SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

26    C
... ...View News by News Source

એલ્ગાર પરિષદ કેસમાં દિલ્હીના ભૂતપૂર્વ પ્રોફેસર હનીબાબુને જામીન

5 વર્ષથી જેલમાં હતા, હજુ આરોપો પણ ઘડાયા નથી સુપ્રીમમાં અપીલ માટે આદેશ પર સ્ટેની એનઆઈએની માંગ ફગાવાઈઃ યુએન રિલિજયસ ફ્રીડમ રીપોર્ટમાં બાબુના કેસનો ઉલ્લેખ મુંબઈ - હાઈ-પ્રોફાઇલ એલ્ગાર પરિષદ કેસમાં આરોપી, દિલ્હી યુનિવસટીના ભૂતપૂર્વ એસોસિયેટ પ્રોફેસર હની બાબુને ગુરુવારે બોમ્બે હાઈકોર્ટે ટ્રાયલ વિના પાંચ વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહેવાના આધારે જામીન આપ્યા હતા. આ વર્ષે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં કેસની સુનાવણી પૂર્ણ કરનાર જસ્ટિસ એએસ ગડકરી અને આરઆર ભોંસલેની ડિવિઝન બેન્ચે ગુરુવારે બાબુને મુક્ત કરવાનો અને એટલી જ રકમની શ્યોરિટી સાથે એક લાખ રૃપિયાના વ્યક્તિગત બોન્ડ ભરવાનો આદેશ આપ્યો.

ગુજરાત સમાચાર 5 Dec 2025 5:30 am

અજગરનું રેસ્ક્યૂ:પૂણી ગામે માછલી પકડવાની જાળમાં ફરાયેલા અજગરનું રેસ્ક્યુ

નવસારીના પુણી ગામે માછલી પકડવાની જાળમાં મહાકાય અજગર ફસાઈ જતા તેને વન વિભાગની હાજરીમાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીના સદસ્યોએ રેસ્ક્યુ કર્યો હતો. નવસારીના પુણી ગામે આજે એક અનોખી ઘટના સામે આવી છે. ખેડૂતના ખેતરમાં માછલી પકડવા માટે નાંખવામાં આવેલી જાળમાં એક અજગર ફસાયેલો મળ્યો હોવાની માહિતી મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલાની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ, નવસારીની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. સ્વયંસેવકો પાર્થ પટેલ, સાગર પટેલ અને સાવન દ્વારા વન વિભાગના અધિકારી નવલ રાઠોડની હાજરીમાં અત્યંત સાવધાનીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ટ્રસ્ટના જણાવ્યા અનુસાર અજગરની વિગતવાર ચકાસણી બાદ તેની ઉપર જરૂરી સર્જરી હાથ ધરવાની શક્યતા છે. અજગર શિડ્યુલ-1માં આવતી અત્યંત સંરક્ષિત પ્રજાતિ છેવાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના ટ્રસ્ટી ચિંતન મહેતાએ જણાવ્યું કે આ સાપ ભારતીય અજગર હોવાની પુષ્ટિ થઈ છે, જે વન્યજીવન સંરક્ષણ અધિનિયમ પ્રમાણે શિડ્યુલ-1માં આવતી અત્યંત સંરક્ષિત પ્રજાતિ છે. રેસ્ક્યુ દરમિયાન અજગરના શરીર પર મોટી સંખ્યામાં જીવાતો લાગેલા જોવા મળતા તેને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:28 am

PIને સન્માનપૂર્વક વિદાય અપાઈ:નવસારી ગ્રામ્ય પીઆઇ ની બદલી થતા પુષ્પ વર્ષા કરી વિદાયમાન અપાયું

નવસારી જિલ્લામાં પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર (PI)ની આંતરિક બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં ગ્રામ્ય પોલીસ મથકના PI પ્રવીણ પટેલિયાનો પણ સમાવેશ થાય છે. તેમની બદલી થતાં ગ્રામ્ય પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ તેમને પુષ્પવર્ષા કરીને વિદાય આપી હતી. યુવા પીઆઇ પ્રવીણ પટેલિયા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી ગ્રામ્ય પોલીસ મથકમાં PI તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમની સેવાકાળ દરમિયાન તેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદાય સમારોહ દરમિયાન, પોલીસ સ્ટાફે તેમની ચેમ્બરથી લઈને ગ્રામ્ય પોલીસ મથકના મુખ્ય ગેટ સુધી પુષ્પવર્ષા કરી હતી. આ પ્રસંગે પોલીસ કર્મચારીઓએ પોતાના અધિકારીને સન્માનપૂર્વક વિદાય આપી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:28 am

ખુદીરામ બોઝની જન્મ જયંતી ઉજવાઈ:વઘઇમાં સ્વાતંત્ર સેનાની ખુદીરામ બોઝની 136મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ

ભારત માતાને બ્રિટિશ શાસનમાંથી મુક્ત કરાવવા માટે માત્ર 18 વર્ષની ઉંમરે પોતાના જીવનનું બલિદાન આપનારા સૌથી નાના સ્વાતંત્ર્ય સેનાની ખુદીરામ બોઝની 136મી જન્મજયંતીનું આયોજન ડાંગના વઘઈ તાલુકામાં આવેલ યોગી અરુણાનંદ મુનિ આનંદ આશ્રમ ખુદીરામ ફાઉન્ડેશન ઉખાટિયામાં કરાયું હતું. આ કાર્યક્રમ આનંદ આશ્રમના યોગગુરુ ડો. યોગી અરુણાનંદ મુનિના માર્ગદર્શન હેઠળ આનંદ આશ્રમ ડાંગ અને ખુદીરામ ફાઉન્ડેશન દ્વારા પ્રાથમિક અને માધ્યમિક આશ્રમ શાળા શિવારીમાળમાં 260થી વધુ વિદ્યાર્થીઓ માટે મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે આચાર્ય પિયુષ ભાઈ સહિત સમગ્ર શિક્ષણ સ્ટાફ હાજર રહ્યો હતો. બાળકોને ખુદીરામ બોઝની પ્રેરણાદાયી જીવનકથાનો પરિચય કરાવ્યો અને ભગવદ ગીતાના શ્લોકો વાંચવા પ્રોત્સાહિત કરાયા હતા.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:25 am

રિક્ષા એસોસિએશન‎ની રજૂઆત:નવસારી-વિજલપોર રિક્ષા એસો.ની મનપા કમિશનરને રિક્ષા સ્ટેન્ડ ફાળવવા અનુરોધ

નવસારી-વિજલપોર ઓટો રિક્ષા એસોસિએશનના હોદ્દેદારોએ નવસારી મનપાના કમિશનરને આપેલ અરજીમાં જણાવ્યા મુજબ, છેલ્લા ઘણા વર્ષોથી નવસારીમાં રિક્ષાઓ માટે નવા સ્ટેન્ડ ફાળવવામાં આવ્યા નથી. નવસારીને મનપા જાહેર કરાયા બાદ શહેરમાં ફરતી રિક્ષાઓ માટે જૂના રીક્ષા સ્ટેન્ડ મંજૂર કરવા તેમજ અમુક નવા સ્ટેન્ડ ફાળવાય તો રિક્ષાઓ રસ્તા પર ઊભી રહેતી ઓછી થાય, જેનાથી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળી શકે. એસોસિએશન દ્વારા અગાઉ પણ ટ્રાફિક વિભાગમાં સ્ટેન્ડ માટે અરજી આપવામાં આવી હતી. મહાનગરપાલિકા બન્યા બાદ આમાં સુધારો કરવાની જરૂરિયાત જણાતાં કમિશનરને વિનંતી કરવામાં આવી છે કે તેઓ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેસીને નવા અને જૂના રિક્ષા સ્ટેન્ડ પાછા ફાળવે. હાલમાં મનપામાં 8 ગામોનો સમાવેશ કરાયો છે. ભાસ્કર ઇન્સાઇડ‎જૂના સ્ટેન્ડ 28 હતા‎નવસારી ઓટો રિક્ષા સ્ટેન્ડના પ્રમુખ રાકેશભાઇ પટેલના જણાવ્યા મુજબ નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ રસ્તા પહોળા થયા અને વિકાસના કામો થયા બાદ ઘણા રિક્ષા સ્ટેન્ડ ખોવાયા છે. સ્ટેશન પાસે, બસ સ્ટેશન પાસે પણ રિક્ષા સ્ટેન્ડ મૂકવા જગ્યા નથી. જેથી અમે જૂના સ્ટેન્ડ 28 હતા તેમા વધારો કરી 36 રિક્ષા સ્ટેન્ડની માંગ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:23 am

દબાણો હટાવી સર્વિસ રોડ પહોળા કરવાની જરૂર‎ પડી:પૂર્ણા બ્રિજ બંધ થતા જ ટ્રાફિકનું ભારણ ગ્રીડ તરફ વળ્યું, વાહન ચાલકો પરેશાન

નવસારી શહેરમાં પૂર્ણા નદી પરનો મુખ્ય બ્રિજ ભારે વાહનો માટે બંધ થતાં ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાઈ છે. હાલમાં તમામ ભારે વાહનોનું ભારણ ગ્રીડ ચાર રસ્તા વિસ્તાર તરફ વળ્યું છે, જેના કારણે દિવસ દરમિયાન અહીં સતત ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળે છે. નાગરિકો અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર થયેલા ગેરકાયદેસર દબાણોને યુદ્ધના ધોરણે દૂર કરીને રસ્તાઓને પહોળા કરવા જોઈએ. નવસારી ગ્રીડ હાઈવે આસપાસ સર્વિસ રસ્તા પહોળા થવાથી વાહનોનો પ્રવાહ સરળ બનશે અને ગ્રીડ ચાર રસ્તા પરનું ભારણ પણ હળવું થશે. લાંબા ગાળે મનપાએ રસ્તાઓનું રીસરફેસિંગ કરીને તેની ગુણવત્તા સુધારવી અને પૂર્ણા નદીના બ્રિજ પરના ભારણને કાયમી ધોરણે ઓછું કરવા વૈકલ્પિક વ્યવસ્થાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પૂર્ણા બ્રિજ 8માસથી બંધ છે ગંભીરા બ્રીજ તૂટ્યા બાદ સરકારે જિલ્લાના બ્રિજની મજબૂતાઈ માપવા માટે નિરીક્ષણ કર્યા બાદ હરકતમાં આવી પૂર્ણા નદીનો બ્રિજ ભારે વાહનો ઉપયોગ ન કરે તે માટે 8 માસથી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હતો. જેને લઇ આ દબાણ ગ્રીડ પર ન આવે તે માટે મનપા ગ્રીડ પરના દબાણો દૂર કરે તે જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:22 am

નવસારી મહાનગરપાલિકાએ ટેન્ડર બહાર પાડ્યું‎:મલ્ટીપરપઝ નવો ઓડિટોરિયમ ખાનગી પાર્ટીને ચલાવવા અપાશે

નવસારીમાં 55 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ મલ્ટી પર્પઝ ઓડિટોરિયમ મનપા હવે ખાનગી પાર્ટીને ચલાવવા આપશે. અગાઉ પાલિકા હતી ત્યારે નવસારીમાં તીઘરા વિસ્તાર નજીક અંદાજે 55 કરોડથી વધુના ખર્ચે ઓડિટોરિયમ બનાવવાનો નિર્ણય લીધો હતો,જેનું કામ પૂર્ણ થતા હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મલ્ટી પર્પઝ ઓડિટોરિયમમાં ટાઉન હોલ ઉપરાંત બેન્કવેટ હોલ, કોન્ફરન્સ હોલ, એમ્પી થિયેટર પણ છે. હવે મળતી માહિતી મુજબ મનપાએ આ ઓડિટોરિયમ ખાનગી પાર્ટીને ચલાવવા આપવાનો નિર્ણય કર્યો છે અને તે માટે ટેન્ડર પણ બહાર પાડી દીધું છે.એવું પણ જાણવા મળ્યું છે કે મનપા મહત્તમ ભાડું કેટલું લઈ શકે તે પણ જણાવશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:19 am

સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં પાર્કિંગની જગ્યાએ જપ્ત કરેલો ભંગાર:લુન્સીકુઇના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓનું પાર્કિંગ બન્યું સ્ટોરરૂમ

નવસારીના લુન્સીકૂઈ વિસ્તારમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખેલાડીઓ અને મુલાકાતીઓની સુવિધા માટે બનાવેલું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરાયેલા વાહનો અને લારીઓનું ‘ગોડાઉન' બની ગયું છે, જેના કારણે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં પ્રેક્ટિસ કરવા આવતા સેંકડો ખેલાડીઓ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે. મનપાના દબાણ ખાતા દ્વારા ટ્રાફિક અને ફૂટપાથ પરથી જપ્ત કરવામાં આવેલા વાહનોને પાર્કિંગની જગ્યામાં મૂકવામાં આવે છે. તેના પરિણામે ખેલાડીઓ અને તેમના વાલીઓને પોતાના વાહનો પાર્ક કરવા માટે જગ્યા મળતી નથી. તેમને અનિવાર્યપણે પોતાના સ્કૂટર, બાઇક અને કાર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની બહાર મુખ્ય માર્ગ પર અથવા આસપાસની ગલીઓમાં મૂકવા પડે છે. બહારના રસ્તાઓ પર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક જામની સમસ્યા વધે છે અને વાહનો ચોરાઈ જવાનો અથવા નુકસાન થવાનો ભય પણ રહે છે. આ પાર્કિંગ સુવિધા રમતવીરોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી પરંતુ તેના મૂળ હેતુનો ભંગ થઈ રહ્યો છે. ખેલાડીઓ અને સ્થાનિકોની માગણી છે કે મનપા દ્વારા જપ્ત કરાયેલા વાહનોને તાત્કાલિક અન્ય વૈકલ્પિક સ્થળે ખસેડવામાં આવે, જેથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ ખેલાડીઓ માટે પુનઃસ્થાપિત કરી શકાય. આનાથી રમતગમતની પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:19 am

ભાસ્કર ઇમ્પેક્ટ‎:નવસારીના લુન્સીકૂઇ મેદાનમાં મનપા દ્વારા ખોદાયેલ ખાડા પુરાયા

વસારી શહેરના હાર્દસમાન અને નાગરિકો માટે હરવા-ફરવાના મુખ્ય સ્થળ ગણાતા લુન્સીકૂઇ મેદાનની બદતર હાલત સુધારવા આખરે તંત્ર હરકતમાં આવ્યું છે. દિવ્ય ભાસ્કર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા અહેવાલના પગલે નવસારી મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે મેદાનના ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ગત સપ્તાહે શૌચાલય બનાવવા માટે લુન્સીકૂઇ મેદાનમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું અને એક વૃક્ષને પણ કાપી નાખવામાં આવ્યું હતું. જેનો સ્થાનિક ખેલપ્રેમીઓ અને જાગૃત નાગરિકો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. લોકોના રોષને જોતા મનપાએ કામગીરી તો તાત્કાલિક અસરથી અટકાવી દીધી હતી, પરંતુ ખાડા પુરવાની કામગીરી કરવામાં આવી ન હતી, જેના કારણે ખાડામાં કોઇ પડી જવાનો ભય રહેતો હતો. જેને લઇને દિવ્ય ભાસ્કર દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થતાની સાથે જ મનપા હરકતમાં આવી હતી અને તાત્કાલિક ધોરણે ખાડા પુરી જમીન સમતળ કરી હતી. જોકે, મેદાનમાં કરચો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:18 am

રોડમાં મટિરિયલ હલકી કક્ષાનું વાપરવાનો આક્ષેપ‎ મૂકાયો:છરવાડામાં રસ્તાના કામમાં ગેરરીતિની રાવ

વલસાડના છરવાડા ગામમાં રસ્તાનનુ કામ અધૂરું અને વેઠ ઉતારવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે. આ મામલે તપાસ કરી કસુરવારો સામે કાર્યવાહી કરવા દાદ માગી છે. વલસાડના છરવાડા ગામના ભરાડિયા ફળિયા મેઇ્ન રોડથી શૈલેષભાઇ પટેલના ઘર સુધી રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું. પરંતુ રસ્તાના કામમાં પંચાયત અ્ને કોન્ટ્રાક્ટરના મેળાપીપણાંમાં વેઠ ઉતારવા અ્ને અધુરું કામ હોવાની રાવ કરવામાં આવી છે. હલ્કી કક્ષાની ગુણવત્તાથી રસ્તો ખરાબ થઇ જવા અને અધુરું કામ હોવાની રાવ સરપંચને કરતાં પૈસા પૂરાં થઇ ગયા છે આવશે એટલે બનાવીશું તેમ કહી કોન્ટ્રાકટરને પૂછી લેજો એમ કહ્યું હતુ. કોન્ટ્રાકટરને પૂછતાં ગામ શેરીના રસ્તા આ પ્રકારના બને છે તેવું જણાવ્યું હતું. જેથી અરજદારે યોગ્ય જવાબ ન મળવાની રાવ કરી અરજદારે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં ફરિયાદ કરી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા દાદ માગી છે. આ અંગે સરપંચને રજૂઆત કરવા છતાં પ્રતિસાદ મળતો ન હોવાની રાવ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:14 am

ભાસ્કર એક્સક્લુસિવ:જિલ્લામાં મતદાર યાદી મુજબની ટકાવારી પૂર્ણ કરવામાં નોન મેપિંગના ગ્રહણથી BLOને પરસેવો

વલસાડ જિલ્લામાં સ્પેશ્યિલ ઇન્ટેન્સિવ રીવિઝનની મુદ્દત સ્ટેટ ઇલેક્શન કમિશન દ્વારા 11 ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવતાં 1200 બીએલઓ સાથે છેલ્લા 1 માસથી પાલિકાના કર્મચારીઓ, આંગણવાડી કર્મચારીઓ કામે જોતરાયાં બાદ 2002ની યાદીમાં નામો નહિ મળવાની ફરિયાદો સહિતના પ્રશ્ને સરની કાર્યવાહીમાં હજીય નોનમેપિંગ ધારણાં મુજબ નહિ થતાં ચૂંટણી તંત્ર અને બીએલઓની ચિંતા વધી ગઇ છે. તમામ મતદારોનું ડિજિટલાઇઝેશન કરવા જિલ્લા ચૂંટણીતંત્ર એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. પરંતું મોબાઇલ ઉપર પોર્ટલમાં થતાં મેપિંગની કવાયતમાં સરવર ડાઉનની પણ માથાકૂટે સમય વધુ લેતાં બીએલઓને પરસેવો છુટી રહ્યો છે. સરવર ડાઉનની સમસ્યાને લઇ સર્ફિંગમાં લાંબો સમય નિકળી જાય છે. જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ સરની આ કામગીરી માટે સરકારી કર્મચારીઓનો કાફલો કામે લાગ્યો છે. ગણતરી ફોર્મ સબમીટ કરવાની મુદ્દત લંબાઇ છે. ખાસ તો અનેક મતદારોના નામો 2002ની મતદાર યાદીમાં નહિ મળતાં મુશ્કેલીઓ ઉભી થઇ હતી કેટલાક વિસ્તારો ગાયબ જણાતાં વધુ પ્રશ્ન સર્જાવા સહિતના કારણોને લઇ મુદ્દત 11 ડિસેમ્બર 2025 સુધી લંબાવી 100 ટકા ગણતરી ફોર્મ ભરવાની કવાયત જારી રાખવામાં આવી છે.પરંતું હજી મતદારોના ફોર્મનું નોન મેપિંગ બતાવતાં બીએલઓની કામગીરી જટિલ બની રહી હોવાનું બીએલઓ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. બીએલઓ કહે છે કે, હજીય પ્રશ્નો સપાટી પર આવી રહ્યા છે ભાગડાવડામાં એક મહિલાનું નામ 2002માં શોધવા ચૂંટણી આયોગની વેબસાઇટ પર સર્ચ કરતાં સરખા નામ ધરાવતા 2 નામો નિકળ્યા હતા.જેમાં એક નામ ધરાસણા ગામનું અને એક નામ જિલ્લા બહારનું નિકળ્યું હતું. પણ ભાગડાવડાના મહિલાનું નામ નહિ નિકળ્યું હતું.છતાં મહિલાએ ફોર્મ રજૂ કર્યું છે. તેમાં અન્ય વિગતો કેવી રીતે ભરવી તે સવાલ ઉભો થયો છે. BLO સાથે પાલિકાના વધુ કર્મચારીઓ ફાળવાયા વલસાડ જિલ્લામાં પાલિકાઓમાં જૂના જે બીએલઓ ફાળવાયા હતા તેમની સાથે આંગણવાડી કાર્યકરોને જોતર્યા બાદ ઝડપી કામગીરી માટે પાલિકાઓની અન્ય શાખાના કર્મચારીઓને પણ સામેલ કરવાની ફરજ પડી રહી છે.દિવસો ઓછાં રહી ગયા છે અને તેમાં નોન મેપિંગ ગણતરી ફોર્મ્સના કારણે 11 ડિસેમ્બર 2025 સુધીમાં 100 ટકા મેપિંગ કરવા મથામણ વધી છે. ફોર્મ ભરી દીધાં પણ ડિજિટલા- ઇઝેશનની સંખ્યા ઓછી બતાવેવલસાડ જિલ્લામાં બીએલઓ દ્વારા ડોર ટુ ડોર,કાર્યકરો,વોર્ડ સભ્યો સાથે બેસી ડિજિટલાઇઝેશન માટે ગણતરી ફોર્મ ભરવામાં આવ્યા છે. ફોર્મ બીએલઓને આપવામાં આવેલા પોર્ટલ લિંન્કમાં ભરવાની હોય છે.બીએલઓ દ્વારા તેમને સોંપવામાં આવેલા ફોર્મ્સ મુજબ ભરવા છતાં કુલ ફોર્મનું મેપિંગ ઓછું બતાવતાં ચિંતા ઉભી થઇ રહી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:14 am

દારૂ ઝડપાયો:મોહનગામથી ટેમ્પામાં લઈ જવાતો 15.60 લાખનો દારૂ ઝડપાયો

મોહનગામ ચેકપોસ્ટ પર 4થી ડિસેમ્બરે ભીલાડ પોલીસે બાતમીના આધારે દમણથી પ્લાસ્ટિકનાં દાણામાં દારૂ ભરી આવતા ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. 15.60 લાખના દારૂ સાથે કુલ્લે 3242186નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. બામણ પૂજાથી મોહનગામ હાઈવે પર શિખંડી ચેકપોસ્ટ પર ભીલાડ પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો આવતા તેની તલાસી લીધી હતી. ટેમ્પામાં પ્લાસ્ટિકનાં દાણાની 409 બેગ જેની કિંમત રૂ.681686માં દારૂનાં બોક્ષ નંગ 100માં 1200 બોટલ કિંમત રૂ.1560000નો દારૂ મળી આવ્યો હતો. ટેમ્પા ચાલક જેકી રમેશ ટંડેલ (રે, કુંતા કુંતેશ્વર મંદિર, વાપી)ની અટક કરી એક મોબાઈલ કિંમત રૂ.500 મળી કુલ્લે રૂ.3242186નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. દારૂ ભરાવનાર યશ માહ્યાવંશીને ભીલાડ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:12 am

આગ લાગી:ના દાદરા દેમણી રોડ પર કંપનીમાં આગથી અફરા તફરી

દાદરા દેમણી રોડ પર આવેલ અક્ષત ફાયબર કંપનીમા સવારે કોઈક કારણસર આગ લાગી હતી આ આગને જોતા કંપનીમા કામ કરતા કર્મચારીઓ તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. બાદમા કંપની સંચાલકે ફાયર વિભાગને ફોન કરતા સેલવાસ અને ખાનવેલની ફાયરની ટીમ પોહચી એક કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.ઘટનાની જાણ થતા દાદરા પોલીસની ટીમ પણ પોહચી ગઈ હતી. તપાસમા જાણવા મળ્યુ કે કંપનીમા ધાગાના વેસ્ટેજમા આગ પકડી લીધી હતી આ ઘટનામા કોઈ ઇજા કે જાનહાનીની ઘટના બનવા પામેલ નથી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:12 am

ભાસ્કર એક્સક્લુસિવ:ધો-10માં નાપાસ છાત્રાને 11માં પ્રવેશ આપી 12 સુધી અભ્યાસ કરાવ્યો પછી કહે ‘આ ભૂલ છે’

વાંસદા તાલુકાની માધ્યમિક ગ્રામશાળા પ્રતાપનગરના સંચાલકોની ગંભીર બેદરકારી બહાર આવી છે. મળતી માહિતી મુજબ શાળાની એક વિદ્યાર્થિની ધોરણ-10માં નાપાસ થયા છતાં નિયમોના ઉલ્લંઘન સાથે તેને ધોરણ-11માં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાદમાં વિદ્યાર્થિની ધોરણ-11માં પાસ થતાં તેને ધોરણ-12માં પણ એડમિશન મળ્યું હતું. વિદ્યાર્થિની ધોરણ-12ની પ્રથમ આંતરિક પરીક્ષા પણ સફળતાપૂર્વક આપી ચૂકી હતી પરંતુ ધોરણ-12ની બોર્ડ પરીક્ષાનું ફોર્મ ભરવાનું શરૂ થતા જ શાળા સંચાલકોને પોતાની ગંભીર ખામીની જાણ થઈ. પરિણામે વિદ્યાર્થીનીને સ્કૂલે આવવા મનાઈ કરીને તેની હાજરી બંધ કરી દેવામાં આવી હતી. આ અચાનક લેવાયેલા નિર્ણયથી વિદ્યાર્થિની અને પરિવાર પર માનસિક આંચકો સર્જાયો છે. સમગ્ર મામલે વિદ્યાર્થિનીએ સંબંધિત અધિકારીઓને લેખિતમાં ફરિયાદ કરી ન્યાય માંગ્યો છે. શાળાની આ બેદરકારી શૈક્ષણિક બેદરકારી તરીકે ચર્ચાનો વિષય બની છે. હવે શિક્ષણ વિભાગ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. વિદ્યાર્થિનીની કલેકટરને ફરિયાદ શાળા સંચાલકોને લાપરવાહીની જાણ થતા જ વિવાદિત પ્રકરણને દબાવી દેવા માટે વિદ્યાર્થિની પર ધોરણ-11 અને 12ની માર્કશીટ લઈ લેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. પોતાના કારકિર્દીના બે વર્ષ બગાડ્યા હોવાનું જણાવી ન્યાયની માંગ સાથે વિદ્યાર્થીઓએ શાળાના જવાબદારો સામે કાર્યવાહી કરવાની લેખિત માંગ કલેકટરને કરી છે. હાઇસ્કૂલ સંચાલકો સામે કાર્યવાહી થવી જોઈએ વિદ્યાર્થીનીને ધોરણ-10માં નાપાસ હોવા છતાં નિયમ વિરુદ્ધ ધોરણ-11માં પ્રવેશ આપવો અને ધોરણ-12 સુધી અભ્યાસ કરાવ્યા પછી બોર્ડ ફોર્મ સમયે બહાર કરી દેવા જેવી ગંભીર બેદરકારી સામે શાળા સંચાલકો પર તાત્કાલિક તથા કડક કાર્યવાહી કરવી જરૂરી છે. શિક્ષણના નિયમો અને વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થયેલી આવી લાપરવાહી સામે સંબંધિત અધિકારીઓએ કાનૂની તથા વિભાગીય પગલાં લેવાની માંગ ઉઠી રહી છે. શિક્ષણ વિભાગ કાર્યવાહી કરશે? નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી ત્યારબાદ સ્કૂલની બહાર વિદ્યાર્થીનો અન્ય વિદ્યાર્થી પર હૂમલા જેવી ઘટનાઓ બની ચુકી છે. જેને લઇ સમગ્ર શિક્ષણ જગત સ્તબ્ધ બન્યું છે. ત્યાં હવે વધુ એક પ્રકરણ બહાર આવ્યું છે. જેમાં એક શાળામાં એસએસસીમાં નાપાસ થવા છતાં. છાત્રાને આગળના વર્ગમાં મોકલી દેવાની પ્રવૃત્તિ આચરી દેવાઇ છે. આવી ગંભીર બેદરકારી અને વર્ષ બગડવાની ચેષ્ટા સામે નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ કેવા પ્રકારના પગલા ભરશે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:07 am

પોસ્ટરનું નિદર્શન કરાયું:ખેરગામના દત્ત મંદિરે દત્તાત્રેય જયંતિ સાથે બાપજીની ફિલ્મના પોસ્ટરનું નિદર્શન કરાયું

માગશરી પૂનમ ભગવાન ‌ દત્તાત્રેયની જન્મ જયંતીદિન જેમને દૈવી ત્રિમૂર્તિ -બ્રહ્મા, વિષ્ણુ અને શિવના અવતાર માનવામાં આવે છે. દત્ત એટલે અર્પણ કરેલું આપેલું’ આ દૈવી ત્રિમૂર્તિએ ઋષિ દંપત્તિ અત્રિ અને અનસૂયાના પુત્ર સ્વરૂપે અવતાર ધારણ કર્યો હતો. આજના દત્તાત્રેય જયંતીના પવિત્ર ઉત્સવમાં શ્રી તીર્થ નારેશ્વર ધામથી આગામી જુલાઈમાં મોટા પડદે પ્રસ્તુત થનાર ચિત્રપટ -યોગીરાજ રંગ અવધૂત-ફિલ્મ નહીં, આધ્યાત્મિક યાત્રાના સત્તાવાર પોસ્ટરનું બસોથી વધુ જગ્યાએ વિમોચન કરાયું. ખેરગામ સરસીયા ફળિયા ખાતે બ્રહ્મલીન સ્વામી કૃષ્નાનંદજી દ્વારા સ્થાપિત દત્ત મંદિરમાં ખેરગામના રંગ અવધૂત અનુયાયી ભૂદેવ ઋષિ ભટ્ટ દ્વારા સમૂહ પાદુકા પૂજન કરાયું. જેના સમાપન બાદ મંદિરના પ્રાંગણમાં અનેક રંગ ભક્તો અને છાત્રાઓની ઉપસ્થિતિમાં -યોગીરાજ રંગ અવધૂત- ફિલ્મના પોસ્ટરનું સૌપ્રથમ દત્ત બાવનીના સમૂહ ગાન થયા બાદ દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભની ધૂન જય ગુરુદેવના નાદ સાથે માજી આચાર્ય ભરત નાયક, આદિત્ય, વિમલ, કિશોરભાઈ, અરુણ દેસાઈ, વિનોદ મિસ્ત્રી જય આચાર્ય વિ. દ્વારા વિમોચન કરવામાં આવ્યું જેને તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યું હતું. વિનોદ મિસ્ત્રી-ઋષિ ભટ્ટે માહિતી આપી હતી. બાદમાં તેનું ગર્ભગૃહમાં સ્થાપન કરવામાં આવ્યું હતું. પૂ.બાપજીના જુલાઈમાં મોટા પડદે પ્રદર્શિત થનારા પરમ દિવ્ય જીવન કવન આધારિત ચિત્રપટના પોસ્ટર નિદર્શનમાં શિક્ષકો સાથે ખેરગામ રામજી મંદિરના ઘણા રંગ ભક્તો પણ જોડાયા હતા. ધૂન ગાન બાદ સર્વેએ મહાપ્રસાદ લીધો હતો. સંચાલક કાળીદાસ પટેલે આભાર માન્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:04 am

વિતરણ:ઉમરસાડીની JVBS હાઈસ્કૂલમાં સાયકલનું વિતરણ કરાયું

જે . વી. બી.એસ. હાઈ સ્કૂલ, ઉમરસાડી માં સરસ્વતી સાધના યોજના અંતર્ગત ધોરણ 9 ની બાળાઓને દિનેશકુમાર એમ ટંડેલ (માજી આચાર્ય જે. એન. સી. હાઈ સ્કુલ, મરોલી.) ના હસ્તે સાયકલનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે માટે શાળાના આચાર્ય તેમજ શિક્ષક ગણ lની સહભાગીદારી થી તમામ કાર્યક્રમનું આયોજન થયું બાળકોમાં આનંદની લાગણી અનુભવાયી. શાળા પરિવાર દ્વારા સરકારને આ યોજના માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:03 am

પોસ્ટરનું વિમોચન કરાયું:ધરમપુરમાં દત્તાત્રેય જયંતિએ “યોગીરાજ રંગ અવધૂત” ફિલ્મના પોસ્ટરનું વિમોચન

