SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

31    C
... ...View News by News Source

લેબ ટેક્નિશ્યનનો મોબાઈલ હેક કરી પૈસા સેરવી લેવાયા:PM કિસાન ફાઇલના બહાને હેક કરી રૂ. 95 હજારની રકમની છેતરપિંડી આચરી

નવસારીમાં સાયબર ફ્રોડનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક લેબ ટેક્નિશ્યનના મોબાઈલ ફોનને PM કિસાન યોજનાની ફાઇલ મોકલવાના બહાને હેક કરીને તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાંથી કુલ રૂ. 95,000ની રકમ ગેરકાયદેસર રીતે ટ્રાન્ઝેક્ટ કરી લેવામાં આવી છે. આ અંગે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી રાજેન્દ્રકુમાર મોહનલાલ ચૌહાણ (ઉ.વ. 51, લેબ ટેક્નિશ્યન, રહે. વિશાલનગર, ઇટાળવા, નવસારી) એ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘટના 01/12/2025 થી 02/12/2025 દરમિયાન બની હતી. 01/12/2025ના રોજ સવારે લગભગ દસ વાગ્યે ફરિયાદી ઘરે હાજર હતા ત્યારે તેમનો મોબાઈલ અચાનક ગરમ થવા લાગ્યો અને સિસ્ટમ અપડેટ શરૂ થઈ ગયું. આ સમયગાળા દરમિયાન, તેમના Paytm એપ્લિકેશનમાંથી ટ્રાન્ઝેક્શનના મેસેજ આવવા લાગ્યા હતા, પરંતુ સિસ્ટમ અપડેટ ચાલતું હોવાથી તેઓ ડિસ્પ્લે પર કશું જોઈ શક્યા નહોતા. બીજા દિવસે, 02/12/2025ના રોજ સવારે લગભગ આઠ વાગ્યે, ફરિયાદી બીલીમોરા જતી બસમાં હતા ત્યારે તેમણે તેમના બેંક ઓફ ઇન્ડિયાના ખાતાનું બેલેન્સ તપાસ્યું. ત્યારે તેમને જાણ થઈ કે ખાતામાંથી રૂ. 45,000 અને રૂ. 50,000 એમ બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ રૂ. 95,000 કપાઈ ગયા હતા. તેમણે Google Pay, PhonePe અને BHIM એપ ચેક કરી, પરંતુ તેમાં કોઈ એન્ટ્રી મળી ન હતી. જોકે, Paytm એપમાં આ રકમનું ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું હતું, જેનાથી ફ્રોડની પુષ્ટિ થઈ હતી. શંકા જતાં ફરિયાદીએ તુરંત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કોઈ અજાણ્યા ઇસમે ટેક્નિકલ રીતે સાયબર ફ્રોડ કરવા માટે ફરિયાદીના મોબાઈલમાં 'પી.એમ. કિસાન' (P.M. Kisan) સંબંધિત કોઈ ફાઇલ મોકલીને તેમનો ફોન હેક કર્યો હતો.ફ્રોડનું ટ્રાન્ઝેક્શન: ફરિયાદીના બેંક ઓફ ઇન્ડિયામાંથી કુલ રૂ. 95,000/- ની રકમ એક્સિસ બેંકના એકાઉન્ટમાં જમા કરવામાં આવી છે.ફરિયાદીએ આ એકાઉન્ટ ધારક અને તેનો ઉપયોગ કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ પણ ઠગાઈ કરવા બદલ કાયદેસરની તપાસ કરીને કાર્યવાહી કરવાની માંગણી સાથે ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલે ગુનો નોંધીને એક્સિસ બેંકના એકાઉન્ટ ધારક અને નાણાં મેળવનાર અજાણ્યા ઇસમની તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:54 pm

રાજ્ય શાળા સંચાલકો FRC, પટ્ટાવાળાની ભરતીને લઈ સરકારને HCમાં પડકારશે:શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં નિર્ણય, સરકાર વિનંતીઓને ગ્રાહ્ય ના રાખતા કોર્ટમાં જવાનો ઠરાવ

રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠક મળી હતી. જેમાં રાજ્યભરમાંથી શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજ્યના શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાની તૈયારી કરી છે. પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી છેલ્લા ઘણાં સમયથી કરવામાં ન આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવાની છે. FRC સ્લેબમાં વધારવા મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવા માટે કારોબારી બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર વિનંતીઓને ગ્રાહ્ય ન રાખતા કોર્ટમાં પડકારવા ઠરાવ કરવામાં આવ્યો છે. જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ લડી લેવાના મૂડમાંછેલ્લા ઘણા વર્ષથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ અલગ અલગ માંગણીઓને ધ્યાનમાં રાખીને સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે. પરંતુ સરકાર માંગણીઓ ન સ્વીકારવામાં આવતા રાજ્ય શાળા સંચાલક મહામંડળ લડી લેવામાં મૂડમાં આવી ગયું છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક કારોબારીની બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યા છે. સરકારને કઈ રીતે પડકારવામાં આવે તેને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે. ક્લાર્ક અને પટ્ટાવાળાની ભરતી મુદ્દે સરકારને કોર્ટમાં પડકારવાની તૈયારીછેલ્લા ઘણા સમયથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ પટ્ટાવાળા, ક્લાર્કની ભરતી કરવામાં આવે તેવી સરકાર સમક્ષ રજૂઆત કરી રહ્યું છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષથી પટ્ટાવાળા અને ક્લાર્કની ભરતી કરવામાં ન આવતા તે કામ તે કામ શિક્ષક અથવા આચાર્યને કરવું પડતું હોવાનો શાળા સંચાલકોએ દાવો કર્યો છે. જેથી હવે રાજ્ય શાળા સંચાલક મહામંડળ સરકારને કોર્ટમાં પડકારવા બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો છે. રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યાઓ ખાલી છે તે વહેલી તકે ભરવામાં તેવી માંગ સાથે હાઇકોર્ટના દ્વારા ખખડાવશે. FRCના સ્લેબમાં ફેરફાર કરવાની માગતેમજ રાજ્યની 15 હજાર સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા મુદ્દે પણ રાજ્ય શાળા સંચાલક મહામંડળ હાઈકોર્ટમાં જવાનું છે. FRC આવ્યાને 8 વર્ષ થયા હોવા છતાં સ્વનિર્ભર શાળાઓના સ્લેબમાં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. પ્રાયમરીમાં 22 હજાર, સેકન્ડરીમાં 30 હજાર અને સમાન્ય પ્રવાહમાં 35 અને વિજ્ઞાન પ્રવાહમાં 40 હજાર સ્લેબ કરી આપવા માંગ તેવી તેવી સરકાર પાસે માંગ કરવામાં આવી છે. જ્ઞાન સેતુમાં 7 ટકા દરે દર વર્ષે વધારો કરાય છે તો FRC સ્લેબમાં પણ વધારો આપવા માંગ કરાઈ છે. 2012માં કોર્ટમાં અરજી કરાયા બાદ મંત્રીના કહેવાથી અરજી પરત ખેંચાઈ હતીરાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં સમગ્ર ગુજરાતમાંથી શાળા સંચાલકો હાજર રહ્યા છે. 2007થી અમારી કલાર્કની શાળાઓમાં ભરતી થઈ નથી. વારંવાર સરકારમાં રજૂઆત કરવા છતાં ક્લાર્ક અને પટાવાળા ઉપલબ્ધ કરવામાં આવ્યા નથી. જે સંજોગોમાં આજે સર્વ સંમતિથી ઠરાવ કરવામાં આવ્યો કે રાજ્ય સરકાર આપણી વિનંતીઓને ગ્રાહ્ય રાખતી નથી તો નામદાર હાઇકોર્ટમાં જઈને તેનો ન્યાય મેળવવો. ન્યાય મેળવવા માટે 2012માં કોર્ટમાં ગયા હતા. પરંતુ મિનિસ્ટરના કહેવાથી અમારી સિવિલ એપ્લિકેશન પરત જ ખેંચી હતી. પરંતુ આજ દિન સુધી એક પણ ક્લાર્ક આપવામાં આવતા અમે કોર્ટના દ્વાર ખખડાવીશું. વધુમાં ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, FRCમાં 2017થી 2025 સુધી આઠ વર્ષમાં અત્યારના જે સ્લેબ છે, પ્રાઈમરીમાં 15 હજાર,બીમાધ્યમિકમાં 25 હજાર, સામાન્ય પ્રવાહમાં 25 હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં 27 હજારનો જે સ્લેબ છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. સરકાર જ્ઞાન સેતુંમાં દર વર્ષે 7 ટકાનો વધારો આપે છે. આજે તે વધારો ગણીએ તો પણ 49 ટકાનો વધારો થાય છે. તે સંજોગોમાં પ્રાઈમરીમાં 22 હજાર, સેકન્ડરી 30 હજાર, હાયર સેકન્ડરીમાં 35 હજાર અને વિજ્ઞાન પ્રવાહમાં 40 હજાર ફીનો સ્ટેજમાં સુધારો થવો જોઈએ તેના માટે પણ હાઇકોર્ટમાં જવાના છીએ. તેમજ આજે ગુજરાતની અંદર નિભાવ ગ્રાન્ટમાં પણ કોઈપણ પ્રકારના સુધારો કરવામાં આવ્યો નથી. જેથી અમે આગ્રહ પૂર્વક સરકારમાં રજૂઆત કરીશું. કે RTEના જે હપ્તા છે તે ચાર હપ્તામાં નિભાવ ગ્રાન્ટની જેમ ચૂકવવામાં આવે તેવી અમારી રજૂ સરકાર પાસે માંગણી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:51 pm

IRMA એ 47મો સ્થાપના દિવસ ઉજવ્યો:13મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચરનું આયોજન

આણંદ સ્થિત IRMA, “ત્રિભુવન” સહકારી યુનિવર્સિટીએ તેના 47મા સ્થાપના દિવસની 13મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચર સાથે ઉજવણી કરી. આ પ્રસંગે કેરળના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ (CMD), ત્રિવેન્દ્રમના ચેરમેન એસ.એમ. વિજયાનંદ (નિવૃત્ત IAS) એ મેમોરિયલ લેક્ચર આપ્યું હતું. “SHG - પંચાયત ભાગીદારી: ગ્રામીણ ભારતમાં આર્થિક લોકશાહી માટે ગ્રાસરૂટ્સ સોશિયલ ડેમોક્રેસી એન્ડ પોલિટિકલ ડેમોક્રેસીનું મજબૂતીકરણ” વિષય પર બોલતા, વિજયાનંદે IRMA ના સ્થાપક ચેરમેન, ડૉ. વર્ગીસ કુરિયનના જીવન પર પ્રકાશ પાડ્યો. તેમણે શ્વેત ક્રાંતિનું નેતૃત્વ કરવામાં અને રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ જેવી સંસ્થાઓના નિર્માણમાં તેમની ભૂમિકા પર ભાર મૂક્યો, જેણે સહકારી સશક્તિકરણ દ્વારા ભારતના ગ્રામીણ અર્થતંત્રને પરિવર્તિત કર્યું. તેમણે વ્યાપક સહકારી ચળવળ – તેના ઐતિહાસિક મહત્વ અને આજના સામાજિક-આર્થિક વિકાસમાં તેની સતત સુસંગતતા વિશે પણ વાત કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કેવી રીતે સહકારી સિદ્ધાંતો સમાવેશી વિકાસ અને ગ્રામીણ સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ રહે છે. તેમના વક્તવ્યના મુખ્ય વિષયોમાં ગ્રામીણ અર્થતંત્રો સામેના પડકારો, ટેકનોલોજીકલ પરિવર્તન, તેમજ નાના ખેડૂતોના બજારો સાથેના એકીકરણનો ઊંડાણપૂર્વક અભ્યાસ શામેલ હતો. સહકારી માળખામાં નવીનતા અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા માટેની તકોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ડૉ. કુરિયનના કાર્ય અને વર્તમાન વિકાસ પ્રાથમિકતાઓ વચ્ચેના જોડાણો દર્શાવવામાં આવ્યા હતા. વ્યાખ્યાનનું સમાપન ડૉ. કુરિયનના સ્થાયી દ્રષ્ટિકોણ પર પ્રતિબિંબ, ગ્રામીણ ઉત્પાદકો માટે આર્થિક સમાવેશ અને ગૌરવના તેમના આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતાને નવીકરણ સાથે થયું. વિજયાનંદે ત્રિભુવનદાસ કે. પટેલ જેવા સહકારી નેતાઓને શ્રદ્ધાંજલિ આપી અને સતત અસર માટે કાર્યવાહી કરવા માટે આહવાન કર્યું. સમારોહમાં IRMA-TSU માં તેમની સેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર પ્રો. માધવી મહેતાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વર્ષના શ્રેષ્ઠ કર્મચારીઓ તૃષા જોશી અને તેજસ ત્રિવેદીનું પણ સન્માન કરાયું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:43 pm

ફૂલસરમાં PM આવાસમાં રજાના દિવસે ચેકિંગ:256માંથી 104 મકાનમાં અન્ય લોકો રહેતા હોવાનો ઘટસ્ફોટ; 3 દિવસમાં ખાલી નહિ કરે તો સીલ કરાશે

ભાવનગર શહેરના ફુલસર શિવશક્તિ પાર્ક સામે આવેલા 2548 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઈનલ પ્લોટ નં.30માં આજરોજ રવિવારના રજાના દિવસે મહાનગરપાલિકાની કાર્યપાલક ઈજનેર સહિત 16 કર્મચારીની ટીમ બનાવી 256 આવાસોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગમાં 104 આવાસમાં મૂળ લાભર્થી કરતા અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. આ મામલે મહાનગરપાલિકાએ આવાસ માલિકને નોટિસ ફટકારી ભાડૂઆતને ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા સૂચના આપી છે. ફુલસર શિવશક્તિ પાર્ક સામેના આવાસમાં ચેકિંગ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવ્યાં છે. આ યોજનાની ગાઈડલાઈન અને શરતો મુજબ લાભાર્થીને કબજો મળયા બાદ 7 વર્ષ સુધી આવાસ ભાડે કે વેચાણથી આપી શકતા નથી. આ આવાસ યોજનામાં આડૂઆતો રહેતા હોવાની ફરિયાદો આવતા 14 ડિસેમ્બરના રોજ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ફુલસર શિવશક્તિ પાર્ક સામે આવેલા 2548 ઈ.ડબ્લ્યુ.એસ.1 પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ફાઈનલ પ્લોટ નં. 30માં 256 આવાસમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા નોટિસઆ ચેકિંગમાં 104 મકાનમાં મૂળ લાભાર્થીની જગ્યાએ અન્ય લોકો રહેતા હોવાનું સામે આવ્યું હતું. પાલિકાની ટીમ દ્વારા મૂળ લાભાર્થીઓને નોટિસ આપીને ત્રણ દિવસમાં આવાસ ખાલી કરવા જણાવવામાં આવ્યું છે. જો આવાસો ખાલી કરવામાં નહિ આવે તો આવાસોને સિલિંગ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આવાસમાં ભાડૂઆતો હોવાની ફરિયાદો મળી હતીઃ એમ. ડી. વઢવાણિયાઆ અંગે પ્રધાનમંત્રી આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેર એમ. ડી. વઢવાણિયાએ જણાવ્યું કે, ફુલસર ફાઈનલ પ્લોટ નંબર 30 જે લગભગ પાંચથી સાડાપાંચ વર્ષ પહેલા આ મકાનો સોંપવામાં આવ્યાં છે. આવાસ યોજનામાંથી ભાડૂઆતો હોવાની ઘણી બધી વખત ફરિયાદો આવી હતી. એ અનુસંધાને આજે રવિવારે કોઈને જાણ કર્યા વગર આવાસ ભાડૂઆતોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 16 કર્મચારીની ટીમ દ્વારા આવાસ યોજનાનું ચેકિંગ હાથ ધર્યું હતું. ‘ભાડૂઆતના પુરાવા નહિ રજૂ કરે તો આવાસ સીલ કરાશે’સ્થળ ઉપરથી મકાન વેચાણ હોવાનું અમને કહેવામાં આવ્યું છે, પણ હજુ કોઈ આધાર અમને મળ્યો નથી. અમે અત્યારે સ્થળ ઉપર જ નોટિસની બજવણી કરીએ છીએ. જો ત્રણ દિવસમાં મકાન ખાલી નહીં કરે અને ભાડૂત તરીકેનું કોઈ પ્રસ્થાપિત નહીં કરે તો એમનું મકાન સિલ કરવામાં આવશે. આવાસ ધારકોના ખાસ અપીલ કરતા કાર્યપાલ ઈજનેરે જણાવ્યું કે, સ્થાનિકોએ અમને આવાલ અંગેની માહિતી આપવી જોઈએ. અમારા દ્વારા હાથ ધરાતા સર્વેમાં સહકાર આપવો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:39 pm

સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારંભ આવતીકાલે:103 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ અપાશે, 16,963ને ડિગ્રી ડીજી લોકરમાં મળશે

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારંભ આવતીકાલે સોમવારે યોજાશે. આ સમારંભ યુનિવર્સિટીના મુખ્ય કાર્યાલય સામે આવેલા માનવ વિદ્યાભવનના પટાંગણમાં યોજાશે. આ દીક્ષાંત સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજી આશીર્વચન પાઠવશે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. મિનેશ શાહ દીક્ષાંત પ્રવચન આપશે. ગુજરાત રાજ્યના ઉચ્ચ અને તકનિકી શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા પણ ઉપસ્થિત રહેશે. આ પદવીદાન સમારંભમાં 103 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. કુલ 16,963 વિદ્યાર્થીઓને તેમની ડિગ્રી ડીજી લોકરમાં આપવામાં આવશે, સાથે જ હાર્ડ કોપી પણ ઉપલબ્ધ કરાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:30 pm

16 બ્રિજ પર હાઇટ બેરિયર લગાવાની જાહેરાત હાલ પૂરતી મોકૂફ:3 કરોડનો ખર્ચ કરવાના હતા, AMCના અધિકારીઓનું અડઘણ આયોજન ખુલ્લું પડ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદના જુના તમામ 16 બ્રિજ પર હાલ તાત્કાલિક હાઇટ બેરિયર લગાવવામાં આવશે નહીં તેવો સ્પષ્ટ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરના તમામ બ્રીજ પર હાઇટ બેરિયર લગાવવા મુદ્દે એક્સપર્ટના રિપોર્ટ બાદ જ આગળનો નિર્ણય લેવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓએ બ્રિજ પર ભારે વાહનો પસાર ન થાય તેના માટે બેરિયર લગાવવા માટેના રૂ. 3 કરોડના કામના ટેન્ડરને બહાર પાડ્યું હતું. જોકે હવે આ બાબતે એક્સપોર્ટનો અભિપ્રાય લેવાનું બહાનું આગળ કરીને અધિકારીઓએ પોતાના બચાવ માટે હાલ નિર્ણય મોકૂફ કરી પાછળથી ટેન્ડર રદ કરવા ના આપી હોવાનું જાણવા મળ્યું છે. સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને ફીઝીબિલિટીની ટેકનિકલ તપાસ થશેગુજરાત હાઇકોર્ટ તથા રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં આવેલ તમામ બ્રિજ પર લોડિંગ ક્ષમતા દર્શાવતા ડિઝાઇન કેપેસિટી ઇન્ફોર્મેશન સાઇન બોર્ડ લગાવવાની તેમજ જુના બ્રિજ પર રીસ્ટ્રિક્ટેડ હાઇટ બેરિયર લગાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી. આ અનુસંધાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની હદમાં આવેલા તમામ બ્રિજની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને ફીઝીબિલિટી આધારે વિગતવાર ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. હાઇટ બેરિયર લગાવવા અંગે એજન્સીની નિમણૂક કરવામાં આવી નથીAMC દ્વારા કરવામાં આવી રહેલી આ તપાસમાં દરેક બ્રિજની હાલની સ્થિતિ, તેની રચનાત્મક ક્ષમતા અને સલામતીના ધોરણો તપાસવામાં આવી રહ્યાં છે. હાઇટ બેરિયર લગાવવાનો કોઈપણ નિર્ણય એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવતા રિપોર્ટ અને ભલામણના આધારે જ લેવામાં આવશે. આ ઉપરાંત હાલમાં હાઇટ બેરિયર લગાવવા અંગે કોઈપણ પ્રકારની એજન્સીની નિમણૂક કરવામાં આવી નથી. ટેકનિકલ તપાસ અને નિષ્ણાતોની સલાહ બાદ હાઇટ બેરિયર લગાવાની કામગીરી થશેરાજ્ય વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની સૂચનાઓ અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોજેક્ટ રિવ્યુ મીટિંગમાં આપવામાં આવેલા દિશાનિર્દેશોના અનુસંધાને આ સમગ્ર પ્રક્રિયા અમલમાં છે. હાલમાં બ્રિજ એક્સપર્ટ સાથે પરામર્શ ચાલી રહી છે અને આ પરામર્શ પૂર્ણ થયા બાદ જ હાઇટ બેરિયર લગાવવાની બાબતે યોગ્ય અને અંતિમ નિર્ણય લેવામાં આવશે. અમદાવાદ શહેરના બ્રિજોની સલામતીને ધ્યાનમાં રાખીને કોઈપણ પગલું ટેકનિકલ તપાસ અને નિષ્ણાતોની સલાહ બાદ જ લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 4:27 pm

વ્યાજખોરના ત્રાસથી યુવકે એસિડ પીધો:1.50 લાખ વ્યાજે લીધા ને વ્યાજખોરે 4.25 લાખ માગ્યા, સિહોરના વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ, મજૂર સારવાર હેઠળ

ભાવનગરમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી એક મજૂરે એસિડ પી લીધું હતું, આ ઘટના બાદ તેમને તાત્કાલિક સર ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે મજૂરે સિહોરના એક વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 1.50 લાખ વ્યાજે લીધા ને વ્યાજખોરે 4.25 લાખ માગ્યાઆ બનાવ અંગે ગંગાજળીયા પોલીસે મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર રવિ કાળુભાઈ નૈયા ઉ.વ. 38, જમનાકુંડ વિસ્તારમાં રહે છે અને છૂટક મજૂરી કામ કરે છે, તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, સાત વર્ષ પહેલાં તેમણે સિહોરના જગદીશ જેન્તીભાઈ સોલંકી પાસેથી રૂ.1,50,000 દસ ટકા વ્યાજે લીધા હતા, રવિ અને જગદીશ અગાઉ કડિયાકામમાં સાથે જતા હતાં. તેમણે અત્યાર સુધીમાં વ્યાજ પેટે રૂ. 70,000 ચૂકવ્યા છે, પરંતુ જગદીશ હજુ પણ તેમની પાસેથી રૂ.4,25,000ની માગણી કરી રહ્યા છે, છેલ્લા કેટલાક સમયથી રવિનું મજૂરીકામ બરાબર ન ચાલતા તેઓ વ્યાજની રકમ ચૂકવી શક્યો ન હતા, આથી જગદીશ અવારનવાર ભાવનગર આવી પૈસાની કડક ઉઘરાણી કરી તેમને ત્રાસ આપતા હતો. '4.25 લાખ નહીં આપે તો જોયા જેવી થશે'રવિએ ફરિયાદમાં જણાવ્યું કે, જગદીશે તેની મોટી બહેન જ્યોતિબેનને પણ ફોન કરીને ધમકી આપી હતી કે જો રવિ 4.25 લાખ નહીં આપે તો જોયા જેવી થશે. વ્યાજખોર દ્વારા સતત થતી ઉઘરાણી અને માનસિક ત્રાસથી કંટાળીને રવિએ બપોરના સવા અગિયાર વાગ્યાના સુમારે પોતાના ઘરે બાથરૂમમાં જઈ એસિડ પી લીધું હતું. યુવક સારવાર હેઠળ, ફરિયાદ નોંધાઈએસિડ પીધા બાદ પેટમાં બળતરા થતા રવિભાઈએ બૂમાબૂમ કરી હતી. તેમના પત્ની કાજલ અને સાળાના દીકરા સંતોષ શંકરભાઈ વેગડ તેમને તાત્કાલિક ખાનગી વાહનમાં સર ટી. હોસ્પિટલ લઈ ગયા હતા. હાલ રવિ MICU વોર્ડમાં સારવાર હેઠળ છે, આથી રવિએ જગદીશ જેન્તીભાઈ સોલંકી વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 3:58 pm

'જામનગરના ગ્રાઉન્ડમાં BCCI કક્ષાની મેચો રમાડી શકાય તેવી ક્ષમતા':નિરંજન શાહે કહ્યું-'સરકાર ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપે તો અમે બધુ ડેવલપમેન્ટ કરીશું'

BCCIના પૂર્વ સેક્રેટરી અને SCAના સભ્ય નિરંજન શાહ આજે જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે ઐતિહાસિક અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે નવનિર્મિત વિકેટોનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા આ ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપવામાં આવશે, તો જામનગરમાં BCCI કક્ષાની મેચો યોજવી પણ શક્ય બની શકે. નિરંજન શાહે ગ્રાઉન્ડનું નિરીક્ષણ કર્યા બાદ ઉમેર્યું હતું કે, જામનગરના ક્રિકેટનું ભવિષ્ય ખૂબ જ ઉજ્જવળ છે. આ ગ્રાઉન્ડમાં આગામી સમયમાં BCCI કક્ષાની મેચો રમાડી શકાય તેવી ક્ષમતા છે, જો તેને યોગ્ય રીતે વિકસાવવામાં આવે. તેમણે જામનગર ડિસ્ટ્રિક્ટને છ નવી વિકેટો તૈયાર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. નિરંજન શાહે સૂચવ્યું કે, આ નવી વિકેટો પર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા BCCIની મેચો આપી શકાય છે, પરંતુ તે પહેલા સ્થાનિક મેચો રમાડવાથી વિકેટો વધુ સારી રીતે સેટલ થશે અને સારા મેચો પણ મળી શકશે. પૂર્વ સેક્રેટરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, સુરેન્દ્રનગર, પોરબંદર અને ભાવનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડ વિકસાવ્યા છે તે જ રીતે જામનગર પણ તેમના માટે ખૂબ જ મહત્વનું કેન્દ્ર છે. તેમણે સરકારને પોરબંદરની જેમ આ ગ્રાઉન્ડ પણ લાંબા ગાળાની લીઝ પર આપવા વિનંતી ચાલુ રાખવાની વાત કરી હતી. તેમજ કહ્યુ કે,સરકાર ગ્રાઉન્ડને લાંબા ગાળાની લીઝ પર આપે તો અમે બધુ ડેવલપમેન્ટ કરીશું. લીઝ મળવાથી ગ્રાઉન્ડનો સર્વાંગી વિકાસ થઈ શકશે અને ઐતિહાસિક પાસાઓને પણ પુનર્સ્થાપિત કરી શકાશે. ખેલાડીઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓ ઊભી કરવી જરૂરી છે, જેના માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની ભૂમિકા મહત્વની છે. આનાથી જામનગર જિલ્લાનું ક્રિકેટ વધુ આગળ વધી શકશે. મહિલા ક્રિકેટને લઈ કહ્યું કે, મહિલાઓ પણ હાલ ક્રિકેટમાં સરસરીતે આગળ વધી રહી છે. અમને સૌરાષ્ટ્રમાં એટલી હજી મહિલા ક્રિકેટરો મળતી નહતી પણ જે પ્રમાણે આપણે મહિલા વર્લ્ડકપ જીત્યા છીએ. એનાથી મહિલાઓમાં પણ એક પ્રોત્સાહન ઉભું થયું છે અને અમને લાગે છે કે, અત્યારના મેજર પાંચ છ ડિસ્ટ્રીક્ટ છે એ મહિલાની ક્રિકેટ ટીમ બનાવી શકશે અને આપણે પહેલા ઈન્ટર ડિસ્ટ્રિક્ટથી શરૂઆત કરશું જેથી અમને મહિલાની સૌરાષ્ટ્રની ટીમ ઊભી કરવામાં મુશ્કેલી ન પડે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 3:48 pm

સુરતમાં નવનિર્મિત ‘આદિવાસી સમાજ ભવન’નું લોકાર્પણ:માત્ર એક મકાન નહીં, પરંતુ સમાજની એકતા, ઓળખ, સંસ્કૃતિ, પ્રકૃતિ અને નવા વિચારોનું કેન્દ્ર બનશે: ડૉ.જયરામ ગામીત

મહાનગર સુરતના નવા ભટાર વિસ્તારમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા નવનિર્મિત 'આદિવાસી સમાજ ભવન'નું ભવ્ય લોકાર્પણ રમત-ગમત રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામીતના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ભવન માત્ર એક ઈમારત નહીં, પરંતુ આદિવાસી સમાજની ઓળખ, સંસ્કૃતિ અને એકતાનું પ્રતીક બની રહેશે. ઉધના-મગદલ્લા રોડ પર પંચ્યાસી મહોલ્લો ખાતે નિર્મિત આ ભવન બહુહેતુક સેવાઓ પૂરી પાડશે. સુરત ખાતે અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓ, હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા યુવાનો માટે અહીં રહેવાની ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વસરાઈ ખાતે યોજાનાર 'ટ્રાઈબલ ટ્રેડ ફેર'માં જોડાવા આહ્વાનલોકાર્પણ સમારોહમાં સંબોધન કરતા રાજ્યમંત્રી ડૉ. ગામીતે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સરકાર કટિબદ્ધ છે, પરંતુ સમાજની એકતા અને જાગૃતિ જ સાચા ઉત્થાનનો માર્ગ છે. તેમણે આગામી 25થી 27 ડિસેમ્બર દરમિયાન અંબિકા તાલુકાના વસરાઈ ખાતે યોજાનાર 'ટ્રાઈબલ ટ્રેડ ફેર'માં જોડાવા આહ્વાન કર્યું હતું. મંત્રીએ ઉમેર્યું કે, ભગવાન બિરસા મુંડાના 150મા જન્મજયંતી વર્ષમાં તેમના આદર્શોને અનુસરી રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવું જોઈએ. તેમણે દેવમોગરા માતાના ધામ માટે રૂ. 16 કરોડની ફાળવણીનો પણ ઉલ્લેખ કર્યો હતો. આદિવાસી સમાજ ગુજરાતનું ગૌરવ: પોલીસ કમિશનરપોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, સુરત એ એવી પવિત્ર કર્મભૂમિ છે જ્યાં શુદ્ધ ભાવનાથી કરેલા કાર્યો હંમેશા સફળ થાય છે. તેમણે ગુજરાતની વહીવટી અને રાજકીય પ્રગતિમાં આદિવાસી સમાજના અધિકારીઓ અને પદાધિકારીઓના યોગદાનને બિરદાવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પ્રકૃતિ પૂજા અને તૂર વાદ્યના નાદ સાથે કરાઈલોકાર્પણ બાદ અલથાણ ખાતે 'પ્રથમ સ્નેહ મિલન સમારોહ' યોજાયો હતો. આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત પ્રકૃતિ પૂજા અને તૂર વાદ્યના નાદ સાથે કરવામાં આવી હતી. આદિવાસી બહેનોએ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ સૂપડા, ટોપલી અને સાંબેલા સાથે મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સાંસ્કૃતિક કાર્યક્રમમાં તૂર, તારપા, ભીલી અને ડાંગી નૃત્યોની રમઝટ જોવા મળી હતી. આ સાથે જ શિક્ષણ, મહિલા સશક્તિકરણ અને પર્યાવરણ સંવર્ધન જેવા વિષયો પર વ્યાખ્યાન માળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ભવ્ય લોકડાયરામાં લોક કલાકારોએ આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 3:44 pm

દારૂ ભરેલી કાર ઝાડીઓમાં મૂકી બુટલેગર ફરાર:મહેસાણા LCBએ ઉદેલાથી રણેલા તરફ વોચ ગોઠવી 13 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

બેચરાજી તાલુકાના ઉદેલાથી રણેલા ગામ તરફ રાત્રિના સુમારે પેટ્રોલિંગ કરી રહેલા મહેસાણા પોલીસે બાતમી આધારે વોચ ગોઠવીને કારમાંથી વિદેશી દારૂની 1251 બોટલ સહિત કુલ રૂપિયા 13.47 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે પોલીસની આડશો જોઈને એકાએક રીવર્સમાં ગાડી ભગાવીને અંધારાનો લાભ ઉઠાવી ભાગી ગયેલા ડ્રાયવર સામે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી તેની શોધખોળ આદરી હતી. પોલીસની બાતમીના આધારે રસ્તામાં વોચ ગોઠવીમહેસાણા એલસીબી સ્ટાફ સાંથલ, પોલીસ મથક વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન હકિકત મળી કે, ઉદેલાથી રણેલા ગામ તરફ જતા રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સફેદ કલરની નંબરપ્લેટ વિનાની ગાડી નીકળનાર છે. જેના આધારે પોલીસે રોડ પર આડશો કરીને વોચ ગોઠવી હતી. ડ્રાઈવર કાર રોડની સાઈડમાં મૂકી ફરારતે વખતે ઉદેલા તરફથી આવી રહેલી એક કારના ચાલકે પોલીસની આડશો જોતા રિવર્સમાં પોતાની ગાડી દોડાવી મૂકી હતી અને કારને રોડ પાસેની ઝાડીઓમાં ઉતારી અંધારામાં ભાગી છૂટ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબજે કરી તપાસ શરૂ કરીપોલીસે ઘટનાસ્થળે જઈને જોતા ગાડીનો બમ્પર અને પાછળનો કાચ તૂટી ગયો હતો, જેથી ક્રેન વડે ગાડીને બહાર કાઢી પોલીસ મથકે લાવવામાં આવી હતી. જ્યારે ગાડીમાંથી વિદેશી દારૂની 1251 બોટલ મળી આવતાં પોલીસે કુલ રૂપિયા 13.47 લાખનો મુદ્દામાલ કબજે કરી મોઢેરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 3:38 pm

વરાછામાં રહેણાંક વિસ્તારમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝને લઈ વિરોધ:સ્થાનિકોની CM સુધી લેખિત રજૂઆત; કહ્યું-અહીં ઇન્ડસ્ટ્રીઝ આવશે તો બહેન-દીકરીઓનું બહાર નીકળવું મુશ્કેલ બનશે

