SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

24    C
... ...View News by News Source

ઉના-વેરાવળ હાઈવે પર સિંહની મિજબાની:હાઈવે મધ્યે ગાયનું મારણ કરતા ટ્રાફિકજામ; વન્યજીવોની સલામતી સામે સવાલો

ગીરની સરહદે આવેલા ઉના-વેરાવળ નેશનલ હાઈવે પર વન્યજીવો અને મનુષ્યોના સામસામે આવી જવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગત (20 ડિસેમબર) સાંજે નાથળ ગામ નજીક હાઈવેની બિલકુલ વચ્ચે એક સિંહે ગાયનું મારણ કરતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિંહને રસ્તા વચ્ચે જ શિકારની મિજબાની માણતો જોઈ વાહનચાલકોના પૈડા થંભી ગયા હતા. મોબાઈલના કેમેરામાં કેદ થયા દૃશ્યોભારે ટ્રાફિક વચ્ચે સિંહ કોઈપણ જાતના ડર વગર નિરાંતે પોતાનું ભોજન માણી રહ્યો હતો. આ અદભૂત અને ભયાનક દૃશ્ય જોઈને પસાર થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનેક લોકોએ પોતાના વાહનો ઉભા રાખી મોબાઈલ ફોનમાં આ દૃશ્યો કેદ કર્યા હતા, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રક અને કારની તદ્દન નજીક સિંહસોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહ ગાયનું મારણ કરી રહ્યો છે ત્યારે તેની તદ્દન નજીકથી એક ભારે ટ્રક પસાર થાય છે. એટલું જ નહીં, એક કાર પણ સિંહની એકદમ પાસેથી પસાર થતી જોવા મળે છે. વન્યજીવ પ્રેમીઓમાં આ દૃશ્યો જોઈને ચિંતા વ્યાપી છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, આ પ્રકારે સિંહની તદ્દન નજીક વાહનોનું હોવું પ્રાણી અને માનવ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. વન વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થઉલ્લેખનીય છે કે, હજુ એક દિવસ પહેલાં જ આ જ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક દીપડીનું મોત નિપજ્યું હતું. સતત બીજા દિવસે સિંહ હાઈવે પર આવી ચઢતા વન વિભાગના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીર નજીકના હાઈવે પર વન વિભાગે વિશેષ સતર્કતા રાખવી અનિવાર્ય બની છે. જો વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં નહીં આવે અને વાહનચાલકોને જાગૃત કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:25 am

ઘરવિહોણા લોકોને ફ્રીમાં ઘર જેવી રહેવા અને જમવાની સુવિધા:ઠંડીમાં બ્રિજ નીચે અને ફૂટપાથ પર રહેતા 570 લોકોને આશ્રય ગૃહમાં સ્થાન, અમદાવાદમાં 35 રેનબસેરા

શિયાળાની ઋતુમાં ઠંડા પવન અને ઠંડીના કારણે રોડની સાઈડમાં અને ફૂટપાથ પર સુઈ રહેતા ઘરવિહોણા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેન બસેરા (આશ્રયગૃહ) બનાવવામાં આવેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા રાત્રિના સમયે ઠંડીમાં રોડ પર સુઈ રહેનારા લોકોને રેન બસેરામાં લઈ જવામાં આવે છે. ફુટપાથ, બ્રિજ નીચે, રોડ ઉપર, બગીચા તથા જાહેર સ્થળોએ રહેતા કુલ 570થી વધુ ઘરવિહોણા લોકોને રેનબસેરામાં આશરો આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધારે પુરુષોને રેનબસેરામાં લાવવામાં આવે છે. પુરુષોની સાથે મહિલા અને બાળકોને પણ રેન બસેરામાં આશ્રય આપવામાં આવે છે. ઠંડીમાં રોડ પર સુઈ રહેનારા લોકોને રેન બસેરાનો સહારોશિયાળાની ઋતુ દરમિયાન વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત રોડ, ફુટપાથ, બ્રિજ નીચે તેમજ જાહેર સ્થળોએ જોખમી રીતે વસવાટ કરતા ઘરવિહોણા લોકો સુધી ટીમ જઈ તેમને સમજાવી કાઉન્સેલિંગ કરીને નજીકના આશ્રયગૃહોમાં ખસેડવામાં આવે છે. આ કામગીરી દરરોજ સવારે, બપોરે, સાંજે તથા રાત્રી દરમિયાન કરવામાં આવી રહી છે. તમામ ઝોનમાં ડ્રાઇવ વ્હીકલ અને સુરક્ષા સ્ટાફ સાથે ડ્રાઇવ ચલાવવામાં આવે છે તેમજ ઝોનવાઇઝ દરરોજ AMTS બસ તથા દબાણની ગાડી સાથે નાઈટ ડ્રાઇવ પણ યોજવામાં આવે છે. ટુ-ટાયર બેડ સાથે સ્ટોરેજ, ઓઢવા માટે ધાબળા સહિતની સુવિધાઓઆ તમામ રેનબસેરામાં આશ્રિતોની સુવિધા માટે ટુ-ટાયર બેડ સાથે સ્ટોરેજ, ઓઢવા માટે ધાબળા અને ઓશિકા, પીવાનું શુદ્ધ પાણી, શિયાળાની ઋતુમાં ગરમ પાણી માટે ગીઝર, રસોઈ બનાવવાની અને ભોજન પીરસવાની સુવિધા, ગેસ જોડાણ, નજીકના આંગણવાડી કેન્દ્રો તથા સરકારી શાળાઓ સાથે જોડાણ, ફાયર સેફ્ટી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેનબસેરામાં લોકોનું મેડિકલ ચેકઅપ કરાય છેઆ ઉપરાંત રેનબસેરામાં રહેતા ઘરવિહોણા લોકોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેમજ તમામ આશ્રિતોને કોર્પોરેશનના ભંડોળમાંથી દરરોજ એક વખત ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ સાંજનું ભોજન મફત પૂરૂં પાડવામાં આવે છે. ઘરવિહોણા લોકો માટે 35 રેનબેસરા 24 કલાક કાર્યરત અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ 35 રેનબેસરા 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. આ તમામ રેનબેસરામાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ઘરવિહોણા લોકોને નિઃશુલ્ક આશ્રય આપવામાં આવી રહ્યો છે. રેનબેસરાની કુલ ક્ષમતા 4315 જેટલી છે, જેમાં સરેરાશ 80 ટકા ઓક્યુપન્સી જળવાઈ રહી છે. ખુલ્લા આકાશ નીચે, ફુટપાથ ઉપર અથવા જાહેર જગ્યાઓ પર જોખમી રીતે રહેતા ઘરવિહોણા લોકોને માનવીય અભિગમ સાથે સુરક્ષિત આશ્રય પૂરો પાડવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિને આવા નાગરિક રોડ પર સૂતેલા જોવા મળે તો તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગનો સંપર્ક કરી તેમને નજીકના આશ્રય ગૃહમાં સ્થાન અપાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:17 am

ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો 3D વ્યુ:રાજકોટમાં 3 વર્ષમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલ નિર્માણ થશે; ટોકન દરે વર્લ્ડ ક્લાસ સારવાર મળશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 20 ડિસેમ્બરને શનિવારના રોજ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન ચેરમેન નરેશ પટેલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટર પદ્મશ્રી ડો. રાજેન્દ્ર અચ્યુત બડવેની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલનું નિર્માણ ટાટા મેમોરિયલ ટ્રસ્ટના પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કુલ 43 એકર જમીન પૈકી 33 એકર જમીન પર પ્રથમ ફેઝમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. બાદમાં જરૂરિયાત મુજબ સુવિધામાં વધારો કરવામાં આવશે. અહીં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર તેમજ અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ બનીને તૈયારઃ નરેશ પટેલખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી છે અને હવે હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવશે. કુલ 43 એકર જમીન પૈકી 33 એકર જમીન પર પ્રથમ ફેઝમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. બાદમાં જરૂરિયાત મુજબ સુવિધામાં વધારો કરવામાં આવશે. ‘સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને અન્ય શહેરમાં જવાની જરીર નહિ પડે’આ હોસ્પિટલમાં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર તેમજ અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. રાજકોટમાં કેન્સર હોસ્પિટલ બનવાથી સૌરાષ્ટ્રભરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે. ગરીબ દર્દીઓને તમામ જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે અથવા ટોકન દરે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. કેન્સરના દર્દીઓને મળતી તમામ સારવાર અહીંયા જ મળી રહેશે માટે મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ જેવા મહાનગરોમાં જવાની જરૂર ન રહે તે માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવામાં આવશે. ‘27 કેન્સર હોસ્પિટલની ખાસિયત આ એક જ હોસ્પિટલમાં હશે’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્સર હોસ્પિટલ નહીં નફો નહીં નુકસાનના સિદ્ધાંત સાથે કામ કરવા જઈ રહી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થાય તે પૂર્વે જ તેમના દ્વારા 27 જેટલી કેન્સર હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ દરેક હોસ્પિટલમાં જે જે ખાસિયતો હોય તે તમામ ખાસિયતો (સુવિધાઓ) એક જ જગ્યાએ કેવી રીતે આપી શકાય તે અંગે ઊંડાણ પૂર્વક મનોમંથન કરીને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ‘સારવાર માટે વિદેશી મશીનરી, દર્દીના પરિજનો માટે રહેવા-જમવાની સુવિધા’દર્દીઓએ ઇલાજ માટે અન્ય કોઈ જગ્યાએ કન્સલ્ટિંગ, ટ્રીટમેન્ટ તેમજ રિપોર્ટ અર્થે બહાર ન જવું પડે તે માટે વિદેશોમાં મેન્યુફેક્ચરિંગ થતી હોઈ તે પ્રકારની મોંઘીદાટ અને બીમારીના ઇલાજ માટે આવશ્યક એવી લાખો, કરોડો રૂપિયાની કિંમતી મશીનરી અહીંયા સારવાર માટે વિદેશોમાંથી ઈમ્પોર્ટ કરીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલમાં તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીની સાથે આવેલા પરિવારજનોને પણ રહેવા તેમજ જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત કેન્સર હોસ્પિટલ ખાતે એજ્યુકેશન હેતુ માટે ઓડીટોરીયમ તેમજ મેડીટેશન હોલ પણ બનાવવામાં આવશે કારણ કે કેન્સરના દર્દીઓ માટે દવાની સાથો સાથ મેડિટેશન પણ ખૂબ જ આવશ્યક છે. હોસ્પિટલ સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પગલું સાબિત થશેઃ પદ્મશ્રી ડો. રાજેન્દ્રપદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારત ભરમાં સૌથી વધુ કેન્સરના કેસ નોર્થ ઈસ્ટમાં જોવા મળે છે. જ્યારે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓના આંકડાઓની વાત કરીએ તો, 1 લાખની વસ્તીમાં 60થી 70 જેટલા વ્યક્તિઓમાં કેન્સરની બીમારી જોવા મળતી હોય છે. જ્યારે કે, પશ્ચિમી દેશો એટલે કે, અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં પ્રતિ લાખ વ્યક્તિએ 360 જેટલા દર્દીઓ કેન્સરના મળી આવે છે. આગામી સમયમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા બનાવવાના આવનાર કેન્સર હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર પદ્ધતિ, આધુનિક ટેકનોલોજી અને દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવવામાં આવશે, જેથી અહીં આવનારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી શકે. ખોડલધામ દ્વારા નિર્માણ પામતી કેન્સર હોસ્પિટલ રાજકોટ-સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું સાબિત થશે. 20 ડિસેમ્બરે કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરાયો ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેમના માર્ગદર્શનમાં બનાવવામાં આવી રહી છે, તેવા પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બડવે દ્વારા અત્યાર સુધીમાં ટાટા ગ્રુપની 10 જેટલી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમજ દેશના વડાપ્રધાન અને વારાણસીથી સાંસદ નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં પણ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. શનિવારે રાજકોટમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરવાના પ્રસંગે ટ્રસ્ટીઓ, સર્વ સમાજના ઉદ્યોગપતિઓ, ડોક્ટરઓ, વિવિધ સમાજના અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:16 am

થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું, રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત:મામલતદાર ટીમે સોનગઢ ગામમાં દરોડો પાડી કાર્યવાહી કરી

ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ થાનગઢ મામલતદાર અને તેમની ટીમે સર્વે નંબર 62 વાળી જમીનમાં આકસ્મિક તપાસણી કરી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પર બે કોલસાના કૂવામાં ખોદકામ ચાલતું હોવાનું ધ્યાને આવ્યું હતું. ટીમે સ્થળ પરથી કુલ ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 30 મેટ્રિક ટન કોલસો, ત્રણ ટ્રેક્ટર, એક જનરેટર અને બે ટ્રાન્સફોર્મરનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદે ખોદકામમાં પ્રેમાભાઈ મોહનભાઈ અને અનકભાઈ કાઠી નામના બે ઈસમો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ બંને ઈસમો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:12 am

એસ.એસ. માહલા નર્સિંગ કોલેજમાં શપથ સમારોહ:વિદ્યાર્થીઓએ સેવા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના શપથ લીધા

ડાંગ જિલ્લાના કુકડનખી સ્થિત એસ.એસ. માહલા નર્સિંગ કોલેજમાં માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શપથ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ANM, GNM અને B.Sc નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લીધા હતા. શપથ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓએ માનવતા, ઈમાનદારી અને સેવા ભાવના સાથે નર્સિંગ વ્યવસાય નિભાવવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે દર્દીની ગોપનીયતા જાળવવા, દરેક દર્દી સાથે સમાન વર્તન કરવા અને પોતાના જ્ઞાન-કુશળતાનો ઉપયોગ માનવ સેવા માટે કરવાના શપથ લીધા. કાર્યક્રમમાં કેમ્પસના સ્ટાફ, કોલેજ સંચાલન, ટ્રસ્ટના પ્રમુખ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા જણાવાયું કે ડાંગ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારના ઉદ્દેશ મુજબ છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચાડવામાં આ સંસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કેમ્પસના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પંચાયતના સરપંચને કેમ્પસ સુધીના રસ્તાની મંજૂરી માટે સૂચન કરાયું, જેથી વિદ્યાર્થીઓને આવન-જાવનમાં સુવિધા મળી શકે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવાની ખાતરી પણ અપાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા અને પોતાના બાળકોના શિક્ષણ તથા કારકિર્દી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને વધુ યાદગાર બનાવવા માટે ફ્રેશર પાર્ટીનું પણ આયોજન કરાયું હતું, જેમાં નવા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:00 am

પાટણમાં 59445 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ:સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામ્ય નાગરિકોને મળ્યો માલિકી હક્ક

પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના હેઠળ 59,445 રહેણાંક મિલકતોના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને તેમની મિલકતનો કાયદેસર માલિકી હક્કનો પુરાવો પૂરો પાડવાનો છે. જિલ્લાના કુલ 504 ગામોમાં આ યોજનાનું વ્યાપક અમલીકરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 312 ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ એકત્રીકરણ અધિકારી હિરેન ચૌહાણે આ માહિતી આપી હતી. આ પ્રોપર્ટી કાર્ડ મળવાથી ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને તેમની મિલકતનો કાયદેસર અને માન્ય પુરાવો પ્રાપ્ત થયો છે. તેનાથી નાગરિકોને બેંક લોન મેળવવામાં, સરકારી યોજનાઓનો લાભ લેવામાં અને મિલકત સંબંધિત વિવાદોના નિરાકરણમાં સરળતા રહેશે. સ્વામિત્વ યોજના માત્ર મિલકતના હક પૂરતી સીમિત નથી, પરંતુ તે રોજગાર સર્જન, આર્થિક સમૃદ્ધિ અને સામાજિક સુખાકારી તરફ દોરી જતી એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે. આ યોજના દ્વારા ગ્રામ્ય નાગરિકો આત્મનિર્ભર બનશે અને તેમનું સામાજિક જીવન વધુ સુવ્યવસ્થિત બનશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વામિત્વ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમની રહેણાંક મિલકતનો કાયદેસર માલિકી હક્કનો પુરાવો આપવાનો છે. આ યોજના અંતર્ગત ગામની વસાહત વિસ્તારની જમીનનું ડ્રોન સર્વે દ્વારા માપણી કરવામાં આવે છે અને ત્યારબાદ સંબંધિત ઘરધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. આ યોજનાના મુખ્ય લાભોમાં ગ્રામ્ય નાગરિકોને મિલકતના માલિકી હક્કનો કાયદેસર પુરાવો મળવો, મિલકત સંબંધિત વિવાદોમાં ઘટાડો થવો, બેંક લોન અને નાણાકીય સહાય મેળવવામાં સરળતા થવી, ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ અને રોજગારને પ્રોત્સાહન મળવું તેમજ નાગરિકોના સામાજિક અને આર્થિક જીવનમાં સ્થિરતા અને સુરક્ષા આવવી વગેરેનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લા વહીવટી તંત્ર તમામ નાગરિકોને આ યોજનાનો પૂર્ણ લાભ મળે તે માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સ્વામિત્વ યોજના દ્વારા ગ્રામ્ય ભારતને આત્મનિર્ભર બનાવવા સાથે નાગરિકોને સશક્તિકરણ અને સુખાકારી તરફ દોરી જવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 8:49 am

જૂનાગઢ બાર એસો.ના સેક્રેટરીએ પ્રમુખ જયદેવ જોશીને હરાવ્યા:ભાવેશ ઝીંઝુવાડીયાની 52 મતથી પ્રમુખ પદ પર જીત, વર્ષો જૂની અનોખી પરંપરા જળવાઈ

જૂનાગઢ બાર એસોસિએશનની વર્ષ 2025-26 માટેની ચૂંટણીના પરિણામો ગત મોડી(20 ડિસેમ્બ) રાત્રે જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં પણ જૂનાગઢ બાર એસોસિએશનની વર્ષો જૂની અનોખી પરંપરા જળવાઈ રહી છે, જેમાં ચાલુ સેક્રેટરીએ ચાલુ પ્રમુખને હરાવીને પ્રમુખ પદ કબજે કર્યું છે. સવારથી શરૂ થયેલી મતગણતરી મોડી રાત્રે 11:30 કલાકે પૂર્ણ થઈ હતી, જેના અંતે ભાવેશ ઝીંઝુવાડીયાનો વિજય થયો હતો. વર્તમાન સેક્રેટરીની વર્તમાન પ્રમુખ સામે ચૂંટણી લડીને પરાજય આપવાની પરંપરાજૂનાગઢ બાર એસોસિએશનમાં છેલ્લા ઘણા સમયથી એક પરંપરા રહી છે કે વર્તમાન સેક્રેટરી હંમેશા વર્તમાન પ્રમુખ સામે ચૂંટણી લડીને તેમને પરાજય આપે છે. આ વર્ષે પણ આ જ ઇતિહાસ દોહરાવવામાં આવ્યો હતો. ભાવેશ ઝીંઝુવાડીયાની 52 મતથી પ્રમુખ પદ પર જીતપ્રમુખ પદના મુખ્ય ઉમેદવાર અને વર્તમાન સેક્રેટરી ભાવેશ ઝીંઝુવાડીયાને કુલ 420 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા વર્તમાન પ્રમુખ જયદેવ જોશીને 368 મત પ્રાપ્ત થયા હતા. આમ, ભાવેશ ઝીંઝુવાડીયા 52 મતોની સરસાઈથી વિજેતા બનીને નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ​ઉપપ્રમુખ પદ માટે મહેશભાઈ લાખાણી 405 મત મેળવી વિજેતાઅન્ય હોદ્દાઓની વાત કરીએ તો ઉપપ્રમુખ પદ માટે મહેશભાઈ લાખાણી 405 મત મેળવી વિજેતા થયા હતા, જ્યારે યોગેન્દ્રસિંહ ઠાકોરે 302 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. સેક્રેટરી તરીકે મનોજભાઈ દવેને 328 મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. જોઈન્ટ સેક્રેટરી તરીકે અજીતસિંહ બાબરીયાએ 295 મત અને અમિતભાઈ ઠાકરે 262 મત મેળવી વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત, ટ્રેઝરર (મહિલા અનામત) બેઠક પર વૈશાલીબેન પુરોહિતને 321 મત મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ​રાત્રિના 11:30 વાગ્યા સુધી મતગણતરી ચાલી હતીનિવૃત્ત સરકારી વકીલ અને ચૂંટણી અધિકારીના આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવનાર અર્ચના ઠક્કરે જણાવ્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયા સવારના 10:00 વાગ્યાથી શરૂ થઈને રાત્રિના 11:30 વાગ્યા સુધી ચાલી હતી. આ ચૂંટણીમાં વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 'સેક્રેટરીની સારી કામગીરીને કારણે વકીલ મિત્રોએ વિશ્વાસ મૂક્યો'વિજય બાદ નવનિર્વાચિત પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી વકીલોની સેવા કરવાની જે તક મળી છે તેનું આ પરિણામ છે. સેક્રેટરી તરીકેની સારી કામગીરીને કારણે વકીલ મિત્રોએ તેમનામાં વિશ્વાસ મૂક્યો છે. જીતની જાહેરાત બાદ સિનિયર અને જુનિયર એડવોકેટ્સ દ્વારા નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 8:45 am

ચોટીલામાં ગેરકાયદે ખનન પર કાર્યવાહી:નાયબ કલેક્ટરે કરોડોનો મુદ્દામાલ સીઝ કર્યો

ચોટીલા વહીવટી તંત્ર અને ખાણ ખનિજ વિભાગ દ્વારા વાવડી ગામે ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ટીમે ક્વોરી લીઝ પર દરોડો પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. આ કાર્યવાહી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ચોટીલા તાલુકાના વાવડી ગામમાં સર્વે નંબર ૮૩ પૈકીની જમીન પર કરવામાં આવી હતી. લીઝ ધારક જયવંતભાઈ હકુભાઈ વાળાની ક્વોરી પર બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી સઘન તપાસ ચાલી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ ૬,૮૭,૫૨,૫૦૦/- રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જેમાં ૨ ક્રશર પ્લાન્ટ, ૨ હિટાચી મશીન, ૩ ડમ્પર, ૨ લોડર, ૮ મોટા ટ્રક (ટ્રેલર), ૧ ટ્રેક્ટર, ૧ જનરેટર, ૧ કોમ્પ્રેસર અને ૧૫૦ મેટ્રિક ટન સિલિકાનો સમાવેશ થાય છે. તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી. લીઝ ધારક દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને વાવડી અને જામવાળી ગામની સરકારી જમીનોમાં મંજૂરી વગર મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વેસ્ટ પાણીનો નિકાલ પણ અનઅધિકૃત રીતે થતો હતો. વહીવટી તંત્રને સ્ટોક રજિસ્ટર, વિસ્ફોટક પદાર્થ રજિસ્ટર કે હિસાબી રેકોર્ડ જેવી કોઈ વિગતો મળી ન હતી. મજૂરોની સુરક્ષા માટે કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી ન હતી અને વાહનોમાં VTMS (વ્હીકલ ટ્રેકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ)ની નોંધણી પણ કરાવી ન હતી. પર્યાવરણની અવગણના પણ સ્પષ્ટ દેખાઈ હતી. લીઝ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ન હતું અને હદ નિશાન પણ યોગ્ય રીતે જાળવવામાં આવ્યા ન હતા. આ મામલે તંત્ર દ્વારા ધ ગુજરાત મિનરલ રૂલ્સ, ૨૦૧૭ મુજબ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે સરકારી જમીન પચાવી પાડી ખોદકામ કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ અને દંડની વસૂલાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 8:06 am

RAF ટીમની સાબરકાંઠાના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત:વડાલી પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

બટાલિયન આરએએફ 100 ગુજરાત અમદાવાદ ની બે ટીમો સાબરકાંઠા જિલ્લાના અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈ રહી છે. આ ટીમોએ વડાલી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી અને શહેરના વિવિધ વિસ્તારો તેમજ બજારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. આ મુલાકાત 18 ડિસેમ્બર 2025 થી 22 ડિસેમ્બર 2025 સુધી ચાલશે. તેનો મુખ્ય હેતુ જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે સંકલન સાધવાનો, જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારો વિશે માહિતી મેળવવાનો તેમજ ભૂતકાળમાં બનેલી ઘટનાઓ અને અન્ય ગતિવિધિઓ અંગે જાણકારી એકત્ર કરવાનો છે. આરએએફ ટીમ સાથે વડાલી પોલીસ સ્ટેશનના પીઆઈ ડી.આર. પઢેરીયા, પીએસઆઈ કે.એલ. જાડેજા અને અન્ય પોલીસ સ્ટાફે વડાલીના વિવિધ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 8:02 am

શનિ શિંગણાપુર મંદિરનો વહિવટ સુપ્રીમે નાશિકના ડિવિઝનલ કમિશનરને સોંપ્યો

મંદિરટ્રસ્ટના નિયંત્રણને પુનઃપ્રસ્થાપિત કરતાહાઇકોર્ટના આદેશના અમલને અટકાવ્યો મુંબઈ- સર્વોચ્ચ અદાલતે શિંગણાપુરના શ્રી શનિશ્ચરદેવસ્થાન મંદિર ટ્રસ્ટના નિયંત્રણને પુનઃપ્રસ્થાપિત કરતા બોમ્બે હાઇકોર્ટના આદેશના

ગુજરાત સમાચાર 21 Dec 2025 7:55 am

સોમવારથી શુક્રવાર સુધી અમુક વિસ્તારમાં ઓછા દબાણથી પાણી મળશે

દાદર, માહિમ, ધારાવી, બાંદરા, ખાર સહિત અંધેરી પૂર્વમાં અસર ખાસ તો પ્રશાસકીય ત્રણ વોર્ડ, જી/નોર્થ, કે/પૂર્વ અને એચ/પૂર્વનો સમાવેશ, પાણીના વિતરણના સમયમાં ફેરફાર કરાયો મુંબઈ - મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મોટી પાણીની પાઇપલાઇનનું જોડાણનું કામ સોમવાર તા. ૨૨ ડિસેમ્બરના ૧૦ વાગ્યાથી શુક્રવાર તા. ૨૬ ડિસેમ્બરના મધ્યરાત્રી ૧ વાગ્યા સુધી એટલે કે ૮૭ કલાક હાથ ધર્યું છે. આ દરમિયાન દાદર, ધારાવી, બાંદરા પૂર્વથી માંડીને અંધેરી પૂર્વ સુધીના વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછા દબાણથી મળશે.

ગુજરાત સમાચાર 21 Dec 2025 7:55 am

સેશન્સ જજ સામે કાયદેસર કાર્યવાહી માટે એસીબીને હાઈકોર્ટની મંજૂરી

રૃ.15 લાખની લાંચ સ્વીકારવાનો કેસ પ્રોપર્ટીના વિવાદમાં તરફેણ કરતો ચૂકાદો આપવા લાંચ માગ્યાનો આક્ષેપ મુંબઈ બોમ્બે હાઈકોર્ટે રૃા.૧૫ લાખની લાંચના કેસમાં વધારાના સેશન્સ જજ ઈજાઝુદ્દીન સલાઉદ્દીન કાઝી સામે કાનૂની કાર્યવાહી કરવા એન્ટી-કરપ્શન બ્યુરો (એસીબી)ને મંજૂરી આપી છે.

ગુજરાત સમાચાર 21 Dec 2025 7:50 am

ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગામ અંતર્ગત ઔદ્યોગિક પ્રદર્શન યોજાયું:બોટાદમાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ યોજાઈ 300 કરોડના 11 MSME એકમો દ્વારા MOU થયા

બોટાદ શહેરના ગઢડા રોડ ખાતેની મહાદેવ હોટલ ખાતે 19 ડિસેમ્બરના સવારે 10-00 કલાકે ડિસ્ટ્ર્રીક્ટ લેવલ પ્રોગ્રામ- બોટાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ શહેરના ગઢડા રોડ સ્થિત મહાદેવ હોટલ ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ કરાવ્યો હતો. આ પ્રસંગે કુલ 11 MSME એકમો દ્વારા ₹300.60 કરોડના મૂડીરોકાણ માટેના MOU કરવામાં આવ્યા હતા, જેના દ્વારા જિલ્લામાં અંદાજે 359 લોકો માટે રોજગારીનું સર્જન થશે. ઔદ્યોગિક પ્રદર્શન અને વેપાર કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓ અને ઔદ્યોગિક એકમોના કુલ 25 સ્ટોલ્સ ધરાવતું પ્રદર્શન યોજાયું હતું. જેમાં ટેક્સટાઇલ ક્ષેત્રે 'ફાર્મ ટુ ફેશન'નું નિરૂપણ અને જિલ્લાની ODOP પ્રોડક્ટ (મગફળી) વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બિઝનેસ ટુ બિઝનેસ (B2B) અંતર્ગત 38 એકમો વચ્ચે ₹434 કરોડથી વધુનો ટ્રેડ થયો હતો, જ્યારે B2C સ્ટોલ્સ દ્વારા પણ નોંધપાત્ર વેચાણ થયું હતું. મંત્રીનું ઉદબોધન પ્રભારી મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં રોપેલું વાઇબ્રન્ટ સમિટનું બીજ આજે વટવૃક્ષ બન્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમિટને જિલ્લા કક્ષાએ લાવીને સ્થાનિક કલા અને વ્યવસાયને વૈશ્વિક મંચ આપ્યો છે. તેમણે ખાતરી આપી હતી કે આ MOU માત્ર કાગળ પર નહીં રહે, પરંતુ સરકાર ઉદ્યોગપતિઓને પૂરતો સહયોગ આપી તેને વાસ્તવિક પ્રોજેક્ટમાં બદલશે. મહાનુભાવોની ઉપસ્થિતિ જિલ્લા કલેક્ટર જીન્સી રોયે સ્વાગત પ્રવચન દ્વારા જિલ્લાના ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત, વિવિધ ઉદ્યોગ સાહસિકોએ પોતાની સાફલ્ય ગાથાઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, પાલિકા પ્રમુખ, અગ્રણી ઉદ્યોગપતિઓ અને આશરે 800 જેટલા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:37 am

પી.એમ સ્વનિધિ યોજના હેઠળ માર્ગદર્શન કેમ્પ યોજાયો‎:બોટાદમાં 35 ફેરિયાઓને ધિરાણનો લાભ પ્રાપ્ત થયો

બોટાદ પાલિકાની એન.યુ.એલ.એમ શાખા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના સંયુક્ત ઉપક્રમે પી.એમ સ્વનિધિ યોજના અંતર્ગત લોન ધિરાણ, સમજુતી અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ શહેરી વિસ્તારના નાના ફેરિયાઓને સરકારની યોજનાઓ અંગે માહિતી આપવી અને તેમને આર્થિક રીતે સશક્ત બનાવવાનો હતો. કેમ્પ દરમિયાન પ્રથમ લોન તેમજ રૂ.50 હજાર સુધીની લોન ધરાવતા લાભાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. એસ બીઆઈ કોર્ટ કમ્પાઉન્ડ શાખાના લોન ઓફિસર જયેશભાઈએ હાજરી આપી યોજનાની સંપૂર્ણ સમજ આપી હતી. તેમણે નિયમિત હપ્તાની ભરપાઈ, ડિજિટલ નાણાકીય વ્યવહાર દ્વારા મળતા કેશબેક તથા અન્ય લાભોની માહિતી આપી હતી. કેમ્પમાં 200 ફેરિયાઓએ હાજરી આપી માહિતી મેળવી હતી. જેમાંથી 50 નવી અરજીઓ કરાઈ અને 35 ફેરિયાઓને ધિરાણનો સીધો લાભ પ્રાપ્ત થયો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:36 am

