આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) શરૂ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ, અત્યાર સુધીમાં 16.82 લાખથી વધુ મતદારોને ઘરે ઘરે જઈને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે કુલ 92.85% કામગીરી દર્શાવે છે. આ ઝુંબેશ 4 નવેમ્બરથી શરૂ થઈ છે અને આગામી 4 ડિસેમ્બર સુધી ચાલશે. આણંદ જિલ્લામાં કુલ 1772 બુથ લેવલ ઓફિસર (BLOs) દ્વારા ડોર-ટુ-ડોર મતદાર યાદી સુધારણાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આંકલાવ તાલુકાના 224 BLOs દ્વારા કુલ 2,31,013 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે, જે 100 ટકા પૂર્ણ થયું છે. BLOs દ્વારા નાગરિકોને એન્યુમરેશન ફોર્મની સમજણ આપવાની સાથે તેનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના 7 વિધાનસભા મતદાર વિભાગોમાં ફોર્મ વિતરણની ટકાવારી નીચે મુજબ છે: ખંભાત 99.94%, બોરસદ 94.34%, આંકલાવ 100%, ઉમરેઠ 98.46%, આણંદ 70.62%, પેટલાદ 97.28% અને સોજીત્રા 97.03%. આણંદ જિલ્લાની તમામ 7 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 18,12,327 પૈકી 16,82,809 મતદારોને ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.
શહેરના થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતીના ઘરમાંથી ખાનગી કંપનીના ત્રણ સફાઇ કર્મીઓએ ઘરની સફાઇ દરમિયાન હાથ સાફ કરીને ચોરીને કરી હતી. બપોરે જમીને આવીએ તેમ કહીને ત્રણેય લોકો બહાર ગયા બાદમાં શંકા ન જાય તે માટે બે આરોપીઓ ઘરે પરત આવી ગયા હતા. જેને પોલીસે ઝડપી લીધા હતા જ્યારે એક આરોપી લોકેશને સગપણ માટે યુવતી જોવા જવાનું હોવાથી તે ચોરીનો મુદ્દામાલ લઇને બહાર જતો રહ્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કરી તપાસ હાથ ધરી છે. વૃદ્ધ દંપતીએ કબાટ ખુલ્લો દેખાતા પોલીસને જાણ કરીમળતી માહિતી મુજબ વડોદરામાં રહેતા જયાબેન પટેલનું થલતેજના આદિત્ય એપાર્ટમેન્ટમાં મકાન આવેલુ છે. જયાબેને મકાનની સફાઈ કરવા જી. જે. હોમ ક્લીનીંગ નામની કંપનીમાં જાણ કરી હતી. જેમાંથી ત્રણ યુવકો આવ્યા હતા. ઘરની સફાઈ કરીને બપોરે જમીને આવીએ છીએ તેમ કહીને નીકળી ગયા હતા. બાદમાં જયાબેન અને તેમના પતિ ભરતભાઈ ઘરનું કામ કેવું કર્યુ છે તે જોવા માટે બીજા રૂમમાં ગયા હતા. ત્યારે કબાટનો દરવાજો ખુલ્લો હતો અને સોના ચાંદીના સહિત કુલ રૂ. 4 લાખની મતા ચોરી થઇ હતી. જયાબેને વસ્ત્રાપુર પોલીસને જાણ કરતા પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી. પોલીસને શંકા ન જાય તે માટે બપોરે જમીને આવ્યા ને ઝડપાયાઆ દરમિયાનમાં બે આરોપીઓ પરત આવતા તેમને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે મૂળ રાજસ્થાનના લોકેશ કિર, સુનિલ કિર, અર્જુન કિરને ઝડપી પાડી રૂ. 4.25 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તપાસમાં સામે આવ્યુ કે ત્રણેય આરોપીઓએ ચોરીનો પ્લાન ઘડ્યો હતો. ચોરી કરીને પોલીસને શંકા ન જાય તે માટે બપોરે જમીને બે આરોપીઓ પાછા આવી ગયા હતા. બંને આરોપીઓની પોલીસ શોધખોળ કરતી હતી અને રાહ જોઇને બેઠી હતી ત્યારે પરત આવતા જ બંનેને ઝડપી લીધા હતા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાના ગંભીર કેસમાં ધરમપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી ફિરોઝ કાશીરામ તુંબડાને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રાખવાનો આદેશ આપ્યો છે. ધરમપુરના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એમ.એ. મિર્ઝાએ આરોપીને દોષિત ઠેરવી આજીવન કેદ ઉપરાંત રૂપિયા 10,000નો દંડ પણ ફટકાર્યો છે. દંડ ન ભરવાના કિસ્સામાં વધુ છ માસની સાદી કેદ ભોગવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. આરોપી સામે BNSની કલમ 376(2)(એન) તેમજ પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ ગુનો સાબિત થયો હતો. DGP અનિલ ત્રિપાઠીની મજબૂત દલીલો બાદ કોર્ટે આ સજા સંભળાવી હતી. કેસની વિગતો અનુસાર, 15મી જૂન 2024ના રોજ આરોપી ફિરોઝ તુંબડાએ 16 વર્ષની સગીરાને બીજી પત્ની તરીકે રાખવાની લાલચ આપી હતી. તેણે સગીરાને ફોસલાવી, અપહરણ કરી અલગ અલગ સ્થળોએ લઈ જઈ બે વાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ગુનામાં આરોપી નંબર 2 ઉત્તમ ભવાનભાઈ ભોયાએ ફિરોઝને મદદ કરી હતી, પરંતુ કોર્ટે તેને શંકાનો લાભ આપી મુક્ત કર્યો હતો. આ ઉપરાંત, કોર્ટે પીડિત કિશોરીને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે. નામદાર કોર્ટે નોંધ લીધી કે, આરોપી ફિરોઝ તુંબડા સામેનો કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન તે જેલમાંથી ફરાર થયો હતો. કોર્ટે આ ઘટનાને ગુનાની ગંભીરતા વધારનારું પરિબળ ગણાવ્યું હતું.
કેટલાક લોકો અબજીબાપાને સંત કહે છે, કેટલાક તેમને ઇશ્વરના દૂત કે તત્વજ્ઞાની તરીકે ઓળખે છે પરંતુ કચ્છથી દૂર વસતા હજારો કચ્છી લોકો માટે અબજીબાપા એ માત્ર સંત નહીં પણ સ્વયં ભગવાન સમાન છે. તેમની શિક્ષાઓ, કરુણા અને આદ્યાત્મિક માર્ગદર્શન આજે પણ પેઢી દર પેઢી માટે પ્રેરણારૂપ છે. વિશેષ કરીને તેમના માટે જેમણે વિદેશમાં જઇ વસવાટ શરૂ કર્યો અને જીવનની નવી દિશા પામી. 500થી વધુ ભક્તોએ અબજીબાપાને યાદ કર્યાલંડનના ક્વીન્સ પાર્ક હાઇસ્કૂલના સ્પોર્ટસ હોલમાં અબજીબાપાની 180મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઇ. આ પવિત્ર પ્રસંગે 500થી વધુ ભક્તોએ હાજરી આપી અને ભક્તિભાવપૂર્વક અબજીબાપાને યાદ કર્યા હતા. સમારંભ સ્થળને સુંદર રીતે શણગારાયો હતો અને તેમાં ભક્તિભાવપૂર્વક અબજીબાપાની મૂર્તિની સ્થાપના કરાઇ હતી. આરતી અને ભજનથી આખો હોલ ગૂંજી ઉઠ્યો હતો. ભક્તોએ ભાવપૂર્વક આરતી ઉતારી અને અબજીબાપાની મહિમા ગાઇ હતી. ભક્તોએ અબજીબાપા સાથે જોડાયેલા અનુભવો કહ્યાસમારંભ દરમિયાન ભક્તોએ અબજીબાપા સાથે જોડાયેલા પોતાના અનુભવો કહ્યા હતા. ખાસ કરીને એક વાત સૌ કોઈએ યાદ કરી કે કેવી રીતે અબજીબાપાએ તેમના દાદા-દાદીને વિદેશ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ પહેલું પગથિયું હતું જેનાથી તેઓ પૂર્વ આફ્રિકા અને ત્યાંથી યુકે સુધીની યાત્રા કરી શક્યા અને આજે સફળ જીવન જીવી રહ્યાં છે. વિશિષ્ટ મહેમાનો હાજર રહ્યાંસમારંભમાં કેટલાક વિશિષ્ટ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમને ફૂલોની હાર પહેરાવીને અને હાર્દિક સ્વાગત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત ભક્તોને પ્રેમપૂર્વક તૈયાર કરેલું ભોજન પ્રસાદરૂપે પીરસવામાં આવ્યું હતું. જેમ જેમ ભક્તો સમારંભમાંથી વિદાય લઇ રહ્યા હતા તેમ તેમ તેમના હૃદય ભક્તિથી ભરાઇ ગયા હતા. એક વાત સ્પષ્ટ હતી કે અબજીબાપાની હાજરી આજે પણ જીવંત છે અને પ્રેમ, જ્ઞાન તેમજ દિવ્ય કૃપાથી તેમના અનુયાયીઓને માર્ગદર્શન આપે છે. લંડનથી દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
આર્થિક ગુનાઓ પર નજર રાખતી દેશની ટોચની એજન્સી DGGIની ટીમે સુરતમાં કરોડો રૂપિયાના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ભંગારના ધંધાના નામે 125 કરોડનું જંગી ટ્રાન્ઝેકશન કરીને સરકારને 19 કરોડની બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ચૂનો લગાવનારા મુખ્ય આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરવામાં આવી છે. ગોરાટ રોડ પર કરોડો રૂપિયાના આલિશાન ફ્લેટમાં રહેતા આ આરોપીને મોડી સાંજે કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરવામાં આવ્યો હતો. બોગસ બિલિંગ દ્વારા 19 કરોડની ITCનો દાવોDGGIને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ધરપકડ કરાયેલ આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુર (રહે. બી-402, એક્સલુઝિવ, ગોરાટ રોડ) અગાઉ તુરાવા મહોલ્લામાં ભંગારનો નાનો ધંધો કરતો હતો. જોકે, ટૂંકા સમયમાં જ તેણે 'મોટા ખેલ' પાડવાની શરૂઆત કરી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ આરોપીએ સૌપ્રથમ એમ.એસ. સ્ક્રેપના નામે પેઢી ખોલી અને ત્યારબાદ ન્યૂ નાલબંધ ટ્રેડિંગના નામે પણ ધંધો શરૂ કર્યો હતો. આ પેઢીઓનો ઉપયોગ માલની વાસ્તવિક હેરફેર વિના માત્ર બોગસ બિલિંગ કરવા માટે થતો હતો. આ બનાવટી બિલિંગના આધારે આરોપીએ સરકાર પાસેથી કુલ 19 કરોડની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને તેને ગેરકાયદેસર રીતે ઉસેટી લીધી હતી. તેના બેંક ખાતાઓ અને પેઢીના ચોપડામાં કુલ 125 કરોડનું શંકાસ્પદ ટ્રાન્ઝેકશન જોવા મળ્યું છે. આ બોગસ વ્યવહારો દ્વારા આરોપીએ કરોડો રૂપિયાની કમાણી કરી હોવાની માહિતી DGGIનેમળી હતી, જેના આધારે તેની ધરપકડની કાર્યવાહી કરવામાં આવી. કૌભાંડના પૈસા જમીન-મકાનમાં રોકાયા?આ સમગ્ર મામલાનું સૌથી મોટું અને ચોંકાવનારું પાસું આરોપીઓની વૈભવી જીવનશૈલી અને ગોરાટ રોડ પરની મોંઘી મિલકતો સાથે જોડાયેલું છે. DGGI દ્વારા GST કૌભાંડની તપાસ હાથ ધરાઈ છે, પરંતુ આ કૌભાંડીઓએ જે ગેરકાયદેસર નાણાં મેળવ્યા છે, તે ક્યાં રોક્યા છે તે બાબતે આવકવેરા વિભાગ દ્વારા તપાસ થવી અત્યંત જરૂરી છે. વિભાગને અગાઉથી જ ઇનપુટ મળ્યા છે કે, ITC ઉસેટીને કૌભાંડીઓએ જે કરોડો રૂપિયાની કમાણી કરી છે, તે મોટાભાગે જમીન અને મકાનની ખરીદીમાં રોકવામાં આવી છે. ગોરાટ રોડ વિસ્તાર, જ્યાં પકડાયેલ આરોપી શેખ યુસુફ કરોડોના ફ્લેટમાં રહે છે, તે વિસ્તાર બોગસ બિલિંગના કૌભાંડીઓનું હબ બની ગયો હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ માત્ર ગોરાટ રોડ પર જ આવા બોગસ બિલિંગ કરનારા કૌભાંડીઓના 100થી વધુ ફ્લેટ્સ મળી શકે તેમ છે. આ વિસ્તારમાં હાલમાં એક-એક ફ્લેટની કિંમત 2 કરોડથી ₹2.5 કરોડની આસપાસ છે. આ આંકડા સ્પષ્ટ સૂચવે છે કે, કરચોરીના નાણાંનો મોટા પાયે બિનહિસાબી મિલકતોમાં રોકાણ થયું છે. 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીDGGIની ટીમે આરોપી શેખ યુસુફ અબ્દુલ ગફુરની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. વિભાગે આર્થિક ગુનાની ગંભીરતા અને વધુ તપાસની જરૂરિયાત રજૂ કરી હતી, જેને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.આ ધરપકડ બાદ આવકવેરા વિભાગ પણ સક્રીય થઈને આ તમામ કૌભાંડીઓની મિલકતોની તપાસ કરીને બિનહિસાબી સંપત્તિઓ જપ્ત કરે તે માટે કવાયત હાથ ધરે તેવી શક્યતા છે, જેથી કરચોરીના નાણાં પર આધારિત સમાંતર અર્થતંત્રને મોટો ફટકો પડી શકે.
વડોદરા શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો બની છે, ત્યારે ટ્રાફિકની સમસ્યાઓ નિવારવા વડોદરા મહાનગરપાલિકા દ્રારા જુદા-જુદા સ્થળે પાર્કિંગની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. હાલમાં શહેરમાં વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કુલ 3 સ્થળે, એસ.ટી.બસ સ્ટેશન પાસે, રેલ્વે સ્ટેશન પાસે, તેમજ અન્ય કેટલાંક સ્થળોએ ખાનગી પે-એન્ડ પાર્કિંગની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સાથે વડોદરા શહેરમાં દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ગ્રાહકો તેમજ મુલાકાતીઓ માટે ફરજીયાત પાર્કિંગની જગ્યા હોય છે. તેમ છતાં શહેરમાં વધતાં જતાં વાહનોની સંખ્યાને ધ્યાનમાં લેતાં દિવસે અને દિવસે પાર્કિંગની સમસ્યા વધતી જાય છે. વારંવાર ટ્રાફિક જામ થવાના બનાવ બનતા નાગરિકોના સમય અને ફ્યુઅલનો બગાડ થાય છે. શહેરમાં નાગરિકોને પાર્કિંગની પુરતી સુવિધાઓ મળી રહે તે માટે મંગળ બજાર પાસે, (બે સ્થળો) તેમજ ખંડેરાવ માર્કેટ પાસે પાલિકા દ્રારા સંચાલિત પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે. ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ માટે વડોદરા મહાનગ૨પાલિકા દ્વારા સાવલી રોડ પર, ગુરુદ્વારા પાસે તરસાલી, છાણી ફ્લાયઓવર બ્રીજ નીચે, લેહરીપુરા રોડ ૫૨, ગોલ્ડન ચોકડી પાસે, દુમાડ ચોકડી પાસે, ફતેહગંજ બ્રીજ નીચે, નટુભાઈ સર્કલ પાસે હરીનગર, વડી વાડી પાણીની ટાંકી પાસે, મુજમ્મીલ પાસે તાંદલજા, સમા તળાવ પાસે, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામે સમા, હરણી લેક ઝોન પાસે હાલોલ રોડ, અમિતનગર બ્રીજ નીચે, અટલ બ્રીજ નીચે વી.એમ.સી સંચાલિત પે એન્ડ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવા વાર્ષિક ઈજારાઓ આપવા જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આ ઉપરાંત દરેક વિસ્તારમાં પાર્કિંગ સુવિધાઓ મળી ૨હે તે માટે વધુ 100 જેટલા પ્લોટ/જગ્યાઓ નક્કી ક૨વાની કામગીરી હાથ ધરેલ છે. ઉપરાંત શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર તેમજ જુના ચાર દરવાજા (સીટી વિસ્તાર)માં મલ્ટી સ્ટોરી પાર્કિંગની સુવિધાઓ તબક્કાવાર ઉભી કરવાનું આયોજન છે. દરેક કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં નિર્ધારીત કરેલ પાર્કિંગની જગ્યામાં ગ્રાહકો/મુલાકાતીઓએ વાહનો પાર્ક ક૨વાના ૨હેશે. વાહન માલિકો દ્વારા નો પાર્કિંગ ઝોનમાં વાહન પાર્કિંગ કરી પાર્કિંગની જગ્યામાં દબાણ હોવાનું માલુમ પડશે તેવા સંજોગોમાં પાલિકા દ્રારા કડક કાર્યવાહી ક૨વામાં આવશે. તેમજ દબાણો પણ દૂર કરવામા આવશે. શહે૨માં પાર્કિગની સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા બાદ નાગરિકોએ પાર્કિગની જગ્યામાં વાહનો પાર્ક ક૨વાના રહેશે. આગામી સમયમાં દરેક ઝોન દિઠ બે લેખે કુલ 08 ટોઇંગ વ્હિકલ ખરીદવાનું આયોજન છે. સુવિધા ઉપલબ્ધ હોવા છતાં ટ્રાફિકને નડત૨રૂપ વાહનો પાર્ક થશે તો તે વાહનો પાલિકા દ્વારા ટોઇંગ કરીને જમા લેવામાં આવશે. અને તે માટે નક્કી કરેલ દ૨ મુજબ દંડ વસુલ ક૨વામાં આવશે. આમ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહે૨માં પૂરતા પ્રમાણમાં નાગરિકોને પાર્કિગની સુવિધાઓ ઉપલબ્ધ ક૨વવા કટીબદ્ધ છે.
ગાંધીનગરના ધોળાકુવા ગામ નજીક ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ટુ-વ્હીલર બાઈકની ટક્કરથી એક યુવાન પરિણીતાનું ગંભીર ઈજા થતાં કરુણ મોત નીપજ્યું હતું. મૃતક પતિ સાથે દાંતની દવા લેવા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.આ અકસ્માતમાં બે નાના સંતાનોએ માતા ગુમાવી દીધી છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાર વર્ષની દીકરી અને દોઢ વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવીગાંધીનગરના ધોળાકુવા ગામ પાસે રહેતા અને પાણીપુરીનો છૂટક વેપાર કરી ગુજરાન ચલાવતો રાહુલ રામકિશોર સાવાર મૂળ ઉત્તરપ્રદેશના જાલૌન જિલ્લા નો વતની છે. જે અહીં તેની પત્ની શિવાની ઉર્ફે સંધ્યાદેવી(ઉં.26) અને 4 વર્ષની દીકરી રાશિ અને દોઢ વર્ષના દીકરા પ્રિન્સ સાથે રહે છે. દાંતની સારવાર માટે જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયોગઈકાલે બપોરના રાહુલ તેની પત્ની શિવાની ઉર્ફે સંધ્યાદેવી સાથે ઘરેથી દાંતની દવા લેવા માટે નીકળ્યો હતો. અને બંને ઈન્ફોસિટી મેટ્રો સ્ટેશન નજીક શાહપુર બ્રિજના ઉતરતા છેડે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે શાહપુર બ્રિજ તરફથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા GJ-18-FH-4752 નંબરના ટુ-વ્હીલર બાઈકના ચાલકે શિવાનીને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે શિવાનીને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તે બેભાન થઈ ગઈ હતી. જેને તાત્કાલિક એક પ્રાઇવેટ વાહનમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.જોકે હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે શિવાની ઉર્ફે સંધ્યાદેવીને મૃત જાહેર કરી હતી. પાણીપુરીનો ધંધો કરીને ગુજરાન ચલાવતા રાહુલ માટે આ ઘટના આઘાતજનક છે. આ અકસ્માતે માત્ર એક પત્ની જ નહીં પરંતુ બે માસૂમ બાળકોની માતાનું છીનવી લીધી છે. અને એક પળમાં જ પરિવારનું સુખ છીનવાઈ ગયું છે. આ અંગે ઇન્ફોસિટી પોલીસે બાઇક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
શિયાળાની સિઝનમાં કેટલીક એરલાઈન્સ અન્ય એરલાઈન્સ પાસેથી એરક્રાફ્ટ “લીઝ પર” લે છે. શિયાળાની ઋતુમાં વિશ્વભરમાં મુસાફરીની માંગમાં મોટા ફેરફાર જોવા મળે છે, અને એ જ સમયે “એરક્રાફ્ટ લીઝિંગ શરૂ થતું હોય છે. ઉનાળાની સિઝનમાં યુરોપ અને અન્ય પ્રવાસન સ્થળોએ ભારે ટ્રાફિક રહે છે, પરંતુ શિયાળામાં મુસાફરોની સંખ્યા ઘટી જાય છે. આથી કેટલીક યુરોપિયન એરલાઈન્સ પાસે વધારાના એરક્રાફ્ટ ખાલી રહે છે. જેને તેઓ અન્ય એરલાઈન્સને લીઝ પર આપે છે. બીજી બાજુ, ગરમ પ્રદેશોમાં જેમ કે મધ્યપૂર્વ, દક્ષિણ એશિયા અને આફ્રિકામાં શિયાળામાં મુસાફરી વધી જાય છે, એટલે ત્યાંની એરલાઈન્સ આ લીઝ કરેલી કેપેસિટીનો લાભ લે છે. પિક સિઝનમાં એરલાઈન્સ પોતાનું રેવન્યુ જનરેટ કરી શકે ઘણા કિસ્સાઓમાં એરલાઈન્સ “ACMI” અથવા “Wet Lease” રૂપમાં લિઝ લે છે. એટલે કે Aircraft, Crew, Maintenance અને Insurance બધું જ સાથે મળે છે. આ રીતે એરલાઈન નવી રૂટ્સ ઝડપથી શરૂ કરી શકે છે, પોતાના ક્રૂને ટ્રેન કર્યા વગર. આ મોડલ ખાસ કરીને charter flights અને peak-season માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. પોતાનો એરક્રાફ્ટ ખરીદવા કરતાં લીઝ પર લેવું વધુ ફાયદાકારક સાબિત થાય છે, ખાસ કરીને ટૂંકા સમયની જરૂરિયાત માટે. લીઝ પૂરી થયા પછી, પ્લેન પાછું આપી દેવામાં આવે છે. એટલે મેન્ટેનન્સ અને સ્ટોરેજ જેવા ખર્ચો ટળી જાય છે. લીઝ પર એરક્રાફ્ટ લેવું એ ખૂબ જ ફાયદાકારકઆ અંગે ચીકી ટ્રાવેલ્સ એજન્ટ અંકિત બજાજે જણાવ્યું હતું કે, આ સિઝનમાં એરલાઇન્સ પોતાની પાસે જેટલા વધુ એરક્રાફ્ટ રાખી શકશે તેટલું તે વધુ રેવન્યુ જનરેટ કરી શકશે. જો એરલાઇન્સ ને નવું એરક્રાફ્ટ ખરીદવું હોય તો તેની ડિલિવરી તેને લગભગ વર્ષે એક મળતી હોય છે. લીઝ પર તમને ફટાફટ એરક્રાફ્ટ મળી શકે છે. નવા એરક્રાફ્ટ ખરીદવાની સરખામણીમાં લીઝ પર એરક્રાફ્ટ લેવું એ ખૂબ જ ફાયદાકારક હોય છે. એરલાઇન જનરલી 189 સીટર એરક્રાફ્ટ ઉપયોગ કરતી હોય છે તેની અંદાજિત કિંમત 1200 કરોડની આસપાસ હોય છે. લિઝિંગ પર એરક્રાફટની 300 કરોડની આસપાસ કિંમત થતી હોય છે. જેથી તે ફાયદાકારક રહે છે.
ભારતની A ટીમ અને દક્ષિણ આફ્રિકાની A ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી આવતીકાલે 13 નવેમ્બરથી રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે શરૂ થવા જઇ રહી છે. ત્યારે આજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. દક્ષિણ આફ્રિકા ટીમે બપોરે 1થી 4 વાગ્યા સુધી અને ભારતની ટીમે સાંજના 5થી 7 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી હતી. આવતીકાલે બપોરના 1.30 વાગ્યે મેચ શરૂ થનાર છે અને આ મેચ નિહાળવા આવતા ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્માની આગેવાનીમાં રમશેભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટી-20 શ્રેણીમાં ભારતે 2-1થી ઓસ્ટ્રેલિયાને કારમી હાર અપાવી છે. આ પછી હવે ભારત એ-ટીમ અને સાઉથ આફ્રિકા એ-ટીમ વચ્ચે ત્રણ વનડે મેચની શ્રેણી રમાવા જઇ રહી છે. રાજકોટમાં રમાનાર વનડે મેચની શ્રેણીમાં ટીમ ઇન્ડિયા કેપ્ટન તિલક વર્મા અને વાઇસ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની આગેવાનીમાં રમશે. બન્ને ટીમના તમામ ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે 10 દિવસ સુધી રોકાણ કરવાના છે. ત્રણેય મેચમાં ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્કઆજે સતત બીજા દિવસે બન્ને ટીમના ખેલાડીઓ દ્વારા વોર્મઅપ તેમજ નેટ પ્રેક્ટિસ કરવામાં આવી હતી. હવે આવતીકાલે 13 નવેમ્બરના રોજ પ્રથમ વન ડે મેચ યોજાનાર છે અને આ પછી બીજી મેચ 16 તેમજ ત્રીજી મેચ 19 નવેમ્બરના રોજ યોજાનાર છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા આ ત્રણેય મેચમાં ક્રિકેટ રસિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવા નિર્ણય કરવામાં આવ્યો છે. બેટિંગ પીચ હોવાથી ત્રણેય મેચ હાઈ સ્કોરિંગ થાય તેવી આશાતાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામે સારું પ્રદર્શન કરી સૌથી ઝડપી 1000 રન બનાવનાર અને મેન ઓફ ધ સિરીઝનો ખિતાબ મેળવનાર અભિષેક શર્મા ઉપરાંત તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, અને અર્શદીપ સિંહ સહિતના ખેલાડીઓ ધમાકેદાર પર્ફોમન્સ આપશે. રાજકોટની પીચ બેટિંગ પીચ માનવામાં આવે છે માટે ટીમ ઇન્ડિયાના ફૂલ ફોર્મમાં રહેલા ખેલાડીઓ મારફતે તમામ ત્રણેય મેચ હાઈસ્કોરિંગ થવાની આશા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારોએ વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં રાજકોટનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કુલ 11 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાં 3 ટેસ્ટ, 5 ટી-20 અને 4 વન-ડેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તાજેતરમાં જાન્યુઆરી 2025માં પ્રથમ વખત ભારતની વુમન્સ ટીમ પણ રાજકોટની મહેમાન બની હતી. જેમાં ભારતીય મહિલા ક્રિકેટરોએ આયર્લેન્ડ સામે રેકોર્ડ સ્થાપિત કરી શાનદાર જીત મેળવી 3-0થી વન-ડે ઇન્ટરનેશનલ શ્રેણી પર કબ્જો મેળવ્યો હતો. ઈન્ડિયા-A ટીમના ખેલાડીઓ તિલક વર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઇસ કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, રિયાન પરાગ, ઈશાન કિશન (વિકેટ કીપર), આયુષ બાદોણી, નિશાંત સિંધુ, વિપરાજ નિગમ, માનવ સુથાર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કિષ્ના, ખલીલ અહેમદ, સાઉથ આફ્રિકા-A ટીમના ખેલાડીઓમાર્ક્વેસ એકરમેન (કેપ્ટન), જોર્ડન હર્મન, સિનેથેમ્બા ક્વેશિલ, જેસન સ્મિથ, ડેલાનો પોટગીટર, કોડી યુસુફ, રુબિન હર્મન, રિવાલ્ડો મૂનસામી, લ્યુઆન-ડ્રે પ્રેટોરિયસ, ઓટ્ટનીલ બાર્ટમેન, બ્યોર્ન ફોર્ટ્યુન, ક્વેના મફાકા, ત્શેપો મોરેકી, મિહલાલી મ્પોંગવાના, એનકાબાયોમ્ઝી પીટર
થોડા દિવસ અગાઉ લાઘણજ પોલીસ મથકની હદમાં આવતા આખજ ગામથી સ્વીફ્ટ ગાડીમાં આવેલા અજાણ્યા તસ્કરોએ ચાર પશુઓની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા જે ઘટનાના cctv ફૂટેજ પણ સામે આવ્યા હતા અને લાઘણજ પોલીસમાં ચોરી અંગેની ફરિયાદ પણ નોંધાઈ હતી.સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પશુ ચોરી કરનાર ટોળકીમાના બે આરોપીને ઝડપી ઘટના સ્થળે લાવી રીકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આ તસ્કરોએ ચાર વાછરડાને મોત ના ઘાટ ઉતારી તેનું માંસ પણ વેચી માર્યું હોવાનું સામે આવ્યું છે. આખજ ગામેથી ચાર વાછરડાની ચોરી કરી હતીથોડા દિવસ અગાઉ લાઘણજ પંથકમાં પશુ ચોરીની ઘટનાઓ બનતા તસ્કરોએ પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો.આ તસ્કરોએ આખજ ગામથી ચાર વાછરડા ભરી ચોરી કરી ભાગી ગયા હતા જેની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રોગતિમાન કર્યા હતા.સમગ્ર કેસમાં મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળતા હેબુઆ ગામ પાસેના રસ્તા પરથી એક GJ18TF4898 ની સ્વીફ્ટ ગાડીમાંથી બે શંકાસ્પદ ઇસમોને ઝડપી લીધા હતા. અમદાવાદ અને ધંધુકાના બે શખસોને ઝડપી પાડ્યાપોલીસે મૂળ નંદાસણના અને હાલ અમદાવાદ રહેતા સૈયદ અબ્દુલહમીદ અને ધંધુકાના ઘાચી અનસ ઉસ્માનને ઝડપી લીધા હતા.ગાડીમાં તપાસ કરતા પોલીસને 3 છરી થતા 1 છરો અને 2 મસકલો મળી આવી હતી.સમગ્ર ઘટનામાં ઉંડાણ પૂર્વક તપાસ કરતા ઝડપાયેલા આરોપીએ કબૂલાત કરી હતી કે..અમદાવાદના જુહાપુરામાં રહેતા વારસી નદીમ મુસ્તાક ભાઈને ગૌમાંસ લેવાનું હોવાથી તેઓ 27 ઓક્ટોબ ના રોજ સ્વીફ્ટ ગાડીમાં સૈયદ અબ્દુલ હમીદ,મલેક ફેઝાન,ઘાચી અનશ ઉસ્માન,સૈયદ હિદાયતુલલા ભેગા મળી ગૌમાંસ લેવાનું હોવાથી ગાડીમાં બેસી આંબલીયાસણ થઈ આખજ ગામે આવ્યા હતા. જ્યાં આખજ ગામથી ગાયોના વાડાં માંથી ચાર વાછરડા ચોરી કરી ગાડીમાં ભરી લઈ ગયા હતા.ત્યારબાદ ત્યારબાદ નંદાસણ માથાસુર રોડ પર આવેલા ખરાબામાં ચાર વાછરડા કટીંગ કરી ગૌમાંસ ગાડીમાં મૂકી એજ દિવસે સવારે 6 વાગે અમદાવાદ ના વારસી નદીમ મુસ્તાક ભાઈ ને માસ વેચી માર્યું હતું.સમગ્ર કેસમાં પોલીસે હાલમાં બે આરોપીને ઝડપી તેઓનું રી કન્સ્ટ્રક્શન કરી વધુ ફરાર આરોપીને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.
ત્રિકોણીય શ્રેણીમાં પસંદગી:બરોડાના આશુતોષ મહિડા ભારત અંડર-19 એ ટીમમાં પસંદગી પામ્યા
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે બરોડાના આશાસ્પદ મીડિયમ-ફાસ્ટ બોલર આશુતોષ મહિડા ઈડીએફસી ફર્સ્ટ બેંક અંડર-19 ત્રિકોણીય શ્રેણી માટે ભારત અંડર-19 એ ટીમમાં પસંદગી પામ્યા છે. આ શ્રેણી 17થી 30 નવેમ્બર 2025 દરમિયાન બીસીસીઆઈ સેન્ટર ઓફ એક્સલન્સ, બેંગ્લુરુ ખાતે યોજાશે. ત્રિકોણીય શ્રેણીમાં ભારત અંડર-19 એ, ભારત અંડર-19 બી અને અફઘાનિસ્તાન અંડર-19 ટીમો વચ્ચે અનેક મેચો રમાશે, જેની ફાઇનલ 30 નવેમ્બર 2025ના રોજ ફાઈનલ રમશે. આશુતોષે 2024-25 કૂચ બિહાર ટ્રોફીમાં સતત ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે, જેમાં તેણે 5 મેચમાં 16 વિકેટ ઝડપીને 23.91ની શાનદાર એવરેજ અને 3.02ની ઈકોનોમી રેટ સાથે બોલ પર ઉત્તમ નિયંત્રણ અને શિસ્ત દર્શાવી છે.
ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં પુરવઠા વિભાગે સરકારી અનાજના ગેરવેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે. કોડીનાર રોડ પર લોઢવા ગામ નજીક 66 કે.વી. સબ સ્ટેશન પાસેથી પસાર થતી બે શંકાસ્પદ છકડો રીક્ષા ઝડપી પાડવામાં આવી હતી. પુરવઠા વિભાગને સરકારી અનાજના ગેરવેચાણ થતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. ઝડપાયેલી રીક્ષા નંબર GJ 11 X 4669 ના ડ્રાઇવર બચુશા અબાશા ફકીર અને રીક્ષા નંબર GJ 4W 0049 ના ડ્રાઇવર હશનશા અબાસા રફાઈ ફકીર, બંને સિંગસર ગામના રહેવાસી છે. તેમની પાસેથી રીક્ષામાં ભરેલા ઘઉં, ચોખા અને બાજરીના જથ્થા અંગે કોઈ બિલ કે પુરાવા મળી આવ્યા ન હતા. આથી, બંને રીક્ષા અને અનાજનો જથ્થો મામલતદાર કચેરી ખાતે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ, બંને રીક્ષામાંથી અનાજનો જથ્થો જપ્ત કરીને ગોરખમઢી ખાતેના નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાં જમા કરાવવામાં આવ્યો હતો. ચાલકોની પૂછપરછ દરમિયાન તેમણે કબૂલ્યું હતું કે તેઓ લાટી, કદવાર અને વેરાવળ તાલુકાના વિવિધ ગામોમાંથી NFSA કાર્ડધારકો પાસેથી સરકારી અનાજ ખરીદીને અન્ય સ્થળે વેચાણ માટે લઈ જઈ રહ્યા હતા. પુરવઠા વિભાગે કુલ ₹1,69,625/- ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે સુત્રાપાડા તાલુકામાં લાંબા સમયથી અનાજ માફિયાઓ દ્વારા સરકારી અનાજના ગેરવેચાણનો ધંધો ધમધમી રહ્યો હોવાની ચર્ચાઓ હતી. પુરવઠા વિભાગની આ તાજેતરની કાર્યવાહીથી અનાજ માફિયા વર્ગમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોએ પુરવઠા વિભાગની આ કાર્યવાહીને આવકારી છે અને તંત્ર દ્વારા આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
છત્તીસગઢના જેસીપી અધ્યક્ષ અમિત બઘેલ દ્વારા સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલ અને સિંધી સમુદાય અંગે કરાયેલી અયોગ્ય ટિપ્પણી સામે દેશભરમાં સિંધી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધમાં વેરાવળ–પાટણ સમસ્ત સિંધી સમાજે પ્રાંત અધિકારી કચેરીએ ધરણા યોજી ઉગ્ર રજૂઆત કરી હતી. સિંધી સમાજે પ્રાંત અધિકારી મારફતે છત્તીસગઢના મુખ્યમંત્રી, ભારતના ગૃહમંત્રી અને પ્રધાનમંત્રીને સંબોધીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનમાં અમિત બઘેલ સામે તાત્કાલિક કડક પગલાં લેવા અને તેમને ધારાસભ્ય પદેથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. વેરાવળ પ્રાંત અધિકારી કચેરી પર આયોજિત ધરણા દરમિયાન “ન્યાય આપો, ન્યાય આપો”, “સિંધી સમાજને માન આપો” અને “અમિત બઘેલ સામે કાર્યવાહી કરો” જેવા સૂત્રોચ્ચારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં સમસ્ત સિંધી સમાજના આગેવાનો, યુવાનો અને મહિલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સિંધી સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેમના ઇષ્ટદેવ ઝુલેલાલ ભગવાન અંગે અપમાનજનક ભાષા કોઈપણ ભોગે સહન કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ન્યાય માટે રાષ્ટ્રીય સ્તરે લડત ચાલુ રાખવામાં આવશે.
