સુરેન્દ્રનગર જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા એસ.બી.આઈ. આરસેટી ખાતે 'કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી (નિવારણ, પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ) અધિનિયમ-2013' વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કાર્યસ્થળ પર મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવા અને તેમને કાયદાકીય જોગવાઈઓથી વાકેફ કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી વી.એસ. શાહે ઉદબોધન આપ્યું હતું. તેમણે મહિલાઓની સુરક્ષા અને સમાજમાં તેમના સન્માનજનક સ્થાન પર ભાર મૂક્યો હતો. શાહે જણાવ્યું કે, સુરક્ષિત કાર્યસ્થળ એ મહિલાઓના સશક્તિકરણ માટેની પ્રાથમિક જરૂરિયાત છે અને તેમણે મહિલા સુરક્ષાના વિવિધ પાસાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સેમિનારના મુખ્ય વક્તા ડોબરીયાએ 'કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતીય સતામણી અટકાયત અધિનિયમ-2013' અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે આ કાયદા હેઠળ ફરિયાદ નિવારણની પ્રક્રિયા, લોકલ કમિટી (LC) અને ઇન્ટરનલ કમિટી (IC) ની રચના તેમજ કાયદાકીય રક્ષણ વિશે હાજર તાલીમાર્થીઓને ઊંડાણપૂર્વક સમજ આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર જલ્પાબેન ચંદેશરા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કાર્યક્રમની રૂપરેખા સ્પષ્ટ કરી અને મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી આપી, જેથી મહિલાઓ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લઈ શકે. આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટની 100 વર્ષ જૂની લાખાજી રાજ માર્કેટ આજે બપોર સુધી બંધ રાખી 1500 જેટલા વેપારીઓએ પોતાના વિરોધ નોંધાવ્યો છે. પાથરણા વાળાઓના દબાણના કારણે છેલ્લા પાંચ વર્ષથી વેપારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે. જેને લઈને આજે સાંગણવા ચોક ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે બાદ વેપારીઓ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જો આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો એક અઠવાડિયા સુધી માર્કેટ બંધ રહેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. 1500 વેપારીઓએ બંધ પાળી વિરોધ નોંધાવ્યોરાજકોટના લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ મહેશ મહેતાએ જણાવ્યું હતું કે, અહીં લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ અને સાંગણવા ચોક સહિતના વિસ્તારોમાં 1500 જેટલા વેપારીઓ આવેલા છે. જોકે અહીં છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી પાથરાણા વાળાઓના દબાણના કારણે વેપારીઓ વેપાર કરી શકતા નથી. આ બાબતે અગાઉ અનેક વખત મહાનગરપાલિકા અને પોલીસમાં રજૂઆત કરવી હોવા છતાં પણ આ પ્રશ્ન દૂર થતો નથી. 'પાથરણાવાળાઓના દબાણના કારણે વેપાર થઈ શકતો નથી'તેમણે જણાવ્યું કે, અહીં કરિયાણાથી લઈને કાપડ, કપડા અને શૂઝ સહિતની દુકાનમાં આવેલી છે. લોકોને ઘર વપરાશની કોઈપણ ચીજ વસ્તુઓ જોઈતી હોય તો તે અહીંથી મળી જાય છે. 100 વર્ષ જૂની આ ઐતિહાસિક માર્કેટ છે, જોકે અહીં છેલ્લા ઘણા સમયથી પાથરણાવાળાઓના દબાણના કારણે વેપાર થઈ શકતો નથી. રવિવારે તો એવી પરિસ્થિતિ હોય છે કે વેપારીને પોતાની દુકાનમાં અંદર જવું હોય તો પણ જઈ શકતા નથી. જેથી આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે એવી અમારી માંગણી છે. એક અઠવાડિયું માર્કેટ બંધ રાખવી પડશે તો પણ તૈયારઆજે અમે બપોરે 1 વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને અમારો વિરોધ નોંધાવ્યો છે. આ સાથે જ અમે ધરણા પણ કર્યા છે જે બાદ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવશે અને ત્યારબાદ પણ જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તમે એક અઠવાડિયું માર્કેટ બંધ રાખવી પડશે તો તેના માટે પણ તૈયાર છીએ.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાંથી પસાર થતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા મુખ્ય માર્ગ પર પહાડ ગમોડ ગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીંથી પસાર થઈ રહેલી એક મોટરસાયકલમાં ચાલુ મુસાફરીએ અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા. બાઈક ચાલક કંઈ સમજે તે પહેલાં જ ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આખું વાહન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. બાઈકમાં આગ લાગતા જ માર્ગ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સદનસીબે બાઈકચાલકે સમયસૂચકતા વાપરી તુરંત નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. જોતજોતામાં મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
ચોટીલામાં 'કોળી હેલ્થ કેર કોન્કલેવ 2025' યોજાયો:450થી વધુ તબીબોએ ભાગ લીધો, સમાજ વિકાસ પર ભાર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે 'કોળી હેલ્થ કેર કોન્કલેવ 2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાતભરમાંથી 400થી 450 કોળી સમાજના તબીબો અને વાલીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોળી સમાજમાં એકતા, શૈક્ષણિક જાગૃતિ અને સર્વાંગી વિકાસ સાધવાનો હતો. આ કોન્કલેવનું આયોજન જાણીતા ગાયનેક સર્જન ડૉ. રવિકુમાર મનસુખભાઈ ઝાપડિયાના માર્ગદર્શન હેઠળ, ચોટીલાના સ્થાનિક કોળી તબીબો અને નવયુગ કોળી યંગ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ સમાજની ઉન્નતિના સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો. મંચ પરથી વિવિધ તબીબોએ પોતાના વ્યવસાયિક અનુભવો વહેંચ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સમાજ ત્યારે જ સમૃદ્ધ બને જ્યારે તેના યુવાનો ઉચ્ચ શિક્ષણ અને નૈતિક મૂલ્યો સાથે આગળ વધે. ઉપસ્થિત ડોકટરોએ વિદ્યાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું કે, શિક્ષણ એ સફળતાની ચાવી છે અને સાહસિક વૃત્તિ એ પ્રગતિનું દ્વાર છે. યુવા પેઢીએ પોતાની ક્ષમતા ઓળખીને મેડિકલ તેમજ અન્ય ક્ષેત્રોમાં સમાજનું નામ રોશન કરવું જરૂરી છે. આગામી પેઢીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી નિર્માણમાં મદદરૂપ થવા માટે એક ચોક્કસ 'ફ્યુચર રોડ મેપ' પણ રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્ય આયોજક ડૉ. રવિકુમાર ઝાપડિયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, આ આયોજન માત્ર એક મેળાપ નથી, પરંતુ સમાજના પ્રત્યેક ડોકટરને એક તાંતણે બાંધીને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો સુધી તબીબી સહાય અને શિક્ષણનો સંદેશ પહોંચાડવાનો એક પ્રયાસ છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં નવયુગ કોળી યંગ ટ્રસ્ટ અને ચોટીલાના સ્થાનિક તબીબોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. ઉપસ્થિત વાલીઓએ પણ આવા આયોજનોથી સમાજમાં એકતા વધશે અને વિદ્યાર્થીઓને યોગ્ય દિશા મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પાટણમાં મનરેગા યોજનાને નબળી પાડવાના આક્ષેપ સાથે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલવે ગરનાળા પાસે ચક્કાજામ કરાયા બાદ પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને ડિટેન કર્યા હતા. કોંગી કાર્યકરોએ રેલવે ગરનાળા ખાતે ચક્કાજામ કર્યોગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના નિર્દેશ હેઠળ પાટણ જિલ્લા કોંગ્રેસે આ વિરોધ કાર્યક્રમ રેલવે ગરનાળા ખાતે યોજ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) ને નબળી પાડવામાં આવી રહી હોવાના આરોપો સાથે આ પ્રદર્શન કરાયું હતું. 'હાય રે ભાજપ હાય હાય' ના નારા લગાવ્યાપ્રદર્શનકારીઓએ સૌપ્રથમ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે રસ્તા પર બેસીને સૂત્રોચ્ચાર કર્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ 'હાય રે ભાજપ હાય હાય' ના નારા લગાવી વાતાવરણ ગજવ્યું હતું અને વાહનવ્યવહાર અટકાવી ચક્કાજામ કર્યો હતો. પોલીસે ટીંગાટોળી કરીને ડિટેન કર્યાવિરોધ પ્રદર્શન શરૂ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને કાર્યકર્તાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાહનોમાં બેસાડ્યા હતા. રસ્તા પરથી હટાવવા માટે તેમને ડિટેઈન કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પર ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. વિરોધ યથાવત્ રાખવાની ચીમકીકોંગ્રેસ પક્ષે આક્ષેપ કર્યો છે કે કેન્દ્ર સરકારનું તાજેતરનું 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)' બિલ મનરેગા યોજનાનું અસ્તિત્વ ખતમ કરવાનો પ્રયાસ છે. વિપક્ષ આ નવા બિલને મનરેગાને નબળી પાડવાના અને શ્રમિકોના અધિકારો છીનવવાના પ્રયાસ તરીકે જોઈ રહ્યું છે. કોંગ્રેસે મનરેગા અને શ્રમિક અધિકારોના મુદ્દે સરકાર સામે આગામી સમયમાં પણ વિરોધ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.
રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિની વ્યાપક સમીક્ષા માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ખાતે બે દિવસીય રાજ્યસ્તરીય ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ આયોજિત આ મહત્વપૂર્ણ કોન્ફરન્સનો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કર્યો. આ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજ્યભરના તમામ રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડાઓ (SP), તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ખાસ હાજર રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહી અધિકારીઓને માર્ગદર્શન આપશે. હાલની સ્થિતિ, પડકારો અને ભવિષ્યની રણનીતિઓ અંગે ચર્ચા થશેબે દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સ દરમિયાન કાયદો-વ્યવસ્થાની હાલની સ્થિતિ, પડકારો અને ભવિષ્યની રણનીતિઓ અંગે વિગતવાર ચર્ચા થશે. ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષા, સાયબર ક્રાઈમ સામેની કાર્યવાહી, નશાના દુષણ સામે ઝીરો ટોલરન્સની નીતિ, તેમજ ગુનાખોરી રોકવા માટેની બેસ્ટ પ્રેક્ટિસના વિવિધ મોડલ રજૂ કરવામાં આવશે. ‘વિકસિત ભારત–2047’ના લક્ષ્યમાં પોલીસની ભૂમિકા અંગે પણ ચર્ચાઆ ઉપરાંત ‘વિકસિત ભારત–2047’ના લક્ષ્યમાં ગુજરાત પોલીસની ભૂમિકા શું હોવી જોઈએ તે અંગે પણ ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવશે. રાજ્યમાં કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ક્રાઈમ કોન્ફરન્સને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ઉત્તરાયણ નજીક આવતા જ ચોરીછુપીથી ચાઈનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે. જો કે, હવે અમદાવાદ પોલીસ ચાઈનીઝ દોરી ઝડપીને તેની ફેકટરી સુધી પહોંચી છે. સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી સાડા સાત લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા નગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યાની જાણ થતા પોલીસે સંઘપ્રદેશમાં પહોંચી દરોડો પાડ્યો હતો. ફેક્ટરી પરથી 2.24 કરોડની ચાઈનીઝ દોરી અને દોરી બનાવવા માટેનો કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે. સાણંદમાંથી દોરી ઝડપાયા બાદ પોલીસ દાદરા નગર હવેલી પહોંચીઅમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા સાણંદના રણમલ ગામની સીમમાંથી અમૃત રબારીના ફાર્મ હાઉસની ઓરડીમાંથી 7.48 લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો. ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ભિખા રાણા,રાજુ રાણા, અશોક ઠાકોર અને ભરત ગંગાવાણીની ધરપકડ કરવામાં આવી હતી.આ ચાઈનીઝ દોરી નો જથ્થો દાદરા નગર ખાતેથી વિરેન પટેલે મોકલ્યો હોવાનું સામે આવ્યું હતું. દાદરા નગર હવેલીની ફેક્ટરીમાં દરોડો પાડી 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયોઅમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે દાદરા નગર હવેલી પહોંચી હતી જ્યાં સ્થાનિક પોલીસની મદદથી વંદના ઇન્ડસ્ટ્રીઝ ખાતે રેડ કરી હતી.ત્યારે ત્યાંથી એક ચાઈનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી.આ ફેક્ટરીમાંથી તૈયાર થયેલી ચાઈનીઝ દોરી નો 1.50 કરોડનો જથ્થો, ચાઈનીઝ દોરી બનાવવા માટેની મશીનરી અને અન્ય રો મટીરીયલ મળીને કુલ 50 લાખ એમ કુલ 2 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો અને રો મટીરીયલ કબ્જે કરવામાં આવ્યું હતુ. આ ઉપરાંત પોલીસ દ્વારા બાવળામાંથી પણ 12.91 લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો વટામણ ચોકડી પાસેથી 9.60 લાખ રૂપિયાનો જથ્થો આણંદમાંથી બે લાખ રૂપિયાનો ચાઈનીઝ દોરીનો જથ્થો એમ કુલ 2.34 કરોડનો ચાઈનીઝ દોરીનો જથ્થો કબજે કર્યો હતો.
વલસાડમાં ઓનલાઈન મંગાવેલા સીતાફળમાંથી કીડા નીકળ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાએ ઓનલાઈન ડિલિવરી થતી પ્રોડક્ટ્સની ગુણવત્તા પર સવાલો ઉભા કર્યા છે. સીતાફળમાંથી કીડા નીકળ્યાવલસાડના અંકિત પટેલ નામના યુવકે ઓનલાઇન સીતાફળનો ઓર્ડર આપ્યો હતો. ડિલિવરી મળ્યા બાદ જ્યારે ફળ ખોલવામાં આવ્યું, ત્યારે તેમાંથી કીડા નીકળ્યા હતા. આ ઘટના બાદ અંકિત પટેલે સમગ્ર બનાવનો વીડિયો બનાવ્યો હતો.આ વીડિયોમાં તેઓ સીતાફળમાંથી નીકળેલા કીડા સ્પષ્ટપણે દર્શાવે છે. સતત બે દિવસ આવુ થયું: ગ્રાહકઅંકિત પટેલ વીડિયોમાં કહે છે કે, મેં ઝેપ્ટોમાંથી ઓર્ડર કર્યો હતો, ગઇકાલે પણ મારી સાથે આવુ થયું હતું પણ મેં ઇગ્નોર કર્યું આજે ફરી આવું જ થયું. અંકિત પટેલે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. તેમણે ઓનલાઈન ફૂડ ડિલિવરી સેવાઓની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ચિંતા વ્યક્ત કરી છે અને આ મામલે વધુ તપાસની માંગ કરી છે. ફ્રુટ અને શાકભાજી દુકાનેથી ખરીદો: ફૂડ અધિકારીઆ અંગે ફૂડ વિભાગના અધિકારી ડી.ઓ. એ.આર. વળવીએ જણાવ્યું હતું કે, ફ્રુટ અને શાકભાજી દુકાન કે લારીવાળા પાસેથી ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. જો કોઈ ગ્રાહક ઓનલાઈન ફૂડ ડિલિવરી કરાવે છે, તો તેમની પણ એટલી જ જવાબદારી રહે છે. જો કોઈ ફ્રુટ ખરાબ નીકળે તો FSSAIની ઓનલાઈન ફરિયાદ https://foscos.fssai.gov.in/consumergrievance/ પર પણ નોંધાવી શકાય છે. આ ફરિયાદના આધારે વિભાગ દ્વારા જરૂરી તપાસ કરી નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર જાગૃતિ માટે વીડિયો મૂકવાની સાથે ઓનલાઈન ફરિયાદ કરવી પણ ગ્રાહકની ફરજમાં આવે છે.
ગુજરાતમાં ઠંડીનો પારો ગગડતા શિયાળાની જમાવટ શરૂ થઈ છે, જેમાં ગત રાત્રે 12 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદના ત્રણ દિવસમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધશે. નલિયાને પાછળ પાડી વડોદરા, રાજકોટ અને દીવ જેવા વિસ્તારોમાં પણ પારો 12થી 14 ડિગ્રી વચ્ચે રહેતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાંત ડૉ. ચિરાગ શાહના મતે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ડિસેમ્બરમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા ઓછી છે, પરંતુ 4 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળે તેવી પ્રબળ શક્યતા છે. આગામી 3 દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટવાની શક્યતારાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે. આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં, પરંતુ ત્યારબાદના 3 દિવસમાં તાપમાન 2-3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. ગઈકાલે રાત્રે સૌથી વધુ ઠંડી અમરેલીમાં 12 ડિગ્રી સેલ્સિયસ નોંધાઈ હતી. આ વખતે નલિયાને પાછળ પાડી અમરેલી, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. 4 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું જોર વધશેહવામાન નિષ્ણાત ડૉ. ચિરાગ શાહે જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ ખાસ બદલાવ આવશે નહીં. જોકે, લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને 4 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધવાની શક્યતા છે.
ચાવડાપુરામાં સાન્તા પરેડ યોજાઈ:નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ
નાતાલના પવિત્ર તહેવારની શરૂઆત નિમિત્તે ચાવડાપુરા જીટોડિયા સ્થિત નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ખાતે સાન્તા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાન દ્વારા આ પરેડનું આયોજન કરાયું હતું. આ સાન્તા પરેડ ક્રિષ્ના કોર્નરથી શરૂ થઈને ચર્ચ ખાતે સમાપ્ત થઈ હતી. મોટી સંખ્યામાં ધર્મજનો સાન્તા ક્લોસના લાલ ડ્રેસ અને ટોપી પહેરીને પરેડમાં જોડાયા હતા. આ પ્રસંગે ચર્ચ કમ્પાઉન્ડમાં 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ચર્ચના મુખ્ય સભા પુરોહિત ફાધર જગદીશ મેકવાને જણાવ્યું હતું કે, આ પટાંગણ બેથલેહેમની યાદ અપાવે છે અને ચાવડાપુરા જીટોડિયા ધર્મ વિભાગ માટે આ આનંદનો અવસર છે. તેમણે આ 30 ફૂટ ઊંચા ક્રિસમસ ટ્રીને ખુલ્લું મૂકતા આ નાતાલનો તહેવાર સૌના માટે યાદગાર બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ધર્મજનોએ આનંદ અને ઉત્સાહપૂર્વક એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે ગરબા અને ડાન્સમાં પણ ભાગ લીધો હતો. ફાધર, સિસ્ટરો સહિત આજુબાજુના ગામના મોટી સંખ્યામાં ધર્મજનો હાજર રહ્યા હતા, જેના કારણે ચર્ચ કમ્પાઉન્ડ ઉત્સાહભર્યા વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં બિટકોઇનમાં રોકાણના બહાને એક નિવૃત્ત વ્યક્તિને 90 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ મામલે બે આરોપીઓ સામે પાદરા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. 69 વર્ષીય વૃદ્ધ સાથે છેતરપિંડીઆ મામલે ફરિયાદી નરેન્દ્રભાઈ અંબાલાલ પટેલ (ઉંમર 69 વર્ષ, નિવૃત્ત), જે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહે છે, તેઓએ નોંધાવેલ ફરિયાદ મુજબ તેમણે આરોપીઓએ 2019ના નવેમ્બરથી 2021ના ઓક્ટોબર સુધીના સમયગાળામાં તેમની સાથે મિત્રતા કેળવી અને વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ બિટકોઇનમાં મોટો નફો મળશે તેવી લાલચ આપીને રોકાણ કરાવ્યું હતું. રોકાણ માટે પૈસા મેળવી અંગત ખર્ચ માટે વાપરી નાખ્યાઆરોપીઓએ આરટીજીએસ અને યુપીઆઈ મારફતે કુલ 70 લાખ રૂપિયા અને નફાના નામે વધારાના 20 લાખ રૂપિયા એમ કુલ 90 લાખ રૂપિયા તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. ફરિયાદીના જણાવ્યા મુજબ, આરોપીઓએ આ રકમ કોઈપણ પ્રકારના રોકાણમાં વાપર્યા વગર પોતાના અંગત ખર્ચમાં વાપરી લીધી હતી. લાંબા સમય સુધી પૈસા પરત આપવાની ખાતરી આપ્યા બાદ પણ રકમ ન મળતાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી હતી. આ કેસમાં આરોપી રોબર્ટ ઇશ્વરભાઈ પટેલીયા (રહે. મકરપુરા રોડ, વડોદરા) અને જોસેફભાઈ બાબરભાઈ સેમ્યુઅલ (રહે. બેંગલોર, કર્ણાટક) સામે ગુનો દાખલ થયો છે. પાદરા પોલીસે આ છેતરપિંડી આચરનાર બંને રૂપિયાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષ 2025 દરમિયાન સિગ્નલ ભંગ કરનારા વાહનચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ કુલ 13,536 ઈ-ચલણ કરવામાં આવ્યા છે. તેમજ રોંગ સાઈડે જોખમી રીતે વાહન ચલાવનારા ચાલકો સામે મોટર વ્હીકલ એક્ટ મુજબ કુલ 66,813 ઈ-ચલણ ફટકારવામાં આવ્યા છે. આ ઉપરાંત, અનધિકૃત રીતે પેસેન્જરોની હેરાફેરી કરતા વાહનચાલકો તેમજ આરટીઓની પરવાનગી વગર પેસેન્જર વાહનો ચલાવતા ચાલકો વિરુદ્ધ પણ વડોદરા શહેર ટ્રાફિક શાખા દ્વારા સતત ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. તા. 13 ડિસેમ્બર 2025થી 22 ડિસેમ્બર 2025 સુધીના સમયગાળામાં ટ્રાફિક શાખા (પૂર્વ ઝોન) દ્વારા અનધિકૃત પેસેન્જર હેરાફેરી સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન કુલ 19 વાહનો ડિટેઈન કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે સોમવારે ગેરકાયદેસર પેસેન્જર હેરાફેરી કરતા 7 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા હતા અને તેમની સામે કાયદેસર પગલાં લેવાયા છે.
સુરત શહેરમાં ટ્રાફિક નિયમોના પાલન માટે પોલીસ હાલ લાલ આંખ કરી રહી છે. દરરોજ સરેરાશ 2000થી 2500 જેટલા વાહનચાલકોને ટ્રાફિક નિયમ તોડવા બદલ ચલણ આપી રહી છે. પોલીસની આ આકરી ડ્રાઈવ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે, જેમાં ટ્રાફિકના નિયમોના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો 'રવિ ફાઈટર' નામના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વાઇરલ થયો છે. હેલ્મેટ વગર એક્ટિવા સવારોની રેલીનો વીડિયો વાઇરલવીડિયોમાં જોઈ શકાય છે કે એક સફેદ રંગની થાર ગાડી રસ્તા પર જઈ રહી છે અને તેની પાછળ અંદાજે 30થી 40 જેટલા યુવાનો એક્ટિવા અને બાઈક લઈને સવાર છે. આટલી મોટી સંખ્યામાં હોવા છતાં, ટોળામાં રહેલા એક પણ યુવાને હેલ્મેટ પહેરવાની તસ્દી લીધી નથી, જે ટ્રાફિક પોલીસની કામગીરીને જાહેરમાં પડકાર ફેંકી રહ્યા હોય તેવું પ્રતીત થાય છે. નિયમોને નેવે મૂકીને યુવાનો રસ્તા પર નીકળી પડ્યાસુરતમાં છેલ્લા કેટલાક સમયથી જાહેરનામાનો ભંગ અને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી છે. અગાઉ ABVPના સભ્યો દ્વારા નિયમોનું ઉલ્લંઘન હોય કે ડુમ્મસ રોડ પર ઉદ્યોગપતિ દિપક ઇજારદાર દ્વારા વચલા રસ્તે જન્મદિવસની ઉજવણી, આવી ઘટનાઓ સુરત પોલીસની છબી ખરડી રહી છે. આ વાઇરલ વીડિયો પણ તે જ શ્રેણીનો એક ભાગ હોય તેમ લાગે છે, જેમાં નિયમોને નેવે મૂકીને યુવાનો રસ્તા પર નીકળી પડ્યા છે. ટ્રાફિક એસીપી ટંડેલ દ્વારા તપાસ અને કડક કાર્યવાહીના આદેશઆ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ટ્રાફિક વિભાગ પણ હરકતમાં આવ્યું છે. ટ્રાફિક વિભાગના એસીપી એસ. આર. ટંડેલે આ બાબતે ગંભીરતા દર્શાવતા જણાવ્યું હતું કે, આ વીડિયો ક્યાં સમયનો છે અને તેમાં દેખાતા શખ્સો કોણ છે તેની વિગતવાર તપાસ કરવામાં આવશે. સીસીટીવી ફૂટેજ અને વાહનોના નંબરના આધારે આ તમામ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે ખાતરી આપી છે. વાઇરલ વીડિયોમાં દેખાતા તત્વો સામે તાત્કાલિક કાર્યવાહીની માગઆ વીડિયો સામે આવ્યા બાદ સામાન્ય નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે એકલ-દોકલ વાહનચાલક હેલ્મેટ વગર હોય તો પોલીસ તાત્કાલિક દંડ ફટકારે છે, પરંતુ આવા ટોળાઓ સામે પોલીસ કેમ નરમ પડે છે? સુરત પોલીસ આ વીડિયોમાં દેખાતા તમામ યુવાનો સામે દાખલારૂપ કાર્યવાહી કરે તેવી લોકમાગ ઉઠી રહી છે.
સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો શિકાર બનેલા મહિલા આર.એફ.ઓ. સોનલ સોલંકીનું આખરે મોત નીપજ્યું છે. સુરતની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના અથાગ પ્રયત્નો છતાં તેમની સ્થિતિમાં સુધારો થયો નહોતો અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે. કામરેજ પાસે રસ્તા વચ્ચે પતિએ જ કરાવ્યું હતું ફાયરિંગ સુરત જિલ્લાના કામરેજ વિસ્તારમાં સોનલ સોલંકી પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ હુમલો બીજું કોઈ નહીં પરંતુ સોનલ સોલંકીના આર.ટી.ઓ. (RTO) પતિએ જ સોપારી આપીને કરાવ્યો હતો. પારિવારિક વિખવાદમાં પતિએ પત્નીને જ મોતના ઘાટ ઉતારવાનું આ કાવતરું રચ્યું હતું. માથામાં ગોળી વાગ્યા બાદ સર્જરી સફળ રહી પણ સ્થિતિ નાજુક હતીહુમલા દરમિયાન ગોળી સોનલ સોલંકીના માથાના ભાગે વાગી હતી. ઘટના બાદ તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરીને તેમના માથામાંથી ગોળી તો કાઢી લેવામાં આવી હતી, પરંતુ ગોળીને કારણે મગજમાં થયેલું નુકસાન અતિ ગંભીર હતું. સર્જરી બાદ પણ તેમની સ્થિતિ ક્યારેય સામાન્ય થઈ શકી નહોતી, જેના કારણે તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવા પડ્યા હતા. પોલીસ હવે પતિ વિરુદ્ધ 'હત્યા'નો ગુનો દાખલ કરશેસોનલ સોલંકીના નિધન સાથે જ હવે આ કેસમાં પોલીસની કાર્યવાહી વધુ તેજ અને કડક બનશે. અત્યાર સુધી પોલીસ દ્વારા 'હત્યાના પ્રયાસ' હેઠળ તપાસ ચાલતી હતી, પરંતુ હવે સોનલબેનનું મોત થતાં પોલીસ આરોપી પતિ અને સંડોવાયેલા અન્ય શખ્સો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ 'હત્યા' નો ગુનો દાખલ કરશે. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે, જે સમયે સોનલ સોલંકી પર ફાયરિંગ થયું તે સમયે મુખ્ય આરોપી નિકુંજ ઘટનાસ્થળથી માત્ર 5 કિમી દૂર ઉભો હતો. જ્યારે તેના મિત્ર ઇશ્વર ગોસ્વામીએ સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઇશ્વર ગોસ્વામીની પણ ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન ઇશ્વરપુરીએ કબૂલ્યું હતું કે ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ તે મહારાષ્ટ્રના પુણે ખાતે આવેલા સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ ભીમાશંકર પહોંચી ગયો હતો. આ કબૂલાત બાદ પોલીસની એક ટીમ ઇશ્વરપુરીને સાથે રાખીને ભીમાશંકર પહોંચી હતી, જ્યાં તે એક હોટલમાં રોકાયો હતો. જોકે, ઇશ્વરપુરી પોલીસને હોટલ સુધી પહોંચવામાં ગોળ ગોળ ફેરવી રહ્યો છે અને તપાસમાં સહકાર આપી રહ્યો નથી. (સંપૂર્ણ સમાચાર વાંચો) અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યા છીએ...
