SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
... ...View News by News Source

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની જીત થતાં આણંદમાં જશ્ન:સાંસદ જનસેવા કાર્યાલય ખાતે ભાજપે ફટાકડા ફોડી જીતની ઉજવણી કરી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA (ભાજપ અને તેના સહયોગી પક્ષો) ની જીત બાદ આણંદમાં ભાજપ કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. સાંસદ મિતેષ પટેલના જનસેવા કાર્યાલય ખાતે ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બિહાર વિધાનસભાની 243 બેઠકો માટે 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં મતદાન યોજાયું હતું. આજરોજ સવારથી મતગણતરી શરૂ થઈ હતી, જેમાં શરૂઆતથી જ NDA બહુમતીના આંકડાને પાર કરી ગયું હતું. જીત નિશ્ચિત થતાં જ દેશભરમાં ભાજપ દ્વારા ઉજવણી શરૂ થઈ ગઈ હતી. આણંદ જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં સાંસદના જનસેવા કાર્યાલય ખાતે એકઠા થયા હતા. તેમણે NDA ની જીતની ખુશીમાં ફટાકડા ફોડ્યા અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:29 pm

ગાંધીનગરમાં વન્ય પ્રાણીની દહેશત:પાલજના પૂર્વ સરપંચના ફાર્મમાં દીપડાએ બે પાડાનું મારણ કર્યાની આશંકા, વન વિભાગની તપાસ શરૂ

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વન્યજીવોના આંટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ઝરખ અને શિયાળની હાજરીની ચર્ચા વચ્ચે બે દિવસ પહેલા લેકાવાડા ગામના ખેતરોમાં ખૂંખાર દીપડો જોવા મળ્યાની વાતથી વન વિભાગે તપાસ હાથ ધરી હતી. જોકે, બાદમાં વન વિભાગ દ્વારા આ વાતને અફવા ગણાવી હથિયાર હેઠા મૂકી દીધા હતા. ત્યારે 13 નવેમ્બરની રાત્રે પાલજ વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની વાતથી ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. અહીં ગામના પૂર્વ સરપંચના ફાર્મ હાઉસમાં હિંસક પ્રાણી દ્વારા મારણ કરેલી હાલતમાં બે નાના પાડા મળી આવતા દીપડો કે ઝરખ ગાંધીગરમાં લટાર મારી રહ્યાં હોવાની વાતને આડકતરી રીતે સમર્થન મળી રહ્યું છે. હાલ તો વન વિભાગે પાડાને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. રાત્રે 12 વાગ્યે કૂતરા ભસતા હતા, બે પાડાને ફાડી ખાધાઃ જશવંતસિંહ પાલજ ગામના પૂર્વ સરપંચ જશવંતસિંહ કેસરસિંહ ઠાકોરના ફાર્મમાં આ ઘટના બની છે. તેમણે દાવો કર્યો છે કે, હિંસક પ્રાણીએ તેમના તબેલામાં બાંધેલા બે નાના પાડાનું મારણ કર્યું છે. પૂર્વ સરપંચ જશવંતસિંહ ઠાકોરના જણાવ્યા મુજબ, મારા ફાર્મ ઉપર અમારો ભેંસનો તબેલો છે. એમાં નાના બે પાડાને બુધવારની રાતે કોઈ હિંસક પ્રાણી આવીને હુમલો કર્યો છે. રાત્રે 12 વાગ્યે તો લગભગ હું કૂતરા ભસતા હતા, એટલે ઉઠ્યો હતો. મેં ટોર્ચથી જોયું હતું પણ એવું કંઈ લાગ્યું નહોતું. પછી સવારે 7 વાગ્યે મારા ભેંસો દોહવાવાળા આવ્યા અને એમણે જોયું પછી મને જાણ કરી. મેં જોયું તો બે પાડાને ફાડી ખાધા હતા, એટલે પછી જંગલ ખાતામાં મેં જાણ કરી હતી. વન વિભાગની ટીમે આવીને તપાસ ચાલુ કરી છે. પાડાના પોસ્ટમોર્ટમ બાદ મારણ કરનાર પ્રાણીની ઓળખ થશેબે પશુના મારણની ઘટનાને પગલે વન વિભાગની ટીમ તાત્કાલિક પાલજ પહોંચી ગઈ હતી. ટીમ દ્વારા મૃત પશુઓના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મારણ કરનાર પ્રાણી કયું હતું, તેની પુષ્ટિ કરવા માટે પગના નિશાન અને અન્ય પુરાવા એકઠા કરીને સઘન સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. મંગળવારે લેકાવાડામાં દીપડો દેખાયાની વાતને વન વિભાગે અફવા ગણાવીગત મંગળવારે લેકાવાડામાં દીપડો આવ્યો હોવાની વાતે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો હતો. જોકે વન વિભાગે આ વાતને અફવા ગણાવી સંતોષ માની લીધો હતો. ત્યારે બુધવારે પાલજના પૂર્વ સરપંચના ફાર્મમાં હિંસક પ્રાણીએ બે પાડાનું મારણ કરતા ગાંધીનગરમાં દીપડો આંટાફેરા મારતો હોવાની વાતોને આડકતરી રીતે સમર્થન મળી રહ્યું છે. વન વિભાગના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ જ મારણ કરનાર પ્રાણીની સાચી ઓળખ થઈ શકશે. થોડા દિવસો પહેલાં લોકોએ ઝરખ હોવાનો દાવો કર્યો હતોઉલ્લેખનીય છે કે, પાલજની આ ઘટના પહેલા પણ ગાંધીનગરમાં વન્યજીવોની હાજરી નોંધાઈ છે. થોડા દિવસો અગાઉ સેક્ટર-25 સૂર્યનારાયણ સોસાયટી વિસ્તારના રહીશોએ મંદિર પાસે ઝરખ જોવાનો દાવો કર્યો હતો અને તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. જોકે, વન વિભાગને સતત બે દિવસની શોધખોળ બાદ પણ ઝરખની હાજરીના કોઈ નક્કર પુરાવા મળી શક્યા નહોતા. ત્યારબાદ ચ-0થી ચ-1 વચ્ચેના રોડ પર એક શિયાળ મૃત હાલતમાં મળી આવ્યું હતું, જેનું મોત અજાણ્યા વાહનની ટક્કરથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. નવેમ્બર 2018માં વિધાનસભા-સચિવાલય સંકુલમાં દીપડો ઘૂસી ગયો હતો નવેમ્બર 2018માં ગુજરાતના હાઇ સિક્યોરિટી પ્લેસ પૈકીના એક એવા ગાંધીનગરના વિધાનસભા-સચિવાલય સંકુલમાં મધરાતે દીપડો ઘૂસી જતાં ભારે દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાને પગલે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર કામનો દિવસ હોવા છતાં 2 કલાક અને 20 મિનિટ સુધી સચિવાલય બંધ રાખવું પડ્યું હતું અને તમામ કામકાજ અટકી પડ્યું હતું. સીએમ અને મંત્રીઓ પણ સચિવાલય આવી શક્યા ન હતા. સચિવાલયમાં જે રીતે ઘૂસ્યો એ જ ચુપકીદીથી બહાર પણ નીકળી ગયેલો દીપડો આખરે 13 કલાક પછી સચિવાલયની પાછળ આવેલા સીએમના રૂટ વીઆઇપી રોડ-2 પરથી ભારે જહેમતના અંતે પકડાયો હતો. દીપડાએ સરકારનું કામકાજ તો ઠપ્પ કરી દીધું હતું, સાથે તત્કાલીન સીએમ રૂપાણીને પણ તેમનો રૂટ બદલવાની ફરજ પડી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:27 pm

શ્રેય હોસ્પિટલ અને TRP ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી:રાજ્યમાં ફાયર સેફટીના માળખા તેમજ ડાયરેક્ટરની ભૂમિકાને લઈને સ્પષ્ટ ચિત્ર નહીં, ફાયર સેફ્ટી ઓફિસરની કામગીરી પર પ્રશ્નો સર્જ્યા

રાજકોટ TRP ગેમ ઝોન અને શ્રેય હોસ્પિટલની ઘટનામાં ફાયર સેફ્ટીના મુદ્દે ચાલી રહેલા કેસની સુનાવણી હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ હાથ ધરાઇ હતી. જેમાં રાજ્યમાં ફાયર સર્વિસના માળખાની સ્પષ્ટતા કરવા હાઇકોર્ટમાં ચર્ચા થઈ હતી. સુનાવણીની શરૂઆતમાં એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું હતું કે, TRP ગેમઝોન દુર્ઘટનામાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના 8 અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરાઇ છે. જે પૈકી 4 સામે તપાસ પૂર્ણ થતા સજા જાહેર કરાઈ છે. જ્યારે અન્ય 4 કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ એડવાન્સ સ્ટેજ ઉપર છે. દોષિત કર્મચારીઓને ફાઇનલ નોટિસો અપાઇ છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રક્ચર મુજબ જાતે ભરતી કરવામાં આવે છેકોર્ટને ફાયર વિભાગના માળખ વિશે માહિતી અપાઈ હતી કે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને મ્યુનિસિપાલિટીની સ્ટેટ્સ ફાયર સર્વિસથી બહાર રખાયા છે. તેઓ જાતે ફાયર વિભાગની વ્યવસ્થા કરે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટ્રક્ચર મુજબ જાતે ભરતી કરવામાં આવે છે. જેમાં ચીફ ફાયર ઓફિસર ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, ડિવિઝનલ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, સબ ઓફિસર , લીડિંગ ફાયરમેન, ડ્રાઇવર કમ ઓપરેટર અને ફાયરમેનનો સમાવેશ થાય છે. ફાયર સર્વિસને સશક્તિકરણની જરૂર છે - હાઈકોર્ટહાઇકોર્ટે પૂછ્યું હતું કે, આ દરેક પોસ્ટ ઉંમર કેટલી ભરતી થઈ છે ? દોઢ વર્ષમાં શું પ્રગતિ થઈ છે ? ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસના કાયમી ડિરેક્ટર નથી. જેથી એડવોક્ટ જનરલે જણાવ્યું હતું કે, હવે કાયમી ડિરેક્ટર રાખવામાં આવશે. કોર્ટે ભરતી પછી ટ્રેનિંગ આપો છો કે કેમ તેનો પણ પ્રશ્ન કર્યો હતો. આ સાથે જ જવાબદાર અધિકારીઓના માળખા અંગે પ્રૃચ્છા કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે ફાયર સર્વિસને સશક્તિકરણની જરૂર છે. સામાન્ય લોકોને ટ્રેનિંગ આપવાની જરૂર છે. ઓવર ઓલ ફાયર વિભાગનું પિક્ચર સ્પષ્ટ થયું નથીકોર્ટ રાજ્ય સરકારની એફિડેવિટથી અસંતુષ્ટ હતી. જેમાં તેણે કહ્યું હતું કે, સરકારને માંગીએ એટલી જ માહિતી આપે છે, ઓવર ઓલ ફાયર વિભાગનું પિક્ચર સ્પષ્ટ થયું નથી. વળી સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસના ડિરેક્ટરના કાર્ય, જવાબદારી અને સત્તા અંગે કોઈ સ્પષ્ટતા નથી. તેના જવાબમાં કોર્ટને જણાવ્યું હતું કે, પંચાયત અને ગ્રામ્ય વિભાગ તેના હસ્તકમાં આવે છે. ફાયરને લગતા કાયદાઓના પાલન માટે તે નિર્દેશ આપે છે. મ્યુનિસિપલ કમિશનરે પણ આગ માટે તેને જવાબ આપવો પડે અને આ ડિરેક્ટર રાજ્ય સરકારને જવાબદાર હોય છે. વધુ સુનવણી આગામી સમયમાં યોજાશેહાઇકોર્ટે એ બાબત ઉપર પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, ફાયરરસેફ્ટી ઓફિસર કોન્ટ્રાક્ટ પર રહીને રિન્યુઅલની NOC કેવી રીતે આપી શકે ? તેની જવાબદારી શું ? નિરીક્ષણ ફાયર વિભાગે કરવું પડે. જેના જવાબમાં કોર્ટને જણાવ્યું હતું કે, તે જગ્યાના ફોટા લે છે અને જરૂર પડે તો ફાયર વિભાગ ત્યાં ચકાસણી માટે જાય છે. બહુ બધા મકાનો હોવાથી ફાયર વિભાગ દ્વારા દરેક જગ્યાએ જાત નિરીક્ષણ શક્ય નથી. હાઇકોર્ટે કહ્યું હતું કે, કોર્ટના નિર્દેશથી 25 વર્ષ પહેલા ફાયર સેફ્ટી સાધનો નહીં હોવાથી અનેક બિલ્ડિંગો સીલ કરાઈ હતી. હાઇકોર્ટ ફરી રાજ્ય સરકારને ફાયર વિભાગના સ્પષ્ટ માળખા અને જવાબદારીઓ અંગે જવાબ માંગ્યો છે. આ અંગે વધુ સુનવણી આગામી સમયમાં યોજાશે. મહાનગર પાલિકામાં મ્યુ. કમિશનર જવાબદાર અધિકારી છે, તો સ્ટેટ ફાયર સર્વિસનું શું કામ ?અગાઉની સુનવણીમાં કોર્ટમાં ચર્ચા થઈ હતી કે, દરેક મહાનગર પાલિકા અર્બન હાઉસિંગ અને અર્બન ડેવલોપમેન્ટ વિભાગ અંતર્ગત આવે છે. તો રાજ્યમાં ફાયર સર્વિસ ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટરનું કામ શું છે ? રાજ્ય સરકારે કહ્યું હતું કે, રાજ્યમાં કેન્દ્રિત એક જ ફાયર સર્વિસ રાખી શકાય નહીં. જેથી તેનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. ફાયર સર્વિસ ડાયરેક્ટર રાજ્યમાં ફાયર સર્વિસના કાર્યો અને નિયમોની અમલવારી જુએ છે. જોકે, કોર્ટે કહ્યું હતું કે, મહાનગર પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર જવાબદાર અધિકારી છે, તો સ્ટેટ ફાયર સર્વિસનું શું કામ ? રાજ્ય સરકારે કહ્યું હતું કે મહાનગર પાલિકાની સીમાઓ બહાર ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસ કામ કરે છે. જેના માળખામાં રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલ્ટી ત્યારબાદ અનુક્રમે રિજિયોનલ ફાયર ઓફિસર, ડેપ્યુટી રિજિયોનલ ફાયર ઓફિસર, ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, સબ ઓફિસર અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફનો સમાવેશ થાય છે. નગરપાલિકાઓ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને જવાબદાર હોય જો કે કોર્ટે કહ્યું હતું કે રાજ્યમાં મહાનગર પાલિકા, નગર પાલિકા અને પંચાયત એમ ત્રણેય સંસ્થાઓ સ્વાયત હોય તો સ્ટેટ ફાયર સર્વિસ અંતર્ગત ડિરેક્ટરનું કામ શું ? ડાયરેક્ટરના પાવર શું છે ? મ્યુનિસિપલ કમિશ્નર, ચીફ ઓફિસર વગેરેના ફાયર સર્વિસ સંદર્ભે શું પાવર છે ? ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું શું ? સરકારે કહ્યું હતું કે નગરપાલિકાઓ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીને જવાબદાર હોય છે. જેમની નીચે અનુક્રમે ચીફ મ્યુનિસિપલ કમિશ્નર, 6 રીજન કમિશ્નર, ચીફ ઓફિસર અને નગરપાલિકા આવે છે. આ મ્યુનિસિપલ કમિશ્નર અર્બન હાઉસિંગ અને ડેવલપમેન્ટ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીને જવાબદાર હોય છે. કોર્ટ સરકારના જવાબથી સંતુષ્ટ નહોતીઆમ મહાનગર પાલિકામાં જવાબદારી જે તે મ્યુનિસિપલ કમિશનરની, નગરપાલિકાઓ માટે કમિશ્નર ઓફ મ્યુનિસિપલિટી જવાબદાર અને પંચાયતોમાં ડાયરેક્ટર ઓફ ફાયર સર્વિસ જવાબદાર હોય છે. ફાયર સર્વિસમાં ડાયરેક્ટર અને ડેપ્યુટી ડાયરેક્ટર સ્ટેટ કન્ટ્રોલિંગ બોડી તરીકે કામ કરે છે. ફાયર સેફટીને લઈને પ્રિન્સિપાલ સેક્રેટરી દર 15 દિવસે સ્થાનિક ઓથોરિટીની સર્વોચ્ચ વહીવટી અધિકારીઓ સાથે મિટિંગ યોજે છે. જો કે કોર્ટ સરકારના જવાબથી સંતુષ્ટ નહોતી તેને સરકારને ફાયર સર્વિસનું માળખું સ્પષ્ટ કરવા આદેશ કર્યો હતો. જેથી આગળ ફાયર સર્વિસને સશક્ત કરવા પગલા લઈ શકાય.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:24 pm

બિહાર ચૂંટણીમાં NDA જીત:ગોધરામાં વિજયોત્સવનું આયોજન, પંચમહાલ ભાજપ સંગઠન દ્વારા કાર્યક્રમ યોજાયો

ગોધરા શહેરના ગાંધી ચોક વિસ્તારમાં NDAની બિહાર વિધાનસભા ચૂંટણીમાં થયેલી જીતની ઉજવણી માટે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા અને શહેરના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત કાર્યકરોના નારા અને અભિનંદનની આપ-લેથી થઈ હતી. વિજયની ખુશીમાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈએ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે NDAની જીતને વિચારધારા અને વિકાસના રાજકારણની જીત ગણાવી હતી. દેસાઈએ જણાવ્યું કે આ જીત દેશના નાગરિકોનો વિશ્વાસ દર્શાવે છે અને તે કાર્યકરોના પરિશ્રમનું ફળ છે. ગોધરા શહેર ભાજપના હોદ્દેદારો અને જિલ્લા સ્તરના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નેતાઓએ આગામી દિવસોમાં વધુ સેવા અને સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકરોને પ્રેરણા આપી હતી. આ વિજયોત્સવ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:13 pm

બિહારમાં NDAની જીતથી પાટણમાં જશ્નનો માહોલ:બગવાડા દરવાજા ખાતે ભાજપે આતશબાજી અને રેલી યોજી વિજય ઉત્સવ મનાવ્યો

બિહાર વિધાનસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળના NDA ગઠબંધનને સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ પાટણ શહેરમાં વિજય ઉત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી. પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો દ્વારા આતશબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ એકબીજાનું મોઢું મીઠું કરાવીને NDAના વિજયની ખુશી વ્યક્ત કરી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોએ રેલી સ્વરૂપે આ ઉત્સવ મનાવ્યો હતો. આ વિજય ઉત્સવમાં હુંડકોના ચેરમેન કે.સી. પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ સિંધવ સહિતના અગ્રણી આગેવાનો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ પ્રદેશ મહામંત્રી અને હુંડકોના ચેરમેન કે.સી. પટેલે સંબોધન કરતા જણાવ્યું હતું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપે 101 બેઠકો પરથી ચૂંટણી લડી હતી અને તેમાંથી 96 જેટલી સીટો પર વિજય હાંસલ કરી સફળતા મેળવી છે. તેમણે કોંગ્રેસના 'વોટ ચોરીના મુદ્દા'ને નકારી કાઢ્યો હતો. પટેલે વધુમાં કહ્યું કે, બિહારના મહિલાઓ અને યુવાનોએ મોટી સંખ્યામાં મતદાન કરી NDA સરકારને સ્પષ્ટ બહુમતી આપી છે. મહાગઠબંધનના 'મુસ્લિમ અને યાદવ'ના સૂત્રને બિહારની જનતાએ તોડીને ડબલ એન્જિનની સરકારને સમર્થન આપ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:10 pm

માજી ધારાસભ્યને 'ચૂનો':મનીષ ગીલીટવાલા કાપડના વેપારમાં વેસ્ટ બંગાળની ફર્મના ભાગીદારો અને દલાલો સહિત 4 શખસોએ 95.41 લાખનું ફૂલેકું ફેરવ્યું

ગ્રે અને ફિનિશ કાપડના મેન્યુફેક્ચરિંગ અને વેચાણના ધંધા સાથે સંકળાયેલા સુરતના માજી ધારાસભ્ય મનીષભાઈ નટવરલાલ ગીલીટવાલા સાથે છેતરપિંડીનો એક મોટો બનાવ સામે આવ્યો છે. વેસ્ટ બંગાળની એક એક્સપોર્ટ ફર્મના ભાગીદારોએ બે કાપડ દલાલો સાથે મળીને પૂર્વ ધારાસભ્ય પાસેથી 1.13 કરોડનો કાપડનો માલ ખરીદ્યો હતો, જેમાંથી 95.41 લાખનું પેમેન્ટ ન ચૂકવીને તેમની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી છે. આ મામલે મનીષભાઈ ગીલીટવાલાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વેપારના બહાને વિશ્વાસ કેળવ્યોસગરામપુરા ખાતે રહેતા મનીષભાઈ ગીલીટવાલા બમરોલી રોડ પર આત્માનંદ ઈન્ડસ્ટ્રીઝ સોસાયટીમાં 'મનીષ ટેક્ષટાઈલ્સ'ના નામથી પોતાનો કાપડનો વ્યવસાય ચલાવે છે. વર્ષ 2022માં તેઓ ધંધાના કામ અર્થે રીંગરોડ સ્થિત જાપાન માર્કેટમાં ગયા હતા, જ્યાં તેમનો શૈલેષ પોપટ ખેની, જય પટેલ અને વિક્રમ મકવાણા સાથે ભેટો થયો હતો. માલના પેમેન્ટની જવાબદારી પોતે લેવાની વાત કરીશૈલેષ ખેનીએ જણાવ્યું કે, તે રોહિતકુમાર ધમાસાદીન સાથે ભાગીદારીમાં કલકત્તા, વેસ્ટ બંગાળ ખાતે રાધારાની એક્સપોર્ટ ફર્મના નામથી કાપડનો વેપાર કરે છે. જય પટેલ અને વિક્રમ મકવાણાએ પોતાને કાપડના દલાલ ગણાવ્યા. શરૂઆતમાં મનીષભાઈએ તેમની સાથે વેપાર કરવાની ના પાડી હતી, પરંતુ એક મહિના બાદ આ ત્રણેય જણા તેમની ઓફિસે મળવા આવ્યા હતા. શૈલેષે તેના ભાગીદાર સાથેની પાર્ટનરશીપ ડીડ બતાવી હતી અને દિલ્હી ગેટ ખાતે મેઘાણી ટાવરમાં પોતાની ઓફિસ હોવાનું જણાવ્યું હતું. દલાલો જય અને વિક્રમે પણ વેપારીની માર્કેટ છાપ સારી હોવાની ખાતરી આપી માલના પેમેન્ટની જવાબદારી પોતે લેવાની વાત કરી હતી. માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ન ચુકવ્યુંટોળકીની મીઠી વાતોમાં આવી જઈને મનીષભાઈએ તેમની સાથે વેપાર શરૂ કર્યો હતો. શરૂઆતમાં સમયસર પેમેન્ટ કરીને આરોપીઓએ પૂર્વ ધારાસભ્યનો વિશ્વાસ કેળવ્યો હતો.આ વિશ્વાસ કેળવ્યા બાદ, ગત 16 નવેમ્બર 2022 થી 5 મે 2023 સુધીના સમયગાળામાં આરોપીઓએ ટુકડે ટુકડે કુલ 1,13,57,053નો માલ ખરીદ્યો હતો. જોકે, આ રકમ સામે 29 ડિસેમ્બર 2023 સુધીમાં તેમણે માત્ર ₹18,15,572 જ ચૂકવ્યા હતા. પોલીસે ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા તપાસ હાથ ધરીબાકી નીકળતા 95,41,481ની રકમ માટે મનીષભાઈ દ્વારા વારંવાર ઉઘરાણી કરવા છતાં, આરોપીઓએ પેમેન્ટ ન ચુકવીને છેતરપિંડી કરી હતી.આખરે, મનીષભાઈ નટવરલાલ ગીલીટવાલાએ ખટોદરા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.શૈલેષ પોપટ ખેની (રહે: મેઘાણી ટાવર, દિલ્હી ગેટ અને ઓલપાડ, સીવાન એસ્ટેટ, સુરત), રોહિતકુમાર ધમાસાદીન (રહે: ગણપત બગલા રોડ, કલકત્તા, વેસ્ટ બંગાળ), જય પટેલ (દલાલ), વિક્રમ મકવાણા (દલાલ)પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી, ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને છેતરપિંડીની વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 5:00 pm

અમદાવાદ-મલેશિયા વચ્ચે નવી ફ્લાઇટ:અમદાવાદ-કુઆલાલુમ્પુર વચ્ચેની ફ્લાઇટ્સમાં વધારો, હવે યાત્રીઓને વધુ ઓપ્શન મળશે

ભારત અને મલેશિયા વચ્ચે કનેક્ટિવિટી વધારતા માટે મલેશિયા એરલાઇન્સે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કુઆલાલુમ્પુર (KUL) માટે તેની ફ્લાઇટ્સની સંખ્યામાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવી જાહેરાત મુજબ, અમદાવાદ અને કુઆલાલુમ્પુર વચ્ચેની ફ્લાઇટ્સ હવે વધુ ફ્રિકવન્સી સાથે ઉપલબ્ધ થશે. ફ્લાઈટ્સ રવિવાર, મંગળવાર અને શુક્રવારે મળશેમલેશિયા એરલાઇન્સ દ્વારા અમદાવાદ (AMD) અને કુઆલાલુમ્પુર (KUL) વચ્ચે વધારવામાં આવેલા ફ્લાઇટ શિડ્યૂલ મુજબ, હવે યાત્રીઓને વધુ ઓપ્શન મળશે. કુઆલાલુમ્પુર​​​​​​​થી અમદાવાદ આવતી ફ્લાઇટ MH-106 દર રવિવાર, મંગળવાર અને શુક્રવારના રોજ સાંજે 6:45 વાગ્યે ઉપડીને રાત્રે 9:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ જ દિવસોમાં અમદાવાદથી કુઆલાલુમ્પુર જતી ફ્લાઇટ MH-107 રાત્રે 10:40 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 06:45 વાગ્યે કુઆલાલુમ્પુર પહોંચશે. કુઆલાલુમ્પુરથી અમદાવાદની વધારાની પણ ફ્લાઈટ્સ​​​​​​​વધારાની ફ્લાઇટ્સમાં, કુઆલાલુમ્પુરથી અમદાવાદ આવતી ફ્લાઇટ MH-208 દર શનિવાર અને બુધવારના રોજ રાત્રે 11:00 વાગ્યે ઉપડીને બીજા દિવસે રાત્રે 01:55 વાગ્યે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી કુઆલાલુમ્પુર​​​​​​​ જતી ફ્લાઇટ MH-209 દર શનિવાર અને ગુરુવારના રોજ રાત્રે 02:55 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે સવારે 11:00 વાગ્યે કુઆલાલુમ્પુર પહોંચશે. આ વધેલા શિડ્યૂલને કારણે બંને શહેરો વચ્ચે સપ્તાહ દરમિયાન વધુ કનેક્ટિવિટી મળશે. વધારાની ફ્લાઇટ્સ પ્રવાસનને પ્રોત્સાહન આપશેમલેશિયા એરલાઇન્સની આ જાહેરાતથી અમદાવાદ અને સમગ્ર ગુજરાતના યાત્રીઓને કુઆલાલુમ્પુર અને ત્યાંથી આગળ એશિયાના અન્ય સ્થળો સાથે જોડાવા માટે વધુ અનુકૂળ વિકલ્પો મળશે. આ વધારાની ફ્લાઇટ્સ વેપાર, પ્રવાસન માટે લોકોમાં સુવિધા પૂરી પાડશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:53 pm

લખતરના લીલાપુર શાળામાં 6 નવા વર્ગખંડનું લોકાર્પણ:શહીદવીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળામાં અપગ્રેડેશનના કામો ખુલ્લા મુકાયા

ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ખાતે આવેલી શહીદવીર કુલદીપ પટેલ પે. સેન્ટર શાળામાં 6 નવા વર્ગખંડ અને શાળા અપગ્રેડેશનના વિકાસ કામોનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા અને ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે શાળાના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ શાળાની સુવિધાઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, આ ગ્રામ્ય શાળા શહેરની શાળાઓને ટક્કર આપે તેવી છે. તેમણે માહિતી આપી કે નવનિર્મિત છ રૂમ પૈકી, બે રૂમ પ્રોજેક્ટરથી શિક્ષણ આપવા માટે તૈયાર કરાયા છે, જ્યારે ત્રણ રૂમમાં એલઈડી સ્ક્રીન સાથેની કોમ્પ્યુટર લેબની સુવિધા ઉપલબ્ધ છે. મકવાણાએ વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના બાળકો પણ શહેરના બાળકોની જેમ સરકારી શાળામાં ગુણવત્તાયુક્ત અભ્યાસ કરી શકે તે માટે ભૌતિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરાવેલા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમોના પરિણામે શિક્ષણમાં દીકરીઓની સંખ્યા અને સારા પરિણામોમાં થયેલા વધારાની નોંધ લીધી હતી. તેમણે સરકારી શાળામાં મફતમાં મળતા ગણવેશ અને ચોપડાની સુવિધા તેમજ શિક્ષકો દ્વારા અપાતા ગુણવત્તાયુક્ત શિક્ષણનો પણ ઉલ્લેખ કર્યો. શિક્ષણ ક્ષેત્રે સરકારની વિવિધ યોજનાઓ પર ભાર મૂકતા, જગદીશ મકવાણાએ ફેબ્રુઆરી 2024ના બજેટમાં અમલમાં આવેલી નમો લક્ષ્મી યોજનાનો ઉલ્લેખ કર્યો. આ યોજના હેઠળ ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરતા સરકારી શાળાના બાળકોને શિક્ષણ ન છોડવું પડે તે માટે દર વર્ષે રૂ.12,000 એમ કુલ રૂ.48,000ની સ્કોલરશીપ આપવામાં આવે છે. આ ઉપરાંત, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અંતર્ગત ધોરણ 6થી 12 સુધી બાળકને રહેવા-જમવા સહિત મફતમાં અભ્યાસ કરાવવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો મંજૂર કરાઈ છે. ઉચ્ચ શિક્ષણ માટે શહેરોમાં અભ્યાસ કરતા બાળકો માટે 500ની ક્ષમતાવાળી સમરસ હોસ્ટેલ પણ સુરેન્દ્રનગર જિલ્લામાં મંજૂર કરાઈ છે. ધારાસભ્ય પી.કે. પરમારે જણાવ્યું હતું કે, નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલ ઓફ એક્સલન્સની અપેક્ષા મુજબનું છે. તેમણે ઉમેર્યું કે 'શાળા પ્રવેશોત્સવ' જેવા કાર્યક્રમોના કારણે ડ્રોપઆઉટ રેશિયો 35% થી ઘટીને શૂન્ય થયો છે. તેમણે NMMS સ્કોલરશિપ હેઠળ રૂ. 48,000ની સહાય મળતી હોવાનું જણાવી ધોરણ 8ના બાળકોને આ પરીક્ષામાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. ધારાસભ્ય પી.કે. પરમારે પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, આ નવનિર્મિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલ ઓફ એક્સલન્સની અપેક્ષા મુજબની ભૌતિક સુવિધાઓ સાથેનું છે અને સરકારી શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ખાનગી શાળાઓ સમકક્ષ સુવિધાઓ ધરાવે છે. આ માટે તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા 'શાળા પ્રવેશોત્સવ' કાર્યક્રમના કારણે ભૂતકાળમાં જે ડ્રોપઆઉટ રેશિયો 35 ટકા હતો, તે આજે ઘટીને શૂન્ય થઈ શક્યો છે. તેમણે શિક્ષણને કોઈપણ વિકાસના પાયામાં રહેલું ગણાવી ગુણાત્મક શિક્ષણ માટે 'ગુણોત્સવ'ના કાર્યક્રમોનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત, ધારાસભ્યે સરકારના અન્ય જનકલ્યાણકારી નિર્ણયો અને વિકાસ કાર્યોની વિસ્તૃત વાત કરી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી અને મહાનુભાવો તથા દાતાઓનું શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના નવા બિલ્ડીંગનું રીબીન કાપી લોકાપર્ણ કરવામાં આવ્યું હતું અને સર્વેએ શાળાની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક અને દેશભક્તિ કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. શાળાના આચાર્ય શ્રી જયેશભાઈ મોરી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન રણછોડભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ વાસુદેવભાઈ પટેલ, કથાકાર શાસ્ત્રી મહેશ બાપુ, અગ્રણી જયેશભાઈ પટેલ, રવિરાજભાઈ વઢેર, પ્રભુભાઈ મકવાણા, ડી. કે. ચવલિયા, હરપાલસિંહ રાણા, ગામ સરપંચ અરવિંદભાઈ, ઉપસરપંચ સહીતના જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અગ્રણીઓ, અધિકારીઓ, ગ્રામજનો, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:51 pm

ગીર સોમનાથમાં દિલ્હી બ્લાસ્ટ બાદ પોલીસ સતર્ક:સંવેદનશીલ વિસ્તારોમાં SOGની તપાસ, ત્રણ કાશ્મીરીઓની પૂછપરછ

દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ ગીર સોમનાથ જિલ્લાનું પોલીસ તંત્ર અત્યંત સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સીધી દેખરેખ હેઠળ સુરક્ષા એજન્સીઓ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. એસ.પી. જાડેજાએ માહિતી આપતા જણાવ્યું કે, જિલ્લામાં આવેલી મસ્જિદો, મદ્રેસાઓ અને અન્ય મહત્વના ધાર્મિક સ્થળોએ એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ)ની ટીમો દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. નવાબંદરની મદીના મસ્જિદમાં તપાસ દરમિયાન કાશ્મીરથી આવેલા ત્રણ શંકાસ્પદ ઈસમો મળી આવતા સુરક્ષા એજન્સીઓ તરત હરકતમાં આવી ગઈ હતી. આ ત્રણેય ઈસમોની એસ.ઓ.જી. દ્વારા સઘન પૂછપરછ ચાલી રહી છે, જ્યારે મસ્જિદ સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હેઠળ ગુનો પણ નોંધવામાં આવ્યો છે. જિલ્લાનો આશરે ૧૨૦ કિલોમીટરનો દરિયાકાંઠો આંતરરાષ્ટ્રીય સીમા સાથે જોડાયેલો હોવાથી દરિયાઈ સુરક્ષા મજબૂત બનાવવા એસ.ઓ.જી.ની ટીમોએ સમુદ્રમાં જઈ ફિશિંગ બોટોનું વિશેષ ચેકિંગ કર્યું હતું. સાથે જ, જિલ્લાના માર્ગો પર પણ વાહન ચેકિંગ વધારવામાં આવ્યું છે જેથી કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. નવાબંદરની મદીના મસ્જિદમાંથી ઝડપાયેલા ત્રણ શંકાસ્પદ કાશ્મીરી ઈસમોની તપાસ વધુ સઘન બનાવવામાં આવી છે. આ ઈસમોના કાશ્મીરમાં વેરિફિકેશન સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને વધુ તપાસ સોંપવામાં આવી છે. દિલ્હીની ઘટનાના પગલે ગીર સોમનાથમાં સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની છે અને દરેક મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખી છે. જિલ્લાભરમાં પોલીસનું સતર્ક વલણ અને સતત ઓપરેશનથી સુરક્ષા વ્યવસ્થામાં ચાકચોક્સાઈ વધુ મજબૂત બની રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:38 pm

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી:જિલ્લા પ્રભારી મંત્રીના અધ્યક્ષસ્થાને પંડીત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલમાં કાર્યક્રમ યોજાયો

રાજ્યભરમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લામાં પંડીત દિનદયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીની અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પ્રભારીના અધ્યક્ષસ્થાને બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીઆ પ્રસંગે જિલ્લા પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાના જીવનમાંથી જનસમુદાયને પ્રેરણા મળે તેવા ઉમદા આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને જનજાતિય ગૌરવ દિવસ તરીકે ઓળખ આપી છે. ત્યારે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ અને વંદે માતરમ@150 જેવા રાષ્ટ્રીય પર્વોની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. મંત્રીએ કુરિવાજો અને કુટેવો દૂર કરવા સૌને અપીલ કરીપ્રભારી મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, કોઈપણ બિમાર વ્યક્તિને હાથ ફેલાવો ન પડે તેવા આશયથી સરકારે આયુષ્માન ભારત, મા કાર્ડ, અમૃત કાર્ડ જેવી યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે જેનો લાભ આજે અનેક લાભાર્થીઓ લઈ રહ્યા છે. વધુમાં મંત્રીએ મહેસાણા જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓને જિલ્લામાં છુટાછવાયા રહેતા આદિજાતિના લાભાર્થીઓને ઘર આંગણે જ સરકારની વિવિધ યોજનાઓના લાભ મળી જાય તેવી વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. ઉપરાંત ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે ઉપસ્થિતોને સમાજમાં જો કોઈ કુરિવાજો અને કુટેવો હોય તો આ કુરિવાજો અને કુટેવો દૂર કરવા સૌને અપીલ કરી હતી. બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શનકાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું, તેમજ ઊંઝા મહિલા કોલેજના આચાર્ય હસમુખભાઈ પટેલે જનજાતિય ગૌરવ વર્ષ અને બિરસા મુંડાનું જીવન કવન રજૂ કર્યું હતું.જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના સાથોસાથ સેવાસેતુ, મેડિકલ કેમ્પ, આદિજાતિના વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકોનો સન્માન અને વિવિધ રમતગમત સ્પર્ધાઓના વિજેતાનું સન્માનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:35 pm

ઝઘડીયાના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર:તાત્કાલિક ડામર રોડ બનાવવાની સ્થાનિકોએ માગ કરી

ઝઘડીયાના વડિયાથી માલસર બ્રિજ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. કરોડો રૂપિયાના ખર્ચે માલસર ઉપર નવો બ્રિજ બન્યો હોવા છતાં, તેને જોડતો રોડ બનાવવાનું કામ અધૂરું રહેતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હાલમાં નર્મદા જિલ્લામાં પોઈચા બ્રિજ ભારદારી વાહનો માટે બંધ હોવાથી, ભારે ટ્રાફિક આ બિસ્માર માર્ગ પરથી પસાર થઈ રહ્યો છે. રસ્તાની ખરાબ હાલતને કારણે થોડા દિવસો પહેલા અંકલેશ્વર–અંબાજીની એક એસ.ટી. બસ વડિયા મંદિર પાસેના મોટા ખાડામાં ફસાઈ ગઈ હતી, જેના કારણે મુસાફરોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી હતી. માલસર બ્રિજને રાજ્ય ધોરીમાર્ગ હેઠળ જાહેર કરાયા બાદ માર્ગ અને મકાન વિભાગે રોડ બનાવવાની કામગીરી શરૂ કરી હતી. જોકે, વરાછા ગામના ખેડૂતોની સંમતિ વિના અને જમીન સંપાદન કર્યા વગર કામ શરૂ થતાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો, જેના કારણે માર્ગ નિર્માણ અટકી ગયું છે. પરિણામે, બ્રિજથી વડિયા સુધીનો લગભગ 5 કિલોમીટર લાંબો માર્ગ દિવસેને દિવસે વધુ ખરાબ થતો જાય છે. ત્રણ જિલ્લાને જોડતો અને ડભોઇ-નર્મદા માર્ગ મકાન વિભાગ હેઠળ આવતો આ માર્ગ પર હાલ માત્ર મેટલ પાથરીને ખાડા પૂરવાના કામચલાઉ ઉપાયો કરવામાં આવી રહ્યા છે. ડામર પેચિંગ સહિતની મૂળભૂત કામગીરી હજુ સુધી હાથ ધરવામાં આવી નથી. આ માર્ગ પરથી દૈનિક ધોરણે સ્થાનિક લોકો, એસ.ટી. બસો, માલવાહક વાહનો અને મહારાષ્ટ્ર તરફ જતા ટ્રક-ટ્રાન્સપોર્ટ મોટા પ્રમાણમાં પસાર થાય છે. ભારે ખાડાઓને કારણે વાહનોને નુકસાન થવું અને ફસાઈ જવાના બનાવો રોજિંદા બન્યા છે, જેનાથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. પરિણામે, તાત્કાલિક ધોરણે ડામર રોડનું નિર્માણ કે પેચિંગ કરવામાં આવે તેવી પ્રબળ લોકમાંગ ઉઠી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:27 pm

બિહાર ચૂંટણી પરિણામ જાહેર, NDAને બહુમતી:મહીસાગર જિલ્લા ભાજપમાં વિજય ઉત્સવ, ફટાકડા ફોડી ઉત્સવ મનાવાયો

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં NDA ગઠબંધનને બહુમતી મળી છે, જેના પગલે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. NDA ના વિજયને પગલે મહીસાગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. લુણાવાડા શહેરના લુણેશ્વર ચાર રસ્તા ખાતે ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને ઢોલ-નગારા વગાડીને કાર્યકર્તાઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. બિહારમાં NDA ની જીતને લઈને ભાજપમાં અનેરો ઉત્સાહ છવાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:18 pm

દેશની પ્રથમ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’નું સફળ ટ્રાયલ:અમદાવાદથી નોનસ્ટોપ મુંબઈ 5 કલાકમાં પહોંચાડશે

દેશની પ્રથમ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’નું ટ્રાયલ આજે (14 નવેમ્બર) અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવ્યું હતું. સવારે અમદાવાદથી 130ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી, જેમાં રસ્તામાં આવતા વડોદરા, સુરત સહિતના સ્ટેશન પર માત્ર તેની એક ઝલક જોવા મળી હતી. દેશની પહેલી નોનસ્ટોપ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’નું બીજુ ટ્રાયલ સફળ રહ્યું છે. આ ટ્રેનમાં 16 કોચ છે, જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે. વંદે ભારત ટ્રેનથી પણ વધુ અધ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારે ટ્રેનમાં કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થતાં હવે માત્ર 5 કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે. પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગત 11 નવેમ્બરના રોજ સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. 13 નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેના સાબરમતી યાર્ડ ખાતે સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક આવી ગયા હતા. ત્યારબાદ તેમાં જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી. આ સાથે આરડીએસઓની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી દીધી હતી. (વંદે ભારત સ્લીપર કોચનો અંદરનો વીડિયો) અમદાવાદથી 130ની સ્પીડે મુંબઈ સેન્ટ્રલ સુધીનું ટ્રાયલઆજરોજ 14 નવેમ્બર સવારે 9:00 વાગ્યે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી 130ની સ્પીડે મુંબઈ સેન્ટ્રલ સુધીનું ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. સ્લીપર વંદે ભારત ટ્રેન 15 નવેમ્બર અથવા 16 નવેમ્બરના રોજ મુંબઈથી પરત અમદાવાદ આવશે. અમદાવાદથી ઉપડેલી સ્લીપર વંદે ભારત ટ્રેન 130ની સ્પીડે વડોદરા, સુરત અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીના ઉપકરણોનું પરીક્ષણ કરાયુંઆ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલીકોમ્યુનિકેશન સહિતના વિભાગો દ્વારા ટ્રાયલમાં કામગીરી કરવામાં આવી હતી. આ ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીના ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આર.ડી.એસ.ઓ અને આઈ. સી. એફ.ની સંયુક્ત ટીમને સમગ્ર રૂટ પર ગતિ, સ્થિરતા અને સલામતીના ધોરણોનું નિરીક્ષણ કર્યું છે. અમદાવાદથી મુંબઈ સુધીનું દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનનું બીજુ ટ્રાયલ પણ સફળ રહ્યું છે. પશ્ચિમ રેલવેના સી.પી.આર.ઓ. વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, આ ટ્રાયલ દરમિયાન અલગ-અલગ 50 જેટલા અલગ-અલગ મુદ્દા ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય છે. જેમાં ખાસ ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીના ઉપકરણો હોય છે, તેના પર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે. આ ટ્રાયલ જે રેક છે, તેની સલામતી સહિતના તમામ મુદ્દા ઉપર જો કોઈ ખામી હોય તો તેને સુધારો કરવા માટે કરવામાં આવતો હોય છે. પહેલું ટ્રાયલ 180ની સ્પીડે સવાઈ માધવપુર-કોટા-નાગડા સેક્શન વચ્ચે કરાયું હતુંદેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન કયા રૂટ પર ચાલશે તે હજુ નક્કી થયું નથી. અઠવાડિયા પહેલા સ્લીપર વંદે ભારત ટ્રેનના પહેલા રેકનો ટ્રાયલ સવાઈ માધવપુર-કોટા-નાગડા સેક્શન વચ્ચે કરવામાં આવ્યું હતું. જેમાં સ્લીપર વંદે ભારત ટ્રેનની સ્પીડ 180 સુધી લઈ જવામાં આવી હતી અને આ ટ્રાયલ પણ સફળ રહ્યું હતું. ત્યારે આજે સ્લીપર વંદે ભારત ટ્રેનના બીજા રેકનો ટ્રાયલ અમદાવાદથી મુંબઈની વચ્ચે 130ની સ્પીડે કરવામાં આવ્યો છે. સ્લીપર વંદે ભારત ટ્રેનની ખાસિયતોસ્લીપર વંદે ભારત ટ્રેનનું નિર્માણ BEML દ્વારા કરવામાં આવ્યું છે. ટ્રેનનું બોડી ઉચ્ચ ગુણવત્તાવાળા સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે, જે તેને મજબૂત અને સુરક્ષિત બનાવે છે. આ ટ્રેનને 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે અને તેનું પહેલું ટ્રાયલ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવ્યું હતું. કોચનું ઇન્ટિરિયર ખૂબ જ આકર્ષક અને આધુનિક છે, જેમાં સારી લાઇટિંગ અને સુંદર ડિઝાઇન છે. બેડની વ્યવસ્થા રાજધાની એક્સપ્રેસ કરતાં પણ વધુ આરામદાયક બનાવવાનો પ્રયાસ કરાયો છે. ટ્રેનમાં ઓટોમેટિક દરવાજા, ટચ-ફ્રી બાયો-વેક્યુમ ટોઇલેટ અને સીસીટીવી કેમેરા જેવી સગવડો પણ ઉપલબ્ધ છે. રેલવે મંત્રીએ વંદે ભારત સ્લીપર ટ્રેનનું મોડલ બતાવ્યુંઆ પહેલા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વર્ષે 1 સપ્ટેમ્બરે વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ મોડલની ઝલક બતાવી હતી. તે બેંગલુરુમાં ભારત અર્થ મૂવર્સ લિમિટેડ (BEML)ની ફેક્ટરીમાં ટ્રેનનું નિરીક્ષણ કરવા આવ્યું હતું. રેલવે મંત્રીએ કહ્યું હતું- વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં ગણાશેરેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, ટ્રેનમાં કપલર મિકેનિઝમની નવી ટેક્નોલોજી લાવવામાં આવી છે. તેનાથી ટ્રેનનું વજન ઘટે છે અને તેની તાકાત વધે છે. કપ્લર એ ભાગ છે જે બે કોચને જોડે છે. તે ઓસ્ટેનિટિક સ્ટીલનું બનેલું છે. રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, ટ્રેન બનાવતી વખતે વજન સંતુલન અને સ્થિરતાને ધ્યાનમાં રાખવામાં આવી છે. વ્હીલ અને ટ્રેક વચ્ચેના યાંત્રિક ભાગને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનાથી ટ્રેનની અંદર વાઇબ્રેશન અને અવાજ ઓછો થશે. અશ્વિની વૈષ્ણવે દાવો કર્યો હતો કે, વંદે ભારત સ્લીપર ટ્રેનની ગણતરી વિશ્વની શ્રેષ્ઠ ટ્રેનોમાં થશે. ટ્રેનના કોચ અને ટોયલેટને અપગ્રેડ કરવામાં આવ્યા છે. ટ્રેનમાં અનેક સેફ્ટી ફીચર્સ છે. મેન્ટેનન્સ સ્ટાફ માટે અલગ કેબિન બનાવવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:09 pm

ગઢડામાં પાક નુકસાની સહાય પોર્ટલ બંધ:ખેડૂતો અરજી કરવામાં પરેશાન, તારીખ વધારવા માગ

બોટાદ જિલ્લાના ગઢડા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાક નુકસાની સહાય માટેનું ઓનલાઈન પોર્ટલ સતત બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ફોર્મ ભરવા માટે વિવિધ કેન્દ્રો પર પહોંચેલા ખેડૂતોને નેટવર્કની ગંભીર સમસ્યાઓ અને પોર્ટલ ડાઉન હોવાને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાજ્ય સરકાર દ્વારા બપોરે 12 વાગ્યાથી પોર્ટલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, વાસ્તવિકતામાં સાઇટ લાંબા સમય સુધી બંધ રહી હતી અને વારંવાર એરર દર્શાવતી હતી. આના કારણે પ્રથમ દિવસે એક પણ ફોર્મ સબમિટ થઈ શક્યું ન હતું, જેનાથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી હતી. સરકારી તંત્રની આ બેદરકારી સામે ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. સહાય માટે ફોર્મ ભરવામાં થતા વિલંબથી તેમની ચિંતામાં વધારો થયો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે સરકાર તાત્કાલિક ઓનલાઈન પોર્ટલને સુચારૂ રીતે કાર્યરત કરે અને ફોર્મ ભરવાની તારીખમાં યોગ્ય વધારો કરે, જેથી તમામ પાત્ર ખેડૂતોને સહાય મેળવવાની તક મળી રહે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:05 pm

મોરબીમાં જમીન કૌભાંડ: ખોટા દસ્તાવેજોથી વેચાણ:બે સામે ફરિયાદ, એક આરોપીની ધરપકડ

મોરબીના વજેપર વિસ્તારમાં વધુ એક જમીન કૌભાંડ સામે આવ્યું છે. જમીનના મૂળ માલિકના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવીને જમીન વેચી દેવાનો પ્રયાસ થયો હતો. સમયસર જાણ થતાં મૂળ માલિકના પરિવારે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ અંગે શનાળા રોડ પર ભક્તિનગર સર્કલ પાસે રહેતા બાબુભાઈ તળશીભાઇ ચાવડા (ઉં.વ. 40) એ ફરિયાદ નોંધાવી છે. તેમણે અમિતભાઈ મોહનભાઈ પરમાર (રહે. રાધા પાર્ક, મોરબી) અને દર્શિત પ્રવીણભાઈ મેવાડા (રહે. લાયન્સનગર, મોરબી) સહિત અન્ય અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદ મુજબ, વજેપર સર્વે નંબર 767 પૈકી 2માં ફરિયાદીની વડીલોપાર્જિત જમીન આવેલી છે. આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને મિલનભાઈ પ્રકાશભાઈ ફુલતરિયાને આ જમીન વેચવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે ફરિયાદીના પિતાના નામના ખોટા આધારકાર્ડ, પાનકાર્ડ અને વારસાઈ આંબો બનાવવામાં આવ્યા હતા. આરોપી અમિતભાઈ પરમારે તળશીભાઈ ભગવાનજીભાઈ ચાવડાનું ખોટું નામ ધારણ કરીને મિલનભાઈ ફુલતરિયાનો સંપર્ક કર્યો હતો. ખોટા દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરીને ફરિયાદી અને સાહેદ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હતી. પોલીસે બાબુભાઈ ચાવડાની ફરિયાદના આધારે બે નામજોગ શખ્સો અને તપાસમાં ખુલે તેવા અન્ય આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે હાલમાં આરોપી અમિતભાઈ મોહનભાઈ પરમારની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. અન્ય આરોપીઓને પકડવા માટે પણ કાર્યવાહી ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 4:03 pm

શહેરમાં 101 વિસ્તારોમાં ખાસ મતદાર સેવા કેમ્પ યોજાશે:SIR ખાસ ઝુંબેશ દ્વારા સ્થળાંતરિત કે રિડેવલપેમન્ટ સોસાયટીઓના લોકો આ કેમ્પનો લાભ લઈ શકશે

વડોદરા શહેર અને જિલ્લામાં ચાલી રહેલા મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.અનિલ ધામેલિયાએ મહત્વપૂર્ણ માહિતી આપી હતી. તેમણે આખી સોસાયટી સ્થળાંતરિત થવા કે રિડેવલપમેન્ટ ચાલતી હોય એવી સોસાયટી માટે ખાસ મતદાર સેવા કેમ્પ આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ખાસ સુધારણા કાર્યક્રમ હેઠળ શહેર વિસ્તારમાં મતદાર યાદીની વિતરણ તથા ચકાસણીનું કામ મોટાભાગે પૂર્ણ થઈ ચૂક્યું છે. વિતરણ કામગીરીથી બહાર રહેલા તમામ વિસ્તારોને પણ આવરી લેવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન મોટા પ્રમાણમાં ફોર્મ્સ પ્રાપ્ત થયા છે તથા આજથી તેમની ડિજિટાઇઝેશન પ્રક્રિયા પણ ઝડપી ગતિએ શરૂ કરવામાં આવી છે. 101 વિસ્તારોમાં મતદાર સેવા કેમ્પોનું આયોજનડૉ. ધામેલિયાએ વધુમાં જણાવ્યું કે, વડોદરા શહેરમાં વસ્તી વધારે હોવાથી ખાસ વ્યવસ્થા રૂપે 101 વિસ્તારોમાં મતદાર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવશે. આ કેમ્પો 15 અને 16 નવેમ્બરે શનિવાર અને રવિવારે ખાસ કેમ્પનું આયોજન કર્યું છે. આવી જ રીતે તા. 22 અને 23 નવેમ્બર એટલે કે આગામી શનિ-રવિવારે પણ આ ખાસ કેમ્પ યોજાશે. સવારે 9થી બપોરે 1 વાગ્યા સુધી કાર્યરત રહેશે. અરજદારોને મુશ્કેલી હોય તો કેમ્પમાં લાભ લઈ શકશેજે મતદારોને ફોર્મ મળ્યું ન હોય અથવા જેમને મેકિંગ/મેચિંગની પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેઓ આ કેમ્પોનો લાભ લઈ શકશે. મતદારોએ પોતાના ફોર્મ જમા કરાવવા હોઈ તો તે પણ આ કેન્દ્રોમાં જમા કરી શકશે. દરેક વોર્ડ ઓફિસો ખાતે પણ વધારાના હેલ્પ ડેસ્ક કાર્યરતમતદારોના સુલભ સંપર્ક માટે દરેક વોર્ડ ઓફિસો ખાતે પણ વધારાના હેલ્પ ડેસ્ક કાર્યરત રાખવામાં આવનાર છે, જેથી કોઈપણ માહિતી, માર્ગદર્શન અથવા સહાય સરળતાથી મળી શકે. જિલ્લા ચૂંટણી અધિકારીએ તમામ મતદારોને આ ખાસ અભિયાનમાં સક્રિય ભાગ લેવાની અને મતદાર યાદીમાં પોતાનું નામ સાચી રીતે સમાવિષ્ટ થાય તે માટે જરૂરી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા વિનંતી કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:59 pm

પોલીસ કોન્સ્ટે.પતિના આડા સંબંધો અને ઢોર મારથી ત્રાસી પત્નીની આત્મહત્યા:ફાંસો ખાતો ફોટો મોકલી જિંદગી ટૂંકાવી, પતિએ સસરાને કહ્યું-'મારે જૂનાગઢ, મેંદરડા, માતરવાણીયામાં લફરું છે'

'મારે જૂનાગઢમાં લફરૂ છે, અહીંયા મેંદરડા સ્ટાફમાં લફરું છે અને માતરવાણીયા ગામમાં પણ લફરું છે' આ શબ્દો છે મેંદરડા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દયાતરના જેણે પોતાના સસરા સાથે કરેલી વાતચીતમાં લગ્નજીવન બાદ પણ અનેક જગ્યાએ લફરું હોવાનું સ્વીકાર્યું. ઉપરાંત યુવક અવાર નવાર તેની પત્નીને કોઈ કેદીની માફક માર મારતો હતો. જેથી કંટાળી પરિણીતાએ આપઘાત કરી લીધો હતો. પરિણીતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, યુવકે પોતાનું લફરું હોવાની વાત બહાર આવ્યા બાદ માફી માગી છતાં તેનું વર્તન ન બદલાતા પરિણીતાએ આખરે પતિને ફાંસો ખાતો ફોટો મોકલી જીવ ટુંકાવી લીધું હતું. પોલીસે પિતાની ફરિયાદના આધારે કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. જમાઈ મારી દીકરી સાથે કેદીઓને માર મારતો હોય તેવું વર્તન કરતોમૃતક દીકરી ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાએ પોલીસ સમક્ષ આપેલી ફરિયાદ અને મીડિયા સમક્ષ રજૂ કરેલા નિવેદનમાં પોતાના જમાઈ આશિષ દયાતરના અમાનવીય કૃત્યોનું વર્ણન કર્યું હતું. ભરતસિંહે જણાવ્યું કે તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક દીકરો છે, જેમાં તેમની મોટી દીકરી ભાવિશાના લગ્ન પોલીસની નોકરી કરતા આશિષ સાથે થયા હતા. તેમણે શરૂઆતમાં આશિષના સાસરિયા પક્ષને સારો માન્યો હતો, પરંતુ લગ્ન બાદ આશિષે ભાવિશાને સતત માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો કે, આશિષ ભાવિશાને ઢોર માર મારતો, તેની છાતી પર કલાકો સુધી બેઠો રહેતો અને પોલીસ કેદીને માર મારે તેમ માર મારતો. છેલ્લે તો ભાવિશાને 28 દિવસ સુધી સતત માર મારવામાં આવ્યો હતો. ભાવિશાને માર મારવાની સાથે તે બટકા પણ ભરતો હોવાનું દીકરીએ પિતાને જણાવ્યું હતું. એસિડ પીવાનો પ્રયાસ અને પોલીસ સ્ટાફનું દબાણભાવિશાએ પતિના ત્રાસથી કંટાળીને ગત 28 તારીખે એસિડ પીને પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયત્ન કર્યો હતો. સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે મામલો ગંભીર બન્યો હતો. ભાવિશાના પિતા ભરતસિંહે જણાવ્યું કે, તે સમયે મેંદરડા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા આશિષના પોલીસ સ્ટાફના સાહેબોએ તેમની દીકરી ભાવિશાને સમજાવી કે, આશિષ અમારા પોલીસ સ્ટાફનો છે, કંઈ કરતા નહીં. પોલીસ સ્ટાફના આ દબાણને માનીને ભરતસિંહે દીકરીને માળીયા હાટીના નજીક આવેલા ભીખોર ગામે લઈ આવ્યા. ભીખોર આવ્યા બાદ ભાવિશાએ પિતાને આશિષના તમામ કાળા કામો અને ત્રાસની કહાણી જણાવી હતી. પિતાએ સમાજનું નામ આપી કેસ ન કરવા સમજાવીદીકરીએ કરેલા અમાનવીય ત્રાસના નિવેદન બાદ ભાવિશાએ પિતાને પોલીસ કેસ કરવાની વાત કરી હતી. પરંતુ ભરતસિંહે પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને અન્ય બે દીકરીઓના લગ્નને ધ્યાનમાં રાખીને કેસ ન કરવા માટે દીકરીને સમજાવી હતી. ભરતસિંહે કહ્યું, દીકરી આપણો સમાજ છે શાંતિ જાળવી રાખ, વધુ સારું થઈ જશે, હજી તારી બે બહેનોના પણ લગ્ન કરવાના બાકી છે. મારું ગામમાં નામ મોટું છે, આપણે આ કેસ-કબાડામાં નથી પડવું. પિતાના આ નિર્ણય બાદ ભાવિશા નિરાશ થઈ ગઈ હતી અને આશિષને ફોન-મેસેજ કર્યા, પરંતુ આશિષે કોઈ જવાબ આપ્યો ન હતો, જેના કારણે ભાવિશાએ નિરાશ થઈને પોતાનું જીવન ટૂંકાવવાનું પગલું ભર્યું. ઓડિયો ક્લિપમાં આશિષે કબૂલ્યા ત્રણ આડા સંબંધોઆ સમગ્ર કેસમાં સૌથી મોટો પુરાવો મૃતક ભાવિશાના પતિ આશિષ દયાતર અને ભાવિશાના પિતા ભરતસિંહ વચ્ચે થયેલી ઓડિયો ક્લિપ છે. આ ઓડિયો ક્લિપમાં આશિષ દયાતરે પોતે જ અન્ય સ્ત્રીઓ સાથેના આડા સંબંધો હોવાનું કબૂલ્યું હતું. ઓડિયો ક્લિપમાં આશિષ કહે છે કે, હું કબૂલું છું કે મારે જૂનાગઢમાં લફરું છે, મેંદરડા સ્ટાફમાં લફરું છે અને માતરવાણીયા ગામમાં પણ લફરું છે. આશિષે તેના સસરાને વિનંતી કરી હતી કે, તમે કોઈને મારે લફરું છે તેવી વાતો ન કરતા. મને બીક લાગી ગઈ છે, મને ઘરે ખીજાશે, મારા પપ્પા મારી ધૂળ કાઢી નાખશે, જો આ લફરાની ખબર પડશે તો. ફોનની આ વાતચીતમાં આશિષે ત્રાસ આપવાનું બંધ કરવાની અને આજથી જ બધા લફરા મૂકી દેવાની ખાતરી આપી હતી. જોકે, ભાવિશાએ તેના પિતાને કહ્યું કે, પપ્પા આશિષ એક્ટિંગ કરે છે, અને મને ડર લાગે છે, આશિષે અચાનક તેનું વર્તન કેમ બદલી નાખ્યું? અંતે આશિષે ફોનનો જવાબ ન આપતા ભાવિશા નિરાશ થઈ અને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી. પોલીસે કોન્સ્ટેબલ પતિ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરીમાળિયા હાટીના પોલીસે મૃતક ભાવિશાના પિતા ભરતસિંહ બાબરીયાની ફરિયાદના આધારે પોલીસ કોન્સ્ટેબલ પતિ આશિષ દયાતર વિરુદ્ધ પત્નીને મરવા મજબૂર કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરતસિંહે સરકારને અપીલ કરી છે કે, તેમની દીકરી ભાવિશાને ન્યાય મળવો જોઈએ અને અન્ય દીકરીઓ પર આ દુઃખ ન પડે તે માટે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસ કોન્સ્ટેબલ જેવા જવાબદાર પદ પર રહેલી વ્યક્તિ દ્વારા પત્નીને ત્રાસ આપી આત્મહત્યા માટે મજબૂર કરવાના આ કેસમાં પોલીસ તંત્ર કેવા પગલાં લે છે તે જોવાનું રહે છે. માંગરોળ ડીવાયએસપી દિનેશ કોડીયાતારે જણાવ્યું હતું કે માતવાણીયા ગામે પિખોર રહેતા ભરતસિંહ બાબરીયાની દીકરી ભાવિશાના લગ્ન પાંચ વર્ષ પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દયાતર સાથે થયા હતા જે આશિષ તેની પત્ની ભાવિશાને માનસિક ત્રાસ આપતો હતો અને વારંવાર ઝઘડા કરતો હતો જેનાથી કંટાળી ભાવિશાએ ઘરે ગળેફાંસો ખાય આત્મહત્યા કરી લીધી હતી, જેને લઇ મૃતક ભાવિશા ના પિતા ભરતસિંહ બાબરીયા ની ફરિયાદના આધારે માળિયા હાટીના પોલીસ પોલીસ કોન્સ્ટેબલ આશિષ દયા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:48 pm

લાયસન્સ ન મેળવનાર ઢોરવાડાને નોટિસ:વડોદરામાં રાત્રીના સમયે ઢોર છુટ્ટા મુકીદેનાર સોમા તળાવના 25 ઢોરવાડા સંચાલકોને પાલિકાની નોટિસ

વડોદરા શહેરમાં રખડતી ગાયના વધતાં ત્રાસ વચ્ચે પાલિકાએ સોમા તળાવ વિસ્તારમાં રખડતા ઢોર અંગે હાથ ધરેલા સર્વેના આધારે 25 જેટલા ઢોરવાડાના સંચાલકોને નોટિસ પાઠવી છે. નોટિસ મેળવનાર કોઈપણ ઢોરવાડા સંચાલકે લાયસન્સ લીધા નથી. શહેરમાં વાહન ચાલકોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યોઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પૂર્વે શહેરના નિઝામપુરા વિસ્તારમાં રખડતા ઢોરના કારણે બાઇક ચાલક ભોગ બન્યો હતો. રાત્રિના સમયે પસાર થતા વાહનની વચ્ચે ઢોર આવી જતા યુવાન ડિવાઈડર પર પછડાયો હતો. સમગ્ર ઘટના બાદ રખડતા પશુના કારણે શહેરમાં વાહન ચાલકોની સુરક્ષાનો મુદ્દો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. 25 ઢોરવાડાના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવીઆ સમગ્ર ઘટના બાદ પાલિકાની ઢોર ડબ્બા ટીમે નિઝામપુરાના કેટલાક ઢોરવાડા સંચાલકોને નોટિસ પાઠવી હતી. આ સાથે શહેરના સોમા તળાવ વિસ્તારમાં આવેલ ઢોરવાડા ખાતે પણ પાલિકા તંત્રએ સર્વે હાથ ધર્યો હતો. જેમાં અહીં રાત્રિના સમયે નાગરિકોના જીવ જોખમમાં મુકાય તે રીતે ઢોર છોડી દેનાર 25 ઢોરવાડાના સંચાલકોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ આપવામાં આવેલ 25 પૈકી એકપણ ઢોરવાડા સંચાલકે કોર્પોરેશનની વોર્ડ કચેરી ખાતેથી જરૂરી લાયસન્સ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી નથી. ગૌપાલકની બેજવાબદાર નીતિના કારણે હાલ અનેક વાહન ચાલકો, રાહદારીઓ અને નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:40 pm

બાળદિનની દાનોત્સવ તરીકે ઉજવણી:આણંદની યુરોકિડ્સ અને આર.આર. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ દ્વારા બાળસંભાળ ગૃહ/જુવેનાઇલ બાળકોને વિકાસકારક તથા ઉપયોગી ભેટો અર્પણ કરી

