અમદાવાદના સરસપુરમાંથી વેપારી આંગડિયામાંથી આવેલા પૈસા લઈને જઈ રહ્યા હતા, ત્યારે અજાણ્યા બાઈકચાલકોએ વેપારીને રોકીને ઝગડો કર્યો હતો. ઝગડા દરમિયાન વેપારીના વાહનની ચાવી રોડ પર ફેંકી દીધી હતી. વેપારી ચાવી લેવા ગયા ત્યારે અન્ય બે વ્યક્તિએ વેપારીના વાહનની ડેકી ખોલીને 18 લાખની લૂંટ ચલાવી હતી. આ અંગે વેપારીએ અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેપારીએ 21માંથી 18 લાખ ડેકીમાં મુક્યા હતાંસાબરમતીમાં રહેતા નારાયણદાસ બિનાની લોખંડના ખરીદ વેચાણનો ધંધો કરે છે. 12 નવેમ્બરે તેઓ તેમના ટુ-વ્હીલર જ્યુપિટર લઈને દરિયાપુર ખાતે મિત્રને મળવા ગયા હતા. આ દરમિયાન એક વેપારીને 18 લાખ ધંધાના આપવાનો હોવાથી તેઓ નવરંગપુરા ખાતે આવેલા ઈશ્વર સોમા નામની આંગડિયા પેઢીમાં ગયા હતા, જ્યાં તેમના વેપારના 21.36 લાખ રૂપિયા આવ્યા હતા. આ પૈસામાંથી તેમણે 18 લાખ રૂપિયા વાહનની ડેકીમાં મૂકી દીધા હતા, જ્યારે બાકીના 3.36 લાખ રૂપિયા ખભા પર ભરાવેલી બેગમાં મૂક્યા હતા. ડેકીમાંથી પૈસા લઈ બે ફરારપૈસા લઈને તેઓ જ્યુપીટર લઈ રખિયાલ ખાતે કામ માટે નીકળ્યા હતા. સાંજે 5:15 વાગ્યાની આસપાસ સરસપુર વંદે માતરમ પાર્ટી પ્લોટ પાસે તેઓ પહોંચ્યા ત્યારે એક અજાણ્યા બાઈકચાલકે તેમનું આગળ બાઇક લાવીને કહ્યું કે કાકા ગાડી બરાબર ચલાવો જેમ તેમ ન ચલાવો. જેથી બંને વચ્ચે રકઝક થઈ ગઈ હતી. બાઈક ચાલકે નારાયણ દાસના જયુપીટર વાહનની ચાવી કાઢીને થોડા આગળ લઈ જઈ રોડ પર ફેંકી દીધી હતી. જેથી નારાયણદાસ ચાવી લેવા ગયા ત્યારે તેમના જયુપીટરની ડેકી ખોલીને એક્સેસ પર આવેલા બે વ્યક્તિ ડેકીમાંથી 18 લાખ ભરેલી બેગ લઈને જઈ રહ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરીબનાવ બનતા તેમણે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરી હતી. 18 લાખની લૂંટનો મામલો હોવાથી ઝોન 3 ડીસીપી,એસીપી પીઆઇ સહિતનો પોલીસ કાફલો તપાસ માટે પહોચ્યો હતો. મોડીરાત સુધી પોલીસે તપાસ કરી હતી. પોલીસે બે અલગ અલગ વાહન પર આવેલા અજાણ્યા વ્યક્તિઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જુનાગઢ કલેક્ટર નજીક આવેલી ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયમાં રહેતી આશરે 230 જેટલી દીકરીઓના જીવન અને સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની ગંભીર ફરિયાદ સામે આવી છે. ભોજનમાં ભ્રષ્ટાચાર, બેડશીટ વગરના ગાદલા, ખંડેર હાલતના શૌચાલયો અને ટપકતી છત જેવી અનેક સમસ્યાઓથી કંટાળીને વિદ્યાર્થીનીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. આ સમગ્ર મામલો દબાવવા માટે જૂનાગઢના કોર્પોરેટરો એ ધમ પછાળા કર્યા અને મીડિયાને હોસ્ટેલની અંદર આવવા ન દીધું પરંતુ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓ વાળો મચાવતા મીડિયા અંદર પહોંચ્યું.હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓએ આ સમગ્ર મામલે હોસ્ટેલના સંચાલકો અને અધિકારીઓ પર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. એટલું જ નહીં આ સમગ્ર મામલે જ્યારે હોસ્ટેલે પોલીસ પહોંચી તો વોર્ડને પોલીસને કહ્યું પહેલા મીડિયા ને અહીંથી ભગાડી દો.. શાકમાં જીવાત અને સંભારામાં સાવરણાની સળીઓજૂનાગઢની ડૉ. બાબાસાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલયના ભોજનની ગુણવત્તા એટલી હદે કથળી ગઈ છે કે વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર જોખમ ઊભું થયું છે. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની મોનિકા રાઠોડએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, તેમને જમવાનું સારું આપવામાં આવતું નથી અને તેમાં વારંવાર જીવાતો, ઈયળ અને તો ક્યારેક સંભારામાં સાવરણાની સળીઓ પણ નીકળે છે. હોસ્ટેલના મેનુ મુજબ ભોજન ક્યારેય બનતું નથી. વારંવાર માત્ર બટેટાનું શાક જ બનાવવામાં આવે છે, જે પાણી જેવું હોય છે અને રોટલીઓ કાચી હોય છે. હોસ્ટેલમાં 7 વર્ષથી રહેતી અન્ય એક વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે, તેઓ અહીં રહીને ભણવા માટે આવ્યા છે, આંદોલન કરવા માટે નહીં, પરંતુ રસોયા દ્વારા એટલું ખરાબ જમવાનું બનાવવામાં આવે છે કે દીકરીઓનું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું છે. ખરાબ જમવાના કારણે દીકરીઓને વારંવાર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ છે, જેની સારવાર કરાવવા જતાં હોસ્પિટલમાંથી સ્પષ્ટ રિપોર્ટ આવ્યા છે કે આ સમસ્યાઓ ફૂડ પોઈઝનિંગના કારણે સર્જાય છે. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જ્યાં સુધી તેમની લિમિટ હતી, ત્યાં સુધી તેમણે આ સહન કર્યું હતું. ગાદલા પર બેડશીટ ગાયબ અને શૌચાલયોની ખંડેર હાલતભોજનમાં ભ્રષ્ટાચાર ઉપરાંત, હોસ્ટેલની ભૌતિક સુવિધાઓની હાલત પણ અત્યંત દયનીય છે. છેલ્લા 5 વર્ષથી અહીં રહેતી વિદ્યાર્થીની પ્રતીક્ષાબેન રાઠોડએ આક્ષેપ કર્યો કે છેલ્લા પાંચ વર્ષમાં અહીં કોઈપણ પ્રકારનો બદલાવ આવેલો નથી અને એક પણ સુવિધા આપવામાં આવતી નથી. વિદ્યાર્થીનીઓના રૂમમાં બેડ સીટ પણ નથી, જેના કારણે તેઓ એમનેમ જ ગાદલા પર સૂએ છે અને ઓશિકાની હાલત પણ અતિ ખરાબ છે. સરકારી હોસ્ટેલના શૌચાલયો અને બાથરૂમમાં પણ પોપડા પડી રહ્યા છે અને ખંઢેર હાલતમાં જોવા મળે છે. છાત્રાલયની છતમાંથી પાણી પડે છે, જેના કારણે ચોમાસામાં અતિશય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત, રૂમમાં વિદ્યાર્થીનીઓને પોતાનો સામાન વ્યવસ્થિત રાખવાની પણ જગ્યા નથી અને ન છૂટકે સામાન વેરવિખેર રાખવો પડે છે. મંત્રીની મુલાકાત માત્ર ફોટો સેશન બનીને રહી વિદ્યાર્થીનીઓએ હોસ્ટેલના સંચાલકો પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ગત 9 નવેમ્બરના રોજ રાજ્ય સરકારના સમાજ કલ્યાણ અને શિક્ષણ કેબિનેટ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા આ હોસ્ટેલની મુલાકાતે આવ્યા હતા, ત્યારે માત્ર ફોટો સેશન કરવા માટે જ અધિકારીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે જ્યારે મંત્રી અહીં આવ્યા હતા, ત્યારે રસોયાઓએ હાથમાં અને માથામાં ગ્લોવ્ઝ પહેરી રાખ્યા હતા, પરંતુ 365 દિવસ ગમે તેવા હાથે રસોઈ બનાવવામાં આવે છે. જે સમયે મંત્રી અહીં આવ્યા, ત્યારે રાતના 10 વાગ્યા સુધી હોસ્ટેલના કર્મચારીઓ અને સિક્યુરિટી હાજર રહ્યા હતા, જ્યારે સામાન્ય દિવસોમાં આવું જોવા મળતું નથી. વિદ્યાર્થીનીઓએ મંત્રીને કહ્યું હતું કે, તમે હાલ જે જોઈ રહ્યા છો તે વાસ્તવિકતા નથી, પરંતુ આડા દિવસે આવો તો ખ્યાલ આવે કે આ હોસ્ટેલની સાચી હકીકત શું છે.. 'એડમિશન રદ કરી નાખવામાં આવશે'આજે જ્યારે હોસ્ટેલમાં ચાલતી લોલમલોલ અને ભ્રષ્ટાચારની ફરિયાદ લઈને મીડિયા પહોંચ્યું, ત્યારે વિદ્યાર્થીનીઓને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમાજના જ અમુક ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ આ સમગ્ર બાબતને દબાવી દેવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો અને મીડિયાને અંદર આવવા દીધી નહોતી. જોકે, ના છૂટકે હોસ્ટેલની વિદ્યાર્થીઓએ હોબાળો કરતાં મીડિયા અંદર પહોંચ્યું હતું. પ્રતીક્ષાબેન રાઠોડે જણાવ્યું કે રજૂઆત કરવા માટે મીડિયાને બોલાવ્યા ત્યારે તેમને ધમકાવવામાં આવ્યા અને હોસ્ટેલના વોર્ડન દ્વારા કહેવામાં આવ્યું કે જેણે પણ આ મુદ્દો ઉઠાવ્યો છે, તેના એડમિશન રદ કરી નાખવામાં આવશે. સમાજના નામે આવેલા દલાલો પણ આ મુદ્દો દબાવી દેવા માટે દબાણ કરતા હતા. એક વિદ્યાર્થીનીએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે દીકરીઓને આટલો પ્રોબ્લેમ અને પરેશાની હતી, ત્યારે આ સમાજના લોકોને શા માટે કંઈ દેખાતું નહોતું. વોર્ડન અને રસોયા વિરુદ્ધ તાત્કાલિક તપાસ થશેઃ અધિકારીવિદ્યાર્થીનીઓના આ ગંભીર આક્ષેપો બાદ, સમાજ કલ્યાણ અધિકારી અને ઇન્ચાર્જ નાયબ નિયામક અનુ.જાતિ સમાજ, ચેતન પવારે તાત્કાલિક નિવેદન આપ્યું હતું. તેમણે સ્વીકાર્યું કે આજે કન્યા છાત્રાલયમાં જમવા બાબતે હોબાળો થયો છે, જેમાં જમવાની ગુણવત્તા દીકરીઓને નબળી લાગી અને ભોજનમાં જીવાત નીકળવાની બાબતે રજૂઆત કરવામાં આવી છે. ચેતન પવારે જણાવ્યું કે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ દ્વારા જે અન્ય પ્રશ્નોને લઈ રજૂઆત કરવામાં આવી છે, તેની એક યાદી તૈયાર કરવામાં આવશે અને વહેલી તકે નિરાકરણ લાવવાના પ્રયત્નો કરાશે. હોસ્ટેલના વોર્ડન અને રસોયા વિરુદ્ધ જે ફરિયાદ કરવામાં આવી છે, તેને લઈને પણ તાત્કાલિક તપાસ કરવામાં આવશે.જો તપાસમાં યોગ્ય પ્રશ્ન લાગશે, તો વોર્ડનને પણ બદલી નાખવામાં આવશે. સમગ્ર પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી વિદ્યાર્થીનીઓએ પોતાની લિમિટ નહોતી વટાવી, ત્યાં સુધી ખરાબ ભોજન, અપૂરતી સગવડ અને સ્વાસ્થ્ય સાથેના ચેડાં સતત ચાલુ હતા. હવે અધિકારીઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવાય અને દીકરીઓને યોગ્ય સુવિધાઓ મળે તે જરૂરી છે.
બગોદરા-બાવળા હાઈવે પર ભાયલા મોગલ ધામ નજીક વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર પલટી ખાઈ જતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ચાર અન્ય લોકો ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે કાર ગલોટિયાં ખાઈને પલટી ગઈ હતી. આ અકસ્માત વહેલી સવારે થયો હતો. મૃતક વ્યક્તિની ઓળખ સુરેન્દ્રનગરના સરા ગામના શક્તિ રાઠોડ તરીકે થઈ છે. આ પરિવાર સુરેન્દ્રનગરના સરા ગામથી દહેગામ ખાતે એક લોકિક કાર્ય માટે જઈ રહ્યો હતો ત્યારે તેમને આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ઘાયલ થયેલા ચાર લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ....
રાજકોટ જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં 735.55 મિલિમીટર એટલે કે એવરેજ 29.422 ઇંચ વરસાદ વરસ્યો છે. જે ગત વર્ષ કરતા 62.11 ટકા ઓછો છે. જોકે ચોમાસા દરમિયાન પડેલા વરસાદને કારણે તારાજીની ઘટના સામે આવી હતી. જેમાં 3 માનવ અને 45 પશુના મૃત્યુ થયા છે. જ્યારે 9 મકાન પડી ગયા હતા. ઓક્ટોબરમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં પડેલા કમોસમી વરસાદે ખેતીપાકને વ્યાપક નુકશાન થયું હતું. ગત વર્ષ કરતા આ વર્ષે ઓછો વરસાદ પડયો હોવા છતા રાજકોટ જિલ્લામાં ચોમાસુ ભારે રહ્યું છે.વર્ષાઋતુ દરમિયાન ઉપલેટા અને પડધરીમાં એક-એક મોત થયા હતુ. જ્યારે કમોસમી વરસાદમાં ગોંડલમાં એકનું મોત થયું હતુ. ડિઝાસ્ટર વિભાગ દ્વારા મૃતકોના પરિવારજનોને કુલ 12 લાખની સહાય આપવામાં આવી છે. જ્યારે જસદણ-જેતપુર, ધોરાજી અને રાજકોટ તાલુકામાં એક-એક મકાન પડી ગયુ હતુ. આ સિવાય ઉપલેટામાં 2 અને વિંછીયામાં 3 મકાન પડી ગયા હતા. સરકારી તંત્ર દ્વારા મકાન સહાય પેટે આસામીઓને 40 હજારની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે વિજળી પડવાથી 45 પશુના મોત થતા પશુમાલિકોને કુલ રૂ.8,14,500ની સહાય ચૂકવવામાં આવી છે. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાં 101.12 ટકા વરસાદ વરસ્યો છે. તેમાં જિલ્લામાં સૌથી વધુ ગોંડલમાં 41.36 ઈંચ તો સૌથી ઓછો વરસાદ વિંછીયામાં 13.84 ઈંચ વરસાદ પડયો છે. જયારે ધોરાજી-જામકંડોરણામાં 39 ઈંચ,રાજકોટમાં 33.64 ઇંચ, જેતપુર-લોધિકામાં 35.52 ઇંચ, કોટડાસાંગાણીમાં 26.64 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉપલેટામાં 24.04 ઇંચ, પડધરીમાં 19.02 ઇંચ અને જસદણમાં 17.16 ઇંચ વરસાદ વરસ્યો હતો. જોકે ઓક્ટોબર મહિનામાં રાજકોટ જિલ્લામાં પડેલા વરસાદે રંગ રાખ્યો હતો.ગત વર્ષે રાજકોટ જિલ્લામાં 163.23 ટકા વરસાદ પડયો હતો તેની સરખામણીમાં આ વર્ષે જિલ્લામાં સરેરાશ 62.11 ટકા વરસાદની ખાદ્ય રહી છે. તેમાં સૌથી વધુ ઉપલેટામાં 90 ટકા, ધોરાજીમાં 84 ટકા, કોટડાસાંગાણીમાં 88 ટકા અને લોધિકામાં 89 ટકા વરસાદ પડ્યો છે.
આપના નેતાની કરાઈ અટક:જેલની પ્રતિષ્ઠાને હાની પહોંચાડનાર આપ નેતા રાજુ કરપડાની અટક કરાઇ
બોટાદના હડદડ ખેડુત મહાપંચાયતમાં ખેડુતો અને પોલીસના ઘર્ષણમાં સજા કાપી રહેલા આમ આદમી પાર્ટીના રાજુ કરપડાએ જેલમાં ગયા અગાઉ, સાસણગીરથી હું જેલમાં છું અને સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવેલ સંમેલનમાં લોકોને મોટી સંખ્યામાં જોડાવા માટે આહ્વાન કરતો એક વિડીયો બનાવ્યો હતો. બાદમાં રાજુ કરપડા જેલમાં ગયા બાદ આ વિડીયો એમ.બી. ન્યુઝના સોશ્યલ મિડીયામાં વાયરલ કરી, ભાવનગર જિલ્લા જેલની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું કૃત્ય આચરતા રાજકોટ જેલમાં સજા કાપી રહેલા રાજુ કરપડાની અટક કરી, ભાવનગર સાયબર સેલ દ્વારા ભાવનગરની ચોથી એડીશનલ ફાસ્ટટ્રેક કોર્ટમાં રજુ કરી, પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરતા રિમાન્ડ ફગાવી દેવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાં જેલમાં સજા કાપી રહેલા અને ખેડુત મહાપંચાયતના આરોપી રાજુ જેરામભાઇ કરપડાનો એમ.બી. ન્યુઝ નામના સોશ્યલ મિડીયામાં રાજુ કરપડાએ હું જેલમાં છું અને તા. 31-10-2025ના રોજ સુરેન્દ્રનગર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક સંમેલન રાખવામાં આવેલ છે જેમાં વધારેમાં વધારે લોકોએ એકત્રીત થવું તેવો એક વિડીયો વાયરલ થતાં ભાવનગર જિલ્લા અધિકક્ષક તેમજ જેલ તંત્ર ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો થતાં તંત્ર દોડતું થયું હતું, જેલ અધિકક્ષક ડી.ડી. પ્રજાપતિ દ્વારા આરોપી રાજુ કરપડા વિરૂદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે આજે ભાવનગર સાયબર સેલ દ્વારા રાજકોટની જેલમાંથી રાજુ કરપડાની અટક કરી ભાવનગર ખાતે ફાસ્ટ્રેક કોર્ટમાં રજુ કરી, પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જે દરમિયાન કોર્ટે રિમાન્ડ ફગાવ દિધા હતા. અને જે સમયે રાજુ કરપડાએ કોર્ટમાં વિડીયો કોને વાયરલ કર્યો તેની જાણ ન હોવાનું કોર્ટમાં જણાવ્યું હતું.
દુષ્કર્મ:પતિ-પત્નિની તકરારનો લાભ લઇ પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
ભાવનગર શહેરમાં ગઢેચી વડલા વિસ્તારમાં રહેતા એક શખ્સે તેમના જ કૌટુંબિક ભાઇ અને ભાભી વચાળે અવાર નવાર તકરારો થતાં ભાભીને આશ્વાસન આપી, પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યાર બાદ કૌટુંબિક દિયરે લલચાવી, ફોસલાવી ભાભીને એક હોટલમાં લઇ જઇ, દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ કોઇને જાણ કરશે તો પતિ તેમજ સંતાનોને મારી નાંખવાની ધમકી આપતા પરિણીતાએ કૌટુંબિક દિયર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શહેરના ગઢેચી વડલા વિસ્તારની આસપાસ રહેતા એક શખ્સને તેના કૌટુંબિક ભાઇ અને ભાભી વચાળે અવાર નવાર ઘરખર્ચ તેમજ અન્ય બાબતોને લઇને ઝઘડાઓ થયા કરતા હતા. જે વેળાએ અનેક ઝઘડાઓમાં શખ્સ ભાઇ-ભાભી વચાળે સમાધાન કરાવી, ભાભીને આશ્વાસન આપતો હતો. જે દરમિયાન તેના ભાભીને પ્રેમજાળમાં ફસાવી લેતા, અવાર નવાર એકલતામાં મુલાકાત માટે બોલાવતો હતો. એક વખત તેના કૌટુંબિક પરિણીત ભાભીને વરતેજ નજીક એક હોટલમાં લઇ જઇ કહેલ કે, હવે તું મારી પાસે આવી ગઇ છો, તારે મારી સાથે સંબંધ બાંધવો પડશે તેમ કહી, પરિણીત ભાભીની મરજી વિરૂદ્ધ કૌટુંબિક દિયરે દુષ્કર્મ આચરી, પતિ તેમજ સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બાદ પણ કૌટુંબિક દિયરની ધાક વધતા, ભાભીએ તેના દિયર વિરૂદ્ધ વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કાયદામંત્રીએ સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી:નર્મદા ડેમના નિર્માણ વિશે કાયદામંત્રીએ માહિતી મેળવી
રાજયના કાયદા અને ન્યાય તંત્ર, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયાએ વિંધ્યાચલ અને સાતપુડા ગીરીમાળાઓના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. તેમણે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીઓ પાસેથી ડેમના નિર્માણની અદભૂત સિદ્ધિ અને ટેક્નિકલ માહિતી મેળવી હતી. ડેમની ટેક્નિકલ વિગતોની સાથે ડેમના માધ્યમથી આસપાસના રાજ્યો તથા ગુજરાતની પ્રજાને થતા લાભોની માહિતી પણ મહાનુભાવોએ મેળવી હતી. તેઓની સાથે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન મુકેશ પુરી જોડાયા હતાં. કૌશિક વેકરિયાએ વિંધ્યાચલ અને સાતપુડા ગીરીમાળાઓના પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સ્થિત સરદાર સરોવર ડેમની ભવ્યતા નિહાળી હતી. તેમણે કેનલ હેડ પાવર હાઉસ અને રિવર બેડ પાવર હાઉસની પણ મુલાકાત લઈને વીજ ઉત્પાદન અને તેનાથી ગુજરાત સહિત પાડોશી રાજ્યોને થઈ રહેલા લાભો અંગે વિગતવાર માહિતી મેળવી હતી.પાવર પ્લાન્ટના ચીફ ઈજનેર એ. એન. પટેલ અને સુપ્રિટેન્ડન્ટ ઈજનેર આર. એન. રાવલે માહિતી પૂરી પાડી હતી.
એવોર્ડ કરાયો એનાયત:શામળદાસ કોલેજને જીકાસ – એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ' એનાયત થયો
MKB યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટસ કોલેજને જીકાસ – એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ” પ્રાપ્ત થયો છે. ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણીક વર્ષ 2025-26માં પ્રવેશ પ્રક્રિયા દરમિયાન સૌથી વધુ વિદ્યાર્થીઓ તથા વાલીઓના પ્રશ્નોનું સમાધાન કરવા બદલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંચાલિત શામળદાસ આર્ટ્સ કોલેજને ગ્રાંટ ઇન એઇડ કોલેજોની કેટેગરીમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંકે આવવા બદલ જીકાસ–એડમિશન સર્વિસ એક્સેલન્સ ઍવોર્ડ” મળેલ છે તથા પ્રવેશપ્રકિયામાં સરાહનીય કામગીરી કરનાર કોલેજના કર્મચારીઓને “પ્રથમ સ્ટાર જીકાસ–વોલીન્ટીયર”નું પ્રમાણપત્ર આપવામાં આવેલ છે. સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના મળીને આશરે 2500 જેટલા વિદ્યાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવ્યું અને 850 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો. શામળદાસ આર્ટસ કોલેજની આ સિદ્ધિ બદલ કુલપતિ ડૉ.ભરતભાઈ રામાનુજ અને કાર્યકારી કુલસચિવ ડૉ.ભાવેશભાઈ જાની દ્વારા કોલેજના પ્રિ. ડૉ.એમ.બી.ગાયજન તથા તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવવામાં આવેલ છે.
રાજ્ય સરકાર દ્વારા નિશ્ચિત રોગની સારવાર માટે એક વર્ષનો વિશેષ નર્સિંગ કોર્સ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં વિવિધ વિષયના કુલ આઠ જુદા જુદા રેસીડેન્સીયલ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સનો સમાવેશ થાય છે. આ કોર્સ શરૂ થવાથી સ્ટાફ નર્સની સેવાઓની ગુણવત્તા અને કુશળતામાં વધારો કરવાનો છે. આ કોર્સ માં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થી જે તે સંસ્થાની વેબસાઈટ પર તા. 21 નવેમ્બર,2025 સુધી અરજી કરી શકશે. માર્ગદર્શિકા પ્રમાણે જે તે નર્સિંગ કોલેજ - મેડિકલ કોલેજ દ્વારા એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ કોર્સ સ્ટાફ નર્સને ચોક્કસ તબીબી શાખાઓમાં ઊંડી સમજ અને પ્રેક્ટિકલ તાલીમ પૂરી પાડશે. આ એક વર્ષના વિશેષ કોર્સ પૂર્ણ કર્યા બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં ફરજ બજાવતા સ્ટાફ નર્સની કામગીરીની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થશે, જેનાથી દર્દીઓને વધુ સારી અને કુશળ સારવાર મળી શકશે. આ કોર્ષમાં થિયરી કરતાં પ્રેક્ટિકલ પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે. આ નર્સિંગ વિષયના કુલ આઠ કોર્સ માં ક્રિટિકલ કેર, ઈમરજન્સી - ડિઝાસ્ટર, નીઓન્ટલ, ઓર્થો અને રીહેબીલેશન, બર્ન-રીકન્સ્ટ્રક્ટીવ, કાર્ડીઓલોજી, ઓનકોલોજી તથા સાઈકીઆટ્રીકનો સમાવેશ થાય છે. જેમાં તેઓ નિષ્ણાંત થઈને દર્દીઓને વધુ સારી સારવાર આપી શકે છે. આ કોર્સની રચના એવી રીતે કરવામાં આવી છે કે જેથી હોસ્પિટલોમાં દર્દીલક્ષી સંભાળ અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવાઓના ધ્યેયને વધુ મજબૂત બનાવી શકાય. GMERS સંસ્થાઓના કર્મચારીઓને પ્રવેશઆ કોર્ષમાં રાજ્ય સરકાર અને GMERS સંચાલિત સંસ્થાઓમાં ફરજો બજાવતાં હોય તેવા કર્મચારીઓ તેમજ અન્ય ઇચ્છુક ઉમેદવારો પણ પ્રવેશ મેળવી શકશે. ગુજરાત સરકારનો આ નિર્ણય રાજ્યની આરોગ્ય વ્યવસ્થાને વધુ આધુનિક, કાર્યક્ષમ અને દર્દી-મૈત્રીપૂર્ણ બનાવવાની દિશામાં એક માઇલસ્ટોન સાબિત થશે.
કાર્યવાહી:પાલેજ પાસે લકઝરી બસમાંથી રુ. 25હજારનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો
પાલેજ પોલીસે ખાનગી ટ્રાવેલ્સની બસમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. બસનો ડ્રાઇવર અને કલીનર દારૂ તથા બિયરનો જથ્થો નવસારીથી મોરબી લઇ જઇ રહયાં હતાં. ભરૂચની પાલેજ એક લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ અને બિયર સાથે ડ્રાઇવર અને કલીનરની ધરપકડ કરવામાં આવી છે. પાલેજ પોલીસને બાતમી મળી હતી કે, શિવ લહેરી ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ નવસારીથી મોરબી તરફ જઈ રહી છે.બસનો ડ્રાઇવર અને કલીનર દારૂ તથા બિયરનો જથ્થો નવસારીથી મોરબી લઇ જઇ રહયાં હતાં. ડ્રાઈવર અને ક્લીનર સુરતથી વિદેશી દારૂનો જથ્થો મોરબી લઈ જઈ રહ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે નેશનલ હાઈવે નંબર 48 નજીક ન્યુ બલવાસ હોટલ પાસે વોચ ગોઠવી હતી. બસ આવતા તેને રોકવામાં આવી અને તેની ડેકીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી દેવા આહિર અને જેન્દ્ર પટેલ નામના બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 25,610ની કિંમતનો દારૂ અને બિયર, 5,500ના બે મોબાઈલ ફોન, રૂપિયા 2,900 રોકડા અને રૂપિયા 7 લાખની બસ સહિત કુલ 7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પાલેજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ગારીયાધાર નગરપાલિકામાં રિકવરીનો મુદ્દો ભારે ઊછળ્યો છે. ગારીયાધાર નગરપાલિકા કચેરીના પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પૂર્વ નગરપાલિકા પ્રમુખ વાઘેલા ગીતાબેન શાંતિલાલ અને જેઠવા કાંતિભાઈ રવજીભાઈએ સાડા ત્રણ લાખની સહાય મેળવી હતી. જે બાબતે ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી દ્વારા પ્રાદેશિક કમિશનર કચેરી ખાતે તપાસ અને માંગણી કરતા કમિશનર દ્વારા તપાસ હાથ ધરતા જે બંને દ્વારા સહાય મેળવવામાં આવી છે. જે સ્થળ તપાસ તેમની ટીમ દ્વારા કરતા તપાસમાં બંને મેળવી સહાયમાં તેમના પરિવારના સભ્યોના નામે જે તે સમયે સહાય મેળવી હતી અને ડોક્યુમેન્ટ તપાસતા બંને ખોટી રીતે આવાસ યોજનાની સહાય મેળવ્યાંનું ફલિત થતા પ્રાદેશિક કમિશનર ધવલ પંડ્યા દ્વારા નગર નગરપાલિકા કચેરી ખાતે હુકમ કરવામાં આવ્યો હતો કે પૂર્વ પ્રમુખ અને સદસ્ય દ્વારા પોતાની સત્તાની રૂએ ખોટી રીતે સહાય મેળવી છે તે બંને પાસેથી આ સહાયની વસૂલાત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. જોકે ગારીયાધાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગીતાબેન શાંતિલાલ વાઘેલાને અગાઉ સ્ટ્રીટ લાઈટ ખરીદીની ગેરરીતી બાબતમાં છેલ્લી અને આખરી નોટીસ તા.16.10.25 ના સ્ટ્રીટ લાઈટ ગેરરીતિ બાબતે રૂ.80160 તેમજ 12% વ્યાજ સાથે ગુજરાત નગરપાલિકા અધિનિયમ મુજબ વસૂલાત કરવા ત્રીજી અને આખરી નોટીસ આપવામાં આવી છે ત્યારે પૂર્વ પ્રમુખ ગીતાબેન વાઘેલા સામે હજુ સ્ટ્રીટ લાઇટ ગેરરીતી બાબતની રિકવરી ભરપાઈ કરવામાં આવી નથી ત્યાં આવાસ યોજનાની રકમની વસુલાત માટેની નોટિસ ફટકારવામાં આવી છે. સહાય બાબતની બંનેને નોટિસ અપાઇ છેઆવાસ યોજનાની સહાય બાબતની બંનેને આ પહેલી નોટિસ આપવામાં આવી છે. વસુલાત માટે હજુ પણ નોટિસ આપવામાં આવશે. પૂર્વ પ્રમુખની અગાઉની સ્ટ્રીટ લાઈટ બાબતની રિકવરી હજુ સુધી તેમના દ્વારા ભરવામાં આવી નથી. રિકવરીની કઈ રીતે વસૂલાત કરવી તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. > સંદીપ પટેલ, ચીફ ઓફિસર, ગારીયાધાર નગર પાલિકા
આગ લાગી:ભરૂચ ગોલ્ડન સ્કવેરના નવમા માળેલેબર કોન્ટ્રાકટરની ઓફિસમાં આગ
ભરુચ શહેરના જૂના નેશનલ હાઇવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગઇ છે. પાલિકાની ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. મળતી માહિતી મુજબ લેબર સપ્લાયની ઓફિસમાં આગ લાગી હતી અને કોઈ ત્યાં હાજર ન હતું. જેથી આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.ફાયર ફાયટરોએ ભારે જહેમત બાદ 90 ફૂટ ઊંચે આગ ઉલવી હતી . મહત્વનું એ છે કે આ કોમ્પ્લેક્સમાં મલ્ટીપ્લેક્સ સહિતના મોટા મોટા શો રમ આવેલા છે અને તેઓના ફાયર ઉપકારનો માં 0 પ્રેશર હોવાને કારણે આગ પર કાબુ મેળવી ન શક્યો હોવાને કારણે આગ વધી હતી જેથી નગરપાલિકાએ આવા ફાયર ઉપકરણો વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી બની છે. શોર્ટસર્કીટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ મળી આવ્યું છે.9માં માળનો છેલ્લી ગેલેરી સુધી આગ પહોંચી હતી.જેને ભારે જહેમત બાદ 1 કલાકમાં કાબુમાં લેવામાં આવી હતી. નવમાં માળે આગ લાગી હતીબપોરના ત્રણ વાગ્યાના આસપાસ ગોલ્ડન સ્ક્વેર નામના શોપિંગમાં આગ લાગી હોવાનો કોલ ફાયર બ્રિગેડને મળ્યો હતો. આવીને જોતા આગ નવમાં માળ પર લાગી હતી, જેથી અમે તાત્કાલિક કામગીરી શરૂ કરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. આગ કુબેર એન્ટરપ્રાઇઝ લેબર સપ્લાય કરતી ઓફિસમાં લાગી હતી. > શૈલેષ સાસીયા,ઇન્ચાર્જ ફાયર ઓફિસર
સિનિયર સીટીઝન અને પેન્શનરોને હાલાકી:વલભીપુર BOB શાખાની કામગીરીથી ગ્રાહકોમાં અસંતોષ
વલભીપુરની બેંક ઓફ બરોડા શાખાની સેવાથી ગ્રાહકોમાં અસંતોષ સાથે કચવાટ ઉભો થવા પામ્યો છે. ભાવનગર-અમદાવાદ હાઇવે પર આવેલ બેંક ઓફ બરોડાની તમામ પ્રકારની સેવા લંગડાતી જાય છે. ગ્રાહકોને આ ટેબલથી બીજા ટેબલ ઉપર મોકલીને ચલક ચલાણુ કરવામાં આવી રહ્યું છે. ખાસ તો પેન્શનરો બેંકમાં પેન્શન લેવા જાય ત્યારે વર્ષોથી એક જ પ્રકારની સહી કરતા હોવા છતાં વારંવાર સહી અલગ હોવાનું જણાવી ખાસ્સો સમય બેસાડી રાખવામાં આવે છે. સીનીયર સીટીઝનોને એક ટેબલથી બીજા ટેબલ ઉપર ધકેલાવમાં આવે છે જે ટેબલ ઉપર જાય ત્યાં કર્મચારી હાજર ન હોય અને આ કર્મચારી બીજા કર્મચારી ગેર હાજરી અથવા તો અપુરતા સ્ટાફના કારણે બીજા ટેબલની કામગીરીમાં વ્યસ્ત રહેતા હોવાથી તેના મૂળ ટેબલની ફરજ બજાવી શકતા નથી. આ કારણે નાની કામગીરી માટે પણ લાંબો સમય બેસી રહેવું પડે છે. ગ્રાહકોને બેંકમાં નાણાકીય કામગીરી માટે જાય ત્યારે કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડતી હોવાથી ગ્રાહકોમાં વ્યાપક ફરિયાદ ઉઠી છે.
