ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 45.37 કરોડના 54 એજન્ડાઓના વિવિધ વિકાસકામોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં શહેરમાં રોડ રસ્તા, ડ્રેનેજ, પાણી સહિત પ્રાથમિક સુવિધાના અનેક કામોને મંજૂરી આપવા આવી છે. સાથે આગામી દિવસોમાં મનપાની ચૂંટણી આવી રહી છે ત્યારે શાસકોના વિચાર વિમસ બાદ જે પાણી વેરામાં રૂપિયા 1450નો વધારો કરવાની પ્રપોઝલ હતી તેને નામંજૂર કરવામાં આવી છે. 54 વિકાસલક્ષી એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવીઆગામી દિવસોમાં ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, ત્યારે શહેરમાં અનેક વિકાસકામો ચાલી રહ્યા છે. ત્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી હોલ ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં 54 વિકાસલક્ષી એજન્ડાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પેવિંગ બ્લોક, રિકાર્પેટ કરવાના કામો, પેવર રોડના કામો, ડ્રેનેજ વિભાગના સ્ટોર રૂમનું બાંધકામ, અકવાડા 1.50 એમએલ કેપેસિટીની ઇએસઆર અને 2 એમએલ કેપેસિટીનો સંપ બનાવવા સહિત અનેક કામોને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂરી આપવા આવી છે. સાથે મનપા દ્વારા પાણી વેરામાં રૂપિયા 1450નો વધારો કરવાની મનપા કમિશનર દ્વારા પ્રપોઝલ મુકવામાં આવી હતી. તે શાસકો દ્વારા આગામી સમયમાં મનપાની ચૂંટણી આવી રહી છે. ત્યારે આ અંગે ચર્ચા વિચારણા બાદ આજરોજ મળેલી સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં નામંજૂર કરવામાં આવી છે. 100 ઈલેક્ટ્રીક બસોના સુચારૂ સંચાલન માટે ફેર કલેક્શન એજન્સીની નિમણૂંકઆ સાથે ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર (આઈ.સી.સી.સી.), સી.સી.ટી.વી. સર્વેલન્સ સિસ્ટમ, ઓ.એફ.સી. નેટવર્ક અને અન્ય આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ (પાંચ વર્ષનાં ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સાથે) માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલટન્ટ તરીકે એજન્સીની નિમણૂંક કરવા મંજૂરી આપવા અંગે નિર્ણય કરવામાં આવનાર છે. તેમજ પ્રધાનમંત્રી ઈ-બસ સેવા યોજના હેઠળ ભાવનગર શહેરને 100 ઈલેક્ટ્રીક બસોના સુચારૂ સંચાલન માટે રકમ રૂ. 14,68,08,000 + GSTના ખર્ચથી ફેર કલેક્શન એજન્સીની નિમણૂંક કરવાની મંજૂરી આપવામાં આવી છે. કન્સ્ટ્રક્શન લાઈનના વેસ્ટ નિકાલ માટે એક નવો પ્રયોગઆ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ રાબડીયાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર 54 એજન્ડાઓ મુકવામાં આવ્યા હતા. જેમાં 45 કરોડ 37 લાખના ખર્ચે ભાવનગરના વિકાસ કામો સાથેસાથે જે મહત્વના પ્રોજેક્ટો છે, જેમાં કન્સ્ટ્રક્શન લાઈનની અંદર જે વેસ્ટ નીકળે છે એના નિકાલ માટે એક આખી વ્યવસ્થા ભાવનગરમાં એક નવો પ્રયોગ તરીકે કરી રહ્યા છીએ. આ ઉપરાંત ભાવનગર મહાનગરની અંદર પાણીનું વિતરણ માટે થઈને સુવિધામાં વધારો કરવાનો છે, તેનું કામ સ્ટેન્ડિંગની અંદર મુકવામાં આવ્યું હતું. ભાવનગર મહાનગરના બ્યુટીફિકેશનમાં વધારો થાય અને ભાવનગરના વેપારીઓ સારી રીતે જાહેરાત કરી શકે એ માટે ઇલેક્ટ્રીક ડિસ્પ્લે બોર્ડ કરવાના છીએ. ચાર્ટર્ડ એકાઉન્ટ માટે પાંચ વર્ષની મર્યાદા માટે નિયુક્ત કરવા મંજૂરી માંગીઆ ઉપરાંત મહાનગરપાલિકાએ અગાઉ જે ઠરાવ કર્યો હતો કે જે એજન્સીઓના કામો ઘણા સમયથી ચાલી રહ્યા છે અને કામો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે ટેન્ડરમાં ભાગ ના લે, આ પ્રકારનો ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં બે એજન્સીના કામો પૂર્ણ થયા છે અને તેની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં મોકલવામાં આવી હતી. જે સ્ટેન્ડિંગ કમિટીના ચર્ચા વિચારણા બાદ નામંજૂર કરવામાં આવી છે અને તે સ્થિતિમાં છે, એ સ્થિતિમાં રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટ માટે પાંચ વર્ષની મર્યાદા માટે નિયુક્ત કરવા માટેની મંજૂરી માંગી હતી, જેની સ્ટેન્ડિંગમાં ચર્ચા કરીને ત્રણ વર્ષની કરવામાં આવી છે. તેમજ વોટર ચાર્જમાં વધારો કરવાની પ્રપોઝલ જે કોર્પોરેશન વિભાગ કમિશનર તરફથી મળી હતી, જે પાણી વિતરણમાં કોઈ પણ જાતનો વેરો વધારતા નથી, કોઈ પણ જાતનો ચાર્જ વધારતા નથી, અને જે પ્રપોઝલ આવી હતી તેને નામંજૂર કરવામાં આવી છે.
મહીસાગર પોલીસે ₹1.42 કરોડનો દારૂનો નાશ કર્યો:આઠ તાલુકાના પોલીસ મથકોમાં પકડાયેલ જથ્થો નષ્ટ કરાયો
મહીસાગર જિલ્લા પોલીસે મોટા પાયે કાર્યવાહી કરી છે. જિલ્લાના આઠ તાલુકાના પોલીસ મથકોમાં પકડાયેલ આશરે ₹1.42 કરોડના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. આ દારૂનો નાશ સંતરામપુર અને બાલાસિનોર એમ બે સ્થળોએ કરવામાં આવ્યો હતો. સંતરામપુર, કડાણા અને ડીટવાશ પોલીસ મથકો દ્વારા જપ્ત કરાયેલો દારૂ વાજિયાખુટ જંગલ વિસ્તારમાં નષ્ટ કરાયો, જ્યારે બાલાસિનોર, વિરપુર અને લુણાવાડા પોલીસ મથકોનો દારૂ મુલતાનપુરા-ભાંથલા વિસ્તારમાં નાશ કરાયો. આ કાર્યવાહીમાં કુલ આશરે 54,000 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસને જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ જપ્ત કરાયેલા વિદેશી દારૂનો મુદ્દામાલ નામદાર કોર્ટના આદેશ અનુસાર નાશ કરવામાં આવ્યો છે. લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર પ્રાંતના સહયોગથી આશરે ₹1.42 કરોડથી વધુ કિંમતની 54,000 બોટલોનો નાશ કરાયો. તેમણે 31મી ડિસેમ્બરના સંદર્ભમાં જિલ્લાના નાગરિકોને ઘરમાં પરિવાર સાથે શાંતિપૂર્ણ ઉજવણી કરવા વિનંતી કરી હતી. પોલીસ વડાએ ચેતવણી આપી હતી કે, કોઈપણ કાયદા કે નિયમોનો ભંગ કરનાર સામે મહીસાગર પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે અને આવી પ્રવૃત્તિઓ ચલાવી લેવામાં આવશે નહીં.
ભરૂચ જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષ 2026ના સ્વાગતને લઈ પોલીસ વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયો છે. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સંધ્યાકાળથી જ સઘન વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. વર્ષના અંતિમ દિવસે લોકોમાં ઉજવણીનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભરૂચ શહેરના સિટી સેન્ટર તેમજ નર્મદા કોલેજ નજીક 31 ડિસેમ્બરની પાર્ટીઓનું આયોજન કરવામાં આવતાં પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. ભરૂચ શહેર એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ આર.એમ.વસાવાની હાજરીમાં પાંચબત્તી સર્કલ, શક્તિનાથ અને શ્રવણ ચોકડી વિસ્તારમાં સઘન વાહન ચેકિંગ હાથ ધરાયું હતું. જ્યારે સી-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં પીઆઈ વી.એ.ડોડીયાની દેખરેખ હેઠળ કસક સર્કલ, ઝાડેશ્વર ચોકડી અને એબીસી સર્કલ સહિતના વિસ્તારોમાં વાહનચાલકોની ચેકિંગ કરવામાં આવી હતી. બી ડિવીઝન પોલીસ મથકના પીઆઈ વી.એસ. વણઝારા દ્વારા વિસ્તારમાં દહેજ હાઈવે, બાયપાસ ચોકડી અને મહોમદપુરા વિસ્તારમાં વાહન ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં વાહન ચાલકોને બ્રેથ મશીન દ્વારા ચેક પણ કરવામાં આવ્યા હતાં. આ ઉપરાંત 31 ડિસેમ્બરના રોજ જિલ્લામાં આવતા ફાર્મહાઉસો તથા હોટલો પર પણ પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક નજર રાખવામાં આવી રહી છે.
મોરબી મહાનગરપાલિકાને એક વર્ષ પૂર્ણ:સનાળા ગામે આતિશબાજી કરી ભવ્ય ઉજવણી કરાઈ, ધારાસભ્ય-કમિશનર હાજર
મોરબી મહાનગરપાલિકાની રચનાને એક વર્ષ પૂર્ણ થતાં સનાળા ગામ પાસે આવેલી પટેલ સમાજ વાડી ખાતે આતિશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા અને સંજય સોની સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે મહાપાલિકાને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયું છે. આ ઉજવણીના ભાગરૂપે ૪.૫૦ લાખ રૂપિયાના ખર્ચે ૪૦ મિનિટ સુધી આતિશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આગામી સમયમાં મોરબીના લોકોને સારા ગાર્ડન, સારી લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ અને સારા રોડ રસ્તા સહિતની અનેક સુવિધાઓ પૂરી પાડવા માટે વિકાસ કામો હાથ ધરવામાં આવશે. રાજ્યમાં ગત તા. ૧/૧/૨૫ પહેલા આઠ મહાનગરપાલિકાઓ હતી. ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા એકીસાથે નવ નવી નગરપાલિકાઓની રચના કરવામાં આવી હતી, જેમાં મોરબી નગરપાલિકાને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો હતો. મોરબી મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર તરીકે સ્વપ્નિલ ખરેની નિમણૂક કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષથી તેમના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરના લોકોની સુખાકારીમાં વધારો કરવા તેમજ ગેરકાયદેસર બાંધકામો તોડવા સહિતની કામગીરી જુદા જુદા વિસ્તારોમાં કરવામાં આવી રહી છે.
વડોદરાવાસીઓ વર્ષ 2025ને ગુડબાય કરવા અને વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કરવા તૈયાર થઈ ગયા છે. થર્ટી ફર્સ્ટને લઈ શહેરના ક્લબો-પાર્ટી પ્લોટ સહિત ઠેર ઠરે ડીજે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં શહેરી જનો ઉમટી પડશે અને બોલિવૂડ સોન્ગ્સ પર યુવાધન ઠુમકા લગાવશે. આ સાથે જ રાત્રિના 12 વાગતા જ શહેરના રસ્તાઓ અને આકાશ રોશનીથી ઝળહળી ઉઠશે અને ભવ્ય આતશબાજી જોવા મળશે. થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સખત કરી દેવામાં આવી છે. શહેરમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને અને નશાખોરો પર લગામ કસી શકાય તે માટે શહેરના તમામ પ્રવેશદ્વારો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આજવા ચેક પોસ્ટ ખાતે પોલીસ દ્વારા કડક જાપ્તો ગોઠવવામાં આવ્યો છે, જ્યાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના તમામ વાહનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
2025ને ગુડબાય કરી નવા વર્ષ 2026નું ધમાકેદાર વેલકમ કરવા સુરતીલાલાએ તૈયાર થઈ ગયા છે. શહેરના ક્લબો-પાર્ટી પ્લોટ અને ઠેર-ઠેર રાત્રિના સમયે નવા વર્ષની ઉજવણી કરવા મોટી જનમેદની ઉમટી પડશે. યુવાધન બોલિવૂડ સોન્ગસ પર ઠુમકા લગાવતું જોવા મળશે. રાત્રિના 12 વાગતાની સાથે જ આકાશ રોશનીથી ઝળહળી ઉઠશે સુરતની ‘સૂરત’માં ચાર ચાંદ લાગી જશે. નવા વર્ષની ભવ્ય આતશબાજીના આયોજનને પગલે પોલીસ પણ એકશનમાં જોવા મળી રહી છે. હાલમાં જાહેર માર્ગો પર પોલીસ દ્વારા વાહનચાલકોનું કડક ચેકિંગ થઈ રહ્યું છે. સુરત શહેરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી સુરક્ષિત રીતે સંપન્ન થાય તે હેતુથી સુરત પોલીસ અત્યારે સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે, જેના ભાગરૂપે તમામ પાર્ટી પ્લોટ અને ઉજવણીના સ્થળો પર અત્યાધુનિક AI કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ કેમેરાનું સીધું જોડાણ સુરત પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કરવામાં આવ્યું છે, જ્યાંથી પોલીસ અધિકારીઓ દ્વારા દરેક ગતિવિધિનું લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે. આ ટેકનોલોજીની મદદથી નિર્ધારિત મર્યાદા કરતા વધુ ભીડ એકઠી ન થાય, લોકોની અવર-જવર પર ચોકસાઈપૂર્વક નજર રહે અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાતા ત્વરિત પગલાં ભરી શકાય તે માટે પોલીસ દ્વારા બાજ નજર રાખવામાં આવી રહી છે.
ગુજરાતમાં દારૂ ખરીદવો એ શાકભાજી ખરીદવા જેટલું સરળ હોય એમ લાગી રહ્યું છે. તેનો જીવતો જાગતો દાખલો દિવ્ય ભાસ્કરને કેમેરામાં કેદ થયો છે. ગુજરાતમાં દારૂબંધી ભલે હોય પણ કદાચ કોઈ એવો દિવસ બાકી નથી જ્યારે ક્યાંયથી પણ દારૂ ઝડપાય નહીં. એક સાથે કરોડો રૂપિયાનો દારૂ પકડાયાના કેસ ગુજરાતમાં નજીકના ભૂતકાળમાં બની ચૂક્યા છે અને એમાં પણ વાત જ્યારે 31stની ઉજવણી આવે તો પોલીસે દારૂપીધેલા લોકોને ઝડપવા માટે ખાસ ડ્રાઇવ ચલાવવી પડે છે. આ વખતે પણ બ્રેથ એનલાઇઝર લઈને પોલીસકર્મીઓની તૈનાતી કરી દેવામાં આવી છે. દિવ્ય ભાસ્કરે અમદાવાદમાં બે અલગ-અલગ પ્રકારે બુટલેગરોને સંપર્ક કર્યો અને તેમની પાસેથી દારૂ ખરીદવા માટેનો પ્રસ્તાવ મૂક્યો. ગણતરીની મિનિટોમાં જ બુટલેગર દારૂ આપવા માટે તૈયાર થઈ ગયા અને કઈ બ્રાંડની કેટલી બોટલ જોઈએ છે એ પણ પુછીને જાણે ઓર્ડર લખતા હોય એ રીતે તત્પરતા દર્શાવી. સૌથી પહેલાં અમને અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાંથી એક સ્થાનિક વ્યક્તિ મળી. જેણે એક બુટલેગર સાથે વાત કરી અને ત્યાર બાદ બુટલેગરનો નંબર આપીને ડિલ કરી લેવા માટે કહ્યું. ફોન પર બુટલેગર સાથે થયેલી વાતચીત પરથી તમને અંદાજો આવી જશે કે ગુજરાતના સૌથી મોટા શહેર એવા અમદાવાદમાં બુટલેગર કેવી રીતે બેફામ થઈને દારૂનો ધંધો કરી રહ્યા છે. રિપોર્ટર: કાલ (31 ડિસેમ્બર) માટે માલ (દારૂ) જોઇએ છે. બુટલેગર: અત્યારે બંધ છે. રિપોર્ટર: બીજા પાસેથી કરવી આપો. બુટલેગર: બીજા પાસેથી મંગાવવું હોય તો મંગાવી દઉં. કયું (બ્રાંડ) જોઈએ છે? રિપોર્ટર: કયું-કયું મળશે? મને એમાં ઓછો આઇડિયા છેબુટલેગર: તમારે જે રીતે કયુ કયુ જોઈએ છે એ નામ કહી દો એટલે હું સામે #$%# પૂછી જોઉં. રિપોર્ટર: R@#$% (બ્રાંડનું નામ) મળશે? બુટલેગર: એ તો ચાલો પુછી જોઉં રિપોર્ટર: અને B*$# (બ્રાંડનું નામ) મળશે? બુટલેગર: એ પણ પૂછીને તમને કહું કે આ છે રિપોર્ટર: પણ ભાવ વ્યાજબી કરાવડાવજો. બુટલેગર: હા… હા… વાંધો નહીં. બુટલેગર એકદમ અજાણ્યો હતો તેમ છતાં જાણે તેના માટે આવા ગ્રાહકો મળવા એકદમ સામાન્ય બાબત હોય એ રીતે વાતચીત કરી રહ્યો હતો. ફોન પર વાતચીત થયા બાદ અમે નક્કી કર્યું કે હવે બીજા બુટલેગર સાથે રૂબરૂ મળીને ડિલ કરવી જોઈએ. અમને સૂત્રો મારફતે જાણકારી મળી કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં જાહેરમાં કેટલાક લોકો બેઠાં હોય છે અને તેઓ મોટા બુટલેગર વતી ડિલ કરતા હોય છે. જો કે તેઓ અજાણ્યા માણસને માલ (ઇંગ્લિશ દારૂની બોટલ ) આપતા નથી. પરંતુ તમે પ્રયાસ કરો અને વધારે પૈસાની લાલચ આપશો તો કદાચ તમારી પાસેથી વધારે રૂપિયા લઈને તમને માલ આપશે. પ્લાન મુજબ અમે 30 ડિસેમ્બરની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ગયા. અમે અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે એક બાઇક પર વ્યક્તિ બેઠો હતો. અમે સીધા જ જઈને તેને મળ્યા અને દારૂ ખરીદવાની વાત કરી. અમે અજાણ્યા હોવાથી તેણે શરૂઆતમાં તો અમારી સાથે ખુલીને વાત ન કરી. પરંતુ થોડી વાતચીત થયા બાદ તેના મનમાંથી કદાર ડર નીકળી ગયો અને ખુલીને દારૂ બાબતે વાતચીત કરવા લાગ્યો. પહેલાં તો પોતે ધંધો છોડી દીધા હોવાનું રટણ કર્યું અને ત્યાર બાદ બીજી કોઈ વ્યક્તિ પાસેથી અપાવી દેવાના નામે ફોન ઘુમેડવા લાગ્યો. બુટલેગરના સ્ટિંગ ઓપરેશન સમયની વાતચીત વાંચો. રિપોર્ટર: માલ (ઇંગ્લિશ દારૂની બોટલ ) મળશે? બુટલેગર: બંધ છે હાલ તો. રિપોર્ટર: પુછી જુઓને કોઈની પાસેથી મળી જાય. બુટલેગર: અહીંયાંથી લઈને તુંરિપોર્ટર: ક્યાંથીબુટલેગર: ગાંધીનગરથી રિપોર્ટર: મને ત્યાં કોઈ નથી ઓળખતુંબુટલેગર: ઓળખવાનું નહીં… ત્યાં ગિફ્ટ સિટીમાં મળે છે. રિપોર્ટર: એ તો ત્યાં બેસીને પીવા માટે મળે છે, બહાર લઈ જવા માટે નથી મળતુંબુટલેગર: તારે જોઇએ છે કેટલી બોટલ? રિપોર્ટર: મારે… દસેક નંગ.. જે થતું હશે એ આપી દઈશુંબુટલેગર: બધી હાઇફાઇ જ જોઈતી હશે ને? રિપોર્ટર: ના…ના… જે મળી જાય એ ચાલશે. મને ડિલિવરી આપી દેતા હોય તો પણ વાંધો નથી.બુટલેગર: અત્યારે કોઈ ડિલિવરી ન આપે. આટલી વાતચીત થયા પછી બુટલેગરે કોઈને ફોન કર્યો અને દારૂ લાવવા માટે વાતચીત કરી. સામેવાળી વ્યક્તિ શું બોલે છે એ તો સંભળાયું નહીં. પણ બુલટેગરની વાતચીત પરથી અંદાજો લગાવી શકાય છે કે શું-શું વાતચીત થઈ હોઈ શકે! બુટલેગર: આટલામાં ક્યાંક ચાલુ હોય?સામેની વ્યક્તિ-બુટલેગર: બોટલસામેની વ્યક્તિ-બુટલેગર: એવું છે? સામેની વ્યક્તિ-બુટલેગર: નંગ જોઈએ છે નંગ. મારો ભાઈબંધ છે. 10 જોઈએ છે. સામેની વ્યક્તિ-બુટલેગર: એણે મને ફોન કર્યો. બાકી મારે જોઈતું હોય તો શું જોઈતું હતું. મારું જ બંધ છે પછી તો… સામેની વ્યક્તિ-બુટલેગર: સારું વાંધો નહીં. તું આવ તો ખરો. ફોન મૂક્યા પછી બુટલેગરે કહ્યું, બધેય 31stને લીધે લોચાવાળુ કામકાજ છે. તું ઇંગ્લિશની વાત કરે છે, અત્યારે તો દેશીવાળા ફાંફા મારે છે. બુટલેગરે બાઈક પર બેઠાં-બેઠાં ન જાણે કોની સાથે વાત કરી, પરંતુ થોડી જ વારમાં અન્ય કેટલાક લોકો અમે ઉભા હતા ત્યાં પહોંચી ગયા. આવતાની સાથે જ તેમણે અમને ફોન બંધ કરીને ખીસ્સામાં મૂકી દેવા કહ્યું. ત્યાર બાદ સવાલ કર્યો કે તમારે કયો માલ ક્યારે જોઈએ છે? અમે કહ્યું, આવતીકાલે એટલે કે 31 ડિસેમ્બરે સાંજે ચાર વાગ્યા સુધીમાં મળી જાય એવી રીતે ગોઠવી આપો. બુટલેગરના માણસોએ હામી ભરી અને નક્કી કરેલા સમયે રોકડા રૂપિયા લઈને આવી જવા માટે કહ્યું. આટલી વાતચીત થયા બાદ અમે ત્યાંથી નીકળી ગયા. ત્યાર બાદ બુટલેગરનો કોઈ પણ પ્રકારે સંપર્ક કર્યો નથી. પરંતુ બે અલગ-અલગ જગ્યાએ કરેલા પ્રયાસોથી એટલું તો સ્પષ્ટ થઈ ગયું કે અમદાવાદમાં અનેક જગ્યા પર આવી રીતે દારૂનો ધંધો ચાલી રહ્યો છે. અમરાઈવાડી મેટ્રો સ્ટેશન નીચે ખુલ્લેઆમ બુટલેગરો દારૂ માટે ગ્રાહક સાથે ડીલ કરે છે. આ જ રીતે અમે રબારી કોલોની વિસ્તારમાં પણ કેટલાક એવા લોકો સાથે વાત થઈ જેઓ દારૂનો ધંધો કરે છે. જો કે આ ઘટનાક્રમ કેમેરામાં કેદ થઈ શક્યો નથી. પરંતુ ત્યાં પણ એવું જાણવા મળ્યું કે ત્યાં બારેમાસ દારૂ વેચે છે. અનેકવાર પોલીસના દરોડા પણ પડે ત્યારે થોડા દિવસ ધંધો બંધ રહે છે, પછી પાછું ચાલુ કરી દે છે. DGPના સીધા માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરે છે. 2024માં વર્ષના 365 દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વાર રાજ્યભરમાં દારૂ અને જુગારના 534 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં દારૂના સૌથી વધુ કેસ ગાંધીનગર રેન્જ, અમદાવાદ શહેર અને બોર્ડર રેન્જમાં કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેરના ચોક્કસ વિસ્તારો ઉપરાંત રિંગ રોડ અને શહેરના છેવાડાનાં પોલીસ મથકોની હદમાંથી દરરોજ રાત્રે દારૂના સંખ્યાબંધ વાહનો પસાર થઇ રહ્યાં હોવાની વિગતો ગાંધીનગર બેઠેલા સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓને મળી જાય છે, પરંતુ સ્થાનિક પોલીસ એનાથી અજાણ હોય છે. વળી, સ્થાનિક પોલીસ દ્વારા પકડવામાં આવતા દારૂના કેસોને પણ આમાં સામેલ કરવામાં આવે તો આંકડો અનેકગણો વધી શકે છે.
જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકાના ખજુરી હડમતીયા ગામે સરકારી ખેતી સહાયમાં મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે, જેમાં ગ્રામ પંચાયતના VCE જયેશ ખંખાળીયાએ વર્ષો પહેલા મૃત્યુ પામેલા ખેડૂતો અને બોગસ આધારકાર્ડના આધારે આશરે 9.50 લાખ રૂપિયા હડપવાનું ષડયંત્ર રચ્યું હતું. ઓક્ટોબર-2025ના ભારે વરસાદ બાદ ખેડૂતો માટે જાહેર થયેલા રાહત પેકેજમાં આરોપીએ 30 જેટલી બોગસ અરજીઓ કરી, જેમાં પોતાની પત્ની સહિતના પરિચિતોના ડેટા સાથે ચેડાં કરી સરકારી તિજોરીને ચૂનો લગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગ્રામ સેવકની સતર્કતા અને TDOની તપાસમાં આ સમગ્ર ભ્રષ્ટાચાર બહાર આવતા ભેંસાણ પોલીસે વી.સી.ઈ. સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાનું ષડયંત્ર રચ્યુંઓક્ટોબર-2025માં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ ગયો હતો. આ નુકસાનીના વળતર રૂપે સરકારે પ્રતિ હેક્ટર સહાયની જાહેરાત કરી હતી. આ સહાય મેળવવા માટે ઓનલાઇન પોર્ટલ પર અરજી કરવાની જવાબદારી ગ્રામ પંચાયતના વી.સી.ઈ જયેશ રામજીભાઈ ખંખાળીયાને સોંપવામાં આવી હતી. આ પ્રક્રિયાનો લાભ ઉઠાવી જયેશ ખંખાળીયાએ સરકારી તિજોરીને કરોડોનો ચૂનો લગાવવાનું ષડયંત્ર રચ્યું હતું. મૃતક ખેડૂતોના નામે બોગસ અરજીઓ કરી કોભાંડ આચર્યુંતાલુકા પંચાયત કચેરીના ગ્રામ સેવક કેયુરકુમાર પ્રવિણભાઈ કથિરીયા દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં સ્તબ્ધ કરી દે તેવી વિગતો બહાર આવી. તપાસ દરમિયાન કુલ 30 જેટલી અરજીઓમાં ગંભીર વિસંગતતાઓ જણાઈ હતી. જે ખેડૂતો વર્ષો પહેલા મૃત્યુ પામ્યા હતા, તેમના નામે પણ સહાયના ફોર્મ ભરી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, આ ફોર્મમાં મૃતકોના બદલે અન્ય વ્યક્તિઓના અંગૂઠાના નિશાન અને ખોટી સહીઓ કરી તેને સાચા દસ્તાવેજ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. 30 અરજીઓ દ્વારા 9,49,370ની રકમ હડપવાની કોશિશકૌભાંડ આચરવા માટે VCEએ ટેકનોલોજીનો દુરુપયોગ કર્યો હતો. સરકારી પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરતી વખતે તેણે અસલી ખાતેદારોના આધારકાર્ડના બદલે પોતાના પરિવારના સભ્યો, મિત્રો અથવા પરિચિતોના આધારકાર્ડ નંબર એડિટ કરીને નાખ્યા હતા. તપાસમાં ખુલ્યું છે કે, આરોપીએ અરજીમાં પોતાની પત્ની સપનાબેન ખંખાળીયાના નામનું આધારકાર્ડ પણ જોડી દીધું હતું. આ રીતે કુલ 30 અરજીઓ દ્વારા 9,49,370ની રકમ હડપવાની કોશિશ કરવામાં આવી હતી.ગ્રામ પંચાયત સ્તરે થતી આવી છેતરપિંડીથી અનેક પ્રશ્નો ઉભા થયાઆ ગેરરીતિની ગંધ આવતા તાલુકા વિકાસ અધિકારી (TDO) ભેંસાણ અને જિલ્લા ખેતીવાડી અધિકારી જૂનાગઢ દ્વારા ખાસ તપાસ ટીમની નિમણૂક કરવામાં આવી હતી. તપાસ સમિતિએ જ્યારે ગામમાં જઈને રૂબરૂ ચકાસણી કરી અને 20 જેટલા અરજદારોના નિવેદનો લીધા, ત્યારે સત્ય બહાર આવ્યું હતું. ઘણા ખેડૂતોએ જણાવ્યું કે, તેમણે ક્યારેય આવી કોઈ અરજી કરી જ નથી. તપાસમાં 6 મૃતકો અને 12 ડબલ અરજીઓ મળી આવી હતી. હાલ જ્યારે સરકાર ખેડૂતોને ઓનલાઇન વળતર ચૂકવી રહી છે, ત્યારે ગ્રામ પંચાયત સ્તરે થતી આવી છેતરપિંડીથી અનેક પ્રશ્નો ઉભા થયા છે. ખેડૂતોના નામે આવતી સહાય વચેટિયાઓ ખાઈ જાય તેવો આ ઘાટ ઘડાયો હતો. જો ગ્રામ સેવક દ્વારા સમયસર ચકાસણી કરવામાં ન આવી હોત, તો આ લાખોની રકમ આરોપીના મળતિયાઓના ખાતામાં જમા થઈ ગઈ હોત. અન્ય કોઈ મોટા માથાઓની સંડોવણી છે કે કેમ? તે અંગે તપાસજિલ્લા ખેતીવાડી શાખાના આદેશ બાદ, ગ્રામ સેવક કેયુરકુમાર કથિરીયાએ ભેંસાણ પોલીસ સ્ટેશનમાં વી.સી.ઈ. જયેશ રામજીભાઈ ખંખાળીયા સામે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે આ મામલે છેતરપિંડી અને વિશ્વાસઘાતની વિવિધ કલમો હેઠળ તપાસ હાથ ધરી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા માથાઓ કે સરકારી કર્મચારીઓની સંડોવણી છે કે કેમ?, આ ઘટનાને પગલે સમગ્ર ભેંસાણ પંથકમાં ચકચાર મચી ગઈ છે અને અન્ય ગ્રામ પંચાયતોમાં પણ ચાલી રહેલી ઓનલાઇન કામગીરી પર શંકાની સોય સેવવામાં આવી રહી છે.