2004માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા અને તેમને મારવા માટે મુંબ્રાથી જાવેદ શેખ, અમજદ અને જીશાન જૌહર નામના ત્રણ આતંકીઓ અમદાવાદ આવ્યા હતા. આ ત્રણ આતંકીની સાથે ઈશરત જહાં નામની 19 વર્ષની યુવતી પણ હતી. આ ચારેય આતંકીઓ લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા. ગુજરાતની ગુપ્તચર એજન્સીઓને આની માહિતી મળી ને 15 જૂન, 2004ના દિવસે કોતરપુર વોટરવર્ક્સ પાસે ઈશરત જહાં અને તેના ત્રણ સાથીઓનાં એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યા. આજથી 20 વર્ષ પહેલાં લશ્કર-એ-તૈયબામાં મહિલા આતંકીનું મોડ્યુલ સામે આવ્યું હતું. હવે જ્યારે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની તપાસ થઈ તો તેમાં પણ ડોક્ટર શાહીન નામની મહિલા આતંકી પકડાઈ. આનાથી એ સાબિત થઈ ગયું કે જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો મહિલા આતંકીઓ તૈયાર કરી રહ્યા છે. નમસ્કાર, દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં નવું જ ડોક્ટરોનું ટેરર મોડ્યુલ સામે આવ્યું. તેની સાથે ચોંકાવનારા ખુલાસા એ થયા કે જે ડોક્ટર આતંકીઓની પૂછપરછ થઈ રહી છે તે બંને તુર્કી જઈ આવ્યા હતા. દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં તુર્કી કનેક્શન પણ બહાર આવ્યું છે. બધાને યાદ હશે, ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાને ભારતમાં જે ડ્રોન્સ મોકલ્યા હતા તે મોટાભાગના ડ્રોન તુર્કીના હતા. જૈશની મહિલા વિંગ એક્ટિવ થઈ ગઈથોડા દિવસો પહેલાં ગુપ્તચર એજન્સીઓને એવા ઈન્ટેલ મળ્યા હતા કે પાકિસ્તાનના આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે માત્ર 15 દિવસોમાં 1500 જેટલી મહિલા આતંકવાદીઓની ભરતી કરી લીધી છે અને ટ્રેનિંગ, વેપન્સ માટે ફંડ પણ ભેગું કરી લીધું છે. આત્મઘાતી હુમલો કરનારી આ મહિલા આતંકવાદીઓના ગ્રુપનું નામ છે જમાત-ઉલ-મોમીનાત. હિન્દીમાં એનો અર્થ થાય- ઈમાનદાર મહિલાઓનું સંગઠન. આ સંગઠનની ચીફ આતંકવાદી મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર છે. મસૂદ અઝહરની બે બહેન છે સાદિયા અઝહર અને સમેરા. આ બંને બહેનો મહિલા આતંકવાદીઓને રોજ 40 મિનિટની ટ્રેનિંગ આપશે. આ ઓનલાઈન કોર્સ હશે, જેમાં જેહાદી બનવા મહિલાઓનું બ્રેન વોશ કરવામાં આવી રહ્યું છે. આ જ મહિલા આતંકી મોડ્યુલનો ભાગ હતી ફરીદાબાદથી પકડાયેલી ડો. શાહીન. દિલ્હી બોમ્બ બ્લાસ્ટ કેસમાં પકડાયેલી ડો. શાહીને પોલીસ પાસે વટાણા વેરી દીધા કે આખા ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનો પ્લાન હતો અને બે વર્ષથી તે પોતે વિસ્ફોટકો ભેગા કરતી હતી. મહિલા આતંકાવાદીઓનું ગ્રુપ 'જમાત-ઉલ-મોમીનાત' 150 રૂપિયાની ફીમાં રોજ 40 મિનિટ ટ્રેનિંગ જૈશ-એ-મોહમ્મદે મહિલાઓ માટેના ઓનલાઈન કોર્સનું નામ તુફ્ત અલ મુમીનાત રાખ્યું છે. ISIS અને બોકો હરામની જેમ આતંકીઓની નવી વિંગ બની રહી છે. 8 નવેમ્બરથી ઓનલાઈન લેક્ચર લેવાશે. આ પાંચમી બેચ હશે, જેમાં આતંકીઓની પત્નીઓ, ગરીબ મહિલાઓની ભરતી થઈ રહી છે. આ મહિલાઓ બહાવલપુર, કરાચી, મુઝફ્ફરાબાદ, કોટલી જેવા વિસ્તારોના મદરેસાઓમાં ભણે છે અને તેમને ટ્રેનિંગ આપવાની જવાબદારી મસૂદ અઝહરની બે બહેનોને આપવામાં આવી છે. જૈશ-એ-મોહમ્મદ હવે પાકિસ્તાનના મદરેસાઓમાં આતંકની ટ્રેનિંગ આપે છે. યુવાનોની ત્યાં જ ભરતી કરે છે. એનું કારણ એ છે કે પાકિસ્તાન દુનિયાને કહી શકે કે આ કોઈ આતંકી ટ્રેનિંગ નથી, પણ દીની તાલીમ એટલે કે ધાર્મિક અભ્યાસ કરવા માટે લોકો આવે છે. બે વર્ષ પહેલાં સુરતથી સુમેરા મલેક ઝડપાઈ હતી જૂન, 2023માં ગુજરાત ATSએ સુરતથી સુમેરા મલેક નામની મહિલાને ઝડપી પાડી હતી, તેના તાર પણ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. સુમેરાના પિતા હનીફ મલેક મૂળ ભરૂચના હાંસોટના વતની અને સુરતમાં પોસ્ટ ઓફિસમાં ઓફિસર તરીકે નોકરી કરતા હતા.સુમેરાએ 12મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. સોશિયલ મીડિયા થકી સુમેરા તામિલનાડુના એક યુવકના પ્રેમમાં પડી હતી. યુવક સાથે સુમેરાબાનુએ ભાગીને 6 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તે વખતે તેના પિતાએ પોલીસની મદદ લઈ ભાળ મેળવવા પ્રયાસ કર્યો છતાં મળી નહોતી. સુમેરાબાનુ 2023માં બે સંતાન સાથે પિતાના ઘરે સુરતમાં આવીને રહેવા લાગી હતી. સુરત આવ્યાના દોઢેક મહિના બાદ ગુજરાત ATSએ તેની ધરપકડ કરી હતી. સુમેરાબાનુની તપાસમાં જાણવા મળ્યું હતું કે તે સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલાના પ્લાનિંગમાં હતી. આ માટે તેણે તૈયારીઓ પણ કરી દીધી હતી. સુમેરાનો કોર્ટમાં કેસ ચાલતો હોવાથી કોર્ટમાં આવતી-જતી હતી. આ માટે ઉપરથી આદેશની રાહ જોતી હતી, પણ અંજામ આપતાં પહેલાં જ તે ઝડપાઈ ગઈ હતી.સુમેરાની સાથે સાથે ગુજરાત ATSએ અન્ય ત્રણ યુવકની પણ ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ઉબેદ નાસિર મીર, હનાન હયાત શાલ, મોહમ્મદ હાજીમ શાહ તરીકે થઈ હતી. ત્રણેય આતંકી જમ્મુ-કાશ્મીરમાં રહેતા હતા. 3 મહિના પહેલાં બેંગ્લોરની મહિલા આતંકીએ ગુજરાતમાં નેટવર્ક સેટ કર્યું હતું 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત ATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. જેમાં મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી), મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ), સેફુલ્લા કુરેશી મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા) અને ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)નો સમાવેશ થાય છે. હવે આ ચાર આતંકીનાં જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનની ATSએ ધરપકડ કરી હતી. અત્યારે શમા પરવીન ગુજરાતની જેલમાં છે. તે ગુજરાતમાં આતંકી નેટવર્ક સેટ કરી રહી હતી. બેંગ્લોરની માસ્ટરમાઇન્ડ સમા પરવીન અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં શમા પરવીન હતી. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી એ શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા ચાર આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. વિચારધારાનો પ્રચાર-પ્રસાર કેવી રીતે કરવો એ પણ પોતે જ નક્કી કરતી હતી. 30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છે અને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. દિલ્હી બ્લાસ્ટ કેસમાં ઝડપાયેલા 12 આતંકીઓમાંથી 6 ડોક્ટર દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં દેશના અલગ અલગ ભાગોમાંથી 12 આતંકીઓને પકડી લેવાયા છે. તેમાંથી 6 તો ડોક્ટર છે. આ આતંકીઓમાં સૌથી વધુ ધ્યાન ખેંચ્યું છે મહિલા આતંકી ડો. શાહીન સઈદે. 45 વર્ષની શાહીન મૂળ યુપીના લખનૌના લાલબાગની રહેવાસી છે. MBBS, MDની ડિગ્રી લઈને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં ડોક્ટર હતી. તે ડોક્ટર મુઝમ્મિલની ખાસ નિકટ છે અને પોતાની કારમાં AK-47 રાઈફલ રાખવાનો તેમના પર આરોપ છે. 4 ઓક્ટોબરે એક નિકાહમાં બધા આતંકી ભેગા થયા ને મોડ્યુલ એક્ટિવ થયું આતંકી ડો. આદિલના સહારનપુરમાં ડો. રુકૈયા સાથે નિકાહ હતા. તે દિવસે નિકાહમાં કેટલાક ખાસ મહેમાનો પણ સામેલ હતા, જેમની ઓળખ એજન્સીઓ દ્વારા નક્કી કરવામાં આવી રહી છે.આ નિકાહમાં જ તમામ ડોક્ટર આતંકી ભેગા થયા હોવાનું માનવામાં આવે છે અને ત્યાં જ મોડ્યુલ એક્ટિવ કરવાનું નક્કી થયું હતું. નિકાહના બીજા દિવસે જ આ મોડ્યુલ કાર્યરત થયું. તેનું મિશન સૈનિકોને ધમકી આપતા પોસ્ટરો લગાવવાનું, હથિયારોની સપ્લાય અને ફંડની વ્યવસ્થા કરવાનું હતું. ડો. આદિલ લોજિસ્ટિક્સ અને ફાયનાન્શિયલ ચેનલ સંભાળતો હતો. મોડ્યુલની મહત્વની કડી હતી, ડો. શાહીન સઈદ ડો. શાહીન સઈદ આ નેટવર્કની સૌથી મહત્વની મેમ્બર છે. તે જૈશ-એ-મોહમ્મદના નેતા મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર સાથે સીધી સંપર્કમાં હતી અને મહિલા આતંકવાદી વીંગ જમાત-ઉલ-મોમિનાત સાથે સંકળાયેલી હતી. આ વીંગ સાદિયા અઝહરે તેના પતિ યુસુફ અહેમદના મૃત્યુ પછી બનાવી હતી. યુસુફ અઝહરનું મોત ઓપરેશન સિંદૂરમાં થયું હતું. ડો. શાહીનને ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને શ્રીનગર લઈ જવામાં આવી હતી. શાહીને અલ્હાબાદ મેડિકલ કોલેજમાંથી MBBS પૂરું કર્યું હતું અને સાત વર્ષ સુધી કાનપુર મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. 2021માં ડો. શાહીને નોકરી છોડી દીધી અને ગાયબ થઈ ગઈ. તે ડો. મુઝમ્મિલના સંપર્કમાં આવી અને એક પાકિસ્તાની હેન્ડલરના આદેશથી મહિલાઓને કટ્ટરપંથી બનાવવાનું શરૂ કર્યું. હવે યુપી ATSએ તેના ભાઈ ડો. પરવેઝની લખનૌથી ધરપકડ કરી છે. ડો. પરવેઝ ઇન્ટિગ્રલ મેડિકલ કોલેજમાં પ્રોફેસર છે. તેણે પણ આ ષડયંત્રમાં તેની બહેન ડો. શાહીનનો સાથ આપ્યો હતો. છૂટાછેડા લીધા બાદ આતંકવાદી બની ગઈ શાહીન શાહીનના લગ્ન મહારાષ્ટ્રના આંખના નિષ્ણાત ડો. ઝફર હયાત સાથે થયા હતા. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. 2015માં તેના છૂટાછેડા થયા. તે પછી શાહીનના જીવનમાં એક નવો વળાંક આવ્યો. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન તે ફરીદાબાદની અલ-ફલાહ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ડોક્ટર મુઝમ્મિલ શકીલને મળી. અહીંથી તેના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો. તેણે મેડિકલ ફિલ્ડ છોડી દીધું અને કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં આવી ગઈ. મુઝમ્મિલે જ શાહીનને અલ ફલાહ યુનિવર્સિટીમાં એન્ટ્રી અપાવી હતી, જ્યાં તેણે મેડિકલ ફેકલ્ટીના મેમ્બર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. ધીમે ધીમે તે જૈશ-એ-મોહમ્મદની મહિલા વિંગ જમાત ઉલ મોમિનાતના સંપર્કમાં આવી. ડો. શાહીન સોશિયલ મીડિયા ચેનલો મારફત સરહદ પારના આતંકવાદીઓ સાથે સંપર્કમાં રહેતી હતી, જેમનું કામ ભારતમાં જૈશ-એ-મોહમ્મદની ભરતીને વધારવાનું હતું. ડો. શાહીનની કારમાંથી એક AK-47, એક પિસ્તોલ અને કારતૂસ મળી આવ્યા દિલ્હીમાં બ્લાસ્ટ પછી હરિયાણાના ફરીદાબાદમાંથી જમ્મુ અને કાશ્મીર પોલીસે ડો. શાહીનની ધરપકડ કરી. પોલીસે તેની કારમાંથી AK-47, એક પિસ્તોલ અને કારતૂસ જપ્ત કર્યા હતા. તેની ઓળખ અગાઉ ધરપકડ કરાયેલા ડો. મુઝમ્મિલ શકીલની ગર્લફ્રેન્ડ તરીકે થઈ હતી. એ પછી 11 નવેમ્બરે ATS અને જમ્મુ અને કાશ્મીર પોલીસની એક ટીમ લખનૌના લાલબાગ ખંડેરી બજારમાં ડો. શાહીન સઈદના ઘરે પહોંચી હતી. અહીં તેના પિતા સઈદ અંસારી મળ્યા હતા. ટીમે આખા ઘરની તપાસ કરી અને પાડોશીઓની પણ પૂછપરછ કરી. એ પછી પોલીસે શાહીનના ભાઈ ડો. પરવેઝ અંસારીના ઘરમાં ત્રણ કલાક સુધી સર્ચ કર્યુ હતું. ઘરે તાળું મારેલું હતું. ટીમ તાળું તોડીને ઘરમાં ઘુસી હતી. પોલીસે પરવેઝના ઘરેથી મહત્વપૂર્ણ દસ્તાવેજો, ડિજિટલ ડિવાઈસ, વિદેશી સીમકાર્ડ, એક કાર અને એક બાઇક જપ્ત કરી છે. ડો. પરવેઝ લખનઉની ઇન્ટિગ્રલ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો. તેણે એક અઠવાડિયા પહેલા જ રાજીનામું આપી દીધું હતું. સહારનપુરના દેહરાદૂન ચોકમાં તેનું ક્લિનિક પણ હતું. બે મિત્રો પહેલા ડોક્ટર બન્યા, પછી આતંકવાદી કાશ્મીરના પુલવામા જિલ્લાના કોઇલ ગામના બે યુવાનો ડો. મુઝમ્મિલ અને ડો. મોહમ્મદ ઉમર નબી સાથે અભ્યાસ કરતા અને સાથે જ ડોક્ટર બન્યા. એ પછી જૈશના સંપર્કમાં આવ્યા ને બ્રેનવોશ થતાં આતંકવાદનો માર્ગ અપનાવ્યો. આ બંને મિત્રોના ઘરો માત્ર 800 મીટરના અંતરે છે. અત્યારે મુઝમ્મિલની ધરપકડ કરવામાં આવી છે અને ઉમર નબી વિસ્ફોટમાં માર્યો ગયો છે. દિલ્હી બ્લાસ્ટમાં તુર્કી કનેક્શન? દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટમાં તપાસ એજન્સીઓ તુર્કી કનેક્શન પર તપાસ કરી રહી છે. કારણ કે કારમાં બેસીને બ્લાસ્ટ કરનાર ડો. મોહમ્મદ ઉમર નબી અને ડો. મુઝમ્મિલના પાસપોર્ટ પરથી ખબર પડી છે કે બને એક ટેલિગ્રામ ગ્રુપ સાથે જોડાયેલા હતા અને તુર્કી પણ જઈ આવ્યા હતા. આ બંને એક ટેલિગ્રામ સાથે જોડાયા હતા ને તરત જ તુર્કી માટે રવાના થયા હતા. તપાસ એજન્સીઓને શંકા છે કે તુર્કીમાં જૈશના આકાઓને પનાહ મળી હોઈ શકે અને આ બંને ત્યાં તેમને મળવા ગયા હોઈ શકે. તુર્કીથી પાછા ફર્યા બાદ બંને ડોક્ટર આતંકીઓએ દેશના અલગ અલગ ભાગોમાં નેટવર્ક એક્ટિવ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જૈશના હેન્ડલરે નિર્દેશ આપ્યો હતો કે દેશભરમાં મોડ્યુલના સદસ્યો ફેલાઈ જાય અને કોઈ એક જગ્યાએ ફોકસ નહિ રાખવાનું. આ આદેશ પછી ડોક્ટર આતંકીઓએ ફરીદાબદ અને સહારનપુર જેવા સ્થળોની પસંદગી કરી. તુર્કી હંમેશાં પાકિસ્તાનનું મિત્ર રહ્યું છે. ઓપરેશન સિંદૂર વખતે પણ તેમણે પાકિસ્તાનનો પક્ષ લીધો હતો અને પાકિસ્તાનને ડ્રોન પૂરા પાડ્યા હતા. જે રીતે પાકિસ્તાન ભારતનું દુશ્મન છે તે રીતે તુર્કી પણ ઈસ્લામિક દેશ છે અને તે પણ ભારતનો દુશ્મન દેશ છે. છેલ્લે,દિલ્હી બ્લાસ્ટની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી. જે રીતે પકડાયેલા આતંકીઓ કબૂલાત કરી રહ્યા છે તે જોતાં આ ભારતને હચમચાવી નાખવાનું પાકિસ્તાન અને તેના આતંકી સંગઠનોનું કાવતરું હતું તે નક્કી થઈ ગયું છે. ભૂતાનથી પાછા ફરેલા નરેન્દ્ર મોદી હાઈલેવલ મિટિંગ કરવાના છે. બની શકે કે આ મિટિંગમાં ઓપરેશન સિંદૂર પાર્ટ-2ની રૂપરેખા ઘડાઈ જાય. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચઃ યશપાલ બક્ષી)
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://chunavsetu-search.gujarat.gov.in/ લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશેઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4થી ડિસેમ્બર સુધીના તબક્કામાં બીએલઓ દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. SIRની આ કામગીરીમાં નાગરિકો પણ ઉત્સાહભેર સહયોગ આપીને મતદાર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે આ વેબસાઇટના માધ્યમથી મતદારોની કામગીરી વધુ સરળ બની રહી છે.
અમરેલી સેશન્સ કોર્ટે બે વર્ષ પહેલા અમરેલીમાંથી ગૌવંશની કતલ કરતા ઝડપાયેલા ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા તેમજ દરેકને 6.08 લાખનો દંડ ફટકારતો એતિહાસીક ચુકાદો આપ્યો હતો. ગૌવંશના કતલ મામલે એક સાથે ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હોય તેવો ગુજરાતના ઈતિહાસનો આ પ્રથમ ચુકાદો છે. આ અંગે હર્ષ સંઘવીએ પણ એક્સ પોસ્ટ કરી હતી અને કહ્યું કે, 'આ એક સંદેશ છે, ગૌ માતા સાથે અન્યાય કરે છે તેમને બક્ષવામાં નહીં આવે'. ગૌવંશની હેરાફેરી અને કતલના કેસમાં અગાઉ અનેક આરોપીને સજા પડી ચુકી છે, પરંતુ એક સાથે ત્રણ આરોપીને આજીવન કેદ અને આટલો મોટો દંડ ફટકારાયો હોય તેવી ઘટના પ્રથમ વખત બની છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એક્સ પોસ્ટ કરી હર્ષ સંઘવીએ પોસ્ટમાં લખ્યું કે, દેશના ઈતિહાસમાં પ્રથમ વખત ગૌહત્યાના આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ ફક્ત એક ચુકાદો નથી, પરંતુ એક સંદેશ છે કે, જે લોકો ગૌ માતા કે જે આપણી આસ્થા અને સંસ્કૃતિનું પ્રતિકે છે તેની સાથે અન્યાય કરે છે તેમને બક્ષવામાં નહીં આવે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ ગૌરક્ષા માટેનો જે કાયદો લાવ્યાં હતા, હવે એ જ કાયદો ન્યાયનો નવો ઈતિહાસ રચી રહ્યો છે. શું છે સમગ્ર ઘટના?ગત તારીખ 6-11-2023ના રોજ પોલીસ કર્મચારી વનરાજ માંજરિયાને બાતમી મળી હતી કે, અમરેલીના ખાટકીવાડમાં અક્રમ હાજી સોલંકી તેમના રહેણાંક મકાને ગાયોના વાછરડા અને વાછરડીઓને કતલ કરવાના ઇરાદે પકડી લાવે છે, કતલ કરે છે અને તેનું માંસ વેચે છે. પોલીસે રેડ કર્યા બાદ ત્રણેય આરોપીને ઝડપી પાડ્યાબાતમીના આધારે, ASI આર.એન. માલકીયાએ પોલીસ કર્મચારીઓ સાથે અક્રમના મકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ઘટના સ્થળેથી આરોપી કાસીમ સોલંકીને ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે સત્તાર ઇસ્માઈલ સોલંકી અને અકરમ હાજી સોલંકી પોલીસને જોઈને ફરાર થઈ ગયા હતા. જોકે, બાદમાં પોલીસે તે બન્નેને પણ ઝડપી પાડ્યા હતા. પોલીસના દરોડા દરમિયાન મકાનની તપાસ કરતા રસોડામાંથી કતલ કરાયેલા પશુના ટુકડા, પૂંછડી, ચામડું અને પગના કટકા મળી આવ્યા હતા. ગૌવંશ કતલ કરવાના સાધનો અને 40 કિલો ગૌમાંસ પણ મળી આવ્યુંઆ તપાસ દરમિયાન, પ્લાસ્ટિકની ડોલમાં લોહીનો બગાડ, ગૌવંશ કતલ કરવાના સાધનો અને 40 કિલો ગૌમાંસ પણ મળી આવ્યું હતું. તે સમયે સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કઈ-કઈ કલમ હેઠળ સજા ફટકારાઈ આ ગૌમાસનો કેસ અમરેલી સેશન્સ કોર્ટમાં ચાલી જતા સ્પેશિયલ સરકારી વકીલ ચંદ્રેશ બી.મહેતાની ધારદાર દલીલો તેમજ રજુ કરેલા પુરાવાઓને આધારે સેશન્સ જજ રીઝવાનાબેન બુખારીએ ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ-5માં ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને દરેક આરોપી દીઠ રૂા. 5,00,000/- નો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત જો આરોપી દંડની રકમની ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા તેમજ કલમ-6 (ખ)માં 7 વર્ષની સજા અને રૂા.1,00,000/- નો દંડ અને જો આરોપી દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ-429 માં ત્રણેય આરોપીઓને પાંચ વર્ષની સજા અને રૂા. 5,000/– નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ પાંચ માસની સજા કરી તેમજ ભારતીય દંડ સંહિતા કલમ-295માં ત્રણેય આરોપીઓને ત્રણ વર્ષની સજા અને રૂા. 3,000/- નો દંડ અને દંડની રકમ ભરપાઈ ન કરે તો વધુ ત્રણ માસની સજા ફટકારી હતી. આ મહત્વપૂર્ણ ચુકાદો આવતા જ ગુજરાતના જીવદયા પ્રેમીઓમાં ખુશીની લાગણી છવાઈ હતી. સરકારી વકીલે શું કહ્યું?સરકારી વકીલ ચંદ્રેશ બી મહેતાએ જણાવ્યું કે, ગત તારીખ 6-11-2023ના રોજ અમરેલી સીટી પોલીસે ખાટકીવાડમાં રેડ કરીને 40 કિલો ગૌમાસ તેમજ અન્ય મુદ્દામાલ જપ્ત કરી આરોપીને ઝડપી પાડ્યા હતા. આ કેસ અમરેલીની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે આ ત્રણેય આરોપીઓને આજીવન કેદની સજા અને કુલ રકમ 18.24 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. એકસાથે ત્રણ વ્યક્તિઓને આજીવન કેદની સજા આપી હોય તેવો ગુજરાતના ઈતિહાસનો આ પ્રથમ ચુકાદો અમરેલીમાં આપવામાં આવ્યો છે.
CBI(સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન)એ એક મોટા આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરી રેકેટમાં બે મુખ્ય એજન્ટોની ધરપકડ કરી છે. આ કેસમાં માનવ તસ્કરી કરી મ્યાનમારમાં ગોંધી રાખવા જેવા ગંભીર ગુનાઓ સામેલ છે, જેની સજા આજીવન કેદ સુધીની છે. આ ગુના બદલ આજીવન કેદ સુધીની સજા થઈ શકે છે. રાજસ્થાન-ગુજરાતના લોકોને ગોંધી રાખ્યા હતાતાજેતરમાં ભારત સરકારે જ સાયબર સ્લેવરી પીડિતોને આ ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પૂછપરછ દરમિયાન CBIને અનેક એજન્ટ્સની કડી મળી હતી. જેમાંથી ઝડપાયેલા બે એજન્ટે રાજસ્થાન અને ગુજરાતના લોકોને ગોંધી રાખ્યા હતા. આ બન્ને રાજ્યના લોકોને ભારત પરત લાવવામાં આવ્યા છે. ડિજિટલ અરેસ્ટ સહિતના ગુનાઓ કરાવતાઆ તપાસમાં સામે આવ્યું કે, મ્યાનમારથી મોટા પ્રમાણમાં ભલા ભોળા માણસોને વિદેશમાં ઉંચા પગારની નોકરી અપાવવાની લાલચ આપી ફસાવવામાં આવતા હતા. ઇન્ડિયા બહાર લઈ ગયા બાદ તેમને થાઈલેન્ડ થઈને મ્યાનમાર લઈ જવામાં આવતા હતા. જ્યાં તેમને ગોંધી રાખીને મોટા પાયે સાયબર ફ્રોડ કરાવતા હતા. જેમાં ડિજિટલ અરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ તથા હનીટ્રેપ જેવા ફ્રોડનો સમાવેશ થાય છે. માનવ તસ્કરીને અંજામ આપ્યા બાદ તેમને શારીરિક યાતનાઓ આપવામાં આવતી અને ધમકીઓ આપીને સાયબર ક્રાઇમ કરવા માટે મજબૂર કરતા હતા. જેને સાયબર સ્લેવ તરીકે ઓળખવામાં આવે છે. CBIએ કહ્યું કે, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય એજન્સીઝ સાથે સંકલન સાધીને તેઓ સાયબર સ્લેવરી અને અને માનવ તસ્કરીના ઉભરી રહેલા નવા જોખમ સામે લડવા માટે પ્રતિબદ્ધ છે. CBIએ તમામ નાગરિકોને વિદેશમાં નોકરીની સોશિયલ મીડિયા પર આવતી જાહેરખબરો કે એજન્ટ્સ દ્વારા કરાતી ઓફર્સ સામે સાવધાની રાખે તે જરૂરી છે.
બોટાદ જિલ્લાના સાળંગપુર ગામે ખાંભડા જિલ્લા પંચાયત શક્તિ કેન્દ્રનું ભાજપ સ્નેહમિલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપની સૂચના અને બોટાદ જિલ્લા ભાજપના માર્ગદર્શન હેઠળ દરેક જિલ્લા પંચાયત બેઠક વિસ્તારમાં સ્નેહમિલન સમારોહ યોજવાના કાર્યક્રમ અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઇન્ચાર્જ અને પ્રદેશ કારોબારી સભ્ય ગણપતભાઈ કણઝરીયા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, મહામંત્રી જામસંગભાઈ પરમાર, બરવાળા તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રી જયંતિભાઈ તલસાણીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો વચ્ચે સ્નેહબંધ મજબૂત કરવા, સંગઠનની ઘનિષ્ઠતા વધારવા અને આગામી રાજકીય યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી ઉત્પાદનો અપનાવવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી. જિલ્લા ભાજપના નેતાઓએ કાર્યકરોને એકતા, સમર્પણ અને જનસેવાના ધોરણે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આહ્વાન કર્યું હતું.
દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે 'આર્મ્સ એટેક' થયો હતો. ખાનગી બસમાં એક આતંકવાદી એરપોર્ટના ડિપાર્ચર ગેટ સુધી પહોંચી ગયો હતો. જેથી તેની રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમને તાત્કાલિક જાણ કરવામાં આવતા જવાનો ત્યાં પહોંચી જાય છે અને આતંકીને ઝડપી હૂમલો નાકામ બનાવે છે. જોકે બાદમાં આ મોકડ્રિલ હોવાનું જાહેર થતા એરપોર્ટ પરના તમામ મુસાફરો અને સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. CISFની મોકડ્રીલ જાહેર કરવામાં આવીરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આજે આર્મ્સ એટેક થયો હતો. જેમા આજે (12 નવેમ્બર) ના બપોરે 2.40 વાગ્યે એક ખાનગી બસ ટર્મિનલ એરિયામાં ધસી આવે છે અને ડિપાર્ચર ગેટથી અંદર જવાનો પ્રયત્ન કરે છે પરંતુ તે પહેલા જ રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમના જવાનો આ બસને અટકાવી દે છે. જે બાદ ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ કરવામાં આવે છે અને તે દરમિયાન તે બસમાં એક આતંકવાદી મળી આવે છે. જેથી આ આતંકવાદીને ઝડપી પાડવામાં આવે છે. જોકે બાદમાં આ CISF ની મોકડ્રિલ હોવાનું જાહેર થયુ હતુ. બપોરે 3.15 એ મોકડ્રિલ પૂર્ણ થયાનું જાહેર થયુ હતુ. હીરાસર એરપોર્ટ પર આજે બપોરે અચાનક એક ખાનગી બસ નાકાબંધી તોડી ડિપાર્ચર ગેટ સુધી પહોંચી જાય છે જેને લીધે હવાઈ મુસાફરોમાં હડકંપ મચી જાય છે. જેથી સુરક્ષા ટીમો એલર્ટ થઈ જાય છે અને રિ ઇન્ફોર્સમેન્ટ અને ક્વિક રિસ્પોન્સ ટીમને જાણ કરવામાં આવે છે. ત્યાં સુધીમાં CISF ના જવાનોએ આ બસને રોકીને કોર્ડન કરી દેવામાં આવે છે. જે બાદ સુરક્ષા એજન્સીના તમામ જવાનો અને ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવે છે. જે દરમિયાન બસમાંથી આતંકવાદી મળી આવે છે જેને પકડી પાડવામાં આવે છે. જોકે દિલ્હીની ઘટનાને ધ્યાનમાં રાખી આ મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌ રાહતનો શ્વાસ લે છે.
મહેસાણા LCB સ્ટાફના માણસોએ કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કલ્યાણપુરા ગામની સીમમાં આવેલા રામદેવ ઓઇલ મીલમાં વિદેશી દારૂનું કટીંગ ચાલી રહ્યું હતું. આ દરમિયાન LCB સ્ટાફના માણસો અને બાવલુ પોલીસ સ્ટાફના માણસોએ સંયુક્ત રેડ કરી હતી. આ રેડ દરમિયાન મસ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો જ્યારે રાજસ્થાનથી કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો હતો. LCBએ રેડમાં 13,000થી વધુ વિદેશી દારૂની બોટલો સાથે 6 શખસોની ધરપકડ કરી હતી. LCB સ્ટાફના માણસોએ રામદેવ ઓઇલ મીલમાં રેડ કરી હતીમહેસાણા જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકીની સૂચનાથી LCBના પી આઇ એન.આર વાઘેલાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો કડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પહોંચતા LCBના રાજેન્દ્રસિંહ અને અક્ષય સિંહને માહિતી મળી હતી કે, કડી તાલુકાના કલ્યાણપુરા ગામની સીમમાં આવેલ રામદેવ ઓઇલ મીલમાં કડી તાલુકાના વિડજ ગામનો પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ ભરતસિંહ વાઘેલા કે જેઓ રાજસ્થાનથી ટ્રક નંબર RJ 36 GA 9314માં વિદેશી દારૂ ભરી મંગાવેલો છે અને તેનું કટીંગ ચાલી રહ્યું છે. બે પિકઅપ ડાલામાં વિદેશી દારૂ ભરી અન્ય સ્થળ ઉપર લઈ જવાની પેરવી કરી રહ્યો છે. આ હકીકત મળતાની સાથે જ અલગ-અલગ ટીમ બનાવી LCB સ્ટાફના માણસોએ રામદેવ ઓઇલ મીલમાં રેડ કરી હતી. કડી તાલુકાના બાવલુ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ કલ્યાણપુરા ગામની સીમમાં આવેલા રામદેવ ઓઇલ મિલમાં LCB સ્ટાફના પીએસઆઇ એસ. આર ચૌધરી સહિત સ્ટાફના માણસોએ રેડ કરી હતી. આ રેડ દરમિયાન બે પિકઅપ ડાલા અને ટ્રકમાંથી અલગ-અલગ વિદેશી દારૂની નાના-મોટી 13,584 કિંમત રૂપિયા 44,19,216 સહિત કુલ રૂપિયા 68,08,116નો મુદ્દામાલ કબજે કરી મનોહરસિંહ મિશ્રુસિંહ રાવત રહે પબુસર તા. રાયપુર રાજસ્થાન (દારૂ ભરી આવનાર) અમન રાજા કુશવાહા રહે હાલ કલ્યાણપુરા મૂળ રહે મધ્યપ્રદેશ, લલ્લુ રાજા કુશવાહ હાલ રહે કલ્યાણપુરા મૂળ મધ્યપ્રદેશ, મોહિત જયેન્દ્ર શ્રીરામ યાદવ હાલ કલ્યાણપુરા મૂળ ઉત્તર પ્રદેશ, વાઘેલા પ્રતાપસિંહ વિક્રમસિંહ રહે વિડજ કડી, વાઘેલા પૃથ્વીરાજસિંહ ઉર્ફે પપ્પુ ભરતસિંહ રહે વિડજ કડીની ધરપકડ કરવામાં આવી હતી તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલનાર મદનસિંહ ડુંગરસિંહ ચૌહાણ રહે ભીમગઢ પાલી, ગોપાલસિંહ ડુંગરસિંહ ચૌહાણ રહે, ભીમગઢ પાલી, કૈલાશ જગદીશ રહે ભીમગઢ પાલી પોલીસ દ્વારા ફરાર બતાવવામાં આવેલા હતા. જ્યારે પોલીસે તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ખેત તલાવડી, બોરીબંધ, સુજલામ સુફલામ જેવી જુદી જુદી સ્કીમના નામે કરોડો રૂપિયાના સ્કેમની સાથે ભાજપ સરકારમાં નલ સે જલમાં કરોડો રૂપિયાનું વધુ એક મહાકાય કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. જળ વ્યવથાપન અને જળ વિતરણના નામે મોટી મોટી જાહેરાતો કરતી ભાજપ સરકારમાં સફેદ પાણીના કરોડો રૂપિયાના કાળા કારોબાર થતા હોવાના દાવા સાથે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. સુજલામ સુફલામ યોજનાના નામે માટી બારોબાર સગેવગે થતી હોવાનો પણ કોંગ્રેસે દાવો કર્યો છે. સમિતિએ તત્કાલ રિપોર્ટ જાહેર કરવો જોઈએ- કોંગ્રેસગુજરાતમાં 203 જળાશયો છે અને 4,30,680 ચેકડેમ અને ખેત તલાવડીઓ છે અને એક લાખથી વધુ તળાવો છે. તેમાંથી માત્ર 13,000 જ ઊંડાં કરવા માટે અભિયાન ચલાવાયું. જો એ બરાબર ચાલ્યું હોય તો પણ તે 10 ટકા ગુજરાતીઓની તરસ છીપાવવા માટે પણ પૂરતું ના ગણી શકાય તેવું કોંગ્રેસે કહ્યું છે. જળ અભિયાન પર દેખરેખ રાખવા માટે મુખ્ય સચિવના અધ્યક્ષપદે એક સમિતિ રચવાની હતી. જો સમિતિ હોય અને દેખરેખ રાખતી હોય તો તેને માટી વેચાઈ તેની પર શી દેખરેખ રાખી? તેવો કોંગ્રેસ દ્વારા સવાલ કરવામાં આવ્યો છે. સરકારે સમિતિનો અહેવાલ તત્કાલ જાહેર કરવો જોઈએ તેવી કોંગ્રેસે માંગ કરી છે. સુજલામ સુફલામ યોજનાના નામે કરોડો રૂપિયા સગેવગે થયાનો આક્ષેપગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જળ વિતરણ અને જળ વ્યવસ્થાપનમાં સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. સરકારની દરેક સ્કીમ કરોડો રૂપિયાનું કેમ બની ગઈ છે. 20 વર્ષથી ગુજરાતમાં ભુગર્ભ જળ માટેની નીતિ હજુ સરકાર બનાવી નથી. કેન્દ્રમાં ગ્રામ પ્રોજેક્ટ મોકલવામાં આવ્યો પરંતુ ગુજરાતમાં ગ્રામ પોલિસી પર 20 વર્ષથી કામ થયું જ નથી. જેના કારણે અનેક વિસ્તારમાં ભૂગર્ભ જળની સમસ્યાઓ ઊભી થઈ રહી છે. સુજલામ સુફલામના નામે તળાવ ઊંડા કરવાની મોટી મોટી વાતો કરવામાં આવી, પરંતુ કરોડો રૂપિયાની માટી બારોબાર સગેવગે થઈ ગઈ. માત્ર દાહોદના એક ગામમાં 345 કરોડ રૂપિયાનું કૌભાડ માત્ર મારી ચોરીનું સામે આવ્યું છે. કરોડો રૂપિયાની માટી જો સગેવગે થતી હોય તો સરકાર કેમ આ મુદ્દે મૌન છે ? વધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જ્યાં નળ છે ત્યાં જળ નથી અને જ્યાં નળ ની વાત છે ત્યાં પાઇપલાઇન જેવા કનેક્શન જ નથી. તેમાં પણ કરોડો રૂપિયાના કૌભાંડ ભાજપે પોતાના મળતીયાને આપીને કૌભાંડ કર્યા છે, જેની તપાસ ચાલી રહી છે. એક તરફ જળ વ્યવસ્થાપનની વાતો થાય ત્યાં બીજી તરફ સફેદ પાણીનો કાળો કારોબાર ભાજપના મળતીયાઓ મોટાપાયે કરી રહ્યા છે. જેના કારણે અનેક વિસ્તારમાં કરોડો લિટર પાણી બારોબાર સગેવગે થઈ રહ્યું છે. જેથી માંગ કરીએ છીએ કે માટી ચોરીના કૌભાંડની તપાસ થાય અને સફેદ પાણીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તેની પણ તપાસ થવી જોઈએ. જેથી દરેક નાગરિકને શુદ્ધ પીવાનું પાણી મળે અને ખેડૂતોને તેમના હક્કનું પાણી મળી રહેશે.