પાક નુકસાની સહાય:પાક નુકસાની સહાય અંગે 65,840 ખેડૂતોને સહાય ચૂકવાઈ

ઓક્ટોબર-25ના અંતમાં પડેલા વરસાદના કારણે થયેલી નુકસાનીના પગલે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાય માટે કૂલ 75,773 અરજીઓ વીસીઈ મારફત મોકલાયેલ હતી. જેમાંથી જિલ્લાના ચારેય તાલુકાઓ મળી કુલ 65,840 ખેડૂતોને 220.54 કરોડ રૂપિયાની સહાય સીધી જ ખેડૂતના ખાતામાં ચુકવણી કરવામાં આવી છે. બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી આર.એફ.વાળાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કમોસમી વરસાદને પગલે જિલ્લાના 189 ગામોમાં ખેડૂતના પાકને પારાવાર નુકસાન થવા પામ્યું હતું. બોટાદ જિલ્લાના 1,78,611 હેક્ટર વિસ્તારમાં 33 ટકા કે તેથી વધુનું નુકસાન થયેલ જિલ્લાના ચારેય તાલુકામાં સર્વેની કામગીરી હાથ ધરી 1,77,342 હેક્ટરમાં સર્વે કરાયો હતો. તમામ પ્રકારના પાક માટે સરકારે ખેડૂતોને હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ હતી ત્યારે બોટાદ જિલ્લાના 87367 ખેડૂતોને સહાય મળશે. ઓક્ટોબર-2025ના અંતમાં પડેલા વરસાદના કારણે થયેલી નુકસાનીના પગલે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લામાં પાક નુકસાની સહાય માટે કુલ-75,773 અરજીઓ વીસીઈ મારફત મોકલાયેલ હતી. માવઠા પીડિત ખેડૂતો સૌથી વધુ 89 ટકા બોટાદ તાલુકામાં‎બોટાદ તાલુકામાં સૌથી વધુ અસરગ્રસ્ત ખેડૂતો હોવાનું ધ્યાને આવ્યું છે. આ તાલુકામાં સહાય માટે 24,430 અરજી આવી હતી. જેમાંથી 21,860 ખેડૂતોને 69.81 કરોડ (89%), ગઢડામાં 28,283 અરજી સામે 23,719 ખેડૂતને 78.80 કરોડ (84% ),બરવાળા 8690 અરજી સામે 7567 ખેડૂત લાભાર્થીને 27.79 કરોડ (87%), અને રાણપુર 14370 અરજી સામે 12694 ખેડૂત લાભાર્થીને 44.14 કરોડ (88%) રકમની ચુકવણી કરાયેલ છે. આમ બોટાદ જિલ્લા ના ચારેય તાલુકાઓની 75,773 અરજી સામે અંદાજે 87 ટકા એટલે કે 65,840 ખેડૂત લાભાર્થીઓને 220.54 કરોડની સહાયની ચુકવણી કરાયેલ. બાકી રહેલ ખેડૂતને સહાયની રકમ ચૂકવવાની કામગીરી ચાલુ છે. બોટાદ તાલુકામાં સૌથી વધુ માવઠા પીડિત અસરગ્રસ્ત ખેડૂતો : 24,430 અરજી કરી હતી

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:29 am

વ્યાજખોરોનો આતંક:તળાજા તાલુકાના ઠળિયા ગામમાં પરિવાર પર વ્યાજખોરનું દબાણ

તળાજા તાલુકાના ઠળિયા ગામમાં વ્યાજખોરીના દબાણ અને ધમકીઓનો ગંભીર બનાવ સામે આવ્યો હતો, જેમાં ગરીબ ખેડૂત પરિવારને વર્ષો જૂની લેવડદેવડના નામે લાખો રૂપિયાની માંગ સાથે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી. આ બનાવને લઈ વિસ્તારમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી. ઠળિયા ગામે રહેતા હિંમતભાઈ જીણાભાઈ ભોજાણીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે આશરે નવ વર્ષ પહેલા તેમના દીકરાની બીમારીના ઈલાજ માટે ગામના જ સોંડાભાઈ હરિભાઈ બારૈયા પાસેથી બે ટકાના વ્યાજે 25,000 રૂપિયા લીધા હતા. આ રકમ સામે સમયાંતરે પરત ચુકવણી કરતા તેમણે છ વર્ષ પહેલા અલગ અલગ હપ્તામાં 50,000 રૂપિયા, ત્યારબાદ 20,000 રૂપિયા અને ફરી 24,000 રૂપિયા મળી કુલ 94,000 રૂપિયા સોંડાભાઈને પરત ચૂકવી દીધા હતા. ત્યારબાદ ચારેક મહિના પહેલા સોંડાભાઈ હરિભાઈ બારૈયાનું અવસાન થઈ જતા, તેના દીકરા બુધા સોંડાભાઈ બારૈયા હિંમતભાઈના ઘરે આવી પહોંચ્યો હતો અને જૂની લેવડદેવડના નામે હજુ પણ 9.58 લાખ રૂપિયા ચૂકવવા પડશે તેમ કહી માર મારવાની ધમકી આપી હતી. અચાનક ઊભી થયેલી આ પરિસ્થિતિથી હિંમતભાઈ અને તેમના પરિવારજનો ભયભીત બની ગયા હતા અને અંતે તેમણે પોલીસનો આશરો લેતા સમગ્ર મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:25 am

વીજકાપ:સોમવારથી સરિતા સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજકાપ

ભાવનગર પી.જી.વી.સી.એલ. સિટી-1 દ્વારા શહેરમાં આગામી તા.22મી થી 24મી ડિસેમ્બર-2025 દરમિયાન વીજ લાઈનની મેઈન્ટેનન્સની અગત્યની કામગીરીને લઈ વાલકેટ ગેટ, સરિતા સોસાયટી સહિતના વિવિધ વિસ્તારોમાં વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પી.જી.વી.સી.એલ. ના 11 કે.વી.ના પ્રેસ રોડ ફિડર અને વિક્ટોરિયા ફિડર (આંશિક)માં આવતા વિસ્તારોમાં મરામત કામગીરી દરમિયાન સવારે 7 થી બપોરના 1 વાગ્યા સુધી છ કલાકનો વીજકાપ લદાયો છે. જેમાં શહેરમાં આગામી તા.22મીને સોમવારે 11 કે.વી. પ્રેસ રોડ ફિડરમાં આવતા વાલકેટ ગેટ સબ સ્ટેશનની આજુબાજુનો આંશિક વિસ્તાર, પ્રેસ રોડ વિસ્તાર, વિનુભાઈ સ્ટીલ (એચટી), શાહભાઈ ફોરપોલ, ટેકરી ચોકથી વાલ્કેટ ગેટ પોલિસ ચોકીની આજુબાજુનો વિસ્તાર, ખોડિયાર આઇસ ફેક્ટરીની આસપાસના વિસ્તારોમાં કામગીરી દરમિયાન વીજકાપ રહેશે. આ ઉપરાંત તા.23મીને મંગળવારે 11 કે.વી. વિક્ટોરિયા ફિડર (આંશિક)માં આવતા સરિતા સોસાયટી શેરી નંબર-1 થી 6, મુંજાણી બ્રધર્સ (એચ ટી) તથા આજુબાજુના વિસ્તારમાં કામગીરી દરમિયાન વીજકાપ રહેશે. તેમજ ભાવનગર શહેરમાં આગામી તા.24મીને બુધવારે 11 કે.વી. વિક્ટોરિયા ફિડર (આંશિક)માં આવતા સરિતા સોસાયટી શેરી નંબર-6થી 11, ડીવાઈન સ્ટાર (એચ ટી) તથા આજુબાજુના વિસ્તારમાં કામગીરી દરમિયાન વીજકાપ રહેશે. ફિડરની મરામતની કામગીરી વહેલું પૂર્ણ થયે કોઈપણ જાતની જાણ કર્યા વગર વીજ પુરવઠો પુનઃ શરૂ કરી દેવામાં આવશે તેમ સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:24 am

ગ્રાન્ટેડ શાળાઓમાં હવેથી હાજરી પ્રમાણે ગ્રાન્ટ:શહેરી શાળામાં હાજરી 60%થી ઓછી હશે તો 100% ગ્રાન્ટ રદ

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે જે મુજબ હવેથી બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓની સરાસરી હાજરીનો ઘટાડો થતા શાળાઓને મળતી સરકારી સહાયનો સીધો આધાર હવેથી વિદ્યાર્થીઓની હાજરી પર રહેશે. શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ શહેર કક્ષાની શાળાઓમાં હવેથી વિદ્યાર્થીઓની 80% હાજરી ફરજિયાત છે અને જો વિદ્યાર્થીઓની હાજરી 60% થી ઓછી હશે તો શાળાની ગ્રાન્ટ 100% ગ્રાન્ટ બંધ થઇ જશે. ગામડામાં શાળાઓમાં વિદ્યાર્થીઅોની 55% હાજરી જરૂરી છે, જો 40% થી ઓછી હશે તો ગ્રાન્ટ સદંતર અટકાવી દેવાશે. શહેરી શાળાઓમાં જો હાજરી 80% થી ઓછી નોંધાશે, તો 25% ગ્રાન્ટ કાપી લેવામાં આવશે. આ નિર્ણય લેવા માટેનો મુખ્ય હેતુ કાગળ પર ચાલતી શાળાઓ બંધ કરવા અને વિદ્યાર્થીઓની નિયમિતતા વધારવાનો છે. લઘુમતિ સહિતની તમામ શાળામાં હાજરી ઘટતા આ નીતિ ઘડવામાં આવી છે. જો કે આ નિર્ણય સામે શાળા સંચાલકોમાં રોષની લાગણી ફેલાઇ છે. ગ્રાન્ટ ઇન એઈડ સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં શહેરી વિસ્તારમાં 80 ટકા હાજરી ફરજિયાત રહેશે, ગ્રામ્યમાં 40 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કપાશે અને શહેરોમાં 60 ટકાથી ઓછી હાજરીમાં 100 ટકા ગ્રાન્ટ કપાશે. શહેરોમાં 80 ટકા કરતા ઓછી હાજરીમાં 25 ટકા ગ્રાન્ટ કપાશે. શહેરી વિસ્તારમાં શાળાઓમાં 80% હાજરી હોય તો કોઈ ગ્રાન્ટ કાપવાનો રહેતો નથી પરંતુ 75% થી 79 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 25 ટકા, જે કિસ્સામાં 70% થી 74 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 50% ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 65% થી 69 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 75% અને જે શાળામાં 60 થી 64 ટકા સરેરાશ હાજરી હોય ત્યાં 60% સામે દર્શાવેલ 80% ગ્રાન્ટ કાપ રહેશે જ્યારે 60% થી નીચે હાજરીની ટકાવારી હોય ત્યાં 100 ટકા ગ્રાન્ટ કાપ આષવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં 55% હાજરી હોય તો કોઈ ગ્રાન્ટ કાપવાનો રહેતો નથી, પરંતુ જે કિસ્સામાં 50% હાજરી હોય તો 25% ગ્રાન્ટ કાપ, જે કિસ્સામાં 45% હાજરી હોય જ્યાં 50% ગ્રાન્ટ કાપ અને જે કિસ્સામાં 40% હાજરી હોય ત્યાં 75% ગ્રાન્ટ કાપ રહેશે જ્યારે જે શાળામાં ગ્રામ્ય કક્ષાએ 40% થી નીચે ટકાવારી હોય ત્યાં100 ટકા ગ્રાન્ટ કાપ કરવાનો રહેશે

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:23 am

સિટી સ્પોર્ટ્સ:ઈન્ટર કોલેજ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સ્વામિ સહજાનંદ કોલેજ ચેમ્પિયન

એમ.કે.ભાવનગર યુનિવર્સિટીની સ્વ.જયંતિભાઇ ધરાજીયા ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં મારૂતિ વિદ્યામંદિર કોલેજને 84 રનથી પરાસ્ત કરી અને સ્વામી સહજાનંદ કોલેજની ટીમે ચેમ્પિયનશિપ હાંસલ કરી છે. ફાઇનલમાં મેન ઓફ ધ મેચનો એવોર્ડ ઋષિરાજસિંહ ગોહિલ, મેન ઓફ ધ સીરીઝ અને બેસ્ટ બેટસમેનનો એવોર્ડ વીર ભટ્ટ અને બેસ્ટ બોલરનો એવોર્ડ કેવલ ઝાપડીયાને આપવામાં આવ્યો હતો. શનિવારે સવારે સ્વામી સહજાનંદ કોલેજની ટીમે નિર્ધારીત 40 ઓવર્સની ઇનિંગ્સમાં 33.4 ઓવર્સમાં 208 રને ઓલઆઉટ થઇ ગયા હતા. જેમાં હીત લંગાળીયાના 105 રન, વીર ભટ્ટના 71 રન મુખ્ય હતા. મારૂતિ કોલેજ વતી પાર્થ લાધવાને 3, શિવરાજસિંહ ગોહિલ અને યશપાલસિંહ ગોહિલને 2-2 સફળતા હાથ લાગી હતી. મારૂતિ કોલેજની ટીમ 27.3 ઓવર્સમાં 124 રન નોંધાવી શકી હતી. યશપાલસિંહ ગોહિલના 27 રન, યુગ ગજ્જરના 25 રન મુખ્ય હતા. સ્વામી સહજાનંદ કોલેજ વતી ઋષિરાજસિંહ ગોહિલને 4 વિકેટ, કેવલ ઝાપડીયાને 2 વિકેટ મળી હતી. ઇન્ટર કોલેજ ટુર્ના. સફળ બનાવવા માટે શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહ ગોહિલ, રજીસ્ટ્રાર ભાવેશભાઇ જાની, શા.શિ.ટીચિંગ આસિ. પરાક્રમસિંહ ગોહિલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી. આંતર કોલેજ યુનિ. ક્રિકેટ સ્પર્ધામાં કોઇ એક જ કોલેજના ખેલાડીને ટૂર્નામેન્ટમાં બેસ્ટ બોલર, બુસ્ટ બેટસમેન, મેન ઓફ ધ સીરીઝ અને ટીમ ચેમ્પિયન થઇ હોય તેવો આ સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટે અનોખો ઇતિહાસ સર્જ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:22 am

પોલીસના સાયબર સેલ દ્વારા આયોજન:ડિજિટલ ફ્રોડ સામે તાલીમાર્થીઓની વધુ મજબૂત બનાવવા યુનિ.માં યોજાયુ સત્ર

ડિજિટલ યુગમાં તેજી માં આવતા સાબર ગુનાઓ અને ડિજિટલ ફ્રોડ સામે અસરકારક પ્રતિકાર ઊભો કરવાની તાત્કાલિક આવશ્યક તાને ધ્યાનમાં રાખીને, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભઆવનગર યુનિવર્સિટી (એમ.કે.બી.યુ.)ના સાબર ક્લબ અને ડિજિટલ ઇન્ડિયા સેલ દ્વારા સ્ટ્રેન્થનિંગ ડિજિટલ ડિફેન્સ: એ ટ્રેનિંગ સેશન ફોર CAWACH કેન્દ્ર ટીમ શીર્ષક હેઠળ એક વિશેષ તાલીમ સ્તરનું આયોજન કરવામાં આવ્યું હતું. વધીને વધુ પરિશુદ્ધ થતા ડિજિટલ ફ્રોડ ને કારણે, સમુદાયની સ્તરે જાગૃતિ લાવવા માટે CAWACH કેન્દ્રોનાં ટ્રેઈનર્સને સશક્ત બનાવવાની આ તાલીમ સમયની માંગ હતી. આ તાલીમ ભાવનગર પોલીસના સાબર સેલ દ્વારા યુનિ.ના વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. આ તાલીમ સત્રનો પ્રાથમિક ઉદ્દેશ્ય CAWACH (સાયબર એવરનેસ અને ક્રિએટિવ હેન્ડહોલ્ડિંગ) કાર્યક્રમોનું આયોજન કરતી CAWACH કેન્દ્રની ટીમ ના સભ્યોને પ્રશિક્ષિત કરવાનો હતો. સાથોસાથ, એમ.કે.બી.યુ.ના આશરે 45 અનુસ્નાતક વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભાગીદારી નિભાવી, જે ડિજિટલ સલામતી પ્રત્યેની યુવા પેઢીની જાગૃતિને પ્રદર્શિત કરે છે. તાલીમ સત્રમાં, સાબર ગુનાના નિવારણ અને તપાસમાં પોલીસ, મોબાઇલ કંપનીઓ અને બેંકોની સંકલિત ભૂમિકા દર્શાવતા ત્રિકોણીય મોડેલ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. આ ઉપરાંત, પીડિતોના ગોપનીય તાને સંપૂર્ણ રીતે જાળવીને, વાસ્તવિક કેસ સ્ટડીઝ અને ઉદાહરણો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો. સત્ર દરમિયાન મજબૂત પાવર નિર્માણ, મોબાઇલ એપ્લિકેશન પરમિશન્સનું વ્યવસ્થાપક અને અનાવશ્યક પ્રમોશનથી ઉદ્ભવ તા જોખમો જેવા મહત્ત્વના વિષયો પર વ્યાવહારિક માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય આમંત્રિત વક્તા તરીકે ભાવનગર રેંજ, સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એચ.એચ. ભટ્ટ, પી.એસ.આઈ., એસ.પી. ઓફિસ, ભાવનગરના સાયબર ક્રાઇમ સેલના પી.આર. પરમાર; સાયબર એક્સપર્ટ, કેતનકુમાર દવે અને ભાવનગર રેંજ, સાયબર ક્રાઇમ સેલના એ.એસ. આઈ . વિજય કાંટારિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમના નિષ્ણાત માર્ગદર્શનથી સત્રને વિશેષ તાલીમ પ્રાપ્ત થઈ હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અંગ્રેજી વિભાગના વડા તથા સાયબર ક્લબના સંયોજક પ્રોફેસર દિલીપ બારડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:21 am

સિદ્ધિ:માસ્ટર્સ ટેબલ ટેનિસ રેન્કિંગ સ્પર્ધામાં પુરોહિતને બે ગોલ્ડ

અમદાવાદના વીર સાવરકાર સ્ટેડિયમમાં રમાયેલી દ્વિતીય માસ્ટર્સ સ્ટેટ મેજર રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં કૃષ્ણનગર સંસ્કાર મંડળ સ્થિત બી. એન. વિરાણી રમત સંકુલના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડી ક્ષિતીશ પુરોહિતે +69 મેન્સ સિંગલ્સ તથા ડબલ્સ બંને સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી બબ્બે સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કર્યા છે. સિંગલ્સ ફાઈનલમાં તેઓએ અમદાવાદના કે. પી. રાઠોડને 3 વિરુધ્ધ 0 સેટથી સજ્જડ હાર આપ્યા બાદ કેશોદના હરીશ ચાંદ્રાણી સાથે ડબલ્સમાં રમી વિજેતાપદ પ્રાપ્ત કરી બીજો સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દાયકાથી રાજ્યમાં સતત ટોચના સ્થાને રહેવાની અભૂતપૂર્વ સિદ્ધિ શ્રી ક્ષિતીશ પુરોહિતે પ્રાપ્ત કરી છે. અનેક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓમાં મેડલો જીત્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:20 am

જુગારધામ પર દરોડા:મહુવામાં ઓનલાઈન યંત્રના નામે ટોકન આધારિત જુગારધામ ઝડપાયું

મહુવા તાલુકામાં યંત્ર આધારીત જુગારની પોલીસને માહિતી મળી હતી કે મહુવા બસ સ્ટેન્ડની સામે આવેલા અમૃત બજાર કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે શટરવાળી દુકાનમાં યંત્ર આધારિત જુગારધામ ચાલતું હતું. આ બાતમીના આધારે પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને દરોડામાં દુકાનમાં યંત્ર મારફતે નસીબ આધારિત જુગાર રમાડાતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે જુગાર રમવા આવેલા ગ્રાહકો પાસેથી રૂ.11ની રકમ લઈ તેમને વિવિધ ચિત્રો ઉપર પૈસા લગાવડાવવામાં આવતા હતા. જો પસંદ કરેલું ચિત્ર બહાર આવે તો ગ્રાહકને મૂળ રકમના દસગણા એટલે કે રૂ.110 મળતા હતા અને ચિત્ર બહાર ન આવે તો આખી રકમ ગુમાવવી પડતી હતી. જ્યાં જુગાર રમવા આવતા લોકોને રૂપિયાના આધારે ટોકન અપાતા હતા. આ જુગાર નસીબ આધારિત હતો અને દરેક 5મિનિટે યંત્ર દ્વારા વિજેતા કે હાર-જીત નક્કી થતી. તપાસમાં જુગાર ધામ માટે સાહિલ સાદીકભાઈ શેખ, રહે. મહુવા,એ ‘ઓનેસ્ટ 1 ઓનલાઈન માર્કેટિંગ’ નામ ની ફ્રેન્ચાઇઝી લીધી હતી અને તેના માલિક જયદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા સાથે મળી યંત્ર આધારિત જુગાર ચલાવાતો હતો. જુગારધામમાં સમીર અનવરભાઈ કાદરી, ઈરફાન અબ્દુલભાઈ શેખ, અબીબ ગફારભાઈ પાયક, જાવીદ બિલાલભાઈ મકવા, વિજય ઉર્ફે પીન્ટુ જેન્તીભાઈ સીતાફળિયા, અશ્વિન નાગજીભાઈ ગોહિલ, જીતુ દેવાભાઈ વાઘેલા, અરુણ જીણાભાઈ મેર, મોહમ્મદઆરીફ દાઉદભાઈ કાળવાતર, સાહિલ સાદીકભાઈ શેખ, જયદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા અને યાસીન રહીમભાઈ કુરેશીનો સમાવેશ થતો હતો. જ્યાં પોલીસે જુગાર ધામમાં વપરાતા સાધનો સહિતની સામગ્રીનો કબજો લઈ કુલ 1,03,310 રૂ. મુદ્દા માલ ને કબજે લીધો હતો. મહુવામાં આ પ્રકારનો યંત્ર આધારિત જ આ પ્રકારનું જુગારધામ ગયા મહિનાઓમાં પણ પકડાયું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:19 am

આત્મનિર્ભર:ખેતરમાં ડ્રોનથી દવા છાંટી મીરાંબેન મેળવે છે બે લાખ

નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વાકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ 'ડ્રોન દીદી' બની છે. ત્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના છેવાડાનાં નાના પાણીયાળી ગામ‌‌ના વતની અને 'નમો ડ્રોન દીદી' તરીકે ઓળખાતાં મીરાંબેન રાઠોડ અને તેમના જેવા અન્ય ડ્રોન દીદી ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને દર વર્ષે દોઢથી બે લાખની કમાણી કરી રહ્યાં છે. મીરાંબેને પોતાની સફળતાની વાત કરતાં કહ્યું કે, અમારી પાસે બે વીઘા જમીન એટલે મને સતત એવું થયાં કરે કે, મારે શિક્ષણની સાથે સાથે રોજગારી મેળવી આત્મનિર્ભર બનવું છે. કહેવાય છે ને કે, વિજેતાઓ કોઈ અલગ કામ નથી કરતા, તેઓ દરેક કામ અલગ રીતે કરે છે તે વાત મારા મનન પર સતત રમ્યાં કરતી હતી. તાલીમ બાદ G.N.F.C દ્વારા મને ડ્રોન આપવામાં આવ્યું એ ડ્રોન મારા તાલુકા મથક સુધી પહોંચતું કર્યું,જેમાં મારે એકપણ રૂપિયાનો ખર્ચ થયો નથી. અમે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીએ છીએ. એક એકરના રૂ.500 થાય પરંતુ ખેડૂતો પાસેથી અમે રૂ.100 લઈએ છીએ, રૂ‌.400 સબસિડીના માધ્યમથી સરકાર અમને આપે છે. ખેતરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરીને દર વર્ષે દોઢથી બે લાખની કમાણી આરામથી થાય છે. પાલિતાણાની એન.આર.એલ.એમ. શાખામાંથી અમારા શિવમ સખી મંડળને રૂ.30 હજાર રિવોલ્વિંગ ફંડ. રૂ.2500નું સ્ટાર્ટઅપ ફંડ મળ્યું છે.એ પણ અમારા માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે. મીરાંબેને કહ્યું કે, સરકારની ડ્રોન દીદી યોજનાથી મારા જેવી અનેક મહિલા કમાણી કરતી થઈ છે. કેન્દ્ર અને રાજ્યની યોજના દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે વિકસિત ભારતની સંકલ્પનાને ખરા અર્થમાં સાર્થક કરી યોગદાન આપતી થઇ ગઇ છે. 10 દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે વડોદરામાં મેળવીમીરાબહેને માહિતી આપતા જણાવ્યું હતુ કે અમારા તાલુકાના કલ્સ્ટર કો.ઓર્ડીનેટર તરીકે ફરજ બજાવતાં હરેશભાઈ વાઘેલાએ નમો ડ્રોન દીદી યોજનાની માહિતી આપી, ત્યારબાદ મેં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો રૂબરૂ સંપર્ક કરી આ યોજના અંગેની માહિતી મેળવી, આમ‌ મને પ્રથમથી જ સરકારના વિવિધ વિભાગોનો સતત સહયોગ સાંપડતો રહ્યો. G.N.F.C દ્વારા‌ યોજાતી 10 દિવસીય ડ્રોન પાયલોટ તાલીમ માટે વડોદરા પહોંચી ત્યાં રીમોટથી ડ્રોન ઉડાડવાની તાલીમની સાથે પ્રેક્ટિકલ અને થીયરીનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મને દાંતીવાડા ખાતે પણ 6 દિવસીય તાલીમ આપવામાં આવી,જેનાથી મને ખૂબ ફાયદો થયો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:17 am

આરોગ્યને ખતરો:પાલિતાણામાં વાહનો વધતા પ્રદૂષણનો પ્રશ્ન

પાલિતાણા માં તંત્રની મીઠી નજર હેઠળ ખુલ્લેઆમ વાહનો પ્રદૂષણ ફેલાવી રહ્યા છે. આવા વાહનોના પ્રદૂષણથી લોકોને આંખોમાં બળતરા થતી હોવાની અને લોકોનું આરોગ્ય કથળતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. લોકોના આરોગ્ય સામે ખતરારૂપ આવા ધુમાડો ઓકતા વાહનો સામે પગલાં ભરવામાં તંત્ર નિષ્ક્રીય બની રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. પાલિતાણામાં વાહનોથી નીકળતો ધુમાડો કાળુ વાદળ બનીને છવાઈ જાય છે તથા પ્રદૂષણની આડ અસરો પણ વર્તાઈ રહી છે. જેની સામે તંત્ર વાહકો ચુપ કેદી સેવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી શ્વાસની અને ફેફસાઓના રોગોના દર્દીઓનું પ્રમાણ વધી રહ્યું છે. સાંજના સમયે લોકો આંખોમાં બળતરા થતી હોવાની ફરિયાદ કરી રહ્યા છે. વહેલી સવારે ચાલવા જતા લોકો પ્રાણ વાયુના બદલે મોનોકસાઈડ મેળવીને જ પાછા આવે છે. શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કાળો ધુમાડો ઓકતા છકડાવો ખાનગી ટ્રાન્સપોર્ટ સર્વિસ ધરાવે છે. પરંતુ તંત્ર ધુમાડો ઓકતા વાહનોને રોકતું નથી અને તંત્ર ગમે તે કારણોસર ચુપ કેદી સેવી રહ્યું છે. પ્રદૂષણ નિયંત્રણના નામે અનેક યોજના થાય છે પરંતુ પ્રદૂષણ વધતું જાય છે આ અંગે તંત્ર નક્કર કામગીરી કરે તેવી લોકમાંગ ઊઠીછે. પાલિતાણામાં ઉડતી ડમરીથી ભારે નુકશાનપાલિતાણા શહેરમાં છેલ્લા ઘણા સમયથી વ્યાપક પ્રદૂષણના કારણે નગરજનો ગળે આવી ગયા છે. જન આરોગ્ય માટે ભારે નુકસાન કરતા બની રહેલી ધૂળની અવિરત રીતે ઉડતી ડમરીઓના કારણે લોકોમાં રોશની લાગણી જોવા મળી રહી છે. હાલ શહેરમાં ધૂળના રજકણો સાથેની અવિરત રીતે ઊડતી ડમરીઓએ તમામ નગરજનોને ભારે હાલાકીમાં મૂકી દીધા છે. ધૂળના સામ્રાજ્યના કારણે દુકાનદારો. ગૃહિણી સ્વચ્છતા બાબતે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં તો આરોગ્ય માટે જોખમી બની ગયેલી ધૂળની ડમરીઓ વચ્ચે આગળ જતા ટ્રક. રીક્ષા. છકડો જેવા વાહનની પાછળ રાહદારીઓ. દુકાનદારો. વાહન ચાલકો ધૂળ ધૂળ ભરાઈ જાય છે. આ પરિસ્થિતિ નાના બાળકોના આરોગ્ય માટે જીવલેણ પણ બની રહેવાની પૂરી સંભાવના વચ્ચે લોકો આ બાબતે ભારે ચિંતિત જોવા મળે છે. નગરપાલિકામાં પણ સત્તાધારી ભાજપના સદસ્યો આ પ્રશ્ન જાણે મોઢું સીવીને બેસી ગયા હોય તેવો આક્ષેપ પણ પ્રજા જનો કરી રહ્યા છે. આ ધૂળની ડમરીઓ સામે રક્ષણ મેળવવા લોકો હવે મોઢા આડે માસ્ક કે રૂમાલ લગાવતા થયા છે. તંત્ર લોકોને ધૂળના ત્રાસથી બચાવવા કોઈ નક્કર કામગીરી કરે તેવી માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:16 am

બૂટલેગરને જેલમાં ધકેલાયો:સાગબારાના બૂટલેગરને ભાવનગર જેલમાં ધકેલાયો

ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર જે.એમ.લટા સાગબારા પોલીસ સ્ટેશન નાઓએ, સાગબારા પોલીસ સ્ટેશન પ્રોહી.એકટ મુજબ દાખલ થયેલ ગુનામાં રૂ. કિં.રૂ.2.88 લાખની મોટી માત્રનો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ જે ગુનામાં સંકળાયેલ સામાવાળા વિરૂધ્ધમાં સાગબારા પોલીસ સ્ટેશન દ્વારા પાસા દરખાસ્ત તૈયાર કરી ગેર કાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા સમજી ત્વરીત સામાવાળા બાદલ વસાવા રહે.કોલવાણ તા.સાગબારા જી.નર્મદા વિરૂધ્ધ પાસા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે.જેને ભાવનગર જેલમાં મોકલાયો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:14 am

કાર્યવાહી:લોઢવાડ ટેકરામાં 5 જુગારી 78 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા

ભરૂચ શહેરી એ-ડીવીઝના પોલીસ ગત રોજ પેટ્રોલિંગમાં હતી. તે વેળા તેમને બાતમી મળી હતી કે, લોઢવાડના ટેકરાએ સિધ્ધનાથ મહાદેવના મંદિરની સામે ખુલ્લી જગ્યામાં જુગાર રમી રહ્યા છે. અને તે જગ્યાની બાજુમાં લારા શંકર મકવાણા નો વિદેશી દારૂ ઉતારીને કંઢેરમાં સંતાડી રાખેલો છે. મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાતમીના આધારે સ્થળ તપાસ કરતા જુગાર રમતા પાંચ ઇસમો જેમાં પ્રવીણ મકવાણા, શિવમ મકવાણા, લારા મકવાણા, સહેબાજ પઠાણ અને ધ્વનિ ત્રિવેદી પકડી પાડવામાં આવ્યા હતા. જ્યારે એક ઈસમ ફરાર થઈ ગયો હતો. તપાસ દરમિયાન દાવ ઉપરથી રૂપિયા 9400 ઈસમોની તપાસ કરતાં તેમની પાસેથી રોકડ રૂપિયા 9850 ચાર મોબાઈલ જેની કિંમત 55 હજાર મળી પોલીસે સ્થળ પરથી કુલ 78 હજારથી વધુના મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:13 am