સુરત શહેરના વ્યસ્ત ગણાતા વરાછા વિસ્તારમાં આવેલી રહેણાંક સોસાયટીઓની મધ્યમાં કોટેજ ઈન્ડસ્ટ્રીઝના આયોજન સામે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધર્મિષ્ઠા પાર્ક અને આસપાસની સોસાયટીના રહીશોએ એકઠા થઈને આ ઔદ્યોગિક પ્રોજેક્ટનો સખત વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે રહેણાંક વિસ્તારમાં ઉદ્યોગો આવવાથી વર્ષોથી ચાલતી શાંતિ જોખમાશે અને પ્રદૂષણ તેમજ અસામાજિક પ્રવૃત્તિઓમાં વધારો થશે. આ બાબતે રહીશોએ સુરત મહાનગરપાલિકાની ઝોન ઓફિસથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજૂઆતો કરી છે. સ્થાનિકો પ્લાનિંગને રદ કરાવવા માટે મક્કમસ્થાનિકો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, વરાછામાં આવેલી આ જમીન પર કોઈપણ પ્રકારના ઈન્ડસ્ટ્રિયલ, કોમર્શિયલ કે કોટેજ ઈન્ડસ્ટ્રીઝના આયોજન સામે તેમનો સખત વાંધો છે. આ અંગેની જરૂરી કાનૂની કાર્યવાહી પણ અધિકૃત કોર્ટમાં શરૂ કરી દેવામાં આવી છે. રહીશોએ વેપારીઓ, દલાલો અને જાહેર જનતાને પણ અપીલ કરી છે કે, આ વિવાદિત જગ્યા પર કોઈપણ પ્રકારના બુકિંગ કરતા પહેલા ગંભીરતાથી વિચાર કરે. કારણ કે સ્થાનિકો આ પ્લાનિંગને રદ કરાવવા માટે મક્કમ છે. અહીં ઇન્ડસ્ટ્રીઝ આવશે તો ન્યુસન્સ કાયમી બની જશેઃ સ્થાનિકઆ લડતનું નેતૃત્વ કરી રહેલા સ્થાનિક રહીશ વિપુલ સેખડાએ પોતાની ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે અહીં ધર્મિષ્ઠા પાર્ક સોસાયટીમાં છેલ્લા 25થી 30 વર્ષથી શાંતિથી રહીએ છીએ. 2023માં જ્યારે આ ઇન્ડસ્ટ્રિયલ બુકિંગ આવ્યું, ત્યારે પણ અમે વિરોધ કર્યો હતો. તાજેતરમાં જ બાજુના વિસ્તારમાં બુટલેગર વોર જેવી હિંસક ઘટનાઓ બની છે, જેમાં તલવારો અને છરા ઉછળ્યા હતા. જો અહીં ઇન્ડસ્ટ્રીઝ આવશે તો આવું ન્યુસન્સ કાયમી બની જશે અને અમારી બહેન-દીકરીઓનું બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે. અમે આ પ્રોજેક્ટનો અંત સુધી વિરોધ કરીશું. મંજૂરી મળશે તો આંદોલનની ચીમકીવરાછાના રહીશોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે અને રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઈન્ડસ્ટ્રિયલ બાંધકામને મંજૂરી અપાશે, તો તેઓ આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે. હાલમાં આ મુદ્દો સમગ્ર વરાછા વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને રહીશો એકજુટ થઈને વહીવટી તંત્ર સામે બાંયો ચઢાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 3:24 pm

11 લોકોએ ફાઈનાન્સ કંપની સાથે 1.20 કરોડની છેતરપિંડી આચરી:લોન લીધા બાદ હપ્તા ભરવાનું બંધ કરી દીધું, તપાસ કરતા મિલકતના બોગસ ડોક્યુમેન્ટ રજૂ કર્યા હોવાનું સામે આવ્યું

અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી સન વેસ્ટ બેન્કની આઈ.કે. એફ ફાઇનાન્સ લિમિટેડ કંપની સાથે 11 જેટલા લોકોએ છેતરપિંડી આચરી છે. ફાઇનાન્સ કંપની પાસેથી 11 લોકોએ કુલ 1.20 કરોડની લોન લીધી હતી. થોડા સમય સુધી લોનના હપ્તા ભર્યા બાકીના હપ્તા ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી ફાઇનાન્સ કંપની દ્વારા લોનની ભરપાઈ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. તેમજ જો લોનની ભરપાઈ નહીં કરાય તો મિલ્કત જપ્તી કરવાની કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. છતાં પણ લોનની ભરપાઈ કરવામાં ન આવતા ડોક્યુમેન્ટ ચકાસણી કરતા મિલકતમાં દસ્તાવેજ માટે ખોટા શેર સર્ટિફિકેટ અને સ્ટેમ્પ ડ્યુટીનો લેટર ખોટી રીતે મેળવ્યો હોવાનું સામે આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 11 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટના આધારે મિલકત પર લોન લીધાનો ખુલાસોફાઇનાન્સ કંપનીમાંથી કિઆર ક્રિએશન નામની કપડાની શોપના માલિક હિતેશ રવિ કોડવાની અને અન્ય લોકોને 30 માર્ચ 2024ના 40 લાખની લોન આપવામાં આવી હતી. જેમને સપ્ટેમ્બર 2024 સુધી રેગ્યુલર હપ્તા ભરેલા હતા. જે બાદ અચાનક હપ્તા ભરવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેથી એકાઉન્ટ એન.પી.એ. ડિકલેર કરવામાં આવેલા હતા. ફાઇનાન્સ કંપની દ્વારા એપ્રિલ 2025માં કલેક્શન ટીમને કીઆરા ક્રિએશનની શોપ કે જે રેવડી બજારમાં આવેલી છે ત્યાં મોકલવામાં આવી હતી. જ્યાં કીઆરા ક્રિએશનના માલિક ભાવિક કોડવાની હાજર હતો. જેથી તેને લોનની ભરપાઈ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. લોન નહીં ભરે તો જે મિલકત માર્ગેજ કરી લોન મેળવેલ છે તે મિલકતની જપ્તી કરવાની કાર્યવાહીની ચીમકી આપવામાં આવી હતી. જે દરમિયાન ભાવેશ કોડવાનીએ જણાવ્યું હતું કે લોન માટે માર્ગેજ કરેલ તેવી કોઈ મિલકત ધરાવતા જ નથી એટલે મિલકત જપ્ત કરી શકતા હોવ તો કરી લો. જે બાદ ફાઇનાન્સ કંપની દ્વારા તપાસ કરતા કંપની તરફથી જે મિલકત પર 40 લાખની લોન લેવામાં આવી હતી. જે મિલકત પર માર્ગેજ લોન આપવામાં આવી હતી તેવી કોઈ મિલકત સ્થળ પર ન હોવાનું સામે આવ્યું હતું. તેમજ મિલકતનો શેર સર્ટિફિકેટ બોગસ હોવાનું પણ સામે આવ્યું હતું. મિલકત પર લોન બોગસ ડોક્યુમેન્ટના આધારે લેવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. જેથી કંપની દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં શેર સર્ટિફિકેટ અમે એલોટમેન્ટ લેટર અને પઝેશન લેટર રજૂ કરેલ જે ડેપ્યુટી કલેક્ટરનો ખૂટતી સ્ટેમ્પ ડ્યુટીનો લેટર ખોટી રીતે મેળવી રજૂ કરવામાં આવ્યો હતો. 11 લોકો સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદકુલ 1.20 કરોડની લોન બોગસ ડોક્યુમેન્ટના આધારે લેવામાં આવી હતી. જે બાદ લોનના હપ્તાની ભરપાઈ કરવાનું બંધ કરી છેતરપિંડી આચરી છે. જેથી દીપક આહુજા, હિતેશ કોડવાની, ભાવેશ કોડવાની, સીમા કોડવાની, ભાવેશ બલાની, સુનિતા બલાની, નિર્મલ બલાની, હેમંત લખવાની, રોમા લખવાની, આનંદ પટેલ, નશીમ ખાન સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવે છે. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 3:17 pm

દહેગામના રામનગરમાં તસ્કરોનો તરખાટ:બંધ મકાનના તાળા તોડી તિજોરીમાંથી રોકડ, સોના-ચાંદીના દાગીના સહિત 7.62 લાખની માલમત્તા લઈ ફરાર

દહેગામ તાલુકાના રામનગર ગામમાં એક ખેડૂત પરિવાર માતા-પિતાની સારવાર માટે અમદાવાદ ગયા હોવાનો લાભ ઉઠાવી બંધ મકાનને નિશાન બનાવીને તસ્કરોએ સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 7 લાખ 62 હજાર 500ની માલમત્તાની ચોરીને અંજામ આપ્યો હોવાની ફરિયાદ દહેગામ પોલીસ ચોપડે નોંધાઈ છે. પરિવાર માતા-પિતાની સારવાર માટે અમદાવાદ ગયા ને તસ્કરો ત્રાટક્યાદહેગામના રામનગર ગામના મૂળ વતની ચંન્દ્રકાન્તભાઈ પ્રભુદાસ પટેલ નરોડા કઠવાડા રોડ પર આવેલા સારથી બંગલોમાં છેલ્લા દસ વર્ષથી રહે છે. જ્યારે તેમના માતા પિતા ગામમાં રહે છે. ખેતવાડીના કામકાજ અર્થે ચંન્દ્રકાન્તભાઈ દરરોજ ગામમાં આવતા રહેતા હોય છે. જોકે છેલ્લા ચાર દિવસથી તેમના માતા-પિતા બીમાર હોવાથી તેઓ તેમને અમદાવાદ ખાતે પોતાની સાથે લઈ ગયા હતા. આથી રામનગરનું ઘર બંધ હતું. તેઓ ગત તા.12 ડિસેમ્બરના રોજ ગામના ઘરે તાળું મારીને નરોડા ગયા હતા. તાળું ગાયબ અને દરવાજો અડધો ખુલ્લો જોઈ ચોંકી ઉઠ્યાત્યારે ગઈકાલે 13 ડિસેમ્બરે સવારે ચંન્દ્રકાન્તભાઈ તેમના માતા-પિતા સાથે ઘરે પરત ફર્યા હતા. જ્યાં મકાનના મુખ્ય દરવાજે તાળું ગાયબ અને દરવાજો અડધો ખુલ્લો જોઈ ચોંકી ઉઠ્યા હતા. બાદમાં તેમણે ઘરમાં જઇને જોતા પ્રથમ રૂમમાં ઘરવખરીનો સામાન વેરવિખેર હતો. બીજા રૂમમાં તિજોરી ખુલ્લી હાલતમાં હતી. અને તેમાં મુકેલો સામાન પણ અસ્તવ્યસ્ત પડ્યો હતો. 7.62 લાખનો મુદ્દામાલ ચોર લઈને ફરારજેથી ચંદ્રકાંતભાઈએ વધુ તપાસ કરતા તિજોરીમાંથી 4 બંગડી, 1 દોરો, 1 વીંટી, કાનની બુટ્ટી અને નાકની ચૂની સહિત કુલ રૂ.6,82,500ની કિંમતના સોનાના દાગીના તેમજ 5 હજાર રોકડા, 15 ચાંદીના સિક્કા, 1 કંદોરો, 1 જુડો, પૂજાના વાસણોનો સેટ અને ગણપતિજીની મૂર્તિ સહિત કુલ રૂ. 7 લાખ 62 હજાર 500નો મુદ્દામાલ તસ્કરો ચોરી ગયાનું માલુમ પડ્યું હતું. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 3:12 pm

હળવદમાં સાયબર ફ્રોડના નાણા સગેવગે, 4 ઝડપાયા:કમિશન મેળવી આંગડિયા પેઢી મારફતે નાણા ટ્રાન્સફર કરાયા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાં સગેવગે કરવાના કેસમાં પાંચ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં તેમના બેંક ખાતામાં જમા કરાવતા હતા. ત્યાર બાદ, તેઓ આ નાણામાંથી કમિશન મેળવીને ચેક દ્વારા અથવા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આંગડિયા પેઢી મારફતે નાણા સગેવગે કરતા હતા. ફરિયાદ મુજબ, હળવદના માનગઢના હરજીવનભાઈ નરભેરામભાઈ પટેલ, કડીયાણાના મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ અને જગદીશભાઈ ગોવિંદભાઈ ભરવાડ, મેરુપરના સાગર ભુદરભાઈ પટેલ અને સાપકડાના શ્રીપાલસિંહ સામે ગુનો નોંધાયો છે. આ કૌભાંડમાં શ્રીપાલસિંહ પાસેથી હરજીવનભાઈને એક ટકા અને મુકેશભાઈ, જગદીશભાઈ તથા સાગરભાઈને અડધો ટકો કમિશન મળતું હતું. હરજીવનભાઈના ખાતામાં આવેલી રકમ અન્ય ત્રણ આરોપીઓના ખાતામાં ટ્રાન્સફર કરાવી, ચેકથી ઉપાડી આર્થિક લાભ મેળવવામાં આવ્યો હતો. ફ્રોડની આ રકમ શ્રીપાલસિંહે આંગડિયા પેઢી મારફતે મોકલી સગેવગે કરી હતી. પોલીસે હરજીવનભાઈ પટેલ, મુકેશભાઈ ગોવિંદભાઈ ભરવાડ, જગદીશભાઈ ગોવિંદભાઈ ભરવાડ અને સાગર ભુદરભાઈ પટેલની ધરપકડ કરી છે, જ્યારે બાકીના આરોપી શ્રીપાલસિંહને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 3:10 pm

વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ:વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં 21થી 29 ડિસેમ્બર દરમિયાન ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવ યોજાશે, રોજના 1 લાખ લોકો ઉમટી પડશે, કથાની સાથે બિઝનેસ એક્સ્પો-સમિટ પણ યોજાશે

VYO (વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન) અને વ્રજધામ આધ્યાત્મિક સંકુલ દ્વારા વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારની અધ્યક્ષતામાં વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસનો સૌથી મોટો વૈશ્વિક મહોત્સવ વડોદરામાં યોજાશે. જેમાં વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા મુખ્ય શ્રીમદ્ ભાગવત કથાનું પણ કરાવવામાં આવશે. 21 ડિસેમ્બરે બપોરે 1 વાગ્યે વ્રજધામ સંકુલથી શોભાયાત્રા પ્રસ્થાન થશે. સાંજે 3 વાગ્યે નવલાખી મેદાન ખાતે આગમન થશે, ત્યારબાદ મહાકથાનો પ્રારંભ થશે. 21થી 29 ડિસેમ્બર દરમિયાન યોજાનારા આ ગ્લોબલ હિન્દુ પ્રેરણા મહોત્સવમાં વડોદરા ઉપરાંત ગુજરાત અને દેશ વિદેશોથી લાખો લોકો ઉમટી પડશે. અમેરિકા શહેર વિવિધ દેશોમાંથી 2000થી વધુ લોકો મહોત્સવમાં ભાગ લેવા માટે વડોદરા આવશે. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમાર દ્વારા સ્થાપિત પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની વિશ્વસ્તરની સંસ્થા VYO, જે આજે વિશ્વના 15 દેશોમાં સક્રિય રીતે કાર્યરત છે, તેની 15 વર્ષની ઉજવણી તથા પુષ્ટિમાર્ગનું ગુજરાતનું સૌથી મોટું આધ્યાત્મિક કેન્દ્ર વ્રજધામ આધ્યાત્મિક સંકુલના 25માં વર્ષની ઉજવણી નિમિત્તે આવતાં 21 થી 29 ડિસેમ્બર 2025 દરમિયાન વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે ગ્લોબલ હિંદુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવનું ભવ્ય અને ઐતિહાસિક આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ વૈષ્ણવ સંપ્રદાયના 550 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આટલા વિશાળ વૈશ્વિક સ્તરે યોજાતો સૌથી મોટો ઉત્સવ હશે, જેમાં ભારત સાથે વિશ્વભરના વૈષ્ણવો એક મંચ પર જોડાશે. વડોદરાના શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તીર્થ દર્શન સાથે વૃજ દર્શનનો અલભ્ય લાભ મળશે. આ ઉપરાંત આ તીર્થોના પવિત્ર જળ પણ લાવવામાં આવશે. જેમાં ગંગા, યમુના, નર્મદા સહિત ભારતની 29 પવિત્ર નદીઓનું તથા 64 કુંડ તીર્થંજળ વડોદરા લાવવામાં આવશે. સમગ્ર મહોત્સવ દરમિયાન દરરોજ 1,00,000થી વધુ શ્રદ્ધાળુઓ માટે નિઃશુલ્ક સાત્વિક ભોજન સેવા કરવામાં આવશે. શહેર તથા બહારગામના જરૂરિયાતમંદ નાગરિકોને 15,000 ઊનના કમ્બળોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે. દરરોજ ગુજરાત અને દેશના વિવિધ શહેરો તથા ગામોમાંથી 100થી વધુ બસો દ્વારા શ્રદ્ધાળુઓ વડોદરા આવશે. આ ઉપરાંત હજારો શ્રદ્ધાળુઓ પોતાની વ્યક્તિગત વ્યવસ્થા દ્વારા વડોદરા શહેરના મહેમાન બનશે, તેઓ સંપૂર્ણ 9 દિવસ સુધી મહોત્સવના તમામ કાર્યક્રમો, કથા, યજ્ઞ અને દર્શનનો લાભ લેશે. બિઝનેસ એક્સ્પો અને વૈશ્વિક બિઝનેસ પ્લેટફોર્મ VYOના ગ્લોબલ પ્રેસિડેન્ટ રાજીવ શાહે જણાવ્યું હતું કે,350થી વધુ સ્ટોલ્સ સાથે ભવ્ય બિઝનેસ એક્સ્પો યોજાશે. વિશ્વભરના VYO ડોનર મેમ્બર્સ માટે બિઝનેસ સમિટ પણ થશે. તો VYO ઇન્ટરનેશનલ લીડર્સ કોન્કલેવ પણ યોજવામાં આવશે. આ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશના સંતો, મહંતો, વૈષ્ણવા ચાર્યો, પીઠાધીશરો તથા રાજકીય, સામાજિક અને જાહેર જીવનના અનેક પ્રતિષ્ઠિત આગેવાનોની મંગલ ઉપસ્થિતિ રહેશે. મહોત્સવના મુખ્ય આકર્ષણો ભારત તીર્થ દર્શન - એક જ સ્થળે અલભ્ય આધ્યાત્મિક અનુભવ થશે. વડોદરામાં પ્રથમવાર ભારતના મુખ્ય તીર્થો, ધામો અને વૈષ્ણવ સ્થાનોની ભવ્ય ઝાંખી તૈયાર કરવામાં આવશે: 7 પુરાતન ધામો 1. બદ્રીનાથ 2. કેદારનાથ 3. ગંગોત્રી 4. યમુનોત્રી 5. દ્વારકાધીશ 6. જગન્નાથ પુરી 7. રામેશ્વરમ રાષ્ટ્રીય મંદિરો તિરુપતિ બાલાજી નાથદ્વારા શ્રીનાથજી અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાકૃતિક અને વૈષ્ણવ તીર્થો વિરાટ હિમાલય શ્રી ગિરિરાજજી (વ્રજ પરિસર) દરરોજ આ 5 યજ્ઞ થશે 1. વિષ્ણુ સહસ્રનામ યજ્ઞ 2. પુરુષોત્તમ યજ્ઞ 3. સંકર્ષણ યજ્ઞ 4. નરસિંહ-લક્ષ્મી યજ્ઞ 5. અપમાર્જન યજ્ઞ

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 2:45 pm

હિંમતનગરના પેથાપુરમાં ખેત મજૂરોને આરોગ્ય કીટ અપાઈ:જિલ્લા આરોગ્ય વિભાગ અને ફાઉન્ડેશનના સહયોગથી પહેલ

હિંમતનગર તાલુકાના પેથાપુરમાં સ્થળાંતરિત ખેત મજૂરોને આરોગ્ય કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગ અને એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશનના સહયોગથી આ પહેલ હાથ ધરવામાં આવી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ખેતીકામ અર્થે આવતા મજૂરોને આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનો છે.આ કાર્યક્રમ અંતર્ગત, હિંમતનગર તાલુકાના ૨૦ ગામોમાં પ્રાયોગિક ધોરણે ખેત મજૂરોનો સર્વે કરીને તેમની આરોગ્યલક્ષી જરૂરિયાતોની માહિતી એકત્રિત કરાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાના માર્ગદર્શન હેઠળ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સૂચના અનુસાર, આયુષ્માન આરોગ્ય કેન્દ્રની ટીમે સ્થાનિક કક્ષાએ સંકલન સાધીને આ સેવાઓનું આયોજન કર્યું. આ વિતરણ કાર્યક્રમમાં કુલ ૬૫ ખેત મજૂર પરિવારોને આરોગ્ય કીટ આપવામાં આવી. આ કીટમાં ટોર્ચ, નેઇલ કટર, પ્રાથમિક સારવારની દવાઓ અને મચ્છરદાની જેવી આવશ્યક ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવેલી આ કામગીરી સગર્ભા માતાઓ, બાળકો અને પરિવારના અન્ય સભ્યોને સ્વાસ્થ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી થશે.આ ફાઉન્ડેશન આ પરિવારોને સરકારી યોજનાઓના લાભ અપાવવા માટે પણ સ્થાનિક કક્ષાએ મદદરૂપ બનશે. આવા કાર્યક્રમો સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના લક્ષ્યને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, પોશીના, ખેડબ્રહ્મા જેવા વનબંધુ તાલુકાઓ તેમજ અન્ય જિલ્લાઓ અને રાજ્યોમાંથી આવતા ખેત મજૂરોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ તેમનો મુખ્ય લક્ષ્ય છે. આગામી સમયમાં હિંમતનગર અને ઇડર તાલુકામાં આવતા તમામ ખેત મજૂરોને આરોગ્યલક્ષી સેવાઓ આપવા માટે વિશેષ કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ ઉપસ્થિત ખેત મજૂરો સાથે તેમને મળતી સેવાઓ અને સંભવિત મુશ્કેલીઓ અંગે સીધી ચર્ચા કરી. શ્રમિકોએ આરોગ્ય શાખા અને એક્શન અગેન્સ્ટ હંગર ફાઉન્ડેશનની કામગીરીની સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા RCH અધિકારી, તાલુકા આરોગ્ય અધિકારી, ગામના સરપંચ, શાળાના આચાર્ય અને સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રમિકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 2:41 pm

રૂ. 253 કરોડના સાયબર ફ્રોડ માટે 9 બેંક ખાતાનો ઉપયોગ:ભારતભરમાં 360 ફરિયાદો, મ્યુલ એકાઉન્ટ ખોલાવનારા જૂનાગઢના 8 શખસો ઝડપાયા

મ્યુલ એકાઉન્ટ મારફત સાયબર ફ્રોડના બનાવોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જૂનાગઢ સાયબર ક્રાઈમે 9 એવા બેંક એકાઉન્ટ પકડી પાડ્યા છે જેનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાની હેરફેર માટે કરવાામાં આવ્યો હોય. આ બેંક એકાઉન્ડ સામે દેશભરમાં 360 ફરિયાદો નોંધાયેલી છે. કૂલ રૂ. 253 કરોડના સાયબર ફ્રોડમાં આ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાયો હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે હાલ મ્યુલ બેંક એકાઉન્ટ ખોલાવનારા 8 શખસોને ઝડપી પાડ્યા છે. લોકો આવી ગેંગનો ભોગ બન્યા હોય તો સામેથી પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. રૂ. 253 કરોડના સાયબર ફ્રોડમાં 9 બેંક ખાતાનો ઉપયોગ​ભારત સરકારના સમન્વય પોર્ટલ પર મળેલા ઇનપુટ્સની ટેકનિકલ તપાસ કરતાં જણાયું હતું કે, જુનાગઢ જિલ્લાના કેટલાક બેંક એકાઉન્ટોનો ઉપયોગ ભારતભરમાં સાયબર ફ્રોડ દ્વારા મેળવેલી મોટી રકમની શંકાસ્પદ હેરફેર માટે થતો હતો. આ આરોપીઓ અને તેમના મળતીયાઓએ ઓનલાઈન છેતરપિંડી કરવાના બદઈરાદે વિવિધ બેંકોમાં ખાતા ખોલાવી/ખોલાવડાવી ઇન્ટરનેટ બેન્કિંગ શરૂ કરાવ્યું હતું. સાયબર ક્રિમિનલોએ આ બેંક એકાઉન્ટોનો ઉપયોગ કરીને ભારતના વિવિધ રાજ્યોના લોકોને છેતરપિંડીનો ભોગ બનાવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું કે કુલ ₹2,53,42,26,788/- (અંદાજે 253 કરોડથી વધુ) ની રકમની છેતરપિંડી પૈકી આશરે ₹13,27,13,513/- જેટલી માતબર રકમ આ 9 બેંક એકાઉન્ટ ધારકોના ખાતામાં જમા કરવામાં આવી હતી. આ મામલે રાષ્ટ્રીય કક્ષાના NCCRP પોર્ટલ પર કુલ 360 ઓનલાઈન ફરિયાદો નોંધાયેલી છે. 9 બેંક ખાતા સામે ભારતમાં 360 ફરિયાદો ​આ સમગ્ર મામલે જુનાગઢ સાયબર ક્રાઇમના પીઆઇ સી.વી. નાયકે જણાવ્યું હતું કે, સમન્વય પોર્ટલ પરથી મ્યુલ એકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જુનાગઢમાં આવા 9 એકાઉન્ટ છે જેનાથી પૈસાની લેવડદેવડ કરાઈ હોય. આ 9 એકાઉન્ટની ઊંડાણપૂર્વક તપાસ કરતા સામે આવ્યું કે આ 9 જેટલા એકાઉન્ટ વિરુદ્ધ આખા ભારતભરમાં 360થી વધુ ફરિયાદો નોંધાઈ છે. આ 9 એકાઉન્ટ મારફત ₹253 કરોડથી વધુની રકમનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ આ ગુનો આચરનાર અને મ્યૂલ એકાઉન્ટના 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમને પકડી પાડવામાં આવ્યા છે. આ 9 એકાઉન્ટમાં પણ ₹13 કરોડથી વધુની રકમના વ્યવહાર થયાનું સામે આવ્યું હતું. ભારતભરમાંથી 360 લોકોને છેતરી આ 8 આરોપીઓ અને જે પકડાયેલા નથી તે અન્ય આરોપીઓ દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હતી. આ નવ આરોપીઓમાંથી જે એક આરોપીને પકડવાનો બાકી છે તે અગાઉ NDPSના ગુનામાં જેલમાં બંધ છે, તેને પૂછપરછ માટે લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ​છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી​સાયબર ક્રાઇમમાં લોકો છેતરાય છે ત્યારે મુખ્યત્વે બેંક એકાઉન્ટનો ઉપયોગ રૂપિયા ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. આ ગુનાને અંજામ આપતા મુખ્ય સૂત્રધારોને બેંક એકાઉન્ટની જરૂર પડતા, તેઓ અલગ અલગ એકાઉન્ટ ધારકોનો સંપર્ક કરે છે. આ મુખ્ય સૂત્રધાર આવા એકાઉન્ટ ધારકોને કમિશનની લાલચ આપી કે જે રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવે છે તે રૂપિયામાંથી ભાગ આપવાની લાલચ આપીને આવા એકાઉન્ટો મેળવી લે છે. નાના એકાઉન્ટ ધારકો રૂપિયાની લાલચમાં આવીને મોટા સાયબર ગુનાને અંજામ આપવામાં મદદરૂપ થાય છે. ​પકડાયેલા તમામ આરોપીઓ જૂનાગઢના​જુનાગઢ સાયબર ક્રાઇમ દ્વારા જે હાલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તે તમામ જુનાગઢના છે. આ 8 આરોપીઓએ સાઇબર ક્રાઇમની છેતરપિંડી આચરતા મુખ્ય માથાઓને એકાઉન્ટ આપ્યા હોવાનું પણ સામે આવ્યું છે. પકડાયેલા આરોપીઓના એકાઉન્ટ PNB બેંક, કેનરા બેંક, ઇન્ડિયન બેંક, એક્સિસ બેન્ક, BOB, યશ બેંક અને બેન્ક ઓફ ઇન્ડિયા સહિતની બેંકોમાં હતા. ​આ ગુનો આચરનાર અને મ્યૂલ એકાઉન્ટના 8 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, હુસેન તુર્ક જે હાલ NDPSના ગુનામાં જેલમાં બંધ છે, તેને પૂછપરછ માટે લાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. જૂનાગઢ પોલીસે લોકોને જાહેર અપીલ કરી​સાયબર પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે કે જે કોઈ લોકોએ આ આરોપીઓને પોતાના બેંક એકાઉન્ટ આપેલા હોય અને નાણાની હેરફેર કરેલ હોય, પરંતુ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા આવેલા નથી, તેઓ તાત્કાલિક જાણ કરે. જો આ બાબતે જાણ કરવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 2:24 pm

મોરબીમાં 4-5 કરોડની ઉઘરાણી માટે યુવાનનું અપહરણ:પીપળી રોડ પર દુકાનેથી ઉઠાવી વાડીએ લઈ જઈ માર માર્યો

મોરબીમાં 4થી 5 કરોડ રૂપિયાની ઉઘરાણી મુદ્દે એક યુવાનનું અપહરણ કરવામાં આવ્યું છે. પીપળી રોડ પર આવેલી તેની દુકાન પરથી પાંચ જેટલા શખ્સોએ યુવાનને માર મારી બ્લેક કલરની કારમાં ઉઠાવી ગયા હતા. આરોપીઓ યુવાનને ભરતનગર ગામ પાસે આવેલી એક વાડીએ લઈ ગયા હતા, જ્યાં તેને ઢીકાપાટુ, લાકડી અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મયુરનગર સોસાયટી પાસે રવિનગરમાં રહેતા 25 વર્ષીય અમરતસિંઘ ભુરો ઉર્ફે ભુરજીભાઈ સોઢાએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેણે પિયુષભાઈ પટેલ, નવઘણભાઇ, ભગીભાઈ અને અન્ય અજાણ્યા શખ્સો સામે અપહરણ અને માર મારવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદ મુજબ, પિયુષભાઈ પટેલને અમરતસિંઘના ભાઈ નરસિંઘ સોઢા પાસેથી 4થી 5 કરોડ રૂપિયા લેવાના હતા. આ ઉઘરાણી માટે આરોપીઓ મોરબીના પીપળી રોડ પર કોયો સિરામિક પાસે આવેલી અમરતસિંઘની સચિયાર કોમ્યુનિકેશન નામની મોબાઈલની દુકાને પહોંચ્યા હતા. પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 2:10 pm

અમરેલીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો:બોરાળા માતાજીના મઢ અને શેલણા ગામમાં સોના-ચાંદીના દાગીના મળી 1.74 લાખના મુદ્દામાલની ચોરી

અમરેલી જિલ્લામાં તસ્કરો સક્રિય થયા છે. સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામમાં આવેલા માતાજીના મઢ અને શેલણા ગામમાં રહેણાંક મકાનમાંથી કુલ રૂ. 1,74,500ની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. શિયાળાની ઠંડીનો લાભ લઈ તસ્કરો ચોરીના ગુનાઓને અંજામ આપી રહ્યા છે. બોરાળા ગામમાં ખોડલધામ માતાના મઢમાં અજાણ્યા ઈસમોએ દરવાજાના તાળા તોડી પ્રવેશ કર્યો હતો. મંદિરમાંથી માતાજીના શણગારમાં રહેલા સોના-ચાંદીના દાગીના, છતરો અને પાદુકા સહિત રૂ. 1,50,000ની કિંમતનો મુદ્દામાલ ચોરી લીધો હતો. આ ઉપરાંત, દાનપેટીમાંથી રૂ. 20,000 રોકડા પણ ચોરાયા હતા, આમ કુલ રૂ. 1,70,000ની ચોરી થઈ હતી. આ અંગે ઘનશ્યામ દુધાતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી ઘટના સાવરકુંડલા તાલુકાના શેલણા ગામમાં બની હતી. અંકિતભાઈ ભીખુભાઈ ગઢાદરાના રહેણાંક મકાનના રૂમનું લોક તોડી તસ્કરો અંદર પ્રવેશ્યા હતા. કબાટમાંથી ચાંદીના પગમાં પહેરવાના જૂના ચડા (2 નંગ), નાકમાં પહેરવાની સોનાની ચૂક (1 નંગ) અને એક ચાંદીનો સિક્કો મળી કુલ રૂ. 4,500ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે વંડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ચોરીના આ બનાવો બાદ સાવરકુંડલા રૂરલ પોલીસ, વંડા પોલીસ અને એલસીબી સહિતની ટીમોએ તસ્કરોને પકડવા કવાયત હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરૂ કરી છે અને આરોપીઓને ઝડપી પાડવા તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 2:09 pm

વાયુસેનાના દિગ્ગજોનું 'ઓપરેશન સિંદૂર' પર વ્યૂહાત્મક મંથન:ગાંધીનગરમાં વાયુસેનાનું 9મુ વાર્ષિક સ્મારક વ્યાખ્યાન; 1971ના યુદ્ધમાં સહીદ ફ્લાઈંગ ઓફિસર સેખોંને શ્રદ્ધાંજલિ અર્પણ

ભારતીય વાયુસેના સંગઠન (AFA)ની ગુજરાત શાખા દ્વારા 14 ડિસેમ્બરના રોજ ગાંધીનગરના નીલામ્બર ઓડિટોરિયમ ખાતે નવમા વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વર્ગસ્થ ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીતસિંહ સેખોં (PVC)ની વીરતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે યોજાયો હતો. મહત્વનું છે કે, 54 વર્ષ પહેલાં આજની તારીખે 1971ના યુદ્ધ દરમિયાન સેખોંએ શ્રીનગર એરફિલ્ડનું રક્ષણ કરતાં બલિદાન આપ્યું હતું. મુખ્ય ઉદ્દેશ યુવાનોને વાયુસેના તરફ આકર્ષવાનોઃ ભૂતપૂર્વ એર માર્શલભારતીય વાયુસેના સંગઠન ગુજરાત શાખા દ્વારા આજે ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સેન્ટર ખાતે 9મા વાર્ષિક સ્મારક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ભૂતપૂર્વ એર માર્શલ પી. કે. દેસાઈએ માહિતી આપી કે, આ સંગઠન દિલ્હી એસોસિએશનનો ભાગ છે, જે નિવૃત્ત પરિવારોની સુખાકારીનું ધ્યાન રાખે છે. આ વાર્ષિક વ્યાખ્યાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને વાયુસેના તરફ આકર્ષવાનો અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો છે. આ સમય હુમલા સમયની વ્યૂહરચના ઘડવાનોઃ ભૂતપૂર્વ લેક્ચરર જનરલ જ્યારે ભૂતપૂર્વ લેક્ચરર જનરલ દુષ્યંતસિંહે જણાવ્યું હતું કે, હાલમાં વિશ્વના 56 દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ પ્રવર્તી રહી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ કાર્યક્રમનો ઉદ્દેશ ભવિષ્યમાં વાયુ શક્તિ કેવી રીતે કાર્ય કરશે, તેની ચર્ચા કરવાનો અને ભવિષ્યમાં કોઈ દેશ દ્વારા હુમલો થાય તો યોગ્ય વળતો જવાબ આપવા માટે વ્યૂહરચના ઘડવાનો છે. ભારતીય વાયુસેનાની બે મોટી સિદ્ધિ પર ચર્ચા કરાઈઆ કાર્યક્રમ દરમિયાન ભારતીય વાયુસેનાની બે મોટી સિદ્ધિઓ, સર્જિકલ સ્ટ્રાઈક અને ઓપરેશન સિંદૂરની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બંને ઓપરેશન્સે વિશ્વભરમાં ભારતની સંરક્ષણ તાકાતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ સ્મારક વ્યાખ્યાન દ્વારા નાગરિક સમાજ, વિદ્યાર્થીઓ અને સંરક્ષણ વ્યાવસાયિકોમાં રાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ તૈયારીઓ અને વ્યૂહાત્મક બાબતો પર જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સામે લડતાં નિર્મલ જીતસિંહ સેખોં વીરગતિ પામ્યા હતાંઉપરાંત વાયુસેના ભવિષ્યમાં કોઈપણ પડકારનો સામનો કરવા માટે કેવી રીતે સજ્જ થઈ શકે છે તે અંગે મહત્વપૂર્ણ મંતવ્યોનું આદાનપ્રદાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, ફ્લાઈંગ ઓફિસર નિર્મલ જીતસિંહ સેખોં ભારતીય વાયુસેનાના એકમાત્ર એવા સભ્ય છે, જેમને પરમવીર ચક્ર (PVC) એનાયત કરવામાં આવ્યો છે. 1971ના યુદ્ધમાં પાકિસ્તાની F-86 જેટ વિમાનો સામે લડતાં તેમણે અદભુત હિંમત દાખવી હતી અને વીરગતિ પામ્યા હતા. વાયુસેનાના દિગ્ગજો હાજર રહ્યાંઆ કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાના માર્શલ પદ્મ વિભૂષણ અર્જનસિંહ ડીએફસી, એર માર્શલ નાગેશ કપૂર, ભૂતપૂર્વ એર માર્શલ પી. કે. દેસાઈ પીવીએસએમ અને એવીએસએમ, ભૂતપૂર્વ લેક્ચરર જનરલ દુષ્યંત સિંહ પીવીએસએમ-એવીએસએમ અને ભૂતપૂર્વ એર વાઇસ માર્શલ અનિલ ગોલાની સહિતના અનુભવી અધિકારીઓ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 2:00 pm