આણંદમાં આવેલી યુરોકિડ્સ અને આર.આર. ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે 14 નવેમ્બરના રોજ બાળદિનની દાનોત્સવ તરીકે ઉજવણી કરી હતી. આ અવસરે શાળા અને વાલીઓએ બાળ સંભાળ ગૃહ તથા જુવેનાઇલ બાળકોને વિકાસલક્ષી અને ઉપયોગી ભેટો અર્પણ કરી હતી. આ ભેટો 18 વર્ષથી ઓછી ઉંમરના એવા બાળકોને આપવામાં આવી હતી, જેઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે અથવા બાળ સંભાળ ગૃહોમાં રહે છે. શાળાનો ઉદ્દેશ્ય આવા બાળકોને સમાજમાં ફરીથી જોડવાનો અને તેમને સારો માર્ગ અપનાવવા પ્રેરણા આપવાનો હતો. આવા બાળકો ઘણીવાર અવગણના, માર્ગદર્શનનો અભાવ અને આત્મવિશ્વાસની કમીનો સામનો કરતા હોય છે. સંબંધિત સત્તાધિકારીઓની વિશેષ મંજૂરી સાથે, પસંદ કરાયેલા બાળકોને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેમને વ્યક્તિગત રીતે ભેટો મળી અને શાળા-સમાજ સાથે સકારાત્મક વાતચીત કરવાની તક મળી. આ પહેલનો મુખ્ય હેતુ તેમને પોતાની ભૂલો સમજવા અને જીવનમાં સુધારાની તક મેળવવા પ્રોત્સાહિત કરવાનો હતો. આ ઉપરાંત, બાળકો સાથે રમતગમતની પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવી હતી, જેથી તેમની પ્રતિભાઓને ખીલવવામાં મદદ મળી શકે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:40 pm

જામનગરમાં જનજાતિય ગૌરવ ઉત્સવ કાર્યક્રમ યોજાયો:રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાઈ

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં 1થી 15 નવેમ્બર દરમિયાન જનજાતિય ગૌરવ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંતર્ગત, જામનગર શહેરના ટાઉનહોલ ખાતે શિક્ષણના રાજ્યકક્ષાના મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મંત્રી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડા આદિવાસી સમાજના મહાન યોદ્ધા, સમાજ સુધારક અને આંદોલનકાર હતા. તેમણે બ્રિટિશ શાસન સામે આદિવાસી સમુદાયને એકત્રિત કરી આર્થિક અને સામાજિક શોષણ પ્રણાલીઓને પડકાર આપ્યો હતો. તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ અને આંદોલનના કારણે તેઓ 'ભગવાન બિરસા' તરીકે લોકપ્રિય બન્યા. મુંડાએ આદિવાસી સમાજમાં એકતા લાવી આધુનિક શિક્ષણ અને સ્વચ્છતાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે 'ઉલગુલાન' નામક પ્રખ્યાત આદિવાસી વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. માત્ર 25 વર્ષના જીવનકાળમાં તેમના આંદોલન અને ત્યાગને કારણે તેઓ આજે પણ આદિવાસી સમુદાય માટે 'ભગવાન બિરસા' તરીકે પૂજાય છે. રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2021માં બિરસા મુંડાના જન્મદિવસ, 15 નવેમ્બરને 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરાયો છે. રાજ્ય સરકારે 7 થી 14 નવેમ્બર સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી કુલ 1,378 કિ.મી.ની 'જનજાતિય ગૌરવ રથ યાત્રા'નું પણ આયોજન કર્યું છે. વડાપ્રધાન મોદીએ 15 નવેમ્બરને 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની પ્રણાલી શરૂ કરાવી આદિજાતિ અસ્મિતાને ગૌરવ અપાવ્યું છે. દેશમાં તેમની 150મી જન્મજયંતિની ઉજવણી માત્ર ઔપચારિક નહીં, પરંતુ આદિજાતિ સમુદાયમાં સામાજિક ચેતના અને ગૌરવ ઉજાગર કરવામાં નિમિત્ત બનશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં મંત્રીના હસ્તે જામનગર જિલ્લાના વિવિધ વિભાગો હેઠળના કુલ રૂ. 21,774.61 લાખના 54 પ્રકલ્પોનું ઈ-ખાતમુહૂર્ત તથા રૂ. 2,449.92 લાખના 106 પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમાં માર્ગ અને મકાન વિભાગ, શિક્ષણ વિભાગ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, નર્મદા, જળસંપત્તિ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કામોનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાના જીવન ચરિત્ર પરની ફિલ્મ નિહાળી હતી અને તેમના જીવન વિશે વક્તવ્ય રજૂ કરાયું હતું. ત્યારબાદ મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના અગ્રણીઓ, વિવિધ સ્પર્ધાઓમાં પસંદ થયેલા વિદ્યાર્થીઓ અને શ્રેષ્ઠ શાળાઓના આચાર્યનું સન્માન કરવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓ હેઠળ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ તથા મંજૂરીપત્રો અપાયા હતા. ત્રણ સખી મંડળોને કેસ ક્રેડિટ લોન અંતર્ગત રૂ. 14 લાખના ચેક તથા પ્રધાનમંત્રી સ્વનિધિ અંતર્ગત શહેરી ફેરિયાઓ માટે લોનની રકમના ચેક પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, જિલ્લા પોલીસ વડા ડો.રવિમોહન સૈની, અગ્રણી બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, નિવાસી અધિક કલેક્ટર બી.એન.ખેર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડ, નાયબ મ્યુનિસિપલ કમિશનર ઝાલા, મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:33 pm

રાજકોટ મનપાની મુખ્ય કચેરીએ જન્મ-મરણનાં દાખલા કઢાવવા લાંબી લાઈન:'કલાકો ઉભા રહેવા છતાં કામ થતું નથી', કુલ 7 કાયમી કર્મચારી પૈકી 6ને 'SIR'ની કામગીરી સોંપાતા અરજદારો પરેશાન

રાજકોટ મનપાની સેન્ટ્રલ ઝોન કચેરીએ સિવિક સેન્ટર ખાતે હાલમાં જન્મ અને મરણના દાખલા કઢાવવા આવતા સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી છે. આ વિભાગના કુલ 7 કાયમી કર્મચારીઓ પૈકી 6ને મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરીઓ સોંપાતા, જન્મ-મરણ વિભાગમાં સ્ટાફની ભારે અછત સર્જાઈ છે. જેના કારણે અરજદારોને કલાકો સુધી લાંબી કતારોમાં ઊભા રહેવાની ફરજ પડી રહી છે. અને આમ છતાં જન્મ કે મરણનો દાખલો મળતો નથી. જેને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી'તીએક તરફ જ્યાં નાગરિકો માટે જન્મ કે મરણનો દાખલો તાત્કાલિક જરૂરિયાતનું ડોક્યુમેન્ટ હોય છે, ત્યાં બીજી તરફ સરકારી કામગીરીની પ્રાથમિકતા બદલાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિવિક સેન્ટરના જન્મ-મરણ વિભાગની બહારનો નજારો જ જણાવે છે કે અહીં કામગીરી કેટલી ધીમી ગતિએ ચાલી રહી છે. સવારથી જ લોકોની લાંબી લાઈનો લાગી જાય છે, પરંતુ કામકાજની ગતિ એટલી ધીમી છે કે અનેક અરજદારોને નિરાશ થઈને પાછા ફરવું પડે છે. હાલ સમગ્ર વિભાગનું કામકાજ માત્ર 1 કાયમી અધિકારી જ સંભાળે છેઆ પરિસ્થિતિનું મુખ્ય કારણ કર્મચારીઓની અછત છે, જે મતદાર યાદીની કામગીરીને કારણે ઉભી થઈ છે. આ અંગે અધિકારીઓ પાસેથી જાણવા મળ્યા મુજબ, હાલ સિવિક સેન્ટરમાં જન્મ-મરણ વિભાગની કામગીરી માટે 7 કાયમી કર્મચારીઓ છે. જોકે આ પૈકી 6 કર્મચારીઓને મતદાન સંબંધિત કામગીરીનાં ઓર્ડર આવતા કામગીરી ધીમી ચાલી રહી છે. સમગ્ર વિભાગનું કામકાજ માત્ર 1 કાયમી અધિકારી તેમજ કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવેલા સ્ટાફ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આટલા ઓછા સ્ટાફના ભરોસે જન્મ-મરણ જેવા આવશ્યક દસ્તાવેજોની કામગીરી કરવી મુશ્કેલ હોવાથી લાઈનો લાગી રહી છે. '4 કલાકથી લાઈનમાં ઊભો છું, પણ હજી સુધી મારો વારો આવ્યો નથી'અરજદાર આનંદભાઈએ દિવ્યભાસ્કર સમક્ષ પોતાનો રોષ અને હતાશા વ્યક્ત કરી હતી. આનંદભાઈ જન્મનો દાખલો કઢાવવા માટે સિવિક સેન્ટર પહોંચ્યા હતા, પરંતુ તેમને ભારે નિરાશા મળી. તેમણે જણાવ્યું કે, હું અહીં છેલ્લા 4 કલાકથી લાઈનમાં ઊભો છું, પણ હજી સુધી મારો વારો આવ્યો નથી. લાઈનમાં ઊભેલા લોકો આગળ વધતા જ નથી, કારણ કે અંદર કામકાજ ખૂબ ધીમું ચાલે છે. પ્રવેશ માટે પણ માત્ર એક જ જગ્યા છે, જેના કારણે ભીડ જામી રહે છે. અહીં કામગીરી સાવ ધીમી ચાલે છે અને જે સાહેબો હતા તે બધા મતદાનની કામગીરીમાં ગયા છે. અહીં અરજદારોને યોગ્ય માર્ગદર્શન આપી શકે કે તેમનું કામ ઝડપથી પતાવી શકે તેવું કોઈ હાજર નથી. 'લાંબી રાહ જોયા પછી પણ જો કામ નહીં થાય તો અમારે ઘરે જવું પડશે'વધુમાં તેમણે જણાવ્યું કે, જન્મ તારીખનો દાખલો એ ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ છે, જે શાળા પ્રવેશથી લઈને સરકારી યોજનાઓ સુધીની અનેક જગ્યાએ જરૂરી હોય છે. આવા મહત્ત્વના દસ્તાવેજ માટે સામાન્ય નાગરિકોને આટલા કલાકો સુધી હેરાન થવું પડે તે યોગ્ય નથી. પોતાની હતાશા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, મને લાગે છે કે આજે દાખલો નીકળે તેમ જ નથી. આટલી લાંબી રાહ જોયા પછી પણ જો કામ નહીં થાય તો હવે અમારે એમ ને એમ પાછું ઘરે જવું પડશે. અને ફરી પાછું આવવું પડશે. શહેરના લોકો મનપાના સિવિક સેન્ટરના ધક્કા ખાઈ રહ્યા છેઆ ઘટના માત્ર આનંદભાઈની જ નહીં, પરંતુ રાજકોટના અનેકવિધ એવા નાગરિકોની વ્યથા રજૂ કરે છે, જેઓ પોતાના અગત્યના દસ્તાવેજો કઢાવવા માટે મનપાના સિવિક સેન્ટરના ધક્કા ખાઈ રહ્યા છે. ચૂંટણી કે મતદાર યાદીની કામગીરી રાષ્ટ્રીય મહત્ત્વની હોવા છતાં, મનપાના વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પડતી દૈનિક જરૂરિયાતોને અવગણવામાં આવી રહી છે. જન્મ અને મરણના દાખલા તાત્કાલિક ન મળવાથી અનેક કાયદાકીય અને વહીવટી પ્રક્રિયાઓ અટકી પડે છે. આ પરિસ્થિતિમાં જન્મ-મરણ વિભાગમાં અન્ય વિભાગોમાંથી વધારાના કર્મચારીઓને ટ્રાન્સફર કરીને નાગરિકોને થતી હાલાકીનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે. જોકે તંત્ર આ માટે ક્યારે જાગે છે તે જોવું રહ્યું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:30 pm

શહેરમાં હવે ડિવાઈડર અને વોલની સફાઈ કરવી સરળ થશે:મનપા મિકેનિક ટીમે વોટર સ્પ્રે વ્હિકલ બનાવ્યું, બિનઉપયોગી ટ્રીપરને મોડિફાઈ કરી મશીન તૈયાર કર્યું

મહેસાણા મનપાની મિકેનિકલ ટીમે શહેરના ડિવાઈડર અને વોલની સફાઈ માટે એક નવીન ઉકેલ રજૂ કર્યો છે. ટીમે એક બિનઉપયોગી ટ્રીપર વાહનને સફળતાપૂર્વક મોડિફાઈ કરીને વોટર સ્પ્રે વ્હીકલમાં રૂપાંતરિત કર્યું છે. આ ખાસ મશીનથી હવે શહેરની દીવાલો અને રોડ ડિવાઈડરની સફાઈનું કામ ખૂબ જ સરળ અને ઝડપી બનશે. બિનસમતલ જગ્યાઓ પર સરળતાથી સફાઈ થઈ શકશેજોકે સફાઈના કામે બિનસમતલ જગ્યાઓ અને બાંધકામો વાળા સ્ટ્રક્ચર પર જામતી ધૂળની સફાઈ કરવી થોડી કઠિન રહેતી હતી. જેથી સફાઈના કામે સર્જાયેલ આ સમસ્યાના સમાધાન માટે મનપાની મેકેનિકલ ટીમે તેનો ઉપાય શોધી કાઢ્યો છે. ટ્રીપરને મોડિફાઈ કરી મશીન બનાવ્યુંસામાન્ય રીતે કલા અને કુશળતા એ દરેક વ્યક્તિ અને સંસ્થાઓમાં હોય છે જેને તક આપી માર્ગદર્શન સાથે પ્રોતસાહિત કરતા જાગૃત કરતા એક વિશેષ પરિણામ સામે આવતું હોય છે. ત્યારે મહેસાણા મનપામાં ડિવાઈડર અને દીવાલોની સફાઈ માટે એક વ્યવસ્થા ઉભી કરવાં માટે ઉભી થયેલી જરૂરિયાતને લઈ ચર્ચા કરતા મનપાના કમિશનર રવિન્દ્ર ખતાલે અને ડે. કમિશનર એ.બી.મંડોરીના સહકારથી ગેરેજ શાખાની મેકેનિકલ ટીમે લાંબા સમયથી બિનઉપયોગી પડી રહેલા એક ટ્રીપરને સાફ સુતરું કરી તેની બોડીને મોડીફાઇડ કરી હતી. વોટર સ્પ્રે પમ્પ સહિતનું સ્ટ્રક્ચર ફિટિંગ જેમાં એક નાની વોટર ટેન્ક અને વોશ પાઇપ તેમજ વોટર સ્પ્રે પમ્પ સહિતનું સ્ટ્રક્ચર ફિટિંગ કરી અંદાજીત કાઢ્યો, 40 હજારના ખર્ચમાં સંસ્થા માટે કાયમી વોટર સ્પ્રે મશીન તૈયાર કર્યું હતું. ડિવાઈડરો, મોટી દીવાલો, જાહેર શૌચાલયો વગેરેની સફાઈ માટે ઉપયોગ થશેઆ મશીનનો ઉપયોગ શહેરના જાહેર રોડ રસ્તા પરના ડિવાઈડરો, કોઈ મોટી દીવાલો, જાહેર શૌચાલયો વગેરેની સફાઈ માટે થઈ શકશે. મહત્વનું છે કે, આ મશીનને એ રીતે નિર્માણ કરાયું છે કે, ઓછા પાણીમાં પણ તીવ્ર પાણીનો સ્પ્રે થતા વિવિધ જગ્યાની સારી સફાઈ થઈ શકશે

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:22 pm

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ: પાટણમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉજવણી કરાઈ

ભારતના વિખ્યાત જનનાયક અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે કેન્દ્ર સરકારે “જનજાતિય ગૌરવ વર્ષ”ની ઉજવણીની જાહેરાત કરી છે. આ ગૌરવપૂર્ણ અવસરે પાટણ જિલ્લામાં જિલ્લા કક્ષાના એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે કરી હતી. ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સહિત અનેક મહાનુભાવો અને પદાધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સમારોહ દરમિયાન વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ અને કર્મચારીઓનું સન્માન કરી તેમને બિરદાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે આદિવાસી સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. પૂર્વ કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભગવાન બિરસા મુંડાના વિચારો અને કાર્યોને જીવંત રાખવા માટે તેમની ૧૫૦મી જન્મજયંતિ પ્રસંગે વિશેષ કાર્યક્રમોનું આયોજન કર્યું છે. સરકારનો પ્રયાસ છે કે આ કાર્યક્રમો દ્વારા તેમના પ્રેરણાદાયી વિચારો લોકો સુધી પહોંચે અને યુવાનો તેમના જીવનમાંથી પ્રેરણા લે. આ કાર્યક્રમ ભગવાન બિરસા મુંડાના બલિદાન અને ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કરવા માટે એક પ્રેરણાદાયી મંચ બની રહ્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:18 pm

'એકના બદલે પાંચ લાખ અને સસ્તા ભાવે સોનું લઈ જાઓ':ભુજમાં 'એકના ડબલ' કરતી ગેંગનો સાગરીત ઝડપાયો, નકલી સોનું અને 99.30 લાખની સાચી-ખોટી નોટો જપ્ત

ભુજમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના નામે સ્થાનિક સાથે પરપ્રાંતીય લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાની અનેક ઘટનો બાદ પણ આ સિલિસલો ચાલુ રાખતી એક ગેંગનો પર્દાફાશ થયો છે. એલસીબીએ એકની અટકાયત કરી અન્ય ચારની સંડોવણી ખુલી પાડી છે. આરોપીઓ સોશિયલ મીડિયા પર એક લાખના બદલે પાંચ લાખ અને સસ્તા ભાવે સોનાની ઓફર કરીને છેતરપિંડી કરતા હતા. 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્તપશ્ચિમ કચ્છ-ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ 'એકના ડબલ' અને સસ્તા સોનાની લાલચ આપી લોકો સાથે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. LCBએ મુખ્ય આરોપી અજરુદ્દીન કાસમશા શેખની ધરપકડ કરી તેની પાસેથી રૂ. 99.30 લાખની સાચી-ખોટી ચલણી નોટો, 11 નકલી સોનાના બિસ્કિટ, એક સાચું સોનાનું બિસ્કિટ અને રોકડ સહિત કુલ રૂ. 1.14 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર મુકતાઆ ગેંગ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનો પર અલગ-અલગ આઈડી બનાવીને સક્રિય હતી. તેઓ ભારતીય ચલણી નોટોના બંડલો (જેમાં પ્રથમ નોટ સાચી અને બાકીની કોરી હોય) અને સસ્તા સોનાના બિસ્કિટના વીડિયો બનાવી વાયરલ કરતા હતા. આ વીડિયો દ્વારા તેઓ લોકોને એક લાખના પાંચ લાખ કરવા અથવા બજાર ભાવ કરતાં સસ્તા ભાવે સોનું આપવાની લાલચ આપતા હતા. બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરીLCB પશ્ચિમ કચ્છ-ભુજના ઇન્ચાર્જ પીઆઇ એચ.આર. જેઠી અને પીએસઆઇ જે.બી. જાદવે આવા ગુનાઓ અટકાવવા અને આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી. આ સૂચનાના આધારે પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ભુજના સરપટનાકા પાસે શેખ ફળિયામાં રહેતા રમજુશા કાસમશા શેખ, અજરુદ્દીન કાસમશા શેખ અને અલીશા કાસમશા શેખ ચીટિંગ કરવાની ટેવવાળા છે. તેઓ સોશિયલ મીડિયા પર લોભામણા વીડિયો બનાવી લોકોને વિશ્વાસમાં લઈ છેતરપિંડી કરી રહ્યા છે. એક આરોપી ઝડપાયો, ચાર ફરારઆ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અજરુદ્દીન કાસમશા શેખ (ઉં.વ. 26)ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ રૂ. 99,30,000ની સાચી અને ખોટી ભારતીય ચલણી નોટો, 11 સોના જેવી ધાતુના નકલી બિસ્કિટ, મોબાઈલ ફોન, સિમકાર્ડ, રૂ. 2,13,400 રોકડા અને 12,70,000ની કિંમતનું એક સાચું સોનાનું બિસ્કિટ જપ્ત કરવામાં આવ્યું હતું. આ મામલે અજરુદ્દીન કાસમશા શેખ ઉપરાંત રમજુશા કાસમશા શેખ, અલીશા કાસમશા શેખ, શેખડાડા (રહે. અંજાર) અને સુલતાન લંધા (રહે. ભુજ) વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 'પોલીસે શંકાસ્પદ ઇસમોના ઘરે તપાસ કરી'આ અંગે નાયબ પોલીસવડા એમ.જે. ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે, ભુજ અને પશ્ચિમ વિભાગમાં ભૂતકાળમાં સસ્તા સોના અને નકલી ચલણી નોટોના આધારે અનેકવાર છેતરપિંડીના બનાવો બની ચુક્યા છે. ત્યારે આ પ્રજારનાં ગુનાઓ બનતા અટકાવવા પોલીસ વડાની સુચનના આધારે એલસીબી ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન ટીમના જીવરાજ ગઢવી અને શક્તિદાન ગઢવીને મળેલી બાતમીના આધારે ભુજના સરપટ ગેટ વિસ્તારમાં રહેતા શંકાસ્પદ ઇસમોના ઘરે તપાસ કરતા ઘરના સેટી પલંગ અંદરથી 200-500ના ચલણની સાચી-ખોટી નોટના બંડલ તથા 12માંથી 11 ખોટા સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. '11 ખોટા અને એક અસલી સોનાનું બિસ્કિટ મળ્યું'એમ.જે. ક્રિશ્ચિયને વધુમાં જણાવ્યું કે, આ સમયે અઝરૂડીન કાસમસા શેખ હાજર મળી આવ્યો હતો. જ્યારે તેના બે ભાઈ રમઝુસા અને અલીસા સાથે અન્ય બે આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે. આ લોકો સામે પહેલા પણ છેતરપિંડી, લૂંટ અને મારામારીની પોલીસ ફરિયાદ દુધઈ મથકે નોંધાયેલી છે. આરોપીઓ ચિલ્ડર્ન બેંકની છાપેલી નકલી નોટો ઉપર એક નોટ અસલી દેખાડી તેના વીડિયો બનાવી સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરતા હતા અને લોકોને છેતરવા પ્રયાસ કરતા હતા. આરોપીના ઘરેથી 11 ખોટા અને એક અસલી સોનાનું બિસ્કિટ મળી આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:14 pm

વતનનું ઋણ ચૂકવવા ઉદ્યોગપતિ કૃષ્ણગઢની કાયાપલટ કરશે:સંજય મુંજપરા 25 કરોડના ખર્ચે ગટર, પાણી, સ્ટ્રીટલાઇટ અને CCTV સહિતની સુવિધાઓ ઊભી કરશે, રાજ્યપાલના હસ્તે ખાતમુહૂર્ત

ઉદ્યોગપતિ ડૉ. સંજય મુંજપરા રૂ. 24 કરોડના ખર્ચે અમરેલીના સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢ ગામની કાયપલટ કરશે. ગામમાં વિવિધ વિકાસ કાર્યો કરાશે જેનું ખાતમુહૂર્ત આજે રાજ્યપાલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 25 કરોડના ખર્ચે ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ અને CCTV સહિતની સુવિધાઓ ઊભી કરાશે. વતનમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા સંકલ્પ લીધોમહાત્મા ગાંધીજી દ્વારા સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠમાંથી અનુસ્નાતકનો અભ્યાસ કરનાર ડૉ. સંજય મુંજપરાએ ગ્રામીણ વિકાસ અંગે ઊંડી સમજ પ્રાપ્ત કરી છે. તેમણે પોતાના વતનમાં પાયાની સુવિધાઓ ઊભી કરવા, તેની કાયમી જાળવણી કરવા અને ખેતી ક્ષેત્રે વિજ્ઞાન-ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી તથા સંલગ્ન ઉદ્યોગો વિકસાવવાનો સંકલ્પ લીધો છે. ગામ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂરકૃષ્ણગઢ ગામની સ્થાપના મહારાજા કૃષ્ણકુમારસિંહએ કરી હતી. ગીર કાંઠા પર આવેલું આ ગામ આશરે બે હજારની વસ્તી ધરાવે છે, જેમાંથી અડધી વસ્તી રોજગારી માટે સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સ્થાયી થઈ છે. આ ગામ અને તેની આસપાસનો વિસ્તાર કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. લગભગ 52 હજાર એકર જેટલો જંગલ વિસ્તાર અને નયનરમ્ય ડેમ (તળાવ) આ વિસ્તારની શોભામાં વધારો કરે છે. રાત્રિના સમયે ગીરના સિંહો પણ ગામ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. ઉદ્યોગપતિ ડૉ. સંજય મુંજપરાએ જણાવ્યું કે, કૃષ્ણગઢ ગામમાં મારો જન્મ થયો અને પછી અભ્યાસ માટે હું અમદાવાદમાં સ્થાયી થયો હતો. ત્યારે માતૃભૂમિનું ઋણ ચુકવવા માટે 25 કરોડના ખર્ચે ગામની તમામ આંતરમાળખાકીય સુવિધાઓ જેવી શહેરમાં હોય છે તેવી જ સુવિધાઓ કૃષ્ણગઢ ગામમાં ઊભી કરાશે. ગામમાં રોડ-રસ્તા, પાણી, ગટર, મંદિર, સમાજવાડી સહિતની સુવિધાઓનો સમાવેશ કરાયો છે. જે વતનપ્રેમી વ્યક્તિઓ છે તે પોતાની જન્મભૂમિને શણગાણે અને આવનારા સમયમાં પોતાના ગામને કૃષ્ણગઢ જેવું બનાવે એવો હું લોકોને સંદેશો આપવા માગુ છું. વતન પ્રત્યે ઋણ ચુકવવાનો અવારનવાર વિચાર આવતોવર્ષ 2006માં ગુજરાતમાં સૌથી નાની વયે અર્થશાસ્ત્ર વિષયમાં પીએચડીની પદવી ગ્રહણ કરીને સંજય મુજપરાએ અધ્યાપન કાર્યને પસંદ ન કરતાં ઉદ્યોગસાહસિક બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. આ ક્ષેત્રમાં અસાધારણ દેખાવ કર્યા બાદ સંજય મુજપરાને રાજ્ય અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન શું હોય શકે? તેનો અવારનવાર વિચાર આવ્યા કરતો હતો. સાથે સાથે સમગ્ર રાષ્ટ્રનો છેલ્લા બે દાયકાનો વિકાસ શહેરો તરફ થયેલો હોવાથી ગામડાંઓ ભાંગવા લાગ્યા છે તેવું સ્પષ્ટ પણે દેખાવા લાગ્યું હતું. પરિણામે ખેત પેદાશોનું ઉત્પાદન અને તેની ગુણવત્તા પણ ઘટવા લાગી છે તેવા આંકડાઓ સામે આવવા લાગ્યા હતા. ગામડાંઓને મજબૂત બનાવવા હોય તો વિકાસ કરવો પડેબીજી બાજુ વસતિ સતત વધી રહી છે. એટલે એક યુવા અર્થશાસ્ત્રી તરીકે તેઓને એવું લાગ્યું કે, આવનારા સમયમાં દેશ સામે એક મોટો પ્રશ્ન ઉદ્ભવશે તે બાબત ઉપર ખૂબ જ ઉંડાણ પૂર્વક મંથન કરીને એક નવો વિચાર આવ્યો કે, જો ગામડાંઓને મજબૂત બનાવવા હોય તો ગ્રામીણક્ષેત્રમાં આંતર માળખાકીય સુવિધાઓ અને ખેતીક્ષેત્ર તથા તેની સાથે જોડાયેલા ઉદ્યોગોનો વિકાસ કરવો પડે. ગામમાં કઈ કઈ સુવિધાઓ ઊભી કરાશેકૃષ્ણગઢ ગામને શહેરોમાં હોય તેવી ગટર-ડ્રેનેજ, પીવાના પાણીની લાઈન (અંદાજે 3800 રનીંગ મીટર), આરસીસીના રસ્તા (આશરે ત્રણ લાખ ચોરસ ફુટ), સ્ટ્રીટ લાઈટના પોલ (આશરે 350), આધુનિક સુવિધાઓ સાથેનું પ્રાથમિક શાળાનું નવુ ભવન, સામાજિક કાર્યક્રમો માટેનું બિલ્ડીંગ (પટેલ વાડી), ખોડિયાર માતાજીના નવા મંદિરનું નવ નિમાર્ણ, આખા ગામમાં સીસીટીવી કેમેરા, પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન સેન્ટર, સરદાર પટેલ તથા જેમણે આ ગામની રચના કરી છે તેવા પ્રજાપ્રિય મહારાજા કૃષ્ણકુમારસિંહજીના નામથી ગામની બે દિશામાં પ્રવેશદ્વાર, નવુ ગ્રામ પંચાયત ભવન તથા જરૂરી સુવિધાઓ સાથેનું અંતિત્રધામ તૈયાર કરવામાં આવનાર છે. ગામની આંતર માળખાકીય સુવિધાઓનો ભૂમિપૂજન સમારોહઆજે રાજ્યપાલના હસ્તે કૃષ્ણગઢ ગામની આંતર માળખાકીય સુવિધાઓનો ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. ગામની તમામ આંતર માળખાકીય સુવિધાઓનું કામ નવેમ્બર-2028 સુધીમાં પુરી કરી દેવાનું લક્ષ્યાંક છે. નોંધનીય બાબત એ છે કે, ઉપરોક્ત તમામ સુવિધાઓ પાછળ અંદાજે 25 કરોડ જેટલી મોટી રકમનો ખર્ચ થનાર છે પરંતુ કોઇપણ જગ્યાએ પોતાનું કે પોતાના પરિવારનું નામ લખવાના નથી અને આ પૂણ્યના કાર્યમાં તેના નાના ભાઇ વિપુલભાઈ મુંજપરા, મોટાભાઈ જગદિશભાઇ મુંજપરા તથા સમગ્ર પરિવારનું મહત્ત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:11 pm

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ભવ્ય જીતથી ગુજરાતમાં જશ્નનો માહોલ:અમદાવાદ-સુરત ભાજપ કાર્યાલયે પ્રમુખ-ધારાસભ્યો સહિતના લોકોએ એકબીજાને મોઢું મીઠું કરાવ્યું, ફટાકડા ફોડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની ભવ્ય જીતે ગુજરાતમાં ઉજવણીનો માહોલ ફેલાવી દીધો છે. સુરત અને અમદાવાદના ભાજપ કાર્યાલય બહાર કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી, મોઢું મીઠું કરાવીને 'ભારત માતા કી જય' અને 'મોદી હૈ તો મુમ્કિન હૈ'ના નારા લગાવીને જીતની ધામધૂમથી ઉજવણી કરી. કેન્દ્રીય મંત્રી અને બિહાર ચૂંટણીના સહ-પ્રભારી સી.આર. પાટીલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી નીતિશ કુમારના 'ડબલ એન્જિન' વિકાસ રથે બિહારના લોકોને પ્રભાવિત કર્યા છે, જેના કારણે NDA 200+ સીટો પર આગળ છે અને નીતિશ કુમાર 10મી વાર CM બનશે. પાટીલે કહ્યું, બિહારના લોકોએ મોદી-નીતિશના વિકાસ કાર્યોને પસંદગી આપી છે. ગુજરાતમાંથી 1,100 અને સુરતમાંથી 250 સમર્થકોએ બિહાર જઈને પરિશ્રમ કર્યો, જેણે વર્ચ્યુઅલ સંવાદથી પણ મદદ કરી. આ જીત તેમની છે. સુરત ભાજપ કાર્યાલયમાં ઉજવણીમાં પ્રેરક શાહ, મેયર, ધારાસભ્યો અને કાર્યકર્તાઓએ અભિનંદન આપ્યા. મોઢું મીઠું કરાવીને 'હોળી-દિવાળી'ની ઉજવણી કરી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 3:09 pm

કંકુવાળા ચોખા સાથે આદિવાસી સમાજને પરંપરાગત રીતે આમંત્રણ:પ્રભાતફેરીમાં ઢોલ નગારા સાથે આદિવાસી ઢબમાં નિમંત્રણ પાઠવવા ગામેગામ મંત્રીઓ-સાંસદ મેદાનમાં

