળ 7 હજારથી વધુ ભાવિકોએ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટય સ્થાન ચાણસદ ખાતે નારાયણ સરોવર પરિસરમાં સામૂહિક ગુરુ પૂજન કરવામાં આવ્યું હતું, જેને લઈને સંતો અને હરિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે પૂજનના અંતે એક સાથે 7 હજાર ભક્તો દ્વારા થયેલ સમૂહ આરતી સમયે 7 હજાર દીપક અને સરોવર નીરમાં પ્રતિબંબિત થતા દીપકોથી જાણે નભ મંડળ ધરા તલ પર દ્રશ્યમાન થઈ રહ્યું હતું. આ વિશિષ્ટ પ્રસંગે સંસ્થાના વડીલ સંત બ્રહ્મ વિહારી સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને બિરદાવી પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતી બીજી ફેબ્રુઆરીના રોજ વડોદરા ખાતે ઉજવણી થશે. જેને લઈને વડોદરા શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ચાણસદ ખાતે ગુરુ પૂજનના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને સંતો જોડાયા હતા.
સુરત શહેર ટ્રાફિક પોલીસ અને કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત પ્રયાસોથી વર્ષ 2025ની અંતિમ લોક-અદાલતમાં સફળતાનો નવો કીર્તિમાન સ્થાપિત થયો છે. લોક-અદાલતમાં સુરત શહેરના ટ્રાફિકના નિયમોના ભંગ બદલ ઈસ્યુ થયેલા પેન્ડિંગ ઈ-ચલણો પૈકી રેકોર્ડબ્રેક કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં 1,32,578થી વધુ ઈ-ચલણોનો નિકાલ કરાયો છે. એક જ દિવસમાં 3 લાખથી વધુ કેસો ઉકેલાયા'વન નેશન વન ચલણ' પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક પોલીસ દ્વારા ઇસ્યુ કરવામાં આવતા ઈ-ચલણોની ભરપાઈ ન કરનારા વાહનચાલકો માટે આ લોક-અદાલત આશીર્વાદરૂપ સાબિત થઈ હતી. આ લોક-અદાલતમાં ટ્રાફિક શાખાના પેન્ડિંગ ઈ-ચલણો 1,32,578 કેસોનો નિકાલ અને સુરત શહેરના અન્ય પેન્ડિંગ કેસો સહિત કુલ નિકાલ 3,07,348 જેટલા કેસોનો અંત આવ્યો છે. સુરત શહેરની હેટ્રિક, મોટી સંખ્યામાં શહેરીજનોએ દંડ ભરપાઈ કર્યોનોંધનીય છે કે, પેન્ડિંગ કેસોના નિકાલની બાબતમાં સુરત શહેરને આ મોટી સિદ્ધિ સતત ત્રીજી વખત પ્રાપ્ત થઈ છે. ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવેલા વ્યાપક પ્રચાર-પ્રસાર અને જાગૃતિ અભિયાનને કારણે શહેરીજનો મોટી સંખ્યામાં પોતાના બાકી દંડની ભરપાઈ કરવા અને કેસોના નિકાલ માટે આગળ આવ્યા હતા. શા માટે લોક-અદાલત મહત્વની છે?સામાન્ય રીતે ઘણા વાહનચાલકો સમયસર ઈ-ચલણની રકમ ભરતા નથી, જેના કારણે ચલણોની સંખ્યા સતત વધતી રહે છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સમયાંતરે આવી લોક-અદાલતોનું આયોજન કરવામાં આવે છે, જેથી કોર્ટનું ભારણ ઘટે અને નાગરિકો પણ કાયદાકીય ગૂંચવણોમાંથી મુક્ત થઈ શકે.
ગાંધીનગર એસએમસી (SMC) ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણ ગામમાં મોટી કાર્યવાહી કરી છે. 14 ડિસેમ્બર, 2025 ના રોજ ભગીરથસિંહ છત્રસિંહ ઝાલાના ખેતરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો અને બે વાહનો સહિત કુલ રૂ. 63,57,700 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડા દરમિયાન, પોલીસે વિદેશી દારૂની કુલ 3409 બોટલો ઝડપી પાડી હતી, જેની કિંમત રૂ. 43,49,700 આંકવામાં આવી છે. આ દારૂ પંજાબની ચાંદીઘર ડિસ્ટિલર્સ એન્ડ બોટલર્સ લિમિટેડ અને રાજસ્થાન લિકર લિમિટેડ જેવી ડિસ્ટિલરીઓમાંથી બનાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. દારૂના જથ્થા ઉપરાંત, SMC ટીમે રૂ. 20,00,000 ની કિંમતના બે વાહનો અને રૂ. 8,000 ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આ કેસમાં કુલદીપ બાબુભાઈ ઝીંઝવાડીયા અને મિથુન કનૈયાલાલ રોટ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ લીંબડીના રહેવાસી છે. આ દરોડામાં કુલ સાત આરોપીઓ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં દારૂ મંગાવનાર મુખ્ય આરોપી તનવીર જીતેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ઝાલા (રહે. સૌકા, લીંબડી) નો સમાવેશ થાય છે. અન્ય વોન્ટેડ આરોપીઓમાં રાહુલ ઉર્ફે ખોરી ચંદુભાઈ ઝીંઝુવાડીયા, શૈલેષભાઈ ગોપાલભાઈ કલાસવા, ભગીરથસિંહ છત્રસિંહ ઝાલા, તેમજ બે વાહનોના ચાલક અને માલિકોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી નશાબંધી અધિનિયમની કલમો 65(A)(E), 81, 83, 98(2), 116(B) અને ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 111(2)(b), 111(3)(4) હેઠળ કરવામાં આવી છે. દરોડા પાડનાર અધિકારી આર.કે. કરમતા, પીઆઈ, એસએમસી હતા.
સોમનાથ નજીક અરબી સમુદ્રમાં સુરક્ષા એજન્સીઓએ અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ સઘન તપાસ અભિયાન જિલ્લા પોલીસ અધિક્ષક જાડેજાના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને મરીન પોલીસની સંયુક્ત ટીમો દ્વારા મધ દરિયામાં ચલાવવામાં આવ્યું હતું. આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ્ય ગેરકાયદે લાઇટ ફિશિંગ અને લાઇન ફિશિંગ પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવાનો હતો. ગીર સોમનાથ જિલ્લાના આશરે 112 કિલોમીટર લાંબા દરિયાઈ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે. સુરક્ષા દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ ગણાતા આ વિસ્તારમાં કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વિશેષ સતર્કતા રાખવામાં આવી રહી છે.ઓપરેશન દરમિયાન, ફિશિંગ બોટના ટંડેલ (કેપ્ટન) અને ખલાસીઓની વિગતવાર પૂછપરછ કરવામાં આવી હતી. બોટમાં કોઈ ગેરકાયદે સાધન, સામગ્રી અથવા શંકાસ્પદ ગતિવિધિ છે કે કેમ તેની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.સુરક્ષા એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે દરિયાઈ સુરક્ષા સાથે કોઈ સમાધાન કરવામાં આવશે નહીં અને ગેરકાયદે માછીમારી સામે ભવિષ્યમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. આ સમગ્ર સુરક્ષા અભિયાનમાં દિવ્ય ભાસ્કરની ટીમ પણ સુરક્ષા એજન્સીઓ સાથે અરબી સમુદ્રમાં મધ દરિયે પહોંચી હતી.
વલસાડમાં ઔરંગા નદી પર નિર્માણાધીન બ્રિજ પર થયેલી દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શ્રમિકોની સાંસદ ધવલ પટેલે મુલાકાત લીધી હતી. તેમણે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ પહોંચી શ્રમિકોના ખબર અંતર પૂછ્યા હતા અને ઘટનાક્રમ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ગત શુક્રવારે વલસાડ શહેર નજીક ઔરંગા નદી પર બની રહેલા બ્રિજ પર સેન્ટિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન સેન્ટિંગનો એક ભાગ અચાનક તૂટી પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કેટલાક શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બની ત્યારે સાંસદ ધવલ પટેલ લોકસભાના સત્રમાં હાજર હતા. જોકે, તેઓ કલેક્ટર, પ્રાંત અધિકારી અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને સમગ્ર ઘટનાક્રમ પર નજર રાખી રહ્યા હતા. દિલ્હીથી રવિવારે વલસાડ પરત ફર્યા બાદ, લોકસભાના દંડક ધવલ પટેલે તાત્કાલિક કસ્તુરબા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તેમણે ઇજાગ્રસ્ત શ્રમિકો સાથે વાતચીત કરી તેમની તબિયત વિશે પૂછપરછ કરી હતી અને દુર્ઘટના કેવી રીતે બની તેની વિગતો મેળવી હતી. આ પણ વાંચો-વલસાડમાં 42 કરોડના ખર્ચે બની રહેલા બ્રિજનું સ્ટ્રકચર તૂટ્યું
સુરતમાં દીકરીઓને શિક્ષણમાં પ્રોત્સાહિત કરવાના ઉમદા હેતુ સાથે શરૂ કરાયેલી 'હીરાબાનો ખમકાર' યોજના હેઠળ આજે ચોથા ચરણના સહાય વિતરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ સમારોહમાં 1100 જેટલી વિદ્યાર્થિનીઓને રૂપિયા 7500ની રાશિના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. દીકરીઓ માટે અનોખી પહેલસુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ દ્વારા આ હીરાબાનો ખમકાર યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત દીકરીઓને શિક્ષણમાં મદદરૂપ થવા માટે ફોર્મ ભરીને સહાય આપવામાં આવે છે. આર્થિક સહાયનો હેતુ દીકરીઓનું શિક્ષણ અટકાવવાને બદલે તેમને પ્રોત્સાહન આપવાનો છે. યોજનાની મુખ્ય વિશેષતાઓ ચોથા ચરણનો કાર્યક્રમ સુરતમાં યોજાયો હતોસુરતમાં આજે યોજનાના ચોથા ચરણના સહાય વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એક જ દિવસમાં 1100 દીકરીઓને સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુથ ફોર ગુજરાતના જીગ્નેશ પાટીલ, સ્થાનિક ધારાસભ્ય મનુ પટેલ, પૂર્વ મેયર, સાંસ્કૃતિક સમિતિના ચેરમેન અને અન્ય અગ્રણી મહાનુભાવો હાજર રહ્યા હતા. યોજનાના ફોર્મ ભરવાની PMના જન્મદિવસથી શુભારંભ થયો હતોઆ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી, જે આ યોજનાને વિશેષ મહત્ત્વ આપે છે. આપવામાં આવેલી માહિતી મુજબ, આગામી દિવસોમાં આ યોજનાનો વ્યાપ માત્ર સુરત શહેર પૂરતો સીમિત ન રહેતા, ત્યારબાદ સમગ્ર ગુજરાતની દીકરીઓને 'હીરાબાનો ખમકાર' યોજનાનો લાભ આપવામાં આવશે, જે એક ગૌરવની વાત છે.
ગાંધીનગરના પેથાપુર ગામમાં એક ફોટોગ્રાફર પરિવાર ધાર્મિક પ્રસંગ નિમિત્તે બહારગામ ગયો હતો. જેનો લાભ ઉઠાવી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂ.8.85 લાખથી વધુની ઘરફોડ ચોરીને અંજામ આપી નાસી જતાં પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. ઘરને લોક મારી 12મી ડીસેમ્બરે બહાર ગામ ગયા હતાગાંધીનગરના પેથાપુરના સ્વામિનારાયણ વાડામાં રહેતા કાંતિભાઇ અમરચંદ શર્મા ફોટોગ્રાફીનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સાસરી હાલોલમાં ધાર્મિક પ્રસંગ હોવાથી તેમના પત્ની મીનાબેન બે દિવસ અગાઉ ત્યાં ગયા હતા. જ્યારે 12મી ડિસેમ્બરે કાંતિભાઈ પણ ઘરને લોક મારીને સાસરીમાં ગયા હતા. કબાટમાં રાખેલા દાગીના અને રોકડ મળી રૂ. 8.85 લાખની ચોરીગઈકાલે કાંતિભાઈને તેમના મોટા ભાઈ દેવકીનંદન શર્માએ ફોન કરીને હતો, ઘરનું લોક તૂટેલું હોવાની જાણ કરી હતી. જેના પગલે કાંતિભાઈ તુરંત પરત ઘરે આવી ગયા હતા. ત્યારે માલુમ પડ્યું હતુ કે, તસ્કરોએ ઘરના મુખ્ય દરવાજાનો નકુચો તોડીને ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં રૂમના અંદર કબાટોના લોક, ડ્રોવરના લોક તોડી નાખ્યા હતા અને બોક્સ પલંગ પણ ખુલ્લા મૂકી દીધા હતા. ચોરોએ ઘરનો સામાન વેરવિખેર કરી મૂક્યો હતો. તસ્કરો ઘરમાંથી સોનાનું અઢી તોલાનું મંગળસૂત્ર,બે તોલાની બુટ્ટી-ઝુમકી, ઓમ પેન્ડલ અને નાકની ચુની , ચાંદી નું લક્કી, શેરો સિક્કા, વેડ તેમજ 2 લાખ રોકડા મળીને કુલ રૂ.8.85 લાખથી વધુની મત્તા ચોરીને નાસી ગયા ગયા. આ અંગે પેથાપુર પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
ચિખલીમાં કેમિકલ ભેરેલા ટેન્કરમાં આગ લાગી:14,000 લિટર કેમિકલ, ટેન્કરના મહત્વના દસ્તાવેજો બળીને ખાખ
ચિખલી તાલુકાના આઢારપીર ખાતે આવેલી જી.આર.બી. સિવાલય ઈન્ફ્રા પ્રોજેક્ટ પ્રા. લિમિટેડ કંપનીમાં એક કેમિકલ ટેન્કરમાં 7 ડિસેમ્બરના રોજ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં આશરે 14000 લિટર JIPOL-002 કેમિકલ અને ટેન્કરના મહત્વના દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. જે અંગે હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાં નોંધાયેલી માહિતી મુજબ, રાજસ્થાનના અજમેર જિલ્લાના વતની ટેન્કર ડ્રાઈવર પ્રવીણસિંહ કનૈયાસિંહ ચૌહાણ પ્રિથમપુરથી 24000 લિટર JIPOL-002 કેમિકલ ભરેલું ટેન્કર લઈને નીકળ્યા હતા. તેમણે 6 ડિસેમ્બર, 2025ના રોજ સુરતના કીમ ખાતે 10000 લિટર કેમિકલ ખાલી કર્યું હતું. બાકીનું 14000 લિટર કેમિકલ લઈને તેઓ 7 ડિસેમ્બર, 2025ના રોજ સવારે ચિખલીના આઢારપીર ખાતે જી.આર.બી. સિવાલય કંપનીમાં પહોંચ્યા હતા. 7 ડિસેમ્બરની સાંજે આશરે 6:30 વાગ્યે ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી. તે સમયે ટેન્કરના વાલ્વમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા કેમિકલ નીચે ઢોળાવા લાગ્યું અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. કંપનીના સ્ટાફે તાત્કાલિક ચિખલી ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આગની તીવ્રતા વધુ હોવાથી એક પાણીના બંબાથી આગ કાબૂમાં આવી ન હતી. ત્યારબાદ બીજો પાણીનો બંબો મંગાવીને ટેન્કર પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, જેનાથી આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી શકાયો. જોકે, ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલાં જ 14000 લિટર કેમિકલ સળગી ગયું હતું અને ટેન્કરને મોટું નુકસાન થયું હતું. ટેન્કરના કેબિનમાં રાખેલા વાહનના મૂળ દસ્તાવેજો પણ બળીને ખાખ થઈ ગયા હતા. ડ્રાઈવર પ્રવીણસિંહ ચૌહાણે આ ઘટના અંગે કંપનીના મેનેજર ઉમેશભાઈ બી. કોલીને જાણ કરી હતી. મેનેજરના કહેવા મુજબ, ડ્રાઈવરે ચિખલી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગેની જાહેરાત નોંધાવી છે.