જાહેરનામું બહાર પાડ્યું:સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધી 6ઠ્ઠી જાન્યુઆરી સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ સુધી વ્હાઈટ ટોપીંગ રોડ બનાવવાનું કામ પ્રગતિમાં છે. જેથી આ રોડ પરનું ટ્રાફિક સરળ રીતે પસાર થાય તથા લોકોની સલામતીને ધ્યાને લેવા હેતુથી તમામ વાહનોના પ્રતિબંધ તેમજ ડાયવર્ઝન માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સંસ્કાર મંડળથી સહકારી હાટ સુધીના રોડ પર તમામ પ્રકારના વાહનો માટે પ્રતીબંધીત રહેશે. તમામ વાહોનોએ ડાયવર્ઝન રૂટ પરથી પસાર થવાનું રહેશે. જે માટે ભાવનગર શહેરમાં તા. 20 ડિસેમ્બર 2025થી તા.6 જાન્યુઆરી 2026 સુધી રસ્તા પર તમામ વાહનોના પ્રતિબંધ તેમજ ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા મ્યુનિસિપલ કમિશનર ડો. એન.કે. મીના દ્વારા જાહેરનામું બહાર પાડયું છે. સહકારી હાટથી સંસ્કાર મંડળ ચોક તરફ જવા માંગતા વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટ માધવ દર્શન ચોક, રબ્બર ફેક્ટરી સર્કલ, ઘોઘા સર્કલ, રુપાણી સર્કલ, સરદારનગર સર્કલ, કે ડી માણેક સર્કલ, સંસ્કાર મંડળ ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. તેમજ સહકારી હાટ, પરિમલ ચોક, વેલેન્ટાઇન સર્કલ, સંસ્કાર મંડળ ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ તરફ જવા માંગતા વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટ સંસ્કાર મંડળ ચોક, કે. ડી.માણેક સર્કલ, સરદારનગર સર્કલ, રુપાણી સર્કલ, ઘોઘા સર્કલ, રબ્બર ફેક્ટરી સર્કલ, માધવ દર્શન ચોક સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવો પડશે.અને સંસ્કાર મંડળ ચોક, વેલેન્ટાઇન સર્કલ, પરિમલ ચોક, સહકારી હાટ સુધીના સુચીત માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. સંસ્કાર મંડળ ચોકથી સહકારી હાટ તરફ જવા તથા આવવા માંગતા એસ,ટી, ભારે વાહનો માટે સુચીત ડાયવર્ઝન રૂટમાં એસ.ટી સ્ટેશન, નિલમબાગ સર્કલ, જવેલ્સ સર્કલ, દીલબહાર પાણીની ટાંકી, રામમંત્ર મંદિર જવા માટે સુચીત માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે. રામમંત્ર મંદિર,દીલબહાર પાણીની ટાંકી, જવેલ્સ સર્કલ, નિલમબાગ સર્કલ, એસ.ટી સ્ટેશન જવા માટે સુચીત માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:12 am

વિપક્ષી સભ્યોએ ગૃહ છોડ્યું:સવા કલાકમાં 3 પોઈન્ટ ઑફ ઓર્ડર અને 3 વાર મતદાન

ભાવનગર કોર્પોરેશનની આજે મળેલી સાધારણ સભામાં એક કલાકની પ્રશ્નોત્તરીમાં શાસક પક્ષ દ્વારા શિક્ષણ સમિતિના ગુણગાન ગાવા વચ્ચે વિરોધ પક્ષ દ્વારા ત્રણ વાર પોઈન્ટ ઓફ ઓર્ડર માગ્યો હતો. જો કે તમામ અમાન્ય રહ્યા હતા. તેમજ 15 થી 20 મિનિટની મુખ્ય કાર્યોની ચર્ચા દરમિયાન પણ વિરોધ પક્ષ દ્વારા મૂકવામાં આવેલી સુધારા દરખાસ્ત અને વધારાના કાર્યમાં ત્રણ વાર મતદાન કરવામાં આવ્યું હતું અને બહુમતીના જોરે વિરોધ પક્ષની દરખાસ્ત અને વધારાના કાર્યો નામંજૂર થયા હતા. ભાવનગર કોર્પોરેશનની સાધારણ સભામાં છેલ્લા ઘણા સમયથી રાજકીય કુટનીતિ સાથે વિરોધ પક્ષના પ્રશ્નોનો છેદ ઉડી જાય તે રીતે શાસક દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવી રહ્યું છે. આજે પણ સાધારણ સભામાં શાસક પક્ષના સભ્ય યુવરાજસિંહ ગોહિલ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં આપવામાં આવતી સુવિધાઓ, શાળા અને બાળકોની વધતી સંખ્યા, શૈક્ષણિક પ્રવાસો, નિરાધાર અને દિવ્યાંગ બાળકોને અપાતી વિશેષ સુવિધા, સ્માર્ટ લાઇબ્રેરીનું આયોજન, અક્ષયપાત્ર દ્વારા આપવામાં આવતું ભોજન, શિક્ષકોના મહેકમ સહિતની શાસન અધિકારી પાસેથી વિગતો મેળવી હતી જે દરમિયાન પંકજસિંહ ગોહિલે અક્ષયપાત્ર દ્વારા આપવામાં આવતા ભોજન બાબતે પૂછેલા પ્રશ્નમાં અધિકારી દ્વારા ખોટા જવાબ આપતા હોવાનું કહી જયદીપસિંહ ગોહિલે પોઇન્ટ ઓફ ઓર્ડર માગતા ભાજપના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને ખોટી રીતે પોઇન્ટ ઓફ ઓર્ડર માગતા હોવાનો રોષ ઠાલવ્યો હતો. જેથી શાસક પક્ષના સભ્યો દાદાગીરી કરતા હોવાનો આક્ષેપ કરી અધ્યક્ષ પ્રત્યે પણ નારાજગી વ્યક્ત કરી ગૃહ છોડી નીકળી ગયા હતા. ત્યારબાદ બાળકોને ઘરથી શાળા સુધી આવવા જવા માટે ટ્રાન્સપોર્ટેશન બાબતે કાંતિભાઈ ગોહિલે પોઇન્ટ ઓફ ઓર્ડર માગી ખારા વિસ્તારમાં મહાદેવનગરમાં બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહી હોવાનો બાળકો કાઢ્યો હતો પરંતુ તેમનો પોઇન્ટ ઓફ ઓર્ડર પણ માન્ય રાખવામાં આવ્યો ન હતો. તેવી જ રીતે ભરતભાઈ બુધેલીયાએ આકસ્મિક મૃત્યુ પામતા બાળકોને સરકાર દ્વારા જે 50000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવતી હતી તે હવે બે લાખ ચૂકવવામાં આવે છે તેવું શાસનાધિકારીએ કહેતા તેને ખોટા ઠરાવી પોઈન્ટ ઓફ ઓર્ડર માગ્યો હતો. કોર્પોરેશનની સહાય અને સરકારની સહાય બાબતે સભ્યને જાણકારી નહીં હોવાને કારણે તે પોઇન્ટ ઓફ ઓર્ડર પણ નીકળી ગયો હતો. આમ વિરોધ પક્ષ દ્વારા માગવામાં આવેલા ત્રણે ત્રણ પોઇન્ટ ઓર્ડર અમાન્ય ઠર્યા હતા. પોઇન્ટ ઓફ ઓર્ડર માગવાના વિવાદ વચ્ચે શાસક વિપક્ષ વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો. સભામાં સભ્યોના દેકારા પડકાર શાંત કરાવવામાં પણ મેયર નિષ્ફળ નિવડતા હતા. અંતે એક થી પાંચ તમામ કાર્યો સર્વ સંમતિથી અધ્યક્ષે મંજૂર કરવાનું કહ્યું પરંતુ વિરોધ પક્ષ દ્વારા કોર્પોરેશનની જગ્યા દસ વર્ષના લીઝ પટ્ટે ફાળવવાના કાર્યમાં સુધારા દરખાસ્ત મૂકી હતી તેને મતદાન પર લઈ નામંજૂર કરી હતી. ત્યારબાદ વિરોધ પક્ષના નેતા જીતુભાઈ સોલંકી દ્વારા મૂકવામાં આવેલા બે વધારાના કાર્યો હાઉસ ટેક્સમાં વ્યાજની રકમ માફ કરવા તેમજ ડિમોલિશન કરવામાં આવેલા ધાર્મિક સ્થળોના પુનઃનિર્માણ માટે ટોકન દરે જમીન ફાળવવાના કાર્યને પણ શાસક પક્ષ દ્વારા મતદાન પર લઈ બહુમતીના જોરે નામંજૂર કર્યા હતા. સાધારણ સભામાં વિરોધ પક્ષે રજૂ કરવાની સુધારા દરખાસ્ત મેયરે રજૂ કરી...!સભામાં શાસક વિપક્ષના સભ્યો દેકારા પડકાર કરતા હતા તે દરમિયાન મેયરે એક થી પાંચ તમામ કાર્યો સર્વાનુમતે મંજૂર કર્યાનો નિર્ણય જાહેર કરી દીધો પરંતુ તેને અધિકારીઓ દ્વારા અટકાવ્યા હતા. કારણ કે વિરોધ પક્ષ દ્વારા લીઝ પટ્ટામાં સુધારા દરખાસ્ત મૂકી હતી. તો તેને પણ મંજૂરી મળી જાય. ત્યારબાદ મેયર દ્વારા વિરોધ પક્ષે મૂકેલી દરખાસ્ત પણ પોતે વાંચી રજૂ કરી દીધી. ખરેખર તે સુધારા દરખાસ્ત વિરોધ પક્ષના જે સભ્ય દ્વારા મૂકવામાં આવ્યો હોય તેમને જ રજૂ કરવાની હોય. આમ, આજે મેયરે સભામાં બફાટ કર્યો હતો. પેન્ડિંગ પ્રકરણને લીલી ઝંડી, દૂધના વેચાણ માટે ફાળવેલી જગ્યા લીઝ પટ્ટા પર આપીકોર્પોરેશન દ્વારા શહેરના ખારગેટ વિસ્તારમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને દૂધ વેચાણ અને એસટીડીપીસીઓ માટે 12.81 ચોરસ મીટર જમીન તત્કાલીન સમયે ટોકન દરે ફાળવી હતી. પરંતુ તે હેતુ બંધ થઈ જતા હવે જમીનની માગણી કરતા લાંબા સમયના વિવાદો બાદ અને ગત સાધારણ સભામાં વિચારણા માટે પેન્ડિંગ રાખ્યા બાદ આજે દસ વર્ષના લીઝ પટ્ટે ફાળવવા નિર્ણય કર્યો હતો. અત્રે ઉલ્લેખની છે કે, અઘાતની માગણી કરી હતી પરંતુ વાર્ષિક લીઝથી ફાળવવા લીગલ અભિપ્રાય આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:11 am

રાજપીપળામાં વાસ્મોની બેઠકમાં કલેકટરે કામગીરીની સમીક્ષા કરવામાં આવી‎:પાણી પુરવઠા યોજનાઓમાં પંપિંગ અને પેનલ બોર્ડના રિપેરિંગ કરવા માટે આદેશ

નર્મદા જિલ્લાની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની પંમ્પીંગ મશીનરી તથા પેનલ બોર્ડ વગેરે કારણોસરયોજનાનું સંચાલન થતુ ન હોય અને પાણી પુરવઠા યોજના બંધ હોય તેવી તમામ યોજનાઓની અંગેની ચર્ચા કરી જયાં જરૂર હોય ત્યાં વહેલી તકે રીપેરિંગ કરાવી લેવા માટે આદેશ કર્યો છે. કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વચ્છતા મિશન (વાસ્મો)ની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન સમિતિના હાજરરહેલા સભ્યો સાથે જિલ્લાની ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાની પંમ્પીંગ મશીનરી તથા પેનલ બોર્ડના કારણોસર યોજનાનું સંચાલન ન થતું હોય તેવા ગામોમાં વહેલી તકે રીપેરિંગ કરાવી ગામલોકોને પીવાનું પાણી મળી રહે તે માટે આદેશ કર્યો હતો. આ બેઠકમાં હર ઘર સર્ટીફીકેશનની કામગીરી પાણી પુરવઠા યોજનાઓ બાબતે, ગતિ શક્તિ પોર્ટલ પર થયેલએન્ટ્રી બાબતે ચર્ચા, પાણી ગુણવત્તા ચકાસણી અને એફટીકે થી ટેસ્ટીંગ પ્રોગ્રેસના કામોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં કુલ 562 ગામો પૈકી કુલ 488 ગામોને પાણી પુરવઠા યોજના આધારિત સમાવેશ કરવામાં આવેલ છે. જેમાં 54 ગામો ઝરવાણી જુથ પાણી પુરવઠા અને 6 ગામો સાગબારા-દેડિયાપાડાજુ થ.પુ. ફળીયા કનેકટીવીટી યોજનામાં સમાવિષ્ટ થયેલ છે.જિલ્લાના છેવાડાના ગામોને પ્રાધાન્ય આપી લોકો સુધી પાણી પહોંચાડવા ખાસ અનુરોધ કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:11 am

ભાસ્કર નોલેજ:સિવિલમાં 6 દિવસમાં તાવ-ખાંસીના 223 કેસ નોંધાયા‎

ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જેના કારણે સવારે અને સાંજે ઠંડો અને બપોરે ગરમી પડી રહી છે. વાતાવરણમાં આવેલા બદલાવને કારણે વાઇરલ ઇન્ફેક્શન કેશો વધુ જોવા મળી રહ્યા છે. જેમાં તાવ, ખાંસી કફ ના વધુ કેસ સરકારી દવાખાના તેમજ ખાનગી દવાખાનામાં આવી રહ્યા છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 8 થી 13 ડિસેમ્બર સુધીમાં તાવ અને કફના 223 જેટલા કેસ નોંધાયા છે. જેમાં તાવના 155 ને કફ-ખાંસીના 68 જેટલા કેસો નોંધાયા છે. ખાનગી ક્લિનિકના ડોક્ટર સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે, હાલ મોટાભાગના દર્દીઓને વાઇરલ ઇન્ફેક્શન થયું હોવાનું સામે આવ્યું છે. જેમાં તાવ અને કફના વધુ દર્દી આવી રહ્યા છે. વાઇરલ ઇન્ફેક્શન થયું હોય તો 10 થી 15 દિવસ તેને સારું થતા લાગે છે. આમાં શરદી, ખાંસી, તાવ, માથું દુખવું, શરીર દુખે, આંખો દુખે જેવા લક્ષણો જોવા જોવા મળે છે. જેથી વાઇરલ ઇન્ફેક્શન થયા બાદ સમયસર દવા લેવા માટે સલાહ આપવામાં આવી હતી. મળતી માહિતી મુજબ વાતાવરણમાં બદલાવ આવવાના કારણે વાઇરલ ઇન્ફેક્શન જોવા મળે છે. જોકે હવે ધીરે ધીરે વાઇરલ ઇન્ફેક્શનના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે. વાઇરલ ઇન્ફેક્શનના‎લક્ષણો જોવા મળ્યા‎વાઇરલ ઇન્ફેક્શન અલગ અલગ પ્રકારના હોય છે. જેમાં તાવ, થાક લાગવો, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ઉબકા કે ઉલટી, ભૂખ ન લાગવી, ગળામાં દુખાવો, ખાંસી, છીંક આવવી, દસ્ત, પેટમાં દુખાવો જેવા લક્ષણો વાઇરલ ઇન્ફેક્શન માં જોવા મળે છે. આવા લક્ષણો જોવા મળે તો સરકારી કે અન્ય ખાનગી ડોક્ટર નો સંપર્ક કરી સારવાર કરાવવું જોઈએ. તેમજ ઠંડા પીણાંનો ઉપયોગ ટાળવો જોઈએ.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:10 am

એનાલિસિસ:PGVCLની સાપ્તાહિક ડ્રાઈવમાં રૂ.1.75 કરોડની વીજચોરી ઝડપાઇ

PGVCL કોર્પોરેટ ટીમો દ્વારા ભાવનગર સર્કલ કચેરી નીચેના વિસ્તારોમાં છેલ્લા 6 દિવસથી વીજ ચેકિંગની ઝુંબેશમાં પ્રતિદિન લાખો રૂપિયાની વીજચોરી પકડાઈ રહી છે. PGVCL કોર્પોરેટ ટીમોની સાપ્તાહિક ડ્રાઈવમાં કુલ 2127 ગ્રાહકોની તપાસમાં 454 ગ્રાહકોને વીજચોરી કરતા રંગેહાથ ઝડપી લઈ કુલ રૂ.1.75 કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી છે. જેમાં આજે કોર્પોરેટ ટીમો સહિતની 35 ટીમોના જંગી કાફલા સાથેની કાર્યવાહીમાં પી.જી.વી.સી.એલ. ભાવનગર શહેર-1 અને મહુવા ડિવિઝન નીચે આવતા ભાવનગર શહેર સહિત મહુવા, બગદાણા અને જેસર પંથકમાં દરોડા પાડવામાં આવ્યા હતા. PGVCL કોર્પોરેટ ટીમોની આજે છઠ્ઠા દિવસની વીજ ચેકિંગની કાર્યવાહીમાં ભાવનગર શહેર-1 અને મહુવા ડિવિઝન આવતા ભાવનગર શહેરના પાવર હાઉસ, મહુવા રૂરલ-1 અને 2, જેસર અને બગદાણા સબ ડિવિઝન નીચેના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ભાવનગર શહેર-1 અને મહુવા ડિવિઝન નીચેના વિસ્તારોમાં PGVCLની કોર્પોરેટ ડ્રાઈવમાં 15 એસ.આર.પી. જવાન અને 6 GUVNL પોલીસે રહેણાંકીના 396, વાણિજ્યન 15 અને ખેતીવાડીના 13 મળી કુલ 424 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. જેમાં રહેણાંકીના 77, વાણિજ્યના 2 અને ખેતીવાડીના 2 મળી 81 વીજ જોડાણમાંથી રૂ.41.11 લાખની વીજચોરી પકડી હતી. એનાલિસિસ કુલ 2127 ગ્રાહકોની તપાસમાં 454 ગ્રાહકો ઝપટે છેલ્લા છ દિવસમાં તપાસ

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:08 am

ખગોળીય વિશેષ:આજે શહેરમાં માત્ર 10 કલાક અને 48 મિનિટનો દિવસ

તા.21 ડિસેમ્બરને રવિવારે વર્ષની લાંબામાં લાંબી અને દિવસ ટૂંકોનો લોકો અનુભવ કરશે. પૃથ્વી 23.5 અંશે ઝુકેલી હોવાના કારણે દિવસ - રાતમાં લાંબા - ટૂંકા, ફેરફાર અને ઋતુઓ ઉત્પન્ન કરવામાં કારણભૂત છે. સૂર્ય ઉત્તર દિશા તરફ ગતિ કરે છે તેથી ઉતરાયણ કહેવામાં આવે છે. પૃથ્વીની ધરી સીધી હોત તો દિવસ - રાત 12-12 કલાકની બને છે. રવિવારે ભાવનગરમાં 13 કલાક અને 12 મિનિટ અને 36 સેકન્ડની સૌથી લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. તા.21 ડિસેમ્બરને રવિવારનો દિવસ ઋતુ અને દિવસ-રાતની અવધિની દ્રષ્ટિએ ખાસ વિશેષતા ધરાવે છે. સાયન પદ્ધતિ પ્રમાણે રવિવારે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ થશે. સૂર્યની પૃથ્વીના ઉત્તર ગોળાર્ધ તરફની ગતિ શરૂ થશે. જેને સાયન પદ્ધતિ પ્રમાણે આપણે ઉત્તરાયણ કહીએ છીએ. જો કે નિરયન પદ્ધતિ મુજબ 14મી જાન્યુઆરીએ પતંગપર્વ ઉત્તરાયણની ઉજવણી કરીએ છીએ. રવિવારે ભાવનગરમાં દિવસની સમય અવધિ માત્ર 10 કલાકને 18 મિનિટ અને 24 સેકન્ડની રહેશે. રવિવારે ટુંકો દિવસ અને લાંબી રાત્રીનો લોકો અનુભવ કરશે. ત્યાર બાદ તા. ૨2મીને સોમવારથી રાત્રિ ક્રમશ ટૂંકી અને દિવસ ક્રમશ લાંબો થશે. પૃથ્વીનો ઝુકાવ સૂર્યને પરિભ્રમણ ગતિ, સૂર્ય હોય છે તો દક્ષિણ ગોળાર્ધમાં પણ તે પૃથ્વી પર તરફ ગતિ કરે છે. નાના - મોટા શહેરોમાં સામાન્ય મિનિટોનો તફાવત જોવા મળે છે. સૂર્ય તેના આકાશના વિચરણમાં ઉત્તર ગોળાર્ધમાં 23.5 અક્ષાંશ સુધી જ જાય છે. અને પછી ત્યારથી પાછો ફરે છે. તે 23.5 અંશ ઉત્તર અક્ષાંશને ઓળંગતો નથી. પૃથ્વી પર 23.5 ઉત્તર અક્ષાંશને કર્કવૃત કહે છે. રવિવારે લોકો લાંબી રાત્રિનો અનુભવ કરી બીજે દિવસથી રાત્રિ ક્રમશ: સેકન્ડની ગણતરીએ ટૂંકી અને દિવસ ક્રમશ: લાંબો થશે. આજે જુદા જુદા શહેરોમાં દિવસની સમય અવધિ ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુઓનું થાય છે સર્જનપૃથ્વીની ઝૂકેલી ધરીને કારણે પૃથ્વી પર ઋતુ ઉત્પન્ન થાય છે અને ધ્રુવ પ્રદેશો પર છ મહિના દિવસ અને રાત થાય છે પૃથ્વીના ગોળા પર ઊંચા અક્ષાંશ એ જે બારેમાસ ઠંડી રહે છે ત્યાં બારેમાસ બરફ છવાયેલો રહે છે. આમ, શુક્રવારે લોકો લાંબામાં લાંબી રાત્રીનો અનુભવ કરી બીજા દિવસથી રાત્રી ક્રમશઃ દરરોજ સેકન્ડની ગતિએ ટૂંકી અને દિવસ લાંબો થતો જશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:04 am

ભાસ્કર એનાલિસીસ:ભરૂચ વિધાનસભા બેઠકની હાલની સ્થિતિ

ભરૂચ વિધાનસભા બેઠક 2022ની ચૂંટણીમાં ભાજપે 64,473 મતથી વિજેતા બન્યું હતું. ચૂંટણીના 3 વર્ષ બાદ કરવામાં આવેલી ખાસ મતદારયાદી સુધારણા (સર)ની કામગીરી દરમિયાન બહાર પાડવામાં આવેલી મુસદ્દા મતદારયાદીમાં 66,599 મત રદ કરી દેવામાં આવ્યાં છે. 2022ની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર કુલ 2,93,453 મતદારો જયારે હાલમાં 3,05,127 મતદારો નોંધાયેલાં છે. ભરૂચ, જંબુસર, વાગરા, અંકલેશ્વર અને ઝઘડિયા વિધાનસભા બેઠક માટે સરની કામગીરી બાદ મુસદ્દા મતદારયાદી બહાર પાડવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધારે મતદારો ભરૂચ મત વિસ્તારમાંથી ઓછા થયાં છે. આ બેઠક પર મુસદ્દા યાદીમાંથી 66,599 મતદારોના નામ કમી કરવામાં આવ્યાં છે જયારે 42 હજારથી વધારે મતદારોનું મેપિંગ થઇ શકયું નથી. ભરૂચ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા બન્યાં તેની સરસાઇ કરતાં વધારે મતદારો મતદારયાદીમાંથી રદ થયા હોવાની વિગતો સામે આવી રહી છે. ભરૂચ બેઠક પર વર્તમાન સમયે નોંધાયેલાં 3,05,127 મતદારોમાંથી 2,35,528 મતદારોનું ડીજીટાઇઝેશન કરી દેવામાં આવ્યું છે. 2022માં થયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન 2,93,453 મતદારો નોંધાયેલાં હતાં અને તેમાંથી 1,69,097 મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. મતદાનની ટકાવારી 57.60 ટકા રહી હતી. ભરૂચ બેઠક પર 30 વર્ષથી ભાજપનો દબદબોભરૂચ વિધાનસભા બેઠક પર 30 વર્ષથી ભાજપનોદબદબો રહયોછે.ભરૂચ વિધાનસભા બેઠક પર ૧૯૯૫થી સતત ભાજપના ઉમેદવારો વિજેતા બનતા આવ્યા છે. એટલે કે છેલ્લા ૭ ચૂંટણી ટર્મથી અહીં ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. 1995માં પ્રથમ વખત આ બેઠક પરથી બિપિન શાહ ધારાસભ્ય તરીકે ચૂંટાઇઆવ્યાં હતાં. દુષ્યંત પટેલ આ બેઠક પર ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂકયાંછે. વર્તમાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રી બે વખત ભરૂચના ધારાસભ્ય રહી ચૂકયાંછે. કુ

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:02 am

સન્ડે બિગ સ્ટોરી:સર ટી.નું 7 માળનું OPD બ્લોક બિલ્ડીંગ તોડી પડાશે

ભાવનગર સર ટી. હોસ્પિટલના સંકુલમાં વર્ષ-2004માં નિર્માણાધીન 7 માળનું ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગ ખખડધજ બનતા વર્ષ-2023માં બિલ્ડીંગ ખાલી કરી દેવાયું હતું. વર્ષ-2004માં નિર્માણાધીન ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગ અઢાર વર્ષ બાદ ખખડધજ બનતા છત પરથી પોપડા પડવાની ઘટનાઓને લઈ ઓક્ટોબર-2022માં બિલ્ડીંગના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્વે હાથ ધરાયો હતો. ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ વર્ષ-2023માં ખાલી કરાયેલ બિલ્ડીંગ જોખમી બનતા હવે તોડી પાડવામાં આવશે. વર્ષ-2023માં ખાલી કરાયેલ ખખડધજ ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગથી અકસ્માતની ભીતિ સાથે જોખમી બનત આરોગ્ય વિભાગ દ્વારા ગત ઓક્ટોબર મહિનામાં બિલ્ડીંગ ડિમોલિશનની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બિલ્ડીંગ ડિમોલિશનના ઓનલાઇન ટેન્ડરમાં ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગને તોડવાની અંદાજે ન્યૂનતમ ક્રેડિટ વેલ્યુ રૂ.68 લાખ જેટલી રકમ નિયત કરાઈ હતી. બિડ ભરવાની અંતિમ તા.16મી નવેમ્બર-2025 સુધીમાં 16 જેટલી પાર્ટીએ રસ દાખવ્યો હતો ત્યારે અંતિમ તબક્કામાં ચાલી રહેલી પ્રક્રિયા પૂર્ણ થતા બિડમાં સૌથી વધુ ભાવ ભરનારી પાર્ટીને તોડવાનું કામ સોંપવામાં આવશે. વર્ષ-2004માં બનેલી ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગની ફેક્ટ ફાઈલ સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છેસર ટી. હોસ્પિટલનું ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગ ખખડધજ બનતા બિલ્ડીંગ તોડી પાડવાની કામગીરીના ઓનલાઇન ટેન્ડર ભાર પાડવામાં આવ્યા છે. ત્યારે ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગની હાલમાં બિલ્ડીંગ ડિમોલિશનની ટેન્ડર પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. - અર્પણ પટેલ, ના.કા.ઈ., પી.આઈ.યુ.સર ટી. હોસ્પિ. વર્ષ-2022માં ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગનો ત્રણવાર સર્વે કરાયેલોનિર્માણ બાદ 18 વર્ષના સમયગાળા બાદ સર ટી. હોસ્પિટલનું ઓપીડી એન્ડ વોર્ડ બ્લોક બિલ્ડીંગ ખખડધજ બનતા વર્ષ-2022માં બિલ્ડીંગનો ત્રણવાર સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્વે કરાયો હતો. અમદાવાદ અને સુરતની ખાનગી કંપની દ્વારા કરાયેલ સર્વેમાં લોકોના ઉપયોગ માટે હિતાવહ ન હોવાની બાબત સાથે સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનો નેગેટિવ રિપોર્ટ અપાયો હતો. જેથી ટેન્ડર પ્રક્રિયા બાદ બિલ્ડીંગને તોડી પાડવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:01 am

લોકોમાં ભય:નિકોરામાં બૂમો પડી વાઘ આવ્યો, વાઘ આવ્યો પરંતુ તપાસમાં દીપડો નીકળ્યો

ભરૂચ તાલુકાના નિકોરા ગામની સામે નર્મદા નદીના પટમાં વાઘ ફરી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નિકોરા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો.હાલ ગુજરાતના રતનમહાલના જંગલમાં વાઘની હાજરી બાદથી ગુજરાતમાં વાઘની હયાતી છે ત્યારે નિકોરા ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીના પટમાં વન્ય પ્રાણીનો વિડિયો વાયરલ થયો હતો. આ પ્રાણીનો દેખાવ વાઘ જેવો હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ઘટનાના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ભાવના દેસાઈ ના માર્ગદર્શન હેઠળ આરએફઓ એમ.બી.ડાભી અને તેમની ટીમે શનિવારના રોજ સ્થળની મુલાકાત લઈ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જોકે તપાસ દરમિયાન વાઘના ફૂટ પ્રિન્ટ કે અન્ય સંકેતો મળ્યા નથી. સ્થળ પરથી દીપડાના સંકેત મળ્યા હતા. તેથી વન વિભાગે લોકોમાં ભય ન ફેલાવવાની અપીલ સાથે જણાવ્યું છે કે કોઈ પણ વન્ય પ્રાણી અંગે શંકાસ્પદ માહિતી કે ઘટના સામે આવે તો તરત વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ. લોકોને દીપડાથી રક્ષણ માટે સવારે 5 થી 7 અને સાંજે સંધ્યા ટાણે નહીં નીકળવા સલાહ આપી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 7:00 am

ભાસ્કર ફોલોઅપ:અધિકારીએ સરકારી પ્લોટ મેળવી સ્ટે હોમ શરૂ કર્યાં : ચૈતર વસાવા

કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ ગરૂડેશ્વર તાલુકામાં જમીનના ભાવ આસમાને પહોંચી ગયાં છે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવી ગયેલાં 13 અધિકારીઓને સરકારના નિયમ મુજબ અધિકારી દીઠ 135 ચોરસ મીટરના પ્લોટ 2019માં બે વર્ષમાં બાંધકામ કરી દેવાની શરતે ફાળવવામાં આવ્યાં હતાં. આ 13 પૈકી ચાર પ્લોટમાં બાંધકામ નહિ થતાં નર્મદા કલેકટરે આ ચાર પ્લોટ શ્રીસરકાર કરવાનો આદેશ કર્યો છે. આ મામલો હવે ગરમાય રહયો છે ત્યારે શનિવારના રોજ મળેલી નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં દેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કલેકટર પાસે નર્મદા જિલ્લામાં કેટલા અધિકારીઓએ સરકારી પ્લોટ મેળવ્યાં છે તેની વિગતો માગી છે અને વિગતો નહિ મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. સંકલનની બેઠકમાં દેડિયાપાડામાં વડાપ્રધાનના કાર્યક્રમ દરમિયાન થયેલાં ખર્ચ, ઘાણીખૂંટ ખાતેના કરજણ નદીના બ્રિજ પરથી ભારદારી વાહનો સિવાય એસ.ટી.ની મીની બસોને પસાર થવા મંજૂરી આપવા માંગ કરી હતી. સાથે ચીકદા તાલુકામાં ઘટતી સુવિધાઓ તેમજ વહીવટી કામકાજ વધુ સુચારુ બને તે માટેની વ્યવસ્થાઓ અંગે ચર્ચા કરી કરવામાં આવી હતી. પાડલીયામાં આદીવાસી લોકો સામેના કેસ પરત લોઅંબાજીમાં પાડલીયા ગામે જંગલની જમીનના મામલે પોલીસ અને વન વિભાગની ટીમ સાથે સ્થાનિક આદિવાસી લોકોનું ઘર્ષણ થયું હતું. આ મામલામાં આદિવાસી સમાજના એક હજારના ટોળા સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ સહિતના ભાજપના આગેવાનો સામેના કેસ સરકાર પરત ખેંચી શકતી હોય તો પાડલીયામાં પણ આદિવાસી સમાજના લોકો સામે થયેલાં કેસો પરત ખેંચવા જોઇએ.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:59 am