ધરમપુરનાં શ્રી રંગ પરિવારે ભગવાન દત્તાત્રેયના પાવન અવતરણ દિવસ નિમિત્તે શ્રી રંગ અવધૂત મંદિરે દત્ત જયંતિની ભક્તિમય ઉજવણી યોજી હતી. પ્રાતઃકાળે દત્તનામ સંકીર્તન અને ‘દિગંબરા દિગંબરા શ્રીપાદ’ ધૂનથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી. ત્યારબાદ શણગાર આરતી, પાદુકાપૂજન અને મહાપ્રસાદ સહિતની વિધિઓમાં ભક્તોએ ઉમંગભેર ભાગ લીધો હતો. રંગ અવધૂત મહારાજના જીવન પર આધારિત ગુજરાતી ફિલ્મ “યોગીરાજ રંગ અવધૂત”નાં ઑફિશિયલ પોસ્ટરનું વિમોચન કરાયું હતુ. શ્રી રંગ પરિવાર, ધરમપુરનાં અગ્રણીઓ નીતિનભાઈ કાપડિયા,ભીખુભાઈ પરમારનાં હસ્તે પોસ્ટરનું અનાવરણ થયું હતું. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, આગેવાનો અને ભક્તો ઉપસ્થિત રહ્યા. રંગ અવધૂત મહારાજ અને દત્ત પરંપરાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને સમર્પિત આ ફિલ્મ રંગ અવધૂત મહારાજના ઉપદેશો, વ્યક્તિત્વને નવા પેઢી સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. 2026માં આવનારી આ ફિલ્મનાં પોસ્ટર વિમોચન પ્રસંગે હાજર આગેવાનો અને ભક્તોએ ફિલ્મને શુભકામનાઓ પાઠવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:03 am

હિન્દુ સંમેલનનું આયોજન કરાયું:ધરમપુર વાઘવળ ગામે હિન્દુ સંમેલનમાં 150 મંદિર નિર્માણનો સંકલ્પ ચરિતાર્થ

વલસાડ જીલ્લાનાં ધરમપુર તાલુકાનાં અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં આવેલ વાઘવળ ગામે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-વાપી (યુ.એસ.એ.) દ્વારા આયોજીત દત્તાત્રેય મંદિરનાં સભાગૃહ પ્રવેશનાં ઉદ્ઘાટન અને વિરાટ હિન્દુ સંત સંમેલનનું તા. ૩જી ડિસેમ્બર 2025નાં બુધવારનાં રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. આ અવસરે આદિવાસી લોકગીત અને વાંજીત્રોનાં સથવારે શોભાયાત્રા નિકળી હતી. આ કાર્યક્રમમાં વલસાડ જીલ્લા સહિત વિવિધ વિસ્તારોમાંથી પધારેલા સંતો અને મહાનુભાવોનાં હસ્તે દિપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો અને મહાનુભાવોનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. વિરાટ હિન્દુ સંમેલનમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા જણાવ્યુ કે પરમાત્મા આપણી પરીક્ષા લે છે. પરમાત્મા આપણી ધીરજ જોતા છે. સુખી થવુ હોય તો મંદિરમાં જાઓ, ભગવાનનાં દર્શન કરો, સંતોનાં દર્શન કરો, સંતોને સાંભળો, ભજન કિર્તન કરો ઈષ્ટ દેવ, રામનામ જાપ કરો, જય હનુમાન, જયશ્રી કૃષ્ણા, જય સ્વામિનારાયણનું સ્મરણ કરો, હનુમાન દાદા તમામ દુઃખ રોગ પીળા દૂર કરી દેશે. કળિયુગમાં ભગવાનની ભક્તિ જ તમને તમામ પ્રકારની મુશ્કેલીમાંથી બહાર કાઢશે અને સુખી રાખશે. ભગવાન દત્તાત્રેય સકારાત્મક ઉર્જાનાં સ્વામી છે. આ દત્તાત્રેય મંદિરનાં સભાપ્રવેશગૃહ 4.50 લાખનાં ખર્ચે દાતાઓનાં સહયોગથી બનાવવામાં આવ્યો છે. આ સભાગૃહ મંડપમાં દરરોજ ભજન, કિર્તન, સમુહ ભક્તિ માટે આહવાન કર્યુ હતું. આ અવસરે શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ, સલવાવ-યુ.એસ.એ.નાં મેનેજીંગ ટ્રસ્ટી પૂ. કપિલ સ્વામીજીએ 150 ઉપરાંત મંદિર નિર્માણનાં સંકલ્પને ચરિતાર્થ કર્યાની માહિતી આપી હતી તેમજ આગામી ટુંક સમયમાં 51 આદિવાસી દિકરીઓ માટે સમુહ લગ્નનાં આયોજનની જાહેરાત કરી હતી. આ સમુહ લગ્નમાં ગરીબ આદિવાસીઓ દિકરીઓ પ્રભૂતામાં પગલા માંડશેનું જણાવી સૌ દાતાઓનો સહકાર બદલ આભાર માન્યો હતો. આ વિરાટ હિન્દુ સંમેલનમાં પધારેલા સ્વામિનારાયણ સંપ્રદાયનાં સૌથી મોટા મંદિર પૈકીનાં એક એવા વડતાલ સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ મંદિરનાં ચેરમેન સંત સ્વામીજીએ જયશ્રી રામ, હર હર મહાદેવનાં નારા સાથે સંબોધનની શરૂઆત કરતા જણાવ્યુ કે આવા અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં સરકાર પણ કામ કરવામાં પાછળ પડી જતુ હોય જે કામ કરતા નથી કરી શકતુ એ સેવાકીય કામ સ્વામિનારાયણનાં સંતો કરી રહ્યા છે. પૂજય કપિલ સ્વામીજીને ટાંકીને તેમના દ્વારા થતા સેવાકીય પ્રવૃતિની સરાહના કરતા જણાવ્યુ હતુ કે માત્ર વલસાડ જીલ્લો જ નહી સમગ્ર ગુજરાત, દેશ-વિદેશમાં પણ કપિલ સ્વામીજીએ સેવાકીય પ્રવૃતિની સુવાસ ફેલાવી છે અને જરૂર પડયે વડતાલ મંદિર માટે પણ મોટાપાયે તન મન ધનથી સેવા પૂરી પાડી રહ્યા છે. મંદિર નિર્માણની કામગીરીની સરાહના કરતા જણાવ્યુ હતુ કે જે પોતાના ઈષ્ટદેવના મંદિરોનાં નિર્માણની સાથે સાથે હિન્દુ દેવી દેવતાઓનાં પણ મંદિર બનાવે એ સ્વામિનારાયણ સંપ્રદાય. અમને એ વાતનો ગર્વ છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન સલવાવનાં સ્વામી રામકૃષ્ણદાસજીએ કર્યુ હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:02 am

બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન:ફણસા પ્રા.શાળામાં બાળ વૈજ્ઞાનિકોએ પાંચ વિભાગોમાં 75 કૃતિ પ્રદર્શનમાં મૂકી

ક્લગામ પ્રાથમિક શાળામાં 4 ડિસેમ્બરે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2025,26 ને ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે ખુલ્લું મૂક્યું હતું. બે દિવસ ચાલનારા પ્રદર્શનમાં પાંચ વિભાગોમાં બાળ વૈજ્ઞાનિકોએ 75 કૃતિઓ રજૂ કરી છે. ક્લગામ પ્રાથમિક શાળા માં વર્ષ 2025,26 નું ઉમરગામ તાલુકા બી.આર.સી.કક્ષા નું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મૂકયુ છે.અગાઉ આ ફણસા પ્રાથમિક શાળા નો બાળ વૈજ્ઞાનિકે કચરા ના વ્યવસ્થાપન માં નેશનલ લેબલ પ્રથમ ક્રમ મેળવ્યો હતો.જેનું ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર ના હસ્તે પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.નેશનલ લેવલે વિજેતા બનેલા વિદ્યાર્થીએ માર્ગદર્શન બનેલા શિક્ષિકા ફાલ્ગુનીબેન પટેલ અને શાળાને ગૌરવ અપાવ્યું હતું. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન માં ટકાઉ ખેતી,કચરા નું વ્યવસ્થાપન અને પ્લાસ્ટિકનાં વિકલ્પો,હરિત ઉર્જા અને ગ્રીન એનર્જી,વિકસિત નવીન ટેક્નોલોજી, મનોરંજન સંબંધિત ગાણિતિક મોડેલિંગ, આરોગ્ય અને સ્વછતા, જળ સરક્ષણમાં પાંચ વિભાગોમાં 75 કૃતિઓ રજૂ કરી હતી. દરેક વિભાગમાં 15 કૃતિ રજૂ કરાઈ હતી. ત્રણ વિભાગો ફણસા શાળામાં અને બે વિભાગો વડીયા સ્કૂલ ના મકાનમાં રાખ્યા છે. ઉમરગામના શિક્ષણ વિભાગના અધિકારીઓ, બી.આર.સી સ્ટાફ, શિક્ષકો, સરપંચો, હોદ્દેદારોની ઉપસ્થિતિ વચ્ચે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનને ખુલ્લું મૂકાયું છે. 5 ડિસબરે સમાપન પ્રસંગે વિજેતા બનેલ કૃતિઓ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં મૂકાશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:00 am

ધર્મેન્દ્રનાં અસ્થિ વિસર્જન વખતે સનીએ પાપારાઝીનો કેમેરો ઝૂંટવ્યો

કિતને પૈસે ચાહિયે તેમ કહી ધમકાવ્યો અગાઉ પણ પોતાના ઘર પાસે એકઠા થયેલા કેમેરાપર્સન્સને ખખડાવ્યા હતા મુંબઇ - ધર્મેન્દ્રનાં હરિદ્વારમાં અસ્થિ વિસર્જન વખતે શૂટિંગ કરી રહેલા પાપારાઝીને સની દેઓલે બહુ આકરા શબ્દોમાં ધમકાવી તેનો કેમેરો ઝૂંટવી લીધો હતો. અસ્થિવિસર્જનની ક્રિયા ચાલતી હતી ત્યારે સની દેઓલ જોયું હતું કે એક પાપારાઝી તે ક્રિયાનો વીડિયો અને તસવીરો લઇ રહ્યો હતો. સનીએ કેમેરામેનને તને કાંઈ શરમ છે કે નહિ, તને કેટલા પૈસા જોઈએ છે તેમ કહી બહુ ધમકાવ્યો હતો.

ગુજરાત સમાચાર 5 Dec 2025 5:00 am

મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:પુતિન ભારત પહોંચ્યા, કહ્યું- ભારત નસીબદાર છે કે તેની પાસે મોદી છે; ઈન્ડિગોની 550 ફ્લાઈટ રદ; ગુજરાત ATSએ બે જાસૂસ પકડ્યા

નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ભારતમાં આગમન વિશે રહ્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમને આવકારવા એરપોર્ટ પર પહોંચ્યા હતા. બીજા મોટા સમાચાર દેશની સૌથી મોટી એરલાઇન, ઇન્ડિગો દ્વારા 300 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી તેના વિશે રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. 1984ના શીખ વિરોધી રમખાણોમાં દોષિત બલવંત ખોખરની અરજી પર દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. 2. પુતિન પીએમ મોદી સાથે દિલ્હીમાં 23મા ભારત-રશિયા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં ભાગ લેશે. કાલના મોટા સમાચારો 1. પુતિને કહ્યું- ભારત ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે:તેઓ કોઈના દબાણમાં નથી આવતા, ઘણા દેશો ભારતની પ્રગતિની ઈર્ષ્યા કરે છે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારતને મહાન શક્તિ ગણાવતા કહ્યું છે કે પીએમ મોદી કોઈ દબાણમાં આવતા નથી. તેમણે આ વાત મોસ્કોમાં ઇન્ડિયા ટુડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહી. પુતિને પીએમ મોદીની નેતૃત્વ, ભારત-રશિયા સંબંધો, વૈશ્વિક રાજકારણ અને અમેરિકાની નીતિઓ પર ખુલીને વાત કરી. પુતિને કહ્યું કે મોદી દબાણમાં આવનારા નેતાઓમાંના નથી અને ભારત એક મહાન શક્તિ તરીકે દુનિયામાં ઉભરી રહ્યું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા ભારત પર ટેરિફ લગાવીને રાજકીય દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો પુતિને સ્પષ્ટ કહ્યું કે ભારત પોતાની સ્વતંત્ર નીતિ પર ચાલે છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. સુપ્રીમ કોર્ટે કહ્યું- સરકારી કર્મચારીઓને SIR ડ્યુટી નિભાવવી પડશે:વધુ બોજ હોય તો સ્ટાફ વધારો; 7 રાજ્યોમાં 29 BLOના મોત થયા છે સુપ્રીમ કોર્ટે ગુરુવારે જણાવ્યું કે રાજ્ય સરકારો અથવા રાજ્ય ચૂંટણી પંચો દ્વારા નિયુક્ત કર્મચારીઓએ SIRની ફરજ બજાવવી પડશે. જો કોઈની પાસે ફરજમાંથી મુક્તિ માગવાનું કોઈ ખાસ કારણ હોય, તો રાજ્ય સરકાર તેમની અપીલ પર વિચાર કરીને તેમની જગ્યાએ અન્ય કર્મચારીની નિમણૂક કરી શકે છે. ભારતના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે જણાવ્યું કે રાજ્ય સરકારના કર્મચારીઓ SIR સહિતના અન્ય વૈધાનિક કાર્યો કરવા માટે બંધાયેલા છે. રાજ્ય સરકારોની પણ ફરજ છે કે તેઓ ચૂંટણી પંચ (EC)ને કર્મચારીઓ ઉપલબ્ધ કરાવે. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇન્ડિગોમાં ક્રૂ-સંકટ, કંપની પાસે માણસો નથી!:300 ફ્લાઇટ્સ રદ; જયપુર, દિલ્હી, ઈન્દોરમાં હજારો મુસાફરો અટવાયા; 3 પેસેન્જર બેભાન એવિએશન સેક્ટરમાં નવા સલામતી નિયમોને કારણે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ક્રૂની અછતનો સામનો કરી રહી છે. આનાથી ઇન્ડિગોના સંચાલન પર ગંભીર અસર પડી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવારે એકલા મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પર 300થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. પુણે એરપોર્ટ પર એક મુસાફરે આઠ કલાકથી વધુ સમય રાહ જોયાની જાણ કરી. એરપોર્ટના બંને માળ મુસાફરોથી ભરેલા હતા. ત્રણ મુસાફર બેભાન પણ થઈ ગયા. ફ્લાઇટ રદ કરવા અંગે એરલાઇન તરફથી કોઈ મેસેજ નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 4. અમેરિકામાં પાકિસ્તાની PM-આર્મી ચીફ પર પ્રતિબંધ લગાવવાની માગ:44 અમેરિકી સાંસદોએ વિદેશ મંત્રીને પત્ર લખ્યો, કહ્યું- પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે અમેરિકી સંસદના 44 સાંસદોએ બુધવારે વિદેશ મંત્રી માર્કો રુબિયોને પત્ર લખીને પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે. આ સાંસદોનો આરોપ છે કે પાકિસ્તાનમાં સેના સરકાર ચલાવી રહી છે. દેશમાં સામાન્ય લોકોના અધિકારોનું મોટા પાયે હનન થઈ રહ્યું છે. વિદેશમાં રહેતા પાકિસ્તાની મૂળના અમેરિકી નાગરિકોને પણ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવા પર ધમકીઓ આપવામાં આવી રહી છે. આ પત્ર ડેમોક્રેટિક મહિલા સાંસદ પ્રમિલા જયપાલ અને સાંસદ ગ્રેગ કાસરના નેતૃત્વમાં લખવામાં આવ્યો છે. આમાં સાંસદોએ કહ્યું કે પાકિસ્તાનમાં તાનાશાહી વધી રહી છે. પત્રકારોને ધમકાવવામાં આવી રહ્યા છે, અપહરણ કરવામાં આવી રહ્યું છે અથવા દેશ છોડવા મજબૂર કરવામાં આવી રહ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું ₹459 ઘટીને ₹1.28 લાખ પ્રતિ 10 ગ્રામ થયું:ચાંદી ₹2,477 ઘટીને ₹1.76 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે, કેરેટ મુજબ સોનાની કિંમત જુઓ આજે એટલે કે 4 ડિસેમ્બરે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ સોનું 459 રૂપિયા સસ્તું થઈને 1,27,755 રૂપિયા થયું છે. આ પહેલા સોનું 1,28,214 રૂપિયાનું હતું. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત ₹1,30,410 છે. જ્યારે, ચાંદીનો ભાવ 2,477 રૂપિયા ઘટીને 1,75,713 રૂપિયા થઈ ગયો છે. આ પહેલા ચાંદીની કિંમત 1,78,190 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગુજરાત ATSએ ISIS સાથે સંકળાયેલા બે જાસૂસની ધરપકડ કરી:નિવૃત્ત આર્મી મેન પોસ્ટિંગથી લઈ મૂવમેન્ટની માહિતી પાકિસ્તાન પહોંચાડતો ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આજે(4 ડિસેમ્બર) ATSએ જાસૂસી કરતા બે આરોપીની ધરપકડ કરી છે. ગોવાથી રાશમની રવીન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી એ.કે. સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતાં અને ISIS માટે કામ કરતા હતા. તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતાં હતાં. હાલ ATSએ બંનેની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. આરોપી એ.કે. સિંહ આર્મીમાં સુબેદાર હતો અને તે પાકિસ્તાનના જાસૂસોને આર્મીની માહિતી આપતો હતો. જ્યારે રાશમની હનીટ્રેપ કરી આર્મી જવાનો પાસેથી માહિતી મેળવી પાકિસ્તાની હેન્ડલર્સને પહોંચાડતી હતી. તેમજ તે મહેમદાવાદા તાલુકાના કાચ્છઈ ગામના યુવકના શખ્સના સંપર્કમાં હતી.આ યુવક સાથેની સંવેદનશીલ કડીઓ સામે આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું સ્ટેટસ ચેક કરીને જજો!:દિલ્હી-હૈદરાબાદથી આવતી 3 ફ્લાઈટ કેન્સલ, દુબઈ-મુંબઈ સહિતની 12 ડીલે; કાઉન્ટર પર પેસેન્જરોની લાંબી લાઈન સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગોના કાઉન્ટર આગળ મુસાફરોની લાંબી કતારો અને ગુસ્સાનો માહોલ છવાયો છે. નવા DGCA સલામતી નિયમોના કારણે ક્રૂની અછતને લીધે દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સતત ત્રીજા દિવસે ભારે સંકટમાં છે. દેશભરમાં ગઈકાલે 300થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ, જ્યારે આજે બપોર સુધીમાં અમદાવાદ આવતી 3 ફ્લાઇટ્સ કેન્સલ, 12 ફ્લાઈટ્સ મોડી અને અમદાવાદથી જતી 9 ફ્લાઇટ્સ પણ મોડી પડી છે, જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર જ ફસાયા છે અને આવતીકાલની ફ્લાઇટ મળશે કે કેમ તેની પણ કોઈ ખાતરી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : ઝાંસીમાં અમિતાભ બચ્ચનનો વોટ, 2003માં મતદાન કર્યું!:વોટર લિસ્ટમાં નામ મળ્યું, મકાન નંબર-54; પડોશીઓ બોલ્યા- અમે ફક્ત ફિલ્મોમાં જોયા છે વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ઇમરાનની બહેને કહ્યું- આસિમ મુનીર ઇસ્લામી કટ્ટરપંથી:ભારત સાથે યુદ્ધ ઇચ્છે છે, ઈમરાન BJP સાથે સંબંધો સુધારવા ઇચ્છતા હતા વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : બાબરી બનાવવાની જાહેરાત કરનાર TMC ધારાસભ્ય સસ્પેન્ડ:હુમાયુ કબીરે કહ્યું- મસ્જિદ ચોક્કસ બનશે; તૃણમૂલ અને ભાજપ સામે વિધાનસભા ચૂંટણી લડીશ વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : અફઘાનિસ્તાન- 13 વર્ષના બાળક પાસે અપાવી મૃત્યુદંડની સજા:80 હજાર લોકો જોવા ઉમટી પડ્યા, દોષિતે બાળકના 13 સ્વજનોનો જીવ લીધો હતો વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : રૂપિયો સતત બીજા દિવસે ઓલ ટાઈમ લો પર:ડોલર સામે 28 પૈસા ઘટીને 90.41 પર આવ્યો; સોનું અને ક્રૂડ ઓઇલ મોંઘા થશે, નિકાસકારોને ફાયદો વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સાઉથ આફ્રિકાનો ભારત સામે હાઈએસ્ટ રન ચેઝ:હોમગ્રાઉન્ડ પર કોહલીની 40મી સદી, રોહિતે 9 હજાર રન પૂરા કર્યા; ટોપ રેકોર્ડ્સ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : રામલલ્લાને રેશમી રજાઇ, કાનુડાને ઊનના મોજાં:શિયાળામાં અયોધ્યા-મથુરામાં ઠાકુરજીને ઠંડીથી બચાવવા મંદિરમાં સગડી સળગાવી, ભોગમાં ફેરફાર કરાયા વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે બિહારમાં રસગુલ્લા ઓછા પડતાં લગ્નમાં ખુરશીઓ ઊડી બિહારના ગયાજીમાં એક લગ્ન ત્યારે તૂટી ગયા, જ્યારે જમવાના સમયે રસગુલ્લા ઓછા પડ્યા. આ બાબતને લઈને જાનૈયાઓ અને કન્યા પક્ષ વચ્ચે મારામારી થઈ ગઈ. બંને પક્ષોએ એકબીજા પર ખુરશીઓ ફેંકી. આ દરમિયાન પ્લેટ અને ગ્લાસ પણ ફેંકાયા, જેમાં ઘણા લોકો ઘાયલ થયા. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. IPS ડાયરીઝ-4 : ‘બાળકીનો રેપ કરી બે કટકા કરી નાંખ્યાં’:હજારોના ટોળાંએ પોલીસને ઘેરી, IPS મકરંદ ચૌહાણ કહે, ‘મોડો પડ્યો હોત તો પોલીસને જીવતા સળગાવી નાખત’ 2. ભાસ્કર એક્સપ્લેનર : પુતિનના 60 વર્ષની ઉંમરે છૂટાછેડા, 31 વર્ષ નાની ગર્લફ્રેન્ડ:બાળકોને ભણાવવા માટે બ્રિટનથી ટીચર આવે છે; રશિયાના રાષ્ટ્રપતિનું સિક્રેટ ફેમિલી 3. ‘મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનવી નક્કી, હિંમત હોય તો તોડી પાડો’:મસ્જિદનું એલાન કરનારા હુમાયુ કોણ છે, BJPએ કહ્યું- અયોધ્યા જેવો હાલ થશે 4. આજનું એક્સપ્લેનર: ભારત પાસેથી કઈ 3 વસ્તુઓ ઈચ્છે છે રશિયા? શું પુતિન માટે ટ્રમ્પની નારાજગીનું જોખમ લેશે PM મોદી? 5. ગ્રાઉન્ડ રિપોર્ટ : ‘પતિ રશિયન સેનામાં ફસાયા, સરકાર પુતિન પાસેથી પાછા માગે’:44 ભારતીયો વોરઝોનમાં, પરિવાર પરેશાન; રશિયાના રાષ્ટ્રપતિના ભારત પ્રવાસથી આશા 6. 3 હજારમાં થતો ટેસ્ટ રૂ.15ની કિટ કરી આપશે:ભાવનગરનાં વૈજ્ઞાનિકોએ યુરિન ઇન્ફેક્શન ડિટેક્ટ કરતો સેટ બનાવ્યો, 2 દિવસના બદલે 9 કલાકમાં રિપોર્ટ મળશે 7. બ્લેકબોર્ડ: મારો નેશનલ ચેમ્પિયન દીકરો બાસ્કેટબોલના પોલથી દબાઈને મૃત્યુ પામ્યો:મને કહેતો- દુનિયા મને હાર્દિકના પપ્પા કહીને બોલાવશે, તંત્રની બેદરકારીથી દીકરો હવે હયાત નથી 8. પ્રેગ્નન્સી દરમિયાન આ 12 ફૂડથી સાવધાન!:આ સમયે જે ખાશો તે તમારું અને સંતાનનું ભવિષ્ય નક્કી કરશે; ગાયનેકોલોજિસ્ટ પાસેથી જાણો હેલ્ધી ડાયટ પ્લાન કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ ​​​​​​​ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ:કર્ક જાતકોને આજે લેવાયેલો નિર્ણય નજીકના ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે; તુલા જાતકોએ જાહેર સ્થળે વાદ-વિવાદથી બચવું વાંચો સંપૂર્ણ રાશિફળ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 5:00 am

વારસાની જાળવણી:ધરમપુરમાં રાજવી કાળનાં મંદિરના જીર્ણોધ્ધાર

ધરમપુરનાં મામલતદાર કચેરી હસ્તકનાં રાજા સમયનાં સહીત કુલ 13 મંદિર અને ટ્રસ્ટમાં જરૂરી સમારકામ માટે સર્વેની કામગીરી શરુ કરવામાં આવી છે. આ સર્વે માટે પ્રાંત અધિકારી ધરમપુરનાં માર્ગદર્શનમાં મામલતદાર કચેરીની ટીમની સાથે આરએન્ડબી સ્ટેટ ધરમપુરની સંયુક્ત ટીમ મંદિરોની વર્તમાન મજબૂતી, જરૂરી સમારકામનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે. વહીવટી અને ટેકનિકલ ટીમનાં આ સંયુક્ત સર્વે બાદ સંપૂર્ણ દરખાસ્ત તૈયાર કરીને સરકારમાં રજૂ કરવામાં આવશે એવી માહિતી પ્રાપ્ત થઇ છે. ધરમપુર નગરની મધ્યમાં સ્થિત પૌરાણિક શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં ચોમાસામાં છતમાંથી ટપકી ભગવાનની મૂર્તિ પર ટપકતા પાણીને લઇ ગામનાં જાગૃત યુવા ઋષિત મસરાણી સહીત ભક્તોમાં મંદિર રીનોવેશનની ઉઠેલી માગ વચ્ચે ધરમપુરનાં 13 મંદિરનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે. સર્વે દરમ્યાન ભક્તો તથા ધર્મપ્રેમીઓ પાસેથી જરૂરી રજુઆત તથા સૂચન પણ લેવામાં આવશે એવી માહિતી મળી છે. ધરમપુરનાં આ 13 મંદિર પૈકી શ્રી રાધાકૃષ્ણ મંદિરનું કરોડો રૂપિયાનાં ખર્ચે જીર્ણોધ્ધાર સરકારે કર્યુ હતુ. તેમજ હાલે ધરમપુરનાં ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનાં જતન માટે મામલતદાર હસ્તકનાં મંદિરોનું સર્વે શરુ થયું છે. વર્ષોથી ધ્યાન અપાયું ન હતું હવે એક આશ બંધ્યા છે. હાલ મંદિર‎સરકાર હસ્તક‎શ્રી લક્ષ્મી નારાયણ મંદિર, શ્રી રાધાકૃષ્ણ મંદિર, શ્રી ગોરા રામજી મંદિર, વિજયા અગ્નિ મંદિર મનહરઘાટ, શ્રી દલેશ્વર મહાદેવ, વિમળેશ્વર મહાદેવ, સતીમાતા મંદિર, ઘુલી પ્લેસ, શ્રી મારૂતી મંદિર શેરીમાળ, શ્રી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર, શ્રી બળીયાકાકા મહાદેવ મંદિર, શ્રી રાજરાજેશ્વર મંદિર, નાની વહિયાળ, શ્રી નર્મદેશ્વર,ધર્મેશ્વર , જતનેશ્વર મહાદેવ મંદિર અને સ્વ.રાજપૂતોની દેરી મનહરઘાટ, શ્રી હનુમાનજી અને મહાલક્ષ્મી મંદિર, શ્રી કાળા રામજી મંદિરઅને શ્રી મનહરકુંવરબા રામ મંદિર, વિરવલ

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:53 am

મંદિરમાં ચોરી:ગાંભુના અંબાજી મંદિરમાંથી 8 હજારના દાગીના ચોરાયા

બહુચરાજીના ગાંભુ ગામે આવેલા અંબાજી મંદિરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી અજાણ્યા ચોરોએ મંદિરમાં પ્રવેશ કરીને માતાજીના માથાનો ચાંદીનો મુગટ, ચાંદીનો હાર, એક જોડી ચાંદીની બુટ્ટી, ચાંદીના છત્તર સહિત એક કિલો ચાંદી જેની કુલ કિંમત 8000 જેટલી થાય તેની ચોરી કરી ગયા હતા. 2 ડિસેમ્બરના રોજ સવારે મંદિરમાં પૂજા કરવા ગયેલા પૂજારીને ખબર પડતા તેમણે ગામના આગેવાનને વાત કરતા ભીખાભાઈ પટેલે મોઢેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભાસ્કર વિશેષ:પિતાની નોકરી છૂટી , સંતાનોએ કહ્યું ચિંતા ના કરો ઘરમાં‎સરકારી નોકરી આવશે , ભાઈ બહેન પોલીસમાં લાગ્યા‎

કહેવત છે કે સંઘર્ષથી સમયને બદલી શકાય છે. સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામના એક ગરીબ રબારી પરિવારમાં આજે ખુશીનો માહોલ છે, જ્યાં અપંગ પિતાની ડેરીની નોકરી છૂટી જતા લાચારી જોઈને તેમના દિકરા-દીકરીએ હવે સરકારી નોકરી લેવાનું લીધેલું વચન 5 વર્ષના અંતે પૂર્ણ થયું છે. નાગજીભાઈ રબારીના પુત્ર માવજીભાઈ અને પુત્રી આશાબેનનું એકસાથે ગુજરાત પોલીસમાં સિલેક્શન થયું છે, જેના કારણે પરિવારમાં આનંદો છવાયો છે. મોટા નાયતા ગામમાં ગરીબ પરિવારના નાગજીભાઈ રબારી અપંગ હોવા છતાં માંડ-માંડ ઘર ચલાવવા ગામની દૂધ ડેરીમાં મંત્રી તરીકે નોકરી કરતા હતા. પરંતુ, 2020માં તેમની નોકરી છૂટી જતાં આખા પરિવાર પર આર્થિક સંકટ ઊભું થયું. પિતાની આંખોમાં ચિંતા અને માતાનો ઘર ચલાવવાનો સંઘર્ષ જોઈને દીકરા માવજીભાઈનું હૃદય પીગળી ગયું. તેમણે પિતાને સ્પષ્ટ કહ્યું કે, “પપ્પા, હવે તમે કોઈ ખાનગી નોકરીની ચિંતા ન કરો. હું અને આશા (બહેન) સરકારી નોકરી મેળવીને જ તમારું સપનું પૂરું કરીશું. વર્ષ 2021 થી જ ભાઈ બહેને ગામ નજીક. મેલુસણ ગામની લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ સાથે ગામના ખુલ્લા રોડ ઉપર દોડી મેદાન પાસ કરવા તનતોડ તૈયારીઓ શરૂ કરી હતી. પ્રથમ પ્રયાસમાં બન્નેને નજીવી માર્ક્સ ઓછા આવતા નિષ્ફળતાઓ મળી પરતું હિંમત ન તોડાવી શકી અને આ વચન પૂરું કરવા માટે ભાઈ-બહેને દિવસ-રાત એક કરી દીધા. બન્ને સાથે માતાને ખેતીકામ અને ઘરકામમાં મદદ કરીને અભ્યાસ કરતા હતા વર્ષ 2021થી શરૂ થયેલા સંઘર્ષમાં તેમને ઘણી નિષ્ફળતા મળી હતી.અંતે આકરી મહેનત રંગ લાવી અને વર્ષ 2025માં બંને ભાઈ-બહેનનું ગુજરાત પોલીસમાં એકસાથે સિલેક્શન થયું. લાઇબ્રેરીમાં વાંચ્યું રોડ ઉપર દોડીને પ્રેક્ટિસ કરતાભાઈ માવજીભાઈ સંઘર્ષની કહાની વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 2022ની પોલીસ ભરતીમાં માત્ર 0.47 માર્ક્સ અને ક્લાર્કમાં 1 માર્ક્સથી રહી ગયો હતો.મારી બહેન આશાબે SSC GD અને ફોરેસ્ટની પરીક્ષામાં માત્ર 0.50 માર્ક્સથી મેરીટમાં આવતા ચૂકી ગઈ હતી. ઘરમાં અપંગ પિતા અને એકલવાયા માતાનો વિચાર કરીને બંનેએ નક્કી કર્યું કે હવે હારવું નથી.મેલુસણ લાઈબ્રેરીમાં વાંચન કરી રોડ પર સાથે દોડીને શારીરિક તૈયારી કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

મનપાની ચેતવણી:મહેસાણામાં 3736 મિલકતદારો 15 દિવસમાં વેરો નહીં ભરાય તો મનપા જપ્તી વોરંટ કાઢશે

મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં રૂ. 5,000થી વધુ મિલકત વેરો બાકી રાખનારા મિલકતદારો સામે મનપાએ કડક પગલાં શરૂ કર્યા છે. વોર્ડવાઇઝ બાકીદારોની યાદી તૈયાર કરીને અત્યાર સુધી વેરા વોર્ડ પૈકી 7 વોર્ડ ના કુલ 3736 મિલકતદારોને 15 દિવસની અંદર વેરો ભરવા અલ્ટિમેટમ આપતી માંગણા નોટિસ ફટકારી છે. જેમાં મ્યુ.કમિશનરને ખાતરી થાય તેવું રકમ ન ભરવા માટેનું પૂરતું કારણ દર્શાવવામાં ન આવે તો રકમ ખર્ચ સાથે વસુલ કરવા માટે મિલકત ટાંચ કે જપ્તી વોરંટ કાઢવામાં આવશે તેવી ચેતવણી આપવામાં આવી છે. જૂના પાલિકા હદ વિસ્તારમાં કુલ 1.08 લાખ મિલકતદારો છે, જેમાંથી 67 હજાર લોકોએ વેરો ભર્યો છે, જ્યારે હજી 41 હજાર મિલકતદારો વેરા બાકી છે. અત્યાર સુધી ચાલુ અને પાછલા વર્ષો મળીને મનપાને કુલ રૂ.14 કરોડ વેરા આવક પ્રાપ્ત થઈ છે. 30 દિવસમાં વેરો ભર્યો તો 10 ટકા રાહત મનપાના વેરા માંગણા બિલ તારીખથી 30 દિવસમાં વેરાની રકમ ભરતા મિલકતદારોને વાર્ષિક મિલકત વેરાની રકમ માં 10 ટકા રિબેટ લાભ એટલે કે રાહત મળશે. જ્યારે આ 30 દિવસ પછી 60 દિવસ સુધીમાં વેરો ભર્યો તો બીલમાં રકમ દર્શાવી છે એ તમામ ભરપાઈ કરવાની રહેશે, તેમાં રિબેટ લાભ નહી મળે. જ્યારે માંગણા બિલ તારીખથી 90 દિવસ પછી વેરો ભર્યો તો વેરા રકમમાં 18 ટકા પેનલ્ટી સાથે ભરવી પડશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વીજ થાંભલો થયો ધરાશાયી:રાધનપુર રોડ પર ઝાડ વીજલાઇન પર પડતાં થાંભલો કાર પર પડ્યો

મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલા શક્તિધારા સોસાયટીના રોડ બાજુનું મોટું વૃક્ષ ગુરુવારે ધરાશાયી થયું હતું. સવારે લગભગ 11 વાગ્યે ઘટેલી આ ઘટનામાં વૃક્ષ સીધું વીજ લાઈન પર પડતાં પોલ જમીનદોસ્ત થયો હતો. પોલ સાથે પડેલા વૃક્ષે નજીક પાર્ક કરેલી જીજે 02 સીપી 1085 નંબરની કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. ઘટના બાદ આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી કામગીરી શરૂ કરી હતી. થોડોક સમય ટ્રાફિકમાં અવરજવર ખોરવાઈ હતી; હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

અકસ્માતનો ભય તોળાયો:રામોસણા ઓવરબ્રિજમાં ગુરુદ્વારા તરફ સેફ્ટી ગાર્ડ 4 દિવસથી તૂટેલી હાલતમાં

મહેસાણામાં રામોસણા ઓવરબ્રિજનું રામોસણા ચોકડીથી ગુરુદ્વારા તરફ ઉતરતા બ્રિજ સાઇડમાં સેફ્ટી ગાર્ડ છેલ્લા ચાર દિવસથી તૂટેલી હાલતમાં છે અને સર્વિસ રોડની ફૂટપાથ પર પડી રહ્યું છે. બ્રિજ ઉતરતા એપ્રોચ સાઈડ વાહન ચાલકો માટે સંરક્ષણ માટે આ એન્ગલ તૂટેલી પડી છે. જેના લીધે વાહનચાલકો સાઇડમાં એન્ગલના અભાવે ગુરુદ્વારા સાઈડ રોડ સમજી નીચે ખાબકી પડે તેવું જોખમ સર્જાઇ શકે છે. વાહનચાલક અલ્પેશભાઇ પટેલે કહ્યું કે, ચાર દિવસથી આ સેફ્ટી ગાર્ડ તૂટેલો પડ્યો છે પણ હજુ સુધી ફુટપાથથી ઉપાડીને ફરી બ્રિજ સાઇડ ફીટ કરવામાં આવ્યો નથી,જેના લીધે બ્રિજ ઉતરતા વાહનચાલકો માટે આ જગ્યા ખુલ્લી હોવાથી અકસ્માતનો ભય તોળાઇ રહ્યો છે. ત્યારે સત્વરે તંત્રએ ઓવરબ્રિજ સાઇડ તૂટેલ સેફ્ટી ગાર્ડની મરામત કરીને ફરી ફીટ કરવો જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ચોરી:ઊંઝા રેલવે કોલોનીના સ્ટાફ ક્વાટર્સમાંથી 33હજારની ચોરી

ઊંઝા રેલવે કોલોનીમાં બે ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ચોરોએ બે સ્ટાફ ક્વાર્ટરના દરવાજા તોડી ઘરમાં ઘૂસી 33હજારની મત્તાની ચોરી કરી ગયા હતા મહેસાણા રેલ્વે પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઊંઝાની રેલવે કોલોનીમાં આવેલા સ્ટાફ ક્વાર્ટર્સ પૈકી એકનો પાછળનો દરવાજો તૂટેલો અને ખૂલ્લો હતો. રેલ્વે સ્ટેશન માસ્તરે જીતેન્દ્રકુમાર બેરવાના ક્વાટર્સમાં જઈને તપાસ કરતાં તેમાંથી એલઈડી ટીવી અને પૈસા રાખવાનો ગલ્લો તેમજ ચાંદીની પાયલની ચોરી થઈ હોવાની ખબર પડી હતી. સાથે ટિકિટ બારી ઉપર નોકરી કરતાં કર્મચારી મુકેશકુમારના સ્ટાફ ક્વાર્ટર્સ માંથી પણ 5000 રોકડા કેબલ પર મૂકેલ કાંડા ઘડિયાળ સહિત બંને જગ્યાએથી 33,000ની મત્તાની અજાણ્યા ચોરો ચોરી કરી ગયા હોવાની ફરિયાદ સ્ટેશન માસ્તર રાકેશ કુમારે મહેસાણા રેલ્વે પોલીસ મથકે નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

જિલ્લા શિક્ષણાધિકારીનો શાળાઓને આદેશ:શાળાઓમાં વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના ગરમ કપડાંની છૂટ

શિયાળાની ઋતુ શરૂ થઇ છે ત્યારે સવારની શાળાઓમાં પવનના સુસવાટા વચ્ચે ઘરેથી શાળાએ જતા વિદ્યાર્થીઓ ગરમ કપડા પહેરીને શાળાએ જવા લાગ્યા છે. આ દરમિયાન શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના જ કે રંગના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહીં અને વિદ્યાર્થીઓ અનુકુળતા પ્રમાણે ગરમ કપડા પહેરી શાળાએ જઈ શકશે તેવી છૂટછાટ અંગે શાળાઓને મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી બી.એન.પટેલે આદેશ કર્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તમામ શાળાઓને જણાવાયું છે કે શિયાળાની ઠંડી વધતા વિદ્યાર્થીઓને પોતાની સુવિધા મુજબ કોઈપણ પ્રકારના ગરમ કપડાં પહેરીને શાળામાં આવવાની છૂટ આપવામાં આવે. શિયાળાની ઋતુ દરમિયાન ઠંડા પવનની અસર વધી રહી છે,જેના કારણે નાના વિદ્યાર્થીઓના આરોગ્ય પર અસર ન પડે તે માટે આ છુટછાટનો અમલ કરવો. કોઈપણ શાળા વિદ્યાર્થીઓને ચોક્કસ પ્રકારના કે રંગના ગરમ કપડા પહેરવાની ફરજ પાડી શકશે નહી. ઘરેથી ઉપલબ્ધ જે કપડાં તેમને ગરમ રાખે તે પહેરી આવતા વિદ્યાર્થીઓને શાળા પૂર્ણ માન્યતા આપશે. છેલ્લાં વર્ષોમાં ઠંડીના કારણે અનેક વખત વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ વર્ષે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા અગ્રિમ આયોજન સાથે આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયથી વિદ્યાર્થીઓ તથા વાલીઓ રાહત અનુભવો થશે એવી આશા વ્યક્ત કરાઇ છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

SOGની ટીમ દ્વારા કાર્યવાહી:સીમકાર્ડ વેચાણના ગ્રાહકના પુરાવા ન રાખતાં ગુનો નોંધાયો

ઓળખના ડોક્યુમેન્ટ વિના બોગસ સીમ કાર્ડ ઈશ્યુ ન થાય અને તે સીમકાર્ડનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં ઉપયોગ ન થાય તેની તકેદારીના ભાગરૂપે મહેસાણા એસઓજીની ટીમે સીમકાર્ડનું વેચાણ કરતી દુકાનોમાં મહેસાણાના પરા ટાવર પાસે રસ્તાની બાજુમાં સીમકાર્ડ વેચાણનો સ્ટોર બનાવેલ હોય તે સ્ટોલમાં સીમકાર્ડ વેચાણ કરેલ ગ્રાહકોના આધાર પુરાવા ના રજીસ્ટરોમાં નોંધેલ વિગતોની માંગણી કરતા આવું કોઈ રજીસ્ટર તેમણે નિભાવ્યું ન હોવાનું બહાર આવ્યું હતું પોલીસે રોહિત શંકરજી ઠાકોર રહે. મેઘાલિયાસણા ઠાકોર વાસ તા.જિ. મહેસાણા સામે તેમજ અન્ય એક સીમકાર્ડ વેચાણનો સ્ટોર ધરાવતા મહર્ષ વિનોદભાઈ ગુપ્તા રહે.જનતા નગર સોસાયટી ગંજ બજાર સામે મહેસાણા બંને વેપારીઓ સામે ગુનો દાખલ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

રોડના કામો અટવાયા:ખેરાલુ પાલિકામાં આંતરિક વિખવાદમાં રૂ. 1.20 કરોડના રોડના કામો અટવાયા

ખેરાલુ નગરપાલિકામાં નગરસેવકો વચ્ચેના આંતરિક મતભેદો અને વૈચારિક ગૂંચવાડાનો ભોગ નગરજનો બની રહ્યા છે. પાલિકામાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણમાં ચાલુ વર્ષે એક પણ તૂટેલા માર્ગનું નવું કામ શરૂ થઈ શક્યું નથી. ત્યારે ચીફ ઓફિસરે પડતર પડેલું એક ટેન્ડર કોંગ્રેસના નગરસેવકોની હાજરીમાં ખોલી નાખતા ખેરાલુ પાલિકામાં રમાતું રાજકારણ બહાર આવ્યું છે. વર્ષ 2024-25 અને 2025-26 માટે નગર અને પરા વિસ્તારને જોડતા રસ્તાઓના રિસર્ફેસિંગ માટે કુલ રૂ. 1.20 કરોડ (વર્ષે 60 લાખ)ની ગ્રાન્ટ છેલ્લા છ મહિનાથી વણ વપરાયેલી પડી છે. આ કામ માટે પાલિકાએ ટેન્ડર બહાર પાડ્યા હતા. પ્રથમ પ્રયાસમાં કોઈ એજન્સી ન આવતા, બીજા પ્રયાસમાં ધોરમનાથ નામની એજન્સીએ ટેન્ડર ભર્યું હતું. જોકે, પાલિકાના સત્તાધીશોએ આ ટેન્ડર ખોલ્યું ન હતું. તેના બદલે, જનરલ બોર્ડમાં ઠરાવ કરીને આ કામ પાલિકાની રૂટિન કામગીરી કરતી વાર્ષિક કોન્ટ્રાક્ટ ધરાવતી એજન્સીને એસ.ઓ.આર. રેટ મુજબ સોંપવા ઠરાવ કર્યો હતો. આ નિર્ણય સામે કોંગ્રેસ સહિત કેટલાક નગરસેવકે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે ચીફ ઓફિસરથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી કે ભરાયેલું જૂનું ટેન્ડર ખોલવામાં આવે. આ રજૂઆતને ધ્યાને લઈ ચીફ ઓફિસરે પોતાની સત્તાની રૂએ કોંગ્રેસના નગરસેવકોની હાજરીમાં તે સીલબંધ ટેન્ડર ખોલી નાખ્યું હતું. સત્તાપક્ષનું કહેવું છે કે અગાઉ કામ શરૂ ન કરવાને કારણે જે-તે એજન્સીને પડતી મૂકવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વેધર રિપોર્ટ:પૂર્વના પવનથી ભેજ વધ્યું, ગરમીનો પારો 30 ડિગ્રી નીચે

ઉત્તર ગુજરાતમાં ગુરુવારે પ્રતિ કલાકે સરેરાશ 7 કિલોમીટરની ઝડપે પૂર્વ દિશાનો પવન ફૂંકાયો હતો. જેને લઇ વહેલી સવારે ભેજનું પ્રમાણ 70%એ અકબંધ રહેતાં ઠંડીનો પારો 15.4થી 16 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. 16 ડિગ્રીથી નીચા તાપમાનને કારણે સવારે ધ્રુજાવતી ઠંડી અનુભવાઇ હતી. બપોરે ભેજનું પ્રમાણ વધીને 45%એ પહોંચ્યું હતું. જેને લઇ દિવસનું તાપમાન સવા ડિગ્રીના ઘટાડા સાથે 30 ડિગ્રીથી નીચે રહ્યું હતું. સૂર્યાસ્ત સાથે વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ફરી વધ્યું હતું. હવામાન વિભાગની ઠંડીની આ સ્થિતિ આજે પણ યથાવત રહેવાની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:નાગલપુર ઓવરબ્રિજના કામમાં સર્વિસ રોડ સાઇડ દબાણ દૂર ન થતાં રસ્તામાં પાર્કિંગ

મહેસાણા શહેરના નાગલપુર હાઇવે ઉપર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હોઈ વાહન ટ્રાફિક બન્ને સર્વિસ રોડ ડાયવર્ટ કરાયો છે. જેમાં નાગલપુર કોલેજથી પકવાન હોટલ સુધી જ સર્વિસ રોડ સાઇડ માર્જીનમાં કરાયેલ ઓટલા, બ્લોક, શેડના દબાણ મનપાએ તોડીને કામગીરી આટોપી લેવાઇ છે. જ્યારે સામે નાગલપુર ચોકડી થી સહયોગ, વિકાસ નગર પાટિયા ચોકડી તરફ ના રસ્તામાં વાહન ટ્રાફિકની મુશ્કેલી છતાં માર્જિનના દબાણો દૂર કરવાની તસ્દી તંત્ર દ્વારા ન લેવાઈ હોઇ એક ને ગોળ, બીજાને ખોળ જેવો ઘાટ સર્જાયો છે. નાગલપુર ચોકડીથી વિકાસ નગર પાટિયા સુધી રોડનો કેટલોક ભાગ ઓવરબ્રિજ કામ બેરીકેટ કરાયેલ છે. આવામાં મહેસાણાથી આરટીઓ તરફ સર્વિસ રોડથી જતા વાહનચાલકોનો સતત ઘસારો રહેતો રસ્તો સાંકડો પડી રહ્યો છે. વળી વાહન પાર્કિંગ અડધું સર્વિસ રોડ ઉપર જોવા મળી રહ્યુ છે. આવામાંથી વાહનચાલકોને પસાર થવામાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. 3 હોટલો, 4 શો રૂમ, બેંક સહિતના કોમ્પલેક્ષ આવેલા છે, શેડ અને ઊંચાઈમાં બ્લોકના લીધે ઘણા વાહન રોડ સાઇડ પાર્ક થઇ રહ્યા છે. પેરેડાઇઝ સહિત 20થી વધુ સોસાયટીને સ્પર્શતો મુખ્ય સર્વિસ રોડ હોઇ રહીશોનો પણ સતત આ રસ્તાનો ઉપયોગ છે. આવામાં મહેસાણાથી અમદાવાદ તરફ જતા વાહનચાલકો આ સર્વિસ રોડ થી પસાર થતા હોઇ અવાર નવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે. નાગલપુર વિસ્તારના કેટલાક વેપારી સૂત્રોએ કહ્યું કે, મહાનગરપાલિકા તંત્રને માત્ર પકવાન હોટલ સુધી જ દુકાનો, કોમ્પલેક્ષ આગળ માર્જીનમાં દબાણ દેખાયા લાગે છે, સામેના છેડે માર્જીન બાંધકામમાં કેમ કાર્યવાહી નહી, જેને લઇને મનપા તંત્ર વ્હાલા દવાલાની નીતિ સામે સવાલો ખડા થયા છે. પશાભાઇ પેટ્રોલપંપ અને ગાયત્રી મંદિરના ખૂલ્લા કટમાં ક્રોસ કરતાં સાચવજોનાગલપુર હાઇવે ઓવરબ્રિજનું કામ ચાલુ હોઇ તંત્ર દ્વારા પશાભાઇ પેટ્રોલ પંપ તેમજ ગાયત્રી મંદિર સર્વિસ રોડથી હાઇવે ક્રોસ કરીને સામે સ્વામિનારાયણ મંદિર તરફ ના સર્વિસ રોડ વાહનચાલકોને અવરજવર માટે ડિવાઈડર કટ સુલભતા માટે ખુલ્લા કરાયેલા છે. જોકે સર્વિસ રોડથી હાઇવે ઓળંગતા અંડરપાસ અને હાઇવે બે તરફથી પણ વાહન આવતા હોય છે, આવામાં અકસ્માતનું જોખમ હોઇ હાઇવે કટ ઓળગતા સાચવવું જરૂરી છે, કારણ કે પોલીસ પોઇન્ટ મુકાયેલ નથી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભાસ્કર એનાલિસીસ:ઉ.ગુ.માંથી પસાર થતી 2 ટ્રેનો રદ, 3 ટ્રેનો ડાયવર્ટ અને ચાર ટ્રેનો નિયત સમય કરતાં મોડી ઉપડશે

ઉત્તર પશ્ચિમ રેલવેના મદાર–પાલનપુર સેક્શનમાં સોમેસર–જવાલી સ્ટેશનો વચ્ચે બ્રિજ નંબર 613 પર આરસીસી બોક્સ લોન્ચિંગને કારણે બ્લોક લેવામાં આવ્યો છે. જેને લઇ ઉત્તર ગુજરાતમાંથી પસાર થતી 9 ટ્રેનો આગામી 6 ડિસેમ્બર સુધી પ્રભાવીત થઇ છે. જેમાં 2 ટ્રેનો રદ, 3 ટ્રેનો ડાયવર્ટ અને 4 ટ્રેનો નિયત સમય કરતાં 2 થી 6 કલાક સુધી મોડી ઉપડશે. આ 2 ટ્રેનો રદ 5 અને 6 ડિસેમ્બરે સાબરમતી–જોધપુર એક્સપ્રેસ (14822) , 4- 5 ડિસેમ્બરે જોધપુર–સાબરમતી એક્સપ્રેસ (14821) આ 4 ટ્રેનો મોડી આવશે

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

રૂ.6.50 કરોડના ખર્ચે કરાશે વિકાસપથનું કામ:આખોલ ચાર રસ્તાનું નવીનીકરણ થશે, બોક્સ ડ્રેઇન,સર્વિસ રોડ અને જંકશન ડેવલપમેન્ટ થશે

ડીસા આખોલ ચાર રસ્તા પાસે થરાદને જોડતા માર્ગને “વિકાસપથ” તરીકે વિકસાવવા માં આવશે. રાજ્ય સરકાર દ્વારા 6.50 કરોડના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરવામાં આવશે. આ માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ સાથે જોડાયેલો હોવાથી ડીસા, ધાનેરા, લાખણી, થરાદ, વાવ અને દિયોદર તાલુકા મથકોને જોડતો મહત્વનો રસ્તો છે. ખાસ કરીને ડીસા–આખોલ ચાર રસ્તા વિસ્તારમાં રાજ્ય ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરીમાર્ગનું જોડાણ હોવાથી ભારે અને અતિભારે વાહનોના સતત અવરજવરથી ટ્રાફિકની સમસ્યા ઊભી રહે છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાવાથી મોટા ખાડા પડી જતા ટ્રાફિક જામ સામાન્ય બની જાય છે. પરિણામે અકસ્માતની ભીતિ પણ રહે છે.. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વિકાસપથમાં બોક્સ ડ્રેઇન, સર્વિસ રોડ સાથે નવો રોડ બનાવવામાં આવશે. કામ પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

નવા ફૂટ બ્રિજનું કરાશે નિર્માણ:પાલનપુર રેલ્વે સ્ટેશન પર મુખ્ય ટિકિટબારીથી માલ ગોડાઉન રોડ સુધી નવો ફૂટ બ્રિજ બનશે

પાલનપુર રેલ્વે સ્ટેશન પર જુના 2 ફૂટ બ્રિજ તોડવામાં આવ્યા છે. જેમાં એફસી આઈ માલગોડાઉન છેડાને જોડતા બ્રિજને તોડીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. અહીં અગાઉ જ્યાં બ્રિજના પગથિયા હતા ત્યાં હાલમાં નવા ટ્રેક માટેની કામગીરી કરવામાં આવી રહી છે. બીજી બાજુ હવે આ ફૂટ બ્રિજની જગ્યાએ નવો ફૂટ બ્રિજ રેલવે ટિકિટ બારીથી શરૂ થઈ સામે રેલવે માલગોડાઉન રોડ પાસે ઉતારવામાં આવનાર છે. એજન્સીએ જણાવ્યું કે નવા બ્રિજ ની ડિઝાઇન હજુ તૈયાર થઈ નથી પણ અગાઉ જુનો જે પહોળો બ્રિજ હતો તે રીતે જ પહોળો બનાવવામાં આવશે. નવા ફૂટ બ્રિજની મંજૂરી આવી ગઈ છે. ત્રણ વર્ષમાં બ્રિજ બનીને તૈયાર થશે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

આજે માટી દિવસ:12.70 લાખ હે. જમીનમાંથી 7.54 લાખ હે.જમીન ખેતીયોગ્ય

જિલ્લામાં કુલ 12.70 લાખ હેકટર જમીનમાંથી લગભગ 7.54 લાખ હેકટર વિસ્તાર ખેતીયોગ્ય છે.જેમાં 6.02 લાખ હેકટર જમીનમાં ખેતી થાય છે, જેમાં અનાજ, તેલબીયા, કપાસ, ઘઉં અને ચારા પાક મુખ્ય છે. જિલ્લામાં 1.10 લાખ હેકટર જંગલ વિસ્તાર છે, જ્યારે 65 હજાર હેકટર બંજર અને 23 હજાર હેકટર પડતર જમીન છે. બહુપાક પ્રણાલીના કારણે જિલ્લામાં કુલ વાવેતર વિસ્તાર 11.56 લાખ હેકટર સુધી પહોંચે છે.જમીનની ફળદ્રુપતા ઘટવાનું મુખ્ય કારણ વધુ પડતા રાસાયણિક ખાતરો, ઓર્ગેનિક પદાર્થનો અભાવ, માટી ધોવાણ, સેન્દ્રીય કાર્બનની કમી અને અતિ સિંચાઈ છે. પરિણામે પાક ઉત્પાદન ઘટે છે, ખર્ચ વધે છે અને ખેડૂતોની આવક પર અસર થાય છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ જમીન ચકાસણી, સેન્દ્રીય પદ્ધતિઓ, પાક ફેરબદલી, પાણી સંરક્ષણ અને પોષણ મેનેજમેન્ટ જેવી ટકાઉ પદ્ધતિઓ અપનાવવી જરૂરી છે.જિલ્લામાં છેલ્લા વર્ષોમાં જમીન વિકાસ, સિંચાઈ સુવિધા અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે પ્રોજેક્ટ્સ હાથ ધરાયા છે, 2050 સુધીમાં 30 ટકા ખેતીલાયક જમીનમાં નુકસાન થવાની ચેતવણીથરાદની બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીના જમીન વૈજ્ઞાનિક ડો.દિલીપ ચૌધરીએ જણાવ્યું હતું કે, જમીનને જીવંત રાખવી માત્ર ખેતી માટે નહીં પરંતુ માનવ આરોગ્ય અને ખોરાક સુરક્ષાના વૈશ્વિક હિત માટે આવશ્યક છે. જમીનની ગુણવત્તા અને ખેતીલાયક જમીનના ઘટાડાનો મુદ્દો વૈશ્વિક ચિંતાનો વિષય બન્યો છે. વૈજ્ઞાનિકોના અનુમાન મુજબ 2050 સુધીમાં વિશ્વની 30 ટકા જેટલી ખેતીલાયક જમીન નષ્ટ થવાની શક્યતા છે, જે ખોરાક સુરક્ષા અને આબોહવા સંતુલન માટે ગંભીર ખતરો ઉભો કરી શકે છે. બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીથી મળેલ લાભ થરાદ તાલુકાના નાની પાવડ ગામના ખેડૂત હરસેંગભાઈ માધાભાઈ પટેલે તેમની જમીનની તપાસ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીમાં કરાવી હતી. લેબોરેટરી ટીમ દ્વારા આપવામાં આવેલી વૈજ્ઞાનિક ભલામણોના આધારે તેમણે ખાતરનો ઉપયોગ માત્ર જરૂરી અને યોગ્ય પ્રમાણમાં કરવાનું શરૂ કર્યું, જેના કારણે પ્રતિ એકર રૂ. 4,000થી 5,000 જેટલો અર્થસહાય બચાવ થયો હતો.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ખેતરો તળાવમાં ફેરવાયા‎:નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં‎15 જ દિવસમાં ભંગાણ

સરહદી વાવ–થરાદ જિલ્લામાં કેનાલ તૂટવાના સતત બનાવોથી ખેડૂતોની મુશ્કેલી વધી રહી છે અને સિંચાઈ વિભાગની ખામીઓ ફરી એકવાર બહાર આવી છે. ત્યારે નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં 15 જ દિવસમાં ભંગાણ થતાં ખેડૂતોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. વાવ–થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના પ્રતાપપુરા ગામની સીમમાં આવેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ફરી એકવાર મોટું ભંગાણ સર્જાતા આજુબાજુના ખેડૂતોના ખેતરો તળાવમાં ફેરવાયા છે. બે મહિના અગાઉ આવેલા પૂર દરમિયાન આ કેનાલ તૂટી ગઈ હતી. ત્યારબાદ તંત્ર દ્વારા નવેસર બનાવેલ આ કેનાલને પાણી છોડ્યા બાદ માત્ર 15 દિવસ પણ પૂરાં થયા નથી અને કેનાલ ફરી તૂટી જતાં ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે નર્મદા વિભાગના કેટલાક જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરી હલકી કક્ષાનું મટિરિયલ વાપરી માત્ર દેખાવ પૂરતું કામ કરવામાં આવ્યું હતું. તેથી જ એક મહિનાની અંદર નવી બનેલી કેનાલમાં ફરીથી ભંગાણ થયું છે. ખેડૂતોનો પ્રશ્ન એ છે કે સરકારના રુપિયાનું એંધાણ કરવા છતાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? આ બાબતે નાયબ કાર્યપાલક ઈજનેર અજયભાઈ હઠીલાને સંપર્ક કરતા તેમણે સ્વીકાર્યું હતું કે કેનાલમાં અગાઉ પૂરના કારણે નુકસાન થયું હતું અને એક મહિના પહેલા જ પુનઃનિર્માણ કરવામાં આવી હતી. પરંતુ પાણીના ઓવરફ્લોના કારણે ફરી તૂટી ગઈ હોવાનું જણાવ્યું. રડોસણ કેનાલમાં 10‎ફૂટનું ગાબડું પડ્યું‎નવી બનેલી ઈઢાટા–ઢીમા ડીસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ભંગાણ પડ્યું હતું. રાણાજી વેંજીયા રડોસણ કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડ્યું સુઈગામ તાલુકાના રડોસણ માયનોર-4 કેનાલમાં બુધવારે બપોરે 10 ફૂટથી વધુનું ગાબડું પડતાં નર્મદાનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. તાજેતરમાં જ વાવેતર કરનાર ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થતા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, બીજ જમીનમાંથી બહાર આવે તે પહેલાં જ ખેતરો પાણીથી છલકાતા વાવેલા બીજ સડી જવાની શક્યતા ઊભી થઈ છે.તેઓએ નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને આ ઘટના માટે જવાબદાર ઠેરવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

પ્રસૂતાનું કરૂણ મોત:સાતમી બાળકી અવતરતાં આઘાતમાં‎ માતાનું હ્દય બેસી જતાં મોત નીપજ્યું‎

ભાસ્કર ન્યૂઝ।પાલનપુર પાલનપુર તાલુકાના ચિત્રાસણી પી. એચ.સી.માં બુધવારે રાત્રે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામની પ્રસૂતાને લાવવામાં આવી હતી. જ્યાં બાળકીને જન્મ આપ્યા પછી મહિલાનું મોત થયું હતુ.સાતમી બાળકી જન્મતાં આઘાતમાં માતાનું હ્દય બેસી જતાં મોત થયાનું બહાર આવ્યું છે. પાલનપુર તાલુકાના ચિત્રાસણી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બુધવારે રાત્રે અમીરગઢ તાલુકાના ધનપુરા (વીરમગામ)ના સવિતાબેન દિતાભાઇ ડાભી (ઉ.વ.40)ને પ્રસૂતિ માટે લવાયા હતા. જ્યાં મોડીરાત્રે નોર્મલ ડિલેવરી થતાં પુત્રીને જન્મ આપ્યો હતો. જોકે, તે પછી વહેલી સવારે સવિતાબેનનું મોત થયું હતુ. જેમના મૃતદેહને પીએમ રૂમમાં રખાયો હતો. દરમિયાન ગુરૂવારે સાંજે મૃતક સવિતાબેનના સાસરીપક્ષ અને પિયરપક્ષના લોકો એકત્ર થયા હતા. તેમણે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડી હતી. આથી પી.એમ. કર્યા વિના જ મૃતદેહ પરિવારજનોને પરત અપાયો હતો. આઘાતથી મોત થયું છે : તબીબમહિલાને 108 દ્વારા રાત્રે 1.00 કલાકની આસપાસ લવાયા હતા. જે પછી રાત્રે સવા બે કલાક આસપાસ નોર્મલ ડિલેવરી થઇ હતી. તંદુરસ્ત પુત્રીને જન્મ આપ્યો હતો. નોર્મલ પ્રસૂતી થયા પછી મહિલા ચાલીને રૂમમાં ગઇ હતી. જોકે, રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ મોત થયું હતુ. આ સાતમી પ્રસૂતી હતી. પ્રસૂતી પછી બ્લડ પ્રેશર, ધબકારા નોર્મલ હતા. જોકે વહેલી સવારે માનસિક આઘાતથી હ્દય બેસી જતાં મોત થયું હતુ.ડો. નિલ સોલંકી ( મેડીકલ ઓફિસર, ચિત્રાસણી પી.એચ.સી.) સાત દીકરી ઉપર દીકરાની રાહ જોતા હતા પરિવારમાં છ દીકરીઓ અવતરી હતી. સાતમી વખતે દીકરાની આશા હતી. પરંતુ તે પણ દીકરી જ જન્મી હતી. જોકે, મારી પત્નીનું નિધન થયું છે. આ અંગે આરોગ્ય વિભાગ કે પોલીસ મથકે કોઇ ફરિયાદ કે રજુઆત કરી નથી.: દિતાભાઇ ડાભી (મૃતકના પતિ)

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વઢવાણમાં ભર શિયાળે ચોમાસુ માહોલ:શિયાણીપોળ દરવાજે ગંદા પાણીની રેલમછેલ

વઢવાણ શહેરમાં ભૂગર્ભ ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. વઢવાણમાં સુવિધાને બદલે દુવિધા વધી છે. વઢવાણ નગરના પ્રવેશદ્વાર શિયાણી દરવાજો ગણાય છે. આ સ્થળે શાકમાર્કેટ, પાંજરાપોળ અને હાઇવે પસાર થાય છે. ત્યારે શિયાણીપોળ દરવાજા બહાર ભરશિયાળે ચોમાસાનો માહોલ સર્જાયો છે. આ રસ્તા પર ગંદા પાણી ફરી વળ્યા છે. આ અંગે ભાવેશભાઈ ચૌહાણ, દલવાડી રમેશભાઇ, દિલીપભાઈ વગેરેએ જણાવ્યું કે, આ રસ્તા પર ગટરોના ગંદા પાણી વારંવાર વહે છે. આથી વેપારીઓના ધંધાને અસર થાય છે. જ્યારે શાકભાજી લેવા આવતી ગૃહિણીઓના કપડા પણ ગંદા પાણીના કારણે ખરાબ થાય છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