મહેસાણાના તળેટી ગામ પાસે આવેલા રામદેવપીરના મંદિર નજીકથી SMCની ટીમે બાતમી આધારે લાખોની કિંમતનું MD ડ્રગ્સ સાથે એક આરોપીને દબોચી લીધો છે. SMCની ટીમે સમગ્ર કેસમાં કુલ 9.55 લાખથી વધુનો મુદ્દામાલ ઝપ્ત કરી વધુ તપાસ આદરી છે. રામાપીરના મંદિર પાસે રાજસ્થાનનો શખ્સ MD ડ્રગ્સ સાથે ઉભો હતોમહેસાણા પાલનપુર હાઇવે પર તળેટી ગામ પાસે આવેલા રામાપીરના મંદિર પાસે એક શખ્સ MD ડ્રગ્સ સાથે ઉભો હોવાની બાતમી મળતા SMCની ટીમે વોચ ગોઠવી શ્યામલાલ બાબુલાલ બિશનોઈ રહે. લુણી, જોધપુર-રાજસ્થાન વાળાને ઝડપી લીધો હતો. SMCએ એકને દબોચ્યો, એક ફરારઆરોપી પાસે તપાસ કરતા તેની પાસેથી 318 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું જેની કિંમત 9.55 લાખ આકવામાં આવી છે. તેમજ સમગ્ર કેસમાં અન્ય એક આરોપી રીંકેશ પાટીદાર રહે. મધ્યપ્રદેશ વાળાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. 9.67 લાખનો મુદ્દામાલ જપ્તSMC ટીમે સમગ્ર કેસમાં આરોપી પાસેથી 9.55 લાખનું ડ્રગ્સ, 1 ફોન કિંમત દસ હજાર અને રોકડા 1170 મળી કુલ 9 લાખ 67 હજાર 150નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ પોલીસ મથકમાં NDPS એકટ કલમ 8(c),22(c)અને 29 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ આદરી છે.
નવસારીમાં 'મ્યુલ બેંક એકાઉન્ટ' દ્વારા સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી કરવાનો એક મોટો કેસ સામે આવ્યો છે. એક યુવકે તેની બહેન અને મિત્રોના કુલ પાંચ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને રૂપિયા 1.32 લાખની ઠગાઈના નાણાં સગેવગે કર્યા હતા. આ કેસનો પર્દાફાશ સાયબર ક્રાઇમ સેલના ઇનપુટ પર 'સમન્વય પોર્ટલ'માંથી મ્યુલ એકાઉન્ટ ટ્રેસ કરીને કરવામાં આવ્યો છે. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ નિકુલપરી બળદેવપરી ગોસ્વામીએ સાયબર ક્રાઇમ સેલ, સી.આઇ.ડી. ક્રાઇમ, ગુજરાત રાજ્ય તરફથી મળેલા ઇનપુટના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં સામે આવ્યું કે, એક યુવક તેના તેમજ તેના સગા-સંબંધીઓના બેંક ખાતાઓ ભાડે આપીને સાયબર ફ્રોડના નાણાંની હેરાફેરી (મ્યુલિંગ) કરતો હતો. કુલ 5 બેંક ખાતાઓ દ્વારા વિવિધ રાજ્યોમાં થયેલા સાયબર ફ્રોડના રૂપિયા 1,32,090/- સગેવગે કરવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસ દરમિયાન, ખાતાધારક તરીકે પ્રગતિ ડો/ઓ મનોજસિંઘ જમાદારસિંઘ ભદોરિયાનું નામ સામે આવ્યું. આ એકાઉન્ટ પર ઉત્તરપ્રદેશ રાજ્યમાં તા. 24 જાન્યુઆરીના રોજ રૂ. 44,000/- ના સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાયેલી હતી અને આ રકમ ઉપાડી લેવામાં આવી હતી. પૂછપરછમાં ખાતાધારક પ્રગતિએ જણાવ્યું કે તેના બેંક ખાતાની પાસબુક અને કાર્ડનો ઉપયોગ તેનો નાનો ભાઈ, આરોપી આલોક મનોજસિંઘ જમાદારસિંઘ ભદોરિયા કરતો હતો. આલોક ભદોરિયાએ પોલીસ પૂછપરછમાં કબૂલ્યું કે, તે એક વર્ષ પહેલા સુરત ખાતે 'અસોટ' નામની એપ્લિકેશનમાં નેટવર્ક માર્કેટિંગનું કામ કરતો હતો. તે દરમિયાન તેનો સંપર્ક તેના સિનિયર મોહિત સાથે થયો. મોહિતે આલોકને બેંક ખાતાઓ કમિશન પર આપવા જણાવતા, આલોકે સૌપ્રથમ પોતાનું SBI એકાઉન્ટ નંબર મોહિતને આપ્યું હતું. આ એકાઉન્ટમાં રૂ. 20,000/- ટ્રાન્સફર થયા, જે આલોકે ઉપાડી મોહિતને આપ્યા. આ બદલ આલોકને રૂ. 500/- કમિશન મળ્યું હતું. ત્યારબાદ, મોહિતની માંગણી પર આલોકે તેની બહેન પ્રગતિનું SBI એકાઉન્ટ નંબર આપ્યું. આ એકાઉન્ટમાં રૂ. 44,000/- જમા થયા, જે આલોકે ATM દ્વારા ઉપાડ્યા અને તેના મિત્ર યશરાજ દ્વારા આપેલા SBIના બે એકાઉન્ટોમાં રૂ. 22,000/- + રૂ. 22,000/- કરીને રોકડ જમા કરાવ્યા. આ બદલ પણ આલોકને રૂ. 500/- મળ્યા હતા. આલોકે પોતાનું અને બહેન ઉપરાંત, તેના મિત્ર અર્જુન, મિત્ર સંજય અને કાકાના દીકરા મોહિત એમ કુલ પાંચ બેંક ખાતાઓ મોહિત અને યશરાજને આપ્યા હતા. આ તમામ એકાઉન્ટોમાં તા. 20 જાન્યુઆરી થી તા. 05 ફેબ્રુઆરીસુધીમાં કુલ રૂ. 1,32,090 /- નું ટ્રાન્ઝેકશન થયું હતું, અને આ તમામ રકમ વિડ્રો પણ થઈ ગઈ હતી, જે સ્પષ્ટ રીતે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોવાનું દર્શાવે છે. આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો આરોપીઓ આલોક મનોજસિંઘ જમાદારસિંઘ ભદોરિયા, મોહિત, અને યશરાજ વિરુદ્ધ સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા અને ઠગાઇના ઈરાદે ગુનાહિત કાવતરું રચવા બદલ ભારતીય ન્યાય સંહિતા સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગેની વધુ તપાસ નવસારી ટાઉનપોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
વડોદરા જિલ્લામાં ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision - SIR)ના આગામી બીજા તબક્કાનું સમયપત્રક જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 19 ડિસેમ્બરના રોજ હવે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ થશે અને 19 ડિસેમ્બરથી 18 જાન્યુઆરી સુધી વાંધા અરજીઓ સ્વીકારાશે અને 17 ફેબ્રુઆરીના રોજ મતદારયાદી પ્રસિદ્ધ થશે. અરજદારો હક દાવા તેમજ વાંધા અંગેની અરજીઓ રજૂ કરી શકશેખાસ સઘન સુધારણા ઝુંબેશ અંતર્ગત પ્રથમ તબક્કામાં ગણતરી ફોર્મ જમા કરાવવાની કામગીરી આજે 14 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ છે. હવે આગામી તબક્કામાં અરજદારો તા. 19 ડિસેમ્બર 2025થી 18 જાન્યુઆરી 2026 સુધી અરજદારો હક દાવા તેમજ વાંધા અંગેની અરજીઓ રજૂ કરી શકશે. ઝુંબેશની કામગીરીની નોંધ લેવા તંત્રે અપીલ કરીચૂંટણી પંચ દ્વારા ગુજરાત સહિત કુલ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે આ ખાસ સઘન સુધારણા ઝુંબેશનું સમયપત્રક જાહેર કરાયું હતું. જિલ્લા વહીવટી તંત્રે જનતાને આ ઝુંબેશની કામગીરીની નોંધ લેવા અપીલ કરી છે, જેથી મતદાર યાદીમાં જરૂરી સુધારા કરાવી શકાય. આ ઝુંબેશથી મતદારોને તેમના નામની નોંધણી, સુધારા કે વાંધા ઉઠાવવાની સુવિધા મળશે, જે નિષ્પક્ષ અને સચોટ ચૂંટણી પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ છે.
દાંતીવાડા કોલોની સ્થિત 21 બટાલિયન BSF કેમ્પસમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ત્રિદિવસીય ધ્યાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં BSFના અધિકારીઓ અને જવાનોને તણાવ વ્યવસ્થાપન માટે ધ્યાનની તાલીમ આપવામાં આવી હતી. દેશની સરહદોનું રક્ષણ કરતા સીમા સુરક્ષા દળના જવાનો તેમના દૈનિક જીવનમાં તણાવનું યોગ્ય રીતે સંચાલન કરી શકે અને તેમની જવાબદારીઓ વધુ કાર્યક્ષમ રીતે નિભાવી શકે તે હેતુથી આ વર્કશોપનું આયોજન કરાયું હતું. હાર્ટફુલનેસ પદ્ધતિ દ્વારા તેમને રિલેક્સેશન, મેડિટેશન, રિજુવેનેશન અને પ્રેયર મેડિટેશનની તાલીમ અપાઈ હતી. સંસ્થા દ્વારા BSFના જવાનોને તણાવ વ્યવસ્થાપન સાથે સર્વગ્રાહી સુખાકારી (હોલિસ્ટિક વેલ-બીઇંગ) દ્વારા યોગ્ય જીવન પ્રબંધન માટે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આગામી ત્રણ મહિના સુધી દર અઠવાડિયે એકવાર BSF કેમ્પસમાં આ ધ્યાન સત્રોનું આયોજન ચાલુ રહેશે. આ ત્રિદિવસીય ધ્યાન સત્રોમાં BSFના ઉચ્ચ અધિકારીઓ અને જવાનો ઉપરાંત, હાર્ટફુલનેસના પ્રશિક્ષકો અનીશભાઈ ખરેડીયા, પદ્મનાભન, ચીનુભાઈ પટેલ અને સ્વયંસેવક ધવલભાઈ મહેશ્વરી ઉપસ્થિત રહ્યા હતા.
નાના ચિલોડામાં રહેતા 35 વર્ષીય વ્યક્તિ સાથે 1.05 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે. યુવકને ફેસબુક ઇશિતા અરોરા નામથી એક ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કર્યા બાદ યુવકની ઇશિતા સાથે વાતચીત શરૂ થઈ હતી. ઇશિતા અરોરાએ યુવકને શેર બજારમાં ઊંચું વળતર આપવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. શેર બજારની એપ્લિકેશન દ્વારા રોકાણ સામે ઊંચા વળતરની લાલચ આપી અલગ અલગ બેન્ક ખાતામાંથી 1.05 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવી નાણા પરત ન આપી છેતરપિંડી આચરી છે. જેની ફરિયાદીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને ફસાયોયુવકને સપ્ટેમ્બર મહિનામાં ફેસબુક પર ઈશિતા અરોરા નામથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે એક્સેપ્ટ કર્યા બાદ વાતચીત શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન યુવતીએ પોતાનું ઇશિતા અરોરા હોવાનું અને ફેશન ડિઝાઇનર હોવાનું જણાવ્યું હતું. તેમજ પોતાનું સાઉથ બોપલમાં ઘર હોવાનો પણ દાવો કર્યો હતો. યુવકને લોભામણી લાલચ આપી તેમજ ઇન્ટ્રો ટ્રેનિંગની શેર બજારની એપ્લિકેશનમાં રોકાણ કરી ઊંચું વળતર આપતી હોવાની વાત કરી હતી. એક મહિના સુધી યુવક સાથે મિત્રતા કેળવી પોતાના કાકા વિદેશમાં રહે છે અને તે ઇન્ટ્રો ટ્રેનિંગની ટીપ આપે છે જે 100 ટકા સક્સેસ જાય છે તેવી યુવકને લોભામણી લાલચ આપવામાં આવી હતી. જેથી યુવકે યુવતી પર વિશ્વાસ રાખી રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પહેલાં 50 હજારનું રોકાણ કર્યું,પ્રોફિટ થયું હોવાનો સ્ક્રીશોટ આવ્યોઇશિતા અરોરા નામથી વાત કરતી યુવતીએ યુવકને એક લિંક મોકલી સાઈનઅપ કરાવી જીમેઈલ આઇડી પર લોગ ઇન કરાવ્યું હતું. સાઈન અપ કરતી વખતે કોઈ પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવ્યા નહતા. જો કે વ્હોટસએપ પર ઇન્વિટેશન આઇડી નંબર મોકલીને લોગ ઇન કરાવવામાં આવ્યું હતું. જેમાં લોગ ઇન કરતા m.etoroxm.cc નામનું વૉલેટ બતાવતું હતું જેમાં અલગ અલગ ઓપ્શન આપેલ હતા. જેમાં બેંક એકાઉન્ટમાથી 50 હજાર રોકાણ કરેલ હતું. ઇન્વેસ્ટ કરેલા પર તે દિવસે 100 યુએસ ડોલર જેટલા રૂપિયા પ્રોફિટ થયું હોવાનો સ્ક્રીશોટ આવ્યો હતો. જે બાદ પૈસા પાછા મેળવવા ટિકિટ જનરેટ કરતા પ્રોફિટના 9300 રૂપિયા યુવકના બેંક એકાઉન્ટમાં આવી ગયા હતા. યુવકે 1.05 કરોડ રૂપિયા અલગ અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યાજે બાદ ઇશિતા અરોરા નામની યુવતીએ વીડિયો કોલ અને ચેટમાં વાતચીત કરી યુવકને વધારે આવવાની લાલચ આપી હતી. જેથી યુવકે બે બેંક ખાતામાંથી બચત કરેલા 1.05 કરોડ રૂપિયા અલગ અલગ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ વોલેટમાં ચેક કરતા 2.24 કરોડ જેટલું વોલેટ બેલેન્સ હોવાનું એપ્લિકેશનમાં બતાવવામાં આવતું હતું. જેથી પૈસા પરત લેવા માટે વેબસાઈટમાં જઈને લોગીન કરી ઓનલાઇન સર્વિસમાં રિક્વેસ્ટ કરતા ચેટબોક્સ થી એવો જવાબ આવ્યો હતો કે તમારું આઈડી સ્પેન્ડ થઈ ગયું છે. તેમજ ફોટેક્સ ફી માટે 60 લાખ જેટલી રકમ ટેક્સ પેટે ભરવા જણાવવામાં આવ્યું હતું. યુવતીને મેસેજ કરતા યુવકને ગોળગોળ જવાબ આપ્યો હતોજેથી ઇશિતા અરોરા નામની યુવતીને મેસેજ કરતા યુવકને ગોળગોળ જવાબ આપવામાં આવતો હતો. જો કે થોડા દિવસ સુધી યોગ્ય જવાબ ન મળતા ફરી યુવકે કોલ કરીને યુવતીનો સંપર્ક કર્યો હતો. જે દરમિયાન યુવતીએ યુવકના કારણે શેરબજારમાં રિકવેસ્ટમેન્ટમાં નુકસાન થયું હોવાની વાત કહી રૂપિયા પરત આપવાનો જવાબ ટાળી દીધો હતો. જે બાદ 1.05 કરોડ રૂપિયા પરત ન આપતા યુવકે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સાયબર ક્રાઇમ પોલીસે બેન્ક ટ્રાન્જેક્ટની વિગતો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સિટીના બી.એ.સી.એ. ઓડિટોરિયમ હોલમાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે પરિસંવાદ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી પ્રકૃતિ તરફ પ્રયાણ કરવા હાકલ કરી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિને વૈજ્ઞાનિક ખેતી ગણાવી તેની હિમાયત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના ઉદ્બોધનમાં પ્રાકૃતિક કૃષિને ટકાઉ વિકાસનો માર્ગ ગણાવ્યો હતો અને તેને વિકસિત ભારત માટેનો આધારસ્તંભ ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત ઝેરમુક્ત (રાસાયણિક ખેતી મુક્ત) રાજ્ય બને તે તેમનું મિશન છે. તેમણે રાસાયણિક ખેતીના દુષ્પ્રભાવ અને પ્રાકૃતિક કૃષિમાં સૂક્ષ્મ જીવાણુઓના મહત્વ પર વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજ્યપાલે વધુમાં જણાવ્યું કે, વર્તમાન અને ભવિષ્ય પ્રાકૃતિક કૃષિનું છે. જો સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવામાં આવે તો પૂર અને દુષ્કાળ જેવી સમસ્યાઓ ભૂતકાળ બની જશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી અભિયાનની પ્રેરણાને પ્રાકૃતિક કૃષિ સાથે જોડી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂત તરીકેના પોતાના અંગત અને જાહેર જીવનના વાસ્તવિક અનુભવો રસપ્રદ ઉદાહરણો આપીને વર્ણવ્યા હતા અને રાસાયણિક ખેતીની વિપરીત અસરોથી સૌને અવગત કર્યા હતા. રાજ્યપાલે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવા ઈચ્છુક અથવા તાજેતરમાં શરૂ કરનાર ખેડૂતોને સોનેરી સલાહ આપતા જણાવ્યું કે, પ્રાકૃતિક કૃષિના પાંચ આયામોની પરિપૂર્તિ કરવાથી પ્રથમ વર્ષથી જ ઉત્પાદન અને આવક બંને વધવા લાગશે. તેમણે પ્રાકૃતિક કૃષિ કઈ રીતે કરવી, જીવામૃત-ઘન જીવામૃત અને પ્રાકૃતિક ખાતર કઈ રીતે બનાવવા સહિતના અનેક પાસાઓ પર પોતાના વિચારો વ્યક્ત કરીને ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અંગે માહિતીસભર અને તલસ્પર્શી જ્ઞાન તથા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે પાક અને રોપાઓને લાગતી નિમાતોડ નામની બીમારીનો પ્રાકૃતિક કૃષિ થકી કાયમી ઉકેલ મેળવવા માટે આણંદ કૃષિ યુનિવર્સિટીએ છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા સફળ પ્રયોગો અને તે વર્ણવતી પુસ્તિકા બનાવવા બદલ યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા. અંતમાં, રાજ્યપાલે ઉપસ્થિત સૌને પ્રાકૃતિક કૃષિ માટે શપથ લેવડાવી સંકલ્પબદ્ધ કર્યા હતા.
વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી મહિલા વોલીબોલ ટુર્નામેન્ટ – 2025 પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના યજમાન પદે 10 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ ટુર્નામેન્ટમાં પંડિત દિનદયાલ યુનિવર્સિટી, સીકરે સુવર્ણ પદક જીતી ચેમ્પિયનશિપ હાંસલ કરી હતી. સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, વડોદરાએ રજત પદક મેળવ્યું, જ્યારે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢે કાંસ્ય પદક જીત્યું. મહારાજા ગંગા સિંહ યુનિવર્સિટી, બિકાનેર ચોથા સ્થાને રહી હતી. આ પાંચ દિવસીય સ્પર્ધામાં વેસ્ટ ઝોનની વિવિધ યુનિવર્સિટીઓની મહિલા ટીમોએ ભાગ લીધો હતો. યજમાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. યજમાન યુનિવર્સિટીએ તમામ ભાગ લેનાર ટીમોને તેમના પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા. આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે અધિકારીઓ, રેફરીઝ, કોચ, સ્વયંસેવકો અને આયોજક સમિતિના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ આયોજને મહિલા સશક્તિકરણ, ટીમવર્ક અને શિસ્તની ઉત્તમ પરંપરાઓને ઉજાગર કરી.
અચાનક દિલ્હી પ્રવાસથી શરુ થઈ રાજકીય અટકળો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ મુલાકાતથી સંગઠનમાં મોટા ફેરફારના એંધાણની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિકોનો પોલીસ-ફોરેસ્ટ ટીમ પર આક્ષેપ દાંતામાં પોલીસ-ફોરેસ્ટ ટીમ પર હુમલા મામલે સ્થાનિકોનો આક્ષેપ.. કહ્યું, નોટિસ વગર JCB ફેરવી ઘરો અને કૂવા તોડ્યા. સાથે જ ફોરેસ્ટ અધિકારીએ આદિવાસી મુખિયાને મારતા સંઘર્ષની સ્થિતિ સર્જાઈ. તો તંત્રનું કહેવું છે કે સ્થાનિકોએ આયોજનબદ્ધ રીતે હુમલો કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દુષ્કર્મ પીડિતાના પરિવારની ઓળખ છતી કરતા ફરિયાદ જસદણમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ મામલે કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર સહિત 25 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. નેતાઓએ પીડિત પરિવારના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અદાણીની ગાડીએ ટક્કર મારતા યુવકનું મોત અમદાવાદના નારણપુરામાં અદાણીની સીએનજી ગેસ કીટ ગાડીએ ટક્કર મારતા 20 વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું.. કેમ્પ હનુમાનથી પરત ફરતી વખતે યુવકને અકસ્માન નડ્યો. એકનો એક દીકરો ગુમાવતા પરિવાર આઘાતમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાયેલા 9 ખાતા ઝડપાયા જૂનાગઢ સાયબર ક્રાઈમે ઝડપ્યા 9 એવા બેન્ક અકાઉન્ટ જેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાની હેરફેર માટે થતો હોય ..253 કરોડના સાયબર ફ્રોડમાં આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હતો. પોલીસે 8 આરોપીઓને પણ ઝડપી પાડ્યા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છેલ્લી T20 મેચ નમો સ્ટેડિયમમાં રમાશે અમદાવાદના નમો સ્ટેડિયમમાં 19 ડિસેમ્બરે ઇન્ડિયા-આફ્રિકા સિરિઝની છેલ્લી T20 મેચ રમાશે. રૂ. 500 અને 1000ની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે અને બુકિંગ કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવાની રહેશે. જ્યારે રૂ. 2000થી ઉપરની ટિકિટ ફિઝિકલી મેળવી શકાશે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તુવેરની ખેતી વચ્ચેથી ઝડપાયું ગાંજાનું વાવેતર રાજકોટમાં અણીયારા ગામમાં તુવેરની ખેતી વચ્ચે ગાંજાનું વાવેતર ઝડપાયું.1.11 કરોડના 223 કિલો સૂકા-ભીના ગાંજા સાથે શખ્સને ઝડપી પાડ્યો છે. દેવું થઇ જતાં દોઢ વર્ષથી ગાંજાની ખેતી શરુ કરી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતાએ ઠપકો આપતા દીકરી આપઘાત કરવા પહોંચી સુરતના અલથાણમાં 17 વર્ષની સગીરા આપઘાત કરવા 15માં માળે ચડી ગઈ. માતાએ ગુસ્સામાં મરવાનું કહેતા સગીરાને લાગી આવ્યું હતું. જો કે સ્થાનિકો અને ફાયરની ટીમે એક કલાક સુધી સમજાવાટ અને વાતચીત કરી તેનું સફળ રેસ્ક્યુ કર્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મકાનમાં ભીષણ આગ લાગતા 2 લોકોનો મોત અમદાવાદના નારોલમાં મોડી રાત્રે જમવાનું બનાવતા ગેસ લીકેજ થયો અને મકાનમાં ભીષણ આગ લાગી. બાદમાં ગેસનો બાટલો ધડાકા સાથે ફાટ્યો. ઘટનામાં બે લોકોના મોત થયા છે, જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવ્યાંગો માટે સૌરાષ્ટ્ર વ્યાપી નિઃશુલ્ક કેમ્પ રાજકોટમાં યોજાશે દિવ્યાંગો માટે સૌરાષ્ટ્ર વ્યાપી કેમ્પ.. 16થી 18 ડિસેમ્બર દરમિયાન શારીરિક ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ તેમજ કેલીપસનું વિનામૂલ્યે વિતરણ કરાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
પાટડી ખાતે સામાજિક ન્યાય, અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડૉ. પ્રધુમન વાજાના અધ્યક્ષસ્થાને સરકારી વિનયન, વાણિજય અને વિજ્ઞાન કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કોલેજનું નિર્માણ આશરે રૂ. 15 કરોડના ખર્ચે થયું છે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું કે, આ નવી કોલેજ સમગ્ર જનતાને સમર્પિત છે. મંત્રી ડૉ. વાજાએ ઉમેર્યું હતું કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે 50થી 60 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જવું પડતું હતું, જે સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે. તેમણે પાટડીની ધરતીને માતા શક્તિનું પ્રાગટ્ય ધામ, રામદેવપીરનું સ્થાન અને વર્ણીન્દ્ર ધામનો ત્રિવેણી સંગમ ગણાવ્યો હતો. નવનિર્મિત કોલેજ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે. તેમાં 22 ખંડો, છ લેબોરેટરી, ડિજિટલ શિક્ષણ, સ્માર્ટ ક્લાસ, આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વાઇફાઇ અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સરકારનું સપનું છે કે આજનો વિદ્યાર્થી કોલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ નોકરીની શોધ કરનાર નહીં, પરંતુ અન્ય લોકોને નોકરી આપનાર બને. ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે માળખાગત વિકાસ, નવી યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની સ્થાપના કરી છે. સરકારે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેવા મેરિટ સ્કોલરશિપ યોજના દ્વારા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને રૂ. 370 કરોડનું વિતરણ કર્યું છે. વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાને પારદર્શક અને સરળ બનાવવા માટે GICAS નામની કેન્દ્રીકૃત એડમિશન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. મંત્રીએ વિદ્યાર્થીઓને કોલેજનું શિક્ષણ પૂર્ણ કરીને સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે જવા માટે ઈમાનદારી, શ્રેષ્ઠતા, માન-સભ્યતા, સમાજસેવા અને જીવનમાં સંતુલન – આ પાંચ સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુ શિહોરાએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો અને 2047 સુધીમાં ભારતને નંબર વન દેશ બનાવવામાં સહભાગી બનવા જણાવ્યું હતું. ધારાસભ્ય પી.કે. પરમારે આ વિસ્તારમાં સુરેન્દ્રનગરથી માલવણ પાટડી થઈને બહુચરાજી સુધીના રસ્તાને ફોર લેન કરવા માટે રૂ. 856 કરોડ અને પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી માટે રૂ. 55 કરોડ ફાળવવામાં આવ્યા હોવાની માહિતી આપી, જે વિકાસ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
કરવું નથી કામ તેને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી, આ ઉક્તિ માત્ર કવિતા નથી, પણ મૂળ અમરેલીના અને રાજકોટ નિવાસી વિપુલભાઈ બોકરવાડીયાના જીવનની સચ્ચાઈ છે. જ્યાં સ્વસ્થ લોકો પણ હાંફી જાય છે, તેવા ગરવા ગઢ ગિરનારને વિપુલભાઈએ અત્યાર સુધીમાં 11મી વખત સર કરીને અસાધારણ હિંમત અને આસ્થાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષ 2012માં માત્ર 5 મિત્રો સાથે શરૂ કરેલી તેમની આ પ્રેરણાદાયી યાત્રામાં આ વખતે 65 મિત્રો જોડાયા હતા. પોલિયો સામેની લડાઈ અને ગિરનારી પ્રત્યેની આસ્થા હાલ 42 વર્ષની ઉંમર ધરાવતા વિપુલભાઈ બોકરવાડીયાના સંઘર્ષની શરૂઆત બાળપણથી જ થઈ ગઈ હતી. મૂળ અમરેલી જિલ્લાના ચાવંડ ગામના વિપુલભાઈને માત્ર 2 વર્ષની ઉંમરે પોલિયોને કારણે બંને પગમાં 80% જેટલી દિવ્યાંગતા આવી ગઈ હતી. પરંતુ, તેમણે બાળપણથી જ હિંમત હારી નહોતી. મનની મક્કમતા સાથે, તેમણે બંને હાથની મદદથી ચાલવાનું શરૂ કર્યું અને સમાજમાં પોતાના ખુદની એક નવી ઓળખ ઊભી કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. ગરવા ગઢ ગિરનારને સર કરવા મા અંબાના અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. વિપુલભાઈને પહેલેથી જ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે અને તેઓ ગિરનારી મહારાજની આસ્થા સાથે ઊંડેથી જોડાયેલા છે. રોપ-વેની સુવિધા થઈ ગઈ હોવા છતાં શ્રદ્ધા સાથે જોડાયેલા લોકો તો સીડીથી જ ગિરનાર ચડે છે, પરંતુ વિપુલભાઈ તે શ્રદ્ધાળુઓથી પણ એક ડગલું આગળ છે. તેઓ પગે નહીં, પણ હાથની મદદથી ગિરનારની સીડીઓ ચડે છે. જ્યારે તે ગિરનારની સીડીઓ ચડે છે અને ઉતરે છે ત્યારે ઘણી વાર હાથમાં ગંભીર ઇજાઓ પણ પહોંચતી હોય છે, પરંતુ તેમને તેની અસર થતી નથી. વિપુલભાઈનું માનવું છે કે તેમને ગિરનારના એક-એક પગથિયાથી નવી ઊર્જા અને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાનવિપુલભાઈનું આત્મબળ કેટલું મક્કમ છે. તે તેમની સિદ્ધિઓ પરથી જોઈ શકાય છે. વર્ષ 2018માં જ્યારે તેમણે પાંચમી વખત ગિરનાર સર કર્યો. ત્યારે તેઓએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં પણ સ્થાન મેળવ્યું હતું. આ સિદ્ધિએ તેમને વધુ પ્રોત્સાહિત કર્યા હતા. ગિરનાર ચડી અને ઉતરવામાં વિપુલભાઈને 17 કલાક જેટલો સમય લાગે છે. તેઓ રાત્રિના ગિરનાર ચડવાનું શરૂ કરે છે અને બીજા દિવસે બપોરના સમયે ફરી તે ગિરનારની સીડીઓ ઉતરી પોતાના વતન રાજકોટ રવાના થાય છે. પાંચ મિત્રોથી યાત્રા શરૂ કરી, 65 મિત્રોનો સથવારોવિપુલભાઈની આ અદમ્ય યાત્રામાં મિત્રોનો સહારો ખૂબ જ મહત્વનો રહ્યો છે. કંઈક કરવું હોય તો મિત્રનો સહારો જરૂરી બનતો હોય છે. સૌપ્રથમવાર વર્ષ 2012માં વિપુલભાઈ તેમના 5 મિત્રોના સહારે ગિરનાર પર આવ્યા હતા. તે સમયે તેમને વિચાર પણ ન હતો કે તે ગિરનાર સર કરી શકશે, પરંતુ મિત્રોના સહારાથી તે શક્ય બન્યું.ત્યારબાદ આજ દિવસ સુધી દર વર્ષે તેઓ ગિરનારની યાત્રા કરવા આવે છે અને અન્ય મિત્રોને પણ સાથે લાવે છે.આ વર્ષે 11મી વારની યાત્રામાં 65 જેટલા તેમના મિત્રો તેમના સથવારા માટે સાથે આવ્યા હતા.આ પહેલા, જ્યારે નવમી વખત વિપુલભાઈ ગિરનાર સર કરીને આવ્યા હતા, ત્યારે 105 જેટલા મિત્રો તેમની સાથે જોડાયા હતા. વિપુલભાઈ વિકલાંગ હોવા છતાં આ યાત્રા કરે છે, જેથી તેમના મિત્રો સૌ કોઈ પ્રેરિત થઈ અને દર વર્ષે અલગ અલગ લોકો તેની સાથે આ ગિરનારની યાત્રા કરવા માટે જોડાય છે. આ તમામ મિત્રો વિપુલભાઈને ડગલેને પગલે સાથ-સહકાર આપી તેમના મનોબળને મક્કમ કરતા હતા, જેનો આભાર વિપુલભાઈ શબ્દોમાં વર્ણવી શકતા નથી. વેબ ડિઝાઈનીંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે વિપુલભાઈમૂળ અમરેલી જિલ્લાના ચાવંડ ગામના અને રાજકોટમાં વેબ ડિઝાઇનિંગનો બિઝનેસ કરતા વિપુલ બોકરવાડીયાએ પોતાના શબ્દોમાં જણાવ્યું હતું. હું બાળપણથી હિંમત હાર્યો નહોતો અને મનની મક્કમતા સાથે મારે પણ સમાજમાં મારા ખુદની એક નવી ઓળખ ઊભી કરવી છે તે વિચારી જીવવાનું શરૂ કર્યું હતું. મને પહેલેથી જ ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા છે. 2012માં પહેલીવાર મિત્રો સાથે ગિરનાર ચડવા આવ્યો, તે સમયે મેં કોઈ ટાર્ગેટ નક્કી કર્યો નહોતો. બસ, જેટલો પણ ગિરનાર ચડાય તેટલો મારે ચડવો છે તેવો દ્રઢ સંકલ્પ કર્યો હતો. તે સમયે, પહેલી જ વાર હું અહીં આવ્યો ત્યારે મને ગિરનારના પગથિયે પગથિયે દિવ્ય શક્તિનો અલગ જ અનુભૂતિ થયો, અને હું મારા આત્મબળથી દત્તાત્રેય સુધી પહોંચી ગયો. આજે હું 11મી વખત અહીં ગિરનાર ચડવા માટે આવ્યો છું. હું જ્યારે ગિરનાર ચડવાનો શરૂ કર્યો ત્યારે મારી સાથે માત્ર 5 મિત્રો આવ્યા હતા; આજે એ 5 માંથી 65 મિત્રો મારી સાથે ગિરનાર ચડવા આવ્યા, જે મારા માટે ખૂબ ગર્વની વાત છે. વિપુલભાઈ છેલ્લા 13 વર્ષમાં 11 વાર ગિરનાર પર પગે નહીં પરંતુ હાથે યાત્રા કરીને એક નવી જ્યોત પ્રગટાવી રહ્યા છે. તેમની આ ગિરનાર યાત્રા અને ગરીબ લોકોની સેવા કરવાની કામગીરીને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. 2 વર્ષની ઉંમરે પોલિયાના કારણે 80 ટકા દિવ્યાંગતા આવીઆજે વિપુલભાઈ બોકરવાડીયાની ગાથા માત્ર એક પર્વત સર કરવાની વાત નથી, પરંતુ જીવનમાં ક્યારેય હાર ન માનવાના અડગ મનોબળની જીવંત મશાલ છે. જ્યારે શરીરના અંગોએ સાથ છોડ્યો, ત્યારે વિપુલભાઈએ હૃદયની હિંમત અને આસ્થાને પોતાનું બળ બનાવ્યું. 2 વર્ષની ઉંમરે પોલિયોના કારણે 80% દિવ્યાંગતા હોવા છતાં, તેમણે 'ન કરવું હોય તો બહાના અને કરવું હોય તો રસ્તા' શોધ્યા. તેમણે પગથિયે પગથિયે પીડા સહન કરીને 11મી વખત ગિરનાર સર કરીને સાબિત કરી દીધું કે, તમારી મર્યાદાઓ તમારા શરીર નહીં, પણ તમારા મગજમાં છે. જો તમે દ્રઢ સંકલ્પ કરી લો, તો ગરવો ગઢ ગિરનાર કે હિમાલયની ઊંચાઈ પણ તમને નડી શકતી નથી. વિપુલભાઈની આ અસાધારણ યાત્રા આપણને સૌને પ્રેરણા આપે છે કે, ગમે તેવા સંજોગોમાં પણ, આસ્થા અને મક્કમતાથી કામ લઈએ તો જીવનનો દરેક પડકાર એક નવી ઊર્જા અને વિજયની અનુભૂતિ આપી શકે છે. હિંમત હાર્યા વિના આગળ વધો, આખું બ્રહ્માંડ તમારી મદદમાં આવશે.