2025ના વર્ષની વિદાયને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. 2026ના વર્ષને આવકારવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હોટલથી લઈ પાર્ટી પ્લોટમાં ન્યૂ યર સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરાયું છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તે માટે તમામ શહેરોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. નશો કરનારાઓને ઝડપી પાડવા માટે પોલીસ પ્રથમવાર હાઈટેક લાઈટ બેટન બ્રેથ એનેલાઈઝર સાથે સજ્જ બની છે. જે વ્યકિતએ કેટલો નશો કર્યો તે બતાવી આપશે, સાથે સમય અને સ્થળનો પણ રેકોર્ડ રાખશે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર 1350 જેટલા દબાણો ખડકાઈ ગયા હતા. આજે (31 ડિસેમ્બર) રિવરફ્રન્ટના નિર્માણ માટે વહીવટી તંત્ર દ્વારા અંદાજે રૂ.400 કરોડની જમીન ખુલ્લી કરાવવા કવાયત્ હાથ ધરવામાં આવી છે. ત્યારે દબાણકર્તાઓને પૂર્વ વિભાગના મામલતદાર દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને 29, 30 અને 31 ડિસેમ્બર એમ ત્રણ દિવસ હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસની આગેવાનીમાં જંગલેશ્વરના સ્થાનિકો દ્વારા સરકાર અને વહીવટી તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જે બાદ ત્રણ દિવસ થયેલા હિયરિંગમાં 1350 મિલકત ધારકોને બોલાવવામાં આવ્યા હતાં. જોકે તેમાંથી 900 જેટલા મિલકત ધારકો હાજર રહ્યા હતા, જેમના દ્વારા લાઈટ બિલ અને વેરા બિલ રજૂ કરવામાં આવ્યા હતા. હવે ગેરહાજર રહેતા મિલકત ધારકોને ક્યારે બોલાવવામાં આવશે અને ફરી નોટિસ ક્યારે આપવામાં આવશે તેનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા એક-બે દિવસમાં લેવામાં આવશે. સરધારમાં બાબા સાહેબની પ્રતિમા હટાવનારા સામે રોષ, 2 જાન્યુઆરીએ રેલીરાજકોટ તાલુકાના સરધાર ગામે ડો. આંબેડકરની પ્રતિમા હટાવી નાખનારા સામે કડક પગલા લેવાની માગ સાથે આગામી 2 જાન્યુઆરીને શુક્રવારે સવારે 10 કલાકે રાજકોટના અમુલ સર્કલથી પોલીસ કમિશનર કચેરી સુધી સમસ્ત અનુસુચિત જાતિ સમાજના આગેવાનો રેલી યોજી આવેદનપત્ર સુપ્રત કરશે. સરધાર ગામે સર્વે નં.194ની આશરે 5 એકર જમીન ભાડા પટ્ટે છે, તેમાં 27/10/19ના સમાજના આગેવાનોએ ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. ગત 22/12/25ના રોજ આંબેડકરની પ્રતિમા ઉખેડી નખાતા જે અંગેની પોલીસમાં ફરિયાદ કરી હતી. આ પ્રતિમાને નુકશાન પહોંચાડનાર સ્વામીનારાયણનાં સાધુઓ માફી માગે છે, પરંતુ આ પ્રતિમાને ઉખેડી નાખનારને પકડી તેનું પોલીસ સરઘસ કાઢે, જેસીબીની જપ્તી, ડ્રાઈવરની ધરપકડ કરવી જેવી માંગણી છે. જો માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન કરવની ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર દ્વારા હવે સપ્તાહમાં ત્રણ દિવસ રેવન્યુ બોર્ડરાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશ દ્વારા જિલ્લાના મહેસૂલી પ્રશ્નોના ઝડપી અને પારદર્શક ઉકેલ માટે એક મહત્વપૂર્ણ અભિગમ અપનાવવામાં આવ્યો છે. કલેકટરે હવેથી સપ્તાહમાં ત્રણ દિવસ રેવન્યુ બોર્ડ ચલાવવાનો નિર્ણય લીધો છે, જેના પરિણામે તાજેતરમાં જમીન તકરાર અને શરતભંગ સહિતના કુલ 58 જેટલા મહત્વના કેસોમાં ફાઇનલ ચુકાદો આપવામાં આવ્યો છે. રાજકોટ શહેર પ્રાંત-1 ના અધિકારી સમક્ષ ચાલી રહેલા કેસ નં. 11/25 માં, રૈયાના સ.નં. 318 પૈકી ‘સમન્વય કો.ઓ.હા.સો. લી.’ ના પ્લોટ નં. 16માં રહેણાંક હેતુ માટે ફાળવેલ જમીનમાં બાંધકામની શરતોનું પાલન ન થતા શરતભંગ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલે સામાવાળા વિક્રમસિંહ દશરથસિંહ ગોહિલને શરતભંગ બદલ દંડની રકમ વસૂલવાનો અને આગામી 2 વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી આધાર રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરની આ ઝડપી કાર્યપદ્ધતિ અને અઠવાડિયામાં ત્રણ દિવસ સુનાવણી રાખવાના નિર્ણયને કારણે લાંબા સમયથી પડતર પડેલા જમીન મહેસૂલ કેસો મોટાભાગના કેસોનો નિકાલ થયો છે.
મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામે આઠમણા મહોલ્લામાં આવેલા ગોગા મહારાજ અને સધીમાતાજીના મંદિરમાં રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ તાળા તોડી સોના-ચાંદીના આભૂષણો અને દાનપેટી મળી કુલ 5 લાખથી વધુના મત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થયા છે. સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી રાતે મંદિર બંધ કરી ઘરે ગયાં હતાંમહેસાણા તાલુકામાં આથમણા વાસમાં રહેતા ઠાકોર પોપટજીએ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં જણાવ્યું છે કે, 24 અને 25 ડિસેમ્બરની રાતે મહોલ્લામાં આવેલા સધી માતાજી અને ગોગા મહારાજના મંદિરે તેઓના કુટુંબી ભાઈઓ રમેણ કરવા માટે ભેગા થયા હતા. ત્યારબાદ એક વાગ્યા વાદ તમામ લોકો ઘરે ચાલ્યા ગયા હતાં, જ્યાં ફરિયાદીએ પણ મંદિર બંધ કરી પોતાના ઘરે ગયા હતા. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી25 ડિસેમ્બરના સવારે તેઓ મંદિરે આરતી કરવા આવ્યા એ દરમિયાન મંદિરનો નકુચો તૂટેલો જોઈ મંદિરમાં તપાસ કરી તો ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. તસ્કરો મંદિરમાંથી 1.80 લાખ કિંમતનું એક ચાંદીનું છત્તર,100 ગ્રામના 10,000 કિંમતના બે ચાંદીના છત્તર, બે તોલાનું સોનાનું છતર કિંમત 1 લાખ, ચાંદીના ઘોડિયા 4 નંગ કિંમત 20,000, ચાંદીના ઘોડિયા નાના 10 નંગ કિંમત 20 હજાર, ચાંદીના નાગ મોટા 4 નંગ કિંમત 1 લાખ, ચાંદીના નાગ નંગ 25 કિંમત 1.20 લાખ, ત્રિશૂળ કિંમત 500, એક દાન પેટી કિંમત 5 હજાર મળી કુલ 5 લાખ 55 હજાર 500 રૂ.ના મત્તાની તસ્કરો ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
અમેરિકાના સર્વેસર્વા ટ્રમ્પે 70થી વધુ વાર દાવો કર્યો છે કે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદી સંઘર્ષ મેં બંધ કરાવ્યો છે. એવામાં હવે યશ ખાટવા માટે ચીન પણ મેદાનમાં આવ્યું છે. બેઈજિંગ દાવો કરી રહ્યું છે કે તેમના દબાણને કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ સ્થપાઈ. 6-7 મેની રાતે જ્યારે લશ્કરી સંઘર્ષ વધ્યો હતો ત્યારે ચીને સંયમ રાખવા અપીલ કરી હતી અને ફક્ત એટલું જ કહ્યું હતું કે, અમારી તમામ પરિસ્થિતિ પર નજર છે. આ બધુ જ ચાલી રહ્યું હતું એવામાં હમણા અમેરિકાએ ભારતીય મૂળના રણજિત સિંઘ ગીલ ઊર્ફે રિક્કીને મોટો એવોર્ડ આપ્યો છે. એવોર્ડ આપવાનું કારણ જણાવ્યું છે કે રિક્કીએ જ ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલો લશ્કરી સંઘર્ષ અટકાવ્યો હતો. વધુમાં લખ્યું છે સીઝફાયર કરાવવામાં તેમની અસાધારણ ભૂમિકા રહી છે. શું છે પૂરો મામલો? કોણ સાચું કોણ ખોટું? શું આપણાથી કંઈ છૂપાવવામાં આવી રહ્યું છે? વિગતે વાત કરીએ… નમસ્કાર... ભારતીય બંધારણના આમુખના ઘણા મહત્વના શબ્દોમાં એક શબ્દ છે, સોવર્નિટી જેનો ગુજરાતીમાં અર્થ થાય છે સાર્વભૌમત્વ. ઉદાહરણ તરીકે સમજવું હોય તો મારા ઘરના નિર્ણયો હું જ લઈશ, પાડોશી મને શીખામણ કે દબાણ કરશે નહીં. એવામાં અમેરિકાએ છાતી પીટીને કહ્યું છે કે અમારા માણસે ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે સરહદી સંઘર્ષ અટકાવ્યો હતો. અમેરિકાન VP ભારતમાં અને પાકિસ્તાનો હુમલો વિગતવાર વાર્તાની શરૂઆત થાય છે 22 એપ્રિલ 2025ના રોજ. પહેલગામમાં 26 નિર્દોષ પ્રવાસીઓની ઘાટીમાં ધોળા દિવસે હત્યા કરવામાં આવી. ભારતનો પારો સાતમા આસમાને હતો. આ એ જ સમય હતો જ્યારે અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ પોતાના પરિવાર સાથે ભારત મુલાકાતે આવેલા હતા. જવાબી કાર્યવાહીમાં વડાપ્રધાન મોદીએ ઓપરેશન સિંદૂરને લીલી ઝંડી આપી. ભારતે પાકિસ્તાન પર ચલાવ્યો ડ્રોન્સનો મારો 7 મે 2025ના રોજ ભારતીય મિસાઇલો અને વાયુસેનાએ PoKમાં 9 આતંકવાદી કેમ્પોને તબાહ કરી દીધા. પણ આ વખતે ભારત ત્યાં જ ન અટક્યું. ભારતે રાવલપિંડીમાં પાકિસ્તાની લશ્કરી મુખ્યાલયની નજીક આવેલા નૂર ખાન એરબેઝને નિશાન બનાવ્યું. 36 કલાકમાં 80થી વધુ ડ્રોન્સનો મારો ચલાવ્યો. પાકિસ્તાનની લશ્કરી સરકાર હચમચી ગઈ હતી. IAF ચીફ એ.પી. સિંઘના જણાવ્યા મુજબ, ભારતે પાકિસ્તાનના 6 ફાઈટર જેટ્સ તોડી પાડ્યા હતા. ઓપરેશન સિંદૂરથી પાક. મંત્રી ધ્રુજ્યા બીજી તરફ, પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે હમણા થોડા દિવસો પહેલા જ દાવો કર્યો હતો કે ઓપરેશન સિંદૂર સમયે નૂર જહાં એરપોર્ટના માળખાને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ એ જ એરપોર્ટ છે જે પાકિસ્તાની સેનાના હેડ ક્વાર્ટરની નજીક આવેલું છે. નૂર જહાં એરપોર્ટ હુમલા સમયે લશ્કરી કર્મચારીઓને ઇજાઓ પણ થઈ હતી. બીજી બાજુ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેઓએ ભારતના 7 જેટ્સ તોડ્યા છે. અમેરિકાના દાવા મુજબ ત્યારે વૉશિંગ્ટનના NSC ઓફિસથી રિક્કી સિંહ ગીલ એક્ટિવ થયા અને તેમણે ભારત પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષ અટકાવ્યો. પણ આ રિક્કી સિંહ કોણ છે, અને તેમની રગમાં દોડતું લોહી ભારત માટે છે કે અમેરિકા માટે? કોણ છે રિક્કી સિંઘ ગીલ? ગીલ જ્યારે 17 વર્ષના હતા ત્યારે તત્કાલીન ગવર્નર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરે તેમને કેલિફોર્નિયા સ્ટેટ બોર્ડ ઓફ એજ્યુકેશનમાં વિદ્યાર્થી સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. એક મહત્વની વાત અત્યારે અહીં કરવી બને કે ગીલ માત્ર ટ્રમ્પના સલાહકાર જ નથી. તેઓ ટ્રમ્પના પર્સનલ આસિસ્ટન્ટ પણ છે. આ સાથે તે NSCમાં દક્ષિણ અને મધ્ય એશિયાનો પોર્ટફોલિયો પણ ધરાવે છે. DGMO ચર્ચા બાદ સરહદી ઘર્ષણ રોકાયું ભારતે ઓપરેશન સિંદૂરમાં ગજબ અને અભૂતપૂર્વ લશ્કરી તાકાત બતાવી હતી. અમેરિકાના દાવા મુજબ ભારત પાકિસ્તાનને વધુ નબળું પાડશે તો ચીન લદ્દાખમાં ભારત માટે મુસીબત ઊભી કરશે. ત્યારે રિક્કી સિંઘે ભારતને પાકિસ્તાન અને ચીનના ટુ ફ્રન્ટ વોરના જોખમથી બચાવ્યું. જો કે આપણા એટલે કે ભારતીય વિદેશ મંત્રાલય મુજબ ઓપરેશન સિંદૂર પછી ભારતનો હાથ જ ઊપર હતો અને ભારત અને પાકિસ્તાનની સેનાની વાતચીત પછી જ લશ્કરી સંઘર્ષ વિરામ કર્યો. સામેની બાજુ અમેરિકાના દાવા મુજબ રિક્કી ગીલે ભારત-પાકિસ્તાન અને ચીન વચ્ચે લશ્કરી સંઘર્ષ રોકાવ્યું. સંઘર્ષ રોકવા ટ્રંપની ભારતને ધમકી આ એ સમય છે જ્યારે ટ્રમ્પે ભારતને ધમકી આપી હતી કે જો ભારત લશ્કરી સંઘર્ષ નહીં અટકાવે તો ભારત પર 350 ટકા ટેરિફ નાખવામાં આવશે. અમેરિકાની તૈયારી એ હદે હતી કે ભારતની આઈટી નિકાસ અને રશિયન તેલની આયાત પર પણ પ્રતિબંધ મૂકવામાં આવે. પણ અમેરિકાના કહ્યા મુજબ રિક્કી સિંઘે ભારતને સમજાવ્યું કે લશ્કરી સંઘર્ષ ચાલુ રાખવા કરતાં અમેરિકન ડોક્યુમેન્ટ પર સહીઓ કરવામાં આવે. અમેરિકાનો દાવો છે કે ત્યાર બાદ મહત્વના ડોક્યુમેન્ટ પર ભારતે સહીઓ કરી હતી જેની બ્લુપ્રિન્ટ રિક્કી સિંઘ ગીલની ઓફિસમાં તૈયાર થઈ હતી. અગેઈન! આ અમેરિકાનો દાવો છે. રિક્કી ગીલ ઓગસ્ટ 2025માં ભારત આવ્યા હતા જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ અને ટેરીફ બાબતે મડાગાંઠ હતી. વિશ્વગુરુની છબી પર તમતમતો તમાચો આ જ મામલે અમેરિકા રિક્કી સિંહને એવોર્ડ આપીને દુનિયાને બતાવવા માંગે છે કે દક્ષિણ એશિયામાં શાંતિનો માર્ગ વૉશિંગ્ટનથી પસાર થાય છે. જ્યારે એક ભારતીય મૂળનો વ્યક્તિ જ ભારત વિરુદ્ધ મધ્યસ્થી કરે, ત્યારે તે ભારતના આત્મસન્માન અને વિશ્વગુરુની છબી પર તમાચો છે. ભારત-પાક. વિવાદ પર ત્રીજો કોઈ ન ફાવે અમેરિકાનું કહેવું છે કે તેણે દક્ષિણ એશિયામાં શાંતિ સ્થાપી. રિક્કી સિંઘે લાખોના જીવ બચાવ્યા? તો જવાબ છે ભારત એક નો ફર્સ્ટ યુઝ પોલિસીમાં માનનારો દેશ છે. ટૂંકમાં કંઈ પણ થાય ભારત ક્યારેય પહેલો હુમલો ન કરે. ભારતીય સેના પાકિસ્તાનના ભારત સરહદ નજીકના તમામ કેમ્પોને તબાહ કરવા માટે પૂરતી સક્ષમ છે. ભારતના રિક્કી સિંઘની મધ્યસ્થી કે શાંતિની ભારતને કોઈ જરૂર નથી. રિક્કીને મળેલા એવોર્ડમાં સીઝફાયરનો ઉલ્લેખ કરવો એ ભારતની લશ્કરી જીતને કૂટનીતિક ટેબલ પર નબળી પાડવાની કોશિશ છે. ભારતનો ઈન્કાર સાચો છે, કારણ કે જો આજે કોઈ ભારત પાકિસ્તાન મામલે મધ્યસ્થી કરે, તો 1972 ના શિમલા કરારનું ગળું ટૂંપાઈ જશે અને આવતીકાલે કાશ્મીર પર પણ ત્રીજો પક્ષ ફેંસલા લેતો થઈ જશે. અમેરિકા શું સાબિત કરવા માગે છે? માર્કો રુબિયોએ ગીલને NSC ડિસ્ટિંગ્વિશ્ડ એક્શન એવોર્ડ આપ્યો છે. બીટવીન ધ લાઈન્સ શું આવું કરીને અમેરિકા ભારત અને પાકિસ્તાનને એક જ ત્રાજવે તોલે છે? બંનેને એક જ નજરે જુએ છે? જો ભારત રશિયા પાસેથી તેલ લેશે, તો અમેરિકા પાકિસ્તાનનું કાર્ડ વાપરીને ભારતને દબાવશે? શું ભારત માટે રિક્કી ગીલના એવોર્ડ સાઇટેશન પાછળ આ પ્લાન છૂપાયેલો છે? રૂબિયોએ પાકિસ્તાન ફોન ઘૂમાવ્યો પાકિસ્તાની અધિકારીઓએ દાવો કર્યો હતો કે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ 10 મેની સવારે પાકિસ્તાનના વિદેશ મંત્રીને ફોન ઘૂમાવ્યો અને કહ્યું કે ભારત લશ્કરી સંઘર્ષ વિરામ માટે તૈયાર છે. જો કે આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ અને વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સ્પષ્ટ કહ્યું છે કે લશ્કરી સંઘર્ષનો નિર્ણય ભારત અને પાકિસ્તાનના DGMO વચ્ચે વાતચીત બાદ થયો છે. આ વિષય પર પૂર્વ વિદેશ સચિવ કન્વલ સિબ્બલની એક ટ્વીટ ભારે ચર્ચામાં આવી હતી. ટ્રંપે પોતાની જ પીઠ થાબડીઃ પૂર્વ ભારતીય વિદેશ સચિવ જેમાં તેમણે લખ્યું હતું કે ટ્રમ્પનો 50થી વધુ વાર દાવો છે કે તેણે ટ્રેડ અને ટેરિફની ધમકીઓ આપીને ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું હતું. સિબ્બલે ટ્રંપના આ દાવાને ગુંચવણ ભર્યો કહ્યો છે અને સવાલ ઉઠાવ્યો છે કે શું એક મિડલ લેવલના અધિકારી ભારત અને પાકિસ્તાનના વડાઓને સમજાવી શકે? સિબ્બલ માને છે કે આ ભારતને ચીઢાવવાનો પ્રયાસ છે. વધુ પડતા અમેરિકન બનતા મૂળ ભારતીયો રિકી ગીલ અને સૌરભ શર્મા જેવા ભારતીય મૂળના અધિકારીઓ ટ્રમ્પના સલાહકાર બન્યા છે, જે ભારત માટે ગૌરવની વાત હોઈ શકે છે, પરંતુ વાસ્તવિકતા જટિલ છે. ગીલ જેવા અધિકારીઓ પર ઘણીવાર 'વધુ પડતા અમેરિકન' સાબિત થવાનું દબાણ હોય છે. તેથી, તેઓ H-1B વિઝાના મુદ્દે ભારતીયોની મુશ્કેલીઓ પર મૌન રહે છે અથવા કડક વલણ અપનાવે છે. રિક્કી સિંહ ગીલના પૂર્વજો પંજાબના છે, પણ આજે તેઓ એવા નિર્ણયો લઈ રહ્યા છે જે ગુજરાત કે ભારતના લોકોના હિતોને સ્પર્શે છે. પણ ખરેખર તો રિક્કી સિંઘ આપણી નબળાઈઓ ટ્રમ્પના ટેબલ પર મૂકી છે. અને છેલ્લે… તમને જાણીને નવાઈ લાગશે પણ રિક્કીના મૂળિયાં તે જ ગામમાં છે જે ગામમાં સ્વતંત્રતા સેનાની લાલા લજપત રાયનો જન્મ થયો હતો. તેમના પૂર્વજોએ (પરદાદાના પિતરાઈ ભાઈ) અમેરિકા અને કેનેડામાં ભેદભાવ સહન કર્યો છે. પણ આજે તેનો જ 37 વર્ષનો વંશજ આજે ઈનસાઈડર ઈન્ટેલિજન્સ બનીને વૉશિંગ્ટનમાં ભારત પર ટેરિફ અને શાંતિના દબાણના કાવતરાં ઘડી રહ્યો છે. સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ... આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ સમીર પરમાર)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ શહેરમાં પેટ ડોગ ધરાવનારા માલિકો દ્વારા હજી પણ રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી છે. 1 જાન્યુઆરી 2025થી ડોગ રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું હતું. જોકે, 1 વર્ષમાં 18,962 જેટલા ડોગના રજિસ્ટ્રેશન થયા છે. જેથી ડોગ રજિસ્ટ્રેશન કરાવવામાં પેટ ડોગના માલિકો નિષ્ક્રિય છે. ઉલ્લેખનીય છે કે, 25,000થી વધારે પેટ ડોગ ગુજરાતમાં હોવાની શક્યતા છે. જોકે, પેટ ડોગના માલિકો દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવી રહ્યું નથી અને આ મામલે કોર્પોરેશન તંત્ર માત્ર મુદ્દો લંબાવી રહી છે. રજિસ્ટ્રેશન ન કરાવનારાઓ સામે કોઈ કડક કાર્યવાહી કે પોલિસી નક્કી કરી શકી નથી. ડોગ રજિસ્ટ્રેશનની તારીખ વધુ ત્રણ મહિના લંબાવાઇ1 જાન્યુઆરી 2025થી 31 ડિસેમ્બર 2025 સુધીમાં 16,674 જેટલા પેટ ડોગના માલિકો દ્વારા 18,962 જેટલા ડોગનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે. સૌથી વધારે લેબ્રાડોર પ્રજાતિના પેટ ડોગ લોકો ધરાવતા હોવાનું સામે આવ્યું છે. જર્મન શેફર્ડ અને શિત્ઝુ તેમજ ગોલ્ડન રોટવીલર પ્રજાતિના પેટ ડોગ સૌથી વધારે લોકો રાખી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં નોંધાયેલા પેટ ડોગમાં સૌથી વધારે આ ચાર પ્રજાતિના છે. ડોગ રજિસ્ટ્રેશન માટેની તારીખ વધુ ત્રણ મહિના માટે લંબાવાઇ છે. હવે જે લોકો પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવશે તેમને 2,000 રૂપિયાની ફી ભરવી પડશે. છેલ્લા એક મહિનામાં માત્ર 89 જેટલા જ પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. છેલ્લા 6 મહિનાથી 1000 કરતા પણ ઓછા પેટ ડોગના રજિસ્ટ્રેશન થયા છે. સૌથી વધુ પશ્ચિમ અને સૌથી ઓછું મધ્ય ઝોન વિસ્તારમાં રજિસ્ટ્રેશનશહેરમાં પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ડોગ રજિસ્ટ્રેશન છે. સૌથી વધારે ન્યુ રાણીપ, નવાવાડજ, બલોલનગર, જજીસ બંગલો, ગુલાબ ટાવર, ચાંદલોડિયા, સતાધાર, જોધપુર, સેટેલાઈટ, ઘાટલોડિયા, ગોતા, થલતેજ, બોપલ, ઘુમા, વાસણા, નારણપુરા, નવરંગપુરા, સાબરમતી, ચાંદખેડા, મોટેરા સહિતના વિસ્તારોમાં થયા છે. સૌથી વધારે જર્મન શેફર્ડ, લેબ્રાડોર, ગોલ્ડન રોટવીલર, સિબેરીયન અને ડોબરમેન સહિતના ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. સૌથી ઓછું મધ્ય ઝોન વિસ્તારમાં શાહીબાગ, ડફનાળા, શાહપુર, અસારવા, ખાડિયા, દિલ્લીદરવાજા જેવા વિસ્તારોમાંથી લેબ્રાડોર, જર્મન શેફર્ડ અને પામેરીયન ડોગનું રજિસ્ટ્રેશન થયું છે. રજિસ્ટ્રેશન ન કરાવનાર સામે નળ, ગટર કનેક્શન કાપવા સુધીની કાર્યવાહીઅમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાલતુ શ્વાન (પેટ ડોગ)એ 4 માસની બાળકી પર હુમલો કર્યો હતો જેમાં તેનું મૃત્યુ થયું હતું. પેટ ડોગના હુમલાથી બાળકીના મૃત્યુની ઘટના બાદ પેટ ડોગ રાખનારા લોકો માટે ચોક્કસ પોલિસી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવી રહી છે. જેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પોલિસી બની અને તેને લાગુ કરવાની વિચારણા હાથ ધરવામાં આવી છે. પેટ ડોગ પોલિસી અંતર્ગત જો ડોગનું રજિસ્ટ્રેશન નહીં હોય તો ડોગ માલિકના નળ, ગટર કનેક્શન કાપવાથી લઈ ડોગને જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે. ચાલુ મહિનામાં જ આ પોલિસી લાગુ થઈ શકે છે. પેટ ડોગ પોલીસી અંગે હાલ વિચારણા ચાલુ: નરેશ રાજપૂત CNCD વિભાગના વડા નરેશ રાજપૂતે જણાવ્યું હતું કે, શહેરમાં જે નાગરિકો ઘરમાં શ્વાન પાળતા હોય (પેટ ડોગ) એવા શ્વાનની ગણતરી કરવામાં નહોતી આવતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા હવે પેટ ડોગની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 1 જાન્યુઆરી 2026થી 31 માર્ચ 2026 સુધી કરવામાં આવી છે. શહેરમાં પશુઓના રજિસ્ટ્રેશન માટે જેમ કેટલ પોલિસી બનાવવામાં આવી હતી તેમ પાલતુ શ્વાન (પેટ ડોગ) માટે રજિસ્ટ્રેશન અને લાયસન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેટ ડોગના અંતિમ સંસ્કાર માટે ડોગ સ્મશાન બનાવવામાં આવશે. જેના ઉપયોગ અને ડોગ લઈને ફરવા પ્રતિબંધ જેવા નિયમો પણ બનાવવામાં આવશે. જોકે, આ પોલીસી અંગે હાલ વિચારણા હાથ ધરવામાં આવી છે. આગામી દિવસોમાં આ બાબતે ચર્ચા વિચારણા કરીને પોલિસી લાગુ થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે. પેટ ડોગનું રજિસ્ટ્રેશન 31 માર્ચ 2026 સુધીમાં કરાવી શકાશેમ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન અને એનીમલ બર્થ કંટ્રોલ (ABC) ડોગ્સ રૂલ્સ- 2023 તથા National Action Plan for Dog Mediated Rabies Elimination from India, 2030 (NAPRE), Rabies free Ahmedabad city ની ગાઈડલાઈન અનુસાર શહેરમાં રાખવામાં આવતા પાલતુ શ્વાન (પેટ ડોગ)નું રજિસ્ટ્રેશન 31 માર્ચ 2026 સુધીમાં કરાવવાનું રહેશે.