નબળી કામગીરી:4 ગામોને જોડતો 3 કિમીના રસ્તા પર ખાડા, મોટાભાગનો ડામર તૂટ્યો

ચુડાના ઝોબાળા અને કરમડ ગામો વચ્ચેનો રોડ બિસમાર બની ગયો છે. 4 ગામોને જોડતા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે. મોટાભાગનો ડામર તૂટી ગયો છે. ચુડા તાલુકાના કરમડથી ઝોબાળા જતો માર્ગ ચીંથરેહાલ બની ગયો છે. ગ્રામજનોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે છલાળા, બલાળા સહિત 4 ગામોને જોડતા માર્ગ ઉપર ભારે વાહનો ચાલવાને કારણે ઠેરઠેર મસમોટા ખાડા પડી ગયા છે. સીમમાંથી પસાર થતા માર્ગમાં ખેતરોનું પાણી પણ આવે છે. મોટાભાગનો ડામર તૂટી ગયો છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રસ્તાનું તાત્કાલિક ધોરણે સમારકામ કે નવિનીકરણ હાથ ધરવામાં આવે તેવી ચારેય ગામના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વેધર રિપોર્ટ:4 દિવસમાં ઠંડીનો પારો 3 ડિગ્રી ગગડીને 17 ડિગ્રીએ પહોંચ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં લોકો છેલ્લા થોડા દિવસથી ડબલ ઋતુનો અહેસાસ કરી રહ્યા છે. ત્યારે જિલ્લામાં ફરી શિયાળાની ઠંડીએ જોર બતાવવાનું શરૂ કર્યું છે. જિલ્લામાં ગુરૂવારે મહત્તમ તાપમાન 30 અને લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે હવાની ગતિ 10 કિમી ભેજ 51 ટકા રહ્યો હતો. જેની સરખામણી ચાર દિવસ પહેલાના તાપમાન સાથે કરીએ તો તા.30ના રોજ રવિવારે મહત્તમ તાપમાન 31.3 તેમજ લઘુતમ 20.0 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવાની ગતિ 5 કિમી અને ભેજ 56 ટકા રહ્યો હતો. આમ ચાર દિવસમાં હવાની ગતિ 5 કિમી વધી અને ભેજ 5 ટકા ઘટી જતા લઘુતમ તાપમાન 3 ડિગ્રી અને મહત્તમ તાપમાન 1.3 ડિગ્રી ઘટાડો થયો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

નબળી કામગીરી:લખતરના નવા બનેલા રોડ ઉપર પાણીની લાઈન લીકેજ, રોડ પર પાણી ફરી વળ્યાં

લખતર સ્ટેશન રોડ નવો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ રોડ ટૂંક સમયમાં તોડવો પડશે તેવી નોબત આવી શકે છે. તેનું કારણ છે લખતરમાં નાંખવામાં આવેલ વાસ્મોની લાઇનની નબળી કામગીરી. જેનાથી પાણીની લાઈન લીકેજ થતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. તેવામાં આ લીકેજ બંધ કરવા લાઈન રિપેર કરવા રોડ તોડવો પડે તો નવાઈ નહીં. લખતર સ્ટેશન રોડ બનાવવાની કામગીરી શરૂ થઈ ત્યારથી આ ગ્રામજનો માટે માથાના દુઃખાવા સમાન બન્યું હતું. આ કામગીરી યોગ્ય ન થતી હોવાની પણ ફરિયાદ ઉઠી હતી. હવે આ રોડ ઉપર પાણીની લાઈન લીકેજ થઈ હોવાની તસવીરો સામે આવી છે. લાઈન લીકેજ થતા નવા બનેલા રોડ ઉપર પાણી ફરી વળ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દૃશ્યો અન્ય કોઈ જગ્યા નહીં પરંતુ મામલતદાર કચેરીએ જવાના રસ્તેથી સામે આવી રહ્યા છે. જ્યાં રોડ ઉપર પાણી ફરી વળતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. ભાસ્કર ઇનસાઇડલાઈન રિપેર કરવા આ રોડ તોડવો પડશેઆ નવા રોડ ઉપર પાણીની લાઈન લીકેજ થઈ રહી છે. જે રોડ બનતા યોગ્ય રીતે રિપેર કરી ન હતી. હવે આ રોડ લાઈન રિપેર કરવા તોડવો પડશે તેવી નોબત આવી શકે છે. રોડ બનતો હતો ત્યારે દિવ્ય ભાસ્કરે’ લાઈન લીકેજની આશંકા વ્યક્ત કરી હતી આ રોડની કામગીરી શરૂ થવાની હતી ત્યારે દિવ્ય ભાસ્કરે’ કામગીરી બાદ જો લાઈન લીકેજ થાય તો નવો રોડ તોડવાની નોબત આવી શકે તેવી આશંકા વ્યક્ત હતી. પરંતુ તંત્રે ધ્યાન આપ્યું ન હતું.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

આગ લાગવાની ઘટના બની:વાઘેલા રોડ પર ડમ્પરમાં અચાનક‎ આગ લાગી, જાનહાનિ ટળી‎

સુરેન્દ્રનગરના વાઘેલા રોડ પર ડમ્પરમાં લઇ અચાનક આગ આગ લાગી હતી. જેમાં જોત જોતામાં આગ વધુ પ્રસરતા ફાયર વિભાગને જાણ કરાઇ હતી. આથી તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ કાબૂમાં લીધી હતી. આ બનાવમાં વાહનમાં સવાર બહાર નીકળી જતા કોઇ જાનહાનિ થઇ ન હતી. સુરેન્દ્રનગર શહેરમાં આગના બનાવો દિવસે દિવસે વધતા જાય છે. ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં ગુરૂવારે વઢવાણ વાઘેલા રોડપરથી પસાર થતા ડમ્પરમાં અચાનક આગ લાગી હતી. જોત જોતામાં આગ પ્રસરતા આખી ધીમેધીમે આગ પ્રસરતા કાળા ડીંબાંગ ધુમાડાથી ઘેરાઇ ગયું હતું. આથી વાહન ચાલકોમાં નાશભાગ મચી હતી. વાહન ચાલકે સમય સૂચકતા વાપરી સવાર લોકો ઉતરી ગયા હતા. આ બનાવની જાણ કરવામાં આવતા મનપા ફાયર વિભાગને જાણ કરાતા ફાયર ઓફિસર દેવાંગ દુધરેજીયા, મેહુલભાઇ રાઠોડ, ફારૂકભાઇ, અજીતસિંહ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા. જ્યાં ફાયર ટેન્ડર અને ફાયર ફાઇટર સતત પાણીનો મારો ચલાવતા આગ કાબૂમાં આવી હતી. આ બનાવામાં સૂચકતાને લઇ કોઇ જાનહાનિ થઇ ન હતી. ઇજા પણ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. પ્રાથમિક તપાસમાં આગ શોક શર્કિટથી લાગ્યાનું અનુમાન છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વાહન ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત:ચોટીલાના કાંધાસર જતા સાયલા પાસે લોડિંગ વાહન પલ્ટી, 17 ઈજાગ્રસ્ત

સાયલાના નવા સુદામડા પાસેથી પસાર થતા લોડિંગ વાહનના ચાલકે અચાનક સ્યિટરિંગ કાબૂ ગુમાવતા વાહન પલટી મારી ગયું હતું. નાના એવા કેરી લોડિંગ વાહનમાં બેઠેલા 17થી વધુ પહિલા અને પુરુષો રસ્તા વચ્ચે ફંગોળાઈ જતા રાડા રાડ જોવા મળી હતી. આ બાબતે આજુબાજુ જાણ થતા ઘટના સ્થળે લોકો દોડી ગયા હતા અને સાયલા, ડોળીયા 108ને જાણ થતા 17 જેટલા ઈજાગ્રસ્તોને સાયલા દવાખાને પ્રાથમિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 5 મહિલા અને 12 પુરુષ અને બાળકોને ઈજા થતા વધુ સારવાર માટે સુરેન્દ્રનગર વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. ધંધુકાના ભરવાડ સમાજનો પરિવાર ચોટીલાના કાંધાસર ગામે મામેરુ લઈને જતા તેવા સમયે અચાનક છોટા હાથી જેવું પીકઅપ વાહન પલટી મારી જતા લગ્નના મામેરા ભરવાનો ઉમંગ અકસ્મતના દર્દમાં ફેરવાયો હતો. આ બાબતે પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ પરી હતી. ઈજાગ્રસ્તના નામ: બુધાભાઈ વિભાભાઈ મુંધવા, કરસનભાઈ હાગાભાઈ મુંધવા, રમેશભાઈ વિરમભાઈ મુંધવા, લખીબેન મશરૂભાઈ, ગોપાલભાઈ મશરૂભાઈ દિનેશભાઈ આલાભાઈ બરવાડ, જીલુબેન રત્નાબાઈ ભરવાડ, કૃણાલ રાજુભાઈ બામ્બા, વિરમભાઈ વિહાભાઈ મુંધવા, પ્રહીશભાઈ ખોડાભાઈ મુંધવા મુકેશભાઈ લક્ષ્મણભાઈ મુંધવા, કોમલબેન જીલુભાઈ લાયેલા, મનિષાબેન રાજુભાઈ લાંબા, મેહુલભાઈ ભુપતભાઈ ચૌહાલ, પ્રિયાંશી રાજુભાઈ લામકા, વિશાલભાઈ પનાભાઈ ભાખા, જગદીશાભાઈ પોપટભાઈ ભરવાડ. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી ગુજરાત રાજ્ય સહિત સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં લોકોના મૃત્યુ સાથે ઈજાગ્રસ્ત થવાના કિસ્સાઓ પણ બની રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

દિવ્યાંગ રમતવીરોએ મેદાન ગજવ્યું‎:450 દિવ્યાંગ, 450 માનસીક ક્ષતી, 100 શ્રવણ‎ક્ષતી ધરાવતા ભાઈ- બહેનો વિવિધ રમતો રમ્યા‎

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના રમત ગમત અને સંસ્કૃતિક વિભાગ તેમજ પ્રજ્ઞા ચક્ષુ મહિલા સેવાકુંજના સંયુક્ત ઉપક્રમે યોજાએલ સ્પેશીઅલ ખેલમહાકુંભમાં 29 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધી યોજાયો હતો. 1000થી વધુ દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો એથલેટીક્સ અને ચેસ સહિતની અનેક રમતોમાં કૌવત બતાવ્યું હતું. સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત અને જિલ્લારમત વિકાસ કચેરી દ્વારા જિલ્લાના શારીરિક, માનસીક ક્ષતિ, શ્રવણ ક્ષતિ ધરાવતા દિવ્યાંગજનો માટે તા.29 નવેમ્બર 4 ડિસેમ્બર સુધી દિવ્યાંગ ખેલમહાકુંભનુ આયોજન કરાયુ હતુ. જેમાં પ્રથમ દિવસે પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજખાતે ભાઇઓ બહેનોની ચેસ રમાઇ. બીજા દિવસે એમ.પી.શાહ કોલેજના મેદાનમાં દીવ્યાંગો માટેના ખેલમહાકુંભમાં એથલેટીક્સ રમત રમાઇ હતી. જ્યારે તા.2-12-25ના રોજ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એથલેટીકસ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, 100 મીટર 200 મીટર એથલેટીકસ, વોલીસબોલ સહિત ભાઇઓ બહેનોની રમત રમાઇ હતી. જ્યારે તા.4-12-25ના રોજ 4 ટીમો વચ્ચે ક્રિકેટ યોજાઇ. આ સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુઓએ 450થી વધુ દિવ્યાંગોએ ટ્રાયસીકલરેસ, વ્હિલચેર રેસ, દોડ, લાંબીકુદ, ઉંચી કુદ, ચકરફેંક, ભાલાફેંક તથા 450 માનસીકક્ષતી ધરાવતા અને 100 શ્રવણક્ષતી ધરાવતા રમતવીરોએ દોડ, વોક, લાંમ્બીકુદ, સોફ્ટબોલ થ્રો, બોચી, ગોળાફેંક, સાયકલીંગ રમતમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઇ મકવાણાએ ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. આ આયોજન સફળ બનાવવા પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવાકુંજ તથા આશીર્વાદ વિકલાંક ટ્રસ્ટ સાયલા રમતગમત અધિકારી બળવંતસિંહ ચૌહાણ સહિત ટીમે પ્રયાસ કર્યા હતા. ખેલમહાકુંભમાં યોજાયેલ રમતોપ્રથમ દિવસે ભાઈઓ-બહેનોની ચેસ, બીજા દિવસે એથલેટીક્સ રમત, તા.2 ના રોજ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એથલેટીકસ, સાયકલીંગ, બોચી, વોલીબોલ, બાસ્કેટબોલ, બેડમીન્ટન, 100 મીટર 200 મીટર એથલેટીકસ, વોલીસબોલ સહિતની રમતો, તા.4ના રોજ 4 ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાઈ હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વિવાદ:ખેતરના શેઢા પાસે પાણીનો પાઈપ રાખવા બાબતે આધેડને માર માર્યો

વડીયાના અરજણસુખમાં ખેતરના શેઢા પાસે પાણીનો પાઈપ રાખવા મુદ્દે 52 વર્ષિય આધેડને પાડોશીએ માર માર્યો હતો. તેમજ ટાંટીયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપ્યાની વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અરજણસુખમાં રહેતા બાબુલાલ રામજીભાઈ મોવલીયા (ઉ.વ.52)એ તેના પાડોશી ઘનશ્યામ રમેશભાઈ મોવલીયા સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ઘનશ્યામની વાડી તેના શેઢે આવેલી છે. 2 ડિસેમ્બરના રોજ બાબુલાલ મોવલીયા સાંજના પોણા છએક વાગ્યે અરજણસુખ ગામે વાડીએ ગયા હતા. તે દરમિયાન ઘનશ્યામ મોવલીયાની પાણીની પાઈપના ફોર્સથી તેની જમીનમાં નુકશાન થતું હતું. આ અંગે તેને સમજાવતા ઘનશ્યામ મોવલીયા ઉશ્કેરાયો હતો અને બાબુલાલ મોવલીયાને લાકડાના બટકા વડે માર માર્યો હતો. ઉપરાંત ટાંટીયા ભાંગી નાખી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે વડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા એએસઆઈ એસ.એલ.જાડેજા વધુ આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ફરિયાદ:દીકરીનો જન્મ થતા વહુને છુટાછેડા આપી દેવા સાસરિયાના મેણાટોણા

અમરેલીની પરણિતાને દિકરીનો જન્મ થતા સાસરીયાએ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. તેમજ મેણાટોણા માર્યા હતા. તેમજ પતિ અને સાસુએ પરણિતાને ઢીકાપાટુનો માર માર્યો હતો. ભાવનગરના દેસાઈનગર સત્યનારાયણ સોસાયટીમાં રહેતા અને હાલ અમરેલીની ચાંદની ચોકમાં રહેતા જેનબબેન પઠાણ (ઉ.વ.25)એ પતિ ક્યુમ મુસ્તાક પઠાણ, સાસુ સુરૈયાબેન મુસ્તાક પઠાણ, સસરા મુસ્તાક પઠાણ, જેઠ સાજીશ મુસ્તાક પઠાણ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે અઢી વર્ષથી 1-12-2025 સુધીમાં દિકરીનો જન્મ થવા અને છુટાછેડા આપી દેવા બાબતે સાસરીયાએ મેણાટોણા માર્યા હતા. તેમજ જેનબબેન પઠાણને શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હતો. તેમજ ક્યુમ પઠાણ અને સુરૈયાબેન પઠાણે તેને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ અંગે જેનબબેને ભાવનગર રહેતા સાસરીયા વિરૂદ્ધ અમરેલી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ જે.આર.સરવૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

દુર્ઘટના:સગાઈ માટે જતા ચાપરાજપુરના પરિવારની રિક્ષાનો ધારીમાં કાર સાથે અકસ્માત : 9ને ઇજા

ધારીના ખીચા રોડ રેલવે સ્ટેશન પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં રીક્ષામાં સવાર 9 લોકોને ઈજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેતપુરના ચાપરાજપુર રેલવે સ્ટેશન પાસે રહેતા નટુભાઈ કનુભાઈ ધામેચા (ઉ.વ.40) અને તેનો પરિવાર ચીમનભાઈ કનુભાઈ ધામેચાની રીક્ષામાં બેસીને 1 ડીસેમ્બરના રોજ સાંજના સાડા છએક વાગ્યે દેવળા ખાતે સગાઈના કામે જતા હતા. તે દરમિયાન ધારીના ખીચા રોડ રેલવે સ્ટેશન પાસે પહોંચતા અજાણ્યા કારના ચાલકે રીક્ષા સાથે અકસ્માત સર્જોય હતો. અકસ્માતની આ ઘટનાને પગલે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. કાર અને રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં નટુભાઈ કનુભાઈ ધામેચા, સીલુબેન નટુભાઈ ધામેચા, જય નટુભાઈ ધામેચા, હસ્તીબેન નટુભાઈ ધામેચા, પરેશભાઈ નાનજીભાઈ પાટડીયા, ચીમનભાઈ, દયાબેન, સાહીલભાઈ અને ક્યુભાઈને ઈજા પહોંચી હતી. તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સગાઈના પ્રસંગે જતા ધામેચા પરિવારને અકસ્માત નડ્યો હતો. આ અંગે અજાણ્યા કારના ચાલક સામે નટુભાઈ ધામેચાએ ધારી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો ધારીના ખીચા રોડ રેલવે સ્ટેશન પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો. અહીં ઘાયલોની મદદ કરવાની પણ કાર ચાલકે તસદી લીધી ન હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

તંત્ર નિંદ્રાધીન:રામપુરામાં દિવસની 50થી વધુ ST બસોની અવરજવર છતાં એસટી સ્ટેન્ડની ભંગાર હાલતથી મુસાફરો પરેશાન

રામપુરામાં દિવસ દરમિયાન 50થી વધુ બસોની અવરજવર હોવા છતાં એસટી પીકઅપ સ્ટેન્ડ જર્જરિત હાલતમાં હોવાથી મુસાફરો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ ઉઠવા પામી છે. રામપુરા-ભંકોડા એ દેત્રોજ તાલુકાનું મોટું વેપારી મથક ગણાય છે. આજુબાજુ ગામોના અનેક લોકો જીવન જરૂરિયાતની વસ્તુ ખરીદવા આવે છે. મોટું વેપારી મથક હોવાને કારણે વિરમગામ, કડી સહિત એસટી ડેપો દ્વારા કડી માંડલ વિરમગામ, અમદાવાદ, બહુચરાજી, શંખેશ્વર સહિત સ્થળો પર જવા આવવા માટે દિવસ દરમિયાન 50થી વધુ બસોની અવરજવર રહે છે. જેથી મોટા પ્રમાણમાં મુસાફરો પણ અવર-જવર કરે છે. વર્ષોથી ખંડેર બનેલું એસટી પીકઅપ સ્ટેન્ડ એસટી નિગમ દ્વારા બનાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. નટુભાઈ ભટ્ટ પૂર્વ પ્રમુખ રામપુરા રેલ્વે એસટી પેસેન્જર એસોસીયેસને દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, 1985માં એસટી નિગમ દ્વારા નવું બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ એસટી બસ સ્ટેન્ડનું સામાન્ય રીનોવેશન કરવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી બસ સ્ટેન્ડ ભંગાર હાલતમાં છે. ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરીને નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ પણ કરવામાં આવી છે. સત્વરે નવું બસ સ્ટેન્ડ બનાવવા માંગ ઉઠવા પામી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ધીમી કામગીરી:સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલનો પુલ હજુ શરૂ થતાં 10 દિવસ લાગશે

સુરેન્દ્રનગરને ધ્રાંગધ્રા સાથે જોડતો દુધરેજ પુલ જર્જરિત બની જતા રૂ.1.22 કરોડના ખર્ચે નવો બનાવવા માટે 24-8-2025 ખાતમુહુર્ત કરાયું હતું. જેને બનાવવા માટે 90 દિવસનો સમય ગાળો નક્કી કરાયો હતો. આમ 90 દિવસ સમય ગાળા સાથે 101 દિવસ વિત્યા પણ પુલ ચાલુ થયો નથી. આથી લોકોને હજુ 10 દિવસ 2 કિમીનો ફેરો ફરવો પડે તેમ છે. સુરેન્દ્રનગર શહેરની દૂધરેજ કેનાલ ઉપર 20 વર્ષ જૂનો પુલ જે ધાંગધ્રા, પાટડી તરફનો મહત્વનો પુલ છે. આ રોડ પર સી.યુ.શાહ મેડીકલ કોલેજ આવેલી હોવાથી ઇમરજન્સી સમયે એમબ્યુલન્સોની પણ અવર જવર થતી હોય છે. વિજયભાઇ કરમટા, નર્મદા કેનાલ એન્જિનિયર બ્રિજને મજબૂત બનાવવા પાણી વાળા ભાગમાં એફઆર શીટ નંખાશે ભાસ્કર ઇન્સાઇડબ્રિજને મજબૂત બનાવવા પાણી વાળા‎ભાગમાં એફઆર શીટ નંખાશે‎દૂધરેજ કેનાલ બ્રિજ પાણીની ઉપર હોવાથી તેના કારણે સિમેન્ટ કોંક્રીટને નબળુ પડતું હતું. આથી આ પુલની આવરદા વધારવા કાટ ન લાગે માટે આયોજન કરાયું છે. આ અંગે નર્મદા વિભાગના એન્જિનિયર વિજયભાઇએ જણાવ્યું કે નવું ટેન્ડર ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જે મંજૂરીમાં છે આ મહિનામાં મંજૂરી આવી જાય એટલે પાણીનું લેવલ થોડું ઓછુ કરી એફઆર શીટ નાંખાશે. જે કાર્બન ટાઇપની આવે જેથી પાણીથી નુકસાન ન થાય અને સ્ટ્રેન્થ વધે. સવાલ - દુધરેજ કેનાલ પરના પુલની હાલ સ્થિતિ શું છે? જવાબ-પુલનું કામ મોટાભાગનું પૂરું થયું ફાઇનલ ટચઅપ બાકી છે. સીધી વાત સવાલ - પુલ બનીને ક્યારે શરૂ થશે? જવાબ-હાલ મોટાભાગે કામ પૂરું થયું સ્લેબ પર લેયરિંગ કોટ બાકી છે પબ્લિક માટે હજુ 10 દિવસ થશે તા.15 સુધીમાં થઇ જશે. સવાલ - મોડુ થવાનું કારણ શું ? જવાબ-વરસાદના કારણે એજન્સીએ કામ 4 દિવસ મોડુ ચાલુ કર્યું હતુ અને વરસાદમાં 8 દિવસ કામ બંધ રહ્યું. દિવાળીમાં રજામાં લેબર હતા નહીં.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

જિલ્લામાં પાક નુકસાન સહાય:અત્યાર સુધીમાં 44,000 ખેડૂતને 153 કરોડ સહાય અપાઈ, હજુ 26703ની અરજી બાકી

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકશાન સહાય માટે 14 નવેમ્બરથી ફોર્મ ભરવાનું શરૂ કરાયું હતું. જેનો છેલ્લો દિવસ 29 નવેમ્બર હતો. ત્યારે સરકારે બાકી રહેતા ખેડૂતો ફોર્મ ભરવાનું રહી ન જાય તે માટે 5 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની તારીખ લંબાવી હતી. ત્યારે ગુરૂવાર સુધીમાં જિલલાના 1,90,160 અરજી આવી હતી. જ્યારે 44000 ખેડૂતોને 153 કરોડ સહાય ચૂકવાયાનું ખેતીવાડી વિભાગે જણાવ્યું હતું. સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબરમા સપ્તાહમાં પડેલા 308 મીમી કમોસમી વરસાદમાં 507250 હેક્ટર ચોમાસુ ધોવાઇ ગયો હતો. હાલ સરકારે 10 હજાર કરોડ સહાય જાહેર કરી જેના ફોર્મ ભરવાનું 14 નવેમ્બરથી શરૂ થયું હતું. જેની 29 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ જાહેર કરાયો હતો. ત્યારે અનેક ખેડૂતો હજુ ફોર્મ ભરવાના બાકી હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ ફોર્મ ભરવાની તારીખ લંબાવી 5 ડિસેમ્બર કરાઇ હતી. ત્યારે ખેડૂતોએ ફોર્મ ભરવા દોડધામ કરી રહ્યા છે. ભાસ્કર એક્સપર્ટબિલ બનતા જાય તેમ પેમેન્ટ થાય જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.આર. પરમારે જણાવ્યું કે ગુરૂવાર સુધીમાં જિલ્લામાં 1,90,160 ફોર્મ ભરાયા છે. ત્યારે પેમેન્ટ પણ ચાલુ થઇ ગયું છે. જેમાં સિસ્ટમ જનરેટેડ છે જેમ લોટ બિલ બનતા જાય તેમ પેમેન્ટ કરતા જાય છે. અત્યાર સુધીમાં 44000 ખેડૂતોના ખાતામાં અત્યાર સુધીમાં 153 કરોડની સહાય ચૂકવાયાનું જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કુલ 2,16,863 ખેડૂતો નોંધાયેલા છે. હજુ જિલ્લાના 26,703 ખેડૂતો બાકી હોવાનું સામે આવ્યું છે. આજે છેલ્લા દિવસે કેટલી અરજી થાય જિલ્લામાં તે માટે ખેડૂતોએ દોડધામ ચાલુ કરી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ગૌરવની વાત:ડોટેડ પેટર્ન ‘દાણા’ માટે જાણીતી ટાંગલિયા કળાને જીઆઈ ટેગ મળ્યો

ઝાલાવાડ ટાંગલિયા કલાને કારીગરો સાચવી રહ્યા છે. વઢવાણ તાલુકાના ગામડાના કારીગરે બનાવેલો શર્ટ બોલિવૂડ સ્ટારે પહેરીને ચાર ચાંદ લગાવ્યા છે. આ કલા જીઆઇ ટેગ મળ્યો છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ - કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્રની સમૃદ્ધ ઔદ્યોગિક, આર્થિક તથા સાંસ્કૃતિક ક્ષમતાને વિશેષ રીતે ઉજાગર કરશે. ગુજરાતની 700 વર્ષ જૂની હાથશાળ કલા - ટાંગલિયા તેના વિશિષ્ટ ઊભા કરેલા ડોટેડ પેટર્ન ‘દાણા’ માટે વિશ્વભરમાં જાણીતી છે. જિલ્લાના ડાંગાસિયા સમુદાય દ્વારા પેઢી દર પેઢી સંરક્ષિત કરવામાં આવેલી આ કલામાં તાણા–પેટામાં વધારાના વેફ્ટ દોરાને સૂક્ષ્મતા અને ચાતુર્યપૂર્વક ફેરવી વિવિધ ભૌમિતિક આકૃતિઓ વણી કાઢવામાં આવે છે. આ ટેકનિકની દુર્લભતા, ચોકસાઈ અને ઊંડા સાંસ્કૃતિક મહત્વને કારણે ટાંગલિયાને પ્રતિષ્ઠિત ભૌગોલિક સંકેત (GI) દરજ્જો મળ્યો છે. આ વૈશ્વિક પુનર્જાગૃતિને આગળ વધારવામાં પદ્મશ્રી લવજીભાઈ પરમારનું યોગદાન અવર્ણનીય છે. યુવા પેઢીને આ વારસાથી જોડવા તેમણે સ્થાપિત કરેલું કોમન ફેસિલિટી સેન્ટર તાલીમ, ટેક્નિકલ માર્ગદર્શન અને બજાર સપોર્ટ પૂરો પાડીને કારીગરોને પ્રોત્સાહિત કરે છે. તેમણે આ કલાને ફરી જીવંત બનાવી, જેથી તેમને ‘ટાંગલિયાનો ત્રાંહાર’ જેનો અર્થ થાય છે. દેદાદરા ગામના રાઠોડ પરિવાર ને તાગલિયા કલા ને જાળવી રાખવા રાઠોડ મોહનભાઈ ને 2016માં રાજ્ય સરકાર, પુત્ર બળદેવભાઈ ને 2016માં રાષ્ટ્રપતિ એવોર્ડ, પુત્ર વધુ વિધાબેન બળદેવ ભાઈ ને 2019માં રાજ્ય સરકારે એવોર્ડ મળ્યો છે. 1 શર્ટ બનાવતા 20થી 25 દિવસ થાયઅમારા દ્વારા બનાવેલો ટાંગલિયા શર્ટ હોલિવૂડ ફિલ્મ ‘F1’માં પ્રખ્યાત અભિનેતા બ્રેડ પિટ દ્વારા પહેરાતા, આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતની કારીગરીને સ્થાન મળ્યું છે. આ શર્ટ બનાવતા 20થી 25 દિવસ થાય છે. અમો કાલે અમદાવાદ જીએમડીસી મેદાનમાં ભાગ લઇશું. > બલદેવ મોહનભાઈ રાઠોડ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ વૈશ્વિક બજારો સાથે જોડી સશક્ત મંચ પૂરો પાડશેસ્થાનિક કારીગરો, યુવા ઉદ્યોગસાહસિકો, રોકાણકારો અને સાંસ્કૃતિક રાજદૂતોને એક જ મંચ પર લાવી, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ માત્ર આર્થિક સમૃદ્ધિ નહીં, પરંતુ ગુજરાતની સાંસ્કૃતિક આત્માને ઉજવણી આપતી એક અનોખી પહેલ બની રહેશે. પ્રગતિ ત્યારે જ શ્રેષ્ઠ બને છે, જ્યારે તે સમુદાયોને સશક્ત બનાવે છે, વારસાને સંરક્ષે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

SIR:16 ડિસેમ્બરની યાદીમાં 18,000 નામ કપાવાની શક્યતા‎

સુરેન્દ્રનગર જિલ્લામાં 14.80 લાખથી વધુ મતદારોની મતદાર યાદી સુધારણાની એસઆઈઆર પ્રક્રિયા ચાલુ છે. જેમાં 3 તબક્કા પુરા થયા બાદ 16 ડિસેમ્બરે ડ્રાફ્ટ જાહેર કરાશે. આ યાદીમાં 18,000થી વધુ મતદારોના નામ કપાવાની શક્યતા સેવાઈ રહી છે. વર્ષ 2002ની યાદીમાં નામ હોવા છતાં મેપિંગ નહીં થતા આવા હજારો મતદારોને ડોક્યુમેન્ટ આપી જવા નોટિસો આવશે તેવી પણ ભીતિ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 1518થી વધુ બીએલઓ દ્વારા વર્ષ 2002ની યાદી સાથે 14.80 લાખ મતદારોની સરખામણી કરીને નવી મતદાર યાદી તૈયાર કરાઈ રહી છે. જો મતદારનું નામ 2002માં હોય તો તેનું મેપિંગ સરળતાથી થઈ જાય છે પણ અમુક કિસ્સાઓમાં નામની જોડણી અલગ હોય અથવા એપ્લિકેશનની એરર કે જો મેપિંગ નહીં થાય તો આ ડોક્યુમેન્ટ આપવા પડશે. ભાસ્કર નોલેજજો મેપિંગ નહીં થાય તો આ ડોક્યુમેન્ટ આપવા પડશે‎કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિનુ નામ 2002 ની યાદીમાં હોય તો બાકીના સભ્યોને ઓનલાઇન પ્રક્રિયા દ્વારા મૂળ સભ્ય સાથે જોડી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને મેપિંગ કહે છે. જો આખા કુટુંબ માથી કોઈનું નામ 2002 ની યાદીમાં ન હોય અથવા 2002 માં નામ હોવા છતાં ટેક્નિકલ કારણોથી મેપિંગ ન થાય તો પિતાનો જન્મનો પુરાવો અથવા આપેલ યાદીમાંથી કોઈ ડોક્યુમેન્ટ બી.એલ.ઓ.ને આપવાનું રહેશે. વેબસ ઈટના સર્વર ડાઉન હોવાના લીધે મતદારનું નામ 2002માં હોવા છતાં મેપિંગ થતું નથી. આથી આખા વિધાનસભા ક્ષેત્રમાં 18000થી વધુ મતદારોએ ચુટણીપંચે નક્કી કરેલ સમયસ માની અંદર આપેલ યાદી મુજબના ડોક્યુમેન્ટ બી. લ.ઓ અથવા સરકારી કર્મચારીને પહોંચ ડવાના રહશે. જો મતદાર સમયસર ડોક્યુમેન્ટ્સ નહીં આપી શકે તો તેનું નામ કાયમી મતદાર યાદીમાં નહીં આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. 2002 પછી લગ્ન થયેલ મહિલાઓએ પોતાના પિયરના માતા- પિતાનો વિભાગ નંબર અથવા પિતાનું જન્મ પ્રમાણ રજુ કરવું પડશે તો જ નવી યાદીમાં નામ આવશે. જો કોઈ વ્યક્તિનુ મેપિંગ ન થાય તો 2002માં નામ હોવા છતાં તેને પિતાના જન્મના આધાર આપવા પડે. મહિલા મતદારોમાં જાગૃતિના અભાવે લગ્ન કરીને આવેલી બહેનો પિયરનો વિધા નસભા ક્રમાંક અથવા વિભાગ નંબર શોધવામાં બી.એ .ઓને સહકાર આપતી નથી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ભાસ્કર એનાલિસિસ:જામનગર બ્રાસ ઉદ્યોગમાં 70 ટકા આયાત સામે માત્ર 20 ટકા જ નિકાસ, આર્થિક અસર