પંચમહાલ LCBએ 5.82 લાખની ચોરીનો ભેદ ઉકેલ્યો:ગોધરામાંથી એક આરોપી રોકડ સાથે ઝડપાયો
પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 5.82 લાખ રૂપિયાની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના રોકડા રૂપિયા સાથે એક આરોપીને ગોધરાના લીલેસરા જી.ઈ.બી. પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતની સૂચના બાદ, એલસીબી પી.આઈ. એન.એલ. દેસાઈએ મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવા માટે સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. આ તપાસ દરમિયાન, એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન અને હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સઈદુભાઈને ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, 08 ડિસેમ્બર, 2025ના રોજ વેજલપુર રોડ, ચીખોદ્રા ખાતે આવેલા પ્લાસ્ટિક ભંગારના ગોડાઉનની ઓફિસના ટેબલના ડ્રોવરમાંથી 5,82,000 રૂપિયાની ચોરી થઈ હતી. ચોરી કરનાર ઇસમ કાળા કલરની થેલીમાં ચોરીના રૂપિયા લઈને જી.ઈ.બી. પાસેથી મેઘવાળવાસ તરફ જઈ રહ્યો હોવાની માહિતી મળતા, એલસીબી સ્ટાફે ગોધરા જી.ઈ.બી.થી મેઘવાળવાસ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીની અંગઝડતી કરતા તેની પાસેથી ચોરીના કુલ 5,82,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. આ રકમમાં 500ના દરની 1106 નોટો (રૂ. 5,53,000), 200ના દરની 60 નોટો (રૂ. 12,000) અને 100ના દરની 170 નોટો (રૂ. 17,000) નો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીનું નામ મુનવ્વર ઉર્ફે મુના અબ્દુલસતાર ભોલ છે, જે ગોધરાની મુસ્લિમ સોસાયટી 'બી', અબરાર મસ્જિદ પાછળ, ઉપલી વાડીનો રહેવાસી છે. આરોપીની સઘન પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, 08 ડિસેમ્બર, 2025ની રાત્રે આશરે સાડા આઠ વાગ્યે તેણે ઉમરભાઈની ઓફિસમાં ટેબલના ડ્રોવરમાં રૂપિયા જોયા હતા. ઉમરભાઈ ઓફિસ બંધ કરીને ઘરે ગયા બાદ, રાત્રે નવેક વાગ્યે તેણે ટેબલનું ડ્રોવર ખેંચીને અંદરનું તાળું તોડી રોકડા રૂપિયાની ચોરી કરી હતી. આ ચોરી અંગે ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11207002250741/2025 ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 305, 331(3), 331(4) મુજબ ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં એલસીબી ગોધરાના એ.એસ.આઈ. નાદીરઅલી નિઝામુદ્દીન, દિગ્પાલસિંહ દશરથસિંહ, હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સૈયદુભાઈ, કીર્તેશકુમાર નટવરભાઈ, સરતાનભાઈ કરમણભાઈ, શૈલેષકુમાર બચુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશભાઈ નારણભાઈ સહિતના કર્મચારીઓ જોડાયા હતા.
સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટ કરોડોના ટર્નઓવર માટે જાણીતું છે, ત્યાં જ એક એવો તસ્કર સક્રિય હતો જેણે પોલીસ અને વેપારીઓ બંનેની ઊંઘ હરામ કરી દીધી હતી. વરાછા ગ્લોબલ ટેક્ષ્ટાઈલ માર્કેટમાં રૂ. 4.66 લાખની ઘરફોડ ચોરી કરનાર રીઢા ગુનેગાર બીદુકુમાર ચૌધરીને વરાછા પોલીસે છેક બિહારના આરા જિલ્લાના અંતરિયાળ ગામમાંથી દબોચી લીધો છે. આરોપીની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીપકડાયેલ આરોપી બીદુકુમાર કુર્મી ચૌધરી કોઈ સામાન્ય ચોર નથી, પણ તે ‘માર્કેટ સ્પેશિયાલિસ્ટ’ છે. તેની તપાસમાં સામે આવ્યું છે કે, તે રહેણાંક વિસ્તારોને બદલે માત્ર સુરતના વ્યસ્ત કાપડ બજારોને જ ટાર્ગેટ બનાવતો હતો. તેની ખાસિયત એ હતી કે તે દુકાનોની લોખંડની સેક્શન બારીઓને આધુનિક સાધનોથી તોડીને અંદર પ્રવેશતો અને માત્ર રોકડ રકમ પર જ હાથ સાફ કરતો. આરોપીનો ઈતિહાસ તપાસતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બીદુકુમાર વિરુદ્ધ સુરતના અલગ-અલગ પોલીસ મથકોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીની ગુનાહિત કુંડળી બિહારમાં છુપાયો હતો, પણ સુરત પોલીસ પહોંચી ગઈચોરી કર્યા બાદ આરોપી બીદુકુમાર તરત જ ટ્રેન પકડીને બિહાર નાસી જતો હતો. તેને લાગતું હતું કે હજારો કિલોમીટર દૂર તે સુરક્ષિત છે, પરંતુ વરાછા પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી તેનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું. પોલીસની એક ખાસ ટીમ બિહારના જગદીશપુર તાલુકાના દલીપપુર ગામે ત્રાટકી હતી અને સ્થાનિકોના વિરોધ વચ્ચે પણ આ રીઢા ગુનેગારને દબોચી સુરત લઈ આવી હતી.
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલું વિશ્વઉમિયાધામ મંદિર ખાતે આજે એક ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વની સૌથી ઊંચી, 504 ફૂટ ઊંચી જગત જનની માં ઉમિયાનું ભવ્ય અને દિવ્ય મંદિર માં ઉમિયાના અખંડ આશીર્વાદથી ઝડપી ગતિએ નિર્માણ પામી રહ્યું છે. ત્યારે આજે મંદિરના ગર્ભગૃહમાં ભાગીરથી માં ગંગાના પવિત્ર જળથી ભરેલા 108 કળશોની વિધિવત સ્થાપના કરવામાં આવી. આ સાથે ભારતની શાસ્ત્રોમાં ઉલ્લેખિત 108 પવિત્ર નદીઓના જળથી ભરેલા કળશનું પૂજન કરી માતાજીના સ્થાનક નીચે પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું. 108 દંપતી દ્વારા 108 કળશનું પૂજનવર્ષ 2020માં વિશ્વઉમિયાધામ મંદિરના શિલાન્યાસ સમયે આ 108 કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આજે ફરી એકવાર વિધિપૂર્વક 108 દંપતીઓ તથા યજમાનોના હસ્તે આ કળશોની ગર્ભગૃહમાં સ્થાપના કરવામાં આવી અને સમગ્ર ગર્ભગૃહને 108 પવિત્ર નદીઓના જળથી પવિત્ર કરવામાં આવ્યું. ભારતની 108 પવિત્ર નદીઓના જળથી ભરેલો વિશેષ કળશઆ પ્રસંગે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું હતું કે, જ્યાં માં ઉમિયા બિરાજમાન થનાર છે તે ગર્ભગૃહની નીચે માં ગંગાના જળથી ભરેલા 108 કળશ તેમજ ભારતની 108 પવિત્ર નદીઓના જળથી ભરેલો વિશેષ કળશ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ કળશોમાં ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, ક્ષિપ્રા, કાવેરી, કૃષ્ણા, બ્રહ્મપુત્રા સહિત દેશભરની 108 નદીઓના પવિત્ર જળ સમાવિષ્ટ છે. ડિસેમ્બર 2027મા માં ઉમિયા ભવ્ય વિશ્વઉમિયાધામ મંદિરમાં બિરાજમાન થશેવિદ્વાન બ્રાહ્મણો અને સજ્જનોના અથાગ પ્રયત્નોથી કાશ્મીર, હિમાલય, અરૂણાચલ પ્રદેશ તેમજ દક્ષિણ ભારતના વિવિધ વિસ્તારોમાંથી પવિત્ર નદીજળ એકત્રિત કરવામાં આવ્યું હતું. વિશ્વઉમિયાધામ મંદિરનું નિર્માણ કાર્ય હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે અને ડિસેમ્બર 2027મા માં ઉમિયા ભવ્ય અને દિવ્ય વિશ્વઉમિયાધામ મંદિરમાં બિરાજમાન થશે. તે સમયે ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવશે.
બોટાદ LCB પોલીસે ભાવનગર રોડ પર આવેલા એક ગોડાઉનમાંથી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 29.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે ગોડાઉનમાં દરોડો પાડીને ૧૨૧૪ દારૂની બોટલો અને 61 બિયરના ટીન શોધી કાઢ્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં દારૂ-બિયરના જથ્થા ઉપરાંત એક ફોર્ચ્યુન ગાડીનો પણ સમાવેશ થાય છે, જેની કુલ કિંમત રૂ.29.39 લાખ આંકવામાં આવી છે. આ પ્રકરણમાં શીવરાજભાઈ ઉર્ફે શીવકુભાઈ કરપડા, ધવલકુમાર સાધુ, પંકજ ઠક્કર, મહેશ પાટોડીયા અને દિનેશ મકવાણા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દાહોદમાં સ્માર્ટ સિટી યોજના હેઠળ કરોડો રૂપિયાના ખર્ચે શહેરમાં ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ચાકલીયા રોડ પર આવેલી સુખદેવકાકા કોલોનીમાં આ યોજનાની ખામીઓને કારણે રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. નાની સાઇઝની પાઇપો અને યોગ્ય કામગીરીના અભાવે ગટર લાઇન વારંવાર જામ થઈ જાય છે, જેના કારણે ગંદું પાણી ચેમ્બરમાંથી ઉભરાઈને સીધું રહીશોના ઘરો અને આંગણામાં ઘૂસી જાય છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, સ્માર્ટ સિટી અંતર્ગત રસ્તા અને ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પાઇપોની ગુણવત્તા અને કદમાં ભૂલો થઈ છે. પાઇપો નાની હોવાથી પાણીનો પ્રવાહ યોગ્ય રીતે નથી થતો, જેના કારણે વારંવાર પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે. આનાથી ઘરોમાં દુર્ગંધ ફેલાઈ રહી છે, મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળો ફેલાવાનું જોખમ પણ ઊભું થયું છે. રહીશોએ અનેક વખત દાહોદ નગરપાલિકામાં રજૂઆત કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિકોની મુખ્ય માંગ છે કે, ગટર લાઇનની સમયસર સફાઈ કરવામાં આવે, જરૂરી સુધારા કરવામાં આવે અને આ સમસ્યાનો કાયમી નિરાકરણ લાવવામાં આવે. આ બાબતે સુખદેવકાકા કોલોનીના રહીશ અજય વાઘેલાએ જણાવ્યું હતું કે, “અમારા વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનામાં નાની સાઇઝની પાઇપો નાખવામાં આવી છે, જેના કારણે પાણી ગટરમાં જઈ શકતું નથી અને ચેમ્બરમાંથી ઉભરાઈને અમારા ઘરોમાં આવે છે. આનાથી અમને ભારે મુશ્કેલી પડી રહી છે. અમે નગરપાલિકાના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરી છે, પરંતુ કોઈ અહીં જોવા આવતું નથી અને સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. અમારી માંગ છે કે, ગટરોની સફાઈ અને કાયમી નિરાકરણ કરવામાં આવે.” સ્માર્ટ સિટીના નામે કરવામાં આવેલા આ પ્રોજેક્ટ પાછળ મોટા પાયે ખર્ચ થયો હોવા છતાં શહેરીજનોને તેનો યોગ્ય લાભ મળી રહ્યો નથી. નગરપાલિકા તંત્ર ક્યારે આ વિસ્તારની મુલાકાત લઈને રહીશોની સમસ્યાઓનો નિકાલ કરશે, તે જોવું રહ્યું.
રાજકોટમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 14 ડિસેમ્બરે અંતિમ દિવસ હતો. પંજાબ અને ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ વચ્ચે ફાઇનલનો જંગ જામ્યો હતો. ગત 4 ડિસેમ્બરથી શરૂ થયેલી આ ચેમ્પિયનશિપનો આજે અંતિમ દિવસ હતો અને આજે અંતિમ દિવસે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ક્લોઝિંગ સેરેમની પણ યોજવામાં આવી હતી, જેમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટના મુખ્ય બે એવા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડમાં ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આજની ફાઇનલ મેચમાં ટીમની ભવ્ય જીત થવા પામી હતી. આજની ફાઇનલ મેચમાં 4-1થી પંજાબ પોલીસની ભવ્ય જીત થવા પામી છે. પંજાબ અને આઈટીબીટી વચ્ચે ફાઈનલ મેચ રમાઈ4 ડિસેમ્બરના રોજ રાજકોટ મહાપાલિકા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હોકી ગ્રાઉન્ડમાં 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનો આરંભ કરવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે રાજ્યના ડીજીપી વિકાસ સહાય, આમ્પર્સના ડીજીપી રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ ગાંધીનગરથી ઉપસ્થિત રહ્યા હતા અને ઓપનીંગ સેરેમની ડીજીપીના હસ્તે થઈ હતી. આ પછી સતત 10 દિવસ અલગ-અલગ 32 ટીમો વચ્ચે 47 મેચ રમાઈ હતી, જેમાં યુપી અને આઈટીબીપી તેમજ પંજાબ અને બીએસએફની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં પંજાબ અને આઈટીબીટી વિજય થતાં આજ રોજ બંને ટીમ વચ્ચે ફાઈનલ મેચ યોજાઈ હતી. જેનો પ્રારંભ આ બપોરે 1.30 વાગ્યે આમ્પર્સના ડીજીપી રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ ઉપસ્થિતિમાં થયો હતો. 4-1 ગોલથી પંજાબ પોલીસ ટીમનો ભવ્ય વિજય રાજકોટ શહેરના રેસકોર્સ મેદાન સ્થિત મનપા સંચાલિત મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે 74મી ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ અને પંજાબ પોલીસ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં બન્ને ટીમના ખેલાડીઓએ જીત માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જો કે રોમાંચક મેચના અંતે 4-1 ગોલથી પંજાબ પોલીસ ટીમનો ભવ્ય વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે આજની ફાઇનલ મેચમાં પંજાબની ટીમમાં નેશનલ કક્ષાએ હોકી રમતમાં જાણીતા ત્રણ-ત્રણ ખેલાડી રમતા નજરે પડ્યા હતા, જેમાં આકાશદીપ, શમશેરસિંઘ અને ધરમવીરસિંઘનો સમાવેશ થાય છે. પોલીસ વડાની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજાઈઆજ રોજ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, આમ્પર્સના ડીજીપી રાજુ ભાર્ગવ, પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ક્લોઝિંગ સેરેમની યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં દેશભરની પોલીસ તેમજ પેરા મિલ્ટ્રી ફોર્સની કુલ 32 જેટલી મેન વુમન ટિમો ભાગ લીધો હતો. શા માટે રાજકોટની પસંદગી કરવામાં આવી હતી?ઓલ ઇન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપનું આયોજન રાજકોટમાં કરવા પાછળ પણ એક મહત્વનું કારણ છે. વર્ષ 2016માં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકૂલમાં અંદાજીત 5 કરોડથી વધુ ખર્ચે હોકીનું મેદાન તૈયાર કરવામાં આવ્યું હતું, જેને મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ નામ આપવામાં આવ્યું હતું. આ ગ્રાઉન્ડને આંતરરાષ્ટ્રીય કક્ષાનું બનાવવામાં આવ્યું હોવાથી હોલેન્ડથી આવેલા નિષ્ણાતોએ હોકી ગ્રાઉન્ડની ચકાસણી કર્યા બાદ તેને આંતરરાષ્ટ્રીય કક્ષાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ મેદાન ગુજરાતનું પ્રથમ એવું હોકી મેદાન છે કે જે ટર્ફ મેદાન છે ટર્ફ મેદાનને કારણે ખેલાડીઓને સ્પીડ અને સ્કીલ બન્ને મળી રહે છે.
