સુરત મહાનગરપાલિકાની વર્ષ 2025ની છેલ્લી સામાન્ય સભામાં વિપક્ષી નેતા પાયલ સાંકરિયાએ શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રિવરફ્રન્ટ, ચાર્જિંગ સ્ટેશન અને સાયકલ ટ્રેક જેવા કરોડોના પ્રોજેક્ટ્સ આજે મેઇન્ટેનન્સના અભાવે નિષ્ફળ સાબિત થયા છે. અડાજણનો રિવરફ્રન્ટ અસામાજિક તત્ત્વોનો અડ્ડો બની ગયો છે અને એક્વેરિયમ છેલ્લા નવ મહિનાથી બંધ હાલતમાં છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જનતાના ટેક્સના કરોડો રૂપિયા વેડફાયા બાદ હવે અધિકારીઓ અને શાસકો કેમ જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યા છે? બાંગ્લાદેશી ઘૂસણખોરી અને ગેરકાયદે બાંધકામ મુદ્દે સોમનાથ મરાઠેની ગંભીર રજૂઆતજાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેએ સભામાં સુરતના ઉન-સોનારી વિસ્તારનો મુદ્દો ઉઠાવતા સનસનાટી મચાવી હતી. તેમણે દાવો કર્યો હતો કે 'બંગાળી મહોલ્લા' તરીકે ઓળખાતા વિસ્તારમાં અનેક મકાનોને તાળાં લટકેલા છે, જ્યાં અગાઉ બાંગ્લાદેશીઓ રહેતા હોવાની શંકા છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે તળાવ પૂરીને થયેલા આ ગેરકાયદે બાંધકામોની આકારણી કેવી રીતે થઈ? મરાઠેએ પોલીસ અને પાલિકાને સાથે મળીને આ મકાનો સીલ કરવાની અને ઉધના રેલવે સ્ટેશન પાસેના દબાણો દૂર કરવાની માંગ કરી હતી. કમિશનરની સત્તા અને વહીવટી ખર્ચ મુદ્દે વિપક્ષના સવાલો: ભાજપનો વળતો જવાબસભામાં વિપુલ સુહાગીયાએ મ્યુનિસિપલ કમિશનરની મુદત અંગે ટેકનિકલ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે સપ્ટેમ્બર 2025માં મુદત પૂરી થયા બાદ કમિશનર દ્વારા ફાઈલો પર કરવામાં આવેલી સહીઓ કાયદેસર ગણાશે કે કેમ? બીજી તરફ, ઓડિટ વાંધાઓ મુદ્દે ચિમન પટેલે વિપક્ષને આડેહાથ લેતા કહ્યું હતું કે 85% વાંધાઓ ઉકેલાઈ ગયા છે અને વિપક્ષે અધૂરા અભ્યાસે આક્ષેપો ન કરવા જોઈએ. આ ઉપરાંત, ગાર્ડનોમાં 'શાંતિકુંજ'નો દુરુપયોગ રોકવા માટે તેને તાળાં મારવાની અજીબોગરીબ રજૂઆત પણ દંડક ધર્મેશ વાણીયાવાલા દ્વારા કરવામાં આવી હતી.
ગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં અત્યાર સુધી 'હા માં હા' મિલાવતા શાસક પક્ષના સભ્યોએ આખરે મૌન તોડ્યું છે. 44માંથી 43 સભ્યો ભાજપના હોવા છતાં વિકાસના નામે ખેડૂતોને થતા અન્યાય અને વોર્ડમાં અટકેલા કામો મુદ્દે કોર્પોરેટરોએ કમિશનર અને સત્તાધિશો સામે બળાપો કાઢતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. 40 ટકા જમીન કપાત આપનારા ખેડૂતોનો અભિપ્રાય લેવામાં આવતો નથીગાંધીનગર મહાનગરપાલિકાની આજે યોજાયેલી સામાન્ય સભામાં ઘણા વખત પછી કોર્પોરેટરોએ ખુલીને બળાપો ઠાલવવામાં આવતા આગામી દિવસોમાં આંતરિક ખેંચતાણ સર્જાય તો નવાઈ નહીં. આજે વાવોલ, ઉવારસદ અને કોલવડા વિસ્તારની ટી.પી. સ્કીમ 34 અને 35ને મંજૂરી આપવાની દરખાસ્ત વખતે ભાજપના જ કોર્પોરેટર શૈલેષભાઈ પટેલે ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, 40 ટકા જમીન કપાત આપનારા ખેડૂતોનો અભિપ્રાય લેવામાં આવતો નથી.ઓરિજિનલ પ્લોટ અને ફાઈનલ પ્લોટમાં મોટો તફાવત હોવાથી ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. બે મહિનામાં ગ્રાન્ટ પૂરી થઈ જશે, પરંતુ હજુ કામો થતા નથીમેયરના વોર્ડના સભ્ય પોપટસિંહ ગોહિલે પણ આ વાતમાં સૂર પુરાવતા જણાવ્યું હતું કે દરેક ટી.પી.માં આવું જ થઈ રહ્યું છે. મતદારોને શું જવાબ આપીશું? એ જ રીતે કોર્પોરેટર રાકેશ પટેલે માળખાકીય સુવિધાઓના કામમાં થતા વિલંબ અંગે પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે રોષ સાથે કહ્યું હતું કે, બે મહિનામાં ગ્રાન્ટ પૂરી થઈ જશે, પરંતુ હજુ કામો થતા નથી. અમે મતદારો વચ્ચે જઈએ ત્યારે તેમને શું જવાબ આપવો? તેમણે આગામી વર્ષની ગ્રાન્ટને પણ 'કેરી ફોરવર્ડ' કરવાની માંગ કરી હતી. રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અંગે રજૂઆત કરીજ્યારે સેનીટેશન સમિતિના ચેરમેન અંકિત બારોટે શહેરમાં રખડતા કૂતરાઓના વધતા ત્રાસ અંગે રજૂઆત કરતા કહ્યું હતું કે, લોકો આ મુદ્દે એટલી ફરિયાદો કરે છે કે, કોર્પોરેટરોએ અન્ય કામો છોડીને કૂતરાઓની ફરિયાદો પાછળ દોડવું પડે છે. કમિશનરે આ મુદ્દે અડાલજ ખાતે નવી હોસ્ટેલ અને ખસીકરણની પ્રક્રિયા ઝડપી બનાવવાની ખાતરી આપી હતી. કાઉન્સિલરો સાથે બંધ બારણે બેઠક યોજી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યોસૂત્રોના કહેવા મુજબ સામાન્ય સભા પહેલા મળેલી સંકલન સમિતિની બેઠકમાં પણ ભારે બોલાચાલી થઈ હતી. સભ્યોની નારાજગીની જાણ થતા જ શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે તાત્કાલિક મનપા કચેરી પહોંચ્યા હતા અને સભા બાદ તમામ હોદ્દેદારો અને કાઉન્સિલરો સાથે બંધ બારણે બેઠક યોજી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.
શહેરના પૂર્વ વિસ્તારમાં વિવેકાનંદનગર, હાથીજણ, વિનોબાભાવે નગર અને વિન્ઝોલ વિસ્તારમાં એક જાન્યુઆરી 2026ના રોજ સવારે પાણી ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. હાથીજણ સર્કલ ખાતે ઔડા દ્વારા નવનિર્મિત ઓવરબ્રિજની અલાઈમેન્ટમાં નડતરરૂપ રાસ્કા વો.ટ્રી.પ્લાન્ટ આધારીત હયાત 600 અને 700 મી.મી. વ્યાસની એમ.એસ. ટ્રન્ક મેઇન્સ લાઇન અંદાજે 625 રનીંગ મીટર લંબાઇમાં રીંગ રોડ સમાંત્તર ઈજનેર વોટર પ્રોજેકટ અંતર્ગત AMC હસ્તકનાં ટી.પી. રોડનાં કાચા ભાગમાં શીફટ કરવાની કામગીરી કરવામાં આવશે. 1 જાન્યુઆરીએ સવારનો સપ્લાય પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશેપૂર્વ ઝોનનાં વિવેકાનંદનગર, હાથીજણ, વિનોબાભાવે નગર અને વિન્ઝોલ વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં પાણી પુરુ પાડતી 700 અને 600 મી.મી. વ્યાસની હયાત ટ્રન્ક મેઇન્સ લાઈન સાથે બંને બાજુએ જોડાણ કરવાની કામગીરી 31 જાન્યુઆરીના રોજ કરવાની હોવાથી શટ ડાઉન કરવામાં આવશે. જેથી, 1 જાન્યુઆરી, 2026ના રોજ પૂર્વ ઝોનનાં ઉપરોક્ત વોટર ડીસ્ટ્રીબ્યુશન સ્ટેશનોમાં સવારનો સપ્લાય પાણીના ઉપલબ્ધ જથ્થા મુજબ આપવામાં આવશે. જે અંગે વોટર પ્રોજેક્ટના ઇજનેર વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જિલ્લાના ફાર્મ હાઉસ, રેસ્ટોરન્ટ અને હોટલોમાં પોલીસની ટીમો દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. આ ચેકિંગ દરમિયાન નશાકારક દ્રવ્યો કે તેનું સેવન કરનારા મળી આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, રોડ પર વાહન ચલાવતા નશાની હાલતમાં પકડાશે તો પણ કડક પગલાં લેવાશે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક (SP) મુકેશકુમાર પટેલે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, સુરક્ષા વ્યવસ્થા માટે 3 DYSP, 15 PI અને 550 જેટલા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ચેકિંગ હાથ ધરશે. ખાસ કરીને મોરબી શહેર માટે 6 ટીમોની રચના કરવામાં આવી છે, જે સતત પેટ્રોલિંગ અને ચેકિંગ કરશે. SP પટેલે જિલ્લાના લોકોને અપીલ કરી છે કે, થર્ટી ફર્સ્ટની ઉજવણી નશાકારક દ્રવ્યોથી દૂર રહીને જવાબદારીપૂર્વક કરે. તેમણે ચેતવણી આપી કે, તમારી ઉજવણી બીજા માટે ત્રાસદાયી ન બને અને ભવિષ્યમાં જેલ કે વિદેશ પ્રવાસમાં મુશ્કેલી ન થાય તેનું ધ્યાન રાખવું.
ગુજરાત હાઈકોર્ટમાં દાહોદથી 14 વર્ષ અને 6 મહિનાની સગીરાના 8 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપી સામે ધાનપુર પોલીસ મથકે દુષ્કર્મ અને પોક્સો એક્ટની ધારાઓ અંતર્ગત ફરિયાદ નોંધાઈ હતી. જોકે, કોર્ટ કાર્યવાહીમાં અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે, કોર્ટમાં કાર્યવાહી પેન્ડિંગ છે, ત્યારે ફરીથી સગીરા ભાગી ગઈ છે. જે સંદર્ભે દાહોદના ધાનપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. હેબિયસ કૉર્પસ દાખલ થતાં હાઈકોર્ટની પક્ષકારોને નોટિસસગીરાને સદેહે હાજર કરવા હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવીને વધુ કાર્યવાહી 12 જાન્યુઆરીએ રાખી છે. ઉલ્લેખનીય છે કે, સગીરા જ્યારે પહેલી વખત ભાગી ત્યારે તેની યોગ્ય કાળજી રાખવાની બાહેંધરી તેના વાલી દ્વારા આપવામાં આવી હતી. વળી પ્રોબેશન ઓફિસર દ્વારા તેની નિયમિત મુલાકાત પણ લેવાની થતી હતી. 26 ડિસેમ્બરે સગીરાનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવાનો હતોઅગાઉ સગીરા ગર્ભ રાખવા માંગતી ના હોવાથી ગર્ભપાત માટે કોર્ટની પરવાનગી માંગતી અરજી દાખલ કરી હતી. જેથી હાઇકોર્ટે સગીરાની મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જેમાં તેને દાહોદની સિવિલ હોસ્પિટલની ડોક્ટર કમિટી સમક્ષ 24 ડિસેમ્બરે હાજર થવાનું હતું અને 26 ડિસેમ્બરે તેનો મેડિકલ રિપોર્ટ કોર્ટ સમક્ષ આવવાનો હતો. જેથી કોર્ટ આગળના નિર્દેશ આપી શકે. ગર્ભાવસ્થાના ગર્ભપાતનો નિયમ શું કહે છે?મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો. છેલ્લા બે વર્ષમાં 19 દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી અપાઈઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા બે વર્ષમાં 29 નવેમ્બર, 2025ના સગીરાના ગર્ભપાતના કેસ સહિત 19 પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 16 સગીરાનો સમાવેશ થાય છે. જોકે, 12 મેના રોજ હાઈકોર્ટે 13 વર્ષીય સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. ત્યાર બાદ 13 મેના રોજ સગીરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને 17 મે, 2025ના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટ દ્વારા 28 સપ્તાહ પ્રેગ્નેન્ટ 14 વર્ષની પીડિતાને જીવનું જોખમ હોવાથી ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કર્યો હતો. 9 સપ્તાહ પ્રેગ્નેન્ટ 17 વર્ષીય સગીરાના ગર્ભપાતની આપી મંજૂરીગુજરાત હાઈકોર્ટમાં 17 વર્ષ અને 6 મહિનાની સગીરાએ પોતાના 9 સપ્તાહ અને 5 દિવસના ગર્ભના ગર્ભપાત માટે વાલી મારફતે અરજી કરી હતી. જે સંદર્ભે ગુજરાત હાઈકોર્ટે રાજકોટની દીનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. જે રિપોર્ટ અનુસાર સગીરાના ગર્ભપાતની હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો... 15 વર્ષીય દુષ્કર્મ પીડિતાને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપીરાજકોટની દુષ્કર્મ પીડિતા 15 વર્ષીય સગીરાના 25 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે ગુજરાત હાઇકોર્ટમાં તેના માતા- પિતા દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેને લઈને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી, મેડિકલ અહેવાલ મુજબ કોઈ ગંભીર લક્ષણો નહીં, ગર્ભપાત શક્ય છે તેમ જણાવ્યું હતું. આ સંદર્ભે હાઇકોર્ટે રાજકોટની PDU હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતાં. જેથી જાણી શકાય કે સગીરાનો ગર્ભપાત શક્ય છે કે કેમ? તેમાં કોઈ એબનોર્માલિટી છે કે કેમ? તેમાં રિસ્ક છે તો કેટલું છે? સંપૂર્ણ સમાચાર વાંચો... 28 સપ્તાહ પ્રેગ્નેન્ટ સગીરાને ગર્ભપાતની મંજૂરી આપવા હાઈકોર્ટનો ઇનકાર14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 28 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપવા ઇનકાર કરતાં ચુકાદામાં હાઇકોર્ટે નોંધ્યું છે કે, આ કેસમાં સગીર પીડિતાને ગર્ભપાતમાં જીવનું જોખમ રહેલું છે અને બીજી તરફ ગર્ભસ્થ શિશુને પણ જીવનનો અધિકાર છે. તેથી ઉક્ત સંજોગોમાં કોર્ટનો ન્યાયિક અંતરાત્મા બે જીવોને જોખમમાં મૂકતો આદેશ પસાર કરવા તૈયાર નથી. તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય એમ નથી. સંપૂર્ણ સમાચાર વાંચો... 14 વર્ષની દુષ્કર્મ પીડિતાને 17 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી વડોદરાથી 14 વર્ષીય સગીરાની માતા દ્વારા સગીરાના 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટે આજે મંજૂરી આપી હતી. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, મેડિકલ તપાસના રિપોર્ટ નોર્મલ છે તેમ છતાં ગર્ભપાતમાં જોખમ રહેલું જ હોય છે. ગર્ભ રાખવો તે પીડિતા અને તેના પરિવાર બંને માટે આઘાતજનક હશે. આથી, જેમ બને તેમ જલ્દી પીડિતાના ગર્ભનો નિકાલ કરવામાં આવે. તેના DNA મેળવી પોલીસને સોંપી FSLમાં તપાસ અર્થે મોકલવામાં આવે. પીડિતાની ગર્ભપાત પહેલા અને પછી લેવાની મેડિકલ સારસંભાળ રાખવામાં આવે. સંપૂર્ણ સમાચાર વાંચો... 15 વર્ષની સગીરાના 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી15 વર્ષીય દુષ્કર્મ પીડિત સગીરાના 26 સપ્તાહના ગર્ભપાતની અરજી બાદ હાઇકોર્ટે જૂનાગઢની સરકારી હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશો આપ્યા હતા. જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા હાઇકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. જેમાં હાઈકોર્ટે ગર્ભપાત માટે નિષ્ણાંત ડોકટરોની ટીમ, ગર્ભપાતમાં રહેલા રિસ્કની માહિતી અરજદારને આપવી, બાળકોના અને રેડિયોલોજસ્ટ ડોક્ટરોએ હાજર રહેવું, ગર્ભપાત બાદની ટ્રીટમેન્ટ આપવી અને ભ્રૂણ જીવિત રહે તો તેને બચાવવા તમામ શક્ય પ્રયત્ન કરવા જણાવ્યું હતું. સમગ્ર અહેવાલ વાંચો... દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભના ગર્ભપાતને મંજૂરીરાજકોટ શહેરમાં રહેતી 13 વર્ષીય સગીરા સાથે તેના જ પિતરાઈ ભાઈ અને પિતરાઈ ભાઈના મિત્રએ મળી અવારનવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ 12 મેના રોજ હાઈકોર્ટે સગીરાના 33 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી આપી હતી. આમ દેશમાં પહેલીવાર સૌથી વધુ સપ્તાહના ગર્ભનો ગર્ભપાત કરાવવાની મંજૂરી મળી હતી. 13 મેના રોજ મંગળવારે સગીરાને પોલીસ પ્રોટેકશન સાથે રાજકોટની જનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, ત્યારે 17 મે, 2025 શનિવારના રોજ સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો. સંપૂર્ણ સમાચાર વાંચો... 13 વર્ષની કિશોરીનો કોર્ટની મંજૂરી બાદ ગર્ભપાત કરાવાયોસુરતના એક વિસ્તારમાં રહેતી 13 વર્ષની કિશોરીને 21 વર્ષીય ડ્રાઇવર રાઘવેન્દ્રએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ આરોપીએ કિશોરી સાથે શારીરિક સંબંધ બાંધતાં તે ગર્ભવતી થઈ હતી. કિશોરીને પેટમાં દુખાવો ઊપડ્યા બાદ હોસ્પિટલ લઈ જતાં સામે આવ્યું હતું કે તેને ત્રણ મહિનાનો ગર્ભ છે. આ બાબતે પરિવારના સભ્યોને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો. આ કૃત્યને લઈ પોલીસે તપાસ હાથ ધરી આરોપીને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યો હતો. કિશોરીની ઉંમર નાની હોવાની સાથે હજુ ગર્ભ પણ ત્રણ મહિનાનો હોવા અને જીવનું જોખમ હોવાનું સામે આવતાં ગર્ભપાતની કોર્ટમાં મંજૂરી લેવામાં આવી હતી અને એ મળી જતાં એનો ગર્ભપાત કરાવાયો હતો. એ બાદ ભ્રૂણ સાથે આરોપી યુવકનો DNA ટેસ્ટ કરાશે. સમગ્ર અહેવાલ વાંચો... 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાને 26 સપ્તાહનો ગર્ભવલસાડની 14 વર્ષીય દુષ્કર્મ પીડિતાના પિતા દ્વારા સગીરાના ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. સગીરા સાથે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ વાંસદા પોલીસ મથકે ચાલુ વર્ષે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાને 26 સપ્તાહનો ગર્ભ છે. હાઇકોર્ટે વાપીની GMERS હોસ્પિટલે સગીરાના મેડિકલ તપાસ માટેના નિર્દેશ આપ્યા હતા. જોકે તપાસનો રિપોર્ટ સ્પષ્ટ ના આવતાં ફરી સગીરાની મેડિકલ તપાસ કરવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યા હતા. બાદમાં હાઇકોર્ટે ચીફ મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ તેના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી હતી. હાઈકોર્ટે સગીરાના ગર્ભપાત માટે એક્સપર્ટ ડોક્ટરોને ઉપસ્થિત રહેવા નિર્દેશ આપ્યા હતા, સાથે જ બાળકોના ડોક્ટર હાજર રહેશે. ગર્ભપાત બાદની સારવાર પણ સગીરાને આપવા કોર્ટે નિર્દેશ આપ્યા છે. સગીરાના ગર્ભની પેશીનાં DNA સેમ્પલ આરોપી સામે કેસ પુરવાર કરવા FSLમાં મોકલવામાં આવશે. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષની સગીરાનાં 12 અઠવાડિયાંનો ગર્ભના ગર્ભપાતની મંજૂરીનર્મદા જિલ્લાના એક પોલીસ મથકે એક આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ ગુના અંતર્ગત ભોગ બનનારી સગીરા ગર્ભવતી બની હતી, જેની માતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં સગીરાના ગર્ભપાત માટે અરજી દાખલ કરવામાં આવી હતી. સગીરા 16 વર્ષની ઉંમરની છે અને તેને 12 અઠવાડિયાંનો ગર્ભ છે. ગુજરાત હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 14 વર્ષની સગીરાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગર્ભપાત માટેના કાયદા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી MTP એક્ટ હેઠળ મહત્તમ 24 સપ્તાહ સુધીના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપવામાં આવતી હોય છે, પરંતુ હાઇકોર્ટ સમક્ષ આવેલા એક કેસના વિશિષ્ટ સંજોગોને ધ્યાનમાં લેતાં હાઇકોર્ટે 14 વર્ષની રેપ પીડિતાનાં 28 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપતાં આદેશમાં એવું મર્મસ્પર્શી અવલોકન કર્યું છે કે દુષ્કર્મ જેવા જઘન્ય ગુનાના કારણે પીડિતા દુર્ભાગ્યપૂર્ણ રીતે સગર્ભા થઇ છે. જો તેની ગર્ભાવસ્થા ચાલુ રહે તો તેનો જીવ જોખમમાં મુકાઇ શકે છે. આવા સંજોગોમાં જ્યારે પીડિતાના જીવનમરણનો પ્રશ્ન હોય અને એ અસહ્ય માનસિક અને શારીરિક પીડામાંથી પસાર થઇ રહી હોય ત્યારે કોર્ટ પીડિતાની વ્યથા પ્રત્યે મૂકદર્શક બની શકે નહીં. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભપાતની મંજૂરી16 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 15 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઇકોર્ટે મંજૂરી આપી હતી. પાલિતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદમાં પીડિતાના પિતા તરફથી હાઇકોર્ટ સમક્ષ અરજી કરીને દાદ માગવામાં આવી હતી કે તેની દીકરીને ગર્ભપાતની મંજૂરી આપવામાં આવે. એમાં હાઇકોર્ટે તબીબોનો અભિપ્રાય મેળવ્યો હતો અને એના આધારે પીડિતાને ગર્ભપાત માટેની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 15 વર્ષની સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીઅમદાવાદની 15 વર્ષની દુષ્કર્મ પીડિતાની માતા તરફથી સગીરાનાં 19 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે હાઈકોટમાં અરજી કરવામાં આવી હતી. એમાં હાઇકોર્ટે સોલા સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના આદેશ આપ્યા હતા. તબીબોના અહેવાલમાં પણ ગર્ભપાતની મંજૂરી આપી શકાય એવો અભિપ્રાય આપવામાં આવ્યો હતો, તેથી સોલા સિવિલ હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અને પેનલ પરના અન્ય ડોક્ટરોની દેખરેખ હેઠળ પીડિતાના ગર્ભપાત માટેની મંજૂરી હાઈકોર્ટ દ્વારા આપવામાં આવી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાનાં 17 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં દિવાળી વેકેશન દરમિયાન તત્કાલ સુનાવણી માટે આવતા કેસોમાં 4 નવેમ્બર 2024ના રોજ એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી આવી હતી, જેમાં પીડિતાને 17 અઠવાડિયાંથી વધુનો ગર્ભ હતો અને તેણે ગર્ભપાત કરાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. એક્સપર્ટ ડોક્ટરોની મેડિકલ તપાસ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 15 વર્ષ 9 મહિનાની સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં તાપીની 15 વર્ષ અને 9 માસની સગીરાના 27 સપ્તાહના ગર્ભપાત માટે તેના પિતાએ એડવોકેટ પી.વી.પાટડિયા દ્વારા અરજી કરી હતી, જે જજ નિર્ઝર દેસાઈની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. અરજદારના એડવોકેટે કોર્ટને જણાવ્યું હતું કે સગીરા માનસિક દિવ્યાંગ છે. એક આરોપીએ તેનું શારીરિક શોષણ કરતાં તે ગર્ભવતી બની હતી. સમગ્ર અહેવાલ વાંચો... 19 વર્ષીય યુવતીનાં 16 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં 19 વર્ષ અને 6 મહિનાની યુવતીએ તેનાં 16 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરી હતી. યુવતી દુષ્કર્મનો ભોગ બની હતી. તેણે આરોપી મિતેશ ઠાકોર સામે 3 મે, 2024ના રોજ અમદાવાદના રાણીપ પોલીસ મથકે IPCની કલમ 376(2)(f) અને 376(2)(n) મુજબ ફરિયાદ પણ નોંધાવી હતી. યુવતી માનસિક અને આર્થિક રીતે બાળકને રાખવા સક્ષમ નથી, જેથી કોર્ટે અરજી સંદર્ભે યુવતીનો મેડિકલ ટેસ્ટ કરવા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલને નિર્દેશ આપ્યા હતા. એમાં જણાવાયું હતું કે યુવતી ગર્ભપાત માટે ફિટ છે, પરંતુ એમાં જોખમ પણ છે. સમગ્ર અહેવાલ વાંચો... 17 વર્ષીય સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં 17 વર્ષીય સગીરાની માતાએ સગીરાનાં 7 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે એડવોકેટ ચિંતન ગાંધી મારફત અરજી કરી હતી, જે જજ હસમુખ સુથારની કોર્ટ સમક્ષ રજૂ થઈ હતી. કોર્ટે સુરતની સિવિલ હોસ્પિટલને ત્યાંના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, ગાયનેકોલોજિસ્ટ અને સાઇકોલોજિસ્ટને સગીરાની શારીરિક અને માનસિક સ્થિતિ અંગેનો મેડિકલ રિપોર્ટ આપવા હુકમ કર્યો હતો તેમજ મેડિકલ રિપોર્ટ માટે તપાસ અધિકારીને વ્યવસ્થાઓ કરવા હુકમ કર્યો હતો. કોર્ટે સગીરાનાં 7 સપ્તાહના ગર્ભપાત માટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... સગીરાનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઇકોર્ટમાં એક સગીરાની માતા દ્વારા તેનાં 9 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી, જોકે અરજદારના વકીલે કહ્યું હતું કે તે શારીરિક અને માનસિક રીતે કમજોર છે. વળી, તે પોતે બાળકના ઉછેર માટે સક્ષમ નથી. ઉપરાંત સમાજમાં બદનામીને જોતાં પણ સગીરાના ગર્ભપાત માટે મંજૂરી આપવી જોઈએ. સમગ્ર અહેવાલ વાંચો... 16 વર્ષની સગીરાનાં 27 અઠવાડિયાંના ગર્ભના ગર્ભપાતની મંજૂરીગુજરાત હાઈકોર્ટમાં જજ સમીર દવેની કોર્ટમાં એડવોકેટ નિસર્ગ શાહ દ્વારા 16 વર્ષીય સગીરાના ગર્ભપાત માટે અરજી કરવામાં આવી હતી. આ સગીરાને 27 સપ્તાહનો ગર્ભ હતો, જોકે હાઈકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 22 વર્ષીય યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીસુરેન્દ્રનગરની 22 વર્ષીય યુવતી પર પાડોશી દ્વારા પરિવારજનોને મારી નાખવાની ધમકી આપીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. એ સંદર્ભે સુરેન્દ્રનગરમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી, જોકે આ દુષ્કર્મથી પીડિતાને ગર્ભ રહી જતાં તેણે એડવોકેટ નિમિત્ત શુક્લા મારફત ગુજરાત હાઇકોર્ટમાં યુવતીનાં 26 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માગતી અરજી કરી હતી. એમાં સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ હાઈકોર્ટે મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો... 12 વર્ષીય સગીરાનાં 27 સપ્તાહના ગર્ભના ગર્ભપાતની મંજૂરીનર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકામાં માતા-પિતા સાથે રહેતી 12 વર્ષીય સગીરા પર તેના જ પિતા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવતાં તે ગર્ભવતી બની હતી. સગીરાનાં 27 સપ્તાહના ગર્ભપાત માટે માતાએ જ વકીલ પૂનમ મહેતા દ્વારા હાઇકોર્ટમાં અરજી કરી હતી, જોકે વડોદરાની સયાજીરાવ હોસ્પિલમાંથી સગીરાના મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ કોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી હતી. સમગ્ર અહેવાલ વાંચો...
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે મારામારીના ગુનાની ઘટનામાં રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દેવરાજ બોરાણાએ પોલીસ પર છરી વડે હુમલો કર્યો હતો. જેને પગલે સ્વબચાવમાં પીએસઆઈ વી.એમ. કોડિયાતરે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી દેવરાજ બોરાણાને મારામારીના ગુનાના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક છરી કાઢી પોલીસ કર્મચારીઓ પર હુમલો કર્યો હતો, જેમાં એક પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. પોલીસ પર હુમલો થતાં પીએસઆઈ વી.એમ. કોડિયાતરે સ્વબચાવમાં આરોપી દેવરાજ બોરાણાના પગમાં ગોળી મારી હતી. ગોળી વાગતા આરોપી દેવરાજ બોરાણા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત પોલીસકર્મી અને આરોપી દેવરાજ બોરાણા બંનેને તાત્કાલિક સારવાર અર્થે લીંબડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આરોપીને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો.
સુરતમાં ઓલપાડ વિધાનસભા વિસ્તારના કીમ, સાયણ અને ઓલપાડ ગામોના વિકાસને વેગ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. આ ત્રણ મોટા ગામોને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકામાં રૂપાંતરિત કરવા માટે સુરત સાઉથ ઝોનના પ્રાદેશિક કમિશનર આર.સી. પટેલ દ્વારા રાજ્ય સરકારના મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન વિભાગને સત્તાવાર દરખાસ્ત મોકલવામાં આવી છે. ઓલપાડના ધારાસભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી મુકેશ પટેલ દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહેલી રજૂઆતના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે આ વિસ્તારોના ભાવિ શહેરી વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે. આ વિસ્તારો હવે સંપૂર્ણપણે શહેરી સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છેપ્રાદેશિક કમિશનર આર.સી.પટેલે જણાવ્યું છે કે કીમ, સાયણ અને ઓલપાડમાં છેલ્લા કેટલાક વર્ષોમાં નોંધપાત્ર ઔદ્યોગિક વિકાસ અને વસ્તીમાં ભારે વધારો જોવા મળ્યો છે. આ વિસ્તારો હવે માત્ર ગામડાઓ ન રહેતા સંપૂર્ણપણે શહેરી સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે. ત્યાં મોટી રહેણાંક સોસાયટીઓ, ફ્લેટ સંકુલો અને વ્યાપારી એકમોની સાથે જીઆઈડીસી (GIDC) જેવા ઔદ્યોગિક વિસ્તારોનો પણ વ્યાપક વિકાસ થયો છે. સ્થાનિકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશેવર્તમાન ગ્રામ પંચાયતનું માળખું આ વિશાળ જનસંખ્યાને જરૂરી એવી આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં અપર્યાપ્ત સાબિત થઈ રહ્યું છે, જેના કારણે વહીવટી પરિવર્તન અનિવાર્ય બન્યું છે. નગરપાલિકાની રચના થવાથી આ વિસ્તારોમાં નાગરિક સુવિધાઓનું સ્તર ઊંચું આવશે. પ્રસ્તાવ મુજબ, નગરપાલિકા બન્યા બાદ આ ત્રણેય ગામોને અમૃત (AMRUT), સ્વચ્છ ભારત મિશન (શહેરી), અને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જેવી કેન્દ્રીય અને રાજ્ય સ્તરની મહત્વની યોજનાઓનો સીધો લાભ મળશે. પીવાનું શુદ્ધ પાણી, અદ્યતન ગટર અને ડ્રેનેજ વ્યવસ્થા, ઘન કચરાનું વ્યવસ્થિત સંચાલન, સ્ટ્રીટ લાઈટો અને ફાયર સેફ્ટી જેવી સેવાઓ વધુ આયોજનબદ્ધ રીતે ઉપલબ્ધ કરાવી શકાશે, જેનાથી સ્થાનિકોના જીવનધોરણમાં મોટો સુધારો આવશે. આ વિસ્તારોને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થશેઅંતમાં, પ્રાદેશિક કમિશનર આર.સી. પટેલે ધારાસભ્ય મુકેશ પટેલની રજૂઆતને સરકારને આ બાબતે જરૂરી સર્વે અને કાયદેસરની તપાસ પ્રક્રિયા ત્વરિત હાથ ધરવા ભલામણ કરી છે. જો સરકાર દ્વારા આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવશે તો કીમ, સાયણ અને ઓલપાડના રસ્તાઓ, આરોગ્ય સુવિધાઓ અને આયોજનબદ્ધ શહેરી માળખાનો નવો અધ્યાય શરૂ થશે. આ જાહેરાતથી સ્થાનિક રહીશોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આશા સેવાઈ રહી છે કે, ટૂંક સમયમાં આ વિસ્તારોને નગરપાલિકાનો દરજ્જો પ્રાપ્ત થશે.
આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન વડોદરા શહેરમાં પ્રતિબંધિત ચાઈનીઝ લોન્ચર ચાઈનીઝ દોરી અને તુક્કલ સહિતની વસ્તુઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, જેથી પોલીસે તેના પર સતત વાત રાખવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન હરણી પોલીસે દેણા ચોકડી પાસે આવેલી કેનાલ નજીકથી મોપેડ પર જતા બે શખ્સોને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા. મોપેડની ડિકીમાંથી ચાઈનીઝ દોરીની 5 રીલ મળી આવી હતી, જેથી પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરવા બદલ બન્નેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આગામી મકરસક્રાંતિ (ઉત્તરાયણ)ના તહેવાર અનુસંધાને ઉચ્ચ અધિકારીઓ તરફથી મળેલ સુચના તથા માર્ગદર્શન મુજબ વડોદરા શહેર વિસ્તારમાં ચાઈનીઝ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીનો જથ્થાબંધ વેપાર તથા આયાત કરી, ખરીદ વેચાણ, સંગ્રહ અને વપરાશ કે ઉપયોગ કરવા ઉપર ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. જે અનુસંધાને હરણ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ વી વાસાવાની સૂચના મુજબ કાર્યવાહી કરવા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમિયાન દેણા બ્રીજ કેનાલ પાસે આવતાં પોલીસને બાતમી મળી હતી કે, ગોલ્ડન ચોકડી બાજુથી એક સફેદ કલરની સુઝુકી કંપની એક્સેસ મોપેડ જેને આગળની નંબર પ્લેટ નથી તે મોપેડ ઉપર બે ઇસમો ચાઈનીઝ દોરી લઈને સમા તરફ જવાના છે. જેના આધારે દેણા બ્રીજ પાસે આવેલી કેનાલ પાસે વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમી મુજબની એક્સેસ મોપેડ આવતા તેને ઉભી રાખતા મોપેડ ઉપર બે ઇસમો બેઠા હતા. જેથી પોલીસે મોપેડ ચાલકે તનવીર રાજેંદ્રસિંહ રાઠોડ (રહે. મુખી ફળીયુ સમા ગામ નવીનગરી પાછળ વડોદરા શહેર) તથા પાછળ બેસેલ ઇસમ તુષાર અર્જુનભાઈ બારીયા ( હાલ રહે. લમીબા પાર્કની પાછળ, સમા, વડોદશ શહેર)ની અટકાયત કરી હતી. આ ઇસમો પાસેની મોપેડની ડેકી ચેક કરતા પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની પાંચ રીલ મળી આવી હતી. જેથી ચાઇનીસ દોરીના રીલ ઉપર જોતા ચાઈનીઝ દોરીના રિલ જોતા કુલ 5 નંગ એક ચાઈનીસ દોરી રોલની કિ.રૂ. 500 લેખે દોરીના બોક્ષની કિ.રૂ. 2500 કબજે કરી હતી. તે સીવાય રાદર ઇસમોની અંગઝડતીમાં કોઈ ચીજ વસ્તુ મળી આવેલ નથી. પોલીસે બંને શખ્સ વિરૂદ્ધ મકરસક્રાંતિ જાહેરનામું પ્રસિધ્ધ થયેલ જાહેરનામાનો ભંગ સહિત ભારતીય ન્યાય સંહિતા ની કલમ 223, 54 તથા જી.પી એક્ટ 131 મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમને લઈ, દેશભરના 5 Day Banking ની માંગણીના સમર્થનમાં, આજરોજ શહેરની બેન્ક ઓફ ઇન્ડિયા ખાતે દેખાવો-સુત્રોચારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ જોડાયા હતા. 5 Day Bankingની માંગણીના સમર્થનમાં દેખાવો અને સુત્રોચારનો કાર્યક્રમભાવનગર યુનિટ યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ દ્વારા, આજરોજ શહેરના આતાભાઈ ચોક પાસે આવેલ બેંક ઓફ ઇન્ડિયા ખાતે, શહેરભરની તમામ બેંકમાં કાર્યરત તમામ સ્તરના કર્મચારી સંગઠનોના સભ્યો દ્વારા, યુનાઈટેડ ફોરમ ઑફ બેન્ક યુનિયન્સ દ્વારા જાહેર કરાયેલ રાષ્ટ્રવ્યાપી આંદોલનાત્મક કાર્યક્રમોને લઈ, દેશભરના '5 Day Banking'ની માંગણીના સમર્થનમાં, દેખાવો અને સુત્રોચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં બેન્ક કર્મચારીઓ અને અધિકારી વર્ગના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. દેશભરમાં બેન્ક કામદારોનું આંદોલનઆ અંગે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના કન્વીનર પુનિત ઓઝાએ જણાવ્યું હતું કે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા નીચે, દેશભરમાં કાર્યરત તમામ બેન્ક કામદારોએ આંદોલનની શરૂઆત કરી છે, જેમાં મુખ્ય માંગણી છે, અને જેને એકમાત્ર કહી શકાય, 5 day bankingની છે. 'આજ સુધી નાણામંત્રાલયે 5 day bankingની મંજૂરી આપેલ નથી'તેને વધુમાં કહ્યું કે, છેલ્લા દસ વર્ષથી આ પ્રશ્ન યુનિયન બેન્ક એસોસિએશન સાથે અનેક વખત ચર્ચાઓ થઈ છે, તેમનો અભિપ્રાય હકારાત્મક હોવા છતાં પણ, આજ સુધી નાણામંત્રાલયે 5 day bankingની મંજૂરી આપેલ નથી. તેના માટે દેશભરના તમામ બેન્ક કામદારો સંયુક્ત રીતે, યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા નીચે, આંદોલનની શરૂઆત કરી છે, અને આજરોજ દેશભરના તમામ શહેરોમાં આ માંગણીના સમર્થનમાં કર્મચારીઓ દ્વારા સુત્રોચાર કરી દેખાવો કરવામાં આવેલ છે. આગળના દિવસોમાં દેશ વ્યાપી હડતાલનું આયોજન પણ કરવામાં આવેલ છે, જેનું ભાવનગર જિલ્લાના તમામ કર્મચારીઓ અમલ કરશે.
GUJCET-2026 માટે અરજીની મુદત લંબાઈ:6 જાન્યુઆરી સુધી આ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા GUJCET-2025 માટેની ઓનલાઇન અરજી પ્રક્રિયામાં રાહત આપવામાં આવી છે. અગાઉ 30 ડિસેમ્બર સુધી નક્કી કરાયેલી અરજી કરવાની અંતિમ તારીખ હવે લંબાવીને 6 જાન્યુઆરી 2026 કરવામાં આવી છે. આ વેબસાઈટ પરથી ફોર્મ ભરી શકશોબોર્ડની અધિકૃત સૂચના મુજબ એન્જિનિયરિંગ, ડિગ્રી તથા ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ ઈચ્છતા ઉમેદવારો હવે વધારાના દિવસોમાં GUJCET-2026 માટે ઓનલાઇન અરજી કરી શકશે. અરજી ફોર્મ બોર્ડની વેબસાઇટ www.gseb.org તથા gujcet.gseb.org પર ઉપલબ્ધ છે. ફી ઓનલાઈન અને ચલણ દ્વારા ભરી શકાશેઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 350 નક્કી કરાઈ છે, જે SBI Epay System મારફતે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગથી ઓનલાઇન ભરી શકાય છે. ઉપરાંત SBI Branch Payment વિકલ્પ દ્વારા નજીકની SBI શાખામાં પણ ફી ભરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે. બોર્ડે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યશ્રીઓને વધારાના સમયનો લાભ લઈ સમયસર અરજી પૂર્ણ કરવા અપીલ કરી છે, જેથી કોઈ પણ ઉમેદવાર GUJCET-2026 પરીક્ષામાંથી વંચિત ન રહે.
ભાવનગર શહેરના કણબીવાડ વિસ્તારમાં રહેતા પરિવારમાં મિલકત મામલે ડખ્ખો થતા સગા ભત્રીજાઓએ તેના કાકાની બાઈક સળગાવી દઈ રૂ.60,000નું નુકસાન કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા કાકાએ ભત્રીજાઓ વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 2 ભત્રીજાએ કાકાની બાઈક સળગાવી દીધુંઆ બનાવ અંગે ગંગાજળીયા પોલીસ મથકેથી જણાવા મળતી વિગતો અનુસાર શહેરના કણબીવાડ વિસ્તારમાં આવેલ નાની સડક સ્થિત હબીબના ચોકમાં રહેતા અને છૂટક મજૂરી કામ સાથે સંકળાયેલા સાગર ભાનુભાઇ ચૌહાણ ઉં.વ.28 એ તેના સગા ભત્રીજા સાગર ઈશ્વર ચૌહાણ તથા રચિત ઈશ્વર ચૌહાણ વિરુદ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તે તથા તેના ત્રણ ભાઈઓ સંયુક્ત મિલકત ધરાવે છે અને આ મિલકત હજુ વેચી ન હોય અને તેની માતા તેની સાથે રહેતી હોય આથી મિલકતની વહેચણી ન કરી હોય. જેને લઈને ઈશ્વરને તેનો હિસ્સો આપ્યો ન હોય આ વાતની દાજ રાખી ઈશ્વરના બંને પુત્રો રોહન તથા રચિતએ ગતરાત્રિના સમયે ફરીયાદીના ઘર બહાર પાર્ક કરેલ બાઈક નંબર GJ 04 DM 7520 કિંમત રૂપિયા 60,000નું સળગાવી દીધુ હતું. 'મિલ્કતમાં ભાગ નહીં આપે તો જાનથી મારી નાંખીશું'ફરિયાદી સાગર સળગતું બાઈક જોઈને જાગી જતા બાઈક પાસે ઉભેલ તેના બંને ભત્રીજાઓએ સાગરના કહેલ કે તારે જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં કરી દેજે મિલ્કતમાં ભાગ નહીં આપે તો જાનથી મારી નાંખીશું તેમ કહી ફરાર થઈ ગયા હતા આ અંગે ગંગાજળીયા પોલીસ મથકે સાગર ચૌહાણએ રોહન ઈશ્વરભાઈ ચૌહાણ તથા રચિત ઈશ્વરભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી હતી.
પાટણ શહેરના વોર્ડ નંબર 6 માં ગાયત્રી મંદિર રોડ પર આવેલ અમરદીપ સોસાયટી સામે GEBના ટ્રાન્સફોર્મરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ટ્રાન્સફોર્મરની આસપાસ વ્યાપેલા ઝાડી-ઝાંખરાના કારણે આગ વધુ ફેલાઈ હતી. આ ઘટના બાદ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો અને તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. જીઈબી તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટપણે જોવા મળી રહી છે, કારણ કે ટ્રાન્સફોર્મરની આજુબાજુ ખૂબ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા હતા. પાટણ શહેરના અનેક વિસ્તારોમાં આવા ટ્રાન્સફોર્મરો આવેલા છે જ્યાં આસપાસ સફાઈનો અભાવ અને વ્યાપક પ્રમાણમાં ઝાડીઓ જોવા મળે છે. આ ઉપરાંત, અનેક સ્થળોએ વીજ વાયરો છુટા અને ખુલ્લા હોવાથી વારંવાર શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો બને છે. શહેર કોંગ્રેસ પ્રમુખે આ મામલે રજૂઆત કરતા જણાવ્યું છે કે, પાટણનું જીઈબી તંત્ર સત્વરે જાગે અને સમગ્ર શહેરમાં જ્યાં પણ જાહેર રસ્તાઓ પર ટ્રાન્સફોર્મરો આવેલા છે તેની આસપાસથી તાત્કાલિક ધોરણે ઝાડીઓ દૂર કરવામાં આવે. તેમણે ખુલ્લા અને જોખમી વાયરોનું સમારકામ કરી યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી હતી. જેથી ભવિષ્યમાં આવા બનાવોને અટકાવી શકાય અને કોઈ મોટી જાનહાનિ કે અકસ્માત થતો રોકી શકાય. કોંગ્રેસ પ્રમુખે ચેતવણી આપી હતી કે, જો તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી સમયમાં મોટી દુર્ઘટના સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે.
ગરવાગઢ ગિરનારની તળેટીમાં યોજાનારા આગામી મહાશિવરાત્રીના મેળા પૂર્વે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા આક્રમક કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને મેળા દરમિયાન પાર્કિંગની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્રએ ધારાગઢ અને સરદાર બાગ વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકી દેવાયેલા ગેરકાયદે બાંધકામોને દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી છે. ધારાગઢમાં 1 કરોડની જમીન પરથી હટાવાયું દબાણ સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દશરથસિંહ જાદવના જણાવ્યા અનુસાર, ધારાગઢ રોડ પર અંદાજે 1200 વાર જગ્યામાં ગેરકાયદે રીતે બે મકાનો બાંધી દેવામાં આવ્યા હતા. આ મકાન માલિકોને અગાઉ નોટિસ પાઠવી પુરાવા રજૂ કરવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ કોઈ માન્ય દસ્તાવેજો રજૂ ન કરી શકતા આજે તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું. આ જમીનની બજાર કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ અંકાય છે. હવે આ જગ્યાનો ઉપયોગ શિવરાત્રી મેળામાં આવતા શ્રદ્ધાળુઓના વાહન પાર્કિંગ માટે કરવામાં આવશે. સરદાર બાગ પાસે ગેરકાયદે મકાનો તોડી પડાયા તંત્રની બીજી ટુકડીએ શહેરના વ્યસ્ત એવા સરદાર બાગ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. અહીં છેલ્લા ઘણા સમયથી 630 ચોરસ મીટર સરકારી જમીન પર 16 જેટલા કાચા-પાકા મકાનો બનાવીને દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રએ આ તમામ દબાણોને હટાવીને 1 કરોડથી વધુની કિંમતની જમીન કબ્જે કરી છે. અહીં રહેતા લોકોને પૂરતો સમય અને નોટિસ આપવામાં આવી હોવા છતાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેતા અંતે તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી. શિવરાત્રી મેળા માટે પાર્કિંગની સુવિધા વધારવાનો લક્ષ્ય મહાશિવરાત્રીના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિકો જૂનાગઢ ઉમટી પડે છે, જેને કારણે પાર્કિંગ અને ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે કલેક્ટર અને સીટી સર્વે વિભાગ દ્વારા મેળાને અડીને આવેલા વિસ્તારોમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાનું અભિયાન હાથ ધરાયું છે. ધારાગઢની ખુલ્લી થયેલી જગ્યાને પાર્કિંગ પ્લોટ તરીકે વિકસાવવામાં આવશે, જેથી પ્રવાસીઓને અગવડતા ન પડે. જૂનાગઢ વહીવટી તંત્રના આ એક્શન મોડને કારણે ભૂમાફિયાઓ અને ગેરકાયદે દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, આવનારા દિવસોમાં શહેરના અન્ય ભાગોમાં પણ સરકારી જમીન પર થયેલા દબાણો સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. શહેરીજનોએ તંત્રની આ કામગીરીને વધાવી છે, કારણ કે આનાથી શહેરના મુખ્ય રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં નિવૃત Dyspના પુત્રના મોત બાદ આખરે કોર્પોરેશન તંત્ર તાબડતોડ કામે લાગ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં બનેલી ઘટના બાદ તંત્રએ એક બાદ એક જવાબદાર સામે કાર્યવાહી કરવાની શરૂ કરી છે, ત્યારે આજે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પોતાની વિજિલન્સ ડિપાર્ટમેન્ટ અને ક્વોલિટી કંટ્રોલ સેલ ઊભો કરવામાં આવશે જેથી આવી ઘટનાઓને રોકી શકાય. 'ઈજારદારની ફક્ત જવાબદારી નથી, અમારા સુપરવાઈઝર અધિકારીઓની પણ જવાબદારી 'આ અંગે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું કે, આજે રીવ્યુ બેઠકમાં પણ આ અંગે ઘણી ચર્ચા કરવામાં આવી, એટલે અત્યારે જે કાયદાકીય પગલાં લેવાના છે એ અમે લઈ લીધી છે. પરંતુ ફરી આવી ઘટના ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે તમામ ડ્રેનેજ, વોટર સપ્લાય, રોડ અને જે પણ ઝોનલ એન્જિનિયરની ટીમને આજે સૂચના આપવામાં આવી છે કે જે કોન્ટ્રેક્ટ આપ્યા પછી ઈજારદારની ફક્ત જવાબદારી નથી, અમારા સુપરવાઈઝર અધિકારીઓની પણ જવાબદારી છે. સુપરવિઝનની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પગલાંતેમણે વધુમાં ઉમેર્યું કે સુપરવિઝનની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને પગલાં લેવામાં આવી રહ્યા છે. એમાં એક-એક સમયમાં એક એડિશનલ એન્જિનિયર અથવા ડેપ્યુટી એન્જિનિયરની અંડરમાં 10-15 જગ્યામાં કામ ચાલતું હશે એની પણ સુપરવિઝન થોડું મુશ્કેલ છે, એટલે જે તે ઈજારદારને ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું છે. સાથે તમામ એડિશનલ એન્જિનિયર અને ડે. એન્જિનિયરને પણ ધ્યાન કરવાનું કીધું છે અને ખરેખર આ બધું ચેકિંગ માટે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા પણ વારેઘડીએ જવું પડે છે. 'વિજિલન્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સેટઅપ થોડું ઓછું છે એને પણ મજબૂત કરવાની જરૂરિયાત 'વધુમાં કહ્યું કે, અહીંયા વિજિલન્સ ડિપાર્ટમેન્ટના સ્ટાફ સેટઅપ થોડું ઓછું છે એને પણ મજબૂત કરવાની જરૂરિયાત છે. આવનારા દિવસોમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટની પણ ભરતી કરીને મજબૂત કરવાનું નક્કી કર્યું છે અને જે ક્વોલિટી કંટ્રોલ સેલનો અભાવ છે એ પણ ક્વોલિટી કંટ્રોલ સેલ ઉભો કરવામાં આવશે. જેથી કરીને ગુણવત્તાપૂર્વક કામ આવનારા દિવસોમાં જે સુપરવિઝન થવું જોઈએ જે તે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ડેપ્યુટી એન્જિનિયરના નીચે એની પણ ચર્ચા કરવામાં આવી છે. 'નવા સેટઅપમાં એક વિજિલન્સ સેલ અને ક્વોલિટી કંટ્રોલ સેલ પણ ઉભો કરાશે'વધુમાં કહ્યું કે, આવનારા દિવસોમાં નવા સેટઅપમાં એક વિજિલન્સ સેલ અને ક્વોલિટી કંટ્રોલ સેલ પણ ઉભો કરવામાં આવશે. જે ડાયરેક્ટ મોનિટરિંગ કોર્પોરેશનની હેડક્વાર્ટર તરફથી પણ જવા માટે કરશે અને ઝોનલ લેવલમાં પણ એને ઈન્સ્પેક્શન કરવા માટે કરીશું. સ્થાનિક લેવલના અધિકારી હોય, સુપરવાઈઝર અધિકારી હોય કે સ્થાનિક કોન્ટ્રેક્ટર જેણે કોન્ટ્રેક્ટ મળ્યો છે, એ ત્રણેયની જવાબદારી આવે છે, પરંતુ વધારે કોન્ટ્રેક્ટરની જવાબદારી છે કારણ કે અમે પેમેન્ટ તો એમને જ કરતાં હોય છે, એમની ડાયરેક્ટ જવાબદારી બને છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા સર્કિટ હાઉસ ખાતે પોલીસ અધિકારીઓ માટે NDPS એક્ટ અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ અને એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF)ની સૂચના મુજબ આયોજિત કરાયો હતો. તાલીમનો મુખ્ય હેતુ પંચમહાલ જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવાનો અને નાર્કોટીક્સ સંબંધિત ગુનાઓમાં સજાનો દર વધારવાનો હતો. ગોધરા સર્કિટ હાઉસના કોન્ફરન્સ હોલમાં NDPS એક્ટ-1985ની ફરજિયાત જોગવાઈઓ અંગે ઇન્ટરએક્ટિવ સેશન યોજાયું હતું. આ કાર્યક્રમમાં સ્પેશિયલ NDPS જજ વી.વી. મોંઢે અને સરકારી વકીલ આર.ડી. શુકલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હાજર રહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને NDPS એક્ટની કાયદાકીય બારીકીઓ અને તપાસ દરમિયાન રાખવી પડતી તકેદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું. કેસની તપાસમાં કાયદાકીય ભૂલો ન થાય અને ગુનેગારોને સખત સજા થઈ શકે તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો હતો. પંચમહાલ રેન્જ આઈજી આર.વી. અસારી અને ઈન્ચાર્જ એસપી બી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પીઆઈ આર.એ. પટેલ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેશનમાં જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
બોલિવુડમાં ઘાયલ, ઘાતક અને દામિની જેવી અનેક સુપરહિટ ફિલ્મોના ડાયરેક્ટર રાજકુમાર સંતોષી સામે જામનગરમાં નોંધાયેલા રૂ. 1.10 કરોડના ચેકરિટર્ન કેસમાં ગુજરાત હાઈકોર્ટે શરતી રાહત આપી છે.હાઈકોર્ટના હુકમ મુજબ રાજકુમાર સંતોષીએ જે 35 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે તે ચૂકવવા માટે 31 જાન્યુઆરી સુધીનો સમય આપ્યો છે. આ ઉપરાંત લાહોર 1947 ફિલ્મના પ્રમોશન માટે 5 દિવસ વિદેશ જવા માટે પણ મંજૂરી આપી છે. રાજકુમાર સંતોષી સામે જામનગર કોર્ટમાં ચેક રિટર્નના 11 કેસ દાખલ થયા હતાફિલ્મ ડિરેક્ટર રાજકુમાર સંતોષી વિરુદ્ધ વર્ષ 2014 અને વર્ષ 2017માં જામનગર મેજિસ્ટ્રેટ કોર્ટ અંતર્ગત અશોક લાલે, પ્રફુલ મહેતા દ્વારા નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અંતર્ગત જુદા જુદા 11 કેસ દાખલ કર્યા હતા. જેની કુલ રકમ 1.10 કરોડ રૂપિયા થવા જતી હતી. જેથી કોર્ટે આ રકમનો બમણો દંડ રાજકુમાર સંતોષીને ફટકાર્યો હતો અને 2 વર્ષ કેદની સજા ફટકારી હતી. જેની સામે રાજકુમાર સંતોષીએ જામનગર સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જેને સેશન્સ કોર્ટે 15 ઓક્ટોબરે નકારીને રાજકુમાર સંતોષીને 30 દિવસમાં રકમ જમા કરાવવા તેમજ 27 ઓક્ટોબર સુધી સરેન્ડર થાવ હુકમ કર્યો હતો, નહિંતર ટ્રાયલ કોર્ટ ધરપકડ વોરંટ કાઢી શકશે. જામનગર સેશન્સ કોર્ટના હુકમ સામે રાજકુમાર સંતોષી હાઈકોર્ટમાં પહોંચ્યા હતાજામનગર સેશન્સ કોર્ટના હુકમ સામે રાજકુમાર સંતોષીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં હાઇકોર્ટે ઓક્ટોબર મહિનાના અંતમાં હુકમ કરતા કહ્યું હતું કે, આ સમાધાનપાત્ર અમે જામીનપાત્ર ગુન્હો છે, સંપૂર્ણ ચેકની રકમ જમા કરાવો. બાકીની રકમ ચૂકવી આપવા માટે બાહેંધરી આપો. મૂળ વ્યવહારની 1.10 કરોડની રકમમાંથી 22 લાખ જમા કરાયા છે. બાકી રહેતી 88 લાખની રકમમાંથી 05 લાખ હાલ જમા કરાવો અને બાકીની 83 લાખની રકમ માટે બાહેંધરી આપો. હાઈકોર્ટે હુકમ કર્યો હતો કે અરજદાર 41.50 લાખ રૂપિયા 30 નવેમ્બર પહેલા અને બાકીના 41.50 લાખ રૂપિયા 31 ડિસેમ્બર પહેલા જમા કરાવશે. આ દરમિયાન હાઇકોર્ટે અરજદારને વચગાળાનું રક્ષણ આપ્યું હતું. જો કે અરજદારે ભારત છોડતા પહેલા સક્ષમ કોર્ટની મંજૂરી લેવી પડવાની એક શરત હતી. તેને બાહેંધરી મુજબની રકમ કોર્ટમાં જમા કરાવવાની પણ શરત હતી. જો અરજદાર બાહેંધરી કે કોર્ટે 10,000 ના બોન્ડ ઉપર આપેલા રાહતની શરતોનો ભંગ કરશે તો ટ્રાયલ કોર્ટ ધરપકડ વોરંટ જાહેર કરી શકશે અને હાઇકોર્ટે આપેલી રાહત આપોઆપ રદ થશે. હાઈકોર્ટે દ્વારા શરતી રાહત આપવામાં આવીઉપરોક્ત બાબતે શરતોમાં ફેરફાર કરવા રાજકુમાર સંતોષીએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં જણાવ્યા મુજબ 30 નવેમ્બરના અંત સુધી ભરવાના 41.50 લાખ રૂપિયા તેમને જમા કરાવી દીધા છે. જ્યારે ડિસેમ્બરના અંત સુધી ભરવાના 41.50 લાખ રૂપિયામાંથી હવે સામા પક્ષને ફક્ત 35 લાખ રૂપિયા ચૂકવવાના બાકી છે. આ પૈસા ચૂકવવા માટે તેમને વધુ 8 અઠવાડિયાની મહોલત આપવામાં આવે. કોર્ટે નોંધ્યું હતુ કે અરજદારે ચૂકવવાની થતી રકમમાંથી મોટા ભાગની રકમ જમા કરાવી છે. ત્યારે તેને સમય આપવો જોઈએ. કોર્ટે અરજદારને 31 જાન્યુઆરી, 2026 સુધી સમય વધારી આપ્યો હતો. જો કે ભવિષ્યમાં અંગે કોઈ પણ રાહત આપવામાં નહીં આવે તેમ પણ નોંધ્યું હતું. બીજી શરત અરજદાર કોર્ટની પૂર્વ મંજૂરી વગર ભારત નહીં છોડવાની હતી. જેથી રાજકુમાર સંતોષી વતી રજૂઆત થઈ હતી કે લાહોર 1947 ફિલ્મના પ્રમોશન માટે તેને 30 ડિસેમ્બરથી 04 જાન્યુઆરી સુધી વિદેશમાં જવાનું છે. જે અંગે કોર્ટે તેને મંજૂરી આપી હતી. અગાઉ હાઇકોર્ટે પક્ષકારોને નોટિસ પાઠવી હતી અને વધુ સુનવણી 5 જાન્યુઆરી, 2026 ના રોજ રાખી હતી.
વડોદરામાં ધારાસભ્ય યોગેશ પટેલને ડિજિટલ એરેસ્ટ કરવાના પ્રયાસના મામલે MLAએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. જેમાં તેમણે વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં બિલાડીના ટોપની જેમ માર્ગો પર વેચાતા સિમકાર્ડ બંધ કરાવવા માટે રજૂઆત કરી છે. રોડ અને લારીઓ પર મળતા સિમ કાર્ડ બંધ કરાવો અને માત્ર ઓથોરાઇઝ્ડ ડીલર જ સિમ કાર્ડ વેચી શકે તેવો કાયદો બનાવવા માગ કરી છે. આ ઉપરાંત સિમ કાર્ડ લેનારની સાથે સાક્ષીઓનું પણ ઓળખ પત્ર અને બાયોમેટ્રિક પુરાવા લેવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ વિધાનસભામાં આ અંગે અલગથી કાયદો બનાવવા રજૂઆત કરવામાં આવી છે.
સુરત શહેરના અત્યંત પોશ ગણાતા વેસુ વિસ્તારમાં તસ્કરોએ ધાર્મિક કાર્યક્રમમાં મોટો હાથફેરો કરી પોલીસને પડકાર ફેંક્યો છે. વેસુ ખાતે આવેલ નંદીની-01 એપાર્ટમેન્ટમાં આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ભીડનો ગેરલાભ ઉઠાવી તસ્કરોએ એકસાથે સાત મહિલાઓને નિશાન બનાવી હતી. આ સામૂહિક ચોરીની ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ છે. નજર ચૂકવી સાત મહિલાઓના દાગીના લઈને ફરારઘટનાની વિગતો મુજબ ગત તારીખ 27 ડિસેમ્બર, 2015ના રોજ બપોરે 3થી 7 વાગ્યા દરમિયાન કથાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ સમયે કથામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભક્તિમય માહોલ વચ્ચે ભીડનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યા તસ્કરે મહિલાઓની નજર ચૂકવી તેમના ગળામાંથી કિંમતી સોનાના ઘરેણાં સેરવી લેવાનું શરૂ કર્યું હતું. જેમાં ફરિયાદીના ગળામાંથી 22 ગ્રામની સોનાની ચેઈન સહિત કુલ સાત મહિલાઓના દાગીના ચોરાયા હતા. 6.77 લાખના સાત ચેઈન લઈને તસ્કરો ફરારઆ મામલે વેસુમાં જ રહેતા 68 વર્ષીય વૃદ્ધા દ્રોપધીબેન પીતામ્બરદાસ ગુસ્નાનીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તસ્કરોએ જે સાત ચેઈનની ચોરી કરી છે તેનું કુલ વજન આશરે 140 ગ્રામ જેટલું થાય છે. આ સોનાના ઘરેણાંની બજાર કિંમત અંદાજે 6,77,000 આંકવામાં આવી છે. કથા પૂર્ણ થયા બાદ જ્યારે મહિલાઓને તેમના ગળામાંથી ચેઈન ગાયબ હોવાની જાણ થઈ ત્યારે સમગ્ર પંડાલમાં હોબાળો મચી ગયો હતો. મહિલાઓ કથામાં મગ્ન હતી ને તસ્કરોએ તરખાટ મચાવ્યોચોરીની ઘટના અંગેની જાણ થતાં જ વેસુ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈ રીઢા તસ્કર અથવા ચોર ગેંગ દ્વારા આયોજનબદ્ધ રીતે આ કસબ અજમાવવામાં આવ્યો હોય તેવી પૂરેપૂરી શક્યતા છે. મહિલાઓ જ્યારે કથામાં મગ્ન હતી ત્યારે જ અત્યંત ચપળતાથી તેમના ગળામાંથી ચેઈન ખેંચી લેવામાં આવી હતી અને આરોપીઓ ભીડમાં ભળીને ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. લોકોએ ભીડવાળી જગ્યાએ સાવચેત રહેવું જોઈએહાલમાં વેસુ પોલીસે દ્રોપધીબેનની ફરિયાદના આધારે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ દ્વારા એપાર્ટમેન્ટના પ્રવેશદ્વાર અને આસપાસના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. ધાર્મિક કાર્યક્રમોમાં સુરક્ષાને લઈને ફરી એકવાર સવાલો ઉભા થયા છે અને પોલીસે લોકોને ભીડવાળી જગ્યાએ સાવચેત રહેવા અપીલ કરી છે.
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે કડકડતી ઠંડી વચ્ચે અબોલ શ્વાનો માટે અનોખી જીવદયા પ્રવૃત્તિ ચાલી રહી છે. ગામના મહિલા અને યુવા મંડળો દ્વારા લોકફાળાથી શ્વાનોને લાડુ, શીરો, ખીચડી અને ગરમાગરમ રોટલાનું ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ સેવા કાર્ય છેલ્લા બે મહિનાથી નિરંતર ચાલી રહ્યું છે. આ સેવા અંતર્ગત, ગં.સ્વ. સવિતાબા લાભશંકર વ્યાસ અને ગં.સ્વ. મંગુબેન પ્રેમશંકર વ્યાસ દ્વારા દર વર્ષની જેમ આ શિયાળામાં પણ રોટલા બનાવવાનું પુણ્ય કાર્ય શરૂ કરાયું છે. લીમડી ચોક પાસે દરરોજ રાત્રે મહોલ્લાની બહેનો એકત્ર થઈ રોટલા બનાવે છે. અત્યાર સુધીમાં 100 કિલોથી વધુ બાજરીના રોટલા બનાવી શ્વાનોને ખવડાવવામાં આવ્યા છે, જેમાં દાતાઓ દ્વારા બાજરી અને લાકડાનું દાન મળ્યું છે. આ કાર્ય ઠંડી ચાલુ રહેશે ત્યાં સુધી ચાલુ રહેશે. ગામના યુવા મંડળ દ્વારા છેલ્લા એક મહિનાથી ગામલોકોના દાનથી આંતરા દિવસે ખીચડી અને શીરો બનાવવામાં આવે છે. આ ભોજન ગામમાં તેમજ ખેતરોમાં રહેતા શ્વાનોને છકડા મારફતે પહોંચાડવામાં આવે છે. મૌલિકભાઈ પટેલના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં છ થી સાત ઘાણ શીરો અને દસથી વધુ ઘાણ ખીચડી બનાવીને ખવડાવવામાં આવી છે. આ સેવા કાર્યમાં રમેશભાઈ પટેલ, શિવાભાઈ પટેલ, પમુજી દરબાર, ભરતભાઈ, ભદ્રેશભાઈ, સંદીપભાઈ, મહેશભાઈ, મયુરભાઈ, કુણાલભાઈ અને તેમની ટીમ સક્રિય છે. રાધાકૃષ્ણ મહિલા મંડળ પણ દર વર્ષે તેલના લાડુ બનાવીને શ્વાનોને ખવડાવે છે. ચાલુ વર્ષે દરબાર અંતરબા ભગાજીના ઘરે બે મણ લોટના તેલના લાડુ બનાવવામાં આવ્યા હતા, જેમાં બહેનો દ્વારા રૂ. 6900નો આર્થિક સહયોગ મળ્યો હતો. રસોઈયા હરગોવનભાઈ પ્રજાપતિએ લાડુનો ઘાણ તૈયાર કર્યા બાદ મહિલા મંડળના અંતરબા, ગં.સ્વ. રમાબા વ્યાસ, રંજનબેન વ્યાસ, પદ્માબેન રાવલ, રામીબેન પટેલ, રમાબેન ઠાકર સહિતની બહેનોએ જાતે એકત્ર થઈ લાડુ બનાવી દરેક મહોલ્લામાં પહોંચાડી ખવડાવ્યા હતા. બચેલા રૂ. 1,500 યુવા મંડળને ખીચડી અને શીરો બનાવવા માટે દાનમાં આપવામાં આવ્યા હતા.
ગરવા ગઢ ગિરનારની ગોદમાં વસેલા જૂનાગઢ શહેરને સ્માર્ટ બનાવવાની વાતો વચ્ચે મહાનગરપાલિકાના 'વોટર વર્કસ' વિભાગની પોલ ખુલી ગઈ છે. શહેરના મધુરમ વિસ્તારમાં એસબીઆઈ બેન્ક સામે આવેલી વનગંગા સોસાયટીમાં મનપાએ નાખેલી પાણીની નવી પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લિટર પાણીનો બગાડ થયો છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને વોટર વર્ક શાખાના અધિકારી અલ્પેશ ચાવડાની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પાઈપલાઈન લીકેજ થવાને કારણે સોસાયટીના રસ્તાઓ પર એક ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકો અને ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો અને તેમના વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોએ આ ગંદા અને કાદવયુક્ત પાણીમાં ચાલીને રસ્તો ઓળંગવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પણ અધિકારીઓની અણઆવડતને કારણે જનતા સુવિધાના બદલે મુસીબત ભોગવી રહી છે. બે મહિનામાં બીજી વખત ભંગાણ અગાઉ બે મહિના પહેલા પણ આ જ જગ્યાએ પાઈપલાઈન તૂટી હતી.નિષ્ણાતોના મતે પાઈપલાઈન નાખતી વખતે યોગ્ય 'લેવલિંગ' કરવામાં આવ્યું નથી અથવા તો હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવામાં આવ્યું છે. કરોડો રૂપિયાના ખર્ચે જે કામગીરી થઈ છે, તેમાં ટેકનિકલ પદ્ધતિને નેવે મૂકીને માત્ર કાગળ પર કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મનપા અધિકારી અલ્પેશ ચાવડાનું મૌન જ્યારે આ ગંભીર બેદરકારી અંગે વોટર વર્ક શાખાના જવાબદાર અધિકારી અલ્પેશ ચાવડાનો વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. અધિકારીનું આ મૌન અનેક તર્ક-વિતર્ક સર્જી રહ્યું છે. શું આ કામગીરીમાં તેમની પણ ભાગીદારી છે ? કે પછી કોન્ટ્રાક્ટરને છાવરવા માટે તેઓ મીડિયાના સવાલોથી ભાગી રહ્યા છે ? કોર્પોરેટરનું 'ટેસ્ટિંગ'નું બહાનું : આ મામલે સ્થાનિક કોર્પોરેટર ધર્મન ડાંગરે જણાવ્યું હતું કે કદાચ પાણીની લાઈનનું ટેસ્ટિંગ ચાલતું હશે એટલે આવું થયું હશે. જોકે જ્યારે તેમને યાદ અપાવવામાં આવ્યું કે બે મહિના પહેલા પણ આ જ સ્થિતિ હતી, ત્યારે તેઓ નિરુત્તર થઈ ગયા હતા. જોકે, તેમણે વહેલી તકે કામગીરી સુધારવાની ખાતરી તો આપી છે, પણ સવાલ એ છે કે દર વખતે ટેસ્ટિંગના નામે જનતાના ટેક્સના પૈસા અને પીવાનું પાણી ક્યાં સુધી વેડફાતું રહેશે ? જૂનાગઢ મનપાના એન્જિનિયરો અને અધિકારીઓની બેદરકારી હવે જનતા માટે જીવનું જોખમ બની રહી છે. જો આ રીતે જ ભ્રષ્ટાચાર ચાલતો રહેશે, તો આગામી દિવસોમાં સમગ્ર વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે. હવે જોવાનું એ રહેશે કે કમિશનર આ મામલે જવાબદાર અધિકારી અલ્પેશ ચાવડા અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે છે કે પછી 'સેટિંગ'ના ખેલમાં જનતા પીસાતી રહેશે.