ભારતના ઈતિહાસમાં ડોલરની સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર થતાં જામનગરમાં આવેલા બ્રાસ ઉઘોગોને સીધી તથા આડકતરી અસરો જોવા મળવાની ચિંતા ઉભી થઈ છે. બ્રાસ ઉઘોગ ઉપર પહેલા જ કોમોડીટીની વોટાચાલીટીની અસર અને ટેરીફના કારણે જામનગરના બ્રાસ ઉઘોગને કમર ભાંગી છે. દર મહિને 20 થી 25 હજાર મેટ્રીક ટન બ્રાસ સ્ક્રેપ ઈન્પોર્ટ કરે છે. તો તેની સામે એક્સપર્ટ (નિકાસ) ઘટી રહ્યો છે. જેથી બ્રાસ ઉઘોગને મોટો ફટકો પડવાની તૈયારીઓ શરૂ થઈ છે. જામનગર શહેર અને જીઆઈડીસીમાં બ્રાસ ઉઘોગ સાથે 4000થી વધુ કારખાનેદારો સંકળાયેલા છે. બ્રાસ સ્ક્રેપનો 70 ટકા વિદેશોમાંથી આયાત કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ ડોલરની સામે રૂપિયો પ્રથમવાર 90ને પાર થયો છે. ડોલર સામે રૂપિયો ગબડતા જામનગર સહિત દેશભરમાં ઈન્પોર્ટ-એક્સપર્ટ સાથે સંકળાયેલા ધંધાર્થીઓને સીધી કે, આડકતરી રીતે અસર થઈ રહી છે. ત્યારે જામનગરમાં આવેલા 4000થી વધુ કારખાનેદારો બ્રાસ સ્ક્રેપ, મેટલ સહિતનો 70 ટકા માલ અમેરીકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાંથી ખરીદી કરવામાં આવે છે. પરંતુ તેની લેવડ-દેવડ તો ડોલરમાં જ કરવી પડે છે. હાલ જામનગરનું બ્રાસ ઉઘોગ જ દર મહિને 20 થી 25 હજાર મેટ્રીક ટન બ્રાસ અને મેટલની આયાત કરે છે. તો તેની સામે નિકાસ માત્ર 20 ટકા જેટલી જ છે. અમેરીકામાં તો માત્ર 7 ટકા જેટલો જ માલની નિકાસ થાય છે. જેથી ડોલર સામે રૂપિયો ગગડતા સીધી કે આડકતરી રીતે જામનગરની બ્રાસ ઈન્ડસ્ટ્રીઝને મોટી અસર કરે છે. જામનગરના બ્રાસ ઉઘોગ સાથે સંકળાયેલા વેપારીઓને નફામાં ખોટ ખાવી પડશે. હજુ તો શરૂઆત જ છે એટલે વધુ અસર દેખાતી નથી. પરંતુ આગામી દિવસોમાં બ્રાસ ઈન્ડસ્ટ્રીઝને મોટી અસર થશે. તેમ બજારના એનાલીસ્ટો જણાવી રહ્યા છે. ડોલરની સાથે-સાથે પાઉન્ડ, યુરો અને યેન ચલણમાં પણ ઉછાળો જોવા મળતા તે પણ સીધી કે, આડકતરી રીતે આયાતને અસર કરે છે. જેથી વિદેશી ચલણ સામે રૂપિયો નબળો પડતા બ્રાસ ઈન્ડસ્ટ્રીઝને મોટો ફટકો પડી રહ્યો હોવાનો જાણકારો જણાવી રહ્યા છે. આયાત સામે અમેરિકામાં ઉંચા ટેરીફના કારણે નિકાસ માત્ર 7 ટકાસોના-ચાંદીના ઉંચા વૈશ્વિક ભાવ તથા અમેરિકાના ટેરિફે ભારતની સ્પર્ધાતમકતા ઘટાડી દીધી છે. તેની પણ રૂપિયા પર અસર પડી હોવાનું અમુક વેપારીઓ જણાવે છે. તો ઉંચા ટેરિફને કારણે જામનગરના બ્રાસ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા માત્ર 7 ટકા જ નિકાસ થાય છે. અમેરિકાને ટેરિફના કારણે મોંઘી પડે છે. જેના કારણે અમેરિકાએ ભારતમાંથી આયાત ઘટાડી દીધી છે તેમ જાણકારો જણાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ધર્મોત્સવ:જામનગર શહેરમાં દિક્ષા લેનાર શાહ પરિવારના માતા-પિતા અને પુત્રનો વર્ષીદાનનો વરઘોડો

જામનગરમાં મુળ શિહોર વાળા શાહ પરીવારના 10 વર્ષના પુત્ર અને તેના માતા-પિતા દિક્ષાગ્રહણ કરશે, ગુરૂવારના દિક્ષાર્થીઓનો વર્ષીદાનનો વરઘોડો યોજાયો હતો. આવતીકાલે તેમનો દિક્ષાગ્રહણ સમારોહ શેઠ પોપટલાલ ધારશીભાઇ જૈન બોર્ડીગ સંકુલ જામનગર ખાતે યોજાશે. આ પરિવારના 9 જેટલા સભ્યોએ પણ અગાઉ દીક્ષા લીધી છે. શહેરના 46 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં વિમલનાથ એપાર્ટમેન્ટમાં રહેતા નંદીશભાઇ શાહ તથા તેમના પત્ની ધારીણીબેન શાહ અને તેમના પુત્ર તિર્થ શાહ આ ત્રણેય કુટુંબીજનો દિક્ષાગ્રહણ કરવા જઇ રહ્યા છે. જામનગરના આંગણે આગામી તા.5મીએ લાલબંગલા રોડ ઉપરના સમેત શિખરજીની પ્રતિકૃતિ સમાન જૈન દેરાસરના આંગણામાં પોપટલાલ ધારશીભાઈ બોર્ડિંગ સંકુલમાં શિહોરવાળા શાહ પરિવારનું દંપતિ અને 10 વર્ષનો પુત્ર શુક્રવારે આચાર્ય પુર્ણચંદ્ર સાગરસુરીજી મહારાજ, આચાર્ય અપુર્વચંદ્રસાગરસુરીજ ી મહારાજ, આચાર્ય આગામચંદ્રસાગરસુરીજી આદિ ગુરુજનોની નિશ્રામાં સંસાર ત્યાગ કરી રહ્યા છે. દિક્ષાર્થીઓનો વરઘોડો આજે સવારે ચાંદી બજારેથી નિકળ્યો હતો. તે સેન્ટ્રલ બેંક, હવાઈ ચોક, પંચેશ્વર ટાવર, ટાઉન હોલ, લાલબંગલાથી ક્રિકેટ બંગલા થઈને શેઠ જૈન બોર્ડીગ સંકુલ ખાતે પહોચ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં જૈન-જૈનતરો તેમજ સાધુ અને સાધ્વીજીઓ જોડાયા હતા. આ સાથે પાંચ સભ્યોના એક આખા પરિવારના દીક્ષા ગ્રહણની ઘટના આકાર લેશે. કારણકે, દંપતિની પુત્રી અને એક પણ 2022માં સંસાર છોડી સંયમના માર્ગે નીકળી ચુક્યા છે. આ પ્રસંગે આશીર્વચનો આપવા ગુરુ મહારાજોનું જામનગરમાં આગમન થતાં તેઓનું ગઈકાલે રવિવારે સામૈયું યોજાયું હતું. દિક્ષાર્થીઓના પરિવારજનો અગાઉ દિક્ષા લેનારાઓનું આગમનજામનગરમાં નાંદીશભાઈ અને તેના પત્ની, પુત્રની દીક્ષા ગ્રહણના સાથી બનવા આજે જામનગરમાં તેઓના એક સમયના સંસારી સંગાઓ એવા મુનિ ગુણશેખર વિજયજી મહારાજ (ભત્રીજા), મુનિ અમમચંદ્રસાગરજી (ભત્રીજા), મુનિ અક્ષતચંદ્રસાગરજી (2022માં દીક્ષા લેનાર સંસારી ચૈત્ય નામહતુંતે), મુનિ આર્જવચંદ્રસાગરજી (મોટાભાઈ), સાધ્વી વતનંદિતાશ્રીજી મહારાજ (બહેન), જિનાંગવતાશ્રીજી (માતા), સાધ્વી હેમર્પિપિયાશ્રીજી (ભત્રીજી), સાધ્વી વિશ્વવતાશ્રીજી (2022માં દીક્ષા લેનાર સંસારી નામ વીરાલી હતું તે) તેમજ હેમધિપિયાશ્રીજી (ભાભી)નું જામનગરમાં આગમન થયું છે. આ પૂર્ણ પરિવારજનો પોતાના આત્મિયોના સંસાર ત્યાગના સાક્ષી બનશે. જૈન સમાજમાં આવી ઘટના ભાગ્યે જ જોવા મળે છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

તત્કાલ ટ્રેન ટિકિટ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર‎:હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ માટે ઓટીપી ચકાસણી ફરજિયાત

પશ્ચિમ રેલવે દ્વારા રેલવે બોર્ડના નિર્દેશ અનુસાર તત્કાલ બુકિંગ સિસ્ટમમાં એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. હવે તત્કાલ ટિકીટ માત્ર સિસ્ટમ દ્વારા મોકલવામાં આવેલા વન ટાઈમ પાસવર્ડ ના સત્યાપન બાદ જ જારી કરવામાં આવશે. આ ઓટીપી તે મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે, જે પ્રવાસી બુકિંગ સમયે આપશે. ઓટીપી સફળ સત્યાપન થયા બાદ જ ટિકિટ આપવામાં આવશે. આ ઓટીપી આધારિત તત્કાલ ચકાસણી સિસ્ટમ શરૂઆત માં ટ્રેન નંબર 12268/12267 હાપા–મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ પર 05 ડિસેમ્બર, 2025 થી લાગુ કરવામાં આવશે. નવી સિસ્ટમ કમ્પ્યુટરાઈઝ્ડ પી.આર.એસ કાઉન્ટરો, અધિકૃત એજન્ટો, આઈ આર સી ટી સી વેબસાઇટ તથા આઈ આર સિટીસી મોબાઇલ એપ દ્વારા થતી તમામ તત્કાલ બુકિંગ પર લાગુ થશે. આ બદલાવનો હેતુ તત્કાલ બુકિંગ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાનો અને વાસ્તવિક મુસાફરોને તત્કાલ ટિકિટ મેળવવામાં વધુ સગવડ પહોંચાડવાનો છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

વાતાવરણ:જામનગરમાં લઘુતમ પારો આંશિક ઉંચકાયો, ઠંડી યથાવત

જામનગરમાં છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે જ્યારે કોઈપણ જાતના વધારા કે ઘટાડા વગર મહત્તમ તાપમાન નો પારો 28.5 ડિગ્રી એ સ્થિર રહ્યો હતો. ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષાનો દોર ચાલી રહ્યોછે, જેના પગલે જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ અને ઉત્તરાખંડના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો માઈનસમાં ચાલ્યો ગયો છે. હિમાલય પરથી આવતા પવનના પગલે ઉત્તરપ્રદેશ, બિહાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતના હિમ જેવા ઠંડા પવનના પગલે હાલાર સહિત સમગ્ર ગુજરાતમાં હવે ઠંડીમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે સાંજથી જ ઠંડક પ્રસરવા લાગી હતી. નગરસિમ અને ગ્રામ્ય વિસ્તારો તથા હાઈવે પર ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન ના પારામાં આંશિક વધારો નોંધાતા ગુરુવારે શહેરનું લઘુતમ તાપમાન 17 ડિગ્રી નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાનમાં કોઈ પણ જાતનો ફેરફાર વગરમહત્તમ તાપમાન 28.5 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 11 ટકા ઘટીને 70 ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ 5થી 15 કિ.મી.ની રહેવા પામી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

આવકમાં ક્રમશ વધારો:યાર્ડમાં બીજા દિ’એ વધુ 12,755 મણ કપાસ ઠલવાયો

હાપા માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે પણ કપાસની ઘીંગી આવક થવા પામી હતી.જેમાં 272 ખેડૂતે 12,755 મણ કપાસનો જથ્થો ઠાલવ્યો હતો.જયારે કપાસના ભાવ રૂા. 1200થી 1500 બોલાયા હતા.જયારે મગફળીની આવકને સતત બીજા દિવસે બંધ રખાઇ હતી. હાપા માર્કેટીંગ યાર્ડમાં ગુરૂવારે 909 ખેડૂતો પોતાની જુદી જુદી જણસોના વેચાણ અર્થે આવ્યા હતા જેના પગલે 29,700 મણ જણસોની આવક થઇ હતી.જેમાં સૌથી વધુ આવક સફેદ સોનુ ગણાતા કપાસની થવા પામી હતી. જેમાં 12,755 મણ કપાસ ઠલવાયો હતો.જયારે જીરૂની 708 મણ આવક નોંધાઇ હતી.જેનો ભાવ અનુક્રમે 3000થી 3950 બોલાયો હતો.યાર્ડમાં સુકી ડુંગળીની પણ 2702 મણ આવક થઇ હતી અને ભાવ રૂા. 20થી 240 બોલાયો હતો. યાર્ડમાં ગુરૂવારે મણ દિઠ આવકની દ્રષ્ટીએ સૌથી વધુ કપાસ બાદ લસણ 4,923 મણ, તલી 952 મણ, ઘંઉ 1325 મણ,અજમો 891 મણ, સોયાબીન 945 મણ ઠલવાયા હતા.યાર્ડમાં છેલ્લા બે દિવસથી કપાસની આવકમાં ક્રમશ: વધારો જોવા મળી રહયો છે. 95 હજાર હેકટરમાં કપાસનું વાવેતર જામનગર જિલ્લામાં ચોમાસુ સિઝન દરમિયાન જુદા જુદા છ તાલુકામાં મળી કપાસનુ અંદાજિત 89 હજારથી વધુ હેકટરમાં વાવેતર થયુ હતુ. જયારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ લગભગ છ હજારથી વધુ હેકટરમાં કપાસના પાકનુ વાવેતર કરાયુ હતુ.જોકે, ચાલુ વર્ષે કમૌસમી વરસાદના મારના કારણે હાલારમાં કપાસ-મગફળીના પાકને પણ અમુક સ્થળોએ નુકશાન થયાનુ સામે આવ્યુ હતુ.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

સુવિધાઓનો તાગ મેળવ્યો‎:રેલવેના જનરલ મેનેજરે જામનગર સ્ટેશનનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું, સૂચનો આપ્યા

પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે જામનગર રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું હતું જેમાં ઉપલબ્ધ મુસાફર સુવિધાઓનો પણ વિગતવાર તાગ મેળવ્યો. આ ઉપરાંત હાપા–જામનગર સેક્શનનું વિન્ડો ટ્રેઇલિંગ નિરીક્ષણ પણ કર્યું. આ સાથે જ કર્મચારીઓને જરૂર જણાય તે આ વિશેષ સુચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ વિવેક કુમારગુપ્તાએ જામનગર અને મોરબી રાજકોટ ડિવિઝનના રેલવે ખંડનું વાર્ષિક સેફટી નિરીક્ષણ કર્યું. આ દરમિયાન, તેમણે આ રેલવે ખંડમાં સેફટી અને સુરક્ષા ધોરણો, માળખાકીય વિકાસના કાર્યો, મુસાફરોની સુવિધાઓ, કર્મચારીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ અને અન્ય પ્રગતિના કાર્યોનું વિગતવાર મૂલ્યાંકન કર્યું. જનરલ મેનેજરની સાથે વિવિધ વિભાગોના મુખ્ય વિભાગીય વડાઓ, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, અન્ય વરિષ્ઠ અધિકારીઓ કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા. પોતાના વાર્ષિક સેફટી નિરીક્ષણ દરમિયાન, ગુપ્તાએ લેવલ ક્રોસિંગ, મહત્ત્વપૂર્ણ મોટા અને નાના પુલો, સેક્શનલ સ્પીડ ટ્રાયલ, પોઈન્ટ અને ક્રોસિંગ સહિત વિવિધ સેફટી તત્ત્વોનું ઊંડું નિરીક્ષણ કર્યું અને તેમણે મોરબી, રાજકોટ અને જામનગર સ્ટેશનો પર ઉપલબ્ધ મુસાફર સુવિધાઓનો પણ વિગતવાર તાગ મેળવ્યો. તેમણે રેલવે સ્ટેશન ઉપરાંત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ બિલ્ડિંગ, રિલે રૂમ, ગાર્ડ અને ડ્રાઇવરોના રનિંગ રૂમ, કોમ્યુનિટી હોલ, ટ્રેડર્સ રૂમ, ગુડ્સ શેડ અને ઇલેક્ટ્રિફિકેશન સંબંધિત ઓવરહેડ ઇક્વિપમેન્ટ ડેપોનું નિરીક્ષણ કર્યું. રાજકોટમાં ગુપ્તાએ રેલવે સ્ટેશન ઉપરાંત લોબી, રેલવે કોલોની અને રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડના પેવેલિયનનું નિરીક્ષણ કર્યું. આ પ્રસંગે તેમણે માન્યતા પ્રાપ્ત ટ્રેડ યુનિયનોના પ્રતિનિધિઓ સાથે પણ મુલાકાત કરી. રાજકોટ–હડમતિયા ખંડ વચ્ચે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ રન કરવામાં આવ્યો. જાળિયાદેવાણીમાં તેમણે રેલવે કોલોનીનું નિરીક્ષણ કર્યું અને જનરલ મેનેજરે મુસાફરોની સેફટીને સર્વોચ્ચ પ્રાથમિકતા ગણાવતાં સંબંધિત અધિકારીઓને ટ્રેક, સમપાર ફાટકો અને અન્ય સેફટી ધોરણોની વિગતવાર સમીક્ષા કરીને જરૂરી દિશાનિર્દેશો આપ્યા, જેથી ટ્રેન સેવાઓ વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને સમયસર સંચાલિત કરી શકાય.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ચકચાર:યુવાન પર અગ્રણીઓનો હુમલો, પત્નીને ધમકી

જામનગર શહેરમાં અગાઉ ઝઘડાના કેસનો ખાર રાખીને યુવાન ઉપર મુસ્લીમ સમાજના અગ્રણી પિતા-પુત્રએ હુમલો કરીને યુવાનની પત્નીને ધમકી આપ્યાનો વિડીયો વાયરલ થતાં ચકચાર વ્યાપી ગઈ છે. જામનગર મુસ્લિમ સમાજના બાવન જમાતના પ્રમુખ જુમાભાઈ ખફી અને તેના પુત્ર આરીફ ખફીના પાડોશમાં રહેતા મહિલા નર્મદાબેન જાદવ અને તેના પતિ એહમદ રજા સંધિ સાથે છેલ્લા દોઢ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. મહિલા દ્વારા અગાઉ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. કોર્ટમાં કેસ ચાલુ હોય, જે બાબતનો ખાર રાખીને ગત તા.30ના રોજ એહમદરઝાભાઈ મહમદહુશેનભાઈ નાઈ (ઉ.વ.36) નામના સંધિ બાઈક લઈને ચુનાનો ભઠ્ઠો ઢોલીયાપીરની દરગાહ પાસેથી પસાર થતો હતો. ત્યારે આરોપીઓએ કેમ સામુ જોવે છે તેમ કહીને કારમાંથી લાકડાના ધોકા કાઢીને મુસ્લીમ અગ્રણીઓએ હુમલો કરીને હાથમાં ઈજા પહોંચાડી હતી. બાદમાં યુવાનની પત્ની ઘરે હોવાથી ત્યાં જઈને હવે તુ અહીયા રહીને દેખાડ તથા ફરીને કહેલ કે હવે તારે વિડીયો ઉતારવા તે ઉતાર તેમ કહીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગેની યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

ફુડ વિભાગ એકાએક જાગ્યુ:ભવનાથ- સાસણમાં 36 પેઢીમાં‎ખાદ્ય સામગ્રીની ચકાસણી કરાઈ‎

જૂનાગઢમાં નાયબ મુખ્યમંત્રીની સુચના મળતા જ સૂતેલી હાલતમાં રહેતુ ફુડ વિભાગ એકાએક જાગ્યુ અને પ્રવાસન તેમજ યાત્રાધામના સ્થળ એવા ભવનાથ અને સાસણ વિસ્તારમાં કુલ 36 પેઢીઓમાં વસ્તુઓની ચકાસણી કરી વાસી ખોરાકનો નાશ કર્યો હતો. તાજેતરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને યાત્રાધામ- પ્રવાસન સ્થળોની સફાઇ બાબતે વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં ખાણીપીણીની ક્વોલીટી ચેક કરવા સૂચના આપવામાં આવી હતી. જિલ્લા કલેકટરની સુચના મળતા જ જૂનાગઢ ફૂડ વિભાગના હેમલ દવે અને તેની ટીમ એકાએક જાગી અને ભવનાથ- સાસણ વિસ્તારમાં ફુડ ક્વોલીટીની તપાસ શરૂ કરી હતી. જેમાં 6-6 સભ્યોની બે ટીમ બનાવવામાં આવી હતી. જેમાં એક ટીમ ભવનાથ ખાતે કુલ 23 પેઢીમાં તપાસ કરી 22 કિલો વાસી ગ્રેવી, ખુલ્લો ખોરાક સહિતના જથ્થાનો નાશ કર્યો હતો તેમજ સાસણ ખાતે તપાસે ગયેલી ટીમ દ્વારા 13 પેઢીમાં તપાસ કરી 25 કિલો અખાદ્ય ખોરાકનો નાશ કર્યો હતો એમ ફુડ વિભાગના એસ.એસ. વ્યાસે જણાવ્યુ છે. ગીર સોમનાથમાં પણ તપાસનો ધમધમાટ રહ્યોગીર સોમનાથના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના યાત્રાધામમાં મંદિરની નજીકની હોટલ, રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોલમાં ફુડ વિભાગની ટીમે તપાસ કરી વિવિધ ખાદ્ય એકમોમાંથી કાચા માલથી લઈને તૈયાર ખોરાક સુધીના નમૂના લીધા હતા તેમજ અમુક અખાદ્ય વસ્તુનો સ્થળ પર જ નાશ કર્યો હતો. તેમજ સ્વચ્છતા, હાઈજીન અને ફૂડ સલામતીના ધોરણોનું પાલન થઈ રહ્યું છે કે કેમ તેની પણ વિગતવાર ચકાસણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 5 Dec 2025 4:00 am

શિક્ષક સામે ફરિયાદ:વડોદરાની વિદ્યાલયમાં ચાલુ કલાસમાં પીધેલી હાલતમાં બીભત્સ શબ્દનો ઉપયોગ કરનાર શિક્ષક સામે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, પોલીસે શિક્ષકની અટકાયત કરી

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ એક વિદ્યાલયમાં શિક્ષક દ્વારા ચાલુ ક્લાસમાં બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેથી વાલીએ આ શિક્ષક સામે ફરિયાદ નોધાવતા પોલીસે શિક્ષકની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શિક્ષકે ભણાવતી વેળા બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યોવડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલ વિદ્યાલયમાં વિનોદ સમસુ બારિયા શિક્ષક તરીકે ફરજ બજાવે છે. આ દરમિયાન 4 ડિસેમ્બરના રોજ આ શિક્ષક ધોરણ 10માં કલાસ લઇ રહ્યા હતા. તે દરમિયાન ક્લાસમાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીએ હાજર હતી. તે દરમિયાન આ શિક્ષકે ભણાવતી વેળા કોઇ બીભત્સ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પોલીસ દ્વારા આરોપી શિક્ષકની અટકાયત કરાઈશિક્ષક દ્વારા આ દ્વિભાશી શબ્દનો ઉપયોગ કરાતા વિદ્યાર્થિનીઓ પણ અવાક બની ગઇ હતી. જેથી તમામ વિદ્યાર્થિનીઓ પૈકી એક વિદ્યાર્થિનીની માતાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં શિક્ષક વિનોદ બારિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આરોપી શિક્ષકની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:58 pm

દૈનિક 900 મે.ટન ગાર્ડન ગ્રીન વેસ્ટનો નિકાલ:ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના ભારે વાહનો ફાળવવા નવી જોગવાઈ કરાશે

સુરત શહેરમાં ગાર્ડન વેસ્ટનો યોગ્ય નિકાલ ન થવાને કારણે ઠેર ઠેર સોસાયટીઓના નાકા, ચાર રસ્તાઓ અને ડિવાઇડરો આસપાસ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ન્યુસન્સ પોઈન્ટોમાં વધારો થયો છે. ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનમાં અપૂરતા વાહનો અને ઈ-વ્હીકલોની ઓછી સંખ્યા સમસ્યાનું મુખ્ય કારણ છે. હાલમાં વપરાતા ઈ-વ્હીકલોની ક્ષમતા માત્ર 200 કિલો વેસ્ટ વહન કરવાની હોવાથી ગાર્ડન વેસ્ટનો નિકાલ ડોર-ટુ-ડોર ગાડીઓમાં થઈ શકતો નથી. આ સમસ્યાના નિરાકરણ માટે હવે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના મોટા વાહનો ફાળવવાની જોગવાઈ કરવામાં આવનાર છે. ટેન્ડરની શરતોમાં ફેરફારસ્થાયી અધ્યક્ષ રાજન પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ગાર્ડન વેસ્ટના નિકાલ માટે અગાઉ બહાર પડાયેલા ટેન્ડરમાં ચોથા પ્રયાસે પણ કોઈ કોન્ટ્રાક્ટર ક્વોલિફાય થઈ શક્યું ન હતું. આનું મુખ્ય કારણ ટેન્ડરની શરતમાં ગાર્ડન વેસ્ટના નિકાલનો અનુભવ ફરજિયાત રાખવામાં આવ્યો હતો, જેના કારણે ખાસ ટેન્ડરરો મળ્યા ન હતા. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, હવે ટેન્ડરની શરતોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગાર્ડન વેસ્ટના અનુભવને બદલે અન્ય વેસ્ટ નિકાલના અનુભવોને પણ માન્ય ગણીને ફરીથી ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. આ ફેરફારથી શહેરમાં ગાર્ડન વેસ્ટના નિકાલની કામગીરી ઝડપથી શરૂ થઈ શકશે. 1000 કિલો ક્ષમતાના ઈ-વ્હીકલ ફાળવવામાં આવશેનવી જોગવાઈ અનુસાર, ગાર્ડન વેસ્ટના નિકાલ માટે 1000 કિલો ક્ષમતાના મોટા ઈ-વ્હીકલ ફાળવવામાં આવશે. તમામ ઝોનમાં ગાર્ડન વેસ્ટ એકત્ર કરવા માટે ચોક્કસ પ્લોટ ફાળવવામાં આવશે. આ પ્લોટ પરથી એકત્ર થયેલો કચરો મોટી ગાડીઓ મારફત ટ્રાન્સફર સ્ટેશન સુધી લઈ જવામાં આવશે. પ્રાથમિક તબક્કામાં બે ઝોનથી આ કામગીરીની શરૂઆત કરવામાં આવશે, ત્યારબાદ તબક્કાવાર તમામ ઝોનમાં આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે. દૈનિક 900 મે.ટન ગાર્ડન-ગ્રીન વેસ્ટનો નિકાલમહાપાલિકા શહેરમાંથી દૈનિક 2200 મેટ્રિક ટન જેટલો કચરો ઉઠાવે છે, જેમાંથી 95 ટકાથી વધુ કચરાનું પ્રોસેસિંગ થાય છે. આ કુલ કચરામાં, ભીનો કચરો, ઓર્ગેનિક વેસ્ટ અને ગાર્ડન વેસ્ટ મળીને 900 મેટ્રિક ટન જેટલો હોય છે. લગભગ 200 ગાર્ડનોમાંથી આવતો વેસ્ટ અલગથી ઉઠાવવામાં આવે છે.ગાર્ડન વેસ્ટનો મુખ્ય ભાગ (લગભગ 4 ટન) કસ્તુરબા ગાર્ડન અને કતારગામ ઝોન ખાતે વર્મી કમ્પોસ્ટમાં રૂપાંતરિત થાય છે. માર્કેટ અને સોસાયટીઓમાંથી આવતા ઓર્ગેનિક વેસ્ટને પ્રોસેસ કરવા માટે 25થી વધુ યુનિટ માર્કેટોમાં અને 50થી વધુ યુનિટ સોસાયટીઓમાં વેસ્ટ કન્વર્ટર મુકાયા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:30 pm

આરોપીની ધરપકડનું કારણ ન જણાવતા મળ્યા જામીન:દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI અને બે ખાનગી વ્યક્તિ સામે 1 કરોડની લાંચ માગ્યાનો ગુનો નોંધાયો હતો

ચાલુ વર્ષે નવેમ્બર મહિનામાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર શિવકુમાર તેમજ બે ખાનગી નાગરિક ચિત્રેશ સુતરીયા અને સંજય પટેલ સામે અમદાવાદ ACB પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં આરોપી ચિત્રેશ સુતરીયા પાલડી અમદાવાદના રહેવાસી છે. જેની ધરપકડ થતા તેને અમદાવાદ સિટી સેશન્સ કોર્ટમા જામીન અરજી દાખલ કરી હતી. જેમાં ધરપકડ કરનાર અધિકારીએ એરેસ્ટ મેમોમાં આરોપીને ધરપકડનું કારણ ન જણાવતા સુપ્રીમ કોર્ટના આદેશનો ભંગ કર્યો હોવાથી આરોપીને કોર્ટમાંથી શરતી જામીન મળી ગયા હતા. ગ્રાહકોના 17 પાસપોર્ટ સહિત અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરાઈ હતીકેસને વિગતે જોતા અમદાવાદના સીજી રોડ ખાતે આવેલી વિઝા કન્સલ્ટિંગની ઓફિસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક કેસ સંદર્ભે રેડ પાડવામાં આવી હતી. જેમાં ફરિયાદી પોતે પણ ત્યાં વિઝાનું કામ કરાવતા હતા. આ રેડમાં ફરિયાદી પાસે રહેલા ગ્રાહકોના 17 પાસપોર્ટ સહિત અન્ય ચીજ વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. ત્યાંથી ફરિયાદીને પકડીને નવરંગપુરા પોલીસ મથકે લઈ જવાયા હતા. જ્યાં આરોપી દિલ્હી ક્રાઈમ બ્રાન્ચના ASI શિવકુમારે મિત્ર સંજય પટેલ અને વિઝા કન્સલ્ટન્સી માલિકના મિત્ર ચિત્રેશ સુતરીયાને બંનેએ બોલાવ્યા હતા. બંને પક્ષે સમાધાન કરાવતો ફરિયાદીની ધરપકડ થઈ નહોતી. ફરિયાદમાંથી નામ કાઢવું હોય તો 1 કરોડ આપવા પડશેપરંતુ ASI શિવકુમારે દિલ્હી જઈને ફરિયાદીને હાજર થવા નોટિસ પાઠવી હતી અને સંજય પટેલ તેમજ ચિત્રેશ સુતરીયા મારફતે જણાવ્યું હતું કે, જો ફરિયાદમાંથી નામ કાઢી નાખવું હોય તો 1 કરોડ રૂપિયા આપવા પડશે. પરંતુ ફરિયાદીએ રૂપિયા ન આપતા તેનું નામ ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરીથી ફરિયાદીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ચાર્જશીટમાંથી નામ કાઢવા 80 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જે સંદર્ભે ફરિયાદીએ ACBનો સંપર્ક કર્યો હતો. આરોપી શિવકુમાર સતત પક્ષકારોના વોટ્સએપ કોલથી સંપર્કમાં હતો. લાંચના ટોકનના 10 લાખ મેળવવાની લાલચમાં સંજય અને ચિત્રેશ ACBના હાથે ઝડપાઈ ગયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:24 pm

સુરત ડાયમંડ માર્કેટ ફ્રોડ:મહંત ડાયમંડ્સ LLPઅને રસેષ વેલ્સ LLPના ભાગીદારની ક્રાઈમ બ્રાન્ચના ઇકો સેલ દ્વારા ધરપકડ

સુરત સિટી ક્રાઈમ બ્રાન્ચના ઇકોનોમિક ઓફેન્સ સેલ દ્વારા સ્થાનિક વેપારીઓ પાસેથી ખરીદેલા હીરાનું પેમેન્ટ ન ચૂકવવા બદલ મહંત ડાયમંડ્સ LLP અને રસેષ વેલ્સ LLPના એક ભાગીદારની ધરપકડ કરવામાં આવી છે. આ કથિત કૌભાંડની રકમ આઠ કરોડ રૂપિયાથી વધુ છે. 21 જુદા-જુદા વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો માલ ખરીદ્યો હતોફરિયાદ મુજબ, આરોપી કંપનીઓએ સુરતના હીરા બજારના કુલ 21 જુદા-જુદા વેપારીઓ પાસેથી કુદરતી હીરાનો માલ ખરીદ્યો હતો. ત્યારબાદ તેઓએ પેમેન્ટ કર્યા વિના ઉઠામણું કરી માલ સાથે ફરાર થઈ ગયા હતા. કુલ બાકી રકમ 8,20,32,320 જેટલી મોટી છે. પીડિત હીરા વેપારીઓની રજૂઆતો બાદ, સુરત શહેરના પોલીસ કમિશનર તરફથી તાત્કાલિક FIR નોંધવાની સૂચના આપવામાં આવી હતી. અનિલભાઈ અરવિંદભાઈ હીરપરાની ફરિયાદના આધારે મહંત ડાયમંડ્સ એલએલપી અને રસેષ વેલ્સ એલએલપી ફર્મ તથા તેના ભાગીદારો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મૂળ ફરિયાદમાં નામજોગ કરાયેલા આરોપીઓમાં જિતેંદ્રભાઈ ધનજીભાઈ કાસોદરીયા, રોનકકુમાર રાજેશભાઈ ધોળીયા અને કૌશીકકુમાર અમૃતલાલ કાકડીયાનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપીની ધરપકડગુનાની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે અગાઉ અન્ય 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, મુખ્ય ભાગીદારો પૈકીના એક, રોનકકુમાર રાજેશભાઈ ધોળીયા, જેની ઉંમર 36 વર્ષ છે, તે ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હતો. આ બાતમીના આધારે કાર્યવાહી કરીને, ઇકો સેલે રોનક કુમારે પકડી પાડ્યો હતો. કતારગામ, સુરતના રહેવાસી આ આરોપીની કાયદેસરની કાર્યવાહી કરીને અટકાયત કરવામાં આવી છે. હાલમાં આ હાઈ-પ્રોફાઈલ ડાયમંડ માર્કેટ ફ્રોડ કેસની તપાસ ચાલુ છે અને સત્તાવાળાઓ આ ઓપરેશનની સંપૂર્ણ હદ જાહેર કરવા અને તેમાં સામેલ તમામ પક્ષોને ન્યાયના કઠેડામાં લાવવા માટે કાર્યરત છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 10:23 pm

શિવરાત્રી મેળાના સુચારુ આયોજન માટે કલેકટર ભવનાથ પહોંચ્યા:મેળામાં ભાવિકોની સુવિધા માટે મોટો નિર્ણય; હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ ખુલ્લાં રહેશે,ભવનાથ તળેટીની મુલાકાત લઈ સુવિધાઓ માટે અધિકારીઓને આપ્યા દિશાનિર્દેશ.

