છેલ્લા 25 વર્ષથી અવારનવાર ટ્રક, ડમ્પર અને ટેમ્પાની ચોરીના આંતર રાજ્ય ગુનાઓ કરતા રીઢા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયો છે અને વડોદરા શહેરમાં વર્ષ 2025માં રાત્રીના સમયે કરેલા 4 ટેમ્પોની કરેલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ટીમ વડોદરા શહેરમાં બનેલ માલવાહક ટાટા ટેમ્પોની ચોરીઓના ગુનામાં સંડોવાયેલ આરોપી અંગે સીસીટીવી ફુટેજ, ટેકનીકલ અને હ્યુમન સોર્સ આધારે સતત કરેલ શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન અગાઉ ટ્રક, ટેમ્પાઓની ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ આંતર રાજ્ય રીઢો આરોપી સુખાસિંગ સોહલ રહે.તરસાલી રોડ વડોદરાનો શંકાસ્પદ જણાયો હતો. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે રણોલી બ્રિજ પાસે તાપી હોટલની નજીક આવેલ એક ગેરેજમાં જઇ તપાસ કરી હતી. ગેરેજમાં ટાટા ટેમ્પોને કટર વડે કાપી રહેલ સુખદેવસિંગ સજજુસીંગ સોહલ (ઉ.વ.58, રહે. ભાયલાલ પાર્ક, સોસાયટી,તરસાલી રીંગ રોડ,વડોદરા શહેર મુળ રહે.ગામ શ્રીથલા,તા.પાયલ જી.લુધીયાણા, પંજાબ) મળી આવ્યો હતો. આ ઇસમે ચોરી કરેલો ટેમ્પોને કટીંગ કરી નાખ્યો હતો. આ ઇસમની ઝડતીમાં બે મોબાઇલ ફોન મળી આવતા આ ઇસમની વધુ પુછપરછ દરમ્યાન આ પકડાયેલ ઇસમે વડોદરા શહેરમાં જુદા જુદા સ્થળો પરથી ટેમ્પાઓની ચોરી કરીને ટેમ્પાને કટીંગ કરી વેચી નાખ્યા હોવાનું જણાવ્યું હતું. વડોદરા શહેરમાં તુલસીવાડી રોડ, ડભોઇ રોડ પર આવેલ ગણેશનગર, માંજલપુર અને ફતેગંજ કુમકુમ પાર્ટી પ્લોટ સામેથી ટેમ્પાની ચોરી કરી હતી. આ ચારેય ટેમ્પા ચોરીને લઈને વડોદરા શહેરના કુંભારવાડા, પાણીગેટ, માંજલપુર, ફતેગંજ પોલીસ સ્ટેશનોમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપી પાસેથી કટીંગ કરી નાંખેલો ટેમ્પો અને 2 મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતિહાસ પકડાયેલ આરોપી સુખદેવસિંગ સજજુસીંગ સોહલ છેલ્લા 25 વર્ષથી અવારનવાર પોતાના આર્થીક ફાયદા માટે ટ્રક, ડમ્પર, ટેમ્પો જેવા માલવાહક વાહનોની ચોરી કરે છે. આ આરોપી સામે છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના વડોદરા, ભરૂચ તેમજ મહારાષ્ટ્ર રાજ્યના મુંબઇ, નવી મુંબઇ, ઠાણે ખાતેના જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં 30થી વધુ ગુનાઓમાં પકડાયેલ છે. આ ઉપરાંત વર્ષ 2010માં અમદાવાદ જલ્લાના કોઠ પોલીસ સ્ટેશનમાં ખુનના ગુનામાં પકડાયેલ છે. આ આરોપી તેની ગુનાહીત પ્રવૃતીના કારણે એક વખત પાસા હેઠળ જેલમાં પણ ગયેલ છે. છેલ્લે વર્ષ-2024માં મુંબઇ પોલીસે આ આરોપીની ત્રણ ટ્રક ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી.
ધોળકા ખાતે રહેતી અને શહેરના સરખેજ વિસ્તારમાં ભાણીના લગ્ન માટે આવેલી પરિણીતા ભાણીના લગ્નનું આમંત્રણ આપી ઘરે આવતી હતી ત્યારે મકરબા હુસેની બેકરી પાસે બુલેટ ઉપર આવેલા બે શખસોએ પરિણીતાનો પીછો કરી હેરાન કરી હતી. આ લુખ્ખાઓ આટલેથી ના અટક્યા તેમણે તેના વાહન પર પેટ્રોલ પણ છાંટ્યું. આ મામલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. બોલાચાલી કરી ઝઘડો કર્યા બાદ ત્યાંથી બંને શખસ નાસી ગયા હતા. આ મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બુલેટ પર બેઠેલા શખસો પરિણીતાને જોઈ જેમ-તેમ બોલવા લાગ્યા હતામૂળ ધોળકા ખાતે રહેતી 34 વર્ષીય પરિણીતાની માતા સરખેજ ખાતે રહે છે. પરિણીતાની બહેનની દીકરીના લગ્ન લેવામાં આવ્યા છે. જેથી છેલ્લા ત્રણેક દિવસથી પરિણીતા તેની માતાના ઘરે આવી છે. ગઈકાલે 6 નવેમ્બરના રોજ રાત્રે 8:30 વાગ્યાની આસપાસ પરિણીતા પોતાનું બર્ગમેન સ્કૂટર લઈને તેની મિત્રના ઘરે લગ્નમાં આવવા માટે આમંત્રણ આપવા માટે ગઈ હતી. બાદમાં 10:30 વાગ્યાની આસપાસ પોતાનું વાહન લઈને મકરબાથી ઘરે આવવા નીકળી હતી, ત્યારે હુસેની બેકરી પાસે રસ્તામાં બુલેટ પર બે વ્યક્તિ બેઠેલા હતા. પરિણીતાને જોઈને જેમ ફાવે એમ બોલવા લાગ્યા હતા. જોકે પરિણીતાએ તેના પર ધ્યાન આપ્યું નહોતું. પરિણીતાના ઘર સુધી પહોંચી ગયાપરિણીતા ઘર તરફ જવા નીકળી ત્યારે બુલેટ ઉપર બંને શખસોએ પીછો કર્યો હતો. જેથી ઝડપથી પરિણીતા વાહન ચલાવીને તેની માતાના ઘરે ગઈ હતી અને ત્યાં ઘરની બહાર વાહન પાર્ક કર્યું હતું. થોડીવારમાં પાડોશીએ આવીને કહ્યું હતું કે તમારા વાહન ઉપર બે લોકો પેટ્રોલ નાખે છે. જેથી બહાર આવીને જોતા બુલેટ પર જે શખસ આવ્યા હતા જે ઉભા હતા. સરખેજ પોલીસે ગુનો નોંધ્યોતેઓને પેટ્રોલ નાખવા બાબતે પૂછતા તેઓ ગાળો બોલવા લાગ્યા હતા. એક વ્યક્તિએ કહ્યું હતું કે મારું નામ જહાંગીર છે હું વાહિદને બોલાવીને તમારી ખબર લઉં છું અને બુમાબૂમ કરી ઝઘડો કર્યો હતો. બીજાનું નામ જાહિદ હોવાનું જાણવા મળ્યું હતું. બંને ઝઘડો કરવા લાગતા લોકો ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા સરખેજ પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લા SOG ટીમે વલસાડ તાલુકાના કુંડી ગામે આવેલી એક ગેરકાયદેસર ફેક્ટરી પર દરોડો પાડી માદક પદાર્થ બનાવવા માટે ઉપયોગી રો મટીરીયલ જપ્ત કર્યું છે. ફેક્ટરીમાં ડેનેટોનિયમ બેનઝોએટ (Denatonium Benzoate) નામનું કેમિકલ બનાવવામાં આવતું હતું. આ પદાર્થ દુનિયાનું સૌથી કડવું કેમિકલ ગણાય છે. તેનો ઉપયોગ સામાન્ય રીતે ઝેરી કે જોખમી રસાયણોમાં 'બિટરન્ટ' તરીકે થાય છે, જેથી માનવ કે પ્રાણીઓ આકસ્મિક રીતે તેનું સેવન ન કરે. પોલીસ સૂત્રો અનુસાર, આ ફેક્ટરી ચલાવવા માટે કોઈ કાયદેસર પરવાનગી લેવામાં આવી ન હતી. પોલીસે કંપની સંચાલક સહિત કુલ ચાર કામદારોની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઘટનાસ્થળેથી મળેલા રો મટીરીયલના સેમ્પલ FSL અને DFS લેબમાં મોકલવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. તપાસના ભાગરૂપે, પોલીસ હવે આ કેમિકલ ક્યાંથી મેળવવામાં આવતું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ કાર્યવાહીથી વલસાડ જિલ્લાના સુરક્ષા વિભાગે માદક પદાર્થોના ગેરકાયદેસર ઉત્પાદન પર નોંધપાત્ર પ્રહાર કર્યો છે.
એશિયાની સૌથી મોટી અને જાણીતી દૂધની ડેરી એવી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડની અમૂલ ડેરીને નુકસાન થાય તેવા ઈરાદાથી રાજકોટના ડો. હિતેશ જાની દ્વારા સોશિયલ મીડિયામાં તમારા ઘરે કેવું દૂધ આવે છે, તમે જાણો છો? તેમાં અમૂલ દૂધ બ્રાન્ડ અંગેના ખોટા આક્ષેપો કરવામાં આવતા આ મામલે અમૂલ કંપનીના ક્વોલિટી એશ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજરે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. રાજકોટના ડોક્ટરે અમૂલ દૂધમાં ભેળસેળ થતી હોવાનો વીડિયો વાઈરલ કર્યોશહેરના ચાંદખેડા વિસ્તારમાં ન્યુ સીજી રોડ પર નિર્મલ સિગ્નેચરમાં રહેતા આકાશ પૂરોહિત ગાંધીનગર ભાત ખાતે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના ક્વોલિટી એસ્યોરન્સના આસિસ્ટન્ટ મેનેજર તરીકે બે વર્ષથી ફરજ બજાવે છે. તેઓને અમૂલ ડેરીની તમામ પ્રોડક્ટની ગુણવત્તાની દેખરેખ રાખવાની જવાબદારી છે. ચાર દિવસ પહેલા આકાશના મોબાઈલમાં યુ-ટ્યુબમાં એક વીડિયો જોયો હતો, જેમાં ડો. હિતેશ જાની દ્વારા તેઓની ચેનલ ઉપર દૂધની પ્રોસેસિંગ અંગેનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. વીડિયો અંગે જ્યારે તપાસ કરવામાં આવી, ત્યારે સોશિયલ મીડિયા ફેસબુકમાં પણ અપલોડ થયેલો જોવા મળ્યો હતો. તમારા ઘરે કેવું દૂધ આવે છે એ જાણો છો? તેનો વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો, જેમાં ડો. હિતેશ જાની દ્વારા અમૂલ દૂધને નિશાન બનાવીને ખોટી અને ભ્રમિત વાતો કરવામાં આવી છે. અમૂલ દૂધમાં 22 પ્રકારના કેમિકલ ઉમેરાતા હોવાનો વીડિયોમાં આક્ષેપસોશિયલ મીડિયામાં અપલોડ થયેલા વીડિયોમાં દૂધમાં 22 પ્રકારના કેમિકલ ઉમેરાય છે. ડીડીટી જેવા પ્રતિબંધિત કીટનાશક દૂધમાં નખાય છે. સોડિયમ બેન્ઝોએટ અને અન્ય ઇમ્લિસફાયર વેચાણ પહેલા નિયમિતપણે દૂધમાં ભેળવવામાં આવે છે. દૂધ સાત દિવસ જૂનું હોય છે. પાઉચમાં 500 મિલી લખેલું હોવા છતાં 480- 490 મિલી ભરાય છે. અમૂલ ગ્રાહકોને છેતરપિંડી કરી નફાખોરી કરે છે. ISI-FSSAI સ્ટેમ્પ ઉત્પાદન ધરાવતા ઉત્પાદનો પણ અસુરક્ષિત છે અને અધિકારીઓ કોઈ પગલાં લેતા નથી. આ સિસ્ટમ કથિત રીતે વિદેશી (અમેરિક) ડિઝાઈન છે જે બહારથી નિયંત્રિત થાય છે. કાયદો બદલવા માટે મારે ધારાસભ્યો બનવું પડશે, એમ કહીને ષડયંત્ર બહાર લાવવા માટે વીડિયો વાઇયરલ કરો વગેરે ભ્રમિત વાતો કરી સોશિયલ મીડિયા મારફતે ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની અમૂલ બ્રાન્ડની બદનામી કરવામાં આવી છે. ચાંદખેડા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીડો. હિતેશ જાની પોતે ડોક્ટર હોવા છતાં આવી ભ્રમિત વાતો કરે તો લોકોમાં ભય પેદા થાય અને નાગરિકોમાં ભય-અવિશ્વાસ ફેલાય, જેથી અમૂલ બ્રાન્ડ પર ખોટા અક્ષેપો કરી સહકારી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે. તેમજ વિદેશી નિયંત્રણના ખોટા દાવા દ્વારા ભારતીય સહકારી આંદોલન વિરુદ્ધ શંકા અને વિભાજન થાય તેવું જાણતા હોવા છતાં યુ-ટ્યુબ ચેનલ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અમૂલ બ્રાન્ડની બદનામી કરી વીડિયો વાઇરલ કરવામાં આવતા આ મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.
જામનગર જિલ્લાના દરિયાકિનારાની સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ, ફિશરીશ વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)ના અધિકારીઓની સંયુક્ત ટીમે કવાયત હાથ ધરી હતી. આ ટીમે જામનગરના જુના બંદરે આવેલા ફિશ લેન્ડિંગ પોઇન્ટની મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, જામનગર શહેર DYSP જે.એન. ઝાલા, SOG PI બી. એન. ચૌધરી અને બેડી મરીન પોલીસ સ્ટેશનના PI વી.બી. ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડાયા હતા. પોલીસ અધિકારીઓની ટીમે ફિશ લેન્ડિંગ પોઇન્ટનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે ફિશરીશ વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડના અધિકારીઓની ટુકડી પણ જોડાઈ હતી. આ દરમિયાન દરિયાઈ સુરક્ષા વ્યવસ્થા સંબંધે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
ગુજરાતના લોક સાહિત્યકાર અને પત્રકાર નરેન્દ્રસિંહ જાદવના પિતા પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું આજે 7 નવેમ્બરના રોજ અવસાન થયું છે. વર્ષ 2019માં તેઓને પદ્મશ્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ધંધુકા જિલ્લાના આક્રુ ગામમાં જન્મ10 જાન્યુઆરી 1940ના રોજ જોરાવરસિંહ જાદવનો ધંધુકા જિલ્લાના આક્રુ ગામના રાજપૂત ખેડૂત પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેઓ મધ્યમવર્ગ કુટુંબમાંથી આવતા હતા. તેમને ચાર ભાઈ અને બે બહેન હતા. પિતાને લોક-કલાનો શોખ હતો જેના કારણે તેમનું ઘર લોક-કલાકાર મહેમાનોથી હર્યુંભર્યું રહેતું. જેને કારણે ભજનો, લોકડાયરાથી નાનપણથી પરિચય હતો. લોક-કલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતીતેમને ધોળકા રાજપૂત-સમાજની બોર્ડિંગમાં, પછી બે વર્ષ જયંતીભાઈ-દેવીબેનના ઘેર રહી અભ્યાસ કર્યો અને સાચું ઘડતર પામ્યા. પછી ગુજરાત વિદ્યાપીઠમાં અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યા. પ્રોફેસર જેસલપુરા જાતે લેખકોનો પરિચય કરાવે, લેખકોને મળવા લઈ જાય. મેઘાણીની વાર્તાઓ વાંચી લખવાનો શોખ જાગ્યો. પિતાને ICS ઓફિસર બનાવવાની ગણતરી હતી પણ બીએ,એમએ(પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં) કરી તેમણે ગુજરાત રાજ્ય સહકારી સંઘમાં પબ્લિસિટી ઓફિસર તરીકે 30 વર્ષ અને સીઈઓ તરીકે 5 વર્ષ કામ કર્યું. સાથે-સાથે લોક-કલા ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. વતનમાં લોક-કલાનું મ્યુઝિયમ બની રહ્યું છેતેમની ફોર્મલ નિવૃત્તિને 23 વર્ષ થયાં છે, પણ લોક-કલા સંશોધનનું કાર્ય તેમને ચાલુ રાખ્યું હતું. દેશભરનાં 5000 કલાકારોના સંપર્કમાં હતા. તેમને કામ અપાવવું, દેશ-પરદેશ મોકલવાં, ક્યારેક ગ્રુપની સાથે જવું, કોઈ સ્ટેજ ના આપે તેવા કલાકારોને સ્ટેજ અપાવવું. લોક-કલા, લોક-સાહિત્ય, લોક-સંસ્કૃતિના સંશોધન માટે ગામેગામ ફરીને, વાદી-મદારીથી રાજા-મહારાજા સુધી પરિચય કેળવી કામ કર્યું હતું. તેમના વતનમાં લોક-કલાનું મ્યુઝિયમ બની રહ્યું છે. જોરાવરસિંહ જાદવના શોખના વિષયોવાંચન, લેખન, ગુજરાતનાં તમામ છાપામાં લોકકલાની કોલમ લખતા હતા. તેમને 99 પુસ્તકો લખ્યાં છે. ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં તેમના લેખ અને યુનિવર્સિટીમાં તેમનાં પુસ્તકો પાઠ્યપુસ્તકો તરીકે વપરાય છે. તેમની ‘ગુજરાતનો લોક-કલા વૈભવ’ GPSCની રેફરન્સ-બૂક તરીકે માન્ય છે.
NSUI દ્વારા રજૂઆત કરાયા બાદ દ્વારા નિર્ણય કરાયો:યુનિ. દ્વારા Baની આન્સર બૂક પુન: ચકાસવામાં આવશે
MKB યુનિ. દ્વારા બી.એ. સેમ.ની આન્સર બૂક પુન: ચકાસવામાં આવશે. આ અંગે એનએસયુઆઇ દ્વારા રજૂઆત કરાયા બાદ કુલપતિનો દ્વારા નિર્ણય કરાયો છે. જો જવાબવહીની ચકાસણીમાં ભુલ હશે તો પરિણામ પાછું ખેંચવામાં આવશે તેમ પણ જણાવાયું હતુ. મહારાજા કૃષ્ણકુમારસીંહજી ભાવનગર યુનિ.ના બી.કોમ.સેમેસ્ટર-2ના નબળા પરિણામની સામે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને આ નબળા પરિણામમાં એનએસયુઆઈ દ્વારા કરવામાં આવેલી ઉગ્ર રજૂઆતના પગલે યુનિ.ના કુલપતિ દ્વારા આજે નિર્ણય કરવામાં આવ્યો કે પરીક્ષા આપેલા વિદ્યાર્થીઓમાંથી 10 વિદ્યાર્થીની આન્સર બૂક કુલપતિ સામે અધ્યાપક દ્વારા ચેક કરવામાં આવશે અને જો પરિણામમાં કોઇ છબરડો હશે તો પરિણામ પાછું ખેંચવામાં આવશે તેમજ જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને ઇકોનોમિકસ વિષયમાં વર્ષોથી કોમર્સ ફેકલ્ટીમાં છબરડા થતા રહ્યાં છે. ત્યારે આજે એનએસયુઆઈના ગિરિરાજસિંહ વાળા તેમજ અભિજીતસિંહ ચુડાસમા સાથે કુલપતિ સાથે ચર્ચા કરી નિર્ણય કરવામાં આવ્યો
ડ્રગ્સનું વેચાણ કરતો પકડાયો:પ્રભુદાસ તળાવમાં ડ્રગ્સ વેચતો શખ્સ ઝડપાયો
ભાવનગર શહેરમાં પ્રભુદાસ તળાવ વિસ્તરમાં એક શખ્સ જાહેરમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમી આધારે ભાવનગર એસ.ઓ.જી. પોલીસે બાતમી વાળી પ્રભુદાસ તળાવ શેરી નં. 1, મફતનગરમાં રહેતા રહીમભાઇ હનીફભાઇ સુમરાના મકાનમાં દોરડા પાડ્યા હતા. જ્યાં ઘરમાં તપાસ કરતા ઘરમાંથી બાળકોને ભણવાના પાઉસમાં સંતાડેલ એમફેટામાઇન ડ્રગ્સ 12.310 મીલીગ્રામ કિમત રૂપિયા 1,23,310ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જે બાદ પોલીસની પૂછપરછમાં આ ડ્રગ્સ ગુડુ ઇકબાલભાઇ શેખ પાસેથી ખરીદી કરી હોવાની કબુલાત આપતા પોલીસે ગુડુ શેખની શોધખોળ શરૂ કરી છે.
સાસરિયાએ પરિણીતાને આપ્યો ત્રાસ:ભાવનગર શહેરની તબીબ પરિણીતા ઉપર સાસરીયાઓએ ત્રાસ ગુજાર્યો
ભાવનગર | રૂપાણી સર્કલ નજીક રહેતા અને તબીબ વિશ્વાબેન સમર્થભાઇ ઓઝાના ગત વર્ષે રાજકોટના નાના મોવા રોડ, શ્રીકોલોની, પ્લોટ નં. 4/C ખાતે રહેતા સમર્થ હિતેષભાઇ ઓઝા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ તેમના સાસુ અને સસરાને વિશ્વાબેન ગમતા નહીં હોવાનું કહી, દહેજમાં ઘરેણાંની માંગણી કરતા અને રસોઇ તેમજ જુદી જુદી વાતોમાં મેણાં ટોણા મારી, શારિરીક તેમજ માનસિક ત્રાસ ગુજાર્યો હતો અને બાદમાં ઘરેથી કાઢી મુકી, અસહ્ય ત્રાસ ગુજારતા વિશ્વાબેન ઓઝાએ પતિ સમર્થ હિતેષભાઇ ઓઝા, સસરા હિતેષભાઇ કાંતિભાઇ ઓઝા અને હર્ષાબેન હિતેષભાઇ ઓઝા વિરૂદ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2026માં ધો.10 અને ધો.12ની પરીક્ષા તો વહેલી ફેબ્રુઆરીના અંતમાં લેવાનો નિર્ણય કર્યો પણ પરીક્ષના ફોર્મ ભરવાનો હજી આરંભ ન થતા સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા આ અંગે તા.5 નવેમ્બરે અહેવાલ પ્રકાશિત કરાતા આજે ગુજરાત બોર્ડ સફાળું જાગ્યું છે અને બોર્ડની વેબસાઇટ પર ફોર્મ ભરવાનો આરંભ થયાની જાહેરાત કરી છે. ધો.10, સંસ્કૃત પ્રથમા, ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઓનલાઇન આવતી કાલ તા.7 નવેમ્બરને શુક્રવારે 12 કલાકથી તા.6 ડિસેમ્બરના રોજ રાત્રીના 12 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પરથી ભરી શકાશે. ગુજરાતના ધો.10 અને ધો.12ના 12 લાખથી વધુ વિદ્યાર્થીઓના પ્રશ્ને આખરે બોર્ડ હરકતમાં આવ્યું છે. આ બાબતની સંબંધિતોએ નોંધ લઇ સમય મર્યાદામાં આવેદનપત્રો ભરવા જણાવવામાં આવ્યું છે. ધો.10, સંસ્કૃત પ્રથમા, ધો.12, વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના તમામ નિયમિત, પુનરાવર્તિત(રિપીટર), ગુજરાત ઓપન સ્કૂલ રેગ્યુલર, ગુજરાત ઓપન સ્કૂલ પુનરાવર્તિત(રીપીટર) તથા પૃથ્થક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે. જે અંગેની જરૂરી સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. તમામ પરીક્ષા ફીમાંથી આ વખતે પણ વિદ્યાર્થિનીઓ અને દિવ્યાંગ ઉમેદવારોને સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવી છે તેમ બોર્ડના સચિવ આર.આર.વ્યાસે જણાવ્યું છે. પ્રાયોગિક પરીક્ષામાં વિષય દીઠ ફી રૂ. 10 રહેશે. ધો.12 વિ.પ્ર.માં વિદ્યાર્થીઓ માટે ફીનો દરનિયમિત વિદ્યાર્થી માટે ફી રૂ.725 રહેશે. જ્યારે નિયમિત રિપીટરમાં એક વિષયમાં રૂ.220, બે વિષયમાં રૂ.360, ત્રણ વિષયમાં રૂ. 505, નિયમિત રિપીટર માટે ત્રણથી વધુ વિષયમાં ફી રૂ. 725 રહેશે. પ્રાયોગિક વિષય દીઠ ફી રૂ.130 રહેશે. ધો.10માં વિદ્યાર્થીઓ માટે ફીનો દરનિયમિત વિદ્યાર્થી માટે ફી રૂ.425 રહેશે. જ્યારે નિયમિત રિપીટરમાં એક વિષયમાં રૂ.155, બે વિષયમાં રૂ.225, ત્રણ વિષયમાં રૂ. 285, નિયમિત રિપીટર માટે ત્રણથી વધુ વિષયમાં ફી રૂ.415 રહેશે. પૃથક અને ગુજરાત ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓની ફી પણ જાહેર કરવામાં આવી છે. ધો.12 સા.પ્ર.માં વિદ્યાર્થીઓ માટે ફીનો દરનિયમિત વિદ્યાર્થી માટે ફી રૂ.590 રહેશે. જ્યારે નિયમિત રિપીટરમાં એક વિષયમાં રૂ.165, બે વિષયમાં રૂ.265, ત્રણ વિષયમાં રૂ. 345, નિયમિત રિપીટર માટે ત્રણથી વધુ વિષયમાં ફી રૂ. 590 રહેશે. પૃથક અને ગુજરાત ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓની ફી પણ જાહેર કરવામાં આવી છે.
સ્લમ વસાહતને રીડેવલોપ કરવા માંગણી:મહુવામાં જર્જરિત 564 સ્લમ વસાહતીઓ પર લટકતી તલવાર
મહુવા શહેરમાં નગરપાલીકાની વર્ષો જૂની સ્લમ વસાહત આવેલી છે આ વસાહતના મોટાભાગનાં મકાનો જીર્ણ-ક્ષિર્ણ થઈ ગયાં હોય ગમે તે સમયે મોટી દુર્ઘટના ઘટે તેવી શકયતા હોય આ વસાહતનો વહેલીતકે જીર્ણોધ્ધાર હાથ ધરવાની માંગ 564 વસાહતીઓ દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી છે. પરંતુ આજ સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. નગરપાલીકા દ્વારા મધ્યમ વર્ગના લોકોને રહેવા માટે આ મકાનની ફાળવણી કરી હતી અને મકાનોની દેખભાળ તથા પાયાકીય સવલતો ઉપલબ્ધ કરાવવાની જવાબદારી નૈતિક રીતે વસાહતના માલીક નગરપાલીકાની ગણાય પરંતુ વસાહતની સમય-સમયાંતરે કોઈ જ દરકાર ન લેતાં આ મકાનોની હાલત જર્જરીત હાલત થઈ જવા પામી છે. જે વસાહતને રીડેવલોપ કરવા માંગ ઉઠવા પામી છે. વસાહતીઓ દ્વારા નગરપાલિકા, નગરસેવકો, ચીફ ઓફીસર સહિતનાઓને વારંવાર રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો આજદિન સુધી કોઈ જ ઉકેલ આવ્યો નથી.
પ્રજાજન પરેશાન:હળીયાદ અને પચ્છેગામને જોડતો કોઝવે પુલ તુટી જતા 20 ગામોને ભારે હેરાનગતિ
વલભીપુર તાલુકાના બન્ને મોટા ગામો પચ્છેગામ અને હળીયાદ ગામોને જોડતો મહત્વનો કોઝવે પુલ ચોમાસા દરમ્યાન તુટી ગયો છે. અને તેમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી હાથ નહી ધરવામાં આવતા બન્ને ગામના ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો છે. અનેક વખત ગ્રામ પંચાયત અને સ્થાનિક લોકોએ તંત્રને રજૂઆત કરી છતા તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં છે. પચ્છેગામ ગામના માલધારી સમાજના પશુઓ અને ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે 15 થી 20 કિલોમીટર સુધીનો રસ્તો કાપવો પડે છે ત્યારે માલધારી સમાજના પશુઓને ચરણ માટે આ કોઝવે પરથી જવાનું હોય ત્યારે આ કોઝવે એટલી હદે તુટી ગયો છે કે બે દિવસ પહેલાં માલધારી સમાજના બે પશુઓ આ કોઝવેમાં પડી જતા પાણીમાં તણાઇ જતા બંને પશુઓ ના મોત નિપજેલ છે. ત્યારે શું તંત્ર કોઈ માનવ જાનહાની થાય તેની પ્રતિક્ષામાં છે. તેમ સ્થાનિકો કહી રહ્યા છે.
તસ્કરી:પાવઠીના વાડી વિસ્તારમાંથી ભેંસ, પાડાની તસ્કરી કરાઇ
તળાજા તાલુકાના પાવઠી ગામના વાડી વિસ્તારમાં રહેતા એક ખેડૂતે દોઢેક માસ અગાઉ લીધેલ ભેંસ અને પાડાની તસ્કરી થઇ જતાં ખેડૂતે તસ્કર વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાવઠી ગામે વાડી વિસ્તારમાં ખેતર ધરાવતા ખેડુત શાદુળભાઇ દાનાભાઇ વાળાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, પાવઠી ગામે રહેતા જકાભાઇ બોઘાભાઇ વાળા પાસેથી દોઢેક માસ અગાઉ એક ભેંસ અને તેનો પાડાની રૂા. 80,000માં ખરીદી કરી હતી. જે ગત તા. 15-10-2025ના રોજ સાદુળભાઇ તેમના ખેતરમાં ભેંસ અને પાડાને બાંધીને પાવઠી ગામ જતા રહ્યા હતા અને બીજા દિવસે સવારે ખેતરે આવતા, ખેતરમાં બાંધેલી ભેંસ અને પાડો મળી ન આવતા, તસ્કરી થયાનું જણાઇ આવતા ખેડુત સાદુળભાઇએ અજાણ્યા તસ્કર વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
મારમાર્યો:રસ્તે ચાલવા બાબતે ચાર શખ્સોનો કુહાડીથી ચાર લોકોને મારમાર્યો
મહુવાના મોણપર ગામે રસ્તે ચાલવા બાબતની દાઝ રાખી એક યુવકને ચાર શખ્સોએ ગંભીર મારમાર્યો હતો અને બાદમાં યુવકને બચાવવા આવેલ મહિલા સહિત ચારેય લોકોને કુહાડીના ઊંધા ઘા ઝીંકી, ઇજા કરી, ગંભીર મારમારી ફરાર થઇ જતાં મહિલાએ ચાર શખ્સો વિરૂદ્ધ બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મહુવાના મોણપર ગામે રહેતા વર્ષાબા રમેશભાઇ વાળાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના જેઠ કાળુભાઇ તેમના દિકરાઓને સ્કુલે લેવા જતા હતા તે વેળાએ મોણપર ગામે રહેતા ગુલાબસિંહ જયવંતસિંહ વાળા, જગદીશભાઇ ગોલણભાઇ વાળા, જયવંતભાઇ ગોલણભાઇ વાળા તેમજ ગોલણભાઇ ખાટાભાઇ વાળાએ એક સંપ કરી, કાળુભાઇને રસ્તે ચાલવા બાબતે બોલાચાલી કરી, ઢીકાપાટુનો ગંભીર મારમાર્યો હતો. જે કાળુભાઇના ભાઇ રમેશભાઇ, વર્ષાબા તેમજ છત્રપાલસિંહ જોઇ જતાં તેઓ કાળુભાઇને બચાવવા દોડ્યા હતા. જે બાદ ચારેય શખ્સોએ તેમને પણ કુહાડીના ઊઁધા ઘા ઝીંકી, ગંભીર મારમારી, લોહિયાળ ઇજાઓ કરી ફરાર થઇ જતાં ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. જ્યાં વર્ષાબા રમેશભાઇ વાળાએ મોણપર ગામના ગુલાબસિંહ જયવંતસિંહ વાળા, જગદીશભાઇ ગોલણભાઇ વાળા, જયવંતભાઇ ગોલણભાઇ વાળા તેમજ ગોલણભાઇ ખાટાભાઇ વાળા વિરૂદ્ધ બગદાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ગોઝારો અકસ્માત સર્જાયો:ભાવનગરના કાળિયાબીડમાં ટેમ્પલ બેલના ચાલકની બેદરકારીથી વૃદ્ધનું મોત નિપજ્યું
ભાવનગર શહેરના સિદસર વિસ્તારમાં રહેતા એક યુવક દિવાળીની ઉજવણી કરવા વતન માતા-પિતા પાસે આવ્યો હતો અને ગઇકાલે તેમના પિતાને બાઇકમાં બેસાડી, કાળિયાબીડમાં આવેલ શક્તિમાં ના મંદિર પાસેથી પસાર થતા હતા તે વેળાએ ભાવનગર મ્યુ.કોર્પોરેશનની કચરા ગાડી ટેમ્પલ બેલના ચાલકે બેદરકારીથી ટેમ્પલ બેલ ચલાવી, પિતા-પુત્રની બાઇક સાથે પાછળથી ધડાકાભેર અકસ્માત કરતા બાઇકની પાછળ બેસેલા વૃદ્ધને ગંભીર હાલતે સારવારમાં ખસેડાયા હતા જ્યાં પુત્રની નજર સામે પિતાનું કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા અને ભાવનગર ખાતે માતા-પિતા પાસે દિવાળીની ઉજવણી કરવા વતનમાં આવેલા મહેશભાઇ કાનજીભાઇ ડાંખરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના પિતા કાનજીભાઇ નાગજીભાઇ ડાંખરા (ઉ.વ.66)ને બાઇકમાં પાછળ બેસાડી કાળિયાબીડ શક્તિ માંના મંદિરથી તેમના ઘર તરફ જઇ રહ્યા હતા તે વેળાએ શક્તિમાં ના મંદિર પાસે પાછળથી બેફીકરાઇ તેમજ પુરપાટ ઝડપે આવેલા ભાવનગર કોર્પોરેશનના ટેમ્પલ બેલના ચાલકે પિતા-પુત્રની બાઇક સાથે ધડાકાભેર અકસ્માત કરી, અડફેટે લેતા, બાઇકની પાછળ બેસેલ કાનજીભાઇને માથાના તેમજ શરીરના ભાગો ઉપર ઇજાઓ થતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં મહેશભાઇની નજરની સામે જ તેમના પિતા કાનજીભાઇનું કરૂણ મોત નિપજતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ જવા પામી હતી. ટેમ્પલ બેલનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ જતાં મહેશભાઇએ નિલમબાગ પોલીસ મથકમાં ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. છેલ્લા ઘણા સમયથી મોટા ભાગના ટેમ્પલ બેલના ચાલકો વગર લાઇસન્સે તેમજ બેફીકરાઇથી ગાડી ચલાવતા હોવાની પણ રજૂઆત થવા પામી છે પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કોઇપણ જાતની કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમથી બાઇક ચાલકો, કાર ચાલકો અને ટ્રક ચાલકો પુરપાટ ઝડપે હંકારી અકસ્માત કરી નિદોર્ષ લોકોના મોત નિપજાવી રહ્યાં છે.
કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં ક્લાવૃંદે રાજ્યનાં સીમાડા વટાવી જવાહર કલા કેન્દ્ર જયપુર ખાતે તા.4 નવેમ્બર 2025ને મંગળવારનાં રોજ મ્યુઝીકલ સીમ્ફોની કાર્યક્રમમાં પ્રસ્તુતિ આપી લોકોના દિલ જીતી લીધા હતા. અત્રે એ નોંધવું ઘટે કે રાજસ્થાન સરકાર દ્વારા પસંદ કરેલ રાજ્યોનાં મ્યુઝીકલ ગ્રુપને બોલાવી મ્યુઝીકલ સીમ્ફો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સંસ્થાની ગાયિકા અંકિતા ચૌહાણ અને ગાયક રાજેશ ઠાકોરે વિવિધ પ્રસ્તુતિ આપી સૌ કોઈના દિલ જીતી લીધા હતા. વાદ્યવૃંદ પર સંજય જાદવ અને સુજીત શિયાળે સાથ આપ્યો હતો. ગુજરાત, પંજાબ અને અરુણાચલ પ્રદેશના દૃષ્ટિહીન કલાકારોએ હાર્મની બેન્ડ તરીકે રજૂઆત કરીને શ્રોતાઓને તેમના ભાવનાત્મક સૂરોથી મંત્રમુગ્ધ કરી દીધા, જે સાબિત કરે છે કે સંગીતને રાજ્યની કોઈ ભાષા કે સીમા બાધક બનતી નથી. કલાવૃંદનાં તમામ દૃષ્ટિહીન કલાકારોને મોટા રોકડ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં રાજેશ યાદવ (IAS- મુખ્ય સચિવ, પ્રવાસન વિભાગ, કલા, સાહિત્ય, સંસ્કૃતિ અને પુરાતત્વ વિભાગ અને ડીજી જવાહર કલા કેન્દ્ર રાજસ્થાન સરકાર) અને પ્રિયંકા રાઠોડ (અધિક મહાનિર્દેશક, જવાહર કલા કેન્દ્ર) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. થોડાં સમય પહેલાં ભાવનગરમાં યશવંતરાય નાટ્યગૃહમાં યોજાયેલ કાર્યક્રમમાં સંસ્થાનાં જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરક હાજરીમાં આ કલાકરોને દરિયાપારનાં દેશોમાં પરફોર્મન્સ કરવા માટે પ્લેટફોર્મ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવશે. જેના ભાગરૂપે રાવણ દહન કાર્યક્રમ પ્રસંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. તેના જ પગલે રાજસ્થાન સરકાર દ્વારા દેશનાં પસંદ કરાયેલ રાજ્યોનાં કલાકારો પૈકી ભાવેણાની સંસ્થાને નિમંત્રણ મળ્યું છે. તે ભાવનગર માટે પણ ગૌરવની વાત છે.
સૌરાષ્ટ્ર સમાચાર ઈમ્પેક્ટ:દાઠા પોલીસને રેલો આવતા આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધી
તળાજાના દાઠા ગામના એક શખ્સે બે મહિલાઓને સરકારી નોકરીમાં પાસ કરાવી દેવાનું વચન આપી, મહિલાઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા હતા અને બાદમાં મેરીટમાં નામ ન આવતા મહિલાઓએ ઠગાઇ સહિતની દાઠા પી.આઇ. સમક્ષ આરોપી સામે પગલાં લેવાની રજૂઆત કરી હતી. પગલાં ન લેતા ભાવનગર એસ.પી.ને લેખિત રજૂઆત કરી હતી. મહુવાના બે મહિલા અરજદારોએ ભાવનગર એસ.પી.ને દાઠાના શખ્સ વિરૂદ્ધ ઠગાઇ સહિતની ફરિયાદ માટે લેખિત રજૂઆત કરી હતી અને દાઠા પોલીસ છેલ્લા બે માસથી આરોપી સામે કોઇ પગલાં ન લેતી હોવાના આક્ષેપો સાથે એસ.પી.ને રજૂઆત કરી હતી અને જેનો અહેવાલ સૌરાષ્ટ્ર સમાચારમાં છપાયા હતા. અને આખરે દાઠા પી.આઇ. મકવાણાના પગ નીચે રેલો આવતા દાઠા પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મહુવાના તુલશી સોસાયટીમાં રહેતા આરતીબેન તેમજ સીમાબેનને સરકારી સ્ટાફ નર્સની પરિક્ષામાં રૂા. 14 લાખ આપવાથી પરિક્ષામાં પાસ કરાવી દેવાનું દાઠાના શૈલેષ વિનુભાઇ શિયાળે સપનાં દેખાડ્યા હતા અને આ બંન્ને મહિલાઓને મેરીટમાં નામ આવી જશે તેમ કહી રૂા. 7.40 લાખ પડાવી , અસલ કાગળો લઇ આરોપી શૈલેષ શિયાળ જતો રહ્યો હતો જે પરિક્ષાના મેરિટમાં બંન્ને મહિલાઓના નામ ન આવતા આરોપી પાસે અસલ કાગળો અને રૂપિયા પરત માંગ્યા હતા પરંતુ જે રૂપિયા પરત ન આપતા દાઠા પોલીસને ફરિયાદ કરી હતી પરંતુ જે બાદ પણ કંઇ ન થતાં ફરિયાદીએ ભાવનગર એસ.પી.ને લેખિત ફરિયાદ કરતા, દાઠા પોલીસે આરોપી શૈલેષ શિયાળ વિરૂદ્ધ ફરિયાદ નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મુસાફરો થયા હેરાન:ભાવનગર - અમદાવાદ એક્સપ્રેસ-વે અચાનક બંધ
ભાવનગરથી અમદાવાદને જોડતો ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ-વે પિપળીથી આગળ આવતા ટોલ પ્લાઝા નજીકથી માર્ગ અચાનક બંધ કરવામાં આવતા વાહન ચાલકોએ પરત જઇ અને અન્ય માર્ગના વિકલ્પ અપનાવવા પડ્યા હતા. ભાવનગર-અમદાવાદ વચ્ચેનું સડક માર્ગનું અંતર 170 કિ.મી.થી ઘટી અને એક્સપ્રેસ-વે બનતાની સાથે 140 કિ.મી. થઇ જવાનું છે, અને પિપળીથી ફેદરા થઇ અને બગોદરા-અમદાવાદને બદલે પિપળીથી વેજલકા થઇ અને એસ.પી.રિંગ રોડને મળે છે. પિપળીથી વેજલકા જવાનો માર્ગ ક્યારેક ખુલ્લો હોય છે, ક્યારેક બંધ હોય છે. ગુરૂવારે અચાનક આ માર્ગ બંધ થઇ જવાને કારણે વાહન ચાલકો પિપળીથી આગળના ટોલ નાકા સુધી પહોંચી ગયા હતા અને ત્યાંથી માર્ગ બંધ હોવાને કારણે પરત ફરી અને પિપળી-ફેદરા, બગોદરા થઇ અને અમદાવાદનો રોડ પકડવો પડ્યો હતો પરિણામે મુસાફરીના કલાકો વધી ગયા હતા, અને વાહનના ઇંધણ પણ વધારે બળ્યા હતા. દરમિયાન ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ-વેના પ્રોજેક્ટ ડાયરેક્ટર સુનિલ યાદવનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે, હજુ સાઇન બોર્ડ, ડિવાઇડરના કલરકામ, અન્ય પરચૂરણ કામ ચાલે છે અને 15મી નવેમ્બરે તમામ કામ પૂર્ણ થવાના છે. હજુ વાહનો માટે પિપળીથી આગળનો માર્ગ શરૂ કરવામાં જ આવ્યો નથી, પ્રોજેક્ટની કામગીરી ચાલુ હોવાથી કામગીરી સંબંધિત વાહનોની અવર-જવર ચાલુ હોય છે, પરંતુ સામાન્ય ટ્રાફિક માટે આ માર્ગ ખોલવામાં આવ્યો નથી. ભાવનગરથી અમદાવાદ જવા માટેના આ માર્ગ પર છેલ્લા ઘણા સમયથી નવુ કામ ઝડપથી થતુ નથી અને તેના કારણે મુસાફરો હેરાન થઈ રહ્યા છે.
ભાવનગર બંદરનો ઉપયોગ ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (SIR)ના ઝડપી વિકાસ માટે કરી શકાય તેના માટે કેન્દ્ર સરકારે ભાવનગરને ધોલેરા સાથે જોડવા માટે એક નવી બ્રોડગેજ રેલ્વે લાઇનને મંજૂરી આપી છે. પ્રસ્તાવિત રેલ્વે લાઇન અંદાજિત 65 કિલોમીટરનું અંતર કાપશે, અને પ્રોજેક્ટ માટે સંબંધિત અંતિમ સ્થાન સર્વે (FLS) ટૂંક સમયમાં શરૂ થશે. મુસાફર ટ્રેનની સાથે માલવાહક ટ્રેનોને અનુકુળ ટ્રેક બીછાવવા માટેની યોજના રજૂ કરવામાં આવી રહી છે. ભાવનગરથી ધોલેરા વચ્ચેનું અંતર 65 કિલોમીટરનું છે, અને મોટાભાગનો જમીની વિસ્તાર ખારા પટ્ટમાં આવેલો છે. અગાઉ મુસાફર ટ્રેન દોડાવવાની યોજના હતી તેમાં ઉમેરો કરવામાં આવ્યો છે અને હવે મુસાફર ઉપરાંત માલવાહક ટ્રેન, કન્ટેનર ટ્રેન પણ દોડાવી શકાય તેવા હેવી ટ્રાફિક હેન્ડલિંગ ટ્રેક બનાવવાનો યોજવામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાવનગરની તાજેતરની મુલાકાત દરમિયાન, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્થળ પર નકશાઓની વ્યક્તિગત સમીક્ષા કરી હતી અને પ્રોજેક્ટ પર તાત્કાલિક કાર્યવાહીનો નિર્દેશ આપ્યો હતો. કેન્દ્રીય મંત્રી અને ભાવનગર લોકસભા સાંસદ નિમુબેન બાંભણિયાને લખેલા પત્રમાં, વૈષ્ણવે રેલ્વે લાઇનને મંજૂરી આપવાની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે FLS માટે ઓર્ડર જારી કરવામાં આવ્યા હતા. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનમાં ઔદ્યગિક એકમો આકાર લઇ રહ્યા છે, અને હાલ ઇન્ફ્રાસ્ટ્રકચરનું કામ ચાલુ છે. અંદાજીત દોઢ વર્ષમાં ચાર-પાંચ મોટા આૈદ્યોગિક એકમો પોતાના ઉત્પાદન શરૂ કરે તેવી સ્થિતિ છે. આવા આૈદ્યોગિક એકમોને પોતાના તૈયાર માલની નિકાસ માટે જળમાર્ગનો જ ઉપયોગ કરવો પડે છે, અને ધોલેરાથી ભાવનગર બંદર 73 કિ.મી.ના અંતરે આવેેલું છે. ઔદ્યોગિક એકમોના તૈયાર માલની નિકાસ ભાવનગર બંદરથી કરવી હોય તો ત્યાં સુધી માલ પહોંચાડવા માટે રેલવે લાઇનની પ્રથમ જરૂર પડે છે. અને આવી જરૂરીયાતોને ધ્યાનમાં રાખી અને કેન્દ્ર સરકાર ભાવનગર-ધોલેરા રેલવે લાઇનને પ્રાધાન્ય આપી રહી છે. ધોલેરા સરનો વિકાસ થયા બાદ ઉદ્યોગો આવે અને ત્યાંથી માલની નિકાસ કરવા માટે ભાવનગર બંદરને બહુહેતુક બંદર તરીકે વિકસાવવાનું નક્કી છે. બંદર સુધી પહેલેથી જ એક રેલ્વે લાઇન અસ્તિત્વમાં છે, પરંતુ નવો ટ્રેક પ્રસ્તાવિત કન્ટેનર ટર્મિનલ સુધી કનેક્ટિવિટીને વિસ્તૃત કરશે. ધોલેરા SIR માં ઉદ્યોગોમાંથી આયાત અને નિકાસને હેન્ડલ કરવા માટે રેલ ઍક્સેસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
નિર્દયી કામગીરી:કૂતરાના ખસીકરણ , દયાવિહીન કોન્ટ્રાકટરો સામે કાર્યવાહી કરો
ભાવનગર કોર્પોરેશન દ્વારા શહેરમાં રખડતા કૂતરાઓને ખસીકરણ અને રસીકરણ માટે કોન્ટ્રાક્ટ અપાયો છે તે એજન્સી દ્વારા ભૂતકાળમાં પણ ફરિયાદો ઉઠી હતી ત્યારે હવે ખસીકરણ કર્યા બાદ કુતરાઓને ઓપરેશનની રૂઝ પણ ન આવી હોય તે પહેલા નિર્દોયી રીતે છોડવામાં આવતા હોવાના ગંભીર બનાવો સામે આવ્યા છે. ભાવનગર કોર્પોરેશન દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ યોજના હેઠળ યસ ડોમેસ્ટિક એજન્સીને 10,000 કુતરાના ખસીકરણ અને 20000 કુતરાના રસીકરણનો 1.86 કરોડનો કોન્ટેક્ટ અપાયો છે. હાલમાં રોજના સરેરાશ 25 થી 30 કુતરાઓ ખસીકરણ માટે પકડવામાં આવી રહ્યા છે. નિયમ અનુસાર કુતરાના ખસીકરણના ઓપરેશન બાદ તેની પૌષ્ટિક ભોજન અને વ્યવસ્થિત સારવાર આપ્યા બાદ કુતરા સ્વસ્થ થઈ જાય ત્યારે જે સ્થળ પરથી લેવામાં આવ્યા હોય તે જ સ્થળ પર છોડવા પડે છે. પરંતુ કોન્ટ્રાક્ટરો દ્વારા કૂતરાને પકડી તેનું ઓપરેશન કર્યા બાદ જે સ્થિતિમાં છોડવામાં આવે છે તે અતિ દયનીય હોય છે. ઓપરેશન બાદ શરીરમાંના આંતરિક અવયવો પણ બહાર નીકળી ગયેલા હોય છે, કપાયેલા કાનમાંથી લોહી નીકળતું હોય છે. કુતરા જાણે ઘણા દિવસથી ભૂખ્યા હોય તેવી હાલત થઈ ગઈ હોય છે. આવી પરિસ્થિતિથી જીવદયા પ્રેમીઓમાં પણ બેદરકાર કામગીરી સામે નારાજગી ફેલાયેલી છે. તદુપરાંત જે લોકેશનમાંથી કુતરા પકડવામાં આવ્યા હોય તે સ્થળ પર પણ નહિ મુકતા હોવાના ઘણા બનાવો સામે આવ્યા છે. જેથી એનિમલ બર્થ કંટ્રોલ માટે દયાવિહીન બનતા કોન્ટ્રાક્ટરો સામે કોર્પોરેશને કંટ્રોલ રાખી કડક કાર્યવાહી જરૂરી બની છે. ચંદીગઢમાં સાત આક્રમક બ્રીડ પર પ્રતિબંધ મુકાયો છે. આ સિવાય નિયમનું પાલન ન કરવા પર 10 હજાર સુધીનો દંડ છે. દંડની રકમ ન ભરવા પર પ્રોપર્ટી ટેક્સ કે પાણીના બિલમાં તે રકમ ઉમેરવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. ચંડીગઢ મ્યુનિ.ની માર્ગદર્શિકા મુજબ, માલિકને મઝલ (મોં પર માસ્ક), લાકડી અને 1.5થી 2 મીટર સુધીની સાંકળ રાખવી ફરજિયાત છે. ઓપરેશન બાદ પણ કૂતરીઓ બચ્ચાને જન્મ આપેકુતરાઓની વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ એનિમલ બર્થ કંટ્રોલ યોજના અમલમાં છે. અને તેની પાછળ કોર્પોરેશન કરોડો રૂપિયા ખર્ચ કરે છે. પરંતુ ફિમેલ ડોગને પકડ્યા બાદ તેનું ઓપરેશન કરી છોડી મૂકવામાં આવ્યા છે તે ફિમેલ ડોગ પણ બચ્ચાઓને જન્મ આપ્યાના ઘણા દાખલા બહાર આવ્યા છે. તો ખસીકરણ માટે કોર્પોરેશન જે ખર્ચ કરે છે તે વ્યર્થ જઈ રહ્યો છે. ભૂતકાળમાં પણ આવો એક બનાવનો વિવાદ થયો હતો ત્યારબાદ તંત્ર દ્વારા તેની પણ કોઈ તપાસ કરવામાં આવી નથી. લાંબા સમયથી શહેરમાં છે કૂતરાઓનો ત્રાસભાવનગર શહેરના કરચલીયાપરા, કુંભારવાડા, વડવા, કાળીયાબીડ, ચિત્રા, કાળાનાળા, દિવાનપરા રોડ, બંદરરોડ, હાદાનગર, ભરતનગર, ઘોઘા રોડ સહિતના વિસ્તારમાં કુતરાઓનો ત્રાસ લાંબા સમયથી જોવા મળી રહ્યો છે. અનેક લોકોને કુતરાઓ બટકા ભરી ગયા છે તેથી લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવા પડતા હોય છે. આ ઉપરાંત શહેરના મુખ્યરોડ પર કુતરાઓ મોટર સાયકલ પાછળ દોડતા હોય છે તેથી અકસ્માતના બનાવ બનતા હોય છે. શા માટે ખસીકરણ ?સમગ્ર શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધી ગયો છે. કૂતરાઓ કરડવાના બનાવો વધ્યા છે. કૂતરા વાહનચાલકો પાછળ દોડે છે અને વાહનચાલકોને નીચે પછાડીને અકસ્માતો સર્જે છે, આ સંજોગોમાં કૂતરાનો ત્રાસ નિવારવા પગલા લેવા માગ કરાયા બાદ મહાપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જઇને કૂતરા પકડીને અને ખસીકરણ કરવાનો આરંભ કરવામાં આવ્યો છે.
ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા GIDC સમક્ષ રજૂઆત:માઢીયામાં વ્હિકલ સ્ક્રેપ યાર્ડ અને કેમિકલ GIDC સ્થાપો
સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જીઆઈડીસીનાં મેનેજીંગ ડીરેક્ટર ડી.પ્રવિણા સાથે ગાંધીનગર ખાતે, ભાવનગરનાં સાંસદ અને કેન્દ્રના અન્ન, નાગરિક પુરવઠાના રાજયકક્ષાના મંત્રી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં માઢીયા ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડ અને તેની નજીકમાં નોન હેઝાર્ડ કેમિકલ ઉદ્યોગો માટેની વસાહત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ. તેના અનુસંધાનમાં ચેમ્બર દ્વારા GIDCના મેનેજીંગ ડીરેક્ટરને પત્ર પાઠવી આ બન્ને બાબતોમાં થયેલ પ્રગતિ અંગે માહિતી આપવા માટે રજૂઆત કરવામાં આવેલ છે. માઢીયા GIDCની નજીકમાં નોન હેઝાર્ડ કેમિકલ ઉદ્યોગો માટેની વસાહત માટે જમીનના આઈડીફીકેશન માટેની પ્રક્રિયા કે સર્વે હાથ ધરવામાં આવેલ હોય તો તે અંગે, આ ઉદ્યોગો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તથા પર્યાવરણલક્ષી બાબત માટે કોઈ અભ્યાસ કે સર્વે હાથ ધરવામાં આવ્યો છે કે કેમ તે બાબતો વિષે ચેમ્બરને માહિતી આપવા તથા અગાઉ જેઓએ આ સૂચિત કેમિકલ વસાહતમાં યુનિટ સ્થાપવા માટે રસ દાખવ્યો છે તેવા રોકાણકારો સાથે મીટીંગનું આયોજન કરવા આ પત્રમાં જણાવવામાં આવેલ છે. માઢીયા ખાતે વ્હિકલ સ્ક્રેપ યાર્ડના પ્રોજેક્ટ માટે સંભવિત રોકાણકારો અને હિતધારકોમાં જાગૃતિ આવે અને આ ઔદ્યોગિક ક્ષેત્ર માટે રોકાણકારો આકર્ષાય તે માટે પ્રયત્નો કરવા, આ માટે ગુજરાત સરકાર દ્વારા ખાસ ઔદ્યોગિકનીતિ/ પ્રોત્સાહન યોજના જાહેર કરવા માટે પગલાં લેવા જેથી રોકાણની શરૂઆત ઝડપી બને, સામાન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લોજીસ્ટીકસ પર્યાવરણ જાળવણી માટે યોગ્ય આયોજન થાય તે માટે અત્યારથી જ કાર્યવાહી થવી જોઈએ. ઉપરોકત બંને બાબતો અંગે ઝડપી કાર્યવાહી થાય અને બન્ને વસાહતોનું નિર્માણ ઝડપથી થાય તે બાબતમાં કાર્યવાહી કરવા આ પત્રમાં ભારપૂર્વક રજૂઆત કરવામાં આવેલ છે.
આક્રોશ:દેડિયાપાડા-રાજપીપળા માર્ગ ભારદારીવાહનો માટે ચાલુ નહીં કરાતાં આક્રોશ
રાજપીપળાથી દેડિયાપાડાને જોડતાં માર્ગને ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવતાં વેપારીઓમાં રોષ ફેલાયો છે. ભારદારી વાહનોને હાલ વાયા નેત્રંગ થઇને 30 કીમીથી વધારાનો ફેરાવો થઇ રહયો છે. આ માર્ગને ભારદારી વાહનો માટે શરૂ કરવામાં આવે તેવી માગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. રાજપીપળાથી દેડિયાપાડા અને દેડીયાપાડાથી રાજપીપળા જવા માટે મોવી યાલ ગામ વચ્ચે હાલ બ્રિજ બનવા જઈ રહ્યો છે.વૈકલ્પિક વ્યવસ્થાના ભાગ રૂપે તંત્ર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ડાયવર્ઝન બનાવાયું છે.પરંતુ ભારે વાહનોના પ્રવેશ બંધનુ નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવતા દેડિયાપાડાના વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો છે.ડેડિયાપાડા ખાતે આ મુદ્દે વેપારીઓ ભેગા થયા હતા અને તંત્ર પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ મુદ્દે વેપારીઓ દેડિયાપાડા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જવાના છે એવું પણ જાણવા મળ્યું છે. યાલ ગામ પાસે ડાયવર્ઝનના જાહેરનામાં મુદ્દે વેપારીઓએ એક સુરે જણાવ્યું હતું કે અધિકારીઓ કોઈની વાત સાંભળવા તૈયાર નથી, એમને એવું લાગે છે કે અમે જ સરકાર છે. દેડિયાપાડા અને સાગબારામાં કોઈ મોટા ઉદ્યોગો નથી. આ રોડ પરથી અહીંયાના લોકો વેપાર કરવા જાય છે એની પર એમનું જીવન ચાલે છે.વખતો વખત થવા બ્રિજના રિપેરિંગ મુદ્દે રજૂઆતો થઈ પણ કશું થયું નથી, સત્તાધીશો શું ઊંઘતા હતા કહી આક્રોશ વ્યક્ત કર્યો હતોં એન્જિનિયરો સામે કોઈ પગલા કેમ લીધા નથી. બસ ચાલુ ન થાય એટલે વિદ્યાર્થીઓને તકલીફ તો બીજી બાજુ જેની પાસે આવવા જવા માટે કોઈ સાધન નથી, ઘરડા માણસો જો બીમાર પડે તો એમને અગવડ પડે છે.કોઈ પણ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોય તો એને સરકારી ચોપડે નોંધવો પડે તો આ બ્રિજ ક્ષતિ ગ્રસ્ત છે કે કેમ એની નોંધણી થઈ છે કે કેમ એ મોટો પ્રશ્ન છે.હજુ ડાયવર્ઝનના બન્યું અને જાહેરનામું બહાર પાડી દીધું.નેત્રંગ ડેડિયાપાડા નેશનલ હાઈવે પર બેડા કંપની સૈજપુર વચ્ચે કરજણ નદી પર આવેલ પુલ પણ 6 મહિનાથી બંધ કરાયેલો છે.
તાલીમ:ભરૂચ જિલ્લામાં 142 ક્લસ્ટર બનાવીને 7125 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ
ભરૂચ જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષે રવિ સિઝનમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડની યોજના હેઠળ 142 ક્લસ્ટર બનાવ્યા છે. તે પૈકીના 57 ક્લસ્ટરના કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સન પ્રતિ ક્લસ્ટર 125 પ્રાકૃતિક ખેતી કરવા માગતા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે ખેડૂતોની કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને આત્મા કચેરી વિવિધ એક્સપર્ટ તથા તાલુકા પ્રોજેક્ટ મેનેજર, કૃષિ સખી અને કોમ્યુનિટી રિસોર્સ પર્સનો તાલીમ આપશે. આ તાલીમ જિલ્લાના 9 તાલુકાઓના વિવિધ ક્લસ્ટરના ગામ પર નિશ્ચિત સ્થળો જેવા કે કોમ્યુનિટી હોલ, મંદિર પરિસર, પ્રાથમિક શાળા, સહકારી મંડળીના સભાખંડ અને ગ્રામ પંચાયત જેવી જગ્યા પર 57 જેટલી રવિ સીઝન માટે પ્રાકૃતિક કૃષિ અંગેની પાંચ આયામો સહિત ટેકનીકલ અને પ્રેક્ટીકલ તાલીમ આપવામાં આવશે. 57 ક્લસ્ટરના 7125 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની જરૂરિયાત ઉપયોગીતા અને તેના લાભોથી પણ માહિતગાર કરવામાં આવશે. પ્રાકૃતિક ખેતીમાં ખૂબ જ જરૂરી એવા દેશી ગાયના ગોબર તથા ગૌમૂત્રમાંથી નિર્માણ બીજામૃત, જીવામૃત તથા પાક સંરક્ષણના વિવિધ અસ્ત્રો જેવા કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર તથા અગ્નિઅસ્ત્ર બાબતે પ્રેક્ટીકલ નિદર્શન ગોઠવીને ઉપસ્થિત ખેડૂતોને સમજાવવામાં આવશે
વીજ કાપ:ભરૂચની નવ ચોકી ફીડર પર આજે 9 થી 2 વીજ કાપ રહેશે
ભરૂચ સબ-સ્ટેશન 66 કેવી પાંચ બત્તી ભરૂચ પર આવેલા 11 કેવી નવ ચોકી ફીડર પર વીજ વિભાગ વિવિધ પ્રકારની રિપેરિંગ સહિત અન્ય કામગીરીને લઈને આ ફીડર પર આવતા વિસ્તારમાં આજે વીજ કાપ રાખવામા આવ્યો છે. જેમાં સાધનાસ્કૂલ પાનખાડી હાજીખાના પુષ્પાબાગ, શેઠફળિયા, કેશુમા મા ચકલો નવચોકી, ભાગાકોટઓવારા, રણછોડજી ઢોળાવ, સોના નો પથ્થર, કાચલીપીઠ તારાબાઈ સ્કુલ . મુસ્લિમ ચુનારવાડ, હિંદુ ચુનારવાડ પખાલીવાડ, લાલ બજાર રાજપુત ફળિયું, લાલ બજાર ચોક, કંસારવાડ,ઓફિસ ખડકી, યુનિયન સ્કુલની આજુબાજુનો વિસ્તાર લાલ બજાર, હાજીપીર કિરમાણી, મલબારી દરવાજા તેમજ આજુબાજુ ના તમામ વિસ્તારમાં વીજ પુરવઠો 9 થી 2 વાગ્યા દરમિયાન વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. પરંતુ જે વિસ્તારમાં ચેઈન્જ ઓવરથી પાવર ચાલુ કરી શકાય તેમ હશે તે વિસ્તારમાં વીજ પુરવઠો ચાલુ રાખવામાં આવશે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ખૂણે ખાચરે ધમધમતી પાન મસાલાની દુકાનો સાથે યુવાનોમાં ધુમ્રપાન અને પાનમાવાના વ્યસનમાં વધારો થયો છે. જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં કેન્સરના કેસમાં બમણો વધારો થયો છે. GCIR (ગુજરાત કેન્સર અને સંશોધન સંસ્થા) સંચાલિત ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતેના BCCRI (ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ)ની ઓ.પી.ડી.માં યુવાનોને થતા મોઢાને લગતા કેન્સરના કેસ પણ વધ્યા છે ત્યારે 1લી જાન્યુઆરી-2021થી 31મી ઓક્ટોબર-2025 સુધીમાં 1700થી વધુ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે. ભારતમાં છેલ્લા બે દાયકાથી મોટી માત્રામાં વધી રહેલા કેન્સરના કેસોથી પ્રસિદ્ધ વિજ્ઞાની ડૉ.સી.વી.રામનના જન્મદિવસ સાથે કેન્સર વિશે જાગૃતિ લાવવાના આશયથી વર્ષ-2014થી દર વર્ષે 7મી નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જેમાં કેન્સરની રોકથામ માટેના પગલાં, તમાકુ અને દારૂ વગેરે જેવા વ્યસનોનો ત્યાગ કરવા, નિયમિત વ્યાયામ કરવાની સાથે નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરાવવા પર ભાર મુકવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં મોઢાના કેન્સરમાં ઉછાળોભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રોજીંદા સરેરાશ 30થી વધુ દર્દીઓ સારવાર્થે આવે છે. વિવિધ પ્રકારના કેન્સરોમાં છેલ્લા પાંચ વર્ષમાં મોઢાના કેન્સરમાં ઉછાળો આવ્યો છે. > ડો.નિલેષકુમાર કુચા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ભાવનગર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સ્ક્રીનીંગ મોબાઈલ વાનથી મહિનામાં માત્ર એક કેમ્પ !વર્ષ-2013/2014માં જિલ્લા સાંસદ ડો.મનસુખભાઈ માંડવિયાની ગ્રાન્ટમાંથી ભાવનગર સર તખ્તસિંહજી હોસ્પિટલમાં કેન્સર સ્ક્રીનીંગ મોબાઈલ વાન નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્સર સ્ક્રીનીંગ મોબાઈલ વાન થકી તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરી સ્તન કેન્સર, ગર્ભાશય કેન્સર અને મોઢાના કેન્સરની તપાસ સાથે નિષ્ણાંત તબીબો દ્વારા માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. જિલ્લામાં કેન્સરના કેસ મળવાનો સરેરાશ રેશિયો 30 કેસથી વધુ છે. જેની સામે હાલ સ્ક્રીનીંગ મોબાઈલ વાનથી મહિનામાં માત્ર એક કેમ્પ યોજાઈ રહ્યો છે ત્યારે વધુ લોકોને લાભ મળે તે જરૂરી છે. કેન્સરના BCCRIમાં છેલ્લા 5 વર્ષના કેસ
ભાસ્કર ગાઈડ:શક્તિનાથથી પાંચબત્તી સુધી 100 મીટરેપશુનો અડિંગો, ગાયનો ચાર પર હુમલો
ભરૂચ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસે દિવસે વધી ગયો હોવાથી લોકોના માથે જીવનું જોખમ ઉભું થયું છે. ગુરૂવારના રોજ શકિતનાથથી શ્રવણ ચોકડી જતાં રોડ પર ભુરાટી બનેલી ગાયના હૂમલાના બે બનાવ બન્યાં હતાં. જેમાં એક બાળક સહિત ચાર લોકોનો આબાદ બચાવ થયો હતો. બંને કિસ્સામાં ગાય અચાનક દોડી આવતાં બંને બાઇક સવારો રોડ પર પડી ગયાં હતાં. એક બાઇક સવારને બચાવવા આવેલાં લારીધારક ગાયને ભગાડવાા જતાં રોડ પર પટકાયો હતો. ચોમાસાની શરૂઆત થતાંની સાથેે ભરૂચ શહેરના માર્ગો પર રખડતા પશુઓ અડિંગો જમાવી રહયાં છે. પાલિકાએ થોડા દિવસ માટે રખડતા પશુઓને પકડવાની ઝૂંબેશ શરૂ કરી હતી પણ હાલ બંધ કરી દેવામાં આવી છે. ગુરૂવારે સવારના સમયે શકિતનાથથી શ્રવણ ચોકડી વિસ્તારમાં એક ગાય હિંસક બની હતી અને વાહનચાલકો પાછળ દોડવા લાગી હતી . શ્રવણ ચોકડી વિસ્તારમાં એક બાઇકચાલકને ગાયે રોડ પર પટકી દીધો હતો. બીજા કિસ્સામાં એચડીએફસી બેંકની સામે એક બાઇક ચાલક તેના બાળકને આગળ બેસાડીને રોડની સાઇડ પર ઉભો હતો ત્યારે ગાયે હૂમલો કરતાં પિતા અને પુત્ર રોડ પર પટકાયાં હતાં. આ સમયે એક લારીધારકે બંનેને બચાવવાનો પ્રયાસ કરતાં તે પણ રોડ પર પટકાયો હતો. એક જ દિવસમાં બનેલી બે ઘટનાથી શહેરીજનોમાં ભય ફેલાયો હતો. શ્રવણ ચોકડીથી પાંચબત્તી સુધીના 3 કિમીના રોડ પર દર 100 મીટરે રખડતાં પશુઓ અડિંગો જમાવી રહયાં છે. ખાસ કરીને શકિતનાથ અને સેવાશ્રમ રોડ પર ભરાતાં શાકમાર્કેટ પાસે સૌથી વધારે રખડતાં પશુઓ જોવા મળી રહયાં છે. વાછરડું ખોવાય તો ગાય આક્રમક બને ભરૂચમાં બનેલી ઘટના પાછળ અનેક કારણો જવાબદાર હોય શકે છે. જયારે વાછરડું ખોવાય જાય ત્યારે ગાય આક્રમક બની જાય છે. ટોળાથી અલગ થયેલી ગાય પણ અચાનક દોટ મુકે છે. રખડતા પશુઓના હૂમલાથી બચવા માટે પશુઓની નજીક જવાનું ટાળવું જોઇએ. પશુઓના ટોળા નજીકથી પસાર થાવ ત્યારે હોર્ન મારવો નહિ અને પશુઓની નજીક ફટાકડા ફોડવા ન જોઇએ. અવાજ અને રંગથી ગાય અને આખલાઓ ભડકીને હૂમલાખોર બની જાય છે.> આશીષ શર્મા, માનદ વન્ય પ્રાણી સંરક્ષક
પદયાત્રા:ભરૂચની પાંચ વિધાનસભામાં 10 કિમી લાંબી પદયાત્રા થશે
માય ભારતનો સરદાર@150 અભિયાનની શરૂઆત કરવામાં આવશે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારમાં 10 કિમી લાંબી પદયાત્રાઓ યોજવામાં આવશે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત માય ભારતની આગેવાનીમાં ભરૂચ જિલ્લામાં વિધાનસભા પ્રમાણે “એક ભારત- આત્મનિર્ભર ભારત”ની થીમ હેઠળ પદયાત્રા યોજાશે. વધુ માહિતી આપતા સાંસદ મનસુખ વસાવાએ ઉમેર્યું કે, સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંતર્ગત માય ભારતનીઆગેવાનીમાં ભરૂચ જિલ્લામાં વિધાનસભા પ્રમાણે “એક ભારત- આત્મનિર્ભર ભારત”ની થીમ હેઠળપદયાત્રા યોજાશે. જિલ્લા કક્ષાની પદ યાત્રા 31 ઓક્ટોબર - 25 થી નવેમ્બર 2025 સુધીમાંસંભવત યોજાનાર છે. આ પદયાત્રા ભરૂચ જિલ્લામાં વિધાનસભા પ્રમાણે અલગ 10 કિમી લાંબી માર્ચ રહેશે. પદયાત્રા પહેલા આરોગ્ય શિબિરો વ્યાખ્યાનો, ચર્ચાઓ અને નશા મુક્ત ભારતનાશપથ જેવા કાર્યક્રમો પણ યોજાશે.
