SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

બંને હાથમાં તલવારો સાથે અસામાજિક તત્વોનો આતંક, VIDEO:ગોમતીપુરમાં માથાકૂટ કરી વાહનોમાં તોડફોડ કરી , ત્રણ શખસોની ધરપકડ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.ગોમતીપુરમાં આવેલી ચાલીમાં ત્રણ શખ્સો તલવાર લઈને ઘૂસી ગયા હતા.ત્રણેયે તલવાર લઈને એક યુવકના ઘરની બહાર તોડફોડ કરી હતી.તલવાર વડે ડરાવી યુવકના પરિવારને ગાળો આપીને નીચે બોલાવ્યા હતા.ગોમતીપુર પોલીસે આ અંગે ગુનો નોધી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. બંને હાથમાં તલવારો લઈ આતંક મચાવ્યોઅમદાવાદન ગોમતીપુરમાં આવેલી છોટાલાલની ચાલી પાસે મેરાજ અંસારી,અફસર અંસારી અને ફૈઝલ અન્સારી નામના ત્રણ શખ્સો તલવાર લઈને ચાલીમાં આતંક મચાવ્યો હતો.ઈકબાલ પઠાણ નામના યુવકના ઘરની બહાર પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી.ત્રણેય શખ્સોએ તલવાર વડે લોકોને ડરાવ્યા હતા.ઈકબાલ અને તેના પરિવારના સભ્યોને ચેતવણી આપીને નીચે બોલાવ્યા હતા.સમગ્ર વિસ્તારમાં આતંક મચાવતા સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. ત્રણ શખસોની ધરપકડ કરવામાં આવીઈકબાલ પઠાણે ત્રણેય વિરુદ્ધ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.ગોમતીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ડી. વી રાણાએ જણાવ્યું હતું કે વિડિઓ સામે આવતા જ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ.નોધી હતી.ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપીને જેલના હવાલે કર્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:26 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:27 ગુજરાત NCC બટાલિયન દ્વારા કેડેટ્સે પદયાત્રા યોજવામાં આવી

27 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે એક પદયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 170 એનસીસી કેડેટ્સે ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેડેટ્સે દેશભક્તિના નારા લગાવ્યા હતા અને એકતા, શિસ્ત તથા રાષ્ટ્રીય એકીકરણનો સંદેશ ફેલાવ્યો હતો. આ પદયાત્રા સરદાર પટેલના વારસાને સન્માનિત કરવા માટે યોજાઈ હતી, જેમણે દેશના ઇતિહાસને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય એકીકરણ અને દેશભક્તિને પ્રોત્સાહન આપવાનો હતો. 27 ગુજરાત બટાલિયન એનસીસીની આ પહેલ દેશભક્તિ અને રાષ્ટ્રીય અભિમાન જાળવવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પદયાત્રા એક મોટી સફળતા હતી, જેના દ્વારા એકતા અને અખંડિતતાનો સંદેશ વ્યાપકપણે ફેલાયો હતો. સરદાર પટેલના જીવન અને વારસાની આ ઉજવણી ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:26 pm

ગોગો પેપર પર પ્રતિબંધ છતાં સુરતમાં વેચાણ:હુક્કા અને ગેરકાયદે સિગારેટના વેચાણ પર ઝોન-3 પોલીસ ત્રાટકી, 24 કેસ નોંધી 13થી વધુ વેપારી સામે કાર્યવાહી

સુરત શહેરમાં નશા અને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણને ડામવા માટે સુરત પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં શહેરના ઝોન-3 વિસ્તારમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા ગેરકાયદેસર રીતે વેચાતા હુક્કા, ગોગો પેપર અને હેલ્થ વોર્નિંગ વગરની વિદેશી સિગારેટો વિરુદ્ધ સપાટો બોલાવવામાં આવ્યો છે. ઝોન-3 પોલીસના માર્ગદર્શન હેઠળ પાંચ પોલીસ સ્ટેશનોએ સંયુક્ત રીતે હાથ ધરેલી આ ઝુંબેશમાં કુલ 24 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે નિયમોનું ઉલ્લંઘન કરતા 13થી વધુ પાનના ગલ્લા ધારકો અને દુકાનદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય માટે જોખમી અને સરકાર દ્વારા નિર્ધારિત 'હેલ્થ વોર્નિંગ' (ચેતવણી) વગરની સિગારેટનું વેચાણ કરતા એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્તપોલીસના આ દરોડા દરમિયાન લાખોની કિંમતનો ગેરકાયદેસર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં હુક્કા અને ફ્લેવર્સ વિવિધ પ્રકારના હુક્કા અને પ્રતિબંધિત ફ્લેવરનો જથ્થો, ગોગો પેપર અને રોલિંગ પેપર નશા માટે વપરાતા ફેન્સી રોલિંગ પેપર્સ, પેકેટ પર ફરજિયાત સ્વાસ્થ્ય ચેતવણી વગરની વિદેશી બ્રાન્ડની સિગારેટોનો સમાવેશ થાય છે. આ પણ વાંચો... રાજ્ય સરકારે ગોગો પેપરના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો, ભાસ્કર સ્ટિંગ બાદ નિર્ણયઆગામી દિવસોમાં પણ કાર્યવાહી શરૂ રહેશેપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, યુવાધનને નશાના રવાડે ચઢાવતી આ પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે. ગેરકાયદેસર વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. પાનના ગલ્લાઓ અને નાની-મોટી દુકાનો પર દરોડાઃ DCPરાઘવ જૈન (ડીસીપી) એ જણાવ્યું હતું કે, તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા જાહેરનામા મુજબ, બજારમાં જાહેરમાં વેચાતા ગોગો પેપર અને રોલિંગ પેપર જેવા પદાર્થો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઝોન-3 ના વિવિધ પોલીસ સ્ટેશન જેવા કે મહિધરપુરા, કતારગામ, સિંગણપોર, ચોકબજાર અને લાલગેટ વિસ્તારમાં પાનના ગલ્લાઓ અને નાની-મોટી દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. કુલ 24 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. જાહેરનામા ભંગના ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન અધિનિયમ (COTPA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. ગેરકાયદેસર હુક્કા વેચનારાઓ વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યા છે. પણ વાંચો: ગાંજો પ્રતિબંધિત તો પીવા માટે 'ગોગો પેપર'નું બેરોકટોક વેચાણ કેમ? નાગરિકોને વેચાણ અંગેની જાણ કરવા અપીલપોલીસ દ્વારા મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી કરવામાં આવી છે કે, જો કોઈ પણ દુકાન કે ગલ્લા પર આવા પ્રતિબંધિત રોલિંગ પેપર કે ગોગો પેપરનું વેચાણ થતું હોય, તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન અથવા પોલીસ ચોકીમાં જાણ કરવી. સુરત પોલીસ આવનારા દિવસોમાં આ અભિયાનને વધુ તેજ બનાવશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:19 pm

બિલ્ડર જમન ફળદુ અને પુત્રને બદનામ કરવાનું ષડયંત્ર:સોશિયલ મીડિયામાં AIની મદદથી ફોટા-વીડિયો એડિટ કરી અપમાનજનક લખાણો લખી અપલોડ કર્યા, બે ID ધારકો સામે ફરિયાદ

જામનગરના અગ્રણી બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયા પર બદનામ કરવાનું ષડયંત્ર સામે આવ્યું છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં બે અજાણ્યા ID ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરની બે જુદી જુદી ID દ્વારા બિલ્ડર અને તેમના પુત્રના ફોટાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી એડિટ કરીને આ ફોટા અપલોડ કરીને સમાજમાં બદનામ કરવાનો પ્રયાસ કરાયો હતો, તેમજ ઉશ્કેરણીજનક અને અપમાનજનક લખાણો પણ લખવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જમન ફળદુએ જે બે ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી, તે બંનેને પણ ધમકીઓ આપવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સમગ્ર મામલે તપાસ ચલાવી રહી છે. જામનગરના ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતા અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા જમન શામજીભાઈ ફળદુએ ગઈકાલે સાયબર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. તેમણે જુદી જુદી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ IDના બે વપરાશકર્તા અજાણ્યા શખ્સો સામે બદનામી અને આપત્તિજનક વીડિયો-ફોટો અપલોડ કરવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, બિલ્ડર જમન ફળદુ અને તેમના પુત્રને સમાજમાં બદનામ કરવા, સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અથવા પૈસા પડાવવા માટે કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા આ કાવતરું કરવામાં આવ્યું છે. જમન ફળદુએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 'વિશાલ કણસાગરા' નામની IDનો ઉપયોગ કરનાર વ્યક્તિએ તેમને બદનામ કરતું લખાણ લખ્યું હતું અને નીચે અલગ અલગ ફોટાઓ મૂક્યા હતા. આ લખાણ અને ફોટાઓ સાથે તેમને તથા તેમના પુત્ર વિશે ખોટી માહિતી ફેલાવતા અને બદનામ કરતા AI-એડિટેડ વીડિયો પણ પોસ્ટ કરવામાં આવ્યા હતા. તેમણે આ IDના સ્ક્રીનશોટ પાડીને સાયબર ક્રાઈમ પોલીસ સમક્ષ રજૂ કર્યા છે. વધુમાં, જમનભાઈએ જે ખેડૂતો પાસેથી જમીન ખરીદી હતી, તેમને પણ ધાકધમકી આપવામાં આવી છે. આ બંને ખેડૂતોને પણ બદનામ કરવાનો પ્રયાસ થયો હતો. ખેડૂતોએ પોતાના મોબાઈલમાંથી પોતાની ID દ્વારા ઉપરોક્ત ફેસબુક ID 'વિશાલ કણસાગરા' પર મેસેજ કર્યા હતા. ત્યારે આ અજાણ્યા ID ધારકે તેમને મેસેજમાં ગાળો આપી ઘરમાંથી કાઢી કાઢીને મારીશ તેવી ધમકી આપી હતી. જે ફરિયાદના અનુસંધાને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઇ. આઈ.એ. ધાસુરા એ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 336(2),336,(4),351(4),352,356 તથા આઈ.ટી.એક્ટ 66 (સી) મુજબ ગુનો નોંધ્યો છે, અને ઉપરોક્ત બંને આઈડી ધારક ને શોધવા માટે સોશિયલ મીડિયા ના માધ્યમથી કવાયત શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:18 pm

52મા મહોત્સવમાં ક્વિઝ સ્પર્ધાના પરિણામો જાહેર:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ આયોજિત કરી હતી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા મહોત્સવમાં ક્વિઝ સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગે પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ ક્વિઝ સ્પર્ધાનો પ્રારંભ રંગમંચ 5, અર્થશાસ્ત્ર વિભાગ ખાતે સાંજે 4 કલાકે થયો હતો. સ્પર્ધામાં આશરે 54 કોલેજોના કુલ 165 વિદ્યાર્થીઓએ ભાગ લેવા માટે નોંધણી કરાવી હતી. સ્પર્ધાના જાહેર કરાયેલા પરિણામો અનુસાર, પ્રથમ ક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનો અર્થશાસ્ત્ર વિભાગ રહ્યો છે. બીજા ક્રમે સરકારી આર્ટસ, કોમર્સ અને સાયન્સ કોલેજ, લિંબાયત, સુરત જ્યારે ત્રીજા ક્રમે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનો ભૌતિકશાસ્ત્ર વિભાગ વિજેતા બન્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:05 pm

યુવા મહોત્સવની સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાના પરિણામ જાહેર:વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા મહોત્સવમાં વિજેતાઓ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવ અંતર્ગત સ્પોટ ફોટોગ્રાફી સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ફોટોગ્રાફી સ્પર્ધાનો પ્રારંભ યુનિવર્સિટીના રંગમંચ 6, ગુજરાતી વિભાગ ખાતે સાંજે 4 કલાકે થયો હતો. જેમાં આશરે 50 કોલેજોના કુલ 41 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવી પોતાની કલાકારીનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતાઓની જાહેરાત કરવામાં આવી હતી. પ્રથમ ક્રમ કપાડિયા જોય ભુપેન્દ્ર કુમારે મેળવ્યો હતો, જેઓ વી.એન.એસ.જી.યુ.ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ટિરિયરના વિદ્યાર્થી છે. બીજો ક્રમ શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ, ધરમપુરના પટેલ કરીશ રીતેશભાઈને ફાળે ગયો હતો. જ્યારે ત્રીજો ક્રમ સી.બી. પટેલ કમ્પ્યુટર કોલેજ, ભરથાણાના વરદેહ પ્રસિક સિદ્ધાર્થને મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:05 pm

લોકગીત સ્પર્ધાના પરિણામો જાહેર:વીર નર્મદ યુનિવર્સિટીના 52માં મહોત્સવમાં વિજેતાઓ ઘોષિત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52માં યુવા મહોત્સવ અંતર્ગત યોજાયેલી લોકગીત સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં આશરે 33 કોલેજોના કુલ 127 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. લોકગીત સ્પર્ધાનો પ્રારંભ રંગમંચ 2 પર્વમંચ ખાતે બપોરે 12 કલાકે થયો હતો. આ સ્પર્ધા યુનિવર્સિટીના વાર્ષિક મહોત્સવનો એક મહત્વપૂર્ણ ભાગ હતી, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાના અંતે વિજેતાઓની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં વ્યાસ આરોહી હેમાંગભાઈ (ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન, VNSGU) એ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. બીજા ક્રમે કોરાટ તન્વી અશ્વિનભાઈ (પ્રો. વી.બી. શાહ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આર.વી. પટેલ કોલેજ ઓફ કોમર્સ, વી.એલ. શાહ કોલેજ ઓફ કોમર્સ, સુટેક્સ બેંક કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એન્ડ સાયન્સ, અમરોલી, સુરત) રહ્યા હતા. જ્યારે ગઢવી અવલદાન (જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી, સુરત) એ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:03 pm

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી યુવા મહોત્સવ, સ્કીટ સ્પર્ધાના પરિણામો જાહેર:J.Z.Shah Arts Commerce College પ્રથમ ક્રમે

દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત 52મા યુવા મહોત્સવના પ્રથમ દિવસે સ્કીટ સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધામાં J.Z.Shah Arts H.P.Desai Commerce College પ્રથમ ક્રમે રહ્યું હતું. રંગમંચ 1 કન્વેન્શન હૉલ ખાતે બપોરે 12 કલાકે સ્કીટ સ્પર્ધાનો પ્રારંભ થયો હતો. જેમાં આશરે 22 કોલેજોના કુલ 183 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં Sheth C.D.Barfiwala Commerce College બીજા ક્રમે અને D.R.Patel R.B.Patel Commerce College, ભર્થના ત્રીજા ક્રમે રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:02 pm

વીર નર્મદ યુનિવર્સિટીએ અમાસના દિવસે સાઉન્ડ હીલિંગ કાર્યક્રમ યોજ્યો:વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે ડીપ મેડિટેશનનું આયોજન કરાયું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય (VNSGU) દ્વારા અમાસના દિવસે સાઉન્ડ હીલિંગ દ્વારા ડીપ મેડિટેશન કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવાનો હતો. સુપ્રીમ કોર્ટની સૂચના મુજબ, દરેક શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. VNSGUના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈન આર્ટસની 20 વર્ષની ઉજવણીના ભાગરૂપે, નેશનલ ટાસ્ક ફોર્સ કમિટીના નોડલ ઓફિસર અંકિત પટેલ અને વિદ્યાર્થી નોડલ ઓફિસર હર્ષ ટેલર દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. વિભાગના કો-ઓર્ડીનેટર અંકિત ચાંગાવાળાના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ સંપન્ન થયો. આ સાઉન્ડ હીલિંગ મેડિટેશન નિર્વાણ હીલિંગ સેન્ટરના માસ્ટર ધીરુભાઈ જરીવાલા દ્વારા કરાવવામાં આવ્યું હતું. અમાસનો દિવસ ગહન વિચારણા, આત્મનિરીક્ષણ અને નવા સંકલ્પો માટે એક શક્તિશાળી ક્ષણ માનવામાં આવે છે. આ દુર્લભ ક્ષણનો લાભ લઈને સહભાગીઓને પરિવર્તન સ્વીકારવા અને જીવનચક્રનું સન્માન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ અદભુત સાઉન્ડ હીલિંગ પ્રક્રિયાનો અનુભવ લેવા માટે વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર કિશનસિંહ ચાવડા, વિભાગના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિભાગીય વડાઓ સહિત અનેક લોકોએ હાજરી આપી હતી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:01 pm

'લાલ પરી' બની કિંજલ દવેની એન્ટ્રી, VIDEO:અમદાવાદમાં ગ્રાન્ડ સગાઈ રિસેપ્શન યોજાયું, ખજૂરભાઈ સહિતના સેલિબ્રિટીઓ કપલ સાથે ગરબે ઘૂમ્યા

ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ થયા બાદ 20મી ડિસેમ્બરે અમદાવાદમાં રિસેપ્શન યોજાયું હતું. જેમાં ગુજરાતી મનોરંજન જગતના સિતારાઓએ હાજરી આપી કિંજલ અને ધ્રુવીનને શુભેચ્છા પાઠવી હતી. રિસેપ્શનમાં હાજરી આપવા આવેલા ખજૂરભાઈ સહિતના સેલિબ્રેટીઓએ કપલ સાથે ગરબે ઘૂમ્યા હતા. રિસેપ્શનમાં કિંજલ દવે લાલ કલરની સાડીમાં જોવા મળી હતી. અમદાવાદના YMCA ક્લબ ખાતે ભવ્ય રિસેપ્શન યોજાયુંઅમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલી જાણીતી YMCA ક્લબ ખાતે કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈનું ગ્રાન્ડ રિસેપ્શન યોજાયું હતું. આ પ્રસંગે કિંજલ દવે લાલ રંગની સાડીમાં અત્યંત સુંદર લાગી રહી હતી, જ્યારે તેના મંગેતર ધ્રુવીન શાહે પણ તેની સાથે ભવ્ય એન્ટ્રી કરી હતી. ગુજરાતી કલાકારોનો જમાવડોઆ પ્રસંગ માત્ર પારિવારિક ઉત્સવ ન રહેતા ગુજરાતી ફિલ્મ અને સંગીત જગતનું એક મોટું સ્નેહમિલન બની ગયું હતું. રિસેપ્શનમાં જાણીતા કલાકારો હાજર રહ્યા હતા. ગીતા રબારી, વિક્રમ ઠાકોર, રાકેશ બારોટ, જીગ્નેશ બારોટ, ઉર્વશી રાદડિયા, અલ્પા પટેલ, કાજલ મહેરિયા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર, તત્સત અને આરોહી, કુશલ મિસ્ત્રી,ખજૂર (નીતિન જાની), તરુણ જાની, 'લાલો' ફિલ્મની ટીમ, જતીન અને પાર્થ (પરમ મિત્ર ટીમ) હાજર રહી હતી. ખજૂરભાઈ સહિતના સેલિબ્રેટી કિંજલ અને ધ્રુવીન સાથે ગરબે ઘૂમ્યારિસેપ્શનના અંતે કિંજલ દવે, ધ્રુવીન શાહ અને ઉપસ્થિત તમામ કલાકારોએ મન મૂકીને ગરબા કર્યા હતા. ગુજરાતી કલાકારોના સૂર અને તાલે આખી સાંજ ગુંજી ઉઠી હતી અને મહેફિલમાં એક અલગ જ રોનક જોવા મળી હતી. વિવાદોની વચ્ચે ખુશીનો પ્રસંગનોંધનીય છે કે, કિંજલ દવેની આ સગાઈ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. અગાઉ થયેલી કેટલીક સામાજિક ગૂંચવણો અને સમાજના વિરોધને કારણે આ બાબત સોશિયલ મીડિયા પર ટોક ઓફ ધ ટાઉન બની હતી. ચાહકોનો મોટો વર્ગ કિંજલના આ નવા જીવનના આરંભને આવકારી રહ્યો છે. બીજી તરફ સામાજિક કારણોસર કેટલાક લોકો દ્વારા હજુ પણ વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે, આ તમામ વિવાદોને બાજુ પર રાખીને કિંજલ અને તેના પરિવારે આ ખુશીના અવસરને ધામધૂમથી ઉજવ્યો હતો. આ સમાચાર પણ વાંચોઃગુજરાતી સિંગર કિંજલ દવેએ સગાઈ કરી:લાંબા સમયનાં ડેટિંગ એક્ટર-બિઝનેસમેન સાથે વીડિયો FB પર પોસ્ટ કર્યો, જાણો કોણ છે મંગેતર લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરી લીધી છે, ત્યારે આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી છે. કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ યુગલની સગાઈના સમાચારથી તેમના ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) 'કિંજલ દવેએ કોઈ વિધર્મી સાથે ભાગીને લગ્ન નથી કર્યા':એક્ટ્રેસ-સિંગર અને મહિલા આગેવાન સહિતના લોકોનું કિંજલને સમર્થન લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી હતી. આ સગાઈનો વીડિયો કિંજલ દવેએ પોતાના ફેસબુક પેજ પોસ્ટ કરી ઓફિશિયલ જાહેરાત કરી હતી. જોકે, કિંજલ દવેએ પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો હતો. કિંજલ દવે અને તેના પરિવારને સમાજમાંથી બહિષ્કાર કરવાનો મામલો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. આ વિવાદાસ્પદ મુદ્દે સમાજ બે ભાગમાં વહેંચાયેલો જોવા મળી રહ્યો છે. જેમાં કેટલાક લોકો બ્રહ્મ સમાજના આ નિર્ણયને સમર્થન આપી રહ્યા છે તો ઘણા લોકો આ નિર્ણયનો વિરોધમાં સામે આવી કિંજલ દવેને સપોર્ટ કરી રહ્યા છે. (સંપૂર્ણ સમાચાર વાંચો) 'કિંજલબેન દવેની માનસિકતા હલકી છે':'સમાજને નીચો દેખાડવાની કોશિશ ન કરો, સગાઈ પહેલા પરિવારને પણ જાણ નહોતી કરી', પાંચ પરગણા બ્રહ્મ સમાજ આકરા પાણીએ તાજેતરમાં લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવેએ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી લીધી છે. પોતાની જ્ઞાતિની બહાર સગાઈ કરવાને કારણે 14 ડિસેમ્બરે પાંચ પરગણા બ્રહ્મ સમાજે તેનો બહિષ્કાર કર્યો છે. જો કે તેની સામે કિંજલે FB પર એક વીડિયો પોસ્ટ કરી કહ્યું હતું કે, શું બે-ચાર અસામાજિક તત્વો લાઈફ પાર્ટનર નક્કી કરશે? આ વિવાદ સમગ્ર રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે અને તેના પર ડિબેટ્સ થવા લાગી છે. આ સમગ્ર વિવાદ મામલે દિવ્ય ભાસ્કરે પાંચ પરગણા બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ જનક જોષી સાથે વાત કરતી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, કિંજલબેન દવેની માનસિકતા હલકી છે. સમાજને નીચો દેખાડવાનો પ્રયાસ કરશો નહીં. સગાઈ કરતા પહેલાં પરિવારને પણ જાણ કરી નહોતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:00 pm

સિલ્વર ઓક કિડ્સનો વાર્ષિકોત્સવ ભારત કા સફર:કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવાઈ

સિલ્વર ઓક કિડ્સનો વાર્ષિકોત્સવ ભારત કા સફર – કાશ્મીરથી કન્યાકુમારી: ઇન્ડિયા કમ્સ એલાઈવ થીમ સાથે ઉત્સાહભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમ દ્વારા ભારતની એકતામાં વિવિધતાની ભાવનાને સુંદર રીતે રજૂ કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ દેશના વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ કરતી સાંસ્કૃતિક રજૂઆતો કરી હતી. તેમણે નૃત્ય, અભિનય અને લોકકલા દ્વારા ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક ધરોહરને જીવંત કરી બતાવી. રંગબેરંગી પરંપરાગત વેશભૂષામાં સજ્જ નાના કલાકારોએ તેમની ઉત્કૃષ્ટ રજૂઆતથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શિક્ષકોએ પણ વિવિધ રાજ્યોના પરંપરાગત વસ્ત્રોમાં હાજરી આપી હતી. તેમણે કાર્યક્રમને વિશેષ આકર્ષણ પૂરું પાડ્યું અને સૌહાર્દ, એકતા તથા સહભાગિતાનો સંદેશ મજબૂત કર્યો. આ સમગ્ર ઉજવણી વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત સૌ માટે યાદગાર બની રહી. આનાથી સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવના વધુ મજબૂત બની હતી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 4:00 pm

સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી:નાના ભૂલકાઓ માટે વિવિધ રમતગમતનું આયોજન

અમદાવાદના રાઇખડ વિસ્તારમાં આવેલી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલમાં તાજેતરમાં સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રી-સ્કૂલના નાના ભૂલકાઓ માટે તેમની ઉંમરને અનુરૂપ વિવિધ રમતગમતનું આયોજન કરાયું હતું. સ્પોર્ટ્સ ડે દરમિયાન દોડ સ્પર્ધા, બોલ રમતો, રિંગ થ્રો અને બેલેન્સ ગેમ સહિતની રમતોમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શિક્ષકોએ બાળકોને પ્રોત્સાહન આપી રમતોનું મહત્વ સમજાવ્યું હતું. શાળાના સંચાલકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો બાળકોના શારીરિક, માનસિક અને સામાજિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્પોર્ટ્સ ડેની ઉજવણીથી બાળકો તેમજ વાલીઓમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:58 pm

વેરાવળની બજારમાં બનેવીની હત્યા કરનાર 4 ઝડપાયા:પરોઢિયે ઠંડીના સન્નાટા વચ્ચે આધેડ પર લોખંડની પાઈપ અને પથ્થર મારી હુમલો, 6માંથી 2 હજુ ફરાર

વેરાવળ શહેરની મુખ્ય બજારમાં વહેલી સવારે જૂના મનદુઃખના કારણે એક આધેડની તેમના જ સાળા સહિત છ શખ્સોએ ઘાતકી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પરોઢિયે ઠંડીના સન્નાટા વચ્ચે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ચાર આરોપીઓની અટકાયત કરી છે, જ્યારે બે હજુ પણ ફરાર છે. મળતી વિગત મુજબ, વેરાવળ આવાસ કોલોનીમાં રહેતા 50 વર્ષીય પુનાભાઈ બાબુભાઈ સોલંકી ગત તા. 19 ડિસેમ્બરના રોજ વહેલી સવારે આશરે પાંચ વાગ્યે શાકમાર્કેટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મુખ્ય બજારના સુભાષ રોડ પર તેમનો સામનો મુકેશ બધા, સંજય બધા, ચંદા સંજય, મુકતા કાના, સુનીલ કાના અને સાહિલ સોલંકી સાથે થયો હતો. મનદુઃખના કારણે બોલાચાલીઅગાઉથી ચાલી આવતા મનદુઃખના કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા છ શખ્સોએ લાકડી, લોખંડની પાઈપ અને પથ્થરો વડે પુનાભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. હોસ્પિટલમાં મૃત જાહેર કરાયાહુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પુનાભાઈ અને અન્ય એક વ્યક્તિ સંજયને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વેરાવળ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ પુનાભાઈ (ઉંમર 50)ને મૃત જાહેર કર્યા હતા. બીજી તરફ, સારવાર હેઠળ રહેલો ઈજાગ્રસ્ત આરોપી સંજય પ્રાથમિક સારવાર લીધા બાદ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ કાર્યવાહી અને ધરપકડઘટના અંગે માહિતી આપતા વિભાગીય પોલીસ અધિકારી વી.આર. ખેંગારે જણાવ્યું હતું કે, મૃતકની પત્ની મંગુબેન સોલંકીની ફરિયાદના આધારે છ શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. બાકીના 2 આરોપીઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ કૌટુંબિક મનદુઃખ કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. ધોળા દિવસે થયેલી આ ઘટનાએ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઉભા કર્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:58 pm

વીર નર્મદ યુનિવર્સિટી યુવા મહોત્સવ: રીલ મેકિંગના પરિણામ જાહેર:52મા યુવા મહોત્સવના પ્રથમ દિવસની સ્પર્ધાના વિજેતાઓ જાહેર કરાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)ના 52મા યુવા મહોત્સવના પ્રથમ દિવસે યોજાયેલી રીલ મેકિંગ સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાનો પ્રારંભ રંગમંચ 6, ગુજરાતી વિભાગ ખાતે બપોરે 12 કલાકે થયો હતો. જેમાં આશરે 28 કોલેજોના કુલ 26 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. રીલ મેકિંગ સ્પર્ધાના વિજેતાઓ નીચે મુજબ છે પ્રથમ ક્રમ: શેઠ પી.ટી. મહિલા કોલેજ ઓફ આર્ટસ એન્ડ હોમ સાયન્સ બીજો ક્રમ: એસ.ડી.જે. ઇન્ટરનેશનલ કોલેજ, વેસુ ત્રીજો ક્રમ: બી.પી. બારૈયા સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ, નવસારી

