ભચાઉના વાંઢિયા નજીક ઘાસ ભરેલું ટ્રેલર સળગ્યું:વીજ લાઇનના સંપર્કમાં આવતા આગ લાગી, ફાયર ટીમ ઘટનાસ્થળે
ભચાઉ તાલુકાના વાંઢીયા ગામ નજીક ઘાસચારો ભરેલું એક ટ્રેલર વીજ લાઇનના સંપર્કમાં આવતા ભડભડ સળગી ઉઠ્યું હતું. આ ઘટના ગુરુવારે બપોરે ચાર વાગ્યાના અરસામાં બની હતી. આગને કારણે આકાશમાં દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ટ્રેલર પંજાબથી સૂકો ઘાસચારો ભરીને વાંઢીયા તરફ જઈ રહ્યું હતું. રસ્તામાં ઉપરથી પસાર થતી હેવી વીજ લાઇનના સંપર્કમાં ઘાસચારો આવતા તેમાં આગ લાગી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ લાખો રૂપિયાના ટ્રેલર અને ઘાસચારાના જથ્થાને વ્યાપક નુકસાન થયું છે. આગની જાણ થતા 112 નંબર પર જાણ કરવામાં આવી હતી. માહિતી મળ્યાના 30 મિનિટના સમયગાળામાં ભચાઉ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના કર્મચારીઓ વોટર બાઉઝર વડે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહ્યા છે. આ કામગીરીમાં ફાયરના પ્રવીણ દાફડા સહિતના કર્મચારીઓ જોડાયા છે.
વલસાડ પોલીસ દ્વારા દરિયાઈ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમ:ઉમરગામના નારગોલમાં માછીમારોને માર્ગદર્શન અપાયું
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ઉમરગામના નારગોલ ગામના માંગેલવાડ વિસ્તારમાં દરિયાઈ સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના દરિયાઈ સુરક્ષાના અધિક પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક (દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સ), ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષ, મરીન સેક્ટર કમાન્ડર, હજીરા સુરતના માર્ગદર્શન હેઠળ ઉમરગામ મરીન સેક્ટર દ્વારા આ કાર્યક્રમ તા. 13 નવેમ્બર, 2025ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમનું સંચાલન નાયબ પોલીસ અધિક્ષક એ. એમ. કુગસીયા, મરીન ટીમ લીડર PSI એસ. એસ. પઠાણ, PSI કે. સી. પટેલ, સ્ટેટ આઈ.બી. PI કેતનભાઈ એમ. રાઠોડ, PSI કનૈયાલાલ ભાનુસાલી, એસ.ઓ.જી. PSI વાય.બી. હળિયા અને મરીન કમાન્ડો ટીમની ઉપસ્થિતિમાં થયું હતું. સ્થાનિક આગેવાનો સંજયભાઈ એલ. માંગેલા, અનિલભાઈ એચ. માંગેલા, ગ્રામજનો અને માછીમાર ભાઈઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન દેશ અને પ્રજાની સુરક્ષા માટે દરિયાઈ સુરક્ષા અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. દરિયાઈ માર્ગેથી થતી આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવા પર ભાર મૂકવામાં આવ્યો. ઉપસ્થિત લોકોને અપીલ કરવામાં આવી કે જો દરિયામાં કે દરિયાકાંઠા વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ, બિનવારસી વસ્તુ, પેકેટ, ડ્રગ્સ, બેગ, બોટ અથવા ડ્રોન જોવા મળે, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા કંટ્રોલ રૂમને જાણ કરવી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ દરિયાકાંઠા વિસ્તારમાં વસતા નાગરિકો અને માછીમાર ભાઈઓમાં સતત જાગૃતિ અને સુરક્ષા પ્રત્યે સહભાગિતાનો ભાવ વિકસાવવાનો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં જીતુભા રાણા નગરપાલિકા ભવન નજીક રૂ. 5.12 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા સરકારી કુમાર છાત્રાલયનું કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. આ અધ્યતન છાત્રાલય વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે રહેવા-જમવાની સુવિધા પૂરી પાડશે. આ છાત્રાલયમાં 100 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ થશે. તેને અધ્યતન સુવિધાઓ જેવી કે વિશાળ અને હવાઉજાસવાળા રૂમ, સ્વચ્છ ભોજનકક્ષ, લાઇબ્રેરી, કમ્પ્યુટર લેબ અને શાંત અભ્યાસ વાતાવરણથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધાઓ વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત રહેઠાણ અને શિક્ષણ સુવિધાઓ પૂરી પાડવાનો છે. નિર્માણ કાર્ય સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે સંબંધિત વિભાગો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સરકારી કુમાર છાત્રાલય લીંબડી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે લાભદાયી સાબિત થશે. શહેરના કેન્દ્રીય સ્થળે રહીને, વિદ્યાર્થીઓ ચિંતામુક્ત રીતે તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આવી સુવિધાની ઉપલબ્ધતાથી શિક્ષણનું સ્તર સુધરશે અને વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં મદદ મળશે.
કલોલ તાલુકા પોલીસ મથકની હદ વિસ્તારમાં તાજેતરમાં જિલ્લા ભૂસ્તર તંત્રના મહિલા અધિકારી દેવયાનીબા જાડેજા સહિતની ટીમને ધાક ધમકીઓ આપી ભયનો માહોલ ઉભો કરી ભૂમાફિયાઓએ રેતી ખાલી કરીને ડમ્પર છોડાવી ફરાર થઈ જવાની ઘટનાના પગલે હવે ગાંધીનગર જિલ્લા ભૂસ્તર તંત્રે ગેરકાયદેસર ખનિજ વહન પ્રવૃત્તિઓ પર તવાઈ બોલાવી દીધી છે. ટીમ દ્વારા છેલ્લા 24 કલાકમાં પાંચ અલગ-અલગ વિસ્તારોમાંથી 3.30 કરોડની કિંમતના કુલ 11 ડમ્પર વાહનો જપ્ત કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો: ફોર્ચ્યુનર-ક્રેટામાં સવાર માફીયાઓએ મહિલા અધિકારી દેવયાનીબાને ઘેર્યા:ગાળો ભાંડી રેતીનું ડમ્પર છોડાવી ગયા, ગાંધીનગર-કલોલ હાઇવે પર શ્વાસ થંભાવતી ચેઝ ડમ્પરો રોયલ્ટી પાસ વગર ઓવરલોડ રેતી લઈ જતા હોવાનું બહાર આવ્યુંસૌથી વધુ કલોલ તાલુકામાંથી 8 ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ ડમ્પરો રોયલ્ટી પાસ વગર કે પછી રોયલ્ટી પાસ કરતાં ઓવરલોડ રેતી લઈ જતા હોવાનું બહાર આવ્યું છે. રોયલ્ટી પાસ વગર વહન કરતા આ વાહનો વિક્રમસિંહ પરમાર, રામભાઈ ખંભાલીયા , મિલનભાઈ પંચાલ, અરવિંદભાઈ , ઉમંગભાઈ કુંડારિયા, અશ્વિનભાઈ રાઠોડ, વિકાસ ઠાકુર, નરેન્દ્રભાઈ પટેલ , મુન્નાભાઈ ભરવાડ, અલ્કેશભાઈ જોશી અને ચિરાગભાઈ બલુચીયાના હોવાનું સામે આવ્યું છે. કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ખનિજ વહન ચલાવી લેવા દઈશું નહીંઆ તમામ વાહનોની કુલ કિંમત ₹3.30 કરોડ આંકવામાં આવી છે. ભૂસ્તર તંત્રના અધિકારીએ જણાવ્યું કે, “આ ઘટના બાદ અમે કોઈપણ સંજોગોમાં ગેરકાયદેસર ખનિજ વહન ચલાવી લેવા દઈશું નહીં. આગામી દિવસોમાં પણ સઘન ચેકિંગ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.” ભૂમાફિયાઓની દાદાગીરી સામે હવે સરકારી તંત્રએ સઘન કાર્યવાહી શરુ કરીઉલ્લેખનીય છે કે, મહિલા અધિકારી દેવયાનીબા જાડેજા સહિતની ટીમને ધમકી આપવાની ઘટનામાં કલોલ પોલીસે પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ભૂમાફિયાઓની આ દાદાગીરી સામે હવે સરકારી તંત્રએ સઘન કાર્યવાહી શરુ કરી છે.
અમરેલી જિલ્લામાં રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે અંદાજિત રૂપિયા 10.84 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ વિકાસકાર્યોમાં વાંકિયા, ચક્કરગઢ અને ગીરીયા સહિતના વિસ્તારોમાં વિવિધ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ્સ અંતર્ગત વાંકિયા-ચાંદગઢ વચ્ચેના 19 કિલોમીટર લાંબા માર્ગનું રૂપિયા 8.50 કરોડના ખર્ચે રિ-સર્ફેસીંગ કરવામાં આવશે. ગીરીયામાં અંદાજિત રૂપિયા 1.88 કરોડના ખર્ચે 1200 મીટરનો સુવિધા પથ તૈયાર થશે. જ્યારે, ચક્કરગઢ ખાતે અંદાજિત રૂપિયા 46 લાખના ખર્ચે પશુ દવાખાનું બનાવવામાં આવશે. આ પ્રસંગે ગીરીયા મુકામે સંબોધન કરતા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદાર હાથે અમરેલીને વિકાસકાર્યોની ભેટ આપી છે. તેમણે ઉમેર્યું કે, આ વિસ્તારમાં ફક્ત ગીરીયા જ નહીં, પરંતુ અમરેલી-વડિયા-કુંકાવાવના 30 ગામોમાં 'સુવિધા પથ' મંજૂર થયા છે. આ સરકાર ખાતમુહૂર્ત કરેલા કામોના લોકાર્પણ કરીને વિકાસનો અનોખો ચીલો ચાતરી રહી છે. રાજ્યમંત્રીએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત વિભાગના અધિકારીઓને તમામ કામો સમયમર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. આ કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો, પીઠવાજાળ, ચક્કરગઢ, ગીરીયાના સરપંચો તેમજ માર્ગ અને મકાન વિભાગ, પંચાયત અને પશુપાલન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
AMCની ઇજનેર ખાતાની સહાયક ટેક્નિકલની ભરતી કૌભાંડમાં AMC હેડક્લાર્ક પુલકિત સથવારાનું નામ ખુલતા AMCએ અગાઉ યોજાયેલી ભરતીઓ માટે તપાસ કમિટીની રચના કરી હતી. જેમાં 8 લાયકાત વગરના ઉમેદવારો પસંદ થયા હોવાનું ધ્યાને આવ્યું છે. ત્યારે પુલકિત સથવારા સામે બીજી ફરિયાદ AMCએ કારંજ પોલીસ મથકે નોધાઇ હતી. જેમાં અમદાવાદ સીટી સેશન્સ કોર્ટે તેને આગોતરા જામીન આપવા ઇનકાર કર્યા બાદ હાઇકોર્ટે પણ આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે. પુલકીત સથવારા સામે ઓગસ્ટ મહિનામાં ગુનો નોંધાયો હતોઅમદાવાદના કારંજ પોલીસ મથકે અમદાવાદ મહાનગરપાલિકાની ઇન્ટરવ્યૂ બ્રાન્ચમાં હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા પુલકીત સથવારા સામે ઓગસ્ટ મહિનામાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકાના ઇજનેર ખાતામાં સહાયક ટેકનીકલ 93 જગ્યા ઉપર માર્ચ 2024 માં ભરતી જાહેર કરવામાં આવી હતી. જેનું ગુજરાત યુનિવર્સિટી મારફતે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક ઉમેદવારે OMR, ફાઇનલ આન્સર કી અને ખરેખર માર્કના તફાવતને લઈને ગુણ ચકાસણી માટે અરજી કરી હતી. જેમાં 4 ડિસેમ્બરના રોજ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તમન્ના કુમારી પટેલ, મોનલ લીમ્બાચીયા અને જય પટેલને અનુક્રમે 77, 85 અને 85.25 ગુણ મળ્યા હતા. જ્યારે પરીક્ષા બોડી ગુજરાત યુનિવર્સિટી પાસેથી માર્ક્સ મંગાવતા તેમના માર્ક અનુક્રમે 18.50, 18.25 અને 19.25 હતા. ખરેખરમાં આરોપી હેડ ક્લાર્કને ગુજરાત યુનિવર્સિટી સાથે આ પરીક્ષા સંદર્ભે સંકલનમાં રહેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાની વેબસાઈટ ઉપર મેરીટ લીસ્ટ જાહેર થાય તે પહેલા ઉપરોક્ત ત્રણેય ઉમેદવારોનું નામ મેરીટ લીસ્ટમાં નહીં હોવા છતાં તેમનું નામ ઉમેરી દેવામાં આવ્યું હતું અને ગુણ સાથે ચેડા કરવામાં આવ્યા હતા. આથી AMC દ્વારા 2019-20 થી લઈને 2023- 24 દરમિયાન થયેલ ભરતી પ્રક્રિયાની તપાસ કરવામાં આવી હતી. જેની તપાસમાં 8 ઉમેદવારો ગેરલાયકાત ધરાવતા હોવાનું સામે આવતા તેમને દૂર કરવા ભલામણ કરવામાં આવી છે. આ આઠ કર્મચારીઓના પરીક્ષાના માર્કમાં પણ ચેડા કર્યા હતા 1. મોહમ્મદ આસિફ, હિંમતનગર, સહાયક સર્વેયરની ભરતીમાં અસલમાં 35 માર્ક્સ આવ્યા અને વધીને 65 થયા. 2. અમદાવાદના જય પરમારના સબ ઇન્સ્પેક્ટર એસ્ટેટ/TDOની પરીક્ષામાં અસલમાં 34 માર્ક્સ આવ્યા, જે વધીને 60 થયા. 3. ઉજાસકુમાર ઘૂઘડિયા સિદ્ધપુરના સહાયક સેનેટરી ઇન્સ્પેકટરની ભરતીમાં 50.25 માર્ક્સ આવ્યા, જે વધીને 57.75 થયા. 4. ભાવનગરના પંકજ મેરિયા પાસે સહાયક સેનેટરી ઇન્સ્પેકટરનું સર્ટિફિકેટ ડિસ્ટન્સ લર્નિંગથી મેળવાયું હતું, જે માન્ય ન હોવા છત્તા નોકરી મળી. 5. સાબરકાંઠાના યુવરાજસિંહ ઝાલા પાસે પણ સહાયક સેનેટરી ઇન્સ્પેકેટરનું પ્રમાણપત્ર ડિસ્ટન્સ લર્નિંગથી મેળવાયું હતું, જે અમાન્ય હોવા છત્તા સિલેક્ટ થયા. 6. સાબરકાંઠાના આસિફ ખાનુસિયાને ફાર્મસિસ્ટની ભરતીમાં માત્ર 3.50 ગુણ મળ્યા હતા, જેને વધારીને 34.75 કરાયા હતા. 7. જામનગરની સાક્ષી સોઢાને મહિલા હેલ્થ વર્કરની ભરતીમાં 37.75 ગુણ આવ્યા હતા, જેને વધારીને 63 કરવામાં આવ્યા હતા. 8. સાબરકાંઠાની રેખા પટેલના મહિલા હેલ્થ વર્કરની ભરતીમાં 32.50 ગુણ આવ્યા હતા, જેને વધારીને 59.25 માર્ક્સ કરવામાં આવ્યા હતા. ઉપરોક્ત પરીક્ષાર્થીઓના માર્ક્સ એવી રીતે વધારાયા હતા. જેથી તેમનું નામ કટ ઓફ માર્કસથી ઉપર, સિલેક્શન લિસ્ટમાં આવે. આ પરીક્ષાઓ ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી હતી. જેના પરિણામમાં પુલકિત સથવારાએ છેડછાડ કરી હતી. AMC ના સહાયક ટેક્નિકલ ઈજનેર ભરતી કૌભાંડ બાદ પુલકિત સથવારા ઉપર આ બીજી ફરિયાદ નોધાઇ હતી. તેને આર્થિક લાભ મેળવવા ખોટા કાગળિયા બનાવ્યા અને રેકર્ડમાં છેડછાડ કરી હતી. અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ બાદ ગુજરાત હાઇકોર્ટે પણ પુલકિતને લેટેસ્ટ ફરિયાદમાં આગોતરા જામીન આપવા ઇનકાર કર્યો છે.
મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા બોરીયાવી ગામ પાસે સાગર સૈનિક સ્કૂલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 20 વિઘા જમીનમાં ડેરીના સ્થાપક મોતીભાઈ આર. ચૌધરીના નામથી સાગર સૈનિક સ્કૂલ બનાવવામાં આવી છે અને આ મોતીભાઈ આર.ચૌધરી સાગર સૈનિક સ્કૂલમાં 750 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરશે. આ સાથે મહેસાણા દૂધસાગર ડેરીએ ખેરાલુ ખાતે નવા સાગર ઓર્ગેનિક પ્લાન્ટનું પણ ઇ-ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલ જોડાઈને ઉદ્ઘાટન પ્રસંગે ઉદબોધન કર્યું હતું. આ નવીન સૈનિક સ્કૂલ શરૂ થતાં જ અનેક વિદ્યાર્થીઓ રાષ્ટ્ર સેવા માટે સૈનિક તરીકે જોડાવવા માટે પ્રથમ પગથિયું છે. તેમજ ઓર્ગેનિક પ્લાન્ટ શરૂ થતાં ઓર્ગેનિક ખેત પેદાશોને પ્રોત્સાહન મળશે. કેન્દ્ર સરકાર દ્વારા દરેક જિલ્લામાં એક સૈનિક સ્કૂલ શરૂ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મહેસાણા જિલ્લામાં ગણપત વિદ્યાનગરમાં અગાઉ કન્યા સૈનિક શાળા શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ, બે વર્ષ અગાઉ દૂધસાગર ડેરી કેમ્પસમાં જ સાગર સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવી હતી. બોરીયાવી ખાતે આવેલા સાગર દાણના પ્લાન્ટમાં હોસ્ટેલ તેમજ રમત-ગમતના મેદાન સાથેની સગવડ ધરાવતા આ સૈનિક શાળા માટે નવું અદ્યતન મકાન બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ સાગર સૈનિક સ્કૂલ અને ઓર્ગેનિક પ્લાન્ટના ઉદ્ઘાટનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદિશ વિશ્વકર્મા, સહકાર મંત્રી જીતુ વાઘાણી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ ઉપરાંત ઉત્તર ગુજરાતના દિગ્ગજ નેતાઓ સાથે મોટી સંખ્યામાં પશુપાલકોની અને સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર જિલ્લામાં બે દિવસીય એકતા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રા પોરબંદર અને કુતિયાણા વિધાનસભા મતવિસ્તારમાં અનુક્રમે 15 અને 16 નવેમ્બર, 2025ના રોજ યોજાશે. આ પદયાત્રાનો મુખ્ય હેતુ રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સ્વદેશીનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાનો છે. જિલ્લા કલેક્ટરે નાગરિકો, વેપારીઓ અને સંસ્થાઓને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી છે. પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં શનિવાર, તા.15 નવેમ્બર, 2025ના રોજ સાંજે યોજાશે. કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભા સાંસદ મનસુખભાઈ માંડવીયા આ પદયાત્રામાં જોડાશે. નાગરિકો, આગેવાનો અને હોદ્દેદારોને બપોરે 3:30 કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટી ખાતે એકત્ર થવા જણાવાયું છે. આ એકતા પદયાત્રા સાંજે 4:00 કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટીથી શરૂ થશે અને અંદાજિત ૭ થી ૮ કિલોમીટરનું અંતર કાપશે. તે કલેક્ટર બંગલો, પેરેડાઈઝ સર્કલ, હાર્મની સર્કલ, એમજી રોડ, સુદામા ચોક, ડ્રીમલેન્ડ સિનેમા, માણેક ચોક, કીર્તિ મંદિર થઈ શીતળા ચોક પહોંચશે. ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ભાવના ડેરી, અંબિકા સ્વીટ, હનુમાન ગુફા, બ્રહ્મ સમાજની વાળી થઈને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે સમાપ્ત થશે. પદયાત્રાના રૂટ પર વિવિધ સ્થળોએ સ્વાગત કાર્યક્રમો, પ્લેટફોર્મ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. લોકોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાંદિપની વિદ્યાનિકેતન, નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન, ગ્રીન પોરબંદર, JCI પોરબંદર, સંસ્કાર ભારતી, રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, ખારવા સમાજ, અંજુમન ઇસ્લામ સમાજ, વાલ્મિકી સમાજ, હિતેષભાઈ લાખાણી (ટિફિન સેવા) સહિતની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ વિવિધ સ્થળોએ પદયાત્રાનું સ્વાગત કરશે. બીજી પદયાત્રા કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર માટે રવિવાર, તા.16 નવેમ્બર,2025ના રોજ સાંજે 4:00 કલાકે યોજાશે. આ પદયાત્રા મૂળ માધવપુરથી શરૂ થશે અને તેની આસપાસના ગામો તેમજ કુતિયાણા અને પોરબંદર તાલુકાના ગ્રામજનો તેમાં જોડાશે. આ બંને પદયાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. પોરબંદર કલેક્ટરે જિલ્લાના અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓને 15 અને 16 નવેમ્બરના કાર્યક્રમ માટે જરૂરી તૈયારીઓ કરવા માર્ગદર્શન પણ આપ્યું છે.
જામનગરની જાણીતી પ્રણામી ક્રિકેટ એકેડેમીના ખેલાડીઓ વચ્ચે દિવાળી વેકેશન દરમિયાન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. 30-30 ઓવરની આ ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો વચ્ચે લીગ સિસ્ટમથી મેચ રમવામાં આવ્યા હતા, જેમાં 'પ્રણામી રેડ' અને 'પ્રણામી બ્લુ' ટીમ વચ્ચે ફાઇનલ રમાયો હતો. ફાઇનલ મેચના આરંભમાં ટોસ ઉછાળવા માટે જાણીતી શિપિંગ કંપની વેલજી પી. એન્ડ સન્સના માલિક અશ્વિન સિંધવ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં ખીજડા મંદિરના મહંત કૃષ્ણમણિજી મહારાજ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. તેમની નિશ્રામાં ઈનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે જામનગર રાજવી પરિવારના નિતાકુમારીબા જાડેજા, બીસીસીઆઈની એપેક્સ બોડીમાં વરણી પામેલા ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી નરેન્દ્ર જાડેજા, અન્ય ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી કશ્યપ મહેતા અને પ્રણામી ગ્લોબલ સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર તનેજા સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં કુલ બાર મેચ રમાયા હતા અને દરેક મેચના મેન ઓફ ધ મેચના ઈનામો આપવામાં આવ્યા હતા. ફાઇનલ મેચ ખૂબ જ રસપ્રદ રહ્યો હતો, જેમાં છેલ્લી ઓવરમાં પ્રણામી બ્લુ ટીમે વિજય મેળવી ચેમ્પિયન બની હતી. જ્યારે પ્રણામી રેડ ટીમ રનર્સ અપ રહી હતી. કૃષ્ણમણિજી મહારાજના હસ્તે ચેમ્પિયન્સ ટ્રોફી પ્રણામી બ્લુના કેપ્ટન રણજીત બારૈયાને અને રનર્સ અપ ટ્રોફી પ્રણામી રેડના કેપ્ટન વિરાટ આંબલીયાને એનાયત કરવામાં આવી હતી. ફાઇનલ મેચના મેન ઓફ ધ મેચ ધૈર્ય કટારમલ બન્યા હતા. ટુર્નામેન્ટના બેસ્ટ બેટ્સમેન મનન જોશી અને બેસ્ટ બોલર તરીકે પરીન કણજારીયા જાહેર થયા હતા. આ ટુર્નામેન્ટમાં સદી ફટકારનાર એકમાત્ર ક્રિકેટર વિરાટ આંબલીયા 'પ્લેયર ઓફ ધ સિરીઝ' બન્યા હતા. આ પ્રસંગે કૃષ્ણમણિજી મહારાજે પોતાના વક્તવ્યમાં વિજેતાઓને બિરદાવ્યા અને આશીર્વચન પાઠવ્યાં હતા. તેમણે આ આયોજન બદલ એકેડેમીના કોચ નરેન્દ્ર રાયઠઠા, જયપાલસિંહ જાડેજા તેમજ પંકજ વાણીયાને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર ટુર્નામેન્ટમાં અમ્પાયર તરીકે મીલનભાઈ અકબરી અને જયેશભાઈ જેઠવાએ સેવા આપી હતી. કાર્યક્રમના અંતે કુ. હીરવા રાયઠઠાએ આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીગણ અને એકેડેમીના જુનિયર અને સિનિયર ખેલાડીઓએ હાજર રહીને તમામ ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
વડોદરા શહેરમાં છેલ્લા 18 દિવસમાં ચેઇન સ્નેચિંગ, ઘરફોડ ચોરી અને વાહન ચોરી જેવા ગુનાઓ આચરનાર 4 રીઢા આરોપીઓને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને 1.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ મુદ્દામાલના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતાવડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન પાણીગેટ વિસ્તારમાં આજબડી મીલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 3 બાઇક પર આવતા 4 શખ્સને કોર્ડન કરીને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી લક્ષ્મી માતાની આકૃતિવાળા 15 ચાંદીના સિક્કા, 10 હજાર રૂપિયા રોકડા અને 3 બાઇક મળી આવી હતી. આરોપીઓ આ મુદ્દામાલના આધાર-પુરાવા રજૂ કરી શક્યા નહોતા અને તેઓ અગાઉ પણ મિલ્કત સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું જાણવા મળતાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછમાં આરોપીઓએ દંતેશ્વરમાં વહેલી સવારે મહિલાની સોનાની ચેઇન સ્નેચિંગ કરવાનો, પ્રતાપનગર રેલ્વે કોલોનીમાં બંધ મકાનમાં ઘરફોડ ચોરીનો, સમા ગામમાં ઘરફોડ ચોરી અને ફતેગંજ બ્રિજ નીચેથી બાઈક ચોરીના ગુનાઓ કબૂલ કર્યા હતા. ચોરીના સોનાના દાગીના સંજય સોની નામના વ્યક્તિને વેચાયા હોવાનું પણ સામે આવ્યું છે. આ ગુનાઓ મકરપુરા, સમા અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસચારેય આરોપીઓ રીઢા ગુનેગાર છે અને અગાઉ ચોરી, ઘરફોડ, જુગાર સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. અજય મારવાડી એક વખત પાસા હેઠળ પણ ગયો છે. પકડાયેલ આરોપીઓ સચીનસિંગ શિવાસિંગ ટાંક(ઉં.વ. 25), વારસીયા, વિમા દવાખાના પાછળ, ખારી તળાવડી, વડોદરા. અજય રમેશભાઈ મારવાડી (ઉં.વ. 26), એકતાનગર ઝુપડપટ્ટી, આજવા રોડ, વડોદરા. સન્નીસિંગ ઉર્ફે ટોન દર્શનસિંગ દુધાણી (ઉં.વ. ૨૪), વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. કરણસિંગ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંગ દુધાણી (ઉં.વ. ૨૬), વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. વોન્ટેડ આરોપી: અજય દર્શનસિંગ દુધાણી, વારસીયા, ખારી તળાવડી ઝુપડપટ્ટી, વડોદરા. કબજે કરાયેલ મુદ્દામાલ ચાંદીના સિક્કા: 15 રોકડ: 10 હજાર 3 બાઈક, રૂ. 1,20,000
જૂનાગઢ જિલ્લા જેલમાં ગુજસીટોક હેઠળ કેદ કુખ્યાત બુટલેગર ભગુ ઉકાભાઈ જાદવ દ્વારા ઉનાના ધારાસભ્ય કાળુ ચનાભાઈ રાઠોડને સંબોધીને એક પત્ર લખવામાં આવતા રાજકારણ અને વહીવટી તંત્રમાં ભારે ગરમાવો આવ્યો છે. દારૂના ધંધાના હિસાબ સ્પષ્ટ કરવાના વિષય સાથે લખાયેલા આ પત્રમાં ધારાસભ્ય પર ખુલ્લેઆમ ગેરકાયદેસર ધંધામાં ભાગીદારીના આક્ષેપો કરાયા છે. આ પત્રમાં ભગા જાદવે દાવો કર્યો છે કે, ધારાસભ્યના કહેવાથી અને તેમના વિશ્વાસ પર તેણે આ ધંધો કર્યો હતો, જેમાં ધારાસભ્ય તેના બરાબરના ભાગીદાર હતા. હાલમાં આ લેટર કોણે અને ક્યારે લખ્યો તે સહિતની બાબતે જૂનાગઢ જેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપીને બોલાવી તેનું નિવેદન લેવામાં આવશેઃ જૂનાગઢ જેલરજૂનાગઢ જેલના અધિકારી ડી.એમ. ગોહેલે તાત્કાલિક તપાસના આદેશ આપતા જણાવ્યું કે, આ લેટર મીડિયા મારફત જાણવા મળ્યો હતો. આ લેટર બે-ત્રણ મહિના પહેલાંનો હોઈ શકે છે. પત્ર જેલમાંથી લખાયો છે કે નહીં? તે અંગે તપાસ ચાલુ છે. જે લેટર સંબંધિત છે, એમાં લેટર કેવી રીતના ગયો છે? કોને લખ્યો છે? અને કેવી રીતના બહાર ગયો? જેલમાંથી લખેલો છે કે નથી લખેલો? કે પછી બહારથી લખેલો છે? કે કોના મારફત લખેલો છે? કે જેલને બદનામ કરવા માટે કોઈ બીજી પ્રવૃત્તિ થઈ છે? તે સંપૂર્ણ તપાસ હવે આગળ કરવામાં આવશે. તપાસના ભાગરૂપે આરોપી ભગા જાદવને બોલાવવામાં આવશે અને તેનું નિવેદન લેવામાં આવશે. આરોપી જે કહેશે તેના સ્ટેટમેન્ટ ઉપર આગળ વધવામાં આવશે અને સંપૂર્ણ અહેવાલ વડી કચેરી ખાતે મોકલવામાં આવશે. દારૂના ધંધાના બાકી હિસાબ સ્પષ્ટ કરવા લેટરમાં ઉલ્લેખપત્રમાં ભગુ જાદવે ધારાસભ્યને સંબોધીને સ્પષ્ટ જણાવ્યું છે કે, તેઓ હાલ જૂનાગઢ જેલમાં સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) દ્વારા ગીર ગઢડાના બેડીયા ગામે પાડવામાં આવેલી રેડના ગુનામાં કેદ છે. ભગા જાદવે દાવો કર્યો કે, દારૂના આ ધંધામાં યોગેશ કરણાભાઈ રાઠોડ (સનખડા ગામના રહેવાસી અને હાલ જૂનાગઢ જેલમાં) અને સનખડા ગામના સરપંચ રવિ રાઠોડ પણ ભાગીદાર હતા. પત્રમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, દમણથી મંગાવેલા દારૂના આ ધંધાનો હિસાબ ધારાસભ્ય સાથે સમજવાનો બાકી છે. ભગા જાદવે જણાવ્યું કે, તેઓ લોકોએ સાથે મળીને 13થી વધારે દારૂના કેસ દમણથી મંગાવ્યા હતા. ₹.29 લાખ બાકી હોવાનો પત્રમાં દાવોભગુ જાદવે ધારાસભ્યને વિગતો આપતા જણાવ્યું કે, આ હિસાબમાંથી યોગેશભાઈ કરણાભાઈ રાઠોડને સરપંચની ચૂંટણી દરમિયાન દોઢથી બે લાખનો દારૂ આપેલ અને સરપંચ રવિ રાઠોડ પાસેથી ₹29,00,000 (29 લાખ) લેવાના પણ બાકી છે. પત્રમાં બાંયધરી આપવામાં આવી છે કે જ્યારે તેઓ આ કેસમાંથી જામીન પર છૂટશે, ત્યારે તે પોતે યોગેશભાઈ રાઠોડ અને સરપંચ રવિ રાઠોડ સાથે મળીને ધારાસભ્ય પાસે આવીને ઉપરનો બધો હિસાબ પરત આપી દેશે. પત્ર લખનાર ભગુ જાદવે આ મોડું થવાનું કારણ તેમના માતાનું દુઃખદ અવસાન થતાં થોડો સમય મોડું થયેલું હોવાનું જણાવ્યું છે. દરિયાઈ માર્ગે દારૂ ઉતારવાના ગંભીર આક્ષેપોપત્રમાં માત્ર બેડીયા ગામની રેડ જ નહીં, પરંતુ ભૂતકાળમાં દરિયાઈ માર્ગે ચાલતા દારૂના ધંધાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં ધારાસભ્યની ભાગીદારી હોવાનો દાવો છે. ભગા જાદવે જણાવ્યું કે આ બનાવ પહેલાં દારૂ દરિયાઈ માર્ગથી દમણથી આવતો હતો અને ઉના તાલુકાના રાજપરા બંદર, નવા બંદર અને ફિગરબંદર ઉપર ઉતારવામાં આવતો હતો. આ ધંધામાં ખાણ અંજાર ગામના વિજયભાઈ ડેગણ પરમાર પણ ભાગીદાર હતા. પત્ર મુજબ, આ દારૂના ધંધાનો હિસાબ વિજયભાઈ સાથે સમજી લેવામાં આવ્યો હતો અને હોળીના ₹1,00,000 પણ આપેલ હતા. ગુજસીટોકમાં ફસાવવા અને પત્નીને હેરાન કરવાનો આરોપપત્રના અંતે ભગુભાઈ જાદવે ધારાસભ્ય પર વિશ્વાસઘાતનો સૌથી મોટો આક્ષેપ લગાવ્યો છે. તેમણે લખ્યું છે કે, આપ ધારાસભ્યોને નિવેદન કે તમે અમને લોકોને આવા ગંભીર ગુનામાં ફસાવી (ગુજસીટોક) દીધેલ છે. અમે લોકોએ તમારા ઉપર ખૂબ જ વિશ્વાસ રાખ્યો હતો પણ તમે તો મને અને મારા ભાઈઓને આ ગંભીર ગુનામાં ફસાવી દીધા છે. આ ઉપરાંત, ભગા જાદવે કોડીનારમાં તેની પત્નીનું નામ પણ કેસમાં લખાવી દીધું હોવાનો આક્ષેપ કર્યો છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી તેઓ ઘરે ન આવે ત્યાં સુધી તેમના પરિવારના લોકોને હેરાન ન કરવામાં આવે. તેમણે મિલકત અને ઘરેણાં વેચીને પણ હિસાબ પૂરો કરી દેવાની અને ઉના ગામ મૂકીને ચાલ્યા જવાની તૈયારી દર્શાવી છે, પરંતુ ત્યાં સુધી જેલમાં શાંતિથી રહેવા દેવાની વિનંતી કરી છે.
