અમરેલી જિલ્લામાં રાજુલા પોલીસે હત્યાના પ્રયાસ સહિત ત્રણ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ શિવરાજ ધાખડાની ધરપકડ કરી છે. આરોપી છેલ્લા કેટલાક સમયથી ફરાર હતો. રાજુલા નજીક હિંડોરણા ગામ પાસેના ચેતન ઓટો પેટ્રોલપંપ પર તેણે આ ગુનાઓ આચર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શિવરાજ ધાખડાએ પેટ્રોલપંપ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત, તેણે પેટ્રોલપંપના કર્મચારીઓ સાથે અપશબ્દો બોલી અને મારામારી કરી હતી. એક ટ્રક ડ્રાઈવરને મારી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેમજ પંપ માલિકને ફરિયાદ કરવા બદલ ધમકીઓ આપી હતી. આ ત્રણ ગુનાઓમાં તે વોન્ટેડ હતો. આરોપી શિવરાજ ધાખડાનો ગુનાહિત ઇતિહાસ લાંબો છે. તેના વિરુદ્ધ રાજુલા, જાફરાબાદ, ખાંભા, દાઠા, સાવરકુંડલા અને ગીર ગઢડા સહિતના પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં કુલ 35 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. ભૂતકાળમાં તેની સામે પાસા અને તડીપાર જેવી કાર્યવાહી પણ થઈ ચૂકી છે. જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન અને એ.એસ.પી. જયવીર ગઢવીના સીધા સુપરવિઝન હેઠળ રાજુલા પી.આઈ. એ.ડી. ચાવડાએ અલગ અલગ ટીમો બનાવી વડ ગામ નજીકથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ગુનાના સ્થળ હિંડોરણા પેટ્રોલપંપ પર રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું અને ગુનાના પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી DYSP અશોક સિંહ ગોહિલે આ અંગે માહિતી આપી હતી.
કલ્ચરલ વીકની ઉજવણી:પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજ ખાતે એક્ઝિક્યુટિવ ડે કમ ફેશન શોનું આયોજન કરાયું
અમદાવાદમાં આશ્રમ રોડ પર સ્થિત નવગુજરાત ટ્રસ્ટ સંચાલિત પ્રિ. એમ. સી. શાહ કોમર્સ કોલેજમાં આજે (18 ડિસેમ્બર)ના રોજ કલ્ચરલ વીકના ભાગરૂપે એક્ઝિક્યુટિવ ડે કમ ફેશન શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન કોલેજની કલ્ચરલ કમિટિ દ્વારા કરવામાં આવ્યું હતું, જે પ્રિ. ડૉ. એન. ડી. શાહનાં માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ એક્ઝિક્યુટિવ વસ્ત્રોમાં તેમજ વિવિધ આકર્ષક પરિધાનમાં રેમ્પ વોક દ્વારા આત્મવિશ્વાસ, શિસ્ત અને વ્યક્તિત્વનું સુંદર પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓના પ્રોફેશનલ અંદાજ અને ફેશન સેન્સને દર્શકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં નેતૃત્વ ગુણો, પ્રોફેશનલ એપ્રોચ અને આત્મપ્રસ્તુતિ વિકસાવવાનો હતો. સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો અને કલ્ચરલ વીકમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો. પ્રોત્સાહન રૂપે વિદ્યાર્થીઓની કેટેગરીમાં હર્ષરાજ સોલંકી અને આદર્શ મિશ્રાને તો વિદ્યાર્થિનીઓની કેટેગરીમાં વિશ્વા સોની અને ઠાકોર હીરને ઈનામ પણ આપવામાં આવ્યા હતા.
નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીની કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ની ફરિયાદને નકારી કાઢતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીને મોટી રાહત મળી છે. આ નિર્ણયની ઉજવણીમાં વડોદરા શહેર કોંગ્રેસે 'સત્ય મેવ જયતે' પદયાત્રા યોજી હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. આ પદયાત્રાને પગલે પોલીસે કોંગ્રેસના 20 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે, દેશની તાનાશાહી સરકારે ખોટા આરોપો મૂકીને ગાંધી પરિવારને હેરાન કર્યો હતો. આજે સત્યનો વિજય થયો છે. વડોદરા શહેર કોંગ્રેસની આ પદયાત્રા કારેલીબાગ સ્થિત ચિલ્ડ્રન્સ હોસ્પિટલથી શરૂ થઈ હતી અને ભાજપના શહેર કાર્યાલય તરફ આગળ વધી રહી હતી. કાર્યકર્તાઓએ ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને 'સત્ય મેવ જયતે'ના પ્લેકાર્ડ્સ લઈને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પદયાત્રાને પોલીસે અડધે રસ્તે રોકી દીધી હતી અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિત આશરે 20 કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ જણાવ્યું હતું કે, આ ન્યાયપાલિકાની જીત અને તાનાશાહીની હાર છે. નેશનલ હેરાલ્ડ અખબારે દેશની આઝાદીમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ભાજપ સરકારે ઈડીના માધ્યમથી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને ખોટા આરોપો લગાવીને માનસિક ત્રાસ આપવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કોર્ટે તેમને ક્લીન ચીટ આપી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના રાજમાં હિટલરશાહી ચાલે છે. અમારો કાર્યક્રમ શાંતિપૂર્ણ હતો, તેમ છતાં પોલીસે ગેરકાયદેસર ધરપકડ કરી છે. અમે આની સખત નિંદા કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે, કોર્ટે મંગળવારે ઈડીની ફરિયાદને 'નોટ મેન્ટેનેબલ' ગણાવીને નકારી કાઢી હતી, જેને કોંગ્રેસે સત્યના વિજય તરીકે ઉજવ્યો છે. જોકે, કેસમાં દિલ્હી પોલીસની તપાસ હજુ ચાલુ છે.
નવસારીના એરુ ચાર રસ્તા પાસે 14 ડિસેમ્બરે રાત્રે થયેલા માર્ગ અકસ્માતમાં એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માત સ્પષ્ટ દેખાય છે. રાત્રિના 10 વાગ્યે 9 મિનિટે અબ્રામા તરફથી આવતી એક સ્વિફ્ટ કાર નવસારી શહેર તરફ વળી રહી હતી. તે સમયે પાછળથી આવેલા મોપેડ પર સવાર બે યુવાનોએ ઝડપથી કારની આગળથી નીકળવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં મોપેડ ચાલક યોગેશ રમેશભાઈ ગાંધીનું મોપેડ કારના આગળના ટાયર સાથે અથડાયું હતું. અકસ્માતને કારણે યોગેશ ગાંધી અને તેનો સાથી મોપેડ સાથે નીચે પટકાયા હતા. યોગેશ ગાંધીને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બે દિવસની સારવાર બાદ બ્રેઈન હેમરેજને કારણે યોગેશ ગાંધીનું મૃત્યુ થયું હતું. આ મામલે જલાલપોર પોલીસે એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યોગેશ ગાંધી તેના પરિવારમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો. તેના પરિવારમાં એક દીકરી, એક દીકરો, માતા-પિતા અને પત્નીનો સમાવેશ થાય છે.
સુરતમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો માટે ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ઉધના-નવસારી રોડ પર પ્રતિબંધ હોવા છતાં BRTS રૂટમાં રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસચાલકે 'સબક' શીખવાડ્યો હતો અને અડધો કિલોમીટર કાર રિવર્સ દોડાવવી પડી હતી. રોંગ સાઈડમાં ઘૂસેલી કારને બસચાલકે 'સબક' શીખવાડ્યો'ડાયમંડ સિટી' તરીકે ઓળખાતા સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યા અને નિયમોના ભંગના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ખાસ કરીને BRTS રુટ માત્ર બસો માટે અનામત હોવા છતાં, સમય બચાવવાની લાલચમાં અનેક વાહનચાલકો પોતાના જીવના જોખમે તેમાં ઘૂસી જતા હોય છે. આવી જ એક ઘટના ઉધના-નવસારી રોડ પર બની હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. શું હતી સમગ્ર ઘટના?મળતી માહિતી મુજબ, ઉધના-નવસારી રોડ પર આવેલા BRTS રૂટમાં એક કારચાલકે શોર્ટકટ લેવાના ચક્કરમાં રોંગ સાઈડથી પ્રવેશ કર્યો હતો. કારચાલક હજુ થોડે દૂર પહોંચ્યો જ હતો ત્યાં તેની બિલકુલ સામેથી પૂરપાટ ઝડપે એક BRTS બસ આવી ગઈ હતી. સામાન્ય રીતે આવા કિસ્સામાં બસચાલકો બ્રેક મારી દેતા હોય છે અથવા રસ્તો કરી આપતા હોય છે, પરંતુ અહીં બસચાલક મક્કમ રહ્યો હતો. બસચાલકે બસ ઉભી રાખી દીધી અને કારને રસ્તો આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પરિણામે, કારચાલક પાસે પાછા વળવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. અડધો કિલોમીટર સુધી કાર રિવર્સ લેવી પડીબસ ચાલકના કડક વલણને કારણે કારચાલકે પોતાની કાર રિવર્સ લેવાની ફરજ પડી હતી. નવાઈની વાત એ છે કે, આ કારચાલકે લગભગ અડધો કિલોમીટર સુધી કાર રિવર્સમાં ચલાવવી પડી હતી. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકો અને અન્ય મુસાફરોમાં આશ્ચર્ય ફેલાયું હતું. રિવર્સમાં જતી કારનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બીઆરટીએસ રૂટ પર સીસીટીવી ક્યારે લાગશે?સુરત મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં BRTS રૂટમાં ખાનગી વાહનો ઘૂસી જવાના કિસ્સાઓ અટકતા નથી. અગાઉ પણ આવા કિસ્સાઓમાં ગંભીર અકસ્માતો સર્જાયા છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને બસચાલકની પ્રશંસા કરી રહ્યા છે અને કારચાલક વિરુદ્ધ કડક દંડનીય કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બીઆરટીએસ રૂટમાં પ્રતિબંધ હોવા છતાં વાહન ચલાવતા લોકોને પકડવા માટે સીસીટીવી લગાવવામાં આવનાર છે. જોકે હજુ આ નિર્ણય કાગળ પર જ છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં ચાર વર્ષની બાળકીનું દાઝી જતા સારવાર દરમ્યાન કરુણ મોત નીપજ્યું છે. આ બાળકી રમતી હતી તે દરમ્યાન બાળકીનો પગ લાકડા પર પડતા લાકડું ઉછળી ગરમ પાણી કરતા વાસણ પર પડતા ગરમ પાણી બાળકી પર પડતા ગંભીર રીતે દાઝી જતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેનું આજે સારવાર દરમિયાન કરૂણ મોત નીપજ્યું છે. બાળકી પર ગરમ પાણી પાડતા બાળકી ગંભીર રીતે દાઝી મૂળ પંચમહાલના બાકરોલનો પરિવાર અને હાલમાં શહેરના સમા વિસ્તારમાં આવેલ નવી નગરીના રહેતા ઇશ્વરભાઇ બારીયાની ચાર વર્ષની દીકરી રિદ્ધિ ગત તારીખ 13 નવેમ્બરના રોજ ઘરે રમતી હતી. દરમ્યાન પાણી મૂકેલ ચૂલા પાસે જતા અચાનક લાકડા પર પગ પડે છે અને ત્યારબાદ લાકડું ઉછાળતા ગરમ પાણી ભરેલ વાસણ ઉછળી બાળકી પર પરે છે. સારવાર દરમ્યાન કરુણ મોતબાળકી પર ગરમ પાણી પાડતા બાળકી ગંભીર રીતે દાઝી જાય છે અને તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. સારવાર દરમ્યાન બાળકીની રિકવરી થાય છે પરંતુ ગંભીર રીતે દાઝી જવાના કારણે આજે સયાજી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં ICU યુનિટમાં સારવાર દરમ્યાન કરુણ મોત નીપજે છે. ત્યારે આ માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે કે બાળક પ્રત્યે ક્યારેય બેકાળજી ન દાખવે. એકની એક દીકરી ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યુંમૃતક બાળકી રિદ્ધિના પિતા ઇશ્વરભાઇ ઈલેક્ટ્રિશિયન છે અને તેઓ અહીંયા રહી વ્યવસાય કરતા હતા. આજે એકની એક દીકરી ગુમાવતા પરિવાર પર આભ ફાટ્યું છે અને કઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે હાલમાં દીકરીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી થયું છે અને સમા પોલીસે અકસ્માતે મોત અંગેનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મકર સંક્રાંતિના તહેવાર પૂર્વે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટે ચાઈનીઝ દોરી અને માંઝાના વેચાણ તથા વપરાશ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાના કડક અમલ માટે પાટણ SOGની ટીમે કાર્યવાહી કરી હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે, SOGએ બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. જડિયાની ખડકીમાં આવેલા મોઢેશ્વરી ગોલ્ડ પેલેસની એક દુકાન અને તિરુપતિ કોમ્પ્લેક્ષ પાછળ વિજય સિનેમા સામેના વિસ્તારમાં તપાસ કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની કુલ 153 ફીરકીઓ જપ્ત કરી હતી, જેની કુલ કિંમત ₹30,600 આંકવામાં આવી છે. પોલીસે ભાવિક વિષ્ણુભાઈ સોનેજા (રહે. પદ્મનાથ ચોકડી પાસે, પાટણ) અને જયદીપજી ભરતજી જેણાજી ઠાકોર (રહે. સાલવી વાડો, પાટણ) નામના બે શખ્સોની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ જાહેરનામાના ભંગ બદલ B.N.S. કલમ 223 હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે પાટણ સિટી એ-ડિવિઝન અને બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. SOG શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકી, પી.એસ.આઈ. ડી.કે. ચૌધરી અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી હતી.