આદિવાસી સમાજના લોકોએ પરંપરાગત રીતે આમંત્રણ આપવા તાલુકામાં પ્રભાતફેરીનું આયોજન કરાયું હતું. આ પ્રભાતફેરીમાં નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, સહકાર મંત્રી ઇશ્વર પટેલ ભરૂચ સાંસદ મનસુખ વસાવા ભાજપ પ્રમુખ નીલ રાવ સાથે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, મહિલાઓ તથા વિવિધ સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શહેરના મુખ્ય માર્ગો પરથી વિક્રમ કરી પ્રભાતફેરી દરમિયાન ભારત માતા કી જય, વંદે માતરમ જેવા નારા ગૂંજ્યા હતા. કાર્યકરોએ નાગરિકોને આવનારા આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમમાં ઉમટી પડવા અને પ્રધાનમંત્રીના સંબોધનનો લાભ લેવા વિનંતી કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, દેશભક્તિ અને એક્તાના સંદેશથી ગૂંજી ઉઠ્યો હતો. સ્થાનિક નેતાઓએ જણાવ્યું કે દેડિયાપાડા માટે આ ઐતિહાસિક ક્ષણ છે, કારણ કે પ્રધાનમંત્રીનો આગમન આ વિસ્તારના વિકાસને નવી દિશા આપશે સાથે ઢોલ નગારા મંજીરા સાથે ગામમાં નેતાઓ આમંત્રણ આપતા ગામલોકોને પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે આદિવાસી ઓમાં કોઈ પણ પ્રસંગ હોઈ તો ચોખામાં કંકુ નાખી પત્રિકા આપવામાં આવે છે. જે રિવાજ આજે પણ ચાલી રહ્યો છે, ત્યારે આ એક નાનકડા તાલુકામાં પ્રધાનમંત્રી મોદી આવવાના હોઈ જેને એક મોટો પ્રસંગ ગણી આદિવાસી નેતાઓ ગામલોકોને આવકારી રહ્યા છે. આ વર્ષે આ એક પ્રસંગ એવો હશે, જેને ભાજપ ના નેતાઓ ગામડે ગામડે પત્રિકા વહેંચવા નિકરિયા છે અને ગામ લોકો પણ એને વધાવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:44 pm

મહેશ્વરી સમાજે વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવ્યો:અમદાવાદમાં BP અને સુગર ચેકઅપ કેમ્પ યોજાયો

મહેશ્વરી સમાજ દ્વારા અમદાવાદમાં વર્લ્ડ ડાયાબિટીસ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શહેરના કાંકરિયા, ઉત્તમ નગર અને મણિનગર ખાતે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોમાં BP અને સુગર ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સ્વાસ્થ્ય તપાસ કરાવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:36 pm

બિહારમાં NDAનો વિજય થતાં રિવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપી:કહ્યું- જનતાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ કર્યો, જામનગરમાં રાઘવજી પટેલના કાર્યાલયે પણ ઉજવણી કરાઇ

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAના વિજય બાદ રિવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે બિહારની જનતાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જાડેજાએ ઉમેર્યું કે બિહારની જનતાએ રેકોર્ડબ્રેક મતદાન કરીને આ વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. NDA સરકારના કાર્યકાળમાં બિહાર વધુ ઝડપથી વિકાસના પંથે આગળ વધશે. દરમિયાન, બિહારમાં NDAની જીતની ખુશીમાં જામનગરમાં ઉજવણી કરવામાં આવી. પૂર્વ કેબિનેટ મંત્રી અને ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલના કાર્યાલય ખાતે કાર્યક્રમ યોજાયો હતો. આ ઉજવણીમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ મીઠાઈ વહેંચીને વિજયની ખુશી વ્યક્ત કરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:31 pm

વ્યારાથી ચોરીનો આરોપી ઝડપાયો:તાપી LCB અને પેરોલ-ફરલો સ્ક્વોડની સંયુક્ત કાર્યવાહીમાં ગુનો ઉકેલાયો

તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ-ફરલો સ્ક્વોડની ટીમે વ્યારા શહેરમાંથી મોપેડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરાયેલ મોપેડ સાથે એક આરોપીને ઝડપી પાડી વ્યારા પોલીસ સ્ટેશનને સુપરત કર્યો છે. એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ ભુપેન્દ્રસિંહ મહોબતસિંહ અને અન્ય પોલીસ કર્મચારીઓ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અ.પો.કો. બ્રીજરાજસિંહ રસીકસિંહ અને વિનોદ ગોકળભાઈને ખાનગી સૂત્રો દ્વારા ચોક્કસ માહિતી મળી હતી. માહિતી મુજબ, વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુ.ર.નં. 11824001252198/2025 (ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) હેઠળ) મોપેડ ચોરીનો આરોપી વ્યારા સ્ટેશન રોડ વિસ્તારમાં જોવા મળ્યો હતો. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપીને પકડી પાડ્યો. પકડાયેલા આરોપીનું નામ અક્ષય બાબુલાલ ભગુરે (ઉંમર 27) છે. તે હાલ રૂમ નં. 403, તિરંગા હાઈટ્સ, વેસુ, સુરત ખાતે રહે છે અને મૂળ સર્વોદયનગર, તા. સૈલુ, જી. પરભણી, મહારાષ્ટ્રનો વતની છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે આર્થિક તંગીના કારણે ચોરી કરવાની યોજના બનાવી હતી. તેણે જણાવ્યું કે લગભગ એક અઠવાડિયા પહેલા તે સુરતથી વ્યારા આવ્યો હતો અને સ્ટેશન રોડ પાસે દુકાનોની આગળ ચાવી સાથે ઊભેલી ગ્રે કલરની Suzuki Access 125 મોપેડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વ્યારા પોલીસ સ્ટેશનની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ મોપેડ ચોરી અંગેનો ગુનો અગાઉથી નોંધાયેલો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ. 15,000/- કિંમતની ચોરાયેલ મોપેડ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ 106 હેઠળ કબજે કરી છે. આગળની કાનૂની કાર્યવાહી માટે આરોપીને વ્યારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે અને આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:29 pm

જામનગરમાં મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિ:BAPS મંદિરે હજારો હરિભક્તો સાથે ગ્રામ્ય દિનની ઉજવણી કરાઇ

જામનગરના BAPS સ્વામિનારાયણ મંદિરે મહંતસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ગ્રામ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંગીતજ્ઞ વૃંદ દ્વારા ભજન-કીર્તન અને બાળકો દ્વારા મુખપાઠની રજૂઆત કરાઈ હતી, જેનો હજારો ભક્તોએ લાભ લીધો હતો. બાળકોના મુખપાઠથી સ્વામી મહારાજ અત્યંત પ્રસન્ન થયા હતા. મહંતસ્વામી મહારાજના શુભ હસ્તે વાનાવડ ગામમાં નિર્માણ પામનાર નવા હરિમંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાનાવડના હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. લતીપર, નંદપુર અને હરિપર ગામમાં તૈયાર થયેલા હરિમંદિરોની મૂર્તિઓનું પણ મહંતસ્વામી મહારાજના હસ્તે થયું હતું. આ ઉપરાંત, વાનાવડ, મજોઠ અને વરણા ગામના મંદિર તથા આશ્રમ માટે ઇષ્ટિકાઓનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. ભાણવડ, ખંભાળિયા અને ભાદરા ક્ષેત્રના ગ્રામ્ય વિસ્તારના હરિભક્તોની હાજરીમાં સ્વામી મહારાજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના નકશા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સત્સંગ ખૂબ વધશે અને સૌ તન, મન, ધનથી સુખી થશે. ભાણવડ, ખંભાળિયા અને ભાદરા ક્ષેત્રના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાંથી પધારેલા હરિભક્તો બાપાના સ્વાગત માટે ઘરેથી ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા કલાત્મક હાર, પ્રસાદ અને વિવિધ ઉપહારો લાવ્યા હતા, જે તેમણે અર્પણ કર્યા હતા. સભામાં હરિના સમયના ભક્તો અને આજ્ઞાપાલનના મહિમા વિશે રસપ્રદ સંવાદો રજૂ થયા હતા. નાના બાળકો દ્વારા પ્રસ્તુત સંવાદ દ્વારા બ્રહ્મસ્વરૂપ ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ભાદરા ગામનો દિવ્ય મહિમા ગવાયો હતો. સ્વામી મહારાજે પણ આ સ્થાનનો મહિમા વર્ણવતા પત્ર પર નિરૂપણ કરીને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે કાર્યકરોનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને અપૂર્વમુનિ સ્વામી દ્વારા સુંદર પ્રશ્નોત્તરી યોજાઈ હતી. સ્વામીએ પ્રશ્નોત્તરીમાં જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારોમાં નવા મંદિરો બનશે, સત્સંગ ખૂબ વધશે અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યા મુજબ પાંદડે પાંદડે સત્સંગ થશે. સભાના અંતે અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ગુરુહરિની સમૂહ આરતીનો લાભ હજારો ભક્તોએ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:25 pm

પાલનપુરમાં નાર્કોટિક્સના દરોડા, પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત:ગાંધીનગરથી પકડાયેલા દંપતીની પૂછપરછ બાદ ગોડાઉન પર કાર્યવાહી

કેન્દ્રીય નાર્કોટિક્સ ટીમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં મોડી રાત્રે દરોડા પાડી પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. ગાંધીનગરથી પકડાયેલા એક દંપતીની પૂછપરછ બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં પાલનપુરમાં આવેલા એક ગોડાઉનમાંથી કરોડો રૂપિયાની કિંમતની દવાઓ મળી આવી હતી. ચાર દિવસ અગાઉ નાર્કોટિક્સ ટીમે ગાંધીનગરથી એનડી ફાર્માસ્યુટિકલના માલિક સુનિલ મોદી અને તેમના પત્ની સમીક્ષા મોદીની ધરપકડ કરી હતી. કોર્ટે તેમને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલ્યા હતા. રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં સુનિલ મોદીએ પાલનપુરમાં પણ તેમનું એક ગોડાઉન હોવાનું કબૂલ્યું હતું. આ માહિતીના આધારે, નાર્કોટિક્સની ટીમે પાલનપુરમાં આવેલા ગોડાઉન પર દરોડા પાડ્યા હતા. મોડી રાત્રે કરાયેલી આ કાર્યવાહીમાં ગોડાઉનમાંથી 2872 કોડીનની બોટલ અને 26230 ટ્રામાડોલના ઇન્જેક્શન સહિત પ્રતિબંધિત દવાઓનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન કુલ 37 કાર્ટન ગેરકાયદેસર દવાઓ મળી આવી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1,81,690 ટેબ્લેટ્સ, 16,620 ક્લોનાજાપામ ટેબ્લેટ્સ, 2030 લોરાજાપામ ટેબ્લેટ્સ અને લગભગ 2000 અલ્ફ્રાજોલમ ટેબ્લેટ્સનો પણ સમાવેશ થાય છે. નાર્કોટિક્સ ટીમે તમામ પ્રતિબંધિત દવાઓનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પાલનપુર પોલીસને સોંપ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:22 pm

ગુજરાત એલર્ટ વચ્ચે હથિયારોની હેરાફેરી:ગાંધીનગર હાઈવે પર બસમાંથી બે શખસ ગેરકાયદે હથિયારો સાથે ઝડપાયા, 54 હજારનો મુદ્દામાલ જપ્ત

ગાંધીનગર ચિલોડા પોલીસે ચંદ્રાલા ગામની સીમ આગમન હોટલની સામે નેશનલ હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફળતા મેળવી છે. હિંમતનગર તરફથી આવતી એક ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શખસ પાસેથી પોલીસે ગેરકાયદેસર એક પિસ્તોલ, એક દેશી તમંચો અને 10 નંગ કારતૂસનો જથ્થો સહિત 54 હજારનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકિંગમાં હતીદિલ્હીમાં કારમાં થયેલા બ્લાસ્ટની ગંભીર ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સુરક્ષાને લઈને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સંવેદનશીલ પરિસ્થિતિના પગલે, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીએ જિલ્લાના તમામ પ્રવેશ અને નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકિંગ અને કડક બંદોબસ્તના આદેશો આપ્યા હતા. આ આદેશોના અનુસંધાને ચિલોડા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ચંદ્રાલા નાકા પોઇન્ટ પર વાહન ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. તપાસ દરમિયાન બે વ્યક્તિ પર શંકા ગઈઆ ચેકિંગ દરમિયાન હિંમતનગર તરફથી અમદાવાદ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ (નંબર GJ 18H 6100)ને રોકવામાં આવી હતી, જે કાનપુરથી અમદાવાદ જતી હતી. પોલીસે બસમાં સવાર મુસાફરોની તલાશી લેતા પાછળની સ્લીપિંગ સીટ પર બેઠેલા બે શખસની વર્તણૂક શંકાસ્પદ જણાતાં તેમની બેગની તપાસ કરી હતી. પોલીસે બન્ને પાસેથી મુદ્દામાલ જપ્ત કરી ધરપકડ કરીપોલીસની તલાશી દરમિયાન આ બંને શખ્સો પાસેથી ગેરકાયદેસર હથિયારો અને જીવતા કારતૂસનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં એક પિસ્તોલ, એક દેશી તમંચો અને 10 નંગ જીવતાજીવતા કારતૂસ હતા. પોલીસે બંને આરોપીઓની ઓળખ અમદાવાદ દાણીલીમડાના મોહસીન શાહબુદીન શેખ (ઉં.વ. 22) અને સોહીલ ઉર્ફે કુકડો અજીમભાઈ શેખ (ઉં.વ. 23) તરીકે કરી છે. આ શખ્સો પાસેથી હથિયારો ઉપરાંત બે મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 54,570 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરીપોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓ હથિયારો ક્યાંથી લાવ્યા હતા અથવા તેનો હેતુ શું હતો તે અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. દિલ્હી બ્લાસ્ટની ઘટનાના સંદર્ભમાં હથિયારોનો આ જથ્થો પકડાયો હોવાથી સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. પોલીસે બંને શખ્સો વિરુદ્ધ ગેરકાયદે હથિયાર રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . સ્વ બચાવ માટે હથિયાર લાવ્યાનું તપાસમાં રટણઆ અંગે ચિલોડા પોલીસ મથકના પીઆઈ એસ જે ચૌહાણ એ જણાવ્યું કે, બંને આરોપીઓ કાનપુરથી હથિયારો ખરીદીને લાવ્યા હતા. બંનેની કડકાઈથી પૂછતાછ કરતા, બંન્નેને અમદાવાદ વટવાના તેમની જ કોમના ઇસમો સાથે દુશ્મનાવટ ચાલી રહી છે, જેથી ભવિષ્યમાં હુમલો થાય તો સ્વ બચાવ માટે અથિયાર ખરીદી લાવ્યાનું રટણ કરી રહ્યા છે. બંને વિરુદ્ધ મારામારી અને પ્રોવિઝેશનના ગુના પણ દાખલ થયા હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં આ બંને ઈસમો ના રિમાન્ડ મેળવવાની તજવીજ ચાલી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:22 pm

વલસાડમાં ઠંડીનો પ્રારંભ, વહેલી સવારે તાપમાન 17 ડિગ્રી નોંધાયું:રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ ઠંડીનો ચમકારો અનુભવાયો

વલસાડ જિલ્લામાં શુક્રવારે ઠંડીનો પ્રારંભ થયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડનું લઘુતમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. વહેલી સવારથી જ લોકોએ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર, વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ઠંડીની શરૂઆત થઈ છે. શુક્રવારે સવારથી જ વલસાડના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. દિવસ દરમિયાન વાતાવરણ સામાન્ય ઠંડું રહેશે. ઠંડી વધતાની સાથે જ વલસાડ શહેરના મુખ્ય માર્ગો પર નોકરી-ધંધા પર જતા યુવાનો, યુવતીઓ અને મહિલાઓ સ્વેટર, જેકેટ, શાલ અને ટોપી જેવા ગરમ વસ્ત્રો પહેરીને જોવા મળ્યા હતા. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે સવારની મોર્નિંગ વોક અને જીમમાં કસરત કરતા પણ જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર ઉપર પણ ઠંડા પવનના સુસવાટા અનુભવાયા હતા. શુક્રવારે વહેલી સવારથી ઠંડીનું પ્રમાણ વધુ હોવાથી વલસાડ શહેરના લોકો 17 ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા હતા. ઠંડીની શરૂઆત થતા વલસાડ જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત તથા ખેતીના કામમાં જોતરાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:20 pm

શહેરના મધ્યમાં આવેલા મહિલાબાગની બિસ્માર હાલત:બાગમાં ઉકરડા અને લોખંડનો ભંગાર, 'મહારાજાએ આપેલી ભેટ શાસકો સાચવી શકતા નથી':મહિલા કોંગ્રેસ પ્રમુખ

શહેરની મધ્યમાં આવેલ ગુજરાતનો એક માત્ર મહિલાબાગ મહાનગરપાલિકાની જાળવણીનાં અભાવે કોઈપણ પ્રકારની સુવિધા વગર વિરાન બની ગયો છે. ભાવનગરનાં રાજવી દ્વારા મહિલાઓ માટે બગીચાનું નિર્માણ કર્યું હતું. મહિલા કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, શાસક પક્ષની નબળી ઈચ્છા શક્તિનાં કારણે ખંડેર હાલતમાં મહિલાબાગ જોવા મળી રહ્યો છે. મહિલાબાગમાં ઉકરડા અને લોખંડનો ભંગારત્યારે હાલ તો આ વૈભવી વારસો કહી શકાય તેવો મહિલાબાગમાં ઉકરડા અને લોખંડનો ભંગાર જોવા મળી રહ્યો છે. ત્યારે વિપક્ષ દ્વારા શાસકો પાસે મહિલા બાગ રીનોવેશન અથવા રિડેવલોપ કરવા માગ કરી રહ્યા છે.જોકે મહાનગરપાલિકાના ભાજપનાં શાસક પક્ષને સદબુદ્ધિ આવી અને હવે મહિલાબાગમાં વાર્ષિક ભાવથી કામ સોંપી દેવામાં આવ્યું હોવાની વાત કરી રહ્યા છે, પણ ક્યારે થશે તે નક્કી નથી. 'મનપાએ ભંગારનું દબાણ ખડકી દેતા હાલ ભંગાર વાડો બન્યો'ભાવનગર શહેરની મધ્યમાં મહિલાઓ માટે રજવાડાના સમયમાં મહિલા બાગ બનાવવામાં આવ્યો હતો. આ મહિલા બાગનો વૈભવી વારસો આજે જાળવણીના અભાવે વિરાન બની ચૂક્યો છે કારણ કે ગુજરાતમાં ભાવનગરનો એક આ મહિલા બાગ છે કે જ્યાં મહિલાઓ આવીને આરામ કરી શકે સાથે જ મનોરંજન પણ કરી શકે. પરંતુ છેલ્લા ઘણા વર્ષથી આ મહિલા બાગને મહાનગરપાલિકાનું ગ્રહણ લાગી જતા મહિલા બાગ માત્ર નામ શેષ રહ્યો છે. જેનું કારણ એ છે કે અહીં મહાનગરપાલિકાએ જ ખુદ ભંગારનું દબાણ ખડકી દેતા આ મહિલા બાગ હાલ ભંગાર વાડો બની ગયો છે. બાગની અંદર બાળકોમાં માટે અનેક રાઈડ્સ છે તે પણ બિસ્માર છે ત્યારે આ ઐતિહાસિક મહિલા બાગની જો જાળવણી કરવામાં આવી હોત તો મહિલાઓ માટે સૌથી સુંદર સ્થળ તરીકે બની શક્યું હોત પરંતુ વિકાસની વાતો વચ્ચે ભાજપના શાસનમાં મહિલા બાગ માત્ર નામનો જ રહી ગયો છે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ શહેરને મહિલા બાગની ભેટ આપી'તીઆ અંગે શહેર મહિલા કોંગ્રેસના પ્રમુખ દર્શના જોશી દ્વારા જણાવ્યું હતું કે, અમે મહિલાઓ માટે ઘણું સાંભળ્યું છે શાસક પક્ષ આગળથી મહિલાઓની સુરક્ષા માટે આ કરશું મહિલાઓ માટે બગીચાઓનું આમ કરશું ઘણી બધી વાતો અમે સાંભળેલી છે અને આજ દિવસ સુધી જોઈએ છીએ. જે એ લોકો નવું તો કહી નથી કરી શક્યા પણ આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ જેને આપને મહિલા બાગની ભેટ આપી છે તેમાં વર્ષો પહેલા મહિલાઓ સુરક્ષિત રીતે ત્યાં બેસતા ત્યાં એના બાળકો માટે રમવાના સાધનો હતાં. બગીચો સારો હતો સારું શોચાલય હતું. તો નવું બનાવવાની વાતો અલગ જ રહી. 'મહિલાબાગ અત્યારે ખંડેર હાલતમાં છે'તેને વધુમાં કહ્યું કે, જે આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની એક યાદી સ્મૂતી સ્વરૂપે આપણી પાસે ભેટ છે તેને આ શાસકો સાચવી નથી શકતા અને મોટી મોટી વાતો કરે છે અને આટલી બધી સુવિધા ઉભી કરીશું પણ આજ દિવસ સુધી ત્યાં મહિલાબાગ કંઈ પરિવર્તન કે ડેવલપ કરવામાં આવ્યું નથી અને દિવસે-દિવસે ખંડેર થતું જાય છે અને એના માટે જે નિર્માણ માટે આ લોકો કીધું હતું એ વાત કરી હતી પણ કંઈ શૂન્ય જ છે. એમાં કોઈ જાતનો ફેરફાર નથી આવ્યો અને અત્યારે ખંડેર હાલતમાં છે. વિપક્ષના મહિલા તરીકે મારી શાસક પક્ષ પાસે એક માગણી છે કે વહેલી તકે મહિલાબાગને સારામાં સારું થઈ શકે બાળકો - મહિલાઓ સુરક્ષિત રહી શકે બેસી શકે જે રીતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ઈચ્છતા હતા એ રીતે મુક્ત વાતાવરણમાં મળી રહે અને શૌચાલય સારી રીતે રીનોવેટ થાય રીનોવેશન થાય તેવી માગણી છે. 'આ કામ વાર્ષિક ભાવથી અપાઈ ગયા'મહિલાબાગ અંગે મેયર ભરત બારડે જણાવ્યું હતું કે, ભાવનગર મહાનગરપાલિકામાં આવેલો ગુજરાતનો એક માત્ર મહિલા બાગ એમાં હમણાં દિવાળી ઉપર અમે મુલાકાત લીધી હતી અને નિરીક્ષણ કરીને તાત્કાલિક કામ માટે વાર્ષિક ભાવથી વોકવે એટલે કે બહેનોને ચાલવા માટે પથ એટલે રસ્તો બનાવવો છે વચ્ચે સેડ બનાવીને પાર્કિંગ માટેની વ્યવસ્થા કરવી છે. ટોયલેટ બાથરૂમ બધું નવું બની રહ્યું છે અને તાત્કાલિક બની રહ્યું છે અને ખૂબ સારી વ્યવસ્થા અમે કરવા જઈ રહ્યા છીએ. બાળકોને રમત ગમતના સાધનો નવા આવશે તો નવા જ બનાવીશું રિપેર થાય એવા હશે તો રીપેર કરીશું. પણ અમારી ઈચ્છા બાળકોને ક્યાંય ઇન્જરી ન થાય તેવી વ્યવસ્થા થાય અને ખૂબ સારી રીતે રમી શકે ખેલ કુદ કરી શકે અને આનંદ માણી શકે તેવી વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ અને આ કામો વાર્ષિક ભાવથી અપાઈ ગયા છે અને ટૂંક સમયમાં આ બધી વ્યવસ્થા થઈ જશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:20 pm

ચોટીલામાં જુગારધામ પર દરોડો, સાત ઝડપાયા:અકાળા ગામની સીમમાંથી ₹53,600 રોકડ સહિત ₹1.13 લાખનો મુદ્દામાલ જપ્ત

ચોટીલા તાલુકાના અકાળા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી સાત જુગારીઓને ઝડપી પાડ્યા છે. એલ.સી.બી. ટીમે આ કાર્યવાહીમાં રોકડા રૂપિયા 53,600 સહિત કુલ રૂપિયા 1,13,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ચોટીલા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)ની સૂચનાથી જિલ્લામાં દારૂ-જુગાર જેવી બદીઓ નાબૂદ કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમોએ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન એલ.સી.બી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના અકાળા ગામની ખારા તરીકે ઓળખાતી સીમમાં કેટલાક ઇસમો ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સાત ઇસમોને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 53,600, ચાર મોબાઇલ ફોન (કિંમત રૂપિયા 20,000), બે મોટરસાયકલ (કિંમત રૂપિયા 40,000) અને ગંજીપાના સહિત કુલ રૂપિયા 1,13,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલા આરોપીઓમાં સંજયભાઈ ગોરધનભાઈ મેટાળીયા, ઉમેશભાઈ સુરેશભાઈ મેટાળીયા, મહેશભાઈ ધીરુભાઈ મેટાળીયા, બુધાભાઈ ધીરુભાઈ મેટાળીયા, વલ્લભભાઈ માનસિંગભાઈ મેટાળીયા અને વિનોદભાઈ ગોબરભાઈ મેટાળીયા (તમામ રહે. પાંચવડા, તા. ચોટીલા) તેમજ અનિલભાઈ ગોરધનભાઈ પરાલીયા (રહે. અકાળા, તા. ચોટીલા)નો સમાવેશ થાય છે. આ સફળ કામગીરી એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એ. રાયમા, પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડ, પો.હેડ.કોન્સ. દેવરાજભાઈ જોગરાજીયા, પો.કોન્સ. કુલદીપભાઈ બોરીચા અને પો.કોન્સ. વજાભાઈ સાનીયા સહિતની ટીમે પાર પાડી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:19 pm

પાટણના મહેમદપુરમાં બંધ મકાનમાંથી ચોરી:ખેડૂત ખેતરે ગયા ત્યારે ₹80,500ના દાગીના અને રોકડની ઉઠાંતરી

પાટણ તાલુકાના મહેમદપુર ગામમાં એક બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ ₹80,500ની રોકડ અને સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી છે. આ બનાવ દિવસ દરમિયાન બન્યો હતો. મહેમદપુર ગામના રહેવાસી દશરથભાઈ નાથાભાઈ રાઠોડ (ઉંમર 55) સવારે ખેતરે ગયા હતા ત્યારે તેમનું મકાન બંધ હતું. આ તકનો લાભ લઈ ચોરોએ ઘરના પાછળના દરવાજાની લોખંડની જાળી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. ઘરમાં પ્રવેશ્યા બાદ ચોરોએ લોખંડની બે તિજોરીઓના લોક તોડી નાખ્યા હતા. તિજોરીમાંથી રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના અને કેટલાક અગત્યના દસ્તાવેજોની ચોરી થઈ હતી. ચોરાયેલા મુદ્દામાલમાં ₹10,000 રોકડ, આશરે 5 ગ્રામનું ₹48,000ની કિંમતનું મંગળસૂત્ર, અને 30 ગ્રામની ₹3,500ની ચાંદીની બંગડીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, 70 ગ્રામની ₹8,000ની ચાંદીની પાયલ, ₹3,000નો ચાંદીનો પંજો, ₹1,000ની સોનાની ચૂની, ₹3,000ની ચાંદીની માળા, ₹1,000ના પાંચ જૂના ચાંદીના સિક્કા અને ₹3,000નું સોનાનું 'ઓમ' પણ ચોરાયા હતા. ચોરો કુલ ₹80,500નો મુદ્દામાલ ચોરી ફરાર થઈ ગયા હતા. દાગીના અને રોકડ ઉપરાંત, બેંકની પાસબુક અને ફરિયાદીના દીકરા જયેશની પત્ની આશાનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ચોરાઈ ગયા હતા. દશરથભાઈ રાઠોડે આ મામલે પાટણ તાલુકા પોલીસ મથકે અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:15 pm

ઝાલોદમાં 181 દર્દીઓની ટીબી અંગે તપાસ:છાયણ PHC ખાતે મોબાઈલ એક્સ-રે વાન દ્વારા આરોગ્ય કેમ્પ યોજાયો

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના છાયણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 100 દિવસીય સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશ અંતર્ગત એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોબાઈલ ટીબી એક્સ-રે વાન દ્વારા 181 શંકાસ્પદ દર્દીઓના ટીબી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટીબી ટેસ્ટ ઉપરાંત, દર્દીઓ માટે વજન, ઊંચાઈ, બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સહિતની અન્ય મહત્વપૂર્ણ આરોગ્ય તપાસણીઓ પણ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આરોગ્ય વિભાગની ટીમે સક્રિય ભૂમિકા ભજવી હતી. જેમાં મેડિકલ ઓફિસર, તાલુકા ટીબી સુપરવાઈઝર, પીએચસી સુપરવાઈઝર, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO), મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW), ફીમેલ હેલ્થ વર્કર (FHW), આશા ફેસિલિટેટર અને આશા બહેનોનો સમાવેશ થાય છે. આવા આરોગ્ય કાર્યક્રમો ગ્રામ્ય વિસ્તારોમાં ટીબી જેવી ગંભીર બીમારીની વહેલી ઓળખ અને તેના નિર્મૂલન માટે મહત્વપૂર્ણ છે. આ પહેલ ટીબી મુક્ત ભારતના લક્ષ્યને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 2:01 pm

ભરૂચમાં જુગારધામ પર પોલીસના દરોડા:મકતમપુર દરગાહ પાસે બાળવની ઝાડીઓમાં જુગાર રમતા 6 ઝડપાયા, 3 વોન્ટેડ જાહેર

ભરૂચ શહેરના મકતમપુર દરગાહ ફળિયા પાસે બાવળની ઝાડીમાંથી જુગાર રમતા છ ઈસમોને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી ₹31,050 નો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રોકડ, મોબાઈલ ફોન અને જુગારના સાધનોનો સમાવેશ થાય છે. ભરૂચ સી ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ડોડીયાની ટીમે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જુગાર અંગેની બાતમીના આધારે મકતમપુર દરગાહ ફળિયાના સ્થળે કાર્યવાહી કરી હતી. બાતમી મુજબ, સુનીલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા બાવળની ઝાડીમાં કેટલાક લોકોને બોલાવી પત્તા-પાના વડે હાર-જીતનો જુગાર રમાડતો હતો. પોલીસે તાત્કાલિક દરોડો પાડી દેવ ઉર્ફે ગદો પ્રવીણભાઈ મકવાણા, શિવમ પ્રવીણભાઈ મકવાણા, આર્યનકુમાર દશરથભાઈ પટેલ, અજય ઉર્ફે કાલુ શંકરભાઈ મકવાણા, દિનેશ રયજીભાઈ ઓડ અને પ્રજ્ઞેશ કાંતિભાઈ વસાવાને ઝડપી લીધા હતા. ઝડપાયેલા ઈસમો પાસેથી પોલીસે ₹6,250 રોકડા, ₹4,800 દાવ ઉપરના તેમજ ચાર મોબાઈલ ફોન સહિત કુલ ₹31,050 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન સુનીલ ઉર્ફે લંગડો બુધિયાભાઈ વસાવા, શ્યામકુમાર ઉર્ફે શામુ ઉર્ફે શામુડીયો દલસુખભાઈ વસાવા અને કેયુર અશોકભાઈ રાણા ફરાર થઈ ગયા હતા, જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં જુગાર, દારૂ અને અન્ય અસામાજિક પ્રવૃત્તિઓ સામે વધુ કડક પગલાં લેવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:57 pm

જામનગરમાં રવિ-સોમવારે રાત્રે ઉલ્કા વર્ષાનો નજારો જોવા મળશે:ખરતી ઉલ્કાઓ નરી આંખે નિહાળી શકાશે, ખગોળીય ઘટના ઉત્તર-દક્ષિણ ગોળાર્ધમાં જોવા મળશે

જામનગર સહિત હાલાર પંથકના આકાશમાં રવિવાર, 16 જૂન અને સોમવાર, 17 જૂનની રાત્રિએ સિંહ રાશિની ઉલ્કા વર્ષાનો અદ્ભુત નજારો જોવા મળશે. મધ્યરાત્રિ બાદ સિંહ રાશિના તારાઓ વધુ ઊંચાઈ પર આવતા પ્રતિ કલાક 15થી વધુ ઉલ્કાઓ ખરતી દેખાશે. આ ઉલ્કા વર્ષાનો નજારો શહેરના પ્રકાશ અને પ્રદૂષણવાળા વાતાવરણથી દૂર, અંધારા સ્થળોએથી વધુ સારી રીતે માણી શકાશે. ઉલ્કા વર્ષા ત્યારે થાય છે જ્યારે કોઈ ધૂમકેતુ સૂર્યની આસપાસ પરિભ્રમણ દરમિયાન અવશેષો છોડી જાય છે. પૃથ્વી જ્યારે આ અવશેષોની નજીકથી પસાર થાય છે, ત્યારે તેના કણો પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ખેંચાઈને વાતાવરણમાં પ્રવેશ કરે છે. ઘર્ષણ અને વધુ ઝડપને કારણે આ કણો તેજ લીસોટા સ્વરૂપે દેખાય છે, જેની સંખ્યા વધુ હોય ત્યારે તેને ઉલ્કા વર્ષા કહેવાય છે. સિંહ રાશિની આ ઉલ્કા વર્ષા 55P-ટેમ્પલ-ટટલ નામના ધૂમકેતુને કારણે થાય છે. આ ખગોળીય ઘટના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બંનેમાં જોવા મળશે. ખગોળ મંડળ જામનગર દ્વારા ખગોળપ્રેમીઓને આ ઉલ્કા વર્ષાનો નજારો નરી આંખે નિહાળવા અને તેનો આનંદ માણવા અનુરોધ કરવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:50 pm

આણંદ રેલવે પોલીસે ચોરીનો ભેદ ઉકેલ્યો:₹18.94 લાખના દાગીના રિકવર કરી મૂળ માલિકને પરત કર્યા