પોરબંદરમાં ગેરકાયદે ખનન પર મોટી કાર્યવાહી:રાતડીમાંથી 35 મશીનરી સહિત 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
પોરબંદર જિલ્લાના રાતડી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ રૂ. 1 કરોડની અંદાજિત કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં ખનન અને વહનમાં વપરાતી 35 જેટલી મશીનરીનો સમાવેશ થાય છે. કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરશાસ્ત્રી અને તેમની ટીમ દ્વારા મોજે રાતડી, તા. પોરબંદર ખાતે વહેલી સવારે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ ગેરકાયદેસર બિલ્ડીંગ લાઇમસ્ટોન ખનન અને તેના વહન પર કેન્દ્રિત હતી. તપાસ દરમિયાન જુદા જુદા લોકેશન્સ પરથી કુલ 18 ચકરડી મશીન, 1 જનરેટર મશીન, 5 ડમ્પર, 10 ટ્રેક્ટર અને 1 લોડર સહિત કુલ 35 મશીનરી જપ્ત કરવામાં આવી હતી. CGM Geo Mine એપ દ્વારા ત્રણ ટ્રક માલિકો પાસેથી સ્થળ પર જ ઓનલાઇન દંડકીય રકમ વસૂલવામાં આવી હતી. જ્યારે બાકીની જપ્ત કરાયેલી મશીનરીને સીલ કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન કરનાર જવાબદાર ઇસમો અને મશીન માલિકો વિરુદ્ધ કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી પોરબંદર જિલ્લા પ્રશાસન દ્વારા ગેરકાયદેસર ખનન પર અંકુશ લગાવવાના હેતુથી હાથ ધરવામાં આવી છે.
ઓખા મંડળના સુદર્શન સેતુ પર ખુલ્લી છરી સાથે રીલ બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. આ કેસમાં કોર્ટે આરોપીને રોકડ દંડ ફટકાર્યો છે, અને તેનો માફી માંગતો વીડિયો પણ વાયરલ થયો છે. આશરે બે મહિના પહેલા એક યુવકે ઓખાના સુપ્રસિદ્ધ સુદર્શન સેતુ પર જાહેરમાં ખુલ્લી છરી સાથે વીડિયો બનાવ્યો હતો. આ વીડિયોને તેણે સોશિયલ મીડિયા પર રીલ તરીકે વાયરલ કર્યો હતો, જે ખૂબ ચર્ચામાં આવ્યો હતો. આ રીલ સોશિયલ મીડિયા મારફતે પોલીસના ધ્યાને આવતા ઓખા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસના અંતે, અરજણજી ભીખાજી ઠાકોર (રહે. દેથળી, તા. વાવ) નામના શખ્સે આ વીડિયો બનાવ્યું હોવાનું સામે આવ્યું હતું. આરોપી અરજણજી ઠાકોર છેલ્લા બે મહિનાથી ફરાર હતો. પોલીસે તેને ગાંધીનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આજે તેને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવતા, અદાલતે તેને રોકડ દંડની સજા ફટકારી હતી. આ ગુના બદલ આરોપીનો માફી માંગતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જૂનાગઢમાં 'પોલીસ પ્રજાનો મિત્ર' સૂત્રને સાર્થક કરતો એક માનવતાભર્યો કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા વિહોણી એક દીકરી સાથે થયેલી છેતરપિંડીના કિસ્સામાં, જૂનાગઢના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને સી-ડિવિઝન પીઆઇ વત્સલ સાવજે ત્વરિત અને સંવેદનશીલ કાર્યવાહી કરીને દીકરીને માત્ર ન્યાય જ નહીં, પણ તેના હકના ₹1 લાખ પણ પરત અપાવ્યા છે, જેના કારણે તે પોતાની માતાની અંતિમ નિશાની સમાન મંગળસૂત્ર બેન્કમાંથી છોડાવી શકી છે. મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારી આશિષ વાળાએ પણ આ સમગ્ર મામલામાં સંવેદનશીલતા દાખવી હતી. માતાની અંતિમ નિશાની બચાવવા દીકરીનો સંઘર્ષ જૂનાગઢની મધુરમ સોસાયટીમાં રહેતી ભાવિકા જોશી અને તેનો નાનો ભાઈ માતા-પિતાના અવસાન બાદ એકલા પડી ગયા હતા. ભાવિકાના માતાએ 2016માં અવસાન સમયે પોતાની મરણમૂડી, એક નાનું સોનાનું મંગળસૂત્ર અને બુટ્ટી, ભાવિકાને સંભાળવા આપી હતી, જે તેને પોતાના લગ્નમાં પહેરવાની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી. 2022માં પિતાને બ્લડ કેન્સર થતાં, તેમની સારવાર માટે ભાવિકાએ આ મંગળસૂત્ર બેંકમાં મૂકીને ₹1 લાખની ગોલ્ડ લોન લીધી હતી. પિતાની વધુ સારવાર માટે, વિસાવદર તાલુકામાં આવેલી પિતાના નામે 4 વીઘા જમીન જૂનાગઢના બે જમીન દલાલોને માત્ર ₹4 લાખમાં વેચી દીધી હતી. દલાલોએ ₹3 લાખ આપી દીધા હતા, પરંતુ બાકીના ₹1 લાખ જમીનની એન્ટ્રી પડ્યા પછી આપવાનું વચન આપ્યું હતું. પિતાના અવસાન બાદ, ભાવિકા અમૂલ ડેરી ફાર્મમાં નોકરી કરીને ભાઈનું ગુજરાન ચલાવતી હતી, પરંતુ તેને માતાની અંતિમ નિશાની સમાન મંગળસૂત્ર બેંકમાંથી છોડાવવાની તાતી જરૂરિયાત હતી. દલાલોએ રૂપિયા આપવાની જગ્યાએ ગાળો દીધી બેંકમાં વ્યાજ સહિત ₹1.30 લાખ ભરવાના થતા હોવાથી, ભાવિકાએ જમીન દલાલો પાસે તેમના બાકી રહેલા ₹1 લાખની માંગણી કરી. પરંતુ દલાલોએ રૂપિયા આપવાને બદલે તેને ગાળો દીધી હતી. નિરાધાર બનેલી ભાવિકાએ અનેક આગેવાનો, બ્રહ્મ અગ્રણીઓ અને પોલીસ તંત્ર પાસે ન્યાય માટે આજીજી કરી, પણ ક્યાંય પરિણામ ન મળ્યું.બ્રહ્મ અગ્રણી જયેશ દવે દ્વારા ફાળો કરીને રકમ આપવાની ઓફરને પણ ભાવિકાએ નકારી દીધી હતી, કારણ કે તેને દાન નહીં, પરંતુ પોતાના હકનું જ ધન પરત મળે તેવો આગ્રહ રાખ્યો હતો. SP અને PI ની સંવેદનશીલતાથી ત્વરિત ન્યાય આખરે આ કિસ્સો જૂનાગઢના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો. બીજા જ દિવસે જૂનાગઢના એસપી સુબોધ ઓડેદરાએ સામેથી ભાવિકાને બોલાવીને તેમની આપવીતી સંપૂર્ણપણે સાંભળી. એસપીએ તુરંત જ સી-ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વત્સલ સાવજને બનાવ અંગે વાકેફ કર્યા. પીઆઇ વત્સલ સાવજે અરજી મળતાં જ તુરંત બંને જમીન દલાલોને પોલીસ સ્ટેશન બોલાવી લીધા અને કડક ભાષામાં દબાણ કર્યું. પોલીસની કડક પૂછપરછ અને દબાણ સામે બંને શખ્સોએ ભૂલ સ્વીકારી લીધી. પીઆઇની હાજરીમાં જ બંને શખ્સોએ ભાવિકાને તેમના લેણા ₹1 લાખ તાત્કાલિક પરત આપી દીધા.એસપી ઓડેદરા અને પીઆઇ સાવજ પોતે પણ દીકરીના સંઘર્ષની વાત સાંભળીને ભાવુક થઈ ગયા હતા અને તેની સરાહના કરી હતી. પીઆઇ સાવજે તો દીકરીને આર્થિક યોગદાન આપવાની તૈયારી પણ બતાવી હતી. મુખ્યમંત્રીના OSD આશિષ વાળા અને જૂનાગઢના એસપી ઓડેદરા તથા પીઆઇ સાવજે સરકારી અધિકારીની કઠોર નહીં, પણ સંવેદનશીલ અને માનવતાવાદી છબી રજૂ કરીને એક નિરાધાર દીકરીને માત્ર તેનો હક જ નહીં, પણ એક પરિવારની હૂંફ આપીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
અમદાવાદના એક સિનિયર સિટીઝને પોતાની મહેનતની કમાણીના આશરે પોણા બે કરોડ રૂપિયા ગુમાવ્યા છે. આ ગુનાના તાર સુરત સુધી લંબાતા, અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની બાતમીના આધારે સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક મહત્ત્વના આરોપીને સુરતમાંથી ઝડપી પાડ્યો છે. સિનિયર સિટીઝનને બિઝનેસના નામે ઊંચા નફાની લાલચ આપવામાં આવી હતી, આરોપી ગેંગમાં મની મ્યુલ હતો તેના બેંક એકાઉન્ટનો ઓડિશા અને ડાંગમાં પણ ગુનાહિત ઇતિહાસ છે. ક્રિપ્ટોકરન્સી USDTમાં રોકાણ કરવા જણાવ્યુંઆ કેસની વિગતો મુજબ, ગુનેગારોએ એક સિનિયર સિટીઝનને ટાર્ગેટ કર્યા હતા. આરોપીઓએ એક આકર્ષક વેબસાઇટ બનાવી હતી, જેના પર 'મલ્ટીપલ ક્લસ્ટર બિઝનેસ' નામની એક સ્કીમ ચાલતી હતી. ઠગબાજોએ ભોગ બનનારને આધુનિક જમાના સાથે તાલ મિલાવી, ક્રિપ્ટોકરન્સી USDTમાં રોકાણ કરવા જણાવ્યું. ભોગ બનનારને ખાતરી આપવામાં આવી હતી કે, આ બિઝનેસ મોડેલમાં રોકાણ કરવાથી ટૂંક સમયમાં જબરદસ્ત નફો મળશે. આ લાલચમાં આવીને સિનિયર સિટીઝને રોકાણ કરવાનું શરૂ કર્યું. નાણા પરત આપવાના સમયે આરોપીએ હાથ ઉંચા કરી લીધાશરૂઆતમા થોડો નફો બતાવી, આરોપીઓએ ભોગ બનનારનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ વધુ નફા માટે વધુ રોકાણની માંગણી કરી. આ નાણાં કોઈ એક ખાતામાં નહીં, પરંતુ અલગ અલગ ઘણા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. આ પ્રકારે, ટુકડે ટુકડે કરીને, સિનિયર સિટીઝન પાસેથી કુલ 1,84,67,620 પડાવી લેવામાં આવ્યા. જ્યારે ભોગ બનનારને પોતાના નાણાં પરત માંગવાનો કે નફો લેવાનો સમય આવ્યો, ત્યારે આરોપીઓએ હાથ ઊંચા કરી દીધા અને વેબસાઇટ પણ બંધ થઈ ગઈ. આખરે, છેતરાયાનો અહેસાસ થતાં તેમણે અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી. પકડાયેલો આરોપી 'મની મ્યુલ' તરીકે કામ કરતો હતોઅમદાવાદ સાયબર ક્રાઇમ આ કેસમાં નાણાંના ટ્રાન્ઝેક્શન ટ્રેલ પર કામ કરી રહી હતી. તપાસમાં ખુલ્યું કે, ફ્રોડના નાણાં જે અનેક ખાતાઓમાં ગયા હતા તેમાંથી એક ખાતું સુરત શહેરનું હતું. આ માહિતી સુરત સાયબર ક્રાઇમ સેલને આપવામાં આવી હતી. સુરત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ બેંક ખાતાધારકને શોધી કાઢ્યો. આરોપી હુસેન મેમણ ઈકબાલ મેમણ ( રહેવાસી: ઘર નં. 502, હાજી પ્લાઝા, ભાગા તળાવ, સુરત શહેર) આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નથી, પરંતુ તે 'મની મ્યુલ' તરીકે કામ કરતો હતો. 'મની મ્યુલ' એવા લોકો હોય છે જે થોડા કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટનો ઉપયોગ ગુનાહિત નાણાંની હેરાફેરી માટે કરવા દે છે. પોલીસને ગેર માર્ગે દોરવા લેયરિંગ પ્રક્રિયાનો ઉપયોગ કરતાપોલીસ તપાસ મુજબ, હુસેનના કોટક બેંકના ખાતામાં ફ્રોડની રકમમાંથી 1,14,251 જમા થયા હતા. આ રકમ મળતા જ હુસેને તેમાંથી 30,000 એ.ટી.એમ. દ્વારા રોકડા ઉપાડી લીધા હતા. બાકીની રકમ તેણે તરત જ અન્ય લોકોના ખાતામાં યુ.પી.આઇ.દ્વારા ટ્રાન્સફર કરી દીધી હતી અને ત્યારબાદ તે લોકો પાસેથી પણ રોકડ રકમ મેળવી લીધી હતી. આ પ્રક્રિયાને લેયરિંગ કહેવાય છે, જેનો ઉપયોગ પોલીસને ગેરમાર્ગે દોરવા અને પૈસાના મુખ્ય સ્ત્રોતને છુપાવવા માટે થાય છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસસુરત સાયબર સેલે જ્યારે હુસેન મેમણના કોટક બેંક ખાતાની વિગતો NCCRP પર ચકાસી, ત્યારે ચોંકાવનારી વિગતો સામે આવી. આ બેંક ખાતા વિરુદ્ધ અગાઉ પણ ફરિયાદો નોંધાયેલી છે. આહવા પોલીસ સ્ટેશન ખાતે આ ખાતા સંબંધિત ફરિયાદ નોંધાયેલી છે. સાથે ગુજરાત બહાર, ઓરિસ્સાના પુરી ખાતે પણ આ જ બેંક એકાઉન્ટ દ્વારા થયેલ છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે 25 વર્ષીય 'બેકાર' હુસેન મેમણ લાંબા સમયથી સાયબર ઠગોની આંતરરાજ્ય ગેંગ માટે 'મની મ્યુલ' તરીકે કામ કરી રહ્યો હતો. હાલ, સુરત સાયબર ક્રાઇમ સેલે આરોપી હુસેન મેમણની અટકાયત કરી છે અને તેને અમદાવાદ સાયબર ક્રાઇમ સેલને સોંપવાની તજવીજ હાથ ધરી છે. અમદાવાદ પોલીસ હવે તેની પૂછપરછ કરીને આ પોણા બે કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધારો અને આ ગેંગના અન્ય સાગરિતો સુધી પહોંચવાનો પ્રયાસ કરશે.
સિદ્ધપુરમાં 27મું વિજ્ઞાન પ્રદર્શન:બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા
સિદ્ધપુર તાલુકાના બીલીયા સ્થિત પ્રકાશ વિદ્યાલય ખાતે એસ.વી.એસ. કક્ષાનું 27મું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીના હસ્તે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમની સાથે જિલ્લા કચેરીના મદદનીશ કેળવણી નિરીક્ષક કનુભાઈ ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. બીલીયા કેળવણી મંડળના હોદ્દેદારો અને પ્રકાશ વિદ્યાલય, બીલીયાના આચાર્ય સુરેશભાઈ સુંઢિયાએ સમગ્ર કાર્યક્રમનું સુચારૂ સંચાલન કર્યું હતું. એસ.વી.એસ. કન્વીનર અને એલ.એસ. હાઈસ્કૂલ, સિદ્ધપુરના આચાર્ય મુકેશભાઈ ચૌધરીએ એસ.વી.એસ. વતી આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં એસ.વી.એસ.ની તમામ શાળાના આચાર્યો, ગણિત-વિજ્ઞાનના શિક્ષકો તેમજ મોટી સંખ્યામાં બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ બાળ વૈજ્ઞાનિકોના પ્રોજેક્ટ્સને રસપૂર્વક નિહાળી તેમના પ્રયાસોને બિરદાવ્યા હતા. આ ઉપરાંત, સિદ્ધપુર તાલુકા ભાજપ પ્રમુખનું પ્રકાશ વિદ્યાલય પરિવાર વતી શાલ ઓઢાડી સન્માન પણ કરવામાં આવ્યું હતું.
મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો:કાકોશી પોલીસે એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યો
પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાની કાકોશી પોલીસે મોબાઈલ ચોરીનો એક ગુનો ઉકેલવામાં સફળતા મેળવી છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી સરહદી રેન્જ, ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા અને પાટણના પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અને અટકાવવા માટે આપવામાં આવેલી સૂચનાઓના આધારે કરવામાં આવી હતી. સિદ્ધપુરના નાયબ પોલીસ અધિક્ષક કે.કે. પંડયાના સીધા માર્ગદર્શન હેઠળ, કાકોશી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ પી.વી. ચૌધરી અને તેમના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો. કાકોશી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 11217014250447, ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 303(2) મુજબ નોંધાયેલા ગુનામાં ચોરીમાં ગયેલા મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. આ બનાવ અંગે વધુ તપાસ ચાલુ છે.
ધ્રોલ નજીક બોલેરો પિકઅપ પલટી:ટાયર ફાટતા 7 લોકોને ઇજા, જામનગર હોસ્પિટલ ખસેડાયા
જામનગર-રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક એક બોલેરો પિકઅપ વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં વાહનમાં સવાર આશરે સાત જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે જામનગરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, ધ્રોલના સોયલ ટોલનાકા નજીક બોલેરો પિકઅપ વાહનનું ટાયર અચાનક ફાટી ગયું હતું. જેના કારણે ડ્રાઈવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો અને વાહન રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું. સમયસરની મદદ અને તાત્કાલિક સારવારને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી. પોલીસે પણ ઝડપથી સ્થળ પર પહોંચીને જરૂરી વ્યવસ્થા સંભાળી હતી.
મહેસાણા જિલ્લામાં નવા મતદારોની યાદી તૈયાર કરાવવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં બી.એલ.ઓ ફોર્મ ઘરે ઘરે આપી ગયા છે. જેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલી તારીખે બી.એલ.ઓ હાજર રહી મદદ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચની સૂચનાનુસાર ગુજરાત રાજ્યમાં 1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR-2026) જાહેર કરવામાં આવ્યો છે. જે મતદારોનું નામ અથવા તેમના માતા-પિતા/દાદા-દાદીનું નામ વર્ષ-2002ની મતદારયાદીમાં ન હોય તેવા કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તે અંગે BLO દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હાલમાં 2002ની યાદીમાં ન હોય અને અન્ય ગામેથી અન્ય જગ્યાએ સ્થળાંતર થયા હોય તેવા ખાસ કિસ્સામાં BLO દરેક મતદારને માર્ગદર્શન આપશે. BLO તા: 15 અને 16 તથા 22 અને 23 નવેમ્બરે મતદાન મથકે મળશે. તેમાં હાલના પ્રથમ તબક્કામાં તા. 15 અને 16 નવેમ્બર અને 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9થી બપોરે 1 કલાક સુધી દરેક BLO તેમના મતદાન મથકે હાજર રહેશે. તેમજ ફોર્મ ભરવામાં મતદારોને મદદ કરશે.
રાજકોટ જિલ્લા સહકારી બેંકે કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂત સભાસદો માટે ખાસ કૃષિલોન યોજનાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત રાજકોટ અને મોરબી જિલ્લાના આશરે 2,25,000 ખેડૂતોને રાહત આપવા માટે ₹1300 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ કૃષિલોન હેક્ટર દીઠ ₹12,500 અને વધુમાં વધુ ₹65,000 સુધીની રહેશે. આ લોન શૂન્ય % વ્યાજ દરે 1 વર્ષની મુદત માટે આપવામાં આવશે. આ નિર્ણય જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા દ્વારા લેવામાં આવ્યો છે. ચેરમેન જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોને શૂન્ય % વ્યાજ દરે કૃષિલોન આપવાથી બેંકને અંદાજે ₹100 કરોડનો ખર્ચ થશે. આ ખર્ચ બેંક ખેડૂતો વતી ભોગવશે, જેથી ખેડૂતો પર કોઈ આર્થિક બોજ ન પડે.
ન્યૂ જર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિર અક્ષરધામ ખાતે 18 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન દિવાળી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ઉજવણીની થીમ 'એકતા' રાખવામાં આવી હતી. ટ્રાઇ-સ્ટેટ વિસ્તારના હજારો હરિભક્તો, શુભેચ્છકો અને મુલાકાતીઓ અંધકાર પર પ્રકાશના વિજયની ઉજવણી કરવા માટે એકત્ર થયા હતા. મહાઆરતીઉજવણીની શરૂઆત શાંતિપૂર્ણ મહાઆરતીથી થઇ. જે ભક્તિ અને પ્રકાશનું સામૂહિક અર્પણ હતું. આતશબાજીમહાઆરતી બાદ આતશબાજી કરાઇ હતી. જેણે અક્ષરધામના આંગણાને પ્રકાશમય બનાવી દીધું અને એકતા તથા શાંતિની સામૂહિક ભાવનાનું પ્રતીક બની. અન્નકૂટઉત્સવનું મુખ્ય આકર્ષણ અન્નકૂટ હતો. જેમાં ભક્તોએ તૈયાર કરેલા શાકાહારી વ્યંજનો ભગવાનને અર્પણ કરવામાં આવ્યા હતા. સજાવટ અને સ્વયંસેવકોમંદિર પરિસરને રંગબેરંગી શણગાર કરાયો હતો. સુંદર રંગોળી અને દિવાઓની ઝાંખીથી સજાવવામાં આવ્યું હતું. સ્વયંસેવકોએ અઠવાડિયાઓ સુધી મહેનત કરી હતી. મહાનુભાવોની હાજરીમર્સર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોના સ્થાનિક મહાનુભાવો અને જાહેર ક્ષેત્રના અધિકારીઓએ પણ હાજરી આપીને એકતાના આ ઉત્સવમાં ભાગ લીધો હતો. અમી શાહ નામના શ્રદ્ધાળુએ કહ્યું કે, દિવાળીની તૈયારી માટે સ્વયંસેવકોએ સાથે કામ કરીને મને એ બતાવ્યું કે સેવા કેવી રીતે આપણને પરિવાર અને સમુદાય તરીકે નજીક લાવી શકે છે. રમા જોશી નામના શ્રદ્ધાળુએ કહ્યું કે, આ અનુભવથી મારૂં મન આનંદથી ભરાઇ ગયું. હું ભારતથી આવી છું અને આ ઉજવણી માટે આતુર હતી. આ ઉજવણીએ મને મારા બાળપણની પરંપરાઓની યાદ અપાવી છે અને અહીં મારા પરિવાર સાથે નવી યાદો પણ ઊભી કરી છે. આ ઉજવણીમાં તમામ વયના મુલાકાતીઓ માટે આતશબાજી, ઇન્ટરએક્ટિવ પ્રદર્શનો અને શૈક્ષણિક કાર્યક્રમો પણ યોજાયા હતા. લંડનથી દિવ્ય ભાસ્કર માટે સૂર્યકાંત જાદવાનો રિપોર્ટ
બે બાઈક અકસ્માતમાં વૃદ્ધનું મોત:રણેલાથી ઉદેલા રોડ પર અકસ્માતમાં બે ઘાયલ, બાઈકચાલક સામે ફરિયાદ નોંધાઈ
બેચરાજી તાલુકામાં આવેલા રણેલાથી ઉદેલા તરફ જતા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એક વૃદ્ધનું મોત તેમજ બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. સમગ્ર અકસ્માતની ઘટનામાં મોઢેરા પોલીસ મથકમાં અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવી છે. કડી તાલુકાના બલાસર ગામે રહેતા દર્શન કુમાર પરમારે મોઢેરા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, તે પોતાના નાનાના ઘરે રહેવા આવ્યો હતો. જ્યાં 11 નવેમ્બરના રોજ GJ02BL0610 નંબરનું બાઇક લઈ ફરિયાદી યુવક અને તેના નાના ઉદેલા ગામથી મોઢેરા કોઈ કામ અર્થે ગયા હતા. આ દરમિયાન કામ પતાવી બને જણા બાઇક પર સવાર થઈ ઘરે આવી રહ્યા હતા, જ્યાં બાઇક ફરિયાદીના નાના બાબુભાઇ સોલંકી ચલાવી રહ્યા હતા. મોઢેરાથી નિકળી રણેલા ગામ પાસે આવતા રણેલા ઉદેલા રોડ પર વળાંકમાં જતા સામેથી GJ 02BC9439 નંબરનું બાઇક આવતા તેણે ફરિયાદી જે બાઇક પર સવાર હતા તેણે ટક્કર મારી હતી. સમગ્ર અકસ્માતમાં ત્રણ લોકો રોડ પર પટકાયા હતા. જ્યાં સ્થાનિક લોકોએ 108 મારફતે આ ત્રણ લોકોને સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બાબુભાઈ સોલંકીને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર કેસમાં સામેના બાઇક ચાલક સામે મોઢેરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમવિધિમાં ટાયર અને ગોદડાનો ઉપયોગ કરવાને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્મશાન વિભાગ દ્વારા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને કોન્ટ્રાક્ટર મનહર સોલંકીની વિવેકાનંદ ગ્રામ ઉદ્યોગ સેવા સંસ્થાને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવા માટે કાર્યવાહી હજુ કરવામાં આવી નથી. બ્લેકલિસ્ટ માટે મ્યુનિસિપલ કમિશનર પાસે છેલ્લા 1 અઠવાડિયાથી ફાઇલ મૂકવામાં આવી છે છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. શહેરના જુદા જુદા સ્મશાનોમાં પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે, જેમાં સફાઈને લઈને પ્રશ્નો ઉભા થયા હોવાથી આ બાબતે જે પણ કોન્ટ્રાક્ટર સંસ્થા હોય તેને તપાસ કરીને નોટિસ આપવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. સ્મશાન ગૃહમાં અંતિમવિધિમાં ગોદડા-ટાયરના ઉપયોગહેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન જશુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા સ્મશાન ગૃહમાં મૃતકના અંતિમવિધિમાં ગોદડા અને ટાયરના ઉપયોગને લઈને કોન્ટ્રાક્ટર સંસ્થાને બ્લેકલિસ્ટ કરવા માટેની ફાઈલ કમિશનર સમક્ષ મૂકવામાં આવેલી છે. આજે મળેલી કમિટીમાં તમામ સ્મશાન ગૃહોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા જે પણ પ્રશ્નો સામે આવ્યા છે તે અંગે આખો અહેવાલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. સ્મશાન ગૃહોમાં સફાઈ કરનાર અને લાકડા જાળવણી કરનાર એક જ વ્યક્તિ હોય છે ત્યારે સફાઈને લઈને પ્રશ્નો ઊભા થયા છે જેથી સ્મશાન ગૃહમાં જે કોન્ટ્રાક્ટર સંસ્થા છે તેને સફાઈને લઈને નોટિસ આપવાની પણ સૂચના આપી છે. BJPના નેતાઓનો કોન્ટ્રાક્ટ બચાવવા પાંગળો પ્રયાસAMC સંચાલિત ઓઢવ સ્મશાન ગૃહમાં અંતિમવિધિ માટે કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાક્ટર વિવેકાનંદ ગ્રામઉદ્યોગ સેવા સંઘ મનહર સોલંકી BJPના પૂર્વ કોર્પોરેટરની માલિકીની છે. આ સંસ્થાને બ્લેકલિસ્ટ કરવામાંથી બચવા અને કોન્ટ્રાક્ટ બચાવવા માટે 'હવાતિયાં’ મારવાનું શરૂ કર્યું હતું અને મનહર સોલંકી પોતાના ટકેદારો સાથે AMCની મુખ્ય કચેરી દાણાપીઠ ખાતે દોડી આવ્યા હતા અને BJPના કેટલાંક નેતાઓને મળીને કોન્ટ્રાક્ટ બચાવવા પાંગળો પ્રયાસ કર્યો હતો. કાપડની થેલીનું વિતરણ ન થતું હોવાની ફરિયાદઆજે મળેલી કમિટીમાં પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાન અંતર્ગત દરેક ઘરમાં બે કપડાની થેલી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થેલીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જોકે, શહેરના પૂર્વ વિસ્તારમાં પૂરતા પ્રમાણમાં થયેલીનું વિતરણ કરવામાં ન આવતી હોવા અંગેની ફરિયાદ પણ કરવામાં આવી હતી. જેથી અધિકારીઓને કોર્પોરેટરો સાથે સંકલન કરીને તમામ લોકો સુધી થેલીઓ પહોંચે તે પ્રકારનું આયોજન કરવા માટે પણ સૂચના આપી છે.
પાટણ જિલ્લાના રાધનપુર APMCમાં આવેલી એક પેઢી પર જિલ્લા પુરવઠા વિભાગે દરોડો પાડી ₹3.31 લાખનો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કર્યો છે. ખાનગી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પુરવઠા અધિકારી હેમાંગીની ગુર્જરના જણાવ્યા અનુસાર, જિલ્લા પુરવઠા વિભાગને મળેલી બાતમીના આધારે રાધનપુર APMCમાં આવેલી 'આહીર બ્રધર્સ' નામની પેઢીમાં તપાસ કરાઈ હતી. આ તપાસ દરમિયાન પેઢીમાંથી શંકાસ્પદ ઘઉં અને ચોખાનો મોટો જથ્થો મળ્યો હતો, જેના બિલ પેઢી માલિકો રજૂ કરી શક્યા ન હતા. જપ્ત કરાયેલા જથ્થામાં અંદાજિત 1980 કિલો ઘઉં અને આશરે 10,234 કિલો ચોખાનો સમાવેશ થાય છે. ટીમે સ્થળ પરથી આ સમગ્ર જથ્થો સીઝ કર્યો હતો, જેની કુલ બજાર કિંમત આશરે ₹3,31,758/- આંકવામાં આવી છે. જપ્ત કરાયેલ મુદ્દામાલને આગળની કાર્યવાહી માટે રાધનપુર ગોડાઉન ખાતે સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ દ્વારા કાયદેસરની અને વધુ તપાસ હાલમાં ચાલુ છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ શાખા દ્વારા ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીના પરિણામે, રાજકોટની કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. બરોડા સ્થિત જાણીતી આર.એમ.ડી. ગુટકાના ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની અનિલ મહેન્દ્રભાઈ પટેલને કોર્ટે 5 વર્ષની આકરી સજા અને રૂ. 3 લાખનો જંગી દંડ ફટકારવાનો હુકમ કર્યો છે. ચુકાદો નિકોટીનયુક્ત ગુટકાના ઉત્પાદન અને વેચાણ પરના પ્રતિબંધને ગંભીરતાથી લાગુ કરવા માટેનો એક મજબૂત સંકેત આપે છે. સમગ્ર ઘટનાની શરૂઆત આજથી ઘણા વર્ષો પહેલા એટલે કે તા. 18/03/2013 ના રોજ થઈ હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય શાખાના ફૂડ સેફટી ઓફીસર એચ.જી. મોલીયા દ્વારા કુવાડવા રોડ પર આવેલ ડી.એચ. ચેમ્બર્સમાં ભારત પેટ્રોલપંપની બાજુમાં આવેલ ભાભા એજન્સી ખાતે નિયમિત ચેકિંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન, મેસર્સ ભાભા એજન્સીના ફુડ બિઝનેસ ઓપરેટર રાજકુમાર દયારામ કિષ્નાણી હાજર હતા. ચેકિંગ દરમિયાન, જ્યારે દુકાનની તપાસ કરવામાં આવી ત્યારે પાન-મસાલા, ચોકલેટ, બિસ્કીટ જેવી ખાદ્ય ચીજોના વેચાણની સાથેસાથે, એક થેલાની અંદર 'આર.એમ.ડી. ગુટકા' લખેલા બોક્સપેક જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ગુટકાનો જથ્થો શંકાસ્પદ જણાતા અને તે સમયે ગુજરાત સરકાર દ્વારા ગુટખાના સંગ્રહ, વેચાણ અને ઉત્પાદન પર સખત પ્રતિબંધ મૂકવામાં આવેલો હોવા છતાં ભાભા એજન્સી દ્વારા તેનું વેચાણ અર્થે સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી, ફૂડ સેફટી ઓફીસર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. ફૂડ સેફટી ઓફીસરે કાયદેસરની જરૂરી કાર્યવાહી કરીને બિઝનેસ ફૂડ ઓપરેટર પાસેથી આ ગુટકાનો નમૂનો પૃથ્થકરણ (એનાલિસિસ) માટે લેવામાં આવ્યો હતો. આ ગુટકાના બોક્સ પર સ્પષ્ટપણે બરોડા જિલ્લા સ્થિત ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવ્યું હોવાનું છાપવામાં આવ્યું હતું. ત્યારબાદ, જ્યારે નમૂનાનું પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે ફૂડ એનાલિસ્ટ દ્વારા એક ગંભીર બાબત સામે આવી હતી. પૃથ્થકરણના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે વેચાણ અર્થે રાખવામાં આવેલા આ ગુટકામાં નિકોટીનની હાજરી મળી આવી હતી. નિકોટીન એ કાયદાથી પ્રતિબંધિત જાહેર કરવામાં આવેલો પદાર્થ છે અને તેનો ખાદ્ય કે અન્ય ઉત્પાદનોમાં ઉપયોગ કરવો એ ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક માનવામાં આવે છે. ફૂડ એનાલિસ્ટ દ્વારા એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો કે કાયદાથી પ્રતિબંધિત અને સ્વાસ્થ્યને હાનિકારક હોવા છતાં, ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા પ્રતિબંધિત ગુટકાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, અને રાજકોટ સ્થિત ભાભા એજન્સી આર્થિક લાભ મેળવવાના ઈરાદાથી તેનું ગેરકાયદેસર વેચાણ કરી રહી હતી. સમગ્ર મામલે ફૂડ સેફટી ઓફીસર એચ.જી. મોલીયાએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી ફરીયાદી બનીને રાજકોટની મ્યુનિસિપલ અદાલતમાં મેસર્સ ભાભા એજન્સીના માલીક/ફુડ બિઝનેસ ઓપરેટર રાજકુમાર દયારામ કિષ્નાણી, મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ઉત્પાદક પેઢીના નોમીની અનિલ પટેલ, અને ઉત્પાદક પેઢી મેસર્સ ધારીવાલ ઈન્ડસ્ટ્રીઝ લી. સામે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 ની સંબંધિત કલમો હેઠળ ફરીયાદ નોંધાવી હતી. જોકે, કેસની કાર્યવાહી ચાલુ હતી તે દરમિયાન મેસર્સ ભાભા એજન્સીના માલીક/ફુડ બિઝનેસ ઓપરેટર રાજકુમાર દયારામ કિષ્નાણીનું અવસાન થતાં, તેમની સામેનો કેસ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો. બાદમાં બાકીના આરોપીઓ, એટલે કે ઉત્પાદક પેઢી અને તેના નોમીની સામે કેસ આગળ ચલાવવામાં આવ્યો હતો.લાંબી ન્યાયિક કાર્યવાહી પછી, કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ તારણો કાઢવામાં આવ્યા હતા. કોર્ટે અવલોકન કર્યું કે મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ઉત્પાદક પેઢીના નોમીની અનિલ પટેલ અને ઉત્પાદક પેઢી મેસર્સ ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ને ગુજરાત સરકાર દ્વારા ગુટકાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હોવાની સ્પષ્ટ જાણ હતી. કાયદાની કલમ 28 મુજબ, પ્રતિબંધ લાદવામાં આવે ત્યારે ઉત્પાદક માટે બજારમાંથી તમામ વણવેચાયેલ માલ (સ્ટોક) રીકોલ કરી લેવો ફરજિયાત હોય છે. તેમ છતાં, ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. દ્વારા આ વેચાયેલ માલ બજારમાંથી રીકોલ કરવામાં આવ્યો ન હતો અને તે માલ બજારમાં વેચાણ અર્થે મુકાયેલો રહ્યો હતો. વધુમાં, કોર્ટે એ બાબત પર ભાર મૂક્યો કે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટના કાયદા મુજબ નિકોટીનનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. તેમ છતાં, ઉત્પાદન કરેલા ગુટકાના માલની અંદર નિકોટીન ઉમેરીને કંપનીએ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કર્યા હતા. આ કૃત્યથી ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ - 2006 ની અલગ અલગ કલમોનો ભંગ થયો હતો. મૂળ ફરીયાદી (RMC) દ્વારા કોર્ટ સમક્ષ અલગ અલગ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા સંબંધિત નોટિફિકેશનો રજૂ કરીને પોતાના કેસને મજબૂત રીતે સાબિત કરવામાં આવ્યો હતો. આ તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને, રાજકોટની મ્યુનિસિપલ કોર્ટના ન્યાયમૂર્તિ કે. આર. ગાંગનાણી દ્વારા ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી. અને તેના નોમીની અનિલભાઈ પટેલને કાયદાકીય રીતે તકસીરવાન ઠેરવવામાં આવ્યા હતા. અને ગુટકા ઉત્પાદક ધારીવાલ ઇન્ડસ્ટ્રીઝ લી.ના નોમીની અનિલભાઈ પટેલને 5 વર્ષની સજા અને રૂ. 3 લાખના દંડની સજા સંભળાવીને જેલ હવાલે કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વતી આ કેસમાં જાણીતા એડવોકેટ જીજ્ઞેશ એન. શાહ દ્વારા સફળ રજૂઆત કરવામાં આવી હતી. આ ચુકાદો આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા ઉત્પાદકો માટે એક સ્પષ્ટ ચેતવણીરૂપ છે.