ધમધમાટ:મહુવા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
મહુવા માર્કેટીંગ યાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરી રૂા.1452 પ્રતિ મણનાં ભાવથી મગફળીની ખરીદી પણ શરૂ કરાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.જયારે સાવરકુંડલા યાર્ડ પણ મગફળીથી છલકાયું છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું ખુબ મોટા પ્રમાણમાં વાવેતર તેમજ ઉત્પાદન થયેલ છે. કમોસમી વરસાદનાં કારણે નુકશાન પણ થવા પામેલ છે. સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરી રૂા.1452 પ્રતિ મણનાં ભાવથી મગફળીની ખરીદી પણ શરૂ છે. અપેડા, ભારત સરકારનાં પ્રયાસથી ઈન્ડોનેશીયામાં થતી નિકાસ ઉપરનો પ્રતિબંધ હટાવતા મગફળી દાણાની ઈન્ડોનેશીયા, વિયેતનામ વિગેરે દેશોમાં ખુબ સારી ડીમાન્ડ નીકળેલ છે. તેમજ ચાઈના વિગેરે દેશોમાં શીંગતેલની સારી ડીમાન્ડ હોવાના પગલે તેમજ સ્થાનિક ગુજરાતમાં પણ શીંગતેલનો વપરાશ વધી રહેલ છે તેથી બારમાસી શીંગતેલ ભરવાની પણ સારી એવી ડીમાન્ડનાં પગલે ગુણવતાયુક્ત મગફળીનાં ભાવોમાં સુધારો જોવા મળી રહેલ છે. આજે જી-20 મગફળી રૂા.1292 પ્રતિ મણ સુધી વેચાણ થયેલ છે. જે ભાવો હજુ પણ વધી શકે છે તેમ મહુવા માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગભરૂભાઇ કામળીયા દ્વારા જણાવેલ છે. મગફળી પકવતા ખેડુતભાઈઓને જણાવવાનું કે મગફળીમાં ખરાબ દાણા ન રહે તેમ એકદમ સાફ કરીને, હવા વગરની, કાંધુ મીકસ ન કરવુ અલગ રાખી વેચાણ માટે લાવવા તથા ધીરજ પુર્વક વેચાણ કરવા અને ઘરબેઠા વેચાણ ન કરતા માર્કેટીંગ યાર્ડમાં લાવી ખુલ્લી હરરાજીથી વેચાણ કરવા જણાવવામાં આવે છે. સાવરકુંડલા યાર્ડ મગફળીથી છલકાઈ ઉઠ્યુંસાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સતત મગફળીની આવક વધી રહી છે 30000 થી લઈ 25000 મણ સુધીની મગફળીની આવક થતા માર્કેટીંગ યાર્ડ સાવરકુંડલા મગફળીથી છલકાય ઉઠ્યું હતું જેથી માર્કેટિંગ યાર્ડ પ્રશાસન એલર્ટ બન્યું હતું અને માર્કેટિંગ યાર્ડના ચેરમેન દીપક માલાણી સમગ્ર મગફળીની આવકની પ્રક્રિયા પર ખાસ નજર રાખી રહ્યા હતા. દિપક માલાણીની સુચના મુજબ સેક્રેટરી જતીન માલાણી અને મુકેશભાઈ ત્રિવેદી દ્વારા સતત માર્કેટિંગ યાર્ડમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે કોઈ ખેડૂતોને નાના મોટા પ્રશ્નો હોય તો તેનું તાકીદે નિરાકરણ લાવવામાં આવી રહ્યું છે
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ભરૂચને સ્વચ્છ રાખતા સફાઇકર્મીઓ જમળમૂત્ર વચ્ચે રહેવા માટે મજબૂર બન્યા
ભરૂચ શહેરમાં સવાર પડતાની સાથે સફાઇ કર્મચારીઓ તમારા વિસ્તારને ચોખ્ખો બનાવી દેતાં હોય છે પણ આપણા ઘર અને વિસ્તારને સ્વચ્છ રાખતાં સફાઇ કર્મચારીઓ જ અસહ્ય ગંદકી વચ્ચે રહી રહયાં છે. તેઓ પોતે નગરપાલિકાના કામદારો હોવા છતાં પાલિકા સત્તાધીશો જ તેમને માળખાકીય સુવિધાઓથી વંચિત રાખી રહી છે. લાલબજારના વાલ્મિકીવાસ તથા પખાલીવાડમાં 250થી વધારે ઘરોની બહારથી ગટરના પાણી વહી રહયાં છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર - 10ના વાલ્મીકીવાસ સહિતના વિસ્તારોમાં અસહ્ય ગંદકી વચ્ચે જીવન વ્યતિત કરી રહયાં છે. આ વિસ્તારમાં સફાઇ કરવામાં આવતી નહિ હોવાથી કચરાના 3 માળ જેટલા ઢગલાં થઇ ગયાં છે. પશ્ચિમ વિસ્તારના મુખ્ય રસ્તાથી 100 મીટરની અંતરમાં આવેલા આ વાલ્મિકીવાસમાં 250થી વધારે ઘરો આવેલા છે. લોકોના ઘરના આંગણામાંથી ગટરના પાણી વહી રહ્યા છે. જેના કારણે તેઓ ઘરોની બહાર નીકળતાં પણ ખચકાટ અનુભવી રહયાં છે. સ્થાનિકોનું કહેવું છે કે, સાંસદ, ધારાસભ્ય તથા પાલિકામાં અનેક વખત રજૂઆતો કરી છે પણ કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. કાર્યવાહીની વાત તો દૂર રહી નેતાઓ અહીં અમારી હાલત જોવા આવવા માટે પણ તૈયાર નથી. અમારા વોર્ડના વિકાસ માટે ગ્રાંટ ફાળવવામાં આવે છે પણ તેનો ફાયદો અમને મળતો જ નથી. એક તરફ 3 માળના કચરાના ઢગ છે અને બીજી તરફ લોકો પોતાના મળમૂત્રના પાઇપો આ લોકોના વિસ્તારમાં ખુલ્લામાં છોડી રહ્યા છે. એક માત્ર દાદર પરથી જ પસાર થવાનો રસ્તો છે. દાદર પર પાણી હોવાથી વૃદ્ધ લોકો તથા બાળકોને પસાર થવું ઘણું જ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકો બિમારીનો ભોગ બની રહ્યા છે. દિવ્ય ભાસ્કરના માધ્યમથી તેઓ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી રહ્યા છે. અને આગળ કોઈ પણ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો સ્થાયીક મહિલાઓ ઉગ્ર રીતે પાલિકા પહોંચી જશે. વાહનો પસાર થાયતેવી સ્થિતિ જ નથીવર્ષ જુના ટેકરાનું પાણી ચોમાસા દરમિયાન વાલ્મિકીવાસમાં ભેગું થાય છે.મકાનો બેસી જવાનો ભય છે.આજદિન સુધી કોઈ જોવા આવ્યું નથી.જયારે વોટ લેવાના હોય ત્યારે જ એ લોકો દેખાય છે.પણ એક વાર સમસ્યા દૂર થઇ નથી.અન્ય વિસ્તારમાંથી પાણીના પાઇપને બદલે મળમૂત્રના પાઇપ નાખી દેવામાં આવતા તે અમારા ઘરો સુધી આવે છે. અમારા વિસ્તારની ગ્રાન્ટ આવે છે તેમાં કામ તો થતું નથી. રીક્ષા સહિતના વાહનો આવી શકે તેમ નથી. > રાજુ સોલંકી, સ્થાનિક પગથિયા બનાવ્યાં પણરેલિંગ જ નાખી નથીલાલબજારની ખાડીમાં અસહ્ય ગંદકી છે. ટેકરાની હાલત દયનીય છે. પગથિયાં બનાવ્યા છે પણ રેલિંગ નથી નાખી.મનસુખ વસાવાની ગ્રાન્ટ પાસ કરાયેલું હતી પણ જેમતેમ કામ કરવામાં આવ્યું છે અને અધૂરું કામ કરવામાં આવ્યું છે.વાલ્મિકી વાસમાં કોઈ જોવા આવતું નથી. લોકો બીમાર પડી રહ્યા છે 15થી 20 હજારનો ખર્ચ આવેલો છે તેનું જવાબદાર કોણ ?મારા ખાડી વિસ્તારમાં કામ થવું જોઈએ જો નહીં થાય તો અમે સૌ નગરપાલિકા પહોંચીને આંદોલન કરીશું. > અશોકભાઈ, સ્થાનિક અસહ્ય ગંદકીથી લોકોબીમાર પડી રહ્યા છેસમગ્ર જિલ્લામાં દરેક સુવિધાઓ આપવામાં આવી છે પણ અમારી આ ખાડીમાં કોઈ સફાઇ માટે આવતું નથી.એટલી હદ્દે ગંદકી છે કે લોકો બીમાર પડી રહ્યા છે. ખાડીમાં ગટરનું પાણી સતત વહે છે.કોઈ પથ્થર પણ નથી નાખી જતા વોટ લેવા માટે વહેલા વહેલા આવે છે.ગટરો ઉભરાઈ છે નાના બાળકો ડૂબી જાય છે.હવે સખતમાં સખત કાર્યવાહી થાય તેવી માગ છે. જો ટેકરો ઘસી પડશે તો આમારા ઘરો દટાઈ જશે તો જવાબદાર કોણ ? > નિર્મળાબેન, સ્થાનિક
PGVCLની ટુકડી ઉપર હિંસક હુમલો:સથરા ગામે ટોળાનો વીજ ટુકડી ઉપર હુમલો, 2 સામે રાવ
ભાવનગર PGVCLની વીજ ટુકડી ઉપર દિન પ્રતિદીન હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે. આમેય સૌરાષ્ટ્ર પંથક સમગ્ર રાજ્યની સૌથી વધુ વીજ ચોરી માટે પ્રખ્યાત બની ગયું છે. આજે મહુવાના સથરા ગામે મહુવા રૂરલ -02ની PGVCL ની ટુકડીઓ વીજ ચેકીંગ અર્થે પહોંચતા સથરા ગામે ટોળાએ વીજ ટુકડીઓ ઉપર હિંસક હુમલો કરતા બે શખ્સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તળાજાના પાદરી (ગો) ગામે થયેલ હુમલા બાદ ફરી ચાલીસ દિવસમાં જ ફરી હુમલો થયો છે. બે જ વર્ષમાં PGVCLમાં 54 હજાર જેટલા ગુના દાખલ થયા હોવાનું સામે આવ્યું છે. ભાવનગર જિલ્લાના મહુવા ગ્રામ્ય -2 PGVCLમાં નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ગુલામમોહયુદ્દીન અબ્દુલક્યુમ પટેલએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, PGVCLની 06 પેટા વિભાગીય કચેરીનુા જુનીયર એન્જીનીયરો, લાઇન સ્ટાફ પોલીસ બંદોબસ્ત સાથે મહુવાના વાઘનગર ગામે વીંજ ચેકીંગ કરી, મહુવાના સથરા ગામે વીજ ચેકીંગ અર્થે પહોંચ્યા હતા જ્યાં એક રહેણાંકીય મકાનમાંથી વીજ ચોરી ઝડપાઇ જતાં ગામમાં રહેતા યશપાલસિંહ ઘનુભા વાળા અને જીતેન્દ્રસિંહ જુવાનસિંહ વાળા નામના શખ્સોએ બારથી પંદર લોકોના ટોળાને ઉશ્કેરી, વીજ ટુકડી ઉપર જીવલેણ પથ્થરમારો કરતા, વીજ ટુકડીઓમાં ભારે ભય ફેલાઇ જતાં, પોલીસની હાજરીમાં વીજ ટુકડીઓએ ભાગવું પડ્યું હતું. જે બાદ નાયબ ઇજનેર પટેલ દ્વારા યશપાલસિંહ વાળા, જીતેન્દ્રસિંહ વાળા વિરૂદ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ગત 2023-24 અને 2024-25 દરમિયાન 54 હજાર જેટલા ગુના દાખલ થયા છે. પાદરી (ગો) ગામે હુમલા બાદ ચાલીસ દિવસમાં જ ફરી ટીમ ઉપર હુમલો, PGVCLમાં બે વર્ષમાં 54 હજાર ગુના દાખલ કરાયા મહુવામાંથી 2.40 લાખની વીજચોરી ઝડપાઈPGVCLના મહુવા ડિવિઝન નીચેના મહુવા તાલુકામાં PGVCLની લોકલ ડ્રાઈવમાં વાઘનગર અને સથરા ગામમાં ચીજ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. મહુવા તાલુકામાં આજે સવારથી વીજચોરી પકડવા અંગેની ખાસ ઝુંબેશમાં PGVCLની સાત ટીમોનો કાફલો ત્રાટક્યો હતો. મહુવા ડિવિઝન PGVCLની લોકલ ડ્રાઈવમાં બે ગામોમાંથી રૂ.2.40 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. પી..જી.વી.સી.એલ. ભાવનગર સર્કલ નીચેના કચેરીઓમાં ભાવનગરની 2 ટીમ, જેસરની 1 ટીમ, મહુવાની 3 ટીમ અને જેસરની 1 ટીમ મળી કુલ સાત ટીમોએ વાઘનગર અને સથરા ગામમાં વીજ જોડાણનું ચેકીંગ કર્યું હતું. રહેણાંકી વિસ્તારના 68 વીજ જોડાણની તપાસમાંથી વાઘનગર ગામમાંથી 14 અને સથરા ગામમાંથી 3 વીજ જોડાણમાં રૂ.2.40 લાખની વીજચોરી પકડી પાડવામાં આવી હતી. સૌરાષ્ટ્ર સમાચાર ઇનસાઈટબે વર્ષમાં સૌથી વધુ હુમલાના 61 બનાવો નોંધાયારાજ્યમાં આવેલી ચાર કંપનીમાંથી PGVCLમાં ગત બે વર્ષ 2023-24 અને 2024-25 દરમિયાન સૌથી વધુ 61 હુમલાના બનાવો નોંધાયા છે. જ્યારે DGVCL - 1, MGVCL- 3 અને UGVCLમાં - 5 હુમલાના બનાવો નોંધાવા પામ્યા છે.
ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 13 નવેમ્બરના ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે 10.30 વાગ્યે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ભાવનગરમાં જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય તે અનુસંધાને ઈ.ચા. જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ આ કાર્યક્રમને સાથે યોજાનાર આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિશે સંલગ્ન વિભાગો વિશે ચર્ચા કરી હતી અને સ્ટોલ્સના માધ્યમથી વિવિધ નાગરિકલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જનજાતિય ગૌરવ રથ યાત્રાના પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ પ્રતિભાવાન વ્યક્તિઓ અને ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, ઇન્ચાર્જ મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસ અધિકાર કાજલબેન ચાવડા, જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર, નાયબ પોલીસ અધિક્ષક રીમા ઝાલા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
ભાસ્કર એક્સક્લૂસિવ:ડહેલી પાસનો બ્રિજ જર્જરિત બનતાં 60વર્ષ બાદ 8.64 કરોડના ખર્ચે નવો બનશે
ભરૂચ જિલ્લાના વાલિયા થી વાડી જવા માટે ડેહલી ગામ પાસે માઇનોર બ્રિજ આવેલો છે. જે ઘણા વર્ષથી જર્જરિત હાલતમાં હોવાના કારણે ભારે વાહનો માટે વાહન વ્યવહાર બંધ કરીને નજીકમાં ડાઈવર્ઝન બનાવવામાં આવ્યું હતું. પરંતુ ચોમાસા દરમિયાન નદીમાં વધુ પાણી આવવાને કારણે ડાઈવર્ઝન ઘણી વાર બંધ થઈ જાય છે જેથી વાહનોને મોટો ફેરાવો પડે છે. સાથે ગામના લોકોને તેમજ વિદ્યાર્થીઓને પણ શાળા-કોલેજ જવા માટે મોટો ફેરાવો કરવો પડે છે. ત્યારે આ માઇનોર પુલ નવો બનાવવાં માટે લોકોની માગને ધ્યાને લઈને માર્ગ અને મકાન વિભાગે સરકારમાં દરખાસ્ત મૂકી હતી. આમ 3 વર્ષ બાદ મંજૂરી મળતા ટેન્ડરીંગ પ્રક્રિયા કરવામાં આવી હતી જેમાં 2 એજન્સી એ ભાગ લીધો હતો. જેમાં સુરતની એજન્સીને ટેન્ડર મળતા હાલ કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. આ બ્રિજ 8.64 કરોડના ખર્ચે 60 વર્ષ બાદ ફરી બનશે. જેમાં હાલ જૂનો જર્જરિત માઇનોર બ્રિજને જેસીબી સહિતના સાધનો થી તોડી પાડવામાં આવ્યો છે. આમ વર્ષ 2027 સુધીમાં બ્રિજ બનીને તૈયાર થઈ જશે જેથી વાહન ચાલકોને ચોમા દરમિયાન પડતાં ફેરામાંથી મુક્તિ મળશે. ચોમાસામાં ડાયવર્ઝન પર પાણી આવતાં આટલા કિમીનો ફેરાવો બચશેચોમાસામાં ડાઇવર્ઝન ઘણી વખત વખત પાણી ફરી વળવાના કારણે વાહનોને ઘણો ફેરાવો કરવો પડતો હતો જેમાં વાહન ચાલકે વાલિયા જવા માટે ડહેલી, તુંણાં ગામમાં થઈને વાલિયા રોડ જવા માટે 6 કીમી ફેવારો પડતો હતો, ત્યારે હવે આ બ્રિજ બનીને તૈયાર થયા બાદ ચોમાસા દરમિયાન પણ ફેરાવો કરવો પડશે નહીં જેથી ભારે વાહન ચાલકો પણ ચોમાસા દરમિયાન વાલિયા, ડહેલી થઈને વાડી સુધી જય શકશે કેટલા વર્ષ બાદ અને કેટલા ખર્ચે બ્રિજ બનશેડહેલી પાસેનો બ્રિજ પહેલી પહેલી વખત વર્ષ 1965 માં બન્યો હતો. ત્યારબાદ તે જર્જરિત બનતા તેને નવો બનાવવા માટે ટેન્ડરિંગ કરવામાં આવ્યું હતું . જેમાં સુરતની એજન્સીને ટેન્ડર મળતા 8.64 કરોડના ખર્ચે બ્રિજ બનાવવામાં આવશે. આ બ્રિજ 18 મહિના એટલે કે 21 ફેબ્રુઆરી વર્ષ 2027 સુધીમાં 55.8 મીટર લાંબો બ્રિજ બનાવી દેવામાં આવશે. કેટલા વર્ષ બાદ અને કેટલા ખર્ચે બ્રિજ બનશે
કાલભૈરવ જયંતિની ઉજવણી:કાલભૈરવદાદાને 158 કિલો લાડુ અર્પણ કરાયો, યજ્ઞ અને ભવ્ય અન્નકૂટ ધરાવાયો
શહેરના લાકડીયા પુલ પાસે આવેલ કાલભૈરવ મંદિર ખાતે આજે કાલભૈરવ જયંતિ ઉત્સવ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, કારતક માસના વદ પક્ષની આઠમના દિવસે મધ્યાહ્ન કાળમાં ભગવાન કાલ ભૈરવજીનું અવતરણ થયું હતું. તેથી આ દિવસે કાલ ભૈરવ જયંતી મનાવવામાં આવ છે. જેના ભાગરૂપે આજરોજ દાદાને રાત્રે 158 કિલોનો લાડુ અર્પણ કરવામાં આવ્યો. ભાવનગર શહેરના જુનાબંદર સ્થિત આવેલ ભૈરવધામ આશ્રમ ખાતે કાળભૈરવ દાદાનું મંદિર ખાતે કાલભૈરવ જયંતિ નિમિત્તે અનેક ધાર્મિક કાર્યક્રમમોનું આયોજન કરવામાં આવ્યું હતું, આજરોજ સવારે 8 વાગે કાળભૈરવ દાદાનો યજ્ઞ, બપોરે 12 વાગે શ્રીફળ હોમ, સાવરે 8 થી રાત્રે 10 સુધી અન્નકૂટના દર્શન તેમજ સાંજે 6 વાગે ભજન સંધ્યા સહિતના ધાર્મિક કાર્યકમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત યોગી હરનાથબાપુ દ્વારા જણાવ્યું હતું કે, દાદાની જયંતિ ઉત્સવ નિમિતે સવારથી ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે અને આજે સાંજે દાદાને 56 ભાગ નો અન્નકૂટ ધારાવવામાં આવ્યો હતો તેમજ 158 કિલો નો લાડુ અર્પણ કરવામાં આવ્યો હતો, આ સાથે અન્નકૂટ દર્શન, મહાઆરતી તથા રાત્રે 158 કિલોના લાડુ અર્પણ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભકતોએ કાલભૈરવદાદાના અલૌકિક દર્શન કરી ધન્ય થયા હતા. આ પ્રસંગે મંદિરનાં મહંત દ્વારા લોકોને કાલભૈરવ દાદાની જયંતી નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી.
પોલીસ કાર્યવાહી:મહુવામાં ચીલઝડપ કરનાર ત્રણ જબ્બે
ભાવનગર જિલ્લાના મહુવાના જાદરા રોડ ઉપર રહેતા મધુબેન મગનભાઇ બારૈયા (ઉ.વ.60) બે દિવસ અગાઉ સાંજના સુમારે મંદિરેથી દર્શન કરી, હાથમાં થેલી લઇ ઘર તરફ જતા હતા તે વેળાએ પાછળથી આવેલા શખ્સે વૃદ્ધાના હાથમાં રહેલ બેગની ચીલઝડપ કરી, બે શખ્સો બાઇકમાં ફરાર થઇ ગયા હતા. જે મામલે મહુવા ટાઉન પોલીસે આજે બાતમી આધારે થેલીની ચીલઝડપ કરનાર ચીરાગ લાલજીભાઇ પાંડવ (રહે.નાના જાદરા), ગૌતમ ભરતભાઈ પરમાર (રહે મહાકાળીનગર માનવ મંદિર સ્કુલ સામે સંતોષ સોડાની દુકાન પાસે મહુવા), જુનેદ સલીમભાઈ કાળવાતર (રહે,મકાન નં.૦૩ વન્ડર પાર્ક મહેંદીબાગ સોસાયટી પાસે મહુવા)ની ધરપકડ કરી, ચીલઝડપ કરનાર નોકીયા ફોન, બાઇક કબ્જે કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંજો ઝડપાયો:દયાળ ગામે કપાસની આડમાં ગાંજાની વાવણી કરનાર વૃદ્ધ ખેડૂત ઝડપાયો
મહુવાના દયાળ ગામે રહેતા એક વૃદ્ધ ખેડુતે કપાસની આડમાં લીલા ગાંજાની વાવણી કરી હોવાની બાતમી આધારે દાઠા પોલીસે રત્નેશ્વર રોડ નજીક આવેલ વાડીમાં દરોડા પાડવામાં આવતા, દરોડા દરમિયાન કપાસના વાવેતરમાં તપાસ કરતા, કપાસના જુદા જુદા ચાસમાંથી 22 જેટલા લીલા ગાંજાના કિ.રૂા. 8.61 લાખના ગાંજાના છોડ સાથે દાઠા પોલીસે વૃદ્ધ ખેડુતની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દયાળ ગામે રહેતા વિરકુભાઇ ચીથરભાઇ બાટિયા (ઉ.વ.65)નામના ખેડુતને ગાંજો પીવાની ટેવ હોય જેને લઇને ખેડુતે પોતાની વાડીમાં ગાંજાની વાવણી કરી હતી. જેવી બાતમી દાઠા પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન દયાળ ગ્રામ પંચાયત સામેના ખાંચામાં રત્નેશ્વર તરફ જતા રોડ ઉપર આવેલ એક વાડીમાં તપાસ કરતા, વાડીમાં રહેલા વિરકુભાઇ ચીથરભાઇ બાટિયા ખેડુત હાજર મળી આવ્યા હતા અને તેમને સાથે રાખીને કપાસના જુદા જુદા ચાસમાં તલાશી લેવામાં આવતા વાડીમાંથી જુદા જુદા વજનના કુલ 22 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવતા પોલીસે એફ.એસ.એલ.ની ટીમની હાજરીમાં લીલા ગાંજાના છોડ કિ.રૂા. 8.61 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મહુવા અને તળાજા ગ્રામ્ય પંથકના વાડી વિસ્તારોમાં દિન પ્રતિદીન લીલા ગાંજાનું વાવેતર કરી સુકા ગાંજાનું વેચાણ એક દુષણ બની ગયું છે. જેને નાથવા માટે એસ.ઓ.જી. તેમજ સ્થાનિક પોલીસ દ્વારા અવાર નવાર દરોડા પાડી અનેક શખ્સોને ભુતકાળમાં ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
વિશેષ કેમ્પ યોજાશે:ભરૂચમાં મતદારયાદી સુધારણા માટે મતદારો માટે ચાર વિશેષ કેમ્પ યોજાશે
ભરૂચના પાંચ વિધાનસભા મત વિસ્તારમાં ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. મતદારોને સરળતા અને સુગમતા રહે તે માટે ચાર દિવસ માટે વિશેષ કેમ્પ દરેક બૂથ ખાતે યોજવામાં આવશે. આ કેમ્પ 15,16,22 અને 23મી નવેમ્બરના રોજ આયોજીત કરવામાં આવ્યાં છે. ભારતીય ચૂંટણી પંચના નિર્દેશ અનુસાર તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર 2025 સુધી મતદારયાદી સુધારણાની કામગીરી કરવામાં આવશે. આ ઝૂંબેશ દરમિયાન બીએલઓ દરેક મતદારના ઘરે જઇને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય એમના માટે આ કેમ્પનું આયોજન કરાયું છે. જે 15,16,22 અને 23મી નવેમ્બરના રોજ યોજાશે. ભરૂચ જિલ્લાના 1300 કરતાં વધારે મતદાન મથકો ખાતે સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી તમામ બૂથ પર બીએલઓ હાજર રહેશે. મતદારો મતદાન મથકની મુલાકાત લઇ બુથ પર હાજર રહેલ બી.એલ.ઓ પાસે પોતાના ફોર્મની વિગતો ભરી પરત કરી શકે છે. મતદારો આ સમય દરમિયાન બીએલઓની મદદથી મેપિંગ, લિન્કીંગ કરાવી શકશે તથા જે મતદારો અથવા માતા-પિતા અને દાદા-દાદીનું નામ વર્ષ 2002ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે માર્ગદર્શન પણ મેળવી શકશે.
મહાનગરપાલિકા તંત્ર એલર્ટ:700 સ્થળે 1600 CC કેમેરાથી કોર્પો.ની બાજ નજર રહેશે
ભાવનગર કોર્પોરેશન પાસે પણ કદાચિત ઓછી માહિતી હશે કે તેની માલિકીની કેટલી મિલકતો છે અને કેટલા પ્લોટ છે ? ખુલ્લા પ્લોટ પર દબાણો થઈ જાય છે અને કોર્પોરેશનની મિલકતો, બાગ બગીચા રેઢીયાળની જેમ પડ્યા હોય છે. ત્યારે હવે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સેન્ટ્રલાઇઝડ મોનીટરીંગ માટે ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (આઇ.સી.સી.સી.) પ્રોજેક્ટ માટે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ 700 લોકેશન પર 1600 સીસીટીવી કેમેરા દ્વારા કોર્પોરેશનની તમામ મિલકતો, બાગ બગીચા, ખુલ્લા પ્લોટ, વોર્ડ ઓફિસો સહિત તમામ પર દેખરેખ પણ રહેશે. આઇ.સી.સી.સી. પ્રોજેકટ માટે અંદાજિત રૂ.134 કરોડના ખર્ચ માટે ગ્રાન્ટ મેળવવા સરકારમાં સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન હસ્તકની મિલ્કતોના મોનીટરીંગ કરવા તથા શહેરના જાહેર સ્થળોએ દેખરેખ રાખવા સી.સી.ટી.વી. કેમેરા ઇન્સ્ટોલ કરી, ઓ.એફ.સી. નેટવર્ક તથા અન્ય આઇ.ટી. એનેબલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ થકી શહેરીજનોને વિવિધ સુવિધાઓમાં વધારો થનાર હોવાનું સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રાજુભાઇ રાબડીયાએ જણાવ્યુ છે. વધુમાં કહ્યું છે કે, આ પ્રોજેકટના ભાગરૂપે મહાનગરપાલિકાની કચેરીઓ, ઝોનલ-પેટા કચેરીઓ, વોર્ડ ઓફીસો, આરોગ્ય કેન્દ્રો, બાગ-બગીચા, તળાવ, ફીલ્ટર પ્લાન્ટ, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પમ્પીંગ સ્ટેશન, આંગણવાડી કેન્દ્રો, ડમ્પીંગ સાઇટ, કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટો તથા શહેરમાં અન્ય જાહેર સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા લગાવવા, શહેરમાં વિવિધ સ્થળોએ આઉટડોર ડીજીટલ ડીસ્પ્લે બોર્ડ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ લગાવવી, શહેરમાં ઓપ્ટીકલ ફાઇબર નેટવર્ક એસ્ટાબ્લીશ કરવું. સેન્ટ્રલાઇઝ આઇ.સી.સી.સી. સેન્ટર (વીડીયો વોલ, ડેટા સેન્ટર, સર્વર રૂમ, કોન્ફરન્સ સેન્ટર વિગેરે સાથે) બનાવી વિવિધ સેવાઓ મેળવી શકાશે. આઇ.સી.સી.સી. પ્રોજેકટ માટે અંદાજિત રૂ.134 કરોડના ખર્ચ માટે ગ્રાન્ટ મેળવવા સરકારમાં સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે. તથા તેની કાર્યવાહીના ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અંદાજિત રૂપિયા 34.32 કરોડના ખર્ચથી શહેરમાં ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર બનાવવા માટે પરામર્શ મંજૂરી આપવામાં આવેલ છે. કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટ પરના એન્ક્રોચમેન્ટ (દબાણો) અટકાવી શકાશે, આ ઉપરાંત રખડતા ઢોરની સમસ્યા બાબતે પણ મોનીટરીંગ થકી એનાલીસીસ કરી સમસ્યા નિવારવામાં મદદરૂપ થશે. તથા શહેરમાં વરસાદી પાણી ભરાવાના સ્થળો, ગાર્બેજ વલ્બેરેબલ પોઇન્ટસ, સ્પીટીંગ એકટીવીટી વિગેરેનું સરળતાથી મોનીટરીંગ કરી તેને અટકાવવા જરૂરી મદદરૂપ થશે. વિડીયો એનાલિટિક્સ પ્રોગ્રામ દ્વારા વિડીયો ફૂટેજ પરથી લોકો ફરિયાદ કરે તે પૂર્વે જ કંટ્રોલ રૂમમાં એલર્ટ થઈ જશે. જેના દ્વારા ફરિયાદનું તાત્કાલિક નિવારણ આવી શકશે. પાણી ભરાવવા, ગંદકી, દબાણ, ઢોર સહિત નોટિફિકેશન મળશેઆઈસીસીસી પ્રોગ્રામ દ્વારા પ્રજાની વિવિધ સમસ્યાઓ જેવી કે વરસાદી પાણી ભરાવવુ, રખડતા ઢોર, કોર્પોરેશનની માલિકીના ખુલ્લા પ્લોટ અને જાહેર સ્થળો પર દબાણ, જાહેરમાં ગંદકી ફેલાવવી, બાગ બગીચાને નુકસાન પહોંચાડવું સહિત અનેક સમસ્યાઓનું સીસીટીવીના વિડીયો ફૂટેજ દ્વારા ઓટોમેટીક કંટ્રોલ રૂમમાં એલર્ટ થશે અને તેના સંબંધિત અધિકારીને તેનું નોટિફિકેશન પણ મળી જશે. જેથી સમયસર ફરિયાદનું નિવારણ લાવી શકાશે. કંટ્રોલરૂમમાં સંબંધિત તમામ વિભાગનો સ્ટાફ પણ મોનિટરિંગ કરશે. કોર્પો.ની ઓફિસોમાં હાઇ-સ્પીડ સીકયુર ઇન્ટરનેટ કનેકટીવીટીઆઇ.સી.સી.સી. પ્રોજેકટમાં ઓપ્ટીકલ ફાઇબર કેબલ નેટવર્ક થકી કોર્પોરેશનની તમામ ઓફીસોમાં હાઇ-સ્પીડ, સીકયુર ઇન્ટરનેટ કનેકટીવીટી મેળવી શકાશે. જેમાં ફિલ્ટર વિભાગમાં સ્કાડા સિસ્ટમનું ઇન્ટીગ્રેશન, જી.આઇ.એસ. ઇન્ટીગ્રેશન, આઉટડોર ડીજીટલ ડીસ્પ્લે બોર્ડ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ વિગેરે સિસ્ટમ ઇન્ટીગ્રેટ કરી એક જ સ્થળેથી મોનીટરીંગ કરી શકાશે. એન્વાયરમેન્ટ સેન્સર થકી પ્રદૂષણ નિયંત્રણ, સ્માર્ટ સ્ટ્રીટ લાઇટ મોનીટરીંગ, 24X7 હેલ્પ ડેસ્ક વિગેરે જેવી અવનવી સેવાઓમાં પણ વધારો થઇ શકશે.
જાહેરનામું:ગોધરાના અમૂલ પાર્લરથી ચર્ચ ટ્રાફિક પોઇન્ટ સુધીનો માર્ગ બંધ
ગોધરા ના દાહોદ રોડ પરના અમૂલ પાર્લર થી ચર્ચ થી એસટી સ્ટેન્ડ સુધી ફ્લાય ઓવર ની કામગીરી ચાલી રહી છે. ફ્લાય ઓવર ની કામગીરી હાલ અમૂલ પાર્લર થી ચર્ચ ટ્રાફિક પોઇન્ટ સુધી પ્રગતિ માં છે. ત્યારે હાલ ફ્લાય ઓવરમાં ક્રેન ની મદદ થી ગડર લોન્ચિંગ ની કામગીરી શરૂ કરવાની છે.અને ચર્ચ થી બસ સ્ટેશન તરફ કામગીરી ચાલુ કરવાનું આયોજન છે. આ ફ્લાયઓવરની કામગીરીમાં અમુલ પાર્લર થી લઇને ચર્ચ ટ્રાફિક પોલીસ પોઈન્ટ સુધીનાં રસ્તા પર પર 13 નવેમ્બર ના 0 00.00 કલાક થી 22 નવેમ્બર ની રાત્રિના 23.59 કલાલ સુધીમાં ગર્ડર લોન્ચીંગ કરવાના હોઇ અને આ કામગીરી દિવસ અને રાત્રી દરમ્યાન 24 કલાક કરવાની છે. તેમજ શહેરના મુખ્ય માર્ગ પર કરવાની હોઇ ક્રેન ના અવર-જવર માટે અને ગર્ડર ની હેરા ફેરી દરમ્યાન ટ્રાફીકની સમસ્યા ના થાય અને કોઇ અકસ્માત ન થાય તેના ભાગ રૂપે આ રસ્તા પર કામગીરી દરમ્યાન તમામ પ્રકારનો વાહનવ્યવહાર સમ્પૂર્ણ બંધ કરવા અંગેનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડ્યું છે. જાહેરનામાં મુજબ ગોધરા સીટીમાં બસ સ્ટેંન્ડ તરફ થી આવતા વાહનો શાંતિનિવાસ સોસાયટીના દરવાજા થી થઈ પ્રભાકુંજ સોસાયટી થઈને શિશુપાલ બાલમંદિર થઈને અમુલ પાર્લર તરફ જતા રસ્તા પરથી દાહોદ રોડ તરફ઼ જઈ શકશે. દાહોદ થી ગોધરા સીટી તરફ આવતા વાહનો ઉમેશ દર્શન કોમ્પ્લેક્સ થી ડાબી તરફ (એક્સિસ બેન્ક પછી ડાબી તરફ) ના રસ્તા પર થઈ બામરોલી રોડ થઈ ગોધરા સીટીમાં જઇ શકશે. ઉલ્લેખનિય છે કે, ગોધરા શહેરમાં ટ્રાફિકની વિકટ બનતી સમસ્યા લોકો ને ભારે પરેશાન કરી રહી છે. ત્યારે તંત્ર દ્વારા આ સમસ્યાના કાયમી નિવારણ માટે ફ્લાય ઓવર બનાવવાનો નિર્ણય લેવાયો હતો. જેની કામગીરીમાં અમુલ પાર્લરથી લઇને ચર્ચ સુધી ગર્ડર નાખવાની કામગીરીના પગલે અવરજવર બંધ કરવા માટે જાહેરનામુ બહાર પડાયુ હતુ.