ચૂંટણી પંચે મોહમ્મદ શાહિદને આણંદના રોલ ઓબ્ઝર્વર નિયુક્ત કર્યાં:જિલ્લાની મુલાકાત દરમિયાન SIR કાર્યક્રમની સમીક્ષા કરી

ભારતના ચૂંટણી પંચે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગાંધીનગરના અગ્ર સચિવ મોહમ્મદ શાહિદને આણંદ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તેમની આણંદ જિલ્લાની પ્રથમ મુલાકાત દરમિયાન, તેમણે કલેક્ટર કચેરી ખાતે ચાલી રહેલા SIR (Special Summary Revision) કાર્યક્રમની સમીક્ષા કરી હતી. શાહિદની અધ્યક્ષતામાં તમામ મતદાર નોંધણી અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની પ્રગતિ અને સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ધારાસભ્યોના પ્રતિનિધિઓ સાથે SIR સંબંધિત પ્રશ્નોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આણંદ જિલ્લાના તમામ મતદાન મથકોના ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ પામેલા મતદારોની યાદીની સોફ્ટ કોપી ઉપસ્થિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓને પૂરી પાડવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણ ચૌધરી, પેટલાદના મદદનીશ કલેક્ટર અને મદદનીશ ચૂંટણી અધિકારી હિરેન બારોટ, અન્ય મદદનીશ ચૂંટણી અધિકારીઓ તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી અનિતાબેન લાછુન સહિત માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:59 pm

સુરેન્દ્રનગર લોક અદાલતમાં રૂ. 9.63 લાખના ઇ-ચલણ દંડ વસૂલાયા:1312 વાહન માલિકોએ બાકી દંડ ભર્યો, પોલીસની કાર્યવાહી સફળ

સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ દંડ પેટે કુલ રૂ. 9,63,000ની વસૂલાત કરવામાં આવી છે. આ અદાલતમાં 1312 વાહન માલિકોએ તેમના બાકી દંડની રકમ ભરી હતી. આ લોક અદાલતનું આયોજન સુરેન્દ્રનગર જિલ્લા ન્યાયાલય ખાતે કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS) અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ, નેત્રમ સુરેન્દ્રનગરના પોલીસ વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર ડી.એલ. ઝેઝરીયા દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના નેજા હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સુરેન્દ્રનગર દ્વારા આ અદાલત યોજાઈ હતી. ટ્રાફિક નિયમોના ભંગ બદલ ઇસ્યુ કરાયેલા ઇ-ચલણના બાકી દંડ અંગે વાહનચાલકો વિરુદ્ધ પ્રી-લિટિગેશન લોક અદાલત યોજાઈ હતી. કોર્ટ દ્વારા વાહન માલિકોને તેમના સરનામા પર કોર્ટ નોટિસ અને મેસેજ (SMS) દ્વારા જાણ કરવામાં આવી હતી. જેના પરિણામે, કુલ 1312 વાહન માલિકો પાસેથી રૂ. 9,63,000નો ઇ-ચલણ દંડ સફળતાપૂર્વક વસૂલ કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:42 pm

સાપ કરડતા બે વર્ષના બાળકનું મોત:ઘર પાસે જ રમી રહ્યો હતો ત્યારે દીવાલમાં છુપાયેલા સાપે ડંખ માર્યો, એકના એક બાળકના મોતથી પરિવાર પર આભ ફાટ્યું

સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં ઘરઆંગણે રમી રહેલા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું મોત નિપજ્યું છે. એકના એક પુત્રનું મોત શ્રમજીવી પરિવાર પર આભ ફાટ્યું હતું. બાળકના મોત બાદ સાપનું રેસ્ક્યૂ કરાયું હતું. ઘર નજીક રમી રહેલા બાળકને સાપે ડંખ માર્યોમૂળ છોટાઉદેપુરના વતની દિનેશભાઈ નાદલા રાઠવા હાલ ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં પરિવાર સાથે રહી કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે આશરે 7 વાગ્યાના સુમારે દિનેશભાઈ અને તેમની પત્ની મજૂરીકામ પતાવી ઘરે પરત ફર્યા હતા. માતા-પિતા ઘરમાં રાતનું ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, જ્યારે તેમનો 2 વર્ષનો પુત્ર શુભદર્શન ઘરની બહાર અન્ય પાંચેક મિત્રો સાથે રમી રહ્યો હતો. બાળકો જ્યારે રમી રહ્યા હતા ત્યારે બાજુની દીવાલમાં છુપાઈને બેસેલો આશરે 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા સાપ અચાનક બહાર આવ્યો હતો અને શુભદર્શનના જમણા પગે કરડી ગયો હતો. સાપ કરડતા જ બાળકે જોરશોરથી બૂમાબૂમ કરતા લોહી નીકળવા લાગ્યું હતું. બાળકની ચીસો સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યુંપરિવારજનો શુભદર્શનને તાત્કાલિક સ્થાનિક દવાખાને લઈ ગયા હતા, પરંતુ તેની હાલત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કમનસીબે, ઝેરની અસર વધુ હોવાથી ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ગામના લોકોએ એકઠા થઈ તે 6 ફૂટ લાંબા કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:36 pm

અમરેલીમાં ખેતી કામ કરી રહેલા મજૂર પર સિંહે હુમલો કર્યો:અન્ય લોકોએ બૂમાબૂમ કરતા સિંહ ભાગ્યો, યુવકને કમરના ભાગે ઈજા પહોંચ્યા હોસ્પિટલમાં ખસેડાયો

અમરેલી જિલ્લામાં વન્યપ્રાણીઓના હુમલાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે અમરેલીથી 4 કિલોમીટર દૂર આવેલા વિઠ્ઠલપુર સીમ વિસ્તારમાં એક ખેતમજૂર પર સિંહે હુમલો કર્યો હતો. આ હુમલામાં મજૂરને કમરના ભાગે ઈજાઓ થતાં તેને સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વાડીમાં પાણી વાળી રહ્યા હતા અને સિંહ આવી ચડ્યોમધ્યપ્રદેશના વતની કેરમ છીડાભાઈ નાયક વાડીમાં પાણી વાળી રહ્યા હતા. તે સમયે અચાનક પાછળથી આવેલા સિંહે તેમના પર હુમલો કર્યો હતો. કેરમભાઈએ જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિંહે તેમને કમરના ભાગે ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. મજૂરને તાત્કાલિક સિવિલમાં દાખલ કરવામાં આવ્યોઆ દરમિયાન અન્ય મજૂરોએ કેરમભાઈની ચીસો સાંભળીને હાકલા-પડકારા કરતા સિંહ ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્ત મજૂરને તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક ખેડૂતો અને લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક ખેતમજૂર કેલાશભાઈએ જણાવ્યું હતું કે, અમે પાણી વાળી રહ્યા હતા ત્યારે અચાનક સિંહ આવી પહોંચ્યો હતો અને હુમલો કર્યો હતો. સિંહ બચકું ભરી લીધું હતું. જોકે, મેં રાડો પાડતા સિંહ છોડીને ભાગી ગયો હતો. હાલ અમે તેને હોસ્પિટલમાં લઈ આવ્યા છીએ તેની તબિયત સુધારા પર છે. સિંહનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરાઈઘટનાની જાણ લીલીયા રેન્જ વનવિભાગને થતા તેમની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વનવિભાગની ટીમે ઈજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી ઘટના અંગેની માહિતી મેળવી હતી. હાલ વનવિભાગ દ્વારા સિંહનું લોકેશન મેળવવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે અને તેને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:34 pm

ચાલુ કારમાં આગ ફાટી નીકળી:કારમાં સવાર બંને યુવકો બહાર નીકળી જતા આબાદ બચાવ, મહેસાણાના આંબેડકર સ્ટેડિયમ પાસેની ઘટના

મહેસાણાના આંબેડકર સ્ટેડિયમ સામે ગત મોડીરાત્રે રોડ પર પસાર થતી એક ગાડીમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.ગાડીમાં આગ લાગતા તેમાં સવાર બે લોકો ગાડી સાઈડમાં કરી તાત્કાલિક ઉતરી ગયા હતા.ત્યારબાદ ફાયર વિભાગ ને જાણ કરવામાં આવતા ટિમો ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બંને યુવકો સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતા બચાવઘુમાસણ ગામે રહેતા ડાભી રાહુલ સિંહ પોતાના પરિવારને જોધપુર જવાનું હોવાથી મિત્ર અને પરિવાર સાથે મહેસાણા ખાતે બસમાં બેસાડવા આવ્યા હતા. બસમાં પરિવારને બેસાડી બંને મિત્રો મહેસાણાના આંબેડકર સ્ટેડિયમ પાસે થઇને ઘરે જતા હતા એ દરમિયાન ગાડીમાં શોર્ટ સર્કિટ થતા બોનેટમાં ધુમાડા આવતા જોઈ તેઓએ ગાડી સાઈડમાં કરી ઉતરી ગયા હતા.આ દરમિયાન ગાડીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ તેઓએ મહેસાણા મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને 1000 લીટર પાણીનો મારો ચલાવી તેઓએ ગાડીમાં લાગેલ આગ બુઝાવી હતી.આગ લાગવથી ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી જોકે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:23 pm

'માતાએ કહ્યું મરી જા, એટલે હું મરવા આવી છું', VIDEO:સુરતમાં માતાની વાતનું માઠું લગાવી સગીરા 15 માળની બિલ્ડીંગ પર ચડી ગઈ, 1 કલાક મોત-જિંદગીના જંગ બાદ સફળ રેસ્ક્યૂ

હાઈરાઈઝ બિલ્ડિંગનું પેન્ટહાઉસ, 17 વર્ષની જીદ્દી કિશોરી અને નીચે ફેલાયેલી ફાયરની જાળ... શનિવારે સવારે સુરતનો અલથાણ વિસ્તાર જાણે કોઈ રોમાંચક ફિલ્મના ક્લાઈમેક્સમાં ફેરવાઈ ગયો હતો. સ્વિમ પેલેસ બિલ્ડિંગની 15મા માળની પાળી પર ઊભેલી કિશોરી જ્યારે 'હું કૂદી જઈશ, હું હમણાં જ કૂદી જઈશ'ની રડી રડીને ચીસો પાડતી હતી, ત્યારે નીચે ઉભેલા સેંકડો લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ કોઈ શૂટિંગ નહોતું, પણ હકીકતમાં મોત સામેની લડાઈ હતી. 'માતાએ કહ્યું મરી જા, એટલે હું મરવા આવી છું'મૂળ અયોધ્યાની અને અહીં ડોક્ટરના ઘરે ઘરકામ કરતી આ કિશોરીને તેની સગી જનેતાએ ફોન પર તતડાવી હતી. ઝઘડામાં માતાના મોઢેથી નીકળેલા વેણ 'તું મરી જા તો સારું'ની વાતથી દીકરીને માઠું લાગ્યું હતું. માતાના એ કઠોર શબ્દોને સાચા સાબિત કરવા 17 વર્ષની છોકરી મોતને ભેટવા બિલ્ડિંગની છત પર પહોંચી ગઈ હતી. 'તું નીચે ઉતરી જા તારા લગ્નની જવાબદારી હું લઈશ'જ્યારે કિશોરી પાળી પર ઉભી હતી, ત્યારે તેને પાછી વાળવા માટે બિલ્ડીંગના વડીલો હાથ જોડીને તેને વિનંતી કરતા રહ્યા હતા. એક દાદાએ લાડ લડાવતા કહ્યું, 'બેટા, તું તો રોજ આરતી કરે છે, તું મારી ડાહી દીકરી છે, એકવાર મારા પર ભરોસો રાખીને નીચે આવી જા.' તો બીજી તરફ, તેના મકાનમાલિકે તેને તેને પરત વાળવા કહ્યું, 'જો તું નીચે આવીશ તો તારા લગ્નની બધી જવાબદારી અમારી, અમે તારા ધામધૂમથી લગ્ન કરાવીશું, પણ પ્લીઝ આવું ન કર.' હાઈડ્રોલિકના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને પાછળથી પકડી લીધીવેસુ ફાયર સ્ટેશનની ટીમ જ્યારે હાઈડ્રોલિક લિફ્ટ લઈને પહોંચી ત્યારે કિશોરી વધુ ઉશ્કેરાઈ હતી. તે સતત કહેતી હતી કે, જો કોઈ નજીક આવશે તો તે કૂદી જશે. ફાયર ઓફિસર કીર્તિ મોડ અને તેમની ટીમે સમયસૂચકતા વાપરી એક તરફ વાતોમાં તેને ઉલઝાવી રાખી અને બીજી તરફ હાઈડ્રોલિકના ઓપરેટરે તરાપ મારીને કિશોરીને પાછળથી પકડી લીધી. 17 વર્ષીય કિશોરીને નીચે ઉતાર્યા બાદ આશ્વાસન આપ્યુંસવારે 9થી 10 વાગ્યા સુધી ચાલેલા આ જંગમાં ફાયર બ્રિગેડના જવાનોએ નેટ, હાઈડ્રોલિક મશીન અને જમ્પિંગ ક્રૂઝર તો હતા જ, પણ જેણે જીવ બચાવ્યો તે હતી લોકોની ધીરજ. 17 વર્ષની આ કિશોરીને સુરક્ષિત નીચે ઉતાર્યા બાદ તેને આશ્વાસન આપવામાં આવ્યું હતું. કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પણ લોકો નેટ લઈને આવી પહોંચ્યા હતાફાયર વિભાગના અધિકારી કીર્તિ મોઢે જણાવ્યું હતું કે, અમને કોલ મળતા જ અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વેસુ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ મંગાવવામાં આવ્યું હતું. આ સાથે જ સેફ્ટી નેટ અને જમ્પિંગ કુશન પણ મંગાવી લેવાયા હતા. આજુબાજુની કન્સ્ટ્રક્શન સાઈટ પરથી પણ લોકો નેટ લઈને આવી પહોંચ્યા હતા. ફાયર વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓ કિશોરીને સમજાવવા માટે બિલ્ડિંગના ઉપરના માળે પહોંચી ગયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:15 pm

મહેસાણા નાગરિક બેંકમાં વિશ્વાસ અને પરિવર્તન પેનલ વચ્ચે ટક્કર:બોર્ડ ઓફ ડિરેકટર્સની 12 બેઠકોની ચૂંટણી માટે સવારથી મહેસાણા-અમદાવાદમાં મતદાન ચાલુ, આજે જ પરિણામ આવશે

રૂપિયા 700 કરોડનું વાર્ષિક ટર્ન ઓવર ધરાવતી મહેસાણા નાગરિક બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની ચૂંટણી માટે આજે સવારથી મહેસાણા અને અમદાવાદના મતદાન કેન્દ્રો પર મતદાન યોજાઈ રહ્યું છે. વહેલી સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મતદાન મથકો પર લાંબી કતારો લાગી છે. બેન્કની 12 બેઠકો માટે કુલ 24 ઉમેદવારો મેદાનમાં છે. સત્તા મેળવવા માટે 'વિશ્વાસ પેનલ' અને 'પરિવર્તન પેનલ' વચ્ચે સીધો જંગ છે. આ ચૂંટણીમાં બેન્કના 16,500 સભાસદો મતદાન કરવાના છે. કુલ 10 શાખાઓ ધરાવતી આ બેન્ક માટે અમદાવાદ અને મહેસાણા ખાતે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાન સવારના 8 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી ચાલશે. સાંજે 5 વાગ્યા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. આજના પરિણામ બાદ સ્પષ્ટ થશે કે બેન્કની સત્તાનું સુકાન 'પરિવર્તન પેનલ' સંભાળશે કે પછી 'વિશ્વાસ પેનલ' પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળ થશે. બોર્ડ ઓફ ડિરેકટર્સની 12 બેઠકો માટે સવારથી મતદાન ચાલુમહેસાણાની સુપ્રસિધ્ધ મહેસાણા નાગરિક સહકારી બેન્કની વર્ષ 2025 થી 2030ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આજે યોજાઈ રહી છે જેમાં વર્તમાન ચેરમેનની વિશ્વાસ પેનલ સામે નવા ચહેરાઓ સાથેની પરિવર્તન પેનલે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ ચૂંટણી માટે આજે સવારે 8 થી 4 કલાક સુધી પરા માધ્યમિક શાળા અને અમદાવાદની શાખા માટે નવરંગપુરા શાખા ખાતે મતદાન યોજાઈ રહ્યું છે વિશ્વાસ અને પરિવર્તન પેનલ વચ્ચે કાંટાની ટક્કરમહેસાણા નાગરિક બેન્કમાં મોટાભાગે મહેસાણા પરા વિસ્તાર અને મહેસાણા તાલુકાના કડવા પાટીદારના સાત અને આઠ ગોળ સમાજના ગામડાના મતદારો વધારે છે. મુખ્યત્વે લોખંડ બજાર, ચોક્સી બજાર, બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન સહિતના વેપાર અને ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સ્થાપનાકાળથી આ બેન્ક સાથે સંકળાયેલા છે. વર્તમાન ચેરમેન અમૃતભાઈ પટેલ (સ્વસ્તિક રોલીંગ શટર્સ) પૂર્વ ચેરમેન અરવિંદભાઈ પટેલ (એડવોકેટ) તેમજ પૂર્વ એમ.ડી. મનુભાઈ શંકરભાઈ પટેલ (સંજીવ સ્ટીલ) વાળાની પેનલમાં મહેસાણાના જાણીતા ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને સહકારી અગ્રણીઓ વિશ્વાસ પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે.અરવિંદભાઈ પટેલ અને મનુભાઈ પટેસ ઘણા વર્ષથી મહેસાણા નાગરિક બેન્કનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે. જેમાં પાંચોટના સરપંચ લલિતભાઈ પટેલ, ચંદ્રકાન્તભાઈ રાજમોતી, ગીરીશભાઈ (વિનિત મિનરલ), સુભાષભાઈ ચોક્સી (પાંચોટ), આઠ ગામ કડવા પાટીદારના પ્રમુખ હર્ષદભાઈ નાથાલાલ પટેલ, મહેશ ચા વાળા પિન્કેશભાઈ પટેલનાં ધર્મપત્ની નેહાબેન, તેમજ શંકુઝ વોટરપાર્ક વાળા હિતેન્દ્રભાઈ રાજ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે સામે પરિવર્તન પેનલમાં જયંતિલાલ પટેલ, અનુપકુમાર પટેલ (સ્કાયલેક), અલ્પેશકુમાર પટેલ (કોલવડા), દિલીપભાઈ પટેલ (બલોલ), નરેશભાઈ કેશવલાલ ચોક્સી (પાંચોટ), પી.પી.પટેલ (પાંચોટ), એફ.સી. પટેલ (કંથરાવી), લકી પટેલ (સુદર્શન ચા), કિંજલબેન પટેલ (અતરંગી કિચન), કિર્તિભાઈ પટેલ (મુખી) તેમજ પ્રેમીલાબેન રશ્મીકાન્ત સોજલીયા સહિતના ઉમેદવારો નસીબ અજમાવી રહ્યા છે.બેન્કના સભાસદ મતદારો ઉગતા સૂરજ ને પૂજે છે કે, સાયકલ સવારી કરે છે.તે પરિણામ આવ્યા બાદ નક્કી થશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:10 pm

દિવ્યભાસ્કર ઈમ્પેક્ટ:રાજકોટમાં જીવિત વ્યક્તિને મૃત જાહેર કરતી પોર્ટલની ભૂલ અંગેના અહેવાલથી તંત્ર સફાળું જાગ્યું, 4 દિવસમાં સુધારો કરી નવું ડેથ સર્ટી અપાયું

રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી ટેક્નિકલ લોચા અને પોર્ટલની ખામીઓના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. તાજેતરમાં એક જીવિત વ્યક્તિને મૃત જાહેર કરતો મરણનો દાખલો કાઢવામાં આવ્યો હતો. જેને લઈ દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રકાશિત કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું હતું. અને માત્ર 4 દિવસમાં સુધારો કરી ગઈકાલે પરિવારને નવું ડેથ સર્ટી આપવામાં આવ્યું છે. પ્રાપ્ત વિગત મુજબ ગોહિલ મનીષભાઈ અમરાભાઈ નામના નાગરિકનું અવસાન 5-11-2025ના રોજ થયું હતું. પરિવાર દ્વારા નિયમ મુજબ મરણના દાખલા માટે અરજી કરવામાં આવી હતી. હોસ્પિટલના ડૉક્ટર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રમાં સ્પષ્ટપણે મૃત્યુની તારીખ 5-11-2025 અને સમય બપોરે 3:00 વાગ્યાનો દર્શાવવામાં આવ્યો હતો. જોકે તેના પરિવારને મરણનો દાખલો હાથમાં મળ્યો ત્યારે તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઓનલાઇન જનરેટ થયેલા આ સત્તાવાર દાખલામાં મૃત્યુની તારીખ 4-11-2025 લખાઈને આવી હતી. આશ્ચર્યની વાત એ હતી કે મનપા દ્વારા અરજદારના મોબાઈલ પર જે મેસેજ કરવામાં આવ્યો હતો, તેમાં તો સાચી તારીખ એટલે કે 5-11-2025નો જ ઉલ્લેખ હતો અને સાથે ડાઉનલોડ કરવા માટેની લિંક પણ હતી. પરંતુ લિંક પરથી ડાઉનલોડ થયેલા દાખલામાં તારીખ બદલાઈ ગઈ હતી. એટલે કે ટેક્નિકલ સિસ્ટમ મુજબ, વ્યક્તિ જે દિવસે જીવિત હતા તે જ દિવસે તેમનું મૃત્યુ થયું હોવાનું સરકારી કાગળ પર જાહેર કરી દેવાયું હતું. અધિકારીઓનો બચાવ અને 'દિવ્યભાસ્કર'ની લડત આ ગંભીર ભૂલ ધ્યાને આવતા પરિવારે તાત્કાલિક મનપા કચેરીના ધક્કા ખાવાનું શરૂ કર્યું હતું. જોકે, 'દિવ્યભાસ્કર' દ્વારા આ સંવેદનશીલ મુદ્દાને વાચા આપવામાં આવી અને તંત્રની લાપરવાહી સામે ધારદાર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે કેવી રીતે ત્રણ-ત્રણ પોર્ટલ (રાજકોટ મનપા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર) વચ્ચે નાગરિકો ફૂટબોલની જેમ ફેરવાઈ રહ્યા છે. અહેવાલ પ્રસિદ્ધ થતા જ મનપા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જન્મ-મરણ વિભાગના અધિકારી પ્રેરિત જોશીએ સ્વીકાર્યું હતું કે આ એક 'ટેક્નિકલ બગ' છે. તેમણે તાત્કાલિક ગાંધીનગર ખાતે મુખ્ય કચેરીને ઈ-મેઈલ કરી આ ભૂલ સુધારવા માટે રજૂઆત કરી હતી. અગાઉ જે કામ માટે અઠવાડિયા કે મહિનાઓ નીકળી જતા હતા, તે કામ 'દિવ્યભાસ્કર'ના અહેવાલની અસરને કારણે માત્ર 4 જ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી કરી સિસ્ટમમાં સુધારો કરાવ્યો અને મનીષભાઈના પરિવારને સાચી તારીખ સાથેનો મરણનો દાખલો સોંપ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ મનપામાં જન્મ-મરણની કામગીરીમાં ભારે હાલાકી પ્રવર્તી રહી છે. અગાઉ મનપાનું પોતાનું લોકલ સોફ્ટવેર હતું, ત્યારબાદ રાજ્ય સરકારનું પોર્ટલ આવ્યું અને હવે કેન્દ્ર સરકારના CRS પોર્ટલ પર કામગીરી શિફ્ટ કરવામાં આવી છે. આ ફેરફારો વચ્ચે જૂના ડેટા નવા પોર્ટલ પર ટ્રાન્સફર કરવામાં અનેક ક્ષતિઓ રહી ગઈ છે. તો નામ, અટક કે તારીખમાં સુધારા કરવા માટે સ્થાનિક અધિકારીઓ પાસે કોઈ 'એડિટિંગ એક્સેસ' નથી. તેમજ અવારનવાર સર્વર ડાઉન રહેતું હોવાથી અરજદારોએ દિવસભર લાઈનમાં ઊભા રહ્યા બાદ ખાલી હાથે પરત ફરવું પડે છે. ત્યારે તાત્કાલિક આ મામલે પગલાં લેવાય તે જરૂરી બન્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:05 pm

ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવક સાથે 10 લાખની ઠગાઈ:સ્વામિનારાયણ મંદિરમાં સંતો પાસેથી રૂપિયા આપી ડોલર લેવાનું કહીં ગઠિયો ફરાર

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ગયેલો યુવક ઇન્ડિયા પરત આવ્યો, ત્યારે યુવકને રૂપિયા આપી ડોલર લેવાના હતાં. યુવકના પરિચિત વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે, કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે મારા ઓળખીતા ઘણા સંતો છે. તેમને હરિભક્તો ડોલરમાં દાન આપે છે, જેથી તમે રૂપિયા લઇ મંદિર આવી જજો. યુવક 9.70 લાખ રૂપિયા લઈને કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ગયો હતો. યુવકને ઓળખીતા વ્યક્તિએ ડોલર આપવાનું કહીને 9.70 રૂપિયા લઈ લીધા હતા. પૈસા લઈને ગઠિયો ફરાર થઈ ગયો હતો. આ અંગે યુવકે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી સાથે યુવકનો મુંબઈમાં સંપર્ક થયો હતોઅમદાવાદના થલતેજમાં રહેતા વિપુલ ભાવસારે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વિપુલભાઈનો 26 વર્ષનો દીકરો વિશ્વ ભાવસાર બે વર્ષથી ઓસ્ટ્રેલિયા ખાતે અભ્યાસ કરે છે. વેકેશન હોવાથી વિશ્વ ઇન્ડિયા આવ્યો હતો. વિશ્વને મુંબઈમાં ફેનિલ પટેલ નામના યુવક સાથે સંપર્ક થયો હતો. ફેનિલે વિશ્વને કહ્યું હતું કે, ડોલરમાં ફી ભરવી હોય તો મને જાણ કરજો, જેથી વિશ્વએ ઓસ્ટ્રેલિયા જતા પહેલા ફેનિલને ભારતીય રૂપિયાની જગ્યાએ ડોલરની જરૂર છે તે જણાવ્યું હતું. ત્યારે ફેનિલે કહ્યું હતું કે, કાલુપુર ખાતે સ્વામિનારાયણ મંદિરમાં મારા ઓળખીતા ઘણા સંતો છે. વિદેશથી આવતા હરિભક્તોને ડોલરમાં દાન આપે છે, જેથી આપણે રૂપિયા સંતો પાસેથી ડોલર લઈ લઈશું. પિતા-પુત્રને દર્શન કરવા મોકલી આરોપી પૈસા લઈ ફરાર29 નવેમ્બરે વિશ્વ તેના પિતા વિપુલભાઈ સાથે કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ગયો હતો. વિશ્વ તેની સાથે 9.70 લાખ રૂપિયા લઈને આવ્યો હતો. વિશ્વને ત્યાં ફેનિલ મળતા ફેનિલે 9.70 લાખ રૂપિયા લીધા હતા અને કહ્યું હતું કે, હું તમને સ્વામી સાથે મુલાકાત કરાવું છું, ત્યાં સુધી મંદિરમાં દર્શન કરી આવો. વિશ્વ મંદિરમાં દર્શન કરવા ગયો લાંબા સમય સુધી ફેનિલ પરત આવ્યો ન હતો. વિશ્વાસે ફેનિલને ફોન કર્યો ત્યારે ફેનિલે ફોન ઉઠાવ્યો નહતો. ઘણી શોધખોળ કર્યા બાદ પણ ફેનિલ મળી આવ્યો નહતો, જેથી વિશ્વના પિતા વિપુલભાઈએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફેનિલ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:04 pm

મોડાસામાં ડમ્પરની ટક્કરે ગાયનું મોત:ચાલકે 300 ફૂટ સુધી ઢસડી, પોલીસે કાર્યવાહી કરી

મોડાસાના પેલેટ ચોકડી પાસે ગત મોડી રાત્રે એક ડમ્પર ચાલકે બેફામ રીતે વાહન ચલાવી ગાયને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ગાય ડમ્પરના ટાયરમાં ફસાઈ ગઈ હતી અને તેને લગભગ 300 ફૂટ સુધી ઢસડવામાં આવી હતી. આસપાસના લોકોએ બૂમાબૂમ કરીને ડમ્પરને રોકાવ્યો હતો અને ચાલકને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે ઝડપાયેલા ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 1:02 pm

19 ડિસેમ્બરે અમદાવાદમાં ભારત VS આફ્રિકાની T20 મેચ:સિરિઝની છેલ્લી મેચ મોદી સ્ટેડિયમમાં રમાશે; રૂ.500-1000ની ટિકિટ ઓનલાઈન જ મળશે, જાણો કેવી રીતે મેળવવી

19 ડિસેમ્બરના રોજ ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. મેચને લઈને લોકોમાં અત્યારથી જ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લી ટી-20 મેચ માટેની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ઓનલાઇન અને ઓફલાઈન બંને રીતે ટિકિટ ખરીદી શકાય છે. મોટેરામાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે લોકો મેચની ટિકિટ લેવા માટે આવી રહ્યા છે. રૂ. 500 અને 1000ની ટિકિટ માત્ર ઓનલાઇન જ મળશે અને બુકિંગ કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવવાની રહેશે. જ્યારે રૂ. 2000થી ઉપરની ટિકિટ સ્ટેડિયમ ખાતેથી ફિઝિકલ પણ મેળવી શકશો. રૂ.500 અને 1000ની ટિકિટ વેબસાઈટ પરથી બુક થશેવિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શુક્રવારે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી T20 મેચ રમાવવાની છે, જેની ઓનલાઇન-ઓફલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. https://in.bookmyshow.com વેબસાઈટ પરથી ઓનલાઇન ટિકિટ બુક કરી શકાય છે. જોકે રૂ.500 અને 1000ની ફિઝિકલ ટિકિટ સ્ટેડિયમ પરથી મેળવી શકાશે નહીં. માત્ર ઓનલાઇન બુકિંગ કરવાની રહેશે. ટિકિટ બુક કર્યા બાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવેલા બોક્સ ઓફિસમાંથી તેમજ મોબાઇલમાંથી જે જગ્યા પરથી ટિકિટ મેળવવાનો મેસેજ આવે ત્યાંથી ટિકિટ મેળવી લેવાની રહેશે. અત્યારથી ટિકિટ મેળવવા લોકો મોદી સ્ટેડિયમ પહોંચ્યાંરૂ. 2000, 2500, 4500, 8500 અને તેનાથી ઉપરની ટિકિટો ઓનલાઇન બુકિંગ અને ઓફલાઈન એમ બંને રીતે મેળવી શકાશે. જોકે, ઓનલાઇન ટિકિટ બુક કરાવ્યા બાદ ફિઝિકલ ટિકિટ મેળવી લેવાની રહેશે. જે લોકો ઓનલાઈન ટિકિટ બુકિંગ કરાવી રહ્યા છે અને જેમને ખબર છે કે બોક્સઓફિસ ખાતેથી ટિકિટ મેળવવાની છે, તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેના બોક્સ ઓફિસથી લેવા માટે આવી રહ્યા છે. મોટાભાગે રૂ. 500 અને 1000, 4500 તેમજ 8500ની ટિકિટનું ખૂબ ઝડપથી વેચાણ થઈ રહ્યું છે. યુવા ટીમને જોવા ખૂબ જ ઉત્સાહ છેઃ સંદીપમોડી સ્ટેડિયમ પર ટિકિટ લેવા આવેલા સંદીપ ઠાકોરે જણાવ્યું હતું કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની છેલ્લી T20 મેચ જોવા માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવી હતી અને તેઓ ફિઝિકલ ટિકિટ લેવા માટે સ્ટેડિયમ ખાતે આવ્યા હતા. મેચનો ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણી બધી ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. લોકો વિરાટ કોહલી અને રોહિત શર્માના મોટા ફેન છે, પરંતુ અત્યારે નવી યુવા ટીમ આવી છે, જેમાં સૂર્યકૂમારી યાદવ, હાર્દિક પંડ્યા, તિલક વર્મા સહિતના ખેલાડીઓ છે. આ ઉપરાંત અંકિત શર્મા પણ સારી બેટિંગ કરી રહ્યો છે, ત્યારે યુવા ટીમને જોવા માટેનો ખૂબ જ ઉત્સાહ છે. સિરિઝ કોણ જીતશે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ નક્કી થશેઃ સત્યમઅન્ય ક્રિકેટરસિક સત્યમે જણાવ્યું હતું કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની મેચ જોવાનો ખૂબ જ ઉત્સાહ છે. બંને ટીમ ખૂબ સરસ રમી રહી છે. ટેસ્ટ, વનડે અને અત્યારે T20માં પણ સારું પ્રદર્શન રહ્યું છે, ત્યારે મેચ જોવા માટેની મજા આવશે. બંને ટીમો અત્યારે ખૂબ સારું રમી રહી છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે સિરિઝનું સિરિઝ કોણ જીતશે તે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ નક્કી થશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 12:47 pm

જંબુસરમાં ચાલુ મોટરસાઇકલમાં આગ લાગી:સમયસર કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી, સર્કિટ કે ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા

ભરૂચ જિલ્લાના જંબુસર શહેરના વ્યસ્ત ડેપો સર્કલ વિસ્તારમાં આજે એક ચાલતી મોટરસાઇકલમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી.બાઈકમાંથી અચાનક ધુમાડો નીકળતા જ થોડી જ ક્ષણોમાં આગ ભભૂકી ઊઠી હતી,જેના કારણે માર્ગ પર અફરાતફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું. આગ લાગતાં વાહનચાલકે તાત્કાલિક બાઈક રસ્તાની બાજુએ ઊભું રાખી પોતાની જાન બચાવી હતી. ઘટનાને નજરે જોયા બાદ આસપાસના સ્થાનિક દુકાનદારો તેમજ વાહનચાલકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર આગ બુઝાવાતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી અને કોઈ જાનહાની થવા પામી નહોતી. જોકે આગની ઘટનામાં મોટરસાઇકલને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ કે ટેકનિકલ ખામીના કારણે આગ લાગી હોવાની શક્યતા છે.બનાવની જાણ થતા સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 12:40 pm

વલસાડમાં સાયબર ફ્રોડનો ખુલાસો:સસ્તા US ડોલર, ઊંચા વ્યાજ અને સસ્તા ઇલેક્ટ્રોનિક સાધનોની લાલચ આપી રૂ.4.91 લાખની છેતરપિંડી