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:57 pm

વીર નર્મદ યુનિવર્સિટીમાં યુવક મહોત્સવ:શીધ્ર ચિત્ર સ્પર્ધાના પરિણામો જાહેર કરાયા

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 52મા યુવક મહોત્સવ અંતર્ગત શીધ્ર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. આ સ્પર્ધાનો આરંભ રંગમંચ ૭ ઇન્ડોર સ્વિમિંગ પુલ ખાતે બપોરે 12 કલાકે થયો હતો. જેમાં આશરે 62 કોલેજોના કુલ 83 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં એસ. ડી. જૈન કોલેજના આદિશ જૈને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ડીપાર્ટમેન્ટ ઓફ ફાઇન આર્ટસના અકોલિયા મોનિકા બીજા ક્રમે રહ્યા હતા, જ્યારે વાપીની કે. બી. એસ કોલેજના જૈસવાલ સૂરજે ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:54 pm

મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન દ્વારા 1000 ધાબળાનું વિતરણ:વાર્ષિક મહોત્સવ અંતર્ગત આર્થિક રીતે વંચિત બહેનોને સહાય

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા મહાવીર ગોપાલ મહેક સેવા સંકુલ ખાતે મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વાર્ષિક મહોત્સવ-૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્થિક રીતે વંચિત 1000 બહેનોને ગરમ ધાબળાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થા દ્વારા કુલ 2000 ધાબળા વિતરણ કરવાનો લક્ષ્યાંક છે. શિયાળાની વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને સમાજની જરૂરિયાતમંદ બહેનોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુસર આ ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ મંગલ નવકાર મહેક બચત અને ધિરાણ સહકારી મંડળી લિ.ના વાર્ષિક મહોત્સવ અંતર્ગત યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરના મેયર મીરાબેન પટેલ, ભુદરદાસ સેવાનિધિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ તેમજ મુંબઈના જૈન પ્રેમભક્તિ ગ્રુપના જ્યોતિબેન શાહ અને જગદીશભાઈ શાહ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ જાગૃતિ કેન્દ્રના પ્રમુખ પ્રમોદભાઈ શાહ, દિનેશભાઈ શાહ, તેમજ મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટના વીરુભાઈ અલગોતર અને મુકેશભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. મંગલ નવકાર મહેક બચત અને ધિરાણ સહકારી મંડળી લિ. આર્થિક રીતે વંચિત વર્ગ માટે કાર્ય કરતી એક અગ્રણી સહકારી સંસ્થા છે. સંસ્થા મહિલા સશક્તિકરણ અંતર્ગત માર્ગદર્શન, શિક્ષણ, આરોગ્ય, રોજગારલક્ષી તાલીમ અને વ્યસનમુક્તિ જેવી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવે છે. “આપણી દુકાન” યોજના દ્વારા ગુણવત્તાવાળી ચીજવસ્તુઓ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો પણ સતત કરવામાં આવે છે. ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલી અંદાજે 1500 બહેનોને આર્થિક રીતે સશક્ત બનાવવા સંસ્થા કાર્યરત છે. કાર્યક્રમ દરમિયાન “માનવ કથા” દ્વારા વક્તા નયનાબેને સારા જીવન જીવવાની પદ્ધતિ વિષય પર પ્રેરણાદાયી રજૂઆત કરી હતી. આ ઉપરાંત, નાના બાળકોએ મનમોહક નૃત્ય અને બેન્ડ વાદન દ્વારા ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની વિવિધ સેવાપ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. આ પ્રસંગે ભુદરદાસ સેવાનિધિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલે મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સિલાઈ તાલીમ પૂર્ણ કરેલી અને રોજગાર માટે સિલાઈ મશીનની જરૂરિયાત ધરાવતી બહેનોને ટ્રસ્ટ તરફથી સિલાઈ મશીન આપવામાં આવશે. તેમજ કોલેજમાં અભ્યાસ કરતા અને ૬૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ સહાય પણ પૂરી પાડવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં 1000થી વધુ બહેનોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી, જે તેની સફળતા દર્શાવે છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:53 pm

વીર નર્મદ યુનિવર્સિટીનો 52મો યુવક મહોત્સવ શરૂ:પ્રથમ દિવસે મિમિક્રી સ્પર્ધાના પરિણામો જાહેર

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), સુરત દ્વારા 52મા રાણી અબ્બક્કાદેવી યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં આ મહોત્સવ 20 થી 23 ડિસેમ્બર 2025 સુધી ચાર દિવસ ચાલશે. આજે મહોત્સવનો પ્રથમ દિવસ હતો, જેમાં વિવિધ સ્પર્ધાઓનો પ્રારંભ થયો. પ્રથમ દિવસે મિમિક્રી સ્પર્ધાનું આયોજન રંગમંચ 04, માનવ સંસાધન વિભાગ ખાતે બપોરે 12 કલાકે થયું હતું. આ સ્પર્ધામાં કુલ 11 કોલેજોના 11 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાંથી 10 કોલેજોના 7 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મિમિક્રી સ્પર્ધાના પરિણામો નીચે મુજબ છે: પ્રથમ ક્રમ: કાવા દિવ્યતા રાજેશભાઈ (એસ.ડી. જૈન કોલેજ, વેસુ, સુરત). બીજો ક્રમ: બલદાણિયા ભાર્ગવ અશોકભાઈ (આર્ટ્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, ખોલવાડ). ત્રીજો ક્રમ: દ્વિવેદી આમા વિષ્ણુકુમાર (એસ.ડી. જૈન કોલેજ, પલસાણા).

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:51 pm

VNSGU યુવા મહોત્સવમાં કહાની શાહ ત્રીજા સ્થાને:પત્રકારત્વ વિભાગની વિદ્યાર્થીનીએ વક્તૃત્વ સ્પર્ધામાં ગૌરવ વધાર્યું

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) દ્વારા આયોજિત 52મા અબ્બક્કાદેવી યુવા મહોત્સવમાં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગની વિદ્યાર્થીની કહાની શાહે વક્તૃત્વ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરી યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. આ ચાર-દિવસીય મહોત્સવ 20 ડિસેમ્બર 2025 થી 23 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાઈ રહ્યો છે. ગુજરાત રાજ્ય સરકારના મંત્રી ડો. જયરામભાઈ ગામીત મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રજીસ્ટ્રાર ડો. રમેશદાન ગઢવી અને યુવક કલ્યાણ તથા શારીરિક શિક્ષણ વિભાગના વડા શ્રી ડો. યોગેશભાઈ વાસીયા નિમંત્રક તરીકે સેવા આપી રહ્યા છે. મહોત્સવના પ્રથમ દિવસે કુલ બાર જેટલી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. તેમાં રંગમંચ ત્રણ અંગ્રેજી વિભાગમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ સ્પર્ધામાં યુનિવર્સિટીના વિભાગો અને કોલેજોમાંથી કુલ 121 એન્ટ્રીઓ આવી હતી, જેમાં 74 કોલેજોના 94 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વક્તૃત્વ સ્પર્ધાના અંતિમ પરિણામો ગઈકાલે મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યા હતા. બી.એ. જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશનના સેમેસ્ટર 06માં અભ્યાસ કરતી કહાની શાહે 'ગુજરાતની ગૌરવ ગાથા' વિષય પર રમુજ અને કટાક્ષભર્યું વક્તવ્ય આપીને નિર્ણાયકો અને શ્રોતાઓને પ્રભાવિત કર્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:49 pm

રાણી અબ્બક્કાદેવી 52મા યુવા મહોત્સવનો આરંભ:વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આજથી શરૂ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા ૫૨મા રાણી અબ્બક્કાદેવી યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ચાર દિવસીય આ મહોત્સવનો પ્રારંભ 20 ડિસેમ્બર, 2025ના રોજ થયો હતો અને તે 23 ડિસેમ્બર, 2025 સુધી ચાલશે. ગુજરાત સરકારના મંત્રી ડો. જયરામભાઈ ગામીત મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ યુવા મહોત્સવનું આયોજન યુનિવર્સિટીના કુલપતિ ડો. કિશોરસિંહ એન. ચાવડાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કુલ સચિવ ડો. રમેશદાન ગઢવી અને યુવક કલ્યાણ અને શારીરિક શિક્ષણ વિભાગના વડા ડો. યોગેશભાઈ વાસિયા નિમંત્રક છે. યુનિવર્સિટી વિસ્તારની કુલ 20 કોલેજોના 871 વિદ્યાર્થીઓએ આ મહોત્સવમાં ભાગ લીધો છે. મહોત્સવ દરમિયાન કુલ ૩૪ જેટલી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે, જે જુદા જુદા 8 રંગમંચો પર યોજાશે. સમગ્ર મહોત્સવના સુવ્યવસ્થિત અમલીકરણ માટે 19 સમિતિઓની રચના કરવામાં આવી છે. મહોત્સવના પ્રથમ દિવસે સવારે 8:00 વાગ્યે કુલપતિશ્રીએ શ્રીફળ વધેરીને રંગમંચ 1 (કન્વેન્શન હોલ)થી કળાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આ યાત્રા રંગમંચ 2 (પર્વમંચ) પર સમાપ્ત થઈ હતી. કળાયાત્રામાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને 20 સંલગ્ન કોલેજોના 871થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ પ્રદર્શનીઓ અને ઝાંખીઓ સાથે ભાગ લીધો હતો. આ કળાયાત્રાને 1500થી વધુ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ નિહાળી હતી. કળાયાત્રા બાદ બપોરે 11:30 કલાકે રંગમંચ 2 (એમ્ફી થિયેટર) ખાતે યુવક મહોત્સવને ખુલ્લો મૂકવાની વિધિ હાથ ધરવામાં આવી હતી. સર્વપ્રથમ વિશ્વવિદ્યાલય ગીતનું ગાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ મંચ પર બિરાજમાન મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરવામાં આવ્યું. કુલસચિવશ્રીએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ મંત્રી ડો. જયરામભાઈ ગામીતે પ્રવચન આપ્યું હતું, જેમાં તેમણે પોતાના શિક્ષણકાળની યાદો તાજી કરી હતી. ત્યારબાદ યુનિવર્સિટીના કુલપતિએ વક્તવ્ય આપ્યું હતું અને વિધિવત રીતે યુવા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો. અંતમાં ડો. યોગેશભાઈ વાસિયાએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. કાર્યક્રમના સમાપ્તિએ કળાયાત્રામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટીના વિભાગો અને કોલેજોને સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:48 pm

Swayam પોર્ટલ પર MOOC ડેવલપમેન્ટ માટે FDP યોજાયો:COR અને FOE દ્વારા શિક્ષકોને સશક્ત કરવા પાંચ દિવસીય કાર્યક્રમ

ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી (COR) અને કડી સર્વ વિશ્વવિદ્યાલય (FOE) ના સંયુક્ત ઉપક્રમે 'સ્વયં પોર્ટલ પર MOOC ડેવલપમેન્ટ માટે શિક્ષકોને સશક્ત કરવા' વિષય પર પાંચ દિવસીય નેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ (FDP) યોજાયો હતો. આ કાર્યક્રમ 16 થી 20 ડિસેમ્બર, 2025 દરમિયાન ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ નવીનતાને પ્રોત્સાહન આપવાના હેતુથી સફળતાપૂર્વક સંપન્ન થયો. આ FDPનો મુખ્ય ઉદ્દેશ્ય અધ્યાપકોને સ્વયં પોર્ટલ પર મેસિવ ઓપન ઓનલાઈન કોર્સિસ (MOOCs) વિકસાવવા માટે જરૂરી શૈક્ષણિક અને ટેકનિકલ કુશળતાઓથી સજ્જ કરવાનો હતો. આનાથી ભારત સરકારના ડિજિટલ યુનિવર્સિટી બનાવવાની કલ્પનામાં યોગદાન આપી શકાય. આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ, SCERT ગુડગાંવ, વિવિધ કોલેજો અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંથી કુલ 40 ફેકલ્ટી સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પાંચ દિવસના આ કાર્યક્રમ દરમિયાન કુલ ૧૫ નિષ્ણાતો દ્વારા MOOC સંબંધિત વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, નવી શિક્ષણ નીતિ 2020 (NEP 2020) ના સંદર્ભમાં સ્વયં જેવી ડિજિટલ પહેલ શિક્ષણને વધુ સુલભ અને ગુણવત્તાયુક્ત બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કાર્યક્રમ દરમિયાન બે દિવસ BISAG-N માં પણ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર અધ્યાપકોએ આ કાર્યક્રમને અત્યંત ઉપયોગી, માર્ગદર્શક અને પ્રેરણાદાયક ગણાવ્યો હતો. તેમણે ભવિષ્યમાં પોતે પોતાના વિષયમાં MOOC કોર્સ વિકસાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ સમગ્ર કાર્યક્રમ FOE, KSV ના ડીન ડૉ. વીણાબેન પટેલ અને COR, CRU ના ડાયરેક્ટર ડૉ. સંજયભાઈ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ કોઓર્ડિનેટર ડૉ. હરિકૃષ્ણ પટેલ અને કુલદીપભાઈ પ્રજાપતિ દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:44 pm

ગોધરામાં VHP દ્વારા ત્રિશૂળ દીક્ષા સમારોહ:151 બજરંગી કાર્યકરોએ ત્રિશૂળ ગ્રહણ કર્યા, પદ સંચલન પણ યોજાયું

ગોધરા શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા રામસાગર તળાવ કિનારે ત્રિશૂળ દીક્ષા સમારોહ અને પદ સંચલન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં છબનપુર રામજી મંદિરના મહંત ઇન્દ્રજીતજી મહારાજના હસ્તે જિલ્લાના 151 બજરંગી કાર્યકરોએ ત્રિશૂળ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે દક્ષિણ ગુજરાત પ્રાંતના અધિકારી ડો. દીપક રાજ્યગુરુ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રાંતના હોદ્દેદારો મનુભાઈ ભગત, ઇમેશભાઈ અને દુર્ગાવાહિનીના મહિલા હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનો પ્રારંભ ભારતમાતા, ભગવાન શ્રી રામચંદ્રજી અને હનુમાનજીની પ્રતિમાઓ સામે દીપ પ્રગટાવીને કરાયો હતો. મહંત ઇન્દ્રજીતજી મહારાજે 'જય શ્રીરામ', 'ભારત માતા કી જય' અને 'વંદેમાતરમ'ના નારાઓ સાથે દીક્ષાર્થીઓને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે ત્રિશૂળ માત્ર મૂકી રાખવાની વસ્તુ નથી, પરંતુ ધર્મ અને સમાજના હિતરક્ષણ માટે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરવાની ભાવના રાખવી જરૂરી છે. ડો. દીપક રાજ્યગુરુએ હિન્દુ વિચારધારાને જીવંત રાખનારી ઘર-ગૌ-ધારાને નમન કરી, કાર્યની જવાબદારી સંભાળનારા કાર્યકરોને વંદન કર્યા હતા. તેમણે જણાવ્યું કે ગોધરામાં સાત વર્ષ પછી આવો સમારોહ યોજાયો છે. તેમણે ઉમેર્યું કે દીક્ષાર્થીઓ માનસિક અને વૈચારિક રીતે વજ્રતા ધારણ કરશે, ત્યારે આ દીક્ષા સાચા અર્થમાં સાર્થક બનશે. તેમણે કહ્યું કે, 'આ ફક્ત ત્રિશૂળ નથી, પરંતુ કલ્યાણ, શક્તિ અને માતૃભૂમિના ત્રણ શૂળ છે – જે એક મોટી જવાબદારી છે.' ડો. દીપક રાજ્યગુરુએ વધુમાં જણાવ્યું કે ત્રિશૂળ એ માત્ર શક્તિ ગ્રહણ નથી, પરંતુ સ્વચ્છતાનું ગ્રહણ પણ જરૂરી છે. તેમણે રામસાગર તળાવની સ્વચ્છતા પર ભાર મૂક્યો અને કહ્યું કે, 'આ કાબા તળાવ નથી, રામસાગર છે, તેને સ્વચ્છ રાખવાની પણ આપણી જવાબદારી છે.' તેમણે ધર્મ જાગૃતિ માટે સનાતન પૂજા પદ્ધતિથી ભટકી ગયેલા લોકોને પુનઃ સનાતન વિચારધારામાં લાવવા અને મંદિરમાં સવાર-સાંજની આરતી સમયે સહપરિવાર જવાનો સંકલ્પ કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે હિન્દુઓ અને સનાતનીઓએ તલવારના જોરે ધર્મ પરિવર્તન કરાવ્યા નથી, આ પરાવર્તનની વાત છે. તેમણે બજરંગદળની સ્થાપનાથી લઈને પહેલગામ દુર્ઘટના સુધીની વાત પણ કરી હતી. કાર્યક્રમના અંતે, તમામ દીક્ષાર્થીઓએ ગોધરા નગરના વિવિધ વિસ્તારોમાં પદ સંચલન કરીને ધર્મજાગૃતિનો સંદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:44 pm

આજે સૌથી મોટો ધ્યાન કાર્યક્રમ:ધ્યાન કેવી રીતે નકારાત્મક ભાવનાઓને સકારાત્મકતા માં બદલે છે:ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી

વિશ્વના સૌથી મોટા ધ્યાન કાર્યક્રમમાં જોડાઓ. ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી સાથે - 21 ડિસેમ્બર, સાંજે 8:30 વાગ્યે ગુરુદેવ ના ઓફિશિયલ YouTube ચેનલ પર. *નકારાત્મક ભાવનાઓ વાતાવરણમાં કેવી રીતે અટકી રહે છે* જ્યારે કોઈ દુઃખી હોય, ગુસ્સે હોય અથવા નકારાત્મકતા અનુભવે, ત્યારે તે વ્યક્તિ તેના આસપાસ એવા જ સ્પંદનો (વાઈબ્રેશન) ઉભી કરે છે. આ સ્પંદનો વાતાવરણમાં ચોંટીને રહી જાય છે. જો તમે આવી જગ્યા પર જાઓ, ભલે તે વ્યક્તિ ત્યાં ન હોય તો પણ, થોડા સમયમાં તમને પણ એવી જ ભાવનાઓ અનુભવાય છે. થોડા સમય પહેલા તમે સારું અનુભવી રહ્યાં હતા, પરંતુ એ રૂમમાં પ્રવેશતા જ અચાનક તણાવ, ગુસ્સો અને ચીડિયાપણું અનુભવાય. *શું આ આપણો અનુભવ નથી?* કોઈને પણ આવું લાગવું ગમતું નથી, છતાં ક્યારેક આપણે નકારાત્મકતા અથવા તણાવ અનુભવીએ જ છીએ. *તો આને કેવી રીતે સંભાળવું?* ક્યાંક આપણે એક ખૂબ જ મહત્ત્વના સિદ્ધાંતને જાણતા નથી એક એવું સિદ્ધાંત, જે આપણા મન, ભાવનાઓ અને સમગ્ર જીવનને સંચાલિત કરે છે. આનંદ આપણા મધ્યમાં છે, અને નકારાત્મકતા માત્ર બહારના સ્તર પર. આપણા શરીર પાસે આનંદ અને શાંતિના સ્પંદનોને લાંબા સમય સુધી સાચવી રાખવાની ક્ષમતા છે કારણ કે સકારાત્મકતા આપણા અસ્તિત્વના કેન્દ્રમાં છે. જેવા પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે અને ઈલેક્ટ્રોન માત્ર બહારની પરિઘમાં હોય છે, તેવી જ રીતે આપણા જીવનમાં પણ છે. આપણા અસ્તિત્વના કેન્દ્રમાં આનંદ અને ઉજાસ છે, પરંતુ બહારનું સ્તર નકારાત્મક ભાવનાઓનું વલણ આવરી લે છે. શ્વાસ અને ધ્યાનની મદદથી આ નકારાત્મક વાદળને સરળતાથી દૂર કરી શકાય છે. *નકારાત્મક ભાવનાઓને સકારાત્મક બનાવવા માટે ધ્યાન જ માર્ગ છે.* સૌપ્રથમ, નકારાત્મકતા સ્વીકારો. તમારા મનમાં આવતી નકારાત્મક ભાવનાઓને સ્વીકારી લો. જેને આપણે દૂર ધકેલવા પ્રયાસ કરીએ છીએ તે વધુ ઝડપથી પાછું આવે છે. એને દબાવતા રહીએ તો તે ભૂતની જેમ પીછો કરે છે. એને સ્વીકારી લો… એને ‘આલિંગન’ આપો અને જુઓ કે તે ક્ષણમાં ગાયબ થઈ જાય છે. જે ક્ષણે તમે એને સ્વીકારો છો, તે માત્ર ધૂંધળી, નબળી (dim) ઊર્જા બનીને અદૃશ્ય થઈ જાય છે. મનને “નકારાત્મક ન વિચાર” આવું કહેવાનું ઉપયોગી નથી. ધ્યાન અને શ્વાસની ક્રિયાઓ એ જ સાધનો છે જે મનને શાંત કરે છે અને અંદરથી આનંદ જગાડે છે. ધ્યાન આત્માનો આહાર છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:43 pm

સેન્ટ ઝેવિયર્સની વિદ્યાર્થિનીઓએ બાળકોને ભણાવ્યા:‘શિક્ષા દિલ થી’ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટર્નશીપ પૂર્ણ કરી

અમદાવાદ સ્થિત સેન્ટ ઝેવિયર્સ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ સાથે સહકાર ફાઉન્ડેશનના ‘શિક્ષા દિલ થી’ પ્રોજેક્ટ હેઠળ ઇન્ટર્નશીપ કાર્ય પૂર્ણ કર્યું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય બાળકોને રસપ્રદ અને રમૂજી પદ્ધતિથી શિક્ષણ આપવાનો છે. ત્રીજા વર્ષ B.Sc. બાયોકેમિસ્ટ્રી (વોકેશનલ બાયોટેક્નોલોજી)નો અભ્યાસ કરતી ખુશી પંચાલ અને પ્રિયોની શાહે આ ઇન્ટર્નશીપ દરમિયાન બાળકોને ભણાવ્યા હતા. બંને વિદ્યાર્થીનીઓએ પોષણ, શરીરના ભાગો, ફળ-શાકભાજી, ગણિત અને અંગ્રેજી જેવા વિષયો બાળકોને શૈક્ષણિક રમતો દ્વારા શીખવ્યા હતા. આ પ્રયાસથી બાળકોમાં અભ્યાસ પ્રત્યે રસ અને સમજ વિકસે તેવો હેતુ હતો. સાથે સહકાર ફાઉન્ડેશન દ્વારા આવા પ્રયત્નો દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:35 pm

વાસણાની બ્રાઇટ સ્કૂલમાં ધોરણ 1-4નો વાર્ષિકોત્સવ:સિલ્વર જ્યુબિલી વર્ષે 'સપનો કી ઉડાન' થીમ પર કાર્યક્રમ યોજાયો.

ધ બ્રાઇટ સ્કૂલ, વાસણા યુનિટ દ્વારા તેના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીના ભાગરૂપે ધોરણ 1 થી 4ના વિદ્યાર્થીઓ માટે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સપનો કી ઉડાન' થીમ પર આધારિત આ કાર્યક્રમ 20મી ડિસેમ્બર, 2025ના રોજ શાળાના 'કુસુમ મેમોરિયલ ઑડિટોરિયમ' ખાતે યોજાયો હતો. આ થીમ શાળાની છેલ્લા ૨૫ વર્ષની બાળકોના ભવિષ્ય ઘડવાની અને તેમના સપનાઓને પાંખ આપવાની યાત્રાને પ્રતિબિંબિત કરે છે. આ પ્રસંગે સ્કૂલના પ્રમુખ સૌમિલ શાહ ઉપસ્થિત રહ્યા હતા, જેમનું માર્ગદર્શન શાળા સમુદાય માટે પ્રેરણારૂપ રહ્યું છે. ધ બ્રાઇટ સ્કૂલની વિવિધ યુનિટોના પ્રિન્સિપાલ અને માનનીય મહેમાન સુશ્રી સુહાની શાહની હાજરીએ સમારોહને વિશેષ ગરિમા પ્રદાન કરી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કારકિર્દીઓ જેવી કે ઇજનેર, ડૉક્ટર, નર્સ, વૈજ્ઞાનિક, ફાયર ફાઇટર, રમતવીર, પર્યાવરણપ્રેમી અને ડિફેન્સ ક્ષેત્ર વિશે પોતાની આકાંક્ષાઓ દર્શાવતી રજૂઆતો કરી હતી. આ રજૂઆતોમાં વિદ્યાર્થીઓમાં વર્ગખંડના શિક્ષણ અને શાળાના અનુભવો દ્વારા વિકસતો આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને મહત્ત્વાકાંક્ષા સ્પષ્ટપણે જોવા મળ્યા હતા. શાળાના પ્રિન્સિપાલ માલા પટેલે પોતાના ઉદ્દબોધનમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી મુખ્ય સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે શાળાના મેનેજમેન્ટ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓના સતત સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતિમ તબક્કામાં વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને સુંદર નૃત્ય રજૂ કરીને શાળાના સ્થાપક સ્વ. શ્રી જયેન્દ્ર શાહ સાહેબને યાદ કર્યા હતા. તેમણે શિક્ષણ ક્ષેત્રે તેમના મૂલ્યવાન વારસાને આગળ વધારવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ પોતાના બાળકોને આત્મવિશ્વાસ અને ઉત્સાહ સાથે પ્રદર્શન કરતા જોઈ ગર્વની લાગણી અનુભવી હતી. આ વાર્ષિકોત્સવ શાળાની સિલ્વર જ્યુબિલી યાત્રાની ભાવનાને સુંદર રીતે પ્રતિબિંબિત કરતો સમગ્ર શાળા પરિવાર માટે ગૌરવપૂર્ણ અને સ્મરણીય ઉજવણી બની રહ્યો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:33 pm

આવલી સોસાયટી કમિટી દ્વારા નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન:120 નિવાસીઓએ સુગર, બીપી સહિતની તપાસ કરાવી

આવલી સોસાયટી કમિટી દ્વારા ચાંદખેડા અર્બન હેલ્થ સેન્ટર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી સોસાયટીના નિવાસીઓ માટે એક નિઃશુલ્ક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 120 સોસાયટીના નિવાસીઓએ ભાગ લીધો હતો, જેમાં યુવાનો, સિનિયર સિટીઝન, મહિલાઓ, પુરુષો અને બાળકોનો સમાવેશ થાય છે. સૌએ આ આરોગ્યલક્ષી સેવા કેમ્પને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો. આ કેમ્પમાં સુગર, બ્લડ પ્રેશર અને હિમોગ્લોબિન જેવી તપાસ કરવામાં આવી હતી. બાળકો માટે ખાસ બાળરોગ નિષ્ણાત દ્વારા ચેકઅપ અને જરૂરી દવાઓ પણ પૂરી પાડવામાં આવી હતી. સોસાયટીના નિવાસીઓએ આવા સેવા કાર્યોના આયોજન બદલ કમિટી અને સહયોગી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:31 pm

પૌત્રીની ઉંમર જેવડી બાળકી સાથે વૃદ્ધના અડપલાં:રાજકોટના જાહેર માર્ગ પર તરુણી સાથે અડપલાં કરનાર વિકૃત વૃધ્ધની ધરપકડ, બાળકી સાથે અગાઉ પણ શારીરિક અડપલાં કર્યાનું આવ્યું સામે

રાજકોટ શહેરમાં રહેતી અને ધોરણ 6માં અભ્યાસ કરતી બાળકી સાથે દાદાની ઉંમરના 82 વર્ષના વિકૃત વૃદ્ધે જાહેરમાં મવડી ચોક ઓવરબ્રિજ નીચે શારીરિક અડપલાં કરતા હોવાનો વિડીયો વાયરલ થતા તાત્કાલિક અસરથી પોલીસે બાળકીના પરિવાર ણ વૃદ્ધને શોધી બાળકીના પિતાની ફરિયાદ પરથી BNS કલમ 75 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનો નોંધી આરોપી વિરમભાઇ બરારીયા (ઉ.વ.82)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં આરોપી વૃદ્ધ દ્વારા અગાઉ પણ બાળકી સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ શહેર એસીપી આર.એસ.બારીઆએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે એક વૃદ્ધ શારીરિક અડપલાં કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થવા પામ્યો હતો જેની તપાસ કરતા વિડીયો 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક નજીક ઓવરબ્રિજ નીચેનો હોવાનું સામે આવ્યું હતું આ પછી વૃદ્ધ અને બાળકી અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ વિકૃત માનસિકતા ધરાવતા 82 વર્ષીય વૃદ્ધને હસ્તગત કરી પુછપરછ કરતા પોતે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લાભદીપ સોસાયટીમાં રહેતા વિરમભાઇ બરારીયા (ઉ.વ.82) હોવાનું સામે આવ્યું હતું. આ પછી પોલીસે બાળકી અંગે તપાસ શરૂ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે વૃધ્ધના ઘર નજીક જ રહેતી બાળકી હતી પોલીસે બાળકી અને તેના પરિવારજનોનો સંપર્ક કરી તેની પુછપરછ કરી હતી અને તેની પુછપરછ કરતા બાળકીએ વૃધ્ધ દ્વારા ગઈકાલે એટલે કે શનિવારે અને ચાર પાંચ દિવસ અગાઉ પણ આ જ રીતે શારીરિક અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું એટલું જ નહિ પોલીસ તપાસમાં આરોપી વિકૃત વૃદ્ધે બાળકીને ઘરે પણ શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવતા બાળકીના પિતાની ફરિયાદ પરથી આરોપી વિરુધ્ધ BNSની કલમ 75 અને પોક્સો એક્ટની કલમ 8 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ વિડીયો જે વાયરલ થયો તે ક્યારનો છે એ ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ બાળકી ના કહેવા મુજબ ગઈકાલે અને ચાર પાંચ દિવસ પહેલા અડપલાં કર્યા હોવાથી પાછલા એક સપ્તાહની અંદરનો જ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બાળકી સ્કૂલેથી છૂટી અને પોતાના ઘરે જઈ રહી હતી આ દરમિયાન બાળકીને મવડી ચોક નજીક બ્રિજ નીચે પાર્ક કરાયેલ ગાડીની પાછળ વિકૃત હરકત કરી શારીરિક અડપલાં કર્યા હતા જો કે કોઈ રાહદારી જોઈ જતા વિડીયો બનાવી લેતા વિકૃત વૃધ્ધના પાપનો ઘડો ફૂટી ગયો છે. ઉલ્લેખનીય છે કે બાળકીના પિતા મજૂરી કામ કરે છે અને ભાડાના મકાનમાં પરિવાર રહે છે. બાળકીની ઉંમર 13 વર્ષની હોવાનું અને ધોરણ 6માં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી કોર્ટમાં રજુ કરવામાં આવશે અને આ પછી બાળકીનું પણ મહિલા અધિકારીની હાજરીમાં નિવેદન નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જો કે ગઈકાલે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા વિકૃત વૃદ્ધ ઉપર લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:30 pm