કાયદો માત્ર કાગળ ઉપર:શ્રમિક સુધારા સાથે ઉદ્યોગ વિકાસનો કાયદો અમલની રાહમાં
ભારતમાં ઉદ્યોગ ક્ષેત્રમાં શ્રમિકોની સલામતી, આરોગ્ય અને પર્યાવરણ માટે સમાન કાયદાકીય માળખું ઉભું કરવા માટે વર્ષ 2020માં રજૂ થયેલો વ્યવસાયિક સુરક્ષા, આરોગ્ય અને કાર્યસ્થળની સ્થિતિ OSH કોડ 2020 લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થઈ ચૂક્યો છે અને રાષ્ટ્રપતિની મંજૂરી પણ મળી ગઈ છે, છતાં ચાર વર્ષ વીતી ગયા છતાં તેનું અમલ હજી શરૂ થયો નથી. કારણ કે આ વિષય સંયુક્ત યાદીમાં આવતો હોવાથી રાજ્યોને પોતાનો અમલ માટેનો મુસદ્દો તૈયાર કરવાની સત્તા છે. ગુજરાતે આ માટેનો ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે, પરંતુ ક્યારે તે લાગુ પડશે તેની હજી કોઈ જાહેરાત થઈ નથી. જો આ કાયદો ઝડપથી અમલમાં મુકાય તો તે માત્ર શ્રમિક સુરક્ષા માટે જ નહીં પરંતુ તેમની કાર્યક્ષમતા અને કાર્યશૈલીમાં પણ ઉછાળો લાવશે, જે સમગ્ર ઉદ્યોગ ક્ષેત્રને મજબૂત બનાવશે. ઇન્ટર્નલ સેફ્ટી ઓડિટ દર વર્ષે ઉદ્યોગોને જાતે કરવી પડશે, જ્યારે થર્ડ પાર્ટી સેફ્ટી ઓડિટની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. દરેક ફેક્ટરીએ પોતાની સેફ્ટી ઓડિટ IS સ્ટાન્ડર્ડ (ભારતીય ધોરણ) મુજબ કરવી પડશે, જેથી સુરક્ષાની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય સ્તરે મેળ ખાય. સુરક્ષા સંબંધિત ઉણપો કે બેદરકારી જોવા મળશે તો પેનલ્ટી અને કાયદાકીય કાર્યવાહી લાગુ થશે. સરકારો ESG એટલે કે એન્વાયરમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (પર્યાવરણ, સામાજિક જવાબદારી અને શાસન)ના ધોરણો અપનાવે છે, જે આજના વિશ્વમાં ઉદ્યોગની પ્રતિષ્ઠા અને રોકાણ આકર્ષણના મુખ્ય માપદંડ બની ગયા છે. જો ઉદ્યોગો OSH કોડ મુજબ સુરક્ષા નીતિઓ, શ્રમિક હાઈજીન અને પર્યાવરણ દેખરેખને અમલમાં લાવે, તો ESGના ધોરણો જીવંત થશે, નહીંતર તે ફક્ત પત્રોમાં જ રહેલા શબ્દો બની રહેશે. આ કોડના અમલથી કાયદાકીય ફાયદા ઉપરાંત આર્થિક સુધારણા પણ થશે સુરક્ષિત શ્રમિક વધુ ઉત્સાહથી કામ કરે છે, અકસ્માતો ઘટે છે, પ્રોડક્ટિવિટી વધે છે અને વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ વધે છે. ઉદ્યોગ સંસ્કૃતિ જાગૃત બને ત્યારે દેશની ઈકોનોમી મજબૂત બને છે. ગુજરાતની દરેક ઉદ્યોગનગરી હવે એક જ પ્રશ્ન પૂછે છે સેફ્ટી કોડ ક્યારે અમલમાં આવશે? કાયદો તૈયાર છે, મંજૂર છે, મુસદ્દો પણ તૈયાર છે,ગુજરાત પોતાના ઉદ્યોગોમાં OSH કોડને અમલમાં લાવીને સુરક્ષિત કામદારો, શક્તિશાળી ગુજરાતનું જીવંત ઉદાહરણ પૂરું પાડે. સૌરાષ્ટ્ર સમાચાર નોલેજ13 શ્રમ કાયદામાંથી ઉદ્યોગો માટે 1 સમાન શ્રમ કાયદોOSH કોડનો હેતુ દેશના દરેક ઉદ્યોગ, ફેક્ટરી, ખાણ, બાંધકામ સાઇટ અને પરિવહન ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને સુરક્ષિત વાતાવરણ, આરોગ્યની દેખરેખ અને ગૌરવપૂર્ણ કાર્યસ્થળ આપવું. કાયદા મુજબ 250 કરતાં વધુ કામદારો ધરાવતા દરેક ઉદ્યોગ માટે સેફ્ટી ઓફિસર ફરજિયાત રહેશે, જે કામદારોના હાઈજીન, ફાયર સેફ્ટી, કેમિકલ જોખમો, મશીનરીની તકેદારી અને પર્યાવરણ સંભાળ માટે જવાબદાર હશે.’
સ્થાનિકોમાં ફફડાટ:ગોધરાનું લીંબા તળાવ જંગલી વનસ્પતિનું બન્યું ભય ભરડો
ગોધરા પશ્ચિમ વિસ્તારમાં આવેલ સિગ્નલ ફળિયા રેલવે ગરનાળા નજીકનું લીંબા તળાવ હાલ સ્થાનિકો માટે મોટી મુસીબતનું કેન્દ્ર બન્યું છે. તળાવમાં ફેલાયેલી ગાઢ જંગલી વનસ્પતિ અને વર્ષોથી ન થયેલી સફાઈથી મગરનું રહેઠાણ જોખમી બન્યું છે. જેના પરિણામે રાત્રિના અંધારામાં મગર રહેણાંક વિસ્તારોમાં લટાર મારવા માટે નીકળતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ગોધરા સિગ્નલ ફળીયા રેલવે ગરનાળા પાસે આવેલ લીંબા તળાવમાં પાછલા ઘણા સમયથી 5 ફૂટથી પણ મોટા 3 મગર આવી ચડ્યા છે. આ મગર વારંવાર રાત્રી દરમ્યાન તળાવના બહાર આવી જતા હોય છે. જેથી તળાવની આસપાસના વિસ્તારોમાં મગર દેખાવાથી લોકોને હવે રસ્તો બદલાવવાની ફરજ પડી રહી છે. નજીકમાં આવેલ સિમલા કબાડી માર્કેટના વેપારીઓને પણ મગરના ડરથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. લીંબા તળાવ હાલ સ્થાનિકો માટે મોટી મુસીબતનું કેન્દ્ર બન્યું છે. તળાવમાં ફેલાયેલી ગાઢ જંગલી વનસ્પતિ અને વર્ષોથી ન થયેલી સફાઈને કારણે મગરનું રહેઠાણ જોખમી બન્યું છે. મગરનું રેસ્ક્યૂ કરવું મુશ્કેલ બન્યુંઆ અંગે જાણ થતાં જંગલ ખાતા (વન વિભાગ) દ્વારા મગરને પકડવાના અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધી તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા છે. સમગ્ર તળાવમાં છવાયેલી ગાઢ જંગલી વનસ્પતિના કારણે મગરનું લોકેશન ટ્રેક કરવું અને તેમનું રેસ્ક્યુ કરવું અત્યંત મુશ્કેલીભર્યું બન્યું છે.ગત માસમાં તળાવ પાસે થી વિભાગ દ્વારા એક મગર નું રેસ્ક્યુ કરેલ હતું - એમ.ડી ડામોર, ગોધરા આરએફઓ
IT વિભાગના દરોડા:રાજકીય દિગ્ગજના પડછાયા સમાન વ્યક્તિ પર શહેરમાં આવકવેરાનું સર્ચ
બુધવારે સવારથી જ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, જુનાગઢ અને ભાવનગર સહિત રાજ્યના 24 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ભાવનગરમાં વિદ્યાનગર વિસ્તારમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યુ હતુ અને ટ્રસ્ટ સંબંધિત હિસાબી સાહિત્ય, બેંક વ્યવહારોની ચકાસણી કરવામાં આવી હતી. તાજેતરમાં શિપ રીસાયકલિંગ પ્લોટોના સંચાલન ક્ષેત્રે મેદાનમાં આવેલા અને રાજ્યના સત્તાધારી પક્ષના દિગ્ગજ રાજકીય અગ્રણીના અનેક વ્યવસાયોમાં પડછાયાની જેમ સાથ આપી રહેલા શખ્સના વિદ્યાનગર ખાતે આવેલા નિવાસસ્થાને અમદાવાદની આવકવેરા વિભાગની ટુકડી ત્રાટકી હતી. રાજકીય અગ્રણીની કિચન કેબિનેટના શખ્સ, એક મોટા ટ્રસ્ટ સાથે સંકળાયેલા છે, અને આ ટ્રસ્ટમાં થઇ રહેલી નાણાકીય લેવડ-દેવડ અંગે ઇન્કમટેક્સ વિભાગને ઠોસ માહિતી મળી હતી, તેના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી હજુ શરૂ હોવાને કારણે સત્તાવાર બાબતો ઘોષિત કરવામાં આવી નથી. અમદાવાદ સહિત રાજ્યના 24 સ્થળોએ આઇ.ટી.ની કાર્યવાહીમાં ટ્રસ્ટો, રાજકીય પાર્ટીઓને દાન ચેકથી આપી અને બાદમાં 10 ટકા જેવી રકમ કાપી લીધા બાદના નાણા રોકડમાં દાન આપનારાને પરત કરવામાં આવી રહ્યા હતા. દાન આપનારા લોકો પર અગાઉ ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાંથી ટ્રસ્ટો, રાજકીય પાર્ટીઓ દ્વારા કેવી રીતે કાળા-ધોળા વ્યવહારો પણ કરવામાં આવે છે તેના અંગે તંત્રને સચોટ લિંક મળી હતી. ભાવનગરનો શખ્સ એક ટ્રસ્ટ સાથે સંકળાયેલો છે અને ટ્રસ્ટને છૂપા આશિર્વાદ દિગ્ગજ રાજકીય અગ્રણીના પણ છે, તેથી મોટી રકમના દાન આ ટ્રસ્ટમાં વાળવામાં આવતા હતા અને ઉદ્યોગપતિઓ દ્વારા ટ્રસ્ટને દાનમાં આપવામાં આવેલી મોટી રકમને 10 ટકા જેવી રકમ કાપી લઇ અને બાકીના નાણા રોકડમાં પરત કરવામાં આવતા હતા તે દિશામાં આવકવેરા વિભાગ તપાસ કરી રહ્યું છે.
SIR:મતદાર માટે 2002ના વર્ષનો ડેટા મેળવવો એ સૌથી મોટો પડકાર
ભાવનગર શહેર અને જિલ્લામાં સરની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં 2002ની મતદારયાદી સાથે મેપિંગ ચાલી રહ્યું છે. તેમજ બી.એલ.ઓ. દ્વારા ઘરે ઘરે ફોર્મ વિતરણની કામગીરી પણ ચાલી રહી છે. ત્યારે સૌથી મોટો પડકાર એ છે કે વર્ષ 2002થી જેના રહેઠાણ બદલાઈ ગયા છે તેઓને પોતાના મતદાન બૂથો યાદ નથી. જેને કારણે કામગીરી ઢીલી ચાલી રહી છે. દરમિયાનમાં વર્ષ 2002નો મતદારો પાસે કોઈ ડેટા નહિ હોય. જેમકે મતદાન બૂથ ક્યાં હતું, તેઓનું મતદાન કાર્ડ વગેરેમાંથી કોઇ યાદી નહિ હોય તો તેઓના નામ મતદાર યાદીમાંથી નીકળી જવાનો ભય સતાવી રહ્યો છે. જે મતદારોના નામ 2002 ની મતદાર યાદીમાં નથી તેવા મતદારોના ફોર્મ ભરવા માં બી.એલ.ઓ ને તકલીફ પડશે.સાથે ગામડાઓમાંથી નોકરી ધંધા માટે સ્થળાંતરિત થયેલા મતદારોના નામ ગામડામાં ચાલુ છે અને બીજે ક્યાંય મતદાર યાદીમાં દાખલ થયેલા નથી તેવા મતદારો આ એક માસમાં બી.એલ.ઓ નો સંપર્ક કરી ફોર્મ સહી કરી આપશે તો તેમના નામ યાદીમાં ચાલુ રહેશે. ભાવનગર શહેર-જિલ્લામાં એસઆઈઆરની આ કામગીરી માટે તાજેતરમાં જ બીએલઓ સાથે આસિ. બીએલઓની પણ નિમણૂક કલેક્ટર તંત્ર દ્વારા કરી દેવાઈ છે. SIRની કામગીરીમાં વર્ષ 2002ની મતદારયાદી સાથે મેપિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ વર્ષ 2002થી અત્યાર સુધીમાં અનેક મતદારોના રહેઠાણ બદલાઈ ગયા હોય તેમના અને તેમના પરિવારના નામ શહેરના કયાં મતદાન બૂથો ઉપર હતા. તે પણ તેઓને યાદ ન હોય બીએલઓ માટે પણ આ કામગીરી પાર પાડવી પડકારજનક બની રહી છે. 23 વર્ષે અનેક લોકો રોજગાર માટે બીજા શહેરોમાં ગયા હોયવર્ષ 2002નો મતદારો પાસે કોઈ ડેટા નહિ હોય. જેમકે મતદાન બૂથ ક્યાં હતું, તેઓનું મતદાન કાર્ડ વગેરેમાંથી કોઇ યાદી નહિ હોય તો તેઓના નામ મતદારયાદીમાંથી નીકળી જવાનો ભય સતાવી રહ્યો છે. જો આ રીતે નામ નીકળી જાશે તો તેઓના નામ ફરી વખત દાખલ કરવા પડશે. તેમજ અત્યાર સુધી જે મતદારયાદી સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે કે, મતદારોનું નામ મતદાર યાદીમાં બોલતું હોય, પરંતુ તેઓ બીજા શહેરમાં રહેવા માટે ચાલ્યા ગયા છે.
લોકો પરેશાન:સ્માર્ટ સિટી દાહોદના માર્ગ પર રખડતા ઢોરોનો અડિંગો : પાલિકાની આંખે પાટા
સ્માર્ટસિટી દાહોદના રાજમાર્ગો પર રખડતા ઢોરોનું સામ્રાજ્ય જામી રહ્યુ છે. શહેરના હાર્દસમા અને અવરજવરથી ધમધમતા માર્ગો પર રસ્તા વચચે જ બેસી જતાં રખડતા ઢોરો વાહનચાલકો માટે જોખમ ઉભુ કરી રહ્યા છે. જોકે પાલિકા દ્વારા આની સામે કોઇ કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી ? તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. પ્રજાને જાહેરમાં રખડતા પશુઓથી પડતી સમસ્યા સામે પાલિકા તંત્ર આંખે પાટા બાંધીને બેઠુ હોય તેમ દેખાઇ રહ્યુ છે. દાહોદ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી રખડતા ઢોર અને અનિયમિત વાહન પાર્કિંગની સમસ્યા તીવ્ર બની રહી છે. નગરના મુખ્ય વિસ્તારોમાં રસ્તાઓ પર ગાયો અને અન્ય ઢોર નિર્ભય ભટકતા જોવા મળે છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે પસાર થવું મુશ્કેલ બન્યું છે. તંત્ર સમક્ષ વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ અસરકારક કાર્યવાહી હાથ ધરી નથી, જેથી નાગરિકોમાં અસંતોષ વ્યાપી રહ્યો છે. મેઈન બજાર, સ્ટેશન રોડ, ઝાલોદ રોડ, નવજીવન મીલ રોડ, ગોધરા રોડ, ગોદીરોડ, પડાવ અને હોસ્પિટલ વિસ્તાર જેવા મુખ્ય માર્ગો પર રખડતા ઢોર તેમજ આડેધડ પાર્કિંગથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. સાંકડા રસ્તાઓ પર વાહન ચાલકોને અકસ્માત થવાનો ભય રહે છે. ખાસ કરીને હોસ્પિટલ વિસ્તારોમાં આવતા દર્દીઓ અને એમ્બ્યુલન્સને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. સ્થાનિક નાગરિકોના કહેવા મુજબ દાહોદ પાલિકાને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરી છતાં તંત્રે હજી સુધી કોઈ કડક પગલાં લીધા નથી. નાગરિકોએ માંગ કરી છે કે તંત્ર તરત જ રખડતા ઢોરને પકડવા માટે અસરકારક અભિયાન હાથ ધરે, પાર્કિંગ માટે નિશ્ચિત ઝોન નક્કી કરે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થા સુધારે. નગરપાલિકાની નિષ્ક્રિયતા સામે નાગરિકોમાં રોષ નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા તંત્ર સમસ્યાને ગંભીરતાથી લેતું નથી. રખડતા ઢોર પકડવા માટે કોઈ નિયમિત અભિયાન હાથ ધરવામાં આવ્યું નથી અને પાર્કિંગ માટે કોઈ સુવિધા વિકસાવવામાં આવી નથી. શહેરના મોટાભાગના રસ્તાઓ સાંકડા હોવાથી જ્યાં-ત્યાં વાહન પાર્કિંગ થવાને કારણે ટ્રાફિકની સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ બની રહી છે.
કરદાતાને રાહત:GST હવે આડેધડ શો-કોઝ નોટિસ પાઠવી શક્શે નહીં
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કરદાતા સામે આડેધડ અને બિનનિયંત્રિત રીતે કાર્યવાહીનો દંડૂકો ઉગામવામાં આવી રહ્યો હતો, તેના પર હવે અંકુશ આવ્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ (CBIC)એ એક મહત્વપૂર્ણ પરિપત્ર — પરિપત્ર રજૂ કર્યો છે, જેમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ, 2017 (CGST એક્ટ)ની વિવિધ મુખ્ય જોગવાઈઓ હેઠળ “યોગ્ય અધિકારીઓ”ની નિમણૂક માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ પરિપત્ર CGST એક્ટની કલમ 74A, 75(2), અને 122 અને સંબંધિત નિયમો હેઠળ યોગ્ય અધિકારીઓની સોંપણી સ્પષ્ટ કરે છે. આ પગલું ઓપરેશનલ ગેપ્સને દર્શાવે છે, કારણ કે અગાઉની સૂચનાઓમાં આ જોગવાઈઓ માટે અધિકારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, ખાસ કરીને કલમ 74A ની રજૂઆત પછી, જે નાણાકીય વર્ષ 2024-25 માટે કર બાકી રકમના નિર્ધારણ સાથે સંબંધિત છે જ્યાં કોઈ છેતરપિંડી અથવા દમનનો આરોપ નથી. પરિપત્રના મુખ્ય મુદ્દાઓ અનુસાર, ચોક્કસ GST કાર્યો માટે અધિકારીઓની સોંપણી કરવાની છે. સેન્ટ્રલ જીએસટીના સુપરિન્ટેન્ડેન્ટ્સ, આસિસ્ટન્ટ, ડેપ્યુટી કમિશનરો અને એડિશનલ, જોઈન્ટ કમિશનરોને યોગ્ય અધિકારીઓ તરીકે સોંપવામાં આવ્યા છે. કલમ 74A તળે ચૂકવેલા, ઓછા ચૂકવેલા કર અથવા ખોટી વેરાશાખના દાવાઓ (છેતરપિંડી ન કરવાના કેસ)નું નિર્ધારણ સામેલ કરાયુ છે. કલમ 75(2) તળે અપીલ સત્તાવાળાઓ દ્વારા અગાઉની નોટિસમાં છેતરપિંડીના આરોપોને નકારી કાઢવામાં આવે ત્યારે કરનું પુનર્નિર્ધારણ દર્શાવાયુ છે. કલમ 122 તળે ચોક્કસ GST ગુનાઓ માટે દંડ લાદવાનું ઠેરાવાયુ છે. નાણાકીય વર્ષ 2024-25 માટે અને કરદાતાઓને આકારણી અને અપીલ માટે યોગ્ય સત્તા ઓળખવામાં મદદ મળશે, પરંતુ 2024-25 અગાઉ આડેધડ અને યોગ્ય સત્તા નહીં હોવા છતા પાઠવવામાં આવેલી શો-કોઝ નોટિસો, ઓર્ડરને યોગ્ય ઠેરવી શકાય કે કેમ? તેના અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી. GST નિયમોમાં શું ફેરફાર થયા ? સૌરાષ્ટ્ર સમાચાર એક્સપર્ટકરદાતાએ ધ્યાનમાં રાખવા જેવી બાબતોવ્યવસાયકારો, કરદાતાઓએ ચકાસણી કરવી જોઇએ કે તેમને મળેલી કોઈપણ શો-કોઝ નોટિસ અથવા આદેશ પરિપત્રના માપદંડો હેઠળ સક્ષમ અધિકારી દ્વારા જારી કરવામાં આવે છે કે નહીં. ઉચ્ચ નાણાકીય શ્રેણીમાં ઓર્ડર અથવા દંડને લગતા કેસોમાં, તપાસો કે યોગ્ય અધિકારી સ્તર (વધારાના, સંયુક્ત કમિશનર) આ બાબતને સંભાળી રહ્યું છે કે નહીં તેની ચકાસણી કરવી. > ભરતભાઈ શેઠ, વરિષ્ઠ ટેક્સ કેન્સલટન્ટ,ભાવનગર પરિપત્રથી કરદાતાની મુશ્કેલીમાં ઘટાડો થશેનવા પરિપત્રથી અને સ્પષ્ટતાથી નિર્ણય કાર્યવાહીમાં એકરૂપતામાં સુધારો થશે, અધિકારક્ષેત્ર અંગેના વિવાદો ઘટશે, GST અમલીકરણના કેસોને ઝડપી બનાવવામાં આવશે, ખાસ કરીને નાણાકીય વર્ષ 2024-25 માટે અને કરદાતાઓને આકારણી અને અપીલ માટે યોગ્ય સત્તા ઓળખવામાં મદદ મળશે તેવી અપેક્ષા છે.
મોત:અગરવડામાં હિટ એન્ડ રન રોડ સાઇડ પર ઉભેલા વૃદ્ધનું વાહનની ટક્કરથી મોત
મોરવા(હ)ના અગરવાડા વચલા ટેકરા પાસે રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને ટક્કર મારતા ગંભીર ઈજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયો હતો. મોરવા હડફ તાલુકાના અગરવાડા ટાંડી, પલાસ ફળિયા ખાતે રહેતા સોમાભાઈ માનસિંગ ભાઈ પલાસ પર્વતભાઇ 10 નવેમ્બર ના રોજ અગરવાડા વચલા ટેકરા પાસે રોડની સાઇડ પર ઊભા હતા તે દરમ્યાન અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી સોમાભાઈ માનસિંગભાઈ પલાસ ને ટક્કર મારી રોડ ઉપર પાડી દઈ માથાના પાછળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી ગયો હતો. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.જ્યાં મોત નિપજ્યું હતું.આ અંગે ના અક્સ્માત ની મોરવા હડફ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.
ઘરવખરી બળીને ખાખ:ટીમરડામાં કાચા મકાનમાં ભીષણ આગ
દાહોદ તાલુકાના ટીમરડા ગામે હોળી ફળિયામાં આવેલા એક રહેણાંક મકાનમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં મકાનની અંદર મૂકેલો તમામ ઘરવખરીનો સામાન ખાખ થઈ ગયો હતો. દાહોદ તાલુકાના ટીમરડાના હોળી ફળિયામાં આવેલું આ કાચા નળિયાવાળું મકાન અચાનક જ અગનજ્વાળાઓની લપેટમાં આવી ગયું હતું. આગની જાણ થતાં જ ગામમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા જોતાં ગામના તલાટી, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો તુરંત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. દરમિયાન દાહોદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. દાહોદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચીને આગને વધુ ફેલાતી અટકાવી હતી અને કલાકોની જહેમત બાદ આગને સંપૂર્ણપણે ઓલવી દીધી હતી. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ હોવાની આશંકા છે. આ આગમાં મકાન માલિકને થયેલા ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તેમને સરકારી સહાય મળી રહે તે માટેની જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. તલાટી અને સરપંચ દ્વારા સ્થળ પર પંચનામું અને નુકસાનીનો સર્વે કરવાની કામગીરી હાથ ધરી છે.
દાહોદ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયમાં મંગળવારે શિક્ષણજગતને શર્મસાર કરનારો એક ગંભીર બનાવ બન્યો હતો. ક્લાસ ન લેવા બાબતે ખુલાસો માંગવા ગયેલા શાળાના પ્રિન્સીપાલને શિક્ષકે વિદ્યાર્થીઓ સમક્ષ જ બે ઝાપટ ઝીંકી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પ્રિન્સીપાલે શિક્ષક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. દાહોદના કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા રામચરણ લલીત શેઠી મંગળવારે શાળામાં હાજર થયા હતા. પરંતુ તેમણે સમયસર કોઈપણ વર્ગ લીધો ન હતો. આ બેદરકારી ધ્યાનમાં આવતા વિદ્યાલયના પ્રિન્સીપાલ અનોશ મંગળસિંહ સેમસંગે આ અંગે લેખિત ખુલાસો માંગવાનું નક્કી કર્યું હતું. પ્રથમ પ્રયાસમાં પ્રિન્સીપાલે પટાવાળા મારફતે શિક્ષક રામચરણ શેઠીને ખુલાસો આપવા જણાવ્યું, પરંતુ શિક્ષકે તે આપવાનો ઇન્કાર કર્યો હતો. બપોરે લગભગ એકથી દોઢ વાગ્યાના સમયગાળામાં, જ્યારે રામચરણ શેઠી ધો.7ના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. ત્યારે પ્રિન્સીપાલ અનોશ સેમસંગ અને અન્ય શિક્ષક અમિતકુમાર ભગવાનસિંહ ક્લાસમાં પહોંચ્યા અને ખુલાસા અંગે સીધી પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન વાતચીત ઉગ્ર બનતા શિક્ષક રામચરણ શેઠી એકદમ ઉશ્કેરાઈ ગયા હતાં. તેમણે ખુલાસા માટે તૈયાર કરાયેલા કાગળની નકલો ફાડી નાંખી અને તેના ટુકડા પ્રિન્સીપાલના મોઢા ઉપર ફેંકી માર્યા હતાં. પ્રિન્સીપાલે પરિસ્થિતિ શાંત પાડવા માટે તેમને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ ગુસ્સાથી ભરાયેલા રામચરણ શેઠીએ આવેશમાં આવીને પ્રિન્સીપાલને બે ઝાપટ ઝીંકી દીધી હતી. વિદ્યાર્થીઓ સમક્ષ થયેલા આ અણધાર્યા હુમલાથી આખો ક્લાસરૂમ સ્તબ્ધ થઈ ગયો હતો. શાળાના વડા પર જ કરાયેલા આ હુમલાને ગંભીરતાથી લઈને પ્રિન્સીપાલ અનોશ સેમસંગે શિક્ષક રામચરણ શેઠી સામે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. હંગામા બાદ શિક્ષક ક્લાસમાં બેહોશ થયાવિદ્યાર્થીઓની સામે જ ચાલુ ક્લાસે ઝપાઝપી અને હંગામા બાદ અન્ય શિક્ષકોએ તાત્કાલિક વચ્ચે પડીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. જોકે, ઘટના બાદ તરત જ શિક્ષક રામચરણ લલીત શેઠી ચાલુ ક્લાસમાં બેહોશ થઈ જતાં ભારે દોડદામ મચી ગઇ હતી.
ભાસ્કર ઈનસાઈડ:દાહોદ SBI લોન કૌભાંડના 2 પ્રકરણમાં9,000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઇ
દાહોદમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બે શાખાઓમાં આચરવામાં આવેલા 6.34 કરોડના લોન કૌભાંડ જુલાઈ 2025માં સામે આવ્યુ હતુ. જેમાં બેન્કના તત્કાલીન મેનેજર સહિત 31 સામે ગુનો નોંધાયો હતો. .આ કેસમાં પોલીસે તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં કુલ 9000 પાનાની મેગા ચાર્જશીટ દાખલ કરી છે. પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ શહેરમાં SBIની માણેક ચોક શાખામાં 20 જૂન 2022થી 13 ફેબ્રુઆરી 2024 વચ્ચે નકલી પગાર સ્લિપ અને અન્ય બોગસ દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો. આ કૌભાંડની બેન્ક દ્વારા આંતરિક તપાસ બાદ દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં જુલાઈ 2025માં બેન્કના અધિકારી નિતિન ગોપીરામ પુડીંગે દ્વારા નોંધાવાઈ હતી. જેના આધારે પોલીસે તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદી અને 19 લોનધારકો કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. તેવી જ રીતે SBIની સ્ટેશન રોડ શાખાનું કૌભાંડ 1 સપ્ટેમ્બર 2021થી 20 જૂન 2024 વચ્ચે આચરાયુ હતું. જેમાં બ્રાન્ચ મેનેજર મનીષ વામનરાવ ગવલે અને 10 લોન ધારકો હતાં. આ બંને પ્રકરણમાં પોલીસે બંને શાખાના પૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત સંડોવાયેલા લોકોને ઝડપી પાડ્યા હતા. કુલ 6.34 કરોડ રૂપિયાની ખોટી રીતે લહાણી કરવાના આર્થિક ગુનામાં પોલીસે તમામ પુરાવા અને આરોપીઓના નિવેદનો સાથે કુલ 9000 પાનાની વિસ્તૃત ચાર્જશીટ દાખલ કરી છે. કેસ કાગળોની ઝેરોક્ષ કરાવવાનો ખર્ચ 28 હજાર રૂપિયા થયોએસબીઆઇ બેંકના લોન કૌભાંડ મામલે એ અને બી ડિવિઝનમાં બે જુદી-જુદી ફરિયાદો નોંધાઇ હતી. ત્યારે કોર્ટમાં ચાર્જશીટમાં મુકવાના કેશ કાગળો ઉપરાંત વકીલ અને આરોપીઓને પણ એક-એક કોપી આપવાની થાય છે. આ કેસોના કાગળોની ઝેરોક્ષ કરાવવામાં પોલીસને 28 હજાર રૂપિયાનો ખર્ચ થયો હોવાનું જાણવા મળ્યુ છે. નકલી એનએ કેસમાં પણ 9 હજાર પાના હતાદાહોદ નકલી એનએ કેસમાં દાખલ થયેલી તમામ ફરિયાદોમાં પણ દાહોદ પોલીસે આરોપીઓ સામે 2600, 6370 પાના મળી કુલ 8970 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી.
ઠંડીનો ચમકારો:દાહોદમાં દિવસે ગરમી, રાત્રે પારો ગગડતાં ઠંડીનો ચમકારો
દાહોદ શહેરમાં ઋતુ પરિવર્તનનો સ્પષ્ટ અહેસાસ થઈ રહ્યો છે. હાલમાં દિવસ દરમિયાન ગરમી અને રાત્રિના સમયે ઠંડીનું મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. જેના કારણે શહેરીજનોએ બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે. દિવસભર વાતાવરણમાં અચાનક આવેલા બદલાવના કારણે ઠંડક અને ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. દાહોદ શહેરમાં બુધવારના દિવસના સમયે વાતાવરણ ચોખ્ખું રહેતાં મહત્તમ તાપમાન 29 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આકાશમાં વાદળોનું આવરણન હોવાથી સૂર્યનો તાપ તીખો અનુભવાઇ રહ્યો હતો અને લોકોને સામાન્ય ગરમીનો અહેસાસ થયો હતો. હવામાં ભેજનું પ્રમાણ પણ 35% જેટલું નીચું નોંધાયું હતું. જોકે, સૂર્યાસ્ત થતાં જ પરિસ્થિતિ બદલાયેલી જોવાઇ હતી. દિવસનો પારો ઝડપથી ગગડવાનું શરૂ થયો હતો અને રાત્રે ઠંડીનો હુંફાળો ચમકારો અનુભવાયો હતો. દાહોદ શહેરમાં હાલમાં રાત્રિના સમયે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સુધી નીચું જઈ રહ્યું છે.
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આજથી ભવ્ય ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલ ‘ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025’ શરૂ થઈ રહ્યું છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સવારે 9:30 વાગ્યે સંયુક્ત રીતે કરશે. 13થી 16 નવેમ્બર સુધી ચાલનારા આ ચાર દિવસીય મહાજલસામાં Taj Soulinaireની ₹2500ની લક્ઝરી લંચ, પુરી જગન્નાથ મંદિરના ₹2100ના મહાપ્રસાદ, મિશેલિન સ્ટાર શેફની શાકાહારી વાનગીઓ, નેપાળ-સ્પેન-નેધરલેન્ડના શેફના લાઇવ ડેમો, રણવીર બ્રાર-વિક્કી રત્નાની જેવા સેલિબ્રિટી શેફ્સની હાજરી અને પ્રથમવાર લાઇવ કોફી રોસ્ટિંગ પેવેલિયન સાથે અમદાવાદીઓને વૈશ્વિક સ્વાદનો અનોખો અનુભવ મળશે. BookMyShow પર ટિકિટ બુક કરાવીને તમે અહીં જઈ શકશો. QR કોડ સ્કેન કરો અને ફૂડની પ્રાઈઝ મેળવોસાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર ફૂડ ફેસ્ટિવલમાં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી. ફૂડ ફેસ્ટિવલમાં જે ફૂડ પેવેલિયન અને સ્ટોલ રાખવામાં આવ્યા છે તેમાં મળતી ખાવા-પીવાની વસ્તુઓનો ચાર્જ ચૂકવીને ભોજનનો આનંદ લોકો માણી શકશે. ઓનલાઈન વેબસાઈટ બુક માય શો ઉપર ટિકિટ બુકિંગ કરાવી શકાશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલના મેનુ અને પ્રોગ્રામની માહિતી માટે QR કોર્ડ જાહેર કર્યો છે જે સ્કેન કરવાથી ફૂડનું મેનું અને ભાવ મળી રહશે. લક્ઝરી પેવેલિયનમાં પીરસાશે સ્પેશિયલ વાનગીઓ'A Taste of Luxury' અને 'The Regional Flavours' એમ બે પ્રકારની થીમ પર ફૂડ કોર્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઇન્ટરનેશનલ ફૂડ ફેસ્ટિવલમાં ત્રણ અનોખા પેવેલિયન્સ પણ તૈયાર કરાશે. લક્ઝરી પેવેલિયનમાં Taj Soulinaireના ખાસ મેનૂ સહિત ફેમસ હોટેલ દ્વારા તેમની સ્પેશિયલ વાનગીઓ પીરસવામાં આવશે. લક્ઝરી પેવેલિયનમાં લંચ અને ડિનર રૂપિયા 2,500 અને હાઈ ટી રૂપિયા 1,000 રહેશે. ફૂડ ફેસ્ટિવલમાં સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં પુરીના જગન્નાથ મંદિરમાં આપવામાં આવતો 'ભોગ પ્રસાદ' મળશે. જે મૂળ મંદિરના બ્રાહ્મણ રસોઇયાઓ દ્વારા જ બનાવવામાં આવશે. અમદાવાદીઓને પુરી મંદિર જેવી જ પવિત્રતા, પરંપરા અને સ્વાદ મળશે. આ ફેસ્ટિવલમાં ભગવાન શ્રી કૃષ્ણનાં જીવનપ્રસંગો પર આધારિત 'લીલા' નામનું વિશેષ નૃત્ય પ્રદર્શન પણ રજૂ થશે. જેમાં પુરીના દૈતાપતિ કુટુંબના વરિષ્ઠ પુત્રની ઉપસ્થિતિમાં આ પૌરાણ કરે પરંપરાગત કાર્યક્રમ યોજાશે. સ્પિરિચ્યુઅલ પેવેલિયનમાં 2,100 રૂપિયાનું ડિનર રહેશે, જ્યારે 13 નવેમ્બરના રોજ લંચ 1,600 રૂપિયાનું રહેશે. કોફી પેવેલિયનમાં લાઈવ કોફી, રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સફેસ્ટિવલમાં આ વર્ષે પ્રથમ વખત રજૂ થતો 'કોફી પેવિલિયન વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. અહીં કોફીના છોડથી લઈને કાચા બીન્સ, તેમની કાપણી, રોસ્ટિંગ અને બૂઇંગ સુધીની સમગ્ર પ્રોસેસ લાઈવ રજૂ કરાશે. અરાબિકા અને રોબસ્ટા વચ્ચેના તફાવતો, તેમની સુગંધ અને સ્વાદ કેવી રીતે બદલાય છે તેની સમજ આપશે. મુલાકાતીઓને ફ્રેશ તૈયાર કોફીનો સ્વાદ માણવાની તક સાથે રોસ્ટિંગ અને બૂઇંગ ટેક્નિક્સ અંગે જાણકારી મળશે. નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ ફેસ્ટિવલમાં ભાગ લેશેફૂડ ફેસ્ટિવલમાં ભારત ઉપરાંત નેપાળ, સ્પેન, નેધરલેન્ડ જેવા દેશોના શેફ પણ ભાગ લેશે. ખાસ કરીને સ્પેનના વલ્લાડોલિડ (જે અમદાવાદનું સિસ્ટર સિટી કહેવાય છે) માંથી મિશેલિન સ્ટાર રેસ્ટોરાંના સેલિબ્રિટી શેફ અલ્વાર હિનોજલ કેસ્પો પ્રથમ વખત અમદાવાદમાં પોતાની પ્રસિદ્ધ શાકાહારી વાનગીનો ડેમો આપશે. ફેસ્ટિવલ દરમિયાન દરરોજ સાંજે 5:30 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી લાઈવ ડેમો, કુકિંગ સેશન્સ, ચર્ચાઓ, ફૂડ ટેસ્ટિંગ અને કલ્ચરલ પ્રોગ્રામ્સ યોજાશે. તેમાં પ્રસિદ્ધ શેફ રણવીર બ્રાર, સુવીર સરણ, વિક્કી રત્નાની, માસ્ટર શેફ અભિજિત સાહા, લેખિકા રશ્મી ઉદયસિંહ, પદ્મશ્રી ડો. પુષ્લેશ પંત તથા અનેક રાજવી અને સંસ્કૃતિ નિષ્ણાંતો હાજરી આપશે. ટેસ્ટી ફૂડ અને ઇનોવેશનને એવોર્ડથી સન્માનિત કરાશેઆ વર્ષે બે પ્રતિષ્ઠિત એવોર્ડ ફંક્શન યોજાશે. જેમાં 'હોસ્પિટાલિટી હોપ એવોર્ડ' જે સ્થાનિક રેસ્ટોરાંને તેમની ગુણવત્તા અને પરંપરાના સંવર્ધન માટે આપવામાં આવશે. તે 14 નવેમ્બરે શેફ રણવીર બ્રાર દ્વારા આપવામાં આવશે. જ્યારે 'SAAG-AMC Award' 16 નવેમ્બરે લેજેન્ડરી શેફ મંજિત ગિલ દ્વારા આપવામાં આવશે. જે લક્ઝરી ફૂડ કોર્ટમાં ભાગ લેનારી હોટેલ્સને ઇનોવેશન અને ગુણવત્તા માટે પ્રોત્સાહિત કરશે. ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા'ફૂડ ફોર થોટ ફેસ્ટ 2025' ખાસ કરીને ફૂડ લવર્સ, ફૂડ બ્લોગર્સ, ઉદ્યોગ નિષ્ણાંતો, ક્યુલિનરી વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો બધા માટે સમાન રીતે ઉપયોગી અને આનંદદાયક બની રહેશે. અહીં ફૂડ એજ્યુકેશન, હેલ્ધી ઇટિંગ, સસ્ટેનેબલ ક્યુલિનરી પ્રેક્ટિસિસ અને ભારતીય ગેસ્ટ્રોનોમીની વિશ્વકક્ષાએ ઓળખ જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આ ઉપરાંત ફૂડ ફોટોગ્રાફી સેશન્સ, કુકિંગ કોમ્પિટિશન્સ અને ઇન્ટરેક્ટિવ એક્ટિવિટીઝ ફેસ્ટિવલને વધુ લાઈવ બનાવશે.