સરદાર પટેલના સંકલ્પને 79 વર્ષ પૂર્ણ:સોમનાથ મંદિરના પુનઃનિર્માણ દિનની ભક્તિમય ઉજવણી
સોમનાથમાં આજે 13 નવેમ્બર 1947ના ઐતિહાસિક દિવસની યાદ તાજી કરવામાં આવી હતી. આ દિવસે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ પધાર્યા હતા. તેમણે મંદિરના જીર્ણ અવશેષો જોઈ સમુદ્રજળ હાથમાં લઈને સોમનાથ ધામના પુનઃનિર્માણનો સંકલ્પ કર્યો હતો. આ સંકલ્પને આજે 79 વર્ષ પૂર્ણ થતા શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરવામાં આવી. સંકલ્પ દિન નિમિત્તે, ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર, ટ્રસ્ટ પરિવાર, પુરોહિતો અને સેવાર્થીઓએ સોમનાથ તીર્થ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સરદાર પટેલના અવિસ્મરણીય યોગદાનને યાદ કર્યું. આ પછી શ્રી સોમનાથ મહાદેવના દર્શન માટે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. મંદિરમાં મહાદેવની મહાપૂજા પવિત્ર દ્રવ્યો દ્વારા કરવામાં આવી. પુરોહિતોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે અભિષેક, પૂજન અને વિશેષ વિધિઓ સંપન્ન કરી. આ પૂજનવિધિમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો. આજના સંકલ્પ દિન નિમિત્તે સાંજે મહાદેવને વિશેષ સાયંશૃંગાર ધારણ કરાવવામાં આવશે. મંદિર પરિસરમાં દીપમાળાનો ઝળહળાટ પણ કરવામાં આવશે. આ દિવસ સોમનાથ ધામમાં ભક્તિ, ઇતિહાસ અને આસ્થાના વાતાવરણથી ભરેલો રહ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોને સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત સહાય પેકેજ જાહેર કરેલુ છે. આ ઐતિહાસિક રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે. https://krp.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતોને અરજી કરવા માટે VCE/VLE મદદરૂપ થશે. વરસાદથી થયેલા નુકસાનનો સર્વે-પંચ રોજકામ, મંત્રીઓની અસરગ્રસ્ત જિલ્લાના ખેડૂતો સાથે પ્રત્યક્ષ મુલાકાત અને કૃષિ વિભાગ, મહેસુલ વિભાગ, નાણાં વિભાગ સહિત સંબંધિત વિભાગો સાથે સતત ઉચ્ચ સ્તરિય બેઠકો યોજીને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહિવટી પ્રક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન એક અઠવાડિયામાં જ પૂરી કરી દેવાના કિસાન હિતકારી અભિગમને કૃષિ મંત્રીએ વધાવ્યો છે. તેમણે બનાસકાંઠાના વાવ-થરાદ સહિત પાંચ જિલ્લાઓમાં અગાઉ થયેલા કમોસમી વરસાદના અસરગ્રસ્તોને પણ પિયત-બિનપિયત સમાન ધોરણે 22 હજાર પ્રતિ હેક્ટર બે હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરીને રાજ્યના ખેડૂતો પર આવી પડેલી આફતમાં 11 હજાર 137 કરોડનું રાહત સહાય પેકેજ આપવાનો જે સંવેદનશીલ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે તે માટે પણ ખેડૂત સમાજ વતી આભાર વ્યક્ત કર્યો છે. કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારના કૃષિ વિભાગે જાહેર કરેલા રાહત પેકેજ ઠરાવની જાહેરાત કરતાં કહ્યું કે, આ પેકેજનો લાભ મેળવવા માટે 14 નવેમ્બર, શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન પોર્ટલ કાર્યરત કરાશે. આ કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ-KRP પોર્ટલ Link: https://krp.gujarat.gov.in પર ગ્રામ પંચાયતના VCE/VLE મારફત ઓનલાઈન અરજી કરવાની રહેશે તેમ કૃષિમંત્રીએ જણાવ્યું હતું. * તેમણે વધુમાં ઉમેર્યુ કે, ઠરાવ મુજબના સાધનિક કાગળો સાથે નિયમાનુસાર પાત્રતા ધરાવતા ખેડુતો દ્વારા VCE/VLE મારફત અરજી કરવાની રહેશે.* ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ ચૂકવણું કરવાનું રહેશે નહી.* આ પેકેજ અંતર્ગત ખેડૂતોને સહાય PFMS/RTGS મારફત DBT પદ્ધતિથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જમા કરવામાં આવશે.* આ માટે 16500થી વધુ ગામોનું ઓનલાઈન અરજી માટે પોર્ટલ સાથે મેપિંગ કરવામાં આવશે. કૃષિમંત્રીએ એમ પણ જણાવ્યું કે, નિયમાનુસાર પાત્રતા ધરાવતી અરજીઓ જેમ જેમ આવતી જશે તેમ તેમ તેની ચકાસણી બાદ તાત્કાલીક સહાય ચુકવણા માટેની કાર્યવાહી કરવામાં આવશે. જરૂર જણાયે પોર્ટલ પર અરજી કરવાની સમય મર્યાદામાં વધારો કરવા પણ રાજ્ય સરકાર સકારાત્મક અભિગમ ધરાવે છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના મેલાસણા ગામમાં 500થી વધુ જરૂરિયાતમંદ લોકોને કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણમાં પેન્ટ-શર્ટ, સાડી-બ્લાઉઝ, પંજાબી ડ્રેસ અને બાળકોના કપડાંનો સમાવેશ થતો હતો. આ કાર્યક્રમનું સંચાલન રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, શરદ જાદવ, વિજય દલાલ અને માર્કંડભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.સમગ્ર વિતરણ કાર્યક્રમનું સંકલન ભરત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં માલ પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની બેઠક મળી હતી. જેમાં પરીક્ષા ચોરી કરતા વિદ્યાર્થીઓને કડક સજા ફટકારવામાં આવી હતી. 14 વિદ્યાર્થીઓ આ કમિટી સમક્ષ હાજર રહ્યા હતા, જેમાં ચિઠ્ઠી, કૌટિલ્યનું પેજ, ઘરેથી લાવેલા મટીરીયલમાંથી ચોરી કરતા 13 વિદ્યાર્થીઓને રૂ.4000નો તો ચાલુ પરીક્ષાએ મોબાઇલમાંથી ચોરી કરતી વિદ્યાર્થિનીને રૂ.10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. પરીક્ષા દરમિયાન ગેરરીતિ કરતા 13 વિદ્યાર્થીઓને 1+1 પરીક્ષાની સજા એટલે કે તે વિદ્યાર્થી ચાલુ પરીક્ષા ઉપરાંત વધારાની એક પરીક્ષા નહીં આપી શકે જ્યારે અન્ય વિદ્યાર્થિની આગામી બે સેમેસ્ટર સુધી પરીક્ષા નહીં આપી શકે. જોકે ગેરરીતિના આ કિસ્સાઓમાં 14 માંથી 11 દીકરીઓ હોવાનું સામે આવ્યું છે. પરીક્ષામાં ચોરી કરનાર વિદ્યાર્થીઓનું હિયરિંગ કરાયુંયુનિવર્સિટીમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુલાઈ અને ઓગસ્ટ- 2025 દરમિયાન લેવાયેલી પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓને સજા માટેની પ્રેક્ટિસ ઇન્કવાયરી કમિટીની બેઠક તાજેતરમાં મળી હતી. જેમાં એમ. એ. ગુજરાતી સેમેસ્ટર -2ની એક્સટર્નલ પરીક્ષા આપતી 2 વિદ્યાર્થિની, એમ. કોમ. સેમેસ્ટર-2ની 1 વિદ્યાર્થિની, બી. એડ. સેકન્ડ યર સેમેસ્ટર-2નો એક વિદ્યાર્થી અને એક વિદ્યાર્થિની, એમ. એ. સમાજશાસ્ત્ર સેમેસ્ટર-2ની એક વિદ્યાર્થિની પરીક્ષા ચોરી કરતા પકડાઈ જતા તેનું હિયરિંગ કરાયું હતુ. 7 વિદ્યાર્થીઓને આ કમિટી દ્વારા દંડ ફટકારવામાં આવ્યો હતોઆ ઉપરાંત જુલાઈ 2025માં લેવાયેલી બેચલર ઓફ ફિઝિયોથેરાપીના પ્રથમ વર્ષના 2, બીજા વર્ષના 5 વિદ્યાર્થીઓ અને ત્રીજા વર્ષનો 1 વિદ્યાર્થી પરીક્ષા ચોરી કરતા ઝડપાઈ ગયો હતો. જેમાંથી 7 વિદ્યાર્થીઓને આ કમિટી દ્વારા રૂ.4000નો રોકડ દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે એક વિદ્યાર્થિની મોબાઈલ સાથે પરીક્ષા કેન્દ્રમાં ઘૂસી ગઈ હતી અને મોબાઈલમાંથી જોઈ જોઈને પેપર લખતી પકડાઈ ગઈ હતી. જેથી આ એક વિદ્યાર્થિનીને સૌથી વધુ રૂ.10000 નો દંડ ફટકારવામાં આવ્યો છે.
વસ્ત્રાલ સ્થિત શ્રી શંકર વિદ્યાલય ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 9ના વિદ્યાર્થી હર્ષિલ પટેલે ખેલ મહાકુંભ 2025માં જિલ્લા કક્ષાની અંડર-17 સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ હર્ષિલની રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. આ સિદ્ધિના સન્માનમાં શાળામાં એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય સિધ્ધાર્થ પ્રજાપતિએ હર્ષિલને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, શ્રી શંકર વિદ્યાલય શિક્ષણ અને રમત-ગમત, બંને ક્ષેત્રે વિદ્યાર્થીઓને સમર્થન અને પ્રોત્સાહન પૂરું પાડે છે. પ્રિન્સિપાલે હર્ષિલની મહેનતની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે હર્ષિલ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પણ સારું પ્રદર્શન કરશે અને વસ્ત્રાલનું નામ રોશન કરશે. આ સન્માન સમારોહમાં શાળાના તમામ શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષિલ પટેલે પોતાની સફળતા માટે શાળા ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને ગુરુજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવાર હર્ષિલ પટેલને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવે છે અને આશા રાખે છે કે તે રાષ્ટ્રીય સ્તર પર પણ પોતાની ઓળખ બનાવશે.
સરકારી વિનયન કોલેજ, સાંતલપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સરકાર દ્વારા 1 નવેમ્બર, 2025 થી 15 નવેમ્બર,2025 દરમિયાન આદિવાસી મહાનાયક બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે કોલેજમાં વક્તૃત્વ, નિબંધ અને ચિત્રકળા જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓ બિરસા મુંડાજીના જીવન, દેશહિત માટેના કાર્યો, ઇતિહાસ અને આદિવાસી પ્રજા માટેના તેમના પ્રયાસો જેવા વિષયો પર કેન્દ્રિત હતી. નિબંધ સ્પર્ધામાં સેમ.2 ના સુથાર કૌશિકભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે સોલંકી હિતેશ દ્વિતીય અને કોડ દયા તૃતીય સ્થાને રહ્યા હતા. ચિત્ર સ્પર્ધામાં આહીર માયા પ્રથમ અને સુથાર કૌશિક દ્વિતીય ક્રમે આવ્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં કોડ દયા પ્રથમ, સુથાર કૌશિકભાઈ દ્વિતીય અને સોલંકી હિતેશ તૃતીય સ્થાન પર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અને સંચાલન સપ્તધારા પ્રવૃત્તિના કો-ઓર્ડિનેટર પ્રો. સુદાભાઈ આર. કટારા દ્વારા કરવામાં આવ્યું હતું. મુ. વ્યાખ્યાતા બહેનો આરતીબા, કલ્પના અને પ્રિયા વિવિધ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકેની જવાબદારી નિભાવી હતી. આચાર્ય ડૉ. રાજા એન. આયરના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જેમાં કોલેજના તમામ સ્ટાફ મિત્રો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ સહયોગ આપ્યો હતો.
ભુજ નગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યાને નિયંત્રિત કરવા માટે ખસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ માટે રૂ. 10 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેનો ઉપયોગ શ્વાનોના ખસીકરણ માટે કરવામાં આવશે. તાજેતરમાં મળેલી સામાન્ય સભામાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કચ્છ સહિત સમગ્ર દેશમાં રખડતા શ્વાનોની સમસ્યા પ્રજાજનો માટે મુશ્કેલીરૂપ બની રહી છે, જેની નોંધ દેશના સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા પણ લેવામાં આવી છે. ભુજ શહેરમાં પણ વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાંથી શ્વાનોના ત્રાસ અંગેની વ્યાપક ફરિયાદો મળી રહી હતી. ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજાએ આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, સાંસદ અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 10 લાખનો ખર્ચ શ્વાનોના ખસીકરણની કામગીરી પાછળ કરવામાં આવશે. આ માટે ટૂંક સમયમાં ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સમગ્ર કામગીરી દરમિયાન હાઈકોર્ટની અપીલનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે અને કોઈ પણ શ્વાનને પરેશાન ન થાય તેની તકેદારી રાખવામાં આવશે. આ પ્રયાસમાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓએ પણ સહયોગ આપવાની ખાતરી આપી છે. જો શ્વાન ખસીકરણની આ કામગીરી સચોટ રીતે થશે, તો ભવિષ્યમાં ભુજ શહેરને શ્વાન સંબંધિત સમસ્યાઓમાંથી ઘણી રાહત મળવાની પૂરી સંભાવના છે. ખસીકરણ એટલે શું?જે પ્રક્રિયા વડે નર જાનવરોના વૃષણને અને માદા જાનવરોના અંડપિંડને બિનકાર્યક્ષમ (નિરુપયોગી) બનાવી દેવામાં આવે છે, તે પ્રક્રિયાને 'ખસી કરવું' કહે છે. ખસી કરવાથી નર જાનવરો મારકણા – ઉગ્ર ન થતાં નમ્ર બને છે.
રાજપૂત સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સેમિનાર યોજાશે:i-Hub અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ દ્વારા 15 નવેમ્બરે
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન હબ (i-Hub) અને રાજપૂત વ્યાપાર વિકાસ મંડળ ઇન્ટરનેશનલના સંયુક્ત ઉપક્રમે એક સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પ્રોગ્રામ માહિતી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનાર શનિવાર, 15 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 2:45 થી સાંજે 6:00 વાગ્યા સુધી યોજાશે. આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ, રોકાણકારો અને મહિલા ઉદ્યોગસાહસિકોને સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સંબંધિત વિવિધ યોજનાઓ અને સહાય વિશે માહિતગાર કરવાનો છે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, રોકાણકારો અને મહિલા ઉદ્યોગકારો ઉપસ્થિત રહેશે.નિષ્ણાત સ્ટાર્ટઅપ ઇનોવેટર્સ અને રોકાણકારો દ્વારા વિવિધ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન સહાય યોજનાઓની વિગતવાર માહિતી આપવામાં આવશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ માટેની SSIP (સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી) યોજના અને i-Hub સેન્ટરની કામગીરી વિશે જાણકારી પૂરી પાડવામાં આવશે.આ સેમિનારમાં મુંબઈ, રાજસ્થાન, વડોદરા અને સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના વિવિધ પ્રદેશોમાંથી સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો, ઇનોવેટર્સ અને રોકાણકારો હાજર રહેશે. તેઓ તેમના અનુભવો અને જ્ઞાન શેર કરશે.
સિલ્વર ઓક યુનિવર્સિટીના ફાર્મસી સ્કૂલમાં ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના સહયોગથી ઇન્ટાસ સેન્ટર ઓફ એક્સલન્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના અધિકારીઓ, યુનિવર્સિટીના વરિષ્ઠ અધિકારીઓ, પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નવા સેન્ટર ઓફ એક્સલન્સનો મુખ્ય હેતુ શૈક્ષણિક અને ઔદ્યોગિક ક્ષેત્ર વચ્ચેના અંતરને દૂર કરવાનો છે. તે ફાર્મસીના વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન, ઔદ્યોગિક તાલીમ અને સંશોધન ક્ષેત્રે વધુ તકો પૂરી પાડશે. આ સહયોગ હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક તાલીમ, વર્કશોપ, ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ્સ અને ઇન્ટર્નશિપ જેવી વિવિધ તકો મળશે. આનાથી તેમની રોજગાર યોગ્યતા અને વ્યાવસાયિક કુશળતામાં વધારો થશે. યુનિવર્સિટીના અધિકારીઓએ જણાવ્યું કે આ સહકાર ફાર્મસી શિક્ષણ ક્ષેત્રે નવી દિશા આપશે. તે આગામી પેઢીને ઉદ્યોગ માટે સજ્જ બનાવવામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે. સમારંભનો સમાપન આભારવિધિ અને નવી સુવિધાઓની મુલાકાત સાથે થયો હતો.
PSSM અમદાવાદે શાકાહાર રેલી યોજી:ગાંધીઆશ્રમથી ઇન્કમટેક્સ સુધી 'જીવો અને જીવવા દો' સંદેશ
પિરામિડ સ્પિરિચ્યુઅલ સોસાયટીઝ મુવમેન્ટ (PSSM) અમદાવાદ દ્વારા સંસ્થાના પ્રણેતા બ્રહ્મર્ષિ પિતામહ પત્રીજીના જન્મોત્સવ નિમિત્તે શાકાહાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી 11 નવેમ્બર 2025 ના રોજ સવારે સાબરમતી ગાંધીઆશ્રમથી ઇન્કમટેક્સ નવજીવન ટ્રસ્ટ સુધી યોજાઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને સામાન્ય નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેઓએ વિવિધ બેનરો, પ્લેકાર્ડ અને સૂત્રો દ્વારા “જીવો અને જીવવા દો” તથા “શાકાહાર અપનાવો, જીવન બચાવો” જેવા સંદેશા આપ્યા હતા. રેલીનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં ધ્યાન, શાકાહાર અને પિરામિડ જગત અંગે જાગૃતિ અને પ્રેરણા આપવાનો હતો. આ ઉપરાંત, લોકોને શાકાહાર ભોજન અપનાવવા પ્રોત્સાહિત કરીને પ્રકૃતિ અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતતાનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ શાકાહાર રેલીનો મુખ્ય હેતુ લોકોને પ્રકૃતિ અને જીવજાતિઓની સુરક્ષા માટે માંસાહારનો ઉપયોગ ટાળી શુદ્ધ અને સાત્વિક આહાર લઈ સ્વસ્થ જીવન જીવવાની જાગૃતિ પેદા કરવાનો હતો. PSSM અમદાવાદે શાકાહારને માત્ર ખોરાકની પસંદગી નહીં, પરંતુ જીવદયા, સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંતુલનને પ્રાથમિકતા આપતી જીવનશૈલી તરીકે રજૂ કર્યો હતો.
વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે કેન્દ્ર સરકારની ખાસ મુસ્કાન અને લક્ષ પ્રોગ્રામની ટીમ મુલાકાતે આવી હતી. જ્યાં સગર્ભા માતાઓ અને બાળકોની હોસ્પિટલ તરફથી આપવામાં આવતી સેવા સારવારનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ ટીમે પ્રથમ ઓપીડી અને ત્યારબાદ ગાયનેક અને પીડીયાટ્રીક વિભાગમાં નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ બાદ તમામ રિપોર્ટ કેન્દ્ર સરકારને સુપ્રત કરવામાં આવશે. આ અંગે ડોક્ટર દર્શન કુકડિયાએ જણાવ્યું હતું કે, સરકાર તરફથી કોઈ પણ સર્વિસની ગુણવતા ચકાસવા માટે માપદંડની એક પદ્ધતિ હોય છે, જે અંતર્ગત લક્ષ્ય અને મુસ્કાન એમ બે પ્રોગ્રામ હોય છે. જેની અંદર સ્ટેટ લેવલ મૂલ્યાંકથી ક્લીયર કરેલ છે અને આજે નેશનલ સર્ટિફિકેશન માટે સેન્ટ્રલ લેવલથી બે એસએસઆર ગ્રુપ ડોકટર રૂપકુમાર બોયા અને સૌમ્યા મોહંતીએ એસેસમેન્ટ માટે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી છે. વધુમાં કહ્યું કે, એસએસજીમાં માતા અને બાળકોની ગુણવત્તાસભર સેવાનું આંકલન કરવા માટે આવ્યા છે. જેઓ એસેસમેન્ટ કરી બાદમાં તેમના દ્વારા ત્રુટીઓ ખામીઓ હશે તો જણાવશે અને ખૂબીઓ અંગે જણાવશે. જેના આધારે એસએસજીમાં આગામી ફેરફાર કરવાનો પ્રત્યન કરાશે. જેથી એસએસજી હોસ્પિટલમાં આવતી તમામ માતાઓ અને બાળકોની યોગ્ય સાર સંભાળ ઉપરાંત બાળ મરણ, માતા મરણ અને રોગ બધી બાબતોને ધ્યાને લઈ સારી રીતે નિભાવણી કરી શકાય તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. વધુમાં કહ્યું કે, મૂલ્યાંકનમાં સરકાર દ્વારા તૈયાર કરાયેલી એક ચેક લિસ્ટ હોય છે. તેના આધારે આઠ ડિવિઝન હોય છે. જેમાં સર્વિસ પ્રોવિઝનથી માંડીને આઉટકમ સુધીના આઠ ડિવિઝનને આધારે મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં સ્પષ્ટ જણાવ્યું છે કે આટલી વસ્તુ આમાં હોવી જોઈએ, તે માટે મૂલ્યાંકન કરવામાં આવે છે. એક ખાસ પ્રકારનું તૈયાર કરાયેલું આ ચેકલીસ્ટ હોય છે. જેના આધારે જ મૂલ્યાંકન થતું હોય છે. આ અંગે ડોક્ટર રૂપકુમારે જણાવ્યું હતું કે, આજે લક્ષ્ય અને મુસ્કાનનું એસેસમેન્ટ થવાનું છે. ભારત સરકાર તરફથી અમને મોકલવામાં આવ્યા છે અને અહીંય કયા પ્રકારની કામગીરી થાય છે તેની ચકાસણી કરી તેનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે.
કાંસાની વિદ્યાર્થીનીએ તાલુકા ચેસ સ્પર્ધા જીતી:પાટણ જિલ્લા માટે પસંદગી પામી, શાળાનું ગૌરવ વધાર્યું
પાટણ જિલ્લાના ખેલ મહાકુંભ અંતર્ગત સરસ્વતી તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધામાં કાંસાની શ્રી એસ.પી.ઠાકોર સર્વોદય વિદ્યાલયની ધોરણ 9ની વિદ્યાર્થીની ઠાકોર કાજલબેન ઉદાજીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વિજય સાથે તેણે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી મેળવી છે. આ સ્પર્ધા વાયડ ખાતે 12 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી. કાજલબેને વાયડની પ્રતિસ્પર્ધી સામે ત્રણ રાઉન્ડમાં વિજય મેળવી શાળા અને ગામનું ગૌરવ વધાર્યું છે. કાંસા હાઈસ્કૂલના સંચાલક કેશાજી એસ. ઠાકોર, આચાર્ય, સ્ટાફગણ અને વ્યાયામ શિક્ષક પ્રવીણસિંહ એલ. સોલંકીએ કાજલબેનને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવી શુભેચ્છાઓ આપી હતી.