ગાંધીનગરમાં રખડતા શ્વાનના વધતા ત્રાસ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. મેયરની અધ્યક્ષતામાં મળેલી સામાન્ય સભામાં રખડતા કૂતરાઓ માટે અડાલજ ખાતે 200ની ક્ષમતા ધરાવતી ખાસ એનિમલ હોસ્ટેલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ શહેરમાં પાલતુ શ્વાન રાખનારા માલિકો માટે રજીસ્ટ્રેશન ફરજિયાત કરવાની દરખાસ્તને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવાયાગાંધીનગરમાં રખડતા શ્વાનના વધતા ત્રાસ અને નાગરિકોની સુરક્ષાને ધ્યાને રાખીને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જોકે, સભા દરમિયાન રજૂ થયેલી 10 દરખાસ્તો પૈકી પાલતુ શ્વાનના રજીસ્ટ્રેશનની દરખાસ્ત ચર્ચામાં રહી હતી. કોર્પોરેટરોએ બીજા કામો છોડી કૂતરાઓની ફરિયાદો પાછળ દોડવું પડે છેઆ સભામાં મૂળ કોંગ્રેસી એવા ભાજપના કાઉન્સિલર અને સુએઝ, સેનીટેશન સમિતિના ચેરમેન અંકિત બારોટે આ મુદ્દે રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન આવકારદાયક છે, પરંતુ શહેરમાં રખડતા કૂતરાઓનો પ્રશ્ન વધુ ગંભીર છે. વોર્ડમાં જતી વખતે લોકો અવારનવાર આ ત્રાસ અંગે ફરિયાદ કરે છે. કોર્પોરેટરોએ બીજા કામો છોડીને કૂતરાઓની ફરિયાદો પાછળ દોડવું પડે છે. અડાલજ ખાતે રખડતા શ્વાન માટે ખાસ હોસ્ટેલનું નિર્માણત્યારે અંકિત બારોટની રજૂઆતના જવાબમાં મ્યુનિસિપલ કમિશનરે ખાતરી આપી હતી કે અડાલજ ખાતે રખડતા શ્વાન માટે ખાસ હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે. આ હોસ્ટેલની ક્ષમતા 200 શ્વાન રાખવાની હશે. બીમાર કે હડકાયા શ્વાનને પકડીને ત્યાં જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવશે. શહેરમાં શ્વાનના ખસીકરણની પ્રક્રિયાને વધુ વેગવંતી બનાવવામાં આવશે. રખડતા શ્વાન માટે નક્કર પોલિસી હોવી જોઈએઆ અંગે અંકિત બારોટે કહ્યું કે, લોકોની ફરિયાદ હતી કે રખડતા કુતરાઓનો ત્રાસ વધી ગયો છે. મેં સભામાં રજૂઆત કરી કે માત્ર રજીસ્ટ્રેશન નહીં પણ રખડતા શ્વાન માટે નક્કર પોલિસી હોવી જોઈએ. કમિશનરે આશ્વાસન આપ્યું છે કે અડાલજમાં હોસ્ટેલ તૈયાર થયા બાદ આ સમસ્યાનો ટૂંક સમયમાં અંત આવશે. પાલતુ કૂતરાઓની નોંધણી મહાનગરપાલિકામાં કરાવવી પડશેઉલ્લેખનીય છે કે, મહાપાલિકાએ મંજૂર કરેલી નવી દરખાસ્ત મુજબ, હવે ગાંધીનગરના નાગરિકોએ તેમના ઘરમાં રાખેલા પાલતુ કૂતરાઓની નોંધણી મહાનગરપાલિકામાં કરાવવી પડશે. આ નિર્ણય પાછળનો હેતુ પાલતુ પ્રાણીઓનો ડેટા રાખવાનો અને જવાબદાર પેટ ઓનરશિપને પ્રોત્સાહન આપવાનો છે.
રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. નવા પ્રસ્તાવ મુજબ હવે ભાગેડુ લગ્નની નોંધણી સીધી રીતે નહીં થઈ શકે અને તે માટે વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત રહેશે. માતા-પિતાએ 30 દિવસની અંદર લેખિત જવાબ આપવો પ્રસ્તાવિત નિયમો અનુસાર તલાટી અથવા વર્ગ-2 અધિકારીની મંજૂરી વિના ભાગેડુ લગ્નની નોંધણી કરી શકાશે નહીં. ઉપરાંત આવા કિસ્સાઓમાં યુવક-યુવતીના માતા-પિતાને પણ સત્તાવાર નોટિસ મોકલવામાં આવશે. નોટિસ મળ્યા બાદ માતા-પિતાએ 30 દિવસની અંદર પોતાનો લેખિત જવાબ આપવો ફરજિયાત રહેશે. પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ સત્તાવાર જાહેરાત થઈ શકે છેસરકારનો ઉદ્દેશ્ય નાબાલિક લગ્ન, દબાણ હેઠળ થતા લગ્ન અને પરિવારની જાણ વગર થતી નોંધણી પર રોક લગાવવાનો છે. આવતીકાલે યોજાનારી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળ્યા બાદ તેના અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. નવા નિયમો અમલમાં આવ્યા બાદ રાજ્યમાં ભાગેડુ લગ્નની નોંધણી પ્રક્રિયા વધુ કડક અને પારદર્શક બનશે.
વડોદરા હરણી એરપોર્ટ ખાતે આજે ઈન્ડિગો એર લાઈન્સ દ્વારા નવી મુંબઈની ફ્લાઈટ આજથી શરૂ કરવામાં આવી છે. આ ફ્લાઇટ આજે નવી મુંબઈથી વડોદરા આવી પહોંચી હતી. નવી મુંબઈ એરપોર્ટથી આજે બપોરે 3 વાગ્યે ફ્લાઇટ ટેકઓફ થઈ હતી. જે વડોદરા એરપોર્ટ પર 4.05 વાગ્યે આગમન થઈ હતી. જ્યારે નવી મુંબઇ માટે વડોદરાથી સાંજે 4.40 વાગ્યે ટેક ઓફ કરીને નવી મુંબઇ સાંજે 5.45 વાગે પહોંચશે. વડોદરાને નવી મુંબઈ સાથે જોડતી નવી ફ્લાઇટ મળીઆ નવી ફ્લાઈટ શરૂ થતાં વડોદરા એરપોર્ટથી ફ્લાઇટ્સની સંખ્યા વધીને 15 પર પહોંચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગો એર લાઇન્સની ફ્લાઇટ્સની કટોકટી બાદ વડોદરા એરપોર્ટ ખાતે પહેલી નવી ફ્લાઈટનો આજથી પ્રારંભ થયો છે. ઈન્ડિગો એરલાઈન્સે આજે વડોદરાને નવી મુંબઈ સાથે જોડતી તેની નવી ફ્લાઇટનું સંચાલન શરૂ કર્યું છે, જે મહારાષ્ટ્ર સાથે હવાઈ જોડાણને ખુબજ મજબૂત બનાવશે. 170 મુસાફરો વડોદરાથી નવી મુંબઈ માટે રવાના થયા આ ફ્લેટને લઈ વડોદરા એરપોર્ટ પર ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ એરપોર્ટ ડિરેક્ટર, એરપોર્ટ સલાહકાર સમિતિના સભ્યો, એરપોર્ટ મેનેજર ઈન્ડિગો, વિવિધ હિસ્સેદારો અને એરપોર્ટ સ્ટાફની હાજરીમાં યોજાયો હતો. આજની આ ફ્લાઇટને મુસાફરોનો અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. નવી મુંબઈથી કુલ 80 મુસાફરો વડોદરા આવ્યા હતા, જ્યારે 170 મુસાફરો વડોદરાથી નવી મુંબઈ માટે રવાના થયા હતા.
ACPC દ્વારા એન્જિનિયરિંગમાં પ્રથમવાર સત્રમાં બીજી વખત પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. અત્યાર સુધી માત્ર જ એક વખત એન્જિનિયરિંગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની તક આપવામાં આવતી હતી. પરંતુ પ્રથમવારની પ્રક્રિયામાં એન્જિનિયરિંગમાં પૂરતા વિદ્યાર્થીઓ મળ્યા નથી. 30થી વધુ ખાલી જગ્યા જેથી જે બ્રાન્ચમાં 30થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજીવાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી જે વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેવા વિદ્યાર્થીઓનું આખું વર્ષ બગડે નહીં જેને ધ્યાનમાં રાખીને ACPC દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. 52 સંસ્થાઓની 21 હજાર જગ્યાઓ માટે પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂઇતિસાહમાં એન્જિનિયરિંગમાં પ્રથમવાર બીજીવાર પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમવારની પ્રક્રિયામાં વિદ્યાર્થીઓ નથી મળ્યા જેથી મધ્યસત્ર પ્રવેશ પ્રક્રિયા કરવામાં આવશે. રાજ્યની 52 સંસ્થાઓની 21 હજાર જગ્યાઓ માટે પુનઃ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી કોલેજમાં 326, ગ્રાન્ટેડની 76, GTU સેલ્ફ ફાયનાન્સની 11955 અને પ્રાઇવેટ યુનિની 27289 બેઠકો હજીપણ ખાલી છે. 39 હજાર ખાલી બેઠકો સામે 21 હજાર બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાશેજેથી 39 હજાર ખાલી બેઠકો સામે 21 હજાર બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જે બ્રાન્ચમાં 30થી વધુ ખાલી જગ્યા હશે ત્યાં બીજીવાર પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાશે. સપ્લીમેન્ટરી પરીક્ષામાં પાસ થયેલ અને બાકી રહેલ વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે. વિદ્યાર્થીઓનું આખુ વર્ષ ના બગડે તે માટે પુનઃ પ્રવેશ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી સમયમાં ACPC દ્વારા પ્રવેશ પ્રક્રિયા માટે કાર્યક્રમ પણ જાહેર કરવામાં આવશે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એકવાર મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. એર ઈન્ડિયા એક્સપ્રેસની સુરતથી બેંગકોક જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં 9 કલાકથી વધુ મોડી પડતા મુસાફરોનો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો. સવારથી ભૂખ્યા-તરસ્યા બેસી રહેલા મુસાફરોએ એરપોર્ટ પરિસરમાં જ એરલાઇન્સના સ્ટાફ સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. શું છે સમગ્ર મામલો? મળતી માહિતી મુજબ, એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ જે સવારે 9:00 વાગ્યે સુરતથી બેંગકોક માટે રવાના થવાની હતી, તે ટેકનિકલ કે અન્ય કારણોસર મોડી પડી હતી. સાંજ ના 6:00 વાગ્યા સુધી પણ ફ્લાઇટ ઉપડવાના કોઈ એંધાણ ન દેખાતા મુસાફરોની ધીરજ ખૂટી હતી. ઘણા મુસાફરોએ આગળના કનેક્ટિંગ ફ્લાઇટ અને હોટલ બુકિંગ કરાવી રાખ્યા હતા, જે આ વિલંબને કારણે રદ થવાની ભીતિ સેવાઈ રહી છે. બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી એરપોર્ટ પર અટવાયેલા મુસાફરોમાં નાના બાળકો અને વૃદ્ધોની સંખ્યા મોટી હતી. મુસાફરોનો આક્ષેપ છે કે એરલાઇન્સ દ્વારા મુસાફરો માટે જમવા કે પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી નહોતી. ફ્લાઇટ કેટલા વાગ્યે ઉપડશે તે અંગે સ્ટાફ દ્વારા કોઈ સચોટ માહિતી આપવામાં આવતી નહોતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ જ્યારે મુસાફરોએ પૂછપરછ કરી, ત્યારે સ્ટાફ તરફથી સંતોષકારક જવાબ ન મળતા મામલો બિચક્યો હતો. એરપોર્ટ પર હંગામો અને રોષ ભારે અકળામણ અનુભવતા મુસાફરોએ એરપોર્ટના ડિપાર્ચર ટર્મિનલ પાસે જ ભેગા થઈને એર ઈન્ડિયા એક્સપ્રેસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. મુસાફરોએ જણાવ્યું હતું કે, અમે લાખો રૂપિયા ખર્ચીને વેકેશન પ્લાન કર્યું હોય છે અને એરલાઇન્સની આવી બેદરકારીને કારણે અમારો આખો પ્રવાસ બગડી રહ્યો છે. મોડી સાંજ સુધી એરપોર્ટ પર તણાવભર્યો માહોલ જોવા મળ્યો હતો અને એરપોર્ટ સિક્યુરિટીએ દરમિયાનગીરી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. અહીં ઘેટાં-બકરાંની જેમ ભરી દીધા છે એક મુસાફરે જણાવ્યું હતું કે, હવે અમારા રોકાણના પૈસા કોણ આપશે? તે લોકો ફ્લાઇટનું રિફંડ પણ નથી આપી રહ્યા. અહીં કોઈ સુવિધા નથી. એવું સમજી લો કે અમને અહીં ઘેટાં-બકરાંની જેમ ભરી દીધા છે. ન તો અમે ઘરે પાછા જઈ શકીએ છીએ અને ન તો અહીંથી આગળ વધી શકીએ છીએ. ખૂબ જ અસુવિધા થઈ રહી છે. અમારી જે ફ્લાઇટ હતી તે તો ઓલરેડી મિસ થઈ ગઈ અન્ય એક મુસાફરે જણાવ્યું કે, અહીંયા ફ્લાઇટ મોડી પડી છે, ત્રણ વખત અપડેટ આપ્યું છે પણ હજી કોઈ ચોક્કસ માહિતી નથી કે આગલી ફ્લાઇટ ક્યારે આવશે. અમારે અહીંથી આગળ વિયેતનામ જવાનું છે, તેના માટે અમે મુંઝવણમાં છીએ કે બીજી ફ્લાઇટ ક્યારે બુક કરાવીએ. હજી સુધી કોઈ અપડેટ નથી અને વિયેતનામની અમારી જે ફ્લાઇટ હતી તે તો ઓલરેડી મિસ થઈ ગઈ છે. તેઓ અમને મૂર્ખ બનાવી રહ્યા છે અન્ય એક મુસાફરે જણાવ્યું કે, કોઈને બેંગકોકથી વિયેતનામ જવું છે, કોઈને ચાઇના જવું છે, દરેકની કનેક્ટિવિટી બગડી ગઈ છે. બધું જ વેરવિખેર થઈ ગયું છે. જો આ સમસ્યા વિશે અમને સવારના 12 કે 1 વાગ્યા સુધીમાં જણાવી દીધું હોત, તો અમે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યા હોત. પણ તેઓ અમને મૂર્ખ બનાવી રહ્યા છે. તેઓએ બધી જ ફ્લાઇટ્સ રોકી દીધી છે અને કોઈને અમારી પરવા નથી.
વડોદરામાં તાજેતરના એક જાહેર કાર્યક્રમમાં મંચ પર ભાજપના વિધાનસભા દંડક અને મંત્રી સાથે નેતાઓ ઉપસ્થિત હતા. ત્યારે મંચ પર પહોંચેલા ક્લાસ વન ઓફિસર ડીઇઓએ વિધાનસભા દંડક બાળુ શુક્લના ચરણ સ્પર્શ અંગે ડીઇઓ સામે NSUI દ્વારા વિરોધ કરીને માફી માગી સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરે તેવી માગ કરી છે. ડીઇઓના વર્તનથી શિક્ષણને બદ્દો લાગવા સહિત ડીઈઓ ભાજપના કાર્યકર હોવાનો આક્ષેપ કરીને કારેલીબાગ ડીઈઓ કચેરી સામે કાર્યકરોએ ભારે સૂત્રોચાર કર્યો હતો. દંડક બાળુ શુક્લના ચરણસ્પર્શ કર્યા ને વિવાદતાજેતરમાં સાંસદ ખેલ મહોત્સવની પૂર્ણાહુતિ સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મંચ પર વિધાનસભા દંડક બાળુ શુક્લ સહિત શહેર ભાજપ પ્રમુખ તથા મહિલા રાજ્ય મંત્રી ઉપસ્થિત હતા. દરમિયાન મંચ પર ક્લાસ વન ઓફિસર ડીઇઓ મહેશ પાડેએ આવી પહોંચી દંડક બાળુ શુક્લના ચરણસ્પર્શ કર્યા હતા. આ બાબતે NSUI દ્વારા ભારે વિરોધ કર્યો હતો. ક્લાસ વન ઓફિસર ડીઈઓ પ્રજાના સેવક છે નહીં કે ભાજપના કાર્યકર તેવા આક્ષેપ કરીને ડીઈઓ માફી માંગે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર મૂકે તેવી કાર્યકરોએ માંગ કરી ભારે સૂત્રોચાર કરીને ડીઇઓ કચેરી કમ્પાઉન્ડ ગજાવી મૂક્યું હતું. વીડિયો બનાવી માફી માગવામાં આવેની NSUIની માગઆ અંગે NSUIના પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે, વડોદરાના DEO દ્વારા સમગ્ર શિક્ષણ જગતમાં એક શરમજનક બાબત કે ધારાસભ્યને જાહેર મંચ પર ચરણ સ્પર્શ કરે છે, આ એક શરમ જનક બાબત છે. જાહેર મંચ પર આ રીતે ચરણ સ્પર્શ કરવા યોગ્ય નથી. તેઓનો પગાર ભારતીય જનતા પાર્ટી દ્વારા નથી કરવામાં આવતો તે સરકાર આપે છે. આ કૃત્ય યોગ નથી અને આ અંગે NSUI દ્વારા માંગ કરવામાં આવે છે કે આ બાબતે એક વીડિયો બનાવી માફી માગવામાં આવે તેવી માગ કરવામાં આવે છે. અમારી માંગ ત્યાં સુધી ચાલુ રહેશે કે DEO અમારી સમક્ષ નહીં આવે ત્યાં સુધી અમે વિવિધ કાર્યક્રમ કરીશું. 'ગાંધીજીનો ફોટો મૂકી નમન કરવું હોય તો તેઓને કરવું જોઈએ'વધુમાં કહ્યું કે, આજે અમે ગાંધીજીનો ફોટો લઈ ને આ બાબતે રજૂઆત માટે પહોંચ્યા હતા પરંતુ તેઓ મળ્યા ન હતા. આ માટે અમે ઓફિસમાં આવેલ ખુરશી પર ગાંધીજીનો ફોટો મૂકી નમન કરવું હોય તો તેઓને કરવું જોઈએ. આ બાબતે અમે રજૂઆત અર્થે પહોંચ્યા પરંતુ તેઓ મળ્યા ન હતા. આખરે આ મામલે ચોક્કસ માફી માગી તેઓએ વિડિઓ જાહેર કરવો જોઈએ.
ખનીજ વિભાગનો સપાટો:વલ્લભીપુર, પાલિતાણા અને વરતેજમાંથી રેતીચોરી કરતા 4 ડમ્પરો ઝડપાયા
ભાવનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહન અટકાવવા માટે ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા લાલ આંખ કરવામાં આવી છે જેમાં આજે સવારે જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલા આકસ્મિક દરોડામાં સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા 4 ડમ્પરો ઝડપી પાડી કુલ રૂપિયા 80 લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાળોંધરા એ માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે અમારી કચેરીની તપાસ ટીમ દ્વારા આજે સવારે વલ્લભીપુર, પાલિતાણા અને વરતેજ ખાતે આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન રોયલ્ટી પાસ વગર અથવા નિયમ વિરુદ્ધ રેતી ભરીને જતા ચાર વાહનોને પકડી પાડવામાં આવ્યા હતા, તપાસ ટીમ દ્વારા વાહનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં ડમ્પર નંબર GJ-04- AX -5041 જે ભોળા અશોકભાઈ ચૌહાણ ની માલિકી, ડમ્પર નંબર GJ- 06- AZ - 2420 જે રાજદીપસિંહ ડી ગોહિલની માલિકી, ડમ્પર નંબર GJ-13- X-6483 જે જીતેશ ડાયાભાઈ ડાંગર ની માલિકી તથા ડમ્પર નંબર- GJ -04- X- 7061 જે જયદીપસિંહ જાડેજાની માલિકી ઓના ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, તપાસ ટીમ દ્વારા કુલ 80 લાખની કિંમતના ડમ્પરો સીઝ કરીને આગળની દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભૂસ્તરશાસ્ત્રી બી. એમ. જાળોંધરાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહન કરનારા તત્વો સામે આગામી સમયમાં પણ આ પ્રકારની કડક ઝુંબેશ ચાલુ રહેશે.
લુણાવાડા નગરપાલિકાની કાર્યવાહી:પરવાનગી વિના ટેન્ટ લગાવનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલ્યો
લુણાવાડા નગરપાલિકાએ જાહેર માર્ગો પર પરવાનગી વિના ટેન્ટ ઊભા કરીને ટ્રાફિકમાં અડચણ ઊભી કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી અંતર્ગત વેપારીઓ પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. નગરપાલિકા અધિનિયમ મુજબ, આવા વેપારીઓ પાસેથી કુલ ₹3300/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ ટેન્ટ જાહેર માર્ગો પર ઊભા કરાયા હતા, જેના કારણે વાહનવ્યવહારમાં અવરોધ ઊભો થતો હતો. નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં જો કોઈ પણ વેપારી પરવાનગી વિના જાહેર સ્થળો પર ટેન્ટ કે અન્ય કોઈ પ્રકારના માળખા ઊભા કરશે, તો તેમની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકા તંત્ર દ્વારા તમામ વેપારીઓને નિયમોનું પાલન કરવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.
સુરત ખાતે આયોજિત સમસ્ત ઝાલાવાડ લેઉવા પટેલ સમાજના 33મા સ્નેહ મિલન અને તેજસ્વી તારલાઓના સન્માન સમારોહમાં પાટીદાર અગ્રણી અને જાણીતા વક્તા શૈલેષ સાગપરીયાએ સમાજની વર્તમાન સ્થિતિ અને પેઢીઓ વચ્ચેના અંતર પર અત્યંત માર્મિક અને હૃદયસ્પર્શી નિવેદનો આપ્યા હતા. હાલ ચાલતા આરતી સાંગાણીના પ્રેમલગ્નને ચાલતા વિરોધ વચ્ચે તેમણે નામ લીધા વિના જ દીકરીઓને ખૂબ જ મોટી ટકોર કરી હતી અને કહ્યું હતું કે, જીવનસાથી પસંદ કરતી વખતે સચેત રહો. દીકરીનું એક ખોટું પગલું આખી જિંદગી પિતાને નીચું જોઈને ચાલવા મજબૂર કરી શકે છે. તમારા એક ખોટા પગલાથી પિતાનું મસ્તક ઝૂકી શકે છેકાર્યક્રમમાં શૈલેષ સાગપરીયાએ દીકરીઓને ઉદ્દેશીને અત્યંત ભાવુક અપીલ કરી હતી કે, સમાજની દીકરીઓને પણ મારે એક વાત છેલ્લે એટલી કહેવી છે, અહીંથી કહેવાઈ ગઈ છે એટલે વિશેષ મારે નથી કહેવું, પણ એટલું કહેવું છે કે તમારો જીવનસાથી પસંદ કરતી વખતે બરોબર સચેત રહેજો. કારણ કે તમને તમારી ઉંમરને કારણે ખબર નથી કે તમારી પસંદગી કેવી ખોટી થઈ જાય છે. એક પગલું ભરીએ ને પિતા નીચું મોઢું રાખીને ચાલતા થઈ જાયઆજકાલ આપણે આપણા આદર્શ પણ કોને બનાવી દીધા છે? ફિલ્મ અભિનેત્રીઓ આપણી આદર્શ! હું તો એવું કહું કે સરદાર પટેલ મની દીકરી કુમારી મણીબેન પટેલ આપણા માટે આદર્શ હોવા જોઈએ કે પોતાના પિતા માટે એ દીકરીએ શું કર્યું હતું? બહેનો યાદ રાખજો, આપણા પિતા પાસે પૈસા ભલે ના હોય, આપણા પિતા પાસે મોટો બંગલો ભલે ના હોય, આપણા પિતા પાસે મોટી કાર ભલે ના હોય, પણ આપણા પિતાની આબરૂ ગામમાં ગજબની હોય, આપણું ખોરડું ખાનદાની ખોરડું કહેવાતું હોય, એક પગલું આપણે એવું ભરીએ ને... જિંદગીભર આપણા પિતા નીચું મોઢું રાખીને ચાલતા થઈ જાય. પરિવારની આબરૂનું ધ્યાન રાખવું એ દીકરીની જવાબદારીજે બાપ ગામમાં છાતી કાઢીને ચાલતો હોય ને એ જ બાપ કે એ જ માને નીચી નજર સાથે ચાલવું પડે એવી પરિસ્થિતિ આવે, એક દીકરી તરીકે મારે વિચારવું પડે કે મારું જીવન મારું છે પણ સાથે સાથે મારા પરિવારની આબરૂનું ધ્યાન રાખવું એ પણ મારી જવાબદારી છે. એટલે આ બાબત પણ વિચારજો. કાર્યક્રમમાં શૈલેષ સાગપરીયાએ વડીલોને ટકોર કરતા જણાવ્યું હતું કે, સમય ખૂબ ઝડપથી બદલાયો છે. પહેલાં બગડવાની તકો ઓછી હતી, પણ હવે મોબાઈલ અને સોશિયલ મીડિયાના યુગમાં પડકારો વધ્યા છે. જો વડીલો સમય સાથે પોતાના વિચારો અને વર્તનમાં પરિવર્તન નહીં લાવે, તો નવી પેઢી સાથે તેમનો તાલમેલ બેસશે નહીં. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, સમય સાથે પરિવર્તન જરૂરી છે, નહીં તો નવી પેઢી તમને એકલા પાડી દેશે. પિતા-પુત્રીના સંબંધોમાં મિત્રતાની જરૂરદીકરી અને પિતા વચ્ચેના પરંપરાગત અંતર પર બોલતા તેમણે સલાહ આપી હતી કે દીકરા-દીકરી 16 વર્ષના થાય એટલે પિતાએ શાસકની ભૂમિકા છોડી મિત્ર બનવું જોઈએ. ઘરમાં દરેક વિષય પર સ્પષ્ટ અને ખુલ્લી ચર્ચા થવી જોઈએ. પરિવારના દરેક સભ્યને તેના સ્વભાવ સાથે સ્વીકારવો જોઈએ. બંગલાને સ્વર્ગ કે સ્મશાન બનાવવું તે સ્ત્રીના હાથમાંમહિલાઓને 'ગૃહલક્ષ્મી' ગણાવતા તેમણે કહ્યું કે, એક સ્ત્રી ધારે તો ઝૂંપડાને પણ સ્વર્ગ બનાવી શકે છે અને જો તે ધારે તો આલીશાન બંગલાને પણ સ્મશાન જેવો શાંત અને નિરસ બનાવી શકે છે. તેમણે સાસુ-વહુના સંબંધોમાં પણ આધુનિક સમય મુજબ બદલાવ લાવવાની હિમાયત કરી હતી. સમાજ સામેના અન્ય પડકારોસમાજમાં દીકરીઓ 30-30 વર્ષની વય વટાવી જાય છે છતાં યોગ્ય પાત્ર મળતું નથી, કારણ કે આપણી અપેક્ષાઓ ખૂબ મોટી છે. સામાજિક પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા તેમણે ટકોર કરી હતી. દીકરી જો થોડું સહન કરે તો તે પરિવારને અખંડ રાખી શકે છે. આ કાર્યક્રમમાં શૈલેષ સાગપરીયાની કડવી પણ સત્ય વાતોએ ઉપસ્થિત દરેક સમાજશ્રેષ્ઠીઓને વિચારતા કરી દીધા હતા. તેમણે પાટીદાર સમાજની પ્રગતિને બિરદાવવાની સાથે સામાજિક દૂષણો અને માનસિકતા બદલવા પર ભાર મૂક્યો હતો.
રાજ્યમાં ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1) શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. પરીક્ષા પૂર્ણ થતાં જ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બોર્ડના પરિપત્ર મુજબ TET-1 પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોની OMR શીટ 30 ડિસેમ્બર 2025ના રોજ અધિકૃત વેબસાઈટ www.sebexam.org પર મુકવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કી 3 જાન્યુઆરી સુધી ડાઉનલોડ કરી શકશોબોર્ડે સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારો પોતાની OMR શીટ 3 જાન્યુઆરી 2026 સુધી ડાઉનલોડ કરી શકશે. જો કોઈ ઉમેદવારને જવાબોમાં કોઈ વાંધો કે શંકા હોય તો તે નિર્ધારિત સમયમર્યાદામાં ધ્યાનમાં લઈ શકે તે માટે આ વ્યવસ્થા કરાઈ છે. બોર્ડે તમામ ઉમેદવારોને સમયસર OMR શીટ ડાઉનલોડ કરવાની સૂચના આપી છે. ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ઓછો પડ્યો હતોઉલ્લેખનીય છે કે રવિવારે યોજાયેલી TET-1 પરીક્ષા બપોરના 12થી 2 વાગ્યા સુધી યોજાઈ હતી, જેમાં રાજ્યભરમાં 1.01 લાખથી વધુ ઉમેદવાર નોંધાયા હતા. પરીક્ષામાં ગણિત વિષય અઘરું હોવાની ફરિયાદો ઉમેદવારો તરફથી સામે આવી હતી. બે વર્ષ બાદ લેવાયેલી પરીક્ષામાં સમય 30 મિનિટ વધારી 120 મિનિટ આપવામાં આવ્યો હોવા છતાં અનેક ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ઓછો પડ્યો હતો. તેમ છતાં કોઈ મોટા વિવાદ વગર પરીક્ષા પૂર્ણ થતાં હવે પરિણામ પ્રક્રિયા તરફ બોર્ડે ઝડપ વધારી છે. નેગેટિવ માર્કિંગ ન હોવાથી ઉમેદવારોમાં થોડી રાહત 150 ગુણના પેપરમાં નેગેટિવ માર્કિંગ ન હોવાના કારણે ઉમેદવારોમાં થોડી રાહત જોવા મળી હતી. આ પરીક્ષામાં ઉચ્ચ ગુણ સાથે પાસ થનારા ઉમેદવારોને ધોરણ 1થી 5ના સરકારી પ્રાથમિક શિક્ષક તરીકે પસંદગી માટે લાયક ગણવામાં આવશે. માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય TET-1 પરીક્ષા બાદ રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગે શિક્ષક ભરતી અંગે મહત્વપૂર્ણ સંકેત આપ્યો છે. શિક્ષણ વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, આવતા જાન્યુઆરી મહિનામાં અંદાજે 5,000 શિક્ષકોની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે, જ્યારે માર્ચ મહિના સુધીમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. સરકારનું આયોજન છે કે, પસંદ થયેલા ઉમેદવારોને નવા શૈક્ષણિક સત્રથી નિમણૂક મળી જાય. શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલીનિવૃત્તિ અને એક્સ્ટેન્શન પૂર્ણ થતાં વધશે ખાલી જગ્યાઓ ઉચ્ચ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓક્ટોબર મહિનામાં મોટી સંખ્યામાં શિક્ષકો નિવૃત થયા હતા, જેમને નિયમ મુજબ 5 મહિના સુધી એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આ એક્સ્ટેન્શન સમયગાળો પૂર્ણ થતાં જ શાળાઓમાં મોટી સંખ્યામાં જગ્યાઓ ખાલી પડશે, જેને ભરવા માટે શિક્ષક ભરતી અનિવાર્ય બનશે. આ કારણે સરકાર ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માગે છે. 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલીવ્યાયામ, ચિત્ર અને સંગીત શિક્ષકોની કરાર આધારિત ભરતી શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વ્યાયામ, ચિત્ર અને સંગીત વિષયના શિક્ષકોની ભરતી કરાર આધારિત (Contract basis) કરવામાં આવશે. હાલ તાજેતરમાં 5,000 વ્યાયામ શિક્ષકોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ યોગ્ય ઉમેદવારો ન મળતાં હજુ પણ અંદાજે 3,500 વ્યાયામ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
પડોશી ધર્મ નિભાવશે ભારત, પૂર્વ PM ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા ઢાકા જશે જયશંકર
Former Bangladesh PM Khaleda Zia Passes Away : બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન અને BNPના વડા બેગમ ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે નિધન થયું છે. પડોશી દેશમાં ચાલી રહેલા રાજકીય તણાવ વચ્ચે ભારત સરકાર તરફથી એક મોટો સંદેશ આપવામાં આવ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર ખાલિદા ઝિયાના અંતિમ સંસ્કારમાં સામેલ થશે. 80 વર્ષની વયે હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
રાજકોટ શહેરમાં કોઠારીયા રોડ પર મુકબધીર સગીરાને બગીચામાં મળવા બોલાવી છેડછાડ કરી સગીરાની સહેલીએ મિત્ર સાથે મળી ફોટા-વિડીયો પાડી કાવતરૂ રચી ફોટા-વિડીયો વાયરલ કરવાની ધમકી આપી રૂ.7.70 લાખ પડાવ્યા હોવાની ફરીયાદ ભક્તિનગર પોલીસમાં નોંધાઈ હતી જેના આધારે ભકિતનગર પોલીસે તપાસ કરતા સગીરાએ બદનામીના ડરથી તેના ભાઈના લગ્નના દાગીના ખરીદવાના રાખેલા નાણા ઘેરથી ઉઠાવી લઈ બોયફ્રેન્ડને આપ્યા હોવાનુ સામે આવતા પોલીસે બોયફ્રેન્ડ અને સહેલી સામે ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે જયારે ગુનામાં સંડોવાયેલ આરોપી સગીરાની પોલીસે શોધખોળ હાથ ધરી છે. રાજકોટના કોઠારીયા રોડ પર રહેતી મહિલાએ ફરિયાદમાં જણાવ્યુ હતુ કે તેને સંતાનમાં એક દીકરી છે જે સગીર વયની છે અને જન્મથી જ મુકબધીર હોવાનુ એટલે કે તે બોલી કે સાંભળી શકતી ન હોય પરંતુ સાંકેતીક ભાષામાં સમજી સકે છે. ઘરમાં લગ્નનો પ્રસંગ આવતો હોવાથી ઘરમાં દાગીના ખરીદવા માટે રૂ.7.70 લાખ સેટી નીચે રાખ્યા હતા તે વખતે અમારી પુત્રી પણ હાજર હતી બાદમાં તા.01.12.2025ના રોજ દાગીના લેવા જવાનુ હતું માટે સેટી નીચે મુકેલા પૈસા લેવા જતા પૈસા ગાયબ હતા જે અંગે પરીવારને જાણ કરી હતી અને તપાસ કરતા પૈસા મળી આવ્યા ન હતા. લગ્ન પ્રસંગ પુરો થતા મારી પુત્રીને સાંકેતીક ભાષામાં વાત કરતા તેને જણાવ્યુ હતુ કે પાડોશી સહેલી અને તેના બોયફ્રેન્ડ રૂત્વીક નામના શખસે તેને બગીચામાં બોલાવી હતી અને રૂત્વીક નામના શખસે તેની સાથે છેડછાડ કરી હતી અને સહેલીએ ફોટા-વિડીયો ઉતારી લીધા હતા અને કોઈને આ વાત કહીશ તો આ ફોટા-વિડીયો તારી માતા-પિતા અને સંબધીને વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં કાવતરૂ રચી બંન્નેએ પૈસાની માંગણીઓ કરતા કટકે કટકે રૂ.7.70 લાખ આપ્યા હતા. જે સેટી નીચેથી લઈને આપ્યા હોવાનુ જણાવતા સગીરાની માતાની ફરીયાદ પરથી ભકિતનગર પોલીસ સ્ટાફે પોકસો સહીતની કલમ હેઠળ ગુનો નોંધી ઋત્વિક અને સમીર નામના બન્ને આરોપીઓને ઝડપી પાડી સગીરાની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટની ધોળકિયા ખાનગી સ્કૂલમાં ભારતની CA ઇન્સ્ટિટ્યૂટના ચેરમેનના હસ્તે એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ. જેનાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની પ્રેરણા મળશે. આ તકે ચેરમેને ભારતમાં સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હોવાનું જણાવવાની સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માંગતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે રૂ.500 કરોડનું સ્કોલરશીપ ફંડ રિલીઝ થયાનું જણાવ્યું હતું. આ પ્રસંગે ઓફિસ ઓટોમેશન, લીટીગેશન અને કેપિટલ માર્કેટમાં AI નો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી આપવા માટે કોન્ફરન્સ યોજાઇ હતી. 'એકાઉન્ટિંગ મ્યુઝિયમથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની પ્રેરણા મળશે'વેસ્ટર્ન ઈન્ડિયા રિજનલ કાઉન્સિલ ઓફ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયાના ચેરમેન CA કેતન સૈયાએ જણાવ્યું હતુ કે, આજે અમે WIRCની રાજકોટ બ્રાન્ચની મહત્વની વિઝિટમાં આવ્યા છીએ. અમે ધોળકિયા સ્કૂલમાં એકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું છે. જે દર્શાવે છે કે ભારતમાં જ સેંકડો વર્ષ પહેલા એકાઉન્ટિંગની શરૂઆત થઈ હતી. મને આશા છે કે આ એકાઉન્ટિંગ મ્યુઝિયમ જોવાથી વિદ્યાર્થીઓને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવાની પ્રેરણા મળશે. 'આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી લાઈફ સરળ 'તેમણે જણાવ્યું કે આજે અમે AI વિષય પર એક દિવસની કોન્ફરન્સ કરી છે જેમાં અમે બતાવીએ છીએ કે કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી લાઈફ સરળ થાય છે. ઘણા બધા કાર્ય જેમાં ખૂબ જ સમય વેડફાઈ જાય છે તે કાર્યો AIની મદદ થી સરળતાથી થઈ શકે છે. 'દર શુક્રવારે અમે MSME ક્લિનિક ચલાવીએ છીએ'CA કેતન સૈયાએ જણાવ્યું હતું કે, ભારતમાં CA ઇન્સ્ટિટ્યૂટની 180થી વધુ બ્રાન્ચ છે. જેમાં દર શુક્રવારે અમે MSME ક્લિનિક ચલાવીએ છીએ. જેમાં નાના ઉદ્યોગકારોને સબસીડી, GST કે ઇન્કમટેક્સ અંગે કોઈ માહિતી જોઈતી હોય તો આપીએ છીએ. આ ઉપરાંત ભારતમાં અમે ટેક્સ અને ફાઇનાન્સની જાગૃતિ ડ્રાઇવ ચલાવીએ છીએ. આ ઉપરાંત હાલમાં વધી ગયેલા સાયબર ફ્રોડ અંગે લોકોને માહિતગાર કરીએ છીએ. જેસી લોકો પોતાના ઓટીપી, પાસવર્ડ કે આધાર નંબર અજાણ્યા વ્યક્તિઓને ન મોકલે. આ ઉપરાંત કરિયર કાઉન્સિલિંગના લેક્ચર આપીએ છીએ જેનાથી વિદ્યાર્થીઓને પ્રેરણા મળે. વિદ્યાર્થી માટે ટ્રેઈન અર્ન એન્ડ લર્ન કોર્સ શરૂCA કેતન સૈયાએ વધુમાં જણાવ્યું હતું કે, CA ઇન્સ્ટિટયૂટની વેસ્ટર્ન બ્રાંચમાં અમે ટ્રેઈન અર્ન એન્ડ લર્ન કોર્સ શરૂ કર્યો છે. કોમર્સનો કોઈ વિદ્યાર્થી આ કોર્સ કરે તો ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત અને એજ્યુકેશન વચ્ચેનો ગેપ બ્રિજ થાય છે. જેમાં ઇન્કમટેક્સ રિટર્ન, GST અને TDS કઈ રીતે ફાઇલ કરવુ તેની માહિતી મળે છે આ સાથે જ વિદ્યાર્થીને પ્રેક્ટીકલ ટ્રેનિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આપવામાં આવે છે. આ કોર્સ કર્યા બાદ કોમર્સનો કોઈ પણ વિદ્યાર્થી ઇન્ડસ્ટ્રીઝમાં જશે તો તેને ખૂબ જ ફાયદો થશે. એકાઉન્ટિંગ મ્યુઝિયમનુ ઉદ્ઘાટનધોળકિયા સ્કૂલ ખાતે એકાઉન્ટિંગ મ્યુઝિયમનુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અનોખા મ્યુઝિયમમાં એકાઉન્ટિંગ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના ઇતિહાસ, વિકાસ યાત્રા તથા મહત્વપૂર્ણ ક્ષણોને ફોટોગ્રાફ્સ અને વિઝ્યુઅલ માધ્યમ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સ માટે પ્રેરણાસ્રોત બની રહેશે.