દિવ્ય ભાસ્કર, વાચકમિત્રો માટે દર ગુરુવારે એક ખાસ પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે, એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. ભાજપના યુવા નેતાની ફરિયાદ બાદ શહેરના એક PIની સિંગલ ઓર્ડરમાં બદલીઅમદાવાદ શહેરના હાઈવે પરના એક PIની સિંગલ ઓર્ડરમાં બદલી કરવામાં આવી છે. ભાજપના એક યુવા નેતાની ફરિયાદના પગલે બદલી કરવામાં આવી હોવાની ચર્ચા છે. દિવાળીમાં ફટાકડા મામલે ભાજપના નેતાએ ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરી હતી. દિવાળી પૂરી થયા બાદ પીઆઇ પર દિવાળીના ફટાકડાના તણખા ઉડ્યા જેના કારણે પીઆઇને બદલી કરી દેવામાં આવી હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. જોકે આ પીઆઇ શરૂઆતથી જ મનમાની પ્રમાણે કામ કરી રહ્યા હતા. ઉચ્ચ અધિકારીને પણ ગાંઠતા નહોતા, જેથી તેમના વિરુદ્ધ અન્ય અધિકારીઓએ પણ ફરિયાદ કરી હતી. એક PIને પોલીસ સ્ટેશનનો ચાર્જ મળતા જ કારોબાર કરવા માણસો ગોઠવી દીધાશહેરના એક પોલીસ સ્ટેશનમાં સિનિયર પીઆઇનો ચાર્જ અન્ય પીઆઇને આપવામાં આવ્યો છે. ચાર્જમાં ચાલતા આ પોલીસ સ્ટેશનના પીઆઇ જેટલો સમય મળ્યો તેમાં બધું લઈ લેવાની ભાવના સાથે પોતાના અંગત પોલીસકર્મીને કારોબાર સોંપી દીધો છે. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSIના ભાઈને પોલીસ સ્ટેશનનો કારોબાર સોંપી PSI ટ્રેનિંગમાં ગયા છે. જોકે ટૂંક સમયમાં જ કાર્યકારી પીઆઇને જગ્યાએ નવા પીઆઇને મૂકવામાં આવશે. શહેરના ત્રણ મહત્ત્વના પોલીસ સ્ટેશનનો ચાર્જ મેળવવા પીઆઇ દ્વારા લોબિંગ શરૂઅમદાવાદના ત્રણ મહત્ત્વના પોલીસ સ્ટેશન ઈનચાર્જ પીઆઇ પર ચાલી રહ્યા છે. અગાઉ 2 પોલીસ સ્ટેશન માટે અનેક પીઆઇ જે સાઇડ પોસ્ટિંગમાં ફરજ બજાવે છે અથવા તો નાના પોલીસ સ્ટેશનમાં છે તેમણે લોબિંગ શરૂ કર્યું હતું, ત્યારે હવે 3 પોલીસ સ્ટેશન માટેના પણ પ્રયત્ન શરૂ કર્યા છે. 3 પોલીસ સ્ટેશન માટે અલગ અલગ પીઆઇ દ્વાર લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે બાજી અન્ય વિવાદમાં આવેલા પોલીસ સ્ટેશનના પીઆઇની પણ બદલીની તૈયારીઓ ચાલી રહી છે. જેથી એક સાથે શહેરમાં 3 નહીં પરંતુ અનેક પોલીસ સ્ટેશનમાં પીઆઇને બદલી કરીને પોસ્ટિંગ આપવામાં આવી શકે છે. શહેરના એક પોલીસ સ્ટેશનનો કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવરનું કામ કરતો કર્મચારી બેફામ બન્યોસાબરમતી નદી પાસેના એક પોલીસ સ્ટેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો કર્મચારી બેફામ બન્યો છે. આ કર્મચારી કોન્ટ્રાક્ટ પર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે છતાં જાણે પોતે જ પોલીસ અધિકારી હોય તેમ રોફ જમાવે છે. કોન્ટ્રાક્ટ પરનો કર્મચારી પોતાને પીઆઇનો કેશિયર હોય તેવું લોકોને જણાવે છે. આ કર્મચારી રસ્તા પર પોલીસ સાથે વાહન ચેકિંગ કે વાહન રોકીને પૈસા પણ પડાવે છે. અગાઉ ફરજ બજાવતા એક પીઆઇ જે અત્યારે એજન્સીમાં છે તેમને જ આ કર્મચારીને છૂટછાટ આપી હતી. જેના કારણે આ કર્મચારી બેફામ બનીને પોલીસ હોવાનો રોફ જમાવે છે. શહેરમાં રેવ પાર્ટી પકડવા પોલીસના બેરોજગાર બાતમીદારોને સિક્યુરિટી ગાર્ડની નોકરીઅમદાવાદ પાસેથી થોડા સમય અગાઉ રેવ પાર્ટી પકડાઈ હતી. રેવ પાર્ટી પકડ્યા બાદ પોલીસે હવે આ પ્રકારની પાર્ટી પકડવા માટે એક પ્લાન બનાવ્યો હતો. પોલીસે મોટા ફાર્મ હાઉસ કે ક્લબની બહાર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડનો એજન્સીનો સંપર્ક કરી તેમની સાથે મિટિંગ કરી હતી. પોલીસે મિટિંગ કરીને સિક્યુરિટ ગાર્ડની સાથે પોલીસના બાતમીદારોને ગાર્ડની નોકરી આપવા જણાવ્યું હતું. જેથી હવે ગાર્ડની જેમ પોલીસના અંગત માણસો પણ ફરજ પર હાજર રહેશે. જ્યારે હવે કોઈ ક્લબ કે ફાર્મમાં પાર્ટી યોજાશે તરત જ પોલીસને જાણ કરશે. જેનાથી પોલીસને મોટી રેડ કરવામાં સફળતા મળશે. જોકે પોલીસના આ કામથી બેરોજગારોને નોકરી મળશે અને પોલીસને બાતમી મળશે. શહેરના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હિસાબો કરવા PIએ આઠ માણસો કામે લગાડ્યાઅમદાવાદ શહેરના બોર્ડર પરના પોલીસ સ્ટેશનમાં પીઆઇ દ્વારા પોલીસ ચોકી દીઠ માણસો રાખવામાં આવ્યા છે. દરેક પોલીસ ચોકી દીઠ માણસો પીઆઇ માટે કામ કરે છે. કુલ 8 માણસો પીઆઇ માટે કામ કરીને દર મહિને પીઆઇ કામનો અને પૈસાનો હિસાબ આપે છે. કોઈ એક માણસ પર દોષનો ટોપલો ઢોળાય અને શાંતિપૂર્ણ રીતે કારોબાર ચાલી રહે તે માટે પીઆઇના અંગત વ્યક્તિએ અન્ય જિલ્લામાં બેસીને આયોજન કર્યું છે. અન્ય જિલ્લામાં નોકરી કરતો આ પોલીસકર્મી રોજે રોજ વાતચીત કરીને મહિને 8એ લોકોને મળે છે. આ પોલીસ સ્ટેશન ઇન્ડસ્ટ્રી સાથે પણ જોડાયેલું છે જેથી વધારે માણસોની જરૂર ઊભી થઈ હતી.
ભાસ્કર એક્સક્લૂસિવ:પંચ.માં 11 બ્લેક ટ્રેપની લીઝોના ખાણકામ બંધ
પંચમહાલ જિલ્લામાં ખાણખનીજ વિભાગ દ્વારા બ્લેક ટ્રેપ અને રેતી માટે લીઝોની મંજૂરી આપવામાં આવતી હતી. જિલ્લા કક્ષાએ એન્વાર્યમેન્ટ ક્લિયરન્સ કમિટી મંજુરી આપતા લીઝોમાં ખોદકામ કરાતું હતું. પંચમહાલ જિલ્લામાં આશરે 200 લીઝો આવેલી છે. જિલ્લા કક્ષાની મજૂરીથી લીઝો ચાલુ થતી હતી. પરંતુ સરકારી લીઝોના નિયમો કડક કરી દેવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લાની એન્વાર્યમેન્ટ કમિટીએ રીપોર્ટ રાજ્યની ઇસી કમિટીને મોકલી આપ્યો હતો. રાજ્યની ઇસી કમિટી દ્વારા જિલ્લાકક્ષાનો રીપોર્ટ નામંજૂર કરી દેવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લામાં 11 બ્લેક ટ્રેપ અને રેતીની લીઝોનું ઇસી પ્રમાણપત્ર ના મંજૂર કરી દેવામાં આવતા પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્થાનિક પ્રમાણપત્ર પણ નામંજૂર કરીને 11 લીઝોના એકાઉન્ટ લોક કરવામાં આવ્યા હતાં. પરિણામે હવે રોયલ્ટી પાસ નિકળશે નહિ. ધમધમતી 11 લીઝો બંધ કરી દેતા રોજગારી સાથે રેતી કપચીના વ્યવહાર પર અસર પડશે. સાથે આ 11 લીઝોના એકાઉન્ટ લોક કરીને ખાણકામ બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે ખાણખનીજ વિભાગ દ્વારા 11 લીઝોમાં કોઇ પણ પ્રકારનુ ખોદકામ કરતા જણાશે તો કાર્યવાહી કરીશુ . જિલ્લામાં એક સાથે 11 લીઝો બંધ કરાવવામાં આવી છે. જેમાં 10 બ્લેક ટ્રેપ અને એક રેતીની લીઝ છે. ખાણખનીજે 11 લીઝનાએકાઉન્ટ લોક કરી દીધા કવોરી ડસ્ટ ઉડતાં રોડ પસાર કરતા લોકોને મુશ્કેલીગોધરાના ટીબા રોડ પર મોટા ભાગની નદી કિનારે અને રોડ પર ક્વોરી આવેલી છે. સાંજ પડતા કવોરીઓમાં કરાતી કામગીરીથી ડસ્ટ ઉડતા રોડ પરથી પસાર થતા વાહનો ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહે છે. તેમજ પસાર થતા બાઇક ચાલકોના શ્વાસમાં ડસ્ટ ભરાઇ જવાના બનાવો પણ બને છે.તેમજ નદી કિનારા પરની કવોરીએ ગેરકાયદે ખોદકામ કરી દીધા છે. નદીમાં બ્લાસ્ટ કરીને મોટા ખાડાઓ ખોદીને આવન જાવન માટે ગેરકાયદેસર રસ્તો પણ બનાવી દીધો છે. બાંધકામ ક્ષૈત્રને અસરહાલમાં ચોમાસુ પુર્ણ થતાં જ બાંધકામ ક્ષેત્રમાં કામગીરી મોટાપાયે ચાલુ થઇ જાય છે. આ સમયમાં બ્લેક ટ્રેપ લીઝો બંધ થતાં બાંધકામ ક્ષેત્ર પર તેની અસર પડી શકે છે. સાથે જો બહારથી કપચી કે રેતી મંગવવામાં આવે તો તેનો ખર્ચ વધી જાય છે. પરિણામે બાંધકામનો ભાવ પણ વધી જાય છે. સાથે આ સ્થિતિમાં અન્ય લીઝ સંચાલકો મજબુરીનો લાભ લઇને ભાવમાં પણ વધારો કરી શકે છે.
યુવાન પાસે તમંચો મળ્યો:વખતપુરા ચોકડી નજીક દેશીતમંચા સાથે યુવાન ઝડપાયો
ઝાલોદ તાલુકામાં વખતપુરા ચોકડી પાસે એસઓજીના ચેકિંગમાં એક યુવકે કમરે ખોસી રાખેલો દેશી તમંચો મળી આવ્યો હતો. પોલીસે યુવક સામે ચાકલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધીને આગળની પુછપરછ શરૂ કરી છે. ચાકલીયા પોલીસ સ્ટેશન વિસ્તારના મલવાસી ગામ પાસે વખતપુરા ચોકડી નજીક એસઓજીની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન પીપલેટ ગામનો 30 વર્ષીય યુવાન શંકાસ્પદ હાલતમાં દેખાયો હતો. તેની અંગઝડતી લેતા કમરના ભાગે પેન્ટમાં ખોસેલો એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે સાવધાનીપૂર્વક તમંચો કબ્જે કરી યુવાનને કાયદેસરની પ્રક્રિયા હેઠળ અટકાયત કરી હતી. કબ્જે કરાયેલ તમંચાની કિંમત આશરે રૂ. 5,000 જેટલી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. આ મામલે ચાકલિયા પોલીસ સ્ટેશનમાં હથિયાર ધારાની જોગવાઈ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માનવતાની મહેક:ભણતર, ભોજનની વર્ષોથી નિસ્વાર્થ સેવા કરતા સુરતીઓ
આજે વર્લ્ડ કાઈન્ડનેસ ડે છે, ત્યારે સિટી ભાસ્કરની ટીમે સુરતના એવા લોકો સાથે વાત કરી જેમ કે કોઇ દરરોજ 150 વડીલોને ભોજન પહોંચાડવું, બાળકોને ફ્રી એજ્યુકેશન અને પુસ્તકો અને સ્ટેશનરી આપવી, રોડ સાઈડ ડોગની નિઃસ્વાર્થ સેવા, તો કોઈ 10 વર્ષથી પ્રાણીઓનું રેસ્ક્યુ કરવા જેવા અનેક સેવાભાવી કાર્યોમાં સંકલિત થઈ સમાજને ઉદારતા, સંવેદનશીલતા અને દયાભાવનો મેસેજ આપી રહ્યા છે. અસાધારણ ફાઉન્ડેશન : અસાધારણ ફાઉન્ડેશન છેલ્લા 8 વર્ષથી શહેરની અલગ-અલગ SMC સ્કૂલને એડોપ્ટ કરી ત્યાનાં બાળકોને નવી ટેક્નોલોજી અને રિયલ લાઇફ એક્ઝામ્પલ થકી અભ્યાસ કરાવે છે. 14 સભ્યોની ટીમ દરરોજ શાળાઓમાં જઈને બાળકોને શૈક્ષણિક સાથે સોશિયલ અને ઈમોશનલ રીતે મજબૂત બનાવે છે. ગ્રુપના દરેક સભ્યો વિભિન્ન પ્રોફેશનલ વર્ક સાથે જોડાયેલા છે. આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ:ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રવણ ટીફીન સેવા દ્વારા છેલ્લા 14 વર્ષથી નિસંતાન નિસહાય નિરાધાર, એકલવાયુ જીવન જીવતા અને એકલા રહેતા વડીલોને ઘરબેઠા વિનામૂલ્યે ભોજન સેવા આપે છે. આદિવાસી જંગલ વિસ્તારમાં રહેતા બાળકોને શૈક્ષણિક સહાય આપે છે હાલ દરરરોજ 150 જેટલા વડીલોને આ સેવા મળી રહી છે. સંસ્થાનું પોતાનું રસોડુ ચાલે છે, . રસોઈ ઘરમાં 8 વ્યકિતનો સ્ટાફ છે. જેમાં ટીફીન સપ્લાયવાળા 2 ભાઇઓ છે અને 5 મહિલાઓ રસોઈ બનાવે છે. જયાં રસોઈ ઘર ચાલે છે તે યોગેશ્વર પાર્ક સોસા., વરાછાના ઘણા વડીલો પણ વિનામૂલ્યે દરરોજ સેવા આપે છે. અને સોસાયટી સંસ્થા પાસે કોઈ ભાડુ લેતી નથી. આરતી બસરન અને સુરેશ બિંદ : આરતી બસરન વ્યવસાયે એડવોકેટ છે અને તે સાથે એનિમલ એક્ટિવિસ્ટ પણ છે. તેમણે અત્યાર સુધીમાં 500થી વધુ શ્વાનનું સ્ટેરિલાઇઝેશન કરાવ્યું છે. તેમણે અત્યાર સુધીમાં 1 હજારથી વધુ ડોગ્સની ટ્રીટમેન્ટ અને રેસ્ક્યુ કર્યું છે. સાથે તેઓ દરરોજ 50 વધુ રોડ સાઈડ ડોગને ફીડિંગ કરાવવાની કામગીરી કરી છે. તેઓ છેલ્લા 15 વર્ષથી આ કાર્ય સાથે સંકળાયોલા છે. તેમની સાથે એક ઓટો ડ્રાઇવર સુરેશ બિંદ પણ સેવા આપે છે. બંને મળીને અનેક પ્રાણીઓને બચાવી ચૂક્યા છે. કોરોના સમય દરમિયાન જ્યારે રસ્તા પરના પ્રાણીઓ ભૂખ્યા મરી રહ્યા હતા, ત્યારે બંનેએ GIDC વિસ્તારમાં રોજ ખોરાક પહોંચાડ્યો હતો. નવોદય ટ્રસ્ટ, કિન્નર સમાજનીની પહેલ : ઉધના વિસ્તારમાં સ્થિત નવોદય ટ્રસ્ટ કિન્નર સમાજ દ્વારા 100થી વધુ બાળકોને ફ્રી એજ્યુકેશન આપે છે. આ ટ્રસ્ટ અંડર પ્રિવિલેજ બાળકોને શિક્ષણ આપે છે. બાળકોને ગૂડ ટચ – બેડ ટચ, સેલ્ફ ડિફેન્સ, રમત-ગમત અને એન્ટરટેઇનમેન્ટ દ્વારા જીવનના મૂલ્યો શીખવાડવામાં આવે છે. ટ્રસ્ટ દર વર્ષે 200થી વધુ બાળકોને પુસ્તકો અને સ્ટેશનરીનો સામાન પણ આપે છે. આ પ્રયાસો બતાવે છે કે જો મનમાં સંવેદના હોય તો કોઈ પણ સમુદાય સમાજને આગળ લાવા માટે આગેવાન બની શકે છે.
કામગીરીનું નિરીક્ષણ:પાત્રતા ધરાવતો મતદાર રહી ના જાય તેનું ધ્યાન રાખવાની સૂચના
છોટાઉદેપુર જિલ્લામાં ચાલી રહેલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ગાર્ગી જૈન દ્વારા છોટાઉદેપુર તાલુકાના રૂનવાડ ગામમાં બીએલઓની કામગીરીનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ રૂનવાડ ગામમાં બીએલઓ દ્વારા પીડબલ્યુડી મતદાર, સિનિયર સિટિઝન મતદાર સાથે મુલાકાત કરી તેમને એન્યુમરેશન ફોર્મ (ગણતરી ફોર્મ) અને SIR વિશેની જાણકારી આપી વાતચીત કરી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીએ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરી કરતા બીએલઓ અને સુપરવાઈઝરોને કહ્યું હતુ કે “પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય” તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે. તેઓએ મતદારયાદીમાં મતદારોનું યોગ્ય મેપિંગ થાય, એન્યુમરેશન ફોર્મમાં જેમને ના સમજ પડે તેમને સમજાવી ફોર્મ ભરવામાં જરૂરી સૂચનો આપ્યા હતા. આ મુલાકાત દરમિયાન ના.જિ. ચૂંટણી અધિકારી યુ.એસ.શુક્લ, મામલતદાર, ના.મામલતદાર, બીએલઓ, સુપરવાઈઝરો અને ચૂંટણી શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિદ્ધિ:ફ્રાન્સ આયર્નમેન ચેમ્પિયનશીપ માટે ડો. હેતલ ક્વોલિફાઈ થયા
ગોવા ખાતે યોજાએલી હાફ આયર્નમેન રેસમાં સુરતના ડો.હેતલ તમાકુવાલાએ ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યો છે અને હવે તેઓ 2026માં ફ્રાન્સ ખાતે યોજનારી આયર્નમેન ચેમ્પિયનશીપમાં ભાગ લેશે. સ્વિમિંગ દરમિયાન હાઇટાઇડનો સામનો કરવો પડયોડો. હેતલે રેસ અંગે કહ્યું કે, આ ટ્રાઇથ્લોન રેસ હતી, જેને મેં 7 કલાકમાં પુર્ણ કરી હતી. રેસમાં મેં 1.9 કિલોમીટર સ્વિમિંગ, 90 કિલોમીટર સાઇક્લિંગ અને 21 કિલોમીટરનું રન કર્યુ હતું. મને 45થી 49 એજ કેટેગરીમાં ત્રીજું સ્થાન મળ્યું હતું. રેસના એક અઠવાડિયા પહેલા મને ડાયરીયા થયો હતો, જેથી મારી હેલ્થ થોડી વીક થઇ હતી. પરંતું એન્ટીબાયોટીક અને લિક્વિડ ફુડના સેવનથી મને રેસમાં કોઇ ખાસ તકલીફ થઇ નહોતી. ટ્રાઇથ્લોનમાં યુકે, ઓસ્ટ્રેલિયા અને જાપાન સહિતના દેશોના કુલ 1300 જેટલા પાર્ટીસિપન્ટે ભાગ લીધો હતો. સાઇક્લિંગ અને રનિંગના રસ્તામાં એલિવેશન અને બ્રીજ હોવાના કારણે પરફોર્મન્સ પર અસર થઇ હતી સાથે વાતાવરણ ગરમ હોવાના કારણે પણ સાઇકલિંગમાં ફર્ક પડયો હતો. તેમજ સામાન્ય રીતે જ્યારે સ્વિંમિંગની પ્રેક્ટિસ કરીએ ત્યારે ટાઇડ હોતુ નથી, પરંતુ અહીં મને સ્વિમિંગ દરમિયાન હાઇટાઇડનો સામનો કરવો પડયો હતો.
વાવેતર શરુ:બોડેલીમાં મકાઇના વાવેતર માટે તડામાર તૈયારી
છોટાઉદેપુર જિલ્લાનો બોડેલી તાલુકો જિલ્લા અને રાજ્યમાં મકાઇના ઉત્પાદનમાં મોખરાનું સ્થાન ધરાવે છે. બોડેલી તાલુકાના ખેતીક્ષેત્રે અગ્રેસર એવા જબુગામ તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પિયત પાક તરીકે ખેડૂતો મકાઇનો પાક મબલક પકવે છે. હાલમાં ધરતીપુત્રો પોતાના ખેતરોમાં કમોસમી વરસાદથી ડાંગર,અડદ, તુવેર,સોયાબીન,કપાસ સહિત થયેલા પાક નુકસાનની ભરપાઇ કરવા તેમજ કેળાનો ઉતારો ખાલી થઇ જતાં ખેતરો સાફ કરીને કેળાના થડ ગાંઠો તેમજ વધારાનો ઊગેલો કચરો દૂર કરી રહ્યા છે. હાલમાં પૂરજોશમાં મકાઇના પાકના વાવેતરની તૈયારીમાં ખેડૂતો વ્યસ્ત બન્યા છે. ટ્રેક્ટર દ્વારા પ્લાવ, કલ્ટિવેટર, ડિસ્પ્લાવ, હળ દ્વારા તૈયાર કરેલા ખેતરોમાં ખેડૂતો મકાઇનું વાવેતર ઓરણી દ્વારા તેમજ મજૂરો થકી ચાસમાં હાથથી ખાતરો નાખી રહ્યા છે. બોડેલી તાલુકાના જબુગામ, કોસિન્દ્રા, મોરખલા, કુંડી, ડોરમાર, પતરા, ભગવાનપુરા સહિત અનેક ગામોમાં ચાલુ વર્ષે મકાઇનું વાવેતર મોટા પ્રમાણમાં કરાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં કમોસમી વરસાદથી તાલુકાના કેટલાય ખેડૂતોને અનેક પાકોમાં નુકસાન થયું છે. આ નુકસાનની સામે વળતર મળે તે માટે સર્વે કરવાની માંગ સરકારમાં કરાઇ હતી ત્યારે હાલ ખેડૂતોને ફરી પાછા બિયારણ લાવી અને વાવવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. છોટાઉદેપુર જિલ્લાને હજુ સુધી કોઇ સહાય ચૂકવાઇ નથી ત્યારે શિયાળુ પાક મકાઇના વાવેતર પહેલાં ખાતામાં સહાય જમા થાય તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે.
આગ લાગી:પાંડેસરામાં સાડી અને શૂઝની દુકાનમાં આગ, સામાન ખાખ
પાંડેસરામાં સાડી અને બુટ ચપ્પલની દુકાનમાં મોડી રાત્રે આગ લાગી હતી. પાંડેસરા પાણીની ટાંકી પાસે જલારામ નગરમાં મોડી રાત્રે સાડીની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હતી. સાડીની દુકાનમાં લાગેલી આગની લપેટમાં બાજુમાં આવેલી બુટ-ચપ્પલની દુકાન પણ આવી ગઈ હતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ધુમાડો વધુ હોવાથી ફાયરની ટીમને આગ પર કાબુ મેળવવમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આખરે ઓક્સિજન માસ્કની મદદથી દુકાનમાં પ્રવેશી બે કલાકની જહેમત બાદ ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો હતો. આગના આ બનાવમાં સાડીનો દુકાનનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જ્યારે બુટ-ચપ્પલની દુકાનનો ઘણો સામાન ફાયરની ટીમે બચાવી લીધો હતો. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી.
દારુ સાથે યુવક ઝડપાયો:રાજસ્થાનથી ખાવડા આરઇ પાર્કમાં દારૂ લઇને આવેલો રાજસ્થાનનો યુવક પકડાયો
ખાવડા આરઇ પાર્કમાં રાજસ્થાનથી દારૂ લઇને આવેલા રાજસ્થાનના યુવકને પકડી40 હજારના દારૂ તેમજ 10 લાખની બોલેરો સહિતનો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. તાલુકાના ખાવડા વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી કે, રાજસ્થાનનો ખુશાલરામ ભીલ ખાવડા ખાતે આવેલા આરઈ પાર્કમાં કામ કરે છે અને હાલમાં રાજસ્થાનથી પરત આવી રહ્યો છે તે પોતાના કબ્જાની બોલેરોમાં રાજસ્થાનથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈને આવી રહ્યો છે.આ જથ્થો આરઇ પાર્કમાં અંદર લઈ જશે તેવી બાતમીના આધારે વોચમાં હતા ત્યારે બોલેરો ગાડીને ઉભી રખાવતા તેમાં આરજે 04 ટીએ 6844 નંબર પ્લેટ લગાવેલી હતી અને ખુશાલરામ પદમારામ ભીલ હાજર મળી આવ્યો હતો.ગાડીમાં તપાસ કરતા તેમાંથી દારૂની 31 બોટલ કિંમત રૂપિયા 40, 300નો મુદ્દામાલ મળી આવ્યો હતો.જોકે, વાહનના નંબરની ખરાઈ કરવા માટે એન્જિન અને ચેસીસ નંબર જોતા અલગ અલગ જણાઈ આવ્યા હતા.જેથી તપાસ કરતાં સામે આવ્યું કે, આ વાહન રાજસ્થાનના બાડમેરના ઉમેદસિંહ ભાટીએ આપ્યું છે અને કહ્યું છે કે, આ ગાડીના ગુપ્ત ખાનામાં દારૂ મૂકેલો છે જે ગાડી ખાવડા લઈ જવાની વરધી આપી હતી વાહનમાં ખોટી નંબરપ્લેટ લગાવી તેના આગળના ભાગે સ્ટીકરવાળી ખોટી પ્લેટ લગાવી તે ખોટી હોવા છતાં ખરા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. બાડમેરનો ઉમેદસિંહ ભાટી હાજર ન મળી આવતા તેની સામે ખાવડા પોલીસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નવસારી બજારના રિક્ષા ચાલકને મહિલા સહિતના 5 ગઠીયાએ મુગલીસરામાં મેટ્રોની કામગીરીમાં સોના- ચાંદી ભરેલું માટલુ મળ્યુ હોવાનું કહીને સસ્તામાં આપવાના બહાને 10 લાખ પડાવી લીધા હતા. નવસારી બજારના 59 વર્ષીય રિક્ષાચાલક હિતેશભાઇ નવનીતભાઇ પ્રજાપતિ 12 ઓક્ટોબરે અઠવાગેટ જૈન દેરાસર પાસે ઉભા હતા ત્યારે 3 પુરૂષ અને એક મહિલા તેમની રિક્ષામાં સ્ટેશન જવા બેઠા હતા. દરમિયાનમાં પુરૂષે તેણે મેટ્રોમાં મજૂરી કરતા હોવાનું અને મુગલીસરા પાસે ખોદકામમાં સોનું અને ચાંદીના સિક્કા તેમજ માળા ભરેલુ માટલું મળ્યું છે. જે વતનમાં લઇ જવાઇ એમ ન હોવાથી સસ્તામાં વેચવાનું કહ્યું હતું. હિતેશભાઇ ગઠીયાને તેમના દિકરા મયુરની દુકાન પર લઇ ગયા હતા. જ્યાં મયુરને એક જણાએ મોહનભાઇ બાબુભાઇ ડામોર (ઉવ.45, રહે, કલ્યાણધામ બાંસવાડા, રાજસ્થાન)નો આધારકાર્ડ બતાવ્યો હતો. ત્રણેક દિવસ બાદ આ શખ્સ સાથે એક મહિલા અને પુરુષે આવી એક કિલો સોનાની માળા અને સિક્કા બતાવ્યા હતા. ગઠીયાએ માળામાંથી એક મણકો આપતા મયુરે ક કરાવતા 21 કેરેટ સોનાનો હોવાનું સોનીએ કહ્યું હતું. 25 લાખ માંગતા હિતેશભાઇએ.10 લાખમાં સોદો નક્કી કર્યો હતો. તા.17-ઓક્ટોબરે મોહન ડામોર અન્ય પુરૂષ અને મહિલા સાથે આવ્યા હતા. અને રૂપિયા લઇને તેના બદલમાં 1 કિલો 382 ગ્રામની માળા અને ચાંદીના 4 સિક્કા આપીને ગયા હતા. હિતેશભાઇએ માળા ચેક કરાવતા તે પીતળ જેવી ધાતુ હતી .હિતેશભાઇએ અઠવા પોલીસમાં મોહન ડામોર, નાથુ વાઘેલા, એક યુવક, પ્રેમીલા અને અન્ય મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં અરજી કરી તો રૂપિયા પરત કર્યાહિતેશભાઇએ પોલીસમાં અરજી કરતા 3 દિવસ પહેલા મોહન ઉર્ફે જીવણના વકીલ દિનેશ રાઠોડે તેમની સાથે બેઠક કરી હતી. ગીતા નાથા મારવાડી (પરીખ ભવન, આણંદ) આવ્યા હતા. હિતેશભાઇના વકીલની ઓફિસમાં દિનેશ અને ગીતાએ સમાધાન કરાર લખાવી લઇને કેસ નહીં કરવાની શરતે પૈસા પરત કર્યા હતા. જોકે, હિતેશભાઇએ ફરિયાદ નોંધાવી હતી આધારની તપાસ થશેપીઆઇ.એચ.કે. સોલંકીએ જણાવ્યું હતુંકે આરોપીનું નામ જીવણ હોવા છતા તેણે મોહનના નામમું આધારકાર્ડ બનાવીને છેતરપિંડી માટે ઉપયોગ કર્યો હતો.જેથી આ અંગે પણ તપાસ કરાશે. અગાઉ ચીટિંગ કરી હતીપ્રેમિલા અને ટોળકીએ વર્ષ 2020માં કડોદરામાં એક વ્યક્તિને ખોદકામ દરમિયાન સોનું મળ્યાનું અને સસ્તામાં આપવાનું કહી ખેડૂત સાથે 1.50 કરોડની ઠગાઇ કરી હતી. 2024માં ટોળકી પકડાઇ હતી.
દિવાળીના વેકેશનમાં લોકો વતન તેમજ ફરવા માટે બહાર જતાં હોવાથી સ્વૈચ્છીક રક્તદાનનું પ્રમાણ નહીવત રહ્યું હતું. આ કારણોથી હાલમાં શહેરની તમામ બ્લડ બેંકોમાં તમામ બ્લડ ગૃપના લોહીની ભારે અછત સર્જાઈ છે. લોહીની જરૂરીયાત સામે સ્ટોક નહીવત હોવાથી લોહીની જરૂરીયાત સામે ડોનર પાસે રક્તદાન કરાવવાની ફરજ પડી રહી છે. શહેરમાં હાલના તબક્કે લોહીની જરૂરીયાત સામે 80 ટકા જેટલી અછત હોવાથી લોહીની જરૂરીયાત સાથે આવેલા દર્દીના સગા સંબંધીઓને કોઈક વ્યક્તિ પાસે રક્તદાન કરાવે તે માટે અપીલ કરવી પડી રહી છે. રોજ 200થી વધુ દાતાને અપીલ લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલમાં તમામ બ્લડ ગૃપમાં અછત છે. જેથી જે લોહી લેવા આવે તેમને સમજાવી કોઈ પાસે બ્લડ ડોનેટ કરાવવા માટે સમજાવાય છે. તેમજ રોજ 200થી વધુ રક્તદાતાઓને ફોન કરી રક્તદાન માટે અપીલ કરીએ છીએ. સિવિલ-સ્મીમેરમાં પણ અછતસિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં દર્દીઓને ધસારો વધુ હોવાથી આ બન્ને હોસ્પિટલની બ્લડ બેંકમાં પણ હાલ લોહીની ભારે અછત છે. સિવિલ અને સ્મીમેરના અધિકારીઓ દ્વારા પણ સ્વેચ્છીક રક્તદાતાઓને રક્તદાન માટે તેમજ સંસ્થાઓને કેમ્પના આયોજનો માટે અપીલ કરાઇ છે. દિવાળીના વેકેશન બાદ દર વર્ષે અછતની સ્થિતિ સર્જાય છેગણેશોત્સવ અને નવરાત્રી સહિતના તહેવારોમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પના આયોજનો થતા હોવાથી લોહીનો સ્ટોક થતો હોય છે. પરંતુ દિવાળીના વેકેશન બાદ લોકો બહાર ફરવા તેમજ વતન જતા હોવાના કારણે આ સમયગાળામાં દર વર્ષે લોહીની ભારે અછત સર્જાય છે. જેથી આ સમયગાળામાં લોકો રક્તદાન માટે આગળ આવે અને સંસ્થાઓ પણ કેમ્પનું આયોજન કરે તેવી અપીલ કરાઇ છે.
કાળભૈરવ જયંતિ ઉજવાઈ:સગરામપુરા ક્ષેત્રપાળ મંદિરમાં ભૈરવ યાગ કરાયો ભક્તોએ આહૂતિ આપી
સગરામપુરા, ક્ષેત્રપાળ મંદિર ખાતે કાળભૈરવ જયંતિ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે ઘોડદોડ રોડ, રામચોક ખાતે મહાકાલેશ્વર મંદિરમાં કાળભૈરવ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં બાબાને અભિષેક કરાયા બાદ 15 કિલો દૂધની કેક પ્રસાદ તરીકે અર્પણ કરવામાં આવી હતી. બુધવારે ભગવાન કાળ ભૈરવની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપ ગણાતા કાળભૈરવની જન્મજયંતિ પર રામચોકના ઘોડદોડ રોડ પર મહાકાલેશ્વર મંદિરમાં આ પ્રસંગે ખાસ બાબાના દરબારને સુગંધિત ફૂલોથી શણગારવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં સાંજે 5 વાગ્યે યોજાયેલા હવનમાં ભક્તોએ શ્રધ્ધાપૂર્વક આહુતિ આપી હતી. ભક્તોએ સ્તોત્રો અને કીર્તનોથી દેવતાને પ્રેમથી રીઝવ્યા હતા. તેમજ સમાજ અને રાષ્ટ્રની શાંતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. ઘોડદોડ રોડ, મહાકાલેશ્વર મંદિરમાં કાળભૈરવ જયંતિ ઉજવાઈઘોડદોડ રોડ, રામચોક ખાતે મંદિરમાં કાલભૈરવ દાદાને જન્મજયંતિ નિમિત્તે વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો અને સમગ્ર મંદિરને રોશની તેમજ વિવિધ પ્રકારના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.