દિલ્હીમાં થયેલા તાજેતરના બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ગંભીરતાથી લઈને સુરત શહેર પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને, ભાડા કરાર વગર મકાન, દુકાન કે અન્ય એકમો ભાડે આપનારા મકાન-માલિકો વિરુદ્ધ પોલીસે ઝુંબેશ ચલાવી છે. સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા એક જાહેરનામાનો ભંગ કરનારા લોકો સામે ઝોન-1 વિસ્તારમાં મોટાપાયે કાર્યવાહી કરવામાં આવી છે. આ જાહેરનામું ખાસ કરીને આતંકવાદી/અસામાજિક તત્વો શહેરી અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો ન મેળવી શકે તે હેતુથી બહાર પાડવામાં આવ્યું છે. પોલીસ કમિશનરના જાહેરનામાના અમલ માટે ઝોન-1 વિસ્તારમાં આવતા પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 'ભાડુઆત ડ્રાઇવ' હાથ ધરવામાં આવી હતી. સુરત ઝોન-1 વિસ્તારમાં 100 લોકો સામે પગલાં લેવામાં આવ્યાઝોન 1 વિસ્તારન કાપોદ્રા, વરાછા, સરથાણા, લસકાણા અને પુણા વિસ્તારમાં જાહેરનામા ભંગ બદલ 100 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ સઘન ડ્રાઇવ દરમિયાન, ઝોન-1 વિસ્તારમાં પોલીસે કુલ 100 લોકો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી મુખ્યત્વે મકાન, દુકાન, ઓફિસ કે ઔદ્યોગિક એકમોના એવા માલિકો વિરુદ્ધ કરવામાં આવી છે જેમણે તેમના ભાડૂતોની વિગતો અને ભાડા કરાર પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યા નથી. પોલીસ દ્વારા જણાવ્યા મુજબ, આ કાર્યવાહીનો મુખ્ય આધાર ગુપ્તચર સંસ્થાઓના વખતોવખતના અહેવાલો અને દિલ્હી બૉમ્બ બ્લાસ્ટ જેવી ઘટનાઓ છે. દેશની સુરક્ષા હેતુસર આ પગલું લેવામાં આવ્યું છે જેથી બહારના રાજ્યોમાંથી કે દેશ બહારથી આવતા શંકાસ્પદ તત્વો રહેણાંક અને ઔદ્યોગિક વિસ્તારોમાં ગુપ્ત આશરો ન મેળવી શકે. આવા તત્વો શહેરમાં જાહેર સલામતી, શાંતિનો ભંગ, માનવજીવનની ખુવારી કે જાહેર/લોકોની સંપત્તિને નુકસાન પહોંચાડવાની કોશિશ ન કરે. ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા તાકીદભાડે આપનાર માલિકો પર નિયંત્રણો મૂકીને ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આપતા તત્વોની ગતિવિધિઓ પર નજર રાખી શકાય. પોલીસ કમિશનરના જાહેરનામું ક્રમાંકઃએસ.બી/જાહેરનામુ/ મકાન, દુકાન, ઓફીસ, ઔધોગિક એકમો ભાડે આપવા214/2025 અન્વયે આ કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસે મકાન-માલિકોને અપીલ કરી છે કે તેઓ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તેમના તમામ ભાડૂઆતોની યોગ્ય વિગતો અને ભાડા કરાર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે જમા કરાવે.
બોરસદ તાલુકામાં વ્યાજખોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પ્રાથમિક શાળાના આચાર્યએ 4.40 લાખ રૂપિયાની મુદ્દલ સામે 4.56 લાખ રૂપિયા વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, વ્યાજખોરે તેમને વધુ પૈસા માટે ધમકીઓ આપતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. આણંદ જિલ્લાના બોરસદમાં ઓમ રેસીડેન્સીમાં રહેતા 46 વર્ષીય વિપુલભાઈ મોહનભાઈ વાળંદ પુરબીયાપુરાની પ્રાથમિક શાળામાં આચાર્ય છે. ત્રણ વર્ષ પહેલાં તેમને 1.50 લાખ રૂપિયાની જરૂર પડતાં, મિત્ર જીગ્નેશભાઈ પંડ્યા મારફતે તેઓ વિશ્વા ફાયનાન્સ ચલાવતા ગોવિંદ પોપટભાઈ બ્રહ્મભટ્ટ (રહે. બાકરોલ, આણંદ)ના સંપર્કમાં આવ્યા હતા. ગોવિંદે સિક્યુરિટી પેટે બે ચેક લઈને માસિક 5 ટકા વ્યાજે વિપુલભાઈને 1.50 લાખ રૂપિયા આપ્યા હતા. વિપુલભાઈએ માત્ર બે મહિનામાં જ વ્યાજ સહિતની સંપૂર્ણ રકમ ગોવિંદને પરત કરી દીધી હતી. ત્યારબાદ, માર્ચ-2023માં વિપુલભાઈએ હોમ લોનના હપ્તા માટે 2 લાખ, જાન્યુઆરી-2024માં પુત્રના લગ્ન માટે 1 લાખ, એપ્રિલ-2024માં ફરી હોમ લોનના હપ્તા માટે 1 લાખ, અને મે-2024માં અન્ય કામ માટે 40 હજાર રૂપિયા મળીને કુલ 4.40 લાખ રૂપિયા માસિક 5 ટકા વ્યાજે ગોવિંદ પાસેથી લીધા હતા. તેઓ દર મહિને નિયમિતપણે વ્યાજ ચૂકવતા હતા. વિપુલભાઈએ લીધેલા 4.40 લાખ રૂપિયાની મુદ્દલ સામે અત્યાર સુધીમાં 4.56 લાખ રૂપિયા જેટલું વ્યાજ ગોવિંદને ચૂકવી દીધું છે. તેમ છતાં, ગોવિંદે વિપુલભાઈના ઘરે જઈને બોલાચાલી કરી હતી અને ધમકી આપી હતી કે, જો તું મને વ્યાજ તથા મુદ્દલના પૈસા નહીં આપે તો તને નોકરીએ જતાં રસ્તામાંથી ઉપાડી લઈશ અને તારી કિડની વેચીને પણ હું પૈસા વસૂલ કરીશ. આ ઉપરાંત, ગોવિંદે અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. વિપુલભાઈ મોહનભાઈ વાળંદની ફરિયાદના આધારે, બોરસદ સિટી પોલીસે વ્યાજખોર ગોવિંદભાઈ પોપટભાઈ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગરમાં SOG એ ગેરકાયદે ગેસ રિફિલિંગ ઝડપ્યું:દરેડ વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ, સાધનો જપ્ત કર્યાં
જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગેરકાયદેસર રાંધણ ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સની અટકાયત કરી છે. પોલીસે ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને ગેસ સિલિન્ડર જપ્ત કર્યા છે. SOG શાખાની ટીમે દરેડ વિસ્તારમાં આવેલા એક મકાનની ઓરડીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી મસિતિયાના આસિફ સિદ્દીકભાઈ ખફી નામના શખ્સને ગેસ રિફિલિંગનું કારસ્તાન ચલાવતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આસિફ ખફી રાંધણ ગેસના મોટા સિલિન્ડરમાંથી ગેરકાયદેસર રીતે પાઈપ અને નોઝલનો ઉપયોગ કરીને નાના સિલિન્ડરમાં ગેસ ભરી રહ્યો હતો. આ પ્રવૃત્તિ ગ્રાહકો અને જાહેર સલામતી માટે જોખમી હતી. પોલીસે તેની અટકાયત કરી રાંધણ ગેસના બે નાના-મોટા સિલિન્ડર, વજન કાંટો, નોઝલ અને પાઇપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આસિફ ખફી વિરુદ્ધ જામનગરના પંચકોષી બી. ડિવિઝન પોલીસ મથકમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 289 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
હિંમતનગરના પેથાપુર ગામે ઘરમાં ગેસ ગળતરથી બ્લાસ્ટ:સરસામાન વેરવિખેર, ઘર માલિક દાઝ્યા; પોલીસ તપાસ શરૂ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પેથાપુર ગામના પટેલવાસમાં ગુરુવારે વહેલી સવારે એક ઘરમાં ગેસ ગળતરના કારણે બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં ઘરનો સરસામાન વેરવિખેર થઈ ગયો હતો અને ઘરના માલિક સામાન્ય રીતે દાઝી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને FSLની ટીમ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. ખેડૂત અનિલભાઈ મણીભાઈ પટેલના ઘરમાં આ બ્લાસ્ટ થયો હતો. સદનસીબે, ઘરના સભ્યો ઘરની બહાર સૂતા હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ ઘરને મોટું નુકસાન થયું હતું. પ્રાથમિક અનુમાન મુજબ, રાત્રિ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ થયું હશે, જેના કારણે ઘરમાં ગેસ ગળતર થયું હતું. વહેલી સવારે સ્પાર્ક મળતાં બ્લાસ્ટ થયો હોવાની શક્યતા છે. FSL ટીમની તપાસ બાદ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણી શકાશે. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, અનિલભાઈ પટેલે વહેલી સવારે લાઈટરથી ગેસ ચાલુ કરતા જ બ્લાસ્ટ થયો હતો. ગેસ ગળતરથી ભરાયેલા ગેસમાં આગ લાગી અને બ્લાસ્ટ થયો, જેમાં અનિલભાઈ સામાન્ય દાઝી ગયા હતા. તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી ઘરે પરત મોકલવામાં આવ્યા હતા. FSL ટીમે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી દીધી છે. FSL સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ઠંડીના કારણે રાત્રિ દરમિયાન ગેસ ગળતર થયા બાદ લાઈટરથી ગેસ સળગાવતા આગ સાથે બ્લાસ્ટ થયો હોવાનું પ્રાથમિક તારણ છે.
દાહોદ કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જનજાતીય ગૌરવ દિવસ અને યુનિટી માર્ચ કાર્યક્રમના સુચારૂં આયોજન માટે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીના, નિવાસી અધિક કલેકટર જે.એમ. રાવલ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કલેકટર યોગેશ નિરગુડેએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે યોજાનારા યુનિટી માર્ચ અને જનજાતીય ગૌરવ દિવસની તૈયારીઓ અંગે વિગતવાર ચર્ચા કરી હતી. દાહોદ જિલ્લામાં પદયાત્રા સહિત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કલેકટરે આ તમામ કાર્યક્રમો સુચારૂં રીતે પૂર્ણ થાય તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કલેકટરે જણાવ્યું હતું કે, જનજાગૃતિ વધારવા માટે સમગ્ર રાજ્યમાં વ્યાપક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેમણે યુનિટી માર્ચ દરમિયાન નાગરિકો, વિદ્યાર્થીઓ, સ્વયંસેવક સંસ્થાઓ અને યુવાનોની વધુમાં વધુ ભાગીદારી સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી. સમગ્ર જિલ્લામાં ઉજવણી રાષ્ટ્રીય એકતા અને અખંડતાનો સંદેશ પ્રસરે તે દિશામાં દરેક વિભાગે સંકલિત પ્રયાસો કરવાના રહેશે. આ બેઠકમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર, દાહોદ ભાજપા પ્રમુખ સ્નેહલ ધરિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, દાહોદ ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર અને ઝાલોદ ધારાસભ્ય મહેશ ભુરીયા સહિત અન્ય પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે ભાજપ છોડ્યા બાદ હવે નવો પક્ષ બનાવવાની જાહેરાત કરી છે, જેને લઈને તેઓ આજે વડોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી. આ સમયે મધુ શ્રીવાસ્તવે મીડિયા સાથેની વાતચીતમાં સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ખુલ્લેઆમ કરપ્શન ચાલે છે. ખુલ્લેઆમ બે નંબરના ધંધા ચાલે છે. સરકાર કે કોઈ કઈ કરતું નથી, એના માટે નવો પક્ષ બનાવવા જઈ રહ્યા છીએ. વાઘોડિયાના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, બધી જાતિના લોકોને સાથે રાખીને અમારો આગવો પક્ષ બનશે. જેમાં ભાજપ અને કોંગ્રેસ નહીં હોય. અમારું ત્રીજું નેત્ર હશે, ત્રીજું નેત્ર લઈને સચ્ચાઈ પર ચાલનાર, સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને, વડોદરા જિલ્લાને, તાલુકાને સારો વિકાસ કરવાના પ્રયાસ કરીશું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આવનારી નવી પેઢી આગળ વધે અને સચ્ચાઈ પર ચાલે. આજકાલ જે કઈ પણ છે, તે અંગે કોઈ પણ કઈ નહીં કહે, પણ હું કહું છું કે ખુલ્લેઆમ કરપ્શન ચાલે છે. ખુલ્લેઆમ બે નંબરના ધંધા ચાલે છે. સરકાર કે કોઈ કઈ કરતું નથી. આ મુદ્દે યુવાઓને આગળ લાવવા માટે લઈને એક સચ્ચાઈની રાહ પર ચાલે એ પ્રયત્ન કરવાનો છે. તેઓએ ઉમેર્યું હતું કે, અમે લગભગ અમે 40થી 50 ઉમેદવાર ઊભા રાખીશું અને જે સારા હશે એમને જ ઊભા રાખીશું. એવું નહીં થાય કે, ચૂંટાઈને બીજી પાર્ટીમાં જતા રહે. એ અમારી સાથે રહે અને સાચા કામ કરે, નિષ્ઠાવાન હશે, એવા લોકોને ટિકિટ આપીને લડાવવાના છે. કોર્પોરેશનની કામગીરી, જિલ્લા પંચાયતની કામગીરી, તાલુકા પંચાયતની કામગીરીના અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એ ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે અમે નવું નેતૃત્વ બનાવી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, મધુ શ્રીવાસ્તવ વાઘોડિયા બેઠક પર વર્ષ 1995માં અપક્ષમાંથી ચૂંટાયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા અને સતત 6 ટર્મથી ચૂંટણી જીતતા આવ્યા હતા. જોકે 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મધુ શ્રીવાસ્તવને ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જોકે તેઓ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા. ત્યારબાદ હવે તેઓ પોતાનો નવો પક્ષ બનાવવા જઈ રહ્યા છે. મધુ શ્રીવાસ્તવ પોતાના નિવેદનને લઈને સતત વિવાદોમાં રહેતા આવ્યા છે. તેઓ અધિકારીઓ સામે 14મુ રતન બતાવવાની પણ ધમકી આપી ચૂક્યા છે. આ ઉપરાંત ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરી ચૂક્યા છે.
અમદાવાદના નવરંગપુરામાં આવેલી સોસાયટીના બંધ મકાનમાં દિવાળીના સમયે 15 લાખના દાગીના અને રોકડાની ચોરી કરનાર 3 ચોર ઝડપાયા છે. ચોર દિવસે ઝાડ કાપવાના બહાને આવતા હતા અને ટાર્ગેટ તૈયાર કરીને રાતે ઘરમાંથી લાખોની ચોરી કરતા હતા. નવરંગપુરા પોલીસે ચોરીના આરોપીની ધરપકડ કરી 11 લાખનો મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. તસ્કરોને ઝડપવા 200થી વધુ CCTV તપાસ્યાનવરંગપુરામાં આવેલી કમલા સોસાયટીમાં આવેલા મકાનમાં દિવાળીના સમય દરમિયાન તસ્કરોએ ધાબાથી ઘરમાં ઘૂસીને 15 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ થેલામાં સમાન ભરીને ચોર નાસી ગયા હતા. સોસાયટીના સીસીટીવી કેમેરામાં ચોરી થઈ તે મકાન દેખાતું ન્હોતું જેથી પોલીસે સોસાયટી બહારના સીસીટીવી તપાસ્યા હતા. નવરંગપુરા પોલીસ અને ઝોન 1 એલસીબી સ્કોડે સાથે મળીને 200થી વધુ સીસીટીવી તપાસતા ચોર રીક્ષામાં બેસીને જતા દેખાયા હતા. 15 લાખના દાગીના અને રોકડ રકમની ચોરી કરીપોલીસે રીક્ષા નંબરના આધારે રિક્ષાના માલિકને બોલાવ્યા હતા. રીક્ષા માલિકે જણાવ્યું હતું કે, તેમણે આ રીક્ષા અન્ય વ્યક્તિને ચલાવવા માટે ભાડે આપી હતી. જેથી રીક્ષા ભાડે લેનાર પરેશ દંતાણી નામના યુવકની પોલીસે ધરપકડ કરી. પરેશે તેની સાથે શૈલેષ રાવત અને સગીર વયના કિશોરે મળીને ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી 9.57 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના, 1.18 લાખ રૂપિયા રોકડા અને ઓટો રીક્ષા સહિત કુલ 11 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ ઝાડ કાપવાના બહાને આવી ચોરીને અંજામ આપતાઆરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપી દિવાળી સમયે જે મકાન બે-ત્રણ દિવસથી વધુ સમયથી બંધ હોય તેવા મકાનને શોધી રહ્યા હતા. ઝાડ કાપવાના બહાને તેઓ કમલા સોસાયટીમાં આવ્યા ત્યારે એક મકાન તેમના ધ્યાનમાં આવ્યું હતું. જેની બરોબરની રેકી કરી અને મોકો મળતા રાતના સમયે આવીને મકાનના ધાબેથી ઘરમાં જઈને ચોરી કરી હતી. પોલીસે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની ઉજવણી 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી દેશભરમાં કરવામાં આવી રહી છે ત્યારે ભાવનગર ખાતે આજે ભગવાન બિરસા મુંડાની 150 મી જન્મજયંતીની જિલ્લા કક્ષાની ઉજવણી યશવંતરાય નાટ્યગૃહ ખાતે મેયર,કમિશનર, ડીડીઓ, ધારાસભ્ય, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. માટી મારી માતા છે અને તેનું રક્ષણ કરવું એ મારી ફરજ છેને સાકાર કરતા ભગવાન બિરસા મુંડાએ અંગેજો સામેની ગુલામી માંથી મુક્તિ અને શોષણ સામેની લડાઈમાં જળ,જમીન અને જંગલના રક્ષણ માટે લોકોને સંગઠિત કર્યા અને માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતાની જાતને દેશ માટે કુરબાન કરનાર ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતિની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે ભાવનગર ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી ભાવનગરના મેયર, કમિશ્નર, ડીડીઓ, ધારાસભ્ય સહિતના લોકો તેમજ મોટી સંખ્યામાં આદિજાતિ સમાજના લોકોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા આદિજાતિ સમાજના લોકોને શિક્ષણ,આરોગ્ય, આજીવિકા અને પોષણ મળી રહે તે દિશામાં તમામ જરૂરી સુવિધાઓ પ્રાપ્ત થાય તેની તકેદારી રાખી છે.જેને પગલે આ સમાજના લોકો હવે સરકારી નોકરીઓમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ પર સ્થાપિત પણ થયા છે.તો વિદ્યાર્થીઓ પણ આગળ વધી રહ્યા છે ત્યારે ભગવાન બિરસા મુંડાના જીવનમૂલ્યોને લોકોએ સાકાર કરી પોતાના જીવનમાં ઉતારવાની અપીલ કરતા મહાનુભવોએ પોતાનું વક્તવ્ય આપ્યું હતું. આ તકે મેયરના હસ્તે લાખો રૂ.ના વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું તેમજ સમાજના વિદ્યાર્થીઓ અને સમાજની રાહબર બનેલા લોકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હવે વડાપ્રધાન અને અન્ય VVIPની સુરક્ષાની જવાબદારી પણ રો ચીફના શિરે, દિલ્હી બ્લાસ્ટ બાદ મોટો નિર્ણય
PM and VVIP Security: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. 12મી નવેમ્બરના રોજ કેન્દ્ર સરકારે આ ઘટનાને લઈને કેબિનેટ બેઠક યુજી હતી. આ બેઠકમાં સુરક્ષા સંબંધિત અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. જો કે, સૌથી નોંધપાત્ર નિર્ણય ભારતની ગુપ્તચર એજન્સી, રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના ચીફ પરાગ જૈનની નિમણૂકનો હતો. IPS અધિકારી પરાગ જૈનને કેબિનેટ સચિવાલયમાં સચિવ (સુરક્ષા)નો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. દિલ્હીની ઘટના બાદ આ નિમણૂકને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
વડોદરા નજીક આવેલ કુંઢેલા ગામ પાસે આવેલ ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો છઠ્ઠો દીક્ષાંત સમારોહ આગામી તારીખ 15 નવેમ્બરના રોજ યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના ચાન્સેલર ડૉ હસમુખ અઢિયા અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. આ દીક્ષાંત સમારોહમાં કુલ 662 વિધાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં યોજાનાર આ કાર્યક્રમમાં સ્નાતક, અનુસ્નાતક, એમ ફિલ અને પીએચડી મેળવનાર વિધાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવશે. જેમાં સ્નાતકના 110, અનુસ્નાતક 428, એમ ફિલ 04 અને પીએચડી ના 120 વિધાર્થીઓ ને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં 18 વિદ્યાર્થી અને 29 વિદ્યાર્થીનીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ સાથે સ્નાતકના બી એ ચાઇનીઝમાં 32, જર્મન સ્ટડીઝમાં 37 અને 5 વર્ષીય ઇન્ટિગ્રેટેડ ડિગ્રી કોર્સ ઇન સોશિયલ મેનેજમેન્ટમાં 41 વિધાર્થીઓને ડિગ્રી આપવામાં આવશે. સાથે સ્નાતકોતરમાં કુલ 20 વિષયોના 428 ને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ અંગે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના વાઇસ ચાન્સેલર રામા શંકર દુબેએ જણાવ્યું હતું કે, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના છઠ્ઠો દીક્ષાંત સમારોહ આગામી તારીખ 15 નવેમ્બરના રોજ સાજે પાંચ વાગે કુંઢેલા ખાતે યોજાવાનો છે. આ કાર્યક્રમની અધ્યક્ષતા આ વિધાલયના ચાન્સેલર ડૉ હસમુખ અઢિયા કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. વધુમાં કહ્યું કે, આ કાર્યક્રમમાં 662 વિધાર્થી અને વિધાર્થિનીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. આ સાથે 47 વિધાર્થી વિધાર્થિનીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. અહીંયા આખા દેશના અલગ અલગ રાજ્યના અહીંયા વિધાર્થીઓ એડમિશન લે છે. આ કેન્દ્રીય વિધાલયમાં તમામ વિધાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવનગરના સરદાસર નગર વિસ્તારમાં આવેલી વિધુત સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાથી વંચિત છે. સોસાયટીમાં છેલ્લા બે માસથી રોડ રસ્તા ખોદી નાખ્યા છે, પાણી અનિયમિત આવી રહ્યું છે અને ડ્રેનેજની સમસ્યા જેવી અનેક સમસ્યાથી રહીશો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે. જેને લઈ સ્થાનિકો આ તમામ પ્રશ્નનું વહેલીમાં વહેલી તકે નીરાકરણ લાવે તેવી માંગણી કરી રહ્યા છે. રહિશો બે મહિનાથી રોડ અને એક વર્ષથી પાણીની સમસ્યાથી ત્રસ્તસરદારનગર સોસાયટીમાં આવેલા વિધુત સોસાયટીમાં છેલ્લા 2 માંસથી ડ્રેનેજની કામગીરીને લઈ રોડ રસ્તાઓ ખોદી નાખ્યા છે જેને લઈ સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. મસમોટા ખાડાઓથી સોસાયટીમાં જવાનો રસ્તો બિસ્માર થયો છે. સાથે સોસાયટીમાં અનિયમિત પાણી આવી રહ્યું છે, સાથે સોસાયટીમાં ડ્રેનેજની સમસ્યા છે જેને લઈ સ્થાનિક રહેવાસીઓ આ તમામ પ્રશ્નોથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ બાબતે સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરવામાં આવી છે. આ સોસાયટીની તમામ સમસ્યાઓ દૂર કરવામાં આવે પણ હજુ સુધી કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. ત્યારે સોસાયટીધારકો માંગણી કરી રહ્યા છે કે, રોડ રસ્તાઓ સરખા કરી આપો, નિયમિત પાણી આપો અને તમામ સમસ્યાઓ દૂર કરો. 'રોડ એવા થઈ ગયા છે કે પગ પણ મુકી શકાતો નથી'સોસાયટીમાં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે સ્થાનિક મહિલા નામીબેન પંજવાણીએ જણાવ્યું કે, સરદાર નગર વિસ્તારમાં આવેલા વિદ્યુત સોસાયટીમાં અમે રહીએ છીએ. અમારા સોસાયટીમાં રોડની બહુ તકલીફ છે, વૃદ્ધ માણસો બહાર નીકળી શકતા નથી. મંદિરે જવું હોય, દવાખાને જવું હોય તો કેવી રીતે જવું રોડ ખરાબ હોવાથી પડવાની બીક લાગે છે. છેલ્લા બે મહિનાથી સમસ્યા છે, પાણી પણ છેલ્લા એક વર્ષથી અનિયમિત આવી રહ્યું છે. પાણી અને ગટરના પ્રશ્નનો નિકાલ લાવો બસ એ જ અમારી માગઆ અંગે સોસાયટીમાં રહેતા વૃદ્ધ પૂરીબેન પટેલે જણાવ્યું હતું કે, અમારી સોસાયટીમાંથી કોઈ વૃદ્ધ ઘરની બહાર નીકળી શકતા નથી, દવાખાનું આવ્યું હોય તો શું કરીએ. કાલે પડતા પડતા રહી ગયા. અત્યારે પાણીની તકલીફ, ગટરની તકલીફ છે તો રોડ તો સારો કરી આપો. વિદ્યુત સોસાયટીમાં છેલ્લા 40 વર્ષથી રહીએ છીએ હજી સુધી કોઈ દિવસ ફરિયાદ ન હતી. આજે પહેલી વાર તમને ફરિયાદ કરીએ છીએ, રજૂઆત કરીએ છીએ. અમારે ઘરની બહાર નથી નીકળાતું, મંદિરે નથી જવાતું, દિવાળી પછી અમે મંદિરે નથી ગયા. અમારી બસ એક જ માંગણી છે કે, અમારો રોડ સારો કરી દો. બીજું અમારે કંઈ જોતું નથી અને પાણીનો પ્રશ્ન અને ગટરનો પ્રશ્ન નિકાલ લાવો બસ એ જ અમારી માંગણી છે. કોર્પોરેટરોને અમે ફરિયાદો કરી પણ અમારું કોઈ સાંભળતું નથીઆ અંગે સ્થાનિક મહિલા સુનીતાબેને જણાવ્યું હતું કે, સરદાર નગર વિદ્યુત સોસાયટીમાં છેલ્લા કેટલાક સમય એટલે કે બે મહિનાથી રોડ ખોદેલો છે. પાણીની સમસ્યા સહિત બધું છેલ્લા બે મહિનાથી આમને આમ ચાલી રહ્યું છે પણ કોઈ ધ્યાનમાં આપતું નથી. છોકરાઓને સ્કૂલે જવું હોય, દવાખાને જવું હોય, હોસ્પિટલનું કામ હોય તો કેવી રીતે બધા જઈ શકીએ. કેટલી વખત તંત્ર અને કોર્પોરેટરોને અમે ફરિયાદો કરી પણ અમારું કોઈ સાંભળતું નથી. રોડ સારા થઈ જાય પાણી સાફ થઈ જાય એવી અમારી માંગણી છે.
ભચાઉ તાલુકાના નવાગામ પાસે આવેલા એક ખાનગી એકમ સામે સ્થાનિક શ્રમિકો અને કારીગરોએ પગાર વધારો તથા યોગ્ય મજૂરી ચૂકવવાની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. આ એકમમાં છૂટક અને માસિક વેતન પર કામ કરતા આશરે 400 જેટલા કામદારો હડતાળ પર ઉતર્યા છે. કામદારોએ જણાવ્યું કે, જ્યાં સુધી કંપની તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, ત્યાં સુધી તેઓ આંદોલન ચાલુ રાખશે. તેમનો મુખ્ય મુદ્દો છેલ્લા સાત વર્ષથી પગાર વધારો ન મળવાનો અને કુશળ કારીગરોને પણ એકસરખી મજૂરી મળવાનો છે. શ્રમિકોના સમર્થનમાં આવેલા ભીમ આર્મીના સુરેશ કાંઠેચાએ જણાવ્યું કે, સેનેટરી વસ્તુઓ બનાવતી આ કંપનીમાં કામ કરતા શ્રમિકોને યોગ્ય વેતન મળતું નથી. તેમણે ઉમેર્યું કે, સામાન્ય ભૂલમાં પણ જૂના અને નિપુણ મજૂરોને નોકરી પરથી છૂટા કરી દેવામાં આવે છે, જેના કારણે 400 જેટલા કામદારોએ કામકાજથી અળગા રહી ધરણા શરૂ કર્યા છે. બીજી તરફ, ખાનગી કંપનીના સહદેવસિંહ જાડેજાએ શ્રમિકોના તમામ દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી કે, અહીં કામદારોને માસિક 30 થી 50 હજાર રૂપિયા સુધીનો પગાર સીધો જ ચૂકવવામાં આવે છે. સહદેવસિંહ જાડેજાએ દાવો કર્યો કે, અન્ય ઉદ્યોગોની જેમ અહીં કોઈ ઠેકેદાર પદ્ધતિ અમલમાં નથી અને સમગ્ર ભચાઉ તાલુકામાં કોઈ પણ એકમ આટલો ઊંચો પગાર ચૂકવતું નથી. તેમણે સ્વીકાર્યું કે, સ્ટાફ સાથે ગેરશિસ્ત કરનારા શ્રમિકોને રજા આપવામાં આવે છે. જોકે, તેમણે જણાવ્યું કે વ્યસન કરતા કે ગંદકી ફેલાવતા કામદારોને તાકીદ કરી માફ કરી દેવામાં આવે છે. સહદેવસિંહ જાડેજાએ આ આંદોલનને માત્ર ખોટી રીતે નેતૃત્વ મેળવવા અને અંગત સ્વાર્થ માટે મજૂરોને ઉશ્કેરવામાં આવી રહ્યું હોવાનું ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે, પગાર વધારો જાન્યુઆરી માસમાં કરવામાં આવશે અને આ અંગેની જાણકારી અગાઉથી આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટ્રાફિક સમસ્યાને લઈને શહેરમાં આવેલા અલગ અલગ જગ્યા પરના ટીપી રોડને ખોલવાની તેમજ રોડ પહોળા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સરસપુર વોર્ડમાં આવેલા બાપુનગર ઈન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધીના 18 મીટરના રોડને 30 મીટરના રોડ પહોળો કરવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ઈન્દુલાલ યાજ્ઞિક હોલથી મંછાની મસ્જિદ સુધી અંદાજિત 85 જેટલા કોમર્શિયલ બાંધકામો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. 18 મીટરનો રોડ 30 મીટર પહોળો થશેસરસપુર વોર્ડમાં આવેલા ઈન્દુલાલ યાજ્ઞિક ઓલથી મંછાની મસ્જિદ સુધીના 370 મીટર લાંબો રોડ હયાત 18 મીટરનો છે જેને 30 મીટર સુધી પહોળો કરવાની જરૂરિયાત હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો. 85 જેટલા કોમર્શિયલ બાંધકામોને દૂર કરાયાપોલીસ બંદોબસ્ત મેળવીને આજે 85 જેટલા કોમર્શિયલ બાંધકામોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. રોડ ઉપર બે મંદિર અને મંછાની મસ્જિદ આવેલી છે જેને હાલમાં દૂર કરવામાં આવી નથી એક અઠવાડિયા જેટલો સમય જાતે દૂર કરવા માટે આપવામાં આવ્યો છે. ત્યારબાદ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા દૂર કરવામાં આવશે. આ રોડ ઉપર સતત ટ્રાફિકની સમસ્યા રહેતી હતી જેથી આ સમસ્યાને દૂર કરવા માટે રોડને બંને તરફથી તોડવામાં આવ્યો છે.