અમદાવાદ શહેરમાં વધતા દબાણો અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર રીતે કરવામાં આવતા વાહન પાર્કિંગના કારણે થતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરવ્યાપી વ્યાપક મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. સવારથી મોડી રાત સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર લારી ગલ્લાના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. ગેરકાયદેસર રીતે રોડ પર પાર્ક કરેલા વાહનોને લોક કરી દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કોમ્પ્લેક્સ માં વાહન પાર્કિંગની સુવિધા છે છતાં પણ વાહન પાર્કિંગ નથી કરવા દેવામાં આવતા તો આવા કોમ્પ્લેક્સ અને મિલકતોને સીલ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે. શહેરમાં વાહનચાલકોને ટ્રાફિક્માં રાહત મળે અને પાર્કિંગની વ્યવસ્થિત જગ્યા મળે તે માટે મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં 38 હજાર ટુ વ્હિલર અને 21 હજાર ફોર-વ્હીલર માટે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કર્યું છે. જેના માટે સર્વે કરી પ્રાથમિક અહેવાલ તૈયાર કરી લેવાયો છે. નક્કી કરાયેલા રસ્તાઓ પર તબક્કાવાર અમલીકરણ કરાશે. કૂલ 59,000 વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાશેઆ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (એસ્ટેટ) રિદ્ધેશ રાવલે જણાવ્યું હતું કે, પાર્કિંગમાં શિસ્તતા માટે “નો પાર્કિંગ”, “નો વેન્ડિંગ ઝોન” અને વાહન પાર્કિંગ સંબંધિત સાઈનેજ લગાવવામાં આવ્યા છે. ફ્રી અને પેઇડ પાર્કિંગ અંગે AMC દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આગામી સમયમાં અંદાજે 38,000 ટુ-વ્હીલર અને 21,000 ફોર-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનો AMCનો આયોજન છે. ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં બે ખાનગી એજન્સીઓ દ્વારા સર્વે પૂર્ણ કરી પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેના આધારે પસંદ કરાયેલા પાંચ માર્ગો પર પ્રથમ તબક્કામાં અમલીકરણ કરવામાં આવશે. અમદાવાદીઓએ આગામી દિવસોમાં પાર્કિંગ માટે પૈસા ચૂકવવા પડશે. પાર્કિંગ હોવા છતા પાર્કિંગ નહીં કરવા દેવાય તો કાર્યવાહી કરાશે શહેરમાં કોમર્શિયલ એકમો, મોલ, ધાર્મિક સ્થળો અને શૈક્ષણિક સંસ્થાઓ પાસે પોતાની પાર્કિંગ જગ્યા હોવા છતાં તેનો ઉપયોગ ન થતો હોવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી AMC દ્વારા 64 માર્ગો પર સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેના આધારે 378 એકમોને નોટિસ પાઠવવામાં આવી છે, જેમાં જેમની પાસે પોતાની પાર્કિંગ જગ્યા હોવા છતાં વાહનોને અંદર પાર્ક કરવા દેવામાં આવતા નથી તેમને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસનું પાલન ન કરનાર એકમો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એસ્ટેટ વિભાગ દ્વારા ટેકનોલોજીના ઉપયોગથી ઓનલાઇન ચલણ અને ડિજિટલ પેનલ્ટી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. ટૂંક સમયમાં ફ્રી અને પેઈડ પાર્કિંગની જાહેરાત કરાશેપાર્કિંગમાં શિસ્તતા માટે “નો પાર્કિંગ”, “નો વેન્ડિંગ ઝોન” અને વાહન પાર્કિંગ સંબંધિત સાઈનેજ લગાવવામાં આવ્યા છે. ફ્રી અને પેઇડ પાર્કિંગ અંગે AMC દ્વારા ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. આગામી સમયમાં અંદાજે 38,000 ટુ-વ્હીલર અને 21,000 ફોર-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાનો AMCનો આયોજન છે. ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં બે ખાનગી એજન્સીઓ દ્વારા સર્વે પૂર્ણ કરી પ્રાથમિક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, જેના આધારે પસંદ કરાયેલા પાંચ માર્ગો પર પ્રથમ તબક્કામાં અમલીકરણ કરવામાં આવશે. અમદાવાદીઓએ આગામી દિવસોમાં પાર્કિંગ માટે પૈસા ચૂકવવા પડશે. પૂર્વ ઝોનમાં AMC અને રેલવે વિભાગ દ્વારા સંયુક્ત મુલાકાત બાદ વટવા, પુનિતનગર અને મણિનગર રેલવે ક્રોસિંગ પર વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખી રેલવે ઓવરબ્રિજના નિર્માણની યોજના આગળ વધારવામાં આવશે. NHAI, રેલવે, AMC, ટ્રાફિક પોલીસ અને RB વિભાગોની સંયુક્ત ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સર્વે કરવામાં આવી રહ્યા છે, જેના આધારે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ઉપાયો અમલમાં મૂકવામાં આવશે. પબ્લિક ટ્રાન્સોપોર્ટેશનના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકાયોવધુમાં રિદ્ધેશ રાવલે જણાવ્યું કે, અમદાવાદ માટે વર્ષ 2023માં અમલમાં આવેલી પાર્કિંગ પોલિસીમાં પબ્લિક ટ્રાન્સપોર્ટના મહત્તમ ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. મેટ્રો, BRTS અને AMTS જેવી સુવિધાઓ શહેરમાં ઉપલબ્ધ છે. લોકો વધુમાં વધુ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરે તે જરૂરી છે. દરેક મેટ્રો સ્ટેશન પર પાર્કિંગની જગ્યા અંગે AMC, મેટ્રો અને જાહેર પરિવહન સંસ્થાઓની સંયુક્ત ટીમ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે 5 E પર કામAMC દ્વારા ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ માટે એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને ઇવેલ્યુએશન – એમ પાંચ સ્તંભ પર આધારિત વ્યૂહરચના અમલમાં મૂકી છે. જેમાં હાલમાં દબાણ અને પાર્કિંગ મુદ્દે AMC દ્વારા સવારે, સાંજે અને રાત્રે એમ ત્રણ શિફ્ટમાં સઘન કામગીરી ચાલી રહી છે. CG રોડ, આશ્રમ રોડ, SG હાઇવે, 132 ફૂટ અને 150 ફૂટ રિંગ રોડ જેવા શહેરના મુખ્ય માર્ગો સહિત અલગ અલગ વિસ્તારોના મુખ્ય રોડ ઉપર પર દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરેક ઝોનમાં ડેપ્યુટી એસ્ટેટ અધિકારીના માર્ગદર્શન હેઠળ ટીમો કાર્યરત છે, જેને સહાયરૂપ એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ, વાહનો અને મજૂરોની ટીમો કાર્યરત છે. એપ્રિલ થી ડિસેમ્બર દરમિયાન હાથ ધરાયેલી કાર્યવાહી હેઠળ રૂ. 4.02 કરોડ જેટલા વહીવટી ચાર્જ અને દંડ વસૂલવામાં આવ્યા છે. આ ઉપરાંત 58,000 ગેરકાયદે હોર્ડિંગ્સ તથા 14,000 લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા છે. ભદ્રચોક અને લાલ દરવાજા-ભદ્ર વિસ્તારને કાયમી ધોરણે દબાણમુક્ત બનાવવામાં આવ્યો છે. ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટી દ્વારા સૂચવાયેલા માર્ગો પર છેલ્લા દોઢ મહિનાથી સઘન કામગીરી કરવામાં આવતા ત્યાં ટ્રાફિક વ્યવસ્થા સુધરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
બોટાદમાં વાત્સલ્ય ફ્રી ટીફીન સેવા ગ્રુપ અને પોલીસ પરિવારે એક માનવતાભરી પહેલ કરી છે. શહેરના 30થી વધુ નિરાધાર વૃદ્ધોને મલ્ટિપ્લેક્સ થિયેટરમાં તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો’ બતાવવામાં આવી હતી. આ આયોજનનો મુખ્ય હેતુ નિરાધાર વૃદ્ધો પણ સામાજિક અને ધાર્મિક ફિલ્મનો આનંદ માણી શકે તે હતો. ફિલ્મ દરમિયાન વૃદ્ધોના ચહેરા પર ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો. ઘણા સમય બાદ થિયેટરમાં ફિલ્મ જોવાનો અવસર મળતા વૃદ્ધોએ વાત્સલ્ય ટ્રસ્ટ અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં કાર્યરત વાત્સલ્ય ટ્રસ્ટમાં પોલીસ પરિવાર પણ સક્રિય રીતે જોડાયેલ છે. વાત્સલ્ય ટ્રસ્ટ અને પોલીસ પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી શહેરમાં રહેતા અંદાજે 56 જેટલા નિરાધાર વૃદ્ધોને નિયમિત રીતે ફ્રી ટીફીન સેવા પૂરી પાડી રહ્યા છે. આ ઉપરાંત તહેવારો દરમિયાન કપડાં, મીઠાઈ તેમજ શિયાળાની ઋતુમાં ગરમ ધાબળા આપીને પરિવારની જેમ તેમની સંભાળ રાખવામાં આવે છે, તેમ પોલીસ પરિવારના ASI અરવિંદભાઈ સુમેરાએ માહિતી આપી હતી. વાત્સલ્ય ટ્રસ્ટ અને પોલીસ પરિવારની આ સેવાભાવી પ્રવૃત્તિથી સમાજમાં માનવતા અને સંવેદનાનો સુંદર સંદેશો પ્રસરી રહ્યો છે, જે અન્ય સંસ્થાઓ માટે પણ પ્રેરણારૂપ બની રહે છે.
ગીરનો ઝેરમુક્ત ગોળ બન્યો નવી ઓળખ:બંસી નેચરલ ફાર્મનો દેશી ગોળ કૃષિ યુનિવર્સિટી દ્વારા સર્ટિફાઇડ
ગીર પંથક હવે ઝેરમુક્ત દેશી ગોળ માટે પણ નવી ઓળખ બનાવી રહ્યું છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના સુરવા (ગીર) ગામે આવેલ બંસી નેચરલ ફાર્મ પર ઉત્પાદિત દેશી ગોળને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ ઓર્ગેનિક હોવાનું પ્રમાણપત્ર મળ્યું છે. હાલમાં વેરાવળ ખાતે યોજાઈ રહેલા સશક્ત નારી મેળામાં આ ગોળ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરવા ગામના પ્રગતિશીલ ખેડૂત મહેન્દ્રભાઈ અજુડીયા છેલ્લા 10 વર્ષથી પ્રાકૃતિક અને ગો-આધારિત ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. તેમણે આ સમયગાળા દરમિયાન એકપણ પ્રકારની પેસ્ટિસાઇડ કે રસાયણિક દવાનો ઉપયોગ કર્યો નથી. તેઓ સંપૂર્ણ ઝેરમુક્ત શેરડીની ઉપજ લઈ, તેને મૂલ્યવર્ધન દ્વારા દેશી ગોળમાં રૂપાંતર કરી પોતાના ખેતર પરથી જ વેચાણ કરે છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં કરાયેલા લેબ પરીક્ષણોમાં મહેન્દ્રભાઈની શેરડી તથા ગોળ 228 પ્રકારના પરીક્ષણોમાં ખરા ઉતર્યા બાદ તેને ઓર્ગેનિક હોવાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ સિદ્ધિ ગીર પંથક માટે ગૌરવરૂપ ગણાઈ રહી છે અને તેમની ખેતી પદ્ધતિની વિશ્વસનીયતા સાબિત કરે છે. સામાન્ય રીતે ગોળના ઉત્પાદનમાં રસાયણિક દવાઓનો ઉપયોગ થતો હોય છે, જ્યારે બંસી નેચરલ ફાર્મનો ગોળ સંપૂર્ણપણે ઝેરમુક્ત અને આરોગ્યપ્રદ છે. તેથી શરીર માટે લાભદાયી એવો આ ગોળ લોકોમાં વિશેષ લોકપ્રિય બનતો જઈ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર ડૉ. પુષ્પકાંત સ્વરણકારએ જણાવ્યું હતું કે, મહેન્દ્ર અજુડીયાની ગો-આધારિત પ્રાકૃતિક ખેતીમાં કરેલી સતત મહેનતનું આ પરિણામ છે. તેમનું આ કાર્ય આજે ગીર પંથકના અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત બની રહ્યું છે, જે દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા ઓછા ખર્ચે વધુ મૂલ્યવર્ધન અને આરોગ્યપ્રદ ઉત્પાદન શક્ય છે.
રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને આજે ગાંધીનગરના સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરાશેઆ નિમણૂક પત્ર એનાયત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 11,607 નવનિયુક્ત ઉમેદવારોને સત્તાવાર રીતે પોલીસ દળમાં જોડાવાનો અવસર મળશે. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહેશે, જ્યારે પોલીસ હાઉસિંગ-જેલ રાજ્ય મંત્રી કમલેશ પટેલ ખાસ ઉપસ્થિતિ તરીકે હાજર રહી નવનિયુક્ત જવાનોને પ્રોત્સાહિત કરશે. લોકરક્ષક કેડરની આ ભરતી પ્રક્રિયામાં કુલ 11,899 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી 8,782 પુરૂષ અને 3,117 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હાલના તબક્કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ કરેલા 11,607 ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવશે. જ્યારે પસંદગી પામેલા 292નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલી રહ્યું છે. 3,591 જગ્યાઓ માટે નવી ભરતીની પણ જાહેરાત કરી છેઉલ્લેખનીય છે કે આ ભરતી પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળમાં ખાલી રહેલી વધુ 13,591 જગ્યાઓ માટે નવી જાહેરાત પણ પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતત ચાલી રહેલી આ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારની પારદર્શક અને યુવાનલક્ષી નીતિને પ્રતિબિંબિત કરે છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય સચિવ એમ.કે. દાસ, પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય તેમજ પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
અદાણી ગ્રુપની કંપની એસીસી લિમિટેડ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. હૈદરાબાદની એક એન્જિનિયરિંગ કંપનીએ મુંબઈના પનવેલ ખાતે પ્લાન્ટ બનાવવાના કોન્ટ્રાક્ટમાં અદાણી ગ્રુપને પંજાબ એન્ડ સિંધ બેંકના અંદાજે 3 કરોડના બોગસ બેંક ગેરંટી સર્ટીફીકેટ પધરાવી દઈ છેતરપિંડી આચરવામાં આવતા અડાલજ પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 2024માં રૂ. 19.95 કરોડનો વર્ક ઓર્ડર આપ્યો હતોઅદાણી ગ્રુપની કંપની ACC Ltd સાથે કરોડો રૂપિયાની ઠગાઈ મામલે અદાણી કોર્પોરેટ હાઉસમાં સિનિયર મેનેજર તરીકે ફરજ બજાવતા શ્રીધર કોટીયલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ વર્ષ 2024માં હૈદરાબાદની અવધ એન્જીનીયર્સ પ્રા. લિ. ને પનવેલ મુંબઈ ખાતે અદાણી સિમેન્ટ કંપનીનો પ્લાન્ટ બનાવવા માટે 19.95 કરોડનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. આ કામ માટે અદાણી ગ્રુપે એડવાન્સ પેટે અને ટુકડે ટુકડે કંપનીને રૂ.2,99,25,000 બેંક મારફતે ચૂકવી દીધા હતા. આ રકમના બદલામાં અવધ એન્જીનીયર્સના એમ.ડી. અનીલ સિંઘે કોલકત્તાની પંજાબ એન્ડ સિંધ બેંકના બે ગેરંટી સર્ટીફીકેટ (એડવાન્સ અને પર્ફોમન્સ ગેરંટી) જમા કરાવ્યા હતા. બેંક ગેરેંટી સર્ટીફિકેટ ડુપ્લીકેટ નીકળ્યાજોકે અવધ એન્જીનીયર્સ કંપનીએ નિયત સમય મર્યાદામાં માત્ર 20% જ કામ પૂર્ણ કર્યું હતું . જેને વારંવાર સૂચના આપવા છતાં બાકીનું કામ પૂરું ન કર્યું. આથી અદાણી ગ્રુપે જમા કરાવેલી બેંક ગેરંટી વટાવવાનો નિર્ણય લીધો હતો. અનેકંપનીના અધિકારીઓ કોલકત્તા સ્થિત પંજાબ એન્ડ સિંધ બેંકની શાખામાં તપાસ કરવા ગયા હતા. ત્યારે બેંક અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બંને બેંક ગેરંટી સર્ટીફીકેટ ડુપ્લીકેટ છે. બેંકમાં 'અવધ એન્જીનીયર્સ પ્રા. લિ.' નામનું કોઈ એકાઉન્ટ જ નથી. આ બાબતે કંપની ધ્વારા અનીલ સિંઘને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સર્ટીફીકેટ અસલ હોવાનો દાવો કરી બેંક ખોટી માહિતી આપતી હોવાનું જણાવી છેતરપિંડી ચાલુ રાખી હતી. અંતે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો અહેસાસ થતા શ્રીધર કોટીયલે અનીલ સિંઘ વિરુદ્ધ અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સાંતલપુરના 'ડ્રોન દીદી':અનિતાબેન ચૌધરીએ 900 એકરમાં ડ્રોનથી છંટકાવ કરી ₹4.50 લાખ કમાયા
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામના અનિતાબેન પરબતભાઈ ચૌધરી 'ડ્રોન દીદી' તરીકે જાણીતા છે. છેલ્લા બે વર્ષથી તેઓ ખેતી ક્ષેત્રે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્વરોજગાર મેળવી રહ્યા છે અને અન્ય ખેડૂતોને પણ લાભ પહોંચાડી રહ્યા છે. તેમને અર્બુદા સખી મંડળ દ્વારા ડ્રોન પ્રદાન કરવામાં આવ્યું છે. અનિતાબેન ડ્રોન દ્વારા ખેતી પાકોમાં છંટકાવ (સ્પ્રે) કરવાની સેવા પૂરી પાડે છે. તેઓ એક દિવસમાં આશરે 20 થી 25 એકર વિસ્તારમાં છંટકાવ કરે છે. આનાથી ખેડૂતોનો સમય, મહેનત અને ખર્ચ બચે છે, સાથે જ પાકની ગુણવત્તા પણ સુધરે છે. તેમની મહેનત અને કુશળતાના પરિણામે, અનિતાબેને વર્ષ 2014 દરમિયાન 1100 એકર વિસ્તારમાં ડ્રોન છંટકાવ કરીને ₹7,27,440 ની આવક મેળવી હતી. જ્યારે વર્ષ 2025 માં અત્યાર સુધીમાં 900 એકર વિસ્તારમાં કામગીરી કરીને ₹4,50,000 ની આવક હાંસલ કરી છે. પરંપરાગત રીતે પુરુષપ્રધાન ગણાતા ખેતી અને ટેકનોલોજી ક્ષેત્રમાં અનિતાબેનનું આ યોગદાન સમાજમાં મહિલાઓ માટે નવી દિશા દર્શાવે છે. તેઓ જણાવે છે કે સરકાર અને સહકારી સંસ્થાઓ દ્વારા મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપતી યોજનાઓ અને સહાયથી તેમને આત્મવિશ્વાસ મળ્યો છે. આ સહાયથી તેઓ આજે સ્વાવલંબન સાથે પોતાના પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવી શક્યા છે. 'ડ્રોન દીદી' તરીકે ઓળખ મેળવેલા અનિતાબેન ચૌધરી આજે ગ્રામ્ય વિસ્તારની અન્ય મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
છોટાઉદેપુર મત વિસ્તારમાં તથા અંતરયાળ ગ્રામીણ વિસ્તારમાં પ્રજાને પડતી રસ્તા અને પ્રાથમિક સુવિધાની પારાવાર મુશ્કેલી અને સમસ્યાના નિકાલ અંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે સરકારે છોટાઉદેપુરના કદવાલ તાલુકામા 14.23 કરોડના રસ્તાના કામો મંજૂર કરાયા છે. જેનું ખાતમુહૂર્ત કદવાલ ખાતે કરાયું હતું. નવ નિર્મિત કદવાલના સટૂન વિલેજ ટુ જોયનિગ મનજી ડુંગરી વસનગઢ રોડ 3 કિમી 450 મીટર રોડ રૂા. 37195000ના ખર્ચે, મુવાડા કાછલા ફળિયા ટુ સાગન ફળિયા ટુ જોયનિગ ચુલી રોડ 2 કીમી 300 મીટર રૂા. 34413000ના ખર્ચે, રિસર્ફેસિંગ ચુલી ભીખાપુરા પાનીમાંઈસ રોડ 3 કિમી 600 મીટરથી 6 કિમી 600 મીટર ભુખાપુર ચોકડીથી રાજપુર સુધી રૂા. 29331000ના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું , રિસર્ફેસિંગ જેતપુર કદવાલ રોડ 20 કિમીથી 23 કિમી ઊંઢાણીયા બસ સ્ટેશનથી ખાંડી સુધીનો 20 કિમીથી 23 કિમીનો રોડ રૂા. 14917000ના ખર્ચે, રિસર્ફેસિંગ કદવાલ બાકરોલ રોડ 3 કિમી 400 મીટર રૂા. 1.70 કરોડના ખર્ચે તથા કદવાલ ટુ ઝોઝા ફળિયા રોડ 95 લાખના ખર્ચે એમ કુલ રૂા. 142376000ના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અને સાંસદના હસ્તે કરાયું હતું. આ રસ્તા મંજુર થતા કદવાલ તાલુકાની પ્રજામાં આનંદની લાગણી ફેલાય છે. આ પ્રસંગે જિલ્લાના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો, ગામના આગેવાનો યુવાનો, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નવીન કડવાલ તાલુકામાં વિવિધ રસ્તાનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.
ચોરી:દાહોદમાં ક્લિનિક બહાર સ્કૂટરની ડીકીમાંથી 2.50 લાખની ચોરી
દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના ટીંડોરી ફળિયામાં રહેતા યુવાનની સ્કૂટરમાંથી ક્લિનિક બહાર દિવસ દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે. દાહોદ તાલુકાના ઉસરવાણ ગામના ટીંડોરી ફળિયામાં રહેતા અજયભાઇ હેમરાજભાઇ કિશોરી તેમની માતાની દાહોદ શહેરના પડાવ વિસ્તારમાં આવેલી ક્લિનિકમાં સારવાર ચાલી રહી હોવાથી શનિવારના રોજ બોટલ ચઢાવવા માટે આવતાં હતાં. આ દરમિયાન તેમણે લીધેલી ગોલ્ડ લોનના રૂપિયા બેન્કમાં ભરવાના હોવાથી 2,50,000 રૂપિયા રોકડા, આધાર કાર્ડ, પાન કાર્ડ તેમજ એસબીઆઈ બેન્કની ચેકબુક પ્લાસ્ટિકની થેલીમાં મૂકી પોતાની બર્ગમેન સ્કૂટરની ડીકીમાં રાખી હતી. માતાને ક્લિનિકમાં દાખલ કર્યા બાદ બપોરે બેન્કમાં ભરવા ગયા હતા, પરંતુ બેન્કમાં લાઇટ બંધ અને લંચ ટાઈમ હોવાથી પૈસા જમા કર્યા વગર પરત ક્લિનિક આવ્યા હતા. સ્કૂટર ક્લિનિકની બહાર પાર્ક કરી તેઓ અંદર ગયા તે દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ સ્કૂટરની ડીકી તોડી અંદર મૂકેલા રૂપિયા અને દસ્તાવેજો ચોરી કરીને ફરાર થયો હતો. સારવાર બાદ બહાર આવતાં ડીકી તૂટેલી દેખાતા તપાસ કરતાં સામાન ગાયબ હોવાનું જાણવા મળ્યું. આજુબાજુ શોધખોળ છતાં કોઈ પતો ન લાગતાં અજયભાઇએ દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ચોરીની ફરિયાદ નોંધાવી છે.
દારૂનો મોટો જથ્થો પકડાયો:હરિયાણના રોહતકથી અમદાવાદ જતો વિદેશી દારૂ ઓરવાડામાં ઝબ્બે
ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે ગાંધીનગર સ્થિત સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) પોલીસે ટ્રકમાં કોટન વેસ્ટેજ બેગની આડમાં ગેરકાયદે લઈ જવાતો 15.47 લાખના દારૂ સાથે બે ઇસમોને પકડ્યાં છે. ગોધરાના ઓરવાડા પાસે ઇન્દોર હાઇવે પરથી એક ટ્રકમાં કોટર વેસ્ટેજ ભરેલી બેગની આડમાં દારૂનો જથ્થો લઇને પસાર થવાના છે. તેવી બાતમી સ્ટેટ વિજીલન્સ પોલીસને મળી હતી. વિજીલન્સ પોલીસે ઓરવાડા પાસે વોંચ ગોઠવીને બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને રોકીને તપાસ કરી હતી.પોલીસ તપાસ દરમિયાન રૂ.15.47 લાખની 7,197 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. દારૂ સાથે વાહન, કોટન વેસ્ટેજ બેગનો જથ્થો તેમજ અન્ય સાધનો મળી કુલ રૂ. 39.85 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં વાહન ચલાવનાર ગુરમીતસિંઘ મખનસિંહ મજબી તથા ક્લીનર તરીકે બોબીસિંઘ જોગીન્દરસિંહ મજબી હરિયાણાની અટકાયત કરી હતી. આ વિદેશી દારૂનો જથ્થો દિલ્હીના રાણા તેમજ હરિયાણા રાજ્યના રોહતકના કૌશિક દ્વારા મોકલાયો. આ જથ્થો અમદાવાદના એક ઇસમને પહોંચાડવાનો હતો. આ સમગ્ર કૌભાંડમાં કુલ પાંચ ઇસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ છે.
ઐતિહાસિક નગર લુણાવાડાના ભવ્ય ભૂતકાળ, પ્રાચીન કલા-સંસ્કૃતિ અને રાજવંશી વારસાથી પ્રજાજનોને માહિતગાર કરવાના ઉમદા આશય સાથે મહારાણા સિદ્ધરાજસિંહજીના માર્ગદર્શન હેઠળ વિશેષ ''લુણાવાડા હેરિટેજ ટૂર''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ હેરિટેજ ટૂરનો પ્રારંભ વહેલી સવારે વસંતસાગર તળાવ સ્થિત મનોહરનાથજી અખાડાથી થયો હતો. આ ટૂર દરમિયાન મહારાણા સિદ્ધરાજસિંહજીની સાથે રાજકુમારી મ્રિનાલિનીકુમારીજી, સહિત અગ્રણી નાગરિકો અને ઇતિહાસપ્રેમી મુલાકાતીઓએ શહેરના અનેક ઐતિહાસિક અને સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લીધી હતી. સમગ્ર પ્રવાસ દરમિયાન જાણીતા ઇતિહાસવિદ અને શ્રી મલ્લવણપુર પુસ્તકના લેખક તેમજ પ્રાચીન સિક્કાઓના સંગ્રહકાર હર્ષદભાઈ કડિયાએ દરેક સ્થાપત્યના નિર્માણ, તેની પૃષ્ઠભૂમિ અને ઐતિહાસિક મહત્વ વિશે ઊંડાણપૂર્વક અને રસપ્રદ માહિતી આપી નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. હેરિટેજ યાત્રાનું સમાપન લુણાવાડા રાજમહેલ ખાતે થયું હતું. રાજમહેલના દરબાર હોલમાં મુલાકાતીઓ માટે ખાસ પ્રદર્શન યોજાયું હતું,
115 વિદ્યાર્થીઓએ લાભ લઇ માર્ગદર્શન મેળવ્યું:દાહોદ આઇટીઆઇમાં યુવાનો માટે આરોગ્ય વિષયક શિબિર
જી.એસ.એ.સી.એસ. (GSACS) અમદાવાદના એડિશનલ પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. કાર્તિક શાહના આદેશ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત અને DTHO ડૉ. આર.ડી. પહાડીયાના માર્ગદર્શન હેઠળ દિશા સંસ્થા દ્વારા આઈ.ટી.આઈ. દાહોદ ખાતે એક દિવસીય મુખ્યધારા (મેનસ્ટ્રીમિંગ) તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા વર્ગ અને જનમાનસમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. આ અંતર્ગત ''''દિશા'''' દાહોદના કોમલ પટેલ દ્વારા HIV/AIDS, હીપેટાઈટીસ, ક્ષય (TB) અને બ્લડ બેંકની કામગીરી વિશે વિસ્તૃત તાલીમ આપી રક્તદાનના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ITIના આશરે 115 જેટલા વિદ્યાર્થીઓએ સક્રિયપણે ભાગ લીધો હતો.આચાર્ય એસ.એસ. મકવાણા, વિપુલ લાલચંદાની, નિલેષ પરમાર સહિતના સ્ટાફનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
SIR કામગીરી:દાહોદ જિલ્લાની 6 વિધાનસભા બેઠકમાં 1.80 લાખ મતદારો રદ
દાહોદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા 16,93,002 હતી. આ મતદારો પૈકી કુલ પરત મળેલ ગણતરી ફોર્મ EF ની સંખ્યા 15,12,767 છે. ASDના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા 1,80,235 છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં 15,12,767 જેટલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માન્ય રાજકીય પક્ષને આ ફાઈનલ ડ્રાફ્ટ રોલની સોફ્ટ અને હાર્ડ કોપી સુપ્રત કરવામાં આવી છે. દરેક બુથના BLOને પણ ફોટોવાળી મતદાર યાદી આપવામાં આવી છે. આ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલ અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ તારીખ 19 ડિસેમ્બર2025 થી 18 જાન્યુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન સબંધિત EROને રજૂ કરી શકાશે, અને સુનાવણીના સમયગાળા દરમિયાન હક્ક દાવા અને વાંધા અરજીઓ હોય તેવા મતદારો અને નો મેપીંગ એટલે કે 2002ની યાદી મુજબ જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ 25,962 મતદારોને 19 ડિસેમ્બર 2025 થી 10 ફેબ્રુઆરી 2026 સુધીના સમયગાળા દરમિયાન સંબંધીત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળીને મતદાર દ્વારા રજુ કરેલ આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે. ભાસ્કર નોલેજમતદાર યાદીમાં નામ ઉમેરવા કે સુધારવા શું કરવુમતદાર યાદીમાં જો નવુ નામ નોંધાવવું હોય તો ફોર્મ નંબર-6 ભરવુ પડશે. જો યાદીમાં નામ હોય પણ તેમાં સુધારો (જેમ કે નામ, ફોટો, ઉંમર કે સરનામું) કરવો હોય તો ફોર્મ નંબર-8 ભરવાનું રહેશે. આ ફોર્મ સાથે આધાર કાર્ડ, જન્મ તારીખ અને રહેઠાણના જરૂરી દસ્તાવેજો જોડી તમે ઓનલાઈન અથવા તમારા વિસ્તારના BLO પાસે જઈને જમા કરાવી શકો છો. અરજીની વહીવટી તપાસ બાદ નામ ઉમેરાશે કે સુધારો થઈ જશે. કોઈપણ વધુ માહિતી કે સહાય માટે ચૂંટણી પંચના ટોલ-ફ્રી નંબર 1950 પર કોલ કરી શકાય છે.
પંચમહાલના ગોધરા અને વેજલપુર વિસ્તારમાં એસઓજી પોલીસે ચાઇનીઝ પંતગ દોરાની દુકાનોમાં તપાસ કરતા ગોધરાના ભુરાવાવ ખાતેથી એક દુકાનમાંથી 46 પ્રતિબંધીત ચાઇનીઝ દોરીની ફીરકી તથા વેજલપુર ખાતેની દુકામાંથી 9 ચાઇનીઝ દોરીના જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોધરા અને વેજલપુર ખાતેથી 27500નો મુદ્દામાલ કબજે કરીને બે ઇસમોને પકડીને કાર્યવાહી કરી હતી. આગામી ઉત્તરાયણના તહેવારને ધ્યાનમાં રાખી અેસઓજીની ટીમે ગોધરાની પતંગની દુકાનોનું ચેકિંગ કર્યું હતું.જેમાં ભુરાવાવ ડોડપા તળાવ પાસેની દુકાનમાંથી રૂ23,000ની કિંમતની 46 રીલ ચાઈનીઝ દોરીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઠાકોરલાલ ગેંદાલાલ ભોઈને પકડીને ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધ્યો હતો. જયારે એસઓજીએ વેજલપુરના માળી ફળિયામાં આવેલી એક દુકાનમાંથી 4500 રૂપીયાની ચાઇનીઝ દોરીની 9 ફીરકીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રોશનકુમાર જયદીપસિંહ પરમારને પકડીને તેની વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ભાસ્કર નોલેજ
ભાસ્કર એક્સક્લુસિવ:દાહોદ જિલ્લામાં સર્કિટથી વીજ ચોરી પ્રકરણમાં 959 મીટરમાં
દાહોદ જિલ્લામાં એમજીવીસીએલ દ્વારા વિજ ચોરીનું મેગા રસ્ચ ઓપરેશન કરીને સર્કીટથી વિજ ચોરી થતી હોવાથી 1478 મીટર કબજે કરીને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. લેબોરેટરીમાં 959 વિજ મીટરમાં ચોરી થતી હોવાનું પુરવાર થતા 13.57 કરોડનો દંડ વિજ ગ્રાહકોને ફટકાર્યો હતો. જિલ્લામાં તમામ તાલુકામાં ચેક કરતા સર્કીટથી વિજ ચોરી થતી હોવાનું માલુમ થયું છે. રાજયની સૌથી મોટી વીજ ચોરી પકડવામાં વિજ કંપનીને સફળતા મળી હતી. દાહોદ જિલ્લામાં વિજ ચોરી મોટા પ્રમાણમાં થતી હોવાની માહીતીને લઇને એમજીવીસીએલની 1000 થી વધુ ટીમો દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં મેગા વિજચેકીંગ ઓગસ્ટ માસમાંથી ચાલુ કર્યું હતું. વિજ કંપની દ્વારા વિજ ચેકીંગ દરમ્યાન વિજ ચોરી સર્કીટ દ્વારા કરવામાં આવતા હોવાનું બહાર આવતા વિજ અધીકારીઓ ચોંકી ઉઠયા હતા. ઓછા વિજ બિલ આવતા વિજ ગ્રાહકોને ત્યાં તપાસ કરી હતી.સર્કીટ દ્વારા વિજ ચોરી મોટા પ્રમાણમાં દાહોદ જિલ્લામાંથી મળી આવી હતી. વિજ ચોરી કરતા દાહોદ જિલ્લામાંથી અત્યાર સુધીમાં શંકાસ્પદ 1478 વિજ મીટર વિજકંપનીએ કબજે કર્યા હતા.તમામ વિજ મીટરોને લેબોરેટરીમાં ચેક કરવા મોકલ્યા હતા. લેબોરેટરીમાં મીરટ સાથે સર્કીટ લગાવીને વિજ ચોરી કરી હોવા તેવા 959 વિજ મીટર મળી આવ્યા હતા. એમજીવીસીએલે 1478 વિજ મીટરમાંથી 959 મીટરમાં વિજ ચોરી કરી હોવાનું પુરવાર થતા તમામ વિજગ્રાહકોને 13.57 કરોડનો દંડ ફટકાર્યો હતો.દાહોદ જિલ્લામાં સૌથી વધુ સર્કીટથી વિજ ચોરી દાહોદ તાલુકામાં 7.83 કરોડ રૂપીયાની થઇ હતી. દાહોદ જિલ્લામાંથી 959 મીટરમાંથી સીંગલ ફેઇઝના 885 અને 74 થ્રી ફેઇઝના મીટર હતા. એમજીવીસીએલ દ્વારા 13.57 કરોડની વિજ ચોરી વસુલાત કરતા અત્યાર સુધીમાં 4 કરોડ રૂપિયાનો દંડ વસુલ્યો છે. ત્યારે જિલ્લામાં સર્કીટથી વિજચોરીમાં હોસ્પીટલ, કોર્પોરેટર સહિતના મોટા માંથા પણ હોવાનું બહાર આવ્યું છે.એમજીવીસીએલે 100 થી વધુ વિજ ગ્રાહકો સામે ફરીયાદ નોંધી હતી. ઉલલેખનિય છે કે, દાહોદ જિલ્લામાં બે માસ અગાઉ જ વીજચોરીની વ્યાપક ફરિયાદોના પગલે વીજ તંત્ર દ્વારા સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતાં. જેમાં સર્કિટ ફિટ કરીને ચોરી કરતા હોવાનો પર્દાફાશ થયો હતો. કયા તાલુકાના વીજ મીટરમાં વીજ ચોરી પકડાઇ
અકસ્માતનો ભય:ઝાડેશ્વર ચોકડીથી તવરાના 4 કિમી માર્ગ પર 4 નાળા પહોળા કરવામાં ન આવ્યા
ઝાડેશ્વર ચોકડીથી નવા તવરા સુધી 4 કિ.મીના માર્ગ ઉપર આવેલા 4 નાળા પહોળા નહીં કરતા વાહન ચાલકો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. ભરૂચના તવરાથી ઝાડેશ્વર ચોકડી સુધી ચાર કિમીનો રસ્તો 23 કરોડના ખર્ચથી બનાવવામાં આવ્યો છે. આ રોડ ઉપર આવતા 4 મોટા નાળાને પહોળા કરવામાં આવ્યાં નથી. ખેતરોના કુદરતી વરસાદી પાણીના નિકાલ થતો હોવાના કારણે તે કાંસ ઉપરના નાળા બનાવેલા છે તે પહોળા કર્યા વગર જ આરસીસી. રોડ બનાવી દેવામાં આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટેની ગટર બનાવ્યા વગર તમામ કામગીરી આટોપી લેવામાં આવી હોવાની ફરિયાદ સ્થાનિકો કરી રહયાં છે. કોઈ વાહન ચાલક નાળામાં ખાબકી ન જાય તે માટે માત્ર લોખંડની ગ્રીલ લગાડી કામચલાઉ પ્રોટેક્ટ કરી સંતોષ માનવા આવ્યો છે. ફોર લેન માર્ગ ઉપર સ્ટ્રીટ લાઈટના અભાવે અંધારપટ રહેતો હોવાથી અકસ્માતનો ભય રહે છે. ફોર લેન રસ્તાની વચ્ચમાં જે ડીવાઈડર બનાવ્યા છે તેમાં સામ સામે આવતા વાહનોની લાઇટથી વાહન ચાલકોની આંખો પણ અંજાઈ જતા અકસ્માતનો ભય રહે છે. ડીવાઈડર પરથી ઢોર પસાર થતાં હોય ડીવાઈડરમાં ગ્રિલ ગોઠવવી જરૂરી છે. માર્ગની આસપાસમાં વરસાદી પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા પણ કરવામાં આવી નથી.