અમદાવાદના શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા વ્યાજ માફી યોજના જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધી એમ ત્રણ મહિના આ વ્યાજ માફી ની સ્કીમ લાગુ પડશે. જૂની ફોર્મ્યુલાના રહેણાંક અને કોમર્શિયલ મિલકતધારકો માટે સો ટકા વ્યાજ માફી આપવામાં આવી છે. જ્યારે નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક પ્રોપર્ટી ધારકોને 85 ટકા અને કોમર્શિયલ પ્રોપર્ટી ધારકોને 65 ટકા વ્યાજ માફી આપી આપવામાં આવી છે. દર મહિને વ્યાજ માફીના ટેક્સમાં પાંચ ટકા ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન દ્વારા બાકી રહેલા પ્રોપર્ટી ટેક્સ પર 18 ટકા વ્યાજ વસૂલવામાં આવે છે. રેવન્યુ કમિટીના ચેરમેન અનિરુદ્ધસિંહ ઝાલા અને ડેપ્યુટી ચેરમેન પ્રદીપ દવેએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત પ્રોપર્ટી ટેક્સ રહેલો છે. ચાલુ નાણાકીય વર્ષ પહેલા પ્રોપર્ટી ટેક્સની આવકમાં વધારો થાય તેના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાજ માફીની યોજના લાગુ કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2025 - 26 સિવાયના તેની પહેલાના તમામ બાકી ટેક્સધારકોને વ્યાજ માફીની જાહેરાત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, આ યોજનાનો 1 જાન્યુઆરી 2026થી લઈને 31 માર્ચ સુધીના સમયગાળા દરમિયાન લોકો લાભ લઈ શકશે. જેમાં જૂની ફોર્મ્યુલા મુજબ રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકોને તેમજ ચાલી અને ઝૂંપડાના મિલકત ધારકોને 100 ટકા અને નવી ફોર્મ્યુલા મુજબ રહેણાંક મિલકતો પર 85થી 75 તેમજ કોમર્શિયલમાં 65થી 50 ટકા રાહત આપવામાં આવી છે. ગત વર્ષ 2024- 25માં વ્યાજ માફી ની સ્કીમ આપી હતી. જેમાં 1745.61 કરોડની આવક થઈ હતી. અમદાવાદ શહેરમાં કુલ 25.89 લાખ ટેક્સ ધારકો છે જેમાં 6.52 લાખ કોમર્શિયલ જ્યારે 19.37 લાખ રહેણાંક મિલકત ધારકો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને કુલ રૂ. 1 એપ્રિલ 2025થી 17 ડિસેમ્બર 2025 સુધી 1710 કરોડ રૂપિયાની આવક થઈ છે. જેમાં પ્રોપર્ટી ટેક્સની આવક રૂ. 1334.70 કરોડ, પ્રોફેશનલ ટેક્સની 192.05 કરોડ, TSF ચાર્જની રૂ. 17.84 કરોડ અને વિહિકલ ટેક્સની 166.32 કરોડની આવક થઈ છે.
ઉત્તરાખંડના નૈનીતાલમાં ગુરુવારે પ્રવાસીઓથી ભરેલી UP નંબરની સ્કોર્પિયો 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ. જેમાં ગાડી ચલાવી રહેલા યુવકની માતા, પત્ની અને સાળીનું મોત થયું છે. જ્યારે કારમાં સવાર અન્ય 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ભવાલી પોલીસે ત્રણેય મહિલાઓના મોતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, આ અકસ્માત ભવાલી-અલ્મોડા નેશનલ હાઈવે પર સવારે 9:30 વાગ્યાની આસપાસ થયો હતો. માહિતી અનુસાર, ડ્રાઈવરને ઝોકું આવવાથી અકસ્માત થયો હતો. અકસ્માત બાદ રાહદારીઓએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી, ત્યારબાદ પોલીસ અને SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિક લોકો સાથે મળીને ગાડીમાં ફસાયેલા લોકોને બચાવ્યા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સની મદદથી નજીકના HSC સેન્ટર મોકલવામાં આવ્યા હતા, કેટલાક ઘાયલોને સુશીલા તિવારી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. તમામ ઘાયલો UP અને ગુજરાતના રહેવાસી છે. આ લોકો સવારે કૈંચી ધામમાં દર્શન કરવા જઈ રહ્યા હતા, પરંતુ ધામથી લગભગ 5 કિલોમીટર પહેલા જ અકસ્માત થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર તમામ લોકો પરસ્પર સંબંધીઓ હતા. અકસ્માતના PHOTOS... કૈંચી મંદિરથી 5 કિલોમીટર પહેલા અકસ્માત ભવાલી પોલીસે જણાવ્યું કે, અકસ્માત ભવાલીથી 3 કિલોમીટર આગળ નિગલટ પાસે કૈંચી મંદિરથી 5 કિલોમીટર પહેલા થયો હતો. કારમાં 9 લોકો સવાર હતા, જેમાંથી 3ના મોત થયા છે અને 6ની હાલત ગંભીર છે. સ્કોર્પિયો સેફ્ટી બેરિયર તોડીને 200 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી. કાર નદીમાં પડી હતી, જ્યાં નજીકમાં જ સ્મશાન ઘાટ છે. સ્કોર્પિયોનો નંબર UP 25DZ 4653 છે. હજુ સુધી ગાડીને બહાર કાઢી શકાઈ નથી. ઇજાગ્રસ્તોમાં બાળકો અને મહિલાઓ મૃતકોની ઓળખ ગંગા દેવી (55) પત્ની ભૂપ રામ, બ્રિજેશ કુમારી (26) પત્ની રાહુલ પટેલ રહેવાસી ગામ ચાવણ પોસ્ટ મુડિયા પોલીસ સ્ટેશન ઇજ્જતનગર બરેલી અને નેન્સી ગંગવાર (24) પુત્રી જયપાલ સિંહ ગંગવાર રહેવાસી પીલીભીત બરેલી તરીકે થઈ છે. જ્યારે ઇજાગ્રસ્તોની ઓળખ ઋષિ પટેલ ઉર્ફે યુવી (7) પુત્ર રાહુલ પટેલ, સ્વાતિ (20) પત્ની ભૂપ રામ, અક્ષય (20) પુત્ર ઓમેન્દ્ર સિંહ, રાહુલ પટેલ (35) પુત્ર ભૂપ રામ રહેવાસી ગામ ચાવણ પોસ્ટ મુડિયા પોલીસ સ્ટેશન ઇજ્જતનગર બરેલી, કરણ ઉર્ફે સોનુ (25) પુત્ર જીતેન્દ્ર અને જ્યોતિ (25) પત્ની કરણ રહેવાસી ગુજરાતનો સમાવેશ થાય છે.
પાટનગર ગાંધીનગરના નજીક આવેલા રાંધેજા વિસ્તારમાં આજે વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા 'ઓપરેશન ડિમોલિશન' હાથ ધરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી સરકારી જમીન પર કરવામાં આવેલા ધાર્મિક દબાણને દૂર કરીને તંત્રએ આશરે 150 વાર જેટલી કિંમતી જમીન ખુલ્લી કરાવી છે. લોકો સવારે ઉઠે તે પહેલા જ દબાણ હટાવ કામગીરી શરૂ કરી દેવામાં આવીગાંધીનગરના નજીક આવેલા રાંધેજા વિસ્તારમાં આજે વહેલી સવારે વહીવટી તંત્ર દ્વારા 'ઓપરેશન ડિમોલિશન' હાથ ધરવામાં આવ્યું હતું. કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા વહેલી સવારથી જ રાંધેજા વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સ્થાનિક રહીશો જાગે તે પહેલા જ જેસીબી મશીનો અને કાફલા સાથે પહોંચેલા તંત્રએ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. નોટિસ છતાં દબાણ ન હટતા લેવાયા કડક પગલાં લેવામાં આવ્યા છે.આ સ્થળ પર છેલ્લા લાંબા સમયથી ધાર્મિક બાંધકામ કરીને દબાણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ બાબતે અગાઉ અનેકવાર લેખિત નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસ બાદ પણ દબાણ દૂર કરાતા ડીમોલીશન હાથ ધરાયુંનોટિસમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે સ્વેચ્છાએ આ દબાણ દૂર કરી લેવું, અન્યથા તંત્ર દ્વારા તોડી પાડવામાં આવશે.જોકે નોટિસની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ સંબંધિત પક્ષો દ્વારા દબાણ હટાવવામાં આવ્યું નહોતું. અંતે તંત્રએ કડક વલણ અપનાવીને આજે ડિમોલિશનની કાર્યવાહી પૂર્ણ કરી હતી. 150 વાર જગ્યા ખુલ્લી કરાવવામાં આવીઆ કામગીરી દરમિયાન અંદાજે 150 વાર જેટલી જગ્યા પર ફેલાયેલું ગેરકાયદેસર બાંધકામ જમીનદોસ્ત કરવામાં આવ્યું છે. આ જગ્યા હવે ફરીથી સરકારી હસ્તક લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગાંધીનગર અને તેની આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર થતા ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ લાલ આંખ કરી છે. જે અન્વયે આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવનાર છે.