ગુજરાતમાં મતદાન યાદી સઘન સુધારણાની કામગીરી માટે શિક્ષકોને BLOની કામગીરી સોંપવામાં આવી છે. બીજું શૈક્ષણિક સત્ર 144 દિવસ ચાલવાનું છે. જેની સામે શિક્ષકોને 90 દિવસ સુધી મતદાન યાદી સઘન સુધારણાની કામગીરીમાં લગાડી દેવામાં આવ્યા છે. એમાં પણ જો શિક્ષકો BLOની કામગીરીમાં હાજર ના થાય તો ધરપકડના વોરંટ પણ ઇશ્યૂ કરવામાં આવ્યા હોવાનો શૈક્ષિક મહાસંઘ દાવો કરે છે. જેથી શિક્ષકો વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું છોડી SIRની કામગીરીમાં લાગી ગયા છે. શાળાઓમાં ભાર વગરનું ભણતર કરવાના પ્રયાસમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કોણ કરાવશે તો મોટો સવાલ ઊભો થયો છે. શિક્ષકદીઠ 1000 થી 1500 મતદારો સોંપવામાં આવ્યાએક શિક્ષકને SIRની કામગીરી કરવા માટે એક હજારથી લઈને 1500 સુધીના મતદારો આપવામાં આવ્યા છે. એમાં પણ શિક્ષકોને આ કામગીરી માટે ડોર ટુ ડોર જવું પડી રહ્યું છે. BLOની કામગીરી કરતા શિક્ષકોને એક ઘરે ત્રણથી ચાર વખત જવાનું થાય છે. એક વખત ફોર્મ આપીને સમજાવવા માટે બીજી વખત ફોર્મ લેવા માટે અને જો ઘર બંધ હોય ત્રીજી વખત અને BLO જ્યારે જ્યાં ત્યારે નાગરિકે ફોર્મ ભર્યું ના હોય તો ચોથી વખત પણ એક ઘરે જવું પડે છે. એમાં પણ ફોર્મમાં એટલી બધી વિગતો આપવામાં આવી છે કે શિક્ષકોએ દરેક ઘરમાં જઈને હાજર વ્યક્તિને ફોર્મ કંઈ રીતે ભરવું તેની સમજ આપવી પડે છે. જે બાદ જ્યારે ફોર્મ લેવા માટે જાય ત્યારે જ્યાં જ્યાં મત આપતા હતા તેની વિગતો નાગરિકે ના લખી હોય તો તે પણ BLOની કામગીરી કરતા શિક્ષકોએ જાતે શોધવાની અને ફોર્મમાં ભરાવી પડે છે. તેમાં પણ એક હજારથી 1500 મતદારો એક શિક્ષકને ફાળવ્યા છે તે ફોર્મ ભરીને સમયસર પરત આપશે કે નહીં તેની પણ ચિંતા શિક્ષકોને કરવાની હોય છે. તમામ ફોર્મ ઘરે ઘરે ફરીને યોગ્ય રીતે ભરાવીને પરત લીધા બાદ એ તમામ ફોર્મ સ્કેન કરીને અપલોડ કરવાની કામગીરી પણ શિક્ષકોને જ કરવાની હોય છે. હવે સમજી શકાય છે કે એક શિક્ષક માટે આટલી બધી કામગીરીનો બોઝ થોપી દેવામાં આવતા શાળાઓમાં શૈક્ષણિક કામગીરી ખોરંભે ચડી ગઈ છે. શિક્ષકોના અભાવે શિક્ષણકાર્ય પર અસરદિવ્ય ભાસ્કરે અમદાવાદની શાળાઓમાં રિયાલિટી ચેક કર્યું હતું. શિક્ષકો વગર શાળાઓમાં શું સ્થિતિ ઊભી થઈ છે જોવાનો પ્રયાસ કર્યો છે. જેમાં સામે એવું આવ્યું છે કે શાળાના મોટા ભાગના શિક્ષકો BLO કામગીરી કરવા પર ગ્રાઉન્ડ પર જતા રહ્યા છે. જેથી શાળામાં વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર તેની અસર થઈ રહી છે. કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓના બે વર્ગ ભેગા કરીને અભ્યાસ કરાવવો પડી રહ્યો છે. તો એક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા અન્ય વિદ્યાર્થીને અભ્યાસ કરાવવામાં આવતો હોય તેવું સામે આવ્યું હતું. બીજા સત્રના શૈક્ષણિક કાર્યમાં 144 દિવસમાંથી 90 દિવસ શિક્ષકો SIRની કામગીરી કરશે. તો હવે શાળામાં વિદ્યાર્થીઓની અભ્યાસની ચિંતા કોણ કરશે અને વિદ્યાર્થીઓ કંઇ રીતે બીજા સત્રનો કોર્સ પૂરો કરશે તો મોટો સવાલ છે. શિક્ષકોને 90 દિવસ સુધી BLOની કામગીરી કરવાની છે. જો કે કામગીરીનો કોઈ શિક્ષક વિરોધ નથી કરી રહ્યા પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા શિક્ષકો ચોક્કસથી કરી રહ્યા છે. તેમાં પણ BLOને મીડિયા સાથે વાતચીત કરવાથી દૂર રહેવા માટેનો ઓર્ડર કરવામાં આવ્યો છે. એટલે વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરતા શિક્ષકો ઓન કેમેરા તો કંઇ બોલવા તૈયાર થયા નહીં. પરંતુ BLOની કામગીરી કરતા કેટલાક શિક્ષકોએ ઓફ કેમેરા દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આટલી લાંબી પ્રક્રિયા સોંપવામાં આવી છે જેથી આખો દિવસ કામગીરી કરવી પડે છે. એમાં પણ એક ઘરે 4-4 વખત જવું પડે છે. ટાર્ગેટ પૂરો કરવા માટે શિક્ષણ કાર્ય છોડી આ કામગીરી કરવી પડે છે. શિક્ષકો સામે ધરપકડના વોરંટ ઈસ્યૂ કરાતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ નારાજઅખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રચાર અધ્યક્ષ રાકેશ ઠાકરે જણાવ્યું છે કે, SIR ની કામગીરીમાં BLO ને ડોર ટુ ડોર સર્વે કરવાનો છે. ફોટા, ડોક્યુમેન્ટ આ તમામ બાબતની ચકાસણી પણ કરવાની હોય છે. કામગીરીનો કોઈ શિક્ષક વિરોધ નથી કર્યા નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. છતાં પણ કેટલીક જગ્યાએ ધરપકડના વોરંટી ઇશ્યૂ ર્ક્યા અને કેટલીક જગ્યાએ પોલીસ લેવા પણ ગઈ હતી. સ્વમાન ભંગ થાય એ અંગે સરકારે વિચારવું જોઈએ. BLO માં મોટાભાગે નિમણૂક શિક્ષકોની જ કરવામાં આવી છે. 12 જુદી જુદી કેડરમાં સમાન ભાગે વહેંચણી કરવી જોઈએ. પરંતુ સૌથી વધુ શિક્ષકોની જ નિમણૂક કરવામાં આવી. શાળા સમય દરમિયાન જવાના આદેશ હોવાના કારણે બાળકો શિક્ષકોથી વંચિત થયા, અને 90 દિવસ સુધી શિક્ષણથી વંચિત રહેવાના છે. વધુમાં રાકેશ ઠાકરે જણાવ્યું છે કે, બીજા સત્રનો કોર્સ કંઈ રીતે પૂર્ણ કરવો તે પણ મોટો પ્રશ્ન ઉભો થવાનો છે. શિક્ષણના ભોગે આ બધી કામગીરી કંઇ રીતે હોઈ શકે? એમાં પણ ઓનલાઇન કામગીરી પણ શિક્ષકોએ જ કરવાની છે. ઓનલાઈન કામગીરી કરવા માટે ઇન્ટરનેટ કે કોઈ ફોન પણ આપવામાં આવ્યા નથી. શિક્ષકો પોતાના મોબાઇલનો ઉપયોગ કરે નિષ્ઠાપૂર્વક કામગીરી કરે છતાં નોટિસ આપવામાં આવે. શિક્ષકોનો સ્વમાન ભંગ ના થાય તે માટેની જરૂરી સૂચના સરકારે આપે તેવી અમારી વિનંતી છે. આગામી 15 મીએ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તમામ વિધાનસભા વિસ્તારના ચૂંટણી અધિકારીઓને આવેદનપત્ર આપશે અને અંગ્રેજો સમયના કાયદા ભંગ કરવાની માંગ કરવામાં આવશે. તમામ કેડરમાં સમાન કામની વહેંચણી કરવામાં આવે તેવી પણ અમારી માંગ છે.
ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત કમોસમી વરસાદને કારણે થયેલા પાક નુકસાન અંગે ખેડૂતોને સહાય ચૂકવવા માટે કરવામાં આવી હતી. તેમણે પંચમહાલ જિલ્લાના ખેડૂતો વતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકારે કમોસમી વરસાદ અને કુદરતી આફતોથી થયેલા નુકસાન બાદ ખેડૂતોના હિતમાં 10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ અને 15 હજાર કરોડની ટેકાના ભાવે ખેત ઉત્પાદનોની ખરીદી શરૂ કરી છે. ધારાસભ્ય રાઉલજીએ આ પગલાંને આવકાર્યા હતા અને ખેડૂતો માટે વિશિષ્ટ સહાય પેકેજ અંગેની તેમની રજૂઆત સ્વીકારવા વિનંતી કરી હતી. ભારતીય કિસાન સંઘ, પંચમહાલ દ્વારા ધારાસભ્ય રાઉલજીને રજૂઆત કરવામાં આવી હતી કે સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં જિલ્લાના માત્ર ડાંગર અને સોયાબીનના પાકોનો જ સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું છે. જોકે, જિલ્લાના મુખ્ય પાકોમાં ડાંગર ઉપરાંત દિવેલા, મકાઈ, સોયાબીન, તમાકુ અને શાકભાજીનો સમાવેશ થાય છે. આ પાકોમાં પણ ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન થયું છે, પરંતુ તેનું સર્વેક્ષણ કરવામાં આવ્યું નથી. ખેડૂતોની આ રજૂઆતને ધ્યાનમાં લઈને, ધારાસભ્ય રાઉલજીએ કૃષિમંત્રી સાથે વિગતવાર ચર્ચા કરી હતી. કૃષિમંત્રીએ જિલ્લા ખેતીવાડી અધિકારી અને સંબંધિત વિભાગને પંચમહાલના તમામ ખેતીના પાકોના નુકસાનનું પંચનામું કરવા અને સહાય આપવા સૂચના આપી હતી. તેમણે ખાતરી આપી હતી કે પંચમહાલ જિલ્લાનો કોઈ પણ ખેડૂત સહાયથી વંચિત રહેશે નહીં. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય સી.કે. રાઉલજી સાથે કિસાન મોરચાના પ્રમુખ ખુમાનસિંહ ચૌહાણ, એ.પી.એમ.સી. ચેરમેન પ્રવીણસિંહ રાઉલજી, પંચમહાલ જિલ્લા ખરીદ વેચાણ સંઘ લિ.ના ચેરમેન ચંદ્રસિંહ રાઉલજી, બજાર સમિતિના પૂર્વ ચેરમેન, ગોધરા બજાર સમિતિના ખેડૂત પ્રતિનિધિઓ, સહકારી અને ખેડૂત આગેવાનોનું પ્રતિનિધિમંડળ પણ હાજર રહ્યું હતું.
આવતીકાલે, એટલે કે 14 નવેમ્બર, વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે મનાવવામાં આવશે. રાજ્યમાં ડાયાબિટીસના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં આ રોગ ચિંતાજનક પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડાયાબિટીસની હાલની પરિસ્થિતિ વિશે અપોલો હોસ્પિટલ્સ, અમદાવાદના એન્ડોક્રિનોલોજીસ્ટ ડૉ. રમેશ ગોયલ કહે છે કે સૌથી મોટી ચિંતા એ છે કે, આશરે 70 ટકા દર્દીઓમાં બ્લડ શુગર યોગ્ય રીતે નિયંત્રિત થતું નથી. 16% પુરુષો અને 14.8% મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચુંતેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં 15 વર્ષથી વધુ ઉંમરના 16 ટકા પુરુષો અને 14.8 ટકા મહિલાઓમાં બ્લડ શુગરનું સ્તર ઊંચું નોંધાયું છે. ખાસ કરીને ડાયાબિટીસ ધરાવતા દર 10માંથી 7 લોકોમાં બ્લડ શુગર અનકન્ટ્રોલ્ડ રહે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5) મુજબ, રાજ્યના શહેરી વિસ્તારોમાં ડાયાબિટીસનું પ્રમાણ ગ્રામિણ વિસ્તારો કરતાં ઘણું વધારે છે. બે દાયકામાં યુવાનોમાં ડાયાબિટીસના કેસોમાં વધારોડોક્ટરે વધુમાં જણાવ્યું કે, અનકન્ટ્રોલ્ડ ડાયાબિટીસ હૃદયરોગ, સ્ટ્રોક, કિડનીની બિમારી અને નર્વસ સિસ્ટમને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. જો ડાયાબિટીસ પાંચ વર્ષ સુધી પણ કાબૂમાં ન રહે, તો તેની અસર જીવલેણ બની શકે છે. છેલ્લાં બે દાયકામાં યુવાનોમાં ડાયાબિટીસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. સારવારની સરેરાશ ઉંમર હવે 40 વર્ષથી ઘટીને 30 વર્ષ થઈ ગઈ છે. બેઠાડું જીવન, વ્યવસાયિક તણાવ, અપૂરતી ઊંઘ, ફાસ્ટ ફૂડ અને ઓછી શારીરિક પ્રવૃત્તિતેને શારિરીક જીવનમાંની સમસ્યાને ટાંકતાં જણાવ્યું કે, બેઠાડું જીવન, વ્યવસાયિક તણાવ, અપૂરતી ઊંઘ, ફાસ્ટ ફૂડ અને ઓછી શારીરિક પ્રવૃત્તિ જેવા કારણો જવાબદાર માનવામાં આવે છે. યુવાનોમાં ડાયાબિટીસ માત્ર શારીરિક નહીં, પરંતુ માનસિક અને વ્યવસાયિક જીવન પર પણ અસર કરે છે. ડાયાબિટીસ સામેની લડાઈ નિયમિત કસરત, સંતુલિત આહાર, પૂરતી ઊંઘ અને સમયસર હેલ્થ ચેક-અપ દ્વારા આ રોગને નિયંત્રિત કરી શકાય છે.
હિંમતનગરમાં કારમાંથી 27 લાખ રોકડની ચોરી:કેનાલ ફ્રન્ટ પરથી અજાણ્યા તસ્કરો ફરાર, પોલીસ તપાસ શરૂ
હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ વિસ્તારમાં એક કારમાંથી 27 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સો કારનો કાચ તોડી રોકડ લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, હિંમતનગરના બાયપાસ રોડ પર રહેતા રોડ કોન્ટ્રાક્ટર MHK બુધવારે મોડી સાંજે મહાવીરનગર કેનાલ ફ્રન્ટ ખાતે આવેલા શંભુ કોફી બારમાં કોફી પીવા ગયા હતા. તેમની ફોર્ચ્યુનર કારમાં 27 લાખ રૂપિયા રોકડા હતા, જે કાર પાર્ક કરેલી હતી. કોફી પીને પરત ફરતા MHKને જાણ થઈ કે તેમની કારના ડ્રાઈવર સાઈડના પાછળના દરવાજાનો કાચ તોડી અજાણ્યા તસ્કરો ૨૭ લાખ રૂપિયાની રોકડ ચોરી કરીને ભાગી ગયા હતા. આ ઘટના અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા, એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે અજાણ્યા તસ્કરોને શોધવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ અને કંટ્રોલ રૂમના સીસીટીવીની તપાસ શરૂ કરી છે. ઘટના બાદ કારને એલસીબી કાર્યાલય ખાતે લઈ જવામાં આવી હતી. જોકે, આ ચોરી અંગે હજુ સુધી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. તેમ છતાં, પોલીસની વિવિધ ટીમો તસ્કરોને ઝડપી પાડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.
પાટણ શહેરના નવા બની રહેલા બસ સ્ટેશનના ગેટ નજીકથી એક ગાંઠ મળી આવી છે. જેને પગલે તંત્ર દોડતું થયું હતું. આ ઘટનાને પગલે શહેરમાં ચર્ચા જાગી છે. પાટણ 'મેડિકલ નગરી' તરીકે જાણીતું છે, પરંતુ બાયોમેડિકલ વેસ્ટના અયોગ્ય નિકાલના કિસ્સાઓ સામે આવતા રહે છે. બસ સ્ટેન્ડ આસપાસના વિસ્તારમાં અનેક હોસ્પિટલો આવેલી હોવાથી, પ્રાથમિક તબક્કે આ શંકાસ્પદ પદાર્થ અંગોની ગાંઠ હોવાનું અનુમાન કરાયું હતું. ઘટનાની જાણ થતાં જ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. અલ્કેશ સોહલ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ટીમે શંકાસ્પદ ગાંઠનું પંચનામું કરી તેને વધુ તપાસ માટે પાટણ સિવિલ હોસ્પિટલ મોકલી આપી હતી. સિવિલ હોસ્પિટલમાં થયેલી તપાસ બાદ, ડૉ. અલ્કેશ સોહલે આ શંકાસ્પદ ગાંઠ માનવસર્જિત હોવાની પુષ્ટિ કરી છે. ડૉ. સોહલે જણાવ્યું કે, આ ગાંઠ કયા અંગની છે તે જાણવા માટે તેને ઊંડાણપૂર્વકની તપાસ અર્થે ધારપુર ખાતે મોકલી આપવામાં આવી છે. બુદ્ધિજીવીઓ દ્વારા એવી માગ કરવામાં આવી છે કે, ઓપરેશન બાદ આ માનવસર્જિત ગાંઠને શહેરમાં છોડી દેનાર બેજવાબદારની CCTV ફૂટેજના આધારે તાત્કાલિક તપાસ થવી જોઈએ. તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવાની પણ માગ ઉઠી છે. આ પ્રકારની બેદરકારી જાહેર આરોગ્ય અને બાયોમેડિકલ વેસ્ટના નિકાલના નિયમોનું ગંભીર ઉલ્લંઘન ગણાય છે.
બાંગ્લાદેશમાં ફરી હિંસા ભડકી: ઠેર ઠેર બોમ્બ બ્લાસ્ટ, શેખ હસીના અંગે આજે આવશે ચુકાદો
Bangladesh: બાંગ્લાદેશમાં તણાવનો માહોલ છે, પૂર્વ વડાંપ્રધાન શેખ હસીના અંગે ત્યાંની અદાલત નિર્ણય સંભળાવવાની તૈયારીમાં છે. જેના કારણે છેલ્લા બે દિવસથી દેશમાં આગચંપી અને ક્રૂડ બોમ્બ હુમલાઓને કારણે તણાવનો માહોલ છે. આ હિંસા 2024ના વિદ્યાર્થી વિરોધ પ્રદર્શનોની યાદ અપાવે છે, જેમાં 500થી વધુ લોકો માર્યા ગયા હતા. ગુરુવારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા એક કિલ્લામાં ફેરવાઈ ગઈ છે, કારણ કે શેખ હસીનાની પાર્ટી અવામી લીગે 'ઢાકા લોકડાઉન' નું આહ્વાન કર્યું છે. શેખ હસીના વિરુદ્ધ હત્યા-ષડયંત્રના આરોપો પર કોર્ટ આપશે નિર્ણય
બોડેલી તાલુકાના જબુગામ પાસે ગત રાત્રે એક દારૂ ખેપિયાએ બાઈક સવાર દંપતીને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં દંપતીને ઈજા પહોંચી હતી અને બાઈક પર ભરેલો દેશી દારૂ રોડ પર ઢોળાઈ ગયો હતો. માહિતી અનુસાર, જબુગામ પાસેથી એક દંપતી બાઈક પર પસાર થઈ રહ્યું હતું. તે સમયે સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા દેશી દારૂ ભરેલા બાઈકના ચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માતને કારણે દંપતીને ઈજા થતાં તેમને તાત્કાલિક બોડેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાસ્થળે દેશી દારૂની પોટલીઓ રસ્તા પર ઢોળાઈ જતાં દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બોડેલી પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે ઢોળાયેલા દારૂની પોટલીઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દારૂ મળી આવવાની અને અકસ્માતમાં દારૂ ઢોળાઈ જવાની ઘટનાઓ સામે આવી રહી છે.
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક આવેલા સાયખા GIDC વિસ્તારમાં આવેલી વિશાલ્યાકરની ફાર્મા કેમ કંપનીમાં ગઈ રાત્રે લગભગ 2.30 વાગ્યે એક ભયાનક બોઇલર બ્લાસ્ટ થતાં ઉદ્યોગ વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો. આ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં બે શ્રમિકોના મોત થયા છે, જ્યારે 24 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. એક શ્રમિક હજી લાપતા હોવાનું જાણવા મળ્યું છે. લાપતા શ્રમિકની શોધખોળ ચાલુપ્રાપ્ત વિગતો મુજબ મૃતક શ્રમિકોની ઓળખ મનીષકુમાર અરવિંદકુમાર મંડલ (ઉ.વ. 22, મૂળ બિહાર) અને ધર્મેન્દ્ર નંદકિશોર મહોર (ઉ.વ. 32, રહે. અમદાવાદ) તરીકે થઈ છે. જ્યારે સુરજ રાજકુમાર નિશાદ (મૂળ ઉત્તર પ્રદેશ) નામનો ત્રીજો શ્રમિક હજી શોધખોળ હેઠળ છે. બ્લાસ્ટની તીવ્રતાના કારણે કંપનીનું માળખું ધરાશાયી થઈ જતાં બચાવદળોને કાટમાળ હટાવવામાં મુશ્કેલીઓ પડી રહી છે, છતાં ત્રીજા લાપતા શ્રમિકની શોધખોળ ફરી શરૂ કરવામાં આવી છે. અન્ય 4-5 કંપનીઓને નુકસાન થયુંઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાત્રિના સમયે લગભગ ત્રણ ટન ટોલ્વીન કેમિકલની કામગીરી દરમિયાન આ વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે તેની અસર આસપાસની 4થી 5 અન્ય યુનિટ્સ સુધી પહોંચી હતી અને અનેક કંપનીઓના માળખાને નુકસાન થયું હતું. કાટમાળ હટાવ્યા બાદ બ્લાસ્ટનું કારણ સામે આવશેઘટનાની જાણ થતા જ 4થી 5 ફાયર ટેન્ડરો તેમજ વહીવટી તંત્રની ટીમોએ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો અને રાહત-બચાવ કામગીરી હાથ ધરી. આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા સ્થળ તપાસ હાથ ધરવામાં આવી છે અને કંપનીમાં સલામતીના નિયમોનું પાલન થયું હતું કે કેમ તેની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કાટમાળ હટાવ્યા બાદ જ બ્લાસ્ટનું ચોક્કસ કારણ જાણવા મળશે. કંપની કોઈ મંજૂરી વગર ધમધમી હતી: સરપંચઆ દુર્ઘટના બાદ સાયખા ગામના સરપંચ જયવીરસિંહે વહીવટી તંત્ર અને GPCB સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમના જણાવ્યા મુજબ, કંપની કોઈ મંજૂરી વગર ધમધમી રહી હતી છતાં સંબંધિત તંત્રો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. તેમણે GIDCમાં નિયમોનું ઉલ્લંઘન કરીને કરાયેલા રહેણાંક બાંધકામ સામે પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો તંત્ર તાત્કાલિક પગલાં નહીં લે તો સ્થાનિક લોકો ઉગ્ર આંદોલન કરશે. બે મહિના અગાઉ પણ આગ લાગી હતીઉલ્લેખનીય છે કે, માત્ર બે મહિના અગાઉ પણ સાયખા GIDCની એક અન્ય કંપનીમાં આગ લાગી હતી અને તે વખતે પણ માર્ગવ્યવસ્થાની ખામીને કારણે ફાયર ટેન્ડરોને પહોંચવામાં વિલંબ થયો હતો. સતત બની રહેલી આવી દુર્ઘટનાઓ GIDC વિસ્તારમાં ઔદ્યોગિક સલામતી અને માળખાકીય બેદરકારી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
સુરત સબ ઝોનલ ઓફિસના અમલીકરણ નિયામક (ED) એ ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી કૌભાંડના કેસના સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની જોગવાઈઓ હેઠળ રૂ. 81 લાખની સ્થાવર મિલકતો જપ્ત કરી છે. સુરત પોલીસના ડી.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા કમલેશ જરીવાલા અને અન્ય લોકો સામે IPC, 1860ની વિવિધ કલમો હેઠળ ગેરકાયદેસર નાણાકીય સંવર્ધન માટે છેતરપિંડી, બનાવટી અને ગુનાહિત કાવતરું ઘડવા બદલ નોંધાયેલી FIR ના આધારે ED એ તપાસ શરૂ કરી छे. નકલી કંપનીના નામે ખોલાયેલા બેંક એકાઉન્ટનો ઉપયોગ કરાતોપીએમએલએ તપાસ દરમિયાન, એવું જાણવા મળ્યું છે કે અમિત મજીઠિયા અન્ય લોકો સાથે મળીને સટ્ટાબાજી વેબસાઇટ્સ મેસર્સ CBTF247.COM અને T20EXCHANGE.COM વગેરે ચલાવી રહ્યા છે. આ વેબસાઇટ્સ ખાસ કરીને યુવાનો અને સામાન્ય રીતે જાહેર જનતાને પોકર, તીનપટ્ટી, કેસિનો વગેરે જેવી વિવિધ લાઇવ રમતોમાં જુગાર રમવા માટે ઓનલાઇન પ્લેટફોર્મ તેમજ ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ, હોકી વગેરે રમતો માટે ગેરકાયદેસર સટ્ટાબાજીની સુવિધા પૂરી પાડીને લલચાવતી હતી. વધુમાં, અમિત મજીઠિયાએ અન્ય લોકો સાથે મળીને નકલી કંપનીઓના નામે ખોલવામાં આવેલા વિવિધ બેંક ખાતાઓનો ઉપયોગ કરીને આ ગેરકાયદેસર સટ્ટાબાજી પ્રવૃત્તિઓ ચલાવીને મેળવેલી પ્રોસીડ્સ ઓફ ક્રાઇમ (POC) ને સ્તરબદ્ધ કરી હતી. જુલાઈ મહિનામાં નોઈડામાં બેંક ખાતામાં 30 લાખ અને 25 લાખ રોકડ જપ્ત કરાઈ હતીએવું પણ જાણવા મળ્યું છે કે તેણે તેની પત્નીને નોઇડામાં એક મેસર્સ BCC મ્યુઝિક ફેક્ટરીમાં 85% ભાગીદાર બનાવી હતી જે POCને ધોળા કરવાનું કામ કરતી હતી. તેથી, 10/07/2025ના રોજ નોઇડામાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેના પરિણામે ગુનાહિત દસ્તાવેજો, ડિજિટલ ઉપકરણો અને બહુવિધ બેંક ખાતાઓમાં રૂ. 30 લાખ અને રૂ. 25 લાખની બિનહિસાબી રોકડ જપ્ત કરવામાં આવી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે અમિત મજીઠિયાએ તેમની પત્ની શ્રીમતી રોહિણી મજીઠિયાના નામે સ્થાવર મિલકત ખરીદી હતી, જેના માટે અમિત મજીઠિયાએ તેમની ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન્સ M/s CBTF247.COM અને T20EXCHANGE.COM વગેરે દ્વારા જનરેટ કરેલા POCનો ઉપયોગ કર્યો હતો. વધુ તપાસ ચાલુ છે.
વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાના નિર્દેશ મુજબ, ભીલાડ પોલીસે દસ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. આ કાર્યવાહી વાપી DySP બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ ભીલાડ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ. પવારના નેતૃત્વમાં કરવામાં આવી હતી. પોલીસ ટીમે બાતમીના આધારે વલવાડા બ્રિજ નજીકથી આરોપી વિજય સુરેશ નિકમ (ઉંમર 43, રહે. સમર્થ નગર, નાશિક, મહારાષ્ટ્ર) ને ઝડપી પાડ્યો હતો. આરોપી લાંબા સમયથી ગુનાઓમાંથી ફરાર હતો. વિજય સુરેશ નિકમ વિરુદ્ધ ભીલાડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015ના પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો (કલમ 66(1)બી, 65એઇ, 116(ખ), 81) નોંધાયેલ હતો. આ ઉપરાંત, વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2017નો ઇપીકો હેઠળનો ગુનો (કલમ 465, 468, 471, 120બી) પણ નોંધાયેલો હતો. આરોપીની બંને ગુનાઓના સંબંધમાં ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભીલાડ પોલીસની આ કામગીરીથી જિલ્લામાં ફરાર આરોપીઓ સામેની કાર્યવાહીને વેગ મળશે.