ગુજરાત પોલીસના મહત્વાકાંક્ષી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરાયેલા CCTV કેમેરાનો ઉપયોગ કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા જિલ્લાઓમાં જૂનાગઢ પોલીસની નેત્રમ શાખાએ ફરી એકવાર રાજ્યમાં પોતાનો ડંકો વગાડ્યો છે. ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે જૂનાગઢ નેત્રમ શાખાને ‘Reward Recognition Program’ હેઠળ સન્માનિત કરવામાં આવી હતી. બનાવનો ભેદ ઉકેલવાની કેટેગરીમાં આ શાખાને 17મી વખત એવોર્ડ એનાયત થયો છે, જે જૂનાગઢ પોલીસની કુલ 22મી વખતની શ્રેષ્ઠ કામગીરીનું સન્માન છે. ડીજીપીના હસ્તે સન્માન,જૂનાગઢને મળ્યો બીજો ક્રમ ગુજરાત રાજ્યના પોલીસ વડાની કચેરી દ્વારા દર ત્રણ મહિને ઉત્કૃષ્ટ કામગીરી કરનાર જિલ્લાઓને એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ 2025ના બીજા ક્વાર્ટર 1એપ્રિલ 2025 થી 30 જૂન 2025) દરમિયાન CCTV કેમેરાના ઉત્કૃષ્ટ ઉપયોગ માટે જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ ડીજીપી વિકાસ સહાયના હસ્તે નેત્રમ શાખાની ટીમમાંથી વુમન પોલીસ કોન્સ્ટેબલ રૂપલબેન છૈયાને ગાંધીનગર ખાતે આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જૂનાગઢ રેન્જના આઈજીપી નિલેશ જાજડીયા અને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા દ્વારા સતત સૂચના આપવામાં આવી છે કે વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળના CCTV કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી ટ્રાફિક નિયમન, ગુનાઓના ત્વરિત ભેદ ઉકેલવા અને ગુમ થયેલા કીમતી સામાનને શોધીને 'પોલીસ પ્રજાનો મિત્ર છે' સૂત્રને સાર્થક કરવામાં આવે. આ માર્ગદર્શન હેઠળ હેડક્વાર્ટર ડીવાયએસપી એ.એસ. પટણીના માર્ગદર્શન અને પીએસઆઇ પ્રતિક મશરૂના સુપરવિઝન હેઠળ પીએસઆઇ એચ.પી. મકવાણા સહિત 25 પોલીસ સ્ટાફ અને એન્જિનિયરો 24x7 ફરજ બજાવે છે. 4 વર્ષમાં 22 કરોડથી વધુનો મુદ્દામાલ રિકવર જૂનાગઢ નેત્રમ શાખાએ એપ્રિલ 2021 થી જૂન 2025 સુધીના સમયગાળા દરમિયાન CCTV કેમેરાનો ઉપયોગ કરીને કુલ 2473 કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. આ સફળતા માત્ર જૂનાગઢ જિલ્લા પૂરતી સીમિત નથી, પરંતુ 2473 કેસો પૈકી 87 જેટલા કેસ રાજ્યના અન્ય જિલ્લાઓ જેમ કે રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, ભાવનગર, અમદાવાદ અને સુરત જેવા જિલ્લાઓમાં બનેલા ગુનાઓના પણ ઉકેલાયા છે.આ સમયગાળા દરમિયાન નેત્રમ શાખાએ કુલ ₹22,73,34,450 નો મુદ્દામાલ રિકવર કરીને પ્રજાને પરત કર્યો છે.જે એક મોટું સીમાચિહ્ન છે. 4 વર્ષમાં 22 મી વખત એવોર્ડજૂનાગઢ નેત્રમ શાખાની ટીમને માત્ર 4 વર્ષના ટૂંકા ગાળામાં કુલ 22 વખત શ્રેષ્ઠ કામગીરી બદલ ડીજીપી દ્વારા સન્માનિત કરવામાં આવી છે. જેમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં તમામ વખત એવોર્ડ મળ્યા છે, તેમજ 3 વખત ઇ-ચલણની કામગીરીમાં અને 2 વખત ઇ-કોપ એવોર્ડ મેળવીને જૂનાગઢ પોલીસે રાજ્ય પોલીસ દળમાં પોતાનું ગૌરવ વધાર્યું છે. નેત્રમ શાખાના આ સુપરવિઝન અધિકારીઓ અને ટીમને આઈજીપી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, અને અન્ય તમામ ડિવિઝનના પોલીસ અધિકારીઓએ પણ અભિનંદન પાઠવ્યા છે.
વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં રહેતા કિન્નર સાથે રિક્ષામાં આવેલા 4 કિન્નરોએ ઝઘડો કર્યાં બાદ ઢોર માર મારવામાં આવ્યો હતો. ત્યારબાદ 4 કિન્નરોએ કહ્યું હતું કે, જો હવે પછી ગોરવા અને નિઝામપુરા વિસ્તારમાં ભીક્ષાવૃતિ કરવા જવુ નહી અને જો ત્યાં દેખાયા તો તને તથા તારા ગુરુને જાનથી મારી નાંખીશું. જેથી ઈજાગ્રસ્ત કિન્નરે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના બરાનપુરા અખાડામાં રહેતા રોશનીકુંવર (ઉ.વ.23)એ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું મારા ગુરૂ માહી કુંવર સાથે છેલ્લા બે વર્ષથી રહું છું, 11 નવેમ્બરના રોજ હું તથા મારા ગુરૂ માહી કુવર સાથે સવારના 7 વાગ્યે ગોરવા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ જઈ ભીક્ષાવૃતી કરી બપોરના 12.30 વાગ્યાની આસપાસ બરાનપુરા માસીબાઓના અખાડે આવી ગયા હતા. આશરે 12.45 વાગ્યા આસપાસ હું જમવા માટે અમારા અખાડાની સામે આવેલ સીધેશ્વર મહાદેવ ગલીમાં ગઈ હતી અને અમારા મકાન ખાતે ચાલીને જતી હતી, તે સમયે મારી પાછળથી એક રિક્ષા આવી હતી. જેમાં અર્ચના કુવંર (રહે.કમલા નગર, આજવા રોડ, વડીદરા), રેશમા કુવંર (રહે. મહાનગર વુડાના મકાન), સોમ્યા કુવર (રહે.પાણીગેટ, વડોદરા) અને રોશની કુવંર બેઠેલા હતા અને તેઓએ મારી આગળ રિક્ષા આડી ઉભી રાખી હતી. પ્રથમ રેશ્માકુંવર રિક્ષામાંથી ઉતરીને મને ગાળો બોલીને મારા વાળ પકડી લીધા હતા અને તેમની સાથે આવેલ અર્ચના કુંવર, સોમ્યા કુંવર અને રોશની કુંવર પણ રિક્ષામાંથી ઉતરીને મારી સાથે હાથાપાઇ કરવા લાગી હતી. મને ગડદાપાટુનો માર મારતા હું નીચે પડી ગઇ હતી, ત્યારે ચારેય જણા મને ઢોર માર માર્યો હતો. તેઓએ મને કહ્યું હતું કે, તમારે નિઝામપુરા અને ગોરવા વિસ્તારમાં ભિક્ષાવૃતી કરવા જવું નહી અને જો હવે પછી ગોરવા તથા નિઝામપુરા વિસ્તારમાં જોવા મળશો, તો તારા અને ગુરુને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝપાઝપી દરમિયાન મે પહેરેલ સોનાનો 3 ગ્રામનો સોયદોરો ખેંચીને લઈ ગયા છે. ઇજાગ્રસ્તને જમનાબાઈ હોસ્પિટલમાં સારવાર ખસેડાયો હતો. પોલીસે 4 કિન્નર વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ, આણંદ જિલ્લામાં હાલમાં મતદાર યાદી સુધારણાનો ખાસ સઘન કાર્યક્રમ (SIR) ચાલી રહ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીને વધુ શુદ્ધ અને ચોકસાઈવાળી બનાવવાનો છે. મતદારોની સુવિધા માટે, બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) શનિવાર અને રવિવારના દિવસે પણ તેમના મતદાન મથકો ખાતે હાજર રહેશે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે, આણંદ જિલ્લામાં અત્યાર સુધીમાં 90 ટકાથી વધુ મતદારોને ઈન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી 15 અને 16 નવેમ્બર (શનિવાર-રવિવાર) તેમજ 22 અને 23 નવેમ્બર (શનિવાર-રવિવાર) દરમિયાન તમામ બીએલઓ તેમના મતદાન મથકો પર સવારે 9 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી ઉપસ્થિત રહેશે. મતદારો ફોર્મ ભરવામાં કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો માર્ગદર્શન મેળવી શકશે અને ભરેલા ફોર્મ્સ પણ ત્યાં જ બીએલઓને પરત કરી શકશે. જે મતદારો મતદાન મથક સુધી પહોંચી શકે તેમ ન હોય, તેમના માટે ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા હેલ્પલાઇન એપ્લિકેશન પર ‘બુક એ કોલ વિથ બીએલઓ’ ની સુવિધા ઊભી કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને આ એપ્લિકેશન થકી તેમના બીએલઓનો સંપર્ક કરવા વિનંતી કરી છે. આ ઉપરાંત, મતદારો વોટર હેલ્પલાઇન એપ થકી અથવા 1950 નંબરની હેલ્પલાઇન ઉપર પણ તાત્કાલિક સંપર્ક સાધી શકે છે. ફોર્મ ભરતી વખતે ઊભી થતી તકલીફોના નિવારણ માટે વિશેષ કોન્ટેક્ટ સેન્ટર્સ પણ જાહેર કરવામાં આવ્યા છે. મતદારોની સુવિધા માટે ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર અને તમામ વિધાનસભા દીઠ કોન્ટેક્ટ નંબર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ નંબરો પર મતદારો સંબંધિત મતદાન નોંધણી અધિકારીની ટીમને સંપર્ક કરી શકે છે અને ફોર્મ ભરવામાં કોઈ પણ પ્રકારની તકલીફ જણાય તો ફોન કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે. કલેક્ટરે અપીલ કરી છે કે, જો હજી પણ કોઈ મતદારને ફોર્મ ન મળ્યું હોય અને તેમનું નામ મતદાર યાદીમાં હોય, તો તાત્કાલિક બીએલઓ અથવા તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરીને ફોર્મ મેળવે અને ચોથી ડિસેમ્બર પહેલા સંબંધિત બીએલઓ સુધી પહોંચાડે.
બનાસકાંઠા જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત મહિલા બુથ લેવલ ઓફિસર (BLO) મનીષાબેન પ્રજાપતિએ ઉત્કૃષ્ટ કામગીરી કરી છે. તેમણે 48 કલાકના ટૂંકા ગાળામાં 450 મતદાર ફોર્મ્સની ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જે બદલ જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મનીષાબેન પ્રજાપતિ 12- પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ભાગ નં. 44 એગોલાના BLO તરીકે ફરજ બજાવે છે. તેમણે પોતાની કાર્યનિષ્ઠા અને ઉત્સાહથી આટલા મોટા પ્રમાણમાં ફોર્મ્સને ડિજિટલ રીતે ઓનલાઈન કરીને નોંધપાત્ર સેવા પ્રદાન કરી છે. તેમની આ કામગીરી સહકર્મીઓ માટે પ્રેરણારૂપ બની છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલે મનીષાબેન પ્રજાપતિને તેમની આ અસાધારણ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કર્યા હતા. તેમણે મનીષાબેનની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી અને તેને અનુકરણીય ગણાવી હતી. આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના તમામ બુથ લેવલ અધિકારીઓ અને ચૂંટણી કર્મચારીઓ પણ આવા જ ઉત્સાહ અને હકારાત્મક વલણ અપનાવી મતદારયાદી સંબંધિત તથા અન્ય રાષ્ટ્રીય કામગીરી સમયસર અને અસરકારક રીતે પૂર્ણ કરશે તેવી આશા છે. તેમણે પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય ઝુંબેશને આગળ વધારવા હાકલ કરી હતી.
ભચાઉના વાંઢિયા ગામે ખેડૂતો ફરી એકવાર અદાણી કંપની સામે વિરોધમાં ઉતર્યા હતા. ખેતરોમાંથી પસાર થતી હેવી વીજ લાઈનના વળતર મુદ્દે ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો હતો. કંપની દ્વારા કામ શરૂ થતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે સ્થાનિક પોલીસે 30થી વધુ ખેડૂતોની અટકાયત કરી હતી. આ સમયે ખેડૂતોએ પોલીસ બસમાં કંપની અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને 'ભાજપ હાય હાય'ના નારા લગાવ્યા હતા. વાંઢિયા ગામના ખેડૂત ખાતેદાર અજય મહારાજે જણાવ્યું કે, છેલ્લા ત્રણ મહિનાથી વીજ લાઇનના વળતર મુદ્દે સતત વિરોધ ચાલી રહ્યો છે. અદાણી કંપની બજાર ભાવને બદલે જંત્રી ભાવ મુજબ વળતર ચૂકવવા માંગે છે, જે ખેડૂતોને અયોગ્ય લાગે છે. ભચાઉ તાલુકા કિસાન સંઘના દામજી આહીરે જણાવ્યું હતું કે, અદાણી કંપની ખેડૂતોને જમીનનું વળતર માત્ર જંત્રી ભાવ મુજબ આપી રહી છે, જ્યારે જમીનની બજાર કિંમત ઘણી ઊંચી છે. યોગ્ય વળતર ન મળવાને કારણે ખેડૂતોનો વિરોધ યથાવત્ છે અને રહેશે. દરમિયાન, ખેડૂતો દ્વારા અદાણી કંપની પર કરવામાં આવી રહેલા આક્ષેપો અંગે કંપનીના પ્રવક્તા જયદીપ શાહનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. તેમણે આજના બનાવ અંગે અજાણતા વ્યક્ત કરી હતી અને તપાસ કરવાનું જણાવ્યું હતું.
ગુજરાતમાં માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત હવે રાજકોટ અને મોરબી જિલ્લાના ખેડૂતોની વ્હારે રાજકોટ જિલ્લા સહકારી બેંકે પણ મહત્વની રાહતની જાહેરાત કરી છે. બેંક દ્વારા માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતો 'ખાસ કૃષિ લોન'ની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને એક વર્ષ માટે 0% વ્યાજે ખાસ લોનની કરાઇ જાહેરાતરાજકોટ જિલ્લા બેંક દ્વારા ખેડૂતોને હેક્ટર દીઠ 12,500 અને વધુમાં વધુ 65,000 રૂપિયા સુધીની લોન અપાશે. જેનો રાજકોટ અને મોરબી જિલ્લાના 2,25,000 ખેડૂતોને મળશે લાભ. બેંકના ચેરમેન જયેશ રાદડિયાના જણાવ્યા મુજબ આ લોનના કારણે ખેડૂતોને માવઠાંથી થયેલા નુકસાનની ભરપાઇ અને રવિ પાકના વાવેતર માટે આ લોન અતિ મહત્વની સાબિત થશે.
આતંકીના ઘરેથી ઝેરી કેમિકલ બનાવવાનો જથ્થો મળ્યો ગાંધીનગર નજીકથી ગુજરાત ATSએ ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા બાદ તેના ખતરનાક ઈરાદાઓનો ખુલાસો થયો હતો. ડૉ. અહેમદ સૈયદ નામનો હૈદ્રાબાદનો આતંકી સાઈનાઈડ કરતા ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. ત્યારે ગુજરાત ATSની એક ટીમ હૈદરાબાદ તેના નિવાસસ્થાને પહોંચી હતી. જ્યાંથી ખતરનાક ઝેરી કેમિકલ બનાવવાના રો મટીરીયલ્સનો જથ્થો મળી આવ્યો છે. જે એટીએસ દ્વારા સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત ATS દ્વારા ગાંધીનગરના અડાલજ પાસેથી ઝડપાયેલા ત્રણ આતંકવાદીઓની તપાસ માટે ગુજરાત ATSની કચેરી ખાતે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન ATSની ટીમો પણ આવી પહોંચી છે. પકડાયેલા ત્રણેય આતંકવાદીઓ, જેઓ કટ્ટરવાદી વિચારધારાથી પ્રેરાયેલા હતા અને વારંવાર કાશ્મીરની મુલાકાતે ગયા હતા, તેમના અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ ITની રેડ ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ ITએ રેડ કરી. રાજકીય દાનના નામે ટેક્સચોરી કરનારાઓ પર તવાઈ બોલાવ્યા બાદ ITએ હવે દાન લેનારા પક્ષોને નિશાન બનાવ્યા છે. અમદાવાદ સિવાય ગાંધીનગરના 3 સ્થળો સહિત ગુજરાતમાં 24થી વધુ સ્થળોએ રાજકીય દાનના નામે કાળા-ધોળા કરનારા પર તવાઈ બોલાવાઈ છે. ભારતીય નેશનલ જનતા દળના સ્થાપક સંજય વિઠ્ઠલભાઈ ગજેરાના ગાંધીનગરના સેક્ટકર 26ના મકાન સહિત, ઓફિસ તેમજ ડ્રાઇવરના ગ્રીન સિટીના મકાન પર IT દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દસ્તાવેજોની ચકાસણી, સ્થાવર અને જંગમ મિલકત સહિતના પુરાવાની ચકાસણી સાથે બે-ચાર પાડોશીને પણ પંચ તરીકે બોલાવવામાં આવ્યા છે. સાથે જ અમદાવાદમાં ડઝનથી વધુ સ્થળોએ ઈન્કમટેકસ દ્વારા ઓપરેશન કરાયું છે તેમાં આવા પક્ષો સાથે સંકળાયેલા આગેવાનો નિશાન બન્યા છે. આવકવેરા વિભાગનાં સુત્રોએ કહ્યું કે, અમદાવાદ ઉપરાંત, સુરત, વડોદરા, રાજકોટ, સહિતનાં શહેરોમાંથી અધિકારીઓની ટીમોને દરોડામાં સામેલ કરવામાં આવી છે. આ રેડમાં કરોડોના નાણાકીય વ્યવહારો તથા ટેકસ ચોરીનો ખુલાસો થઈ શકે છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો NSUIએ કુલપતિના ઘરે ગેટ પર ચડી નારા લગાવ્યા ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશનને સોંપવાના નિર્ણયના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. NSUIનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે. આ મુદ્દે રજૂઆત કરવા આવેલા NSUIના કાર્યકર્તાઓએ કુલપતિ નીરજા ગુપ્તા ઓફિસમાં હાજર ન મળતા નિવાસસ્થાન પર પહોંચ્યા હતા. જ્યાં સિક્યુરિટી કેબિન પર ચડીને કુલપતિના રાજીનામાની માગ સાથે નારાબાજી કરી હતી, જેના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હોબાળો કરી રહેલા NSUIના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો ભાજપ નેતાના પરિવારના ક્લિનિકને ગેરકાયદે બાંધકામની નોટિસ રાજકોટ શહેર ભાજપ નેતા વિજય પાડલિયાના પરિવારના ડેન્ટલ ક્લિનિકને ગેરકાયદે બાંધકામની નોટિસ અપાતા રાજનીતિ ગરમાઈ છે. મહત્વનું છે કે, 27મી સપ્ટેમ્બરે આ ક્લિનિકનું ઉદઘાટન બે સાંસદો સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં કરાયું હતું. સાત દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાની નોટિસ અપાતા પાડલિયાએ કહ્યું હતું કે, સંગઠનની રચના ચાલી રહી છે અને કોર્પોરેશનની ચૂંટણી આવી રહી હોય ભાજપનું એક જૂથ મારી પાછળ પડ્યું છે. અમારા તરફથી કોઈ ગેરકાયદે બાંધકામ કરાયું નથી. જો કે, વેસ્ટ ઝોનના TPOએ કહ્યું હતું કે, પાર્કિંગમાં દબાણ થયેલું છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો માણસાના 4 વ્યક્તિને ઇરાકમાં બંધક બનાવવા મામલે 1 ઝડપાયો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના દંપતી સહિત ચાર વ્યક્તિ સાથે માનવ તસ્કરી અને ખંડણીનો ગત ઓક્ટોબરમાં ગંભીર બનાવ સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા જવાની લાલચ આપીને દિલ્હીના એક એજન્ટ અને તેના મળતિયાઓએ આ 4 લોકોને ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવી અસહ્ય ત્રાસ આપી 2 કરોડની માતબર ખંડણી માંગી હતી. બે કરોડની ખંડણી આપી દેતા ચારેય લોકોને તહેરાન એરપોર્ટ ઉતારી દેવાયા હતાં. જ્યાંથી પરિવારે ટિકિટ કરાવી આપતા ચારેય પરત ફર્યા હતા. ત્યાર બાદ ચારેય અપહ્યતનો છૂટકારો થયો હતો. આ મામલે માણસા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના એજન્ટની ધરપકડ કરી 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવી આગળની કડી સુધી પહોંચવા પ્રયાસો શરૂ કર્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો સાઇખા GIDCમાં વિસ્ફોટ બાદ આગ, 3નાં મોત ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા નજીક સ્થિત સાયખા GIDCમાં મોડી રાત્રે બનેલી બોઇલર બ્લાસ્ટની દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે 24 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પત્નીએ પ્રેન્ક કરતાં પતિએ ડિવોર્સ માંગ્યા ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી એક પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા સામે અપીલ દાખલ કરી છે. જેમાં જણાવ્યા મુજબ અમદાવાદ ફેમિલી કોર્ટે પતિની છૂટાછેડાની અરજી નકારી નાખી છે. જેમાં જણાવ્યું છે કે, પતિએ ક્રૂરતાના આધાર પર પત્નીથી ડિવોર્સ માંગ્યા છે. તેને કહ્યું 01 એપ્રિલે પત્રકાર પત્નીએ RJ સાથે મળી ચારિત્ર્ય પર પ્રેન્ક કર્યો હતો, તે શેરીના કૂતરા ઘરે લાવે છે જે મને કરડ્યા છે. પતિએ એલમની માટે 15થી 20 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ પત્ની બે કરોડ રૂપિયા માંગી રહી છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 5 સાળાઓએ મિત્રો સાથે મળી બનેવીના પગ કાપ્યાં અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના અરજણસુખ ગામમાં 5 સાળાઓએ તેમના ત્રણ મિત્રોએ સાથે મળીને 60 વર્ષીય વૃદ્ધ પર જીવલેણ હુમલો કરી પગ કાપી નાંખતા સારવાર દરમિયાન વૃદ્ધનું મોત થયું છે. પત્ની સાથે સમાધાન માટે સંબંધીને ત્યાં બધા ભેગા થયા હતા. જ્યાં મામલો ઉગ્ર બનતા 8 શખ્સો બનેવી પર તૂટી પડ્યાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો પાણીના ટાંકામાં ડૂબી જતાં માતા-બે પુત્રીના મોત કચ્છમાં રાપરના આડેસર ગામે પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોતાની પાંચ વર્ષીય દીકરી આરવી પાણીના ટાંકામાં પડી હોવાનુ ધ્યાને આવતા રૈયા બેન પોતે તેડેલી ત્રણ મહિનાની પુત્રી આયુષી સાથે ટાંકામાં કૂદી પડ્યા હતા. ઘટના સમયે અન્ય કોઈ હાજર ન હોવાથી ત્રણેયને બચાવી શકાયા ન હતા અને પરિણામે 3ના મોત થયા છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેશે હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. સૌથી ઓછું તાપમાન અમરેલી નોંધાયું હતું. અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 13.2 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. જેથી રાજ્યમાં સૌથી વધુ ઠંડુ અમરેલીમાં પડી હતી. જ્યારે અમદાવાદમાં વહેલી સવારે ગુલાબી ઠંડીમાં લોકો યોગ અને કસરત કરતા જોવા મળ્યા હતાં. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો
સાંસદ સહિતનાઓની કપાતમાં ગયેલ જમીનનું વળતર મંજુર કરવા સહિતની દરખાસ્તો રાજકોટ મહાનગરપાલિકામાં દર બે મહિને યોજવામાં આવતી જનરલ બોર્ડની બેઠક આગામી 20 નવેમ્બરનાં યોજાશે. આજે મેયર દ્વારા બેઠકનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ ઘણા લાંબા સમય બાદ મનપાની આ સામાન્ય સભામાં પ્રથમ ક્રમે વિપક્ષનાં નેતા વશરામ સાગઠિયાનાં પ્રશ્નો આવ્યા છે. જેમાં સાગઠિયા દ્વારા ફ્લાવર બેડ તેમજ રોડ-રસ્તામાં ખોદકામ જેવા સળગતા સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પ્રથમ ક્રમે આ પ્રશ્નો હોવાથી તેની ચર્ચા કરવી ફરજીયાત બનશે. ત્યારે તંત્ર દ્વારા આપવામાં આવનારા જવાબમાં શાસક અને વિપક્ષનાં ઘર્ષણ થવાની શક્યતા છે. આગામી બોર્ડમાં સાંસદ સહિતનાઓની કપાતમાં ગયેલ જમીનનું વળતર મંજુર કરવા સહિતની દરખાસ્તો પણ એજન્ડામાં સામેલ કરાઈ છે. સામાન્ય રીતે લાંબા સમયથી શાસક પક્ષના 68 નગર સેવકોમાંથી કોઈના પ્રશ્નથી જ બોર્ડની શરૂઆત થતી આવી છે, અને મોટાભાગનો સમય સરકારી માહિતી અને રાજકીય ચર્ચાઓમાં જ પૂરો થઈ જાય છે. જોકે, આ વખતે બોર્ડના ઇતિહાસમાં એક મોટો બદલાવ આવ્યો છે. આગામી જનરલ બોર્ડના ડ્રોમાં વિપક્ષી નેતા વશરામ સાગઠીયાના ત્રણ ગરમાગરમ પ્રશ્નો પહેલા ક્રમે આવતા શાસક પક્ષના સભ્યો પણ ડિફેન્સમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના ધારદાર પ્રશ્નોને કારણે આવનારા બોર્ડમાં માહિતીની ચર્ચા ઉપરાંત રાજકીય ચર્ચામાં પણ મોટી ઉગ્રતા જોવા મળે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આ બોર્ડ માટે બપોર સુધીમાં કુલ 15 કોર્પોરેટરોએ 25 પ્રશ્નો રજૂ કર્યા છે, જેમાં ભાજપના 12 સભ્યોએ 17 અને કોંગ્રેસના 3 સભ્યોએ 8 પ્રશ્નોનો સમાવેશ થાય છે. જેમાં કોંગ્રેસના વશરામ સાગઠિયાનાં પ્રશ્નોથી બોર્ડની શરૂઆત થશે. વશરામ સાગઠીયા દ્વારા પ્રથમ પ્રશ્ન ચર્ચાસ્પદ ફ્લાવર બેડ વિવાદને લઈને પૂછવામાં આવ્યો છે. તેણે શહેરમાં આર્કિટેકચર પ્રોજેક્ટ (ફ્લાવર બેડ)ના કારણે કમ્પ્લીસન સર્ટિફિકેટ અટકાવાયેલા બિલ્ડીંગ પ્રોજેક્ટની કુલ સંખ્યા વોર્ડવાઇઝ, બિલ્ડીંગના નામ, તેમજ આવા બાંધકામને રેગ્યુલરાઈઝ કરવાના સરકારના હુકમ છતાં તા. 11-11 સુધી શા માટે કામગીરી શરૂ ન કરાઈ અને ટીપી શાખામાં શું વ્યવસ્થા છે તેની વિગતો માંગી છે. આ સવાલથી એવું સાબિત થાય છે કે સરકારી આદેશ છતાં હજુ સુધી આ દિશામાં કામ શરૂ થયું નથી, જેના કારણે શાસકોએ આ મુદ્દે સ્પષ્ટતા કરવી પડશે. રસ્તા, બાંધકામ અને નુકસાનીના પ્રશ્નો વશરામ સાગઠીયાએ અન્ય પ્રશ્નોમાં રાજકોટની હદમાં નવા ગામો ભળ્યા બાદ નવી હદના સાઇન બોર્ડ કેમ મુકાયા નથી તેની વિગત માંગી છે. આ ઉપરાંત, છેલ્લા 5 વર્ષમાં રાજકોટના કેટલા રસ્તા કયા કારણોસર અને કઈ કઈ એજન્સી દ્વારા કુલ કેટલા ખોદકામ કરવામાં આવ્યા, ખોદકામની મંજૂરીના નિયમો તેમજ ડિપોઝીટ ઉપરાંત કોર્પોરેશનની તિજોરીને થયેલા ખર્ચની સંપૂર્ણ વિગતો માંગી છે. કોંગ્રેસના અન્ય કોર્પોરેટર કોમલબેન ભારાઈના બે પ્રશ્નો ક્રમાંક 14 પર છે, પરંતુ તેના લેખિત જવાબમાં ટીપી (ટાઉન પ્લાનિંગ) શાખાની ભેદી અને નિષ્ક્રિય કામગીરી ત્રણેય ઝોનમાં ખુલ્લી પડે તેમ છે. તેમણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ પછી થયેલા ગેરકાયદેસર બાંધકામોની સંખ્યા, તેની સામે આવેલી અરજીઓ, વોર્ડવાઇઝ 260(1) અને 260(2) મુજબ અપાયેલી નોટિસો, અને 260(2) પછી કેટલા બાંધકામોનું ડિમોલેશન કર્યું તેની વિગત માંગી છે. તેમણે ઇમ્પેક્ટ યોજના શરૂ થઈ ત્યારથી તા. 11-11 સુધીમાં આવેલી અરજીઓ, મંજૂર કરાયેલી અરજીઓ અને ગેરકાયદેસર બાંધકામોમાં આર્કિટેક્ટની જવાબદારી અને તેમની સામે લીધેલા પગલાંની તમામ વિગતો વોર્ડવાઇઝ માંગી છે. કોંગ્રેસના અન્ય પ્રશ્નોમાં ચાલુ વર્ષ 2025માં વરસાદને કારણે રસ્તામાં આવેલી નુકસાની, ખાડા પૂરવામાં વોર્ડવાઇઝ થયેલો ખર્ચ, રાજકોટના 167 ચો. કી. મી. વિસ્તારમાં કાચા અને પાક્કા રસ્તાની સંખ્યા અને કેટલા રોડ રસ્તા બનાવવાના બાકી છે તેની વિગતો માંગી છે. ભાજપના પ્રજાકીય પ્રશ્નો અને દરખાસ્તો ડ્રોમાં બીજા ક્રમથી શરૂ થતા ભાજપના કોર્પોરેટરોના અમુક સવાલો પણ લોકોને લાગુ પડતા કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર આધારિત છે. તેમાં ફૂડ શાખાએ ચાલુ વર્ષમાં કેટલી વખત પેકડ પાણીના સેમ્પલ લીધા ? તેમજ ફૂડ લાયસન્સની પ્રક્રિયા, રાત્રી સફાઈ, સ્પીડબ્રેકર અંગેના નિયમો, ખુલ્લા પ્લોટ ભાડે આપવા નીતિ, પ્રવાસીઓની મુલાકાતથી આવક, આવાસ યોજના, ડ્રેનેજ લાઇન નેટવર્ક, કોર્પોરેશનમાં રહેલા વાહનોની સંખ્યા, મેલેરિયા શાખાના કામ, ટેક્સની કામગીરી, દબાણ હટાવ વિભાગ કામગીરી, નવી ડીઆઈ પાઇપલાઇન તેમજ આરોગ્ય કેન્દ્રોની સંખ્યા અંગેની માહિતી માંગવામાં આવી છે. આ સાધારણ સભામાં એજન્ડા પર ડઝન જેટલી દરખાસ્તો પણ રજૂ કરવામાં આવી છે. જેમાં મહત્વની દરખાસ્તોમાં વોર્ડ નં. 2માં કમલમ કાર્યાલય રોડ પર સાંસદ રામ મોકરીયા સહિતના આસામીઓની જમીન લાઈન ઓફ પબ્લિક સ્ટ્રીટ હેઠળ કપાત કરીને રસ્તો 8માંથી 12 મીટરનો કરવામાં આવ્યો છે. તેઓને બદલામાં જમીન, વળતર અથવા એફએસઆઈ વિકલ્પ આપવાની દરખાસ્ત ચોથી વખત મંજૂર કરીને બોર્ડની બહાલી માટે આવી છે. આ ઉપરાંત નેટ ઝીરો એન્ડ કલાયમેટ સેલની રચના, ઇકલી સાથેના એમઓયુને મંજૂરી અપાશે. મનપાના નાયબ મ્યુનિ. કમિશનર વર્ગ-1ની ખાતાકીય ભરતીમાં સમિતિએ હર્ષદ પટેલની તાજેતરમાં કરેલી નિયુક્તિને પણ જનરલ બોર્ડની બહાલી મળી જશે. 1056 આવાસોના લાભાર્થી નક્કી કરવા, વોર્ડ નં. 9માં યુનિવર્સિટી રોડ પર ફોરેન્સિક લેબ બાજુના રોડને શ્રી દ્વારકાધીશ માર્ગ અને વોર્ડ નં. 3માં રેલનગરમાં એક ચોકને મુરલીધર ચોક નામકરણ કરવા સહિત દરખાસ્તો પણ મંજૂરી માટે રજૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે, જો કોર્પોરેશનની ચૂંટણી ડિસેમ્બરમાં જૂની મતદાર યાદીના આધારે સમયસર યોજાય તો આ સાધારણ સભા અંતિમ બોર્ડ બનશે, બાકી ફેબ્રુઆરીના અંતમાં ચૂંટણી થાય તો આ પછી પણ બોર્ડ મળી શકે છે. જોકે આગામી જનરલ બોર્ડમાં કોંગ્રેસના આક્રમક પ્રશ્નોને કારણે અધિકારીઓ અને શાસક પક્ષ બંનેને ખૂબ ગહન તૈયારી સાથે હાજર રહેવું પડશે. જેનાથી રાજકોટના મહત્ત્વના પ્રશ્નો પર આ વખતે અસરકારક ચર્ચા થવાની પૂરી શક્યતા છે.