નવા DGP તરીકે ડો.કે.એલ.એન. રાવનું નામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના હાલના DGP વિકાસ સહાય સત્તાવાર રીતે તો 6 મહિના પહેલાં જ નિવૃત્ત થવાના હતા, પરંતુ તેમને 31 ડિસેમ્બર સુધીનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું, જે હવે પૂરું થઈ ગયું છે. રાજ્ય પોલીસ વડા તરીકે અત્યારે કાયમી ડીજીપી નહીં પરંતુ ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે. એલ એન.રાવને મૂકવામાં આવ્યા છે. રાજ્ય પોલીસવાળા વિકાસ સહાય આજે 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમની જગ્યાએ ચાર્જ આપવા માટે ઇન્ચાર્જ પોલીસવડાની નિમણૂક કરવાની હોવાથી અત્યારે હાલમાં ડો. કે. એલ. એન. રાવને ઇન્ચાર્જ ડીજીપી બનાવવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય પોલીસ વડા તરીકે કોને મૂકવા તેની અવઢવ છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી હતી, ત્યારે રાજ્યના નવા કાયમી પોલીસ વડાની જગ્યાએ હાલમાં ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડો. કે. એલ. એન.રાવને મૂકવામાં આવ્યા છે. મુખ્ય પોલીસ વડા તરીકે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક પણ ડીજીપીની રેસમાં હતા પરંતુ અત્યારે હાલમાં સરકાર તરફથી કાયમી ડીજીપી અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નહીં. જેથી વિકાસ સહાયના નિવૃત્તિના છેલ્લા કલાકોમાં ઇન્ચાર્જ ડીજીપી મુકવા અંગેનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. સિનિયર મોસ્ટ આઈપીએસ અધિકારી તરીકે ડો. રાવ હોવાના કારણે તેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે હાલમાં મૂકવામાં આવ્યા છે. કે.એલ.એન. રાવ હાલ CID ક્રાઈમમાં કાર્યરત ડો.કે.એલ.એન.રાવ ઓક્ટોબર, 2027માં નિવૃત્ત થશે. તેમણે જિલ્લા પોલીસવડા તરીકે હિંમતનગર, ખેડા, મહેસાણા જેવા જિલ્લાઓમાં નોકરી કરી હતી. જ્યારે રાજકોટ રેન્જ ડીઆઈજી અને અમદાવાદમાં જોઈન્ટ પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે. ઘણા સમય સુધી ગુજરાતની જેલોના વડા તરીકે રહી ચૂકેલા રાવ હાલમાં CID ક્રાઈમ અને રેલવેમાં ડીજીપી તરીકે ફરજ બજાવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લા જેલ અત્યારે કોઈને કોઈ કારણોસર વિવાદમાં રહેતી હોય છે, ત્યારે ગઈકાલે જેલના પરિસરમાં જ ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એટ્રોસિટી અને છેડતીના કેસમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા અને અન્ય કેદીઓ વચ્ચે હિંસક અથડામણ થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. આ ઘટનામાં ગટરના ઢાંકણા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની અને જ્ઞાતિસૂચક અપશબ્દો બોલાયા હોવાની સામસામી ફરિયાદો નોંધાઈ છે. ગટરના ઢાંકણાથી જીવલેણ હુમલાનો પ્રયાસ મૂળ કોડીનારના અને હાલ કાચા કામના આરોપી સાગર કાનજીભાઈ ચાવડાએ જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં હરેશ સાવલિયા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે.સાગરના તે જેલના દવાખાના પાસે ઉભો હતો ત્યારે હરેશ સાવલિયા ત્યાંથી જ્ઞાતિ પ્રત્યે અપશબ્દો બોલતા નીકળ્યા હતા. જ્યારે સાગરે તેમને અટકાવ્યા ત્યારે હરેશ સાવલિયા ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. વધુમાં આક્ષેપ છે કે હરેશ સાવલિયાએ તમે લોકોએ મારી ઉપર ખોટો એટ્રોસિટીનો કેસ કર્યો છે તેમ કહીને મારી નાખવાના ઇરાદે ગટરનું ઢાંકણું ઉપાડી સાગરના માથામાં માર્યું હતું. સાગર હટી જતાં તેનો બચાવ થયો હતો. પરંતુ નીચે પછાડી દઈને તેને જીવલેણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો. હરેશ સાવલિયાએ 8 કેદીઓ વિરુદ્ધ નોંધાવી વળતી ફરિયાદ બીજી તરફ, 'આપ'ના નેતા હરેશ સાવલિયાએ પણ સાગર ચાવડા અને અન્ય 7 અજાણ્યા કેદીઓ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે.સાવલિયાના જણાવ્યા મુજબ, તેઓ પોતાની મુલાકાત પૂરી કરીને પરત ફરી રહ્યા હતા.ત્યારે સાગર અને તેની ટોળકીએ ગેરકાયદેસર મંડળી રચી તેમને રોક્યા હતા. કોઈપણ કારણ વગર આ શખ્સોએ તેમને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હરેશ સાવલિયાને ઈજાઓ પહોંચતા તેમને પોલીસ જાપ્તા હેઠળ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેલ અધિક્ષકનું નિવેદન: 'બે મિનિટની બોલાચાલીમાં ખેલાયો ખેલ' આ સમગ્ર હિંસક ઘટના અંગે જૂનાગઢ જેલ અધિક્ષક ડી.એમ. ગોહિલે જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે હરેશ સાવલિયા મુલાકાત લઈને પાછા વળતા હતા ત્યારે સાગર અને તેની સાથેના અન્ય કેદીઓ સામે મળ્યા હતા. માત્ર બે મિનિટની બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેલ સ્ટાફે તુરંત દોડી જઈને બંને પક્ષોને છૂટા પાડ્યા હતા. જેલના મેડિકલ ઓફિસરની તપાસ બાદ હરેશ સાવલિયાને વધુ સારવારની જરૂર જણાયતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનાએ જૂનાગઢ જેલની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે. જેલ અધિક્ષકે સ્વીકાર્યું હતું કે જૂનાગઢ જેલની ક્ષમતા માત્ર 265 કેદીઓની છે, પરંતુ હાલ ત્યાં 610 કેદીઓને રાખવામાં આવ્યા છે. ક્ષમતા કરતા બમણાથી વધુ કેદીઓ હોવાને કારણે જેલ પ્રશાસન માટે વ્યવસ્થા જાળવવી પડકારજનક બની રહી છે. જેલની અંદર ગટરના ઢાંકણા જેવા સાધનો હુમલા માટે વપરાય તે બાબત પણ જેલની સુરક્ષામાં ક્ષતિ સૂચવે છે. જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે સાગર ચાવડાની ફરિયાદ પરથી હરેશ સાવલિયા વિરુદ્ધ BNS ની નવી કલમો તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. જેમાં કલમ 109(1), 115(2), 296(B) અને એટ્રોસિટીની વિવિધ કલમોનો સમાવેશ થાય છે. જ્યારે હરેશ સાવલિયાની ફરિયાદ પરથી સાગર ચાવડા અને અન્ય 8 શખ્સો વિરુદ્ધ BNS કલમ 189(2), 115(2) અને 351(3) મુજબ ગુનો નોંધી એ.એસ.આઈ. આર.એ. બાબરીયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ હિંસક અથડામણને પગલે રાજકીય આલમમાં પણ ચર્ચાઓ તેજ બની છે, કારણ કે હરેશ સાવલિયા આમ આદમી પાર્ટીના જિલ્લા સ્તરના મોટા ગજાના નેતા છે. હાલમાં જેલ પ્રશાસને બંને જૂથના કેદીઓને અલગ-અલગ બેરેકમાં ખસેડી સુરક્ષા સઘન બનાવી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે દિવસ પહેલા ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબ પાર્થ પંડ્યા ઉપર હુમલો થયા પછી 48 કલાક બાદ પણ આરોપી ન પકડાતાં જુનીયર ડોક્ટર એસોસિએશનમાં રોષ ફેલાઇ ગયો છે. ડોક્ટર પર હુમલો કરતો આરોપી ન પકડતા જુનિયર ડોકટર્સ એસોસિએશને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજથી હડતાળ શરૂ કરી દીધી છે. જેથી 200 જેટલા જુનિયર ડોક્ટર આજે બુધવારે સાંજે 6 વાગ્યાથી હડતાલ પર ઉતરી ગયા છે. હવે માત્ર ઈમરજન્સી સેવા જ ચાલુ રહેશે તેવું જાહેર કરાયું છે. પ્રાપ્ત વિગત મુજબ, તા.29 ના રાત્રીના ન્યુરો સર્જરી વિભાગના રેસિડેન્ટ ડો.પાર્થ પંડ્યા પીએમએસએસવાય બિલ્ડીંગના ત્રીજા માળે પોતાની ફરજ પર હતા ત્યારે જયદીપ ચાવડા નામના શખસે પરિચિત નેપાળી દર્દીને બ્લડ સંબધિત ચીઠ્ઠી લખી આપવા બાબતે માથાકૂટ કરી વોર્ડની અંદર ઘુસી ડો.પાર્થ પંડ્યાને બેફામ માર માર્યો હતો. આ બનાવમાં પ્રદ્યુમનનગર પોલીસ મથકમા ડોક્ટર દ્વારા જયદીપ ચાવડા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે અયોધ્યા ચોકમાં રહેતા અને ટુર એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા શખ્સની શોધખોળ શરૂ કરી છે. જોકે આરોપી પોલીસ પકડથી દૂર હોવાથી તબીબોમાં રોષ ફેલાયો છે અને જુનિયર ડોક્ટર એસોસિએશનના 200થી વધુ તબીબોએ હડતાલનું એલાન કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં તબીબ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવ્યા બાદ જયદીપ ચાવડાના પરિવારજનો દ્વારા પોલીસ કમિશનરને ડોક્ટર દ્વારા માર મારવામાં આવ્યો હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જોકે હવે ગુરૂવારથી સિવિલ હોસ્પિટલમાં હડતાલને કારણે દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે.
સંઘપ્રદેશ દમણમાં 31 ડિસેમ્બર, 2025ના રોજ નવવર્ષના સ્વાગત માટે ‘ન્યૂ યર ઈવ મ્યુઝિકલ નાઈટ’નું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુથી દમણના લાઈટ હાઉસ બીચ પર સાંજે 8 કલાકે આ કાર્યક્રમ શરૂ થશે. આ કાર્યક્રમમાં નાગરિકો અને પ્રવાસીઓ માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. ઉપસ્થિત મેદની લાઈવ બેન્ડ, D J પરફોર્મન્સ અને મધ્યરાત્રિએ ભવ્ય આતશબાજીનો આનંદ માણી શકશે. પ્રસિદ્ધ ગાયક નીરજ શ્રીધર આ અવસરે શાનદાર લાઈવ પરફોર્મન્સ આપશે. પ્રશાસન દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને સ્વચ્છતાની સુચારુ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શિસ્તબદ્ધ રીતે ઉત્સાહ અને ઉમંગ સાથે નવા વર્ષને આવકારવા અપીલ કરવામાં આવી છે. આ ઉજવણી દરમિયાન નાગરિકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા મહત્વની ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. આ અનુસાર, જેટીથી લાઈટ હાઉસ ગ્રાઉન્ડ સુધીનો સી-ફ્રન્ટ રોડ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. કિલ્લાના મોટ સાઈડથી પ્રવેશ ફક્ત રહેવાસીઓ અને ઈમરજન્સી સેવાઓ માટે જ ચાલુ રહેશે. જાહેર જનતાએ કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે માંગેલવાડ કટ, બાદરપુર કટ અથવા ધોલર થઈને જામપોરના રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. પોતાના વાહનો હોટેલ પ્રવેગ પોઈન્ટની બહાર નિર્ધારિત પાર્કિંગ ઝોનમાં જ પાર્ક કરવાના રહેશે, કારણ કે હોટેલ પ્રવેગથી આગળ સામાન્ય વાહનોને પ્રવેશ મળશે નહીં. પ્રશાસને તમામ સહેલાણીઓ અને નાગરિકોને ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, નશાની હાલતમાં ડ્રાઈવિંગ ન કરવા અને પોલીસ કર્મચારીઓને સહકાર આપીને સુરક્ષિત અને શિસ્તબદ્ધ રીતે નવા વર્ષની ઉજવણી કરવા અપીલ કરી છે.
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમ જાહેર કરવામાં આવી છે. મહામંત્રીઓ, ઉપ-પ્રમુખ, મંત્રી અને વિવિધ મોરચાના પ્રમુખની નિમણૂક કરી દેવામાં આવી છે. ત્યારે આજે 31 ડિસેમ્બરના રોજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા ચારેય મહામંત્રીને વિવિધ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. યુવા મોરચાના પ્રમુખથી લઈને મહામંત્રીની જવાબદારી નિભાવનાર પૂર્વ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની જગ્યા ગુજરાત ભાજપ સંગઠનમાં ડો. પ્રશાંત કોરાટને આપવામાં આવી છે. ગાંધીનગર કમલમના એટલે કે મુખ્યમથકના પ્રભારી તરીકે ડો. પ્રશાંત કોરાટને જવાબદારી આપવામાં આવી છે સાથે જ્યાંથી સૌથી ઓછા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે એવા દક્ષિણ ગુજરાતની પણ જવાબદારી સોંપવામાં આવી છે. ચારેય મહામંત્રીઓને ઝોન વાઈઝ જવાબદારી સોંપાઈભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે ચારે મહામંત્રીને વિવિધ ઝોનના પ્રભારી અને મુખ્ય મથકના એટલે કે કમલમના પ્રભારી તરીકેની જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી છે. સિનિયર અને અનુભવી મહામંત્રી અનિરુદ્ધ દવેને સૌરાષ્ટ્રની જવાબદારી સોંપવામાં આવી છે. અજય બ્રહ્મભટ્ટને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને ગાંધીનગરના કમલમ એટલે કે હેડ ક્વાર્ટર ની મહત્વની જવાબદારી ડો. પ્રશાંત કોરાટને સોંપવામાં આવી છે. મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને મધ્ય ઝોનની જવાબદારી આપવામાં આવી છે. ડો. પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારીચારેય મહામંત્રીઓને જે રીતે ઝોનની ફાળવણી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને ડો. પ્રશાંત કોરાટને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. ભૂતકાળમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા એવા પ્રદિપસિંહ વાઘેલાને મહામંત્રી પદ આપવામાં આવ્યું હતું તેમ હવે યુવા મોરચાના પ્રમુખ રહી ચૂકેલા ડો. પ્રશાંત કોરાટને પણ આ મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદિપસિંહ વાઘેલા ગાંધીનગર કમલમ ખાતેના પ્રભારી હતા ત્યારે હવે ડો. પ્રશાંત કોરાટને પણ પ્રભારી બનાવવામાં આવતા હજી પણ દબદબો યથાવત હોવાની ચર્ચા જાગી છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટે ઝોનની વહેંચણી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્રમાં સંગઠનને વધુ મજબૂત કરવા અનુભવી અને સિનિયર નેતા એવા અનિરુદ્ધ દવેને મૂકવામાં આવ્યા છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે ત્યારે સૌરાષ્ટ્રમાં જે રીતે આમ આદમી પાર્ટીની સાથે કોંગ્રેસ સૌરાષ્ટ્રમાં ક્યાંકને ક્યાંક ભાજપને નુકસાન પહોંચાડી શકે તેમ છે ત્યારે ભાજપના સંગઠનને વધુ મજબૂત કરી ચૂંટણી જીતવા તેઓને મૂકવામાં આવ્યા છે. મધ્ય ગુજરાતમાં યુવા નેતા હિતેન્દ્રસિંહ ચૌહાણને જવાબદારી આપવામાં આવી છે. જેમાં ખરી કસોટી હવે તેમની શરૂ થશે જ્યારે પાટીદારો અને ચૌધરી સમાજ સૌથી વધારે જ્યાં વસે છે એવા ઉત્તર ગુજરાતમાં સંગઠનને મજબૂત કરવા અજય બ્રહ્મભટ્ટને કમર કસવી પડશે.
ભરૂચના વ્યસ્ત પાંચબત્તી સર્કલ પાસે આવેલા બી.જી. ટ્રેડ સેન્ટરનો દાદર આજે ધરાશાયી થયો હતો. આ ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ શોપિંગ સેન્ટર વર્ષ 1987માં બન્યું હતું અને લાંબા સમયથી જર્જરિત હાલતમાં છે. ભરૂચ નગરપાલિકા દ્વારા આ શોપિંગ સેન્ટરને અગાઉ ત્રણ વખત નોટિસ આપવામાં આવી હતી, તેમ છતાં સંચાલકો દ્વારા તેની જાળવણી માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. દાદર ધરાશાયી થવાથી ડોક્ટર માલજીવાલા અને ડોક્ટર અંતાણી તરફ જતો માર્ગ જોખમી બન્યો છે, જ્યાંથી રોજ દર્દીઓની અવરજવર રહે છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી દાદરને સીલ કરી સુરક્ષાના પગલાં લીધા હતા. આશ્ચર્યજનક રીતે, રોડ તરફ આવેલી દુકાનોના દુકાનદારોએ પણ ઇમારતની જર્જરિત હાલત પ્રત્યે ગંભીરતા દાખવી નથી. પાલિકાની વારંવારની નોટિસ છતાં યોગ્ય કાર્યવાહી ન થતા ભવિષ્યમાં મોટી જાનહાનિ થવાનો ભય વ્યક્ત થઈ રહ્યો છે. જ્યાં સુધી આ જર્જરિત શોપિંગ સેન્ટરને સંપૂર્ણપણે સીલ કરીને કડક કાર્યવાહી કરવામાં ન આવે ત્યાં સુધી પાંચબત્તીથી સેવાશ્રમ રોડ વિસ્તાર જોખમી ગણી શકાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. હવે નગરપાલિકા તંત્ર આ મામલે કેવા કડક પગલાં લે છે તે જોવું રહ્યું.
'ડણકે ગાજે ડુંગરા, વહે નદીએ હેંજળ નીર,પાણે-પાણે વાતો પડી, એવી ગાંડી અમારી ગીર જૂનાગઢ નજીક આવેલો ગાંડી ગીરનો વિસ્તાર, જે આજે ડાલામથ્થા સાવજોની પવિત્ર જન્મભૂમિ તરીકે ઓળખાય છે, ત્યાં પક્ષીઓના કલરવ અને વન્ય પશુઓના પગરવ વચ્ચે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. સાસણ ગીરના જંગલમાં સાવજોની ડણકથી વાતાવરણ ગુંજી ઉઠે છે. આ દિવ્ય દ્રશ્યોનો લહાવો લેવા માટે વર્ષના અંતિમ દિવસોમાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. 10 જાન્યુઆરી સુધી બુકિંગ ફૂલ, હોટલોમાં હાઉસફૂલવર્ષ 2025ના અંતિમ મહિનામાં રજાઓનો આનંદ માણવા પ્રવાસીઓએ સાસણ ગીરને પ્રથમ પસંદગી આપી છે. હાલમાં ગીર જંગલ સફારી અને દેવળિયા સફારી પાર્કના તમામ ઓનલાઇન બુકિંગ 10 જાન્યુઆરી, 2026 સુધી ફૂલ થઈ ગયા છે. સાસણ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો, રિસોર્ટ અને ફાર્મ હાઉસમાં પણ અત્યારે ‘હાઉસફુલ’ની સ્થિતિ જોવા મળી રહી છે. પ્રવાસીઓ પોતાના પરિવાર, મિત્રો અને સ્નેહીજનો સાથે જિપ્સીમાં બેસીને ગીર નેચર સફારી અને દેવળિયા પાર્કની મુલાકાત લઈ રહ્યા છે. સૌરાષ્ટ્રનો મીઠો આવકારો પ્રવાસીઓ માટે સંભારણુંગીરની પ્રકૃતિ જેટલી જ અદભૂત અહીંની સંસ્કૃતિ છે. સિંહ સદન ખાતેથી જિપ્સી ધારકો પ્રવાસીઓને શિસ્તબદ્ધ રીતે જંગલમાં લઈ જાય છે. સૌરાષ્ટ્રની માણસાઈ અને મહેમાનગતિના જીવંત ઉદાહરણો પ્રવાસીઓને અહીં જોવા મળે છે. સ્થાનિક લોકોનો મીઠો આવકારો અને મદદરૂપ થવાની ભાવના પ્રવાસીઓના મન જીતી લે છે. 'દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો ગીર આવવું જ જોઈએ'પુણેથી પરિવાર સાથે આવેલા ચેતના સાવંતે પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યું કે, 'અત્યાર સુધી સાસણગીર વિશે માત્ર સાંભળ્યું હતું, પરંતુ આજે પહેલીવાર ઓપન જિપ્સીમાં સિંહ અને અન્ય વન્યજીવોને નજીકથી જોવાનો લહાવો મળ્યો. આ પ્રકૃતિ ખરેખર આહલાદક છે. દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો ગીર આવવું જ જોઈએ.' નોંધનીય છે કે, 2025ની વસ્તી ગણતરી બાદ ગીરની આસપાસના ત્રણ જિલ્લાઓમાં સિંહોની સંખ્યા 900ને પાર પહોંચી ગઈ છે, જે વન વિભાગની મોટી સફળતા છે. સાઉથ આફ્રિકા કરતા સાસણની સફારી શ્રેષ્ઠ: પ્રવાસી મુંબઈથી આવેલા ભગવતસિંહ દેવરાએ ગીરના મેનેજમેન્ટના પેટભરીને વખાણ કર્યા છે. તેમણે જણાવ્યું કે, 'અહીં ટ્રાફિક અને બુકિંગની વ્યવસ્થા ખૂબ જ ઉત્તમ છે. મેં સાઉથ આફ્રિકામાં પણ સિંહ જોયા છે, પરંતુ ત્યાં તે ઘણા દૂરથી દેખાય છે. સાસણ ગીરમાં સાવજો ખૂબ જ નજીકથી અને મુક્ત અવસ્થામાં જોવા મળે છે. સિંહોને પાંજરામાં જોવા કરતા તેમને પોતાની મસ્તીમાં વિહરતા જોવા એ જિંદગીનો સૌથી મોટો લાહવો છે. જેઓ વિદેશમાં સિંહ જોવા જાય છે તેમને હું કહીશ કે આપણા ભારતની આ ધરતી એકવાર ચોક્કસ જુઓ. પ્રવાસીઓ માટે ઓનલાઈન બુકિંગની વ્યવસ્થા પણ ખૂબ સરળસફારી દરમિયાન પ્રવાસીઓને માત્ર સિંહ જ નહીં, પરંતુ હરણ, દીપડા, ચિત્તલ અને વિવિધ પ્રકારના પક્ષીઓ તેમજ નાચતા મોર જોવા મળી રહ્યા છે. વન વિભાગ દ્વારા ઓનલાઇન બુકિંગની જે સુવિધા કરવામાં આવી છે તેનાથી પ્રવાસીઓને ખૂબ જ સરળતા રહે છે. વહેલી સવારની ઠંડીમાં જંગલની સફારી કરવી એ દરેક પ્રવાસી માટે એક યાદગાર સંભારણું બની રહે છે. સાસણ ગીર આજે માત્ર એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન જ નહીં, પરંતુ વિશ્વભરના પ્રવાસીઓ માટે ગૌરવ અને આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે.
નવા વર્ષ 2026ના સ્વાગત માટે ગાંધીનગર સજ્જ થયું છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાલે તા. 1લી જાન્યુઆરીથી સેક્ટર-11 સ્થિત ભાગવત કથા મેદાન ખાતે ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર મીરાબેન પટેલના હસ્તે કરવામાં આવશે. તંત્ર ધ્વારા આ ભવ્ય ઉજવણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 'સ્પિરિટ ઓફ ગાંધીનગર' મહોત્સવ 3 દિવસ ચાલશેગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે કાલે તા. 1લી જાન્યુઆરીથી સેક્ટર-11 સ્થિત ભાગવત કથા મેદાન ખાતે ત્રિ-દિવસીય ‘સ્પિરિટ ઓફ ગાંધીનગર’ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ત્રણેય દિવસ દરમિયાન જાણીતા કલાકારો નગરજનોને મનોરંજન પૂરું પાડશે. જે અન્વયે આવતીકાલે પ્રથમ દિવસે ગાંધીનગરનું પ્રખ્યાત ‘રામસખા મંડળ’ અને ત્યારબાદ સૂફી બેન્ડ ‘ધ જોગી એક્સપિરિયન્સ’ સૂફી સંગીતની સુરાવલીઓ રેલાવશે. બીજો દિવસે એટલે કે 2જી જાન્યુઆરીએ લોકગાયક કુશલ ગઢવી લોકસાહિત્ય અને સંગીતની રમઝટ બોલાવશે. 3 જાન્યુઆરીએ કબીર કાફેનો કાર્યક્રમજ્યારે 3જી જાન્યુઆરીએ દેશભરમાં જાણીતું ‘નીરજ આર્યાનું કબીર કાફે’ પોતાના ફ્યુઝન મ્યુઝિકથી મહોત્સવનું શાનદાર સમાપન કરાવશે.નગરજનો માટે આ ઉત્સવ ખાસ બની રહે તે માટે બાળકો માટે વિનામૂલ્યે ‘કિડ્સ ઝોન’ બનાવવામાં આવ્યો છે. જેમાં જાયન્ટ સાપસીડી, ટ્રેમ્પોલિન અને બલૂન હાઉસ જેવા આકર્ષણો હશે. આ સાથે જ સ્વાદપ્રિય નાગરિકો માટે વિવિધ વાનગીઓના ફૂડ સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે.મહાનગરપાલિકા દ્વારા આ મહોત્સવમાં નગરજનો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને નગરજનોને મોટી સંખ્યામાં ઉમટી પડવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સુરતના પોશ ગણાતા વેસુ કેનાલ રોડ પર રહેતા બિલ્ડર અને હીરાના વેપારી મનુ માંગુકીયાના ઘરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. વેપારીએ પોતાની લાઈસન્સવાળી રિવોલ્વર જમા કરાવવા માટે લોકરમાં શોધખોળ કરી ત્યારે 50 હજારની કિંમતની રિવોલ્વર અને 16 જીવતા કારતૂસ ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘરમાં કામ કરતા નોકર દ્વારા 15મી ડિસેમ્બરે આ રિવોલ્વર કબાટમાં જોઈ હતી, પરંતુ ત્યાર બાદ ઘરમાંથી રિવોલ્વર ગાયબ થઈ ગયો. ડોક્યુમેન્ટ વગર નોકરીએ રાખેલો નોકર નીકળ્યો રીઢો ચોરવેપારી મનુ માંગુકીયાને ત્યાં અગાઉ મહેશ નામનો નોકર કામ કરતો હતો, જે ગત 10 ઓક્ટોબરે વતન જતા પોતાની જગ્યાએ પ્રવિણ નામના શખસને નોકરી પર મૂકી ગયો હતો. વેપારીએ વિશ્વાસમાં આવીને પ્રવિણના કોઈ પણ ઓળખના દસ્તાવેજો લીધા ન હતા. 20મી ડિસેમ્બરે પ્રવિણ 8 હજારની રોકડ ચોરી કરતા રંગેહાથ પકડાયો હતો, જેથી વેપારીએ તેને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. તે સમયે કોઈને અંદાજ નહોતો કે પ્રવિણ જતા-જતા જીવલેણ હથિયાર પણ સાથે લઈ ગયો છે. ઈન્સ્ટાગ્રામ પર હથિયાર સાથેના ફોટા અપલોડ કર્યાચોરી કરીને વતન ભાગી ગયેલા પ્રવિણે એક મોટી ભૂલ કરી દીધી. તેણે વેપારીના ઘરેથી ચોરેલી લોડેડ રિવોલ્વર અને 16 જીવતા કારતૂસ સાથેના ફોટા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યા હતા. આ ફોટા વેપારીના ધ્યાને આવતા જ હકીકત સામે આવી ગઈ કે રિવોલ્વર બીજું કોઈ નહીં પણ પ્રવિણ જ ચોરી ગયો છે. સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરીને તે રોફ જમાવવા માંગતો હતો, પરંતુ આ ફોટા જ તેના જેલ જવાના રસ્તાનું કારણ બન્યા છે. આરોપીને પકડવા માટે ટીમ કોલકાતા રવાનાવેપારીએ આ ગંભીર મામલે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રવિણ સામે ગુનો દાખલ કર્યો છે. ચોરાયેલું હથિયાર લોડેડ હોવાથી અને તે ગુનાહિત માનસ ધરાવતા શખશ પાસે હોવાથી પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો છે. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે જાણવા મળ્યું છે કે, આરોપી હાલ કોલકાતામાં છુપાયેલો છે. પોલીસની એક વિશેષ ટીમ તાત્કાલિક કોલકાતા રવાના થઈ ગઈ છે. નોકર રાખતા પહેલા સાવચેત રહેવું જરૂરીઃ સુરત પોલીસઆ ઘટના બાદ સુરત પોલીસે ફરી એકવાર શહેરના બિલ્ડરો અને વેપારીઓને અપીલ કરી છે કે ઘરમાં કે ઓફિસમાં કોઈપણ વ્યક્તિને નોકરી પર રાખતા પહેલા તેના આધાર કાર્ડ, ફોટો અને વતનની વિગતો લેવી અનિવાર્ય છે. પ્રવિણના ડોક્યુમેન્ટ ન હોવાથી પોલીસને શરૂઆતમાં મુશ્કેલી પડી હતી, પરંતુ ડિજિટલ ફૂટપ્રિન્ટને કારણે તે પકડાઈ જશે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી એક-બે દિવસમાં આરોપીની ધરપકડ કરી સુરત લાવવામાં આવશે.
સમગ્ર રાજ્યમાં બદલાતા હવામાનની વચ્ચે જૂનાગઢ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. માળીયા હાટીના પંથકના વડિયા ગીર વિસ્તારમાં આજે બપોર બાદ અચાનક વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદના ઝાપટાં પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માળીયા હાટીના પંથકના વાડી વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડવાને કારણે અત્યારે ખેતરમાં ઉભેલા રવિ પાકો પર જોખમ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને ખેડૂતોએ કરેલા ઘઉં, ચણા, તુવેર અને ધાણા જેવા મોંઘા પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જો વરસાદનું પ્રમાણ વધશે તો પાકની ગુણવત્તા બગડી શકે છે અને ઉત્પાદનમાં મોટો ઘટાડો આવી શકે છે. જોકે રાહતની વાત એ છે કે, આ વરસાદ માત્ર સામાન્ય ઝાપટાં સ્વરૂપે હોવાથી હાલના તબક્કે કોઈ મોટા નુકસાનના સમાચારો પ્રાપ્ત થયા નથી. પરંતુ સતત વાદળછાયા વાતાવરણને કારણે આગામી દિવસોમાં રોગચાળો ફેલાવાની અને પાક નિષ્ફળ જવાની ચિંતામાં ખેડૂતો રાત-દિવસ એક કરી રહ્યા છે.
બોટાદ જિલ્લામાં લાંબા સમયથી જિલ્લા જેલની અછત હતી. આ જરૂરિયાત પૂરી કરવા શહેરના અળવ રોડ પર આધુનિક સુવિધાઓથી સજ્જ જિલ્લા જેલનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે. અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે બની રહેલી આ જેલનું લગભગ 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ નિર્માણાધીન જિલ્લા જેલની મુલાકાત લીધી હતી. તેમણે જેલના નિર્માણ કાર્ય અને તેની કામગીરીની સમીક્ષા કરી. ધારાસભ્યએ જણાવ્યું કે આ જિલ્લા કક્ષાની જેલ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે. આ જેલમાં કેદીઓ માટે લાઈબ્રેરી, દવાખાના અને રોજગારીલક્ષી વિવિધ વ્યવસ્થાઓ કરાઈ રહી છે. જેલમાં 38થી વધુ કેદીઓને સમાવવાની ક્ષમતા હશે. મહિલા કેદીઓ માટે અલગ બેરેક, ઘોડિયા ઘર અને આંગણવાડી જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે. ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વધુમાં જણાવ્યું કે, 50 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બની રહેલી આ જિલ્લા જેલ 2026 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. આ જેલ શરૂ થવાથી બોટાદ જિલ્લાના કેદીઓને આધુનિક અને સુવિધાજનક વ્યવસ્થા મળશે.
ગુજરાત પોલીસના વિવિધ વિભાગોમાં કામ કરતા અંદાજિત 1 લાખ પોલીસ જવાન અને અધિકારીઓના પગાર બિલો ગ્રાન્ટના અભાવે સમયસર ન બનતા આ મહિને પગાર મોડા થાય તેવી શક્યતાઓ છે. ત્યારે કોંગ્રેસે આ મુદ્દાને લઈ રાજ્યની આર્થિક સ્થિતને લઈ સવાલ ઉઠાવ્યો છે. પોલીસ વિભાગ દ્વારા આ મહિને ગ્રાન્ટના અભાવે નિયત સમયમાં પગાર બિલ ન બની શકતા મોડા રજૂ કરવા માટે મંજૂરી માગવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર સરકારી કાર્યક્રમો પાછળ બેફામ ખર્ચા કરી રહી છે બીજી તરફ રાજ્યની સુરક્ષાની જેમના પર જવાબદારી છે તે પોલીસકર્મીઓના પગાર માટે ગ્રાન્ટનો અભાવ છે. જ્યારે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, પોલીસકર્મીઓનો પગાર સમયસર થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. આ બાબતે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ધ્યાન દોરવાની વાત કરી હતી. ગ્રાન્ટના અભાવે પગાર બિલ સમયસર ન બનતા મોડા રજૂ કરવા મંજૂરી માગવામાં આવીગુજરાત પોલીસ વિભાગની અલગ અલગ કચેરીઓમાં ગ્રાન્ટના અભાવે ડીસેમ્બર 2025ના પગાર બિલ નિયત સમયમાં તિજોરી અને પગાર અધિકારીની કચેરીમાં દાખલ કરી શકાય તેમ ન હોય પગારબિલો તિજોરીમાં વિલંબથી દાખલ કરવા માટે ગૃહ વિભાગના સેકશન ઓફિસર દ્વારા મંજૂરી માગવામાં આવી હતી. જેનો પત્ર સામે આવ્યો છે. કોંગ્રેસે રાજ્યની આર્થિક સ્થિતિને લઈ સવાલ ઉઠાવ્યાકોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ પત્રને લઈ રાજ્યની આર્થિક સ્થિતિને લઈ સવાલ ઉઠાવ્યો છે. તેમમે કહ્યું હતું કે, ગ્રાન્ટના અભાવે ડીસેમ્બર 2025માં પગાર બિલ સમયસર રજૂ ન થતા 1 લાખ પોલીસ કર્મચારી- અધિકારીઓના પગાર સમયસર નહીં થઈ શકે. ગુજરાતની ભાજપ સરકાર એક તરફ સરકારી કાર્યક્રમોમાં બેફામ ખર્ચા કરે છે અને બીજી બાજુ પગાર કરવા માટે ગ્રાન્ટનો અભાવ હોય છે. પોલીસ વિભાગમાં પગાર માટે ગ્રાન્ટનો અભાવ કઈ રીતે આવ્યો, આના માટે જવાબદાર કોણ છે? આ બાબતે ગૃહમંત્રીની ધ્યાન દોરીશઃ જીતુ વાઘાણીપ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીને જ્યારે આ બાબતે સવાલ કરાયો ત્યારે તેમણે કહ્યું હતું કે, પોલીસ કર્મચારીઓના પગાર સમયસર થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. આ બાબત મારા ધ્યાન પર આવતા હું ગૃહમંત્રી હર્ષ સંઘવીનું ધ્યાન દોરીશ.