સુરતની સુરભી ડેરીમાંથી બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયા બાદ આરોગ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. ભૂતકાળમાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ થયા બાદ બે દિવસ પહેલા નકલી પનીર ઝડપાયું હતું. તેમ છતાં ડેરીમાં વેચાણ ચાલુ રહ્યું હતું. આરોગ્ય વિભાગે આજે ત્રીજા દિવસે સુરભી ડેરીનું આઉટલેટ સીલ કર્યું હતું. ભૂતકાળમાં 'સબ સ્ટાન્ડર્ડ' સેમ્પલ છતાં પગલાં લેવામાં વિલંબદિવ્યભાસ્કરની ટીમ દ્વારા આરોગ્ય અધિકારી એફ. આઈ. બ્રહ્મભટ્ટ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે સ્વીકાર્યું હતું કે, અગાઉ પણ સુરભી ડેરીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા અને એક સેમ્પલ 'સબ સ્ટાન્ડર્ડ' હોવાનું જણાયું હતું.જ્યારે અધિકારીને અગાઉના કેસમાં થયેલી કાર્યવાહી વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે માત્ર એટલો જ જવાબ આપ્યો હતો કે, કોર્ટમાં ફરિયાદ કરવાની કાર્યવાહી ચાલુ છે. અધિકારીના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સેમ્પલ ફેલ થયાના લાંબા સમય પછી પણ કોઈ અંતિમ નિર્ણય કે સખત પગલું લેવાયું નહોતું. બે દિવસ પહેલા નકલી પનીરનો જથ્થો ઝડપાયો હતોઆરોગ્ય વિભાગની ઢીલી નીતિઓને કારણે જ સુરભી ડેરી દ્વારા સતત ગેરરીતિ આચરવામાં આવી રહી હતી. વિભાગની ઢીલી કામગીરીના કારણે રોજેરોજ લગભગ 200 કિલોથી પણ વધુ નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. આ ગંભીર ઘટના ત્યારે સામે આવી છે જ્યારે અગાઉ પણ ડેરીના સેમ્પલ ફેલ નીવડ્યા હતા.નકલી પનીરના આ વેચાણથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થઈ શકે છે. પનીર જેવી દૂધની બનાવટોમાં ભેળસેળ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે અને તેનાથી પેટ સંબંધિત બીમારીઓ કે અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આઉટલેટ્સ સીઝ કરવામાં પણ વિલંબનકલી પનીરનો જથ્થો જપ્ત થયા બાદ આરોગ્ય વિભાગના અધિકારીએ પોતે જ જણાવ્યું હતું કે સુરભી ડેરીના ચાર આઉટલેટ છે. આટલી મોટી સંખ્યામાં નકલી પનીર જપ્ત થયા પછી સામાન્ય કાર્યવાહી મુજબ આ આઉટલેટ્સને તુરંત જ સીઝ કરવા જોઈતા હતા જેથી વેચાણની પ્રવૃત્તિઓ બંધ થઈ શકે. જોકે, શરૂઆતમાં આ આઉટલેટ્સ અંદરખાને ચાલુ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા હતા, જે આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કરે છે. વિવાદ વધતા અને લોકોનો રોષ જોતા આખરે ત્રણ દિવસ બાદ વિભાગ દ્વારા આ આઉટલેટ્સને સીઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમાચાર પણ વાંચોઃ સુરતમાં ધીમા ઝેરના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સુરતની જાણીતી 'સુરભી ડેરી'ના બે યુનિટ પર દરોડા પાડી એસઓજીએ કુલ 955 કિલોગ્રામ શંકાસ્પદ નકલી પનીરનો જંગી જથ્થો જપ્ત કર્યો છે, જ્યારે આ ડેરી રોજેરોજ 200 કિલો નકલી પનીર બજારમાં મોકલતી હતી. સૌથી ગંભીર બાબત એ છે કે ડેરીના સંચાલકે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ કબૂલી લીધું હતું કે આ પનીર નકલી છે. આ ડેરી રોજેરોજ આશરે 200 કિલો નકલી પનીર સુરતના બજારમાં ઠાલવી રહી હતી, જે અસલી પનીરના ભાવ કરતાં અડધી કિંમતે 250થી 270 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતું હતું, જેમાં નકલી પનીર બનાવવા ગ્લેશિયલ એસેટિક એસિડનો ઉપયોગ કરતા. આ એસિડનો ઉપયોગ દૂધને ફાડીને ઝડપથી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે, જે સ્વાસ્થ્ય માટે ગંભીર નુકસાનકારક છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
રાજકોટ શહેરના મંગળા રોડ પર 29 ઓક્ટોબરના રોજ પેંડા અને મૂર્ઘા ગેંગ વચ્ચે થયેલ સામસામે અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે 13 દિવસ બાદ ગઈકાલે સમીર ઉર્ફે મૂર્ઘા સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી જે બાદ આજે(13 નવેમ્બર) સમીર ઉર્ફે મૂર્ઘો અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને ઘટનાસ્થળ પર લઇ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું. આ દરમિયાન બંને આરોપીએ હાથ જોડી માફી માંગી હતી. ઉલ્લેખનીય છે કે મૂર્ઘા ગેંગના મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના સાગરીત સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને મૂર્ઘાની ચાલ ચલાવવામાં આવી હતી. મૂર્ઘા અને ભાણાને પોલીસે મૂર્ઘાની ચાલ ચલાવી માફી મંગાવીગત 29 ઓક્ટોબરના રોજ મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે ફાયરિંગની ઘટના બની હતી. જેમાં ફાયરિંગ કરનાર મુખ્ય આરોપ સમીર ઉર્ફે મૂર્ઘો અને તેના બે સાગરીતો મળી વધુ ત્રણ આરોપીઓને ગઈકાલે ઝડપી પાડવામાં આવ્યા હતા. જે બાદ આજે રાજકોટ શહેર SOG પોલીસની ટીમે ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાને મંગળા રોડ પર ઘટનાસ્થળ પર લઇ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીઓ કઈ બાજુથી આવી કેવી રીતે ફાયરિંગ કર્યું અને ફાયરિંગ કર્યા બાદ કઈ બાજુ નાસી છૂટ્યા હતા તેની નોંધ કરી હતી. હાલ આરોપીઓનું પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવી બાદમાં રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીઓ અત્યાર સુધી ક્યાં ક્યાં નાસ્તા ફરતા હતા, તેમને કોણે આશરો આપ્યો હતો અને ફાયરિંગમાં વપરાયેલ હથિયાર કોની પાસેથી લાવ્યા હતા સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે. ફાયરિંગ કેસમાં કુલ 20 આરોપીની ધરપકડફાયરિંગ કેસમાં અત્યાર સુધી પેંડા ગેંગના 13 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા અને મૂર્ઘા ગેંગના 7 આરોપી મળી કુલ 20 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે ઝડપાયેલા આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો તેના સાગરીતો સાથે નાસી છૂટ્યો હતો જેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમોએ રાજસ્થાન, યુપી, અને એમપી સહિત અલગ અલગ જગ્યાએ દરોડા પાડી શોધખોળ હાથ ધરી હતી. આરોપીઓ રાજકોટ તરફ આવતા હોવાની બાતમીના આધારે રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ નજીક આરોપી મળી આવતા સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો પઠાણ, શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો પઠાણ, અને સોહીલ ઉર્ફે ભાણો ચાનીયા દ્વારા ફાયરિંગ કરાયું હોવાનું સામે આવ્યું છે, જયારે શાહનવાઝ ઉર્ફે નવાઝ વેતરણ બનાવ સમયે સ્થળ પર હાજર હતો અને ગુનામાં તેની મદદગારી પણ હોવાનું સામે આવ્યું છે. બન્ને ગેંગ વચ્ચે 10 મહિનાથી ચાલી રહી છે ગેંગવોરમકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં જંગલેશ્વરનો સોહેલ પોતાની ગર્લફ્રેન્ડ સાથે નીકળ્યો હતો ત્યારે પેંડા ગેંગના સાગરીતો પરેશ ઉર્ફે પરીયો, યાસીન ઉર્ફે ભુરો, મેટીયો ઝાલા સહિતનાઓએ સોહેલની ગર્લફ્રેન્ડનો હાથ પકડી બિભત્સ માંગણી કરી તું અમારી સાથે આવ કહી સોહેલ પર હુમલો કર્યો હતો. જે હુમલામાં સોહેલને ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો અને પેંડા ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યા બાદ જેલમાં ધકેલાયા હતાં. જેલમાંથી પરેશ બહાર આવતા બદલો લેવા મૂર્ઘા ગેંગે તેના પર ફાયરિંગ કર્યુ હતું અને આ પછી પરેશ ઉર્ફે પરીયો ગઢવી દ્વારા 15 ઓગસ્ટના રોજ શાહનાવઝ ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આમ છેલ્લા 10 મહિનાથી બંને ગેંગ વચ્ચે ત્રણ-ત્રણ વખત સામસામે ફાયરિંગની ઘટના બની છે જેથી પોલીસે પેંડા ગેંગના 17 આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતાફાયરિંગ કરનાર મુખ્ય આરોપી સમીર ઉર્ફે મૂર્ઘો ઉર્ફે ટકો અગાઉ રાજકોટ શહેર પોલીસમાં અલગ 12 જેટલા ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે, જયારે શાહનવાઝ ઉર્ફે નવાઝ વિરુદ્ધ અગાઉ રાજકોટ શહેરમાં બે તથા આરોપી સોહીલ ઉર્ફે ભાણા વિરુદ્ધ અલગ-અલગ ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે આવતા દિવસોમાં મૂર્ઘા ગેંગ સામે પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે તેવી પૂરી શક્યતા સેવાઈ રહી છે.
માર્ગ અને મકાન વિભાગના પાલનપુર પેટા વિભાગ દ્વારા એમ.ડી.આર. કક્ષાના પાલનપુર–માલણ–હાથીદ્રા–વિરમપુર માર્ગના નવીનીકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી આ માર્ગ પર ભારે વાહનવ્યવહાર અને વરસાદને કારણે ખાડા પડી ગયા હતા. જેના પરિણામે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. આ માર્ગ અંબાજી હાઈવે સાથે જોડતો એક મહત્વપૂર્ણ રસ્તો છે, જેનાથી પાલનપુર તાલુકાના આશરે 12થી વધુ ગામો સીધા જોડાય છે. માર્ગના નવીનીકરણથી સ્થાનિક નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો તથા વેપારીઓને મુસાફરીમાં સરળતા થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે.
નવસારી LCBનું મહારાષ્ટ્રમાં ઓપરેશન:4 વર્ષથી પોલીસની આંખોમાં ધૂળ નાંખતા ચોરીના આરોપીને પુણેથી ઉઠાવ્યો
નવસારી LCB એ ચાર વર્ષથી ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી વસંતભાઈ સદુભાઈ વર્માને ઝડપી પાડ્યો છે. આરોપીને મહારાષ્ટ્રના પુણેથી નવસારી લાવવામાં આવ્યો હતો. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં વસંત વર્મા છેલ્લા ચાર વર્ષથી ફરાર હતો. LCB નવસારી દ્વારા નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી હતી. LCB ના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ, LCB સ્ટાફના અ.હે.કો. લાલુસિંહ ભરતસિંહ, અ.હે.કો. વિપુલભાઈ નાનુભાઈ અને અ.પો.કો. મનોજકુમાર સમાધાનભાઈને ખાનગી બાતમી મળી હતી. બાતમી મુજબ, વોન્ટેડ આરોપી વસંતભાઈ વર્મા હાલમાં પુણે ખાતેની પી.એફ.સી. લોજીસ્ટીકની ટ્રક ચલાવે છે અને તે વડોદરાથી પુણે તરફ જવાનો હતો. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. આરોપી વસંત સદુભાઈ વર્માને નવસારી ગ્રીડ નજીક આવેલા ભાણા પેટ્રોલપંપ પાસે, સુરત-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીનું નામ વસંત સદુભાઈ વર્મા છે. તેનું હાલનું સરનામું પ્રતિક્ષા ફ્રાઈટ કેરીયર, નાશિક-પુણે હાઈવે, બગડે વસ્તી, કુરુલી ચાકણ, તા. ખેડ, જિ. પુણે (મહારાષ્ટ્ર) અને અમરોલી પોલીસ સ્ટેશન પાછળ, પાણીની ટાંકી પાસે, સુરત છે. તે મૂળ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના શ્રીપુર કંધઈપુરનો રહેવાસી છે. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીને તેને વધુ તપાસ માટે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ગોધરા શહેરમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરીને કારણે 13 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી ટ્રાફિક ડાયવર્ઝન અને માર્ગ બંધ રહેશે. પંચમહાલના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.જે. પટેલ દ્વારા આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ નિર્ણય અમદાવાદ-ગોધરા-દાહોદ-ઈન્દોર હાઈવે પર ગોધરા શહેરની હદમાં ચાલી રહેલા બ્રિજ નિર્માણ કાર્યને ધ્યાનમાં રાખીને લેવાયો છે. કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ), ગોધરાના પત્ર અનુસાર, અમુલ પાર્લરથી ચર્ચ ટ્રાફિક પોલીસ પોઈન્ટ સુધીના માર્ગ પર ગર્ડર લોન્ચિંગનું કામ 24 કલાક ચાલશે. ક્રેનની અવરજવર અને સલામતીના હેતુસર આ સમયગાળા દરમિયાન તમામ પ્રકારના વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બસ સ્ટૅન્ડ તરફથી આવતા વાહનો શાંતિનિવાસ સોસાયટીના દરવાજા થઈ પ્રભાકુંજ સોસાયટી – શિશુપાલ બાલમંદિર માર્ગ મારફતે અમુલ પાર્લર તરફ જઈ શકશે. દાહોદ તરફથી આવતા વાહનો ઉમેશ દર્શન કોમ્પ્લેક્સ પાસે ડાબી તરફ વળી બામરોલી રોડ મારફતે ગોધરા શહેરમાં પ્રવેશી શકશે. જિલ્લા પ્રશાસને સ્પષ્ટતા કરી છે કે, અગાઉ 30 ઓક્ટોબરના જાહેરનામા મુજબ ભારે વાહનોના પ્રવેશ પર લગાવવામાં આવેલી પ્રતિબંધ સૂચનાઓ યથાવત રહેશે. પોલીસ વિભાગને આ જાહેરનામાની વ્યાપક જાણકારી જનતા સુધી પહોંચાડવા સૂચના આપવામાં આવી છે. અધિકારીઓએ નાગરિકોને જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને માર્ગ બંધના અમલમાં સહકાર આપવા વિનંતી કરી છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ 131 હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.
પ્રભાસ પાટણના પાટચકલા વિસ્તારમાં આવેલા અતિ પ્રાચીન કાળભૈરવ મંદિરે કાળભૈરવ જયંતિ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી. સવારથી જ દર્શનાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો, જ્યારે સાંજે શરૂ થયેલા હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞથી સમગ્ર વિસ્તાર વેદમંત્રોના પવિત્ર નાદથી ગુંજી ઉઠ્યો હતો. યજ્ઞવિધિમાં ભૂદેવોએ વેદોચ્ચાર સાથે ધાર્મિક વિધિ સંપન્ન કરી હતી. યજ્ઞકુંડની આસપાસ સજાવવામાં આવેલા વૈદિક મંડપમાં ભક્તોએ બેસી પવિત્ર યજ્ઞ દર્શનનો લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે છેલ્લા લગભગ 50 વર્ષથી પ્રભાસ પાટણના સોમપુરા બ્રહ્મ સમાજના શિરીષ રમણીકભાઈ પ્રચ્છક યજમાનપદે રહી આ પરંપરા જાળવી રહ્યા છે. તેમની આ અવિરત સેવાને કારણે સમાજમાં તેમને વિશેષ આદર મળ્યો છે. આ અવસરે સોમપુરા બ્રાહ્મણ સમાજના પંડિત ચેતન દવેએ જણાવ્યું હતું કે, “ભૈરવ અષ્ટમી પવિત્ર દિવસ છે. આજે કરવામાં આવેલા યજ્ઞમાં ભગવાન સોમનાથ અને ભગવાન કાળભૈરવ સર્વ જીવાત્માઓ પર કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. અહીં તમામ ભૂદેવો કોઈપણ પ્રકારનો ચાર્જ લીધા વગર ધાર્મિક ભાવથી અખંડ સેવા આપે છે.” મોડી રાત સુધી ચાલેલા દર્શન, યજ્ઞ, ભજન અને આરતી સાથે કાળભૈરવ જયંતિની ઉજવણી ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ હતી.
ગીર સોમનાથ રેડક્રોસને NABH સર્ટિફિકેટ મળ્યું:આરોગ્ય સેવાઓમાં ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય માન્યતા
ગીર સોમનાથની ઈન્ડિયન રેડક્રોસ જિલ્લા શાખાને રાષ્ટ્રીય માન્યતા ધરાવતું NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર) સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. આ સિદ્ધિ આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં સંસ્થાના ઉચ્ચ માપદંડોને પ્રમાણિત કરે છે. જિલ્લા કલેક્ટર અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના જિલ્લા અધ્યક્ષ એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ સર્ટિફિકેટ આરોગ્યક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તા સાથે સેવા આપતી સંસ્થાઓને મળે છે. ગીર સોમનાથ જિલ્લા અને તેના નાગરિકો માટે આ એક આનંદનો અવસર છે, કારણ કે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત રેડક્રોસ સોસાયટીએ ટૂંકા ગાળામાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કલેક્ટર ઉપાધ્યાયે વધુમાં જણાવ્યું કે, આસપાસના વિસ્તારમાં ફક્ત રાજકોટ અને ભાવનગરની સંસ્થાઓ જ આ પ્રકારનું પ્રમાણપત્ર ધરાવે છે, જે ગીર સોમનાથ માટે ગર્વની બાબત છે. NABH એ આરોગ્ય સેવાઓ પૂરી પાડતા પ્રદાતાઓ માટે ISO જેવી જ એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય માન્યતા છે. તે લેબોરેટરીઝ અને હોસ્પિટલ્સમાં દર્દીઓને અપાતી સુવિધાઓ, બ્લડ લેવામાં અને સ્ટોરેજમાં રાખવામાં આવતી ચોકસાઈ તેમજ આરોગ્ય સેવાઓની વિવિધ પ્રક્રિયાઓની ઝીણવટભરી ચકાસણી કરીને પ્રમાણપત્ર આપે છે. આ સિદ્ધિ રેડક્રોસના દાતાઓ, સોસાયટીના સભ્યો, કર્મચારીઓ અને વિવિધ સમાજના સહયોગથી શક્ય બની છે. કલેક્ટરે આગામી સમયમાં આ શાખા વધુ ગુણવત્તાપૂર્ણ સેવાઓ આપે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી ગિરીશ ઠક્કરે જણાવ્યું હતું કે, આ સિદ્ધિ રાજ્ય શાખાના ચેરમેન અજય પટેલના વિઝનનું એક મહત્વપૂર્ણ સોપાન છે, જે અંતર્ગત રાજ્યના તમામ બ્લડ સેન્ટરો NABH એક્રેડિટેડ બને. તેમણે ઉમેર્યું કે, સેન્ટરની સ્થાપના સમયે જ NABHની માર્ગદર્શિકા અનુસાર માળખું તૈયાર કરવાનું વિઝન હતું, જેના માટે એન્જિનિયર અને સભ્ય રાજેશ પટેલની દૂરદર્શિતા નોંધનીય છે. ઠક્કરે સ્થાપક ચેરમેન કિરીટ ઉનડકટ, ચેરમેન અતુલ કાનાબાર અને સમગ્ર રેડક્રોસ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સંસ્થાના ડૉ. ખેવના સહિત રેડક્રોસ બ્લડ સેન્ટરની સમગ્ર ટીમ અને પ્રિન્ટ તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા જિલ્લામાં રખડતા ભૂંડના કારણે બે દિવસમાં બે અકસ્માતમાં બે લોકોના કરૂણ મોત નીપજ્યા છે. અગાઉ કાયાવરોહણથી ધનિયાવી ગામના આવતા રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા બે લોકો મોપેડ સાથે પટકાયા હતા. જેમાંથી એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું હતું. જ્યારે ગતરોજ પાદરાના મહોમદપુરા ગામના વ્યક્તિ ડબકા ગામ પાસેથી મોપેડ લઈ પસાર થતા હતા ત્યારે ભુંડ વચ્ચે આવતા અકસ્માત સર્જાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેઓનું સારવાર દરમ્યાન આજે મોત નીપજ્યું છે. બે અલગ અલગ અકસ્માતમાં બે લોકોના મોતવડોદરા શહેર જિલ્લામાં અકસ્માતના બનાવો રોજેરોજ સામે આવતા હોય છે. ત્યારે રખડતા ભુંડે વધુ એક વ્યક્તિને અડફેટે લેતા કરૂણ મોત નિપજ્યું છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મોહમ્મદપુરા ગામના વતની ગણપત બુધર પરમાર (ઉંમર વર્ષ 38) પોતાનો ટુ વ્હીલર વાહન લઈને ડબ્બા ગામ તરફ જતા હતા તે દરમિયાન મોપેડ વચ્ચે ભૂંડ આવી જતા તેઓ સ્લીપ ખાઈ જતા માથાના ભાગે ગંભીર જાઓ પહોંચી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ગણપતભાઈને વડુ સીએસસી ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં આવેલા ન્યૂ સર્જિકલ વિભાગના બી યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓનો કરૂણ મોત નિપજ્યું છે. આ મામલે વડુ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ જ શહેરના જાંબુવા વુડાના મકાનમાં રહેતા દાજીભાઇ સોમાભાઇ પરમાર ( ઉં.વ.60) તથા મદન ઝાંપા રોડ સોની વાડીમાં રહેતા દિનેશભાઇ મણીલાલ માછી ( ઉં.વ.49) મોપેડ પર કામ માટે જતા હતા. તે દરમિયાન કાયાવરોહણથી ધનિયાવી ગામના રસ્તા પર ભૂંડ આવી જતા બંને રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં દાજીભાઇને તથા દિનેશભાઇને કપાળ અને જમણા હાથે ઇજા પહોંચી હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન દાજીભાઇ પરમારનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે અંગે વરણામા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે કહી શકાય કે ને દિવસમાં બે વ્યક્તિના ભૂંડના કારણે અકસ્માતમાં મોત નિપજ્યા છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યજીવોના આટાફેરાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝરખ અને શિયાળની હાજરીની ચર્ચા વચ્ચે હવે લેકાવાડા ગામના ખેતરોમાં ખૂંખાર દીપડો જોવા મળતા વન વિભાગની ટીમ સઘન તપાસમાં જોતરાઈ છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા ગાંધીનગરના બે જુદા જુદા વિસ્તારોમાં ઝરખ જોવા મળ્યો હોવાના બનાવોએ ચર્ચા જગાવી છે. બે દિવસ અગાઉ ઝરખ દેખાયો હોવાનો વીડિયો આવ્યો' તોગાંધીનગર સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી વિસ્તારના રહીશોએ સંતોષી માતાજીના મંદિર પાસે ઝરખ જોયાનો દાવો કર્યો હતો. જ્યારે બે દિવસ અગાઉ ઝરખ દેખાયો હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ દાવાઓને પગલે વન વિભાગની ટીમે સતત બે દિવસ સુધી રાત્રિ દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, આખી રાતની શોધખોળ બાદ પણ વન વિભાગને ઝરખની હાજરીના કોઈ નક્કર પુરાવા મળી શક્યા ન હતા. 11 નવેમ્બરે શિયાળ મૃત હાલતમાં મળ્યુંએક તરફ ઝરખની શોધખોળ ચાલી રહી હતી, ત્યારે મંગળવારે(11 નવેમ્બર) ચ-0થી ચ-1 વચ્ચેના રોડ પર શિયાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેના પગલે વનતંત્રની પ્રાથમિક તપાસમાં બહાર હતું કે રાત્રિના સમયે કોઈ અજાણ્યા વાહનની ટક્કર વાગવાથી શિયાળનું મોત નીપજ્યું હતું. 11 નવેમ્બરે રાતે લેકાવાડામાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટઆ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમે મૃતદેહને GTS નર્સરી ખાતે લઇ જઇ અધિકારીઓની હાજરીમાં તેને અગ્નિદાહ આપીને અંતિમ વિદાય આપી હતી. એવામાં મંગળવાર(11 નવેમ્બર) રાતે લેકાવાડામાં દીપડો દેખાતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ઝરખ અને શિયાળના બનાવ બાદ ગાંધીનગરના લેકાવાડા ગામમાં દીપડો દેખાયો હોવાની ઘટના સામે આવી છે. માનવ ચહલપહલ વધતા દીપડો એરંડાના ખેતરો તરફ નાસ્યોરાત્રિના સમયે એક ખેડૂત પોતાના ખેતરમાં હાજર હતા. તે દરમિયાન અચાનક જ ખૂંખાર દીપડો જોવા મળતા તેમને ડર લાગી ગયો હતો. ખેડૂતે અન્ય ગ્રામજનોને જાણ કરતા આસપાસના ખેડૂતો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. જોકે માનવ ચહલપહલ વધતા દીપડો એરંડાના ખેતરો તરફ નાસી ગયો હતો. દીપડાની ભાળ મેળવવા માટે પગના નિશાનના પુરાવા એકઠાઆ ઘટનાની જાણ થતાં વન વિભાગની સ્થાનિક ટીમો તાત્કાલિક લેકાવાડા પહોંચી ગઈ હતી અને દીપડાની ભાળ મેળવવા માટે તેના પગના નિશાન સહિતના પુરાવા એકઠા કરવાની કાર્યવાહી શરૂ કરી છે. શહેરી વિસ્તાર અને ગ્રામ્ય સીમમાં એકસાથે ઝરખ, શિયાળ અને દીપડાની હાજરીથી ગાંધીનગરના રહેવાસીઓમાં ભારે દહેશત ફેલાઈ છે અને વન વિભાગ સતત સર્ચ ઓપરેશનમાં લાગી ગયું છે.