સરથાણામાં ચાલુ બસ ભડભડ સળગી ઉઠી, VIDEO:સદનસીબે જાનહાનિ ટળી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આજે એક ખાનગી લકઝરી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગ એટલી ભીષણ હતી કે જોતજોતામાં આખી બસ આગની લપેટમાં આવી ગઈ હતી, જેના પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યોફાયર ઓફિસર જગદીશ રત્નમએ જણાવ્યું હતું કે, બસમાં આગ લાગવાની જાણ તુરંત જ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ સરથાણા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી. સદનસીબે જાનહાનિ ટળીસદભાગ્યે, જે સમયે આગ લાગી તે સમયે બસમાં કેટલા મુસાફરો હતા અને શું તેઓને સમયસર બહાર કાઢી શકાયા હતા તેની સત્તાવાર માહિતી હજુ મળી નથી, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી તેમ જાણવા મળી રહ્યું છે, જે એક રાહતની વાત છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણ અને નુકસાનનું આકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. શોર્ટ સર્કિટના કરાણે આગ લાગ્યાનું અનુમાનઆગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લકઝરી બસને ભારે નુકસાન પહોંચ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની સંભાવના છે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લામાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ 15 થી 22 નવેમ્બર દરમિયાન યોજાશે, જેનો મુખ્ય હેતુ સરદાર પટેલના રાષ્ટ્ર એકતા અને અખંડતાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો છે. આ આયોજનના ભાગરૂપે, 16 નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાની પદયાત્રા સરદાર ભવનથી શરૂ થઈને જિલ્લા પંચાયત, પાલનપુર સુધી યોજાશે. આ પદયાત્રામાં જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાશે. યુનિટી માર્ચના સુચારુ આયોજન માટે પાલનપુર ખાતે કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને સંબંધિત અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ વિધાનસભા વિસ્તાર મુજબ પણ યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેની વિગતો નીચે મુજબ છે:
નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે યોજાયેલી 'દિશા' મોનિટરિંગ કમિટીની બેઠક મુદ્દાઓથી ભરચક રહી હતી, જેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તંત્ર સામે અનેક તીક્ષ્ણ સવાલો અને રજૂઆતો કરી હતી. આ બેઠકમાં સાંસદ મનસુખ વસાવા, નાંદોદ ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નેત્રંગ નેશનલ હાઈવે પર બંધ કરજણ બ્રિજ નજીક તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન બનાવો : ચૈતરચૈતર વસાવાએ મુખ્યત્વે રોડ-રસ્તા અને બ્રિજના જર્જરિત મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે ડેડીયાપાડાથી નેત્રંગ નેશનલ હાઈવે પર સિધ્ધપુર અને ઘાણીકૂટ વચ્ચેના બંધ કરજણ બ્રિજ નજીક તાત્કાલિક ધોરણે ડાયવર્ઝન બનાવવાની માંગ કરી હતી, જેથી લોકોને હાલાકી ન પડે. હાલમાં આ બ્રિજ પર એંગલ લગાવી માત્ર ફોર-વ્હીલરને જ મંજૂરી અપાઈ છે અને ડાયવર્ઝન ગ્રામ્ય વિસ્તારમાંથી અપાયું છે. તેમણે મોવી યાલ પુલના ડાયવર્ઝન પર 25 ટન વાહનોની અવરજવરની પરવાનગીને કારણે થતી મુશ્કેલીઓ પણ જણાવી હતી. વડાપ્રધાન આવે ત્યારે જ રોડ-રસ્તા કેમ બનાવાય છે?વસાવાએ તંત્રની કાર્યશૈલી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડીયાપાડામાં આવે છે ત્યારે જ યુદ્ધના ધોરણે રોડ રસ્તા કેમ બનાવાય છે, સામાન્ય લોકો માટે કેમ નહીં? આ સાથે જ તેમણે 'જૂના રાજ'ના રોડ ન બનવા અને દેવમોગરાના રોડ માટે અસંખ્ય ઝાડ કપાયા હોવા છતાં કાયદો નડતો નથી, જ્યારે 'જૂના રાજ'માં કાયદો નડે છે, તેવો ભેદભાવનો મુદ્દો ઉઠાવ્યો હતો. અન્ય પ્રશ્નો અંગે પણ ચૈતર વસાવાની રજૂઆતઅન્ય રજૂઆતોમાં મધ્યાહન ભોજનમાં એક જ કોન્ટ્રાક્ટર સિસ્ટમનો વિરોધ, છ તાલુકાઓમાં મનરેગાની રોજગારી ચાલુ કરવા, પ્રધાનમંત્રી આવાસ યોજનાના બીજા અને ત્રીજા હપ્તા પૂર્ણ કરવા, રોડ-રસ્તાના પેચ વર્ક અને નવા નાળા બનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે ફોરેસ્ટ, ટ્રાઈબલ સબપ્લાન અને નાણાપંચની વર્ષોથી બચેલી ગ્રાન્ટને તાત્કાલિક અમલીકરણમાં મૂકી કામો પૂરા કરવાની પણ માંગ કરી હતી.
અમદાવાદ પ્લેન ક્રેશની આજે પાંચ મહિના પૂર્ણ થઈ ચૂક્યા છે. પ્લેનક્રેશમાં મૃત્યુ પામેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણીએ પિતાને યાદ કરતા સોશિયલ મીડિયામાં એક ભાવુક પોસ્ટ કરી હતી. વિજય રૂપાણીના 'હું બેઠો છું ને'શબ્દોને યાદ કર્યાઋષભ રૂપાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું છે કે, 'હું બેઠો છું ને' તમારી આ સિમ્પલ લાઈન એ માત્ર મને નહીં, પરંતુ, આપણા પરિવાર, મિત્રો, હજારો કાર્યકર્તાઓ અને આ દુનિયાના કોઈપણ માણસને; જેમને પણ તમારા માર્ગદર્શનની જરુર પડતી તેમને શાંતિ આપતી હતી. 12 જૂને અમદાવાદ પ્લેનક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતુંવિજય રૂપાણીનું 12 જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના દરમિયાન નિધન થયું હતું. રૂપાણી પોતાના પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા. ત્યારે અમદાવાદથી ટેક ઓફ થયાની થોડી જ સેકન્ડોમાં વિમાન ક્રેશ થઈ ગયું હતું. રૂપાણીની રાજકીય કારકિર્દીવિજય રૂપાણીનો જન્મ મ્યાનમારના રંગૂનમાં 1956માં થયો હતો. પછી પરિવાર સાથે 1960ના દાયકામાં તેઓ વતન આવી ગયા હતા. વિજયભાઈએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને એલએલ.બી.નો અભ્યાસ કર્યો હતો. વિદ્યાર્થીકાળમાં તેમણે ABVP જોઈન કર્યું હતું. તેઓ RSS સાથે પણ જોડાયા. 1980ના દાયકામાં તેમણે જનસંઘ અને પછી ભાજપ તરફથી સક્રિય રાજકારણની શરૂઆત કરી હતી. વિજય રૂપાણી પહેલીવાર રાજકોટ મનપામાં 1987માં કોર્પોરેટરની ચૂંટણી જીત્યા હતા. પછી 1996-97માં રાજકોટના મેયર પણ બન્યા. 2006થી 2012 સુધી ગુજરાતમાંથી રાજ્યસભા સાંસદ રહ્યા. 2014માં રાજકોટ પશ્ચિમ બેઠક પરથી પેટાચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. 2016માં આનંદીબેન પટેલના રાજીનામા બાદ તેઓ પહેલીવાર મુખ્યમંત્રી બન્યા. 2017માં વિધાનસભા ચૂંટણી જીતીને ફરીથી તેમણે મુખ્યમંત્રી પદ જાળવી રાખ્યું હતું. પરંતુ 2021માં અચાનક જ રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા હતા.
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આગામી 18 નવેમ્બરના રોજ અરવલ્લી જિલ્લાની મુલાકાત લેશે. તેમની મુલાકાતના આયોજન માટે મોડાસા ખાતેના શ્રી કમલમ જિલ્લા ભાજપ કાર્યાલયમાં એક બેઠક યોજાઈ હતી. જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ ગુજરાતના તમામ જિલ્લાઓની તબક્કાવાર મુલાકાત લઈ રહ્યા છે. અરવલ્લી જિલ્લામાં તેમની આ પ્રથમ મુલાકાત હશે. આ બેઠકમાં પ્રદેશમાંથી યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ડો. ઋત્વિજભાઈ અને કાર્યક્રમના સંચાલક દવે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ ભીખાજી દુધાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ રાજુભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યો સહિત 500થી વધુ કાર્યકર્તાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.
જામનગરમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના પ્રશ્નો અને માવઠાથી થયેલા પાક નુકસાનને વાચા આપવા 'જન આક્રોશ સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. સમર્પણ સર્કલ નજીક આહીર સમાજ ખાતે યોજાયેલી આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, આ સભામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ પણ સપાટી પર આવ્યો હતો. સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા વિપક્ષના નેતા તુષાર ચૌધરી, ગુજરાત કોંગી પ્રભારી મુકુલ વાસ્મીક, કાર્યકારી પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ સાંસદ વિક્રમ માડમ સહિતના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. કોંગી નેતાઓએ માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન માટે સરકારના રાહત પેકેજને અપૂરતું ગણાવી દેવા માફીની માંગ કરી હતી. આ ઉપરાંત, મતદાર યાદી સુધારણામાં ગંભીર છબરડા, બેરોજગારી અને મોંઘવારીના મુદ્દે પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સભા ચાલી રહી હતી, ત્યારે જ કોંગ્રેસના કેટલાક કાર્યકરો અંદરોઅંદરના ખટરાગને કારણે સભા છોડીને બહાર નીકળી ગયા હતા. આ દ્દશ્યો જોઈ સ્થાનિક નેતાઓ તેમને સમજાવવા માટે દોડી ગયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતે સ્થાનિક નેતાઓ સાથે નારાજ કાર્યકરોને અલગથી મળ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ જણાવ્યં કે, રિવારમાં નાના મોટા પ્રશ્નો હોય અને વખતોવખત તે પ્રશ્નો આવતા પણ હોય અને ચર્ચા વિચારણાના અંતે એ પ્રશ્નોનું સુઃખદ સમાધાન પણ થતું હોય છે. અમારા પરિવારમાં પણ એવી નાની મોટી કોઈપણ રજૂઆત કે ફરિયાદ આવશે તો અમે એનું નિવારણ લાવશું. આ ઉપરાંત અમિત ચાવડાએ સરકાર પર પ્રહાર કરી જણાવ્યું કે, કહ્યું કે, સમગ્ર ગુજરાતની જનતા ભાજપના શાસનથી હેરાન પરેશાન છે. લોકોનો જે આક્રોશ છે એને વાચા આપવા માટે કોંગ્રેસે જન આક્રોશ સભાની શરૂઆત કરી છે. ખેડૂતો પર જે કુદરતી આફત આવી તેમાં સરકારે 50 હજારના નુકસાન સામે માત્ર સાડા ત્રણ હજાર રૂપિયા આપી અને ખેડૂતોની મશ્કરી કરી છે. એવા સમયમાં ખેડૂતોના આક્રોશને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા કિશાન આક્રોશ યાત્રાનું આયોજન કરાયું છે. જામનગર મનપા વિસ્તારમાં લોકો જે ટેક્સ આપે છે તેની સામે લોકોને જે સુવિધા મળવી જોઈએ તે નથી મળતી. શિક્ષણ મોંઘુ થયું અને મોંઘુ શિક્ષણ લીધા પછી પણ યુવાનોને રોજગારી મળી રહી નથી. કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. ત્યારે તમામ લોકો આજે આ સરકારથી પરેશાન છે. એવા સમયમાં પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે અમે આગળ વધી રહ્યા છીએ.
જૂનાગઢ રેન્જમાં વિદેશી દારૂની બદીને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા માટે આઈ.જી.પી. નિલેશ જાજડીયા અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના કડક માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ જૂનાગઢે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જંગી જથ્થો પકડી પાડ્યો છે. સ્વીફ્ટ કારમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડ્યો, આરોપી ફરાર થયાક્રાઈમ બ્રાન્ચના પી.આઇ. કે.એમ. પટેલ અને પોલીસ સ્ટાફની સતત પ્રયત્નશીલતા વચ્ચે, પી.એસ.આઇ. પી.કે. ગઢવી, હેડ કોન્સ્ટેબલ આઝાદસિંહ સિસોદીયા અને કોન્સ્ટેબલ જેઠાભાઈ કોડીયાતર, ભુપતસિંહ સિસોદીયા,ગવરાજસિંહ અહાડાની ટીમને સંયુક્ત ચોક્કસ બાતમી મળી હતી.બાતમી મુજબ, રમેશ ઉર્ફે રોકી ભારાઈ, સુનીલ ભારાઈ, કરણ ઉર્ફે કલિયો અને લખન ઈચ્છુડા જૂનાગઢના દોલતપરા કિરીટનગરમાં સ્વીફ્ટ કારમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની હેર-ફેર કરી રહ્યા હતા.આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે એ જગ્યાએ તપાસ હાથ ધરતાં, સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને આરોપીઓ ફરાર થવામાં સફળ થયા હતા 11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયોપોલીસે ગેરકાયદેસર દારૂ અને હેરાફેરીમાં વપરાયેલ વાહન સહિત કુલ ₹11,31,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂનો જથ્થો જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલ1968 નંગ કિં.રૂ.6,01,200,સ્વીફ્ટ કાર એક કિંમત રૂ.5,00,000,મોબાઈલ ફોન એક કિં.રૂ 30,000 કુલ મુદ્દામાલ રૂ.11,31,200 લાખનો ઝડપી પાડ્યો છે. આ સમગ્ર સફળ કામગીરીમાં ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. પટેલ, પી.એસ.આઇ. પી.કે. ગઢવી અને તેમની ટીમના કોન્સ્ટેબલ સ્ટાફની સરાહનીય ભૂમિકા રહી છે.
મોરબીના આમરણથી ફડસર તરફ જતા માર્ગ પર એક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃતક યુવાનના પિતાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જોડિયાના મોટાવાસ બંદર રોડ, કબ્રસ્તાન પાસે રહેતા અસગરભાઈ ઇસ્માઈલભાઈ સેડાત (ઉં.વ. 52) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં છકડો રિક્ષા નંબર GJ 10 WW 4202 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમનો દીકરો મુબારક સેડાત (બાઇક નંબર GJ 10 DL 5991) આમરણથી ફડસર તરફ જતા રસ્તા પરના પુલિયા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે છકડો રિક્ષા ચાલકે તેને હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં મુબારકને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું મોત થયું હતું. અકસ્માત સર્જીને રિક્ષા ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તપાસ શરૂ કરી છે. બીજા એક બનાવમાં, મોરબી શહેરના રેલવે સ્ટેશન પાસે મેડિકલ કોલેજની સામેના ભાગમાંથી એક અજાણ્યો યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ યુવાનની ઉંમર આશરે 40 થી 45 વર્ષ હોવાનો અંદાજ છે. મૃતદેહને તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ એ-ડિવિઝન પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નવસારી જિલ્લામાં ઓક્ટોબરના અંતમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાન માટે નવી સરકારી સહાય નીતિ હેઠળ આશરે ₹50 કરોડ ચૂકવવામાં આવશે. આ સહાયનો લાભ 25,500 જેટલા ખેડૂતોને મળશે. જિલ્લા ખેતીવાડી શાખા દ્વારા 2023ના ઠરાવ મુજબ કરવામાં આવેલા આંકલન અનુસાર, કુલ 22,540 હેક્ટરમાં નુકસાન નોંધાયું હતું, જેમાં 25,500 જેટલા ખેડૂતો પ્રભાવિત થયા હતા. જૂના ઠરાવની જોગવાઈ મુજબ આ ખેડૂતોને ₹38.31 કરોડ જેટલી સહાય ચૂકવવાપાત્ર થતી હતી. રાજ્ય સરકાર દ્વારા વર્તમાન સમયમાં નક્કી કરાયેલી નવી પેકેજ નીતિ અનુસાર, નુકસાનગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000ની સહાય ચૂકવવામાં આવશે. આ સહાય વધુમાં વધુ ૨ હેક્ટર સુધી ચૂકવવા પાત્ર થશે. જિલ્લા ખેતીવાડી અધિકારી અતુલ ગજેરાના જણાવ્યા મુજબ, આ નવી જોગવાઈ અનુસાર આંકલન કરવામાં આવે તો, જિલ્લાના 25,500 જેટલા ખેડૂતોને અંદાજિત ₹50 કરોડ જેટલી સહાયની ચૂકવણી કરવાનું થશે. આ અંગેનો વિગતવાર ઠરાવ હાલમાં સરકાર કક્ષાએ તૈયાર થઈ રહ્યો છે. ઠરાવ મળ્યા બાદ જ નીતિના અમલીકરણની ચોક્કસ પદ્ધતિઓ અને વિગતો જાણી શકાશે. વિસ્તારની દ્રષ્ટિએ નુકસાનનું આંકલન જોતા, સૌથી વધુ અસર વાંસદા તાલુકામાં જણાઈ છે. વાંસદા બાદ ચીખલી અને ગણદેવી તાલુકામાં પણ નોંધપાત્ર વિસ્તારમાં પાકને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
પાલનપુર, જે એક સમયે ગુજરાતમાં હીરા ઉદ્યોગ માટે 'હીરા નગરી' તરીકે જાણીતું હતું, તે હવે આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. આ મંદીને કારણે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો છે અને પાલનપુર પોતાની ઓળખ ગુમાવી રહ્યું છે. પરિણામે, હજારો રત્નકલાકાર પરિવારોની આજીવિકા છીનવાઈ ગઈ છે. હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મંદીબનાસકાંઠા જિલ્લામાં હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મંદીનો સામનો કરી રહ્યો છે. આ વર્ષે દિવાળી વેકેશન પછી પણ મોટાભાગના હીરા કારખાના ખુલ્યા નથી. જિલ્લાના કુલ 700 થી 800 નાના-મોટા કારખાનાઓમાંથી માત્ર 10 થી 15 ટકા જ એક-બે દિવસ માટે કાર્યરત થયા છે, જેના કારણે હજારો રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. ભયંકર મંદીને કારણે ઘણા કારીગરો વતન પરત ફર્યાહીરા ઉદ્યોગમાં પ્રવર્તતી આ ભયંકર મંદીને કારણે ઘણા કારીગરો પોતાના વતન પરત ફર્યા છે અને હાલ બેરોજગાર છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય ત્રણ ઉદ્યોગો – પશુપાલન, ખેતી અને હીરા ઉદ્યોગ. આ પૈકી હીરા ઉદ્યોગની આ સ્થિતિ રત્નકલાકારો અને કારખાનેદારો બંને માટે ગંભીર ચિંતાનો વિષય બની છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો આ પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ ભય વ્યક્ત કરી રહ્યા છે કે, જો આ સ્થિતિ યથાવત્ રહેશે તો રત્નકલાકારો આત્મહત્યા જેવા આત્યંતિક પગલાં ભરવા મજબૂર બની શકે છે. ઉદ્યોગના પ્રતિનિધિઓએ સરકારને હીરા ઉદ્યોગને સહાય કરવા અને તેને ટકાવી રાખવા માટે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી છે. ગુજરાતમાં હીરા પોલિશિંગમાં બનાસકાંઠા ભૂતકાળમાં પ્રથમ સ્થાને હતુંભૂતકાળમાં બનાસકાંઠા હીરા પોલિશિંગમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને હતું, પરંતુ હવે તે સુરત અને ભાવનગર પછી ત્રીજા ક્રમે આવી ગયું છે. જિલ્લામાં હીરાનું ઉત્પાદન ધીમે ધીમે ઘટ્યું છે. સમગ્ર ગુજરાતમાં હીરા ઉદ્યોગ સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે, ત્યારે આ ઉદ્યોગ પ્રત્યે સરકારનું ઉદાસીન વલણ ચિંતાજનક છે. મંદીના કારણે ઘણા કારીગરો આ ધંધો છોડીને અન્ય વ્યવસાયો તરફ વળી રહ્યા છે. વેકેશન બાદ હજુ સુધી કારખાના ખુલ્યા નથી અમે શું કરીએઃ રત્નકલાકારઆ અંગે રત્નકલાકાર અશોક ઠાકોરે જણાવ્યું હતું કે, હું છેલ્લા પંદર વર્ષથી હીરાનો ધંધો કરું છું. અમને બીજો કોઈ ધંધો ફાવતો નથી. પહેલા 10 હજારનું કામ કરતા હતાં, અત્યારે 5 હજારનું કામ થતું નથી. દિવાળી પર વેકેશન પડ્યું હતું જે બાદ દેવ દિવાળી પણ ગઈ તેમ છતાં હજુ સુધી કારખાના ખુલ્યા નથી અમે શું કરીએ. 'માત્ર 10થી 15 ટકા કારખાના ખુલ્યા છે'બનાસકાંઠા જિલ્લા ડાયમંડ ફેક્ટરી એસોસિએશન પ્રમુખ અમરત ફોસીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ડાયમંડના ધંધામાં મંદી છે. છેલ્લા એક મહિનાથી વેકેશન પડ્યું છે. આજ દિન સુધી કારખાના ખુલ્યા નથી. બનાસકાંઠામાં 700 થી 800 નાના મોટા કારખાના છે, જેમાંથી માત્ર 10થી 15 ટકા કારખાના ખુલ્યા છે એ પણ એક બે દિવસમાં જ ખુલ્યા છે. હજુ કારીગરો ઘરે બેઠા છે. અત્યારે ભયંકર મંદી છે. કારીગરો જાય તો જાય ક્યાં, વધુંમાં જણાવ્યું કે, હું સરકારને વિનંતી કરું છું કે ટાયફા બંદ કરો અને હીરા ઉદ્યોગ માટે સહાય કરો. સરકાર અલગ જગ્યાએ ખર્ચા કરે છે, ચૂંટણીના સમયે આવી જાય છે મીઠી મીઠી વાતો કરે છે. હીરા ઉદ્યોગ આખા ગુજરાતમાં સૌથી વધુ રોજગારી પેદા કરે છે. આ હીરા ઉદ્યોગ સામે ઓરમાયું વર્તન જે સરકાર કરી રહી .છે ખરેખર આ ધંધાને ટકાવી રાખવા માટે સરકારે યોગ્ય પગલાં લેવા તેવી વિનંતી છે. હીરાના કારીગરો તો ઘણા છે, પણ મંદીના કારણે આ કારીગરો ધંધો છોડીને અન્ય ધંધા તરફ વળી રહ્યા છે.
રાજ્યની શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા દિવ્યાંગ ઉમેદવારો માટે મોટી તક આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ સાળામાં દિવ્યાંગ ઉમેદવારોની શિક્ષણ સહાયક તરીકે ભરતીરાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં દિવ્યાંગ ઉમેદવારો માટે શિક્ષણ સહાયકની ખાસ ભરતી ઝૂંબેશ 2025 શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ સહાયક ભરતી ઝુંબેશ 2025 માટે નિયત લાયકાત ધરાવતા દ્વિસ્તરીય TAT (Sec) ઉમેદવારો ફોર્મ ભરી શકશે. આજથી લઈને આગામી 21 તારીખ સુધી ઓનલાઇન ફોર્મ સ્વીકારવામાં આવશે. નિયત લાયકાત ધરાવતા દિવ્યાંગ ઉમેદવારો https://gserc.in/ વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકશે. જેથી શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા દિવ્યાંગ ઉમેદવારોને આ ભરતી ઝુંબેશના કારણે શિક્ષક બનવાની મળશે.
ક્યારેક સોશિયલ મીડિયા પર હીરો બનવાની હોંશ અને શુરાતન પ્રદર્શન કરવું એ જ સ્માર્ટ ગુનેગારોની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. આવો જ એક કિસ્સો સુરત સાયબર ક્રાઇમ સેલના હાથે લાગ્યો છે, જ્યાં ઝારખંડના એક નાનકડા ગામડામાં બેસી અભણ ગેંગે દેશભરના 179થી વધુ લોકોને શિકાર બનાવ્યા. 1 કરોડથી વધુની ઠગાઈ કરનાર કુખ્યાત જામતારા ગેંગના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવા માટે પોલીસને તેની જ ઇન્સ્ટાગ્રામ રીલ કામે લાગી હતી. સુરત સાયબર સેલની ટીમે ઝારખંડમાં 10 દિવસ સુધી ધામા નાખ્યા, એક ઓપરેશન નિષ્ફળ પણ ગયું, છતાં હાર માન્યા વિના ફિલ્મી ઢબે રાત્રિના 1:30 વાગ્યે બીજું ઓપરેશન પાર પાડીને મુખ્ય આરોપી સહિત ત્રણને દબોચી લેવામાં આવ્યા. આ કેસની તપાસમાં આરોપીઓની કામ કરવાની 'થ્રી-લેયર' પદ્ધતિ અને અભણ હોવા છતાં 'પ્રોફેશનલ ક્રિમિનલ' જેવી સાતિર બુદ્ધિ જોઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ દંગ રહી ગયા હતા. સુરતના એક વૃદ્ધને ઈ-ચલણ ભરવા એક APKની લીંક આવીઆ સમગ્ર ઓપરેશનનો પાયો સુરતમાં નોંધાયેલી એક ફરિયાદથી નંખાયો હતો. ગત તા. 27/08/2025ના રોજ સુરતના એક સિનિયર સિટીઝન નાગરિકના વ્હોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી RTO ઇ-ચલણ ભરવા માટેની એક લિંક આવી હતી. સાચા ઇ-ચલણ જેવી જ લાગતી આ લિંકમાં એક APK ફાઇલ હતી. ફરિયાદીએ જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી અને તેમાં જણાવેલી પ્રોસેસ કરી, કે તરત જ તેમનો મોબાઈલ ફોન હેક થઈ ગયો. હેકર્સે ફોનનો સંપૂર્ણ એક્સેસ મેળવી લીધો અને ગણતરીની મિનિટોમાં જ બેંક OTP મેળવીને તેમના ખાતામાંથી 2,45,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નાગરિકે તાત્કાલિક સાયબર હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો અને તા. 01/09/2025ના રોજ સાયબર ક્રાઇમ સેલ ખાતે વિધિવત ફરિયાદ નોંધાવી. સુરત સાયબર સેલના DCP બિશાખા જૈને આ કેસની ગંભીરતા જોઈને તાત્કાલિક એક ટીમ બનાવી તપાસ શરૂ કરાવી. સાયબર ફ્રોડની એક કડી કોલકાતામાં નીકળતા તપાસ હાથ ધરાઈટેકનિકલ સર્વેલન્સ અને મની ટ્રેઇલની તપાસ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, ઠગાઈના નાણાં કોલકાતાના કેટલાક યુવકોના બેંક ખાતામાં જમા થયા હતા. સુરત સાયબર સેલની એક ટીમે તાત્કાલિક કોલકાતા ખાતે ધામા નાખ્યા અને ત્યાંથી (1) લઈક નફીઝ અને (2) મો. અસલમ ઉર્ફે ગુડ્ડુ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા. આ બંનેની પૂછપરછમાં જ ઝારખંડના જામતારા અને દેવઘર જિલ્લામાં બેઠેલા મુખ્ય સૂત્રધાર મોહમ્મદ સરફરાઝનું નામ ખુલ્યું. ઝારખંડમાં 10 દિવસના બે ઓપરેશનથી માસ્ટરમાઇન્ડ ગેંગ હાથે લાગીકોલકાતાથી મળેલા ઇનપુટ્સના આધારે, સુરત સાયબર સેલની ટીમ જામતારા પહોંચી. આ મિશન 10 દિવસ ચાલ્યું અને તે પોલીસ માટે કોઈ રોલર-કોસ્ટર રાઈડથી ઓછું નહોતું. ઓપરેશન-1 (નિષ્ફળ): રીલમાં બાઈકનો ફોટો જોઈ વધુ વિગતો મેળવી સાયબર પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મુખ્ય આરોપી સરફરાઝનું લોકેશન ટ્રેસ કર્યું. ટીમ જ્યારે તેના ઘર સુધી પહોંચી, ત્યારે આરોપી એટલો સાતિર હતો કે તેને પોલીસની ગંધ આવી ગઈ. પોલીસ પહોંચે તે પહેલા જ તેણે પોતાનો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી દીધો અને તેમાં રહેલો તમામ ડેટા નષ્ટ કરી દીધો. પોલીસના હાથે માત્ર ખાલી ઘર અને બંધ મોબાઈલ લાગ્યો. ‘ઇન્સ્ટાગ્રામ રીલ' પર બાઇકનો ફોટોડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે, અમારી પાસે ટેકનિકલ લીડ તૂટી ગઈ હતી અને હ્યુમન ઇન્ટ માટે કોઈ ક્લૂ નહોતો. ત્યારે ટીમે હાર માનવાને બદલે આરોપીની ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ ફેંદવાનું શરૂ કર્યું. પોલીસે સરફરાઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ તપાસવાનું શરૂ કર્યું. આ દરમિયાન, સરફરાઝના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોલીસની નજર પડી. આ એકાઉન્ટ પર સરફરાઝે પોતાની એક બાઇક સાથેનો ફોટો-રીલ મૂકી હતી. પોલીસે તરત જ તે બાઇકના નંબર પ્લેટની વિગતો મેળવી. RTOમાંથી આ બાઇક નંબરની તપાસ કરતાં માલૂમ પડ્યું કે, તે બાઇક સરફરાઝના પિતા યાસીન અંસારીના નામે રજિસ્ટર્ડ હતી. આ એક નાનકડી ભૂલ સરફરાઝને મોંઘી પડવાની હતી. પોલીસને હવે તેનું ચોક્કસ સરનામું, તેના પિતાનું નામ અને તેની આસપાસના લોકોની વિગતો મળી ગઈ હતી. ઓપરેશન-2 (સફળ): આ નવી માહિતીના આધારે, સુરત સાયબર સેલે સ્થાનિક ઝારખંડ પોલીસની મદદ લીધી. એક ચોક્કસ પ્લાનિંગ સાથે, રાત્રિના 1:30 વાગ્યે આરોપીના પત્નીના પિયરના ઘર પર દરોડો પાડવામાં આવ્યો. આરોપી અને તેનો પરિવાર ગાઢ નિંદ્રામાં હતો ત્યારે જ પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને મુખ્ય સૂત્રધાર (1) મો. સરફરાઝ (ઉ.વ.24), અને તેના બે સાગરીતો (2) રિયાઝ અંસારી (ઉ.વ.22) અને (3) શહાઝાદ અંસારી (ઉ.વ.20) ને દબોચી લીધા. ગેંગ 'થ્રી-લેયર' મોડસ ઓપરેન્ડીથી અલગ અલગ વહેંચાઈને કામ કરતીપોલીસ પૂછપરછમાં અને ડીસીપી બિશાખા જૈન મુજબ, આ ગેંગ ખૂબ જ પ્રોફેશનલ રીતે ત્રણ અલગ-અલગ લેયરમાં વહેંચાઈને કામ કરતી હતી. લેયર-1: ધ હેકર્સ (જામતારા/દેવઘર)મુખ્ય આરોપીઓ, મો. સરફરાઝ, સંતોષ મંડલ (વોન્ટેડ), સિકંદર મંડલ (વોન્ટેડ).આ ટીમનું મુખ્ય કામ APK ફાઈલ બનાવવાનું અને તેને સ્પ્રેડ કરવાનું હતું. તેઓ ભારતના અલગ-અલગ રાજ્યોના લોકોને ટાર્ગેટ કરીને RTO ઇ-ચલણ, લાઈટ બિલ, KYC અપડેટ વગેરેના નામે બોગસ વ્હોટ્સએપ મેસેજ અને APK ફાઇલ મોકલતા. જેવો યુઝર ફાઈલ પર ક્લિક કરે, કે તરત જ આ લોકો તેનો મોબાઈલ હેક કરી, તમામ ડેટા (ખાસ કરીને બેંકિંગ એપ્સ અને SMS)નો એક્સેસ મેળવી લેતા અને તાત્કાલિક રૂપિયા ટ્રાન્સફર કરી લેતા. લેયર-2: ધ વિથડ્રોલ ટીમ (કોલકાતા)અસલમ ઉર્ફે ગુડ્ડુ (પકડાયેલો), લઈક નફીઝ (પકડાયેલો), સદ્દામ (વોન્ટેડ). આ ટીમનું કામ દેશભરમાંથી 'મ્યુલ એકાઉન્ટ' (જેના પર ફ્રોડના પૈસા મંગાવી શકાય તેવા ભાડાના બેંક ખાતા) ભેગા કરવાનું અને તેમાં આવેલા પૈસા તાત્કાલિક ઉપાડવાનું હતું. લેયર-1 (સરફરાઝ) જેવી રકમ ટ્રાન્સફર કરે, તે સીધી લેયર-2 (અસલમ) દ્વારા અપાયેલા મ્યુલ એકાઉન્ટમાં જમા થતી. જેમ કે, સુરતના કેસમાં 1,00,000 કેનેરા બેંકના આવા જ એક એકાઉન્ટમાં ગયા હતા. અસલમ, લઈક અને સદ્દામની ટીમ આ પૈસા કોલકાતામાંથી તાત્કાલિક ATM કે ચેકથી ઉપાડી લેતી. લેયર-3: ધ મની ડીસ્ટ્રીબ્યુશન આ સૌથી ચોંકાવનારો ભાગ હતો. કોલકાતાની ટીમ (લેયર-2) પૈસા ઉપાડ્યા બાદ, તેમાંથી પોતાનું કમિશન (દા.ત. સુરતના કેસમાં 1 લાખમાંથી 25,000) કાપી લેતી. બાકી બચેલી રકમ (75,000) તેઓ CDM (કેશ ડિપોઝિટ મશીન) મારફતે લેયર-1 ના મુખ્ય આરોપી સરફરાઝના પર્સનલ બેંક એકાઉન્ટમાં જમા કરાવતા. સરફરાઝ ત્યારબાદ તેમાંથી પોતાનું 25% કમિશન કાપીને બાકીના નાણાં ગેંગના મુખ્ય લીડર સંતોષ મંડલ અને સિકંદર મંડલ સુધી પહોંચાડતો. આમ, આરોપીઓ રિયાઝ અંસારી અને શહાઝાદ અંસારી, સરફરાઝ માટે જામતારામાં સ્થાનિક બેંક ખાતાઓ અને વિથડ્રોલની વ્યવસ્થા સંભાળતા હતા. ફ્રોડ આચરનાર મુખ્ય આરોપી 9 ફેલ, સાગરીતો 7-8 પાસપોલીસ માટે સૌથી આશ્ચર્યજનક બાબત આરોપીઓનું શૈક્ષણિક સ્તર હતું. ડીસીપી બિશાખા જૈને જણાવ્યું કે, જે મુખ્ય આરોપી સરફરાઝ છે, તે માત્ર ધોરણ 9 ફેલ છે અને બીજા જે બે આરોપીઓ રિયાઝ અને શહાઝાદ પકડાયા છે, તેઓ પણ માંડ 7 કે 8 ધોરણ સુધી જ ભણેલા છે. તેઓ વધારે ભણેલા નથી. પરંતુ, અભણ હોવા છતાં તેઓ 'પ્રોફેશનલ ક્રિમિનલ' બની ગયા હતા. એ લોકોને ખબર જ છે કે કેવી રીતે કામ કરવું. ફ્રોડ કરવા માટે જે ડમી નંબરનો ઉપયોગ થાય, તે અલગ રાખવાનો. અને પોતાનો જે પર્સનલ નંબર અને પર્સનલ બેંક એકાઉન્ટ હોય જેમાં CDMથી પૈસા જમા થતા, તે બિલકુલ અલગ રાખવાનો. તેઓ ફ્રોડવાળા નંબરનો ઉપયોગ પર્સનલ કામ માટે ક્યારેય નહોતા કરતા. કરોડોની ઠગાઈ અને 27 લાખના ટ્રાન્જેક્શનસુરત પોલીસે જ્યારે સરફરાઝના પર્સનલ બેંક એકાઉન્ટ્સ ફ્રીઝ કરીને તપાસ્યા, ત્યારે તેમાં CDM મશીન દ્વારા જમા થયેલા લાખો રૂપિયાના વ્યવહારો મળ્યાSBI બેંક ખાતું: 7,69,960 Axis બેંક ખાતું: 13,54,326 PNB બેંક ખાતું: 6,76,970 કુલ ટ્રાન્જેક્શન: 27,01,256 (માત્ર 3 એકાઉન્ટમાંથી) કોર્ટે આરોપીઓના 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યાઆ ગેંગના સભ્યો વિરુદ્ધ દેશભરમાં 121 જેટલી ફરિયાદો નોંધાયેલી છે. એટલું જ નહીં, આરોપીઓ પાસેથી મળેલા બેંક એકાઉન્ટ્સની તપાસ કરતાં NCCRP પોર્ટલ પર કુલ 179 ફરિયાદો મળી આવી હતી, જેમાં સમગ્ર ભારતમાં કુલ 1,02,77,634ની રકમનું મસમોટું ફ્રોડ આ ગેંગ દ્વારા આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. સુરત સાયબર સેલે ઝારખંડથી પકડેલા ત્રણેય આરોપીઓને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લાવી કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના 8 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે આ ગેંગના અન્ય વોન્ટેડ આરોપીઓ સંતોષ મંડલ, સિકંદર મંડલ અને સદ્દામની શોધખોળ કરી રહી છે.