આણંદ રેલવે પોલીસે પીઠું બેગ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીને ઝડપી પાડીને ₹18.94 લાખના સોના-ચાંદીના દાગીના રિકવર કર્યા છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ આ મુદ્દામાલ તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. થોડા દિવસો અગાઉ આણંદ રેલવે સ્ટેશન પરથી એક મુસાફરની પીઠું બેગ ચોરાઈ હતી. આ બેગમાં ₹18.94 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના હતા. આ ઘટના અંગે આણંદ રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ચોરી થયેલો સંપૂર્ણ મુદ્દામાલ સફળતાપૂર્વક રિકવર કરવામાં આવ્યો છે. રિકવર કરાયેલા સોના-ચાંદીના દાગીના 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત તેના મૂળ માલિકને પરત સોંપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:46 pm

દશપર્ણી અર્ક; પ્રાકૃતિક ખેતી માટે અસરકારક જંતુનાશક:ઓછા ખર્ચે પાક સંરક્ષણ, જમીનની ફળદ્રુપતામાં વધારો

પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવા માટેનો ઉત્તમ માર્ગ છે. દેશી ગાય આધારિત આ ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોને બદલે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તેમજ પ્રાકૃતિક ખેતી પર્યાવરણને પણ સંરક્ષિત રાખવામાં અગત્યનું યોગદાન આપે છે. પ્રાકૃતિક ખેતીમાં પાકના રક્ષણ માટે રાસાયણ યુક્ત દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. પરંતુ કુદરતી રીતે તૈયાર કરવામાં આવતાં જંતુનાશક શસ્ત્રો જેવાં કે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે જેનાથી પાકને પૂરતું રક્ષણ મળે છે તેમજ ખેત ઉત્પાદન અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. 'દશપર્ણી અર્ક' જેવા જૈવિક કીટનાશકો પાકને રક્ષણ આપી, જમીનની ફળદ્રુપતા વધારે છે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ કરે છે. આ પદ્ધતિ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ બંને માટે લાભદાયી છે.આવો. આજે આપણે ઉકત જણાવેલા રસાયણમુક્ત જંતુનાશક શસ્ત્રો પૈકિના ‘દશપર્ણી અર્ક’ બનાવવાની પ્રક્રિયા વિશે સમજીએ. દશપર્ણી અર્ક ને બધાજ પ્રકારની જીવાત અને ફુગના નિયંત્રણ માટે સર્વોત્તમ ગણવામાં આવે છે. તેને બનાવવા માટેની પ્રક્રિયા ત્રણ દિવસની હોય છે. જેમાં પ્રથમ દિવસે 20 લીટર ગૌમૂત્ર તેમજ 2 કિ.ગ્રા. તાજા છાણને 200લીટર પાણીમાં નાખી લાકડીથી હલાવીને બે કલાક છાંયડામાં કોથળાથી ઢાંકવુ, આ મિશ્રણમાં 500 ગ્રામ હળદરનો પાઉડર અને 500 ગ્રામ આદુની ચટણી તથા 10 ગ્રામ હીંગનો પાઉડર નાખી આ મિશ્રણને હલાવીને આખી રાત કોથળાથી ઢાંકી દેવું જોઇએ. બીજા દિવસે ઉપરોક્ત મિશ્રણમાં સવારે 1 થી 2 કિલો તીખા મરચીની ચટણી, 400 ગ્રામ દેશી લસણની ચટણી, 1કિગ્રા તમાકુનો પાવડર નાખી લાકડીથી હલાવીને મિશ્રણને કોથળાથી ઢાંકી દેવું જોઇએ. ત્રીજા દિવસે “અ” શ્રેણીની કડવા લીમડાના પાન સાથેની ડાળીઓની ચટણી, કરંજ, સિતાફળ, ધતુરો, એરંડા અને બિલિપત્ર જેવી વનસ્પતિ પૈકી કોઇપણ પાંચ વનસ્પતિ તથા “બ” શ્રેણીની નગોડ, તુલસીની માંજર સાથેના પાન અને ડાળીઓ, ગલગોટના પંચાંગ, કારેલા, બાવળના પૈડીયા, આંકડા, આંબા, જાસુદ, જામફળ, પપૈયા, હળદર, આદુ, કરેણ, દેશી રામ બાવળ, બોરડી, કુવાડીયો, જાસુદ, સરગવો, અર્જુન સાદડ, ઘા બાજરીયુ (હાડવેલ) અને ગળોની વેલના પાંદડા જેવી વનસ્પતિ પૈકી કોઇપણ પાંચ વનસ્પતિ એમ કુલ દશ વનસ્પતિના પાંદડા, દરેક વનસ્પતિના 2 કિગ્રા એટલે કે 20 કિગ્રા પાનની ચટણી બનાવી તેને બીજા દિવસે બનાવેલ મિશ્રણમાં ડુબાડો અને ત્રીસથી ચાલીસ દિવસ વરસાદ અને સૂર્યના તાપથી દુર રાખી રોજ દિવસમાં 5-5 મીનીટ બરાબર હલાવવું. 100 થી 200 લીટર પાણીમાં 6થી 8લીટર દશપર્ણી અર્ક નાંખી તેને હલાવી સ્થિર થાય ત્યારે કપડાથી ગાળીને 01 એકરમાં તેનો છંટકાવ કરવો જોઇએ. આ દશપર્ણી અર્ક છ મહિના સુધી ઉપયોગમાં લઈ શકાય છે.દશપર્ણી અર્ક પ્રાકૃતિક ખેતી માટે એક અત્યંત લાભદાયી જૈવિક કીટનાશક છે. તેના અનેક ફાયદાઓમાં મુખ્યત્વે સર્વગ્રાહી જીવાત નિયંત્રણનો સમાવેશ થાય છે, જેમાં તે ચૂસિયા પ્રકારની જીવાતો, ઇયળો અને અન્ય કીટકો સામે અત્યંત અસરકારક સાબિત થાય છે. આ ઉપરાંત, તેમાં રહેલા ફૂગનાશક ગુણધર્મો છોડને વિવિધ ફૂગજન્ય રોગો સામે રક્ષણ આપે છે. દશપર્ણી અર્ક પર્યાવરણ-મૈત્રીપૂર્ણ હોવાથી, તે રાસાયણિક જંતુનાશકોથી વિપરીત પર્યાવરણ કે જમીનને કોઈ નુકસાન પહોંચાડતો નથી, ઉલટાનું જમીનની ફળદ્રુપતા જાળવી રાખે છે. આ અર્ક ખર્ચ-કાર્યક્ષમ છે કારણ કે ખેડૂતો તેને ઘરે જ સરળતાથી અને ઓછા ખર્ચે તૈયાર કરી શકે છે. તેના ઉપયોગથી પાકની ગુણવત્તામાં સુધારો થાય છે, કારણ કે તે રસાયણમુક્ત હોવાથી માનવ વપરાશ માટે વધુ સુરક્ષિત અને પૌષ્ટિક બને છે. છેલ્લે, તૈયાર થયેલા અર્કનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે, જે તેને છ મહિના સુધી ઉપયોગમાં લેવા માટે અનુકૂળ બનાવે છે.આમ, પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, બીજામૃત આચ્છાદન જેવા આયામોની સાથે નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણી અર્ક, ખાટી છાશ, સુંઠાસ્ત્ર જેવા જંતુનાશક શસ્ત્રોનો ઉપયોગ કરવાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારી શકાય છે અને આ જંતુનાશક શસ્ત્રોના ઉપયોગ દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને પર્યાવરણ તથા માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કરી શકાય છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:44 pm

ગોધરામાં પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ યોજાયો:નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ હેઠળ ખેડૂતોને માહિતી અપાઈ

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાટડી ગામમાં નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુસર મિશન ક્લસ્ટર ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના બીટીએમ વિશાલ શાહ, એટીએમ અલ્પેશ રાઠોડ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ટીપીએમ હાર્દિકકુમાર વણકરે પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્રાકૃતિક કૃષિના પાંચ મુખ્ય આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર પાક પદ્ધતિ વિશે સંપૂર્ણ જાણકારી પૂરી પાડી હતી. આ પ્રસંગે બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા અને સ્વદેશીને પ્રાધાન્ય આપવા માટે શપથ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સરપંચ સંજય પારગી, સીઆરપી અમરસિંહ કલાસવા, પ્રગતિશીલ ખેડૂતો અખમસિંહ કટારા અને કુમુદચંદ્ર વરિયા સહિત 50થી વધુ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:30 pm

ચંડોળા તળાવના અસરગ્રસ્તો માટે ખાસ મતદાર યાદી સુધારણા કેમ્પ:રોજના 500થી વધું ફોર્મની વહેંચણી; અંદાજે 12,000 મતદારો, ડિમોલિશન થતાં સ્થળાંતર

મતદારયાદી ખાસ સઘન સુધારણા (SIR) ઝૂંબેશ અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લાની 21 વિધાનસભા વિસ્તારમાંથી એક પણ લાયક મતદારનું નામ મતદાર યાદીમાંથી બાકાત ન રહે તે માટે સઘન કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણો દૂર કરવાના કારણે સ્થળાંતર કરનારા નાગરિકો માટે 13 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચંડોળા વિસ્તારમાંથી સ્થળાંતરિત કરનારા રોજના 500થી વધારે લોકો ફોર્મ લેવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની વોર્ડ ઓફિસ ખાતે આવી રહ્યા છે. ચંડોળા તળાવમાં અંદાજે 12,000 જેટલા મતદારો હતા. ચંડોળા તળાવનું ડિમોલેશન થતાં લોકો અન્ય જગ્યાએ રહેવા જતાં રહ્યાંઃ નસરૂદ્દીનભાઈચંડોળા તળાવના આગેવાન નસરૂદ્દીનભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચંડોળા તળાવનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, જેના કારણે અનેક લોકો અન્ય જગ્યાએ રહેવા માટે ગયા છે. આવા મતદારો રહી ન જાય તેના માટે મતદાર સુધારણા કાર્યક્રમ અંતર્ગત વોર્ડ ઓફિસ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ચંડોળા તળાવના આગેવાન અને ત્યાં રહેતો હોવાના કારણે મને તળાવના તમામ નાગરિકો અંગેની માહિતી છે, જેથી જેટલા પણ લોકો અહીંયા રહેતા હતા, તે તમામ લોકોને ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યા છે. ચંડોળા તળાવના સ્થાનિક લોકો અને છોકરાઓ પણ આવા તમામ લોકોને ફોર્મ ભરવામાં મદદ કરી રહ્યા છે. મતદાર સુધારણા માટેના ફોર્મનું વિતરણવધુમાં તેમણે જણાવ્યું હતું કે, વોર્ડ ઓફિસ ખાતે સવારથી તમામ BLO અધિકારીઓ આવી જાય છે. સાંજે 5:00 વાગ્યા સુધી ફોર્મ વિતરણ કરવામાં આવે છે. ચંડોડા વિસ્તારમાં જેટલા પણ લોકો રહેતા હતા, તેમણે પોતાના ચૂંટણી કાર્ડ અને પુરાવાઓ સાથે અહીંયા આવીને ફોર્મ લઈ જવાનું હોય છે. બાદમાં ફોર્મ જમા કરાવવાનું રહે છે. મતદારો એન્યુમરેશન ફોર્મથી વંચિત ન રહી જાય તે માટે કેમ્પશહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં દબાણ દૂર કરવાની ઝૂંબેશના કારણે વર્ષ 2025ની મતદારયાદીમાં નામો ધરાવતા અનેક મતદારો હાલ તે સ્થળે રહેતા નથી. અથવા તો અન્યત્ર રહેવા ગયા છે, ત્યારે આવા મતદારો એન્યુમરેશન ફોર્મ મેળવવાથી વંચિત ન રહી જાય તેના માટે કેમ્પનું આયોજન કરાયું છે. ચંડોળા તળાવ વિસ્તારના મતદારો માટે દાણીલીમડા વોર્ડ ઓફિસ ખાતે સવારે 9 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી એન્યુમરેશન ફોર્મનું વિતરણ કરવામાં આવે છે. જેમાં રોજના અનેક લોકો આ ફોર્મ લઈ જાય છે, જે ફોર્મ મેળવવા માટે લોકો પોતાના ચૂંટણી કાર્ડ સહિતના પુરાવાઓ લઈને વોર્ડ ઓફિસ ખાતે આવી રહ્યા છે. કેમ્પ ફક્ત ચંડોળા તળાવ મતદારો માટે જ યોજાશેચંડોળામાંથી સ્થળાંતરિત થયેલા નાગરિકોના પુરાવાઓ સાથેના ફોર્મ ત્યાંથી આપવામાં આવે છે. ત્યારબાદ સ્થાનિક આગેવાન અથવા સ્થાનિક વ્યક્તિ પાસે તેના ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તે ફોર્મ પરત જમા કરાવવામાં આવશે. આ કેમ્પ ફક્ત દાણીલીમડા વિસ્તારના ચંડોળા તળાવ મતદારો માટે જ યોજાશે અને માત્ર એન્યુમરેશન ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:21 pm

SOG એ 32 લાખથી વધુનો લીલો ગાંજો પકડ્યો:શહેરાના બોરીયા ગામમાંથી એક આરોપી ઝડપાયો

પંચમહાલ-ગોધરા એસ.ઓ.જી. પોલીસે શહેરા તાલુકાના બોરીયા ગામના ડોડીયાર ફળિયામાંથી રૂ. 32 લાખથી વધુના લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 64.650 કિલોગ્રામ વજનના 82 લીલા ગાંજાના છોડ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પંચમહાલ જિલ્લામાં નાર્કોટિક્સ ડ્રગ્સની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી અને પોલીસ અધિક્ષક ડૉ. હરેશભાઈ દુધાત દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના આધારે એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. પટેલને બાતમી મળી હતી. મળેલ બાતમીના આધારે, એસ.ઓ.જી. ઇન્સ્પેક્ટર આર.એ. પટેલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે. ગોહિલની ટીમે બે સરકારી પંચો સાથે શંકરભાઈ નારૂભાઈ ડોડીયારના બોરીયા ગામ, ડોડીયાર ફળિયા સ્થિત રહેણાંક મકાન પાસેની જમીનમાં તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન, તેમની પાસેથી 82 લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા. ઘટનાસ્થળે એફ.એસ.એલ. અધિકારીને બોલાવીને ગાંજાના છોડનું પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. પરીક્ષણ બાદ તેનું વજન 64.650 કિલોગ્રામ થયું હતું, જેની આશરે કિંમત રૂ. 32,32,500/- આંકવામાં આવી છે. પોલીસે તમામ ગાંજાના છોડ અને એક મોબાઈલ ફોન (કિંમત રૂ. 1500/-) સહિત કુલ રૂ. 32,34,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી શંકરભાઈ નારૂભાઈ ડોડીયાર (રહે. બોરીયા, ડોડીયાર ફળિયું, તા. શહેરા, જિ. પંચમહાલ) વિરુદ્ધ શહેરા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:17 pm

આતંકવાદી પ્રવૃત્તિમાં ડોક્ટર ઝડપાયા બાદ IMAનો આક્રોશ:ડિગ્રી તથા લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી, લોકસેવાના શપથના વિરુદ્ધ પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી

આતંકવાદી પ્રવૃતિમાં સંડોવાયેલા ડોક્ટરોના પકડાયા બાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)એ કડક પગલા અપનાવ્યા છે. ડોક્ટર બને ત્યારે લેવાતા લોકસેવાના શપથના વિરુદ્ધ પ્રવૃત્તિઓ પર IMAએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આ અંગે IMAની ફાઇનાન્સ કમિટીની નેશનલ ચેરપર્સન ડૉ. મોના દેસાઈએ જણાવ્યું કે, ડોક્ટર તરીકે અમે લોકસેવાની પ્રતિજ્ઞા લઈએ છીએ. છતાં આ ઘટનામાં ભણેલા-ગણેલા લોકોને બ્રેનવોશ કરીને આવી પ્રવૃત્તિમાં સંડોવાયા હોવાની વાત અત્યંત ચોંકાવનારી છે. સાત ડોક્ટરોમાંથી કેટલાક IMAના સભ્યો હોવાનું સામે આવ્યુંIMAની ફાઇનાન્સ કમિટીની નેશનલ ચેરપર્સન ડૉ. મોના દેસાઈએ જણાવ્યું કે, પકડાયેલા સાત ડોક્ટરોમાંથી કેટલાક IMAના સભ્યો હોવાનું સામે આવ્યું છે. એવા ડોક્ટરોની મેમ્બરશિપ તાત્કાલિક રદ્દ કરવામાં આવશે અને તેમને સંપૂર્ણપણે અમારા તબીબી સમાજમાંથી બહાર કરી દેવાશે. ડિગ્રી અને પ્રેક્ટિસ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂતેને વધુમાં કહ્યું કે, સાથે જ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (MCI)માં રજૂઆત કરીને તેમની ડિગ્રી અને પ્રેક્ટિસ લાઇસન્સ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરીશું. અભણ નહીં પરંતું ભણેલા લોકો પણ બ્રેનવોશ થઈ શકે છે. તેથી પોતાના બાળકો કે પરિવારજનો શું કરે છે, કોના સંપર્કમાં આવે છે તેની દેખરેખ રાખવી જરૂરી બની ગઈ છે. IMAએ સ્પષ્ટ કહ્યું છે કે આવા કોઈપણ ડોક્ટરને ભવિષ્યમાં તબીબી ક્ષેત્રે સેવા આપવા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવશે. સોસાયટીને સજાગ રહેવાની અપીલ સાથે IMAએ આ મામલે સખત પગલાં લેવાની જાહેરાત કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 1:11 pm

જાહેર રસ્તા પર ચાલવા બાબતે મારામારી:ત્રણ ભાઈઓએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી

ત્રણ ભાઈઓએ યુવાનને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાવનગરમાં જાહેર રસ્તા પર ચાલવા જેવી નજીવી બાબતે મારામારીનો બનાવ સામે આવ્યો છે લિંમડા ટ્રાવેલ્સ પાસે નવાપરા તબેલા કેમ્પ, ગુરુનાનક સોસાયટીમાં રહેતા એક યુવાનને ત્રણ ભાઈઓએ માર મારતા યુવાને પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર ફરિયાદી તોસીફ રજાકભાઈ ડેરૈયા ઉં.વ.30 એ જણાવ્યું કે, સવારે આશરે 9:30 વાગ્યે તેઓ મોટરસાયકલ લઈને ઘરે પરત ફર્યા હતા. તે સમયે તેમના ઘર પાસે રહેતા મુનાફ ઇનુસભાઇ આગરીયા, આરીફ અને અસ્લમ નામના ત્રણ ભાઈઓએ તેમને તેમના રસ્તા પરથી ન ચાલવા જણાવ્યું હતું. તોસીફે આ રસ્તો જાહેર હોવાનું જણાવતા ત્રણેય ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે તોસીફને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. આ હુમલામાં તોસીફને પેટ, વાંસા અને કમરના ભાગે મુંઢ ઇજાઓ થઈ હતી. મુનાફે તોસીફનું ગળું દબાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. માર માર્યા બાદ તોસીફને પેટ અને પેડુના ભાગે દુખાવો થતા 108 મારફતે તેમને તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતો, હુમલાખોરોએ જતા જતા તોસીફને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી યુવાને ત્રણેય ભાઈઓ વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:53 pm

અસલાલીની વેરહાસિંગ કંપનીમાં 6 લાખની ચોરી:આસિસ્ટન્ટ મેનેજરે જ જાણ બહાર માલ વેચી દીધો હોવાની ડાયરેક્ટરની પોલીસ ફરિયાદ

અસલાલીમાં આવેલી વી-5 લોજિસ્ટિક એન્ડ વેરહાસિંગ કંપનીના વેરહાઉસમાં ચોરી થઈ હોવાની મેનેજરે કંપનીના ગ્રુપમાં મેસેજ કર્યો હતો. ચોરી થઈ હોવાની જાણ થતા કંપનીના ડાયરેક્ટર રાજસ્થાનથી અમદાવાદ દોડી આવ્યા હતા. જે બાદ વેરહાઉસમાં તપાસ કરતા 6 લાખથી વધુના સામાનની ઘટ જોવા મળી હતી. જેથી ડાયરેક્ટરે વધુ તપાસ કરતા આસિસ્ટન્ટ મેનેજર મોહિત વર્માએ જ જાણ બહાર સામાન વેચી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ અસલાલી પોલીસ સ્ટેશનમાં મેનેજર મોહિત વર્મા સામે ફરિયાદ પણ નોંધાવી છે. કંપની ATM મશીનના સાઘનોનું કામ કરે છેવી-5 લોજિસ્ટિક એન્ડ વેરહાસિંગ કંપની એ.ટી.એમ મશીન અને તેને લગતા સાધનો જેવા કે બેટરી, યુ.પી.એસ, રેક વગેરે વેરહાઉસિંગ, ડિલિવરી અને જુના એ. ટી.એમ મશીનોની જગ્યાએ નવા એ.ટી.એમ મશીનો પૂરા પાડવાનું કામ કરે છે. જેનું એક વેરહાઉસ અસલાલીમાં ઈશ્વર કૃપા એસ્ટેટ તથા ફોરેસ્ટ ઓફિસની પાસે આવેલું છે. આ વેરહાઉસના કામકાજ માટે અને દેખરેખ માટે આસિસ્ટન્ટ મેનેજર તરીકે મોહિતકુમાર વર્માને રાખવામાં આવ્યા હતા. કંપનીના ડાયરેક્ટરને આસિ. મેનેજર પર શંકા જતાં તપાસ કરવા કહ્યુંદિવાળીની રજા બાદ મોહિત કુમાર વર્માએ કંપનીના ગ્રુપમાં વેરહાઉસમાં ચોરી થઈ હોવાનો મેસેજ કર્યો હતો. પોતે વેરહાઉસમાં હાજર ન હતા તે સમયે ચોરીની ઘટના બની હોવાનો મેસેજ કરવામાં આવ્યો હતો. જો કે કંપનીને આસિસ્ટન્ટ મેનેજર મોહિત કુમાર વર્માની વાત પર વિશ્વાસ ન હોવાથી કંપનીએ ડાયરેક્ટરને અમદાવાદ જઈ તપાસ કરવા માટે સૂચના આપી હતી. કંપનીના ડાયરેક્ટરે વેરહાઉસમાં જઈ તપાસ કરતા વેરહાઉસના શટરો તૂટેલા ન હતા. જેથી વેરહાઉસની આજુબાજુ તપાસ કરતા બહારના કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય તેવું સામે આવ્યું ન હતું. અસલાલી પોલીસની ફરિયાદના આધારે તપાસ શરૂજેથી વેરહાઉસમાં રાખેલા સામાનમાંથી માર્કાની 11 નોજ, બેટરીઓ સહિતની કુલ 6 લાખથી પણ વધુનો સામાન મળી આવતો નહતો. જેથી કંપનીના ડાયરેક્ટરે આસિસ્ટન્ટ મેનેજર મોહિતકુમાર વર્માએ જ જાણ બહાર સામાન વહેંચી દીધો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ અસલાલી પોલીસ સ્ટેશનમાં મોહિત કુમાર વર્મા સામે ફરિયાદ નોંધાવી છે. અસલાલી પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:53 pm

સંજીવની પ્રી-સ્કૂલમાં ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી:અમદાવાદના રાઇખડ વિસ્તારમાં ભૂલકાઓએ વિવિધ પ્રવૃત્તિઓ માણી

અમદાવાદના રાઇખડ વિસ્તારમાં આવેલી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલમાં ગુરુવારે ચિલ્ડ્રન્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. નાના ભૂલકાઓ માટે વિવિધ રમૂજી પ્રવૃત્તિઓ, નૃત્ય કાર્યક્રમો અને વિશેષ રમતોનું આયોજન કરાયું હતું. શાળાના સંચાલકોએ જણાવ્યું કે ચિલ્ડ્રન્સ ડે માત્ર મનોરંજનનો દિવસ નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ, તેમની પ્રતિભાને ઉજાગર કરવા અને શાળામાં પ્રેમભર્યું વાતાવરણ પૂરું પાડવાનો પણ દિવસ છે.આ પ્રસંગે શિક્ષકો દ્વારા બાળકોને લર્નિંગ ટૉય્ઝનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોના ચહેરા પર ખુશી છલકાઈ ઉઠી હતી. સમગ્ર કાર્યક્રમ હાસ્ય, મસ્તી અને ઉલ્લાસથી ભરપૂર રહ્યો. કાર્યક્રમના અંતે શિક્ષકો અને સંચાલકોએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ રંગીન ઉજવણી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલ માટે યાદગાર બની રહી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:48 pm

OM મુરુગા સ્કૂલમાં સરદાર પટેલ જયંતિ ઉજવાઈ:ચિલ્ડ્રન્સ ડે નિમિત્તે વિદ્યાર્થીઓએ ચિત્રકલા અને માનવ અક્ષરો બનાવ્યા

OM મુરુગા ઇંગ્લિશ સ્કૂલમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ અને ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું હતું. સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે ચિત્રકલા સ્પર્ધા યોજાઈ હતી. બાળકોએ સરદાર પટેલના સુંદર ચિત્રો દોરી તેમની કલાત્મક પ્રતિભા દર્શાવી. આ ચિત્રોમાં રાષ્ટ્રીય એકતા અને દેશપ્રેમની ભાવના પ્રતિબિંબિત થઈ હતી. ચિલ્ડ્રન્સ ડેની ઉજવણી પણ ઉત્સાહભેર કરવામાં આવી. વિદ્યાર્થીઓએ 'HAPPY CHILDREN’S DAY' એવા માનવ અક્ષરો (Human Letters) રચ્યા હતા. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોએ તેમનો ઉત્સાહ, ટીમવર્ક અને સર્જનાત્મકતા પ્રદર્શિત કરી. આ કાર્યક્રમોમાં શાળાના પ્રિન્સિપાલ વિજેન્દ્ર જૈન ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બાળકોને અભિનંદન પાઠવ્યા અને જણાવ્યું કે બાળકોની સ્મિત, પ્રતિભા અને ઊર્જા જ શાળાની સાચી શક્તિ છે. તેમણે વિદ્યાર્થીઓને સરદાર પટેલના આદર્શો અપનાવી સારા નાગરિક બનવા પ્રેરણા આપી અને ચિલ્ડ્રન્સ ડેની શુભેચ્છાઓ પાઠવી.શાળાના શિક્ષકવૃંદના સક્રિય સહયોગથી આ બંને કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:45 pm

3 વર્ષની બાળકી પર બાઈક ચડાવી દીધી, CCTV:પેટ્રોલની ટાંકી પર પાર્સલ મુકતા આગળ રમતી માસૂમ દેખાઈ નહીં, દવાખાને લઈ જવાના બદલે બાઇકચાલક ભાગી ગયો

સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીમાં ગુરુવારે (13 નવેમ્બર, 2025)ને બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘરની બહાર રમી રહેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને બેફામ રીતે આવી રહેલા એક બાઈકચાલકે બાઈક ચડાવી દેતા તે ઇજાગ્રસ્ત થઈ હતી. અકસ્માત સર્જનારે બાઈક પર જરૂર કરતાં વધુ પાંચ જેટલા કાપડના પાર્સલ ભરેલા હોવાને કારણે તેને આગળ રમી રહેલી બાળકી નજરે ન પડી હતી. જેના લીધે અકસ્માત સર્જાયો હતો. જે બાદ પણ બાળકીને દવાખાને લઈ જવાને બદલે અકસ્માત સર્જનાર બાઈક લઈને ફરાર થઈ ગયો હતો. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. બાઈક પર મુકેલા કાપડના પાર્સલના કારણે રમતી બાળકી દેખાઈ નહીંસુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી મંગલદીપ સોસાયટીની શેરી નંબર ત્રણમાં ઘરની બહાર એક ત્રણ વર્ષની દીકરી રમી રહી હતી. તે દરમિયાન એક બાઈક પર બે વ્યક્તિ સવાર આવ્યા હતા અને તેમની પાસે કુલ પાંચ મોટા કાપડના પાર્સલ હતા. બાઈકચાલકે સ્ટીયરિંગ પર જ બે મોટા પાર્સલ મૂકેલા હતા, જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ત્રણ પાર્સલ પકડ્યા હતા. સ્ટીયરિંગ પર મૂકેલા આ પાર્સલોના કારણે બાઈકચાલકનો રસ્તો જોવા માટેનો વ્યુ બ્લોક થઈ ગયો હતો. પરિણામે, જ્યારે બાઈક સોસાયટીની અંદર આવી ત્યારે તેને રસ્તા પર રમી રહેલી ત્રણ વર્ષની નાની બાળકી દેખાઈ નહોતી અને તેને જોરદાર ટક્કર મારી દીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાળકી નીચે પટકાઈ હતી. બાળકીને હોસ્પિટલ લઈ જવાના બદલે બાઈકચાલક ફરાર થઈ ગયોબાળકીના પિતા, રત્નકલાકાર ચિરાગ દિયોરાએ જણાવ્યું હતું કે, અકસ્માત બાદ બાઈકચાલકે બાળકીને ઊંચકવાની પણ તસ્દી લીધી નહોતી અને તે તુરંત ભાગી ગયો હતો. દીકરીની મા ગર્ભવતી હોવાથી દોડી શકે તેમ ન હતી જેથી બાળકીને તેની દાદીએ ઊંચકી લીધી હતી. હાલમાં બાળકીને ઈજા થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. રેસિડેન્શિયલ સોસાયટીમાં ઇન્ડસ્ટ્રિયલ ખાતાથી સ્થાનિકોમાં ભારે રોષઆ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ સોસાયટીમાં ચાલી રહેલા ગેરકાયદેસર ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું સીધું પરિણામ છે. મંગલદીપ સોસાયટી મૂળભૂત રીતે રહેણાંક (રેસિડેન્શિયલ) સોસાયટી છે, તેમ છતાં અહીં છેલ્લા ઘણા સમયથી 8થી 10 જેટલા ઇન્ડસ્ટ્રિયલ ખાતા (ખાસ કરીને કાપડ સંબંધિત) ચાલી રહ્યા છે. અકસ્માત કરનાર બાઈકચાલક પણ આવા જ એક ઇન્ડસ્ટ્રિયલ ખાતામાંથી કાપડના પાર્સલ લઈને જઈ રહ્યો હતો. આ પાર્સલો જ અકસ્માતનું મુખ્ય કારણ બન્યા હતા. અકસ્માત સ્થળની નજીક જ ત્રણ મકાનો જોડીને એક ઇન્ડસ્ટ્રિયલ ખાતું આવેલું છે. ઇન્ડસ્ટ્રિયલ ખાતાવાળાઓને ખાલી કરવા માટે દોઢ મહિનાનો સમયઆ ગંભીર ઘટના બાદ સોસાયટીના રહીશોમાં ભારે રોષ ફેલાયો છે. સ્થાનિકો છેલ્લા એક વર્ષથી આ રેસિડેન્શિયલ સોસાયટીમાંથી ઇન્ડસ્ટ્રિયલ ખાતાઓને દૂર કરવાની સતત માગ કરી રહ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા કે સ્થાનિક તંત્ર દ્વારા અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. ઘટના બન્યા બાદ તાત્કાલિક સોસાયટીના પ્રમુખ અરવિંદ કાનાણી દ્વારા તાબડતોબ મીટિંગ બોલાવવામાં આવી હતી. અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, આ રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ન જ થવી જોઈએ. આ અંગે અનેકવાર ફરિયાદ પણ કરવામાં આવી છે. મીટિંગમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે અને ઇન્ડસ્ટ્રિયલ ખાતાવાળાઓને તાત્કાલિક ખાલી કરવા માટે દોઢ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. બાઈકચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરીપ્રમુખે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, 'આજે આ ઘટના બની છે, કાલે બીજી કોઈ ઘટના ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે. જો દોઢ મહિનાની સમયમર્યાદામાં આ ખાતા ખાલી નહીં થાય અને ભવિષ્યમાં કોઈ ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ ઇન્ડસ્ટ્રિયલ ખાતાના માલિકોની રહેશે'. સ્થાનિકોની એક જ માગ છે કે, સુરત મહાનગરપાલિકા હવે જાગે અને રહીશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રિયલ ખાતાઓને સીલ કરીને સોસાયટીમાંથી દૂર કરાવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન સર્જાય. બાળકીને ટક્કર માર્યા બાદ ફરાર થયેલા બાઈકચાલક સામે પણ કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:44 pm

મહેસાણાની ખોડિયાર નગર સોસાયટીમાં ચોરી:દંપતી વલસાડ રહેતા દીકરાઓને મળવા ગયુંને તસ્કરો 7 લાખના દાગીના ચોરી ફરાર