વિરોધ:મોફા કાયદામાંથી ડેવલપરોને સજા માફ કરવા પર ગ્રાહક પંચાયત દ્વારા વિરોધ

ડેવલપરોને ત્રણથી પાંચ વર્ષ જેલની સજાની જોગવાઈ રદ્દ કરતા મહારાષ્ટ્ર ઓનરશિપ ઓફ ફ્લેટ સુધારેલા કાયદા બાબતે અધિસૂચના જારી કરવામાં આવી છે. ખરડા પર વિગતવાર ચર્ચા કરીને જેલની રદ કરેલી જોગવાઈનો ફરીથી સમાવેશ કરવો, એના માટે આ ખરડો ફરીથી વિધાનમંડળમાં મોકલવાની માગણી મુંબઈ ગ્રાહક પંચાયતે રાજ્યપાલ સમક્ષ કરી છે. આ પ્રકરણે મુંબઈ ગ્રાહક પંચાયતે રાજ્યપાલ પાસે મુલાકાત માટે સમય માગ્યો છે. નાગપુર ખાતે થયેલા શિયાળુ સત્રમાં મોફા સુધારો ખરડો એક જ દિવસમાં વિધાનસભા અને વિધાન પરિષદમાં મંજૂર કરવામાં આવ્યો. મુંબઈ ગ્રાહક પંચાયતે એના વિરુદ્ધ લડત આપવાનો નિર્ધાર કર્યો છે એમ કાર્યાધ્યક્ષ એડવોકેટ શિરીષ દેશપાંડેએ જણાવ્યું હતું. સુધારેલા ખરડા અનુસાર હવે મોફા કાયદો ફક્ત રેરામાં નોંધેલા ન હોય એવા પ્રકલ્પોને જ લાગુ થશે. એમાં પણ મોફા કાયદાની 5-ક (પ્રકલ્પના રૂપિયાનો ઉપયોગ), 11-અ (ડીમ્ડ કન્વેયન્સ), 13-ખ, ગ, ચ (દિવાણી ન્યાયાલયના અધિકાર), જેવી કલમ ઉપરાંત અન્ય કલમો લાગુ નહીં થાય એમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. તેથી 13-અ (ફોજદારી કાર્યવાહી તેમ જ ત્રણથી પાંચ વર્ષ સુધી જેલ) કલમ રદ્દ કરવામાં આવી છે. તેથી મોફા કાયદાનો મૂળ હેતુ જ નાશ પામ્યો છે. ઉપરાંત ડીમ્ડ કન્વેયન્સ બાબતે 11-અ નવી જોગવાઈ લાગુ કરવામાં આવી છે છતાં એ રેરા કાયદા અનુસાર નોંધણી થયેલા પ્રકલ્પોને લાગુ નહીં થાય એમ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. એમાં આ ખરડો 1 મે 2017થી પૂર્વલક્ષી અસરથી લાગુ કરવામાં આવ્યો હોવાથી ડેવલપરોને રાહત થશે એમ તેમણે જણાવ્યું હતું. આવો મહત્વનો સુધારા ખરડો મંજૂરી માટે વિધાનમંડળમાં મોકલતા એના પર વાંધા અને સૂચના મગાવવા જરૂરી હતા. તેથી આ ખરડો ફરીથી વિધાનમંડળમાં મોકલીને એના પર ચર્ચા કરવી અને એ પછી જ આ ખરડો મંજૂર કરવો એવી માગણી એડવોકેટ દેશપાંડેએ કરી છે. સમય આવ્યે એના વિરુદ્ધ ગ્રાહક પંચાયત કોર્ટમાં દાદ માગશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:56 am

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ આયોજન:દાહોદ જિ.માં 10 ગૌશાળાના 1,144 પશુઓ માટે 31.57 લાખની સહાય

‘‘મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના'' અંતર્ગત દાહોદ જિલ્લા કક્ષાની સમિતિની મહત્વપૂર્ણ બેઠક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ગૌશાળાઓમાં આશ્રિત પશુઓના નિભાવ અને પોષણ માટે અપાતી નાણાકીય સહાયની સર્વગ્રાહી સમીક્ષા કરાઇ હતી. એપ્રિલથી જૂન-2025 દરમિયાન જિલ્લાની સંસ્થાઓમાં આશ્રિત 1223 પશુઓ માટે કુલ રૂા.33,38,970ની રકમ સીધી બેંક ખાતામાં RTGS મારફતે જમા કરાવી દેવાઇ છે. વધુમાં, જુલાઈથી સપ્ટેમ્બર-2025ના આગામી તબક્કા માટે 1144 પશુઓના નિભાવ પેટે રૂા.31,57,440ની સહાય ચૂકવવા માટે કલેક્ટર દ્વારા બહાલી આપવામાં આવી હતી. આ સહાયનો લાભ દાહોદ, દેવગઢ બારીયા, ઝાલોદ, ફતેપુરા અને લીમખેડા તાલુકાની કુલ 10 ગૌશાળાઓ અને ટ્રસ્ટોને મળશે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, નાયબ પશુપાલન નિયામક ડૉ. કમલેશ ગોસાઈ, નાયબ વન સંરક્ષક, વિવિધ નગરપાલિકાના ચીફ ઓફિસરો તથા ગૌરક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાની ગૌશાળાઓને પશુઓના લાલન-પાલનમાં મોટી આર્થિક મદદ મળી રહેશે. કઇ ગૌશાળાને કેટલા રૂપિયાદાહોદ અનાજ મહાજન ગૌશાળા, દાહોદ - 9,49,440 { શ્રી સુરભી સેવા ટ્રસ્ટ, દાહોદ - 5,05,080 { શ્રી કામધેનું ગૌસેવા ટ્રસ્ટ, દે.બારિયા - 3,83,640 { શ્રી સત્યનામ ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ સાલીયા - 1,10,400 { શ્રી ગોકુલેશ ગૌશાળા ટ્રસ્ટ, દે.બારિયા - 1,13,160 { શ્રી બાલ ગોપાલ ગૌશાળા ટ્રસ્ટ, ઝાલો દ- 1,24,200 { શ્રી યતીન્દ્ર જયંત જૈન સાર્વજનિક ગૌશાળા, ઝાલો દ- 2,92,560 { માલધારી ઉત્થાન ટ્રસ્ટ, ઝાલોદ - 2,98,080 { આદર્શ ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ફતેપુરા - 2,31,840 { બ્રહ્મલીન બાપુ નરસિહ સેવાનંદ ચેરીટેબલ ટ્રસ્ટ, લીમખેડા - 1,49,040

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:56 am

પોલીસ કાર્યવાહી:CPI માઓવાદી સંગઠનના ફરાર આરોપીઓની ધરપકડ

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી) સંગઠનના બે ફરાર માઓવાદીઓની ગઢચિરોલી જિલ્લાના દિનેશ પુસુ ગાવડેના અપહરણ અને હત્યા કેસમાં ધરપકડ કરી છે. અધિકારીઓ મુજબ, નવેમ્બર 2023માં ગાવડેને પોલીસ ખબરી અને આરએસએસ સાથે સંબંધ હોવાની શંકા આધારે માઓવાદીઓએ અપહરણ કરીને હત્યા કરી હતી. આ ધરપકડમાં મુખ્ય આરોપી તરીકે 55 વર્ષીય રઘુ ઉર્ફે પ્રતાપ, ઇરપા, મુડેલા-સૈલુનું નામ બહાર આવ્યું છે, જે સીપીઆઈ (માઓવાદી)ના દક્ષિણ ગઢચિરોલી વિભાગીય સમિતિના સચિવ તરીકે કાર્યરત હતો. એપ્રિલ 2025માં ગઢચિરોલીના ભામરાગઢ તાલુકાના જંગલ વિસ્તારમાં ગઢચિરોલી પોલીસ અને સીઆરપીએફ દ્વારા સંયુક્ત કાર્યવાહીમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ અનુસાર, રઘુ ગાવડેની હત્યાના કાવતરાને મંજૂરી આપનાર અને સંકલન કરનાર મુખ્ય નેતા હતો. બીજો આરોપી, 32 વર્ષીય શંકર ભીમા મહાકા, ભામરાગઢ દાલમ (સશસ્ત્ર ટુકડી)નો સભ્ય હતો અને સપ્ટેમ્બર 2024માં જંગલ વિસ્તારમાં રિકોનિસન્સ કરતી વખતે પકડાયો હતો. મહાકા પર આગચંપી, હત્યા અને લેન્ડમાઇન વિસ્ફોટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. એનઆઈએના જણાવ્યા મુજબ, રઘુ સામે કુલ 77 ગુનાહિત કેસ છે અને તેની ધરપકડ માટે 20 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ કેસની શરૂઆત ગઢચિરોલી પોલીસે કરી હતી, જે બાદમાં ઑક્ટોબર 2024માં એનઆઈએને સોંપવામાં આવ્યો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:55 am

ગોવિંદ ગુરુ યુનિ.ના 7 પદવીદાન સમારોહમાં રાજ્યપાલના હસ્તે પદવી એનાયત:દીક્ષાંતની સાથે માત્ર સર્ટિ. જ નહીં પરંતુ સમાજ ઉપયોગી સંસ્કારો પણ જરૂરી

ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીનો સાતમો પદવીદાન સમારોહ અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ રાજ્યપાલ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમા 51 જેટલા વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે 21 હજાર જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર અને વડોદરા ગ્રામ્યમાં આવેલી વિવિધ કોલેજ સંલગ્ન શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સીટીનો સાતમો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ શનિવારે યોજવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણમંત્રી ત્રિકમદાસ છાંગાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સીટી દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કોર્સમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનારા 51 વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ઋષિમુનિ કાળના શિક્ષણ પદ્ધતિને ટાંકતા જણાવ્યું હતું કે દીક્ષાંતની સાથે સાથે માત્ર સર્ટિફિકેટ જ નહીં પરંતુ સમાજ ઉપયોગી સંસ્કારો પણ જરૂરી છે. જેમાં માતાપિતા અને ગુરુ પ્રત્યે આદરભાવ સમાજ અને રાષ્ટ્રીહિતની ભાવના તમામ ગુણો હોવા ખૂબ આવશ્યક છે. સાથે જ સારા વિદ્યાર્થીઓની સાથે સાથે સારા નાગરિક બનવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે શિક્ષણમંત્રી ત્રિકમદાસ છાંગા, રાજ્ય કક્ષાના મંત્રી રમેશભાઇ કટારા, પંચમહાલ સાંસદ અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં અલગ અલગ જિલ્લાઓની કોલેજના વિધાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમમાં અલગ અલગ કોલેજના 21 હજાર ઉપરાંત વિદ્યાર્થીઓને એકસાથે કોલેજ કેમ્પસમાં જ પદવી એનાયત કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:55 am

નગર પરિષદો અને નગર પંચાયતોના પરિણામ:મહારાષ્ટ્રમાં 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોનાં આજે પરિણામ

મહારાષ્ટ્રમાં 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોના પરિણામો રવિવારે જાહેર થવાના છે. આગામી મહિને યોજાનારી 29 મહાપાલિકા ચૂંટણીઓ પહેલાં આ પરિણામોને શાસક તથા વિપક્ષી પક્ષો માટે રાજકીય દિશાસૂચક માનવામાં આવી રહ્યા છે. શનિવારે યોજાયેલા બીજા તબક્કાના મતદાન બાદ તમામ બેઠકોની મતગણતરી એકસાથે કરવામાં આવશે. બીજા તબક્કામાં 24 નગર પરિષદો અને નગર પંચાયતો ઉપરાંત 76 સ્થાનિક સંસ્થાઓના 154 વોર્ડ માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણી અગાઉ 2 ડિસેમ્બરે થવાની હતી, પરંતુ રિટર્નિંગ અધિકારીઓના નિર્ણયોને પડકારતી અરજીઓ જિલ્લા અદાલતોમાં દાખલ થતાં રાજ્ય ચૂંટણી પંચે મતદાન મુલતવી રાખ્યું હતું. વિદર્ભ વિસ્તારમાં, જ્યાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું રાજકીય પ્રભાવક્ષેત્ર છે, ત્યાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. ભાજપે વિદર્ભના તમામ 27 શહેરોમાં ઉમેદવારો ઊભા રાખ્યા છે, જ્યારે કોંગ્રેસ 22 શહેરોમાં ચૂંટણી લડી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને શિવસેનાના નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ પણ થયું, જેના પગલે ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ગઠબંધન ધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી. તેમ છતાં ફડણવીસે મહાયુતિ 70થી 75 ટકા બેઠકો જીતશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. પરિણામોને મતદારોના મૂડ, પક્ષ બદલનાર નેતાઓ પ્રત્યેનો અભિપ્રાય અને આવનારી મહાપાલિકા તથા જિલ્લા પરિષદ ચૂંટણી માટેનો સંકેત તરીકે જોવામાં આવી રહ્યા છે. આ પરિણામો રાજ્યની રાજકીય દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ચૂંટણીમાં નવી ગણિત જોવા મળ્યુંઆ ચૂંટણીઓમાં રાજ્યના રાજકીય ગઠબંધનોમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. શાસક મહાયુતિના ભાગીદાર ભારતીય જનતા પાર્ટી અને શિવસેના અનેક જિલ્લાઓમાં એકબીજા સામે ઉમેદવારો ઊભા રાખ્યા છે. સિંધુદુર્ગ, સતારા, ધારાશિવ, પાલઘર અને થાણેમાં બંને પક્ષો વચ્ચે સીધી લડાઈ જોવા મળી છે. બીજી તરફ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે જૂથો ઉપ મુખ્યમંત્રી અજિત પવાર અને પક્ષના સ્થાપક શરદ પવારના નેતૃત્વ હેઠળ કોલ્હાપુરમાં સાથે આવ્યા છે, જ્યારે અન્ય વિસ્તારોમાં કોંગ્રેસના કેટલાક સ્થાનિક જૂથોએ ભાજપ સાથે ગઠબંધન કર્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:55 am

કુલ 800 વકીલોમાંથી 604 વકીલોએ મતદાન કર્યું હતું:પંચમહાલ જિલ્લા વકીલ મંડળના પ્રમુખ- ઉપપ્રમુખની વિજય હેટ્રિક

સમગ્ર ગુજરાતમાં વકીલ મંડળની ચુંટણી સાથે પંચમહાલ જીલ્લા વકીલ મંડળની ચૂટણી પણ 19 ડીસે યોજાઇ હતી. જેના વિવિધ હોદ્દા માટે વકીલોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમા પ્રમુખ માટે 2, ઉપપ્રમુખ માટે 5, સેક્રેટરી માટે 3, જોઈન્ટ સેક્રેટરી માટે 4, એલઆર માટે 3 તથા લાઈબ્રેરી સેક્રટરી માટે 2 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. શુક્રવારે ચુંટણીના દિવસે સવારે 10:30 થી સાંજના 4:30 કલાક સુધી મતદાનનો સમય રાખવામાં આવ્યો હતો. જેમા 800 જેટલાં મતદારોમાંથી 604 મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન કર્યુ હતુ. ત્યાર બાદ મુખ્ય ચુંટણી અધિકારી સમીર કે. પુરાણી, એડીશ્નલ ચુંટણી અધિકારી અલ્તાફભાઈ ચરખા, મદદનીશ તરીકે હરિકૃષ્ણભાઈ પટેલ, ભાવનાબેન પટેલ તથા રમણભાઈ પટેલ તથા ઉમેદવારોની હાજરીમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમા પ્રમુખ ચિરાગભાઈ પરીખને 335, ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણને 217, સેક્રેટરી મિહિર પુરાણીને 250, જોઈન્ટ સેક્રેટરી અજય જાદવને 191, લાઇબ્રેરી સેક્રેટરી જયભાઈ પરીખને 352 તથા એલઆર કિંજલબેન ગરાસિયાને 238 મત મળતા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજેતાઓને તેઓના સમર્થક સહિતનાઓએ અધિનંદન પાઠવ્યા હતા. જ્યારે પ્રમુખ તથા ઉપપ્રમુખ વિજેતાની હેટ્રિક નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:54 am

રાજકીય માહોલ ગરમાયો:મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા સ્વબળે લડવાની ઘોષણાથી રાજકીય ભૂકંપ

મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં લેતાં શનિવારે કોંગ્રેસ પાર્ટીએ એક મોટી રાજકીય જાહેરાત કરી હતી અને પોતાના દમ પર ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રમેશ ચેન્નીથલાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આગામી મુંબઈ મહપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઈ પણ યુતિ વિના સીધી જ ચૂંટણી મેદાનમાં ઊતરશે, એટલે કે કોંગ્રેસ સ્વબળે લડશે. તેમણે આ ચૂંટણીમાં ભાજપ અને ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેના શિવસેના યુબીટી જૂથને સીધો પડકાર ફેંક્યો છે અને દાવો કર્યો છે કે, કોંગ્રેસ મુંબઈવાસીઓ માટે એક સક્ષમ વિકલ્પ તરીકે ઊભી રહેશે. તેમના વલણથી મુંબઈમાં રાજકીય સમીકરણોમાં ઊથલપાથલ મચવાની સંભાવના છે. નોંધનીય છે કે ઠાકરેની શિવસેના અને મનસે એકત્ર આવતાં મહાઆઘાડીમાં આ પહેલું ભંગાણ છે. રમેશ ચેન્નીથલાએ છેલ્લાં ચાર વર્ષમાં મુંબઈ મહાપાલિકાની કામગીરીની આકરી ટીકા કરી હતી. તેમના મતે, વહીવટની નિષ્ક્રિયતા અને રાજકીય હસ્તક્ષેપને કારણે મુંબઈવાસીઓના મૂળભૂત મુદ્દાઓ બાકી પડ્યા છે. વધતા પ્રદૂષણ, શહેરની હોસ્પિટલોની ભયાનક સ્થિતિ, આરોગ્ય સુવિધાઓનો અભાવ અને વ્યાપક ભ્રષ્ટાચારને કારણે સામાન્ય નાગરિક ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના નાગરિકોને કોઈ નક્કર મદદ મળી નથી. તેમણે એમ પણ ઉલ્લેખ કર્યો હતો કે, મુંબઈ જેવી દેશની આર્થિક રાજધાનીમાં નાગરિકોને મૂળભૂત સુવિધાઓ ન મળવી એ દુર્ભાગ્યપૂર્ણ છે. ચેન્નિથલાએ ચાર વર્ષ સુધી મહાપાલિકા ચૂંટણીઓ ન યોજવા માટે સીધી રીતે સરકારને જવાબદાર ઠેરવી હતી. તેમના મતે, શાસક સરકાર ચૂંટણીઓ યોજવા માંગતી ન હતી અને તેથી જ મહાપાલિકાના કામકાજમાં સીધી દખલગીરી થઈ રહી હતી. તેમણે ગંભીર આરોપ લગાવ્યો કે, મુંબઈ મહાપાલિકામાં લોકશાહી પ્રક્રિયાને અવગણીને વહીવટી રીતે ચલાવવામાં આવી રહ્યું છે. જો સરકારે સમયસર ચૂંટણીઓ યોજી હોત, તો મુંબઈવાસીઓને તેમના પ્રતિનિધિઓ પસંદ કરવાનો અધિકાર હોત, પરંતુ તેમણે સમજાવ્યું કે તે અધિકાર નકારવામાં આવ્યો હતો. આ સંદર્ભમાં બોલતા, રમેશ ચેન્નિથલાએ સુપ્રીમ કોર્ટની ભૂમિકાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે કોર્ટના હસ્તક્ષેપથી મહાપાલિકાની ચૂંટણીઓ યોજવાનો માર્ગ મોકળો થયો, નહીં તો મુંબઈવાસીઓને આગામી પાંચ વર્ષ સુધી ચૂંટણી વિના રહેવું પડત. સુપ્રીમ કોર્ટે લોકશાહી મૂલ્યોનું રક્ષણ કર્યું છે તેમ જણાવી, તેમણે કોર્ટનો આભાર માન્યો. તેમણે એમ પણ કહ્યું કે હવે મુંબઈવાસીઓને ફરી એકવાર તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવાની તક મળશે. ધર્મનિરપેક્ષ નાગરિકોને એક થવા અપીલઆગામી ચૂંટણીઓની તૈયારીઓ વિશે વાત કરતા, ચેન્નિથલાએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી સાચા દેશભક્તો, લોકશાહીવાદીઓ અને ધર્મનિરપેક્ષ નાગરિકોને એક થવાની અપીલ કરી રહી છે. કોંગ્રેસ ટૂંક સમયમાં મુંબઈના લોકો સમક્ષ એક વિગતવાર મેનિફેસ્ટો રજૂ કરશે અને વર્તમાન વહીવટમાં રહેલી ખામીઓ પર આધારિત ચાર્જશીટ પણ બહાર પાડવામાં આવશે. તેમણે સ્પષ્ટતા કરી કે, કોંગ્રેસ મુંબઈ મહાપાલિકાને પારદર્શક, જવાબદાર અને લોકોલક્ષી રીતે ચલાવવાનું નક્કર વચન આપી રહી છે. આ જાહેરાત સાથે, મુંબઈમાં ચૂંટણી લડાઈ વધુ તીવ્ર બને તેવા સંકેતો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:53 am

સિટી એન્કર:ઋષભાયનમાં વર્લ્ડ રેકોર્ડ 1400 ગ્રંથોનું લોકાર્પણ

બોરીવલી કોરાકેન્દ્રમાં ચાલી રહેલા ઐતિહાસિક અને અત્યંત ભવ્ય ને જાજરમાન ઋષભાયન સેમિનારમાં બીજે દિવસે હજારો - હજારોની જંગી જનમેદની એ આખા બોરીવલીના રસ્તાઓ સાંકડા કરી દીધા હતા. તડકામાં ચાર - ચાર કલાકની મોડી રાત સુધી લાઈનમાં ઊભા રહી જૈન - જૈનેતર જનતા કીડિયારાની જેમ ઉમટી રહી છે. સેંકડો ની સંખ્યામાં સાધુ - સાધ્વીજી મહારાજાઓ સ્પેશિયલ લાંબા - લાંબા વિહાર કરી પધાર્યા હતા. આજના દિવસે શ્રમણો - સંતોને - સ્કોલરોના રિસર્ચ પેપરને પ્રવચનોએ સભાને પ્રાચીન સમયની સફર કરાવી દીધી હતી. સૌ ભાવવિભોર ને મંત્રમુગ્ધ બની ઋષભમય બની ગયા હતા. ઋષભાયન પ્રેરક જૈનાચાર્ય શ્રીમદ વિજય યશોવર્મસુરીશ્વરજી મહારાજા, વિદ્વાન આચાર્ય ભાગ્યયશસૂરીજી મહારાજે જણાવ્યું હતું કે, જગતમાં જીવોની તમામ વિકાસની સ્કિલના સૌ પ્રથમ દર્શક ને પ્રવર્તક પરમાત્મા આદિનાથ હતા. એટલે કલાઓનું અનુસંધાન પ્રભુ જોડે છે એટલે જ કળા સૌને પ્રભુ જોડે જોડી શકે છે. જો થોડીક દ્રષ્ટિ બદલીએ તો. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ઋષભાયન-3 માટે આમંત્રણ ને લાભાન્વિત ગુજરાત વડોદરા બને એવી ઉદઘોષણા. ને કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલજી એ નાલંદા યુનિવર્સિટી આદિ અનેક યુનિવર્સિટી સાથે એમ.ઓ.યુ. કરી ગુરુદેવ શ્રી ને અર્પણ કરી હતી. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રકાંતદાદા પાટીલે રાજા ઋષભે આપેલી કલા શિક્ષા ને સમજાવીને એ સમાજ માટે કાયમી સ્તર પર નિર્માણ કરે. પૂજ્ય દાદા ગુરુદેવ લબ્ધિસૂરિજી મહારાજ દ્વારા વિરચિત સંસ્કૃતયુતવિશંતિ ચૈત્યવંદન - સ્તુતિ પર પૂજ્ય સાધ્વી જિનેન્દ્રશ્રી મહારાજના સાધ્વીજી મહારાજ નૂતનસંસ્કૃતિ ટીકા લખી હતી એનું વિમોચન કર્યો હતો. હીરાનંદાની, વારી, પ્લેટિનમ, નિયોન આદિ ઉદ્યોગપતિએ યુવા વર્ગ - વેપારી વર્ગને સંબોધ્યા હતા. આર્ટ ગેલેરીને જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ જબરજસ્ત આકર્ષણ પેદા કર્યું છે. આઈ.એ.એસ. ઓફિસર - સ્કોલરે પ્રવચન આપ્યા હતા. આજે આશિષ શેલાર, વિષ્ણુશંકર જૈન વિશ્વ વોરા આદિ પધારશે. પાઠશાળાના બાળકોને ઈનામ અને પરફોર્મન્સબપોરે જૈન પાઠશાળાના બાળકોનું ઇનામ અને પરફોર્મન્સ નો પ્રોગ્રામ યોજાશે. આજના આ ઋષભાયનનો શિરમોર કાર્યક્રમ મુંબઈના તમામ 1111 જૈન સંઘ - સંગઠનના ટ્રસ્ટીઓ - નવી મુંબઈ - વિરારથી વાપી - રાળપટ્ટીને વિહારધામના તમામ ટ્રસ્ટીઓને સેંકડો સાધુ - સાધ્વીજી - આચાર્ય ભગવંતોના હાથે એકસાથે રાજા ઋષભના ઉલ્લેખવાળી 1400 થી વધુ ગ્રંથોનો એક સાથે લોકાર્પણ કરાયું, ત્યારે પૂરો વિશાળ ડોમ શ્રુતજ્ઞાનમય બની ભીનો - ભીનો બની રાજા ઋષભને વંદી પડ્યો હતો. આખા મંડપને જ્ઞાનમય બનાવી દીધો હતો. આખો કાર્યક્રમ પ્રથમવાર જોતા હજારો - હજારો આંખો રડી પડી હતી. શૈક્ષણિક, સંસ્કૃતિના આ અનોખા કાર્યક્રમમાં નવયુવાન યુવાન ભાઈ - બહેનો વિશેષથી જોડાઈ રહ્યા છે, જે જબરજસ્ત આનંદ ને ભાવિના ઊંચા એંધાણના ચિહન છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:52 am

ભાસ્કર ઈમ્પેક્ટ:મોરવા હડફ ભ્રષ્ટાચારના મુદ્દે તંત્ર સફાળું જાગ્યું, કુવાંઝરમાં વાસ્મોની ટીમ ત્રાટકી

મોરવા (હડફ) તાલુકામાં ''નલ સે જલ'' યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચારના અહેવાલો પ્રસારિત થયા બાદ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ મામલે સક્રિય થયેલી વાસમો કચેરીના અધિકારીઓ, કર્મીઓ અને એન્જિનિયરોની ટીમે આજે કુવાઝરની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસમાં ગંભીર બેદરકારી દેખાઇ હતી. મોરવા હડફ તાલુકામાં નલ સે જલ’ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપો સાથે ખળભળાટ મચી ગયો છે. લાંબા સમયની રજૂઆતો બાદ આખરે ગાંધીનગર CID ક્રાઈમની ટીમે એક્શનમાં આવી અરજદારોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.ત્યારે આજરોજ ગોધરા આ મામલે સક્રિય થયેલી વાસમો (WASMO) કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ અને એન્જિનિયરોની ટીમે આજે કુવાઝરની ઓચિંતી મુલાકાત લીધી હતી. ટાંકીમાં પાણી ન ચઢતા ભાંડો ફૂટ્યો વાસમોની ટીમે તલાટી અને સરપંચને સાથે રાખીને સ્થળ તપાસ કરી હતી. આ દરમિયાન માલૂમ પડ્યું હતું કે,સંપમાંથી મુખ્ય ટાંકીમાં પાણી પહોંચાડતી રાઈઝિંગ મેનની મોટર લાંબા સમયથી બગડેલી હાલતમાં હતી. જેના કારણે ટાંકીમાં પાણી ચઢતું ન હોવાથી ગ્રામજનો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા હતા. કચેરીના અધિકારીઓ, કર્મીઓ અને એન્જિનિયરોની ટીમે આજે કુવાંઝર ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી. તપાસ દરમિયાન યોજનામાં બેદરકારી જણાતા તાત્કાલિક ખામીઓ દૂર કરવા માટે આદેશ આપ્યા હતા. અનેક ફરિયાદો ઉઠી છે તાલુકાના અન્ય ગામોમાં પણ નલ સે જલ યોજના અંતર્ગત થયેલી કામગીરીમાં અનેક ક્ષતિઓ હોવાની ફરિયાદો ઉઠી છે. વાસમોની ટીમ દ્વારા આગામી ટૂંક સમયમાં અન્ય અસરગ્રસ્ત ગામોમાં પણ આકસ્મિક તપાસ હાથ ધરશે. હાલ તાત્કાલિક ખામીઓ દૂર કરવા માટે તલાટીઓ તથા સરપંચોને આદેશ આપેલ છે. આર.આર.વર્મા. વાસ્મો. યુનિટ મેનેજર

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:51 am

સન્ડે ફોટો સ્ટોરી:મહારાષ્ટ્ર સ્ત્રીમુક્તિ પરિષદની સુવર્ણ જયંતી પર મુંબઈમાં સંમેલન

સ્ત્રીમુક્તિ આંદોલનનાં 50 વર્ષ પૂરાં થવા પર મુંબઈમાં સંમેલનનું આયોજન કરાયું હતું, જેનું ઉદઘાટન સાંસદ સુપ્રિયા સુળેએ કર્યું હતું. આ સમયે સ્ત્રી મુક્તિ પરિષદનાં અધ્યક્ષા શારદા સાઠે સાથે ડો. છાયા દાતાર, ડો. પ્રજ્ઞા દયા પવાર, એડ. નિશા શિઉરકર, ડો. ચયનિકા શાહ, લતા ભિસે- સોનાવણે, હસીના ખાન, અમોલ કેરકર, સુનીતા બાગલ, શુભદા દેશમુખ, સંગીતા જોશી વગેરે હજર હતાં. સ્ત્રીમુક્તિ આંદોલનનાં 50 વર્ષ પૂરાં થવા પર મુંબઈમાં સંમેલનનું આયોજન કરાયું હતું, જેનું ઉદઘાટન સાંસદ સુપ્રિયા સુળેએ કર્યું હતું. આ સમયે સ્ત્રી મુક્તિ પરિષદનાં અધ્યક્ષા શારદા સાઠે સાથે ડો. છાયા દાતાર, ડો. પ્રજ્ઞા દયા પવાર, એડ. નિશા શિઉરકર, ડો. ચયનિકા શાહ, લતા ભિસે- સોનાવણે, હસીના ખાન, અમોલ કેરકર, સુનીતા બાગલ, શુભદા દેશમુખ, સંગીતા જોશી વગેરે હજર હતાં.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:49 am

મેટ્રો-7એ ના કામ માટે વાળેલી પાઈપનું જોડાણ થશે:ત્રણ વોર્ડમાં 22થી 26 ડિસે. સુધી ઓછો પાણી પુરવઠો

મુંબઈ મહાપાલિકાએ મેટ્રો-7એ પ્રકલ્પના કામ માટે વાળેલી 2400 મિલીમીટર વ્યાસની અપર વૈતરણા મુખ્ય પાઈપલાઈનના જોડાણનું કામ હાથમાં લેવાનો નિર્ણય લીધો છે. પાઈપલાઈનના જોડાણનું કામ 22 થી 26 ડિસેમ્બર દરમિયાન લગભગ 87 કલાક ચાલશે. તેથી ધારાવી (જી ઉત્તર), અંધેરી પૂર્વ (કે પૂર્વ) અને બાન્દરા પૂર્વ (એચ પૂર્વ) વોર્ડ કાર્યાલયની હદમાં કેટલાક પરિસરમાં 22 થી 26 ડિસેમ્બર દરમિયાન ઓછા દબાણથી પાણી પુરવઠો થશે. આ સમયમાં નિયમિત પાણી પુરવઠાના સમયમાં પણ ફેરફાર થશે. મુંબઈ મહાપાલિકાના જી ઉત્તર, કે પૂર્વ અને એચ પૂર્વ વોર્ડમાં મોટા આકારની પાઈપલાઈનના જોડાણનું કામ 22 ડિસેમ્બરના સવારે 10 વાગ્યે શરૂ કરવામાં આવશે. આ કામ 26 ડિસેમ્બરના બપોરે 1 વાગ્યા સુધી (કુલ 87 કલાક) ચાલુ રહેશે. પરિણામે જી ઉત્તર, કે પૂર્વ અને એચ પૂર્વ વોર્ડના કેટલાક ભાગમાં ઓછા દબાણથી પાણી પુરવઠો થશે. ઉપરાંત નિયમિત પાણી પુરવઠાના સમયમાં પણ ફેરફાર થશે એની નાગરિકોએ નોંધ લેવી એવી હાકલ મુંબઈ મહાપાલિકા પ્રશાસને કરી છે. એમએમઆરડીએના મેટ્રો-7એ પ્રકલ્પના કામ માટે 2400 મિમી વ્યાસની અપર વૈતરણા મુખ્ય પાઈપલાઈનનો થોડો ભાગ વાળવામાં આવ્યો છે. આ ભાગના ક્રોસ કનેક્શનનું કામ મહાપાલિકા કરશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:43 am