રાજકોટ હવે રાજ્યના સુરક્ષા તંત્ર અને જેલ વહીવટના મહત્વના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાત રાજ્યના જેલ અને CID (ક્રાઈમ અને રેલવે) વિભાગના DGP કે. એલ. એન. રાવ દ્વારા રાજકોટમાં બે અત્યંત મહત્વપૂર્ણ કચેરીઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવી કચેરીઓમાં સૌરાષ્ટ્ર-કચ્છ રેન્જ માટે જેલ વિભાગના DIGની કચેરી અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની (ANTF) ઝોનલ કચેરીનો સમાવેશ થાય છે. આ બંને કચેરીઓ રાજકોટ રૂરલ સાયબર પોલીસ સ્ટેશનના સંકુલમાં કાર્યરત કરવામાં આવી છે, જે આગામી સમયમાં જેલ વહીવટ અને નશાબંધીના કાયદાના અમલીકરણમાં પાયાની ભૂમિકા ભજવશે. DGPએ આ તકે જણાવ્યું હતું કે, સરકાર નશાનું દુષણ ઘટાડવા કટીબદ્ધ છે. જેલ વહીવટનું વિકેન્દ્રીકરણ અને સુચારુ સંચાલનDGP કે. એલ. એન. રાવે આ પ્રસંગે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં હાલ કુલ 65 જેલો કાર્યરત છે. જેમાં સેન્ટ્રલ જેલ, જિલ્લા જેલ અને તાલુકા સબ-જેલનો સમાવેશ થાય છે. અગાઉ આ જેલોનું સંચાલન મર્યાદિત કેન્દ્રો પરથી થતું હતું, પરંતુ હવે વહીવટી સરળતા અને જેલોના અસરકારક નિરીક્ષણ માટે રાજ્યને 3 મુખ્ય ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. આ ત્રણ ઝોન રાજકોટ, બરોડા અને અમદાવાદ છે. રાજકોટ ખાતેની આ નવી DIG જેલ કચેરી સૌરાષ્ટ્ર અને કચ્છની તમામ જેલો પર દેખરેખ રાખશે. DIG કક્ષાના ઉચ્ચ અધિકારી અહીંથી જેલના કેદીઓની શિસ્ત, જેલની સુરક્ષા અને વહીવટી પ્રશ્નોનું સીધું સંચાલન કરશે. આ વ્યવસ્થાથી જેલના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ આવશે અને વડી કચેરી પરનું ભારણ ઘટશે. નશાના દૂષણને નાબૂદ કરવા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સજ્જવધુમાં તેમણે જણાવ્યું કે, સરકાર માદક દ્રવ્યોના વધતા દૂષણને ડામવા માટે અત્યંત ગંભીર છે. આ માટે અગાઉ CID ક્રાઈમમાં માત્ર એક 'નાર્કોટિક્સ સેલ' કાર્યરત હતો, જેને હાલ કરી'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' (ANTF)માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આ ટાસ્ક ફોર્સ સીધા SP કક્ષાના અધિકારીના માર્ગદર્શન હેઠળ કાર્ય કરશે. તેમજ રાજ્યમાં નશાના વેપારને તોડવા માટે સમગ્ર ગુજરાતને 5 ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, સુરત, બોર્ડર રેન્જ, અને બોર્ડર ઝોનનો પણ સમાવેશ થાય છે. ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવા આ કચેરીઓ મહત્વનું શસ્ત્ર સાબિત થશેરાજકોટની આ નવી ઝોનલ કચેરી સૌરાષ્ટ્રમાં માદક દ્રવ્યોની હેરાફેરી અને વેચાણ રોકવા માટે ગુપ્ત માહિતી એકઠી કરશે. મોટા પાયે દરોડા પાડીને તપાસની કાર્યવાહી તેજ બનાવશે. અહીં DySP અને અન્ય ઉચ્ચ અધિકારીઓ તૈનાત રહેશે, જેઓ NDPS એક્ટ હેઠળ આવતા તમામ કેસોનું ઉંડાણપૂર્વક ઇન્વેસ્ટિગેશન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટેના અભિયાનમાં આ કચેરીઓ ખૂબ મહત્વનું શસ્ત્ર સાબિત થશે. DGP કે.એલ.એન. રાવે વધુમાં ઉમેર્યું હતું કે, આ નવી વ્યવસ્થાથી પોલીસ અને જેલ તંત્ર વધુ આધુનિક અને વેગવંતું બનશે. નશાના દૂષણને રોકવા માટે આ ઝોનલ ઓફિસ સ્થાનિક પોલીસ સાથે સંકલન સાધીને કામ કરશે, જેથી રાજ્યના યુવાધનને બરબાદ થતા અટકાવી શકાશે.
નવસારીમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક લેબ ટેક્નિશ્યનના મોબાઈલ ફોનને PM કિસાન યોજનાની ફાઇલ મોકલવાના બહાને હેક કરીને તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી કુલ રૂ. 95,000ની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્ઝેક્ટ કરી લેવામાં આવી છે. આ અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી રાજેન્દ્રકુમાર મોહનલાલ ચૌહાણ (ઉ.વ. 51, લેબ ટેક્નિશ્યન, રહે. વિશાલનગર, ઇટાળવા, નવસારી) એ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 01/12/2025 થી 02/12/2025 દરમિયાન બની હતી. 01/12/2025ના રોજ સવારે લગભગ દસ વાગ્યે ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે તેમનો મોબાઈલ અચાનક ગરમ થવા લાગ્યો અને સિસ્ટમ અપડેટ શરૂ થઈ ગયું. આ સમયગાળા દરમિયાન, તેમના Paytm એપ્લિકેશનમાંથી ટ્રાન્ઝેક્શનના મેસેજ આવવા લાગ્યા હતા, પરંતુ સિસ્ટમ અપડેટ ચાલતું હોવાથી તેઓ ડિસ્પ્લે પર કશું જોઈ શક્યા નહોતા. બીજા દિવસે, 02/12/2025ના રોજ સવારે લગભગ આઠ વાગ્યે, ફરિયાદી બીલીમોરા જતી બસમાં હતા ત્યારે તેમણે તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનું બેલેન્સ તપાસ્યું. ત્યારે તેમને જાણ થઈ કે ખાતામાંથી રૂ. 45,000 અને રૂ. 50,000 એમ બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 95,000 કપાઈ ગયા હતા. તેમણે Google Pay, PhonePe અને BHIM એપ ચેક કરી, પરંતુ તેમાં કોઈ એન્ટ્રી મળી ન હતી. જોકે, Paytm એપમાં આ રકમનું ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું હતું, જેનાથી ફ્રોડની પુષ્ટિ થઈ હતી. શંકા જતાં ફરિયાદીએ તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોઈ અજાણ્યા ઇસમે ટેક્નિકલ રીતે સાયબર ફ્રોડ કરવા માટે ફરિયાદીના મોબાઈલમાં 'પી.એમ. કિસાન' (P.M. Kisan) સંબંધિત કોઈ ફાઇલ મોકલીને તેમનો ફોન હેક કર્યો હતો.ફ્રોડનું ટ્રાન્ઝેક્શન: ફરિયાદીના બેંક ઓફ ઇન્ડિયામાંથી કુલ રૂ. 95,000/- ની રકમ એક્સિસ બેંકના એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.ફરિયાદીએ આ એકાઉન્ટ ધારક અને તેનો ઉપયોગ કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ પણ ઠગાઈ કરવા બદલ કાયદેસરની તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી સાથે ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે ગુનો નોંધીને એક્સિસ બેંકના એકાઉન્ટ ધારક અને નાણાં મેળવનાર અજાણ્યા ઇસમની તપાસ શરૂ કરી છે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠક મળી હતી. જેમાં રાજ્યભરમાંથી શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાની તૈયારી કરી છે. પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી છેલ્લા ઘણાં સમયથી કરવામાં ન આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવાની છે. FRC સ્લેબમાં વધારવા મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવા માટે કારોબારી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર વિનંતીઓને ગ્રાહ્ય ન રાખતા કોર્ટમાં પડકારવા ઠરાવ કરવામાં આવ્યો છે. જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ લડી લેવાના મૂડમાંછેલ્લા ઘણા વર્ષથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ અલગ અલગ માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે. પરંતુ સરકાર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ લડી લેવામાં મૂડમાં આવી ગયું છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. સરકારને કઈ રીતે પડકારવામાં આવે તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાની તૈયારીછેલ્લા ઘણા સમયથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષથી પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતી કરવામાં ન આવતા તે કામ તે કામ શિક્ષક અથવા આચાર્યને કરવું પડતું હોવાનો શાળા સંચાલકોએ દાવો કર્યો છે. જેથી હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવા બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં તેવી માંગ સાથે હાઇકોર્ટના દ્વારા ખખડાવશે. FRCના સ્લેબમાં ફેરફાર કરવાની માગતેમજ રાજ્યની 15 હજાર સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા મુદ્દે પણ રાજ્ય શાળા સંચાલક મહામંડળ હાઈકોર્ટમાં જવાનું છે. FRC આવ્યાને 8 વર્ષ થયા હોવા છતાં સ્વનિર્ભર શાળાઓના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. પ્રાયમરીમાં 22 હજાર, સેકન્ડરીમાં 30 હજાર અને સમાન્ય પ્રવાહમાં 35 અને વિજ્ઞાન પ્રવાહમાં 40 હજાર સ્લેબ કરી આપવા માંગ તેવી તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે. જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો આપવા માંગ કરાઈ છે. 2012માં કોર્ટમાં અરજી કરાયા બાદ મંત્રીના કહેવાથી અરજી પરત ખેંચાઈ હતીરાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી શાળા સંચાલકો હાજર રહ્યા છે. 2007થી અમારી કલાર્કની શાળાઓમાં ભરતી થઈ નથી. વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ક્લાર્ક અને પટાવાળા ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. જે સંજોગોમાં આજે સર્વ સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર આપણી વિનંતીઓને ગ્રાહ્ય રાખતી નથી તો નામદાર હાઇકોર્ટમાં જઈને તેનો ન્યાય મેળવવો. ન્યાય મેળવવા માટે 2012માં કોર્ટમાં ગયા હતા. પરંતુ મિનિસ્ટરના કહેવાથી અમારી સિવિલ એપ્લિકેશન પરત જ ખેંચી હતી. પરંતુ આજ દિન સુધી એક પણ ક્લાર્ક આપવામાં આવતા અમે કોર્ટના દ્વાર ખખડાવીશું. વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, FRCમાં 2017થી 2025 સુધી આઠ વર્ષમાં અત્યારના જે સ્લેબ છે, પ્રાઈમરીમાં 15 હજાર,બીમાધ્યમિકમાં 25 હજાર, સામાન્ય પ્રવાહમાં 25 હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં 27 હજારનો જે સ્લેબ છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. સરકાર જ્ઞાન સેતુંમાં દર વર્ષે 7 ટકાનો વધારો આપે છે. આજે તે વધારો ગણીએ તો પણ 49 ટકાનો વધારો થાય છે. તે સંજોગોમાં પ્રાઈમરીમાં 22 હજાર, સેકન્ડરી 30 હજાર, હાયર સેકન્ડરીમાં 35 હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં 40 હજાર ફીનો સ્ટેજમાં સુધારો થવો જોઈએ તેના માટે પણ હાઇકોર્ટમાં જવાના છીએ. તેમજ આજે ગુજરાતની અંદર નિભાવ ગ્રાન્ટમાં પણ કોઈપણ પ્રકારના સુધારો કરવામાં આવ્યો નથી. જેથી અમે આગ્રહ પૂર્વક સરકારમાં રજૂઆત કરીશું. કે RTEના જે હપ્તા છે તે ચાર હપ્તામાં નિભાવ ગ્રાન્ટની જેમ ચૂકવવામાં આવે તેવી અમારી રજૂ સરકાર પાસે માંગણી છે.
IRMA એ 47મો સ્થાપના દિવસ ઉજવ્યો:13મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચરનું આયોજન
આણંદ સ્થિત IRMA, “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીએ તેના 47મા સ્થાપના દિવસની 13મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચર સાથે ઉજવણી કરી. આ પ્રસંગે કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (CMD), ત્રિવેન્દ્રમના ચેરમેન એસ.એમ. વિજયાનંદ (નિવૃત્ત IAS) એ મેમોરિયલ લેક્ચર આપ્યું હતું. “SHG - પંચાયત ભાગીદારી: ગ્રામીણ ભારતમાં આર્થિક લોકશાહી માટે ગ્રાસરૂટ્સ સોશિયલ ડેમોક્રેસી એન્ડ પોલિટિકલ ડેમોક્રેસીનું મજબૂતીકરણ” વિષય પર બોલતા, વિજયાનંદે IRMA ના સ્થાપક ચેરમેન, ડૉ. વર્ગીસ કુરિયનના જીવન પર પ્રકાશ પાડ્યો. તેમણે શ્વેત ક્રાંતિનું નેતૃત્વ કરવામાં અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ જેવી સંસ્થાઓના નિર્માણમાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો, જેણે સહકારી સશક્તિકરણ દ્વારા ભારતના ગ્રામીણ અર્થતંત્રને પરિવર્તિત કર્યું. તેમણે વ્યાપક સહકારી ચળવળ – તેના ઐતિહાસિક મહત્વ અને આજના સામાજિક-આર્થિક વિકાસમાં તેની સતત સુસંગતતા વિશે પણ વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે સહકારી સિદ્ધાંતો સમાવેશી વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ રહે છે. તેમના વક્તવ્યના મુખ્ય વિષયોમાં ગ્રામીણ અર્થતંત્રો સામેના પડકારો, ટેકનોલોજીકલ પરિવર્તન, તેમજ નાના ખેડૂતોના બજારો સાથેના એકીકરણનો ઊંડાણપૂર્વક અભ્યાસ શામેલ હતો. સહકારી માળખામાં નવીનતા અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા માટેની તકોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ડૉ. કુરિયનના કાર્ય અને વર્તમાન વિકાસ પ્રાથમિકતાઓ વચ્ચેના જોડાણો દર્શાવવામાં આવ્યા હતા. વ્યાખ્યાનનું સમાપન ડૉ. કુરિયનના સ્થાયી દ્રષ્ટિકોણ પર પ્રતિબિંબ, ગ્રામીણ ઉત્પાદકો માટે આર્થિક સમાવેશ અને ગૌરવના તેમના આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતાને નવીકરણ સાથે થયું. વિજયાનંદે ત્રિભુવનદાસ કે. પટેલ જેવા સહકારી નેતાઓને શ્રદ્ધાંજલિ આપી અને સતત અસર માટે કાર્યવાહી કરવા માટે આહવાન કર્યું. સમારોહમાં IRMA-TSU માં તેમની સેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર પ્રો. માધવી મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષના શ્રેષ્ઠ કર્મચારીઓ તૃષા જોશી અને તેજસ ત્રિવેદીનું પણ સન્માન કરાયું હતું.