સુરતના પુણામાં મોબાઈલ પર વાત કરતા કરતા બાઇક પર દૂધના કેન લઈ જઈ રહેલા યુવકની બાઇક આગળ ઊભી રહેલી કારને અડતી હોઈ ખસેડવાનું કહેવા પર બે માથાભારે યુવકોએ કાર ચલાવી રહેલા વોર્ડ નંબર 17ના ભાજપ વોર્ડ પ્રમુખ સાથે દાદાગીરી કરી હતી. ઈરાદાપૂર્વક બાઇક આગળ લઇ જઇ રિવર્સ લાવી કારના મેકવ્હીલને નુકસાન કરી સાગરીત સાથે મળી દૂધના એલ્યુમિનિયમ કેનનું ઢાંકણું માથામાં ફટકારી હંગામો કર્યો હતો. કાર સાથે બાઈક અથડાવી દાદાગીરી કરીબે પશુપાલકોની દાદાગીરીથી હતપ્રભ થઇ ગયેલા ધર્મેન્દ્ર જગદીશ કાકડિયા (રહે. સત્યનારાયણ સોસાયટી, પૂણાગામ) લોન એજન્ટના વ્યવસાય ઉપરાંત વોર્ડ નંબર 17માં ભાજપ વોર્ડ પ્રમુખ તરીકેને હોદ્દો ધરાવે છે. ગતરોજ સાંજે સરથાણામાં આવેલા ભાજપ કાર્યાલયમાંથી કારમાં ઘરે આવવા નીકળેલા ધર્મેન્દ્રની નાલંદા સ્કૂલ પાસે ઊભી હતી. આગળ ટ્રાફિક હતો. સવા છ વાગ્યાના અરસામાં પશુપાલક દૂધના કેન બાઈકની બંને સાઈડ લગાવીને મોબાઈલમાં વાત કરતા કરતા કારની પાછળ ધસી આવ્યો હતો અને કારને બાઈક અથડાવી દીધી હતી. દૂધના કેનનું ઢાંકણ માથામાં માર્યુંધર્મેન્દ્રએ ચાલકને બાઇક થોડી દૂર કરવા જણાવતાં તે દાદાગીરી પર ઉતરી આવ્યો હતો. બેફામ વાણીવિલાસ કરવાની સાથે બાઈક થોડી આગળ લઈ જઈ પરત રિવર્સમાં ખેંચી ઈરાદાપૂર્વક ભાજપના કાર્યકરની કારના આગલા વ્હીલને ટક્કર મારી નુકસાન પહોંચાડયું હતું. આ મુદ્દે એકાદ બે વખત બોલાચાલી થયા બાદ ઉશ્કેરાયેલા પશુ પાલકે પોતાની બાઈક પર રહેલાં દૂધના કેનનું ઢાંકણ કાઢીને ધર્મેન્દ્રના માથામાં જોરથી મારી દીધું હતું. લુખ્ખાગીરી કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી લુખ્ખાગીરી અસહ્ય થઈ પડતાં કારની બહાર નીકળ્યો તે સાથે જ આ યુવકે બીજા સાગરીત સાથે હુમલો કરી દીધો હતો. માર મારવાની સાથે બીજા સાગરીતે દૂધનું કેનનું વજનદાર ઢાંકણ આ કાર્યકરના માથામાં ફટકારી દેતાં તેને ચક્કર આવવા લાગ્યા હતા. તેના કારણે આસપાસના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પશુપાલકની દાદાગીરી સામે રોષ પણ ઠાલવ્યો હતો. મધરાત્રે અઢી વાગ્યે પોતાની ફરિયાદ પૂણા પોલીસ મથકે માથાભારે જયદીપ વિજય ઢગલ (રહે. અમરોલી) નોંધી હતી.
આજના ડિજિટલ યુગમાં મોબાઈલનું વળગણ એક ગંભીર સામાજિક બીમારી બની રહ્યું છે. ત્યારે સુરતની ધોરણ-11માં ભણતી 16 વર્ષીય તેજસ્વી વિદ્યાર્થીની ભાવિકા મહેશ્વરીએ આ સમસ્યાના ઉકેલ માટે સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખીને સંપર્ક સાધ્યો છે. ભાવિકાએ પીએમ મોદીને એક વિનમ્ર પત્ર લખીને દેશના 25 કરોડથી વધુ બાળકોને મોબાઈલ અને સોશિયલ મીડિયાના ઝેરીલા પ્રભાવથી બચાવવા માટે 'રાષ્ટ્રીય ડિજિટલ ડિસિપ્લિન આંદોલન' શરૂ કરવા અપીલ કરી છે. ઓસ્ટ્રેલિયાના કાયદાના સંદર્ભ સાથે સુરતની દીકરીનો પીએમને પત્રભાવિકાએ પત્રમાં ખાસ ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સરકારે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કડક કાયદો બનાવ્યો છે. આ કાયદા હેઠળ સોશિયલ મીડિયા કંપનીઓ માટે યુઝરની ઉંમરનું વેરિફિકેશન કરવું ફરજિયાત બન્યું છે. ભાવિકા ઈચ્છે છે કે ભારત સરકાર પણ આ વિષયની ગંભીરતા સમજીને બાળકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યના રક્ષણ માટે કડક આચારસંહિતા અને નિયમો ઘડે, જેથી નાની વયે થતા ડિજિટલ અત્યાચારને રોકી શકાય. મોબાઈલ એડિક્શનથી મુક્તિ માટે એક 'આઠમો સંકલ્પ' ઉમેરવામાં આવે'મોબાઈલની દેશવ્યાપી અસરને જોતા, ભાવિકાએ વિનંતી કરી છે કે પીએમ મોદી 'મન કી બાત'ના આગામી એપિસોડમાં 'ડિજિટલ ડિસિપ્લિન' અને 'ચાઈલ્ડ મેન્ટલ હેલ્થ' પર ચર્ચા કરે. ભાવિકાનું સૂચન છે કે જે રીતે વડાપ્રધાને દેશવાસીઓને 'સાત સંકલ્પો' આપ્યા છે. તેમ જ મોબાઈલ એડિક્શનથી મુક્તિ માટે એક 'આઠમો સંકલ્પ' ઉમેરવામાં આવે. તેનો ઉદ્દેશ્ય ટેકનોલોજીને બંધ કરવાનો નથી, પરંતુ તેના ઉપયોગની મર્યાદા નક્કી કરી તેને જવાબદાર બનાવવાનો છે. કોણ છે દીકરી ભાવિકા?માત્ર 16 વર્ષની ઉંમરે ભાવિકા મહેશ્વરીએ જે સિદ્ધિઓ મેળવી છે તે કોઈ ચમત્કારથી ઓછી નથી. 4 વખત વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર અને TEDx સ્પીકર ભાવિકાએ અત્યાર સુધીમાં 5 પુસ્તકો લખ્યા છે. તેનું પુસ્તક 'ડિજિટલ ડિસિપ્લિન' તો CBSEના અભ્યાસક્રમમાં પણ સામેલ કરવામાં આવ્યું છે. તે ગુજરાત સરકારના 'બેટી બચાવો, બેટી પઢાવો' અભિયાનની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂકી છે અને ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં પણ મહત્વની ભૂમિકા નિભાવે છે. સાત વર્ષનો સેવાયજ્ઞ અને 7 પુસ્તકો લખ્યા 'હું મોબાઈલ વાપરું છું પણ ગુલામ નથી'આજના બાળકોને એક સચોટ સંદેશ આપતા ભાવિકાએ કહ્યું કે, હું પોતે મોબાઈલ વાપરું છું, પરંતુ શું જોવું અને કેટલા સમય સુધી જોવું તે હું નક્કી કરું છું. તે કહે છે કે ટેકનોલોજી આપણને ચલાવે તેના બદલે આપણે ટેકનોલોજીને ચલાવતા શીખવું જોઈએ. જો સમયસર જાગૃતિ નહીં આવે, તો આવનારી પેઢીનું બાળપણ ડિજિટલ સ્ક્રીન પાછળ ખોવાઈ જશે. જેના દૂરગામી પરિણામો દેશ માટે ખૂબ જ ભયજનક હોઈ શકે છે. જો વડાપ્રધાન આ મંચ પરથી 'ડિજિટલ ડિસિપ્લિન' અને 'ચાઈલ્ડ મેન્ટલ હેલ્થ' પર વાત કરે, તો તે દેશના 25 કરોડથી વધુ બાળકો અને તેમના વાલીઓ માટે માર્ગદર્શક બની રહેશે. હું જ્યારે પણ સમય મળે વિદ્યાર્થીઓને મોબાઈલ એડિકશનથી દુર રાખવા કાઉન્સેલિંગ કરું છું. PMO બાળકીના વિઝનને પ્રોત્સાહન આપે છે કે કેમ તે જોવાનું રહ્યુંસુરતની 16 વર્ષીય દીકરીએ વડાપ્રધાનને લખેલો આ પત્ર અત્યારે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સુરતની ભાવિકાની આ નિખાલસ અને તર્કબદ્ધ અપીલ પાછળ એક જ હેતુ છે - ભારતનું ભવિષ્ય એટલે કે દેશના બાળકો સુરક્ષિત રહે. હવે સૌની નજર વડાપ્રધાન કાર્યાલય (PMO) પર છે કે તેઓ આ નાની બાળકીના મોટા વિઝનને કેવી રીતે પ્રોત્સાહન આપે છે. જો આ 'ડિજિટલ શિસ્ત'નું જન આંદોલન બનશે, તો તે 21મી સદીના ભારતના નિર્માણમાં એક ઐતિહાસિક સોપાન સાબિત થશે.
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં નવ પ્રસ્થાપિત ‘સંતરામ ભવન’ (સાયન્ટીફીકલી એડવાન્સડ ન્યુ-ઇમર્જિંગ ટેક્નોલોજી રિસર્ચ એન્ડ એનાલિટિકલ મૂલ્યાંકન ભવન) નો નામાભિધાન સમારોહ યોજાયો હતો. પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંતો, કથાકાર રમેશભાઈ ઓઝા (સાંદીપનિ આશ્રમ, પોરબંદર), અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી ગુરુશરણાનંદજી મહારાજ (રમણરેતી, મહાવન, મથુરા), ઉમરેઠના સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ અને નડિયાદના સંતરામ મંદિરના નિર્ગુણદાસજી મહારાજના હસ્તે ‘સંતરામ ભવન’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સંતોના હસ્તે તકતીનું અનાવરણ અને દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાનુભાવોએ સંતરામ ભવનમાં ડીજીટલ પેપરલેસ એક્ઝામ સેન્ટર તેમજ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. સંતોએ ચારુસેટની ગુજરાતમાં સૌપ્રથમ ડીજીટલ પેપરલેસ એક્ઝામની પહેલને બિરદાવી હતી. સંતરામ ભવનના મુખ્ય દાતા ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને સંતરામ ભકત દેવાંગભાઈ પટેલ અને ઈપ્કો પરિવાર છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સૌપ્રથમ ડીજીટલ પેપરલેસ એક્ઝામ શરુ કરનાર ચારુસેટ છે. અનંત વિભૂષિત કાર્ષ્ણિ સ્વામી ગુરુશરણાનંદજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વિદ્યાનો ઉપયોગ વિનયની પ્રાપ્તિ માટે કરવો જોઈએ. વિનયના અભાવની સ્થિતિમાં સદગુરુની જરૂર પડે છે. વિદ્યા પ્રાપ્ત કરવાનું અંતિમ સાધન ગુરુની શરણાગતિ છે. તેઓએ વિદ્યાર્થીઓને કહ્યું કે, ગુરુજનોને સંતાનથી પ્રિય શિષ્ય હોય છે, તે જ રીતે વિદ્યાર્થીઓને પણ ગુરુ પ્રત્યે સૌથી વધુ આદર હોય છે. તમે ગુરુ પાસેથી જે સ્કીલ પ્રાપ્ત કરશો તે તમને જીવનમાં સફળ બનાવશે. તમારે જીવનમાં દરેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, સંતરામ ભવનમાં ડીજીટલ પેપરલેસ એક્ઝામ સેન્ટર બદલાતી દુનિયાનું અનુકરણીય ઉદાહરણ છે. પેપરલેસ વર્લ્ડમાં ગુજરાતનું પ્રથમ સેન્ટર બનાવવાનું શ્રેય ચારુસેટને જાય છે ત્યારે આવા સદકાર્યો માટે યોગદાન આપનાર ઈન્દુકાકાના પરિવારને ધન્યવાદ પાઠવ્યાં હતાં. તેઓએ વિદ્યાર્થીઓને સમયની સાથે અત્યાધુનિક ટેકનોલોજી શીખવા અનુરોધ કર્યો હતો અને કહ્યું કે, દુનિયા ઝડપથી બદલાય છે અને તેની સાથે તાલ ન મિલાવીએ તો પાછળ રહી જશો. તેઓએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે ગુરુજનોમાં, ભગવાનમાં, પોતામાંના વિશ્વાસ રાખવો તે જ તમને ટકાવી રાખે છે. ઉમરેઠના સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે સંસ્થાનું નામ સંતરામ મહારાજ સાથે જોડાયું છે ત્યારે સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિમાં જે વિદ્યાર્થી ભણશે તે સમાજ-દેશને ઉન્નત કરશે. ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચારુસેટ યુનિવર્સિટીનું સૌભાગ્ય છે કે, પહેલેથી સંતોના આશીર્વાદ પ્રાપ્ત થયા છે જેથી ચારુસેટની પ્રગતિ થઇ છે. ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલે જણાવ્યું હતું કે, દાનનો પ્રવાહ વહેવડાવવાના વારસાને યથાવત રાખીને દેવાંગભાઈ પટેલે ચારુસેટમાં મલ્ટી-યુટિલિટી બિલ્ડિંગની સ્થાપનામાં અગ્રેસર ભૂમિકા અદા કરી છે. જેનું નામાભિધાન ‘સંતરામ ભવન’ તરીકે કરવામાં આવ્યું છે. આ સમારોહમાં અધ્યાત્મ, પરોપકાર અને શિક્ષણનો ત્રિવેણી સંગમ થયો હતો, જે ચારુસેટની પ્રગતિ, સેવા અને ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશનની અવિરત યાત્રામાં દેવાંગભાઈ પટેલના માતબર યોગદાનને ઉજાગર કરે છે. ચારુસેટના વિકાસમાં ઇપ્કો પરિવારના માતબર યોગદાન પર ભાર મુકતા ચારુસેટના રજીસ્ટ્રાર ડૉ. બિનિત પટેલે કહ્યું કે ચારુસેટની નોંધપાત્ર પ્રગતિમાં સ્વ. ઇન્દુકાકા, દેવાંગભાઇ અને અનિતાબેનનો આર્થિક સહયોગ કેન્દ્રસ્થાને છે. રૂપિયા 25 કરોડથી વધુના યોગદાન સાથે દેવાંગભાઇ પટેલ યુનિવર્સિટીના પ્રતિષ્ઠિત દાતાઓમાં સ્થાન ધરાવે છે, જેમના માતબર દાનથી ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIIM), દેવાંગ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેકનોલોજી એન્ડ રિસર્ચ (DEPSTAR), અને અનિતા દેવાંગ પટેલ ઇપ્કોવાલા સેન્ટર ઓફ એક્સલન્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સહિતની મુખ્ય એકેડેમીક અને રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ્સનો ઉદય થયો છે. આ પ્રસંગે ચારુસેટ અને કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ, માતૃસંસ્થા- કેળવણી મંડળ- સીએચઆરએફના સેક્રેટરી ડૉ. એમ.સી.પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ કિરણભાઈ પટેલ, સીએચઆરએફ-ચારુસેટ હોસ્પિટલના પ્રમુખ અને સોજિત્રાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. અતુલ પટેલ, ચારુસેટના રજીસ્ટ્રાર ડૉ. બિનિત પટેલ, અનિતાબેન દેવાંગભાઈ પટેલ, ઈપ્કો પરિવારજનો ઉપરાંત માતૃસંસ્થા, કેળવણી મંડળ અને સીએચઆરએફના પદાધિકારીઓ, ચારુસેટ પરિવાર, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વલસાડ તાલુકાના ગુંદલાવ ગામના સરપંચ નીતિન પટેલ પર ગુરુવારે સવારે ઘડોય ફાટક નજીક હુમલો થયો હતો. જૂની અદાવતમાં પેવર બ્લોકથી કરાયેલા આ હુમલામાં તેમને માથામાં ગંભીર ઈજા થઈ છે અને હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરપંચ નીતિન પટેલ સવારે પોતાની દીકરીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. જૂની અદાવતના કારણે તેમની કાર ઉપર પેવર બ્લોક ફેંકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે નીતિન પટેલ કારમાંથી નીચે ઉતરી વાતચીત કરવા ગયા, ત્યારે ગુસ્સે ભરાયેલા કેટલાક શખસોએ પેવર બ્લોક મારી તેમની ઉપર હુમલો કર્યો હતો. ઘટનાસ્થળે બુમાબુમ થતાં આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક અગ્રણીઓએ સરપંચને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. માથામાં ગંભીર ઈજા થવાના કારણે હાલ તેમની સારવાર ચાલુ છે. ઘટનાની જાણ થતાં વલસાડ રૂરલ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસે આ મામલે પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ મારામારી જૂની અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે. PI એસ.એન. ગડ્ડુંના નેતૃત્વમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વલસાડ રૂરલ PI એન એસ ગડ્ડુંએ જણાવ્યું હતું કે, ગુંદલાવના સરપંચ અને એક પરિવાર વચ્ચે જૂની અદાવત ચાલતી આવી છે. જેને લઈને આજે નીતિન પટેલ તેમની કારમાં તેમની દીકરીને સ્કૂલે મુકવા જતા હતા. દરમિયાયાન સવારે કારના કાચમાં છુટ્ટો પથ્થર મારી હુમલો કરાયો હતો. નીતિનભાઈ કારમાંથી ઉતરી વાત કરવા જતાં તેને માર માર્યો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. હાલ પૂછપરછ ચાલી રહી છે.
SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા જિલ્લાભરમાં ‘ઓપરેશન ગોગો સ્મોકિંગ’ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 198 શંકાસ્પદ સ્થળોએ ચેકિંગ કરાયું હતું. 14 પાન પાર્લર અને સ્ટોર્સ પરથી નશીલા સેવનના સાધનો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તેના ભાગરૂપે SOG ટીમે સમગ્ર જિલ્લામાં ‘ઓપરેશન ગોગો સ્મોકિંગ’ અંતર્ગત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કામગીરી દરમિયાન જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલા પાન પાર્લર, મેડિકલ સ્ટોર્સ, ચાની કીટલીઓ તેમજ કરિયાણાના સ્ટોર સહિત કુલ 198 સ્થળો પર ટીમો દ્વારા આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ 14 સ્થળો પરથી વાંધાજનક અને નશીલા સેવન માટે ઉપયોગમાં લેવાતા પદાર્થોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ખાસ કરીને ગોગા સ્મોકિંગ રોલ્સ, ફિલ્ટર રોલિંગ પેપર્સ અને અન્ય નશીલા કેફી પદાર્થોના સેવન માટે વપરાતી સામગ્રીનો સમાવેશ થાય છે. SOG ની ટીમે આ તમામ પ્રતિબંધિત સામગ્રી કબ્જે કરી જવાબદાર સંચાલકો સામે ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રાખી નશાના કારોબાર સાથે જોડાયેલા નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકાના અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસા ખનન પર નાયબ કલેક્ટરની ટીમે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહીમાં રૂ. 17.30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને કોલસાની ખાણમાંથી 9 મજૂરોને બચાવવામાં આવ્યા હતા. થાનગઢ અને મુળી તાલુકામાં ગેરકાયદેસર કોલસા ખનનને નાબૂદ કરવાના ભાગરૂપે નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ એક વોટ્સએપ નંબર જાહેર કર્યો હતો. આ નંબર પર નાગરિકો તરફથી અભેપર ગામમાં ગેરકાયદેસર કોલસાની ખાણ ચાલુ હોવા અને રાત્રે મોટા પ્રમાણમાં વિસ્ફોટક ધડાકા થતા હોવાની ફરિયાદ મળી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને, 18 ડિસેમ્બર, 2025 ના રોજ મોડી રાત્રે 12:45 કલાકે નાયબ કલેક્ટર ચોટીલા અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના અભેપર ગામના ખાનગી માલિકી સર્વે નંબર 11 ની જમીન પર આકસ્મિક દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, ગેરકાયદેસર કોલસા ખનન કરતા નીચે મુજબના વાહનો અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો: બે ટ્રેક્ટર, એક મિની ટ્રેક્ટર, એક કમ્પ્રેશન મશીન, એક ચરખી, ચાર બકેટ અને 19 નંગ સુપર પાવર નાઈટિ વિસ્ફોટક. કુલ રૂ. 17,30,000/- નો મુદ્દામાલ જપ્ત કરીને મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા મુદ્દામાલ પૈકીનું મિની ટ્રેક્ટર કોલસાના કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ સાથે, કોલસાની ખાણમાં ફસાયેલા 9 મજૂરોનું પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ખોદકામ કરનારા ઇસમોમાં જમીનના કબજેદાર ગોરધનભાઈ છનાભાઈ ઝેઝરીયા (રહે. અભેપર, તા. થાનગઢ) અને કોન્ટ્રાક્ટર જયેશભાઈ સવશીભાઈ મકવાણા (રહે. દેવપરા (આ), તા. થાનગઢ) નો સમાવેશ થાય છે. આ તમામ ઇસમો તેમજ વાહન માલિકો સામે The Gujarat Mineral (Prevention of Illegal Mining, Transportation and Storage Rules, 2017) મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપરાંત, તેમની સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. આ કેસમાં અભેપર ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ પણ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભુજ શહેરમાં ટ્રાફિક પોલીસે એસટી બસ સ્ટેશન અને બજાર વિસ્તારમાં આડેધડ પાર્ક કરાયેલા વાહનો સામે કડક કાર્યવાહી કરી છે. ટ્રાફિકને અડચણરૂપ વાહનોને હટાવી દંડ વસૂલવામાં આવ્યો હતો, જેથી વાહનવ્યવહાર સરળ બની શકે. આ ઝુંબેશ ગુરુવારે સવારથી ટ્રાફિક પીએસઆઈ ટી.બી. રબારીની રાહબરી હેઠળ શરૂ કરવામાં આવી હતી. સિટી ટ્રાફિક પોલીસ દ્વારા બસ સ્ટેન્ડ અને બજાર વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનો સામે પણ કડક પગલાં લેવાયા હતા. ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા અને વાહનચાલકોને સરળ અવરજવર મળી રહે તે આ કામગીરીનો મુખ્ય હેતુ છે. સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસની આ પહેલને આવકારી છે.