ગુજરાત એસ.ટી.ના ભાડામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જેનો 27 લાખ મુસાફરો પર પ્રભાવ પડશે. જેનો આજ મધરાતથી જ અમલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો હતો(વાંચો સંપૂર્ણ અહેવાલ). આમ 9 મહિનામાં બીજીવાર ભાડા વધારો કરવામાં આવ્યો છે.() ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) એટલે કે, ST નિગમ દ્વારા મુસાફરોને વધુ સારી સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રીથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી 3% ભાડા વધારો કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કોઠારીયામાં આવેલી રૂ.2 કરોડની કિંમતની 250 મીટર ULC એટલે કે શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ આવતી સરકારી ફાજલ જમીન ઉપર ગેરકાયદેસર રીતે કારખાનું ખડકાઈ ગયું હતું. જોકે તાલુકા મામલતદાર તંત્રને ધ્યાને આવતા નોટિસ આપ્યા બાદ આજે અહીં ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને સરકારી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી. રમેશ સાવલિયા નામના શખસે દબાણ કર્યું હતુંરાજકોટ તાલુકા મામલતદાર મકવાણાની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આજે તાલુકા મામલતદારની ટીમ દ્વારા કોઠારીયા વિસ્તારમાં ત્રાટકીને યુએલસીની ફાજલ જમીન ખુલ્લી કરાવવાની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. કોઠારીયામાં આવેલી અંદાજે 250 ચોરસ મીટર જેટલી યુએલસીની ફાજલ જમીન પર રમેશ સાવલિયા નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું હતું. આ જમીન પર તંત્રની પરવાનગી વગર આખો કારખાનાનો શેડ ઉભો કરી દેવામાં આવ્યો હતો. અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈઆ બાબત ધ્યાન પર આવતા જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું હતુ અને નોટિસ આપ્યા બાદ આજે પોલીસ કાફલા સાથે ડિમોલિશન કરવામાં આવ્યું હતુ. તાલુકા મામલતદારની સૂચના બાદ મામલતદાર ભૂમિબેન લાવડીયા, નાયબ મામલતદાર જોશી અને તલાટી કલ્પના ગોરની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. તંત્રની ટીમે જેસીબીની મદદથી ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા કારખાનાના શેડને તોડી પાડ્યો હતો. અંદાજે 2 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ તંત્રની આ કડક કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
રાજ્યના DGP વિકાસ સહાયની નિવૃતિ બાદ 6 મહિનાનું એક્સટેન્શન મળ્યું હતું, જે આજે 2025ના છેલ્લા દિવસે પૂર્ણ થઈ રહ્યું છે. આજે (31 ડિસેમ્બર) વિકાસ સહાયએ સોશિયલ મીડિયા પર એક ભાવુક વીડિયો શેર કર્યો છે, જે હાલ ચર્ચાનો વિષય બન્યો છે. પોતાના લાંબા સેવાકાળ દરમિયાનના અનુભવો, યાદો અને અમદાવાદ શહેર સાથે જોડાયેલી લાગણીઓને તેમણે આ વીડિયોમાં ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરી છે. વીડિયોમાં વિકાસ સહાય ભાવુક બન્યાં36 વર્ષની કારકિર્દીમાંથી અમદાવાદમાં વિતાવેલા વર્ષોને યાદ કરતા વિકાસ સહાય વીડિયોમાં ભાવુક બનતા નજરે પડે છે. વર્ષો પહેલાં જ્યાં ફરજ બજાવી હતી તે કાર્યાલયોની મુલાકાત, જૂના સહકર્મીઓ સાથેની મુલાકાત અને સેવાના દિવસોની યાદોએ તેમને અંદરથી સ્પર્શી લીધા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે. જવાબદારી-સમર્પણનો સંદેશો આપ્યોવિકાસ સહાયનો આ વીડિયો માત્ર વ્યક્તિગત સ્મૃતિઓનો દસ્તાવેજ નથી, પરંતુ જાહેર સેવામાં લાગણી, સમર્પણ અને જવાબદારી કેટલી અગત્યની છે, તેનો જીવંત સંદેશ પણ આપે છે.
રાજ્યભરમાં 31stની ઉજવણીનો થનગનાટ રાજ્યભરમાં આજે અલગ અલગ ફાર્મ હાઉસ અને પાર્ટીપ્લોટમાં 31સ્ટની ઉજવણી કરવામાં આવશે.યુવાધન ન્યુ યર 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નશેડીઓ અને રોમિયો પર રખાશે નજર તો બીજી તરફ રાજ્યની પોલીસ પણ આ ઉજવણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સજ્જ છે. ડ્રોન કેમેરા, શી ટીમ વગેરે સાથે પોલીસ નશેડીઓ અને રોમિયો પર ચાંપતી નજર રાખશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોરબંદર,દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટા હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પોરબંદર,દ્વારકા અને કચ્છમાં વરસાદી ઝાપટા પડ્યા.. તો અમદાવાદમાં પણ દિવસ દરમિયાન ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્થાનિક સ્વરાજ પહેલા એક્શન મોડમાં કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનો એક્શન પ્લાન..કોંગ્રેસ પહેલી જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં મહાજનસંપર્ક અભિયાન શરુ કરશે..જાન્યુઆરીના અંત સુધીમાં કૉંગ્રેસના નવા પ્રદેશ માળખાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગોપાલ ઈટાલિયાએ સરકરા પર કર્યો આક્ષેપ આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આપ નેતા હરેશ સાવલિયા પર થયેલી ખોટી ફરિયાદ મામલે પત્રકાર પરિષદ કરી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અસામાજિક તત્ત્વો સામે બુલડોઝર કાર્યવાહી ભાવનગરમાં પાંચ અસામાજિક તત્ત્વોના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું. આરોપીઓ પ્રોહિબિશન, મારામારી અને અન્ય ગુનાઓ સાથે સંકળાયેલા હતા.. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી કરાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટ્રાફિક સિગ્નલ પર યુવકની શરમજનક હરકત વડોદરામાં જાહેરમાં પેશાબ કરતા યુવકનો વીડિયો વાયરલ થયો..ટ્રાફિક સિગ્નલ પર જ યુવકે આ શરમજનક હરકત કરી.. પોલીસે આરોપીને પકડી તેની પાસે ઉઠક બેઠક કરાવી.. આરોપી નશામાં હોવાનું સામે આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજકોટમાં આપઘાતના બે બનાવ રાજકોટમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા..લાપાસરી ગામે 19 વર્ષીય યુવતી અને રૂડાનગર વિસ્તારની 15 વર્ષીય સગીરાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ટેમ્પો અને કાર વચ્ચે ટક્કરમાં કારનો કચ્ચરઘાણ વડોદરાના છાણી GSFC બ્રિજ પાસે ટેમ્પો અને કાર વચ્ચે અકસ્માત થયો.. કાર ચાલકને ગંભીર ઇજાઓને લઈ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, ટક્કર એટલી ભયાનક હતી કે કારના કર્ચેકુર્ચા ઉડ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલથી શરુ થશે ફ્લવાવર શો આવતી કાલથી અમદાવાદમાં શરુ થશે ફ્લાવર શો શરુ થશે.. આ વખતે ટિકિટમાં 20 રુ.નો વધારો કરવામાં આવ્યો છે.12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ.80 ને શનિ-રવિની ટિકિટ 100 રુ. રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, તેમના પુત્ર અનંત અંબાણી અને પુત્રવધૂ રાધિકા અંબાણી નવા વર્ષના સ્વાગત પૂર્વે જગતમંદિર દ્વારકા ખાતે દર્શનાર્થે પહોંચ્યા હતા. વર્ષ ૨૦૨૫ સુખ, શાંતિ અને સમૃદ્ધિદાયક રહે તેવી મનોકામના સાથે અંબાણી પરિવારે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું હતું. પરિવારે ભક્તિભાવપૂર્વક ભગવાન કાળિયા ઠાકોરના દર્શન કર્યા હતા અને ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન, અંબાણી પરિવારે જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદજી સરસ્વતીજી મહારાજના શિષ્ય બ્રહ્મચારી નારાયણ નંદજીની પણ મુલાકાત લીધી હતી. તેમણે બ્રહ્મચારી નારાયણ નંદજી પાસેથી આધ્યાત્મિક આશીર્વાદ મેળવ્યા હતા. અંબાણી પરિવાર હંમેશા મહત્ત્વના પ્રસંગો કે વર્ષના પ્રારંભે દ્વારકાધીશના આશીર્વાદ લેવાનું ચૂકતો નથી. આ મુલાકાતને પગલે દ્વારકા મંદિરે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થાનિકોમાં પણ અંબાણી પરિવારના આગમનને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ:ઠંડા પવનોની લહેરો સાથે વાતાવરણમાં પલટો
જામનગરમાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. જામનગર શહેર નજીક તેમજ દડીયા, ઠેબા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ નોંધાયો હતો. વરસાદ સાથે શીતળ અને ઠંડા પવનોની લહેરો પણ જોવા મળી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જામનગર જિલ્લામાં ફરી એકવાર કમોસમી વરસાદ પડ્યો છે. અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેણે વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર લાવ્યો હતો.
પોરબંદરમાં 24 કલાકમાં દારૂબંધીના 24 ગુન્હા નોંધાયા:પોલીસે વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી કરી
પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન દારૂબંધીના કાયદાના ભંગ બદલ કુલ 24 ગુન્હા નોંધવામાં આવ્યા છે. જિલ્લા પોલીસે દારૂની હેરાફેરી અને વેચાણ સાથે સંકળાયેલા આરોપીઓ સામે વિવિધ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી હેઠળ નિલેશ ધનજીભાઈ ગોહેલ, સંજય કરશન ચુડાસમા, કરશન ઉગાભાઈ સાદિયા, ગોપાલ રાણા ચાવડા, અમિત કરશન સાદિયા, પ્રકાશ વાલજીભાઈ બામણીયા, રવી ઉર્ફ ભૂરો બચુભાઈ શીંગરખીયા, મંજુ ધીરુભાઈ ગોહેલ, દેવી મેરામણભાઈ કડછા, મંજુ લીલા લાખા કેશવાલા, સલમા અહમદશાહ રફાઈ, ભીકા કાનાભાઈ ભરાઈ, ભીમાં ઉર્ફ ભીમકી રામાભાઈ ઓડેદરા, રામ અરહીભાઈ ઝુંડારીયા, સુરેશ સીતારામ મકવાણા, બાબુ મેનંદભાઈ સોલંકી, રામ બચુભાઈ મોતીવરસ, કલ્પેશ ઉર્ફ ભામઠો રાજુભાઈ છેલાવાડા, અશોક ગોવિંદભાઈ લોઢારી, ગોવિંદ વેલજીભાઈ સિંધવ અને પરેશ ધનજીભાઈ વરવાડીયા સહિતના આરોપીઓ સામે ગુન્હા દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે વીરા મેપા કોડીયાતર, હેમંત એભાભાઈ મારૂ, વિનુ ભનાભાઈ કોડીયાતર અને ભરત બાઘાભાઈ છેલાણા હાલ ફરાર છે. તેમની શોધખોળ ચાલી રહી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે.
વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ જીએસટી ભવન ખાતે સેન્ટ્રલ જીએસટી પ્રિન્સીપાલ એડિશનલ એડીજી સુમિત કુમારે પત્રકાર પરિષદ યોજી હતી. આ પરિષદમાં તેમણે જીએસટીના લાભો અને તાજેતરના ફેરફારો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, વર્ષ 2017માં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો હતો. હાલમાં જ જીએસટી 2.0 લાગુ કરવામાં આવ્યો છે, જેમાં ઘણા મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ નવા જીએસટીમાં ટેક્સ સ્ટ્રક્ચરને વધુ સરળ બનાવવામાં આવ્યું છે અને લોકોને વધુ લાભ મળે તે માટે રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સીધો ચૂકવીને અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો ઉપયોગ કરીને જીએસટી ટેક્સ ભરી શકાય છે. ટેક્સ સિસ્ટમમાં મોટા ભાગના વેપારીઓ અને ઉદ્યોગો નિયમિતપણે ટેક્સ ભરે છે. જોકે કેટલાક લોકો ટેક્સ ભરતા નથી, એવા કિસ્સામાં જીએસટી વિભાગ તેમની પાસેથી ટેક્સ વસૂલ કરે છે. તેઓએ ઉમેર્યું હતું કે, હવે GSTN (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેટવર્ક)ને સંપૂર્ણપણે સરકાર દ્વારા સંચાલિત કરવામાં આવે છે. દર મહિને જીએસટી રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે. ઉદ્યોગો અને વેપારીઓ પાસેથી સરકાર વતી ટેક્સ વસૂલાય છે, અને તે તેમણે જ ભરવાનો રહે છે. માત્ર 1 ટકા જ લોકો જીએસટી નથી ભરતા અને તેમાંથી અડધા ટકા એવા છે જે જાણીજોઈને ટેક્સ ચોરી કરે છે. આવા કેસમાં સરકારી કાર્યવાહી કરીને ટેક્સની વસૂલાત કરવામાં આવે છે. કોઈપણ સમસ્યા કે ફરિયાદ હોય તો સીધા ડીજીએસટી (DGST) કચેરીમાં રૂબરૂ કે ઇમેઇલ દ્વારા સંપર્ક કરી શકાય છે. મીડિયામાં છપાતી કોઈપણ ખબર કે અહેવાલને પણ જીએસટી વિભાગ ગંભીરતાથી લે છે અને તપાસ કરે છે. આવતા વર્ષે નવા બજેટમાં જીએસટી તેમજ કસ્ટમ્સ ટેક્સના સ્લેબમાં વધુ ફેરફાર જોવા મળશે, જેનાથી વેપાર અને ઉદ્યોગને વધુ લાભ થશે.
આણંદના 13 વર્ષીય અયાન મોહસીન વ્હોરાએ યુરોપના જ્યોર્જિયામાં યોજાયેલ યુસીમાસ અબાકસ વર્લ્ડ કપ-2025 સ્પર્ધામાં ભારતનું ગૌરવ વધાર્યું છે. તેણે વ્યક્તિગત વિભાગમાં ગોલ્ડ ટ્રોફી જીતી પ્રથમ સ્થાન મેળવ્યું હતું. આ સ્પર્ધામાં અયાને ટીમ ઇવેન્ટમાં ભારતને રનર્સઅપ બનાવવામાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિશ્વના 84થી વધુ દેશોના 1500થી વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આણંદની યુસીમાસ અબાકસ સંસ્થામાં છેલ્લા ચાર વર્ષથી તાલીમ લઈ રહેલા અયાને આઠ મિનિટમાં 200 જેટલા જટિલ ગણિતના દાખલાઓ પેપર, પેન કે કેલ્ક્યુલેટર વિના ઉકેલી પોતાની અદભૂત માનસિક ક્ષમતા સાબિત કરી હતી. વર્લ્ડ કપ માટે તેણે દરરોજ 2થી 3 કલાક અને સ્પર્ધા પૂર્વે 8થી 10 કલાક કઠોર મહેનત કરી હતી. ભારત તરફથી માત્ર ચાર વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી, જેમાં આણંદના અયાન ઉપરાંત અમદાવાદ અને મુંબઈના ત્રણ અન્ય કિશોરો સામેલ હતા. અયાન આણંદની આનંદાલય શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. અયાન વ્હોરાના પિતા ડૉ. મોહસીન વ્હોરા અમૂલ ડેરીમાં વેટરનરી ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે, જ્યારે તેની માતા ગૃહિણી છે. અયાને અગાઉ જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં પણ પ્રથમ સ્થાન મેળવી 18થી વધુ ટ્રોફી અને પ્રમાણપત્રો મેળવ્યા છે. જ્યોર્જિયાની નેશનલ યુનિવર્સિટીમાં યોજાયેલી આ સ્પર્ધામાં મલેશિયાના યુસીમાસ પ્રેસિડેન્ટ, સીઈઓ, સાઉદી અરેબિયા અને કઝાકિસ્તાનના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અયાન અને તેની ટીમે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. અયાન ભવિષ્યમાં ગણિતશાસ્ત્રી બનવા સાથે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો સંકલ્પ ધરાવે છે. તેની આ સિદ્ધિએ આણંદ જિલ્લા સાથે સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે.
ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળા, પાટણ ખાતે 31 ડિસેમ્બર, 2025 ના રોજ 250 બાળકો દ્વારા 'પર્વત બચાવો' (SAVE MOUNTAINS) નો સંદેશ આપવામાં આવ્યો. બાળકોએ માનવ રચિત કૃતિ દ્વારા આ પર્યાવરણ જાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. આ માનવ રચિત કૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય પર્વતોના ઘટતા અસ્તિત્વ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. પર્વતમાળાઓ, જેમ કે અરવલ્લી રેન્જ, માત્ર પથ્થરોનો સમૂહ નથી, પરંતુ તે ભારતીય ઉપખંડનો સૌથી જૂનો ભૂસ્તરશાસ્ત્રીય વારસો છે. પર્વતમાળાઓ આબોહવા, જળ સુરક્ષા અને ઐતિહાસિક વારસાના રક્ષક છે. તે પાણી અને ભક્તિનો સ્ત્રોત છે, રણના આક્રમણ સામે ઢાલ સમાન છે. ભૌગોલિક, ઐતિહાસિક અને પર્યાવરણીય દૃષ્ટિએ તેમનું અત્યંત મહત્વ છે. પર્વતો નદીઓનું ઉદ્ભવ સ્થાન હોવા ઉપરાંત ધાર્મિક મહત્વ, પર્યટન સ્થળો, ખનીજ સંપત્તિ, રણને રોકતી દીવાલ, જળ વિભાજક અને જૈવ વિવિધતા માટે પણ અનિવાર્ય છે. આજે ગેરકાયદેસર ખનન અને શહેરીકરણને કારણે પર્વતમાળાઓનું અસ્તિત્વ જોખમમાં છે. આથી, તેમનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે. શાળાના બાળકોએ આ સંદેશ દ્વારા સમાજને પર્વતોના સંરક્ષણ માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર, અમદાવાદ ખાતે સંસ્થાના સુવર્ણ જયંતી મહોત્સવ નિમિત્તે બ્રહ્મચોરાસીનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે વડતાલ, ડભાણ, અમદાવાદ, જૂનાગઢ, રાજકોટ સહિત વિવિધ શહેરોમાંથી આશરે 600 ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. વિશાળ જોગી સ્વામી સત્સંગ ભવનમાં એક સાથે 600 બાજોઠની હરમાળા રચાઈ હતી. ભૂદેવોનું ચંદન તિલક, પુષ્પહાર, ટ્રાવેલિંગ બેગ, કાંડા ઘડિયાળ, ગરમ શાલ તથા દક્ષિણાથી પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ દ્વારા ભૂદેવોને વિવિધ પકવાનોથી ભોજન કરાવવામાં આવ્યું હતું. દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારો દ્વારા ચાર વેદોની પારાયણ પણ કરવામાં આવી હતી. મેમનગર ગુરુકુલની સ્થાપના 50 વર્ષ પૂર્વે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવન દાસજી સ્વામીએ કરી હતી. ભગવાન શ્રી સ્વામિનારાયણના સદ્દવિદ્યા અને સર્વજીવહિતવાહના સંદેશાના પ્રસાર માટે આ સંસ્થાની સ્થાપના થઈ હતી. તેની જવાબદારી પરમ પૂજ્ય શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીને સોંપવામાં આવી હતી. ગુરુકુલના સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 17 થી 22 ડિસેમ્બર 2026 દરમિયાન સુવર્ણ જયંતી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ મહોત્સવ અંતર્ગત 21 દિવસીય 51 કુંડી મહાવિષ્ણુયાગ પણ યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે પરમ પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, “બ્રાહ્મણો ધરતીના દેવ સમાન છે. તેમણે આપણી સંસ્કૃતિ અને સંસ્કૃતના રક્ષણ માટે અતુલ્ય સમર્પણ કર્યું છે. ભૂતકાળમાં શાસ્ત્રોના રક્ષણ માટે તેમના વડવાઓએ બલિદાન આપ્યાં છે. એ જ પરંપરા આજે પણ ગુરુકુલમાં જીવંત છે. હાલમાં ગુરુકુલમાં 200 જેટલા ભૂદેવો વિદ્યાભ્યાસ સાથે સંસ્કૃતિના સંરક્ષણ માટે કટિબદ્ધ છે.” સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીએ પણ ઉપસ્થિત તમામ ભૂદેવોને વંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. વિવિધ પ્રદેશોમાંથી આવેલા ભૂદેવો સંસ્થા દ્વારા કરાયેલ પૂજન અને માન-સન્માનથી અત્યંત પ્રસન્ન થયા હતા.
ગાંધીનગરની નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સેક્ટર–13 ખાતે ચિરસ્થાયી ઉર્જા વિશે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) દ્વારા પ્રેરિત આ કાર્યક્રમ નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગરના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં ચિરસ્થાયી અને નવનીકરણીય ઉર્જા પ્રત્યે જાગૃતિ વધારવાનો તેમજ ઊર્જા સંરક્ષણનું મહત્વ સમજાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને સોલાર ઉર્જા, ઊર્જા બચત, પર્યાવરણ સંરક્ષણ અને ચિરસ્થાયી વિકાસ અંગે સરળતાથી માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે ઉર્જા જાગૃતિ ક્વિઝનું પણ આયોજન કરાયું હતું. ક્વિઝમાં ઉત્તમ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના આચાર્ય અને શિક્ષકમિત્રોએ આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ વધારવાની મહત્તા પર ભાર મૂક્યો હતો. તેમણે આયોજકો અને સહયોગ આપનાર સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતી દિગંબર જૈન સમાજ મહાસંઘ ઉત્તર ગુજરાત ઝોન અંતર્ગત હિંમતનગર ડિવિઝન દ્વારા હિંમતનગર ખાતે 27 અને 28 ડિસેમ્બરના રોજ ગ્રાઉન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઝોન દ્વારા આ પ્રકારની આ પ્રથમ ટુર્નામેન્ટ હતી. આ ટુર્નામેન્ટમાં પુરુષોની 12 ટીમો અને મહિલાઓની 4 ટીમોએ ભાગ લીધો હતો. હિંમતનગરના ધારાસભ્ય શ્રી વી. ડી. ઝાલાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. બે દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન શામળાજી મંદિરના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ, હિંમતનગર નાગરિક બેંકના પૂર્વ ચેરમેન શ્રી હિરેનભાઈ ગોર અને ડિરેક્ટર શ્રી રાકેશભાઈ સોની પણ હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાત ઝોનના ગવર્નર શ્રી અજીતભાઈ મહેતા, અન્ય ડિવિઝનના પ્રમુખો, તેમના કારોબારી મિત્રો અને ખેલાડીઓના પરિવારજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ટુર્નામેન્ટનું સફળ આયોજન હિંમતનગર ડિવિઝનના પ્રમુખ શ્રી દિલીપભાઈ મહેતા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. એન્કર ઝલકબેન શાહ અને કોમેન્ટેટર શ્રી શુભમ શુક્લાએ તેમની સુંદર કોમેન્ટરી દ્વારા ટુર્નામેન્ટને વધુ રોમાંચક બનાવી હતી.
ઊંઝાના માનવ મંદિર દિવ્યાંગ બાળકોના ડે કેર સેન્ટરની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાત વિસનગરની SK મેડિકલ કોલેજના ફિઝિયોથેરાપિસ્ટ ડોકટરોની એક ટીમ દ્વારા કરવામાં આવી હતી.
રાજકોટ આવેલા AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિસાવદરના આપના પ્રમુખ હરેશ સાવલીયા સામે ખોટી FIR દાખલ કરી હોવાનો આક્ષેપ કર્યો છે. આજે જેલમાં બંધ AAPના નેતા પ્રવીણ રામનો જન્મદિવસ હતો, આમ છતાં પણ તેના પરિવારજનોને મળવા દેવાયા નહોતા. ગુજરાતમાં ખેડૂતો માટે લડત ચલાવતા નેતાઓને ભાજપ જેલમાં પુરવાનું કામ કરી રહી હોવાનો ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો. જેથી ફરી એક વખત રાજકારણ ગરમાયુ છે. રાજકોટમાં ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે, જુનાગઢ જિલ્લાના વિસાવદરમાં આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયા વિરુદ્ધ ખોટી રીતે પોલીસ દ્વારા છેડતીની ખોટી FIR દાખલ કરવામાં આવી. જે બાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવતા પોલીસ દ્વારા રિમાન્ડ માંગવામાં આવ્યા. જોકે કોર્ટે રિમાન્ડ મંજૂર ન કર્યા. ત્યાર બાદ હરેશભાઈ સાવલિયાને ગઈકાલે જેલમાં અન્ય કેદીઓ દ્વારા માર મારવામાં આવ્યો અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે વિસાવદર AAPના પ્રમુખ ખેડૂતો માટે લડત ચલાવી રહ્યા છે. ગુજરાતમાં ખેડૂતો માટે જે કોઈ પણ લડત ચલાવે તેમને ભાજપ દ્વારા જેલમાં મોકલવાનું આયોજન ગોઠવાયેલું છે. રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામ સહિતના નેતાઓ હજુ પણ રાજકોટ જેલમાં છે. ભેંસાણ જિલ્લા પંચાયતના ભાજપના સભ્ય દ્વારા તાલુકા પંચાયતના સરકારી અધિકારીને માર મારી ભ્રષ્ટાચાર કરેલા ખોટા બિલો પર સહી કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું. જેમાં મામૂલી બોલાચાલીની ફરિયાદ દાખલ કરવામાં આવી. ગુજરાત પોલીસના કેટલાક અધિકારીઓ કમરનો પટ્ટો ગળામાં પહેરી કાર્યવાહી કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આજે અમારા નેતા પ્રવીણભાઈ રામનો જન્મદિવસ હતો અને તેથી જેલમાં તેમને મળવા માટે ગયા હતા તેમને મળવા માટે અમે ફોર્મ પણ કર્યુ. મારી સાથે પ્રવીણભાઈના પિતા અને કાકા પણ હતા. આમ છતાં પણ મળવા ન દેવાયા અને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું તો જવાબ મળ્યો કે અમને ઉપરથી મળવા દેવાની ના પાડવામાં આવી.
ગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરેન હિરપરાની નિમણૂક થયા બાદ તેઓ પ્રથમ વખત અમરેલી જિલ્લામાં પહોંચ્યા હતા. જિલ્લા ભાજપ દ્વારા તેમના સન્માનમાં એક ભવ્ય અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ, પૂર્વ હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ ભરત સુતરીયા, ધારાસભ્ય મહેશ કસવાળા, પૂર્વ ધારાસભ્ય બાવકુ ઉંધાડ, જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રી મેહુલ ધોરાજીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. કાર્યકરો અને આગેવાનોએ 'જય જવાન, જય કિસાન'ના નારા સાથે ખેડૂત નેતા હિરેન હિરપરાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને સન્માનિત કર્યા હતા. અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દિતલા ગામના વતની હિરેન કનુભાઈ હિરપરા એલ.એલ.બી. શિક્ષિત યુવાન છે અને લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. તેમણે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વર્ષ 2009માં ધારી તાલુકા યુવા ભાજપ પ્રમુખ તરીકે પ્રવેશ કર્યો હતો. ત્યારથી તેમણે અનેક મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. વર્ષ 2013માં તેઓ અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ બન્યા, 2016માં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી અને 2020માં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી. 2021માં ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી બન્યા બાદ, 2025ના અંતિમ દિવસોમાં તેમને ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ સ્થાનિક સહકારી સહિત 6 જેટલી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. પાટીદાર સમાજમાંથી આવતા યુવા ચહેરા અને સંગઠનમાં તેમની સક્રિય કામગીરીને કારણે અગાઉ ધારી વિધાનસભા અને અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીઓમાં તેમનું નામ ચર્ચામાં રહ્યું હતું. ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ તરીકેની તેમની નિમણૂકને કાર્યકરો અને ખેડૂતો દ્વારા આવકારવામાં આવી છે.
પરીયા પ્રાથમિક શાળાના ધોરણ પાંચ થી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાયણ સુગર ફેક્ટરીની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ બાળકોને ઔદ્યોગિક એકમની કાર્યપ્રણાલી અને ઉત્પાદન પ્રક્રિયા વિશે પ્રત્યક્ષ જ્ઞાન પૂરું પાડવાનો હતો. ફેક્ટરીમાં વિદ્યાર્થીઓને શેરડીના આગમનથી લઈને ખાંડના અંતિમ ઉત્પાદન સુધીની સંપૂર્ણ પ્રક્રિયા વિગતવાર દર્શાવવામાં આવી હતી. બાળકોએ રૂબરૂ નિહાળીને ખાંડ કેવી રીતે બને છે તેની જટિલ પ્રક્રિયાને સમજવાનો અનુભવ મેળવ્યો હતો. આ શૈક્ષણિક પ્રવાસમાં શાળા પરિવારના સભ્યો અને એસએમસી (સ્કૂલ મેનેજમેન્ટ કમિટી) અધ્યક્ષ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આવા પ્રત્યક્ષ અનુભવોના શૈક્ષણિક મહત્વ પર ભાર મૂક્યો હતો.
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીથી બચાવવા ગરમ હુડીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પહેલ ખાસ કરીને એવા બાળકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે, જેઓ ઠંડીના કારણે શાળાએ આવવામાં મુશ્કેલી અનુભવતા હતા. આ ગરમ હુડી મળવાથી બાળકોને ઠંડીથી રક્ષણ મળે છે અને તેઓ શરદી, ખાંસી, તાવ જેવી બીમારીઓથી બચી શકે છે. સ્વસ્થ બાળકો નિયમિતપણે શાળામાં હાજર રહીને પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે છે, જે તેમની શૈક્ષણિક પ્રગતિ માટે અત્યંત જરૂરી છે. હુડી વિતરણથી બાળકોમાં આત્મવિશ્વાસ અને ખુશીનો સંચાર થાય છે. જ્યારે કોઈ સંસ્થા તેમની કાળજી લે છે, ત્યારે બાળકોને લાગે છે કે સમાજ તેમની સાથે છે. આ ભાવના તેમને ભણતર પ્રત્યે વધુ ઉત્સાહિત બનાવે છે અને શાળા પ્રત્યેનો તેમનો લગાવ વધે છે. આ સહાય ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે પણ ખૂબ મહત્વપૂર્ણ છે. શિયાળાના ગરમ કપડાં ખરીદવા એ ઘણા પરિવારો માટે આર્થિક બોજ હોય છે. હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા મળતી આ હુડીથી પરિવાર પરનું આર્થિક ભારણ ઘટે છે. સમગ્ર રીતે જોતાં, હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા ગ્રામીણ શાળાના બાળકોને ગરમ હુડીનું વિતરણ માત્ર કપડાં આપવાનું કાર્ય નથી, પરંતુ તે માનવતા, કરુણા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રયાસ બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સુરતની શ્રીમતી આઈ.એન. ટેકરાવાળા હાઈસ્કૂલમાં તાજેતરમાં 'મિશન આરોગ્ય જાગૃતિ' સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં 11મા ધોરણના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શ્રીમતી આઈ.એન. ટેકરાવાળા હાઈસ્કૂલ અને પ્રાણવાયુ મેડિકલ મેગેઝીનના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. સેમિનારમાં કેન્સર અને કિશોરાવસ્થા સંબંધિત સમસ્યાઓ પર વ્યાખ્યાનો આપવામાં આવ્યા હતા. સુરતના જાણીતા ઓન્કોસર્જન ડૉ. આનંદ શાહે સર્વાઇકલ કેન્સર વિશે માહિતી આપી હતી. મનોચિકિત્સક ડૉ. પ્રણવ પચ્ચીગર અને સેક્સોલોજિસ્ટ ડૉ. રૂહી પટેલે કિશોરાવસ્થાની મૂંઝવણો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વ્યાખ્યાનો બાદ પ્રશ્નોત્તરી સત્ર પણ યોજવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ વિવિધ પ્રશ્નો પૂછીને સાચી અને સચોટ માહિતી મેળવી હતી.
મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેસડા ગામમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીના જતન માટે એક ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયાએ ગ્રામજનોને ચેકડેમ દ્વારા વરસાદી પાણી કેવી રીતે બચાવવું તે સમજાવ્યું. તેમણે વરસાદી પાણીનું મહત્વ, તેના સંગ્રહથી જમીનના જળસ્તરને ઊંચા લાવવામાં ચેકડેમની અસરકારકતા વિશે માર્ગદર્શન આપ્યું. તેમણે જણાવ્યું કે ચેકડેમથી જળસ્તર વધશે, ખેતી માટે સતત પાણી ઉપલબ્ધ થશે, ખેતી ખર્ચ ઘટશે અને ખેડૂતો એકથી વધુ સિઝનમાં ખેતી કરી શકશે. આ પ્રસંગે ટ્રસ્ટના અગ્રણી ભાવેશભાઈ સખિયાએ જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પાણીની કટોકટી ટાળવા માટે અત્યારથી જ જાગૃત થવું અનિવાર્ય છે. આકાશમાંથી વરસતા વરસાદી પાણીના દરેક ટીપાનો સંગ્રહ કરી તેને જમીનમાં ઉતારવો એ શ્રેષ્ઠ ઉપાય છે. તેમણે ઉમેર્યું કે, જો આજે પાણીનું જતન કરીશું તો જ ભવિષ્યની પેઢીને પૂરતું પાણી મળી રહેશે. તેમણે ખેત તલાવડી, ચેકડેમ અને બોર રિચાર્જિંગ જેવી પદ્ધતિઓ અપનાવીને ગામનું પાણી ગામમાં જ રોકવા ગ્રામજનોને આહ્વાન કર્યું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સમગ્ર ગુજરાતમાં લોકભાગીદારીથી પૃથ્વીની જીવસૃષ્ટિના રક્ષણ માટે કાર્યરત છે. સંસ્થા જમીનના તળમાં બોર-કુવામાં વરસાદી મીઠા પાણીના સ્તરને ઊંચા લાવવા માટે અનેક ચેકડેમનું સમારકામ, ઊંચા, ઊંડા અને નવા ચેકડેમ બનાવવાનું કાર્ય કરે છે. ટ્રસ્ટ દ્વારા બોર રિચાર્જિંગની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટે કુલ ૧,૧૧,૧૧૧ ચેકડેમ તૈયાર કરવાનો સંકલ્પ કર્યો છે. આ ગ્રામસભામાં નેસડા ગામના સરપંચ પંકજભાઈ ભાડજા, કિસાન સંઘના પ્રમુખ મહાદેવ મગનભાઈ, હરજીવનભાઈ ભાડજા, ગંગાભાઈ ભાડજા, લાલજીભાઈ ભાડજા, જશમંતભાઈ ચીકાણી, નંદલાલભાઈ ભાડજા સહિત અનેક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરાના પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે આજે(31 ડિસેમ્બર) તેરા તુજ કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં 698 જેટલા અરજદારોને તેમનો 1.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. જેમાં વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચોરી, લૂંટ અને ઠગાઇમાં ગયેલા ઘરેણાં, મોબાઇલ અને રોકડ રકમ અરજદારોને પરત કરવામાં આવી હતી. જેના કારણે અરજદારોમાં ખુશી જોવા મળી હતી. આ ઉપરાંત અરજદારોએ પોતાનો ગુમાવેલા મોબાઇલ સહિતનો સામાન લેવા માટે પડાપડી કરી હતી. ઉલ્લેખનીય છે કે, વર્ષ-2025માં તેરા તુજ કો અર્પણના 87 કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં 1840 લાભાર્થીઓને 22.84 કરોડ રૂપિયાનો મુદ્દામાલ પરત કરવામાં આવ્યો હતો. વડોદરા શહેર પોલીસે તેરા તુજ તો અર્પણમાં રેકોર્ડબ્રેક કામગીરી કરી છે. આ ઉપરાંત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા પોલીસકર્મીઓ અને અધિકારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ગુનાઓમાં 6 ટકાનો ઘટાડોવડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કે, ગુનાઓને અટકાવવા માટે પ્રિવેન્ટીવ મેજર્સ લીધા હતા. આજે વડોદરા શહેરમાં ગુનાઓમાં 6 ટકાનો ઘટાડો થયો છે અને બનેલા ગુનાઓમાં 73.5 ટકા ડિટેક્શન કરવામાં સફળતા મળી છે. ડિકોય 100 ટકા, લૂંટ 100 ટકા, ઘરફોડ ચોરી 76 ટકા, ચેઇન સ્નેચિંગા 96 ટકા અને અન્ય ગુનાઓમાં 73.5 ટકા કેસોને ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. એક વર્ષમાં 22 કરોડ રૂપિયાથી વધુ મુદ્દામાલ લોકોને પરત કર્યાંતેઓેએ વધુમાં જણાવ્યું હતું કે, નાગરીકોને ચોરાયેલો મુદ્દામાલ પરત મળે તે માટે વડોદરા શહેર પોલીસ એક્ટિવ છે. એક વર્ષમાં 22 કરોડ રૂપિયાથી વધુ મુદ્દામાલ લોકોને પરત કર્યાં છે. જેમાં 18.14 કરોડ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. આજે 1.41 કરોડ રૂપિયાનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો છે. જેમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં પરત કરાવેલા 44.08 લાખ રૂપિયાનો પણ સમાવેશ થાય છે. જેમાં 1243 મોબાઇલ, વાહનો, સોના-ચાંદીના ઘરેણા, રોકડ રકમનો સમાવેશ થાય છે. રાત્રે 11 વાગ્યે સાયબર ક્રાઇમ પોલીસમાં સંપર્ક કર્યો, 5 મિનિટીમાં ગાંધીનગરથી ફોન આવ્યોઅરજદાર જોયબ્રતો મુખર્જીએ જણાવ્યું હતું કે, હું ઓગસ્ટ મહિનામાં સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો. હું 36 વર્ષ સુધી એબીબી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ રહ્યો હતો. છતાં મારી સાથે સાયબર ફ્રોડ થતાં મારો કોન્ફિડેન્સ હલી ગયો હતો. સ્ટોક ઇન્વેસ્ટમેન્ટના નામેે 35.05 લાખ રૂપિયા મેં ગુમાવી દીધા હતા. મારા મિત્રએ મને કહ્યું હતું કે, તમે સાયબર ક્રાઇમ પોલીસમાં સપર્ક કરો. મેં રાત્રે 11 વાગ્યે સાયબર ક્રાઇમ પોલીસમાં સંપર્ક કર્યો હતો. સામેથી 5 મિનિટીમાં ગાંધીનગરથી ફોન આવ્યો હતો. તેઓએ મારા ડોક્યુમેન્ટ માંગ્યા હતા. પોલીસે માત્ર 4 મહિનામાં જ મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યાતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, હું કહેવા માંગુ છું કે, વડોદરા શહેર પોલીસ પ્રોફેશનલ રીતે કામ કરે છે. તેઓએ સતત મહેનત કરીને મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. આ મારા માટે મિરેકલથી ઓછું નથી. મે આશા છોડી દીધી હતી. પણ પોલીસે માત્ર 4 મહિનામાં જ મારા 36 લાખ રૂપિયા પરત અપાવ્યા છે. હું વડોદરા પોલીસનો આભાર માનુ છું.
છઠીયારડા શાળા-આંગણવાડીના બાળકોને તિથિ ભોજન અપાયું:ઐયુબખાન પઠાણના દીકરાના લગ્ન પ્રસંગે આયોજન કરાયું
છઠીયારડા ગામમાં ઐયુબખાન યાકુબખાન પઠાણના દીકરા નોમાનખાનના લગ્ન પ્રસંગ નિમિત્તે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. આ ભોજન છઠીયારડા ગામની પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક કન્યા શાળા અને તમામ આંગણવાડી કેન્દ્રોના બાળકોને પીરસવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય જયપ્રકાશ સથવારાએ પ્રાર્થના સભામાં શ્રી ઐયુબખાન પઠાણના સેવાભાવી કાર્યને બિરદાવ્યા હતા. તેમણે ઐયુબખાનના દીકરા નોમાનખાનને તેમના ભાવિ વૈવાહિક જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આચાર્ય સથવારાએ જણાવ્યું હતું કે આવા કાર્યો બાળકોમાં સંસ્કાર અને સામાજિક ભાવનાનો વિકાસ કરે છે. શાળા પરિવારે શ્રી ઐયુબખાન પઠાણનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તિથિ ભોજન કાર્યક્રમથી બાળકોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વાસણા ખાતે છેલ્લા 27 વર્ષથી સેવા આપનાર શ્રી દર્શનાબેન બુટાલા નિવૃત્ત થતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમદાવાદની સામાજિક સંસ્થા 'હાયર ઘેન હોપ ફાઉન્ડેશન' દ્વારા આ સન્માન કરાયું હતું.ગુજરાત કેન્સર સોસાયટી (ફાઉન્ડેશન) દ્વારા સંચાલિત આ સેન્ટરમાં દર્શનાબેન બુટાલા પી.આર.ઓ., સોશિયલ વર્કર, કેન્સર એજ્યુકેશન અવેરનેસ અને પ્રદર્શન વિભાગના વડા તરીકે કાર્યરત હતા. તેમણે ૨૭ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક સેવાઓ આપી હતી. આ સન્માન સમારોહમાં 'હાયર ઘેન હોપ ફાઉન્ડેશન'ના સ્થાપકો પરેશ શેઠ અને ક્ષિતિજ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સંસ્થાના કેતકીબેન શાહ, જાગૃતિબેન પટેલ અને અન્ય કર્મચારીઓ પણ હાજર હતા. દર્શનાબેનને શાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમની સેવાઓ અને સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી દર્શનાબેન બુટાલાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ફાજલપુર ટોલનાકા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં શેરડી ભરેલો ટ્રક પલ્ટી ખાઇ જતા સુરતના રહેવાસી 41 વર્ષીય ગોપાલભાઈ પુંજાભાઈ દેવીપુજકનું મોત નીપજ્યું હતું. આ મામલે નંદેસરી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ અકસ્માત રાત્રે 12:30 વાગ્યે બન્યો હતો. ફરિયાદી સુરેશભાઈ રવજીભાઈ જીલીયા (ઉ.વ. 36, રહે. બોટાદ) તેમના ફુઆ ગોપાલભાઈ તથા અન્ય સગા પ્રહલાદભાઈ સાથે સુરતથી શેરડી ભરેલા આઈસર ટ્રકમાં બોરસદ તરફ જઈ રહ્યા હતા. ફાજલપુર ગામ પાસે ટોલનાકા નજીક ઉતાર પર ટ્રકચાલક કિશનભાઈ ઘનશ્યામભાઈ રાફુસાએ પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી બેદરકારીથી ટર્ન લીધું હતું. આના કારણે ટ્રક પલટી ખાઈ ગયો અને શેરડી નીચે ગોપાલભાઈ નીચે દબાઈ ગયા હતા. ઘાયલ ગોપાલભાઈને તાત્કાલિક સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. ગોપાલભાઈ મૂળ સબાસર ગામ (તા. બાવળા, જી. અમદાવાદ)ના વતની હતા અને હાલ યોગી ચોક, નાના વરાછા, સુરતમાં રહેતા હતા. ફરિયાદી સુરેશભાઈએ ટ્રકચાલક કિશનભાઈ રાફુસા વિરુદ્ધ બેદરકારી અને ગફલતથી વાહન ચલાવવાના આરોપ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતથી ગોપાલભાઈના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
સંત નિર્વાણ સાહેબની 512મી સમાધિજયંતિ ઉજવાઈ:સુરતમાં 'જ્ઞાન ગોદડી મેળો' યોજાયો, હજારો ભક્તો ઉમટ્યા
સુરતના બેગમપુરા સ્થિત નિર્વાણ અખાડા ખાતે સંત સદગુરુ શ્રી નિર્વાણ સાહેબની 512મી જીવંત સમાધિજયંતિ નિમિત્તે આધ્યાત્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 30-12-2025 થી 31-12-2025 દરમિયાન યોજાયો હતો. આ અવસરે 'જ્ઞાન ગોદડી મેળા'નું પણ આયોજન થયું હતું. આ મેળાના દર્શન માટે સુરત તેમજ મહારાષ્ટ્રથી હજારો ભક્તો વહેલી સવારથી બસો દ્વારા ઉમટી પડ્યા હતા. ભક્તોએ સંત નિર્વાણ સાહેબની સમાધિના દર્શન કરી પ્રસાદીનો લાભ લીધો હતો. સંત નિર્વાણ સાહેબની સમાધિ આવેલો આશ્રમ 545 વર્ષથી વધુ જૂની ભૂમિ તરીકે ઓળખાય છે. ઇતિહાસ મુજબ, વિ. સં. 1537માં જ્યારે સુરત પર નવાબનું શાસન હતું અને હિન્દુ સાધુ-સંતોને શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો, ત્યારે કુંભમેળાની ચર્ચા બાદ સંત નિર્વાણ સાહેબ સુરત આવ્યા હતા. તેમના ચમત્કારોના પરિણામે નવાબ સ્વયં તેમના ભક્ત બન્યા અને ત્યારબાદ સુરતમાં ધર્મ-સહિષ્ણુતાનો નવો અધ્યાય શરૂ થયો. સંત નિર્વાણ સાહેબે 33 વર્ષ સુધી સુરતમાં નિવાસ કર્યો. આ સમયગાળા દરમિયાન નિર્વાણ આશ્રમમાં જાહેર અન્નક્ષેત્ર, હાથીઓનું સંરક્ષણ, હજારો ભક્તોની દૈનિક સેવા અને 'જ્ઞાનીજીનો મેળો' જેવી પરંપરાઓની શરૂઆત થઈ. આજના સુરતના ગોપીપુરા, ગોપીતળાવ, હાથી ફળીયા, દુકાળપોળ અને દાણાપીઠ જેવા વિસ્તારોના નામકરણનો ઈતિહાસ પણ સંત નિર્વાણ સાહેબ સાથે જોડાયેલો હોવાનું આશ્રમ સંચાલકો જણાવે છે. નવાબી યુગના પુરાતન દસ્તાવેજો અનુસાર, નિર્વાણ અખાડાની જમીન નવાબના મહેલથી મોતી ટોકીઝ દાણાપીઠ સુધી વિસ્તરેલી હતી. આ આશ્રમમાં હનુમાનજી, યોગી ભર્તુહરી, યોગી ગોપીચંદ, ગેબીનાથ, મલ્લીનાથ, ગોરખનાથ સહિત અનેક મહાન સંતો સંત નિર્વાણ સાહેબને મળવા આવતા. ઉપરાંત ગુરુ નાનકજી, સંત કમાલ સાહેબ, મીરાબાઈ, કબીર સાહેબ અને સંત નામદેવ જેવા મહાત્માઓ સાથેના સમાગમના પ્રસંગો અનેક ગ્રંથોમાં વર્ણવાયેલા છે. સ્વયં સહજાનંદ સ્વામી પણ સંત નિર્વાણ સાહેબની સમાધિના દર્શન માટે અહીં આવ્યા હતા. આ વર્ષે યોજાયેલા મહોત્સવે સુરતની સંત પરંપરાને ફરી એકવાર ઉજાગર કરી.
સાળંગપુરધામ ખાતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્ર ધનુર્માસ નિમિત્તે દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત આ યાત્રાધામમાં 30 ડિસેમ્બર, 2025, મંગળવારના રોજ આયોજન કરાયું હતું. પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી દાદાને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઈડરી વર્કવાળા ફૂલની ડિઝાઈનના વાઘા ધરાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મંદિરના સિંહાસનને પણ સુશોભિત કરવામાં આવ્યું હતું. સવારે 5.30 કલાકે મંગળા આરતી અને 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને ૫૧ ડઝન કેળાનો અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. સાંજે 4 કલાકે દાદાના દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરાયું છે. મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ (૧૬ ડિસેમ્બર, ૨૦૨૫ થી ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬) દરમિયાન વિશ્વ કલ્યાણ અને પારિવારિક શાંતિના અર્થે વિશેષ જાપ યજ્ઞનો પ્રારંભ કરાયો છે. આ જાપ યજ્ઞમાં “શ્રી હનુમાન ચાલીસાના પાઠ” તેમજ “ૐ નમો હનુમતે ભયભંજનાય સુખમ્ કુરુ ફટ્ સ્વાહા” મંત્રનો જાપ દરરોજ સવારે ૭ થી ૧૨ અને સાંજે ૩ થી ૬:૩૦ કલાક દરમિયાન કરવામાં આવે છે. આ દિવ્ય દર્શનનો લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ લીધો હતો.
ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ગ્રીષ્મા ટ્રોફીમાં વિજય:નવસારીમાં આયોજિત ગર્લ્સ ટુર્નામેન્ટમાં ટ્રોફી જીતી
નવસારી ખાતે છાપરા સ્પોર્ટ્સ દ્વારા આયોજિત ગ્રીષ્મા ટ્રોફી ગર્લ્સ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશને વિજય મેળવ્યો છે. આ ફાઇનલ મુકાબલો આર ડી ક્રિકેટ અકાદમી અને ભરૂચ ક્રિકેટ એસોસિએશન વચ્ચે યોજાયો હતો. આ ફાઇનલ મેચમાં ભરૂચ ક્રિકેટ એસોસિએશનની મહિલા ટીમે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી. ટુર્નામેન્ટ દરમિયાન મહિલા ખેલાડીઓએ એકાગ્રતા, મહેનત અને આત્મવિશ્વાસ સાથે રમતનું પ્રદર્શન કર્યું હતું. ભરૂચ ક્રિકેટ એસોસિએશનની ટીમે શરૂઆતથી જ મજબૂત રમત રજૂ કરી વિજય સુનિશ્ચિત કર્યો. આ પ્રસંગે ભરૂચ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલે વિજેતા મહિલા ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભવિષ્યમાં પણ વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. પ્રમુખ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતમાં મહિલાઓ માટે યોજાતા આવા ટુર્નામેન્ટોનું વિશેષ મહત્વ છે. તેમાં ભરૂચની મહિલા ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરીને ટ્રોફી જીતવી એ ગૌરવની બાબત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા મહિલાઓને વ્યવસ્થિત અને ગુણવત્તાયુક્ત કોચિંગ આપવામાં આવે છે. જેના પરિણામે ભરૂચની મુસ્કાન વસાવાએ વેસ્ટ ઝોન અને કૃપા પ્રજાપતિએ ગુજરાતની ટીમમાં પસંદગી મેળવી છે. તેઓ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ભરૂચનું નામ રાજ્ય અને દેશ સ્તરે રોશન કરી રહી છે. આ વિજય બદલ મહિલા ક્રિકેટ ટીમના ચેરમેન તથા સિલેક્ટર વિપુલ ઠક્કર, સેક્રેટરી ઇશ્તિયાક પઠાણ, વાઇસ પ્રેસિડન્ટ મનીષ નાયક, સંકેત પટેલ તેમજ ભરૂચ ક્રિકેટ એસોસિએશનના અન્ય સભ્યોએ પણ ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ગ્રીષ્મા ટ્રોફી ટુર્નામેન્ટમાં મળેલો આ વિજય ભરૂચની દીકરીઓની પ્રતિભા, અવિરત મહેનત અને અડગ આત્મવિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
વડોદરા શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા ફતેગંજના પ્રમુખ સ્વામી બ્રિજ કાર્પેટીંગની કામગીરીને કારણે બ્રિજ છેલ્લા કેટલાક દિવસોથી બંધ હતો. ત્યારબાદ હવે ખુલ્લો થતા વાહનચાલકોએ ટ્રાફિક સમસ્યાથી મુક્તિ મેળવી રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે ભારે નુકસાન થયું હતું. પરિણામે આ બ્રિજ કેટલાક દિવસોથી વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો. ગોરવા ગેંડા સર્કલ અને કારેલીબાગ જતા વાહનચાલકોને રાહતઆ દરમિયાન કાર્પેટિંગની કામગીરી પૂરી થતાં જ તંત્ર દ્વારા બ્રિજ વાહન ચાલકો માટે ખુલ્લો કરાયો હતો. પરિણામે ગોરવા ગેંડા સર્કલ અને કારેલીબાગ જતા વાહનચાલકોને ખૂબ રાહત થઈ હતી. આજે વર્ષનો અંતિમ દિવસ છે અને તેની ઉજવણી નિમિત્તે ફતેગંજ વિસ્તારમાં ખૂબ જ ટ્રાફિક રહેતો હોય છે. જેથી આ વિસ્તારના રોડ રસ્તા બંધ કરવા પણ પોલીસ તંત્રને ફરજ પડે છે. ફતેગંજ વિસ્તારમાં ટ્રાફિક જામની સમસ્યા હળવી થશેજ્યારે બીજી બાજુ ફતેગંજનો આ પ્રમુખસ્વામી બ્રિજ ખુલ્લો થતાં નવા વર્ષની ઉજવણી નિમિત્તે ફતેગંજ વિસ્તારમાં થતા ટ્રાફિક જામની સમસ્યા પણ હળવી થવાની શક્યતા નકારી શકાતી નથી. આજે થનાર ઉજવણીમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થશે ત્યારે ટ્રાફિક પોલીસે પણ આ માર્ગ ખુલ્લો કરવામાં આવતા રાહતનો શ્વાસ લીધો છે.
મહેસાણા મહાનગરપાલિકા ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. પાલિકાના તંત્ર અને તેની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે, જેમાં ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વિભાગના સાધનોનો અંગત કે બિનજરૂરી કામો માટે દુરુપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. મનપા દ્વારા ટાઉન હોલ ધોવા માટે મીની ફાયર બ્રિગેડ અને ફાયરકર્મીનો ઉપયોગ કરવામાં આવતા વિવાદ ઉભો થયો છે. ટાઉનહોલની સફાઈ કરવા ફાયર બ્રિગેડનો દુરઉપયોગમળતી વિગતો અનુસાર મહેસાણા આવતીકાલે મુખ્યમંત્રી આવનારા હોવાથી અને ટાઉન હોલમાં કાર્યક્રમ હોવાથી મહાનગરપાલિકાના સ્ટાફ દ્વારા ગતરાત્રી દરમિયાન શહેરના ટાઉનહોલની સફાઈ કરવા માટે ફાયર બ્રિગેડના સાધનોનો અને એક-બે ફાયર કર્મીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે, જે સાધનો માત્ર આગ જેવી કટોકટીની સ્થિતિમાં લોકોના જીવ અને મિલકત બચાવવા માટે ફાળવવામાં આવ્યા છે, તેને ટાઉનહોલ ધોવા જેવા સામાન્ય કામમાં જોતરી દેવામાં આવ્યા હતાં. મીની બ્રાઉઝરનો ઉપયોગ કરીને ટાઉનહોલના પરિસરને ધોવાયુંઆ ઘટનામાં ફાયર બ્રિગેડના 'મીની બ્રાઉઝર'નો ઉપયોગ કરીને ટાઉનહોલના પરિસરને ધોવામાં આવ્યું હતું. સ્વચ્છતાના બહાને સરકારી મશીનરી અને પાણીનો આ પ્રકારે વ્યય કરવામાં આવ્યો હતો.નિયમ મુજબ ફાયર ફાઈટર કે મીની બ્રાઉઝરનો ઉપયોગ માત્ર આગ ઓલવવા કે રેસ્ક્યુ ઓપરેશન માટે જ કરવાનો હોય છે. ફાયર ઇન્સ્પેક્ટરે ગોળ ગોળ જવાબ આપ્યાફાયર ઇન્સ્પેક્ટર હરેશ પટેલે જણાવ્યું કે, જો ફાયર વિહિકલ અને ફાયર સ્ટાફ હોય તો જ્યારે કોઈ પણ ઇમરજન્સી આવે આગ બુઝાવવા માટેની કે એ કામગીરી દરમિયાન આપણે ફાયર વિહિકલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. વધુમાં જણાવ્યું કે જે, ગાડીનો ઉપયોગ હતો એ અમે એની કાર્યક્ષમતાના હિસાબે ફાયરમાં અત્યારે ઉપયોગ કરતા નથી અને નોન-યુઝ ગાડી છે અમારી ફાયરની. એના અંદર હાઈ પ્રેશર પંપ છે તો અમે એને ટૂંક સમયમાં કન્વર્ટ કરી છે પ્રેશર પંપ માટે બીજું કે જે સ્ટાફ હતો એ ટેકનિકલ કઈ રીતે ચાલુ કરવું કે શું કરવું એના માટે ફાયરનો સ્ટાફ ત્યાં આગળ હતો એ ગાડીમાં. એ તો પ્રેશર પંપ તરીકે ઉપયોગ કરેલો છે અને હાલ ફાયર માટે અમે બિલકુલ એ ગાડીનો ઉપયોગ કરતા નથી, એની જગ્યાએ અમે નવી ગાડી વસાવેલી છે.આમ ફાયર ઇન્સ્પેક્ટર દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા.
ચંદ્રયાન, મિશન ટુ માર્સ, ઇકો બ્રિક્સ, ટેકનોલોજી, સોલર એનર્જી તથા ડાયાલિસિસની પ્રક્રિયા સમજાવતો પ્રોજેક્ટ રજૂ કર્યા અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ભાવનગરના અંદાજે 2500 થી વધુ નાગરિકો ઉમટી પડ્યા ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ધ કેપીએસ ઇંગ્લિશ સ્કૂલ દ્વારા આજરોજ 'પ્રજ્ઞાન એક્સપો 2025' વિજ્ઞાન પ્રદર્શનનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ એક્સપોમાં પ્રી-પ્રાયમરીથી લઈને ધોરણ 11 સુધીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને વિવિધ વિષયો પર 110 જેટલા નવીનતમ પ્રોજેક્ટ્સ રજૂ કર્યા હતા, આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ભાવનગરના યુવરાજસિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે વિદ્યાર્થીઓના કૌશલ્ય અને વૈજ્ઞાનિક અભિગમને બિરદાવ્યો હતો, આ સમગ્ર આયોજન સ્કૂલના ટ્રસ્ટીઓ, આચાર્ય તરૂણભાઈ વ્યાસ અને પ્રાયમરી સેક્શનના હેડ મલ્લિકાબેનના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. વિદ્યાર્થીઓએ માત્ર મોડેલ જ નહીં, પરંતુ વર્તમાન અને ભવિષ્યની સમસ્યાઓના ઉકેલ સમાન પ્રોજેક્ટ્સ તૈયાર કર્યા હતા, જેમાં મુખ્ય આકર્ષણોઓમાં સ્પેસ સાયન્સ ચંદ્રયાનનું આબેહૂબ મોડેલ અને 'મિશન ટુ માર્સ' (મંગળ અભિયાન) ના પ્રોજેક્ટ્સ, પર્યાવરણ સુરક્ષા, પ્રદૂષણ ઘટાડવા માટે પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલી 'ઇકો બ્રિક્સ', આરોગ્ય અને ટેકનોલોજી, ડાયાલિસિસની પ્રક્રિયા સમજાવતો પ્રોજેક્ટ અને સોલર એનર્જીના વિવિધ ઉપયોગો સહિતના 110 જેટલા પ્રોજેકટો બાળકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા, કેપીઈએસ સાયન્સ એકેડમીના એડમિનિસ્ટ્રેટિવ પ્રણવ દેવલુકએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્રદર્શનને નિહાળવા માટે સંસ્થાના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત ભાવનગરના અંદાજે 2500 થી વધુ નાગરિકો ઉમટી પડ્યા હતા, તમામ વિભાગના હેડ્સ અને શિક્ષકોના સહિયારા પ્રયાસોથી આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ માટે જ્ઞાનનો ઉત્સવ બની રહ્યો હતો.