વલસાડ શહેરમાં સાયબર છેતરપિંડીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. સસ્તા યુ.એસ. ડોલર, ઊંચા વ્યાજ અને સસ્તા ઇલેક્ટ્રોનિક સાધનોની લાલચ આપીને વિવિધ બેંક ખાતાઓ દ્વારા કુલ ₹4.91 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. આ મામલે વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસ સ્ટેશનના PSI ડેનિશ સામુભાઈ પટેલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, CID ક્રાઈમ, ગુજરાત રાજ્યના સાયબર ક્રાઈમ સેલ તરફથી SAMANVAYA પોર્ટલ પર મળેલા ઇનપુટના આધારે વલસાડ જિલ્લામાં મ્યુલ બેંક એકાઉન્ટ્સની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન AU સ્મોલ ફાઇનાન્સ બેંકનું એક શંકાસ્પદ ખાતું મળી આવ્યું હતું. આ શંકાસ્પદ ખાતું હેમંત વાલજીભાઈ સાવરીયા (રહે. એ-વિંગ 209, લક્ષ્મી નારાયણ ટાઉનશીપ, તારાબાગ સોસાયટી સામે, વલસાડ)ના નામે હોવાનું બહાર આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આરોપીએ પોતાના, પત્ની અને ભાઈના નામે અલગ-અલગ બેંકોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. આ ખાતાઓ દ્વારા વિવિધ રાજ્યોમાંથી થયેલી સાયબર ફરિયાદોમાં કુલ ₹4,91,783/- જેટલી રકમ મેળવવામાં આવી હતી. આરોપીએ આ તમામ રકમ ઉપાડી લીધી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ આ હકીકતો કબૂલી હોવાનું પણ જાણવા મળ્યું છે. આ મામલે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)–2023ની કલમ 317(2), 317(4), 318(4) તેમજ આઈ.ટી. એક્ટ–2008ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 12:37 pm

ગાંજાની ગેરકાયદે ખેતીનો પર્દાફાશ:રાજકોટના અણીયારા ગામની સીમમાં તુવેરની ખેતી વચ્ચે ગાંજાનું વાવેતર ઝડપાયુ, 1.11 કરોડનો સૂકો-ભીનો ગાંજો ઝડપાયો, દેવું થઇ જતા કાકા પાસેથી પ્રેરણા મેળવી હતી

31 ડિસેમ્બર પૂર્વે રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. રાજકોટ શહેર આજીડેમ પોલીસ દ્વારા અણીયારા ગામની સીમમાં ઘઉં અને તુવેરની ખેતી વચ્ચે કરવામાં આવેલ ગાંજાની ખેતી ઝડપી પાડવામા આવી છે જેમાં પોલીસે ગાંજાના 64 છોડ ઝડપી પાડી ભીનો અને સૂકો મળી કુલ 1.11 કરોડ કિંમતનો 223 કિલોગ્રામ જેટલો ગાંજાનો જથ્થો ઝડપી પાડી વાવેતર કરનાર આરોપી હના સવા ગાબુની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીને દેવું થઇ જતા છેલ્લા દોઢ વર્ષથી પોતે ગાંજાની ખેતી કરતો હોવાનું સામે આવ્યું છે આ માટે તેને તેના કાકાએ પ્રેરણા આપી ગાંજાનું બીજ વાવેતર કરવા આપ્યું હોવાનું સામે આવ્યું છે જેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ ડીસીપી ઝોન 1 હેતલ પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર આજીડેમ પોલીસ સ્ટેશન ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે અણીયારા ગામની સીમમાં ઢાંઢણી ગામ તરફ જતા કાચા રસ્તા પર નાથાભાઈ સિંધવની વાડીમાં આરોપી હનાભાઈ સવાભાઈ ગાબુ (ઉ.વ.48)એ ગાંજાનું વાવેતર કર્યું છે જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા વાડીમાંથી ભીનો અને સુક્કો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો અને કુલ 64 જેટલા ગાંજાના છોડ મળી કુલ 223 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ગાંજાનો જથ્થો મળી કુલ 1 કરોડ 11 લાખ 70 હજારનો મુદામાલ કબ્જે કરી આરોપીના રિમાન્ડ મેળવવા તાપસ તજવીજ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીએ પોતે દેવું થઇ જતા તેમના કાકા પાસેથી ગાંજાનું બીજ મેળવી ગાંજાની ખેતી કરવા પ્રેરણા મેળવી હતી અને ગાંજાનો જથ્થો પણ ચોટીલા વિસ્તારમાં રહેતા તેના કાકાને જ આપતો હોવાની કબૂલાત આપી હતી જેથી તેને લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોતે છેલ્લા દોઢ વર્ષથી 14 વીઘા જેટલી જગ્યામાં ગાંજાની ખેતી કરતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે જો કે ખેતર માલિકની કોઈ ભૂમિકા છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 12:27 pm

'માથામાં લાકડાનો ધોકો-પેટમાં છરી મારી, બંને પગ અલગ કરી નાખ્યા':પુત્રની સામે જ પિતાની તેમના જન્મદિવસે ધાતકી હત્યા, પાંચ શખસોએ તલવાર-પાઇપથી હુમલો કરી પતાવી દીધા

કલોલ રેલવે પૂર્વમાં માત્ર ત્રણ દિવસ જૂના એક સામાન્ય ઝઘડાની અદાવતમાં ગઈકાલે (13 ડિસેમ્બર)ની મોડી રાત્રે પાંચ જેટલા શખ્સોએ તલવાર, લોખંડની પાઇપ અને ધોકા જેવા ઘાતક હથિયારો સાથે હુમલો કરીને જાહેરમાં જ શ્રમજીવીની કરપીણ હત્યા કરી નાખી હતી. મૃતક 13 ડિસેમ્બરે તેમના જન્મદિવસની પાર્ટી મનાવી રહ્યા હતા, ત્યારે જ જૂની અદાવત રાખીને નવીન ઉર્ફે ભાણો સોલંકી, નયન ઉર્ફે કાભઈ સોલંકી સહિત પાંચ આરોપીઓ રિક્ષામાં ધસી આવ્યા હતા. ખેંગારભાઈને રિક્ષાની ટક્કર મારી નીચે પાડી દીધા બાદ આડેધડ હુમલો કરી જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી. પુત્રની નજર સામે જ પિતાને મોતને ઘાટ ઉતારી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. આ મામલે કલોલ શહેર પોલીસે પાંચેય આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જમણવાર હોવાથી ખેંગારભાઈએ રસ્તો બંધ કર્યો હતોકલોલ રેલવે પૂર્વ ત્રિકમ નગરમાં રહેતા શ્રમજીવી ચેતન ઉર્ફે ચિરાગ અને તેના પિતા ખેંગારભાઈ સવાભાઈ પરમાર છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. ગત તા. 10મી ડિસેમ્બરના રોજ નજીક રહેતા અશોકજી ઠાકોરના દીકરાના લગ્નનો જમણવાર ચાલતો હતો. જેના કારણે ઘરની આગળનો રસ્તો થોડીવાર માટે બંધ કર્યો હતો. તે વખતે રાત્રિના નવેક વાગ્યે નવીન ઉર્ફે ભાણો અમૃતભાઈ સોલંકી તેનું બાઈક લઈ નીકળ્યો હતો. ખેંગારભાઈએ બાઇક રોકીને ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયોજમણવાર ચાલતો હોવાથી રસ્તો બંધ કર્યો હોવા છતાં બાઈક લઈને નીકળતા ખેંગારભાઈએ બાઇક રોકીને ઠપકો આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. બધાએ વચ્ચે પડી ઝઘડો વધુ ઉગ્ર થતાં અટકાવી દીધો હતો. જે બાદ ગઈકાલે 13 ડિસેમ્બરે ખેંગારભાઈનો જન્મદિવસ હોવાથી તેમના મિત્રો અશોકજી ઠાકોર અને ચીકાજી ઠાકોર સાથે જન્મદિવસની પાર્ટીનું અંડરબ્રિજના સર્વિસ રોડ ઉપરના ફૂટપાથ ઉપર આયોજન કર્યું હતું. પાંચ આરોપીઓ એક રિક્ષામાં ઘટનાસ્થળે ધસી આવ્યાઆ દરમિયાન ચિરાગ અને તેનો મિત્ર કાંધલસિંહ કેકનો ઓર્ડર આપવા કલોલ બજારમાં ગયા હતા. જ્યારે જૂની અદાવત રાખીને નવીન ઉર્ફે ભાણો સોલંકી, નયન ઉર્ફે ટા ભાઈ સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને અમૃતભાઈ સોલંકી એમ કુલ પાંચ આરોપીઓ એક રિક્ષામાં ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. ​આરોપી મનોજ મકવાણાએ પહેલા રિક્ષાની ટક્કર ખેંગારભાઈને મારી તેમને નીચે પાડી દીધા હતા. તલવાર જેવા ઘાતક હથિયારથી હુમલો કરી ઈજા પહોંચાડીત્યારબાદ તમામ આરોપીઓએ તલવાર, લોખંડની પાઇપ અને લાકડાના ધોકા જેવા હથિયારો વડે ખેંગારભાઈના શરીર પર આડેધડ હુમલો કર્યો હતો. આ હુમલાની જાણ થતા ​થતાં જ ખેંગારભાઈનો પુત્ર ચિરાગ સ્થળ પર દોડી ગયો હતો, પરંતુ આરોપીઓ તેને પણ જાનથી મારી નાખવા હથિયારો સાથે ધસી ગયા હતા. જેથી જીવ બચાવીને ચિરાગ ત્યાંથી ભાગી ગયો હતો. ડોક્ટરે સારવાર અર્થે ખસેડેલા ખેંગારભાઈને મૃત જાહેર કર્યાઆ દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત ખેંગારભાઈને તેમના મિત્ર અશોકજી ઠાકોર તાત્કાલિક શ્રદ્ધા હોસ્પિટલ લઈ ગયા હતા. ​ત્યાંથી તેમને સત્યમેવ હોસ્પિટલ ચાંદખેડા રિફર કરવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ ખેંગારભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ચિરાગની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે નવિન ઉર્ફે ભાયો અમરતભાઇ સોલંકી, નયન ઉર્ફે કાભઇ પસાભાઇ સોલંકી, સોનુ મકવાણા,મનોજ મકવાણા અને અમરતભાઇ સોલંકી સોલંકી વિરુધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 12:02 pm

‘વાળ ખરવા લાગ્યા તો પતિએ કીધું મુંડન કરાવી દે’:મહિલા પોલીસકર્મીનું કેન્સરના દર્દીઓ માટે 'કેશદાન'; કહ્યું- હું સ્ત્રી છું કંઇપણ કરી શકું છું

સામાન્ય રીતે મહિલાઓની સુંદરતામાં વાળનું મહત્વ ઘણું આંકવામાં આવે છે, ત્યારે એક મહિલા પોલીસકર્મીએ આ જ માન્યતાને પડકારીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંધીનગર સાયબર પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા અને મૂળ સાબરકાંઠાના ખોડમ ગામના વતની દામિનીબેન જીગ્નેશકુમાર પટેલે કેન્સરના દર્દીઓની મદદ માટે પોતાના માથાના સંપૂર્ણ વાળનું મુંડન કરાવી 'કેશ દાન' કર્યું છે. તેમના આ નિર્ણયે સમગ્ર પંથકમાં માનવતાની મહેક પ્રસરાવી છે અને અનેક મહિલાઓ માટે પ્રેરણાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. સખીની પ્રેરણા અને પતિનો સહયોગદામિનીબેનના આ ઉમદા કાર્ય પાછળ તેમની સખી અનુબેન પટેલની પ્રેરણા જવાબદાર છે. થોડા દિવસો અગાઉ જ્યારે અનુબેને પણ કેન્સર પીડિતો માટે મુંડન કરાવી હેર ડોનેશન કર્યું હતું, ત્યારે દામિનીબેનને આ સેવાકીય કાર્યમાં જોડાવાનો વિચાર આવ્યો. આ ઉપરાંત, તેમના પતિ જીગ્નેશભાઈએ પણ વાળ ખરવાની વાત પર મુંડન કરાવવા માટે પ્રોત્સાહન આપ્યું હતું, જેણે તેમના આ નિર્ણયને વધુ મજબૂત બનાવ્યો હતો. પરિવારની સંપૂર્ણ સંમતિ મળતા, દામિનીબેને Hair Donate કરતી સંસ્થાનો સંપર્ક કર્યો અને 12/12/25ના રોજ સંપૂર્ણ મુંડન કરાવી પોતાના વાળનું દાન કર્યું હતું. મહિલા પોલીસકર્મી દામિનીબેન પટેલે જણાવ્યું હતું કે, આપણે સૌ પૈસાનું તો દાન કરી શકીએ છીએ પણ વાળનું દાન સંવેદના અને લાગણી સાથે જોડાયેલ છે. મારા વાળ તો થોડા સમયમાં પાછા આવી જશે પણ જેને વાળ નથી તેમને મારા વાળ મળશે એટલે એમના ચહેરા પર ખુશી આવશે એ જ મારા માટે મહત્વની વાત છે. અત્યારસુધીમાં 380થી વધુ કેન્સર પીડિત બહેનોને મફત Hair Wigs આપવામાં આવીદામિનીબેન દ્વારા ડોનેટ કરાયેલા વાળ NGOમાં મોકલવામાં આવે છે, જ્યાંથી તેમાંથી Hair Wigs તૈયાર કરવામાં આવે છે. આ અભિયાન હેઠળ સમગ્ર ભારતભરમાં અત્યારસુધીમાં 380થી વધુ કેન્સર પીડિત બહેનોને આ Hair Wigs મફતમાં આપવામાં આવ્યા છે, જેથી તેમના ચહેરા પર સ્મિત લાવી શકાય. 'વાળ ન હોવા એ શરમનું પ્રતીક નથી'આ નિર્ણય થકી દામિનીબેને કેન્સરની સારવાર દરમિયાન વાળ ગુમાવનાર બહેનોને એક મહત્વનો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે, ઘણી બહેનો વાળ ખરવા લાગે તો ડિપ્રેશનમાં આવી જાય છે. વાળ ના હોવા શરમનું પ્રતીક નથી, તે પણ આપણા શરીરનો હિસ્સો છે એને આપણે સહજતાથી સ્વીકારવું જોઈએ. તમારે કોઈપણ જાતના ટેન્શન કે ડિપ્રેશન વગર ખુલ્લા મને જાહેરમાં ફરવું જોઈએ. હું પણ ખુલ્લા માથે જ બધે ફરવાની છું. મને વિશ્વાસ છે કે અમારા આ પ્રયાસથી આવી ઘણી બધી બહેનોમાં આત્મવિશ્વાસ આવશે. દામિનીબેનનું આ પગલું સાબિત કરે છે કે સાચી સુંદરતા બાહ્ય દેખાવમાં નહીં, પરંતુ દયા અને માનવતાના કાર્યમાં રહેલી છે. તેમણે વધુમાં જણાવ્યું હતુંં કે, કેન્સર પીડિતો માટે કેશદાન કરવા ઈચ્છતી બહેનો 'Bald Beauty India' જેવા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા આવા અભિયાનમાં જોડાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 11:59 am

વોટર લિસ્ટ સુધારણાના નામે છેતરપિંડીની જાળ!:‘તમારું નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે’ કહી લોકોને ડરાવી ઠગોનું APK ફાઈલથી ડિજિટલ ફ્રોડ

હાલમાં દેશભરમાં મતદાર યાદીના સુધારણા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી ચાલી રહી છે. આ તકનો લાભ લઈને સાયબર ઠગ ટોળકી સક્રિય થઈ છે અને લોકોના મોબાઈલ પર છેતરામણી લિંક મોકલી રહ્યાં છે. જો તમારા ફોન પર અજાણ્યા નંબર પરથી મતદાર યાદીમાં નામ ચેક કરવા અથવા સુધારવા માટે કોઈ લિંક કે APK ફાઈલ આવે તો તેને ભૂલથી પણ ક્લિક ન કરવી, કારણ કે આ એક નવા પ્રકારનો ડિજિટલ ફ્રોડ છે. સાયબર ઠગો લોકોને વોટર લિસ્ટના નામે ડરાવે છેસાયબર ઠગો લોકોમાં ડર પેદા કરવા માટે કોલ અથવા વ્હોટ્સએપ મેસેજનો સહારો લે છે. તેઓ દાવો કરે છે કે, તમારું નામ વોટર લિસ્ટમાંથી કાઢી નાખવામાં આવ્યું છે અને જો તમારે તમારો વોટિંગ અધિકાર જાળવી રાખવો હોય, તો મેસેજમાં આપેલી લિંક દ્વારા તરત જ વેરિફિકેશન કરવું પડશે. લોકો પોતાનો મતાધિકાર ગુમાવવાના ડરથી ઉતાવળમાં આવીને આવી લિંક પર ક્લિક કરી દે છે અથવા ફાઈલ ડાઉનલોડ કરી લે છે, જે વાસ્તવમાં એક ખતરનાક વાયરસ હોય છે. શહેરના અનેક લોકો પાસે આવી શંકાસ્પદ ફાઈલો આવી છેઃ DCPઆ છેતરપિંડીની પદ્ધતિ વિશે માહિતી આપતા ડીસીપી બિશાખા જૈને જણાવ્યું હતું કે, આવા કિસ્સાઓ અમારા ધ્યાનમાં આવ્યા છે, જ્યાં ઠગ ટોળકી APK ફાઈલ મોકલીને મોબાઈલ હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. શહેરના અનેક લોકો પાસે આવી શંકાસ્પદ ફાઈલો આવી છે. ઠગ લોકોના મનમાં વોટિંગ રાઈટ કટ થઈ જવાનો ડર બતાવીને દબાણ કરે છે. નાગરિકોને અપીલ છે કે વોટર લિસ્ટ કે SIR ને લગતી કોઈ પણ માહિતી માત્ર સત્તાવાર સરકારી વેબસાઈટ પરથી જ તપાસવી અને કોઈ પણ શંકાસ્પદ મેસેજ આવે તો તરત જ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરવી. APK ફાઈલ ઇન્સ્ટોલ કરવાથી ઠગના હાથમાં મોબાઈલનો સંપૂર્ણ એક્સેસએકવાર યુઝર આ મેલિશિયસ APK ફાઈલ ઇન્સ્ટોલ કરે, એટલે ઠગના હાથમાં મોબાઈલનો સંપૂર્ણ એક્સેસ આવી જાય છે. આના દ્વારા તેઓ તમારા ખાનગી મેસેજ વાંચી શકે છે અને બેંકિંગ વ્યવહાર માટે આવતા OTP પણ ચોરી લે છે. સાયબર પોલીસના જણાવ્યા અનુસાર, ઠગ આ રીતે લોકોના બેંક એકાઉન્ટની વિગતો મેળવીને ગણતરીની મિનિટોમાં ખાતું ખાલી કરી નાખે છે. આ આખું જાળ એટલું વ્યવસ્થિત રીતે બિછાવવામાં આવે છે કે સામાન્ય માણસને છેતરાયાનો ખ્યાલ પણ આવતો નથી. લોકોને આવા મેસેજથી દુર રહેવા અપીલનિષ્ણાતો અને પોલીસ તંત્ર દ્વારા જનતાને સાવધ રહેવા વિનંતી કરવામાં આવી છે. વોટર લિસ્ટમાં નામ જોવા કે સુધારવા માટે હંમેશા ભારતના ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઈટ અથવા અધિકૃત એપ્લિકેશનનો જ ઉપયોગ કરવો જોઈએ. જો કોઈ અજાણ્યા નંબર પરથી ધમકીભર્યો કે લાલચ આપતો કોલ આવે, તો તેને અવગણીને સાયબર હેલ્પલાઈન પર જાણ કરવી હિતાવહ છે. તમારી જાગૃતિ જ તમને અને તમારી મહેનતની કમાણીને સુરક્ષિત રાખી શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 11:59 am

જામનગર મહાનગરપાલિકાએ સાયક્લોથોનનું આયોજન કર્યું:'હર ઘર સ્વદેશી' અભિયાન હેઠળ 2500થી વધુ લોકો જોડાયા

જામનગર મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અને 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ' અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, કમિશનર ડી.એન. મોદી અને Dysp જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ તથા પદાધિકારીઓએ સાયક્લોથોનને ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાયક્લોથોનમાં બે કેટેગરી રાખવામાં આવી હતી: 10 કિલોમીટર અને 25 કિલોમીટર. બંને કેટેગરીનો રૂટ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટરથી શરૂ થઈને ત્યાં જ પૂર્ણ થયો હતો. સાયક્લોથોન ઇવેન્ટમાં બંને કેટેગરી (10 કિ.મી. અને 25 કિ.મી.) નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરનાર તમામ સ્પર્ધકોમાંથી લકી ડ્રો કરવામાં આવ્યો હતો. જેમાં બંને કેટેગરીમાંથી પ્રથમ દસ-દસ સ્પર્ધકો, એટલે કે કુલ 20 સ્પર્ધકોને જામનગર મહાનગરપાલિકા તરફથી સ્થળ પર જ નવી સાયકલ ઇનામ સ્વરૂપે આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 11:29 am

વડોદરામાં ફરી ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટના:ઓલ્ડ પાદરા રોડ પર નશામાં ધૂત કારચાલકે ટુ-વ્હીલર સવાર દંપતિને અડફેટે લીધા, આરોપીની પોલીસે ધરપકડ કરી

વડોદરા શહેરમાં રાત્રીના સમયે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના કારણે ફરી એક વખત અકસ્માતની ઘટના સામે આવી છે. નશામાં ધૂત ગ્રાન્ડ વીટારા કારચાલકે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ હેવમોર સર્કલ પાસે ટુ-વ્હીલર પર સવાર એક દંપતિને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દંપતિને ઈજા પહોંચી છે, પરંતુ સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી. આ મામલે જેપી રોડ પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી કારચાલક ટીંકુ વિજેન્દ્રસિંહ (મૂળ રહે. ઉત્તર પ્રદેશ, હાલ રહે. દર્શન નગર, કોતર તલાવડી પાસે, માંજલપુર, વડોદરા) નશાની હાલતમાં કાર ચલાવતો હતો. તેણે હેવમોર સર્કલ પાસે ટુ-વ્હીલરને અડફેટે લીધા બાદ કારને આગળ વધારી હતી. પરંતુ વાસણા રોડ પર જેપી રોડ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. આ અકસ્માતથી ટુ-વ્હીલર સવાર દંપતિને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને સ્થાનિકોમાં કારચાલક સામે રોષ જોવા મળ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી જે.પી. રોડ પોલીસે આરોપી કારચાલકની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન ખાતે લાવ્યો હતો. પોલીસે તેની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેમજ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 11:28 am

વાપીમાં 'હર ઘર સ્વદેશી' અભિયાન હેઠળ સાયકલોથોન-મેરેથોન:નાગરિકો, યુવાનો અને રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો

વાપી મહાનગરપાલિકા દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અભિયાન અંતર્ગત સાયકલોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકાર અને ગુજરાત સરકારના અભિગમને સાર્થક કરવા માટે યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આસ્થાબેન સોલંકીના અધ્યક્ષપણા હેઠળ થયું હતું. સાયકલિંગ ક્લબના મેયર હરીશભાઈ ભગત અને સભ્ય રાકેશભાઈ દેસાઈ સહિત અન્ય અગ્રણીઓએ સહયોગ આપ્યો હતો. આ કાર્યક્રમમાં વિવિધ વયજૂથના નાગરિકો, યુવાનો, વિદ્યાર્થીઓ, મહિલા મંડળો અને રમતવીરો મોટી સંખ્યામાં જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆત યોગા અને ઝુમ્બાના સત્રોથી કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન માર્ગ સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ માટે પોલીસ વિભાગ, સ્વયંસેવકો, તબીબી ટીમ અને મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સાયકલોથોન અને મેરેથોનમાં ભાગ લેનાર તમામને ઈ-પ્રમાણપત્રો આપવાનું આયોજન કરાયું હતું, જેનાથી ભાગ લેનારાઓને વિશેષ પ્રોત્સાહન મળ્યું. આ કાર્યક્રમ દ્વારા 'હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી' અને 'ફિટ ઇન્ડિયા' જેવા સરકારના મહત્વના સંદેશાઓ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 11:27 am

ભાજપના ત્રણ નેતાઓ વડાપ્રધાનને મળશે:CM, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ દિલ્હી પહોંચ્યા, સરકારની કામગીરી અને સંગઠન અંગે ચર્ચા થશે

રાજ્યના મુખ્યમંત્રીના ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દિલ્હી ખાતે પહોંચ્યા છે. ગુજરાતના ત્રણેય નેતાઓ આજે 14 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. અચાનક ત્રણેય નેતાઓ દિલ્હી ખાતે પહોંચતા રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. સૂત્રો મુજબ ગુજરાતમાં નવા સંગઠનની રચના અને ગુજરાતમાં સરકારની કામગીરીને લઈને મહત્વની ચર્ચા થઈ શકે છે. આ બેઠકાં નવા સંગઠનને લઈને મહત્વપૂર્ણ હોવાની ચર્ચાગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નવા સંગઠનની જાહેરાત કરવાની છે, પરંતુ હજી સુધી સંગઠન જાહેર નથી થયું, ત્યારે આ બેઠકમાં સંગઠનને લઈને પણ મહત્વની ચર્ચા કરવામાં આવે તેવું જણાઈ રહ્યું છે. ગુજરાત ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકર પણ દિલ્હી ખાતે છે ત્યારે તેમની સાથે પણ ત્રણેય નેતાઓ મુલાકાત કરીને વડાપ્રધાન સમક્ષ નવા સંગઠનના માળખા અંગે ચર્ચા કરશે. ત્રણેય નેતા આજે વડાપ્રધાન સાથે મુલાકાત કરશેસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગઈકાલે 13 ડિસેમ્બરના રોજ દિલ્હી ખાતે પહોંચ્યા હતા. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂક બાદ નવા સંગઠન અંગે કોઈ હલચલ જોવા મળતી નહોતી. જો કે, ત્રણેય નેતા એક સાથે દિલ્હી ખાતે પહોંચ્યા છે, ત્યારે સંગઠનને લઈને હલચલ શરૂ થઈ છે. ત્રણેય નેતાઓ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ગુજરાત સરકારની ચાલતી કામગીરીને લઈને અને નવા સંગઠનના માળખા બાબતે આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 11:15 am

બોટાદમાં પ્રભારી સચિવ સંજીવ કુમારની સમીક્ષા બેઠક:વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સના આયોજનની તૈયારીઓ ચકાસાઈ

બોટાદ જિલ્લાના પ્રભારી સચિવ સંજીવ કુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન અને જિલ્લાના વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રભારી સચિવ સંજીવ કુમારે બેઠક દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગોની વર્તમાન કામગીરીની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે તમામ વિભાગોને જનહિતના કાર્યોને પ્રાથમિકતા આપવા અને કામગીરીમાં વધુ ઝડપ લાવવા માટે જરૂરી સૂચનો કર્યા હતા. આ સમીક્ષા બેઠકમાં આગામી ૧૯મી તારીખે બોટાદ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના આયોજન પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. પ્રભારી સચિવએ કોન્ફરન્સના સફળ આયોજન માટેની તમામ પૂર્વતૈયારીઓની ઝીણવટભરી સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા, નિવાસી કલેકટર પી. એલ. ઝણકાત, ડી.આર.ડી.એ. નિયામક ભાર્ગવ પટેલ સહિત સંકલનના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ પોતપોતાના વિભાગની કામગીરીનો અહેવાલ રજૂ કરી અપાયેલા માર્ગદર્શન મુજબ કામગીરી કરવાની ખાતરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 11:05 am

કોટ વિસ્તારમાં આવતીકાલથી બે દિવસ પાણીકાપ:સોમવારે પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે, મંગળવારે પણ ઓછા દબાણથી સપ્લાય મળતા 4 લાખ લોકો પરેશાન થશે

સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં રહેતા નાગરિકો માટે મુશ્કેલીના સમાચાર સામે આવ્યા છે. વરાછા મેઈન રોડ પર માનગઢ ચોક જંક્શન પાસે આવેલી મુખ્ય પાણીની ડિસ્ટ્રિબ્યુશન લાઈનમાં મોટું લીકેજ સર્જાયું છે. આ લીકેજને કારણે લાખો લિટર પાણીનો બગાડ થતો અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક રિપેરિંગની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મરામતને કારણે આગામી સોમવાર અને મંગળવાર એમ બે દિવસ શહેરના મધ્ય ભાગમાં પાણી પુરવઠો ખોરવાયેલો રહેશે. 15 ડિસેમ્બરે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રખાશેતંત્ર દ્વારા જાહેર કરાયેલા શેડ્યૂલ મુજબ, સમારકામની આ કામગીરી 14 ડિસેમ્બર, રવિવારના રોજ રાત્રે 11:00 વાગ્યાથી જ શરૂ કરી દેવામાં આવશે, જે સતત 15 ડિસેમ્બર, સોમવારના બપોરે 12:00 વાગ્યા સુધી ચાલશે. આ લાંબી કામગીરીને પગલે 15 ડિસેમ્બર સોમવારના રોજ સવારના સમયે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. ત્યારબાદ, 16 ડિસેમ્બર મંગળવારના રોજ પણ સ્થિતિ સામાન્ય નહીં થાય અને લોકોને ખૂબ જ ઓછા દબાણથી અથવા મર્યાદિત જથ્થામાં પાણી મળશે, જેનાથી લોકોની દિનચર્યા પર માઠી અસર પડશે. આટલા રહેણાંક વિસ્તારોમાં પણ પાણીનો પુરવઠો પ્રભાવિત થશેઆ પાણી કાપની સૌથી મોટી અસર શહેરના સેન્ટ્રલ ઝોનના દક્ષિણ વિભાગમાં જોવા મળશે. ખાસ કરીને રાજમાર્ગથી દક્ષિણ તરફ આવેલા તમામ વિસ્તારો જેવા કે બેગમપુરા, સલાબતપુરા, ગોપીપુરા, સગરામપુરા, નાનપુરા અને રૂદરપુરામાં પાણી નહીં મળે. આ ઉપરાંત સોની ફળીયા, રેલ્વે સ્ટેશન વિસ્તાર અને સુમુલ ડેરી રોડ આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ પાણીનો પુરવઠો પ્રભાવિત થશે. ચાર લાખ જેટલી વસતીને સીધી અસરમંગળવારે સવારના 5:00થી 8:00 ના મુખ્ય સપ્લાય સમય દરમિયાન પણ પાણીનો ભારે કાપ અનુભવાશે. પાલિકાના આ રિપેરિંગ કામને કારણે અંદાજે ચાર લાખ જેટલી વસતીને સીધી અસર થવાની સંભાવના છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે. તેઓ રવિવારે જ જરૂરી પાણીનો સંગ્રહ કરી લે જેથી સોમવાર અને મંગળવારે પડનારી મુશ્કેલી નિવારી શકાય. લીકેજ મોટું હોવાથી કામમાં સમય લાગી શકે તેમ હોવાથી નાગરિકોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા પણ વિનંતી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 10:37 am

હિમાલયા મોલ પાસેથી દારૂનો મોટો જથ્થો ઝડપાયો:LCBએ 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી, 5 ફરાર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ હિમાલયા મોલના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 1273 બોટલ દારૂ, એક કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.11,00,740 નો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા, જ્યારે અન્ય પાંચને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે, આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ LCB સ્ટાફ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી. બાતમી મુજબ, હિમાલયા મોલના પાર્કિંગમાં સફેદ કલરની મારૂતિ સુઝુકી સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર GJ-06-PR 3321 માં બહારથી લાવવામાં આવેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો હતો અને બે વ્યક્તિઓ કારમાં બેઠા હતા. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કારમાંથી 'ફોર સેલ ઇન ચંદીગઢ ઓન્લી' લખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 1273 બોટલો મળી આવી હતી. આરોપીઓએ કાર પર ખોટી નંબર પ્લેટ HR-68-C 2595 લગાવી હતી, જેનો ઉપયોગ તેઓ ખોટી રીતે કરી રહ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી વિશાલ ઉર્ફે ગૌરવ સુરેન્દ્રપાલ પહેલ ઉ.વ.25, રહે. ઝીંદ, હરિયાણા) અને મેહુલ પરશોત્તમભાઈ બારૈયા ઉ.વ.28, રહે. સોનગઢ, ભાવનગર ની ધરપકડ કરી હતી. આ કેસમાં અજય રહે. ખરખોદા, હરિયાણા, યોગેન્દર, ભાવના ઉર્ફે આશા અને હરેશ ઉર્ફે ભયલુ સહિત પાંચ અન્ય આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એસ રમની બોટલ નંગ-22 કિ.રૂ.8,800, ઓલ્ડ મોંકની બોટલ નંગ-168 કિ.રૂ.2,18,400, વ્હીસ્કીની બોટલ નંગ-950 કિ.રૂ.3,32,500, વ્હીસ્કીની બોટલ નંગ-233 કિ.રૂ.30,290, કાર નંબર-GJ-06-PR 3321 કિ.રૂ.5,00,000, ખોટી લખેલ નંબર પ્લેટ HR-68-C 2595, રોકડા રૂ.7500, મોબાઇલ ફોન કિ.રૂ.10,000 મળી કુલ કિ.રૂ.11,00,740 નો મુદ્દામાલ ઝડપી લીધો હતો, આ તમામ વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 10:33 am

નલિયાને પાછળ છોડી અમરેલી સિઝનમાં પહેલીવાર સૌથી ઠંડુ:રાજ્યના 9 શહેરમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું; બેવડી ઋતુ યથાવત્ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન

રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આશિક ઘટાડો નોંધાઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જો કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થયા બાદ ઠંડીમાં ફરી એક વખત વધારો થઈ શકે છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે રાજ્યમાં 9 જેટલા શહેરો છે કે, જેનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી કરતા ઓછું નોંધાયું છે. તેમાં પણ સૌથી નીચું તાપમાન પહેલીવાર અમરેલીમાં 11.2 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ઠંડા શહેર તરીકે જાણીતા નલિયામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 7 દિવસ વાતાવરણમાં કોઈ ફેરફાર નહિઃ હવામાન રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગે જણાવ્યું કે, આગામી કેટલાક દિવસ વાતાવરણ સુકું રહેવાની શક્યતા છે. આગામી 7 દિવસ સુધી વાતાવરણમાં કોઈ વધારે બદલાવ થઈ શકે તેવી શક્યતા નહિવત છે. 4 દિવસ લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે. રાજ્યમાં બેવડી ઋતુ રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ 14 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 13 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. અત્યારે પવનની દિશા પૂર્વીય તરફના પવન ફૂંકાઈ રહ્યા છે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીમાં ઘટાડો થવાની સંભાવના છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 10:31 am

જામનગરમાં બે ગ્રામ્ય માર્ગોના નવીનીકરણને મંજૂરી:કુલ 4.60 કરોડના ખર્ચે કામગીરી શરૂ, મુસાફરી બનશે સરળ

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુધારણા માટે માર્ગ અને મકાન વિભાગે કુલ 4.60 કરોડ રૂપિયાના ખર્ચે બે મહત્વના માર્ગોને મંજૂરી આપી છે. આ કામગીરીથી જામજોધપુર અને લાલપુર તાલુકાના લોકોને સીધો લાભ મળશે. મંજૂર કરાયેલા માર્ગો પૈકી, 8.100 કિલોમીટર લાંબા બમથીયા-નાના ખડબા રોડના નવીનીકરણ માટે 4 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ માર્ગ જામજોધપુરના બમથીયા અને લાલપુરના નાના ખડબા ગામને જોડે છે, જેની સપાટી લાંબા સમયથી ખરાબ હતી. આ કામગીરીમાં માટીકામ, ડામર કામ, સી.ડી. વોર્ક્સ, પૂર સંરક્ષણ દીવાલ અને રોડ ફર્નિચરનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી બમથીયા, નાના ખડબા, ભોજાબેડી અને ચોરબેડી સહિત આસપાસના ગામોના વાહનચાલકોને આરામદાયક, સલામત અને ઝડપી મુસાફરીનો લાભ મળશે. અન્ય એક પ્રોજેક્ટ હેઠળ, મોટા પાંચસરાથી રાજ્ય ધોરીમાર્ગને જોડતા 1.5 કિલોમીટર લાંબા માર્ગ માટે 60 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ માર્ગ મોટા પાંચસરા ગામને રાજ્ય ધોરીમાર્ગ સાથે જોડે છે. અહીં ડામર કામ અને રોડ ફર્નિચર દ્વારા સપાટી સુધારણાની કામગીરી હાથ ધરાશે, જેનાથી વાહનચાલકોને સુવિધાજનક મુસાફરીનો લાભ મળશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કે. બી. છૈયા અને નાયબ કાર્યપાલક ઇજનેર બી.આર. વસરા દ્વારા આ બંને રસ્તાઓની સપાટી સુધારણાની કામગીરી સત્વરે શરૂ કરવામાં આવી છે. આ કામો ઉચ્ચ ગુણવત્તા સાથે નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 10:22 am