શિયાળાની શરૂઆત થતાની સાથેજ મહેસાણા શહેરમાં તસ્કરો સક્રિય બન્યા છે. શહેરમાં પસાભાઈ પેટ્રોલ પમ્પ પાસે આવેલી સોસાયટીમાં રહેતું દંપતી વલસાડ ખાતે રહેતા પુત્રોને મળવા ગયા એ દરમિયાન અજાણ્યા તસ્કરો મકાનના તાળા તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના મળી કુલ 6.50 લાખના મત્તાની ચોરી કરી ફરાર થયા હતા. મકાન માલિક ઘરે આવતા તેઓને ચોરી અંગેની જાણ થતાં તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. દંપતી 9 નવેમ્બરે વલસાડ ગયાં હતાંમહેસાણા શહેરમાં પસાભાઈ પેટ્રોલપંપ પાસે આવેલ ખોડિયાર નગર સોસાયટીમાં મકાન નંબર 11માં રહેતા રમણભાઈ વાઘરીએ મહેસાણા સહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેઓના દીકરા વલસાડ ખાતે રહેતા હોવાથી તેઓ પોતાની પત્ની સાથે 9 નવેમ્બરના રોજ વલસાડ મળવા ગયા હતા અને 12 નવેમ્બરના રોજ ઘરે પરત આવ્યા હતા. પરિવારે ફરિયાદ નોંધાવતાં પોલીસની તપાસ તેજઆ દરમિયાન ઘરના દરવાજાના તાળા તૂટેલા જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. ઘરમાં તપાસ કરતા બેડરૂમમાં આવેલ તિજોરી અને કબાટ તૂટેલ હાલાતમાં હતા. તેમજ બધો સામાન પણ અસ્તવ્યસ્ત પડેલો જોવા મળ્યો હતો. તસ્કરો તિજોરીના લોકરમાં મુકેલ 3 નંગ સોનાની ચેન કિંમત 3 લાખ 50 હજાર, સોનાનું કડું કિંમત 2 લાખ 30 હજાર, સોનાની બુટ્ટી કિંમત 70 હજાર મળી તસ્કરો કુલ 6 લાખ 50 હજાર કિંમતના દાગીના ચોરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ચોરીની ઘટના અંગે તેઓએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:42 pm

મહેશ્વરી સમાજે ભજન કીર્તનનું આયોજન કર્યું:અમદાવાદના નારોલ વિસ્તારમાં કાર્યક્રમ યોજાયો

અમદાવાદના નારોલ વિસ્તારમાં મહેશ્વરી સમાજ દ્વારા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ધાર્મિક કાર્યક્રમ કર્ણાવતી એપાર્ટમેન્ટ 5 ખાતે યોજાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:40 pm

ખેલ મહાકુંભ; કર્વે શાળાના વિદ્યાર્થીઓનો દેખાવ:ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ બીજો ક્રમ મેળવ્યો

શ્રી વી. આર. કર્વે પ્રોગ્રેસિવ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ વિદ્યાર્થીઓએ ખો-ખો રમતમાં તાલુકા કક્ષાએ બીજો ક્રમ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ બદલ કોચ વસંતબેન અને વિજેતા વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:39 pm

વિશ્વ ડાયાબિટીસ દિવસે નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ:ડાયાબિટીસનો પ્રભાવ સૌથી પહેલા આંખના પડદા પર, મેદસ્વિતા વધતા કેસો માટે જવાબદારઃ ડૉ. મોના દેસાઈ

આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે અમદાવાદ મેડિકલ એસોસિએશન (AMA) દ્વારા શહેરભરમાં નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. શહેરના 50થી વધુ ગાર્ડન, 25 આરોગ્ય કેન્દ્રો અને 50 ક્લિનિકોમાં ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશરની તપાસની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. મુખ્ય કાર્યક્રમ પરિમલ ગાર્ડનમાં યોજાયો, જ્યાં ઠંડી હોવા છતા મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી ચેકઅપ કરાવ્યા. સાથે જ ઝુંબા ડાન્સ અને આરોગ્ય જાગૃતિના અન્ય કાર્યક્રમોના પણ આયોજન કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસનું સમયસર નિદાન અત્યંત જરૂરી છેઃ મેયરકાર્યક્રમમાં ઉપસ્થિત મેયર તથા ડોક્ટરોએ વધતા ડાયાબિટીસના કેસો અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું કે, ડાયાબિટીસનું સમયસર નિદાન અત્યંત જરૂરી છે, કારણ કે તે આંખ, હૃદય સહિત અનેક ગંભીર રોગોને જન્મ આપી શકે છે. ખાસ કરીને બાળકોમાં વધી રહેલા પ્રી-ડાયાબિટીસના કેસોને ધ્યાનમાં રાખીને વધુ જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂકાયો. મેદસ્વીપણું ડાયાબિટીસના વધતા કેસો માટે જવાબદારઃ ડૉ. મોના દેસાઈડૉ. મોના દેસાઈએ સમજાવ્યું કે, આજની સ્ટ્રેસફુલ લાઇફસ્ટાઇલ, બાળકોમાં ઘટતી ફિઝિકલ એક્ટિવિટી, વધતું ફાસ્ટ ફૂડ સેવન અને મેદસ્વીપણું ડાયાબિટીસના વધતા કેસો માટે જવાબદાર છે. તેમણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને બાળકોમાં ડાયાબિટીસનું નિદાન મોડું થતું હોવાને કારણે ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. નિયમિત ચેકઅપ દ્વારા આ જોખમને ઘટાડીને ડાયાબિટીસની આડઅસરો અટકાવી શકાય છે, કારણ કે ડાયાબિટીસને ‘સાઇલેન્ટ કિલર’ તરીકે ઓળખવામાં આવે છે. ‘સમયાંતરે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી’સ્ત્રીઓમાં અને ગર્ભાવસ્થામાં ડાયાબિટીસનું પ્રમાણ વધતું હોવા અંગે પણ ડૉ. દેસાઈએ જણાવ્યું કે, લાઇફસ્ટાઇલ, બેડ ફૂડ હેબિટ્સ અને જીનેટિક કારણોસર ડાયાબિટીસનું જોખમ વધી રહ્યું છે. તેમણે લોકોને વિનંતી કરી કે અમે તંદુરસ્ત છીએ એવી ધારણા પર રહેવા કરતાં સમયાંતરે લોહીની તપાસ કરાવવી ખૂબ જ જરૂરી છે. ડાયાબિટીસનો પ્રભાવ સૌથી પહેલા આંખના પડદા પર દેખાયઃ ડો. આદિત્યક્યોર સાઇટ લેઝર સેન્ટરના ડૉ. આદિત્ય દેસાઈએ આંખ પર ડાયાબિટીસના પ્રભાવ અંગે જણાવ્યું કે, ડાયાબિટીસનો પ્રભાવ સૌથી પહેલા આંખના પડદા પર દેખાય છે. ઑક્સિજનની અછતને કારણે પડદામાં નબળી વેસલ્સ બને છે અને તેમાંથી થયેલી લીકેજથી દ્રષ્ટિ પર ગંભીર અસર થાય છે. તેથી 30થી 40 વર્ષની ઉંમર પછી દર વર્ષે આંખનું વિશેષ ચેકઅપ કરાવવું જરૂરી હોવાનું તેમણે જણાવ્યું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:36 pm

બેંક ઓફ બરોડાએ નવી નોટ, સિક્કાનું વિતરણ કર્યું:ગાંધીરોડ શાખા દ્વારા ગ્રાહકોને લાભ અપાયો

બેંક ઓફ બરોડાની ગાંધીરોડ શાખા દ્વારા ગ્રાહકો માટે નવી નોટ અને સિક્કાનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુરુવાર, 13 નવેમ્બર, 2025 ના રોજ યોજાયો હતો. આ વિતરણનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને તાજી નોટો અને સિક્કા ઉપલબ્ધ કરાવવાનો હતો. બેંકના ગ્રાહકોએ આ સુવિધાનો લાભ લીધો અને નવી નોટો તથા સિક્કા મેળવ્યા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:34 pm

કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટનું “Ipositive” ગ્રોથ સેશન:હર્ષલ માંકડ શનિવારે ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઇવ ટ્રેનિંગ આપશે

રાજકોટ સ્થિત કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આગામી તા. 15 નવેમ્બર, શનિવાર, 2025ના રોજ “Ipositive” વિષય પર એક ગ્રોથ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 06:00 થી 08:00 વાગ્યા દરમિયાન યોજાનાર આ સેશનમાં જાણીતા પોઝિટિવ ગ્રોથ કોચ અને મોટિવેશનલ સ્પીકર હર્ષલ માંકડ તાલીમ આપશે. આ સેશન કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટના ઓનલાઈન પ્લેટફોર્મ પર લાઈવ પ્રસારિત થશે. હર્ષલ માંકડ ‘Ipositive’ મૂવમેન્ટના સ્થાપક છે. તેઓ હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં બ્રાન્ચ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત, તેઓ ગુજરાતી ફિલ્મોના અભિનેતા અને પોઝિટિવિટી તથા જીવન સુધારણા પર આધારિત પાંચ ગુજરાતી પુસ્તકોના લેખક પણ છે. તેમના સરળ, અસરકારક સંદેશાઓ અને ઉર્જાસભર પ્રસ્તુતિને કારણે તેમણે હજારો લોકોને પ્રેરણા આપી છે. માંકડ દ્વારા 6F લાઈફ ટ્રાન્સફોર્મેશન ફોર્મ્યુલા દ્વારા અત્યાર સુધી હજારો વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, બિઝનેસમેન અને મહિલા એન્ટરપ્રેન્યોર્સને જીવન અને કારકિર્દીના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તેમના ટ્રેનિંગ સેશનમાં મનસ્થિતિ વિકાસ, આત્મવિશ્વાસ, કોમ્યુનિકેશન સ્કિલ્સ, નાણાકીય શિસ્ત, ફિટનેસ, સ્વતંત્ર વિચારશક્તિ અને પર્સનાલિટી ગ્રોથ જેવા વિષયોનું સરળ ભાષામાં અને અંગત જીવનમાં ઉપયોગ કરી શકાય તેવું માર્ગદર્શન આપવામાં આવે છે. આ “Ipositive” ગ્રોથ સેશનનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિને તેના જીવન, કારકિર્દી અને વ્યવસાયમાં સ્પષ્ટતા, આત્મવિશ્વાસ અને સકારાત્મક ઊર્જા સાથે આગળ વધવા માટે પ્રેરિત કરવાનો છે. સેશનમાં “6F Success Formula”નું સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે, જેમાં પરિવાર સાથેનું સંતુલન, લાગણી અને આત્મવિશ્વાસ, નાણાકીય શિસ્ત, માનસિક-શારીરિક ફિટનેસ, નકારાત્મકતાથી કેવી રીતે દૂર રહેવું અને ફોકસ જેવા છ મુખ્ય વિષયો પર વિગતવાર સમજૂતી આપવામાં આવશે. આ માર્ગદર્શન વ્યક્તિને જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવામાં મદદરૂપ થાય છે. સેશનના અંતે “Goal Setting” દ્વારા 21 દિવસનો “Ipositive” પ્લાન અને દૈનિક ગ્રોથ હેબિટ્સ વિશે માર્ગદર્શન આપવામાં આવશે. હર્ષલ માંકડનું મિશન દરેક વ્યક્તિને મજબૂત, ફોકસ્ડ, આત્મવિશ્વાસી અને સ્વતંત્ર બનવામાં મદદરૂપ થવું તેમજ ‘Ipositive’ મૂવમેન્ટ દ્વારા સમાજમાં સકારાત્મકતાનો પ્રકાશ ફેલાવવાનું છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:30 pm

ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાના બહાને મહિલા સાથે 2 લાખની ઠગાઈ:પહેલાં ગઠિયાએ વિશ્વાસમાં લઈ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી, પછી પૈસા ટ્રાન્સફર કરી લીધા

નવરંગપુરામાં રહેતી મહિલા સાથે છેતરપિંડીની ઘટના બની છે. સાયબર ગઠિયાએ ક્રેડિટ કાર્ડ નંબર એક્ટિવ કરવાનો હોવાનું કહી મહિલાનો સંપર્ક કર્યો હતો. મહિલાને વિશ્વાસમાં લઈને વ્હોટ્સએપ પર આરબીએલ બેંક નામની એપ્લિકેશન લિંક મોકલી હતી. મહિલાએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતા જ સાયબર ગઠિયાએ છેતરપિંડી આચરી છે. મહિલાના ક્રેડિટ કાર્ડમાંથી 1.95 લાખ રૂપિયા અન્ય બેન્ક એન્કાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી દીધા હતા. મહિલાએ એન્કાઉન્ટ ચેક કરતા છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલાને વિશ્વાસમાં લેવા આધાર અને પાનની વિગત જણાવીસાયબર ગઠિયાએ નવરંગપુરામાં રહેલી મહિલાને ફોન કરીને સંપર્ક કર્યો હતો. આર.બી.એલ ક્રિડેટ કાર્ડમાંથી બોલતો હોવાની સાયબર ગઠિયાએ ઓળખાણ આપી હતી. આર.બી. એલ બેંકનું ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવાનું કહી મહિલાના આધારકાર્ડ, પાનકાર્ડ સહિતની વિગતો જણાવી હતી. માહિતી સાચી હોવાથી આર.બી.એક બેંકમાંથી જ ફોન આવ્યો હોવાનો વિશ્વાસ થયો હતો. જે બાદ સાયબર ગઠિયાએ કોલ ચાલુ રાખી મહિલાને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો હતો. મહિલાએ એપ ઈન્સોટલ કરતાં ફોન કટ કરી દીધોમહિલાને વ્હોટ્સએપમાં આર.બી.એલ બેન્કની લિંક મોકલવામાં આવી હતી. જે લિંક પર ક્લિક કરીને મહિલાને આર.બી.એલ બેન્કની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા કહ્યું હતું. જેવું જ મહિલાએ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી વેરિફાઈ કરવામાં ઓપ્શન પર ક્લિક કરતા જ સાયબર ગઠિયાએ ફોન કટ કરી દીધો હતો. જેની થોડી મિનિટ બાદ જ ક્રેડિટ કાર્ડમાંથી 1.95 લાખ અજાણ્યા બેંક એકાઉન્ટમાં ડેબિટ થયા હોવાનો મેસેજ આવ્યો હતો. અચાનક પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થતા મહિલાએ તાત્કાલિક ક્રેડીટ કાર્ડ બ્લોક કરાવી દીધું હતું. તેમજ સાયબર ફ્રોડ થયું હોવાનું સામે આવતા મહિલાએ સાઇબર ક્રાઇમ હેલ્પલાઇનમાં અરજી પણ દાખલ કરી હતી. જે બાદ મહિલાએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરોધ ફરિયાદ પણ નોંધાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:30 pm

આયુર્વેદિક વનસ્પતિઓ:જાણો કઈ વનસ્પતિ કયા રોગમાં ઉપયોગી છે

આપણા રોજિંદા જીવનમાં અનેક એવી વનસ્પતિઓ છે જે ઔષધીય ગુણધર્મો ધરાવે છે. આ વનસ્પતિઓ વિવિધ રોગોમાં રાહત આપવા માટે સદીઓથી ઉપયોગમાં લેવાય છે. ચાલો જાણીએ કેટલીક મુખ્ય ઔષધીય વનસ્પતિઓ અને તેના ઉપયોગો વિશે. તુલસી મેલેરિયા, વાયરલ ઇન્ફેક્શન, તાવ અને શરદી જેવા રોગોમાં રાહત આપે છે. તેવી જ રીતે, લીલી ચા પણ વાયરલ ઇન્ફેક્શન અને શરદીમાં ફાયદાકારક સાબિત થાય છે.પેટના દુખાવા માટે અજમો શ્રેષ્ઠ માનવામાં આવે છે. ફુદીનો અગ્નિમાંદ્ય, પેટનો દુખાવો, શરદી અને તાવમાં ઉપયોગી છે. ગળો જૂના તાવ, એસિડિટી, ગાઉટ અને વૃદ્ધાવસ્થા સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે. કુવારપાઠુ દાઝવા પર, સૌંદર્ય સંબંધિત રોગો અને સ્ત્રી રોગોમાં ઉપયોગી છે.અરડૂસી શરદી, ખાંસી, દમ અને નસકોરી ફૂટવા સમયે રાહત આપે છે. હાડસાંકળ કેલ્શિયમ વધારતું હોવાથી સાંધાના રોગોમાં ઉપયોગી છે, જ્યારે નગોડ વા અને વાળના રોગોમાં ફાયદાકારક છે. બ્રાહ્મી યાદશક્તિ વધારવા માટે જાણીતી છે. સાટોડી મૂત્રરોગોમાં અથવા સોજો થયો હોય ત્યારે કામ લાગે છે. અશ્વગંધા વજન વધારવા અને ઊંઘ લાવવા માટે ઉપયોગી છે.ગરમાળો કબજિયાત અને ચામડીના રોગો મટાડે છે. આંકડો શ્વાસના રોગો અને વા જેવા રોગોમાં ઉપયોગી નીવડે છે. લીમડો ચામડીના રોગો અને દાંતના રોગોમાં ફાયદાકારક છે. દૂધી ચરબી ઘટાડવા, પિત્તશામક તરીકે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ઉપયોગી થાય છે. જાસુદ રક્તસ્ત્રાવ ઘટાડવા અને વાળના સૌંદર્ય માટે ઉપયોગી છે. ભોંયરીંગણી ખાંસી મટાડવા માટે ઉપયોગમાં લેવાય છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:29 pm

14 નવેમ્બર બાળ દિવસની ઉજવણી:ચાચા નહેરુના જન્મદિવસે બાળ અધિકારોની જાગૃતિનો સંદેશ

દર વર્ષે 14 નવેમ્બરનો દિવસ 'બાળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા 20 નવેમ્બર, 1954ના રોજ બાળ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ભારતમાં શરૂઆતમાં 20 નવેમ્બરે બાળ દિવસ મનાવવામાં આવતો હતો. જોકે, 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ, બાળકો પ્રત્યેના તેમના પ્રેમને ધ્યાનમાં રાખીને સર્વસંમતિથી નિર્ણય લેવાયો કે હવેથી દર વર્ષે 14 નવેમ્બરના રોજ, ચાચા નહેરુના જન્મદિવસ પર, બાળ દિન મનાવવામાં આવશે. ત્યારથી દર વર્ષે 14 નવેમ્બરે બાળ દિવસ ઉજવાય છે. આ દિવસનો મુખ્ય હેતુ બાળ અધિકારો પ્રત્યે લોકોને જાગૃત કરવાનો છે. એક બાળકનું મન કુમળું હોય છે. વર્તમાન સમયમાં ક્યાંક બાળકોના મન સાથે ચેનચાળા કરીને તેમને પૈસા કે અન્ય કોઈ વસ્તુની લાલચમાં ખોટા કામો કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. ઘણી વખત તો આ કામ બાળકોના માતા-પિતા દ્વારા જ કરવામાં આવે છે, જે ખરેખર ખૂબ દયનીય બાબત છે. બાળકને બાળક સમા જ રહેવા દેવું જોઈએ. માતા-પિતાએ ક્યારેય પણ પોતાના અંગત સ્વાર્થ માટે બાળકોનું જીવન ન બગાડવું જોઈએ કે તેઓ માનસિક રીતે ઉદાસીન થાય તેવું ન થવા દેવું જોઈએ. બાળકોને યોગ્ય શિક્ષણ, પોષણ અને સંસ્કાર મળે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે બાળકો દેશનું ભવિષ્ય છે. બાળકના સારા ભવિષ્ય, સર્વાંગી વિકાસ તથા તેના મૂળભૂત હકોના રક્ષણ માટે કટિબદ્ધ થવા બાળ દિવસ સમગ્ર વિશ્વભરમાં ઉજવાય છે. આપણા દેશમાં બાળ દિવસને મસ્તી અને આનંદના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. જોકે, ભણવાની ઉંમરે કામ કરતા બાળકોની સંખ્યા આપણા દેશમાં ઘણી છે. આ બાબતે કાયદો તો છે, પણ અમલવારી ન થવાથી બાળ મજૂરી પ્રથા આજે પણ ચાલુ છે. આ બાળ દિવસે સૌએ આ તરફ ચિંતા કરવાની જરૂર છે. બાળકોને નાગરિક તરીકે વિકસવાનો અધિકાર છે. બાળકોને વિકસવા માટે સુરક્ષિત અને પ્રેમાળ વાતાવરણ પ્રદાન કરવાની સાથે વિશાળ અને સમાન તકો આપવી જોઈએ, જેથી તેઓ રાષ્ટ્રના વિકાસમાં લાંબા ડગલા ભરી શકે. બાળકનો શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકાર છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:24 pm

જાગૃતિ વિદ્યાલય વારેડા વિજ્ઞાન મેળામાં પ્રથમ:એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાન મેળામાં શાળાએ ગૌરવ વધાર્યું

પાટણની વી.કે. ભૂલા હાઈસ્કૂલમાં આજે એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો હતો. આ મેળામાં સરસ્વતી તાલુકાની જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વારેડાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.શાળાએ વિભાગ 1 માં આ સિદ્ધિ મેળવીને ગૌરવ વધાર્યું છે. હવે આ શાળા જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:22 pm

બોમ્બે મેટલ શાળાના 470 બાળકોને તિથિ ભોજન અપાયું:દિવંગત દિવાનસિંહ ગુલાબસિંહની યાદમાં પરિવારે ભોજન કરાવ્યું

બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ 8 સુધીના 470 વિદ્યાર્થીઓને 13 નવેમ્બર, 2025ના રોજ તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજનમાં બુંદી, પૂરી અને શાક પીરસવામાં આવ્યું હતું. આ તિથિ ભોજન શાળાના વિદ્યાર્થીઓ ઝાલા કૃપાલી શૈલેન્દ્ર સિંહ અને તેજસ્વિનીબા શૈલેન્દ્ર સિંહના નાના સ્વર્ગસ્થ દરબાર દિવાનસિંહ ગુલાબસિંહના આકસ્મિક અવસાનની યાદમાં યોજાયું હતું. તેમના પરિવારજનો, ખાસ કરીને વાલી નર્મદાબા દિવાનસિંહ દરબાર દ્વારા શાળાના તમામ બાળકો માટે આ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. શાળાની પરંપરા મુજબ, ભોજન પહેલાં તમામ બાળકોએ 'ॐ સહનાવવતુ...' પ્રાર્થના કરી હતી. ભોજનના અંતે માતા અન્નપૂર્ણાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સ્વર્ગસ્થ દરબાર દિવાનસિંહ ગુલાબસિંહના પવિત્ર આત્માની શાંતિ માટે મૌન પણ પાળવામાં આવ્યું હતું. તિથિ ભોજનના દાતા અને તેમના પરિવારજનોએ હાજર રહીને બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યું હતું અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવ્યા હતા. ભવિષ્યમાં પણ કોઈપણ મદદની જરૂરિયાત માટે ખાતરી આપવામાં આવી હતી. શાળાના તમામ બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક અને શાંતિથી આ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો હતો. શાળા પરિવારે તિથિ ભોજનના દાતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:20 pm

ગળામાં ગાળિયો નાખતા મગરે ફૂંફાડા માર્યા:વરણામા ગામ પાસે 10 ફૂટનો મહાકાય મગર આવી જતા દોડધામ, માંડ-માંડ પાજરે પૂર્યો

વડોદરા શહેર જિલ્લામાં અવાર નવાર મગરો દેખાવાના બનાવો દિન પ્રતિદિન સામે આવી રહ્યા છે. આજે(14 નવેમ્બર) વડોદરા પાસે આવેલા વરણામા ગામમાં 10 ફૂટનો મહાકાય મગર દેખાતા લોકો ચોકી ઉઠ્યા હતા. આ મહાકાય મગર જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જો કે આ અંગેની જાણ વનવિભાગને કરતા તાત્કાલિક ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ 10 ફૂટના મહાકાય મગરનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 10 ફૂટનો મગર આવી જતા દોડધામચોમાસાની સીઝન પૂરી થઈ ગઈ છે, છતાં પણ વડોદરા શહેર જિલ્લામાં વિશ્વામિત્રી નદી કે તેના પટ વિસ્તારમાં મગર માઇગ્રેટ કરી રહેણાંક વિસ્તારમાં આવી જતા હોય છે. ત્યારે વડોદરા પાસે આવેલા વરણામા ગામમાં મહાકાય 10 ફૂટનો મગર આવી જતા લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. વન વિભાગની ટીમના નીતિન પટેલ, લાલુ નિઝામા, સંજય રાજપૂત અને સુભાષ સહિતની ટીમે તાત્કાલિક પહોંચી ભારે જહેમત બાદ મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. ગળામાં ગાળિયો નાખતા મગરે ફૂફાડા માર્યાઆ કામગીરી દરમિયાન મહાકાય મગરના ગળામાં ગાળિયો નાખતા તે ખિજાયો હતો અને પાંજરે પૂરે તે પહેલા ફૂંફાડા મારતા લોકો ફફડ્યા હતા. મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગરના હુમલામાં મોત થાય તો સરકાર 4 લાખનું વળતર ચૂકવે છેમગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:14 pm

અમદાવાદમાં હિટ એન્ડ રનમાં સિક્યુરિટી ગાર્ડનું મોત:રાત્રે ચા પીવા જતા રોડ ક્રોસ કરતા વાહને ટક્કર મારી, નીચે પડતા જ અન્ય કોઈ વાહનનું વ્હીલ માથા પરથી ફરી વળ્યું

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં કાંકરિયા રોડ પર ન્યુ ગ્રીન માર્કેટ પાસે મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બની હતી. ન્યુ ગ્રીન માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા વૃદ્ધ રાત્રે ચા પીવા માટે જતા હતા ત્યારે રોડ ક્રોસ કરવા જતા અજાણ્યા વાહન ચાલકે તેઓને ટક્કર મારી હતી જેમાં તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી. આ મામલે ટ્રાફિક પોલીસ દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. રાત્રે 3 વાગ્યે સિક્યુરિટી ગાર્ડને ટક્કર મારી વાહન ચાલક ફરારમળતી માહિતી મુજબ ખોખરા વિસ્તારમાં કે.કા.શાસ્ત્રી કોલેજ પાસે આવેલી હિંમતલાલ બાપાલાલ પરમારની ચાલીમાં રમણભાઈ ડાયાભાઈ પરમાર (ઉ. વ. 70) તેમના પરિવાર સાથે રહેતા હતા. રમણભાઈ ખોખરા કાંકરિયા રોડ પર આવેલી ન્યુ ગ્રીન માર્કેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. 13 નવેમ્બરે રાત્રે તેઓ ગ્રીન માર્કેટ ખાતે નોકરીએ ગયા હતા. મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ તેઓ ચા પીવા માટે જતા હતા ત્યારે રોડ પર કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. વાહનનું વ્હીલ માથા ઉપરથી ફરી વળ્યુંરમણભાઈને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી નીચે પાડી દેતા કોઈ વાહનનું વ્હીલ તેમના માથા ઉપરથી ફરી વળ્યું હતું. જેના કારણે આખું માથું ચગદાઈ ગયું હતું અને તેમનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. ઘટનાના પગલે રાત્રે ત્યાંથી પસાર થતાં લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. જેથી ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. ટ્રાફિક પોલીસે આ મામલે મૃતદેહને PMની કાર્યવાહી માટે મોકલી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 12:06 pm

સાબર ઘીના ભાવમાં ભડકો GST ઘટાડાનો લાભ છીનવાયો:15 કિલો ડબ્બા પર ₹750, 1 કિલો પર ₹50 વધ્યા; આજથી અમલ

તહેવારોની સીઝન અને લગ્નસરાની મોસમ પૂર્વે જ ગૃહિણીઓ અને ગ્રાહકો પર મોંઘવારીનો વધુ એક બોજ આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાની સાબરડેરી દ્વારા 'સાબર ઘી'ના ભાવમાં મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આશ્ચર્યજનક રીતે, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા GST દરોમાં ઘટાડો કરાયા બાદ ગ્રાહકોને જે રાહત મળી હતી, તેના કરતાં પણ મોટો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. સાબરડેરીએ 15 કિલો લૂઝ ઘીના ડબ્બા પર ₹750 અને એક કિલો લૂઝ ઘી પર ₹50નો વધારો કર્યો છે. આ નવા ભાવ આજથી, શુક્રવારથી, અમલમાં મૂકવામાં આવ્યા છે. GST ઘટાડાનો લાભ ગ્રાહકોને ન મળ્યોઆ સમગ્ર ભાવ વધારાની સમયરેખા સમજવી જરૂરી છે. મળતી માહિતી મુજબ, ગત 22 સપ્ટેમ્બર 2025 પહેલા સાબર લૂઝ ઘીના 15 કિલોના ડબ્બાનો ભાવ ₹9000 હતો, જ્યારે એક કિલો લૂઝ ઘી ₹600માં મળતું હતું. ત્યાર બાદ, કેન્દ્ર સરકાર દ્વારા ઘી પર GST દરોમાં ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટાડાનો લાભ ગ્રાહક સુધી પહોંચાડતા, સાબરડેરીએ 23 સપ્ટેમ્બર 2025થી ભાવ ઘટાડ્યા હતા. 15 કિલોના ડબ્બા પર ₹600નો ઘટાડો થતાં નવો ભાવ ₹8400 થયો હતો, અને એક કિલો પર ₹40નો ઘટાડો થતાં ભાવ ₹560 થયો હતો. રાહત કરતાં મોટો વધારો ઝીંકાયોજોકે, ગ્રાહકોને મળેલી આ રાહત બે મહિના પણ ટકી શકી નથી. સાબરડેરી દ્વારા ગુરુવારે ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી, જેનો આજથી અમલ શરૂ થયો છે. ડેરીએ 15 કિલો ઘીના ડબ્બા પર સીધો ₹750નો તીવ્ર વધારો કર્યો છે, જેના કારણે ₹8400માં મળતો ડબ્બો હવે ₹9150 માં મળશે. તેવી જ રીતે, એક કિલો લૂઝ ઘીના ભાવમાં ₹50નો વધારો થતાં, ₹560માં મળતું એક કિલો ઘી હવે ગ્રાહકોને ₹610માં પડશે. આમ, GST ઘટાડા પહેલા ગ્રાહકો ડબ્બા દીઠ ₹9000 ચૂકવતા હતા, જે હવે ₹9150 ચૂકવશે. સ્પષ્ટપણે, GST ઘટાડાનો સંપૂર્ણ લાભ માત્ર ધોવાયો જ નથી, પરંતુ ગ્રાહકો પર વધારાનો બોજ પણ પડ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:51 am

બિહારમાં તેજસ્વી યાદવની હારના 5 કારણો, ટિકિટ વહેંચણીમાં જ્ઞાતિવાદ ભારે પડ્યો!

5 Key Reasons Behind RJD’s Loss: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામો નજીક છે, જ્યાં જનતાએ તેજસ્વી યાદવ અને RJDને મોટો આંચકો આપ્યો છે. 14 નવેમ્બરે સવારે 10:45ના વલણો મુજબ, NDA 185 બેઠકો પર મજબૂત છે, જ્યારે મહાગઠબંધન 54 બેઠકો પર સમેટાઈ રહ્યું છે. ખુદ તેજસ્વી પોતાની બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. જનતાએ મહાગઠબંધનને માત્ર હરાવ્યું નથી, પરંતુ સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે. જે પક્ષો બરાબરીની ટક્કરનો દાવો કરતા હતા, તેઓ આ રીતે કેમ ધરાશાયી થયા, તેના કારણો જોઈએ.