વલસાડ શહેરના બેચર રોડ પર આવેલી રીડેવલોપમેન્ટ હેઠળની વિષ્ણુ ચેમ્બર બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરથી એક શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો છે. બુધવારે સવારે અન્ય મજૂરો કામ પર આવ્યા ત્યારે તેમણે એક દુકાનના શેડમાં યુવકને બેભાન હાલતમાં જોયો હતો. યુવક મૃત હાલતમાં જણાતા તાત્કાલિક લેબર કોન્ટ્રાક્ટર, સ્થાનિક આગેવાનો અને કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકને જાણ કરવામાં આવી હતી. સ્થાનિક આગેવાનો દ્વારા વલસાડ સિટી પોલીસને જાણ કરાતા, પોલીસ અને 112 ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ રામજી શાહ તરીકે થઈ છે, જે મૂળ નેપાળનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. મૃતક રામજી શાહ છેલ્લા કેટલાક મહિનાથી આ સાઇટ પર મજૂરી કરતો ન હોવાનું સાઇટ સંચાલક કે અન્ય મજૂરો પણ તેને ઓળખતા ન હોવાનું જાણવા મળ્યું છે. તેના મૃતદેહ પાસેથી એક મોબાઈલ ફોન, નેપાળનું ઓળખ કાર્ડ અને નેપાળની બેંકનું ATM કાર્ડ સહિતના કેટલાક ઓળખના પુરાવા મળ્યા છે. પોલીસ હાલ આ દસ્તાવેજોના આધારે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. વલસાડ સિટી પોલીસ આ બનાવને આપઘાતની દિશામાં તપાસી રહી છે. પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના રાત્રિના સમયના CCTV ફૂટેજ પણ તપાસી રહી છે કે યુવક સાથે અન્ય કોઈ વ્યક્તિની અવરજવર હતી કે કેમ. યુવકના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. વલસાડ સિટી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે, મૃતકના મોબાઈલમાંથી મળેલ કોલ ડિટેલ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ ચાલુ છે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીની સેક્શન-8 કંપની ચારુસેટ ઇનોવેટિવ વેન્ચર્સ ફાઉન્ડેશન (CIVF) ને અદાણી ગ્રુપના ‘ગ્રીન ટોક્સ ઇનિશિયેટિવ’માં “સ્ટાર્ટઅપ ગ્રોથ કેટાલિસ્ટ એવોર્ડ” થી સન્માનિત કરવામાં આવ્યું છે. આ ઇનિશિયેટિવનો હેતુ ગ્રીન અને સસ્ટેઈનેબલ ભવિષ્ય માટેના વિચારો અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવાનો છે. CIVF ને આ એવોર્ડ ‘ગ્રીન ટોક્સ ઇનિશિયેટિવ’માં તેના નોંધપાત્ર યોગદાન, ખાસ કરીને કાર્યક્રમના પ્રમોશન, સ્ટાર્ટઅપ સ્કાઉટિંગ અને સ્ક્રીનિંગ માટે આપવામાં આવ્યો છે. CIVF એ સસ્ટેઈનેબિલિટી અને પર્યાવરણીય અસર પર ધ્યાન કેન્દ્રિત કરતા અનેક આશાસ્પદ સ્ટાર્ટઅપ્સને ઓળખીને તેમને સમર્થન પૂરું પાડ્યું છે. ‘ગ્રીન ટોક્સ ઇનિશિયેટિવ’માં ચારુસેટ અને CIVF નું પ્રતિનિધિત્વ CIVF ના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસર ડો. સ્વાતિ જોશીએ કર્યું હતું. તેમના નેતૃત્વ અને સમર્પણથી ગ્રીન ટોક્સ પ્લેટફોર્મ સાથે CIVF ના જોડાણની સફળતા સુનિશ્ચિત થઈ હતી. આ સિદ્ધિ બદલ CIVF એ તેના ડિરેક્ટરો ડો. અતુલ પટેલ, વિપુલભાઈ પટેલ, ગિરીશ પટેલ, અશોક પટેલ અને મધુબેન પટેલનો તેમના સતત સમર્થન અને માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. CIVF એ અદાણી ગ્રીન ટોક્સ અને ચારુસેટ પરિવારનો પણ આ સન્માન બદલ આભાર માન્યો હતો. ‘અદાણી ગ્રીન ટોક્સ’ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને બોલિવૂડ અભિનેતા વિક્રાંત મેસી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અદાણી ગ્રુપના ચીફ ટ્રાન્સફોર્મેશન ઓફિસર (CTO) સુદિપ્ત ભટ્ટાચાર્યએ ઇનોવેશન, રાષ્ટ્રીય વિકાસ અને સસ્ટેઈનેબલ ભવિષ્ય વિશે માહિતી આપી હતી. આ સન્માન ઇનોવેશનને પ્રોત્સાહન આપવા, સ્ટાર્ટઅપ્સને સશક્ત બનાવવા અને સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવાની CIVF ની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે, જે ‘ક્લીન એન્ડ ગ્રીન ફ્યુચર’ તરફ સતત પ્રગતિ કરવા માટે પ્રેરક છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 61 વર્ષીય નિવૃત્ત સિનિયર સિટીઝનને સાયબર ઠગોએ બોગસ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમમાં ફસાવીને 30 લાખ રૂપિયા પડાવ્યા છે. વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં પીડિતે જણાવ્યું છે કે, તેઓ નિવૃત્ત જીવન વિતાવી રહ્યા છે અને આ ઘટનાએ તેમને માનસિક અને આર્થિક રીતે ત્રસ્ત કરી દીધા છે. સાયબર ક્રાઇમ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. સિનિયર સિટીઝનની ફરિયાદ પ્રમાણે ગત તા. 16 મે 2025ના રોજ પીડિતને તેમના વોટ્સએપ પર મોબાઇલ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજમાં વ્યક્તિએ પોતાનું નામ કંગના શર્મા જણાવીને કહ્યું હતું કે, તેઓ 'નુવામા વેલ્થ' કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ આસિસ્ટન્ટ છે અને બ્લોક ટ્રેડિંગ તથા ક્વાર્ટર પ્રોફિટ પ્લાનિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવે છે. તેઓએ પીડિતની ઉંમર, ધંધો અને રોકાણનો અનુભવ પૂછ્યો હતો. ત્યારબાદ ઠગોએ એક આકર્ષક પ્રોફિટ સ્કીમ વિશે જણાવ્યું, જેમાં કહેવામાં આવ્યું કે રૂ. 5 લાખના ઇન્વેસ્ટમેન્ટ પર દરરોજ 10%થી 15% સુધીનું પ્રોફિટ મળશે. પીડિતે આ સ્કીમમાં રસ દાખવ્યો અને ઇન્વેસ્ટ કરવા માટે હા પાડી 6. ત્યારબાદ, તેઓને https://www.nuvamawealthvip.com નામની લિંક મોકલવામાં આવી હતી અને તેમાં રજિસ્ટ્રેશન કરવાનું કહેવાયું હતું. સિનિયર સિટીઝને રજિસ્ટ્રેશન કર્યું હતું અને રૂ. 30 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઠગોએ પીડિતને કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરવા જણાવ્યું. આ નંબર પર વોટ્સએપ મેસેજ કરતાં, વ્યક્તિએ પોતાને 'નુવામા કસ્ટમર સર્વિસ'ના કર્મચારી તરીકે ઓળખાવ્યા અને ઇન્વેસ્ટમેન્ટની વિગતો પૂછી. તેઓએ એક બોગસ સેબી સર્ટિફિકેટ મોકલ્યું, જેમાં એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ આપવામાં આવ્યા હતા. આમાં લખ્યું હતું કે કંપની રૂ. 50 કરોડ સુધીની રકમ આ એકાઉન્ટમાં લઈ શકે છે. તા. 18 મે, 2025ના રોજ પીડિતે આપેલા એકાઉન્ટમાં રૂ. 30 લાખ રૂપિયા RTGS મારફતે ટ્રાન્સફર કર્યા હતા. તેનું વેબસાઇટ પર આ બેલેન્સ દેખાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઠગોએ પીડિતને 'વરુણ બેવરેજિસ' કંપનીના શેરમાં બ્લોક ટ્રેડ કરાવ્યા અને વેબસાઇટ પર કુલ પોર્ટફોલિયો રૂ. 36,96,809 રૂપિયા તરીકે બતાવવામાં આવ્યો હતો. વિશ્વાસ વધારવા માટે ઠગોએ વોટ્સએપ કોલ કરીને વિડ્રોલ પ્રોસેસ સમજાવી. તા. 20 મે 2025ના રોજ પીડિતે 1 હજાર રૂપિયા વિડ્રોલ કર્યા હતા, જે તેમના HDFC બેંક એકાઉન્ટમાં જમા થયા હતા. જેથી સિનિયર સિટીઝનને પૂરો વિશ્વાસ આવી ગયો હતો. ત્યારબાદ ઠગોએ વોટ્સએપ કોલ કરીને જણાવ્યું હતું કે, તેમને આઇપીઓ લાગ્યો છે અને એકાઉન્ટમાં રૂ. 1,26,30,944 જમા કરવામાં આવ્યા છે, પરંતુ તેના માટે રૂ. 89,88,736 વધુ ભરવા પડશે. આ વાતથી સિનિયર સિટીઝનને શંકા ગઈ હતી અને તેઓએ વધુ પૈસા ભર્યા નહોતા. જ્યારે તેઓએ વેબસાઇટ પર જઈને 36,96,809 રૂપિયા વિડ્રોલ કરવાનો પ્રયાસ કર્યો તો એકાઉન્ટ ડિસેબલ કરી દેવામાં આવ્યું હતું. સિનિયર સિટીઝનને ફ્રોડ થયું હોવાનો અહેસાસ થતાં તેઓએ તાત્કાલિક 1930 હેલ્પલાઇન પર ફરિયાદ કરી હતી. જોકે, આજ સુધી તેમને તેમના પૈસા પરત મળ્યા નથી. પોલીસના જણાવ્યા મુજબ આ પ્રકારના સાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે અને લોકોને અજાણ્યા લિંક્સ અને મેસેજ પર વિશ્વાસ ન કરવાની સલાહ આપવામાં આવી છે. તપાસમાં સંડોવાયેલા મોબાઇલ નંબર્સ અને બેંક એકાઉન્ટ્સની વિગતો દ્વારા ઠગોની શોધખોળ ચાલુ છે.
ગાંધીધામ-ભચાઉ મત વિસ્તારમાં કુલ ₹15.57 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ કાર્યોમાં મોટી ચીરઈ-પશુડા રોડ અને ભચાઉ તાલુકા પંચાયત અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ₹3.42 કરોડના વિકાસ કામોનો સમાવેશ થાય છે. રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા અને ગાંધીધામના ધારાસભ્યના હસ્તે ધાર્મિક વિધિ સાથે આ ખાતમુહૂર્ત કરાયું હતું. ભચાઉ નવચેતન અંધજન મંડળ ખાતે આશરે ₹3.5 કરોડના વિકાસ કાર્યો માટેના વર્કઓર્ડર સરપંચોને સુપરત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા અને એપીએમસી ચેરમેન વાઘુભા જાડેજા સહિતના મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરાયો હતો. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે અગાઉ તાલુકાને માત્ર ₹50 લાખની એટીવીટી ગ્રાન્ટ મળતી હતી, જે હવે વધીને કરોડો રૂપિયા થઈ છે. તેમણે ઉમેર્યું કે જનસંખ્યા મુજબ વિકાસ ગ્રાન્ટ અપાય છે અને સામખિયાળીને ₹1.42 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આશાપુરા મંદિર ખાતે મોટી ચીરઈ-પશુડા રોડનું ₹2.10 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ધારાસભ્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા સહિત અનેક પદાધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કારોબારી ચેરમેન રૂપેશભાઈ આહીર, પરબતભાઈ આહીર, સરપંચ હરપાલસિંહ જાડેજા અને પૂર્વ સરપંચ હરપાલસિંહ એન. જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ભચાઉ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં શરૂ કરાયેલા આ માર્ગ નિર્માણના કાર્યથી સ્થાનિક લોકોની પાકા માર્ગની લાંબા સમયથી ચાલતી માગ સંતોષાશે.
સ્પોર્ટ્સના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સ્વપ્ન જોતા એક યુવક સાથે તેના જ મિત્રોએ વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. દાહોદના 26 વર્ષીય સ્પોર્ટ્સમેન યુવકના આઈડી અને સહીનો ઉપયોગ કરીને તેના બે મિત્રોએ ગાંધીનગરમાં એક આઈટી કંપની શરૂ કંપનીના બેંક એકાઉન્ટનો ઉપયોગ દેશભરમાં 26 જેટલા સાયબર ફ્રોડ કરવા માટે કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ગૂનો નોંધવામાં આવ્યો છે. ડાયરેક્ટર તરીકે દાહોદનો સ્પોર્ટ્સમેન મિત્ર ફસાયોદાહોદના ગમલા ગામતળ ફળીયુ ગામમાં રહેતો રોહિતકુમાર છત્રસિંહ કલમી ફૂટબોલ તથા રંગબી ગેમનો ખેલાડી છે. વર્ષ 2027માં રોહિત દાહોદ ખાતે ગવર્મેન્ટ પોલિટેકનીક કોલેજ ખાતે કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતો હતો. તે સમયે કોલેજમાં અભ્યાસ કરતા સંજીવ બાબુભાઈ ભારીયા (રહે. સીંગોર, તા.દેવગઢબારીયા દાહોદ)નો સંપર્ક થયો હતો. ત્રણેય મિત્રો રાયસણમાં ભાડેથી રહેતાંબાદમાં ફેબ્રુઆરી 2023માં બંને ગાંધીનગર આવ્યા હતા અને કુડાસણ ભાડાના મકાનમાં રહેતા હતાં. રોહિતે મહેસાણાની ઈન્દ્રશીલ યુનિવર્સીટીમાં એડમિશન લીધું હતું. જ્યારે સંજીવે સંજી એલડીઆરપી કોલેજ સેક્ટર-15માં એડમીશન લીધું હતું. આ દરમ્યાન સ્વર્ણિમ સ્ટાટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સીટી અડાલજ અભ્યાસ કરતા મિહિર જયપ્રકાશ બારીયા (રહે. હરીઓમનગર સોસાયટી, જુના પેટ્રોલપંપ સામે દેવગઢ બારીયા) સાથે બંનેનો સંપર્ક થયો હતો. બાદમાં ત્રણેય મિત્રો મારૂતી મેઘનમ રાયસણમાં ભાડેથી મકાન રાખી સાથે રહેતા હતાં. સાયબર સ્પેર ટેકનોલોજી પ્રા.લી. નામની કંપની ખોલીજુલાઈ-2023 સંજીવ તથા મિહિરે આઈ.ટી.ની એક કંપની ચાલુ કરવાની વાત કરતા રોહિત તૈયાર થઈ ગયો હતો. અને સાયબર સ્પેર ટેકનોલોજી પ્રા.લી. (ડી-53, કેપીટલ ફ્લોરા સરગાસણ)થી કંપની ચાલુ કરી હતી. આ કંપનીમાં ડાયરેક્ટર તરીકે રોહિત અને મિહિર બન્યા હતા. રોહિત અને મિહિરના નામે બેંક એકાઉન્ટ ખોલાવાયુંજ્યારે રોહિત અને મિહિરના નામે બેંક એકાઉન્ટ ખોલાવાયું હતું. પરંતુ તેનો મુખ્ય મોબાઈલ નંબર સંજીવ બારીયાનો આપવામાં આવ્યો હતો. કંપની શરૂ થયા બાદ રોહિત તેના સ્પોર્ટ્સ કેમ્પમાં વ્યસ્ત થઈ ગયો હતો. જ્યારે પણ કંપની વિશે પૂછતો ત્યારે સંજીવ અને મિહિર કહેતા કે, પૈસા ન ભરવાથી કંપની બંધ થઈ ગઈ છે. બેંક એકાઉન્ટનો ઉપયોગ અલગ-અલગ સાયબર ફ્રોડમાં કર્યોજો કે, 7 જાન્યુઆરી, 2025ના રોજ રોહિતને ચોંકાવનારી વાસ્તવિકતાની જાણ થઈ હતી. જ્યારે હૈદરાબાદ પોલીસ તેને ગાંધીનગર ખાતેથી પકડીને લઈ ગઈ ત્યારે ખબર પડી કે આ બંને મિત્રો તેની જાણ બહાર કંપની અને બેંક એકાઉન્ટનો ઉપયોગ અલગ-અલગ સાયબર ફ્રોડમાં કરી રહ્યા હતાં. બંને મિત્રોનો ગુનાહિત ઈતિહાસ, ઇન્ફોસિટી પોલીસમાં ગુનો દાખલઆ ફ્રોડના કારણે તેની કંપની વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાં કુલ 26 સાયબર ફ્રોડની અરજીઓ અને ગુનાઓ દાખલ થયેલા હતાં. જ્યારે સંજીવ બારીયા હૈદરાબાદના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો છે. અને મિહિર બારીયા પણ અમદાવાદના સરખેજ ખાતેના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા રોહિત પણ કાયદાના ચક્કરમાં ફસાઈ ગયો હતો. આ અંગે રોહિતની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વાગરા તાલુકાના ગંધાર ગામે દરિયાઈ ભાથા ખાતે સમસ્ત આહિર અને ભરવાડ સમાજ દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. બુધવારે કથાના ત્રીજા દિવસે ધાર્મિક વાતાવરણ વચ્ચે કથાનો રસાસ્વાદ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાળી મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. વ્યાસપીઠ પર વિનોદ ભટ્ટ શાસ્ત્રીજી બિરાજમાન હતા, જ્યારે અંકલેશ્વર રામકુંડ આશ્રમના ગંગાદાસ બાપુ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં આહિર અને ભરવાડ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
સ્પાઇસજેટમાં 5 વધુ બોઇંગ 737 એરક્રાફ્ટનો ઉમેરો:રોજના 176 ફ્લાઇટ્સ સાથે શિયાળુ સિઝનની તૈયારી
સ્પાઇસજેટે તેના ઓપરેશનલ કાફલામાં વધુ 5 બોઇંગ 737 એર ક્રાફ્ટનો સમાવેશ કર્યો છે, જેમાં એક બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટનો પણ સમાવેશ થાય છે. આ સાથે એરલાઈનનો કુલ કાર્યકારી કાફલો 35 એરક્રાફ્ટનો થઈ ગયો છે. આ નવા પાંચ એરક્રાફ્ટના ઉમેરા સાથે, સ્પાઇસજેટે એક મહિનાથી વધુ સમયમાં કુલ 15 વિમાનો તેના કાફલામાં ઉમેર્યા છે. આ 15 વિમાનોમાં 14 વિમાનો ડૅમ્પ લીઝ પર લેવાયેલા છે અને એક અગાઉ ગ્રાઉન્ડ કરાયેલું બોઇંગ 737 મેક્સ વિમાન ફરીથી સેવામાં આવ્યું છે. નવા ઉમેરાયેલા તમામ વિમાનોએ તાત્કાલિક ધોરણે વ્યાપારી કામગીરી શરૂ કરી દીધી છે, જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ રૂટ પર કનેક્ટિવિટીમાં વધારો કરશે. એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ વધીને 176 પ્રતિ દિવસ પર પહોંચીઆ વધારાના એરક્રાફ્ટ શિયાળુ શેડ્યૂલને મોટો વેગ આપશે, જે તહેવારોની અને રજાઓની સિઝન દરમિયાન વધી રહેલા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને કરાયો છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં, સ્પાઇસજેટ રોજના 100 ફ્લાઇટ્સ ઓપરેટ કરતું હતું. નવા એરક્રાફ્ટના ઉમેરા સાથે, એરલાઇનની દૈનિક ફ્લાઇટ્સ હવે વધીને 176 પ્રતિ દિવસ પર પહોંચી ગઈ છે. સ્પાઇસજેટે 5 નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યોઅગાઉ 6 નવેમ્બરના રોજ બજેટ એરલાઇન સ્પાઇસજેટએ શિયાળાની મુસાફરીની મોસમ પહેલા તેના કાફલાને વધુ મજબૂત બનાવવા માટે લીઝ પર 5 નવા એરક્રાફ્ટનો ઉમેરો કર્યો હતો. આ સાથે કુલ નવા એરક્રાફટની સંખ્યા હવે 10 થઈ ગઈ હતી. ત્યારે સ્પાઇસજેટએ વધુ 5 એરક્રાફ્ટ ઉમેરીને કુલ 15 એરક્રાફ્ટ વધુ ઉમેર્યા છે.
રાણપુર તાલુકાના જાળીલા ગામે મોડી રાત્રે એક દલિત સગીર નો મૃતદેહ પાણીની ટાંકી પાસેથી મળી આવતા ચકચાર મચી ગઈ છે. મૃતકની ઓળખ હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી તરીકે થઈ છે.અને તે કોલેજમાં અભ્યાસ કરતો હોવાની પ્રાથમિક માહિતી મળી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હર્ષદ સોલંકીને કેટલાક અજાણ્યા શખ્સોએ ફોન કરીને બહાર બોલાવ્યો હતો. જોકે, તે મોડે સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, ત્યારે તેનો મૃતદેહ મળી આવ્યો હતો. પરિવારજનો સગીર હર્ષદ સોલંકીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. મૃતદેહ પર કેટલાક નિશાનો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં દલિત સમાજના આગેવાનો અને મૃતકના પરિવારજનો બોટાદની હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.
સ્ત્રી સશક્તિકરણને લઈ મહિલાઓ આત્મનિર્ભર બનવાની સાથે સાથે સુરક્ષિત અને પોતાના હક માટે લડત આપતી બની છે. ત્યારે મહેસાણા પંથકની એક ત્યકતા મહિલાને પિયરમાં રહેતા પોતાનું અને પોતાની માતાનું ગુજરાન ચલાવવા એક દુકાનદારને ત્યાં નોકરી કરવી પડી હતી. જોકે એક સંજોગે મહિલાની લાચારીનો ફાયદો ઉઠાવતા દુકાનદારે તેને પગાર ન આપી નોકરી પર છૂટી કરી દેવામાં આવતા મહિલાએ જાગૃતતા અને હિંમત દાખવી 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કરી મદદની ગુંજાઈશ કરી હતી. માતાની બીમારીને લઈ મહિલાએ રજા લેતાં નોકરી પરથી છૂટી કરાઈમહિલાને દુકાનદાર દ્વારા કરાતા અન્યાય અંગે રજુઆત મળતા મહેસાણા ખાતે કાર્યરત 181 અભિયમની ટીમ તુરંત મદદ માટે મહિલા પાસે પહોંચી હતી. જ્યાં મહિલાની રજુઆત આધારે દુકાનદાર સાથે કાઉન્સેલિંગ કરતા દુકાનદારે તે મહિલાએ તેમના કપડાના વેપારની તહેવારો ટાણેની સારી સીઝનમાં જ લાંબી રજાઓ મૂકી દેતા દુકાનના કામ પર અસર થઈ હોવાને લઇ તેને છૂટી કરવાનું કહ્યું હોવાનું જણાવ્યું હતું. દુકાનદારે પગાર પણ ન આપ્યો, 181 અભિયમની ટીમ મહિલાની વહારે આવીતો મહિલાએ પોતાની માતાની તબિયત નાજુક થતા રજાઓ લીધી હોવાનો ખુલાસો કર્યો હતો. તો તેનો બાકી નીકળતો પગાર આપતા ન હોવાનું કહેતા કાઉન્સેલર દ્વારા કાઉન્સેલિંગ કરી મહિલાનો પૂરો પગાર દુકાનદાર પાસેથી અપાવ્યો હતો. બીજી તરફ મેડિકલ કારણે લીધેલ રજા વ્યાજબી હોવાને લઈ દુકાનદાર નોકરી પરથી છુટા ન કરી શકે તેમ સમજવતા દુકાનદારે મહિલાને પરત નોકરી પર લેવા તૈયારી બતાવી હતી. જોકે મહિલાએ ફરી ત્યાં નોકરી કરવાનો ઈન્કાર કર્યો હતો. જોકે 181ની મદદથી મહિલાને સન્માન સાથે તેનો હક અને અધિકાર મળ્યો હતો.
સુરતનું લિંબાયત પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, જ્યાં એક ચોરીના ગંભીર કેસમાં પોલીસે ઓછી રકમની ફરિયાદ નોંધી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. લિંબાયત વિસ્તારમાં રહેતા જૈન દંપતીના ઘરે ભાઈબીજના તહેવારના દિવસે થયેલી ચોરીની ઘટનામાં, ફરિયાદીઓનો દાવો છે કે લગભગ 60 લાખથી વધુની કિંમતનું 500 ગ્રામ સોનું અને દોઢ કિલો ચાંદી ચોરાઈ ગયું છે, જ્યારે પોલીસે માત્ર 150 ગ્રામ સોનાની અને કુલ 2.5 લાખની ચોરીની જ ફરિયાદ નોંધી છે. ગોલ્ડ લોનનાં બિલ હોવા છતાં ફરિયાદમાં વિલંબલિંબાયત વિસ્તારના રહેવાસી દિનેશ જૈન અને તેમના પત્ની રીન્કુ જૈને ફરિયાદમાં જણાવ્યું હતું કે 31મી તારીખે જ્યારે તેઓ પારિવારિક પ્રસંગમાં ગયા હતા, ત્યારે રાત્રે તેમના બંધ ઘરમાં મોટી ચોરી થઈ હતી. તેમના મતે, ચોરાયેલા માલમાં લગભગ 500 ગ્રામ સોનું અને દોઢ કિલો ચાંદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તાજેતરમાં એક પ્રોપર્ટીની ડીલના ટોકન પેટે મળેલા 8 લાખ રોકડા પણ ચોરાઈ ગયા હતા. ઘરેણાંના ગ્રામ અને કિંમતના બિલને ધ્યાનમાં લીધા નથીદંપતીનો મુખ્ય આક્ષેપ એ છે કે પોલીસે વાસ્તવિક નુકસાનના પ્રમાણમાં ફરિયાદ નોંધી નથી. રીન્કુ જૈને જણાવ્યું કે તેમને તેમના પિયર અને સાસરા પક્ષ તરફથી ઉપહાર સ્વરૂપે દાગીના મળ્યા હતા, જેના મૂળ બિલ તેમની પાસે ન હતા. જોકે, આ તમામ ઘરેણાં પર હાલમાં જ તેઓએ ગોલ્ડ લોન લીધી હતી અને પ્રોપર્ટી ખરીદવાની હોવાથી લોન પરથી છોડાવીને ઘરે મૂક્યા હતાં.લોનના દસ્તાવેજોમાં ઘરેણાંના ગ્રામ અને કિંમતની સંપૂર્ણ વિગતો હોવા છતાં, પોલીસે આ બિલને ધ્યાનમાં લીધા નથી. 'પોલીસ તે વિગતો ફરિયાદમાં ઉમેરવા તૈયાર નથી'દંપતીનો આક્ષેપ છે કે, પોલીસે માત્ર એટલા જ ઘરેણાંની ચોરીની ફરિયાદ દાખલ કરી છે, જેના જુના બિલ ઉપલબ્ધ હતા અને તે પણ જુના ભાવે કિંમતનો ઉલ્લેખ કરીને. લોન કંપનીની રીસીપ્ટમાં બાકીના તમામ ઘરેણાંની વિગત, વજન અને કિંમત સ્પષ્ટપણે દર્શાવેલ છે, તેમ છતાં પોલીસ તે વિગતો ફરિયાદમાં ઉમેરવા તૈયાર નથી. 60 લાખથી વધુની ચોરીનો મામલો પોલીસ ચોપડે માત્ર 2.5 લાખની ચોરી પોલીસ સ્ટેશન તરફથી દંપતીને સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે, જેટલા ઘરેણાંના બિલ રજૂ થશે, એટલાની જ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ દલીલને કારણે આશરે 60 લાખથી વધુની ચોરીનો મામલો પોલીસ ચોપડે માત્ર 2.5 લાખની ચોરી તરીકે નોંધાયો છે. ચોરીની ઘટનાને 13 દિવસ વીતી ગયા હોવા છતાં, હજુ સુધી કોઈ આરોપીની ધરપકડ થઈ નથી. આ વિવાદિત ફરિયાદને કારણે જૈન દંપતી ભારે મુશ્કેલીમાં મુકાયું છે અને ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશનથી લઈ અન્ય વહીવટી કચેરીઓમાં ધક્કા ખાઈ રહ્યું છે. તેઓએ આ મામલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. 'તપાસ ચાલુ, વધારાનું નિવેદન લેવાશે'આ સમગ્ર મામલે જ્યારે લિંબાયત પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એન. કે. કામડીયાનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું કે, હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. ફરિયાદીનું વધારાનું નિવેદન લેવામાં આવશે અને તેઓ જે પણ નવા બિલ અથવા લોનના દસ્તાવેજો આપી રહ્યા છે, તે પણ તપાસ માટે સ્વીકારી લેવામાં આવશે. 'બિલ પોલીસને આપ્યા, તેમ ફરિયાદમાં વિગતો ઉમેરાતી નથી'જોકે, ફરિયાદી દંપતીનો આક્ષેપ છે કે તેઓએ લોનના તમામ બિલ પોલીસને આપ્યા છે, તેમ છતાં ફરિયાદમાં વિગતો ઉમેરાતી નથી. લિંબાયત પોલીસ સ્ટેશનનો આ વર્તન પોલીસના કાર્યભાર અને સંવેદનશીલતા પર સવાલો ઊભા કરે છે, ખાસ કરીને જ્યારે ફરિયાદી ચોરી થયેલા દાગીનાના કાયદેસરના પુરાવા ગોલ્ડ લોન રીસીપ્ટ રજૂ કરી રહ્યા હોય. દંપતીએ આશા વ્યક્ત કરી છે કે ઉપરી અધિકારીઓની દરમિયાનગીરી બાદ તેમની વાસ્તવિક નુકસાનની રકમ અને અન્ય ઘરેણાંની વિગતો ફરિયાદમાં દાખલ થશે.