શંખેશ્વરના પાડલામાં મજૂરે પરિવાર પર હુમલો:મજૂરીના પૈસા ન મળતા માલિક, પત્ની અને પુત્રને છરી મારી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે મજૂરીના પૈસા ન મળતા એક મજૂરે તેના નોકરીદાતા, તેમની પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટના મધરાત્રે બે વાગ્યે બની હતી. હુમલામાં ઘાયલ થયેલા ત્રણેયને પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પાડલા ગામના અલી ઉર્ફે અલ્યારખાન ભટ્ટી તેમના તબેલામાં પશુઓને ઘાસપૂળો કરવાની છૂટક મજૂરી માટે ગામના સોહિલ રસુલખાન કુરેશીને રાખતા હતા. 12 ડિસેમ્બરના રોજ રાત્રે 8 વાગ્યે સોહિલે અલી ભટ્ટી પાસે છેલ્લા એક મહિનાના બાકી મજૂરીના પૈસાની માંગણી કરી હતી. જેના જવાબમાં અલીભાઈએ સગવડ થશે ત્યારે પૈસા આપવાનું જણાવ્યું હતું. મજૂર સોહિલ કુરેશી મધરાત્રે લગભગ બે વાગ્યે અલી ભટ્ટીના ઘર પાસે પહોંચ્યો હતો. તેણે જોરજોરથી બૂમો પાડી અને ગાળો બોલી, કેમ તમે મજૂરીના પૈસા આપતા નથી? તેમ કહીને સૂતેલા અલી ભટ્ટીના ગળાના ભાગે છરી મારી દીધી હતી. અલી ભટ્ટીની પત્ની મેમુદાબીબીએ છરી પકડી લેવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે તેમના 12 વર્ષીય પુત્ર અરશદને ઇબ્રાહિમકાકાને ફોન કરવા કહ્યું. અરશદ ફોન કરી રહ્યો હતો ત્યારે સોહિલે તેને હાથના બાવડાના ભાગે છરીનો બીજો ઘા માર્યો હતો. પુત્રને બચાવવા વચ્ચે પડેલી માતા મેમુદાબીબીને પણ હાથ અને ખભા પર છરીના ઘા વાગ્યા હતા. ત્રણેય જણાએ બૂમરાડ પાડતા ગામના લોકો જાગી ગયા હતા. લોકો ભેગા થતા હુમલાખોર સોહિલ નાસી ગયો હતો. ઇજાગ્રસ્તોને લોહી વધુ ન વહે તે માટે કપડા બાંધીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અલી ભટ્ટી બેભાન અવસ્થામાં સેપ્ટિક વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે તેમના પુત્ર અરશદને પેટના ભાગે ઓપરેશન બાદ સર્જીકલ વિભાગમાં અને મેમુદાબીબીને ઇમરજન્સી વોર્ડમાં સારવાર અપાઈ રહી છે. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 10:13 am

રાજકોટમાં જળક્રાંતિનો શંખનાદ:દેશની 111 પવિત્ર નદીઓના જળ સાથે 2100 કળશની વાજતે-ગાજતે જલયાત્રા યોજાઈ, રેસકોર્સમાં યોજાનાર વિશ્વની સૌપ્રથમ ‘જલકથા’ને વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળશે

સૌરાષ્ટ્રની ધરા પર જળસંચયના અભિયાનને એક નવી ઊંચાઈએ લઈ જવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટના આંગણે ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત અને વિખ્યાત કથાકાર ડૉ. કુમાર વિશ્વાસના વ્યાસપીઠે તા. 15થી 17 ડિસેમ્બરે યોજાનાર વિશ્વની સર્વપ્રથમ ‘જલકથા’ પૂર્વે આજે રાજકોટના રાજમાર્ગો પર ભક્તિ અને જનજાગૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ‘જળ એ જ જીવન’ના મંત્રને સાર્થક કરવા દેશભરની 111 પવિત્ર નદીઓના જળ એકત્રિત કરી 2100 જેટલા જલકળશની વાજતે-ગાજતે મહાયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં જલપ્રેમીઓ, મહિલાઓએ જોડાઈને જળ સંરક્ષણ માટે મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. તેમજ વૈદિક મંત્રોચ્ચાર સાથે પવિત્ર જળનું પૂજન કરવામાં આવ્યું હતું. રેસકોર્સમાં યોજાનાર વિશ્વની પ્રથમ ‘જલકથા’ને જુદા-જુદા વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મળનાર છે. ભવ્ય જલકળશ યાત્રા અને મહા જલપૂજન આ યાત્રાનો પ્રારંભ રાજકોટના બહુમાળી ભવન ચોકથી કરવામાં આવ્યો હતો. યાત્રાનું મુખ્ય આકર્ષણ દેશની 111 પવિત્ર નદીઓનું જળ હતું, જેને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના સ્વયંસેવકો દ્વારા દેશના ખૂણેખૂણેથી એકત્ર કરવામાં આવ્યું હતું. આ પવિત્ર જળને 2100 કળશમાં ભરીને રાજકોટની વિવિધ સોસાયટીઓ, જ્ઞાતિ મંડળો અને ધર્મસ્થાનકોમાં પૂજન માટે અગાઉ મોકલવામાં આવ્યા હતા. આજે આ તમામ કળશ સાથે હજારો મહિલાઓ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને યાત્રામાં જોડાઈ હતી. ઢોલ-નગારા અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે બહુમાળી ચોકથી નીકળેલી આ યાત્રા મુખ્ય માર્ગ પર ફરીને રેસકોર્સ મેદાન ખાતે પહોંચી હતી. રેસકોર્સના મેદાનમાં વૈદિક મંત્રોચ્ચાર અને શાસ્ત્રોક્ત વિધિ સાથે મહા જલપૂજનનો કરવામાં આવ્યું હતું. વરુણ દેવની આરાધના કરી સૌરાષ્ટ્રની ભૂમિને જળસભર બનાવવાની પ્રાર્થના કરવામાં આવી હતી. દિલીપ સખીયાનો સંકલ્પ: 1,11,111 જળ સ્ટ્રક્ચર આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપ સખીયાએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર માટે પાણી એ માત્ર જરૂરિયાત નથી પણ પ્રગતિનો મુખ્ય આધાર છે. ટ્રસ્ટ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછતને કાયમી ધોરણે નિવારવા માટે 1,11,111 જળ સ્ટ્રક્ચરો તૈયાર કરવાનો ભગીરથ સંકલ્પ લેવામાં આવ્યો છે. માત્ર ચેકડેમ કે બોર રિચાર્જ કરવાથી જળક્રાંતિ નહીં આવે, પણ જ્યારે દરેક નાગરિકના હૃદયમાં જળ પ્રત્યે આદર જાગશે ત્યારે જ સાચું પરિવર્તન આવશે. આ જલકથાનો મુખ્ય ઉદ્દેશ્ય જન-જન સુધી જળ સંરક્ષણની ભાવના પહોંચાડવાનો છે. આ કળશમાં માત્ર નદીઓનું પાણી નથી, પરંતુ તેમાં કરોડો લોકોની આસ્થા અને આવનારી પેઢી પ્રત્યેની જવાબદારી છુપાયેલી છે. તેમણે તમામ સમાજ અને સંગઠનોને આ અભિયાનમાં ખભેખભા મિલાવીને જોડાવા આહવાન કર્યું હતું. તેમજ જણાવ્યું હતું કે, આ કથા માત્ર સાંભળવા માટે નથી પણ જીવનમાં ઉતારવા માટે છે, જેથી આપણે આવનારી પેઢીને જળમગ્ન ધરતી વારસામાં આપી શકીએ. વિશ્વની પ્રથમ ‘જલકથા’ અને વર્લ્ડ રેકોર્ડની હારમાળા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન આયોજિત ‘જલકથા: અપને શ્યામ કી’ અનેક રીતે ઐતિહાસિક સાબિત થવાની છે. ડૉ. કુમાર વિશ્વાસ પોતાની આગવી શૈલીમાં જળના મહત્વને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરશે. આ કાર્યક્રમ વિશ્વનો સૌથી મોટો જળ-વિશ્વાસ મેળાવડો બનવા જઈ રહ્યો છે, જેની નોંધ ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિત 7 પ્રતિષ્ઠિત એજન્સીઓ લેશે. આ રેકોર્ડ્સને પ્રમાણિત કરવા માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ, OMG બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સના પ્રતિનિધિ ખાસ રાજકોટમાં હાજર રહેશે. IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ આ સમગ્ર પ્રક્રિયાનું સંકલન કરી રહી છે. આ આયોજનને જળ સંરક્ષણ માટેના વિશ્વના પ્રથમ અને સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે માન્યતા મળવાની છે, જે રાજકોટ અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ હશે. જળ સંરક્ષણ માટે જન આંદોલન જલકથાના આ માધ્યમથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પર્યાવરણ અને જળસંચયને એક ઉત્સવનું રૂપ આપી રહ્યું છે. જલકથાના દિવસોમાં કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં હજારો લોકો એકસાથે પાણી બચાવવાના શપથ લેશે. આ કાર્યક્રમમાં આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત જ્ઞાનનો સંગમ જોવા મળશે. ડૉ. કુમાર વિશ્વાસ દ્વારા જળ અને જીવનના અતૂટ સંબંધને કવિતા અને કથાના માધ્યમથી વણી લેવામાં આવશે, જે યુવા પેઢીને જળ સુરક્ષા પ્રત્યે જાગૃત કરવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. રાજકોટમાં અત્યારે લોકોમાં આ અદ્ભુત આયોજનને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 10:10 am

જામનગરમાં રવિ સિઝન માટે 4200 ટન યુરિયા ઉપલબ્ધ:ખેતીવાડી વિભાગે અછતની અફવાઓથી દૂર રહેવા ખેડૂતોને અપીલ કરી

જામનગર જિલ્લામાં ચાલુ રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકો અને ગ્રામ્ય કક્ષાના વિક્રેતાઓ પાસે કુલ 4,200 મેટ્રિક ટન યુરિયાનો સંગ્રહ છે. ખેતીવાડી વિભાગ, જામનગરે ખેડૂતોને યુરિયાની અછત અંગેની અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લાના છ તાલુકા કેન્દ્રો અને ગ્રામ્ય સહકારી મંડળીઓ ખાતે આ જથ્થો ઉપલબ્ધ છે. હાલમાં પાકની સારી પરિસ્થિતિને કારણે યુરિયા ખાતરની આવશ્યકતા છે, જેને પહોંચી વળવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પુરવઠામાં વધારો કરવા માટે, ચાલુ અઠવાડિયામાં હાપા ખાતેના રેક પોઈન્ટ પર ઇફકો કંપની દ્વારા યુરિયા ખાતરની રેક આવી હતી, જેમાંથી જામનગર જિલ્લાને 1500 મેટ્રિક ટન યુરિયાનો પુરવઠો મળ્યો છે. આ ઉપરાંત, ક્રિભકો કંપની દ્વારા પણ 750 મેટ્રિક ટન યુરિયા ખાતરનો પુરવઠો ટૂંક સમયમાં પૂરો પાડવામાં આવશે. અન્ય ખાતર ઉત્પાદક કંપનીઓ દ્વારા પણ તમામ તાલુકાઓમાં નિયમિત સપ્લાય ચાલુ છે. નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), જામનગરે સ્પષ્ટ કર્યું છે કે ઉપલબ્ધ જથ્થા અને આગામી પુરવઠાને ધ્યાનમાં લેતા જિલ્લામાં યુરિયા ખાતરની કોઈ અછત થવાની શક્યતા નથી. તેમણે ખેડૂતોને પોતાની જરૂરિયાત મુજબનો જથ્થો માન્ય રાસાયણિક ખાતરના વિક્રેતાઓ પાસેથી આધાર નંબર રજૂ કરીને અને પાકું બિલ મેળવીને જ ખરીદવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 10:07 am

દિવ્યાંગો માટે સૌરાષ્ટ્રવ્યાપી નિઃશુલ્ક કેમ્પ:રાજકોટમાં 16થી 18 ડિસેમ્બર શારીરિક ખોડખાપણ ધરાવતા દિવ્યાંગોને કૃત્રિમ હાથ-પગ તેમજ કેલીપસનું વિનામૂલ્યે વિતરણ કરાશે

રાજકોટમાં દિવ્યાંગતા મુક્ત ભારતની નેમ સાથે, પવિત્ર સંસ્થા પરમાર્થ નિકેતન (ઋષિકેશ) અને મહાવીર સેવા સદન (કોલકત્તા) દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રના દિવ્યાંગજનોના જીવનમાં નવી આશા અને સહાય પૂરી પાડવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. આ બંને અગ્રણી સંસ્થાઓના સહયોગથી હાલ વિવિધ સ્થળે શારીરિક ખોડખાંપણ ધરાવતા દિવ્યાંગો માટે વિના મૂલ્યે કૃત્રિમ હાથ-પગ અને કેલીપસના વિતરણ કેમ્પ્સનું સફળતાપૂર્વક આયોજન થઈ રહ્યું છે. આ જ શ્રેણીમાં, આગામી તારીખ 16થી 18 ડિસેમ્બર સુધી રાજકોટ ખાતે ત્રણ દિવસીય મેગા નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે સૌરાષ્ટ્રના સેંકડો દિવ્યાંગો માટે જીવનપરિવર્તનકારી સાબિત થશે. આ આયોજનમાં SBI RSETI, એક્સેલન્સ દિવ્યાંગ ફાઉન્ડેશન અને જેમ્સ એન્ડ જ્વેલરી ફેડરેશનનો મહત્વનો સહયોગ રહ્યો છે. કૃત્રિમ હાથ-પગ તેમજ કેલીપસનું વિનામૂલ્યે વિતરણ કરાશેઆ ત્રિદિવસીય વિના મૂલ્યે કેમ્પનું આયોજન રાજકોટમાં એસ.બી.આઇ. ટ્રેનિંગ સેન્ટર, એ.જી. સ્ટાફ કોલોની સામે કરવામાં આવ્યું છે. જેમાં શારીરિક ખોડખાંપણ ધરાવતા જરૂરિયાતમંદ દિવ્યાંગોને આધુનિક અને ગુણવત્તાયુક્ત કૃત્રિમ હાથ-પગ તેમજ કેલીપસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે, જેથી તેઓ સન્માનભેર અને સ્વતંત્ર જીવન જીવી શકે. આ કેમ્પની સફળતા સુનિશ્ચિત કરવા માટે હાલમાં તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે, જેમાં દિવ્યાંગોના રજીસ્ટ્રેશનથી લઈને માપણી અને વિતરણ સુધીની તમામ પ્રક્રિયાઓનું ઝીણવટભર્યું આયોજન સામેલ છે. 3 દિવસમાં 300થી વધુ દિવ્યાંગોને સહાય પૂરી પાડવાનો લક્ષ્યાંકનિ:શુલ્ક મેગા કેમ્પનો મુખ્ય હેતુ ગુજરાતના ખૂણેખૂણેથી આવતા વધુમાં વધુ દિવ્યાંગજનોને આર્થિક બોજ વિના ટેક્નોલોજીકલ સહાય પૂરી પાડવાનો છે. કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ ત્રણ દિવસમાં 300થી વધુ દિવ્યાંગોને સહાય પૂરી પાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. પરમાર્થ નિકેતન અને મહાવીર સેવા સદન દ્વારા આ પ્રકારના કેમ્પ્સ દ્વારા દિવ્યાંગોને માત્ર કૃત્રિમ અંગો નહીં, પરંતુ આત્મવિશ્વાસ અને સ્વ-સહાયની ભાવના પણ આપવામાં આવે છે. દરરોજ 50થી 60 જેટલા દિવ્યાંગોને સહાયભૂત સાધનો એનાયત કરાશેદિવ્યાંગો માટે આગામી સમયમાં એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ અંદાજે 50થી 60 જેટલા દિવ્યાંગોને બોલાવીને તેમની જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવામાં આવશે. જે દિવ્યાંગોને હાથ કે પગમાં ક્ષતિ હોય અથવા જેમને કેલીપસની જરૂર હોય, તેમને આ કેમ્પ દરમિયાન સહાયભૂત સાધનો એનાયત કરવામાં આવશે. આ કામ માટે કોલકાતાથી નિષ્ણાત ડોક્ટરો અને ટેકનિશિયનોની ટીમ પણ રવાના થઈ ચૂકી છે, જે રવિવાર સુધીમાં એટલે કે આજે આવી પહોંચશે અને મંગળવારથી આ કાર્યક્રમની વિધિવત શરૂઆત કરવામાં આવશે. ગુજરાતના વિવિધ જિલ્લા અને સૌરાષ્ટ્રના દિવ્યાંગો ભાગ લેશેકેમ્પમાં દિવ્યાંગોને કેલીપસનું વિતરણ કરવામાં આવશે. આ કેલીપસમાં વપરાતું મટીરીયલ મોંઘું હોવાથી તેની અંદાજિત કિંમત રૂ. 15,000 જેવી થાય છે. અત્યાર સુધીમાં આ યોજનાનો લાભ લેવા માટે 300 જેટલા લોકોના નામ નોંધાઈ ચુક્યા છે અને હજુ પણ ફોન દ્વારા પૂછપરછ ચાલુ છે. જો વધુ લોકો આવશે તો તેમને પણ સહાય પૂરી પાડવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આ કેમ્પમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓ જેવા કે નવસારી, સુરત, ડાંગ, આહવા, સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, ખેડા, નડિયાદ, અમદાવાદ, વડોદરા અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી દિવ્યાંગો ભાગ લેશે. વિવિધ અગ્રણીઓ અને સંસ્થાઓનો સહયોગઆ પવિત્ર કાર્યને સફળ બનાવવા માટે રાજકોટના અનેક અગ્રણીઓ અને સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. પ્રખર ગાયત્રી ઉપાસક ઘનશ્યામ ઠક્કરની પ્રેરણા અને માર્ગદર્શન આ આયોજન માટે મુખ્ય આધાર સ્તંભ બન્યા છે. તેમની સાથે, જેમ્સ એન્ડ જ્વેલરી એકેડેમીક ફેડરેશન રાજકોટની ટીમે પણ સક્રિય સહયોગ આપ્યો છે. ઉપરાંત, જાણીતા અગ્રણી નિખિલભાઈ બારભાયા અને SBI Rsetiના પવનકુમાર ગૌર વગેરે મહાનુભાવોનો પણ અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે, જેના થકી આટલો વિશાળ અને નિ:શુલ્ક કેમ્પ સફળતાપૂર્વક આયોજિત થવા જઈ રહ્યો છે. વધુમાં વધુ લોકો આ મહાયજ્ઞમાં જોડાય તેવી આશાઆ કેમ્પ સૌરાષ્ટ્રભરના દિવ્યાંગો માટે એક સુવર્ણ તક છે. દિવ્યાંગો અને તેમના પરિવારોને અપીલ કરવામાં આવે છે કે, આ કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે સમયસર નોંધણી કરાવે. આ સેવા યજ્ઞ થકી, દિવ્યાંગતાના પડકારો સામે લડી રહેલા લોકોને એક નવું બળ મળશે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં ગૌરવભેર જોડાઈ શકશે. આયોજકોએ આશા વ્યક્ત કરી છે કે સૌરાષ્ટ્રના અન્ય સેવાભાવી લોકો પણ ભવિષ્યમાં આવા કાર્યક્રમમાં જોડાઈને દિવ્યાંગજનોનાં કલ્યાણના આ મહાયજ્ઞને વેગ આપશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 9:48 am

મ્યુ. કમિશનરની સૂચના માત્ર કાગળ પર:AMCના પ્લોટમાં ખાણી-પીણી બજાર શરૂ થઈ ગયું; એસ્ટેટ વિભાગના અધિકારીને જાણ છતાં કાર્યવાહી નહિ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં કોઈપણ દબાણ ન થાય તેના માટે સીસીટીવી કેમેરા લગાવવા અને જો દબાણ હોય તો દૂર કરવા માટેની સૂચના મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જોકે, શહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત ગાંધીનગર હાઇ-વે પર પેલેડિયમ બિઝનેસ હબની બાજુમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટમાં ખાણી-પીણી બજાર શરૂ થઈ ગયું છે. પ્લોટમાં 10થી 15 લારીઓ, ટેબલ-ખુરસી સાથે ઉભી રહે છે. કોર્પોરેશનના પ્લોટમાં દિવાલ કરેલી હોવા છતાં પણ દરવાજો લગાવવામાં આવ્યો નથી. દિવસે લારીઓ આજ પ્લોટમાં મૂકવામાં આવે છે અને રાત્રે આખું ખાણી-પીણી બજાર શરૂ થઈ જાય છે. પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડના એસ્ટેટ વિભાગના અધિકારીઓની મિલીભગતથી આખું ખાણી-પીણી બજાર ચાલતું હોવાનું સામે આવ્યું છે. આ પ્લોટ જાહેર હરાજીમાં મૂકવામાં આવ્યો છેઃ અધિકારીપશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના TDO મહેશ તાબીયાડે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં દિવાલ કરી દેવામાં આવી છે. જ્યાં પાણી-પીણી બજાર ભરાય છે, ત્યાં ગેટ લગાવવામાં આવશે. આ પ્લોટ જાહેર હરાજીમાં મૂકવામાં આવ્યો છે, જેનું ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે, જેથી હવે પ્લોટ વેચાણ માટે મૂકી દેવાયો છે. ચાંદખેડા વોર્ડના ભાજપના કોર્પોરેટર અરુણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, જો કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આ રીતે દબાણ હશે તો ખાલી કરાવી દેવામાં આવશે. ફરિયાદ બાદ પણ એસ્ટેટ વિભાગે કાર્યવાહી ન કરીશહેરના ચાંદખેડા વિસ્તારમાં વિસત-ગાંધીનગર હાઇ-વે પર પેલેડિયમ બિઝનેસ હની એકદમ બાજુમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીનો પાર્કિંગ હેતુ માટેનો વિશાળ પ્લોટ આવેલો છે. શહેરમાં પાર્કિંગની સમસ્યાને ધ્યાનમાં રાખીને પાર્કિંગ હેતુ માટેના પ્લોટ રાખવામાં આવ્યા છે, પરંતુ પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર અને આસિસ્ટન્ટ ટીડીઓની રહેમ નજર હેઠળ છેલ્લા એક વર્ષથી ખાણી-પીણી બજાર ઊભું થઈ ગયું છે. કોર્પોરેશનની માલિકીનો પ્લોટ હોવા છતાં પણ 15થી 20 લારીઓ દરરોજ સાંજે ખાણી-પીણી માટે ત્યાં ટેબલ ખુરશી સાથે લાગી જાય છે. અવારનવાર આ પ્લોટમાં રાત્રે ખાણી-પીણી બજાર ભરાતું હોવાની ફરિયાદ મળી છે, પરંતુ એસ્ટેટ વિભાગના અધિકારીઓએ કોઈ પગલા લીધા નહીં. મ્યુ. કમિશનરના આદેશને એસ્ટેટ વિભાગ ઘોળીને પી ગયો તાજેતરમાં જ મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં કોઈ દબાણ હોય તો તેને દૂર કરવા અને સીસીટીવી કેમેરા લગાવવા સહિત સૂચના આપી હતી. જે પ્લોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી દિવાલ કરીને બંધ કરવામાં આવ્યો છે, પરંતુ ગેટ લગાવવામાં આવ્યો નથી. દિવાલ બની ગઈ હોવા છતાં પણ પ્લોટમાં દરરોજ રાત્રે ખાણી-પીણી બજાર ભરાઈ જાય છે. મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ પણ પશ્ચિમ ઝોનના ચાંદખેડા વોર્ડના એસ્ટેટ વિભાગના અધિકારીઓએ પ્લોટની માલિકીમાં ખાણી-પીણી બજાર ભરાય છે, છતાં પણ કોઈ કાર્યવાહી કરી નથી. પ્લોટમાં ઉભા રહેવા માટે અધિકારીઓ પૈસા ઉઘરાવતા હોવાની ચર્ચાસુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ પ્લોટ માં છેલ્લા એક વર્ષથી ખાણી-પીણી બજાર જે ભરાઈ રહ્યું છે, તે એસ્ટેટ વિભાગના અધિકારીઓને કેટલાક સ્થાનિક લોકોની મીલીભગતથી ચાલી રહ્યું છે. પ્લોટમાં ઉભા રહેવા માટે પૈસા ઉઘરાવવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ચાંદખેડા વોર્ડના વોર્ડ ઇન્સ્પેક્ટર સુમન રાઠોડ અને એસ્ટેટ વિભાગના અધિકારી મહેશ તાબીયાડ સમક્ષ આ બાબતે રજૂઆત પણ મળી હોવા છતાં પણ આ પ્લોટમાંથી ખાણી-પીણી બજાર બંધ કરાવવામાં આવ્યું નથી. કરોડો રૂપિયાની કિંમત અને જગ્યામાં ખાણીપીણી બજાર ચાલી રહ્યું છે, પરંતુ મ્યુનિસિપલ કોર્પોરેશનને એક પણ રૂપિયાની આવક થઈ રહી નથી. કોર્પોરેશનની પ્લોટના માલિકીમાં ગેરકાયદેસર રીતે ઘુસીને ખાણી-પીણી બજારનો ધંધો ખૂબ ચાલે છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 9:34 am

ગીર સોમનાથમાં નેશનલ લોક અદાલત: 4698 કેસનો નિકાલ:રૂ. 11.79 કરોડથી વધુના વિવાદોનું સુખદ સમાધાન

ગીર સોમનાથ જિલ્લામાં ન્યાય પ્રક્રિયાને સરળ, ઝડપી અને લોકોપયોગી બનાવવાના ઉદ્દેશ્ય સાથે તા. 13 ડિસેમ્બર, 2025ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી, ન્યૂ દિલ્હીના આદેશ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લાની તમામ અદાલતોમાં આ લોક અદાલત યોજાઈ હતી. આ નેશનલ લોક અદાલતનું અધ્યક્ષસ્થાન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ વી.બી. ગોહીલ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. લોક અદાલતમાં ન્યાયાધીશો, વકીલો, કાનૂની અધિકારીઓ તથા પક્ષકારોની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. વિવિધ પ્રકારના કેસોનો સંમતિથી નિકાલલોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ કલમ-138 હેઠળના કેસો, ભરણ-પોષણના કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માત વળતર સંબંધિત કેસો, મેજિસ્ટ્રેટના સ્પેશ્યલ સિટીંગના કેસો, પ્રિ-લીટીગેશન કેસો તેમજ ટ્રાફિક ચલણના કેસોનો પરસ્પર સંમતિથી અને સુખદ વાતાવરણમાં નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં કુલ 729 પેન્ડીંગ કેસો, મેજિસ્ટ્રેટના સ્પેશ્યલ સિટીંગમાં 1913 કેસો, પ્રિ-લીટીગેશનના 2056 કેસો મળીને કુલ 4698 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ તમામ કેસોના સમાધાન દ્વારા કુલ રૂ. 11,79,28,688/- જેટલી રકમના વિવાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથના સેક્રેટરી જે.એન. પટેલે જાહેર કરેલી યાદીમાં જણાવ્યું છે. લોક અદાલતથી લોકોને મોટી રાહતલોક અદાલતના માધ્યમથી પક્ષકારોને સમય, ખર્ચ અને લાંબી કાનૂની પ્રક્રિયાથી મુક્તિ મળી છે. સંમતિ આધારિત ન્યાયથી પક્ષકારોમાં સંતોષની લાગણી જોવા મળી હતી. ન્યાય સુધી સરળ પહોંચ અને સમાધાનની સંસ્કૃતિ વિકસાવવા લોક અદાલત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી હોવાનું આ આયોજનથી ફરી એકવાર સાબિત થયું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 9:25 am

અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર, બેના મોત, 8 ઈજાગ્રસ્ત

USA Firing News : અમેરિકાના રોડ આઇલેન્ડ સ્થિત પ્રતિષ્ઠિત બ્રાઉન યુનિવર્સિટીમાં શનિવારે બપોરે એક ભયાનક ઘટના સામે આવી છે. ફાઇનલ પરીક્ષા ચાલી રહી હતી તે દરમિયાન કાળા કપડાં પહેરેલા એક અજાણ્યા શખ્સે યુનિવર્સિટીની એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ જીવલેણ હુમલામાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે અને અન્ય આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. હુમલાખોર હજી ફરાર છે અને પોલીસ તેની સઘન શોધખોળ કરી રહી છે. એન્જિનિયરિંગ બિલ્ડિંગમાં અંધાધૂંધ ફાયરિંગ

ગુજરાત સમાચાર 14 Dec 2025 8:29 am

દંપતીએ ફાઇનાન્સ કંપનીના સીલ તોડી પ્રવેશ કર્યો:7 લાખની લોન ન ભરતા મકાન ટાંચમાં લેવાયું હતું

સરસ્વતી તાલુકાના મોરપા ગામે ફાઇનાન્સ કંપની દ્વારા સીલ કરાયેલા મકાનમાં ગેરકાયદેસર રીતે સીલ તોડી પ્રવેશ કરવા બદલ ફરિયાદ નોંધાઈ છે. એસ.આર.જી. ફાઇનાન્સ કંપનીની પાલનપુર શાખાના ઓથોરાઇઝડ ઓફિસર સાગર પરમારે વાગડોદ પોલીસ મથકે મોરપાના પાંચાભાઈ અને મેનાબેન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદ મુજબ, પાંચાભાઈ અને મેનાબેને 16 ડિસેમ્બર, 2020ના રોજ ઉપરોક્ત મકાન પર રૂ. 7 લાખની લોન લીધી હતી. થોડા હપ્તા ભર્યા બાદ તેમણે હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. ફાઇનાન્સ કંપનીએ નોટિસ આપવા છતાં બાકી હપ્તા ભરવામાં આવ્યા ન હતા.આથી, ફાઇનાન્સ કંપનીએ પાટણ કોર્ટમાંથી મોર્ગેજ મિલકતનો કબજો મેળવવા માટે હુકમ મેળવ્યો હતો. કોર્ટના આદેશ બાદ, 20 ઓક્ટોબર, 2024ના રોજ કોર્ટ કમિશ્નરની હાજરીમાં કંપનીએ મકાનનો કાયદેસર કબજો મેળવી તેને સીલ કર્યું હતું. જોકે, 7 નવેમ્બર, 2024ના રોજ કંપનીએ મકાન તપાસતા તેના સીલ તૂટેલા જણાયા હતા અને દંપતી મકાનમાં રહેતું હતું. કંપનીએ તેમને પૂછતાં, દંપતીએ આ મકાન તેમનું હોવાનું અને ખાલી નહીં કરે તેમ જણાવ્યું હતું. આ ઘટના બાદ, ફાઇનાન્સ કંપનીએ દંપતી વિરુદ્ધ ગેરકાયદેસર રીતે સીલ તોડી મકાનમાં પ્રવેશ કરવા અને કંપનીને નુકસાન પહોંચાડવાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 8:28 am

જામનગરમાં LCBએ મોટરસાઇકલ ચોરને ઝડપ્યો:ત્રણ ચોરાઉ મોટરસાઇકલ સાથે ₹75,000નો મુદ્દામાલ જપ્ત

જામનગર LCB પોલીસે મોટરસાઇકલ ચોરીના એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ₹75,000ની કિંમતના ત્રણ ચોરાઉ મોટરસાઇકલ જપ્ત કર્યા છે. આ કાર્યવાહી જામનગર શહેર વિસ્તારમાં અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે કરવામાં આવી હતી. જામનગર જિલ્લાના પોલીસ વડા ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાએ જિલ્લામાં દાખલ થયેલા અનડિટેક્ટેડ ગુનાઓ શોધી કાઢવા માટે LCB PIને સૂચના આપી હતી. જેના પગલે LCBના PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન LCB સ્ટાફના દિલીપભાઈ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને કાસમભાઈ બ્લોચને મળેલી ખાનગી હકીકતના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. ગુલાબનગર, રિલાયન્સ પેટ્રોલપંપની પાછળ, શહીદી ચોક, જામનગરમાં રહેતા રેહાનભાઈ બોદુભાઈ કુરેશી નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીના કબજામાંથી ગુલાબનગર વાંઝાવાસમાં રહેતા અનવર ઉર્ફે અનુ ઉર્ફે ચકેડી ઇસ્માઇલભાઈ સિપાઈના વંડામાંથી ચોરી કરીને મેળવેલા હીરો હોન્ડા અને હીરો કંપનીના કુલ ત્રણ મોટરસાઇકલ મળી આવ્યા હતા, જેની કિંમત ₹75,000 આંકવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલાએ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે અને વધુ તપાસ માટે કેસ સિટી 'બી' પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આ ગુનામાં અનવર ઉર્ફે અનુ ઉર્ફે ચકેડી ઇસ્માઇલભાઈ સિપાઈ હજુ ફરાર છે. આ કાર્યવાહીથી જામનગર સિટી 'બી' પોલીસ સ્ટેશનના ત્રણ અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમગ્ર કાર્યવાહી PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને LCB સ્ટાફના ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર વગેરે દ્વારા કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 8:24 am

મંત્રી મનીષા વકીલે સુરેન્દ્રનગર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી:બાળકો સાથે સંવાદ કરી પૂર્વ પ્રાથમિક શિક્ષણનું માર્ગદર્શન આપ્યું

મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-1 અંતર્ગત આવેલા આંગણવાડી કેન્દ્ર નં.44ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીએ બાળકો સાથે સંવાદ કરી તેમના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીએ આંગણવાડી સંચાલક બહેનને બાળકોના ભાષા વિકાસ, રમતગમત, શારીરિક આરોગ્ય અને સ્વચ્છતા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી. તેમણે બાળકોના વિકાસ માટે વધુ સર્જનાત્મક પ્રવૃત્તિઓ અમલમાં મૂકવાની સલાહ પણ આપી હતી. આ ઉપરાંત, તેમણે શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને તમામ બાળકોને સ્વેટરનું વિતરણ કર્યું હતું. ડૉ. મનીષા વકીલે આંગણવાડી કેન્દ્રની દૈનિક વ્યવસ્થાઓની વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે કેન્દ્રની સ્વચ્છતા, બાળકોને આપવામાં આવતો પોષણયુક્ત આહાર, ભૌતિક સુવિધાઓ, રેકોર્ડ રખાવાની પદ્ધતિ, હાજરી રજીસ્ટર, આરોગ્ય રેકોર્ડ અને પોષણ વિતરણ જેવી બાબતોની ઝીણવટભરી તપાસ કરી હતી. તેમણે શિક્ષણ માટે ઉપલબ્ધ સાધનસામગ્રી, રમકડાં અને અન્ય સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અમલ કેવી રીતે થઈ રહ્યો છે તે અંગે પણ સમીક્ષા કરી હતી. આ મુલાકાતમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, વર્ષાબેન દોશી, દેવાંગભાઈ રાવલ, હાર્દિકભાઈ ટમાલિયા, રાજભા ઝાલા, આઇસીડીએસ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયા સહિત સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, મહિલા અને બાળ કલ્યાણ રાજ્યમંત્રી ડૉ. મનીષા વકીલે સુરેન્દ્રનગર જિલ્લાની મુલાકાત દરમિયાન વઢવાણ ખાતે પદ્મશ્રી લવજીભાઈ પરમારની અધ્યક્ષતા હેઠળની શ્રી આરાધ્યા ટાંગલિયા હાથવણાટ સહકારી મંડળી લી.ની પણ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ પદ્મશ્રી લવજીભાઈ પરમારનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું. તેમણે લવજીભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા લુપ્ત થઈ રહેલી ટાંગલિયા હાથવણાટની કલાને સાચવી રાખવા અને તેના સંવર્ધન માટે કરવામાં આવેલા પ્રયાસોની સરાહના કરી હતી. મંત્રીએ કારીગરો સાથે સંવાદ કરી ટાંગલિયા બનાવવાની પ્રક્રિયા, કિંમત અને વેચાણ સહિતની વિગતો મેળવી ઉત્પાદનોની ખરીદી પણ કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 8:23 am