મોરબી તાલુકાના શાપર ગામ પાસે માઈનોર કેનાલ ઓવરફ્લો થતા ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયું છે. આ ઘટનાને કારણે ખેડૂતોએ વાવેલા પાકને મોટા પાયે નુકસાન થયું છે. પ્રાથમિક માહિતી અનુસાર, પ્રસાદ મિનરલ્સની પાછળથી પસાર થતી આ માઈનોર કેનાલની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવી ન હતી. કેનાલમાં પાણી છોડતા પહેલા તેની સફાઈ ન થવાને કારણે પાણી ઓવરફ્લો થઈને આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. શાપર ગામના અજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે અધિકારીઓને જાણ કરવા માટે ફોન કરવામાં આવ્યા હતા, પરંતુ અધિકારીઓએ ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી. ખેડૂતો અધિકારીઓના બિનજવાબદાર વલણથી નારાજ છે. મોરબી જિલ્લામાંથી પસાર થતી કેનાલોમાં પાણી ઓવરફ્લો થવાની અને ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગત વર્ષે પણ ચોમાસામાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું. આવી પરિસ્થિતિમાં કેનાલના પાણીથી પાકને નુકસાન થતા ખેડૂતોને 'પડ્યા ઉપર પાટુ' જેવો ઘાટ સર્જાયો છે. ખેડૂતો આ કાયમી સમસ્યામાંથી મુક્તિ મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
રાજકોટ શહેરમાં વધુ બે આપઘાતના બનાવ સામે આવ્યા છે. જેમાં લાપાસરી ગામે 19 વર્ષીય યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે જયારે બીજા બનાવમાં રૂડાનગર વિસ્તારમાં 15 વર્ષીય સગીરાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો બનાવ અંગે જાણ થતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે. લાપાસરી ગામે 19 વર્ષીય યુવતીનો આપઘાત રાજકોટ નજીક લાપાસરી ગામે ટ્વિંકલ દોલતસિંહ ગોહિલ (ઉ.વ.19) નામની યુવતીએ ગઈકાલે રાત્રે 8 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ઉપરના માળના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે પરિવારને જાણ થતા તાત્કાલિક 108માં જાણ કરત 108 ઇએમટી સ્થળ પર આવી અને ટ્વિંકલને તપાસી મૃત જાહેર કરી બનાવની જાણ આજીડેમ પોલીસને કરતા પોલીસે આવી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક ટ્વિંકલ 1 ભાઈ અને 1 બહેનમાં મોટી હતી તેમના પિતા દોલતસિંહને કાપડની દુકાન છે અને તેમાં ટ્વિંકલ પિતાને મદદ પણ કરાવતી હતી. જો કે તેને આપઘાત ક્યાં કારણોસર કર્યો તે ણ પરિવારજનો પણ અજાણ હોય જેથી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. રૂડાનગર વિસ્તારમાં 15 વર્ષીય સગીરાનો આપઘાત આપઘાતના બીજા બનાવમાં રૂડાનગર વિસ્તારમાં રહેતી 15 વર્ષીય સગીરા ગઈકાલે રાત્રે 9.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે હતી ત્યારે ગળાફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે 108ને જાણ કરવામાં આવતા 108ના ઇએમટીએ સ્થળ પર પહોંચી સગીરાને તપાસી મૃત જાહેર કરી બનાવની જાણ તાલુકા પોલીસને કરતા રાજકોટ તાલુકા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સગીરાના આપઘાતના કારણ અંગે પરિવારજનો પણ અજાણ હોવાથી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના વેસુ વિસ્તારમાં આયોજિત ભાગવત કથા દરમિયાન સાત મહિલાઓના ગળામાંથી લાખોની કિંમતના સોનાના ઘરેણાની તફડંચી કરનાર દિલ્હીની કુખ્યાત મહિલા ઠગ ગેંગનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. કથામાં શ્રદ્ધાળુ બનીને ઘૂસેલી વનિતા ઉર્ફે વનિદા રંગાસ્વામી અને તેની ટોળકીએ અંદાજે રૂ. 6.77 લાખની કિંમતના 140 ગ્રામ સોનાની ચેઈન ચોરી કરી પલાયન થઈ ગઈ હતી, જેને ક્રાઈમ બ્રાન્ચે કીમ ચાર રસ્તા પાસેથી ફિલ્મી ઢબે દબોચી લીધી છે. મહિલાઓ માત્ર ગુજરાત જ નહીં ગોવા સહિતના રાજ્યોમાં વોન્ટેડધરપકડ કરાયેલી આ મહિલાઓ માત્ર ગુજરાત જ નહીં પરંતુ ગોવા સહિતના અનેક રાજ્યોમાં વોન્ટેડ છે અને પોલીસ પર હુમલો કરવા જેવી હિંમત ધરાવતી રીઢા ગુનેગાર છે, જેઓ જેવો દેશ તેવો વેશ ધારણ કરી ધાર્મિક પ્રસંગોમાં ચોરીની ઘટનાને અંજામ આપતી હતી. ભાગવત કથામાં શ્રદ્ધાળુ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતીસુરતના વેસુ વિસ્તારમાં નંદીની-1 એપાર્ટમેન્ટ ખાતે આયોજિત ભાગવત કથામાં શ્રદ્ધાળુ મહિલાઓને નિશાન બનાવવામાં આવી હતી. ગત 27 ડિસેમ્બરના રોજ કથાના ધમધમાટ વચ્ચે તસ્કરોએ સાત મહિલાઓના ગળામાંથી આશરે 140 ગ્રામ સોનાની ચેઈન (અંદાજે કિંમત 6.77 લાખ) ચોરી લીધી હતી. આ ઘટનામાં સંડોવાયેલી ગેંગ એટલી વ્યવસ્થિત હતી કે કથાના વાતાવરણમાં કોઈને શંકા સુદ્ધાં ગઈ નહોતી. વેસુ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સહિંતાની કલમ-303(2) મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. વનિતા કોઈ સામાન્ય ચોર નહીં, પરંતુ એક રીઢી ગુનેગારઆ ટોળકીની મુખ્ય સૂત્રધાર દિલ્હીની વનિતા ઉર્ફે વનિદા રંગાસ્વામી છે. વનિતા કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ એક રીઢી ગુનેગાર છે. તેના નામે ગુજરાતના અમદાવાદ (ગાયકવાડ હવેલી), ભુજ, વલસાડ અને સુરત (અલથાણ)માં અનેક ગુનાઓ નોંધાયેલા છે. એટલું જ નહીં, તેની ગુનાખોરીની સીમાઓ ગુજરાત બહાર ગોવા સુધી ફેલાયેલી છે. ગોવા પોલીસના મરગાઉ, માપુસા અને કેનાકોના પોલીસ સ્ટેશનમાં પણ તે ચેઈન સ્નેચિંગ અને લૂંટના ગુનામાં વોન્ટેડ હતી. અન્ય બે મહિલાઓ પોલીસ પર હુમલો કરી ભાગી છૂટવાની ટેવ ધરાવનારધરપકડ કરાયેલી અન્ય બે મહિલાઓ, રાધા અને મનિષા પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ખાસ કરીને રાધા સામે સુરતના અલથાણ પોલીસ મથકે અગાઉ ચોરીનો ગુનો નોંધાઈ ચુક્યો છે, જેમાં તે લાંબા સમયથી વોન્ટેડ હતી. આ મહિલાઓ માત્ર ચોરી જ નથી કરતી, પરંતુ જ્યારે પોલીસ તેમને પકડવા જાય ત્યારે પોલીસ ટીમ પર હુમલો કરી ભાગી છૂટવાની પણ ટેવ ધરાવે છે. આ ગેંગ 'ઠગ' ગેંગ તરીકે ઓળખાય છે, જે ભારતના વિવિધ રાજ્યોમાં સક્રિય છે. મહિલાઓ તક મળતા જ સેકન્ડોમાં ચેઈન તોડીને પલાયન થઈ જતીઆ ગેંગની સૌથી મોટી ખાસિયત તેમની 'વેશપલટો' કરવાની કળા છે. તેઓ જે રાજ્યમાં જાય અને જે ધાર્મિક પ્રસંગ (હિન્દુ, જૈન કે અન્ય) માં જાય, ત્યાંના લોકો જેવા જ પારંપરિક કપડાં પહેરી લે છે. આથી ભીડમાં તેઓ સામાન્ય શ્રદ્ધાળુ જેવા જ લાગે છે. કથા કે લગ્ન જેવા પ્રસંગોમાં તેઓ સોનાના ભારે દાગીના પહેરેલી મહિલાઓની ઓળખ કરી અને તક મળતા જ સેકન્ડોમાં ચેઈન તોડીને પલાયન થઈ જાય છે. પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી ત્રણેય મહિલાઓને દબોચી લીધીસુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, આ મહિલાઓ સુરત ગ્રામ્યના કીમ ચાર રસ્તા પાસેથી પસાર થવાની છે. ગેંગના હિંસક ઈતિહાસને જોતા પોલીસે મહિલા કોન્સ્ટેબલો સાથે એક મજબૂત સંયુક્ત ટીમ બનાવી હતી. પોલીસે ફિલ્મી ઢબે વોચ ગોઠવી આ ત્રણેય મહિલાઓને દબોચી લીધી હતી. આ ઓપરેશનથી માત્ર વેસુની ચોરીનો જ નહીં, પણ ગોવા અને અન્ય શહેરોમાં થયેલી અનેક ચોરીઓના ભેદ ઉકેલાવાની શક્યતા છે.
હિંમતનગર પાલિકાએ 12 દબાણ દૂર કર્યા:ભોલેશ્વર અને મોતીપુરા વિસ્તારમાં રસ્તાઓ ખુલ્લા કરાયા
હિંમતનગર નગરપાલિકાએ ભોલેશ્વર અને મોતીપુરા વિસ્તારોમાં દબાણ વિરોધી ઝુંબેશ હાથ ધરી હતી. બુધવારે ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે કુલ 12 દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી સોસાયટીના અને ટીપી રોડના રસ્તાઓ ખુલ્લા થયા હતા. પાલિકા દ્વારા ભોલેશ્વર ખાતે આવેલી શિવધારા અને સુંદરમ સોસાયટીઓમાં કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં 20 ફૂટના રસ્તા પરના કાચા અને પાકા દબાણો, જેમાં ઓટલા, પગથિયાં અને શૌચાલયોનો સમાવેશ થતો હતો, તે હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, મોતીપુરા વિસ્તારમાં આવેલી શરણમ સોસાયટીમાં પણ દબાણ હટાવવામાં આવ્યા હતા. રસ્તા પર બનાવેલા પાકા કોટ દૂર કરવામાં આવ્યા હતા. 9 મીટરના ટીપી રોડ પરના દબાણો પણ હટાવી દેવાયા હતા, જે હાઈવેના સર્વિસ રોડને ટીપી રોડ સાથે જોડે છે.
છોટા ઉદેપુરના પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક બાદ છોટા ઉદેપુર જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે તેમનો સન્માન સમારંભ યોજાયો હતો. આ સન્માન સમારંભમાં પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવા, સાંસદ જશુભાઈ રાઠવા સહિત જિલ્લા ભાજપના અન્ય હોદ્દેદારો અને અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે, તેઓ પાર્ટી દ્વારા સોંપવામાં આવેલી તમામ જવાબદારીઓ સુપેરે નિભાવશે. તેમણે આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ભાજપને જંગી બહુમતીથી જીતાડવા માટે કામગીરી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ગોધરા રેલવે સ્ટેશન પર સઘન સર્ચ ઓપરેશન:થર્ટી ફર્સ્ટની સુરક્ષા માટે BDDS અને પોલીસે તપાસ કરી
ગોધરા રેલવે સ્ટેશન પર થર્ટી ફર્સ્ટની સુરક્ષા વ્યવસ્થાને વધુ ચુસ્ત બનાવવા માટે રેલવે પોલીસ, આર.પી.એફ. અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) દ્વારા સંયુક્ત રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ અભિયાન અંતર્ગત સ્ટેશન પર આવતી-જતી તમામ પેસેન્જર ટ્રેનોના ડબ્બાઓમાં મુસાફરોના સામાનની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, પ્લેટફોર્મ, મુસાફરખાના અને પાર્સલ ઓફિસ જેવા સંવેદનશીલ સ્થળોએ પણ સુરક્ષા એજન્સીઓએ આધુનિક સાધનોની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. સમગ્ર ચેકિંગ પ્રક્રિયા દરમિયાન કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ કે બિનવારસી સામાન મળી આવ્યો ન હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. નવા વર્ષની ઉજવણીના માહોલમાં કોઈ અઘટિત ઘટના ન બને તે હેતુથી વહીવટી તંત્ર દ્વારા આ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા હતા. આ સુરક્ષા વ્યવસ્થાને પગલે રેલવે સ્ટેશન પર હાજર મુસાફરોમાં પણ સુરક્ષાનો ભાવ જોવા મળ્યો હતો.
આજે 2025નો અંતિમ દિવસ છે, જ્યારે વિશ્વભરમાં પશ્ચિમી સંસ્કૃતિ મુજબ ઉજવણીની તૈયારીઓ થઈ રહી છે, ત્યારે બોટાદના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટ્યો હતો. થર્ટી ફર્સ્ટ એટલે કે વર્ષના વિદાયના દિવસે લાખો ભક્તોએ મોજ-મસ્તી કે પાર્ટીઓના બદલે દાદાના આશીર્વાદ મેળવી આધ્યાત્મિક રીતે વર્ષ પૂર્ણ કરવાનું પસંદ કર્યું હતું. વહેલી સવારથી ભક્તોની લાંબી કતારોવર્ષના છેલ્લા દિવસે દાદાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તો ઉમટી પડ્યા હતા. હનુમાન દાદાના દિવ્ય અને ભવ્ય શણગારના દર્શન કરવા માટે મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. શ્રદ્ધાળુઓએ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી આગામી વર્ષ સૌ માટે સુખદ, સમૃદ્ધ અને શાંતિપૂર્ણ રહે તેવી પ્રાર્થના કરી હતી. સમગ્ર મંદિર પરિસર 'જય હનુમાન' અને 'કષ્ટભંજન દેવની જય'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. યુવાધનમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિસામાન્ય રીતે થર્ટી ફર્સ્ટના દિવસે યુવાનો ક્લબ, રિસોર્ટ કે સિનેમાઘરોમાં પાર્ટી કરતા જોવા મળે છે. જોકે, આ વખતે સાળંગપુરમાં ચિત્ર અલગ જોવા મળ્યું હતું. દેશ અને વિદેશમાંથી મોટી સંખ્યામાં યુવાનોએ પોતાની પરંપરા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે સાળંગપુરની મુલાકાત લીધી હતી. યુવા ભક્તોએ જણાવ્યું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ કરતા પોતાની સંસ્કૃતિ મુજબ ભગવાનની ભક્તિ સાથે વર્ષની વિદાય આપવી વધુ ગૌરવશાળી છે. કોઠારી વિવેક સ્વામીનું નિવેદનમંદિરના કોઠારી વિવેક સ્વામીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, થર્ટી ફર્સ્ટ એ પશ્ચિમી સંસ્કૃતિનો હિસ્સો હોવા છતાં, આજે હિન્દુ સમાજમાં મોટી જાગૃતિ જોવા મળી રહી છે. હજારોની સંખ્યામાં ભક્તો, ખાસ કરીને યુવાનો, નિજાનંદ અને ભક્તિ માટે સાળંગપુર આવ્યા છે તે ગૌરવની વાત છે. આ રીતે હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી ભક્તિમય વાતાવરણમાં વર્ષની પૂર્ણાહુતિ કરવી એ સરાહનીય છે. પરિવાર સાથે આવેલા શ્રદ્ધાળુઓએ પણ ભાવભીના હૈયે વર્ષ 2025ને 'બાય બાય' કહી નવા વર્ષના મંગલ વધામણાં માટે દાદાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
બોટાદમાં રેન્જ આઈજીનું ઇન્સ્પેક્શન:ગૌતમ પરમારે પરેડ નિરીક્ષણ કરી પોલીસને માર્ગદર્શન આપ્યું
ભાવનગર રેન્જના આઈજી ગૌતમ પરમારે બોટાદ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઇન્સ્પેક્શન કર્યું. આ દરમિયાન તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ પરેડમાં જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોલીસે વિવિધ પ્રકારની મુવમેન્ટ અને ડ્રિલનું પ્રદર્શન કર્યું હતું. આઈજી ગૌતમ પરમારે પરેડના નિરીક્ષણ દરમિયાન પોલીસની શિસ્ત, તૈયારી અને કામગીરીની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું. આ ઇન્સ્પેક્શન અને પરેડથી પોલીસ કર્મચારીઓમાં ઉત્સાહ અને શિસ્તબદ્ધ કામગીરીનો સંદેશ મળ્યો હતો.
કલોલ શહેર પોલીસ મથકની હદ વિસ્તારમાં પારિવારિક સંબંધનો ગેરફાયદો ઉઠાવી 17 વર્ષની સગીરાનું ઘરે મૂકી જવાના બહાને કારમાં અપહરણ કરી નિર્જન જગ્યાએ લઈ જઈ ગોંધી રાખીને તેની સાથે અડપલાં કરનાર શખ્સને કલોલની સ્પેશિયલ પોકસો કોર્ટે 3 વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી છે. સગીરાને ઘરે મૂકી જવાની લાલચ આપી સ્વિફ્ટ ગાડીમાં બેસાડીકેસની વિગત મુજબ, ગત 10 ઓગસ્ટ 2023ના રોજ બપોરે ભોગ બનનાર 17 વર્ષીય સગીરા માય લાઈફ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી. આ સમયે કૌટુંબિક સબંધી હોવાનો લાભ ઉઠાવી વિજય હિરાજી રાઠોડે (ઉ.વ. 24, હાલ રહે. મટવાકુવાથી તેરસા પરા રોડ ખાતે આવેલ એક શોરૂમની ઓરડીમાં) સગીરાને ઘરે મૂકી જવાની લાલચ આપી સ્વિફ્ટ ગાડીમાં બેસાડી હતી. ગાડીમાં ગોંધી રાખી છેડતી કરી જાનથી મારી નાખવાની ધમકી આપીબાદમાં આરોપીએ સગીરાને ઘરે લઈ જવાને બદલે કે.આઈ.આર.સી. કોલેજ પાછળના સૂમસામ રોડ પર લઈ જઈ ગાડીમાં ગોંધી રાખી હતી. ત્યાં સગીરાની છેડતી કરી જાતીય સતામણી કરી હતી. જેનો સગીરાએ પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલા આરોપીએ તેને ગાળો આપી મોઢા પર ફેટો મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ઘટના અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વકીલે આરોપીને કડક સજા કરવા ધારદાર દલીલો કરીઆ મામલે કલોલ પોલીસે આઈ.પી.સી. અને પોકસો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી. જે કેસ પાંચમાં એડિશનલ સેશન્સ જજ બી.આર. રાજપૂતની કોર્ટમાં ચલાવવામાં આવ્યો હતો. જેની સુનાવણી દરમિયાન સરકારી વકીલ જે.એચ. જોષી અને રાકેશ એલ. પટેલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, સમાજમાં સગીરાઓ પર થતા અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આરોપીને કડકમાં કડક સજા કરી સમાજમાં દાખલો બેસાડવો અનિવાર્ય છે. આરોપીને 3 વર્ષની સખત કેદ અને દંડ ભોગવવાનો હુકમસ્પેશિયલ પોક્સો કોર્ટે ભોગ બનનારની જુબાની, તબીબી પુરાવા અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી વિજય રાઠોડને ગુનેગાર ઠેરવી 3 વર્ષની સખત કેદ અને દંડ ભોગવવાનો હુકમ કર્યો છે.
સામાન્ય પરિવારની યુવતી એ ભાવનગર નું નામ રોશન કર્યું કોલેજ દ્વારા ઓફિસર રેન્ક મેળવી ને પરત આવ્યા બાદ ભવ્ય સ્વાગત કરાયું નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે એરફોર્સ યુનિટની મંજુરી બાદ આ યુનિટ ના કેરટેકર તરીકે કોલેજના પી.ટી.આઈ. પારૂલબેન મકવાણાને સોપવામાં આવી હતી, ત્યારબાદ કેરટેકર પારૂલબેન મકવાણાએ વર્ષ દરમિયાન સખત મહેનત કરી સૌથી કઠીન ટ્રેનીંગ માટે ચેન્નાઈ(તમિલનાડુ) ખાતે પસંદગી પામી હતી, આ ટ્રેનીંગ દરમિયાન શ્રેષ્ઠ દેખાવ કરી સેલ્ફ ફાઈનાન્સ કોલેજ માંથી સૌ-પ્રથમ વખત ફ્લાઈંગ ઓફિસર નો રેન્ક મેળવ્યો હતો. ભાવનગર ના રેલ્વે સ્ટેશન જેવા પછાત વિસ્તાર વડવા વિસ્તાર માં મજુરી કામ કરતા પિતા જેન્તીભાઈને ત્યાં દીકરી તરીકે પારૂલબેન મકવાણાનો 1994 માં જન્મ થયો. બાળપણ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં પસાર કરી પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં પ્રવેશ મેળવી બાદ હાઇસ્કુલ નો અભ્યાસ સેન્ટ મેરી હાઇસ્કુલમાં શિષ્યવૃતિ મેળવી ને પૂર્ણ કર્યો હતો, પિતા જેન્તીભાઈ મકવાણાનું સ્વપ્ન હતું કે, પારૂલ એક સારી ક્રિકેટર બને અથવા વર્દી પહેરીને દેશ ની સેવા કરે, પારૂલબેન મકવાણાએ પિતાનું સ્વપ્ન સાકાર કરવા માટે નાનપણથી ક્રિકેટ રમી ને રણજી ટ્રોફી સુધી પસંદગી પામીને ભાવનગરનું નામ રોશન કર્યું હતું, પારૂલબેન મકવાણા ની સંઘર્ષભરી જીંદગી માં અચાનક તેમના પિતાના અવસાન બાદ નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે પી.ટી.આઈ. તરીકે પોતાની સેવા આપવાનું શરુ કર્યું હતું, નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર એરફોર્સ એન.સી.સી. યુનિટ ની મંજુરી બાદ કેરટેકર તરીકે પારૂલબેન મકવાણાએ જવાબદારી સ્વીકારી હતી. ત્યારબાદ અથાગ મહેનત અને ટ્રેનીંગને કારણે ફ્લાઈંગ ઓફિસરની રેન્ક મેળવી કોલેજ અને ભાવનગર નું ગૌરવ વધાર્યું હતું, નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ભાવનગર ખાતે વિધાર્થીનીના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. આ કાર્યક્રમ થાકી વિધાર્થીનીઓ શારીરિક અને માનસિક રીતે મજબુત બનાવવાના ઉદ્દેશથી વિવિધ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શક શિબિર કરવામાં આવે છે, નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર છેલ્લા દસ વર્ષથી સ્પોર્ટ્સમાં યુનિવર્સીટી માં જનરલ ચેમ્પિયન, કલ્ચરલ, એન.એસ.એસ. અને એન.સી.સી. માં અવ્વલ નંબરે છે અનેક વિધાર્થીનીઓ આર.ડી.સી. કેમ્પમાં ભાગ લઈને કોલેજનું ગૌરવ વધાર્યું છે, એકેડમિક વર્ષ 2024-25 થી એર-ફોર્સ એન.સી.સી.નું 50 વિધાર્થીનીઓનું યુનિટ મંજુર કરવામાં આવતા વિધાર્થીનીઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રીટીશરો એ યુનિવર્સીટી કોપર્સ ની રચના કરી હતી, આ યુનિવર્સીટી રચના કરવાનો ઉદ્દેશ સંરક્ષણ માટેની બીજી હરોળ તૈયાર કરવાનો હતો, આમ ભારતની સ્વતંત્રતા પહેલાજ એન.સી.સી.ની કલ્પના કરવામાં આવી હતી. 1948 ના રોજ વિધિવત રીતે એન.સી.સી. ની સ્થાપના કરવામાં આવી અને ત્યારબાદ ભારતના વિવિધ રાજ્યોની કોલેજો શાળાઓની અંદર ની શરૂઆત કરવામાં આવી. એન.સી.સી. માં વિધાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને સ્વતંત્ર બને તે હેતુ થી એન.સી.સી. માં એર-ફોર્સ, નેવી અને આર્મી ના વિગની રચના કરવામાં આવી હતી, પારૂલબેન મકવાણાની આ સિદ્ધિ બદલ કોલેજના મેં.ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ તથા મેં.ડાયરેક્ટર ડો. રવિન્દ્રસિંહ સરવૈયાએ અને કોલેજના સમગ્ર પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.
દાહોદ જિલ્લામાં બિશ્નોઇ ગેંગના મુખ્ય સૂત્રધાર અશોક બિશ્નોઇ અને પોલીસ વચ્ચે થયેલા ફાયરિંગ મામલે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC)ના વડા અને DIG નિર્લિપ્ત રાયે સમગ્ર ઘટનાનો ખુલાસો કર્યો છે. અશોક બિશ્નોઇ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય નેતાDIG નિર્લિપ્ત રાયે જણાવ્યું કે, ગત 29 ડિસેમ્બરના રોજ આસામના ગુહાટીથી આરોપી અશોક બિશ્નોઇની SMC દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. અશોક બિશ્નોઇ ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને આંતરરાજ્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ આચરતી ટોળકીનો મુખ્ય નેતા છે. આરોપીની ધરપકડ માટે 25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આરોપીને પકડવા SMCએ યુપી-લખનઉમાં બે ટીમો દોડાવી હતીતપાસમાં ખુલ્યું હતું કે, આરોપી ગોવાથી નકલી અને વિદેશી દારૂના વેપારમાં સંકળાયેલો હતો અને ગુજરાતમાં વિદેશી નકલી દારૂનું પરિવહન કરાવતો હતો. તે નકલી આઇડેન્ટિટી કાર્ડના આધારે વિવિધ હોટલોમાં રોકાતો હતો. આરોપીને ઝડપી લેવા માટે SMC દ્વારા યુપી અને લખનઉમાં બે ટીમો પણ દોડાવવામાં આવી હતી. અચાનક PSI પર હુમલો કરી ગળાફાંસો આપવાનો પ્રયાસ કર્યોઆરોપીને ગુહાટીથી ગુજરાત લાવવામાં આવી રહ્યો હતો તે દરમિયાન દાહોદ જિલ્લાના લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટના બની હતી. પોલીસ વાહન પસાર થતું હતું ત્યારે અશોક બિશ્નોઇએ અચાનક PSI કે.ડી. રાબિયા પર હુમલો કરી, ચાલતી ગાડીએ તેમને ગળેફાંસો આપવાનો પ્રયાસ કર્યો હતો. સુરક્ષા માટે પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારીસાથી પોલીસ કર્મચારીના જીવને જોખમમાં મૂકવાની પરિસ્થિતિ સર્જાતા, તેમની સુરક્ષા માટે અન્ય પોલીસ અધિકારીએ આરોપીના પગમાં ગોળી મારી હતી. ફાયરિંગ સંપૂર્ણપણે આત્મરક્ષા અને ફરજ નિભાવવાના ભાગરૂપે કરવામાં આવ્યું હોવાનું DIG નિર્લિપ્ત રાયે સ્પષ્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, બિશ્નોઇ ગેંગ સામે અગાઉની કાર્યવાહી દરમિયાન બે PSI શહીદ થયા હતા. આ કારણે બિશ્નોઇ ગેંગ સામે SMC દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ ખાતરી DIGએ આપી છે.
સમગ્ર શિક્ષાના આઈ.ઈ.ડી. યુનિટ (પાટણ), બી.આર.સી. પાટણ અને ઉદાર દાતાઓના સંયુક્ત ઉપક્રમે પાટણ તાલુકાના દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસનો મુખ્ય ઉદ્દેશ્ય દિવ્યાંગ બાળકોનો સર્વાંગી વિકાસ સાધવાનો અને તેમને રાજ્યના ઐતિહાસિક તેમજ રાજકીય વારસાથી અવગત કરાવવાનો હતો. આ એક દિવસીય પ્રવાસમાં ધોરણ 1 થી 8 ના આશરે 70 જેટલા દિવ્યાંગ બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પ્રવાસ દરમિયાન પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા બાળકોને ગાંધીનગર વિધાનસભાની મુલાકાત કરાવવામાં આવી હતી, જ્યાં બાળકોએ રાજ્યની રાજકીય ગતિવિધિઓ વિશે જીવંત માહિતી મેળવી હતી. આ પ્રસંગે બાળકો અને વાલીઓએ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા સાથે પણ શુભેચ્છા મુલાકાત કરી હતી. વિદ્યાર્થી સમીક્ષા કેન્દ્ર ખાતે ભોજન લીધા બાદ, બાળકોને ગાંધીનગરના પ્રસિદ્ધ ઇન્દ્રોડા પાર્ક (પ્રાણી સંગ્રહાલય) અને અક્ષરધામ મંદિરના દર્શને લઈ જવામાં આવ્યા હતા. વન્યજીવો અને ભવ્ય સ્થાપત્ય જોઈ બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો. નિષ્ણાતોના મતે, પાઠ્યપુસ્તકના સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લેવાથી દિવ્યાંગ બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને માનસિક વિકાસ ઝડપી બને છે. આ પ્રવાસને સફળ બનાવવા માટે અનેક સેવાભાવી દાતાઓએ આર્થિક સહયોગ આપ્યો હતો, જેમાં વેદાંતભાઈ પટેલ, અંકિતભાઈ પરીખ, વિજયભાઈ વ્યાસ, હેમાંગીબેન પટેલ, કામિનીબેન પટેલ, કોમલબેન પરમાર, રાજુભાઈ મોદી, વિષ્ણુભાઈ દેસાઈ, જીગરભાઈ પટેલ અને પ્રહલાદભાઈ ઝાલાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં જિલ્લા આઈ.ઈ.ડી. કો-ઓર્ડિનેટર મધુબેન જાદવ, બી.આર.સી. કો-ઓર્ડિનેટર મીનાબેન પટેલ તેમજ પાટણ તાલુકાના સ્પેશિયલ શિક્ષકોએ હાજર રહીને સમગ્ર પ્રવાસનું સંચાલન કર્યું હતું.
અમદાવાદમાં હિટ એન્ડ રનની બે કાળઝાળ દુર્ઘટનાઓમાં બે લોકોએ જીવ ગુમાવતા ચકચાર મચી છે. શહેરના વ્યસ્ત ગણાતા ઈસ્કોન બ્રિજ પર ગત રાતે(30 ડિસેમ્બર) પૂરપાટ ઝડપે આવતા વાહને એક આધેડને અડફેટે લેતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે બીજી તરફ વસ્ત્રાલ વિસ્તારમાં પણ એક અજાણ્યા વાહને 44 વર્ષીય શ્રવણ નામના વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી, જેમાં ગંભીર ઈજાઓ થવાને કારણે ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો. આ બંને કિસ્સાઓમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પકવાનથી ઇસ્કોન બ્રિજ પર વાહનચાલકે જોરદાર ટક્કર મારી એસ.જી. હાઈવે પરના ઇસ્કોન બ્રિજ પર ગત રાતે ફરી એકવાર હિટ એન્ડ રનનો બનાવ બન્યો છે. પકવાનથી ઇસ્કોન બ્રિજ પર થઈ જઈ રહેલા આધેડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી, જેના કારણે આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે. બનાવ અંગે એસ.જી. 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વસ્ત્રાલમાં પણ અજાણ્યા વાહને ટક્કર મારતા આધેડનું મોત થયું છે. આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું30 ડિસેમ્બરના રાતના આશરે 9.30 વાગ્યાની આસપાસ, પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફ જતા ઇસ્કોન બ્રિજ પરથી પસાર થઈ રહેલા રાહદારી વિક્રમભાઇ હેમચંદભાઇ પરમારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારી હતી. કડીયાકામ કરી ગુજરાન ચલાવતા 50 વર્ષીય વિક્રમભાઇ (રહે. રૂપાલ, મૂળ વતન. દાહોદ)ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસ દ્વારા બ્રિજ પરના સીસીટીવી ફૂટેજ ચકાસવાની અને ફરાર ચાલકને ઝડપી પાડવાની તપાસ ચાલુ છે. વસ્ત્રાલમાં શ્રવણને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોતબીજી તરફ વસ્ત્રાલમાં પણ હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે, વસ્ત્રાલ RAF કેમ્પ સામે 44 વર્ષીય શ્રવણકુમાર ચૌધરી જ્યારે જઈ રહ્યા હતાં. ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી હતી. વાહનની ટક્કર એટલી જોરદાર હતી કે, શ્રવણ કુમારને ગંભીર ઇજા થતાં સ્થળ પર જ મોત હતું અજાણ્યો વાહન ચાલક અકસ્માત બાદ વાહન લઈને ફરાર થઈ ગયો હતો આ અંગે આઇ ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગોધરા તાલુકાની શ્રી જી.ડી. શાહ એન્ડ જી.આઈ. પંડ્યા હાઈસ્કૂલ, મહેલોલમાં એક આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં વિદ્યાર્થીઓએ ૩૮ ખાણીપીણીના સ્ટોલ લગાવી ત્રણ કલાકમાં કુલ ₹૯૫,૦૦૦નું વેચાણ કર્યું હતું. આ મેળા માટે શાળાને સુંદર રીતે સજાવવામાં આવી હતી, જેમાં મંડપ ડેકોરેશન અને રંગોળીનો સમાવેશ થાય છે. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આયોજનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી લાવેલ સામગ્રીનો ઉપયોગ કરીને શાળામાં જ વિવિધ વાનગીઓ તૈયાર કરી હતી. આજુબાજુના ગામોમાંથી યુવાનો, માતાઓ, વડીલો અને વાલીઓ મોટી સંખ્યામાં આ મેળામાં ઉમટી પડ્યા હતા, જેના કારણે ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. વિદ્યાર્થીઓએ દાબેલી, પાણીપુરી, સમોસા, ઢોકળા, ભજીયા, બ્રેડ પકોડા, સેવપુરી, નુડલ્સ, રાઈસ, સ્વીટ કોર્ન, સેન્ડવીચ, ઈડલી, ભેલ, સેવ ખમણી, દાલ પકવાન જેવી મસાલેદાર વાનગીઓ રજૂ કરી હતી. મીઠાઈઓમાં સુખડી, લાડુ, ગાજરનો હલવો અને રસગુલ્લા ઉપલબ્ધ હતા. રજવાડી ચા અને મસાલા છાશ પણ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને વ્યવસાયિક કૌશલ્યો અને મહેનતનું મહત્વ સમજાવવાનો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓને એવો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો કે નોકરીની રાહ જોવાને બદલે નાના-મોટા વ્યવસાયથી પણ પ્રામાણિકતાથી કમાણી કરી શકાય છે અને કોઈ પણ કામ નાનું નથી હોતું. શાળાના પ્રધાન આચાર્ય ધર્મેશ મહેતાના માર્ગદર્શન, ગુરુજનોના ઉત્સાહભેર કાર્ય અને વાલીઓના સહયોગથી આ આનંદ મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો. આ પ્રસંગ વિદ્યાર્થીઓ અને શાળા માટે એક યાદગાર અનુભવ બની રહ્યો.