માવઠાનો માર:રાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેક્ટરમાં 33 ટકાથી વધુ નુકસાની થયાનો અંદાજ
કમોસમી વરસાદને કારણે રાજકોટ જિલ્લા સહિત રાજ્યભરમાં નુકસાની થઈ છે. જિલ્લામાં 652 ગામમાં નુકસાનીનો સરવે કરવામાં આવ્યો છે. સરવેમાં એવું તારણ નીકળ્યું છે કે, રાજકોટ જિલ્લામાં 4.30 લાખ હેક્ટર જમીનમાં 33 ટકાથી વધુ નુકસાનીનો અંદાજ છે.ખેતરમાં કમોસમી વરસાદથી મગફળીના પાથરા પલળી જવા, ઊગી જવા, કપાસના પાકમાં જીંડવા ખરી જવા સહિતની નુકસાની થઈ છે. જિલ્લામાં 102 ટીમ દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડાસાંગાણી, લોધિકા, પડધરી, ઉપલેટા અને વીંછિયા તાલુકામાં કમોસમી વરસાદના કારણે મગફળી, કપાસ, સોયાબીન, શાકભાજી જેવા ખેતી અને બાગાયતી પાકોનો સરવેમાં સમાવેશ કરાયો છે. જિલ્લામાં થયેલા કમોસમી વરસાદના કારણે મગફળીના પાકના પાથરા પલળી જવા, પાથરામાં રાખેલી ખેતપેદાશો વરસાદને લીધે ઊગી જવી, કપાસના પાકમાં જીંડવા ખરી જવા કે ઊગી જવા, સોયાબીનના પાકમાં પાથરા પલળી જવા કે ઉગાવો નીકળી જવો જેવી નુકસાની થવા પામી છે. સાથોસાથ દિવેલા, તુવેર, ઘાસચારો વગેરે પાકોમાં નુકસાનીની વિગતો સરવેમાં સામેલ કરવામાં આવી છે. સરવેની તાલુકા પ્રમાણે કરાયેલી કામગીરીની વિગતો મુજબ ધોરાજી તાલુકાના તમામ 36 ગામ, ગોંડલ તાલુકામાં 87, જામકંડોરણામાં 47, જસદણમાં 60, જેતપુરમાં 55, કોટડાસાંગાણીમાં 41, લોધિકામાં 38, પડધરીમાં 58, રાજકોટ તાલુકામાં 129, ઉપલેટામાં 55 ગામ અને વીંછિયાના 46 ગામ મળીને તમામ 652 ગામમાં સરવે કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લાનો જે સરવે રિપોર્ટ છે તે ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. જોકે સહાય ક્યારે મળશે? કેવી રીતે મળશે તે હજુ સુધી કોઈ જાહેર કરાયું નથી. આ સહાય ઝડપથી આપવામાં આવે તેવી માગણી ખેડૂતોમાં ઊઠી છે.
પિતા પુત્રને માર માર્યો:મારા ઘર આગળ થઈને બુલેટ લઈને નીકળવાનું નહીં કહીને પિતા-પુત્રને માર માર્યો
મહેસાણા તાલુકાના મુદરડા ગામે રહેતા સંદીપજી વિષ્ણુજી ઠાકોર પોતાના પિતા વિષ્ણુજી સાથે ઘરે હાજર હતા. તે સમયે તેમની પડોશમાં રહેતા ઠાકોર દેવરાજજી રમેશભાઈ એ તમારે મારા ઘર આગળ થઈને બુલેટ લઈને ક્યારેય નીકળવાનું નહીં અને જો હવે પછી નીકળશો તો જાનથી મારી નાખીશ તેમ કહીને દેવરાજજી અને તેના ભાઈ ઇન્દ્રજીત રમેશજી અને તેના પિતા રમેશજી પુંજાજીએ ત્રણે જણાય તેમના પિતાને ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તે સમયે તેઓ વચ્ચે છોડાવા માટે પડતા ઇન્દ્રજીતે તેમને અને તેમના પિતાને ધોકો માર્યો હતો સાથે તેમનું ઉપરાણું લઈને તેમના ઘરની મહિલાઓ સરોજબેન દેવરાજજી ઠાકોર અને ક્રિષ્નાબેન રમેશજી ઠાકોર એ તેમના ઘરે આવીને તેમના પિતાને ગાળો બોલીએ મારી નાખવાની ધમકી આપી હતી. સંદીપજીને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમણે પોતાને અને પિતાને માર મારનાર પડોશી ત્રણ પુરુષ અને બે મહિલાઓ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી
જગવિખ્યાત કહેવત છે કે, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય, પરંતુ “મા’શબ્દને લાંછન લાગે અને ક્ષણભર માટે લોકોના હૃદય દ્રવી ઊઠે એવી એક ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં માતાએ બાળકને જન્મ આપી આકાશવાણી ચોક પાસે શહીદ ભગતસિંહજી ગાર્ડન નજીક આવાસ યોજનાના ક્વાર્ટરની પાછળ અવાવરું જગ્યાએ ત્યજી દેતાં શ્વાને નવજાતને ફાડી ખાધું હતું. જાગૃત નાગરિકે 108ને જાણ કરતાં તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું. શહેરના આકાશવાણી ચોક પાસે શહીદ ભગતસિંહજી ગાર્ડન નજીક આવાસ યોજનાના ક્વાર્ટરની પાછળના ભાગે અવાવરું જગ્યાએ કોઈ અજાણી મહિલાએ પુત્રને જન્મ આપી ત્યજી દેતાં બાળકને શ્વાને ફાડી ખાધું હતું. શ્વાને બાળકને ફાડી ખાઈ મૃતદેહને કૂડા-કચરામાં લઇ જઈ દબોચી લેતા કોઈ જાગૃત નાગરિકનું ધ્યાન જતા તાત્કાલિક 108ને બોલાવી લીધી હતી. 108 ઇએમટીના તબીબે જોઈ તપાસી બાળકને મૃત જાહેર કર્યું હતું. 108 દ્વારા બનાવ અંગે યુનિવર્સિટી પોલીસને જાણ થતાં હેડ કોન્સ્ટેબલ ગિરિરાજસિંહ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નવજાતના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે પીએમ રૂમે ખસેડવામાં આવ્યું હતું. આ નવજાત બાળક(પુરુષ, 2 દિવસ)નું હતું. બાળકનો જમણો પગ અને ડાબો હાથ શ્વાને ફાડી ખાધો હતો. ઘટનાસ્થળ પાસે કોઈ પણ સીસીટીવી કેમેરા ન મળી આવતા પોલીસે બાળકના માતા-પિતાની શોધખોળ યથાવત્ રાખી છે. રાત્રિના સમયે અંધારાનો લાભ લઇ કોઈ મહિલાએ નવજાતને ત્યજી દીધું હોવાની શંકા રહેવાસીઓ વચ્ચે ચર્ચાઈ રહી છે. પોલીસે બાળકના માતા-પિતાને શોધવા માટે નજીકના હોસ્પિટલોમાં આ અઠવાડિયા સુધીમાં જન્મેલાં બાળકોનું લિસ્ટ અને તેના માતા-પિતાના નામ અને વિગત ચકાસવાની કામગીરી હાથ ધરી છે.
હુમલો:ATMમાં રોકડની કામગીરી કરતાં બે ઓફિસર, ગનમેન, ડ્રાઈવર પર હુમલો
એટીએમમાં રોકડ મુકવાની કામગીરી કરતા બે ઓફીસર, ગનમેન અને ડ્રાઇવર પર હુમલાની ઘટના બનતા 2 અજાણ્યા શખ્સ સામે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના અંગે કાલાવડ રોડ કટારિયા ચોકડી નજીક મટુકી રેસ્ટોરન્ટ પાછળ પૂજા બોય્સ હોસ્ટેલમાં રહેતાં અને એરપોર્ટ ફાટક જૈન દેરાસર પાસે આવેલ સીએમએસ કેસ મેનેજમેન્ટમાં કેસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કુલદીપ હરેશભાઇ મેટડિયા(ઉ.વ.19) એ ફરિયાદમાં જણાવ્યું છે, તે મૂળ વીંછિયાના લાલાવદરનો વતની છે અને હાલ રાજકોટ પી.જી.માં એક વર્ષથી રહી એરપોર્ટ ફાટક પાસે સીએમએસ કંપનીમાં કેસ મેનેજમેન્ટમાં કેસ ઓફિસર તરીકે નોકરી કરે છે. જેમાં શેહરના તમામ બેંકના એટીએમમાં કેસ(રોકડ) લોડિંગ અને અનલોડિંગ કરવાની કામગીરી તેની રહે છે. નિત્યક્રમ મુજબ તે સવારે ટાટા ગાડીમાં બીજા કેસ ઓફિસર રાહુલભાઇ નાગરભાઇ રાઠોડ(ઉ.વ.22), ડ્રાઇવર તરીકે અરૂણભાઇ રસિકલાલ નિમાવત અને ગનમેન તરીકે કનકસિંહ કિરીટસિંહ રાણા સાથે બુધવારે સવારે પણ ગાડીમાં બેસી ફરજ બજાવવા ગયા હતા. બાદમાં સાંજના સાડા છએક વાગ્યે તેઓ ટાટા ગાડી લઇ યુનિવર્સિટી રોડ વિમલનગર મેઇન રોડ શિવધારા ચાર રસ્તા પર આવેલા બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ ખાતે ગયા હતાં. ત્યાં તેમણે કેસ(રોકડ) લોડિંગ કરવા માટે ગાડી ઊભી રાખી હતી. કામ પૂરું કરી તેઓ પરત ગાડી પાસે આવ્યા ત્યારે બે અજાણ્યા શખ્સ રસ્તા પરથી પસાર થતાં આવતા જતાં લોકોને ગાળો દેતાં હોઇ અને સુલેહ શાંતિનો ભંગ કરતાં હોઇ પરંતુ તેઓએ આ શખ્સો તરફ ધ્યાન દીધું નહોતું. ત્યારબાદ આ બંને શખ્સ તેની પાસે આવ્યા હતા. આ બંનેમાંથી બ્લેક ચેક્સવાળો શર્ટ પહેરેલા એક શખ્સે સામું જોવા મામલે કેસ ઓફિસર રાહુલ રાઠોડને ગાળો દઇ ઝાપટો મારી લીધી હતી. બીજા શખ્સે પણ ફડાકો મારી સામુ કેમ જુએ છે કહી ઝઘડો કર્યો હતો.
હુમલો:ખિસ્સામાં ભૂલથી સોનાની સર રહી જતા કર્મચારી પર મેનેજર સહિત 4નો હુમલો
પીપળિયા હોલ પાસે આવેલી સોનાની ભઠ્ઠીમાં કામ કરતો શ્રમિક યુવક કામ પૂર્ણ કરી બહાર નીકળ્યો હતો ત્યારે તેના ખિસ્સામાં ભૂલથી સોનાનો સામાન રહી જતા ચોરીનો આરોપ મૂકી મેનેજરના કહેવાથી બે સિક્યોરિટીમેને શ્રમિકને બેફામ માર માર્યો હતો. મૂળ બંગાળનો વતની હાલ શહેરના કેવડાવાડીમાં રહેતો અને પીપળિયા હોલ પાસે આવેલા આર.કે. સિલ્વર નામની સોનાની ભઠ્ઠીમાં કામ કરતો સુલતાન અબ્બાસભાઈ મલીક દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કારખાનાના મેનેજર સંદીપ, કલ્પેશ તથા સિક્યુરિટીમેન વિરલ ભાલુ અને ભરતસિંહ ઝાલાનું નામ આપ્યું હતું. યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.4ના કામ પૂર્ણ કરી કારખાનેથી જતો હતો ત્યારે સિક્યુરિટીમેન વિરલે તેના ખિસ્સાં તપાસતા તેમાંથી સોનાની વસ્તુ મળી આવતા સિક્યોરિટીમેને વસ્તુ કેમ લઈ જાશ? તેમ પૂછેલ જેથી તેણે ભૂલથી રહી ગઈ હશે. તેમ વળતા જવાબમાં કહ્યું હતું. બાદમાં સિક્યુરિટી મેનેજરની ઓફિસમાં લઈ જઈ બનાવની વાત કરતા બન્ને મેનેજરે સિક્યુરિટીને કહ્યું કે, સાચું ના બોલે ત્યાં સુધી મારજો. જે દરમિયાન તેનો મિત્ર જોઈ જતા વચ્ચે પડ્યો હતો. જેને આ લોકોએ ચોરીનો માલ વેચે છે તેવી શંકા કરી માર માર્યો હતો. બાદમાં ભૂલથી ખિસ્સામાં રહી ગયેલ હોવાનું કહી આજીજી કરતાં બન્નેને જવા દેવાયા હતા.
સર મતદાર યાદી સુધારણાની સમય મર્યાદાની અગત્યની કામગીરીમાં મોટાભાગે બી.એલ.ઓ તરીકે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ગુરુવારથી શાળાઓ શરૂ થતાં શિક્ષકો વર્ગખંડમાં વિદ્યાર્થીઓના તાસમાં લાગ્યા. ક્યાંક હળવાશ મળે તો આચાર્યની પરવાનગી વચ્ચે તેમના વિસ્તારમાં ગણતરી ફોર્મ વિતરણમાં ગયા, તો ફ્રી તાસમાં પણ આ કામગીરી કરતાં જોવા મળ્યા. જોકે શાળા સમય પછીની આ કામ હોઇ શાળામાં ખાસ છૂટછાટ ન મળતાં મોટાભાગના શિક્ષકોને બપોરની શાળા પછી સાંજ અને રાત્રે ઘરે ઘરે ફરીને ફોર્મ વિતરણની કામગીરી મેનેજ કરી રહ્યા છે. શાળાઓમાં ગુરુવારથી ધોરણ 3 થી 8માં વાંચન, લેખન, ગણન સુધારણા કામગીરી અભિયાન પ્રથમ દિવસે વર્ગખંડોમાં ખાસ જોવા મળ્યું ન હોતું. મહેસાણા શહેરની કેટલીક સરકારી પ્રાથમિક શાળાઓ અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓની મુલાકાત લેતાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી તો શિક્ષકોની પણ પાંખી હાજરી જોવા મળી હતી. જે પૈકી ઘણા શિક્ષકો આવ્યા હતા પણ બીએલઓની કામગીરીમાં વ્યસ્ત હોઇ શાળાએ કેટલાક જોવા મળ્યા ન હતા. કારણ કે શાળામાં જેતે સમયે ફ્રી તાસ કે વર્ગમાં વિદ્યાર્થીઓ ન હોઇ એ સમયનો બીએલઓ કામગીરીમાં ઉપયોગ કર્યા હોવાનું શાળામાં હાજર શિક્ષકોએ જણાવ્યુ હતું. કેટલાક શિક્ષકોને સેક્ટર ઓફિસરની જવાદબારી હોઇ તેવા કેટલાક શિક્ષક પણ શાળાએ જોવા મળ્યા ન હતા.એક શાળામાં ધોરણ 3 ના 3 વર્ગ ના ત્રણ શિક્ષક પૈકી બે શિક્ષક બીએલઓમાં હોઇ ગુરુવારે ઓછી વિદ્યાર્થી સંખ્યામાં વર્ગ એકત્ર કર્યો અને બે શિક્ષકો બીએલઓની કામગીરીમાં ગયાનું મેનેજ કર્યાનું જાણવા મળ્યુ હતું.
હત્યાનો પ્રયાસ:‘આજે તો તારું પૂરું કરી નાખવું છે,’ કહી યુવકને કાર નીચે કચડવાનો પ્રયાસ કરાયો
માધાપરમાં રહેતા યુવકને ત્રણ મહિના પહેલાં થયેલી માથાકૂટનો ખાર રાખી મનહરપુરના શખ્સે યુવકને કાર નીચે કચડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. માધાપરમાં રહેતા અને ખેતીકામ કરતા રવિ રાયમલભાઇ જાખેલિયા (ઉ.વ.27)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મનહરપુર-1ના સંજય રાજુ જાખેલિયાનું નામ આપ્યું હતું. રવિએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, બુધવારે બપોરે બારેક વાગ્યે પોતે પોતાનું બાઇક ચલાવી વાડીએથી માધાપર જમવા જવા નીકળ્યો હતો અને માધાપર નજીક મનહરપુરનો સંજય જાખેલિયા કાર લઇને ત્યાં ઊભો હતો તેણે બોલાવતાં રવિ નજીક ગયો હતો. સંજયે હું તને ઘણા દિવસથી શોધું છું, આજે આપણે અગાઉની માથાકૂટનો નિવાડો લાવી દેવો છે, આજે તો તારું પૂરું કરી નાખવું છે, તેમ કહેતા રવિએ હું માથાકૂટ કરવા નવરો નથી, તારી સાથે કોઇ લપ કરવી નથી તેમ કહી પોતાનું બાઇક આગળ હંકારી મુક્યું હતું. રવિ માધાપરથી આગળ વધી એઇમ્સ વાળા સર્કલે તેની રાહ જોઇ રહેલા તેના મિત્ર મનસુખ પાસે જઇ તેને બાઇકમાં પાછળ બેસાડ્યો હતો અને બંને માધાપર તરફ આગળ વધ્યા હતા ત્યારે પાછળથી સંજય જાખેલિયા કાર લઇને ધસી આવ્યો હતો અને બાઇકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. કારની ટક્કરથી રવિ અને તેનો મિત્ર મનસુખ બાઇક સાથે દૂર સુધી ઢસડાયા હતા અને રસ્તા પર ફંગોળાયા હતા. કારની ટક્કર મારી સંજય નાસી ગયો હતો. આ ઘટનામાં મનસુખને સામાન્ય ઇજા થઇ હતી, પરંતુ રવિને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્રણ મહિના પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી સંજયે કારની ઠોકર મારી કચડવાનો પ્રયાસ કર્યાનું રવિએ ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી સંજય જાખેલિયા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
છેતરપિંડી:મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીને ગઠિયો કેન્દ્રીય અધિકારીના સ્વાંગમાં ભેટ્યો અને છેતરી પણ ગયો
બહુમાળી ભવનમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા યુવકને ગઠિયાએ કેન્દ્રીય અધિકારીનો સ્વાંગ રચી ઓળખ કેળવી સહાય યોજના હેઠળ બાળકો તથા સરકારી કર્મચારીઓને પણ લેપટોપ મળવા પાત્ર છે તેમ કહીને યુવક પાસેથી રૂ.36 હજાર પડાવી લેતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં શહેરના મોટામવા, કટારિયા ચોકડી પાછળ રંગોલી પાર્ક શેરી નં.1માં રહેતા અને બહુમાળી ભવન ખાતે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી તરીકે જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિ કલ્યાણ કચેરીમાં નોકરી કરતા નિખિલ સોમાભાઈ પરમાર(ઉં.વ.36) દ્વારા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં સરવૈયા જયસુખ અરજણભાઈ અને તપાસમાં ખૂલે તેના વિરુદ્ધ રૂ.36 હજારની ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે, તેના ગામના વતની ડાયાભાઇ પરમારનો ગત તા.10-10-2025ના રોજ તેને કોલ આવ્યો હોઈ કોલમાં તેમણે પુત્રી બીસીએનો અભ્યાસ કરતી હોવાથી લેપટોપની સહાય યોજના અંગે પૂછ્યું હતું. જેથી હાલમાં કોઈ પણ યોજના તેના ધ્યાને ન હોઈ જેથી તેણે ડાયાભાઇને ના કહી દેતા તેમણે કહ્યું કે, ગુજરાત સરકાર અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન નિગમમાં લેપટોપ સહાય યોજના અમલમાં છે. જેમાં અમુક રકમ ભરી દીધા બાદ સરકાર દ્વારા વિદ્યાર્થીઓને લેપટોપની સહાય આપવામાં આવે છે. બાદમાં 2 હજાર રૂપિયા તમારા ખાતામાં જમા થઇ જાય છે. જે અંગે વધુ વિગત જાણવા માટે ડાયાભાઇએ જયસુખ અરજણભાઈ સરવૈયા સાથે સંપર્ક કરાવ્યો હતો. આ જયસુખભાઈએ પોતાની સેન્ટ્રલ ગવર્નમેન્ટ સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના એજ્યુકેશન નોડલ ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી પછાત વર્ગના ગરીબ બાળકો તથા સરકારી કર્મચારીઓને લેપટોપ આપવાની યોજનાનો લાભ આપવાનું જણાવી તેની પાસેથી રૂ.36 હજાર ઓનલાઈન પડાવી લેતા યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ચીટર યુવકે વિદ્યાર્થિની સહિત 4 પાસેથી સહાયના નામે માથાદીઠ બે-બે હજાર ઉઘરાવી લીધા હતાગઠિયાએ યુવકને કહ્યું, હવે ચાર જ વિદ્યાર્થીઓ ઘટે છે પછી યોજનાનો લાભ નહીં મળે. તેમ જણાવતા યુવકે ચાર વિદ્યાર્થીઓ ગોતી તેમના ડોક્યુમેન્ટ મોકલી જમા રકમ રૂપે માથાદીઠ રૂ.2 હજાર લેખે કુલ રૂ.8 હજાર ચૂકવી દીધા હતા. જેમાં 1)અંકિતા સોસા,2) ચંદુ સોલંકી,3) તૃપ્તિ વાઢેર અને 4) જીજ્ઞા સોસાએ લેપટોપ સહાય મેળવવા રૂ.2-2હજાર ચૂકવ્યા હતા.
ભાસ્કર ઈન્વેસ્ટિગેશન:મહેસાણામાં મેડ ઇન ઇન્ડિયા નહીં મેડ ઇન ઈટાલી સ્વીપર મશીનથી રોડની ધૂળ સફાઈ
મહેસાણા શહેરને ડસ્ટ ફ્રી રાખવા માટે મહાનગર પાલિકા તંત્રની અલગ અલગ ત્રિવિધ મશીનરી સાથે અખતરા કામે લગાવાયા છે.જેમાં ઇટાલી ટેકનોલોજી આધારિત સ્વીપર મશીનથી શહેરના હાઇવે અને સ્પર્શતા રસ્તાને ડસ્ટ ફ્રી રાખવા નાણાંની કોથળી છૂટી કરતા દર મહિને રૂ. 17 લાખ ચૂકવશે. આ ઉપરાંત સ્વદેશી બૃમર સ્વીપર મશીન ત્રણ ખરીદ કરવા હાલ વિવિધ રસ્તામાં ડેમો ચાલી રહ્યો છે. આ મશીન માત્ર રૂ. ત્રણ લાખમાં મનપાને મળી શકે તેમ છે. આ ઉપરાંત નગરપાલિકા વખતે ખોટવાયેલ બે ટ્રેક્ટર માઉન્ટેન રોડ સ્વીપર મશીન પૈકી એક મનપાના જ ટેક્નિશિયને મરામતથી ચાલુ કરીને ગુરુવારે રોડ સાઇડ ફેરવી સફળ ટેસ્ટ પાર પાડ્યો હતો. આ ત્રણેય પ્રકારના સ્વીપરમાં સફાઇ પછી માટી ન ઉડે એટલે વોટર સ્પ્રેની સ્પ્રિકલર ફૂવારા છંટકાવની વ્યવસ્થા છે. જો સસ્તા સ્વદેશી અને ખોટવાયેલા મરામતથી સ્વીપર ચાલુ થઇ શકતા હોય તો પછી વિદેશી ટેકનોલોજીની મશીનરી પાછળ અધધધ ખર્ચને લઇને મનપાના વહીવટ મામલે સવાલો ખડા થવા લાગ્યા છે. ઇટાલી ટેકનોલોજી આધારિત સ્વિપર રોડ સફાઇમા 5 કિ.મી થી વધુ અંતર કાપશે તો પેનલ્ટીમા રકમ કપાશે.જેથી સારી રીતે રોડ સફાઇ થાય. રોજના સાત કલાક સ્લીપર મશીન રોડ સફાઈ કરે એટલે 40 કિ.મી રોડ સફાઈ થાય. રોજ 40 કિ.મી આ મશીનથી રોડ સફાઈ થાય એટલે મહિને 17 લાખ ભાડું થશે ઇટાલી સ્વીપર મશીનના રોજ રૂ. 56.66 હજારખર્ચાશે, 5 વર્ષમાં રૂ. 10.20 કરોડનું ભાડુ ચૂકવાશેમનપાના મુખ્ય રસ્તાઓ ઇટાલીની ટેક્નોલોજી આધારિત મશીનથી સાફ કરવા ટેન્ડર કરીને એજન્સીને 5 વર્ષ માટે કામગીરી સોંપી દેવાઇ છે. જેમાં દર મહિને મનપા એજન્સીને રૂ. 17 લાખ ચૂકવશે અને એજન્સી મનપા સુચિત રસ્તામાં સ્વીપર મશીનથી માટી ઉલેચશે. આ મશીન રાત્રે 9થી સવારે 5 સુધી 8 કલાક ફરશે, પ્રતિ કલાક 5 કિ.મી.ની સ્પીડથી ધૂળ ઉલેચવાની કામગીરી રોજ 7 કલાકમાં 45 કિ.મી. અંતરમાં થઈ શકશે. મહિને રૂ. 17 લાખ ભાડું એટલે વર્ષના રૂ. 2.04 કરોડ, 5 વર્ષના કુલ રૂ. 10.20 કરોડ થશે, દૈનિક રૂ. 56.66 હજાર શહેરના હાઇવે રસ્તા ડસ્ટ ફ્રી રાખવા ખર્ચાશે. ટ્રેક્ટરમાં ફિટ બૃમર રોડ સ્વીપર મશીનનુંરસ્તાઓમાં ટેસ્ટીંગ, 3 ખરીદવા વિચારણામહેસાણાની જીઆઇડીસીમાં જ બનેલ બૃમર રોડ સ્વીપર મશીન ટ્રેક્ટર પાછળ ફીટ કરાયું છે, તેમાં નીચે બ્રશ રોડ પર ફરતા માટી ખેચી લે છે અને માટી ન ઉડે એટલે સ્પ્રીક્લરથી પાણી છંટકાવનો સ્પ્રે કરી શકાય છે. આ સ્વીપર મશીન માત્ર રૂ. 3 લાખના ભાવે મનપા કાયમી વસાવી શકે છે અને મનપાના ટ્રેક્ટર પાછળ ફીટ કરીને કાયમી રોડ ડસ્ટ ફ્રી સફાઇમાં ઉપયોગ કરી શકે છે. મહેસાણાના બિલાડી બાગથી ઝુલેલાલ સર્કલ રોડ સહિતના વિસ્તારમાં આ બૃમર રોડ સ્વીપર મશીન સફાઇ ટેસ્ટીગ કરાઇ રહ્યુ છે. આ મશીન કારગત જણાશે તો મનપા ત્રણ ખરીદ કરવા વિચારી રહ્યુ છે. આ શહેરના આંતરીક રસ્તાઓમાં ફરી શકે તેમ હોઇ રસ્તા ડસ્ટ ફ્રી કરશે. પાલિકા વખતનું રૂ. 25 લાખનું ટ્રેક્ટર માઉન્ટેનસ્વીપર મશીન મરામતથી કાર્યરત કરાયુંનગરપાલિકા વખતે અંદાજે રૂ. 25 લાખના ખર્ચે ખરીદ કરાયેલ ટ્રેક્ટર માઉન્ટેન સ્વીપર મશીન ઘણા સમયથી ગેરેજ શાખામાં ખોટવાયેલુ પડ્યું હતું. આ મશીનની મનપાના ટેક્નિશિયને મથામણથી ચાલુ કર્યુ છે. ઓઇલ લીકેજ અને ટાયર નીકળી ગયેલા હતા વગેરે ફોલ્ટ શોધી મરામત કરીને આ મશીન ચાલુ કરી ગુુરુવારે કલેકટર કચેરી રોડથી પોલીસ હેડ ક્વાર્ટર રોડ ફેરવી સફળ ટેસ્ટિંગ પાર પાડ્યું હતું. ગેરેજ શાખામાં હજુ એક ટ્રેક્ટર માઉન્ટેનસ્વીપર મશીન ખોટવાયેલું પડ્યું જ છેનગરપાલિકા વખતે ચાર રોડ સ્વિપર મશીન કુલ રૂ. એકાદ કરોડના ખર્ચે ખરીદ કરાયા હતા, જે પૈકી બે બોલેરો સ્વિપર મશીન બંધ પડેલા હોઇ નિકાલ કરાયેલો છે. બે માઉન્ટેન મશીન બંધ પડેલા હતા. જે પૈકી એક ચાલુ કરાયું છે. હજુ એક ટ્રેક્ટર માઉન્ટેન રોડ સ્વિપર મશીન ખોટવાયેલ હાલતમાં છે, જે મરામત ઝંખી રહ્યુ છે.
શહેરની સેવાકીય સંસ્થા પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાપ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. ત્યારે છેલ્લા 3 વર્ષથી સંસ્થા દ્વારા પ્રોજેક્ટ સુપર 40 શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આર્થિક રીતે જરૂરિયાતમંદ તથા મધ્યમ વર્ગમાં આવતાં 40 વિદ્યાર્થીઓની એન્ટ્રન્સ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં પસંદ પામેલા 40 બાળકોને ધો.11 અને 12 સાયન્સ બોર્ડ પરીક્ષા માટે નિ:શુલ્ક સ્કૂલિંગ તથા જી એન્ડ નીટના કોચિંગ કરાવવામાં આવશે. પરીક્ષા આપ્યા બાદ મેરિટ જાહેર કરવામાં આવશે. જેમાં મેરિટ યોગ્ય બાળક એન્જિનિયરિંગ કોલેજમાંથી એન્જિનિયર બને અને નીટ પરીક્ષા પાસ કરી ડોક્ટર બને એ લક્ષ્ય સાથે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. બાળક ભણવામાં હોશિયાર પરંતુ પરિવાર આર્થિક રીતે પહોંચી શકે તેમ ન હોય તેવા બાળકોને પસંદ કરી તેની શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાના ઉદ્દેશ્ય સાથે ટ્રસ્ટ જહેમત ઉઠાવે છે. આ પ્રોજેક્ટ પુજિત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અને ગુજરાત સ્કૂલ ઓફ એક્સલન્સના સંયુક્ત ઉપક્રમે સુપર 40 પ્રોજેક્ટની શરૂઆત કરી છે. પરીક્ષા અંતર્ગત સિલેક્શન કરી મેરિટ બનાવીને પસંદ કરેલ 40 બાળકોને એકેડેમિક ખર્ચ સંપૂર્ણ નિ:શુલ્ક છે. ભારતના શ્રેષ્ઠ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આ બાળકોને આઇઆઇટી (એન્જિનિયરિંગ) તથા નીટ(એલમ્સ મેડિકલ) માટે તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજકોટ, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રસ પરીક્ષા લેવામાં આવશે. આ 40 બાળકોનો બે વર્ષનો સંપૂર્ણ એકેડેમિક ખર્ચ ટ્રસ્ટ દ્વારા પૂરો પાડવામાં આવશે. આ પરીક્ષા રાજકોટ શહેરમાં ડિસેમ્બર મહિનાના અંતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના સિલેક્ટેડ શહેરમાં પણ લેવાશે. જે અંતર્ગત રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત 3 વર્ષમાં 82 બાળકોને લાભ મળી ચૂક્યો છે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ટ્રસ્ટી અંજલિબેન રૂપાણીની અધ્યક્ષતામાં આગેવાનો, કમિટી મેમ્બર્સ, વહીવટી અધિકારી સહિતના લોકો સેવા આપી રહ્યા છે. જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ અંતર્ગત 393 બાળકોને લાભસંસ્થા દ્વારા આવો જ એક પ્રોજેક્ટ જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટ વર્ષ 2000થી કાર્યરત છે. જેમાં 8થી 12 સુધી અભ્યાસ કરતા બાળકો પ્રવેશ પરીક્ષા લઇ પસંદ કરી તમામ ખર્ચ ટ્રસ્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. જેમાં અત્યાર સુધીની 25 બેચ અંતર્ગત 393 બાળકોને લાભ મળી ચૂક્યો છે. જેમાં એન્જિનિયરિંગમાં 99 તથા મેડિકલમાં 71 બાળકોએ પ્રવેશ મેળવી કરિયર બનાવી છે.
મહારક્તદાન કેમ્પનું આયોજન:મહારક્તદાન કેમ્પમાં 477 બોટલ બ્લડ એકત્રિત કરાયું
રાજકોટ તથા મોરબી સિવિલ હોસ્પિટલના દર્દીઓને વિનામૂલ્યે બ્લડ મળી રહે તેવા શુભઆશયથી શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી શ્રી સાગરેશ્વર મહાદેવજીની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તાજેતરમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં 477 બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલને 255, મોરબી સિવિલ હોસ્પિટલને 144 તેમજ લાઇફ કેર બ્લડ બેંકને 78 બોટલ બ્લડ અર્પણ કરાઇ.
ભાસ્કર એક્સક્લુસિવ:રાજકોટ સહિત તમામ મેડિકલ કોલેજો પાસેથી છાત્રોના માનસિક સ્વાસ્થ્યનો રિપોર્ટ મગાયો!
દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા જેવી ગંભીર ઘટનાઓ વધતી જોવા મળતાં હવે નેશનલ મેડિકલ કમિશન (NMC) સક્રિય રીતે આ મુદ્દે કામ શરૂ કર્યું છે. એનએમસીએ રાજકોટ સહિત દેશની તમામ મેડિકલ કોલેજોને સૂચના આપી છે કે, તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી નેશનલ ટાસ્ક ફોર્સના સરવેમાં ભાગ લે અને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય વિશે જરૂરી માહિતી આપે. NMC એ કોલેજો પાસેથી વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અંગે રિપોર્ટ પણ માગ્યો છે. ટાસ્ક ફોર્સે ચર્ચાઓ બાદ 8 ઑગસ્ટે એક વિશેષ વેબસાઈટ શરૂ કરી, જેના પર વિવિધ વર્ગના લોકો પાસેથી પ્રતિસાદ લેવામાં આવી રહ્યો છે જેમાં વિદ્યાર્થીઓ, તેમના માતા-પિતા, શિક્ષકો, મેડિકલ કોલેજોના પ્રતિનિધિઓ અને માનસિક આરોગ્ય નિષ્ણાતોનો સમાવેશ થાય છે. નોટિસમાં સ્પષ્ટ કરાયું છે કે, આ વેબસાઈટ માત્ર સંસ્થાઓ માટે જ નહીં પરંતુ જનસામાન્ય માટે પણ ખુલ્લી છે. સરવે અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં ઉપલબ્ધ છે અને પૂર્ણપણે ગોપનીયતા સાથે પ્રતિસાદ લેવામાં આવે છે. તેમાં શૈક્ષણિક કેમ્પસનું વાતાવરણ, સમાનતા અને સ્વીકારની ભાવના, તણાવના સ્રોત, ભેદભાવની સમસ્યા, સહાય અને ફરિયાદ નિવારણની વ્યવસ્થા જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. NMCએ પોતાના પરિપત્રમાં જણાવ્યું છે કે, તેના હેઠળ આવતી તમામ મેડિકલ કોલેજો આ વેબસાઈટ પર જઈ સંબંધિત સરવેમાં ભાગ લે. સાથે જ કોલેજોએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો સુધી સરવેની માહિતી પહોંચાડીને ઈમાનદારીપૂર્વક અને સમયસર ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવું જોઈએ. શિક્ષણ જગતમાં આ પહેલને એક સકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે, જે વિદ્યાર્થીઓમાં વધતા માનસિક દબાણને ઓળખી તેને ઘટાડવા માટે એક પ્રાયોગિક પ્રયાસ બની શકે છે. સરવેમાં કોનો કોનો સમાવેશ?આ ઓનલાઈન સરવે દ્વારા NMC એ મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વહીવટીતંત્રના પ્રતિનિધિઓ પાસેથી સીધી માહિતી માગી છે. આ ઉપરાંત, આ સરવેમાં અન્ય મહત્ત્વના વર્ગોને પણ આવરી લેવામાં આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓના વાલીઓ, માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રના નિષ્ણાતો, સામાન્ય જનતા, ખાસ કરીને વિદ્યાર્થીની આત્મહત્યાથી પ્રભાવિત થયેલા લોકો (પરિવાર, મિત્રો, NGO, મીડિયાકર્મીઓ)નો પણ સમાવેશ કરાયો છે. સરવેનો હેતુ | આત્મહત્યાની ઘટનાઓ અટકાવવાનો છેઆ સરવેનો હેતુ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં માનસિક દબાણ, તણાવના સ્રોત અને આત્મહત્યાની ઘટનાઓ પાછળના કારણોને સમજવાનો છે, જેથી ભવિષ્યમાં આવી પરિસ્થિતિઓને ટાળી શકાય. સુપ્રીમ કોર્ટના 24 માર્ચ 2024ના આદેશ મુજબ શિક્ષણ મંત્રાલય હેઠળ રચાયેલી આ નેશનલ ટાસ્ક ફોર્સ વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય, આત્મહત્યા નિવારણ અને સહાયક માળખાની સમીક્ષા માટે રચાઈ હતી.