મહીસાગરના બે યુવકો રામદેવરા પદયાત્રાએ, મોડાસા પહોંચ્યા:800 કિમી ખુલ્લા પગે અખંડ જ્યોત સાથે યાત્રા
મહીસાગર જિલ્લાના બે યુવકો, ગોપાલ ડામોર અને અર્જુન, પોતાની માનતા પૂર્ણ કરવા માટે રાજસ્થાનના રામદેવરા સુધી 800 કિલોમીટરની ખુલ્લા પગે પદયાત્રા પર નીકળ્યા છે. આ યુવકો અખંડ જ્યોત સાથે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પહોંચ્યા હતા. આ પદયાત્રા મહીસાગરથી શરૂ થઈ છે અને રાજસ્થાનના રામદેવરા સુધી ચાલશે. બંને યુવકો ખુલ્લા પગે ચાલી રહ્યા છે અને તેમની સાથે અખંડ જ્યોત પણ છે. ગોપાલ ડામોર અને અર્જુન, જેમની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે છે, તેમણે આ યાત્રા માનતા પૂરી કરવા માટે શરૂ કરી છે. અગાઉ, આ બંને યુવકો અમરનાથ અને કેદારનાથની યાત્રા પણ કરી ચૂક્યા છે.
રાજકોટ સહિત રાજ્યની સરકારી શાળાઓના શિક્ષકો સહિતના સ્ટાફ દ્વારા શાળા બહારના વિદ્યાર્થીઓનો 14 થી 23 નવેમ્બર દરમિયાન સર્વે કરવામાં આવશે. જેમાં ધોરણ 1 થી 12 માં અધવચ્ચેથી શાળા છોડી ગયેલા અથવા તો શાળાએ કોઈ દિવસ ભણવા જ ન ગયેલા વિદ્યાર્થીઓને શોધી કાઢવામાં આવશે અને બાદમાં તેઓને સરકારી શાળાઓમાં પ્રવેશ કરાવવામાં આવશે. 30 નવેમ્બર સુધીમાં સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ ડિસેમ્બર માસમાં એ જાહેર થશે કે રાજકોટ શહેર અને જિલ્લામાં એવા કેટલા વિદ્યાર્થીઓ છે કે જેઓએ અધવચ્ચેથી ભણતર છોડી દીધું છે અથવા તો કોઈ દિવસ શાળાએ ભણવા ગયા જ નથી. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે આ પ્રકારના 2300 બાળકો મળી આવ્યા હતા. જેઓને શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પૂજારાએ જણાવ્યું હતું કે, કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેના ભાગરૂપે 6 થી 18 વર્ષના બાળકોનો પુન: શાળા પ્રવેશ કરાવવાના ભાગરૂપે સર્વેની કામગીરી કરવામાં આવશે. જેમાં આચાર્ય ટીમ લીડર હશે અને તેમની સૂચના અનુસાર શિક્ષકો, બાળમિત્રો, આંગણવાડી કાર્યકરો અલગ અલગ સ્લમ સહિતના વિસ્તારોમા જઈ સર્વે કરશે. જે બાદ જૂન - 2026 માં નવા શૈક્ષણિક સત્રથી આ પ્રકારના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવશે. રાજકોટ શહેરમાં ધોરણ 1 થી 8 માં 31586 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ અંતર્ગત 41 શાળાઓમાં 629 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગત વર્ષે શાળા બહારના વિદ્યાર્થીઓ ન સર્વે કરવામાં આવ્યો હતો જેમાં 1012 જેટલા વિદ્યાર્થીઓ એવા મળી આવ્યા હતા જેઓ શાળાએ ગયા નહોતા અથવા તો અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો. આ સર્વેમાં 6 થી 18 વર્ષના બાળકોને શોધવાના હોય છે. જે બાદ તેઓને સરકારી શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. જ્યારે રાજકોટ જિલ્લામાં પણ આ પ્રકારનો સર્વે થવા જઈ રહ્યો છે. શહેરમાં 11 STP સ્કૂલોમાં 199 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ગત વર્ષે 1300 વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા કે જેઓએ અધવચ્ચેથી અભ્યાસ છોડી દીધો હતો અથવા તો શાળાએ ભણવા જ ગયા ન્હોતા. ગત વર્ષે 659 વિસ્તારોમાંથી આ પ્રકારના બાળકો મળી આવ્યા હતા. રાજકોટ શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા દ્વારા રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમા જે કયારેય પણ શાળાએ ગયા નથી કે અધવચ્ચેથી શાળા છોડી દીધેલ છે. પોતાનું ધો. 1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ કરાવવામાં આવે છે. જે અંતર્ગત રાજકોટ ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ, શાસનાધિકારી કિરીટસિંહ પરમારની ટીમ દ્વારા આ સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા 6 થી 18 વર્ષની વયજૂથના બાળકો અને જેઓ પોતાનું ધો.1 થી 12 નું શિક્ષણ પૂર્ણ કરી શકયા નથી તેવા શાળા બહારના દિવ્યાંગ સહિતના તમામ બાળકોને શોધવા માટેનો સર્વે કરી ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને ફરી શાળામાં અભ્યાસ શરૂ કરાવવાની કામગીરીના ભાગરૂપે આ સર્વે હાથ ધરવામાં આવશે. આ સર્વેમાં શાળા વ્યવસ્થાપન સમિતિ, બાળમિત્રો, સ્વૈચ્છિક સંગઠનો, કોલેજો, અને અન્ય સરકારી વિભાગો પણ જોડાશે. જેમાં ખાસ કરીને અર્બન,સ્લમ, પછાત એરિયા, સિનેમાઘરોની આસપાસ, ઝુંપડપટ્ટી વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન, ધાર્મિક સ્થળો, કન્સ્ટ્રક્શન સાઈટ, કોઈપણ પ્રકારની મજૂરી માટે આવેલા પરિવારો વસતા હોય તેમના બાળકોનો સંપર્ક કરવામાં આવશે. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં વાડીવિસ્તાર, જંગલના અંતરિયાળ નેસ વિસ્તારના તમામ બાળકોને આ સર્વે પ્રક્રિયામાં આવરી લેવામાં આવશે.
દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધુ એક મોટી અપડેટ, હવે લાલ રંગની કારની શોધખોળ
Delhi Car Blast Case Update : દિલ્હીમાં કાર વિસ્ફોટની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, જેના પગલે દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં હાઈએલર્ટ જાહેર કર્યું છે. પોલીસે એક લાલ રંગની ફોર્ડની EcoSport કારની શોધખોળ શરૂ કરી છે. આ કારનું રજિસ્ટ્રેશન નંબર DL10CK0458 છે અને તે ઉમર નામના વ્યક્તિના નામે નોંધાયેલી છે. તપાસમાં સામે આવ્યું છે કે, બોમ્બ વિસ્ફોટમાં વપરાયેલી સફેદ કલરની I20 કાર ઉપરાંત શંકાસ્પદો સાથે એક લાલ રંગની ઈકોસ્પોર્ટ કાર પણ હતી. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ એલર્ટ
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી 4 આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જયારે બાકીના 11 આરોપીઓનો આજે જેલમાંથી ટ્રાન્સફર વોરંટ મારફત કબ્જો મેળવી ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ આ કેસમાં પકડાયેલા ચાર આરોપીને 10 દિવસના રિમાન્ડ મેળવી આરોપીઓની મિલ્કતો અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે અને મિલ્કત ટાંચમાં લેવા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત કોઈ ગેરકાયદે દબાણ હોવાનું જાણવા મળશે તો તેને તોડી પાડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા દશ વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, મારામારી સહીત કુલ 71 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે છેલ્લા 10 વર્ષમાં 71 ગુના રાજકોટ શહેર, રાજકોટ જિલ્લા, ઉપરાંત જામનગર અને મહેસાણામાં નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા અને હત્યાની કોશિશના 7, મારામારી અને રાયોટિંગના 29, છેડતી અને બળાત્કારના 7, આર્મ્સ એક્ટ હેઠળ 5, ઉપરાંત NDPS, લૂંટ, અપહરણ તેમજ મિલ્કત સંબંધિત ગુના નોંધાઈ ચુક્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, અને ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજુર કરતા રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી છે. જ્યારે આજ રોજ રાજકોટ જેલમાં બંધ 11 આરોપીઓનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગુજસીટોકની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસીયાને સોંપવામાં આવી છે જેના સુપરવિઝન હેઠળ આગળની કાર્યવાહી કરવામાં આવશે અને સમયસર ચાર્જશીટ રજૂ થાય તે માટે ઝડપી અને કડક કાર્યવાહી અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. રિમાન્ડ દરમિયાન પેંડા ગેંગના લોકો પાસેથી ગેંગ ક્યારે અને કેવી રીતે બની, ગેંગ બનાવવાનો આઈડિયા કોનો હતો, ગેંગમાં કોણ ક્યારે જોડાયું, ગુનામાં વપરાતાં છરી, પિસ્તોલ, તમંચા સહિતના હથિયાર ક્યાંથી આવ્યા, ગેંગની મોડસ ઓપરેન્ડી શું છે તે સહિતના મુદ્દે પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત આ તપાસ દરમિયાન આરોપીઓની મિલ્કતો અંગે પણ તપાસ કરવામાં આવશે અને ખાસ મિલ્કતો ટાંચમાં લેવા પણ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. શક્તિ ઉર્ફે પેંડાની ‘યાદ’માં ગેંગનું નામ ‘પેંડાગેંગ’ પડ્યું.. પોલીસની પૂછપરછમાં એવી વિગત પણ સામે આવી હતી કે આ ગેંગનું નામ શક્તિ ઉર્ફે પેંડાના નામે પાડવામાં આવ્યું હતું. શક્તિના મોત પછી તેના સાગરિતો એકઠા થયા હતા અને ગેંગ બનાવવાનું શરૂ કર્યું હતું. એક બાદ એક લોકો ગેંગમાં જોડાતા ગયા અને જોતજોતામાં ગેંગમાં સામેલ લોકોની સંખ્યા 17 સુધી પહોંચી ગઈ હતી. જો કે આ પછી ગેંગનું નામ પાડવાનો સમય આવ્યો ત્યારે તમામે તેના મોત પામેલા મિત્ર શક્તિ ઉર્ફે પેંડાનું નામ ગેંગને આપવું જોઈએ તેવું નક્કી કરીને ગેંગને 'પેંડાગેંગ' નામ આપ્યું હતું. કુલ 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ, રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ, હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા, રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા, હર્ષદીપસિંહ ઝાલા, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા, પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી, દિનેશ ઉર્ફે કાંચો ટમટા, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા, કમલેશ મેતા, સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ આરોપી દિનેશ ઉર્ફે બચ્ચું ઉર્ફે મોટી ટિકિટ ગોહેલ વિરુધ્ધ કુલ 10 ગુના, જીજ્ઞેશ ઉર્ફે બાવકો ઉર્ફે નાની ટિકિટ ગોહેલ વિરુધ્ધ કુલ 9 ગુના, ચિરાગ ઉર્ફે બકાલી મકવાણા વિરુધ્ધ કુલ 8 ગુના, ચંદ્રેશ ઉર્ફે ચંદો ગોહેલ વિરુધ્ધ કુલ 3 ગુના, રણજિત ઉર્ફે કાનો ટિકિટ ગોહેલ વિરુધ્ધ કુલ 10 ગુના, હિતેન્દ્રસિંહ ઉર્ફે હક્કોડી જાડેજા વિરુધ્ધ કુલ 7 ગુના, પરીક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરિયો બળદા વિરુધ્ધ કુલ 7 ગુના, રાજપાલસિંહ ઉર્ફે રાજો જાડેજા વિરુધ્ધ કુલ 11 ગુના, હર્ષદીપસિંહ ઝાલા વિરુધ્ધ કુલ 7 ગુના, જીજ્ઞેશ ઉર્ફે ભયલુ રાબા વિરુધ્ધ કુલ 11 ગુના, પરિમલ ઉર્ફે પપરિયો સોલંકી વિરુધ્ધ કુલ 4 ગુના, દિનેશ ઉર્ફે કાંચો ટમટા વિરુધ્ધ કુલ 7 ગુના, જૈવિક ઉર્ફે મોન્ટુ રોજાસરા વિરુધ્ધ કુલ 4 ગુના, કમલેશ મેતા વિરુધ્ધ કુલ 3 ગુના, સંજયસિંહ ઉર્ફે ચિન્ટુ ઉર્ફે મહેન્દ્રસિંહ ઝાલા વિરુધ્ધ કુલ 6 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ક્રાઇમ એક્ટ 2015 (ગુજસીટોક)ની કલમ 2(1)(સી) હેઠળ ગુનો નોંધી તપાસ ACP ક્રાઇમ ભરત બસિયા ચલાવી રહ્યા છે જેમની સાથે અલગ અલગ ટીમમાં PI મેહુલ ગોંડલીયા, એમ.એલ.ડામોર, ચિરાગ જાદવ, તથા PSI સી.બી.જાડેજા તથા ASI ભરતભાઈ વનાણી, અશોકભાઈ કલાલ, રણજીતસિંહ પઢારીયા તથા HC પ્રતિકસિંહ રાઠોડ, ગિરિરાજસિંહ જાડેજા, PC પોપટભાઈ ગમારા, પ્રશાંત ચુડાસમા વગેરે જોડાયેલ છે.
ભારત સરકારના પ્રવાસન મંત્રાલય અને રાજ્યના પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રથમવાર દિલ્હીની બહાર અને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સાનિધ્યમાં દેશની કલા, સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસો-પરંપરાનો ઉત્સવ એવા 'ભારત પર્વ-2025'નું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને લઈ વડોદરાનું હરણી એરપોર્ટ વીઆઇપી મુવમેન્ટનને લઈ સત્તત વ્યસ્ત જોવા મળી રહ્યું છે. કેવડિયા ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમમાં આજે વડોદરા એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ અને મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાં આવી પહોંચ્યા હતા અને વડોદરા એરપોરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બાય રોડ રવાના થયા થયા હતાં. ટુરિઝમ એન્ડ કલ્ચર મિનિસ્ટર વડોદરા એરપોર્ટ પરથી SOU રવાના થયાઆ બાદ બપોરના સમયે ઉત્તરપ્રદેશ સરકારના ટુરિઝમ એન્ડ કલ્ચર મિનિસ્ટર જૈવીર સિંહ આવી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું, સ્ટેચ્યુ ઓફ યુનિટી પર સરદાર વલ્લભાઈ પટેલનું દુનિયાનું સૌથી ઊંચી પ્રતિમા સ્થાપિત કરીને મોદીજીએ રાષ્ટ્રને રાષ્ટ્રીય એકતા અને અખંડતા માટે એક સંદેશ આપવાનું કામ કર્યું છે. આજે તેઓની જયંતિ અનુસંધાને કાર્યક્રમ થઈ થયા છે. ત્યારે આજે ઉત્તરપ્રદેશ રાજ્યના વિવિધ કાર્યક્રમો ઉજવાઈ રહ્યા છે તેના અનુસંધાને વિવિધ કાર્યક્રમો યોજાઈ થયા છે તેના અનુસંધાને અમે ત્યાં ઉપસ્થિત રહેવાના છીએ. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાય રોડ SOU રવાના થયાવડોદરા એરપોર્ટ પર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાઈ રહેલા કાર્યક્રમમાં સહભાગી થવા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આવી પહોંચ્યા હતા અને બાય રોડ તેઓ રવાના થયા હતા. SoU ખાતે યોજાઈ રહેલા વિવિધ કાર્યક્રમોને લઈ વડોદરા એરપોર્ટ સત્તત વ્યસ્ત જોવા મળી રહ્યું છે. આ દરમ્યાન કોઈ અઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચાંપતો બંદોબસ જોવા મળ્યો હતો.
દાંડી ફિશ લેન્ડિંગ સેન્ટરની રસ્તાની સમસ્યા હલ:ધારાસભ્ય આરસી પટેલના પ્રયાસોથી માછીમારોને સુવિધા મળી
નવસારી જિલ્લાના દાંડી સ્થિત ફિશ લેન્ડિંગ સેન્ટર પર લાંબા સમયથી ચાલી આવતી રસ્તાની સમસ્યાનો અંત આવ્યો છે. સ્થાનિક ધારાસભ્ય આરસી પટેલના પ્રયાસોથી માછીમારોને આ સુવિધા મળી છે. આ અંગે સ્થાનિક માછીમાર અને વ્યવસાયે ડોક્ટર એવા ડૉ. માણેકલાલ નારાયણભાઈ ટંડેલની આગેવાનીમાં ગ્રામજનોએ MLAને લેખિત રજૂઆત કરી હતી. દાંડી બંદર ફિશ લેન્ડિંગ સેન્ટર તરીકે ખૂબ મહત્વનું છે. અહીં મોટી સંખ્યામાં સ્થાનિક માછીમારો તેમજ ઓખા અને મુંબઈ સુધી ટ્રોલિંગ ફિશિંગ બોટો દ્વારા વ્યવસાય કરનારા માછીમારોનો ધંધો ચાલે છે. આ વ્યવસાય દ્વારા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અનેક પરિવારોને રોજીરોટી મળે છે. જોકે, બોટો જ્યાં આવે છે અને માછલીનો વેપાર થાય છે, ત્યાં સુધી પહોંચવાના રસ્તાની હાલત અત્યંત ખરાબ હતી. ડૉ. માણેકલાલ ટંડેલે જણાવ્યું હતું કે, અમારી આસપાસના કૃષ્ણપુર, કણીયેટ, રાણાભાઠા, ચોરમલા ભાઠા જેવા માછીમારોના ગામોમાંથી આવતા વેપારીઓ અને ખાસ કરીને રોજગારી માટે આવતી બહેનોને ખૂબ જ અગવડ પડતી હતી. વાહનો ત્યાં જઈ શકતા નહોતા, જેના કારણે રોજીરોટી મેળવવા આવતા લોકો માટે સ્થળ સુધી પહોંચવું મુશ્કેલ બન્યું હતું. સ્થાનિક પરિસ્થિતિથી વાકેફ ડૉ. ટંડેલે MLA આરસી પટેલ સમક્ષ આ મુદ્દો મૂક્યો હતો. આરસી પટેલે તાત્કાલિક અસરથી અધિકારીઓને સ્થળ નિરીક્ષણ માટે મોકલી આપ્યા હતા, જેમણે વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. ડૉ. ટંડેલે વધુમાં ઉમેર્યું કે, આરસી પટેલને અમારા ગામ સાથે ખાસ લગાવ છે અને તેઓ અમારી રોજગારીની સમસ્યાને સમજી શક્યા. અહીં મોટા ભાગના અકુશળ લોકોને રોજગારી મળે છે, અને રસ્તાની સુવિધાથી તેમની રોજગારીમાં ખૂબ સરળતા રહેશે. સ્થાનિક માછીમાર આગેવાનોએ માત્ર રસ્તાની સુવિધા જ નહીં, પરંતુ બંદરના ભવિષ્યના વિકાસ માટેની પણ રજૂઆત કરી છે. ડૉ. ટંડેલે માહિતી આપી કે આધુનિક ફિશરીઝ હાર્બરના વિકાસ માટેનો પ્રસ્તાવ પણ મંજૂરીના આરે છે. આ આધુનિક હાર્બર મંજૂર થવાથી દાંડીનું ફિશિંગ સેન્ટર રાષ્ટ્રીય સ્તરે વધુ વિકાસ સાધશે અને હજારો લોકોને નવી અને સરળ રોજગારીની તકો પૂરી પાડશે.
સુરત પોલીસે શહેરમાં ચાલી રહેલા હાઈબ્રીડ ગાંજાનું વેચાણ ઝડપી પાડ્યું છે. ઝડપાયેલા ત્રણ લોકોની પૂછપરછમાં પોલીસને ચોંકાવનારી વિગતો મળી છે. જીતુ ધામેલિયા નામના શખસનો પુત્ર જર્મીનમાં MBA કરી શકે તેના માટે 12 લાખ રૂપિયાની જરુર હતી. જે શોર્ટકટ પૂરી શકાય તે માટે તેને હાઈબ્રીડ ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું. પોતાના પુત્રના હાથમાં ઉચ્ચ ડિગ્રી જોવા માગતા જીતુએ અન્યના સંતાનોને ડ્રગ્સના રવાડે ચડાવતો હતો. જ્યારે BCAમાં એટીકેટી આવ્યા બાદ આડારસ્તે ચડેલો એક યુવક વચેટીયાનું કામ કરતો અને સ્કોલેન્ડમાં MBA કરવા ગયેલો પરંતુ, ફેલ થયેલો યુવક હાઈબ્રીડ ગાંજાની સપ્લાય કરતો હતો. ગાંજાનો સપ્લાયર અમેરિકન નંબરનો ઉપયોગ કરતો હોવાનું પણ સામે આવ્યું છે. હાઈબ્રીડ ગાંજાના વેચાણનો પર્દાફાશ કરી ત્રણને ઝડપી પાડ્યાસુરતની ચોક બજાર પોલીસે આ ગુંચવાયેલા નેટવર્કને ઉકેલી કાઢી ત્રણેય મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે,જેમની પૂછપરછમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.આ રેકેટની પહેલી અને મહત્વની કડી છે જીતુ નાગજીભાઈ ધામેલીયા. જીતુ સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં 'ગોલ્ડન ઝોન સેન્ટર' નામે દુકાન ચલાવે છે. પ્રથમ નજરે આ એક સામાન્ય વેપારનું સ્થળ લાગે, પરંતુ પોલીસની બાતમી મુજબ, આ 'ગોલ્ડન ઝોન' યુવાનો માટે 'ડ્રગ ઝોન' બની ગયું હતું. જીતુએ પોતાના પુત્રને MBA માટે જર્મની મોકલવા માગતો હતોડીસીપી રાઘવ જૈન એ જણાવ્યું હતું કે , જીતુ ધામેલીયાનું એક મોટું સપનું હતું. તે પોતાના પુત્રને ઉચ્ચ અભ્યાસ માટે જર્મની મોકલવા માંગતો હતો. તેનું લક્ષ્ય હતું કે, તેનો પુત્ર જર્મનીની નામાંકિત યુનિવર્સિટીમાંથી 'ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA' ની ડિગ્રી મેળવે. આ સપનું મોંઘું હતું અને તેને સાકાર કરવા માટે મોટી રકમની જરૂર હતી. પૈસાની આ જ જરૂરિયાતે જીતુને શોર્ટકટ લેવા મજબૂર કર્યો. તેણે પોતાની દુકાન 'ગોલ્ડન ઝોન સેન્ટર' ને હાઇબ્રીડ ગાંજાના વેચાણનું કેન્દ્ર બનાવી દીધું. અહીં આવતા-જતા યુવાનોને તે ગુપ્ત રીતે ગાંજાનું વેચાણ કરતો. પોતાનો પુત્ર ઉચ્ચ અભ્યાસ કરે તે માટે અન્યના પુત્રોને નશાના રવાડે ચડાવ્યાજે પિતા પોતાના પુત્રના હાથમાં MBA ની ડિગ્રી જોવા માંગતો હતો, તે જ પિતા અન્યના સંતાનોના હાથમાં નશાનું ઝેર થમાવી રહ્યો હતો, જે કદાચ તેમને કોલેજની ડિગ્રી સુધી પહોંચવા જ ન દે.પોલીસને શંકા છે કે જીતુ લાંબા સમયથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ હતો. તેની દુકાન એક 'સેફ સ્પોટ' બની ગઈ હતી, જ્યાં યુવાનો સરળતાથી નશાનો સામાન ખરીદી શકતા હતા. શિક્ષત યુવક વચેટિયા તરીકે કામ કરતો હતોઆ રેકેટનો બીજો આરોપી છે ધ્રુવ પ્રફુલ પટેલ. ધ્રુવ એક તેજસ્વી કારકિર્દી બનાવી શક્યો હોત. તે બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન્સ BCAનો વિદ્યાર્થી છે. ટેક્નોલોજીના આ યુગમાં BCAની ડિગ્રી ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી આપી શકે છે. પરંતુ ધ્રુવની ગાડી પાટા પરથી ઉતરી ગઈ. મળતી માહિતી મુજબ, ધ્રુવ પટેલ BCAના ફાઇનલ યરમાં હતો, ત્યારે તેને ATKT આવી એટલે કે તે અમુક વિષયોમાં નાપાસ થયો. અભ્યાસમાં આવેલી આ અડચણે તેને હતાશ કરી દીધો. આ એ જ સમય હતો જ્યારે તે 'સરળ પૈસા' કમાવવાની લાલચમાં ફસાયો. ધ્રુવ અવારનવાર જીતુ ધામેલીયાની દુકાન 'ગોલ્ડન ઝોન' પર બેસવા જતો હતો. અહીં જ તેનો સંપર્ક જીતુ સાથે ગાઢ બન્યો અને તે પોતે પણ આ ડ્રગ્સના વેપારમાં મિડલમેન તરીકે જોડાયો. કમ્પ્યુટરના 'કોડિંગ' માં અટવાયેલો ધ્રુવ, ગુનાખોરીના 'કોડવર્ડ્સ' માં એવો ફસાયો કે તેણે પોતાની આખી કારકિર્દી દાવ પર લગાવી દીધી.ધૃવનું કામ સપ્લાયર પાસેથી ગાંજો લાવીને જીતુ ધામેલીયા જેવા પેડલરોને પહોંચાડવાનું હતું. એક નાનકડી શૈક્ષણિક નિષ્ફળતાએ તેને ટેલેન્ટેડ કોડર બનવાને બદલે એક ગુનેગાર બનાવી દીધો. 'MBA ફેલ' સપ્લાયર, સ્કોટલેન્ડ કનેક્શન અને અમેરિકન નંબરનો ખેલઆ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર અને સપ્લાયર છે જય સતીશભાઈ માવાણી. જયની પ્રોફાઇલ આ કેસની સૌથી રસપ્રદ અને ચિંતાજનક કડી છે. જય માવાણીએ સુરતમાંથી જ બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. તેનામાં પણ ઉચ્ચ મહત્વાકાંક્ષાઓ હતી. BBA પૂરું કર્યા પછી તે ઇન્ટરનેશનલ બિઝનેસમાં MBA કરવા માટે સ્કોટલેન્ડ ગયો. આ એ જ કોર્સ છે જે જીતુ ધામેલીયા પોતાના પુત્રને કરાવવા માંગતો હતો. પરંતુ, જયનું વિદેશમાં ભણવાનું સપનું પૂરું ન થયું. તે સ્કોટલેન્ડમાં MBAના કોર્સમાં નિષ્ફળ ગયો. ફેલ થતાં તેને પરત સુરત આવવું પડ્યું. નિષ્ફળતાનો સ્વાદ ચાખીને આવેલા જય પાસે હવે કોઈ ડિગ્રી નહોતી, પણ તેની પાસે 'ઝડપથી પૈસા કમાવવાનો' એક ખતરનાક આઈડિયા હતો. તેણે વિદેશમાં જોયેલા-જાણેલા ડ્રગ્સના કલ્ચરને અહીં 'બિઝનેસ મોડેલ' બનાવવાનું નક્કી કર્યું. તેણે સામાન્ય ગાંજા નહીં, પણ યુવાનોમાં વધુ ડિમાન્ડ ધરાવતા 'હાઇબ્રીડ ગાંજા'નું સપ્લાય નેટવર્ક શરૂ કર્યું. જય માવાણી વાતચીત માટે અમેરિકન મોબાઈલ નંબરનો ઉપયોગ કરતોજય ખૂબ જ શાતિર હતો. તે જાણતો હતો કે પોલીસની નજરથી કેવી રીતે બચવું. જ્યારે તે સ્કોટલેન્ડથી પાછો ફર્યો, ત્યારે તે પોતાની સાથે એક અમેરિકન મોબાઈલ નંબર સિમ કાર્ડ લેતો આવ્યો હતો. તે પોતાના તમામ ગ્રાહકો અને મિડલમેન જેમ કે ધ્રુવ સાથે સંપર્કમાં રહેવા માટે આ જ અમેરિકન નંબરનો ઉપયોગ કરતો હતો. તેને લાગતું હતું કે વિદેશી નંબર હોવાથી ભારતીય એજન્સીઓ તેને ટ્રેસ નહીં કરી શકે. તે વોટ્સએપ કોલિંગ અથવા અન્ય એપ્સ દ્વારા જ વાતચીત કરતો. જયની એક ભૂલના કારણે સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયોજય ભલે ગમે તેટલો શાતિર હોય, તે એક ભૂલ કરી બેઠો. ડ્રગ્સના વેપારના રૂપિયા લેવા માટે, તેણે એક વખત પોતાના ભારતીય મોબાઈલ નંબર સાથે જોડાયેલા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કર્યો. તેણે એક પેમેન્ટ ભારતીય નંબર પર મંગાવ્યું.ચોક બજાર પોલીસ, જે પહેલેથી જ જીતુ અને ધ્રુવ પર નજર રાખી રહી હતી, તે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કરી રહી હતી. જેવું જયે ભારતીય નંબર પર પેમેન્ટ સ્વીકાર્યું, પોલીસના રડારમાં તે આવી ગયો. પોલીસે તરત જ તે નંબરને તેના અમેરિકન નંબર સાથે લિંક કર્યો અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી દીધો. ચોક બજાર પોલીસે આ ત્રણેય આરોપીઓને દબોચી લીધા1. જીતુ નાગજીભાઈ ધામેલીયા (પુત્રને MBA કરાવવા ગાંજો વેચનાર પિતા)2. ધ્રુવ પ્રફુલ પટેલ (BCA માં ATKT આવતા વચેટિયો બનેલો વિદ્યાર્થી)3. જય સતીશભાઈ માવાણી (સ્કોટલેન્ડથી MBA ફેલ થયેલો મુખ્ય સપ્લાયર) આ ધરપકડ સુરત પોલીસના 'નો ડ્રગ્સ' અભિયાનની મોટી સફળતા છે. પરંતુ આ કિસ્સો સમાજ માટે એક લાલબત્તી સમાન છે. તે દર્શાવે છે કે કેવી રીતે ઉચ્ચ શિક્ષણની મહત્વાકાંક્ષા, શૈક્ષણિક નિષ્ફળતાની હતાશા અને ઝડપી પૈસા કમાવવાની લાલચ યુવાનોને અને વાલીઓને પણ ગુનાખોરીના એવા અંધારામાં ધકેલી શકે છે, જ્યાંથી પરત ફરવાનો કોઈ રસ્તો નથી. જે MBA ની ડિગ્રી બે યુવાનોના જીવનનું કેન્દ્ર હતી, તે જ MBA ના નામે એકનું ભવિષ્ય શરૂ કરવા બીજા હજારોના ભવિષ્ય બરબાદ થઈ રહ્યા હતા.
સુરત આરએફઓ સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં શંકાસ્પદ આરોપી અને ઇજાગ્રસ્તના પતિ નિકુંજ ગોસ્વામીએ સુરત કઠોર કોર્ટમાં સરેન્ડર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોર્ટે તેની સરેન્ડર અરજીને નકારી કાઢી હતી. આ તકનો લાભ લઈ ગ્રામ્ય પોલીસે કોર્ટ પરિસરમાંથી જ નિકુંજ ગોસ્વામીની અટકાયત કરી હતી અને હાલમાં તેની વિધિવત ધરપકડ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
પંચમહાલ-ગોધરા SOG પોલીસે બે અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ રાજસ્થાનના ઉદયપુરમાં ઘરફોડ ચોરી અને દાહોદ જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓમાં વોન્ટેડ હતા. પ્રથમ કિસ્સામાં, SOG ટીમે રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી ફરાર આરોપી ઉમર ફારુક મુસા ચરખાને પકડી પાડ્યો છે. આરોપી ગોધરાના ગુહ્યા મહોલ્લાનો રહેવાસી છે. પોલીસ મહાનિરીક્ષક, પંચમહાલ ગોધરા રેન્જ, આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક, પંચમહાલ ગોધરા, ડૉ. હરેશભાઇ દુધાતની સૂચનાઓ બાદ, SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. વહોનીયા અને SOG સ્ટાફને મળેલી બાતમીના આધારે, ઉમર ફારુકને ગોધરાના સિવિલ લાઇન્સ રોડ, કોર્ટ નજીકથી ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સામે ગોવર્ધન વિલાસ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૯૬/૨૦૨૧, IPC કલમ ૩૮૦, ૧૧૪ હેઠળ ગુનો નોંધાયેલો હતો. વધુ કાર્યવાહી માટે તેને ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. બીજા કિસ્સામાં, પંચમહાલ-ગોધરા SOG પોલીસે દાહોદ જિલ્લાના લીમખેડા અને કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહિબિશનના બે ગુનાઓમાં નાસતા ફરતા આરોપી શબ્બીર યાસીન મલેકને ઝડપી પાડ્યો છે. આરોપી ગોધરાના ચિખોદ્રા, રહેમતનગરનો રહેવાસી છે. આર.વી. અસારી અને ડૉ. હરેશભાઇ દુધાતની સૂચનાઓ હેઠળ, SOG ગોધરાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.જી. વહોનીયા, બી.કે. ગોહિલ અને SOG સ્ટાફને આ આરોપીને પકડવા માટે નિર્દેશ આપ્યો હતો. પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર આરતસિંહને મળેલી બાતમીના આધારે, પી.એસ.આઈ. બી.કે. ગોહિલ અને SOG સ્ટાફે કાર્યવાહી કરી હતી. શબ્બીર યાસીન મલેક લીમખેડા પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૮૨૧૦૩૫૨૪૦૭૯૨/૨૦૨૪ અને કાલોલ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં. ૧૧૨૦૭૦૩૬૨૫૦૯૭૫/૨૦૨૫ હેઠળ વોન્ટેડ હતો. તેને ગોધરા ખાતેથી પકડી પાડી વધુ કાર્યવાહી માટે ગોધરા ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
ગત તારીખ 5 ઓક્ટોબરના રોજ આણંદ જિલ્લાના ઉમરેઠ ગામમાં જી.આઈ.ડી.સી ની બાજુમાં આવેલા કનૈયા ટીમ્બર કમ્પાઉન્ડમાં એચ.પી.ટ્રેડર્સ નામની દુકાનનું શટર તોડી તસ્કરોએ લાકડાના પીઠામાં વપરાતા મશીનો તથા અન્ય સાધનો મળી કુલ રૂપિયા 51,700 ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજી બાજુ ઉમરેઠમાંથી દુકાનનુ શટર તોડી લાકડા કાપવાના મશીનની ચોરી કરનાર રીઝવાન મહમંદહનીફ બોકડો (૨હે.ગોધરા, પંચમહાલ) આણંદ શહેરમાં સામરખા ચોકડી હાઈવે નજીક આવેલ દુકાનો આગળ આંટા ફેરા મારતો હોવાની બાતમી આણંદ એલ.સી.બી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે સામરખા ચોકડી નજીક વોચ ગોઠવી આરોપી રીઝવાન મહમંદહનીફ બોકડોની અટકાયત કરી છે. પોલીસે પકડાયેલા રીઝવાનની પુછપરછ કરતાં તે તારીખ 5-10-2025 ના રોજ રાત્રીના અઢી વાગે પોતાના ત્રણ મિત્રો મુસ્તકીમ ઉર્ફે મુસો ટપલા, રમઝુ બીસમીલ્લા શેખ અને ખાલીદ ઉર્ફે ચકલા તમામ (તમામ રહે. ગોધરા) સાથે ગાડી લઈને ગોધરાથી ઉમરેઠ ચોરી કરવા આવ્યાં હતાં અને ચોરી કરતા હતા, તે દરમિયાન પોલીસની ગાડી આવતા ચારેય જણાં ગાડી તથા ચોરી કરેલો સામાન મુકી ભાગી ગયા હોવાની કબૂલાત કરી છે. પોલીસે BNSS કલમ 35(1)(જે)મુજબ આરોપી રીઝવાન બોકડોની અટક કરી, આગળની વધુ તપાસ અર્થે ઉમરેઠ પોલીસમથકે સોંપેલ છે.