ધમધમી રહ્યો છે સમૃદ્ધિ એક્સપ્રેસ વે:મુંબઈ - નાગપુર સમૃદ્ધિ વે પર નવે.સુધી 3 કરોડ વાહનોની અવરજવર

મુંબઈ-નાગપુર પ્રવાસ ફક્ત આઠ કલાકમાં કરી શકાય એ માટે મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે બાંધેલો 701 કિલોમીટર લાંબો સમૃદ્ધિ એક્સપ્રેસ વે અત્યારે ધમધમી રહ્યો છે. આ હાઈવે પરથી દરરોજ સરેરાશ 50 હજારથી વધુ વાહનોની અવરજવર થાય છે. આ હાઈવે વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારથી નવેમ્બર 2025ના અંત સુધી 2 કરોડ 91 લાખ વાહનો પસાર થયા છે. ઓછા સમયમાં વધુ અંતર કાપવું શક્ય થતું હોવાથી વિદર્ભ સહિત નાશિક, શિર્ડી સહિતના પરિસરમાંથી મોટા પ્રમાણમાં કૃષિ પેદાશ મુંબઈ, થાણે, નવી મુંબઈ આવે છે. એમએસઆરડીસીએ તબક્કાવાર સમૃદ્ધિ એક્સપ્રેસ બાંધીને વાહનો માટે ખુલ્લો મૂક્યો છે. નાગપુરથી શિર્ડીનો 520 કિલોમીટર લાંબો પહેલો તબક્કો 11 ડિસેમ્બર 2022માં ખુલ્લો મૂકવામાં આવ્યો. એ પછી 26 મે 2023ના શિર્ડીથી ભરવીરનો બીજો તબક્કો, 4 માર્ચ 2024ના ભરવીરથી ઈગતપુરીનો ત્રીજો તબક્કો અને અંતિમ ઈગતપુરીથી આમનેનો ચોથો તબક્કો 5 જૂન 2025ના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:43 am

પ્રદૂષણને નાથવાનો પ્રયાસ:પ્રદૂષણના નિયમનો ભંગ કરનાર ડેવલપરના દંડની રકમ વધારવાની પાલિકાની હિલચાલ

પ્રદૂષણ નિયંત્રણના નિયમ ન પાળનારા ડેવલપરો પર આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડ્યે દંડની રકમમાં વધારો કરવાનો વિચાર કરશું એવો ઈશારો નવા નિયુક્ત કરાયેલા અતિરિક્ત મહાપાલિકા આયુક્ત ડો. અવિનાશ ઢાકણેએ આપ્યો હતો. એક વખત દંડાત્મક કાર્યવાહી કરવા છતાં ધ્યાન નહીં રાખે તો બમણો, ત્રણ ગણો દંડ કરવામાં આવશે. એ દષ્ટિએ ધોરણ તૈયાર કરવામાં આવશે એવો ઈશારો પણ તેમણે આપ્યો. તેમ જ મુંબઈમાં પ્રદૂષણ ઓછું કરવા ખુલ્લી જગ્યામાં બાંબુના ઝાડ લગાડવામાં આવશે એમ પણ તેમણે જણાવ્યું હતું. મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ મંડળના સભ્ય સચિવ ડો. અવિનાશ ઢાકણેની તાજેતરમાં મુંબઈ મહાપાલિકાના અતિરિક્ત આયુક્ત પદે નિયુક્તી કરવામાં આવી છે. મુંબઈ મહાપાલિકા કમિશનર ભૂષણ ગગરાણીએ ડો. ઢાકણે પર પર્યાવરણ વિભાગની જવાબદારી સોંપી છે. આ જવાબદારી સ્વીકાર્યા બાદ તેમણે પ્રસારમાધ્યમો સાથે સંવાદ સાધ્યો હતો. એ સમયે દંડની રકમમાં વધારો કરવાનો ઈશારો આપ્યો હતો. મુંબઈમાં હવાનું સ્તર સરસ રહે એ માટે મુંબઈ મહાપાલિકાએ 15 ઓક્ટોબર 2024ના 28 મુદ્દાના સમાવેશવાળા માર્ગદર્શક ધોરણ જારી કર્યા છે. પ્રદૂષણ રોકવા બાંબુનું વાવેતરધુળના કારણે થતું પ્રદૂષણ રોકવા અને મુંબઈમાં લીલોતરી વધારવા ખુલ્લી જગ્યાઓ અને રસ્તાની કોરે બાંબુના ઝાડનું વાવેતર કરવામાં આવશે. એ દષ્ટિએ નિયોજન કરવામાં આવશે એવી માહિતી ડો. ઢાકણેએ આપી હતી. મુંબઈ મહાપાલિકાએ ચાલુ વર્ષના બજેટમાં બાંબુના વાવેતરની ઘોષણા કરી હતી. જો કે આ પ્રકલ્પ શરૂ થયો નહોતો. હવે આગામી સમયમાં બાંબુના વાવેતરનો પ્રકલ્પ હાથમાં લેવામાં આવશે એમ તેમણે જણાવ્યું. બાંબુનું વાવેતર કરવામાં આવે તો એ માટીને જકડી રાખે છે. બાંબુ ઘાસના વર્ગનું ઝાડ હોવાથી વિકાસકામો માટે બાંબુ કાપવા માટે પરવાનગીની જરૂર નથી. સરકારી વિકાસકામોને છૂટ નહીંમુંબઈમાં પ્રદૂષણ માટે કારણભૂત બનતા ઘટકો પર આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. એમાં કુર્લા ખાતેના ભંગારના ગોડાઉન, કાલબાદેવી ખાતે જ્વેલર્સના કારખાના, બેકરી ઉદ્યોગ માટે વૈકલ્પિક ઈંધણની વ્યવસ્થા તેમ જ નિયમો ન પાળનારા પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું. અનેક ઠેકાણે સરકારી પ્રાધિકરણના કામ ચાલુ છે. તેમના માટે પ્રદૂષણ નિયંત્રણ નિયમાવલી લાગુ છે. એમાંથી તેમને છૂટ આપી શકાય નહીં એવો ઈશારો તેમણે આપ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:42 am

તંત્ર દ્વારા તમામ તૈયારીઓ આટોપાઈ, લોકોમાં ઉત્સાહ:આજે માંડવીના રમણીય દરિયાકાંઠે રાજ્યના નાયબ મુખ્યમંત્રી બીચ ફેસ્ટિવલ ખુલ્લો મુકશે

માંડવીના રમણીય દરિયાકાંઠે આજથી 11 દિવસ માટે બીચ ફેસ્ટિવલનો આરંભ થવાનો છે.આજે સાંજે 6 કલાકે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હર્ષ સંઘવી આ બીચ ફેસ્ટિવલને જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. ખાસ આ બીચ ફેસ્ટિવલ દરમિયાન બીચ સ્પોર્ટ્સ એક્ટિવિટી, મનોરંજક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇવ બીચ મ્યુઝિક પર્ફોર્મન્સ, ફૂડ સ્ટોલ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, લેઝર લાઇટ શો, રેત શિલ્પ સહિતના મુખ્ય આકર્ષણ રહેવાના છે. માંડવીની સાંસ્કૃતિક ઓળખ અને પ્રવાસી અનુભવને વધુ મજબૂત કરવાના ઉદ્દેશ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે અહીં તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. જેથી લોકોમાં પણ ઉત્સાહનો સંચાર જોવા મળી રહ્યો છે.આ પ્રસંગે ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી ડો.જયરામભાઈ ગામીત, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણના મંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સાંસદ વિનોદભાઈ ચાવડા, માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે સહિત અન્ય ધારાસભ્યો તેમજ પ્રવાસન સચિવ રાજેન્દ્રકુમાર, જિલ્લા કલેક્ટર આનંદ પટેલ, પ્રવાસન વિભાગના મેનેજિંગ ડિરેક્ટર પ્રભવ જોશી સહિતના ઉપસ્થિત રહેશે. આજે એશ્વર્યા મજમુદાર સહિતના કલાકારો લાઇવ પર્ફોર્મન્સ આપશે તારીખ દિવસ કલાકારનું નામ

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:42 am

18 કોલેજના 5800 રેસિડન્ટ ડોકટરોનું સર્વેક્ષણ:મેડિકલ કોલેજમાં અપૂરતી સુવિધાઓના કારણે ડોકટરો માનસિક તણાવ હેઠળ

સુરક્ષારક્ષકોનો અભાવ, હોસ્ટેલની દયનીય અવસ્થા, સમય પર પગાર ન મળવો અને હોસ્પિટલોમાં પાયાભૂત સુવિધાઓની ઓછપ જેવી બાબતોની અસર રાજ્યના નિવાસી ડોકટરોની કાર્યક્ષમતા પર અને અને માનસિક આરોગ્ય પર થતી હોવાનું મહારાષ્ટ્ર નિવાસી ડોકટર સંગઠનના (માર્ડ) સર્વેક્ષણમાંથી પ્રકાશમાં આવ્યું છે. આ સર્વેક્ષણમાં રાજ્યની 18 મેડિકલ કોલેજના 5800થી વધુ નિવાસી ડોકટરોનો સમાવેશ હતો. છેલ્લા અનેક વર્ષોથી નિવાસી ડોકટરો તેમની વિવિધ માગણીઓ માટે વારંવાર કામ બંધ કરીને આંદોલન કરે છે. એ સમયે મળતા આશ્વાસ પછી તેઓ આંદોલન પાછું ખેંચે છે. જો કે હજી સુધી તેમની માગણીઓ પૂરી થઈ નથી. છેલ્લા થોડા વર્ષમાં નિવાસી ડોકટરોની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો. એની સરખામણીએ પાયાભૂત સુવિધાઓમાં વધારો થયો નથી. માર્ડે કરેલા સર્વેક્ષણમાં રાજ્યની મેડિકલ કોલેજમાં 25 ટકા સુરક્ષારક્ષકો ઓછા હોવાનું જણાયું. દરેક કોલેજમાં સરેરાશ 200 સુરક્ષારક્ષક મંજૂર છે ત્યારે વાસ્તવિકતામાં ફક્ત 150 કાર્યરત છે. તેથી ડોકટરો પર થતા હુમલા અને ધમકીઓ વધી રહી છે. હોસ્ટેલમાં અજાણી વ્યક્તિઓની અવરજવર વધી છે. મહિલા નિવાસી ડોકટરોની સુરક્ષાને જોખમ ઊભું થયું છે. માર્ડની માગણીઆ પરિસ્થિતિમાં માર્ડ દ્વારા કેટલીક માગણી કરવામાં આવી છે. 90 દિવસમાં પૂર્ણ ક્ષમતાથી સુરક્ષારક્ષકોની નિયુક્તી અને અમલબજાવણી કરવી. તમામ નિવાસી ડોકટરોને અનિવાર્યપણે સુરક્ષિત હોસ્ટેલ ઉપલબ્ધ કરી આપવી. દર મહિને સમય પર પગાર મળવો જોઈએ. હોસ્પિટલ અને હોસ્ટેલમાં પાયાભૂત સુવિધા નિર્માણ કરવી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:41 am

કાર્યવાહી:ઊંચા વળતરની લાલચે ઠગાઈ કરનાર અમદાવાદના પિતા અને પુત્ર ઝડપાયા

અમદાવાદની યુનિક મર્કેન્ટાઈલ ઇન્ડીયા લીમીટેડ તથા યુનિક એસએમસીએસ લીમીટેડ કંપનીમાં ચાલતી અલગ અલગ સ્કીમોમાં એજન્ટ બનાવી લોકોને વધુ વળતર આપવાની લાલચે રોકાણ કરાવી કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાના ગુનામાં ફરાર અમદાવાદના પિતા-પુત્રને ભુજ શહેર એ ડીવીઝન પોલીસે ઝડપી લીધા છે. ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદી જયશ્રીબેન રતિલાલભાઈ સીતાપરાએ 31 જુલાઈ 2025 ના આરોપી હસમુખ ડોડીયા અને રાજકુમાર રાય વિરુદ્ધ ગુનો નોધાવ્યો હતો.જે ગુનામાં પોલીસ પકડથી ફરાર અમદાવાદના આરોપી રાજકુમાર કૈલાશ રાય અને રાહુલ રાજકુમાર રાયને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપીઓએ ફરિયાદીને પોતાની કંપનીમાં એજન્ટ બનાવ્યા હતા.જે બાદ ફરિયાદી અને તેમના સગા સબંધીઓ પાસેથી અલગ અલગ સ્કીમોમાં રૂપિયા 1 કરોડ જેટલું રોકાણ કરાવ્યું હતું.વધુ વળતરની રાહ જોતા લોકોએ આરોપીઓએ માત્ર 19.14 લાખ રૂપિયા આપ્યા હતા.જ્યારે પાકતી મુદ્દતે મળવાપાત્ર રકમમાંથી રૂપિયા 1.41 કરોડ રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરી હતી.એ ડીવીઝન પોલીસ મથકના પીઆઈ એ.એમ.પટેલની સુચનાથી ટીમે અમદાવાદ જઈ આરોપી પિતા-પુત્રને ઝડપી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 4 ગુનામાં ફરાર-ગુનાહિત ઈતિહાસઆરોપી પિતા-પુત્ર વિરુદ્ધ ભુજ શહેર એ ડીવીઝન પોલીસ મથક સહીત અંજાર,ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથક અને ભરૂચ પોલીસ મથકે નોધાયેલા ગુનામાં પોલીસ પકડથી નાસતા ફરતા હતા.આ ઉપરાંત બન્ને આરોપી ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે જેમાં આરોપી રાજકુમાર રાય વિરુદ્ધ જામ ખંભાળિયા અને ગાંધીગ્રામ રાજકોટ પોલીસ મથકે તેમજ આરોપી રાહુલ રાય વિરુદ્ધ ગાંધીગ્રામ રાજકોટ પોલીસ મથકના ચોપડે ચડેલા છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:40 am

સિટી એન્કર:બાન્દરા પશ્ચિમ મેટ્રોને રેલવે સ્ટેશન સાથે જોડવા 41 કરોડના ખર્ચે પુલ

મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે મેટ્રો રૂટને શક્ય એટલા રેલવે સ્ટેશન સાથે જોડવાનો નિર્ણય લીધો છે.એ અનુસાર હવે અંધેરી પશ્ચિમ-મંડાલે માનખુર્દ મેટ્રો-2બી રૂટના બાન્દરા પશ્ચિમ ખાતેના મેટ્રો સ્ટેશનને બાન્દરા રેલવે સ્ટેશન સાથે જોડવામાં આવશે. 41 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કરીને બાન્દરા પશ્ચિમ ખાતેના મેટ્રો સ્ટેશનને બાન્દરા રેલવે સ્ટેશન સાથે રાહદારી પુલથી જોડવામાં આવશે. આ કામ માટે એમએમઆરડીએએ ટેંડર પ્રક્રિયા શરૂ કરી છે. એમએમઆરડીએ 14 મેટ્રો રૂટ બાંધે છે. આ મેટ્રો રૂટના માધ્યમથી પ્રવાસીઓ ઈચ્છિત સ્થળે પહોંચી શકે એ માટે રેલવે સ્ટેશન અને નજીકના મહત્વના ઠેકાણા રાહદારી પુલથી જોડવામાં આવશે. એ અનુસાર વડાલા-થાણે-કાસારવડવલી મેટ્રો-4 રૂટના વિક્રોલી મેટ્રો સ્ટેશનને કાંજુરમાર્ગ રેલવે સ્ટેશન સાથે જોડવા એમએમઆરડીએએ તાજેતરમાં ટેંડર જારી કર્યા છે.એ પછી હવે મેટ્રો-2બી રૂટના બાન્દરા પશ્ચિમ ખાતેના મેટ્રો સ્ટેસનને બાન્દરા રેલવે સ્ટેશન સાથે રાહદારી પુલ સાથે જોડવા ટેંડર જારી કર્યા. ટેંડર અનુસાર બાન્દરા પશ્ચિમ મેટ્રો સ્ટેશનથી બાન્દરા રેલવે સ્ટેશન 278 મીટર લાંબો રાહદારી પુલ બાંધવામાં આવશે. આ પુલના કામ માટે 41 કરોડ 44 લાખ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. ટેંડર પ્રક્રિયા પૂરી કરીને નવા વર્ષમાં આ રાહદારી પુલના કામની શરૂઆત કરવામાં આવશે. રાહદારી પુલનું બાંધકામ 18 મહિનામાં પૂરું કરવામાં આવશે.ત્યાં સુધી મેટ્રો-2બી રૂટના અંધેરી પશ્ચિમથી સારસ્વત નગર અને સારસ્વત નગરથી ડાયમંડ ગાર્ડન તબક્કાનું કામ પૂરું કરીને આ રૂટ 2027માં પૂર્ણ ક્ષમતાથી શરૂ કરવાનું નિયોજન એમએમઆરડીએનું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:40 am

તમામ ઘાયલોને સરકાર તરફથી 50 હજારની મદદ જાહેર:ભાયંદરમાં દીપડાના હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવતી પર પ્લાસ્ટિક સર્જરી કરાશે

ભાયંદર પૂર્વમાં રહેણાક વિસ્તારમાં દીપડાની અચાનક ઘૂસણખોરીથી સર્જાયેલા ભય અને સાત નાગરિકોના ઘાયલ થવાના બનાવના એક દિવસ બાદ શનિવારે રાજ્યના વનમંત્રી ગણેશ નાઈક તથા સ્થાનિક વિધાનસભ્ય નરેન્દ્ર મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. તેમણે ઘાયલોની હાલત વિશે પૂછપરછ કરી અને સરકાર તરફથી તમામનો તબીબી ખર્ચ ઉઠાવવામાં આવશે તેવી ખાતરી આપી. બંને નેતાઓએ જણાવ્યું કે તમામ ઘાયલોની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ઘાયલ તમામ લોકોને તાત્કાલિક ભાયંદરની પંડિત ભીમસેન જોશી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી અંજલી મુકેશ ટાંક (23)ની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે મુંબઈની કેઈએમ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને પ્લાસ્ટિક સર્જરીની જરૂર હોવાનું જણાવાયું છે. અધિકારીઓનું માનવું છે કે ખોરાકની શોધમાં નજીકના જંગલ વિસ્તારમાંથી દીપડો રહેણાક વિસ્તારમાં આવ્યો હશે. દીપડાનું તબીબી પરીક્ષણ કર્યા બાદ તેને યોગ્ય જંગલ વિસ્તારમાં સ્થાનાંતરિત કરવામાં આવશે, એવી માહિતી વન વિભાગે આપી છે. દીપડાને સૌપ્રથમ ગુરુવાર રાત્રે એક સ્થાનિક પશુપ્રેમીએ જોયો હતો. તેણે તરત પોલીસને જાણ કરી. ત્યાં સુધીમાં દીપડો સોસાયટીની વિવિધ ઈમારતોમાં ફરી રહ્યો હતો, જેના કારણે રહેવાસીઓમાં ભય ફેલાયો અને ઘણા લોકોએ ઘરમાં જ બંધ રહીને સમય પસાર કર્યો. જો દીપડાને સમયસર પકડી લેવામાં આવ્યો હોત તો રહેણાક વિસ્તારમાં આતંક નહીં મચ્યો હોત અને નાગરિકો જીવલેણ હુમલાથી બચી શકયા હોત. પરંતુ શુક્રવારે સવારે દીપડો ફરતો ફરતો પારિજાત ઈમારતમાં ઘૂસી ગયો હતો. તેણે ઈમારતના એક ફ્લેટમાં રહેતા મારવાડી ટાંક પરિવારના ઘરમાં પ્રવેશ કરી ત્રણ સભ્યો પર હુમલો કર્યો હતો. તેમની ચીસાચીસ સાંભળીને મદદ માટે દોડી આવેલા પાડોશીઓ પર પણ દીપડાએ હુમલો કરતાં અંજલી ટાંક, ખુશી ટાંક, ભારતી ટાંક, પ્રકાશ યાદવ, શ્યામ સહાની, દીપુ ભૌમિક અને છગનલાલ બાગરેચા પર જીવલેણ હુમલો ર્ક્યો. લગભગ છ કલાક સુધી ચાલેલી પડકારજનક રેસ્ક્યુ કામગીરી બાદ વન વિભાગે દીપડાને સુરક્ષિત રીતે પકડ્યો હતો. પોલીસ, વનવિભાગ અને રેસ્ક્યુ ટીમોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ટ્રાન્ક્વિલાઈઝર ગન અને પાંજરાની મદદથી બચાવ કામગીરી શરૂ કરી. સંકુચિત બાલ્કનીઓ અને સીડીઓ વચ્ચે દીપડાને પકડવું પડકારરૂપ બન્યું, પરંતુ અંતે તેને બેભાન કરી પકડવામાં સફળતા મેળવી હતી. ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય જાહેરવનમંત્રી ગણેશ નાઈકે સરકાર તરફથી દરેક ઘાયલને 50 હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી તેમ જ સમગ્ર તબીબી ખર્ચ સરકાર ઉઠાવશે તેવી ખાતરી આપી હતી. પરિવારનો પ્રમુખ ઘાયલ થયો હોય તો તેમના પરિવારજનોને રોજગાર શોધવામાં મદદ કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું. સાથે જ દીપડો શહેરી વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યો તેની તપાસ કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક પગલાં લેવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:38 am

ઓઢેજવાંઢના ઇસમે કબ્જો કરી રાયડાનું વાવેતર કર્યું હતું 37.50 લાખની:નલિયા-પરજાઉ સીમમાં દબાણ કરેલી 6 હેક્ટર જમીન વહીવટી તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને ખાલી કરાવાઇ

અબડાસા તાલુકાના નલિયા અને પરજાઉ ગામની સીમમાં આવેલ 6 હેક્ટર સરકારી જમીન પર ઓઢેજવાંઢના ઇસમે કરેલા ગેરકાયદેસર દબાણને દુર કરવામાં આવ્યો છે.ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખી રાયડાના ઉભા પાકમાં ખેડાણ કરી મુક્ત કરાયેલી રૂપિયા 37.50 લાખની જમીન નલિયા ઘેટા સંવર્ધન કેન્દ્ર હસ્તક કરવામાં આવી છે. શનિવારે નલિયા પોલીસ મથક વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પરનું દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.નલિયા અને પરજાઉ ગામની સીમમાં આવેલી 6 હેક્ટર સરકારી જમીન પર ઓઢેજવાંઢના આરોપી ઓઢેજા ઉસ્માન અદ્રેજાએ દબાણ કર્યું હતું અને આરોપીએ જમીન પર રાયડાના પાકનું વાવેતર કરી દીધો હતો.સવારે નવ વાગ્યાથી નલિયા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ઝાલા,નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણા,જખૌના પીએસઆઈ ડી.પી.ચુડાસમા તથા નલીયા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા નખત્રાણા વિભાગ પોલીસ સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે બપોરે એક વાગ્યા સુધી ચાલી હતી.ચુસ્ત બંદોબસ્ત સાથે થયેલી કાર્યવાહીમાં સર્વે નંબર 443 વાળી 37.50 લાખની કિંમતની જમીન મુક્ત કરવામાં આવી હતી.જેમાં આરોપીએ વાવેતર કરેલા રૂપિયા 2.5 લાખના રાયડાના પાકને ખેડી નાખવામાં આવ્યું હતું.પોલીસે દબાણ હટાવી આ જમીનનો કબ્જો ઘેટાં સંવર્ધન કેન્દ્ર નલિયા હસ્તક લેવામાં આવ્યો છે. ઓઢેજવાંઢના આરોપી ઓઢેજા ઉસ્માન અદ્રેજાએ દબાણ કર્યું હતું અને આરોપીએ જમીન પર રાયડાના પાકનું વાવેતર કરી દીધો હતો.સવારે નવ વાગ્યાથી નલિયા પોલીસ મથકના પીઆઈ વી.એમ.ઝાલા,નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણા,જખૌના પીએસઆઈ ડી.પી.ચુડાસમા તથા નલીયા પોલીસ સ્ટેશન સ્ટાફ તથા નખત્રાણા વિભાગ પોલીસ સ્ટાફ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે બપોરે એક વાગ્યા સુધી ચાલી હતી.ચુસ્ત બંદોબસ્ત સાથે થયેલી કાર્યવાહીમાં સર્વે નંબર 443 વાળી 37.50 લાખની કિંમતની જમીન મુક્ત કરવામાં આવી હતી.જેમાં આરોપીએ વાવેતર કરેલા રૂપિયા 2.5 લાખના રાયડાના પાકને ખેડી નાખવામાં આવ્યું હતું.પોલીસે દબાણ હટાવી આ જમીનનો કબ્જો ઘેટાં સંવર્ધન કેન્દ્ર નલિયા હસ્તક લેવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:37 am

વેપારીઓ લડતના માર્ગે:રાજકોટની મુખ્ય બજાર લાખાજીરાજ રોડ મંગળવારે બપોર સુધી બંધ, ધરણાં

શહેરના વોર્ડ નં.7માં આવેલી 100 વર્ષથી વધુ જૂની મુખ્ય બજાર એવી લાખાજીરાજ રોડ પર પાથરણાવાળાના બેફામ દબાણો મુદ્દે વેપારીઓ દ્વારા વારંવાર રજૂઆતો છતાં દબાણો દૂર કરાતા ન હોય આ મામલે લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસોસિએશન દ્વારા આગામી તા.23ને મંગળવારના રોજ સવારથી બપોર સુધી બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. તેમજ સાંગણવા ચોકમાં તમામ વેપારીઓ એકઠા થઇને ધરણાં કરશે અને ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર તથા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવશે. એસોસિએશનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, લાખાજીરાજ રોડ પર ગેરકાયદેસર રીતે રસ્તો રોકીને બેસતા ફેરિયાઓને કારણે દુકાન માલિકો અને શો-રૂમ માલિકોને પોતાની દુકાનમાં પ્રવેશવામાં અડચણ થાય છે. તેમજ વેપારીઓને પોતાના વાહનો પાર્ક કરવામાં પણ સમસ્યા થાય છે. આમ વેપારીઓ તો હેરાન થાય છે, પરંતુ બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકોને તેમના કરતા પણ વધુ મુશ્કેલી થાય છે. ગ્રાહકોને દુકાનમાં પ્રવેશવામાં મુશ્કેલી થતી હોવાથી તેઓ બજારમાં ખરીદી કરવા આવવાનું ટાળી રહ્યા છે. દર રવિવારે ભરાતી ગુજરી બજાર કાયમી ધોરણે બંધ કરવા અનેક વખત રજૂઆતો કરવા છતાં હજુ સુધી તે પ્રશ્ન પણ ઉકેલાયો નથી. દિવાળી પૂર્વે મહાપાલિકાએ પ્રશ્નના કાયમી નિરાકરણની ખાતરી આપી હતી જેનું પાલન થયું નથી. આ છે બંધના મુખ્ય કારણો

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:34 am

રજૂઆત ફળી‎:રાજકોટમાં રેશનકાર્ડધારકોને ઘઉં-ચોખા સહિતની વસ્તુ ATMથી મળશે

મેદસ્વિતા મુક્ત ગુજરાત માટે સરકાર ખોરાકમાં ખાદ્યતેલનો ઉપયોગ ઘટાડવાની સાથે બાળકોથી લઈ મોટેરાઓ સુધીના નાગરિકો બાજરી, જુવાર, મકાઈ અને રાગી સહિતના અનાજનું સેવન કરે તેવી સલાહ આપી રહી છે ત્યારે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ રાજ્યના અન્ય જિલ્લાઓમાં બાજરી-મકાઈ જેવા અનાજ ફાળવે છે, પરંતુ રાજકોટ જિલ્લામાં બાજરી ફાળવવામાં ન આવતી હોવાની જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રજૂઆત થઇ હતી. બેઠકમાં જિલ્લામાં ભાવનગર જિલ્લાની જેમ જ રેશનકાર્ડધારકો માટે ઘઉં-ચોખા સહિતની ચીજો માટે એટીએમ શરૂ કરવા પણ સૂચન કરાતા એટીએમ માટે યોગ્ય સ્થળ પસંદગી માટે કાર્યવાહી ચાલુ હોવાનું તંત્રએ જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં શનિવારે યોજાયેલ પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. ધારાસભ્ય ડો.દર્શિતા શાહ અને અન્ય સભ્યો દ્વારા રાજકોટમાં પણ રેશનકાર્ડધારકોને 24 કલાક ઘઉં, ચોખા, તુવેરદાળ અને મીઠું તેમજ જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનિંગનો પુરવઠો મળી શકે તે માટે એટીએમ શરૂ કરવા માગણી કરી હતી. જિલ્લા કલેક્ટરે એટીએમ શરૂ કરવા માટેનું સૂચન સ્વીકાર્યું હતું. સાથે જ પુરવઠા સલાહકાર સમિતિના સભ્ય દ્વારા જિલ્લામાં મિલેટ એટલે કે, બાજરીનું વિતરણ કરવા તંત્ર સમક્ષ સૂચન કર્યું હતું. એટીએમ માટે સ્થળ પસંદગીની પ્રક્રિયા ચાલુ છે : ડીએસઓરાજકોટ પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાં રેશનકાર્ડધારકો માટે અનાજ એટીએમ શરૂ કરવા માગણી સંદર્ભે જિલ્લા પુરવઠા અધિકારી અજય ઝાપડાને પૂછતાં તેમને જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં ભાવનગર ખાતે અનાજ એટીએમ ચાલુ છે. રાજકોટમાં પણ અનાજ એટીએમ માટે કાર્યવાહી ચાલુ હોવાનું અને યોગ્ય સ્થળ પસંદ કરી એટીએમ શરૂ કરાશે. એટીએમ માટે મોટી જગ્યા જોઈએ જે ઉપલબ્ધ બન્યે એટીએમ કાર્યરત કરવા કાર્યવાહી કરાશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:32 am

આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા કરોડોની જમીન ખાલસા કરાઈ:તરઘડિયામાં કરોડોની કિંમતી ચાર એકર જમીન ખાલસા કરતા આસિસ્ટન્ટ કલેક્ટર