પાટણ પ્રજાપતિ સમાજ દ્વારા મેડિકલ કેમ્પ:પદ્મનાભ ક્લિનિક ખાતે દર્દીઓનું નિદાન કરાયું

પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા પદ્મનાભ ક્લિનિક ખાતે સર્વજ્ઞાતિ માટે એક સાર્વજનિક મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓએ પોતાના આરોગ્યનું નિદાન કરાવી લાભ લીધો હતો. શનિવારના રોજ યોજાયેલા આ કેમ્પમાં પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજ દ્વારા તમામ જ્ઞાતિના લોકોને રાહત દરે તબીબી તપાસ અને નિદાનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ પરિવારોને આરોગ્ય સેવાઓ સુલભ બનાવવાનો હતો. કેમ્પમાં ડૉ. ગોવિંદ વી. પ્રજાપતિ (M.D.) અને ડૉ. નેન્સી વી. પ્રજાપતિ (B.H.M.S.)એ ઉપસ્થિત રહી દર્દીઓની તપાસ કરી હતી. તેમણે રિપોર્ટ્સના આધારે સચોટ નિદાન પૂરું પાડ્યું હતું, જેથી દર્દીઓને યોગ્ય સારવાર મળી શકે. આ મેડિકલ કેમ્પનો લાભ લેનાર જરૂરિયાતમંદ દર્દીઓએ પાટણ પ્રજાપતિ જ્ઞાતિ સમાજના આયોજનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આવા કેમ્પથી સામાન્ય અને ગરીબ વર્ગના લોકોને મોટો ફાયદો થાય છે. આ સાર્વજનિક મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે જ્ઞાતિ સમાજના પ્રમુખ, મંત્રી સહિતના સભ્યોએ સક્રિય સહયોગ આપ્યો હતો. તેમના પ્રયાસોથી આ સેવાભાવી કાર્ય સુપેરે પાર પડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:29 pm

આર.સી. કોલેજ વિદ્યાર્થીઓએ સરદાર પટેલ મ્યુઝિયમની મુલાકાત લીધી:150મી જન્મજયંતિ નિમિત્તે શાહીબાગ ખાતે કાર્યક્રમ યોજાયો

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે આર.સી. કોલેજ ઓફ કોમર્સની વિદ્યાર્થી પ્રતિનિધિ સભા દ્વારા શાહીબાગ ખાતે આવેલા સરદાર પટેલ સ્મારક મ્યુઝિયમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં કોલેજના વિવિધ સેમેસ્ટરના 56 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆતમાં શાહીબાગ ખાતેના શહીદ સ્મારકની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. પ્રા. પરિમલ ઉપાધ્યાયે વિદ્યાર્થીઓને શહીદોના યોગદાન વિશે માહિતી આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થીઓએ સરદાર પટેલ સ્મારક ભવનની મુલાકાત લીધી હતી અને સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓએ સરદાર પટેલના વ્યક્તિત્વ પર આધારિત મ્યુઝિયમનો અભ્યાસ કર્યો, જેમાં ઐતિહાસિક પ્રદર્શનો, મૂલ્યવાન દસ્તાવેજો, દુર્લભ તસવીરો અને ડિજિટલ ગેલેરીનો સમાવેશ થાય છે. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનપ્રસંગો, સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું યોગદાન, રાષ્ટ્રની એકતા માટેના પ્રયત્નો અને ભારતના એકીકરણમાં તેમની ઐતિહાસિક ભૂમિકા વિશે વિસ્તૃત સમજ મેળવી. તેમણે સરદાર પટેલના વ્યક્તિત્વ અને વિચારધારા પર આધારિત ૨૦ મિનિટની ડોક્યુમેન્ટરી પણ નિહાળી, જેનાથી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા પ્રત્યેની તેમની સમજ વધુ મજબૂત બની. આ પ્રસંગે ઉપસ્થિત વિદ્યાર્થી પ્રતિનિધિ સભાના અધ્યક્ષે જણાવ્યું હતું કે, આવી શૈક્ષણિક મુલાકાતો દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય નેતાઓ પ્રત્યે ગૌરવની લાગણી વિકસે છે અને મૂલ્યનિષ્ઠા, નેતૃત્વ તથા જવાબદારીનો સંદેશ પ્રાપ્ત થાય છે. કાર્યક્રમમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓએ પોતાના અનુભવમાં જણાવ્યું હતું કે આ મુલાકાત ખૂબ જ યાદગાર બની રહેશે. આ મુલાકાત દ્વારા તેઓ સરદાર સાહેબને વધુ નજીકથી જાણી શક્યા અને તેમના વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ દેશસેવાના ગુણો શીખ્યા. ભવિષ્યમાં પણ આવી પ્રેરણાત્મક પ્રવૃત્તિઓનું આયોજન થાય તેવી ઈચ્છા તેમણે વ્યક્ત કરી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:27 pm

પાલનપુરમાં યુવકની હત્યા બાદ ચૌધરી સમાજમાં રૌષ ભભૂક્યો:પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો, 24 સામે ફરિયાદ, પોલીસે આરોપીને ઝડપવા 8 ટીમો બનાવી

પાલનપુરમાં ગતરાત્રે બે યુવકો પર 10થી વઘુ લોકોના ટોળાએ તલવાર સહિતના હથિયારોથી હુમલો કર્યો હતો. જેમાં એક યુવકનું મોત થયું છે. જ્યારે અન્ય એક યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમાજના યુવકનું મોત થતાં ચૌધરી સમાજમાં ભારે રૌષ ભભૂક્યો છે. સમાજના લોકો હોસ્પિટમાં ઉમટી પડ્યા હતા અને જ્યા સુધી આરોપી ઝડપાઈ નહીં ત્યા સુધી લાશ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. બીજી તરફ આ સમગ્ર મામલે 24 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપવા માટે વિવિધ 8 ટીમો બનાવી છે. ગુનેગાર નહીં ઝડપાઈ ત્યાં સુધી અમે લાશ ઘેર નહીં લઈ જઈએઃ મૃતકનો ભાઈમૃતકના ભાઈ કિરણ ચૌધરીએ જણાવ્યું હતું કે, એ ભરતભાઈ મારા મામાનો દીકરો થાય છે. પહેલા યુપી-બિહારમાં જેવી સ્થિતિ હતી એનાથી પણ બદતર સ્થિતિ હાલ ગુજરાતમાં છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જ નથી. એવો તો કોઈને અધિકાર આપ્યો નથી કે તમે કોઈનો જીવ લઈ શકો? આજે મારો ભાઈ ગયો છે, કાલે બીજાનો ભાઈ જશે. તો આવું તો કોઈ કાળે ચલાવી લેવામાં ન આવે. જ્યાં સુધી એ ગુનેગારની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે સિવિલમાંથી લાશ ઘેર લઈ જવાના નથી. હું અહીંયા ઉપવાસ ઉપર બેસવાનો છું. આરોપીને હાજર કરો. બાકી લાશ અહીંથી લેવામાં નહીં આવે. અન્ય ગુનેગારોમાં પણ દાખલો બેસી શકે એવી કડક સજા કરોવધુમાં જણાવ્યું કે, સ્પેશિયલ SITની રચના કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો . બીજા 10 ગુનેગારોને ખબર પડવી જોઈએ એવી કડકમાં કડક સજા કરો, દાખલારૂપ ન્યાય બેસાડો. મૃતક એક 30-32 વર્ષનો યુવાન એની ઘરે નાની 7 મહિનાની છોકરી છે. તલવારો, પાઈપો અને લાકડીઓથી હુમલો કર્યોંઆ અંગે સામાજિક આગેવાન જયેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે રામદેવ હોટલ, અમદાવાદ હાઈવે ઉપર, અમારા બંને ભાઈઓ ગાદલવાડા ગામના નીતિન અને ભરતભાઈ, એ બંને ભાઈઓ ત્યાં બેઠા હતા અને પાલનપુરના અથવા કોઈ પણ વિસ્તારના કોઈ અસામાજિક તત્વો, 3 થી 4 ગાડી ભરી અને તલવારો, પાઈપો અને લાકડીઓ લઈ અને એમના ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. જે બાદ તે લોકો ત્યાંથી ભાગી નીકળ્યા. વધુમાં જણાવ્યું કે, આ ઘટના બાદ બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે. આ એક ખૂબ ગંભીર બાબત છે. સમગ્ર ચૌધરી સમાજ આ ઘટનાને એકદમ વખોડી કાઢે છે. કોઈપણ ભોગે આરોપીને છોડવામાં આવશે નહીં, બક્ષવામાં આવશે નહીં. તાત્કાલિક ધોરણે કાર્યવાહી ચાલુ કરી અને આ સમગ્ર ઘટનામાં જે જે પણ સંડોવાયેલા છે, એ તમામની ધરપકડ કરવામાં આવે અને એમના વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરવામાં આવે. શું છે સમગ્ર મામલો?પ્રાથમિક માહિતી મુજબ, ગઈકાલે સાંજે ગાદલવાડાના બે ભાઈઓ અમદાવાદ હાઈવે પર આવેલી એક હોટલ પાસે ત્યાં બેઠા હતા. તે દરમિયાન 3થી 4 ગાડીમાં આવેલા 10થી વધુ વ્યક્તિઓએ તલવારો, પાઈપો અને લાકડીઓ લઈ એમના ઉપર અચાનક હુમલો કરી દીધો હતો. જે બાદ તે લોકો ત્યાંથી ભાગી નીકળ્યા હતા. ચૌધરી સમાજ દ્વારા આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડવાની માંગ કરવામાં આવી છે. પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ માટે આઠ ટીમો બનાવીઆ હુમલામાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે એક યુવક ઈજાગ્રસ્ત છે. બનાસકાંઠા પોલીસે આ સમગ્ર ઘટનાની તપાસ માટે આઠ અલગ-અલગ ટીમોની રચના કરી છે. આ ટીમોમાં સાયબર ક્રાઈમ, એલસીબી, પાલનપુર પશ્ચિમ, પાલનપુર પૂર્વ, પાલનપુર તાલુકા, ગઢ અને છાપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સામેલ છે. કેટલાક આરોપીઓને રાઉન્ડઅપ કર્યાંપોલીસે કેટલાક આરોપીઓની ઓળખ કરીને તેમને રાઉન્ડઅપ કર્યા છે. ઇજાગ્રસ્તનું નિવેદન લેવાની કાર્યવાહી પણ ચાલી રહી છે. આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ માનવીય અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી રહી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોને ઝડપી અને યોગ્ય ન્યાય મળે તથા તમામ આરોપીઓ પકડાઈ જાય તે દિશામાં સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે પોલીસ કાર્યરતDYSPએ જણાવ્યું હતું કે,અલગ અલગ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે, ટેકનિકલ ઈન્ટેલિજન્સના આધારે આરોપીઓને પકડવાની કાર્યવાહી ચાલુ છે. આ અન્વયે કોઈ બીજા પગલા લેવાના થશે તો તે પગલા પણ લેવાશે. મૃતકના પરિવારજનોને સાથે રાખીને અને તેઓને ન્યાય મળે તે માટે બનાસકાંઠા પોલીસ હાલમાં કાર્યરત છે. ઘટનાસ્થળ પર સીસીટીવી નથી પરંતું ટેકનિકલ ટીમ આસપાસના વિસ્તારોનું રૂટ મેપિંગ કરીને સીસીટીવી ફૂટેજ એકત્રિત કરી રહી છે, જેથી આરોપીઓની હિલચાલ જાણી શકાય. હાલમાં 24 જેટલા લોકો વિરુદ્ધમાં ફરિયાદ લેવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:25 pm

સિલ્વર ઓક યુનિવર્સિટી, અદાણી સિમેન્ટ વચ્ચે MOU:વિદ્યાર્થી કૌશલ્ય વિકાસ માટે 'ફ્યુચર એક્સ' કાર્યક્રમ

સિલ્વર ઓક યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાથેના જોડાણને મજબૂત કરવાના હેતુથી અદાણી સિમેન્ટ સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ફ્યુચર એક્સ કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીનો ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ સેલ ઉદ્યોગ અને શૈક્ષણિક જગત વચ્ચે મજબૂત સહયોગ સ્થાપિત કરવા સતત પ્રયત્નશીલ છે. આ MoU હસ્તાક્ષર પ્રસંગે અદાણી સિમેન્ટ તરફથી શ્રી સંદીપ સેઠી (હેડ – ઇન્ટિગ્રેશન તથા મુખ્ય કાર્યકારી અધિકારીની કચેરી) અને શ્રી અત્રી દવે (મુખ્ય કાર્યકારી અધિકારીની કચેરી) ઉપસ્થિત રહ્યા હતા. ફ્યુચર એક્સ કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ, લાઇવ પ્રોજેક્ટ્સ, ઉદ્યોગ નિષ્ણાતોનું માર્ગદર્શન અને પ્લાન્ટ મુલાકાત જેવી વિવિધ તકો પૂરી પાડવામાં આવશે. આનાથી તેમને ઉદ્યોગ આધારિત પ્રાયોગિક શિક્ષણ, આધુનિક ટેકનોલોજી અને વાસ્તવિક કાર્યપરિસ્થિતિનો સીધો અનુભવ મળશે. આ સહયોગ દ્વારા વિદ્યાર્થીઓની ટેકનિકલ અને વ્યાવસાયિક કુશળતામાં નોંધપાત્ર વધારો થશે. આ પ્રયાસો તેમને ભવિષ્યની કારકિર્દી માટે વધુ રોજગારક્ષમ બનાવશે અને તેમનો આત્મવિશ્વાસ પણ વધારશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:25 pm

23 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે:ઉત્તર અને પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના કારણે ઠંડી વધશે; વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં બેવડી ઋતુની અસર જોવા મળશે

રાજ્યમાં ફરી એક વખત ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં આંશિક ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાતાં ઠંડીના પ્રમાણમાં વધારો થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 23 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉત્તર અને પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના કારણે રાજ્યભરમાં ઠંડીના પ્રમાણમાં વધારો થવાનો છે. ઠંડીના વધારા સાથે બપોરે ગરમીનો પણ અનુભવ થશેઆગામી બે દિવસ બાદ ઠંડીનું જોર વધવાનું છે. ઉત્તર- પૂર્વ દિશાના ઠંડા પવનને કારણે ઠંડીનો ચમકારો અનુભવાશે. ઠંડીના પ્રમાણમાં વધારો તો થશે, પરંતુ રાજ્યમાં વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે બેવડી ઋતુની અસર પર જોવા મળવાની છે. એટલે કે સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ વધુ થશે. જેથી આગામી દિવસોમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવાની હવામાન વિભાગ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી ઠંડુ નલિયાછેલ્લા 24 કલાકમાં નલિયામાં સૌથી નીચું તાપમાન 13.8 નોંધાયું છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે વડોદરામાં 14.4 ડિગ્રી, દીવમાં 14.8 ડિગ્રી, ભાવનગરમાં 15.4 ડિગ્રી, ગાંધીનગરમાં 16 ડિગ્રી, રાજકોટમાં 16.2 ડિગ્રી, ડીસામાં 16.6 ડિગ્રી, અમદાવાદમાં 17 ડિગ્રી, ભૂજમાં 18 ડિગ્રી, કંડલામાં 18 ડિગ્રી, વેરાવળમાં 18.8 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી, દ્વારકામાં 20.4 ડિગ્રી અને ઓખામાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:24 pm

રાહી ફાઉન્ડેશન દ્વારા વાસણામાં ખીચડી-છાશનું વિતરણ:800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરાયું

રાહી ફાઉન્ડેશન દ્વારા વાસણામાં 800થી વધુ શ્રમજીવી પરિવારોને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ'નો 206મો કાર્યક્રમ હતો.આ કાર્યક્રમ ભવાની વસાહત, ઝૂંપડા પુનઃ વસન આવાસ યોજના, વાસણા ખાતે યોજાયો હતો. જેમાં લાભાર્થીઓએ ખીચડી અને છાશનો લાભ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી કિરીટભાઈ નાથાલાલ શાહની યાદમાં તેમના પરિવાર - કીર્તિ કિરીટ શાહ, ક્રિષ્ના, ઈશા અને રાજુલા દ્વારા સહયોગ પૂરો પાડવામાં આવ્યો હતો.રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, ભદ્રેશ પટેલ, શરદ જાદવ, માર્કણ્ડભાઈ અને વિજય દલાલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિતરણ કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:23 pm

કાગડાપીઠ SPC કેડેટ્સે સાયન્સ સિટીની મુલાકાત લીધી:માઇક્રોન કંપનીના સહયોગથી વિવિધ ગેલેરીઓ નિહાળી

કાગડાપીઠ પોલીસ સ્ટેશન હેઠળની દીવાન-બલ્લુભાઈ શાળા, કાંકરિયાના 27 જુનિયર અને 39 સિનિયર સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત માઇક્રોન કંપનીના સહયોગથી આયોજિત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે શાળાના CPO ચેતનાબહેન પટેલ, CPO મહેશભાઈ પટેલ અને DI રાકેશભાઈ પણ જોડાયા હતા. સવારે 9:30 કલાકે પોલીસ વિભાગની બસમાં પ્રવાસ શરૂ થયો હતો. સવારે 10:20 કલાકે વિદ્યાર્થીઓ સાયન્સ સિટી પહોંચ્યા, જ્યાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા બાદ તેઓ MICRON STEM LAB ગયા. STEM લેબ ઇન્ચાર્જ રણજીતભાઈએ વિદ્યાર્થીઓને SKY DANCER, HYDRO POWER, INFINITY MIRROR, LIGHT PLAY EXPLORER, MAGNETIC CRANE, CIRCUIT CARNIVAL, R.G.B, OPTICAL FIBRE જેવા વિવિધ સાધનો અને ઉપકરણોનો પરિચય આપ્યો. અહીં POWER PULLIES અને GEAR TRAIN ના મોડલ પણ પ્રદર્શિત કરાયા હતા. વિદ્યાર્થીઓએ MATERIAL RECOVERY FACILITY ના મોડેલનું નિરીક્ષણ કર્યું અને બલુનકારનું નિર્માણ જેવા પ્રાયોગિક પ્રયોગો કર્યા. લેબ ઇન્ચાર્જ દ્વારા ન્યુટનના નિયમો વિશે માહિતી આપવામાં આવી અને પ્રશ્નોત્તરી પણ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ એક્વેરિયમની મુલાકાત લીધી, જ્યાં બાળકોને આકર્ષે તેવું અનોખું વાતાવરણ બનાવવામાં આવ્યું હતું. એક્વેરિયમ પછી, વિદ્યાર્થીઓને એસ્ટ્રોનોમી અને સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત કરાવવામાં આવી. આ ગેલેરીમાં પ્રેઝન્ટ, ફ્યુચર અને ઇન્ડિયન ગેલેરી જેવા વિભાગોમાં વિદ્યાર્થીઓએ નવીન અને રસપ્રદ માહિતી મેળવી. તેમણે ધ મિલ્કી વે, માર્સ મિશન, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનો ઇતિહાસ, સૂર્ય અને સૂર્યગ્રહણ વિશે જાણકારી પ્રાપ્ત કરી. અંતે, વિદ્યાર્થીઓએ રોબોટિક ગેલેરીની મુલાકાત લીધી, જ્યાં તેમણે વિવિધ પ્રકારના કાર્યકારી રોબોટ્સ નિહાળ્યા. આમાં રોબોટ સોકર જેવા રમત રમતા રોબોટ્સ, દૈનિક કાર્યો કરતા રોબોટ્સ, રાષ્ટ્રના સંરક્ષણ દળોને મદદ કરતા રોબોટ્સ, આપત્તિ વ્યવસ્થાપનમાં સહાય કરતા રોબોટ્સ અને તબીબી કાર્ય કરતા રોબોટ્સનો સમાવેશ થતો હતો. વિદ્યાર્થીઓએ આ રોબોટ્સ વિશે વિગતવાર માહિતી મેળવી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:22 pm

સાળંગપુર હનુમાનજીને દક્ષિણી થીમનો દિવ્ય શણગાર:મયૂરપંખ વાઘા સાથે 20 ડિસેમ્બરે ભક્તોએ કર્યા વિશેષ દર્શન

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 20 ડિસેમ્બર, 2025, શનિવારના રોજ દક્ષિણી થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ શણગાર પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી કરવામાં આવ્યો હતો. દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સજાવવામાં આવ્યું હતું. હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના મયૂરપંખની ડિઝાઈનવાળા આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા હતા. દાદાને ચાંદીનો મુગટ પહેરાવી, તાજા ગુલાબ અને શેવંતીના ફૂલોનો અદભૂત શણગાર કરવામાં આવ્યો હતો.આ પવિત્ર શનિવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને ત્યારબાદ સવારે 7:00 કલાકે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી.મંદિરના પટાંગણમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ તા.16 ડિસેમ્બર 2025 થી તા.14 જાન્યુઆરી 2026 દરમિયાન પારિવારિક શાંતિ અને વિશ્વ કલ્યાણ અર્થે હરિ મંદિરમાં “હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” પાઠનો જપ યજ્ઞ પ્રારંભ કરવામાં આવ્યો છે. આ જપ યજ્ઞ દરરોજ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6:30 કલાક દરમિયાન કરવામાં આવે છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:20 pm

પુત્રની અદાવતમાં પિતાની સરાજાહેર હત્યા, દોડતા આરોપીઓ CCTVમાં કેદ:સુરતમાં દારૂ-ગાંજાના કાળા કારોબાર સાથે જોડાયેલા શખસોએ આધેડ પર ચપ્પુ વડે તૂટી પડ્યા, મોતને ઘાટ ઊતારી ફરાર

સુરત શહેરના ઉધના વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ ફરી એકવાર ઊંચકાયો છે. અંગત અદાવતમાં પુત્રનો બદલો પિતા પાસેથી લેવાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઉધનાના અશોક સમ્રાટ નગરમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના વતની ધનરાજ તાયડે નામના આધેડની 4થી 5 હુમલાખોરોએ જાહેરમાં ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી નાખી છે. જૂની મારામારીની અદાવત રાખીને વિકી પર હુમલો કરવા આવ્યામળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને ઉધના વિસ્તારમાં રહેતા 50 વર્ષીય ધનરાજ ભીમરાવ તાયડે પરિવાર સાથે રહેતા હતા. આ લોહીયાળ ખેલ પાછળ જૂની અદાવત જવાબદાર છે. મુખ્ય આરોપી દીપક નગરાડે અને મૃતક ધનરાજભાઈના પુત્ર વિકી વચ્ચે થોડા સમય પહેલા ઉગ્ર મારામારી થઈ હતી. આ લડાઈનો બદલો લેવા માટે દીપક નગરાડે તેના સાગરીતો સાથે વિકી પર હુમલો કરવાના ઈરાદે આવ્યો હતો. વિકી જીવ બચાવીને ભાગ્યો પણ હુમલાખોરો પિતા પર ચપ્પુ લઈને તૂટી પડ્યાહુમલાના સમયે વિકી જીવ બચાવીને ભાગી છૂટ્યો હતો, પરંતુ કમનસીબે તેના પિતા ધનરાજ તાયડે હુમલાખોરોના હાથે ચડી ગયા હતા. પુત્ર ન મળતા ઉશ્કેરાયેલા દીપક અને તેના સાગરીતોએ આધેડ પિતા પર ચપ્પુ વડે તૂટી પડી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. દિકરા વિક્કીની પાછળ દોડતા હુમલાખોરો સીસીટીવી કેદ થઈ ગયા છે. આરોપીઓનો આતંક અને સ્થાનિકોનો રોષસ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી દીપક ઉધના વિસ્તારમાં દારૂ અને ગાંજાના ગેરકાયદેસર ધંધા સાથે સંકળાયેલો છે. દીપક અને તેની ગેંગ અવારનવાર અશોક સમ્રાટ નગર અને આસપાસના વિસ્તારોમાં હથિયારો સાથે તરખાટ મચાવતા હોય છે, જેના કારણે સ્થાનિકોમાં ફફડાટ છે. આ ઘટના બાદ મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારે માંગ કરી છે કે, આરોપીઓને કડકમાં કડક સજા થાય અને પોલીસ તેમનો જાહેરમાં 'વરઘોડો' કાઢી કાયદાનું ભાન કરાવે. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓની તપાસ હાથ ધરીઆ ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. હાલમાં ફરાર થઈ ગયેલા દીપક નગરાડે અને તેના સાગરીતોને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:15 pm

આણંદમાં ત્રિ-દિવસીય 'સશક્ત નારી મેળો' શરૂ:95 સ્ટોલ્સમાં હેન્ડીક્રાફ્ટ, જ્વેલરી, ઓર્ગેનિક પ્રોડક્ટ્સનું પ્રદર્શન-વેચાણ

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો સશક્ત નારી મેળો શરૂ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને મહિલા સશક્તિકરણના વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે આ મેળાનું આયોજન કરાયું છે. આણંદના પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડા અને નાણાં રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. મેળાનું ઉદ્ઘાટન કર્યા બાદ મંત્રીઓ અને અન્ય મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી. તેમણે પ્રદર્શિત વસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને મહિલા કારીગરો સાથે સીધો સંવાદ કરીને તેમની હસ્તકલાને બિરદાવી હતી. પ્રભારી મંત્રી સંજયસિંહ મહિડાએ જણાવ્યું હતું કે, મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર બને તે સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. તેમણે ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મહિલા સશક્તિકરણ માટે સખી મંડળનો પાયો નાખ્યો હતો, જે આજે બહેનોને રોજગારી પૂરી પાડી રહ્યું છે. આણંદના સશક્ત નારી મેળામાં 95 સ્ટોલ્સમાં હેન્ડમેડ જ્વેલરી, હેન્ડીક્રાફ્ટ આઈટમ, ઇમિટેશન જ્વેલરી, હેન્ડલૂમ, ઓર્ગેનિક હળદર પાવડર, ગાયના દૂધ આધારિત પ્રોડક્ટ્સ, મસાલા, નમકીન, મહેંદી આર્ટ, બેકરી આઈટમ, ખાખરા, નેચરલ સાબુ, તોરણ, ચોખાની પાપડી, સાડી, કાપડની બેગ, કૃષ્ણના વાઘા તથા પૂજાપાની સામગ્રી, આયુર્વેદિક આઈટમ, ડ્રેસ મટીરીયલ, એલોવેરા અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ, મિલેટ્સ વેલ્યુ એડિશન પ્રોડક્ટ્સ જેવી વિવિધ વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. 'વોકલ ફોર લોકલ' અને 'સ્વદેશી અપનાવો'ના મંત્રને ચરિતાર્થ કરતા આ આયોજનથી બહેનોને સીધું બજાર મળવાથી તેમની મહેનતનું સાચું વળતર મળશે. તેમણે જિલ્લાના નાગરિકોને મેળાની મુલાકાત લઈ સ્વદેશી ચીજવસ્તુઓની ખરીદી કરીને મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરવા અપીલ કરી હતી. આ મેળો આગામી 23 ડિસેમ્બર સુધી દરરોજ સવારે 10 થી રાત્રે 10 કલાક સુધી નાગરિકો માટે ખુલ્લો રહેશે. આ પ્રદર્શન-કમ-વેચાણ મેળામાં કુલ 95 સ્ટોલ ઊભા કરાયા છે, જેમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી હસ્તકલાની વસ્તુઓ, ઘરવપરાશની ચીજો અને શણગારની સામગ્રીનું પ્રદર્શન અને વેચાણ થઈ રહ્યું છે. નગરજનોને સીધા કારીગરો પાસેથી ખરીદી કરવાની તક મળશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:13 pm

વાપી RPFએ રેલવે કોપર વાયર ચોરીનો પર્દાફાશ કર્યો:6 આરોપીઓની ધરપકડ, ચોરાયેલો વાયર જપ્ત