ગઢડા તાલુકાના કાપરડી, વિરડી અને ખોપાળા સહિતના ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા અનુભવાઈ રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગઢડાના મામલતદાર સિદ્ધરાજસિંહ વાળા અને તાલુકા વિકાસ અધિકારી વાળા સહિતના અધિકારીઓએ ગ્રામજનોને ભૂકંપ અંગે જાગૃતિ અને સાવચેતીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ માર્ગદર્શન સભામાં અધિકારીઓએ ભૂકંપના પ્રાથમિક લક્ષણો, ભૂકંપ સમયે લેવાના તાત્કાલિક પગલાં અને સુરક્ષિત સ્થળોની પસંદગી વિશે માહિતી આપી હતી. તેમણે ડક-કવર-હોલ્ડ પદ્ધતિ સમજાવી હતી અને બાળકો, વૃદ્ધો તેમજ દિવ્યાંગજનો માટે ખાસ કાળજી રાખવાની બાબતો પર ભાર મૂક્યો હતો. ઉપરાંત, આપાતકાલીન કીટ કેવી રીતે તૈયાર કરવી અને તેમાં કઈ વસ્તુઓ રાખવી તે અંગે પણ વિગતવાર સમજણ આપવામાં આવી હતી. અધિકારીઓએ ગ્રામજનોને અફવાઓ, ભય અથવા ગેરમાર્ગે દોરતી માહિતીથી દૂર રહેવા અને વિશ્વસનીય સ્ત્રોતોમાંથી જ માહિતી મેળવી સાવચેતી રાખવાની ભલામણ કરી હતી. તેમણે આંચકા અનુભવાય તો તરત જ સંબંધિત તંત્રને જાણ કરવા અને શાંતિ જાળવીને સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ડાભી, ગામના સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, રાજ્યમાં સરકારી જમીન પરના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. નાગરિકો માટે રમતના મેદાન, ગાર્ડન, લાયબ્રેરી અને દવાખાના જેવી સુવિધાઓ માટે ઉપયોગી એવી સરકારી જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામોને હવે કોઈ છૂટછાટ નહીં અપાય. આ રાજ્યવ્યાપી ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં ગઈકાલે તંત્ર દ્વારા વિશાળ ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ હતી. અહીં કુલ 12 ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં એક ધાર્મિક દબાણ (દરગાહ), ત્રણ દુકાનો અને આઠ રહેણાંક મકાનોનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીથી આશરે દોઢ કરોડથી વધુ કિંમતની 1300 થી 1400 ચોરસ મીટર સરકારી જમીન મુક્ત કરાઈ છે. જોકે, ડિમોલેશન દરમિયાન ધાર્મિક દબાણ હટાવતી વખતે અચાનક મોટું ટોળું ભેગું થઈ ગયું હતું અને પથ્થરમારો શરૂ થયો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં લાવવા માટે પોલીસે લાઠીચાર્જ અને બળપ્રયોગ કર્યો હતો. આ ઘટનામાં કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઘાયલ થયા હતા. પોલીસે કાયદો-વ્યવસ્થા ભંગ કરનારા તત્વો સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી શરૂ કરી છે.
નવસારી જિલ્લામાં હથિયારબંધીના જાહેરનામાનો ભંગ કરવા બદલ પોલીસે કડક કાર્યવાહી કરી છે. જુદા જુદા વિસ્તારોમાંથી કુલ છ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. તેમની પાસેથી દેશી હથિયારો જેવા કે કોયતા, લોખંડના સળિયા અને લાકડીઓ મળી આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા હથિયારબંધીના જાહેરનામાના કડક અમલ માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી રૂરલ અને ચીખલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુના નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. નવસારી રૂરલ વિસ્તારમાં દેશી હથિયારો સાથે ત્રણ ઇસમો ઝડપાયા હતા. નવસારી ગ્રિડથી બારડોલી તરફ જતા જાહેર રોડ પરથી સિરાજ એહમદ ઇજ્જતઅલી ચૌધરી પાસેથી આશરે 30 ઇંચ લાંબો અને 7 ઇંચ પહોળો, આગળના ભાગે 14 ઇંચનો બોલ્ટ ફીટ કરેલો લોખંડનો કોયતો મળી આવ્યો હતો. આ જ વિસ્તારમાં ધરતીધન માર્બલ સામેના જાહેર રોડ પરથી સાહિદઅલી ચાંદભાઈ શેખ પાસેથી પણ સમાન વર્ણનનો, આશરે 30 ઇંચ લાંબો કટાયેલો લોખંડનો કોયતો મળી આવ્યો હતો. જ્યારે ધારાગીરી ઓવરબ્રિજ નજીકથી કમાલ એહમદ સામુન રાય પાસેથી આશરે 40 ઇંચ લાંબી, લોખંડના તાર વીંટળાયેલી અને લાલ ગ્રીપવાળી લાકડી મળી આવી હતી, જેનો ઉપયોગ હથિયાર તરીકે થઈ શકે છે. આ ત્રણેય કેસમાં નવસારી રૂરલ પો.સ્ટે.ના એ.એસ.આઇ. રવિંદ્ર જયરામભાઈને આગળની તપાસ સોંપવામાં આવી છે. વાહનમાંથી હથિયાર મળી આવવાના બે જુદા જુદા કિસ્સાઓમાં કલમ-135 હેઠળ ગુના નોંધાયા છે. ચીખલી ખાતે કોલેજ સર્કલ પાસે જાહેર જગ્યા પર અંકિતકુમાર જગદિશભાઈ રાઠોડની મારુતિ બલેનો ગાડીમાંથી એક દંડો મળી આવ્યો હતો. બીજા કિસ્સામાં, મરોલી ચાર રસ્તા પાસે જાહેર રોડ પર હિતકુમાર અરવિંદભાઈ નેસડીયાની હોન્ડા એસેન્ટ કારની ડિીકીમાંથી આશરે 3 ફૂટની લોખંડની લાલ કલરની પાઈપ મળી આવી હતી. આ કેસોની તપાસ અનુક્રમે ચીખલી પો.સ્ટે. અને મરોલી પો.સ્ટે.ના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે.
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાપુપુરા ગામના દંપતી સહિત ચાર વ્યક્તિઓ સાથે માનવ તસ્કરી અને ખંડણીનો ગંભીર બનાવ સામે આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા જવાની લાલચ આપીને દિલ્હીના એક એજન્ટ અને તેના મળતિયાઓએ આ 4 લોકોને ઈરાનના તહેરાન શહેરમાં બંધક બનાવી અસહ્ય ત્રાસ આપી 2 કરોડની માતબર ખંડણી માંગી હતી. જે બાદ ચારેય અપહ્યતનો છૂટકારો થયો હતો. આ મામલે માણસા પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે દિલ્હીના એજન્ટની ધરપકડ કરી 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવી આગળની કડી સુધી પહોંચવા પ્રયાસો શરૂ કર્યા છે. માણસા તાલુકાના બાપુપુરા ગામનાં અનિલ ચૌધરીને પિતરાઈ ભાઈ થકી દિલ્હીના પાસપોર્ટ-વિઝા એજન્ટ જરીક અહેમદ ખાનનો સંપર્ક થયા હતો. બાદમાં અનિલ તેમજ ગામના અજય કાંતીભાઇ ચૌધરી અને તેની પત્ની પ્રિયાબેન, બદપુરાના નિખીલભાઇ રમણભાઇ ચૌધરી એમ ચાર જણાએ ઓસ્ટ્રેલિયા જવા માટે જરીકખાનને વ્યક્તિ દીઠ 35 લાખનો ખર્ચ ઉતર્યા પછી આપવાનું નક્કી કરીને કામ સોંપ્યું હતું. જેના માટે ફ્લાઇટની ટિકિટ, હોટલ બુકિંગ સહિતની ગોઠવણ કરાવી આપવાની બાંહેધરી જરીકે લીધી હતી. જેના થોડા દિવસો પછી 16 ઓકટોબરે જરીફ અમદાવાદથી બેંગકોક સુધીની એર એશિયા ફલાઇટની ચારેયની ટિકિટ મોકલી આપી હતી. એટલે દંપતી સહિત ચારેય જણા અમદાવાદ એરપોર્ટથી બેંગકોક પહોંચ્યા હતા. એ વખતે પિતરાઈ ભાઈ નિકુલ બાબુભાઈ ચૌધરી મારફતે જરીકે બે દિવસના રોકાણ માટે બેંગકોક ખાતેની દુસીટ-ડી/2 સમયાન હોટલની બુકિંગ ટીકીટ મોકલી આપી હતી. પરંતુ ત્યાં ચેક આઉટ ટાઇમ ચાલતો હોવાથી રૂમ મળ્યો ન હતો. આથી સ્વ ખર્ચે ડોલરથી નવી હોટલ ઇકોટેલ બુક કરાવી તેમાં બે દિવસ તેઓ રોકાયા હતા. પિતરાઈ ભાઈ થકી જ બધી ગોઠવણ થતી હોવાથી ત્યાં તકલીફો પડતા અનિલ ચૌધરીએ ડાયરેક્ટ વાતચીત કરવા જરીકને કહેવડાવ્યું હતું. પરંતુ જરીક સીધો સંપર્કમાં આવતો નહોતો અને તહેરાનની ટીકીટો મોકલી આપી હતી. બાદમાં 19 ઓક્ટોબરે ચારેય જણા બેંગકોકથી વાયા દુબઈ થઈ તહેરાન (ઈરાન) એરપોર્ટ ઉતર્યા હતા. જ્યાં તહેરાનની 'મરકાઝી હોટલ' માં રોકાયા બાદ 23 ઓક્ટોબરની રાત્રે એક અજાણ્યા ફોન નંબરથી તેમને હોટલ બહાર બોલાવવામાં આવ્યા હતા. જ્યાં અગાઉથી બે ટેક્સી ઊભી હતી અને તેઓને સિડની લઈ જવાનું કહેવાયું હતું. બાદમાં અનિલ અને નિખીલભાઇ રમણભાઇ ચૌધરીને એક ટેક્સીમાં તથા બીજી ટેક્સીમાં અજ્ય ચૌધરી તથા તેની પત્નીને બેસાડી ત્યાંથી એરપોર્ટની જગ્યાએ અન્ય કોઇ અવાવરૂ જગ્યાએ લઈ જવાયા હતા. જ્યાં ચારેય જણાના કપડાંથી હાથ-પગ બાંધી દઇ મોઢામાં ડૂચા મારી અસહ્ય યાતનાઓ આપવાની શરૂઆત થઈ હતી. અને ઘરે વોટ્સએપ કોલ કરાવી બે કરોડની ખંડણી માંગવાનો સિલસિલો શરૂ થયો હતો. આ દરમિયાન અનિલ અને નિકુલને નગ્ન કરીને મારતા મારતા વિડિઓ પણ બનાવી પરિવાર ઉપર દબાણ ઊભું કર્યું હતું. અને પૈસા ન મોકલે તો ચારેયની મારી નાંખી કિડની, આંખો, લિવર કાઢી વેચી દેવાની ધમકીઓ અપાઈ હતી. જેના પગલે માણસાના પરિવારજનોએ ચારેયને છોડાવવા માટે સ્થાનિક ધારાસભ્યથી માંડી અન્ય સોર્સ દોડાવ્યા હતા. બાદમાં અપહરણકારોએ 27 ઓક્ટોબરે ચારેયને તહેરાન એરપોર્ટ બહાર ઉતારી દીધા હતા. અને 28 ઓક્ટોબરે ચારે પરત ફર્યા હતા. અહીં ગાંધીનગર પોલીસે ચારેયની પૂછતાછ કરતાં તહેરાન ખાતે બાબાખાન, પવન રોકી તેમજ અજીમ એહમદ નામના ઇસમોના નંબરો પણ મળી આવ્યા હતા. બંધક બનાવનાર આશરે છ-સાત ઇસમો હતા .જેઓ હિન્દી-પંજાબી તેમજ અલગ-અલગ ભાષામાં વાતો કરતા હતા. ચારેયને બંધક બનાવેલ તે વખતે તમામના મોબાઇલ લઇ લેવાયા હતા. અને તહેરાન એરપોર્ટ મૂકી જતી વેળાએ માત્ર અજય ચૌધરીનો મોબાઇલ ફોન સીમકાર્ડ વગર આપવામાં આવ્યો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું. આ મામલે ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના પીઆઇ વી ડી વાળાની આગેવાનીમાં તપાસ શરૂ કરાઈ હતી અને જુદી જુદી ટીમો દિલ્હી , યુપી તથા ગુજરાત બહાર જુદા જુદા સ્થળોએ એક્ટિવ થઈ હતી.જેના ભાગરૂપે એસઓજી ટીમ દ્વારા દિલ્હી ખાતેથી પાસપોર્ટ વિજાનુ કામ કરનાર એજન્ટ નામે જરીક અહેમદખાન સફીક અહેમદ ખાન( રહે. મુડીયા મહોલ્લો, મુંડીયા પિસ્તોર, વોર્ડ નં.5, તા.બાજપુર, જી. ઉધમસીંગનગર, ઉત્તરાખંડ) ને દબોચી લેવાયો છે. આ અંગે પીઆઈ વી ડી વાળાએ કહ્યું કે, એકાદ દિવસ પહેલા જ વચેટિયા એજન્ટ જરીક અહેમદખાન સફીકઅહેમદખાનને પકડીને કોર્ટમાં રજૂ કરતા 13 નવેમ્બર સુધીના રિમાન્ડ મેળવામાં આવયા છે. જેની પૂછતાછ ચાલી રહી છે.
ભરુચ શહેરના જૂના નેશનલ હાઇવે પર એબીસી સર્કલ નજીક આવેલા ગોલ્ડન સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોપિંગ સેન્ટરના નવમા માળે આગ લાગતા ફ્લોર પરની ઓફિસોમાં નાસભાગ મચી ગઇ છે. પાલિકાની ફાયરની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. 'આગ લાગવાની જાણ થતાં જ અમે નીચે ઉતરી ગયા'આ બિલ્ડિંગમાં કામ કરતા જૈમિન પટેલે જણાવ્યું હતું કે, હું અહીં સાતમાં માળે કામ કરૂ છું, ત્રણ વાગતાં અહીં આગ લાગવાની જાણ થતાં જ અમે જલ્દી જલ્દીથી નીચે ઉતરી ગયા. હાલ ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે છે અને પોલીસ કાફલો પણ અહીં ઘટનાસ્થળે હાજર છે.અમે સતત અપડેટ્સ કરી રહ્યા છીએ...
મોરારિબાપુની શ્રધ્ધાંજલિ:દિલ્હી બ્લાસ્ટમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ
11 વર્ષ બાદ ફરી એકવાર રાજધાની દિલ્હીમાં બોંબ બ્લાસ્ટ થયો હતો. મેલા ઈરાદાથી થતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ ને કારણે આ ઘટનામાં 12 લોકોનાં કરુણ મોત નિપજયા હતા.મોરારિબાપુ આ ઘટના પર દુઃખ વ્યક્ત કરી અવસાન પામેલા લોકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. ગત તા.10/11/25 ને દિવસે સાંજે લાલકિલ્લા નજીક એક કારમાં બોંબ બ્લાસ્ટ થયો હતો અને તે ઘટનામાં મળતી માહિતી મુજબ 12 લોકોનાં મોત થયા હતા. જેમાં મોરારીબાપુએ આ દેશવિરોધી કાર્ય તરફ દુઃખ વ્યક્ત કર્યું છે અને આ દુઃખદ ઘટના બની તેમાં અકાળે અવસાન પામેલાઓને શ્રધ્ધાંજલિ પાઠવી છે. મોરારીબાપુએ જેઓ મ્રુત્યુ પામ્યા છે તેમના પ્રતિ સંવેદના દર્શાવી તતકાલ સહાયતા રાશિ રુપે દિલ્હી મુખ્યમંત્રી રાહત ફંડ માં રુપિયા 1,80,000 ની સહાયતા મોકલી છે. આ વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરવામાં આવશે. મોરારીબાપુએ ફરી એકવાર આવી ઘટના ન બને તે માટે લોકોને પણ સાવધ રહેવા અપીલ કરી છે. તેમણે આ ઘટનામાં માર્યા ગયેલાઓના નિર્વાણ માટે પ્રાર્થના કરી છે.
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના ICDS વિભાગમાં ચેરમેન અને પ્રોગ્રામ ઓફિસર વચ્ચે વિવાદ થયો છે. જિલ્લા પંચાયતના બાળ વિકાસ ચેરમેન નંદુબેન વાઘેલા સાથે પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાએ તેમની ચેમ્બરમાં જ ઉગ્ર બબાલ કરી તમાચો માર્યાનો આક્ષેપ કર્યો છે. આ બનાવ દરમિયાન લાફો મારી દહેશત ફેલાવ્યા સાથે જાતિ અપમાનકારક કરી અપશબ્દો બોલ્યાનું પણ ચેરમેન દ્વારા જણાવ્યું છે. કોન્ટ્રાક્ટના બિલ મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાબતનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો. બીજી તરફ પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાએ પણ આક્ષેપ કર્યાં છે કે, ઓફિસમાં વાહનના ટેન્ડરના નિયમાનુસાર કાર્યવાહી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ એ બાબતે એમને સંમતિ નહોતી, આથી એમણે ઉગ્ર થઈને અમારી સાથે ન બોલવા જેવા શબ્દો બોલ્યા હતા અને હુમલો કરવાની તૈયારી કરતા હતા. ચેરમેન નંદુબેન વાઘેલાનો આક્ષેપ છે કે, પ્રોગ્રામ ઓફિસર તેમને ચેમ્બરની બહાર ઘસડીને પણ અપમાનિત કર્યાં હતાં. ઘટનાએ વેગ મળતાં જોરાવરનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા ચેરમેન પહોંચ્યા હતા. નંદુબેન વાઘેલાએ એટ્રોસિટી એક્ટ હેઠળ સખત કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે. કોન્ટ્રાક્ટરના બીલો અટકાવી રાખ્યા હોવાથી મહિલા બાળ વિકાસના ચેરમેને પી.ઓ.ને રજૂઆત કરતા પ્રોગ્રામ ઓફિસર ચેરમેનની ઓફીસમાં આવી ઝગડો કરી મારામારી કરી જાતી અપમાનીત કરતા આ મામલો જોરાવરનગર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો સી.ડી.પી.ઓ.માટે ચાલતી કોન્ટ્રાકટરની ગાડીઓનો જ્યારથી કોન્ટ્રાકટ બદલાયો ત્યારથી પ્રોગ્રામ ઓફીસર ભાવનાબેન જીડીયાના તેવર બદલાઈ ગયા હતા. સરકારી નાણાની બચત થાય એ માટે મહિલા ચેરમેન નંદુબેન વાઘેલાએ પહેલા કરતા ઓછા ભાવે ગાડીઓનો કોન્ટ્રાકટ અપાવ્યો હતો. ત્યારબાદ પ્રોગામ ઓફીસર કોન્ટ્રાકટરને યેનકેન પ્રકારે હેરાન કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી. છેલ્લા ઘણા સમયથી બીલ પણ પાસ નહી કરી નોટીસ આપી હતી અને મહિલા ચેરમેન આ બાબતે રજૂઆત કરતા જતા ચેરમેનની કચેરીમાં પ્રોગ્રામ ઓફીસર ભાવનાબેન જીડીયા જઈ તું તારી કરીને આ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ જ કરવાનો છે તારે આમા પડવાનું જ નહી એમ કહી જાતીઅપમાનીત કરી ચેરમેનને માર મારી પાડી દીધા હતા. પ્રોગ્રામ ઓફીસરની આવી હરકતથી આખી જિલ્લા પંચાયતનો સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો. ત્યાંથી મહિલા ચેરમેન સીધા જોરાવરનગર પોલીસ સ્ટેશન પહોચી પી.ઓ.સામે પોલીસ ફરીયાદ આપવા જતા પોલીસે ફરીયાદ લીધી ન હોવાથી સુરેન્દ્રનગર એસ.પી.ને લેખીત ફરીયાદ આપી કાર્યવાહીની માંગ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ ચેરમેન નંદુબેન વાઘેલાએ જણાવેલ કે, બે મહિનાથી મને મીટીંગમાં નથી બોલાવતા અને કોન્ટ્રાકટની ગાડીઓનું બીલ પ્રોગ્રામ ઓફીસર પાસ નહી કરતા હોવાથી મે રજૂઆત કરી હતી તો પી.ઓ.સીધા ઓફીસમાં આવી તારા હપ્તા ચાલે છે ? એમ જણાવી આને બ્લેક લીસ્ટ કરવાનો છે જા એમ કહી મારમારી કરી હોવાથી મે એસ.પી.ને લેખીત ફરીયાદ આપી છે. વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મહિલા બાળ વિકાસ સહિતના વિવિધ વિભાગોના મંત્રીઓને, પાટડી, વઢવાણના ધારાસભ્યને પ્રોગ્રામ ઓફીસરે કરેલી મારામારી સહિતની રજૂઆત કરી છે. ત્યારે તમામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. વધુમાં નંદુબેન વાઘેલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, અગાઉ સીડીપીઓના ભાઈની ગાડીઓ ભાડે ચાલતી હતી. આ અંગે આઈસીડીએસના પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન જીડીયાએ જણાવ્યું હતું કે, ચેરમેનની ચેમ્બરમાં અમને બોલાવ્યા હતા, અને વાહનના ટેન્ડર બાબતે ચર્ચા કરવામાં આવી હતી. વાહનના ટેન્ડરના નિયમાનુસાર કાર્યવાહી કરવા બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ એ બાબતે એમને સંમતિ નહોતી, આથી એમણે ઉગ્ર થઈને અમારી સાથે ન બોલવા જેવા શબ્દો બોલ્યા હતા અને હુમલો કરવાની તૈયારી કરતા હતા. એટલે અમે ત્યાંથી નીકળીને અમારી ઓફિસે આવી ગયા હતા. ત્યારબાદ એમણે જોરાવરનગર પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવા ગયા હતા. એ કાર્યવાહી એમણે કરી છે, જ્યારે અમારે કેસ કરવાનો થાય ત્યારે અમારે અમારા વડા જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે વિશ્વાસમાં લઈને અને જાણ કરીને કેસ કરવો પડે છે. આ બાબતે અમને જિલ્લા વિકાસ અધિકારી સૂચન કરશે, એ મુજબ અમે કાર્યવાહી કરીશું. પણ અમે એક જાણવાજોગ અરજી જોરાવરનગર પોલીસ સ્ટેશનમાં આપી દીધી છે. સુરેન્દ્રનગર ડીવાયએસપી પાર્થ પરમારે જણાવ્યું કે, આ બાબતે બંને તરફથી જાણવા જોગ અરજી લઈ એના આધારે તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં રાઇફલ શૂટિંગ રેન્જ ગુજરાત રાઇફલ એસોસિએશનને સોંપવાના નિર્ણયના વિરોધમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. NSUIનો આક્ષેપ છે કે આ નિર્ણય માત્ર સિન્ડિકેટ સભ્ય આશિષ અમીનને ફાયદો પહોંચાડવા માટે લેવામાં આવ્યો છે, તેથી આશિષ અમીનનું રાજીનામું લેવામાં આવે. આ મુદ્દે રજૂઆત કરવા આવેલા NSUIના કાર્યકર્તાઓને કુલપતિ નીરજા ગુપ્તા ઓફિસમાં હાજર ન મળતા, તેઓ સીધા કુલપતિના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા. સિક્યુરિટી કેબિન પર ચડીને કુલપતિના રાજીનામાની માગ સાથે નારાબાજી કરી હતી, જેના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને હોબાળો કરી રહેલા NSUIના અનેક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. NSUIએ પૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાના 75 લાખની લેતીદેતીના ઓડિયો મામલે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે. જ્યારે NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે માંગણીઓ ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી આપી છે. સિન્ડિકેટ સભ્ય પદ પરથી રાજીનામું લેવામાં આવે તેવી માગગુજરાત યુનિવર્સિટીમાં NSUIના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. રાઇફલ શૂટિંગ રેન્જ રાઈફલ એસોસિએશનને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, રાઇફલ શૂટિંગ રેન્જ ભલે રાઇફલ એસોસિએશનને સોંપવામાં આવ્યું હોય પરંતુ તે સિન્ડિકેટ સભ્ય આશિષ અમીન જ ચલાવવાનો છે. જેથી આશિષ અમીનનું સિન્ડિકેટ સભ્ય પદ પરથી રાજીનામું લેવામાં આવે તેવી માગ કરી છે. કુલપતિના બંગલા પાસે સિક્યુરિટી કેબિન પર ચડી વિરોધ નોંધાવ્યોNSUIના કાર્યકર્તાઓ કુલપતિને રાજીનામા આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ કુલપતિ નીરજા ગુપ્તા ઓફિસમાં હાજર ના હોવાથી NSUIએ રામધુન બોલાવી હતી. કુલપતિને જ રજૂઆત કરવા માટે NSUIના કાર્યકર્તાઓ અડગ જોવા મળ્યા હતા. અડધો કલાકનો સમય કુલપતિને આપવામાં આવ્યો હતો, પરંતુ કુલપતિ ગુજરાત યુનિવર્સિટીમાં હાજર ના થતા NSUIના કાર્યકર્તાઓ કુલપતિના ઘટે પહોંચી ગયા હતા. કુલપતિ નીરજા ગુપ્તાના બંગલા પાસે સિક્યુરિટી કેબિન પર ચડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કુલપતિ રાજીનામું આપે તેવા નારા પણ NSUIના કાર્યકર્તાઓએ લગાવ્યા હતા. પોલીસે NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરીપૂર્વ સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરીયાનો 75 લાખની લેતીદેતીનો ઓડિયો સામે આવ્યો છે. તેમાં ગુજરાત યુનિવર્સિટી પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી પણ NSUI દ્વારા માગ કરવામાં આવી છે. જો કે, કુલપતિના બંગલા આગળ સિક્યુરિટી ગાર્ડની કેબીન પર ચડી રાજીનામાના નારા લગાવતા પોલીસ પણ પહોંચી ગઈ હતી. જે બાદ પોલીસે સિક્યુરિટી ગાર્ડની કેબિન પર ચડીને NSUIના કાર્યકર્તાઓને નીચે ઉતાર્યા હતા. તે બાદ પણ ગેટ પાસે બેસી વિરોધ દર્શાવતા પોલીસ દ્વારા NSUIના કાર્યકર્તાઓની ટીંગાટોળી કરી અટકાયત કરવામાં આવી હતી. એક બાદ એક NSUIના કાર્યકર્તાઓને ગાડીમાં બેસાડી અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. 'કુલપતિ જો આરામ જ કરશે તો NSUI આંદોલન ચાલુ રાખશે'ગુજરાત NSUIના મહામંત્રી વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ વિદ્યાર્થીઓનું કામ કરવાના બદલે ઘરે બેસીને આરામ કરી રહ્યા છે. કુલપતિ જો આરામ જ કરશે તો NSUI દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે. એક સિન્ડિકેટ મેમ્બર સામે FIR થવી જોઈએ અને બીજા સિન્ડિકેટ મેમ્બરને યુનિવર્સિટીએ જે જગ્યાઓ આપી દીધી છે. તે આશિષ અમીનને સસ્પેન્ડ કરી તેની જમીન પરત લેવામાં આવે તેવી અમારી માગ છે.
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક આજે બપોરે મળી હતી. આ બેઠકમાં કુલ રૂ. 6.88 કરોડના જુદા-જુદા વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, 2121 ચોરસ મીટર જમીનના વેચાણથી રૂ. 13.40 કરોડની આવક થવાનો અંદાજ છે. સ્ટેન્ડિંગ કમિટીની બેઠક નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં કુલ 12 સભ્યો ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમયે જામનગર સિટી ક્લીન એર એક્શન પ્લાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. શહેરના જુદા જુદા વિસ્તારોમાં બોર કરીને સબમર્સિબલ પમ્પ ફીટ કરવા (2 વર્ષ માટે)ના કામ અંગે કમિશનરની રજૂ થયેલી દરખાસ્તને પેન્ડિંગ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બેઠકમાં રણમલ લેક અને ખંભાળિયા ગેટ ખાતે ત્રણ વર્ષ માટે સિક્યોરિટી ગાર્ડ, કમ્પ્યુટર ઓપરેટર અને અન્ય સ્ટાફ માટે રૂ. 18.67 લાખના ખર્ચને મંજૂરી અપાઈ હતી. જ્યુબિલી ગાર્ડનમાં ત્રણ વર્ષ માટે ગાર્ડનિંગ સ્ટાફના બીજા વર્ષના ખર્ચ રૂ. 4.45 લાખને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત, રણમલ લેક, લાખોટા કોઠા મ્યુઝિયમ ખાતે સીસીટીવી, સાઉન્ડ સિસ્ટમ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સિસ્ટમનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ વર્ક તેમજ પંચેશ્વર ટાવર ક્લોક અને રણમલ લેક ખાતેના લેન્ડસ્કેપ ક્લોકના ઓપરેશન અને મેઈન્ટેનન્સ વર્ક માટે ત્રણ વર્ષનો ખર્ચ રૂ. 27.61 લાખ મંજૂર કરાયો હતો. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હસ્તકના વોર્ડ ઓફિસ, ઢોર ડબ્બા તથા શાખા લગત સિવિલ સ્ટ્રેન્થનિંગ અને અપગ્રેડેશન બિલ્ડિંગ વર્કના કામ માટે રૂ. 10 લાખનો ખર્ચ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા તથા એસ્ટેટ શાખા માટે પાંચ લોબેડ ટ્રેલર ખરીદવા માટે રૂ. 38.05 લાખના ખર્ચને પણ મંજૂરી આપવામાં આવી હતી. જામનગર મહાનગરપાલિકાની ટી.પી. સ્કીમ નં.–2 (જે.એમ.સી.) ફાઇનલ પ્લોટ નં.-67 પૈકીની 2121 ચોરસ મીટર જગ્યા શ્રીજી ઇન્ફ્રા. (ભાગીદારી પેઢી)ને વેચાણથી આપવા અંગે કમિશનરની રજૂ થયેલી દરખાસ્તને મંજૂર રાખીને ભલામણ સાથે જનરલ બોર્ડમાં મોકલવાનો નિર્ણય લેવાયો હતો. આ જમીનના વેચાણથી મહાનગરપાલિકાને રૂ. 13.40 કરોડની આવક થશે.
ત્રણેય શખ્સોએ ધોકા-પાઇપ વડે માર મારી રૂ. 45,000ની લૂંટ કરી હતી ભાવનગરના દિવાનપરા રોડ પર રહેતા અને કાળાનાળા ખાતે ટ્યુશન ક્લાસીસ ચલાવતા મુર્તજા હામીદ પર જૂની અદાવત અને જમીન વિવાદના કારણે જીવલેણ હુમલો તથા લૂંટની ઘટના બની હતી જેમાં તેણે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ આધારે ત્રણેય શખ્સોને ઝડપી લઈ ઘટનાસ્થળે લાવી રી કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, આ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદીમુર્તજાએ ગુજ્જરના ચોકની દાંતીયાવાળી શેરીમાં એક પડતર પ્લોટ ખરીદ્યો હતો, જેના પર તેમને મકાન બનાવવું હતું. જેમાં તા.09-11-2025ના રોજ, સાંજે આશરે સવા સાત વાગ્યે તેમણે પ્લોટની માપણી માટે એન્જિનિયર જય જોષીને બોલાવ્યા હતા. જ્યારે જય અને તેમનો મજૂર વિશાલ પ્લોટ પર હાજર હતા, ત્યારે પ્લોટની સામે રહેતા કુમાર ઉર્ફે ભુરો મહેશભાઈ પરમાર, તેના મિત્ર તીખો અને એક અજાણ્યા શખ્સે મળીને મજૂર વિશાલની મોટર સાયકલ કિંમત રૂ.20,000 છરી બતાવીને આંચકી લીધી હતી. આ ઘટનાની જાણ જયએ ફોન દ્વારા મુર્તજાને કરતાં તેઓ તરત જ પ્લોટ પર પહોંચ્યા હતા. મુર્તજાએ ત્યાં હાજર કુમાર ઉર્ફે ભૂરાને પૂછ્યું કે તમે આ ભાઈની ગાડી કેમ લઈ લીધી છે? આટલું પૂછતા જ કુમાર ઉશ્કેરાઈ ગયો હતો અને તેના મિત્રોને આને પકડો અને મારો કહીને હુમલા માટે ઉશ્કેર્યા હતા. કુમાર ઉર્ફે ભૂરાએ લાકડાના ધોકા વડે મુર્તજાના જમણા બાવડા પર ઘા કર્યો હતો. બીજા શખ્સે લાકડાના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો, જ્યારે ત્રીજા અજાણ્યા ઇસમે લોખંડના પાઇપ વડે મુર્તજાના બન્ને પગમાં આડેધડ માર માર્યો હતો. હુમલાખોરોએ માર મારવા ઉપરાંત મુર્તજાના હાથમાંથી સેમસંગ કંપનીનો રૂ.25,000ની કિંમતનો મોબાઇલ ફોન પણ આંચકી લીધો હતો. લોકો ભેગા થઈ જતાં હુમલાખોરોએ આ અમારા એરિયામાં આવ્યો જ કેમ? તેમ કહી મુર્તજાને ગાળો આપી અને હવે પછી અહીં આવ્યો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી. મુર્તજાએ કુમાર ઉર્ફે ભુરો, તીખો અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ મોટર સાયકલ રૂ.20,000 અને મોબાઇલ ફોન રૂ.25,000 સહિત કુલ રૂ. 45,000ની લૂંટ કરવા બદલ, જીવલેણ હુમલો કરવા બદલ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, પોલીસે ફરિયાદ આધારે ત્રણેય શખ્સોને ઝડપી લઇ ઘટના કરવામાં આવ્યું હતું.