આધ્યાત્મિક અને પૌરાણિક મહત્વ ધરાવતા સુપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આજે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે હેતુસર હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓના સંચાલકો સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ત્યારબાદ ભવનાથ તળેટી ખાતેની વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. ​હોટેલ-ગેસ્ટ હાઉસના ટોયલેટ ભાવિકો માટે ખુલ્લા ​કલેક્ટર અનિલ રાણાવસીયાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રીના મેળામાં દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વહીવટી તંત્ર દ્વારા પીવાના પાણી, રસ્તા, સફાઈ અને પાયાની સુવિધાઓ માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પરંતુ મેળામાં આવતા ભાવિકોની સંખ્યા ખૂબ મોટી હોવાથી ખાસ કરીને બાથરૂમ અને યુરિનલની સુવિધા અને સ્વચ્છતા જળવાઈ રહે તે એક મોટો પડકાર હોય છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, કલેક્ટરે શિવરાત્રીના મેળા દરમિયાન હોટેલ, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓના સંચાલકોને તેમના ટોયલેટ અને યુરિનલ શ્રદ્ધાળુઓના ઉપયોગ માટે ખુલ્લા રાખવા અપીલ કરી હતી. હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોએ આ અપીલને હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને શિવરાત્રીના મેળા દરમિયાન શ્રદ્ધાળુઓ માટે તેમના ટોયલેટ-બાથરૂમની સુવિધા આપવા માટે સહમતિ દર્શાવી હતી. કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ આ માનવીય અભિગમ બદલ હોટેલ અને ગેસ્ટ હાઉસ સંચાલકોનો આભાર પણ માન્યો હતો. ભવનાથ તળેટીમાં કલેક્ટરે કર્યું નિરીક્ષણ ​હોટેલ સંચાલકો સાથેની બેઠક બાદ કલેક્ટર અનિલકુમાર રાણાવસીયાએ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી સુશીલકુમાર પરમાર અને નાયબ કમિશનર ડી.જે. જાડેજા સહિતના અધિકારીઓ સાથે ભવનાથ તળેટી ખાતે જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓને તાત્કાલિક ધોરણે અને અગ્રતાના ધોરણે નીચેની પાયાની સવલતો સુનિશ્ચિત કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જેમાં રસ્તા, સાફ-સફાઈ, પીવાના પાણીની સુવિધા, યુરિનલ, અને ટોયલેટ બ્લોક્સની વ્યવસ્થ કરવી ,ભાવિકોને રૂટ અને સ્થળોની જાણકારી મળે તે માટે યોગ્ય સ્થળો પર સાઈન બોર્ડ લગાવવા જેવી બાબતોને લઈ સૂચના આપવામાં આવી હતી. બસ ડેપો અને રેલવે સ્ટેશન પર સુવિધા વધારવા સૂચના ​કલેક્ટરે મેળાની તૈયારીઓના ભાગરૂપે માત્ર તળેટી જ નહીં, પરંતુ દૂર-દૂરથી આવતા ભાવિકો માટે મહત્ત્વના પ્રવેશ દ્વારો સમાન બસ ડેપો અને રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ સ્થળોએ શ્રદ્ધાળુઓને પરેશાની ન થાય તે માટે તેમણે નીચેના દિશાનિર્દેશો આપ્યા હતા કે બસ ડેપો ખાતે શૌચાલયોમાં સ્વચ્છતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવું. રેલવે સ્ટેશનની બહારની બાજુ પણ ટોયલેટ બ્લોકની સુવિધા ઊભી કરવા જણાવ્યું હતું.તેમજ બસ સ્ટેશન અને રેલવે સ્ટેશનથી ભવનાથ જવા-આવવા માટે રીક્ષાના દરો (રેટ) ભાવિકોને સ્પષ્ટ દેખાય તે પ્રકારે ડિસ્પ્લે કરવા.જૂનાગઢમાં આવેલા ફરવાના સ્થળોની જાણકારી મળે અને ભવનાથ રૂટ પર યોગ્ય રીતે વિવિધ સ્થળોના સાઈનબોર્ડ લાગે તે માટે વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. છ મહિના અગાઉ મંદિર વહીવટી તંત્ર હસ્તક લેવાયું હતું મહાશિવરાત્રી મેળાનું મુખ્ય કેન્દ્ર એવા ભવનાથ મંદિરના વહીવટમાં અગાઉ મોટો ફેરફાર આવ્યો હતો. ગત તારીખ 31/07/2025ના રોજ ભવનાથ મંદિરનો વહીવટ વહીવટી તંત્ર હસ્તક લેવાયો હતો. જૂનાગઢ વહીવટી તંત્રએ આ મંદિરના સંચાલન માટે વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરી હતી. વહીવટી તંત્રએ મંદિરનો વહીવટ સંભાળ્યા બાદ યોજાનારો આ પહેલો મોટો મહાશિવરાત્રી મેળો છે, ત્યારે વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ આયોજન વધુ સુવ્યવસ્થિત અને શ્રદ્ધાળુઓ માટે સુવિધાજનક બને તે માટે કલેક્ટર અનિલકુમાર રાણાવસીયા અને તેમની ટીમ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મેળાની પૂર્વતૈયારીઓ ઝડપી બનાવતા વહીવટી તંત્રનો પ્રયાસ છે કે, લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતીક સમા આ મેળામાં કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય અને શિવરાત્રીનો પર્વ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:58 pm

રાજકોટ ક્રાઈમ ન્યૂઝ:નેશનલ હાઇવે પર ખાનગી બસો પર ફરી પથ્થરમારો, પોલીસના નાઈટ પેટ્રોલિંગના લીરા ઉડ્યા

શહેર નજીક નેશનલ હાઈવે પર દોડતી ખાનગી બસોને ટાર્ગેટ કરી પથ્થરોના છૂટા કરી તોડફોડ કરવાનો બનાવ ફરી એક વખત ગત રાત્રે બન્યો હતો. લુખ્ખાઓએ પથ્થરમારો કરી બે બસના કાચ ફોડી નાખતા ભયનો માહોલ સર્જાયો હતો.જે મામલે ખાનગી બસ એસોસિએશનના પ્રમુખ વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, ગઈકાલે હુડકો ચોકડી અને જૂના માર્કેટિંગ યાર્ડ વચ્ચે સુરતથી રાજકોટ તરફ આવતી બે ખાનગી બસમાં અજાણ્યા શખ્સો પથ્થરમારો કરી કાચ ફોડી નાંખતા ભયનો માહોલ ઉભો થયો હતો.અગાઉ પણ અનેકવાર આ જ વિસ્તારમાં અનેક ખાનગી બસના કાચ તૂટ્યાના બનાવો બન્યાં હોય જે મામલે 10 દિવસ પહેલા જ પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવી પેટ્રોલિંગ વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં સ્થાનિક પોલીસે તે આવેદનને નજર અંદાજ કર્યો હોય તેમ રાત્રિના સમયે પોલીસના કહેવાતા પેટ્રોલિંગ વચ્ચે ફરી બસના કાચ તૂટતા મુસાફરોમાં ભય ફેલાયો હતો. માતાના ઘર પાસે રિક્ષા પાર્ક કરતા આધેડને જ્ઞાતિ અંગે હડધૂત કરી છરી મારી દેવાઈ શહેરના 80 ફુટ રોડ ઉપર સત્યમ પાર્ક શેરી નં. 1 માં રહેતા જયસુખભાઈ રામજીભાઈ મુછડીયા (ઉ.વ. 49)એ મલવીયાનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રીક્ષા ચલાવું છુ અને મારા માતા લક્ષ્મીબેન (ઉ.વ. 80) દાસી જીવણપરા શેરી નં. 05 માં મારા ભાઈ અશ્વિનભાઈ મુછડીયા સાથે રહે છે.ગઈકાલે સાંજના 6.30 વાગ્યાની આસપાસ હું મારી રીક્ષા નં. જીજે 03 એયુ 7239 લઈને મારા માતાના ખબર અંતર પૂછવા માટે તેઓના ઘરે ગયો હતો અને રીક્ષા બહાર શેરીમાં પાર્ક કરી હતી. તે દરમ્યાન વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા ભુપત ભટ્ટ તથા તેનો દીકરો હાર્દિક ભટ્ટ અને એક અજાણ્યો શખ્સ બહાર શેરીમાં ઉભા હતા અને મને કહ્યું કે અહી તારે આવવું નહી નહિતર અમો તને જાનથી મારી નાખીશું. જે બાદ બાદ મને જ્ઞાતી પ્રત્યે હડધુત કરે તેવા શબ્દો બોલવા લાગ્યા હતા. જે બાદ મારુ ગળુ દબાવવા લાગ્યો હતો. તે દરમિયાન મારા માતા લક્ષ્મીબેને ઝઘડો કરતા જોઈ જતા છુટા પડાવવા આવતા મારા માતાને ધક્કો મારી પાડી દીધા હતા. જે પછી આને મારી નાખો એમ કહેતા હાર્દિકે છરી કાઢી અજાણ્યા શખ્સને આપી અને અજાણ્યા શખ્સે મને પાછળના ભાગે જમણા ખંભા ઉપર છરી મારી દીધી હતી. જેથી મને લોહી નીકળવા લાગતા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ગોંડલ ચોકડી પાસે ટ્રક હડફેટે પગપાળા જતી નવોઢાનું મૃત્યુ સોનલબેન ભાવિનભાઈ સોલંકી (ઉં.વ. 22, રહે.લાલપરી વિસ્તાર, ગ્રીન્ડલેન્ડ ચોકડી) ગઈકાલે સાંજે 5 વાગ્યાં આસપાસ પગપાળા પિતાના ઘરે જતી હતી ત્યારે ગોંડલ ચોકડી પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. તેને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ડોકટરે તેણીને મૃત જાહેર કરી હતી. જેથી આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો.મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પુછપરછમાં જાણવા મળેલ કે, નવોઢા સોનલબેન પોતાના પિયર ચાલીને જતી હોય તે વખતે દુર્ઘટના સર્જાઈ હતી. તે બે ભાઈ અને બે બહેનમાં મોટી હતી. મૂળ ગોંડલના રહેવાસી હોય અને પિતા આજીવસાહતમાં રહેતા હોય અને મૃતકના એક માસ પૂર્વે લગ્ન થયા હતા. આ અંગે આજીડેમ પોલીસે અજાણ્યા ટ્રક ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી વધુ તપાસ હાથ ધરી હતી. કુવાડવા ગામ પાસે બિનવારસી થારમાંથી દારૂની 204 બોટલ મળી આવી પીસીબી પોલીસે પેટ્રોલીગ દરમિયાન બાતમી આધારે કુવાડવા ગામ પાસે જાહેર રોડ પર વિદેશી દારૂ ભરેલ બિનવારસી થાર કબ્જે કરી દારૂ -થાર મળી રૂ.12.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. પીસીબીની ટીમે કુવાડવા ગામમાં જાહેર રસ્તા પર મહિન્દ્રા થાર બીનવારસી હાલતમાં પડી હતી. જેમાં તપાસ કરવામાં આવતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 204 બોટલ હતી. જેની કિંમત રૂ.10 લાખ જેટલી થાય છે. પોલીસે થાર માલિકની શોધખોળ હાથ ધરી છે. નવાગામમાં યુવાનનો અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રમેશભાઈ લૂંભાણી નામના આધેડે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ, નવાગામ સોસાયટી શેરી નં. 10 મા રહેતા રમેશભાઈ ધનજીભાઈ લૂંભાણી (ઉં. વ. 43)એ ગઈકાલ સાંજે પોતાના ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કરતા કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. આપઘાત કરવાનું કારણ જાણવા ન મળતા કુવાડવા રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:54 pm

આરોપીને ભવિષ્યમાં ડ્રાઇવિંગ નહીં કરવાની શરતે જામીન:સર્વિસ રોડ પર બેદરકારીપૂર્વક ગાડી ચલાવી બે લોકોના મૃત્યુ નિપજાવ્યા, આરોપીને અકસ્માત સમયે વાઈનો અટેક આવ્યો'તો

આરોપી હિતેશ પટેલ સામે ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોધાઇ હતી. જે મુજબ આરોપીએ રાયસણ પેટ્રોલપંપથી રાંદેસણ પાટીયા સુધી સર્વિસ રોડ પર બેદરકારીપૂર્વક અને ઝડપથી ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. જેમાં હંસાબેન અને નીતિનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. આરોપીએ મૃતકોને 50 મીટર સુધી ઢસડ્યા હતા. આરોપીએ ગાંધીનગર સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેને નકારી દેવાતા તેને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. કોર્ટ સમક્ષ આરોપીના મેડિકલ સર્ટિફિકેટ મૂકવામાં આવ્યા હતાઆરોપી વતી કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે, આરોપીને અકસ્માત સમયે એપિલેપ્સી એટલે કે વાઈનો હુમલો આવ્યો હતો. તેનો અકસ્માત પાછળ કોઈ ઇરાદો નહોતો. આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ ફાઇલ થઈ ચૂકી છે. કોર્ટ સમક્ષ આરોપીના મેડિકલ સર્ટિફિકેટ મૂકવામાં આવ્યા હતા. આરોપીય તપાસમાં પૂરો સહકાર આપ્યો હોવાનું પણ જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, આરોપીને પણ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ છે અને તેમાં પ્લેટ નાખવાની છે. કોર્ટે આરોપીના 10 હજાર રૂપિયાના બોન્ડ ઉપર શરતી જામીન મંજૂર કર્યાસામે સરકારી વકીલે દલીલ કરી હતી કે, અકસ્માત થયો હોવા છતાં આરોપીએ ગાડી રોકી ન હતી. તેની સામે અગાઉ મારામારી, પ્રોહેબિશન અને દારૂની હેરફેર એવા કુલ 7 કેસો નોંધાયેલા છે. અકસ્માત સમયે તેના ગાડીની ઝડપ 83 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તેને મૃતકોને 50 મીટર જેટલા ઢસડ્યા હતા. કોર્ટે આરોપીના 10 હજાર રૂપિયાના બોન્ડ ઉપર શરતી જામીન મંજૂર કર્યા હતા. જે પૈકીની એક શરત હતી કે તે ભવિષ્યમાં ડ્રાઇવિંગ કરશે નહીં.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:50 pm

હવે નિકિતા દે ની મીરા દે સામે FIR:રાજકોટમાં કિન્નર અખાડાની ગાદી માટેનો વિવાદ ફરી વકર્યો

રાજકોટમાં કિન્નર અખાડાના ગાદીપતિ મીરા દેને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાના ગુનામાં ગાંધીગ્રામ પોલીસ મથક દ્વારા નિકિતા દે ની ધરપકડ કરવામાં આવ્યા બાદ હવે નિકિતા દે એ મીરા દે સામે ફોન પર રાજકોટ મૂકી દેવાની અને જો નહીં મૂકે તો જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં મિહિર ચૌહાણ સામે પણ ફરિયાદ થઈ છે. જેથી કિન્નરો વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. શહેરના ભાવનગર રોડ પર શક્તિ ચોક પાસે ગંજીવાડા શેરી નં.18 માં રહેતી નિકિતા દે એ થોરાળા પોલીસ મથકમાં પરાપીપળીયામાં એકતા નગરમાં 25 વારીયા કવાટરમાં રહેતા કીન્નર માસી મીરા દે અને મિહિર ચૌહાણ સામે જાનથી મારી નાખવાની ધમકી આપી અને ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત તા.27 નવેમ્બરના આસપાસ પોતાના ઘરે હતા ત્યારે બંને શખ્સો દ્વારા ફોન કરી સમાધાન કરવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે સમાધાન કરવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા. મીરા દે અને મિહિર ચૌહાણ દ્વારા રાજકોટ મૂકી દેવાની ધમકી આપી હતી અને જો રાજકોટ નહીં મૂકે તો ટાટીયા ભાગી નાખવામાં આવશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી. જે બાદ બંને દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી થોરાળા પોલીસે મીરા દે અને મિહિર સામે ગૂનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:35 pm

વરાછા વિસ્તારમાં મેગા ઓપરેશન:ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પોલીસ, પાલિકાનો કાફલો રોડ પર ઊતરતા અફરાતફરી મચી ગઈ, રસ્તામાં અડચણ રૂપ કેબીનો ઉખેડી

સુરત શહેરના ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રાહદારીઓને સુવિધા આપવાના હેતુસર, પોલીસ કમિશ્નરના સીધા આદેશ હેઠળ સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશના ભાગરૂપે વરાછા વિસ્તારમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં વરાછા પોલીસ, ટ્રાફિક પોલીસ, અને સુરત મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ જોડાઈ હતી. આ મોટી સંખ્યામાં હાજર ટીમે વરાછા વિસ્તારના મુખ્ય માર્ગો પરના ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી કરી હતી.ઝુંબેશ મુખ્યત્વે વરાછા બુટ ભવાની રોડ અને LH રોડ પર કેન્દ્રિત હતી, જે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય માર્ગો છે. રસ્તા પર આડેધડ પાર્ક કરેલી અને ટ્રાફિકને અવરોધરૂપ થતી અનેક ગાડીઓને ટ્રાફિક પોલીસે ડિટેઇન કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. રસ્તાની વચ્ચે રોક લગાવીને ઊભેલી અનેક લારીઓવાળાને હંગામી કેબિનોને પાલિકાની ટીમે કબજે કરી હતી.આ ગીચ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોને કારણે લોકોને ચાલવામાં ભારે તકલીફ પડતી હતી. આ દબાણો હટાવીને ટીમે પગપાળા ચાલતા લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે. દબાણ હટાવવાની કામગીરીની સાથે-સાથે, જાહેરમાં અનેક જગ્યાઓ પર ખોટી રીતે લાગેલા વ્યાપારી બેનરો અને પોસ્ટરો પણ હટાવવામાં આવ્યા હતા, જે શહેરની સુંદરતા અને જાહેર સુવ્યવસ્થાને અવરોધતા હતા.પોલીસ અને પાલિકાની આ મોટી સંખ્યામાં હાજર ટીમ દ્વારા આ ઝુંબેશને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:26 pm

મોરબીમાં રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખની ચોરી:440 કિલો વાયર, 12 મોટર બોડી, CCTV કેમેરા સહિત મુદ્દામાલ ગાયબ

મોરબીના લખધીરપુર રોડ પર આવેલી એક રીવાઇન્ડિંગ દુકાનમાંથી ₹1.98 લાખથી વધુના મુદ્દામાલની ચોરી થઈ છે. તસ્કરો 440 કિલો વાયર, 12 ઇલેક્ટ્રિક મોટરની બોડી, સીસીટીવી કેમેરા અને ડીવીઆર સહિતની વસ્તુઓ લઈ ફરાર થયા હતા. દુકાનના માલિક મનીષભાઈ રામજીભાઈ મેરજા (ઉંમર 40, રહે. ગજાનંદ પાર્ક, તુલસીશ્યામ એપાર્ટમેન્ટ, કેનાલ રોડ, મોરબી) દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમની દુકાન લખધીરપુર રોડ પર પટેલ ચેમ્બર કોમ્પ્લેક્સમાં દુકાન નંબર-4 માં 'ન્યુ પટેલ રીવાઇન્ડિંગ' નામથી આવેલી છે. ફરિયાદ મુજબ, તસ્કરોએ દુકાનનું શટર ઊંચું કરીને પ્રવેશ કર્યો હતો. તેઓ દુકાનમાંથી ઇલેક્ટ્રિક મોટર રિપેરિંગ માટે રાખવામાં આવેલો 280 કિલો નવો કોપર વાયર, સબમર્સિબલ મોટરનો 100 કિલો નવો વાયર, 60 કિલો કોપર વાયરનો ભંગાર, 12 ઇલેક્ટ્રિક મોટરની બોડી, એક ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફર કરવા માટેનું ટ્રાન્સફોર્મર, દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરા અને તેનું ડીવીઆર ચોરી ગયા હતા. ચોરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹1,98,200 આંકવામાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:26 pm

વડોદરામાં સગીરા પર દુષ્કર્મ:સમા વિસ્તારમાં 30 વર્ષીય યુવકે 15 વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું, પીડિતાને હાલ 6 મહિનાનો ગર્ભ, આરોપી ફરાર

વડોદરા શહેરના સમા વિસ્તારમાં 30 વર્ષીય યુવકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાને ગર્ભવતી બનાવી હતી. સમા પોલીસે આરોપી સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય જીતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા 15 વર્ષીય સગીરાને પોતાના પ્રેમજાળામાં ફસાવી હતી. ત્યારે આ યુવક છેલ્લા એક વર્ષથી સગીરાના વાતચીત કરવાના બહાને તેના ઘરે અવાર-નવાર બોલાવી સગીરા સાથે વારંવાર તેની મરજી વિરુદ્ધ શારિરીક સંબંધ બાંધતો હતો. જેના કારણે 15 વર્ષની સગીર દીકરીને છ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી દીકરી માસિક ધર્મમાં નહી આવતા તેની માતાને શંકા ગઇ હતી. જેથી માતાએ તેને ડોક્ટર પાસે લઇ જઇને મેડિકલ ચકાસણી કરાવવામાં આવી હતી, ત્યારે સગીરાના પેટમા 6 મહિના ગર્ભ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સગીરાના માતાએ સમા પોલીસ સ્ટેશનમાં વારંવાર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવનાર આરોપી જિતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી જિતેન્દ્રસિંહ અર્જુનસિંહ ઝાલા સામે પોક્સો સહિત એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને પોલીસ દ્વારા આરોપીને અલગ-અલગ ટીમો બનાવી આરોપીને હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા પીડિત સગીરાનું મેડીકલ કરીને સગીરાના કુટુંબીજનોના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:21 pm

મોરબીના ભારતનગરમાં દબાણ હટાવવા નોટિસ:સ્થાનિકોની રજૂઆત બાદ કમિશનરે દસ દિવસનો સમય આપ્યો

મોરબી મહાનગરપાલિકાએ ભારતનગર વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનના નિર્માણ માટે સરકારી જમીન પરના દબાણો દૂર કરવા નોટિસ ફટકારી છે. શરૂઆતમાં ત્રણ દિવસની મુદત અપાઈ હતી, પરંતુ સ્થાનિકોની રજૂઆત બાદ કમિશનરે દસ દિવસનો સમય આપ્યો છે. મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આધુનિક ફાયર સ્ટેશન બનાવવાની યોજના ઘણા સમયથી ચાલી રહી છે. અગાઉ સર્કિટ હાઉસ સામે પણ દબાણ હટાવવાની કાર્યવાહી થઈ હતી. હવે ભારતનગર વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનને મંજૂરી મળતાં ત્યાંના જૂના દબાણો હટાવવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. મહાપાલિકા દ્વારા ત્રણ દિવસમાં દબાણ દૂર કરવા નોટિસ મળતાં ભારતનગરના સ્થાનિક રહેવાસીઓ મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા. તેમણે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રજૂઆત કરી હતી કે તેઓ છેલ્લા 40 થી 50 વર્ષથી આ વિસ્તારમાં રહે છે અને આશરે 200 થી 250 જેટલા પરિવારો ત્યાં વસવાટ કરે છે. સ્થાનિકોએ આટલા ટૂંકા ગાળામાં ક્યાં જવું તેવો પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમની રજૂઆત સાંભળીને કમિશનરે દબાણ દૂર કરવા માટે કુલ દસ દિવસનો સમય આપ્યો છે. જો આ મુદત દરમિયાન લોકો સ્વેચ્છાએ દબાણ નહીં હટાવે, તો સરકારી બુલડોઝર દ્વારા તમામ દબાણો તોડી પાડવામાં આવશે તેમ જણાવાયું છે. રજૂઆત કરવા આવેલા લોકોએ જણાવ્યું કે આટલા દિવસમાં નવા મકાનો શોધવા ક્યાં જવું. આ વિસ્તારના લોકોને આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવાના હતા, પરંતુ તે હજુ સુધી મંજૂર થયા નથી. ત્યારે અહીં રહેતા મધ્યમ વર્ગના પરિવારો સામે રહેઠાણનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:20 pm

LCBએ ગોધરા, કાલોલના ત્રણ વોન્ટેડ આરોપી ઝડપ્યા:રાયોટિંગ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ

પંચમહાલ-ગોધરા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા ગોધરા અને કાલોલ પોલીસ સ્ટેશનના ત્રણ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ આરોપીઓ રાયોટિંગ અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. આ કાર્યવાહી ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પ્રથમ બનાવમાં, ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના રાયોટિંગ ગુના (ગુ.ર.નં. ૧૧૨૦૭૦૨૪૨૫૧૦૦૨/૨૦૨૫) હેઠળ વોન્ટેડ આરોપી શૈલેષભાઇ જશવંતભાઇ ચૌહાણ (રહે. વીંઝોલ મંદિર ફળીયું, તા. ગોધરા) ને તેના ઘરેથી પકડી પાડવામાં આવ્યો હતો. LCBના એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહને મળેલી બાતમીના આધારે આ ધરપકડ કરાઈ હતી. આ જ રાયોટિંગ ગુનામાં, અન્ય એક વોન્ટેડ આરોપી નીતીનકુમાર રાજેન્દ્રસિંહ ચૌહાણ (રહે. વીંઝોલ મંદિર ફળીયું, તા. ગોધરા) ને પણ તેના ઘરેથી ઝડપી લેવામાં આવ્યો હતો. LCBના અ.હે.કો. વિક્રમભાઈ મધુરભાઈને મળેલી બાતમીના આધારે આ ધરપકડ થઈ હતી. બંને આરોપીઓને કાયદેસરની કાર્યવાહી બાદ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. ત્રીજા બનાવમાં, કાલોલ પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુના (ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬૨૫૦૯૬૩/૨૦૨૫) હેઠળ વોન્ટેડ આરોપી ઇરફાન અબ્દુલ રહેમાન શેખ ઉર્ફે બોરસદીયો (રહે. સિગ્નલ ફળીયા, ઇસા મસ્જીદ પાસે, ગોધરા) ને ડોકટરના મુવાડા ગામે પીકઅપ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ માહિતી LCBના આ.પો.કો. નરેશકુમાર કાન્તીલાલને બાતમીદાર દ્વારા મળી હતી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ, LCB ગોધરા દ્વારા નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ ઓપરેશનમાં એ.એસ.આઈ. દિગ્પાલસિંહ દશરથસિંહ, અ.હે.કો. વિક્રમભાઇ મધુરભાઈ, આ.પો.કો. યોગેશકુમાર સુભાષચંન્દ્ર અને આ.પો.કો. નરેશકુમાર કાન્તીલાલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:11 pm

રાજકોટ સમાચાર:રાજકોટમાં 13 ડિસેમ્બરે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, અત્યાર સુધીમાં 30 હજારથી વધુ રજિસ્ટ્રેશન