વિશ્વના ડાયમંડ હબ તરીકે ઓળખાતા સુરત શહેરમાં હીરા અને ઝવેરાત ક્ષેત્રે તાલીમ આપતી પ્રતિષ્ઠિત સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ (IDI) ને હવે નવો ઓપ આપવામાં આવ્યો છે. કતારગામ ખાતે આવેલી આ સંસ્થાના બિલ્ડિંગનું રિનોવેશન કાર્ય પૂર્ણ થતા, રાજ્યસભાના સાંસદ અને જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાના હસ્તે તેનું ગરિમાપૂર્ણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જૂના સ્ટ્રક્ચરને મળ્યો આધુનિક ઓપ વર્ષ 1978 થી કાર્યરત આ સંસ્થાનું બિલ્ડિંગ સમય જતાં ઘણું જૂનું થઈ ગયું હતું. આધુનિક સમયની જરૂરિયાતો અને વધતા જતા વિદ્યાર્થીઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને સંસ્થાના સ્ટ્રક્ચરને રિનોવેટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આ ઇન્સ્ટિટ્યૂટ અદ્યતન સુવિધાઓ અને નવીન ટેકનોલોજી સાથે ફરી એકવાર વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવી છે. વૈશ્વિક સ્તરે ડાયમંડ ક્ષેત્રે પાયાની ભૂમિકા IDI માત્ર સુરત કે ભારત પૂરતી મર્યાદિત નથી, પરંતુ અહીં વિદેશથી પણ વિદ્યાર્થીઓ તાલીમ લેવા માટે આવે છે. છેલ્લા સાડા ચાર દાયકાથી આ સંસ્થાએ હજારો વિદ્યાર્થીઓને ડાયમંડ અને જ્વેલરી સેક્ટરમાં પ્રોફેશનલ તાલીમ આપી છે. અહીંથી તાલીમ મેળવેલા વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશના મોટા હીરા ઉદ્યોગોમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે. સંસ્થાએ ડાયમંડ ગ્રેડિંગ, ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગમાં અનેક યુવાનોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર ઉદ્ઘાટન પ્રસંગે ગોવિંદભાઈ ધોળકિયાએ સંસ્થાની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, આજે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે IDI નું રી-ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ 47 વર્ષ પહેલા 1978 માં પાયો નખાયો, એમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત ગવર્મેન્ટ પણ સાથે છે અને આ 47 વર્ષમાં હજારો સ્ટુડન્ટ અહીંથી ડાયમંડ, જ્વેલરી અને એ બધી ટ્રેનિંગ લઈ વિવિધ જાતની અને દેશ વિદેશમાં પોતાનું ભાવી બનાવી રહ્યા છે અને બન્યું છે. એ સમયે આ ઐતિહાસિક સંસ્થા ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટમાં અત્યારે દિનેશભાઈ નાવડિયા જે ચેરમેન તરીકે નવનિયુક્ત થયા અને એણે બહુ મહેનત કરી, બધા જૂના ડાયમંડ વાળાને યાદ કરાવ્યું, ડોનેશન લઈ અને આખું ફરીથી આનું રિનોવેશન કરાવ્યું. આજે અમે આ બધું જોયું, જોઈને ખૂબ પ્રભાવિત થયા, આનંદિત થયા અને હવે આ જ્યારે રિનોવેશન થયું છે અને નવી દુનિયા આજની સાથે ટ્રેનિંગ સેન્ટર ચાલુ થયું છે, તો હવે દેશભરમાંથી ને વિદેશથી પણ અહીંયા સ્ટુડન્ટ આવશે, આવે છે અને એનું ભાવી બનાવશે અને બની રહ્યું છે.
જૂની અદાવતમાં બે કોમ વચ્ચે પથ્થરમારો સાણંદના કલાણા ગામમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂની અદાવત અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બાબતે બે જૂથ સામસામે આવી ગયાં હતાં. ગામમાંથી 40 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગામમાં ચુસ્ત પોલીસ-બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. કોણ બનશે ગુજરાતના નવા DGP? રાજ્યના નવા ડીજીપી તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ લગભગ નક્કી માનવામાં આવે છે. નવા વર્ષની શરુઆતમાં જ આ અંગે સત્તાવાર જાહેરાત પણ કરી દેવાશે. હાલના ડીજીપી વિકાસ સહાય 31મી ડિસેમ્બરે નિવૃત્ત થઈ રહ્યા છે. સિદ્ધપુરમાં પદયાત્રા અટકતાં હવે કાણોદરમાં ધરણાં આદિવાસી સમાજની પદયાત્રાને સિદ્ધપુરમાં ડીવાયએસપીએ પરમિશન વગર એકપણ ડગલું આગળ વધતા રોક્યા, જેના જવાબમાં એમએલએ કાંતિ ખરાડીએ કહ્યું હતું કે જાતિના દાખલા નહીં મળે ત્યાં સુધી પીછેહઠ નહીં કરીએ. યાત્રા સિદ્ધપુરમાં અટકાવાતાં હવે આદિવાસી આગેવાનો ફરીથી કાણોદર જઇને ધરણાં પર બેઠા છે. દંડકના પદેથી કિરીટ પટેલનું રાજીનામું કોંગ્રેસમાં ચાલતો આંતરિક જૂથવાદ ફરી સપાટીએ આવ્યો. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના દંડક પદેથી રાજીનામુ આપી દીધું, જોકે તેઓ ધારાસભ્ય પદે યથાવત્ રહેશે. રોંગ સાઈડથી આવતી કારે સર્જ્યો એક્સિડન્ટ અમદાવાદના નારણપુરામાં ભાવિન ચાર રસ્તા પાસે રોંગસાઈડ આવતી કારે લાઈનસર એક્ટિવા, રિક્ષા અને અન્ય એક કારને ટક્કર મારી હતી, જેમાં એક્ટિવાચાલક હવામાં ફંગોળાઈને નીચે પટકાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. અજાણ્યા વાહની ટક્કરથી બે યુવકોનાં મોત વડોદરાના ડેસરમાં અજાણ્યા વાહને એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં. અકસ્માતમાં એક્ટિવાના ફુરચેફુરચા ઊડી ગયા. અમદાવાદમાં દોડશે હાઇટેક ઈવી બસો અમદાવાદના રસ્તા પર હવે હાઈટેક EV બસો દોડશે. જો બેટરીમાં આગ લાગે તો ફાયર સિસ્ટમ એક્ટિવ થઈ જશે, તમામ ડોર બંધ થયા બાદ જ બસ આગળ ચાલી શકશે.. તબક્કાવાર 225 બસ લાવવામાં આવશે.. અમદાવાદની SVP હોસ્પિટલમાં બેદરકારીનો આક્ષેપ અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં બેદરકારીનો આક્ષેપ. ICUમાં દર્દીના હાથની નળી નીકળી જતાં લોહી વહી ગયું. પરિવારજનોએ હાજર ડૉક્ટરો કે સ્ટાફે ધ્યાન ના આપ્યું હોવાનો આક્ષેપ કર્યો 'AAP' નેતાના સાગરીતનો હપતા લેતો વીડિયો આવ્યો સુરતમાં 'AAP' નેતા શ્રવણ જોષીના સાગરીતનો હપતો લેતો VIDEO સામે આવ્યો. સસ્તા અનાજના વેપારીઓને કાળાબજારી કહી વીડિયો બનાવી ડરાવી લાખો ઉઘરાવતા હતા. શ્રવણ જોષી સામે ફરિયાદ નોંધવામાં આવી. ન્યૂ યર પર લાગ્યું માવઠાંનું સંકટ ન્યૂ યર પર તોળાયું માવઠાંનું સંકટ. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 31 ડિસેમ્બર-1 જાન્યુઆરીએ રાજ્યમાં વરસાદની આગાહી કરી.. તો 2જી જાન્યુઆરીથી કોલ્ડવેવ સાથે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે.
પશ્ચિમ રેલવે દ્વારા અસારવાથી ઉપડતી કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. આ ફેરફાર 1 જાન્યુઆરી, 2026, ગુરુવારથી અમલમાં આવશે. હિંમતનગરથી અસારવા સેક્શનમાં અસારવા-ઇન્દોર-અસારવા ટ્રેનના સાત સ્ટેશન પર અને અસારવા-જયપુર ટ્રેનના બે સ્ટેશન પર સમય બદલાશે. હાલમાં અસારવા-ઇન્દોર-અસારવા, અસારવા-જયપુર-અસારવા, અસારવા-કોટા-અસારવા, અસારવા-ચિત્તોડગઢ-અસારવા અને અસારવા-હિંમતનગર-અસારવા મેમુ જેવી ટ્રેનો કાર્યરત છે. આમાંથી બે મુખ્ય ટ્રેનોના રૂટમાં આવતા હિંમતનગરથી અસારવા સેક્શનના રેલવે સ્ટેશનો પર સમયમાં સુધારો કરવામાં આવ્યો છે. ટ્રેન નંબર 19316 અસારવા-ઇન્દોર એક્સપ્રેસનો નવો સમયઅસારવાથી બપોરે 2:10 વાગ્યે ઉપડશે. સરદારગ્રામ 2:15 વાગ્યે પહોંચી 2:17 વાગ્યે ઉપડશે. નરોડા 2:19 વાગ્યે પહોંચી 2:21 વાગ્યે ઉપડશે. નાંદોલ દહેગામ 2:35 વાગ્યે પહોંચી 2:37 વાગ્યે ઉપડશે. તલોદ 2:58 વાગ્યે પહોંચી 3:00 વાગ્યે ઉપડશે. પ્રાંતિજ 3:10 વાગ્યે પહોંચી 3:12 વાગ્યે ઉપડશે. હિંમતનગર 3:43 વાગ્યે પહોંચી 3:45 વાગ્યે ઉપડશે. ટ્રેન નંબર 19315 ઇન્દોર-અસારવા એક્સપ્રેસનો નવો સમયહિંમતનગર 8:20 વાગ્યે પહોંચી 8:22 વાગ્યે ઉપડશે. પ્રાંતિજ 8:41 વાગ્યે પહોંચી 8:43 વાગ્યે ઉપડશે. તલોદ 8:54 વાગ્યે પહોંચી 8:56 વાગ્યે ઉપડશે. નાંદોલ દહેગામ 9:19 વાગ્યે પહોંચી 9:21 વાગ્યે ઉપડશે. નરોડા 9:38 વાગ્યે પહોંચી 9:40 વાગ્યે ઉપડશે. સરદારગ્રામ 9:43 વાગ્યે પહોંચી 9:45 વાગ્યે ઉપડશે. આ ટ્રેન સવારે 10:15 વાગ્યે અસારવા પહોંચશે. ટ્રેન નંબર 12982 અસારવા-જયપુર એક્સપ્રેસનો નવો સમયઅસારવાથી રાત્રે 7:55 વાગ્યે ઉપડશે. સરદારગ્રામ 8:00 વાગ્યે પહોંચી 8:02 વાગ્યે ઉપડશે. નાંદોલ દહેગામ 8:15 વાગ્યે પહોંચી 8:17 વાગ્યે ઉપડશે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહે જીવ ગુમાવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે ગુનાહિત મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાને કારણે વિપુલસિંહ તેમાં પડી ગયા હતાACP પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગટરના ખુલ્લા ઢાંકણને કારણે સર્જાયેલી જીવલેણ દુર્ઘટના અંગે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, ગત 26 ડિસેમ્બરના રોજ ફરિયાદી માધવીબા વિપુલસિંહ ઝાલા અને તેમનો પરિવાર દરબાર ચોકડી પાસે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ચાઈનીઝ લારી પર જમવા ગયા હતા. આ દરમિયાન વિપુલસિંહ ઝાલા ગાડી પાર્ક કરવા ગયા હતા, પરંતુ લાંબો સમય વીતવા છતાં તેઓ પરત ન આવતા પરિવારે શોધખોળ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના કમ્પાઉન્ડમાં ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાને કારણે વિપુલસિંહ તેમાં પડી ગયા હતા. એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સયાજી હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ગંભીર બેદરકારી મામલે માંજલપુર પોલીસે 'ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, એજન્સી દ્વારા ગટરનું ઢાંકણ ખુલ્લું રાખવા છતાં ત્યાં કોઈ બેરીકેટીંગ કે સાવચેતીના બોર્ડ ન મારીને ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી છે, જે વ્યક્તિના મૃત્યુનું કારણ બની હતી. યુવકના મોતથી એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવીઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટનામાં એલેમ્બિકમાં નોકરી કરતા અને નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહ ઝાલા (ઉંમર વર્ષ 43)નું મોત નીપજ્યું હતું. આ યુવક અને તેમના સંબંધી સાથે ચાઈનીઝ ખાવા ગયા હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક વિપુલસિંહ ઝાલાને પાંચ વર્ષનો પુત્ર છે. એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. 10 મિનિટમાં 15 ફૂટ ઊંડી ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢ્યો હતોઆ ઘટનાની જાણ થતાં જ વડોદરા GIDC ફાયર સ્ટેશનની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે માત્ર 10 મિનિટમાં 15 ફૂટ ઊંડી ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢ્યો હતો, બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. અધિકારીઓની બેદરકારીથી આ ઢાંકણું ખુલ્લું હતું: સામાજિક કાર્યકરસામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, આ ઘટનામાં માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ બેદરકારી દાખવનાર કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવા જોઈએ. તેમણે કોર્પોરેશન કમિશનર પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ ‘ઇવેન્ટ પ્લાનર’ ની જેમ કામ કરી રહ્યા છે અને લોકોની સુરક્ષા કરતા ઉત્સવોમાં વધુ ધ્યાન આપી રહ્યા છે. પોલીસ દ્વારા આ મામલે FIR નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું છે. જે જેસીબી ચાલક અને નિરીક્ષણ કરનાર અધિકારીઓની બેદરકારીથી આ ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું, તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નાગરિકનો જીવ ન જાય અને પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે.
સાબરકાંઠામાં મંદિર ચોરીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:રૂ.23,950નો મુદ્દામાલ કબજે, પાંચ સાગરીતો સામેલ
સાબરકાંઠા જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધારને એલસીબીએ હિંમતનગર બસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી ચાંદીના છત્તર અને રોકડ સહિત કુલ રૂ. 23,950નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પૂછપરછ દરમિયાન, તેણે અંબાજીના કુંભારીયાના અન્ય પાંચ શખ્સો પણ આ ચોરીઓમાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. એલસીબીના પીઆઈ ડી.સી. સાકરીયાએ જણાવ્યું હતું કે, પ્રાંતિજ તાલુકાના સલાલ અને પોગલું ગામના મંદિરોમાં તાજેતરમાં થયેલી ચોરી અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. આ દરમિયાન, એલસીબીને હિંમતનગર મુખ્ય બસ સ્ટેન્ડની ગલીમાંથી રેલવે સ્ટેશન તરફ જતા રોડ પર એક શંકાસ્પદ વ્યક્તિની હિલચાલ અંગે બાતમી મળી હતી. બાતમીના આધારે, એલસીબીએ તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ રમેશ ઉર્ફે દિનેશ સરાફીયા નટ (રહે. કુંભારીયા, નટવાસ, અંબાજી) જણાવ્યું હતું. પોલીસે તેની અંગઝડતી લેતા તેના પેન્ટના ખિસ્સામાંથી ચાંદીના 10 નંગ છત્તર મળી આવ્યા હતા. રમેશ નટે કબૂલ્યું હતું કે તેણે અન્ય પાંચ વ્યક્તિઓ સાથે મળીને ચિઠોડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ચિતરીયા-પાલના ડુંગર પરના મંદિરનું તાળું તોડી દાનપેટીમાંથી રોકડ ચોરી કરી હતી. આ ઉપરાંત, આ છ જણાએ વડાલીના થેરાસણા ગામના મંદિરમાંથી પણ દાનપેટી તોડી રોકડની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. એલસીબીએ મુખ્ય સૂત્રધાર પાસેથી રૂ. 20,000ના 10 ચાંદીના છત્તર, રૂ. 3,900 રોકડા અને એક બેટરી મળી કુલ રૂ. 23,950નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુ તપાસ માટે આ સૂત્રધારને પ્રાંતિજ પોલીસને સોંપવામાં આવ્યો છે. આ ગુનામાં સામેલ અન્ય ફરાર શખ્સોના નામ બાલીયા સરમનીયા નટ, ઈન્દ્રરાજ પ્રકાશભાઈ નટ, ભેરૂભાઈ ગોકળભાઈ નટ, વાઘેલાભાઈ રાધાકીશનભાઈ નટ અને અર્જુન ફતીયાભાઈ નટ (તમામ રહે. કુંભારીયા, નટવાસ, અંબાજી) છે.
દેહરાદૂનમાં અભ્યાસ કરતા ત્રિપુરાના યુવકની હત્યા બાદ, ઉત્તર ભારતમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ ફરી ચર્ચામાં આવી ગઈ છે. 9 ડિસેમ્બરના ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ 16 દિવસની સારવાર દરમિયાન યુવકનું મોત થઈ ગયું હતું. જેને લઈને અમદાવાદ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા દેખાવો કરવામાં આવ્યો છે. મીણબત્તી પ્રગટાવીને મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિખાનપુર વિસ્તારમાં આવેલી સીટી કોલેજમાં મીણબત્તી પ્રગટાવીને મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરવાનું બંધ કરો ના નારા લગાવી યુથ કોંગ્રેસ અને NSUI ના કાર્યકર્તાઓએ દેખાવો કર્યો હતો. તેમજ દેશમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે અને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એંજલ ચકમા પર છરીથી હત્યાના પડઘા અમદાવાદમાંદેહરાદૂનમાં અભ્યાસ કરતા ત્રિપુરાના યુવકની હત્યા બાદ, ઉત્તર ભારતમાં પૂર્વોત્તરના વિદ્યાર્થીઓ સાથે ભેદભાવની ઘટનાઓ ફરી ચર્ચામાં આવી ગઈ છે. 9 ડિસેમ્બરના દેહરાદૂનના સેલાકુઈ વિસ્તારમાં આવેલી ખાનગી યુનિવર્સિટીમાં એમબીએના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહેલા 24 વર્ષીય એંજલ ચકમા પર છરીથી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલામાં એંજલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હૉસ્પિટલમાં 16 દિવસ સુધી જિંદગી માટે જંગ લડ્યો, પરંતુ જે બાદ તેનું મોત થયું હતું. 'I Am not Chinese I am Indian'AICC ના લઘુમતી વિભાગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, એંજલ ચકમા જે નોર્થઇસ્ટનો વિદ્યાર્થી હતો કે કહેતો રહ્યો કે I Am not Chinese I am Indian. આ પ્રકારની ઘણી બધી ઘટનાઓ આપદા દેશમાં બની રહી છે. નોર્થઇસ્ટના વિદ્યાર્થીઓને ખૂબ જ દર્દનાક રીતે મારવામાં આવ્યો હતો. તેમજ આજે તેનો પરિવાર 15-20 દિવસથી પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે, જે બાદ FIR પણ મોડી કરવામાં આવી હતી. તો દેશના પ્રધાનમંત્રી અને દેશના ગૃહમંત્રી તમામ દેશના વિદ્યાર્થી જગત તરફ જોવે. કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી વધુમાં AICC ના લઘુમતી વિભાગના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શાહનવાઝ શેખે જણાવ્યું હતું કે, કરોડો વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે આ પ્રકારની જાતિવાદી હિંસા, રંગભેદની હિંસા, ભાષાકીય હિંસા, પ્રાંતવાદ જેવી હિંસાઓ આખા દેશમાં વધી રહી છે, તે ખૂબ જ ચિંતાનો વિષય છે. વિદ્યાર્થીઓની સુરક્ષા સાથે સૌથી મોટો પ્રશ્ન છે. કેમ્પસમાં ઘૂસીને ગુંડાઓ વિદ્યાર્થીઓ પર હુમલો કરી રહ્યા છે. જેથી આ પ્રકારની વ્યવસ્થા કોઈ પણ પ્રકારે ન ચલાવી લેવાય. આખા દેશમાં વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. તેમજ જે પણ લોકો આ અત્યારમાં સામેલ છે તેમને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહે જીવ ગુમાવ્યો હતો. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં મૃતકની પત્નીએ ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ સામે ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે ગુનાહિત મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. ACP પ્રણવ કટારિયાએ જણાવ્યું હતું કે, વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગટરના ખુલ્લા ઢાંકણને કારણે સર્જાયેલી જીવલેણ દુર્ઘટના અંગે માંજલપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, ગત 26 ડિસેમ્બરના રોજ ફરિયાદી માધવીબા વિપુલસિંહ ઝાલા અને તેમનો પરિવાર દરબાર ચોકડી પાસે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ચાઈનીઝ લારી પર જમવા ગયા હતા. આ દરમિયાન વિપુલસિંહ ઝાલા ગાડી પાર્ક કરવા ગયા હતા, પરંતુ લાંબો સમય વીતવા છતાં તેઓ પરત ન આવતા પરિવારે શોધખોળ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના કમ્પાઉન્ડમાં ગટરનું ઢાંકણ ખુલ્લું હોવાને કારણે વિપુલસિંહ તેમાં પડી ગયા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સયાજી હોસ્પિટલના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ ગંભીર બેદરકારી મામલે માંજલપુર પોલીસે 'ઈકો ફેસિલિટી મેનેજમેન્ટ સર્વિસીસ' નામની એજન્સીના માલિકો અને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે. તેઓએ ઉમેર્યું હતું કે, એજન્સી દ્વારા ગટરનું ઢાંકણ ખુલ્લું રાખવા છતાં ત્યાં કોઈ બેરીકેટીંગ કે સાવચેતીના બોર્ડ ન મારીને ગુનાહિત બેદરકારી દાખવવામાં આવી છે, જે વ્યક્તિના મૃત્યુનું કારણ બની હતી. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં બનેલી આ દુઃખદ ઘટનામાં એલેમ્બિકમાં નોકરી કરતા અને નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ મોહનસિંહ ઝાલા (ઉંમર વર્ષ 43)નું મોત નીપજ્યું હતું. આ યુવક અને તેમના સંબંધી સાથે ચાઈનીઝ ખાવા ગયા હતા અને આ દુર્ઘટના સર્જાઈ હતી. મૃતક વિપુલસિંહ ઝાલાને પાંચ વર્ષનો પુત્ર છે. એકના એક દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાની જાણ થતાં જ વડોદરા GIDC ફાયર સ્ટેશનની ટીમ અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરબ્રિગેડની ટીમે માત્ર 10 મિનિટમાં 15 ફૂટ ઊંડી ચેમ્બરમાંથી યુવકને બહાર કાઢ્યો હતો, બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. સામાજિક કાર્યકર સ્વેજલ વ્યાસે જણાવ્યું કે, આ ઘટનામાં માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં પરંતુ બેદરકારી દાખવનાર કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવા જોઈએ. તેમણે કોર્પોરેશન કમિશનર પર આક્ષેપ કરતા કહ્યું કે તેઓ ‘ઇવેન્ટ પ્લાનર’ ની જેમ કામ કરી રહ્યા છે અને લોકોની સુરક્ષા કરતા ઉત્સવોમાં વધુ ધ્યાન આપી રહ્યા છે. પોલીસ દ્વારા આ મામલે FIR નોંધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેમાં કોન્ટ્રાક્ટરનું નામ સામે આવ્યું છે. જે જેસીબી ચાલક અને નિરીક્ષણ કરનાર અધિકારીઓની બેદરકારીથી આ ઢાંકણું ખુલ્લું રહી ગયું હતું, તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઈ અન્ય નાગરિકનો જીવ ન જાય અને પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ પર આગામી 1 જાન્યુઆરી, 2026થી નવુ ટાઇમ ટેબલ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ નવા ટાઇમ ટેબલ હેઠળ અમદાવાદ મંડલમાંથી ચાલતી તેમજ પસાર થતી અનેક ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ટ્રેનોની ગતિ વધારવામાં આવતા હવે આ ટ્રેનો પોતાના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલા પોતાના સ્થળ પર પહોંચશે. 23 ટ્રેનોના પ્રવાસ સમયમાં 5થી 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યોઆ વખતે અમદાવાદ મંડલથી પસાર થતી કુલ 85 ટ્રેનોની ગતિ વધારવામાં આવી છે. સાથે સાથે 23 ટ્રેનોના પ્રવાસ સમયમાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની ગતિ વધારવાના પરિણામે મુસાફરીના કુલ સમયગાળામાં ઘટાડો થયો છે, જેનો સીધો લાભ મુસાફરોને મળશે અને તેઓ પોતાના ગંતવ્ય પર અગાઉ કરતાં ઓછા સમયમાં પહોંચી શકશે. અમદાવાદ ડિવિઝન પર આ નવા ટાઇમ ટેબલ અંતર્ગત વિવિધ સ્ટેશનો પર કુલ 110 ટ્રેનોનો સમય પ્રીપોન કરવામાં આવ્યો છે, જેમાં આ ટ્રેનો પોતાના પહેલાના સમય કરતાં 5 મિનિટથી લઈને 40 મિનિટ સુધી વહેલી આવશે. જ્યારે બીજી તરફ 57 ટ્રેનોનો સમય પોસ્ટપોન કરવામાં આવ્યો છે, જેમાં આ ટ્રેનો પોતાના અગાઉના સમય કરતાં 5 મિનિટથી લઈને 45 મિનિટ સુધી મોડેથી આવશે. અમદાવાદ મંડલના અમદાવાદ, સાબરમતી, મહેસાણા, પાલનપુર, પાટણ, ભીલડી, ઊંઝા, સિદ્ધપુર, ગાંધીનગર, કલોલ, વિરમગામ, ગાંધીધામ, હિંમતનગર, હલવદ, ધ્રાંગધ્રા, સામાખ્યાલી, ભુજ સહિતના અનેક સ્ટેશનો પર ટ્રેનોના સમયમાં ફેરફાર થશે. પરિણામે કેટલીક ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય કરતાં વહેલી તો કેટલીક મોડેથી પહોંચશે. પ્રારંભિક સ્ટેશન પરથી સમય પહેલાં પ્રસ્થાન કરનાર કેટલીક મુખ્ય ટ્રેનો: પ્રારંભિક સ્ટેશન પરથી મોડું પ્રસ્થાન કરનાર કેટલીક મુખ્ય ટ્રેનો: ટર્મિનલ સ્ટેશન પર સમય પહેલાં આગમન કરનાર કેટલીક ટ્રેનો: ટર્મિનલ સ્ટેશન પર મોડું આગમન કરનાર કેટલીક ટ્રેનો:
સુરત શહેરના અલથાણ વિસ્તારમાં રહેતી અને ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી એક 17 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક વિદ્યાર્થિની ગુજરાતના એક જાણીતા કથાકારની પુત્રી હતી. આ દુ:ખદ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘરે કોઈ હાજર ન રહેતા વિદ્યાર્થિનીએ પંખા સાથે ફાંસો ખાઈ લીધોઘટનાની વિગતો મુજબ, શનિવારે મોડી રાત્રે જ્યારે વિદ્યાર્થિનીના પિતા ધાર્મિક પ્રસંગે કથા કરવા માટે બહાર ગયા હતા અને ઘરે કોઈ હાજર ન હતું, ત્યારે વિદ્યાર્થિનીએ પંખા સાથે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે પરિવારના અન્ય સભ્યોએ તેને મૃત હાલતમાં જોઈ ત્યારે પોલીસને જાણ કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. વિદ્યાર્થિની ધો.12ની સાથે NEETની પરીક્ષાની તૈયારી કરતી હતીપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, વિદ્યાર્થિની આગામી ધોરણ-12ની બોર્ડની પરીક્ષા અને મેડિકલમાં પ્રવેશ માટેની NEET (નીટ) ની પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક સમયથી ભારે માનસિક તણાવમાં હતી. પોલીસે મૃતક વિદ્યાર્થિનીની બહેનપણીઓના નિવેદન નોંધ્યા છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે તે ભણતરમાં તેજસ્વી હોવા છતાં બંને મહત્વની પરીક્ષાઓ એકસાથે આવતી હોવાથી ગભરાયેલી રહેતી હતી. 'બંને પરીક્ષાઓ ખૂબ નજીક છે, હું કેવી રીતે મેનેજ કરીશ?'ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ, વિદ્યાર્થિની તેની બહેનપણીઓને કહેતી હતી કે બંને પરીક્ષાઓ ખૂબ નજીક છે, હું કેવી રીતે મેનેજ કરીશ? જો માર્કસ ઓછા આવશે તો શું થશે? આ ભણતરનો ભાર અને ભવિષ્યની ચિંતા તેને ડિપ્રેશન તરફ દોરી ગઈ હતી. પરિણામે, પરીક્ષાના ડરથી તેણે આ અત્યંત આઘાતજનક પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરીહાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટના વાલીઓ અને શિક્ષણ જગત માટે એક ચેતવણી સમાન છે કે સ્પર્ધાના યુગમાં બાળકો પર ભણતરનું દબાણ વધવાને બદલે તેમને માનસિક સહારો આપવો કેટલો જરૂરી છે. પોલીસ હાલ આ મામલે અન્ય પાસાઓની પણ બારીકાઈથી તપાસ કરી રહી છે.