CMAT:17મી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે
નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા સીમેટની જાહેરાત કરવામાં આવી છે. જેમનું રજીસ્ટ્રેશન પૂર્ણ કરાયું નથી તેઓ 17 નવેમ્બર, 2025 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે, જ્યારે પરીક્ષા ફી ઓનલાઇન જમા કરાવી જરૂરી છે. ફી ભરનાર ઉમેદવારનું જ રજીસ્ટ્રેશન માન્ય ગણાશે. ફોર્મ ભરીને કન્ફર્મેશન પેજ ડાઉનલોડ કરીને પ્રિન્ટ રાખવી ફરજિયાત છે. ફી ભરવાની છેલ્લી તારીખ 18 નવેમ્બર 2025 છે. વધુ માહિતી માટે ઉમેદવાર NTA હેલ્પડેસ્ક 011-40759000 પર સંપર્ક કરી શકે છે અથવા mailto:cmat@nta.ac.in પર ઈમેઇલ મોકલી શકે છે. તમામ અપડેટ્સ માટે nta.ac.in અને cmat.nta.nic.in નિયમિત ચકાસતા રહેવું જરૂરી છે.
ભણશે ગુજરાત:સ્કૂલ છોડનારા બાળકોને શોધી ફરી પ્રવેશ અપાશે,14 નવે.થી સરવે
જુદા જુદા કારણોથી સ્કૂલ છોડી ગયેલા કે કોઈ કારણોસર સ્કૂલે નહીં જતા 6થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જે ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી એવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં સ્કૂલ કક્ષાએ 14થી 23 નવેમ્બર સુધી સરવે હાથ ધરવામાં આવનાર છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા સમગ્ર શિક્ષાના જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરે તમામ સરકારી વિભાગો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું છે કે જો કોઈ શાળા બહારનું બાળક જોવા મળે તો તેની જાણ નજીકની સરકારી સ્કૂલ, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતે કરવી જોઈએ જેથી તેનું નામ નોંધાઈ શકે અને તેને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવામાં આવી શકે. સરવે પૂર્ણ થયા બાદ એકત્રિત માહિતીના આધારે બાળકોના નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાનના અંતે જૂન 2026માં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી આ તમામ બાળકોને નજીકની સરકારી સ્કૂલોમાં દાખલ કરવામાં આવશે. વાલીઓમાં જાગૃતિનો અભાવમોટાભાગના આદિવાસી અને ગરીબ પરિવારો મજુરી કામ અર્થે વહેલાં ઘરેથી જતાં હોવાથી તેમના નાના બાળકોની દેખરેખની જવાબદારીઓ તેમના મોટા સંતાનોને સોંપતાં હોય છે અથવા તો સાથે મજુરીએ લઇ જાય છે. આવકની મર્યાદાને કારણે તેઓ માત્ર મજુરીને જ બધું સમજતા હોવાથી તેમને જાગૃત કરવામાં મુશ્કેલી સર્જાય છે. કેટલીકવાર ઉદ્ધતાઇભર્યું વર્તનએક શિક્ષકે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ થકી જ શિક્ષકોનું અસ્તિત્વ હોય છે. જેથી તેઓ વિદ્યાર્થી તેમજ તેમના વાલીઓને મનાવવાના સંપુર્ણ પ્રયાસ કરે છે. જોકે કેટલીકવાર શિક્ષકો દ્વારા તેમને સમજાવવા જવાને કારણે તેઓ શિક્ષકો સાથે પણ ઉદ્ધતાઇભર્યું વર્તન કરે છે. જોકે તેમ છતાં શિક્ષકો તેમને સમજાવવાનો પુરેપુરો પ્રયાસ કરે છે.
સીબીએસઇની ધોરણ-10 અને ધોરણ-12ની મુખ્ય જાહેર પરીક્ષા આગામી 17 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે. જે પરીક્ષાને લઈ બોર્ડે તૈયારી શરૂ કરી છે. આ વખતે સુરત સહિત દેશભરના તેમજ વિદેશના 45 લાખથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસનારા છે. પરીક્ષામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિ અટકાવવા માટે બોર્ડે નવી સીસીટીવી પોલિસી અમલમાં મૂકી છે. નવી પોલિસી મુજબ સીસીટીવીથી માત્ર લાઇવ વિડીયો જોવાશે નહીં, પરંતુ ઓડિયો પણ લાઇવ સાંભળવામાં આવશે, જેથી પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થાય છે કે નહીં તે તરત જોવા-સાંભળવા બોર્ડને મળશે. બોર્ડે આ નીતિ સુરત અને દેશભરના તમામ પરીક્ષા કેન્દ્રો માટે ફરજિયાત કરી છે. બોર્ડે સ્પષ્ટ રીતે જણાવાયું છે કે જે સ્કૂલોમાં સીસીટીવી ન લગાવેલ હોય, તે સ્કૂલને પરીક્ષા કેન્દ્ર બનાવાશે નહીં. સીસીટીવી લગાવવા માટે સ્કૂલની સંમતિ પણ ફરજિયાત છે. 17 ફેબ્રુ. 2026થી ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા લેવાશેનવી પોલિસી મુજબ સ્કૂલના પરીક્ષા હોલ, એન્ટ્રી-એક્ઝિટ ગેટ, કોરિડોર, ક્લાસરૂમ અને લેબ્સમાં સીસીટીવી કેમેરા લગાવવાની ફરજિયાત રહેશે. જે બેન્ચ પર વિદ્યાર્થી પરીક્ષા આપનારા છે, તે જગ્યા અને ઓડિયો સાંભળાય તે રીતે કેમેરા ઇન્સ્ટોલ કરવાના રહેશે. પરીક્ષા દરમિયાન લાઇવ ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ થશે. જરૂર પડ્યે તેવા વિદ્યાર્થીની સીસીટીવી ફૂટેજ તપાસી શકાય છે. ઓરિએન્ટેશનમાં વિદ્યાર્થીને જાણ કરવાની રહેશેસીબીએસઇએ સ્કૂલ પ્રિન્સિપાલોને આદેશ કર્યો છે કે સ્કૂલોને બોર્ડ પરીક્ષા શરૂ થવાનાં પહેલા વિદ્યાર્થીઓને સીસીટીવી કેમેરા મામલે જણાવવું ફરજિયાત રહેશે. ગ્રાફિક્સ, ટેક્સ્ટ અથવા સંકેતો દ્વારા વિદ્યાર્થીઓની હેન્ડબુક, નોટિસ બોર્ડ અને ઓરિએન્ટેશન સત્રોમાં સીસીટીવી ઇન્સ્ટોલેશનની માહિતી આપવી પડશે. તે સાથે બધા વિદ્યાર્થીઓને જાણ કરવાની રહેશે કે તેવો લાઇવ સીસીટીવીમાં પરીક્ષામાં આપી રહ્યા છે 110 દિવસ પહેલા બોર્ડે પરીક્ષાની તારીખ જાહેર કરીસીબીએસઇએ આ વખતે પરીક્ષા શરૂ થવાનાં 110 દિવસ પહેલા જ ધોરણ-10 અને ધોરણ-12ની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. જે અનુસાર ધોરણ-10ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10 માર્ચ, 2026 સુધી ચાલશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ, 2026 સુધી ચાલશે. પરીક્ષાઓ વિષય અનુસાર સવારના 10:30 કલાકથી બપોરના 12:30 કલાક સુધી અને બપોરના 1:30 કલાકથી સાંજ સુધી પરીક્ષા ચાલશે.
શહેરની ફરતે 66 કિલોમીટરનો બની રહેલ આઉટર રીંગરોડ પ્રોજેક્ટ 10 વર્ષ પછી પણ પૂરો થયો નથી અને પ્રોજેકટ કોસ્ટ વધતી જઇ રહી છે. જેને પગલે આઉટર રિંગરોડની બાકી ફેઝ-2ની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે મેયર દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ તેમજ મનપા કમિશનર શાલિની અગ્રવાલે નાણામંત્રી સાથે ગાંધીનગર ખાતે બેઠક કરી પ્રોજેકટ પૂરો કરવા અંદાજિત 400 કરોડની ગ્રાન્ટની માંગણી કરી હતી. જો કે, મહત્વની વાત એ છે કે, બે વર્ષ પહેલા જ્યારે ગ્રાન્ટ માટે નાણામંત્રી પાસે ગયા હતા ત્યારે 300 કરોડની ગ્રાન્ટ માંગી હતી. બે વર્ષમાં પ્રોજેકટ કોસ્ટ નવા એસઓઆર પ્રમાણે 100 કરોડ વધી ગઇ છે. જેથી હવે 400 કરોડની ગ્રાન્ટ માંગવી પડી હતી. બીજા તબક્કામાં આ કામગીરીબીજા તબક્કા માટે અંદાજિત 500 કરોડના ખર્ચનો અંદાજ છે. રૂટ લગભગ 10.45 કિમી રહેશે. આ ફેઝમાં નિયોલ, ડિંડોલી, ખરવાસા, સણિયા કણદે, પારડી કણદે, ભંદોરા, સચીન જેવા વિસ્તારોને જોડાશે.
તાજેતરમાં જ પ્રાઇમરી હેલ્થ વર્કરને સબ સેનેટરી ઇન્સ્પેક્ટરના પ્રમોશન અપાયા મુદ્દે એક સ્થાનીક યુનિયને પાલિકાના મહેકમ વિભાગ સામે કોર્ટમાં કરેલી રિટ અંગે કોર્ટની ફટકાર સાથે વિભાગને પ્રમોશન ઓર્ડર રદ્દ કરવા પડ્યા હતા. એટલું જ નહીં પણ પાલિકા કચેરી બહાર યુનિયન નેતાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી પણ કરાઇ હતી, તેના ગણતરીના કલાકોમાં જ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે પાલિકામાં કર્મચારી સંગઠનના નામે ચાલી રહેલાં 25 યુનિયનોની માન્યતા અંગેના પુરાવા રજૂ કરવા સાગમટે નોટિસ ફટકારી છે. જાણે પાલિકા યુનિયનો એને મહેકમ વિભાગ સામ-સામે આવી ગયું હોય તેવી ચર્ચા વચ્ચે યુનિયનગીરી કરતાં રક્ષિત કર્મચારીઓ સહિતના નેતાઓને લગામ લગાવવા વિવિધ મુદ્દે તપાસ શરુ કરાઈ છે. કેટલાક યુનિયનો પાલિકાની ઓફિસનો ઉપયોગ કરતા હોવાની સાથે લેટર પેડ ઉપર પાલિકા કચેરીનું એડ્રેસ પણ લખતા હોવાથી ઓફિસ ફાળવ્યા અંગેની નકલ રજૂ કરવા પણ સૂચના અપાઈ છે. જો પુરાવા ઉપલબ્ધ ન હોય તો તાકીદે ઓફિસનો કબજો પરત કર્યાની જાણ 7 દિવસમાં કરવાનું જણાવાયું છે. આ તમામ પુરાવાઓ 10 દિવસમાં રજૂ કરવામાં ન આવે તો કાયદાકીય કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારાઇ છે. સુરત મનપાના ઇતિહાસમાં પ્રથમ વખત મહેકમ વિભાગે એકસાથે 25 યુનિયનોને નોટિસ ફટકારતા પરિસરમાં ભારે ચકચાર મચી ગઇ હતી. લાલ વાવટા યુનિયનનું 20 વર્ષથી રજીસ્ટ્રેશન રદ્દ છેમહેકમ વિભાગ દ્વારા યુનિયનોની માહિતી મંગાવાઇ હતી, જેમાં લાલ વાવટા નામક યુનિયનનું રજીસ્ટ્રેશન 20 વર્ષ પહેલાં જ રદ્દ થયું હોવાનું સપાટી પર આવ્યું હોવાનું ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચે જણાવ્યું હતું. રજીસ્ટ્રેશન રદ્દ હોવા છતાં કચેરીમાં ઓફિસનો ઉપયોગ કરતાં લાલ વાવટા યુનિયનને ઓફિસ ખાલી કરવા નોટિસ ફટકારાઈ છે.
કતારગામ વિસ્તારમાં ટી.પી સ્કીમ નંબર 49, 50 અને 51માં દાખલ થયેલા રિઝર્વેશન મુદ્દે સામી સુરત મહાનગર પાલિકાની ચૂંટણી સામે ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે. રિઝર્વેશન પીડિત પરિવાર સમિતિ દ્વારા વુંદાવન સોસાયટીની વાડી ખાતે યોજાયેલી બેઠકમાં આશરે 70થી વધુ સોસાયટીઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. સભામાં સર્વાનુમતે નક્કી કરાયું કે જો વિવાદિત રિઝર્વેશન હટાવવામાં નહીં આવે તો ફરી આંદોલન શરૂ કરવામાં આવશે અને રાષ્ટ્રપતિથી લઈને રાજ્યના મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવશે. સાથે જ રિઝર્વેશનગ્રસ્ત સોસાયટીઓના ગેટ પર વિરોધના બેનરો લગાડવા તેમજ સ્થાનિક ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપવામાં આવી છે. રહીશોનો આક્ષેપ છે કે, વર્ષો જૂની મિલકતો પર મનપાએ રાતોરાત ખોટા રિઝર્વેશન દાખલ કર્યા છે.
સુરતમાં આગામી 4 ઓક્ટોબર સુધી મતદાર યાદી સુધારણા કામગીરી શરૂ કરવામાં આવી છે. જોકે, આ તબક્કામાં જે મતદારો પોતાનું રહેણાંક સ્થાન (રેસિડેન્સ) બદલ્યું છે, તેઓ તાત્કાલિક એડ્રેસ બદલી શકશે નહીં. ચૂંટણી વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, સૌથી પહેલા મતદારે એસઆરઆઈ ફોર્મ ભરવાનું રહેશે, ત્યાર બાદ જ એડ્રેસમાં ફેરફારની પ્રક્રિયા હાથ ધરાશે. જાણવા મળતી માહિતી પ્રમાણે જો કોઈ મતદાર નવા સ્થળે સ્થાયી થયો હોય, તો પહેલા તેની માહિતી એસઆરઆઈ સિસ્ટમમાં અપડેટ થશે. ત્યાર બાદ એક સરનામાથી બીજું સરનામું ટ્રાન્સફર સીધું નહીં થાય પરંતુ નવી સિસ્ટમમાં પ્રથમ રજીસ્ટ્રેશન પછી જ એ પ્રક્રિયા શક્ય બનશે. સરનામામાં કે અન્ય વિગતોમાં ફેરફાર કરવાની જરૂર હોય તો વહેલી તકે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરાવવું, જેથી નવી મતદાર યાદી જાહેર થાય તે પહેલાં સુધારણા પ્રક્રિયા પૂર્ણ થઈ શકે. ફોર્મ જમા કરાવવાનું બાકી હોય તેવા લોકો માટે કેમ્પસુરતમાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ આગામી 4 ડિસેમ્બર સુધી ચાલશે જેને લઈને બી.એલ.ઓ. દ્વારા ડોર ટુ ડોર જઇ મતદારોને એન્યુમરેશન ફોર્મની વહેંચણી તેમજ ભરાયેલા ફોર્મ પરત મેળવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ સમયગાળા દરમિયાન કોઇ મતદાર એન્યુમરેશન ફોર્મ મેળવવા કે પરત આપવામાં બાકી રહી ગયા હોય તો 16-16 નવેમ્બર, 22-23 નવેમ્બરના રોજ ખાસ કેમ્પ રાખવામાં આવ્યો છે. જેમાં સુરત જિલ્લાના તમામ બી.એલ.ઓ. સંબંધિત બુથ પર સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી હાજર રહેશે.
મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (SIR-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) માટે શિક્ષકો સહિતના સરકારી કર્મચારીઓને BLOની કામગીરી સોંપાતાં શિક્ષણ પર અસર વર્તાઇ રહી છે, શહેરમાં પાલિકા સંચાલિત નગર પ્રાથમિક સ્કૂલોના સરેરાશ 5 શિક્ષકોને BLOની જવાબદારી મળી હોવાથી શૈક્ષણિક કામગીરી ખોરંભાઈ છે, સ્થિતિ એવી છે કે, વર્ગખંડના વિદ્યાર્થીઓમાંથી જ એક મોનિટરે નીમી અભ્યાસક્રમ ચલાવવામાં આવી રહ્યો છે, એટલું જ નહીં પણ બેથી ત્રણ વર્ગના વિદ્યાર્થીઓને ભેગા કરી એક જ ખંડમાં એકસાથે ભણાવવાની નોબત આવી છે. બીએલઓની કામગીરીમાં જોડાતા મિશન વાંચન-લેખન અટવાયુંરાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણના ગુણોત્તર સુધારવાના ઉદ્દેશ સાથે 14 નવેમ્બર સુધી ખાસ વાંચન-લેખન અભિયાન હાથ ધર્યું છે. શિક્ષકોને બીએલઓની કામગીરીમાં જોડાતા મિશન વાંચન-લેખન અટવાઈ પડ્યું છે. સમિતિની સ્કૂલમાં એક હજાર શિક્ષકોની પણ ઘટ છે. આમ, સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર આગામી દિવસોમાં અસર જોવા મળશે. તમામ શિક્ષકો અને સરકારી સ્કૂલોનો શિક્ષણનો રેન્ક નીચો જવાની ચિંતાએક શિક્ષકે કહ્યું કે, આ વખતે તો શિક્ષકો ઉપરાંત સહાયકોને પણ SIRમાં મૂકાતાં અભ્યાસક્રમ ચલાવવા માટે કોઈ નથી. પહેલાંથી સ્કૂલોમાં મહેકમ ઘટ છે ત્યારે પ્રત્યેક સ્કૂલોમાં 5 શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા શિક્ષણનો રેન્ક નીચો જવાની ચિંતા છે. પહેલાં સ્કૂલે સ્વાધ્યાય પોથીમાંથી વિદ્યાર્થીઓને લેશન આપ્યા પછી BLOની કામગીરી કરીએ છીએ. વિદ્યાર્થીઓને ટેકલ કરવામાં પરસેવો વળી ગયોલિંબાયત મીઠી ખાડીની સ્કૂલમાં ધોરણ-8ના 2 ક્લાસ ભેગા કરાયા હતા, જેથી વિદ્યાર્થીઓને ટેકલ કરવામાં શિક્ષકને પરસેવો વળી ગયો હતો. છતાં 4 શિક્ષકોની ગેરહાજરીના લીધે એક પછી એક વર્ગોમાં લેશન આપી એક જ શિક્ષકથી ગાડું ગબડાવાયું હતું. શિક્ષકની ગેરહાજરીમાં મોનીટરે બાળકોને ભણાવ્યાસગરામપુરાની શાળાએ સ્માર્ટ બ્લેક બોર્ડથી અભ્યાસ ચાલુ રાખ્યો હતો. રેન્કર વિદ્યાર્થીને મૉનિટર બનાવીને સ્માર્ટ બોર્ડ પર દાખલા ગણાવાયા હતા. સ્માર્ટ બોર્ડના લીધે આ પ્રક્રિયા સરળ હોવાથી વિદ્યાર્થીઓ પણ શિક્ષક તરીકેની ભૂમિકાથી વાકેફ થઇ રહ્યા છે.
મુન્દ્રા મધ્યે ગૌરવપથના નિર્માણને હજી ફક્ત બે મહિનાનો સમયગાળો વિત્યો છે ત્યાં લગાતાર અકસ્માતની ઘટનાઓ સામે આવતાં નગરજનોએ વ્યક્ત કરેલી દહેશત સાચી પડી રહી હોવાનું ચિત્ર ઉપસી આવ્યું છે.જેમાં પરોઢિયે બનેલી એક ગમખ્વાર ઘટનામાં મોર્નિંગ વોક પર નીકળેલી બે મહિલાઓને સામેથી રોંગ સાઈડમાં ધસમસતા આવતા ટેમ્પોએ હડફેટે લેતાં એકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.જયારે બીજા મહિલાને ઈજાગ્રસ્ત હાલતમાં ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. વહેલી સવારે 6.15 વાગ્યા આસપાસ બનેલી ઘટનામાં પોતાના હિંગલાજ નગર સ્થિત ઘરેથી મોર્નિંગ વોક પર નીકળેલા વૈશાલીબેન ભુપેન્દ્ર પીપરાણી (ઠક્કર) સાથે બારોઇ રોડ પર રહેતા અરુણાબેન અનિલ પીપરાણી (ઠક્કર) જોડાયા હતા.બંન્ને પગપાળા અંદાજિત અડધો કિમી દુર શિશુમંદિર સુધી પહોંચ્યા હતા ને તેમને સામેથી પૂરપાટવેગે રોંગ સાઈડમાં ઘસી આવેલા જીજે 27 ટીજી 1741 નંબરના આઇસર ટેમ્પોએ હડફેટે લીધા હતા.બનાવને પગલે રોડ સાઈડ ચાલતા વૈશાલીબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું બ્રેઈન હેમરેજને કારણે ઘટના સ્થળે અરેરાટીભર્યું મોત થયું હતું. જયારે અરુણાબેનને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા તેમને અસ્થિભંગ સહિતની નાની મોટી ઇજા થઇ છે પણ હાલ તેઓ ભયમુક્ત છે. અત્રે નોંધનીય છે કે, મૃતક વૈશાલીબેન મુન્દ્રા લોહાણા સમાજની મહિલા પાંખના પ્રમુખ હતા અને સમાજની અનેક સેવાકીય પ્રવૃતિઓમાં તેમનું નોંધપાત્ર યોગદાન હતું.તેઓ પોતાના બે સંતાનો પુત્ર અને પુત્રી ઉપરાંત પતિને વિલાપ કરતા છોડી ગયા છે.આ સમાચાર શહેરમાં વાયુવેગે ફેલાતાં લોહાણા સમાજના આગેવાનો સ્થાનિક સામુહિક કેન્દ્રમાં દોડી ગયા હતા. બનાવને કારણે શોકનું મોજું ફરી વળ્યું હતું.અકસ્માતને અંજામ આપી ચાલક ફરાર થઇ ગયો છે જેને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અકસ્માત ઝોન બનતા ગૌરવપથ પર ગતિનિયંત્રણ આવશ્યકગૌરવપથના નિર્માણ બાદ વેપારીઓએ બારોઇ રોડ પર સ્પીડ બ્રેકરની માંગ કરી હતી.તેને અનુલક્ષીને જમ્પરનું આરોપણ તો થયું પરંતુ સપાટ રોડ જોઈને છાકટા બની બેદરકારી પૂર્વક વાહન હંકારતા ચાલકો માટે ગતિ નિયંત્રણ આવશ્યક બન્યું હોવાનો મત નગરમાં પ્રવર્તી રહ્યો છે. પ્રબુદ્ધ વર્ગની લાગણી મુજબ ગૌરવપથની બંને બાજુ શિશુ મંદિર અને તાલુકા પંચાયત નજીક પાલિકા દ્વારા ગતિ નિયંત્રણ અંગે નિર્દેશ કરતા બોર્ડ મુકવામાં આવે ઉપરાંત ટ્રાફિક પોલીસ દ્વારા પણ બેફામ વાહન હંકારતા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાય તો જ છાસવારે બનતી અકસ્માતની ઘટનાઓ પર રોક લગાવી શકાશે.
ગાંધીગ્રામ અંજલિ પાર્ક-3ની સામે રહેતાં યુસુફભાઇ અલીમોહમ્મદ ખીરા(ઉ.વ.55) નામના પ્રૌઢને સવારે તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. તાવ આવતો હોઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાટલો ચડાવ્યો હોઇ તેના કારણે રિએક્શન આવ્યાનું યુસુફભાઈના પરિવારે જણાવ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ યુસુફભાઇને ત્રણેક દિવસથી તાવ આવતો હોઇ રૈયા રોડ પરના ક્લિનિકમાં સારવાર લીધી હતી અને બાટલો ચડાવ્યો હતો. તેમજ બાટલામાં ઇન્જેક્શન દેતા શરીર ઉપર રિએક્શન આવતાં તબિયત બગડી હતી. રામાપીર ચોકડીએ રિપોર્ટ કરાવવા જતાં તેને સિવિલમાં સારવાર લેવી પડે તેવું કહેતાં તે સારવાર માટે આવતાં દાખલ કરાયા હતાં. તબીબે આ મામલે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસમાં નોંધ કરાવી હતી. યુસુફભાઇને સંતાનમાં એક દીકરો અને ચાર દીકરી છે. પોતે એક બહેન અને બે ભાઇમાં મોટા છે. રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે.
આ બનાવમાં શહેરના ઇન્દિરા સર્કલ યુનિવર્સિટી રોડ જલારામ પ્લોટ નજીક રહેતા જાગૃતિબેન પ્રફુલભાઈ રૂપારેલ (ઉં.વ.47) દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વેરાવળમાં રહેતા પ્રફુલભાઈ પ્રભુદાસભાઈ રૂપારેલનું નામ આપ્યું હતું. જાગૃતિબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તેણી રાજકોટમાં તેના માવતરના ઘરે રહે છે તેણીના લગ્ન વર્ષ 2003માં પ્રફુલભાઈ સાથે થયા હતા. તેણીને લગ્નજીવનથી બે સંતાન પ્રાપ્ત છે. લગ્નના બીજા દિવસથી જ તેણીના પતિ ઝઘડો કરવા લાગ્યા હતા. સંયુક્ત પરિવારમાં 4 વર્ષ સાથે રહ્યા બાદ પુત્રના જન્મ બાદ તે દશ મહિનાનો હતો ત્યારે તેઓ અલગ રહેવા જતા રહ્યા હતા.પતિ સાથે તેણીને નાની વાતમાં માથાકૂટ થતી હોઈ બાદમાં આશરે ત્રણેક વર્ષ પહેલાં પતિ સાથે ઝઘડો થતા તેણે ઘરના ફર્નિચરમાં નુકસાન પહોંચાડ્યું અને દીકરાને ઘરની બહાર કાઢી મુક્યો હતો. બાદમાં તેણી રિસામણે આવી જતા પાડોશીના લગ્નમાં ગઈ હોઈ જ્યાં તેણીને પતિ કોઈ અન્ય સ્ત્રી સાથે સંબંધ ધરાવતો હોવાની શંકા ગઈ હતી. જેથી બાદમાં તા.02/06ના તેણીએ સમાજના અગ્રણી દ્વારા વાતચીત કરવા ગયા ત્યારે પતિએ કોઈ જવાબ ન આપ્યો હોઈ અને બાદમાં 06/06ના તેણીએ તેના પતિને કઢંગી હાલતમાં જોતા એ મામલે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો. પતિએ ઘરમાંથી કાઢી મૂકી બાદમાં તેડવા ન આવતા પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
શહેરમાં મવડી ચોકડી પાસે રહેતા અને મૂળ રાજપરાના પરિણીત શખ્સે સરધારમાં રહેતી યુવતીના ઘરમાં ઘૂસી છરીઓના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરી પોતે પણ જાતે પેટના ભાગે છરી ભોંકી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સરધાર ગામે રહેતી અને કોલેજમાં અભ્યાસ કરતી હીના ભરતભાઈ બુડાસણા(ઉ.વ.28) તેના ઘરે એકલી હતી તે દરમિયાન મવડી નજીક સીતારામ ચોકડી પાસે રહેતા નિકુંજ અરવિંદબાઈ વેકરિયા(ઉ.વ.30)એ ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંકી પોતે પણ જાતે છરી પરોવી દઈ આપઘાતનો પ્રયાસ કરતાં બંને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતાં આજી ડેમ પીઆઈ એ.બી.જાડેજાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં નિકુંજ મૂળ જામકંડોરણાના રાજપરા ગામનો અને હાલ મવડી ચોકડી પાસે સીતારામ ચોક પાસે રહેતો હોવાનું અને પાંચ વર્ષ પૂર્વે તેના લગ્ન થઇ ચૂક્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. હીનાએ જણાવ્યા અનુસાર, તેણી પાંચમા સેમેસ્ટરની પરીક્ષા દેવા ગઈ હોય ત્યારે તેણીનો આ નિકુંજ સાથે નંબરની આપ-લે થયા બાદ સંપર્ક થયો હતો. બંને પ્રેમમાં હોય બાદમાં આ નિકુંજે તેણીને લગ્ન કરવા બાબતે કહેતા તેણીને નિકુંજ પરિણીત હોવાનું માલૂમ પડ્યું હતું, પણ નિકુંજે તે તેની પત્નીને છોડી દેશે તેમ વાત કહેતા તેણીએ આ બાબતે ઘરે વાત કરી હતી. પરિવારના સભ્યોએ લગ્ન કરવાની ના કહી દેતા આ નિકુંજ ધરાર લગ્ન કરવા બાબતે ધમકી દેવા લાગ્યો હતો. બાદમાં બુધવારે સવારે ઘરે આવીને નિકુંજ જબરદસ્તી કરતો હોય અને “હું લગ્ન તો તારી સાથે જ કરીશ’ તેમ કહી અવાર-નવાર હેરાન કરતો હતો. જે બાદ નિકુંજે તેણીને છરીના ઘા ઝીંકી પોતે પણ પેટમાં છરી પરોવી દઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ગત માસમાં માવઠાના મારથી રાજકોટ અને મોરબીના ખેડૂતો બેહાલ થઇ ગયા હોય રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ બે જિલ્લાના 2.25 લાખથી વધુ ખેડૂત માટે વગર વ્યાજની રૂ.1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના જાહેર કરી છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના જનરલ મેનેજર વી.એમ.સખિયાની યાદીમાં જણાવ્યા અનુસાર બેન્કના ચેરમેન જયેશ રાદડિયાએ ઓક્ટોબર માસમાં થયેલી અતિવૃષ્ટિને કારણે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોને તૈયાર પાકમાં થયેલી પારાવાર નુકસાનની સ્થિતિ ધ્યાનમાં લઇ આ નિર્ણય કર્યો છે. ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું કે, રાજકોટ અને મોરબી જિલ્લાની બેન્ક સાથે જોડાયેલા ખેતી વિષયક મંડળીઓમાંથી ધિરાણ મેળવતા 2.25 લાખથી વધુ ખેડૂત માટે રૂ.1300 કરોડની ખાસ કૃષિ લોન યોજના બનાવી છે. દરેક ખેડૂત સભાસદોને હેક્ટરે રૂ.12500 અને વધુમાં વધુ રૂ.65000 1 વર્ષની મુદત માટે 0 ટકા વ્યાજે મળશે.
હુમલો:રાજકોટમાં ચા પીવા ઊભેલા યુવક પર કલરકામના કારીગરનો પાવડાથી હુમલો
રૈયાધારમાં મુક્તિધામ નજીક રહેતાં દેવાંગ સુરેશભાઇ સોલંકી(ઉ.વ.30) નામના યુવાન પર સાંજે રૈયા ચોકડીએ વચ્છરાજ હોટેલે ચા પીવા ઊભો હતો ત્યારે કલરકામના કારીગર કાશીએ ઝઘડો કરી પાવડાથી હુમલો કરી માર મારતાં ઇજા થતાં સારવાર માટે સિવિલમાં દાખલ થયો હતો. તે કડિયાકામ કરી ઘરનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલાં રેસકોર્સ પાસે એક સાઇટ પર કડિયાકામ માટે ગયો હતો ત્યારે ત્યાં કાશી ભૈયા કલરકામ માટે આવ્યો હતો. તે વખતે બંને વચ્ચે ગાળાગાળી બોલાચાલી થઇ હતી. દરમિયાન પોતે સાંજે રૈયા ચોકડીએ ચા પીવા ઊભો હતો ત્યારે કાશીને ગાળો બોલવાની ના કહેતા હુમલો કર્યો.
યુવકે જીવાદોરી કાપી:મહિકામાં બીમારીથી કંટાળીને યુવકનો આપઘાત
રાજકોટના મહિકા મેઈન રોડ પર જે.કે. રેસિડેન્સીમાં રહેતા જયસુખભાઈ બચુભાઈ પરાલિયા(ઉ.વ.37) નામના યુવકે પોતાના ઘરે સવારે દોરી વડે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવના પગલે આજી ડેમ પોલીસે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરતા મૃતક જયસુખ ત્રણ ભાઈમાં મોટો અને ગાડી ઉતારવાનું કામ કરતો હોવાનું ખુલ્યું હતું. સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે. અગાઉ ગાડી ઉતારતી વેળા લાગી જતાં તેને ગાંઠ થઈ હતી. જેથી ગાંઠની બીમારીના દુખાવાથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી છે.
ઇન્ડિયન લાઇબ્રેરી અસોસિએશન (આઇ.એલ.એ)એ વર્ષ 1968માં રાષ્ટ્રીય પુસ્તકાલય સપ્તાહની સ્થાપના કરી. જે દર વર્ષે 14થી 20 નવેમ્બર દરમિયાન ઉજવવામાં આવે છે. શહેરમાં 30 લાઇબ્રેરીમાં 8 લાખથી વધુ પુસ્તક, રોજ 3000થી વધુ વાચકો મુલાકાત લે છે. શહેરની લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક, જૂની નવલકથાઓ અને પ્રેરણાદાયી પુસ્તકો સૌથી વધુ વંચાય છે. જૂની નવલકથામાં હરકિશન મહેતા, અશ્વિની ભટ્ટ, પન્નાલાલ પટેલ સહિતના લેખકોની પુસ્તક વાંચકોમાં વધુ લોકપ્રિય છે. મનપા સંચાલિત લાઇબ્રેરીમાં 150 થી લઇને 1500 સુધીની કિંમતના સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો છે. આ તકે રોટરી મીડટાઉન લાઈબ્રેરી અને ડીએચ કોલેજના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જ્યુબિલી ગાર્ડન ખાતે આવેલી લેંગ લાઇબ્રેરી ટ્રસ્ટ સંચાલિત 168 વર્ષ જૂના ગ્રંથાલયની શ્રી અરવિંદભાઇ મણીઆર પુસ્તકાલય ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજાશે. 168 વર્ષ જૂના ગ્રંથાલયમાં કાર્યક્રમ બાળકો, યુવાનો અને વાચકોમાં વાંચનની રુચિ વધારવાનો હેતુ ભાસ્કર એક્સપર્ટલાઇબ્રેરી સપ્તાહની ઉજવણી કરવાથી 10% વાચકોમાં જાગૃતતા વધશેઆજના આધુનિક સમયમાં બાળકોનો સ્ક્રીન ટાઇમ ખૂબ વધતો જાય છે. મોબાઈલ, ટેબ્લેટ, ટીવી અને કમ્પ્યૂટર જેવા સાધનો હવે બાળકોના રોજિંદા જીવનનો ભાગ બની ગયા છે. ઓનલાઈન ક્લાસ, કાર્ટૂન, ગેમ્સ અને સોશિયલ મીડિયા જેવા માધ્યમોથી બાળકો વધુ સમય સ્ક્રીન સામે વિતાવે છે. આ સંજોગોમાં બાળકો કે યુવાનોમાં વાંચન ખૂબ ઘટતું જાય છે. ત્યારે દર વર્ષે તા.14 નવેમ્બરથી 20મી સુધી રાષ્ટ્રીય લાઈબ્રેરી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેમાં દરેક લાઇબ્રેરી દ્વારા વાંચન રુચિ વધારવાના હેતુથી વિવિધ કાર્યક્રમો યોજાશે. ડેપ્યુટી ચીફ લાઇબ્રેરિયન સુનિલભાઇ દેત્રોજાએ જણાવ્યુ હતું કે, આર.એમ.સી. સંચાલિત 15 લાઇબ્રેરી છે, જેમાં 2,65,000 પુસ્તક છે. દરરોજ 1500 જેટલા વાચક આવે છે તથા 40,000 મેમ્બર છે. આવા કાર્યક્રમ કરવાથી 10% જેટલો વાચક વર્ગ વધવાની શક્યતા રહે છે. ડીએચ કોલેજના ઓડિટોરિયમમાં 3 ગ્રૂપની વિવિધ સ્પર્ધામાં 7થી 10 વર્ષ, 11થી 18 વર્ષ અને 19 વર્ષથી કોઇ પણ ઉંમરના લોકો માટેનું આયોજન કરાયું. દરેક કેટેગરીમાંથી પ્રથમ બે વિજેતાઓને ઇનામ આપાશે. પ્રવેશ મફત છે તથા 74055 13468 પર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે. > સુનિલ દેત્રોજા, ડે. ચીફ લાઇબ્રેરીયન બાળપણની રમતો, બુક સ્પર્ધા યોજાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્ય ડૉ.ધરમ કાંબલિયાએ કુલપતિ અને યુનિવર્સિટીની પરીક્ષા પદ્ધતિ સામે કેટલાક આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, પરંતુ કોઈ યોગ્ય નિરીક્ષણ વ્યવસ્થા નથી. સીસીટીવી કેમેરા ફક્ત આશરે 10 ટકા કોલેજોમાં જ કાર્યરત છે. ફક્ત છ કર્મચારીઓ 200 કોલેજની દેખરેખ રાખી શકે તે અશક્ય છે. એવું લાગે છે કે, કોલેજોમાં બેફામ ચોરી કરવા માટે ખુલ્લું લાઇસન્સ આપવામાં આવ્યું છે. ઉપકુલપતિની માનસિકતા શિક્ષણમાં ચોરી રોકવા માટે કોઈ નીતિ કે રોડમેપ ધરાવતી નથી. ‘કોલેજો રાજી, વિદ્યાર્થીઓ રાજી અને ઉપકુલપતિ રાજી - તો ક્યા કરે કાજી?’ જેવી સ્થિતિ સર્જાઈ છે. હકીકતમાં ઉપકુલપતિ પાસે કોલેજોના સીસીટીવી માટે આઈપી એડ્રેસ મેળવવાની પણ શક્તિ નથી. એક વર્ષમાં એકપણ કોપી કેસ દાખલ કરવામાં આવ્યો નથી. આવનારા સમયમાં સ્થિતિ વધુ બગડશે.