મહારાષ્ટ્રમાં બાજી પલટાઈ! કોંગ્રેસને 24 કલાકમાં 2 ઓફર, સંજય રાઉત-રાહુલ ગાંધીની ફોન પર વાતચીત
Maharashtra local elections : મહારાષ્ટ્રમાં સ્થાનિક ચૂંટણીઓ બાદ રાજકારણમાં મોટા ફેરબદલ જોવા મળી રહ્યા છે. રવિવારે સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો. શિંદેની શિવસેના અને અજિત પવારની NCPએ પણ મોટી સંખ્યામાં બેઠકો જીતી. જે બાદ વિપક્ષે આગામી BMC ચૂંટણી તથા પૂણેની સ્થાનિક ચૂંટણીને લઈને કમર કસી છે. કોંગ્રેસ અને રાજ રાજ ઠાકરે બંને સાથે ગઠબંધન કરવા શિવસેના-UBTના પ્રયાસ
સારવાર:નવજાત પર એરવે હેમામંજિયોમાનો સફળ ઉપચાર
નારાયણા હેલ્થ એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલ, મુંબઈ દ્વારા આછ મહિનાની નવજાતમાં અત્યંત દુર્લભ અને સંભવિત રીતે જીવ જોખમી એરવેનું નિદાન અને સફળતાથી ઉપચાર કરાયો હતો. તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને જન્મથી વજન વધતું નહોતું. જન્મથી જ નવજાત શ્વાસ લેતી ત્યારે સતત અવાજ આવતો હતો. તે રડતી ત્યારે સ્થિતિ વધુ કથળતી હતી અને સતત સૂતેલી સ્થિતિમાં જ રહેતી હતી. ખાવામાં મુશ્કેલી થતી હતી, વજન વધતું હતુ, જેને લઈ અંતર્ગત એરવે સાથે બાંધછોડ થયું હોવાનું જણાયું હતું. આખરે હોસ્પિટલમાં લાવવામાં આવતાં અચૂક નિદાન કરાયું અને ત્યાર પછી સફળ ઉપચાર કરાયો હતો.
સશક્ત નારી મેળાનું આયોજન:15 હજાર લોકોએ 22 લાખની વસ્તુઓની ખરીદી કરી
ઝઘડીયા ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચમાં 3 દિવસ સશક્ત નારી મેળાનું આયોજન હોસ્ટેલ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાન ને ઉજાગર કરી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનોના માર્કેટ પુરા પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલાં સ્ટોલ રાખવામાં આવ્યાં હતાં. મહિલા સ્વ સહાય જૂથો, મહિલા સ્ટાર્ટઅપ, સહકારી સંસ્થાઓ અને મહિલા ખેડૂતોના ઉત્પાદનો અને નવીનતાઓ રજૂ કરવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે હસ્તકલા, મીલેટ પ્રોડક્ટ, ફૂડ પ્રોસેસિંગ પ્રાકૃતિક ઉત્પાદનો સહિતના સ્ટોલ સાથે ડેમો અને વેચાણ કરી ત્રણ દિવસમાં રૂપિયા 22 લાખની વસ્તુનું વેચાણ કરી આવક મેળવી હતી. મેળામાં 15 હજાર જેલા લોકો મુલાકાત કરી વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. મેળામાં બહેનોને નારી સશક્તિકરણ આત્મનિર્ભર ભારત, ઘર ઘર સ્વદેશી જેવી થીમ પર ટોક શો નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ દિવસમાં 17 જેટલા બહેનોએ વકૃત્વ રજૂ કરી ગ્રામ્ય બહેનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સાથે સ્કૂલના બાળકો માટે વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું . સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો, રમતો જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી. ગ્રામ્ય કક્ષાના 2 હજાર જેટલા બહેનો મેળામાં આવી સ્વ ઉત્પાદિત ચીજ વસ્તુઓનુ નિરીક્ષણ કરી પ્રેરણા લીધી હતી. અમને લાગતું હતું કે અમારી વસ્તુનું વેચાણ થશે કે નહીંઅમે પ્રથમ વખત સશક્ત નારી મેળામાં ભાગ લીધો હતો. ત્યારે અમને લાગતું હતું કે અમારા વસ્તુનું બજારમાં વેચાણ થશે નહીં, તેવા સવાલો ઉભા થયા હતા, પણ માર્કેટમાં ગયા પછી ઘણા બધા લોકોને વસ્તુ ગમી અને લઇ ગયા સાથે ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. મેળામાં ગયા તો અમને ખુબ શીખવાનું અને ધંધો કરવાનો ઉત્સાહ વધ્યો અને વેચાણ માટે પ્લેટફોર્મ પણ મળ્યું છે. > કલ્પના વસાવા, પ્રકૃતિ સ્વ સહાય જુથ દુ.માલપોર
સિટી એન્કર:‘નેશનલ મેથમેટિક્સ ડે’ પર BMCના છાત્રો માટે ‘મેથ અરાઉન્ડ અસ’
અદાણી ઈલેક્ટ્રિસિટીના ટેકા સાથે તેના ફ્લેગશિપ શૈક્ષણિક પહેલ પ્રોજેક્ટ ‘ઉત્થાન’ થકી અદાણી ફાઉન્ડેશન દ્વારા એક સપ્તાહ લાંબી સહભાગી અને મજેદાર શીખવાની પ્રવૃત્તિઓ સાથે બૃહદમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં ‘નેશનલ મેથમેટિક ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી લીજેન્ડરી ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજના માનમાં ઊજવવામાં આવી હતી અને તેની થીમ ‘મેથ અરાઉન્ડ અસ’ હતી, જેમાં વિદ્યાર્થીઓને ક્લાસરૂમના વિષયોમાં ડરને બદલે રોજબરોજના જીવનના ભાગરૂપે મેથમેટિક્સ અનુભવવામાં મદદ કરાઈ હતી. આ કાર્યક્રમ ખાસ કરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગણિતને આસાન, વ્યવહારુ અને આનંદિત બનાવવા માટે તૈયાર કરાયો હતો. બીએમસીની શાળાઓમાં સહભાગી થતાં ક્લાસરૂમ લર્નિંગ હબ્સમાં ફેરવાયા હતા, જ્યાં વિદ્યાર્થીઓને હાથોહાથની પ્રવૃત્તિઓ, ગેમ્સ અને ગ્રુપ પડકારો થકી સંખ્યાઓ, આકાર, શૈલીઓ અને તર્કની ખોજ કરવાનો મોકો મળ્યો હતો. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉત્થાનના સહાયકોએ જોશભેર ભાગ લીધો હતો, જેમાં ઓન-ગ્રાઉન્ડ પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થતો હતો. શીખવાના સ્પષટ હેતુઓ સાથે ઘણી બધી વિચારપૂર્વક ઘડવામાં આવેલી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. પઝલ્સ અને ગેમ્સ, જેમ કે ટેંગ્રામ ચેલેન્જીસ, સુડોકુ કોર્નર્સ, લોજિક રિડલ્સ અને મલ્ટિપ્લિકેશન પિરામિડ્સ જેવી પઝલ્સ અને ગેમ્સ થકી વિદ્યાર્થીઓએ સંખ્યાનું ભાન, તાર્કિક કારણો અને સમસ્યા ઉકેલવાની કુશળતા શીખી હતી. હાથોહાથની પ્રવૃત્તિઓમાં સ્ટ્રો અને ઓરિગામી આધારિત જ્યોમેટ્રીનો ઉપયોગ કરીને 2D અને 3D આકાર નિર્માણ કરવાનો સમાવેશ થતો હતો, જેમાં વિદ્યાર્થીઓને સ્પાશિયલ સંકલ્પનાઓ સમજવામાં અને વ્યવહારુ રીતે ગણિતના વિચારો લાગુ કરવામાં મદદ મળી હતી. વિશેષ સત્રોમાં શ્રીનિવાસ રામાનુજનના જીવન પર શોર્ટ ફિલ્મ અને મેથમેટિક્સ પ્લેજનો સમાવેશ થતો હતો, જેનું લક્ષ્ય વિષય માટે આદર નિર્માણ કરવાનું અને લર્નિંગ મેથમેટિક્સ સાથે હકારાત્મક ભાવનાત્મક જોડાણ અપનાવવાનું હતું. આ અવસરે બોલતાં અદાણી ઈલેક્ટ્રિસિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ ઉત્થાન અમે સેવા આપીએ તે સમુદાયોમાં બાળકોના પરિપૂર્ણ વિકાસ પ્રત્યે અમારી લાંબા ગાળાની કટિબદ્ધતા પ્રદર્શિત કરે છે. ગણિત આધુનિક જીવન, ટેકનોલોજી અને સમસ્યા ઉકેલવા માટે સૈદ્ધાંતિક છે.’’ અદાણી ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પ્રોજેક્ટ ઉત્થાન હેઠળ અમારી એકાગ્રતા ક્લાસરૂમોને ઉત્સુકતા અને આત્મવિશ્વાસની જગ્યામાં પરિવર્તિત કરવાની છે. વિવિધ પ્રવૃત્તિઓ અને ગેમ્સ થકી નેશનલ મેથમેટિક્સ ડેની ઉજવણી પાયાકીય આંકડાકીય જ્ઞાન મજબૂત બનાવવાની શક્તિશાળી રીત છે.’’
ત્રણ દાયકા પછી મુંબઈને એક નવું રેલવે ટર્મિનસ મળશે. પશ્ચિમ રેલવેએ જોગેશ્વરી ખાતે નવા ટર્મિનસના કામની અંતિમ મુદત જાહેર કરી છે. આ ટર્મિનસ શરૂ થયા પછી મુંબઈથી દોડતી લાંબા અંતરની ટ્રેન માટે વધુ એક મહત્વનો વિકલ્પ ઉપલબ્ધ થશે. અત્યારે મુંબઈમાં દાદર, મુંબઈ સેંટ્રલ, બાન્દરા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને લોકમાન્ય તિલક ટર્મિનસ કાર્યરત છે. હવે આ યાદીમાં જોગેશ્વરી ટર્મિનસની ઉમેરો થશે. એના લીધે દાદર અને સીએસએમટી જેવા ગિરદીવાળા સ્ટેશનનો ભાર ઓછો થવાની અપેક્ષા છે. જોગેશ્વરી રેલવે સ્ટેશન નજીકના અત્યારના સહાયક ટર્મિનલ યાર્ડમાં આ પ્રકલ્પ વિકસિત કરવામાં આવે છે. અત્યાર સુધી ફક્ત ટ્રેન ઊભી કરવા માટે વપરાતા આ યાર્ડમાં પ્રવાસી પરિવહન નહોતું. જો કે ટર્મિનસ શરૂ થયા પછી આ સ્ટેશન મુંબઈના લાંબા અંતરની ટ્રેન માટે મહત્વનો ભાગ બનશે. આ પ્રકલ્પ માટે લગભગ 76.48 કરોડ રૂપિયા ખર્ચ અપેક્ષિત છે. બંને તબક્કા પૂરા થયા પછી દરરોજ લાંબા અંતરની 24 મેલ-એક્સપ્રેસ અહીંથી દોડાવવાની આ ટર્મિનસની ક્ષમતા હશે. આ પ્રકલ્પ મૂળ તો ડિસેમ્બર 2024માં પૂરો થવાનો હતો. પણ જગ્યાની અડચણ અને કરાર બાબતના કારણોસર કામમાં વિલંબ થયો. હવે પ્રથમ તબક્કો જૂન 2026 સુધી પૂરો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પહેલા તબક્કામાં બે પ્રવાસી પ્લેટફોર્મ સહિત પૂર્ણ વિકસિત કોચિંગ ટર્મિનસ ઊભું કરવામાં આવશે. એમાં એક સ્ટેશનની બાજુએ અને બીજું બે પાટા વચ્ચે હશે. તેથી એક જ સમયે ત્રણ લાંબા અંતરની ટ્રેન ચલાવવી શક્ય થશે. દરમિયાન બીજો તબક્કો માર્ચ 2027 સુધી પૂરો થશે.
ભરૂચ શહેરમાં કડવા પાટીદાર પરિવાર મંડળ દ્વારા સમાજમાં એકતા, ભાઈચારો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ભરૂચ શહેરના ઝાડેશ્વર સ્થિત સ્વામિનારાયણ મંદિર પાછળ આવેલા મહંતસ્વામી સભા સ્થળ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં વિવિધ રમતો અને સ્પર્ધાઓ જેવી કે કેરમ, ચેસ, ડ્રોઈંગ અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના નાનાથી લઈને મોટા લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કડવા પાટીદાર પરિવાર મંડળ,ભરૂચના પ્રમુખ રાજનીકાંત પટેલે જણાવ્યું હતું કે, આવા સામાજિક કાર્યક્રમો દ્વારા સમાજના લોકોમાં એકતા, પરસ્પર સ્નેહ અને સંસ્કૃતિને નવી દિશા મળશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજના ઉપપ્રમુખ નિલેશ પટેલ અને મંત્રી હિતેશ પટેલ સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
સરસ્વતી વિદ્યાલય ખાતે સપ્તશક્તિ સંગમ તથા રાષ્ટ્ર સેવિકા સમિતિ તરફથી મહિલા સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં માતૃશક્તિઓ તથા કિશોરીઓ હાજર રહી હતી. મહિલા સંમેલનના સંયોજિકા દિપીકા વ્યાસ તરફથી સૌને આવકાર અપાયો હતો. મુખ્ય વક્તા ડોક્ટર નીલાબેન ડોંગરેએ ભારતના વિકાસમાં મહીલાઓની ભૂમિકા અને સ્થિતિ વિશે સરસ માહિતી આપી. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે મહિલા તથા કિશોરીઓને સ્પર્શતા વિષય પર જાણકારી આપી. બાર એસોસીએશનના પ્રમુખ વંદનાબેન ભટ્ટે કાયદાકીય માહિતી આપી હતી.
સહકારી કેમ્પનું આયોજન કરાયું:ભરૂચની કોમર્સ કોલેજમાં છ દિવસીય સહકારી કેમ્પ યોજાયો
એમ કે કોલેજ ઓફ કોમર્સ ભરૂચ તથા ભરૂચ જિલ્લા સહકારી સંઘ સંયુક્ત ઉપક્રમે સહકારી સપ્તાહ છ દિવસ કેમ્પનું સમાપન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ભરત પટેલ, રવિન્દ્રસિંહ રાણા અને કોલેજના આચાર્ય ડૉ.જોષી ઉપસ્થિત રહ્યા હતા. આ છ દિવસીય સહકારી કેમ્પમાં વિદ્યાર્થીઓને સહકારી ક્ષેત્રે સંપૂર્ણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
આખરે અકસ્માતનો ભોગ બનનારની ફરિયાદ નોંધાઈ:નર્મદા પોલીસે 111 દિવસ બાદ અંતે એનએચએઆઇ સામે ફરિયાદ નોંધી
કેવડિયા કેનાલ હેડ પાવર હાઉસમાં ફરજ બજાવતો પ્રવિણકાંત ઝા 29મી ઓગષ્ટના રોજ તેની બાઇક પર ગરુડેશ્વરથી રાજપીપલા આવી રહ્યો હતો. વાંસલા ગામ પાસે રોડ પર ખાડાને કારણે તેની બાઈકને અકસ્માત થતા તે નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયો હતો. એ જ દિવસે આ ખાડાને કારણે અન્ય ત્રણ અકસ્માત થયા હતા. અકસ્માત બાદ તે નેશનલ હાઇવે ઓથોરિટી સામે ફરિયાદ નોંધાવવા માટે ગયો હતો પણ કેવડિયા અને ગરૂડેશ્વર પોલીસે ફરિયાદ લીધી ન હતી. તેણે ડીવાયએસપીને ફરિયાદ લેવા રજૂઆત કરી પરંતુ ત્યાંથી પણ સકારાત્મક જવાબ ના મળ્યો. નિરાશ થયા વિના તેણે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા અને જિલ્લા પોલીસ વડાને મળ્યા તો પણ તેની ફરિયાદ નોંધાઇ ન હતી. આખરે તેણે માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. 111 દિવસની લડત બાદ આખરે નર્મદા પોલીસે નેશનલ હાઇવે ઓથોરીટી સામે ફરિયાદ નોંધી છે. ગરૂડેશ્વર પોલીસે જવાબદાર અધિકારી સામે બીએનએસની કલમ 125 તથા 125 (બી) મુજબ ગુનો દાખલ કર્યો છે. કલેકટરની હાજરીમાં સુનાવણીમાં નિર્ણય લેવાયોનર્મદા પોલીસ ફરિયાદ લેતી ન હોવાથી યુવાને હિમંત હાર્યા વિના લડત ચાલુ રાખી હતી. આખરે તેણે જિલ્લા સંકલન સમિતિ અને સીએમઓ પોર્ટલ પર ફરિયાદ કરી હતી. નર્મદા કલેકટર એસ.કે.મોદીએ એનએચએઆઇના અધિકારીઓની હાજરીમાં સુનાવણી રાખી હતી જેમાં અધિકારીઓએ રસ્તો જલદી બનાવી દેવાની ખાતરી આપી હતી પણ યુવાને વળતર માટે ટ્રિબ્યુનલમાં જવાની વાત કરી હતી. માનવ અધિકાર આયોગના આદેશથી થયેલી સુનાવણીમાં કલેકટરે નર્મદા પોલીસને યુવાનની ફરિયાદ લેવા માટે આદેશ કર્યો હતો. આખરે તેની લડત રંગ લાવી છે. 3 વર્ષ સુધીની સજા અથવા 10 હજાર સુધીનો દંડગરૂડેશ્વર પોલીસે નેશનલ હાઇવે ઓથોરીટીના જવાબદાર અધિકારીઓ સામે બીએનએસની કલમ 125 અને 125 (બી) મુજબ ગુનો દાખલ કર્યો છે. જો કોઈ વ્યક્તિ બેદરકારીપૂર્વક અથવા ઉદાસીનતાથી એવું કૃત્ય કરે છે કે જે અન્ય લોકોના જીવન અથવા સુરક્ષાને જોખમમાં મૂકે છે, તો તેને ત્રણ મહિના સુધીની જેલ અથવા દોઢ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને સાથે દંડિત કરી શકાય છે. જો આ બેદરકારીથી ઈજા થાય છે તો છ મહિના સુધીની જેલ અથવા પાંચ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે. જો ગંભીર ઈજા થાય છે તો ત્રણ વર્ષ સુધીની જેલ અથવા દસ હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને થઈ શકે છે.
નર્મદા જિલ્લામાં એકતા દિવસ તથા જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આવ્યાં હતાં. આ બંને કાર્યક્રમો પાછળ સરકારી ચોપડે 24 કરોડથી વધુનો ખર્ચ કરાયો હોવાની વિગતો સામે આવી છે. દેડિયાપાડાના આપ પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ વહીવટીતંત્ર પાસે બંને કાર્યક્રમો પાછળ કરવામાં આવેલાં ખર્ચની વિગતો માગી હતી. તંત્રએ રજૂ કરેલાં હિસાબોમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી દરમિયાન વિવિધ સરકારી કચેરીઓ તરફથી 8.33 કરોડ રૂપિયા જયારે જનજાતીય ગૌરવ દિવસની દેડિયાપાડા ખાતે થયેલી ઉજવણીમાં 14.12 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાની વિગતો સામે આવી છે. નર્મદા જિલ્લામાં આવેલી વિવિધ કચેરીઓમાં આ ખર્ચ બતાવવામાં આવ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં 7 કરોડનો મંડપ અને 3 કરોડનો ડોમ બનાવવામાં આવ્યો હતો. ચા– નાસ્તા પાછળ 2 કરોડ અને જનમેદનીની એકત્ર કરવા માટે એસટી બસો પાછળ 7 કરોડનો ખર્ચ કરાયો છે. સંકલન સમિતીની બેઠકમાં ધારાસભ્યએ આ મામલે તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. વિકાસકામો માટેના રૂપિયા તાયફાઓમાં વાપર્યા આપણા જિલ્લામાં 12333 બાળકો કુપોષણથી પીડાય છે. બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા માટે ફુડબીલ માટે ગ્રાન્ટ નથી અને બીજી બાજુ તાઈફાઓમાં કરોડોનો ખર્ચ કરી નાખવામાં આવે છે. > ચૈતર વસાવા, ધારાસભ્ય, દેડિયાપાડા ધારાસભ્યએ પવડી વિભાગ પાસે પૈસા માંગ્યા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના અધિકારી પાસે 75 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ પૈસા નહિ મળતાં તેઓ સંકલન સમિતિની બેઠક તથા અન્ય જગ્યાએ કાર્યક્રમ પાછળ થયેલાં ખર્ચનો મુદ્દો ઉછાળી રહયાં છે. > મનસુખ વસાવા, સાંસદ, ભરૂચ જનજાતીય ગૌરવ દિવસનો ખર્ચ
ઘરફોડ ચોરીનો બનાવ:ઘૂંટુ પાસે વૃદ્ધાના ઘરમાંથી દાગીના, રોકડ મળી રૂ.1.19 લાખની ચોરી
મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલી રામનગરી સોસાયટીમાં મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ઘરના દરવાજાના નકુચાના તાળા તોડીને ઘરમાં ઘુસી ઘરમાં રહેલા સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1.19 લાખ કરતાં વધુની કિંમતના મુદ્દામાલની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. જો કે વૃદ્ધાના ઘરમાં ચારેક દિવસ પહેલા બનેલી આ ચોરીની ઘટનાની હવે છેક મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધતા પોલીસની કામગીરી સામે તર્ક વિતર્ક સર્જાયા છે. મોરબી તાલુકાના ઘૂટું ગામ પાસે આવેલા રામનગરી સોસાયટીમાં રહેતા અને મૂળ નાની મોલડી ગામના રહેવાસી ડાહીબેન માવજીભાઈ વાળા (ઉ.વ.65) નામના વૃદ્ધાના મકાનમાં ગત તા.18 ડિસેમ્બરે ચોરીના ઇરાદે તસ્કરો ત્રાટકયા હતા અને તેમના મકાનને તસ્કરોએ નિશાન બનાવીને તેના ઘરના દરવાજાના નકુચાના તાળા તોડી નાખ્યા હતા. તસ્કરોએ તેમના મકાનના તાળા તોડી ઘરની અંદર પ્રવેશ કરીને રસોડાના સ્ટોરમાં રહેલી તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 1,19,485 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરીને નાસી છૂટ્યા હતા. બાદમાં ઘર સાફ થઈ ગયાની ખબર પડતાં વૃદ્ધાએ આ ચોરીના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરવામાં આવી હતી.
માળિયા મીયાણા નજીક હાઇવે પર જનતા રેડ કરાયા બાદ પોલીસ આબરૂ બચાવવા મેદાને પડી છે અને દારૂના દુષણને ડામવા પોલીસે બાતમીદારને બદલે અત્યાધુનિક ડ્રોન કેમેરા ઉડાડી દારૂના અડ્ડાના લોકેશન મેળવી બે દેશી દારૂની ભઠ્ઠીને ઝડપી લીધી હતી. તાજેતરમાં એક જનતા રેડ નેશનલ હાઈવે રોડ ઉપર વીર વિદરકાના પાટીયા પાસે કરવામાં આવી હતી અને ગાડીમાંથી દેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવેલ હતો. આથી પોલીસનું નાક કપાયું હતું અને આથી તાલુકા પોલીસે ડ્રોનથી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. જેમાં વીર વિદરકા ગામની સીમમાં નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાનું ડ્રોન પેટ્રોલિંગ દરમ્યાન સામે આવતા પોલીસ તુરંત જ એ સ્થળે ત્રાટકી હતી અને દેશી દારૂ બનાવવા માટે 2600 લિટર આથો, 460 લિટર દેશી દારૂ સહિત રૂ. 1,57,100 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે રેડ દરમિયાન આરોપી અલ્તાફભાઈ હસણભાઇ સંધવાણી હાજર મળી આવ્યો ન હતો. તેમજ આ ગામે નદી કાંઠે પોલીસે બીજી દારૂની ભઠ્ઠી પકડી 1100 લીટર દેશી દારૂ બનાવવા માટેનો આથો તેમજ 370 લીટર દેશી દારૂનો જથ્થો અને અન્ય મુદ્દામાલ મળીને 1,01,550 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પરંતુ આરોપી મકબુલભાઈ ગફુરભાઈ સામતાણી હાજર મળી આવ્યો ન હતો.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મોરબીના સામાકાંઠે ફાટક પર બે બેરિકેડ મુકાતા ટ્રાફિકની અંધાધૂંધી
મોરબીના સામાકાંઠે ભડિયાદ રોડને જોડતી નટરાજ ફાટક, નઝરબાગ રેલવે સ્ટેશન વચ્ચે જૂની પોસ્ટ ઓફિસ સામે આવેલી ફાટક પાસે ટ્રાફિકને નિયંત્રણમાં રાખવા બે બેરિકેડ મૂકાયા છે, પરંતુ તેના લીધે ટ્રાફિકની સ્થિતિ વણસી છે અને આડેધડ વાહનો ઘૂસતા હોવાથી બે બે પોલીસ જવાનો કામે લાગ્યા હોવા છતાં અંધાધૂંધી સર્જાઇ રહી છે, ભૂતકાળમાં અહીં ફાટક જ નહોતી, એટલે ત્યારે અહીં માત્ર રેલવે ટ્રેક હતો. લોકોને પોતાની સલામતી જાતે કરવી પડતી હતી. બાદમાં રેલવે તંત્રને અહીં ફાટકની અગત્યતા સમજાઇ હતી, બાદમાં ફાટક બનાવી, પણ ટ્રાફિક થતો જ ન હતો. કારણ કે વસ્તી, વાહનો ઓછા હતા, ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ભારે વાહનો પર પ્રવેશબંધી પણ ન હતી, જ્યારે આ ફાટકની ભૌગોલિક રચના જોઈએ તો, એક માર્ગ નટરાજ ફાટકથી ભડીયાદ અને જૂના રફાળેશ્વર રોડ તરફ, બીજો માર્ગ સોઓરડી સહિતની સોસાયટીઓ અને નેશનલ હાઇવેને જોડતો શોભેશ્વર રોડ, નટરાજ ફાટકેથી મોરબી બજારમાં જઈ શકાય અને બીજો ફાટક ઓળંગી પુલ પર થઈને શહેરમાં જઈ શકાય અને ભડીયાદ રોડ સહિતના વિસ્તારોમાંથી અને સોઓરડી તરફથી ફાટક ક્રોસ કરી શહેરમાં જઈ તથા આવી શકાય. 2002 પછી વાહનો વધ્યા, રોડ જેમના તેમ જ રહેતાં સ્થિતિ બેકાબૂજ્યારે 2002 પછી ઉત્તરોતર વાહનો અને નવી નવી સોસાયટીઓ, એપાર્ટમેન્ટ બનતા વસ્તી વધવાથી થોડા વર્ષો પહેલા શોભેશ્વર રોડ ઉપર ભારે વાહનો ઉપર પ્રતિબંધ મુકાયો હતો. તેમ છતાં અહિયાં 2010 સુધી ટ્રાફિકની સ્થિતિ અત્યાર કરતા સારી હતી. પણ છેલ્લા પાંચ વર્ષથી અહીં ટ્રાફિકની સ્થિતિ અસામાન્ય બની છે. એક તો અહીં જિલ્લા કલેકટર, જિલ્લા પંચાયત, એસપી સહિતની મુખ્ય કચેરીઓ આવી ગઈ છે અને મોરબી શહેરમાં રહેતા સિરામીક ઉદ્યોગકારો પોતાના હાઇવે ઉપર આવેલા કારખાને જવા શોભેશ્વર રોડનો ઉપયોગ કરે છે. શોભેશ્વર રોડ ફોરટ્રેક છે, પણ ટ્રાફિકજામ થાય ત્યારે વાહન ચાલકો પોતાના ટ્રેકને બદલાવી ડિવાઈડર ઓળંગી બીજા ટ્રેક પર જતાં રહેતા ટ્રાફિક વધુ ગૂંચવાય છે. આથી આડેધડ ઘૂસતા વાહન ચાલકોને રોકવા ફોરટ્રેકની વચ્ચે ડિવાઈડર પર બેરીકેડ મુકયા છે. સૌથી અગત્યની બાબત એ છે પહેલા અહીંયા પોલીસ ન હતી પરંતુ હવે બે પોલીસ કર્મીઓ હોવા છતાં ટ્રાફિકની સ્થિતિ નિયત્રણમાં આવતી નથી.