વાપી રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ રેલવે કોપર વાયર ચોરીના કેસનો પર્દાફાશ કર્યો છે. આ મામલે કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 4 મુખ્ય આરોપીઓ અને 2 ભંગાર વેપારીઓનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેના મુંબઈ મંડળ હેઠળ વાપી RPF રેલવે સંપત્તિની ચોરી રોકવા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન મળેલી ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. RPF વાપીના ઇન્સ્પેક્ટર આશિષ તિવારી અને CIB સુરતના ઇન્સ્પેક્ટર અશોક કુમારના નેતૃત્વ હેઠળ એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. 17 ડિસેમ્બર, 2025ના રોજ મળેલી માહિતીના આધારે ભિલાડ-સંજન વચ્ચે રેલવે ટ્રેક નજીક સઘન પેટ્રોલિંગ અને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન ચાર શંકાસ્પદ વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રેલવે કોપર વાયર કાપવા માટે ઉપયોગમાં લેવાતી હેક્સા બ્લેડ મળી આવી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ 11 ડિસેમ્બર, 2025ના રોજ રેલવે લોકેશન બોક્સમાંથી કોપર વાયર ચોરી કર્યાની કબૂલાત કરી હતી. તેમની સૂચના પરથી આશરે 4.5 મીટર ચોરાયેલો કોપર વાયર જપ્ત કરવામાં આવ્યો હતો. ચાર મુખ્ય આરોપીઓને સુરતની માનનીય અદાલતના આદેશ મુજબ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. આ કાર્યવાહી દ્વારા RPF એ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે રેલવે સંપત્તિ રાષ્ટ્રની સંપત્તિ છે અને તેની ચોરી કે નુકસાન સહન કરવામાં આવશે નહીં. RPF એ નાગરિકોને અપીલ કરી છે કે કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે પડે તો તરત જ નજીકની RPF પોસ્ટને જાણ કરવી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:12 pm

અમરેલીમાં સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ:1250 રમતવીરોએ ભાગ લીધો, રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ કરાવ્યો

અમરેલી શહેરના સરદાર પટેલ રમત-ગમત સંકુલ ખાતે સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો છે. ઊર્જા, કાયદો અને ન્યાય રાજ્યમંત્રી કૌશિક વેકરીયાના હસ્તે આ મહોત્સવ ખુલ્લો મુકાયો હતો. આ સ્પર્ધામાં જિલ્લાભરના 1250 જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો. મહોત્સવમાં કોથળા દોડ, રસ્સા ખેંચ, ખો-ખો અને ચેસ જેવી વિવિધ વયજૂથની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી આહ્વાનથી દેશભરમાં સાંસદ ખેલ મહોત્સવ યોજાઈ રહ્યા છે. આનાથી ખેલાડીઓને પોતાની પ્રતિભા રાષ્ટ્રીય સ્તરે પ્રદર્શિત કરવાની અમૂલ્ય તક મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના આહ્વાનને અનુસરીને દરેક સાંસદ દ્વારા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાના રમતોત્સવો યોજવામાં આવી રહ્યા છે. આવા આયોજનથી ગ્રામ્ય વિસ્તારોના રમતવીરોને પણ પોતાની ક્ષમતા દર્શાવવાની તક મળી છે અને ‘રમશે ગુજરાત, જીતશે ગુજરાત’ના નારાને સશક્ત રીતે ઉજાગર કરવામાં મદદ મળી છે. ખેલ મહોત્સવ જેવી પ્રવૃત્તિઓથી યુવાઓમાં રમત-ગમત પ્રત્યે રુચિ વધે છે અને સ્વસ્થ સમાજની રચનામાં યોગદાન મળે છે. સાંસદ ભરત સુતરીયાએ જણાવ્યું હતું કે, આ રમતોત્સવ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી શરૂ કરાયો છે. તે ગ્રામ્ય સ્તરના રમતવીરોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચવા માટે પોતાની પ્રતિભા પ્રદર્શિત કરવાની તક પૂરી પાડે છે. તેમણે આશા વ્યક્ત કરી કે આ મંચ પરથી ઊભરતા ખેલાડીઓ ભવિષ્યમાં રાજ્ય અને દેશનું નામ રોશન કરશે. કાર્યક્રમ દરમિયાન અગ્રણી અતુલભાઈ કાનાણીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ સાથે જ જિલ્લા કક્ષાના કન્વીનરોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેનાથી રમત-ગમતના વિકાસ માટે કાર્યરત સૌમાં ઉત્સાહનો વધારો થયો હતો. સાંસદ ખેલ મહોત્સવ જેવી પહેલો દ્વારા રમતવીરોને યોગ્ય માર્ગદર્શન, સ્પર્ધાત્મક અનુભવ અને પ્રોત્સાહન મળી રહ્યું છે, જે ભવિષ્યના ચેમ્પિયન ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમમાં ધારી–બગસરા–ખાંભાના ધારાસભ્ય જે.વી. કાકડિયા, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા, પ્રાંત અધિકારી (અમરેલી–કુંકાવાવ) એમ.જે. નાકિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી પૂમન ફૂમકીયા, અગ્રણી અતુલભાઈ કાનાણી, વિજયભાઈ ચોટલીયા, દિનેશભાઈ ભૂવા, કેતનભાઈ સોની અને દિવ્યેશભાઈ વેકરીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:06 pm

ગટરના પાણીથી ગંદકી ફેલાતા રહીશોમાં રોષ:વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નં.8માં ગંદકીના વિરોધમાં AAP દ્વારા 'હલ્લાબોલ' કાર્યક્રમ, ઢોલ-નગારા વગાડીને વિરોધ કર્યો

વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 8માં આવેલી 10 જેટલી સોસાયટીઓના રહીશોએ નર્મદા કેનાલ પાસેની ગંદકીના વિરોધમાં આમ આદમી પાર્ટી (AAP)ના વિરેન રામીની આગેવાનીમાં 'હલ્લાબોલ' કાર્યક્રમ યોજ્યો હતો. રહીશોએ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ નિકાલ ન આવતાં તંત્રને જગાડવા માટે ઢોલ-નગારા વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વડોદરા શહેરના વોર્ડ નં. 8માં આવેલી લક્ષ્મીધામ સોસાયટી, નમ્રતા સોસાયટી, પરિસીમા સોસાયટી, અમર પાર્ક, કુંજ રેસીડેન્સી, જગન્નાથપુરમ સોસાયટી, કાશી વિશ્વનાથ સોસાયટી, સરસ્વતી સોસાયટી અને ઉમિયા નગર સોસાયટી જેવી સોસાયટીઓની બાજુમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. કેનાલની બાજુમાં ઓવરફ્લોને કારણે બારેમાસ ગટરના પાણીથી ગંદકી ફેલાઈ રહી છે. આ કારણે રાત્રે તીવ્ર દુર્ગંધ આવે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. સ્થાનિક રહીશો રાત્રે બહાર બેસી શકતા નથી કે ઘરના દરવાજા પણ ખોલી શકતા નથી. વળી, કેનાલની આસપાસ ઝાડી-ઝાંખરા અને સફાઈના અભાવને કારણે ઝેરી સાપ અને અન્ય જીવજંતુઓ ઘરોમાં ઘૂસી જાય છે, જેનાથી રહીશો અને તેમના પરિવારોનું જીવન જોખમમાં મુકાઈ ગયું છે. રહીશોએ આ સમસ્યા અંગે ચૂંટાયેલા કોર્પોરેટરો અને સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાને વારંવાર રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. આથી, રહીશોએ AAPના વિરેન રામીની આગેવાનીમાં લક્ષ્મીધામ સોસાયટી, પંચવટી કેનાલ પાસે હનુમાનજીના મંદિરની ગલીમાં, ગોરવા વિસ્તારમાં 'હલ્લાબોલ' કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તંત્રને જગાડવા માટે ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા. આ વિરોધ પ્રદર્શનમાં સુમિત વણઝારા, ભરતભાઈ, ધવલ પંચાલ, જલ્પન પંડ્યા, શૈલેષભાઈ ગોહિલ, વિજય ખીચી, ભાવેશ સોલંકી, બીમલ પાઠક, રિકેશ પટેલ, ઉરેશ વણઝારા, વિશાલ વણઝારા સહિત સોસાયટીઓના અનેક રહીશો મોટી સંખ્યામાં જોડાયા હતા. રહીશોએ જણાવ્યું કે, તંત્રની ઉદાસીનતાને કારણે તેઓને આ પગલું ભરવું પડ્યું છે અને તેઓ આ સમસ્યાના કાયમી નિકાલ માટે સંઘર્ષ ચાલુ રાખશે. જોકે તંત્ર તરફથી હજુ કોઈ પ્રતિસાદ મળ્યો નથી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 3:04 pm

વાહનની ટક્કરથી યુવક ઉછળ્યો, શર્ટ ફસાઈ જતા થાંભલામાં ટીંગાયો; VIDEO:પાંચ લોકોએ હાથ પકડી ઉગાર્યો, વડોદરાના નંદેસરી બ્રિજ પર વિચિત્ર અકસ્માત

રામ રાખે તેને કોણ ચાખે. આ પંક્તિ વડોદરામાં સાચી ઠરી છે. વડોદરાના નંદેસરી બ્રિજ પર સર્જાયેલા એક વિચિત્ર અકસ્માતમાં 20 વર્ષીય યુવકનો ચમત્કારીક બચાવ થયો છે. બ્રિજ પરથી પસાર થઈ રહેલા મોપેડસવાર યુવકને અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા યુવક ઉછળીને બ્રિજની દિવાલ પર પડ્યો હતો. સદનસીબે યુવકનો શર્ટ બ્રિજ પરના વીજપોલમાં ફસાઈ જતા 20 ફૂટ ઊંચા બ્રિજ પર ટીંગાઈ ગયો હતો. આ જ સમયે અન્ય લોકોએ તેનો હાથ પકડીને ઉગારી લીધો હતો. દિલધડક રેસ્ક્યૂનો વીડિયો સામે આવ્યો છે. યુવકને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. અજાણ્યા વાહને ટક્કર મારતા ઉછળીને થાંભલામાં ટીંગાયોઆણંદના અડાસ ગામનો 20 વર્ષીય સિદ્ધરાજસિંહ મહિડા ઘરે કહ્યા વગર શનિવારે મોપેડ લઈ વડોદરા તરફ નીકળ્યો હતો. તે છૂટક કામ કરતો હોવાનું સંબંધી સરોજબેને કહ્યું હતું. નંદેસરી બ્રિજ પર સવારે 10:30 વાગ્યે વાહને પાછળથી ટક્કર મારી હતી. જેથી સિદ્ધરાજ ઉછળી બ્રિજ પરથી નીચે પટકાય તેવી સ્થિતિ થઈ હતી. સદનસીબ તેનો શર્ટ બ્રિજના થાંભલામાં ભરાતાં તે લટકી ગયો હતો. જોકે ઇજા પહોંચતાં તે બેહોશ થઈ ગયો હતો. 20 ફૂટ ઊંચા બ્રિજ પર શર્ટના સહારે ટીંગાઈ રહેલા યુવકનો લોકોએ બચાવ્યોઘટનાને પગલે બ્રિજ ઉપર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને ભારે જહેમત બાદ રાહદારીઓએ યુવકને ઉપર ખેંચ્યો હતો અને વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી તે નીકળી ગયો હતો અને આણંદની હોસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યારબાદ તેને વધુ સારવાર માટે વડોદરા નજીક આવેલી પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. નંદેસરી પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. બ્રિજ પર યુવકને લટકતા જોતા રાહદારીઓની મદદથી ઉગારી લીધો હતો- અશ્વીન સોલંકીસાંકરદા ગામના રહેવાસી અશ્વીન સોલંકીએ જણાવ્યું હતું કે, હું પિતા સાથે જતો હતો ત્યારે યુવકને બ્રિજ પર લટકતો જોયો હતો.તે બેહોશ હતો. હું તાત્કાલિક ત્યાં ગયો હતો અને યુવકને રાહદારીઓની મદદથી ઉપર ખેંચી લીધો હતો. તે પછી તેને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ ચાલુનંદેસરી પોલીસ સ્ટેશનના પી.આઈ એ એ વાઘેલાએ જણાવ્યું હતું કે, અકસ્માત અંગેની જાણ થતા અમારી ટીમ હોસ્પિટલમાં ગઈ હતી. અકસ્માત કેવી રીતે થયો આ મામલે અમે તપાસ કરી રહ્યા છીએ. જોકે પરિવાર પોલીસ ફરિયાદ કરવા માંગતો નથી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 2:58 pm

થલતેજ કોંગ્રેસ કાર્યાલયમાં ચોરે હાથફેરો કર્યો:પંચધાતુની મૂર્તિ અને મહત્વના દસ્તાવેજો સહિત 15 હજારની ચોરી, મુખ્ય દરવાજાનું લોક તોડી ચોરીને અંજામ આપ્યો

થલતેજ વિસ્તારમાં પોલિટિકલ પાર્ટીના કાર્યાલયને જ તસ્કરોએ નિશાન બનાવ્યું છે. થલતેજમાં જીવનદીપ સર્કલ પાસે સ્વપ્ન એપાર્ટમેન્ટમાં આવેલા કોંગ્રેસના કાર્યાલયમાં તસ્કરોએ ઘૂસી હાથ સાફ કર્યો. કોંગ્રેસના કાર્યાલયના મુખ્ય દરવાજાનું લોક તોડી તસ્કરોએ કાર્યાલયમાં રાખેલી પંચધાતુની મૂર્તિ, મહત્વના દસ્તાવેજો અને ઇન્ડિયન ગેસની ભરેલી બોટલની ચોરી કરી ફરાર થઈ ગયા, જેને લઇને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા તસ્કરોની તપાસ હાથ ધરવામાં આવી છે. કાર્યાલય પર પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનો લોક તૂટેલો જોવા મળ્યો હતો57 વર્ષીય મુકેશ પંચાલ નામના વ્યક્તિ થલતેજ વિસ્તારમાં આવેલું કોંગ્રેસનું કાર્યાલય ચલાવે છે. મુકેશ પંચાલ સવારના 10 વાગ્યાથી 11 વાગ્યા સુધી કોંગ્રેસ કાર્યાલયમાં બેસતા હોય છે. 19 તારીખે 11.30 વાગ્યાની આસપાસ મુકેશ પંચાલ થલતેજમાં જીવનદીપ સર્કલ પાસે આવેલ સ્વપ્ન એપાર્ટમેન્ટમાં કોંગ્રેસના કાર્યાલયને બંધ કરીને પોતાના ઘરે ગયા હતા. જે બાદ બીજા દિવસે કાર્યાલય પર પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનો લોક તૂટેલો જોવા મળ્યો હતો. જેથી, તરત જ પોલીસ કંટ્રોલમાં ફોન કરી સમગ્ર હકીકત જણાવી હતી. સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થઈ હોવાની શંકા ગઈ હતીપોલીસ કંટ્રોલરૂમમાં ફોન કર્યા બાદ મુકેશ પંચાલ જ્યારે કાર્યાલયમાં પ્રવેશ કરે છે ત્યારે તમામ સામાન વેરવિખેર જોવા મળતા ચોરી થઈ હોવાની શંકા ગઈ હતી. કાર્યાલયમાં તપાસ કરતા ઓફિસના ટેબલનું ખાનું ખુલ્લું જોવા મળ્યું હતું. તેમજ ઓફિસમાં મંદિરમાં મૂકેલી પંચધાતુની મૂર્તિ પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તેમજ મહત્વના દસ્તાવેજ અને રસોડામાં રાખેલી ઇન્ડિયન ગેસની ભરેલી બોટલ પણ તસ્કરો ચોરી ગયા હોવાનું સામે આવ્યું હતું. અંદાજે 15,000 રૂપિયામાં સામાનની ચોરી થતા અણજાણ્યા તસ્કરો વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવે છે. પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોની શોધખોળ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 2:36 pm

ભરૂચ જેલમાં વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે ધ્યાન સેશન યોજાયું:કેદીઓ અને સ્ટાફે માનસિક શાંતિ માટે ધ્યાન કર્યું

ભરૂચ જિલ્લા જેલ ખાતે 21 ડિસેમ્બર, વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે વિશેષ ધ્યાન સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત જેલ વિભાગના વડા ડો. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ વ્યક્તિ વિકાસ કેન્દ્ર, ઇન્ડિયા અને ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા હર ઘર ધ્યાન અભિયાન અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેશનમાં સંસ્થાના પ્રતિનિધિઓ ધનજી વસાવા અને ફાલ્ગુનીબેને જેલના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓને ધ્યાનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મેડિટેશન સેશન દરમિયાન માનસિક શાંતિ, એકાગ્રતા અને આત્મવિકાસ અંગે મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી હતી, જેને જેલ સ્ટાફ અને બંદીવાનોએ ઉત્સાહપૂર્વક સ્વીકારી હતી. કાર્યક્રમના સમાપન પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડે વ્યક્તિ વિકાસ કેન્દ્ર અને ધ આર્ટ ઓફ લિવિંગ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આવી પ્રવૃત્તિઓ બંદીવાનોના સર્વાંગી વિકાસ માટે અત્યંત ઉપયોગી સાબિત થાય છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 2:07 pm

RMCના નિવૃત એન્જિનિયરનો પત્ની સાથે આપઘાત:બીમારીથી કંટાળી બંનેએ મોડી રાત્રે ઝેરી દવા પીધી, પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી

રાજકોટ શહેરમાં પતિ પત્નીએ સજોડે આપઘાત કરી હોવાની ઘટના સામે આવી છે. શહેરના યુનિવર્સીટી રોડ પર રહેતા અને મનપામાં ડેપ્યુટી એન્જીનીયર પદેથી નિવૃત થયેલા વૃદ્ધ રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉ.વ.70) અને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉ.વ.70)એ સાથે મળી મોડી રાત્રે ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં બનાવ અંગે દીકરીને જાણ કરતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થ ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત નીવડે તે પહેલા વૃદ્ધએ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અને તેના બે કલાક બાદ વૃદ્ધાએ પણ દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં વૃદ્ધ દંપતીએ આપઘાત કરતા પહેલા સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે સ્યુસાઈડનોટ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ શહેરના યુનિવર્સીટી રોડ પર આવેલ ભીડભંજન સોસાયટીમાં રહેતા રાજેન્દ્રભાઈ લખતરીયા (ઉ.વ.70) અને તેમના પત્ની પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉ.વ.70)એ ગઈકાલે મોડી રાત્રે 2 વાગ્યા આસપાસ ઝેરી દવા પી લીધી હતી બાદમાં બનાવ અંગે પોતાની સાથે રહેતી તેમની દીકરીને જાણ કરતા પરિવારના અન્ય સભ્યો એકઠા થઇ બન્ને પતિ પત્નીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ICU વોર્ડમાં બન્નેની સારવાર ચાલુ હતી દરમિયાન વહેલી સવારે 6 વાગ્યે રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉ.વ.70)એ દમ તોડી દેતા મોત નીપજ્યું હતું અને તેના બે જ કલાક બાદ સવારના 8 વાગ્યે પન્નાબેન રાજેન્દ્રભાઇ લખતરીયા (ઉ.વ.70)એ પણ દમ તોડી દેતા તેમનું પણ મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે મૃદતહેને પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે પરિવારજનોની પુછપરછ કરતા વૃદ્ધ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જે સ્યુસાઇડ નોટમાં લખ્યું હતું કે, અમે બન્ને પતિ પત્નીએ બધું સુખ જોઈ લીધું છે દીકરો અને દીકરી પણ અમને સારી રીતે રાખ્યા છે. અમારી ઉપર કોઈ દેણું પણ થયેલ નથી પરિવારના સભ્યોથી પણ અમે ખુબ સંતુષ્ટ છીએ માત્ર બીમારીથી અમે હવે કંટાળી ગયા છીએ અને બીમારીના કારણે કંટાળી આપઘાત કરી રહ્યા છીએ. હાલ યુનિવર્સીટી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજેન્દ્રભાઇ લખતરીયા પોતે રાજકોટ મહાનગર પાલિકામાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે ફરજ બજાવતા હતા વય નિવૃત્તિના 8થી 10 મહિના પહેલા તેઓએ સ્વૈચ્છીક રાજીનામુ આપી દીધું હતું અને બાદમાં પરિવાર સાથે નિવૃત જીવન ગાળતા હતા. કોરોના બાદથી તેઓ બીમાર થતા ડિપ્રેશનમાં આવી ગયા હતા અને તેમને ડિપ્રેશનની સારવાર પણ ચાલુ હતી જો કે થોડા સમયથી તેમના પત્ની પણ બીમાર થયા હતા તેમને ડાયાબિટીસની બીમારી હતી અને થોડા સમય પહેલા લગભગ એક બે વાર સારવાર અર્થે દાખલ પણ કરવામાં આવ્યા હતા જેથી તેઓ ફરી ડિપ્રેશનમાં આવી ગયા હતા બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હોવાનું સ્યુસાઇડ નોટ આધારે પરિવારજનો પણ પોલીસને જણાવી રહ્યા છે જેથી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજેન્દ્રભાઇ લખતરીયા અને પત્ની પન્નાબેન લખતરીયાને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જેમાંથી દીકરો ખાનગી કંપનીમાં નોકરી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે જયારે દીકરીના છૂટાછેડા થઇ ગયા બાદ તે પોતાના સંતાન સાથે રાજકોટ જ માતાપિતા સાથે રહેતી હતી. રાત્રે ઝેરી દવા પી લીધા બાદ તબિયત વધુ બગડતા બનાવ અંગે દીકરીને જ પિતાએ જાણ કરી હતી જેથી દીકરીએ તેમના પરિવારના અન્ય સભ્યોને જાણ કરતા તત્કાલ તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત નીવડે તે પહેલા જ બે કલાકના અંતરે બન્નેએ દમ તોડી દેતા પરિવામાં ગમગીની છવાઈ જવા પામી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 2:03 pm

ગોધરામાં સદગુરુ રંગ અવધૂતની પ્રથમ બેઠક શતાબ્દી ઉજવાઈ:તેલંગ વિદ્યાલયમાં ભજન સત્સંગ, ગુરુભક્તિ મહાત્મ્ય કાર્યક્રમ યોજાયો

ગોધરામાં સદગુરુ દેવ શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના નારેશ્વર ખાતેની પ્રથમ બેઠકના શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે, પૂજ્યશ્રી જે શાળામાં અભ્યાસ કરતા હતા તે તેલંગ વાણિજ્ય વિદ્યાલયના પાવન ખંડમાં ભજન સત્સંગ અને ગુરુભક્તિ મહાત્મ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન શ્રી રંગ યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ, ગોધરા દ્વારા કરાયું હતું. કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય પૂજ્ય જગદીશાનંદજી, વક્તા નટવરસિંહ ડોડીયા, જિલ્લા શિક્ષણાધિકારી જે. એમ. પટેલ, ધર્મેન્દ્ર સોની, પ્રદીપ સોની અને પપ્પુ સુંદરકાંડવાળા દ્વારા કરવામાં આવ્યું હતું. સચિવ કક્ષાના નિવૃત્ત અધિકારી અને અવધૂત વિચારધારાના પ્રણેતા નટવરસિંહ ડોડીયાએ ગુરુભક્તિનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રીરામને પણ ગુરુ હતા, આ મહત્વ સંગીતમય શૈલીમાં ગુરુ ભજનો દ્વારા સમજાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂજ્ય બાપજીના કૃપાર્થી પૂજ્ય જગદીશાનંદજીએ ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલા રંગભક્તોને આશીર્વચન પાઠવ્યા હતા અને ગુરુના મહત્વ વિશે સમજાવ્યું હતું. શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે, તેલંગ વાણિજ્ય વિદ્યાલયના કમ્પાઉન્ડમાં અવધૂત પરિવારપરિયાના રંગ ભક્તો દ્વારા સુમધુર કંઠે દત્ત બાવની પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂજ્ય જગદીશાનંદજી, નટવરસિંહ ડોડીયા અને ગુજરાતભરના અનેક રંગ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 2:02 pm

નિવૃત્ત વ્યક્તિને ફસાવીને ઠગે 26.98 લાખ પડાવ્યા:શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં મોટો નફાની લાલચ આપી હતી, ફરિયાદ નોંધાઈ

અમદાવાદમાં ચાંદખેડામાં રહેતા નિવૃત્ત વ્યક્તિને શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લાલચ આપીને સાયબર ઠગે રૂપિયા 26.98 લાખ પડાવ્યા છે. રોકાણ કરવાનું કહીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટુકડે ટુકડે લાખો રૂપિયા પડાવ્યા હતા. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઠગે શેરબજારમાં રોકાણથી વધુ કમાણી કરવાની લાલચ આપી હતીચાંદખેડા વિસ્તારમાં રહેતા અમિતાભ ડાંગી નિવૃત્ત જીવન ગુજારે છે. અમિતાભભાઈ જ્યારે ફેસબુક વાપરી રહ્યા હતા ત્યારે ગણીકા યાદવ નામની મહિલાએ મેસેન્જર પર સંપર્ક કરી શેરબજારમાં રોકાણથી વધુ કમાણી કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ આરોપીઓએ તેમને 'DEX trade' નામની એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને 'Market ETH Analysts' નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેર્યા હતા. આ ગ્રુપમાં અન્ય સભ્યો નફાના ખોટા સ્ક્રીનશોટ મૂકીને રોકાણકારોનો વિશ્વાસ જીતતા હતા. ટુકડે-ટુકડે કુલ રૂ. 26.98 લાખ પડાવ્યાશરૂઆતમાં ઠગોએ અમિતાભભાઈ પાસેથી રૂ. 11,000 રોકાવ્યા અને સામે રૂ. 14,000 પરત આપીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. આ નાની રકમ પર નફો મળતા, ફરિયાદીએ વધુ વળતરની આશાએ અલગ-અલગ સમયે ટુકડે-ટુકડે કુલ રૂ. 26.98 લાખ જેટલી રકમ આરોપીઓના જણાવ્યા મુજબના બેંક ખાતાઓમાં ભરી દીધી હતી. નાણાં આપવાનો ઈનકાર કર્યો ને છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયોજ્યારે અમિતાભભાઈએ પોતાના નફા સાથેની રકમ વિડ્રો કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે આરોપીઓએ 30% કમિશન અને અન્ય સર્વિસ ચાર્જની માંગણી કરી નાણાં આપવાનો ઈનકાર કર્યો હતો. સતત નવી રકમની માંગણી થતા ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.આ અંગે સાયબર ક્રાઈમે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:56 pm

રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદયભાનુ ચીબ વડોદરામાં:કહ્યું: 10 વર્ષમાં કેજરીવાલે દિલ્હીમાં કંઈ કર્યું જ નથી, જે દિલ્હી સાથે ગદ્દારી કરે છે, એ ગુજરાત સાથે શું કરશે?

ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદયભાનુ ચીબ આજે વડોદરા શહેરના મહેમાન બન્યા હતા અને તેઓએ સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેઓએ આમ આદમી પાર્ટી અને કેજરીવાલ વિશે જણાવ્યું હતું કે,10 વર્ષમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલે દિલ્હીમાં કંઈ કર્યું જ નથી આજે દિલ્હીમાં પોલ્યુશનની હાલત ખૂબ ખરાબ છે. જે દિલ્હી સાથે ગદ્દારી કરે છે, એ ગુજરાત સાથે શું કરશે? ભારતીય રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના અધ્યક્ષ ઉદયભાનુ ચીબ એ જણાવ્યું હતું કે, દેશની આઝાદી સમયે લડાઈ લડી રહેલા લડવૈયાઓની આઝાદીની લડાઈના સમાચાર છાપતા ન્યૂઝ પેપર નેશનલ હેરાલ્ડની સામે નરેન્દ્ર મોદી અને ભાજપ લગાતાર પડી રહ્યો છે. વર્ષો પહેલા અંગ્રેજોએ આ પેપરને બેન પણ કર્યું હતું. RSS તો ભારત છોડો આંદોલનના વિરોધમાં હતું. એ સમયે RSS અંગ્રેજોને સાથ આપતું હતું. મોદી અને ભાજપ પણ RSSના પગલા પર ચાલીને નેશનલ હેરાલ્ડની સામે પડ્યા છે. 2014થી સીબીઆઇ અને ઇડી ભાજપના પ્રેશરમાં આવીને નેશનલ હેરાલ્ડની સામે પડ્યા છે. જોકે અત્યાર સુધી એક પણ એફઆઇઆર થઈ નથી અને સત્યનો હવે વિજય થયો છે. ભાજપ સરકાર બદલા અને દુશ્મનીની રાજનીતિ કરી રહી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર મનરેગા યોજનાને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. મનરેગા યોજના માટે સતત બજેટ ઓછું કરવામાં આવી રહ્યું છે અને લોકોને 50થી 55 દિવસ જ રોજગારી મળી રહે છે. જે યુપીએની સરકારમાં 100 દિવસથી વધુ મળતી હતી. મનરેગા એ કામ કરવાનો અધિકાર હતો, એ આજે એડમિનિસ્ટ્રેટિવ હેલ્પ બની ગયો છે. તેઓએ ઉમેર્યું હતું કે, અત્યારે ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ ખૂબ જ વધી ગયું છે. એ વિશે પ્રધાનમંત્રી વિચારતા નથી અને બિનજરૂરી મુદ્દાઓને ઉછાળીને લોકોને ભટકાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વડાપ્રધાનના ખાસ મિત્રના પોર્ટ પરથી હજારો કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાય છે. વારંવાર ડ્રગ્સ પકડાય છે. જે સીઆઈએસએફ વાળા ડ્રગ્સ પકડે છે તેમની ટ્રાન્સફર થઈ જાય છે. ગુજરાતના યુવાનો ડ્રગ્સમાં ફસાઈ રહ્યા છે. તેઓએ આમ આદમી પાર્ટી વિશે જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી મોદી કરતા પણ વધારે સારી ઇવેન્ટ કરે છે, એમના પણ કરતા વધારે સારી સ્ટ્રેટેજી છે. પણ તે ચાલતી નથી, તે દિલ્હી વાળા એ બતાવી દીધું છે. મારું ગળું ખરાબ થઈ ગયું છે જેનું કારણ દિલ્હીનું પોલ્યુશન છે, એના માટે ભાજપ જેટલું જ જવાબદાર આમ આદમી પાર્ટી છે. 10 વર્ષમાં આમ આદમી પાર્ટી અને કેજરીવાલે દિલ્હીમાં કંઈ કર્યું જ નથી આજે દિલ્હીમાં પોલ્યુશનની હાલત ખૂબ ખરાબ છે. જે દિલ્હી સાથે ગદ્દારી કરે છે, એ ગુજરાત સાથે શું કરશે?, એ તમે જુઓ અને લોકો પણ જોશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:56 pm

બોરસદમાં બાલિકા પંચાયત સંમેલન યોજાયું:'સશક્ત બાલિકા, સશક્ત સમાજ' થીમ હેઠળ વિવિધ યોજનાઓની માહિતી અપાઈ

આણંદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી નિલેશ્વરીબા કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ બોરસદ ખાતે 'સશક્ત બાલિકા, સશક્ત સમાજ' થીમ આધારિત બાલિકા પંચાયત સંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમ બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હોલ ખાતે યોજાયો હતો, જેમાં બાલિકા પંચાયતની દીકરીઓ જોડાઈ હતી. સંમેલનની શરૂઆતમાં બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અશોકભાઈ મહિડાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. ત્યારબાદ વિવિધ યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. CDPO રૂપલબેન મિસ્ત્રીએ ICDS કચેરીની યોજનાઓ વિશે જણાવ્યું હતું. ફિલ્ડ ઓફિસર આશાબેન દેસાઈએ વ્હાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના વિશે માહિતી આપી હતી. પુર્ણા કન્સલ્ટન્ટ દિશાબેન ઠાક્કરે પુર્ણા યોજના વિશે સમજાવ્યું હતું. PBSC કાઉન્સેલર સબનમ ખલીફાએ પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC), 112 હેલ્પલાઈન અને 181 અભયમ હેલ્પલાઈન નંબર વિશે માર્ગદર્શન આપ્યું હતું. OSC કેન્દ્ર સંચાલક રિપલબેન ડાભીએ સખી વન સ્ટોપ સેન્ટર (OSC) વિશે જાણકારી પૂરી પાડી હતી. આ માહિતી સત્ર બાદ, વ્હાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ અને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોરસદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ, ડિરેક્ટર નિલેશભાઈ પટેલ, હિતેશભાઈ પટેલ, નરસિંહભાઈ રાયપુરા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ, સંકલ્પ ઓફ હબ એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજના હેઠળના કર્મચારીઓ, PBSC અને OSCના કર્મચારીઓ, ICDS કચેરીના આંગણવાડી વર્કર અને બાલિકા પંચાયતની દીકરીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:47 pm

ભરતનગર ગાર્ડન પ્રોજેક્ટ બે વર્ષથી ટલ્લે ચડ્યો:મનપા-હાઉસિંગ બોર્ડના જમીન વિવાદમાં કામ બંધ; 70 હજારથી વધુ નાગરિકો સુવિધાથી વંચિત

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં 70થી 80 હજારની વસ્તી છતાં લોકોને સુવિધાના નામે એકપણ બગીચો નથી. બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન હરવાફરવા જઈ શકે એ માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ અને મહાનગરપાલિકાની જમીન પર મનપા દ્વારા 2022માં ગાર્ડન બનાવવાની શરૂઆત કરાઈ હતી. કામ શરૂ થયાના થોડા મહિના વીત્યા બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા પોતાની લગત જમીન છોડી બાકીની જમીનમાં ગાર્ડનનું નિર્માણ કરવા તાકીદ કરતા કામ ટલ્લે ચડ્યું હતું. પરંતુ સવાલ એ છે કે, સરકારના જ બે વિભાગના વિવાદમાં લોકોને સુવિધાતો ના મળી અને 45 લાખ રૂપિયાનો વેડફાટ થઈ ગયો. ત્યારે લોકો દ્વારા અહીં ઝડપથી બગીચાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે. 2 કરોડથી વધુના ખર્ચે બગીચો બનાવવા 2022માં ટેન્ડર થયું હતુંએક સમયે શહેરનો છેવાડાનો વિસ્તાર ગણાતા ભરતનગરમાં સરકારી આવાસ યોજનાની અનેક સ્કીમો સાકાર થઈ રહી છે, જેના કારણે અહીં લોકોની વસ્તીમાં પણ વધારો થયો છે. હાલ આ ભરતનગર વિસ્તારમાં 70 હજારથી વધુની વસ્તી સામે લોકોની સુવિધા માટે એક પણ બગીચો નથી. મહાનગરપાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યા તેમજ મનપા હસ્તકની કુલ મળી 20 હજાર ચોરસમીટર જગ્યા પર 2 કરોડથી વધુના ખર્ચે ગાર્ડન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, જે માટે 2022માં ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને કામ સોંપી દે હાઉસિંગ બોર્ડ અને પાલિકાના જમીન વિવાદથી કામ અટક્યુંએજન્સી દ્વારા ગાર્ડન ફરતે વોલ બનાવવાનું કામ શરૂ કરાયું હતું, પરંતુ કામગીરી ચાલુ હતી ત્યાં થોડા મહિના બાદ ગુજરાત હાઉસિંગ બોર્ડે પોતાનો વિચાર બદલી નાખ્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડની લાગત જમીન છોડી બાકીની જમીન પર જ બગીચો બનાવવા તાકીદ કરી હતી, જેના કારણે કામ અટકી પડ્યું હતું. આ વાતને આજ બે વર્ષ કરતા વધુ સમય થયો તેમ છતાં આજદિન સુધીમાં બગીચાનું નિર્માણ થયું નથી. આ વિસ્તારના સ્થાનિકોની માગ છે કે, વહેલી તકે આ ગાર્ડન બનવવામાં આવે. સરકારને વિનંતી છે કે, ગાર્ડનનું કામ જલ્દી કરવામાં આવેઃ નરેન્દ્રસિંહ ગોહિલઆ અંગે સ્થાનિક રહેવાસી નરેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આમ તો જોવા જઈએ તો ભરતનગર બગીચાની છેલ્લા ઘણા સમયથી એક માગ હતી. અમને આશા હતી કે, કામ પૂરૂ થઈ જશે, પણ આ ગાર્ડનનું કામ કયા કારણોસર ઊભું રહી ગયું. ટેન્ડર પાસ થઈ ગયું, બધી વસ્તુ કમ્પલેટ થઈ ગયું, તેમ છતાં હજુ સુધી ભરતનગરનો બગીચો બન્યો નથી. અંદાજિત ચારથી પાંચ વર્ષથી આ કામ અટકી ગયું છે. સરકારને વિનંતી છે કે, આ ગાર્ડનનું કામ જલ્દી કરવામાં આવે. 9,000 સ્ક્વેર મીટર જગ્યા હાઉસિંગ બોર્ડે સુપ્રત ન કરીઃ આર. એમ. લિબોલાબાંધકામ વિભાગના કાર્યપાલક ઇજનેર આર. એમ. લિબોલાએ જણાવ્યું કે, ભરતનગર લાલબાગ ચોક પાસે ગાર્ડન આવેલું છે, તેનું અંદાજિત 2 કરોડ 80 લાખના ખર્ચે કામ આપેલું હતું. ગાર્ડન કામમાં જે જગ્યા છે, એ હાઉસિંગ બોર્ડની અમુક મનપાને સુપ્રોત કરી હતી. જે 11,330 સ્ક્વેર મીટર બાકીની જે જગ્યા છે તે ગાર્ડન વિભાગને હાઉસિંગ બોર્ડ દ્વારા સુપ્રોત કરેલ ન હતી, જેના કારણે આ કામ અટકેલું હતું. હાલ હાઉસિંગ બોર્ડ પાસેથી આ જગ્યા લેવાના પ્રયાસો શરૂ છે. આ કામ ઝડપથી શરૂ કરીને બાકી રહેતું તમામ કામ પૂર્ણ કરવાની તૈયારી છે. સમગ્ર જગ્યા 20,000 સ્ક્વેર મીટરમાં બગીચો બનાવવાનો હતો, જેમાં 11,330 સ્ક્વેર મીટર જગ્યા હાઉસિંગ બોર્ડ એ મનપાને આપી દીધી છે. બાકીની 9,000 સ્ક્વેર મીટર જગ્યા હાઉસિંગ બોર્ડ સુપ્રત કરી નથી, એટલે આ 9000 સ્ક્વેર મીટર જગ્યાની માંગણી આપણે કરીએ છીએ. ‘પ્રયત્ન કરીએ છીએ કે ઝડપથી ગાર્ડનનું કામ પૂર્ણ થાય’વધુમાં જણાવ્યું હતું કે, આ ગાર્ડન નિર્માણમાં જે એજન્સી નિમવામાં આવી હતી, તે એજન્સીને રનિંગ બીલ ચૂકવવામાં આવ્યું હતું. 45 લાખ જેટલું રનિંગ બીલ ચૂકવેલું છે, બાકીની રકમ હજુ સુધી ચુકવણી થઈ નથી. એજન્સી દ્વારા હાલ કામ બંધ છે અને જગ્યાને ડિસ્ટ્યૂબના કારણે હોય, જેથી આપણે પ્રયત્ન કરીએ છીએ કે ઝડપથી આ ગાર્ડનનું કામ શરૂ કરી, ગાર્ડન કમ્પલેટ કરી અને આપી શકીએ.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:43 pm

અમરેલીના 'લખપતિ દીદી'ની પ્રોડક્ટ્સ મહારાષ્ટ્ર પહોંચી:ઝંખનાબેન નસિતની હોમમેડ ફૂડ પ્રોડક્ટ્સનો નાસિકમાં સ્ટોર ખુલશે

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના 'માશ્રય સખી મંડળ'ના સંચાલિકા ઝંખનાબેન નસિત 'લખપતિ દીદી' તરીકે ઓળખાય છે. તેમના સખી મંડળ દ્વારા તૈયાર થતી વિવિધ આરોગ્યપ્રદ ફૂડ પ્રોડક્ટ્સે એક વર્ષમાં રૂ. 8 લાખનું વેચાણ નોંધાવ્યું છે. આ પ્રોડક્ટ્સની માંગ હવે મહારાષ્ટ્રના નાસિક સુધી પહોંચી છે, જ્યાં ટૂંક સમયમાં તેમનો એક અલગ સ્ટોર શરૂ થવા જઈ રહ્યો છે. નાસિકમાં શરૂ થનારા આ સ્ટોરમાં ગીર ગાયના શુદ્ધ દેશી ઘીમાંથી બનતી મીઠાઈઓ તેમજ મેંદો અને પામ તેલ રહિતના ખાખરા અને બેકરી પ્રોડક્ટ્સનું વેચાણ થશે. આ વિસ્તરણ રાજ્ય સરકારની સહાયતા અને ઝંખનાબેનની ઉદ્યમશીલતાનું પરિણામ છે. ઝંખનાબેને એક વર્ષ પહેલાં ખાખરા બનાવવાની તાલીમ લીધી હતી અને ત્યારબાદ ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) સાથે જોડાયા હતા. તેમણે સરસ મેળો અને સશક્ત મેળા સહિત ત્રણ મેળાઓમાં ભાગ લીધો, જેનાથી તેમની પ્રોડક્ટ્સનું વેચાણ વધ્યું. ગ્રાહકો હવે ઘરેથી પણ ઓર્ડર આપી રહ્યા છે. તેઓ ગીર ગાયના શુદ્ધ ઘીમાંથી મોહનથાળ, મેથીપાક અને અડદિયો ગોળ-સાકરમાં તૈયાર કરે છે. આ ઉપરાંત, ખજૂરના વિવિધ રોલ, 22 પ્રકારના ખાખરા, ખજૂર ડ્રાયફ્રૂટનું તેલ વગરનું અથાણું, મુખવાસ, પાપડ અને બેકરી પ્રોડક્ટ્સ પણ બનાવે છે. તેમની ખાસિયત એ છે કે આ બેકરી પ્રોડક્ટ્સમાં મેંદો અને પામ તેલનો બિલકુલ ઉપયોગ થતો નથી. 'લખપતિ દીદી યોજના' થકી છેવાડાના વિસ્તારની મહિલાઓ સ્વાવલંબી બની રહી છે. આવા મેળાઓ તેમને તેમના ઉત્પાદનોના વેચાણ માટે એક મંચ પૂરો પાડે છે, જેનાથી તેમની મહેનત ફળી રહી છે. છેલ્લા મેળાઓ અને માર્કેટીંગ દ્વારા એક વર્ષમાં રૂ. 8 લાખનું વેચાણ થયું છે. જેમાં રૂ. 1 લાખની મીઠાઈ વેચાઈ છે. આ પ્રસંગે આ પ્રકારની તક આપવા બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મહિલાઓને આર્થિક સ્વાવલંબન તરફ દોરવા માટે કેન્દ્ર સરકારની નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન(NRLM) અંતર્ગત ‘લખપતિ દીદી યોજના’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અંતર્ગત સ્વસહાય જૂથ (SHG) સાથે જોડાયેલી બહેનોને આવકવર્ધક પ્રવૃત્તિઓ થકી વાર્ષિક ઓછામાં ઓછા રૂપિયા એક લાખથી વધુ આવક મેળવવા સક્ષમ બનાવવાનો હેતુ છે. લખપતિ દીદી યોજનાના માધ્યમથી બહેનોને કૃષિ આધારિત વ્યવસાય, પશુપાલન, ડેરી, હસ્તકલા, ફૂડ પ્રોસેસિંગ, સિલાઈ-કઢાઈ, ઘરઉદ્યોગ તેમજ અન્ય લઘુ ઉદ્યોગોમાં તાલીમ, માર્ગદર્શન અને નાણાકીય સહાય આપવામાં આવે છે. રાજ્ય સરકાર મહિલાઓના સર્વાંગી વિકાસ માટે કટીબદ્ધ છે અને લખપતિ દીદી જેવી યોજનાઓ દ્વારા બહેનોને આત્મવિશ્વાસ, સ્વાવલંબન અને આર્થિક સશક્તિકરણ તરફ આગળ ધપાવી રહી છે. આ યોજના ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા સાથે ‘વોકલ ફોર લોકલ’ના વિચારને પણ બળ આપતી સાબિત થઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:41 pm

કપરાડામાં દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાએ બાળકીને જન્મ આપ્યો:દુષ્કર્મ આચરનાર યુવક સામે ફરિયાદ, પોલીસે ધરપકડ કરી

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં એક 15 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મનો ગંભીર બનાવ સામે આવ્યો છે. સગીરાએ નાસિકની હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યા બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી. પોલીસે દુષ્કર્મ આચરનાર યુવકની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કપરાડાના એક ગામમાં રહેતી સગીરાની નવેમ્બર 2024માં ગામના જ એક યુવક સાથે સગાઈ થઈ હતી. સગાઈ બાદ સગીરા યુવકના ઘરે રહેવા ગઈ હતી. આ સમયગાળા દરમિયાન, યુવકે સગીરાની મરજી વિરુદ્ધ વારંવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ યુવક ગામની જ અન્ય એક યુવતીને લઈને ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ તેણે સગીરા સાથેની સગાઈ પણ તોડી નાખી હતી. આ ઘટના બાદ સગીરા પોતાના માતા-પિતા સાથે નાસિક ખાતે રહેવા ગઈ હતી. તાજેતરમાં તેની તબિયત લથડતા તેને નાસિકની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં તપાસ દરમિયાન સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું અને તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. ઘટનાની જાણ થતાં નાસિક પોલીસની ટીમે હોસ્પિટલ પહોંચીને પ્રાથમિક પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સમગ્ર ઘટના કપરાડા તાલુકાની હોવાનું જાણવા મળતાં નાસિક પોલીસે તાત્કાલિક કપરાડા પોલીસને જાણ કરી હતી. કપરાડા પોલીસે દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:32 pm

SOG એ ખેડવા ચેકપોસ્ટ પરથી 3 પિસ્તોલ જપ્ત કરી:રાજસ્થાનના બે આરોપી ઝડપાયા, એક ફરાર

સાબરકાંઠા SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ ખેડબ્રહ્માના ખેડવા ચેકપોસ્ટ પરથી વાહન ચેકિંગ દરમિયાન બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ત્રણ પિસ્તોલ અને એક મેગેઝીન મળી આવ્યા હતા. આ મામલે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા એસપી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલની સૂચના મુજબ, ATS ચાર્ટર સંબંધિત કામગીરી માટે SOG PI ડી.સી. પરમાર, PSI કે.યુ. ચૌધરી અને સ્ટાફ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. પેટ્રોલિંગ દરમિયાન તેઓ ખેડવા ચેકપોસ્ટ પહોંચ્યા અને વાહન ચેકિંગ શરૂ કર્યું. આ દરમિયાન અનિરૂધ્ધસિંહ શુભેન્દ્રસિંહ અને હરપાલસિંહને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, રાજસ્થાન તરફથી RJ 27 SX 4187 નંબરની મોટરસાયકલ પર બે ઇસમો આવી રહ્યા છે. તેમાંથી એક ઇસમ કોલેજ બેગમાં ગેરકાયદેસર હથિયાર લઈને આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે મોટરસાયકલને રોકી તપાસ કરતા, બેગમાંથી ત્રણ પિસ્તોલ, એક મેગેઝીન, બે મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂ. 1,50,000 નો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે રાહુલકુમાર બંસીલાલ પારધી (ઉં.વ. 24, રહે. દેહરી, પો. મેડી, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન) અને અર્જુનકુમાર પાબુભાઈ પારઘી (ઉં.વ. 21, રહે. સાવનક્યારા, પો. ગુરા, તા. કોટડા, જી. ઉદેપુર, રાજસ્થાન) ને અટકાયતમાં લીધા છે. આ ગુનામાં કલ્લું નામનો એક આરોપી (રહે. મધ્યપ્રદેશ) ફરાર છે, જેનું પૂરું નામ-સરનામું જાણી શકાયું નથી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:31 pm

નાહવા બાબતે મારામારી:યુવકના કાકા અને ભાઈઓએ યુવકની પતિની સાડી ખેંચી અડપલા કર્યા,યુવકને મારમારી લોહી લુહાણ કર્યો

પાલડીમાં નાહવા બાબતે યુવકના કાકાએ અને પિતરાઈ ભાઈઓએ મળીને યુવકને મારમાર્યો હતો.યુવકની પત્ની છોડાવવા વચ્ચે પડતા યુવકના કાકાએ યુવકની પત્નીની સાડી ખેંચીને અડપલા કર્યા હતા,યુવકના પિતરાઈ ભાઈએ પણ અડપલા કરીને યુવકની પત્નીને પણ મારમાર્યો હતો.યુવકે પાલડી પોલીસ સ્ટેશન આ અંગે ફરિયાદ નોંધાવી છે. પાલડીમાં રહેતો નામનો યુવક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે.યુવકના ત્યાં કોમન બાથરૂમ હતું.બાથરૂમમાં યુવકના કાકીના કપડા પડેલા હતા ત્યારે યુવકની પત્નીએ ડોલ લેવાનું કહ્યું ત્યારે હર્ષદના કાકી રેશમબેન અને કાકા નટવરભાઈ યુવકની પત્નીને ગાળો આપી હતી જેથી યુવકે વચ્ચે પડીને ગાળો બોલવાની ના પાડતા યુવકના કાકા અને પિતરાઈ ભાઈઓએ યુવકને ગળું દબાવી મૂઢમાર માર્યો હતો.યુવકને માથામાં લોખંડનું કડુ મારતા લોહી નીકળવા લાગ્યું હતું . યુવક ચક્કર આવતા બાજુમા બેસી ગયો હતો ત્યારે યુવકના પત્ની ઝગડામાં વચ્ચે પડતા યુવકના કાકાએ યુવકની પત્નીની સાડી ખેંચીને શારીરિક અડપલા કર્યા હતા.યુવકના પિતરાઈ ભાઈઓએ પણ યુવકની પત્નીને અડપલા કરીને મારમાર્યો હતો.યુવકના ભાઈને પણ મારમાર્યો હતો.યુવકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.યુવકે પાલડી પોલીસ સ્ટેશનમાં કાકા નટવર,કાકી રેશમ,પિતરાઈ ભાઈ મહેન્દ્ર અને કરણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:26 pm

ભદ્રેસરમાં ભૂતનાથદાદાની 50મી પુણ્યતિથિ ઉજવાઈ:નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તો ઉમટ્યા

સાબરકાંઠાના ઈડર તાલુકાના ભદ્રેસરમાં આવેલા ભદામેશ્વર મહાદેવ મંદિરમાં મહંત શ્રી ગોપાલગિરીજી (ભૂતનાથદાદા)ની 50મી પુણ્યતિથિ અને નૂતન મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. ઘઉં વાવ નદીના પટ પર આવેલા આ મંદિરમાં બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મહોત્સવના પ્રથમ દિવસે, શુક્રવારે સવારે 8 કલાકે ઈડર પાસેના કૃષ્ણનગર ગામ ખાતે ભૂતનાથ દાદાની મૂર્તિનું પૂજન કરાયું હતું. મૂર્તિના દાતા સ્વ. પાલીબેન પુરુષોત્તમદાસ પંચાલના પરિવારજનો મંજુલાબેન એમ. પંચાલ અને જશીબેન પંચાલ સહિત સમસ્ત પરિવારે પૂજનવિધિમાં ભાગ લીધો હતો. ત્યારબાદ બપોરે 1 કલાકે કૃષ્ણનગર ગામથી ડીજેના સાઉન્ડ સાથે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા ભદ્રેસર ગામમાં ફરીને ભદામેશ્વર મંદિરે પહોંચી હતી. બીજા દિવસે, શનિવારે સવારે 9:15 કલાકે મહંત શાન્તિગિરીના હસ્તે અને ભૂદેવો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે નૂતન મૂર્તિની પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રસંગે પાદુકા પૂજન, સત્યનારાયણ કથા અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાયા હતા. મહાપ્રસાદના દાતા સ્વ. રેવાબેન દેસાઈના પરિવાર તરફથી કિરણ દેસાઈ દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ભદામેશ્વર મહાદેવ મંદિરના મહંત નિર્ગુણાનંદગિરી શાન્તિગિરી મહારાજ દ્વારા આ સમગ્ર મહોત્સવનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં અનેક મહંતો, સંતો તેમજ આસપાસના અને ગામના ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:26 pm

ગોધરામાં કોમ્પ્યુટર દુકાનમાં ચોરીનો પ્રયાસ:બગીચા રોડ પર ઘટના CCTVમાં કેદ, રાત્રિ પેટ્રોલિંગ વધારવા સ્થાનિકોની માગ

ગોધરા શહેરના ભરચક બગીચા રોડ પર આવેલી એક કોમ્પ્યુટરની દુકાનમાં ચોરીનો પ્રયાસ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મધ્યરાત્રિએ તસ્કરોએ મ્યુનિસિપલ કોમ્પ્લેક્સમાં આવેલી આ દુકાનના શટર અને તાળા તોડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેઓ દુકાનમાં પ્રવેશવામાં કે કોઈ સામાનની ચોરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. છેલ્લા કેટલાક સમયથી ગોધરા શહેરમાં ચોરી અને તસ્કરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ શહેરના વિવિધ વિસ્તારોમાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર બનતી આવી ઘટનાઓને કારણે શહેરીજનો, સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં ભયનો માહોલ છે. શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 1:20 pm

ચૌટા બજારમાં દબાણ કર્યું તો હવે ગુનો દાખલ થશે:મેયર-પોલીસ કમિશનરની સમજાવટ બાદ પણ ફર્ક નહીં, વેપારીઓને પોલીસ સ્ટેશન બોલાવી છેલ્લી વોર્નિંગ

સુરત શહેરના સૌથી વ્યસ્ત અને ઐતિહાસિક ગણાતા ચૌટા બજારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હલ કરવા માટે હવે તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. વારંવારની સમજાવટ છતાં પરિસ્થિતિમાં સુધારો ન આવતા, પોલીસ અને મહાનગરપાલિકાએ સંયુક્ત રીતે વેપારીઓને 'છેલ્લી ચેતવણી' આપી દીધી છે. સમજાવટ નિષ્ફળ જતાં કડક કાર્યવાહીના એંધાણસુરતના મેયર અને પોલીસ કમિશનર દ્વારા રૂબરૂ મુલાકાત લઈને વેપારીઓને પોતાની દુકાનની બહાર સામાન ન રાખવા અને પાથરણાવાળાઓને વ્યવસ્થિત કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે, તંત્રની આ નમ્ર અપીલની વેપારીઓ પર કોઈ ખાસ અસર જોવા મળી નહોતી. રસ્તાઓ સાંકડા થવાને કારણે ગ્રાહકો અને રાહદારીઓને પડતી મુશ્કેલીઓ યથાવત્ રહી હતી. પોલીસ અને પાલિકાની સંયુક્ત મીટિંગઆ પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવા માટે આજે પોલીસ વિભાગ અને પાલિકાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચૌટા બજારના વેપારી મંડળ સાથે એક મહત્વની બેઠક યોજવામાં આવી હતી. આ મીટિંગમાં અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, હવેથી રસ્તા પર કોઈપણ પ્રકારનું દબાણ ચલાવી લેવામાં આવશે નહીં. જો કોઈ દુકાનદાર પોતાની હદ બહાર સામાન રાખશે અથવા પાથરણાવાળાઓને પ્રોત્સાહન આપશે, તો તેમની સામે સીધો પોલીસ ગુનો દાખલ કરવામાં આવશે. દબાણના કિસ્સામાં માત્ર દંડ જ નહીં, પરંતુ માલસામાન જપ્ત કરવાની કાર્યવાહી પણ તેજ કરવામાં આવશે. ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવવા પ્રયાસચૌટા બજારમાં ખરીદી માટે આવતા હજારો લોકો ટ્રાફિક જામમાં ફસાય છે. પોલીસનું માનવું છે કે જો વેપારીઓ શિસ્ત પાળે, તો આ સમસ્યા 70% સુધી ઓછી થઈ શકે તેમ છે. આ ચેતવણી બાદ હવે આગામી દિવસોમાં પોલીસ અને પાલિકાની ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે. ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છેઃ ACPવી. આર. મહલોત્રા (ACP)એ જણાવ્યું હતું કે, અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ચૌટા બજાર વિસ્તારના વેપારી લોકોની અઠવા પોલીસ સ્ટેશનમાં મીટિંગ લેવામાં આવી, જેમાં કોર્પોરેશનના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મુખ્યત્વે ચૌટાની સમસ્યા એ છે કે ત્યાં ટ્રાફિકને અડચણરૂપ થાય એ રીતે વેપારીઓ બહાર ફેરિયા બેસાડે છે અને એમના ડિસ્પ્લે માટેના 6થી 7 ફૂટના દબાણ હોય છે. આ દબાણ દૂર થાય એના માટે પોલીસ કમિશનર અને મેયરે બે દિવસ પહેલા ચૌટા વિસ્તારની મુલાકાત લીધેલી અને તમામ વેપારીઓને અનુરોધ કરેલો કે, બે દિવસની અંદર તમે તમારી રીતે સેલ્ફ-ડિસિપ્લિનથી વ્યવસ્થા ગોઠવો, જેથી પબ્લિકને હેરાનગતિ ન થાય. વેપારીઓ સાથે પોલીસે બેઠક કરીતમામ પોલીસ સ્ટેશન ઈન્ચાર્જોને સૂચના આપવામાં આવી કે, આ બાબતે વેપારીઓ સાથે એક મીટિંગ લઈ અને યોગ્ય નિરાકરણ થાય, જેથી વેપારીઓને પણ અગવડ ન પડે અને આમ પબ્લિકને પણ હેરાનગતિ ન થાય. જેના માટે એક મીટિંગનું આયોજન કરવા માટે પોલીસ કમિશનર દ્વારા સૂચન કરવામાં આવેલું, જેના ભાગરૂપે આજે મીટિંગ રાખવામાં આવી હતી. વેપારીઓ સ્વેચ્છાએ સહમત થયા છે કે અમે અમારી રીતે આમ પબ્લિકને હેરાનગતિ ન થાય એ રીતે અમારો વેપાર-ધંધો કરીશું. કાલથી નિયમોનો ભંગ કરશે તેની વિરુદ્ધ ગુના દાખલ કરાશેએમની બીજી રજૂઆતો એવી હતી કે, એક વેપારી 7-8 ફૂટનું દબાણ રાખે છે, જેથી અમારી દુકાન દેખાતી નથી. એટલે અમારે પણ 7-8 ફૂટનું દબાણ રાખવું પડે છે. એટલે આજે અમે સ્થળ વિઝીટ કરીશું અને આમાં જે વચલો રસ્તો થાય કે આમ પબ્લિકને પણ હેરાનગતિ ના થાય અને વેપારીઓને પણ એમનો ધંધો રોજગાર મળી રહે, એવા વ્યવહારુ અભિગમ દાખવી અને અમે વચલો રસ્તો કાઢવા માટેનો પ્રયત્ન કરીશું. અને આજે એ કર્યા પછી, કાલથી જે કોઈ વેપારીઓ આ નિયમોનો ભંગ કરશે એમના વિરુદ્ધમાં અમે ગુના દાખલ કરીશું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 12:54 pm

રેલવે ટિકિટના ભાવમાં વધારોઃ નોન-એસીમાં 500 કિ.મી.ની મુસાફરીના રૂ. 10 વધુ ચૂકવવા પડશે

Indian Railway Ticket Price Hike : ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર (Rationalization) કરવાની જાહેરાત કરાઈ છે. આ નવા દરો 26 ડિસેમ્બર 2025 થી અમલમાં આવશે. રેલવેના જણાવ્યા અનુસાર, આ ફેરફારનો મુખ્ય ઉદ્દેશ્ય વધતા જતા સંચાલન ખર્ચને પહોંચી વળવા અને મુસાફરોની સુરક્ષામાં સુધારો કરવાનો છે.