Paytmના કર્મચારી બની છેતરપિંડી:વૃદ્ધનું સાઉન્ડ બોક્સ પરત લેવાના બહાને 96 હજાર ટ્રાન્સફર કરી લીધા
ઘાટલોડિયામાં વૃદ્ધને Paytmનું સાઉન્ડ બોક્સ પરત આપવાનું હોવાથી તેમને અજાણ્યા વ્યક્તિએ PAYTM ના કર્મચારી હોવાની ઓળખ આપી હતી. અજાણ્યા વ્યક્તિએ વૃદ્ધને પેટીએમમાં એક રૂપિયો ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. આ દરમિયાન તે વૃદ્ધનો પાસવર્ડ જોઈ ગયો હતો. જે બાદ વૃદ્ધ પાસેથી મોબાઇલ લઈને સાઉન્ડ બોક્સ પરત આપવાની પ્રક્રિયાના નામે મોબાઈલમાંથી 96 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. વૃદ્ધે આ અંગે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા શખસે paytmના કર્મીની ઓળખ આપીનારણપુરામાં રહેતા મહેશભાઈ બોરીસા નિવૃત્ત જીવન જીવી રહ્યા છે. તેઓ છેલ્લા દસ વર્ષથી રાણીપમાં દુકાન ચલાવતા હતા તે વખતે તેમની પાસે પેમેન્ટ માટે paytmનું સાઉન્ડ બોક્ષ હતું, પરંતુ તેમણે ઓગસ્ટ મહિનાથી દુકાન બંધ કરી દીધી હતી, જેથી સાઉન્ડ બોક્સ પડી રહ્યું હતું. 4 નવેમ્બરના રોજ તેઓ તેમના મિત્રની દુકાન પર બેઠા હતા, ત્યારે એક વ્યક્તિ આવ્યો હતો જેને પોતાનું નામ બ્રિજેશ પટેલ જણાવ્યું હતું. બ્રિજેશ paytmનો કર્મચારી હોવાનું પણ જણાવ્યું હતું. બ્રિજેશે મહેશભાઈને કહ્યું હતું કે paytmને લગતું કોઈપણ કામ હોય તો મને કહેજો. આરોપીએ 20 મિનિટ સુધી ફરિયાદીનો ફોન રાખ્યોમહેશભાઈએ બ્રિજેશને જણાવ્યું હતું કે, તેમના દુકાનનું paytmનું સાઉન્ડ બોક્ષ હતું, જે હવે ઉપયોગમાં નથી જેથી પરત કરવાનું છે. બ્રિજેશે મહેશભાઈને કહ્યું હતું કે, તમે તમારા paytmમાં એક રૂપિયાનું ટ્રાન્જેક્શન કરો. મહેશભાઈ જ્યારે એક રૂપિયો ટ્રાન્સફર કરતા હતા ત્યારે બ્રિજેશ મહેશભાઈનો પીન જોતો હતો. જે બાદ મહેશભાઈને કહ્યું હતું કે, તમારું સરનામું મને આપજો તો તમારા ઘરે આવીને તમારું પેટીએમ બોક્સ લઈ જઈશ. બ્રિજેશ મહેશભાઈના ઘરે ગયો હતો અને મહેશભાઈનો મોબાઇલ માંગીને paytm બોક્સ બંધ કરવા માટે મેસેજ કરવો પડશે તેમ કહીને 20 એક મિનિટ સુધી મોબાઈલ પોતાની પાસે રાખ્યો હતો અને કહ્યું હતું કે તમારું બોક્સ સાંજ સુધીમાં બંધ થઈ જશે અને કાલે હું પરત લઈ જઈશ. ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી6 નવેમ્બરે જ્યારે મહેશભાઈ બેંકમાં ગયા ત્યારે બેંકમાં બેલેન્સ ચેક કરતા બેલેન્સ ઓછું થયું હતું. તેમને સ્ટેટમેન્ટ કઢાવ્યું હતું તો સ્ટેટમેન્ટ ચેક કરતા કરતા 4 નવેમ્બરે તેમના ખાતામાંથી 47999ના બે ટ્રાન્જેક્શન થયા હતા. તેમના બેંક ખાતામાંથી કુલ 95,998 રૂપિયા તેમની જાણ બહાર બ્રિજેશ પટેલ paytm બોક્સ બંધ કરવાના બહાને ટ્રાન્સફર કરી લીધા હતા. મહેશભાઈએ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
રાજકોટમાં રખડતા કુતરાઓ મુદ્દે સુપ્રિમ કોર્ટે સરકારની ઝાટકણી કાઢ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા તમામ મહાનગરપાલિકાઓને જાહેર સ્થળોએ પણ રખડતાં કુતરાઓના ત્રાસ દુર કરવા અને સલામતીના શું પગલાં લઇ શકાય તે મુદ્દે સર્વે કરવા માટે આદેશ આપ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મનપા તંત્ર જાગ્યું છે. અને સુપ્રિમની ગાઇડલાઇન મુજબ રાજકોટની બન્ને સરકારી હોસ્પિટલો, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, શાળા કોલેજો, બસપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળે કામગીરી કરવામાં આવનાર છે. મનપા દ્વારા તમામ સ્થળોના વડાને લોકોની સલામતી માટે દીવાલ ઊંચી લેવી, જાળી અને સિક્યુરિટી સહિતની તમામ વ્યવસ્થા કરવી અને આ માટે એક-એક નોડલ ઓફિસરની નિમણુંક કરવા તાકીદ કરાશે. મનપાનાં વેટરનરી ઓફિસર ડો. ઉપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નામદાર સુપ્રિમ કોર્ટનાં આદેશના લઈ સર્વે કરીને રાજ્ય સરકારને ડેટા મોકલાશે. રાજકોટ મહાપાલિકા દ્વારા આ સપ્તાહથી જ સર્વેની કામગીરી શરૂ કરાશે અને આંકડાકિય ડેટા એકત્ર કરીને રાજ્ય સરકારને મોકલાશે. જેમાં રાજકોટની બન્ને સરકારી હોસ્પિટલો પંડિત દિન દયાળ અને પદ્મકુંવરબા ઉપરાંત શહેરના તમામ સ્પોર્ટસ સંકુલ, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, તમામ શાળા કોલેજો, બસપોર્ટ અને રેલવે સ્ટેશન જેવા સ્થળો કે જ્યાં લોકોની સતત અવર જવર રહે છે, તેવા તમામ સ્થળોએ સર્વે કરવામાં આવશે. આવા જાહેર સ્થળોએ કુતરાઓ પ્રવેશી ન શકે તે માટે દિવાલો ઉંચી બનાવવા, જાળીઓ નાખવા સહિતની કામગીરી કરવામાં આવશે. આ કામગીરી માટે સરકારી હોસ્પિટલોના અધિક્ષકો, સરકારી અને અર્ધ સરકારી શાળાઓ માટે જિલ્લા શિક્ષણાધિકારીઓ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ માટે સંબંધિત અધિકારીઓ તેમજ બસપોર્ટ જેવા જાહેર સ્થળો માટે સંબંધિત અધિકારીઓની નોડલ ઓફિસર તરીકે નિમણુંક કરવામાં આવશે. અને મહાનગરપાલિકા દ્વારા સુપ્રિમના આદેશ મુજબ માત્ર બે સપ્તાહમાં સર્વે પૂર્ણ કરી તેનો રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રખડતાં કુતરાઓના કારણે દેશની આબરુંનું ધોવાણ થઇ રહ્યાની ટકોર કરીને રખડતાં કુતરાના ત્રાસ દુર કરવા રાજ્ય સરકારો દ્વારા શું પગલાં લેવાયા ? તેવો પ્રશ્ન ઉઠાવતા રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત તમામ મહાનગર પાલિકાઓને રખડતાં કુતરાઓ મુદ્દે સર્વે કરવા માટે આદેશ આપ્યો છે. જ્યાં લોકોની વધુ અવર જવર રહે છે તેવા જાહેર સ્થળોને રખડતાં કુતરાઓના ત્રાસથી સલામત રાખવા માટે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ શું પગલાં લઇ શકાય તેમ છે ? તે મુદ્દે સર્વે કરવા માટે રાજ્ય સરકારે આદેશ આપતાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ કામગીરી શરૂ કરવામાં આવી છે.
રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત શહેર પોલીસ હાઈ એલર્ટ મોડ પર આવી ગઈ છે. શહેરના સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે સુરત પોલીસે ટેક્નોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સનો સંકલિત ઉપયોગ શરૂ કર્યો છે, જેમાં AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) આધારિત કેમેરા નેટવર્કનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AI કેમેરાથી તમામ ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરાઈ રહ્યું છે. 1600 CCTV કેમેરાનું સઘન નેટવર્કસુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ દ્વારા શહેરભરમાં ફેલાયેલા 1600 જેટલા CCTV કેમેરાના વિશાળ નેટવર્ક મારફતે તમામ ગતિવિધિઓ પર સતત અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ નેટવર્ક દ્વારા શહેરના જાહેર સ્થળો, મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં થતી નાનીમાં નાની શંકાસ્પદ હિલચાલને પણ ઝડપી લેવામાં આવે છે. AI ટેક્નોલોજીથી હિસ્ટ્રી શીટરોનું નિરીક્ષણસુરક્ષા વ્યવસ્થામાં આધુનિકતા લાવતા, સુરત પોલીસે AI બેઝડ કેમેરાની મદદ લેવાનું શરૂ કર્યું છે. આ કેમેરાની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં શહેરના 1100 જેટલા હિસ્ટ્રી શીટરોનો ડેટા અપલોડ કરવામાં આવ્યો છે. આ ડેટાના આધારે, AI કેમેરા આ હિસ્ટ્રી શીટરોની શહેરના વિવિધ વિસ્તારોમાં થતી ગતિવિધિઓનું ઓટોમેટિક નિરીક્ષણ કરી શકે છે. જો આ 1100માંથી કોઈ પણ હિસ્ટ્રી શીટર શંકાસ્પદ પ્રવૃત્તિમાં સામેલ થવાનો પ્રયાસ કરે, તો AI સિસ્ટમ તાત્કાલિક પોલીસને એલર્ટ મોકલી આપે છે. આનાથી પોલીસને સંભવિત ગુના કે અનિચ્છનીય ઘટના બનતા પહેલા જ પગલાં લેવામાં મદદ મળે છે. ઔદ્યોગિક વિસ્તારમાં વિશેષ તકેદારીસુરતનું હજીરાનું ઔદ્યોગિક ક્ષેત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ છે. આ વિસ્તારમાં પણ સુરક્ષાની દ્રષ્ટિએ વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, હજીરાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સહિત તમામ જગ્યાઓ પર AI બેઝડ કેમેરા દ્વારા સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. વધુમાં, ઔદ્યોગિક એકમોના ખાનગી કેમેરા નેટવર્કની મદદ પણ લેવામાં આવી રહી છે, જેથી આ વિસ્તારની સુરક્ષામાં કોઈ કચાસ ન રહે. AI અને CCTV કેમેરાના નેટવર્ક ઉપરાંત, પોલીસ દ્વારા મેન્યુઅલ હ્યુમન સોર્સની મદદથી પણ શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે. ટેક્નોલોજી અને મેન્યુઅલ ઇન્ટેલિજન્સનું આ સંકલન સુરત શહેરને કોઈ પણ પ્રકારના આતંકવાદી કે અસામાજિક તત્વોના પ્રયાસોથી સુરક્ષિત રાખવા માટે નિર્ણાયક સાબિત થશે. દિલ્હી બ્લાસ્ટ બાદ શહેર પોલીસની આ સક્રિયતા વધી ગઈ છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર નજીક સંતરોડ પાસે આવેલા ભથવાડા ટોલનાકા આગળ એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી મધ્યપ્રદેશના શિહોર ગામ ખાતે લગ્ન પ્રસંગમાં જઈ રહેલા એક પરિવારની કારને આ અકસ્માત નડ્યો હતો, જેમાં પાંચ વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, વહેલી સવારે વડોદરાના આજવા રોડ પર આવેલી A/12 ઓમકાર સોસાયટીમાં રહેતો શાહ પરિવાર તેમની કારમાં મુસાફરી કરી રહ્યો હતો. અચાનક તેમની કાર રોડ પરથી રેલિંગ કૂદીને હાઈવેની સાઈડમાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે કારમાં સવાર પાંચેય વ્યક્તિ બહાર ફેંકાઈ ગયા હતા. અકસ્માતમાં નિધિ શાહ, સંગીતા શાહ, કરણ શાહ, અમીશા શાહ અને કોકિલા શાહને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ફ્રેક્ચર થયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના ડોક્ટરોએ પ્રાથમિક સારવાર આપી, પરંતુ ઈજાઓની ગંભીરતાને જોતા તેમને વધુ સારવાર માટે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા.
લુણાવાડા કિસાન મેળામાં ₹36 કરોડની સહાય અપાઈ:બેંક ઓફ બરોડાએ ખેડૂતોને યોજનાઓ વિશે માર્ગદર્શન આપ્યું
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે બેંક ઓફ બરોડા દ્વારા કિસાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓ હેઠળ કુલ ₹36 કરોડના સાધનો અને લોન સ્વરૂપે સહાય પૂરી પાડવામાં આવી હતી. કૃષિ ક્ષેત્રે ખેડૂતોના સશક્તિકરણ અને તેમને સરકારી યોજનાઓનો લાભ અપાવવાના હેતુથી બરોડા સ્વ-રોજગાર વિકાસ સંસ્થાના મુખ્ય કાર્યાલય ખાતે આ મેળાનું આયોજન કરાયું હતું. મોટી સંખ્યામાં ખેડૂતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કિસાન મેળામાં બેંક ઓફ બરોડાના રિજનલ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ખેડૂતોને સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તેમને યોજનાઓથી માહિતગાર કર્યા હતા. ખેડૂતોએ આ કાર્યક્રમનો લાભ લીધો હતો અને તેમને મળેલ સહાયથી કૃષિ કાર્યોમાં મદદ મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
પાટણ જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક વિધાનસભા મતવિસ્તારમાં 15,16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી બૂથ લેવલ ઓફિસર (BLO) તેમના મતદાન મથક પર હાજર રહેશે. આ કાર્યક્રમ દરમિયાન ફોર્મ વિતરણ, ભરેલા ફોર્મ સ્વીકારવા અને 2002ની મતદાર યાદીમાં નામ શોધવા જેવી કાર્યવાહી કરવામાં આવશે. 1 જાન્યુઆરી, 2025ના રોજ 18 વર્ષ કે તેથી વધુ વયના થતા નાગરિકો ફોર્મ નંબર 6 ભરીને મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. BLO દ્વારા મતદારનું નામ અથવા તેમના માતા-પિતા, દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા કિસ્સામાં રજૂ કરવાના થતા પુરાવા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પાટણ જિલ્લાના મતદારો ફોર્મ પર છાપેલા BLOના નંબર પર અથવા voters.eci.gov.in વેબસાઇટ પરથી 'Book a Call with BLO' વિકલ્પનો ઉપયોગ કરીને ફોન દ્વારા સંપર્ક કરી શકશે. પાટણ જિલ્લાની વિધાનસભાના મતદારો માટે 1222 બૂથ લેવલ ઓફિસર્સ (BLO) મતદાર યાદી અપડેટ કરવા માટે ઘરે ઘરે જઈને ચકાસણી કરી રહ્યા છે. ફોર્મ વિતરણનું કાર્ય મોટાભાગે પૂર્ણ થઈ ગયું છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના કેટલાક વિસ્તારોમાં BLO કર્મચારીઓને કામગીરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં સરપંચો અને સોસાયટીના પ્રમુખોની મદદથી મતદારો સુધી પહોંચવાનું કાર્ય ચાલી રહ્યું છે. SIR (Special Intensive Revision) કામગીરીમાં જોડાયેલા BLOs અધિકારીઓ અને સહાયક મતદાર નોંધણી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહીને કાર્યની પ્રગતિ પર નજર રાખી રહ્યા છે અને તેમને માર્ગદર્શન આપી રહ્યા છે. SIR પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ નકલી અથવા ડુપ્લિકેટ મતદારોને દૂર કરીને મતદાર યાદીને અપડેટ કરવાનો છે. આ કામગીરીમાં ખાસ કરીને શહેરી મતદારો, કામચલાઉ રીતે સ્થળાંતર કરનારા નાગરિકો, મૃતકો, કાયમી સ્થળાંતર થયેલા અને એક કરતાં વધુ જગ્યાએ નોંધાયેલા મતદારોની ઓળખ કરવામાં આવશે.
અમરેલીમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ:જિલ્લા ચૂંટણી અધિકારીએ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી
ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હી દ્વારા 01.01.2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમના અનુસંધાને અમરેલી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે કલેક્ટર કચેરીમાં બેઠક યોજી હતી. બેઠકમાં ઉપસ્થિત પ્રતિનિધિઓને સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપવામાં આવી હતી. જિલ્લાના તમામ મતદારોની ખરાઈ 04.11.2025થી બુથ લેવલ ઓફિસર (BLO) દ્વારા શરૂ થઈ છે. સને-2002ની મતદારયાદીના સંદર્ભમાં થઈ રહેલા આ કાર્યક્રમમાં મતદારો https://voters.eci.gov.in/ પરથી અગાઉના સઘન સુધારણા કાર્યક્રમ-2002માં પોતાનું નામ ચકાસી શકશે. બુથ લેવલ અધિકારીઓ તમામ મતદારોના ઘેર જઈને Enumeration Formનું વિતરણ કરી રહ્યા છે અને ફોર્મ ભરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે. આ અંગે જિલ્લા કક્ષાએ 1950 હેલ્પલાઈન નંબર કાર્યરત છે. જે મતદારોના ઈન્યુમરેશન ફોર્મ પૂર્ણ વિગતો સાથે ભરાઈ ગયા છે, તેઓ પોતાના સંબંધિત બુથના BLOને ફોર્મ પરત આપી શકશે. આગામી 15.11.2025, 16.11.2025, 22.11.2025 અને 23.11.2025ના રોજ સવારે 9.00થી 1.00 કલાક સુધી BLO તેમના મતદાન મથક પર હાજર રહેશે. આ સમયગાળા દરમિયાન તમામ મતદારો BLOની મદદથી મેપિંગ/લિન્કિંગ કરાવી શકશે તથા ફોર્મ ભરવા માટે માર્ગદર્શન મેળવી શકશે. રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને BLA મારફત આ માહિતી તમામ મતદારો સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મતદારો BLOનો ફોનથી સંપર્ક કરવા માટે Voters.eci.gov.in પરથી Book a call BLO વિકલ્પનો ઉપયોગ કરી શકશે. આ બેઠકમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી દેસાઈ તેમજ જિલ્લા ચૂંટણી તંત્રના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં આવેલા ધાતરવડી ડેમ 2, બાયપાસ માર્ગ અને પથ્થરની ખાણોનો ડ્રોન નજારો સામે આવ્યો છે. સંજયભાઈ નામના યુવકે ડ્રોન કેમેરાથી આ વીડિયો કેદ કર્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. છલોછલ ભરાયેલો ડેમ આ વાયરલ વીડિયોમાં ધાતરવડી ડેમ 2 છલોછલ ભરાયેલો જોવા મળે છે. ડેમને અડીને પસાર થતો બાયપાસ રોડ અને તેની ઉપર આવેલી વર્ષો જૂની પથ્થરની ખાણો પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ દ્રશ્યો ડ્રોન કેમેરા દ્વારા અનોખી રીતે કેદ કરવામાં આવ્યા છે. અહીં લોકો ફરવા માટે પણ આવે છેધાતરવડી ડેમ 2 ની સામે કુંભનાથ અને સુખનાથ મહાદેવના પૌરાણિક મંદિરો પણ આવેલા છે. બાયપાસ રોડ ડેમ કાંઠે આવેલા આ મંદિરો અને આસપાસના વિસ્તારમાં શહેરના લોકો દરરોજ ફરવા માટે આવે છે. આ વિસ્તારનો અદભુત નજારો કેમેરામાં કેદ થતાં લોકોમાં આકર્ષણ જાગ્યું છે.
પાટણ હત્યા કેસમાં માતા અને પ્રેમી નિર્દોષ છૂટ્યા:કોર્ટે પુરાવાને શંકાસ્પદ ગણી 49 પાનાનો ચુકાદો આપ્યો
પાટણની સેશન્સ કોર્ટે લગભગ પોણા બે વર્ષ જૂના ચકચારી હત્યા કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. સરસ્વતીના રવિયાણા ગામે માનસિક અસ્થિર યુવાન કિરણની હત્યા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં તેની માતા હંસાબેન અને પ્રેમી રમેશભાઈને નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા છે. ફરિયાદ પક્ષ કેસ સાબિત કરવામાં નિષ્ફળ રહેતા કોર્ટે આ નિર્ણય લીધો હતો. સેશન્સ કોર્ટના જજ એમ.એ. શેખે આ કેસમાં ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરાયેલા 26 મૌખિક અને 54 દસ્તાવેજી પુરાવાઓની તપાસ કરી હતી. જોકે, કેસના પંચો અને સાક્ષીઓ ફરી જતાં (હોસ્ટાઈલ) તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટે પોતાના 49 પાનાના ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, ગુનો સાબિત કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ નીવડ્યો છે. આ કેસની વિગત એવી છે કે, મૂળ કાંકરેજના થરા અને હાલ રાનેરના રહેવાસી હંસાબેનનો માનસિક અસ્થિર પુત્ર કિરણ, હંસાબેન અને તેમના પ્રેમી રમેશભાઈ (મૂળ ખોડાણા)ના પ્રેમ સંબંધોમાં બોજારૂપ બનતો હતો. આથી બંનેએ કિરણને રસ્તામાંથી હટાવી દેવાનો કથિત પ્લાન ઘડ્યો હતો. તારીખ 17 જાન્યુઆરી, 2024 ના રોજ સરસ્વતીના રવિયાણા ગામના એક તબેલાની ઓરડીમાં રમેશભાઈએ કિરણના કપાળમાં પાવડા અને તેના હાથાથી માર માર્યો હતો. મરનાર ઊંઘમાંથી ઊભો થવા જતાં તેની માતાએ પણ પાવડાથી માર મારતાં તેનું મોત નીપજ્યું હતું. હત્યા બાદ બંનેએ લાશને મીણીયાની થેલીમાં ભરી બનાવના સ્થળથી 120 મીટર દૂર એક ખેતરમાં ઘાસમાં છૂપાવી પુરાવાનો નાશ કર્યો હતો. હંસાબેને ગુનો છૂપાવવા બનાવના ત્રણ દિવસ બાદ તારીખ 20 જાન્યુઆરી, 2024 ના રોજ પુત્ર ગુમ થયાની જાણવા જોગ નોંધ વાગડોદ પોલીસ મથકે કરાવી હતી. જોકે, પોલીસ તપાસમાં કિરણની લાશ મળી આવતાં હત્યાનો ભાંડો ફૂટ્યો હતો અને પોલીસે હંસાબેન તથા રમેશભાઈની ધરપકડ કરી હતી. કોર્ટે આ કેસનું અવલોકન કરતા ટિપ્પણી કરી હતી કે, કેસની જાણવા જોગ નોંધ અને એફઆઇઆરમાં વિરોધાભાસી હકીકતો બહાર આવી છે. પંચ સાક્ષીઓના પુરાવા પંચનામાની હકીકતોથી વિરોધાભાસી હોવાથી તે પુરાવા પર આધાર રાખી શકાય નહીં, જેથી તે પુરાવો શંકાસ્પદ જણાય છે. વધુમાં, પંચનામાના તપાસેલા પંચો ફરી ગયેલા જાહેર થયા હોવાથી પંચનામાના પુરાવા પૂરવાર થયેલા માની શકાય નહીં. આરોપીઓ લગભગ 1 વર્ષ, 9 મહિના અને 14 દિવસથી અંડર ટ્રાયલ પ્રિઝનર (યુટીપી) તરીકે સબ જેલમાં હતા. કેસમાં ચીફ એલ.એ.ડી.સી જી.એસ. પ્રિયદર્શી અને આરોપીઓના વકીલ આર.એસ. વણકરે રજૂઆતો કરી હતી.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનાઓમાં ગેરરીતિ કરનાર હોસ્પિટલો સામે સતત કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જામનગરની JCC હાર્ટ ઇન્સ્ટીટ્યુટ દ્વારા “પી.એમ.જે.એ.વાય.-મા” યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરતા ગેરરીતિ આચરાઈ હોવાના આક્ષેપ બાદ, આ હોસ્પિટલને યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા કુલ 105 કાર્ડિયાક પ્રોસીજરમાં ગેરરીતિ જોવા મળતાં રૂ. 6 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. સાથે જ ડો. પાર્શ્વ વ્હોરા (G-28538) ને પણ કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 53 કેસમાં જરૂરિયાત ન હોવા છતાં કાર્ડિયાક પ્રોસીજર કરાઈતપાસમાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલ દ્વારા કેટલાક કેસમાં લેબોરેટરી અને ECG રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂર હોવાનું બતાવાયું હતું. રાજ્યકક્ષાએ થયેલી તપાસમાં કુલ 262 કેસમાંથી 53 કેસમાં વિસંગતા મળી આવી હતી, જેમાં જરૂરિયાત ન હોવા છતાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવ્યા હતા. PMJAYમાં ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન નહીં કરાય: આરોગ્ય મંત્રીઆરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું કે, “પી.એમ.જે.એ.વાય.-મા યોજના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે. કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.” પાલનપુરની સદભાવના હોસ્પિટલ અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને પણ રૂ. 50-50 હજારનો દંડવધુમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, તાજેતરના નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન કરનાર અન્ય બે ખાનગી હોસ્પિટલો સામે પણ પગલાં લેવાયા છે. જેમાં પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવા બદલ અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલમાં પેકેજ દર કરતાં વધારે રકમ વસૂલવા બદલ રૂ. 50-50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. ‘ગેરરીતિ કરનાર હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવાશે’રાજ્ય આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, સરકારી આરોગ્ય યોજનાઓમાં પારદર્શિતા અને જનહિત માટે ગેરરીતિ કરનાર કોઈપણ હોસ્પિટલ કે ડોક્ટર વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. 12 નવેમ્બરે રાજ્યના અનેક વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ, ભુજમાં 18, નલિયામાં 16, કંડલામાં 19, અમરેલીમાં 13, ભાવનગરમાં 16, દ્વારકામાં 21, ઓખામાં 23, પોરબંદરમાં 17, રાજકોટમાં 15, વેરાવળમાં 19, દીવમાં 16, સુરેન્દ્રનગરમાં 17, મહુવામાં 15, કેશોદમાં 15, અમદાવાદમાં 15, ડીસામાં 17 અને ગાંધીનગરમાં 15 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી ઠંડુ શહેર અમરેલીરાજ્યમાં સૌથી ઠંડુ શહેર અમરેલી છે. જ્યાં તાપમાન ફક્ત 13 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. બીજી તરફ, સૌથી વધુ તાપમાન ઓખામાં 23 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આવતા દિવસોમાં ઠંડીમાં વધુ વધારો થવાની શક્યતા છે. આવતા સપ્તાહથી કડકડતી ઠંડીની શરૂઆત થશેહવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે. બપોરના સમયે ગરમીનો અહેસાસ થશે, જ્યારે રાત્રે ઠંડક રહેશે. રાજ્યમાં હાલમાં મહત્તમ તાપમાન 30થી 32 ડિગ્રી વચ્ચે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે. અમરેલી રાજ્યનું સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં ન્યૂનતમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ઉત્તર-પૂર્વ દિશાના પવનોના કારણે તાપમાનમાં વધઘટ ચાલુ રહેશે. જોકે, આગામી દિવસોમાં ઠંડીનું જોર ધીમે ધીમે વધવાની સંભાવના છે. રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને આવતા સપ્તાહથી કડકડતી ઠંડીનું આગમન થશે.
સુરતના વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેજ પાસે ગટર લાઈનનું ખોદાણ થતું હતું ત્યારે પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં ફલાય ઓવરબ્રિજની ઉપર 20 ફૂટ સુધી પાણીના ફુવારા ઉડતા પાણી વહેતું થઈ ગયું હતો. પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લિટર પાણીનો વેડફાટ થતાં મનપાના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. મળતી વિગત મુજબ વરાછા રોડ પર બરોડા પ્રિસ્ટેઝ પાસે ગટરલાઇનનું કામ કરી રહેલા ઈજારદાર આર.કે. કંસ્ટ્રકશનની બેદરકારીના પગલે પાણીની મુખ્યલાઈનમાં ભંગાણ પડયું હતું. સાંજની પાણીની સપ્લાય વખતે જ આ ભંગાણ થતાં પાણીના ફુવારા છૂટ્યા હતા. ફુવારો એટલો ઊંચે સુધી હતો કે વરાછા ફલાય ઓવરબ્રિજની ઉપર સુધી પાણી પહોંચ્યું હતું અને બ્રિજ પર રેલમછેલ થઇ જવા પામી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આજ ઈજારદારે થોડા દિવસ પહેલાં આજ વિસ્તારમાં બેદરકારી દાખવતા પાણીની લાઈન તોડી હતી અને પાણી વિભાગે 7 લાખની પેનલટી ફટકારી હતી. બરોડા પ્રિસ્ટેજ પાસે કામ ચાલુ થયું ત્યારે પણ પાણી વિભાગના અધિકારીઓ દ્વારા સાવચેતી રાખવા તાકીદ કરાઈ હતી, આમ છતા અહીં પણ પાણીની લાઇન તોડી હતી.
ગુજરાત હાઇકોર્ટમાં મૂળ આણંદની વતની અને વર્તમાનમાં ઈઝરાયલના તેલ અવીવમાં રહેતી 40 વર્ષીય મહિલાએ પતિથી છૂટાછેડા લેવા વડોદરાની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. આ માટે મહિલાએ પોતાની બહેનને પાવર ઓફ એટર્ની આપી હતી. જો કે વડોદરાની ફેમિલી કોર્ટે મહિલાની અરજી નકારી નાખતા તેને ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ બ્રિજેશ રામાનુજ દ્વારા અપીલ દાખલ કરી છે. જેની ઉપર આગામી સમયમાં વધુ કાર્યવાહીની શકયતા છે. લગ્ન સમયે આપેલા ઘરેણા સાસરિયાએ પોતાના કબજામાં લીધા હતાકેસની વિગતો જોતા વર્ષ 2009માં આણંદની યુવતીના લગ્ન વડોદરામાં રહેતા યુવક સાથે થયા હતા. યુવતીના આ બીજા લગ્ન જ્યારે યુવકના આ પહેલા લગ્ન હતા. પત્નીએ આક્ષેપ કર્યો હતો કે તેના સાસરિયામાં તેને હેરાનગતિ કરાતી, તેને મ્હેણાં મરાતા અને દહેજની માગ કરવામાં આવતી. લગ્ન સમયે પિયરીયાઓએ આપેલા ઘરેણા સાસરિયાએ પોતાના કબજામાં લઈ લીધા હતા. સાસુ પણ તેને ઘરકામમાં મદદ કરાવવાની જગ્યાએ ટેલિવિઝન જોતા અને અડોસ- પડોશની મહિલાઓ સાથે ગપ્પા મારતા હતા. લગ્નના 7 મહિના બાદ તેને ઘરમાંથી કાઢી મુકાતા તે પોતાના પિયર રહેવા ચાલી ગઈ હતી. પુત્રના ભરણપોષણ માટે ઈઝરાયલથી પૈસા મોકલતી હતીવર્ષ 2011માં આ લગ્નજીવનથી તેને એક પુત્રનો જન્મ થયો હતો. તે ગર્ભવતી હતી ત્યારે તેને ગર્ભપાત માટે સાસરિયાઓ દબાણ કરતા હતા. પોતાની આર્થિક પરિસ્થિતિને લઈને તેને કમાવવા ઈઝરાયલ જવું પડ્યું હતું. જ્યાં તે કેરટેકરની નોકરી કરતી હતી. સગીર પુત્ર પતિના કબજામાં હોવાથી તેના ભરણપોષણ માટે પત્ની ઇઝરાયલથી ગુજરાત પૈસા મોકલતી, પરંતુ તેનો દુરુપયોગ કરવામાં આવતો હતો. તેને કુલ 60 લાખ રૂપિયા ઇઝરાયલથી મોકલ્યા હતા. વળી પતિ વર્ષ 2024માં અન્ય એક મહિલાને લઈને ભાગી ગયો હતો. વડોદરા ફેમિલી કોર્ટે પત્નીને છૂટાછેડા આપવા ઇનકાર કર્યો હતોઆથી પત્નીએ વર્ષ 2024માં પાવર ઓફ એટર્ની દ્વારા વડોદરાની ફેમિલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જો કે ફેબ્રુઆરી, 2025માં ફેમિલી કોર્ટે ચુકાદો આપતા પત્નીને છૂટાછેડા આપવા ઇનકાર કર્યો હતો. આ સમગ્ર કેસ એક તરફે ચાલ્યો હતો, કારણ કે પતિ કોર્ટ કાર્યવાહીમાં ઉપસ્થિત રહ્યો નહોતો. ફેમિલી કોર્ટે નોંધ્યું હતું કે પત્નીએ પતિ સામે ક્રૂરતાના પૂરતા પુરાવા કોર્ટ સમક્ષ મૂક્યા નથી. અરજદાર પત્ની પોતે વિદેશમાં રહે છે એટલે પોતે લગ્નજીવન ભોગવી શકતી નથી. અરજદાર તરફથી પૂરતા સાહેદ કોર્ટ સમક્ષ રજૂ કરાયા નથી. અરજદારે પોતાના પતિને રૂપિયા મોકલ્યા હતા તે સંબંધના કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આથી આ અરજી નકારવામાં આવે છે.