વાંકાનેરમાં કષ્ટભંજન દેવ સહિત દેવતાઓની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો છે. વાંકાનેર શહેરની ભાગોળે આવેલી ભાટિયા સોસાયટીમાં બિરાજમાન ગંગેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં નવનિર્મિત મંદિરોમાં વિવિધ દેવતાઓના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનો આજથી તા. ૨૩ થી ૨૫ સુધી હોમાત્મક યજ્ઞ , ધ્વજાજી આરોહણ , પૂર્તિ પ્રતિષ્ઠા દાતાઓના સન્માન તેમજ મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે. ભાટિયા સોસાયટી ખાતે બિરાજમાન ગંગેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં હનુમાનજી , પરશુરામ દાદા , રણછોડદાસજી બાપુ તેમજ જલારામ બાપાના મંદિરો હતા પરંતુ હવે આ તમામ દેવો માટે આલિશાન મંદિરો બનાવવામાં આવ્યા છે, જેમાં આજથી ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે વિધિ વિધાન સાથે શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂદેવો દ્વારા હોમાત્મક હવન સાથે પ્રતિષ્ઠા વિધિ સાથે દેવોનું નવ નિર્મિત મંદિરોમાં સ્થાપના કરવામાં આવશે. કાર્યક્રમ દરમ્યાન તા. ૨૩ ના રોજ રાત્રે ૯.૩૦ વાગ્યે ડાંડિયા રાસ તેમજ તા. ૨૪ના રોજ રાત્રે સંતવાણીનું આયોજન કરાયું છે. સંતવાણીમાં રેડિયો કલાકાર ભાવનાબેન મકવાણા શિવધારા સંતવાણી ગ્રુપ ભજનોની રમઝટ બોલાવશે. દાતાઓના સહયોગથી ગંગેશ્વર મહાદેવ મંદિર સમિતિના આયોજનથી ભવ્ય દેવાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. અને છેલ્લા દિવસે તા. ૨૫ ના રોજ દાતાઓનું સત્કાર સન્માન કરવામાં આવશે સાથે જ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શહેર તથા તાલુકાના ધર્મસ્થાનો ના સંતો મહંતો સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ તથા ખાસ કરીને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા , જિલ્લાના રાજકીય અગ્રણીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
વાંકાનેરના નવા ધમલપર ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા પ્રકૃતિના જતન અને લોકોને રાસાયણિક ખેતીના કારણે થનાર ગંભીર બીમારી વિશે જાગૃત કરવા રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તેઓએ ગૌમૂત્ર છાણ,વૃક્ષોના છાલનો ઉપયોગ કરી ખેતી કરી રહ્યા છે. વાંકાનેર તાલુકાના નવા ધમાલ પર ગામના ખેડૂત યાસીનભાઈ દેકાવડીયા દ્વારા 2019 થી કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યા વિના ગૌ મૂત્રથી અને છાણ તેમજ અલગ અલગ વૃક્ષના પાંદડા છાલ તેમજ સીધા પ્રકૃતિ થી મળતા સંસાધન નો ઉપયોગ કરી તેમની 8 એકર જમીન પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓએ પોતાના ફોર્મનું પણ નામ જી આર પ્રાકૃતિક ફોર્મ રાખેલ છે જેમાં તેઓ અલગ સીઝન પ્રમાણે પ્રાકૃતિક ખેતી કરે છે ખાસ કરીને ચોમાસા દરમિયાન કપાસ અને ઘાસની જ્યારે ચોમાસા ઘઉં જીરુ શાકભાજીની ખેતી કરે છે આ ઉપરાંત તેમના જ ખેતરમાં સેન્દ્રીય ખાતર બનાવવા બાયો ખાતર પ્લાન્ટ બનાવ્યો છે અને તેમાંથી તૈયાર થયેલ ખાતર પોતાના ફાર્મ ઉપરાંત આસપાસના જે પણ ખેડૂત તેનો ઉપયોગ કરવા માગતા હોય તેનાં સુધી પહોંચાડે છે. આત્મા પ્રોજેક્ટથી મન બદલાયુંયાસિનભાઇના જણાવ્યા મુજબ તેઓ 1990થી ખેતી સાથે જોડાયેલા છે અગાઉ રાસાયણિક ખાતર થી ખેતી કરતા હતા તેમાં ખર્ચ સતત વધી રહ્યો હતો જેની સામે ઉત્પાદન ઓછું થઇ રહ્યું હતું . જો કે 2019 ના વર્ષમાં વિવિધ કૃષિ શિબિર તેમજ કૃષિ યુનિવર્સિટી અને આત્મા પ્રોજેક્ટ થકી તેઓને પ્રાકૃતિક ખેતી વિશે જાણકારી મળી જેથી તેઓએ તેની શરૂઆત કરી હતી શરૂઆતમાં જમીન ખાતર યુક્ત ખેતી કરાવાથી બિન ઉપજાવ બની ગઈ હતી જેના કારણે ખર્ચ ખૂબ વધારે આવતો હતો જો કે ધીમે ધીમે જમીનની ગુણવત્તામાં સુધારો આવતા હાલ પ્રાકૃતિક ખેતી થી ખર્ચ ખૂબ ઓછો થયો છે અને ઉત્પાદન સારું મળે છે. પક્ષીઓની અવરજવર વધતાંજીવાતોનો ઉપદ્રવ ઘટ્યોતેઓએ ખેતરના શેઢા પર નીલગીરી અને લીંમડાના વૃક્ષનું વાવેતર કર્યું હતું હવે તેમાંથી પણ સીઝન દરમિયાન સારી એવી લીંબોળી નુ ઉત્પાદન થાય છે જેનો ઉપયોગ ખાતર બનાવવામાં કરીએ છીએ. આ ઉપરાંત વધારાના લાકડાં પણ મળે છે તો સૌથી મોટો ફાયદો જમીનનું ધોવાણ ઓછું થાય છે આ ઉપરાંત વૃક્ષો અને પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં અળસિયા ખેતરની આસપાસ પક્ષીઓની પણ અવર જવર વધી છે અને આ પક્ષીઓ પાકમાં રહેલી નાની મોટી જીવાતનો પણ શિકાર કરતા હોવાથી પાકમાં રોગની અસર ઓછી થઈ છે. રાજ્ય સરકાર ના આત્મા પ્રોજેક્ટ , કૃષિ મહોત્સવ આગાખાન સંસ્થા સહિતની વિવિધ સંસ્થાઓ પ્રાકૃતિક ખેતી માટે તમામ આર્થિક તેમજ તેને લગતા તમામ પ્રકારના માર્ગદશન માટે તૈયાર રહે છે
માંગ:પ્રાથમિક સુવિધા ન આપો ત્યાં સુધીજી આઇડીસીનો ટેક્સ લેવાનું બંધ કરો
સુરેન્દ્રનગરના વઢવાણમાં જીઆઇડીસી આવેલી છે. જેમાં અંદાજે 800થી વધુ નાના મોટા કારખાના ધમધમી રહ્યા છે. તેમાં 20 હજારથી વધુ શ્રમીકો કામ કરી રહ્યા છે. અને દરરોજ 5 હજારથી વધુ વાહનો જીઆઇડીસીમાં આવન જાવન કરે છે. પરંતુ જીઆઇડીસીમાં રોડની હાલત ખુબ ખરાબ છે. પાયાગત સુવિધાનો પણ અભાવ છે. ત્યારે જ્યાં સુધી સુવિધા આપવામાં ન આવે ત્યા સુધી જીઆઇડીસીના ઉદ્યોગકારો પાસેથી ટેક્સ ન વસૂલ કરવાની રજૂઆત કરાઇ છે. સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં આવેલા કારખાનાના માલિકો મનપામાં રેગ્યુલર ટેક્સ પણ ભરે છે. પરંતુ તેમને રસ્તા, પાણી અને વિજળીની સુવિધા આપવામાં આવતી નથી. આ બાબતે જાગૃત નાગરીક પી.વી. વાઘેલાએ રજૂઆત કરીને જણાવ્યું છે કે જીઆઇડીસીના તમામ રસ્તા તૂટી ગયા છે. અવાર નવાર લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ત્યારે શહેરમાં કરોડોના વિકાસના કામો થઇ રહ્યા છે તેવા સમયે જીઆઇડીસીમાં પણ રોડ રસ્તા, પાણી અને વિજળીની સુવિધા આપવાની માંગ કરવામાં આવી છે. ભાસ્કર ઇનસાઇડજીઆઇડીસી વર્ષે 4 કરોડનો મનપાને ટેક્સ ભરે છેસુરેન્દ્રનગર સંયુકત પાલિકા હતી ત્યારે પણ જીઆઇડીસીના ઉદ્યોગકારો પાસેથી વર્ષે 4 કરોડથી વધુનો ટેક્સ વસૂલ કરવામાં આવતો હતો. ટેક્સ વસુલીને સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા એવું કહેતી હતી કે જીઆઇડીસીને સગવડતા માટે સરકાર અલગથી ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ ગ્રાન્ટ ન ફાળવવામાં આવતા પારાવાર સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે વર્તમાન સમયે મનપા સાથે જીઆઇડીસીએ એમઓયુ કર્યા છે. જેમાં રૂ.1 કરોડ આપવાની વાત છે. હાલના સમયે ટેક્સની રકમના 12થી 15 ટકા વિકાસ માટે આપશે. ત્યાર બાદ ધીરે ધીરે 75 ટકા કરવાનું જણાવ્યું છે.
ભરશિયાળે પાણીની પળોજણ:પાણી બંધ કરવા માટે તંત્ર દબાણ કરતું હોવાના આક્ષેપ
લખતર તાલુકાના સવલાણા ગામના ગ્રામજનો દ્વારા લખતર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જેમાં ગામમાં લાઈન દ્વારા આવતું પાણી બંધ કરવા માટે તંત્ર દબાણ કરતું હોવાના આક્ષેપ કરી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. તો નવી લાઈન નાંખવા છતાં પાણી ન આવતું હોવાનો ઉલ્લેખ કર્યો છે. આવેદનપત્રમાં જણાવ્યું છે કે, હાલ ગામને નર્મદાના વાલમાંથી પાણી મળે છે. જે જીડબલ્યુઆઇએલ દ્વારા કનેક્શન કાઢી નાંખવા દબાણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું છે. આ સિવાય હાલ ગામને કોઈ પાણીનો સ્ત્રોત ન હોવાથી કનેકશન ચાલુ રાખવા મામલતદારને વિનંતી ગ્રામજનો દ્વારા કરવામાં આવી છે. ત્યારે ખાસ વાત તો તે છે કે, કનેકશન કાઢી નાંખવા દબાણ કરતા GWILના અધિકારીઓ પુરવઠાની લીલાપુરથી સવલાણા 3 વખત લાઇન નાંખી છે તેમ છતાં આજદિન સુધી પાણી પહોંચતું ન હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. તો ગેડીયા, પીપળી જેવી જગ્યાઓએ બિલથી પાણી આપવામાં આવે છે. તેવી રીતે ગામ પણ પાણી લેવા તૈયાર હોવાનું આવેદનપત્રમાં જણાવી યોગ્ય કરવા માંગ કરી છે.
નવતર પ્રયોગ:નવનાત વણિક સમાજ અને મહાનગરપાલિકા વચ્ચે કાપડની થેલીના વેન્ડિંગ મશીન માટે MoU
સરકારની સ્ટાર્ટ-અપ અને ઈનોવેશન પોલિસી મુખ્ય ઉદ્દેશ્ય માત્ર આર્થિક વૃદ્ધિ જ નહીં, પરંતુ ટેકનોલોજી અને નવતર વિચારોના માધ્યમથી સામાજિક અને પર્યાવરણીય સમસ્યાઓનું કાયમી નિરાકરણ લાવવાનો છે. જ્યારે કોઈ સ્ટાર્ટ-અપ અથવા ઈનોવેશન પર્યાવરણના જતન અને જીવદયા સાથે જોડાય છે. જિલ્લામાં તાજેતરમાં થયેલા કાપડની થેલીના વેન્ડિંગ મશીન માટેના MOU આ પરિવર્તનનું જીવંત ઉદાહરણ છે. સુરેન્દ્રનગરમાં કાપડની થેલી માટેના વેન્ડિંગ મશીનનો પ્રોજેક્ટ આ પ્રકારના સોશિયલ ઈનોવેશનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સરકાર દ્વારા આવા પ્રોજેક્ટ્સને આર્થિક સહાય, પેટન્ટ નોંધણીમાં મદદ અને માર્કેટિંગ સપોર્ટ પૂરો પાડવામાં આવે છે. જેનાથી વેસ્ટ-ટુ-વેલ્થની વિભાવના સાર્થક થાય છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ -2026ના પ્લેટફોર્મ પર જિલ્લાએ પર્યાવરણ જાળવણીમાં સ્માર્ટ ટેકનોલોજીના ઉપયોગનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં મનપા અને નવનાત વણિક સમાજ વચ્ચે વેન્ડિંગ મશીનો સ્થાપવા માટેના MOU કરવામાં આવ્યા હતા. બજારો, જાહેર સ્થળોએ કાપડની થેલીઓ અપાશેવડોદરાના સફળ મોડલને અનુસરીને સુરેન્દ્રનગરના જાહેર સ્થળો પર વેન્ડિંગ મશીન મુકાશે. આ મશીનો દ્વારા શહેરના મુખ્ય બજારો અને જાહેર સ્થળો પર અત્યંત નજીવા ટોકન ચાર્જથી કાપડની થેલીઓ મળી શકશે. આ મશીનો દ્વારા લોકોની આદતમાં પરિવર્તન આવશે અને પ્લાસ્ટિકનો વપરાશ આપોઆપ ઘટશે. આ પ્રકારના વેન્ડિંગ મશીનોનું નિર્માણ અને તેની જાળવણી સ્થાનિક સ્તરે રોજગારી અને નવા ઉદ્યોગ સાહસિકો માટે નવી તકો ઊભી કરશે. પ્રોજેક્ટનો સૌથી મહત્વનો અને સંવેદનશીલ પાસું જીવદયા છેઆ પ્રોજેક્ટનો સૌથી મહત્વનો અને સંવેદનશીલ પાસું જીવદયા છે. નવનાત વણિક સમાજના ટ્રસ્ટી વૈભવ ચોક્સીના જણાવ્યા અનુસાર, પ્લાસ્ટિક મુક્ત સુરેન્દ્રનગર એ માત્ર સ્વચ્છતાનું જ નહીં પણ ગાય અને અબોલ પશુઓની રક્ષા માટેનું પણ અભિયાન છે. બજારોમાં ફેંકાયેલું પ્લાસ્ટિક અજાણતા ગાયો કે અન્ય પશુઓના પેટમાં જાય છે, જે તેમના માટે જીવલેણ બને છે. > વૈભવ ચોકસી, ટ્રસ્ટી, નવનાત વણિક સમાજ
સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 1 જાન્યુઆરીથી તા. 19 ડિસેમ્બર -2025 સુધીમાં અકસ્માતે લોકોના મોત નિપજાવનાર 32 તેમજ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 10 ચાલકોના લાયસન્સો 3થી 6 માટે રદ કરી દીધા હતા. જ્યારે એક ચાલક ગંભીર રીતે ઘાયલ થતા અને વાહન ચલાવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી તેનું લાયસન્સ આજીવન રદ કરાયું હતું. બીજી તરફ ટ્રાફિક પોલીસે નવેમ્બર માસમાં નિયમોનો ભંગ કરતા 2211 ચાલકોને રૂ. 11,46,860નો દંડ કરાયો હતો. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન નીચે જિલ્લાના નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તેમજ અન્ય ધોરીમાર્ગો પર ટ્રાફિક પીએસઆઈ એલ.બી. બગડા તેમજ તમામ ટ્રાફિક સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઓક્ટોબર-2025ના મહિનામાં ટ્રાફિક નિયમભંગ કરનાર 2211 ચાલકોને રૂ. 11,46,860નો દંડ કરાયો હતો. જ્યારે 75 વાહન ડિટેઇન કરીને રૂ. 3,89,960 નો દંડ કરાયો હતો. આમ નવેમ્બર-2025માં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા દૈનિક 74 લોકોએ રૂ. 38,228થી વધુનો દંડ ભર્યો હતો. આમ જિલ્લામાં ટ્રાફિક નિયમો માટે હાલ ચાલકોએ પણ માનસિકતા બદલવાનો સમય આવી ગયો છે. 1 વર્ષમાં 12334 ચાલકે અરજી કરતા રૂ. 24.79 લાખથી વધુની આવક આરટીઓમાં તા. 1-1-2025થી 19-12-2025 સુધીમાં રિન્યુ લાયસન્સની 12334 ચાલકે અરજી કરતા રૂ. 24,79,500ની આવક થઇ હતી. આ સમયગાળામાં પણ લાયસન્સ પૂરું થઇ ગયું હોય અને એક વર્ષ પછી લાયન્સસ માટે 1780 ચાલકે અરજી કરતા રિ-ટેસ્ટની ફી સાથે રૂ. 8,61,800ની આવક થઇ હતી. ટ્રાફિક અવરનેસના 1 માસમાં 3 વખત કાર્યક્રમ કરાય છેઅવરનેસ કાર્યક્રમ મહિનામાં 3 વખત કરવામાં આવે છે. બીજુ કે ચાલકોને ત્યા રે જ લાયસન્સ મળે જ્યારે તે નિયમોને સંપૂર્ણ જાણકાર બને. કારણે તેના માટે તો 3 વખત ટેસ્ટ લેવામાં આવે છે. ચાલક કહી જ ન શકે કે હું નિયમો જાણતો નથી. કમ્પ્યુટર તેમજ ટ્રાયલની પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે. > એલ.બી. બગડા, ટ્રાફિક PSI, સુરેન્દ્રનગર
અરવલ્લી : હિમાલયથી પણ જૂની પર્વતમાળાને નષ્ટ કરવાનું કાવતરું
- એક પેડ મા કે નામ યોજનાથી વૃક્ષો રોપવાની વાતો વચ્ચે આખે આખા જંગલો અને પર્વતો ઉદ્યોગપતિઓના નામે કરવાની યોજના - અરવલ્લી પર્વતમાળાને દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંથી એક ગણવામાં આવે છે. તેની ઉંમર અંદાજે ૨.૫ અબજ વર્ષ હોવાનું કહેવાય છે. 800 કિ.મી લાંબી આ પર્વતમાળા ગુજરાતના પાલનપુરથી શરૂ કરીને રાજસ્થાનના સિરોહી, ઉદેપુર, રાજસમંદ, ભિલવાડા, અજમેર, ટોંક, જયપુર અને અલવર થઈને હરિયાણા તથા દિલ્હી સુધી જાય છે : પર્યાવરણ બચાવતા જાણકારોના મતે અંદાજે 40 ટકા જેટલો અરવલ્લી વિસ્તાર નાશ પામ્યો છે અથવા તો તેને ગંભીર નુકસાન થયું છે.
શાકોત્સવની ભવ્ય ઉજવણી:પાટડીના વર્ણીન્દ્રધામમાં શાકોત્સવ ઉજવાયો : ભજન, ભોજનનો સમન્વય
પાટડીના વર્ણીન્દ્રધામ મંદિરમાં ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે 800થી વધુ ભક્તોએ રીંગણના શાક અને બાજરાના રોટલા સહિતના મહાપ્રસાદનો લાભ લીધો હતો. સંતો દ્વારા આયોજિત આ ઉત્સવમાં ભજન અને ભોજનનો સમન્વય જોવા મળ્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની પરંપરા લોયા ગામથી શરૂ થઈ હતી. ભગવાન સ્વામિનારાયણે સૌપ્રથમવાર પોતાના હાથે 18 મણ ઘી અને 60 મણ રીંગણનો વઘાર કરીને શાક બનાવ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગની યાદમાં મંદિરોમાં શાકોત્સવ ઉજવવામાં આવે છે. આ શાકોત્સવમાં સુરતથી સેવાદાસજી સ્વામી ખાસ પધાર્યા હતા અને કથાવાર્તાનો લાભ આપ્યો હતો. સંતો ઉપરાંત આસપાસના ગામોમાંથી ભક્તો ઉમટી પડ્યા હતા. પાટડીના ધારાસભ્ય પી. કે. પરમાર, પી.આઈ. બી. સી. છત્રાલિયા અને ભાવેશભાઈ મકવાણા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.ઉત્સવ દરામયાન 150 કિલો રીંગણ, 50 કિલા ટામેટા, 150 કિલો બાજરાના લોટના રોટલા, ખીચડી અને કઢીનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. મુખ્ય શાકમાં 25 પ્રકારના મસાલાનો ઉપયોગ કરાયો હતો, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભૂખ્યા પેટે ભજન ન થાય તેવી માન્યતા સાથે ઉત્સવો અને સમૈયામાં ભજનની સાથે ભોજનની પણ એટલી જ કાળજી લેવાય છે. ભગવાન સ્વામિનારાયણ પણ પોતાની હયાતીમાં સંતો-હરિભક્તોને જમાડીને તૃપ્ત કરતા હતા.
સુરેન્દ્રનગર શહેરમાં દર મહિનાની 22 તારીખે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ અને લોહાણા હિતરક્ષક સમિતિ દ્વારા નેત્ર યજ્ઞ કેમ્પનુ આયોજન કરાય છે.ત્યારે આ 22 તારીખે પણ કેમ્પ યોજાયો હતો.જેમાં 92 દર્દીઓએ લાભ લીધો હતો. સુરેન્દ્રનગર ખાતે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ -રાજકોટના વિનામૂલ્યે દર મહિનાની 22 તારીખે નેત્રયજ્ઞનું આયોજન લાયન્સ ક્લબ- મેઈન સુરેન્દ્રનગર તથા લોહાણા હીતરક્ષક સમિતિના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગરમાં નિઃશુલ્ક - નેત્રમણિ -નેત્રયજ્ઞ તારીખ: 22-12-2025 સોમવારના કેમ્પ નંબર -52માં કુલ 92 લોકો ઓપીડી માટે આવ્યા અને કુલ 29 લોકો મોતિયાના ઓપેરશન માટે રાજકોટ મુકામે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ આંખની હોસ્પિટલ રાજકોટ ખાતે સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પને સફળ બનાવવા રતિલાલ મગનલાલ સચદેવ લખતરવાળાના હસ્તે મનીષભાઈ અને વિપુલભાઈ - પરિવાર તથા લાયન્સ ક્લબ-મેઈન, સુરેન્દ્રનગરનાં યોગેન્દ્રસિંહ સોલંકી તથા ટીમ અને લોહાણા હિતરક્ષક સમિતિ, સુરેન્દ્રનગરના કેકીન ગણાત્રા તથા ટીમ અને વરિષ્ઠ નાગરિક કિરીટભાઈ ત્રિવેદી તથા ટીમની કામગીરી રહી હતી.
મહિલાએ જીવન ટૂંકાવ્યું:ચોટીલાના અકાળામાં મહિલાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ભાસ્કર ન્યૂઝ | ચોટીલા ચોટીલા તાલુકાના અકાળા ગામે રહેતા ચતુરભાઈ ગોવિંદભાઈ વાઘરોડિયાના લગ્ન 18 વર્ષ પહેલા સાયલા તાલુકાના વખત પરના રૂપસિંગભાઈ રાસીંગભાઇની પુત્રી ક્રિષ્નાબેન સાથે થયા હતા. તેમાં લગ્નજીવનમાં એક પુત્ર અને બે પુત્રીઓ સાથે રહેતા હતા. તેમાં ક્રિષ્નાબેન ચતુરભાઈ ઉં. 38 અગમ્ય કારણોસર ઘરે કોઈ હાજર ન હતું તે સમયે ઘરમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તેની તેના પરિવારજનો દ્વારા પોલીસને જાણ કરી મહિલાના મૃતદેહને ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની મહિલાના પિયર પક્ષમાં જાણ થતા ક્રિષ્નાબેનના પિતા અને પરિવારજનો સાથે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી ચતુરભાઈ ગોવિંદભાઈ સામે હત્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. ભાસ્કર ફર્સ્ટપર્સન2 દિવસ પહેલા મજામાં હોવાનું જણાવ્યું હતુંબે દિવસ પહેલા ક્રિષ્નાબેન સાથે વાતચીતમાં ખુશી મજામાં હોવાનું જણાવ્યું હતું. તેમાં કોઈ સમસ્યા અંગે જણાવ્યું ન હતું. મારી બેને આવુ પગલું શા માટે ભરી લીધુ તે સમજાતુ નથી. બેનની હત્યા થયા હોવા બાબતે તપાસની માંગ છે. > સુરેશભાઈ (ક્રિષ્નાબેનના ભાઈ)
પાક નુકસાની સહાય:વઢવાણ તાલુકામાં કૃષિસહાયના 21870થી વધુ ફોર્મ ભરાયા, 16580ના ખાતામાં રકમ જમા થઈ
વઢવાણ તાલુકામાં કૃષિસહાયના 21870 હજારથી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે.આથી ખેડૂતો સહાયની કાગડોળે વાટ જોઈ રહ્યા છે. પરંતુ 5000થી વધુ ખેડૂતોને ડીબીટીને કારણે સહાય મળી નથી. આથી ખેડૂતો આધારકાર્ડ લિંક કરવા રઝળપાટ કરી રહ્યા છે. ઝાલાવાડમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આથી ખેડૂતોને અનેક હેક્ટરમાં પાકને નુકશાન થયું છે. રાજ્ય સરકારે સહાય જાહેર કરતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. વઢવાણ તાલુકામાં 40 ગામોમાં ઓનલાઇન અરજીના કકળાટ વચ્ચે ગામડાઓના ખેડૂતોને 100થી 200 ખર્ચ કરવાનો વારો આવ્યો છે. ત્યારે તા.5 ડિસેમ્બરે 21870 ખેડૂતોના ફોર્મ ભરાયા છે. જે ગત વર્ષે કરતા 2000 કરતા વધુ છે. પરંતુ હજારો ખેડૂતોને કૃષિ સહાય મળી નથી. આથી ખેડૂતો વઢવાણ તાલુકા પંચાયતમ ધક્કા ખાઈ રહ્યા છે. જેમાં 5000 ખેડૂતોના ખાતામાં રકમ જમા થઈ નથી. 5 હજાર ખેડૂતની સહાય DBTને કારણે અટકી વઢવાણ તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ દ્વારા જણાવાયું છે કે વઢવાણ તાલુકાના 5000 ખેડૂતોને કૃષિ સહાય માટે ડીબીટીની મુશ્કેલી પડી છે. આથી ખેડૂત મિત્રોને જણાવવામાં આવે છે કે ખેડૂતોને બેંકમાં DBT (ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર) બાકી હશે તેઓને પાક નુકસાની કૃષિ સહાય બેંકમાં જમા થશે નહીં. આથી વહેલી તકે પોતાની બેંક શાખાનો સંપર્ક કરી DBT કરાવી લેવું. DBT માટે જરૂરી દસ્તાવેજો :
સુરેન્દ્રનગરમાં એક તરફ મનપાએ રૂ.200 કરોડના ખર્ચે રોડ, ગટર સહિતના કામો હાથ ધર્યા છે. પરંતુ ખેતીલાયક વિસ્તાર વધુ હોવાના લીધે વર્ષ 1990 એટલે કે, 35 વર્ષથી એક પણ નવી ટીપી જાહેર થઇ નથી. સુરેન્દ્રનગર શહેરનો વિસ્તાર 60 ચો.કિમીમાં ફેલાયેલો છે. મનપાના 13 વોર્ડમાં કુલ 2.66 લાખની વસ્તી છે. અત્યારે માત્ર માનવ મંદિર પાસે, વઢવાણ 80 ફૂટ રોડ અને નવી એસપી સ્કૂલ પાસે એમ ત્રણ જ ટીપી અમલમાં મૂકાયેલી છે. મૂળચંદ રોડ, રતનપર બાયપાસ, દાળમીલ રોડ, વઢવાણ લીંબડી રોડ સહિતના વિસ્તારોનો ખૂબ વિકાસ થઇ રહ્યો છે. પાલિકાએ નવી ટીપી અંગે કોઇ રસ દાખવ્યો ન હતો. હવે મનપા બન્યા બાદ બાયપાસ પાછળ, દૂધરેજ નવાજંકશન પાસે અને કોઠારીયા રોડ ઉપર નવી ટીપીનું આયોજન છે. પરંતુ કામ સોંપાયુ નથી. 15 ટીપી હોવી જોઇએસુરેન્દ્રનગર તમામ વિસ્તારમાં વિકાસ થઇ રહ્યો છે. પરંતુ હાલ માત્ર 3 ટીપી કાર્યરત છે. ખરેખર 15થી 16 ટીપી કાર્યરત હોવી જોઇએ.તાલુકાઓમાં પણ આપણા કરતા વધુ ટીપી જાહેર થઇ છે. > કે.સી.શાહ, બિલ્ડર શહેરમાં એગ્રીકલ્ચર ઝોન વધુ હોવાથી ટીપી ન બની શકેસામાન્ય રીતે જે વિસ્તારમાં રહેણાંક અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોય ત્યા ટીપી જાહેર કરવામાં આવતી હોય છે.શહેરમાં પાલિકા હતી ત્યારે એગ્રીકલ્ચર વિસ્તાર વધારે હતો.આથી ટીપી જાહેર ન કરી હોય.અત્યારે સર્વેની કામગીરી ચાલુ છે.કદાચ એકાદ વર્ષમાં નવી ટીપીની જાહેરાત કરાશુે > પ્રશાંત નીસારતા (ટાઉન પ્લાનર અધિકારી) વિધાનસભામાં પાસ થયા બાદ ફાયનલ ટીપી બને સુરેન્દ્રનગરમાં 1980માં ટીપી સ્કીમ બનાવવામાં આવી હતી જે 1990માં પાસ થઇ હતી. પહેલા ટીપી સ્કીમ જાહેર કરવામાં આવે ત્યારે રોડ, રસ્તા, સ્કૂલ, બગીચા માટે જગ્યા રિઝર્વ કરાય છે. ત્યારબાદ લોકોના વાધા મંગાવવામાં આવે છે.તેને સાંભળ્યા બાદ મનપા મંજુરી આપે તેને ફરીથી મંજૂરી માટે શહેરી વિકાસમાં મોકલવામાં આવે વિધાનસભામાં બીલ પાસ થયા બાદ નોટીફિકેશન આવે તેમાં ફરીથી વાંધા અરજી આવે તેનો નિકાલ કરીને ટીપી જાહેર કરવામાં આવે છે.
માલપુરના ઉભરાણ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણ મહિનાથી રખડતાં કૂતરાંઓના ટોળાથી લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ રખડતાં કૂતરાંના ટોળા તાજા વિયાણ થયેલા પશુઓના નાના બચ્ચાંઓ અને બીમાર પશુઓને ટાર્ગેટ કરી રહ્યા હોવાની પશુપાલકોની ફરિયાદ ઉઠી છે. ગામની સીમમાં અને વગડામાં તેમજ ખેતરોમાં કૂતરાંના ટોળા જોવા મળતાં ખેડૂતોમાં અને નાના બાળકોના વાલીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે. માલપુરના ઉભરાણ,ટુણાદાર, સખવાણીયા તેમજ બાયડના ગાબટ રોડ ઉપર અને ગોતાપુરની સીમમાં અચાનક છ થી સાત જેટલા જુદા જુદા કૂતરાંઓના ટોળા જોવા મળી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આ રખડતાં કૂતરાંઓને એકલ દોકલ વ્યક્તિ દૂર ભગાડવાનો પ્રયાસ કરે છે ત્યારે તેઓ આક્રમક બનીને લોકો ઉપર હુમલા પ્રયાસ કરતાં હોવાની પણ બૂમ ઉઠી છે. ઉભરાણ પંથકમાં એકાએક કૂતરાંઓની સંખ્યામાં ધરખમ વધારો થતા લોકોમાં પણ કૂતુહલ જોવા મળી રહ્યું છે. ઉભરાણ ટુણાદર રોડ અને ગાબટ રોડ તેમજ પ્રાંતવેલ રોડ ઉપર કૂતરાંના ટોળા ફરતા હોવાથી ખેડૂતોમાં પણ ભયનો માહોલ છવાયો છે. આ રખડતાં કૂતરાંના ટોળા રાત્રે પશુઓના વિયાણ થયેલા તાજા બચ્ચાં અને બીમાર પશુઓને પણ નિશાન બનાવી તેમને કરડી ખાતાં હોવાની પણ ફરિયાદ ઉઠી છે. અચાનક આ વિસ્તારમાં કૂતરાંની સંખ્યા વધતા આ કૂતરાંઓને નગરપાલિકા વિસ્તારમાંથી પકડીને અગાઉ લોકો છોડી ગયા હોવાની પણ ચર્ચા જાગી છે. રખડતાં કૂતરાંઓના કારણે લોકો નાના બાળકો શાળામાં અવરજવર કરવામાં પણ ભય અનુભવી રહ્યા છે.