અમદાવાદના એરપોર્ટ વિસ્તારમાં આવેલી 'ડેઇલી સ્ટે' હોટલમાં એક પ્રેમી યુગલે 17 ડિસેમ્બરે હાથની નસો કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં યુવકનું કરુણ મોત નીપજ્યું છે જ્યારે યુવતીનો બચાવ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, મૃતક યુવક અને યુવતી અમદાવાદના શેલા વિસ્તારના રહેવાસી હતા અને બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતો. જોકે, બંને એક જ સમાજના અને નાતે કાકા-ભત્રીજી થતા હોવાથી સમાજમાં તેમના લગ્ન શક્ય નહોતા, જેનો રસ્તો ન દેખાતા બંનેએ ઘરેથી ભાગીને સાથે મરવાનું નક્કી કર્યું હતું. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી શરૂ કરી છે. યુવક-યુવતીએ હાથમાં બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યોએરપોર્ટ વિસ્તારમાં આવેલી ડેઇલી સ્ટે નામની હોટેલમાં યુવક અને યુવતી ઘરેથી ભાગીને રોકાવા આવ્યા હતા. ગઈકાલે (17 ડિસેમ્બર)એ બપોરના સમયે યુવક અને યુવતીએ હાથમાં બ્લેડ મારીને સાથે મરી જવા આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગંભીર ઇજા થતા યુવકનું મોત થયું હતું જ્યારે યુવતી બેભાન થઈ ગઈ હતી. હોટલના સ્ટાફને જાણ થતા પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતોયુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યારે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. બંનેએ સાથે આપઘાત પ્રયાસ કર્યો હતો તેનું કારણ જાણવા પોલીસ પ્રયાસ કરી રહી હતી, પરંતુ યુવતી ભાનમાં ન આવી હોવાથી ચોક્કસ કારણ જાણવા મળ્યું નહોતું. જેથી પોલીસે યુવતીના ભાનમાં આવવાની રાહ જોઈ રહી હતી. લગ્ન શક્ય નહોતા જેથી બંનેએ સાથે મરવાનું નક્કી કર્યું યુવતીના ભાનમાં આવત પોલીસ પૂછપરછ કરી ત્યારે જાણ થઈ હતી કે, બંને અમદાવાદના શેલા વિસ્તારના રહેવાસી હતા. બંને વચ્ચે કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતો. બંને એક જ સમાજના અને કાકા ભત્રીજી થતા હોવાથી બંનેના લગ્ન શક્ય નહોતા જેથી બંનેએ સાથે મરવાનું નક્કી કર્યું હતું. બંનેએ સાથે હાથ પર બ્લેડ મારીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ યુવકનું મોત થયું જ્યારે યુવતીનો બચાવ થયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં ડીજીપીની સૂચનાથી નશીલા પદાર્થોના સેવનને પ્રોત્સાહન આપતી પ્રતિબંધિત સામગ્રીના વેચાણ પર અંકુશ મેળવવા સ્પેશિયલ ડ્રાઇવ ચાલી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં પણ પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. આ ડ્રાઇવ અંતર્ગત ભરૂચ SOG પોલીસે શહેરમાં તપાસ કરી બે અલગ-અલગ કેસ નોંધ્યા છે. પોલીસે ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર જપ્ત કર્યા હતા. આ કાર્યવાહી જિલ્લા SP અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ અને SOG PI એ.વી. પાણમીયાની રાહબરીમાં કરવામાં આવી હતી. SOG ટીમે ભરૂચ શહેર વિસ્તારમાં ગોગો પેપર અને રોલિંગ પેપરના વેચાણ અંગે તપાસ કરતા આ બે કેસ ઝડપી પાડ્યા હતા. એક કેસમાં રૂ. 1,790 અને બીજા કેસમાં રૂ. 1,360 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે બે વ્યક્તિઓ સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ચાલુ છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યુવાનોને નશા તરફ ધકેલતી કોઈપણ પ્રતિબંધિત સામગ્રીનું વેચાણ સહન કરવામાં આવશે નહીં. આવા તત્વો સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
ઈન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી-20 મેચોની સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે. જેના માટે ઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની બંને ટીમો આજે સાંજે 6 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે. ઈન્ડિયન ટીમના ખેલાડીઓ ITC નર્મદામાં રોકાશે, જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ હયાત રેજન્સીમાં રોકાશે. આ બંને ટીમોને આવકારવા હોટલમાં તડામાર તૈયારી કરી લેવામાં આવી છે. બુધવારે અમદાવાદની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવાની ધમકી મળી હતી જો કે, તપાસના અંતે કંઈ મળ્યું ન હતું. અમદાવાદ પોલીસ દ્વારા મેચની સુરક્ષા અને ટ્રાફિકને લઈ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ મેટ્રો દ્વારા પણ મેચને લઈ સમયમાં વધારો કરવામાં આવ્યો છે. નાઈટ મેચ હોવાથી અમદાવાદ મેટ્રો રાત્રિના 12.30 કલાક સુધી દોડશે. બંને ટીમોનું આજે સાંજે અમદાવાદમાં આગમન થશેઈન્ડિયા અને સાઉથ આફ્રિકાની બંને ટીમો આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે. ઈન્ડિયન ટીમ માટે ITC નર્મદામાં અને સાઉથ આફ્રિકાની ટીમ માટે હયાત રેજન્સીમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. બંને ટીમોના ખેલાડીઓને આવકારવા હોટલ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આજે અમદાવાદ પહોંચ્યા બાદ ટીમ તરફથી કોઈ પ્રેકટિસ કે પ્રેસ કોન્ફરન્સ કરાશે નહીં. શુક્રવારે યોજાનારી મેચને લઈ મેટ્રો મોડી રાત સુધી દોડશેશુક્રવારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી પાંચમી ટી-20 મેચને ધ્યાનમાં રાખી મેટ્રોનો સમય રાત્રિના 12.30 સુધી લંબાવવામાં આવ્યો છે. અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓની હાલની સમયમર્યાદા સવારે 6:20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી છે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ)ના કોઈ પણ કાર્યરત મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે. ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11.40 કલાકે અને મધ્યરાત્રિના 12.10 કલાકે ઉપડશે. આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ બહાર પાડેલ છે. સ્પેશિયલ પેપર ટિકિટની વિશેષતાઓ નીચે મુજબ છે. 1. સ્પેશ્યલ પેપર ટિકિટનું ભાડું પ્રતિ વ્યક્તિ દીઠ રૂ. 50 રહેશે, જેનો ઉપયોગ લંબાવેલ સમય દરમિયાન મોટેરા સ્ટેડિયમ અથવા સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર પરના તેમજ ગાંધીનગર કોરિડોરના સેક્ટર-1 મેટ્રો સ્ટેશન સુધીના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે. 2. સ્પેશિયલ પેપર ટિકિટ ઉપરાંત કોન્ટેક્ટલેસ સ્માર્ટ ટોકન્સ, કોન્ટેક્ટલેસ સ્માર્ટ કાર્ડ (GMRC ટ્રાવેલ કાર્ડ અને NCMC કાર્ડ), QR ડિજિટલ ટિકિટ અને QR પેપર ટિકિટ સાથેની એન્ટ્રી પણ રાબેતા મુજબ રાત્રે 10:00 વાગ્યા સુધી નિયમિત ભાડા પર ઉપલબ્ધ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપ થી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR/TOKEN) રાત્રિ ના 10:00 વાગ્યા પછી માન્ય રહેશે નહીં. 3. રાત્રિના 10:00 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનમાં પ્રવેશ કરવા માટે માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટ માન્ય રહેશે. 4. સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસ દરમ્યાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ, જીવરાજ પાર્ક, જીએનએલયુ, ઇન્ફોસિટી અને સેક્ટર-1 મેટ્રો સ્ટેશનો પરથી અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય. 5. મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશનથી એપીએમસી મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિના 12:30 વાગ્યે તેમજ સેક્ટર-1 મેટ્રો સ્ટેશન તરફની છેલ્લી ટ્રેન મધ્યરાત્રિએ 12:10 વાગ્યે ઉપડશે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એમની પહેલી ટર્મમાં ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટનને હરાવીને રાષ્ટ્રપતિ બન્યા એ વાત ઘણાને આઘાત આપનારી હતી. હવે USમાં ભાગ્યે જ હિલેરી ક્લિન્ટન વિશે ચર્ચા થાય છેઆઘાત લાગવાના કારણોમાં ટ્રમ્પની જે-તે કારણોસર પબ્લિક ઇમેજ, વિચારધારા તો ખરા જ પણ સામે પક્ષે બિલ ક્લિન્ટન જેવા અભૂતપૂર્વ લોકપ્રિયતા ધરાવનારા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિની એટલી જ કહેવાતી કાબિલેદાદ, સફળ વકીલ એવી પત્ની હિલેરી ક્લિન્ટનને હરાવીને રાષ્ટ્રપતિ બનવું. અમેરિકા કદાચ એ વખતે બન્ને માટે તૈયાર નહોતું. ટ્રમ્પ અને પ્રથમ સ્ત્રી રાષ્ટ્રપતિ હિલેરી ક્લિન્ટન! પણ પછી જે થયું એ તો ઇતિહાસ છે અને ટ્રમ્પ અત્યારે બહુમતીથી ચૂંટાયેલા બીજી વખતના અમેરિકન રાષ્ટ્રપતિ છે અને હિલેરી ક્લિન્ટન? એમના વિશે ભાગ્યે જ કોઇ ચર્ચા હવે અમેરિકામાં થાય છે. વ્યક્તિગત રીતે હિલેરી ક્લિન્ટન ભલે રાજકીય જાહેર જીવનમાં વધારે કાર્યરતના હોય પણ એ વખતની એમની હાર અને છેલ્લી ટર્મમાં ભારતીય મૂળ ધરાવતા કમલા હેરિસની હારે ફરી એક વખત યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા હજુ સૌથી સર્વોચ્ચ પદ પર સ્ત્રીને બેસાડવા તૈયાર નથી એ ચર્ચાને વેગ આપ્યો. અમેરિકા જેવું ટેકનોલોજીથી લઇને નવી શોધો, ટ્રેન્ડ્સ માટે જાણીતો દેશ સ્ત્રીઓને અન્યાય કરે છે એ લાગણી એક વર્ગમાં હજુ મજબૂત છે પણ અત્યારના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, એમની કેબિનેટના ત્રણ અતિ મહત્વના હોદ્દા પર ત્રણ સ્ત્રીઓને જગ્યા આપીને આ વાત કદાચ ખોટી સાબિત કરવા માંગે છે. અમેરિકાના રાજકારણમાં 3 સ્ત્રીઓનું વર્ચસ્વએ ત્રણ સ્ત્રીઓ છે અમેરિકન પોલિટિકલ સ્પોક્સ પર્સન અને પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટ, યુનાઇટેડ સેક્રેટરી ઓફ હોમલેન્ડ સિક્યોરિટી ક્રિસ્ટી નોએમ અને યુનાઇટેડ સ્ટેટ્સ એટર્ની જનરલ પામ બોન્ડી! એમાંય પામ બોન્ડી આપણા ગુજરાતી મૂળના કાશ પટેલની એફબીઆઇ ડિરેક્ટર તરીકેની નિમણૂકમાં મહત્વનો રોલ ભજવનાર તરીકે પણ જાણીતા છે. 17 નવેમ્બર, 1965 માં જેનો જન્મ થયો એવા પામ બોન્ડી એક અમેરિકન એટર્ની, રિપબ્લિકન પાર્ટીના અગત્યના મેમ્બર અને રાજકારણી તો છે જ ઉપરાંત, 2010માં બોન્ડી ફ્લોરિડાના એટર્ની જનરલ તરીકે ચૂંટાયા અને આ પદ પર સેવા આપનારા પ્રથમ મહિલા બન્યા અને આ એમની અતિ તેજસ્વી રાજકીય કારકિર્દીની શરૂઆત હતી. પિતા મેયર હતાઅમેરિકાના ફ્લોરિડા રાજ્યના ટેમ્પલ ટેરેસમાં જિંદગીના શરૂઆતના વર્ષો ગાળનારા પામ એ ક્રિમિનલ જસ્ટિસ અને લોનો અભ્યાસ કર્યો. તેના પિતા, જોસેફ બોન્ડી, સિટી કાઉન્સિલના સભ્ય અને પછી ટેમ્પલ ટેરેસના મેયર હતા. અને આમ પિતા તરફથી રાજકારણની ગળથૂંથી જેને વારસામાં મળી છે એ પામ બોન્ડી 2020 માં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફર્સ્ટ ઇમ્પિચમેન્ટ ટ્રાયલ દરમિયાન તેમના બચાવ કરનારા વકીલોમાંના એક હતા. 2024 સુધી બોન્ડીએ ટ્રમ્પ-સંબંધિત અમેરિકા ફર્સ્ટ પોલિસી ઇન્સ્ટિટ્યૂટના કાયદાકીય મુદ્દાઓનું સફળ નેતૃત્વ કર્યું ત્યાર પછી બોન્ડીએ રાજકીય કારકિર્દીની રીતે પાછળ ફરીને જોવું નથી પડ્યું. 21 નવેમ્બર, 2024ના રોજ બીજી ટર્મમાં અભૂતપૂર્વ જીત મેળવનાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે બોન્ડીને યુએસ એટર્ની જનરલ માટે નોમિનેટ કરવાનો તેમનો ઇરાદો જાહેર કર્યો. 4 ફેબ્રુઆરી, 2025 ના રોજ યુએસ સેનેટ દ્વારા 54-46 મતથી પામને સમર્થન આપવામાં આવ્યું અને બીજા દિવસે શપથ લીધા ત્યાર પછી પામ બોન્ડી કોઇને કોઇ રીતે સમાચારમાં આવતા જ રહે છે. પામ બોન્ડીના ક્લાયન્ટ્સ કોણ-કોણ?ફ્લોરિડા સ્થિત શક્તિશાળી કંપની બેલાર્ડ પાર્ટનર્સ માટે લોબિસ્ટ તરીકે કામ કરી ચૂકેલા બોન્ડીના યુએસ ક્લાયન્ટ્સમાં જનરલ મોટર્સ, મેજર લીગ બેઝબોલના કમિશનર અને ક્રિશ્ચન એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ એડવોકેસી ગ્રુપ્સનો સમાવેશ થાય છે. અત્યંત નોંધપાત્ર એટર્ની અને રાજકીય કારકિર્દી દરમિયાન, બોન્ડી મીડિયા ફ્રેન્ડલી વ્યક્તિ તરીકે જાણીતા રહ્યાં છે ઉપરાંત ફોક્સ ન્યૂઝ અને સીએનએન જેવી ન્યૂઝ ચેનલો પર કાનૂની વિશ્લેષક તરીકે નિયમિત હાજરી આપતા રહ્યાં. જેના કારણે પામને ખાસું નેશનલ અટેન્શન પણ મળ્યું જે એની કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થયું. ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન અને એમના પુત્ર હન્ટર બાઇડનના રશિયા સાથે વિવાદાસ્પદ કથિત સંબંધો, એપ્સ્ટેઇન ફાઇલ સંબંધિત નિવેદનો અને ચાર્લી કર્કની હત્યા બાદના બોન્ડીના સ્ટેન્ડ માટે મીડિયામાં ખાસી નેગેટિવ પબ્લિસિટી મેળવનારા પામ બોન્ડી આ બધાને ગણકાર્યા વગર એ જે વિચારસરણીમાં માને છે એ મુજબ કામ કરતા રહે છે. પ્રખર પ્રાણી પ્રેમી ખાસ કરીને કેટરીના વાવાઝોડા પછી એક શ્વાનને દત્તક લેનાર અને એની કસ્ટડી માટે અદાલતમાં જનાર બોન્ડી અત્યારે અમેરિકામાં ફાયર બ્રાન્ડ વુમન એમ્પાવરમેન્ટ માટે સીમાચિહ્ન બના ચૂક્યા છે અને એ વાત બિલકુલ વિવાદિત નથી!