બેંકના લોકર માંથી દાગીના લઈ થેલામાં સ્ટીલના ડબ્બામાં મૂકીને ઊંઝા ઉમિયા માતાના દર્શન માટે ગયેલ મહિલાના થેલામાંથી અજાણ્યો ચોર દર્શન માટે લાગેલી ભીડનો લાભ લઇ 10 લાખના દાગીના ભરેલ સ્ટીલનો ડબ્બો ચોરી કરી ગયો હતો. મહિલાની ફરિયાદની આધારે ઊંઝા પોલીસે ગુનો નોંધીને અજાણ્યા ચોરની શોધ ખોળ હાથ ધરી છે. મૂળ ઊંઝા તાલુકાના ઉનાવા ગામના અને હાલ પાટણ રોડ પર આવેલ નોબલ હાઇટ્સમાં રહેતા મીનાબેન દીપકકુમાર પટેલ તેમના કુટુંબમાં લગ્ન પ્રસંગ હોઈ ઊંઝા માર્કેટયાર્ડ કોમર્શિયલ બેંકના લોકરમાં રાખેલ સોનાની બંગડી, મગમાળા, સોનાની ચેન, કાનની બુટ્ટી અને સેટ મળી કુલ 10 તોલા વજનના સોનાના દાગીના સ્ટીલના ડબ્બામાં મૂકી ડબ્બો પોતાની પાસેની બેગમાં મૂકી પતિ સાથે ઉમિયા માતાના મંદિરના દર્શન કરવા માટે ગયા હતા. તેમના પતિ પુરુષોની લાઈનમાં અને તેઓ મહિલાઓની લાઈનમાં દર્શન કરવા માટે ઊભા હતા. પૂનમને લઈ માણસોની વધારે ભીડ હોઈ દાગીના રાખેલ બેગ તેમની પાસે હતી પરંતુ તેમની બહેન નો ફોન આવતા તેમણે બેગની ચેન ખોલીને મોબાઈલ ફોન તેમાંથી બહાર કાઢીને તેમની સાથે વાત કરી હતી. તે સમયે ઉતાવળમાં બેગની ચેન તેઓ બંધ કરવાનું ભૂલી ગયા હતા. થોડીવાર પછી દર્શન કરી તેઓ મંદિરના પરિસરમાં પ્રસાદ લેવા માટે ગયા તે સમયે તેમણે બેગમાં જોતા ઘરેંણા મૂકેલ સ્ટીલનો ડબ્બો બેગમાં મળી આવ્યો ન હતો.
મોત:ચેનપુરમાં રેતી ભરેલા બે ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
ચેનપુરના ઉમેશભાઈ પટેલ મેસી ટ્રેક્ટર માં રેતી લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન ગામના જ પ્રદીપભાઈ પટેલના મહીન્દ્રા ટ્રેક્ટર પાછળ તેમનું ટ્રેક્ટર અથડાયું હતું. અથડામણ એટલી તીવ્ર હતી કે મેસી ટ્રેક્ટર રોડની બાજુમાં આવેલા ખેતરમાં પલટી મારી ગયું હતું. આ ગમખ્વાર અકસ્માતમાં ઉમેશભાઈ પટેલને માથા અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત ઉમેશભાઈને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા પરંતુ તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. યુવાનના અકાળે અવસાનથી પટેલ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને સમગ્ર ગામમાં ભય અને દુઃખની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર અકસ્માતગ્રસ્ત એક ટ્રેક્ટર પર નંબર પ્લેટ જ નહોતી. નંબર પ્લેટ વિના વાહનોનું બેફામ પરિભ્રમણ સ્થાનિક તંત્રની કામગીરી પર સવાલો ઉભા કરે છે. આ ઘટનાએ ચેનપુર અને આસપાસના વિસ્તારમાં રેતી ખનનના ગેરકાયદે ધંધા અંગે સ્થાનિક લોકોની ચિંતામાં વધારો કર્યો છે.
દંડનીય કાર્યવાહી:મનપાએ દબાણ, કચરો અને પ્લાસ્ટિકના દંડ પેટે રૂ.15.60 લાખ વસૂલ્યા
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ શક્ય એટલો વધુ દંડ વહીવટી ચાર્જ સ્વરૂપે ઉઘરાવવાની ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. શહેરમાં સ્વચ્છતા અને દબાણ ન થાય તે માટે આ કામગીરી જરૂરી છે પણ તે છુપા આદેશો પર પણ ચાલતી હોય છે. એ આદેશ આવે તે પહેલાં જ ટાર્ગેટ પૂરો કરવા દોડ થઈ રહી છે. દબાણ હટાવ શાખાએ માત્ર એક જ મહિનામાં 15 લાખ રૂપિયાનો દંડ વસૂલી લીધો છે જ્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ સપ્તાહમાં 60,000 રૂપિયાનો ચાર્જ વસૂલ્યો છે. કોર્પોરેશનની ચૂંટણી નજીકના સમયમાં જ યોજાવાની છે અને ચૂંટણી આવે તેના બે-ત્રણ મહિના પહેલાં જ શાસકો દ્વારા એવો આદેશ આપી દેવાય છે કે, હવે પ્રજાને દંડ કરીને પરેશાન કરવી નહીં. આ સમય દરમિયાન કોર્પોરેશનનો બધો જ સ્ટાફ લોકઉપયોગી કામ કરવામાં લગાડી દેવાય છે જેથી કામ દેખાડી શકાય. રાજકોટ મનપાની ચૂંટણી આડે હજુ ચાર મહિના છે ત્યારે હાલ જેટલો શક્ય છે તેટલો દંડ વસૂલવાનું અભિયાન શરૂ કરાયું છે.
એક લાખ વાહનચાલકો થશે પ્રભાવિત:15 દી’ બાદ કાલાવડ રોડની અવરજવર અટકાવાશે, છ માસ પછી ફરી શરૂ કરાશે
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આઈકોનિક બ્રિજનું કામ ગતિ પકડી રહ્યું છે. આ માટે ખોદકામ ચાલુ થઈ ગયું છે અને તેને લઈને ડાયવર્ઝનનું કામ તેમજ ભૂગર્ભમાં રહેલી વિવિધ પાઈપલાઈન અને કેબલ પણ શિફ્ટ કરાયા હતા. ચોક બંધ કરવાનો હોવાથી એક મહિના પહેલાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરી ડાયવર્ઝન જાહેર કરી દેવાયું હતું. હવે કામ આગળ વધતા રિંગ રોડ-2ની અવરજવર ગુરુવારથી બંધ કરી દેવાઈ છે. આ વ્યવસ્થાને કારણે કાલાવડ રોડ પરથી આવ-જા કરતા અંદાજે 70 હજાર અને રિંગરોડ પર આવ-જા કરતા 30 હજાર વાહન ચાલકો પ્રભાવિત થશે તેઓને ડાયવર્ઝન રૂટ પરથી ચાલુ પડશે. આથી સમય વધુ લાગશે. રિંગ રોડ-2 બંધ કરાયા બાદ જે ડાયવર્ઝન જાહેર કરાયું છે તેમાં ભારે વાહનો માટે પણ અલગ રૂટ અપાયો છે જેથી એક જ સાથે તમામ પ્રકારના વાહનો એકઠા થવાથી ટ્રાફિકજામની સમસ્યા ન રહે. આ ઉપરાંત ટ્રાફિક પોલીસ સાથે સંકલન કરીને ડાયવર્ઝનમાં જ્યાં જ્યાં ચોક આવતા હોય ત્યાં ટ્રાફિક જવાનોને તૈનાત કરી દેવાયા છે. રિંગ રોડ બંધ કરાયા બાદ હવે કાલાવડ રોડ પરના વાહનોની અવરજવર પણ 15 દિવસ બાદ બંધ કરી દેવાશે. જોકે આ અવરજવર લાંબો સમય નહિ પણ ફક્ત 6 મહિના સુધી જ રહેશે. છ મહિના બાદ ફરીથી સર્વિસ રોડ શરૂ કરી દેવાશે તેથી તે ટ્રાફિકને લાંબુ ફરવું નહિ પડે અને ટ્રાફિક પણ નહિ થાય. આ બ્રિજની કામગીરી હાલ તો નિયત સમય મુજબ જ ચાલી રહી છે, પણ ખોદકામ તેમજ ચોમાસાની સ્થિતિને જોતા રિંગ રોડ-2માં સર્વિસ રોડ પર ટ્રાફિક શરૂ થતાં દોઢથી બે વર્ષ જેટલો સમય થશે. રિંગ રોડ-2ની અવરજવર માટે આ ડાયવર્ઝન1) ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ જવા માટે (લંબાઈ – 1150 મીટર, પહોળાઈ 18 મીટર)રિંગ રોડ-2 પર એક્વાકોરલથી પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનિયસ સ્કૂલથી કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્સ સિનેમા પહેલા સેરેનિટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્સ સિનેમા થઇ રિંગ રોડ-2 2) જામનગર રોડથી ગોંડલ રોડ તરફ જવા માટે (લંબાઈ- 650 મીટર, પહોળાઈ- 18 મીટર)150 ફૂટ રિંગ રોડ-2 પર એલેકઝીર રોડથી ગ્રીનફિલ્ડ ગાર્ડનવાળા રસ્તો, ત્યાંથી કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડથી 150 ફૂટ રિંગ રોડ-2 3) ભારે વાહનો માટે જામનગર રોડથી કાલાવડ રોડથી 150 ફૂટ રિંગ રોડ-2 ગોંડલ રોડ તરફ આવક જાવક (લંબાઈ - 1600 મીટર, પહોળાઈ 24 મીટર)150 ફૂટ રિંગ રોડ-2 રત્નવિલાસ પેલેસવાળા રસ્તા થઇ કાલાવડ રોડ-કણકોટ ચોકડીથી વીર-વીરુ તળાવ 24 મીટરવાળા રસ્તે થઇ 150 ફૂટ રિંગ રોડ- 2 ભાસ્કર ઇનસાઈડટ્રાફિકજામના પડકારને સમજીને બની ડાયવર્ઝનની રણનીતિ, ફેઝ મુજબ વાહન વ્યવહાર બંધ કરાયોકાલાવડ રોડ સૌથી વ્યસ્ત માર્ગ પૈકીનો એક છે. મહાનગરપાલિકાના ઈજનેરોને જાણ હતી કે, કાલાવડ રોડ બંધ થશે તો ટ્રાફિકની ખૂબ મોટી સમસ્યા થશે. આ કારણે કાલાવડ રોડ પર સર્વિસ રોડ બનાવવાનું કામ ચાલુ કરી દેવાયું હતું અને ત્યાં વાહનો હાલ ચાલી રહ્યા છે. ત્યારબાદ રિંગ રોડ-2 માટે ડાયવર્ઝન માટે નવા રોડ બનાવાયા હતા ત્યાંથી વાહનોની અવરજવર થાય અને શહેરીજનો તે રૂટને જાણી જાય. આ ઉપરાંત ડાયવર્ઝનમાં પણ ક્યાં ક્યાં ટ્રાફિકજામના પોઇન્ટ છે તે પણ જાણી શકાય. ત્યારબાદ જ ચોક બંધ થાય તો ટ્રાફિક ન થાય અને પોલીસ પણ જે તે સ્થળે બંદોબસ્ત સંભાળી શકે. આ રણનીતિ સફળ રહી છે અને પ્રથમ દિવસે રોડ બંધ થતાં જ કોઇપણ સમસ્યા વગર ડાયવર્ઝનનો પૂરો ઉપયોગ શરૂ થઈ ગયો છે. હવે 15 દિવસ બાદ આ જ રીતે કાલાવડ રોડ બંધ કરી દેવાશે. આ રીતે દરેક કામ ફેઝ મુજબ કરાતા ટ્રાફિકની સમસ્યાનો પડકારને પહોંચી શકાયું છે.
14 જુગારી ઝબ્બે:ગોધરાના ડોળપા તળાવ પાસે ધમધમતાં જુગારધામ પર દરોડો
ગોધરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં કુલ 16 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા, જ્યારે 8 જુગારીઓ નાસી જવામાં સફળ રહ્યા છે. ટીમે રૂા.2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 24 સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. ગોધરાના મીનાક્ષી બંગ્લોઝ પાછળ ડોળપા તળાવ નજીક સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે બુધવારની મોડી રાત્રે એક જુગારધામ પર દરોડો પાડવામાં આવ્યો હતો. એસએમસીની ટીમ દ્વારા અચાનક રેડ પાડવામાં આવતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. તેમ છતા ટીમે 14 જુગારીઓને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા. જ્યારે 8 જુગારીઓ નાસી છુટવામાં સફળ રહ્યા હતા. એસએમસીની ટીમે સ્થળ પરથી રૂા.81,700 રોકડા, રૂા.61,500ના 15 મોબાઈલ, રૂા.1,20,000ના 6 ટુ-વ્હીલર, 10 જોડી ગંજીપાના, રૂા.2,000ની 2 પ્લાસ્ટિકની તાલપત્રી, કપડાની ચટાઈ અને સ્ટીલની પેટી મળી કુલ રૂા.2,65,200નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ત્યારે SMCની રેડથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. SMC દ્વારા ધરપકડ કરાયેલા તમામને સ્થાનિક પોલીસને સોંપી કુલ 24 આરોપીઓ સામે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો છે. ઝડપાયેલા તથા ફરાર આરોપીઓદરોડા દરમિયાન SMCની ટીમે જુગાર રમી રહેલા થાવરદાસ ડુંગરમલ કમનાની, વાસુદેવ જેઠાનંદ ક્રિષ્નાણી, દિલીપભાઈ તેજુમલ સાધવાણી, મુકેશભાઈ જનકલાલ ખીમનાણી, રાહુલ નરેશભાઈ કરમચંદાણી, સુનીલભાઈ સનાભાઈ વસાવા, જગદીશભાઈ ચતુરભાઈ ચૌહાણ, સંજયકુમાર કનુભાઈ વાણંદ, નગીનકુમાર રાવતાજી ડાંગી, ઉદયભાઈ ચંદ્રકાંતભાઈ પટેલ, હસમુખભાઈ બાબુભાઈ માળી, આરીફ ગનીભાઈ શેખ, નીરવકુમાર કનુભાઈ પારેખ, તુષાર પ્રકાશકુમાર ટેલીયાણી, મુકેશકુમાર ઈશ્વરલાલ મુલચંદાણી અને ભાવેશકુમાર રજનીકાંત સુથારની ધરપકડ કરી હતી. જ્યારે જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ ઉર્ફે ડભધર લાલવાણી, લખન પંજાબી, લખન કલવાણી ઉર્ફે લખન ગાંડો, રાહુલ દંતાણી (સોલંકી), રાજેશ દંતાણી (સોલંકી) અને ત્રણ વાહનના માલિકો મળી કુલ 24 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ભૂવો પડયો:ગોધરાના ધમધમતા સ્ટેશન વિસ્તારમાં ભૂવોપડયો : વાહન ચાલકો-રાહદારીઓ અટવાયાં
ગોધરા લાલબાગ બસ સ્ટેશન નજીક ડ્રેનેજ લાઇનમાં ભુવો પડતા વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સતાવતો હતો. જે અંગેની જાણ પાલિકામાં કરતા તાત્કાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અન્ય વિસ્તારમાં આવી ઘટના બને તો પાલિકાને જાણ કરવા જણાવાયું હતું. ગોધરા શહેરના વ્યસ્ત એવા લાલબાગ બસ સ્ટેન્ડ નજીક ડ્રેનેજ લાઈનમાં અચાનક ભુવો પડતા પરિસ્થિતિ ગંભીર બની હતી. આ સ્થળ પર મોટાપાયે વાહનો સહિત રાહદારીઓની અવરજવર વધુ પ્રમાણમાં થતી હોવાથી વાહન ચાલકોમાં અકસ્માત થવાનો ભય સતત સતાવી રહ્યો હતો. ગોધરા પાલિકાને પરિસ્થિતિ જાણ થતા જ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું હતું. તાત્કાલિક સ્થળ પર અધિકારીઓને મોકલ્યા અને સુરક્ષા દ્રષ્ટીએ રસ્તાનો વિસ્તાર કોર્ડન કરી, આવનજાવન સમયસર નિયંત્રિત રાખવામાં આવ્યો હતો. આ ઉપરાંત ટ્રાફિક વ્યવસ્થા અસર ન થાય અને કોઈ ઘટના ન ઘટે તે માટે નગરપાલિકા દ્વારા ઝડપભેર ભુવો પુરવાની કામગીરી હાથ ધરાઇ હતી. જેમાં જેસીબી મશીનની મદદથી ડ્રેનેજ લાઈનમાં પડેલ ભુવાને પુરવાની કામગીરી કલાકો સુધી ચાલુ હતી. સમયસર કામગીરી હાથ ધરાતા રાહદારીઓ તથા વાહન ચાલકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો. પાલિકા તંત્રે જણાવ્યું કે શહેરમાં ક્યાંય આવા ભુવો પડવાની ઘટનાઓ બને તો તાત્કાલિક પાલિકામાં માહિતી આપે જેથી અકસ્માતના જોખમને અટકાવવા તાત્કાલીક કામગીરી શરૂ કરી શકાય.
ભાસ્કર એક્સપર્ટ:આગામી સપ્તાહે ઝાકળની સંભાવના, ઠંડીની તીવ્રતા વધશે
દાહોદ જિલ્લામાં નવેમ્બર મહિનાની શરૂઆત હવામાનમાં મોટા ફેરફારોના સંકેત આપી રહી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ નવેમ્બરના આગામી સપ્તાહમાં શરૂઆત હવામાન આંશિક ભેજયુક્ત અને આકાશ ચોખ્ખુ રહેવાની છે. હવામાંનમાં સરેરાશ ભેજનું પ્રમાણ18 થી 59 ટકા રહેવાની શક્યતા છે. જેના કારણે દિવસનું મહત્તમ તાપમાન થોડું ઘટશે જ્યારે રાત્રિનું લઘુત્તમ તાપમાન વધશે. આ સપ્તાહ દરમ્યાન સરેરાશ મહતમ તાપમાન 29.5 ડિગ્રી સે. તથાસરેરાશ લઘુતમ તાપમાન18.3 ડિગ્રીસે. રહેવાનીસંભાવનાઓછે. આ સમયદરમિયાન પશ્ચિમી પવનોનાખસવાથી હવામાનનું મિશ્રણ થતુંરહેશે. આ સ્થિતિ મહત્તમ અનેલઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડોલાવશે. રાતનું તાપમાન ધીમે ધીમેનીચે આવી રહ્યું છે. પવનની ઝડપસરેરાશ 2.5 થી 8 કિમી/કલાક તેમજપવનની દિશા મોટેભાગે પૂર્વ થીવાયવ્ય તરફ રહેવાની શક્યતા છે. ડૉ. જી. કે. ભાભોર, વરિષ્ઠ વૈજ્ઞાનિક અનેવડા, કેવિકે, દાહોદ નવેમ્બરના અંતમાં તાપમાનમાં વધુઘટાડો થશે અને ડિસેમ્બર-જાન્યુઆરીમહિનામાં ઠંડીની તીવ્રતા વધશે.જાન્યુઆરીમાં લઘુત્તમ તાપમાન 10ડિગ્રી સેલ્સિયસથી નીચે જઈ શકે છે.જેથી રાત્રે સખત ઠંડી અનુભવાય તેવીશક્યતાઓ છે. આ સપ્તાહે વહેલીસવારે ઝાકળ પડવાની સંભાવના છે.જે આગામી સમયમાં હાડ થીજાવતીઠંડીનો સંકેત છે. 5 વર્ષમાં નવેમ્બરમાં દાહોદમાંહવામાનનો ટ્રેન્ડ
સરકારી કચેરીઓના સમયમાં ફેરફાર કરાયો:દાહોદ જિલ્લાની તમામ સરકારી કચેરીઓઆજે 90 મિનિટ વહેલી શરૂ થઇ જશે
રાષ્ટ્રગીત ‘‘વંદે માતરમ્''''ની રચનાના150 વર્ષ પૂર્ણ થવાના રાષ્ટ્રીય સ્વતંત્રતાઉત્સવની ઉજવણીના ભાગરૂપે દાહોદજિલ્લાની તમામ સરકારી કચેરીઓનાસમયમાં આજે શુક્રવાર 7 નવેમ્બરનારોજ મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યોછે. દાહોદ જિલ્લામાં મૂળભૂત રીતે સવારે10.30 થી સાંજે 6.10 વાગ્યા સુધીનોરહેતો કચેરીનો સમય શુક્રવારે ખાસઆયોજનના કારણે બદલીને સવારે8.30 થી સાંજે 5.10 વાગ્યા સુધીનોકરવામાં આવ્યો છે. આમ કચેરીઓસામાન્ય સમય કરતાં 90 મિનિટ (દોઢકલાક) વહેલી શરૂ થશે. આ ફેરફારનુંમુખ્ય કારણ રાષ્ટ્ર ચેતનાનો સંદેશપ્રસરાવવાનું અને સામૂહિક ''''વંદેમાતરમ્'''' ગાનનું વિશેષ આયોજન છે.ખાસ પરિપત્ર મુજબ સવારે 8.30 વાગ્યેતમામ અધિકારીઓ અને કર્મચારીઓએફરજિયાતપણે કચેરીમાં હાજર રહેવાનોઆદેશ આપવામાં આવ્યો છે. હાજરરહેલા સૌએ એકસાથે રાષ્ટ્રગીત ''''વંદેમાતરમ્''''નું સામૂહિક ગાન કરવાનું રહેશેઅને ત્યારબાદ સ્વદેશીના શપથ લેશે.આ પરિપત્ર દાહોદ જિલ્લાની કલેક્ટરકચેરીઓ, તમામ વિભાગો, ખાતાનાવડાની કચેરીઓ તેમજ સ્થાનિકસ્વરાજ્યની સંસ્થાઓને પણ લાગુ પડશે.
ખેડૂતોને નુકસાન:પંચ.માં 42 હજાર ખેડૂતોને સરકારી રાહત મુજબ 3.34 કરોડનું નુકસાન
પંચમહાલ જિલ્લામાં 1.66 લાખ હેકટરમાં ખરીફની વાવણી કરી હતી. જિલ્લામાં કમોસમી વરસાદ વરસતા ખેડુતોનો ઉભો પાકને ભારે નુકસાન થયું હતું. જેથી જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનીનુ સર્વે કરવા 128 ટીમો ગામે ગામે પહોચી હતી. સરકારી આંકડા મુજબ જિલ્લામાં કમોસમી વરસાદથી 24198 હેકટરનો વિસ્તાર અસરગ્રસ્ત થયો છે. સર્વે પૂર્ણ થતા જિલ્લામાં 17850 હે.માં 42 હજાર ખેડુતોને 33 ટકાથી વધુ નુકસાન થયું હતું. જેમાં ડાંગરનો પાક 17300 અને સોયાબીનને 160 હે.માં 33 ટકાથી વધુ નુકસાન થવા પામ્યું છે. સરકારી સહાય મુજબ 17 હજાર લખે 17850 હે.માં 3.34 કરોડનું નુકસાન ખેડૂતોને થયું છે. ત્યારે સરકાર કેવી રીતે અને કેટલી સહાય ચુકવે છે તે જાહેરાત બાદ ખબર પડશે. પણ જિલ્લા ના 24198 હે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી 6348 હે.માં 33 ટકાથી ઓછું નુકસાન થયું હોવાનું ખેતીવાડી વિભાગ સર્વેના આધારે જણાવી રહ્યું છે. જ્યારે બીજી બાજુ ખેડૂતો પોતાના પાકને 60 ટકાથી વધુ નુકસાન થયુ હોવાનો જણાવી રહ્યા છે. ત્યારે સરકારી સર્વેમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોવા તેવા વિસ્તાર 17850 હે.માં થયું હોવાનો સર્વેમાં બહાર આવ્યો છે. કમોસમી વરસાદના માર બાદ જિલ્લા ના ખેડૂતોની બેઠા થવાની કવાયત હાથ ધરી છે. વરસાદ બંધ થતાં અને ઉઘાડ નીકળતાની સાથે જ ખેડૂતો ફરીથી પોતાના કામે લાગી ગયા છે. જેમા કમોસમી વરસાદથી જે થોડો ઘણો પાક બચી ગયો છે. તેને બચાવવા માટે ખેડૂતોએ પ્રયાસો શરૂ કર્યા છે. મુખ્યત્વે બચેલા ડાંગર પાકની સફાઈ અને સૂકવણીની કામગીરીમાં ખેડુતો વ્યસ્ત જોવા મળ્યા. આ કામગીરી માટે થ્રેસરની મદદ લેવામાં આવી રહી છે. જેથી પલળી ગયેલા પાકમાંથી દાણાને અલગ કરીને તેને સૂકવી શકાય 6,348 હે.માં 33 ટકા કરતાં ઓછું નુકસાનજિલ્લામાં 128 સર્વેની ટીમોએ સર્વે કરતા કુલ અસરગ્રસ્ત વિસ્તાર24198 હેકટરમાંથી 17850 હેકટરમાં 33 ટકા કરતા વધુ નુકસાન 42હજાર ખેડૂતોને થયું છે. આમ સરકારી સહાય મુજબ રૂા.3.34 કરોડનુંનુકસાન થયું છે. જેમાં મુખ્યત્વે ડાંગરનો 17300 અને 160 હેકટરસોયાબીનનો પાકને નુકસાન થયું છે. બાકીના 6348 હેકટરમાં 33 ટકાકરતા ઓછું નુકસાન થવા પામ્યું છે. - એમ.જી.પટેલ, ખેતીવાડી અધીકારી.
સુરત અને વાપી DRIએ વલસાડમાં હાઇવેથી થોડે દુર ઝાડીઓ વચ્ચે બંધ ઘરમાં સિન્થેટીક ડ્રગ્સ બનાવવાની ફેકટરી પકડી પાડી અલ્પ્રાઝોલમ ડ્રગ્સ અને અન્ય કાચા માલનો 22 કરોડનો જથ્થો સિઝ કરી 4 આરોપીની ધરપકડ કરી હતી. જેમના 2 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા. તપાસમાં સામે આવ્યુ છે કે આરોપીઓ એક વર્ષથી બંધ પડેલી ફેકટરી ભાડે લઇને ધંધો કરતા હતા. આ માલ તેલંગાણા મોકલવાનું હતુ. જ્યાં આ ડ્રગ્સને નશેડીઓ તાડીમાં પીએ છે. સાઇકોટ્રોપિક પદાર્થ અલ્પ્રાઝોલમનું ઉત્પાદન કરાતું હતું. 9.55 કિલો અલ્પ્રાઝોલમ (તૈયારરુપમાં), 104.15 કિલો અર્ધ તૈયાર રૂમમાં અને 431 કિલોકાચો માલ ઝડપી પાડયો હતો. તેમાં નાઇટ્રોક્લોરોબેઝિન,ફોસ્ફોરસ, પેંટાસલ્ફાઇડ,ઇથાઇલ,એસીટેટ અને હાઇડ્રોકલોરિક એસિડનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં 65 વર્ષીય અશોક, 60 વર્ષીય ચંદ્રકાંત, 23 વર્ષીય કેતન અને એક સાઉથ ઇન્ડિયન સામેલ છે. તપાસ વખતે જ દવા લેવા માટે આવ્યો અને પકડાઇ ગયોતપાસ ચાલી રહી હતી ત્યારે જ એક વ્યકિત સાઉથથી દવા લેવા માટે આવ્યો આ ફેકટરી પર આવ્યો હતો. તેણેઆથી અધિકારીઓએ તેને પણ ઝડપી પાડયો હતો. હવે અધિકારીઓ એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે અગાઉ તેલંગાણાં કેટલો માલ મોકલવામા આવ્યો છે અને ડ્રગ્સ બનાવવા માટે જે કાચો માલ જોઈએ તે આરોપીઓ ક્યાથી લાવતા હતા અને જંગલ કે ઝાડીથી ઘેરાયેલા વિસ્તારને શા માટે પસંદ કરવામા આવ્યો હતો અને હાઇવે નજીક જ આ કાચુ ઘર હોય સંભવત: માલ બાય રોડ જ તેલંગાણા મોકલી આપવામા આવતો હતો. અગાઉ કેટલો જથ્થો તેલંગાણા મોકલામા આવ્યો છે તેની પણ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે આ સિન્થેટીક ડ્રગ્સ તાડીમાં ભેળવીને પીવાથી નશો વધે છે. ભાસ્કર એક્સપર્ટ20 વર્ષ સુધી સજા અને 2 લાખનો દંડની જોગવાઈએડવોકેટ રહીમ શેખ કહે છે કે ડ્રગ્સના કેસમાં અધિકારીઓએ એનડીપીએસ એક્ટ 1985 હેઠળ કામગીરી કરી છે જેમાં સજાની જોગવાઈ 20 વર્ષ સુધીની છે. ડ્રગ્સ બે પ્રકારના હોય છે જે એક નેચરલી ઉગે છે અને બીજી કે જે ફેકટરીમાં તૈયાર થાય છે. અલ્પ્રાઝોલમનો ઉપયોગ કેટલીક દવામાં પણ થાય છે.
અમોલ પાલેકરની નાટકો પર પ્રી-સેન્સરશિપ સામેની અરજી પર દાયકા બાદ સુનાવણી થશે
2016 માં દાખલ અરજી પર આગામી પાંચ ડિસેમ્બરે સુનાવણી અમોલ પાલેકરની રજૂઆતઃ હવે હું ૮૫ વર્ષનો થયો, અરજી પર કોઈ નિર્ણય આપોઃ હવે સેન્સર વિનાના ઓટીટીનો જમાનો આવી ગયો મુંબઈ - બોમ્બે હાઈકોર્ટ નાટકો પર પ્રિ સેન્સરશિપ લાદવાની એક્ટર અમોલ પાલેકરની અરજી પર લગભગ એક દાયકા બાદ સુનાવણી હાથ ધરશે. હાઈકોર્ટે ગુરુવારે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં અભિનેતા અમોલ પાલેકર દ્વારા કલાત્મક સ્વતંત્રતાના રક્ષણની માંગ કરતી અરજી પર સુનાવણી હાથ ધરાશે. અરજીમાં તેમણે દાવો કર્યોે હતો કે નાટકોની સ્ક્રિપ્ટોની પ્રી-સેન્સરશિપ ફરજિયાત કરતા નિયમોને લઈને કલાત્મક સ્વતંત્રતાનો ભંગ થઈ રહ્યો છે.
ડુમસ રોડના બે મંદિરોમાં ચોરીનો બનાવ:દારૂ પીવા મંદિરમાં ધાપ મારી, 150 સીસીટીવી ચેક કરતાં બે ઝડપાયા
ડુમસ રોડ પર આવેલા રૂંઢનાથ મહાદેવ મંદિર અને મહાકાળી મંદિરમાંથી ચોરી કરનાર બે ચોરોને ઉમરા પોલીસે 150 સીસીટીવી ચેક કરી ગણતરીના કલાકમાં પકડી પાડ્યા છે. દારૂ પીવાના પૈસા માટે મહાકાળી મંદિરમાં ચોરીમાં સફળ રહેતા બીજા દિવસે રૂંઢનાથ મંદિરને નિશાન બનાવ્યું હતું.પોલીસે 18,230 કબજે લીધા હતા. ડુમસ રોડના રૂંઢનાથ મહાદેવ મંદિરમાં સોમવાર મોડી રાત્રે અર્ધનગ્ન હાલતમાં ઘુસેલા બે ચોરોએ દાનપેટી કાપીને 60 હજારની ચોરી કરી હતી. ઉમરા PI એ.એમ.મોરી અને ટીમે 150 સીસીટીવી ચેક કરતાં ચોરો દિપક એકનાથ સોનવણે અને દિપક જાદવ (બંને મગદલ્લા)ને પકડી પાડ્યા હતા. પોલીસે.28,230નો મુદ્દામાલ કબજે લીધો હતો. આરોપી દિપક સોનવણેને થોડા દિવસ પહેલા તેના બનેવીએ કાર વોશિંગના સર્વિસ સેન્ટરમાં નોકરી પર લગાવ્યો હતો. જ્યારે દિપક જાદવ બેકાર ફરતો હતો. દિવાલ કૂદી અંદર ગયા હતામહાકાળી મંદિરની 3 ફુટની દિવાલ કુદીને અંદર ગયા હતા. જ્યારે રૂંઢનાથ મંદિરનો દરવાજાનો નકુચો કાપીને ચોરી કરી હતી
ભાસ્કર એક્સક્લુસિવ:100થી વધારે સંઘ, 200 ઉપાશ્રયમાં 1200 સાધુ-સાધ્વીજીઓ સ્થિર હતાં
કાર્તિક સુદ ચૌદસના દિવસથી જૈન ધર્મમાં ચાતુર્માસ પૂર્ણ થતા સુરતમાં સ્થિર સાધુ સાધ્વીજીઓનો વિહાર શરૂ થયો છે. સુરતના જૈન સમુદાયમાં શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથી ચારેય ફીરકાઓના સાધુ સાધ્વીજી આચાર્ય ચાતુર્માસ માટે સુરતમાં આવ્યા હતા. તેમાંથી મોટા ભાગના સાધુ સાધ્વીજીઓ હવે ચાતુર્માસ પૂર્ણ થતાં વિહાર કરીને અન્ય શહેર કે ગામોમાં જવા લાગ્યા છે. તમામ ફિરકાઓના મળીને જુદા જુદા 100થી વધારે સંઘ, 200 ઉપાશ્રયોમાં આચાર્ય, પંન્યાસ, ઉપાધ્યાય, મુનિઓ બધા મળી 1200થી વધારે સાધુ સાધ્વીજીઓ સ્થિર વાત હતા. અષાઢ સુદ ચૌદસ થી પ્રારંભ થયેલો ચાપરમાં કારતક સુદ ચૌદસે પૂર્ણ થાય ત્યાં સુધી દરેક સાધુ સાધ્વીજીઓનો કોઈપણ જગ્યાએ સ્થિરવાસ હોય છે. જૈન પરંપરા મુજબ વરસાદની મોસમમાં અનેક પ્રકારના નાના-મોટા જીવજંતુઓ ઉત્પન્ન થતા હોય છે કોઈપણ જગ્યાએ જીવ હિંસા થાય નહીં તે માટે ચોમાસામાં એક જ જગ્યાએ રહેવાનું હોય છે. ચોમાસા દરમિયાન ધાર્મિક દ્રષ્ટિએ કેટલાક ફળફળાદી લીલા શાકભાજી તે પણ કાર્તિકી પૂનમ થી આહારમાં લેવાની શરૂઆત થાય છે. ચોમાસાના ચાર માસ દરમિયાન વિવિધ પ્રકારના તપ, અનુષ્ઠાન, પ્રવચન જેવા કાર્યક્રમો દ્વારા શ્રાવકોને ધર્મનો ઉપદેશ આપવામાં આવે છે.