મોટાભાઈનું કરોડોનું વિઝા કૌભાંડ બહાર લાવનાર નાના ભાઈને પરિવાર દ્વારા ત્રાસ અપાઈ રહ્યો હોવાની રાવ સાથે રાજ્ય માનવ અધિકાર આયોગ સમક્ષ આત્મહત્યા કરવાની પરવાનગી માંગતા ખળભળાટ મચી ગયો છે. જેમાં ગંભીર આક્ષેપ કર્યો છે કે પોતે ગામમાં પણ જઈ શકે તેમ નથી. કરોડોનું વિઝા કૌભાંડ આચરનાર સિકંદર લોઢાના નાના ભાઈ સોહિલ સલીમભાઈ લોઢાએ વિઝા માટે બનાવેલ વિવિધ સોશિયલ મીડિયા ગ્રુપોમાં તેનો મોટો ભાઈ સિકંદર લોઢા વર્ક વિઝા ન બનાવી આપી છેતરપિંડી આચરી રહ્યો હોવા અંગે અવારનવાર ઓનલાઇન થવા સહિત વીડિયો વાયરલ કર્યા બાદ વિવિધ રાજ્યોમાંથી લોકો હિંમતનગર દોડી આવ્યા હતા અને સિકંદર લોઢાના કૌભાંડનો પર્દાફાશ થતાં આખાયે પરિવાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ હતી. સોહિલ સલીમભાઈ લોઢાવાલા ઉર્ફે સાદક લોઢા દ્વારા રાજ્ય માનવ અધિકાર પંચ સમક્ષ તેના પરિવારના સભ્યો દ્વારા તમામ પ્રકારની પ્રતાડના અપાઇ રહી હોવાથી જીવન દુષ્કર બની જતાં આત્મહત્યા કરવા પરવાનગી માંગતી રજૂઆત કરાઇ હતી. સોહિલના જણાવ્યા મુજબ તેના જીવને પણ ખતરો છે અને લાલપુર ખાતે ઘેર પણ આવી શકે તેમ ન હોય કંટાળીને આ અંતિમ પગલું લીધું હતું. માનવ અધિકાર આયોગના અધ્યક્ષ ડો. કે.જે.ઠાકરે સાબરકાંઠા કલેક્ટર અને સાબરકાંઠા એસપીને જરૂરી તપાસ કરી અરજદાર આત્મહત્યા કરવા તરફ ન પ્રેરાય તેવી કાર્યવાહી કરવા હુકમ કરતાં આયોગના રજિસ્ટારે તા.19-12-25ના રોજ સોહિલ લોઢાની અરજીની નકલ અને આયોગનો હુકમ સાબરકાંઠા એસપી અને કલેક્ટરને મોકલી અરજદારની સુરક્ષા સુનિશ્ચિત કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા જાણ કરી હતી.
વિવાદ વકર્યો:હિંમતનગર નાગરિક બેંકના ડિરેક્ટરોના રાજીનામાનો વિવાદ RBIમાં પહોંચ્યો
હિંમતનગર નાગરિક બેંકમાં સતત બે ટર્મથી ચૂંટાઇ આવેલ 6 ડિરેક્ટરોએ 10 વર્ષ પૂરા થાય તે અગાઉ કાયદાની છટકબારી શોધવા આપી દીધેલ રાજીનામાનો વિવાદ હવે આરબીઆઇમાં ફરિયાદ સુધી પહોંચ્યો છે. કાયદાના નિષ્ણાંતો બે ટર્મ અને 10 વર્ષના સમયગાળાને પોતાની રીતે મૂલવી રહ્યા છે. હિંમતનગર નાગરિક બેંકમાં મુદત પૂરી થવા પહેલા ચેરમેન સહિત 6 જણાએ બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામા આપી દીધા છે. સહકારી સંસ્થાઓમાં લાંબા સમય સુધી અમુક ચોક્કસ લોકોના હાથમાં સત્તા રહે તો એ સંસ્થાના હિતમાં ન રહેતુ હોવાથી કેન્દ્ર સરકારે બે ટર્મ (10 વર્ષ) પૂરા કરનાર ડિરેક્ટરો સહકારી સંસ્થામાં ફરીથી ચૂંટાવા માટે ત્રણ વર્ષનો ગાળો હોવો જોઇએ તેવો કાયદો બનાવ્યો હતો જેને લઇ બે વર્ષ અગાઉ સાબરકાંઠા બેંકમાં યોજાયેલ ચૂંટણીમાં કાયદાની અસર જોવા મળી હતી અને દિગ્ગજોને ચૂંટણી લડવા મળી ન હતી. નાગરિક બેંકમાં પાંચ વર્ષની મુદત પૂરી થવા આવવાની સાથે જે બે ટર્મનો કાયદો નડે તેમ છે તેવા 6 ડિરેક્ટરોએ ટર્મ પૂરી થાય તે પહેલા રાજીનામા આપી દીધા છે અને 10 વર્ષ પૂરા ન કર્યાની છટકબારીનો લાભ લેવા પ્રયાસ કર્યો છે. સમગ્ર મામલે કમલેશભાઇ પટેલે આરબીઆઇ સહિત તમામ સ્તરે ફરિયાદ કરી છે કે નાગરિક બેંકમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 10-એ (2-એ) મુજબ સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેકટર્સની મુદત મર્યાદાનો અમલ કરાવાય. બે ટર્મનો મતલબ બે ટર્મ જ થાય છે. 10 વર્ષનું ખોટું અર્થઘટન થઇ રહ્યું છે. ભરતી, પગાર, કર્મચારીઓના શૈક્ષણિક લાયકાત, સંસ્થાના મકાનના ભાડાની રકમ વગેરે બાબતોની પણ પારદર્શી તપાસ થવી જરૂરી છે. વર્ષ 2025માં બોમ્બે હાઇકોર્ટે આ મામલે આપેલ ચુકાદો પણ રજૂ કરવામાં આવ્યો છે .
ગોઝારો અકસ્માત સર્જાયો:હિંમતનગરના સરવણાની સીમમાં ગાડીની ટક્કરે બાઇક ચાલકનું મોત
હિંમતનગર-શામળાજી હાઇવે પર સરવણાની સીમમાં મેઢાસણથી ખેતરમાં છાંટવાની દવા લેવા બાઈક પર આવી રહેલ શખ્સનું પાછળ આવી રહેલ ગાડીના ચાલકે ટક્કર મારતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક ગાડીના આગળના ભાગે ફસાઈ ગયા બાદ 200 મીટર જેટલું ઢસડાયું હતું. જ્યારે ટક્કર વાગતાંની સાથે જ બાઈક ચાલક ગ્લાસ પર પડ્યા બાદ રોડ પર પટકાતાં ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. મોડાસાના મેઢાસણના કલ્પેશભાઈ કચરાભાઈ પટેલ સોમવાર સવારે 11 વાગ્યાના સુમારે મરચાના વાવેતરમાં દવા નાખવાની હોય દવા લેવા ગાંભોઈ જવા નીકળ્યા હતા. બપોરે બારેક વાગ્યાના સુમારે પાછળથી આવી રહેલ ગાડી નંબર જીજે-33-કે-1721ના ચાલકે ટક્કર મારતાં કલ્પેશભાઈ કચરાભાઈ પટેલ વિન્ડ શીલ્ડ ગ્લાસ ઉપર પડ્યા હતા અને ત્યારબાદ નીચે રોડ પર પટકાતાં હેલ્મેટ પણ તૂટી ગયું હતું અને ઘટનાસ્થળે જ મોત થયું હતું. ગાડીનો ચાલક ફરાર થઈ ગયો હતો. કલ્પેશભાઈના મિત્રો સ્થળ પર પહોંચતા મોત નિપજ્યાની ખબર પડી હતી. ગાડીમાં બેઠેલા બીમાર માણસોએ જણાવ્યું હતું કે બાઈકને પાછળથી ટક્કર મારતાં સર્જાયેલ અકસ્માતમાં બાઈક ચાલક ગાડીના કાચ પર પડી નીચે પડતાં મોત થયું હતું અને બાઈક ગાડીના આગળના ભાગે ફસાઈ જતાં ચાલકે બાઈકને 200 મીટર જેટલું રોડ પર ઢસડ્યું હતું. રાજેશકુમાર મૂળજીભાઈ પટેલે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગાડીના ચાલક સંજયભાઈ વિઠ્ઠલભાઈ (રહે. સામાકાંઠે હેડની પાછળ ગઢડા જિ.બોટાદ) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
નગરપાલિકાની કાર્યવાહી:મોડાસામાં જાહેરમાં ગંદકી ફેલાવતા 18 વેપારીઓ પાસેથી 6200 દંડ વસૂલાયો
મોડાસા શહેરના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા કેટલાય સમયથી નાના મોટા વેપારીઓ જાહેરમાં ગંદકી ફેલાવી રહ્યા હોવાની શહેરના જાગૃત નાગરિકોની ફરિયાદ ઉઠી છે. નગરપાલિકા દ્વારા સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગંદકી ફેલાવતા 18 વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી સ્થળ ઉપર જ રૂ.6200 દંડની રકમ વસૂલાઇ હતી. મોડાસા પાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશ પટેલ, પ્રમુખ નીરજભાઈ શેઠ, ઇન્સ્પેક્ટર સુનિલસિંહ રાજપુરોહિત દ્વારા પાલિકા કર્મીઓની ટીમ બનાવીને શહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સોમવારે સ્ટાફ કર્મચારીઓ સાથે પાલિકાના મુખ્ય અધિકારી અને ઇન્સ્પેક્ટર સહિત મોડાસા શહેરમાં બજાર વિસ્તારમાં તપાસમાં નીકળ્યા હતા. તે દરમિયાન મોડાસા કોલેજ રોડ, એસટી સ્ટેન્ડ રોડ માલપુર રોડ ઉપર તપાસ હાથ ધરાતાં જાહેરમાં ગંદકી ફેલાવતા 18 વેપારીઓ ઝડપાયા હતા. નગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં સ્વચ્છતા ન જાળવતા નાના મોટા વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરાતાં જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. નગરપાલિકા સત્તાવાળાઓ દ્વારા જાહેરમાં ગંદકી ફેલાવતા વેપારીઓને રૂ.6200 કરતાં વધુ રકમનો દંડ ફટકારીને સ્થળ ઉપર જ દંડ વસૂલાયો હતો. પાલિકાના કર્મચારી દ્વારા આગામી સમયમાં ટીમો બનાવી જાહેરમાં ગંદકી કરતાં લોકોને દંડ ફટકારાશે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:જે તે સમયે ફોર્મ ભરીને ન આપતાં મતદાર યાદીમાંથી નામ નીકળી ગયું
ભારતના ચૂંટણી પંચ દ્વારા સ્પેશ્યલ ઇન્ટેન્સીવ રિવિઝન એટલે કે સરની કામગીરી ચાલી રહી છે. જેમાં 19 ડિસેમ્બરના રોજ ડ્રાફટ યાદી જાહેર કરવામાં આવી હતી. ત્યારબાદ લોકોને 1 માસ જેટલો સમય આપવામાં આવ્યો છે. જેથી ડ્રાફ્ટ યાદીમાં રહી ગયેલા મતદારોના નામ ઉમેરવા, કે નામમાં સુધારો કરવા અથવા કમી કરવા વગેરે તપાસીને લોકો પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે કે કમી કરાવી શકે. જે લોકોના નામ મતદાર યાદીમાં રહી ગયા હોય તે લોકો જરૂરી આધાર પુરવા સાથે ફોર્મ 6 ભરીને આપી શકે છે જેથી તેમનું નામ મતદાર યાદીમાં ઉમેરી શકાય.જેમાં અમુક મતદારો પોતાનું નામ સામેલ કરાવવા આવ્યા હતા. તો અમુક બહાર સ્થાયી થયા હોવાથી કમી કરાવવા આવ્યા હતા. ડ્રાફટ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ કેટલાક લોકો પોતાનું નામ મતદાર યાદીમાં સમાવવા માટે હિંમતનગર મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા. મતદાર સુરેશભાઇ પટેલના જણાવ્યા અનુસાર તેમનો પરિવાર બહાર ગયેલો હોવાથી જે તે સમયે ફોર્મ ભરીને આપી શક્યા નહીં જેથી મતદાર યાદીમાંથી નામ નીકળી ગયું છે આથી તેઓ મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા આવ્યા છે. અધિકારી દ્વારા ફોર્મ નંબર 6 ભરી આધાર પુરાવા જોડી આપવા જણાવવામાં આવ્યું છે. રમેશભાઇના જણાવ્યા અનુસાર અમે પતિ પત્ની બે છીએ બાળકો બહાર રહે છે અમે તેમની પાસે હતા એટલે ફોર્મ ભરી શકયા ન હતા. જેથી મતદાર યાદીમાાંથી નામ નીકળી ગયું છે. અમે ફોર્મની સાથે આધાર પુરાવા જોડીને આપ્યા છે. તો રમણભાઇ વિરમભાઇ પટેલના જણાવ્યા અનુસાર તેઓ પોતાનું નામ કમી કરવા માટે આવ્યા છે કારણ કે હાલમાં તેઓ સુરત ખાતે સ્થાયી થયા છે. જે માટે તેમણે ફોર્મ 7 ભરીને આપ્યું છે.
ઘરફોડ ચોરીનો બનાવ:તેનીવાડા ગામે નિવૃત બેંક કર્મચારીના ઘરમાંથી રૂ.1.30 લાખની મત્તા ચોરાઈ
વડગામ તાલુકાના તેનીવાડા ગામમાં નિવૃત બેંક કર્મચારીના ઘરમાં તસ્કરો ત્રાટક્યા હતા.તેમના બે મકાનોના તાળાં-નકુચા તોડી સોનાં-ચાંદીની મૂર્તિઓ અને રોકડ સહીત રૂ.1.30 લાખની ચોરી થઇ હતી.જે અંગે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. વડગામ તાલુકાના તેનીવાડા ગામના નિવૃત બેંક કર્મચારી ગીતાબેન ઉદેસિંહ પ્રતાપજી સોલંકી બે-ત્રણ દિવસ તેનીવાડા અને બે-ત્રણ દિવસ પાલનપુર સ્થિત પોતાના મકાનમાં રહે છે. તારીખ 20/12/2025ના રોજ સાંજે તેઓ તેનીવાડાથી પાલનપુર ગયા હતા અને 21/12/2025ની સવારે આશરે સાડા નવ વાગ્યે ફરી તેનીવાડા ઘરે પહોંચ્યા ત્યારે મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું અને જાળી અડધી ખુલ્લી જોવા મળી હતી. ગભરાઈને આસપાસના સગા-સંબંધીને બોલાવતા તેઓ સ્થળે દોડી આવ્યા હતા. ઘરમાં તપાસ કરતાં બંને મકાનના મુખ્ય દરવાજાના નકુચા તૂટેલા હતા. એક મકાનમાં બે લોખંડની તિજોરી અને કબાટ તૂટેલા મળ્યા હતા, જ્યારે બીજા મકાનમાં પણ તિજોરી તૂટી હતી. કપડાં વેરવિખેર પડેલા હતા અને ઘઉંનો જથ્થો ઢોળાયેલો જોવા મળ્યો હતો. જ્યારે આશરે 5 ગ્રામનો સોનાનો પૂજાનો સિક્કો (રૂ.50,000), ગણપતિ દાદાની ચાંદીની મૂર્તિ 200 ગ્રામ (રૂ.40,000), ચાંદીનો સિક્કો, ગોગા મહારાજની ચાંદીની મૂર્તિ તથા કુલ રૂ.16,000 રોકડ મળી રૂ.1.30 લાખનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જાણવા મળ્યું હતું.આ અંગે તેઓએ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની કારોબારી બેઠક દરમિયાન પાર્ટીની આંતરિક ખેચતાણ ખુલ્લેઆમ સામે આવી હતી. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા કોંગ્રેસના સિનિયર આગેવાનનું જાહેર અપમાન કરાયું હોવાના આરોપ સાથે દલિત સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.ઉપરાંત, જિલ્લામાં શહેર અને તાલુકા પ્રમુખોની નિમણૂક લાંબા સમયથી ન થતા તાત્કાલિક નિમણૂક કરવાની માંગને લઈને કાર્યકર્તાઓએ જ બેઠકનો વિરોધ નોંધાવ્યો હતો. વડગામના ધારાસભ્ય દ્વારા 6 ડિસેમ્બરના કાર્યક્રમ દરમિયાન જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ તથા સિનિયર આગેવાન મુકેશ ચૌહાણનું જાહેરમાં અપમાન કરવામાં આવ્યું હોવાના આરોપને લઈને કોંગ્રેસ કાર્યકર્તાઓ અને દલિત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ ઉપરાંત ચેલાભાઈ સણાદરિયા નામના વ્યક્તિને પ્રદેશ મહામંત્રી તેમજ પાટણ જિલ્લાના પ્રભારી (SC ડિપાર્ટમેન્ટ) તરીકે નિમણૂક કરવામાં આવતાં દલિત સમાજે વિરોધ નોંધાવ્યો હતો. સમાજના આગેવાનોનું કહેવું છે કે, આ નિમણૂક કરતા પહેલા સમાજના આગેવાનોને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી. ખાસ કરીને, જીગ્નેશ મેવાણીના અંગત ગણાતા વ્યક્તિને હોદ્દો મળતાં સમાજમાં અસંતોષ ફેલાયો છે. બીજી તરફ, બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયથી શહેર પ્રમુખ અને તાલુકા પ્રમુખોની નિમણૂક ન થતા પણ કાર્યકર્તાઓમાં નારાજગી છે. સાથે જ, નવા જિલ્લા પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ અલગ હોવા જોઈએ તથા તાત્કાલિક ધોરણે બનાસકાંઠા જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસના આગેવાનોએ જ કારોબારી બેઠકનો વિરોધ નોંધાવ્યો હતો. આ સમગ્ર ઘટનાક્રમથી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસમાં આંતરિક અસંતોષ અને સંગઠનાત્મક ગૂંચવણ વધુ ઘેરી બનતી દેખાઈ રહી છે.
પાલનપુર બાર એસોસિએશનની ચૂંટણી:પાલનપુર બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ જાહેર
પાલનપુર બાર એસોસિએશનની વર્ષ 2025-26 માટેની કારોબારી સમિતિની ચૂંટણી સંપન્ન થઈ. આ ચૂંટણીમાં પ્રમુખ પદે ભાવેશકુમાર સી. રાવલ બિનહરીફ ચૂંટાયા હતા. સહમંત્રી પદે ઈકબાલભાઈ વરાળીયા, એલ.આર. તરીકે પૂજાબેન ઠક્કર, ખજાનચી તરીકે હેમલબેન ઠાકોર કારોબારી સભ્ય તરીકે હંસાબેન ઠાકોર બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા હતા. બાકીના હોદ્દાઓ માટે લોકશાહી પદ્ધતિથી મતદાન યોજાયું હતું. કુલ 709 મતદારોમાંથી 579 સભ્યોએ (82 ટકા) મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, મતગણતરીની પ્રક્રિયા કુલ 12 રાઉન્ડમાં પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી. મતગણતરી બાદ જાહેર થયેલા પરિણામ મુજબ ઉપપ્રમુખ પદે હેમંત મોદી 313 મત, એમ. એમ. પરમારને 244 મત પ્રાપ્ત થયા. મંત્રી પદે પ્રકાશભાઈ ધારવા 393 મત સાથે વિજયી બન્યા, જ્યારે રમેશભાઈ ચૌધરીને 169 મત મળ્યા. કારોબારી સભ્યો તરીકે ચાવડા યોગેશ (338 મત), નોણસોલા અલ્તાફ (357 મત), પટેલ અનિલભાઈ (397 મત), પટેલ સુરેશચંદ્ર (245 મત), અને સોની રવિ (389 મત) ચૂંટાઈ આવ્યા હતા.
અસ્મિતાનો ઉત્સવ:પાલનપુરમાં રાજ્યકક્ષાનો બે દિવસીય બનાસ સાહિત્ય ઉત્સવ ઉજવાશે
બનાસકાંઠાની સાહિત્યિક ચેતનાને ઉજાગર કરતો બે દિવસીય ‘બનાસ સાહિત્ય ઉત્સવ’ પાલનપુરમાં યોજાઇ રહ્યો છે. વિદ્યામંદિર ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમી તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ઉત્સવમાં પ્રથમ દિવસે સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવના પ્રથમ દિવસે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉ. ભાગ્યેશ જહા, પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર સાહિત્યકાર મણિલાલ હ. પટેલે સાહિત્ય અને સમાજના અંતરસબંધ પર વિચાર પ્રેરક વક્તવ્ય આપ્યું. દરમિયાન રાત્રે ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જીવન અને કવન પર આધારિત મલ્ટીમીડિયા શો ‘એકત્વ ગ્રુપ’ દ્વારા રજૂ થયો. આ પ્રસ્તુતિએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અને મેઘાણીની લોકચેતનાને જીવંત બનાવી હતી. આજે બીજા દિવસે વિચાર, ગઝલ અને લોકસંગીતની હારમાળા જોવા મળશે. સવારના સત્રોમાં ઉત્તર ગુજરાતના સાહિત્ય અને પત્રકારત્વ પર વિશેષ ચર્ચાઓ યોજાશે, જેમાં ડૉ. કિશોરસિંહ સોલંકી, પ્રાગજી ભામ્ભી, ઋષિકેશ રાવલ અનસંજય ત્રિવેદી પોતાના વિચારો રજૂ કરશે.બપોરે ઉત્તર ગુજરાતના સર્જકોની વાર્તાઓનું વાચિકમ્ અને પાલનપુરી ગઝલોની મહેફિલ જામશે. સાંજના સત્રમાં ‘ગઝલપર્વ’ મુશાયરો સાથે આશિષ ઠાકર લિખિત-દિગ્દર્શિત નાટક ‘પશલાની અસલી’ મંચસ્થ થશે. રાત્રે બનાસના તીરે લોકસંગીતની છોળો ઉડશે, જેમાં શ્રવણસિંહ સોઢા અને હાર્દિક દવે ગ્રુપ પર્ફોર્મ કરશે. સવારે 10:30થી રાત્રે 10:30 સુધી ચાલનારા આ વિવિધ સત્રો માટે કાનુભાઈ મહેતા હોલ તથા શશીવન, વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર ખાતે નિમંત્રણ આપવામાં આવ્યું છે.
ભાસ્કર ફોલોઅપ:ગાદલવાડાના યુવાનના હત્યારાઓ ને ઝડપી લેવા માટે રાજ્ય બહાર ટીમો મોકલી
પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર રામદેવ હોટલ નજીક શનિવારે રાત્રે ગાદલવાડાના યુવકની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે રાજ્ય બહાર ટીમો મોકલી છે. દરમિયાન રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં આરોપીઓએ માત્ર ત્રણ મિનિટ અને ચાર સેકન્ડમાં ઘટનાને અંજામ આપી વાહનો લઇને ફરાર થઇ જતાં જણાઇ રહ્યા છે. પાલનપુર અમદાવાદ હાઇવે ઉપર શનિવારે રાત્રે ગાદલવાડાના નિતિનકુમાર કેશરભાઇ ચૌધરી અને ભરતભાઇ ગણેશભાઇ ચૌધરી ઉપર ઘાતકી હુમલો કરાયો હતો. જેમાં ભરતભાઇનું સારવાર દરમિયાન મોત થયું હતુ. પોલીસે પાલનપુરનો ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સહિત 20-25 શખ્સો સામે ગુનો નોંધ્યો છે. આ અંગે પાલનપુર ડી.વાય.એસ. પી. જે. જે. ગામિતે જણાવ્યું હતુ કે, પોલીસની 8 ટીમો બનાવી સમગ્ર ગુજરાત તેમજ રાજ્ય બહાર તપાસ માટે મોકલવામાં આવી છે. કેટલાક શખ્સોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે. ઘનિષ્ઠ તપાસના અંતે આવતી કાલે ચિત્ર સ્પષ્ટ થયે આરોપીઓ અંગે માહિતી આપવામાં આવશે. દરમિયાન શનિવારે રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 3 મિનિટ અને ચાર સેકન્ડની ઘટનામાં જણાઇ રહ્યું છે કે, સફેદ કલરની કાર પાછળ યુવકોનું ટોળુ ઉભુ છે. થોડીવાર પછી હાઇવેની બંને બાજુથી દસથી વધુ બાઇકો આવતાં જણાય છે. તે પછી અચાનક સફેદ કલરની કાર ચાલુ થાય છે. શખ્સો તેની પાછળ દોડી રહ્યા છે. કાર હાઇવે તરફ જઇ રહી છે. ઇજાગ્રસ્ત યુવકની હાલત સ્થિર હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા નિતિનકુમાર કેશરભાઇ ચૌધરીને પાલનપુરની ખાનગી હોસ્પિટલના આઇ. સી. યુ.માં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું કે, તેમના માથામાં ઇજા થવાથી હેમરેજ થયું છે. તેમની હાલત સ્થિર છે.
ગૌ ભોજન રથનું કરાયું લોકાર્પણ:પાલનપુરમાં ગૌ ભોજન રથનું લોકાર્પણ ગાયોને ગોળ- રોટલી શાકભાજી ખવડાવાશે
પાલનપુરમાં ગૌમાતાની સેવા માટે ગૌ ભોજન રથનું સોમવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. Heglpaushala.com પ્રેરિત તથા કામધેનુ ગૌશાળા, લાલાવાડા દ્વારા સંચાલિત આ ગૌ ભોજન રથમાં બનાવેલા જુદાજુદા ખાનામાં ગોળ, રોટલી, લીલાશાકભાજી રાખવામાં આવશે. જે ગાયોને ખવડાવવામાં આવશે. સાથે ગૌરથમાં કેમેરા, દાનપેટીની સુવિધા પણ છે. પાલનપુરમાં Heglpaushala.com પ્રેરિત તથા કામધેનુ ગૌશાળા, લાલાવાડા દ્વારા સંચાલિત ગૌમાતાની સેવા માટે ગૌ ભોજન રથનું લોકાર્પણ પ.પૂજ્ય શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી રવિશરણાનંદ મહારાજના આશીર્વચન સાથે સંપન્ન થયું હતુ. ગુજરાતમાં કદાચ પ્રથમ વખત ગૌમાતાને સમર્પિત આ પ્રકારનો ભોજન રથ શરૂ કરવામાં આવ્યો છે. પહેલી રોટી ગાયનીના સંકલ્પ સાથે આ રથમાં ગોળ, લીલાં શાકભાજી, અનાજ, રોટલી સહિત ગાય માટે પોષક આહારના અલગ-અલગ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે. રથમાં QR કોડ, દાનપેટી, રિવર્સ કેમેરા તથા મ્યુઝિક સિસ્ટમ જેવી આધુનિક સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સોસાયટીના આગેવાનો સાથે બેઠક અને સંપર્ક કરીને ગાયોને યોગ્ય અને પૌષ્ટિક ભોજન એકત્ર કરી ગૌશાળામાં પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે. દાતાઓના સહયોગ અને કાર્યકરોની નિષ્ઠાથી જ ગૌમાતાના કલ્યાણના કાર્યો શક્ય બને છે. અન્ય શહેરોમાં પણ જો આવા ગૌ ભોજન રથ શરૂ કરવા ઈચ્છા હોય તો Helpgaushala.com આર્થિક ભાગીદારી કરશે. કાર્યક્રમમાં મુખ્ય દાતા, ભોજન પ્રસાદના દાતાઓ અને દાનનો ધોધ વહ્યો હતો.
બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિએ પાલનપુરના એરોમા સર્કલ ખાતે સોમવાર બપોરે વિવિધ મુદ્દાઓને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડીએ જણાવ્યું હતું કે, મનરેગા યોજના રદ કરવાનો કેન્દ્ર સરકારનો પ્રયાસ ગરીબ લોકોને રોજગારીમાંથી વંચિત કરે છે. તેમણે કહ્યું કે, ભાજપ સરકાર કોંગ્રેસના નેતાઓ પર ખોટા કેસ કરી હેરાન-પરેશાન કરી રહી છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર નેશનલ હેરાલ્ડ કેસ ચલાવાયું હતું, પરંતુ કોર્ટે આ કેસ ચલાવવાની યોગ્યતા ન હોવાનું નક્કી કર્યું. આ સત્યનો વિજય છે.કાંતિભાઈએ અરવલ્લીની ગીરીમાળાની સુરક્ષા માટે પણ સરકારની કામગીરી પર ટીકા કરી અને જણાવ્યું હતું કે, ગેરકાયદે ખનન થતાં પર્યાવરણને નુકશાન થશે. કોંગ્રેસ આગળ વધીને આ મુદ્દે ઉગ્ર આંદોલન માટે તૈયાર છે. આ પ્રસંગે ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પાલનપુર એરોમા સર્કલ પર કોંગ્રેસનો વિરોધ નોંધાવ્યો હતો
પાલનપુર તાલુકાના લક્ષ્મીપુરા ગામે જુના લક્ષ્મીપુરા કાળા હનુમાન રોડ ઉમિયાધામ વનની બાજુમાં ઉમિયાધામ 2 સુરમ્યવિલા સોસાયટી જવાના રસ્તા ઉપર ધરોઇની પાઇપલાઇન લીકેજ થઇ છે. આ અંગે સ્થાનિક રહીશોએ તંત્રને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કામગીરી કરવામાં આવતી નથી. પાલનપુર તાલુકાના જુના લક્ષ્મીપુરા કાળા હનુમાન રોડ ઉમિયાધામ વનની બાજુમાં ઉમિયાધામ 2 સુરમ્યવિલા સોસાયટી જવાના રસ્તા ઉપર છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી ગઇ છે. આ અંગે કાંતિભાઇ પટેલે જણાવ્યું હતુ કે, વીજ કંપની તેમજ ગટરની કામગીરી દરમિયાન આ પાઇપલાઇન તૂટી છે. આ અંગે નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં વારંવાર રજૂઆત કરી છે. પરંતુ કોઇ કામગીરી થતી નથી. ધરોઇના પાણીની મુખ્ય પાઇપલાઇન લીકેજ હોવાથી અંદર ગંદુ પાણી પણ ઉતરી રહ્યું છે. જેનાથી રોગચાળો થવાની ભિતી છે. બાજુમાં વીજડીપી છે. અંડરગ્રાઉન્ડ વાયરિંગ હોવાથી પાણીના કારણે વીજ કરંટની ગોજારી ઘટના થવાની ભિતી છે. જવાબદાર તંત્ર દ્વારા સત્વરે પાણીની પાઇપલાઇનનું સમારકામ કરવામાં આવે તેવી માંગણી છે.