રાજકોટ સિટી પ્રાંત-2 આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા જીયાણા ગામે કબજા ફેરના કિસ્સામાં નવી શરતની જમીન જૂની શરતમાં ફર્યા બાદ મામલતદારના રિપોર્ટના આધારે ખાલસા કરવા હુકમ કર્યા બાદ રાજકોટ તાલુકાના તરઘડિયા ગામે પણ આવા જ કિસ્સામાં સ્થળ ફેર કરી અમદાવાદ હાઇવે અડોઅડ જમીનનો કબજો દર્શાવનાર સાંથણીદારની કરોડોની કિંમતી જમીનમાં શરતભંગ સાબિતમાની જમીન ખાલસા કરવા હુકમ કરવાની સાથે સરકારી જમીનમાં થયેલ દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે. તરઘડિયા ગામે વર્ષ 1971માં ચનાભાઈ કાનાભાઇ પરમાર નામના આસામીને રાજકોટ આસિસ્ટન્ટ કલેક્ટરના હુકમથી રેવન્યુ સરવે નંબર 309 પૈકીની 4 એકર જમીન નવી અને અવિભાજ્ય વિક્રિયાદિત શરતોથી જમીન ફાળવણી કરવામાં આવી હતી. બાદમાં સાંથણીદાર ચનાભાઈ કાનાભાઈનું અવસાન થતા તેમના વારસદાર મોતીબેન ચનાભાઈ સહિતના 5 વારસદારના નામે વારસાઈ નોંધ કરવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 2008માં સાંથણીમાં મળેલી આ જમીન પ્રીમિયમ વસૂલી જૂની શરતમાં ફેરવવા લાભાર્થી દ્વારા અરજી કરવામાં આવતા મામલતદારની તપાસમાં સાંથણીદાર દ્વારા મૂળ ફાળવણીની જગ્યાને બદલે અન્યત્ર સરકારી જમીનમાં કબજો કર્યો હોવાનું ધ્યાને આવતા શરતભંગના પગલાં ભરવા દરખાસ્ત કરવામાં આવી હતી. સાંથણી સમયે આસિસ્ટન્ટ કલેક્ટર દ્વારા સાંથણીદારને તરઘડિયા ગામથી રાજકોટ આવવાના રસ્તા નજીક જગ્યા ફાળવવામાં આવી હતી, જેની સામે સાંથણીદાર દ્વારા અમદાવાદ હાઇવે પર કિંમતી જગ્યામાં હાલમાં કબજો કરી લેવામાં આવ્યો હોય રાજકોટ સિટી પ્રાંત-2 આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન દ્વારા આ કેસમાં શરતભંગ સાબિતમાની જમીન ખાલસા કરવા હુકમ કરવાની સાથે જ સાંથણીદાર દ્વારા અમદાવાદ હાઇવે પર સરકારી જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવા હુકમ કર્યો હતો. સાંથણીની એક જ જમીનના ત્રણ-ત્રણ પંચ રોજકામસાંથણી સમયની કબજા ફાળવણીની ચતુર્દિશા (1971) મામલતદારના પંચ રોજકામની ચતુર્દિશા (2025) સાંથણીદારે હાલમાં કરેલ કબજાની ચતુર્દિશા જિલ્લા કલેક્ટરે કેસ રિમાન્ડ કરતાં ભોપાળું છતું થયું2016માં તત્કાલીન સિટી પ્રાંત-2ને સાંથણીદાર પ્રત્યે પ્રેમ ઊભરાઈ જતા અચાનક જ શરતભંગની નોટિસ પરત ખેંચી લીધી હતી. જોકે સમગ્ર મામલો વર્ષ 2022માં તત્કાલીન જિલ્લા કલેક્ટરના ધ્યાને આવતા કેસ રિમાન્ડ કરતા 20 કરોડથી વધુની કિંમતી જમીન ખાલસા કરવા હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:31 am

લોજિસ્ટિક કંપનીના જનરલ મેનેજર, સિનિયર ઓફિસરના કારસ્તાન:કંપનીના બે કર્મીએ જ વેરહાઉસમાંથી રુ 5.90 લાખનો 18 ટન ભંગાર ચોર્યો

વેરહાઉસમાંથી ૧૮ ટન સ્ક્રેપની ચોરી: બે કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ મીઠીરોહર પાસે લોજિસ્ટિક કંપનીના કંડલા વેરહાઉસમાંથી વેરહાઉસના મેનેજર અને સિનિયર એક્ઝ્યુકેટિવ ઓફિસરે કાવતરૂં રચી રૂ.5.90 લાખના મુલ્યનો 18 ટન લોખંડના ભંગાર ચોરી કર્યો હોવાની ફરિયાદ રિશીકિરણ લોજિસ્ટિક્સ પ્રા. લિ. કંપનીના સિક્યુરિટી અને લાયઝનિંગ ઓફિસરે બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. રિશીકિરણ લોજિસ્ટિક્સ પ્રા. લિ. કંપનીના સિક્યુરિટી અને લાયઝનિંગ ઓફિસર વિપુલકુમાર ગગજીભાઈ નકુમે વેરહાઉસના મેનેજર અને સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા અનુસાર તુરખીયા પ્રા. લિ. કંપનીના 541.82 ટન ભંગારનો જથ્થો ગઈ તા.30 ડિસેમ્બર 2023થી મીઠીરોહર પાસે આવેલા કંડલા વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવ્યો હતો. આ સ્ક્રેપની ઇન-આઉટની જવાબદારી વેરહાઉસ મેનેજર બીનોય અબ્રાહમ ચાકો અને જયરામ નોકરાજુ ગુંટી પાસે હતી. મે-2025માં તુરખીયા કંપનીએ પોતાનો છેલ્લો માલ ઉપાડ્યા બાદ ગણતરી કરતાં 18 ટન સ્ક્રેપની ઘટ જોવા મળી હતી.કંપનીના માલિક મનીષભાઈ ગુપ્તાના આદેશ પર તપાસ કરતાં, તા.14 જુલાઈ 2025ના રોજ બીનોય અને જયરામે સ્વીકાર્યું કે તેઓએ અલગ-અલગ તારીખોમાં આ સ્ક્રેપ વિના એન્ટ્રીએ કાઢી લીધો હતો. આ કબૂલાત બાદ કંપનીના માલિકે જણાવ્યા મુજબ તેમણે મેનેજર બિનોય અને સિનિયર ઓફિસર જયરામે રૂ.5,90,000 ના મુલ્યનો 18 ટન ભંગાર વગર એન્ટ્રીએ કઢાવી ચોરી કરી હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. બી-ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:30 am

દિવ્યાંગને દિવ્ય રત્ન અને દિવ્ય ભૂષણથી સન્માન કરાયું:આશ્રય આપવો, વેપાર, ઉદ્યોગમાં પારંગત 6 દિવ્યાંગને પુરસ્કાર

ડિવાઇન રિહેબિલિટેશન સેન્ટર દ્વારા દિવ્ય પ્રતિભા સન્માન અંતર્ગત રાજ્યમાંથી પસંદગી પામેલા 6 શ્રેષ્ઠ દિવ્યાંગને દિવ્ય રત્ન અને દિવ્ય ભૂષણ પુરસ્કાર અપાશે. આ કાર્યક્રમ તા.21મી ડિસેમ્બરના રોજ રોટરી લલિતાલય હોસ્પિટલના ઓડિટોરિયમમાં સવારે 10 કલાકે યોજાશે. આ પુરસ્કાર માટે 75 ઉમેદવારે અરજી કરી હતી જેમાંથી 6 શ્રેષ્ઠ અરજીની પુરસ્કાર માટે પસંદગી કરાઇ છે. દિવ્ય રત્ન પુરસ્કાર માટે જન્મથી જ પોલિયોગ્રસ્ત હોવા છતાં નિરાશ્રિત મનોદિવ્યાંગ દીકરીઓને આશ્રય આપતી સંસ્થા શરૂ કરનાર નીલમબેન પરમાર, 2001ના ભૂકંપમાં બંને પગ ગુમાવ્યા છતાં બીજા દિવ્યાંગો માટે જીવન સમર્પિત કરનાર નીતાબેન પંચાલ તથા પોલિયોગ્રસ્ત થવાના કારણે ચાલવાની શક્તિ ન હોવા છતાં વેપાર અને આૈદ્યોગિક ક્ષેત્રે અગ્રેસર એવા મનસુખભાઇ સાકરિયાની પસંદગી કરાઇ છે. આ ઉપરાંત દિવ્ય ભૂષણ પુરસ્કાર માટે સરેબ્રલ પાલ્સી જેવી તકલીફ સાથે પણ કેન્વાસ પેઇન્ટિંગ શીખીને દેશ વિદેશમાં નામના મેળવનાર જય ગાંગડિયા તેમજ જન્મથી જ એક કરતાં વધુ દિવ્યાંગતા હોવા છતાં સંગીત અને સંસ્કૃત ભાષામાં પારંગત એવા ઉત્તમ મારૂ અને જન્મજાત સ્નાયુઓની બીમારી હોવા છતાં અભ્યાસ, વ્યવસાય અને સામાજિક પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર સ્મિત સોરઠિયાની પસંદગી કરાઇ છે. આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક આગેવાનો હાજરી આપશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:26 am

દિવ્યાંગ સાધન વિતરણ:કેમ્પમાં 30થી વધારે પોલિયોવાળા બાળકો, 140 લોકોમાં કૃત્રિમ પગ લગાવવાની સેવા કરાઇ

પરમાર્થ સેવા નિકેતન-ઋષિકેશ તથા મહાવીર સેવા સદન-કોલકાતાના ઉપક્રમે તથા સ્વ.ડોલીબેનના સ્મરણાર્થે ઘનશ્યામભાઇ ઠક્કર અને મીનાક્ષીબેન જજરિયાના વિશેષ સહયોગથી રાજકોટમાં સેવાયજ્ઞનો 16 ડિસેમ્બરથી પ્રારંભ કરાયો હતો. જેમાં દિવ્યાંગોને કેલિપર્સ, કૃત્રિમ હાથ-પગ સહિતના સાધનોની સહાય વિનામૂલ્યે અર્પણ કરાઇ હતી. આ કેમ્પની ખાસ વિશેષતા હતી કે, આ માત્ર કરવા ખાતર કેમ્પ ન હતો પણ લોકોને 100% સાધન કસ્ટમાઇસ્ડ કરી પ્રેક્ટિકલ પ્રેક્ટિસ કરાવી. કેમ કે, ઘણી વાર સાધન ખૂંચે તો પહેરે નહીં તેવી સ્થિતિ પણ થતી હોય છે. પોલિયો પ્રત્યે જાગૃત થવાની જરૂરકેમ્પ અંગે આયોજકે જણાવ્યું હતું કે, દિવ્યાંગોને વિનામૂલ્યે સાધન સહાય વિતરણના 6 દિવસીય કેમ્પમાં 200થી વધુ લોકોએ લાભ લીધો હતો. જેમાં કેલિપર્સ, કૃત્રિમ હાથ-પગમાં 30થી વધારે પોલિયોવાળા 3થી 12 વર્ષ સુધીના નાના છોકરાઓ હતા કે જેને બન્ને પગ કૃત્રિમ બનાવવા પડે. તેથી હજુ ક્યાંકને ક્યાંક પોલિયો પ્રત્યે જાગૃત થવાની જરૂરી છે. આ ઉપરાંત 140 જેટલા લોકોમાં પણ કૃત્રિમ પગ લગાવવાની સેવા કરાઇ.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:26 am

RTO અને પોલીસ દ્વારા યોગ્ય કામગીરીનો અભાવ:ભચાઉમાંથી પસાર થતા ઓવરલોડ વાહનો પાછળ મોટું રાજકીય પીઠબળ હોવાનો આક્ષેપ

ભચાઉ શહેરમાં દિન પ્રતિદિન વધતા જતા ટ્રાફિક અને બેફામ દોડતા ઓવરલોડ વાહનો સામે તંત્રની નિષ્ક્રિયતા વધુ એક નિર્દોષનો ભોગ લેવાઇ ગયો છે. મીઠું ભરેલા એક ઓવરલોડ ડમ્પરે શહેરના જાણીતા વેપારી ગણેશભાઈ આહીરને હડફેટમાં લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે ભચાઉ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભચાઉના વિવિધ સર્કલ, સરકારી હોસ્પિટલ રોડ, એસ.ટી. બસ સ્ટેશન અને કસ્ટમ ચાર રસ્તા હાલ મુસાફરો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. વર્ષોથી ભચાઉના હાર્દ સમાન વિસ્તારોમાંથી પસાર થતા ભારેખમ વાહનોને કારણે નાના-મોટા અકસ્માતોનો સિલસિલો યથાવત છે. ગઈકાલે બનેલી ઘટનામાં વેપારી ગણેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પહેલા જ તેઓ દમ તોડી દીધો હતો, જેને પગલે આહીર સમાજ અને વેપારી આલમમાં શોક સાથે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભચાઉ શહેર કોંગ્રેસ પ્રમુખ મનજીભાઈ રાઠોડની આગેવાનીમાં ભરતભાઈ ઠક્કર, અભય ઠક્કર સહિતના આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, શહેરમાંથી પસાર થતા ઓવરલોડ મીઠાના વાહનો પાછળ મોટું આર્થિક અને રાજકીય પીઠબળ કામ કરી રહ્યું છે. RTO અને પોલીસ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. કોંગ્રેસની પ્રતીક ઉપવાસની ચીમકીઓવરલોડ વાહનો અને મીઠાના લોડરોને શહેરમાંથી પસાર થતા તાત્કાલિક અટકાવવામાં આવે, આવા વાહનો માટે માત્ર રાત્રિના સમયની જ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવે. જો તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં શાંતિપૂર્વક રીતે પ્રતીક ઉપવાસ અને આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:25 am

વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ માટે 20 સમિતિની રચના:રાજકોટ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં PMના રોડ શો સહિતની તૈયારી શરૂ

આગામી તા.10,11 અને 12 જાન્યુઆરી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં યોજાનારી કચ્છ-સૌરાષ્ટ્ર વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સના આયોજન અંગે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં પીએમના સંભવિત રોડ શો, સેમિનાર, એક્ઝિબિશન અને વિદેશી ડેલિગેશનની આગતા સ્વાગતા સહિતની બાબતોની તૈયારીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ-મોરબી રોડ પર મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્રના 12 જિલ્લા માટે યોજાનાર વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સને લઇ જિલ્લા કલેક્ટર દ્વારા 20 સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. જે અન્વયે વિવિધ સમિતિના અધ્યક્ષો અને સભ્યો સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી. ત્રણ દિવસમાં ઉદ્યોગકારો માટે 45 સેમિનાર યોજાશેજિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર એમ.કે. લાડાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર કોન્ફરન્સ દરમિયાન ત્રણ દિવસમાં 40થી 45 સેમિનાર યોજવાનું આયોજન ઘડાઈ રહ્યું છે, આ માટે 25 હજાર ચોરસમીટર વિસ્તારમાં 6 ડોમ્સની રચના કરવામાં આવશે. જેમાં 12થી વધુ સરકારી વિભાગના સ્ટોલ્સ રાખવામાં આવશે.નોંધનીય છે કે, રાજકોટ ખાતે યોજાનાર કચ્છ-સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં સૌરાષ્ટ્રના તમામ 12 જિલ્લામાંથી લાખો કરોડો રૂપિયાના નવા ઉદ્યોગ સ્થાપવા અંગેના એમઓયુ થશે. તાજેતરમાં મોરબી ખાતે યોજાયેલ મિનિ સમિટ કોન્ફરન્સમાં જ સિરામિક, સોલાર એનર્જી અને અન્ય ઉદ્યોગો મળી 2200 કરોડથી વધુના એમઓયુ થયા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:22 am

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુરુવારે પદવીદાન સમારોહ, 43,900ને ડિગ્રી એનાયત કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ આગામી તા.25ને ગુરુવારના રોજ યોજાનાર છે. આ પદવીદાન સમારોહમાં 56 વિદ્યાર્થિની અને 13 વિદ્યાર્થી સહિત કુલ 72ને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. તેમજ જુદી-જુદી 16 વિદ્યાશાખાના 43,900 વિદ્યાર્થીને ડિગ્રી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. યુવક મહોત્સવ, ખેલકૂદ મહોત્સવ બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મોટામાં મોટો કાર્યક્રમ પદવીદાન સમારોહનું આયોજન કરાયું છે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ વિભાગના કેબિનેટ મંત્રી પ્રદ્યુમ્ન વાઝા ઉપસ્થિત રહેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યા અનુસાર સૌથી વધુ ગોલ્ડ મેડલ સુરેન્દ્રનગરની સી.યુ.શાહ મેડિકલ કોલેજની ધ્રુતિ અઘારાને મળવાના છે. ધ્રુતિ અઘારાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 6 અને દાતાઓ તરફથી 7 મળીને કુલ 13 મેડલ મળશે. જ્યારે ગોલ્ડ મેડલ મેળવવામાં બીજા સ્થાને અમરેલીની મોંઘીબા મહિલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિની નિમાવત ગાયત્રી દિલીપભાઇને 10 મેડલ મળશે. જેમાં દાતા તરફથી 3 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી 7 મેડલ મળશે. રાજકોટની સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થી પાર્થ જયેશભાઇ પંડ્યાને 3 ગોલ્ડ મેડલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી એનાયત કરાશે. આ પદવીદાન સમારોહ કાનજી ભુટા બારોટ રંગમંચ ખાતે રાખવામાં આ‌વ્યો છે. એકબાજુ સમારોહની તૈયારી ચાલી રહી છે તો બીજીબાજુ સેનેટ હોલ રિપેરિંગના કારણે બંધ છે. પદવીદાન સમારોહને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યાલય અને ભવનોના સમયમાં ફેરફાર કરાયો છે અને સવારે 8 વાગ્યાથી બપોરે 3.40 સુધીનો સમય કરાયો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:21 am

સિદ્ધિ:રાજકોટના ડૉ. શાંતનુ પૌરાણિકને નેશનલ ગ્લોબલ લેગેસી એવોર્ડ

આયુર્વેદના ક્ષેત્રમાં બે દાયકાની નિષ્ઠાપૂર્વકની સેવા બદલ રાજકોટના ડૉ. શાંતનુ પૌરાણિકને જયપુરમાં નેશનલ ગ્લોબલ લેગેસી એવોર્ડ- 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. અભિનેતા શક્તિ કપૂર દ્વારા તેમને આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. આયુર્વેદિક લાઇફસ્ટાઇલ એક્સપર્ટ તરીકે ડૉ. પૌરાણિકે ‘સર્વદા સંપૂર્ણ સ્વાસ્થ્ય’ના ધ્યેય સાથે આરોગ્ય સેવા આપીને વિશેષ ઓળખ મેળવી છે. દેશના વિવિધ વિસ્તારોમાં આયુષ મંત્રાલય હેઠળની સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સિસ (CCRAS)માં પણ તેઓ સિનિયર સલાહકાર તરીકે અનેક પ્રોજેક્ટ્સ સાથે જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, રાજકોટના ડૉ.પૌરાણિકે 20 વર્ષના ચિકિત્સા વ્યવસાય દરમિયાન 5 લાખથી વધુ દર્દીઓની સારવાર કરી છે. ડાયાબિટીસ, હાઈબ્લડ પ્રેશર, મેરુદંડની તકલીફો, ઘૂંટણોના ઘસારા જેવા જીવનશૈલીજન્ય, માનસિક તથા દીર્ઘકાલીન રોગમાં તેમણે સેંકડો દર્દીઓનો સફળ ઉપચાર કર્યો છે. સાથે જ, અનેક શાળા, કોલેજો અને સંસ્થાઓમાં બાળકો, કર્મચારીઓ તથા પરિવારજનોને સ્વસ્થ જીવનશૈલી અંગે માર્ગદર્શન આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:19 am

મુખ્ય માર્ગોનું નિરીક્ષણ:ભુજમાં મોટા સર્કલો નાના કરી રસ્તા પહોળા કરવા તંત્રને સૂચના અપાઈ

કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં દિન-પ્રતિદિન વધતા જતા વાહન વ્યવહાર અને ટ્રાફિકની સમસ્યા ભવિષ્યમાં વિકટ ન બને તે માટે ધારાસભ્ય કેશુભાઈ પટેલે કમર કસી છે. શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન માર્ગો પરના અડચણરૂપ વિશાળ સર્કલો નાના કરી રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે ધારાસભ્યએ અધિકારીઓની ટીમ સાથે સ્થળ મુલાકાત લીધી હતી. ધારાસભ્યે જનરલ હોસ્પિટલ, આર.ટી.ઓ. અને ડી.આઈ.જી. બંગલાને જોડતા મુખ્ય માર્ગોનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ડી.આઈ.જી. બંગલા પાસેના ત્રિભેટે આવેલા વિશાળ સર્કલ બાબતે તેમણે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ સર્કલની વધુ પડતી પહોળાઈને કારણે મોટા વાહનોને વળાંક લેવામાં મુશ્કેલી પડે છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે અને રસ્તાની કિનારીઓને પણ નુકસાન થાય છે. નિરીક્ષણ દરમિયાન તેમણે નોંધ્યું હતું કે, જે રીતે આર.ટી.ઓ. સર્કલને નાનું કરવાની કામગીરી ચાલી રહી છે, તે જ તર્જ પર શહેરના અન્ય ટ્રાફિકથી ધમધમતા સર્કલોની ડિઝાઇન બદલી તેને નાના કરવા જોઈએ. તેમણે અધિકારીઓને સૂચન કર્યું હતું કે જ્યાં જગ્યા ઉપલબ્ધ હોય ત્યાં સર્વિસ રોડનું આયોજન કરવામાં આવે જેથી મુખ્ય માર્ગ પર ટ્રાફિકનું ઘટી શકે, કામની ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ નહીં કરવા પણ સુચના આપી હતી . માત્ર રસ્તા પહોળા કરવા પર જ નહીં, પરંતુ કામની મજબૂતી અને ગુણવત્તા પર પણ ખાસ ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પ્રજાના કામોમાં ગુણવત્તા જળવાવી અનિવાર્ય છે. આ સ્થળ તપાસમાં માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારી તેમજ પ્રાંત અધિકારી સહિતનો કાફલો જોડાયો હતો. તંત્ર દ્વારા ધારાસભ્યના સૂચનોની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે અને આગામી દિવસોમાં આ અંગે નવું આયોજન અમલી બને તેવી શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:19 am

આજે વિશ્વ ધ્યાન દિવસ:આંતરિક શાંતિ અને સકારાત્મક જીવનશૈલીનો સમાજને સંદેશો

યુનાઇટેડ નેશન્સની મહાસભાએ 6 ડિસેમ્બર 2024ના રોજ એક ઠરાવ પસાર કરીને 21 ડિસેમ્બરને ‘વિશ્વ ધ્યાન દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. વિશ્વ યોગ દિવસ 21 જૂને ઉજવાય છે, ત્યારે હવે ધ્યાનની વૈશ્વિક મહત્તાને સ્વીકારી વર્ષના સૌથી ખાસ ખગોળીય દિવસે ધ્યાન માટે સમર્પિત દિવસ નિર્ધારિત કરાયો છે. ખગોળીય દૃષ્ટિએ 21 ડિસેમ્બર વિશેષ મહત્વ ધરાવે છે. આ દિવસે સૂર્ય દક્ષિણાયનના અંત તરફ હોય છે, દિવસ સૌથી ટૂંકો અને રાત્રી સૌથી લાંબી હોય છે. પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમય સકારાત્મક ઊર્જા અને આંતરિક ચેતનાને જાગૃત કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં આ દિવસ વિવિધ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રીતે ઉજવવામાં આવે છે. ભારતીય પરંપરામાં ધ્યાનનું મૂળ અત્યંત પ્રાચીન છે. ભગવાન શિવને ‘આદિયોગી’ તરીકે ઓળખવામાં આવે છે જેમણે માનવજાતને ધ્યાન અને યોગની પદ્ધતિઓનો માર્ગ દર્શાવ્યો. ઋષિ-મુનિઓ, યોગીઓ અને સાધકોએ ધ્યાન દ્વારા આંતરિક શાંતિ, આત્મજ્ઞાન અને દિવ્યતાનો અનુભવ કર્યો છે. આ પરંપરા આજે પણ માનસિક અને શારીરિક સુખાકારી માટે અત્યંત પ્રાસંગિક છે. યુએનના નિર્ણયનો મુખ્ય હેતુ વિશ્વભરમાં માનસિક આરોગ્ય, આંતરિક શાંતિ, તણાવમુક્ત જીવન અને સકારાત્મક જીવનશૈલી માટે ધ્યાનને પ્રોત્સાહન આપવાનો છે. ધ્યાનને એક વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે પણ સ્વીકારવામાં આવી છે, જે મન, શરીર અને ચેતનાને સંતુલિત કરે છે. આજે પોલીસ કર્મીઓ ધરશે ધ્યાનભુજમાં આંતરરાષ્ટ્રીય ધ્યાન દિવસ નિમિત્તે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ધ્યાન સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ રવિવારે સવારે 7.30 થી 8.30 વાગ્યા દરમિયાન પોલીસ તાલીમ ભવનમાં આ કાર્યક્રમ યોજાશે. ‘ગિરનાર ધ્યાન સભા’ અંતર્ગત સનાતન સાધના પદ્ધતિથી ધ્યાન કરાવવામાં આવશે. કાર્યક્રમમાં ગુરુજી વિનોદ ગોસ્વામી દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. આંતરિક શાંતિ, માનસિક સ્વસ્થતા અને સકારાત્મક જીવનશૈલીનો સંદેશ આપવા માટે આ આયોજન કરાયું છે. પોલીસ કર્મચારીઓ તથા નાગરિકોને વિશાળ સંખ્યામાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:18 am

ભુજમાં યોજાયો રમતોત્સવ:જીતનારને મેડલ પણ રમનારને સૌથી મોટો અનુભવ મળે છે

આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રી દ્વારા સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાનો રમતોત્સવ જયુબિલી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર આનંદભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, પ્રાથમિક શિક્ષણ અધિકારી, પૃથ્વીરાજસિંહ ઝાલાના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. કલેકટરે સંબોધન દરમિયાન બાળકોની પ્રગતિ થાય તેમજ રમતોત્સવમાં બાળકો હાર જીતની પરવા કર્યા વગર ઉત્સાહથી ભાગ લે તેવી શુભકામના પાઠવી હતી.આશાપુરા ફાઉન્ડેશનના સીએસઆર હેડ હસ્મિતાબેન ત્રિવેદીએ રમતોત્સવની માહિતી આપી હતી તેમજ હિરેનભાઈ ગોરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. લખપત, અબડાસા, માંડવી, નખત્રાણા, ભુજ તાલુકાના માઇનિગ એરિયાની 84 શાળાઓએ ભાગ લીધો હતો તેમાંથી વિજેતા બાળકો તાલુકા કક્ષાએ ભાગ લીધો અને તાલુકા કક્ષાએ વિજેતા બાળકોએ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ભાગ લીધો.જેમાં ખોખો, 100 મીટર દોડ, ચક્રફેક, ગોળા ફેંક, લાંબી કુદ વગેરે જેવી રમતો થઈ.જિલ્લાકક્ષાએ કુલ 35 શાળાના 207 બાળકોએ ભાગ લીધો હતો.વિજેતા સહિત દરેક ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરાયા હતા. ગ્રુપના ચેરમેન ચેતનભાઇ શાહ, મનનભાઈ શાહ અને દીનાબેન શાહે કાર્યક્રમ માટે શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમમાં આશાપુરા ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ ગોર, મનીષભાઈ પલણ, ફાઉન્ડેશનના હરીશ હૂરમાડે , તેમજ કંપનીના અન્ય અધિકારીઓના હસ્તે ઇનામો અપાયા હતા.કાર્યક્રમમાં જાડેજા પ્રીતિબા, નેમિષા સોલંકી, સંગીતાબેન, વંદનાબેન, મીનલબેન ,લીલાબેન, રિધ્ધીબેન વગેરેએ જવાબદારી વહન કરી હતી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:16 am

વેધર રિપોર્ટ:રાજકોટમાં ભરશિયાળે ઉનાળો ! પારો 36.3 ડિગ્રી

ઈશાન અને પૂર્વ દિશાના પવનો વચ્ચે પણ રાજકોટ શહેરમાં શનિવારે ભરશિયાળે ઉનાળા જેવો આકરો તાપ અનુભવાયો હતો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર તળે શનિવારે રાજ્યના સૌરાષ્ટ્રના મોટાભાગના સેન્ટરોમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચે ચડ્યો હતો. સાથે જ રાજકોટમાં લઘુતમ તાપમાન સામાન્યથી 1.4 ડિગ્રી વધી 15.5 ડિગ્રી અને મહત્તમ તાપમાન પણ સામાન્યથી 6 ડિગ્રી વધીને 36.3 ડિગ્રી નોંધાતા સમગ્ર રાજ્યમાં રાજકોટ સૌથી ગરમ રહ્યું હતું. જોકે આજથી ફરી ઠંડીનો ચમકારો વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. શનિવારે રાજકોટમાં રાજ્યમાં સૌથી ઊંચું 36.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. કચ્છના ભુજમાં મહત્તમ તાપમાનનો પારો 35.4 તેમજ નલિયામાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. શનિવારે સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાનનો પારો પણ ઊંચે ચડ્યો હોય અમરેલીમાં 12 ડિગ્રી, દીવમાં 13, પોરબંદર અને નલિયામાં 14, ભાવનગરમાં 14.6, રાજકોટમાં 15.5 અને જામનગરમાં 16.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આવતીકાલથી લઘુતમ તાપમાન બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થતા ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:16 am

ઇમિટેશનના ધંધાર્થીઓ પર SGSTની તવાઇ:ઇમિટેશન જ્વેલરી એસોસિએશનના પ્રમુખ સહિત 3 વેપારીને ત્યાં દરોડા

રાજકોટના સંત કબીર રોડ વિસ્તારમાં સેન્ટ્રલ GST (CGST) વિભાગ દ્વારા ઇમિટેશન જ્વેલરીના 3 મોટા વેપારીઓ સામે એકસાથે મોટા પાયે દરોડા પાડવામાં આવતા વેપારી જગતમાં ખળભળાટ મચી ગયો છે. CGSTની વિવિધ ટીમોએ ઇમિટેશનના ત્રણ અગ્રણી વેપારીઓના ધંધા સ્થળો તેમજ રહેણાક સ્થળોએ સઘન તપાસ હાથ ધરી છે અને તપાસના અંતે કરોડો રૂપિયાની સીજીએસટીની ચોરી બહાર આવવાની શક્યતા સેવાઇ રહી છે. આ દરોડાના સમાચાર વીજળિક વેગે બજારમાં પ્રસરી જતા ત્રણેય વેપારીની દુકાન આસપાસ અન્ય વેપારીઓના ચક્કર વધી ગયા હતા. સીજીએસટી રાજકોટ ડિવિઝનની પ્રિવેન્ટિવ વિભાગની ચાર ટીમ શનિવારે સવારે 11.30 વાગ્યે સંત કબીર રોડ પર ત્રાટકી હતી અને ઇમિટેશન જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મનીષ વસોયા સંચાલિત વી.એમ. ઝૂમખી મેન્યુફેક્ચરિંગના કારખાના તેમજ તેમના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા અને હાલમાં આ લખાય છે ત્યારે પણ CGSTની ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ચિરાગ ગોસરાની સાધના સેલ્સ તથા રવિભાઈ ઠક્કરની શ્રીજી સેલ્સ ખાતે પણ વિભાગ દ્વારા દરોડા પાડી તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. પ્રાથમિક તબક્કામાં ખાતા-બુક, બિલિંગ, સ્ટોક રજિસ્ટર અને ડિજિટલ ડેટાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કાર્યવાહી દરમિયાન મોટા પાયે CGST ચોરી બહાર આવવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. CGSTની ટીમો સવારે અંદાજે 11.30 વાગ્યે તપાસ માટે ત્રાટકી હતી, અને મોડી રાત સુધી દસ્તાવેજોની ચકાસણી તથા પૂછપરછ ચાલુ હોવાના અહેવાલ મળ્યા છે. આ સમગ્ર કાર્યવાહીથી ઇમિટેશન ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સીજીએસટીના રાજકોટ ડિવિઝન દ્વારા થોડા સમય પહેલાં ભક્તિનગર સર્કલ પાસે એક ઓમ રેસ્ટોરન્ટમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને તેમાં રેસ્ટોરન્ટના માલિક અને સીજીએસટીના અધિકારીઓ વચ્ચે હાથાપાઇ થઇ હતી અને તેમાં ફરજમાં રુકાવટ તથા રેસ્ટોરન્ટમાંથી દારૂ મળતા તેના ગુના પણ નોંધાયા છે ત્યારે હવે વધુ 3 વેપારીને સીજીએસટીએ ઝપટે લેતા મોટા પાયે જીએસટી ચોરી બહાર આવવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. અન્ય બે મોટાં માથાં ઝપટે ચડ્યાની ચર્ચાસીજીએસટીની ટીમોએ અન્ય બે મોટાં માથાંને ઝપટમાં લીધાની ચર્ચા પણ થઇ રહી છે. જેમાં એક દીપ મેટલ્સ તથા બીજા ચાંદીના હોલસેલર રાજુભાઈ પણ તપાસના દાયરામાં આવ્યા હોવાની ચર્ચા ઉદ્યોગ જગતમાં ગરમ છે. જોકે વિભાગ તરફથી હજુ સુધી સત્તાવાર રીતે આ બાબતને જાહેર કરાઇ નથી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:15 am