વિશેષ જાગૃતિ અભિયાનના શ્રીગણેશ:બોટાદ જિલ્લો બાળ વિવાહ મુક્ત કરવા 100‎દિવસનું વિશેષ જાગૃતિ અભિયાન કાર્યરત‎

બાળ વિવાહ એક સામાજિક દૂષણ અને કુપ્રથા જેને સમૂળે નાબૂદ કરવા માટે સમગ્ર દેશમાં શરૂ થયેલાં “બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન”ને બોટાદ જિલ્લામાં વિશેષ ગતિ આપવા માં આવી રહી છે. અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે 27 નવેમ્બર 25થી 8 માર્ચ 26 સુધી 100 દિવસનું વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં બોટાદ જિલ્લાનાં દરેક ગામ, શહેર, સંસ્થા અને સ્ટેક હોલ્ડર સુધી પહોંચવાનો જિલ્લા પ્રશાસનનો દૃઢ નિશ્ચય છે. જિલ્લા કલેક્ટર ડો. જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી એ.કે. ભટ્ટની આગેવાનીમા બોટાદ જિલ્લામાં અભિયાનનો પ્રારંભિક તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. 4 ડીસેમ્બર 25 થી 31 ડીસેમ્બર 25 સુધીના પ્રથમ તબક્કામાં બોટાદ, ગઢડા, બરવાળા અને રાણપુર તાલુકાની શાળા-કોલેજોમાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને બાળ વિવાહના જોખમો, કાય દાકીય જોગવાઈઓ અને બાળના શિક્ષણ, આરોગ્ય તથા વ્યક્તિગત વિકાસ પર પડતા નકારાત્મક પ્રભાવ વિશે સમજ અપાઈ રહી છે. આગામી દિવસોમાં 1 જાન્યુઆરી 26 થી 31 જાન્યુઆરી 26 સુધીના બીજા તબક્કામાં બોટાદ જિલ્લાનાં મંદિરો, સમુદાય ભવનો, લગ્ન હોલ, મંડપ સેવા, બેન્ડ, ડીજે, કેટરર્સ, પ્રિન્ટિંગ પ્રેસ અને વિડિઓગ્રાફરો સાથે પણ જિલ્લા તંત્ર દ્વારા સીધો સંપર્ક સાધવામાં આવશે જેથી તેઓ કોઈ પણ બાળ વિવાહને પ્રોત્સા હન ન આપે અને કાયદાકીય માર્ગદર્શિકાનું પાલન કરે. ત્રીજા તબક્કામાં 1 ફેબ્રુઆરી 26 થી 8 માર્ચ 26 દરમિયાન બોટાદ, ઊગામેડી, , કુંડળ સહિતનાં ગામો તથા નગરપાલિકાનાં દરેક વોર્ડમાં રેલી, જાગૃતિ સભાઓ અને સંવાદ કાર્યક્રમો યોજીને ગ્રામ્ય સ્તરે જાગૃતિ પહોંચાડવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 અને નિયમ-2008 મુજબ 21 વર્ષથી નીચેનો યુવક અને 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવાં, કરાવવા કે આવા લગ્ન કરવામાં મદદ કરવીએ કાયદા કીય ગુનો બને છે જેથી બોટાદ જિલ્લાના તમામ નાગરિકોને “બાળ વિવાહ મુક્ત ભારત” અભિયાન અન્વયે જાગૃત બનવા અને આપણા જિલ્લાને બાળ વિવાહ મુક્ત બનાવવા સહયોગ આપવા બોટાદ વહીવટ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:48 am

બોટાદ કોર્ટનો ચુકાદો:ગુંદાળા ગામના અરજદારને 51.40 લાખ ચૂકવવા બોટાદ કોર્ટનો હુકમ

અકસ્માત કેસમાં જાણીતા એડવોકેટ અતુલ પટેલ મારફતે અરજી કરાઈ હતી. ચાર માસમાં જ વળતર અરજીનો નિર્ણય કરાયો. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામના મૂળ વતની ગુણવંતભાઈ દેસાઈ તથા તેના પત્ની સંગીતાબેન ગુણવંત ભાઈ દેસાઈ ગત 1 ઓગસ્ટ 2025ના તેના સુરત મુકામે આવેલ ઘરેથી બંને દંપતી બાઈક લઈને શાકભાજી લેવા જતા હતા ત્યારે સુરતમાં ફોરવ્હીલ ના ચાલકે અકસ્માત સર્જતા સંગીતાબેન દેસાઈ નું અવસાન થયેલ. અને તેમના વારસદારોએ અકસ્માત વળતર મેળવવા બોટાદ વળતર ટ્રીબ્યુનલ સમક્ષ ભાવ નગર અને બોટાદ ખાતે પ્રેક્ટિસ કરતા જાણીતા એવા સિનિયર એડવોકેટ અતુલ ડી.પટેલ મારફત તા.28 ઓગસ્ટ-2025ના વળતર અરજી દાખલ કરેલ. જેમાં 13 ડિસેમ્બર 2025ના લોક અદાલતમાં ફ્યુચર જનરલી ઇન્સ્યોરન્સ કંપનીને અરજદારને રૂ. 51,40,000 લાખ જેવી માતબર રકમ ચૂકવવા બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયમૂર્તિ એમ.જે. પરાસર ચેરમેન અકસ્માત ટ્રિબ્યુનલ બોટાદ દ્વારા હુકમ કરવામાં આવેલ હોવાનુ એડવોકેટ અતુલ ડી.પટેલ એ જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:44 am

કરુણાંતિકા સર્જાઈ:ગારિયાધાર પાસે ટ્રેક્ટર-ટ્રોલીની અડફેટે મહિલાનું મોત

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકામાં એક ગફલતભરી વાહનચાલનની ઘટના જીવલેણ સાબિત થઈ હતી. રહેવાસી મધુબેન પરમારનું ટ્રેક્ટર-ટ્રોલીની અડફેટે ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન દુઃખદ અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરનગર ગામે રહેતા સુરેશભાઈ સંજયભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવાર સાથે તેમના માતા મધુબેન પરમારના મામાના પાણીઢોળ લૌકિક કાર્ય નિમિત્તે ગારીયાધાર આવ્યા હતા. લૌકિક કાર્ય પૂર્ણ થયા બાદ સુરેશભાઈના માતા–પિતા એક જ મોટરસાયકલ (નં. GJ-04-DL-6524) પર સવાર હતા અને તેઓ પોતે પરિવાર સાથે બીજી મોટરસાયકલ પર તેમના પાછળ જઈ રહ્યા હતા. ત્યારે જ તેમના બીજા સંબંધીઓ અન્ય ફોરવ્હીલ મારફતે બપોરના અઢીથી પોણા ત્રણના ગાળામાં સૌ લોકો સાથે પોતપોતાના ઘર તરફ જઈ રહ્યા ત્યારે જ અચાનકથી ટ્રેક્ટર ચાલકે પરવડી ગામ નજીકના ગેટ પાસે આવેલ મેલડી માતાના મંદિર પાસે પહોંચતા એક સિલ્વર અને પીળા કલરની છત્રી ધરાવતું ટ્રેક્ટર લોખંડની ટ્રોલી સાથે રસ્તા પરથી પસાર થઈ રહ્યું હતું. આ ટ્રેક્ટર ચાલક અજય આરશીભાઇ ભીલ બેફિકરાય અને ગફલતભરી રીતે મોટરસાયકલને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં ટ્રેક્ટરની પાછળ જોડાયેલી ટ્રોલીનો ટલ્લો લાગતાં સુરેશભાઈના માતા–પિતા મોટરસાયકલ સહિત રસ્તા પર જ પછડાટ ખાઈને પટકાયા હતા. અકસ્માતમાં મધુબેન પરમારને આંખ અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ સાથે ભારે લોહી વહી ગયું હતું. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમની હાલત બગડતાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. ટ્રેક્ટર ચાલક પરવડી ગામનો જ હોવાનું અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ઘટનાને લઈ ગારીયાધાર પોલીસે ફરિયાદ આધારે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:41 am

તંત્ર એકશનમાં:સિહોરમાં હાઇવે પર દબાણો હટાવવા તંત્રનું બુલડોઝર તૈયાર

શહેરમાંથી ભાવનગર-રાજકોટ નેશનલ હાઇ-વે 51 પસાર થાય છે. આ શહેરમાંથી રાજ્યના મોટા ભાગના નાના-મોટા શહેરો તરફ જતા-આવતા હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે. સિહોર ટાણા ચોકડીથી દાદાની વાવ સુધીનો માર્ગ આમેય માત્ર કહેવા પૂરતો જ ફોર લાઇન માર્ગ છે. આથી આ માર્ગ પર લારી-ગલ્લા અને કેબિન હટાવવાની લોકમાંગ પ્રબળ બની રહી છે. સિહોરમાં ભાવનગર–રાજકોટ રોડ પર અનેક જગ્યાએ દબાણરૂપ ચા અને પાન-માવાના ગલ્લાઓ, ફળવાળા, ગેરેજવાળાઓએ ગેરકાયદેસર દબાણ કરેલ છે. નેશનલ હાઇ-વે પર ગીચતા વધી રહી છે. અને દિવસે-દિવસે ટ્રાફિક સમસ્યા પણ વકરી રહી છે. ટ્રાફિક સમસ્યાને કારણે નાના-મોટા અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. આથી આ રોડને ખુલ્લો કરવો આવશ્યક છે. સિહોર પોલીસ અને નગરપાલિકાની આ સંયુક્ત જવાબદારી ગણાય. સિહોરમાં ગુંદાળા વિસ્તારથી શરૂ કરી છેક વળાવડ ફાટક સુધી રોડની બંને બાજુ દબાણ કરવામાં આવેલ છે. જેનાથી અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાયા કરે છે. આખરે જનતાનો અવાજ તંત્રને સંભળાણોનગરજનોની પ્રબળ માંગ બાદ પ્રાંત અધિકારીએ નગરપાલિકા સામે લાલ આંખ કરી છે અને દબાણ હટાવવા અંગે કોઇ ઠોસ કદમ ઉઠાવવામાં આવે તેવો આદેશ કરતાં નગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યુ છે. નગર પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા બે દિવસમાં જે-જે આસામીઓએ હાઇ-વે પર દબાણ કરેલ છે તેવા આસામીઓએ પોતાના દબાણો હટાવવા તાકીદ કરાઇ છે. જો આ બાબતે જે-તે દબાણકર્તા બેકાળજી દાખવશે તો તેના ખર્ચે અને જોખમે સિહોર મામલતદારની રાહબરી નીચે નગરપાલિકા દ્વારા હટાવાશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:40 am

બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયકો માટે રાહતના સમાચાર:ફિક્સ પગારના અધ્યાપક સહાયકને પ્રમોશન માટેનો માર્ગ સરળ કરાયો

ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી દ્વારા એક જાહેરનામા દ્વારા ફિક્સ પગારમાં કામ કરતા અધ્યાપક સહાયક કે જેઓ બિનસરકારી અનુદાનિત કોલેજોના અધ્યાપક સહાયક તરીકે કામ કરે છે તેમને માટે એક લાંબા ગાળે રાહતના સમાચાર આપ્યા છે. જેમાં ઠરાવ કરવામાં આવ્યો છે કે ફિક્સ પગારના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કોઈ વધારાનો પગાર વધાર વધારો મળવાપાત્ર ન હોઈ, Ph.D. ની લાયકાત હેઠળ નિમણુક ધરાવનાર અધ્યાપક સહાયકને 5 વર્ષનો ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત પગારધોરણમાં સમાવવામાં આવે ત્યારે લાયકાત ધરાવતા હોય તો CAS (એકેડેમિક લેવલ 10થી 11) નિયમ મુજબ ચાર વર્ષે મળવાપાત્ર થાય છે તેની જગ્યાએ ફિક્સ પગારની સેવા પૂર્ણ થતા તરત જ પાંચ વર્ષ બાદ મળવાપાત્ર લાભ મળશે. M.Phil. ની લાયકાત હેઠળ નિમણુક ધરાવતા અધ્યાપક સહાયકને 5 વર્ષ ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત પગારધોરણમાં સમાવવામાં આવે ત્યાર બાદ CAS (એકેડેમિક લેવલ 10થી 11) 5 વર્ષ બાદ મળવાપાત્ર થશે. જ્યારે Ph.D. કે M.Phil. ની લાયકાતના ધરાવતા અધ્યાપક સહાયકોને 5 વર્ષ ફિક્સ પગારનો સમયગાળો પૂર્ણ કરી નિયમિત પગારધોરણમાં સમાવવામાં આવે ત્યારબાદ એક વર્ષની સેવા પૂર્ણ કર્યેથી એટલે કે 6 વર્ષ બાદ CAS (એકેડેમિક લેવલ 10થી 11) મળવાપાત્ર થશે, આમ પીએચડી કે એમફીલ ની પદવી ન ધરાવતા લોકોને 6 વર્ષે આ લાભ મળશે. આમ, એક આદેશ દ્વારા 11 અધ્યાપકોને CAS મળવાપાત્ર તારીખથી છઠ્ઠા પગારપંચ મુજબ પગાર ધોરણ 15,600થી 39,100 ગ્રેડ પે 7000 મંજૂર કરવામાં આવે છે. તથા બીજા 19 અધ્યાપકોને સાતમા પગાર પંચ મુજબ એકેડેમિક લેવલ 11 પગાર ધોરણ 68,900થી 2,05,500 મંજૂર કરવામાં આવેલ છે. આ આદેશનો અમલ સેવાપોથીમાં થયેલી નોંધ અને અને ત્યારબાદની ચકાસણી બાદ અમલ કરવામાં આવશે. આમ ગુજરાત અધ્યાપક મંડળની લાંબી રજૂઆત બાદ ઘણા સમય પછી સરકાર દ્વારા કર્મચારીઓના હિત માટે નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમય બાદ ફિક્સ પગારના અધ્યાપક સહાયકોને પ્રમોશન માટેનો માર્ગ આ જાહેરનામાને કારણે મોકળો થયો છે અને આગામી દિવસોમાં અધ્યાપક સહાયકોને તેમની નોકરીમાં વધુ લાભ મળતા થઈ જશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:38 am

ભવ્ય ઉજવણી કરાઈ:નંદાલય હવેલીમાં ગુસાંઈજીના 511માં પ્રાગટ્યોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ

સરદારનગર સ્થિત નંદાલય હવેલી પર 13 ડિસેમ્બર શનિવારે શ્રીમદ પ્રભુચરણ ગુસાંઈજી વિઠ્ઠલનાથજીના પ્રાગટ્યોત્સવના ઉપલક્ષમાં પૂજ્ય ગોસ્વામી 108 નવનીતલાલજી મહારાજની આજ્ઞા તથા પૂજ્ય ગોસ્વામી 108 આનંદબાવાના માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા. આયોજન અંતર્ગત શનિવારે સવારે 6.30 વાગે પૂજ્ય વલ્લભકુળ આચાર્યોના પાવન સાનિધ્યમાં ડંકા નિશાન તથા કીર્તન મંડળી સાથે ગુસાંઈજી પ્રભુના સ્વરૂપને પધરાવી ભવ્ય પ્રભાતફેરી નીકળી હતી અને નંદાલય હવેલીની પ્રદક્ષિણા, ત્યારબાદ હવેલી પર પૂજ્ય આચાર્યોના સાનિધ્યમાં નામરત્નાખ્ય સ્તોત્રનું સમૂહ ગાન તથા મંગલા આરતી થશે. સવારે 11 વાગે છબીલાજી પ્રભુના તિલકના દર્શન કરવામાં આવ્યા હતા. સાંજે ગોસ્વામી 108 આનંદ બાવાના આશીર્વચન, પુષ્ટિ-કીડ્સ બાળપાઠશાળાના બાળકો દ્વારા - અનુગ્રહ: પુષ્ટિમાર્ગે નિયામક નાટિકા તથા રાસ, કીર્તન ક્લાસના વૈષ્ણવો દ્વારા ધોળપદ કિર્તન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. દીક્ષાંત સમારોહ અંતર્ગત વર્ષ દરમિયાન પુષ્ટિ-કીડ્સ બાળ પાઠશાળાના બાળકો તેમજ કીર્તન ક્લાસમાં પાસ થનાર વૈષ્ણવોને પૂજ્ય મહારાજના હસ્તે સર્ટિફિકેટ તથા ઈનામ વિતરણ કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ નંદ મહોત્સવ તથા છબીલાજી પ્રભુના 'ચોપાટ' મનોરથના દર્શન કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:38 am

યુવાને આપઘાત કર્યો:સિહોરમાં વ્યાજખોરના ત્રાસે યુવાને એસિડ પીધું

ભાવનગર જિલ્લાના વ્યાજખોરના ત્રાસથી એસિડ પી લેવાની વધુ એક ઘટના નોંધાઈ છે. આ ઘટના મુજબ સિહોર તાલુકામાં રહેતા રવિભાઈ કાળુભાઈ નૈયા એ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે સાતેક વર્ષ પહેલા તેમના ઘરમાં દવાખાના નો અચાનકથી ખર્ચ આવતા તેમની સાથે જ કડિયા કામ પર જતા જગદીશ જેન્તીભાઈ સોલંકી પાસેથી દોઢ લાખ રૂપિયા 10% ના વ્યાજે લીધા હતા. જેની નિયમિત ભરપાઈ રોકડ તથા ઓનલાઇન માધ્યમથી 70 હજાર ચૂકવી દીધેલા હતા જ્યારે હાલમાં પૂરતું કામ ન મળતા જગદીશ જેન્તીભાઈ સોલંકી એ રવિભાઈ અને તેમના બહેનને ફોન કરી હજી તમારે રૂપિયા 4.25 લાખ દેવાના નીકળે છે તેવી ઉઘરાણી કરી ધમકી આપતા રવિભાઈએ આ વ્યાજખોરની સતત ઉઘરાણીથી કંટાળીને પોતાના ઘરે બાથરૂમમાં પડેલી એસિડની બોટલમાંથી એસિડ પી જતા તબિયત બગડી હતી અને સાથે રાડું-દેકારા થતા તેમને ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા જ્યાં શિહોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:35 am

PGVCLની ભાવનગર સહિતની પાંચ સર્કલ કચેરીને આવરી લેવાશે:સૌરાષ્ટ્ર-કચ્છના ચાર જિલ્લામાં FRTની 126 ટીમો થશે કાર્યરત

વર્ષ-2004માં જી.ઈ.બી.ના પુનઃગઠનના બાદ જી.યુ.વી.એન.એલ. દ્વારા રાજ્યમાં વીજળીના ઉત્પાદન, સંક્રમણ અને વિતરણની કામગીરીમાં ધરમૂળથી ફેરફાર કરાયા છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે ભાવનગર સહિત 11 જિલ્લામાં ગુડગાંવ (હરિયાણા) અને દિલ્હીની ખાનગી એજન્સીની રૂ.272 કરોડના ત્રણ વર્ષના કરાર આધારિત નિમણુંક કરી છે. PGVCLના ખાનગી કંપની સાથેના કરારના મુજબ પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં FRT (ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમ)ની 126 ટીમો કાર્યરત થશે. PGVCLમાં જી.પી.એસ.થી સજ્જ વ્હીકલ સાથેની ખાસ 256 FRTના જુલાઈ મહિનામાં ગઠન કરાયા બાદ ખાનગી એજન્સીના પગરણ સામે વિદ્યુત કંપનીના કર્મચારી સંઘોએ વિરોધ કરતા FRTનું કોકડું ગૂંચવાયું છે. સૌરાષ્ટ્ર પ્રાંતના 11 જિલ્લામાં આવેલ પી.જી.વી.સી.એલ.ના કાર્યક્ષેત્ર નીચેના કુલ 13 સર્કલ ઓફિસમાં સેન્ટ્રલાઈઝડ કોલ સેન્ટર મેનેજમેન્ટ અને વ્હીકલ સાથેની FRT ટીમમાં કરાર મુજબ ખાનગી કંપની મારફતે બે ટેક્નિશિયન કર્મચારી, એક ડ્રાઈવર, ટેક્નિશિયન અને એક વ્હીકલની ફાળવણી થવાની છે. પી.જી.વી.સી.એલ.માં ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટમાં ટેક્નિકલ સેવાના ખાનગીકરણ સામે ઉભા થયેલા વિરોધથી અમલ ચાર મહિના સુધી અટકાવી દેવાયો હતો. તાજેતરમાં વિવાદ શાંત થયા બાદ પી.જી.વી.સી.એલ.ના ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમોના પ્રોજેક્ટને ડિસેમ્બર મહિનાથી લાગુ કરવા તૈયારી ચાલી રહી છે ત્યારે પ્રથમ તબક્કામાં ભાવનગર સર્કલ ઓફિસ નીચેના 32 સહિત પી.જી.વી.સી.એલ.ના 5 સર્કલમાં જી.પી.એસ.થી સજ્જ કુલ 126 FRT ટીમો 365 દિવસ અને 24x7 સેવારત બનશે. પ્રથમ તબક્કામાં ક્યા સર્કલમાં કેટલી FRT? સર્કલ ઓફિસ - FRT ટીમ જાન્યુઆરીથી ટીમો કાર્યરત થશેPGVCLમાં ફૉલ્ટ રેક્ટિફિકેશન ટીમના મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ કામગીરીના પ્રથમ તબક્કામાં ભાવનગર, રાજકોટ સિટી, રાજકોટ રૂરલ, મોરબી અને અમરેલી એમ PGVCLના પાંચ સર્કલમાં શરૂઆત થશે. PGVCL ભાવનગર સર્કલમાં હાલ FRT ટીમોનું સેટ-અપ ગોઠવાઈ રહ્યું છે.જિલ્લામાં જાન્યુ.થી ટીમો કાર્યરત થશે. > ચંદનસિંઘ, ડાયરેક્ટર, સંધા એન્ડ કંપની, ગુડગાંવ હરિયાણા

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:34 am

સાંસદ ખેલ મહોત્સવ:સાંસદ ખેલ મહોત્સવમાં 1.78 લાખથી વધુ ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું

ભાવનગર ખાતે કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ભાવનગર-બોટાદ લોકસભા ક્ષેત્રમાં આયોજિત, સાંસદ ખેલ મહોત્સવને અનુલક્ષીને માહિતી આપતા જણાવ્યું હતુ કે તા. 16, 17 અને 18 ડિસેમ્બરના રોજ તાલુકા અને ઝોન કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થશે, જેમાં ભાવનગર શહેરના-13 ઝોન, ભાવનગર ગ્રામ્યના-7 તાલુકા અને બોટાદ શહેરના-2 તાલુકા મળી કુલ 22 સ્થળો ઉપર તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. જેમાં એથ્લેટિક્સ અને મનોરંજન સહિત 15 રમતો રમાનાર છે, એથ્લેટિક્સ કેટેગરીમાં 100 મીટર દોડની સાથે લાંબી કુદ જેવી વિવિધ પણ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 14 વર્ષથી નીચેના, 15થી 20 વર્ષ સુધીના, 21થી 35 વર્ષ સુધીના, 36થી 50 વર્ષ સુધીના તેમજ 51 વર્ષથી ઉપર વય જુથના ખેલાડી ભાઈઓ- બહેનો ભાગ લેશે. આમ‌, આ રમત પાંચ વય જૂથમાં યોજાશે. વિજેતા થયેલા ખેલાડીઓ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ તા. 22 અને 23 ડિસેમ્બરે સ્પોર્ટસ કૉમ્પ્લેક્ષ સિદસર, ભાવનગર ખાતે યોજાશે. નિમુબેન બાંભણીયાએ વધુમાં જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવમાં ખેલાડીઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આ સ્પર્ધા માટે 1,78, 440 જેટલાં ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ભાવનગરમાં સાંસદ ખેલ મહોત્સવની શરૂઆત દિવ્યાંગ ખેલાડીઓની રમત સાથે કરવામાં આવી હતી. 400 કરતાં વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ગોળા ફેંક સહિતની રમતોમાં જોડાયા હતા. દરેક ખેલાડીને મેડલ, પ્રમાણપત્ર અને ટીશર્ટ કેપ મળશેસાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિની વાત કરતાં કહ્યું કે, સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ તા.25 ડિસેમ્બરે થશે, ભાવનગરમાં આ કાર્યક્રમનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સિદસર ખાતે કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ વિજેતા થનાર દરેક ખેલાડીને મેડલ, વિજેતા પ્રમાણપત્ર અને ટીશર્ટ કેપ તેમજ દરેક ભાગ લેનાર ખેલાડીને પ્રમાણપત્ર અને ટીશર્ટ કેપ આપીને સન્માનિત કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:30 am

વીજકાપ:શહેરમાં સોમવારથી અનંતવાડી, શિવાજી સર્કલ સહિતના વિસ્તારોમાં વીજકાપ

સિટી-1 અને 2 ડિવિઝન દ્વારા ભાવનગર શહેરમાં આગામી તા.15મી થી 17મી ડિસેમ્બર-2025 દરમિયાન વીજ લાઈનની મેઈન્ટેનન્સની અગત્યની કામગીરીને લઈ પી.જી.વી.સી.એલ. ના 11 કે.વી.ના એસ.બી.એસ. ફિડર (આંશિક), શિવાજી સર્કલ, રૂવાપરી, લોકમિલાપ અને આનંદનગર ફિડરમાં આવતા વિસ્તારોમાં મરામત કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરે 1:30 વાગ્યા સુધી સાડા છ કલાકનો વીજકાપ લદાયો છે. જેમાં તા.15મીને સોમવારે 11 કે.વી. SBS ફિડર (આંશિક)માં આવતા અનંતવાડી, બહુમાળી ભવન, હોમગાર્ડ ઓફીસ, સંજીવની કોમ્પલેક્ષ, આદર્શ કોમ્પલેક્ષ, જેલ ગ્રાઉન્ડ, બસ સ્ટેન્ડ આજુબાજુનો વિસ્તાર, વિરભદ્ર શોપિંગ સેન્ટર, અનંતવાડી, કે.પી. હોસ્પિટલ તથા આજુબાજુનો વિસ્તાર, નાઈસ ચિલ્ડ્રન હોસ્પિટલ આસપાસ તથા 11 કે.વી. શિવાજી સર્કલ ફિડરમાં આવતા શિવાજી સર્કલથી ઘોઘા રોડ તરફ જતા ડાબી જમણી બાજુનો વિસ્તાર, સાગર પાર્ક, મારૂતિ કોમ્પ્લેક્ષ, પ્રગતિ સોસાયટી, મંત્રેશ કોમ્પ્લેક્ષ, ક્રિષ્ના કોટેજ, બાલયોગીનગર, મણીપાર્ક, સત્કાર સોસાયટી, નારેશ્વર સોસાયટી, ફાતિમા, સેન્ટમેરી શાળા, સરદારનગર સર્કલથી શિવાજી સર્કલ ડાબી જમણી બાજુનો વિસ્તારમાં વીજકાપ રહેશે. તા.16મીને મંગળવારે 11 કે.વી. રૂવાપરી ફિડરમાં આવતા રૂવાપરી મંદિર, લેપ્રેસી હોસ્પિટલ, બી.એમ.સી. એસ.ટી.પી. પ્લાન્ટ પ્લાન્ટ (એચ.ટી.), જી.એસ.ઈ.સી.એલ. પ્લાન્ટ (એચ.ટી.), રૂવાપરી ચોક તેમજ આજુબાજુના વિસ્તારમાં વીજકાપ રહેશે. તેમજ તા.17મીને બુધવારે 11 કે.વી. આનંદનગર ફિડરમાં આવતા આનંદનગર જૂની એલ.આઈ.જી.નો ભાગ, દિપક ચોકથી બ્લડ બેન્ક, મહિલા કોલેજનો અમુક વિસ્તાર, વીમાનું દવાખાનું, યશવન્તરાય નાટયગૃહ (એચ.ટી.), બી.એમ.સી. ફિલ્ટર (એચ.ટી.) તેમજ આજુબાજુના વિસ્તારમાં તથા 11 કે.વી. શિવાજી સર્કલ ફિડમાં આવતા શિવાજી સર્કલથી ઘોઘા રોડ તરફ જતા ડાબી જમણી બાજુનો વિસ્તાર, સાગર પાર્ક, મારૂતિ કોમ્પ્લેક્ષ, પ્રગતિ સોસાયટી, મંત્રેશ કોમ્પ્લેક્ષ, ક્રિષ્ના કોટેજ, બાલયોગીનગર, મણીપાર્ક, સત્કાર સોસાયટી, નારેશ્વર સોસાયટી, શિવાજીપાર્ક, ડાયમંડ વિસ્તાર, પખારામ કોમ્પ્લેક્ષ, વારાહી, અજયપાન, નુતનભારતી, ફાતિમા, સેન્ટમેરી શાળા, મંદાર કોલોની, સરદારનગર સર્કલથી શિવાજી સર્કલ ડાબી જમણી બાજુનો વિસ્તાર, પોપટ ગુજરાતી વાળો ખાંચો આસપાસના વિસ્તારમાં વીજકાપ રહેશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:29 am

સન્ડે ફોટો સ્ટોરી:શહેરમાં શિયાળાની મધ્યે પાણીથી છલોછલ ત્રણેય તળાવોની પ્રથમ વખત ડ્રોન તસવીર

ભાવનગર સર્કલોનું તો શહેર છે જ પણ આજે આ ડ્રોન તસવીરમાં સૌ પ્રથમવાર ભાવનગરના ત્રણ તળાવ દ્રશ્યમાન થાય છે. જેમાં વિક્ટોરિયા પાર્કમાં આવેલું કૃષ્ણકુંજ તળાવ, યુનિ. કેમ્પસમાં આવેલું યુનિવર્સિટી તળાવ અને બોરતળાવ. આ વર્ષે 100 ટકાથી વધુ વરસાદ ચોમાસામાં વરસતા સફળ ચોમાસાને લીધે શિયાળાની મધ્યે પણ આ ત્રણેય તળાવ ભરાયેલા છે અને સાથે આજુબાજુની હરિયાળી પણ આંખને ઠંડક આપે છે. આ વર્ષે ભાવનગરને પાણી પુરૂ પાડતા ત્રણેય મુખ્ય તળાવ બોરતળાવ, રાજપરા ખોડિયાર તળાવ અને શેત્રુંજી ડેમ ત્રણેય ડેમ પણ છલાકાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:28 am

રાજ્યમાં અનોખો પ્રયોગ:છાત્રોમાં મોબાઇલનું વળગણ દૂર કરશે પરમાર્થ ગણિત વર્તુળ

ઘણા દેશોમાં ટીનએજ વિદ્યાર્થીઓ માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કારણ કે પ્રતિબંધના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ તથા અન્ય પ્રવૃત્તિમાં એકાગ્રતા ખીલવી શકે છે. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન સરકારે પણ આ અંગે બિલ પાસ કર્યું છે ત્યારે વિદ્યાર્થી સહિત નોકરિયાત તથા કુટુંબીજનો મોબાઇલની અસરમાંથી મુક્ત રહી શકતા નથી તેવા સંજોગોમાં ગણિતની પ્રવૃત્તિઓમાં રસ લેતા થાય અને ભવિષ્યમાં ગણિત ઉપર પ્રભુતા મેળવી શકે તે માટે ભાવનગરમાં પરમાર્થ ગણિત વર્તુળની શરૂઆત કરવામાં આવી છે. જે ભાઈ બહેનોને ગણિત પઝલ, ગણિત ગમ્મત, ગણિત મહાવરા કે ગણિત રમત જેવી પ્રવૃત્તિઓમાં રસ હોય તેઓ અઠવાડિયે બે કલાક પોતાનો સમય આપીને આવા વિદ્યાર્થીઓ તથા મોબાઇલની લત છોડવા માગતા હોય તેવી વ્યક્તિઓને અલગ વિસ્તારમાં ગણિત મંડળના માનદ ગણિત તજજ્ઞ બનીને પ્રવૃત્તિઓ કરાવી શકે છે. વિદ્યાર્થીઓમાં આ પ્રવૃત્તિથી એકાગ્રતા, ધીરજ, ચપળતા, બુદ્ધિ કૌશલ્ય તથા શિક્ષણ તરફ વધુ રૂચી જાગશે તેવું સંશોધન પણ થયેલ છે. જેઓ આ પ્રવૃત્તિઓ કરવા ઈચ્છતા હોય તેવા ભાઈ બહેનોએ મોબાઇલ નં. 9106773307 ઉપર પરમાર્થ ગણિત મંડળના નામે વોટસએપ કરવો. જેથી રસ ધરાવતા ભાઈ બહેનોને આવી પ્રવૃત્તિઓની વિશેષ તાલીમ આપીને ગણિત કોઓર્ડીનેટર બનાવી શકાય અને સમાજમાં વિદ્યાર્થીઓમાં મોબાઈલ તરફની રુચિ ઘટાડી શકાય તથા ગણિત તજજ્ઞ તરીકે તમારી જાતને પણ વિકસાવી શકશો. ઘરની બાળ રમતો રમીને મોબાઇલની લત છોડાવી શકાયવિકાસ વર્તુળ દ્વારા મેગેઝિન સાથે બાળકોની એક રમત પણ બનાવવામાં આવી છે તો તે પણ લેવી અને તેવી બીજી અનેક રમતો બોર્ડ ગેમ ચેસ કેરમ વગેરે ધીરે ધીરે ઘરમાં વસાવીને બાળક સાથે રમવાની ટેવ પાડવી, સંતાન સાથે ગંજીફાને ઘણી સરસ રમતો પણ રમી શકાય. મા બાપ માટે : 3 થી 13ના બાળકોને રોજ એક વાર્તા પણ કહેવીભાવનગરમાં જિલ્લા પુસ્તકાલય, ગાંધી સ્મૃતિ તથા બાર્ટન લાઇબ્રેરીમાં બાળકને લઈને ત્યાં ખાતું ખોલાવવું,પુસ્તક લાવવા. અંગ્રેજીમાં મેજિક પોટ, ચિલ્ડ્રન્સ વર્લ્ડ, ગોકુલમ, વિઝડમ, ટીનેજર, ટીકલ તથા ગુજરાતીમાં ધીગા મસ્તી, બાલ સૃષ્ટિ, તથા શનિવારની છાપામાં આવતી બાળ પૂર્તિ તમારા સંતાન સાથે રહીને વંચાવવાની ટેવ પાડવી. 3 થી 13ના બાળકોને દરરોજ એક વાર્તા કહેવી. > બિપીનભાઇ શાહ, સ્થાપક, પરમાર્થ ગણિત વર્તુળ

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:27 am

દાનમાં મળેલા સીંગ ખોળે કાળો કહેર વર્તાવ્યો:30 ગુણી મગફળીનો ખોળ ખાવાથી 24 કલાકમાં 85 ગૌવંશના ટપોટપ મોત, ઓઇલમિલનું નામ આપવાનો સંચાલકોનો ઇનકાર