પાલનપુરમાં રેલવે સ્ટેશન પર નવા નક્કોર રેલવે ફૂટ બ્રિજની રેલીંગ પર નવી થીમ મુજબ કાચ લગાવવામાં આવ્યા છે. જેમાં એક કાચ 2 મહિનામાં કોઈક કારણસર અચાનક તૂટી ગયો છે. જોકે ખુબજ મજબૂત કાચ હોવાની વાતો વચ્ચે માત્ર 2 મહિનામાં નવો કાચ તૂટી જતા હલકી કક્ષાના કાચનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની રાહદારીઓમાં ચર્ચા થઈ રહી છે. પાલનપુરમાં પ્રથમ વાર જ ઝેડ આકારનો ગ્લાસબ્રીજ બનાવી લોકોનું ધ્યાન ખેંચવામાં આવ્યું હતું.
અમીરગઢ જેસોર વન્યજીવ અભયારણ્ય નજીક આવેલા ઈકો-સેન્સિટિવ ઝોનમાં ફરીથી આદિવાસી ખેડૂતોની જમીન પર ઈંટ પાડવાની કપડા ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ થઈ છે. આ બાબતને લઈ બાલુન્દ્રા રેન્જના વન વિભાગે જવાબદાર લોકોના નામ, ગામ અને સર્વે નંબર GPS લોકેશન સાથેનો અહેવાલ મામલતદારમાં રજૂ કર્યો હતો તેમ છતાં મામલતદાર કચેરી દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું કે બાલુન્દ્રા ગામ પૂર્ણ થયા બાદ જમણી બાજુ , બનાસ નદી બ્રિજથી જમણી બાજુ જતા સોનવાડી અને કાકવાડામાં એક એક જ્યારે ઢોલીયા ગામમાં જુદી જુદી 2 જગ્યાએ ભઠ્ઠા શરૂ થયા છે એમાંય વળી જૂની જગ્યાએથી અલગ ભઠ્ઠા શરૂ કરવા માટીનું ખોદકામ શરૂ કરવામાં આવ્યુ છે. ગામ લોકોએ કહ્યું કે હાલ જમીનમાંથી માટી કાઢીને કાચી ઈંટો પાડશે. બાદમાં પૂરતી કાચી ઈંટો બની ગયા બાદ ચીમનીનો ભઠ્ઠો શરૂ કરવામાં આવશે.આ તસવીર બાલુન્દ્રામાં શરૂ થયેલા ઇન્ટ ભઠ્ઠાની છે. જોકે હજુ અહીં ભઠ્ઠો શરૂ કરવામાં આવ્યો નથી પરંતુ ઈંટો પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અગાઉ દંડ અને સીલની કાર્યવાહી કરાઈ હતીઅગાઉ ભાસ્કરમાં પ્રકાશિત થયેલા અહેવાલ બાદ જિલ્લા સ્તરેથી ટીમનીરચના કરવામાં આવીહતી જે બાદ શરત ભંગનાકેસો દાંતા પ્રાંત કચેરીમાંચલાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત પ્રદૂષણકંટ્રોલ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ પાઠવીને મામલતદારને સીલ કરવા માટેઆદેશ કરવામાં આવ્યો હતો. ઓગસ્ટ મહિનામાં મોટાભાગના ઈંટ ભઠ્ઠાસંચાલકો ચોમાસા ના લીધે પોતપોતાની જગ્યા ખાલી કરી ગયા હતા. અનેઆખી ઘટના પર પડદો પડી ગયો હતો.
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સમાં આ વખતે વાત સાડા 12 વર્ષ જૂના એક કેસની. સુરતમાં રહેતા 19 વર્ષના યુવકનું ધોળા દિવસે અપહરણ થઈ ગયું હતું. પછી હત્યારાઓએ ક્રુરતાની તમામ હદો વટાવી દીધી હતી. કોઈ ક્રાઇમ થ્રિલરની માફક 10 દિવસ સુધી આ કેસની તપાસમાં ઉતાર-ચઢાવ આવતા ગયા અને અંતે જ્યારે કેસ ઉકેલાયો ત્યારે સૌકોઈ અચંબિત હતા. 2013માં બનેલા આ ગુનોમાં કોર્ટે થોડા દિવસ પહેલા જ ચુકાદો આપ્યો, જેમાં એક આરોપીને જીવે ત્યાં સુધી જેલમાં જ રાખવાનો એટલે કે આજીવન કેદનો આદેશ આપ્યો. જ્યારે બીજો આરોપી પોલીસ જાપ્તામાંથી ભાગ્યો એને 6 વર્ષ થઈ ગયા છે, છતાં હજુ સુધી મળ્યો નથી. આ પ્રકરણની શરૂઆત થાય છે 18 જાન્યુઆરી, 2013ની સવારથી. શુક્રવારનો દિવસ હતો. સુરતના દક્ષિણ છેડે આવેલો પાંડેસરા વિસ્તારમાં જગદીશચંદ્ર તૈલી દરરોજની માફક સવારના સાડા છ વાગ્યે પોતાની દુકાને પહોંચી ગયા હતા. શટર ઊંચુ કરીને ગ્રાહકો આવે એ પહેલાં જ તેમણે દીવાબત્તી કરી લીધી અને પછી પોતાના કામમાં પરોવાઈ ગયા. કોઈની સાથે રકઝક કરવી નહીં અને કોઈ પણ વાતે હળવા અવાજે જવાબ આપવો… આ એમનો સ્વભાવ. એટલે આસપાસ રહેતા ગ્રાહકો સાથે પણ વર્ષોથી એમના સંબંધો ખૂબ સારા હતા. સાંજના સાડા આઠ કે નવ વાગતામાં દુકાન બંધ કરીને ઘરે જતા રહે. આમ, જગદીશચંદ્રનું જીવન એકદમ સરળ અને એક લયમાં ચાલતું હતું. પરિવારમાં પત્ની દેવુબેન અને 19 વર્ષનો દીકરો એક દીકરો કમલેશ. બસ, જાણે આ જ એમની દુનિયા. પરંતુ 18 જાન્યુઆરી, 2013નો દિવસ તેમના જીવનની શાંતિ અને સુખનો જાણે અંતિમ દિવસ સાબિત થયો. સવારના સાડા આઠ વાગ્યા. દુકાને ગ્રાહકોની અવરજવર શરૂ થઈ જ ગઈ હતી. આ જ અરસામાં કાળા રંગનું સ્પ્લેન્ડર પ્લસ બાઇક લઈને કમલેશ આવી પહોંચ્યો.પપ્પા, ચા-નાસ્તો લઈ લો કમલેશે સહજ રીતે પિતાને કહ્યું. આવી ગયો દીકરા? લે, થોડીવાર બેસ જગદીશચંદ્રએ ગલ્લા પરથી ઉભા થતા કહ્યું. પિતા-પુત્રએ સાથે મળીને નાસ્તો કર્યો. થોડી આડીઅવળી વાતો થઈ. પછી બન્ને દુકાનના કામમાં લાગી ગયા. લગભગ દોઢ કલાકનો સમય વીતી ગયો. એટલે કમલેશે દુકાનનું કામ મૂકી દીધું. ચાર વર્ષ પહેલાં કમલેશનો અકસ્માત થયો હતો. ત્યારે તેના જમણા ખભા પણ ગંભીર ઇજા થઈ હતા. હજુ પણ એ એક્સિડન્ટના કારણે તેને ક્યારેક દુખતું હતું. આ જ કારણે છેલ્લા ચાર મહિનાથી તે નિયમિત સચિન રેલવે સ્ટેશન રોડ પર આવેલી ઓમ શિવમ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી માટે જતો હતો. કમલેશે મોબાઇલમાં સમય જોતા કહ્યું, “પપ્પા… હવે હું નીકળું? 10 વાગી ગયા છે. કસરતનો સમય થયો.” “હા ભાઈ, સાચવીને જજે અને પેલા હાથની કસરત બરાબર કરજે, ડોક્ટરે કીધું છે ને કે થોડો સમય લાગશે પણ સાજું થઈ જશે જગદીશચંદ્રએ શિખામણ આપી. કમલેશે ફોન ખિસ્સામાં મૂક્યો અને દુકાનનો ઓટલો ઉતરી ગયો. બાઇકને કિક મારી અને જતો રહ્યો. દીકરાને જોઈ રહેલા જગદીશચંદ્ર તેલીને ખબર નહોતી કે તેઓ વ્હાલસોયાનો હસતો ચહેરો છેલ્લીવાર જોઈ રહ્યા છે. બપોરે જ્યારે પત્ની દેવુબેનનો ફોન આવ્યો ત્યારે જગદીશચંદ્રના ધબકારા વધી ગયા. સાંભળો છો? કમલેશને સાડા અગિયાર વાગ્યે જમવા માટે ફોન કર્યો હતો, પણ એનો ફોન સ્વીચ ઓફ આવે છે. એ હજુ સુધી ઘરે કેમ નથી આવ્યો? દેવુબેનના અવાજમાં ચિંતા હતી. જગદીશચંદ્રએ આશ્વાસન આપ્યું કે એ આવી જશે. પરંતુ અંદરખાને તેમના મનમાં પણ ફાળ પડી હતી. તેમણે પોતે કમલેશના મોબાઇલ નંબર પર વારંવાર ફોન કર્યા. દરેક વખતે એક જ કેસેટ વાગતી હતી, આપના દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં સ્વીચ ઓફ છે. બપોરે પોણા બે વાગ્યે અચાનક આશાનું કિરણ દેખાયું. કમલેશને ફોન લગાવ્યો અને રિંગ વાગી. પણ બે જ રિંગ વાગ્યા પછી ફોન કટ થઈ ગયો. એ પછી સતત ફોન 'વ્યસ્ત' આવવા લાગ્યો અને ફરી પાછો સ્વીચ ઓફ. બપોરના અઢી વાગ્યા... ત્રણ વાગ્યા... પાંચ વાગ્યા. સામાન્ય રીતે કમલેશ જમી પરવારીને સાડા બાર કે 1 વાગ્યા સુધીમાં દુકાને પાછો આવી જતો હતો. પણ આજે સાંજ થવા આવી છતાં કમલેશનો કોઈ પત્તો નહોતો. જગદીશચંદ્રને ચિંતા થવા લાગી. તેમણે પત્ની દેવુબેનને ફરી ફોન કર્યો, પણ ત્યાંથી જવાબ મળ્યો કે કમલેશ ઘરે આવ્યો જ નથી. શરૂઆતમાં તેમને લાગ્યું હતું કે કદાચ મિત્રો સાથે ક્યાંક ફરવા ગયો હશે. 19 વર્ષનો છોકરો છે, બની શકે મોબાઈલ સાયલન્ટ મોડ પર રહી ગયો હોય. પણ જેમ-જેમ અંધારું થતું ગયું, તેમ-તેમ જગદીશચંદ્રનો શ્વાસ અદ્ધર થવા લાગ્યો. તેમણે કમલેશના મોબાઇલ પર વારંવાર ફોન કર્યા પણ સામેથી કોઈ જવાબ આવતો નહોતો. જગદીશચંદ્રથી હવે રહેવાયું નહીં, તેણે દુકાન વધાવી અને કમલેશના મિત્રો નવનાથ અને રાકેશના ઘરે પહોંચી ગયા. પરંતુ બન્ને જગ્યાએથી એક સરખો જ જવાબ મળ્યો, ના કાકા, કમલેશ આજે મળ્યો નથી, કે એનો કોઈ ફોન પણ નથી આવ્યો હવે છેલ્લી આશા હતી 'ઓમ શિવમ હોસ્પિટલ'. જગદીશચંદ્ર ઉતાવળે અને મનમાં આશા ભરીને હોસ્પિટલના રિસેપ્શન પર પહોંચ્યા. ત્યાં રિસેપ્શન પર બેઠેલા એક કર્મચારીને મળ્યા અને એક જ શ્વાસમાં બોલી ગયા, 19 વર્ષનો કમલેશ, અહીં ફિઝિયોથેરાપી માટે આવે છે, આજે આવ્યો હતો? રિસેપ્શનિસ્ટએ રજીસ્ટરના પાના ફેરવ્યા અને માથું ધુણાવતા કહ્યું, ના અંકલ, આ ભાઈ આજે કસરત માટે આવ્યા જ નથી. જગદીશચંદ્રના પગ ધ્રૂજવા લાગ્યા. દીકરો દસેક વાગ્યે દુકાનેથી નીકળ્યો એ દૃશ્ય તેમને યાદ આવ્યું. લીલા-સફેદ પટ્ટીવાળું ટી-શર્ટ, બ્લુ જીન્સ અને કાળા ચંપલ પહેરેલો લાડકો દીકરો ક્યાં જતો રહ્યો હશે? કમલેશના ગુમ થવાની વાત હવે જગદીશચંદ્રના આડોશ-પાડોશમાં અને સગા-સંબંધીઓ સુધી આગની જેમ ફેલાઈ ગઈ. તમામ લોકો પોતપોતાની રીતે કમલેશની શોધખોળમાં લાગી ગયા હતા. 18મી તારીખનો સૂર્ય આથમી ગયો. પણ કમલેશનો કોઈ અતોપતો ન લાગ્યો. આખરે જગદીશચંદ્ર તેલી હવે પોલીસ સ્ટેશને પહોંચી ગયા. સચિન પોલીસ સ્ટેશનમાં પહોંચીને તેમણે સવારથી લઈને સાંજ સુધીનો આખો ઘટનાક્રમ જણાવ્યો. 19 વર્ષના યુવકનું આવી રીતે ગુમ થવું એ પોલીસ માટે પણ આશ્ચર્યની વાત હતી. પરિવાર એકદમ સુખેથી રહેતો હતો, પૈસે ટકે પણ કોઈ ચિંતા ન હતી, મનદુખ હોવાનું કોણ કારણ ન હતું તો પછી કમલેશ પોતાની રીતે ક્યાંય જતો રહે એ સંભાવના તો દૂર-દૂર સુધી દેખાતી ન હતી. આખરે એવું તો શું બન્યું હશે કે કમલેશનો ફોન પણ સ્વીચ ઓફ થઈ ગયો? સવાલો ઘણા હતા. પણ ગુમ થવાના કિસ્સામાં પોલીસ 24 કલાક પછી જ ફરિયાદ લે છે. છતાં પોલીસે અરજીના આધારે તપાસ તો શરૂ કરી જ દીધી. દુકાનની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું, કેટલાક લોકોની પૂછપરછ કરી જેનાથી કમલેશનું વર્તન કેવું હતું? કોઈની સાથે દુશ્મની હતી કે કેમ? વગેરે બાબતની જાણકારી મળી શકે. એટલું જ નહીં, કમલેશના પિતા જગદીશચંદ્રને પણ કહી દીધું કે તમારે પણ સચેત રહેવાનું છે. કોઈનો ફોન આવે કે ધમકી મળે તો અમને જાણ કરવી. આમને આમ એક દિવસ આખો પૂરો થઈ ગયો. પણ કમલેશની ભાળ ન મળી. દીકરાની શોધખોળ માટે પરિવાર આમતેમ દોડાદોડી કરી રહ્યો હતો. જગદીશચંદ્ર નવસારીથી સુરત તરફ આવી રહ્યા હતા. ત્યારે કપલેથા ચેકપોસ્ટ પાસે પહોંચતા જ બપોરે બરાબર 2:57 વાગ્યે કમલેશના ફોન પરથી કોલ આવ્યો. મોબાઇલની સ્ક્રિન પર દીકરાનું નામ જોતા જ પિતા જગદીશચંદ્રએ બૂમ પાડી, હેલો... કમલેશ? ક્યાં છે તું? ક્યારનો ફોન કરું છું. પરંતુ સામે છેડે કમલેશનો અવાજ નહોતો. એક અજાણ્યો અવાજ અને હિન્દી ભાષાના ભયંકર શબ્દો કાને પડ્યા, તુમ્હારે લડકે કો હમને કિડનેપ કર લિયા હૈ! જગદીશચંદ્રની આંખો સામે અંધારું છવાઈ ગયું. ક્યાંથી બોલો છો? ક્યાં છે મારો દીકરો? સામેવાળાના મોઢામાંથી અડધો શબ્દ નીકળ્યો અને અટકી ગયો, સચિ... તમારે શું જોઈએ છે? જગદીશચંદ્રએ કરગરતા પૂછ્યું. મુજે દસ લાખ રૂપયે ચાહિયે. જગહ કલ બતાઉંગા. પોલીસ કો બતાયા તો આપ જાનો. અને ફોન કપાઈ ગયો. જગદીશચંદ્ર તેલી સ્તબ્ધ થઈ ગયા. વિચાર્યું પણ ન હતું કે કોઈ 19 વર્ષના દીકરાને કિડનેપ પણ કરી શકે. વળી, જગદીશચંદ્રની લાઇફસ્ટાઇલ પણ ખૂબ સામાન્ય હતી. એટલે 10 લાખની ખંડણીની ધમકી પણ વિચારતા કરી દે એવી હતી. કિડનેપરના ફોન પછી શું કરવું એ ખબર ન પડી. તેમના ધબકારા સામાન્ય થવામાં થોડી વાર લાગી. થોડું વિચારીને તેમણે નિર્ણય લીધો કે પોલીસને કિડનેપરના ફોનની જાણ કરવી જ પડશે. કારણ કે 10 લાખ રૂપિયા આપ્યા પછી પણ કમલેશ હેમખેમ મળશે એ વાતની કોઈ ગેરંટી હતી જ નહીં. પોલીસ અને જગદીશભાઈ કિડનેપરે માગેલી 10 લાખની ખંડણી પર રણનીતિ બનાવવામાં લાગી ગયા. પણ આમને આમ વધુ એક દિવસ વીતી ગયો. અગાઉ થયેલી વાત પ્રમાણે ત્રીજા દિવસે ફરી એકવાર સામે ચાલીને અપહરણકર્તાનો ફોન આવ્યો. આ વખતે પણ કમલેશના મોબાઇલનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. કિડનેપરે જગદીશચંદ્ર તેલી સાથે ઉદ્ધતાઈથી વાત કરી અને કહ્યું, અબ વો (કમલેશ) બોમ્બે મેં હૈ. પંદર લાખ લેકર તૈયાર રહો સચિન પોલીસ એક્શનમાં હતી. જગદીશચંદ્રના ફોન પર રેકોર્ડિંગ ગોઠવી દેવામાં આવ્યું હતું. પોલીસની સૂચના મુજબ જગદીશચંદ્રએ કિડનેપર સામે માગણી કરી, પૈસા તો હું આપી દઈશ, પણ મને મારા દીકરા કમલેશ સાથે વાત કરાવો. જો કે કિડનેપર જરા પણ ટસનોસમ ન થયો. તેણે કમલેશ સાથે વાત ન જ કરાવી અને રૂપિયા ભરેલો થેલો કઈ જગ્યાએ લઈને આવવું એ લોકેશન આપ્યું, પછી ફોન કાપી નાખ્યો. રાતના સમયે સિવિલ ડ્રેસમાં પોલીસ સાથે જગદીશચંદ્ર 15 લાખ રૂપિયા ભરેલી બેગ (જેમાં ડમી નોટો પણ હોઈ શકે) લઈને નીકળ્યા. કિડનેપરે સચિન ચાર રસ્તા પાસે આવેલી એક હોટેલ પાસે આવવા માટે કહ્યું હતું. ફરીથી કિડનેપરે ફોન કર્યો. કિડનેપર સતત લોકેશન બદલી રહ્યો હતો. જગદીશચંદ્રને કહ્યું, થોડા ઓર આગે આઓ. ફોન પર જેમ-જેમ સૂચના મળતી હતી તેમ-તેમ જગદીશચંદ્ર આગળ વધી રહ્યા હતા. પોલીસ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એકદમ તૈયાર હતી. પરંતુ ન જાણે કેમ કિડનેપરને શંકા ગઈ. કદાચ તેણે પોલીસની કોઈ હલચલ જોઈ લીધી હશે. તેણે જગદીશચંદ્રને ફોન લગાવીને કહ્યું, તુમ્હારે સાથ પુલીસ હૈ. અભી મત આના, જબ મેં બોલું તબ આના આટલું બોલીને ફોન કાપી નાખ્યો. આમ, એક ઓપરેશન નિષ્ફળ નિવડ્યું. પોલીસ અને જગદીશચંદ્રને લાગ્યું કે હવે કિડનેપર ફોન નહીં કરે. પણ રાતના 12 વાગ્યે ફરી એકવાર ફોન રણક્યો. ફોન ઉપાડતા જ કિડનેપર બોલ્યો, પૈસે લે કર ભેસ્તાન ચોકડી પર આ જાઓ. ઔર હા.. અકેલે હી આના. જો કે આ વખતે પોલીસ અધિકારીએ આશ્ચર્યજનક નિર્ણય લીધો. જગદીશચંદ્રને કહ્યું, “અત્યારે આપણે ક્યાંય નથી જવું. સવારે જોઈશું.” જગદીશચંદ્રએ થોડા ખચકાટ સાથે પોલીસની વાત માની અને ગમે તેમ કરીને રાતના સમયે કિડનેપરને રૂપિયા આપવાનું ટાળી દીધું. એક તરફ પોલીસ અને જગદીશચંદ્ર તેમના દીકરા કમલેશની શોધખોળ કરી રહ્યા હતા. એ જ અરસામાં બીજી એક ઘટના બની. જેણે આખા કેસની દિશા બદલી નાખી. પોલીસે કિડનેપરને રૂપિયા આપવાના નામે રાત્રે ટ્રેપ ગોઠવવાનું કેમ ટાળ્યું?કિડનેપરે એકપણ વખત કેમ કમલેશ અને તેના પિતાની ફોન પર વાત ન કરાવી?છેલ્લા ફોનમાં કિડનેપરે કમલેશ મુંબઈમાં હોવાનું કહ્યું. શું આ કેસમાં કોઈ મોટી ગેંગ સામેલ હતી?સામાન્ય પરિવારના 10 વર્ષના દીકરાનું અપહરણ માત્ર રૂપિયા માટે જ કરવામાં આવ્યું કે પછી બીજું જ કોઈ ષડયંત્ર હતું? વાંચો આવતીકાલે, ગુજરાત ક્રાઇમ ફાઇલ્સનો બીજો અને અંતિમભાગ. સુરતમાં કિડનેપરે યુવકને વૂડ કટરથી કાપ્યો, ખરીદીના બિલથી કેસ ઉકેલાયો,બે થેલામાંથી લાશના કટકા મળ્યા, યુવકની બે વખત અંતિમવિધિ થઈ, કોર્ટમાં પિતાની વેદના- દીકરાનું માથુ નથી જ મળ્યું
આજકાલ દરેક વ્યક્તિ ડિજિટલ કે વીડિયો ક્રિએટર તરીકે પોતાને ઓળખાવવા માગે છે. વીડિયો જોતી વખતે તો યુઝર્સને મનમાં એમ જ થાય કે આ તો સાવ સહેલું છે, આવું તો હું પણ કરી લઉં. અલબત્ત, જ્યારે કરવાનું આવે ત્યારે શરૂઆતમાં આ ઘણું જ અઘરું લાગે છે. આજે અમે એક એવા સોશિયલ ઇન્ફ્લુઅન્સરની વાત લઈને આવ્યાં છે, જેમણે MBAનો અભ્યાસ કરતી વખતે વીડિયોમાં કામ કરવાની શરૂઆત કરી અને આજે તો નાનાથી માંડીને મોટેરામાં લોકપ્રિય છે. 'રીલ્સના રાજ્જા'ના બીજા એપિસોડમાં આપણે વાત કરીશું, બાળકોની ફેવરિટ 'ઢોકળી'ની... આ નામ કેવી રીતે આવ્યું? ઢોકળી એટલે કે પાયલની લવ સ્ટોરી કેવી છે? પાયલને શું બનવું હતું? MBA કરતાં સમયે અચાનક આ વીડિયોમાં કેવી રીતે જોડાઈ ગઈ? પાયલ ને નીરવની ઇન્ટરેસ્ટિંગ લવ સ્ટોરી ને સ્ટ્રગલ પીરિયડની આજે આપણે વાત કરીશું... 'પરિવારમાં સૌથી નાની છતાં મસ્તીખોર નહીં'વાતની શરૂઆત કરતાં પાયલ કહે છે, 'હું પરિવારમાં સૌથી નાની ને મારાં મોટા ભાઈ-બહેન તથા પેરેન્ટ્સ સાથે અમદાવાદમાં રહેતી. પછી પેરેન્ટ્સ સુરત શિફ્ટ થઈ ગયાં. પરિવારમાં નાની હોવા છતાં હું સહેજ પણ મસ્તીખોર નહોતી. અમદાવાદમાં રઘુવીર તથા સરસ્વતી સ્કૂલમાંથી સ્કૂલિંગ કર્યું. ત્યારબાદ GLSમાંથી BBA અને સાલમાંથી MBAનો અભ્યાસ પૂરો કર્યો. આમ મારું પૂરું એજ્યુકેશન અમદાવાદમાં જ થયું છે.' 'ભણવાનો તે કંઈ કંટાળો આવે!'સામાન્ય રીતે બધાને નાનપણમાં ભણવાનો કંટાળો આવે, પરંતુ આનાથી તદ્દન અલગ પાયલને નાનપણથી જ ભણવાનું ઘણું જ ગમતું. પાયલ ટ્યૂશન ને સ્કૂલમાં રેગ્યુલર જતી અને તેમને 80% કરતાં વધારે માર્ક્સ આવતા. અલબત્ત, પાયલ પોતાને હોંશિયાર વિદ્યાર્થિનીને બદલે એવરેજ સ્ટૂડન્ટ કહેવાનું વધારે પસંદ કરે છે. સ્કૂલિંગ ને કોલેજની યાદોને વાગોળતાં પાયલે જણાવ્યું, 'હું ઘણી જ ભણેશરી હતી એટલે સ્કૂલમાં ક્યારેય કોઈ તોફાન કર્યું જ નહોતું. એ વાત અલગ છે કે કોલેજમાં આવી ત્યારે લેક્ચર બંક કરતા શીખી ગઈ હતી. GLSમાં ભણતી ત્યારે અમારું નવ છોકરીઓનું ગ્રૂપ હતું. બધાને ખ્યાલ જ છે કે GLSની સામે જ લૉ ગાર્ડન આવેલું છે. અમે ઘણીવાર નવ છોકરીઓ ભેગી થઈને બહાર જવાનો પ્લાન કરતાં પણ ખબર નહીં કેમ એ પ્લાન ક્યારેય સક્સેસ જતો જ નહીં અને છેલ્લે અમે નવ છોકરીઓ લૉ ગાર્ડનમાં બેસીને આખો દિવસ ગપ્પાં મારતાં. હું આજે પણ સ્કૂલ ને GLSના ટીચર્સ-પ્રોફેસર સાથે સંપર્કમાં છું. તેઓ મારા વીડિયો જુએ છે અને તેમને પણ ઘણી જ મજા આવે છે.' 'બેંકમાં જૉબ કરવાની ઈચ્છા હતી'પાયલ નાનપણમાં શું બનવું હતું તે અંગે વાત કરતાં જણાવે છે, 'નાનપણમાં ક્યારેય એવું નહોતું વિચાર્યું કે હું એક્ટિંગ કરીશ. મને તો અલગ-અલગ સમયે અલગ અલગ બનવાના વિચાર આવતા. સૌથી પહેલાં તો મને ટીચર બનવાનો ઘણો જ શોખ હતો. સહેજ મોટી થઈ તો મને થયું કે હવે ટીચર નહીં, હું બેંકિંગમાં જૉબ કરીશ. આ જ કારણે મેં BBA કર્યું અને MBA કરતાં સમયે પણ ફાઇનાન્સ સેક્ટરમાં જ કામ કરવાનું નક્કી કર્યું. અલબત્ત, વધારે તો મને બેંકમાં જૉબ કરવાની ઘણી જ ઈચ્છા હતી. આ જ કારણે મેં BBA-MBAએ ફાઇનાન્સમાં જ કર્યું.' પાયલે વીડિયોમાં કઈ રીતે કામ શરું કર્યું તે જાણતા પહેલા નીરવની સફર અંગે તો જાણવું જ પડશે... 'એન્જિનિયરિંગ દરમિયાન સિનેમેટોગ્રાફર બનવાની ઈચ્છા'પાયલના પતિ નીરવ લાઠિયા અમદાવાદમાં જ પેરેન્ટ્સ ને પત્ની પાયલ સાથે રહે છે. નીરવની બહેન લગ્ન બાદ રાજકોટમાં રહે છે. નીરવે કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. નીરવ 2012થી વીડિયો બનાવે છે. વીડિયો બનાવવાની સફર અંગે નીરવ કહે છે, 'કમ્પ્યૂટર એન્જિનિયરિંગનાં ચાર વર્ષ હોય, તેમાંથી બે વર્ષ ભણ્યા બાદ મને સિનેમેટોગ્રાફર બનવાની ઈચ્છા થઈ. આ સમયે નક્કી કર્યું કે હું મુંબઈ જઈને ત્યાં શીખવા પ્રયાસ કરીશ ને આ ફીલ્ડમાં જ આગળ વધીશ. આ જ કારણે યુ ટ્યૂબ પર વીડિયો બનાવવાનું વિચાર્યું. 2012માં આજના જેટલું યુ ટ્યૂબ લોકપ્રિય નહોતું. તેમ છતાંય જેવા આવડે તેવા વીડિયો બનાવવાનું નક્કી કર્યું.' 'અવેરનેસના વીડિયો ચાલ્યા નહીં, ને કોમેડીમાં હાથ અજમાવ્યો'નીરવ પોતાની યુ ટ્યૂબ ચેનલ અંગે વાત કરતાં કહે છે, 'શરૂઆતમાં મેં મારા નામથી ચેનલ બનાવી હતી. પહેલાં અવેરનેસના વીડિયો બનાવતો. મને આજેય યાદ છે કે તે સમયે મારી પાસે કોઈ ટીમ નહોતી. ઘરમાંથી એક મોબાઇલ લીધો અને ડેસ્કટોપ હતું તો તેમાં એડિટિંગ કરતો. ફ્રેન્ડ્સને એક્ટર બનાવ્યા ને મારા જીવનની પહેલી નાનકડી સ્ક્રિપ્ટ લખી. અલબત્ત, આ વીડિયોને એવો કોઈ જબરજસ્ત રિસ્પોન્સ મળ્યો નહીં. પછી ખ્યાલ આવ્યો કે અવેરનેસના વીડિયો યુ ટ્યૂબ પર ખાસ ના ચાલે. પછી કોમેડી વીડિયો બનાવવાની શરૂઆત કરી. હું નાનપણથી જ થોડો મસ્તીખોર રહ્યો છું. ક્લાસમાં ને પરિવારમાં ગમે ત્યારે ગમે તેની પર જોક મારી દઉં. કોમેડી મારો પ્રિય વિષય એટલે એના પર વીડિયો બનાવવાનું વિચાર્યું. સૌથી પહેલાં 'પાગલ ગુજ્જુ' ચેનલ શરૂ કરી ને મારા કઝિન ગૌરવ સાથે વીડિયો બનાવ્યો. ગૌરવ 'વાંકડિયા વાળ વાળો'થી લોકપ્રિય છે. કોમેડી વીડિયોમાં યુઝર્સનો સારો રિસ્પોન્સ મળ્યો. અમારી અલગ-અલગ યુ ટ્યૂબ પર ચાર ચેનલ છે અને એ ચારેય ચેનલમાં અમને યુ ટ્યૂબ તરફથી સિલ્વર બટન મળ્યાં છે.' નીરવ જણાવે છે, 'યુ ટ્યૂબ શરૂ કર્યું ત્યારે એ સમયે લોકો માટે નવું હતું. આ જ કારણે લોકો એવું માનતા કે આ રીતે વીડિયોમાં કામ કરવું એ સારું કામ કહેવાય નહીં. તેઓ વાતો કરીને અમારું મોરાલ તોડવાનો પ્રયાસ કરતા, પરંતુ અમે ક્યારેય આ બધી વાતોની પરવા કરી નહોતી. જ્યારે અમે લોકપ્રિય થયા ત્યારે આ જ લોકોએ અમારી વાહવાહી કરી હતી.' 