ગુજરાત સમાચાર 21 Dec 2025 12:49 pm

સુરેન્દ્રનગરના અંકિતાબેન બન્યા કુશળ ડ્રોન પાયલોટ:'નમો ડ્રોન દીદી' યોજનાથી ખેતીમાં લાવી રહ્યા છે ક્રાંતિ

સુરેન્દ્રનગર જિલ્લાના વાઘેલા ગામના અંકિતાબેન ધર્મેશભાઈ માલવણિયા 'નમો ડ્રોન દીદી' યોજના હેઠળ કુશળ ડ્રોન પાયલોટ બન્યા છે. તેઓ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતીમાં ક્રાંતિ લાવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને મદદ કરી રહ્યા છે. અંકિતાબેને જણાવ્યું કે, ડ્રોન ટેકનોલોજીથી ખેતીનું કામ સરળ બન્યું છે અને મને સન્માનજનક રોજગારી મળી છે. હું ખેતીમાં ક્રાંતિ લાવવાની સાથે પરિવારને આર્થિક રીતે સદ્ધર બનાવી રહી છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ અમલી બનેલી 'નમો ડ્રોન દીદી' યોજના ગુજરાતની ગ્રામીણ મહિલાઓ માટે આર્થિક સદ્ધરતા અને આત્મનિર્ભરતાનું સબળ માધ્યમ બની છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આધુનિક કૃષિ ટેકનોલોજી સાથે જોડીને તેમને રોજગારીના નવા અવસરો પૂરા પાડવાનો છે, જેનાથી તેઓ ઘરકામની મર્યાદાઓ ઓળંગીને આધુનિક ટેકનોલોજીના સહારે 'લખપતિ દીદી' બનવા તરફ આગળ વધી શકે. અંકિતાબેનની આ સફળ સફર ત્યારે શરૂ થઈ જ્યારે તેમણે ગામના સખી મંડળ દ્વારા 'નમો ડ્રોન દીદી' યોજના વિશે જાણકારી મેળવી. ઇન્ટરવ્યુ બાદ તેમની પસંદગી તાલુકા કક્ષાએ કરવામાં આવી. ત્યારબાદ, તેમને અમદાવાદની ઇન્ડસ યુનિવર્સિટી ખાતે 15 દિવસની સઘન તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં તેમને ડ્રોન ટેકનોલોજી, તેના સંચાલન, જાળવણી અને સુરક્ષાના નિયમો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. તાલીમ બાદ પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈને તેઓ કુશળ ડ્રોન દીદી બન્યા. તાલીમ પૂર્ણ થયાના થોડા જ દિવસોમાં અંકિતાબેનને સરકાર તરફથી આધુનિક ડ્રોન મળ્યું, જે તેમની આર્થિક સમૃદ્ધિનું માધ્યમ બન્યું છે. તેઓ ખેડૂતોના ખેતરમાં જઈને કુશળતાપૂર્વક જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. ખાસ કરીને રવી પાક દરમિયાન તુવેર જેવા ઊંચા પાકોમાં મેન્યુઅલ પદ્ધતિથી દવાનો છંટકાવ કરવો કષ્ટદાયક હોય છે, ત્યારે આ ડ્રોન ખેડૂતો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. ડ્રોન ટેકનોલોજીના કારણે ખેડૂતો હવે સરળતાથી અને ઓછા સમયમાં દવાઓનો છંટકાવ કરી શકે છે, જેનાથી સમય અને શ્રમ બંનેની બચત થાય છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 12:47 pm

સુખેશ ગ્રામ પંચાયતની ઠરાવ બુક સાથે છેડછાડનો આરોપ:કોમ્પ્યુટર ઓપરેટરને જાનથી મારી નાખવાની ધમકી આપતા પંચાયતે પોલીસ ફરિયાદ નોંધાવી

વલસાડ જિલ્લાના પારડી તાલુકાની સુખેશ ગ્રામ પંચાયતમાં સરકારી ઠરાવ બુક સાથે છેડછાડ અને કર્મચારીને ધમકી આપવા બદલ ફરિયાદ નોંધાઈ છે. પંચાયતે સુખેશ ગામના રહેવાસી કૃણાલ વિનોદભાઈ પટેલ વિરુદ્ધ પોલીસમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના 3જી ઓક્ટોબર, 2025ના રોજ બની હતી. નાનાપોંઢા ખાતે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન સુખેશ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ હાજર હતા. તે સમયે કૃણાલ વિનોદભાઈ પટેલે ફોન કરીને પંચાયતમાં તલાટીની ગેરહાજરી અંગે પૂછપરછ કરી હતી. તે જ દિવસે સવારે લગભગ 11 વાગ્યે કૃણાલ પટેલ સુખેશ ગ્રામ પંચાયત કચેરી પહોંચ્યા હતા. તેમણે ત્યાં હાજર કોમ્પ્યુટર ઓપરેટર વીરૂ પટેલ પાસેથી ગ્રામસભાની સરકારી ઠરાવ બુક માંગી હતી. તલાટી રજા પર હોવાથી બુક આપવાનો ઇનકાર કરાતા, કૃણાલે ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ઓપરેટરને કચેરીમાં બંધ કરી દીધા હોવાનો આરોપ છે. ફરિયાદ મુજબ, કૃણાલ પટેલે ત્યારબાદ તલાટીના રૂમના કબાટમાંથી સરકારી ઠરાવ બુક કાઢી હતી. તેમણે બુકમાં બોલપેનથી લીટીઓ પાડી હતી અને તેના મોબાઈલથી ફોટા પાડ્યા હતા. પંચાયતના જણાવ્યા અનુસાર, કૃણાલ પટેલે આ ફોટાઓનો ઉપયોગ કરીને પારડીના તાલુકા વિકાસ અધિકારી અને વલસાડના જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ ખોટી રજૂઆતો કરી પંચાયતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર મામલે સુખેશ ગ્રામ પંચાયતની સામાન્ય સભા બોલાવી ઠરાવ કરવામાં આવ્યો હતો અને કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 12:46 pm

ભરૂચ કડવા પાટીદાર પરિવાર મંડળનો સ્નેહમિલન કાર્યક્રમ:સમાજમાં એકતા અને ભાઈચારો વધારવા આયોજન

ભરૂચ શહેરમાં શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભરૂચ શહેરના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા મહંતસ્વામી સભા સ્થળ, ગોડેશ્વર ખાતે યોજાયો હતો. તેની શરૂઆત સવારે 9:30 કલાકે થઈ હતી. કાર્યક્રમમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓ જેવી કે કેરમ, ચેસ, ડ્રોઈંગ અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના નાનાથી લઈને મોટા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બપોરે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા, જ્યારે સાંજના સમયે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. શ્રી કડવા પાટીદાર પરિવાર મંડળ,ભરૂચના પ્રમુખ રાજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, આવા સામાજિક કાર્યક્રમો દ્વારા સમાજના લોકોમાં એકતા, પરસ્પર સ્નેહ અને સંસ્કૃતિને નવી દિશા મળશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના ઉપપ્રમુખ નિર્દેશ પટેલ અને મંત્રી હિતેશ પટેલ સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 12:23 pm

‘ધર્મ પરિવર્તન કુદરતી સિદ્ધાંત વિરુદ્ધ’:'ઈશામસીહના અસ્તિત્વને 2025 વર્ષ થયા, સનાતન ધર્મ સૃષ્ટિના આરંભથી માટે મૂળ ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ' : જગદગુરુ શંકરાચાર્ય

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે ગતરોજ (20 ડિસેમ્બર) શારદાપીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી મહારાજનું ભવ્યાતિભવ્ય આગમન થયું હતું. 'સનાતન ધર્મ જાગૃતિ સેવા અભિયાન' અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં જગદગુરુએ ધર્માંતરણની પ્રવૃત્તિઓ સામે આકરા પ્રહારો કરી સનાતન સંસ્કૃતિના રક્ષણ માટે હાંકલ કરી હતી. ભવ્ય બાઈક રેલી અને શંખનાદથી ગુંજી ઉઠ્યું લુણાવાડાકાર્યક્રમની શરૂઆત શહેરના ઐતિહાસિક રાણા પ્રતાપ ચોકથી કરવામાં આવી હતી. જગદગુરુના સ્વાગત માટે વિશાળ બાઈક રેલીનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ભગવા ધ્વજ અને 'જય સનાતન'ના જયઘોષ સાથે જોડાયા હતા. શંખનાદ અને મંત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલીએ સમગ્ર શહેરમાં ભક્તિમય અને ધર્મમય માહોલ સર્જ્યો હતો. 'સનાતન ધર્મ એ માત્ર પરંપરા નથી, જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ છે'લુણાવાડાના બાવન પાટીદાર સમાજ ઘર હોલ ખાતે આયોજિત ધર્મસભામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ભૂદેવો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં જગદગુરુએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, સનાતન ધર્મ એ માત્ર પરંપરા નથી પણ જીવન જીવવાની એક શ્રેષ્ઠ પદ્ધતિ છે. આ પ્રસંગે ચૈતન્ય શંભુ મહારાજે પણ સનાતન મૂલ્યો પર ભાર મૂકતું પ્રેરક ઉદબોધન આપ્યું હતું. ધર્માંતરણ પર જગદગુરુના આકરા પ્રહારોમીડિયા સાથેની ખાસ વાતચીતમાં શંકરાચાર્યજીએ ધર્માંતરણ મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, મહીસાગર જેવા સરહદી જિલ્લાઓમાં ભોળા લોકોની ગરીબી અને અજ્ઞાનતાનો લાભ લઈ વિદેશી ષડયંત્રો દ્વારા ધર્માંતરણ કરાવવામાં આવી રહ્યું છે. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે, જેમ કેરીનું ફળ કેરીના ઝાડ પર જ જન્મે અને નષ્ટ થાય છે, તે ક્યારેય જામફળ બની શકતું નથી; તેમ મનુષ્ય જે ધર્મ અને જાતિમાં જન્મ્યો હોય તે જ ધર્મમાં રહેવું જોઈએ. ધર્મનું પરિવર્તન અશક્ય છે. ઈશામસીહના અસ્તિત્વને 2025 વર્ષ થયા છે, જ્યારે સનાતન ધર્મ તો સૃષ્ટિના આરંભથી છે. આપણા પૂર્વજો શ્રી રામ અને શ્રી કૃષ્ણ છે, માટે મૂળ ધર્મનો ત્યાગ ન કરવો જોઈએ. સ્થાનિકો સાથેનું આત્મીય જોડાણજગદગુરુએ લુણાવાડા સાથેના પોતાના જૂના સંસ્મરણો વાગોળ્યા હતા અને ભક્તોના ઉત્સાહને બિરદાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન 'મહીસાગર સમસ્ત બ્રહ્મ સમાજ જગદગુરુ શંકરાચાર્ય સેવા સમિતિ' દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 12:16 pm

યુવતીએ ID કાર્ડ ફેંક્યું, ગાળો બોલતાં જ હેડ-કોન્સ્ટેબલે લાફો માર્યો:યુવતી 8 મિનિટમાં 16 વાર પોલીસકર્મીને અપશબ્દો બોલી, અમદાવાદ પોલીસ બોડી વોર્ન કેમેરાના વીડિયોમા બબાલ કેદ

અમદાવાદના પાલડી વિસ્તારમાં બે દિવસ અગાઉ રાત્રે ટ્રાફિક પોલીસે યુવતીને રોકતા યુવતીએ પોલીસ સાથે ગાળાગાળી કરી હતી.યુવતીએ ગાળો બોલતા પોલીસકર્મીએ યુવતીને લાફો માર્યો હતો.અત્યાર સુધી આઇડી કાર્ડ પડી જવા બાબતે યુવતીને લાફો માર્યો હોવાનું વીડિયોના આધારે ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ ઘટના બાદ પોલીસનો બોડી ઓન કેમેરાનો વીડિયો સામે આવતા આ ઘટના કેમ બની તે સ્પષ્ટ થયું છે. જેમાં યુવતીએ 8 મિનિટમાં પોલીસ કર્મચારીને 16 વખત ગાળો આપી હતી, સામે પોલીસ કર્મચારીએ પણ ત્રણ ગાળો આપી હતી. યુવતી અને પોલીસકર્મીની બબાલનો બોડી ઓન કેમેરાનો વીડિયો સામે આવ્યો19 ડિસેમ્બરે રાતે અંજલી ચાર રસ્તા પાસે ટુ વ્હીલર લઈને આવી રહેલી યુવતી અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી થઈ હતી.પરંતુ આ ઝપાઝપી કેમ થઈ તેની પાછળ અત્યાર સુધી યુવતીના જણાવ્યા અનુસાર પોલીસકર્મીનું આઇડી કાર્ડ પડી જવાનું જ એક માત્ર કારણ હતું પરંતુ પોલીસની વર્ધી પર લાગેલા બોડી ઓન કેમેરાનો વીડિયો સામે આવ્યો છે. હેડ કોન્સ્ટેબલે આઈકાર્ડ બતાવતા બંસરીએ ID કાર્ડ જોઈને ફેંકી દીધું અંજલી ચાર રસ્તા પર ત્રણ પોલીસ કર્મચારીઓ ફરજ પર હાજર હતા ત્યારે ઓલા સ્કૂટર લઈને આવી રહેલી બંસરી ઠક્કર સિગ્નલ તોડીને આવી રહી હતી. સિગ્નલ તોડવાના કારણે હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા દ્વારા રોકવામાં આવી હતી. બંસરીને રોક્યા બાદ લાઇસન્સ માટે જયંતી ઝાલા સાથે તું તારી થી વાત કરી હતી જેથી જયંતી ઝાલાએ તેને અટકાવી હતી. ત્યારે બંસરી વધુ ઉગ્ર થઈ હતી. જે બાદ હેડ કોન્સ્ટેબલ જયંતિએ આઈકાર્ડ બતાવતા બંસરીએ ID કાર્ડ જોઈને ફેંકી દીધું હતું. ગાળ આપતા જ હેડ કોન્સ્ટેબલે તરત યુવતીને લાફો માર્યોજેના કારણે હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલા રોષે ભરાયા હતા જેથી યુવતીને હાથ પકડીને કહ્યું કે મારું આઈકાર્ડ ઉપાડીને મને આપ. યુવતીએ કહ્યું નહીં આપું.જેથી બંને વચ્ચે બોલાચાલી થઈ, આ દરમિયાન અચાનક જ યુવતીએ જયંતી ઝાલાને બીભત્સ ગાળો આપી હતી. ગાળ આપતા જ હેડ કોન્સ્ટેબલે તરત યુવતીને લાફો મારી દીધો હતો. હેડ કોન્સ્ટેબલે પણ યુવતીને બેથી ત્રણ ગાળ આપી હતીલાફો માર્યા બાદ યુવતીએ જયંતીભાઈને ફરીથી ગાળો આપવાનું શરૂ કર્યું હતું.જયંતીભાઈ રોષે ભરાતા બે પોલીસ કર્મીઓએ તેમને રોક્યા હતા. આ દરમિયાન યુવતી હેડ કોન્સ્ટેબલ જયંતીને સતત ગંદી ગાળો આપી રહી હતી. ત્યારે જયંતિ ઝાલાએ પણ યુવતીને બેથી ત્રણ ગાળ આપી હતી. યુવતીએ જયંતી ઝાલાને કહ્યું હતું કે તારી નોકરી ખાઈ જઈશ, તારે બંગડીઓ પહેરવી પડશે. આટલું કહીને તેમના પરિવાર વિશે ગાળો આપી હતી. બંનેને પાલડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાઆ દરમિયાન યુવતીએ 112 નંબર પર ફોન કરીને જાણ કરી હતી તો બીજી તરફ જયંતીભાઈએ પણ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.જે બાદ પોલીસની ગાડી આવતા પોલીસ દ્વારા બંનેને પાલડી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. યુવતી વિરુદ્ધ ફરિયાદ અને હેડ કોન્સ્ટેબલ ફરજ મોકૂફઆ સમગ્ર ઘટનામાં એન ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.જ્યારે પાલડી પોલીસ સ્ટેશનમાં જયંતીભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. હાલ હેડ કોન્સ્ટેબલ જયંતી ઝાલાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે. યુવતીએ અગાઉ પણ પોલીસ સાથે માથાકૂટ કરી હતી જેનો વીડિયો પણ સામે આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 11:45 am

સામખીયારી-રાધનપુર હાઈવે પર ટેન્કરમાં આગ:ગાગોદર પોલીસે સ્થાનિકોની મદદથી કાબુ મેળવી દુર્ઘટના ટાળી

કચ્છના સામખીયારી-રાધનપુર નેશનલ હાઈવે પર રવિવારે સવારે એક ટેન્કરમાં રાપરના ગાગોદર નજીક આગ લાગી હતી. આ ઘટના આડેસર તરફ જઈ રહેલા ટેન્કરમાં બની હતી, જેના કારણે હાઈવે પર ભયનો માહોલ સર્જાયો હતો. ગાગોદર પોલીસે સરપંચ અને સ્થાનિકોની મદદથી સમયસર આગ પર કાબુ મેળવી મોટી દુર્ઘટના ટાળી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, રાપર તાલુકામાંથી પસાર થતા આ હાઈવે પર વહેલી સવારે કંડલાથી રાજસ્થાન જઈ રહેલા એક ટેન્કરના એન્જિન ભાગમાં અચાનક આગ લાગી હતી. ટેન્કર ચાલકે તાત્કાલિક વાહન રોડ સાઈડમાં ઊભું રાખી દીધું હતું. ઘટનાની જાણ થતા જ ગાગોદર પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. મેવાસા ગામના સરપંચ અને સ્થાનિક લોકોએ પણ સમયસૂચકતા વાપરી પોલીસને મદદ કરી હતી. પોલીસ સ્ટાફે ખાનગી એકમના વોટર બાઉઝરની મદદથી આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો. ગાગોદર પોલીસે સ્થાનિક લોકોના સહયોગથી ગણતરીની મિનિટોમાં આગને કાબુમાં લેવામાં આવી હતી, જેનાથી મોટી નુકસાની ટળી હતી. આ ત્વરિત કાર્યવાહીના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. સલામતીના કારણોસર, થોડા સમય માટે વાહન વ્યવહાર પણ અટકાવવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 11:41 am

જામનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ:જનપ્રતિનિધિઓના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવવા અધિકારીઓને સૂચન

જામનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્યો રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા અને હેમંતભાઈ ખવા સહિતના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા લોકપ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર કેતન ઠક્કરે સંબંધિત અધિકારીઓને જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોનો સમયમર્યાદામાં અને આયોજનબદ્ધ રીતે ઉકેલ લાવવા સૂચના આપી હતી. તેમણે તમામ પડતર કામોનો ઝડપથી નિકાલ લાવવા પર ભાર મૂક્યો હતો. બેઠકમાં ધારાસભ્યોના અગાઉના પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતા નવા પ્રશ્નો પર પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રશ્નોમાં આરોગ્ય, જમીન, વીજળી, પાણી અને માર્ગો સંબંધિત મુદ્દાઓ મુખ્ય હતા. ચર્ચાયેલા મુદ્દાઓમાં કાલાવડ તાલુકામાં મંજૂર થયેલા આરોગ્ય કેન્દ્રના કામો, સનદના પ્રશ્નો, કોઝવે અને ઘરથાળના પ્લોટ ફાળવવા, અન્ડરગ્રાઉન્ડ બ્રિજ નીચે રસ્તો ખુલ્લો કરવા, પીએચસી સેન્ટરમાં એમ્બ્યુલન્સ ફાળવણી જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. વીજળી સંબંધિત પ્રશ્નોમાં ગામતળથી દૂર વીજ લાઇન નાખવી, ટી.સી. બદલવા, સબસ્ટેશનની જગ્યા ન બદલવી, નવું સબસ્ટેશન બનાવવું અને ખેડૂતોને વીજપરીવહન કરતી લાઇનના વળતર ચૂકવવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. પાકને થયેલા નુકસાનનું વળતર, ફોરેસ્ટ જમીનની માપણી, પ્રોપર્ટી કાર્ડ અને સ્ટ્રીટ લાઇટના કામો પણ ચર્ચાયા હતા. પીવાના પાણીની સુવિધા, નવી પાઇપલાઇન નાખવી, ચેકડેમ રિપેરિંગ, રસ્તાના કામો, દબાણ દૂર કરવા, જમીન સંપાદનનું વળતર, ગૌચર અને સરકારી ખરાબાની જમીન ફાળવવા, સૌની યોજના અંતર્ગત નવા વાલ્વ મૂકવા, પ્રમોલગેશન દરમિયાનની ક્ષતિ સુધારવા જેવા અનેક મુદ્દાઓ પર જનપ્રતિનિધિઓ દ્વારા કલેક્ટર સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ સંકલન સમિતિના સભ્યોને જનપ્રતિનિધિઓ અને લોકો તરફથી આવેલી રજૂઆતોને અગ્રતા આપીને સકારાત્મક દિશામાં ઉકેલ લાવવા જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક રવિકુમાર સૈની સહિત સંકલન સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 11:15 am

દીવના ઘોઘલામાં અકસ્માત, બાઇકચાલકનું મોત:મોપેડ સાથે અથડાઈ ડિવાઇડર સાથે ટકરાતા માથામાં ગંભીર ઇજા

દીવના ઘોઘલા પાસે ગત રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં કોડીનારના એક યુવાનનું મૃત્યુ થયું છે. બાઇકચાલક મોપેડ સાથે અથડાયા બાદ ડિવાઇડર સાથે ટકરાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, દીવના ઘોઘલા ગામના પાણીના ટાંકા પાસે દીવથી ઉના તરફ જઈ રહેલા બાઇક ચાલક અને સામેથી આવી રહેલા મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર બાદ બાઇકચાલક ડિવાઇડર સાથે અથડાયો હતો, જેના કારણે તેના માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. મોપેડ ચાલકને પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત બંનેને સારવાર માટે દીવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાઇક ચાલકની હાલત વધુ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે ઉનાની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક બાઇક ચાલકની ઓળખ કોડીનાર શહેરના દીપક બચુ કારેલીયા તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ તેમના પરિવારજનો તાત્કાલિક ઉના હોસ્પિટલ પહોંચ્યા હતા. દીવ પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દીવ-ઘોઘલાનો આ રસ્તો છેલ્લા બે વર્ષથી રિપેરિંગ કામને કારણે વન-વે છે, જેના કારણે અહીં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 11:05 am

બોટાદમાં બે ભાગીદાર વચ્ચે મારામારીના CCTV વાઇરલ:ઢાળ બજારમાં સોના-ચાંદીના વેપારમાં 1800 ગ્રામ સોનાની ગોલમાલનો આરોપ

બોટાદ શહેરના ઢાળ બજારમાં સોના-ચાંદીના દાગીના બનાવતા બે ભાગીદારો વચ્ચે થયેલી મારામારીનો મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઢાળ બજારમાં એક બંગાળી કારીગર સાથે ભાગીદારીમાં સોના-ચાંદીનું કામ ચાલતું હતું. ભાગીદાર દ્વારા બંગાળી કારીગર પર આશરે 1800 ગ્રામ સોનામાં ગોલમાલ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ મુદ્દે છેલ્લા ઘણા સમયથી બંને ભાગીદારો વચ્ચે બોલાચાલી થતી હતી. બે દિવસ પહેલા દુકાનમાં 1800 ગ્રામ સોનાના મુદ્દે ફરીથી ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે મારામારીમાં પરિણમી હતી. ઘટના સમયે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર દૃશ્યો કેદ થઈ ગયા હતા, જે હવે સામે આવ્યા છે. આ મામલે પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટાદ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજની પણ ચકાસણી કરી રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:59 am

પલસાણામાં પ્રદીપ મિશ્રાની શિવકથા, 10 લાખ ભક્તો ઉમટશે:4 જાન્યુઆરીથી શરૂ, નવસારીની 900 મહિલાઓ હાલમાં સ્વયંસેવક તરીકે જોડાઈ

નવસારી જિલ્લાને અડીને આવેલા પલસાણાના ડાયમંડ પાર્ક ખાતે આગામી 4 થી 10 જાન્યુઆરી દરમિયાન શિવમહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રખ્યાત કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાના મુખેથી કથા સાંભળવા માટે આશરે 10 લાખથી વધુ શિવભક્તો ઉમટી પડવાની શક્યતા છે. આ વિશાળ આયોજનને સફળ બનાવવા માટે નવસારી અને વિજલપોરની સેંકડો મહિલાઓ અત્યારથી જ સ્વયંસેવક તરીકે સેવા આપી રહી છે. આ કથાનું આયોજન લડ્ડુ ગોપાલ ગૌશાળાના મહંત સ્વામી હરજીવનદાસજીના માધ્યમથી તેમજ છોટુભાઈ પાટીલ, યુથ ફોર ગુજરાતના લાલજીભાઈ સનેર અને આશુતોષભાઈ મિશ્રા દ્વારા કરાયું છે. આયોજકોના મતે, આ વિશ્વની સૌથી મોટી શિવકથાઓમાંની એક બની રહેશે. કથાના આયોજન માટે વિવિધ સામાજિક સંસ્થાઓ પણ સહયોગ આપી રહી છે. કથાના પ્રારંભ પહેલા જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવસારી અને વિજલપોર વિસ્તારમાંથી 100થી વધુ મહિલાઓ હાલમાં દરરોજ સ્વખર્ચે પલસાણા પહોંચી રહી છે. આ મહિલાઓ કથા સ્થળ પર સાફ-સફાઈ, મેદાનની સજાવટ અને રસોડા વિભાગમાં ભોજન પ્રસાદની તૈયારી જેવી વિવિધ કામગીરીમાં જોડાઈ છે. કથા દરમિયાન નવસારીની લડ્ડુ ગોપાલ ગૌશાળા તરફથી આશરે 800 થી 900 મહિલાઓ સતત સેવા આપશે. સેવાભાવી અરૂણભાઇ સૂર્યવંશીના જણાવ્યા મુજબ, લાખો ભક્તોની સુવિધા માટે માઇક્રો-પ્લાનિંગ કરવામાં આવ્યું છે. જેમાં આવનારા ભક્તોને બેસાડવાની વ્યવસ્થા, વાહન પાર્કિંગ, પીવાના પાણીની સુવિધા અને ભોજન પીરસવાની કામગીરીનો સમાવેશ થાય છે. સેવા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓ માટે નવસારી ખાતે ફોર્મ ભરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. મહિલાઓ દ્વારા કથા સ્થળે સેવાકાર્ય શરૂ કરી દેવાયું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:44 am

પાટણમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે એક ઝડપાયો:કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી નાયલોન દોરી વેચવા બદલ ગુનો નોંધાયો

પાટણ પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. હાંસાપુર વિસ્તારમાંથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. પાટણ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે હાંસાપુર જોગણી માતાના મંદિર પાસે એક શખ્સ પ્લાસ્ટિક અથવા સિન્થેટીક મટિરિયલથી બનેલી ચાઈનીઝ દોરીનું વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર તપાસ કરતા પારખનજી શંભુજી ઠાકોર (રહે. હાંસાપુર, પાટણ) નામના શખ્સને શંકાસ્પદ હાલતમાં પકડી પાડ્યો હતો. તેની પાસેથી MONOFIL GOLD લખેલી નાયલોન (ચાઈનીઝ) દોરીની 5 ફિરકીઓ મળી આવી હતી. આ પ્રત્યેક ફિરકી આશરે 5000 વારની હતી, જેની કુલ કિંમત રૂ. 1,000 આંકવામાં આવી છે. પોલીસે આ મુદ્દામાલ કબજે કર્યો છે. પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચાઈનીઝ માંઝા અને નાયલોન દોરીના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરવા બદલ આરોપી પારખનજી ઠાકોર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:42 am

બનાસકાંઠામાં 453 ગામના 78,816 પ્રોપર્ટી કાર્ડ વિતરણ:સ્વામિત્વ યોજના હેઠળ નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલે માહિતી આપી