નોકરી ન્યુઝ:PNBમાં 750 ઓફિસર માટે ભરતી શરૂ, ગુજરાતમાં 95 જગ્યાઓ ભરાશે
પંજાબ નેશનલ બેંક (PNB) દ્વારા લોકલ બેંક ઓફિસર (LBO) તરીકેલ 750 પદોની ભરતી કરાશે. ભરતીનું નોટિફિકેશન pnb.bank.in પર છે. 23 નવેમ્બર 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.આ ભરતી અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારોને દેશભરની વિવિધ શાખાઓમાં નિમણૂક આપવામાં આવશે. જેમાં ગુજરાત માટે કુલ 95 જગ્યાઓ ફાળવવામાં આવી છે. અરજદાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત છે. સાથે જ બેંકિંગ અથવા ફાઇનાન્શિયલ સેક્ટરમાં ક્લેરિકલ અથવા ઓફિસર કેડરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે. ઉમેદવારની ઉંમર 20 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જ્યારે રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટ મળશે. પસંદ થયેલા ઉમેદવારોને જ્યુનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ-I (JMGS-I) હેઠળ રૂ. 48,480 થી 85,920 સુધીનો પગાર આપવામાં આવશે. ઉપરાંત મોંઘવારી ભથ્થું (DA), ઘર ભાડા ભથ્થું (HRA), શહેર પ્રતિપૂર્તિ ભથ્થું (CCA), લિવ ફેઅર કન્સેશન (LFC), મેડિકલ ઇન્શ્યોરન્સ સહિતની સુવિધાઓ પણ મળશે. ઉમેદવારની વય 20થી 30 વર્ષ સુધી
ભાસ્કર એક્સક્લુઝિવ:સ્ટોર કરેલા હાડકા-સ્નાયુનો ઉપયોગ કેન્સર અને હીપ સર્જરીમાં કરી શકાશે
સ્મીમેર હોસ્પિટલમાં દક્ષિણ ગુજરાતની સૌથી પહેલી બોન અને ટીશ્યુ બેંક બનવા જઈ રહી છે. હાડકાના કેન્સર, ઘુંટણ તેમજ થાપાની સર્જરી અને ટીશ્યુની સર્જરીમાં આ બેંકથી દર્દીઓને ફાયદો થશે. પાલિકા સંચાલીત સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને ખાનગી હોસ્પિટલ સમકક્ષ સારવાર ઉપલબ્ધ થાય તે માટે પાલિકા દ્વારા પ્રયાસો કરાઇ રહ્યા છે. આ માટે હોસ્પિટલમાં અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. જેમાં વધુ એક ઉમેરો થશે. 80 ડિગ્રી તાપમાનમાં ચેપરહિત કરી સ્ટોર કરાશેદર્દીઓના રીપ્લેસમેન્ટમાંથી તેમજ અન્ય માધ્યમો થકી મેળવવામાં આવેલા હાડકાને -80 ડિગ્રી તાપમાનમાં રાખી ભેજ દુર કર્યા બાદ ચેપ રહીત કર્યા બાદ ગામા કિરણોની મદદથી સ્ટરીલાઈઝ કરી ત્યાર બાદ તેને બેંકમાં સ્ટોર કરવામાં આવશે. બોન - ટીશ્યુ બેંક જલ્દી શરૂ કરાશેહોસ્પિટલ કમિટિના ચેરમેન મનીષા આહીરે જણાવ્યું હતું કે સ્મીમેર હોસ્પિટલમાં બોન અને ટીશ્યું બેંક શરૂ કરવા જઈ રહ્યા છે. આ માટેના સાધનો ખરીદવા માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આગામી દિવસોમાં પ્રક્રિયા પૂર્ણ કરી સુવિધા ઉપલબ્ધ કરાશે. દર્દીઓના રિપ્લેસમેન્ટ અને અન્ય માધ્યમ થકી મેળવાશેડો. જનક રાઠોડે જણાવ્યું હતું કે હાડકાના કેન્સરથી હાડકુ કાપવાની સ્થિતીમાં હાડકા વચ્ચે થયેલા ગેપમાં, ની હીપની સર્જરીમાં તેમજ સ્નાયુ ફાટી ગયું હોય તેવી સ્થિતીમાં બેંકમાં સ્ટોર કરેલા હાડકા અને સ્નાયુનો ઉપયોગ કરી દર્દીની સર્જરી કરી શકાશે.
આવતીકાલથી NCERT વાલીઓને AI શીખવશે, જેમાં AI ફેમિલી એજ્યુકેશનમાં કઈ રીતે ઉપયોગીથી માંડી ડિજિટલ પ્રાઇવેસી, સેફ્ટી, એથિ ક્સ અને ડિજિટલ ટ્રસ્ટના ચેપ્ટર વાલીઓને ઓનલાઇન ભણાવનારી છે. NCERTએ જણાવ્યું કે વાલીઓ માટે ખાસ ‘AI ફોર પેરેન્ટ્સ’ સિરિઝ શરૂ કરાશે, જે 7થી 8 અને 14થી 15 નવેમ્બર યોજાશે. ડૉ. રાજેશના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન અને લાઈવ ફોર્મેટમાં યોજાશે, જેથી વાલીઓ ઘર બેઠા ભાગ લઈ શકશે. સિરિઝનો મુખ્ય ઉદ્દેશ વાલીઓને AI ટૂલ્સનો ઉપયોગ બાળકોના શૈક્ષણિક અને વ્યવહારિક વિકાસ માટે કરી શકાય તે સમજાવાશે. વાલીઓ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર બાળકોની પ્રાઇવસી કઈ રીતે સુરક્ષિત રાખવી, ડિજિટલ સલામતીના પગલાં શું છે, અને AI યુગમાં બાળકો સાથે વિશ્વાસ અને જવાબદારી કેવી રીતે રચવી તે પણ શીખશે. વાલીઓનો આત્મવિશ્વાસ વધશેસિરિઝમાં વાલીઓને AI વિશે પૂરતું જ્ઞાન અપાશે. તેમને શીખવાડાશે કે બાળકોની ડિજિટલ સુરક્ષા અને પ્રાઇવસી કેવી રીતે સાચવી, નૈતિકતા કેવી રીતે સમજવી અને AIનો ઉપયોગ કેવી રીતે કરવો. આ સેશન વાલીઓને આત્મવિશ્વાસ આપશે જેથી તેઓ બાળકોના શૈક્ષણિક અને વ્યાવહારિક વિકાસને સમજદારીથી સમર્થન આપી શકે અને તેમના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લઈ શકશે. યૂ-ટ્યુબ એપમાં youtube.com/@NCERTOFFICIAL ખોલો અને Live સેકશનથી જોડાઈ શકો છો. 7થી 8 અને 14થી 15 નવેમ્બર સુધી NCERTની ‘AI ફોર પેરેન્ટ્સ’ સિરીઝ યોજાશેAI ફોર પેરેન્ટ્સઃ વાલીઓને AI શું છે અને કેવી રીતે પરિવારની રોજિંદામાં ઉપયોગ કરવો તે સમજાવાશે.AI યોર ચાઇલ્ડ: પ્રોટેક્ટિંગ પ્રાયવસી, બુસ્ટિંગ પોટેન્શિયલથી બાળકોના ડેટા અને પ્રાઇવસી કેવી રીતે સુરક્ષિત રાખવી અને AIનો ઉપયોગ બાળકોની ક્ષમતાને વિકસાવવા માટે કેવી રીતે કરવો.AI એન્ડ યુ: અન્ડરસ્ટેન્ડિંગ પ્રાયવસી, સેફ્ટી એન્ડ એથિક્સથી વાલીઓ AIના ઉપયોગ સાથે સંબંધિત સલામતી, નૈતિકતા અને ડિજિટલ નીતિઓ વિશે જાણશે.ડિજિટલ ટ્રસ્ટ ઇન ધી AI એરાઃ ડિજિટલ દુનિયામાં વિશ્વસનીયતા અને સંભાળ કેવી રીતે બનાવવી, જેથી બાળકો જવાબદારીપૂર્વક ટેકનોલોજીનો ઉપયોગ કરે.
શહેરના મજૂરાગેટ ઓવરબ્રિજ ઉપર મેટ્રોરેલની ગડર ચઢાવ્યા બાદ ગડરની ઉપર સ્લેબ ભરવાની કામગીરી શરૂ થનાર હોવાથી મજૂરાગેટ ઉપરના બન્ને તરફના ઓવરબ્રિજ બે મહિના માટે રાત્રીના સમયે 11 થી સવારે 6 વાગ્યા સુધી તમામ પ્રકારનો વાહનવ્યવહાર બંધ રહેશે. આમ પણ રાત્રીના સમયે ઓવરબ્રિજ પર વાહનોની અવાર જવાર ઓછી રહે છે. દિવસ દરમિયાન અહીંથી 1500 જેટલી બસો સહિત 5 હજારથી વધુ વાહનો રોજના પસાર થાય છે. આ જાહેરનામાનો અમલ 3 નવેમ્બર-25 થી 23મી ડિસેમ્બર સુધી રહેશે. ખાસ કરીને મેટ્રોરેલના પ્રોજેકટની કાદરશાનીનાળથી ખજોદ ડ્રીમ સીટી સુધીના કોરીડોર ફેઝ-1માં કામગીરી કરાશે. આ બે વૈકલ્પિક રૂટ પર થઈને જઈ શકાશે1) અઠવાગેટથી જૂની આરટીઓથી જમણી બાજુ થઈ મજૂરાગેટથી આવતા ડાબી સાઇડના રોડ પરથી મજૂરાગેટ થઈ મજૂરાગેટ ઓવરબ્રિજ નીચેથી કડીવાળા સ્કૂલ ચાર રસ્તા તરફ તથા ઉધના દરવાજા ઓવરબ્રિજ પરથી સુરત રેલવે સ્ટેશન તરફ જઈ શકાશે 2) સિવિલથી ડાબે ટર્ન લઈ આઈટીઆઈના ગેટની સામે જમણી બાજુ મજૂરાગેટ ચાર રસ્તાથી ડાબી બાજુ ગાંધી એન્જિનિયરિંગની દીવાલ તરફના રોડ થઈ જૂની આરટીઓ તરફ જતા ડાબી બાજુથી સિંગલ લેનમાં અઠવાગેટ જઈ શકાશે.
ભાસ્કર એક્સક્લૂસિવ:લેબગ્રોનની ડિમાન્ડ વધતાં વેકેશન ટૂંકાવીને કારખાનાં શરૂ કરાયાં પણ કારીગરો જ નથી
દિવાળી બાદ સુરતના હીરા માર્કેટમાં ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને લેબગ્રોન ડાયમંડની વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી અનેક વેપારીઓએ પોતાના વેકેશન ટૂંકાવી કારખાનાઓ ફરી શરૂ કરી દીધા હતા. જોકે, હીરા ઉદ્યોગના મુખ્ય આધાર એવા કારીગરો હાલ મોટી સંખ્યામાં ગામડાંમાં હોવાને કારણે કારખાનાઓમાં ઉત્પાદન શરૂ કરવામાં મુશ્કેલી આવી રહી છે. લેબગ્રોન ડાયમંડના ક્ષેત્રમાં છેલ્લા બે વર્ષમાં સુરતનું પ્રભાવ ઝડપથી વધી રહ્યું છે. ઉત્પાદન ક્ષમતા વધારવા માટે નવી મશીનો અને ટેક્નોલોજીનો ઉપયોગ શરૂ થયો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલાં જ ઘણા એક્સપોર્ટ ઓર્ડર મળી ગયા હતા અને જાન્યુઆરીથી સપ્ટેમ્બર 2025 સુધીનો એક્સપોર્ટ આ જ વૃદ્ધિને દર્શાવે છે. હાલ લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ છે પરંતુ કારીગરો ન મળી રહ્યાં હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. US, યુરોપ અને મધ્યપૂર્વના ઓર્ડર વધુઅનેક દેશોમાં લેબગ્રોન ડાયમંડ અને જ્વેલરીની માંગ વધી રહી છે. ખાસ કરીને અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વના ઓર્ડર વધ્યા છે. સાથે સાથે સ્થાનિક માર્કેટમાં પણ લેબગ્રોન હીરા પ્રત્યે ગ્રાહકોમાં વિશ્વાસ વધ્યો છે. એટલે જ ઘણા વેપારીઓએ દિવાળી બાદ તરત કારખાનાં ખોલી દીધાં, પરંતુ કારીગરોની અછતને કારણે ઉત્પાદન ગતિ પકડતું નથી. > નિલેશ ભીકડિયા, હીરા વેપારી માર્ચમાં સૌથી વધુ 1141 કરોડનું એક્સપોર્ટ પહેલા દિવસે માંડ 30% જ કારખાનાંમાં કામ શરૂ30 દિવસના દિવાળી વેકેશન બાદ ગુરુવારથી કામકાજ ફરી શરૂ થયું છે, પરંતુ હજી માંડ 30 ટકા ફેક્ટરીઓમાં જ કામગીરી શરૂ થઈ છે, જ્યારે બાકીની યુનિટો આવતા અઠવાડિયે ધીમે ધીમે ચાલુ થવાની શક્યતા છે. શહેરના કતારગામ, વરાછા અને ઉધના વિસ્તારમાં આવેલી અનેક યુનિટોના માલિકોએ હજી પણ માર્કેટની માંગ અને ઓર્ડરનું મૂલ્યાંકન કરી રહ્યું હોવાનું જણાવ્યું છે. ઉદ્યોગસૂત્રોના જણાવ્યા મુજબ, નેચરલ ડાયમંડમાં હજી માંગ નબળી છે, જ્યારે લેબગ્રોનના ઓર્ડર ધીમે ધીમે વધી રહ્યા છે. અમેરિકમાં હોલિડે સિઝનને લઈને થોડી ચહલપહલ શરૂ થાય તેવો આશાવાદ છે, પરંતુ મોટાપાયે ઓર્ડર મળતા નથી. કટિંગ અને પોલિશિંગ યુનિટોમાં હજી કર્મચારીઓની હાજરી 40-45 ટકા જેટલી જ છે.
ગાંધીનગરમાં એક પરિવાર, જેમની મિલકતનો કેસ કોર્ટમાં પાંચ વર્ષથી અટવાયો છે. કારણ જાણો છો શું? બાપુજીએ આખી જિંદગી મહેનત કરી, મિલકત બનાવી, પણ છેલ્લે એક કાગળ લખવાનું ભૂલી ગયા જે હતું; વસિયતનામું...આ એક ભૂલ આખા પરિવારને કોર્ટના ચક્કર ખવડાવી રહી છે. મોટાભાગના લોકો વસિયતને જટિલ, મોંઘી અને કાયદાકીય માથાકૂટ માનીને ટાળી દે છે. પણ શું તમે જાણો છો કે વસિયત સાદા કાગળ પર પણ 100% કાયદેસર છે? જોકે, આ જાણકારી અધૂરી છે. જો મિલકત વહેંચનાર વડીલની ઉંમર 65 વર્ષથી વધુ છે, તો એક નાનકડી ભૂલ તમારા આખા પરિવારને કોર્ટના ધક્કા ખવડાવી શકે છે. માટે આજે ભાસ્કર એક્સપ્લેનરમાં આપણે જાણીએ કે 'બુલેટપ્રૂફ' વસિયતનામું કેવી રીતે બનાવવું.તેના પહેલા વસિયત પરના બે મોટા ભ્રમ, જે આજે જ ભાંગવા જરૂરી છેભ્રમ 1: વસિયત માટે મોંઘો સ્ટેમ્પ પેપર જોઈએ.હકીકત: નહીં ભાઈ, આ તદ્દન ખોટી વાત છે. કાયદો સ્પષ્ટ કહે છે કે તમે સાદા સફેદ કાગળ પર, હાથથી લખીને કે ટાઈપ કરીને વસિયત બનાવી શકો છો. તમારો ઈરાદો અને તમારી સહી જ મહત્વની છે. યાદ રાખજો: વસિયતની કીમત કાગળમાં નહીં, તમારા ઈરાદામાં છે.ભ્રમ 2: વસિયતની નોંધણી (Registration) ફરજિયાત છે.હકીકત: ના, એવું બિલકુલ નથી. ભારતીય નોંધણી અધિનિયમ, 1908 મુજબ, વસિયતની નોંધણી વૈકલ્પિક (Optional) છે. હા, નોંધણી કરાવવી એ સારો વિકલ્પ છે (તેનાથી વસિયત વધુ મજબૂત બને છે), પરંતુ જો તમે નોંધણી ન કરાવો, તો પણ તમારી વસિયત 100% કાયદેસર અને માન્ય રહે છે.વસિયત બનાવવાના 3 સચોટ નિયમ જો તમે ઈચ્છો છો કે તમારી વસિયતને ભવિષ્યમાં કોઈ પડકારી ન શકે, તો આ ત્રણ વસ્તુઓ ફરજિયાત છે:1. સાદા કાગળ પર સ્પષ્ટ લખાણતમારે સાદા કાગળ પર સ્પષ્ટપણે લખવાનું છે કે તમારા પછી, તમારી કઈ મિલકત (જેમ કે ઘર, જમીન, બેંક બેલેન્સ, દાગીના વગેરે) કોને, ક્યારે અને કેટલી આપવી છે.2. બે નિષ્પક્ષ સાક્ષી (Impartial Witness)આ સૌથી મહત્વનું છે. તમારી વસિયત પર બે સાક્ષીઓની સહી ફરજિયાત છે. અને યાદ રાખો, 'નિષ્પક્ષ' સાક્ષી. એટલે કે, સાક્ષીઓ એવા હોવા જોઈએ જેમને તમારી મિલકતમાંથી કોઈ હિસ્સો ન મળતો હોય (દા.ત., તમારા મિત્ર, પડોશી કે દૂરના સંબંધી).3. 65+ ઉંમર માટે 'ગેમ ચેન્જર' સર્ટિફિકેટઆ એ સ્માર્ટ ટિપ છે જે તમારી વસિયતને 'બુલેટપ્રૂફ' બનાવે છે. જો વસિયત લખનાર વડીલની ઉંમર 65 વર્ષથી વધુ હોય, તો વસિયત સાથે એક ડૉક્ટરનું 'મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ' જોડી દો. કારણ કે માની લો કે, તમારા પછી કોઈ વારસદારને ઓછો હિસ્સો મળ્યો અને તે કોર્ટમાં જઈને એમ કહી દે કે, બાપુજીની ઉંમર 65+ હતી, એમની માનસિક સ્થિતિ ઠીક નહોતી, કોઈએ દબાણમાં સહી કરાવી છે, તો તમારી આખી વસિયત રદ થઈ શકે છે. પણ... જો તમારી વસિયત સાથે ડૉક્ટરનું આ સર્ટિફિકેટ હશે, તો તે કોર્ટમાં સાબિત કરશે કે વસિયત લખતી વખતે બાપુજી માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતા અને તેમણે સમજી-વિચારીને નિર્ણય લીધો હતો. આ એક કાગળ તમારી વસિયતને 'અતૂટ' બનાવી દે છે.વસિયત રૂપિયા માટે નહીં, શાંતિ માટે છેઘણા લોકો કહે છે, “અમે પરિવારને વિશ્વાસ કરીએ છીએ, કાગળ શા માટે લખવો?” પણ સાચું જુઓ... ઝઘડા ત્યારે જ થાય છે જ્યારે વિશ્વાસ કાગળ પર ન હોય. વસિયત માત્ર મિલકત વહેંચણી માટે નથી, પરિવારની શાંતિ માટે પણ છે.આખી વાતનો સાર બસ આ ત્રણ નિયમોમાં છે: કારણ કે વસિયત એ કાગળ નથી, એ મનની શાંતિ છે. દિવ્ય ભાસ્કર માટે સમીર પરમારનો રિપોર્ટ. વીડિયો જોવા સૌથી ઉપરના ફોટો પર ક્લિક કરો
કોર્પોરેટર સહિત સ્થાનિકોની પાલિકાને રજૂઆત:વ્યારાં ફડકે નિવાસ વિસ્તારમાં પરબ સામે સ્થાનિકોનો આક્રોશ
વ્યારાના વોર્ડ નંબર બેના ફડકે નિવાસ વિસ્તારમાં પાલિકા દ્વારા (પાણીની પરબ બનાવવાના નિર્ણય સામે સ્થાનિક રહેવાસીઓમાં છે. વાલ્મિકી સમાજ સહિત આદિવાસી તથા અન્ય સમાજના આશરે 50થી વધુ સ્થાનિકોએ કલેક્ટર, પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખ અને કારોબારી અધિકારીને રજૂઆત કરી છે. કલેક્ટરને રજૂઆતમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારના લોકો પોતાના સામાજિક તથા ધાર્મિક પ્રસંગોની ઉજવણી આ સ્થળે કરે છે. મોંઘવારીમાં પાર્ટી પ્લોટ કે ડોમના ભારે ખર્ચને લીધે તેઓ માટે આ ખાલી મેદાન જેવી જગ્યા એકમાત્ર વિકલ્પ બની રહે છે. હવે અહીં પરબ બાંધવામાં આવશે તો લોકોને પ્રસંગ ઉજવવા માટે યોગ્ય સ્થાન નહીં રહે. સ્થાનિક કોર્પોરેટર પ્રીતિબેન ગામીતે પણ લોકોની માગને યોગ્ય ઠેરવી પોતાનાં લેટર પેડ પર ચીફ ઓફિસરને લેખિત ભલામણ કરી છે કે આ વિસ્તારમાં પરબ ન બાંધવામાં આવે. તેમનું કહેવું છે કે, લોકોની વાસ્તવિક જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાલિકા નિર્ણય લે તે યોગ્ય રહેશે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો પાલિકા તેમની માગને અવગણે અને પરબના કામ પર આગેકૂચ કરે, તો તેઓ ઉગ્ર વિરોધ કરશે. લોકશાહીમાં જનપ્રતિનિધિ તથા અધિકારીઓની ફરજ પ્રજાના પ્રશ્નો સાંભળવાની છે.
આવેદન:શિનોર તાલુકા કોંગ્રેસ દ્વારા માવઠામાં ખેડૂતોને થયેલા નુકસાન બાબતે આવેદન
શિનોર તાલૂકા કોંગ્રેસ પ્રમુખ અમુલ પટેલ તથા કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન બાબતે મામલતદાર શિનોરને આવેદનપત્ર આપવામાં આવેલ છે. ગુજરાત ભરમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને પારાવાર નુકસાન થયેલ છે. એ બાબતે શિનોર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અમુલ પટેલ જેઓ પગપાળા ચાલતા વડતાલ ધામે ભગવાન સ્વામિનારાયણ સમક્ષ ખેડૂતોની વહારે આવવા પ્રાર્થના કરી દર્શન કર્યા બાદ તારીખ 6 નવેમ્બરે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલ, શિનોર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્ર પટેલ, પૂર્વ પ્રમુખ મયુર પટેલ, માજી સરપંચ રાજુભાઈ પટેલ તરવા, અલતાફ રંગરેજ, અનવરદાદા અને કોંગ્રેસના કાર્યકરો સાથે લેખિતમાં આવેદનપત્ર શિનોર મામલતદાર એમ.જે બારીયાને આપેલ છે. કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીન્ટુ પટેલે આક્રોશ પૂર્વક જણાવ્યું કે સરકાર દ્વારા ઉદ્યોગપતિના કરોડો રૂપિયા સર્વે કર્યા સિવાય સીધા માફ કરી દેવાય છે. જ્યારે જગતના તાત ખેડૂતોના સંપૂર્ણ નુકસાન પામેલા પાકો માટે સર્વેનું નાટક કરવામાં આવે છે. આ અગાઉ થયેલા સર્વેમાં પણ શિનોર - કરજણમાં ઘણા ખેડૂતોને નુકસાનીના નાણાં મળ્યા નથી એ કડવી હકીકત છે. જ્યારે ખેડૂતોની મુશ્કેલીના સમય ધારાસભ્યો માત્ર પત્ર લખીને સંતોષ માને છે. હકીકતમાં તેઓ ખેડૂતો સાથે આવતા નથી.
જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના અને માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણમાં) મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી છે. માળિયાહાટીના તાલુાકના અવાણીયા ગામે તો OBC કેટેગરીના લોકોને SC કેટેગરીમાં બતાવી આવાસની 'લ્હાણી' કરી દેવાયાનો સ્થાનિકો દ્વારા ગંભીર આક્ષેપ કરાયો છે. ગામમાં આવાસ યોજનાની ફાળવણીના તમામ નિયમોને બાજુમાં મૂકી લાગતા વળગતાઓને કટકી કરી આવાસો આપી દેવાયાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ મામલે ગામના સામાજિક આગેવાન તમામ પુરાવા સાથે છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ કચેરીઓમાં રજૂઆત કરતા હોવા છતા કોઈ કાર્યવાહી થઈ નથી. શું છે આ સમગ્ર મામલો, જે લાભાર્થીઓને લાભ મળવાનો હતો અને નથી મળ્યો તેઓ શું કહી રહ્યા છે.તે જાણવા ભાસ્કરે અવાણીયા ગામની મુલાકાત લઈ લોકો અને અધિકારીઓ સાથે વાત કરી હતી. માંગરોળ તાલુકા પછી માળિયાહાટીનામાં આવાસના નામે કૌભાંડનો આક્ષેપથોડા સમય પહેલા માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયાની રજૂઆત માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ મુખ્યમંત્રીને કરી હતી. મુખ્યમંત્રી દ્વારા જૂનાગઢ વહીવટી તંત્રને તપાસના આદેશ અપાયા હોવા છતાં, હજુ સુધી કોઈ નક્કર તપાસ થઈ નથી. ત્યાં સુધીમાં ફરી એકવાર માળિયાહાટીના તાલુકામાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયાના ગ્રામજનો દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. આ ભ્રષ્ટાચાર માત્ર એક જ પ્રકારે નહીં, પરંતુ અનેક પ્રકારે થયો હોવાનું સામે આવ્યું છે.ફરિયાદીઓએ 'દિવ્ય ભાસ્કર'ને પુરાવા આપીને જણાવ્યું કે, માળિયાહાટીના તાલુકામાં લાગતા-વળગતા લાભાર્થીઓને આવાસ યોજનાનો લાભ આપીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. આવાસ યોજનાના નામે અલગ અલગ રીતે કૌભાંડ આચરાતું હોવાનો આક્ષેપ 1. કેટેગરી બદલવાનું કૌભાંડ (OBCને SC-ST બતાવ્યા)માળિયાહાટીનાના અવાણીયા ગામે OBC (અન્ય પછાત વર્ગ) કેટેગરીમાં આવતા લોકોને ગ્રામ પંચાયતના ઠરાવો દ્વારા ખોટી રીતે SC (અનુસૂચિત જાતિ) અને ST (અનુસૂચિત જનજાતિ) કેટેગરીમાં દર્શાવીને આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો. અવાણીયા ગામના ફરિયાદી જયેશ ગોહિલે જણાવ્યું કે, હું આ મામલે 2021થી લડત લડી રહ્યો છું. 2021માં ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી અને સરપંચે મળીને કોઈ પણ જાહેર ગ્રામસભા વગર જ ઠરાવો કર્યા. અમારા ગામમાં એક પણ ST સમાજનું વ્યક્તિ રહેતું નથી, છતાં ઠરાવો કરી ગેરરીતિ આચરી ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. 2. એક જ લાભાર્થીને વારંવાર લાભ આપી 'કટકી'એક જ લાભાર્થીને એકથી વધુ વખત પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપીને સરકારી નાણાનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, માળિયા તાલુકામાં 200થી વધુ મકાનો એવા હશે જેને એકથી વધુ વખત આવાસ યોજનાની સહાય મળી હોય. કર્મચારીઓએ આવાસ યોજનાની રકમમાંથી 'કટકી' કરી હોવાના પણ આક્ષેપો છે. 3. તૈયાર મકાનનું રિનોવેશન કરાવી ઉઘરાણુંતૈયાર મકાનનું માત્ર રિનોવેશન કરાવીને અથવા વિસ્તારણ કરાવીને વિસ્તરણ અધિકારીએ લાભાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના આક્ષેપો છે. આ યોજના આર્થિક રીતે પછાત લોકો માટે છે, પરંતુ ગેરલાયક લોકોને પણ ખોટી રીતે લાભ આપવામાં આવ્યો છે. આવાસયોજનાની સહાય મંજૂર કરી અધિકારી 50 ટકા કટકી લેતા હોવાનો આક્ષેપભ્રષ્ટાચારના પુરાવા આપતા પાણીધ્રા ગામના અરજદાર ગોરધનભાઈ ગોહેલે જણાવ્યું કે, મારા પરિવારના બે આવાસ બનાવવામાં આવ્યા, જેમાં મને કુલ 2,40,000 રૂપિયાની સહાય મળી. પરંતુ વિસ્તરણ અધિકારી પરસોતમ સોલંકીએ તેમાંથી 1,20,000 રૂપિયા મારી પાસેથી લીધા હતા. આ ભ્રષ્ટાચારની જાણ થતા, વિસ્તરણ અધિકારીએ મને રૂપિયા પરત આપવા માટે કોલ કર્યો હતો, જેનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે. ગોરધનભાઈએ જણાવ્યું કે ભ્રષ્ટાચારી કર્મચારીઓ ગામડે જઈ લોકોને ભરમાવે છે કે તમારે હાલમાં જે મકાન છે તેનું માત્ર રિનોવેશન કરો તો અમે તમને આવાસ યોજનાનો લાભ આપીએ. એમાં તમારે મંજૂર થયેલી રકમના 50% અમને આપી દેવાના. આ રીતે ખુદ કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરતા લોકોને શીખવે છે. વિસ્તરણ અધિકારી પરસોતમ સોલંકીનો બચાવઆ સમગ્ર મામલે માળિયાહાટીના તાલુકાના વિસ્તરણ અધિકારી પરસોતમ સોલંકીએ ' દિવ્ય ભાસ્કર' સાથે વાત કરતા જણાવ્યું કે, મારા પર કરેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. મેં ગોરધનભાઈને 'હાથ ઉછીના' રૂપિયા આપ્યા હતા, મેં કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી. તમામ લાભાર્થીઓના મકાન સ્થળ પર બનેલા જ છે. મારી જવાબદારી ઓછી છે, તાલુકા વિકાસ અધિકારીની સત્તા નિર્ણય લેવાની છે, એટલે તેમની જ બધી જવાબદારી આવે છે. આવાસ યોજનામાં 25 ચોરસ મીટરમાં બાંધકામ કરવાનું હોય છે અને હાલ 1,400 જેટલા આવાસ મંજૂર થયા હોવાની માહિતી સોલંકીએ આપી હતી. જરૂરિયાતમંદ પરિવારો ઝૂંપડામાં, માનીતાઓને લાભ'દિવ્ય ભાસ્કર'ની ટીમ જ્યારે આ ભ્રષ્ટાચારની વાસ્તવિકતા જાણવા અવાણીયા ગામે પહોંચી, ત્યારે એક એવો પરિવાર પણ સામે આવ્યો જે અત્યંત ગરીબીમાં ઝૂંપડામાં રહેતો હતો. ચાલુ વરસાદમાં નળિયાવાળી છતમાંથી વરસાદનું પાણી ઘરમાં પડતું હતું, જેના કારણે ઘરમાં રાખેલી મગફળી અને અન્ય ઘરવખરી પલળતી હતી. આ પરિસ્થિતિ જોતા સ્પષ્ટ લાગી રહ્યું છે કે અવાણીયા ગામ જ નહીં, પરંતુ માળિયાહાટીના તાલુકાના અનેક ગામોમાં લાગતા-વળગતા લોકોને આવાસ યોજનાનો લાભ આપીને સરકારી નાણાંનો બેફામ દુરુપયોગ થઈ રહ્યો છે, જ્યારે ખરેખર મકાન વિહોણા ગરીબ લોકોને સહાય મળતી નથી. ચાર વર્ષથી ન્યાય માટે લડું છું પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી: ફરિયાદીફરિયાદી જયેશ ગોહિલે 'દિવ્ય ભાસ્કર'ને જણાવ્યું કે મારી પાસે 2021ના ગ્રામ પંચાયતના ઠરાવો છે, જેમાં OBC કેટેગરીના લોકોને ખોટી રીતે SC-ST બતાવ્યા છે. મારી પાસે લાંચ આપ્યા અને પરત લેવાના કોલ રેકોર્ડ સહિત તમામ પુરાવા છે. અમારી માંગ છે કે ખરેખર જે આવાસ યોજના માટે જરૂરિયાતમંદ લોકો છે, તેને આ યોજનાનો લાભ મળવો જોઈએ અને માળિયા તેમજ માંગરોળ તાલુકામાં આવાસ યોજનામાં જે ભ્રષ્ટાચાર થયો છે, જેને લઈ વહેલી તકે યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.આવાસ યોજનામાં વર્ષ 2024-25માં 1,400થી વધુ મકાનો માટે સરકારે કરોડો રૂપિયાની સહાય ફાળવી છે, પરંતુ જો ભ્રષ્ટાચાર આ જ રીતે ચાલતો રહેશે તો જરૂરિયાતમંદોને સહાય ક્યારેય નહીં મળે તે સ્પષ્ટ છે. SC કેટેગરીના અરજદારને OTHERમાં દર્શાવી લાભથી વંચિત રાખ્યાઅવાણીયા ગામના નરેન્દ્ર વડિયાતરે જણાવ્યું કે હું SC કેટેગરીમાં આવું છું અને મારું મકાન આવાસ યોજનામાં તૈયાર થવાનું હતું, પરંતુ મને 'Other' કેટેગરીમાં બતાવી આવાસ યોજનાનો લાભ આપવામાં આવ્યો નથી. જ્યારે અધિકારીઓ-કર્મચારીઓને રૂપિયા આપ્યા હોય, તેવા SC અને ST કેટેગરીમાં ન આવતા લોકોએ પણ આ યોજનાનો લાભ લઈ લીધો છે. અધિકારીઓ અરજદારો પાસેથી રૂપિયા વસૂલે છે તેના જ આવાસ મંજૂર થાય છે. એકથી વધુ વખત સહાય મેળવી હોય તેવા પણ અનેક મકાનો બન્યા છે. ત્યારે નવાઈની વાત તો એ છે કે અવાણીયા ગામમાં એક પણ ST સમાજનું એક પણ ઘર નથી. તાલુકા વિકાસ અધિકારી (TDO)ની બદલીની ચર્ચામાંગરોળ અને માળિયાહાટીનામાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર થયાની વાતો તાલુકા કક્ષાએ પ્રસરતા થોડો સમય પહેલા જ માંગરોળના TDO અને માળિયાહાટીનાના TDO બંનેએ બદલી કરાવી લીધી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. જે બદલી હાલ જુનાગઢ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. હું હજી હાજર જ થયો છું એટલે આ બાબત મારા ધ્યાનમાં નથી- TDOમાળિયાહાટીનાના નવા તાલુકા વિકાસ અધિકારી વિનોદ પરમારે જણાવ્યું કે, હું નવી નિમણૂક સાથે થોડો સમય પહેલા જ અહીં હાજર થયો છું. હજુ સુધી મારા ધ્યાનમાં આ બાબત આવી નથી, પરંતુ આ મામલે યોગ્ય તપાસ કરાવી જો આ કેસમાં કોઈપણ કસૂરવાર થશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરીશું. માંગરોળ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે ધારાસભ્યએ CMને રજૂઆત કરી હતીઆ સમગ્ર મામલે માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે, મેં માંગરોળ આવાસ યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. પરંતુ માળિયા હાટીના તાલુકામાં આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની બાબત મારા ધ્યાને હજુ આવી નથી. આ બાબત ધ્યાનમાં આવતા આ મામલે પણ રજૂઆત કરીશ. અને માંગરોળ તાલુકા વિકાસ અધિકારીની જે બદલી થઈ છે તે અધિકારીની બદલી થાય તે મારા દ્વારા જ માંગ કરવામાં આવી હતી.