'પપ્પાએ બેમાંથી એક કરવાનું કહ્યું ત્યારે...'નીરવ કહે છે, 'કમ્પ્યૂટર એન્જિનિયરિંગનું ભણતી વખતે ઘરમાં મેં કોમેડી વીડિયો બનાવવાની વાત કરી. તે સમયે ભણતો હતો એટલે પેરેન્ટ્સને કોઈ વાંધો નહોતો, કારણ કે એ સાઇડમાં થતું હતું. ભણવાનું જેવું પૂરું થયું અને ફાઇનલી જોબ કરવાની વાત આવી ત્યારે પેરેન્ટ્સે કહ્યું કે તું નક્કી કરી લે કે તારે શું કરવું છે? મેં વીડિયો બનાવવાની વાત કરી તો ત્યારે તેમણે પરમિશન આપી દીધી. જોકે, છ મહિનામાં ખાસ કંઈ ઉકાળ્યું નહીં કે મને આગળ તકો મળે. આ જ કારણે પપ્પાએ પછી મને જૉબમાં મૂકી દીધો. શરૂઆતનો સમય મારી ટ્રેનિંગનો હતો આ સમયે તો મને એક રૂપિયાનો પગાર મળતો નહીં. નોકરીની સાથે સાથે સાઇડમાં વીડિયો બનાવતો. મારી ટ્રેનિંગ પૂરી થઈ ને મને વીડિયોમાં એક પછી એક સફળતા મળતાં જ મેં તરત જ નોકરી છોડી દીધી.' 'ધીમે ધીમે બધું જ શીખ્યો'નીરવ રાઇટિંગ અંગે વાત કરતાં જણાવે છે, 'હવે તો 10 વર્ષથી લખું છું એટલે આદત પડી ગઈ છે. કોઈ પણ પરિસ્થિતિમાંથી હ્યુમર શોધી લઉં છું એટલે ખાસ વાંધો આવતો નથી. શરૂઆતમાં અમે સબ્જેક્ટિવ કોમેડી કરતા. કોઈ સબ્જેક્ટ પર કોમેડી લખવી મુશ્કેલ હતી. ધીમે ધીમે શીખતો ગયો. હાલમાં હું ઓબ્ઝર્વેશન પરથી સરળતાથી કોમેડી લખી શકું છું. રાઇટર માટે ઓબ્ઝર્વેશન જરૂરી છે. પરિસ્થિતિ જોઈને પણ કોમેડી લખતો હોઉં છું. કોઈ બે વ્યક્તિ ઝઘડો કરતા હોય તો તેમાંથી પણ હ્યુમર શોધી લઉં. કોઈ પણ વીડિયો માટે સૌથી મહત્ત્વની વાત ડિરેક્શનની છે. સ્ક્રિપ્ટિંગ, રાઇટિંગ, એક્ટિંગ, એડિટિંગનું આગવું મહત્ત્વ છે, પણ ડિરેક્ટર આ બધાથી અલગ જ મહત્ત્વ ધરાવે છે અને વીડિયોમાં તે મુખ્ય હોય છે.' 'ઢોકળી' નામ નીરવે આપ્યું'કોમેડી વીડિયોમાં કેવી રીતે કામ શરૂ કર્યું તેની પડદા પાછળની સ્ટોરી અંગે પાયલ કહે છે, 'હું ને નીરવ 2013થી મિત્રો છીએ. અમે ચાર વર્ષ ફ્રેન્ડ હતાં અને પછી રિલેશનશિપમાં આવ્યાં. નીરવ તો અમે મળ્યાં તે પહેલેથી જ વીડિયો બનાવતો. MBAના ત્રીજા સેમેસ્ટરમાં હતી ત્યારે તેણે મને વીડિયોમાં કામ કરવાની વાત કરી. તે છોકરીઓ પર એક વીડિયો બનાવતો હતો. મેં શરૂઆતમાં ના પાડી અને પછી માની ગઈ. એ રીતે મારી વીડિયોમાં કામ કરવાનું શરૂ થઈ. પહેલો વીડિયો બનાવ્યો પછી ક્યારેય પાછું ફરીને જોયું નથી. વીડિયો શૂટિંગની સાથે સાથે ભણતી પણ ખરાં ને MBA ડિસ્ટિન્ક્શન સાથે પાસ કર્યું છે. 'ઢોકળી' નામ નીરવે જ આપ્યું છે. સાચું કહું તો મેં પણ આજ દિન સુધી નથી પૂછ્યું કે તમે કેમ ઢોકળી નામ આપ્યું. અત્યારે મને પાયલ કરતાં બધા ઢોકળીના નામથી જ ઓળખે છે. આજુબાજુના લોકોએ ક્યારેય મજાક ઉડાવી નથી. બધાએ પ્રેમ જ આપ્યો છે. મને ક્યારેય ખરાબ અનુભવ થયો નથી.' તો ઢોકળી નામ પાછળની વાત કરતા નીરવે કહ્યું, 'શરૂઆતમાં અમે માત્ર છોકરાઓ સાથે વીડિયો બનાવતા હતા. પાયલને વીડિયો બનાવવાની વાત કરી અને પછી નામ ફાઇનલ કરવાની વાત આવી. મારા મનમાં એ નક્કી હતું કે ક્યૂટ ને લોકોમાં તરત જ યાદ રહી જાય તેવું કંઈક નામ રાખવું છે. દાળઢોકળી એકદમ યાદ આવીને એમાંથી ઢોકળી નામ ઉપાડ્યું. ઢોકળી નામ ફની ને ક્યૂટ છે. અમારી ટીમમાં બધાનાં નામ આ જ રીતે પાડવામાં આવ્યા છે, પછી તે ‘જાંબુડી’ હોય કે ‘જીગો’ કે પછી ‘ભૂરો’ કે ‘નાથો’ હોય.... આ તમામ નામો લોકપ્રિય થયાં છે.' 'પાયલ સાથેનો પહેલો જ વીડિયો 10 લાખ લોકોએ જોયો'નીરવે પાયલ સાથેના પહેલા વીડિયો અંગે કહ્યું, 'પાયલને શહેર ને ગામડાંની યુવતીઓ વાત કરે તો શું હ્યુમર થાય તેના પર વીડિયો બનાવવાની વાત કરીને ગામડાની યુવતીનો રોલ ઑફર કર્યો. પાયલે શરૂઆતમાં તો ના જ પાડી ને એમ કહ્યું, 'અમને આવી એક્ટિંગ ના આવડે, અમે તો ભણવામાં ધ્યાન આપનારાં છીએ.' પછી તો મેં એક્ટિંગમાં બસ ટ્રાય કરવાનું કહ્યું ને તે માની ગઈ. પહેલો વીડિયો બનાવીને પોસ્ટ કર્યો અને તમે નહીં માનો તે વીડિયો 10 લાખ જેટલો ચાલ્યો હતો.' 'તે સમયે એક્ટિંગની કંઈ જ ખબર નહોતી'પાયલ પોતાના પહેલા વીડિયો અંગેના અનુભવ અંગે વાત કરતા જણાવે છે, 'ગામડું vs શહેરમાં હું ગામડાની છોકરીનો રોલ પ્લે કરું છું. ત્યારે તો મને એક્ટિંગનો 'અ' પણ આવડતો નહોતો. એક્ટિંગ અંગે ખાસ સમજ પણ નહોતી. નીરવે જે રીતે એક્ટિંગ કરવાનું કહ્યું તેમ જ કર્યું. નીરવે જ સ્ક્રિપ્ટ આપી હતી અને તે પ્રમાણે બોલી ગઈ. શરૂઆતમાં તો ઢગલો રીટેક થતા હતા અને હાલમાં પણ ઘણીવાર રીટેક થતા હોય છે. એ વાત અલગ છે કે મારા પહેલા વીડિયોમાં મેં બહુ બધા રીટેક લીધા નહોતા. તે વીડિયો શૂટ કરતાં અમને ત્રણથી ચાર કલાક થયા હતા. વીડિયોના આઇડિયા, સ્ક્રિપ્ટિંગ, રાઇટિંગ, એડિટિંગ, ડિરેક્શન એ બધું નીરવ જ કરે છે. વીડિયોની લંબાઈ પ્રમાણે શૂટિંગ ટાઇમિંગ જતો હોય છે. જો વીડિયો નાનો હોય તો પાંચથી છ કલાકમાં શૂટિંગ ને એડિટિંગ બધું જ થઈ જાય, પરંતુ ઘણીવાર વીડિયો લાંબો હોય તો આખો દિવસ શૂટિંગમાં જાય ને પછી એડિટિંગમાં પણ સમય લાગે.' 'બસમાં મળ્યાં ને પછી પ્રેમ થઈ ગયો...'પાયલ પોતાની લવસ્ટોરી અંગે વાત કરતાં કહે છે, 'અમે બંને પૂર્વ અમદાવાદમાં જ રહેતાં અને વિસ્તાર પણ એક જ હતો પણ અમે બંને પહેલેથી એકબીજાને ઓળખતાં નહોતાં. એકવાર AMTS બસમાં હું નીરવની જ બાજુમાં બેસી. મારી ફ્રેન્ડ્સ પણ આજુબાજુની સીટ પર જ હતી. સામાન્ય રીતે બસમાં કોલેજથી ઘર પહોંચતાં પોણો કલાક થતો. તે દિવસે ખબર નહીં કેમ પણ ઘણો જ ટ્રાફિક હોવાથી અમને ઘરે પહોંચતાં બેથી ત્રણ કલાક બસમાં થયાં. નીરવ બાજુમાં હતો ને ટ્રાફિકમાં ફસાયા હોવાથી અમારી વચ્ચે સામાન્ય વાતચીત થઈ. પછી ધીમે ધીમે અમે ફ્રેન્ડ્સ બન્યાં. થોડા સમય બાદ મને ખ્યાલ આવ્યો કે નીરવને તો હું ગમું છું. આમ તો મારો સ્વભાવ એકદમ એક્સ્ટ્રોવર્ટ હતો પણ જ્યારે એમ ખબર પડી કે નીરવ મને પસંદ કરે છે તો પછી તો આપણે એટિટ્યૂડ બતાવવાનું શરૂ કરી દીધું. હું તો એની સાથે વાત જ ન કરું. ત્રણ વર્ષ તો અમે જસ્ટ ફ્રેન્ડ હતાં અને અમારી વચ્ચે બહુ જ ઓછી વાતચીત થતી. સામાન્ય રીતે બસ સ્ટેન્ડ કે બસમાં મળી જઈએ તો હાય-હેલ્લો થતું. અમે તે સમયે કોન્ટેક્ટ નંબર એકબીજા સાથે શૅર કર્યા જ નહોતા. પછી અમે બેસ્ટ ફ્રેન્ડ બન્યા ને ધીમે ધીમે એકબીજાને પસંદ કરવા લાગ્યાં.' 'નીરવ સારો છોકરો છે એટલે પેરેન્ટ્સને આખરે મનાવી લીધાં'પાયલ વધુમાં ઉમેરે છે, 'પ્રપોઝ તો નીરવ જ કરે ને હું થોડી કંઈ કરું? આમ જોવા જઈએ તો અમારામાંથી કોઈએ એકબીજાને પ્રપોઝ કર્યું નહોતું. મને ખ્યાલ જ હતો કે નીરવ સારો છોકરો છે. મારું બધું ધ્યાન ભણવામાં હતું એટલે જ શરૂઆતમાં અમે માત્ર મિત્રો જ રહ્યાં. મારી ને નીરવની અલગ-અલગ કાસ્ટ હોવાથી પરિવારમાં ઇન્ટરકાસ્ટને કારણે શરૂઆતમાં વાંધો હતો. આ જ કારણે પેરેન્ટ્સને સ્વાભાવિક રીતે જ ચિંતા થાય. કલ્ચર ને બધું અલગ પડી જાય એટલે પેરેન્ટ્સને થોડી ઘણી ચિંતા થવી સામાન્ય છે. પછી મેં જ પેરેન્ટ્સને સમજાવ્યા કે પરિવાર સારો છે અને છોકરો પણ વ્યવસ્થિત હોવાથી કોઈ વાંધો આવશે નહીં. એમ રોજે રોજ કહી કહીને મનાવવાના પ્રયાસો કર્યા ને છેલ્લે તેઓ માની જ ગયાં. અમારું પ્રોફેશન પણ સેમ હતું એટલે પછી તો વાંધો આવ્યો નહીં.' 'પેરેન્ટ્સને વિશ્વાસ નહોતો કે હું એક્ટિંગ કરું છું'પેરેન્ટ્સે વીડિયોમાં કામ કરવા અંગે આપેલા રિએક્શન અંગે પાયલ કહે છે, 'પપ્પાને એવું હતું કે એમની દીકરીને મનમાં જે આવે એ કરે પણ મમ્મીના મનમાં એવું હતું કે દીકરી વીડિયોમાં કામ કરે છે તો આગળ જતાં શું થશે? તેઓ વીડિયોમાં કામ કરવાને લઈ વિરુદ્ધમાં તો નહોતાં. છેલ્લે જ્યારે એમને ખ્યાલ આવ્યો કે મને વીડિયોમાં કામ કરવામાં ખુશી મળે છે તો તે પણ છેલ્લે માની જ ગયાં. પેરેન્ટ્સને મારો પહેલો વીડિયો ઘણો જ ગમ્યો હતો. શરૂઆતમાં તેમને વિશ્વાસ જ ના થયો કે હું આ રીતે એક્ટિંગ પણ કરી શકું છું.' 'મમ્મીને હું અંગ્રેજીમાં વાત કરું તેવી ઈચ્છા'પાયલ મમ્મીની એક ઈચ્છા અંગે વાત કરતાં બોલે છે, 'મમ્મીને એવું હતું કે દીકરી મોટી થઈને અંગ્રેજીમાં વાત કરે. હવે વીડિયોમાં હું તદ્દન ગામડાની યુવતીના રોલમાં હતી અને એ જ રીતની ભાષા બોલતી અને પછી મારી આઇડેન્ટિટી પણ એ જ બની ગઈ. આ જ કારણે હું જ્યારે પણ કોઈ ફંક્શન કે અવૉર્ડ શોમાં જાઉં ત્યારે હું ગામઠી બોલીમાં જ વાત કરું. આ વાત મારા મમ્મીને શરૂઆતમાં ગમતી નહોતી. એમને એવું હતું કે દીકરી મસ્ત અંગ્રેજીમાં વાત કરે અને મને કહેતાં પણ ખરાં. હું ત્યારે એટલું જ કહેતી કે હું ગામડાની યુવતીના રોલમાં લોકપ્રિય થઈ છું તો મારે એ જ રીતે બોલવું પડે. મમ્મીને હંમેશાં મનમાં થતું કે તેમની દીકરી કેમ આટલું બધું કાઠિયાવાડી બોલે છે? હું ત્રણ મહિનાની હતી ત્યારથી અમદાવાદ રહું છું, પરંતુ મારો ટોન હંમેશાં કાઠિયાવાડી જ રહ્યો છે. અમદાવાદી ટોન આવ્યો જ નહીં.' પાયલના મતે, 'સ્ક્રિપ્ટિંગ આઇડિયા નીરવ જ કરે. શરૂઆતમાં એડિટિંગ પણ એ જ કરતા. હવે તો ટીમ પણ છે. રાઇટિંગ પણ નીરવ જ કરે છે. અમુકવાર હું પણ હેલ્પ કરાવતી હોઉં છું. ઘણીવાર નીરવ ને હું આઇડિયા અંગે ચર્ચા કરતાં હોઈએ ત્યારે હું ક્યારેક ઇમ્પ્રોવાઇઝ કરાવું. હાલમાં અમે વ્લોગ્સ ને રીલ્સ બનાવીએ છીએ તો મારા બે કઝિન દિયર, સાસુ, હું ને નીરવ એટલા લોકો કામ કરીએ છીએ. એક વીડિયોનું બજેટ કેટલું રહેતું તે તો મને સાચે જ ખ્યાલ નથી. શરૂઆતમાં કેમેરામાં શૂટ કરતા. હવે રીલ્સ ને વ્લોગ્સ આઇફોનમાં શૂટ કરીએ છીએ. આશરે અઢી વર્ષથી અમે વ્લોગ્સ બનાવીએ છીએ. શરૂઆતમાં બસ એમ જ વ્લોગ્સ બનાવવાનું શરૂ કર્યું અને તે ઘણા જ પોપ્યુલર થયા તો અમે અઢી વર્ષથી મોટાભાગે રોજ બનાવીએ છીએ.' 'ફોટો પડાવતાં પડાવતાં બીમાર પડી ગઈ''શરૂઆતમાં મારા કોમેડી વીડિયો યુ ટ્યૂબ પર ખાસ્સા વાઇરલ થતા. એકવાર હું મારી ફ્રેન્ડનાં લગ્નમાં સુરત ગઈ પણ લગ્ન સહેજ પણ એન્જોય કરી શકી નહીં. લગ્નમાં એન્ટર થતાંની સાથે જ મહેમાનો મારી સાથે ફોટો પડાવવા લાઇન લગાવીને ઊભા રહી ગયા હતા અને મેં લગ્નમાં આવેલા એકેએક મહેમાન સાથે સેલ્ફી ને ફોટો ક્લિક કરાવ્યા હતા. હું આખા લગ્ન પ્રસંગમાં ઊભા રહીને થાકી ગઈ અને છેલ્લે બીમાર પડી ગઈ. આ સમયે મને લાગ્યું કે મેં કંઈક કામ તો સારું કર્યું છે એટલે હું આ રીતે લોકોમાં જાણીતી બની છું. સૌથી વધુ પ્રેમ મને નાના છોકરાઓનો મળ્યો છે. મને બીજા કોઈ ઓળખે કે ના ઓળખે હું ઘરની બહાર નીકળું એટલે નાના છોકરાઓ તરત જ 'ઢોકળી'ના નામથી બૂમાબૂમ કરી મૂકતા હોય છે. ઘણીવાર એવું બન્યું કે બાળકોનાં પેરેન્ટ્સ મારા વીડિયો ના જોતાં હોય, પરંતુ તેમનાં સંતાનો જોતાં હોય ને તેઓ મને ઓળખી જાય એટલે મારું નામ બોલે અને પછી તેમનાં પેરેન્ટ્સ મને આવીને પૂછે કે તમે ઢોકળી છો? એટલે હું તરત જ તેમને કહું કે કોમેડી વીડિયો બનાવું છું.' 'કોલેજમાં થોડી ભીડ ભેગી થતી'પાયલ કહે છે, 'વીડિયોમાં કામ કર્યા પછી પણ હું કોલેજ તો બસમાં જતી. ઘરથી કોલેજ ઘણી દૂર હોવાથી પોતાના વ્હીકલમાં જવું ફાવે એમ જ નહોતું એટલે મને તો બસમાં જવામાં કોઈ જ વાંધો નહોતો. બસમાં તો બધા ઓળખતા એટલે કંઈ સમસ્યા થતી નહોતી. હા પણ કોલેજમાં ભીડ થઈ જતી. કોલેજમાં સેલ્ફી ક્લિક કરાવવા વિદ્યાર્થીઓ ભેગા થતાં ને એમ કહેતા કે ભાઈ આ તો ફેમસ સેલિબ્રિટી થઈ ગઈ છે અને કંઈક કામ હોય તો મને કહે કે પાયલ તું અમારું આટલું કામ કરાવી આપજે. લોકો એવું માનતા હશે કે હું સેલિબ્રિટી બની ગઈ પણ મારી લાઇફ આજે પણ એટલી જ સામાન્ય છે અને લાઇફસ્ટાઇલમાં રતીભાર જેટલો ફરક આવ્યો નથી.' 'નીરવ સાથે ઝઘડો તો થાય જ'પાયલને પૂછવામાં આવ્યું કે વીડિયોના શૂટિંગ સમયે નીરવ સાથે બોલવાનું થાય કે નહીં જવાબમાં તે તરત જ કહે છે, 'આજે પણ જ્યારે અમે રીલ બનાવીએ ત્યારે મારી ને નીરવ વચ્ચે નાનો ઝઘડો થઈ જ ગયો હોય. મને સતત એવું લાગે કે બીજા લોકો કરતાં નીરવ મને જ સૌથી વધારે ખીજાય છે. બીજાને ક્યારેય એટલું ખીજાતો નથી. અમારી વચ્ચે આ બાબતેય ઝઘડો થઈ જાય.' 'શૂટિંગ દરમિયાન પાયલ પર ગુસ્સે થઈ જાઉં'નીરવને પૂછવામાં આવ્યું કે પતિ જ્યારે ડિરેક્ટર હોય ને પત્ની એક્ટ્રેસ ત્યારે કેવું થાય તો તેમણે હસતાં હસતાં જવાબ આપતાં કહ્યું, 'અત્યારે ઝઘડો થાય એટલે પાયલ જમવાનું પણ ના આપે ને વાસણ પણ ઘસાવે. હું મારું કામ ઘણી જ પેશનથી કરું છું. હું નાનકડી રીલ માટે સ્ક્રિપ્ટ લખું ને તેમાં એક્ટિંગ કરવાની હોય તો મને એમ જ હોય કે મારો એક્ટર ધી બેસ્ટ પર્ફોર્મન્સ આપે. મારા જેટલા પણ એક્ટર છે તે તમામ થોડા-ઘણા મસ્તીખોર છે અને એટલે જ મારે શૂટિંગ સમયે ગુસ્સે થવું પડે. વીડિયો પોસ્ટ કર્યા બાદ લોકો જ્યારે એમ કહે કે વાહ ખરેખર ઘણી જ મજા આવી..' આ શબ્દો જ હું પેશનથી કામ કરું છું તે વાતની સાબિતી છે.' 'ભર ગરમીમાં શૂટિંગ કર્યું'શૂટિંગ સમયની વાત કરતાં પાયલ બોલે છે, 'એક સમયે અમે કોમેડી વીડિયો અમદાવાદના ભર તડકામાં બનાવતાં હતાં. મેકઅપ કર્યો હોય અને વાળ ખુલ્લા હોય ને શૂટિંગ કરતા. ક્યારેક તો એમ થાય કે હવે તો હું આ કરી શકીશ જ નહીં. અત્યારે જ્યારે તે દિવસો યાદ કરું તો થાય કે કેવી રીતે અમે શૂટિંગ કરતા હતા અને ત્યારે ઘણી જ મજા આવતી. ભણી રહી પછી અમે સુરત જતાં રહ્યાં હતાં. તે સમયે હું અમદાવાદ ખાસ વીડિયો શૂટિંગ માટે આવતી. અમુક દિવસમાં ચોક્કસ વીડિયો શૂટ કરી લેવાના હોય. ઘણીવાર એવું થાય કે એક જ વીડિયોમાં ઘણા બધી રીટેક આવી જાય. ઘણીવાર એક લાઇન ચોક્કસ ટોનમાં બોલવાની હોય તો તે બોલાય જ નહીં. આ જ કારણે ઘણીવાર વીડિયો શૂટ કર્યા વગર જ સુરત જવું પડ્યું હોય તેમ પણ બનતું. આ ઉપરાંત એક વાત નક્કી રહેતી કે બપોરે જમ્યા પછી ક્યારેય મારાથી શૂટિંગ થતું નહીં. જો પેટ ભરીને જમી લઈએ તો મને તો માત્ર ઊંઘવાની જ ઈચ્છા થતી. અમે પછી તો બપોરે 12-1 વાગ્યે હળવો નાસ્તો કરતા અને પછી સાંજ સુધી શૂટિંગ કરતાં.પેકઅપ થઈ જાય પછી સાંજે પેટ ભરીને જમતાં.' પાયલ નવા વીડિયો ક્રિએટર્સ અંગે જણાવે છે, 'અત્યારના વીડિયો ક્રિએટર્સ બહુ જ સારું કામ કરે છે. અત્યારે ટીનેજર જે રીતે વીડિયો બનાવે છે તે ખરેખર કાબિલ-એ-તારીફ છે. હું મારી વાત કરું તો મને આ ઉંમરે કંઈ જ સમજણ નહોતી. 14 વર્ષનાં કિશોર-કિશોરીએ બ્યૂટી-ફેશન ને જાતજાતના વીડિયો બનાવે છે. હું સોશિયલ મીડિયાને પોઝિટિવ રીતે જ જોતી આવી છું. સાચું કહું તો મને તેમાંથી ઘણું સારું સારું શીખવાનું મળે છે.' 'હવે એક્ટિંગમાં ધીમે ધીમે પકડ આવી છે'પાયલ કહે છે, 'સમય જતાં મારી એક્ટિંગમાં પણ ફેરફાર આવ્યો છે. મને લાગે છે કે હું પહેલાં કરતાં વધુ સારી એક્ટિંગ કરું છું. હવે નીરવ જે પ્રમાણેની એક્ટિંગ કરવાનું કહે તે તરત જ થઈ જાય છે. શરૂઆતમાં જ્યારે વીડિયોમાં કામ કરતી ત્યારે એક્ટિંગ કરી ના હોવાને કારણે બહુ આઇડિયા ના રહેતો. હવે તો એક્ટિંગ પર પકડ વધી રહી છે.' 'ઝીરો ઇન્વેસ્ટમેન્ટથી આ કામ શરૂ કર્યું'બજેટ અંગે નીરવે જણાવ્યું, 'શરૂઆતમાં મારી પાસે એક રૂપિયો પણ નહોતો. ફોનથી જ વીડિયો શૂટ કરતો. એક્ટર જાતે શોધ્યા. એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વગર શરૂ કર્યું. ધીમે ધીમે આવક આવતી ગઈ તેમ સારા કેમેરા, માઇક, સ્ટેન્ડ ને બધું ખરીદ્યું. હાલના વીડિયો ક્રિએટર કહેતા હોય છે કે અમારી પાસે સારો કેમેરો નથી એટલે અમારા વીડિયો ચાલતા નથી. માઇક નથી એટલે વીડિયો નથી ચાલતા. તમે નોર્મલ મોબાઇલમાં વીડિયો શૂટ કરો તો પણ ચાલે. કન્ટેન્ટમાં દમ હોય તો કોઈ પણ રીતે શૂટ કરો વીડિયો ચાલે જ. કેમેરાને વધારે મહત્ત્વ આપવાની જરૂર નથી. આજકાલ તો દરેક વ્યક્તિ વીડિયો ક્રિએટર છે અને દરેકને દરેક બાબત ખ્યાલ છે. હું એટલું જ કહીશ કે રોજ એક વીડિયો નાખવો જરૂરી છે. આજે એક નાખો ને બીજો ત્રણ મહિના પછી તો આ વાત ના ચાલે. પહેલાં, આજે ને આવતીકાલે કન્ટેન્ટ જ મુખ્ય હતું, છે ને રહેશે. બનાવવા ખાતર વીડિયો બનાવશો તો તે નહીં ચાલે એ નક્કી છે.' આખરે કમાણી કેટલી છે?નીરવને જ્યારે કમાણી અંગે સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું, 'બધાને એ જાણવાની ઉત્સુકતા હોય છે કે અમે કેટલું કમતાં હોઈશું? એટલું જ કહીશ કે હું કમ્પ્યૂટર એન્જિનિયરિંગના બેકગ્રાઉન્ડમાંથી આવું છું. આ ડિગ્રી ધરાવતા લોકો અત્યારે સારી પોઝિશન પર હોય તો તેમનો સારો એવો પગાર હોય તે સ્વાભાવિક છે. બસ તો હાલમાં હું તે લેવલ સુધીની કમાણી ઇઝલી કરી લઉં છું.' 'સો.મીડિયામાં કામ કરવું હોય તો બધું જ શીખવું પડે'નીરવના મતે, 'સો.મીડિયામાં વન મેન આર્મી જેવું કામ છે. બધું એક સાથે કરવું અઘરું છે. શરૂઆત કરો ત્યારે ટીમ હોતી નથી અને તમારે અલગ-અલગ સ્કીલ જાતે જ શીખવી પડે. સૌ પહેલાં રાઇટિંગ, ફ્રેન્ડ ના હોય તો એક્ટિંગ શીખવી પડે. ડિરેક્શન શીખવું પડે, એડિટિંગ પણ શીખવું પડે. હાલમાં રીલનું એડિટિંગ હું જ કરું છું. એડિટિંગ ટ્યુટોરિયલ વીડિયો જોઈ-જોઈને શીખી ગયો. ડિરેક્શન માટે સંજય લીલા ભણસાલી સહિતના ડિરેક્ટરોની ફિલ્મો જોઉં છું ને તેમાંથી શીખું છું કે તેઓ કેવી રીતે ફ્રેમ સેટ કરે છે, કેવી રીતે સ્ટોરીને આગળ લઈ જાય છે... મારું ફોકસ કોમેડી છે.' 'નીરવ સાથે આખી દુનિયા જોવી છે'વાતને પૂરી કરતાં પાયલ કહે છે, 'મારું ડ્રીમ ધીમે ધીમે બદલાતું રહે છે. અત્યારે મને ટ્રાવેલિંગ કરવું ઘણું જ ગમે છે. મારે આખી દુનિયા નીરવ સાથે જોવી છે. નાની હતી ત્યારે મને રસોઈનો શોખ હતો પણ ઘરનાં કામ કરવા નહોતાં ગમતાં એટલે એવું હતું કે સારી જોબ મળી જાય ને સારી કમાણી થાય. પછી એવું હતું કે નીરવ સાથે મેરેજ થાય અને તે થઈ ગયાં. ત્યારબાદ ફોરેનમાં ફરવા જવાની ઈચ્છા હતી અને તે 2025માં પૂરી થઈ.' તો નીરવ કહે છે, 'સાચું કહું તો એવું કંઈ ડ્રીમ વિચાર્યું નથી. ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ બની જાઉં અને મારે જેવું કન્ટેન્ટ બનાવવું છે તે હું અફોર્ડ કરી શકું બસ એવી જ ઈચ્છા છે. મારા લાઇફના છેલ્લા શ્વાસ સુધી કોમેડી વીડિયો બનાવતો રહું.' (આવતીકાલે ત્રીજા એપિસોડમાં વાંચો, એથનિક વિયરથી લોકપ્રિય બનેલી માહી પટેલની ખાસ જર્ની...)
મુંબઇમાં સતત ખુશનુમા માહોલ 2 હજી ત્રણેક દિવસ ટાઢોડું રહેવાનો વરતારો
મહારાષ્ટ્રમાં ૧૨ શહેરમાં ઠંડીનો પારો ૭.૦ થી ૧૦.૦ ડિગ્રી હિમાલયના ઠંડા પવનોનની અસર, અહમદનગર અને અહિલ્યા નગર ૭.૩, જેઉર ૮, પુણે ૮.૬ અને નાશિક ૮.
પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પાટણ કલેક્ટર અને રાજ્ય ચૂંટણી કમિશનરને આવેદંપ પત્ર આપી ભાજપ દ્વારા મતદાર યાદીમાંથી ચોક્કસ સમુદાયના નામો ગેરકાયદેસર રીતે દૂર કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું હોવાના આક્ષેપ કરાયા હતા. શહેર કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે 17 ડિસેમ્બરે માર્કેટયાર્ડ ખાતે ભાજપની ગુપ્ત બેઠક મળી હતી. જેમાં જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષે કાર્યકરોને દરેક બૂથ દીઠ 40થી 50 મતો ઘટાડવા ટાર્ગેટ આપ્યો હતો. ખાસ કરીને શહેરના વોર્ડ નંબર 7, 8 અને 10માં મુસ્લિમ અને દલિત સમાજના 50 વર્ષથી વધુ વયના જીવિત મતદારોના નામ કોઈપણ પુરાવા વગર યાદીમાંથી કમી કરવા દબાણ કરાયું હોવાના આક્ષેપ શહેર કોંગ્રેસે પ્રમુખ દિપક પટેલ દ્વારા કરવામાં આવ્યા છે. આ બાબતે તટસ્થ તપાસ કરવા આવેદનપત્ર આપી માંગ કરી હતી.