બનાસકાંઠા જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ 453 ગામના કુલ 78,816 રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. નિવાસી અધિક કલેક્ટર સી.પી.પટેલે આ અંગે માહિતી આપી હતી. આ કાર્ડ્સ નાગરિકોને વિનામૂલ્યે આપવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 734 ગામમાં ડ્રોન ફ્લાયનું કાર્ય પૂર્ણ થયું છે. તેમાંથી 633 ગામના પ્રાથમિક નકશા તૈયાર કરાયા હતા. ત્યારબાદ ફિલ્ડ વેરિફિકેશન અને ગ્રાઉન્ડ ટ્રુથિંગનું કાર્ય 525 ગામમાં પૂર્ણ કરવામાં આવ્યું. જરૂરી નોટિસ આપી વાંધા-સુનાવણી હાથ ધરાયા બાદ 467 ગામના રેકોર્ડનું પ્રમોલેગેશન કરાયું હતું. સ્વામિત્વ યોજના (સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરીયા) ભારત સરકારની એક મહત્ત્વાકાંક્ષી યોજના છે. ગુજરાત સરકારે ગ્રામીણ વિસ્તારના વિકાસ માટે આ યોજનાને મહત્વપૂર્ણ બનાવી છે, જેના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં તેનું સફળ અમલીકરણ થયું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકોર્ડ તૈયાર કરવાનો છે. આનાથી પ્રોપર્ટી સંબંધિત વિવાદો દૂર થશે અને ગ્રામીણ નાગરિકો પોતાની મિલકતનો ઉપયોગ લોન મેળવવા તેમજ અન્ય આર્થિક લાભ માટે કરી શકશે, જેનાથી તેમના જીવનમાં આર્થિક સ્થિરતા આવશે. આ યોજના થકી સંપત્તિ કરનું ચોક્કસ નિર્ધારણ કરી શકાશે, જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને મળશે અને રાજ્યના રાજકોષમાં પણ વૃદ્ધિ થશે. આ ઉપરાંત, તૈયાર થયેલા જી.આઇ.એસ. નકશાઓનો ઉપયોગ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે. સ્વામિત્વ યોજના અંતર્ગત ગ્રામ પંચાયતોને ખાનગી તથા સરકારી મિલકતના માલિકી હક જાણવામાં મદદ મળશે. હયાત ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઓળખ અને ગણતરી પણ શક્ય બનશે. આનાથી ગામડાઓમાં દબાણથી સુરક્ષા મળશે, ગ્રામ પંચાયતની આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે અને સંપત્તિ રજીસ્ટરનું આધુનિકરણ થશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:39 am

કોમ્પ્લેક્સ-બિલ્ડિંગની બહાર વાહન પાર્ક કર્યું તો લોક થઈ જશે:અમદાવાદમાં રોડ પર ગેરકાયદેસર પાર્કિંગને લઈને મહત્વનો નિર્ણય; વાહન પાર્કિંગ જરૂરી

રાજ્યના સૌથી મોટા અને જન સંખ્યા ધરાવનારા અમદાવાદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ પર ગેરકાયદેસર રીતે કરવામાં આવતા પાર્કિંગને લઈને કડક નિર્ણય લીધો છે. શહેરમાં તમામ મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોની મિલકતમાં પાર્કિંગની જગ્યામાં જ વાહનો પાર્ક કરવાના રહેશે. કોમ્પ્લેક્સની બહાર રોડ કે ફૂટપાથ ઉપર ક્યાંય પણ પાર્કિંગ કરવાનું રહેશે નહીં અને જ્યાં કોમ્પ્લેક્સની માર્જિનની જગ્યા છે ત્યાં કોઈપણ પ્રકારનું દબાણ કરવાનું રહેશે નહીં જો કોઈપણ જગ્યાએ આવું વાહનનું કે અન્ય દબાણ જોવા મળશે તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ ટ્રાફિક પોલીસ સાથે મળીને વાહન તેમજ સામાન જપ્ત કરવાની કાર્યવાહી કરશે. મુખ્ય રોડ ઉપર જે મોટા કોમ્પ્લેક્સ અને બિલ્ડીંગ આવેલા છે ત્યાં રોડ ઉપર વાહન પાર્ક ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે જો કોઈ પણ કોમ્પ્લેક્સ શોમાં વાહન રોડ ઉપર પાર્કિંગ થતા હોય તો તેના માટે સિક્યુરિટી ગાર્ડ અથવા પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની રહેશે. પાર્કિંગ કરાવવા માટે કોઈ વ્યક્તિ ત્યાં હાજર રાખવો પડશે. વેલે પાર્કિંગની પણ વ્યવસ્થા કરવાની રહેશે. જો પાર્કિંગ રોડ ઉપર થયું હશે તો કોમ્પ્લેક્સ અને જે તે બિલ્ડીંગના સંચાલક વિરુદ્ધ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં મોલ, કોમ્પ્લેક્સ, દુકાનો અને રહેણાંક વિસ્તારોમાં વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત કરાવવામાં આવતું નથી. નાગરિકો દ્વારા વાહનો જાહેર ટી.પી.રસ્તા પર પાર્કિંગ કરી જાહેર જનતાને અવર-જવરમાં મુશ્કેલી ઉભી કરવામાં આવે છે અને ટ્રાફિકનું સરળ નિયમન થઈ શકતું નથી. જેને લીધે શહેરમાં વધતા ટ્રાફિકની તથા ગેરકાયદેસર થતા પાર્કિંગની સમસ્યા ઉભી થાય છે. જેથી તમામ વાણિજ્ય/રહેણાંક વિસ્તારમાં આવેલી બિલ્ડીંગો અને જગ્યામાં નીતિ-નિયમો અનુસાર વાહનોનું પાર્કિંગ વ્યવસ્થિત રીતે પ્લોટ/પ્રિમાઈસીસની અંદર કરાવવુ તેમજ પાર્કિંગ અંગેના જરૂરી સાઈનેજીસ, પાર્કિંગના પટ્ટા લગાવવા તથા પાર્કિંગનું સંચાલન થાય તેવી વ્યવસ્થા કરવાની રહેશે. બિલ્ડીંગ પ્રિમાઈસીસ બહાર મ્યુનિસિપલ રસ્તા/ફૂટપાથ/જાહેર જગ્યામાં બિન-પરવાનગીએ વાહનોનું પાર્કિંગ કરવું અને કરાવવું નહી. બિલ્ડીંગની સામે રસ્તા ઉપર વાહનચાલકો બિન-અધિકૃત પાર્કિંગ કરે નહી તે માટે જરૂરી વ્યવસ્થા કાયમી ધોરણે કરવાની રહેશે. બિલ્ડીંગની ફ્રન્ટ માર્જિનની જગ્યામાં માલ-સામાન મુકી માર્જિનમાં દબાણ કરવું અને કરાવવું નહી. ઘણા લોકો પોતાની દુકાનની સામેની જગ્યા નાના ખાણીપીણીના સ્ટોલ માટે ભાડે આપી દે છે આવી દુકાનો સામે જો કોઈ સ્ટોલ હશે તો તાત્કાલિક ધોરણે તેની દૂર કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. બિલ્ડીંગની રસ્તા તરફની પ્રિમાઈસીસમાં તથા અન્ય ખુલ્લી રાખવાની જગ્યામાં લેવલ ડિફરન્સ કરી વાહનોના પાર્કિંગની જગ્યામાં કરેલા ઓટલા/લેન્ડ સ્કેપિંગ/આડશો વિગેરે અંતરાય તાકિદે દૂર કરવાની રહેશે. જગ્યા વાહનોના પાર્કિંગ માટે વપરાશમાં લેવા યોગ્ય કરી તેની અંદર પાર્કિંગ કરાવવુ પડશે. જ્યાં પણ કોમ્પ્લેક્સ કે બિલ્ડિંગમાં પાર્કિંગની જગ્યામાં કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવેલું હોય તો નાગરિકોએ જાતે જ તેને દૂર કરવાનો રહેશે નહીં તો મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવશે. રોડ ઉપર કરાતા પાર્કિંગ અને દબાણને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તો કોઈપણ વ્યક્તિ રોડ ઉપર વાહન પાર્ક કરી અને ગયું હશે તો તેમનું વાહન લોક કરી દેવામાં આવશે. તાત્કાલિક ધોરણે આ અમલ શરૂ થઈ ગયો છે. કોઈપણ બિલ્ડીંગ બહાર ગેરકાયદેસર રીતે પાર્કિંગ અથવા તો પાર્કિંગની જગ્યામાં દબાણ કરાયેલું હશે તો તેમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:24 am

રોંગ સાઈડ કારને બચાવતા ટેમ્પો ડિવાઈડર પર ચઢ્યો:નવસારી-ગણદેવી રોડ પર અકસ્માત, ટ્રાફિક જામ થતા પોલીસે ટેમ્પો હટાવ્યો

નવસારી-ગણદેવી રોડ પર આજે એક અકસ્માત થતા મોટી જાનહાનિ ટળી હતી. સામેથી રોંગ સાઈડમાં આવતી કારને બચાવવાના પ્રયાસમાં એક ટેમ્પો ડિવાઈડર પર ચઢી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા થઈ ન હતી. પ્રાપ્ત વિગતો અનુસાર, એક ટેમ્પો ચાલક નવસારીથી ગણદેવી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક સામેથી એક કાર ખોટી દિશામાં આવી ચઢી હતી. કાર સાથેની સીધી ટક્કર ટાળવા માટે ટેમ્પો ચાલકે સમયસૂચકતા વાપરી ટેમ્પોને વાળી દીધો હતો. આ પ્રયાસમાં ટેમ્પો રોડના ડિવાઈડર સાથે અથડાઈને તેના પર ચઢી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને રોડ પર વાહનવ્યવહારમાં અડચણ ઊભી થઈ હતી. ઘટનાની જાણ થતા જ નવસારી ગ્રામ્ય પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક ક્રેઈન મંગાવી અકસ્માતગ્રસ્ત ટેમ્પોને રોડ પરથી હટાવ્યો હતો. ટેમ્પો હટાવ્યા બાદ ટ્રાફિક સામાન્ય બન્યો હતો. પોલીસે આ મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:21 am

ભરૂચમાં ખેડૂતોએ ટાવર લાઈન મુદ્દે ચેતના યાત્રા યોજી:જમીન સંપાદન અને વળતર માટે કિશનાડથી કુકરવાડા સુધી પદયાત્રા

ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોના જમીન સંપાદન અને પાવર ગ્રીડની ટાવર લાઈન સંબંધિત પ્રશ્નોને લઈને 'ખેડૂત ચેતના યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પાલેજ નજીકના કિશનાડ ગામથી શરૂ થઈ મોડી સાંજે કુકરવાડા ખાતે સંપન્ન થઈ હતી. આ પદયાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ટાવર લાઈન માટે જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોને થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાનો હતો. ખેડૂતોએ સમાન જમીન અને સમાન વળતરની માંગ સાથે પોતાના પ્રાણ પ્રશ્નો અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા.કિશનાડ ગામથી શરૂ થયેલી આ યાત્રા ટંકારીયા, સિતપોણ, હિગ્ગલા,કોઠી, ત્રાલસા, ત્રાલસી,મહુડલા, દેરોલ, મનુબર, કરમાડ, દેત્રાલ, હિગ્લોટ, દશાન અને વેડવાડા જેવા ગામોમાંથી પસાર થઈ હતી. પદયાત્રાના સમાપન સમયે ખેડૂત આગેવાનોએ ચેતવણી આપી હતી કે જો ભરૂચ તાલુકાના ખેડૂતો સાથે થતો અન્યાય બંધ નહીં થાય, સમાન વળતરની માંગ સ્વીકારવામાં નહીં આવે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:20 am

1700થી વધુ દોડવીરો વલસાડ મેરેથોનમાં દોડ્યા:સ્વાસ્થ્ય જાગૃતિ માટે DySP અને પોલીસે પણ ભાગ લીધો

વલસાડ રેસર્સ ગ્રુપ દ્વારા 11મી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. 'સ્વસ્થ વલસાડ, તંદુરસ્ત વલસાડ' થીમ હેઠળ આ દોડમાં 1700થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ દોડનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ મેરેથોનમાં યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટીઝન સહિત 1700થી વધુ દોડવીરોએ 30 કિલોમીટર, 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીમાં ભાગ લીધો હતો. ધરમપુરના DySP, વલસાડ પોલીસની ટીમ અને RPFના જવાનો પણ દોડવીરોનો ઉત્સાહ વધારવા માટે 10 KMની દોડમાં જોડાયા હતા. આ 11મી મેરેથોન દોડ વલસાડના તિથલ બીચથી શરૂ થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. દોડવીરોએ લોકોને તંદુરસ્ત રહેવા, નિરોગી જીવન જીવવા અને સવારે દોડવા કે મોર્નિંગ વોક કરવા માટેનો સંદેશ આપ્યો હતો. દોડવીરોના ઉત્સાહને વધારવા માટે શહેરના મુખ્ય માર્ગો પર વિવિધ NGO દ્વારા પાણી, એનર્જી ડ્રિંક, લીંબુ પાણી અને ORS પાણી જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. રૂટ પર દોડવીરોને કોઈ તકલીફ ન પડે તે માટે વલસાડ બુલેટ રાઈડર્સની ટીમ પણ મદદ માટે તૈનાત હતી. વલસાડ રેસર્સ ગ્રુપ છેલ્લા 11 વર્ષથી દર વર્ષે મેરેથોન અને સાયક્લોથોન જેવી ઇવેન્ટ્સનું આયોજન કરીને લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ ફેલાવી રહ્યું છે. આ જૂથ પ્લાસ્ટિક મુક્ત ભારતના સંદેશને પણ પ્રોત્સાહન આપે છે અને લોકોને દોડતી વખતે જરૂરી તકેદારી રાખવા માટે જાગૃત કરે છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:18 am

મોરબી નજીક ST બસ અને ટ્રેક્ટર લોડર અથડાયા:અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં, CCTV ફૂટેજ વાઇરલ

મોરબીના રંગપર ગામ નજીક રોડ પર એસટી બસ અને ટ્રેક્ટર લોડર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતનો સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના જેતપર રોડ પર આવેલા રંગપર ગામ પાસેથી મોરબી-ઘાટીલા રૂટની એસટી બસ પસાર થઈ રહી હતી. તે સમયે સામેથી રોંગ સાઈડમાં આવી રહેલા ટ્રેક્ટર લોડર સાથે બસ અથડાઈ હતી. સ્થાનિક લોકો પાસેથી મળતી વિગત મુજબ, એસટી બસના ચાલક ટ્રકને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તે દરમિયાન સામેથી રોંગ સાઈડમાં ટ્રેક્ટર લોડર આવતા બસ તેની સાથે અથડાઈ હતી. અકસ્માતમાં એસટી બસના આગળના ભાગને નુકસાન થયું હતું. આ અકસ્માત ગઈકાલે બપોરના સમયે થયો હતો, જેનો વીડિયો આજે સવારથી મોરબીના સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં એસટી બસ લોડર ટ્રેક્ટર સાથે ધડાકાભેર અથડાતી સ્પષ્ટ દેખાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:14 am

ગાંધીનગર જિલ્લામાં 88 વાજબી ભાવની દુકાનોની તપાસ કરાઈ:99.94 % રેશનકાર્ડનું આધાર સીડિંગ પૂર્ણ, 1.53 લાખને ચીજવસ્તુઓનું વિતરણ કરાયું

ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા સલાહકાર અને જિલ્લા તકેદારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને મળતા આવશ્યક પુરવઠાની વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લામાં 99.94% રેશનકાર્ડનું આધાર સીડિંગ પૂર્ણ કરી નવેમ્બર માસમાં 318 નવી અરજીઓનો નિકાલની સાથોસાથ 88 વાજબી ભાવની દુકાનોની તપાસ પણ કરાઈ હતી. 1.53 લાખ રેશન કાર્ડ ધારકોને ચીજવસ્તુઓનું વિતરણ કરાયુંગાંધીનગર ​જિલ્લા નાગરિક પુરવઠા, ગ્રાહક સુરક્ષા સલાહકાર અને જિલ્લા તકેદારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરે કહ્યું કે, નવેમ્બર-2025 માસ દરમિયાન જિલ્લાના કુલ 1,63,700 રેશનકાર્ડ ધારકો પૈકી 1,53,916 ધારકોને આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે. 99.94% કાર્ડ ધારકોનું આધાર સીડિંગ પૂર્ણઆ ઉપરાંત ગાંધીનગર જિલ્લાએ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળ નોંધાયેલા 99.94% કાર્ડ ધારકોનું આધાર સીડિંગ પૂર્ણ કરીને એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરાઈ છે. જ્યારે NFSA-2013 હેઠળ અગ્રતા ધરાવતા કુટુંબોની યાદીમાં નામ ઉમેરવા માટે આવેલી કુલ 409 અરજીઓમાંથી નવેમ્બર માસમાં 318 અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. 6 રેશનકાર્ડ યાદીમાંથી કમી કરાયાજ્યારે ચકાસણી દરમિયાન અપાત્ર જણાયેલા 6 રેશનકાર્ડ યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. કલેક્ટરે વધુમાં ઉમેર્યું કે કે, જરૂરિયાતમંદ પરિવારોને અનાજ મળે તે માટે તંત્ર કટિબદ્ધ છે.લોકોને મળતો પુરવઠો બારોબાર સગેવગે ન થાય તે માટે જિલ્લા તપાસણી એકમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. 88 વાજબી ભાવની દુકાનોની સરપ્રાઈઝ તપાસ કરાઈનવેમ્બર માસમાં જિલ્લાની કુલ 88 વાજબી ભાવની દુકાનોની સરપ્રાઈઝ તપાસ કરવામાં આવી હતી. કલેક્ટરે કાળાબજાર અને નફાખોરી કરનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની તાકીદ કરી છે. આ સાથે જ IPDS પોર્ટલ પર તકેદારી સમિતિના સભ્યોની વિગતો તાત્કાલિક અપડેટ કરવા માટે પણ અધિકારીઓને સૂચના આપી છે. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર. શર્મા, મામલતદાર એમ.ડી. ગોહેલ સહિત પુરવઠા વિભાગના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:11 am

દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું:મોરબી-હળવદ હાઇવે પર SOGએ એક આરોપીની ધરપકડ કરી

મોરબી-હળવદ હાઇવે પર આવેલી દ્વારકાધીશ હોટલમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મેફેડ્રોન ડ્રગ્સના વેચાણનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, મોરબી-હળવદ હાઇવે પર અદાણી પેટ્રોલ પંપ (અગાઉ સીએનજી પંપ પાસે) નજીક આવેલી દ્વારકાધીશ હોટલમાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, સ્થળ પરથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની કિંમત રૂ. 28,440 આંકવામાં આવી છે. પોલીસે આ ગુનામાં રૈયાભાઈ ઉર્ફે રાયમલ મૈયાભાઈ બાંભવા (ઉંમર 34, રહે. આંદરણા) નામના આરોપીની ધરપકડ કરી છે. ડ્રગ્સ ઉપરાંત, પોલીસે ડ્રગ્સના વેચાણમાંથી મેળવેલા રૂ. 3,400 રોકડા અને રૂ. 5,000 ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. આમ, કુલ રૂ. 37,340 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપી વિરુદ્ધ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:06 am

આજે રાજ્યના 1 લાખ ઉમેદવારોની TET-1ની પરીક્ષા:એકઝામ સેન્ટર પર 11 વાગ્યા પહેલાં પહોંચી જજો, 150 માર્કનું પેપર અને નો નેગેટિવ માર્કિંગ

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ 1થી 5 માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ(TET) - 1ની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજ્યમાં 1.01 લાખ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. બપોરે 12થી 2 વાગ્યા દરમિયાન યોજાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને બપોરે 11 વાગ્યે એન્ટ્રી આપવામાં આવનાર છે. 150 માર્કના આ પેપરમાં નેગેટિવ માર્કિંગ રાખવામાં આવ્યું નથી. અમદાવાદમાં સૌથી વધુ ઉમેદવારોરાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી મળેલી વિગત મુજબ, ગુજરાતમાં ચાર જિલ્લાઓ પરથી આજે ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ - 1 લેવામાં આવી રહી છે. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં સૌથી વધુ 38,269 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. જે બાદ વડોદરામાં 30,475, સુરતમાં 18,584 તો રાજકોટમાં 14190 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષામાં ઉચ્ચ ગુણથી પાસ થતા ઉમેદવારો ભવિષ્યમાં સરકારી શાળામાં ધોરણ 1 થી 5 માં શિક્ષક તરીકે પસંદગી પામશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 10:04 am

2025માં અનેક ગુજરાતી પરિવારોના અમેરિકામાં સ્થાયી થવાના સપના રોળાયા, રેકોર્ડબ્રેક દેશનિકાલ

(AI IMAGE) US Deportation Record 2025: 2025માં અમેરિકાથી 3258 ભારતીય નાગરિકોને દેશનિકાલ કરવામાં આવ્યા છે, જે છેલ્લા ઓછામાં ઓછા 2009 પછીનો સૌથી ઊંચો આંકડો છે. 3258 ભારતીયોમાંથી 650 જેટલા ગુજરાતી નાગરિકોને વર્ષ 2025માં પરત મોકલવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર 21 Dec 2025 10:04 am

રાપર નગરપાલિકાએ રૂ. 46.54 કરોડના વિકાસ કાર્યો શરૂ કર્યા:શહેરના સર્વાંગી વિકાસ માટે ભંડોળ ફાળવાયું, ભીંતચિત્રોથી નગર શોભી ઉઠ્યું

રાપર નગરપાલિકા દ્વારા શહેરના વિકાસ માટે રૂ. 46.54 કરોડના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવશે. આ ભંડોળ રાજ્ય સરકાર દ્વારા સાંસદ, ધારાસભ્ય અને શહેરી વિકાસ યોજના હેઠળ ફાળવવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાપર શહેરનો સર્વાંગી વિકાસ કરવાનો છે. નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે અને ચીફ ઓફિસર તરુણદાન ગઢવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ 42,000 થી વધુ વસ્તી ધરાવતા આ શહેરના વિકાસ માટે આ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ કાર્યો તાત્કાલિક શરૂ કરીને ઝડપથી પૂર્ણ કરવાની યોજના છે. વિકાસ કાર્યોમાં રાપર સીમ તળમાં પીવાના પાણીની વ્યવસ્થા, બ્લોક રોડનું નિર્માણ, પાણીની પાઈપલાઈન, રોડ લાઈટ અને પાણીના ટાંકા સહિતની કામગીરીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, શહેરની વસ્તીને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે આરો ફિલ્ટર પ્લાન્ટ પણ સ્થાપિત કરવામાં આવશે. નવી ગટર લાઈન નાખવાની યોજના અને સુવઈથી રાપર સુધી પાઈપલાઈન નાખવાની કામગીરી પણ હાથ ધરાશે. શહેરના સૌંદર્યકરણ માટે આંઢવાળા તળાવ અને નગાસર તળાવનો વોકવે પથ અને સુશોભન સાથે વિકાસ કરવામાં આવશે. જાહેર પથ પર અને સરકારી દિવાલો પર કચ્છીયતને ઉજાગર કરતી પેઈન્ટિંગ્સ બનાવવામાં આવશે. પાવર હાઉસથી સુખડધાર સુધી ગૌરવ પથ અને જાહેર સ્થળો તથા માર્ગો પર બેસવા માટે બેન્ચો મૂકવામાં આવશે. કચરા વ્યવસ્થાપન માટે કોન્ટ્રેક્ટ બેઝ પર કામગીરી કરાશે, જેમાં સૂકો અને લીલો કચરો અલગ કરીને પ્લાસ્ટિક તથા અન્ય સામગ્રીનું વેચાણ કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:53 am

વેરાવળ નેત્ર કેમ્પમાં 168 દર્દીની તપાસ:72 દર્દીને રણછોડદાસજી ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે ઓપરેશન

વેરાવળ સ્થિત ગાયત્રી શક્તિ પીઠ - ગાયત્રી મંદિર ખાતે રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 168 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવી હતી. તેમાંથી 72 દર્દીઓને આંખના ઓપરેશનની જરૂર જણાતા તેમને વિનામૂલ્યે સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. ગાયત્રી શક્તિ પીઠના વ્યવસ્થાપક અતુલ જોષીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટની રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત આઈ હોસ્પિટલના સહયોગથી વેરાવળ ગાયત્રી મંદિર ખાતે દર મહિનાની 20 તારીખે આ કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ કેમ્પ વેરાવળ અને આસપાસના વિસ્તારોના જરૂરિયાતમંદ દર્દીઓ માટે હોય છે. કેમ્પમાં આવેલા તમામ 168 દર્દીઓની આઈ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જે 72 દર્દીઓને ઓપરેશનની જરૂર હતી, તેમને સફળ ઓપરેશન માટે રાજકોટ લઈ જવામાં આવ્યા છે. ઓપરેશન પૂર્ણ થયા બાદ તેમને સુરક્ષિત રીતે પરત વેરાવળ લાવવામાં આવશે. કેમ્પમાં ઉપસ્થિત તમામ દર્દીઓ અને તેમના સ્વજનોને વિનામૂલ્યે ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઓપરેશન કરાવનાર દર્દીઓ માટે રાજકોટ આવવા-જવા, રહેવા અને જમવાની સંપૂર્ણ વ્યવસ્થા પણ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. વેરાવળ ગાયત્રી મંદિર ખાતે દર મહિનાની 20 તારીખે આ વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ નિયમિતપણે યોજાય છે. સંસ્થા દ્વારા વેરાવળ, પાટણ શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના જરૂરિયાતમંદ દર્દીઓને આ સેવાભાવી કેમ્પનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:45 am

વેરાવળમાં નગરપાલિકા પ્રમુખ-ચીફ ઓફિસરનું સરપ્રાઈઝ ચેકિંગ:સુભાષ રોડ પરથી કચરાના પોઈન્ટ હટાવાયા, કર્મચારીઓને તાકીદ, નાગરિકોને અપીલ

વેરાવળ શહેરમાં સ્વચ્છતા જાળવવા નગરપાલિકા તંત્ર સક્રિય બન્યું છે. સફાઈ સંબંધિત વધતી ફરિયાદોને પગલે, નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જાની અને ચીફ ઓફિસર પારસ મકવાણાએ વહેલી સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ઓચિંતી મુલાકાત દરમિયાન, બંને અધિકારીઓએ શહેરની સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને, વેરાવળના સુભાષ રોડ પરથી કચરાના પોઈન્ટ તાત્કાલિક દૂર કરવા માટે સંબંધિત વિભાગને સૂચનાઓ અપાઈ હતી. સફાઈ કામગીરીમાં બેદરકારી દાખવનારા કર્મચારીઓને કડક તાકીદ કરવામાં આવી હતી. તેમને જવાબદારીપૂર્વક ફરજ બજાવવા સૂચના અપાઈ હતી. ચીફ ઓફિસર પારસ મકવાણાએ નાગરિકો અને વેપારીઓને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અપીલ કરી હતી. તેમણે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહ વ્યવસ્થાનો જ ઉપયોગ કરવા પર ભાર મૂક્યો હતો. નગરપાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ શહેરભરમાં સઘન સફાઈ અભિયાન અને અચાનક ચેકિંગ ચાલુ રહેશે. સ્વચ્છ વેરાવળના નિર્માણ માટે નાગરિકોની સહભાગિતાને અત્યંત મહત્વપૂર્ણ ગણાવી, નગરપાલિકા દ્વારા સહકારની અપીલ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:39 am

ટ્રમ્પ સરકારના એક નિર્ણયથી હજારો ભારતીય NRI ફસાયા, H-1B વિઝા અંગે નવું 'સંકટ'

US H1-B Visa: ડિસેમ્બર મહિનામાં રજાઓ ગાળવા અને વિઝા રિન્યુ કરાવવા ભારત આવેલા હજારો ભારતીય H-1B વિઝા ધારકો હાલમાં વતનમાં જ ફસાઈ ગયા છે. અમેરિકી દૂતાવાસ દ્વારા અચાનક વિઝા એપોઇન્ટમેન્ટ રદ કરવામાં આવતા ટેક જગતમાં ખળભળાટ મચી ગયો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા દિગ્ગજ કંપની Google એ તેના કર્મચારીઓને હાલમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ ન કરવાની કડક સલાહ આપી છે. એપોઇન્ટમેન્ટ રદ થતા સર્જાયો અસમંજસ મીડિયા રિપોર્ટ મુજબ, 15થી 26 ડિસેમ્બરની વચ્ચે જે ભારતીયોની વિઝા એપોઇન્ટમેન્ટ નક્કી હતી, તેમાંથી હજારો લોકોના વિઝા સ્લોટ અચાનક રદ કરી દેવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર 21 Dec 2025 9:38 am

ઉના-વેરાવળ હાઈવે પર સિંહની મિજબાની:હાઈવે મધ્યે ગાયનું મારણ કરતા ટ્રાફિકજામ; વન્યજીવોની સલામતી સામે સવાલો