અમદાવાદના સરસપુરમાંથી વેપારી આંગડિયામાંથી આવેલા પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને રોકીને ઝગડો કર્યો હતો. ઝગડા દરમિયાન વેપારીના વાહનની ચાવી રોડ પર ફેંકી દીધી હતી. વેપારી ચાવી લેવા ગયા ત્યારે અન્ય બે વ્યક્તિએ વેપારીના વાહનની ડેકી ખોલીને 18 લાખની લૂંટ ચલાવી હતી. આ અંગે વેપારીએ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીએ 21માંથી 18 લાખ ડેકીમાં મુક્યા હતાંસાબરમતીમાં રહેતા નારાયણદાસ બિનાની લોખંડના ખરીદ વેચાણનો ધંધો કરે છે. 12 નવેમ્બરે તેઓ તેમના ટુ-વ્હીલર જ્યુપિટર લઈને દરિયાપુર ખાતે મિત્રને મળવા ગયા હતા. આ દરમિયાન એક વેપારીને 18 લાખ ધંધાના આપવાનો હોવાથી તેઓ નવરંગપુરા ખાતે આવેલા ઈશ્વર સોમા નામની આંગડિયા પેઢીમાં ગયા હતા, જ્યાં તેમના વેપારના 21.36 લાખ રૂપિયા આવ્યા હતા. આ પૈસામાંથી તેમણે 18 લાખ રૂપિયા વાહનની ડેકીમાં મૂકી દીધા હતા, જ્યારે બાકીના 3.36 લાખ રૂપિયા ખભા પર ભરાવેલી બેગમાં મૂક્યા હતા. ડેકીમાંથી પૈસા લઈ બે ફરારપૈસા લઈને તેઓ જ્યુપીટર લઈ રખિયાલ ખાતે કામ માટે નીકળ્યા હતા. સાંજે 5:15 વાગ્યાની આસપાસ સરસપુર વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક અજાણ્યા બાઈકચાલકે તેમનું આગળ બાઇક લાવીને કહ્યું કે કાકા ગાડી બરાબર ચલાવો જેમ તેમ ન ચલાવો. જેથી બંને વચ્ચે રકઝક થઈ ગઈ હતી. બાઈક ચાલકે નારાયણ દાસના જયુપીટર વાહનની ચાવી કાઢીને થોડા આગળ લઈ જઈ રોડ પર ફેંકી દીધી હતી. જેથી નારાયણદાસ ચાવી લેવા ગયા ત્યારે તેમના જયુપીટરની ડેકી ખોલીને એક્સેસ પર આવેલા બે વ્યક્તિ ડેકીમાંથી 18 લાખ ભરેલી બેગ લઈને જઈ રહ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીબનાવ બનતા તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. 18 લાખની લૂંટનો મામલો હોવાથી ઝોન 3 ડીસીપી,એસીપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો તપાસ માટે પહોચ્યો હતો. મોડીરાત સુધી પોલીસે તપાસ કરી હતી. પોલીસે બે અલગ અલગ વાહન પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલો દબાવવા માટે જૂનાગઢના કોર્પોરેટરો એ ધમ પછાળા કર્યા અને મીડિયાને હોસ્ટેલની અંદર આવવા ન દીધું પરંતુ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ વાળો મચાવતા મીડિયા અંદર પહોંચ્યું.હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલે હોસ્ટેલના સંચાલકો અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ સમગ્ર મામલે જ્યારે હોસ્ટેલે પોલીસ પહોંચી તો વોર્ડને પોલીસને કહ્યું પહેલા મીડિયા ને અહીંથી ભગાડી દો.. શાકમાં જીવાત અને સંભારામાં સાવરણાની સળીઓજૂનાગઢની ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયના ભોજનની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર જોખમ ઊભું થયું છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની મોનિકા રાઠોડએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમને જમવાનું સારું આપવામાં આવતું નથી અને તેમાં વારંવાર જીવાતો, ઈયળ અને તો ક્યારેક સંભારામાં સાવરણાની સળીઓ પણ નીકળે છે. હોસ્ટેલના મેનુ મુજબ ભોજન ક્યારેય બનતું નથી. વારંવાર માત્ર બટેટાનું શાક જ બનાવવામાં આવે છે, જે પાણી જેવું હોય છે અને રોટલીઓ કાચી હોય છે. હોસ્ટેલમાં 7 વર્ષથી રહેતી અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં રહીને ભણવા માટે આવ્યા છે, આંદોલન કરવા માટે નહીં, પરંતુ રસોયા દ્વારા એટલું ખરાબ જમવાનું બનાવવામાં આવે છે કે દીકરીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. ખરાબ જમવાના કારણે દીકરીઓને વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે, જેની સારવાર કરાવવા જતાં હોસ્પિટલમાંથી સ્પષ્ટ રિપોર્ટ આવ્યા છે કે આ સમસ્યાઓ ફૂડ પોઈઝનિંગના કારણે સર્જાય છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની લિમિટ હતી, ત્યાં સુધી તેમણે આ સહન કર્યું હતું. ગાદલા પર બેડશીટ ગાયબ અને શૌચાલયોની ખંડેર હાલતભોજનમાં ભ્રષ્ટાચાર ઉપરાંત, હોસ્ટેલની ભૌતિક સુવિધાઓની હાલત પણ અત્યંત દયનીય છે. છેલ્લા 5 વર્ષથી અહીં રહેતી વિદ્યાર્થીની પ્રતીક્ષાબેન રાઠોડએ આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં અહીં કોઈપણ પ્રકારનો બદલાવ આવેલો નથી અને એક પણ સુવિધા આપવામાં આવતી નથી. વિદ્યાર્થીનીઓના રૂમમાં બેડ સીટ પણ નથી, જેના કારણે તેઓ એમનેમ જ ગાદલા પર સૂએ છે અને ઓશિકાની હાલત પણ અતિ ખરાબ છે. સરકારી હોસ્ટેલના શૌચાલયો અને બાથરૂમમાં પણ પોપડા પડી રહ્યા છે અને ખંઢેર હાલતમાં જોવા મળે છે. છાત્રાલયની છતમાંથી પાણી પડે છે, જેના કારણે ચોમાસામાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, રૂમમાં વિદ્યાર્થીનીઓને પોતાનો સામાન વ્યવસ્થિત રાખવાની પણ જગ્યા નથી અને ન છૂટકે સામાન વેરવિખેર રાખવો પડે છે. મંત્રીની મુલાકાત માત્ર ફોટો સેશન બનીને રહી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગત 9 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના સમાજ કલ્યાણ અને શિક્ષણ કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આ હોસ્ટેલની મુલાકાતે આવ્યા હતા, ત્યારે માત્ર ફોટો સેશન કરવા માટે જ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જ્યારે મંત્રી અહીં આવ્યા હતા, ત્યારે રસોયાઓએ હાથમાં અને માથામાં ગ્લોવ્ઝ પહેરી રાખ્યા હતા, પરંતુ 365 દિવસ ગમે તેવા હાથે રસોઈ બનાવવામાં આવે છે. જે સમયે મંત્રી અહીં આવ્યા, ત્યારે રાતના 10 વાગ્યા સુધી હોસ્ટેલના કર્મચારીઓ અને સિક્યુરિટી હાજર રહ્યા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં આવું જોવા મળતું નથી. વિદ્યાર્થીનીઓએ મંત્રીને કહ્યું હતું કે, તમે હાલ જે જોઈ રહ્યા છો તે વાસ્તવિકતા નથી, પરંતુ આડા દિવસે આવો તો ખ્યાલ આવે કે આ હોસ્ટેલની સાચી હકીકત શું છે.. 'એડમિશન રદ કરી નાખવામાં આવશે'આજે જ્યારે હોસ્ટેલમાં ચાલતી લોલમલોલ અને ભ્રષ્ટાચારની ફરિયાદ લઈને મીડિયા પહોંચ્યું, ત્યારે વિદ્યાર્થીનીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના જ અમુક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ આ સમગ્ર બાબતને દબાવી દેવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો અને મીડિયાને અંદર આવવા દીધી નહોતી. જોકે, ના છૂટકે હોસ્ટેલની વિદ્યાર્થીઓએ હોબાળો કરતાં મીડિયા અંદર પહોંચ્યું હતું. પ્રતીક્ષાબેન રાઠોડે જણાવ્યું કે રજૂઆત કરવા માટે મીડિયાને બોલાવ્યા ત્યારે તેમને ધમકાવવામાં આવ્યા અને હોસ્ટેલના વોર્ડન દ્વારા કહેવામાં આવ્યું કે જેણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, તેના એડમિશન રદ કરી નાખવામાં આવશે. સમાજના નામે આવેલા દલાલો પણ આ મુદ્દો દબાવી દેવા માટે દબાણ કરતા હતા. એક વિદ્યાર્થીનીએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે દીકરીઓને આટલો પ્રોબ્લેમ અને પરેશાની હતી, ત્યારે આ સમાજના લોકોને શા માટે કંઈ દેખાતું નહોતું. વોર્ડન અને રસોયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ થશેઃ અધિકારીવિદ્યાર્થીનીઓના આ ગંભીર આક્ષેપો બાદ, સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનુ.જાતિ સમાજ, ચેતન પવારે તાત્કાલિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે આજે કન્યા છાત્રાલયમાં જમવા બાબતે હોબાળો થયો છે, જેમાં જમવાની ગુણવત્તા દીકરીઓને નબળી લાગી અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે. ચેતન પવારે જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ દ્વારા જે અન્ય પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે, તેની એક યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે. હોસ્ટેલના વોર્ડન અને રસોયા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને પણ તાત્કાલિક તપાસ કરવામાં આવશે.જો તપાસમાં યોગ્ય પ્રશ્ન લાગશે, તો વોર્ડનને પણ બદલી નાખવામાં આવશે. સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી વિદ્યાર્થીનીઓએ પોતાની લિમિટ નહોતી વટાવી, ત્યાં સુધી ખરાબ ભોજન, અપૂરતી સગવડ અને સ્વાસ્થ્ય સાથેના ચેડાં સતત ચાલુ હતા. હવે અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને દીકરીઓને યોગ્ય સુવિધાઓ મળે તે જરૂરી છે.
બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા મોગલ ધામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ગલોટિયાં ખાઈને પલટી ગઈ હતી. આ અકસ્માત વહેલી સવારે થયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ સુરેન્દ્રનગરના સરા ગામના શક્તિ રાઠોડ તરીકે થઈ છે. આ પરિવાર સુરેન્દ્રનગરના સરા ગામથી દહેગામ ખાતે એક લોકિક કાર્ય માટે જઈ રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ....
રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 735.55 મિલિમીટર એટલે કે એવરેજ 29.422 ઇંચ વરસાદ વરસ્યો છે. જે ગત વર્ષ કરતા 62.11 ટકા ઓછો છે. જોકે ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે તારાજીની ઘટના સામે આવી હતી. જેમાં 3 માનવ અને 45 પશુના મૃત્યુ થયા છે. જ્યારે 9 મકાન પડી ગયા હતા. ઓક્ટોબરમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે ખેતીપાકને વ્યાપક નુકશાન થયું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે ઓછો વરસાદ પડયો હોવા છતા રાજકોટ જિલ્લામાં ચોમાસુ ભારે રહ્યું છે.વર્ષાઋતુ દરમિયાન ઉપલેટા અને પડધરીમાં એક-એક મોત થયા હતુ. જ્યારે કમોસમી વરસાદમાં ગોંડલમાં એકનું મોત થયું હતુ. ડિઝાસ્ટર વિભાગ દ્વારા મૃતકોના પરિવારજનોને કુલ 12 લાખની સહાય આપવામાં આવી છે. જ્યારે જસદણ-જેતપુર, ધોરાજી અને રાજકોટ તાલુકામાં એક-એક મકાન પડી ગયુ હતુ. આ સિવાય ઉપલેટામાં 2 અને વિંછીયામાં 3 મકાન પડી ગયા હતા. સરકારી તંત્ર દ્વારા મકાન સહાય પેટે આસામીઓને 40 હજારની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે વિજળી પડવાથી 45 પશુના મોત થતા પશુમાલિકોને કુલ રૂ.8,14,500ની સહાય ચૂકવવામાં આવી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં 101.12 ટકા વરસાદ વરસ્યો છે. તેમાં જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં 41.36 ઈંચ તો સૌથી ઓછો વરસાદ વિંછીયામાં 13.84 ઈંચ વરસાદ પડયો છે. જયારે ધોરાજી-જામકંડોરણામાં 39 ઈંચ,રાજકોટમાં 33.64 ઇંચ, જેતપુર-લોધિકામાં 35.52 ઇંચ, કોટડાસાંગાણીમાં 26.64 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉપલેટામાં 24.04 ઇંચ, પડધરીમાં 19.02 ઇંચ અને જસદણમાં 17.16 ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે ઓક્ટોબર મહિનામાં રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદે રંગ રાખ્યો હતો.ગત વર્ષે રાજકોટ જિલ્લામાં 163.23 ટકા વરસાદ પડયો હતો તેની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં સરેરાશ 62.11 ટકા વરસાદની ખાદ્ય રહી છે. તેમાં સૌથી વધુ ઉપલેટામાં 90 ટકા, ધોરાજીમાં 84 ટકા, કોટડાસાંગાણીમાં 88 ટકા અને લોધિકામાં 89 ટકા વરસાદ પડ્યો છે.
આપના નેતાની કરાઈ અટક:જેલની પ્રતિષ્ઠાને હાની પહોંચાડનાર આપ નેતા રાજુ કરપડાની અટક કરાઇ
બોટાદના હડદડ ખેડુત મહાપંચાયતમાં ખેડુતો અને પોલીસના ઘર્ષણમાં સજા કાપી રહેલા આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ જેલમાં ગયા અગાઉ, સાસણગીરથી હું જેલમાં છું અને સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ સંમેલનમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કરતો એક વિડીયો બનાવ્યો હતો. બાદમાં રાજુ કરપડા જેલમાં ગયા બાદ આ વિડીયો એમ.બી. ન્યુઝના સોશ્યલ મિડીયામાં વાયરલ કરી, ભાવનગર જિલ્લા જેલની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું કૃત્ય આચરતા રાજકોટ જેલમાં સજા કાપી રહેલા રાજુ કરપડાની અટક કરી, ભાવનગર સાયબર સેલ દ્વારા ભાવનગરની ચોથી એડીશનલ ફાસ્ટટ્રેક કોર્ટમાં રજુ કરી, પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરતા રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં જેલમાં સજા કાપી રહેલા અને ખેડુત મહાપંચાયતના આરોપી રાજુ જેરામભાઇ કરપડાનો એમ.બી. ન્યુઝ નામના સોશ્યલ મિડીયામાં રાજુ કરપડાએ હું જેલમાં છું અને તા. 31-10-2025ના રોજ સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક સંમેલન રાખવામાં આવેલ છે જેમાં વધારેમાં વધારે લોકોએ એકત્રીત થવું તેવો એક વિડીયો વાયરલ થતાં ભાવનગર જિલ્લા અધિકક્ષક તેમજ જેલ તંત્ર ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો થતાં તંત્ર દોડતું થયું હતું, જેલ અધિકક્ષક ડી.ડી. પ્રજાપતિ દ્વારા આરોપી રાજુ કરપડા વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે આજે ભાવનગર સાયબર સેલ દ્વારા રાજકોટની જેલમાંથી રાજુ કરપડાની અટક કરી ભાવનગર ખાતે ફાસ્ટ્રેક કોર્ટમાં રજુ કરી, પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે દરમિયાન કોર્ટે રિમાન્ડ ફગાવ દિધા હતા. અને જે સમયે રાજુ કરપડાએ કોર્ટમાં વિડીયો કોને વાયરલ કર્યો તેની જાણ ન હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું.
દુષ્કર્મ:પતિ-પત્નિની તકરારનો લાભ લઇ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
ભાવનગર શહેરમાં ગઢેચી વડલા વિસ્તારમાં રહેતા એક શખ્સે તેમના જ કૌટુંબિક ભાઇ અને ભાભી વચાળે અવાર નવાર તકરારો થતાં ભાભીને આશ્વાસન આપી, પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ કૌટુંબિક દિયરે લલચાવી, ફોસલાવી ભાભીને એક હોટલમાં લઇ જઇ, દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ કોઇને જાણ કરશે તો પતિ તેમજ સંતાનોને મારી નાંખવાની ધમકી આપતા પરિણીતાએ કૌટુંબિક દિયર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના ગઢેચી વડલા વિસ્તારની આસપાસ રહેતા એક શખ્સને તેના કૌટુંબિક ભાઇ અને ભાભી વચાળે અવાર નવાર ઘરખર્ચ તેમજ અન્ય બાબતોને લઇને ઝઘડાઓ થયા કરતા હતા. જે વેળાએ અનેક ઝઘડાઓમાં શખ્સ ભાઇ-ભાભી વચાળે સમાધાન કરાવી, ભાભીને આશ્વાસન આપતો હતો. જે દરમિયાન તેના ભાભીને પ્રેમજાળમાં ફસાવી લેતા, અવાર નવાર એકલતામાં મુલાકાત માટે બોલાવતો હતો. એક વખત તેના કૌટુંબિક પરિણીત ભાભીને વરતેજ નજીક એક હોટલમાં લઇ જઇ કહેલ કે, હવે તું મારી પાસે આવી ગઇ છો, તારે મારી સાથે સંબંધ બાંધવો પડશે તેમ કહી, પરિણીત ભાભીની મરજી વિરૂદ્ધ કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચરી, પતિ તેમજ સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ પણ કૌટુંબિક દિયરની ધાક વધતા, ભાભીએ તેના દિયર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિદ્ધિ:ડો.મેહુલ ગોસાઈને શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કાર એનાયત કરાયો
સર ટી. હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગરના બાળરોગ વિભાગના પ્રોફેસર અને વિભાગના વડા બાળ આરોગ્ય નિષ્ણાત ડોક્ટર ડૉ. મેહુલ એમ. ગોસાઈની વર્ષ-2025નો રાષ્ટ્રીય શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. વર્ષ-2025માં આઈ.એમ.એ. (ઇન્ડિયન મેડિકલ એસોસિએશન) દ્વારા દર વર્ષે અપાતા શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કારમાં આઈ.એમ.એ. સાથે જોડાયેલા ગુજરાત સહિત દેશભરમાંથી અનેક તબીબોએ પોતાની એન્ટ્રી મોકલી હતી. વર્ષ-2025ના શ્રેષ્ઠ તબીબી શિક્ષક પુરસ્કારની જાહેરાત કરવાની સાથે આઈ.એમ.એ. મેડિકલ શિક્ષણ ક્ષેત્રે કરેલા તેમણે કરેલા અમૂલ્ય યોગદાન અને નિષ્ઠાપૂર્ણ સેવાઓના સત્કારરૂપે ડો.મેહુલ ગોસાઈને ઈ-મેઈલ દ્વારા અભિનંદન પત્ર પાઠવ્યો છે. ડૉ. ગોસાઈએ મેડિકલ ક્ષેત્રમાં શિક્ષણ અને સંશોધનમાં તેમના પ્રેરણાદાયી માર્ગદર્શન દ્વારા મેડિકલ શાખાના વિદ્યાર્થીઓ તથા સહકર્મીઓને એક નવી ઊંચાઈઓએ પહોંચાડ્યા છે ત્યારે તેમને મળેલા અનન્ય સન્માન બદલ ભાવનગર સરકારી મેડિકલ કોલેજનું ગૌરવ વધાર્યું છે.
કાયદામંત્રીએ સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી:નર્મદા ડેમના નિર્માણ વિશે કાયદામંત્રીએ માહિતી મેળવી
રાજયના કાયદા અને ન્યાય તંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ વિંધ્યાચલ અને સાતપુડા ગીરીમાળાઓના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ પાસેથી ડેમના નિર્માણની અદભૂત સિદ્ધિ અને ટેક્નિકલ માહિતી મેળવી હતી. ડેમની ટેક્નિકલ વિગતોની સાથે ડેમના માધ્યમથી આસપાસના રાજ્યો તથા ગુજરાતની પ્રજાને થતા લાભોની માહિતી પણ મહાનુભાવોએ મેળવી હતી. તેઓની સાથે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન મુકેશ પુરી જોડાયા હતાં. કૌશિક વેકરિયાએ વિંધ્યાચલ અને સાતપુડા ગીરીમાળાઓના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. તેમણે કેનલ હેડ પાવર હાઉસ અને રિવર બેડ પાવર હાઉસની પણ મુલાકાત લઈને વીજ ઉત્પાદન અને તેનાથી ગુજરાત સહિત પાડોશી રાજ્યોને થઈ રહેલા લાભો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.પાવર પ્લાન્ટના ચીફ ઈજનેર એ. એન. પટેલ અને સુપ્રિટેન્ડન્ટ ઈજનેર આર. એન. રાવલે માહિતી પૂરી પાડી હતી.
એવોર્ડ કરાયો એનાયત:શામળદાસ કોલેજને જીકાસ – એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ' એનાયત થયો
MKB યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજને જીકાસ – એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ” પ્રાપ્ત થયો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણીક વર્ષ 2025-26માં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રશ્નોનું સમાધાન કરવા બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટ્સ કોલેજને ગ્રાંટ ઇન એઇડ કોલેજોની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવવા બદલ જીકાસ–એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ” મળેલ છે તથા પ્રવેશપ્રકિયામાં સરાહનીય કામગીરી કરનાર કોલેજના કર્મચારીઓને “પ્રથમ સ્ટાર જીકાસ–વોલીન્ટીયર”નું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના મળીને આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને 850 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. શામળદાસ આર્ટસ કોલેજની આ સિદ્ધિ બદલ કુલપતિ ડૉ.ભરતભાઈ રામાનુજ અને કાર્યકારી કુલસચિવ ડૉ.ભાવેશભાઈ જાની દ્વારા કોલેજના પ્રિ. ડૉ.એમ.બી.ગાયજન તથા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ વિષયના કુલ આઠ જુદા જુદા રેસીડેન્સીયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સનો સમાવેશ થાય છે. આ કોર્સ શરૂ થવાથી સ્ટાફ નર્સની સેવાઓની ગુણવત્તા અને કુશળતામાં વધારો કરવાનો છે. આ કોર્સ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી જે તે સંસ્થાની વેબસાઈટ પર તા. 21 નવેમ્બર,2025 સુધી અરજી કરી શકશે. માર્ગદર્શિકા પ્રમાણે જે તે નર્સિંગ કોલેજ - મેડિકલ કોલેજ દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કોર્સ સ્ટાફ નર્સને ચોક્કસ તબીબી શાખાઓમાં ઊંડી સમજ અને પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડશે. આ એક વર્ષના વિશેષ કોર્સ પૂર્ણ કર્યા બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સની કામગીરીની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી દર્દીઓને વધુ સારી અને કુશળ સારવાર મળી શકશે. આ કોર્ષમાં થિયરી કરતાં પ્રેક્ટિકલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ નર્સિંગ વિષયના કુલ આઠ કોર્સ માં ક્રિટિકલ કેર, ઈમરજન્સી - ડિઝાસ્ટર, નીઓન્ટલ, ઓર્થો અને રીહેબીલેશન, બર્ન-રીકન્સ્ટ્રક્ટીવ, કાર્ડીઓલોજી, ઓનકોલોજી તથા સાઈકીઆટ્રીકનો સમાવેશ થાય છે. જેમાં તેઓ નિષ્ણાંત થઈને દર્દીઓને વધુ સારી સારવાર આપી શકે છે. આ કોર્સની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેથી હોસ્પિટલોમાં દર્દીલક્ષી સંભાળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓના ધ્યેયને વધુ મજબૂત બનાવી શકાય. GMERS સંસ્થાઓના કર્મચારીઓને પ્રવેશઆ કોર્ષમાં રાજ્ય સરકાર અને GMERS સંચાલિત સંસ્થાઓમાં ફરજો બજાવતાં હોય તેવા કર્મચારીઓ તેમજ અન્ય ઇચ્છુક ઉમેદવારો પણ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને વધુ આધુનિક, કાર્યક્ષમ અને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે.
કાર્યવાહી:પાલેજ પાસે લકઝરી બસમાંથી રુ. 25હજારનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો
પાલેજ પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બસનો ડ્રાઇવર અને કલીનર દારૂ તથા બિયરનો જથ્થો નવસારીથી મોરબી લઇ જઇ રહયાં હતાં. ભરૂચની પાલેજ એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ કરવામાં આવી છે. પાલેજ પોલીસને બાતમી મળી હતી કે, શિવ લહેરી ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ નવસારીથી મોરબી તરફ જઈ રહી છે.બસનો ડ્રાઇવર અને કલીનર દારૂ તથા બિયરનો જથ્થો નવસારીથી મોરબી લઇ જઇ રહયાં હતાં. ડ્રાઈવર અને ક્લીનર સુરતથી વિદેશી દારૂનો જથ્થો મોરબી લઈ જઈ રહ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 નજીક ન્યુ બલવાસ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બસ આવતા તેને રોકવામાં આવી અને તેની ડેકીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેવા આહિર અને જેન્દ્ર પટેલ નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 25,610ની કિંમતનો દારૂ અને બિયર, 5,500ના બે મોબાઈલ ફોન, રૂપિયા 2,900 રોકડા અને રૂપિયા 7 લાખની બસ સહિત કુલ 7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલેજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગારીયાધાર નગરપાલિકામાં રિકવરીનો મુદ્દો ભારે ઊછળ્યો છે. ગારીયાધાર નગરપાલિકા કચેરીના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વાઘેલા ગીતાબેન શાંતિલાલ અને જેઠવા કાંતિભાઈ રવજીભાઈએ સાડા ત્રણ લાખની સહાય મેળવી હતી. જે બાબતે ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે તપાસ અને માંગણી કરતા કમિશનર દ્વારા તપાસ હાથ ધરતા જે બંને દ્વારા સહાય મેળવવામાં આવી છે. જે સ્થળ તપાસ તેમની ટીમ દ્વારા કરતા તપાસમાં બંને મેળવી સહાયમાં તેમના પરિવારના સભ્યોના નામે જે તે સમયે સહાય મેળવી હતી અને ડોક્યુમેન્ટ તપાસતા બંને ખોટી રીતે આવાસ યોજનાની સહાય મેળવ્યાંનું ફલિત થતા પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા દ્વારા નગર નગરપાલિકા કચેરી ખાતે હુકમ કરવામાં આવ્યો હતો કે પૂર્વ પ્રમુખ અને સદસ્ય દ્વારા પોતાની સત્તાની રૂએ ખોટી રીતે સહાય મેળવી છે તે બંને પાસેથી આ સહાયની વસૂલાત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે ગારીયાધાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન શાંતિલાલ વાઘેલાને અગાઉ સ્ટ્રીટ લાઈટ ખરીદીની ગેરરીતી બાબતમાં છેલ્લી અને આખરી નોટીસ તા.16.10.25 ના સ્ટ્રીટ લાઈટ ગેરરીતિ બાબતે રૂ.80160 તેમજ 12% વ્યાજ સાથે ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ વસૂલાત કરવા ત્રીજી અને આખરી નોટીસ આપવામાં આવી છે ત્યારે પૂર્વ પ્રમુખ ગીતાબેન વાઘેલા સામે હજુ સ્ટ્રીટ લાઇટ ગેરરીતી બાબતની રિકવરી ભરપાઈ કરવામાં આવી નથી ત્યાં આવાસ યોજનાની રકમની વસુલાત માટેની નોટિસ ફટકારવામાં આવી છે. સહાય બાબતની બંનેને નોટિસ અપાઇ છેઆવાસ યોજનાની સહાય બાબતની બંનેને આ પહેલી નોટિસ આપવામાં આવી છે. વસુલાત માટે હજુ પણ નોટિસ આપવામાં આવશે. પૂર્વ પ્રમુખની અગાઉની સ્ટ્રીટ લાઈટ બાબતની રિકવરી હજુ સુધી તેમના દ્વારા ભરવામાં આવી નથી. રિકવરીની કઈ રીતે વસૂલાત કરવી તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > સંદીપ પટેલ, ચીફ ઓફિસર, ગારીયાધાર નગર પાલિકા

32 C