પોલીસ કાર્યવાહી:પાટણમાંથી ચાઈનીઝ દોરીની 34 ફીરકી સાથે બે શખ્સો ઝબ્બે
પાટણ શહેરમાં વાળીનાથ ચોક નજીક અને માતરવાડી બસ સ્ટેન્ડ પાસેથી પોલીસે ચાઈના દોરીની 34 ફીરકીઓ સાથે બે શખ્સોને પકડી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. રૂ. 4000ની ફિરકીઓ સાથે પાટણના જકશીવાડામાં રહેતાં સુનિલ વિનોદભાઈ પટણીને પકડી પાડ્યો હતો અને તેની સામે બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે પાટણ પાસે માતરવાડી બસ સ્ટેન્ડ નજીક થી પોલીસે ચાઈનીઝ દોરીની રૂ 3500 ની 14 ફીરકીઓ સાથે હાજીપુર ગામનાં સંજય જગાજી ઠાકોર ને પકડી પાડ્યો હતો અને તેની સામે બી ડિવિઝન પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
સિદ્ધપુર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ હસ્તકના સિદ્ધપુર તાલુકામાં ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે સરકારની સુવિધાપથ યોજના હેઠળ વિવિધ સી.સી. રોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ વિકાસકામોના શ્રીગણેશ કરવાના ભાગરૂપે બિલીયા ગામે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે, છેવાડાના ગામડાઓ સુધી પાકા રસ્તાઓની સુવિધા પહોંચાડવી એ સરકારની પ્રાથમિકતા છે અને આ નવા રસ્તાઓથી ગ્રામજનોના દૈનિક જીવનમાં મોટો સકારાત્મક બદલાવ આવશે. બિલીયાથી લાલપુર (લક્ષ્મીપુરા) સુધીના રોડનું નિર્માણ ₹ 80 લાખના ખર્ચે બ્રહ્માણી કન્સ્ટ્રક્શન દ્વારા હાથ ધરવામાં આવશે, જે કામ અંદાજે 2થી 3 મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે. આ ઉપરાંત, ગામની દૂધ ડેરીથી પ્રકાશ વિદ્યાલય સુધીનો મહત્વનો માર્ગ ₹70 લાખના ખર્ચે એમકોન કન્સ્ટ્રક્શન દ્વારા તૈયાર કરવામાં આવશે. આગામી 4 મહિનામાં આ કામગીરી પૂર્ણ થતા જ વિદ્યાર્થીઓને શાળાએ જવા-આવવામાં સુરક્ષિત સુવિધા મળશે. આ પાકા રસ્તાઓથી માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ ખેડૂતોને પણ દૂધ ડેરી અને ખેતરો સુધી માલ-સામાનની હેરફેર કરવામાં મોટી રાહત થશે.
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામના રહેવાસી અનિતાબેન ચૌધરી એક ગૃહિણી મટીને ડ્રોનદીદી તરીકે પંથકભરમાં પ્રેરણાની મશાલ બન્યા છે. 900 એકરમાં ડ્રોનથી દવાનો છંટકાવ કરી 4.50 લાખની આવક મેળવી છે. અર્બુદા સખી મંડળ દ્વારા મળેલા ડ્રોનનો ઉપયોગ કરી કોલીવાડા ગામની અનિતા ચૌધરીએ ખેતીક્ષેત્રે નવી દિશા ચીંધી રહ્યા છે.વર્ષ 2025માં અત્યાર સુધીમાં તેમણે અંદાજે 900 એકર ખેતીલાયક જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને 4.50 લાખની આવક પ્રાપ્ત કરી છે.ગતવર્ષે તેમણે 1100 એકરમાં કામગીરી કરી 7.26 લાખથી વધુનું ટર્નઓવર કર્યું હતું. અનિતાબેને જણાવ્યું હતું કે ડ્રોનથી એક દિવસમાં 20થી 25 એકર વિસ્તારમાં દવાનો છંટકાવ થઈ શકે છે.આનાથી સમય બચે છે અને મજૂરી ખર્ચમાં પણ મોટો ઘટાડો થાય છે.પરંપરાગત રીતે પુરુષપ્રધાન ગણાતા ટેક્નોલોજી ક્ષેત્રમાં અનિતાબેને ડ્રોન પાયલોટ બનીને સાબિત કર્યું છે કે ગ્રામીણ મહિલાઓ જો ધારે તો આકાશ આંબી શકે છે.
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
યુનિવર્સિટીના ગ્રંથાલયમાં વાચકો માટે હવે આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર ઉપલબ્ધ બન્યો છે. જૈનાચાર્ય યોગતિલક સૂરીજી મહારાજા દ્વારા રચિત 400થી વધુ પુસ્તકો અધ્યાત્મ પરિવાર દ્વારા યુનિવર્સિટીને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા છે. આ સાહિત્યને સાચવવા માટે લાકડાના બે કબાટ પણ સંસ્થા તરફથી અર્પણ કરાયા છે. સોમવારે યુનિવર્સિટી ખાતે કુલપતિ ડૉ. કિશોરકુમાર પોરિયા અને કુલસચિવ ડૉ. રોહિતકુમાર દેસાઇની હાજરીમાં આ વિશેષ ‘અધ્યાત્મ કોર્નર’નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જીવનમાં રાગ-દ્વેષ અને મોહ-માયાથી અલિપ્ત થઈ આધ્યાત્મિક શક્તિ કેવી રીતે કેળવવી, તેના માર્ગદર્શન આપતા આ પુસ્તકો હવે તમામ વિદ્યાર્થીઓ અને વાચકો માટે ઉપલબ્ધ રહેશે. આ પ્રસંગે અધ્યાત્મ પરિવારના મનિષભાઇ શાહ, રણછોડભાઇ ચૌધરી અને લાયબ્રેરિયન ડૉ. રજની પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આધેડની મળી આવી લાશ:કિમ્બુવાના ગુમ આધેડની લાશ સીમમાં તારથી વૃક્ષ સાથે લટકતી હાલતમાં મળી
સરસ્વતી તાલુકાનાં કિમ્બુવા ગામના ઘરેથી ગુમ થયેલાં 60 વર્ષીય આધેડે ગામની સીમમાં વૃક્ષ સાથે લોખંડનો તાર બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મૂળ કિમ્બુવા ગામના અને પાટણમાં વ્યાસ સ્મૃતિ ફ્લેટના મકાનમાં રહેતાં કિરણકુમાર કાનજીભાઈ પટેલ પાટણ યુનિવર્સિટીમાં માળી કામ કરતાં હતા. તેઓ 18 ડિસેમ્બરે ઘરે થી નીકળી ગયા હતા. બાદમાં તેમની તેમનાં વતન કીંબુવા ગામની સીમ વિસ્તારમાં ખેતરની બાજુમાં વાડ પાસે વૃક્ષ સાથે લોખંડ નો તાર બાંધી ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્યાંથી પસાર થતાં કોઈ વ્યક્તિને જાણ થતાં તેમણે ગામમાં જાણ કરતાં ગામ લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કિરણભાઈ પટેલની ઓળખ થઈ હતી. બાદમાં પરિવારજનોને જાણ થતાં તેમના દીકરા સની કિરણભાઈ પટેલે આ અંગે સરસ્વતી પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોત નોંધ કરી ઘટનાની તપાસ શરૂ કરી હતી.
પાટણથી ઊંઝા તરફ અવરજવર કરતા વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. બાલિસણા પાસે કેનાલ પર વર્ષો જૂના સાંકડા પુલને કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બનશે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા અહીં રૂ. 2000 લાખ (20 કરોડ)ના ખર્ચે અત્યાધુનિક ફોર-લેન માઇનોર બ્રિજના નિર્માણને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટના અમલીકરણ સાથે જ હાઈવે પરના બોટલનેક સેક્શનનો અંત આવશે અને વાહનચાલકોને સુરક્ષિત મુસાફરીનો અનુભવ મળશે. આ નવો બ્રિજ કુલ 60 મીટરની લંબાઈ ધરાવશે, જેમાં 14 મીટર અને 30 મીટરના સ્પાન્સ તૈયાર કરવામાં આવશે. વાહનોની સરળ અવરજવર માટે 10.5 મીટર પહોળો કેરેજવે રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, વાહનચાલકોની સાથે રાહદારીઓની સુરક્ષાનું પણ ધ્યાન રખાયું છે, જેના માટે 1.50 મીટરનો અલાયદો ફુટપાથ બનાવવામાં આવશે. બ્રીજની મજબૂતી માટે તેમાં પી.એસ.સી. ગર્ડર અને પાણીથી નુકસાન ન થાય તે માટે એ સપ્ટેમ્બર 2026 સુધીમાં કામ પૂર્ણ થશેહાલમાં આ સ્થળે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. મહેસાણાની અક્ષર કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા હાલમાં માટીકામ અને પીઅર કેપ કાસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલા આયોજન મુજબ, 28 સપ્ટેમ્બર 2026 સુધીમાં આ બ્રીજ તૈયાર થઈ જશે. બ્રીજની બંને બાજુ 200-200 મીટરના એપ્રોચ રોડ પણ બનાવવામાં આવશે, જેથી વાહનચાલકોને હાઈવે પરથી બ્રીજ પર ચઢતી વખતે કોઈ મુશ્કેલી ન નડે. આ પ્રોજેક્ટ પૂર્ણ થતા પાટણ-ઊંઝા વચ્ચેની કનેક્ટિવિટી વધુ સ્પીડી બનશે.
ભાસ્કર એક્સક્લૂસિવ:સરગવો ઉતારવા ચઢેલા બાળકને કરંટ લાગતાં દાઝ્યો, હાથ કાપવો પડશે
પાટણના નિર્મળનગરમાં રહેતા અને ખેતરમાં મજૂરી કર તા મુકેશજી ઠાકોરના 11 વર્ષના પુત્ર જીજ્ઞેશની જિંદગી 24 દિવસ પહેલાં પલટાઈ ગઈ. આજે એ માસૂમ હોસ્પિટલના બિછાને અસહ્ય પીડામાં કણસી રહ્યો છે. જે હાથે તે ભવિષ્યના સપના લખવા માંગતો હતો, એ જ હાથ હવે કાપવો પડે તેવી સ્થિતિ છે. શહેરમાં 29 નવેમ્બરની સવારે શાંતિનિકેતન સ્કૂલમાં ભણતો જીજ્ઞેશ સાઈકલમાં પંચર કરાવીને પરત ફરી રહ્યો હતો. રસ્તામાં સારથીનગર પાસે એક ઘરની મહિલાએ તેને સરગવાની શિંગો ઉતારવા માટે કહ્યું. કોને ખબર હતી કે આ અજાણી વિનંતી તેની જિંદગી છીનવી લેશે.જીજ્ઞેશ શેડ પર ચડ્યો અને જેવો લોખંડનો સળિયો ઝાડને અડક્યો, તેવો જ હાઈવોલ્ટેજ વીજ કરંટ તેના શરીરમાંથી પસાર થઈ ગયો હતો. હાઈ વોલ્ટેજ શરીરમાં પસાર થતા તેના પીઠ હાથ પગ જેવા વિવિધ અંગોથી ફૂટીને બહાર નીકળ્યો હતો .છેલ્લા 24 દિવસથી જીજ્ઞેશ માટે દરેક ક્ષણ અસહ્ય વેદનાની છે. મહેસાણામાં 18 દિવસની લાંબી સારવાર અને લાખોના ખર્ચ પછી પણ તેનું શરીર સાથ નથી આપી રહ્યું. વીજ કરંટની તીવ્રતા એટલી ભયાનક હતી કે તેનો એક હાથ કોલસાની જેમ બળી ગયો છે. ડૉ. હિરેન ઓઝા ( પ્લાસ્ટિક સર્જરી સર્જન ) જણાવ્યું હતું કે આ હાથ કાળો પડી ગયો છે ઈન્ફેક્શન આખા શરીરમાં ન ફેલાય તે માટે હાથ કાપવો અનિવાર્ય છે. તેમજ તેના હાથ પગ અને પીઠના ભાગે પણ અતિશય દાઝ્યો છે. પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે એક મહિના સુધી સારવાર ચાલશે. બાળકની પીડા દેખાતી નથી : પિતાની વેદનાપિતા મુકેશજી જણાવ્યું હતું કે અમે ગરીબ માણસ છીએ મજૂરી કરીને તેને ભણાવવા માંગતા હતા, પણ હવે આવું થયું છે. બાળકની પીડા અમે જોઈ શકતા નથી. રહેણાંક વિસ્તારોમાં ઝાડની ડાળીઓને સ્પર્શતા જીવંત વાયરો જોખમ છતાં તંત્ર ઊંઘતું રહ્યું. આજે અમારો ગરીબનો દીકરાને કરંટ લાગ્યો છે સારવાર કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચો લાવો પણ અમારી માટે મુશ્કેલ છે ઉપરાંત સારવાર બાદ પણ તેને હાથ ગુમાવો પડશે.છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.કાર્યવાહી કરવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ છે પરંતુ હજુ સુધી કશું થયું નથી.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ટેન્ડર વિવાદમાં કચરા નિકાલનો પ્લાન્ટ બે મહિનાથી બંધ
પાટણમાં રોજબરોજના નીકળતા કચરાના નિકાલ માટે આ માટે પાલિકા દ્વારા કરાયેલ પ્રોસેસિંગ પ્લાન્ટનું ટેન્ડર કારોબારી અને ચીફ ઓફિસર વચ્ચે વિવાદમાં આવતા હાલમાં પ્રથમ ટેન્ડરનો વર્ક ઓર્ડર આપ્યા વગર કરાયેલ રિટેન્ડર ઉપર પ્રાદેશિક કમિશનરે સ્ટે મૂકતા ડમ્પિંગ સાઇડ ઉપર કચરાના નિકાલની મુશ્કેલી સર્જાયેલ છે. ટેન્ડર વિવાદના કારણે છેલ્લા બે મહિનાથી ડમ્પિંગ સાઇડ બંધ થતા શહેરમાંથી નીકળતો સુકો અને ભીનો કચરો ત્યાં ખડકાઇ રહ્યો હોય પહાડ સમાન ઢગલાઓ ખડકાઈ જતા અતિશય ગંદકી અને દુર્ગંધ પ્રસરી રહી છે. શહેરમાં રહેણાંક કોમર્શિયલ અને મેડિકલ વેસ્ટનો જથ્થો એકત્ર કરી પ્રતિદિન શહેરમાંથી દરરોજ એકત્ર કરાતો 50 મેટ્રિક ટન સૂકો અને ભીનો કચરો છેલ્લા બે મહિનાથી પ્રોસેસિંગ વિના જ માખણિયા ડમ્પિંગ સાઈડ પર ઠાલવવામાં આવી રહ્યો છે. વહીવટી પ્રક્રિયા અને ટેન્ડરિંગના વિવાદમાં પ્લાન્ટ બંધ થઈ જતાં અહીં કચરાના મસમોટા પહાડો સર્જાયા છે, જેમાંથી ઉઠતી અસહ્ય દુર્ગંધ અને વાયુ પ્રદૂષણને કારણે આસપાસ વિસ્તારમાં રહેતા ખેડૂતો અને સ્થાનિક રહીશોને દુર્ગંધ વચ્ચે રહેવું પડતું હોય ભારે મુશ્કેલી પડી રહી હોવા ઉપરાંત તેમના આરોગ્ય જોખમ ઊભું થયું છે. રી-ટેન્ડરિંગ અને વહીવટી ગૂંચવણો બાદ પ્રાદેશિક કમિશનરે આ પ્રક્રિયા પર સ્ટે મૂકી દેતા સમગ્ર કામગીરી અધ્ધરતાલ થઈ ગઈ છે. પાલિકાના સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ પણ સ્વીકાર્યું છે કે, ટેન્ડર વિવાદ અને આરસીએમ કચેરીના સ્ટેને કારણે કામગીરી પર મોટી અસર પડી છે અને જ્યાં સુધી ચુકાદો ન આવે ત્યાં સુધી આ ગંદકીના ઢગલાં યથાવત રહેવાની શહેરીજનોને ભીતિ છે. રૂમાલ બાંધીને ઊભા રહેવું પણ મુશ્કેલ બન્યુંપ્લાન્ટ પર કાર્યરત લક્ષ્મણભાઈ કર્મચારીએ જણાવ્યું હતું કે અગાઉ કચરાનું વર્ગીકરણ કરી રોજનો રોજ નિકાલ થતો હતો, પરંતુ હવે ટ્રેક્ટરો અને છોટા હાથી દ્વારા આડેધડ કચરો ઠાલવી જેસીબીની મદદથી માત્ર ઢગલા કરવામાં આવી રહ્યા છે. સ્થિતિ એટલી હદે વણસી છે કે પ્લાન્ટ પર ભયંકર દુર્ગંધને કારણે મોઢા પર રૂમાલ બાંધવા છતાં પાંચ મિનિટ ઊભા રહેવું પણ અશક્ય બની ગયું છે. પ્રદૂષણ ફેલાવશે તો પાલિકા સામે કાર્યવાહી થશેગુજરાત પોલ્યુશન બોર્ડ પાલનપુરના અધિકારી ભરતભાઈ પ્રજાપતિએજણાવ્યું હતું કે અમને હજુ સુધી કોઈ કમ્પ્લેન મળી નથી પણ તમારામાધ્યમથી જાણવા મળ્યું છે તો શહેરી વિસ્તાર નજીકમાં આટલા મોટાપ્રમાણમાં કચરાના જથ્થાનો નિકાલ યોગ્ય રીતે ન થતો હોય જેનાકારણે હવામાં પ્રદુષણ ફેલાતું હોય તો સ્થળ વિઝીટ કરી રિપોર્ટ તૈયારકરી વડી કચેરીને મોકલશું તેમના દ્વારા નગરપાલિકાની જરૂરી સૂચનાઅને કાર્યવાહી કરવામાં આવશે.
ખાડારાજ:રામપુરા સર્કલ પર ધીમીગતિએ બની રહેલા બ્રિજના ડાયવર્ઝન રોડ પર ગાબડાં
મહેસાણા શહેર નજીક રામપુરા સર્કલ ખાતે છેલ્લા બે વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલી રહી છે. ડિઝાઇનમાં થયેલા ફેરફારોને કારણે કામકાજ વધુ લંબાતું જઈ રહ્યું છે. ઓવરબ્રિજના કામને કારણે શહેર તરફ આવવા-જવા માટે હાલ આ માર્ગ એકમાત્ર ડાયવર્ઝન તરીકે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. જોકે, આ ડાયવર્ઝન રોડ પર મોટા ગાબડાં પડી ગયાં છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અને ભારે ટ્રાફિક દરમિયાન અકસ્માતની ભીતિ વધી જાય છે. આ માર્ગના એક ભાગમાં રોડમાંથી લોખંડના તાર બહાર નીકળેલા જોવા મળે છે, જે ટુ-વ્હિલર વાહનચાલકો માટે ગંભીર જોખમ બની રહ્યા છે.
મહેસાણા જિલ્લાની કલેક્ટર કચેરી સહિતનું નવુ સંકુલ બનાવવા માટે છેલ્લા બે વર્ષથી ચર્ચા વિચારણા ચાલી રહી છે. ત્યારે જિલ્લા પંચાયત અને નવીન કોર્ટ બિલ્ડીંગની બાજુમાં જ કલેક્ટર કચેરી બનાવવામાં આવે તે લોકોના હિતમાં હોવાથી પહેલા નાગલપુર ખાતે જે કલેક્ટર કચેરીનું બિલ્ડીંગ બનાવવાની વાત હતી તે પડતી મૂકીને હવે જિલ્લા પંચાયતની સામેની કારકુન ચાલની જગ્યામાં બનાવવા લગભગ નક્કી થઈ ચૂક્યું છે. જિલ્લા પંચાયતની સામે આવેલી કારકુન ચાલમાં સરકારી કર્મચારીઓના સ્ટાફ ક્વાટર આવેલા છે. તે ક્વાટર અન્ય જગ્યાએ નવાં બનાવવાનાં હોવાથી તેને ડિમોલેશન કરી, આ જગ્યાએ એકત્રીકરણ કરી જે જિલ્લા પંચાયત હસ્તક છે ત્યાંથી તબદિલ કરીને ત્યાં જિલ્લા કલેક્ટર કચેરીનું નવું સંકુલ બનાવવા માટેની તૈયારી રેવન્યુ રાહે કરાઇ છે. એ માટે મહેસાણા પ્રાંત અધિકારી સમક્ષ આ જમીનના રેકોર્ડની માંગણી કરીને તેની પૂર્તતા કરવા માટે કલેક્ટર કચેરી દ્વારા જણાવાયું છે. કોર્ટ બિલ્ડીંગ, મામલતદાર અને તાલુકા પંચાયત સહિતની તમામ સરકારી કચેરીઓ અહીં નજીકના વિસ્તારમાં આવેલી હોવાથી કારકુન ચાલની જગ્યામાં કલેક્ટર કચેરી બનાવવા આખરી મહોરમહોર મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
નવરચિત બહુચરાજી નગરપાલિકાના વોર્ડ સીમાંકન અને બેઠક ફાળવણીની પ્રાથમિક પ્રસિદ્ધિ બાદ લોકોના વાંધા અને સૂચનોના નિકાલ માટે સોમવારે જિલ્લા ક્લેક્ટર કચેરીમાં વહીવટી તંત્ર દ્વારા રાજકીય પક્ષો સાથે બેઠક યોજવામાં આ વી હતી. જેમાં ચૂંટણી આ યોગના અધિકારી ઓ નલાઇન જોડાયા હતા. આ બેઠકમાં કોંગ્રેસના અગ્રણી જશુભાઈ પટેલે વોર્ડ નંબર 2 અને 6માં મતદારોની અસમાનતા અંગે રજૂઆત કરી હતી. વોર્ડ નંબર-2માં 1830 મતદારો છે, જેમાં સવર્ણ વિસ્તાર આવે છે. જ્યારે વોર્ડ નંબર-6માં 2457 મતદારો છે. આ વિસ્તારમાં બીસી અને ઓબીસી મતદારો વધુ છે. આ બંને વોર્ડમાં મતદારો ઓછા અને વધારેનો તફાવત હોવાથી અન્ય વોર્ડની જેમ સરખા મતદારો રાખવા કહ્યું હતું. ચૂંટણી આ યોગના અધિકારીની સૂચનાને પગલે જિલ્લા ચૂંટણી અધિકારી અેવં કલેક્ટર, નાયબ કલેક્ટર અને બહુચરાજી મામલતદાર દ્વારા મતદારોની સંખ્યામાં ફેરફાર અંગે ખાતરી આ પી હતી.
ઉત્તર ગુજરાતમાં રવી સિઝનમાં 12.02 લાખ હેક્ટર વાવેતરના અંદાજ સામે અત્યાર સુધીમાં 11.66 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. સિઝન પૂર્ણ થાય તે પહેલાં જ ગત વર્ષની સરખામણીએ ચાલુ સાલે પાક પેટર્નમાં નોંધપાત્ર ફેરફાર સામે આવ્યો છે. રાઇ અને બટાટાનું વાવેતર વધ્યું છે, જ્યારે ઘાસચારો અને શાકભાજીના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં અંદાજ કરતાં 12 ટકા વધુ વાવેતર થયું છે, જ્યારે પાટણ જિલ્લામાં માત્ર 87 ટકા સાથે સૌથી ધીમું વાવેતર નોંધાયું છે. બદલાયેલી પાક પેટર્ન મુજબ ત્રણ પાકોના વાવેતરમાં વધારો થયો છે. ગત વર્ષે 2.05 લાખ હેક્ટરમાં થયેલું રાઇનું વાવેતર ચાલુ સાલે વધીને 2.20 લાખ હેક્ટરે પહોંચ્યું છે, એટલે કે 14,700 હેક્ટરનો વધારો નોંધાયો છે. તેવી જ રીતે, બટાટાનું વાવેતર ગત વર્ષે 1.31 લાખ હેક્ટર સામે ચાલુ સાલે 1.39 લાખ હેક્ટર થયું છે, જે 8,000 હેક્ટરના વધારાને દર્શાવે છે. તમાકુનું વાવેતર પણ ગત વર્ષની 44,500 હેક્ટરની સામે વધીને ચાલુ સાલે 54,600 હેક્ટર થયું છે, એટલે કે 10,100 હેક્ટરનો વધારો નોંધાયો છે. 5 જિલ્લામાં સિઝનના વાવેતરની સ્થિતિસાબરકાંઠા જિલ્લામાં 1,50,265 હેક્ટરના અંદાજ સામે 1,67,800 હેક્ટરમાં વાવેતર થયું છે, જે સિઝનના 111.67 ટકા જેટલું છે. અરવલ્લી જિલ્લામાં 1,46,792 હેક્ટરના અંદાજ સામે 1,46,100 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જે 99.53 ટકા પૂર્ણતાને દર્શાવે છે. બનાસકાંઠામાં 4,96,320 હેક્ટરના અંદાજ સામે 4,81,500 હેક્ટરમાં વાવણી થઇ છે, જે 97.01 ટકા છે. મહેસાણા જિલ્લામાં 1,80,476 હેક્ટરના અંદાજ સામે 1,72,600 હેક્ટરમાં વાવેતર થયું છે, એટલે કે 95.64 ટકા વાવણી પૂર્ણ થઇ છે. જ્યારે પાટણ જિલ્લામાં 2,28,561 હેક્ટરના અંદાજ સામે 1,98,300 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે, જે માત્ર 86.76 ટકા સાથે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછું છે.
SIRની કામગીરી:એસઆઈઆરમાં હજુ નો મેપિંગ' મતદારો માટે નોટિસનું ઠેકાણું નથી
મહેસાણા જિલ્લામાં એસઆઈઆર ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ છે. જેમાં નો મેપિગમાં 70,446 મતદારોનો સમાવેશ છે. જોકે નો મેપિંગવાળા મતદારોને નોટિસ આપીને તેમની પાસેથી સૂચિત 13 પૈકીના પુરાવા મેળવવાની પ્રક્રિયા હવે શરૂ થશે. નોટિસ મોડ્યુઅલ હજી ચૂંટણી તંત્રથી આવ્યું નથી, કેટલાને નોટિસ બજાવવાની થશે તે પણ આ મોડ્યુઅલ આવ્યે સ્પષ્ટ થશે. ચૂંટણી તંત્રના સૂત્રોએ કહ્યું કે, હાલ તો નો મેપિંગમાં જે મતદારોના નામ છે તેમના નામ ફાઇનલ યાદીમાં જળવાઇ રહે તે માટે તેમના ડોક્યુમેન્ટ લેવાની બીએલઓને સૂચના અપાઇ રહી છે. એટલે નો મેપિંગવાળા મતદારોના યોગ્ય ડોક્યુમેન્ટ આવી જશે તેમના નામ ફાઇનલ યાદીમાં પણ જળવાઈ રહેશે. ભાસ્કર ઇનસાઇડનવા બીએલઓનાં ઓર્ડર રદ કરાવવા આંટાફેરા જિલ્લાની સાત વિધાનસભામાં 1810 બુથ હતા, તેમાં નવા 181 બુથનો ઉમેરો થતાં તમામ નવા બુથમાં બ્લોક લેવલ ઓફિસર નિમાઇ ગયા છે અને ટ્રેનિંગ માટે કવાયત શરૂ કરાઇ છે. આ દરમિયાન કેટલાક બીએલઓ ઓર્ડર રદ કરાવવા મહેસાણા કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા. જેમાં અધિકારીએ રજૂઆતની યોગ્યતા ચકાસીને બીએલઓમાં બદલાવ કર્યો છે અને જ્યાં રજૂઆત અયોગ્ય લાગી ત્યાં ફરજ કરવા સૂચના અપાઇ છે.
મહેસાણાની દેલા વસાહતમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દેલા વસાહત વિસ્તારમાં આંગણવાડીનું મકાન જર્જરિત હોવાથી આઇસીડીએસ વિભાગ દ્વારા દર મહિને રૂ.3,000ના ભાડે એક મકાન રાખવામાં આવ્યું હતું. ચોંકાવનારી વિગત એ છે કે, આ મકાન વર્ષ 2021-22માં પીએમ આવાસ યોજના હેઠળ મફાભાઇ ઇશ્વરભાઇ દેવીપૂજકને ફાળવવામાં આવ્યું હતું. આ લાભાર્થીએ સરકાર પાસેથી રૂ.3.50 લાખની સહાય મેળવી હોવા છતાં, તે આ મકાનમાં રહેવાને બદલે સરકાર પાસેથી જ ભાડું વસૂલી રહ્યો હતો. આઇસીડીએસ જિલ્લા તંત્ર દ્વારા કોઈ પણ ચકાસણી કર્યા વગર જ આ ભાડું ચૂકવવામાં આવતું હતું. મામલો સામે આવતાં જ ઉતાવળે સામાન ખસેડી બાળકોને હાલ રોડ સાઇડના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં બેસાડી આંગણવાડીની પ્રવૃત્તિ ચાલુ કરાઇ છે. નવાઈની વાત એ છે કે, હજુ સુધી જૂની આંગણવાડીનું ખંડેર મકાન તોડી નવું બનાવવાની તસ્દી પણ લેવાઈ નથી. પરિણામે, બાળકો હવે મંદિરમાં બેસવા મજબૂર બન્યા છે.
મહેસાણા શહેરની હોટલ અને રેસ્ટોરન્ટમાં આવતા લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે અને ખોરાકની ગુણવત્તા જળવાય છે કે નહીં તે સહિતની તપાસ મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર મારફતે કરવામાં આવી રહી છે. જેમાં કેટલીક હોટલોમાં રસોઈ બનાવતા રસોયાના નખ કાપેલા ન હોઇ, એપ્રોન પહેર્યા વગર રસોઈ, એપ્રોન પહેર્યું તો માસ્ક ન પહેર્યું હોય જેવી ત્રુટીઓ જોવા મળી હતી. જેને પગલે 60 હોટલ, રેસ્ટોરન્ટ સંચાલકોને નોટિસ અપાઈ હતી. મોટાભાગે રસોઇયાએ એપ્રોન કે માસ્ક પહેર્યું ન હોય તેવું જોવા મળ્યું હતું. મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી હોટલો અને રેસ્ટોરન્ટમાં ખોરાક બાબતે તપાસણી ચાલી રહી છે. જેમાં ખોરાક, પેકેજીંગ પૂરતી સ્ટોરેજ સુવિધા છે કે નહીં, કાચા માલને તૈયાર કરતાં પહેલા સાફ કરી બંધ રખાય છે કે નહીં, કાચા પકાવેલ ખોરાક યોગ્ય જગ્યાએ મુકેલ છે કે નહીં, તમામ ઉપકરણ ઉપયોગ પહેલાં અને પછી યોગ્ય રીતે સેનીટાઇઝ સાફ થાય છે કે નહીં સહિત 14 બાબતોની તપાસ કરાઇ હતી. જોકે ખોરાકમાં ક્યાંય બિન આરોગ્યપ્રદ જોવા મળ્યું નહોતું. પરંતુ, એપ્રોન, ગ્લોઝ, માસ્ક નહીં પહેરવાની બાબતો સામે આવી હતી. જે મામલે નોટિસ અપાઈ છે. હાલ ફૂડ વિભાગ ફૂડ ચકાસણીના સાધનો સહિતની સામગ્રી ન હોઇ માર્ગદર્શન આપીને ચલાવે છે ભાસ્કર ઇનસાઇટત્રણથી વધુ વખત તળેલા તેલમાં બનાવેલા આહારથી કોલેસ્ટ્રોલ વધી શકેફૂડના કાયદા પ્રમાણે તેલ ત્રણથી વધુ વખત ડ્રાય ન કરી શકાય. તેલ જેટલું ગરમ થાય તેમાં ફેટનું પ્રમાણ વધે છે. આ ફ્રાય ગંદુ તેલ આહાર સાથે શરીરમાં જાય તો કોલોસ્ટ્રોલ, સ્થૂળતા વધી શકે છે. > પ્રિન્સીબેન પ્રજાપતિ, મહેસણા મનપા ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર

29 C