હવે બ્લડ કેન્સરનો રામબાણ ઇલાજ ગુજરાતમાં જ મળી રહેશે. અમદાવાદની મેરિગો સિમ્સ હોસ્પિટલને CAR-T સેલ થેરેપીમાં મહત્વની સફળતા મળી છે. આ થેરેપી લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા સહિતના ઘણા બ્લડ કેન્સરના દર્દીઓ માટે 100% આશાનું કિરણ છે. ડૉક્ટર અને એન્જિનિયર બન્નેએ ભેગા થઇને કરેલા સંશોધનથી આ થેરેપી શક્ય બની છે. વિદેશમાં 2થી 4 કરોડ રૂપિયાના ખર્ચે થતી આ સારવાર ગુજરાતમાં 20થી 30 લાખ રૂપિયાના ખર્ચે થઇ શકશે. ખરેખર આ CAR-T સેલ થેરેપી છે શું? આ કોણ કરાવી શકે ? શું આ થેરેપીથી આપણાં શરીરમાં કોઇ મોટી સર્જરી કરાવવી પડે છે? શું એક વાર આ થેરેપી કરાવ્યા પછી ફરીવાર કેન્સર થવાના ચાન્સ ખરાં? આ થેરેપીની સૌથી વધારે કેવા કેન્સરમાં જરૂર પડે છે? આ થેરેપી પહેલાં કેવી કેવી પ્રોસેસ થાય છે આ તમામ બાબતે દિવ્ય ભાસ્કરે મેરિગો સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ હિમેટોલોજિસ્ટ, હિમેટો ઓન્કોલોજિસ્ટ અને BMT ફિઝિશિયન ડૉ. કૌમિલ પટેલ સાથે ખાસ વાતચીત કરી હતી. CAR-T સેલ થેરેપી શું છે?CAR-T સેલ થેરેપી સ્પેશિયલાઇઝ થેરેપી છે. જેનું આખું નામ કાયમેરિક એન્ટિજન રિસેપ્ટર ટી સેલ છે. શરીરમાં રહેલી રોગપ્રતિકારક શક્તિ માટે કેટલાક કોષો જવાબદાર હોય છે. જેમ કે T સેલ, B સેલ વગેરે. આ થેરેપીમાં દર્દીની રોગપ્રતિકારકતા માટે જે સેલ જવાબદાર હોય છે તેને શરીરમાંથી લેવામાં આવે છે. એ પછી તેને જીનેટિક અને બાયો એન્જિનિયરિંગ લેબમાં લઇ જવાય છે. જ્યાં તે સેલને મોડિફાઇડ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. નોર્મલ T સેલને એ રીતે મોડિફાય કરાય છે જેથી એ આપણાં શરીરમાં કેન્સરના કોષોને જોઇ શકે એટલું જ નહીં તેને ઓળખીને તેનો નાશ પણ કરી શકે. આમ T સેલ લઇને તેમાંથી નવા જે સેલ બનાવાય તેને CAR-T સેલ થેરેપી કહેવાય છે. T સેલ લેવાની પ્રોસેસસૌથી પહેલાં તો દર્દીના શરીરમાંથી તેના પોતાના જ T સેલ લેવાય છે. જેમ લોહી આપવા જઇએ અને શરીરમાંથી લોહી લેવાય તેવી જ રીતની પ્રોસેસ આમાં પણ થાય છે. એક નિડલથી લોહી લેવામાં આવે છે. જે લોહી એક મશીનમાં જાય છે અને તેમાંથી માત્ર T સેલ અલગ થાય છે. જે બાદ બાકીનું લોહી એ વ્યક્તિના શરીરમાં પાછું જતું રહે છે. એકવાર આ સેલ લીધા પછી મુંબઇની સ્પેશિયલ લેબમાં મોકલાય છે. મુંબઇની લેબમાં તેના પર પ્રોસેસ શરૂ થાય છે. સેલને રિક્રીએટ થતાં 2થી 3 અઠવાડિયાનો સમય લાગે છે. જેના પછી તેમાંથી CAR-T સેલ તૈયાર થાય છે. એમાં ક્વોલિટી કન્ટ્રોલથી લઇને આ સેલ કેટલું કામ કરી શકશે તેની પણ ચકાસણી થાય છે. ફાઇનલ CAR-T સેલ તૈયાર થઇ જાય એટલે મુંબઇની લેબમાંથી માહિતી અપાય છે. આ માહિતી મળ્યા બાદ દર્દીને હોસ્પિટલમાં એડમિટ કરાય છે અને કેટલીક જરૂરી સારવાર અપાય છે. બીજીતરફ ફ્લાઇટ દ્વારા CAR-T સેલ અમદાવાદ આવે છે અને તેને હોસ્પિટલ સુધી પહોંચાડાય છે. CAR-T સેલ માઇનસ 80 ડિગ્રીમાં રખાય છેડૉ. કૌમિલ પટેલ કહે છે કે, જ્યારે CAR-T સેલ મુંબઇની લેબમાંથી પ્લેનમાં કુરિયર દ્વારા અહીં મોકલવામાં આવે છે ત્યારે તેને માઇનસ 80 ડિગ્રીમાં બરફના સ્વરૂપમાં રાખવામાં આવે છે. CAR-T સેલ 3 મહિના સુધી આરામથી રહી શકે છે. જે અહીં આવ્યાં પછી તેને નોર્મલ ટેમ્પરેચરમાં કન્વર્ટ કરીને દર્દીને અપાય છે. તમને જાણીને નવાઇ લાગશે કે આમાં કોઇપણ પ્રકારનું ઓપરેશન કરવામાં નથી આવતું. દર્દી 1 વર્ષમાં સ્વસ્થ થઇ જાય છે'આ આખી પ્રોસેસમાં એકાદ કલાક જેટલો સમય લાગે છે. એક વાર આ પ્રોસેસ પૂર્ણ થાય એ પછીના બે અઠવાડિયા સુધી એ સેલ દર્દીના શરીરમાં કેન્સરના સેલને મારવાનું કામ કરે છે. જેનું ઓબ્જર્વેશન કરીએ છીએ પછી દર્દીને રજા અપાય છે. જે બાદ દર્દીને મહિને મહિને બોલાવાય છે. દર્દી સંપૂર્ણ રીતે 1 વર્ષમાં એકદમ ફ્રી થઇ જાય છે.' IIT મુંબઇ અને TATA મેમોરિયલ હોસ્પિટલે પ્રયત્ન શરૂ કર્યો હતોતેમણે કહ્યું, વિશ્વમાં CAR-T સેલ થેરેપી 2010થી ઉપલબ્ધ છે. જેની મંજૂરી 2017માં આવી. મંજૂરી બાદ આ થેરેપી અમેરિકા, ઇઝરાયલ, ચીન, સિંગાપોરમાં ચાલતી હતી. તેનો ખર્ચો કરોડો રૂપિયા થતો હતો. આવામાં અમારી પાસે આવતાં કોઇ દર્દીને અમે ભાગ્યે જ વિદેશમાં સારવાર કરાવવાનું કહેતા હતા. 'બીજી તરફ IIT મુંબઇ અને TATA મેમોરિયલ હોસ્પિટલે વર્ષ 2020થી આ દિશામાં પ્રયત્નો શરૂ કર્યાં હતા. છેલ્લા એકથી દોઢ વર્ષમાં આ થેરેપી આપણાં દેશમાં બનાવી. હાલમાં જ એક દર્દીને આ થેરેપીથી કેન્સરનો ઇલાજ કર્યો હતો. જેમાં ખૂબ જ સારી સફળતા મળી. મારી દૃષ્ટિએ આ પ્રકારની થેરેપી આપનારા ગુજરાતમાં અમે પહેલાં છીએ.' CAR-T સેલ થેરેપી આશાનું કિરણ'અત્યાર સુધી એવું જોવા મળતું હતું કે લોહીના કેન્સરની ટ્રીટમેન્ટ માટે કિમોથેરેપી આપવામાં આવતી હતી પરંતુ જેમ જેમ ટેક્નોલોજી અને સંશોધનો થઇ રહ્યાં છે તેના કારણે નવી નવી પદ્ધતિઓ આવતી જાય છે. કિમોથેરેપી પછી ટાર્ગેટેડ થેરેપી આવી જે બાદ બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટનો પણ ઓપ્શન આવ્યો. આવી સારવાર બાદ પણ એવું થતું હતું કે લોહીના કેન્સરના 20થી 25% દર્દીઓમાં 1, 2 કે 3 વર્ષનો સમય વિત્યા પછી કેન્સર પાછું આવી જતું હતું. આવી સ્થિતિમાં અમારે દુઃખ સાથે 2 હાથ જોડીને દર્દીના સંબંધીને કહેવું પડતું હતું કે હવે અમે આગળનો ઇલાજ નહીં કરી શકીએ, તમે દર્દીને ઘરે લઈ જાઓ અને તેની સેવા કરો. હવે CAR-T સેલ થેરેપી આ પ્રકારના દર્દીઓ માટે આશાની એક નવી કિરણ બની છે.' શું એક વાર CAR-T સેલ થેરેપી આપ્યાં પછી એ વ્યક્તિને ફરી કેન્સર થવાની સંભાવના છે એ અંગે પૂછતાં ડૉ. કૌમિલ પટેલે કહ્યું, પહેલાં અમે કિમોથેરેપી, ઇમ્યિનોથેરેપી, ટાર્ગેટેડ થેરેપી આપતા હતા, બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટ કરતાં હતા તેમ છતાં પણ 20 થી 25% દર્દીઓનું કેન્સર કન્ટ્રોલમાં ન આવે અથવા તો તેમને ફરીથી કેન્સર થતું હતું. આવા દર્દીઓ માટે આ થેરેપી ખૂબ જ અગત્યની બનશે. તેમના માટે 100% આશાનું કિરણ છે. 'આ થેરેપીમાં બાકી બધા ઉપચાર કરતાં ખૂબ જ સારી ક્યોરિટી છે છતાં પણ 100% રિસ્પોન્સ બ્લડ કેન્સરમાં મળવો આમાં પણ શક્ય નથી પણ જે દર્દીઓ માટે પહેલાં અમે કંઇ જ નહોતા કરી શકતા એવા દર્દીઓને પણ અમે 60 થી 65% ક્યોર કરી શકીએ છીએ. મને વિશ્વાસ છે કે નવા સંશોધનો થશે તેમ તેમ આમાં પણ નવા ઇનોવેશનો થશે.' મહિલા દર્દીની હાલત સુધરી'અમે ગુજરાતમાં પહેલીવાર જે દર્દીને CAR-T સેલ થેરેપી આપી તે મહિલા માત્ર 36 વર્ષની હતી. તેને બાળકો પણ છે. તેઓ એક વાર આ બીમારીમાંથી બહાર આવ્યા એ પછી ફરી તેમને આ બીમારી થઇ હતી. જ્યારે આવી બીમારી પાછી આવે ત્યારે પહેલા કરતાં ખૂબ જ ગંભીર સ્વરૂપ લઇને પાછી આવતી હોય છે. આ દર્દી માટે અમે બોર્નમેરો ટ્રાન્સપ્લાન્ટના તમામ પ્રયત્નો કરી ચૂક્યાં હતા પણ કોઇ પરિણામ ન મળ્યું.' 'એક ડૉક્ટર તરીકે હું અને મારી ટીમ આ દિશામાં વિચારી રહ્યાં હતા કે તેમની સારવાર કરવી છે એટલે અમે દર્દી સાથે CAR-T સેલ થેરેપી અંગે ચર્ચા કરી એ પછી તેમની ફિટનેસ ચકાસી ત્યાર બાદ તેમની બીમારીને કન્ટ્રોલમાં લેવાની શરૂઆત કરી. એ પછી આજથી એક મહિના પહેલા તેમના શરીરમાંથી CAR-T સેલ માટેની પ્રક્રિયા કરી મુંબઇ મોકલ્યા. મુંબઇથી સેલ તૈયાર થઇને આવ્યાં પછી એ મહિલા દર્દીને અપાયા. હાલમાં ખૂબ જ સારું પરિણામ જોવા મળી રહ્યું છે.' લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા કેન્સર માટે કારગતતેમના મતે, દુનિયામાં કેન્સરના જેટલા પણ દર્દીઓ છે તેમાં બીજા નંબર પર બ્લડ કેન્સરના દર્દીઓ આવે છે. બ્લડ કેન્સરમાં પણ લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમા સહિત ઘણા કેન્સર છે.હાલમાં જે CAR-T સેલ થેરેપી શોધાઇ છે તે લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટિપલ માયલોમામાં કામ કરે છે. લિમ્ફોમાના દર્દીઓ ઉંમરમાં નાના પણ હોઇ શકે અને મોટા પણ હોઇ શકે. માયલોમાના દર્દીઓ મોટા ભાગે મોટી ઉંમરના હોય છે. જ્યારે લ્યુકેમિયાના દર્દીઓ યંગ હોય છે. આ થેરેપી નાના બાળકોથી માંડીને ઉંમરલાયક લોકોમાં સફળ રીતે કરી શકાય છે. વિદેશમાં 2થી 4 કરોડ રૂપિયાનો ખર્ચ, દેશમાં 20થી 30 લાખ'થેરેપી આપવાથી કેન્સરની લડત સામે ચોક્કસપણે લાભ થશે જ. હાલમાં આ દિશામાં ઘણી ટ્રાયલ ચાલી રહી છે, વધારે સંશોધનો થઇ રહ્યાં છે. જેનાથી ઘણા ફાયદા થશે. સૌથી મોટો ફાયદો કહું તો વિદેશમાં આ થેરેપી 2 થી 4 કરોડ રૂપિયામાં થાય છે પણ આપણે ત્યાં 20થી 30 લાખ રૂપિયાની વચ્ચે થઇ જાય છે. આવનારા 5 થી 7 વર્ષમાં અન્ય કેન્સરના નિદાન માટે પણ આવી થેરેપી આવી જશે. વાના રોગ માટે પણ ઘણી ટ્રાયલ ચાલી રહી છે.' તેમણે ઉમેર્યું કે, CAR-T સેલ થેરેપી એન્જિનિયર સાયન્સ વગર શક્ય જ નથી. આ એક કોલોબ્રેટિવ ઇનોવેશન છે જેમાં કોઇ ડોક્ટર દર્દી તરફથી જુએ છે. જ્યારે એન્જિનિયર મનુષ્યના શરીરના કોષોને કેવી રીતે એન્જિનિયરિંગ મોડિફાઇ કરી શકે તે જુએ છે. ડોક્ટર અને એન્જિનિયર બન્ને જ્યારે ભેગા થયા તેના ઇનોવેશનથી જ CAR-T સેલ થેરેપી શક્ય બની છે.
હવે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઇ રહી છે. સવારે અને રાત્રે ઠંડી અનુભવાઇ રહી છે. શિયાળો આવતા જ ઠંડીની સાથે એક શબ્દ સાંભળવા મળે છે, એ શબ્દ છે એર પોલ્યૂશન એટલે કે વાયુ પ્રદૂષણ. કયા શહેરમાં કેટલું એર પોલ્યૂશન નોંધાયું તેના સમાચાર રોજ આવશે. પણ શું તમને ખબર છે કે આ એર પોલ્યૂશન જે મશીનથી માપવામાં આવે છે તે મશીન એક ગુજરાતી યુવાનની કંપની બનાવે છે. આખા દેશમાં આ ડેટા લેવા માટે ભારત સરકાર તથા મોટાભાગની રાજ્ય સરકારોએ એક ગુજરાતી યુવાનની એકોએમ નામની કંપનીને રોકી છે. 50 વર્ષથી વધુ જૂની આ કંપની મૂળ ફ્રાન્સની છે અને ભારત ઉપરાંત અન્ય 80 જેટલા દેશોમાં કાર્યરત છે. કંપની હવા અને ધ્વનિ પ્રદૂષણ માપવા માટેના યંત્રો બનાવીને ઇન્સ્ટોલ કરે છે અને તેના ડેટાનું એનાલિસિસ કરીને સરકારને મોકલે છે. એકોએમ કંપનીના માલિક સમીર સબનીસ મૂળ વડોદરાના છે અને હાલ અમેરિકામાં સ્થાયી થયા છે. તેમણે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે. સમીરના પત્ની પણ MSUમાં પ્રોફેસર હતા. કંપનીની હેડ ઓફિસ વડોદરામાંઆ કંપની ઇલેક્ટ્રોનિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે. જે એર ક્વોલિટી અને નોઇઝ પોલ્યૂશન તથા મશીનરી હેલ્થ મોનિટરિંગ માટે વપરાય છે.આ કંપનીની પેરન્ટ કંપનીનું નામ અરેવા છે. જે વડોદરામાં હતી. કંપનીની હેડ ઓફિસ વડોદરામાં છે. કંપનીનું ગ્લોબલ ટર્નઓવર 1500 કરોડ જેટલું છે. ભારતમાં 300 અને ભારત બહાર 1200થી વધુ કર્મચારીઓ છે. એકોએમ કંપની 3 ડિવિઝનમાં કામ કરે છે.1) એન્વાયર્મેન્ટ2) લાયેબિલિટી3) ડિફેન્સ એન્વાયર્ન્મેન્ટ ડિવિઝનમાં નોઇઝ પોલ્યૂશન, એર પોલ્યૂશન, પાર્ટિકલ મોનિટરિંગ વગેરે આવે છે. જ્યારે લાયેબિલિટી ડિવિઝનમાં ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, હેલ્થ અને અનસેફ્ટી જેવી વસ્તુઓ પર ફોકસ કરે છે. ડિફેન્સ ડિવિઝનમાં ગન શોટ અને ડ્રોન ક્યાંથી આવ્યા તે ડિટેક્ટ કરવા માટેના ડિવાઇસ બનાવાય છે. એર ક્વોલિટી માટે બનેલા મશીનને ગેસ એનેલાઇઝર્સ, પાર્ટિકલ માટે બનાવેલા ડિવાઇસને પર્ટીક્યુલેટ મોનિટર્સ તથા નોઇઝ પોલ્યૂશન માટે બનાવેલા ડિવાઇસને નોઇઝ મોનિટરિંગ સ્ટેશન કહેવાય છે. એર ક્વોલિટી માપવાનું મશીન મધ્યપ્રદેશમાં બને છેમધ્યપ્રદેશના ઇન્દોરના પીથમપુરમાં કંપનીનો પ્લાન્ટ આવેલો છે. જ્યાં એર ક્વોલિટી ડિવાઇસ બનાવાય છે. આપણને રોજેરોજ એર ક્વોલિટી અંગે જે ડેટા મળે તે માપવા માટેના સાધન પીથમપુરની ફેક્ટરીમાં બને છે. પર્ટીક્યુલેટ મોનિટર્સનો પ્લાન્ટ યુએસમાં છે જ્યારે નોઇઝ મોનિટરિંગ સ્ટેશન ફ્રાન્સમાં બને છે. દેશના મોટાભાગના રાજ્યોમાં કંપનીના ડિવાઇસસમીરના દાવા પ્રમાણે, ભારતના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી મોટાભાગના પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડમાં અમારા જ ડિવાઇસ લગાવેલા છે. એમ કહી શકાય કે લોકો પાસે એર ક્વોલિટી અને નોઇઝ પોલ્યૂશનના જે આંકડા આવે છે એ અમારા સ્ટેશનથી જ આવે છે. આખી દુનિયામાં આવી 3-4 સર્ટિફાઇડ કંપની છે. ભારતમાં 1-2 લોકલ કંપની છે પણ તેમની પાસે સર્ટિફિકેટ નથી. કોઇ પોલ્યૂશન લિમીટ ક્રોસ કરે તો કેસ થાય, કોર્ટમાં જાય અને પેનલ્ટી નક્કી થાય એ બધા માટે ડેટાનું સર્ટિફિકેશન થવું જરૂરી છે. એ સર્ટિફિકેશન ગ્લોબલ સર્ટિફિકેશન ગણાય. એવી અમૂક કંપની જ છે. જે ફૂલ સોલ્યુશન આપે છે. એમાંથી અમે એક છીએ. મોટા રૂમ જેટલી જગ્યામાં મશીન લાગ્યાએર પોલ્યૂશન માપવા માટે વપરાતા મશીન અંગે તેમણે કહ્યું કે, શહેરમાં ફૂલ સ્ટેશન હોય છે. એક મોટા રૂમ જેટલી જગ્યામાં મશીન લાગેલા હોય છે. ઉપરથી હવા અંદર ખેંચાય અને ચેક થાય. એરિયા અને વસતિને ધ્યાને રાખી એક જ શહેરમાં આવા સ્ટેશન ઘણી જગ્યાએ રાખવા પડે છે. સામાન્ય રીતે 10 લાખની વસતિવાળા શહેરમાં 4 સ્ટેશન હોવા જોઇએ.' પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કંપનીના કસ્ટમર છે'ઇન્ડસ્ટ્રીઝ અને સેન્ટ્રલ તેમજ સ્ટેટ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ અમારા કસ્ટમર છે. કસ્ટમર જ્યાં કહે ત્યાં અમે વાયુ પ્રદૂષણ માપવાના સાધનો ઇન્સ્ટોલ કરીએ છીએ અને તેના રિપોર્ટ આપીએ છીએ. સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)એ પ્રદૂષણ અંગેના કાયદા બનાવ્યા છે. એ પ્રમાણે કોઇપણ ઉદ્યોગે એર ક્વોલિટી માટે નિયમો પાળવા પડે છે. ઇન્ડસ્ટ્રીએ પણ આ ડિવાઇસ લગાવીને તેનો ડેટા PCB (પોલ્યૂશન કંટ્રોલ બોર્ડ) ને સતત મોકલવો પડે છે.' દિલ્હીમાં હાલમાં જેટલા ગેસ એનેલાઇઝર સ્ટેશન છે તે પૂરતા નથી તેમ જણાવતા સમીરે કહ્યું, દિલ્હીમાં નવા જૂના થઇને 50 જેટલા સ્ટેશન છે પણ એ પૂરતા નથી કારણ કે વસતિ, જે-તે સમયના પરિબળો જેવી ઘણી વસ્તુઓ તેને અસર કરે છે. આવા દરેક સ્ટેશન પર વેધર મોનિટરિંગ સિસ્ટમ હોય છે જે હવાની દિશા અને સ્પીડ માપે છે. તેનો મેપ બનાવે છે. એ રીતે બધા સ્ટેશનનો ડેટા કલેક્ટ થાય. આ ડેટાનું એનાલિસિસ કરીને રિપોર્ટ સબમિટ થાય છે.' 'દરરોજ અને દર મહિને PCB (પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ)ને એકીકૃત રિપોર્ટ જતો હોય છે પણ રો ડેટા તો દર 15 મિનિટે જાય છે. અમારી પાસે ડેટા એનાલિસિસ એક્સપર્ટની ટીમ છે. જે આ રિપોર્ટ બનાવે છે.' 'જ્યારે કોઇ આ મશીનની નજીક જઇને કંઇક સળગાવે તો તેની નોંધ પણ થાય છે પરંતુ એ થોડા સમય પૂરતી હોય છે એટલે તેનો અંદાજો આવી જાય છે. જ્યારે રિપોર્ટ મહિના કે દિવસનો હોય છે. જેમાં એવરેજ, બિહેવીયર, પેટર્ન વગેરે વસ્તુ જોવાતી હોય છે.' 'CPCB (સેન્ટ્રલ પોલ્યૂશન કન્ટ્રોલ બોર્ડ) સામે સૌથી મોટી ચેલેન્જ એ જ હતી કે ડેટા સાચા છે કે નહીં? એ માટે એમણે ઘણા સ્ટેપ્સ લીધા. જેથી અમારી સિસ્ટમ પણ વધુ વેચાઇ રહી છે. હવે CPCB રિપોર્ટ ઉપરાંત એનેલાઇઝરમાંથી ઇન્ટરનેટ કનેક્શન દ્વારા રો ડેટા પણ પોતાના સર્વર પર લે છે. જેથી એ બન્ને વચ્ચેનો તફાવત નહીંવત હોય છે.' એર પોલ્યૂશન સાયલન્ટ કિલરએર પોલ્યૂશન કેટલું ખતરનાક છે તેના વિશે સમીરે ઉમેર્યું, એર પોલ્યૂશન પેસિવ સ્મોકિંગ જેટલું જ નુકસાનકારક છે અને સાયલન્ટ કિલર પણ છે. એ શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. એર પોલ્યૂશનના કારણે લોકોને ઘણા નવા રોગ થઇ રહ્યાં છે. જે પહેલાં નહોતા થતાં. જો પહેલેથી જ નક્કી કરીએ કે એર પોલ્યૂશન કેટલું છે તો એ પ્રમાણે એક્શન લઇ શકાય. નોઇઝ પોલ્યૂશન સ્ટેશન વિશે તેમણે કહ્યું કે, એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશનની જેમ જ નોઇઝ પોલ્યૂશનના પણ સ્ટેશન હોય છે પરંતુ એ ખૂબ નાના હોય છે. નોઇઝ લેવલનું મીટર હોય છે. જેનાથી જે-તે લોકેશનનું ધ્વનિ પ્રદૂષણ મોનિટર કરી શકાય. આવા ડિવાઇસ ટ્રાફિક હોટ સ્પોટ્સ પર લગાવાય છે. જેના ડેટાથી નક્કી થાય છે કે નોઇઝ પોલ્યૂશન ઘટાડવા શું કરી શકાય. બેરિયર્સ મૂકવા કે નો હોંકિંગ એરિયા જાહેર કરવો તે નક્કી કરાય છે. નોઇઝ પોલ્યૂશન માપવામાં ગુજરાત આગળ'નોઇઝ પોલ્યૂશન મેઝરમેન્ટ માટે આ તો હજુ નવું જ છે. ગુજરાત એમાં આગળ છે. ગુજરાતમાં વડોદરામાં 4, અમદાવાદમાં 4, રાજકોટ-સુરતમાં ડેટા મપાઇ રહ્યો છે. દિલ્હી-મુંબઇમાં આવા સ્ટેશન છે. માઇક્રોફોન અવાજની એનર્જી માપે છે અને ડેસિબલ્સમાં રેકોર્ડ કરે છે. એર ક્વોલિટી ડિવાઇસની જેમ જ ડેટા પરથી રિપોર્ટ બનાવવામાં આવે છે.' 'નોઇઝ પોલ્યૂશનના નુકસાન અંગે ઘણા સ્ટડી સામે આવ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે નોઇઝ પોલ્યૂશન કન્ટ્રોલ કરવું જરૂરી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે નિયમ બનાવ્યો કે નોઇઝ મોનિટરિંગ બધાએ કરવાનું જ છે.' એકોએમ કંપનીએ 4 વર્ષ પહેલાં એક્વાયર કરેલી કંપનીનો ઉલ્લેખ કરતાં સમીરે કહ્યું કે, એકોએમ ડસ્ટ પાર્ટિકલ મેઝરમેન્ટ માટે ડિવાઇસ બનાવે છે. આ માટે ચારેક વર્ષ પહેલાં આ ક્ષેત્રમાં નંબર-1 રહેલી કંપની એક્વાયર કરી છે. મશીન મોનિટરિંગ ડિવાઇસ'અમારા મશીન મોનિટરિંગ ડિવાઇસ પણ છે. જેમ આપણાં શરીર માટે બ્લડ ટેસ્ટ કે ઇસીજી કરાવીએ છીએ તેમ અમે મશીનનું સ્વાસ્થ્ય કેવું છે તે તપાસીએ છીએ. વાયબ્રેશન સિસ્ટમ દ્વારા અમે આ તપાસીએ છીએ. વાયબ્રેશન જોઇને અમારા એક્સપર્ટ કહે કે મશીનમાં કયા પાર્ટમાં શું પ્રોબ્લેમ છે. એનાથી કયું મશીન કેટલો સમય ચાલશે એ પણ જાણવા મળે છે.' 'મોટર્સ, ટર્બાઇન્સ, કંપ્રેશર, પંખા, બ્લોઅર્સ જેવા જે પણ મશીન રોટેટ કરે છે એ બધાની તપાસ થાય છે.' 'મશીન મોનિટરિંગ બે રીતે થાય છે. અમુક શિડ્યુલ મોનિટરિંગ કરાવે છે. અમુક કંપની મશીન ત્યાં જ રાખે છે. કેટલીકવાર અમે ડિવાઇસ સપ્લાય કરીએ છીએ. કંપની પોતાના એનાલિસ્ટ રાખે છે. જેની પાસે એનાલિસ્ટ ન હોય તેને અમે ઇન્સ્ટ્રુમેન્ટ સાથે એનાલિસિસની સર્વિસ પણ આપીએ છીએ. સિમેન્ટ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, પેપર, સ્ટીલ એમ બધી જ હેવી ઇન્ડસ્ટ્રીઝને અમે મશીન સપ્લાય કરીએ છીએ.' સમીરે કહ્યું કે, બિઝનેસ માટે મારે અવારનવાર અમેરિકા આવવા જવાનું થતું હતું. અમેરિકાનો બિઝનેસ વધારવાનો અને બીજી કંપની એક્વાયર કરવાની હતી એટલે કેટલાક વર્ષોથી વોશિંગ્ટન ડીસીના ફેરફેક્સ શહેરમાં રહું છું. હવે ગ્લોબલ બિઝનેસ બધો ત્યાંથી જ હેન્ડલ કરીએ છીએ. જે વધુ સરળ છે.
પ્રજા ત્રાહિમામ:છોટાઉદેપુર નગર સહિત જિલ્લામાં મચ્છરોના ત્રાસથી પ્રજા ત્રાહિમામ
છોટાઉદેપુર નગર સહિત છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં મચ્છરોનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. વરસાદ ગરમી તાપ જેવી બેવડી ઋતુની સાથે રાત્રિના વધતી જતી ઠંડીની સાથે સાંજના સમયે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેને દૂર કરવા પાલિકા તંત્ર તથા જિલ્લાના નગરો અને ગ્રામપંચાયત વિસ્તારોમાં દ્વારા જંતુ નાશક દવા છાંટવામાં આવે તેમ પ્રજા માંગ કરી રહી છે. છોટાઉદેપુર નગરમાં તથા ગ્રામીણ વિસ્તારોમાં આવેલ સલ્મ વિસ્તાર તથા નદી કિનારે આવેલ વિસ્તારોમાં ભારે ગંદકીના કારણે તથા કચરાના ઢગલાને કારણે મચ્છરોનો ભારે ત્રાસ વર્તાઈ રહ્યો છે. સાંજના સમયે મચ્છર કરડવાના ડરથી ઘરની બહાર બેસી શકાતું નથી. નગરના અમુક વિસ્તારોમાં ગટરની સાફ સફાઈ વ્યવસ્થિત રીતે કરવી જરૂરી છે. હાલમાં ચાલતી બેવડી ઋતુની સાથે સાથે મચ્છરોના ઉપદ્રવથી ડેંગ્યુ, મેલેરીયા, ટાયફોડ, જેવી બીમારીઓ વધુ ફેલાય નહિ અને પ્રજાનું આરોગ્ય જળવાઈ રહે જે અંગે તંત્ર દ્વારા પગલાં ભરે તેમ નગરજનો ઈચ્છી રહ્યા છે. નદીમાં ઠલવાતો કચરો પણ બાળી દેવો જોઈએ જેનાથી મચ્છરનો ઉપદ્રવ ફેલાય નહિ. છોટાઉદેપુર જિલ્લાના તાલુકાઓમાં ઝીણી જીવાતો પણ રોડ ઉપર ઉડી રહી છે. જે મોટરસાયકલ લઈને રસ્તે ચાલતા નગરજનો તથા રાહદારીઓની આંખોમાં પડે છે. અને અકસ્માત થવાનો ભય રહેલો છે નગરનું. કુસુમ સાગર તળાવ તરફથી પણ મચ્છરો આવતા હોય તેમ નગરજનો જણાવી રહ્યા છે. મચ્છરદાની જેવી સહાય પ્રજા સુધી પહોંચે છે કે નહીં ? ચર્ચાનો વિષયછોટાઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા પ્રજાના આરોગ્ય માટે આંધળો ખર્ચ કરવામાં આવે છે. ગ્રામીણ વિસ્તારોમાં પ્રજાને પૂરેપૂરી સહાય મળે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. મચ્છરદાની જેવી સહાય આપવામાં આવે છે. જો સહાય આવે છે તો તે ખરેખર પ્રજા સુધી પહોંચે છે કે કેમ તેની પણ તપાસ થવી જોઈએ તેમ પ્રજા ઇચ્છી રહી છે. આવનારા દિવસોમાં શિયાળાની ઋતુ શરૂ થશે. હવે સાંજના સમયે મચ્છરોનો વધુ ત્રાસ હોય જે અંગે અગમચેતી રાખી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જોઈએ તેમ પ્રજા ઇચ્છી રહી છે.
ફરિયાદ:સીઝ કરેલી કાર વેચતા ફાઇ.ના કર્મચારીનો કાનનો પરદો ફાડ્યો
દાહોદ શહેરના ઇન્દૌર રોડ ઉપર ફાઇનાન્સ કંપનીની ઓફિસમાં ધસી જઇને 4 લોકોએ અમારા માણસની સીઝ કરેલી અર્ટીગા ગાડી કેમ વેચી નાખી કહીને હુમલો કર્યો હતો. આ હુમલામાં ફાઇનાન્સ કંપનીના કર્મચારીનો કાન ફાટી ગયો હતો. દાહોદ શહેરના જુના ઇન્દૌર રોડ ઉપર રઘુનંદન સોસાયટીમાં મહીન્દ્રા ફાઇનાન્સની ઓફિસના કર્મી સંદીપભાઇ ડબીર હાજર હતાં. ત્યારે સવારના 11 વાગ્યાના અરસામાં ત્યાં ધસી ગયેલા મોટી ખરજના નવલ ખરાડિયા, રેવાસિંગ ખરાડિયા, રાહુલ ખરાડિયા અને દીલીપ ખરાડિયાએ અમારા ગામના કમરેજભાઇ બારિયાની મારૂતી અર્ટીગા ગાડી સીઝ કરી હતી. તે ગાડી કેમ વેચી દીધી છે કહીને બોલાચાલી કરી હતી. આ વખતે ચારેએ સંદીપભાઇ સાથે મારામારી કરી હતી. નવલે ડાબા કાન ઉપર થપ્પડ મારતા લોહી નીકળી ગયું હતું. સંદીપભાઇના કાનનો પડદો ફાટી ગયો હતો. સંદીપભાઇની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી ચારેયનની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
કાર્યવાહી:આંબા ગામે યુવક પાસેથી ચોરીનો મોબાઇલ રિકવર કર્યો!
લીમડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચોરીના ગુનાને ઉકેલવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. પોલીસે ગુનાને અનડિટેક્ટમાંથી ડિટેક્ટ કરવામાં સફળતા મેળવી હતી.પોલીસે ચોરાયેલા મોબાઇલ સાથે લીમડી તાલુકાના આંબા ગામના વિનોદભાઇ દિનેશભાઇ જાતે ભુરીયાને ઝડપી પાડી કાર્યવાહી કરી છે. પોલીસે વિનોદ પાસેથી પાસેથી ચોરીમાં ગયેલો રિયલ મી GT6T મોબાઇલ રિકવર કર્યો છે. જેની કિંમત રૂા.32999 આંકવામાં આવી છે. પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા તથા પોલીસ અધિક્ષક રવીરાજસિંહ જાડેજા દાહોદનાઓ દ્વારા મોબાઇલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા માટેની સૂચના આપવામાં આવેલ હતી. લીમડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.કે.રાજપૂત અને પોલીસ કર્મચારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન:રવિ પાક માટે જમીન સૂકી થાય પછી જ વાવેતર કરવું હિતાવહ
કમોસમી વરસાદ બાદ ખેડૂતો માટે શિયાળુ પાકના વાવેતર સંદર્ભે ખેતીવાડી વિભાગે ખેડૂતો માટે જરૂરી માર્ગદર્શન જાહેર કર્યું છે જેમાં જમની સૂકી થયા બાદ જ વાવેતર કરવાની સલાહ આપવામાં આવી છે. રવિ સિઝનમાં ઘઉં, જીરૂ, ચણા, ઘાણા વગેરે પાકોનો સારો ઉગાવા માટે ઠંડુ અને સૂકું હવામાન માફક આવે છે. હાલ કમોસમી વરસાદથી જમીનનું તાપમાન ઠંડુ હોય વાતાવરણ ફરીથી સૂકું બને અને જમીન પુરી રીતે સુકાય પછી જ પાકોનું વાવેતર કરવું હિતાવહ છે, અન્યથા ઉગાવામાં પ્રશ્નો રહેશે અને જમીન જન્ય રોગો ઉગાવા વખતે ઉપદ્રવ વધી રહે શકે તેમ છે. પિયત સુવિધા આધારે પાકની પસંદગી કરવી જરૂરી છે, ઓછું પાણી હોય અથવા સંગ્રહિત ભેજથી વાવેતર હોય તો ચણાનું વાવેતર કરવું, સુધારેલ જાત અને સર્ટિફાઈડ બિયારણ વાપરવાનો આગ્રહ રાખવો. ચણામાં ગુજરાત ચણા- ૫ (પિયત) અથવા ગુજરાત ચણા- ૬ (પિયત/બિ.પિયત)નું વાવેતર કરવું લાભદાયક રહેશે. ઘઉંનું વાવેતર 15 નવેમ્બર આસપાસ કરવું અને ચણાનું વાવેતર ૧૫ નવેમ્બર સુધીમાં કરવું. જમીન જન્ય રોગો અને અન્ય રોગ- જીવાત સામે રક્ષણ મેળવવા બિયારણ ને ફુગનાશક/જંતુ દવાનો પટ આપીને જ વાવેતર કરવું ખુબ જ જરૂરી છે. પ્રાકૃતિક ખેતી માટે બીજામૃતનો પટ આપીને વાવેતર કરવું જોઈએ. જમીનમાં જીવામૃત આપવું જેથી ઘઉં, ચણા કે અન્ય શિયાળું પાકને યોગ્ય પોષણ મળી રહે.