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ફરી એકવાર બેફામ વાહનચાલકે એક નિર્દોષનો ભોગ લીધો છે. ડિંડોલીની ગ્રીનવિલાસ સોસાયટી પાસે એક સ્કોર્પિયો કારના ચાલકે હિટ એન્ડ રનની ઘટનાને અંજામ આપ્યો હતો. મિલેનિયમ પાર્ક પાસે ફૂલોની દુકાન ચલાવતા રાહુલ સોનવણે રાત્રિના સમયે પોતાની દુકાન બંધ કરીને બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલી એક સફેદ રંગની સ્કોર્પિયો કારના ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે રાહુલભાઈ રોડ પર પટકાતા તેમને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જી કારચાલક મદદ કરવાને બદલે ફરારઅકસ્માત સર્જીને કારચાલક માનવતા નેવે મૂકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, સ્કોર્પિયો ચાલક અત્યંત બેફામ ગતિએ ગાડી હંકારી રહ્યો હતો અને અકસ્માત બાદ ઉભા રહેવાને બદલે ગાડી ભગાવી ગયો હતો. લોહીલુહાણ હાલતમાં રાહુલભાઈને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ત્રણ દિવસથી સારવાર લઈ રહેલા યુવકનું ટૂંકી સારવાર બાદ મોતછેલ્લા ત્રણ દિવસથી સિવિલ હોસ્પિટલમાં જીવન અને મરણ વચ્ચે જંગ લડી રહેલા રાહુલ સોનવણેનું આજે ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. મૃતકના સંબંધી સતીશભાઈએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, દીપ દર્શન સ્કૂલ પાસે પાછળથી આવેલી સફેદ સ્કોર્પિયોએ તેમને અડફેટે લીધા હતા. અમારી પોલીસ પાસે એક જ માગ છે કે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે અને તે હત્યારા કારચાલકને પકડીને અમારી સામે હાજર કરવામાં આવે. પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરીઆ મામલે ડિંડોલી પોલીસે અકસ્માત અને હિટ એન્ડ રનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. જેથી ફરાર કારચાલકની ઓળખ કરી તેને ઝડપી શકાય. સ્થાનિક રહીશોમાં પણ બેફામ દોડતા વાહનો સામે રોષ જોવા મળી રહ્યો છે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે મતદારોને રીઝવવા માટે ગુજરાત કોંગ્રેસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે, જેના ભાગરૂપે 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યમાં 'મહાજનસંપર્ક અભિયાન' શરૂ કરવામાં આવશે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જાહેરાત કરી છે કે, કોંગ્રેસ રાજ્યની 1090 જિલ્લા પંચાયત અને 5200 તાલુકા પંચાયત બેઠકો પર જનસંવાદ યોજશે, જ્યારે 17 મહાનગરોમાં 'કોંગ્રેસ આપના દ્વાર' કાર્યક્રમ હેઠળ ઘરે-ઘરે જઈ લોકોના પ્રશ્નો સાંભળશે. આ વખતે કોંગ્રેસ પ્રજાના મંતવ્યો અને સૂચનોને આધારે 'જનતાનો મેનિફેસ્ટો' અને વિઝન ડોક્યુમેન્ટ તૈયાર કરશે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં ભાજપ શાસિત નગરપાલિકાઓના ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે 'જનઆક્રોશ પદયાત્રા' યોજીને વિપક્ષ જનતાનો અવાજ બુલંદ કરશે, જ્યારે જાન્યુઆરીના અંત સુધીમાં કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. 'સંગઠન સૃજન અભિયાન હેઠળ પ્રદેશ માળખું તૈયાર કરાઈ રહ્યું છે'શહેરી વિસ્તારમાં વિઝન ડોક્યુમેન્ટમાં જનતાના મુદ્દાઓને સમાવવા મંતવ્યો લેવામાં આવશે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવા તમામ મહાનગરપાલિકા વિસ્તારમાં જનઆક્રોશ પદયાત્રા યોજાશે. તેમજ ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ માળખાની જાહેરાત જાન્યુઆરીના અંતમાં થઈ જવાની છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ સંગઠન અંગે જાહેરાત કરી છે, કે સંગઠન સૃજન અભિયાન હેઠળ પ્રદેશ માળખું તૈયાર કરાઈ રહ્યું છે. અગાઉ તાલુકા-જિલ્લા પ્રમુખોમાં નામોની જાહેરાત કરાઈ હતી. અગાઉની બાકી નિમણૂકો અને પ્રદેશના નામો જાન્યુઆરીના અંતમાં જાહેર કરીશું. લોકો સાથે સંવાદ પ્રસ્થાપિત કરી અવાજ બુલંદ કરવા પ્રયાસગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી સમગ્ર ગુજરાતમાં લોકોની વચ્ચે જઈ લોકો સાથે સંવાદ પ્રસ્થાપિત કરી તેમનો અવાજ બુલંદ કરવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ. જેમાં મત અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત કાર્યક્રમમાં આપવામાં આવ્યા છે. ખેડૂતોના હક માટે કિસાન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી જે 11 જિલ્લામાં યોજવામાં આવી હતી. ગુજરાતના લોકોનો અવાજ બુલંદ કરવા માટે જન આક્રોશ યાત્રા શરૂ કરવામાં આવી હતી. જેમાં અનેક મુદ્દો પર અવાજ ઉઠાવીને આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. જે સરકાર મોટા મોટા ફણગા ફૂંકે છે તેમાં લોકોનો મત શું છે અને લોકોનો અવાજ શું છે તે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. 1090 જિલ્લા-5200 તાલુકા પંચાયત બેઠક પર જનસંવાદ કાર્યક્રમોવધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, નવા વર્ષથી રાજ્યભરમાં મહાજનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિકાસ અને મહાનગરમાં અલગ અલગ કાર્યક્રમ યોજાશે. ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના કારણે લોકો સાથે સંવાદ કરવાનું નક્કી કરાયું છે. રાજ્યની 1090 જિલ્લા પંચાયત બેઠકો પર મહાજનસંપર્ક અભિયાન ચલાવીશું. 5200 તાલુકા બેઠક પર જનસંવાદ કાર્યક્રમો થશે. તમામ નગરપાલિકા નાગરિકોના ટેક્સના પૈસાથી લૂંટ ચાલી રહી છે. તેમજ તેમાં વહીવટમાં ગોટાળા થઈ રહ્યા છે જેથી તેમનો અવાજ પણ બુલંદ બનાવાશે. જનતાને સરકાર પાસે અનેક અપેક્ષાઓ છે, પરંતુ સરકાર કોઈપણ વાત સાંભળવા માટે તૈયાર નથી. જેથી કોંગ્રેસે નક્કી કર્યું કે ચૂંટણી સમયે નહીં પરંતુ આ વખતે પ્રથમવાર વિઝન ડોક્યુમેન્ટ જનતાના મુદ્દાઓને આધારે તૈયાર કરાશે. 17 મહાનગરમાં કોંગ્રેસ આપણે દ્વાર નામનો કાર્યક્રમ યોજાશેવધુમાં અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, એક એક પરિવારના ઘરે જઈને તેમને કેવું શહેર જોઈએ છે તે જાણવાનો પ્રયાસ કરીશું. જે બાદ કોંગ્રેસ તમામ 17 મહાનગરમાં કોંગ્રેસ આપણે દ્વાર નામનો કાર્યક્રમ યોજશે. સફાઈ, ગટર રોડ રસ્તા વગેરેના સૂચનો જનતા પાસે મેળવી કોંગ્રેસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મિનિફેસ્ટો તૈયાર કરશે. પ્રજાના મતથી ચૂંટાય છે, પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એવા લોકો પણ જનતાની સુનવાઇ કરતા નથી. જન આક્રોશ પદયાત્રા પણ યોજવામાં આવશેએ માટે પ્રજાને પોતાના પ્રશ્નો રજૂઆતો કરવા માટેનું એક મંચ મળે અને એ મંચ પર થયેલી રજૂઆતો કોંગ્રેસ પાર્ટી બુલંદી રીતે રજૂ કરશે. પહેલી જાન્યુઆરીથી શરૂ કરીને તમામ 17 મહાનગરોમાં જન સંવાદ મંચ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. જ્યાં પણ સિસ્ટમને સુધારવાની વાત છે. જેથી વોર્ડ દીઠ જન મંચ કાર્યક્રમ યોજવામાં આવશે. જેથી આ તમામ મુદ્દાઓને લઈને સ્થાનિક વોર્ડના પીડિત લોકોને સાથે રાખી જનતાના અવાજને બુલંદ કરવા માટે જન આક્રોશ પદયાત્રા પણ યોજવામાં આવશે.
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 100 mgની પેન કિલર દવા Nimesulide પર પ્રતિબંધ મૂક્યો
Nimesulide Ban India: કેન્દ્ર સરકારે Nimesulide (પેઇન કીલર) દવા પર મોટો નિર્ણય લીધો છે. 100mgથી વધારે માત્રા વાળી નિમેસુલાઈડની ગોળીઓના નિર્માણ, વેચાણ, અને વિતરણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવી દીધો છે. સરકારનું કહેવું છે કે આ દવા સ્વાસ્થ્ય માટે જોખમરૂપ છે. તેના સુરક્ષિત વિકલ્પો બજારમાં ઉપલબ્ધ છે. આ નિર્ણય ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટ, 1940ની કલમ 26એ હેઠળ લેવામાં આવ્યો છે. સરકારે ટાંક્યું છે કે આ દવાનું વધારે માત્રામાં સેવન માણસોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
આણંદ જિલ્લા કલેક્ટર અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વહીવટદાર પ્રવીણ ચૌધરીએ શહેરના લોટેશ્વર તળાવ અને કરમસદ સ્થિત ઓમકારેશ્વર બાગની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને મળતી પાયાની સુવિધાઓ અને જાહેર સ્થળોની જાળવણીની સ્થિતિની વ્યક્તિગત સમીક્ષા કરવાનો હતો. લોટેશ્વર તળાવના નવીનીકરણ અને જાળવણી અંગે કલેક્ટરે મહાનગરપાલિકાની ટીમને સૂચના આપી હતી. તેમણે તળાવની આસપાસના વિસ્તારમાં જરૂરી સાફ-સફાઈ રાખવા અને નાગરિકોની સુરક્ષા માટે ફૂટપાથ પર પૂરતું લાઈટિંગ લગાવવા જણાવ્યું હતું. ઓમકારેશ્વર બાગની મુલાકાત દરમિયાન, કલેક્ટર પ્રવીણ ચૌધરીએ વરિષ્ઠ નાગરિકો અને રમી રહેલા બાળકો સાથે વાતચીત કરી હતી. તેમણે બાગની જાળવણી, પીવાના પાણીની સુવિધા અને સ્વચ્છતા અંગે લોકોના પ્રતિભાવો મેળવ્યા હતા. કલેક્ટરે બાગમાં થયેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો અને ટીમને અભિનંદન પાઠવ્યા. પીવાના પાણીની સુવિધાના નિરીક્ષણ દરમિયાન, કલેક્ટરે બાગમાં સ્થાપિત વોટર એટીએમમાંથી જાતે પાણી પીને તેની ગુણવત્તા અને શુદ્ધતા ચકાસી હતી. તેમણે અધિકારીઓને નાગરિકોને હંમેશા શુદ્ધ અને ગુણવત્તાયુક્ત પીવાનું પાણી મળે તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. આ મુલાકાત સમયે મહાનગરપાલિકાના નાયબ કમિશનર નિલાક્ષ મકવાણા, એસ.કે. ગરવાલ, સીટી ઇજનેર જીગર પટેલ સહિત મનપાના અધિકારીઓ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અયોધ્યામાં શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીના બીજા વર્ષ પૂર્ણ થઈ ત્રીજા વર્ષમાં મંગલ પ્રવેશના શુભ પ્રસંગે જામનગરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના ઓશવાળ હોસ્પિટલ પાસે 12,212 પાનનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મહાપ્રસાદ વિતરણ પહેલા 11 દીવાની આરતી પણ કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત મુરલીધર માલધારી ચા તરફથી ચા અને પાણીનું વિતરણ કરાયું હતું, જ્યારે હિંગળાજ આલ્ફા તરફથી ગાંઠિયા-જલેબીનો પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શહેરીજનોએ આ મહાપ્રસાદનો લાભ લીધો હતો. દેશભરમાં દર વર્ષની જેમ અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જામનગરમાં પણ રામભક્તો દ્વારા ઠેર-ઠેર વિવિધ કાર્યક્રમો અને મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. ખાસ કરીને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ક્ષત્રિય, ભરવાડ અને ભાનુશાળી યુવાનો દ્વારા વિવિધ પ્રકારના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે, દિગ્વિજય પ્લોટ પાસે ઓશવાળ હોસ્પિટલ સામે ઠાકર ડીલક્ષ પાનના ઇન્દ્રજીતસિંહ, સંજયસિંહ અને નરેશસિંહ ચૌહાણ દ્વારા મીઠા પાનનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ વર્ષે 10 હજાર, બીજા વર્ષે 11 હજાર અને આ વર્ષે 12,212 પાનનું વિતરણ કરાયું હતું. મુરલીધર હોટલના રવાભાઈ, રાજુભાઈ અને મેઘાભાઈ બોરસીયા (ભરવાડ) દ્વારા ચાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. હિંગળાજ અલ્પાહારના કપિલ કનખરા અને અમિત ભાનુશાળી દ્વારા ગાંઠિયા અને જલેબીનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. બપોરે 12:12 વાગ્યે મહાઆરતી બાદ આ મહાપ્રસાદનું વિતરણ શરૂ થયું હતું, જેનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો.
ભરૂચમાં ફાર્મ હાઉસમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ:ન્યૂ યર પૂર્વે સી ડિવિઝન પોલીસે 9 લોકો પકડ્યા
ભરૂચ સી ડિવિઝન પોલીસે ન્યૂ યર પૂર્વે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, ચોક્કસ બાતમીના આધારે તવરા–શુકલતીર્થ માર્ગ પર આવેલા ભગુ કૃપા ફાર્મ હાઉસમાં દરોડો પાડી દારૂની મહેફિલ ઝડપી પાડી હતી. પોલીસને માહિતી મળી હતી કે ફાર્મ હાઉસમાં 9 થી 10 જેટલા લોકો ગેરકાયદેસર રીતે દારૂ પી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા સ્થળ પરથી 9 લોકોને દારૂ પીધેલી હાલતમાં ઝડપી પાડ્યા હતા.દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 2 બોટલ અને નમકીન સહિત કુલ રૂપિયા 7 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે પ્રથમ પટેલ, વિરાજ પટેલ, હેત ચૌહાણ, રાજ પટેલ, અનિલ ગામીત, આદિત્ય ચૌહાણ, રિતિક પટેલ, મિહિર ગોહિલ અને આદિત્ય પરદેશી સહિત 9 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સી ડિવિઝન પોલીસે આ કાર્યવાહી દ્વારા ન્યૂ યરની ઉજવણી દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
નવસારીના ઘેલખડીમાં દેશી કટ્ટા સાથે સગીર ઝડપાયો:SOGએ અટકાયત કરી, હથિયાર સપ્લાય નેટવર્કની તપાસ શરૂ
નવસારીના ઘેલખડી વિસ્તારમાં આજે સવારે એક સગીર દેશી બનાવટના કટ્ટા (તમંચા) સાથે ઝડપાયો હતો. સ્થાનિકોએ તેને પકડી પાડ્યા બાદ પોલીસને જાણ કરી હતી. નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ સગીરની અટકાયત કરી હથિયાર ક્યાંથી આવ્યું તે દિશામાં તપાસ શરૂ કરી છે. ઘેલખડી જેવા ગીચ શ્રમિક વિસ્તારમાં વહેલી સવારે આ સગીર દેશી કટ્ટા સાથે ફરતો હતો. હથિયાર જોઈને સ્થાનિકો સતર્ક બન્યા હતા અને સાહસ બતાવી તેને પકડી પાડ્યો હતો. લોકોએ તેને દોરડાથી બાંધી દીધો હતો અને પોલીસને બોલાવી હતી. આ ઘટનાનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્થાનિકો સગીરને હથિયાર અંગે પૂછપરછ કરતા જોવા મળે છે. કેટલાક લોકોએ તેને માર માર્યો હોવાનું પણ સામે આવ્યું છે. બનાવની જાણ થતાં જ નવસારી SOGની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સગીર પાસેથી દેશી કટ્ટો જપ્ત કરી તેની અટકાયત કરી છે. તેને વધુ પૂછપરછ માટે કચેરીએ લઈ જવામાં આવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે પકડાયેલો સગીર આ હથિયાર લઈને ક્યાં જઈ રહ્યો હતો અને તેનો હેતુ શું હતો. સાથે જ, આ કટ્ટો તેને કોણે પૂરો પાડ્યો તે નેટવર્ક સુધી પહોંચવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. નવસારીના ઘેલખડી અને આસપાસના શ્રમિક વિસ્તારોમાં અવારનવાર દેશી કટ્ટા અને અન્ય ઘાતક હથિયારોની હેરાફેરીના કિસ્સાઓ સામે આવતા રહે છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છે, અને ગેરકાયદે હથિયારોના વેચાણનું નેટવર્ક તોડવું પોલીસ માટે એક મોટો પડકાર બની ગયું છે.
ડેમોસા કંપનીમાં કામદારોની હડતાળનો 5મો દિવસ:ધારાસભ્યની મધ્યસ્થીથી ઉકેલની આશા
વલસાડ તાલુકાના ગુંદલાવ GIDCમાં આવેલી ડેમોસા કંપનીમાં છેલ્લા પાંચ દિવસથી કામદારો પોતાની વિવિધ માંગણીઓ સાથે હડતાળ પર ઉતર્યા છે. આ મામલે સ્થાનિક ધારાસભ્ય ભરતભાઈ પટેલે મધ્યસ્થી કરી સમાધાન કરાવવાના પ્રયાસો શરૂ કર્યા છે. કામદારોના જણાવ્યા અનુસાર, તેમની મુખ્ય માંગણીઓમાં PF (પ્રોવિડન્ટ ફંડ) ના નાણાંની કપાત અને તેની ચુકવણીમાં જોવા મળતી અનિયમિતતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાયરમેન, ફિટર અને ઓપરેટર જેવા કુશળ કામદારોને હજુ સુધી એપોઈન્ટમેન્ટ લેટર આપવામાં આવ્યા નથી. 25-25 વર્ષથી કામ કરતા કર્મચારીઓને તેમના અનુભવ મુજબ પગાર વધારો આપવાની પણ માંગણી કરવામાં આવી છે. આ હડતાળમાં 58 કાયમી કર્મચારીઓ અને આશરે 530 જેટલા કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારો જોડાયા છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, તેમને કામદારોના પડતર પ્રશ્નો અને સંઘર્ષની માહિતી મળતા જ તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે કામદારોની સમસ્યાઓ સાંભળી અને કંપનીના માલિકો તથા મેનેજર સાથે પણ વાતચીત કરી છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી તેમણે 4-5 દિવસની મુદત લીધી છે. આ સમયગાળામાં કામદારોના પ્રતિનિધિઓ અને માલિકો વચ્ચે બેઠક કરાવી યોગ્ય ઉકેલ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. હડતાળ પર બેઠેલા કામદાર આગેવાનોએ જણાવ્યું કે તેઓ 27 તારીખથી આંદોલન કરી રહ્યા છે. કંપની મેનેજમેન્ટ તરફથી અગાઉ પણ અનેક આશ્વાસનો મળ્યા છે પરંતુ તેનું અમલીકરણ થયું નથી. જોકે, હવે ધારાસભ્યની દરમિયાનગીરી અને વર્તમાન સરકાર તરફથી તેમને આશા છે કે તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવશે. કામદારોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ અચોક્કસ મુદતની હડતાળ ચાલુ રાખશે.
ભાવનગરના વિદ્યાર્થીઓએ ટેનિસ વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રાંચી, ઝારખંડ ખાતે તાજેતરમાં આયોજિત 27મી સિનિયર મીની એન્ડ યુથ નેશનલ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. બી.એમ. કોમર્સ હાઈસ્કૂલ અને દિવાળીબેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને રાજ્ય અને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા 25થી 27 ડિસેમ્બર દરમિયાન યોજાઈ હતી, જેમાં સમગ્ર ભારતના 19 રાજ્યોના ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગુજરાતની મીની બહેનોની ટીમે અને મીની ભાઈઓની ટીમે શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા હતા. મીની ગુજરાતની ટીમમાં દિવાળીબેન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બહેનોમાં ગોહિલ કાત્યાની, ગોહિલ કૃપા, ધાપા નેન્સી, જોશી માહિ, જાબુંચા હસ્તી અને ગોહિલ યશ્વીએ મેડલ મેળવ્યા હતા. જ્યારે ભાઈઓની ટીમમાં જાડેજા જયદીપસિંહ, વેગડ ધ્રુવ, સોલંકી હંસરાજ, સૈયદ તૈયબ, ગોહિલ યુવરાજ અને કુડેચા હર્ષિતે સિલ્વર મેડલ જીત્યો હતો. આ ઉપરાંત, બી.એમ. કોમર્સ હાઈસ્કૂલના યુથ વિભાગના ખેલાડીઓએ પણ મેડલ મેળવ્યા હતા. યુથ બહેનોમાં રાઠોડ માહિએ સિલ્વર મેડલ અને યુથ ભાઈઓમાં સિંઘા યશરાજે ગોલ્ડ મેડલ જીતીને શાળાનું નામ રોશન કર્યું હતું. આ સિદ્ધિ બદલ ગુજરાત સેક્રેટરી અને પ્રાથમિકના આચાર્ય નિહારિકાબેન શિયાત, આચાર્ય અરવિંદભાઈ સોલંકી, કોચ ઋતુબેન જાની, પી.ટી. શિક્ષકો તુષારભાઈ અને દિનેશભાઈ તેમજ ટ્રસ્ટી જયભાઈ અને જાનકીબેન દ્વારા તમામ વિજેતા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ધરમવીરસિંહ જાડેજા દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના નેતા અને યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. સસ્તા અનાજના વેપારીઓને ટાર્ગેટ બનાવી સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરવાની અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી ખંડણી ઉઘરાવતા શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ ગોડાદરા પોલીસ મથકમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. છેલ્લા 36 કલાકમાં આ નેતા વિરુદ્ધ આ બીજી ફરિયાદ નોંધાતા રાજકીય આલમમાં પણ ભારે ચર્ચાઓ જાગી છે. શું છે સમગ્ર મામલો?ગોડાદરા વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા અને પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સસ્તા અનાજની દુકાન) ચલાવતા કમલેશભાઈ મદનલાલ ખટીકે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 21 સપ્ટેમ્બર 2025ના રોજ સવારે 9 વાગ્યે શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરી તેમની દુકાને આવ્યા હતા. શ્રવણ જોશીએ પોતાની ઓળખ 'આમ આદમી પાર્ટીના કાર્યકર' તરીકે આપી વેપારી પર કાળાબજારના ખોટા આક્ષેપો કરવાનું શરૂ કર્યું હતું. 'દુકાન શાંતિથી ચલાવી હોય તો, દર મહિને 1 લાખનો હપ્તો આપવો પડશે'આપ નેતાએ વેપારીને ધમકાવતા કહ્યું હતું કે, તમે ગ્રાહકોને ઓછું અનાજ આપી લાખો રૂપિયા કમાઓ છો. હું તમારું લાયસન્સ કેન્સલ કરાવી દઈશ અને દુકાનને તાળા મરાવી દઈશ. આટલું જ નહીં, શ્રવણ જોશીએ અગાઉ અન્ય એક વેપારીનો વીડિયો વાયરલ કર્યો હોવાનું જણાવી ધમકી આપી હતી કે જો દુકાન શાંતિથી ચલાવવી હોય તો દર મહિને 1 લાખ રૂપિયાનો હપ્તો આપવો પડશે. આ પણ વાંચો:સુરતમાં 'AAP' નેતાના સાગરીતનો હપતો લેતો VIDEO:સસ્તા અનાજના વેપારીઓને કાળાબજારી કહી વીડિયો બનાવી ડરાવી લાખો ઉઘરાવતા આરોપીએ વેપારીને ડરાવીને 80,000 પડાવ્યા હતાફરિયાદીના જણાવ્યા અનુસાર, શ્રવણ જોશી એનકેન પ્રકારે વેપારીઓને હેરાન કરવા માટે ગ્રાહકોને ઉશ્કેરીને દુકાને ઝઘડો કરવા મોકલતો હતો. સરકારી કચેરીઓમાં ખોટી રજૂઆતો કરી દુકાન બંધ કરાવી દેવાના ડરથી, વેપારીએ અંતે સમાધાનનો માર્ગ અપનાવ્યો હતો. શ્રવણના સાગરીત સંપત ચૌધરી સાથે વાતચીત કર્યા બાદ 80,000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પૈસાની લેતી-દેતીનો વીડિયો મોબાઈલમાં કેદ ગત 5 ઓક્ટોબર 2025ના રોજ રાત્રે આદર્શ સ્કૂલ પાસે જાહેર રોડ પર સંપત ચૌધરીએ વેપારી પાસેથી 80,000 રૂપિયા રોકડા સ્વીકાર્યા હતા અને ખાતરી આપી હતી કે હવે શ્રવણ જોશી તમારા વિરુદ્ધ વીડિયો નહીં બનાવે. જોકે, જાગૃત વેપારીએ આ પૈસાની લેતી-દેતીનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી લીધો હતો, જે હવે પોલીસ તપાસમાં મુખ્ય પુરાવો બનશે. સસ્તા અનાજના દુકાનદારોને નિશાન બનાવતોઆપ નેતા શ્રવણ જોશી માત્ર એક વેપારી નહીં, પરંતુ વિસ્તારના અનેક સસ્તા અનાજના દુકાનદારોને નિશાન બનાવતો હોવાનું બહાર આવ્યું છે. અન્ય એક વેપારી નિલેશભાઈ મોરે પાસેથી પણ શ્રવણ અને સંપતે 1 લાખ રૂપિયા પડાવ્યા હતા. જ્યારે નિલેશભાઈએ પોલીસ ફરિયાદ કરવાની હિંમત બતાવી, ત્યારે અન્ય ભોગ બનનાર વેપારીઓ પણ સામે આવ્યા છે. શ્રવણ જોશી અને તેના સાગરીત પર વધુ એક ગુનો નોંધાયોસુરતની ગોડાદરા પોલીસે શ્રવણ જોશી અને સંપત ચૌધરી વિરુદ્ધ ગુનાહિત કાવતરું રચવા, ધમકાવીને પૈસા પડાવવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એક બાજુ આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર મુક્તિની વાતો કરે છે, ત્યારે બીજી તરફ તેના જ પદાધિકારીઓ વેપારીઓ પાસે 'હપ્તા' ઉઘરાવતા પકડાતા પક્ષની છબી ખરડાઈ છે. હાલમાં પોલીસ આ મામલે શ્રવણ જોશી અને તેના સાગરીતની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે. તપાસ દરમિયાન આ તોડબાજીના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સામેલ છે તે પણ બહાર આવવાની શક્યતા છે.
આજે યુવાનો ડાન્સ અને ડિનરની પાર્ટી યોજી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરતા હોય છે ત્યારે રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાથીઓએ નવા વર્ષને અનોખી રીતે આવકારી છે. જેમાં ધોરણ 9 થી 12 ના 900 વિદ્યાર્થીઓએ 23,997 વસ્ત્રો એકત્ર કર્યા છે. જે વસ્ત્રો ઝૂંપડપટ્ટીના ગરીબોને વિતરણ કરી વસ્ત્રદાન મહાદાનનો સંકલ્પ સાકાર કરવામાં આવ્યો હતો. જેમાં કોમર્સના 200 વિદ્યાર્થીઓ દ્વારા પોકેટમનીમાંથી એક માસ ચાલે તેટલું રાશન ખરીદી દિવ્યાંગોને વિતરિત કરવામાં આવ્યું હતુ. પ્રિન્સિપાલ હરેન્દ્રસિંહ ડોડીયાએ જણાવ્યું હતું કે, એક અલગ અંદાજમાં 31 ડિસેમ્બરની માનવીય અભિગમ સાથે ઉજવણી કરી હતી. જેમાં સેવાની હૂંફ અંતર્ગત સ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા, પહેરવાલાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને કુલ 23997 વસ્ત્રો શાળામાં અર્પણ કર્યા હતા. જેમાં સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, સાલ, ધાબળા જેવા ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રો જેવા કે પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, આરએસએસના સહયોગથી રાજકોટ શહેરની ઝૂપડપટ્ટી જેવી કે મીઠાના અગરિયા કચ્છ, રૈયાધાર, લોહાનગર, આજીડેમ, કુવાડવા રોડ, મોરબી રોડ વગેરેમાં જરૂરિયાત મંદ લોકોને અર્પણ કરવામાં આવશે. સૌથી વધુ વસ્ત્રો એકત્રિત કરનાર વિદ્યાથીઓ તથા વર્ગ શિક્ષકનું સી.જે ગ્રુપ ના સહયોગથી સન્માન ક૨વામાં આવ્યું હતું, આજે યુવાધન પશ્વિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરી ડાન્સ, ડાઈન અને વાઈન પાછળ મબલખ ખર્ચ કરે છે. ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજિક સેવાનું આ કાર્ય તેમના માટે પ્રેરણારૂપ છે. આજે માનવી જયારે સ્વાર્થી, સ્વચ્છનંદી, સ્વકેન્દ્રી બની રહ્યો છે ત્યારે 13 થી 17 વર્ષના આ વિદ્યાર્થીઓએ સમાજ માટે પોતાનું યોગદાન પુરૂ પાડી પાર્ટીમાં બેફામ ખર્ચ કરતા નબીરાઓ તથા અન્ય માટે અનુકરણીય ઉદાહરણ પૂરુ પાડયું છે. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે પુરુષાર્થ યુવક મંડળના કિશોરભાઈ રાઠોડ, માધ્યમિક શિક્ષણ સમિતિના રસીલાબેન સાકરિયા, ચિરાગભાઈ ધામેચા (સી.જે. ગ્રુપ), આચાર્ય હરેન્દ્રસિંહ ડોડીયા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં સહકાર આપી 31 ડીસેમ્બરની ઉજવણી કરી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ચક્ષુદાન કરાવવાના સંકલ્પ લેવડાવ્યા હતા. ધોરણ 10 ના વિદ્યાર્થી દક્ષ સંઘાણીએ જણાવ્યું હતું કે, અમારી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વસ્ત્રો એકત્ર કરવામાં આવ્યા છે જે રૈયાધાર સહિતના વિસ્તારોમાં ગરીબ પરિવારોને વિતરણ કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી છે. આ ખૂબ જ પુણ્યનું કામ હોવાથી વિદ્યાર્થી તરીકે ખૂબ સારુ લાગે છે.
સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની નજર ચૂકવી લાખોના દાગીનાની ચોરી કરતી મહારાષ્ટ્રની કુખ્યાત પારધી ગેંગનો પશ્ચિમ રેલવે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને સુરત રેલવે પોલીસ (GRP)એ પર્દાફાશ કર્યો છે. આ ગેંગની મોડસ ઓપરેન્ડી એ હતી કે તેઓ પોતાની માસૂમ બાળકીઓ પાસે ચોરી કરાવતા હતા. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ઇન્સ્ટાગ્રામ આઈડીના આધારે આરોપીઓને દબોચી લઈ 15.30 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. બાળકીઓએ પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધુંગત તારીખ 16 નવેમ્બર, 2025ના રોજ રાજસ્થાનના સમદડીથી ગંગાનગર-દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી વૃદ્ધ દંપતી નેમીચંદ જૈન અને ઉમરાવદેવી સુરત આવ્યા હતા. પ્લેટફોર્મ નંબર 2 પર ટ્રેનમાંથી ઉતરી જ્યારે તેઓ લિફ્ટમાં ચડી રહ્યા હતા, ત્યારે ભીડનો લાભ લઈ બે બાળકીઓએ ઉમરાવદેવીના પર્સમાંથી સોનાના દાગીના ભરેલું નાનું પર્સ ચોરી લીધું હતું. આ પર્સમાં મંગળસૂત્ર, ચેઈન, બંગડીઓ અને વીંટી સહિત કુલ 15,60,700 ની કિંમતના દાગીના હતા. પોલીસ શંકાસ્પદ ઈન્સ્ટાગ્રામ ID પરથી આરોપીઓ સુધી પહોંચીચોરીની ફરિયાદ બાદ રેલવે LCB અને સુરત રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. CCTV ફૂટેજમાં બે સગીર બાળકીઓ દાગીના ચોરતી અને ત્યારબાદ એક સ્ત્રી-પુરુષ સાથે સ્ટેશનની બહાર જતી જોવા મળી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ પરિવાર પાંડેસરા વિસ્તારમાં ઝૂંપડું બાંધીને રહેતો હતો, પરંતુ ગુનાના દિવસે જ તેઓ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા. પોલીસને તપાસમાં એક શકમંદનું Instagram ID મળી આવ્યું હતું. ટેકનિકલ સેલના ASI દ્વારા આ આઈડીના IP એડ્રેસ ટ્રેક કરવામાં આવ્યા, જેનાથી આરોપીનો નવો મોબાઈલ નંબર હાથ લાગ્યો હતો. આ ટેકનિકલ મદદથી પોલીસને જાણવા મળ્યું કે ગેંગ હાલ મહારાષ્ટ્રના અમરાવતીમાં છે. સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ પાસેથી દંપતી અને 4 બાળકીઓ ઝડપાયાટેકનિકલ સર્વેલન્સ હેઠળ રહેલા આરોપીઓ જેવો ફરી સુરત પહોંચ્યા, કે તુરંત જ એલ.સી.બી.ની ટીમે વોચ ગોઠવી સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1ના પાર્કિંગ પાસેથી દંપતી અને 4 બાળકીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ટીના ઉર્ફે અંજુ સુમિત શિંદે (ઉ.વ. 30, રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) અને તેના પતિ સુમિત શત્રુઘ્ન કાલે (ઉ.વ. 30, રહે. અમરાવતી, મહારાષ્ટ્ર) નો સમાવેશ થાય છે. ભીડભાડવાળા સ્થળોએ ફુગ્ગા કે રમકડાં વેચવાનો ઢોંગ કરતાપૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે, તેઓ ભીડભાડવાળા સ્થળોએ ફુગ્ગા કે રમકડાં વેચવાનો ઢોંગ કરતા હતા. તેઓ પોતાની 9 અને 7.5 વર્ષની દીકરીઓ પાસે ભીખ મંગાવતા અને મોકો મળતા જ મુસાફરોનો સામાન ચોરતા. આરોપીઓ માનતા હતા કે નાની બાળકીઓ પર કોઈ શંકા ન કરે અને જો પકડાય તો પણ પોલીસ તેમને છોડી દેશે. સુરત રેલવે સ્ટેશન પર અન્ય બે અને એક ભોપાલ રેલવે સ્ટેશન પર ચોરીની કબૂલાતઆ ગેંગે સુરત રેલવે સ્ટેશન પર અગાઉ કરેલી અન્ય બે ચોરીઓ અને ભોપાલ રેલવે સ્ટેશન પરની એક ચોરીની પણ કબૂલાત કરી છે. આરોપીઓએ સુરતમાં 15.60 લાખના દાગીનાની ચોરી, લિફ્ટમાં 50,000 રોકડાની ચોરી, સોનાની બુટ્ટી અને પેન્ડલની ચોરી અને ભોપાલમાં રોકડ ભરેલા પર્સની ચોરી કરી હતી. કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાઆરોપીઓએ ચોરીના દાગીના અમરાવતીના વેપારી પવન મહેશજી ભિંડાને વેચ્યા હતા. પોલીસે અમરાવતી જઈ વેપારીની ધરપકડ કરી હતી. વેપારીએ દાગીના ઓગાળી નાખ્યા હતા, જેમાંથી તૈયાર કરેલી 109.800 ગ્રામ સોનાની લગડી (કિંમત 15.30 લાખ) પોલીસે કબજે કરી છે. હાલમાં કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ગેંગે અન્ય કેટલા રાજ્યો કે શહેરોમાં આ પ્રકારે બાળકોનો ઉપયોગ કરી ગુના આચર્યા છે.
મહેસાણામાં પરા તળાવથી જાણીતા સ્વામી વિવેકાનંદ લેકનો પિકનિક પોઈન્ટ તરીકે વિકાસ કરાયા બાદ આ તળાવમાં આવતું ગટરનું પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ ચોમાસાના પાણીથી તળાવ ભરાય તે માટે વરસાદી લાઈન ચાલુ રાખેલી છે. જોકે, હૈદરીચોક તરફથી આવતી વરસાદી લાઈન મારફતે ગટરનું ગંદું પાણી તળાવમાં ઠલવાતાં દુર્ગંધ ફેલાવા લાગી છે. તળાવમાં ચોમાસા પછી જંગલી વેલ જામતાં કામદારો મારફતે વેલ કાઢવામાં આવી છે. તળાવમાં હૈદરીચોક સાઈડથી આવતી વરસાદ લાઈનની પાઈપ પણ વેલમાં ઢંકાયેલી હતી એટલે આવતું પાણી દેખાતું નહોતું. હવે વેલ દૂર થતાં પાઈપ દેખાવા લાગી અને સવારે આ વરસાદી લાઈનમાંથી ગટરનું ગંદું પાણી તળાવમાં ઠલવાતું હોઈ સ્થાનિક લોકોએ મનપામાં જાણ કરી હતી. તો બીજી બાજુ આ તળાવમાં લોકોને હરવા ફરવા અને બાળકોને રમવા માટે સુવિધા ઉભી કરવામાં આવી હતી.જોકે હાલમાં આ તળાવમાં જ્યાં જોવો ત્યાં ગંદકી,લાઈટો વગરના થાંભલા,અને તળાવમાં ઝાડીઓ ઊગી નીકળી છે.ત્યારે તળાવમાં આવતા ગટર ના પાણીના કારણે દુર્ગંધ મારતા લોકો એ બાજુ જવાનું પણ ટાળી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા યોગ્ય જાળવણી કરવામાં ન આવતા હાલમાં આ તળાવ ની હાલત બિસમાર જોવા મળી રહી છે. *કનેક્શન નો તાગ મેળવી ગટર નું પાણી બંધ કરવામાં આવશે-અધિકારી*આ અંગે ડેપ્યુટી કમિશનર દર્શનસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે જે જે જગ્યાએ આ જોડાણ આપેલું છે તે જગ્યાઓનો સર્વે ચાલુ છે. આ સર્વે પૂર્ણ થયા બાદ આ તમામ જગ્યાઓએ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ શખ્સો અથવા જે પણ આવા કોઈ દુકાન હોય અથવા નાની મોટી કોઈ ઇન્ડસ્ટ્રી હોય તો એને પણ નોટિસ આપી અને દાખલા રૂપ એક કાર્યવાહી કરવામાં આવશે. દર્શનસિંહ ચાવડાએ આગળ જણાવ્યું કે, આ તળાવને 'સ્વામી વિવેકાનંદ તળાવ' પણ કહેવામાં આવે છે અને પરા તળાવ નામે પણ મહેસાણા વાસીઓમાં પ્રસિદ્ધ છે. લગભગ 2015 આસપાસ 8 કરોડના ખર્ચે તળાવનો વિકાસ કરવામાં આવ્યો હતો. હવે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ આ તળાવનું પુનઃ નિર્માણ અને પુનઃ વિકાસની કામગીરી અંદાજીત 7 કરોડથી વધુના ખર્ચે હાથ ધરવામાં આવેલી છે.લગભગ બે થી ત્રણ દિવસમાં સંપૂર્ણ કનેક્શનોનો તાગ મેળવી લેવામાં આવશે અને કનેક્શન કાપી પાણી બંધ કરવામાં આવશે. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરો: વિપક્ષના પૂર્વ નેતાપૂર્વ વિપક્ષ નેતા કમલેશ સુતરિયાએ જણાવ્યું કે મહેસાણા મહાનગરપાલિકા ઠેર-ઠેર ગંદકી મુક્ત મહેસાણા અને સ્વચ્છ મહેસાણાની વાતો કરી રહેલ છે. પરંતુ મહેસાણા નગરપાલિકા હતી ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરી અને આ સુંદર તળાવ બનાવવામાં આવેલ, પરંતુ એ તળાવની અંદર અત્યારે મહેસાણા નગરપાલિકાની એજન્સી દ્વારા ભૂગર્ભનું ગંદુ પાણી છોડવામાં આવી રહેલ છે. ખરેખર સ્વચ્છ મહેસાણાની વાતો કરતા આ સત્તાધીશો કે આ અધિકારીઓને આ તળાવ દેખાતું નથી, અહીંયા બિલકુલ ગટરનું ગંદુ પાણી, ભૂગર્ભનું પાણી ઠલવવામાં આવી રહ્યું છે. મહેસાણાને ગંદુ કરવામાં આવે છે.મારી એવી માંગણી છે કે મહેસાણાના હાલના મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ એજન્સી અને જે કોઈ પણ જવાબદાર હોય આના માટે, એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.”
ગૂડ બાય 2025, વેલકમ 2026: આતશબાજી અને પૂરજોશ તૈયારીઓ સાથે નવા વર્ષને વધાવવા ગુજરાત સજ્જ
New Year 2026 in Ahmedabad: વર્ષ 2025 હવે ઈતિહાસના પાનામાં દફન થવાની તૈયારીમાં છે અને વિશ્વ આખું વર્ષ 2026ને આવકારવા માટે થનગની રહ્યું છે. ‘વેલકમ 2026’ના ઉત્સાહ સાથે ગુજરાતના યુવાધન અને પરિવારોમાં ભારે ઉમંગ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદ જેવા મેટ્રો શહેરોમાં નવા વર્ષની ઉજવણી હવે પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈ છે, જ્યાં વિદેશી પાર્ટીઓને ટક્કર મારે તેવા ભવ્ય આયોજનો ક્લબો, હોટેલો અને ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યા છે. અમદાવાદમાં મિની વેકેશન જેવો માહોલ: પ્રવાસન સ્થળો હાઉસફૂલ આ વખતે ક્રિસમસ અને ન્યૂ યર વીકેન્ડમાં આવતા હોવાથી પ્રવાસના શોખીન ગુજરાતીઓએ રાજ્યની બહાર દોટ મૂકી છે.
આણંદમાં ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજાઈ:દાદાભાઈ નૌરોજી ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને તાલીમ અપાઈ
આણંદમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ લાવવા માટે શ્રી દાદાભાઈ નૌરોજી ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટડીઝ ઈન કોમર્સ ખાતે 'ફાયર અવેરનેસ મોકડ્રિલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. કરમસદ-આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો, જેનો મુખ્ય હેતુ ભાવિ પેઢીમાં સુરક્ષા અને જાગૃતિ કેળવવાનો હતો. આ મોકડ્રિલ આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોરના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. સબ ફાયર ઓફિસર હિંમત ભુરીયા, ફાયર ડ્રાઇવર રવિભાઈ સાબલિયા અને ફાયરમેન સતીશભાઈ બામણીયા સહિતના ફાયર સ્ટાફે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આગ જેવી કટોકટીની પરિસ્થિતિમાં સ્વબચાવ અને અન્યના જીવ બચાવવા અંગેની પ્રાથમિક તાલીમ આપી હતી. મોકડ્રિલ દરમિયાન, ફાયર વિભાગ દ્વારા બચાવ કાર્ય માટેના વિવિધ આધુનિક ઉપકરણોનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને આગના પ્રકારો અને અગ્નિશામક ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો તેની જીવંત સમજૂતી આપીને માહિતગાર કરાયા હતા. આ પ્રસંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, જો શહેરની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં નિયમિતપણે ફાયર અવેરનેસ તાલીમ આપવામાં આવે, તો યુવા પેઢીમાં સલામતી અંગેની સભાનતા વધશે. આનાથી ભવિષ્યમાં સર્જાતી જાન-માલની હાનિ અટકાવી શકાશે.
ઘરકંકાસમાં નણંદે ભાભી પર કર્યો હુમલો:‘અભયમ’ની ટીમે ગેરસમજ દૂર કરી નણંદ ભાભીનું સુખદ સમાધાન કરાવ્યું
ભાવનગરની અભયમ 181 મહિલા હેલ્પલાઇન દ્વારા કૌટુંબિક ઝઘડોનું સુખદ સમાધાન કરાવ્યું હતું જેમાં નણંદ દ્વારા ભાભી પર થયેલા શારીરિક અને માનસિક હુમલાના કિસ્સામાં, કાઉન્સિલર મકવાણા ચંદ્રિકા અને ટીમ દ્વારા બંને પક્ષોનું યોગ્ય કાઉન્સિલિંગ કરી, ગેરસમજ દૂર કરી સ્થળ પર જ સુખદ સમાધાન કરાવવામાં આવ્યું હતું. ભાવનગર 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરીને જણાવેલ કે તેમના નણંદ ઘરે આવીને મારકુટ કરે છે તથા ગાળો બોલે છે આથી અભય મહિલા હેલ્પલાઇન ટીમ એમને સમજાવવા માટે મોકલી આપવામાં આવે, પીડીતાનો કોલ તુરંત બાદ અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ સાથે કાઉન્સિલર મકવાણા ચંદ્રિકા મહિલા કોન્સ્ટેબલ નીતાબેન સાથે ઘટના સ્થળ પર પહોંચેલ ઘટના સ્થળ પર પહોંચી પીડિતાનું કાઉન્સિલિંગ કરતા જાણવા મળેલ કે, પીડીતાબેન ને તેમના નણંદ હેરાન કરે છે તથા મારકુટ કરી છે, પીડીતાબેનના પતિ બે દિવસથી તેમના ભાઈબંધ ના ઘરે રોકાવા માટે ગયા છે જેની જાણ તેઓએ પીડિતાને કરી છે પીડિતાને ગઈકાલે વિડીયો કોલ પણ આવેલ અને ફોનમાં પણ જણાવેલ છે છતાં પીડીતાના નણંદ પિડીતાને એવું કહે છે કે તારા ત્રાસથી મારો ભાઈ ક્યાંક જતો રહ્યો છે તું જ મારા ભાઈને ઘરેથી કાઢી મૂકે છે એમ કરી અને પીડિતાની સાથે આજે મારકુટ કરી કપડા ફાડી નાખ્યા અને ફાવે એવી ગાળો આપી હતી એટલે પીડિતા બેને અભયમ 181 મહિલા હેલ્પલાઇન પીડીતાના નણંદને સમજાવવા બોલાવી હતી, નણંદનું કાઉન્સિલિંગ કરી અને શાંતિપૂર્ણ સમજાવેલ કે તેમના ભાઈ ક્યાંય ગયા નથી તેમના ભાઈ ફરવા ગયા છે જેની જાણ પીડિતાને કરેલ છે છતાં પીડિતાના પતિ અને સામા પક્ષકારના ભાઈ તેઓને એવું લાગતું હોય કે ક્યાંક જતા રહ્યા છે તો પોલીસ સ્ટેશનમાં જઈ અને રૂબરૂ ગુમની નોંધ કરાવે પરંતુ પીડીતા સાથે કોઈ પણ પ્રકારે ઝઘડો ના કરે કે માથાકૂટ ના કરે આ બાબતની જાણ સામાપક્ષકારને ન હતી તેમને જાણ થયેલ કે તેમના ભાઈ ફરવા ગયા છે તો તેમને પણ પોતાની ભૂલ સમજાઈ અને પોતાની ભૂલની માફી માંગી અને ત્યાંજ ઘટના સ્થળ પર બંને પક્ષકારનું 181 મહિલા હેલ્પલાઇન દ્વારા સુખદ સમાધાન કકરાવ્યું હતું.
છેલ્લા ઘણા સમયથી બાંગ્લાદેશમાં ભારતીય હિન્દુ પર થઈ રહેલ અત્યાચારને લઈ આજે વડોદરામાં વિરોધ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ બાંગ્લાદેશના મેમનસિંહ જિલ્લામાં એક કાપડ ફેક્ટરીની અંદર હિન્દુ કર્મચારીની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી. છેલ્લા 12 દિવસમાં બાંગ્લાદેશમાં હિન્દુની હત્યાની આ ત્રીજી ઘટના સામે આવી છે જેને લઈ વડોદરાના વિરોધ દર્શાવવામાં આવ્યો છે. 'બાંગ્લાદેશ મુર્દાબાદ' લખી અજાણ્યા શખ્સોએ વિરોધ નોંધાવ્યોબાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા જયુપીટર ચોકડી નજીક બાંગ્લાદેશનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ ચાર રસ્તા પર બાંગ્લાદેશ મુર્દાબાદ લખી અજાણ્યા લોકોએ વિરોધ નોંધાવ્યો છે. હિન્દૂઓ પર બાંગ્લાદેશમાં થઇ રહેલા અત્યાચારના પડઘા સ્વરૂપે લખવામાં આવ્યું છે. લખાણ પરથી વાહનોના પૈડા ફરી વળ્યામાંજલપુર શહેરના જ્યુપિટર ચાર રસ્તા પર લખાયેલ આ લખાણ કોણે લખ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ બાંગ્લાદેશમાં બની રહેલા ઘટનાને લઈ ચોક્કસ તેના પડઘા વડોદરામાં પડ્યા છે. આ સ્થળે બાંગ્લાદેશના રાષ્ટ્ર્રધ્વજ પર અહીંયાથી પસાર થતા વાહનોના પૈડા ફરી વળ્યા છે. ત્યારે આ જાહેર માર્ગ પર આ રીતે બાંગ્લાદેશ મુર્દાબાદનું લખાણ હાલમાં ચર્ચાનો વિષય બન્યો છે. 'આ લખાણ કોણે લખ્યું છે તે હજુ સ્પષ્ટ થયું નથી'-PIઆ મામલે અમે માંજલપુર પોલીસ મથકના પી. આઈ. એલ. ડી. ગમારા સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે હજુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. આ કોને લખાણ લખ્યું છે હજુ સ્પષ્ટ થયું નથી.
પાલનપુર ટેલિફોન એક્સચેન્જ રોડ પર ટ્રક ઘૂસ્યો:ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો અટવાયા
પાલનપુરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર એક ટ્રક અચાનક ઘૂસી જતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ઘટનાને કારણે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. આ ટ્રાફિક જામમાં નાના વાહનોના ચાલકો અને રાહદારીઓ ફસાયા હતા. એક માર્ગીય રસ્તા પર ભારે ટ્રકના પ્રવેશથી ઇમરજન્સી વાહનો, જેમ કે 108 એમ્બ્યુલન્સ, ને પણ પસાર થવામાં મુશ્કેલી પડી હતી. આ પરિસ્થિતિને કારણે સામાન્ય અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી, જેના લીધે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
નશો કરીને નીકળ્યા તો જેલભેગા થશો:જામનગર પોલીસનું કડક ચેકિંગ, 700 પોલીસકર્મીઓ તૈનાત
જામનગર જિલ્લામાં 31મી ડિસેમ્બરની ઉજવણી શાંતિપૂર્ણ માહોલમાં થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ કડક બંદોબસ્ત અને વિશેષ ચેકિંગ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવશે. બંદોબસ્તમાં પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની સહિત 4 DySP, 24 PI, 35 PSI, તેમજ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ગ્રામ્ય રક્ષક દળ અને ટ્રાફિક સ્ટાફ મળીને કુલ 700 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ બજાવશે. દારૂબંધીની પ્રવૃત્તિઓને રોકવા માટે બોડી વોર્ન કેમેરા (206) અને બ્રેથ એનાલાઈઝર (52) નો ઉપયોગ કરવામાં આવશે. ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરાશે અને નશો કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લામાં કુલ 8 આંતર-જિલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે, જ્યાં વાહન ચેકિંગ સઘન બનાવાશે. પેટ્રોલિંગ માટે 30 ફોર-વ્હીલર, 27 જનરક્ષક બોલેરો અને 80 પોલીસ બાઈક સહિત કુલ 137 વાહનો તેમજ માઉન્ટેડ યુનિટ (ઘોડેસવાર) નો ઉપયોગ કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે 16 “SHE TEAM” અને એન્ટી રોમિયો સ્કવોડની ટીમો તૈનાત રહેશે. LCB ટીમ પ્રોહિબિશન બુટલેગરો પર ખાસ નજર રાખશે અને તમામ રિસોર્ટ તથા ફાર્મ હાઉસ પર કડક ચેકિંગ કરશે. SOG ટીમ ડ્રગ્સ ડિટેક્શન કીટ દ્વારા નશીલા પદાર્થોનું સેવન કરનારાઓ પર વોચ રાખશે. સાયબર ટીમ સોશિયલ મીડિયા પર સતત મોનિટરિંગ કરશે અને વાંધાજનક પોસ્ટ મૂકનારાઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરશે. પોલીસ સ્ટેશનો દ્વારા જાહેર જગ્યાઓ, હોટલ, ધાબા, પ્રવાસી સ્થળો, ગેસ્ટ હાઉસ, ભીડભાડવાળી જગ્યાઓ અને ઔદ્યોગિક વિસ્તારોમાં સર્વેલન્સ સ્કવોડ દ્વારા ચેકિંગની કાર્યવાહી કરવામાં આવશે. જામનગર જિલ્લાનાં પ્રોહીબિશન બુટલેગર્સ તથા પ્રોહીબિશનનાં ધંધામાં પકડાયેલ ઇસમો ઉપર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG) તથા પેરોલ એબસ્કોન્ડર સ્કોડ તથા સર્વેલન્સ સ્કવોડ ની સ્પેશયલ ટીમોની રચના કરીને વૉચ રાખવામાં આવશે.જામનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ત્વરિત પ્રતિસાદ અને મદદ મળી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ ટીમ દ્વારા મોનિટરિંગ રાખવામાં આવશે.
ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશન દ્વારા ભરૂચ જિલ્લા કોર્ટના એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ એચ.એસ. ગાંધી સામે વકીલો હેરાન-પરેશાન થવાના આક્ષેપોને લઈ ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલની જાહેરાત કરવામાં આવી છે.બાર એસોસિએશનના નિર્ણય અનુસાર,હાઈકોર્ટ દ્વારા યોગ્ય પગલાં લેવામાં ન આવે ત્યાં સુધી વકીલ મિત્રો દરરોજ એક કલાક માટે સંબંધિત જજની કોર્ટની બહાર હડતાલ કરશે. બાર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં વકીલોને સતત અસુવિધા અને માનસિક હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોવાના આક્ષેપો કરાઈ રહ્યા છે.આ બાબતે કેટલાક વકીલોએ તાજેતરમાં નિમાયેલા ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ પ્રદ્યુમનસિંહ સિંધાને લેખિત તથા મૌખિક રીતે રજૂઆત કરી હતી. આ મુદ્દે બાર એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે,તારીખ 20 ડિસેમ્બરથી એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટની બહાર ગાંધી ચિન્હ્યા માર્ગે હડતાલ શરૂ કરવામાં આવશે.બાર એસોસિએશનના જિલ્લા પ્રમુખે સ્પષ્ટ જણાવ્યું હતું કે,જ્યાં સુધી હાઈકોર્ટ દ્વારા આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે. ભરૂચ જિલ્લા વકીલ બાર એસોસિએશનને સમર્થન આપવા માટે નર્મદા જિલ્લા વકીલ બાર એસોસિએશનના પ્રમુખ વંદના ભટ્ટ ભરૂચ આવી હડતાલમાં જોડાયા હતા. તેમણે જણાવ્યું હતું કે,ભરૂચ જિલ્લાના વકીલોના આંદોલનને નર્મદા જિલ્લા બાર એસોસિએશન નો સંપૂર્ણ ટેકો છે અને જો ભરૂચ જિલ્લા બાર એસોસિએશન દ્વારા આહ્વાન કરવામાં આવશે તો નર્મદા જિલ્લાના વકીલો પણ હડતાલ પર ઉતરશે.
રાજ્યભરમાં કોઈપણ બાંધકામ પર ફાયર પરમિશન રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત કરવામાં આવી છે. એમાં પણ શૈક્ષણિક સંસ્થામાં પણ સ્કૂલઓને ફાયર NOC માટેનો નિયમ બનાવવામાં આવ્યો છે. સ્કૂલઓએ પૂરતા ફાયર સેફ્ટીના સાધનો લગાવીને ફાયર વિભાગ પાસે તેનું ઈન્સ્પેકશન કરાવી NOC લેવી ફરજિયાત કરવામાં આવી છે. પરંતુ હવે સ્કૂલ સંચાલકો તે નિયમમાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. 15 મીટર કરતા ઓછી ઊંચાઈ હોય તેવું સ્કૂલઓને ફાયર સેફ્ટી માટેની NOC માટેના નિયમમાંથી છૂટ આપવામાં આવે તેવી શાળા સ્કૂલ સંચાલક મહામંડળ માંગ કરી રહ્યું છે. તો નિવૃત ફાયર અધિકારીનું માનવું છે કે બાળકોની સેફટીની ચિંતા કરીએ તો ફાયર સેફટીના નિયમમાં કોઈપણ પ્રકારની છૂટ આપવામાં આવે નહીં. હાઇકોર્ટમાં સરકારને પડકારવાની રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળની તૈયારી15 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલોને ફાયર સેફ્ટીના નિયમમાં છૂટ આપવા માટે માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે રાજ્ય શાળા સંચાલક મહામંડળે મુખ્યમંત્રી પાસે માંગ કરી છે. ફાયર સેફ્ટીના નિયમનું પાલન કરવામાં 15 મીટર કરતા ઓછી ઊંચાઈ ધરાવતી સ્કૂલઓને 10 લાખ જેટલો ખોટો ખર્ચ કરવો પડતો હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે. જો સરકાર નિયમોમાં છૂટછાટ નહીં આપે તો સુપ્રીમ કોર્ટના ચુકાદાના અર્થઘટન માટે હાઇકોર્ટમાં સરકારને પડકારવાની રાજ્ય સ્કૂલ સંચાલક મહામંડળ તૈયારી દર્શાવી રહ્યું છે. સ્કૂલ સંચાલકોની રજૂઆતને લઈને ફાયર વિભાગના નિવૃત અધિકારીનું માનવું છે કે જો નિયમોમાં છૂટછાટ આપવામાં આવે તો બાળકોની સલામતિ સામે પ્રશ્ન ઊભા થઈ શકે છે. '15 મીટર કરતા નીચું બિલ્ડિંગ હોય તો તેમાં ફાયર NOCની જરૂર રહેતી નથી'શાળા સ્કૂલ સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારના જે નિયમ છે તેમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 15 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા મકાન હોય તો તેને ફાયર NOC લેવાનો કાયદો લાગુ પડતો હોય છે. સુપ્રીકોર્ટના ડબલ જજની બેન્ચે એક ચૂકાદો આપ્યો જેમાં સ્પષ્ટ કહ્યું છે કે, 15 મીટર કરતા નીચું બિલ્ડિંગ હોય તો તેમાં ફાયર NOCની જરૂર રહેતી નથી. ગુજરાતમાં 9 મીટરનો નિયમ...ભાસ્કર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અગ્નિશામક સેવા કચેરી છે તેના અધિકારીઓ સરકારને અને ચૂંટાયેલા નેતાઓને ગેરમાર્ગે દોરે છે, અને તે લોકો 9 મીટરની વાત લઈને બેઠા છે. જેથી 9 મીટરના દાયરાના કારણે સ્કૂલોને ફરજિયાત 10 લાખ જેટલો ખર્ચ કરવામાં આવે છે. સ્કૂલોમાં આજદિન સુધી ક્યાંય પણ આગ લાગી હોય તેવું સામે આવ્યું નથી. તેમ છતાં પણ 9 મીટરનો જે નિયમ છે તેમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે, કે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે નહિતર અમારે નામદાર હાઇકોર્ટમાં સુપ્રીમ કોર્ટના ચુકાદાના અર્થઘટન માટે જવું પડશે. જેથી સરકારને એવું લાગશે કે અમે સરકાર સામે બાયો ચડાવી છે. 15 મીટર સુધીના બિલ્ડિંગોમાં છૂટછાટ આપવા શાળા સંચાલકોની માગરાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, વાસ્તવિકમાં ચકાસવામાં આવે તો શૈક્ષણિક સંકુલોની અંદર ભૂતકાળમાં આગ લાગવાની ઘટનાઓ જે બની છે તેમાં ઊંચી બિલ્ડીંગ કરતા નીચી બિલ્ડીંગોમાં આગ લાગવાની ઘટના વધારે બની છે. 15 મીટર સુધીના બિલ્ડિંગોમાં છૂટછાટ આપવાની વાત કરવામાં આવી છે. સ્કૂલ સંચાલકોના ભરોસે આવતા બાળકોનો આ પ્રશ્ન છે. કાયદા પ્રમાણે જોગવાઈ હોય કે ન હોય પરંતુ બાળકોની નૈતિક જવાબદારી સ્વીકારવી જોઈએ. 'વિદ્યાર્થીઓની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ જાતે આગળ આવવું જોઈએ'વધુમાં રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, સ્કૂલ સંચાલકોએ સલામતી બાબતે આગળ આવવુ જોઈએ. વર્ષ દરમિયાન ટ્રાવેલ્સના કે અન્ય કોઈ ખર્ચ હોય તેને કોમ્પ્રોમાઇઝ કરીને સલામતી બાબતે ખર્ચ કરવો જોઈએ. સલામતી ભર્યું શૈક્ષણિક સંકુલ બનાવવું ખૂબ જ આવશ્યક છે. આમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ ન ચલાવી લેવું જોઈએ. વિદ્યાર્થીઓની સલામતી માટે સ્કૂલ સંચાલકોએ જાતે આગળ આવવું જોઈએ. જેથી વિદ્યાર્થીઓને સલામતીમાં કોઈપણ બાંધછોડ ન આપવી જોઈએ.

26 C