નવા વર્ષ 2026ના પ્રારંભને યાદગાર અને આરોગ્યપ્રદ બનાવવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નવા વર્ષની પ્રથમ સૂર્ય કિરણને નમસ્કાર કાર્યક્રમ અંતર્ગત આગામી 1 જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં લાખો નાગરિકો ડિજિટલ માધ્યમથી જોડાઈને એકસાથે યોગ અને સૂર્ય નમસ્કાર કરશે. 1 જાન્યુઆરીએ સવારે એક કલાક યોગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 1 જાન્યુઆરીના રોજ સવારે 7થી 8 વાગ્યા દરમિયાન YouTube પર વિશેષ લાઈવ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના લાખો નાગરિકો, વિદ્યાર્થીઓ, ખેલાડીઓ અને સરકારી કર્મચારીઓ પોતાના ઘરની છત, બગીચા કે ખુલ્લા મેદાનમાં રહીને આ કાર્યક્રમમાં ઓનલાઈન જોડાઈ શકશે. ભારતીય યોગ સંસ્કૃતિ સાથે જોડવાનો આહ્વાનઆ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક ઉત્સાહી નાગરિકને પ્રોત્સાહન રૂપે 'ડિજિટલ પ્રમાણપત્ર' આપવામાં આવશે, જે લાઈવ સત્ર દરમિયાન આપવામાં આવેલી લિંક પરથી ડાઉનલોડ કરી શકાશે. યોગ બોર્ડના ચેરમેન શિશપાલ રાજૌતે જણાવ્યું કે,ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યુટ્યુબ ચેનલ થકી લાઇવ કરવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ યુવા પેઢીને રાત્રિની મોડી પાર્ટીઓ અને પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણમાંથી બહાર લાવી ભારતીય યોગ સંસ્કૃતિ સાથે જોડવાનો છે. સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓ સહયોગ જોડાશેતેમણે વધુમાં ઉમેર્યું કે નવા વર્ષનું સ્વાગત જો શારીરિક અને માનસિક સુખાકારી યોગ-ધ્યાન સાથે થશે તો આખું વર્ષ સકારાત્મક રહેશે.આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ ખાસ ઉપસ્થિત રહીને યુવાનોને પ્રોત્સાહિત કરશે. આ અભિયાનને સફળ બનાવવા માટે રાજ્યના વિવિધ સરકારી વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓ સહયોગ આપશે. રમતગમત અકાદમીઓ અને યોગ પ્રેમી સંસ્થાઓને પણ સાંકળવામાં આવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મહત્તમ લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને સભાસદો વચ્ચે બેઠક બોલાવવા મુદ્દે ટકરાવ સર્જાયો છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે સભાસદો દ્વારા કરવામાં આવેલી વહેલી સામાન્ય સભા બોલાવવાની માંગણીને ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, નિયમ મુજબ જાન્યુઆરી માસમાં જ બેઠક યોજવામાં આવશે અને કાયદાકીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહીની ચીમકી પણ ઉચ્ચારી છે. સભાસદ મુકેશ પટેલે 22 ડિસેમ્બર, 2024ના રોજ અરજી કરીને વહેલી બેઠક બોલાવવા રજૂઆત કરી હતી. જેના પ્રત્યુત્તરમાં પ્રમુખ હિરલબેન પરમારે પત્ર લખીને જણાવ્યું કે, ડિસેમ્બર મહિનો સમાપ્ત થવા જઈ રહ્યો છે અને જાન્યુઆરીમાં નિયમ મુજબની બેઠક બોલાવવાની પ્રક્રિયા હાથ ધરાશે. પ્રમુખે પોતાના પત્રમાં કલમ 51નો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે, હાલ કોઈ કુદરતી આફત કે યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિ નથી કે જેના કારણે તાત્કાલિક બેઠક બોલાવવી અનિવાર્ય બને. કલમ 51 હેઠળ માત્ર આવી વિશેષ પરિસ્થિતિઓમાં જ પરિપત્ર દ્વારા કાર્યવાહી કરી શકાય છે. વધુમાં, પ્રમુખે સભાસદોને ચેતવણી આપતા કહ્યું છે કે, જો કોઈ સભ્ય કાયદાની જોગવાઈઓ વિરુદ્ધ જઈને પ્રમુખનો હોદ્દો ધારણ કરવાનો ગેરકાયદેસર પ્રયાસ કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા અંતર્ગત 'પરસોનેશન' (વ્યક્તિગત છળકપટ)ની ફરિયાદ દાખલ કરવામાં આવશે. પત્રમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, કલમ 51(2) હેઠળ વહેલી બેઠક માટેના હઠાગ્રહ પાછળ બદઈરાદો હોવાનું જણાય છે. આથી, સભાસદોને જાન્યુઆરી માસ સુધી રાહ જોવા અને પાલિકાના વહીવટી પ્રક્રિયામાં સહયોગ આપવા માટે સૂચના આપવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) દ્વારા એસી ઇલેક્ટ્રિક બસ લાવવામાં આવી છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે ત્યારે આગ જેવી ઘટનાને નિવારવા માટે સિસ્ટમ લગાવવામાં આવી છે. જો બસની બેટરીમાં ક્યાંય પણ શોર્ટ સર્કિટ અથવા આગ લાગશે તો તરત જ બેટરી પાસે લગાવવામાં આવેલા ફાયર સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને આગ બુઝાઈ જશે.ઇલેક્ટ્રિક બસ ડિજિટલ હોવાના કારણે કોઈપણ બસને હેક કરી શકે નહી તેના માટે સિસ્ટમ લાગેલી છે. નવા લુક અને ફીચર સાથેની ટેકનોલોજી યુક્ત નવી AMTS ઈલેક્ટ્રીક એસી બસ આગામી જાન્યુઆરી મહિનાના પ્રથમ અઠવાડિયામાં રોડ પર દોડશે. 'ઇલેક્ટ્રિક બસ હોવાથી શોટ સર્કિટ થાય તો આગ પર આપોઆપ કાબુ મેળવાશે'AMTS કમિટીના ચેરમેન ધરમશી દેસાઈએ જણાવ્યું હતું, ઇલેક્ટ્રિક બસ હોવાથી શોટ સર્કિટ થાય તો આગ પર આપોઆપ કાબુ મેળવાશે. બેટરી સેક્શનમાં નિયત માપથી વધુ તાપમાન વધતા શોટ સર્કિટ થાય તો ઓટો ફાયર સિસ્ટમ કાર્યરત થશે. ડિજિટલ ફોર્મેટ હોવાથી બસના સોફ્ટવેરને હેક ન કરી શકાય એવી ડિજિટલ સુરક્ષા રખાઈ છે. તમામ બસનું દર વર્ષે એકવાર ડિજિટલ ઓડિટ કરવામાં આવશે. બસનું રિયલ ટાઈમ ટ્રેકિંગ, cctv , sos સ્વીચ સહિતના સિક્યોરિટી ફીચર લગાવવામાં આવ્યા છે. '20 કીમીથી ઓછી સ્પીડ હશે ત્યારે બસ માંથી ખાસ સાઉન્ડ આવશે'તમામ ડોર બંધ થયાની ખાતરી ન થાય ત્યાં સુધી બસ આગળ વધી શકશે નહી. 20 કીમીથી ઓછી સ્પીડ હશે ત્યારે બસ માંથી ખાસ સાઉન્ડ આવશે, જેથી માર્ગ પર રાહદારીને વાહન આવતું હોવાની જાણ થશે. એરો ઇગલ કંપની સાથે પ્રતિકિલોમીટર બસ દોડાવવાના કરાર મુજબ બસ લેવામાં આવી છે. AMTS દ્વારા બસ ખરીદી માટે કોઈ ખર્ચ કરવામાં આવ્યો નથી. પ્રતિ કિલોમીટર લેખે કંપનીને પૈસા ચૂકવવામાં આવશે. બસમાં 3 સીસીટીવી કેમેરા, ઇમરજન્સી એક્ઝિટ ગેટની સુવિધાનવી ઈલેક્ટ્રીક એસી બસમાં અદ્યતન ફીચર્સ લગાવવામાં આવેલા છે. ઈલેક્ટ્રીક બસમાં અવાજ આવતો નથી ત્યારે ગમે ત્યારે બસના અકસ્માત થઈ શકે છે. જો બસ 20 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે ચાલશે તો તરત જ તેમાંથી અવાજ આવશે. જેથી રોડ ઉપર બસની આગળ જનારા વ્યક્તિ અથવા વાહનને તરત જ ખબર પડશે કે પાછળ ઈલેક્ટ્રીક બસ આવી રહી છે. જેથી અકસ્માતને નિવારી શકાય છે. બસમાં 3 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે તેમજ ક્યારેય આગ અકસ્માતની ઘટના બને તો તાત્કાલિક ધોરણે બહાર નીકળવા માટે ઇમરજન્સી એક્ઝિટના ગેટ લગાવવામાં આવ્યા છે. જેમાં હથોડી વડે કાચ તોડી શકાશે. SOS બટન અને STOP બટન લગાવવામાં આવ્યુંકોઈપણ ઇમરજન્સીની જરૂરિયાત માટે બસમાં SOS બટન પણ આપવામાં આવેલા છે. બટન દબાવવાથી ડ્રાઇવરને કોઈ તકલીફ પડી છે એવી તરત જાણ થશે અને બસ ઊભી રાખવામાં આવશે. ત્રણ જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ ડ્રાઇવર સીટ પાસે રાખવામાં આવ્યું છે ક્યાંય પણ બસમાં પાછળ કશું થતું હશે તો બસ ડ્રાઇવર તેને જોઈ શકશે આ ઉપરાંત બસમાં એક STOP બટન લગાવવામાં આવ્યું છે. જેનાથી બસમાં બસ ઊભી રાખવા માટે અવાજ આવશે. બસમાં હેકિંગ ન થાય તેના માટે એન્ટિવાયરસ સિસ્ટમનો ઉપયોગઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા નવી ઈલેક્ટ્રીક એસી બસ લાવવામાં આવી છે. જેમાં ખાસ કરીને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવામાં આવી છે. દિન પ્રતિદિન ઇલેક્ટ્રીક વાહનોમાં વધતા જતા આગ અકસ્માતના બનાવો ન થાય તેના માટે ફાયર સિસ્ટમ ઉપરાંત ટેકનોલોજીનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. ઈલેક્ટ્રીક એસી બસ ડિજિટલ બસ હોય છે. ડિજિટલ વસ્તુ સાયબર હેકર્સ દ્વારા હેક કરી શકાય છે ત્યારે બસમાં હેકિંગ ન થાય તેના માટે એન્ટિવાયરસ સિસ્ટમ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દર વર્ષે સાયબર ઓડિટ પણ કરવામાં આવશે જેથી તેમાં કોઈપણ વ્યક્તિ દ્વારા સિસ્ટમમાં ઘૂસીને તેને હેક કરવાનો પ્રયાસ કરાયો છે કે નહીં તેની માહિતી મળશે.
મહેસાણા જિલ્લામાં ખનિજ ચોરીના પ્રમાણમાં અનેકગણો વધારો થવાના લીધે સરકારની તિજોરીની આવકને નુકસાન વરતાઈ રહ્યું છે. સ્થાનિક ભૂસ્તર તંત્રની ટીમે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન સતલાસણા અને મહેસાણા તાલુકાના લીંચ ગામેથી રોયલ્ટી પરમીટ વગર કપચી અને રેતી ભરી જતાં ત્રણ ડમ્પર ઝડપી લીધાં હતા. જેના વાહન માલિકોને રૂ.6.50 લાખનો દંડ ફટકાર્યો હતો. ખનિચ ચોરી કરતા 3 ડમ્પર ઝડપાયામહેસાણા જિલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમે ગઈકાલે જાહેર રજાના દિવસે સતલાસણા પંથકમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે વોચ ગોઠવી રોયલ્ટી પરમીટ વગર કપચી ભરીને પસાર થતાં બે ડમ્પર ઝડપી લીધાં હતા. જે બન્ને વાહનોને ટીમ્બા સ્ટોક યાર્ડ ખાતે મુકી દીધાં હતા. તેવી જ રીતે, મહેસાણા તાલુકાના લીંચ ગામે ગેરકાયદે રેતી ખનિજ ચોરી જતાં એક ડમ્પરને ઝડપી લઈ નુગર સ્ટોક યાર્ડ ખાતે મુકાવી દીધું હતુ. આમ, કરવામાં આવ્યો હતો. વાહન માલિકોને 6.50 લાખનો દંડ ફટકાર્યોભૂસ્તર અધિકારીઓએ ગઈકાલે ત્રણ ડમ્પર, કપચી, રેતી મળી કુલ રૂ 90.60 લાખનો મુદ્દામાલ કબજે લઈ તેના વાહન માલિકોને કુલ રૂ.6.50 લાખનો દંડ ફટકારી તેની વસુલાત કરવાની તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, સરકારની તિજોરીને રોયલ્ટીની આવકનો ચૂનો ચોપડતાં ખનિજચોરોના નામ જાહેર કરવામાં ભૂસ્તર તંત્ર દ્વારા ઈનકાર કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે સામાન્ય સભા યોજાઈ હતી. સેક્ટર-17 સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવન ખાતે મેયરના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં શહેરના પરિવહન, ટાઉન પ્લાનિંગ અને કર્મચારી કલ્યાણને લગતા કુલ 10 જેટલા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. 10 વિકાસલક્ષી ઠરાવોને મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશનના પંડિત દિનદયાળ ઉપાધ્યાય ભવનમાં જ્યારે શહેરના ભવિષ્ય માટે મહત્વના 10 વિકાસલક્ષી ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જેમાં શહેરના વધતા વ્યાપને ધ્યાને રાખી ટ્રાફિક અને પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા સુધારવા માટે મોટો નિર્ણય લેવાયો છે. ગાંધીનગરમાં બસોના અસરકારક સંચાલન માટે કમિશનરની ભલામણ મુજબ 'સ્પેશિયલ પર્પઝ વ્હીકલ' SPV નામની અલગ જાહેર કંપની બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે. આ બંને ટીપીને મંજૂરી ઉલ્લેખનીય છે કે, સ્થાયી સમિતિએ ગત ઓક્ટોબર માસમાં જ આ અંગે લીલીઝંડી આપી દીધી હતી. જયારે ટાઉન પ્લાનિંગ ની વાત કરીએ તો વાવોલ - કોલવડામાં નવી સ્કીમોનો માર્ગ મોકળો થયો છે. શહેરના વિસ્તરણ માટે ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ સમિતિની દરખાસ્તોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. TP નં. 34 (વાવોલ-કોલવડા અને TP નં. 35 વાવોલ-ઉવારસદની મુસદ્દારૂપ દરખાસ્તો હવે મંજૂરી માટે રાજ્ય સરકારમાં મોકલવામાં આવશે. પાલતુ શ્વાનની ફરજિયાત નોંધણી કરાશેઆ નિર્ણયથી આ વિસ્તારોમાં પાયાની સુવિધાઓ અને રોડ-રસ્તાના કામોને વેગ મળશે. એજ રીતે પાલતુ શ્વાન રાખતા માલિકો માટે નવા નિયમોને લીલી ઝંડી આપી દેવાઈ છે.શહેરીજનોની સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે હવે ગાંધીનગર મનપા વિસ્તારમાં પાલતુ શ્વાનની ફરજિયાત નોંધણી કરવામાં આવશે. કમિશનરની આ ભલામણને સભાએ સ્વીકારી લીધી છે, જેથી હવે શ્વાન રાખતા માલિકોએ મનપામાં સત્તાવાર નોંધણી કરાવવી પડશે. જ્યારે વર્ષ 2024-25 દરમિયાન પછાત અને પેરીફેરી વિસ્તારો માટે ફાળવાયેલી ગ્રાન્ટમાંથી વધેલી બચત રકમને હવે આગામી વર્ષ 2025-26 ના બજેટમાં વાપરવાની મંજૂરી અપાઈ છે. વર્ષ 2025-26ના ડ્રાફ્ટ અંદાજપત્રમાં એકાઉન્ટ કોડ મુજબ જરૂરી વધારો-ઘટાડો કરવાની સત્તા પણ આપી દેવાઈ છે. નેશનલ પેન્શન સ્કીમ હેઠળની દરખાસ્ત મંજૂર કરાઈઉપરાંત નેશનલ પેન્શન સ્કીમ હેઠળ અત્યાર સુધી મળતા 10% ફાળાની સામે હવે સરકારના 14% ફાળાનો લાભ આપવાની દરખાસ્ત મંજૂર કરાઈ છે.મનપાના જે વાહનો આયુષ્ય મર્યાદા વટાવી ચૂક્યા છે અથવા જૂના થયા છે, તેને સરકારના નિયમો મુજબ સ્ક્રેપ કરવા માટેની ચોક્કસ પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. આજની સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયો ગાંધીનગરના આગામી 50 વર્ષના આયોજનને ધ્યાને રાખીને લેવાયા હોય તેમ જણાય છે. એક તરફ પરિવહન અને ટીપી સ્કીમથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત થશે, તો બીજી તરફ કર્મચારીઓ અને રહિશો માટેના વહીવટી નિયમો વધુ સ્પષ્ટ બનશે.
ભરૂચના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રી સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજનો આઠમો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમાજના સંગઠન અને સામાજિક સુધારા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલનમાં મુખ્ય મહેમાન તરીકે ઓમકારસિંહ મહારાઉલજી અંદારા, નરેન્દ્રસિંહ સોલંકી (બિલ્ડર), નયનસિંહ બાલશ, જીતસિંહ મકવાણા, સુભાષસિંહ સોલંકી અને બરવંતસિંહ ચાવડા સહિત સમાજના અગ્રણી આગેવાનો અને પ્રતિષ્ઠિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, સમાજના આગેવાનોએ લોકોને સંગઠિત બનવા, સમાજમાં વ્યાપેલા વ્યસનો અને કુરીવાજોને દૂર કરવા, શિક્ષણનો વ્યાપ વધારવા તેમજ પ્રસંગોપાત થતા બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, ટ્રસ્ટીઓ દ્વારા સમાજની વાડી સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ સ્નેહ મિલનમાં સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ ટ્રસ્ટીઓ અને કાર્યકરોએ સહકાર આપ્યો હતો.
ભાવનગર શહેરના શિવાજી સર્કલ પાસે મનપા દ્વારા વર્ષ 2005માં શાકમાર્કેટ બનાવવામાં આવ્યું હતું. જે શાક માર્કેટની આજે ખંડેર હાલત જોવા મળી રહી છે. જેમાં લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી શાકમાર્કેટમાં વેપાર કરતા વેપારીઓ બહાર ખુલ્લામાં બેસી ધંધો કરવા મજબૂર બન્યા છે, ત્યારે મનપાના મેયરે શાકમાર્કેટમાં ખૂટતી વ્યવસ્થાઓને ઝડપથી પુરી કરવા સૂચના આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મનપાએ બનાવેલી શાકમાર્કેટની ખંડેર હાલતભાવનગર શહેરમાં મુખ્ય બે શાકમાર્કેટ આવેલી છે. જેમાં શહેરના મેઇન બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય શાકમાર્કેટ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં છે અને અવારનવાર ઠેર-ઠેર ગાબડાઓ પડી રહ્યા છે. વેપારીઓ તાળપત્રી બાંધીને વેપાર કરવા મજબૂર બન્યા છે. ત્યારે શહેરના શિવાજી સર્કલ ખાતે આવેલી શાકમાર્કેટ હાલ પ્રાથમિક સુવિધાના અભાવે ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. આ શાકમાર્કેટમાં નથી કોઈ લાઇટની સુવિધા, નથી કોઈ પાણીની સુવિધા અને ઠેર-ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે આ શાકમાર્કેટમાં વેપાર કરતા વેપારીઓને ન છૂટકે માર્કેટની બહાર ધંધો કરવા મજબૂર બન્યા છે. શાકમાર્કેટમાં કોઈ જાતની સુવિધા જ નથી: જયંતીભાઈઆ અંગે શિવાજી સર્કલ ખાતે આવેલી શાકમાર્કેટના વેપારી જયંતીભાઈએ જણાવ્યું હતું કે, ઘોઘા જકાતનાકા વિસ્તારમાં 15થી 17 વર્ષ પહેલાં શાકમાર્કેટ બનાવવામાં આવી છે પરંતુ આ શાકમાર્કેટમાં કોઈ સુવિધા જ નથી. આ શાકમાર્કેટ નાની બનાવવામાં આવી છે. શાકમાર્કેટમાં લાઈની સુવિધા નથી. પાણીની સુવિધા નથી. કોઈ જાતની સુવિધા જ નથી કે અંદર માણસ જઈ શકે. અમારી વેપારીઓની માગણી છે કે, આ બધી સુવિધા પૂરી કરવામાં આવે તો અમે વેપારીઓ અંદર વેપાર કરવાનું શરૂ કરીએ. શાકમાર્કેટ બનાવી ત્યારથી જ બંધ હાલતમાં છે: લાભુભાઈ ધાપાઆ અંગે વધુ એક વેપારી હાથબ ગામના રહેવાસી લાભુભાઈ ધાપાએ જણાવ્યું હતું કે, આ શાકમાર્કેટ 2005માં બનાવવામાં આવી છે. સમસ્યા એવી છે કે આ શાકમાર્કેટ નીચે પડે છે અને અંદર કોઈ સુવિધા છે જ નહીં. લાઈટ, પાણી જેવી કોઈ સુવિધા જ નથી અને આ માર્કેટ જ્યારે બનાવી તે સમયથી બંધ હાલતમાં છે. ખૂટતી વ્યવસ્થા પૂર્ણ કરવાની સૂચના આપી દીધી છે: મેયરઆ અંગે મહાનગરપાલિકાના મેયર ભરત બારડે જણાવ્યું હતું કે, શિવાજી સર્કલ ખાતે જે શાકમાર્કેટ બનાવવામાં આવી છે, એમાં જાણવા મળ્યું છે તે પ્રમાણે નાની મોટી ફરિયાદો આવી છે, ત્યારે આ અંગે અધિકારીઓ અને પદાધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે શાકમાર્કેટમાં બનતી જે કોઈ ખૂટતી વસ્તુઓ હોય એ પૂરી પાડો. આવારા તત્વોનો પણ ત્યાં ત્રાસ છે, એ અંગે પોલીસને જાણ કરવામાં આવે અને ત્યાંના વેપારીને અને લોકોને સુખ શાંતિ મળે, શાંતિથી વેપાર ધંધા કરી શકે એ માટેની કડક સૂચના આપવામાં આવી છે.
સુરેન્દ્રનગરના ચોટીલા ખાતે છઠ્ઠી રાજ્યકક્ષાની ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા ચોટીલા ડુંગર ખાતે આયોજિત છઠ્ઠી ચોટીલા આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાતના ખૂણે-ખૂણેથી આવેલા યુવક-યુવતીઓએ પોતાની શારીરિક ક્ષમતા અને મક્કમ મનોબળનું પ્રદર્શન કરી મેદાન માર્યું હતું. આ વર્ષે સ્પર્ધકોએ જૂના તમામ રેકોર્ડ તોડીને પોતાની સફળતાની નવી કેડી કંડારી હતી. વિજેતા જાહેર થયેલા સ્પર્ધકોએ તેમની આ સિદ્ધિ પાછળની મહેનત અને આગામી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા માટેનો તેમનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધાને ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા, જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલ અને રમત ગમત અધિકારી બલવંતસિંહ ચૌહાણે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 14 થી 18 વર્ષના કુલ 337 જુનિયર સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં 233 યુવકો અને 104 યુવતીઓનો સમાવેશ થાય છે. ભાઈઓની કેટેગરીમાં સાહિલ પંચાળાએ 7.04 મિનિટના નવા રેકોર્ડ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે બહેનોમાં અસ્મિતા કટેશીયા 8.23 મિનિટના રેકોર્ડ સાથે પ્રથમ વિજેતા બની હતી. ભાઈઓમાં 7.09 મિનિટ સાથે ગળસર મેહુલ દ્વિતીય અને 7.28 મિનિટ સાથે અજય રાવત તૃતીય ક્રમે રહ્યા હતા. બહેનોમાં 9.40 મિનિટ સાથે રસીલા જાંબુકિયા દ્વિતીય અને 9.45 મિનિટ સાથે શ્રેયા ભવનીયા તૃતીય સ્થાને વિજેતા થયા હતા. વિજેતાઓને કૂલ રૂ. 3,39,000ના રોકડ પુરસ્કારો, ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ વિજેતા ખેલાડીઓ આગામી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે. સાપર ગામના વતની અને ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ધોરણ 12માં અભ્યાસ કરતા પંચાળા સાહિલે આ વર્ષે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરીને સૌને ચોંકાવી દીધા છે. સાહિલે ગર્વભેર જણાવ્યું કે, ગયા વર્ષે મેં જ્યારે ભાગ લીધો ત્યારે મારો 10મો નંબર આવ્યો હતો. પરંતુ એ હારથી નિરાશ થયા વગર મેં આ વર્ષે વધુ જોમ અને આકરી તૈયારી સાથે ફોર્મ ભર્યું હતું. પરિણામે આજે હું પ્રથમ સ્થાને રહ્યો છું. સાહિલની આ સફર ‘હારીને જીતનાર’ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડે છે. બહેનોની કેટેગરીમાં મેદાન મારનાર કટેશિયા અસ્મિતાએ માત્ર 8 મિનિટ અને 24:સેકન્ડમાં આ પડકાર પૂર્ણ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેની ચપળતા અને સ્ટેમિના જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અસ્મિતાએ તેની સફળતાનો શ્રેય સતત પ્રેક્ટિસને આપ્યો હતો અને હવે તે આગામી ગિરનાર નેશનલ આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે સજ્જ છે. ખાટડી ગામના મેહુલ ગલસરે 7 મિનિટ અને 09 સેકન્ડના સમય સાથે બીજું સ્થાન મેળવ્યું છે. મેહુલે તેની સફળતા બાદ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, આ સ્પર્ધાએ તેનામાં નવો આત્મવિશ્વાસ ભર્યો છે. હવે તેનું લક્ષ્ય નેશનલ લેવલ પર ગુજરાતનું નામ રોશન કરવાનું છે. મક્કમ મનોબળ ધરાવતી જાંબુકિયા રસીલાએ બહેનોની સ્પર્ધામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો છે. તેણે જણાવ્યું હતું કે, ચોટીલાની આ જીત તેના માટે માત્ર એક શરૂઆત છે, હવે તે ગિરનાર ખાતે યોજાનારી પર્વતારોહણ સ્પર્ધા માટે તનતોડ મહેનત કરશે. સ્પર્ધામાં ત્રીજું સ્થાન મેળવનાર શ્રેયા ભવાણિયાએ જણાવ્યું કે, ચોટીલાના ડુંગર પર સ્પર્ધામાં ભાગ લેવો એ પોતે જ એક લ્હાવો છે. ત્રીજા નંબરે વિજેતા બન્યા બાદ તેનો ઉત્સાહ બેવડાયો છે અને તે પણ હવે નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે આતુર છે. આ સ્પર્ધા માત્ર દોડવાની કે ડુંગર ચડવાની નહોતી, પરંતુ યુવાનોના મનોબળ અને શારીરિક ક્ષમતાની કસોટી હતી. તમામ વિજેતાઓએ સાબિત કરી દીધું છે કે, જો મનમાં મક્કમ નિર્ધાર હોય અને સતત મહેનત કરવાની તૈયારી હોય, તો ગમે તેટલો ઊંચો ગઢ સર કરી શકાય છે. હવે આ વિજેતાઓ ગિરનાર ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ રાજ્યનું ગૌરવ વધારશે. આ પ્રસંગે પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ સ્પર્ધકોને સંબોધતા જણાવ્યું હતું કે, આ આયોજન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ યુવાનોમાં સાહસ, આત્મવિશ્વાસ અને શિસ્તના ઘડતરનો સંગમ છે. તેમણે પર્વત પરથી ઉતરતી વખતે સંતુલન જાળવવાના ઉદાહરણ દ્વારા જીવનમાં સફળતા પછી પણ સંતુલન જાળવવાનું મહત્વ સમજાવ્યું હતું. મકવાણાએ યુવાનોને રાષ્ટ્રનું ભવિષ્ય ગણાવી આળસ, વ્યસન અને બહાનાબાજી જેવા આંતરિક શત્રુઓનો ત્યાગ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે યુવા કૌશલ્ય વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ભવિષ્યમાં તીરંદાજી જેવી અન્ય સ્પર્ધાઓ યોજવાના સંકેત આપ્યા હતા. તેમણે રમતગમતની સાથે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા શિક્ષણને પણ એટલું જ અનિવાર્ય ગણાવ્યું હતું. જેવી રીતે સાયકલ સવારને ઉતરાણ વખતે બ્રેક અને સંતુલન પર ધ્યાન આપવું પડે છે, તેવી જ રીતે યુવાનોએ પણ શિક્ષણ અને જીવનના દરેક ક્ષેત્રમાં મક્કમ સંકલ્પ અને સંતુલિત ગતિ સાથે આગળ વધી દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું જોઈએ. આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારીએ બાળકોની શારીરિક ક્ષમતાની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, માત્ર 7.04 મિનિટમાં આરોહણ–અવરોહણ પૂર્ણ કરવું એ ઉત્તમ ફિઝિકલ ફિટનેસનું ઉદાહરણ છે. રબારીએ પોતાના અનુભવો દ્વારા બાળકોને સમજાવ્યું હતું કે, આવી સ્પર્ધાઓ ખેલદિલી, સહકાર અને મુશ્કેલીમાં સાથી સ્પર્ધકને મદદ કરવાની ભાવના વિકસાવે છે. તેમણે વિજેતાઓને અભિનંદન પાઠવી, જે બાળકો સફળ નથી થયા તેમને હાર ન માની રમતગમત દ્વારા શારીરિક-માનસિક સ્વાસ્થ્ય કેળવવા આહ્વાન કર્યું હતું. ચોટીલા મહંત લાલાબાપુએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે સ્પર્ધામાં વિજેતા થનારને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ રોકડ ઇનામ આપવામાં આવ્યા હતા. સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ. 25,000 દ્વિતિય નંબરને રૂ.20,000 તૃતિય નંબરને રૂ. 15,000 એમ કુલ મળી 1 થી 25 નંબર સુધી વિજેતા થયેલા ખેલાડીઓને કુલ રૂ.3,39,000ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં 1થી 10 નંબરના વિજેતાને સરકાર દ્વારા તેમજ 11થી 25 નંબરના વિજેતાને સુરેન્દ્રનગરની અનુબંધ સંસ્થા તેમજ સુરતના હરીઓમ આશ્રમ દ્વારા પ્રોત્સાહિત ઈનામ આપવામાં આવ્યા હતા. ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ વિજેતા ખેલાડીઓ ગીરનાર આરોહણ -અવરોહણ સ્પર્ધામાં સીધો ભાગ લઈ શકશે. સ્પર્ધાના સુચારૂ આયોજન તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે આશરે 40 જેટલા વ્યવસ્થાપક, આરોગ્યકર્મીઓ, પોલીસકર્મીઓ જોડાયા હતા. આ કાર્યક્રમમાં સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે ચોટીલા મહંત નિરંજનબાપુ, ચોટીલા મામલતદાર દેવેન્દ્રભાઈ વ્યાસ, પ્રાંત યુવા વિકાસ અધિકારી મમતા પંડિત, પ્રકાશસિંહ ગોહિલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિત જુદીજુદી શાળાના આચાર્યો, શિક્ષકો, વ્યાયામ શિક્ષકો, કોચ, સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, નગરજનો જોડાયા હતા.
ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવી છે. સામાન્ય બાબતે વિદ્યાર્થીને માર મારવામાં આવતા વાલીઓએ ભારે હોબાળો કર્યો હતો. ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે ધોરણ-9ના વિદ્યાર્થીને ધડાધડ ત્રણ લાફા ઝીંકી દીધા હતા. ક્લાસરૂમમાં વિદ્યાર્થીના વ્હાઇટનરમાંથી અવાજ આવતા શિક્ષક રોષે ભરાયા હતા. જે બાદ શિક્ષકે વિદ્યાર્થીના વાળ પકડીને મોઢા પર માર મારવામાં આવ્યો હતો. વાલીઓએ શાળાએ હોબાળો કરતા જ સંચાલકોએ શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. વાલીઓ કહ્યું કે, સસ્પેન્ડ કરવાથી નહીં ચાલે માફી મંગાવવી પડશે. સમગ્ર ઘટના બાદ વિદ્યાર્થી રડતો-રડતો શાળાની બહાર જતો જોવા મળ્યો હતો. શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીએ રડતા-રડતા ફરિયાદ કરીત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીને સામાન્ય બાબતે માર મારવાની ઘટના સામે આવી હતી. ધોરણ-9માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને અંગ્રેજી માધ્યમમાં શિક્ષકે લાફાવાળી કરી હતી. વિદ્યાર્થીના વ્હાઇટનરમાંથી અવાજ આવતા શિક્ષકે અકળાઈ ગયા હતા. જે બાદ શિક્ષકે રોષે ભરાઈને ધોરણ-9ના વિદ્યાર્થીને વાળ પકડી લીધા હતા. વિદ્યાર્થીના વાળ પકડીને નિશાનંદ પાત્રા નામના શિક્ષકે વિદ્યાર્થીને સામાન્ય બાબતે સાઈડમાં લઈ જઈને ધડાધડ ત્રણ લાફા ઝીંકી દીધા હતા. વિદ્યાર્થીને થોડા સમય પહેલા જ આંખમાં ઓપરેશન કરાવ્યું હતું. ત્યાં જ શિક્ષકે લાફો મારતા વિદ્યાર્થીએ રડતા રડતા ફરિયાદ કરી હતી. શાળા સંચાલકોએ CCTV ચેક કરી તાત્કાલિક શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યોકાવ્ય શાહ નામના વિદ્યાર્થીને માર મારવામાં આવતા વાલીઓએ શાળામાં હોબાળો કર્યો હતો. તે પહેલા વિદ્યાર્થીએ જ્યારે પ્રિન્સિપાલને રજૂઆત કરી હતી ત્યારે પણ શિક્ષક હસતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વાલીઓએ શાળા પર હોબાળો કરીને શિક્ષક જાહેરમાં માફી માંગે એવી માંગ કરી હતી. શાળા સંચાલકોએ વાલીઓની ફરિયાદના આધારે CCTVની ચકાસણી કરી હતી. જે બાદ વિદ્યાર્થી પર ક્રૂરતા કરી હોવાનું સામે આવતા શાળા સંચાલકોએ તાત્કાલિક શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જે બાદ પણ વાલીઓએ હોબાળો કરતા કહ્યું કે શિક્ષકને સસ્પેન્ડ કરવાથી નહીં શિક્ષક પાસે માફી મંગાવવી પડશે એવી માંગ કરી હતી. મારા વાળ પકડીને ચશ્મા કાઢીને ત્રણ લાફા મારી દીધા હતાકાવ્ય શાહ નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, નિશાનંદ પાત્ર નામના શિક્ષકે વ્હાઇટનરનો અવાજ થતા મને બોલાવ્યો હતો. તેમની હાઈટ બોડી વધારે છે તેમને મારા વાળ પકડીને ચશ્મા કાઢીને ત્રણ લાફા મારી દીધા હતા. મારી આંખમાં થોડા મહિના પહેલા જ ઓપરેશન કરાવ્યું છે. જે આંખમાં ઓપરેશન કરાવ્યું તે બાજુના ગાલ પર જ ત્રણ લાફા માર્યા હતા. જ્યારે પ્રિન્સિપલ પાસે જઈને રજૂઆત કરી ત્યારે શિક્ષકને કોઈ ફરક જ ન હતો પડતો અને તે હસતા હતા. અમે ઘટનાની ગંભીરતા સમજીને આ નિર્ણય કર્યો છેશાળા સંચાલક અર્ચીત ભટ્ટ જણાવ્યું હતું કે, આજે છોકરા સાથે જે ઘટના બની છે તે બાદ સીસીટીવી તપાસ્યા હતા. જેથી, અમે નક્કી કરીને શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. અમારે શિક્ષક સાથે કોઈપણ પ્રકારની વાતચીત થઈ નથી. વિદ્યાર્થી અમારા માટે અગત્યનો હતો. જેથી, અમે પહેલાં શિક્ષકને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી જ્યારે વાલીઓ ફરિયાદ કરી ત્યારે અમે તમામ લોકોને બેસાડીને CCTV તપાસ્યા હતા. જેથી, અમે નક્કી કર્યું કે ગમે એવી પરિસ્થિતિમાં પરંતુ બાળકને માર મારવો યોગ્ય નથી. CCTVમાં સ્પષ્ટ દેખાતું હોવાથી અમે શિક્ષક પાસે કોઈપણ વાતચીત કર્યા વગર આ નિર્ણય કર્યો છે. 52 વર્ષના સિનિયર શિક્ષક છે, જે 4 મહિના પહેલા જ અહીંયા આવ્યા હતા પરંતુ, ઘટનાની ગંભીરતા સમજી આ નિર્ણય કર્યો છે. શિક્ષકે વિદ્યાર્થીને માર્યો છે તો તેને વિદ્યાર્થી પાસે માફી મંગાવોવાલી ખ્યાતિ શાહે જણાવ્યું હતું કે, મારા છોકરાને જાહેરમાં માર્યો છે તો જાહેરમાં શિક્ષક માફી કેમ ન માંગે? દર વખતે શિક્ષકને સસ્પેન્ડ કરવાથી નહીં ચલાવી લેવાય. મારા છોકરાને આંખનો ઓપરેશન કરાવ્યું છે જો તેને વધારે વાગ્યું હોત તો કોણ જવાબદારી લેવાનું હતું? 4 વર્ષ પહેલા પણ આ વસ્તુ બની હતી કે જ્યારે છોકરા પર હાથ ઉપાડ્યો અને શિક્ષકને સસ્પેન્ડ કરી દીધા. ઓફિસમાં અંદર-અંદર બધું નક્કી કરી દેવામાં આવે છે. શિક્ષકે વિદ્યાર્થીને માર્યો છે તો તેને વિદ્યાર્થી પાસે માફી મંગાવો. એક શિક્ષક માફી માંગશે તો બીજા શિક્ષકો આ રીતે માર મારવાનું ભૂલી જશે. મારા દીકરાની આંખ જતી રહી હોત તો તેની જવાબદારી કોણ લોત ? અગાઉની સ્કૂલમાંથી આ રીતે જ વિદ્યાર્થીને માર મારીને આ સ્કૂલમાં આવેલા છે.
પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને કૃષિ મેળો, પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત આયોજિત કરાયો હતો. આ પ્રસંગે કલેક્ટર તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા આયોજિત આ કાર્યક્રમ થકી સરકારનો સ્પષ્ટ સંદેશ છે કે ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક તથા ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે. રાસાયણિક ખેતીના કારણે ઊભી થયેલી આરોગ્ય સંબંધિત સમસ્યાઓને ધ્યાનમાં લેતાં પ્રાકૃતિક ખેતી આજના સમયમાં અત્યંત જરૂરી બની છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પ્રાકૃતિક ખેતીથી સમકક્ષ ઉત્પાદકતા મેળવી શકાય છે તેમજ જનતાને શુદ્ધ અન્ન અને શાકભાજી ઉપલબ્ધ કરાવી શકાય છે. ખેડૂતોને આ દિશામાં પ્રોત્સાહન આપવા માટે આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કલેક્ટરે ખેતીના ઇતિહાસ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, વૈજ્ઞાનિક ડૉ. એમ. એસ. સ્વામીનાથને વધતી વસ્તી માટે પૂરતું અન્ન ઉત્પન્ન કરવા વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવવાની જરૂરિયાત દર્શાવી હતી. ડૉ. નોર્મન બોરલોગના માર્ગદર્શન હેઠળ શંકર બિયારણ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ અને પૂરતા પાણીને આધારે પંજાબમાં કરાયેલા પ્રયોગો સફળ રહ્યા હતા અને 1974 સુધીમાં ભારત ખાદ્યાન્ન ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યું હતું. જોકે, લાંબા ગાળે રાસાયણિક ખેતીના દૂષ્પરિણામોને ધ્યાનમાં રાખીને હવે પ્રાકૃતિક ખેતી તરફ વળવું અનિવાર્ય બન્યું છે. કાર્યક્રમમાં કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી વિષયક વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જમીનની ઉર્વરતા જાળવવા, ખેતી ખર્ચ ઘટાડવા તથા પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો હતો. વિવિધ કૃષિ વૈજ્ઞાનિકોએ પ્રાકૃતિક ખેતી અંગે માહિતીસભર વક્તવ્ય આપ્યા હતા, જ્યારે પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવ અને અભિપ્રાય રજૂ કરી અન્ય ખેડૂતોને પ્રેરણા આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન લાભાર્થી ખેડૂતોને પેમેન્ટ ઓર્ડર તથા મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ તથા મંચસ્થ મહાનુભાવોએ પ્રદર્શન સ્ટોલોની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી સંબંધિત ઉત્પાદનો, ટેકનિક્સ અને નવીન પ્રયાસોની માહિતી મેળવી હતી. તેમણે ખેડૂતો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને સૂચનો અંગે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી. એલ. પટેલ, નિયામક આર. કે. મકવાણા, ડૉ. પી. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામક, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી), પ્રાંત અધિકારી હિરેન ચૌહાણ, જિલ્લા ખેતીવાડી અધિકારી જે. બી. પટેલ, બાગાયત અધિકારી એમ. બી. ગલવાડીયા, આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર એ. આર. ગામી સહિતના અધિકારીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
સાંતલપુર તાલુકાના કોરડા ગામે માન્ય મેડિકલ ડિગ્રી કે લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એલોપેથીક પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોકટરને પાટણ એસ.ઓ.જી. શાખાએ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી આરોપી પાસેથી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો અને મેડિકલ સાધનો સહિત કુલ રૂ. 25,114.23 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાટણ એસ.ઓ.જી. શાખાના પોલીસ કર્મચારીઓ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે કોરડા ગામના બસ સ્ટેશન નજીક પશુ દવાખાના સામે આવેલી એક દુકાનમાં જગદીશપુરી નરસંગપુરી ગૌસ્વામી નામનો શખ્સ ડોકટર તરીકેની ઓળખ આપી મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે બે પંચોને સાથે રાખી સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન દુકાનમાંથી જુદી-જુદી એલોપેથીક દવાઓ, ઈન્જેક્શનો, બીપી માપવાનું મશીન અને સ્ટેથોસ્કોપ મળી આવ્યા હતા. પોલીસે આરોપી જગદીશપુરી ગૌસ્વામી પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી કે લાયસન્સની માંગણી કરતા તેણે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થાનનું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. આ પ્રમાણપત્રની ખાતરી કરવા બોરુડા પીએચસીના મેડિકલ ઓફિસરને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા. મેડિકલ ઓફિસરની તપાસમાં સ્પષ્ટ થયું કે આરોપી પાસેના પ્રમાણપત્રના આધારે તે એલોપેથીક દવાઓથી લોકોની સારવાર કરી શકે નહીં. તપાસમાં સામે આવ્યું કે આરોપી પોતે ડોકટર ન હોવા છતાં દરરોજના આશરે 10 થી 12 જેટલા દર્દીઓને તપાસી તેમને દવાઓ અને ઈન્જેક્શનો આપી લોકોના જીવ જોખમમાં મૂકતો હતો. પોલીસે સ્થળ પરથી પેન્ટોવોક ઈન્જેક્શન, સીરપ, ટેબ્લેટ્સ અને અન્ય તબીબી સાધનો મળી કુલ 51 જેટલી વસ્તુઓ જપ્ત કરી છે. આ મામલે વારાહી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બી.એન.એસ.ની કલમ 319(2) અને ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની કલમ 30 મુજબ ગુનો નોંધી વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર યોગેશકુમાર નાગજીભાઈ પટેલને સોંપવામાં આવી છે.