જામનગરમાં મકાનમાંથી લાખોનો દારૂ ઝડપાયો:LCB પોલીસે 600 બોટલ દારૂ, 288 બીયર ટીન અને રીક્ષા જપ્ત કરી
જામનગર LCB પોલીસે શહેરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. નાગેશ્વર વિસ્તારમાં એક મકાન અને રીક્ષામાંથી કુલ 8.66 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે 600 બોટલ વિદેશી દારૂ, 288 બીયર ટીન અને એક રીક્ષા કબજે કરી છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત 7,24,800 રૂપિયા, બીયર ટીનની કિંમત 63,600 રૂપિયા અને રીક્ષાની કિંમત 75,000 રૂપિયા આંકવામાં આવી છે. આરોપી મુરતુજા ઉર્ફે લાડુ ઓસમાણભાઈ રાઠોડના કબ્જાના મકાનમાંથી આ જથ્થો મળી આવ્યો હતો. જોકે, રેડ દરમિયાન આરોપી હાજર ન હોવાથી તેને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રતિભાની સૂચનાથી LCB PI વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. PSI સી.એમ. કાંટેલીયા, PSI પી.એન. મોરી અને LCB સ્ટાફના ભયપાલસિંહ જાડેજા, સુમિતભાઈ શિયાર, અજયભાઈ વીરડા, કિશોરભાઈ પરમાર અને ભરતભાઈ ડાંગર સહિતના સ્ટાફે આ કામગીરી કરી હતી.
પાટણ ભગિની સમાજમાં બ્યુટી પાર્લર વર્ગ શરૂ:આર્ટસ કોલેજની 60 વિદ્યાર્થિનીઓ સ્વરોજગાર માટે તાલીમ મેળવશે
પાટણ ભગિની સમાજ ખાતે આર્ટસ કોલેજની 60 વિદ્યાર્થિનીઓ માટે બ્યુટી પાર્લર વર્ગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ વર્ગ ઇન્ટર્નશીપ અભ્યાસક્રમના ભાગરૂપે યોજવામાં આવ્યો છે, જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થિનીઓને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે. ભગિની સમાજ 1968થી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. સંસ્થાના ટ્રસ્ટી લ્યુનાબેન દેસાઈ, પ્રમુખ વાલીબેન પટેલ અને મંત્રી ડો. લીલાબેન સ્વામીની પ્રેરણાથી આ પ્રવૃત્તિઓ વેગવાન બની રહી છે. વર્તમાન સમયમાં સરકારી નોકરીઓની તકો ઓછી હોવાથી, પાટણ યુનિવર્સિટી અને સરકારના માર્ગદર્શન હેઠળ સ્વરોજગારીને પ્રોત્સાહન આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને, પાટણ આર્ટસ કોલેજમાં ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે આ પહેલ કરવામાં આવી છે. આર્ટસ કોલેજના આચાયા ડૉ. રીયાબેન પારેખ અને પ્રો. ભાવનાબેન પટેલે ઇન્ટર્નશીપ અભ્યાસક્રમ અંતર્ગત બ્યુટી પાર્લર વર્ગ શરૂ કરવા માટે ભગિની સમાજની પસંદગી કરી હતી. આ વર્ગમાં 60 વિદ્યાર્થિનીઓ કુલ 120 કલાકનું બ્યુટી પાર્લરનું જ્ઞાન મેળવશે. બ્યુટી પાર્લર વર્ગના પ્રારંભ પ્રસંગે ભગિની સમાજ સલાહકાર સમિતિના સભ્ય મનોજ પટેલે જણાવ્યું હતું કે, કોલેજની વિદ્યાર્થિનીઓ આ જ્ઞાન મેળવી આત્મનિર્ભર બનશે. તેમણે વિદ્યાર્થિનીઓને એકાગ્રતાથી વર્ગનો લાભ લઈ કારકિર્દી બનાવવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે ભગિની સમાજના પ્રમુખ વાલીબેન પટેલે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી હતી, જ્યારે નલિનીબેન માને દ્વારા વિદ્યાર્થિનીઓને બ્યુટી પાર્લરનું મહત્વ અને તેનાથી ઊભી થતી રોજગારી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે આર્ટસ કોલેજના પ્રો. ભાવનાબેન, દક્ષાબેન, કોમલબેન, હેમલતાબેન અને જયપ્રકાશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુટી પાર્લર વર્ગના પ્રોજેક્ટ ચેરમેન જાગૃતિબેન પ્રજાપતિ અને પ્રો. ભાવનાબેન પટેલે વર્ગ અંગે માહિતી આપી હતી, અને ભગિની સંસ્થાના મનીષાબેન ઠક્કરે ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકાને શહેરના વિવિધ વિકાસ કાર્યો માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 85 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગરમાં આ ગ્રાન્ટનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આઠ મહાનગરપાલિકાઓના વિકાસ કાર્યો માટે કુલ રૂ. 2800 કરોડની ગ્રાન્ટ ફાળવવાના કાર્યક્રમ અંતર્ગત જામનગરને આ રકમ મળી છે. ગાંધીનગરના ઓડા ઓડિટોરિયમ હોલ ખાતે આયોજિત ચેક અર્પણ સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ અને રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા. જામનગર મહાનગરપાલિકા વતી આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોષી અને દંડક કેતન નાખવા હાજર રહ્યા હતા. તેમની સાથે મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા.
વડોદરા - ડભોઇ રોડ પર આવેલ જી એમ પેકેજીંગ કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે5.5 ફૂટનો મગર આવી ચડ્યો હતો. જેને પગલે કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જીવદયા પ્રેમીઓ અને વન વિભાગની ટીમને મળીને મગરને રસ્ક્યુ કર્યો હતો અને મગરને વન વિભાગ ખાતે લઈ જવાયો હતો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમારી હેલ્પ લાઈન નંબર પર રાત્રિના સમયે ડભોઇ રોડ પર આવેલ જી એમ પેકેજીંગ કંપનીમાં અંદર એક મગર આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપુત અને સંસ્થાના કાર્યકર અને વડોદરા વન વિભાગના અધિકારી જીગ્નેશભાઈ પરમારને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતાની સાથે એક 5.5 ફૂટનો મગર કંપનીના ગેટ પાસે જોવા મળ્યો હતો આ મગરને અડધો કલાકની ભારે જહમત બાદ રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગ ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 1960માં વિશ્વામિત્રી નદીમાં 50 મગરો હતા. જોકે, આજે વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત પણ દેવ, ઢાઢર, નર્મદા નદી અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે. મગર શેડયૂલ-1નું સંરક્ષિત પ્રાણી છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે. મગર જ્યારે પાણીમાં ઊતરે છે ત્યારે એ એની આંખ પર ગ્લેન્સ નાખે છે. તેથી એની વિઝિબિલિટી 60થી 70 ટકા ઘટી જાય છે. મગર પાણીમાં ઊઠતા તરંગોના આધારે શિકાર નક્કી કરે છે. જ્યારે કોઇ નદીમાં કપડાં કે વાસણ ધોવે અથવા છબછબિયા કરે ત્યારે મગરને લાગે છે કે કિનારે તેનો કોઇ શિકાર પાણી પીવા આવ્યો છે. આ સંજોગોમાં મગર તેના પર હુમલો કરે છે. મગરના હુમલામાં કોઇ વ્યક્તિનું મોત થાય તો તેને સરકાર તરફથી 4 લાખ રૂપિયા વળતર ચૂકવવામાં આવે છે. નદી કિનારે શું સાવચેતી રાખવી? નદી કે તળાવમાં મગર હોય તો ત્યાં જવું નહીં કપડા-વાસણ ધોતા નજર પાણી સામે રાખવી નદી તરફ પીઠ રાખીને કપડા-વાસણ ન ધોવા નદીમાં એકલા ન જવું, મોટરથી પાણી ખેંચવું ઢોરને પાણી પીવડાવવા 1 ફૂટથી આગળ ન જવું વનવિભાગનો સંપર્ક કરી સાવચેતીના બોર્ડ મૂકવા
પાટણની સેશન્સ કોર્ટે હારીજના ડમ્પર ઠગાઈ કેસના એક આરોપીને તેની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જામીનની રકમમાં ફેરફાર કર્યો છે. આરોપી ઉમેશ રમુગા બિગાન પ્રસાદને અગાઉ રૂ. 25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ થયો હતો, પરંતુ પૈસાના અભાવે તે 22 દિવસ વધુ જેલમાં રહ્યો હતો. હવે તેને રૂ. 10,000ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરાયો છે. આ કેસ હારીજ પંથકના બે વ્યક્તિઓ પાસેથી રૂ. 29,36,400 અને રૂ. 28,49,200ની કિંમતના બે ડમ્પરો વેચાણ રાખી, તેના પૈસા કે વાહનો પરત ન આપીને છેતરપિંડી કરવા અંગેનો છે. આ મામલે અજય કહાર અને ઉમેશ રમુગા બિગાન પ્રસાદ (ઉંમર 47, હાલ ગોરવા, મૂળ બિહાર) વિરુદ્ધ હારીજ પોલીસ મથકે 3 સપ્ટેમ્બર, 2025ના રોજ B.N.S. 316(2), 54 હેઠળ ગુનો નોંધાયો હતો. ઉમેશ રમુગા બિગાન પ્રસાદની 8 ઓક્ટોબર, 2025ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેણે જામીન અરજી કરતા પાટણની સેશન્સ કોર્ટે 24 નવેમ્બર, 2025ના રોજ તેને રૂ. 25,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, આરોપી ગરીબ વર્ગનો હોવાથી તે સમયે તેની પાસે જામીન અને પૈસાના અભાવે તે મુક્ત થઈ શક્યો નહોતો. આથી, તેણે ફરી જામીન અરજી કરી હતી. કોર્ટે નોંધ્યું કે, આરોપી બિહારનો હોવાથી જામીન પર મુક્ત કરાય તો તે નાસી છૂટવાની શક્યતા છે, જેનાથી કેસની ટ્રાયલ વિલંબમાં પડી શકે છે, તેમ છતાં, આરોપીની નબળી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને, કોર્ટે અગાઉના રૂ. 25,000ના જામીનના હુકમમાં ફેરફાર કરીને તેને રૂ. 10,000ના જામીન પર મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 10થી 12 જાન્યુઆર, 2026 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાઇબ્રન્ટ સમિટ યોજાવાની છે. આ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંભવત: હાજર રહેવાના છે, ત્યારે તેને લઈને તમામ વિભાગો પૂરજોશમાં તૈયારીઓમાં લાગી ગયા છે. PGVCL સામે સૌથી મોટો પડકાર વીજ પુરવઠો ન ખોરવાય તે માટેનો છે. જે માટે એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટના અધિક મુખ્ય સચિવ હૈદર તેમની ટીમ સાથે મારવાડી યુનિવર્સિટીની સ્થળ વિઝિટ કરી ચૂક્યા છે. આ સાથે જ આ સમિટમાં ઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ અંગે લોકોને જાગૃત કરવામાં આવશે. કાર્યક્રમને લઈ રાજ્યના અધિક મુખ્ય સચિવની બેઠકPGVCLના મેનેજિંગ ડિરેક્ટર કેતન જોશીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ-2026 રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાનાર છે. જેના માટે સમગ્ર માર્ગદર્શન પૂરું પાડવા માટે રાજ્યના અધિક મુખ્ય સચિવ એસ. જે. હૈદર તેમની ટીમ સાથે અહીં આવ્યા હતા. જેમાં કાર્યક્રમ કઈ જગ્યાએ રહેશે? ઉદ્ઘાટન સમારોહ કઈ જગ્યાએ હશે? પાર્કિંગ ક્યાં થશે? કેટલા લોકો આવશે? એક્ઝિબિશન હોલ કઈ જગ્યાએ હશે? ડે બાય ડેની મૂવમેન્ટ અને ઉર્જા વિભાગને લગતા સેમીનાર થશે, જે અંગે મારવાડી યુનિવર્સિટીના પ્રોપરાઇટર અને ડીન સાથે બે કલાકથી મેરેથોન બેઠક કરવામાં આવી હતી. જેમાં GIDC, GSPL સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. વીજ પુરવઠો ન ખોરવાય તેના માટે ખાસ આયોજનતેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં સંભવત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના હોવાથી વીજ પુરવઠો ન ખોરવાય અને અવિરત વીજ પ્રવાહ ચાલુ રહે તે માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કયા કયા ફીડરમાંથી વીજ કનેક્શન આપવું તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં પીજીવીસીએલના ટેકનિકલ સ્ટાફને પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જીના સાત ટોપીક પર સેમીનારઉર્જા વિભાગમાં ગ્રીન ઇકો સિસ્ટમ અને રિન્યુએબલ એનર્જી એટલે કે, સૂર્ય આધારિત ઝીરો કાર્બન મેથડથી પાવર જનરેટ કરવામાં આવે છે, તેને વધુમાં વધુ પ્રમોશન મળે. તેમજ વધુમાં વધુ લોકો અવગત થાય અને એક્ઝિબિશનનો લાભ લે તે મુદ્દા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશન દરમિયાન અલગ-અલગ સાત ટોપીક ઉપર સેમીનાર રાખવામાં આવશે. જેમાં ઉર્જા વિભાગ સાથે સંકળાયેલા લાભાર્થીઓ, વીજ પ્રોડક્શન કરતા પ્રોડ્યુસરો અને માર્કેટ કરતા હોય તેવા સપ્લાયરો પણ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેશે. ડિસેમ્બરના અંતમાં ફાઈનલ પ્લાન તૈયાર થશેસેમિનાર માટે જુદા જુદા વિષયના એક્સપર્ટ અને સામેનું ઓડિયન્સ તેમજ કી-પોઇન્ટ ડિસ્કશન અંગે એન્કર ઓફિસરોની રચના થઈ છે. જે અંગે અધિક મુખ્ય સચિવ અને GUVNLના મેનેજિંગ ડિરેક્ટરના માર્ગદર્શનમાં સમીક્ષા થઈ રહી છે. ડિસેમ્બર માસના અંતમાં ફરી વખત અધિક મુખ્ય સચિવ રાજકોટની મુલાકાત લેશે અને ફાઇનલ પ્લાન તૈયાર થશે.