ભણે ગુજરાત:14 નવેમ્બરથી શાળા છોડનારા બાળકોને શોધીને પુનઃ પ્રવેશ માટે સરવે કરાશે
સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા છોડી ગયેલા કે અન્ય કારણોસર શાળાએ ન જતા 06થી 18 વર્ષની વય જૂથના બાળકો અને જેવો પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોનો સરવે કરી તેમની ઓળખ, નામાંકન અને મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં શાળા કક્ષાએ 14થી 23 નવેમ્બર સુધી સરવે હાથ ધરવામાં આવનાર છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે, 6થી 18 વર્ષની વયના કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે અને દરેકને ફરી શાળાની મુખ્ય ધારા સાથે જોડવામાં આવે. સરવે દરમિયાન એવા બાળકોની ઓળખ કરવામાં આવશે જેઓ વિવિધ કારણોસર શાળામાંથી છૂટી ગયા છે અથવા ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી. આવા બાળકોનું પુનઃ નામાંકન કરાવવું અને તેમને શૈક્ષણિક રીતે પુનર્વસિત કરાવવાનું કાર્ય સમગ્ર શિક્ષા અંતર્ગત હાથ ધરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તથા સમગ્ર શિક્ષાના જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરે તમામ સરકારી વિભાગો, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોને આ અભિયાનમાં સહભાગી થવા અપીલ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, જો કોઈ શાળા બહારનું બાળક જોવા મળે તો તેની જાણ નજીકની સરકારી શાળા, ક્લસ્ટર અથવા તાલુકા કક્ષાના બીઆરસી ભવન ખાતે કરવી જોઈએ જેથી તેનું નામ નોંધાઈ શકે અને તેને શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડવામાં આવી શકે. સરવે પૂર્ણ થયા બાદ એકત્રિત માહિતીના આધારે બાળકોના નામાંકન અને શૈક્ષણિક પુનર્વસન માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ અભિયાનના અંતે જૂન 2026માં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રથી આ તમામ બાળકોને નજીકની સરકારી શાળાઓમાં દાખલ કરવામાં આવશે. 23મી સુધી ઘેર ઘેર જઈને, સ્લમ એરિયા, બાંધકામ સાઈટ સહિતની જગ્યાએ બાળકોને શોધશે શિક્ષકો કેવી રીતે સરવે કરાશે, ક્યાં ક્યાં સ્થળોએ સરવે થશે ગયા વર્ષે રાજ્યમાં આશરે 1.15 લાખ બાળકો મળ્યા હતાગુજરાતમાં જે બાળકો ધોરણ 1થી 12નું શિક્ષણ પૂરું કરી શક્યા નથી તેવા ગયા વર્ષે 1.15 લાખ બાળકો મળી આવ્યા હતા જેમાં રાજકોટના પણ આશરે 2 હજાર બાળકોનો સમાવેશ થાય છે. આ તમામને ફરી શૈક્ષણિક પ્રવાહમાં જોડવા શિક્ષણ વિભાગે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના આચાર્યોને આદેશ આપ્યા છે. ચાલુ મહિને જ આ ડ્રોપઆઉટ બાળકોનો એક મોટો સરવે શરૂ કરાયો છે જેમાં આચાર્યો, શિક્ષકો, બીઆરસી, સીઆરસી સહિત શિક્ષા વિભાગના તમામ સ્ટાફને આ સરવેમાં જોડવા જણાવાયું છે. જે અંતર્ગત કોર્પોરેશનની શાળાઓ દ્વારા જુદા જુદા કારણોસર શાળા બહાર રહેલ 6થી 18 વર્ષની વય જૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ 1થી 12નું શિક્ષણ પૂર્ણ કરી શકયા નથી તેવા બાળકોનો સરવે 30 એપ્રિલ સુધી કરવામાં આવશે.
ઘોડેસવારોએ બતાવ્યા અદ્ભુત કરતબો:માઉન્ટેન પોલીસ હેડકવાર્ટરમાં ઘોડેસવાર પોલીસની ડ્રીલ-પરેડ
જિલ્લા પોલીસના વાર્ષિક ઈન્સ્પેકશન અંતર્ગત બુધવારે માઉન્ટેન પોલીસ હેડકવાર્ટરમાં રાજકોટ જિલ્લા પોલીસના અશ્વદળના ઘોડેસવારોની ટીમે ડ્રીલ અને પરેડ કરી હતી. આ પ્રસંગે રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર હાજર રહ્યા હતા. ઘોડેસવારોએ દર્શાવેલા કરતબો જોઈ દર્શકો અચંબિત થઈ ગયા હતા.
જૂનાગઢમાં આવેલા ભારતની આશ્રમના મહામંડલેશ્વર મહાદેવ ભારતી બાપુ સુસાઇડ નોટ લખીને ગુમ થઈ ગયા હતા. જેમાં ત્રણ લોકોના નામ હતા. 80 કલાકની જહેમત બાદ તેઓ જંગલમાંથી મળી આવ્યા. પરંતુ મહાદેવ ભારતીને આશ્રમના તમામ હોદ્દા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. છતાં હજુ વિવાદ શાંત થયો નથી. જે ત્રણ લોકો ટોર્ચર કરતા હોવાનું સુસાઇડ નોટમાં લખીને મહાદેવ ભારતી આશ્રમમાંથી ભાગી ગયા હતા, એમાંથી 2 યુવકોએ હવે દિવ્ય ભાસ્કર સમક્ષ આવીને મહાદેવ ભારતીના ભૂતકાળ અને તેમના ભાગી જવાના કારણો વિશે સનસનીખેજ ખુલાસા કર્યા છે. મુકેશથી મહાદેવ ભારતી કેવી રીતે બન્યા? આશ્રમમાં રહીને તેમણે કેવી માગણી કરી હતી? કર્મચારીને કેવા મેસેજ કરતા હતા? એવું તો શું થયું કે જીવનના અંતિમ દિવસોમાં વિશ્વેશ્વરાનંદ બાપુએ જૂનાગઢ આશ્રમ છોડી દીધો અને સરખેજ જતા રહ્યા હતા? આવા અનેક મુદ્દે જૂનાગઢ આશ્રમના પૂર્વ મેનેજર હિતેશ ઝડફિયા અને અન્ય કર્મચારી કરણે (નામ બદલેલ છે) ગંભીર આરોપ લગાવ્યા છે. જૂનાગઢના ભારતી આશ્રમના પૂર્વ મેનેજર હિતેશભાઈ ઝડફિયાએ જણાવ્યું કે તેઓ વર્ષ 2009થી 2012 સુધી દામનગરની હોસ્ટેલમાં ભણતા હતા અને શિવરાત્રિ દરમિયાન સેવા માટે જૂનાગઢ આશ્રમમાં આવતા હતા. સંસ્થાની શાળા સારી ચાલતી હોવાથી હરિહરાનંદ બાપુએ તેમને શાળાનું સંચાલન સંભાળવા કહ્યું હતું. તેમણે ભારતી આશ્રમ સ્કૂલના સંચાલન માટે વહીવટદાર તરીકે 1 વર્ષ સુધી કામ કર્યું. બાપુએ શાળાનું સંચાલન પોતાના હાથમાં લીધા પછી તેમણે વર્ષ 2017 સુધી બાપુની ગાડી ચલાવવાની શરૂઆત કરી. પછી તેમણે આશ્રમમાં મેનેજર તરીકે નોકરી શરૂ કરી. તેમણે કહું, હું આશ્રમમાંથી નીકળી ગયો એ ઘટનાને 3 વર્ષ થયા છે અને આ દરમિયાન ક્યારેય મહાદેવ ભારતીને મળ્યા નથી. ન તો તેમણે ફોન કર્યો. હિતેશભાઈએ વર્ષ 2023માં આશ્રમ છોડવા અંગે સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે મારા કારખાના ચાલતા હતા અને સાસણમાં રિસોર્ટ બનાવવાનું કામ શરૂ કર્યું હતું. બધી જગ્યાએ પહોંચી વળવું શક્ય નહોતું, ત્યારે બાપુએ એક એક્સ્ટ્રા મેનેજર મૂકવાની વાત કરી. મેં બાપુને કહ્યું કે સંસ્થા 3 મેનેજરનો પગાર ખમી શકે તેમ ન હતી. હું જૂનાગઢમાં જ છું, જ્યારે જરૂર પડે ત્યારે હાજર રહીશ. આ પછી હિતેશ ઝડફિયાએ આશ્રમ છોડી દીધુ હતું. તેમણે મહાદેવ ભારતીના સુસાઇડ નોટમાં કરાયેલા આક્ષેપોને તદ્દન ખોટા ગણાવ્યા, જેમાં લખ્યું છે કે તેમને આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. સુસાઇડ નોટમાં નામ કેમ લખાયું હશે? આ સવાલના જવાબમાં હિતેશભાઈએ અનુમાન લગાવતા કહ્યું કે, જ્યાં સુધી હું મેનેજર હતો ત્યાં સુધી સંસ્થાના વફાદાર હોવાથી મહાદેવ ભારતી આશ્રમમાં ખોટા કામો કરી શકે તેમ નહોતા. હું નીકળી શકું તો એમનાથી લંપટ લીલા થઈ શકે તેમ હતી. હું નીકળી ગયો પછી 3 વર્ષ એમને સ્વતંત્રતા મળી અને એમને જે કરવું હતું એ બધું જ તે કરી શક્યા. મહાદેવ ભારતીના પર ગંભીર આરોપ લગાવતા કરણ કહ્યું કે મહાદેવ ભારતીએ મારી સાથે ઘણી વખત અડપલા કર્યા છે. આ ઉપરાંત, તેઓ વોટ્સએપ પર વિચિત્ર ફોટા અને પ્રેમની શાયરી પણ મોકલતા હતા. તેમણે અન્ય અર્થમાં કહ્યું હતું કે આપણે સાથે ઘણું આગળ વધવાનું છે, જેના જવાબમાં મેં ચોખ્ખી ના પાડી દીધી હતી. જ્યારે અડપલા થયા ત્યારે કોઈને જાણ કેમ ન કરી? તેના જવાબમાં કરણે જણાવ્યું કે તે સમયે જો પરિવારમાં કોઈને આ વાત કહી હોત તો નામ પણ બદનામ થાત. બદનામીના ડરથી ક્યારેય કોઈને કંઈ કહ્યું નહોતું. હરીહરાનંદ બાપુને આ વાતની જાણ કરવા અંગે તેમણે જણાવ્યું કે, ના. તેઓ પહેલેથી સંસ્થાના વફાદાર રહ્યા છે અને સંસ્થાનું નામ બદનામ થાય તેવું ઈચ્છતા ન હોય. તેમનો સ્વભાવ એક વ્યક્તિની વાત બીજાને ન કહેવાનો રહ્યો છે, તેથી આ વાત પોતાના પૂરતી રાખી હતી. કરણે એમ પણ કહ્યું કે મહાદેવ ભારતીને ખબર હતી કે આ વ્યક્તિ કોઈને વાત નહીં કરે અને આ વાતનો ફાયદો તે ઉઠાવતા હતા. તેમણે કહ્યું કે અનેક બાળકો હશે જેમની સાથે અડપલા થયા હશે, પરંતુ બદનામીના ડરથી કોઈએ જાણ નહીં કરી હોય. સુસાઇડ નોટમાં પોતાનું નામ શા માટે લખ્યું તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા કરણે કહ્યું, મને એ જ નથી સમજાતું કે સુસાઇડ નોટમાં મારું નામ કેમ લખ્યું છે. મહાદેવ ભારતી સાથે સારા સંબંધો હતા અને ક્યારેય તેમને ખોટી રીતે ફોન કે મેસેજ નથી કર્યો. જોકે, કરણે આશંકા વ્યક્ત કરી કે મહાદેવ ભારતીએ તેમની સાથે જે અડપલા કર્યા હતા અને તેમની જે માંગણીની તેમણે ના પાડી હતી, તે વાતનો ડર મહાદેવ ભારતીને હોય. કદાચ મહાદેવ ભારતીને ડર હોય કે તેઓ મીડિયા સામે આ વાત ખુલ્લી પાડશે, તેથી બદનામીના ઇરાદે તેમનું નામ લખ્યું હોય તેવું બની શકે. કરણે આશ્રમના દરેક વિદ્યાર્થીઓને અપીલ કરતાં કહ્યું કે જો તેમની સાથે પણ કોઈપણ જાતના અડપલા થયા હોય, તો બદનામીના ડર વગર બહાર આવવું જોઈએ અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ, ભલે પછી નામ ન આપવું હોય. તેમણે સ્પષ્ટ કહ્યું કે તેઓ આ મુદ્દે છેલ્લે સુધી લડશે અને ન્યાય માટે જે પણ કરવું પડે તે કરવા તૈયાર છે. હિતેશભાઈએ કહ્યું કે વિશ્વેશ્વરાનંદ ભારતી બાપુ જીવતા હતા ત્યારે હરિહરાનંદ બાપુનો પણ એક ફોટો ક્યાંય નહોતો. સૌપ્રથમ તેમણે શાળાની ઓફિસમાં અને ઋષિ ભારતીની રૂમમાં હરિહરાનંદ બાપુનો ફોટો લગાવ્યો હતો. મુખ્ય બાપુ દેવલોક પામ્યા પછી જ્યારે હરિહરાનંદ બાપુનો ફોટો આશ્રમની ઓફિસમાં લગાવ્યો, ત્યારે મહાદેવ ભારતીને સીધા જ વારસદાર બની જવું હતું. મહાદેવ ભારતી એમ માનતા હતા કે ભારતી બાપુ પછી સીધા તેઓ જ આવવા જોઈએ અને તેઓ જ મુખ્ય વારસદાર હોવા જોઈએ. આશ્રમમાં આવનાર કોઈપણ વ્યક્તિ સમક્ષ તેઓ પોતાની જાહેરાત કરતા રહેતા હતા. તેમને આશ્રમમાં બીજા કોઈ પણ સાધુ આવે તે ગમતું નહોતું અને તેઓ ગમે તેમ કરીને તેમને કાઢી મૂકતા હતા. આ વ્યક્તિ ખરેખર સાધુ કહેવાને લાયક જ નથી. ‘વિશ્વેશ્વરાનંદ બાપુએ ઝઘડાથી કંટાળીને જૂનાગઢ આશ્રમ છોડી દીધો’હિતેશ ઝડફિયાના દાવા મુજબ, વર્ષ 2021માં વિશ્વેશ્વરાનંદ ભારતી બાપુ જીવતા હતા ત્યારે પણ મહાદેવ ભારતીના ચરિત્ર અંગે તેમને અંદાજ આવી ગયો હતો. મહાદેવ ભારતીની મુખ્ય ભારતી બાપુ સાથે 2-3 વખત દલીલ થઈ હતી. પરંતુ બાપુ તેમની ઉંમરના હિસાબે જતું કરી દેતા હતા. મહાદેવ ભારતી બાપુ સાથે અવારનવાર ઝઘડા કરતા હતા. મુખ્ય બાપુ હરિહરાનંદ બાપુને પણ કહેતા કે આ વ્યક્તિ સારો નથી, આપણે તેને ગમે તેમ કરીને દૂર કરી દઈશું અથવા બીજી સંસ્થામાં મોકલી દઈશું. મહાદેવ ભારતી મુખ્ય બાપુ સાથે પણ બોલાચાલી કરી દેતા હતા, જ્યારે મુખ્ય બાપુએ શૂન્યમાંથી સંસ્થાનું સર્જન કર્યું હતું. કોરોના સમયે પોતાના છેલ્લા દિવસોમાં મુખ્ય બાપુ મહાદેવ ભારતી સાથેના વારંવારના ઝઘડાથી કંટાળીને જ સરખેજ આશ્રમમાં જતા રહ્યા હતા. હિતેશભાઈના જણાવ્યા પ્રમાણે મહાદેવ ભારતીએ એવું નક્કી કરી લીધું હતું કે હરિહરાનંદ બાપુ અને ઋષિ ભારતી વચ્ચે કોઈ હિસાબે સમાધાન ન થાય. તેઓ જાણતા હતા કે જો સમાધાન થઈ જાય તો તેમનું ભવિષ્ય ખતમ થઈ જાય. જ્યારે હરિહરાનંદ બાપુ સમાધાનનું કહેતા ત્યારે મહાદેવ ભારતી તેમને ટોર્ચર કરીને કહેતા કે જો તમે સમાધાન કરશો તો હું આશ્રમમાંથી જતો રહીશ. તેમનાથી કંટાળીને સેવકોએ જૂનાગઢ આશ્રમમાં આવવાનું બંધ કરી દીધું હતું. કોઈએ ગમે તેટલું દાન કર્યું હોય છતાં જો કોઈ 1 દિવસ રોકાય તો પણ મહાદેવ ભારતી તેમનું ભાડું લઈ લેતા હતા. હિતેશભાઈએ કહ્યું, વર્ષ 2021માં પરમેશ્વર ભારતીએ દીક્ષા લીધી. પછી હરિહરાનંદ બાપુ સાથે રહેવા લાગ્યા. મહાદેવ ભારતીને લાગ્યું કે પરમેશ્વર ભારતી કોમ્પિટિશનમાં આવી ગયા છે. તેમણે પરમેશ્વર બાપુને ખૂબ હેરાન કર્યા અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓને પણ તેમની સાથે વાતચીત ન કરવા સૂચના આપી દીધી હતી. એકવાર જ્યારે પરમેશ્વર ભારતી કેવડિયા આશ્રમ ગયા હતા, ત્યારે મહાદેવ ભારતીએ તેમના રૂમનું તાળું તોડાવી નાખ્યું અને તેમનો સામાન ઓફિસમાં મુકાવી દીધો હતો. આ ઘટનાથી દુઃખી થઈને પરમેશ્વર ભારતી પણ થોડા સમય માટે આશ્રમમાં નહોતા આવ્યા. આશ્રમમાંથી નીકળી ગયા પછી પણ હું અને કૃણાલ પરમેશ્વર ભારતી સાથે સંપર્કમાં હતા અને ગાડી ન હોવાથી તેમને મૂકવા જતા હતા, જે મહાદેવ ભારતીને પસંદ નહોતું. મહાદેવ ભારતીનો ભૂતકાળ...મુકેશથી 'મહાદેવ ભારતીહિતેશ ઝડફિયાએ મહાદેવ ભારતીના ભૂતકાળ વિશે સ્ફોટક ખુલાસા કરતા કહ્યું. મહાદેવ ભારતીનું જૂનું નામ મુકેશ હતું. પહેલા તોરણીયા આશ્રમ ખાતે 10 વર્ષ રહ્યા હતા અને રાજેન્દ્રદાસ બાપુ સાથે સેવામાં હતા. મહાદેવ ભારતીએ તોરણીયા આશ્રમ છોડવા પાછળનું કારણ એવું આપ્યું હતું કે તેમના પરિવારને જરૂર હતી ત્યારે બાપુએ 50 હજાર રૂપિયા ન આપ્યા. પરંતુ હિતેશભાઈએ જણાવ્યું કે રાજેન્દ્ર બાપુ અનેક લોકોની સેવા કરતા હતા, તેથી કારણ કંઈક બીજું હતું. મહાદેવ ભારતીને આશ્રમમાંથી કાઢી મુકાયા પછી તેઓ 2-3 મહિના માટે અંડરગ્રાઉન્ડ પણ રહ્યા હતા. મેં વિવિધ માધ્યમોથી જાણ્યું છે કે મહાદેવ ભારતી ત્યાં પણ લંપટ લીલાઓ અને વ્યભિચાર કરતા હતા. ત્યાંથી નીકળ્યા પછી કોઈએ સલાહ આપી હશે કે ભારતી આશ્રમ આવી જાવ, ભારતી બાપુનો ટેકો મળશે એટલે તમારું કામ થઈ જશે, તેથી તેઓ અહીં આવ્યા હતા. હિતેશભાઈએ જણાવ્યું કે આશ્રમનો સંપૂર્ણ વહીવટ મહાદેવ ભારતી સંભાળવા માગતા હતા. જ્યાં સુધી અમે આશ્રમમાં હતા, ત્યાં સુધી ચેકબુક સહિતનો આર્થિક વહીવટ અમારી પાસે રહેતો હતો. અમારા ગયા પછી મહાદેવ ભારતીએ ચેકબુક પણ પોતાના રૂમમાં રાખવાની શરૂ કરી દીધી હતી. 2023માં મારી સામે ખોટી વાતો ઉડાડવામાં આવી હતી. જો ખબર હોત કે મહાદેવ ભારતી જ આવું કરી રહ્યા છે તો તેઓ સીધી વાત કરી લેત. જો મહાદેવ ભારતીએ મોઢે કહી દીધું હોત કે આશ્રમમાંથી નીકળી જાઓ, તો નીકળી જાત, પરંતુ ખોટા આરોપ લગાવવાની જરૂર નહોતી. હિતેશભાઈએ જણાવ્યું કે મહાદેવ ભારતી તો બાપુને પણ માનસિક રીતે ટોર્ચર કરતા હતા, કારણ કે તે જાણતા હતા કે બાપુ આટલી બધી જગ્યાએ પહોંચી શકવાના નથી અને તેમને મેનેજમેન્ટમાં મહાદેવ ભારતીની જરૂર છે. બાપુને 4 સંસ્થાઓમાં જવું, સેવકોને મળવું, અધિકારીઓ સાથે વાત કરવી વગેરે કામોમાં વ્યસ્ત રહેવું પડતું અને આશ્રમમાં રહીને સંભાળે એવું કોઈ બીજું નહોતું. ચોંકાવનારી વાત એ છે કે આ પહેલી ઘટના નથી જ્યારે મહાદેવ ભારતી આશ્રમ છોડીને ભાગી ગયા હોય. હિતેશભાઈએ એ પણ જણાવ્યું કે ગુરુપૂર્ણિમા પહેલા અને વર્ષ 2023માં પણ રામેશ્વરમાં કથા અગાઉ મહાદેવ ભારતી ભાગી ગયા હતા. તે વખતે હિતેશભાઈ સહિત 3 લોકો તેમને સાવરકુંડલા નાયક આશ્રમથી સમજાવીને પાછા લાવ્યા હતા. તે સમયે મહાદેવ ભારતીએ શરત મૂકી હતી કે આશ્રમમાં હું કહું એમ ચાલવું જોઈએ, હરિહરાનંદ બાપુ કહે એમ નહીં. તેમના નિર્ણયોમાં હરિહરાનંદ બાપુ દખલ અંદાજી ન કરે નહીંતર તેઓ રાજીનામું આપી દેશે. આમ, મહાદેવ ભારતી મોકો મળે ત્યારે હરિહરાનંદ બાપુને માનસિક રીતે ટોર્ચર કરવાનું કામ કરતા હતા. હિતેશભાઈએ જણાવ્યું કે આશ્રમમાંથી નીકળી ગયા પછી મેં તહેવાર કે પ્રસંગ સિવાય ક્યારેય આશ્રમમાં પગ મૂક્યો નથી. જૂનાગઢમાં આવતો હોવા છતાં હોટેલમાં રોકાતો હતો, કારણ કે મહાદેવ ભારતીને મારાથી તકલીફ હતી. હિતેશભાઈએ હરિહરાનંદ બાપુ વિશે વાત કરતા કહ્યું કે તેઓ ભોળા વ્યક્તિ છે અને ગામડામાંથી આવેલા હોવાથી તેમને ટેકનોલોજી, સોશિયલ મીડિયા કે મીડિયાની ખબર નથી. બાપુનો સ્વભાવ એવો છે કે કોઈ પણ વ્યક્તિ ગમે તેટલી ભૂલ કરે પછી બે આંસુ પાડી દે એટલે તે માફ કરી દે છે. જ્યારે મહાદેવ ભારતીમાં માત્ર ઈર્ષા, અહમ અને અહંકાર ભરેલો હતો અને તેમને એમ હતું કે કોઈ આશ્રમમાંથી ગયેલું ભારતીય આશ્રમમાં પાછું ન આવવું જોઈએ. હિતેશભાઈએ જણાવ્યું કે હું આશ્રમ પ્રત્યે વફાદાર હતો. મારી 3 પેઢી અને ભાઈનું રિટર્ન આશ્રમના CA જ ભરતા હતા. જો મારે કોઈ ખોટું કામ કરવું હોય તો બીજા લોકો પાસે રિટર્ન ન ભરાવું? મારી કારખાનામાં સારી આવક હતી. જ્યારે આશ્રમમાં 12,000ના પગાર પર હતા. મારા કારખાનામાં મેનેજરોને 1 લાખ રૂપિયા પગાર આપે છે. હિતેશભાઈએ જણાવ્યું કે આટલી મોટી ઘટના બનવા છતાં અને વર્ષો સુધી સેવા કરી હોવા છતાં બાપુ હરિહરાનંદે કોઈ સ્પષ્ટતા કેમ ન કરી તે સમજાતું નથી. કદાચ બાપુએ આ વિવાદ વધુ ન વધે તેવું ઇચ્છતા હશે, પરંતુ તેમણે નિવેદન આપવું જોઈએ કે આ છોકરાઓ નિર્દોષ છે. બાપુની આસપાસના અત્યારે તમામ માણસો મહાદેવ ભારતીના છે. તેથી તેમને કોઈ સાચી સલાહ આપનારું નથી. 8 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી હોવા છતાં, બાપુ આ વાતને કેમ છાવરી રહ્યા છે તે સમજાતું નથી. કરણે પણ મીડિયાના માધ્યમથી હરિહરાનંદ બાપુને વિનંતી કરી કે તેમણે આ મામલે ચોક્કસપણે લોકો સામે બોલવું જોઈએ. તેમણે કહ્યું કે, બાપુ તો મને ઓળખે છે કે હું કેવો છું. નિખાલસ ભાવે મેં 7-8 વર્ષ સેવા આપી હોવા છતાં બાપુ તરફથી એક નિવેદન પણ સામે ન આવતા દુઃખ થાય છે. કરણે જણાવ્યું કે હું 17 વર્ષનો હતો ત્યારે વર્ષ 2014-15થી આશ્રમ સાથે જોડાયો હતો. શરૂઆતમાં હિતેશભાઈ ડ્રાઇવિંગ કરતા અને હું નાનું મોટું કામ કરતા. બાદમાં મને આશ્રમમાં ડેપ્યુટી મેનેજર તરીકે નોકરી મળી, જ્યાં બાપુને દવા આપતા અને આવક-જાવકની નોંધણીનું કામ સંભાળતો હતો. આશ્રમ છોડવા અંગે તેમણે જણાવ્યું કે હિતેશભાઈએ 2023માં આશ્રમ છોડ્યો ત્યારે તેમણે પણ તેમની સાથે છોડી દીધો. આ પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે તેઓ વર્ષોથી સાથે છે, તેમના ધંધા પણ સાથે છે અને તેઓ પરિવારમાં પણ નજીક છે. આ ઉપરાંત તેઓ પોતાના ધંધામાં ધ્યાન આપવા માગતા હતા, તેથી આશ્રમ છોડ્યો. કરણે જણાવ્યું કે સુસાઇડ નોટમાં પોતાનું નામ આવ્યું તે જાણીને તેમને ખૂબ દુઃખ થયું. તેમણે કહ્યું કે ક્યારેય કોઈને ટોર્ચર કર્યો નથી કે સંસ્થાનું ખરાબ વિચાર્યું નથી, તેમ છતાં આવું પરિણામ મળ્યું. અનેક લોકોએ ફોન કરી શું થયું તે પૂછ્યું. તેમણે ભવિષ્યના લગ્ન જીવન અંગે પણ ચિંતા વ્યક્ત કરી. પોલીસ સ્ટેશનમાં પૂછપરછ માટે બોલાવવામાં આવે છે અને ત્યાં બેસાડી રાખવામાં આવે છે, જેનાથી તેમને ખૂબ માનસિક તકલીફ થઈ રહી છે અને તેમનો પરિવાર પણ તણાવમાં છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત અને બીલીમોરા વચ્ચે દોડાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે આગામી તા.15મીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુલેટ ટ્રેન માટેના અંત્રોલી ખાતેના સ્ટેશનની મુલાકાત માટે આવી રહ્યા છે અને અહીંથી બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી માટે ડેડિયાપાડા જશે. જોકે, બેવડા હવામાનના કારણે સુરત તંત્ર દ્વારા પીએમ મોદી માટે હેલિકોપ્ટરથી જવાની તેમજ બાય રોડ જવાની બંને પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. સુરત કલેકટરની ઓફિસ ખાતે આયોજન બેઠક યોજાઈ હતીવડાપ્રધાનની આ મહત્વપૂર્ણ મુલાકાતને સુચારૂ અને નિર્વિધ્ર બનાવવા માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની અધ્યક્ષતામાં સુરત કલેકટરની ઓફિસ ખાતે આયોજન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન કલેકટર ડો. પારધીએ વડાપ્રધાનની મુલાકાત માટેની તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી અને અધિકારીઓને સંબંધિત જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની તાકીદ કરી હતી. ડ્રીમ પ્રોજેક્ટના કાર્યની સમીક્ષા માટે મહત્વનો તબક્કોક્લેકટરે જણાવ્યું કે, વડાપ્રધાનનો આ પ્રવાસ માત્ર એક વિઝિટ નથી, પરંતુ રાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ ‘ડ્રીમ પ્રોજેક્ટ' મુંબઈ-અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન)ના કાર્યની સમીક્ષા માટેનો મહત્વનો તબક્કો છે. તંત્રની તૈયારીઓ સુગમ બનાવવા માટે અધિક નિવાસી કલેકટર વિજય રબારીએ વિવિધ ઉપસમિતિઓનું ગઠન કર્યું હતું. દરેક સમિતિને સંબંધિત ક્ષેત્ર સુરક્ષા, વાહનવ્યવસ્થા, આવાગમન, મીડિયા મેનેજમેન્ટ, આરોગ્ય સેવાઓ, તેમજ સ્થળ વ્યવસ્થાપન વગેરે માટેની જવાબદારી સોંપવામાં આવી હતી. બેવડા હવામાનના કારણે બાય રોડનો વિકલ્પ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર ઉતરશે, જ્યારે અંત્રોલીનું બુલેટ ટ્રેનનું સ્ટેશન એરપોર્ટથી 24 કિ.મી. દૂર છે. એરપોર્ટથી અંત્રોલી સુધીના અંતરને જોતાં તંત્ર દ્વારા નરેન્દ્ર મોદી માટે સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી હેલિકોપ્ટરની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ માટે અંત્રોલી પાસે હેલિપેડ બનાવવાની પણ કામગીરી ચાલી રહી છે. જોકે, સાથે-સાથે જો હવામાન બગડે તો વડાપ્રધાન મોદીને બાયરોડ પણ સુરત એરપોર્ટથી અંત્રોલી સુધી લઈ જવાના આયોજનો કરવામાં આવી રહી છે. બાય રોડનો વિકલ્પ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે. જો હવામાન ખરાબ હશે તો વડાપ્રધાન મોદી અંત્રોલીથી ડેડિયાપાડા પણ બાયરોડ જઈ શકે છે. મુસાફરોના આરામને વિચારીને ડિઝાઈન કરાયુંબુલેટ ટ્રેન સ્ટેશન સાથે સુરતમાં વિકાસ અને કનેક્ટિવિટીમાં મોટો વધારો થવાનો છે. મુસાફરોના આરામ અને સુવિધા પર ભાર મૂકીને સ્ટેશનને વિચારપૂર્વક ડિઝાઇન કરવામાં આવ્યું છે. આરામદાયક આંતરિક ભાગ, સ્કાયલાઇટ દ્વારા કુદરતી લાઇટિંગ અને સારી રીતે વેન્ટિલેટેડ પ્લેટફોર્મ શાંત અને સુખદ મુસાફરી અનુભવ સુનિશ્ચિત કરશે. બાળકોવાળા પરિવારોની જરૂરિયાતો પર ખાસ ધ્યાન અપાયુંસ્ટેશન મુસાફરોની આધુનિક સુવિધાઓ જેમ કે વેઇટિંગ લાઉન્જ, નર્સરી, શૌચાલય, રિટેલ આઉટલેટ્સ વગેરેથી સજ્જ છે. વિવિધ સ્તરો પર અવરજવરને સરળ અને દરેક માટે સુલભ બનાવવા માટે, બહુવિધ લિફ્ટ અને એસ્કેલેટર સ્થાપિત કરવામાં આવી રહ્યા છે. વૃદ્ધો, દિવ્યાંગો અને બાળકોવાળા પરિવારોની જરૂરિયાતો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. મુસાફરોને અનુકૂળ સુવિધાઓ જેમ કે સ્પષ્ટ સંકેતો જે મુસાફરોને કોન્કોર્સ, પ્લેટફોર્મ અને એક્ઝિટ વિસ્તારોમાં સરળતાથી માર્ગદર્શન આપે છે, જેમાં માહિતી કિઓસ્ક અને જાહેર જાહેરાત સિસ્ટમ્સનો સમાવેશ થાય છે. SUDAના સહયોગથી એક મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન પ્લાન તૈયારમુસાફરો કેન્દ્રિત સુવિધાઓ ઉપરાંત, સ્ટેશન પરિવહનના અન્ય માધ્યમો સાથે સીમલેસ એકીકરણ પણ પ્રદાન કરશે. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ (SMART) સાથે સ્ટેશન એરિયા ડેવલોપમેન્ટ માટે પ્રોજેક્ટ હેઠળ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) ના સહયોગથી એક મલ્ટી-મોડલ ઇન્ટિગ્રેશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. આનાથી મુસાફરો સરળતાથી મેટ્રો ટ્રેન, બસ, ટેક્સી, ઓટો અને અન્ય સ્થાનિક પરિવહન વચ્ચે સ્વિચ કરી શકશે, જેનાથી સ્ટેશનની આસપાસ ટ્રાફિકનો પ્રવાહ સુગમ રહેશે. આવી કનેક્ટિવિટી ટ્રાન્ઝિશન સમયને નોંધપાત્ર રીતે ઘટાડશે, જેનાથી મુસાફરી ઝડપી, સુરક્ષિત અને દરેક માટે વધુ અનુકૂળ બનશે. સ્કાયલાઇટ્સ પ્લેટફોર્મ અને કોનકોર્સમાં કુદરતી પ્રકાશઆ સ્ટેશન ભારતીય ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલ (IGBC) ની વરસાદી પાણીનો સંગ્રહ, ઓછા પ્રવાહવાળા સેનિટરી ફિક્સર, પર્યાવરણને અનુકૂળ પેઇન્ટ વગેરે જેવી સુવિધાઓને એકીકૃત કરીને આરામ અને ટકાઉપણુંનું મિશ્રણ કરે છે. પહોળા ખુલ્લા અને સ્કાયલાઇટ્સ પ્લેટફોર્મ અને કોનકોર્સમાં કુદરતી પ્રકાશ અને વેન્ટિલેશન પૂરતું છે, જે દિવસ દરમિયાન કૃત્રિમ લાઇટિંગ પર નિર્ભરતા ઘટાડે છે. છોડ અને રોપાઓ સાથે લેન્ડસ્કેપિંગ લીલોતરી અને તાજગીભર્યું વાતાવરણ બનાવશે. બિલ્ડિંગનું માળખાકીય કાર્ય પૂર્ણશહેર તેના હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત હોવાથી, સ્ટેશનના બહાર અને આંતરિક ભાગની ડિઝાઇન માટેનો ખ્યાલ હીરાના પાસાનું પ્રતિનિધિત્વ કરે છે. ઇમારતનું માળખાકીય કાર્ય પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને આંતરિક સુશોભન, છત અને સ્ટેશન સુવિધાઓ જેવી અંતિમ પ્રવૃત્તિઓ હવે પ્રગતિમાં છે. સ્ટેશન પર આરસી ટ્રેક બેડ બનાવવા અને કામચલાઉ ટ્રેક લગાવવા જેવા ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે. બિલ્ડિંગનું માળખાકીય કાર્ય પહેલાથી જ પૂર્ણ થઈ ગયું છે અને આંતરિક સુશોભન, છત અને સ્ટેશન સુવિધાઓ જેવી અંતિમ પ્રવૃત્તિઓ હવે પ્રગતિમાં છે. સ્ટેશન પર આરસી ટ્રેક બેડ બનાવવા અને કામચલાઉ ટ્રેક લગાવવા જેવા ટ્રેકનું કામ પૂર્ણ થઈ ગયું છે.