પાટણ જિલ્લા પોલીસે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ચોરી થયેલ અથવા ગુમ થયેલી વસ્તુઓ શોધી કાઢીને મૂળ માલિકોને પરત કરી છે. વર્ષ 2025 દરમિયાન ચલાવવામાં આવેલી આ ખાસ ઝુંબેશના ભાગરૂપે કુલ 44,06,120 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ અરજદારોને સુપરત કરવામાં આવ્યો હતો, જેનાથી તેમને આર્થિક નુકસાન થતું અટકાવવામાં આવ્યું હતું. રિકવર કરાયેલા મુદ્દામાલમાં 7,91,675 રૂપિયાની કિંમતના 55 મોબાઈલ ફોન, 2,05,000 રૂપિયાની કિંમતની 6 મોટર સાયકલ, 15,00,000 રૂપિયાની કિંમતનું 1 આઈસર અને 5,00,000 રૂપિયાની કિંમતની 1 બ્રેઝા ગાડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 13,27,945 રૂપિયાના સોના, ચાંદી અને તાંબાના ઘરેણાં, 10,000 રૂપિયાનું એક મશીન અને 71,500 રૂપિયાની કિંમતની 55 મણ એરંડાની બોરીઓ પણ પરત કરવામાં આવી હતી. આ કામગીરી પાટણ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કરવામાં આવી હતી. પાટણ સીટી 'એ' ડિવિઝને 1,56,000 રૂપિયા, પાટણ સીટી 'બી' ડિવિઝને 23,21,752 રૂપિયા અને પાટણ તાલુકા પોલીસે 61,498 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. સિદ્ધપુર પોલીસે 6,52,000 રૂપિયા, ચાણસ્મા પોલીસે 2,03,437 રૂપિયા અને રાધનપુર પોલીસે 3,67,192 રૂપિયાની કિંમતની વસ્તુઓ પરત અપાવી હતી. આ ઉપરાંત, રણુંજ, બાલીસણા, વાગડોદ, સરસ્વતી, કાકોશી, હારીજ, શંખેશ્વર અને સમી પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પણ ચોરી કે ગુમ થયેલ અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરીને મુદ્દામાલ શોધી કાઢવામાં આવ્યો હતો.
મહેસાણા શહેરના બિલાડી બાગથી માનવ આશ્રમ સુધીના વિસનગર રોડ પર નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલી 'આઇકોનિક રોડ'ની કામગીરીને લઈને સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે વેપારીઓ અને સોસાયટીના રહીશોએ નગરપાલિકા કમિશનરને લેખિત રજૂઆત કરી પોતાની હાલાકી વર્ણવી છે અને પોતાની દુકાનો બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર, રાધનપુર રોડ અને મોઢેરા રોડની જેમ આ રોડને પહોળો કરવાને બદલે 12 મીટરમાંથી ઘટાડીને માત્ર 7 મીટરનો કરી દેવામાં આવતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાવાની ભીતિ છે. વધુમાં, રોડની બાજુમાં ઊંચી દીવાલો ચણી દેવાતા વેપારીઓની દુકાનો ઢંકાઈ ગઈ છે, જેના કારણે ગ્રાહકો દુકાનો સુધી પહોંચી શકતા નથી અને વેપાર-ધંધા ભાંગી પડ્યા છે. રોડની દીવાલો હટાવવા વેપારીઓની માગસ્થાનિકોનો આક્ષેપ છે કે, રોડ વચ્ચેના ડિવાઈડરમાં અગાઉ જે કટ રાખવામાં આવ્યા હતા, તે હવે બંધ કરી દેવામાં આવ્યા છે. આના કારણે રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં મુશ્કેલી પડી રહી છે અને 30 હજારથી વધુ રહીશો માટે અકસ્માતનો ખતરો વધી ગયો છે. અરજદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જો ભવિષ્યમાં અહીં કોઈ અકસ્માત સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા તંત્રની રહેશે. વેપારીઓએ માંગ કરી છે કે આ વિસ્તારના મધ્યમ વર્ગ અને નાના વેપારીઓના હિતમાં રોડની દીવાલો હટાવવામાં આવે અને યોગ્ય અંતરે ડિવાઈડરમાં ગેપ રાખવામાં આવે જેથી જનતાને પડતી અગવડતા દૂર થઈ શકે. 'ત્રણ-ત્રણ ફૂટની દીવાલો ઊંચી કરવાથી વેપાર ધંધામાં નુકસાન થઈ રહ્યું'-વેપારીવેપારી સુમિતભાઈએ જણાવ્યું કે, અમારો વિરોધ એના માટે છે કે આ જે ત્રણ-ત્રણ ફૂટની દીવાલો ઊંચી કરી દીધી છે,એના લીધે જે વેપાર ધંધામાં નુકસાન થઈ રહ્યું છે અને બીજું કે આ બધું જે ટ્રાફિકનું અમને તકલીફ પડી રહી છે, રોડ પર 500-500 મીટર સુધી કોઈ કટ નથી.એના લીધે બધા રોંગ સાઈડ ઉપર આવે છે અને રોંગ સાઈડના લીધે કદાચ અકસ્માતનો પ્રોબ્લેમ થઈ શકે છે એના લીધે અમારો વિરોધ છે. 'પાર્કિંગની પણ વ્યવસ્થા નથી રહી'વધુમાં જણાવ્યું કે, ધંધા રોજગારમાં પહેલાથી જ ઓનલાઇનના લીધે અમને ઘણા બધા નુકસાન થઈ રહ્યા છે, આઇકોનિક રોડ બનાવ્યા પછી આ જે ત્રણ ફૂટની પાળીઓ ઉપર કરી દીધી છે એના લીધે કોઈ ગ્રાહક એન્ટર નથી થઈ શકતું અને પાર્કિંગની પણ વ્યવસ્થા નથી રહી. અને મોટા વાહનો જે આવતા હોય માલ સામાનના,પાર્સલના જે વાહનો આવતા હોય એ કેવી રીતે અંદર આવી શકે. 'કોઈ જગ્યાએ કટ રાખવામાં નથી આવ્યો'કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભરતજીએ જણાવ્યું કે,કારણ કે એમની દુકાને માલ સામાન ઉતારવા માટે કોઈ કટ નથી રાખ્યો. એમના ગ્રાહકોને દુકાન સુધી આવવા માટે કોઈ કટ નથી રાખ્યો. પાર્કિંગ એક્ટિવા ઉભી રહે એટલો પણ રસ્તો નથી રાખ્યો.ત્યારે આઈકોનિકના ચક્કરમાં સોસાયટીઓમાં જવા, સ્કૂલે જવા, મદ્રેસા જેવા સ્થળો પર જવા માટે પણ આ મહાનગરપાલિકાએ કોઈ જગ્યાએ કટ રાખવામાં નથી આવ્યો. ત્યારે આ વિસ્તારના તમામ વ્યાપારીઓ, તેના રહીશો આજે ભેગા મળી અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે. મ્યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરીભરતજીએ કહ્યું હતું કે,જે દીવાલ દુકાનો આગળ બનાવવામાં આવી છે તે દીવાલ તાત્કાલિક ધોરણે તોડવામાં આવે અને દુકાનદારોને જે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે તે આઈકોનિકના નામે હેરાન પરેશાન ના કરે તેની રજૂઆતના પગલે આજે સમગ્ર વિસ્તારના સૌ દુકાનદારો અમારી સાથે જોડાઈ અને મ્યુનિસિપલ કમિશનરને આજે રજૂઆત કરી છે. 'ફેરફાર કરવાની જરૂરિયાત જણાશે તો તે કરશું'-કમિશનરમ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખટાલેએ જણાવ્યું કે, આજે જ આઈકોનિક રોડની કામગીરી ચાલુ છે,એમાં ત્યાંના સ્થાનિક લોકોની થોડી ઘણી રજૂઆતો હતી. આપણે જે નંબર ઓફ કટ્સ ઓછા કરી રહ્યા છીએ અથવા પાર્કિંગના જે મલ્ટી લેવલ પાર્કિંગના જે આયોજન કર્યા છે તે બાબતે ચર્ચાઓ હતી. આ બાબતે મેં ગઈકાલે સ્થળ મુલાકાત પણ કરી હતી અને આજે તમામ લોકોને સાંભળીને, મનપાના અધિકારીઓ સાથે બેસીને એની ચર્ચા કરી છે.
સુરત શહેરના જાણીતા સીનિયર એડવોકેટ, પૂર્વ કોર્પોરેટર અને ભાજપના પીઢ નેતા દીપક આફ્રિકાવાલા સાથે સિટી સર્વે કચેરીમાં થયેલા તોછડા વર્તન અને અપમાનને પગલે સમગ્ર વકીલ આલમમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આજે સુરત જિલ્લા વકીલ મંડળના નેજા હેઠળ મોટી સંખ્યામાં વકીલોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ બાબતે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અધિકારીએ સૌજન્ય ભૂલીને વકીલને “ગેટ આઉટ” કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યાસીનિયર એડવોકેટ દીપક આફ્રિકાવાલાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, તેઓ એક કાયદેસરના કામ માટે સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ એચ. આર. પટેલને મળવા ગયા હતા. હકીકત એવી છે કે, એક મિલકતમાં નામ દાખલ કરવા માટે અગાઉ અરજી કરવામાં આવી હતી જે નામંજૂર થઈ હતી. આ બાબતે દીપકભાઈએ સીટી પ્રાંતમાં અપીલ કરી હતી અને ત્યાંથી તેમની અપીલ મંજૂર પણ થઈ ગઈ હતી. પ્રાંત અધિકારીના હુકમ બાદ સિટી સર્વે કચેરીએ માત્ર એન્ટ્રી પાડવાની વિધિ જ કરવાની બાકી હતી. તેમ છતાં, છેલ્લા સાત મહિનાથી આ એન્ટ્રી પાડવામાં આવતી નહોતી. જ્યારે તેઓ તપાસ કરવા ગયા ત્યારે ખબર પડી કે ફાઈલ સુપ્રિટેન્ડન્ટ પાસે પડી છે. જ્યારે તેઓ ઓફિસમાં ગયા ત્યારે અધિકારી એચ. આર. પટેલે સૌજન્ય ભૂલીને વકીલને “ગેટ આઉટ” કહી ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા હતા. અધિકારીઓ વકીલોને કચેરીમાં આવવાની મનાઈ કરી રહ્યા છે દીપક આફ્રિકાવાલાએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે, સિટી સર્વે સુપ્રિટેન્ડન્ટ અને અન્ય અધિકારીઓ ભ્રષ્ટાચારમાં લીન થઈ ગયા છે. તેઓએ આક્ષેપ કર્યો કે,અધિકારીઓ વકીલોને કચેરીમાં આવવાની મનાઈ કરી રહ્યા છે અને માત્ર પક્ષકારો ને જ રૂબરૂ મોકલવાની જીદ કરે છે. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, વકીલની હાજરીમાં તેઓ ભ્રષ્ટાચાર કરી શકતા નથી કે પક્ષકારો પાસેથી સીધી નાણાંની માંગણી કરી શકતા નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેઓ મેન્ટેનન્સ સર્વેયર સાથે સુપરિટેન્ડન્ટની ચેમ્બરમાં ગયા ત્યારે અધિકારીએ સર્વેયરને પણ ખખડાવ્યો હતો કે 'તું વકીલને લઈને કેમ આવ્યો? મેં તને પાર્ટીને જ બોલાવવાનું કીધું હતું.' આ નિવેદન સાબિત કરે છે કે, સરકારી કચેરીઓમાં વ્યવસ્થિત લાલિયાવાડી ચાલી રહી છે. વકીલ મંડળનો આક્રોશ અને કલેક્ટરને રજૂઆતઆ ઘટનાની જાણ થતાં જ સુરત વકીલ મંડળના પદાધિકારીઓ અને સેંકડો વકીલો દીપક આફ્રિકાવાલાના સમર્થનમાં આવ્યા હતા. વકીલ મંડળનું કહેવું છે કે આ માત્ર એક વકીલનું નહીં પરંતુ સમગ્ર વકીલ સમાજનું અપમાન છે. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, અનેક સરકારી કચેરીઓમાં વકીલો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા નથી અને ત્યાં અધિકારીઓ વકીલો સાથે અસભ્ય વર્તન કરે છે. વકીલ મંડળે ભારપૂર્વક જણાવ્યું કે, પ્રાંત ઓફિસના હુકમનો અનાદર કરવો એ 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' સમાન છે. અધિકારીઓ પોતાની મરજી મુજબ નિયમો બનાવી રહ્યા છે અને વકીલોની કાનૂની રજૂઆતો સાંભળવાની ના પાડી રહ્યા છે.
આજે પોષ સુદ અગિયારસ એટલે કે 'પુત્રદા અગિયારસ' ના પવિત્ર દિવસે સુરતના સુપ્રસિદ્ધ શ્રી અંબરીષેશ્વર મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. માન્યતા છે કે આ દિવસે મહાદેવના ચરણોમાં સાચા હૃદયથી કરવામાં આવેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી, ખાસ કરીને સંતાન સુખથી વંચિત દંપતીઓ માટે આ દિવસ વરદાન સમાન માનવામાં આવે છે. ઐતિહાસિક મહત્વ અને રાજા અંબરીષની ભક્તિ ભારતીય ઇતિહાસમાં અનેક પુણ્યશાળી રાજાઓ થઈ ગયા, જેમાં રાજા અંબરીષનું નામ મોખરે છે. રાજા અંબરીષે પોતાનું સંપૂર્ણ જીવન ભગવાનની ભક્તિ અને પરોપકારમાં વિતાવ્યું હતું. તેમની કઠોર તપસ્યા અને અતૂટ શ્રદ્ધાને વશ થઈને સ્વયં મહાદેવ અહીં સાક્ષાત બિરાજમાન થયા હોવાની પૌરાણિક કથા છે. રાજા અંબરીષના નામ પરથી જ આ મંદિર 'અંબરીષેશ્વર મહાદેવ' તરીકે ઓળખાય છે. પુત્રદા અગિયારસ અને પ્રાગટ્ય દિવસનો સંયોગ આજની અગિયારસનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કારણ કે આજે અંબરીષેશ્વર મહાદેવનો પ્રાગટ્ય દિવસ પણ છે. શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, જે દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત નથી થતું, તેઓ જો આ દિવસે શ્રદ્ધાપૂર્વક મહાદેવની પૂજા-અર્ચના કરે તો ભગવાન તેમના ઘરે 'પારણું બાંધે' છે. હજારો શ્રદ્ધાળુઓ આ દિવસે મહાદેવને જલાભિષેક કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરે છે. મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ આજના દિવસની વિશેષતાને જોતા મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારની આરતી બાદ ભક્તો માટે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓને કારણે રસ્તાઓ પર ભક્તિમય માહોલ સર્જાયો છે. ભક્તોના મતે, અહીંની દિવ્યતા અને સકારાત્મક ઉર્જા માત્ર દર્શન કરવાથી જ અનુભવી શકાય છે.
રાજકોટ અમદાવાદ હાઇવે પર નવાગામમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા આધેડના પુત્રને PSI તેમજ DCP તરીકે નોકરી અપાવી દેવાના બહાને તેના પરિચીત સહિત બે શખસોએ રૂ.1.48 કરોડની છેતરપીંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવતા ક્રાઈમ બ્રાન્ચે પાલીતાણાના બે ગઠીયાઓ સામે ગુનો નોંધી ગુજરાતી ફિલ્મના પ્રોડયુસરને ઝડપી પાડી વધુ તપાસ અર્થે પાંચ દિવસના રીમાન્ડ મેળવી તેના ફરાર સાગરીતની શોધખોળ હાથ ધરી છે. ફરિયાદી જીલુભાઈ ગમારા પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છેરાજકોટ નજીક નવાગામમાં રહેતા જીલુભાઈ ભગાભાઈ ગમારાએ તેના પરિચિત પાલીતાણાના ઘેડી ગામે રહેતા હરિભાઈ રાજાભાઈ ગમારા અને પાલીતાણા ગામનો વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવે સામે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદમાં જણાવ્યું હતું કે 10 વર્ષ પહેલા દ્વારકા દર્શન કરવા ગયા ત્યારે તેની જ્ઞાતિના હરી ગમારા સાથે પરિચય થયો હતો. બાદમાં અવાર નવાર ફોનમાં વાતચીત થતી હતી અને પારીવારીક સંબંધ થયા હતા. ત્રણ વર્ષ પહેલા હરિ ઘરે આવ્યો હતો ત્યારે તેને કહ્યું કે હમણા પોલીસ ખાતામાં પીએસઆઈની ભરતી ચાલુ છે. તેમાં તમારા દિકરા રાહુલને પીએસઆઈ બનાવવો હોય તો અમારા વિસ્તારમાં રહેતા વિવેક દવે મારા મિત્ર છે અને તેની રાજકીય નેતાઓ સાથે ઉઠક બેઠક હોય જેથી તેને વાત કરવાથી તમારા પુત્રને પીએસઆઈને નોકરી મળી રહેશે. જીલુભાઈએ વાત કરવાની હા પાડી હતી બાદમાં હરિએ તેના મિત્ર વિવેક સાથે ફોનમાં વાત કરાવી હતી જેમાં તેને રૂ.50 લાખ થશે અને આ કામ માટે એડવાન્સ રૂ.15 લાખ તાકિદે આપવા પડશે અને બાકીના પૈસા ઓર્ડર આવ્યા બાદ તમારે ચુકવવાના રહેશે તેમ વાત કરી હતી. બાદમાં હરિ મારફતે રૂ.15 લાખ રોકડા વિવેકને મોકલ્યા હતા અને ભરતીનું મેરીટ લીસ્ટ આવતા તેના પુત્રનું નામ ન હોય જેથી હરિનો સંપર્ક કરતા શખસે કહ્યું કે તમારૂ બીજી સરકારી નોકરીમાં સેટીંગ કરાવી આપીશ કહી રૂ.14 લાખ પરત આપ્યા હતા. DCPનો ઓર્ડર કરાવી આપશે 2.36 કરોડ આપવા પડશે દરમ્યાન જીલુભાઈને હરિએ ફોન કરી કહ્યું કે વિવેક સાથે વાતચીત થઈ ગઈ છે આ વિવેકને સરકારમાં મોટા મંત્રીઓ સાથે સંપર્ક છે જેથી તમારા પુત્રને ડાયરેકટ DCPનો ઓર્ડર કરાવી આપશે પરંતુ આ વખતે તમારે રૂ.2.36 કરોડ આપવા પડશે અને એડવાન્સ રૂ.50 લાખ ચુકવવા પડશે જેથી જીલુભાઈએ પૈસા એકઠા કરવા માટે તેના સમાજના ભલાભાઈ ગમારાને વાત કરી હતી અને હરિને ફોન કરતા તેણે તેના ભાઈ આંબાભાઈના ખાતામાં પૈસા જમા કરાવવાનું કહેતા કટકે કટકે 37.76 લાખ નાખ્યા હતા અને થોડા દિવસ બાદ ફરિ હરિનો ફોન આવ્યો અને કહ્યું કે તમારા પુત્રનો DCPનો ઓર્ડર તૈયાર છે જેથી પૈસા તાકિદે આપવા પડશે બાકી ઓર્ડર નહીં આવે તેમ કહ્યું હતું જેથી જીલુભાઈએ ફરિ પૈસા ભેગા કરવા દોડધામ કરી હતી. દરમ્યાન હરિ અને વિવેક ઘરે આવ્યા હતા અને સાથે ભલાભાઈ ગમારા પણ હતા જે હાલ અવસાન પામ્યા છે. તેને રૂ.1.89 કરોડ રોકડા આપ્યા હતા અને કાલે તમારા પુત્રનો ઓર્ડર આવી જશે તેમ કહ્યું હતું પરંતુ ઓર્ડર નહીં આવતા વધુ 10 કરોડ રૂપિયા આપવાનું કહેતા તેને હવે મારી પાસે વધુ પૈસા નથી અને મારા પુત્ર હવે નોકરી નથી જોતી પૈસા પરત આપી દો તેમ કહેતા શખસોએ રૂ.88 લાખ પરત આપ્યા હતા બાકીના રૂ.1.48 કરોડ બાદમાં આપી દેશે કહી બહાના બતાવી તેની સાથે છેતરપીંડી કર્યાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.ફરાર આરોપી હરિ ગમારાની પોલીસે શોધખોળ હાથ ધરી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ દરમિયાન પાલીતાણામાં રહેતો અને ગુજરાતી ફિલ્મના પ્રોડયુસર તરીકે જાણીતા વિવેક ઉર્ફે વીકી પ્રવિણભાઈ દવેને ઝડપી પાડી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. હાલ પોલીસે આરોપીઓ દ્વારા બીજા અન્ય કોઈ લોકો સાથે છેતરપિંડી કરી પૈસા પડાવ્યા સી કે કેમ તેમજ ફરિયાદી પાસેથી પડાવેલા રૂપિયા ક્યાં ક્યાં ઉપયોગ કર્યો તે જાણવા અને મુદામાલ રિકવર કરવા તપાસ તજવીજ હાથ ધરી છે. જયારે આ જ કેસમાં ફરિયાદી સાથે આરોપીની મુલાકાત કરાવનાર ફરાર આરોપી હરિ ગમારાની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસની 'જન આક્રોશ યાત્રા'ને લઈને રાજકીય વિવાદ સર્જાયો છે. જિલ્લા ભાજપ પ્રમુખે આ યાત્રાને 'ફિયાસ્કો' ગણાવતી પોસ્ટ સોશિયલ મીડિયા પર મૂકી હતી, જેના જવાબમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પણ વળતો પ્રહાર કર્યો છે. છેલ્લા બે દિવસથી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા તુષાર ચૌધરી છોટાઉદેપુર જિલ્લામાં 'જન આક્રોશ યાત્રા' કાઢી રહ્યા છે. આ યાત્રા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે, છોટાઉદેપુર જિલ્લામાં કોંગ્રેસની જન આક્રોશ રેલીનો ફિયાસ્કો થયો છે. 'હું બાવો ને મંગળદાસ, ઈન મીન ને તીન' - કોંગ્રેસના જે નેતાઓને સત્તા નથી મળતી, તેમને જ આક્રોશ છે. ભાજપ પ્રમુખના નિવેદન પર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંત રાઠવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમે છેલ્લા બે દિવસથી તાલુકે તાલુકે યાત્રા કાઢી રહ્યા છીએ. અમારી યાત્રા ફિયાસ્કો છે કે સફળ, તે લોકો જોઈ શકે છે. ભાજપ પ્રમુખની આ ટીકા-ટિપ્પણી દર્શાવે છે કે અમારી યાત્રાની સફળતા જોઈને જ તેમને આવી ટિપ્પણી કરવા મજબૂર થવું પડ્યું છે.. શશિકાંત રાઠવાએ ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, જો તેઓ નેતાઓની વાત કરતા હોય તો અમારા નેતાઓ સત્તામાં છે અને રહેશે. જો તેઓ બે-ચાર નેતાની વાત કરતા હોય તો તેમની પાર્ટીમાં પણ નેતાઓ છે. હાલમાં જ વડોદરાના સાંસદને યુવા મોરચાના પ્રમુખ બનાવ્યા. તમારી પાસે કેમ એવી કોઈ કેડર નથી? તેમણે ઉમેર્યું કે, પ્રમુખ સાહેબ, જિલ્લાના રોડ-રસ્તા, ખાતરને લઈને ખેડૂતોના પ્રશ્નો અને લોકોની પીડા-દુઃખ દર્દને લઈને પોસ્ટ કરો. આ ભાજપ-કોંગ્રેસ રમવાનું બંધ કરો
બનાસકાંઠામાં પ્રાકૃતિક ખેતી શિબિર યોજાઈ:ખેડૂતોને દેશી ગાય આધારિત ખેતીનું માર્ગદર્શન અપાયું
બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામે સોમવારે આત્મા પ્રોજેક્ટ અને પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા ખેડૂતો માટે એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન, આત્મા પ્રોજેક્ટના અધિકારીઓએ ખેડૂતોને જીવામૃત બનાવવાની રીતનું જીવંત નિદર્શન કર્યું હતું. તેમણે પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવ્યા હતા અને જમીનની ફળદ્રુપતા કેવી રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. અધિકારીઓએ રાસાયણિક ખાતરોના અતિશય ઉપયોગથી થતી ગંભીર અસરો પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, શાળામાં અભ્યાસ કરતા નાના બાળકોમાં કેન્સરના કિસ્સાઓ વધી રહ્યા છે અને આ બધી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે દરેક ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવવી પડશે, જે દેશી ગાયના પાલન-પોષણ દ્વારા જ શક્ય છે. પ્રાકૃતિક ખેતી જમીન અને માનવ સ્વાસ્થ્ય બંને માટે ફાયદાકારક છે. અધિકારીઓએ ભવિષ્યમાં પર્યાવરણનું સંતુલન જાળવવા માટે વૃક્ષારોપણ, કુવા રિચાર્જ કરીને ભૂગર્ભજળ સ્તર ઊંચા લાવવા સહિતની પ્રવૃત્તિઓમાં ખેડૂતોને સક્રિયપણે ભાગ લેવા પણ જણાવ્યું હતું.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો યુ-ટર્ન, દંડક પદેથી રાજીનામું આપવાનો નિર્ણય મોકૂફ રાખ્યો
Gujarat Politics: છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવનાર પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના રાજીનામાના સમાચાર પર આખરે પૂર્ણવિરામ મુકાયું છે. કિરીટ પટેલે દંડક પદેથી રાજીનામું આપવાનો પોતાનો નિર્ણય હાલ પૂરતો મોકૂફરાખ્યો છે. હાઈકમાન્ડ સાથેની મહત્વની બેઠક અને ટેલિફોનિક વાતચીત બાદ તેમણે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે. હાઈકમાન્ડ સાથેની બેઠક બાદ મામલો થાળે પડ્યો મળતી માહિતી મુજબ, કિરીટ પટેલે પક્ષના ઉચ્ચ નેતાઓ અને હાઈકમાન્ડ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ વિવિધ પ્રશ્નોને લઈને કુલપતિને આવેદનપત્ર આપ્યું હતું અને પ્રશ્નોનો તત્કાળ ઉકેલ લાવવા તથા સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રાધાન્યતા આપવા માંગ કરી છે સાથોસાથ એવી ગર્ભિત ચિમકી પણ ઉચ્ચારી છે કે જો નિયત સમયમાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવાની ચેતવણી આપી છે. ભાવનગર એબીવીપી દ્વારા આજરોજ મોટી સંખ્યામાં એમ કે ભાવનગર યુનિવર્સિટી કેમ્પસમાં એકઠા થઈ અલગ અલગ પ્રશ્નો ને લઈને લેખિત મૌખિક રજૂઆતો કરી છે રજૂઆતોમાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી કેમ્પસમાં Cctv કેમેરા લગાવવામાં આવે સમગ્ર સંકુલમાં નિયમિત સાફસફાઈ હાથ ધરવામાં આવે ઉપરાંત યુનિવર્સિટીમાં અનધિકૃત વ્યક્તિ ઓ પડ્યા પાથર્યા રહે છે, મેદાન-કોર્ટનો ગેરકાયદે ઉપયોગ કરે છે આવા તત્વો વિરુદ્ધ પગલાં લેવામાં આવે સિક્યુરિટી વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવે આ સિવાય બાહ્ય અભ્યાસક્રમ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે અને આ પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવામાં આવે આ સહિત વણઉકેલ પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવાની માંગ કરી છે એ સાથે જો મર્યાદિત સમયમાં માંગણીઓ - પ્રશ્નો નો ઉકેલ નહીં આવે તો યુનિવર્સિટી કેમ્પસમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.
કવાસ ગામમાં દીપડો દેખાયો:NTPC આવાસ નજીક પાંજરું ગોઠવાયું, CCTV અને વીડિયોના આધારે સર્ચ ઓપરેશન શરૂ
સુરત શહેરના ઔદ્યોગિક હબ ગણાતા હજીરા વિસ્તારમાં ફરી એકવાર દીપડાની હાજરીથી ભયનો માહોલ છવાયો છે. હજીરાના કવાસ ગામ નજીક આવેલા NTPC આવાસ પાસે એક ખૂંખાર દીપડો લટાર મારતો જોવા મળ્યો હતો. સ્થાનિક રહીશોએ જ્યારે દીપડાને ખેતરની ઝાડીઓમાં છુપાયેલો જોયો, ત્યારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા વન વિભાગની ટીમ દોડતી થઈ છે. ઝાડી-ઝાંખરામાં દીપડો જોતા જ લોકો ફફડ્યાકવાસ ગામના પાદરે અને NTPC આવાસની પાછળના ભાગે ખેતરની ઝાડીઓમાં કંઈક હલચલ જોવા મળી હતી. શરૂઆતમાં ઝાડી-ઝાંખરા ગાઢ હોવાથી લોકોને કંઈ દેખાયું નહોતું. જોકે, શંકા જતાં સ્થાનિક યુવાનોએ મોબાઈલ ફોન કાઢી કેમેરાને 'ઝૂમ' કર્યો હતો. જેવો કેમેરા ઝૂમ થયો કે તરત જ ઝાડીઓની વચ્ચે લપાઈને બેઠેલો દીપડો સ્પષ્ટ નજરે પડ્યો હતો. દીપડો સીધો કેમેરા સામે જ જોઈ રહ્યો હતો, જે દૃશ્ય જોઈને હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. ખેતરમાં કામ કરતા શ્રમિકો અને રાત્રે અવરજવર કરતા કર્મચારીઓમાં ડરદીપડો દેખાવાની વાત વાયુવેગે ફેલાતા કવાસ અને આસપાસના ગામના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતરમાં કામ કરતા શ્રમિકો અને રાત્રિના સમયે અવરજવર કરતા કર્મચારીઓમાં ડર જોવા મળી રહ્યો છે. આ અંગે તુરંત વન વિભાગને જાણ કરવામાં આવી હતી. દીપડાની હલચલ પર નજર રાખવા ટીમ તહેનાત કરાઈવન વિભાગના અધિકારી નીતિન વરમોરાએ ઘટનાની ગંભીરતા સમજતા જણાવ્યું હતું કે,અમને સ્થાનિકો દ્વારા દીપડો દેખાયાની માહિતી મળી છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે અમારી ટીમ તહેનાત કરી દેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે કવાસ વિસ્તારમાં તાત્કાલિક અસરથી પાંજરું પણ ગોઠવી દેવામાં આવ્યું છે જેથી દીપડાને જલ્દી પાંજરે પૂરી શકાય. અગાઉ ભાટપુરમાં પણ દેખાયો હતો દીપડોવન વિભાગના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા હજીરાના જ ભાટપુર વિસ્તારમાં પણ દીપડો દેખાયો હોવાના અહેવાલ હતા. વન વિભાગનું પ્રાથમિક અનુમાન છે કે આ એ જ દીપડો હોઈ શકે છે જે ખોરાક અને પાણીની શોધમાં રહેણાંક વિસ્તારોની નજીક આવી રહ્યો છે. હજીરા પટ્ટીમાં આવેલી ઝાડીઓ અને અવાવરૂ જગ્યાઓ દીપડા માટે સુરક્ષિત આશ્રયસ્થાન બની રહી છે, જે સ્થાનિકો માટે ચિંતાનો વિષય છે. તંત્ર દ્વારા સૂચનાઓ હાલમાં તો વન વિભાગ દીપડાના પગના નિશાન અને CCTV ફૂટેજના આધારે તેની દિશા જાણવાનો પ્રયાસ કરી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ 'બિનબુલાયો મહેમાન' ક્યારે પાંજરે પુરાય છે.