માળીયા-જામનગર હાઈવે રોડ પર ચાચાવદરડા ગામ નજીક એક ગમખ્વાર અકસ્માતમાં ચાર પદયાત્રીઓના મોત થયા હતા. શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી દ્વારકા જઈ રહેલા પાંચ પદયાત્રીઓને એક ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લીધા હતા, જેમાં ચારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ અકસ્માત વાવ-થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના નવા દિયોદરના રહેવાસી નરસંગભાઈ સગથાભાઈ ચૌધરી (ઉંમર 51) દ્વારા નોંધાવવામાં આવ્યો હતો. તેઓ નવા દિયોદરથી દ્વારકા સુધીની પદયાત્રામાં કુલ 11 પદયાત્રીઓ અને વાહનમાં 2 વ્યક્તિઓ સહિત 13 લોકો સાથે નીકળ્યા હતા. મોરબી જિલ્લામાં માળીયા-જામનગર હાઈવે રોડ પર ચાચાવદરડા ગામ પાસે શિવમ હોટલ અને પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. ટ્રક કન્ટેનર નંબર GJ 12 BV 9649ના ચાલકે ફરિયાદી સહિત પાંચ પદયાત્રીઓને હડફેટે લીધા હતા. આ અકસ્માતમાં હાર્દિકભાઈ માલાભાઈ ચૌધરી (ઉંમર 30), દિલીપભાઈ રાયાભાઈ ચૌધરી (ઉંમર 28), અમરાભાઈ લાલજીભાઈ ચૌધરી (ઉંમર 62) અને ભગવાનજીભાઈ લાલજીભાઈ ચૌધરી (ઉંમર 68), જેઓ બધા નવા દિયોદરના રહેવાસી હતા, તેમને માથા અને શરીર પર ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. ફરિયાદી નરસંગભાઈને પણ શરીરે ઈજાઓ થઈ હતી, જેથી તેમને મોરબીના શનાળા રોડ પર આવેલી ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર લીધા બાદ તેમણે આ બનાવ અંગે માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માત સર્જીને સ્થળ પરથી નાસી છૂટેલા ટ્રક ચાલક સામે ગુનો નોંધીને તેને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના દિવાન ચોકથી ગિરનાર દરવાજા સુધીનો મુખ્ય રસ્તો છેલ્લા 8 મહિનાથી બિસ્માર હાલતમાં છે. નવાઈની વાત એ છે કે આ રસ્તો છેલ્લા ચાર મહિનામાં ચાર વાર ખોદવામાં આવ્યો છે. સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે કે કોન્ટ્રાક્ટર અને સુપરવાઈઝર વચ્ચેના સંકલનના અભાવે એકવાર પેચવર્ક કર્યા પછી પાઈપ નાખવા માટે ફરી રોડ ખોદવામાં આવે છે. આ અંધેર વહીવટને કારણે પ્રજાના પરસેવાની કમાણીના પૈસા ગટરમાં જઈ રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ફિઝિયોથેરાપી સેન્ટરો દર્દીઓથી ઉભરાયા, કમિશનરને તપાસ કરવા પડકાર સામાજિક કાર્યકર અશ્વિન મણીયારે રોષે ભરાઈને જણાવ્યું હતું કે જૂનાગઢને જાણે કોઈ શ્રાપ લાગ્યો હોય તેમ એક જ રોડ વારંવાર તોડવામાં આવે છે. ખરાબ રસ્તાને કારણે રાહદારીઓ અકસ્માતનો ભોગ બની રહ્યા છે અને અનેક લોકોને કમરના ગંભીર દુખાવા થતા બેલ્ટ પહેરવા પડે છે. તેમણે કમિશનરને પડકાર ફેંક્યો હતો કે તેઓ શહેરના ફિઝિયોથેરાપી સેન્ટરોમાં જઈને તપાસ કરે કે ખરાબ રસ્તાને લીધે કેટલા દર્દીઓ સારવાર કરાવી રહ્યા છે. લોકોએ ભાજપને ખોબલે ખોબલે મત આપ્યા પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ નેતા બની ગયા છે અને પ્રજાની તકલીફો ભૂલી ગયા છે. ધૂળની ડમરીઓથી વેપારીઓ બેહાલ, આંદોલનની ચીમકી સ્થાનિક અગ્રણી બટુક મકવાણાએ જણાવ્યું કે પરિક્રમા અને દિવાળી વીતી ગઈ હોવા છતાં રસ્તો બન્યો નથી. હવે શિવરાત્રીનો મેળો અને સ્કૂલ પ્રવાસની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે આ રસ્તો મુસાફરો માટે જોખમી બન્યો છે. સતત ઉડતી ધૂળને કારણે દુકાનદારોનો માલસામાન બગડી રહ્યો છે. વેપારીઓ જાતે પાણી છાંટીને ધૂળ રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો વહેલી તકે નવો રસ્તો નહીં બને તો વેપારીઓ 'રસ્તા રોકો આંદોલન' કરવાની ચીમકી આપી રહ્યા છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરના બહાના જ્યારે પણ રસ્તા બાબતે રજૂઆત કરવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ એકબીજા પર દોષારોપણ કરી અલગ-અલગ બહાના બતાવે છે. 12 કલાકમાં ખોદાઈ જતો રસ્તો 12 મહિના સુધી કેમ રિપેર થતો નથી? તેવો સવાલ હવે જૂનાગઢની જનતા પૂછી રહી છે. જો શિવરાત્રીના મેળા પહેલા કામ પૂર્ણ નહીં થાય તો જનતાનો રોષ ફાટી નીકળે તેવી શક્યતા છે.