વર્ષો પહેલા ભારતીય ટીવી ચેનલ પર ખાના ખજાના નામનો એક રસોઇ શો આવતો જે સંજીવ કપૂર નામના શેફ હોસ્ટ કરતા અને હવે તો એ વખતના ફક્ત સંજીવ કપૂર અત્યારે ધ સંજીવ કપૂર બની ગયા છે. એમના માટે આપણા જાણીતા લેખક ચંદ્રકાન્ત બક્ષી એ કહેલું કે શેફ સંજીવ કપૂરની સફળતાએ ભારતીય બાળકો માટે એક નવી શેફ તરીકેની કારકિર્દી ઊભી કરી આપી છે એટલી એમની લોકપ્રિયતા છે! આ વાતનો ઉલ્લેખ અહીં કરવાનું કારણ એટલું જ કે આ જ વાત બ્રિટિશ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વકીલ અમલ ક્લૂનીને પણ લાગુ પડે છે. 47 વર્ષની બ્રિટિશ નાગરિક અને વકીલ અમલ ક્લૂનીએ આટલી નાની ઉંમરમાં હાઇ પ્રોફાઇલ ક્લાયન્ટના કેસ લડીને અને સાથે એમના કોઇ મોડેલ કે એક્ટ્રેસિસને ટક્કર આપે એવા દેખાવ અને પહેરવેશને લઇને આજની છોકરીઓમાં એક પ્રેરણા ઊભી કરી છે. ગૃહ યુદ્ધથી બચવા પરિવાર UK ગયો3 ફેબ્રુઆરી, 1978ના રોજ લેબનોનના બૈરુતમાં લેબનીઝ ડ્રુઝ પિતા અને સુન્ની મુસ્લિમ માતાને ત્યાં અમલ અમાલુદ્દીન તરીકે જન્મ લેનાર અમલ જ્યારે બે વર્ષની હતી ત્યારે તેનો પરિવાર લેબનીઝ ગૃહ યુદ્ધથી બચવા માટે યુનાઇટેડ કિંગ્ડમ ગયો અને બકિંગહામ શાયરના ગેરાર્ડસ ક્રોસમાં સ્થાયી થયો અને ત્યાર પછીની અમલની જિંદગી કોઇ પરી કથાથી કમ નથી. શરૂઆતની જિંદગીમાં ઘણા સંઘર્ષનો સામનો કર્યોસેન્ટ હ્યુજ ઓક્સફર્ડમાંથી ન્યાયશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવનાર અમલની લંડનમાં રેફ્યૂજી તરીકે શરૂઆતના વર્ષોમાં જિંદગી સંઘર્ષભરી હતી પણ કદાચ અહીં જ એના આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર વકીલ બનવાની કારકિર્દીનો પાયો નંખાયો અને આ જ વાતની પુષ્ટિ 2023 માં એક ઇવેન્ટમાં અમલ ક્લૂની એ કરી સેન્ટ હ્યુજે મારા પર એક તક લીધી અને તેણે ખરેખર મારી આંખો ખોલી. તેણે મારું મન ખોલી નાખ્યું અને તેણે ઘણા બધા દરવાજા ખોલી નાખ્યા છે. મને મારો શોટ અને મારો કાનૂની માર્ગદર્શન આપવા બદલ હું હંમેશા સેન્ટ હ્યુજની ખૂબ આભારી છું. પછીના વર્ષે, અમલે LLM ડિગ્રીનો અભ્યાસ કરવા માટે ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્કૂલ ઓફ લોમાં પ્રવેશ મેળવ્યો અને મનોરંજન કાયદામાં શ્રેષ્ઠતા માટે જેક જે. કાત્ઝ મેમોરિયલ એવોર્ડ મેળવ્યો. અમલની તેજસ્વિતાએ જ્યારે તે યુનિવર્સિટીમાં હતી ત્યારે અમેરિકન વકીલ અને ન્યાયશાસ્ત્રી સોનિયા સોટોમાયોરની ઓફિસમાં કામ કરવાનો મોકો આપ્યો. સોનિયા સોટોમાયોર જે તે સમયે યુનાઇટેડ સ્ટેટ્સ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ સેકન્ડ સર્કિટના ન્યાયાધીશ અને NYU લો ફેકલ્ટી સભ્ય હતા. UK, USમાં કાયદાની પ્રેક્ટિસ કરી શકે2024માં આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં તેના ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાનને માન્યતા આપવા માટે લીગલ 500 લોયર ઓફ ધ યર એવોર્ડ પ્રાપ્ત કરનાર અમલ અમેરિકા, બ્રિટન અને વેલ્સમાં કાયદાની પ્રેક્ટિસ કરી શકે છે. જેના ક્લાયન્ટ્સમાં એનરોન અને આર્થર એન્ડરસનનો સમાવેશ થાય છે તેવા અમલ હેગમાં આંતરરાષ્ટ્રીય અદાલતમાં પણ પ્રેક્ટિસ કરે છે. જેમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ અને ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો સમાવેશ થાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ, પૂર્વ વડાપ્રધાન, વિકિલીક્સના સ્થાપકનો કેસ લડ્યાંરાજકીય પત્રકાર તરીકેની કારકિર્દી ધરાવનારા માતાની દીકરી એવી અમલ નાનપણથી જ માનવ અધિકાર કેન્દ્રિત રહી છે. જેણે ઘણા હાઇ-પ્રોફાઇલ ક્લાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. જેમાં માલદીવના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ, વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે, ભૂતપૂર્વ યુક્રેનિયન વડા પ્રધાન યુલિયા ટિમોશેન્કો, યાઝીદી માનવ અધિકાર કાર્યકર નાદિયા મુરાદ, ફિલિપિનો-અમેરિકન પત્રકાર મારિયા રેસા, અઝરબૈજાની પત્રકાર ખાદીજા ઇસ્માયલોવા અને ઇજિપ્તિયન-કેનેડિયન પત્રકાર મોહમ્મદ ફહમીનો સમાવેશ થાય છે. 2013માં કોમન મિત્ર થકી જેને એ મળી એ હોલિવૂડ સુપર સ્ટાર જ્યોર્જ ક્લૂનીને પરણનાર અમલ અત્યારે બે જોડિયા બાળકોની માતા છે અને કારકિર્દી અને સંસાર સરખી કાબેલિયતથી સંભાળે છે. માનવ અધિકાર પર ફોકસપાવરફૂલ અને સ્ટાર કપલ તરીકે જાણીતા ક્લૂની દંપતીએ 2016માં ક્લૂની ફાઉન્ડેશન ફોર જસ્ટિસની સહ-સ્થાપના કરી છે અને આ ઉપરાંત બીજા અનેક ચેરિટીના કામ સાથે આ દંપતી જોડાયેલું છે જેનું મુખ્ય ફોકસ માનવ અધિકાર છે. અમલ કહે છે, હિંમતવાન બનો. રૂઢિચૂસ્તતાને પડકારો. તમે જે માનો છો તેના માટે ઊભા રહો. જ્યારે તમે ઘણા વર્ષો પછી તમારા પૌત્ર-પૌત્રીઓ સાથે વાત કરી રહ્યાં હો ત્યારે ખાતરી કરો કે તમારી પાસે કહેવા માટે એક સારી વાર્તા છે અને જો તમે માલદીવમાં દરિયા કિનારે પડેલી એક મહિલા છો તો તમે જાણવા માંગશો કે એક કિલોમીટર દૂર બીજી મહિલાને કોરડા મારવામાં આવી રહ્યા છે અને તમે તેનો વિરોધ કરવા માટે તમારી પોતાની રીત શોધી શકો છો. અંગ્રેજી, ફ્રેન્ચ અને અરેબિક ભાષા પર પ્રભુત્વ ધરાવનાર અને એ જે કેસ હાથમાં લે એ અને એના પહેરવેશ, સુંદરતા અને સ્ટાઇલથી એક સરખી ઉત્સુકતા વકીલાત જગત અને ગ્લેમર ઉદ્યોગમાં જગાડનાર અમલ ક્લૂની ખરેખર વુમન એમ્પાવરમેન્ટનું આધુનિક જગતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે!
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી તા.20મીએ સવારે 11 વાગ્યે દ્વિમાસિક સાધારણ સભા બોલાવવામાં આવી છે જેનો એજન્ડા મંગળવારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં 12 દરખાસ્ત કરવામાં આવી છે. સાધારણ સભામાં પ્રશ્ન પૂછનાર સભ્યોના સવાલોનો ડ્રો કરવામાં આવે છે અને છેલ્લા ઘણા સમયથી શાસક પક્ષના 68 પૈકી કોઇપણ એક નગરસેવકના પ્રશ્નથી બોર્ડની શરૂઆત થાય છે અને તેની માહિતી આપવામાં સમય પૂરો થઇ જાય છે ત્યારે આ વખતે પ્રશ્નોના કરાયેલા ડ્રોમાં વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના 3 પ્રશ્ન પ્રથમ ક્રમે આવી જતા બોર્ડમાં ફ્લાવર બેડ, રોડ-રસ્તાના કામો અને નવા વિસ્તારોમાં સાઇન બોર્ડ મુદ્દે તડાફડી બોલશે. લાંબા સમય બાદ શાસકના બદલે ચિઠ્ઠીમાં વિપક્ષના નેતાનું પ્રથમ પ્રશ્ન માટે નામ ખૂલતા અધિકારીઓ દોડતા થઇ ગયા છે અને શાસક પક્ષ પણ સાધારણ સભામાં વિપક્ષને કેવી રીતે કાબૂમાં રાખવો તેની રણનીતિ ઘડવામાં લાગી ગયો છે. સાધારણ સભામાં શાસક અને વિપક્ષના કુલ 15 નગરસેવકે 25 પ્રશ્નો પૂછ્યા છે જેમાં ભાજપના 12 કોર્પોરેટરે 17 પ્રશ્ન અને કોંગ્રેસના 3 કોર્પોરેટરે 8 સવાલ ઉઠાવ્યા છે. જેની ચિઠ્ઠીમાં વોર્ડ નં.15ના કોર્પોરેટર વશરામ સાગઠિયાના 3 પ્રશ્ન આવ્યા છે. વિપક્ષ નેતા સાગઠિયાએ ઉઠાવેલા પ્રશ્નોમાં(1) રાજકોટમાં રાજકોટમાં આર્કિટેક્શન પ્રોજેક્ટ(ફ્લાવર બેડ)ને કારણે બીયુપી અટકાવ્યા હોય તેવા બિલ્ડિંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા કેટલી છે? જેની સંપૂર્ણ વિગત વોર્ડ વાઇઝ, વિસ્તાર વાઇઝ અને બિલ્ડિંગ પ્રોજેક્ટના નામ સાથે જણાવશો. ફ્લાવર બેડવાળા બિલ્ડિંગ રેગ્યુલરાઇઝ કરવાની કાર્યવાહી કરવા શહેરી વિકાસ વિભાગે તા.18-10-2025ના રોજ હુકમ કર્યો હોવા છતાં આ અંગેની કાર્યવાહી તા.11-11-2025 સુધી શા માટે શરૂ કરવામાં આવી નથી આ કામગીરી ક્યારે શરૂ થશે અને તેના માટે ટાઉન પ્લાનિંગ વિભાગમાં શું વ્યવસ્થા નિર્માણ કરવામાં આવી છે તેની વિગત જણાવશો.(2) રાજકોટ શહેરની હદમાં નવા ગામો ભળ્યા બાદ શહેરની હદ ક્યાં સુધી વિસ્તરી છે તેની સંપૂર્ણ વિગત માઇલ સ્ટોન સાથે આપશો. જ્યાં હદ પૂરી થાય છે ત્યાં હદ પૂરી થવાના સાઇન બોર્ડ શા માટે મૂકવામાં આવ્યા નથી? (3) છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટના ક્યાં રસ્તા કઇ એજન્સી દ્વારા ક્યાં ક્યાં કારણોસર ખોદકામ કરવામાં આવ્યા, રસ્તા ખોદકામ કરતી વખતે મંજૂરી લેવાનો નિયમ શું છે, કેટલા ખોદકામ મંજૂરીથી તેમજ રસ્તા રિપેરિંગની ડિપોઝિટ લઇને કરવામાં આવ્યા? છેલ્લા પાંચ વર્ષમાં ખોદકામ કરાવ્યા તે રસ્તાથી મહાનગરપાલિકાની તિજોરીને કેટલો ખર્ચ થયો જેની સંપૂર્ણ વિગત વોર્ડ વાઇઝ માગવામાં આવી છે. સંભવત: ચાલુ બોડીનું છેલ્લું બોર્ડ, સાંસદને વળતર, ડેપ્યુટી કમિશનરની ભરતી સહિતની દરખાસ્તોસંભવત: ચાલુ બોડીનું આ છેલ્લું બોર્ડ બની રહે તેવી પૂરતી સંભાવના છે. આ સાધારણ સભામાં સાંસદ, કમલમ સહિતનાને જમીનનું વળતર, ડેપ્યુટી કમિશનરની ભરતીને મંજૂરી, 1056 આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા, વિવિધ રમતગમતના મેદાનો અને સ્પોર્ટ્સ ફેસિલિટીના ભાડા રિવાઇઝ કરવા, શિવ ટાઉનશિપની દુકાનોનું હરાજીથી વેચાણ કરવા સહિતની 12 દરખાસ્તનો સમાવેશ થાય છે. નોન હેબિટેબલ સ્પેશ હોય તો 2 ફૂટનું પ્રોજેક્શન એલાઉ છે, પરંતુ સરકારે નોન હેબિટેબલને હેબિટેબલ સ્પેસ ગણી છેસરકારે ફ્લાવર બેડના ઇસ્યૂના નિરાકરણ માટે પરિપત્ર તો કરી દીધો છે, પરંતુ જંત્રીના 100 ટકા પેનલ્ટી વધુ પડતી હોય અને ફિઝિબલ તથા વાયેબલ ન હોવાથી બિલ્ડરો હજુ સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ અને બી.યુ. પરવાનગી માટે અરજી કરતા અચકાય છે. જીડીસીઆરમાં નોન હેબિટેબલ સ્પેસ માટે 2 ફૂટ જગ્યાનું પ્રોજેક્શન આપેલું જ છે, પરંતુ મનપાએ નોન હેબિટેબલને હેબિટેબલ સ્પેસ ગણતા આ પરિપત્ર મુજબ હવે પેનલ્ટી ભરીને બાંધકામ રેગ્યુલરાઇઝ કરાવવું પડે, પરંતુ પેનલ્ટીની રકમ વધુ પડતી હોવાથી રિસ્પોન્સ મળતો નથી. > સતિષ મહેતા, એક્સપર્ટ બાંધકામ રેગ્યુલરાઇઝ માટે 100થી ઓછી અરજી આવીરાજકોટ શહેરનો ફ્લાવર બેડનો પ્રશ્ન હલ કરવા રાજ્ય સરકારે પરિપત્ર કરી દીધો છે, પરંતુ હજુસુધી બિલ્ડરો તેમાં રસ દાખવી રહ્યા નથી. મહાનગરપાલિકાના ઉચ્ચ વર્તુળોએ જણાવ્યા અનુસાર હજુસુધી ફ્લાવર બેડના ઇસ્યૂ ધરાવતા 80થી 90 બાંધકામો માટે બી.યુ.પરવાનગી અને કમ્પ્લીશન સર્ટિફિકેટ માટેની અરજીઓ આવી છે. જ્યારે રાજકોટ શહેરમાં 1400થી વધુ બાંધકામોના કમ્પ્લીશન અને બી.યુ.પરવાનગીનો પ્રશ્ન લટકેલો છે, પરંતુ રાજ્ય સરકારના પરિપત્ર બાદ પણ બિલ્ડરો હજુ સુધી મનપાના પગથિયાં ચડવા માટે તૈયાર ન હોવાનું ચિત્ર ઉપસ્યું છે. ઇનસાઇડ સ્ટોરીભાજપ હલ્લો કરશે અને છેલ્લે કોંગ્રેસ પણ દેકારો કરી કલાક પૂરી કરશેબોર્ડમાં પ્રથમ પ્રશ્ન વશરામ સાગઠિયાનો હોય ભાજપ સાધારણ સભા પર પોતાની પકડ જાળવી રાખવા સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરશે તેમાં બેમત નથી. આથી સાધારણ સભા શરૂ થતાં જ મ્યુનિસિપલ કમિશનર પ્રથમ પ્રશ્નનો જવાબ આપવા માટે પરિપત્ર અને જીડીસીઆર વાંચશે અને તે દરમિયાન ભાજપ પેટા પ્રશ્ન પૂછી અથવા અન્ય રીતે વળતો હલ્લો બોલાવશે અને ગાડી આડે પાટે ચડાવી દેશે અને શાસકોની નીતિથી ત્રસ્ત થઇને વિપક્ષ વળતો દેકારો બોલાવશે અને આ રીતે જનરલ બોર્ડમાં પ્રજાના પ્રશ્નો કોરાણે મૂકી ભાજપ-કોંગ્રેસ સામસામે દેકારા બોલાવી એક કલાક પૂરી કરી નાખશે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
નશામાં ધૂત પતિએ ક્રૂર બની પત્નીને બચકાં ભરી, વાળ ખેંચી, “તારા કરતાં તો આઇટમો સારી’ તેમ કહી ફટકારી તરછોડી દેતાં રાજકોટ માવતરના ઘરે આવેલી પરિણીતાએ સુરત રહેતા પતિ, સાસુ અને જેઠ-જેઠાણી સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં હાલ રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાફ ક્વાર્ટરમાં માવતરે રહેતી હિરલબેન કુલદીપસિંહ વાળાએ સુરત રહેતા પતિ કુલદીપસિંહ, સાસુ પ્રેમીલાબેન, જેઠ રાજદીપસિંહ અને જેઠાણી આરતીબેન સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, વર્ષ 2024માં જ્ઞાતિના રીત-રિવાજ મુજબ તેમના લગ્ન કુલદીપસિંહ સાથે થયા હતા. લગ્નના 15 દિવસ બાદ પતિ હું હમણાં આવું છું તેમ કહીને નીકળ્યા બાદ મોડેથી દારૂ પીને ઘરે આવ્યો હતો અને ઘરના બધા લોકોને બેફામ ગાળો ભાંડીને બધો સામાન ઘા કરી આતંક મચાવ્યો હતો. હિરલબેન તેમના પતિ કુલદીપને રૂમમાં લઈ જતા તેણે પેન્ટમાં જ લેટ્રિન કરી લીધું હતું. બીજા દિવસે સાસુ પ્રેમીલાબેન હિરલને ધમકાવતા કહ્યું હતું કે, તું આ ઘરની વાત કોઈને કહીશ તો મારા જેવી ભૂંડી કોઈનહીં હોય. તેણીને વાતવાતમાં સાસુ, જેઠ અને જેઠાણી કરિયાવર બાબતે મેણાંટોણાં મારતા. પતિનું એક્સિડન્ટ થયું હોય જેથી હિરલબેન તેની સેવા ચાકરી કરતા ત્યારે પણ તેમના જેઠાણી કહેતા કે, તમારા પ્રેમલા-પ્રેમલીના ખેલ રૂમમાં જઈને કરો. દરમિયાન હિરલબેન પરીક્ષા દેવા રાજકોટ આવ્યા હોય અહીંથી સુરત જતા ત્રીજા દિવસે ફરી તેમનો પતિ કુલદીપ દારૂ પી આવેલો અને ઝઘડો કરી હિરલબેનને બચકાં ભરી વાળ ખેંચી “તારા કરતાં તો આઇટમો સારી’ તેમ કહી રૂમની બહાર કાઢી મૂકી હતી. સાસરિયાંના અસહ્ય ત્રાસથી કંટાળીને હિરલબેને તેના પિતાને જાણ કરતાં તેઓએ રાજકોટ તેડી આવ્યા હતા. જે બાદ તેણી રાજકોટ મહિલા પોલીસ મથકમાં પતિ સહિતના સાસરિયાંઓ સામે માનસિક દુઃખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ભાસ્કર બ્રેકિંગ:એક રાજકીય પક્ષે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામનું ખાતું ખોલાવી ડોનેશન ઉઘરાવી લીધું
ગુજરાત આવકવેરા તંત્ર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં ઓફિસો ધરાવતી ચાર રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં રાજકોટ સહિત રાજ્યના અન્ય જિલ્લાના આયકર અધિકારીઓને પણ જોડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન એક રાજકીય પાર્ટીએ મહારાષ્ટ્રની અજિત પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના નામનો ઉપયોગ કરી તેમના નામે ખાતું ખોલાવી ડોનેશન પણ ઉઘરાવી લીધાની ચોંકાવનારી હકીકત આવકવેરાની તપાસમાં બહાર આવી છે. ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ચૂંટણી ફંડ ઉઘરાવતી બોગસ રાજકીય પાર્ટીઓ કાળાં નાણાંને ધોળા કરી આપવાના કારોબારમાં સંડોવાયેલી હોય ખર્ચ બતાવવામાં પણ આંધળુકિયા કરતા આવકવેરાના રડારમાં વધુ ચાર બોગસ રાજકીય પાર્ટીઓ આવી ગઇ હતી અને તેના પગલે આવકવેરા વિભાગે બુધવારે સવારે ગાંધીનગરમાં ભારતીય નેશનલ જનતા દળના વડા સંજય વિઠ્ઠલભાઇ ગજેરાના ઘર-ઓફિસ સહિતના સ્થળો પર દરોડા પાડ્યા હતાp આ ઓપરેશનમાં રાજકોટના 20 જેટલા અધિકારીઓ જોડાયા છે અને આયકરના અન્વેષણ વિભાગના જોઇન્ટ કમિશનર સહિતના અધિકારીઓને પણ સુપરવિઝનમાં રખાયા છે. વડોદરા, સુરતની ટીમ પણ સર્ચમાં જોડાઈ છે. રાજકોટમાં બે ડઝન લોકોએ બોગસ પાર્ટીઓને ફંડ આપ્યુંઅંબાવી કેશવભાઇ ચાવડા રૂ.4.50 લાખ, અરજણ રામદેવભાઇ કરંગિયા રૂ.1.50 લાખ, અર્જુન દોશી રૂ.2.50 લાખ, બેરા વિશાલકુમાર કાંતિલાલ રૂ.1.90 લાખ, દેવ્યાની સિદ્ધપરા રૂ.90 હજાર, દિનેશ મનુભાઇ ભાલિયા રૂ.6 લાખ, દુસારા કૃણાલ પરષોત્તમભાઇ રૂ.1,74,909, ગાંધી શ્રીપાલ અશ્વિન રૂ.10 લાખ, ગૌરેશ એસ.શાસ્ત્રી રૂ.3 લાખ, ગિરીશકુમાર અર્જુનભાઇ સોલંકી રૂ.3 લાખ, હેનિત જયેશ નથવાણી રૂ.1.50 લાખ, જય વિષ્ણુભાઇ દવે રૂ.1 લાખનું ડોનેશન આપ્યું હતું. નૈશવ રોહિત ધ્રુવ રૂ.2 લાખ, નરેન્દ્ર યુ.ચાવડા રૂ.2 લાખ, પરાગ ઘેટિયા રૂ.5 લાખ, પ્રકાશકુમાર ભાયાભાઇ વાળા રૂ.3 લાખ, પ્રેમલતા મીથલ ચાવડા રૂ.3 લાખ, રાહીલ ધર્મેશ ઘૂંટલા રૂ.2 લાખ, સોનૈયા ચિરાગકુમાર રૂ.3.10 લાખ, વિનય હસમુખભાઇ ભીંડે રૂ.70 હજાર, વિવેકકુમાર આર.વાળા રૂ.4.45 લાખ, યોગેશ વિનોદ વાળા રૂ.50 હજારનું ફંડ બોગસ રાજકીય પાર્ટીઓને આપ્યાનું બહાર આવ્યું છે.
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ સમગ્ર દેશના એરપોર્ટ, રેલવે સ્ટેશન અને જાહેર સ્થળોએ સુરક્ષા વધારવામાં આવી છે. રાજકોટમાં જ્યાં વધુ જનમેદની એકઠી થાય છે તેવા મુખ્ય પરિવહન કેન્દ્રો-આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને પગલે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એલર્ટના માહોલ વચ્ચે ‘દિવ્ય ભાસ્કરે’ આ ત્રણેય સ્થળ પર સુરક્ષાની વાસ્તવિકતા જાણી હતી. એરપોર્ટમાં એલર્ટને પગલે સુરક્ષા વધારી દેવામાં આવી છે, યાત્રિકોનો સમાન બે વખત ચેક કરવામાં આવી રહ્યો છે. લોકોના વાહનની પણ તપાસ થઇ રહી છે. જ્યારે બીજી બાજુ રેલવે સ્ટેશનમાં RPF અને સ્થાનિક પોલીસ દ્વારા પણ ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યાં સૌથી વધુ લોકોની અવરજવર છે એવું રાજકોટનું બસપોર્ટ હાલ જાણે રેઢુપડ હોય તેવી સ્થિતિ જોવા મળી. કારણ કે, ત્યાં કોઈ પોલીસ બંદોબસ્ત ન હતો! દિલ્હી બ્લાસ્ટ બાદ રાજકોટ એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર પ્રશંસનીય કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, પરંતુ બસપોર્ટની બેદરકારી સુરક્ષા તંત્રની નબળી કડી સાબિત થઈ શકે છે. સૌથી વધુ સામાન્ય લોકો જ્યાં એકઠા થાય છે, તેવા બસપોર્ટ પર સુરક્ષાનો અભાવ જોવા મળ્યો હતો. એરપોર્ટ | વાહન-સામાનની સઘન તપાસઆંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સુરક્ષામાં કડકાઈ જોવા મળી રહી છે. અહીં CISFના જવાનો સાથે ડોગ સ્ક્વોડને તૈનાત કરી દેવાઈ છે, જે સતત ચેકિંગ કરી રહી છે. દરેક યાત્રિકના સામાનને હવે ઓછામાં ઓછો બે વખત ઝીણવટભરી તપાસમાંથી પસાર થવું પડે છે. પ્રથમ એરપોર્ટના પ્રવેશદ્વાર પર અને ત્યારબાદ ચેક-ઇન કાઉન્ટર પર. યાત્રીઓને ફ્લાઇટના સમય કરતાં ઓછામાં ઓછા 2 કલાક વહેલા એરપોર્ટ પર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. રેલવે સ્ટેશન | સતત પેટ્રોલિંગ - સામાનનું ચેકિંગરેલવે સ્ટેશ હજારો મુસાફરોની અવરજવરનું કેન્દ્ર છે, ત્યાં પણ રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ, વેઇટિંગ રૂમ, ટિકિટ કાઉન્ટર અને પાર્સલ ઓફિસ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાર્કિંગ એરિયામાં ઊભેલા વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. મુસાફરોને પણ અનુરોધ કરવામાં આવી રહ્યો છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ વિશે તુરંત RPF કે પોલીસને જાણ કરે. બસપોર્ટ | હજારો લોકોની અવરજવર, છતાં કોઈ ચેકિંગ કે સ્ક્રીનિંગ નથી!જ્યારે એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર હાઇએલર્ટની અસર સ્પષ્ટ દેખાય છે, જ્યારે રાજકોટના મુખ્ય બસપોર્ટ પર સુરક્ષાની સ્થિતિ તદ્દન વિપરીત અને ચિંતાજનક છે. બસપોર્ટ પર પોલીસ કે સુરક્ષાકર્મીઓની તૈનાતી લગભગ નહીંવત છે. અસંખ્ય લોકોની અવરજવર હોવા છતાં, કોઈ ખાસ સઘન ચેકિંગ કે સ્ક્રીનિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી. એસ.ટી.ના વાહનો અને મુસાફરો બેરોકટોક આવી રહ્યા છે અને જઈ રહ્યા છે. એવું લાગી રહ્યું છે કે, આટલી ગંભીર ચેતવણી છતાં, બસપોર્ટ પર સુરક્ષાને લઈને તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે. આ સ્થિતિ હજારો મુસાફરોની સુરક્ષા માટે મોટો ખતરો ઊભો કરી શકે છે. દિલ્હીની ઘટના બની એ દિવસે રાત્રે બસપોર્ટમાં ચેકિંગ કરાયું પછી કોઈ ચેકિંગ કે તપાસ કરાઈ નથી.
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં શિયાળાની શરૂઆત અને તાપમાનનો પારો ઝડપથી ગગડ્યો હોવાનું હવામાન વિભાગના આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. કારણ કે, તાજેતરમાં જ 15 વર્ષમાં પહેલીવાર નવેમ્બરના પ્રથમ 10 દિવસમાં જ પારો 15.7 ડિગ્રી થઇ ગયો હતો. રાજકોટમાં બુધવારે પણ લઘુતમ તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું હતું, પરંતુ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સૌથી વધુ ઠંડી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલન દરમિયાન અનુભવાશે. 21 ડિસેમ્બરથી જમ્મુ-કાશ્મીરમાં ચિલ્લાઈ કલન શરૂ થશે. આ સમયગાળા દરમિયાન રાજકોટ સહિત રાજ્યમાં સૌથી વધુ ઠંડી અનુભવાશે. હવામાન નિષ્ણાતોના મતે આ વર્ષનો શિયાળો સામાન્ય કરતાં વધુ તીવ્ર અને લાંબો રહેવાની સંભાવના 70% થી વધુ છે. IMD અને અન્ય વૈજ્ઞાનિક એજન્સીઓના મતે, ‘લા નીના’ વાતાવરણીય પેટર્નને કારણે આ વર્ષે સમગ્ર ઉત્તર ભારતમાં, જેમાં જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે, સામાન્ય કરતાં વધુ ઠંડો શિયાળો અનુભવાશે. નિષ્ણાતો પણ જણાવે છે કે, આ વર્ષે ઠંડી લાંબો સમય સુધી રહેશે અને તીવ્ર પણ રહેશે. ચિલ્લાઈ કલન દરમિયાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધેલી આવર્તન અને તીવ્રતાને કારણે, ઊંચા પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. IMDના અનુમાન મુજબ, ચિલ્લાઈ કલન દરમિયાન તાપમાન નીચું જ રહેશે અને કોલ્ડ વેવ (Cold Wave) ની સ્થિતિ પણ જોવા મળી શકે છે. રાજકોટ સહિત રાજ્યમાં પણ જમ્મુ-કાશ્મીરના ચિલ્લાઈ કલનની અસર જોવા મળતી હોય છે. આ સમય દરમિયાન રાજ્યના કેટલાક પ્રદેશમાં સૌથી નીચું તાપમાન અનુભવાય છે. સામાન્ય રીતે આ સમયગાળો ડિસેમ્બરના ત્રીજા સપ્તાહથી જાન્યુઆરી સુધીનો રહેતો હોય છે. આ વર્ષે પણ આ ચિલ્લાઈ કલનની અસરને પગલે 21 ડિસેમ્બર બાદ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચિલ્લાઈ કલનની અસરને લીધે ગુજરાતમાં ઠંડી વધવાનાં કારણો 1 ) ચિલ્લાઈ કલન દરમિયાન કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષા થાય છે. 2 ) હિમવર્ષાને કારણે ઉત્તર ભારતની જમીન અને સપાટીનું તાપમાન ખૂબ નીચું જાય છે. 3 ) જ્યારે આ હિમવર્ષાનો તબક્કો પૂરો થાય છે અને હવામાન ખુલ્લું થાય છે, ત્યારે ઠંડી અને સૂકી હવા ભારતના મેદાની પ્રદેશોમાંથી થઈને ઉત્તર-પૂર્વીય દિશામાંથી ગુજરાત તરફ ધસે છે. 4 ) જ્યારે આ ઉત્તરના ઠંડા પવનોનો પ્રવાહ મજબૂત બને છે, ત્યારે ગુજરાતમાં શીતલહેરની સ્થિતિ સર્જાય છે, જેના કારણે લઘુતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે જઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં (જેમ કે નલિયા, રાજકોટ અને અમદાવાદમાં). ભાસ્કર એક્સપ્લેનરશું છે ચિલ્લાઈ કલન? સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કેવી રીતે અસર કરે છેચિલ્લાઈ કલન એ પર્શિયન શબ્દ છે જેનો અર્થ થાય છે ‘મોટી ઠંડી’. આ શબ્દ મુખ્યત્વે જમ્મુ અને કાશ્મીરમાં શિયાળાની સૌથી તીવ્ર 40 દિવસની અવધી માટે વપરાય છે. આ સમયગાળો સામાન્ય રીતે 21મી ડિસેમ્બરથી શરૂ થાય છે અને 31મી જાન્યુઆરી સુધી ચાલે છે. આ 40 દિવસ દરમિયાન કાશ્મીરમાં અતિશય ઠંડી પડે છે, લઘુતમ તાપમાન વારંવાર શૂન્ય ડિગ્રીથી નીચે (સબ-ઝીરો) જતું રહે છે. આ સમયગાળામાં સૌથી વધુ હિમવર્ષા થવાની શક્યતા રહે છે. જોકે ઉત્તર ભારતમાં થતી આ તીવ્ર ઠંડી અને બરફવર્ષાની અસર પરોક્ષ રીતે સમગ્ર ભારતના હવામાન પર પડે છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આ દિવસો દરમિયાન તાપમાન સૌથી નીચું જાય છે અને કાતિલ ઠંડી અનુભવાય છે.
પર્દાફાશ:ચિત્ર પર પૈસા લગાવી ચિઠ્ઠી ખોલી જુગાર રમવાની ઓપરેન્ડીનો એલસીબી દ્વારા પર્દાફાશ કરાયો
શહેરમાં વીડી હાઈસ્કૂલથી વાણીયાવાડ જતા માર્ગ પર રાજન ફર્નિચરની સામેની બાજુ લારીઓના પાછળના ભાગે બાવળની ઝાડીમાં લાંબા સમયથી જુગારની બદી ચાલતી હોવાની ફરિયાદ વચ્ચે મંગળવારે મોડી રાત્રે એલસીબી દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં જુગાર રમતા છ ખેલી પકડાયા હતા. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ, ગોળ કુંડાળું કરીને હાથબત્તીના અજવાળામાં જુગારીઓ બેઠા હતા હાથમાં રોકડા રૂપિયા અને નીચે બેનરમાં અલગ અલગ ચિત્ર દોરેલા હતા સાથે પીળા કલરના પુઠા પર અલગ અલગ ચિત્ર અને તેના નીચે અલગ અલગ કલરની ચિઠ્ઠીઓ ચોટાડવામાં આવેલી હતી.આરોપીઓ ઓરીજનલ પપ્પુ પ્લેઇંગ પિક્ચરના ચિત્ર પર ચિઠ્ઠીનો જુગાર રમતા હતા. બેનરમાં એક ચિત્ર પર પૈસા લગાવી પીળા કલરના પુઠામાં નીચે રહેલી ચિઠ્ઠી ખોલી ચિત્ર ફરકનો જુગાર રમતા હતા.સ્થળ પરથી જ્યેષ્ઠાનગરમાં રહેતા કૌશિક વિનોદભાઈ ભાવસાર, માધાપરના નિખિલ ઈશ્વરલાલ જોશી, કેમ્પ એરિયાના મામદ ફકીરમામદ ખલીફા, ખારસરા ગ્રાઉન્ડના જાફરહુસેન જુસબ લુહાર, જીઆઇડીસી હંગામી આવાસના પાર્થ ભરતભાઈ ઓઝા, દાદુપીર રોડના એજાજ રમજુ ત્રાયા મળી આવ્યા હતા. જ્યારે ભુજનો હિરેન ઠક્કર હાજર મળી આવ્યો ન હતો સ્થળ પરથી બે મોપેડ, 7 મોબાઈલ અને રોકડ મળી 94,720નો મુદ્દામાલ કબજે કરી ભુજ એ ડિવિઝનમાં જુગારધારાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
મોબાઈલ FSLમાં મોકલાયા:જમ્મુ-કાશ્મીરના નાગરિકો મામલે તપાસ તેજ
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટનાને પગલે ભુજ એસઓજી દ્વારા વિવિધ હોટલમાં તપાસ કરાઈ હતી જેમાં હોટલ જનતાઘરમાં તપાસ કરતા જમ્મુ કાશ્મીરના 2 યુવકો, એક મહિલા સહીત ત્રણ બાળકો રોકાયેલા હોવાનું સામે આવ્યું હતું. જોકે હોટેલના રજીસ્ટરમાં માત્ર એક જ યુવકની નોંધ હોવાથી પોલીસે હોટલના સંચાલક પિતા-પુત્ર સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો છે. સાથે જ હોટેલમાં રોકાયેલા જમ્મુ કાશ્મીરના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં તેઓ કાશ્મીરના કૂપવાડાથી ભુજમાં ચંદો માંગવા આવ્યા હોવાનું જણાવી રહ્યા છે.એસઓજીએ તમામના મોબાઈલ ફોન જપ્ત કરીને એફએસએલમાં તપાસ માટે મોકલાવ્યા છે.કૂપવાડા પોલીસને પણ જાણ કરવામાં આવી છે.હાલ વિવિધ મુદાઓ પર તપાસ ચાલી રહી છે.