સન્ડે ફોટો સ્ટોરી:જોઇએ છે લોકાર્પણ કરે તેવા સક્ષમ નેતા

રાજકોટની નવી RTO કચેરી અને ડ્રાઈવિંગ ટ્રેકની સ્થિતિ ‘દીવા તળે અંધારું’ જેવી જોવા મળી રહી છે. દોઢ વર્ષ પહેલાં રૂ.9 કરોડના ખર્ચે બનેલું આલિશાન ભવન ઉદ્ઘાટનની રાહમાં ખંડેર જેવી સ્થિતિ તરફ ધકેલાઈ રહ્યું છે. જ્યારે બીજીબાજુ RTO કચેરીમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક વારંવાર બંધ થઈ જવાની સમસ્યાથી અરજદારો વર્ષોથી પરેશાન છે. આ સમસ્યાના ઉકેલ માટે બાજુમાં જ આશરે રૂ.40 લાખથી વધુના ખર્ચે 10 મહિના પહેલાં નવો અત્યાધુનિક ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર કરાયો હતો. પરંતુ આ નવા ટ્રેકનું પણ હજુ મુહૂર્ત નીકળતું નથી. જેના કારણે અરજદારોને નવી બિલ્ડિંગ કે નવા ટ્રેકની હોવા છતાં મળી રહી નથી. વર્ષ 2021માં રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે આ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત અત્યંત ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં ફર્નિચરના કામમાં વિલંબ થયો હોવાનું કારણ અપાયું હતું. ફર્નિચર સહિતનું તમામ આંતરિક કામ પૂર્ણ થઈ ગયું છે, છતાં સરકાર પાસે લોકાર્પણનું મુહૂર્ત નથી. બંધ પડેલી ઇમારતમાં હવે કિંમતી ફર્નિચર પર ધૂળના થર જામ્યા છે અને નવી બનેલી દીવાલોમાં પણ નુકસાન દેખાવા માંડ્યું છે. રાજકોટમાં દોઢ વર્ષ પહેલાં 9 કરોડના ખર્ચે નવી RTO કચેરી બની, 10 માસ પહેલાં અડધા કરોડમાં નવો ટેસ્ટ ટ્રેક પણ બની ગયો, હાલ બંને ધૂળ ખાય છે નવા ટ્રેકની ખાસિયત | RFID સેન્સર, ટેસ્ટ કેમ આપવી તેનો વીડિયો બતાવાશે

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:13 am

ભાસ્કર ફોલોઅપ:જાહેરમાં કચરો ફેંકનાર રાજકોટની સિવિલ હોસ્પિટલને માત્ર નોટિસ અપાઇ, દંડ ન કરાયો

રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલ દ્વારા નિયમોનો ભંગ કરીને જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવામાં આવતો હોવાના અખબારી અહેવાલ બાદ પણ મહાનગરપાલિકા્ની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સિવિલ હોસ્પિટલ સામે દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે માત્ર નોટિસ આપી સંતોષ માન્યાની વિગતો પ્રકાશમાં આવી છે. અન્ય ખાનગી હોસ્પિટલને જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાના પ્રકરણમાં રૂ.10 હજાર કે તેથી વધુ દંડ કરતી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સિવિલ હોસ્પિટલના કિસ્સામાં શા માટે નિયમોનો ઉલાળિયો કર્યો તે ચર્ચાનો મુદ્દો બન્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમયાંતરે ખાનગી હોસ્પિટલમાં બાયોમેડિકલ વેસ્ટ મુદ્દે ચેકિંગ કરવામાં આવે છે અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે જે નિયમો નક્કી કરાયા છે તેનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવતી હોય છે અને જે હોસ્પિટલ જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરતી હોય અથ‌વા મનપાના નિયમોનો ભંગ કરતી હોય તેને રૂ.10 હજારનો દંડ કરવામાં આવતો હોય છે. બિલ્ડિંગ મટિરિયલ્સ વેસ્ટ પણ જાહેરમાં ફેંકાયો હોય તો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દંડ કરાતો હોય છે. મહાનગરપાલિકા દ્વારા ક્યારેય સિવિલ હોસ્પિટલ, ઝનાના હોસ્પિટલ, ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત જ્યાં સૌથી વધુ દર્દીઓનો ધસારો રહેતો હોય ત્યાં ચેકિંગ કરાતું ન હોવાથી સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા લાંબા સમયથી કોઇ દંડાત્મક કાર્યવાહી કરાઇ નથી ત્યારે તાજેતરમાં સિવિલ હોસ્પિટલમાં જાહેરમાં મેડિકલ વેસ્ટના ઢગલાનો વીડિયો વાઇરલ થયા બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ દંડ લેવાના બદલે માત્ર નોટિસ ફટકારી છે. મેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરાય છે? મનપાએ તર્કહીન સવાલો પૂછયામનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા સિવિલ હોસ્પિટલને દંડથી બચાવવા માત્ર નોટિસ આપી છે અને તેમાં પણ મેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરાય છે? કચરો એકઠો કરવા ડસ્ટબિન છે કે નહીં? તેવા અર્થહીન સવાલો સાથે નોટિસ આપીને કામગીરીનો સંતોષ માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:10 am

પોતે સરપંચ હોવાનું કહી કંપનીમાં ધાક ધમકી કરતા અટકાયત:આરઈ પાર્કમાંથી સ્ક્રેપ ભરી જનાર કોટડાના સરપંચનો પતિ નીકળ્યો !

ખાવડા આરઈ પાર્કની કંપનીમાંથી નાણા આપ્યા વગર બળજબરી પૂર્વક ટ્રકમાં સ્ક્રેપ ભરી જનાર કોટડા ગામના સરપંચના પતિને એલસીબીએ ઝડપી લીધો છે. એલસીબીને બાતમી મળી હતી કે,ખાવડા પોલીસ મથકે નોધાયેલા ગુનામાં મોટા ગામનો આરોપી ઇશાક નુરમામદ સમા પોતાના ઘરે હાજર છે.બાતમીને આધારે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો.આરોપીએ આરઈ પાર્કમાં આવેલી કંપનીમાં જઈ બળજબરી પૂર્વક સ્ક્રેપને ટ્રકમાં ભર્યો હતો અને નાણાની ચુકવણી કર્યા વગર ધાક ધમકી કરી હતી. આ મામલે ખાવડા પીઆઇ વી.બી. પટેલ સાથે વાત કરતા આરોપીની પત્ની કોટડા ગામની સરપંચ હોવાનું કહ્યું હતું. આરોપી પોતે સરપંચ ન હોવા છતાં સરપંચ હોવાનું કહી પરિણામ ખરાબ આવશે તેવું કહી બાકી રહેલો સ્ક્રેપ પણ પોતે ભરી જશે તેવી ધમકી આપી હતી.એલસીબીએ આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપી ગુનાહિત ઈતિહાસ પણ ધરાવે છે જેની વિરુદ્ધ ભુજ શહેર એ અને બી ડીવીઝન પોલીસ મથકે ચાર ગુના તેમજ ઉત્તરપ્રદેશ રાજ્યમાં પણ ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયેલો છે. પોલીસ પર દબાણ લાવવા દારૂના વેચાણનો વિડીયો વાયરલ કરાયોથોડા દિવસ અગાઉ આરઈ પાર્કમાં ખુલ્લેઆમ દારૂનો વેચાણ થતો હોવાનો વિડીયો આરોપી ઇશાક સમાએ સોશીયલ મીડિયા મારફતે વાયરલ કર્યો હતો અને પોલીસ પર આક્ષેપ લગાવ્યો હતો. જે મામલે હવે એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એચ.આર.જેઠીએ વિગતો આપતા જણાવ્યું કે, આરોપીને નિવેદન માટે બોલાવવામાં આવ્યો ત્યારે આવ્યો ન હતો અને પોતાની ઉપર પોલીસ પગલા ભરી રહી છે તેવી જાણ થઇ જતા પોલીસ પર દબાણ લાવવા માટે પોતે પ્રધાન બની દારૂના વેચાણનો વિડીયો બનાવ્યો હતો. જોકે વીડિયોમાં દારૂ પણ વેચાતો હોવાનું દેખાઇ રહ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:08 am

કચ્છમાં ઠંડી ગાયબ:ભુજમાં દિવસ અને રાત્રિના તાપમાનમાં સામાન્ય કરતાં 6 ડિગ્રી જેટલો વધારો

ડિસેમ્બર માસ અડધો વીતી ગયો છે અને પોષ મહિનાનો આરંભ થઇ ગયો છે તેમ છતાં કચ્છમાં શિયાળાનો અસલી મિજાજ જોવા મળતો નથી. શનિવારે ભુજમાં દિવસનું તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી વધુ એટલે કે, 35.4 ડિગ્રીએ પહોંચી જતાં ભરશિયાળે મધ્યાહ્ને ગરમી તો રાત્રે શિયાળો શરૂ થતો હોય તેવી ગુલાબી ઠંડી અનુભવાઇ હતી. શિયાળાના બે માસ કારતક અને માગસર વીતી જવા છતાં હાલે ઠંડીનું જોર જણાતું નથી અને બેવડી મોસમના કારણે શરદી, તાવ જેવી બીમારીનો લોકો ભોગ બની રહ્યા છે. જિલ્લા મથક ભુજમાં ચાલુ માસે સૌથી ઊંચું ઉષ્ણતામાન 35.4 ડિગ્રી રહેતાં બપોરે લોકોને પંખા ચાલુ કરવાની ફરજ પડી હતી. રાત્રિનું તાપમાન સામાન્ય કરતાં 5.5 ડિગ્રી વધીને 17.9 ડિગ્રી થતાં વહેલી સવારે ઠંડી અનુભવાઇ હતી. ઠંડીમાં મોખરે રહેતું નલિયા છેલ્લા બે દિવસથી રેસમાંથી બહાર નીકળી ગયું છે. શનિવારે અહીં લઘુતમ તાપમાન 14 તો મહત્તમ 34 ડિગ્રી રહેતાં નગરજનોને મિશ્ર મોસમનો માર સહન કરવો પડ્યો હતો. ગાંધીધામ અને અંજારમાં અધિકત્તમ 33 જ્યારે ન્યૂનતમ તાપમાન 14.4 તો કંડલા બંદરે 33.2 અને 16.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બે દિવસ બાદ ઠંડી વધશે તેવો વરતારો હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ડિસેમ્બરમાં 36.3 ડિગ્રી સાથે સૌથી ગરમ દિવસછેલ્લા દોઢ દાયકાની ઉપલબ્ધ વિગતો અનુસાર ભુજમાં ડિસેમ્બર માસમાં વર્ષ 2016માં તા. 9ના મહત્તમ તાપમાન 36.3 ડિગ્રી સાથે મોસમનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો. વર્ષ 2022માં 19 ડિસેમ્બરે અધિકત્તમ ઉષ્ણતામાન 35.4 ડિગ્રી રહ્યું હતું. ત્રણ વર્ષ બાદ ચાલુ મહિને ફરી 35.4 ડિગ્રી નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:07 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:એરપોર્ટ રીંગરોડનું ‘સિક્સ લેન’માં વિસ્તૃતિકરણ: પણ રોડ વીથ વગર !

નાગોર રેલવે ઓવરબ્રિજ કાર્યરત થતાં ભુજના એરપોર્ટ રિંગ રોડ પર અચાનક ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે વધી ગયું છે. શહેરના મહત્વના જોડાણ માર્ગ તરીકે ઓળખાતા આ રોડ પરથી રોજિંદા મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા રિંગ રોડ વિસ્તૃતિકરણનું કામ સૌ પ્રથમ અહીંથી શરૂ કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ભુજના રિંગ રોડ વિસ્તૃતિકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ સાડા સાત કિલોમીટર લાંબા પ્રિન્સ રેસીડેન્સીથી મહિલા આશ્રમ ચોકડી સુધીના એરપોર્ટ રિંગ રોડના વિસ્તૃતિકરણનું કામ શરૂ થઈ ગયું છે. હાલમાં સાત મીટર પહોળા માર્ગને વધુ ત્રણ મીટર પહોળો બનાવવાની કામગીરી ચાલી રહી છે. યોજનાનુસાર એક બાજુ 10 મીટર અને બીજી બાજુ પણ 10 મીટર પહોળાઈ સાથે વચ્ચે એક મીટરનો ડિવાઇડર બનાવવામાં આવશે. આ રીતે માર્ગ છ લેનનો બનશે અને એક સાથે ત્રણ વાહનો એક જ દિશામાં પસાર થઈ શકે તેવી સુવિધા ઉભી થશે. પરંતુ નિયમ મુજબ રોડની બન્ને બાજુ દોઢ મીટરનો સાઇડ શોલ્ડર અથવા ફૂટપાથ હોવો જરૂરી છે, પરંતુ હાલ જે રીતે રસ્તાની પહોળાઈ માટે ખાડા ખોદવામાં આવ્યા છે તેમાં અનેક સ્થળોએ સોસાયટીઓની બાઉન્ડ્રી, દબાણની કેબીનો અને બગીચાની દિવાલો આવી જાય છે. દોઢ મીટર જગ્યા નહીં મુકાય તો જે ભવિષ્યમાં રાહદારીઓ માટે જોખમરૂપ બની શકે છે. આ બાબતે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર કલ્પેશ નાઈને પૂછતા રોડની ચોક્કસ પહોળાઈ અને સિક્સ લેન માટે જરૂરી માપદંડ અંગે તેમણે સ્પષ્ટ જવાબ આપ્યો નહોતો. જિલ્લા સ્તરે માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારી હોવાના નાતે આવી માહિતી ઉપલબ્ધ હોવી સ્વાભાવિક છે, છતાં પ્રશ્ન ટાળ્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સારા અને વિકાસલક્ષી કામ થાય ત્યારે તેની પ્રશંસા થવી જોઈએ, પરંતુ સાથે સાથે જો કોઈ ખામીઓ અથવા ત્રુટીઓ સામે આવે તો તેને સ્વીકારી સુધારણા કરવી પણ એટલી જ જરૂરી છે, જેથી વિકાસ ટકાઉ અને લોકહિતમાં સાબિત થાય. નવા પ્લાનમાં સાઇટ સોલ્ડર નહીં બને તો સર્વિસ રોડ તો ક્યાંથી મળશે?સાડા સાત કિલોમીટર એરપોર્ટ રીંગરોડ વિસ્તૃત થતાં દસ–દસ મીટરના માર્ગ પર ઘસમસતા ટ્રેલર વચ્ચે નાના કાર અને દ્વિચક્રી વાહન ચાલકે બચવું પડશે. સામાન્ય રીતે સિક્સ લેન હોય ત્યાં સર્વિસ રોડ પણ હોય પરંતુ અહીં તો સાઈડ શોલ્ડર બનવાના પણ વાંધા છે તો સર્વિસ રોડ ક્યાંથી બને ?અહીં રહેણાંક વિસ્તારના લોકો માટે જોખમ ઘટવાના કોઈ ચાન્સ નથી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:05 am

સાયબર ફ્રોડના આરોપીઓને જેલ લઇ જતા સમયે ફરજમાં રૂકાવટ:આરોપીને પાલારા જેલ લઇ જતી પોલીસની ગાડીને ફિલ્મી ઢબે આંતરી

શહેરના ટાઉન હોલ નજીક સાયબર ફ્રોડના આરોપીઓને પાલારા જેલ હવાલે કરવા જઈ રહેલી પોલીસના વાહનને ત્રણ આરોપીઓએ આંતરી લઇ ફરજમાં રૂકાવટ કરી બોલાચાલી કરી હોવાની ફરિયાદ નોધાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ બી ડીવીઝન પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ મુકેશસિંહ ગાંડાજી પરમારે એ ડીવીઝન પોલીસ મથકે આરોપી સાજીદ અનવર સમેજા, સોયાબ અનવર સમેજા અને આફ્રિદીન સોઢા વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ સાયબર ફ્રોડના આરોપી શુભમકુમાર સુખબીરસિંગ ચૌધરી અને મોહમદસહીમ અનવરહુશેન સમેજાને મેડીકલ તપાસ માટે જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. જે બાદ બન્ને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. કોર્ટે આરોપીઓને પાલારા જેલ હવાલે કરી દેવાનો ઓર્ડર કરતા ફરિયાદી સહીતનાઓ તેમને સરકારી વાહનમાં લઇને જતા હતા. એ દરમિયાન ટાઉનહોલ નજીક આરોપીએ સરકારી વાહનને આંતરી ઉભું રખાવી દીધું હતું. જે બાદ બોલાચાલી કરી પોતાના ભાઈને કહીએ તેમ કોર્ટમાં લઇ ચાલવા કહ્યું હતું. ફરિયાદી સહીતનાઓએ કોર્ટ ઓર્ડર મુજબ જેલ હવાલે કરવા જતા હોવાનું કહેવા છતાં આરોપીઓએ પોતાનું વાહન હટાવ્યું ન હતું. જે બાદ વધુ પોલીસકર્મીઓને સ્થળ બોલાવી લેવામાં આવ્યા હતા અને બન્ને આરોપીઓને પાલારા જેલ મોકલી ફરજમાં રૂકાવટ ઉભી કરનાર ત્રણેય સામે ભુજ બી ડીવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને પગલ. આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:04 am

સન્ડે બિગસ્ટોરી:75 લાખ લિટરના ટાંકામાં ખામી : પાલિકાનો સ્વીકારવા નનૈયો

આ અઠવાડિયા દરમિયાન નર્મદાની પાઇપ લાઇનની મરમ્મતનું કામ થતા ચાર દિવસ ભુજ તરસ્યું રહ્યું. જો 75 લાખ લિટરની ક્ષમતાનો ટાંકો નગરપાલિકાને સુપ્રત કરાઈ ગયો હોત તો ભુજને વિતરણમાં વિક્ષેપ ઉભો ન થાય. રાજ્ય સરકારે નલ સે જલ તક યોજના અંતર્ગત કુલ 57.72 કરોડના ખર્ચે કુકમાથી ભુજ 900 એમ.એમ.પાઇપ લાઇન, ભુજમાં 75 લાખ લિટરનો એક અને દસ લાખ લિટરના ચાર ટાંકા ઉપરાંત 200 એમ.એમ. ડાયામીટરની પાઇપલાઇન સહિતના લોકલક્ષી કામ કરવામાં આવ્યા. પરંતુ ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા 12 મહિના પહેલા 75 લાખ લિટરના ઓવરહેડ ટાંકામાં ટેસ્ટિંગ વખતે લીકેજ માલુમ પડતા ભુજ નગરપાલિકાએ તે સ્વીકાર્યા નથી. ભુજની કુલ વસ્તીને પાણીની પૂરતી સગવડતા મળી રહે અને નિયમિત વિતરણ થાય તે માટે કુકમાથી ભુજ સુધી 900 એમએમ ડાયામીટરની વધારાની લાઈન, પાંચ ઓવરહેડ ટેન્ક તેમજ પેટા પાઇપલાઇન સહિતના કામ કરાયા. સરકારી વિભાગમાંથી મળતી માહિતી મુજબ ભુજિયા પાસેનો ટાંકો બની ગયો પરંતુ લીકેજ બનતા સુધરાઈ દ્વારા સ્વીકારવામાં નથી આવ્યો. તો બીજી તરફ તોરલ ગાર્ડન પાસેનો 10 લાખ લિટરનો ટાંકો 1 જુન 2025, વાલદાસ નગર દસ લાખ લીટર નો ટાંકો 10 માર્ચ 2025, આત્મારામ સર્કલ નો દસ લાખ લિટરનો ટાંકો 2 ડિસેમ્બર 2024 તેમજ સુરલભીટ પાસેનો દસ લાખ લિટરનો ટાંકો 26 ડિસેમ્બર 2024 ના પૂર્ણ થઈ ગયો છે, પરંતુ જ્યાં સુધી 75 લાખ લિટરનો મુખ્ય ટાંકો ક્ષતિ સુધારીને ઉપયોગ લાયક ન બને ત્યાં સુધી આ બધો જ ખર્ચ અને વ્યવસ્થા નકામી છે. જો 12 મહિના સુધી તેનો નિવેડો ન આવતો હોય તો ચોક્કસ એમ કહી શકાય કે સંલગ્ન તંત્રના પેટનું પાણી નથી ચાલતું. જ્યાં સુધી ક્ષતિ નહીં સુધરે, ત્યાં સુધી ટાંકાનો હવાલો નહીં સંભાળીએભુજના લોકોને નિયમિત પાણી આપી શકાય તે માટે રાજ્ય સરકારે ખાસ ગ્રાન્ટ ફાળવી નલસે જલ તક અંતર્ગત 57 કરોડના ખર્ચે સમગ્ર નેટવર્ક ઊભું કર્યું છે. જે ગત વર્ષે પૂર્ણ થઈ ગયું છે. પરંતુ એકમાત્ર ભુજિયાની તળેટીનો ઓવરહેડ ટેન્ક લીકેજ માલુમ પડતા હવાલો લીધો નથી. જ્યાં સુધી સક્ષમ ઇજનેર દ્વારા સંપૂર્ણ વાપરવાલાયક હોવાનું સર્ટિફિકેટ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે નહીં સ્વીકારીએ > મહિદિપસિંહ જાડેજા, કારોબારી ચેરમેન, ભુજ નગરપાલિકા અમે ટાંકાની ત્રુટિ સુધારી લીધી છે, પાવર કનેક્શન જ બાકી છેભુજનો નવનીત 75 લાખ લિટરનો ટાંકો જે ક્ષતિ દેખાઈ હતી તે સુધારી લેવાઈ છે. હવે માત્ર કુકમાથી ભુજ સુધી જતી 900 એમ.એમ.ની પાઇપલાઇનમાં પાણી સપ્લાય કરવા માટે સમ્પ પર પાવર કનેક્શન બાકી છે. જેના માટે હયાત લાઈન છે તેમાંથી બે ત્રણ દિવસમાં જ ટેસ્ટીંગ કરવામાં આવશે. પીજીવીસીએલને જાણ કરી દેવાઈ છે. તેઓ કનેક્શન આપે એટલે તરત વિતરણ પણ શરૂ થઈ શકે. અન્ય ચાર ટાંકાઓ પણ વપરાશમાં જ છે > કૌશિક કારિયા, નાકાઈ, જીયુડીસી

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:02 am

સિટી એન્કર:નર્સિંગ સ્ટાફનું પેપર પરીક્ષાના આગલા દિવસે જ આવી જશે, બાદમાં મેરિટમાં સીધું નામ આવશેનું કહી 5 ઉમેદવાર સાથે 34.20 લાખની ઠગાઇ

સરકારી નોકરી વાંછુક યુવકો ક્યારેક સાચો માર્ગ ચૂકીને અવળા પાટે ચડે છે અને છેતરપિંડી કરવા મેદાને પડેલા વરુઓનો તેમને ભેટો થઇ જાય છે, આવું જ કંઇક નર્સિંગ સ્ટાફ તરીકે સરકારી નોકરી ઇચ્છતાં પાંચ ઉમેદવાર સાથે બન્યું હતું. પરીક્ષામાં પાસ કરાવી દેવાની લાલચ આપી પાંચ ઉમેદવાર પાસેથી રૂ.34.20 લાખ પડાવી લેવામાં આવ્યા હતા. પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. રાજકોટના માયાણી ચોક પાસે રહેતા અને ખાનગી હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે નોકરી કરતાં ગીર સોમનાથ પંથકના દેવશી જગમાલભાઇ વંશે (ઉ.વ.25) ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે એઇમ્સ હોસ્પિટલ પાસેના રત્નમ બંગ્લોઝમાં રહેતા લોખીલ સંદીપ અને સાગર દાફડાના નામ આપ્યા હતા. દેવશી વંશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યારે તેની સાથે સંદીપ લોખીલ પણ કામ કરતો હોવાથી તેનો પરિચય થયો હતો. તા.1 ડિસેમ્બર 2024ના સંદીપે ફોન કરી બોલાવતા દેવશી અને તેનો મિત્ર ગોપાલ મૈસુર ભગત ચોક પાસે ગયા હતા, જ્યાં સંદીપ લોખીલે કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા સ્ટાફ નર્સની ભરતી બહાર પડવાની છે. ગાંધીનગર સરકારી કચેરીમાં ઓળખાણ છે, સ્ટાફ નર્સની પરીક્ષાના 200 માર્ક્સના પેપરમાંથી 140થી 150 માર્ક્સના જવાબો પરીક્ષાના આગલા દિવસે મળી જશે, તેમ કહી એક વ્યક્તિ દીઠ રૂ.6 લાખ થશે તેમ કહ્યું હતું. સંદીપ લોખીલની વાતમાં ફસાઇને દેવશી તથા તેના મિત્ર ગોપાલે રૂ.6-6 લાખ આપવાની તૈયારી બતાવી હતી અને એડવાન્સ પેટેના બંનેના મળી રૂ.3 લાખ પણ ચૂકવી દીધા હતા. ત્યારબાદ નર્સિંગ સ્ટાફની પરીક્ષાના આગલા દિવસે એટલે કે, તા.8 ફેબ્રુઆરી 2025ના દિવસે સંદીપે બંને યુવકને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યા હતા બંને પાસેથી મળી વધુ રૂ.1 લાખ લઇ થોડીવાર બેસાડ્યા પછી કહ્યું હતું કે, હવે પેપર નહીં આવે, મેરિટ લિસ્ટમાં સીધું જ તમારું નામ આવી જશે. પરીક્ષાના પંદર દિવસ બાદ સંદીપે ફોન કરીને કહ્યું હતું કે, પસંદગી યાદીમાં તમારું નામ આવી જશે, પૈસા આપી જાવ જેથી દેવશી અને ગોપાલ રૂ.4-4 લાખ આપી આવ્યા હતા. જોકે મેરિટ લિસ્ટ બહાર પડ્યું ત્યારે બંને યુવકના નામ તેમાં નહોતા, નામ પસંદગી નહીં પામ્યાનું બંને યુવકે કહ્યું, તો સંદીપ લોખીલે થોડા દિવસો એવા બહાના કાઢ્યા હતા કે, કમિટી બેસવાની છે તેમાં તમારા નામ આવી જશે, તેના દિવસો વિત્યા બાદ સંદીપે યોગ્ય રીતે જવાબ આપવાનું ટાળ્યું હતું અને અંતે કહ્યું હતું કે, સાગર દાફડાને પૈસા આપી દીધા છે જેથી હવે પોતે કંઇ કરી શકે તેમ નથી. દેવશીએ ફરિયાદમાં એમપણ જણાવ્યું હતું કે, પોતે અને તેના મિત્ર ગોપાલ ઉપરાંત ઉપરોક્ત આરોપીઓએ હરેશ કમા ગમારા પાસેથી રૂ.8.10 લાખ, મેલા જાગા ચાવડા પાસેથી રૂ.8.10 લાખ, વર્ષાબેન મનસુખભાઇ રાઠોડ પાસેથી રૂ.6 લાખ મળી પાંચ ઉમેદવાર સાથે કુલ રૂ.34.20 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી બંને આરોપીની શોધખોળ શરૂ કરી હતી. ઉમેદવારો પાસે આરોપીએ સોગંદનામું પણ કરાવ્યું કે, ‘પરીક્ષામાં કોઇ જાતની છેડછાડ કરી નથી, છેડછાડ હશે તો તે અમારી જવાબદારી રહેશે’ સંદીપ લોખીલે તા.11 ઓગસ્ટ 2025ના સોશિયલ મીડિયાના માધ્યમથી નર્સની નોકરી બાબતે બાંહેધરી પત્રનું ફોર્મેટ મોકલ્યું હતું, જે મુજબ નોટરી લખાણ કરી આપવા કહ્યું હતું. દેવશી અને તેના મિત્ર ગોપાલે રૂ.300ના સ્ટેમ્પ પેપર પર બાંહેધરી પત્ર લખી આપ્યો હતો જેમાં લખ્યું હતું કે, પરીક્ષામાં કોઇ જાતની છેડછાડ કરી નથી, છેડછાડ કરી હશે તો સંપૂર્ણ જવાબદારી અમારી રહેશે, આમ જેમની પાસેથી નાણાં ખંખેરતો હતો તેને આવા લખાણ કરાવીને આરોપી વિશ્વાસ અપાવતો હતો. પરીક્ષાના આગલા દિવસે આરોપીના ઘરે 10 ઉમેદવાર પેપરની રાહમાં બેઠા’તાદેવશી વંશે ફરિયાદમાં જણાવ્યું હતું કે, નર્સિંગ સ્ટાફની પરીક્ષા જે દિવસે હતી તેના આગલા દિવસે સંદીપ લોખીલે ફોન કરીને પોતાના ઘરે બોલાવ્યા ત્યારે અન્ય દશેક જેટલા યુવક પણ તેના ઘરની બહાર બેઠા હતા અને તેઓ પણ પરીક્ષાના આગલા દિવસે પેપર મળી જશે તેવી આશમાં હતા, આમ સંદીપે દશથી વધુ લોકો સાથે છેતરપિંડી આચર્યાની શંકા સેવાઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:01 am

આવતીકાલથી નવી સિરીઝ ‘રીલ્સના રાજ્જા’:ગુજરાતી સોશિયલ મીડિયા સ્ટાર્સની સ્ક્રીનથી સ્ટારડમ સુધીની સફર

સોશિયલ મીડિયાના આ યુગમાં ગુજરાતના કેટલાક યુવાનોએ પોતાની પ્રતિભા અને મહેનતથી લાખો લોકોનાં દિલ જીતી લીધાં છે. તેમની સફળતાની પાછળની અસલી સ્ટોરી શું છે? કેવી રીતે એક સામાન્ય વ્યક્તિ રાતોરાત ઇન્ફ્લુએન્સર બની જાય છે? આ તમામ સવાલોના જવાબ મળશે દિવ્ય ભાસ્કર પર આવતીકાલથી શરૂ થતી નવી સિરીઝ 'રીલ્સના રાજ્જા'માં! આવતીકાલે સોમવારથી શરૂ થતી પાંચ એપિસોડની આ ખાસ સિરીઝમાં ગુજરાતના ટોચના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની પ્રેરણાદાયક સફર રજૂ થશે. દરરોજ સવારે છ વાગ્યે એક નવા સ્ટારની સ્ટોરી તેમના જ મુખેથી તમારી સામે આવશે, જેમાં હશે તેમના સંઘર્ષથી લઈને સફળતા સુધીની સંપૂર્ણ યાત્રા. આ સિરીઝની ખાસિયત એ છે કે આ ઇન્ફ્લુએન્સર્સ પોતાના અનુભવો શેર કરીને નવા કન્ટેન્ટ ક્રિએટર્સને મૂલ્યવાન ટિપ્સ આપશે. કયા પ્રકારનું કન્ટેન્ટ વાઇરલ થાય છે? કેવી રીતે ઓડિયન્સ બનાવવી? સ્પોન્સરશિપ કેવી રીતે મળે છે? સોશિયલ મીડિયાને કરિયર બનાવી શકાય કે કેમ? આવા તમામ પ્રશ્નોના જવાબ મળશે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ ઇન્ફ્લુએન્સર્સ પોતાની કમાણીનાં સિક્રેટ્સ પણ ખોલશે. સોશિયલ મીડિયામાંથી ખરેખર કેટલી કમાણી થઈ શકે છે, તે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો! જો તમે પણ કન્ટેન્ટ ક્રિએટર બનવાનું સપનું જુઓ છો, કે ડિજિટલ દુનિયાના આ નવા હીરોની સફળતા વિશે જાણવા ઉત્સુક છો, તો સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારે છ વાગ્યે અમારી સાથે જોડાઈ જાઓ. આવતીકાલથી રોજ વાંચવાનું ચૂકશો નહીં, ‘રીલ્સના રાજ્જા’.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 6:00 am

છેતરપિંડી:શેર બજારમાં નફાની લાલચે વૃદ્ધ સાથે રુ1.11 કરોડની છેતરપિંડી

82 વર્ષના વૃદ્ધ સાથે શેર બજારમાં રોકાણના નામે 1.11 કરોડની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. જેમાં બેંક ખાતાના આધારે પોલીસે ભેજાબાજોની શોધખોળ હાથ ધરી છે. શેર બજારમાં મોટા નફાની લાલચે ખાસ કરીને વૃદ્ધ અને નિવૃત લોકો સાથે છેતરપિંડીના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગોત્રી રોડ વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાંથી નિવૃત થયેલા 82 વર્ષના વૃદ્ધને સોશિયલ મીડિયા ઉપર જાહેરાત આપી લલચાવ્યા હતા અને રોકાણ સામે 850 ટકા નફાની લાલચ આપી હતી. વૃદ્ધે જુદા જુદા ગ્રુપ જોઈન કર્યા હતા અને સેબી માન્ય સંસ્થા હોવાનું ભેજાબાજોએ જણાવ્યું હતું. કુલ 1.20 કરોડનું રોકાણ કર્યું હતું જેની સામે 90 કરોડ નફો ઓનલાઇન દર્શાવ્યું હતું. જેમાં ઉપાડવા જતા માત્ર 9 લાખ રૂપિયા પરત આવ્યા હતા. બાકીના રૂપિયા 1.11 કરોડ પરત નહીં આવતા વૃદ્ધને શંકા ગઈ હતી. પરિણામે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ કરી છે. જેમાં બેંક ખાતાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. પોન્ઝી અને પમ્પ એન્ડ ડમ્પ સ્કીમોથી આકર્ષાય છે