નવા વર્ષની શરૂઆત સાથે ગુજરાતના પોલીસ વિભાગના નવા સુકાની પણ બદલાશે. નવા ડીજીપી તરીકે ડો.કે.એલ.એન.રાવનું નામ લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે. ગુજરાતના હાલના ડીજીપી વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા. પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. જે હવે પુરું થવા જઈ રહ્યું છે. વિકાસ સહાયના ફરી એકવાર એક્સટેન્શન મળે તેની કોઈ સંભાવના દેખાઈ નથી રહી. અમદાવાદ પોલીસ કમિશનર ડીજીપી બને એવી પરંપરા બદલાય તેવી શક્યતાછેલ્લા કેટલાય સમયથી ગુજરાતના અધિકારી બેડામાં ચર્ચા હતી કે નવા ડીજીપી તરીકે જી.એસ.મલિકને જવાબદારી મળી શકે છે. જી.એસ.મલિક 1993ની બેંચના IPS અધિકારી છે અને અત્યારે અમદાવાદના પોલીસ કમિશનર છે. એ પહેલાં તેઓ કેટલાક વર્ષ માટે દિલ્હીમાં ડેપ્યુટેશન પર હતા. તેમને અમદાવાદના પોલીસ કમિશનર બનાવ્યા ત્યારથી જ ચર્ચા હતી કે આગામી સમયમાં મલિકને રાજ્યના પોલીસવડા બનાવવામાં આવી શકે છે. કારણ કે અગાઉ શિવાનંદ ઝા, આશિષ ભાટીયા સહિતાના IPS અધિકારી અમદાવાદ પોલીસ કમિશનરના પદે હતા ત્યાર બાદ તેમને ગુજરાતના ડીજીપી બનાવાયા હતા. પરંતુ આ વખતે પરંપરા બદલાય એવું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે. કે.એલ.એન. રાવ બાઝી મારી જાય તેવી પ્રબળ શક્યતાડીજીપી બનવાની રેસમાં સૌથી આગળ ચાલી રહેલા ડો.કે.એલ.એન.રાવ 1992ની બેંચના IPS અધિકારી છે. રાવ હાલમાં સીઆઈડી ક્રાઈમમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે. જી.એસ.મલિક કરતાં ડો. કે.એલ.એન.રાવ સિનિયર છે અને તેમને નિવૃત્તિને 22 મહિનાનો સમય બાકી છે. જેથી ગુજરાત રાજ્યના 30મા ડીજીપી તરીકે રાવની નિમણૂક થવાની શક્યતા વધુ મજબૂત માનવામાં આવી રહી છે. ડીજીપીની પસંદગી માટે રાજ્ય સરકાર UPSCની પેનલને મોકલે છે નામની યાદીરાજ્યના નવા પોલીસ વડાની પસંદગી માટે ગુજરાત સરકાર ડીજીપી કક્ષાના અધિકારીઓના નામ UPSCની પેનલને મોકલતી હોય છે. જેમાં ડો.કે.એલ.એન.રાવ, જી.એસ.મલિક, ડો.નિરજા ગોટરુ વગેરેનું નામ લિસ્ટમાં હોઈ શકે છે. નોંધવા જેવી વાત એ પણ છે કે વિકાસ સહાય પછી ગુજરાત કેડરના સૌથી સિનિયર IPS અધિકારી શમશેરસિંઘ છે. તેઓ હાલમાં ડેપ્યુટેશન ઉપર છે. એટલું જ નહીં તેમની નિવૃત્તિને પણ માંડ 3 મહિનાનો સમય બાકી છે. જ્યારે રેગ્યુલર ડીજીપીના પોસ્ટીંગ માટે 6 મહિનાની સર્વિસ બાકી હોવી જરૂરી છે. કે.એલ.એન. રાવ હાલ CID ક્રાઈમમાં કાર્યરતડો.કે.એલ.એન.રાવ ઓક્ટોબર, 2027માં નિવૃત્ત થશે. તેઓ જિલ્લા પોલીસ વડા તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં નોકરી કરી હતી. જ્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે રહી ચૂકેલા રાવ હાલમાં CID ક્રાઈમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીએ આ જ વોર્ડના અન્ય કોર્પોરેટર અસલમ ખીલજી પર હુમલો કરાવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અસલમ ખીલજી પર ગતરોજ તલવાર, પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો થયો હતો. રાજકીય રાગદ્વેષમાં આ હુમલો કરાવવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર કરાયું છે. આ મામલે છ આરોપીઓ સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. શું છે સમગ્ર ઘટના?ગઈકાલે સાંજે ભીડભંજન રોડ પર અસલમ ખીલજી પર હુમલો થયો હતો. તેઓ મહાનગરપાલિકાની કચેરીમાંથી પોતાની બાઈક પર બહાર નીકળી રહ્યા હતા, ત્યારે એક કારમાં આવેલા પાંચ શખ્સોએ તેમની બાઈકને ટક્કર મારી હતી. જે બાદ ધારદાર હથિયારો સાથે તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમને માથાના ભાગે, હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. અસલમ ખીલજીના ભત્રીજાએ ફરિયાદ નોંધાવીઈજાગ્રસ્ત અસલમ ખીલજીને સૌપ્રથમ જી.જી. હોસ્પિટલ અને ત્યારબાદ એસ.ટી. રોડ પરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે. આ બનાવ અંગે મોડી રાત્રે અસલમ ખીલજીના ભત્રીજા શાહનવાજ મોહમ્મદ હનીફ ખીલજીએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાંચ શખ્સોને હુમલો કરાવવા મોકલ્યાંપોલીસ ફરિયાદમાં જણાવાયું છે કે, વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અલ્તાફ ખફીના કહેવાથી રાજકીય રાગદ્વેષના કારણે આ હુમલો કરાયો છે. અસલમ ખીલજી રાજકીય આગેવાન હોવાથી અને અલ્તાફ ખફી સાથે તેમને રાજકીય વાંધા ચાલતા હોવાથી, અલ્તાફે તેમને મારી નાખવાના ઈરાદાથી જુનેદ ઉર્ફે પાવડરીયો ઉર્ફે જુનીયો રજાક ચૌહાણ, ઇસ્તીયાક ઉર્ફે ચોટલી બોદુભાઈ કુરેશી, સલીમ વલીભાઈ ખીલજી, હબીબ ખફી અને સમીર ઉર્ફે ચોર શકીલ ચૌહાણને હુમલો કરાવવા મોકલ્યા હતા. માથામાં તેમજ હાથ-પગમાં ધોકા સહિતના હથિયારોથી હુમલોઆ હુમલાખોરોએ તલવાર, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે તેમજ ઢીકા-પાટુનો માર મારી અસલમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમને માથામાં ઈજા, ડાબા હાથમાં ફ્રેક્ચર અને બંને પગમાં ઘૂંટણથી નીચેના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરીસિટી એ. ડિવિઝનના ઇન્ચાર્જ PI પી.પી. ઝા અને તેમની ટીમે આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે. હુમલાખોર આરોપીઓને પકડવા માટે રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે. કેટલાક આરોપીઓ અથવા શંકાસ્પદ વ્યક્તિઓ પોલીસના હાથમાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે. આ બનાવને લઈને કાલાવડ નાકા બહાર પટણીવાડ સહિતના વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાયેલી છે, અને પોલીસે સજ્જડ બંદોબસ્ત જાળવ્યો છે.
સુરતમાં પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નનો વિવાદ હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પિતા અને પરિવાર સાથેના મનદુઃખ અને પોલીસ નિવેદન આપવા મામલે સર્જાયેલી ખેંચતાણને પગલે આ ઘટનાએ જોર પકડ્યું છે. સુરત જિલ્લાના ફાર્મ હાઉસમાં પિતા દિકરીને મળવા ગયા તો દરવાજો ના ખોલ્યો અને બારોબાર જતી રહી હતી. ગઈકાલે એક કાર્યક્રમ અર્થે સુરત આવેલી આરતીએ તેના પિતાને ન મળતા મામલો વધુ ગરમાયો છે. આ સાથે કાપોદ્રા પોલીસ નિવેદન આપવા માટે બોલાવતી હોવા છતાં આવી રહી નથી. પિતા અને ભત્રીજી આરતીને મળવા માટે ફાર્મ હાઉસ પહોંચ્યા હતામળતી માહિતી મુજબ, આરતી સાંગાણી સુરતમાં એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવી હતી અને સુરત જિલ્લાના એક ખાનગી ફાર્મ હાઉસ પર રોકાઈ હતી. દીકરી સુરત આવી હોવાની જાણ થતા જ તેના પિતા અને ભત્રીજી ભાવુક થઈને તેને મળવા માટે ફાર્મ હાઉસ પહોંચ્યા હતાં. જોકે, આરતીએ પિતા પ્રત્યે કોઈ સંવેદના દાખવવાને બદલે ફાર્મ હાઉસનો દરવાજો પણ ખોલ્યો ન હતો. કલાકો સુધી રાહ જોયા બાદ અંતે પિતાએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું હતું. આ પણ વાંચો:કિંજલથી લઈને આરતી સાંગાણી, જીવનસાથી માટે યુવતીઓ સમાજ સામે પડી પોલીસમાં નિવેદન પણ ના નોંધાવ્યુંઆરતી સાંગાણી અગાઉ ઘરેથી નીકળી ગઈ હોવાથી પરિવાર દ્વારા તેના ગુમ થયાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. આ મામલે પોલીસ કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે તેનું નિવેદન નોંધવા માટે વારંવાર બોલાવી રહી છે. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આરતી પોલીસ સમક્ષ હાજર થઈને પોતાનું નિવેદન નોંધાવવામાં પણ આનાકાની કરી રહી છે, જેને કારણે પોલીસ પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. ગતરોજ આરતી નિવેદન નોંધાવવા આવવાની હતી જોકે છેલ્લી ઘડીએ આવી ન હતી. શું છે સમગ્ર વિવાદ?આરતી સાંગાણીએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હોવાનું કહેવાય છે. પિતા અને પરિવારજનો આ લગ્નથી નારાજ છે અને દીકરી સાથે વાતચીત કરવા માંગે છે. પાટીદાર સમાજની જાણીતી સિંગર હોવાને કારણે સોશિયલ મીડિયા અને સમાજમાં આ ઘટનાના મિશ્ર પ્રતિસાદ મળી રહ્યા છે. હાલમાં તો દીકરીના આ વર્તનથી પિતા અને પરિવાર ભારે વ્યથિત જોવા મળી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે આરતી સાંગાણી પોલીસ સમક્ષ હાજર થઈને પોતાનો પક્ષ રજૂ કરે છે કે કેમ. પરિવારની ભાવના લાગણી ઊભી થાય એટલે મળવા ગયા હતા: પિતાઆરતીના પિતાએ જણાવ્યું હતું કે, સુરત જિલ્લામાં આવેલા ફાર્મ હાઉસ પર અમે ગયા હતા, મળવા બાબતે ગયા હતા પણ એણે કઈ દરવાજો ખોલ્યો નહીં. બહુ મહેનત કરી. કીધું અમારે કંઈ નથી કરવું. અમે ખાલી તને એના મમ્મીએ મળ્યા જ નહોતા એટલે કીધું હાલ તને એકવાર ભેગા કરાવી દઈએ જો કાલે કંઈ એને લઈ આવવાનું થાય તો. પરિવારની ભાવના લાગણી ઊભી થાય એટલે અમે ગયા હતા. એક મારા બેન છે ભાઈની દીકરી એને લઈ ગયો હતો. પણ એ કંઈ થયું નહીં. પછી અમે ત્યાંથી એન્ટ્રીમાં લખાવી દીધા નંબર મારા, મારું નામ કે અમે મળવા આવ્યા હતા અને અમને કઈ મળ્યા નથી.
અમરેલીમાં કેસર કેરીનું ઉત્પાદન વધશે:ગીરકાંઠા વિસ્તારમાં આંબા પર એકસરખું ફ્લાવરિંગ થયું
અમરેલી જિલ્લાના ગીરકાંઠા વિસ્તારમાં કેસર કેરીના આંબા પર ભરપૂર ફ્લાવરિંગ જોવા મળી રહ્યું છે. ખેડૂતો આ વર્ષે કેરીનું ઉત્પાદન વધવાની આશા રાખી રહ્યા છે, જેના કારણે તેમનામાં આનંદની લાગણી પ્રવર્તી રહી છે. હાલમાં આંબા પર એકસાથે મોટા પ્રમાણમાં મોર આવ્યા છે. ઠંડી અને ગરમીના મિશ્ર હવામાન સાથે સૂકું વાતાવરણ રહેતા શરૂઆતના તબક્કામાં રોગચાળો ઓછો રહેવાની શક્યતા છે. આ ભરપૂર મોર સારા પાકનું સૂચક માનવામાં આવે છે. અમરેલી જિલ્લાના કેટલાક ગીરકાંઠાના ખેડૂતો બાગાયતી કેરી માટે આંબાની ખેતી કરે છે. ભૂતકાળમાં ભારે વરસાદ, વાવાઝોડું અને કમોસમી વરસાદના કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થતું હતું. જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ખેડૂતો રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ ટાળી ગાય આધારિત અને કુદરતી ખેતી તરફ વળ્યા છે, જેના સકારાત્મક પરિણામો હવે દેખાઈ રહ્યા છે. ગીરકાંઠાના અભરામપરા, મિતિયાળા, બગોયા, કૃષ્ણગઢ સહિતના ગામોમાં કેરીનો આગોતરો ફાલ જોવા મળી રહ્યો છે. ગત સીઝનમાં પડેલા પાછળના વરસાદના કારણે આંબાને યોગ્ય પોષણ મળ્યું હતું. હાલ રાત્રીના સમયે ખૂબ ઠંડી પડે છે અને દિવસનું હવામાન પણ અનુકૂળ છે, જેના કારણે આંબામાં સારો ફાલ આવી રહ્યો છે. અમરેલી જિલ્લાના ખેડૂત કમલેશભાઈ નસીતએ જણાવ્યું કે, પાછળના વરસાદ અને વર્તમાન અનુકૂળ વાતાવરણ ફ્લાવરિંગનું મુખ્ય કારણ છે. તેમણે ઉમેર્યું કે, ખૂબ ટૂંકા સમયમાં, એટલે કે 10 થી 15 દિવસમાં, ઝીણી કેરીઓ (ખાખટી) આવવાનું શરૂ થઈ જશે. ખેડૂતોને આ વખતે સારું ઉત્પાદન થવાની અપેક્ષા છે.
હળવદ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડવાના કૌભાંડના મુખ્ય સૂત્રધાર રમેશ બબાભાઈ સાકરીયાના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હળવદ પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 9મી તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન પોલીસ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરશે. આ કૌભાંડ અંગે હળવદના મામલતદાર અલ્કેશભાઇ પ્રફુલચંદ્ર ભટ્ટે (ઉં.વ. 55) ગત 9 નવેમ્બર 2025ના રોજ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ રમેશભાઈ બાબાભાઈ કોળી (મુખ્ય સૂત્રધાર), છગનભાઈ નાગજીભાઈ ધારિયાપરમાર, બીજલભાઇ અમરશીભાઈ કોળી, દલાભાઈ રણછોડભાઈ ડાભી, દિનેશભાઈ હમીરભાઇ વનાણી, રાઠોડ માવજીભાઈ ડાભાભાઇ, જશુબેન બાબુભાઈ કોળી, મંજુબેન રત્નાભાઇ કોળી અને વનાણી હમીરભાઈ વજુભાઈ સામે કરવામાં આવી હતી. અગાઉ આ ગુનામાં એક મહિલા સહિત પાંચ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. આરોપીઓએ 26 માર્ચ 2016 થી 17 જુલાઈ 2020 દરમિયાન હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામોમાં આવેલી રેવન્યુ રેકોર્ડ પરની સરકારી જમીનોના બનાવટી રેકોર્ડ બનાવ્યા હતા. તેમણે સરકારી કચેરીના હોદ્દાવાળા બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઉપરાંત, તત્કાલીન સક્ષમ સત્તા અધિકારીઓની ખોટી સહીઓ અને ખોટા હુકમો કરીને ત્રણેય ગામોની કુલ 344.27 વીઘા સરકારી જમીનોની સરકારી કચેરીમાં નોંધ કરાવી પોતાના નામે કરાવી લીધી હતી. હાલમાં પકડાયેલા આરોપી રમેશ બબાભાઈ સાકરીયાને સાથે રાખીને હળવદ પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરશે. આ તપાસનો રેલો ક્યાં ક્યાં સુધી પહોંચે છે અને કૌભાંડમાં અન્ય કોની સંડોવણી બહાર આવે છે તેના પર સૌની નજર રહેશે. સામાન્ય રીતે આવા જમીન કૌભાંડો સરકારી અધિકારીઓ કે કર્મચારીઓની સીધી કે આડકતરી સંડોવણી વગર શક્ય નથી, ત્યારે રિમાન્ડ દરમિયાન હળવદ પોલીસ શું નવા ખુલાસા કરે છે તે જોવું મહત્ત્વનું રહેશે.
કચ્છના નાના રણમાં 350 ટ્રેક્ટર નીરણ દાન:વચ્છરાજ દાદાના મંદિરે 8 હજાર ગાયો માટે ચારો અપાયો
કચ્છના રાપર તાલુકાના નાના રણમાં આવેલા વીર વચ્છરાજ બેટ ખાતેની ગૌશાળામાં ગાયો માટે ૩૫૦ ટ્રેક્ટર સૂકા ચારાનું દાન કરવામાં આવ્યું છે. આ દાન વીર વચ્છરાજ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે ગૌસેવા અને સામાજિક દાયિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વચ્છરાજ બેટની આ ગૌશાળામાં આઠ હજારથી વધુ ગાયોનો નિભાવ કરવામાં આવે છે. આ ગાયો ઇતિહાસમાં અમર થયેલા વીર વચ્છરાજ દાદા અને વેગડના આશ્રય હેઠળ વાગડના ક્ષત્રિય રાજપૂત સમાજના સ્નેહજળથી ભીંજાઈ રહી છે. રાપર તાલુકાના રાજપૂત સમાજે શૌર્ય, સમર્પણ અને ક્ષાત્રત્વની સાથે ગૌસેવાની અનંત પરંપરાને અવિરત જાળવી રાખી છે. અનેક ગામડાઓમાંથી આ ચારો એકત્રિત કરીને ગૌશાળા સુધી પહોંચાડવામાં આવ્યો હતો. વચ્છરાજ બેટ ટ્રસ્ટના પ્રમુખ લક્ષ્મણસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ વેલજીભાઈ સોલંકી, રાપરના ઇલેક્ટ્રોનિક વેપારી મોમાયાભાઈ રાજપૂત અને મુંબઈના ઉદ્યોગપતિ અમરસિંહભાઈ રાજપૂત સહિત અનેક ગૌસેવકો આ ટ્રસ્ટમાં પોતાની સેવાઓ આપે છે.
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ પક્ષની કાર્યપદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરીને દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. આ જાહેરાતને કારણે રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે વિરોધપક્ષના નેતા તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપી છે. તેઓ છેલ્લા બે દિવસથી છોટા ઉદેપુર જિલ્લામાં ચાલી રહેલી કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં ઉપસ્થિત હતા ત્યારે તેમણે આ અંગે નિવેદન આપ્યું હતું. ચૌધરીએ જણાવ્યું કે કિરીટભાઈનો પ્રશ્ન તેમના જિલ્લામાં એસ.ટી. ડિપાર્ટમેન્ટના પ્રમુખની નિમણૂક સંબંધિત છે, જેના પર તેમણે વિરોધ નોંધાવ્યો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી કે સામાન્ય રીતે પ્રદેશ સમિતિ કે તેમનું તેમાં કોઈ સંડોવણી હોતી નથી. એસ.ટી. ડિપાર્ટમેન્ટ પોતાની રીતે આકલન કરીને દિલ્હી ખાતે નામ મોકલે છે અને દિલ્હીથી મંજૂરી મળ્યા બાદ જ તે જાહેર થાય છે. ચૌધરીએ ઉમેર્યું કે, તેમ છતાં જે પણ મુદ્દો હશે તેને પ્રદેશ સમિતિ દ્વારા ઉકેલવા માટે સૂચના આપવામાં આવી છે. રાજીનામા બાબતે તેમણે કહ્યું કે દંડક તરીકેનો કોઈ સત્તાવાર હોદ્દો નથી, આ તો આંતરિક વ્યવસ્થા છે. તેથી, તેઓ કિરીટભાઈને સમજાવવાનો પ્રયત્ન કરશે.
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવતમાં બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારાની ઘટના બની છે. સોમવારે રાત્રિના પથ્થરમારો થયા બાદ મંગળવારે સવારે ફરી સ્થિતિ બગડતા ગામમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)
નવા વર્ષની શુભેચ્છાના બહાને સાયબર ગુનેગારોએ ઠગાઈનો નવો રસ્તો શોધ્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસ.પી. ડૉ. રાજદીપસિંહ ઝાલાએ ચેતવણી આપતા જણાવ્યું કે, ન્યૂ યર સાયબર સ્કેમ નામની નવી રીતમાં લોકોના મોબાઈલ પર ગ્રીટિંગ કાર્ડ અથવા ગિફ્ટ જોવા માટેની લિંક મોકલવામાં આવે છે. “તમારા નામથી કાર્ડ બનાવ્યું છે”, “તમને ગિફ્ટ મોકલાયું છે” જેવા મેસેજ સાથે આવતી આ શંકાસ્પદ લિંક પર ક્લિક કરતાની સાથે જ ફોનમાં ખતરનાક એપ (APK) ડાઉનલોડ થઈ જાય છે અને સાયબર ગુનેગારને મોબાઈલનો સંપૂર્ણ કંટ્રોલ મળી જાય છે. કોઈ પણ લિંક ઓપન કરતાં પહેલાં ચેતજોડૉ. ઝાલાએ સ્પષ્ટ કહ્યું કે, મેસેજ વાંચવો, ફોટો કે વીડિયો જોવો ખતરનાક નથી, પરંતુ જો કોઈ લિંક ઓપન કરવા માટે એપ અપડેટ કે નવી એપ ડાઉનલોડ કરવા કહે તો તે ક્યારેય ન કરવું. આવી ભૂલથી બેંક ID–પાસવર્ડ, સોશિયલ મીડિયા એક્સેસ, કોન્ટેક્ટ્સ, ગ્રુપ્સ અને વ્યક્તિગત ડેટા ચોરી થઈ શકે છે. એટલું જ નહીં, સાયબર ગુનેગાર તમારી મુવમેન્ટ પર નજર રાખી પરિવાર અને સોશિયલ નેટવર્ક વિશે પણ માહિતી એકત્ર કરી શકે છે. બચાવ માટે શું કરવું? 61 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરીને બચાવાઈસાયબર સેન્ટર ઓફ એક્સલન્સે ડિસેમ્બર 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. માત્ર પાંચ કિસ્સામાં રૂ. 121 કરોડ ગુમાવ્યાની ફરિયાદ મળી હતી, જેમાંથી રૂ. 61 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરીને બચાવવામાં આવી, એટલે કે લગભગ 50 ટકા રકમ બચી. ડિસેમ્બરમાં માત્ર પાંચ દિવસમાં જ આ તમામ રકમ ફ્રીઝ કરવામાં સફળતા મળી. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના 7.11 કરોડ ફ્રીઝ કરાયારવિવારે 1930 હેલ્પલાઇન પર 1475 કોલ મળ્યા, જેમાંથી 685 આર્થિક ગુના સંબંધિત હતા. તે દિવસે ગુમાવાયેલા રૂ. 1.57 કરોડ સંપૂર્ણપણે ફ્રીઝ કરાયા. સોમવારે 2374 કોલ મળ્યા, જેમાં 1115 આર્થિક ગુનાના હતા. નાગરિકોએ ગુમાવેલા રૂ. 10.54 કરોડમાંથી રૂ. 9.1 કરોડ ફ્રીઝ કરવામાં આવ્યા. અમદાવાદમાં ડિજિટલ અરેસ્ટના કિસ્સામાં ગુમાવેલા રૂ. 7.12 કરોડમાંથી રૂ. 7.11 કરોડ ફ્રીઝ કરાયા.
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે રવિપાકનું 1.41 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ચોમાસા બાદ થયેલા સારા વરસાદ અને ઊંચા જળસ્તરને કારણે ખેડૂતોમાં સારો પાક થવાની આશા જાગી છે. સૌરાષ્ટ્રનો અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતીપ્રધાન છે, જ્યાં ખેડૂતો સિઝન પ્રમાણે વિવિધ પાકોનું વાવેતર કરે છે. કુલ વાવેતરમાં મુખ્ય પાકો ઘઉં, ચણા, ડુંગળી, ધાણા અને જીરું છે. આંકડા મુજબ, 79 હજાર હેક્ટરમાં ચણાનું, 31 હજાર હેક્ટરમાં ઘઉંનું, 11 હજાર હેક્ટરમાં ધાણાનું અને 8 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. આ ઉપરાંત, 8 હજાર હેક્ટરમાં ફળફળાદી અને શાકભાજીનું પણ વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી જીજ્ઞેશ કાનાણીએ જણાવ્યું કે, જિલ્લામાં સરેરાશ 1.84 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે, જેમાંથી આજ દિન સુધી 1.46 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. તેમણે વાવેતરના આંકડા આપતા કહ્યું કે, 31 હજાર હેક્ટરમાં ઘઉં, 79 હજાર હેક્ટરમાં ચણા, 11 હજાર હેક્ટરમાં ધાણા, 6 હજાર હેક્ટરમાં જીરું અને 8 હજાર હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થયું છે. સરેરાશ 8 હજાર હેક્ટરમાં અન્ય ઘાસચારાનું પણ વાવેતર કરાયું છે. કાનાણીએ વધુમાં ઉમેર્યું કે, હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં વાવેતરનો સર્વે ચાલી રહ્યો છે. અમરેલી જિલ્લામાં એક નવો ટ્રેન્ડ જોવા મળ્યો છે, જેમાં ખેડૂતો કપાસ કાઢીને મોડું વાવેતર કરતા હોય છે. આથી, કુલ વાવેતર 1.84 લાખ હેક્ટરની આસપાસ પહોંચવાની શક્યતા છે. ખેડૂત હરેશભાઈ બુહાએ જણાવ્યું કે, તેમની 40 વીઘા જમીનમાં ગયા વર્ષના અતિ વરસાદને કારણે બોર અને કૂવામાં પાણીના સ્તર ઊંચા આવ્યા છે. તેમણે ઘઉં, ચણા અને ડુંગળી સહિતના પાકોનું વાવેતર કર્યું છે અને જો આ સ્થિતિ જળવાઈ રહેશે તો આ વર્ષ ખેડૂતો માટે સારું રહેશે તેવી આશા વ્યક્ત કરી છે.
ભરૂચ શહેરમાં રૂ. 5 કરોડના ખર્ચે નિર્માણાધીન મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને જિમ કમ યોગા સેન્ટરનું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સુવિધા ટૂંક સમયમાં નગરજનો માટે ખુલ્લી મુકાશે. આજે પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચેરમેન સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. લાંબા સમયથી ભરૂચમાં રમતગમત માટે સુવિધાયુક્ત જાહેર સ્થળનો અભાવ હતો. યુવાનો, બાળકો અને આરોગ્યપ્રેમી નાગરિકોને યોગ્ય માળખાકીય સુવિધાઓ ન મળતી હોવાથી મુશ્કેલીઓ પડતી હતી. આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ભરૂચ પાલિકા વિસ્તારમાં આવેલા જે.બી. મોદી પાર્ક પાસે આ આધુનિક કોમ્પ્લેક્ષનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મંજૂર થયેલા આ પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આજે ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, પી.ડબલ્યુ.ડી. ચેરમેન ભાવિન પટેલ અને નગરપાલિકાના એન્જિનિયર સૌરભ પટેલ દ્વારા બાંધકામ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન બાંધકામની ગુણવત્તા, ટકાઉપણું અને સમયમર્યાદા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવે જણાવ્યું હતું કે, ભરૂચના યુવાનો રમતગમત તરફ વધુ વળે, આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવે અને શહેરને રમતક્ષેત્રે નવી ઓળખ મળે તે હેતુથી આ કોમ્પ્લેક્ષ તૈયાર કરાઈ રહ્યું છે. હાલ મુખ્ય માળખાકીય કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને કમ્પાઉન્ડ વોલ સહિતની અંતિમ કામગીરી ચાલી રહી છે. આ મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ શરૂ થતાં ભરૂચ શહેરના બાળકો, યુવાનો અને વડીલોને એક જ સ્થળે રમતગમત, વ્યાયામ અને યોગાભ્યાસ જેવી સુવિધાઓ મળશે. આનાથી શહેરના આરોગ્ય અને ખેલક્ષેત્રના વિકાસને નવી દિશા મળશે અને નગરજનો માટે આ પ્રોજેક્ટ અત્યંત ઉપયોગી સાબિત થશે.
ચારુસેટના ‘સાયન્સ મંથન’ની 11મી સીરીઝ સંપન્ન:750થી વધુ વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન પી.ડી. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ સાયન્સીસ (PDPIAS) દ્વારા આયોજિત 'સાયન્સ મંથન'ની 11મી સીરીઝ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. આ કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ કોલેજો અને યુનિવર્સિટીઓમાંથી 750થી વધુ અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સીરીઝમાં વિજ્ઞાનને સર્જનાત્મકતા સાથે જોડવાના પ્રયાસરૂપે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયન્ટૂન, સાયન્ટિફિક પોસ્ટર પ્રેઝન્ટેશન, વર્કિંગ મોડલ્સ, માય વિઝન: સાયન્સ ફોર સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, સ્ટેન્ડ-અપ કોમેડી અને સાયન્ટિફિક રીલ્સ જેવી સ્પર્ધાઓનો સમાવેશ થાય છે. ઉદ્ઘાટન સમારોહમાં દિલ્હી યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના બાયોકેમિસ્ટ્રી અને એન્ડોક્રાઇનોલોજીના પ્રોફેસર ડૉ. કે. મુરલીધર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 'સાયન્સ મંથન'ના કો-ઓર્ડિનેટર ડૉ. જાનકી ઠક્કરે થીમ રજૂ કરી હતી. PDPIASના પ્રિન્સિપાલ ડૉ. અભિષેક દઢાણીયાએ ચારુસેટના શિક્ષણ અને સંશોધનમાં યોગદાન વિશે માહિતી આપી. ફેકલ્ટી ઓફ સાયન્સીસના ડીન ડૉ. ગાયત્રી દવેએ પ્રો. કે. મુરલીધરને વિજ્ઞાન અને સંશોધનમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ 'સાયન્સ એક્સલન્સ એવોર્ડ' એનાયત કરવાની જાહેરાત કરી હતી. આ એવોર્ડ કેળવણી મંડળના વાઇસ-પ્રેસિડેન્ટ અશોકભાઈ પટેલ દ્વારા પ્રો. કે. મુરલીધરને અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રો. કે. મુરલીધરે 'સાયન્સ મંથન 2025'માં 'વિજ્ઞાનમાં એથિક્સ અને વિજ્ઞાન માટે એથિક્સ' વિષય પર પ્રેરણાદાયી કીનોટ પ્રવચન આપ્યું હતું. ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ અને રજિસ્ટ્રાર ડૉ. બિનીત પટેલે 'સાયન્સ મંથન 2025'ના સફળ આયોજન માટે વિદ્યાર્થીઓ અને સ્ટાફના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સમાપન સમારોહમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રમાણપત્રો અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમના ઉત્કૃષ્ટ પ્રયાસો અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવામાં આવ્યું. સૌથી વધુ વિદ્યાર્થીઓને ભાગ લેવા બદલ એક કોલેજને 'સાયન્સ એમ્બેસેડર એવોર્ડ' પણ એનાયત કરવામાં આવ્યો હતો.
પાટણ કોંગ્રેસમાં આંતરિક વિખવાદ:નવા પ્રમુખ જયાબેન શાહે મહિલા અનામતનો મુદ્દો ઉઠાવ્યો
પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને પક્ષમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. નવા પ્રમુખની નિમણૂક સામે નારાજ કાર્યકરોએ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન, કાર્યકરોએ અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાને ફરીથી પ્રમુખ પદે રિપીટ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના જ કાર્યકરો દ્વારા પક્ષના કાર્યાલયને તાળાબંધી કરાતા આ ઘટના ચર્ચાનો વિષય બની છે. આ સમગ્ર વિવાદ મામલે પાટણ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના નવા પ્રમુખ જયાબેન શાહની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ વિખવાદને પરિવારનો આંતરિક પ્રશ્ન ગણાવ્યો હતો. જયાબેન શાહે જણાવ્યું હતું કે, દરેક રાજકીય પક્ષમાં નાના-મોટા વિખવાદ થતા હોય છે, પરંતુ વિરોધ કરનારા તેમના દુશ્મન નથી, તેઓ પરિવારના ભાઈઓ સમાન છે. તેમણે આશા વ્યક્ત કરી કે આવનારા સમયમાં તેમને સમજાવી લેવામાં આવશે. તેમણે ઉમેર્યું કે પ્રદેશ નેતૃત્વ દ્વારા ૩૩% મહિલા અનામતને ધ્યાનમાં રાખીને આ નિમણૂક આપવામાં આવી છે. જયાબેન શાહે મહિલા પ્રતિનિધિત્વ અંગે ભારપૂર્વક જણાવ્યું કે, 25 વર્ષના લાંબા ગાળા બાદ પક્ષ દ્વારા કોઈ મહિલાને આ સ્થાન મળ્યું છે. આવા સમયે જો તેમને હટાવવાની વાત થાય તો તે માત્ર તેમનું વ્યક્તિગત અપમાન નહીં, પરંતુ સમગ્ર મહિલા જાતિનું અપમાન ગણાશે. હાલમાં પાટણ કોંગ્રેસમાં હોદ્દાને લઈને સર્જાયેલી આ ખેંચતાણ આગામી સમયમાં કેવું સ્વરૂપ લે છે તેના પર રાજકીય વિશ્લેષકોની નજર ટકેલી છે.
ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન લોકો કેક અને બેકરીની ખાદ્ય ચીજ વસ્તુઓ ગ્રહણ કરતા હોય છે ત્યારે તેઓનું સ્વાસ્થ્ય ન જોખમાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી કેક અને બેકરી પ્રોડક્ટના નમુના લેવામાં આવી રહ્યા છે જે દરમિયાન આજે શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી નામાંકિત જય જલારામ બેકરીમા થયેલી રેડ દરમિયાન લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોવાનુ સામે આવ્યું હતું. જેથી બેકરી ધારકને હાઈજેનિક કન્ડિશન જાળવવા અને યોગ્ય રીતે સ્ટોરેજ કરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેશન ટીમે લક્ષ્મીવાડીમાં સ્થિત રામેશ્વર બેકરી અને ભીલવાસમાં આવેલી ભારત બેકરીમાંથી કૂકીઝ અને કેકના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટ મહાનગરપાલિકાના ફુડ સેફટી ઓફિસર સી. ડી. વાઘેલાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 15 દિવસથી એટલે કે નાતાલ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને બેકરી પ્રોડક્ટનું વેચાણ વધુ થતું હોવાથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આજે શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં રેફ્યુજી કોલોનીમાં જય જલારામ બેકરીમાં તપાસ કરવામાં આવી છે. અહીં કેક પેસ્ટ્રી અને બેકરી પ્રોડક્ટનું ઉત્પાદન થઈ રહ્યું છે. આ તપાસણી દરમિયાન સામે આવ્યું છે કે કેક પેસ્ટ્રીમાં યુઝ બાય ડેટ લગાવવી જરૂરી હોય છે પરંતુ તે લગાવવામાં આવી નથી. જેથી હાઇજેનિક કન્ડિશન જાળવવા તેમજ સ્ટોરેજ બાબતે નોટીસ આપવામાં આવી છે. પેરિસિબલ આઈટમ હોય તો યુઝ બાય ડેટ જોઈને વસ્તુઓ ખરીદી કરવી જોઈએ. આ સાથે જ વેપારીઓએ પણ યુઝ બાય ડેટ દર્શાવવી જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સોમવારે શહેરના સાધુવાસવાણી રોડ તથા હનુમાન મઢીથી રૈયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 40 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 06 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી. જ્યારે ખાધ્ય ચીજોના કુલ 35 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ક્રિષ્ના કોલ્ડ્રિંક્સ, શિવ મદ્રાસ કાફે, રેડ એપલ રેસ્ટોરેન્ટ, શ્યામ શીંગ નમકીન, મહાદેવ એજન્સી અને જલારામ ખમણના સંચાલકને ફૂડ લાયસન્સ લેવા માટે નોટિસ આપવામાં આવી હતી. જ્યારે ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ 4 નમૂના લેવામાં આવ્યા હતા. જે આ મુજબ છે. (1) ગુલાબ જામ કુકીઝ (લુઝ): સ્થળ- રામેશ્વર બેકર્સ કેક શોપ, 10- લક્ષ્મીવાડી, રાજકોટ(2) સ્પે. ચોકલેટ કેક (લુઝ): સ્થળ- રામેશ્વર બેકર્સ કેક શોપ, 10- લક્ષ્મીવાડી, રાજકોટ. (3) કાજુ નાન કુકીઝ (લુઝ): સ્થળ- ભારત બેકરી પ્રા.લી., ઠક્કર બાપા છાત્રાલય રોડ, ભીલવાસ ચોક, રાજકોટ (4) ચોકલેટ વેનીલા કેક (લુઝ): સ્થળ- ભારત બેકરી પ્રા.લી., ઠક્કર બાપા છાત્રાલય રોડ, ભીલવાસ ચોક, રાજકોટ
મોરબી ફેક્ટરીમાં ફોરક્લિફ્ટની ટક્કરથી મહિલાનું મોત:પતિએ ડ્રાઈવર સામે બેદરકારીની ફરિયાદ નોંધાવી
મોરબીના લખધીરપુર રોડ પર આવેલી કજારીયા કંપનીમાં એક મહિલાનું ફોરક્લિફ્ટ વાહનની ટક્કરથી મોત થયું છે. મહિલાને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે સારવાર દરમિયાન તેનું નિધન થયું. આ ઘટના અંગે મૃતક મહિલાના પતિએ ફોરક્લિફ્ટ ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ બનાવ કજારીયા કંપનીના લાઈન પોલિસિંગ યુનિટ-2માં બન્યો હતો. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીરપુર રોડ પર કજારીયા વિટ્રીફાઈડ કંપનીના લેબર ક્વાર્ટરમાં રહેતા કમલેશ ભગા ગમાર (ઉં.વ. 26)એ આ ફરિયાદ નોંધાવી છે. તેમની પત્ની પપીતાબેન અને બહેન રેખાબેન યુનિટમાં સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની. ફરિયાદ મુજબ, ફોરક્લિફ્ટ વાહન નંબર GJ 12 BJ 8688ના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી પપીતાબેનને આગળથી ટક્કર મારી હતી. આ ટક્કરના કારણે પપીતાબેનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક મહિલાના પતિ કમલેશ ગમારની ફરિયાદના આધારે પોલીસે ફોરક્લિફ્ટ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ઉદ્યોગોની ભાગીદારીથી પી.પી.પી. મોડલ પર ગિફ્ટ સિટીમાં ઇન્ડિયન એ.આઈ. રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (IAIRO)ની સ્થાપનાને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. 1 જાન્યુઆરી 2026થી IAIRO કાર્યરત થશે અને આ રીતે પી.પી.પી. મોડલ પર AI રિસર્ચ સંસ્થા સ્થાપનારો ગુજરાત દેશનો પ્રથમ રાજ્ય બનશે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ 25 કરોડનું યોગદાન આપશેIAIROની રચના કંપની અધિનિયમ-2013ની કલમ 8 હેઠળ નોન-પ્રોફિટ સંસ્થા તરીકે કરવામાં આવશે. આગામી પાંચ વર્ષ માટે અંદાજે 300 કરોડ રૂપિયાનું બજેટ નક્કી કરાયું છે, જેમાં રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ખાનગી ભાગીદારનું સમાન 33.33 ટકા યોગદાન રહેશે. ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ એલાયન્સ (IPA) ખાનગી ભાગીદાર તરીકે જોડાયું છે, જે 2025-26માં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપશે. IPAમાં સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા સહિત 23 અગ્રણી ફાર્મા કંપનીઓનો સમાવેશ થાય છે. IP ક્રિએશન, કેપેસિટી બિલ્ડિંગ અને પોલિસી આધારિત સંશોધન પર ખાસ ભારઆ પહેલ ભારત સરકારના IndiaAI Mission અને ગુજરાત સરકારના AI એક્શન પ્લાન સાથે સુસંગત છે. IAIROને AI માટે મલ્ટી-ડિસિપ્લિનરી હબ તરીકે વિકસાવવામાં આવશે, જ્યાં અદ્યતન AI રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, AI આધારિત પ્રોડક્ટ્સ અને સોલ્યુશન્સ, સ્ટાર્ટઅપ્સ, ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર વચ્ચે સહયોગને પ્રોત્સાહન મળશે. સાથે જ IP ક્રિએશન, કેપેસિટી બિલ્ડિંગ અને પોલિસી આધારિત સંશોધન પર ખાસ ભાર રહેશે. આ પહેલ ગુજરાતને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશનનું કેન્દ્ર બનાવશેહાઇબ્રિડ કમ્પ્યુટ મોડેલ હેઠળ IAIRO કાર્ય કરશે, જેમાં ઓન-પ્રેમિસ GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે IndiaAI ક્લાઉડ જેવા નેશનલ પ્લેટફોર્મ્સનું સંકલન કરાશે. AIના ઉપયોગથી આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને અર્થતંત્રમાં પરિવર્તનકારી સુધારાઓ લાવી લોકોના જીવનને સરળ બનાવવા રાજ્ય સરકારે અગાઉ AI ટાસ્કફોર્સની પણ રચના કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં શરૂ થતી આ પહેલ ગુજરાતને ઇમર્જિંગ ટેકનોલોજી ઇનોવેશનનું કેન્દ્ર બનાવશે, સાથે જ AI ક્ષેત્રે કુશળ માનવ સંસાધન તૈયાર કરી ભારતને વૈશ્વિક સ્પર્ધામાં અગ્રેસર બનાવવા મહત્વની ભૂમિકા ભજવશે.