પાણી વિતરણની આવક:પાલિકાની ટેન્કર શાખાએ 7 મહિનામાં 10 હજાર ફેરાથી ~ 14.16 લાખ રળ્યા
ભુજ નગરપાલિકાની વોટર ટેન્કર શાખાએ એપ્રિલથી અોકટોબર મહિના દરમિયાન 7083 ફેરાથી 14 લાખ 16 હજાર 796 રૂપિયા રળ્યા હતા. જોકે, 3019 ફેરા દુષિત પાણીની ફરિયાદ, ધાર્મિક અને બિન સરકારી સંસ્થા વગેરે સ્થળે મફત પાણી વિતરણ કર્યા હતા. ભૂકંપ પછી શહેરનો વિસ્તાર 5 ચો.કિ.મી.માંથી સીધો 56 ચો.કિ.મી.માં થઈ ગયો છે, જેથી કેટલીક વસાહતોમાં હજુયે માત્ર નળ વાટે પાણી પહોંચાડી નથી શકાતું. અમુક વસાહતોમાં દૂષિત પાણી સમસ્યા છે જે હજુયે ઉકેલાઈ નથી, જેથી વોટર ટેન્કર શાખા દ્વારા ટેન્કર મારફતે મફત પાણી પહોંચતું કરાય છે. એ સિવાય ધાર્મિક અને બિનસરકારી સંસ્થાઅોને પણ નિ:શુલ્ક પાણી વિતરણ કરાય છે. એપ્રિલથી અોકટોબર સુધીના 7 મહિના દરમિયાન વોટર ટેન્કર શાખાએ 11 હજાર જેટલા ફેરા કર્યા હતા, જેમાં પ્રત્યેક ફેરાએ 200 રૂપિયા લેખે 7083 ફેરા દ્વારા 14 લાખ 16 હજાર 796 રૂપિયા રળ્યા છે. જોકે, 3017 ફેરા નિ:શુલ્ક કરવા પડ્યા છે. વળી આખા શહેરમાં દૂર દૂર સુધી પાણી પહોંચાડવાનું હોવાથી નહીં નફો નહીં નુકશાનના ધોરણે વિતરણ કરવાથી એકંદરે ખોટ જ જતી હોય છે. માત્ર શહેરીજનોની સુવિધા જ જળવાય છે. 4 ટ્રેકટર, 1 ટેન્કર, 20 કર્મચારીઓવોટર ટેન્કર શાખાના વડા દક્ષેષ ભટ્ટે જણાવ્યું હતું કે, 5-5 હજાર લીટરની ક્ષમતાના ટેન્કર ટ્રેકટર મારફતે અને 10 હજાર લીટર ટેન્કર મારફતે પહોંચતું કરાય છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી 365 દિવસ સેવા ઉપલબ્ધ છે. નળ વાટે વિતરણ થતા નર્મદાના નીર મળ્યા ન હોય ત્યારે 24 કલાક ફેરા ચાલુ રખાય છે. હાલ તારીખ 6થી 11 સુધી ફેરા વધી ગયા હતા. આમ, નર્મદાના નીર ન મળે ત્યારે વિશાળ અન્ડર ગ્રાઉન્ડ અને અોવર હેડ ટેન્કમાં સંગ્રહાયેલું શહેરીજનોને પહોંચાડી સુવિધા જાળવી લેવામાં આવે છે.
15 ને નોટિસ ફટકારાઇ:ભુજમાં સરકારી જમીન પર દબાણ ખસેડવા તખ્તો તૈયાર
ગાંધીધામ મહાનગરપાલિકાએ શહેરના મુખ્ય વિસ્તારોમાં વર્ષોથી થયેલા દબાણ કોઈ શેહ શરમ રાખ્યા વગર દૂર કર્યા. નવ નિયુક્ત કમિશનર મનીષ ગુરવાણીએ આવતા વેંત કડક હાથે કાર્યવાહી કરી. તેવી ધાક બેસાડતી કાર્યવાહી ભુજમાં પણ થાય તેવી માગ ઉઠી છે. શહેર મામલતદાર દ્વારા 15 દબાણકર્તાઓને નોટિસ પાઠવાઇ છે. આ મુદત દરમિયાન સ્વેચ્છાએ દબાણ દૂર નહીં કરે તો સરકારી રહે નિયમોને આધીન દૂર કરાશે તેવું શહેર મામલતદાર તેજસ પટેલે જણાવ્યું હતું. ભુજનો વિકાસ થયો તેમ તેમ અનધિકૃત બાંધકામો પણ વધી ગયા. એરપોર્ટ રીંગરોડ હોય કે ભીડ વિસ્તાર ચારે બાજુ સરકારી જમીન પર બિન્દાસ બાંધકામ કરાયા છે. વર્ષોથી આ ગેર પ્રવૃત્તિ પર રોક લગાવે તેવું મહેસુલ વિભાગ દ્વારા કામ કરાયું નથી. મળતી માહિતી મુજબ પાણીના વહેણને અવરોધ કરતા દબાણો, રિલોકેશન વસાહત, સોસાયટી વિસ્તાર કે સાર્વજનિક પ્લોટ સહિતના અનેક દબાણોને ભાડા તેમજ સીટી સર્વે દ્વારા અંકિત કરીને કામગીરી કરવામાં આવે. ટૂંક સમયમાં આ દબાણ પર બુલડોઝર ફરી વળશે ? તેવું મામલતદારને પૂછતા તેમણે જણાવ્યું કે 15 જેટલા અનધિકૃત બાંધકામોને નોટિસો આપી છે. કાયદા મુજબ તેમને રજૂઆત કરવા માટે સમય આપવો પડે. આ અવધિ બાદ પણ જો કાયદેસરતા સાબિત ન કરી શકે તો તેને દબાણ ગણીને તોડી પાડવામાં આવશે. કેટલાક સામાજિક તત્વોનો પણ સમાવેશ થયો છે તેવું જાણવા મળે છે. વાણિજ્ય સંકુલના મંજૂરીથી વધારે બાંધકામ પર કાર્યવાહી થશે ?ભુજનો વિકાસ થયો તેમ દરેક રાજ્ય ધોરીમાર્ગને અડીને વાણિજ્ય સંકુલો બન્યા. ભાડામાં લેવામાં આવતી મંજૂરી કરતા વધારે બાંધકામ પણ થયા છે. જે અધિકારીઓને જાણ હોવા છતાં પણ વધારાનું બાંધકામ તોડવાની કોઈ કાર્યવાહી થઈ નથી. આ અંગે વખતો વખત રજૂઆતો થઈ છે. પરંતુ ધાક બેસાડતી એક પણ કામગીરી ન થતાં અનેક સવાલ ઊભા થાય છે. સરકારી જમીન પર થતું પાકું બાંધકામ અનધિકૃત કહેવાય તો મંજૂરી બાદ પણ વધારાનું બાંધકામ નિયમની વિરુદ્ધ જ છે. તો તેની સામે પગલાં શા માટે નહીં ?
પાણીનું વિતરણ અટક્યું:11 દિવસ મરંમત પછી 12 દિવસે ફરી સાપેડા પાસે નર્મદાની મુખ્ય લાઈન તૂટી
અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે નર્મદાની મુખ્ય લાઈન તૂટી ગઈ છે, જેથી 11 દિવસની મરંમતની કામગીરી બાદ 12માં દિવસે પણ નળ વાટે પાણી વિતરણ અટકી ગયું છે. લોકોના ઘરના ભૂગર્ભ ટાંકાઓમાં તળિયા દેખાવા લાગ્યા છે અને નળ વાટે પાણી વિતરણ થતું નથી, જેથી હજુ શિયાળો જામ્યો નથી અને ઉનાળાની અસર હજુ વર્તાય છે ત્યારે પાણીના અભાવે લોકોની મુસીબતમાં વધારો થયો છે. ઓકટોબરમાં દિપોત્સવી પર્વ સમયે જ જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની લાઈનનું મરંમત થવાનું હતું. પરંતુ, દિવાળીના તહેવારો સમયે નગરપાલિકાના અનુરોધના પગલે 5મી નવેમ્બરથી સટડાઉન કરાયું હતું. જે દરમિયાન માધાપર પાસે નગરપાલિકાની લાઈન પણ તૂટી ગઈ હતી, જેથી કુકમા સમ્પેથી ભુજીયા ટાંકે પાણી પહોંચતું ન હતું. જે લાઈનનું મરંમત 6ઠ્ઠી નવેમ્બરથી શરૂ થયું હતું. જે 11મી નવેમ્બર સુધી ચાલ્યું હતું. જે કામ પૂરું થયું ત્યાં 12મી નવેમ્બરે સાપેડા પાસે નર્મદાની લાઈનમાં પંચર પડ્યું છે, જેથી કુકમા સમ્પે પાણી પહોંચ્યા નથી અને ભુજીયા ટાંકો તળિયાઝાટક છે. ગામડાની સરહદોને અડીને વિકસેલી વસાહતોમાં આમેય સપ્તાહમાં માંડ એક બે દિવસ પાણી વિતરણ થાય છે, જેમાંય 11 દિવસથી પાણી પહોંચ્યું નથી અને 12માં દિવસે લોકોના ભગર્ભ ટાંકાના તળિયામાં ટીપુંએ પાણી નથી. મુન્દ્રા રિલોકેશન સાઈટના છેવાડે અને મીરજાપર ગામને અડીને વિકસેલી વસાહતોના લોકોની કફોડી હાલત થઈ ગઈ છે. આશાપુરા નગરના ગૃહિણી રાજુલાબેન કારાણીએ જણાવ્યું હતું કે, બુધવારે હજુ તો ટીપું ટીપું પાણી આવે ત્યાં જ બંધ થઈ ગયું. છેલ્લા દસેક દિવસથી પાણી મળ્યું નથી અને હવે તો ટાંકા બિલકુલ ખાલી છે. ટેન્કર મારફતે પાણી પહોંચતું કરાયું નથી, જેથી તમામ કામ અટકી ગયા છે. હાલાકી વધી ગઈ છે. જો આવા સમયે નગરસેવકો સામેથી ઘરોઘર ટેન્કર મારફતે પાણી પહોંચતું કરવાની સેવા આપે તો લોકોને રાહત થાય. કર્મચારીઓએ પણ સર્વે કરીને પાણી પહોંચાડવાની તકેદારી રાખવી જોઈએ. બપોરથી લાઈન તૂટી છે આવતી કાલે સંધાઈ જશેનગરપાલિકાની પાણી વિતરણ સમિતિના ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, જી.ડબ્લ્યુ.આઈ.એલ. એ 5મી નવેમ્બરથી સટ ડાઉન કર્યું અને માધાપર પાસે નગરપાલિકાની લાઈન તૂટી ગઈ હતી એટલે 11 દિવસથી નળ વાટે વિતરણ થઈ નથી શક્યું. એ દરમિયાન કુકમાથી ભુજીયા સુધીની ત્રીજી લાઈન સક્રિય કરવાની તક જડતીને મુસીબતે અવસરમાં બદલી છે, જેથી ભવિષ્યમાં કુકમા સમ્પેથી વધુને વધુ પાણી ભુજીયા સમ્પે પહોંચતું કરીને વિતરણ વ્યવસ્થા સુધારી શકાશે. બાકી સાપેડા પાસે નર્મદાની લાઈનમાં પંચર થતા કુકમા સમ્પે બપોરે 3 વાગે પાણી આવતું બંધ થઈ ગયું છે. ગુરુવારે સવારે 11 વાગ્યા આસપાસ કુકમા સમ્પે પાણી આવે એવી માહિતી છે. જે પછી ભુજવાસીઓને નળ વાટે પાણી પહોંચતું કરી શકાશે. બન્ની વિસ્તારને પણ પાણી નહીં મળેકુકમા સમ્પે 75-75 લાખના બે સમ્પ છે. એક સમ્પમાંથી ભુજને અને બીજા સમ્પમાંથી બન્ની વિસ્તારના ગામડાઓને પાણી પહોંચતું કરાય છે. પરંતુ, બંને સમ્પમાં પાણીનું ટીપુંયે નથી, જેથી ત્યાં પણ પાણીની કટોકટી સર્જાઈ છે.
ભુજની જનરલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન, સરકારી કર્મચારીઓ તેમજ બીપીએલ કાર્ડ ધારકો માટે નિયમિત સ્વાસ્થ્ય સંબંધિત નોર્મલ બોડી ચેકઅપ માટેના તેમજ આ લોકોને કોઈ બીમારી દરમિયાન પણ કરવામાં આવતા જરૂરી પેથોલોજી રિપોર્ટ નિઃશુલ્ક કરી આપવામાં આવે છે પણ રિપોર્ટ આવ્યા બાદ જે તે દર્દીના રિપોર્ટ જ તે દર્દીને આપવામાં આવતા નથી. માત્ર ડોક્ટર દ્વારા તે રિપોર્ટ જોઈ અને વધુમાં દર્દીને જોવા હોય તો ડોક્ટર દ્વારા તેને બતાવીને તેની કોપી માટે સાફ ના પાડી દેવામાં આવે છે અને આ જ રિપોર્ટના અંદાજે 1000થી 1200 રૂપિયા સામાન્ય દર્દી દ્વારા ભરવામાં આવે તો ત્વરિત રિપોર્ટ આપી દેવામાં આવે છે. સરકારી કચેરીઓ હોય કે હોસ્પિટલ, તંત્ર સંબંધિત મોટા ભાગની પ્રક્રિયાઓમાં સામાન્ય નાગરિકને ધક્કા ખાવા સિવાય કઈ હાથમાં આવતું નથી. ભટકવા છતાં જો અંતે કાર્ય થતું હોય તો ભાગદોડ લેખે લાગતી હોય પણ લાંબી પ્રક્રિયામાંથી પસાર થયા બાદ પણ અંતે નિષ્ફળતાનો સ્વાદ જ ચાખવા મળતો હોય છે. આવા નિયમિત કડવા સ્વાદનો અનુભવ ભુજની જનરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને થાય છે. આ બાબતે જ્યારે ભાસ્કરે દર્દી સાથે રૂબરૂ થઈને તપાસ કરી. સૌપ્રથમમાં ગેટ પાસેના લેબ રિપોર્ટ વિતરણ કાઉન્ટર પર જે તે દર્દીના તૈયાર થઈ ગયેલા રિપોર્ટ માંગવામાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલા કર્મચારીએ ના પાડી કે ‘અમારી પાસે નથી’, તમે ડોક્ટરને મળી શકો છો. ત્યાંથી 7નંબરની ઓપીડીમાં ડોક્ટરને મળીને રિપોર્ટ માંગવામાં આવ્યા ત્યારે તેમણે પણ ના પાડી કે ‘રિપોર્ટ આપવામાં આવશે નહીં, જોવા હોય તો કોમ્પ્યુટરમાં બતાવી દઈશું’. તેઓને સોફ્ટ કોપી પણ મેઈલમાં, સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમ દ્વારા કે પેન ડ્રાઈવમાં પણ નાખી આપવાનું કહેવા છતાં પણ સદંતર ના પાડવામાં આવી અને આગળ પૂછવા માટે કહ્યું હતું. ત્યારે પ્રથમ માળ પર બિલિંગ કાઉન્ટર પર પૂછતાછ કરવામાં આવતા ફરીથી ના પાડવામાં આવી કે હાર્ડ કોપી કે સોફ્ટ કોપી આપવામાં આવશે નહીં અને ફરીથી ત્યાંથી એમ.ઓ.ડી. (મેનેજર ઓન ડ્યુટી)ને મળવા માટે કહેવામાં આવ્યું. અંતે એમ.ઓ.ડી.ની કેબિન શોધીને ત્યાં ગયા તો તેઓ હાજર ન હતા. થોડી વાર રાહ જોયા બાદ કેબિન બહારના એમના નંબર સંપર્ક ડાયલ કરવામાં આવતા તેઓને શરૂથી અંત સુધીની સમગ્ર વાત જણાવી પણ તેમણે સ્પષ્ટ ના પાડીને કહ્યું કે પ્રિન્ટ આપવાની પોલિસી બંધ કરી આપવામાં આવી છે. કોઈ દર્દીને પોતાની મેડિકલ હિસ્ટ્રી રાખવા માટે, અન્ય કોઈ જગ્યાએ કે સારવાર માટે જરૂરી એવા તેના જ રિપોર્ટ મેળવવા માટે ખૂબ માથાકૂટ કર્યા બાદ માત્ર નિરાશા હાથે લાગે છે અને રૂપિયા ભરી આપો તો તુરંત કામ કરી દેવામાં આવે છે. સેકન્ડ ઓપિનિયન તો તબીબી સેવામાં ખાસ લેવાય પણ અહીં રિપોર્ટ વગર કેમ લેવાય? સારવાર મળી પણ રિપોર્ટ ન મળ્યાભુજના નિવૃત સરકારી કર્મચારી અને સિનિયર સિટીઝન એવા 66 વર્ષીય દિનેશભાઈ મણિલાલ ઠક્કરે પોતાના કોલેસ્ટ્રોલ બાબતે અને અન્ય ચેકઅપ માટે જનરલ હોસ્પિટલ ગયા હતા ત્યારે તેઓના ટેસ્ટ બાદ ડોક્ટર દ્વારા સારવાર તો કરી આપવામાં આવી પણ રિપોર્ટ માટે સ્પષ્ટ ના પાડવામાં આવી હતી. તેઓ બીજા દિવસે પણ તેમના દિકરા સાથે જઇને રિપોર્ટ મેળવવા બાબતે જરૂરી પુછતાછ કરી હતી. તેઓ પણ મોટી ઉંમરે આ સમગ્ર પ્રક્રિયાના બધા ધક્કા ખાધા બાદ પણ પોતાના જ રિપોર્ટ મેળવી શક્યા ન હતા. બે દિવસ દરમિયાન અન્ય દર્દીઓને પણ રૂબરૂ મળીને રિપોર્ટ માટે પૂછવામાં આવ્યું પરંતુ તમામે જણાવ્યું કે ‘અમારા પોતાના જ જરૂરી એવા રિપોર્ટ અમને જ આપવામાં આવતા નથી’. વિવિધ પ્રકારના બોડી ચેકઅપ ટેસ્ટના રિપોર્ટ અલગ અલગ સારવાર માટે જાળવી રાખવા જરૂરીભુજની જનરલ હોસ્પિટલમાં બ્લડ કાઉન્ટ, રેન્ડમ બ્લડ સુગર, લીવર ફંક્શન ટેસ્ટ, પોસ્ટપ્રાન્ડિયલ બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, રીનલ (કીડની) ફંક્શન ટેસ્ટ, લિપિડ પ્રોફાઈલ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, હિમોગ્લોબિન, એચઆઈવી સહિતના વિવિધ બોડી ચેકઅપ માટેના ટેસ્ટ કરી આપવામાં આવે છે. જે વિવિધ સારવાર માટે ખૂબ અગત્યના હોય છે તેમજ તેના આધારે ભવિષ્યમાં દર્દી દ્વારા લેવામાં આવતી ટ્રીટમેન્ટ માટે પણ આવા રિપોર્ટની હિસ્ટ્રી જાળવી રાખવી જરૂરી હોય છે. રૂબરૂ આવીને મળી જાઓ : ચીફ મેડિકલ સુપ્રિડેન્ટેન્ડન્ટઆ સમગ્ર બાબતે જ્યારે ચીફ મેડિકલ સુપ્રિડેન્ટેન્ડન્ટ ડો. હિરાણીનો સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે એમણે સામાન્ય પ્રતિભાવ આપવા સાથે કોઈ પણ યોગ્ય સ્પષ્ટતા ના કરતા રૂબરૂ આવીને મળી જાઓનું રટણ કર્યું હતું. રિયાલિટી ચેક
મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોને ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અન્વયે સમજૂતી આપવા મીટીંગ કરવામાં આવી હતી. જેમાં બુથ લેવલ એજન્ટની નિમણૂક કરી BLO સાથે રહી મતદારોને સહકાર મળી રહે તે માટે ચર્ચા કરાઇ હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું. મોરબી જિલ્લા ભાજપના હસુભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે, આ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર, ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ માર્ગદર્શન મળ્યું હતું. જેમાં કાર્યક્રમ અંગેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ મિટિંગમાં તમામ રાજકીય પક્ષોને સાથે રાખીને ચર્ચા કરવામાં આવી હતી. અમોને તમામ પ્રકારની માહિતી આપવામાં આવી છે. આગામી દિવસોમાં વધુમાં વધુ ફોર્મ ભરાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજની મિટિંગમાં BLO અને BLO-2 અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અમે રાજકીય પક્ષોના લોકો પણ તેઓને સાથ સહકાર આપીને કામગીરી કરીશું. બહુજન સમાજ પાર્ટીના મોરબી જિલ્લા મહિલા પ્રમુખ ભાગ્યશ્રીબેન ચૌહાણએ પણ જણાવ્યું હતું કે, આજની આ મીટીંગમાં અમને SIR વિશે માહિતી આપવામાં આવી છે. આ કાર્યક્રમ અંતર્ગત અમે પણ લોકો વધુ ને વધુ જાગૃત બને તેવા પ્રયાસો કરીશું.
પુલના સમારકામની માંગ:આટકોટ-ભાદર નદીના નવા પુલ પર ખાડાઓથી હાલત ખરાબ, ભારે મુશ્કેલી
રાજકોટ–ભાવનગર હાઈવે પર આવેલ આટકોટ ભાદર નદીનો નવો પુલ હવે જોખમી બની ગયો છે. પુલ પર ઠેરઠેર મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને નાગણી જેવી કળા સાથે વાહન હંકારવું પડે છે. પુલની ઇગંલો ખુલ્લી દેખાય છે, અને સરપાકારે વાહન ચલાવતાં અકસ્માતનો ભય સતત ત્રાટકે છે. વરસાદ ખતમ થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ રીપેરીંગનું કામ હાથ ધરાયું નથી. નવા પુલની સાથે બાજુમાં આવેલ જુનો પુલ પણ ખરાબ હાલતમાં છે, જેમાં મોટા ખાડા પડ્યા છે અને ડામર ઉખડી ગયો છે. સ્થાનિક લોકો અને વાહનચાલકોએ બંને પુલનું તાત્કાલિક સમારકામ તથા નવા પુલ પર નવો ડામર પાથરવાની માંગ ઉઠાવી છે. આટકોટ પોલીસ સ્ટેશન પાસેનો રોડ પણ ખરાબ હાલતમાં હોવાને કારણે મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
માર્ગનું રિસર્ફેસિંગ:મિતાણાથી વીરવાવ રોડનું રૂ.222.83 લાખના ખર્ચે રિસર્ફેસિંગ કામ હાથ ધરાયું
મોરબી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા મોરબી જિલ્લામાં ટંકારા તાલુકાના મીતાણા થી વિરવાવ રોડનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. રૂ. ૨૨૨.૮૩ લાખના ખર્ચે નવીનીકરણ થનાર આ ૬ કિલોમીટર જેટલા લાંબા માર્ગથી ગ્રામ્ય પરિવહન સુગમ બનશે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળનો આ માર્ગ મીતાણા, વીરવાવ, ગણેશપર અને આંબેડકરનગરને જોડે છે. આ રોડના રિસર્ફેસિંગથી આ ગામડાઓ વચ્ચેનું પરિવહન વધુ સુલભ બનશે. આ માર્ગ પર ગણેશપર અને વીરવાવ વચ્ચે આવેલ કોઝવે પર ચોમાસામાં પાણી ફરી મળતા દર વખતે આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આ કામમાં આ કોઝવે પર પોલિયા નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જે પુલિયાનું નિર્માણ થતાં ચોમાસામાં આ બંને ગામોના વર્ષો જૂના પ્રશ્નનું નિરાકરણ આવશે.
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેએ ગત ૧૧ નવેમ્બર ના રોજ મોરબી જિલ્લામાં ચાલી રહેલ વિવિધ રોડ રસ્તા, પાણીની પાઈપ લાઈન તથા ગટરની લાઈન સહિતના ચાલુ કામોની સ્થળ મુલાકાત કરી હતી, કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.અને કામગીરી દરમિયાન જોવા મળેલી ત્રુટીઓ બાબતે અધિકારીને સુધારો કરવા સૂચના આપી હતી. મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા અંદાજીત રૂ. ૧૫ કરોડના ખર્ચે નાની કેનાલ રોડ(આઇકોનિક રોડ), અંદાજીત રૂ. ૧.૭૬ કરોડના ખર્ચે કેસર બાગ થી એલ.ઈ. કોલેજ સુધીનો રોડ, અંદાજીત રૂ. ૫૮ લાખના ખર્ચે ક્રિષ્ના સ્કુલ થી એસ.પી.રોડ, અંદાજીત રૂ.૧.૨૭ કરોડના ખર્ચે અનુસુચીત વિસ્તારમાં શકત શનાળા ખાતે રોડ, અંદાજીત રૂ. ૪૨ લાખના ખર્ચે રાજ સાહેબ બેકરી વાળી શેરીમાં રોડ, અંદાજીત રૂ. ૬૫ લાખના ખર્ચે વાવડી મેઈન રોડ પર રોડ રીસર્ફેસીંગનું કામ કામ સહિતના પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત અંદાજીત રૂ.૧૪ લાખના ખર્ચે હરિપાર્કમાં રોડ, અંદાજીત રૂ. ૩૩ લાખના ખર્ચે લક્ષ્મીનારાયણ સોસાયટી શેરી નં.-૨માં રોડ, અંદાજીત રૂ. ૧.૦૭ કરોડના ખર્ચે ગોપાલ સોસાયટી થી સમર્પણ હોસ્પિટલ સુધી ડામર રોડ, અંદાજીત રૂ. ૪.૫૦ કરોડના ખર્ચે લાતી પ્લોટ વિસ્તારમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવાનું કામ, અંદાજીત રૂ.૩૦ લાખના ખર્ચે આસ્વાદ પાન-રામાપીર મંદિર-માધાપર ચોક-જડેશ્વર મંદિરથી ઇસ્ટ ઝોન ઓફીસ સુધી ડ્રેનેજ લાઈનના કામ સહિતના પ્રગતિ હેઠળ છે. આ વિકાસકામો મોરબીના વિકાસને વેગ આપી જન સુવિધા સાથે શહેરીજનોની સુખાકારી વધારવામાં મહત્વપૂર્ણ બની રહેશે.
માવઠાએ ખેડૂતો માટે દિવાળી પછી હૈયાહોળી સર્જી દીધી છે. કમોસમી વરસાદથી કપાસની સાથે મગફળીનો સોથ બોલી ગયો છે. આવા કપરા સંજોગોમાં ખેડૂતોને બેઠા કરવા માટે તેમની મગફળીને પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે સરકાર ખેડૂતોની વ્હારે આવીને ખેડૂતોને ટેકો આપવા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો અને સરદારે ખેડૂતોની મગફળીને ટેકાના ભાવે ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે મોરબી અને માળીયાના 3581 ખેડૂતો, વાંકાનેરમાં 1800 ખેડૂતો, હળવદમાં 9423 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આથી ટંકારામાં બે, મોરબી અને હળવદમાં એક એક એમ જિલ્લામાં હાલ ચાર ખરીદ કેન્દ્રો પર મગફળીની ખરીદી થઈ રહી છે. છેલ્લા બે દિવસની મગફળીની ખરીદીના આંકડા જોઈએ તો પહેલા દિવસે 892 બોરીમાં 312.200 મેટ્રિક ટન, બીજા દિવસે 1360 બોરીમાં 476 મેટ્રિક ટન મળીને બે દિવસમાં કુલ 2252 બોરીમાં 788.200 મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી હતી. આ બે દિવસમાં 150 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવ્યા હતા. તેમાંથી 34 ખેડૂતો જ મગફળી લઈને વેચવા આવ્યા હતા અને 116 જેટલા ખેડૂતો આવ્યા ન હતા. એના પરથી માલુમ પડે છે કે, ખેડૂતોને ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ઓછો રસ છે. જો કે રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં કે મગફળીના ભાવ ઓછા મળતા હોવાનો ખેડૂતોમાં અંસતોષ તેમજ મગફળી કોઈ કારણોસર રિજેક્ટ થઈ હોય એવી હાલ તો ખેડૂતો પાસેથી કોઈ ફરિયાદ સામે આવી નથી. વાંકાનેરમાં કેન્દ્ર શરૂ ન થયુંમોરબી જિલ્લામાં ચારેય તાલુકામાં ટેકાના ભાવે મગફળીના ખરીદ કેન્દ્ર ચાલુ છે. જ્યારે ટંકારામાં ખેડૂતો વધુ હોવાથી ત્યાં બે ખરીદ કેન્દ્રો ચાલુ છે. પણ વાંકાનેરમાં એક પણ ટેકાના ભાવે મગફળીનું કેન્દ્ર શરૂ થયું નથી. એટલે વાંકાનેરના ખેડૂતોને બીજા કેન્દ્ર સુધી ધક્કા ખાવા પડે છે. જો કે વાંકાનેરમાં ખેડૂતોની સંખ્યા ઓછી હોવાથી કેન્દ્ર શરૂ ન કરાયું હોવાનું મનાય છે. પણ આ ચારેય તાલુકામાં મગફળીની ખરીદી સંપૂર્ણપણે પૂરી થાય એટલે વાંકાનેરમાં પણ કેન્દ્ર ચાલુ કરાઈ એવી શક્યતા છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મોરબીનો વાવડી રોડ ન તો રાજકોટના કાલાવડ જેવો બન્યો કે ન આઇકોનિક!
મોરબીનો વાવડી રોડ એક સમયે નગરપાલિકા સમયે શાસકો દ્વારા રાજકોટના કાલાવાડ જેવો રોડ બનાવવાના સપના દેખાડ્યા, રોડ નિર્માણમાં કરોડ રૂપિયા ખર્ચ કર્યા. જોકે જે તે વખતના શાસક ન તો રોડ ગુણવત્તાયુક્ત બનાવી શક્યા કે ન સુવિધા વધારી શક્યા. નગરપાલિકામાંથી મહાપાલિકા બન્યા બાદ વિવિધ વિસ્તારોમાં રસ્તા અને શહેરના બ્યુટીફિકેશનના કામ શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે વાવડી રોડને આઇકોનિક રોડના પ્રોજેક્ટમાં સમાવેશ કર્યો, વધારાના એક કરોડ રૂપિયા નાખ્યા જેમાં રોડના ડીવાઈડર રંગ રોગાન અને પોકેટ ગાર્ડન, બાંકડા મૂકવા સ્ટ્રીટ લાઈટ સહિતનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જોકે આ ખર્ચ ખરેખર ચોપડે જ થયો હોય તેમ હલકી ગુણવતાની ચીજવસ્તુઓ ઠોકી બેસાડી હોય તેવી સ્થિતિ બની છે. કારણ કે કરોડોના ખર્ચે બનાવેલા આ આઇકોનિક રોડના પોકેટ ગાર્ડનની હાલત ખસતા હાલ થઈ ગઈ છે. મોરબીનો ‘આઈ લવ મોરબી’ સેલ્ફી પોઇન્ટ પણ તૂટ્યો મોરબીમાં તંત્રની નીતિના કારણે અગાઉ પણ સેલ્ફી પોઇન્ટ ગણતરીના દિવસમાં તહસ નહસ થઈ ગયો હતો, વાવડી રોડ પર લાગેલ આઈ લવ મોરબી વાળો સેલ્ફી પોઈન્ટ આવી હાલતમાં પહોંચી ગયો છે. પોકેટ ગાર્ડનમાં મૂકેલા હરણના સ્ટેચ્યુ તૂટી ગયા છે. લોકોની સુવિધા માટે મૂકેલી વસ્તુ અસમાજિક તત્વો ગણતરીના દિવસમાં તોડી મરોડી નાખતા હોય છે. તેમ છતાં આવા તત્વો ફરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં સુવિધા માટે કોઈ વસ્તુ મુકાય ત્યારે તેની સુરક્ષાની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે. મોર ડિઝાઇનની નબળીગુણવત્તાની 60 લાઇટ ધરબી દીધીમોરબીના વાવડી રોડ પર નવરાત્રી પર્વ દરમિયાન મનપા દ્વારા સ્ટ્રીટ લાઈટ પોલ વચ્ચે મોરબી શહેરની ઓળખ સમાન મોરની પ્રતિકૃતિ વાળી લાઇટ ફિટ કરાઇ હતી. જોકે આ વખતે પણ એજન્સી એ જાણે મનપાએ ચુનો લગાવ્યો હોય તેમ હલકી ગુણવતાની 60 લાઇટ ધાબડી દીધી હતી, આ લાઇટ ફિટ કર્યાના ગણતરીના દિવસમાં બંધ થઈ ગઈ હતી, બાદમાં પાલિકાની આંખ ઉઘડી હતી, એજન્સીને નોટિસ ફટકારી હતી. જોકે આ એજન્સીને માત્ર નોટિસ આપી સંતોષ માની લેવાશે કે પછી ખરેખર સપ્લાયર એજન્સી સામે કડક એકશન લઈ નુકશાન એજન્સી પાસથી વસુલ કરશે તે પણ સવાલ છે.
સાયબર ઠગોને ખાતાં ઉપલબ્ધ કરાવતો એક્સિસ બેન્કનો મેનેજર ઝડપાયો
સાયબર ક્રાઈમમાં પડાવાયેલાં પૈસા સગેવગે કરવામાં મદદ સીબીઆઈ દ્વારા ધરપકડ કરી રિમાન્ડ મેળવાયાઃ સાયબર ગુનેગારોને ખાતાં મેળવી આપવાના બદલામાં મોટી રકમ મેળવતો હતો મુંબઇ : દેશમાં સાયબર ગુનાઓનું પ્રમાણ મોટી સંખ્યામાં વધ્યું છે ત્યારે સાયબર ગુનાઓમાંથી ચોરાયેલા નાણાં સગે-વગે કરવા બોગસ ખાતાઓ ઉપલબ્ધ કરી આપી ગુનેગારોને મદદરૂપ બનનાર મુંબઇની એક્સિસ બેંકના એક મેનેજરની સીબીઆઇએ ધરપકડ કરી હતી.આરોપી મેનેજર નિતેશ રાયે કથિત રીતે સાયબર ગુનેગારો સાથે મળીને ખાતા ખોલાવવાના ફોર્મ્સ પર પ્રોસેસ કરવા અને સાયબર ગુનાઓથી મળેલા પૈસાને સગે-વગે કરવા છૂપાવવા અને ચેનલ બનાવી આપવા મદદ કરી હતી. બદલામાં નિતેશ રાયને જંગી રકમ ચૂકવાઈ હોવાની શંકા છે.
ખાસ ચોરી કરવા આસામથી મુંબઈ ફલાઈટમાં આવતો ચોર પકડાયો
સોનુ વેચી રોકડા લઈ ફરી ફલાઈટ પકડી લેતો હતો રાતે રેકી કરી સુરક્ષા વિનાના ગ્રાઉન્ડ પરના ફલેટ શોધી કાઢતો હતો અને રાતે નિશાન નનાવતો હતોઃ નવી મુંબઈ-થાણેમાં ૩૩ સ્થળે ચોરી મુંબઇ: આસામથી વિમાનમાં બેસી ફક્ત ચોરી અને ઘરફોડી માટે મુંબઇ આવતા એક રીઢા ચોરની નવી મુંબઇના નેરુળ પોલીસે મુંબઇના મસ્જિદ બંદરમાંથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ મોઇનુલ અબ્દુલ મલિક ઇસ્લામ (૩૩) તરીકે કરવામાં આવી છે. ઇસ્લામ પાસેથી પોલીસે ૧૨.૪૭ લાખ રૂપિયાના સોનાના દાગીના જપ્ત કરી નવી મુંબઇમાં બનેલી પાંચ ચોરી-ઘરફોડીના કેસ ઉકેલી નાંખ્યા હતા.

26 C