કોટડાસાંગાણીના સાંઢવાયા ગામે આવેલ રામગરબાપુ ગૌશાળામાં ગૌવંશને ખોરાકમાં ગુરુવારે મગફળીનો ખોળ અને લીલોચારો આપવામાં આવ્યા બાદ શુક્રવારે એક પછી એક 71 ગાયના મૃત્યુ બાદ શનિવારે પણ વધુ 14 ગૌવંશના ટપોટપ મૃત્યુ થતાં રાજ્યના પશુપાલન મંત્રી પણ ચોકી ઉઠ્યા છે અને સમગ્ર મામલે તપાસ માટે ગાંધીનગરથી ટીમો દોડાવી છે. જોકે એક સાથે 85 ગૌવંશના શંકાસ્પદ મૃત્યુ મામલે ગૌશાળા સંચાલકો ખોળ દાનમાં મળ્યો હોવાનું અને જે ઓઇલમિલમાંથી ખોળ આવ્યો હતો તે ઓઇલમિલનું નામ આપવા ઇનકાર કર્યો હતો. જોકે હાલમાં ગૌવંશના વિસેરા અને ખોળ, પાણી તેમજ ઘાસચારાના સેમ્પલ લઈ રાજકોટ એફએસએલ ઉપરાંત પુના અને એનડીડીબી આણંદ ખાતે મોકલી આપ્યા હોવાનું રાજકોટ જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું હતું. કોટડાસાંગાણીથી 15 કિલોમીટર દૂર રામોદ પાસે આવેલ સાંઢવાયા ગામે રામગરબાપુ ગૌસેવા ટ્રસ્ટ સંચાલિત ગૌશાળા આવેલ છે જેમાં ગામ તેમજ આજુબાજુના વિસ્તારની નધણિયાતી 350 જેટલી ગાયનો નિભાવ થાય છે. ગામ સમસ્ત દ્વારા થતા આ સેવાકાર્યમાં પુણ્યતિથિ તેમજ સારા-માઠાં પ્રસંગોએ દાનમાં ખોળ તેમજ ઘાસચારો મળતો હોય આવા જ એક દાનમાં ગોંડલની ઓઇલમિલમાંથી મગફળીનો 30 કોથળા ખોળ મળ્યો હોય જે ગાયોને ખોરાકમાં આપવામાં આવતા 24 કલાકમાં જ ઝેરી અસર બાદ એક બાદ એક ગાયના મૃત્યુ થવા લાગ્યા હતા અને અંદાજે 36 કલાકના સમયગાળામાં 85 ગૌવંશના મૃત્યુ થયા હતા. ઘટના બાદ રાજકોટ પશુપાલન વિભાગની 16 ટીમ ઉપરાંત જૂનાગઢ વેટરનરી કોલેજની તજજ્ઞ ટીમ દોડી આવી હતી અને ગૌવંશને બચાવવા પ્રયાસો શરૂ કર્યા છે. હજુ પણ 12 ગૌવંશની સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ જિલ્લા કલેક્ટર અને ડીડીઓ પણ સાંઢવાયા ગામે દોડી ગયા હતા. ગોંડલની એક ઓઇલમિલમાંથી મગફળીનો ખોળ આવ્યો હતો : ગૌશાળા સંચાલકસાંઢવાયા ગામે રામગરબાપુ ગૌશાળાનું સંચાલન કરતા પરેશભાઈ તોગડિયાએ જણાવ્યું હતું કે, ગૌશાળામાં નિરાધાર અને નધણિયાતા 350 ગૌવંશનો નિભાવ થાય છે, ગામના યુવાનો અને સેવાભાવી લોકો દ્વારા છેલ્લા 27 વર્ષથી ગૌશાળા ચલાવવામાં આવે છે જેમાં પ્રથમ વખત આવો બનાવ બન્યો છે. જોકે એક સાથે 85 ગૌવંશ માટે મોતનું કારણ બનેલ મગફળીનો ખોળ કોને મોકલ્યો તે દાતાનું નામ આપવા ઇનકાર કરી ગોંડલથી ખોળ આવ્યો હોવાનું કહ્યું હતું, પરંતુ ખોળ કઈ ઓઇલમિલમાંથી આવ્યો તે ખબર ન હોવાનું અને દાતાના કહેવાથી ગામના યુવકો ગોંડલથી ખોળ લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જે શેડમાં ખોળ અપાયો તે શેડમાં ગાયના મૃત્યુ થયાઘટના સ્થળે જઇ તપાસ કરનાર તબીબી સૂત્રોએ ઉમેર્યું હતું કે, ચારમાંથી જે શેડમાં ખોળ અપાયો હતો ત્યાં જ ફૂડ પોઇઝનિંગની ઘટના બની છે અન્ય શેડમાં પણ જ્યાં ફૂડ પોઈઝનિંગની અસર થઇ તે પ્રમાણેનો જ એક સરખો લીલોચારો અને પાણી આપવામાં આવ્યા હતા, પરંતુ અન્ય શેડમાં ગૌવંશમાં આવા કોઈ લક્ષણ જોવા ન મળતા ખોળથી જ ઝેરી અસર થઇ હોવાનું સ્પષ્ટ બન્યું છે. 31 વર્ષની કારકિર્દીમાં આટલી મોટી સંખ્યામાં ગૌવંશના મૃત્યુ નથી જોયા : પશુપાલન અધિકારીરાજકોટ જિલ્લા પશુપાલન અધિકારી ડો.શૈલેષ ગરાળાએ જણાવ્યું હતું કે, મેં મારી 31 વર્ષની કારકિર્દીમાં આટલા મોટા પ્રમાણમાં ફૂડ પોઈઝનિંગથી ગૌવંશના મૃત્યુ થયાનું જોયું નથી. સામાન્ય રીતે ચોમાસામાં રોગચાળાથી મોટા પ્રમાણમાં પશુ મૃત્યુના બનાવ બનતા હોય છે, પરંતુ સાંઢવાયા ગામે જે રીતે ગૌવંશના મૃત્યુ થયા છે તેવી ઘટના જોઈ નથી. હાલમાં જીવન-મરણ વચ્ચે જોલા ખાતા 12 ગૌવંશને બચાવવા માટે કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટ, એન્ટિબાયોટિક, સલાઈન તેમજ ટોક્સિન એટલે કે, ઝેરની અસર ખાળવા સપોર્ટિવ ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:25 am

નશાની હાલતમાં તબીબ પકડાયા:ધન્વંતરિ હોસ્પિટલના બે ડોક્ટરને કારમાંથી ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં પોલીસે પકડ્યા

શહેરના 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક પાસે ગાંધીગ્રામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં બે યુવકને પોલીસે અટકાવી પૂછપરછ કરતા બંને યુવક ધન્વંતરિ હોસ્પિટલના તબીબ હોવાનું ખુલ્યું હતું. જેમાંથી કારમાં સાથે બેઠેલો એક યુવક રાજકોટના જાણીતા ડોક્ટર ભગવાનજીભાઈનો પુત્ર છે. પોલીસે ફરિયાદી બની બંને ડોક્ટર સામે ગુનો દાખલ કરી બંનેને પકડી લીધા હતા. આ બનાવમાં શહેરના 150 ફૂટ રિંગ રોડ અયોધ્યા ચોક પાસે ગાંધીગ્રામ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે કારમાં બે યુવક ચિક્કાર દારૂ પીધેલ હાલતમાં હતા. જેની પોલીસે પૂછપરછ કરતા એક યુવકે તેનું નામ વિરુદ્ધ ચંદ્રકાંતભાઈ પટેલ(ઉં.વ.38, રહે. રેસકોર્સ રિંગ રોડ, પટેલ આઈસક્રીમ ની બાજુમાં, ક્રિષ્ના એપાર્ટમેન્ટ ફ્લેટ નં.702) જણાવ્યું હતું. આ ઉપરાંત તે ધન્વંતરિ હોસ્પિટલમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. જેના વિરુદ્ધ પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે કારચાલકની બાજુની સીટ પર બેઠેલા નશામાં ધૂત યુવકની પૂછપરછ કરતાં તેણે થોથરાતી જીભે તેનું નામ લક્કીરાજભાઈ ભગવાનજીભાઈ અકવાલિયા(ઉં.વ.34, રહે. મવડી પ્લોટ મેઇન રોડ સ્વાશ્રય સોસાયટી શેરી નં.4) હોવાનું જણાવ્યું હતું. આ શખ્સ પણ ધન્વંતરિ હોસ્પિટલમાં તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું તેણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું. લક્કીરાજના પિતા ડૉ. ભગવાનજીભાઈ રાજકોટના જાણીતા તબીબ છે. લક્કીરાજ વિરુદ્ધ પોલીસે પ્રોહિબિશન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:22 am

કરોડોનો ગાંજો જપ્ત કરાયો:રાજકોટ પાસે તુવેરની વચ્ચે ગાંજાનું વાવેતર કરાયું, 1.11 કરોડનો સૂકો-ભીનો ગાંજો જપ્ત

રાજકોટની ભાગોળે ત્રંબા પાસેના અણિયારા ગામની સીમમાં તુવેરની વચ્ચે ગાંજાનું વાવેતર થયેલું હોય જેની આજી ડેમ પોલીસને મળેલી બાતમીના આધારે દરોડો પાડતા રૂ.1.11 કરોડનો સૂકો-ભીનો ગાંજો પોલીસે કબજે કર્યો છે. શનિવારની રાત્રે આજી ડેમ પોલીસ મથકના પીઆઇ જાડેજા સહિતની ટીમે અંદાજિત 14 વીઘામાં વાવેલા ગાંજા સાથે ગાંજો વાવનાર ખેડૂતને પણ ઝડપી લીધો છે. આ બનાવમાં આજે ડેમ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીને આધારે, ત્રંબા પાસેના અણિયારા ગામની સીમમાં તુવેર પાકના વાવેતરની વચ્ચે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય જે માહિતીના આધારે આજી ડેમ પોલીસ મથકના પી.આઈ. અશોકસિંહ જાડેજા સહિતની ટીમે ત્રંબા પાસેના અણિયારા ગામની સીમા દરોડો પાડતા હના ગાબુ નામના ખેત મજૂરે 14 વીઘા જમીનમાં તુવેરના પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હોય જેને પોલીસે જપ્ત કરતા આ ગાંજો કુલ રૂ.1.11 કરોડની અંદાજિત કિંમતનો ગણી શકાય. પોલીસે તપાસના અંતે જણાવ્યું હતું કે, વાડીના માલિક નાથા ભીમા સિંધવની જાણ બહાર ખેત મજૂરી કરતાં શખ્સે ગાંજાનું વાવેતર કરી દીધું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:20 am

યુવતીએ જીવાદોરી કાપી:યુવતીએ શ્વાન બાંધવાની સાંકળથી ગળાફાંસો ખાધો

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની પાછળના ભાગે આવેલા કૈલાસનગર-2માં રહેતી જીલબેન જયંતભાઇ રાજપરા(ઉ.વ.24) નામની યુવતીએ ઘરમાં કૂતરાં બાંધવાની સાંકળ બારીમાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. પરિવારજનો પ્રસંગમાં હાજરી આપીને ઘરે આવ્યા ત્યારે દીકરીને લટકતી હાલતમાં જોઇ સ્તબ્ધ રહ્યા હતાં. આપઘાત કરનાર જીલબેનના પિતા સોનાના વેપારી છે. પરિવારજનોએ કહ્યું હતું કે, જીલબેન કેટલાક સમયથી ડિપ્રેશનમાં રહેતી હતી. શુક્રવારે પરિવારજનો પ્રસંગમાં ગયા હોઇ એકલી હતી ત્યારે શ્વાનને બાંધવા માટે વપરાતી સાંકળ બારીમાં બાંધી ફાંસો ખાઇ જિંદગીનો અંત આણી લીધો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:18 am

લોકઅદાલત:રાજકોટમાં લોકઅદાલતમાં 56 ટકા કેસનો સમાધાનથી નિકાલ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ મુજબ રાજકોટ જિલ્લાની તમામ અદાલતમાં શનિવારે મેગા લોકઅદાલતનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ પ્રકારના 30,924 પેન્ડિંગ કેસ હાથ પર લેવામાં આવ્યા હતા અને તેમાંથી મોટર અકસ્માત વળતરના 373 કેસનો સમાધાન રાહે નિકાલ થયો હતો અને તેમાં અરજદારોને રૂ.29,41,42,511નું વળતર ચૂકવવામાં આવ્યું હતું. જ્યારે ચેક રિટર્નના 4504 કેસમાં સમાધાન થયું હતું. જેમાં રૂ.20,35,96,392.50ની રકમનું સમાધાન થયું હતું. જ્યારે લગ્ન વિષયક તકરારના 129 કેસમાં સમાધાન થયું હતું. જ્યારે સ્પેશિયલ સીટિંગમાં 5827 કેસ મળી કુલ 17338 પેન્ડિંગ કેસમાં સમાધાન થતા કુલ 56 ટકા કેસનો સમાધાનથી નિકાલ થયો હતો. જ્યારે પ્રિ-લિટિગેશનના 73,812 કેસનો નિકાલ થતા લોકઅદાલતમાં કુલ 91,150 કેસનો નિકાલ થયો હતો. પ્રિ-લિટિગેશનના કેસમાં ટ્રાફિક ચલણ અને ઇલેક્ટ્રિક બિલના કેસનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:18 am

કીર્તિદાન ગઢવીનો બોલાવશે ડાયરાની રમઝટ:જળસંચયના મહાઅભિયાન પૂર્વે આજે રાત્રે કીર્તિદાન ગઢવીનો લોકડાયરો

જળસંચયના ઉમદા હેતુ સાથે રાજકોટમાં આયોજિત ડો.કુમાર વિશ્વાસની બહુપ્રતિક્ષિત ‘જલકથા’ના મુખ્ય કાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા.14 ડિસેમ્બરને રવિવારે રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7.30 કલાકે કલાકાર કીર્તિદાન ગઢવીનો લોકડાયરો યોજાશે. જેમાં લોકસાહિત્ય અને સેવાકાર્યનો અનોખો સંગમ બનશે. આ ડાયરામાં કીર્તિદાન ગઢવી અને તેમની ટીમ લોકગીતો, દુહા-છંદ અને ભજનોની સુરાવલીઓથી લોકોને ડાલાવશે. સૌરાષ્ટ્રના જળસંચય ક્ષેત્રે નોંધપાત્ર કાર્ય કરી રહ્યું છે. ટ્રસ્ટે 1,11,111 જળ સ્ટ્રક્ચર કાર્યરત કરવાનો સંકલ્પ લેવાયો છે. લોકડાયરો અને ત્યારબાદ યોજાનારી જલકથા સેવાકાર્યોને વેગ આપશે. ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઇ સખિયાએ સૌરાષ્ટ્રની જનતાને આ પવિત્ર કાર્યમાં સહભાગી થવા અને મોટી સંખ્યામાં હાજરી આપવા જણાવાયું છે. લોકડાયરાના માધ્યમથી ગીરગંગા પરિવારના સેવાકાર્યોને વધુ વેગ મળશે. સાૈરાષ્ટ્રભરમાંથી પૂજાયેલા 2100 જળકળશ રાજકોટ આવશેગીરગંગા પરિવાર ટ્રસ્ટના ઉપક્રમે જળકથા અંતર્ગત તા.14મીને રવિવારે મહાજળકળશ યાત્રા અને મહાજળપૂજનનું આયોજન કરાયું છે. ડો.કુમાર વિશ્વાસની જળકથા પૂર્વે જળસંચય અભિયાનના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દેશની 111 પવિત્ર નદીના જળ એકત્ર કરી અને આ પવિત્ર જળને કળશમાં ભરી રાજકોટના જુદા-જુદા વિસ્તારો, સોસાયટીઓ, ધર્મસ્થાનકો તેમજ સાૈરાષ્ટ્રના ગામે-ગામ પૂજન અને જનજાગૃતિ માટે મોકલાયા હતા. આ 2100 જેટલા કળશ રવિવારે સવારે રાજકોટ આવી લવાશે. જે અંતર્ગત જલપ્રેમીઓ સાથેની મહાજળકળશ યાત્રાનું આયોજન કરાયું છે. આજે સવારે 8 કલાકે બહુમાળીભવન ચોકથી આ જળકળશ યાત્રાનો પ્રારંભ થશે. જે બેન્ડની સુરાવલીઓ સાથે જલકથા સ્થળ રેસકોર્સ મેદાન ખાતે પહોંચશે. સવારે 9 કલાકે મહાજળપૂજનનો પ્રારંભ થશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:17 am

ભાસ્કર એક્સક્લુસિવ:અયપ્પા મંદિરે વાર્ષિક મહોત્સવ - મંદિરની પ્રતિષ્ઠા કરનારા પંડિત કેરળથી આવશે, આજે ભગવાન હાથી પર નગરચર્યા કરશે

શહેરના જામનગર રોડ પર આવેલું શ્રી અયપ્પા મંદિરમાં વાર્ષિક મહોત્સવ – 2025ની ઉજવણી કરવામાં આવશે. જેમાં તા.13 ડિસેમ્બરથી ઉત્સવનો આરંભ કરવામાં આવ્યો છે અને તા.19 ડિસેમ્બર સુધીના 7 દિવસ ઉજવાશે. આ સમગ્ર સાત દિવસ દરમિયાન વિવિધ વિશેષ પૂજાઓ, ભજન કાર્યક્રમો, કલાત્મક નૃત્ય પ્રસ્તુતિઓ, મોહિનીયટ્ટમ, ભરતનાટ્યમ, સેક્સોફોન વાદન, તેમજ અન્ય ભાવભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. દરરોજ સવારે 6થી 10:30 દરમિયાન પૂજા, સાંજે 6થી 7:30 પૂજા અને ત્યારબાદ વિવિધ કાર્યક્રમ યોજાશે. આ મંદિરની સ્થાપના વર્ષ 1984 કરાઇ હતી. તે પૂર્વે શહેરના પંચનાથમાં ભગવાનને બિરાજમાન કરી ભજન-કીર્તન, પૂજા કરાતી હતી. આ વાર્ષિક મહોત્સવનું આયોજન 24 વર્ષ પહેલાં અને ગયા વર્ષે થયું હતું, પરંતુ આ વખતે ઉત્સવને અતિ ભવ્ય રીતે મનાવવામાં આવશે. આ મંદિરમાં અયપ્પા ભગવાન, મહાશિવલિંગ, ગણપતિ મહારાજ, કાર્તિક સ્વામી, દુર્ગા માતા, વિષ્ણુ ભગવાન, નવગ્રહ, નાગદેવતા, નાગદેવી બિરાજમાન છે. આ મંદિરની એક વિશેષતા છે કે, મંદિરના ગર્ભગૃહમાં લાઇટ કરાતી નથી, પરંતુ દીવાથી જ રોશની કરવામાં આવે છે. ભજન, મોહિનીયટ્ટમ, ભરતનાટ્યમ, સેક્સોફોન વાદન, ત્રણ પ્રકારના વેશમાં તૈયમ (કંતારા સ્વરૂપ) રજૂ કરાશે14 ડિસેમ્બર : ભવ્ય અયપ્પા શોભાયાત્રા સાંજે 4:45 વાગ્યે પંચનાથ મંદિરથી પ્રારંભ થઇ જ્યુબિલી બાગ, સિવિલ હોસ્પિટલ ચોક, જામટાવર ચોક માર્ગે પસાર થઈ શ્રી અયપ્પા મંદિર ખાતે પહોંચશે. આ વર્ષે ભગવાન અયપ્પાની શોભાયાત્રા હાથી ઉપર વિહાર સાથે યોજાશે. જેમાં 150-150 મહિલાભક્તોની બે લાઇન હાથમાં થાલપોલી(દીવા) સાથે, 3 પ્રકારના વેશમાં તૈયમ (કાંતારા સ્વરૂપ), પરંપરાગત વાદ્યો અને સાંસ્કૃતિક ઝાંખીઓ સાથે નીકળશે. મંદિરમાં ધ્વજાનો સ્તંભ છે તેથી આ દિવસે ભગવાનને ધ્વજામાં બેસાડી, આવાહ્ન કર્યા બાદ ધ્વજા ચડાવાશે. આ સ્તંભ મંદિર કરતાં ઊંચો હોય છે તથા ધ્વજાનો આકાર ભગવાનના સ્વરૂપ જેવો હોય છે. 15 ડિસેમ્બર : રાજકોટ તથા જામનગરના મંદિરે ભક્તો દ્વારા ભજનનો કાર્યક્રમ યોજાશે. 16 ડિસેમ્બર : 27 મહિલા, બાળ કલાકારો દ્વારા ભરતનાટ્યમ તથા ક્લાસિકલ ડાન્સ રજૂ કરાશે. 17 ડિસેમ્બર : મુંબઇથી બોલાવેલા 7 લોકો સેક્સોફોન(વાદ્યયંત્ર), તબલા, હાર્મોનિયમ સાથે ધાર્મિક ગીતો ગવાશે. 18 ડિસેમ્બર : કેરેલાથી આવેલા 45 કલાકાર પંચ વાદ્યમ(પાંચ પ્રકારના વાદ્યો) વગાડી રજૂ કરશે. આ વાદ્ય એકસાથે વગાડે તો 3 કલાકમાં પાંચમા સ્તર સુધી પહોંચે તેમ કહેવાય છે. તેમજ જંગલ બનાવી ભગવાને સુવરનું રૂપ લઇ જંગલવાસીઓ સાથે મળી મહર્ષિનો વધ કર્યો તેને રજૂ કરવામાં આવશે. 19 ડિસેમ્બર : યુદ્ધ કર્યા બાદ ભગવાન થાકી ગયા હોય તે ભાવથી શયનકક્ષમાં સુવડાવી આ દિવસે ન્યારીમાં સ્નાન કરાવી મંદિરમાં બિરાજમાન કરાશે અને ધ્વજા ઉતારી ઉત્સવની પૂર્ણાહુતિ કરાશે. મંદિરમાં જવા માટે 41 દિવસનું બ્રહ્મચર્ય વ્રતઅયપ્પા ભગવાનનું મુખ્ય મંદિર કેરેલાના સબરીમાલામાં છે. મંદિરમાં જવા માટે 41 દિવસનું બ્રહ્મચર્ય વ્રત લેવું પડે છે અને ત્યારબાદ જ મંદિરમાં પ્રવેશી શકાય છે. વ્રતમાં ચંપલ ન પહેરવા, વાળ અને નખ કાપી શકાય નહીં તેમજ મંદિરમાં કાળા રંગના કપડાં પહેરીને જઇ શકે છે. અહીં માત્ર પુરુષો, બાળકો, 10 વર્ષથી નાની પુત્રી, 55થી વધુ વર્ષની મહિલાઓ જ જઇ શકે છે. આ એક માત્ર એવું મંદિર છે કે ત્યાં પિતા તેની નાની પુત્રીને આંગળી પકડી એક વખત તો લઇ જવામાં આવે જ છે. મહાદેવ તથા વિષ્ણુજીના પુત્ર અયપ્પા ભગવાનઅયપ્પા ભગવાન મહાદેવ તથા વિષ્ણુ ભગવાનના પુત્ર છે. જેમાં મહર્ષિ નામની રાક્ષસણીએ વરદાન લીધું હતું કે, તેને મહાદેવ અને વિષ્ણુ ભગવાનના જ પુત્ર મારી શકશે. બન્ને દેવતા હોવાથી તેને પુત્ર જ ન જન્મે તેમ વિચારી આ વરદાન પ્રાપ્ત કર્યુ, પરંતુ સમુદ્ર મંથન વખતે વિષ્ણુ ભગવાને મોહિનીનું રૂપ લીધું હતું અને મહાદેવ તથા મોહિનીના ધ્યાનમાંથી ઉત્પત્તિ થઇ અને તેમના જાંઘમાંથી અયપ્પા ભગવાનની ઉત્પત્તિ થઇ અને મહર્ષિ રાક્ષસણીનો વધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:16 am

મુસાફરોને રાહત:ઇન્ડિગોની મુંબઇની સાંજની ફલાઇટ આજથી ભરશે ઉડાન

ઇન્ડિગો એરલાઇન્સના પાઇલટ અને ક્રૂ મેમ્બર્સની અછતના કારણે છેલ્લા 10 દિવસથી દેશભરમાં વિવિધ શહેરોમાં વિમાની સેવા ખોરંભાઇ હતી જે હવે ધીમે-ધીમે પૂર્વવત થઇ રહી છે. રાજકોટ સહિત વિવિધ શહેરોના હજારો મુસાફરો ફ્લાઇટ અચાનક કેન્સલ થવાથી ભારે હાલાકી અનુભવી રહ્યા હતા ત્યારે હવે ઇન્ડિગોની ફ્લાઇટ રાબેતા મુજબ ઉડાન ભરવા લાગી છે અને શનિવારે દિલ્હી, પુના, ગોવા અને હૈદરાબાદની ફ્લાઇટે ઉડાન ભર્યા બાદ હવે રવિવારે સાંજથી મુંબઇની સાંજની ફ્લાઇટ પૂર્વવત થશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર રાજકોટથી ઉડાન ભરતી દિલ્હી, ગોવા, હૈદરાબાદ અને પુનાની ફ્લાઇટ રાબેતા મુજબ શનિવારથી ઉડાન ભરવા લાગી છે અને મુંબઇની ફ્લાઇટ હવે રવિવારથી રાબેતા મુજબ થશે. છેલ્લા 10 દિવસથી ઇન્ડિગોની વિવિધ ફ્લાઇટ્સ બંધ થતા રાજકોટમાં અંદાજે 15થી 18 હજાર મુસાફરો હેરાન-પરેશાન થયા છે. હજારો મુસાફરોએ અન્ય ફ્લાઇટની ટિકિટ લેવી પડતા ઉઘાડી લૂંટનો ભોગ બન્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:13 am

ભાસ્કર ઈનસાઈડ:ઉમલ્લામાં 2007માં બંદૂકની અણીએ ધાડ પાડનાર આરોપી આખરે 18 વર્ષે સકંજામાં

ઝઘડિયા તાલુકાના ઉમલ્લામાં 2007માં બંદૂકની અણીએ ધાડનો બનાવ બન્યો હતો. આ ગુનામાં 18 વર્ષથી નાસતા ફરતાં આરોપીને પેરોલ ફર્લો સ્કવોડે પાદરા બસ સ્ટેન્ડ નજીકથી ઝડપી પાડયો છે. આરોપી પાદરા નજીક આવેલાં ડભાસા ગામની સીમમાં પડાવ નાખીને રહેત હતો. ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડ દ્વારા લાંબા સમયથી ફરાર ગુનેગારો અને જમ્પ આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પીએસઆઇ આર.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ ટીમને 2007માં ઉમલ્લામાં બંદૂકની અણીએ થયેલી ધાડના ગુનામાં ફરાર આરોપી વિશે માહિતી મળી હતી. 18 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો આરોપી પાદરા તાલુકાના ડભાસાની સીમમાં રહેતો હોવાની બાતમી મળતાં વોચ ગોઠવવામાં આવી હતી. આરોપી ખુન્ના બિલવાલ પાદરા બસ સ્ટેન્ડ પાસે આવતાં તેને કોર્ડન કરીને ઝડપી લેવાયો હતો. આરોપી મધ્યપ્રદેશના ઝાંબુઆના ઘાટિયા તળાવ ગામનો રહેવાસી છે અને તેની સામે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં અનેક ગુનાઓ નોંધાયેલાં છે. નવસારીમાં જવેલર્સની દુકાનમાં લૂંટ ચલાવવા સહિતના ગુના આરોપી ખુન્ના બિલવાલ આંતરરાજય ગેંગનો સાગરિત છે. તેણે નવસારીમાં જવેલર્સની દૂકાનમાં તથા દાહોદ નજીક અનસ રેલવે સ્ટેશન પાસે પણ લૂંટ ચલાવી હતી.વલસાડના પારડી, પંચમહાલના ગોધરા રેલવે પોલીસ, મહારાષ્ટ્રના પુણેના તલેગાંવ ડભાડે પો. સ્ટેશન સહિત મધ્યપ્રદેશના રતલામ અને મનાસા તેમજ નવસારી જિલ્લામાં લૂંટ અને ગંભીર હિંસક ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:12 am

સન્ડે ફોટો સ્ટોરી:રાજકોટ પાસેના પાળ ગામનો ઠાકરદ્વારોમાં સોનાનું 51 તોલાનું સિંહાસન અને 18 કિલો ચાંદીથી મઢેલા દરવાજા

રાજકોટની ભાગોળે પાળ ગામ ખાતે આવેલા શ્રી નકલંક મંદિર (ઠાકરદ્વારો)માં સંત આંબેવપીરધામનો તા.26 નવેમ્બરથી તા.5 ડિસેમ્બર સુધી ભવ્ય પુન:પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ 200 વર્ષ પૌરાણિક મંદિરની 1 કરોડના ખર્ચે પુન:પ્રાણપ્રતિષ્ઠા, 4 કરોડના ખર્ચે મંદિર બનાવ્યું. જેમાં ઠાકોરજી 51 તોલા સોનું, 10 કિલો ચાંદીનું 80 લાખથી વધુના સિંહાસનમાં બિરાજમાન છે. ઉપરાંત મંદિરના બન્ને દરવાજા ચાંદીની ખીલીથી જ 18 કિલો ચાંદીથી 21 લાખથી વધુના ખર્ચે મઢેલા છે. મહોત્સવ દરમિયાન ભક્તોએ 1 કિલો સોનું, 1 કિલો ચાંદીનું દાન આપ્યું હતું. આ દરમિયાન બ્રાહ્મણે કહ્યું કે, યાદી માટે ભગવાન પાસે સોનું, ચાંદી મૂકતા હોય છે તેના અડધી જ કલાકમાં બહેનોએ પહેરેલા ઘરેણા અને પુરુષોએ ચાંદીના કડા દાનમાં આપી દીધા હતા. ગૌશાળા અને અન્નક્ષેત્ર આકાર લેશેઠાકરના સેવક નિલેશભાઇ ભગતે જણાવ્યું હતું કે, મહોત્સવ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે, ટૂંક સમયમાં 70 લાખથી વધુના ખર્ચે ગૌશાળા તથા અન્નક્ષેત્ર આકાર લેશે તે બાદ 11 લાખનો કાચો માલ પણ આવી ગયો હતો. આ ઉપરાંત મહેમાનોના ઉતારા અને તેની નીચેના ભાગમાં વિશાળ હોલ પણ બનાવવામાં આવશે. 7 ઘોડાના મુગટ પણ 25 તોલા સોનાથી મઢાયા છેમંદિરમાં કૃષ્ણ ભગવાનની પાછળ 7 ઘોડા પણ બિરાજમાન છે. આ સાતેય ઘોડાના મુગટ 25 તોલા સોનાના છે. આમાંથી એક અશ્વનું પૂછડું ખંડિત છે. ગળકોટડી ગામના જગુવાળા નામના કાઠી દરબારને ફાંસીનો હુકમ થયો ત્યારે તેમણે પાળના ઠાકરને મનોકામના કરી કે ફાંસીમાંથી છોડાવે. ત્યારે પાળના ઠાકરના ઘોડાએ 3 વાર ફાંસીના દોરડા તોડાવ્યા. ત્યાં દોરડા તોડ્યા અને અહીં લોહીના ફુવારા થયા તથા ઘોડાનું પૂછડું હજુ પણ ખંડિત છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:12 am

સિટી એન્કર:પોતાની પબ્લિસિટી કરવા માટે રાજકોટના ટ્રાફિક સર્કલ હવે મફત નહીં મળે, અપસેટ પ્રાઇઝ સાથે ટેન્ડર પ્રસિદ્ધ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના બ્યુટીફિકેશન અંતર્ગત વિવિધ માર્ગો પર મુખ્ય ચોકમાં આવેલા ટ્રાફિક સર્કલ ડેવલપમેન્ટ રાઇટ્સ જનભાગીદારીથી આપવામાં આવી રહ્યા છે. પ્રારંભિક તબક્કે વાર્ષિક પ્રીમિયમથી પાંચ વર્ષ માટે અપાતા ટ્રાફિક સર્કલ માટે હવે અપસેટ પ્રાઇઝની નવી પોલિસી મહાપાલિકાએ તૈયાર કરી છે. જેમાં આગામી દિવસોમાં ટ્રાફિક સર્કલ ટેન્ડરથી જ અપાશે અને તે માટે દરેક ટ્રાફિક સર્કલની અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી છે. મહાપાલિકાના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ હવેથી ડેવલપમેન્ટના નામે સર્કલ મફત નહીં મળે કે મફતના ભાવે પણ નહીં મળે. અત્યાર સુધી દર વર્ષે પ્રીમિયમ વસૂલાતું હતું જ્યારે હવેથી અપસેટ પ્રાઇઝ નક્કી કરાઇ છે. તદઉપરાંત પ્રીમિયમમાં પણ જે ભાવ ભર્યો હોય તેમાં પણ પ્રતિ વર્ષ ઉત્તરોત્તર 10 ટકા વધારો ચૂકવવાનો રહેશે. મહાપાલિકા દ્વારા 11 ટ્રાફિક સર્કલ અપસેટ પ્રાઇઝ સાથે પ્રીમિયમથી આપવા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી એવું હતું કે, કોઇ અપસેટ પ્રાઇઝ ન હતી. આથી કોઇ ટ્રાફિક સર્કલ માટે એકથી વધુ માગણીદાર ન હોય તો તેને પોતાની ઇચ્છાનુસાર ભાવથી ટ્રાફિક સર્કલ મળી જતું હતું. જે હવે આગામી દિવસોમાં શક્ય નહીં બને. બે ટ્રાફિક સર્કલમાં ફુવારા નાખવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. આ 11 ટ્રાફિક સર્કલ વાઇઝ નક્કી કરાયેલી અપસેટ પ્રાઇઝ સિટી એન્કર

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:09 am

ભાસ્કર ઈનસાઈડ:નર્મદામાં શરતોનો ભંગ કરનારા 13માંથી 4 સરકારી અધિકારીના પ્લોટ શ્રીસરકાર કરાશે