ગુજરાત સમાચાર 14 Nov 2025 11:47 am

બિહાર ચૂંટણી-છઠ પૂજા બાદ પણ 30%થી વધુ કામદારોની અછત:પાછા લાવવા ટિકિટ ભાડા મોકલાઈ રહ્યા છે, અહીં કામ કરતા કામદારોને ડબલ પગાર આપવાની પણ તૈયારી

સુરતનો ધમધમતો ટેક્સટાઇલ ઉદ્યોગ હાલમાં એક મોટા સંકટનો સામનો કરી રહ્યો છે. દિવાળી પર્વ અને ત્યારબાદ બિહારમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના કારણે વતન ગયેલા બિહારના કારીગરોની મોટી અછત સર્જાઈ છે. ખાસ કરીને બિહાર ચૂંટણીના કારણે શ્રમિકોના પરત આવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેને પગલે ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલોનું ઉત્પાદન ખોરવાઈ ગયું છે. લેબરની અછત એટલી હદે વધી છે કે મિલ માલિકોને હવે કામદારોને સુરત પરત લાવવા માટે સામેથી ટિકિટ ભાડું મોકલી આપવાની નોબત આવી છે. ચૂંટણી બાદ પણ કારીગરો પરત ફર્યા નથીદક્ષિણ ગુજરાત પ્રોસેસિંગ હાઉસ એસોસિયેશનના પ્રમુખ જીતુ વખારિયાએ આ ગંભીર પરિસ્થિતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, બિહારની ચૂંટણી અને છઠ પૂજા જેવા મોટા પર્વને કારણે મોટી સંખ્યામાં કારીગરો ઉધના સ્ટેશન પરથી એક્સ્ટ્રા ટ્રેનો દ્વારા વતન ગયા હતા. યુપીના શ્રમિકો ધીમે ધીમે પરત આવી રહ્યા છે, પરંતુ બિહારની ચૂંટણી 11 તારીખે પૂર્ણ થયા બાદ પણ, ઘણા કારીગરો હજુ પણ પરત ફરવા માટે તૈયાર નથી. 30%થી વધુ કામદારોની મિલોમાં અછતવખારિયાના જણાવ્યા અનુસાર, હાલમાં ઓછામાં ઓછા 30%થી વધુ કામદારોની મિલોમાં અછત વર્તાઈ રહી છે. પરિણામે, જે પ્રિન્ટિંગ મશીન પર સામાન્ય રીતે આઠથી દસ માણસોની જરૂર હોય છે, ત્યાં અત્યારે માંડ ચારથી છ માણસોથી કામ ચાલી રહ્યું છે. વધેલા પગાર છતાં કામદારોનો થાક, લેબરની ગેરહાજરીને પહોંચી વળવા માટે મિલ માલિકોએ એક કામચલાઉ ઉકેલ અપનાવ્યો છે. જે કામદારો રોકાયેલા છે, તેઓ બીજા શ્રમિકોનું પણ કામ કરી લેવા તૈયાર થાય તો માલિકો તેમને વધારાનો એટલે કે ડબલ પગાર આપવા પણ સંમત થયા છે. કામદારોને ડબલ પગાર આપવા પણ તૈયારીતેઓએ જણાવ્યું હતું કે,અમે ઇન્ડસ્ટ્રીમાં નક્કી કર્યું છે કે જે કામદાર નથી એની ગેરહાજરીમાં બીજા ડબલ કામ કરતા હોય તો તેમણે ડબલ પગાર આપીએ. પણ ત્યાર પછી પણ દરેક માણસની પોતાની કેપેસિટી હોય છે કામ કરવાની,એટલે બે દિવસ કામ કરે, ત્રીજે દિવસે પાછા થાકે. હાલમાં જે રીતે ઇન્ડસ્ટ્રીની પરિસ્થિતિ છે એ જોતા અછત તો ઘણી વધારે છે. 60% ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો જ શરૂપ્રાપ્ત માહિતી અનુસાર, દિવાળી વેકેશન બાદ હાલમાં ફક્ત 60% જેટલી ડાઈંગ અને પ્રિન્ટિંગ મિલો જ શરૂ થઈ શકી છે, અને તેમાં પણ કારીગરોના અભાવે ફક્ત 50% જેટલું જ કામકાજ ચાલી રહ્યું છે. આ સમસ્યાને વધુ ગંભીર બનાવનારું પરિબળ એ છે કે આગામી સમયમાં પોંગલ અને ઈદ માટે મિલોમાં પ્રોગ્રામની ઇન્ક્વાયરીઓ શરૂ થઈ ગઈ છે, જેના કારણે માલની ડિમાન્ડ વધવાની છે. કારીગરોને પરત લાવવા ટિકિટ ભાડા મોકલાઈ રહ્યા છેઆ સંજોગોમાં, મિલ માલિકો અને લેબર કોન્ટ્રાક્ટરો વચ્ચે કારીગરોને પરત લાવવા માટે ટિકિટ ભાડાના પૈસા આપવાનો વ્યવહાર શરૂ થયો છે. કોન્ટ્રાક્ટરો વતન ગયેલા શ્રમિકોનો સંપર્ક કરી રહ્યા છે, ત્યારે શ્રમિકો દ્વારા ભાડાની વ્યવસ્થા ન હોવાનું કારણ આપવામાં આવે છે. આથી, કોન્ટ્રાક્ટરો દ્વારા મિલ માલિકો પાસે ટિકિટ ભાડા સહિતની વ્યવસ્થા કરવા માટે રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી રહી છે, જેને મિલ માલિકો સ્વીકારીને પૈસા મોકલી રહ્યા છે. કારીગરોની અછત વચ્ચે ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સારા સમાચારબીજી બાજુ, ટેક્સટાઇલ ઉદ્યોગ માટે સારા સમાચાર એ છે કે મેરેજની સીઝન પૂરજોશમાં શરૂ થવાની છે. આ ઉપરાંત, દિવાળી પહેલા ભારે વરસાદ પડવાને કારણે અટવાયેલો માલ અને ડિમાન્ડ હવે નોર્થ અને ઈસ્ટ સહિત તમામ બજારોમાંથી મોટા પાયે નીકળી રહી છે. સુરતની માર્કેટ બીજે ડાઇવર્ટ થવાનું જોખમજીતુ વખારિયાએ જણાવ્યું કે, અત્યારે માલની ડિમાન્ડ સારામાં સારી નીકળેલી છે. આવા સંજોગોમાં જો કામદાર નહીં આવે તો સુરતની માર્કેટ બીજે ડાઇવર્ટ થાય એવું છે. જો આગામી સપ્તાહ સુધીમાં કારીગરો મોટી સંખ્યામાં પરત નહીં ફરે તો સમયસર ઓર્ડર પૂરા કરવામાં મુશ્કેલી સર્જાશે અને સુરતનો વેપાર અન્ય હરીફ માર્કેટ્સમાં જઈ શકે છે. મિલ માલિકો હાલમાં ટિકિટ ભાડાના પૈસા આપીને પણ વહેલી તકે કારીગરોને પરત લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, જેથી મેરેજ સીઝનની ડિમાન્ડને પૂરી કરી શકાય.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:21 am

ભરૂચના ભોલાવમાં વિકાસના કામોને વેગ:1.60 કરોડના રોડનું ખાતમુહૂર્ત, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિકાસનો નવો અધ્યાય શરૂ

ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં રૂ. 1.60 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ભોલાવ સંજય કોલોનીથી નર્મદા કોલોની સુધીના આ માર્ગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે યોજાયું હતું. આ પ્રોજેક્ટ શહેરી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરિયા, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના આગેવાનો અને ભોલાવ વિસ્તારના મોટી સંખ્યામાં રહીશો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર લોકોની મૂળભૂત સુવિધાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું કે ભોલાવ વિસ્તાર છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપી વિકાસ કરી રહ્યો છે અને આ રોડના નિર્માણથી સંજય કોલોની તથા નર્મદા કોલોની વચ્ચેના પરિવહનમાં સુવિધા વધશે. મિસ્ત્રીએ વધુમાં જણાવ્યું કે વરસાદી મોસમમાં કાદવ અને ખરાબ રસ્તાને કારણે રહેવાસીઓને થતી મુશ્કેલીઓ હવે દૂર થશે. તેમણે બાકી રહેલા વિકાસ કાર્યોને પણ તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને સૂચના આપી છે.સ્થાનિક રહીશોએ ધારાસભ્ય અને આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે વિસ્તારની જરૂરિયાતોને સમજીને સતત વિકાસ કાર્યો આગળ ધપાવવામાં આવી રહ્યા છે. ભવિષ્યમાં ભોલાવ વિસ્તારને વધુ આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે અનેક યોજનાઓ હાથ ધરાશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કરાયો હતો.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:19 am

SOGએ ચેઈન સ્નેચિંગના આરોપીને મુદ્દામાલ સાથે ઝડપ્યો:હિંમતનગરમાં જાદર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાનો ભેદ ઉકેલાયો

સાબરકાંઠા SOG એ હિંમતનગરમાં ચેઈન સ્નેચિંગના એક આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી જાદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો હતો. તેની પાસેથી ચોરીનો સોનાનો દોરો અને ગુનામાં વપરાયેલું મોટરસાયકલ જપ્ત કરવામાં આવ્યું છે. SOG સ્ટાફ જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ચેઈન સ્નેચિંગના ગુના સંબંધે કમાન્ડ કંટ્રોલના CCTV ફૂટેજનો અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ગુનામાં ઉપયોગમાં લેવાયેલા મોટરસાયકલ (રજી. નં. GJ 02 EB 5730)ની ઓળખ થઈ હતી. દિલ્હીમાં બનેલા બોમ્બ બ્લાસ્ટને કારણે આપવામાં આવેલી તકેદારીના ભાગરૂપે SOG સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન, હિંમતનગર સિવિલ સર્કલ વિસ્તારમાં SOG ને ખાનગી બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે, પ્રાંતિજનો રાજ કમલેશભાઈ ભોઈ (ઉં.વ. 22, રહે. ભોઈવાસ, પ્રાંતિજ) તેના મોટરસાયકલ (GJ 02 EB 5730) પર ચોરીનો મુદ્દામાલ લઈને હિંમતનગર બસ સ્ટેશનથી ન્યાય મંદિર તરફ જવાનો છે. આ બાતમીના આધારે, હિંમતનગરના ઈડર રોડ પર આવેલી જિલ્લા જેલ આગળ વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન આરોપી રાજ કમલેશભાઈ ભોઈને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની અંગઝડતી લેતા, તેની પાસેથી 7.990 ગ્રામ વજનનો તૂટેલો સોનાનો દોરો (કિંમત રૂ. 91,885) મળી આવ્યો હતો. પૂછપરછ દરમિયાન, આરોપીએ કબૂલ્યું હતું કે તેણે અને તેના મિત્ર સાગર ઠાકોરે હિંમતનગર-ઈડર રોડ પર હિંગળાજ ગામ નજીક એક મહિલાના ગળામાંથી આ સોનાનો દોરો ખેંચી લીધો હતો. આ ગુના અંગે જાદર પોલીસ સ્ટેશનમાં ચેઈન સ્નેચિંગનો ગુનો નોંધાયો હતો. SOG દ્વારા આરોપી અને જપ્ત કરાયેલો મુદ્દામાલ વધુ કાર્યવાહી માટે હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 7.990 ગ્રામ સોનાનો દોરો (રૂ. 91,885) અને બજાજ કંપનીનું મોટરસાયકલ (રૂ. 70,000) સહિત કુલ રૂ. 1,61,885 નો મુદ્દામાલ શામેલ છે. પકડાયેલા આરોપીનું નામ રાજ કમલેશભાઈ ભોઈ (ઉં.વ. 22, રહે. ભોઈવાસ, પ્રાંતિજ, જી. સાબરકાંઠા) છે. આ ગુનામાં સંડોવાયેલો અન્ય આરોપી સાગર ઠાકોર (રહે. લાકરોડા, તા. માણસા, જી. ગાંધીનગર) હજુ ફરાર છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:19 am

સાયલા-સુદામડામાં PGVCL સાથે પોલીસનું મેગા ઓપરેશન:રૂ. 60 લાખનો વીજદંડ, 13 વાહન ડિટેઇન, રૂ. 9300નો રોકડ દંડ વસૂલાયો

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સાયલા અને સુદામડા ગામમાં PGVCL ટીમ સાથે રાખીને ડે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહીમાં આશરે 60 લાખ રૂપિયાનો વીજચોરી દંડ વસૂલવામાં આવ્યો હતો, જ્યારે 13 વાહન ડિટેઇન કરાયા અને 9,300 રૂપિયાનો રોકડ દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ (IPS)ના નેતૃત્વ હેઠળ, નાયબ પોલીસ અધિક્ષક વી.એમ. રબારી, સુરેન્દ્રનગર જિલ્લા LCB અને SOG ટીમો, તેમજ લીંબડી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ 70 પોલીસકર્મીઓની ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ PGVCLના 90 અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ ઓપરેશન દરમિયાન, અસામાજિક અને માથાભારે તત્વોના રહેણાંક મકાનો પર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગેરકાયદેસર વીજ કનેક્શન મળી આવતા, સંબંધિત ધારકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને આશરે 60 લાખ રૂપિયાનો વીજ કનેક્શન દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત, સાયલા પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને સઘન ટ્રાફિક તથા વાહન ચેકિંગ પણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આશરે 13 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને વાહનચાલકો પાસેથી મોટર વાહન અધિનિયમ હેઠળ કુલ 9,300 રૂપિયાનો રોકડ દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસે સાયલા વિસ્તારમાં અસામાજિક તત્વો, MCR (મોસ્ટ ક્રિમિનલ રેકોર્ડ) અને HS (હિસ્ટ્રી શીટર) ઇસમો, માથાભારે તત્વો અને જાણીતા જુગારીઓના રહેણાંક મકાનોની પણ તપાસ કરી હતી. કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કે વસ્તુ મળી આવ્યે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:18 am

ટ્રકે ટક્કર મારતા કાર પલટી:પાલનપુર-ડીસા હાઈવે પરના દેવપુરા બ્રિજ પાસે અકસ્માત, કાર ચાલક ઘાયલ

પાલનપુર-ડીસા હાઈવે પર દેવપુરા બ્રિજ નજીક આજે વહેલી સવારે કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ટ્રકે કારને ટક્કર મારતા કાર પલટી મારી ગઈ હતી, જેના કારણે કાર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પાલનપુરના દેવપુરા પાટિયા નજીક આવેલા બ્રિજ પર ટ્રકે આગળ જઈ રહેલી કારને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર ફંગોળાઈને પલટી મારી ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલકને ગંભીર ઈજાઓ થતા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. અકસ્માતને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે, ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે આ વધુ એક ઘટનાએ ચિંતા જગાવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:13 am

ગાડી ચાલકે સાઈડ કાપવા હોર્ન મારતાં ચિરાગ પટ્ટણી ઉશ્કેરાઈ ગયો:પાટણમાં રોડ પર છરી ફેરવતા જતા શખ્સનો ગાડી ચાલક પર હમલો

પાટણમાં બળીયાપાડા વિસ્તારમાં સરેઆમ રોડ પર છરી ફેરવતા ફેરવતા જઈ રહેલા એક શખ્સને એક વાહન ચાલક યુવાને તેની સાઈડ કાપવા માટે હોર્ન વગાડતાં છરી લહેરાવતા જઈ રહેલા શખ્સે ઉશ્કેરાઈ જઈને ગાળો બોલી ગાડીનો દરવાજો ખોલીને ગાડી ચાલક 21 વર્ષિય યુવાન ઉપર છરીથી હુમલો કરીને હાથની કલાઈઅને ખભાની નીચેનાં ભાગે પીઠ પર છરીઓ મારતાં ઈજાઓ પહોંચી હતી. હુમલાખોર ધમકીઓ આપી ત્યાંથી જતો રહયો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે 108 માં પાટણની ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તેણે પાટણ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવની વિગતો એવી । છે કે, પાટણનાં રાજકાવાડા બળીયાપાડા રોડ પર રહેતા જામીન હમીદભાઈ શેખ (ઉ.વ.ર૧) તા. ૧૨- ૧૧-ર૫નાં રોજ બપોરના સુમારે તેની ગોકુલ નમકીનની ગાડી શહેરનાં બળિયાપાડા ખાતેનાં ચોકમાં પાર્ક કરી ઘેર જમીને પોતાની ગાડી લઈને સદારામ એસ્ટેટ જતો હતો.ત્યારે પાટણના રાધનપુરી વાસ પાસે પહોંચતાં તેની ગાડીની આગળ રોડ પર આ વિસ્તારમાં જ રહેતો ચિરાગ રમણભાઈ પટ્ટણી તેનાં હાથમાં છરી ફેરવતો ફેરવતો રોડ પર ચાલતો જતો હતો. આથી જામીન શેખે તેની સાઈડ કાપવા માટે તેની ગાડીનો હોર્ન વગાડતાં ઉશ્કેરાયેલા ચિરાગે તેને ગાળો બોલીને રોડ વચ્ચે ઉભો રહીને છરી સાથે આવીને જામીનની ગાડીનો દરવાજો ખોલી છરીથી તેની પર હુમલો કરી છરીથી ઈજાઓ કરી ગડદાપાટુનો માર મારીને ધમકીઓ આપી હતી કે, આજે તો તુ બચી ગયો છે, પણ લાગ આવે તો તને જાનથી મારી નાંખીશ. તેમ કહીને ધમકી આપી જતો રહયો હતો. ઈજાગ્રસ્ત જામીનને વધારે વાગેલું હોવાથી અને લોહી નિકળતું હોવાથી તે તેની ગાડી લઈને પોલીસ સ્ટેશન જતો હતો ત્યારે તેણે તેનાં મિત્રને ફોન કરી બનાવની જાણ કરી 108 ને બોલાવીને તેનો મિત્ર અને તેની મમ્મી તેને ધારપુર ખાતે લઈ ગયા હતા. આ બનાવ અંગે પોલીસે ચિરાગ પટ્ટણી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:11 am

કાલાવડ સોલાર પ્લાન્ટમાં કેબલ ચોરી કરનાર 6 આરોપી ઝડપાયા:મીતાણા પવનચક્કીમાંથી પણ ચોરીની કબૂલાત, આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા ગામમાંથી તાજેતરમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે તસ્કર ગેંગના છ સભ્યોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ મોરબી જિલ્લાના મીતાણામાંથી પણ ચોરી કર્યાની કબૂલાત આપી છે. કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં આવેલ ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી થઈ હતી. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદના આધારે, કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી. તપાસના અંતે, કેબલ ચોરી કરનાર ગેંગના છ સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં ઉમેશ માધુભાઈ સોલંકી (કુવાડવા રોડ, રાજકોટ), રવિ ઇશ્વરભાઇ ધધાણીયા (પ્રદ્યુમનનગર, રાજકોટ), આલીશા જુસબશા શેખ (અંજાર, કચ્છ), રહીમશા જુસબશા શેખ (અંજાર, કચ્છ), બિલાલ ઉર્ફે મોસીન હિંગોરજા અને બુધનશા ઉર્ફે બાવલો મામદશા ફકીરનો સમાવેશ થાય છે. પોલીસે તેમની પાસેથી વાયર કટીંગ કરવાના કટર સહિતના હથિયારો કબજે કર્યા છે. આ આરોપીઓએ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામમાં આવેલી પવનચક્કીમાંથી પણ કેબલની ચોરી કરી હોવાની કબૂલાત આપી છે. તમામ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે અને તેઓ અગાઉ પણ અલગ-અલગ ચોરીના ગુનાઓમાં પકડાઈ ચૂક્યા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ તેમની વધુ પૂછપરછ ચલાવી રહી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:10 am

કીમ ચારરસ્તા નજીક નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો:35-40 વર્ષના મૃતકની ઓળખ માટે પોલીસે તપાસ હાથ ધરી

કીમ ચારરસ્તા નજીક પાલોદ ગામ પાસેની નહેરમાંથી આજે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૃતક પુરુષની ઉંમર આશરે 35 થી 40 વર્ષની હોવાનું અનુમાન છે. પ્રાથમિક તપાસમાં, તેમનું મોત નહેરમાં ડૂબી જવાના કારણે થયું હોવાની શક્યતા છે. જોકે, મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. કોસંબા પોલીસે મૃતદેહની ઓળખ માટે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસે મૃતકના વાલી-વારસ સુધી પહોંચવા માટે આસપાસના વિસ્તારોમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. બિનવારસી મૃતદેહ મળવાના કારણે આ બનાવ હત્યાનો છે કે આકસ્મિક મૃત્યુનો, તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકની ઓળખ થયા બાદ જ સમગ્ર ઘટના પરથી પડદો ઊંચકાશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:08 am

કલેક્ટર NV ઉપાધ્યાયે અનેક સમિતિઓની બેઠકો યોજી:સંચારી રોગ, જન્મ-મરણ, તમાકુ નિયંત્રણ પર સમીક્ષા કરી

ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં વિવિધ સમિતિઓની બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં જિલ્લા સંચારી રોગ સમિતિ, ગવર્નિંગ બોડી કમિટી અને જન્મ-મરણ જિલ્લા સંકલન સમિતિનો સમાવેશ થાય છે. સંચારી રોગ સમિતિની બેઠકમાં એપિડેમિક મેડિકલ ઓફિસર ગૌસ્વામીએ વાહકજન્ય રોગો અટકાવવા કરાયેલા પ્રયાસોની માહિતી આપી હતી. તેમણે વેરાવળ સહિતના તમામ તાલુકાઓમાં ક્લોરિનેશન કામગીરી, પાણી પૃથક્કરણ, ક્લોરીનેશન અને લીકેજની સ્થિતિ અંગે જાણ કરી. મેલેરિયા માટે સંવેદનશીલ ગામો જેવા કે રાતીધાર, રામપરા, ફાટસર અને કાંધોમાં ફોકલ સ્પ્રે અને જંતુનાશક દવાઓના છંટકાવ વિશે પણ ચર્ચા થઈ. કલેક્ટરે પાણીના વિવિધ ટેસ્ટ અને ક્લોરીન ટેસ્ટ નેગેટિવ આવે તો તેવા નમૂનાઓમાં વિશેષ તકેદારી રાખવા સૂચના આપી. તેમણે રોગચાળો ન ફેલાય તે માટે સર્વેલન્સ સઘન બનાવવા પર ભાર મૂક્યો. જન્મ-મરણ જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વર્ષ 2025-26ના ઓક્ટોબર સુધીના માતામરણ અને બાળમરણ અંગે સમીક્ષા કરાઈ. કલેક્ટરે હાઈ રિસ્ક ડિલિવરીના કેસોમાં ઉપસ્થિત ડોકટરોને ખાસ તકેદારી અને સાવધાની રાખવા નિર્દેશ આપ્યા. ડિસ્ટ્રિક્ટ ટોબેકો કંટ્રોલ સ્ટિયરિંગ કમિટીની બેઠકમાં કલેક્ટરે શાળા-કોલેજો સહિતના શૈક્ષણિક સંકુલોની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુના વેચાણ પર પ્રતિબંધનો કડક અમલ કરવા જણાવ્યું. તેમણે સ્પેશિયલ એન્ટી ટોબેકો ડ્રાઈવ યોજી દંડ ફટકારવા અને પાન-ગલ્લાઓમાં સરકારી ચેતવણી બોર્ડ લગાવવા સૂચના આપી. ડિસ્ટ્રિક્ટ ક્વોલિટી એશ્યોરન્સ કમિટીની બેઠકમાં નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ, કાયાકલ્પ પ્રોગ્રામ, મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અને સ્વચ્છ ભારત અભિયાન હેઠળની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આ બેઠકોમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, ડી.વાય.એસ.પી. ભાસ્કર વ્યાસ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી.એન. બરૂઆ, પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારી ડૉ. અરૂણ રોય, સિવિલ સુપ્રિટેન્ડન્ટ જિજ્ઞેશ પરમાર સહિતના અધિકારીઓ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:05 am

ગીર સોમનાથમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ ઉજવાશે:વિધાનસભા દીઠ યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે તેમની રાષ્ટ્રીય સેવાઓને યાદ કરવા માટે ગીર સોમનાથ વહીવટી તંત્ર દ્વારા યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરાયું છે. જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને આ પદયાત્રાની સંપૂર્ણ રૂપરેખા આપી હતી. કલેક્ટર એન.વી. ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જૂનાગઢના મુક્તિ દિવસ નિમિત્તે 'સરદાર @ 150 યુનિટી માર્ચ' પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ જ કડીમાં હવે ગીર સોમનાથ જિલ્લામાં પણ દરેક વિધાનસભા દીઠ પદયાત્રા યોજાશે. કલેક્ટરે પદયાત્રાની રૂપરેખા આપતા જણાવ્યું કે, જિલ્લામાં દરેક વિધાનસભા દીઠ એક પદયાત્રા યોજાશે. જેમાં 16 નવેમ્બરના રોજ 90-સોમનાથ વિધાનસભામાં જિલ્લાકક્ષાની પદયાત્રા સવની, ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા અને કાજલી થઈ સોમનાથ પહોંચશે. આ પદયાત્રા સાંજે 6:00 કલાકે સભા સાથે પૂર્ણ થશે. આ જ રીતે, 17 નવેમ્બર, 2025ના રોજ 91-તાલાલા વિધાનસભા વિસ્તારમાં આહિર સમાજ ગુંદરણથી સભા સાથે પદયાત્રા શરૂ થશે. તે માધુપુર અને સુરવા થઈ આંકોલવાડી ગામે સમાપન થશે. જ્યારે 21 નવેમ્બર, 2025ના રોજ 92-કોડીનાર વિધાનસભા વિસ્તારમાં નાલંદા વિદ્યાલયથી પદયાત્રા શરૂ થશે. આ પદયાત્રા છારાઝાંપા, પાણી દરવાજા, માર્કેટિંગ યાર્ડ, બરડા પાટિયા, ચૌહાણની ખાણ પાટિયા અને મૂળ દ્વારકા પી.એમ. શાળા થઈ મૂળ દ્વારકા દ્વારકાધિશ મંદિર પાસે સમાપન થશે. આ ઉપરાંત, 19 નવેમ્બરના રોજ 93-ઉના વિધાનસભા વિસ્તારમાં યોજાનારી પદયાત્રાનો રૂટ ખીલાવડ, ફાટસર, દ્રોણેશ્વર, દ્રોણ અને ગીરગઢડા રહેશે. આ તમામ પદયાત્રાનું અંતર આશરે 10 કિલોમીટરનું રહેશે, જેમાં 150 પદયાત્રીઓનો સમાવેશ થશે. આ પદયાત્રામાં તમામ સમાજના લોકો જોડાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કલેક્ટરે સ્પર્ધાઓ વિશે માહિતી આપતા જણાવ્યું કે, આ કાર્યક્રમને અનુલક્ષીને શાળાઓ તેમજ કોલેજોમાં ક્વિઝ, નિબંધ, વકૃત્વ અને ચિત્ર સ્પર્ધા જેવી સ્પર્ધાઓ પણ યોજાઈ રહી છે. તમામ રૂટ પર સ્વચ્છતા અભિયાન પણ યોજવામાં આવશે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી. મકવાણા અને પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 11:02 am

અમરેલી 13.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, લોકો ઠુંઠવાયા:ગુજરાતમાં શિયાળાની જમાવટ, અમદાવાદમાં 16.5 ડિગ્રી સાથે ઠંડીનો અહેસાસ, આવતા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા

ગુજરાતમાં શિયાળો ધીમે-ધીમે જામી રહ્યો છે. હવામાન વિભાગના આંકડા મુજબ, ગત રોજ સૌથી ઠંડું શહેર અમરેલી નોંઘાયું છે. અહીં લઘુતમ તાપમાનનો પારો ગગડીને 13.2 ડિગ્રીએ પહોંચ્યો છે. આ સાથે નલિયા 13.5 ડિગ્રી સાથે બીજા નંબરનું સૌથી ઠંડુ શહેર નોંધાયું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આવતા સપ્તાહથી ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન સાથે ઠંડીનો અહેસાસહવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં ગઈકાલે મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઓછું છે, જ્યારે લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાઈ સામાન્ય કરતા 1.2 ડિગ્રી ઓછું રહ્યું. દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન 17થી 21 ડિગ્રી વચ્ચે રહ્યુંરાજ્યના અન્ય વિસ્તારોમાં પણ સમાન સ્થિતિ જોવા મળી છે. અમરેલી, વડોદરા, ભાવનગર, પોરબંદર અને ભુજ સહિતના અનેક સ્થાનોમાં મહત્તમ તાપમાન સામાન્યથી 1થી 3 ડિગ્રી સુધી ઓછું નોંધાયું છે. રાજકોટમાં લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતા 4.5 ડિગ્રી ઓછું છે, જ્યારે ગાંધીનગરમાં લઘુત્તમ 14.5 ડિગ્રી, જે સામાન્યથી 4.6 ડિગ્રી ઓછું નોંધાયું. દમણ, દીવ અને દ્વારકા જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 31થી 32 ડિગ્રીની આસપાસ રહ્યું, જ્યારે લઘુત્તમ તાપમાન 17થી 21 ડિગ્રી વચ્ચે નોંધાયું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:59 am

વેરાવળ લોહાણા મહાજન દ્વારા ભાગવત સપ્તાહનો પ્રારંભ:પિતૃ મોક્ષાર્થે ભવ્ય પોથીયાત્રા નીકળી, 11 પરિવારે પોથી નોંધાવી

વેરાવળ લોહાણા મહાજન દ્વારા પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહ તા. 13 થી 20 નવેમ્બર સુધી ચાલશે, જેમાં પ્રખ્યાત કથાકાર શાસ્ત્રી કેતનભાઈ પેરાણી કથાનું રસપાન કરાવશે. લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઈ તન્ના અને ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયાના માર્ગદર્શન હેઠળ કારોબારી ટીમે આ આયોજન કર્યું છે. આ સપ્તાહના પ્રારંભે કૃષ્ણનગર હવેલી ખાતેથી ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. યજમાન પરિવારોએ માથા પર પોથીઓ ધારણ કરી હતી. આ યાત્રા જુદા જુદા રાજમાર્ગો પર ફરીને સપ્તાહ સ્થળ લોહાણા વંડી ખાતે પહોંચી હતી. પોથીયાત્રામાં ધાર્મિક ગીત-સંગીતના તાલે યજમાન પરિવારો અને રઘુવંશી આગેવાનો તથા બહેનોએ રાસ ગરબા રમી ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સપ્તાહમાં લોહાણા સમાજના 11 પરિવારોએ પોથી નોંધાવી લાભ લીધો છે. સપ્તાહના આઠ દિવસ દરમિયાન શિવ વિવાહ, નૃસિંહ પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન લીલા, રૂક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા પ્રસંગો ઉજવાશે. સર્વે જ્ઞાતિજનોને આ સપ્તાહનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે. પોથીયાત્રામાં પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપારેલીયા, અશોકભાઈ ગદા, જયકરભાઈ ચોટાઈ, ઉપેન્દ્ર તન્ના, અંકુર અઢીયા, મુકેશ ચોલેરા સહિત કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાયા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:55 am

વડોદરાના દંપતી સાથે ઠગાઈ:આયર્લેન્ડના વર્ક વિઝાના અપાવવાના નામે વિઝા કન્સલ્ટન્સીએ વેપારી દંપતી સાથે 2 લાખ રૂપિયાની છેતરપિંડી કરી

વડોદરાના કારેલીબાગ વિસ્તારના વેપારી સત્યેન અનિલભાઇ ઢોમસે અને તેમની પત્ની શ્રદ્ધાબેન ઢોમસેએ આયર્લેન્ડના વર્ક વિઝા મેળવવા માટે લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીને 2 લાખ રૂપિયા આપ્યા હતા. વિઝા કન્સલ્ટન્ટે વિઝા, નોકરી, રહેઠાણ, જમવા તથા મેડિકલ ઇન્શ્યોરન્સની ખાતરી આપી હતી, પરંતુ 3 વર્ષ વીતી જવા છતાં વિઝા આપ્યા નથી અને પૈસા પણ પરત કર્યાં નથી. આ મામલે વેપારીએ 2 શખ્સ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. વર્ષ 2021માં સોશિયલ મીડિયા પર જોવા મળેલી જાહેરખબરના આધારે દંપતીએ તા. 2 સપ્ટેમ્બર, 2021ના રોજ માંજલપુર સ્થિત દીપ ચેમ્બર્સ ખાતે આવેલી લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની ઓફિસમાં મુલાકાત લીધી હતી. જેથી રિસેપ્શનિસ્ટ માનસી પંચાલે તેમને આશિષ ગવલી પાસે મોકલ્યા હતા. આશિષ ગવલીએ આયર્લેન્ડ વર્ક પરમિટ વીઝા માટેની પ્રક્રિયા સમજાવી હતી અને બે વ્યક્તિ માટે કુલ 4 લાખ રૂપિયાનો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું. પ્રથમ હપ્તા તરીકે 2 લાખ રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવ્યું હતું. બીજી મુલાકાતમાં આશિષ ગવલીએ દંપતીની ડિરેક્ટર કૃણાલ નિકમ સાથે મુલાકાત કરાવી હતી. કૃણાલ નિકમ અને આશિષ ગવલીએ નોકરી, રહેઠાણ તથા જમવાની વ્યવસ્થા કંપની તરફથી કરી આપવાની ખાતરી આપી હતી. તા. 6 સપ્ટેમ્બર, 2021ના રોજ 2 લાખ રૂપિયા રોકડા જમા કરાવ્યા બાદ 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર કરાર કરવામાં આવ્યો હતો, જેમાં કૃણાલ નિકમની સહી હતી. કરારમાં વીઝા 6 મહિનામાં ન મળે તો પૈસા પરત કરવાની તથા કંપની તરફથી રહેઠાણ, જમવું તથા મેડિકલ ઇન્શ્યોરન્સની જોગવાઈ હતી. ઓરિજિનલ સ્ટેમ્પ પેપર ફરિયાદીને આપવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2022માં કૃણાલ નિકમે મોબાઇલ કોન્ફરન્સ દ્વારા અંગ્રેજી બોલતા એન્ડ્રુ ગાલ્વિન સાથે ઇન્ટરવ્યૂ કરાવ્યો હતો. ઇન્ટરવ્યૂમાં દંપતીને પસંદગી થયાનું જણાવાયું હતું. ત્યારબાદ તા. 19 જુલાઈ, 2023ના રોજ કૃણાલ નિકમ ફરિયાદીના ઘરે આવીને બે અલગ જોબ ઓફર લેટર આપી ગયા હતા. આ લેટરમાં એમેઝોન કંપનીના વેરહાઉસમાં આસિસ્ટન્ટ તરીકેની નોકરી તથા 'હમ્બલ-હન્ટર્સ' નામની રિક્રુટમેન્ટ એજન્સી મારફતે કન્ફર્મેશનનો ઉલ્લેખ હતો. આ પછી વિઝા અંગે વેપારીએ પુછતાં વારંવાર વાયદા કરવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી દંપતિને વિઝા આપવામાં આવ્યા નથી અને 2 લાખ રૂપિયા પણ પરત કરવામાં આવ્યા નથી. જેથી વેપારીએ કૃણાલ નિકમ તથા આશિષ ગવલી પર છેતરપિંડીની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. જેના આધારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:10 am

કચ્છમાં ઠંડીની જમાવટ, નલિયા 13.5 ડિગ્રીએ ઠર્યું:ભુજ-કંડલામાં લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી, ખુશનુમા વાતાવરણનો અહેસાસ