કોંગ્રેસનો સંકલ્પ:સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપના પતન માટે કચ્છ કોંગ્રેસનો સંકલ્પ
ટાઉન હોલ ખાતે કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ ની શરૂઆત વંદેમાતરમ ગાન તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. જેમાં પક્ષનાં સીનીયર આગેવાનો ઉષાબેન ઠક્કર, યજુવેન્દ્રસિંહ જાડેજા, નીતેશ લાલણ, ભચુભાઈ આરેઠીયા, શીવજીભાઈ આહીર, ઇબ્રાહીમભાઇ મંધરા, મહેશભાઈ ઠક્કર, વાલજીભાઈ દનીચા, નવલસિંહ જાડેજા, અરજણભાઈ ભુડિયા, રફીકભાઈ મારા, ભરતભાઈ સોલંકી, સલીમભાઈ જત, રાજેશભાઈ ઠક્કર, જુમાભાઈ રાથમા, રાધાસિંધ ચૌધરી, કિરણ પોકાર સહિતના આગેવાનો જોડાયા હતા. સ્નેહમિલનના અધ્યક્ષ અને જીલ્લા કોંગ્રેસના પ્રમુખ વી.કે.હુંબલે ઉપસ્થિતોને સંબોધતા ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા ગૃહપ્રધાન હર્ષ સંઘવી આજે કચ્છની મુલાકાતે છે ત્યારે કચ્છની જનતાના પ્રાણ પ્રશ્નો જેમકે શિક્ષકોની ઘટ, આરોગ્ય સ્ટાફની ઘટ, કચ્છને એક સરકારી સીવીલ હોસ્પિટલ મળે, ખાલી પડેલી સરકારી જગ્યાઓ પર સરકાર ત્વરિત કાયમી કર્મચારીઓની નિમણુંક કરે, ખાડે ગયેલ નગરપાલીકાનું વહીવટ, નર્મદાના નીર મુદ્દે કાર્યકરોને લડત આપવા આહ્વાન કર્યું હતું. કચ્છમાં અનેક મુદ્દે થઈ રહેલા અન્યાય માટે કોંગ્રેસ લડી લેવાના મૂડમાં છે અને સ્વરાજ્યની ચુંટણીઓમાં ભાજપના પતન માટે કચ્છ કોંગ્રેસનો સંકલ્પ છે તેવું જણાવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો અને કચ્છવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રામદેવસિંહ જાડેજા, આવકાર પ્રવચન પી.સી.ગઢવી, આયોજન વ્યવસ્થા લાખાજી સોઢા, હાસમ સમા, ધીરજ ગરવા વગેરે એ કર્યું હતું.
ચીખલી નજીક નેશનલ હાઇવે પર મલવાડા ફાટક સ્થિત અંડરપાસ પાસે લાંબા સમયથી વારંવારની રજૂઆત બાદ પણ સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકોની સલામતી માટે હાઇવે ઓથોરિટી દ્વારા ક્રોસ બેરીયર (એન્ગલ) ન લગાવાતા વિફરેલા સ્થાનિકોએ પેચવર્કની કામગીરી અટકાવી દઈ હોબાળો કરતા પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડ્યો હતો. સુરત-વલસાડ નેશનલ હાઇવે પર ગતરોજ મલવાડા ફાટક પાસે અંડરપાસના સર્વિસ રોડ પરથી પસાર થતા બે રાહદારીઓને ટ્રક ચાલકે અડફટે લેતા ઇજાગ્રસ્ત બન્નેને સારવાર લેવાની ફરજ પડી હતી. જેને લઈને સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો હતો. સ્થાનિકો દ્વારા અંડરપાસના સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો, રાહદારીઓની સલામતી માટે ક્રોસ બેરીયર લગાવવા માટે હાઇવે ઓથોરિટીને લાંબા સમયથી રજૂઆત કરાઈ રહી હતી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ લેખિત ભલામણ કરાઈ હતી પરંતુ હાઇવે ઓથોરિટીના નફ્ફટ અધિકારીઓ દ્વારા સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં લેવાઈ ન હતી. બીજી તરફ અંડર પાસેના સર્વિસ રોડ પર આખા વર્ષથી ખાડાઓના ભરમારથી પણ રોષ હતો. દરમિયાન આજે હાઇવે ઓથોરિટીની એજન્સી દ્વારા મલવાડા ફાટક સ્થિત અંડરપાસ પર પેચવર્કની કામગીરી હાથ ધરાતા વિફરેલા સ્થાનિકોએ કામ અટકાવી પહેલા એન્ગલ લગાવાની અને સર્વિસ રોડના મરામતની માંગ કરી હાઇવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓને બોલાવાની માંગ કરી હતી. જોકે પોતાની ફરજમાં બેદરકાર હાઇવે ઓથોરિટી દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દરમિયાનગીરી બાદ મામલો થાળે પડ્યો હતો. જોકે ત્યારબાદ મોડે મોડે હાઇવે ઓથોરિટીના જવાબદારો દ્વારા મલવાડા ફાટક પાસે સ્થળ નિરીક્ષક ટૂંક સમયમાં ક્રોસ બેરીયર લગાવાની અને સર્વિસ રોડની મરામત કરવાની ખાતરી આપી હતી. વિરોધ બાદ અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી કામ પૂર્ણ કરવાની ખાતરી આપીઅમારા મજીગામ-મલવાડા ફાટક પાસેના અંડરપાસ પાસે લાંબા સમયથી ક્રોસ બેરીયરની માંગણી કરવામાં આવી રહી છે. હાઇવે ઓથોરિટી દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવતી ન હતી. બીજી તરફ ગતરોજ આ સ્થળે સર્જાયેલા અકસ્માતમાં બેનો ચમત્કારિક બચાવ થયો હતો. આજે અમારા વિરોધ બાદ અધિકારીઓને સ્થળ પર મુલાકાત કરી કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. > કેનિલભાઇ, યુવા અગ્રણી, મજીગામ વાહનચાલકો જોખમમાં મુકાતા હોય છે મલવાડા ફાટકના અંડરપાસ પાસે ક્રોસ બેરીયરના અભાવે સર્વિસ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો જોખમમાં મુકાતા હોય છે. અંડરપાસની શરૂઆત પૂર્વે તીવ્ર વળાંક હોવા સાથે અહીં મલવાડા ગામમાં જતો અને જૂના વલસાડ રોડનું જંકશન હોવા સાથે બે શાળાના વાહનો પણ પસાર થતા હોય ટ્રાફિકનું ભારણ રહેતું હોય છે ત્યારે વાહન ચાલકોની સલામતી માટે ક્રોસ બેરીયર જરૂરી છે. હાઇવે ઓથોરિટી દ્વારા ગંભીરતા દાખવવામાં આવે તે જરૂરી છે.
વાંસદા તાલુકાની હનુમાનબારી ગામની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત પ્રાથમિક શાળાના બાળકો તથા સ્થાનિકો એપાર્ટમેન્ટ બિલ્ડીંગનો ખાળકૂવો ઓવર-ફ્લો થઈ જતા દુર્ગંધયુક્ત દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. જેને પગલે એસએમસી સભ્યો સહિત વાલીઓમાં રોષ ફેલાયો છે. જો આ પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ નહીં આવેતો આંદોલનના ભણકારા સંભળાય રહ્યાં છે. હનુમાનબારી પ્રાથમિક શાળાની આગળ એપાર્ટમેન્ટના ખાળકૂવાનું દૂષિત પાણીથી નિશાળ ફળિયાના સ્થાનિકો તથા શાળાના 134 બાળકો પર સ્વાસ્થ્ય પર ગંભીર અસર થવાની શંકા સેવાઇ રહી છે. હાલ ખાળકૂવાનું દૂષિત પાણી વર્ષોથી ઉભરાઈને રસ્તા પરથી સામેના ખેતરમાં જતું હોવાથી પાકને નુકસાન તથા નાના ભૂલકાઓ આ ગંદુ પાણીમાંથી પસાર થઈ શાળામાં આવે છે. આ બાબતે સ્થાનિકો દ્વારા સરપંચ રાકેશભાઈ પટેલને રજૂઆત કરતા તેમણે બિલ્ડિંગના મકાન માલિકો અને ભાડૂતીઓને બોલાવી કડક શબ્દમાં ચિમકી ઉચ્ચારી વારંવાર આ સમસ્યાને લઈને પંચાયતમાં આવતી ફરિયાદને ધ્યાને લઇને એપાર્ટમેન્ટ બિલ્ડીંગના ભાડુઆતોને ટૂંક સમયમાં કાયમી ધોરણે નિકાલ કરવાની કામગીરી કરવા જણાવ્યું હતું. આ સમસ્યા કાયમી ધોરણે દૂર થાય તે માટે ધીરેનભાઈ સોલંકી બિલ્ડિંગમાં રહેતા ભાડૂઆતો તથા મકાન માલિકો સાથે મળી 15 દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ કરીશું તેવું જણાવ્યું હતું. વાલીઓ તથા સ્થાનિકોને હાલ તેમના દ્વારા અશ્વાસન અપાવી સરપંચ રાકેશભાઈ પટેલે સમગ્ર મામલો થાળે પાડ્યો છે. હવે વર્ષોની આ સમસ્યાનો નિરાકરણ દિવસ 15માં થાય છે કે કેમ એ હવે જોવાનું રહ્યું.
પ્રતિબંધ:સરકારી કચેરીના 200 મીટરની હદમાં જાહેરમાં ધરણાં-ઉપવાસ પર પ્રતિબંધ
નવસારી જિલ્લામાં નાગરિકો પોતાની માંગણી, રજૂઆત તરફ ધ્યાન ખેંચવા અથવા તો ચોકકસ ઇરાદાથી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ પર પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ભુખ હડતાળનું ઓચિંતુ અને મનસ્વી આયોજન કરી કચેરીમાં તેમજ જાહેરમાર્ગો પર બાધા સર્જે છે. જેના પરિણામે કચેરીમાં આવતા અરજદારો અને સામાન્ય જનતા માટે દુવિધા સર્જાય છે. નવસારી જિલ્લામાં જાહેર સુલેહશાંતિ અને સલામતિને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ.બી.ઝાલાએ એક જાહેરનામા દ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેકટર અને મેજીસ્ટ્રેટની કચેરી, જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તથા નવસારી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષક કચેરી, નવસારી તથા પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તથા તાલુકામાં તાલુકા મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશનના કંપાઉન્ડ તેમજ કંપાઉન્ડ બહારની 200 મીટરની ત્રિજયાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા/ભુખ હડતાલ ઉપર બેસવા કે ચાર કરતા વધુ માણસો ભેગા થવા સભા/સરઘસ કરવા પર તાત્કાલિક અસરથી આગામી 18 નવેમ્બર સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સજાને પાત્ર થશે. આ હુકમ જે વ્યકિત સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, ફરજ પર તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નહીં.
વાલોડમાં છેલ્લા કેટલાક દિવસોથી કસબા ફળિયા, નૂરાની ફળિયા, પાદર ફળિયા તથા બાયપાસ રોડ વિસ્તારમાં તાવ, ટાઈફોઈડ અને કમળાના રોગના કેસોમાં સતત વધારો નોંધાતા સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. આરોગ્ય વિભાગે લોહી અને પેશાબના નમૂનાઓ તપાસ માટે મોકલ્યા હતા, જેમાં ટાઈફોઈડ તથા કમળા જેવા પાણીજન્ય રોગની પુષ્ટિ થઈ હતી. દિવ્ય ભાસ્કરમાં તા. 18/10/2025ના રોજ આ અંગે સમાચાર પ્રકાશિત થતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો હતો. જેમાં તપાસ કરતા વોટર વર્ક્સની મુખ્ય પાઇપલાઇન તથા કૂવાની બાજુમાં પાણી ભરાવાની અને લીકેજની સ્થિતિ જોવા મળી હતી, જેના કારણે ગંદુ પાણી પાઇપલાઇનમાં ભળી જતાં નાગરિકોને અશુદ્ધ પાણી મળી રહ્યું હતું. દિવાળી ટાંકણે બે દિવસ માટે પાણી પુરવઠો બંધ કરવાની મંજૂરી માંગી. સરપંચ વિજયાબેન નાઇક, ઉપસરપંચ અલ્પેશભાઈ વ્યાસ, તલાટી કમ મંત્રી કમલેશભાઈ આહીર તથા સભ્યોના સહયોગથી તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. એક દિવસમાં જ લાઇનની મરામત પૂર્ણ કરી પાણી પુરવઠો ફરી શરૂ કરાયો હતો. પરંતુ વોટર વર્કસની ટાંકી હાલ બની રહી હોય અને પાણી સીધેસીધું પાઇપલાઇનમાં છોડવામાં આવતું હોવાને કારણે પાઇપલાઇન એક તો વર્ષો જૂની જર્જરીત હાલતમાં અને બીજી તરફ પાણીની મોટરનો ફોર્સને લીધે ફરીથી પાઇપલાઇનમાં ભંગાળ પડ્યું હતું . ફરી દૂષિત પાણી પાઇપ લાઈનમાં મિશ્રણ થતું હોવાની શરૂઆત થતાં સરપંચ, ઉપસરપંચ, તલાટી અને સભ્યોએ ફરીથી કામગીરી હાથ ધરી હતી, હાલ માત્ર દિવસ દરમિયાન તમામ વિસ્તારમાં એક વખત પાણી આપવામાં આવી રહ્યું છે, વોટર વર્ક્સની પાણીની ટાંકી જલ્દી બને અને લોકોને શુધ્ધ અને પીવા લાયક પાણી મળે તેવી વ્યવસ્થા તાત્કાલિક કરવામાં આવે એવી માંગો ઊભી થઈ છે.
મુલાકાત:રાજ્ય પોલીસવડાએ ખાવડા જોયું : કુરનમાં રાત રોકાયા
સરહદી કચ્છ જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 30 વરિષ્ઠ આઈપીએસ અધિકારીઓ છેવાડે આવેલા ગામોની મુલાકાતે આવ્યા છે ત્યારે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ખાવડા વિસ્તારમાં આવેલ ગામોની મુલાકાત લીધી હતી અને કુરન ગામમાં રાત્રી રોકાણ કર્યું હતું.ગુરુવારે વહેલી સવારે ભુજ પહોચેલા ડીજીપી વિકાસ સહાય સર્કીટ હાઉસ પહોંચ્યા હતા.જે બાદ ત્યાંથી ખાવડાના નાના બાંધામાં આવેલ બીએસએફ કેમ્પ પહોચ્યા હતા. અગિયાર વાગ્યે બીએસએફ કેમ્પ પહોંચ્યા બાદ સ્થાનિકે અધિકારીઓ સાથે મીટીંગ કરી હતી અને સુરક્ષા વ્યવસ્થા મામલે ચર્ચા કરી હતી.કેમ્પમાં જવાનો સાથે ભોજન લીધા બાદ બપોરે ડીજીપી જામ કુનરીયા પહોચ્યા હતા જ્યાં ગામ લોકો સાથે પરિસંવાદ કર્યો હતો.જે બાદ ડીજીપીએ ખારી ગામની મુલાકાત લઇ લોકો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી કરી હતી અને સાંજે સરહદી છેલ્લા ગામ કુરન ખાતે પહોચ્યા હતા. જ્યાં ખાટલા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામ લોકો સાથે છેવાડે કાયદો અને વ્યવસ્થાનો તાગ મેળવી કોઈ પણ પરિસ્થિતિમાં પોલીસ તમારી સુરક્ષા માટે તત્પર હોવાનું જણાવ્યું હતું.જે બાદ ડીજીપીએ સરહદ પર આવેલા દેશના છેલ્લા ગામ કુરન ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. ધોરડોમાં DIGનો વિકાસ અને સુરક્ષાના સમન્વયનો સંવાદભુજ | કચ્છના બોર્ડર વિલેજ ધોરડો ખાતે ડીઆઈજી વિકાસ વાઘેલાએ વિકાસ અને સુરક્ષાના સમન્વયનો સંવાદ કર્યો હતો.આ અવસરે ધોરડો, ઉડો, સિનિયાડો, પટગાર અને ઉધમા સહિતના ગ્રામ્ય વિસ્તારોના ગ્રામજનો, તલાટી, શાળાના શિક્ષકગણ, ધોરડો પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને સરકારી દવાખાનાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઢોલ અને શરણાઈના નાદ વચ્ચે નાની બાળાઓએ કુમકુમ તિલક કરી પરંપરાગત રીતરસમથી તેમનો સત્કાર કર્યો. ત્યારબાદ, ધોરડો જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મિયાહુસેન મુતવા, ઉપસરપંચ મકબુલ મુતવા, સિનિયાડોના આગેવાન હામદ મુતવા, ઉડોના આગેવાન હાફીઝુલ્લા મુતવા, અલીઅકબર મુતવા, રાણાભાઈ મારવાડા સહિતના મહાનુભાવોએ શાલ ઓઢાડીને તેમનું સ્વાગત કર્યું.ડીઆઈજીએ ગ્રામજનો સાથે મુક્ત સંવાદ સાધ્યો. તેમણે સરહદી વિસ્તારોની સુરક્ષા, શાંતિ, સામાજિક ઉત્થાન, આર્થિક સ્થિતિ સુધારવા, પ્રવાસન થકી થતા લાભાલાભ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ સેવાઓ, ડેરી ઉદ્યોગ, પશુપાલન અને વિશ્વવિખ્યાત રણોત્સવના મહત્ત્વ પર ભાર મૂક્યો. તેમણે ક્રાઈમ રેટ બાબતે પણ ગ્રામજનો સાથે ચર્ચા કરી, સ્થાનિક પરિસ્થિતિની જાણકારી મેળવી એડીજીપીએ પૂર્વની સરહદે આવેલા મૌવાણાની મુલાકાત લીધીરાપર | એડીશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગુજરાત (ADGP) રાજુ ભાર્ગવે સરહદી વિસ્તારના મૌવાણા ગામની મુલાકાત લીધી હતી. સરપંચ ગજેન્દ્રસિંહ વાઘેલાએ સ્વાગત સન્માન કર્યું હતું.પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર, ભચાઉ ડીવાયએસપી સાગર સાંબડા, બેલા મૌવાણા બીએસએફના અધિકારીઓ-કર્મચારીઓ, બાલાસર પીએસઆઈ, પોલીસ સ્ટાફ વગેરે સાથે જોડાયા હતા. આવેલ મહેમાનોનું જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જયવીરસિંહ વાઘેલા, આજણા સમાજ પ્રમુખ સંગ્રામભાઈ ચૌધરી, એડવોકેટ સહદેવસિંહ જાડેજા, કુલદીપસિંહ વાઘેલા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.સંચાલન સહદેવસિંહ જાડેજાએ કર્યું હતું એડીજીપીએ કોઈ અનિછનીય બનાવ કે શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા જણાવ્યું હતું.
દંડનીય કાર્યવાહી કરાઈ:વ્યારામાં લીફ્ટના એડવાન્સ પૈસા પરત ન આપતા 15 માસની સજા અને 3 લાખનો દંડ
વ્યારા નગરમાં આઈશ્રી ખોડીયાર જવેલર્સના પ્રોપરાઈટર અશોકભાઈ નાનજીભાઈ લુંભાણી દ્વારા દાખલ કરાયેલા ચેક બાઉન્સના કેસમાં વ્યારાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટએ હર્ષિલ એન્જિનિયરિંગ વર્ક્સના પ્રોપરાઈટર જીતેન્દ્રભાઈ પ્રજાપતિને દોષિત ઠરાવી 15 માસની સાદી કેદ અને 3 લાખના દંડની સજા ફરમાવી છે. વ્યારાના વેપારી અશોકભાઈ લુંભાણીએ કોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તેમણે વ્યારામાં નવો શોરૂમ શરૂ કરવા માટે લિફ્ટ લગાવવાનું કામ આરોપીને આપ્યું હતું. કામના એડવાન્સ તરીકે તા. 9 જાન્યુઆરી 2018ના રોજ RTGS મારફતે 2.5લાખની ચુકવણી આરોપીના ખાતામાં કરાઈ હતી. જોકે આરોપી કામ શરૂ કર્યા વિના વિવિધ બહાનાં આપી ચુકવણી પરત કરી ન હતી.પછી આરોપીએ એડવાન્સ પરત કરવા માટે બે ચેક આપ્યા હતાં. ₹ 1.5 લાખનો (ચેક નં. 000622) અને ₹1 લાખનો (ચેક નં. 000521), બંને HDFC બેંક, સુરત શાખાના હતાં. પરંતુ બેંકમાં રજૂ કરાતા ચેક “Payment stopped by drawer” અને “Funds insufficient” ના શેરા સાથે પરત ફર્યા હતાં.અશોકભાઈ લુંભાણીએ ત્યારબાદ આરોપીને નોટિસ મોકલી હોવા છતાં આરોપીએ ન તો રકમ પરત કરી કે ન કોઈ જવાબ આપ્યો. આખરે ફરીયાદી દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ કેસ દાખલ કરાયો હતો. કોર્ટએ રજૂ કરાયેલા પુરાવા અને હકીકતોને આધારે આરોપીને દોષિત ઠરાવી 15 માસની સાદી કેદ અને 3 લાખના દંડની સજા ફટકારી છે. આ રકમમાંથી2.5લાખ ફરીયાદી અશોકભાઈ લુંભાણીને આપવાનો આદેશ પણ કોર્ટએ આપ્યો છે.આરોપી કોર્ટ સમક્ષ હાજર ન હોવાથી હુકમની બજવણી માટે તેની સામે નૉન-બેલેબલ વોરંટ (NBW) ઈસ્યુ કરવાનો આદેશ પણ કોર્ટએ આપ્યો છે.
રાજકારણ ગરમાયું:વલસાડમાં રસ્તાની ફરિયાદ કરતાં કોંગ્રેસ કાર્યકર અને ભાજપ સભ્ય વચ્ચે ઝપાઝપી
વલસાડમાં મોગરાવાડી વોર્ડ નં.3માં પાલિકા પ્રમુખ માલતીબેન ટંડેલ,ઉપપ્રમુખ આશુતોષ મિશ્રાની ઉપસ્થિતિમાં રૂ.10 કરોડના નવા રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં વોર્ડ નં.3ના ભાજપના ચારે સભ્યો,ભાજપ કાર્યકરો સ્થાનિકો હાજર હતા ત્યારે કોંગ્રેસના યુવા કાર્યકર મિત દેસાઇ ત્યાં પહોંચી ગયા હતા. આ મિત દેસાઇ શહેરમાં બિસ્માર રસ્તા મુદ્દે આમરણાંત ઉપવાસે ઉતરતાં પાલિકાએ ચોમાસા બાદ રસ્તા બનાવવાની ખાત્રી આપતાં પારણાં કર્યા હતા. પરંતું હજી પણ રસ્તાની કામગીરી વલસાડ શહેરના મુખ્ય લત્તાઓમાં મેઇન વિસ્તારોમાં બાકી રહેતાં મિત દેસાઇ પાલિકા પ્રમુખ માલતીબેન ટંડલને પૂછવા ગયા હતા કે પાલિકાએ જે ખાત્રી આપેલી તે મુજબ હજી પણ મુખ્ય રસ્તાઓ બન્યા નથી તો કયારે બનવાના,ચોમાસુ પણ વિતી ગયું તેવા પ્રશ્ન કરતા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા અને પ્રમુખ માલતીબેને સમજાવટથી મિત દેસાઇને બધા રસ્તા બનાવવાના છે તેવી સમજ આપી હતી. જો કે તે દરમિયાન મોગરાવાડીના ભાજપના સભ્ય સુનિલ અને કોંગ્રેસ કાર્યકર મિત દેસાઇ વચ્ચે ઉ્ગ્ર દલીલો થતાં ભાજપના સભ્યો કોંગ્રેસ કાર્યકર સામ સામે ઝપાઝપી થઇ ગઇ હતી. જો કે અન્ય ભાજપ કાર્યકરો સભ્યોએ તેમને અળગા પાડ્યા હતા.બાદમાં મિત દેસાઇએ ભાજપના સભ્યએ તેમનો ફોન પકડી લીધો અને અસભ્ય વર્તન કર્યું હોવાના આક્ષેપ કર્યા હતા.
ખબરની અસર:ભુજ-મુંબઈની એલાયન્સ એરમાં ‘ફેર સે ફુરસત’ યોજના લાગુ થતા યાત્રિકોને ફાયદો
ભુજ-મુંબઈ વચ્ચે ઉડાન ભરતી એલાયન્સ એરમાં ફેર સે ફુરસ્ત યોજના લાગુ કરવામાં આવી છે જે અંતર્ગત તેમાં નિયત કરાયેલા ભાડામાં કોઈ વધારો નહીં થાય.હાલમાં 1 થી 15 નવેમ્બર દરમ્યાન આ વિમાની સેવા બંધ રહેવાની છે બાદમાં અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરશે. દિવાળી અગાઉ સરકારે એકમાત્ર રાજ્ય માલિકીની એલાયન્સ એર માટે કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન રામમોહન નાયડુએ ભાડાથી ફુરસત નામની યોજના લૉન્ચ કરી હતી જે 13 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર 2025 સુધી પસંદગીના રૂટ પર પાયલોટ ધોરણે લાગુ કરાઈ છે.યોજનાનો ઉદ્દેશ્ય ભાવમાં પારદર્શિતા અને સ્થિરતા રજૂ કરીને લાંબા સમયથી ચાલતા પડકારનો સામનો કરવાનો છે. મુસાફરોને પ્રસ્થાનની તારીખથી કોઈપણ દિવસે, કોઈપણ સમયે નિશ્ચિત ભાવની હવાઈ ટિકિટ ઓફર કરવામાં આવે છે. જેથી મુસાફરોને હવાઈ ભાડામાં વધઘટની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં, કારણ કે બુકિંગની તારીખને ધ્યાનમાં લીધા વિના એક જ નિશ્ચિત ભાડું લાગુ થશે. આ નિર્ણયમાં કચ્છની ફલાઇટ સમાવાઈ ન હતી જેથી અખબારી અહેવાલ તા.16-10ના પ્રકાશીત કરાયો હતો. જે બાદ એલાયન્સ એર દ્વારા તેના સતાવાર ડીજીટલ પ્લેટફોર્મ પર ભુજ માટે આ યોજના લાગુ કરાઈ હોવાનું જાહેર કર્યું છે.હાલમાં 1 થી 15 નવેમ્બર દરમ્યાન ટેક્નિકલ કારણોસર આ ફલાઇટ બંધ છે.બાદમાં નિયમીત થશે. ફિક્સ ભાડું 5 હજાર,સમય બદલાયોહવેથી આ ફલાઇટ દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે સેવા આપશે.આ 72 સીટર એટીઆર મુંબઇથી સવારે 5.30 કલાકે ઉપડી સવારે 7.25 કલાકે ભુજ પહોંચાડશે અને ભુજથી સવારે 7.50 કલાકે ઉપડી 9.40 કલાકે મુંબઇ પહોંચાડશે. બંને તરફે ફિકસ ભાડું 5 હજાર નક્કી કરવામાં આવ્યું છે.દિવ્ય ભાસ્કરે 16 ઓક્ટોબરે આ અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
ભુજની અદાણી સંચાલિત GAIMS જી.કે.જનરલ હોસ્પિટલનાઓન્કોલોજી વિભાગ દ્વારા આ વર્ષે અંતિમ દસ માસમાં જુદા જુદા કેન્સરની લગભગ 80 જેટલી શાસ્ત્રક્રિયા કરાઇ હતી.ઓન્કો. સર્જન ડો. હેત સોનીએ આજે 7 નવેમ્બરે ઉજવાતા રાષ્ટ્રીય કેન્સર ડે નિમિતે કહ્યું કે, સ્તન, ગાયનેક, યુરોઓન્કો, ગેસ્ટ્રોઓન્કો વિગેરે અનેક પ્રકારના ઓપરેશનનો આમાં સમાવેશ થાય છે. તેમણે કેન્સરના સામાન્ય લક્ષણો અંગે કહ્યું કે, કોઈ ઘાવમાં લાંબા સમય સુધી રૂઝ ન આવે, બીમારી વગર વજન ઘટે, શરીરમાં જ્યાં સખત ગાંઠ હોય તેનો વિકાસ થાય, પેશાબ અને મળમાં સતત ખૂન આવે, થાક લાગે, ભૂખ ઓછી થાય, બીમારી વિના સતત તાવ રહે, ખૂનની કમી થાય વિગેરે કેન્સર થવાના ચિહ્ન છે. આજકાલ યુવાનોમાં કેન્સરનો ખતરો વધી રહ્યો છે. યુવાનો અને બાળકો ઘરનું બનાવેલું ખાવાને બદલે જંકફુડ અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. તેથી સ્થૂળતા આજે મોટી સમસ્યા બની ગઈ છે. વિવિધ સંશોધન સંસ્થાના અહેવાલ મુજબ યુવાનોમાં કેન્સરનું પ્રમાણ વધુ દેખાતું હોય છે. ભારતમાં પાંચમાંથી એક કેન્સરનો દર્દી 49થી ઓછી ઉંમરનો હોવાનું જણાયું છે. સ્થૂળતા ઉપરાંત તણાવ પણ કેન્સર માટે જવાબદાર પરિબળ તરીકે માનવામાં આવે છે. વાયુ પ્રદૂષણ પણ એક હિસ્સો છે. શું કરવું અને શું ટાળવું એ અંગે તબીબે કહ્યું કે,ખાન પાનમાં ફાઇબર વાળી ચીજ વસ્તુ સામેલ કરવી, સુગર અને નમકનું પ્રમાણ ઓછું કરવું, ફળ અને શાકભાજીનું સેવન વધુ કરવું. ગ્રીન ટી, જાંબુ, બ્રોકોલી,ભોજનમાં સામેલ કરવામાં આવે તો ફાયદો થઈ શકે છે. એક સપ્તાહમા 150 મિનિટ કસરત, બ્રિસ્ક વોકિંગ, યોગ, પ્રાણાયામથી સ્થૂળતા ઘટી શકે છે. જેથી લોહીનું પરિભ્રમણ અને હોર્મોન સંતુલન થાય તો કેન્સર ઘટાડી શકાય છે. રોજ બ રોજના જીવનમાં નાની નાની બાબતોનું ધ્યાન રખાય અને જાગૃત બની નિયમિત તપાસ કરાવાય તો પણ કેન્સરનું પ્રમાણ ઘટાડી શકાય. દર વર્ષે 7.50 લાખ દર્દી મોતને ભેટે છેઆજે અનેક પ્રયત્નો વચ્ચે પણ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે. હૃદય રોગ પછી આ મોટી બીમારી છે. ભારતમાં દર વર્ષે 7.50 લાખ વ્યક્તિ કેન્સરથી મરણ પામે છે અને 14 લાખ નવા ઉમેરાય છે. વૈજ્ઞાનિકોના મત મુજબ 5થી 10 ટકા જ આનુવાંશિક કેન્સર હોય છે, બાકી તો જીવનશૈલી સુધરાય તો 35 ટકા કેન્સર નાથી શકાય છે. વળી દેશમાં 80 ટકા દર્દીનો ઇલાજ ત્યારે શરૂ થાય જ્યારે કેન્સર ત્રીજા કે ચોથા ચરણમાં પહોંચે છે.
ઉજવણી:કચ્છમાં પણ રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્ @150’ વર્ષની ઉજવણી થશે
કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમે્ ભારતના આઝાદીની લડત સમયે નાગરિકોમાં રાષ્ટ્રપ્રેમ અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની અડગ આસ્થા સ્થાપિત કરવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ૧૯૫૦માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી. આ ગીતને પ્રસિદ્ધ થયાને 150 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે ત્યારે તા.7 નવેમ્બરના તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. ઉપરાંત રાજયકક્ષાએ 7થી 26 નવેમ્બર સુધી રાષ્ટ્ર ગીતના સન્માનમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે.કચ્છમાં તા. 7 થી 26 નવેમ્બર સુધી રાષ્ટ્રીય ગૌરવ ગીત “વંદે માતરમ્” ના સન્માનમાં સમુહગાન, સ્વદેશીની શપથ, વિવિધ સ્પર્ધા, સેમીનાર, મેરાથોન સહિતનું આયોજન થશે. આ ઉજવણીના અનુસંધાને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા, પોલીસ વડાની કચેરી, જિલ્લાના મુખ્ય મથકના જાહેર સ્થળો, સરકારી કચેરીઓ ખાતે સમૂહ ગાન તથા સ્વદેશીની શપથ લેવામાં આવશે. ઉપરાંત શાળા, કોલેજો ખાતે સેમીનાર, વકતૃત્વ સ્પર્ધા, ચર્ચાસત્ર, યુવા મેરાથોનનું આયોજન કરાશે. “વંદે માતરમ્” એ માત્ર એક રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના તથા રાષ્ટ્રના હૃદયનો ધબકાર છે. આ ગીતના કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે.
ખાસ ભરતી:ખાસ ભરતીના પ્રથમ દિવસે કચ્છને મળ્યા સામાજિક વિજ્ઞાનના 475 વિદ્યાસહાયકો
જ્યાં નિમણૂક ત્યાં નિવૃત્તિ“ની શરતે કચ્છ જિલ્લા માટે ધો. 6 થી 8 માટે ખાસ વિધાસહાયક ભરતી લાલન કોલેજ ખાતે ચાલી રહી છે. જેમાં ગુરુવારે પ્રથમ દિવસે સામાજિક વિજ્ઞાન વિષયના ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવાયા હતા. ગાંધીનગરથી ફાળવાયેલ કુલ 522 ઉમેદવારો પૈકી પ્રથમ દિવસે 480 ઉમેદવારો હાજર રહ્યા હતા. જ્યારે 42 ઉમેદવારો ગેરહાજર રહ્યા. હાજર ઉમેદવારો પૈકી 475 ઉમેદવારોએ સ્થળ પસંદગી કરી હતી. તો 5 ઉમેદવારોએ પસંદગી ન કરી પોતાનો હક્ક જતો કર્યો હતો. દર વખતની જેમ આ વખતે પણ ભુજ, અબડાસા અને લખપત તાલુકાની અંતરિયાળ જગ્યાઓ પ્રમાણમાં ઓછી ભરાઈ હતી. જ્યારે અન્ય તાલુકાઓની તમામ જગ્યાઓ ભરાઈ ગઈ હતી. સ્થળ પસંદગી કરેલ જનરલ અને આર્થિક પછાત વર્ગના ઉમેદવારોને ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના ચેરમેન વિરમભાઇ ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા ઉપરાંત શિક્ષક સંઘના હોદ્દેદારો, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ વગેરેના હસ્તે નિમણૂક હૂકમ એનાયત કરાયા હતા. નિમણૂક હૂકમ મેળવનાર આ ઉમેદવારોને તા. 8-11 થી 14-11 કુલ 7 દિવસ સુધીમાં જે તે શાળામાં હાજર થવાનું રહેશે. હાજર ન થનાર ઉમેદવારોનો પછી કોઈ હક્ક દાવો રહેશે નહીં. આ સાથે આજે સ્થળ પસંદગી કરેલ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ , અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને તેમના જાતિ અંગેના પ્રમાણપત્રોની વિભાગ મારફતે ખરાઇ થયા બાદ નિમણૂક હૂકમ વિતરણ કરવામાં આવશે. આજે ભાષા વિષયના ઉમેદવારોની સ્થળ પસંદગી રાખવામાં આવી છે, જેમાં જિલ્લાને રાજ્ય કક્ષાએથી 539 ઉમેદવારો ફાળવવામાં આવ્યા છે. પ્રથમ દિવસની સમગ્ર ભરતી પ્રક્રિયામાં જિલ્લા પંચાયત શિક્ષણ શાખાના હેડ ક્લાર્ક ધૃતિબેન મહેતા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ ખટારિયા , તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ઉમેશ રૂઘાણી ,સામત વસરા,ગૌતમ ચૌધરી, સતાર મારા, રવિ સોલંકી, શિક્ષક સંઘના હોદ્દેદારો નયનસિંહ જાડેજા, હરિસિંહ જાડેજા, કેરણા આહિર, હરદેવસિંહ જાડેજા, રમેશ ગાગલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરતી પ્રક્રિયા માટે યોગેશ જરદોશ, પિયુષ પટેલ, નિલેશ ડેકાવાડિયા, જિતેન્દ્રસિંહ પરમાર, ઉત્તમ મોતા, ભાવેશ સેંઘાણી, દિલીપસિંહ જાડેજા, હિતેશ મહેશ્વરી, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના ટીમ એજ્યુકેશનના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે સરકાર દ્વારા 1થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતિય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રાયોજના વહીવટદાર આંનદ પાટીલના અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારી કર્મચારી સાથે બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન વઘઇમાં 9 નવેમ્બરના રોજ સેવાસેતુનો કાર્યક્રમ પણ યોજાવાનો છે ત્યારે સરકારની વિવિધ યોજનાકીય લાભો અને સેવાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજો સાથે લોકો ઉપસ્થિત રહે તે માટે અધિકારીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ તલાટીઓને પણ લોકોને સેવાસેતુના કાર્યક્રમ અંગે અવગત કરે તે જરૂરી છે તેમ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડો. વી.કે.જોષીએ જણાવ્યું હતું. ગુજરાત રાજ્યકક્ષાનો જનજાતિય ગૌરવ દિવસ કાર્યક્રમ 15 નવેમ્બરના રોજ એકતાનગરમાં યોજાશે. જ્યારે 14 જિલ્લામાં 26 સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે. ડાંગ જિલ્લામાં જનજાતિય ગૌરવ રથ યાત્રા રૂટ મુજબ 9 નવેમ્બર રોજ વઘઇમાં મુખ્ય કાર્યક્રમ તેમજ ઝાવડામાં રથનું સ્વાગત કાર્યક્રમ યોજાશે.