ગીરની સરહદે આવેલા ઉના-વેરાવળ નેશનલ હાઈવે પર વન્યજીવો અને મનુષ્યોના સામસામે આવી જવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગત (20 ડિસેમબર) સાંજે નાથળ ગામ નજીક હાઈવેની બિલકુલ વચ્ચે એક સિંહે ગાયનું મારણ કરતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિંહને રસ્તા વચ્ચે જ શિકારની મિજબાની માણતો જોઈ વાહનચાલકોના પૈડા થંભી ગયા હતા. મોબાઈલના કેમેરામાં કેદ થયા દૃશ્યોભારે ટ્રાફિક વચ્ચે સિંહ કોઈપણ જાતના ડર વગર નિરાંતે પોતાનું ભોજન માણી રહ્યો હતો. આ અદભૂત અને ભયાનક દૃશ્ય જોઈને પસાર થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અનેક લોકોએ પોતાના વાહનો ઉભા રાખી મોબાઈલ ફોનમાં આ દૃશ્યો કેદ કર્યા હતા, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટ્રક અને કારની તદ્દન નજીક સિંહસોશિયલ મીડિયા પર વાઇરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, સિંહ ગાયનું મારણ કરી રહ્યો છે ત્યારે તેની તદ્દન નજીકથી એક ભારે ટ્રક પસાર થાય છે. એટલું જ નહીં, એક કાર પણ સિંહની એકદમ પાસેથી પસાર થતી જોવા મળે છે. વન્યજીવ પ્રેમીઓમાં આ દૃશ્યો જોઈને ચિંતા વ્યાપી છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, આ પ્રકારે સિંહની તદ્દન નજીક વાહનોનું હોવું પ્રાણી અને માનવ બંને માટે જોખમી સાબિત થઈ શકે છે. વન વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થઉલ્લેખનીય છે કે, હજુ એક દિવસ પહેલાં જ આ જ હાઈવે પર અજાણ્યા વાહનની અડફેટે એક દીપડીનું મોત નિપજ્યું હતું. સતત બીજા દિવસે સિંહ હાઈવે પર આવી ચઢતા વન વિભાગના પેટ્રોલિંગ સામે સવાલો ઉભા થયા છે. એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીર નજીકના હાઈવે પર વન વિભાગે વિશેષ સતર્કતા રાખવી અનિવાર્ય બની છે. જો વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં નહીં આવે અને વાહનચાલકોને જાગૃત કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં મોટી હોનારત સર્જાઈ શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:25 am

ઘરવિહોણા લોકોને ફ્રીમાં ઘર જેવી રહેવા અને જમવાની સુવિધા:ઠંડીમાં બ્રિજ નીચે અને ફૂટપાથ પર રહેતા 570 લોકોને આશ્રય ગૃહમાં સ્થાન, અમદાવાદમાં 35 રેનબસેરા

શિયાળાની ઋતુમાં ઠંડા પવન અને ઠંડીના કારણે રોડની સાઈડમાં અને ફૂટપાથ પર સુઈ રહેતા ઘરવિહોણા લોકો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રેન બસેરા (આશ્રયગૃહ) બનાવવામાં આવેલા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના યુ.સી.ડી. વિભાગ દ્વારા રાત્રિના સમયે ઠંડીમાં રોડ પર સુઈ રહેનારા લોકોને રેન બસેરામાં લઈ જવામાં આવે છે. ફુટપાથ, બ્રિજ નીચે, રોડ ઉપર, બગીચા તથા જાહેર સ્થળોએ રહેતા કુલ 570થી વધુ ઘરવિહોણા લોકોને રેનબસેરામાં આશરો આપવામાં આવ્યો છે. જેમાં સૌથી વધારે પુરુષોને રેનબસેરામાં લાવવામાં આવે છે. પુરુષોની સાથે મહિલા અને બાળકોને પણ રેન બસેરામાં આશ્રય આપવામાં આવે છે. ઠંડીમાં રોડ પર સુઈ રહેનારા લોકોને રેન બસેરાનો સહારોશિયાળાની ઋતુ દરમિયાન વધતી ઠંડીને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ડ્રાઇવ અંતર્ગત રોડ, ફુટપાથ, બ્રિજ નીચે તેમજ જાહેર સ્થળોએ જોખમી રીતે વસવાટ કરતા ઘરવિહોણા લોકો સુધી ટીમ જઈ તેમને સમજાવી કાઉન્સેલિંગ કરીને નજીકના આશ્રયગૃહોમાં ખસેડવામાં આવે છે. આ કામગીરી દરરોજ સવારે, બપોરે, સાંજે તથા રાત્રી દરમિયાન કરવામાં આવી રહી છે. તમામ ઝોનમાં ડ્રાઇવ વ્હીકલ અને સુરક્ષા સ્ટાફ સાથે ડ્રાઇવ ચલાવવામાં આવે છે તેમજ ઝોનવાઇઝ દરરોજ AMTS બસ તથા દબાણની ગાડી સાથે નાઈટ ડ્રાઇવ પણ યોજવામાં આવે છે. ટુ-ટાયર બેડ સાથે સ્ટોરેજ, ઓઢવા માટે ધાબળા સહિતની સુવિધાઓઆ તમામ રેનબસેરામાં આશ્રિતોની સુવિધા માટે ટુ-ટાયર બેડ સાથે સ્ટોરેજ, ઓઢવા માટે ધાબળા અને ઓશિકા, પીવાનું શુદ્ધ પાણી, શિયાળાની ઋતુમાં ગરમ પાણી માટે ગીઝર, રસોઈ બનાવવાની અને ભોજન પીરસવાની સુવિધા, ગેસ જોડાણ, નજીકના આંગણવાડી કેન્દ્રો તથા સરકારી શાળાઓ સાથે જોડાણ, ફાયર સેફ્ટી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રેનબસેરામાં લોકોનું મેડિકલ ચેકઅપ કરાય છેઆ ઉપરાંત રેનબસેરામાં રહેતા ઘરવિહોણા લોકોનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે તેમજ તમામ આશ્રિતોને કોર્પોરેશનના ભંડોળમાંથી દરરોજ એક વખત ગુણવત્તાયુક્ત અને આરોગ્યપ્રદ સાંજનું ભોજન મફત પૂરૂં પાડવામાં આવે છે. ઘરવિહોણા લોકો માટે 35 રેનબેસરા 24 કલાક કાર્યરત અમદાવાદ શહેરમાં જુદા જુદા ઝોન અને વોર્ડ વિસ્તારમાં કુલ 35 રેનબેસરા 24 કલાક કાર્યરત રાખવામાં આવ્યા છે. આ તમામ રેનબેસરામાં કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ઘરવિહોણા લોકોને નિઃશુલ્ક આશ્રય આપવામાં આવી રહ્યો છે. રેનબેસરાની કુલ ક્ષમતા 4315 જેટલી છે, જેમાં સરેરાશ 80 ટકા ઓક્યુપન્સી જળવાઈ રહી છે. ખુલ્લા આકાશ નીચે, ફુટપાથ ઉપર અથવા જાહેર જગ્યાઓ પર જોખમી રીતે રહેતા ઘરવિહોણા લોકોને માનવીય અભિગમ સાથે સુરક્ષિત આશ્રય પૂરો પાડવામાં આવે છે. જો કોઈપણ વ્યક્તિને આવા નાગરિક રોડ પર સૂતેલા જોવા મળે તો તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના યુસીડી વિભાગનો સંપર્ક કરી તેમને નજીકના આશ્રય ગૃહમાં સ્થાન અપાવી શકે છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:17 am

ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો 3D વ્યુ:રાજકોટમાં 3 વર્ષમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલ નિર્માણ થશે; ટોકન દરે વર્લ્ડ ક્લાસ સારવાર મળશે

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. 20 ડિસેમ્બરને શનિવારના રોજ શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન ચેરમેન નરેશ પટેલ, ટાટા મેમોરિયલ હોસ્પિટલના ડોક્ટર પદ્મશ્રી ડો. રાજેન્દ્ર અચ્યુત બડવેની ઉપસ્થિતિમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ હોસ્પિટલનું નિર્માણ ટાટા મેમોરિયલ ટ્રસ્ટના પદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કુલ 43 એકર જમીન પૈકી 33 એકર જમીન પર પ્રથમ ફેઝમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. બાદમાં જરૂરિયાત મુજબ સુવિધામાં વધારો કરવામાં આવશે. અહીં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર તેમજ અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ બનીને તૈયારઃ નરેશ પટેલખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, રાજકોટ નજીક આવેલા અમરેલી ગામ પાસે અદ્યતન સુવિધાસભર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી છે અને હવે હોસ્પિટલનું બાંધકામ શરૂ કરવામાં આવશે. કુલ 43 એકર જમીન પૈકી 33 એકર જમીન પર પ્રથમ ફેઝમાં 220 બેડની અદ્યતન હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવશે. બાદમાં જરૂરિયાત મુજબ સુવિધામાં વધારો કરવામાં આવશે. ‘સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને અન્ય શહેરમાં જવાની જરીર નહિ પડે’આ હોસ્પિટલમાં કેન્સર સંબંધિત તમામ નિદાન, સારવાર તેમજ અનુસંધાન સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ રહેશે. રાજકોટમાં કેન્સર હોસ્પિટલ બનવાથી સૌરાષ્ટ્રભરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થશે. ગરીબ દર્દીઓને તમામ જરૂરી સુવિધાઓ વિનામૂલ્યે અથવા ટોકન દરે ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. કેન્સરના દર્દીઓને મળતી તમામ સારવાર અહીંયા જ મળી રહેશે માટે મુંબઈ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ જેવા મહાનગરોમાં જવાની જરૂર ન રહે તે માટે વર્લ્ડ ક્લાસ સુવિધાઓ આપવામાં આવશે. ‘27 કેન્સર હોસ્પિટલની ખાસિયત આ એક જ હોસ્પિટલમાં હશે’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કેન્સર હોસ્પિટલ નહીં નફો નહીં નુકસાનના સિદ્ધાંત સાથે કામ કરવા જઈ રહી છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા કેન્સર હોસ્પિટલનું નિર્માણ કાર્ય શરૂ થાય તે પૂર્વે જ તેમના દ્વારા 27 જેટલી કેન્સર હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. તેમજ દરેક હોસ્પિટલમાં જે જે ખાસિયતો હોય તે તમામ ખાસિયતો (સુવિધાઓ) એક જ જગ્યાએ કેવી રીતે આપી શકાય તે અંગે ઊંડાણ પૂર્વક મનોમંથન કરીને માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ‘સારવાર માટે વિદેશી મશીનરી, દર્દીના પરિજનો માટે રહેવા-જમવાની સુવિધા’દર્દીઓએ ઇલાજ માટે અન્ય કોઈ જગ્યાએ કન્સલ્ટિંગ, ટ્રીટમેન્ટ તેમજ રિપોર્ટ અર્થે બહાર ન જવું પડે તે માટે વિદેશોમાં મેન્યુફેક્ચરિંગ થતી હોઈ તે પ્રકારની મોંઘીદાટ અને બીમારીના ઇલાજ માટે આવશ્યક એવી લાખો, કરોડો રૂપિયાની કિંમતી મશીનરી અહીંયા સારવાર માટે વિદેશોમાંથી ઈમ્પોર્ટ કરીને ઉપલબ્ધ કરાવવામાં આવશે. હોસ્પિટલમાં તબીબો, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીની સાથે આવેલા પરિવારજનોને પણ રહેવા તેમજ જમવા સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત કેન્સર હોસ્પિટલ ખાતે એજ્યુકેશન હેતુ માટે ઓડીટોરીયમ તેમજ મેડીટેશન હોલ પણ બનાવવામાં આવશે કારણ કે કેન્સરના દર્દીઓ માટે દવાની સાથો સાથ મેડિટેશન પણ ખૂબ જ આવશ્યક છે. હોસ્પિટલ સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે ઐતિહાસિક પગલું સાબિત થશેઃ પદ્મશ્રી ડો. રાજેન્દ્રપદ્મશ્રી ડો. રાજેન્દ્ર બડવેએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારત ભરમાં સૌથી વધુ કેન્સરના કેસ નોર્થ ઈસ્ટમાં જોવા મળે છે. જ્યારે કે, રાજકોટ અને સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓના આંકડાઓની વાત કરીએ તો, 1 લાખની વસ્તીમાં 60થી 70 જેટલા વ્યક્તિઓમાં કેન્સરની બીમારી જોવા મળતી હોય છે. જ્યારે કે, પશ્ચિમી દેશો એટલે કે, અમેરિકા અને ઈંગ્લેન્ડ જેવા દેશોમાં પ્રતિ લાખ વ્યક્તિએ 360 જેટલા દર્દીઓ કેન્સરના મળી આવે છે. આગામી સમયમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા બનાવવાના આવનાર કેન્સર હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની સારવાર પદ્ધતિ, આધુનિક ટેકનોલોજી અને દર્દી કેન્દ્રિત અભિગમ અપનાવવામાં આવશે, જેથી અહીં આવનારા દર્દીઓને શ્રેષ્ઠ સારવાર મળી શકે. ખોડલધામ દ્વારા નિર્માણ પામતી કેન્સર હોસ્પિટલ રાજકોટ-સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે એક ઐતિહાસિક પગલું સાબિત થશે. 20 ડિસેમ્બરે કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટનો ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરાયો ઉલ્લેખનીય છે કે, ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેમના માર્ગદર્શનમાં બનાવવામાં આવી રહી છે, તેવા પદ્મશ્રી ડોક્ટર રાજેન્દ્ર બડવે દ્વારા અત્યાર સુધીમાં ટાટા ગ્રુપની 10 જેટલી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. તેમજ દેશના વડાપ્રધાન અને વારાણસીથી સાંસદ નરેન્દ્ર મોદીના મતવિસ્તારમાં પણ તેમના ડ્રીમ પ્રોજેક્ટ સમાન હોસ્પિટલ પણ તૈયાર કરવામાં આવી છે. શનિવારે રાજકોટમાં શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના ફાઈનલ માસ્ટર પ્લાન રજૂ કરવાના પ્રસંગે ટ્રસ્ટીઓ, સર્વ સમાજના ઉદ્યોગપતિઓ, ડોક્ટરઓ, વિવિધ સમાજના અગ્રણીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:16 am

થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું, રૂ.20 લાખનો મુદ્દામાલ જપ્ત:મામલતદાર ટીમે સોનગઢ ગામમાં દરોડો પાડી કાર્યવાહી કરી

ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના સોનગઢ ગામમાં ગેરકાયદે કોલસા ખનન ઝડપાયું છે. નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ થાનગઢ મામલતદાર અને તેમની ટીમે સર્વે નંબર 62 વાળી જમીનમાં આકસ્મિક તપાસણી કરી હતી. આ તપાસ દરમિયાન સ્થળ પર બે કોલસાના કૂવામાં ખોદકામ ચાલતું હોવાનું ધ્યાને આવ્યું હતું. ટીમે સ્થળ પરથી કુલ ₹20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 30 મેટ્રિક ટન કોલસો, ત્રણ ટ્રેક્ટર, એક જનરેટર અને બે ટ્રાન્સફોર્મરનો સમાવેશ થાય છે. આ તમામ મુદ્દામાલને થાનગઢ મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યો છે. આ ગેરકાયદે ખોદકામમાં પ્રેમાભાઈ મોહનભાઈ અને અનકભાઈ કાઠી નામના બે ઈસમો સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. આ બંને ઈસમો સામે ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ, 2017) હેઠળ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:12 am

એસ.એસ. માહલા નર્સિંગ કોલેજમાં શપથ સમારોહ:વિદ્યાર્થીઓએ સેવા અને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાના શપથ લીધા

ડાંગ જિલ્લાના કુકડનખી સ્થિત એસ.એસ. માહલા નર્સિંગ કોલેજમાં માહલા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શપથ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વિજય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ANM, GNM અને B.Sc નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાના શપથ લીધા હતા. શપથ સમારોહ દરમિયાન વિદ્યાર્થીઓએ માનવતા, ઈમાનદારી અને સેવા ભાવના સાથે નર્સિંગ વ્યવસાય નિભાવવાની પ્રતિજ્ઞા લીધી. તેમણે દર્દીની ગોપનીયતા જાળવવા, દરેક દર્દી સાથે સમાન વર્તન કરવા અને પોતાના જ્ઞાન-કુશળતાનો ઉપયોગ માનવ સેવા માટે કરવાના શપથ લીધા. કાર્યક્રમમાં કેમ્પસના સ્ટાફ, કોલેજ સંચાલન, ટ્રસ્ટના પ્રમુખ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થા દ્વારા જણાવાયું કે ડાંગ જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓને ઘરઆંગણે ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળે તે માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે. ગુજરાત સરકારના ઉદ્દેશ મુજબ છેવાડાના માનવી સુધી શિક્ષણ પહોંચાડવામાં આ સંસ્થા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કેમ્પસના વિકાસ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પંચાયતના સરપંચને કેમ્પસ સુધીના રસ્તાની મંજૂરી માટે સૂચન કરાયું, જેથી વિદ્યાર્થીઓને આવન-જાવનમાં સુવિધા મળી શકે. ભવિષ્યમાં વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવાની ખાતરી પણ અપાઈ હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા અને પોતાના બાળકોના શિક્ષણ તથા કારકિર્દી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને વધુ યાદગાર બનાવવા માટે ફ્રેશર પાર્ટીનું પણ આયોજન કરાયું હતું, જેમાં નવા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 9:00 am

પાટણમાં 59445 પ્રોપર્ટી કાર્ડનું વિતરણ:સ્વામિત્વ યોજના હેઠળ ગ્રામ્ય નાગરિકોને મળ્યો માલિકી હક્ક

પાટણ જિલ્લામાં કેન્દ્ર સરકારની સ્વામિત્વ યોજના હેઠળ 59,445 રહેણાંક મિલકતોના પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને તેમની મિલકતનો કાયદેસર માલિકી હક્કનો પુરાવો પૂરો પાડવાનો છે. જિલ્લાના કુલ 504 ગામોમાં આ યોજનાનું વ્યાપક અમલીકરણ કરવામાં આવ્યું છે, જેમાંથી 312 ગામોમાં કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. સુપ્રિટેન્ડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ એકત્રીકરણ અધિકારી હિરેન ચૌહાણે આ માહિતી આપી હતી. આ પ્રોપર્ટી કાર્ડ મળવાથી ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને તેમની મિલકતનો કાયદેસર અને માન્ય પુરાવો પ્રાપ્ત થયો છે. તેનાથી નાગરિકોને બેંક લોન મેળવવામાં, સરકારી યોજનાઓનો લાભ લેવામાં અને મિલકત સંબંધિત વિવાદોના નિરાકરણમાં સરળતા રહેશે. સ્વામિત્વ યોજના માત્ર મિલકતના હક પૂરતી સીમિત નથી, પરંતુ તે રોજગાર સર્જન, આર્થિક સમૃદ્ધિ અને સામાજિક સુખાકારી તરફ દોરી જતી એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ રહી છે. આ યોજના દ્વારા ગ્રામ્ય નાગરિકો આત્મનિર્ભર બનશે અને તેમનું સામાજિક જીવન વધુ સુવ્યવસ્થિત બનશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વામિત્વ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને તેમની રહેણાંક મિલકતનો કાયદેસર માલિકી હક્કનો પુરાવો આપવાનો છે. આ યોજના અંતર્ગત ગામની વસાહત વિસ્તારની જમીનનું ડ્રોન સર્વે દ્વારા માપણી કરવામાં આવે છે અને ત્યારબાદ સંબંધિત ઘરધારકોને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવે છે. આ યોજનાના મુખ્ય લાભોમાં ગ્રામ્ય નાગરિકોને મિલકતના માલિકી હક્કનો કાયદેસર પુરાવો મળવો, મિલકત સંબંધિત વિવાદોમાં ઘટાડો થવો, બેંક લોન અને નાણાકીય સહાય મેળવવામાં સરળતા થવી, ગ્રામ્ય વિસ્તારોમાં આર્થિક પ્રવૃત્તિ અને રોજગારને પ્રોત્સાહન મળવું તેમજ નાગરિકોના સામાજિક અને આર્થિક જીવનમાં સ્થિરતા અને સુરક્ષા આવવી વગેરેનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લા વહીવટી તંત્ર તમામ નાગરિકોને આ યોજનાનો પૂર્ણ લાભ મળે તે માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. સ્વામિત્વ યોજના દ્વારા ગ્રામ્ય ભારતને આત્મનિર્ભર બનાવવા સાથે નાગરિકોને સશક્તિકરણ અને સુખાકારી તરફ દોરી જવાનું મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવી રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 8:49 am

પારડીમાં ઇલેક્ટ્રીક દુકાનદાર પર હુમલો:ત્રણ આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

પારડી તાલુકાના મોજે પારડી મચ્છી માર્કેટ તળાવની પાળ નજીક આવેલી શ્રી મહાદેવ ઇલેક્ટ્રીક દુકાનની બાજુમાં મારામારીની ઘટના બની છે. ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બપોરે બનેલી આ ઘટનામાં ઇલેક્ટ્રીક વાયરનો વ્યવસાય કરતા વિરલભાઇ રમણભાઇ ભંડારી (ઉ.વ.૩૭) ઇજાગ્રસ્ત થયા હતા. ફરિયાદ મુજબ, બપોરે આશરે ૧૩:૧૦ વાગ્યાના સુમારે ફરિયાદી વિરલભાઇ પોતાની દુકાન પર કામ કરી રહ્યા હતા. તે દરમિયાન પાડોશમાં રહેતા સંગીતાબેન (પતિ સુરેશભાઇ ધો.પટેલ) તેમની દુકાને આવ્યા હતા. તેમણે પોતાના દિયર દ્વારા કરાયેલા કમ્પાઉન્ડ બાબતે વાંધો ઉઠાવી ગાળાગાળી કરી વિરલભાઇને ઝાપટ મારી હતી. આ પછી સુરેશભાઇ સુખલાભાઇ ધો.પટેલ પણ દુકાને આવી પહોંચ્યા હતા અને ઝઘડો કર્યો હતો. તેમણે પથ્થર ઉચકી વિરલભાઇના માથા તથા શરીરના અન્ય ભાગો પર માર માર્યો હતો. બાદમાં કૌશીકભાઇ સુરેશભાઇ ધો.પટેલ પણ ત્યાં આવી ધક્કામુક્કી કરી હુમલામાં જોડાયા હતા. આ હુમલામાં વિરલભાઇને ઇજા પહોંચી હતી. આસપાસના લોકોએ વચ્ચે પડી તેમને વધુ મારથી બચાવ્યા હતા. ઇજાગ્રસ્ત વિરલભાઇને તાત્કાલિક પારડી સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. પોલીસે સુરેશભાઇ સુખલાભાઇ ધો.પટેલ, કૌશીકભાઇ સુરેશભાઇ ધો.પટેલ અને સંગીતાબેન સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 8:47 am

જૂનાગઢ બાર એસો.ના સેક્રેટરીએ પ્રમુખ જયદેવ જોશીને હરાવ્યા:ભાવેશ ઝીંઝુવાડીયાની 52 મતથી પ્રમુખ પદ પર જીત, વર્ષો જૂની અનોખી પરંપરા જળવાઈ

જૂનાગઢ બાર એસોસિએશનની વર્ષ 2025-26 માટેની ચૂંટણીના પરિણામો ગત મોડી(20 ડિસેમ્બ) રાત્રે જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં પણ જૂનાગઢ બાર એસોસિએશનની વર્ષો જૂની અનોખી પરંપરા જળવાઈ રહી છે, જેમાં ચાલુ સેક્રેટરીએ ચાલુ પ્રમુખને હરાવીને પ્રમુખ પદ કબજે કર્યું છે. સવારથી શરૂ થયેલી મતગણતરી મોડી રાત્રે 11:30 કલાકે પૂર્ણ થઈ હતી, જેના અંતે ભાવેશ ઝીંઝુવાડીયાનો વિજય થયો હતો. વર્તમાન સેક્રેટરીની વર્તમાન પ્રમુખ સામે ચૂંટણી લડીને પરાજય આપવાની પરંપરાજૂનાગઢ બાર એસોસિએશનમાં છેલ્લા ઘણા સમયથી એક પરંપરા રહી છે કે વર્તમાન સેક્રેટરી હંમેશા વર્તમાન પ્રમુખ સામે ચૂંટણી લડીને તેમને પરાજય આપે છે. આ વર્ષે પણ આ જ ઇતિહાસ દોહરાવવામાં આવ્યો હતો. ભાવેશ ઝીંઝુવાડીયાની 52 મતથી પ્રમુખ પદ પર જીતપ્રમુખ પદના મુખ્ય ઉમેદવાર અને વર્તમાન સેક્રેટરી ભાવેશ ઝીંઝુવાડીયાને કુલ 420 મત મળ્યા હતા, જ્યારે તેમની સામે ચૂંટણી લડી રહેલા વર્તમાન પ્રમુખ જયદેવ જોશીને 368 મત પ્રાપ્ત થયા હતા. આમ, ભાવેશ ઝીંઝુવાડીયા 52 મતોની સરસાઈથી વિજેતા બનીને નવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. ​ઉપપ્રમુખ પદ માટે મહેશભાઈ લાખાણી 405 મત મેળવી વિજેતાઅન્ય હોદ્દાઓની વાત કરીએ તો ઉપપ્રમુખ પદ માટે મહેશભાઈ લાખાણી 405 મત મેળવી વિજેતા થયા હતા, જ્યારે યોગેન્દ્રસિંહ ઠાકોરે 302 મત મેળવી વિજય પ્રાપ્ત કર્યો હતો. સેક્રેટરી તરીકે મનોજભાઈ દવેને 328 મત મળતા તેમને વિજેતા જાહેર કરાયા હતા. જોઈન્ટ સેક્રેટરી તરીકે અજીતસિંહ બાબરીયાએ 295 મત અને અમિતભાઈ ઠાકરે 262 મત મેળવી વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત, ટ્રેઝરર (મહિલા અનામત) બેઠક પર વૈશાલીબેન પુરોહિતને 321 મત મળતા તેમને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ​રાત્રિના 11:30 વાગ્યા સુધી મતગણતરી ચાલી હતીનિવૃત્ત સરકારી વકીલ અને ચૂંટણી અધિકારીના આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવનાર અર્ચના ઠક્કરે જણાવ્યું હતું કે, મતગણતરીની પ્રક્રિયા સવારના 10:00 વાગ્યાથી શરૂ થઈને રાત્રિના 11:30 વાગ્યા સુધી ચાલી હતી. આ ચૂંટણીમાં વકીલ આલમમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 'સેક્રેટરીની સારી કામગીરીને કારણે વકીલ મિત્રોએ વિશ્વાસ મૂક્યો'વિજય બાદ નવનિર્વાચિત પ્રમુખ ભાવેશ ઝીંઝુવાડીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા 20 વર્ષથી વકીલોની સેવા કરવાની જે તક મળી છે તેનું આ પરિણામ છે. સેક્રેટરી તરીકેની સારી કામગીરીને કારણે વકીલ મિત્રોએ તેમનામાં વિશ્વાસ મૂક્યો છે. જીતની જાહેરાત બાદ સિનિયર અને જુનિયર એડવોકેટ્સ દ્વારા નવા વરાયેલા હોદ્દેદારોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 8:45 am

ચોટીલામાં ગેરકાયદે ખનન પર કાર્યવાહી:નાયબ કલેક્ટરે કરોડોનો મુદ્દામાલ સીઝ કર્યો

ચોટીલા વહીવટી તંત્ર અને ખાણ ખનિજ વિભાગ દ્વારા વાવડી ગામે ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ટીમે ક્વોરી લીઝ પર દરોડો પાડી કરોડો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કર્યો છે. આ કાર્યવાહી ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ચોટીલા તાલુકાના વાવડી ગામમાં સર્વે નંબર ૮૩ પૈકીની જમીન પર કરવામાં આવી હતી. લીઝ ધારક જયવંતભાઈ હકુભાઈ વાળાની ક્વોરી પર બપોરે ૩ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી સઘન તપાસ ચાલી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી કુલ ૬,૮૭,૫૨,૫૦૦/- રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. જેમાં ૨ ક્રશર પ્લાન્ટ, ૨ હિટાચી મશીન, ૩ ડમ્પર, ૨ લોડર, ૮ મોટા ટ્રક (ટ્રેલર), ૧ ટ્રેક્ટર, ૧ જનરેટર, ૧ કોમ્પ્રેસર અને ૧૫૦ મેટ્રિક ટન સિલિકાનો સમાવેશ થાય છે. તપાસમાં અનેક ગેરરીતિઓ સામે આવી હતી. લીઝ ધારક દ્વારા સરકારી નિયમોનું ઉલ્લંઘન કરીને વાવડી અને જામવાળી ગામની સરકારી જમીનોમાં મંજૂરી વગર મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વેસ્ટ પાણીનો નિકાલ પણ અનઅધિકૃત રીતે થતો હતો. વહીવટી તંત્રને સ્ટોક રજિસ્ટર, વિસ્ફોટક પદાર્થ રજિસ્ટર કે હિસાબી રેકોર્ડ જેવી કોઈ વિગતો મળી ન હતી. મજૂરોની સુરક્ષા માટે કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી ન હતી અને વાહનોમાં VTMS (વ્હીકલ ટ્રેકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ)ની નોંધણી પણ કરાવી ન હતી. પર્યાવરણની અવગણના પણ સ્પષ્ટ દેખાઈ હતી. લીઝ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ન હતું અને હદ નિશાન પણ યોગ્ય રીતે જાળવવામાં આવ્યા ન હતા. આ મામલે તંત્ર દ્વારા ધ ગુજરાત મિનરલ રૂલ્સ, ૨૦૧૭ મુજબ કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે સરકારી જમીન પચાવી પાડી ખોદકામ કરવા બદલ લેન્ડ ગ્રેબિંગ અને દંડની વસૂલાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 21 Dec 2025 8:06 am