રાજકોટ જિલ્લામાં આગામી 13 ડિસેમ્બર, શનિવારના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા લોક અદાલત રાજકોટ જિલ્લાની તમામ અદાલતોમાં યોજાશે, જેમાં લાંબા સમયથી પેન્ડિંગ રહેલા કેસો તેમજ કોર્ટમાં દાખલ થાય તે પહેલાંના (પ્રી-લીટીગેશન) કેસોનો સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. આ લોક અદાલતમાં મુખ્યત્વે ચેક રીટર્ન, બેન્ક લેણાં, અકસ્માત વળતર, ફેમિલી મામલાઓ સહિત અનેક પ્રકારના કેસો હાથ ધરવામાં આવશે. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહે જાહેર જનતાને આ રાષ્ટ્રીય લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા માટે અપીલ કરી છે. લોક અદાલતનો સૌથી મોટો ફાયદો એ છે કે તેના દ્વારા સમાધાનથી કેસનો નિકાલ થતો હોવાથી તેમાં કોઈની જીત કે પરાજય થતો નથી અને પક્ષકારો માટે અપીલનો જંજાળ પણ ટળી જાય છે. રાજકોટ જિલ્લા કોર્ટના સેક્રેટરી હરેશ જોટાણીયાએ માહિતી આપી હતી કે જે પક્ષકારો પોતાના કેસ લોક અદાલતમાં મૂકાવવા ઈચ્છતા હોય, તેઓ પોતાના વકીલ અથવા સંબંધિત કોર્ટનો સંપર્ક કરીને જરૂરી કાર્યવાહી કરી શકે છે. લોક અદાલતમાં કેસ આવવાથી કોઈનો વિજય કે પરાજય થતો નથી. બંને ઘરે દિવા પ્રગટે છે. અત્યાર સુધી 30 હજારથી વધુ રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાજકોટ મનપામાં જન્મ-મરણ પોર્ટલ 'લોક' થતાં અનેક અરજદારો પરેશાન રાજકોટ મનપાનાં જન્મ-મરણ વિભાગમાં છેલ્લા બે દિવસથી કામકાજ ઠપ્પ થઈ ગયું છે. રાજ્ય સરકારના પોર્ટલ ઉપર રહેલો 2020 થી 2025 સુધીનો રેકોર્ડ એકાએક લોક થઈ જતાં દાખલાઓમાં સુધારા કરાવવા આવતા રોજના આશરે 150 જેટલા અરજદારોને ભારે ધક્કા ખાઈને પાછા ફરવું પડે છે. પોર્ટલ કેમ બંધ થયું અને ક્યારે શરૂ થશે, તેનો સંતોષકારક જવાબ ગાંધીનગરથી પણ ન મળતા સ્થાનિક અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. છેલ્લા છ માસથી અલગ અલગ પોર્ટલના ડખ્ખાના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. કેન્દ્ર સરકારના આ પોર્ટલ પર તાજેતરમાં ભળેલા માધાપર, મુંજકા, મનહરપુર-1, ઘંટેશ્વર, મોટામવા સહિતના ગામોના ડેટા પણ કાર્યરત થયા હતા, પરંતુ પોર્ટલ બંધ થતાં આ વિસ્તારોના લોકોના અગત્યના કામો તેમજ 5 વર્ષ સુધીના બાળકોના જન્મના દાખલામાં નામ ઉમેરવા સહિતના કામો પણ અટકી પડ્યા છે. રાજકોટ જિલ્લા કલેક્ટર ડો.ઓમપ્રકાશને રાષ્ટ્રપતિનાં હસ્તે એવોર્ડ રાજકોટમાં દિવ્યાંગો માટે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ રાજકોટ જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે નેશનલ એવોર્ડ એનાયત કરી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. દિવ્યાંગો માટેની સરકારની વિવિધ યોજનાઓનો સુચારૂરૂપથી અમલ અને સાધન સહાય દિવ્યાંગોને પુરી પાડવામાં રાજકોટ જિલ્લો રાજયભરમાં મોખરે રહ્યું છે. રાજકોટ જિલ્લામાં દિવ્યાંગો આત્મનિર્ભર બને અને કેન્દ્ર સરકારની યોજનાઓનો દિવ્યાંગોને જરૂરી લાભ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેકટરના માર્ગદર્શન હેઠળ ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત દિવ્યાંગો માટે 27 જેટલા મેગા કેમ્પો રાજકોટ જિલ્લામાં આયોજીત કરવામાં આવ્યા હતા. આ મેગા કેમ્પો મારફત 2454 જેટલા દિવ્યાંગ લાભાર્થીને સરકારની વિવિધ યોજના હેઠળ રૂા.3.50 કરોડના સાધનો અને સહાયનું વિતરણ કરવામાં આવે તો દિવ્યાંગ લાભાર્થીઓને 4314 જેટલા સાધનો પુરા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત આભા કાર્ડ પણ દિવ્યાંગ લાભાર્થીઓને કાઢી આપવામાં આવ્યા હતા. જેને લઈને રાષ્ટ્રપતિ દ્વારા જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશને રાષ્ટ્રપતિનાં હસ્તે નેશનલ એવોર્ડ અપાયો છે. રાજકોટ AIIMSમાં ગુણવત્તાયુક્ત લેબ સેવાઓ ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો રાજકોટ એઈમ્સના માઇક્રોબાયોલોજી વિભાગના વાયરસ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL) દ્વારા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (QCI) ના સહયોગથી દેશમાં પ્રથમ વખત ISO 15189:2022 (તબીબી પ્રયોગશાળામાં ગુણવત્તા અને યોગ્યતા માટેની આવશ્યકતાઓ) ઉપર કેન્દ્રિત બે દિવસીય ગુણવત્તા પાઠશાળા તાલીમ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય ગુણવત્તા યુક્ત રિપોર્ટ સુનિશ્ચિત કરવાનો હતો, જેમાં માનવ અને મશીન બંનેની ભૂમિકા મહત્ત્વની છે. આ કાર્યક્રમમાં 60થી વધુ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એઇમ્સ રાજકોટના ફેકલ્ટી સભ્યો, સંશોધન સ્ટાફ અને રાજ્યની વિવિધ સરકારી તેમજ ખાનગી લેબોરેટરીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડો.એલ.એન.દોરૈરાજને ચોકસાઈ અને દર્દીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે પ્રયોગશાળા સેવાઓમાં મજબૂત ગુણવત્તાના ધોરણો જાળવવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. VRDL ના ડીન (સંશોધન) પ્રો. (કર્નલ) અશ્વિની અગ્રવાલે NABL માન્યતા પ્રાપ્ત કરવા અને વિશ્વ કક્ષાની નિદાન સંભાળ પ્રદાન કરવા માટેની સંસ્થાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજકોટ મહાપાલિકામાં PMU પ્રોજેક્ટ પર કમિશનર અને શાસકો વચ્ચે ગજગ્રાહની શક્યતા રાજકોટ મનપા દ્વારા કરોડોના પ્રોજેક્ટોનું સમયસર અને યોગ્ય મોનીટરીંગ કરવા માટે દિવાળી પૂર્વે પ્રોજેકટ મેનેજમેન્ટ યુનિટ (PMU)ની રચનાની જાહેરાત કરવામાં આવી હતી. આ માટે 35 એન્જિનિયરોની કોન્ટ્રાક્ટ આધારિત ભરતીની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે, મ્યુ. કમિશનર દ્વારા આ યુનિટનું કામ એક આંતરરાષ્ટ્રીય કંપનીને રૂ. 7 કરોડના ખર્ચે સોંપવાની દરખાસ્ત ભાજપ શાસિત સ્ટેન્ડિંગ કમિટીએ ફગાવી દીધી હતી. જોકે હવે કમિશનર તુષાર સુમેરાએ આ આયોજનને અનિવાર્ય ગણાવી આ દરખાસ્ત ફરી સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાનો નિર્ણય કર્યો છે. અગાઉ નામંજૂર થયેલી દરખાસ્ત ફરી રજૂ થતાં, આગામી બેઠકમાં શાસક પક્ષ અને કમિશનર વચ્ચેનાં મતભેદો સપાટી પર આવે તેવા સંજોગો ઊભા થયા છે, જે વિવાદનું કેન્દ્ર બની શકે છે. અને શાસકો તેમજ મ્યુ. કમિશનર વચ્ચે ગજગ્રાહની શક્યતા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 9:02 pm

સમીપ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગના પગલે ફાયર વિભાગ એક્શનમાં:બે ટીમો બનાવી ચેકિંગ હાથ ધરાયું, 2 હોસ્પિટલ-3 કોમ્પ્લેક્ષને નોટિસ ફટકારી 10 દિવસમાં ખામી દૂર કરવા સૂચન

ગઈકાલના રોજ ભાવનગર શહેરના કાળુભ રોડ પર આવેલી સમીપ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાં એકાએક આગ લાગી હતી. જેમાં બાળકો સહિત 19 જેટલા લોકોના રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા અને સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી. જેને પગલે આજરોજ ભાવનગર ફાયર વિભાગ સફાળું જાગ્યું છે અને શહેરની હોસ્પિટલમાં ચેકિંગ અર્થે નીકળી હતી. પ્રથમ દિવસે સોલ હોસ્પિટલ, બિમ્સ હોસ્પિટલ, કાર્ટન સ્ક્વેર કોમ્પ્લેક્ષ, આયુષપ્લાઝા કોમ્પલેક્ષ અને અંજનેય આર્કેડ કોમ્પલેક્ષને નોટીસ પાઠવવામાં આવી છે. નોટિસ પાઠવવામાં આવેલ તમામ લોકોને 8થી 10 દિવસની અંદર તમામ સુવિધા પૂરી કરી લેખિતમાં ફાયર વિભાગમાં આપવા જણાવ્યું હતું. આ હોસ્પિટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુંભાવનગર ફાયર વિભાગ દ્વારા બે અલગ અલગ ટીમો બનાવી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં 2 સબ ઓફિસર અને 1 ફાયરનો સ્ટાફની બે ટીમ બનાવી કુલ 6 લોકોની ટીમે આજરોજ શહેરી વિસ્તારમાં આવેલી હોસ્પિટલો પૈકી સોલ હોસ્પિટલ, બિમ્સ હોસ્પિટલ, કાર્ટન સ્ક્વેર (તમામ હોસ્પિટલો), સુર્યદીપ કોમ્પલેક્ષ(તમામ હોસ્પિટલો), આયુષ પ્લાઝા કોમ્પ્લેક્ષ (તમામ હોસ્પિટલો), અંજનેય આર્કેડ(તમામ હોસ્પિટલો), અક્ષરદિપ હોસ્પિટલ. કે, પી હોસ્પિટલ, Baiju Children hospital અને મહેતા મેટરનીટી હોસ્પિટલનું ઇન્સ્પેક્શન હાથ ધર્યું હતું. બે ટીમોએ વિવિધ હોસ્પિટલ કોમ્પ્લેક્ષમાં તપાસ હાથ ધરીબે ટીમો દ્વારા તમામ હોસ્પિટલમાં ઇન્સ્પેક્શન દરમિયાન ફાયર સેફ્ટીનાં સાધનો જેવા કે, ફાયર એક્ષટિંગ્યુશર, ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર એલાર્મ સિસ્ટમ, ઇમરજન્સી એકિઝટ, ઇમરજન્સી લાઇટિંગ, સ્ટાફ ટ્રેનિંગ તથા અન્ય સુરક્ષા સુવિધાઓની વિગતવાર તપાસ કરવામાં આવી, જે હોસ્પિટલોની ફાયર સેફટીની સુવિધામાં ખામી સામે આવી અને બેઝમેન્ટમાં પડેલો કોઈ સામન પડેલો હોવાનું સામે આવ્યું અને ટેરેસ પર સામાન મુકેલો હોવાનું સામે આવ્યું હતું. બે હોસ્પિટલ અને 3 કોમ્પ્લેક્ષને ફાયર વિભાગે નોટિસ ફટકારીઆ અંગે હર્ષ ભોજાણી ફાયર કર્મચારીએ ટેલિફોનિક વિગત આપતા જણાવ્યું કે, આજરોજ ભાવનગર શહેરની હોસ્પિટલો પૈકી સોલ હોસ્પિટલમાં બેઝમેન્ટમાં પાર્ટીશન કરી મેડિકલ સ્ટોર રૂમ અને ફાયર સેફટીનો પંપ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું. બિમ્સ હોસ્પિટલમાં બેઝમેન્ટમાં કેન્ટીન કાર્યરત અને ટેરેસ પર ઉપર માલસામાન મુકવામાં આવ્યો છે, કાર્ટન સ્ક્વેર કોમ્પ્લેક્ષમા ફાયરની અમુક સુવિધા બંધ સામે આવી, આયુષ પ્લાઝા કોમ્પલેક્ષમાં ટેરેસ પર પ્લાસ્ટિકનો મોટી માત્રામાં મુકેલો માલસામાન સામે આવ્યો અને અંજનેય આર્કેડ કોમ્પલેક્ષમાં ફાયર સુવિધાના અમુક સાધનો કાર્યરત ન હતા. જેના પગલે ફાયર વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. તમામ લોકોને આપેલ નોટિસકર્તાઓને 8થી 10 દિવસની અંદરની આ તમામ ખામીઓ સામે આવી છે. તે પુરી કરવી અને ફાયર વિભાગને લેખિતમાં ફાયર વિભાગને આપવાનું જણાવવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:56 pm

વડોદરા ક્રાઇમ ન્યૂઝ:ગોત્રીમાં 22 વર્ષીય ઇકો વાન ચાલકે 15 વર્ષીય સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું, તરસાલીમાં પાણીની લાઈન નાંખવા માટે મંગાવેલી 5.87 લાખની પાઈપોની ચોરી

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા પરથી મિત્રતા કેળવ્યા બાદ વારંવાર દુષ્કર્મ ગુજારનાર આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ આરોપીનું મેડિકલ કરાવીને કોર્ટમાં રજૂ કરીને એક દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. વડોદરા શહેરના માણેજા વિસ્તારમાં રહેતા ઓમકાર મધુભાઇ સોલંકી (ઉં.વ.22) સોશિયા મીડિયા પરથી ગોત્રી વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા સાથે સંપર્કમાં આવ્યો હતો અને એકબીજાના મોબાઇલ નંબરની મેળવી લીધા હતી. ત્યારબાદ સતત ફોન પર ચેટિંગ તથા કોલથી વાતો કરતા રહેતા હતા. જેથી બંને વચ્ચે સંબંધ ગાઢ બન્યાં હતા. 6 મહિનાથી બંને વચ્ચે પ્રેમસંબંધ હોય સગીરાને ફરવા લઇ જવાના બહાને ઇકો ચાલક ઓમકાર સોલંકીએ સગીરા પર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ફોન પર વાત કરતી સગીરાના તેના માતા પિતા જોઇ જતા તેની પુછપરછ શરૂ કરી હતી. જેથી સગીરાએ તેના માતા પિતાના તમામ હકીકતથી વાકેફ કર્યાં હતા ત્યારે તેના પરિવારના સભ્યોએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આરોપી ઓમકાર સોલંકીની ધરપકડ કરી લીધી હતી, ત્યારબાદ મેડિકલ પણ કરાવવામાં આવ્યાં હતા. પોલીસે આરોપીની વધુ પૂછપરછ કરવા માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડની માગણી કરતા મેજિસ્ટ્રેટ દ્વારા તેના એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે.તરસાલીમાં પાણીની લાઈન નાંખવા માટે મંગાવેલી 5.87 લાખની કિંમતની પાઈપોની ચોરી બીજી તરફ વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં નવા ડેવલોપ થતા વિસ્તારમાં પાણીની ટાંકી તથા પાણીની પાઈપ લાઈન નાખવા પાઇપો મંગાવી હતી. આ દરમિયાન કેટલાક તસ્કરો દ્વારા આ પાઇપો પૈકી રૂપિયા 5.87 લાખની પાઇપો આઇસરમાં ભરીને ચોરી કરીને લઈ ગયું હતું. જેથી કોન્ટ્રાક્ટરે આ મામલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતા સુરેશભાઈ પટેલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટર છું. વડોદરામાં ચાલતી સાઈટનું સુપરવિઝન હર્ષદકુમાર કાશીરામ પટેલ કરે છે. આકાર કન્ટ્રક્શનને વડોદરા મહાનગર તરસાલી વિસ્તારમાં નવા ડેવલોપ થતા વિસ્તારમાં પાણીની ટાંકી તથા પાણીની પાઇપ લાઈન નાંખવા માટેનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેથી પાણી પુરવઠા શાખાના જણાવ્યા નવી પાણીની પાઈપ લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને જેના માટે પાણીની પાઈપો મંગાવવામાં આવી હતી, જે પાઇપી પ્રોજેક્ટમાં જણાવ્યા મુજબની જગ્યાએ જરૂરીયાત મુજબ જાહેરમાં રોડ સાઇડમાં ઉતારી હતી, જેમાં તરસાલી સમૃદ્ધિ સોસાયટી તથા શિવાલય રેસીડન્સી પાસે જાહેર ખુલ્લી જગ્યામાં રોડ સાઇડ કાળા કલરની પાણીની નાની-મોટી સાઇઝની પાઈપો ઉતારી હતી. આ દરમિયાન સુપરવાઈઝર તરીકે કામ કરતા અમૃતભાઈ પટેલનો મને ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તરસાલીવાળી સાઇટ ઉપર ઉતારેલ પાણીની પાઈપોની ચોરી થઈ છે, જેથી અમારા સાઈટ સુપરવાઈઝર હર્ષદકુમાર પટેલ મારફતે કેટલા પાઈપોની ચોરી થઇ છે, તે બાબતે ખરાઇ કરી હતી. તરસાલી સમૃદ્ધિ સોસાયટી પાસે જાહેર ખુલ્લી જગ્યામાંથી 5.87 લાખની કિંમતની 27 પાઇપોની ચોરી કરી ચોરો લઇ ગયેલ હતા. જેથી મકરપુરા પોલીસે ફરિયાદના આધારે પાઈપોની ચોરી કરનાર તસ્કરોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:55 pm

કણકોટમાં શરત ભંગ થતા રૂ.12 કરોડની જમીન સરકાર હસ્તક:વૃક્ષોના વાવેતરના હેતુ માટે 30 વર્ષ પહેલા આપેલી 5 હેક્ટર જમીન પડતર હોવાથી વહિવટી તંત્રની કાર્યવાહી

રાજકોટ નજીકના કણકોટમાં વૃક્ષોના વાવેતરના હેતુ માટે કલેકટર દ્વારા વર્ષો પૂર્વે અલગ અલગ ત્રણ સંસ્થાઓને ફાળવાયેલી 5 હેક્ટર જમીનમાં શરતભંગ થતા આ જમીન સરકાર હસ્તક લેવા સીટી પ્રાંત-2 અધિકારી મહેક જૈન દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. આ જમીનની હાલની અંદાજીત કિંમત રૂ.12 કરોડ જેટલી થાય છે. સરકાર હસ્તકની આ જમીન 30 વર્ષ પહેલા ફળ અને ઝાડના વાવેતર માટે આપવામાં આવી હતી જોકે ત્યાં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવતા વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, કલેકટર દ્વારા તા.21-4-94ના સોસાયટી ફોર નેચર એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેકશન સ્ટડી નામની સંસ્થાને સર્વે નં.342 પૈકી-1ની હે.1-01-16 ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. આ ઉપરાંત તા.2-3-1996ના મહર્ષિ દયાનંદ સંસ્થાને સર્વે નં. 342 પૈકી 22ની હે.2-02-34 ચો.મી. જમીન આપવામાં આવી હતી.જ્યારે તા.13-4-1994ના નરસિંહ મહેતા પર્યાવરણ ફાઉન્ડેશનને સર્વે નં.342 પૈકી 19ની હે.1-01-17 ચો.મી. જમીન મળી કુલ હે.5-05-84 ચો.મી. જમીન આ ત્રણેય સંસ્થાઓને ફૂલ ઝાડના હેતુ માટે નવી અને અવિભાજય અને નિયંત્રીત શરતોને આધીન ભાડા પટ્ટે ફાળવવામાં આવી હતી. જોકે આ તમામ ભાડા પટ્ટાની મુદત પૂરી થઈ ગયા પછી પણ ભાડાપટ્ટો રીન્યુ ઉપરોકત સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યો ન હતો તેમજ કલેકટર તંત્રના હુકમની શરતો મુજબ આ ફાળવાયેલ જમીનમાં વૃક્ષોનું વાવેતર પણ કરવામાં નહીં આવ્યાનું ખુલ્યુ હતુ. આ અંગે કરાયેલ તપાસમાં રૂ.12 કરોડની અંદાજીત કિંમતની આ જમીનમાં શરતભંગ થયાનું ખુલતા આ અંગેનો કેસ સીટી પ્રાંત-2 અધિકારી સમક્ષ ચલાવવામાં આવેલ હતો. જેમાં પક્ષકારોને રજૂઆત માટે પૂરતી તક આપવામાં આવી હતી. આ પ્રકરણના તમામ કિસ્સાઓમાં મુળ હુકમની શરતોનો ભંગ થતો હોવાનું સ્પષ્ટપણે ફલીત થતા સીટી પ્રાંત-2 અધિકારી દ્વારા આ તમામ કિંમતી જમીનને સરકાર હસ્તક લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:43 pm

વલસાડના ‘વિશ્વંભરીધામ’ની પોલ ખોલનાર વકીલનું અપહરણ:RTIનું મનદુઃખ રાખી હુમલો કરી સંજય કાપડીયા અને બે મિત્રોને ઉપાડી ગયા, જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં 4 આરોપીને ઝડપ્યા

કાયદાના શાસન અને પારદર્શિતા માટે લડત આપતા એક વકીલ પર ગુજરાતમાં હીચકારો હુમલો અને અપહરણની ગંભીર ઘટના સામે આવી છે. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે રહેતા એડવોકેટ સંજયભાઈ ભીખુભાઈ કાપડીયાએ વલસાડ સ્થિત બે ધાર્મિક ટ્રસ્ટોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિરુદ્ધ RTI દ્વારા માહિતી માંગી હતી. આ માહિતીના આધારે સરકારી તંત્ર દ્વારા ટ્રસ્ટો વિરુદ્ધ કડક કાર્યવાહી થતાં મનદુઃખ રાખીને ટ્રસ્ટ સાથે સંકળાયેલા આરોપીઓએ વકીલ સંજયભાઈ અને તેમના બે સાથીઓનું તેમના જ ગામ નજીકથી અપહરણ કર્યું હતું. જૂનાગઢ પોલીસે ગણતરીની કલાકોમાં જ ફિલ્મી ઢબે અપહરણકારોને પકડી પાડ્યા છે. જૂનાગઢ ગ્રામ્ય Dy.SP રવિરાજસિંહ પરમાર દ્વારા અપાયેલી માહિતી અને ફરિયાદી સંજય કાપડીયાના નિવેદન પરથી સમગ્ર ઘટનાક્રમ અને તેની પાછળના કારણોનો ખુલાસો થયો છે. વિશ્વમંભરી મંદિરમાં ગેરરિતીની શંકાએ RTI દ્વારા વિગત માગી હતી​ફરિયાદી સંજય કાપડીયાના જણાવ્યું કે, તેઓ થોડા સમય પહેલાં વલસાડ તાલુકાના રાબડા ગામે આવેલા વિશ્વમંભરી મંદિર ખાતે ગયા હતા અને 100 રૂપિયાનું દાન કર્યું હતું. તેમને આપવામાં આવેલી પહોંચમાં ગેરરીતિની શંકા જતાં, તેમણે ચેરીટી કમિશનર કચેરી વલસાડ ખાતેથી RTI દ્વારા માહિતી માગી હતી. ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ જાહેર થઈ​આ RTIની લડતના કારણે મા વિશ્વમંભરીધામ ચેરીટેબલ ટ્રસ્ટ અને મા વિશ્વવિધાતા ચેરીટેબલ ટ્રસ્ટમાં ચાલતી ગંભીર ગેરરીતિઓ જાહેર થઈ હતી, જેમાં ટ્રસ્ટના પરિસરમાં ફૂડ વિભાગ દ્વારા રેડ કરીને ગેરકાયદેસર રીતે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું સામે આવ્યું હતું. આ દવાખાનું સીલ કરવામાં આવ્યું હતું અને 6 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાઠશાળાના નામે બિનખેતીની જમીન પર ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા, અને ખુલ્લી જમીનના દસ્તાવેજો કરીને સરકારની કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ચોરી કરવામાં આવી હતી. આ મામલે તંત્ર દ્વારા લાખો રૂપિયાનો દંડ થાય તેવી શક્યતા છે. બદલાની ભાવનાથી હુમલો અને અપહરણનું કાવતરું રચ્યુંવિશ્વવિધાતા ચેરીટેબલ ટ્રસ્ટની ઉપર, પાઠશાળાના બિલ્ડિંગના ઉપરના માળે ફાઇબર મટિરિયલથી 'હિમાલય'ની પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. સંજય કાપડીયાએ વલસાડ કલેક્ટરને રજૂઆત કરી હતી કે ભૂતકાળમાં TRB કાર્ડ અને અન્ય અગ્નિકાંડના બનાવોની જેમ અહીં પણ મોટી દુર્ઘટના થઈ શકે છે. તેમની રજૂઆત બાદ વલસાડ તાલુકા વિકાસ અધિકારી અને રાબડા ગ્રામ પંચાયત કક્ષાએથી આ ગેરકાયદેસર પ્રતિકૃતિને તાત્કાલિક દૂર કરવા/સીલ કરવાના આદેશો થયા હતા. જોકે, સરપંચ અને તલાટી દ્વારા પોલીસ રક્ષણ માગવા છતાં આ પ્રતિકૃતિ સીલ થઈ નહોતી. ટ્રસ્ટની કેન્ટીનોમાં તોલમાપમાં ગેરરીતિઓ બદલ દંડ થયો હતો અને અન્ય પાંચ એકમો પણ સીલ થયા હતા. સંજય કાપડીયાની RTIના પગલે ટ્રસ્ટો પર આવેલી આફતનું મનદુઃખ રાખીને, ટ્રસ્ટ સાથે સંકળાયેલા આરોપીઓએ તેમની સામે બદલાની ભાવનાથી હુમલો અને અપહરણનું કાવતરું રચ્યું હતું. અજાણ્યા લોકો અને મહિલાઓ સફેદ અર્ટીગા અને ક્રેટા લઈ આવી ચડ્યા​Dy.SP રવિરાજસિંહ પરમાર જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના 4:00 વાગ્યાની આસપાસ ફરિયાદી સંજય કાપડીયા તેમના મિત્રો રાજેશ સાહુ અને રવિ પાસવાન સાથે જેતપુર રોડ નજીક આવેલી શ્યામ હોટલ પાસે ઊભા હતા. તે સમયે પંકજ પાદરા, પ્રશાંત ડેડકીયા, મિત વેકરિયા, ધવલ ગડારા, સાગર ગામી, સુરેશ અમીપરા સહિત અન્ય અજાણ્યા લોકો અને મહિલાઓ સફેદ અર્ટીગા અને ક્રેટા કારમાં અચાનક આવી ચડ્યા હતા. ​આરોપીઓએ સંજય કાપડીયા સાથે બોલાચાલી શરૂ કરી અને તેમને તથા તેમના મિત્રોને બેટ અને ઢીકાપાટુથી માર મારવાનું શરૂ કર્યું. ત્યારબાદ સંજય કાપડીયા, રાજેશ સાહુ અને રવિ પાસવાનનું બળજબરીથી અપહરણ કરી ગાડીઓમાં બેસાડી રફાળીયા ગામથી ધંધુકા તરફ, જસદણ-વિછીયા થઈને લઈ જવામાં આવ્યા હતા. આંગળીઓ કાપી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપીસંજય કાપડીયાના કહેવા મુજબ અપહરણ દરમિયાન આરોપીઓએ સંજય કાપડીયાની મોટર સાઈકલ અને ત્રણેય મિત્રોના મોબાઈલ ફોન પણ લૂંટી લીધા હતા. આરોપીઓએ રસ્તામાં તેમને ઢોર માર માર્યો હતો અને ધમકી આપી હતી કે તું RTIના કાગળો આપી દે અને અમારા વિશ્વમંભરીધામને થયેલું આર્થિક નુકસાન ભરપાઈ કરી આપ, નહીં તો તને સુડીથી આંગળીઓ કાપી નાખવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓએ તેમને જણાવ્યું કે, 'ભૂતકાળમાં પણ અમે જૂનાગઢના બાવાઓને મારેલા છે, ટોબરામાં બાવાઓ પર શું થયું હતું ?' આ વાત કરીને આરોપીઓ તેમને સંજય કાપડિયા અને તેના મિત્રોને ડરાવ્યા હતા. પોલીસે બાતમી આઘારે વોચ ગોઠવી અપહરણકર્તાઓને ઘેર્યા​આ ઘટનાની જાણ થતાં જ જૂનાગઢ પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી હતી. સ્થાનિક પોલીસે જૂનાગઢ એસપીને જાણ કરતા તેમણે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરવા અને અપહરણકર્તાઓને પકડવા સૂચના આપી હતી. ભેસાણ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને આરોપીઓ ફરિયાદીને ધંધુકા તરફ લઈ ગયા હોવાની બાતમી મળતાં ધંધુકા Dy.SPનો સંપર્ક કરવામાં આવ્યો. ધંધુકા પોલીસે શહેરમાં પ્રવેશતા અને બહાર નીકળતા તમામ રસ્તાઓ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ભેસાણ પોલીસની ટીમ પણ ધંધુકા ખાતે પહોંચી હતી. પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલી વોચના કારણે, અપહરણકર્તાઓ ફરિયાદી સંજય કાપડીયા અને તેના મિત્રોને લઈને તે રસ્તા પરથી પસાર થતાં જ પોલીસે તેમને ઘેરી લીધા હતા. અપહરણ કરનારા 4 જેટલા મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા​પોલીસે ગણતરીની કલાકોમાં અપહરણ કરનારા 4 જેટલા મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં રાબોડા ગામના પ્રશાંત સુરેશભાઈ ડેડુકિયા, નવસારીના કમલેશ ધીરુભાઈ રૂડાણી, મિત જગદીશ વેકરિયા, અને વડોદરાના અજય માસ્તર હીરા બોઘરા નો સમાવેશ થાય છે. ભેસાણ પોલીસે સંજય કાપડીયા અને તેમના મિત્રોને આરોપીઓની ચુંગાલમાંથી સલામત રીતે છોડાવ્યા હતા. આ ગુનામાં ચંદુભાઈ પંકજ પાદરા, અનિલ, ધવલ ગડારા, સુરેશ અમીપરા, અજાણ્યા ઇસમો, અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વકીલે RTI કર્યા બાદ ગેરરીતિ સામે આવ્યા બાદ 'વિશ્વંભરીધામ’ સામે લેવાયેલા પગલાં આ પણ વાંચો: ગેરકાયદે આયુર્વેદિક દવા ઉત્પાદન ઝડપાવાનો મામલો:વલસાડના વિશ્વંભરી મંદિરમાંથી 6 લાખનો મુદ્દામાલ જપ્ત, લાઇસન્સ વગર ચાલતું હતું અવૈધ કારખાનું આ પણ વાંચો: વલસાડમાં ગેરકાયદે આયુર્વેદિક દવા ઉત્પાદન ઝડપાયું:વિશ્વંભરી મંદિર પાછળ અવૈધ કારખાનું ચાલતું, વિવિધ દવાઓ અને મશીનરી જપ્ત આ પણ વાંચો: ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલી પ્રતિકૃતિના મામલે વિવાદ:વલસાડ રાબડા ધામમાં પરવાનગી વિના બનેલી જોખમી હિમાલય પ્રતિકૃતિ સીલ કરવાનો આદેશ

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:29 pm

દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદ:રાજકોટમાં સગીરા સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યમાં દોઢ વર્ષે ન્યાય મળ્યો, મદદગારી કરનાર મહિલાને 10 વર્ષની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024 ના ફેબ્રુઆરી માસમાં સગીરા પર થયેલા દુષ્કર્મ કેસમાં નીતિન બગથરીયાને જીવે ત્યાં સુધી આજીવન કેદની સખત સજા ફટકારવામાં આવી છે જ્યારે મદદગારી કરનાર મધુબેન ધકાણને 10 વર્ષની સજા રાજકોટ શેસન્સ કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સગીરા પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કોર્ટ દ્વારા કડક સજા સંભળાવી દાખલો બેસાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, ગત તા.1 ફેબ્રુઆરી, 2024 માં સગીરા પર દુષ્કર્મ કેસમાં ભક્તિનગર પોલીસ મથકમાં નીતીન રવજીભાઇ બગથરીયા (ઉ.વ.35, ૨હે મેહુલનગર શેરીનં.5, સંસ્કૃતી એપાર્ટમેન્ટ બ્લોક નં.306 કોઠારીયા મેઇન રોડ) અને મધુબેન કીરીટભાઈ ગોકળભાઈ ધકાણ (ઉ.વ.39, રહે. આનંદનગર મેઇન રોડ) વિરુધ્ધ IPC કલમ 376(3), 376(2) અને પોકસોની કલમ હેઠળ ગૂનો દાખલ કરવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે, સગીર વયની દિકરીને મુખ્ય આરોપી નીતિન બગથરીયાએ લલચાવી તેમજ ધમકાવી હતી અને મધુબેનની મદદથી તેના ઘરે અવાર-નવાર દુષ્કર્મ આચરી સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય કર્યુ હતુ. જેના આધારે ભકિતનગર પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. જે અંગેનો કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા નિતીન બગથરીયાને જ્યાં સુધી જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે તો મધુબેનને 10 વર્ષની સખત કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે જ બન્ને આરોપીઓને દંડ અને ભોગ બનનારને રૂ.7 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:21 pm

ભાવનગરની ટીમે ગુજરાતનું ગૌરવ વધાર્યું:ભાવનગરના સ્કાઉટ ગાઈડ્સનો ડાયમંડ જ્યુબિલી નેશનલ જમ્બોરીમાં શ્રેષ્ઠ દેખાવ, કેમ્પમાં 'A' ગ્રેડ મેળવ્યો

રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ડાયમંડ ફિનાલે જમ્બોરી સંપન્ન ધ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ ન્યુ દિલ્હી દ્વારા 19 મી નેશનલ જમ્બોરી તેમજ ડાયમંડ ફિનાલે 75 વર્ષની વિશિષ્ટ ઉજવણીના ભાગરૂપે ઉત્તર પ્રદેશ લખનૌ ખાતે સાત દિવસય દરમિયાન સ્કાઉટ ગાઈડ જમ્બોરી કેમ્પનું આયોજન થયું હતું, જેમાં ભાવનગર જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘએ લખનૌ મુકામે ડાયમંડ જ્યુબીલી નેશનલ જમ્બોરીમાં શ્રેષ્ઠ દેખાવ કરતા ભાવનગરના સ્કાઉટ ગાઈડ, આ વેળાએ 10 દેશ અને 45થી વધુ રાજ્યના 35,000 સ્કાઉટ ગાઈડ એકત્ર થયા હતા. કેમ્પનું ઉદ્ઘાટન પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પૂર્ણાહુતિમાં ભારત દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી ઉપસ્થિત રહ્યા હતા અને સ્કાઉટ ગાઈડને પર્યાવરણને અનુકૂળ થઈને જીવન જીવવાની ટેવ પાડવા અનુરોધ કર્યો હતો, જ્યારે રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા સેવાથી જ વિશ્વ શાંતિ માટે ભારત દેશ આકાર લેશે અને તેમાં યુવાનોનું મોટું યોગદાન રહેશે એ વાત કરી હતી, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ જમ્બોરીની વિશાળ મેદની જોઈ પ્રયાગરાજના કુંભને યાદ કર્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નનું ભારત વિકસિત ભારત વિકસિત યુવા થીમ પર આ જાંબુરી થઈ રહી છે તેના અભિનંદન પાઠવ્યા હતા આ કેમ્પ દરમિયાન કેમ્પ ફાયર, માર્ચ પાસ્ટ, રંગોલી, કેમ્પ ક્રાફ્ટ, ફિઝિકલ ડિસ્પ્લે, પ્રદર્શન, કલર પાર્ટી, ફૂડ પ્લાઝા, બેન્ડ, સ્ટેટ ગેટ જેવી સ્પર્ધામાં ગુજરાતે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો, કેમ્પનું આકર્ષણ એડવેન્ચર એક્ટિવિટી, ફન એક્ટિવિટી, ગ્લોબલ વિલેજ નાઈટ ટ્રેકિંગ રહ્યા હતા, જેમાં ભાવનગર કન્ટીજનને એ ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો આ કેમ્પમાં વિદ્યાધીશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર, દક્ષિણામૂર્તિ સંસ્થા, નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, સ્વામી વિવેકાનંદ રોવર ક્રૃ, રાણી લક્ષ્મીબાઈ રેંજર ટીમના સભ્યો જોડાયા હતા અને દર ચાર વર્ષે યોજાતા સ્કાઉટીંગ પ્રવૃતિના કુંભમાં ભાગ લીધો હતો, રાજ્યના એક્ટિવિટી ઓફિસર તરીકે ભાવનગરના જિલ્લા મંત્રી અજયભાઈ ભટ્ટે જવાબદારી સંભાળી હતી, જ્યારે ગાઈડ કેપ્ટન તરીકે સરલાબેન સાકળીયા બાળકો સાથે રહ્યા હતા, સ્કાઉટ ગાઈડની સમગ્ર સફળતા માટે જિલ્લા સંઘના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:20 pm