વડોદરા શહેરના આજવા રોડ પર ફટાકડાની સ્ટોલ ચલાવનાર વેપારીને કારમાં આવેલા નાગા બાવાના વેશમાં આવેલા શખ્સે હિપ્નોટાઇઝ કરીને સોનાની ચેન અને વિંટી કઢાવી લીધા બાદ કારમાં ફરાર થઇ ગઈ હતી. જેથી વેપારીએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નાગા બાવાના વેશમાં આવેલા શખ્સ સહિત અન્ય બે ઠગ સામે ફરિયાદ નોંધાવી છે, જેના આધારે બાપોદ પોલીસે તેઓની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા કમલાનગર તળાવ પાસે સૌજન્ય ટાઉનશિપમાં રહેતા સુરેશચંદ્ર દલપતરામ રાણાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છુટકમાં સિઝનેબલ ધંધો કરીને ગુજરાન ચલાવું છે. ગત 19 ઓક્ટોબરના રોજ હું આજવા રોડ પર HDFC બેંકની બહાર રાત્રે ફટાકડાનો સ્ટોલ નાંખ્યો હતો ફટાકડાના સ્ટોલમાં હું અને અમારા સ્ટોલ પર કામ કરતા રૂસ્તમભાઈ હાજર હતા. બપોરના આશરે 3.30 વાગ્યાની આસપાસ એક નંબર પ્લેટ વગરની કાર અમારા સ્ટોલની સામે આવી ઉભી રહી હતી અને સુરસાગર કંઈ બાજુથી જવાય છે, તેમ પુછ્યું હતું. જેથી મારી સાથે હાજર રૂસ્તમભાઈએ તેઓને સુરસાગર જવાનો રસ્તો બતાવ્યો હતો. ત્યારબાદ તેઓ તેની સાથે થોડીવાર વાત કારના ડ્રાઈવરે મને બુમ પાડીને બોલાવ્યો હતો, જેથી હું તેઓની કાર પાસે ગયો હતો. તે સમયે ગાડીમા 3 ઈસમ હાજર હતા. ગાડીનો ડ્રાઈવર તથા તેની બાજુની સીટમાં એક નાગા બાવાના વેશમાં હતો અને એક ઈસમ પાછળની સીટ પર બેઠેલો હતો. આ સમયે પાછળની સીટ પર બેસેલા ઇસમે મને કહ્યું હતું કે, નાગા બાવા આયે હૈ, ઉનકા આશીર્વાદ લે. જેથી મે ગાડીના દરવાજા પર મારું હાથ મુકી ગાડીની બારીમાંથી અંદર કરી આશીવાદ લેવા ગયો હતો અને નાગા બાવાએ મારા માથાના ભાગે હાથ મુકી તથા મને પીઠના ભાગે થપ્પો મારી મને આશીર્વાદ આપ્યા હતા. નાગા બાવાએ મારી પાસેથી ચશ્મા અને મોબાઈલ ફોન માંગ્યા હતા. જેથી મે તેમને મારા ચશ્મા તથા મોબાઈલ ફોન આપ્યા હતા અને નાગા બાવાએ મારા ચશ્મા તથા મોબાઈલ ફોન હાથમા થઈને તેના બન્ને હાથમાં ફેરવી મને પરત આપી દીધા હતા. ત્યારબાદ નાગા બાવાએ મને કહ્યું હતું કે, તુમને જો હાથ મે વીંટી પહેની હે, વો ઉતારકે મુજે દે, જેથી મે મારા જમણા હાથમાં પહેરેલી વીંટી નાગા બાવાને આપી. ત્યારબાદ નાગા બાવાએ મને કહ્યું હતું કે, તુમ્હારે ગલે મે ચેન હે વો ભી દે સકતે હો, જેથી મે ગળામાં પહેરેલી સોનાની ચેન કાઢી નાગા બાવાને આપી હતી. આ સમયે કાર ચાલકે હું કાર થોડી આગળ લઇ લઉ, તેમ કહીને મારી સોનાની વીંટી તથા સોનાની ઓમના પેન્ડલવાળી ચેન લઈને ભાગી ગયા હતા. આમ નાગા બાવાના વેશમાં ઠગે મને હિપ્નોટાઇઝ કરી મારી પાસેથી રૂપિયા 85 હજારના સોનાની ચેન અને વિટી લઈ ભાગી ગયા હતા. વેપારી બુમરાણ મચાવવા છતાં ગઠિયાઓ ભાગી ગયા હતા. જેથી પોલીસ નાગાબાવા સહિતના ગેંગને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
રાપર તાલુકાના આડેસર ગામે એક દુઃખદ ઘટનામાં પાણીના ટાંકામાં પડી જતાં માતા અને તેની બે પુત્રીઓના મોત થયા છે. પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પુત્રીને બચાવવા માતા અન્ય પુત્રીને લઇને ટાંકામાં કૂદીપ્રાપ્ત વિગતો અનુસાર, આડેસરના આહિરવાસમાં રહેતા રૈયાબેન રવાભાઈ મકવાણા (ઉ.વ. 28) પોતાના ઘરે હતા. તેમની પાંચ વર્ષની પુત્રી આરવી અકસ્માતે પાણીના ટાંકામાં પડી ગઈ હતી. પુત્રીને બચાવવા માટે રૈયાબેન પોતાની પાસે તેડેલી ત્રણ મહિનાની પુત્રી આયુષી સાથે ટાંકામાં કૂદી પડ્યા હતા. બચાવવાવાળુ કોઇ ન હોવાથી ત્રણેયના મોતજોકે, ઘટના સમયે અન્ય કોઈ હાજર ન હોવાથી ત્રણેયને બચાવી શકાયા ન હતા. પરિણામે, માતા રૈયાબેન અને તેમની બંને પુત્રીઓ આરવી અને આયુષીનું પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરીઆ ઘટનાની જાણ દલાભાઈ નારણભાઈ મકવાણા આહિરને થતાં, તેઓ તાત્કાલિક ત્રણેયને પલાંસવા ખાતેની સીએચસી હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આડેસર પીઆઈ જે.એમ. વાળાએ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મોતનું સાચુ કરાણ જણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
અમદાવાદના અસલાલી-બારેજા રોડ પર આવેલા એકતા હોટલની સામેની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. થીનર હોવાના કારણે આગ વધુ ફેલાઈ ગઈ હતી. જો કે, ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો છે. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. આગ કાબૂમાં આવ્યા બાદ કુલિંગની કામગીરી હાથ ધરાઈફાયર બ્રિગેડ કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ, અસલાલી-બારેજા રોડ ઉપર ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની હતી. થીનર ફેક્ટરીમાં આગ હતી જેથી વધારે ગાડીઓ મોકલવામાં આવી હતી. આગ હાલ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
મહેસાણા મહાનગરપાલિકા દ્વારા નવા અને જૂના વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે નવીન 21 સ્માર્ટ આંગણવાડી અને 32 જૂની આંગણવાડીઓને રિનોવેશન કરવા સાથે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવનાર છે. જેમાં અત્યારસુધીમાં ઋતુરાજ, ટી.બી.રોડ, સેંધાપરામાં સ્માર્ટ આંગણવાડીની કામગીરી પૂર્ણ થઈ હોવાનું નાયબ કમિશનરે જણાવ્યું હતું. 'છ મહિનામાં 53 સ્માર્ટ આંગણવાડીઓનું કામ પૂરુ થશે'નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાએ કહ્યું હતું કે, આગામી છ મહિનામાં જ તમામ 53 સ્માર્ટ આંગણવાડીઓનું કામ પૂરુ કરવામાં આવશે. મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવવાના પગલે મ્યુનિ.તંત્રમાં સમાવિષ્ટ નવા અને જૂના આશરે 120 ચો. કિમી. હદ વિસ્તારમાં કુલ 53 આંગણવાડીઓને રિનોવેશન સાથે સ્માર્ટ આંગણવાડીમાં તબદીલ કરવાની કામગીરી વાર્ષિક કોન્ટ્રાક્ટ મુજબ શરૂ કરવામાં આવી છે. નવીન 21 સ્માર્ટ આંગણવાડી બનશેૠતુરાજ, ટી.બી.રોડ, સેંધાપરા વિસ્તારમાં 3 સ્માર્ટ આંગણવાડી અત્યાર સુધીમાં તૈયાર થઈ ગઈ છે. જ્યારે 12 નવીન સ્માર્ટ આંગણવાડી નિર્માણનું કામ પ્રગતિમાં છે. શહેરમાં વધુ નવીન 21 સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવનાર છે. જે પૈકીની પાંચ સ્માર્ટ આંગણવાડીની કામગીરી ચાલી રહી હોવાનું નાયબ કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું. આંગણવાડીઓના રિનોવેશન સાથે સ્માર્ટમાં રૂપાંતરણતેમના જણાવ્યા મુજબ મહેસાણા મ્યુનિ.કોર્પોરેશન હદ વિસ્તારમાં કુલ 53 આંગણવાડીઓને રિનોવેશન સાથે સ્માર્ટ આંગણવાડીમાં રૂપાંતરણ કરવામાં આવનાર છે. જેમાં ૠતુરાજ ફ્લેટ, ટી.બી.રોડ, સેંધાપરા, નાગલપુરમાં-2, પાલાવાસણામાં-4, કસબામાં-1, ઊંડી ફળી-1 વગેરે વિસ્તારો મળી કુલ 21 સ્માર્ટ આંગણવાડીઓના નિર્માણ પાછળ અંદાજે રૂ.4 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, એક સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે અંદાજીત રૂ.20 લાખના ખર્ચને અંદાજવામાં આવ્યો છે
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા કર્ણાવતી મહાનગર પશ્ચિમના ભાગવત વિભાગના નારણપુરા પ્રખંડમાં નિધિ એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સંગઠન માટે ભંડોળ એકત્ર કરવાનો હતો. આ નિધિ એકત્રીકરણ અભિયાનમાં ઉત્તર ગુજરાત પ્રાંતના સહ-સંયોજિકા ચંદ્રિકાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની હાજરીએ કાર્યક્રમને વધુ વેગ આપ્યો હતો. આ પ્રસંગે ભાગવત વિભાગના રંજનબેન અને માતૃશક્તિ નારણપુરાના જિલ્લા સંયોજિકા હેતલબેન સહિતના અન્ય અગ્રણી કાર્યકરો પણ હાજર રહ્યા હતા. તેમણે કાર્યક્રમના સુચારુ સંચાલનમાં સહયોગ આપ્યો હતો.
રેલવેમાં મોટાભાગના લોકો મુસાફરી કરતા હોય છે ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ગાંધીનગર હાઈવેથી માણસા વચ્ચે આવેલ રાંધેજા રેલવે ફાટક નં.15 માર્ગ વાહન વ્યવહાર માટે તાત્કાલિક રૂપે બંધ રહેશે. આવતીકાલે એટલે કે 13 નવેમ્બરના રોજ રાત્રે 11 વાગ્યાથી બીજા દિવસે સવારે 3 વાગ્યા સુધી બંધ રહેશે. આવતીકાલે 4 કલાક રાંધેજા રેલવે ફાટક નં.15 બંધ રહેશેઆ ફાટક આવતીકાલે(13 નવેમ્બર)ની રાત્રે 11 વાગ્યાથી 14 નવેમ્બરની વહેલી સવારે 3 વાગ્યા સુધી, એટલે કે કુલ 4 કલાક માટે બંધ રહેશે. આદરજ મોટી–વિઝાપુર રેલવે લાઇનના ગેજ પરિવર્તન પ્રોજેક્ટ હેઠળ મશીન ટેમ્પિંગ કાર્ય પૂર્ણ કરવા માટે આ ફાટક બંધ રાખવામાં આવશે.
લોહપુરુષ સરદાર વલ્લભ પટેલની ૧૫૦મી જન્મ જ્યંતી પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને ઉજાગર કરતા ભારત પર્વ-૨૦૨૫ની ઐતિહાસિક ઉજવણીમાં તા.૧૧ નવેમ્બરને મંગળવારના રોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલ એકતાનગરની મુલાકાત લઈ સહભાગી થયા હતા. આ અવસરે મધ્યપ્રદેશના નાયબ મુખ્યમંત્રીઓ રાજેન્દ્ર શુક્લા અને જગદીશ દેવડા, મધ્યપ્રદેશના સાંસ્કૃતિક અને પ્રવાસન મંત્રી ધર્મેન્દ્રસિંહ લોધી અને ગુજરાતના રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ આ મુલાકાતમાં સામેલ થયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એકતાનગરની પાવન ધરતી એ ગર્વનું પ્રતિક છે એમ જણાવતા રાજ્યપાલ મંગુ પટેલે કહ્યું હતું કે, રાષ્ટ્રીય એકતાના તીર્થ ખાતે રાષ્ટ્રીય ગૌરવ સરદારને નમન કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. આપણે ભારત પર્વની ઉજવણી કરવા સક્ષમ બન્યા છે તેનો આધાર સરદારे સ્થાપ્યો છે. અહીં એકતા અને અખંડિત્તાનો ઉજાસ પ્રસરે છે. ભારત પર્વનું આયોજન ભારતની એકતા, અખંડિતતા અને આત્મગૌરવની ભાવના જગાડવાનો અને સામૂહિક વિકાસયાત્રાને આગળ ધપાવવાનો ઉત્તમ પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યો દ્વારા સંવિધાનની મૂળ ભાવના, વિવિધતામાં એકતા ને જીવંત કરી છે. વધુમાં રાજ્યપાલએ કહ્યું હતું કે, સરદાર પટેલની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિર્માણ કરાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ગૌરવમાં વધારો કર્યો છે. ભારતની સાચી શક્તિ દેશની એકતા અને વિવિધતા છે એ સરદાર પટેલ અને ભગવાન બિરસા મુંડાનો જીવન સંદેશ છે. સાથે જ, ભગવાન બિરસા મૂંડાની ૧૫૦મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવું છું. રાજ્યપાલએ એકતાનગર સ્થિત આરોગ્ય વનની મુલાકાત લઈ ઔષધિય વનસ્પતિઓ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. બાદમાં તેમણે જંગલ સફારીની પણ મુલાકાત કરી પ્રવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્યપાલએ લોહપુરુષ સરદાર વલ્લભ પટેલની અતિભવ્ય પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. મહાનુભાવોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત દરમિયાન સરદાર પટેલના જીવનકવનને જાણવા ફોટો પ્રદર્શની તેમજ શોર્ટ ફિલ્મ નિહાળી હતી. તેમણે વ્યુઇંગ ગેલેરી ખાતેથી સરદાર સરોવર ડેમ અને આસપાસના કુદરતી નજારાનો આનંદ પણ માણ્યો હતો. સાથે સાથે પ્રતિમાના આંતરિક બાંધકામની પણ માહિતી મેળવી હતી. તમામ મહાનુભાવોએ ભારત દર્શન પેવેલિયનની મુલાકાત લઈ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પર્યટન સ્થળો, કલા, હસ્તકળા અને સંસ્કૃતિ દર્શન પ્રદર્શનોનો અને સ્ટોલની મુલાકાત કરી માહિતી મેળવી હતી. ફુડ સ્ટોલ્સ અને લાઇવ કિચન સ્ટુડિયોની મુલાકાત કરી વિવિધ પરંપરાગત વાનગીઓનો સ્વાદ માણ્યો હતો. ત્યારબાદ રાજ્યપાલએ ભારત પર્વ 2025ના સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ આપી હતી. આ કાર્યક્રમમાં મધ્યપ્રદેશ, મણિપુર અને નાગાલેન્ડ સહિત અન્ય રાજ્યોના સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિને ઉત્સાહભેર નિહાળી હતી.રાજ્યપાલની મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના ચેરમેન મુકેશપુરી સહિત વિવિધ રાજ્યોના વરિષ્ઠ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આરોગ્ય કેફેના મહિલા કર્મીના આરોગ્યની જાણકારી મેળવી મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુ પટેલે આરોગ્ય વનની મુલાકાત કરી વિવિધ આરોગ્યલક્ષી ઔષધિઓ વિષે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ દરમિયાન આદિવાસી મહિલા સખી મંડળ દ્વારા સંચાલિત આરોગ્ય કેફેની મુલાકાત કરી કાર્યપ્રણાલી અને આવક અંગેની માહિતી મેળવી હતી. તે દરમિયાન કેફેની યુવા કર્મચારીને તેમના આરોગ્ય અને સિકલસેલ એનિમિયા વિષે જાણકારી મેળવી યોગ્ય દાક્તરી તપાસ કરાવી સારવાર લેવા જણાવ્યું હતું.
'શહીદ જવાનને ન્યાય આપો':વડગામના જીગ્નેશ ચૌધરીની હત્યા મામલે VHPની શોકસભા અને ન્યાય યાત્રા યોજાઈ
બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીની હત્યા બાદ ન્યાયની માંગ સાથે આજે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા શોકસભા અને ન્યાય યાત્રા યોજવામાં આવી હતી. આ યાત્રા બાદ વડગામ મામલતદારને આવેદનપત્ર સુપરત કરાયું હતું. શહીદ જવાન જીગ્નેશ ચૌધરી જમ્મુ-કાશ્મીરમાં માતૃભૂમિની રક્ષા કાજે ફરજ બજાવતા હતા. તેઓ રજા પર પોતાના વતન પરત ફરી રહ્યા હતા ત્યારે બિકાનેર નજીક ટ્રેન મુસાફરી દરમિયાન ટ્રેન એટેન્ડન્ટ દ્વારા છરીના ઘા ઝીંકી તેમની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે શહીદ જવાનના પરિવાર સહિત હિન્દુ સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો. આજે વડગામ માર્કેટ યાર્ડ ખાતે શહીદ જીગ્નેશ ચૌધરીની યાદમાં VHP દ્વારા શોકસભા યોજાઈ હતી. ત્યારબાદ માર્કેટ યાર્ડથી વડગામ મામલતદાર કચેરી સુધી ન્યાય યાત્રા કાઢવામાં આવી હતી. આ ન્યાય યાત્રામાં VHPના આગેવાનો, મહંતો અને મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સંગઠનના લોકો જોડાયા હતા. તેમણે શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને ન્યાય મળે, હત્યારાઓને કડકમાં કડક સજા થાય, પરિવારને આર્થિક સહાય મળે અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
જામનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજના દિવ્ય સાનિધ્યમાં બાળ દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 'મિશન રાજીપો' કાર્યક્રમ અંતર્ગત હજારો બાળકો અને બાલિકાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહંત સ્વામી મહારાજે સર્વ શાસ્ત્રના સાર સ્વરૂપે લખેલા 'સત્સંગ દીક્ષા' ગ્રંથના 315 શ્લોકો 10,000 બાળકો અને બાલિકાઓ મુખપાઠ કરે તેવો સંકલ્પ કર્યો હતો. તેમના આશીર્વાદ, સંતો, કાર્યકરો, વાલીઓ અને બાળ-બાલિકાઓના અપાર પુરુષાર્થથી BAPS સંસ્થામાં 3 થી 13 વર્ષ સુધીના કુલ 15,366 બાળ-બાલિકાઓએ આ શ્લોકો મુખપાઠ કરીને વિશ્વવિક્રમ સર્જ્યો છે. આ સિદ્ધિમાં જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના 150 જેટલા બાળ-બાલિકાઓએ પણ સત્સંગ દીક્ષાના શ્લોકો મુખપાઠ કરીને યોગદાન આપ્યું છે. વિશેષરૂપે, જામનગરના જન્મથી અંધ બાળકે પણ મહંત સ્વામી મહારાજને પ્રસન્ન કરવા માટે સંસ્કૃતમાં સત્સંગ દીક્ષાના 315 શ્લોક મુખપાઠ કર્યા હતા. અભ્યાસની સાથે સંસ્કૃતના 315 શ્લોકો મુખપાઠ કરનાર બાળકોને પાલખીમાં બિરાજમાન કરીને સંતોએ તેમના પર પુષ્પવર્ષા કરી હતી. આ રીતે બાળકોના પુરુષાર્થને બિરદાવવામાં આવ્યો હતો. 92 વર્ષીય મહંત સ્વામી મહારાજે બાળકો સાથે ક્વિઝ, શબ્દ પરથી અને ચિત્ર પરથી શ્લોક પૂછીને તેમની કસોટી કરી હતી. તેમણે ઉપસ્થિત બાળકો અને બાલિકાઓને આશીર્વાદ આપતા જણાવ્યું કે, પુનરાવર્તન કરતા રહો, ન કરો તો ભૂલી જવાય. માટે દરરોજ 46 શ્લોકનું પુનરાવર્તન કરવું, તો મુખપાઠ તાજો અને તાજો જ રહેશે. તેમણે મુખપાઠ કરનાર તમામ બાળ-બાલિકાઓને આપેલી ભેટ વસ્તુઓને પ્રસાદીભૂત કરી હતી. આજના ટીવી, મોબાઈલ, સોશિયલ મીડિયા અને વ્યસનોના આક્રમણ વચ્ચે શિક્ષણ, સંસ્કાર અને સનાતન ધર્મથી દૂર થઈ રહેલા બાળકો અને યુવાનો માટે મહંત સ્વામી મહારાજે નાના બાળકો અને બાલિકાઓને સંસ્કૃતના 315 શ્લોકો કંઠસ્થ કરાવીને સંસ્કાર, સદાચાર અને સનાતન સંસ્કૃતિ સાથે જોડવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ટીમને ગેરકાયદેસર રેતી ખનન રોકવા જતાં ધમકી અને ફરજમાં રૂકાવટનો સામનો કરવો પડ્યો છે. આ મામલે ટીમના સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ વઢવાણ તાલુકાના નાના કેરાળા ગામના વાલાભાઇ અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિનયભાઈ ડોડીયા (ખાણ ખનીજ વિભાગ, માઈન્સ સુપરવાઈઝર, સુરેન્દ્રનગર) તેમના ડ્રાઈવર યુવરાજસિંહ ગોહિલ અને બે સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમાર તથા જયદીપસિંહ રાઠોડ સાથે સરકારી બોલેરો ગાડીમાં ગેરકાયદેસર ખનન, વહન અને સંગ્રહની તપાસ માટે નીકળ્યા હતા. તપાસ દરમિયાન, નાના કેરાળા ગામ પાસે 'પપ્પુના ચીલા' તરીકે ઓળખાતા રસ્તે ભોગાવા નદીના કાંઠે ગેરકાયદેસર રેતી ખનન થતું જોવા મળ્યું હતું. ત્યાં એક સફેદ ડમ્પર (નંબર પ્લેટ વગરનું) અને એક લોડર રેતીનું વહન કરી રહ્યા હતા. ટીમને જોઈને વાહનચાલકો ભાગવા લાગ્યા હતા. ટીમે ડમ્પર અને લોડરને ઉભા રાખવાનો પ્રયાસ કર્યો. ડમ્પર ચાલકે વાહન ઉભું રાખ્યું, પરંતુ લોડર ચાલક લીંબડી હાઈવે શેડ તરફ ભાગી ગયો. સિક્યુરિટી ગાર્ડ ગુલાબભાઈ પરમારને ડમ્પર પાસે ઉભા રાખી, બાકીની ટીમે સરકારી ગાડી વડે લોડરનો પીછો કર્યો. લોડરને આડું મૂકી ઉભું રખાવવામાં આવ્યું. સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડને લોડરમાં બેસાડી ડમ્પર પાસે પાછા લાવવા જણાવ્યું. ત્યારબાદ સરકારી ગાડી ડમ્પરની આગળ આડી મૂકી ડ્રાઈવર પાસેથી ચાવી લઈ લેવામાં આવી. આ સમયે હાઈવે તરફથી દેકારો થતાં ટીમના સભ્યો ત્યાં પહોંચ્યા. ત્યાં બે અજાણ્યા ઈસમો સિક્યુરિટી ગાર્ડ જયદીપસિંહ રાઠોડ સાથે બોલાચાલી કરી ગાળો આપી રહ્યા હતા. લોડર ચાલક ફરીથી લોડર લઈને ભાગી ગયો અને આગળ જઈને ઉભો રાખ્યો. એક ઈસમે પોતાનું નામ વાલાભાઈ અને નાના કેરાળા ગામનો હોવાનું જણાવી, ડમ્પર અને લોડર પોતાના હોવાનું કહ્યું. તેણે ચાવી પાછી આપવા ધમકી આપી અને ગાળો ભાંડી. તેણે ચાવી ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો અને ધમકી આપી કે જો તે ડમ્પરનો ડ્રાઈવર હોત તો ફરિયાદી પર ડમ્પર ચડાવી દેત. વિનયભાઈએ તરત જ મોબાઈલમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું અને 100 નંબર પર ફોન કર્યો. થોડીવારમાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આ ઘટનામાં કાયદેસરની ફરજમાં રૂકાવટ કરવા બદલ આ બંને ઈસમો વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા માટે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
દેશની રાજધાની દિલ્હીમાં તાજેતરમાં બનેલી કાર બ્લાસ્ટની ઘટનાના પગલે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ તંગ માહોલ વચ્ચે સુરત શહેરના રાંદેર વિસ્તારમાં એક ગણેશ મંદિરની માત્ર 10 મીટરના અંતરે એક બિનવારસી સુટકેસ મળી આવતા શહેર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, બોમ્બ સ્ક્વોડ દ્વારા તકેદારીપૂર્વક તપાસ કર્યા બાદ સુટકેસમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. કંટ્રોલ રૂમમાં ફોન રણકતા જ પોલીસ એલર્ટ બની આ ઘટનાક્રમની શરૂઆત આજે સવારે આશરે 11:00 વાગ્યે થઈ હતી. સુરત પોલીસના કંટ્રોલ રૂમને એક કોલ મળ્યો હતો કે રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિરની બરાબર સામે સિગ્નલ નજીક એક કાળા રંગની શંકાસ્પદ સુટકેસ લાંબા સમયથી બિનવારસી હાલતમાં પડી છે. ધાર્મિક સ્થળની નજીક અને દેશમાં હાલ પ્રવર્તી રહેલા સુરક્ષાના માહોલને ધ્યાનમાં રાખીને, આ કોલને ગંભીરતાથી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ રાંદેર પોલીસ સ્ટેશનના PI આર. જે. ચૌધરી સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. કોઈપણ પ્રકારનું જોખમ ન રહે તે માટે વિસ્તારને કોર્ડન કરીને જાહેર જનતાની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. BDDS અને સ્નિફર ડોગ દ્વારા સઘન તપાસસ્થિતિની ગંભીરતાને જોતાં તાત્કાલિક બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને સ્નિફર ડોગ્સની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. તકેદારીપૂર્વક સ્નિફર ડોગ અને BDDS સ્ક્વોડની મદદથી સુટકેસની પ્રાથમિક તપાસ કરવામાં આવી. ત્યારબાદ સુરક્ષાના ભાગરૂપે બેગને અવાવરુ જગ્યાએ લઈ જવામાં આવી હતી, જ્યાં તેને સ્કેન કરીને ખોલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી.આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પોલીસ અધિકારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે તણાવ જોવા મળ્યો હતો. બેગમાંથી સ્વસ્તિક અને કુમકુમ, શંકાસ્પદ કશું નહીંલાંબી અને સઘન તપાસ બાદ જ્યારે સુટકેસ ખોલવામાં આવી ત્યારે અંદરથી કોઈપણ વિસ્ફોટક કે શંકાસ્પદ સામગ્રી મળી ન આવતાં પોલીસે હાશકારો અનુભવ્યો હતો. રાંદેર પીઆઇ આર.જે ચૌધરીએ આ મામલે સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, બેગમાંથી કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. BDDS સ્ક્વોડ દ્વારા સ્કેનિંગ અને તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં કોઈ જોખમ જણાયું નથી. જોકે, તપાસ દરમિયાન એક ચોંકાવનારી વિગત પણ સામે આવી હતી. ખાલી સુટકેસની અંદરની બાજુએ લાલ રંગના કુમકુમથી સ્વસ્તિકનું નિશાન બનાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક નિશાનને કારણે સુટકેસ કોણે અને શા માટે મૂકી, તે અંગેનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. સીસીટીવીના આધારે તપાસ શરૂહાલમાં રાંદેર પોલીસ દ્વારા આ સુટકેસ કોણે મૂકી હતી, તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ હવે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે, જેથી બેગ મૂકી જનાર વ્યક્તિની ઓળખ થઈ શકે. પોલીસે સ્પષ્ટ જણાવ્યું છે કે, જો કોઈ ટીખળખોરીના ઇરાદે કે પછી જાણી જોઈને લોકોમાં ડર ફેલાવવાના હેતુથી આ બેગ મૂકી ગયું હશે, તો તેમની સામે કાયદેસરના કડક પગલાં ભરવામાં આવશે. હાલમાં આ મામલે વધુ તપાસ ચાલુ છે.
મુન્દ્રાના બારોઈ રોડ પર આજે સવારે એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત થયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલા મુન્દ્રા લોહાણા મહિલા મંડળના પ્રમુખ વૈશાલીબેન ઠક્કરને ટેમ્પોએ ટક્કર મારતા તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આ ઘટનાથી મુન્દ્રા તાલુકા સહિત જિલ્લાના લોહાણા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આજે સવારે સવા છ વાગ્યે વૈશાલીબેન અને તેમના સહેલી અરુણાબેન દૈનિક મોર્નિંગ વોક માટે બારોઈ રોડ પર નીકળ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવેલા ટેમ્પોએ તેમને ટક્કર મારી હતી. 47 વર્ષીય વૈશાલીબેન ભુપેનભાઈ ઠક્કરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં વૈશાલીબેનના સહેલી અરુણાબેન અનિલભાઈ ઠક્કરને પણ ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે મુન્દ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે ગાંધીધામ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માત બાદ ટેમ્પો ડ્રાઇવર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે પ્રાથમિક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈશાલીબેન મુન્દ્રા તાલુકા લોહાણા સમાજના મહિલા મંડળમાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની આકસ્મિક વિદાયથી સમાજમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. બપોરે નીકળેલી તેમની અંતિમ યાત્રામાં લોહાણા સમાજ સહિત અન્ય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વૈશાલીબેનના પતિ શાકભાજીનો જથ્થાબંધ વ્યવસાય ધરાવે છે અને તેમને એક પુત્ર અને એક પુત્રી છે.
શહેરના સાબરમતી વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જવાહર ચોકથી ભુત બંગલા સુધીનો 500 મીટર રોડ નવો બનાવવામાં આવી રહ્યો છે. જોકે છેલ્લા કેટલાય દિવસથી આ રોડ બનાવવાની કામગીરી બંધ કરી અધૂરી છોડી દેવામાં આવી છે. રોડ પરના દબાણો દૂર કરી રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા ઉતાવળે રોડ બનાવવાની કામગીરી કરી દેવામાં આવી હતી. જો કે રોડની વચ્ચે આવેલો મોબાઈલ ટાવર દૂર કરવામાં આવ્યો નથી જેના કારણે પણ કામગીરી અટકી પડી છે. રોડ પ્રોજેક્ટ વિભાગ અને એસ્ટેટ વિભાગના સંકલનના અભાવે હાલ રોડની કામગીરી અધુરી છે. રોડ એક સરખો હતો એની જગ્યાએ અનઇવન રોડ બની ગયો છે. અધિકારીઓની કામગીરી સામે ભાજપ કોર્પોરેટરોએ જ સવાલ ઉઠાવ્યાસાબરમતી વોર્ડના ભાજપના કોર્પોરેટર ચેતન પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે છ મહિના પહેલા રોડ બનાવવાની કામગીરી કરવાની હતી ત્યારે જ અધિકારીઓને અમે જાણ કરી હતી કે જે પણ યુટીલીટી અને અડચણ દૂર કરવાની હોય તે કામગીરી પહેલા કરી દેજો. જે રોડની વચ્ચે ઝાડ આવેલા છે તેને પણ રી પ્લાન્ટ કરવા માટેની સૂચના આપી છે. છતાં પણ ત્યાં ડિવાઈડર બનાવી દેવામાં આવ્યા છે જ્યારે કોર્પોરેટર રમેશભાઈ રાણાએ પણ જણાવ્યું હતું કે, આ રોડ બનાવવા બાબતે કોઈપણ સંકલન કરવામાં આવેલું નથી ત્યાં દબાણો દૂર કરવામાં આવ્યા ત્યારે એક ગટર લાઈન પણ તૂટી ગઈ હતી જેના કારણે લોકો હેરાન થયા હતા આ બાબતે અધિકારીઓ સાથે વાત કરી છે.મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે કામગીરી ચાલુ છે અને મોબાઈલ ટાવર હટાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી છે કે કેમ તે અંગે પણ તપાસ કરીશું 6 મહિના પહેલા દબાણ દૂર કરાયા પણ ટાવર દૂર ન થતા કામગીરી અટકીઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવા માટે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટરોને આપી દેવામાં આવે છે પરંતુ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી જેનું સ્પષ્ટ ઉદાહરણ શહેરના સાબરમતી વોર્ડમાં જવાહરચોકથી ભૂત બંગલા સુધી બનાવવામાં આવી રહેલા રોડમાં જોવા મળ્યું છે. ભાજપના કોર્પોરેટરો દ્વારા રોડ પરના દબાણો દૂર કરીને પહોળો કરવા માટેની રજૂઆત બાદ છ મહિના પહેલા રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રોડ પરના દબાણો દૂર કર્યા બાદ રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવા માટે RKC ઇન્ફ્રા પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી હતી જે કામગીરી કોઈપણ પ્રકારના સંકલન અને આયોજન વિના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 500 મીટરના રોડ પર મોબાઇલ ટાવર, ઝાડ અને અન્ય યુટીલીટી માટે કોઈપણ આયોજન કરવામાં આવ્યું નહી. આડેધડ કામગીરી કરી દેવાતા અકસ્માતનો ભયરોડ ઉપર સ્વામિનારાયણ મંદિર પાસે એક મોબાઈલ ટાવર આવેલો છે જે મોબાઈલ ટાવર હજી સુધી દૂર કરવામાં આવ્યો નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં માત્ર આડશ મૂકી દેવામાં આવી છે. દબાણો દૂર કર્યા પહેલા જ્યાં રોડ પરથી લોકો જતા હતા ત્યાંથી જ થઈને જવું પડે છે. આ ઉપરાંત રોડ પરની ડિઝાઇન પણ અલગ પ્રકારની બનાવી દેવામાં આવી છે. રોડ પર આવેલા ઝાડની આજુબાજુમાં ડિવાઇડર બનાવી દેવામાં આવ્યા છે પરંતુ વચ્ચે જગ્યા વધારે છે જેનાથી પહોળા છે કે, રોડ વધારે સાંકડો બની ગયો હોય એવો બની ગયો છે. રોડ ઉપર ટેકરાના દવાઓ હતા જે પણ કેટલાક દૂર નથી કરવામાં આવ્યા જેના કારણે થઈને ખૂબ જ અનઇવન પ્રકારનો રોડ બની ગયો છે. ગટરની ચેમ્બરો ની આજુબાજુ પણ ખાડા છે જેના કારણે કોઈપણ વાહન ચાલકનું ટાયર તેમાં ફસાય તો પડી જાય તેવી સ્થિતિ છે. રોડ પહોળો કર્યો પણ લોકોની તકલીફ ઘટવાના બદલે વધીમ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા રોડ બનાવવાની કામગીરી માટે સ્થળ પર યોગ્ય રીતે તપાસ કર્યા વિના જ કયા પ્રકારના અડચણ અને યુટીલીટી દૂર કરવી પડશે તેનો કોઈપણ તલસ્પર્શી અભ્યાસ કર્યા વિના ઉતાવળે રોડ બનાવવાની કામગીરી કરી દેવામાં આવી અને હવે છેલ્લા 15 દિવસથી કામગીરી બંધ છે. રોડ પર ડિવાઈડર બનાવી દેવામાં આવ્યા છે પરંતુ ત્યાં કોઈ કામગીરી પૂરી કરવામાં આવેલી નથી તો બીજી તરફ આ રોડ ઉપર વાહનોના દબાણો જ યથાવત છે જેથી અગાઉ લોકોને જેટલી તકલીફ વધારે નહોતી પડતી એના કરતાં વધારે તકલીફ આ રોડ પહોળો કર્યા બાદ પડી રહી છે.
રાજકોટનાં નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ દરમિયાન વીડિયો કોલમાં વ્યસ્ત રહીને નાના બાળકનું રસીકરણ કરવાની ગંભીર બેદરકારી દાખવનાર ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગાળીયા સામે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવ્યા છે. દિવ્યભાસ્કર દ્વારા આ ઘટના સામે લાવવામાં આવ્યા બાદ મનપાના આરોગ્ય અધિકારી દ્વારા ત્વરિત તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન નર્સની બેદરકારી સાબિત થતાં તેની બદલી અને ફિક્સ પગારનાં સમયમાં વધારો જેવી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. બેદરકારીનો વાયરલ વીડિયો અને તપાસઆ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે તા. 10ના સવારે 10:30 કલાકે નાનામૌવા આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા FHW એકતાબેન શિંગળીયાનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ રસીકરણની સંવેદનશીલ કામગીરી દરમિયાન તેના અંગત મોબાઈલ ફોન પર વીડિયો કોલમાં પોતાના સ્વજન સાથે વાતચીત કરવામાં મશગૂલ હોવાનું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. તેમનું ધ્યાન કામગીરીને બદલે ફોન પર હોવાથી બાળકના રસીકરણની સુરક્ષા અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા હતા. આ વીડિયો વાયરલ થતા જ આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ આ ગંભીર બેદરકારીને તાત્કાલિક ધ્યાનમાં લીધી હતી. અને ખાતરી આપી હતી કે, તપાસમાં બેદરકારી સામે આવશે તો નર્સ સામે નિયમ મુજબ શિસ્તભંગના કડક પગલાં લેવામાં આવશે. તપાસ કમિટીનું ગઠન અને ઘટનાની પુષ્ટિઆરોગ્ય અધિકારીના આદેશ બાદ તાત્કાલિક ધોરણે એક તપાસ કમિટીનું ગઠન કરવામાં આવ્યું હતું, જેમાં RCH અધિકારી, CTTB ઓફિસર અને મેનેજરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કમિટી દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી છે. તપાસ કમિટીએ ઘટના સમયે હાજર તમામ સ્ટાફના નિવેદનો નોંધ્યા હતા. જેમાં ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગળીયાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું. નિવેદનો અને પુરાવાઓના આધારે, તપાસ કમિટીએ એ વાતને સમર્થન આપ્યું હતું કે ખરેખર નર્સ દ્વારા રસીકરણની કામગીરી દરમિયાન વીડિયો કોલમાં પોતાના સ્વજન સાથે વાતચીત કરવામાં આવી રહી હતી. આથી, ફરજ પ્રત્યેની બેદરકારી અને શિસ્તભંગની ઘટના સાબિત થઈ હતી. બેદરકારી બદલ લેવાયેલા પગલાંઆરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું કે, આ ઘટના સાબિત થતાં આરોગ્ય શાખા દ્વારા તાત્કાલિક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે. જેમાં ફીમેલ હેલ્થ વર્કર એકતાબેન શિંગળીયાની તાત્કાલિક અસરથી નાનામૌવા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી મોરબી રોડ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત તેઓ કાયમી કર્મચારી છે અને 5 વર્ષના ફિક્સ પગારના સમયગાળામાં હતા. જોકે આ બેદરકારી બદલ, તેમનો ફિક્સ પગારનો સમયગાળો 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરવા માટેની ભલામણ વહીવટી શાખાને કરવામાં આવી છે. આગામી સમયમાં મેઈન શાખા દ્વારા આ અંગેનો આદેશ જારી કરીને અમલ પણ કરવામાં આવશે. આ પ્રકારે કામગીરીના સમય દરમિયાન બેદરકારી દાખવવી એ ફરજ પરની ગંભીર બેદરકારી ગણાય છે, જેને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, રસીકરણ જેવી સંવેદનશીલ પ્રક્રિયા દરમિયાન વીડિયો કોલમાં મશગૂલ રહેવું એ બાળકની સુરક્ષા પર મોટો સવાલ ઊભો કરે છે. ઇન્જેક્શન આપતી વખતે જો નર્સનું ધ્યાન વિડીયો કોલમાં હોય તો ડોઝની માત્રા, ઇન્જેક્શન આપવાની જગ્યા અથવા પ્રક્રિયામાં ભૂલ થવાની સંભાવના રહે છે, જે બાળકના સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે. જોકે, તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી કરીને અન્ય કર્મચારીઓ માટે પણ એક દાખલો બેસાડવામાં આવ્યો છે કે સરકારી ફરજોમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશન પાસે કારમાં થયેલા બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર દેશમાં ચકચાર મચી છે. કોઈ આતંકવાદી ઘટના ન બને તે માટે દેશભર સહિત ગુજરાતમાં પણ મહત્વના સ્થળોએ પોલીસ તંત્ર દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, ગોધરામાં 2002ના ટ્રેન હત્યાકાંડમાં 59 કાર સેવકોના મોત થયા હતા તે સાબરમતી એસ/6 ડબ્બાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. વડોદરા પશ્ચિમ રેલવેની બીડીડીએસ (બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ) અને સ્થાનિક પોલીસની મદદથી આ ચેકિંગ હાથ ધરાયું હતું. બીડીડીએસ ટીમના પોલીસકર્મીઓએ એન્ટી-સબોટેજ પદ્ધતિ દ્વારા ડબ્બાની ઝીણવટભરી તપાસ કરી હતી. ત્યારબાદ, ગોધરા રેલવે સ્ટેશન પર પણ વ્યાપક ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું. જીઆરપી (સરકારી રેલવે પોલીસ) અને આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ની મદદથી બીડીડીએસ ટીમે મુસાફરખાના, પાર્કિંગ, રેલવે પ્લેટફોર્મ, ટ્રાફિક વિસ્તાર, ઓટો રિક્ષા, વેઇટિંગ રૂમ અને પાર્સલ ઓફિસની તપાસ કરી હતી. આ ઉપરાંત, આવતી-જતી ટ્રેનો અને શંકાસ્પદ મુસાફરોના સામાનનું પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

28 C