થર્ટી ફર્સ્ટને લઈ પંચમહાલમાં પોલીસ સતર્ક:ગોધરા શહેરના હાઇવે પર વિવિધ પોઇન્ટ પર સઘન ચેકિંગ શરૂ
પંચમહાલ જિલ્લા અને ગોધરા શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. શહેરના મુખ્ય હાઇવે માર્ગો પર વિવિધ પોઇન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ગોધરાના દાહોદ બાયપાસ હાઈવે પર આવેલી પરવડી ચોકડી અને પાંજરાપોળ ચર્ચ ખાતે DYSP બિંદ્રા જાડેજા અને A ડિવિઝન PI આર.એમ. વસૈયા સહિતના અધિકારીઓ દ્વારા વાહન ચેકિંગ થઈ રહ્યું છે. 31મી ડિસેમ્બરને અનુલક્ષીને પંચમહાલ જિલ્લાની વિવિધ ચેકપોસ્ટો પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વિદેશી દારૂ અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. આ માટે ચોવીસ કલાક સઘન ચેકિંગ અને પેટ્રોલિંગની કામગીરી ચાલી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે, 31મી ડિસેમ્બરના રોજ દારૂબંધીનો કડક અમલ થાય તે સુનિશ્ચિત કરવા ગોધરા શહેર પોલીસ દ્વારા તમામ નાના-મોટા વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે. પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ સતત 24 કલાક ફરજ પર તૈનાત છે.
ગોધરા સ્થિત ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં ડિગ્રી સર્ટિફિકેટ માટે વસૂલવામાં આવતી ઊંચી ફી સામે આદિવાસી સમાજના અગ્રણી બાબુભાઈ ડામોરે કુલપતિને રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે, આ યુનિવર્સિટીની સ્થાપના આદિવાસી બહુલ જિલ્લાઓ જેવા કે પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને વડોદરા ગ્રામ્યના વિદ્યાર્થીઓને ઘરઆંગણે ઉચ્ચ શિક્ષણ મળી રહે તેવા હેતુથી 2015માં થઈ હતી. જોકે, હાલ અહીં અન્ય યુનિવર્સિટીઓ કરતાં અનેકગણી વધુ ફી વસૂલવામાં આવે છે. રજૂઆત મુજબ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અન્ડર ગ્રેજ્યુએટ કોર્સના ફાઇનલ ડિગ્રી સર્ટિફિકેટ માટે 500 રૂપિયા અને પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે 1000 રૂપિયા ફી લેવાય છે. તેની સરખામણીમાં ગુજરાત યુનિવર્સિટી 260 રૂપિયા, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી 200 રૂપિયા, જ્યારે સરદાર પટેલ યુનિવર્સિટી 300 રૂપિયા ફી વસૂલે છે. આ રીતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં અન્ય યુનિવર્સિટીઓ કરતાં બે થી ત્રણ ગણી વધુ ફી લેવાઈ રહી છે, જે વિદ્યાર્થીઓ અને વાલીઓ પર આર્થિક બોજ વધારી રહી છે. ઉલ્લેખનીય છે કે, 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિંઝોલ ખાતે યુનિવર્સિટીના અત્યાધુનિક વહીવટી ભવનનું ઈ-લોકાર્પણ કર્યું હતું, જેનો હેતુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધા આપવાનો હતો. આદિવાસી વિસ્તારમાં આવેલી યુનિવર્સિટી હોવા છતાં ST, SC અને OBC વિદ્યાર્થીઓ પાસેથી શા માટે વધુ ફી વસૂલવામાં આવે છે તેવા પ્રશ્નો રજૂઆતકર્તાઓએ ઉઠાવ્યા હતા. આ રજૂઆત સમયે હિરેન શ્રીમાળી અને સાહિલ પરમાર સહિતના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. કુલપતિએ આ મામલે આગામી સમયમાં ફી ઘટાડવા અંગે હકારાત્મક નિર્ણય લેવાની ખાતરી આપી છે.
ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા આજથી 11 દિવસીય પ્રતિક ઉપવાસનું એલાન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ તંત્ર દ્વારા આ આંદોલનની મંજૂરી આપવામાં આવી ન હતી તેમછતાં પણ પાટનગર માટે જમીન આપનાર ખેડૂતોએ સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થયા હતા અને પોતાની લાંબા સમયની પડતર માંગણીઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. બે વર્ષમાં CM અને મુખ્ય સચિવ સાથે અનેક બેઠકો યોજાઈપાટનગર માટે જમીન આપનાર ખેડૂતોએ સેક્ટર-6 સત્યાગ્રહ છાવણી ખાતે એકત્રિત થયા હતા. અસરગ્રસ્તોનો આક્ષેપ વિરોધ કરી રહેલા ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સાથે અનેક બેઠકો યોજાઈ છે. ખુદ મુખ્યમંત્રીએ જે-તે સમયે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હોવા છતાં તંત્ર દ્વારા ફાઈલો પર કોઈ નક્કર અમલવારી કરવામાં આવી નથી. સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોને મળતા તમામ લાભો આ 7 ગામોને પણ આપવામાં આવેવર્ષ 2016ના મહેસૂલ વિભાગના પરિપત્રો પણ માત્ર કાગળ પર રહી ગયા હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો છે. ધોળાકૂવા, પાલજ, ઈન્દ્રોડા, શાહપુર, બાસન અને બોરીજ સહિતના ગામોના રહીશોની માંગણીઓ મુજબ વર્ષોથી જે મકાનોમાં રહીએ છીએ, તેના ભોગવટા હક્ક તાત્કાલિક નિયમિત કરવામાં આવે. મૂળ નિવાસીઓને પ્લોટ અથવા રહેણાંકના આવાસોની ફાળવણી કરવી.સરદાર સરોવર યોજનાના અસરગ્રસ્તોને મળતા તમામ લાભો આ 7 ગામોને પણ આપવામાં આવે. ફાળવાયેલી 'ચીપ ટાઈપ'ની દુકાનોને ભાડા પદ્ધતિમાંથી મુક્ત કરી માલિકી હક્ક આપવો. આંદોલનની પરવાનગી ન આપતા ખેડૂતો રોષે ભરાયાઆંદોલનની રણનીતિ મુજબ 9 જાન્યુઆરી, 2029 સુધી દરરોજ દરેક ગામમાંથી 5-5 પ્રતિનિધિઓ પ્રતીક ઉપવાસ પર બેસવાના હતા પરંતુ, તંત્રએ પરવાનગી ન આપતા ખેડૂતો રોષે ભરાયા છે. ખેડૂતોનું કહેવું છે કે, પાણીના ભાવે જમીન આપ્યા પછી હવે હક્ક માંગવા માટે પણ પરવાનગી લેવી પડે તે દુર્ભાગ્યપૂર્ણ છે.
સુરતની સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને અવારનવાર વિવાદોમાં ઘેરાયેલી રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાકીય અને નૈતિક મર્યાદાઓ ઓળંગીને વિવાદમાં આવી છે. ગુજરાતમાં જ્યાં જુગાર અને સટ્ટા જેવી પ્રવૃત્તિઓ પર કડક પ્રતિબંધ છે ત્યાં કીર્તિ પટેલે જાહેરમાં એક બેટિંગ એપનું પ્રમોશન કરીને યુવા પેઢીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. શું છે સમગ્ર મામલો?કીર્તિ પટેલે તાજેતરમાં તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પ્રોમોશનલ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે ગુજરાતમાં પ્રતિબંધિત એવી એક ઓનલાઇન બેટિંગ એપ વિશે વાત કરતી જોવા મળે છે. વીડિયોમાં કીર્તિ પટેલ કહે છે કે, મેં આ બેટિંગ એપમાં મોટી બેટ લગાવી હતી અને તેમાં પૈસા જીતીને હવે હું શોપિંગ કરવા જઈ રહી છું. તેણે દાવો કર્યો કે, નવો iPhone 17 Pro ખરીદવા માટે તેણે આ ગેમમાં પૈસા લગાવ્યા હતા અને જીતેલી રકમથી તે ફોન લેવા પહોંચી છે. સો.મીડિયા પર જુગાર રમ્યાનો લાઈવ વીડિયો પણ બતાવ્યોફક્ત આટલું જ નહીં, તેણે લાઈવ વીડિયો દરમિયાન 20,000ની બેટ લગાવીને બતાવી હતી અને થોડી જ વારમાં 40,000 જીતી ગઈ હોવાનો દાવો પણ કર્યો હતો. યુવાનો સરળતાથી આ એપ સુધી પહોંચી શકે તે માટે તેણે પોતાના સોશિયલ મીડિયા બાયોમાં આ એપની ડાઉનલોડ લિંક પણ મૂકી છે. મોંઘા ફોન લેવા માટે જુગાર રમવો એ સમાજ માટે ખોટો સંદેશ છેકીર્તિ પટેલના આ વીડિયો સામે સોશિયલ મીડિયા પર રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઉઠે છે કે લાખો ફોલોઅર્સ ધરાવતી સેલિબ્રિટી જ્યારે આવી પ્રતિબંધિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે ત્યારે તેની અસર યુવાનો પર કેવી પડશે? આવી એપ્સમાં શરૂઆતમાં લાલચ આપીને બાદમાં લોકો હજારો-લાખો રૂપિયા ગુમાવતા હોય છે. ગુજરાતમાં ઓનલાઇન ગેમ્બલિંગ અને બેટિંગ એપનું પ્રમોશન કરવું એ કાયદેસર ગુનો બને છે. માત્ર મોજશોખ કે મોંઘા ફોન લેવા માટે જુગાર રમવો એ સમાજ માટે ખોટો સંદેશ છે. કીર્તિ પટેલ વિરુદ્ધ ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા છેઅગાઉ પણ કીર્તિ પટેલ અનેકવાર પોલીસના સાણસામાં આવી ચૂકી છે. તેના પર ગુજરાતમાં 10 ગુના નોંધાયેલા છે અને થોડો સમય પહેલા જ જેલમાંથી બહાર આવી છે. ત્યારે હવે પ્રતિબંધિત એપના પ્રમોશન મામલે સુરત પોલીસ કે સાયબર ક્રાઈમ વિભાગ આ અંગે પગલા લઈ શકે છે. કીર્તિ પટેલે વીડિયોમાં શું કહ્યું?ઘણા દિવસથી મેં ગેમમાં નથી લગાવી મેં બેટિંગ. હવે થઈ ગયું છે મારી પાસે પૈસાનું સેટિંગ અને હું જોરદાર લગાવું છું બહુ મોટી બેટિંગ અને પૈસા જીતીને હું જાઉં છું અત્યારે જ શોપિંગ. તો મારે શોપિંગ કરવાનો હતો આઈફોન, એની પહેલા મેં રાજા ગેમમાં લગાવી દીધી બેટ. બીગ ઉપર મેં લગાવી દીધા છે 20,000 રૂપિયા, તો જોઈએ હવે શું થાય છે. યસ, તો હું 40,000 રૂપિયા જીતી ગઈ અને હું મોબાઈલ લેવા માટે આવી છું. જલસા કરવા હોય તો જીગરના ખેલ તો ખેલવા પડે વાલા, તો જ આવા જલસા થાય. આ અંગે સાઇબર ક્રાઇમ ડીસીપી બીશાખા જૈને જણાવ્યું હતું કે, બેટિંગ એપનો યુઝ કરવો એ ઇલલીગલ છે અને તેનું પ્રમોશન કરવું પણ ઇલલીગલ છે. જેથી આ ઇન્ફ્લુએન્સર સામે આગામી દિવસોમાં ગુનો નોંધાવાની પૂર્ણ શક્યતાઓ છે. ગુજરાતમાં બેટિંગ એપ પર પ્રતિબંધ છે. આ પણ વાંચો: કુખ્યાત કીર્તિના કાંડ, ખંડણીથી લઈ હત્યાના પ્રયાસ સુધી:ફેશન-ડિઝાઇનરમાંથી યુટ્યૂબર બનેલી કીર્તિ સામે 7 વર્ષમાં 10 ગુના, રાજદીપસિંહથી લઈ ખજૂરભાઈને કરી ચૂકી છે ટાર્ગેટ આ પણ વાંચો: ખંડણીખોર કીર્તિ પટેલ જેલ ભેગી:સતત લોકેશન બદલી ભાગતી હતી, પોલીસના કબજામાં હતી છતાં નફ્ફટાઇથી બોલી-વીડિયો ટકાટક બનાવી આખા ગુજરાતમાં ફેલાવજો આ પણ વાંચો: જેલમાં બંધ કીર્તિ પટેલ સામે વધુ એક FIR:સુરતના વેપારીએ સો.મીડિયા પર બદનામ કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી, કીર્તિ સામે ગુજરાતમાં આ 10મો ગુનો
થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં વ્યાપક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લો પાડોશી કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરહદ સાથે જોડાયેલો હોવાથી 31મી ડિસેમ્બરની રાત્રે દારૂની હેરાફેરી તેમજ ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’ના બનાવોની શક્યતા વધતી હોય છે. આ સંભાવનાઓને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા તમામ મુખ્ય હાઈવે, રાજ્ય માર્ગો તેમજ અંતરિયાળ રસ્તાઓ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે. જિલ્લાના તમામ પ્રવેશદ્વારો પર ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે, જ્યાંથી પસાર થતા દરેક વાહનચાલકની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને દારૂ પીીને વાહન ચલાવતા ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. LCB અને SOG ટીમો દ્વારા ગીર વિસ્તાર સહિત સંવેદનશીલ વિસ્તારોમાં સંયુક્ત કોમ્બિંગ ઓપરેશન પણ ચલાવવામાં આવી રહ્યું છે. આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા એસ.પી. જયદીપસિંહ જાડેજાએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, “પોલીસની આ સમગ્ર કાર્યવાહીનો મુખ્ય હેતુ નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને ઉજવણી દરમિયાન થનારા અકસ્માતો તથા ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવાનો છે.” એસ.પી. જાડેજાએ થર્ટી ફર્સ્ટની રાત્રે મહેફીલ જમાવતા અને નશામાં ધૂત બની અવારા તત્વો બનનારાઓને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. પરંતુ ઉજવણીના ઉન્માદમાં જો કોઈ નિર્દોષ સામાન્ય નાગરિકોને હેરાન કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે અને ખેર નહીં રહે.” જિલ્લા પોલીસની આ સખ્ત કાર્યવાહીથી થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિપૂર્ણ અને સલામત રહે તેવી લોકોમાં આશા જાગી છે.
2022માં ગુજરાતમાં કારમી હારનો સામનો કર્યા બાદ રાહુલ ગાંધીએ 2027માં ભાજપને ગુજરાતમાં હરાવવાની ચેલેન્જ આપી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં રહેલી આંતરિક જૂથબંધી ખુલ્લીને સામે આવી રહી છે. પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસ પક્ષના દંડક કિરીટ પટેલ નારાજ થયા છે. તેઓએ કહ્યું હતું કે, અમારી વિરુદ્ધ જે નેતાઓએ કામ કર્યું તેને પાર્ટીએ હોદા અને ટિકિટ આપી છે તેને લઈ નારાજગી છે. એટલે દંડક પદેથી રાજીનામું આપવાનો છું. પાટણની જનતાએ મને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂ્ંટ્યો છે એટલે ધારાસભ્ય તરીકે હું ચાલુ રહીશે. પાટણ SC મોરચાના પ્રમુખની વરણીને લઈ નારાજગીપાટણના ધારાસભ્ય કિરીટ પટેલએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, થોડા સમય પહેલા રાધનપુરની અંદર જે બનાવ બન્યો હતો એ વ્યક્તિના વિરૂદ્ધમાં કોઈ એક્શન લેવામાં આવતા નથી તેમજ એસ.સી. સેલમાં જેમની નિમણૂક કરવામાં આવી તેમાં 2017 અને 2022ની અંદર અમારા વિરૂદ્ધ જે લોકોએ કામ કર્યા હતા, તેમજ PCCએ અમારી પાસે જે રિપોર્ટ માંગ્યો હતો તે રિપોર્ટમાં અમે જેના નામ આપ્યા હતા તેમને તમે જિલ્લા પંચાયતના સભ્ય બનાવી દો તેમને તમે પ્રદેશની અંદર હોદ્દા આપી દો, આ બાબત યોગ્ય નથી અને આ બાબતથી નારાજ થઈ મેં રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમજ કોંગ્રેસ પક્ષમાં તો અમે રહેવાના જ છીએ પાટણની જનતાએ અમારા પર ભરોસો મુક્યો છે એ ભરોસો અમે કાયમ રાખીશું તેમજ જ્યાં સુધી હું ચાલુ ધારાસભ્ય છું ત્યાં સુધી કોંગ્રેસમાં રહેવાના છીએ. ભાજપ જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે તો જ સંગઠન મજબૂત થશે- કિરીટ પટેલSC મોરચામાં નિમણૂંકને લઈ કિરીટ પટેલે પ્રદેશ મોવડી મંડળને અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે પ્રદેશ મોવડી મંડળને ત્રણ વાગ્યા સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. કિરીટ પટેલે કહ્યું હતું કે પ્રેશર પોલિટિક્સ ક્યારેય કર્યું નથી, કરવાના પણ નથી. 2017,2022માં મારા વિરૂદ્ધ કામ કરનારને પ્રમોશન કેમ?. પક્ષની કાર્યપદ્ધતિથી કાર્યકર્તાઓમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે. અમારા વિરૂદ્ધ કામ કરનારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા ન હતા. પક્ષ વિરોધી પ્રવૃતિ કરનારાને પ્રમોશનથી દુઃખ થયું છે. પદનો મને મોહ જ નથી, જનતાના પ્રશ્નો ઉઠાવતો રહીશ. દંડકનું પદ ન હતું ત્યારે પણ વિધાનસભામાં સૌથી વધુ પ્રશ્ન ઉઠાવતો હતો. ભાજપની જેમ કોંગ્રેસ કાર્યવાહી કરશે તો જ સંગઠન મજબૂત થશે. 2017માં મારા વિરૂદ્ધ કામ કરનારાની યાદીની માહિતી અપાઈ છે. આ અમારા ઘરનો મામલો છે- અમિત ચાવડાઆ બાબતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અનુસુચિત જાતિ સેલમાં એક નિમણૂંકને લઈને સ્થાનિક વિવાદ થયો છે. એવું મારા ધ્યાન પર આવ્યું છે. અનુસૂચિત જાતિ ડિપાર્ટમેન્ટના ચેરમેનને મે કીધું છે કે બંનેને સાથે બેસાડીને સમાધાન થાય છે. એ અમારા ઘરનો મામલો છે. ઝડપથી સુલજાવી લઈશું. ડેમેજ કંટ્રોલ ન થાય તો અસંતોષની આગ આગળ વધે તેવી શક્યતાકિરીટ પટેલની નારાજગીનો આ મામલાની ઉત્તર ગુજરાતમાં પણ અસર દેખાઈ શકે છે. જો સમયસર સમાધાન ન થાય તો આ અસંતોષ અન્ય ધારાસભ્યો અને કાર્યકરો સુધી ફેલાવાની શક્યતા છે, જે 2027ની વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસ માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.
ગુજરાતના શિક્ષણ જગતમાં ડિજિટલ શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનારા અને ટેકનોલોજીના માધ્યમથી લાખો વિદ્યાર્થીઓ સુધી જ્ઞાન પીરસનારા જૂનાગઢ જિલ્લાના કાથરોટા ગામની માધ્યમિક શાળાના વિશિષ્ટ શિક્ષક બળદેવપરી ઝવેરપરીને આગામી સમયમાં પ્રતિષ્ઠિત 'ડિજિટલ ગુરુ પારિતોષિક' થી નવાજવામાં આવશે. આ સન્માન સમારોહ 5 જાન્યુઆરી, 2026 ના રોજ ગાંધીનગર ખાતે યોજાશે, જેમાં શિક્ષણ મંત્રીના હસ્તે તેમને આ ગૌરવવંતું પારિતોષિક એનાયત કરવામાં આવશે. 3.5 કરોડથી વધુ લોકોની પસંદ બની વેબસાઇટ શ્રી બળદેવપરી પરીએ 'શિક્ષક સાચો રાષ્ટ્રનિર્માતા' સૂત્રને માત્ર શબ્દોમાં નહીં પરંતુ પોતાના કાર્ય દ્વારા સાબિત કરી બતાવ્યું છે. તેમણે માહિતી અને સંચાર તકનીક (ICT) ના ક્ષેત્રમાં ભગીરથ કાર્ય કર્યું છે. તેમની પોતાની શૈક્ષણિક વેબસાઇટ www.baldevpari.com આજે શિક્ષણ ક્ષેત્રે એક વટવૃક્ષ બની ગઈ છે. આ વેબસાઇટ પર અત્યાર સુધીમાં 3.5 કરોડથી વધુ પેઇઝ વ્યુઝ નોંધાયા છે, જે સાબિત કરે છે કે છેવાડાના ગામડાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે આ પોર્ટલ કેટલું ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. 'આવો ડિજિટલ સાક્ષર બનીએ' અભિયાનથી જાગૃતિ માત્ર વેબસાઇટ બનાવીને અટકી જવાને બદલે, બળદેવપરીએ રાજ્યભરમાં આવો ડિજિટલ સાક્ષર બનીએ નામનું એક વ્યાપક અભિયાન છેડ્યું છે. આ અભિયાન અંતર્ગત તેમણે અસંખ્ય વર્કશોપ, સેમિનારો અને ઓનલાઇન સત્રો દ્વારા લાખો શિક્ષકો અને વિદ્યાર્થીઓને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતા શીખવ્યું છે. તેમના આ નૂતન પ્રયોગોને કારણે આજે અનેક સરકારી શાળાઓમાં શિક્ષણ પદ્ધતિ વધુ આધુનિક બની છે. રાષ્ટ્રીય સ્તરના એવોર્ડ બાદ હવે રાજ્યનું વિશેષ સન્માન બળદેવપરી પરી અગાઉ પણ પોતાની શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના સર્વોચ્ચ એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેમની આ લાંબા સમયની નિષ્ઠાપૂર્વકની સેવાઓની નોંધ લઈને 'ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન' દ્વારા આ વર્ષે ખાસ ડિજિટલ ગુરુ પારિતોષિક માટે તેમની પસંદગી કરવામાં આવી છે. ફેડરેશનના પ્રમુખ શ્રી શૈલેશકુમાર કે. પટેલ અને મહામંત્રી શ્રી સંજયકુમાર બી. પટેલે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. ગાંધીનગરના આંગણે યોજાશે ભવ્ય સમારોહ આ સન્માન સમારોહ આગામી 5 જાન્યુઆરી, 2026 ના રોજ સોમવારે સવારે 10:00 કલાકે આનંદ નિકેતન સ્કૂલ-સુઘડ, ગાંધીનગર ખાતે યોજાશે. ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશનના વાર્ષિક શૈક્ષણિક અધિવેશનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શિક્ષણ જગતના નામી-અનામી મહાનુભાવો અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. શિક્ષણ જગતમાં ગૌરવની લાગણી બળદેવપરી પરીને મળનારા આ એવોર્ડની જાહેરાત થતા જ જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના શૈક્ષણિક આલમમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથી શિક્ષકો અને શિક્ષણવિદો માને છે કે આ સન્માન માત્ર એક વ્યક્તિનું નથી, પરંતુ શિક્ષણમાં ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગનું સન્માન છે. બળદેવપરી પરી અન્ય હજારો શિક્ષકો માટે ડિજિટલ માર્ગે આગળ વધવાની નવી પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના અમરેશ્વર ગામના પાટિલાય પાસે અજાણ્યા વાહને એક્ટિવાને અડફેટે લેતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા હતા. અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. કપડાની ખરીદી કરી ઘરે પરત ફરી રહેલા યુવકોના મોત નિપજ્યાઅકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનોની ઓળખ પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના હઠીસિંહની મુવાડી ગામના રહેવાસી તરીકે થઈ છે. આ અકસ્માતમાં મેહુલકુમાર સંજયસિંહ ચાવડા અને વિશ્વરાજસિંહ લાલસિંહ ચાવડા નામના યુવકનું અકસ્માતમાં ગંભીર ઇજાઓને લઈ સ્થળ પરજ કરુણ મોત નીપજતા પરિવાર પર આભ ફાટી છે. પરિવારજનો મોતના સમાચાર સાંભળી ભારે આક્રંદ સાથે ગમગીની ફેલાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર બંને યુવાનો બપોરે પોતાની એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યા હતા અને ડેસરની વાલાવાવ ચોકડી ખાતે નવા કપડાં ખરીદવા આવ્યા હતા. કપડાં ખરીદીને સાંજે ઘરે પરત ફરતી વેળાએ ભૈયાપુરા-અમરેશ્વર વચ્ચે પેટ્રોલ પંપ નજીક પાછળથી આવતા અજાણ્યા વાહને તેમની એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરથી બંનેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી અને ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાં હતાં. અજાણ્યા વાહનનો ચાલક અકસ્માત સર્જી ફરારઅકસ્માતની જાણ થતાં અજાણ્યા વ્યક્તિએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. અકસ્માત સ્થળે 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કરતાં બંનેનાં મોત થયેલાં જણાયાં હતાં. અકસ્માતની જાણ ડેસર પોલીસ સ્ટેશનને થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ડેસર સીએચસી ખાતે ખસેડ્યા હતા. પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધ માટે પેટ્રોલ પંપ સહિત આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે. બનાવની જાણ પરિવારજનોને થતાં હઠીસિંહની મુવાડી તેમજ આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે તેમજ ડેસર સીએચસી ખાતે ઉમટી પડ્યા હતા. મૃતકોના માતા-પિતા અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું. ઉલ્લેખનીય છે કે, મેહુલકુમાર ચાવડા વેજપુરની વૈજનાથ વિદ્યાલયમાં ધોરણ-9માં અભ્યાસ કરતો હતો અને ભણવામાં હોશિયાર વિદ્યાર્થી તરીકે જાણીતો હતો. જ્યારે વિશ્વરાજસિંહ ચાવડા થોડા સમય પહેલાં જ એક કંપનીમાં નોકરીએ જોડાયો હતો. આ દુર્ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરીવડ્યું છે. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દિવ પોલીસે દારૂના જથ્થા સાથે 2 શખ્સને ઝડપ્યા:થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે દારૂ ઘૂસાડતા ઝડપાયા
દિવ પોલીસે થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા માટે કાર્યવાહી કરી છે. ઘોઘલા ગામ નજીકથી ટુ-વ્હીલર પર વિદેશી દારૂનો જથ્થો ઘૂસાડતા ઉનાના બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. દિવ પોલીસના સ્પેશિયલ સ્ટાફના ઇન્ચાર્જ જીતેન્દ્ર પંડ્યા અને પી.સી. કેતન રાઠોડને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. શંકાસ્પદ ટુ-વ્હીલર (નંબર GJ 32 AJ 7314)ને રોકાવી પૂછપરછ કરતા દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો હતો. ઝડપાયેલા શખ્સોમાં ઉનાના રહેવાસી મયુર મોહન ચૌહાણ અને હિતેશ રમેશ બાંભણિયાનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 375 નંગ વિદેશી દારૂની બોટલો અને ટુ-વ્હીલર જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરાયેલા દારૂ અને વાહનની કુલ કિંમત 84,000 રૂપિયા આંકવામાં આવી છે. દિવ પોલીસ દ્વારા બંને શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉના અને દીવ વચ્ચેની ભૌગોલિક નિકટતાને કારણે દારૂની વ્યાપક હેરાફેરી થતી હોય છે, ખાસ કરીને તહેવારોના સમયે તેની માંગ વધે છે.
વડોદરાની વાઘોડિયા રોડ સ્થિત સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાંથી સોનાના નકલી ઘરેણા રજૂ કરીને 6.82 લાખ રૂપિયાની ગોલ્ડ લોન લઈને ગ્રાહકે છેતરપીંડી આચરી છે. વ્યાજ સાથે આ રકમ 7.38 લાખ રૂપિયા રકમ થાય છે. આ મામલે બેન્ક બ્રાન્ચ મેનેજર અજીત હરિહર પ્રસાદ વિક્રમે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં ગ્રાહક આશીફ અશરફભાઈ મલેક અને તત્કાલીન વેલ્યુઅર દિલીપકુમાર નટવરભાઈ સોની પર છેતરપિંડીના આરોપ મૂકવામાં આવ્યા છે. પા પાણીગેટ પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે. મૂળ બિહારના અને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં દર્શનમ સેન્ટ્રલ પાર્કમાં રહેતા 36 વર્ષીય અજીત વિક્રમ છેલ્લા ચાર મહિનાથી વાઘોડિયા રોડ બ્રાન્ચના મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના પહેલાંના મેનેજર અમિતાબ સબુઈના કાર્યકાળ દરમિયાન દિલીપકુમાર સોનીને બેન્કના વેલ્યુઅર તરીકે નિમણૂક આપવામાં આવી હતી. બેન્ક ગ્રાહકોને તેમની જરૂરિયાતો અનુસાર ગોલ્ડ લોન આપે છે, જેમાં સોનાના ઘરેણાંની શુદ્ધતા, વજન અને મૂલ્યની તપાસ વેલ્યુઅર દ્વારા કરવામાં આવે છે. આરોપી આશીફ મલેક (રહે. કુંપાડ રોડ, જલારામ તલાવડી, મંજુસર, વડોદરા) એ 2019માં બેન્કમાં ખાતું ખોલાવ્યું હતું. તા. 7 ઑક્ટોબર 2019ના રોજ તેણે બપોરે લગભગ 12 વાગ્યે તત્કાલીન મેનેજર અમિતાબ સબુઈનો સંપર્ક કરીને 2.66 લાખ રૂપિયાની ગોલ્ડ લોનની માંગ કરી હતી. તેની સામે તેણે સોનાના ઘરેણાં રજૂ કર્યા હતા, જેમાં (1) બે સોનાના કંગન પાટલા (વજન: 47.100 ગ્રામ, વેલ્યુ: 1.57 લાખ), (2) એક સોનાની લક્કી (વજન: 53.300 ગ્રામ, વેલ્યુ: 1.77 લાખ) અને (3) એક સોનાની વીંટી (વજન: 16.200 ગ્રામ, વેલ્યુ: 0.54 લાખ)નો સમાવેશ થતો હતો. વેલ્યુઅર દિલીપકુમાર સોનીએ આ ઘરેણાંનું કુલ મૂલ્ય 3.89 લાખ રૂપિયા ગણાવીને પ્રમાણપત્ર આપ્યું હતું. આ આધારે 2.66 લાખની લોન 10.50% વ્યાજે 12 મહિના માટે મંજૂર કરવામાં આવી હતી. ત્યારબાદ તા. 11 નવેમ્બર 2019ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે આશીફે ફરીથી 4.16 લાખ રૂપિયાની લોનની માંગ કરી હતી. તેની સામે તેણે (1) છ સોનાની બંગડીઓ (વજન: 86.950 ગ્રામ, વેલ્યુ: 2.88 લાખ) અને (2) એક સોનાની ચેઇન (વજન: 95.850 ગ્રામ, વેલ્યુ: 3.18 લાખ) રજૂ કર્યા હતા. વેલ્યુઅર દિલીપકુમાર સોનીએ કુલ મૂલ્ય 6.06 લાખ રૂપિયા ગણાવ્યું હતું. આ આધારે 4.16 લાખની લોન 10% વ્યાજે 12 મહિના માટે મંજૂર કરવામાં આવી હતી. બેન્કના પ્રાદેશિક કાર્યાલયના આદેશ અનુસાર, તમામ ગોલ્ડ લોનના ઘરેણાંનું પુનઃમૂલ્યાંકન કરવાનું હતું. આ માટે તા. 11 જૂન 2020, 6 જુલાઈ 2020 અને 20 જુલાઈ 2020ના રોજ આશીફને નોટિસો મોકલવામાં આવી હતી. તેઓ હાજર ન થતાં, તા. 30 જુલાઈ 2020ના રોજ બેન્કે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેમાં બેન્ક અધિકારીઓ, એક ગ્રાહક અને નવા પેનલ વેલ્યુઅર સંદીપ એચ. સોની (ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ)નો સમાવેશ થતો હતો. આ સમિતિએ વીડિયોગ્રાફી સાથે પુનઃમૂલ્યાંકન કર્યું ત્યારે તમામ ઘરેણાં નકલી હોવાનું જણાયું હતું. સંદીપ સોનીએ આ અંગે પ્રમાણપત્ર જારી કરીને નકલી હોવાનું પુષ્ટિ કરી હતી. આ ઘટના પછી બેન્કના રીજીયોનલ હેડ અરુણ મિશ્રાએ તપાસના આદેશ આપ્યા છે. આ કૌભાંડથી બેન્કને મોટું આર્થિક નુકસાન થયું છે અને આરોપીઓએ જાણીજોઈને છેતરપિંડી કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, આ કેસમાં વધુ તપાસ કરીને આરોપીઓને ઝડપી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાએ બેન્કિંગ સેક્ટરમાં ગોલ્ડ લોનની પ્રક્રિયા પર પ્રશ્નો ઉભા કર્યા છે.

26 C