વિદ્યાનગરની મોકા રેસ્ટોરન્ટ સીલ:કરમસદ-આણંદ મનપાની તપાસમાં અસ્વચ્છતા, અખાદ્ય ખોરાક મળ્યો

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેર વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોમાં જાહેર સ્વચ્છતા અંગે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે વિદ્યાનગર ખાતે આવેલી મોકા રેસ્ટોરન્ટમાં તપાસ કરતા ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. ટીમને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ, અખાદ્ય ખોરાક અને ગંદકી મળી આવી હતી. જાહેર આરોગ્ય માટે જોખમી જણાતા, મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક અસરથી મોકા રેસ્ટોરન્ટને સીલ કરી દીધી હતી. આ કાર્યવાહી જીપીએમસીની કલમ 376(એ) હેઠળ કાયદાકીય જોગવાઈઓને આધીન કરવામાં આવી હતી. મનપાના આરોગ્ય વિભાગે કરમસદ-આણંદ મહાનગરપાલિકા વિસ્તારના તમામ હોટલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીના એકમોને સ્વચ્છતા અને હાઈજીન જાળવવા અપીલ કરી છે. વધુમાં, આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના એકમોમાં સ્વચ્છતા ચકાસણીની ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે તેમ જણાવાયું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:10 pm

અરવલ્લી SOGએ ચેઇન સ્નેચિંગના બે આરોપી ઝડપ્યા:મોડાસા બાયપાસથી 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત, 4 ગુનાનો ભેદ ઉકેલાયો

અરવલ્લી જિલ્લામાં લાંબા સમયથી વણઉકેલાયેલા ચેઇન સ્નેચિંગના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. અરવલ્લી SOG પોલીસે મોડાસા બાયપાસ રેલવે ફાટક પાસેથી ચેઇન સ્નેચિંગના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી રૂ. 3.41 લાખના સોનાના દાગીના અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેનાથી શામળાજી અને ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના ચાર ગુનાઓનો પર્દાફાશ થયો છે. SOG ટીમ 3 તારીખે બપોરના સમયે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન મોડાસા રેલવે ફાટક બાયપાસ પાસે બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા હતા. પોલીસે તેમને રોકીને પૂછપરછ કરતા તેઓએ પોતાના નામ જીતુ દેવીપૂજક અને ગુલાબ દેવીપૂજક, રહે. મહેમદાવાદ જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન, બંને આરોપીઓએ ભિલોડા બસ સ્ટેશન વિસ્તારમાંથી બસમાંથી એક સોનાની ચેઇન અને શામળાજી બસ સ્ટેશન તેમજ શામળાજી મંદિર વિસ્તારમાંથી ત્રણ સોનાની ચેઇનની ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. SOG ટીમે આરોપીઓ પાસેથી ચાર સોનાની ચેઇન અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 3.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે કે આરોપીઓએ આવા અન્ય કેટલા ગુનાઓ આચર્યા છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:03 pm

Editor's View: ઇમરાન ખાનનાં બહેને બોમ્બ ફોડ્યો!:અલીમાના ભાજપ રાગનાં ત્રણ સમીકરણ, જાણો સરહદ પાર રમાતી 'ગેમ ઓફ થ્રોન્સ'ની ઇનસાઇડ સ્ટોરી

તમને જાણીને નવાઈ લાગશે, પણ જે દેશનો પાયો જ 'ભારત વિરોધ' પર નંખાયો હોય, આજે એ જ દેશના એક પૂર્વ વડાપ્રધાનનાં બહેન દુનિયા સામે ચીસો પાડીને કહી રહી છે કે મારો ભાઈ ભારત સાથે મિત્રતા ઈચ્છે છે, પણ અમારો સેનાપતિ મુનીર યુદ્ધ ઈચ્છે છે! યાદ કરો 1999નું વર્ષ. ત્યારે પણ એક વડાપ્રધાન નવાઝ શરીફ ભારતના વડાપ્રધાન અટલજી સાથે લાહોરમાં બસમાં બેસીને હાથ મિલાવતા હતા, અને બરાબર એ જ સમયે તેનો સેનાપતિ પરવેઝ મુશર્રફ કારગીલની પહાડીઓ પર યુદ્ધનું કાવતરું રચી રહ્યો હતો. આજે 25 વર્ષ પછી તારીખ બદલાઈ છે, ચહેરા બદલાયા છે, પણ પાકિસ્તાનની કૂતરાની પૂંછડી જેવી ફિતરત નથી બદલાઈ. આજે ઈમરાન ખાન જેલમાં છે, અને તેમની બહેન અલીમા ખાન ભારતીય મીડિયા અને પશ્ચિમી દેશોને એ કહી રહી છે કે જનરલ અસીમ મુનીર ભારત સાથે યુદ્ધ કરવા માગે છે. શું આ માત્ર એક બહેનની વ્યથા છે? કે પછી આ એક એવો રાજકીય જુગાર છે જેમાં ભારતને 'ઢાલ' બનાવવામાં આવી રહ્યું છે? આજે આપણે વાત કરવી છે સરહદ પાર રમાઈ રહેલા એક એવા 'ગેમ ઓફ થ્રોન્સ' વિશે, જેની સીધી અસર ભારતની શાંતિ પર પડી શકે છે. આ માત્ર આજના સમાચાર નથી, પણ ઈતિહાસ છે. કારણ કે જ્યારે પાકિસ્તાનમાં સિવિલિયન સરકાર અને મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ વચ્ચે તિરાડ પડે છે, ત્યારે તે તિરાડને પૂરવા માટે હંમેશા 'ભારત વિરોધી ઝેર'ને જ સિમેન્ટ તરીકે વાપરવામાં આવે છે.નમસ્કાર, ઈમરાન ખાન, જે એક સમયે 'તાલિબાન ખાન' કહેવાતા હતા, આજે અચાનક ભારતપ્રેમી કેમ થઈ ગયા? અને જનરલ આસીમ મુનીર, જે સેનાના વડા છે, તે શા માટે ભારત સાથેના સંબંધો પર પૂર્ણવિરામ મૂકવા માગે છે? આપણે આ ઘટનાને માત્ર ઉપરછલ્લી રીતે નથી જોવી, પણ તેના ગર્ભમાં રહેલા ઈતિહાસ, અર્થતંત્ર અને કૂટનીતિના તાર જોડવાના છે. ઈમરાન ખાનનાં બહેનનો BJP રાગથયું કંઈક એવું છે કે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન હાલ ભ્રષ્ટાચારના ગુનાઓમાં જેલમાં છે. તેમના બહેનો તેમને છોડાવવા માટે મુનીર સામે મોરચો માંડીને બેઠાં છે. ઈમરાનની બહેન અલીમા ખાને કહ્યું કે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીર ભારત સાથે યુદ્ધ કરવા ઈચ્છે છે અને તે ભારત વિરોધી છે, જ્યારે ઈમરાન ખાન ભાજપ સરકાર સાથે વાતચીત કરીને સંબંધો સુધારવા માગતા હતા. આપણે જે વિવાદની વાત કરીએ છીએ તેમાં ચાર પાત્રો ચર્ચામાં છે, જેલમાં બંધ ઈમરાન ખાન, પાકિસ્તાન સરકાર સામે વિરોધ કરી રહેલી તેમની બહેનો, આર્મી ચીફ અસીમ મુનીર અને પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ. મુનીર યુદ્ધખોર અને ઈમરાન પીસ મેકર?પાકિસ્તાન સરકાર ઈમરાન ખાન પર મિલિટરી કોર્ટમાં કેસ ચલાવવાની છે, એવી વાતો ઉડી રહી છે. જે ન થાય તેના માટે ઈમરાન ખાનનો પરિવાર આંતરરાષ્ટ્રીય સ્તરે ઈમરાનનો મુદ્દો ઉઠાવી રહી છે. ઈમરાનની બહેનો મુનીરને યુદ્ધખોર અને ઈમરાનને પીસ મેકર ચીતરી રહી છે. અલીમા ખાને કહ્યું કે, ઇમરાન ખાન સત્તામાં આવ્યા ત્યારે તેમણે ભારત અને BJP સાથે પણ સંબંધો સુધારવાનો પ્રયાસ કર્યો. જ્યારે મુનીર બોર્ડર પર તણાવ અને યુદ્ધનું વાતાવરણ બનાવે છે શું ખરેખર આવું છે? આ સમજવા માટે આપણે ઈતિહાસના પાના ઉલટાવવા પડશે. પાકિસ્તાનમાં એક પેટર્ન છે: સિવિલિયન પીસ વર્સિસ મિલિટરી કોન્ફ્લિક્ટ. આને કંઈક આવી રીતે સમજો. દોસ્તીનો હાથ મિલાવ્યો, ભારતને દગો જ મળ્યો1999માં આપણા વડાપ્રધાન અટલ બિહારી બાજપેયી બસ લઈને પાકિસ્તાનના લાહોર પહોંચ્યા. નવાઝ શરીફ સાથે લાહોર ડેક્લેરેશન અટલજીએ સાઈન કર્યું. ત્યારે પાકિસ્તાન સાથે એકદમ સારા સંબંધો થઈ ગયા હતા. પણ પાકિસ્તાની સેનાને આ ગમ્યું નહીં. અને પરિણામે ભારતને પાકિસ્તાનની સેના તરફથી મળ્યું કારગીલ યુદ્ધ. 2001માં આગ્રા સમિટમાં મુશર્રફ ભારત આવ્યા. પણ ત્યારે વાત જામી નહીં કારણ કે તે નેતાના પહેરવેશમાં નહીં પણ સેનાની વર્દીમાં હતા. 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અચાનક લાહોર ઉતર્યા અને નવાઝ શરીફને મળ્યા. ફરી સેનાની આંખમાં આ વાત કણાની જેમ ખૂંચી અને ભારતને મળ્યા પઠાણ કોટ અને ઉરી એટેકના હુમલા. ઈમરાન કાળમાં ભારત સાથે કેવા સંબંધો હતા? ઈમરાન ખાનના સમયગાળાની વાત કરીએ તો 2018થી 2022 એમ ચારેક વર્ષમાં તેમણે કરતારપુર કોરિડોર ખોલાવ્યો, પણ એ ન ભૂલવું જોઈએ કે પુલવામા હુમલો તેમના સાશનકાળમાં જ થયો. અંદરની વાતો ત્યારે એવી સામે આવી હતી કે પડદા પાછળ ત્યારના સમયના પાકિસ્તાન આર્મીના વડા બાજવા અને ઈમરાન ખાન વચ્ચે ભારત સાથે ટ્રેડ શરૂ કરવા મામલે મતભેદ હતા. પાકિસ્તાને પહેલાં હા પાડી અને પછી કાશ્મીરનો મામલો સામે મૂકીને ટ્રેડ બંધ કરાવી દીધો. રાવલપિંડીના જનરલોની કેવી માનસિકતા રહી છે?આ બધી જ વાતોને જોડીએ તો આજે જે થઈ રહ્યું છે એ જૂની સ્ક્રિપ્ટનું જ નવું વર્ઝન છે. જ્યારે પણ કોઈ પાકિસ્તાની નેતાઓ, ચાહે નવાઝ હોય, ઈમરાન હોય કે કોઈ પણ. ભારત સાથે સંબંધ સુધારવાની વાત કરે છે ત્યારે રાવલપિંડીમાં બેઠેલા જનરલોને પોતાના પાવર ડાઉન થવાની બીક લાગવા લાગે છે. કારણ કે જો ભારત સાથે પાકિસ્તાનની શાંતિની વાત થઈ જાય તો પાકિસ્તાની સેનાનું અસ્તિત્વ અને બજેટ બંને બગડી જાય. આ વાતને અત્યાર સાથે જોડીએ તો હાલ પાકિસ્તાનમાં એક રીતે ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ છે. જનરલ મુનીર આવ્યા અને પહેલું ભાષણ આપ્યું તેમાં જ ભારત વિરોધી તેમની માનસિકતા છતી થઈ. તેઓ માને છે કે પાકિસ્તાનનું એક જ લક્ષ્ય છે, ભારત સાથેના ટ્રેડના કે સંબંધોના તમામ દરવાજા સજ્જડ બંધ રહે. અલીમાથી અમેરિકાનું કનેક્શનએક તરફ ઈમરાનના બહેન અલીમા ભારતને ઉશ્કેરતા નિવેદનો આપે છે અને બીજી બાજુ કહે છે કે મુનીર ખરાબ છે. એક રીતે પાકિસ્તાનનો ભરોસો ન કરી શકાય કારણ કે પોતાના હિતો માટે તે ગમે તે કરી શકે. શું ખબર ઈમરાનના બહેન પણ ઈમરાનની ભાષા બોલતા હોય કે આડકતરી રીતે મુનીરની ભાષા બોલતા હોય. ભારત વિશેના આવા નિવેદન પાછળ દોરી સંચાર કોણ કરે છે તે પણ મોટો સવાલ છે. કદાચ ઈમરાન આવા સ્ટેટમેન્ટ અપાવતા હોય જેથી ભારત અને અમેરિકાનું ધ્યાન ખેંચાય અને મુનીર પર દબાણ આવે અને પોતે છૂટે. શું ખબર મુનીર જાણી જોઈને ઈમરાનની બહેનોનો છૂટ આપે છે જેથી સાબિત કરી શકાય કે જુઓ આ ખાન પરિવાર દેશદ્રોહી છે. RSS સામે ઝેરથી BJPના પ્રેમ સુધી આ બધુ સમજવા માટે ઈમરાન ખાનનો ભૂતકાળ જોવો પડે. એક સમયે હતો જ્યારે તેઓ PM હતા ત્યારે તેઓ નરેન્દ્ર મોદી અને RSS વિરુદ્ધ ઝેર ઓકતા હતા. આજે સત્તા ગયા પછી તેમને ભાજપ સાથે વાતચીતનો વિચાર આવે છે. આ માટે પોલિટિકલ સાયન્સમાં એક શબ્દ છે રાજકીય તકવાદ. જે અહીં બિલકુલ બંધ બેસે છે. બીજી તરફ, મુનીર જાણે છે કે પાકિસ્તાનની પ્રજામાં ઈમરાન લોકપ્રિય છે. એટલે મુનીર 'રાષ્ટ્રવાદ' અને 'ભારતનો ડર' બતાવીને પોતાની ખુરશી બચાવવા માગે છે. પાકિસ્તાનના હાલ બેહાલઆ આખા મુદ્દાને અલગ રીતે પણ જોઈ શકાય, હાલ ભારતનું અર્થતંત્ર 4 ટ્રિલિયન ડોલર બાજુ જઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાનનું અર્થતંત્ર લગભગ 340 બિલિયને અટકેલું છે. 25થી 30 ટકાનો ફુગાવો છે. ઈમરાન અને બિઝનેસ ક્લાસ જાણે છે કે ભારત સાથે વેપાર ખોલ્યા વિના પાકિસ્તાનનો ઉદ્ધાર નથી. કારણ કે ડુંગળી, ટમેટાં, લોટ અને દવા જેવા જીવનજરૂરી વસ્તુઓ માટે પાકિસ્તાન વલખાં મારે છે અને ભારતમાં બધુ સસ્તું મળી રહે છે. પણ આવું થાય તો મુનીરની સેના ડરી જશે કારણ કે જો વેપાર શરૂ થાય તો ઠંડા હિમાલયમાં સળગતા કાશ્મીરની રાખ ઠરી જાય. જો ભારત સાથે પાકિસ્તાનની શાંતિ થઈ જાય તો કાલે પાકિસ્તાનની પ્રજા આર્મીને એ પણ પૂછી શકે કે આપણે આટલી સેનાની જરૂર શું છે? શા માટે બજેટનો સિંહફાળો તમે જ ખાઈ જાવ છો. પ્રજાના હિતમાં પણ કંઈ આવવું જોઈએ. માટે જ મુનીરનું અસ્તિત્વ જ ભારત સાથેની દુશ્મની પર ટકેલું છે. તેમના આવ્યા પછી ડ્રોન એક્ટિવિટી હોય, આતંકવાદ હોય કે ઘૂસણખોરી હોય બધું વધ્યું જ છે. જે સાબિત કરે છે કે મુનીર શાંતિના પક્ષમાં તો બિલકુલ માનવાવાળા નથી. ઈમરાન અમેરિકા માટે હિરો બનવા માગે છે?અને આ બધી બાબતોમાં એક વાત જાણવા જેવી છે. ઈમરાનના બહેન અલીમા કહે છે ઈમરાન ખાન ભાજપ સાથે વાત કરવા માગતા હતા. શું ખબર આ ભારત માટે હોય કે આડકતરી રીતે પાકિસ્તાન માટે. અહીં એક બહુ મોટો અને છૂપો એંગલ છે જે ઘણા લોકો ચૂકી જાય છે. ઈમરાન ખાન જાણે છે કે અમેરિકાને હવે આ વિસ્તારમાં યુદ્ધ નથી જોઈતું. અમેરિકાનું ધ્યાન ચીન અને યુક્રેન બાજુ છે. બની શકે કે ઈમરાન ખાન પોતાની જાતને દક્ષિણ એશિયા માટે પશ્ચિમનો સારો વિકલ્પ પણ બનાવવા માગતા હોય. તેઓ એવું પણ કહેવા માગતા હોય શકે કે હું મોર્ડન છું, વાતચીતમાં માનું છું અને મુનીર કટ્ટર છે. યુદ્ધખોર છે. ઈમરાન માટે દેશ મોટો કે સત્તા?બનવા માટે તો એ પણ બની શકે કે ઈમરાનની બહેન જે ભારત તરફના નિવેદનો આપે છે એ ઈમરાનના ઈશારે પણ હોય જેથી ભારત કોઈ આકરાં એક્શન લે અને બોર્ડર પર ટેન્શન વધે. અને જો એવું થાય તો આંતરરાષ્ટ્રીય દબાણ મુનીર પર આવે અને તે મુશ્કેલીમાં મૂકાય. ટૂંકમાં ઈમરાન પોતાના બચાવ માટે દેશને યુદ્ધના કિનારે પણ લઈ જવા તૈયાર હોઈ શકે. પાકિસ્તાનીઓએ સીધી લીટીમાં આ સમજવા જેવું છે કે સત્તા નહિ, દેશ મોટો છે. અને છેલ્લે… હમણા જ આપણા વિદેશમંત્રી એસ જયશંકર SCO સમિટ માટે પાકિસ્તાન ગયા હતા. ત્યારે પાકિસ્તાને મિત્રતાનો ડોળ કર્યો હતો, પણ ભારતે કોઈ જ ભાવ ન આપ્યો. આ બતાવે છે કે ભારત હવે પાકિસ્તાનની કોઈ પણ 'ટ્રેપ'માં ફસાવા માગતું નથી. માટે જ જ્યાં સુધી પાકિસ્તાનમાં રાજનીતિ અને રણનીતિ અલગ નહીં થાય, ત્યાં સુધી અલીમા ખાનના નિવેદનો ભારત માટે માત્ર મગરના આંસુ જ ગણાશે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ.આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર(રિસર્ચઃ સમીર પરમાર)

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 8:00 pm

ક્રુરતાપૂર્વક બાંધેલા 24 પાડાઓને કતલખાને જતા બચાવાયા:શેરથા નજીકથી અબોલ પશુઓ ભરેલા પીકઅપ ડાલા સાથે બે ઝડપાયા, 5.96 લાખનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર જિલ્લાના શેરથા ટોલટેક્સ ખાતે મોડી રાત્રે એક ગેરકાયદેસર પશુ હેરફેરનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદના એક યુવકની સતર્કતાના કારણે અડાલજ પોલીસે ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા 24 પાડાઓને બચાવી લઈ બે શખ્સોની રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ડાલામાં શું ભરેલું છે તે પુછતાં કંડક્ટર સીટ પર બેસેલો શખસ ભાગવા લાગ્યો અમદાવાદ બોડકદેવ ખાતે રહેતો કરણ દેવજીભાઈ ચોસલા ગઈકાલે રાત્રે મહેસાણાથી આવીને શેરથા ટોલટેક્સ ખાતે પોતાના મિત્રો સાથે ઉભો હતો. તે સમયે એક સફેદ પીકઅપ ડાલામાંથી પાડાઓના જોરદાર ભંભોરવાનો અવાજ આવતા કરણને શંકા ગઈ હતી. આથી તેણે ડ્રાઇવરને ડાલામાં શું ભરેલું છે તેમ પૂછતા જ કંડક્ટર સીટ પર બેઠેલો શખ્સ ભાગવા લાગ્યો હતો, જેને કરણ અને તેમના મિત્રોએ પકડી પાડ્યો હતો. બાદમાં તેમણે ડાલામાં જોતા પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા. આ અંગે કરણે તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરતા અડાલજ પોલીસ સ્થળ ઉપર દોડી ગઈ હતી. પીકઅપ ડાલામાં 24 પાડાઓને ક્રૂરતાપૂર્વક બાંધેલા હતાબાદમાં પોલીસે પીકઅપ ડાલામાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, ડીસાના રહેવાસી ડ્રાઇવર આસીફખાન પઠાણ અને કંડક્ટર વાસીફ કુરેશીએ કુલ 24 પાડાઓને અત્યંત ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતા. બંને જણાએ પાડાઓને હલનચલન ન કરી શકે તે રીતે પગ અને મોઢાના ભાગ પણ બાંધી અપુરતી જગ્યામાં એકબીજા ઉપર ખીચોખીચ ભર્યા હતા. પશુઓ માટે ઘાસચારો કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જેના પગલે પોલીસે 96 હજારના પાડા અને 5 લાખનું પિકઅપ ડાલુ મળીને કુલ રૂ. 5.96 લાખના મુદ્દામાલ સાથે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:47 pm

ખેડબ્રહ્મા-અંબાજી નવી રેલ્વે લાઇન માટે 236 કરોડ મંજૂર:કેન્દ્રીય રેલ્વે મંત્રી દ્વારા હિંમતનગર-અમદાવાદ વચ્ચે વધારાનો ટ્રેક પણ મંજૂર કરાયો

કેન્દ્રીય રેલ્વે મંત્રીએ ખેડબ્રહ્માથી મોટા અંબાજી વચ્ચે 46 કિલોમીટરની નવી રેલ્વે લાઇન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વન વિભાગની મંજૂરી સહિતના કાર્યો માટે અંદાજે ₹236 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદથી હિંમતનગર વચ્ચે 93 કિલોમીટરના વધારાના રેલ્વે ટ્રેક માટે પણ મંજૂરી અપાઈ છે. સાબરકાંઠા-અરવલ્લીના સાંસદ શોભનાબેન બારૈયા દ્વારા કેન્દ્રીય રેલ્વે મંત્રી સમક્ષ આ વિસ્તારમાં વધુ ટ્રેન સેવાનો લાભ મળે તે માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હતી. બુધવારે લોકસભાના શિયાળુ સત્ર દરમિયાન સાંસદે પૂછેલા પ્રશ્નોના જવાબમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી. રેલ્વે મંત્રીના જવાબમાં જણાવાયું હતું કે સાબરકાંઠા લોકસભા ક્ષેત્રમાં નવી રેલ્વે લાઇનના નિર્માણ માટે કામગીરી શરૂ કરાઈ છે. હિંમતનગરથી ખેડબ્રહ્મા બ્રોડગેજ રૂપાંતરનું કામ તાજેતરમાં પૂર્ણ થયું છે, જેના કારણે આગામી દિવસોમાં શરૂઆતના તબક્કામાં માલગાડી દોડાવાશે. ખેડબ્રહ્માથી અંબાજી સુધીની સૂચિત 46 કિલોમીટરની રેલ્વે લાઇન માટે ₹236 કરોડનો ખર્ચ કરાશે. આ નવી રેલ્વે લાઇન માટે જરૂરી જમીન સંપાદન, વનસંબંધી મંજૂરી અને લોકઉપયોગી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રેલ્વે તંત્ર ઝડપથી કાર્યવાહી કરશે. રેલ્વે મંત્રીએ લોકસભામાં ખાતરી આપી હતી કે ખેડબ્રહ્માથી મોટા અંબાજી સુધી જમીન સંપાદન અને અન્ય જરૂરી સગવડો ઊભી કરવાનો નિર્ધારિત ખર્ચ વર્ષ 2025-26 સુધીમાં પૂર્ણ કરાશે. ઉલ્લેખનીય છે કે અગાઉ વર્ષ 2025માં આ પ્રોજેક્ટ માટે અંદાજે ₹980 કરોડનો ખર્ચ નક્કી કરાયો હતો. જોકે, ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વેના અધિકારીઓએ થોડા સમય અગાઉ ખેડબ્રહ્મા સહિત અન્ય સ્થળોએ આવેલી જમીનનું નિરીક્ષણ કર્યું હતું. અધિકારીઓના અહેવાલ બાદ રેલ્વે મંત્રીએ ₹236 કરોડના સુધારેલા ખર્ચનું બજેટ અંદાજ્યું છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:45 pm

શ્રી મધુસૂદન વિદ્યાપીઠમાં વાર્ષિક સ્પોર્ટ્સ મીટ યોજાઈ:વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો

શ્રી મધુસૂદન વિદ્યાપીઠમાં ૧, ૨ અને ૩ ડિસેમ્બરના રોજ વાર્ષિક સ્પોર્ટ્સ મીટ “આરોહણ : ધ રાઈઝ ઑફ ચેમ્પિયન્સ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્રણ દિવસ ચાલેલી આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ટ્રેક ઇવેન્ટ્સ, ફિલ્ડ ઇવેન્ટ્સ, ટીમ રમતો અને મનોરંજક સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમણે રમતિયાળ ભાવના, શિસ્ત અને ટીમ સ્પિરિટનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે ટ્રસ્ટી શ્રી પ્રજેશસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ટોર્ચ રન અને ક્લેપર દ્વારા કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આ રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ તેમની પ્રતિભા, મહેનત અને આત્મવિશ્વાસ દ્વારા સાચા ચેમ્પિયન બનવાનો અર્થ દર્શાવ્યો હતો. વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શિક્ષકો અને વિદ્યાર્થીઓના સંયુક્ત પ્રયાસો પ્રશંસનીય છે.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:43 pm

1200 હોમગાર્ડ્ઝની વિશાળ મશાલ રેલી:હોમગાર્ડ્ઝ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે રેલી યોજાઈ

અમદાવાદમાં હોમગાર્ડ્ઝ સ્થાપના દિવસની ઊજવણી નિમિત્તે નવરંગપુરા સ્થિત હોમગાર્ડ્ઝ પરેડ ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ મશાલ અને જનજાગૃતિ અભિયાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં અમદાવાદના પશ્ચિમ, પૂર્વ અને ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૨૦૦ હોમગાર્ડ્ઝ અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે દીવાન-બલ્લુભાઈ શાળાઓના ટ્રસ્ટી કૌશલ ઠાકોર, અમદાવાદ પૂર્વના હોમગાર્ડ કમાન્ડન્ટ કુમાર પટેલ, પશ્ચિમના કમાન્ડન્ટ સ્નેહલ પટેલ અને ગ્રામ્યના કમાન્ડન્ટ વિપુલ દવે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તમામ હોમગાર્ડ્ઝને સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને તેમના નિષ્ઠાપૂર્વકના કાર્યોને બિરદાવ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ વિશાળ મશાલ રેલીની આગેવાની લીધી હતી અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી સાબરમતીથી સરખેજ સુધીના વિસ્તારોને આવરી લેતી હતી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:40 pm

'વાસદાના ધારાસભ્ય બુટલેગરો સાથે કનેક્શન ધરાવે છે':સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ, ભાજપના મહામંત્રીએ કહ્યું- પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરતા લોકોનું જ બુટલેગરો સાથે કનેક્શન

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. થોડા દિવસો પહેલાં ચીખલીના સાદડવેલ ગામે દારૂબંધીમાં નિષ્ફળ રહેલી પોલીસના 'પટ્ટા ઉતારવા'નું નિવેદન આપીને ચર્ચામાં આવેલા અનંત પટેલ હવે કથિત રીતે એક બુટલેગર સાથેના 'સંબંધો' મુદ્દે ઘેરાયા છે. ધારાસભ્ય વિરુદ્ધ તેમની બુટલેગર સાથેની સાંઠગાંઠ દર્શાવતા પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. પોસ્ટર અને કોલ રેકોર્ડથી આક્ષેપોવાયરલ થયેલા પોસ્ટરોમાં વાંસદા પોલીસે પકડેલા ભીનાર ગામના બુટલેગર અભિષેક ઉર્ફે અભલો સાથે અનંત પટેલના કથિત સંબંધો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ આક્ષેપોને સમર્થન આપતા એક કોલ રેકોર્ડ પણ વાયરલ થયું છે, જેમાં દાવો કરાયો છે કે ધારાસભ્ય અનંત પટેલે છેલ્લા એક મહિનાના સમયગાળામાં બુટલેગર અભિષેકને 29 વખત ફોન કર્યા હતા. આ ઉપરાંત, બુટલેગર અભિષેક દ્વારા ધારાસભ્ય અનંત પટેલની કાર સાથે પડાવેલો એક ફોટોગ્રાફ પણ વાયરલ થયો છે. 'ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા'વાંસદા ભાજપના મહામંત્રીએ જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્યના ચાવવાના દાંત જુદા અને બતાવવાના દાંત જુદા છે. ડૉ. લોચન શાસ્ત્રીએ પણ ધારાસભ્ય પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, પોલીસના પટ્ટા છોડાવવાની વાત કરનારા વ્યક્તિ જ બુટલેગર સાથે કનેક્શન ધરાવે છે. આ સમગ્ર મામલે વિપક્ષ ભાજપે કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પાસે વાંસદાની જનતાને તાત્કાલિક જવાબ આપવાની માંગ કરી છે. 'ધારાસભ્યનું બુટલેગર સાથે કનેક્શન બહાર આવ્યું'આ મામલે વાંસદા ભાજપના મહામંત્રી ડોક્ટર લોચન શાસ્ત્રીએ જણાવ્યું કે, વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ગત સપ્તાહે એક નિવેદન જાહેર મંચ પરથી આપવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા દારૂવાળા કે જુગારવાળા પર કોઈ હપ્તો લેતા પકડાશે તો એમના પટ્ટા ઉતારતા વાર નહીં લાગે, પરંતુ આજે સોશિયલ મીડિયા પર એક રીલ જોવા મળી. એમાં વાંસદાના ધારાસભ્ય દ્વારા એક નામચીન બુટલેગર જે વાંસદાના નામચીન બુટલેગરનું નામ છે. અભિષેક અથવા અબલો કે જેના કનેક્શન બહાર આવ્યું છે. તે છેલ્લા એક મહિનામાં વાંસદાના ધારાસભ્ય દ્વારા એમની જોડે 30 વખત વાતચીત કરવામાં આવી અને સોશિયલ મીડિયા પર એ બુટલેગરનો એક ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે કે જે એના ધારાસભ્યની કાર જોડે એની સેલ્ફી પણ જોવા મળી રહી છે. આમ વાંસદાના ધારાસભ્યનું ડોગલાપણું દેખાઈ રહ્યું છે. એમના ચાવવાના દાંત અલગ છે, બતાવવાના અલગ છે. એટલે આ કનેક્શન વિશે વાંસદાના ધારાસભ્યએ લોકોને જવાબ આપવો જોઈએ. અનંત પટેલનો સંપર્ક ન થઇ શક્યોઆ મામલે દિવ્ય ભાસ્કર ડિજિટલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પાસે ખુલાસો માંગવા ફોન કર્યો ત્યારે તેમણે ફોન ઉપાડ્યો નહીં એટલે તેઓ આ બાબતે શું મંતવ્ય ધરાવે છે તે જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 4 Dec 2025 7:40 pm