ભાવનગર શહેરના ફુલસર શિવશક્તિ પાર્ક સામે આવેલા 2548 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઈનલ પ્લોટ નં.30માં આજરોજ રવિવારના રજાના દિવસે મહાનગરપાલિકાની કાર્યપાલક ઈજનેર સહિત 16 કર્મચારીની ટીમ બનાવી 256 આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં 104 આવાસમાં મૂળ લાભર્થી કરતા અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મહાનગરપાલિકાએ આવાસ માલિકને નોટિસ ફટકારી ભાડૂઆતને ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા સૂચના આપી છે. ફુલસર શિવશક્તિ પાર્ક સામેના આવાસમાં ચેકિંગ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવ્યાં છે. આ યોજનાની ગાઈડલાઈન અને શરતો મુજબ લાભાર્થીને કબજો મળયા બાદ 7 વર્ષ સુધી આવાસ ભાડે કે વેચાણથી આપી શકતા નથી. આ આવાસ યોજનામાં આડૂઆતો રહેતા હોવાની ફરિયાદો આવતા 14 ડિસેમ્બરના રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફુલસર શિવશક્તિ પાર્ક સામે આવેલા 2548 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઈનલ પ્લોટ નં. 30માં 256 આવાસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા નોટિસઆ ચેકિંગમાં 104 મકાનમાં મૂળ લાભાર્થીની જગ્યાએ અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. પાલિકાની ટીમ દ્વારા મૂળ લાભાર્થીઓને નોટિસ આપીને ત્રણ દિવસમાં આવાસ ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. જો આવાસો ખાલી કરવામાં નહિ આવે તો આવાસોને સિલિંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આવાસમાં ભાડૂઆતો હોવાની ફરિયાદો મળી હતીઃ એમ. ડી. વઢવાણિયાઆ અંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેર એમ. ડી. વઢવાણિયાએ જણાવ્યું કે, ફુલસર ફાઈનલ પ્લોટ નંબર 30 જે લગભગ પાંચથી સાડાપાંચ વર્ષ પહેલા આ મકાનો સોંપવામાં આવ્યાં છે. આવાસ યોજનામાંથી ભાડૂઆતો હોવાની ઘણી બધી વખત ફરિયાદો આવી હતી. એ અનુસંધાને આજે રવિવારે કોઈને જાણ કર્યા વગર આવાસ ભાડૂઆતોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 16 કર્મચારીની ટીમ દ્વારા આવાસ યોજનાનું ચેકિંગ હાથ ધર્યું હતું. ‘ભાડૂઆતના પુરાવા નહિ રજૂ કરે તો આવાસ સીલ કરાશે’સ્થળ ઉપરથી મકાન વેચાણ હોવાનું અમને કહેવામાં આવ્યું છે, પણ હજુ કોઈ આધાર અમને મળ્યો નથી. અમે અત્યારે સ્થળ ઉપર જ નોટિસની બજવણી કરીએ છીએ. જો ત્રણ દિવસમાં મકાન ખાલી નહીં કરે અને ભાડૂત તરીકેનું કોઈ પ્રસ્થાપિત નહીં કરે તો એમનું મકાન સિલ કરવામાં આવશે. આવાસ ધારકોના ખાસ અપીલ કરતા કાર્યપાલ ઈજનેરે જણાવ્યું કે, સ્થાનિકોએ અમને આવાલ અંગેની માહિતી આપવી જોઈએ. અમારા દ્વારા હાથ ધરાતા સર્વેમાં સહકાર આપવો.
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારંભ આવતીકાલે સોમવારે યોજાશે. આ સમારંભ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય સામે આવેલા માનવ વિદ્યાભવનના પટાંગણમાં યોજાશે. આ દીક્ષાંત સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી આશીર્વચન પાઠવશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મિનેશ શાહ દીક્ષાંત પ્રવચન આપશે. ગુજરાત રાજ્યના ઉચ્ચ અને તકનિકી શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા પણ ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારંભમાં 103 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. કુલ 16,963 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી ડીજી લોકરમાં આપવામાં આવશે, સાથે જ હાર્ડ કોપી પણ ઉપલબ્ધ કરાશે.
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદને આણંદ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. મોહમ્મદ શાહિદે આજે આણંદ કલેક્ટર કચેરી ખાતે હાલમાં ચાલી રહેલા SIR કાર્યક્રમની સમીક્ષા કરી હતી. આણંદ જિલ્લાની તેમની પ્રથમ મુલાકાત દરમિયાન, રોલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં તમામ મતદાર નોંધણી અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ધારાસભ્યોના પ્રતિનિધિઓ સાથે SIR સંબંધિત પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ, આણંદ જિલ્લાના તમામ મતદાન મથકોના ગેરહાજર (Absent), સ્થળાંતરિત (Shifted) અને મૃત્યુ પામેલા (Death) મતદારોની યાદીની સોફ્ટ કોપી માન્ય રાજકીય પક્ષોના હાજર પ્રતિનિધિઓને આપવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી, પેટલાદના મદદનીશ કલેક્ટર અને મદદનીશ ચૂંટણી અધિકારી હિરેન બારોટ, અન્ય મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન સહિત માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી એક મજૂરે એસિડ પી લીધું હતું, આ ઘટના બાદ તેમને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે મજૂરે સિહોરના એક વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 1.50 લાખ વ્યાજે લીધા ને વ્યાજખોરે 4.25 લાખ માગ્યાઆ બનાવ અંગે ગંગાજળીયા પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર રવિ કાળુભાઈ નૈયા ઉ.વ. 38, જમનાકુંડ વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે, તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં તેમણે સિહોરના જગદીશ જેન્તીભાઈ સોલંકી પાસેથી રૂ.1,50,000 દસ ટકા વ્યાજે લીધા હતા, રવિ અને જગદીશ અગાઉ કડિયાકામમાં સાથે જતા હતાં. તેમણે અત્યાર સુધીમાં વ્યાજ પેટે રૂ. 70,000 ચૂકવ્યા છે, પરંતુ જગદીશ હજુ પણ તેમની પાસેથી રૂ.4,25,000ની માગણી કરી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી રવિનું મજૂરીકામ બરાબર ન ચાલતા તેઓ વ્યાજની રકમ ચૂકવી શક્યો ન હતા, આથી જગદીશ અવારનવાર ભાવનગર આવી પૈસાની કડક ઉઘરાણી કરી તેમને ત્રાસ આપતા હતો. '4.25 લાખ નહીં આપે તો જોયા જેવી થશે'રવિએ ફરિયાદમાં જણાવ્યું કે, જગદીશે તેની મોટી બહેન જ્યોતિબેનને પણ ફોન કરીને ધમકી આપી હતી કે જો રવિ 4.25 લાખ નહીં આપે તો જોયા જેવી થશે. વ્યાજખોર દ્વારા સતત થતી ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળીને રવિએ બપોરના સવા અગિયાર વાગ્યાના સુમારે પોતાના ઘરે બાથરૂમમાં જઈ એસિડ પી લીધું હતું. યુવક સારવાર હેઠળ, ફરિયાદ નોંધાઈએસિડ પીધા બાદ પેટમાં બળતરા થતા રવિભાઈએ બૂમાબૂમ કરી હતી. તેમના પત્ની કાજલ અને સાળાના દીકરા સંતોષ શંકરભાઈ વેગડ તેમને તાત્કાલિક ખાનગી વાહનમાં સર ટી. હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ રવિ MICU વોર્ડમાં સારવાર હેઠળ છે, આથી રવિએ જગદીશ જેન્તીભાઈ સોલંકી વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
BCCIના પૂર્વ સેક્રેટરી અને SCAના સભ્ય નિરંજન શાહ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે નવનિર્મિત વિકેટોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા આ ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવશે, તો જામનગરમાં BCCI કક્ષાની મેચો યોજવી પણ શક્ય બની શકે. નિરંજન શાહે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યા બાદ ઉમેર્યું હતું કે, જામનગરના ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. આ ગ્રાઉન્ડમાં આગામી સમયમાં BCCI કક્ષાની મેચો રમાડી શકાય તેવી ક્ષમતા છે, જો તેને યોગ્ય રીતે વિકસાવવામાં આવે. તેમણે જામનગર ડિસ્ટ્રિક્ટને છ નવી વિકેટો તૈયાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નિરંજન શાહે સૂચવ્યું કે, આ નવી વિકેટો પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા BCCIની મેચો આપી શકાય છે, પરંતુ તે પહેલા સ્થાનિક મેચો રમાડવાથી વિકેટો વધુ સારી રીતે સેટલ થશે અને સારા મેચો પણ મળી શકશે. પૂર્વ સેક્રેટરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સુરેન્દ્રનગર, પોરબંદર અને ભાવનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવ્યા છે તે જ રીતે જામનગર પણ તેમના માટે ખૂબ જ મહત્વનું કેન્દ્ર છે. તેમણે સરકારને પોરબંદરની જેમ આ ગ્રાઉન્ડ પણ લાંબા ગાળાની લીઝ પર આપવા વિનંતી ચાલુ રાખવાની વાત કરી હતી. તેમજ કહ્યુ કે,સરકાર ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપે તો અમે બધુ ડેવલપમેન્ટ કરીશું. લીઝ મળવાથી ગ્રાઉન્ડનો સર્વાંગી વિકાસ થઈ શકશે અને ઐતિહાસિક પાસાઓને પણ પુનર્સ્થાપિત કરી શકાશે. ખેલાડીઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે, જેના માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ભૂમિકા મહત્વની છે. આનાથી જામનગર જિલ્લાનું ક્રિકેટ વધુ આગળ વધી શકશે. મહિલા ક્રિકેટને લઈ કહ્યું કે, મહિલાઓ પણ હાલ ક્રિકેટમાં સરસરીતે આગળ વધી રહી છે. અમને સૌરાષ્ટ્રમાં એટલી હજી મહિલા ક્રિકેટરો મળતી નહતી પણ જે પ્રમાણે આપણે મહિલા વર્લ્ડકપ જીત્યા છીએ. એનાથી મહિલાઓમાં પણ એક પ્રોત્સાહન ઉભું થયું છે અને અમને લાગે છે કે, અત્યારના મેજર પાંચ છ ડિસ્ટ્રીક્ટ છે એ મહિલાની ક્રિકેટ ટીમ બનાવી શકશે અને આપણે પહેલા ઈન્ટર ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરશું જેથી અમને મહિલાની સૌરાષ્ટ્રની ટીમ ઊભી કરવામાં મુશ્કેલી ન પડે.
મહાનગર સુરતના નવા ભટાર વિસ્તારમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા નવનિર્મિત 'આદિવાસી સમાજ ભવન'નું ભવ્ય લોકાર્પણ રમત-ગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ભવન માત્ર એક ઈમારત નહીં, પરંતુ આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક બની રહેશે. ઉધના-મગદલ્લા રોડ પર પંચ્યાસી મહોલ્લો ખાતે નિર્મિત આ ભવન બહુહેતુક સેવાઓ પૂરી પાડશે. સુરત ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ, હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે અહીં રહેવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વસરાઈ ખાતે યોજાનાર 'ટ્રાઈબલ ટ્રેડ ફેર'માં જોડાવા આહ્વાનલોકાર્પણ સમારોહમાં સંબોધન કરતા રાજ્યમંત્રી ડૉ. ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે, પરંતુ સમાજની એકતા અને જાગૃતિ જ સાચા ઉત્થાનનો માર્ગ છે. તેમણે આગામી 25થી 27 ડિસેમ્બર દરમિયાન અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાનાર 'ટ્રાઈબલ ટ્રેડ ફેર'માં જોડાવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે, ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતી વર્ષમાં તેમના આદર્શોને અનુસરી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવું જોઈએ. તેમણે દેવમોગરા માતાના ધામ માટે રૂ. 16 કરોડની ફાળવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આદિવાસી સમાજ ગુજરાતનું ગૌરવ: પોલીસ કમિશનરપોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરત એ એવી પવિત્ર કર્મભૂમિ છે જ્યાં શુદ્ધ ભાવનાથી કરેલા કાર્યો હંમેશા સફળ થાય છે. તેમણે ગુજરાતની વહીવટી અને રાજકીય પ્રગતિમાં આદિવાસી સમાજના અધિકારીઓ અને પદાધિકારીઓના યોગદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પ્રકૃતિ પૂજા અને તૂર વાદ્યના નાદ સાથે કરાઈલોકાર્પણ બાદ અલથાણ ખાતે 'પ્રથમ સ્નેહ મિલન સમારોહ' યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પ્રકૃતિ પૂજા અને તૂર વાદ્યના નાદ સાથે કરવામાં આવી હતી. આદિવાસી બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ સૂપડા, ટોપલી અને સાંબેલા સાથે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં તૂર, તારપા, ભીલી અને ડાંગી નૃત્યોની રમઝટ જોવા મળી હતી. આ સાથે જ શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંવર્ધન જેવા વિષયો પર વ્યાખ્યાન માળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ભવ્ય લોકડાયરામાં લોક કલાકારોએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.
બેચરાજી તાલુકાના ઉદેલાથી રણેલા ગામ તરફ રાત્રિના સુમારે પેટ્રોલિંગ કરી રહેલા મહેસાણા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવીને કારમાંથી વિદેશી દારૂની 1251 બોટલ સહિત કુલ રૂપિયા 13.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસની આડશો જોઈને એકાએક રીવર્સમાં ગાડી ભગાવીને અંધારાનો લાભ ઉઠાવી ભાગી ગયેલા ડ્રાયવર સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેની શોધખોળ આદરી હતી. પોલીસની બાતમીના આધારે રસ્તામાં વોચ ગોઠવીમહેસાણા એલસીબી સ્ટાફ સાંથલ, પોલીસ મથક વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હકિકત મળી કે, ઉદેલાથી રણેલા ગામ તરફ જતા રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સફેદ કલરની નંબરપ્લેટ વિનાની ગાડી નીકળનાર છે. જેના આધારે પોલીસે રોડ પર આડશો કરીને વોચ ગોઠવી હતી. ડ્રાઈવર કાર રોડની સાઈડમાં મૂકી ફરારતે વખતે ઉદેલા તરફથી આવી રહેલી એક કારના ચાલકે પોલીસની આડશો જોતા રિવર્સમાં પોતાની ગાડી દોડાવી મૂકી હતી અને કારને રોડ પાસેની ઝાડીઓમાં ઉતારી અંધારામાં ભાગી છૂટ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરીપોલીસે ઘટનાસ્થળે જઈને જોતા ગાડીનો બમ્પર અને પાછળનો કાચ તૂટી ગયો હતો, જેથી ક્રેન વડે ગાડીને બહાર કાઢી પોલીસ મથકે લાવવામાં આવી હતી. જ્યારે ગાડીમાંથી વિદેશી દારૂની 1251 બોટલ મળી આવતાં પોલીસે કુલ રૂપિયા 13.47 લાખનો મુદ્દામાલ કબજે કરી મોઢેરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.
સુરત શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીઓની મધ્યમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝના આયોજન સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મિષ્ઠા પાર્ક અને આસપાસની સોસાયટીના રહીશોએ એકઠા થઈને આ ઔદ્યોગિક પ્રોજેક્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ઉદ્યોગો આવવાથી વર્ષોથી ચાલતી શાંતિ જોખમાશે અને પ્રદૂષણ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. આ બાબતે રહીશોએ સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરી છે. સ્થાનિકો પ્લાનિંગને રદ કરાવવા માટે મક્કમસ્થાનિકો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, વરાછામાં આવેલી આ જમીન પર કોઈપણ પ્રકારના ઈન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ કે કોટેજ ઈન્ડસ્ટ્રીઝના આયોજન સામે તેમનો સખત વાંધો છે. આ અંગેની જરૂરી કાનૂની કાર્યવાહી પણ અધિકૃત કોર્ટમાં શરૂ કરી દેવામાં આવી છે. રહીશોએ વેપારીઓ, દલાલો અને જાહેર જનતાને પણ અપીલ કરી છે કે, આ વિવાદિત જગ્યા પર કોઈપણ પ્રકારના બુકિંગ કરતા પહેલા ગંભીરતાથી વિચાર કરે. કારણ કે સ્થાનિકો આ પ્લાનિંગને રદ કરાવવા માટે મક્કમ છે. અહીં ઇન્ડસ્ટ્રીઝ આવશે તો ન્યુસન્સ કાયમી બની જશેઃ સ્થાનિકઆ લડતનું નેતૃત્વ કરી રહેલા સ્થાનિક રહીશ વિપુલ સેખડાએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે અહીં ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં છેલ્લા 25થી 30 વર્ષથી શાંતિથી રહીએ છીએ. 2023માં જ્યારે આ ઇન્ડસ્ટ્રિયલ બુકિંગ આવ્યું, ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો. તાજેતરમાં જ બાજુના વિસ્તારમાં બુટલેગર વોર જેવી હિંસક ઘટનાઓ બની છે, જેમાં તલવારો અને છરા ઉછળ્યા હતા. જો અહીં ઇન્ડસ્ટ્રીઝ આવશે તો આવું ન્યુસન્સ કાયમી બની જશે અને અમારી બહેન-દીકરીઓનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. અમે આ પ્રોજેક્ટનો અંત સુધી વિરોધ કરીશું. મંજૂરી મળશે તો આંદોલનની ચીમકીવરાછાના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈન્ડસ્ટ્રિયલ બાંધકામને મંજૂરી અપાશે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. હાલમાં આ મુદ્દો સમગ્ર વરાછા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને રહીશો એકજુટ થઈને વહીવટી તંત્ર સામે બાંયો ચઢાવી રહ્યા છે.
અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી સન વેસ્ટ બેન્કની આઈ.કે. એફ ફાઇનાન્સ લિમિટેડ કંપની સાથે 11 જેટલા લોકોએ છેતરપિંડી આચરી છે. ફાઇનાન્સ કંપની પાસેથી 11 લોકોએ કુલ 1.20 કરોડની લોન લીધી હતી. થોડા સમય સુધી લોનના હપ્તા ભર્યા બાકીના હપ્તા ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી ફાઇનાન્સ કંપની દ્વારા લોનની ભરપાઈ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમજ જો લોનની ભરપાઈ નહીં કરાય તો મિલ્કત જપ્તી કરવાની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. છતાં પણ લોનની ભરપાઈ કરવામાં ન આવતા ડોક્યુમેન્ટ ચકાસણી કરતા મિલકતમાં દસ્તાવેજ માટે ખોટા શેર સર્ટિફિકેટ અને સ્ટેમ્પ ડ્યુટીનો લેટર ખોટી રીતે મેળવ્યો હોવાનું સામે આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટના આધારે મિલકત પર લોન લીધાનો ખુલાસોફાઇનાન્સ કંપનીમાંથી કિઆર ક્રિએશન નામની કપડાની શોપના માલિક હિતેશ રવિ કોડવાની અને અન્ય લોકોને 30 માર્ચ 2024ના 40 લાખની લોન આપવામાં આવી હતી. જેમને સપ્ટેમ્બર 2024 સુધી રેગ્યુલર હપ્તા ભરેલા હતા. જે બાદ અચાનક હપ્તા ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી એકાઉન્ટ એન.પી.એ. ડિકલેર કરવામાં આવેલા હતા. ફાઇનાન્સ કંપની દ્વારા એપ્રિલ 2025માં કલેક્શન ટીમને કીઆરા ક્રિએશનની શોપ કે જે રેવડી બજારમાં આવેલી છે ત્યાં મોકલવામાં આવી હતી. જ્યાં કીઆરા ક્રિએશનના માલિક ભાવિક કોડવાની હાજર હતો. જેથી તેને લોનની ભરપાઈ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. લોન નહીં ભરે તો જે મિલકત માર્ગેજ કરી લોન મેળવેલ છે તે મિલકતની જપ્તી કરવાની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. જે દરમિયાન ભાવેશ કોડવાનીએ જણાવ્યું હતું કે લોન માટે માર્ગેજ કરેલ તેવી કોઈ મિલકત ધરાવતા જ નથી એટલે મિલકત જપ્ત કરી શકતા હોવ તો કરી લો. જે બાદ ફાઇનાન્સ કંપની દ્વારા તપાસ કરતા કંપની તરફથી જે મિલકત પર 40 લાખની લોન લેવામાં આવી હતી. જે મિલકત પર માર્ગેજ લોન આપવામાં આવી હતી તેવી કોઈ મિલકત સ્થળ પર ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ મિલકતનો શેર સર્ટિફિકેટ બોગસ હોવાનું પણ સામે આવ્યું હતું. મિલકત પર લોન બોગસ ડોક્યુમેન્ટના આધારે લેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી કંપની દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શેર સર્ટિફિકેટ અમે એલોટમેન્ટ લેટર અને પઝેશન લેટર રજૂ કરેલ જે ડેપ્યુટી કલેક્ટરનો ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીનો લેટર ખોટી રીતે મેળવી રજૂ કરવામાં આવ્યો હતો. 11 લોકો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદકુલ 1.20 કરોડની લોન બોગસ ડોક્યુમેન્ટના આધારે લેવામાં આવી હતી. જે બાદ લોનના હપ્તાની ભરપાઈ કરવાનું બંધ કરી છેતરપિંડી આચરી છે. જેથી દીપક આહુજા, હિતેશ કોડવાની, ભાવેશ કોડવાની, સીમા કોડવાની, ભાવેશ બલાની, સુનિતા બલાની, નિર્મલ બલાની, હેમંત લખવાની, રોમા લખવાની, આનંદ પટેલ, નશીમ ખાન સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવે છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામ તાલુકાના રામનગર ગામમાં એક ખેડૂત પરિવાર માતા-પિતાની સારવાર માટે અમદાવાદ ગયા હોવાનો લાભ ઉઠાવી બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 7 લાખ 62 હજાર 500ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ દહેગામ પોલીસ ચોપડે નોંધાઈ છે. પરિવાર માતા-પિતાની સારવાર માટે અમદાવાદ ગયા ને તસ્કરો ત્રાટક્યાદહેગામના રામનગર ગામના મૂળ વતની ચંન્દ્રકાન્તભાઈ પ્રભુદાસ પટેલ નરોડા કઠવાડા રોડ પર આવેલા સારથી બંગલોમાં છેલ્લા દસ વર્ષથી રહે છે. જ્યારે તેમના માતા પિતા ગામમાં રહે છે. ખેતવાડીના કામકાજ અર્થે ચંન્દ્રકાન્તભાઈ દરરોજ ગામમાં આવતા રહેતા હોય છે. જોકે છેલ્લા ચાર દિવસથી તેમના માતા-પિતા બીમાર હોવાથી તેઓ તેમને અમદાવાદ ખાતે પોતાની સાથે લઈ ગયા હતા. આથી રામનગરનું ઘર બંધ હતું. તેઓ ગત તા.12 ડિસેમ્બરના રોજ ગામના ઘરે તાળું મારીને નરોડા ગયા હતા. તાળું ગાયબ અને દરવાજો અડધો ખુલ્લો જોઈ ચોંકી ઉઠ્યાત્યારે ગઈકાલે 13 ડિસેમ્બરે સવારે ચંન્દ્રકાન્તભાઈ તેમના માતા-પિતા સાથે ઘરે પરત ફર્યા હતા. જ્યાં મકાનના મુખ્ય દરવાજે તાળું ગાયબ અને દરવાજો અડધો ખુલ્લો જોઈ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેમણે ઘરમાં જઇને જોતા પ્રથમ રૂમમાં ઘરવખરીનો સામાન વેરવિખેર હતો. બીજા રૂમમાં તિજોરી ખુલ્લી હાલતમાં હતી. અને તેમાં મુકેલો સામાન પણ અસ્તવ્યસ્ત પડ્યો હતો. 7.62 લાખનો મુદ્દામાલ ચોર લઈને ફરારજેથી ચંદ્રકાંતભાઈએ વધુ તપાસ કરતા તિજોરીમાંથી 4 બંગડી, 1 દોરો, 1 વીંટી, કાનની બુટ્ટી અને નાકની ચૂની સહિત કુલ રૂ.6,82,500ની કિંમતના સોનાના દાગીના તેમજ 5 હજાર રોકડા, 15 ચાંદીના સિક્કા, 1 કંદોરો, 1 જુડો, પૂજાના વાસણોનો સેટ અને ગણપતિજીની મૂર્તિ સહિત કુલ રૂ. 7 લાખ 62 હજાર 500નો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયાનું માલુમ પડ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
દારૂના બુટલેગરો ગેરકાયદેસર રીતે દારૂ પહોંચાડવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે, પરંતુ ક્યારેક તેમનો આ પ્રયાસ નિષ્ફળ જાય છે. આવો જ એક બનાવ ઉના-પોરબંદર રૂટની એસટી બસમાં બન્યો હતો, જ્યાં ટિકિટ ચેકિંગ કરવા ચડેલા એસટી વિભાગના કર્મચારીઓને સીટ નીચેથી દારૂ ભરેલો બિનવારસી થેલો મળી આવ્યો હતો. ટિકિટ ચેકિંગ કરવા ચડ્યાને દારૂનો થેલો પકડાયોપોલીસે આપેલી માહિતી મુજબ આજે એસટી વિભાગના કર્મચારીઓ શીલ નજીક બસોનું ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન ઉના-પોરબંદર રૂટ પરની એક બસ આવતા, એસટી વિભાગના કર્મચારીઓ ટિકિટ ચેકિંગ માટે બસમાં ચડ્યા હતા. ટિકિટ ચેક કરતી વખતે, કર્મચારીઓએ લગેજ અને સીટ નીચે તપાસ કરતા એક બિનવારસી બેગ મળી આવી હતી. નાની સાઇઝની દારૂની કુલ 122 બોટલ મળી આવીપોલીસે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, એસટી વિભાગના કર્મચારીઓએ જ્યારે આ બિનવારસી થેલાની તપાસ કરી, ત્યારે તેમાંથી નાની સાઇઝની દારૂની કુલ 122 બોટલ મળી આવી હતી. દારૂનો જથ્થો મળતા એસટી વિભાગના કર્મચારીઓએ તાત્કાલિક શીલ પોલીસને જાણ કરી હતી. પોલીસે દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યોશીલ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને દારૂનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાશે. જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા મુખ્ય શ્રીમદ્ ભાગવત કથાનું પણ કરાવવામાં આવશે. 21 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે વ્રજધામ સંકુલથી શોભાયાત્રા પ્રસ્થાન થશે. સાંજે 3 વાગ્યે નવલાખી મેદાન ખાતે આગમન થશે, ત્યારબાદ મહાકથાનો પ્રારંભ થશે. 21થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં વડોદરા ઉપરાંત ગુજરાત અને દેશ વિદેશોથી લાખો લોકો ઉમટી પડશે. અમેરિકા શહેર વિવિધ દેશોમાંથી 2000થી વધુ લોકો મહોત્સવમાં ભાગ લેવા માટે વડોદરા આવશે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરની સંસ્થા VYO, જે આજે વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે, તેની 15 વર્ષની ઉજવણી તથા પુષ્ટિમાર્ગનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25માં વર્ષની ઉજવણી નિમિત્તે આવતાં 21 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ વૈશ્વિક સ્તરે યોજાતો સૌથી મોટો ઉત્સવ હશે, જેમાં ભારત સાથે વિશ્વભરના વૈષ્ણવો એક મંચ પર જોડાશે. વડોદરાના શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તીર્થ દર્શન સાથે વૃજ દર્શનનો અલભ્ય લાભ મળશે. આ ઉપરાંત આ તીર્થોના પવિત્ર જળ પણ લાવવામાં આવશે. જેમાં ગંગા, યમુના, નર્મદા સહિત ભારતની 29 પવિત્ર નદીઓનું તથા 64 કુંડ તીર્થંજળ વડોદરા લાવવામાં આવશે. સમગ્ર મહોત્સવ દરમિયાન દરરોજ 1,00,000થી વધુ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સાત્વિક ભોજન સેવા કરવામાં આવશે. શહેર તથા બહારગામના જરૂરિયાતમંદ નાગરિકોને 15,000 ઊનના કમ્બળોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. દરરોજ ગુજરાત અને દેશના વિવિધ શહેરો તથા ગામોમાંથી 100થી વધુ બસો દ્વારા શ્રદ્ધાળુઓ વડોદરા આવશે. આ ઉપરાંત હજારો શ્રદ્ધાળુઓ પોતાની વ્યક્તિગત વ્યવસ્થા દ્વારા વડોદરા શહેરના મહેમાન બનશે, તેઓ સંપૂર્ણ 9 દિવસ સુધી મહોત્સવના તમામ કાર્યક્રમો, કથા, યજ્ઞ અને દર્શનનો લાભ લેશે. બિઝનેસ એક્સ્પો અને વૈશ્વિક બિઝનેસ પ્લેટફોર્મ VYOના ગ્લોબલ પ્રેસિડેન્ટ રાજીવ શાહે જણાવ્યું હતું કે,350થી વધુ સ્ટોલ્સ સાથે ભવ્ય બિઝનેસ એક્સ્પો યોજાશે. વિશ્વભરના VYO ડોનર મેમ્બર્સ માટે બિઝનેસ સમિટ પણ થશે. તો VYO ઇન્ટરનેશનલ લીડર્સ કોન્કલેવ પણ યોજવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશના સંતો, મહંતો, વૈષ્ણવા ચાર્યો, પીઠાધીશરો તથા રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક પ્રતિષ્ઠિત આગેવાનોની મંગલ ઉપસ્થિતિ રહેશે. મહોત્સવના મુખ્ય આકર્ષણો ભારત તીર્થ દર્શન - એક જ સ્થળે અલભ્ય આધ્યાત્મિક અનુભવ થશે. વડોદરામાં પ્રથમવાર ભારતના મુખ્ય તીર્થો, ધામો અને વૈષ્ણવ સ્થાનોની ભવ્ય ઝાંખી તૈયાર કરવામાં આવશે: 7 પુરાતન ધામો 1. બદ્રીનાથ 2. કેદારનાથ 3. ગંગોત્રી 4. યમુનોત્રી 5. દ્વારકાધીશ 6. જગન્નાથ પુરી 7. રામેશ્વરમ રાષ્ટ્રીય મંદિરો તિરુપતિ બાલાજી નાથદ્વારા શ્રીનાથજી અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાકૃતિક અને વૈષ્ણવ તીર્થો વિરાટ હિમાલય શ્રી ગિરિરાજજી (વ્રજ પરિસર) દરરોજ આ 5 યજ્ઞ થશે 1. વિષ્ણુ સહસ્રનામ યજ્ઞ 2. પુરુષોત્તમ યજ્ઞ 3. સંકર્ષણ યજ્ઞ 4. નરસિંહ-લક્ષ્મી યજ્ઞ 5. અપમાર્જન યજ્ઞ
હિંમતનગરના પેથાપુરમાં ખેત મજૂરોને આરોગ્ય કીટ અપાઈ:જિલ્લા આરોગ્ય વિભાગ અને ફાઉન્ડેશનના સહયોગથી પહેલ
હિંમતનગર તાલુકાના પેથાપુરમાં સ્થળાંતરિત ખેત મજૂરોને આરોગ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ અને એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશનના સહયોગથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીકામ અર્થે આવતા મજૂરોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનો છે.આ કાર્યક્રમ અંતર્ગત, હિંમતનગર તાલુકાના ૨૦ ગામોમાં પ્રાયોગિક ધોરણે ખેત મજૂરોનો સર્વે કરીને તેમની આરોગ્યલક્ષી જરૂરિયાતોની માહિતી એકત્રિત કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અનુસાર, આયુષ્માન આરોગ્ય કેન્દ્રની ટીમે સ્થાનિક કક્ષાએ સંકલન સાધીને આ સેવાઓનું આયોજન કર્યું. આ વિતરણ કાર્યક્રમમાં કુલ ૬૫ ખેત મજૂર પરિવારોને આરોગ્ય કીટ આપવામાં આવી. આ કીટમાં ટોર્ચ, નેઇલ કટર, પ્રાથમિક સારવારની દવાઓ અને મચ્છરદાની જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સગર્ભા માતાઓ, બાળકો અને પરિવારના અન્ય સભ્યોને સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી થશે.આ ફાઉન્ડેશન આ પરિવારોને સરકારી યોજનાઓના લાભ અપાવવા માટે પણ સ્થાનિક કક્ષાએ મદદરૂપ બનશે. આવા કાર્યક્રમો સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, પોશીના, ખેડબ્રહ્મા જેવા વનબંધુ તાલુકાઓ તેમજ અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાંથી આવતા ખેત મજૂરોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ તેમનો મુખ્ય લક્ષ્ય છે. આગામી સમયમાં હિંમતનગર અને ઇડર તાલુકામાં આવતા તમામ ખેત મજૂરોને આરોગ્યલક્ષી સેવાઓ આપવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉપસ્થિત ખેત મજૂરો સાથે તેમને મળતી સેવાઓ અને સંભવિત મુશ્કેલીઓ અંગે સીધી ચર્ચા કરી. શ્રમિકોએ આરોગ્ય શાખા અને એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશનની કામગીરીની સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા RCH અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, ગામના સરપંચ, શાળાના આચાર્ય અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.
મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે જેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાની હેરફેર માટે કરવાામાં આવ્યો હોય. આ બેંક એકાઉન્ડ સામે દેશભરમાં 360 ફરિયાદો નોંધાયેલી છે. કૂલ રૂ. 253 કરોડના સાયબર ફ્રોડમાં આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હાલ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવનારા 8 શખસોને ઝડપી પાડ્યા છે. લોકો આવી ગેંગનો ભોગ બન્યા હોય તો સામેથી પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. રૂ. 253 કરોડના સાયબર ફ્રોડમાં 9 બેંક ખાતાનો ઉપયોગભારત સરકારના સમન્વય પોર્ટલ પર મળેલા ઇનપુટ્સની ટેકનિકલ તપાસ કરતાં જણાયું હતું કે, જુનાગઢ જિલ્લાના કેટલાક બેંક એકાઉન્ટોનો ઉપયોગ ભારતભરમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી મોટી રકમની શંકાસ્પદ હેરફેર માટે થતો હતો. આ આરોપીઓ અને તેમના મળતીયાઓએ ઓનલાઈન છેતરપિંડી કરવાના બદઈરાદે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી/ખોલાવડાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવ્યું હતું. સાયબર ક્રિમિનલોએ આ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોના લોકોને છેતરપિંડીનો ભોગ બનાવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું કે કુલ ₹2,53,42,26,788/- (અંદાજે 253 કરોડથી વધુ) ની રકમની છેતરપિંડી પૈકી આશરે ₹13,27,13,513/- જેટલી માતબર રકમ આ 9 બેંક એકાઉન્ટ ધારકોના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ મામલે રાષ્ટ્રીય કક્ષાના NCCRP પોર્ટલ પર કુલ 360 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે. 9 બેંક ખાતા સામે ભારતમાં 360 ફરિયાદો આ સમગ્ર મામલે જુનાગઢ સાયબર ક્રાઇમના પીઆઇ સી.વી. નાયકે જણાવ્યું હતું કે, સમન્વય પોર્ટલ પરથી મ્યુલ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જુનાગઢમાં આવા 9 એકાઉન્ટ છે જેનાથી પૈસાની લેવડદેવડ કરાઈ હોય. આ 9 એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે આ 9 જેટલા એકાઉન્ટ વિરુદ્ધ આખા ભારતભરમાં 360થી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ 9 એકાઉન્ટ મારફત ₹253 કરોડથી વધુની રકમનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનો આચરનાર અને મ્યૂલ એકાઉન્ટના 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમને પકડી પાડવામાં આવ્યા છે. આ 9 એકાઉન્ટમાં પણ ₹13 કરોડથી વધુની રકમના વ્યવહાર થયાનું સામે આવ્યું હતું. ભારતભરમાંથી 360 લોકોને છેતરી આ 8 આરોપીઓ અને જે પકડાયેલા નથી તે અન્ય આરોપીઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. આ નવ આરોપીઓમાંથી જે એક આરોપીને પકડવાનો બાકી છે તે અગાઉ NDPSના ગુનામાં જેલમાં બંધ છે, તેને પૂછપરછ માટે લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીસાયબર ક્રાઇમમાં લોકો છેતરાય છે ત્યારે મુખ્યત્વે બેંક એકાઉન્ટનો ઉપયોગ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. આ ગુનાને અંજામ આપતા મુખ્ય સૂત્રધારોને બેંક એકાઉન્ટની જરૂર પડતા, તેઓ અલગ અલગ એકાઉન્ટ ધારકોનો સંપર્ક કરે છે. આ મુખ્ય સૂત્રધાર આવા એકાઉન્ટ ધારકોને કમિશનની લાલચ આપી કે જે રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવે છે તે રૂપિયામાંથી ભાગ આપવાની લાલચ આપીને આવા એકાઉન્ટો મેળવી લે છે. નાના એકાઉન્ટ ધારકો રૂપિયાની લાલચમાં આવીને મોટા સાયબર ગુનાને અંજામ આપવામાં મદદરૂપ થાય છે. પકડાયેલા તમામ આરોપીઓ જૂનાગઢનાજુનાગઢ સાયબર ક્રાઇમ દ્વારા જે હાલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામ જુનાગઢના છે. આ 8 આરોપીઓએ સાઇબર ક્રાઇમની છેતરપિંડી આચરતા મુખ્ય માથાઓને એકાઉન્ટ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓના એકાઉન્ટ PNB બેંક, કેનરા બેંક, ઇન્ડિયન બેંક, એક્સિસ બેન્ક, BOB, યશ બેંક અને બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની બેંકોમાં હતા. આ ગુનો આચરનાર અને મ્યૂલ એકાઉન્ટના 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, હુસેન તુર્ક જે હાલ NDPSના ગુનામાં જેલમાં બંધ છે, તેને પૂછપરછ માટે લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જૂનાગઢ પોલીસે લોકોને જાહેર અપીલ કરીસાયબર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે કે જે કોઈ લોકોએ આ આરોપીઓને પોતાના બેંક એકાઉન્ટ આપેલા હોય અને નાણાની હેરફેર કરેલ હોય, પરંતુ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આવેલા નથી, તેઓ તાત્કાલિક જાણ કરે. જો આ બાબતે જાણ કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
મોરબીમાં 4-5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ:પીપળી રોડ પર દુકાનેથી ઉઠાવી વાડીએ લઈ જઈ માર માર્યો
મોરબીમાં 4થી 5 કરોડ રૂપિયાની ઉઘરાણી મુદ્દે એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું છે. પીપળી રોડ પર આવેલી તેની દુકાન પરથી પાંચ જેટલા શખ્સોએ યુવાનને માર મારી બ્લેક કલરની કારમાં ઉઠાવી ગયા હતા. આરોપીઓ યુવાનને ભરતનગર ગામ પાસે આવેલી એક વાડીએ લઈ ગયા હતા, જ્યાં તેને ઢીકાપાટુ, લાકડી અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મયુરનગર સોસાયટી પાસે રવિનગરમાં રહેતા 25 વર્ષીય અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેણે પિયુષભાઈ પટેલ, નવઘણભાઇ, ભગીભાઈ અને અન્ય અજાણ્યા શખ્સો સામે અપહરણ અને માર મારવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, પિયુષભાઈ પટેલને અમરતસિંઘના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી 4થી 5 કરોડ રૂપિયા લેવાના હતા. આ ઉઘરાણી માટે આરોપીઓ મોરબીના પીપળી રોડ પર કોયો સિરામિક પાસે આવેલી અમરતસિંઘની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાને પહોંચ્યા હતા. પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી જિલ્લામાં તસ્કરો સક્રિય થયા છે. સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામમાં આવેલા માતાજીના મઢ અને શેલણા ગામમાં રહેણાંક મકાનમાંથી કુલ રૂ. 1,74,500ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિયાળાની ઠંડીનો લાભ લઈ તસ્કરો ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. બોરાળા ગામમાં ખોડલધામ માતાના મઢમાં અજાણ્યા ઈસમોએ દરવાજાના તાળા તોડી પ્રવેશ કર્યો હતો. મંદિરમાંથી માતાજીના શણગારમાં રહેલા સોના-ચાંદીના દાગીના, છતરો અને પાદુકા સહિત રૂ. 1,50,000ની કિંમતનો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ ઉપરાંત, દાનપેટીમાંથી રૂ. 20,000 રોકડા પણ ચોરાયા હતા, આમ કુલ રૂ. 1,70,000ની ચોરી થઈ હતી. આ અંગે ઘનશ્યામ દુધાતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી ઘટના સાવરકુંડલા તાલુકાના શેલણા ગામમાં બની હતી. અંકિતભાઈ ભીખુભાઈ ગઢાદરાના રહેણાંક મકાનના રૂમનું લોક તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. કબાટમાંથી ચાંદીના પગમાં પહેરવાના જૂના ચડા (2 નંગ), નાકમાં પહેરવાની સોનાની ચૂક (1 નંગ) અને એક ચાંદીનો સિક્કો મળી કુલ રૂ. 4,500ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીના આ બનાવો બાદ સાવરકુંડલા રૂરલ પોલીસ, વંડા પોલીસ અને એલસીબી સહિતની ટીમોએ તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચાલી રહી છે.
ભારતીય વાયુસેના સંગઠન (AFA)ની ગુજરાત શાખા દ્વારા 14 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના નીલામ્બર ઓડિટોરિયમ ખાતે નવમા વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વર્ગસ્થ ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીતસિંહ સેખોં (PVC)ની વીરતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે યોજાયો હતો. મહત્વનું છે કે, 54 વર્ષ પહેલાં આજની તારીખે 1971ના યુદ્ધ દરમિયાન સેખોંએ શ્રીનગર એરફિલ્ડનું રક્ષણ કરતાં બલિદાન આપ્યું હતું. મુખ્ય ઉદ્દેશ યુવાનોને વાયુસેના તરફ આકર્ષવાનોઃ ભૂતપૂર્વ એર માર્શલભારતીય વાયુસેના સંગઠન ગુજરાત શાખા દ્વારા આજે ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સેન્ટર ખાતે 9મા વાર્ષિક સ્મારક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભૂતપૂર્વ એર માર્શલ પી. કે. દેસાઈએ માહિતી આપી કે, આ સંગઠન દિલ્હી એસોસિએશનનો ભાગ છે, જે નિવૃત્ત પરિવારોની સુખાકારીનું ધ્યાન રાખે છે. આ વાર્ષિક વ્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વાયુસેના તરફ આકર્ષવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે. આ સમય હુમલા સમયની વ્યૂહરચના ઘડવાનોઃ ભૂતપૂર્વ લેક્ચરર જનરલ જ્યારે ભૂતપૂર્વ લેક્ચરર જનરલ દુષ્યંતસિંહે જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વના 56 દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ પ્રવર્તી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ ભવિષ્યમાં વાયુ શક્તિ કેવી રીતે કાર્ય કરશે, તેની ચર્ચા કરવાનો અને ભવિષ્યમાં કોઈ દેશ દ્વારા હુમલો થાય તો યોગ્ય વળતો જવાબ આપવા માટે વ્યૂહરચના ઘડવાનો છે. ભારતીય વાયુસેનાની બે મોટી સિદ્ધિ પર ચર્ચા કરાઈઆ કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાની બે મોટી સિદ્ધિઓ, સર્જિકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બંને ઓપરેશન્સે વિશ્વભરમાં ભારતની સંરક્ષણ તાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ સ્મારક વ્યાખ્યાન દ્વારા નાગરિક સમાજ, વિદ્યાર્થીઓ અને સંરક્ષણ વ્યાવસાયિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ તૈયારીઓ અને વ્યૂહાત્મક બાબતો પર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સામે લડતાં નિર્મલ જીતસિંહ સેખોં વીરગતિ પામ્યા હતાંઉપરાંત વાયુસેના ભવિષ્યમાં કોઈપણ પડકારનો સામનો કરવા માટે કેવી રીતે સજ્જ થઈ શકે છે તે અંગે મહત્વપૂર્ણ મંતવ્યોનું આદાનપ્રદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીતસિંહ સેખોં ભારતીય વાયુસેનાના એકમાત્ર એવા સભ્ય છે, જેમને પરમવીર ચક્ર (PVC) એનાયત કરવામાં આવ્યો છે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાની F-86 જેટ વિમાનો સામે લડતાં તેમણે અદભુત હિંમત દાખવી હતી અને વીરગતિ પામ્યા હતા. વાયુસેનાના દિગ્ગજો હાજર રહ્યાંઆ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાના માર્શલ પદ્મ વિભૂષણ અર્જનસિંહ ડીએફસી, એર માર્શલ નાગેશ કપૂર, ભૂતપૂર્વ એર માર્શલ પી. કે. દેસાઈ પીવીએસએમ અને એવીએસએમ, ભૂતપૂર્વ લેક્ચરર જનરલ દુષ્યંત સિંહ પીવીએસએમ-એવીએસએમ અને ભૂતપૂર્વ એર વાઇસ માર્શલ અનિલ ગોલાની સહિતના અનુભવી અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદને આણંદ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની આણંદ જિલ્લાની પ્રથમ મુલાકાત દરમિયાન, તેમણે કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલા SIR (Special Summary Revision) કાર્યક્રમની સમીક્ષા કરી હતી. શાહિદની અધ્યક્ષતામાં તમામ મતદાર નોંધણી અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની પ્રગતિ અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ધારાસભ્યોના પ્રતિનિધિઓ સાથે SIR સંબંધિત પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના તમામ મતદાન મથકોના ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ પામેલા મતદારોની યાદીની સોફ્ટ કોપી ઉપસ્થિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી, પેટલાદના મદદનીશ કલેક્ટર અને મદદનીશ ચૂંટણી અધિકારી હિરેન બારોટ, અન્ય મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન સહિત માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ દંડ પેટે કુલ રૂ. 9,63,000ની વસૂલાત કરવામાં આવી છે. આ અદાલતમાં 1312 વાહન માલિકોએ તેમના બાકી દંડની રકમ ભરી હતી. આ લોક અદાલતનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા ન્યાયાલય ખાતે કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, નેત્રમ સુરેન્દ્રનગરના પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગર દ્વારા આ અદાલત યોજાઈ હતી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇસ્યુ કરાયેલા ઇ-ચલણના બાકી દંડ અંગે વાહનચાલકો વિરુદ્ધ પ્રી-લિટિગેશન લોક અદાલત યોજાઈ હતી. કોર્ટ દ્વારા વાહન માલિકોને તેમના સરનામા પર કોર્ટ નોટિસ અને મેસેજ (SMS) દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના પરિણામે, કુલ 1312 વાહન માલિકો પાસેથી રૂ. 9,63,000નો ઇ-ચલણ દંડ સફળતાપૂર્વક વસૂલ કરવામાં આવ્યો હતો.
પાટણ ખાતે પ્રભારી સચિવ મમતા વર્માની અધ્યક્ષતામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલમાં યોજાઈ હતી. બેઠકમાં SIR અંતર્ગત પાટણ જિલ્લામાં થયેલી કામગીરી અંગે PPT દ્વારા વિગતવાર માહિતી રજૂ કરવામાં આવી હતી. જિલ્લામાં કુલ 12,19,104 મતદારો પૈકી 11,11,553 મતદારોના ગણતરી ફોર્મ મળ્યા છે, જેનું ડિજિટાઈઝેશન પૂર્ણ થયું છે. જોકે, તેમાંથી 28,000 મતદારોનું મેપિંગ (2002ની મતદારયાદીમાં નામ) શોધી શકાયું નથી. વધુમાં, 1,07,551 મતદારોના ગણતરી ફોર્મ પાછા મળ્યા નથી, જેના કારણે તેમના નામ મતદાર યાદીમાં સમાવેશ થશે નહીં. આ ઉપરાંત, જિલ્લામાં નોંધાયેલા 25,425 મૃત્યુ પામેલા મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની કાર્યવાહીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. 13,034 શોધી ન શકાય તેવા કે ગેરહાજર મતદારો અંગે લેવાયેલા પગલાંની પણ ચર્ચા થઈ હતી. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરાયેલા વિવિધ ફોર્મ (નવા નોંધણી, સુધારા, સ્થળાંતર અને નામ કાપવા અંગે)ની પ્રાપ્તિ બાદ થયેલી કાર્યવાહી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં ડિજિટાઈઝેશનની કામગીરીમાં પાટણ જિલ્લો સમગ્ર રાજ્યમાં દ્વિતીય ક્રમાંકે હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રભારી સચિવ મમતા વર્માએ મતદાર યાદીની ચોકસાઈ, પારદર્શિતા અને સમયબદ્ધ પૂર્ણતા સુનિશ્ચિત કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર ભટ્ટ, નાયબ ચૂંટણી અધિકારી પી.વાય. ગોસ્વામી, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં ઘરઆંગણે રમી રહેલા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું મોત નિપજ્યું છે. એકના એક પુત્રનું મોત શ્રમજીવી પરિવાર પર આભ ફાટ્યું હતું. બાળકના મોત બાદ સાપનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘર નજીક રમી રહેલા બાળકને સાપે ડંખ માર્યોમૂળ છોટાઉદેપુરના વતની દિનેશભાઈ નાદલા રાઠવા હાલ ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં પરિવાર સાથે રહી કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે આશરે 7 વાગ્યાના સુમારે દિનેશભાઈ અને તેમની પત્ની મજૂરીકામ પતાવી ઘરે પરત ફર્યા હતા. માતા-પિતા ઘરમાં રાતનું ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, જ્યારે તેમનો 2 વર્ષનો પુત્ર શુભદર્શન ઘરની બહાર અન્ય પાંચેક મિત્રો સાથે રમી રહ્યો હતો. બાળકો જ્યારે રમી રહ્યા હતા ત્યારે બાજુની દીવાલમાં છુપાઈને બેસેલો આશરે 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા સાપ અચાનક બહાર આવ્યો હતો અને શુભદર્શનના જમણા પગે કરડી ગયો હતો. સાપ કરડતા જ બાળકે જોરશોરથી બૂમાબૂમ કરતા લોહી નીકળવા લાગ્યું હતું. બાળકની ચીસો સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુંપરિવારજનો શુભદર્શનને તાત્કાલિક સ્થાનિક દવાખાને લઈ ગયા હતા, પરંતુ તેની હાલત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કમનસીબે, ઝેરની અસર વધુ હોવાથી ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ગામના લોકોએ એકઠા થઈ તે 6 ફૂટ લાંબા કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું.
અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજાઓ થતાં તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વાડીમાં પાણી વાળી રહ્યા હતા અને સિંહ આવી ચડ્યોમધ્યપ્રદેશના વતની કેરમ છીડાભાઈ નાયક વાડીમાં પાણી વાળી રહ્યા હતા. તે સમયે અચાનક પાછળથી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યો હતો. કેરમભાઈએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે તેમને કમરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. મજૂરને તાત્કાલિક સિવિલમાં દાખલ કરવામાં આવ્યોઆ દરમિયાન અન્ય મજૂરોએ કેરમભાઈની ચીસો સાંભળીને હાકલા-પડકારા કરતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ખેડૂતો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક ખેતમજૂર કેલાશભાઈએ જણાવ્યું હતું કે, અમે પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક સિંહ આવી પહોંચ્યો હતો અને હુમલો કર્યો હતો. સિંહ બચકું ભરી લીધું હતું. જોકે, મેં રાડો પાડતા સિંહ છોડીને ભાગી ગયો હતો. હાલ અમે તેને હોસ્પિટલમાં લઈ આવ્યા છીએ તેની તબિયત સુધારા પર છે. સિંહનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરાઈઘટનાની જાણ લીલીયા રેન્જ વનવિભાગને થતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી. હાલ વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તેને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવશે.

25 C