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતાં અને બજાવી ગયેલાં અધિકારીઓ આ વાતથી સારી રીતે વાકેફ હોવાથી તેમણે સરકારના નિયમોનો ફાયદો ઉઠાવી મોકાની જગ્યા પર રાહત દરથી સરકારી પ્લોટ લીધાં હતાં. સરકારે પણ ગરૂડેશ્વર નજીક સરકારી જમીનમાંથી પ્રતિ અધિકારીને 135 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી પણ કરી હતી. અધિકારીઓની માગણી મુજબ તેમને ગરૂડેશ્વર ગામની સર્વે નંબર –395ની જમીન નવી અને અવિભાજય અને વિક્રિયાદી નિયંત્રીત શરતે તેમજ અન્ય શરતોને આધિન ફાળવી આપવામાં આવી હતી. રહેણાંક મકાનો બનાવવા માટે પ્લોટની ફાળવણી માટે સરકારે પ્લોટની ફાળવણીના 6 મહિનાની સમયમર્યાદામાં બાંધકામ શરૂ કરાવી તેને બે વર્ષમાં પૂર્ણ કરી દેવાની શરત રાખવામાં આવી હતી. સરકારી જમીન પર 13 જેટલા અધિકારીઓને પ્રતિ અધિકારી દીઠ 135 ચોરસ મીટરની જગ્યા ફાળવવામાં આવી હતી. પ્લોટની ફાળવણી બાદ તંત્રની તપાસમાં ચાર અધિકારીઓએ બાંધકામની શરતોનો ભંગ કર્યો હોવાથી ચાર પ્લોટ શ્રીસરકાર કરી દેવા માટે કલેકટર એસ.કે.મોદીએ આદેશ કરતાં સરકારી અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો છે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ચૂકેલા આ અધિકારીઓને પ્લોટ ફાળવાયા‎એચ.કે.વ્યાસ, આર.વી.બારીયા, કે.ડી.ભગત, ડી.એન.ચૌધરી, બી.એચ.ગામીત, આર.એમ.ચૌધરી, એસ.એન.સોની, આર.આર.ભાભોર, બી.ડી.બારીયા, વી.વી.મછાર, બી.બી.મોરિયા, એન.યુ.પઠાણ અને એલ.એમ. ડિંડોલ આ અધિકારીઓના પ્લોટ બાંધકામ થયું નથી‎અધિકારી હાલનું નોકરીનું સ્થળ‎કે.ડી.ભગત નિયામક, ડીઆરડીએ, છોટા ઉદેપુર‎ડી.એન.ચૌધરી હાલ મૃત્ય પણ તત્કાલીન એસડીએમ‎વી.વી.મછાર નિવૃત મામલતદાર, ગરૂડેશ્વર‎વી.એચ.ગામીત સિનિયર ટાઉનપ્લાનર, ગાંધીનગર‎ 3 અધિકારી જ્યારે એકની‎પત્નીએ ખુલાસા રજૂ કર્યા‎ કે.ડી. ભગત : એસઓયુ ઓથોરીટી‎તરફથી બાંધકામની પરવાનગી મળી‎નથી તેથી પ્લોટ પર બાંધકામ કરી‎આપવાની મુદ્દત લંબાવી આપવામાં આવે‎‎ડી.એન.ચૌધરીના પત્ની : તેમના પતિનું‎2022માં અવસાન થયું છે. આ જમીન‎બાબતે ખ્યાલ ન હતો, જેથી પ્લોટ‎ફાળવણી યથાવત રાખી બાંધકામની‎સમય મર્યાદા લંબાવી અપાઇ‎વી.વી.મછાર ઃ આર્થિક સંકડામણને કારણે‎બાંધકામ પૂર્ણ કરવા અસમર્થ અને‎બાંધકામની મુદત વધારી આપવામાં‎આવે જેથી કામ પૂર્ણ કરી શકાય.‎‎વી.એચ. ગામિત : સરકારે ફાળવેલા પ્લોટ‎પર લિન્ટન લેવલ સુધી કામ પૂર્ણ કરેલ‎છે.બાકીનું ટુંક સમયમાં પૂર્ણ કરી દેવામાં‎આવશે.‎ આધાર તથા પુરાવા રજૂ નહિ કરાતાં શરતભંગ થયો હોવાનું તારણ‎નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરમાં સરકારી જમીન પર અધિકારીઓને ફાળવવામાં આવેલાં પ્લોટ પર શરતભંગ થયો હોવાની ફરિયાદ કલેકટર એસ.કે.મોદીને મળી હતી. તેમણે અધિકારીઓના ખુલાસાઓ સંદર્ભમાં નોંધ્યું હતું કે, રાજય સરકારના પંચાયતના સેવાના બદલીપાત્ર અધિકારી કર્મચારીઓને રહેણાંકના હેતુ માટે વિના હરાજીએ રાહત દરે સરકારી જમીન ફાળવવા અંગેના સરકારના મહેસુલ વિભાગ, ગાંધીનગરના સંકલિત ઠરાવ થી થયેલ જોગવાઈ મુજબ કાબુ બહારના કારણોસર તેમ કરવાનું શક્ય ન હોય તો તે અંગેના આધાર પુરાવા સાથે વધુ મુદ્દત મેળવવા સરકારને અગાઉથી રજુઆત કરવાની રહેશે. અન્યથા પ્લોટ વિના વળતરે સરકાર હસ્તક પરત લેવામાં આવશે. તેમ જણાવેલ છે. જે અન્વયે આ કામના સામાવાળા ધ્વારા જમીન ફાળવણી અંગેના તા.2 ફેબ્રુઆરી 19 ના હુકમની શરત નં.2 મુજબ બાંધકામની મુદત પુર્ણ થયેલ હોવા છતાં વધુ મુદ્દત વધારવા માટે કોઈ પણ જાતની લેખિત પરવાનગી મેળવેલ હોય અન્યથા પરવાનગી મેળવવા માટે રજુઆત કરેલ હોય તે અંગેના કોઈ આધાર પુરાવા રજુ કરેલ નથી. જેથી જમીન ફાળવણી અંગેના હુકમની શરતોનો ભંગ થાય છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:08 am

સન્ડે બિગ સ્ટોરી:શાંતિ મલ્ટિપલ અને ગોકુલ લાઇફ કેર સહિત 10 ખાનગી હોસ્પિટલને રૂ.52.49 લાખની પેનલ્ટી

કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના પ્રજાજનોને મફતમાં સારવાર મળી રહે તે માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)અમલમાં મૂકવામાં આવી છે ત્યારે થોડા સમય પહેલાં અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં મોટા પાયે ગોલમાલ કરી કરોડો રૂપિયાની ગોબાચારી આચરવામાં આવ્યાનો કિસ્સો પ્રકાશમાં આવતા રાજ્ય સરકારે જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરી જેલમાં ધકેલી દેવાયા બાદ ગુજરાતની અન્ય ખાનગી હોસ્પિટલ સામે કડક ‌વલણ અપનાવવામાં આવ્યું હતું અને તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સમયાંતરે આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરાવવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ-અલગ હોસ્પિટલ વિરુદ્ધ મળેલી ફરિયાદોના આધારે ચેકિંગ કરવામાં આવતા વર્ષ-2025માં કુલ દસ હોસ્પિટલ ગેરરીતિ આચરતા ઝપટે ચડી છે અને તેમને રૂ.52.49 લાખનો દંડ ફટકારાયો છે. જેમાં સૌથી વધુ દંડ શાંતિ મલ્ટિપલ હોસ્પિટલ અને ગોકુલ લાઇફ કેરને કરવામાં આવ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં ગરીબ અને અભણ દર્દીઓને લાવીને એન્જિયોપ્લાસ્ટી સહિતની સારવાર કરી કેન્દ્ર સરકારની પીએમજેએવાય યોજના અંતર્ગત નાણાકીય ઉચાપત કરવામાં આવી હતી. આ પ્રકરણમાં 3 દર્દીનાં મોત નીપજ્યા બાદ સમગ્ર કૌભાંડનો ભાંડાફોડ થયો હતો. આ પ્રકરણમાં ખાનગી હોસ્પિટલ દ્વારા સરકાર સાથે મોટા પાયે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું બહાર આવ્યા બાદ રાજ્ય સરકાર કડક બની હતી અને રાજ્યમાં પીએમજેએ‌વાય અંતર્ગત સુવિધા આપતી ખાનગી હોસ્પિટલનું સમયાંતરે ચેકિંગ કરવા ગાઇડલાઇન તૈયાર કરી જિલ્લા પંચાયતો, મહાનગરપાલિકા અને નગરપાલિકાના આરોગ્ય વિભાગને આદેશ કર્યો હતો. આ આદેશ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ વર્ષ દરમિયાન અલગ-અલગ હોસ્પિટલની મળેલી ફરિયાદોના અનુસંધાને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તેમાં શાંતિ મલ્ટિપલ હોસ્પિટલ અને ગોકુલ લાઇફ કેર હોસ્પિટલમાં ગેરરીતિ આચરવામાં આવ્યાનું ખૂલતા રૂ.52,49,135નો દંડ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલમાં 1-1, મે માસમાં 3, જૂન માસમાં 1 અને ઓક્ટોબર માસમાં 3 હોસ્પિટલને પેનલ્ટી કરવામાં આવી છે.ગોકુલ હોસ્પિટલમાં સતત ગેરરીતિ, અગાઉ લાઇસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરાયું હતુંઆ અગાઉ ગોકુલ હોસ્પિટલનું લાઇસન્સ 6 માસ માટે સસ્પેન્ડ કરાયું હતું. ક્રાઇસ્ટ હોસ્પિટલનો કાર્ડિયાક વિભાગ 6 માસ માટે અને યુનિકેર હોસ્પિટલનો કાર્ડિયાક વિભાગ 1 માસ માટે સસ્પેન્ડ કરાયો હતો. રાજકોટની આ હોસ્પિટલને દંડ ફટકારવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:05 am

રાજકીય ટકરાવ:નાંદોદના ધારાસભ્યએ ખોટા આક્ષેપો કરી પોતાના પગ પર જ કુહાડો માર્યો : સાંસદ

નર્મદા જિલ્લામાં ભાજપમાં ઘમાસાણ ચાલી રહયું છે. સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શના દેશમુખ વચ્ચે જામી પડી છે. ધારાસભ્યએ મનસુખ વસાવા સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી આપી છે. શનિવારના રોજ મનસુખ વસાવાએ ભરૂચમાં પત્રકાર પરિષદ યોજીને ધારાસભ્યને વળતો જવાબ આપ્યો હતો. સાંસદે જણાવ્યું હતું કે, ડો. દર્શના દેશમુખે ખોટા આક્ષેપો કરીને પોતાના પગ પર કુહાડો માર્યો છે. સાંસદે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં નર્મદા જિલ્લામાં થયેલા બે મોટા કાર્યક્રમના ખર્ચ બાબતે નર્મદા જિલ્લાના એક ઉચ્ચ અધિકારી સામે આપ નેતાએ 75 લાખ રૂપિયાનો તોડ કર્યાના મામલે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં આપના નેતાઓ ખુલ્લા પડે તે માટે મેં અવાજ ઉઠાવ્યો હતો પરંતુ તેનું ડો. દર્શના દેશમુખે ખોટુ અર્થઘટન કર્યું છે.દર્શના દેશમુખને ધારાસભ્ય બનાવવામાં મારો મોટો ફાળો રહ્યો છે પરંતુ હવે તેઓ ખોટા લોકોથી ઘેરાઈ ગયા છે. મનસુખ વસાવાએ જાહેરમાં સ્વીકાર્યું કે ચૈતર વસાવા તેમના ભાણેજ છે, પરંતુ બંનેની વિચારધારા અલગ છે. ઉલ્લેખનીય છે કે, અંક્લેશ્વર બાદ હવે નર્મદા જિલ્લામાં ભાજપના જ બે આગેવાનો વચ્ચે રાજકીય ટકરાવ વધી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:02 am

માલધારીઓમાં રોષ:1500થી વધુ પશુ માટે 4 કિમીનો ફેરો, આપની આંદોલનની ચીમકી

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-1 માં રહેતા માલધારી સમાજના પશુપાલકો માટે ગંભીર સમસ્યા ઊભી થઈ છે. તેમના પશુઓને ચરાવવા જવાના મુખ્ય માર્ગને ધોળીધજા ડેમ પાસે મોટી જાળી અને તાળું મારીને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં રોષ ફેલાયો છે. વોર્ડ નંબર-1માં વસવાટ કરતા માલધારી સમાજના 1500થી વધુ ગાય, ભેંસ અને બકરાંને ચરાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવાતો માર્ગ બંધ થતાં, પશુપાલકોને હવે 4 કિલોમીટર જેટલું વધારાનું અંતર કાપીને પશુઓ ચરાવવા જવું પડે છે. આ બાબત પશુપાલન વ્યવસાય માટે આર્થિક અને શારીરિક રીતે અસહ્ય બની ગઈ છે. જેની મહોલ્લા સભામાં રજૂઆત મળતા આપ આગેવાન અમૃતભાઈ મકવાણા, કમલેશભાઈ કોટેચા, દિપકભાઈ ચિહલા, સતિષભાઈ ગમારા, કિસનભાઈ સોની, શૈલેષ ઉકળીયા અને મકાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે તેઓએ જણાવ્યું કે પશુપાલકોને સાથે રાખીને બંધ કરાયેલા માર્ગની સ્થળ મુલાકાત લીધી હતી અને સમસ્યાની ગંભીરતાને સમજી હતી. આથી સમસ્યાના ઉકેલ માટે આગેવાનોએ જવાબદાર તંત્રને રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી. સાથે જ તેમણે ચેતવણી આપી કે જો તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરવામાં આવે ગાયના નામે મતો લઈ સત્તા રુઢ થયેલી આ બહેરી મૂંગી સરકાર સામે આંદોલન કરવાની ફરજ પડશે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 7:00 am

ચિંતા : ભારતમાં 71 ટકા લોકો પોષણયુક્ત આહાર લઈ શકતા નથી

- ભારતે હથિયારો ખરીદવાની નહીં પણ ખેતીને સમૃદ્ધ કરીને મજબૂત પેઢી અને સશક્ત સમાજ કરવાની વધારે જરૂર છે - વિશ્વના અંદાજે 300 કરોડથી વધારે લોકો પોષણયુક્ત ભોજન કરી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના પહેલાં આ આંકડો 282 કરોડની આસપાસ હતો. સહારા ક્ષેત્ર અને આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તો 80 ટકા વધારે લોકોને પૌષ્ટિક ભોજન નહીં મળતું હોવાના અહેવાલો છે : ભારતમાં ૫૬ ટકાથી ૭૧ ટકા લોકો પૌષ્ટિક અને સ્વસ્થ ભોજન પ્રાપ્ત કરી શકતા નથી. ગત વર્ષે આવેલો એક અહેવાલ જણાવતો હતો કે, ભારતના 6 થી 23 મહિના સુધીના 77 ટકાથી વધારે બાળકો કુપોષણનો શિકાર છે : જાપાનમાં શોકુ ઈકુ નીતિ હેઠળ બાળકોનો ભોજનનું વિજ્ઞાાન સમજાવવામાં આવ્યું. એક એવું માળખું તૈયાર કરવામાં આવ્યું કે, ભોજન માત્ર ખાવાની વસ્તુ નહીં પણ સંસ્કૃતિ, સમજ, સમાજ અને સ્વાસ્થ્યનો આધાર બની રહે

ગુજરાત સમાચાર 14 Dec 2025 7:00 am

લોક અદાલત:જિલ્લા, તાલુકા મથકોએ વર્ષની છેલ્લી લોક અદાલતમાં 9557 કેસોનો નિકાલ કરાયો

સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ શનિવારના રોજ લોકઅદાલતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફોજદારી સમાધાન લાયક કેસો, ક્લેઇમને લગતા કેસો, લગ્ન વિષયક, મજૂર કાયદા, જમીન સંપાદન, ઇલેક્ટ્રિસિટી, પાણીના બિલો, રેવન્યુ કેસો, દિવીની પ્રકારના કેસો, સમાધાન લાયક કેસો હાથ પર લઇ 9557નો નિકાલ કરાયો હતો. જિલ્લા તથા તાલુકા મથકે તા.13-12-25 રોજ રાષ્ટ્રીયલોક અદાલતનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય ન્યાયાધીશ કે.આર. ઉપાધ્યાય માર્ગદર્શનમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલટાઇમ સેક્રેટરી આર.જી. મન્સુરી સહિત ટીમે પ્રયાસ હાથ ધર્યા હતા. આ અંગે આર.જી. મન્સુરી જણાવ્યું કે લોક અદાલતમાં કેસો મૂકવાથી બન્ને પક્ષની જીત થાય છે કોઇ એક પક્ષને હાર કે જીત થતી નથી. આથી પક્ષકારોમાં રાગદ્વેશની ભાવના ઉત્પન્ન નથી થતી. લોકઅદાલતના 5681 કેસ હાથ પર લઇ 5676નો નિકાલ કરી રૂ.3,47,10,946 રકમનું સેટલમેન્ટ કરાયું હતું. જ્યારે સ્પેશિયલ સિટીંગના 2829 કેસ હાથ ધરાતા 2724 નિકાલ કરાયો હતો. પેન્ડિંગ કેસો 1098 હાથ પર લઇ 1048નો નિકાલ કરી રૂ.19,15,78,093 રકમનું સેટલમેન્ટ કરાયું હતું. ફેમિલી કોર્ટના 160 કેસ હાથ પર લઇ 109નો નિકાલ કરાયો હતો. આમ કુલ 9768 કેસ હાથ પર લઇ 9557નો નિકાલ કરી કુલ 22,62,89,039ની રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ આયોજન સફળ બનાવવા જિલ્લાના વકીલો, કોર્ટ સ્ટાફ, પોલીસ સ્ટાફ તથા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા પ્રયાસ કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:58 am

વઢવાણ પંથકમાં ખેડૂતો ખાતર માટે ખફા:ઠંડીમાં વહેલી સવારથી લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં માત્ર 6 થેલી ખાતર મળે છે

વઢવાણ તાલુકામાં ખેડૂઓની મુશ્કેલીઓછી થતી નથી શિયાળામાં કડકડતી ઠડીમાં ખાતર માટે રઝળપાટ કરવાનો સમય ખેડૂતોને આવ્યો છે. લાંબી લાઈનોમાં ઊભા રહેવા છતાં માત્ર 6 થેલી ખાતર અપાતા ખેડૂતો ખફા થયા છે. ઝાલાવાડ પંથકમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં યુરીયા ખાતરની અછતને લઇને ખાતરના ડેપો પર ખેડૂતોની લાંબી લાઇનો જોવા મળી રહી છે. શિયાળાની ઠડીમાં વહેલી સવારથી યુરીયા ખાતર માટે લાઇનમાં ઉભા રહેવા છત‍ાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ખાતરના ડેપો વહેલી સવારથી ખેડૂતો ખાતર મેળવવા લાઇનમાં ઉભા રહ્યાં હોવા છતા માત્ર 6 જ થેલી ખાતર આપવામાં આવે છે તેવી ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે. આ અંગ મહેન્દ્રસિંહ સોલંકી, કોળી રવજીભાઈ દલવાડી રમેશભાઈ વિક્રમ સિંહ ડોડિયા વગેરેએ જણાવ્યું કે અમારે હાલ શિયાળુ વાવેતર કર્યું છે. જેમાં ઘઉં, જીરું, ચણા, વરિયાળી સહિતના પાકમાં ખાતર નાખવું પડે છે. આથી લાંબી લાઈનમાં ઉભું રહેવું પડે છે. હાલ ખેડૂતોને માત્ર 6 થેલી ખાતર મળે છે. આથી અમારી લાગણી અને માંગણી છે કે ખેડૂતોને સમયસર જરૂરીયાત મુજબ ખાતર મળે ખેડૂતોને હાલ શિયાળુ પાક માટે યુરિયા ખાતરની તાતી જરૂરિયાત છે. ત્યારે જ ખાતર પૂરતા પ્રમાણમાં ન આપવામાં આવતા શિયાળુ પાકમાં ઉત્પાદન ઘટાડો થવાની શક્યતા ઉભી થઈ છે. આથી સરકાર પુરતા યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવે તેવી માંગ છે. આ અંગે નાયબ ખેતી નિયામક શૈલેષભાઇ શિણોજીયાએ જણાવ્યું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝનમાં પાકોનું વાવેતર જરૂરિયાતને ધ્યાનમાં રાખીને યુરિયા અને અન્ય રાસાયણિક ખાતરોની સપ્લાય રોડ તેમજ રેક મારફત સતત ચાલુ છે. જિલ્લામાં હાલ રાસાયણિક ખાતરનો પૂરતો જથ્થો વિવિધ વિક્રેતાઓ પાસે ઉપલબ્ધ છે. વર્તમાન સ્થિતિએ 3300 મેટ્રિક ટન (મે.ટન) યુરિયા, 1900 મે.ટન ડીએપી ખાતર, 3300 મે.ટન એનપીકે ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે. આ ઉપરાંત, જિલ્લામાં 2400 મે.ટન યુરિયાનો જથ્થો સ્ટોરેજ રખાયો છે. વિવિધ રાસાયણિક ખાતર કંપનીઓ દ્વારા પણ જિલ્લામાં યુરિયા ખાતરની સપ્લાય સતત ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:57 am

કોર્ટે મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રદ કર્યો:પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિર મુદ્દે મહારાષ્ટ્ર સરકારને કોર્ટનો આંચકો

ઔરંગાબાદ સ્થિત મુંબઈ હાઈ કોર્ટની બેન્ચે શુક્રવારે મહારાષ્ટ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય રદ કર્યો છે. અહિલ્યાનગર પૂર્વે અહમદનગર ખાતે આવેલા પ્રસિદ્ધ શનિ શિંગણાપુર મંદિરના સંચાલન માટે રાજ્ય સરકારે નિયુક્ત કરેલા પ્રશાસકની નિમણૂકને અદાલતે ગેરકાયદેસર ઠરાવીને રદ કરી છે. આ સાથે પ્રશાસક દ્વારા રચાયેલી તાત્કાલિક સમિતિને પણ રદ કરી, મંદિરનું સંચાલન ફરીથી પૂર્વે મહારાષ્ટ્ર પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ચૂંટાયેલી મેનેજિંગ કમિટીને સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. ન્યાયમૂર્તિ વિભા કંકણવાડી અને હિતેન વેનેગાવકરની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું કે, રાજ્ય સરકારે શ્રી શનૈશ્વર દેવસ્થાન ટ્રસ્ટ (શિંગણાપુર) અધિનિયમ, 2018ના પ્રાવધાનોનું ઉલ્લંઘન કર્યું છે. આ અધિનિયમને રાજ્ય સરકારે 22 સપ્ટેમ્બર 2025ના સરકાર ઠરાવ (જીઆર) દ્વારા અમલમાં મૂક્યો હતો અને તરત જ અહિલ્યાનગરના કલેક્ટરને પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે અધિનિયમની કલમ 36 અનુસાર પ્રશાસકની નિમણૂક માત્ર ખાસ પરિસ્થિતિમાં જ થઈ શકે. અદાલતે નોંધ્યું કે, કલમ 36 મુજબ પ્રશાસક ત્યારે જ નિમાઈ શકે, જ્યારે કલમ 5 હેઠળ રચાયેલ મેનેજિંગ કમિટી ફરજો બજાવવામાં નિષ્ફળ જાય. હાલના કેસમાં કલમ 5 મુજબ નવી કમિટી રચાઈ જ નહોતી. તેથી, પ્રશાસકની નિમણૂક કાયદેસર નથી. બેન્ચે પ્રશ્ન ઉઠાવ્યો કે, રાજ્ય સરકારને આવી ઉતાવળ શા માટે હતી? અદાલતે વધુમાં કહ્યું કે, મંદિર ટ્રસ્ટની મિલકત, દાન અને નાણાં બંધારણના કલમ 300એ હેઠળ સુરક્ષિત છે, અને કાયદાની સત્તા વિના તેની કબજા બદલવી અસંવિધાનિક છે. તેથી, 22 સપ્ટેમ્બર 2025નો સરકાર ઠરાવ બંધારણીય રીતે અમાન્ય છે. આ 40 પાનાના ચુકાદા સાથે હાઈ કોર્ટે રાજ્ય સરકારનો આદેશ સંપૂર્ણ રીતે રદ કરી, શનિ શિંગણાપુર મંદિરનો સંચાલન ફરીથી પૂર્વ મેનેજિંગ કમિટીને સોંપવાનો આદેશ આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:54 am

આ ગંભીર મામલે રાજ ઠાકરેનો CMને પત્ર:મહારાષ્ટ્રમાં 13 દિવસમાં 13 થી 25 વર્ષના 1,294 યુવક-યુવતીઓ ગુમ થયાની ફરિયાદ

મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી બાળકો, યુવક અને યુવતીઓના અપહરણ તથા ગુમ થવાના બનાવોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, જેને કારણે રાજ્યભરમાં ગંભીર ચિંતાનું વાતાવરણ સર્જાયું છે. અનેક કિસ્સાઓમાં ગુમ થયેલા બાળકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ સમસ્યા છેલ્લા કેટલાય વર્ષોથી વધતી હોવા છતાં રાજ્ય સરકાર અને પોલીસ પ્રશાસન તરફથી અસરકારક અને કડક પગલાં લેવાતા ન હોવાનું ચિત્ર સામે આવી રહ્યું છે. મહારાષ્ટ્ર પોલીસના સત્તાવાર એપ મુજબ 1 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર 2025 દરમિયાન માત્ર 13 દિવસમાં 13 થી 25 વર્ષ સુધીના યુવક-યુવતીઓ અંગે કુલ 1,294 મિસિંગ ફરિયાદ નોંધાઈ છે, એટલે કે, દરરોજ સરેરાશ 100 યુવક-યુવતીઓ ગુમ થાય છે. જ્યારે 90 વર્ષ સુધીની વયના નાગરિકોની કુલ 2,624 ફરિયાદો નોંધાઈ છે, એટલે કે દરરોજ આશરે 202 નાગરિકો ગુમ થાય છે. આ આંકડા રાજ્ય માટે અત્યંત ગંભીર ચિંતાનો વિષય બન્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેએ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને પોતાની તીવ્ર નારાજગી અને ચિંતા વ્યક્ત કરી છે. બાળકોની સુરક્ષા જેવા અતિ સંવેદનશીલ મુદ્દાને અવગણવામાં આવવું રાજ્ય માટે અત્યંત જોખમી છે. સરકાર અને લોકપ્રતિનિધિઓએ આવા ગંભીર વિષયને રાજકીય હિતથી ઉપર રાખીને ગંભીરતાથી જોવાની જરૂર છે એમ તેમણે પત્રમાં જણાવ્યું છે. રાજ ઠાકરેએ રાજ્યના શિયાળુ સત્રના કામકાજ પર પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. વિધાનસભામાં મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવે ત્યારે ઘણી વખત સંબંધિત મંત્રીઓ હાજર ન હોવાને કારણે ગંભીર ચર્ચા શક્ય બનતી નથી, એવો આરોપ તેમણે કર્યો. ખાસ કરીને બાળ અપહરણ જેવા ગંભીર વિષય પર ગૃહમાં ચર્ચા ન થવી અત્યંત દુર્ભાગ્યજનક હોવાનું તેમણે જણાવ્યું. શું કહ્યું મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે?બીજી તરફ, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, તેમણે રાજ ઠાકરેનો પત્ર હજી વાંચ્યો નથી, પરંતુ ગુમ થતા બાળકો અંગે અગાઉ પણ તેઓએ આંકડાઓ સાથે માહિતી આપી છે. ઘણી વખત ઘરેલુ ઝઘડા કે અન્ય કારણોસર બાળકો થોડા દિવસ માટે ઘર છોડીને જાય છે અને પાછા આવે છે, છતાં પણ તેમની મિસિંગ ફરિયાદ નોંધાવવામાં આવે છે, જેના કારણે આંકડા વધેલા દેખાય છે. વર્ષ દરમિયાનની ગણતરી કરીએ તો તે રીતે 90 ટકાથી વધુ બાળકો શોધી કાઢવામાં આવે છે. ગૃહ રાજ્યમંત્રી યોગેશ કદમે પણ સરકારની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. બાળકો ગુમ થાય ત્યારે ખાસ તપાસ અભિયાન ચલાવવામાં આવે છે, અને 90 ટકાથી વધુ બાળકો ફરી મળી જાય છે. બાકી રહેલા બાળકોની શોધ માટે પણ વિશેષ પ્રયાસો કરવામાં આવે છે એમ તેમણે જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:53 am

ભાસ્કર એનાલિસીસ:સુરેન્દ્રનગર જિલ્લો રાજ્યમાં ટોપ 8મા : લઘુત્તમ તાપમાન 14.0 અને મહત્તમ 31.1 ડિગ્રી નોંધાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ડિસેમ્બર બીજા સપ્તાહમાં તાપમાનનો પારો સતત વધઘટ રહ્યો છે. જેમાં એક સપ્તાહમાં તાપમાન 13 ડિગ્રી સુધી ઘટ્યા બાદ ફરી વધી રહ્યું છે. ત્યારે 13 ડિસેમ્બર છેલ્લાં 10 વર્ષનો રેકોર્ડ તોડતા સૌથી ઠંડો 13 ડિસેમ્બર દિવસ બની જવા પામ્યો છે. ત્યારે હાલ ગરમ કપડાની માંગ 10થી 15 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. હાલ ઉત્તર પૂર્વમાં જમ્મુ કાશ્મીર રિજિયનમાં થોડા સમયથી બરફ વર્ષાને લઇ જતા શિયાળાની શીતલહેર વધતા થોડા દિવસોથી ફરી ઠંડક અહેસાસ થઇ રહ્યો છે. એક સપ્તાહની વાત કરીએ તો તાપમાન વધઘટ થઇ ગયું છે. જ્યારે 13 ડિસેમ્બરે છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલા તાપમાનની સરખામણી કરાય તો વર્ષ 2025નો 13 ડિસેમ્બર સૌથી ઠંડો રહ્યો છે. સામાન્યત: આ દિવસોમાં જિલ્લાનું તાપમાન ઘટી જતું હોય છે. પરંતુ આ વર્ષ ડિસેમ્બર માસના બીજા વિકની શરૂઆતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાઇ રહ્યો છે. જિલ્લામાં શનિવારે લુઘતમ તાપમાન 14.0 અને મહત્તમ 31.1 ડિગ્રી નોંધાયું હતું. લોક જિલ્લાવાસીઓએ આ દિવસે સવારથી રાત્રી સુધીમાં ડિગ્રી ફેરફાર અનુભવ્યો હતો. આ અંગે ભાવેશકુમાર, આશિષકુમાર, નિલેશભાઈ સહિતના વેપારીઓએ જણાવ્યું કે, ગત વર્ષે કરતા આ વર્ષે વુલનના ગરમ કપડા અને જેકેટના માંગ વધી તમામ આઇટમોમાં 10થી 15 ટકા માંગ વધારો થયો છે. ચાલુ વર્ષે પેરાશુટ જેકેટ, નાયલોન જેકેટની ખાસ ડિમાન્ડ છે. 13 ડિસેમ્બરનું 10 વર્ષનું એવરેજ તાપમાન{ 2015 : લઘુતમ 14.9, મહત્તમ 28.4 { 2016 : લઘુતમ 16.1, મહત્તમ 31.7 { 2017 : લઘુતમ 15.8, મહત્તમ 27.7 { 2018 : લઘુતમ14.5, મહત્તમ 27.3 { 2019 : લઘુતમ 14.5, મહત્તમ 27.4 { 2020 : લઘુતમ 14.8, મહત્તમ 27.1 { 2021 : લઘુતમ 14.5, મહત્તમ 28.3 { 2022 : લઘુતમ 20.0, મહત્તમ 30.8 { 2023 : 16.2, 30.8 { 2024 : 14.6, 28.5 { 2025 : લઘુત 14.0, મહત્તમ 31.1 ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધુઠંડી વધવાનું મુખ્ય કારણ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. આ સમયગાળામાં પશ્ચિમી વિક્ષોભને કારણે ઉત્તર ભારતમાં બરફવર્ષા થતી હોય છે. જેના પરિણામે ઠંડા પવનો દક્ષિણ તરફ એટલે કે ગુજરાત તરફ આવે છે અને ઠંડીમાં વધારો થાય છે. આ વર્ષ પાછોતરો વરસાદ વધુ સમય ચાલતા ઠંડી શરૂઆતમાં ઓછી રહી હતી. ઉત્તર ભારતમાં પશ્ચિમી વિક્ષોભની (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની) અસર ન હોવાને કારણે કડકડતી ઠંડીનો દોર લંબાયો છે. હાલ વહેલી સવારે અને મોડી સાંજે ઠંડી અનુભવાશે, પરંતુ બપોરે ગરમીનું પ્રમાણ વધશે કારણ કે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું છે. ડિસેમ્બરના અંતમાં ફરી ઠંડી જોર પકડશે.> રમેશભઇ ગોસાઇ, નિવૃત ડિઝાસ્ટર મામલતદર

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:52 am

હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો:7 વર્ષની બાળાના નાગરિકત્વ હકનું રક્ષણ

મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા દ્વારા સાત વર્ષની બાળાના નાગરિકત્વના હકનું રક્ષણ કર્યું છે. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બાળા માટે ભારતીય પાસપોર્ટ જારી કરવાનો તથા તેને નાગરિકત્વ અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સારંગ કોતવાલ અને આશિષ ચવાણની ડિવિઝન બેન્ચ ગોવા બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદાર બાળા ઝામી ધા તિરાકિતા કાયેનો જન્મ 24 જાન્યુઆરી, 2018ના નવી દિલ્હીમાં થયો હતો. તેની માતા ભારતીય નાગરિક છે, જ્યારે પિતા બ્રિટિશ નાગરિક છે. બાળકીના પિતા 2006માં રોજગાર વિઝા પર ભારત આવ્યા હતા, જે 2009 સુધી સમયાંતરે વધારવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2009માં તેમણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં વિઝા વિના દેશમાં રહેવાના કારણે 2011માં તેમની ધરપકડ થઈ હતી અને વિદેશી અધિનિયમ, 1946 હેઠળ તેમને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. સેશન કોર્ટે સજા યથાવત રાખી અને તેમની દેશનિકાલની ભલામણ કરી હતી. આ આદેશને પડકારતાં પિતાએ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. સપ્ટેમ્બર 2017માં દિલ્હી હાઈ કોર્ટે પત્ની ગર્ભવતી હોવાના આધાર પર દેશનિકાલ પર રોક લગાવી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મામલો સહાનુભૂતિપૂર્વક વિચારવા જણાવ્યું. ત્યાર બાદ 3 નવેમ્બર, 2017થી 31 માર્ચ, 2018 સુધી પિતાને સ્ટે વિઝા આપવામાં આવ્યો હતો. મુંબઈ હાઈ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદા દ્વારા સાત વર્ષની બાળાના નાગરિકત્વના હકનું રક્ષણ કર્યું છે. કોર્ટે સંબંધિત સત્તાવાળાઓને બાળા માટે ભારતીય પાસપોર્ટ જારી કરવાનો તથા તેને નાગરિકત્વ અધિનિયમ, 1955 હેઠળ ભારતીય નાગરિક જાહેર કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ સારંગ કોતવાલ અને આશિષ ચવાણની ડિવિઝન બેન્ચ ગોવા બેન્ચ સમક્ષ દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. અરજદાર બાળા ઝામી ધા તિરાકિતા કાયેનો જન્મ 24 જાન્યુઆરી, 2018ના નવી દિલ્હીમાં થયો હતો. તેની માતા ભારતીય નાગરિક છે, જ્યારે પિતા બ્રિટિશ નાગરિક છે. બાળકીના પિતા 2006માં રોજગાર વિઝા પર ભારત આવ્યા હતા, જે 2009 સુધી સમયાંતરે વધારવામાં આવ્યો હતો. ડિસેમ્બર 2009માં તેમણે ભારતીય યુવતી સાથે લગ્ન કર્યાં હતાં. બાદમાં વિઝા વિના દેશમાં રહેવાના કારણે 2011માં તેમની ધરપકડ થઈ હતી અને વિદેશી અધિનિયમ, 1946 હેઠળ તેમને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. સેશન કોર્ટે સજા યથાવત રાખી અને તેમની દેશનિકાલની ભલામણ કરી હતી. આ આદેશને પડકારતાં પિતાએ દિલ્હી હાઈ કોર્ટમાં અરજી કરી હતી. સપ્ટેમ્બર 2017માં દિલ્હી હાઈ કોર્ટે પત્ની ગર્ભવતી હોવાના આધાર પર દેશનિકાલ પર રોક લગાવી અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મામલો સહાનુભૂતિપૂર્વક વિચારવા જણાવ્યું. ત્યાર બાદ 3 નવેમ્બર, 2017થી 31 માર્ચ, 2018 સુધી પિતાને સ્ટે વિઝા આપવામાં આવ્યો હતો. પાસપોર્ટ સત્તાવાળાઓએ દલીલ કરી હતી કે, પિતા ગેરકાયદે પ્રવાસી હોવાથી બાળા ભારતીય નાગરિકત્વ માટે પાત્ર નથી. જોકે હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું કે, બાળકીના જન્મના દિવસે પિતા માન્ય દસ્તાવેજના આધારે ભારતમાં રહી રહ્યા હતા, તેથી તેમને ગેરકાયદે પ્રવાસી ગણાવી શકાય નહીં. કોર્ટે નિષ્કર્ષ આપ્યો કે બાળકી નાગરિકત્વ અધિનિયમની કલમ 3(1)(સી)(2)ની તમામ શરતો પૂર્ણ કરે છે, અને તેથી તેને ભારતીય નાગરિકત્વ તથા પાસપોર્ટ આપવો ફરજિયાત છે.

દિવ્ય ભાસ્કર 14 Dec 2025 6:52 am