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:59 am

સન્ડે બિગ સ્ટોરી:રાજકોટ મનપાના સિવિક સેન્ટરમાં ગેસ અને લાઇટબિલ ભરવા શરૂ થશે જનસુવિધા કેન્દ્ર

રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત ગુજરાતની તમામ મહાનગરપાલિકામાં હવે જનસુવિધા કેન્દ્ર શરૂ કરવા કવાયત આદરી છે અને તેના ભાગરૂપે રાજકોટ સહિત રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ પાસેથી સિવિક સેન્ટરોમાં જન્મ-મરણ પ્રમાણપત્રો સિવાયની પ્રજાને ઉપયોગી કઇ-કઇ સેવાઓ આપવામાં આવે છે તેની વિગતો મગાવવામાં આવી છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે, વડોદરા મહાનગરપાલિકામાં થોડા સમય પહેલાં ગેસ કંપની સાથે કોલોબ્રેશન કરી સિવિક સેન્ટરમાં ગેસના બિલ ભરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે ત્યારે અન્ય મહાનગરપાલિકાઓમાં ગેસબિલ અને લાઇટબિલ ભરવા સહિતની અન્ય કોઇ સુવિધા અપાઇ છે કે કેમ? તેની વિગતો પણ સરકારે માગી છે. રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા બે દિવસ પહેલાં દર અઠવાડિયે તમામ મહાનગરપાલિકા સાથે વીડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં તમામ મહાનગરપાલિકાને તેમને ત્યાં જન્મ-મરણના પ્રમાણપત્ર સિવાય પ્રજાજનોને અન્ય કઇ-કઇ સેવાઓ આપો છો તેવી પૃચ્છા કરી હતી તેમજ આ મહાનગરપાલિકાઓમાં લોકોને કઇ સુવિધા સરળતાથી આપી શકાય તેમ છે તે બાબતે પણ માહિતી માગી હતી. વડોદરા મહાનગરપાલિકામાં ગેસબિલ ભરવાની સુવિધા હોય તેને રોલ મોડલ બનાવી રાજ્ય સરકાર દ્વારા હવે તમામ મહાનગરપાલિકાઓના સિવિક સેન્ટરને શહેરી કક્ષાના જનસુવિધા કેન્દ્ર બનાવવા તરફ આગળ વધી રહી હોય તમામ પાસેથી મામલતદાર કચેરીમાં ચાલતા જનસુવિધા કેન્દ્ર જેવી કઇ-કઇ સેવા આપી શકાય તેમ છે તેની વિગતો માગી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટરમાં સિંગલ વિન્ડો સિસ્ટમ કાર્યરત છે અને અલગ-અલગ વિભાગો દ્વારા લેવાતા વહીવટી ચાર્જ સિવિક સેન્ટરમાં ભરપાઇ કરવામાં આવે છે. આ માટે ચાર કર્મચારીઓ ફરજ બજાવે છે. જોકે સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, મનપા કોઇપણ દંડ કરે કે વહીવટી ચાર્જની વસૂલાત કરે તો તેની રિસિપ્ટ સૌ પ્રથમ ટેક્સ વિભાગ પાસે આવે છે અને તેનાથી મોટી આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે, આધારકાર્ડની કોઇ રિસિપ્ટમાં ભૂલ હોય તો તેના સુધારા માટે પણ ટેક્સ વિભાગને જવાબદારી સોંપવામાં આવી છે. હવે રાજ્ય સરકાર દ્વારા લોકોને તેમના ઘર પાસે જ બિલ ભરવા સહિતની વિવિધ સુવિધા મળી રહે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને જો વડોદરા મહાપાલિકાની જેમ રાજકોટ મહાનગરપાલિકામાં ગેસબિલ અને લાઇટબિલ ભરવા સહિતની સુવિધા પૂરી પાડવામાં આવે તો કેટલી સફળતા મળશે તે આવનારો સમય જ કહી શકે. સિવિક સેન્ટરની સુવિધા અંગે વિગતો મગાઇરાજકોટ મહાપાલિકામાં હાલ પ્રોપર્ટી ટેક્સ માટે અપાતી સુવિધા, ફેક્ટરી લાઇસન્સ, ફૂડ લાઇસન્સ, બિલ્ડિંગ પ્લાન પરમિશન ફી, એન્ક્રોચમેન્ટ રિમૂવલ ચાર્જ, બુકિંગ ફેસિલિટી, સ્મશાન ફી, આરટીઆઇ, સિનિયર સિટિઝન્સ ફેસિલિટી, પાણી પુરવઠા, સેનિટેશન, હાઉસિંગ, અર્બન, હોલ બુકિંગ, ગવર્નન્સ સિસ્ટમ, મ્યુનિસિપલ વેબસાઇટ તેમજ મનપાના કર્મચારીઓની વિગતો સિવિક સેન્ટરમાં ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો માગવામાં આવી છે. સ્ટાફની અછત મોટો માઇનસ પોઇન્ટ સાબિત થશેરાજ્ય સરકાર લોકોને ‌વધુમાં વધુ સુવિધા પૂરી પાડવા માગે છે તે સારી બાબત છે, પરંતુ હાલમાં મોટાભાગની મહાનગરપાલિકા સ્ટાફની અછતની સમસ્યાથી પીડાઇ રહી છે. જન્મ-મરણ શાખામાં જ પૂરતા સ્ટાફના અભાવે લોકોને દાખલા કઢાવવા આખા દિવસ લાઇનમાં ઊભા રહેવું પડે છે, આધારકાર્ડમાં સુધારા માટે ઓછામાં ઓછા 3થી 5 કલાક હેરાન થ‌વું પડે છે ત્યારે નવી સુવિધાનો બોજ મહાપાલિકા ઉપાડી શકશે કે કેમ તે મોટો સવાલ છે. સ્ટાફની અછત નવી સુવિધા શરૂ કરવામાં મોટો માઇનસ પોઇન્ટ સાબિત થશે તેમ સત્તાવાર સૂત્રોનું કહેવું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:57 am

બેઠક:ટ્રાફિક જામ ટાળવા યશ કોમ્પ્લેક્સ, ITI, ઝાયડસ પાસે બ્રિજ બનાવો

શહેરના ગોત્રી યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા, સેવાસી રોડ પર ઝાયડસ હોસ્પિટલ નજીક અને ગોરવા આઈટીઆઈ પાંચ રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ લાવવા બ્રિજ બનાવવાની સયાજીગંજના ધારાસભ્યે સંકલનમાં રજૂઆત કરી છે. બીજી તરફ અકોટામાં પડતા ભૂવા, નવાપુરામાં ગંદું પાણી અને દાંડિયાબજારમાં પાણી ઓછા પ્રેશરથી મળતું હોવાના મુદ્દાઓ અકોટાના ધારાસભ્યે ઉઠાવ્યા હતા. ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે. જેમાં ગોત્રી યશ કોમ્પ્લેક્સ ચાર રસ્તા પાસે ટ્રાફિક જામથી લોકોને પરેશાની થઈ રહી છે. જેથી આ ચાર રસ્તા પર બ્રિજ બનાવવા સૂચન કરાયું છે. તેવી જ રીતે સેવાસી રોડ પર ઝાયડસ હોસ્પિટલ પાસે પણ આવી સ્થિતિને પહોંચી વળવા બ્રિજ બનાવવો આવશ્યક છે. ગોરવા આઈટીઆઈ પાંચ રસ્તા ખુલ્લા કરવા સાથે ત્યાં પણ બ્રિજ બનાવી શકાય કે કેમ તેની શક્યતા તપાસવી જોઈએ. તેઓએ જણાવ્યું હતું કે, ટીપી-54માં માપણી માટે લોકો પૈસા ભરવા તૈયાર છે તો તેના પર કામગીરી કરવી જોઈએ. ગોરવા દશામા મંદિર નજીક હાઉસિંગની જગ્યા પર 300 ઝૂપડાં તોડાયાં છે. જે પૈકી 50 વર્ષથી ઊભાં રહેલાં 8થી 10 ઝૂંપડાનાં લોકોને મકાન મળે. બીજી તરફ અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ કહ્યું હતું કે, અકોટા રોડ પર વારંવાર ભૂવા પડે છે. ડ્રેનેજ લાઇનમાં પમ્પિંગ યોગ્ય રીતે કરવામાં આવે અને કામગીરી ઝડપથી પૂર્ણ કરાય તે જરૂરી છે. નવાપુરા, બકરાવાડી વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યા છે. કેવડાબાગ નજીક આવેલું પમ્પિંગ સ્ટેશન ઓછી કેપેસિટીથી ચાલી રહ્યું છે, તેને બદલવા જોઈએ. તદુપરાંત પાણીગેટથી દાંડિયાબજાર વિસ્તારને પાણી અપાય છે. તો લાલબાગ ટાંકી બને ત્યારે દાંડિયાબજાર, આરવી દેસાઈ રોડ, ગોયાગેટ વિસ્તારમાં પાણીની નવી લાઈન નાખવામાં આવે. પંચવટીથી ઉંડેરા રોડ પર સમારકામની રજૂઆતવાઘોડિયા વિધાનસભામાં સમાવિષ્ટ વેમાલી ગામ અને આસપાસની સોસાયટીઓમાં પાણીના પ્રશ્નો છે, તેનો ઉકેલ લાવવા રજૂઆત કરી છે. ગોરવા ગંગાનગરમાં ડ્રેનેજનાં કનેક્શન જોડવાનાં બાકી છે, તેની તાત્કાલિક કામગીરી કરવામાં આવે. પંચવટીથી ઉંડેરાનો રસ્તો ખરાબ છે, જેથી તાત્કાલિક તેનું સમારકામ કરવા રજૂઆત કરી છે. > ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ધારાસભ્ય, વાઘોડિયા 24 મીટરના રોડ માત્ર 6 મીટર ખોલી લાભ પહોંચાડાય છેભાયલીમાં લિનિયર પાર્ક બનાવવાની સરકારમાંથી મંજૂરી મળી ગઈ છે, જેના પર કામગીરી શરૂ કરાય. ભાયલીમાં 24 મીટરના રસ્તા ખોલવા મુદ્દે રજૂઆત કરી હતી. 24 મીટરના રસ્તાને માત્ર 6 મીટર ખોલી લાભ પહોંચાડાય છે. અધિકારી જેને લાભ પહોંચાડવો હોય તેને પહોંચાડે પણ રસ્તા ખુલ્લા કરે. > શૈલેષ મહેતા, ધારાસભ્ય, ડભોઇ બાંકો પાસેનું નાળું પહોળું કરી બ્રિજ બનાવવો જરૂરીબાંકો પાસે બ્રિજ બનાવાય તો ટ્રાફિક જામનો પ્રશ્ન ઉકલે. સેવાસી, સોનારકુઇ અને ખાનપુરમાં વરસાદી ગટર અને ડ્રેનેજ નેટવર્ક નખાય. સેવાસીમાં નવીન ઓડિટોરિયમ અને તળાવનું બ્યૂટિફિકેશન કરવા રજૂઆત કરી છે. પાદરા-વડોદરા હાઇવે પર સમન્વય સ્ટેટ્સ અને બાંકો વચ્ચે નાળુ પહોળું કરી ત્યાં બ્રિજ બનાવવામાં આવે. જેથી ટ્રાફિક જામની સમસ્યાનો ઉકેલ આવે. > ચૈતન્યસિંહ ઝાલા, ધારાસભ્ય, પાદરા

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:55 am

ભાસ્કર ઈનસાઈડ:નવાયાર્ડથી છેક યોગ સર્કલ સુધી ગેસની દુર્ગંધ, લોકો રસ્તે ઊતર્યા

ગુરુવારે મોડી રાત્રે નવાયાર્ડથી ઓલ્ડપાદરા રોડના યોગ સર્કલ સુધી ઘરના એલપીજી ગેસ જેવી તીવ્ર દુર્ગંધ ફેલાતાં નવાયાર્ડ અને ફતેગંજ સહિત વિસ્તારના લોકો ઘરની બહાર નીકળ્યાં હતા. રાત્રે 11 વાગ્યે તરુણનગર, સરદારનગર સહિતની સોસાયટીના મકાનોના 200 જેટલા લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતા અને જાતજાતની ચર્ચાએ જોર પકડ્યું હતું. સ્થાનિક કોર્પોરેટરોને જાણ થતાં ફાયરબ્રિગેડ અને જીપીસીબીને જાણ કરી હતી. જીપીસીબીએ શુક્રવારે સવારે આઇઓસીમાં પૂછપરછ કરી ઓપરેશન હાથ ધર્યુ હોય અને આ દુર્ગંધ ફેલાઇ હોય તેની ખાતરી કરી હતી. ફાયરબ્રિગેડે પણ તપાસ હાથ ધરી હતી અને કેટલાક લોકોને ત્યાં તપાસ કરી હતી. બીજી તરફ ગેસ વિભાગની ટીમે પણ નવાયાર્ડ આવીને તપાસ કરી હતી પણ તંત્રોની તપાસમાં આ વાસ ક્યાંથી આવે છે તે જાણી શકાયું ન હતું. ફાર્મા કંપની તરફથી દુર્ગંધ ફેલાયાની ચર્ચાકોર્પોરેટરે જણાવ્યું હતું કે, મને કેટલાક લોકોએ સ્થાનિક ફાર્મા કંપની તરફથી વાસ આવી રહી હોવાની વાત કરી હતી. આ બાબતે અમે જીપીસીબીનું ધ્યાન દોર્યું હતું. જોકે આ વિશે જીપીસીબીના રિજ્યોનલ ડાયરેક્ટર માર્ગીબેન પટેલે જણાવ્યું હતું કે, એલેમ્બિક કંપનીમાં ફર્મેન્ટેશન થતાં આ પ્રકારની વાસ પ્રસરી શકે છે. પણ કંપની દ્વારા આ પ્રક્રિયા વર્ષો પહેલા જ બંધ કરવામાં આવી છે. અને ફર્મેન્ટેટર પણ દૂર કર્યા છે. પણ ગોરવાના ઘણા લઘુ-મધ્યમ ઉદ્યોગો નેચરલ ગેસ વાપરે છે. તેથી અમે એ દિશામાં પણ તપાસ હાથ ધરી રહ્યાં છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:53 am

દિલ્હીમાં ધુમ્મસને કારણે વિમાની સેવાને અસર:ઇન્ડિગોની સવારની 2 ફ્લાઇટ રદ, મુસાફરોને રાહ જોવી પડી

દિલ્હીના ધુમ્મસિયા વાતાવરણની અસર શનિવારે પણ વિમાની સેવાઓ પર થઇ હતી. ઇન્ડિગોની દિલ્હીથી આવતી ફ્લાઇટ રદ થઇ હતી. આ ફ્લાઇટ સવારે 6.10 કલાકે દિલ્હીથી પ્રસ્થાન કરીને વડોદરા પહોંચે છે. ત્યારબાદ એ જ વિમાન ફરી વડોદરાથી દિલ્હી જાય છે. ફ્લાઇટ રદ થવાને પગલે મુસાફરોને રાહ જોવાનો વારો આવ્યો હતો. બપોરે એર ઇન્ડિયા અને ઇન્ડિગોની 3 ફ્લાઇટ્સ હોવાથી મોટાભાગના મુસાફરોએ આ વિકલ્પો પસંદ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા અઠવાડિયાથી દિલ્હીમાં બેડ વેધરને પગલે ફ્લાઇટો રદ થઇ રહી છે. ઇન્ડિગો-એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં વિમાન મુજબ મુસાફરોની સંખ્યા 164થી 220 સુધીની હોય છે. છેલ્લા કેટલાંક સમયથી ફ્લાઇટો કેન્સલ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ ઇન્ડિગો ક્રાઇસીસ અને ટેક્નિકલ ખામીઓ બાદ હવે ખરાબ હવામાનને કારણે ફ્લાઇટો રદ થઇ રહી છે. જેને પગલે છેવટે તો મુસાફરો પરેશાન થઈ રહ્યા છે. બપોર બાદની દિલ્હીની 3 ફ્લાઇટ્સનું ટેકઓફ રહ્યુંઇન્ડિગોની ફ્લાઇટ્સ સવારે કેન્સલ થયા બાદ બપોરથી સાંજ વચ્ચેની દિલ્હીની 3 ફ્લાઇટ્સનું સંચાલન થયું હતું. દિલ્હીમાં વાતાવરણ ક્લીયર થયા બાદ ફ્લાઇટ્સનું સંચાલન શરૂ થયું હતું. જેને પગલે સવારની ફ્લાઇટમાં ન જઇ શકનારા યાત્રીઓ આ ફ્લાઇટમાં ગયા હતા. જ્યારે કેટલાકે અમદાવાદથી કનેક્ટિંગ ફ્લાઇટ લેવાનું પસંદ કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:52 am

68 અધિકારીને પ્રમોશન:PI મોદીને ACP બનાવી ક્રાઈમબ્રાંચમાં જ રખાયા

વર્ષ 2016ના આગમન પૂર્વે ગુજરાત પોલીસમાં 68 પોલીસ ઇન્સ્પેક્ટરને નાયબ પોલીસ અધિક્ષક તરીકે પ્રમોશન અપાયા છે. રાજ્યમાં 5 ACPની આંતરિક બદલી કરાઇ છે. સુરત શહેરના 3 PIને ACP નું પ્રમોશન મળ્યું છે. સુરત ક્રાઇમબ્રાંચના PI કિરણ મોદીને ACP બનાવી ત્યાં જ રખાયા છે. 68 અધિકારીના પ્રમોશનમાં કિરણ મોદીને સરકારે સિંગલ ઓર્ડર કરતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. કંટ્રોલરૂમના PI પી.ડી પરમારને પ્રમોશન આપી અમદાવાદ ટ્રાફિકમાં મૂકાયા છે. પીઆઈમાંથી એસીપીનું પ્રમોશન અપાયું 1. કિરણ મોદી-સુરત ક્રાઇમબ્રાંચ 2. પી.ડી.પરમાર-અમદાવાદ 3. એચ.કે.ભરવાડ-સુરત ટ્રાફિકબ્રાંચ-રિજીયન-4 4. એલ.બી.વાગડીયા-IB, સુરત 5. એસ.સી.તરડે-સુરત J ડિવિઝન 6. સી.યુ.પારેવા-કંટ્રોલરૂમ અને મુખ્ય મથક, સુરત શહેર 7. એ.એચ.રાજપૂત-લાજપોર જેલ, સુરત 8. આર.આર.પટેલ-પોલીસ દળ, વાવ 9. ડી.એલ.બરજોડ-સ્પેશીયલ એક્સન ફોર્સ,વાવ

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:37 am

જિલ્લા સંકલન:કૃષિના રાહત પેકેજમાં 700 અરજી પેન્ડિંગ હોવાની રજૂઆત

વડોદરા કલેક્ટર કચેરીમાં શનિવારે જિલ્લા સંકલનની બેઠક યોજાઈ હતી. જેમાં કમોસમી વરસાદના કારણે નુકશાની ભોગવી રહેલા ખેડૂતોને કૃષિ રાહત પેકેજ આપવામાં આવ્યું તે અંગેના નિર્ણયને ધારાસભ્યોએ વધાવ્યો હતો. જોકે પેકેજમાં 700 અરજી મંજુર કરવાની બાકી હોવાનું સાવલીના ધારાસભ્યે જણાવ્યું હતું. બેઠકમાં માર્ગ, પાણી, કેનાલ સફાઇ, વીજળી, રેલ્વે, દબાણો, ટ્રાફિક સહિતના વિષયો અંગે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને નિકાલ માટે કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી. પાદરાના ધારાસભ્ય દ્વારા પાદરા-વડોદરા રોડ પર થતા ટ્રાફિક જામનો ઉકેલ લાવવા પણ કલેક્ટરને રજુઆત કરાઈ હતી. નર્મદા નિગમના અધિકારી કેનાલની સફાઇની સાવલી ધારાસભ્યની રજૂઆત ઘોળીને પી ગયાખેડુતોને સમયસર પાણી મળે તે માટે નર્મદા કેનાલની મરામત અને સફાઈનું કામ વહેલી તકે પુરૂ કરવા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે અનેક વખત કલેક્ટર અને સરકારમાં રજૂઆત કરી છે. ધારાસભ્યની રજૂઆત હતી કે, ચોમાસુ પુરૂ થાય ત્યાર બાદ પણ ખેડૂતોને પાણી મળે, પરંતું કેનાલોની મરામત કરવામાં નથી આવી અને ખેડૂતોને નુકશાન થઈ રહ્યું છે. ધારાસભ્યે કલેક્ટરને નર્મદા નિગમને જાણ કરવા જણાવ્યું છે. લોકોમાં ચર્ચા હતી કે, નર્મદા નિગમના અધિકારીઓ સાવલી ધારાસભ્યની રજૂઆતને ઘોળીને પી ગયા છે. ડભોઈમાં 10 હજાર લોકોનાં પ્રોપર્ટી કાર્ડ નથી બની રહ્યાં2004માં કચેરીમાં આગ લાગ્યા બાદથી 10 હજાર લોકોના પ્રોપર્ટી કાર્ડ નથી બની રહ્યાં. અનેક રજૂઆત કરાઇ છે. કર્મચારી ન હોવાથી કામ નથી થઈ રહ્યાં તેવો જવાબ આવતા કલેક્ટરનું ધ્યાન દોરવું પડ્યું છે. કરનાળી અને નર્મદા કાઠાના ઘાટો બનાવવાનું સ્વપ્ન નરેન્દ્ર મોદીનું હતું. જે અંગે ટેન્ડર બહાર પાડ્યું હતું, જોકે ટેકનીકલ કારણોસર આ કામ થઈ રહ્યું નથી. જે અંગે પણ કલેક્ટરનું ધ્યાન દોરવામાં આવ્યું છે. ભાયલીની અશાંતધારાની દરખાસ્ત અંગે પૂર્તતા માટે કલેક્ટર અને પોલીસ કમિશનરને મોકલવામાં આવ્યું હતું, જે અંગે દરખાસ્તની રજૂઆત કરવામાં આવી છે. > શૈલેષ મહેતા, ધારાસભ્ય, ડભોઈ

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:37 am

લિફ્ટ તૂટી પડી:ઉધનામાં શેમ્પુની ફેક્ટરીમાં લિફ્ટ તૂટતા બે ઇજાગ્રસ્ત

ઉધના ઉદ્યોગ નગર રોડ નં.6 ખાતે મુગ્ધા કોર્પોરેશન નામની શેમ્પુની ફેક્ટરીમાં ત્રીજા માળે રહેતા 42 વર્ષીય જયસિંગ ખેંગાર સુપરવાઈઝર છે. શુક્રવારે બપોરે તેઓ કર્મચારી 28 વર્ષીય ભાવેશપટેલ અને અન્ય એક કર્મચારી સંદીપ ત્રણે ગુડ્સ લિફ્ટમાં બીજા માળે જતા હતા. દરમ્યાન બીજા માળે પહોંચતા જ લિફ્ટ તૂટી પડી હતી. લિફ્ટ તૂટ્યાનો ખ્યાલ આવતા સંદીપ તાત્કાલિક લિફ્ટમાંથી બીજા માળે કુદી પડ્યો હતો. જ્યારે જયસિંગભાઈ અને સાથી કર્મચારી ભાવેશ પટેલ લિફ્ટની સાથે નીચે પટકાયા હતા બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બંનેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્નેને સારવાર માટે દાખલ કરાયા છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:36 am

યુપીના ઠગની અલથાણની મહિલા સાથે ચીટિંગ:‘હું ભાજપમાં છું, PMOમાં નોકરી અપાવીશ’ કહી 26 લાખ પડાવ્યા

અલથાણની મહિલાને ગઠીયાએ તેના પુત્રનેને પીએમઓમાં નોકરીની લાલચ આપીને 26.08 લાખ પડાવી લીધા હતા. અલથાણ-ભીમરાડ રોડ પર આવેલા આકાશ એન્ક્લેવમાં રહેતા વિનીતા રાય 2024માં યુપી ગયા હતા ત્યારે તેમની મુલાકાત બુલંદશહેરમાં રહેતા વિકાસ ત્રિવેદી સાથે થઇ હતી. વિકાસે પોતે ભાજપનો સભ્ય હોવાનું અને મોટા સંપર્ક હોવાનું કહીને વિનીતાબેનના દિકરાને પીઓમઓમાં નોકરી આપવાની લાલચ આપી હતી. જાન્યુઆરી 2024થી એપ્રિલ 2024 દરમિયાન વિકાસે વિનીતા રાય પાસેથી 26.08 લાખ પડાવી લીધા હતા. નોકરી માટેનો કોઇ લેટર નહીં આવતા વિનીતા રાયે પુછતા વિકાસે બધું પ્રોસેસમાં છે કહીને દિલાસો આપ્યો હતો. વિનીતા રાયે તપાસ કરતા વિકાસે છેતરપિંડી કર્યાની ખબર પડી હતી. વિનીતા રાયે અલથાણ પોલીસમાં વિકાસ ત્રિવેદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. નોકરી માટે ઘરેણાં વેચ્યા અને મહિલાના છૂટાછેડા થયાવિનીતા રાયે જણાવ્યું હતુંકે, દિકરાની નોકરીની લાલચમાં પૈસા આપી દીધા હતા. તે માટે ઘરેણા પણ વેચી દીધા હતા. પણ નોકરી નહીં મળતા પતિ અને પરિવારમાં ઝઘડા શરૂ થઇ ગયા હતા. અને તેમાં જ મારા ડિવોર્સ થઇ ગયા છે. હું આર્થિક રીતે અને સામાજીક રીતે હેરાન થઇ ગઇ છું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:35 am

પાવાગઢની 44 કિમીની પરિક્રમામાં 30 હજાર ભક્તો જોડાયા:પદયાત્રિકોની સેવા કરીને લોકો પુણ્ય કમાયા

શહેર નજીક આવેલા પાવાગઢ તીર્થથી શરૂ થયેલી પાવાગઢ પરિક્રમા શનિવારે સંપન્ન થઇ હતી. મુઘલોના સમયથી બંધ કરવામાં આવેલી પાવાગઢ યાત્રા ફરી એક વખત શરૂ થઈ છે. માગસર વદ અમાસથી આ યાત્રાનો પ્રારંભ થાય છે. જે બીજા દિવસે પૂર્ણ થતી હોય છે. તા.19 ડિસેમ્બર, શુક્રવારે સવારે આ પરિક્રમા શરૂ થઇ હતી. શનિવારે આ યાત્રા નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થઈ હતી. બે દિવસની આ યાત્રામાં આ વખતે 30 હજાર લોકોએ પદયાત્રા કરી હતી, જેમાં 44 કિલોમીટરમાં અનેક મંદિરો તીર્થ સ્થળો અને આશ્રમનો સમાવેશ થતો હતો. માર્ગમાં લોકોએ અનેક જગ્યાએ યાત્રિકોની સેવા કરી પુણ્યનો લાભ લીધો હતો. તેમજ યાત્રાળુઓએ રાત્રી રોકાણ દરમિયાન તાજપુરા ખાતે ભજન-કીર્તન અને ગરબા પણ કર્યા હતા. તેમજ ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી. પાવાગઢ સેવા સમિતિ દ્વારા આ યાત્રાનું આયોજન કરાયું હતું. વાઘેશ્વરી માતાજીના મંદિરેથી શરૂ થતી પરિક્રમાનો રૂટઆ પરિક્રમા વાઘેશ્વરી માતાજીના મંદિરેથી શરૂ થાય છે. સવારે 7:00 વાગે નીકળી તપલાવાવ હનુમાન દર્શન કરી પાતાળેશ્વર મહાદેવથી કોટ કાળી માતા મંદિર ભૈરવ દાદાના દર્શન કરી પ્રથમ રાત્રીનો નિવાસ તાજપુરા આશ્રમે કરાય છે. ત્યાંથી બીજા દિવસે વિશ્વામિત્રી કોતરમાં થઈને જગદીશપુરા મહારાજના આશ્રમ ધાબાડુંગરી થઈ ગુપ્તેશ્વર મહાદેવ ખોડિયાર મહાદેવ તેમજ ત્યાંથી વાઘેશ્વરી માતાએ પરત ફરે છે. પાવાગઢ એરિયલ વ્યૂથી શ્રીયંત્ર જેવો દેખાય છેડો.પરાગ પંડ્યાએ આ પરિક્રમા અંગે જણાવ્યું હતું કે,પાવાગઢને તમે એરિયલ વ્યૂથી જોશો તો તે શ્રીયંત્ર જેવું દેખાય છે. તેનું મસ્તક માતાજીનું મુખ છે અને પગ ખૂણિયા મહાદેવ છે. આ ભૂમિ વિશ્વામિત્રની તપોભૂમિ છે. શું છે પાવાગઢ પરિક્રમાનો ઇતિહાસ500 વર્ષ પહેલા મહંમદ બેગડાના આક્રમણને કારણે આ પરિક્રમા બંધ કરવામાં આવી હતી. અગાઉ આ પરિક્રમા થતી હતી જેનું રિસર્ચ કરી સંતો-મહંતો સાથે ચર્ચા કર્યા બાદ વર્ષ 2015-16થી આ પરિક્રમા શરૂ કરાઈ છે. દર વર્ષે અમાસના દિવસે આ પરિક્રમા પરંપરાગત રીતે શરૂ કરાય છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:35 am

ડીડીઓના પ્રમુખપદે સંકલનની બેઠક:‘મેટ્રોની ધીમી કામગીરીથી લોકોને હાલાકી પડી રહી છે’

સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના અધ્યક્ષસ્થાને મળી હતી. ધારાસભ્ય પ્રવિણ ધોધારીએ કહ્યું હતું કે, ‘કરંજ વિધાનસભા વિસ્તારમાં લંબે હનુમાન રોડ સહિતના રહીશોને મેટ્રો કામગીરીને બેરીકેડિંગથી ભારે મુશ્કેલી પડી રહી છે. શહેરના દરેક બ્રિજ નીચેના દબાણ દૂર કરવા મોનિટરીંગ જરૂરી છે. ફેરિયાઓ દ્વારા રસ્તા પર કરવામાં આવતા દબાણને કારણે ટ્રાફિક જામની સમસ્યા વિકટ બને છે. ત્યારે જે તે વિસ્તારમાં શાકમાર્કેટ છે ત્યાં શાકભાજી વિક્રેતા અને ફેરિયાઓને બેસાડવામાં આવે. ‘રિવરફ્રન્ટનું કાર્ય ઝડપી બને’ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રજૂઆત કરી હતી કે, ‘વર્ષ 2006માં તાપીના વિનાશક પૂર બાદ કિનારાના વિસ્તારોની સુરક્ષા માટે શરૂ કરાયેલો રિવરફ્રન્ટ પ્રોજેક્ટનું કાર્ય ઝડપથી કરાય. શહેરમાં ચાલી રહેલી મેટ્રોની કામગીરીને કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફિક સહિત સમસ્યાઓ ઉભી થઈ રહી છે. આ અંગે મેટ્રોની અત્યાર સુધીની પ્રગતિ- આયોજનનો વિગતવાર રિપોર્ટ તૈયાર કરાય. મેટ્રો અધિકારીએ લોકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરી પગલાંઓ લેવા અને પ્રગતિ રીપોર્ટ આપવા આવે. રેશનકાર્ડ ધારકોને અનાજ મેળવવામાં પડતી હાલાકી દૂર કરવા નવી વાજબી ભાવની દુકાનોનું જાહેરનામું બહાર પાડવામાં આવે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 5:33 am