નવેમ્બર માસ અડધો વીતી ગયો હોવા છતાં કચ્છ જિલ્લામાં હજુ સુધી કડકડતી ઠંડીનો અનુભવ થયો નથી. હાલ સામાન્ય ઠંડીની સ્થિતિ જળવાઈ રહી છે, જેના કારણે જનજીવન રાબેતા મુજબ ચાલી રહ્યું છે. આજે કચ્છના પાટનગર ભુજ શહેરમાં લઘુતમ તાપમાન 18.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ તાપમાન છેલ્લા કેટલાક દિવસોથી સમાન સ્તરે જળવાઈ રહ્યું છે. કંડલામાં પણ આજે 18.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જોકે, જિલ્લાના છેવાડે આવેલા નલિયામાં ઠંડી ધીમે ધીમે તેની અસર દેખાડી રહી છે. અહીં આજે તાપમાનનો પારો 13.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો હતો. આ સાથે નલિયા અમરેલી બાદ રાજ્યમાં બીજા ક્રમે સૌથી ઠંડું મથક બન્યું છે. હવામાન વિભાગના નિષ્ણાતોના મતે, જો આ પ્રકારે એકધારી ઠંડીની ગતિ આગળ વધતી રહેશે, તો આગામી દિવસોમાં કચ્છના લોકોને ભારે કડકડતી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. હાલ પૂરતું, ભુજ શહેર સહિત સમગ્ર કચ્છમાં સામાન્ય ઠંડીથી લોકોને રાહત મળી રહી છે અને ખુશનુમા વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 10:08 am

વાંકાનેર પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ:220 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, ₹1.60 લાખનો મુદ્દામાલ જપ્ત

વાંકાનેર તાલુકા પોલીસે જોધપર ગામના પાટીયા પાસે દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી છે. પોલીસે કારમાંથી 220 નાની બોટલ દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે. તાલુકા પોલીસ ટીમ નેશનલ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને વાંકાનેર બાઉન્ડ્રીથી વાંકાનેર તરફ આવી રહેલી અલ્ટો ગાડી નંબર GJ 24 K 4395માં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે જોધપર ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની કાર આવતા તેને રોકવામાં આવી હતી અને તલાશી લેવામાં આવી હતી. કારમાંથી દારૂની 220 નાની બોટલ મળી આવી હતી. પોલીસે ₹55,000નો દારૂ, ₹5,000નો મોબાઈલ ફોન અને ₹1 લાખની કિંમતની કાર મળીને કુલ ₹1,60,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે રાહુલભાઈ ગોપાલભાઈ ચુડાસમા (ઉં.વ. 30, રહે. યોગીનગર, રબારીવાસ, માર્કેટયાર્ડ સામે, ચોટીલા)ની ધરપકડ કરી હતી. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, દારૂનો આ જથ્થો મોકલાવનાર તરીકે કાળુભાઈ અબ્રામભાઈ સુમરા (રહે. લાખચોકીયા, તા. ચોટીલા)નું નામ સામે આવ્યું હતું. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે કાળુભાઈ સુમરાને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:58 am

હિંમતનગરના સાયબાપુરમાં કલેક્ટરે રાત્રીસભા યોજી:મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંગે ગ્રામજનોને માર્ગદર્શન આપ્યું

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના સાયબાપુર ગામે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંગે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે, પાત્રતા ધરાવતા કોઈ પણ નાગરિકનું નામ મતદારયાદીમાંથી બાકી ન રહે અને પાત્રતા ન ધરાવતા વ્યક્તિઓનું નામ યાદીમાં ન રહે તે સુનિશ્ચિત કરવું જરૂરી છે. આ માટે દરેક નાગરિકે પોતાનો ફાળો આપવો જોઈએ. તેમણે ગ્રામજનોને અપીલ કરી હતી કે, મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતર થયેલા અથવા બે જગ્યાએ નોંધાયેલા મતદારોના નામોમાં સુધારણા કે કમી કરવા માટે ઇન્યુમરેશન ફોર્મમાં સાચી માહિતી ભરીને બૂથ લેવલ ઓફિસર (BLO) ને પરત આપવા. વધુમાં, આગામી ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બર, ૨૦૨૫ ના રોજ સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી વિસ્તારના મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર હાજર રહેશે. અહીં મતદારોને ફોર્મ ભરવા, મેપિંગ, લિન્કિંગ કરવા અને ૨૦૦૨ ની મતદારયાદીમાં નામ શોધવામાં સહાયતા પૂરી પાડવામાં આવશે. આ રાત્રીસભામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રાજેશકુમાર ચૌહાણ, મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી વિમલ ચૌધરી, બૂથ લેવલ ઓફિસર, સુપરવાઇઝર અને સાયબાપુર ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બૂથ લેવલ ઓફિસરો અને સુપરવાઇઝરોએ ગ્રામજનોને ગણતરી ફોર્મ ભરવામાં મદદ કરી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:48 am

હેલ્લારોની અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઇવરનો કડવો અનુભવ:રેલવે સ્ટેશન જતા સમયે કેબ ડ્રાઇવરે ધમકી આપતા અમદાવાદ પોલીસને ટેગ કરી પોસ્ટ કરી, પોલીસે પહોંચી મદદ કરી

ગુજરાતી ફિલ્મ હેલ્લારોની અભિનેત્રી અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવનાર અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઇવરનો કડવો અનુભવ થયો હોવાની ઘટના બની હતી. નીલમ પંચાલે અમદાવાદમાં પોતાના ઘરેથી કાલુપુર રેલવે સ્ટેશન જતી હતી ત્યારે ટેક્સીમાં ડ્રાઇવર તેને ધમકી આપી રહ્યો છે જેથી પોતે તે અસુરક્ષિત અનુભવી રહી છે તેવી સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી હતી. અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કરીને X પર પોસ્ટ કરવામાં આવતા તાત્કાલિક અમદાવાદ પોલીસ હરકતમાં આવી હતી અને ટ્રાફિક પોલીસના પી.આઈ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા. જોકે પોલીસ આવી ત્યાં સુધીમાં કેબ ડ્રાઇવર અભિનેત્રીને કાલુપુર રેલવે સ્ટેશન પાસે ઉતારીને જતો રહ્યો હતો. પરંતુ અભિનેત્રીની મુંબઈ જવા માટેની ટ્રેન છૂટી ગઈ હતી જે બાદ પોલીસે તેમને બીજી ટ્રેનમાં બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. અમદાવાદ પોલીસની મદદ મળતા અભિનેત્રીએ રાત્રે X પરની પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. આ બાબતે અમદાવાદ પોલીસે કેબ ડ્રાઇવરના મોબાઈલ નંબર અને ગાડી નંબરના આધારે તપાસ શરૂ કરી છે. કેબ ડ્રાઇવર ઝડપથી પહોંચાડવાની જગ્યાએ બીજા રૂટ પરથી લઈ જતો હતોE ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના પીઆઇ પી.એચ. ચૌધરીએ જણાવ્યું હતું કે અમદાવાદ પોલીસના X હેન્ડલ પર પોસ્ટ આવી હતી. જેમાં એક મહિલાને મદદની જરૂર હોવાથી તાત્કાલિક તેઓને મેસેજ મળતા કાલુપુર રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યારે રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યારે અભિનેત્રી રેલવે પ્લેટફોર્મ પર પહોંચી ગયા હતા પરંતુ તેમની ટ્રેન છૂટી ગઈ હતી. કેબ ડ્રાઇવર તેમને ઉતારીને જતો રહ્યો હતો. કેબમાં બેસીને તેઓ જ્યારે રેલવે સ્ટેશન આવી રહ્યા હતા ત્યારે ઝડપથી પહોંચાડવાની જગ્યાએ બીજા રૂટ ઉપરથી તેને લઈને આવી રહ્યો હતો જેને લઈ ડ્રાઇવર સાથે બોલાચાલી થઈ હતી અને બાદમાં તેઓએ X પર પોસ્ટ કરી હતી. મુંબઈ જવા માટેની બે ટ્રેન છૂટી ગઈ હતી. ગુજરાતી અભિનેત્રી હતા અને ત્યારબાદ તેમને મુંબઈ જવાનું હોવાના કારણે રેલવે વિભાગ સાથે સંકલન કરી બીજી ટ્રેનમાં જવાની વ્યવસ્થા કરી આપી હતી. ડ્રાઇવર-અભિનેત્રી વચ્ચે બોલાચાલી થઈ હતીગુજરાતી અભિનેત્રી નીલમ પંચાલે હેલ્લારો ફિલ્મ સહિત અનેક ટેલિવિઝન ધારાવાહિકોમાં અભિનય કર્યો છે. અભિનેત્રી નીલમ પંચાલે 13 નવેમ્બરે અમદાવાદ પોતાના ઘરેથી મુંબઈ જવાનું હોવાના કારણે કાલુપુર રેલવે સ્ટેશન જવા બપોરે કેબ બુક કરી હતી. વંદે ભારત ટ્રેનમાં જવાનું હતું જેથી કેબ બુક કર્યા બાદ કેબ ડ્રાઇવર આવ્યો હતો અને તેઓ કાલુપુર રેલવે સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. કેબ ડ્રાઇવર પોતે ગાડી ધીમી ચલાવતો હતો અને બીજા રસ્તા ઉપરથી લઈ જતો હતો જેથી અભિનેત્રીએ તેને કહ્યું હતું કે તેમને જલદી રેલવે સ્ટેશન પહોંચવું છે અને કેબ ડ્રાઇવર બીજા રસ્તા ઉપરથી લઈ જાય છે જેથી તેમની વચ્ચે થોડી બોલાચાલી થઈ હતી. ડ્રાઇવર ધમકી આપે છે તાત્કાલિક મદદની જરૂર છે તેવી પોસ્ટ કરીકેબ ડ્રાઇવર અભિનેત્રીને ઝડપથી પહોંચે એવા રૂટ પરથી લઈ જતો નહોતો અને બંને વચ્ચે નાની-મોટી બોલાચાલી થઈ હતી. કેબમાં પોતે એકલા હોવાથી તેમણે વધારે બોલાચાલી કરી નહીં અને ત્યારબાદ શાંતિથી બેઠા હતા. અભિનેત્રી નીલમ પંચાલ દ્વારા સોશિયલ મીડિયા X પર અમદાવાદ અને ગુજરાત પોલીસને ટેગ કરીને પોસ્ટ કરવામાં આવી હતી કે પોતે અત્યારે હાલમાં ટેક્સીમાં છે અને ડ્રાઇવર તેમને ધમકી આપી રહ્યો છે. પોતે અસુરક્ષિત અનુભવી રહી છે. જેથી તાત્કાલિક તેમને મદદની જરૂર છે હું કાલુપુર રેલવે સ્ટેશન પહોંચવા આવી છું. PI પહોચ્યા ત્યારે ડ્રાઇવર અભિનેત્રીને ઉતારી નીકળી ગયો હતોઅમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને ટેગ કરીને પોસ્ટ કરતા ગુજરાત પોલીસે તરત જ અમદાવાદ પોલીસને પોસ્ટ કરીને જવાબ આપ્યો કે આ બાબતે તાત્કાલિક અરજદારની ફરિયાદને લઈ કાર્યવાહી કરો. જેથી અમદાવાદ પોલીસે નજીકમાં E ટ્રાફિક પીઆઈ પી.એચ.ચૌધરીને જાણ કરતા તાત્કાલિક તેઓ કાલુપુર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જોકે અભિનેત્રી નીલમ પંચાલને કેબ ડ્રાઇવર ઉતારીને નીકળી ગયો હતો. પી.આઈએ તાત્કાલિક અભિનેત્રીને શું બનાવ બન્યો હતો તે અંગે પૂછપરછ કરી હતી. PIએ અન્ય ટ્રેનમાં જવા વ્યવસ્થા કરી આપીઅભિનેત્રી કાલુપુર રેલવે સ્ટેશન પહોંચી ત્યાં સુધીમાં વંદે ભારત ટ્રેન અને ત્યાર પછીની પણ ટ્રેન નીકળી ગઈ હતી. તેમને મુંબઈ જવું હતું પરંતુ તેઓ સમયસર પહોંચી શક્યા નહોતા. ત્યારબાદ પીઆઇએ તેમને અન્ય ટ્રેનમાં જવા માટેની વ્યવસ્થા કરી આપી હતી. પોલીસે તેમના લોકેશન અને મોબાઈલ નંબરના આધારે તરત જ તપાસ શરૂ કરી હતી પરંતુ કેબ ડ્રાઇવર નીકળી ગયો હતો. એક ગુજરાતી ફિલ્મ અભિનેત્રીને કેબ ડ્રાઇવર સાથે આવો કડવો અનુભવ થવાના કારણે અમદાવાદ પોલીસ એકશનમાં આવી અને યુવતીની મદદે પહોંચી હતી. આ બાબતે પોલીસે કેબ ડ્રાઇવરના ગાડી અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:47 am

ગોધરા કેમિકલ પ્લાન્ટમાં મેગા મોકડ્રીલ યોજાઈ:NDRF, પોલીસ, ફાયર વિભાગે આપત્તિ વ્યવસ્થાપન સજ્જતા ચકાસી

પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ગોધરા-વડોદરા હાઇવે પર આવેલા કુસા કેમિકલ કંપની ખાતે ઔદ્યોગિક આપત્તિ વ્યવસ્થાપન માટે એક મેગા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રીલનો ઉદ્દેશ્ય સંભવિત કેમિકલ લીકેજ જેવી ગંભીર દુર્ઘટનાને પહોંચી વળવા તંત્રની સજ્જતા ચકાસવાનો હતો.મોકડ્રીલ દરમિયાન, કુસા કેમિકલ્સ પ્લાન્ટમાં ઇથિલિન ઓક્સાઇડ સ્ટોરેજ ટેન્કમાંથી રિએક્ટરમાં કેમિકલ ટ્રાન્સફર કરતી વખતે વિસ્ફોટ થયો હોવાનું દૃશ્ય ઊભું કરવામાં આવ્યું હતું. આભાસી દુર્ઘટનાની જાણ થતાં જ પ્લાન્ટના સાયરનો ગુંજી ઉઠ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૌપ્રથમ કંપનીની ક્વીક રિસ્પોન્સ ટીમે તાત્કાલિક આગ પર કાબુ મેળવવા અને ઘાયલ કર્મચારીઓને બચાવવાની કામગીરી શરૂ કરી હતી. આ સાથે જ, ઘટનાની જાણ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી.માહિતી મળતાની સાથે જ પંચમહાલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને જવાનોનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે તાત્કાલિક અસરથી અસરગ્રસ્ત વિસ્તારને કોર્ડન કરી ગોધરા-વડોદરા હાઇવે પરનો વાહનવ્યવહાર અન્યત્ર ડાયવર્ટ કર્યો હતો, જેના કારણે હાઇવે પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ગોધરા ફાયર વિભાગની ગાડીઓ ગણતરીની મિનિટોમાં જ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. કેમિકલ લીકેજની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરાથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની અત્યાધુનિક સાધનો અને કેમિકલ પ્રોટેક્ટિવ સૂટથી સજ્જ વિશેષ ટીમને પણ બોલાવવામાં આવી હતી. NDRF ટીમે પ્લાન્ટમાં પ્રવેશી લીકેજને કાબૂમાં લેવા અને ફસાયેલા લોકો માટે શોધ-બચાવ કામગીરી હાથ ધરી. આ ઉપરાંત, 108 ઇમરજન્સી સેવા દ્વારા ઘાયલ વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મોકડ્રીલ અને બચાવ કામગીરી પર નજર રાખવા માટે ગોધરા પ્રાંત અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, NDRF ના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ, મામલતદાર, GSDMA ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, નાયબ નિયામક (DISH), GPCB વિભાગના અધિકારીઓ, પોલીસ, ફાયર, 108 સર્વિસના અધિકારીઓ અને કુસા કેમિકલ સહિત અન્ય મેજર એક્સિડન્ટ હઝાર્ડ કંપનીઓના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. લગભગ એક કલાક સુધી ચાલેલી આ મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મોકડ્રીલ પૂર્ણ થયા પછી, તમામ નિરીક્ષકો દ્વારા કામગીરીમાં જણાયેલ ખામીઓ અને સુધારા માટેના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. અંતે, ગોધરા પ્રાંત અધિકારી દ્વારા આકસ્મિક સંજોગોમાં વધુ અસરકારક કામગીરી માટે જરૂરી સલાહ-સૂચનો આપવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:45 am

પાટણમાં ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયા:રૂ. 30,500ના બે ફોન જપ્ત, હારીજની મહિલા પાસેથી ID ખરીદ્યા

પાટણ શહેરમાં ક્રિકેટનો ઓનલાઈન સટ્ટો રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 30,500ની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ બંને આરોપીઓએ હારીજની એક મહિલા પાસેથી સટ્ટાની આઈડી ખરીદી હતી અને એક જ વ્યક્તિના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા. પાટણ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, સિદ્ધપુર ચાર રસ્તા નજીક તિરુપતિ બજાર પાછળ વિજય સિનેમા જવાના માર્ગે એક વ્યક્તિ ક્રિકેટનો સટ્ટો રમી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ચાણસ્મા પંથકના સેંઢાલ ગામના વિષ્ણુજી ઠાકોરને પકડ્યો હતો. તેના મોબાઈલ ફોનમાં 'ઓલ પેનલ 777 નાઉ' નામની ક્રિકેટ સટ્ટાની વેબસાઈટ ચાલુ હતી. પૂછપરછ દરમિયાન વિષ્ણુજી ઠાકોરે જણાવ્યું કે તેણે આ આઈડી 20 દિવસ પહેલા હારીજની પાયલ દેસાઈ નામની મહિલા પાસેથી રૂ. 1900માં ખરીદ્યું હતું. આઈડીનું પેમેન્ટ તેણે વોટ્સએપ પર મળેલા બારકોડ દ્વારા જયકુમાર રબારી નામના વ્યક્તિના ફોન પે એકાઉન્ટમાં કર્યું હતું. પોલીસે વિષ્ણુજી પાસેથી રૂ. 10,500નો મોબાઈલ જપ્ત કર્યો હતો. આ બનાવ બાદ તે જ રાત્રે લગભગ પોણા બાર વાગ્યાના સુમારે પાટણ સિદ્ધપુર ચાર રસ્તા પાસેના ગેટ પાસેથી અન્ય એક વ્યક્તિ નરેન્દ્ર પટેલ (રહે. રામગઢ, ચાણસ્મા)ને પણ ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ. 20,000નો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. નરેન્દ્ર પટેલે પણ તેની આઈડી હારીજની પાયલ નામની મહિલા પાસેથી રૂ. 5000માં મેળવી હોવાનું અને તેનું પેમેન્ટ પણ જયકુમાર નામના વ્યક્તિના બેંક એકાઉન્ટમાં બારકોડ સ્કેન કરીને ફોન પે દ્વારા જમા કરાવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ બંને સટ્ટોડિયા શખ્સો, આઈડી આપનાર હારીજની મહિલા પાયલ દેસાઈ અને પૈસા મેળવનાર જયકુમાર રબારી વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:42 am

દીપડાના ચામડાની હેરાફેરી કરતા 4 ઝડપાયા:વાંસદાના રાણી ફળિયા વન વિભાગે રેડ કરી ચામડું વેચવા અને ખરીદવા આવેલાને રંગેહાથ ઝડપી લીધા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના રાણી ફળિયા ગામેથી વન વિભાગે દીપડાના ચામડાની ગેરકાયદેસર હેરાફેરીના પ્રકરણમાં મોટી કાર્યવાહી કરી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમની શિડ્યુલ-1 અંતર્ગત આવતા મૃત દીપડાના ચામડાના વેચાણની બાતમીના આધારે વન વિભાગે કુલ ચાર આરોપીઓની અટકાયત કરી છે. વન વિભાગને બાતમી મળી હતી કે, ડાંગ જિલ્લાના શિવારીમાળ વિસ્તારમાંથી દીપડાનું ચામડું લાવીને વાંસદાના રાણી ફળિયામાં વેચવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ માહિતીના આધારે વાંસદા પૂર્વ અને પશ્ચિમ બંને વિભાગના વન અધિકારીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ટીમે રાણી ફળિયા ગામમાં દરોડો પાડીને ચામડું વેચવા આવેલા અને તેને ખરીદવા આવેલા શખ્સોને પકડી પાડ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન રાણી ફળિયાના રાજેશ માધવ પણીકરના ઘરેથી દીપડાનું ચામડું મળી આવ્યું હતું. આ પ્રકરણમાં ડાંગના શિવારીમાળથી ચામડું લઈને આવેલ જયેશ રામદાસ ગાંવિત અને વડોદરાથી આ ચામડું ખરીદવા આવેલા બે શખ્સો કિરીટ ચંદ્રકાંત ચૌહાણ અને ગિરીશ ખુશાલ પરમારની પણ અટકાયત કરવામાં આવી છે. વાંસદા વન વિભાગે આ આરોપીઓની ધરપકડ કરીને દીપડાનું ચામડું કઈ રીતે મેળવવામાં આવ્યું અને તેની હેરાફેરીમાં અન્ય કોની સંડોવણી છે, તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ પ્રકરણમાં હજી વધુ આરોપીઓ પકડાઈ તેવી શક્યતા છે. વન અધિકારી રાઠોડ જણાવે છે કે, પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થા વડોદરાના દ્વારા માહિતી મળવામાં આવેલી હતી કે, વાંસદા ખાતે વન્ય પ્રાણી દીપડાના ચામડાની તસ્કરીનો બનાવ બનવાનો હોય જેના માટે વોચ ગોઠવી અને વાંસદાના રાણીફળિયા ખાતે વાંસદા પૂર્વ અને પશ્ચિમ રેન્જ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવેલું હતું. જેમાં વન્ય પ્રાણી દીપડાના ચામડાના તસ્કરી સાથે સંકળાયેલા ચાર જેટલા ઈસમોને અટક કરી વન્ય પ્રાણી દીપડાની ચામડી જપ્ત કરવામાં આવેલી છે અને આગળની તપાસ વલસાડના વડવરતુના વાલા ડોક્ટર બી સુચિન્દ્રા સાહેબ, નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ અને મદદનિશ વન સંરક્ષક રુચિ દવેના માર્ગદર્શન હેઠળ વાંસદા પૂર્વ પશ્ચિમ રેન્જ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહેલ છે. વન અધિકારીએ વધુમાં જણાવ્યું કે, વન્ય પ્રાણી દીપડાને કઈ રીતે મૃત્યુ નીપજેલ છે અને તેના અંગો કઈ જગ્યાએ ઉપયોગમાં લેવાયેલા છે અને આ મુખ્ય શત્રુ દ્વારાનો કોણ છે તે મેળવવા માટેની તજવીજ હાલમાં ચાલી રહી છે. આજે ચામડું છે તે કેટલું જૂનું છે? પ્રાથમિક દ્રષ્ટિએ જોતા અંદાજે એક બે વર્ષ જૂનું લાગી રહ્યું છે પરંતુ એફએસએલના ઓપિનિયન પછી જ ફાઇનલ જણાવી શકાય કે આ ચામડું કેટલા વર્ષ જૂનું હશે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:35 am

સાયખા GIDCમાં વિસ્ફોટના CCTV:મધરાતે ધડાકો થયો ને આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો, ત્રણના મોત; અનેક શ્રમિકો ઇજાગ્રસ્ત

વાગરા તાલુકાના સાયખા GIDCમાં આવેલી વિશાલયકરણી ફાર્મા કેમ કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ સાથે આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ઘટનાનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિસ્ફોટની તીવ્રતા સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે. રાત્રિના સમયે થયેલા આ વિસ્ફોટથી આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ત્રણ કામદારોના મોત નીપજ્યા હોવાનું પુષ્ટિ થયું છે, જ્યારે અન્ય અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને પોલીસના દળો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા માટે રાતભર કામગીરી હાથ ધરાઈ હતી. અકસ્માતના CCTV ફૂટેજ સામે આવતા હવે વિસ્ફોટના કારણો અંગે તપાસ વધુ તેજ બનશે તેવી શક્યતા છે. પ્રશાસન તરફથી તપાસની કાર્યવાહી હાથ ધરાઈ છે અને પ્રાથમિક તારણ મુજબ બોઇલર વિભાગમાં થયેલી ખામીના કારણે વિસ્ફોટ થયો હોવાનું મનાય છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:25 am

જુહાપુરામાં યુવતીની છેડતી બાબતે પથ્થરમારો, CCTV:બે જૂથો લાકડીઓ-હથિયારો લઈ આમને સામને આવી ગયા, રિવોલ્વર બતાવી એકબીજાને ધમકી પણ આપી, 5ની અટકાયત

અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. યુવતીની છેડતી બાબતે બંને જૂથના લોકો હાથમાં લાકડી અને હથિયારો લઈ આમને સામને આવી ગયા હતા. જ્યારે બંને પક્ષો તરફથી બે લોકોએ એકબીજાને રિવોલ્વર દેખાડી ધમકી પણ આપી હતી. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. વેજલપુર પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરી 5 લોકોને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. જે બાદ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 10થી 15 લોકોનું ટોળું આમને સામને આવી ગયુંવેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જુહાપુરા વિસ્તારમાં ફતેવાડી પાસે નૂરે મસ્જિદની ગલીમાં આવેલી સોસાયટીમાં રાત્રિના સમયે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. બે મહિના પહેલા યુવતીની છેડતી મામલે થયેલા ઝઘડાને લઈને ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઇમરાન ભરામણી અને કુરબાન ભાઈ બબાણી સહિતના 10થી 15 લોકોનું ટોળું આમને સામને આવી ગયું હતું અને એકબીજાના ઘર તરફ પથ્થરમારો કર્યો હતો. બંને પક્ષે સામ સામે લાકડીઓ લઈ અને મારામારી તેમજ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. દરમિયાનમાં બંને પક્ષે તરફથી રિવોલ્વર કાઢીને એકબીજાને બતાવી ડરાવવામાં પણ આવ્યા હતા. પોલીસ આવતાની સાથે પથ્થરમારો કરતું ટોળું વિખરાઈ ગયુંઘટના અંગે વેજલપુર પોલીસને જાણ થતા PI સહિતનો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસ આવતાની સાથે ટોળું વિખરાઈ ગયું હતું. બંને જૂથના લોકો દ્વારા એકબીજા ઉપર પથ્થરમારો કરવાની ઘટના બની હતી જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા તરત જ બંને પક્ષના ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પોલીસે પાંચથી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી. પોલીસે હથિયારો સાથે 5 આરોપીઓને ઝડપી પાડ્યાઘરમાં તપાસ કરતાં પોલીસને લાકડીઓ જેવા હથિયાર મળી આવતા તમામ હથિયાર પોલીસે કબજે કરી લીધા હતા. યુવતીના છેડતીના ઠપકા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ ઘટના બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બંને પક્ષ દ્વારા સામસામે રિવોલ્વર બતાવી હોવાને લઈને પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:24 am

બુટલેગરનો નવો કિમીયો પણ ફેલ:કારમાં 2 મહિલા-બાળકને બેસાડી હરિયાણાથી ગુજરાતમાં વિદેશી દારુ મોકલ્યો, જેથી પોલીસ પરિવાર સમજીને રોકે નહીં, અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પરથી 7.26 લાખનો દારુ જપ્ત

બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અજમાવતા હોય છે. પરંતુ હવે બુટલેગરો નવો જ નુસ્ખો અજમાવ્યો છે. જેમાં કારમાં મહિલાઓ અને બાળકને બેસાડીને દારૂની ડિલિવરી સ્થળ લઇ જવામાં આવે છે, જો કોઇ પોલીસ રોકે તો મહિલાઓ અને બાળક બેઠેલા હોય તો લાગે કે પરિવાર જઈ રહ્યો છે, જેથી પોલીસને કોઇ શક ન પડે. પરંતુ નંદેસરી પોલીસે બુટલેગરના આ કિમીયાને નિષ્ફળ બનાવ્યો છે. નંદેસરી ચોકડી પાસે કારમાં મહિલાઓ સાથે રાખીને દારૂ આપવા જતી ગેંગને ઝડપી પાડી હતી અને પલીસે અમદાવાદ- મુંબઇ નેશનલ હાઇવે પરથી 7.26 લાખની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો છે અને કાર અને મોબાઇલ સહિત કૂલ 12.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નંદેસરી પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ફરી હતી. આ સમયે પોલીસને બાતમી મળી હતી કે, કારમાં કેટલાક શખ્સો વિદેશી દારૂનો જથ્થો ડિલિવરી આપવા માટે જઇ રહ્યા છે અને તેઓ દુમાડ ચોકડીથી વાસદ તરફ જવાના છે અને હાલમાં નંદેસરી ચોકડી પાસેથી પસાર થવાના છે, જેથી નંદેસરી પોલીસે બાતમીના આધારે ફાજલપુર ગામ પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબના કાર ત્યાં આવી હતી. જો કે લોકોની અવરજવર વધારે હોવાથી પોલીસે તેને રોકી નહોતી અને કારનો પીછો કર્યો હતો અને નંદેસરી બ્રિજની નીચે પહોંચીને કારને કોર્ડન કરી લીધી હતી અને કારમાંથી 2 યુવતી, 3 વર્ષનું એક બાળક અને ડ્રાઇવર મળી આવ્યા હતા અને બુટલેગરો પોલીસની આંખમાં ધુળ નાખવા માટે નવો કીમિયો અપનાવ્યો છે. જેમાં બુટલેગરો વાહનોમાં દારૂની હેરાફેરી કરતી વેળા જો મહિલાઓ અને બાળકો વાહનમાં પોલીસને એવુ લાગે કે પરિવાર જઇ રહ્યો છે અને તેમને શંકા ન જાય પરતું નંદેસરી પોલીસે બુટલેગરો આ કિમીયો પણ નાકામીયાબ બનાવ્યો છે. પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી દારૂના 2640 ક્વાટરીયા મળી આવ્યા હતા. નંદેસરી પોલીસ દ્વારા કાર ચાલક સહિત બે મહિલાઓની ધરપકડ કરવા સાથે દારૂનો જથ્થો કબજે કર્યો છે અને તેની સાથે સાથે બે મોબાઇલ અને કિયા સોનેટ કાર પણ જપ્ત કરી છે. પોલીસે ડ્રાઇવર અને બે મહિલાઓની પૂછપરછ કરી તેમાં દારૂનો જથ્થો હરીયાણાથી અરુણ જાટ નામના સખ્શે ભરી આપ્યો હતો અને દારુ ગુજરાત પહોંચ્યા બાદ લોકેશન મોકલીને જણાવવાનો હતો કે, દારુ કોને આપવાનો છે. આ ઉપરાંત ડ્રાઇવરે ગુજરાતમાં પ્રવેશ કરતા પહેલા કારની અસલી નંબર પ્લેટ બદલીને ફેક નંબર પ્લેટ લગાવી દીધી હતી અને અસલી નંબર પ્લેટ કારમાં મુકી દીધી હતી. પકડાયેલા આરોપીઓના નામ સચીન રોશનલાલ કશ્યપ (રહે. બિથ્મરા ગામ, તા. ઉકલાનામંડી, જિ. હિસાર, હરીયાણા) પિંકીબેન રાહુલ મહાવીર પાંચાલ, (ઉ.23), (રહે.રામનગર રેલવે સ્ટેશનની પાસે, થાના સિટી, જિ.સોનીપત, હરીયાણા) શિવાનીબેન પવનભાઇ પાંચાલ, (ઉ.20),(રહે.રામનગર રેલવે સ્ટેશનની પાસે, થાના સિટી, જિ.સોનીપત, હરીયાણા), વોન્ટેડ આરોપીઓના નામ અરુણ જાટ (રહે. ખરખોદા, સોનીપત બાયપાસ, જિ. સોનીપત, હરીયાણા), દારૂનો જથ્થો મોકલનાર દારૂનો જથ્થો મંગાવનાર શખ્સ

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 9:20 am

હળવદના યુવાને હથિયાર સાથેનો ફોટો શેર કર્યો:પોલીસે બે શખ્સની ધરપકડ કરી, ગુનો નોંધાયો

હળવદ તાલુકાના ભલગામડા ગામે એક યુવાને લાયસન્સ વગરના હથિયાર સાથેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતા પોલીસે કાર્યવાહી કરી છે. મોરબી જિલ્લા SOG ટીમે આ મામલે બે શખ્સોની ધરપકડ કરી હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભલગામડા ગામના બાવલાભાઈ વિઠ્ઠલભાઈ દેત્રોજા (ઉં.વ. 22) એ સિંગલ બેરલ મઝલ લોડ હથિયાર સાથે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો અને વીડિયો અપલોડ કર્યા હતા. આ હથિયારનું તેમની પાસે કોઈ લાયસન્સ કે પરવાનો ન હતો. મોરબી જિલ્લા SOG ટીમના ધ્યાન પર આ બાબત આવતા તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન, ફોટો પાડવા માટે હથિયાર આપનાર છેલાભાઈ મનજીભાઈ ઉઘરેજા (ઉં.વ. 57), રહે. ભલગામડા, પણ ઝડપાઈ ગયા હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 14 Nov 2025 8:51 am