રક્તદાન શિબિરનું આયોજન:નવસારી માહ્યાવંશી સમાજની રક્તદાનશિબિરમાં 38 રક્તદાતાઓએ કર્યું રક્તદાન
નવસારી પંથકમાં અંદાજે 300 પરિવારનો માહ્યાવંશી સમાજ શિક્ષક કે સરકારી નોકરીમાં વધુ જોડાયો છે. આ સમાજના કાર્યકર્તાઓએ રેડક્રોસ સોસાયટી નવસારીના સથવારે રક્તદાન પ્રવૃત્તિને અગ્રતા આપી છે. છેલ્લા 22 વર્ષથી રેડક્રોસ ભવનમાં રક્તદાન શિબિર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજે છે. આ માહોલમાં ઉત્સાહ સેવા અને પરોપકારના દ્રશ્યો જોવા મળે છે. આ સમાજનો યુવા વર્ગ એ માટે પ્રચારાત્મક કામગીરી સમાજમાં એક મહિનાથી કરે છે. રક્તદાતાને જરૂર પડે લેવા-મુકવા પણ જાય છે. રેડક્રોસ ભવનમાં યોજાયેલા 22મા રક્તદાન શિબિરને પોખવા રેડક્રોસ નવસારીના પદાધિકારીઓ તુષારકાંત દેસાઈ, ડો. ધર્મેશ કાપડિયા અને પ્રા.જશુભાઈ નાયક ઉપસ્થિત રહ્યાં હતા. સાગર ચીની, મિલન પાટીલે 18 વર્ષે પ્રથમ રક્તદાન, સમાજના મંત્રી પ્રા.જયંત પટેલ તથા દિનેશ પટેલે 25મી, મનીષ રાઠોડે 45 તો વિનોદ પટેલે 81મી વખત રક્તદાન કર્યું હતું. કુલ 38 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રકતદાતાઓની મહેકને વધાવવા સમાજના પદાધિકારીઓ ભોગીલાલ પટેલ,જયસિંહ રાઠોડ, કીર્તિ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. સમાજનો 24મો તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ 7 ડિસેમ્બરે મોઢ ઘાંચી પંચની વાડી મહાનગરપાલિકા સામે યોજાશે.
રખડતા ઢોરોનું ખસીકરણ:મનપા દ્વારા રખડતા ઢોરોનું ખસીકરણ કરાયું
નવસારીમાં ઘણાં સમયથી રખડતા ઢોરને કારણે અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હતી. જેને લઇ મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા હવે રખડતા ઢોરોને પકડી તેનું ખસીકરણ કરી છોડી દેવામાં આવતા હોવાની માહિતી મળી છે. નવસારીમાં શાસકો માટે રખડતા ઢોરની સમસ્યા માથાના દુ:ખાવો સમાન બની છે ત્યારે આવા ઢોરની ખસીકરણ કરી તેને થોડા સમય માટે બાંધી ત્યાર બાદ છોડી દેવામાં આવી રહ્યાં છે.
જાળવણીનો અભાવ:સરબતિયા તળાવ વોક-વે પ્રવેશદ્વાર સામેના સુશોભિત કુંડા સૂકાભઠ્ઠ બન્યા
નવસારી શહેરના હૃદયસમા અને થોડા વર્ષો અગાઉ જ નવીનીકરણ પામેલા શરબતિયા તળાવના વોક-વેની જાળવણીના અભાવે સુંદરતા પર ગ્રહણ લાગ્યું છે. શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર એવા સ્થળના પ્રવેશદ્વાર પર જ તેની બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારીના શરબતિયા તળાવ વોક-વેનું નિર્માણ થયું, ત્યારે તેના પ્રવેશદ્વારની સામેની દિવાલ પર સુશોભિત કરવા માટે મોટી સંખ્યામાં કુંડા ગોઠવવામાં આવ્યા હતા. આ કુંડામાં વિવિધ પ્રકારના ફૂલ-છોડ રોપીને હરિયાળી ફેલાવવાની અને પર્યાવરણને સુંદર બનાવવાની નેમ હતી. જોકે, આજે સ્થિતિ તદ્દન વિપરીત છે. કુંડામાં રોપાયેલા તમામ છોડ સુકાઈ ગયા છે. મોટાભાગના કુંડામાં હવે માત્ર સૂકી માટી જ જોવા મળે છે, જે જાળવણીના અભાવની ચાડી ખાય છે. નવસારી શહેરની ઓળખ સમા આ તળાવની સુંદરતા જાળવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેવા જરૂરી છે. મનપાએ આ કુંડામાં તાત્કાલિક ધોરણે નવા છોડ રોપીને નિયમિતપણે પાણી અને ખાતર પૂરાં પાડીને યોગ્ય જાળવણી કરવી જોઈએ, જેથી વોક-વેની શોભા જળવાઈ રહે અને શહેરની છબી સુધરે. પાણી આપવાની પણ તસ્દી નથી લેવાઇઆ કુંડામાં પાણી પીવડાવવા કે નવા છોડ રોપવાની કોઈ જ તસ્દી લેવાઈ નથી. સામાન્ય નાગરિકોનો વેરો જાળવણી પાછળ ખર્ચાય છે, છતાં આ પ્રકારની બેદરકારીથી શહેરીજનોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.> હરીશભાઇ ખત્રી, સ્થાનિક કુંડામાં માત્ર સુકી માટી જ પડી રહી છેશરબતિયા તળાવે અમે સવાર-સાંજ ચાલવા આવીએ છીએ, પણ પ્રવેશદ્વારની આ હાલત જોઈને દુઃખ થાય છે. વોક વે બન્યુ ત્યારે છોડ આકર્ષણ જન્માવતા હતા, પણ અહીં હવે માત્ર સૂકી માટી છે. જો મનપા જાળવણી ન કરી શકતી હોય તો કુંડા હટાવી લેવા જોઇએ > બિજલ પટેલ, સ્થાનિક
નવી ગટર લાઇનની માગ:નવસારીના ઘેલખડી વિસ્તારમાં 5 વર્ષથી ઉભરાતી જૂની ગટર લાઇન
નવસારીના ઘેલખડી વિસ્તારમાં આહિરવાસ વિસ્તારમાં પાંચ વર્ષથી ગટર ઉભરાયા કરતી હોવાની ફરિયાદ સ્થાનિકોએ કરી છે. વિકાસની વાતો કરતા પક્ષને સ્થાનિકોએ ક્યાં છે વિકાસ કહી તેમની કામગીરી ઉપર આક્રોશ વ્યક્ત કર્યો છે. નવસારીના ઘેલખડી વિસ્તારમાં વર્ષો પહેલા કોંગ્રેસ શાસન સમયે ગટર લાઇન નવી નાખવાનું કામ કરાયું હતું, ત્યારબાદ ઘેલખડી વિસ્તારમાં વસતી વધારો થયો છે. હજારો ની સંખ્યામાં લોકો રહેતા થયા છે. વર્ષો જૂની ગટર લાઇન હવે નવી બનાવાઈ તેવી આશા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે. 1992 પછી ઘેલખડી વિસ્તારમાં નવી ગટર લાઇન ન બનાવી?વર્ષ 1992માં રાજ્યના ગૃહ મંત્રી સ્વ. સીડી પટેલે ગટર લાઇનનું લોકાર્પણ કર્યું ત્યારબાદ આ વિસ્તારમાં ગટર લાઇન નવી બનાવાઈ નથી. હાલમાં ઘેલખડીની વસ્તી ઘણી વધી છે પણ રાજકીય પક્ષોએ આ વિસ્તારમાં પાયાની સુવિધા આપવામાં અન્યાય કર્યો છે. > એન.વી. રાઠોડ, સ્થાનિક
ભાસ્કર એક્સક્લૂસિવ:ભુજોડીનું ‘વંદે માતરમ’ મ્યુઝિયમ દેશભક્તિનું સશક્ત દર્શન
કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત ગીત વંદે માતરમ ગીતને પ્રસિદ્ધ થયાને ૧૫૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે, ત્યારે આજે તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણી થનાર છે. આજે વાત કરવી છે, ભુજોડીમાં બનેલા દેશના પહેલા 4D સ્મારકની જે પ્રવાસન સાથે રાષ્ટ્રભક્તિનું એક પ્રેરકબળ બન્યું છે. અત્યાર સુધી આ સ્મારકની દેશ-વિદેશના ૧૭,૬૭,૪૦૩ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. આશાપુરા ગ્રુપના ચેરમેન ચેતનભાઈ શાહે જણાવ્યું કે, વંદે માતરમ મેમોરિયલ એ ભારતનું પહેલું 4-D સ્મારક છે, નાગરિકો ભારતીય સ્વતંત્રતાની સમગ્ર યાત્રાને જીવંત 4-D ટેકનોલોજીના માધ્યમથી ફરી અનુભવી શકે છે. ઇન્ડિયા ગેટની પ્રતિકૃતિમાંથી પ્રવેશ કરતા જ ૧૨ એકર જમીનમાં ફેલાયેલા સુંદર સંકુલ ઓતપ્રોત કરી દે છે. સંસદભવન જોવા દિલ્હી જવાની જરૂર નથી, કારણ કે તેની પ્રતિકૃતિ રુપે પ્રખ્યાત સંસદભવન અહીં નિર્માણ કરાયું છે.દેશના સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન ભારતની સૌથી ઐતિહાસિક ક્ષણોને અહીં ઓડિયો અને વિઝ્યુઅલના માધ્યમથી એ રીતે પ્રસ્તુત કરાય છે, જાણે એ ઘટના સાચે નજર સામે બની રહી હોય ! સ્મારકમાં ૧૩ એપિસોડમાંથી સફરમાં ઈ.સ ૧૬૦૦માં અંગ્રેજોના આગમનથી ૧૯૪૭ની આઝાદીના દરેક પાસાઓને હૂબહૂ ઐતિહાસિક રીતે વણી લેવાયા છે. આ સાથે સંકુલમાં દિલ્હીના રેડફોર્ટની પ્રતિકૃતિ સમાન યેલો ફોર્ટ બનાવવામાં આવ્યો છે, જેમાં ઓડિટોરિયમ, પુસ્તકાલય, ગાંધીજીને સમર્પિત એક ગેલેરી અને કાફેટેરિયા છે. મહાન વિભૂતિઓની પ્રતિકૃતિ આકર્ષણગાંધીજીની પ્રતિકૃતિ એટલી હૂબહૂ છે કે, પ્રવાસીઓ ગાદલા પર ગાંધીજી સાથે સંવાદ સાધતા હોય તે રીતે સેલ્ફી ક્લિક કરવાનું ચૂકતા નથી. આ સાથે સરદાર પટેલ, શ્યામજીકૃષ્ણ વર્મા સહિત વિભૂતિઓની પ્રતિકૃતિઓ દેશભક્તિનો એક નવો રંગ ઉમેરો કરી દે છે. સૂર્યાસ્ત બાદ થતો ફસાડ શો હાઈટેક પ્રોજેક્ટર અને લાઇટ્સ અને ધ્વનિના સંગમથી બનતો ભવ્ય શો છે, જે અહીંનું મુખ્ય આકર્ષણ છે, જેની શરૂઆત જ વંદેમાતરમ ગીતથી થાય છે. પ્રવાસનમાં વૈવિધ્ય આપતું સરનામું : આશાપુરા ફાઉન્ડેશનના ટ્રસ્ટી દીનાબેન ચેતનભાઈ શાહે જણાવ્યું કે, આ હરિયાળા સંકુલમાં હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક બનાવાયો છે, જેમાં કચ્છની પ્રખ્યાત હસ્તકળાઓનો સમન્વય છે. જેમાં આસપાસના ગામડાઓના સ્થાનિક કારીગરો સ્વાવલંબી બને તે ઉદેશ્ય છે. ખાસ કરીને, બાંધણી, બ્લોક પ્રિન્ટિંગ, મેટલવર્ક, લાખ, કોતરકામ, વિવિધ ભરતકળાના કારીગરો પોતાની હસ્તકળા અહીં વેંચી શકે તે માટે ક્રાફટ બજાર ઉભું કરાયું છે, જેથી સ્થાનિકોને રોજગારી અને પ્રવાસીઓને વૈવિધ્ય મળે છે. પાત્રોના હૂબહૂ પ્રસંગ અવાક કરી દે છે : ૧૮૫૭ની ક્રાંતિનો જુસ્સો હોય કે જલિયાંવાલા બાગ હત્યાકાંડ લાઈટ અને સાઉન્ડનો સંગમ દર્શકોને અવાક કરી દે છે. ૧૯૦૫નો બંગભંગ, ૧૯૧૯ જલિયાંવાલા બાગ, ૧૯૩૦ દાંડીકૂચ, ૧૯૩૨ ગોળમેજી પરિષદ, ૧૯૪૨ આઝાદ હિન્દ ફોજ સહીત પ્રસંગો અહીં જાણે ફરી દ્રશ્ય અને શ્રાવ્ય માધ્યમોથી જીવંત થાય છે.
ભાસ્કર ફોલોઅપ:નવસારીમાં ડબલ મર્ડર કેસમાં પોલીસને હજુ ઘણાં સવાલોના જવાબ મળ્યા નથી
ગ્રીડ નજીક આવેલ બંધ રાઈસ મિલમાં લોહીલુહાણ અને નિર્વસ્ત્ર હાલતમાં મળેલ યુવતીની લાશ મળતા પોલીસે ગણતરીના કલાકોમાં ફૈઝલ પઠાણ તેના કથિત પ્રેમીની અટક કરી હતી. જેના છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીના ગુરૂવારે રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. નવસારીના ગ્રીડ હાઈવેની બાજુમાં આવેલા એક બંધ રાઈસ મિલમાં યુવતીની લાશ મળી હતી. પોલીસે આ કેસમાં ગણતરીના કલાકોમાં આરોપી ફૈઝલ પઠાણની અટક કરી હતી. તેણે યુવતીનું નામ રિયા અને પૈસાની લેતીદેતીમાં હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તેણે બારડોલીથી રિયાને નવસારી લાવ્યા અને રાત્રીના સમયે લેતી દેતી બાબતે બોલાચાલીમાં મારમારી તેને પગથિયા ઉપર ઘસડી ઇજા થતા મૃત્યુ પામી હતી. આ બાબતે પ્રેમી ફૈઝલના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરતા કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો હતો. નવસારી પોલીસે છ દિવસના રિમાન્ડ મેળવ્યા પણ હજુ ઘણા સવાલોના જવાબ મળ્યા નથી કે યુવતી ઉપર દુષ્કર્મ થયું કે કેમ? તેનું કઈ ઈજાથી મોત થયું અને રિયાના સંબંધીઓ કેમ આવ્યા નહીં જેવા અનેક સવાલોના જવાબ હજુ બાકી છે. નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા મૃતક યુવતીના પોસ્ટરો બારડોલી પંથક અને નવસારીમાં લગાવી યુવતીની ઓળખ કરાશે.
નવસારીમાં ગણદેવી તાલુકાના ગડત-સોનવાડી ગામની હદમાં અંબિકા નદી ઉપર અંદાજે રૂપિયા 20 કરોડના બ્રિજનું કામ ચાલી રહ્યું છે જેને આજે ગ્રામવાસીએ અટકાવી દઈ અગાઉનું ધોવાઈ ગયેલ રસ્તાની પ્રોટેક્શન વોલ બનાવી આપવાની માંગણી પૂર્ણ કરવા અનુરોધ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી સવારના રજૂઆત છતાં કોઈ નક્કર કામગીરી નહીં થતા આજે સ્થાનિકો વિફર્યા હતા અને કામકાજ બંધ કરાવ્યું હતું. નવસારી જિલ્લામાં ગણદેવી પંથકના ગડત-સોનવાડી બ્રિજ નું કામ જૂન માસથી ચાલી રહ્યું છે એ ક્રોફર ડેમ બનાવ્યો હતો. જોકે પ્રી મોનસુન કામગીરીમાં આ ડેમની માટી ખસેડી લેવાની જરૂરિયાત હતી પરંતુ આ કામગીરી કરવામાં આવી ન હતી જેને લઈને વર્ષોથી ચાલી આવેલો રસ્તો જે સોનવાડી ગામના બ્લોક નંબર 201 થી 223 સુધીના ખેડૂતોની જમીન આવેલી છે તેમને આ રસ્તો ખૂબ ઉપયોગી બની રહ્યો હતો પરંતુ વર્ષોથી ચાલી આવેલો રસ્તો ચોમાસામાં ધોવાઈ જતા ખેડૂતોને ભારે હાલાકી વેચવાનો વારો આવ્યો છે. હેરાન પરેશાન થયેલા ખેડૂતોએ આજે ભેગા મળીને બ્રિજનું કામ અટકાવી દેતા ભારે ઉહાપોહ મચ્યો છે. સ્થાનિક અધિકારી સહિતના અધિકારીઓએ આ બ્રિજ નું કામકાજ નહીં અટકાવવા તાકીદ કરી હતી. જોકે સ્થાનિક ખેડૂતોએ પોતાની માંગણી આગળ ધરી રસ્તાની ધોવાઇ ગયેલ પ્રોટેક્શન વોલ બનાવી આપવા અનુરોધ કર્યો હતો. અધિકારીઓની વાત સાંભળ્યા પછી પણ ગ્રામવાસીઓ ખેડૂતો મક્કમ રહેતા બ્રિજનું કામ હાલ પૂરતું અટકાવી દેવાયું હતું હવે આગામી દિવસોમાં શું કામગીરી થાય તે જોવું રહ્યું. જોકે સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ આ કામગીરી માટે સરકારમાં પ્રપોઝલ મૂકવાની કામગીરી હાથ ધરાય તેવી શક્યતા છે.
85મી વાર્ષિક સામાન્ય સભા:બીસીએની 85મી એજીએમ પહેલાં પ્રણવ અમીનના કાર્યક્રમમાં 550 સભ્યો પહોંચ્યા
બીસીએની 85મી વાર્ષિક સામાન્ય સભા 11 નવેમ્બરે જ્યોતિ ગાર્ડનમાં યોજાવાની છે. ત્યારે એજીએમ પહેલા ગુરુવારે સાંજે અધ્યક્ષ પ્રણવ અમીન ગ્રૂપના સભ્યોનો મેળાવડો યોજાયો હતો. કાર્યક્રમમાં 550થી વધુ સભ્યોએ હાજરી આપી અધ્યક્ષ પ્રણવ અમીન પ્રત્યે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું હતું. પ્રણવ અમીને જણાવ્યું કે, બીસીએએ વિશ્વકક્ષાનું સ્ટેડિયમ બનાવ્યું છે, જેની ક્રિકેટના દિગ્ગજોએ પ્રશંસા કરી છે. તેમણે કેટલાક અસંતુષ્ટ સભ્યો દ્વારા ઊભા કરાતા અનાવશ્યક અવરોધોનો ઉલ્લેખ કર્યો અને ચાલો, ક્રિકેટ પ્રત્યેના પ્રેમ માટે સકારાત્મકતા સાથે કામ કરીએ તેવી અપિલ કરી હતી. મેળાવડા બાદ બીસીએના પ્રમુખ પ્રણવ અમીનને મળી સૂચનો આપ્યા હતા. મેળાવડાએ એજીએમ પૂર્વે એકતા અને ઉત્સાહનો સંદેશ આપ્યો. ગેટ ટુ ગેધરમાં અધ્યક્ષ પ્રણવ અમીન, ઉપાધ્યક્ષ અનંત ઇન્દુલકર, સેક્રેટરી અજીત લેલે, ખજાનચી શીતલ મેહતા તથા મેનેજમેન્ટ અને એપેક્સ કમિટીના સભ્યોની હાજરી હતી. નિલેશ શુક્લા, ડૉ. આનંદ રાવ પટેલ, કાસિમ ઉનિયા, તેજલ અમીન, મિનેશ પટેલ, કિરણ મોરે, અતુલ બેદાડે , ભાજપના અગ્રણી ભરત ખોડે અને વેપારી સંઘના પ્રમુખ પરેશ શાહ સહિત અન્ય પ્રતિષ્ઠિત લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. એજીએમમાં એસોસિએશનની સિદ્ધિની સમીક્ષા અને ભવિષ્યની યોજના પર ચર્ચા થશે.
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર બિહાર ચૂંટણી વિશે હતા. નાયબ મુખ્યમંત્રીની કાર પર છાણ અને ચંપલ ફેંકવામાં આવ્યા હતા. બીજા મોટા સમાચાર પાકિસ્તાન સરકાર સામે GenZના વિરોધ પ્રદર્શન વિશે હતા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની 150મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મોદી દિલ્હીથી રાષ્ટ્રવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરશે. 2. ગૃહમંત્રી અમિત શાહ બિહારના ભાગલપુરમાં ચૂંટણી રેલી કરશે. 3. પીએમ મોદી બે દિવસની મુલાકાતે વારાણસીની મુલાકાત લેશે. કાલના મોટા સમાચારો 1. બિહારમાં સાંજે 5 વાગ્યા સુધી 121 બેઠકો પર 62% મતદાન:નાયબ મુખ્યમંત્રી પર હુમલો, RJD ઉમેદવારે ઇન્સ્પેક્ટરને ધમકાવ્યા; સીવાનમાં બુરખા પર બબાલ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. સવારે 7થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન 60.13% નોંધાયું હતું. બેગુસરાયમાં સૌથી વધુ 67.32% મતદાન થયું હતું, જ્યારે શેખપુરામાં સૌથી ઓછું 52.36% મતદાન થયું હતું. રાજધાની પટનામાં 55.02% મતદાન થયું હતું. 56 અતિ સંવેદનશીલ બૂથ પર સાંજે 5 વાગ્યા સુધી મતદાન ચાલુ રહ્યું. બિહારમાં શહેરી મતદારોમાં સમાન ઉત્સાહનો અભાવ હતો. 121 બેઠકોમાંથી ત્રણમાં સૌથી ઓછું મતદાન થયું હતું. રાજધાની પટનાના શહેરી વિસ્તાર કુમ્હરારમાં 39.52%, દિઘામાં 39.10% અને બાંકીપુરમાં 40% મતદાન થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર 2. 'હેલ્લો ઈન્ડિયા... આ વીડિયો તમારા માટે':રાહુલ ગાંધીએ જે બ્રાઝિલિયન મોડલનું નામ લીધું હતું તેણે વીડિયો શેર કરી પોતાના વિશે જણાવ્યું બધું જ... બુધવારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પોતાની પ્રેસ-કોન્ફરન્સમાં જે બ્રાઝિલિયન મોડેલનો ફોટો બતાવ્યો હતો તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. ઘણાં X એકાઉન્ટ્સે આ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મહિલાનું નામ લરિસા છે. પોર્ટુગીઝમાં બોલતા બ્રાઝિલિયન મહિલાએ વીડિયોમાં કહ્યું, મારે ભારતીય રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. મારો ફોટો સ્ટોક ઇમેજ પ્લેટફોર્મ પરથી ખરીદવામાં આવ્યો હતો. આ મારા શરૂઆતના મોડેલિંગ દિવસોનો જૂનો ફોટો છે, જ્યારે હું 18 કે 20 વર્ષની હતી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રૈના-ધવનની ₹11.14 કરોડની સંપત્તિ જપ્ત:EDએ સટ્ટાબાજી એપથી કમાયેલાં નાણાંથી ખરીદેલી મિલકત ટાંચમાં લીધી, યુવરાજ-સોનુ સૂદની 7-7 કલાક પૂછપરછ થઈ ચૂકી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઓનલાઇન સટ્ટાબાજી એપ્લિકેશન 1xBetના પ્રમોશનના સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ પૂર્વ ક્રિકેટરો સુરેશ રૈના અને શિખર ધવનની ₹11.14 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. EDના એક સત્તાવાર સૂત્રએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે કેટલીક સેલિબ્રિટી 1xBet એપ દ્વારા કમાયેલા જાહેરાતના પૈસાનો ઉપયોગ વિવિધ મિલકતો ખરીદવા માટે કર્યો છે. આને ગુનાની રકમ માનવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. RCB વેચાવાની તૈયારીમાં?:2026 IPL પહેલા વેચાણ પ્રક્રિયા પૂર્ણ થશે; કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને આપી જાણકારી ડિયાજિયો પીએલસીની ભારતીય શાખા, યુનાઇટેડ સ્પિરિટ્સ લિમિટેડ (USL)એ બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને પત્ર લખીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ફ્રેન્ચાઇઝી 2026 ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) સીઝન પહેલાં વેચી શકાય છે. કંપનીએ પત્રમાં જણાવ્યું હતું કે તે તેની પેટાકંપની, રોયલ ચેલેન્જર્સ સ્પોર્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (RCSPL)માં તેના રોકાણની સમીક્ષા શરૂ કરી રહી છે. આ પ્રક્રિયા RCB પુરુષ અને મહિલા બંને ટીમોને આવરી લેશે અને કંપનીને અપેક્ષા છે કે આ સમીક્ષા 31 માર્ચ, 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે. એક મહિના પહેલાં એવી અફવાઓ હતી કે રસી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) લગભગ ₹17,000 કરોડમાં RCBને હસ્તગત કરી શકે છે. ત્યાર બાદ અદાર પૂનાવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, RCB યોગ્ય વેલ્યુએશન પર એક મહાન ટીમ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. PoKમાં પાકિસ્તાન સરકાર સામે GenZ વિરોધ પ્રદર્શન:હત્યારોને જવાબ આપો ના નારા લાગ્યા; ફી વધારાનો વિરોધ, એજ્યુકેશન સુધારાની માગ કરી નેપાળ અને બાંગ્લાદેશ પછી, પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં GenZના સભ્યો હવે પાકિસ્તાન સરકાર સામે વિરોધ કરવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. તેઓ શિક્ષણ પ્રણાલીમાં ફેરફારો, પરીક્ષાઓ માટે ઇ-માર્કિંગ સિસ્ટમમાં ખામીઓ અને આવશ્યક સુવિધાઓના અભાવનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન 4 નવેમ્બરના રોજ મુઝફ્ફરાબાદમાં આઝાદ જમ્મુ અને કાશ્મીર યુનિવર્સિટીમાં શરૂ થયું હતું. વિદ્યાર્થીઓ સેમેસ્ટર ફીમાં વધારા સામે વિરોધ કરી રહ્યા હતા. એક વિદ્યાર્થીને ગોળી મારીને ઘાયલ કરવામાં આવ્યો હતો, જેના કારણે હિંસક વિરોધ થયો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. મહિલાએ આંખમાં મરચું નાખ્યું, સોનીએ 25 સેકન્ડમાં 20 લાફા ઝીંક્યા,CCTV:ચોરને રોકવા વેપારી ટેબલ કૂદ્યો, ફડાકા માર્યા, મહિલાને ખેંચી દુકાન બહાર કાઢી, અમદાવાદની ઘટના અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી સોનાની દુકાનમાં જ્યારે સોની એકલો બેઠો હતો ત્યારે એક મહિલા આવી હતી. ગ્રાહક બનીને આવેલી આ મહિલાએ અચાનક હાથમાં રહેલો મરચાંનો પાઉડર સોનીની આંખમાં નાખવાનો પ્રયાસ કર્યો. એને પગલે સોની વેપારીએ આ મહિલાને ટેબલ કૂદીને 25 સેકન્ડમાં 20 તમાચા ઝીંકી દીધા હતા. જોકે આ મરચાંના પાઉડર સોનીના આંખમા ન જતાં સોની તરત જ ઊભો થયો અને તેણે ચોરી કરવા આવેલી મહિલાને એક બાદ એક ધડાધડ 20 લાફા ઝીંકી દીધા હતા. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. આ ઘટના અંગે સોનીએ તો ફરિયાદ કરવાની ઇનકાર કર્યો છે, પરંતુ પોલીસે મહિલાની તપાસ શરૂ કરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. સુરત દુષ્કર્મકેસમાં આસારામને 6 મહિનાના જામીન:જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી અલગ સ્ટેન્ડ ન લઈ શકીએ: ગુજરાત હાઇકોર્ટ સુરત અને જોધપુરમાં દુષ્કર્મકેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને ગુજરાત હાઇકોર્ટે 06 મહિનાના રેગ્યુલર જામીન આપ્યા છે. આસારામ વતી રજૂઆત કરવામાં આવી કે જોધપુર કોર્ટે આસારામને 06 મહિના માટે જામીન આપ્યા છે. તે હૃદય સંબંધિત બીમારીથી પીડિત છે અને સારવાર મેળવવાનો હk છે. જો 06 મહિનામાં અપીલની સુનાવણી આગળ ના વધે તો ફરી જામીન અરજી મૂકી શકશે કોર્ટે કહ્યું, આસારામની મેડિકલ પરિસ્થિતિને આધારે તેને જોધપુર હાઇકોર્ટે જામીન આપ્યા હોવાથી ગુજરાત હાઇકોર્ટ એમાં અલગ સ્ટેન્ડ લઈ શકે નહીં. રાજસ્થાન સરકાર આ જામીનને ચેલેન્જ કરે તો ગુજરાત પણ કરી શકશે. સરકાર પક્ષે રજૂઆત કરી કે જો જોધપુર જેલમાં મેડિકલ સવલતો પૂરતી ના હોય તો સાબરમતીમાં ટ્રાન્સફર કરો. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : દિલ્હીમાં વિમાનોના GPS સિગ્નલમાં ફેક એલર્ટ:છેલ્લા એક અઠવાડિયાથી 100 કિમીના ઘેરામાં સમસ્યા; DGCAને જાણકારી આપવામાં આવી વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ટ્રમ્પે મમદાનીની મજાક ઉડાવી:કહ્યું- તે ન્યૂયોર્ક વાળો મંદાની કે જે કંઈ પણ તેનું નામ છે, ટ્રાન્સજેન્ડર અધિકારોનો સમર્થક છે વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : RJD 'ર'થી રંગદારી, 'ફ'થી ફિરોતી જાણે છે:ભાગલપુરમાં PM મોદી બોલ્યા- તેમની પાઠશાળામાં 'ઘ'થી ઘોટાલા અને 'પ'થી પરિવારની ટ્રેનિંગ થાય છે વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : પાકિસ્તાને કહ્યું- તાલિબાનીઓની એક કપ ચા ભારે પડી:ડેપ્યુટી PMએ કહ્યું- આતંકવાદીઓ સાથેની મિત્રતાના પરિણામો ભોગવી રહ્યા છે; આ માટે ઇમરાન જવાબદાર વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : પતંજલિએ ચ્યવનપ્રાશની અન્ય બ્રાન્ડ્સને ફ્રોડ ગણાવી:ડાબરની ફરિયાદ પર દિલ્હી HCએ કહ્યું, ફ્રોડની જગ્યાએ લો ક્વોલિટી કહી શકો, એમાં શું સમસ્યા છે? વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : વર્લ્ડ ચેમ્પિયન ભારતીય વુમન્સ ટીમને મળ્યા PM મોદી:PM મોદીને આપી 'નમો-1' જર્સી, પ્રતિકા રાવલ વ્હીલચેર પર જોવા મળી; 2 નવેમ્બરે રચ્યો હતો ઈતિહાસ વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : સ્થાન બદલવાથી પણ મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે:ભગવાન કૃષ્ણ પાસેથી શીખવા જેવો બોધપાઠ; પરિવર્તનથી ડરવું જોઈએ નહીં વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે યુપીમાં શખસે કોબરાની ફેણને દાંતથી ચાવી યુપીના હરદોઈમાં ખેતરમાં કામ કરતા પુનીતેને કાળા કોબરાએ દંશ માર્યો. ગુસ્સામાં કોબરાને પકડ્યો ને તેની ફેણને દાંતોથી ચાવી નાખી. જેના કારણે સાપનું મોત થઈ ગયું. પરિવારજનો પુનીતને તરત હોસ્પિટલે લઈ ગયા, જ્યાં સારવાર પછી એક જ રાતમાં સાજો થઈને ઘરે જતો રહ્યો. ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. અસુર-4 : વિધવા સાથે સંબંધ બાંધી પતાવી દીધી:TV જોઈને મર્ડર કરતા શીખેલો અમરેલીનો સિરિયલ કિલર, ગળું દબાવી જીવ ખેંચી લે, મરેલાનું સાચવેલું ઘરેણું જોઈ ખુશ થતો 2. ભાસ્કર એક્સક્લૂસિવ : કરોડો રૂપિયાની સંપત્તિના આસામી કોંગ્રેસી નેતા કાગળ પર ગરીબ:સુરતમાં આવાસના ડ્રોમાં 12 સંબંધીને ‘લોટરી’ લાગી, મુખ્યમંત્રી ઓફિસે ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ 3. જાણી લો... મતદારયાદીમાં નામ રાખવાનું ફોર્મ કેવી રીતે ભરશો:ફોટો સહિત 20 પ્રકારની માહિતી આપવાની, જૂની યાદીમાં નામ ન હોય તો આ 12 ડોક્યુમેન્ટ્સ માન્ય 4. આજનું એક્સપ્લેનર:હરિયાણામાં બ્રાઝિલની મોડેલ વોટર, રાહુલ ગાંધીએ કહ્યું- 25 લાખ મતની ચોરી થઈ, કોંગ્રેસ 22 હજાર મતથી હાર્યું; 6 સવાલમાં બધું જ 5. સુપર માર્કેટમાંથી ઘરે 'રોગ' ન ખરીદી લાવશો!:ગ્રોસરી સ્ટોરની 16 ચીજમાં ગંભીર બીમારીનાં તત્ત્વો; ડોક્ટર પાસેથી જાણો સ્વાસ્થ્યપ્રદ કરિયાણું ખરીદવાની ટિપ્સ 6. બ્લેકબોર્ડ: બાળપણમાં મારી આંગળી પકડી, મોટા થઈને તેણે હાથ છોડ્યો:ભાઈએ ખોટી સહી કરાવી પૈસા હડપ્યા, રોજ વિચારું છું વૃદ્ધાશ્રમમાં કોઈ લેવા આવશે કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ શુક્રવારનું રાશિફળ: સિંહ રાશિના જાતકોની કુશળતા અને સમજદારી દ્વારા સુખદ પરિણામ મળશે; વૃશ્ચિક રાશિના જાતકોને સમય લાભકારી રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)

26 C