ઝારખંડની એક યુવતી રૂ.1500 લઈ તેના સગીર પ્રેમી સાથે ઘર છોડીને ભરૂચના અંકલેશ્વર સુધી પહોંચી હતી. જ્યાંથી બન્ને ભરૂચ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં નાની બાબતે બોલાચાલી થતાં યુવતી ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી હતી. તે દરમિયાન RPF જવાનને શંકા જતા તેણે યુવતીની પૂછપરછ કરી હતી. જે બાદ તેને સખી સેન્ટર મોકલી હતી. જ્યા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે કાઉન્સિલિંગ કરીને અંતે યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. આ અંગે મળતી માહિતી મુજબ, ઝારખંડની એક યુવતીને છ મહિના પહેલા સોશિયલ મીડિયા મારફતે ઝારખંડના જ એક સગીર સાથે મિત્રતા થઈ હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી, પરંતુ બંનેના પરિવારોએ આ સંબંધ સ્વીકાર્ય કર્યો ન હતો. જેથી બંનેએ ઘર છોડીને ભાગી જવાનો નિર્ણય કર્યો હતો. યુવતીએ પોતાની કોલેજ ફીની રકમમાંથી રૂ. 1500 અને સગીરે તેની માતા પાસેથી જેકેટ લેવાના બહાને રૂ. 1000 લઈને 11 ડિસેમ્બરના રોજ ટ્રેન મારફતે અંકલેશ્વર પહોંચ્યા હતા. અંકલેશ્વરમાં રહેવા માટે મકાન શોધતા સમયે મકાન માલિકે ઓળખપત્ર માંગતા તેઓ ભાગીને આવ્યા હોવાની શંકા ઉભી થતાં મકાન ભાડે મળ્યું ન હતું. આ દરમિયાન બંને ભરૂચ રેલવે સ્ટેશન પર હતા, ત્યારે નાની બાબતે થયેલી બોલાચાલીમાં યુવતી ભાવનાત્મક રીતે તૂટી ગઈ અને ગોલ્ડન બ્રિજ તરફ જવા નીકળી હતી. તે સમયે ત્યાં હાજર આરપીએફના પોલીસ જવાને સમયસૂચકતા દાખવી યુવતીને અટકાવી પોલીસ મથકે લાવી હતી. જ્યાં પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇન મારફતે યુવતીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી હતી. અહીં સેન્ટરની સંયોજિકા વૈશાલી ચાવડા અને તેમની ટીમે સંવેદનશીલ કાઉન્સિલિંગ કરી યુવતીનો વિશ્વાસ જીત્યો હતો. કાઉન્સિલિંગ દરમિયાન યુવતીએ સમગ્ર હકીકત જણાવતાં તેની માતાનો સંપર્ક નંબર આપ્યો હતો. ત્યારબાદ સેન્ટરની ટીમે તરત જ માતા-પિતાનો સંપર્ક કરી તેમની પુત્રી સંપૂર્ણ સલામત હોવાનું જણાવતાં તેઓ ઝારખંડથી તાત્કાલિક ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચ પહોંચીને પોતાની વ્હાલસોયી પુત્રીને સલામત જોઈ માતા-પિતાની આંખોમાં આનંદના આંસુ છલકાયા હતા. તેમણે સખી વન સ્ટોપ સેન્ટર, તેની ટીમ અને ગુજરાત પોલીસનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ અંગે સખીવન સ્ટોપ સેન્ટરના સંચાલક વૈશાલી ચાવડાએ જણાવ્યું હતું કે, આ યુવતીને 15 મી ડિસેમ્બરના રોજ રેલવે પોલીસે 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા અહીંયા મોકલવામાં આવી હતી. અમે તેનો વિશ્વાસ જીતી તેનું કાઉન્સિલિંગ કર્યું હતું. તે સમયે તેણે જણાવ્યું હતું કે, છ મહિના પહેલા તેની સગીર પ્રેમી સાથે સોશિયલ મીડિયા પરથી ઓળખાણ થઈ હતી. ત્યારબાદ તેમના માતા પિતાએ વાતચીત કરવાની ના પાડી હતી એટલે અમે નક્કી કર્યું હતું કે, આપણે ઘર છોડીને નીકળી જઈએ જેથી તેઓ તેમના ઘરેથી નીકળી અંકલેશ્વરમાં કામ મળી રહશે તે આશ્રયથી અહીંયા પહોંચ્યા હતા. ત્યારે રેલવે સ્ટેશન પર પોલીસને શંકા જતા તેમની આઇડી માગતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ તેને અહીંયા મોકલવામાં આવી હતી. તેનાં કાઉન્સિલિંગ બાદ યુવતી પાસે તેની માતાનો નંબર મેળવી તેમનો સંપર્ક કરી તેમને અહીંયા તેને લેવા માટે બોલાવ્યા હતા. આજે તેમની પુત્રી તેમને સોંપવામાં આવી હતી. આ ઘટના ફરી એકવાર સોશિયલ મીડિયાના અંધ વિશ્વાસ અને ભાવનાત્મક નિર્ણયોથી થનારા જોખમો તરફ સમાજનું ધ્યાન દોરે છે. સાથે જ, મુશ્કેલીમાં મુકાયેલી દીકરીઓ માટે સખી વન સ્ટોપ સેન્ટર જેવી સંસ્થાઓ કેટલીઘણી મહત્વની ભૂમિકા ભજવે છે તેનું જીવંત ઉદાહરણ પણ બની છે. સોશિયલ મીડિયાના ગેરવપરાશથી ઊભી થતી સંવેદનશીલ પરિસ્થિતિ વચ્ચે ભરૂચની સખી વન સ્ટોપ સેન્ટરની ટીમે માનવતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા શિંગોડા ડેમની કેનાલ સફાઈ કામગીરી વિવાદમાં સપડાઈ છે. આ ડેમમાંથી નીકળતી આશરે 45 કિલોમીટર લાંબી કેનાલ દ્વારા તાલુકાના 16 ગામોની લગભગ 1200 હેક્ટર ખેતીલાયક જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ કેનાલની સફાઈ માટે સિંચાઈ વિભાગ દ્વારા 15 લાખ રૂપિયાનું ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે. જોકે, આ મહત્વપૂર્ણ કામગીરીને લઈને ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હરભોલે બિલ્ડીંગ એન્ડ કન્સ્ટ્રક્શન એજન્સી દ્વારા કરવામાં આવી રહેલી કેનાલ સફાઈ માત્ર નામ પૂરતી અને ઉપરછલ્લી છે. ખેડૂતોના મતે, કેનાલના અંદરના ભાગમાં ભરાયેલો કાદવ, ઝાડી-ઝાંખરા અને કચરો યોગ્ય રીતે દૂર કરવામાં આવ્યો નથી. જેના કારણે આગામી સિંચાઈ સિઝનમાં પાણીની વહેંચણી પર ગંભીર અસર થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે 15 લાખ જેવી મોટી રકમ ખર્ચ થવા છતાં જમીન પર તેનું સ્પષ્ટ પરિણામ દેખાતું નથી. કેટલાક ખેડૂતોએ તો કામ ફક્ત કાગળ પર જ દર્શાવવામાં આવી રહ્યું હોવાનો અને ટેન્ડરની રકમનો યોગ્ય ઉપયોગ ન થતો હોવાનો આક્ષેપ કર્યો છે. વધુમાં, કેનાલ સફાઈ મજૂરો દ્વારા કરવાને બદલે કેટલાક સ્થળોએ જેસીબી જેવા સાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી કેનાલને નુકસાન થવાની શક્યતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. કેટલાક ગામોના સરપંચો અને આગેવાનો પણ ખેડૂતોના સમર્થનમાં આવ્યા છે. બીજી તરફ, આ સમગ્ર મુદ્દે સિંચાઈ વિભાગે ખેડૂતોના આક્ષેપોને નકારી કાઢ્યા છે. વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર વિવેક રાઠોડે જણાવ્યું હતું કે, કેનાલ સફાઈની કામગીરી નિયમો અને માર્ગદર્શિકા મુજબ જ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ સ્પષ્ટતા કરી કે કામગીરી હજી પૂર્ણ થઈ નથી અને આગામી 20 દિવસ સુધી સફાઈ કાર્ય ચાલુ રહેશે. વિભાગે વધુમાં જણાવ્યું કે કામ તબક્કાવાર ચાલી રહ્યું છે અને જ્યાં ક્યાંય ખામી જણાશે ત્યાં તાત્કાલિક સુધારા કરવામાં આવશે. સિંચાઈ વિભાગનો દાવો છે કે સફાઈ પૂર્ણ થયા બાદ પાણીનું વહેણ સરળ બનશે અને તમામ 16 ગામોના ખેડૂતોને પૂરતું પિયત પાણી મળશે. જોકે, જો સમયસર અને યોગ્ય રીતે કેનાલની સફાઈ ન થાય તો શિંગોડા ડેમનું પાણી અંતિમ છેડા સુધી ન પહોંચવાની શક્યતા છે, જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. તેથી ખેડૂતો અને સ્થાનિક લોકો પારદર્શક કામગીરી અને જાહેર દેખરેખની માંગ કરી રહ્યા છે.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રિછવાણી ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દરોડો પાડીને ₹16.38 લાખનો વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી પહેલાં દારૂની હેરાફેરી અટકાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને ચોક્કસ બાતમી મળી હતી કે, રિછવાણી ગામનો બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી નાનાભાઈ વણકર પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખીને વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે SMCની ટીમે દરોડો પાડ્યો હતો.દરોડા દરમિયાન બાબુ ચોટલીના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 2027 બોટલો મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત ₹5,68,600/- આંકવામાં આવી છે. પોલીસે દારૂના જથ્થા ઉપરાંત ગુનામાં વપરાયેલી બે લક્ઝરી ગાડીઓ પણ જપ્ત કરી છે. જેમાં સફેદ રંગની મહિન્દ્રા મેક્સ કાર (રજી. નં. GJ-20-A-6397) અને સફેદ રંગની બોલેરો પ્લસ ગાડી (રજી. નં. GJ-07-DB-5204)નો સમાવેશ થાય છે. આ બંને ગાડીઓની કિંમત ₹10 લાખ અંદાજવામાં આવી છે. વધુમાં, આરોપીઓ પાસેથી ₹70,000ની કિંમતના પાંચ મોબાઈલ ફોન અને દારૂ ઢાંકવા માટે વપરાતું કાળું કપડું પણ કબજે લેવાયું છે. પોલીસે સ્થળ પરથી મુખ્ય આરોપી બાબુભાઈ ઉર્ફે બાબુ ચોટલી વણકર, તેને મદદ કરનાર સુનીલ બાબુભાઈ પરમાર, બોલેરો ગાડી લઈને આવેલ ડ્રાઈવર અક્ષયકુમાર બાબુભાઈ રાઠવા અને દારૂની પેટીઓ ઉતારવાની મજૂરી કરનાર રાજેશભાઈ માનાભાઈ વણકરની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો મધ્યપ્રદેશના કઠેવાડા ગામના અશોકભાઈ પ્રતાપસિંહ બારીયાએ મોકલ્યો હતો, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.આ સમગ્ર કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. બળવંતસિંહ અને પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર. ચૌધરીની ટીમ દ્વારા કરવામાં આવી હતી. દામવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.
વલભીપુર-બરવાળા રોડ પર કલ્યાણપુર ચોકડી પાસે એક હિટ એન્ડ રનની ઘટના બની છે. બપોરના સુમારે બનેલા આ અકસ્માતમાં પીકઅપ વાહનની અડફેટે આવેલા ઋષીરાજસિંહ હાલુંભા ગોહિલ નામના યુવાનનું ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખે બપોરે 1 વાગ્યા આસપાસ કલ્યાણપુર ચોકડી નજીક એક પીકઅપ ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવીને ચાલીને જઈ રહેલા ઋષીરાજસિંહને અડફેટે લીધા હતા. આ ઘટનાના સી.સી.ટી.વી. ફૂટેજ પણ સામે આવ્યા છે. ગંભીર રીતે ઘવાયેલા ઋષીરાજસિંહને તાત્કાલિક ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, મોડી રાત્રે ટૂંકી સારવાર બાદ તેમનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર તાલુકામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ગાંધીનગરના ઝુંડાલ વિસ્તારમાં આવેલી કેપસ્ટોન જુરી સોસાયટીમાં CCTV ફૂટેજ જોવા જેવી સામાન્ય બાબતે રહેવાસીઓ અને દુકાનદાર વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ધીંગાણું સર્જાયું હતું. આ મામલે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દુકાનદારને માર મારી ધમકી આપ્યાનો આક્ષેપ દુકાનદાર પ્રવિણભાઈ માણેકચંદ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દુકાન પાસે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાતા તેઓ સોસાયટીના સેક્રેટરી પાસે CCTV ફૂટેજ જોવા ગયા હતા. આ સમયે સેક્રેટરીએ કેમેરા દુકાનદારો માટે નથી તેમ કહેતા વિવાદ થયો હતો. આ બાબતની અદાવત રાખી રાત્રિના સમયે કિશન પટેલ અને અન્ય 8-9 માણસોના ટોળાએ દુકાને આવી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ દુકાન ખાલી કરી દો નહીતર જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. સેક્રેટરી સોસાયટીના સભ્યો સાથે સમજાવવા જતાં મારામારી થયાનો આક્ષેપ જ્યારે સામે પક્ષે સચિનભાઈ હિંમતભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, સવારે સેક્રેટરી સાથે થયેલી માથાકૂટ બાબતે વ્હોટ્સએપ ગ્રુપમાં મેસેજ કરી સોસાયટીના સભ્યો રાત્રે દુકાનદારને સમજાવવા ગયા હતા. આ દરમિયાન દુકાનદાર પ્રવિણ, તેના ભાઈઓ અને માતાએ ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી. આક્ષેપ છે કે, પ્રવિણ પ્રજાપતિએ કાચની બોટલ છૂટી મારતા સચિનને કપાળે વાગ્યું હતું, જ્યારે પ્રવિણની માતાએ બોટલ મારતા અન્ય એક સભ્યને માથામાં 6 ટાંકા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા જ અડાલજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભાવનગરના વાઘાવાડી રોડ પર ગમખ્વાર અકસ્માતમાં એક યુવતીનું મોત થયું છે, જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ ઘટના સેન્ટ્રલ સોલ્ટ સામે બની હતી, જ્યાં રોંગ સાઈડમાં આવતી બાઈકે એક્ટિવાને ટક્કર મારી હતી. મળતી માહિતી મુજબ, જવાહર મેદાન મેળામાંથી પરત ફરી રહેલી બે બહેનો જાનવી અને રિધ્ધી એક્ટિવા પર સવાર હતી. તે સમયે પુરઝડપે અને રોંગ સાઈડમાં આવતી બજાજ પ્લેટિના બાઈક સાથે તેમનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં રિધ્ધીબેનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે જાનવીબેનને ગંભીર ઈજાઓ પહોંચી છે. તેમની સાથે રહેલી અન્ય ત્રણ બહેનપણીઓને પણ સામાન્ય ઈજાઓ થઈ હતી. ફરિયાદ અનુસાર, બજાજ પ્લેટિના બાઈક ચાલકે બેદરકારીપૂર્વક અને રોંગ સાઈડમાં વાહન ચલાવ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં જાહેર પરિવહન સેવા BRTS બસ સ્ટેન્ડો પર સ્ટાફની ગેરહાજરી હોવાનું સામે આવ્યું છે. શહેરના આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર અને જુના વાડજ બસ સ્ટેન્ડ પર 17 ડિસેમ્બરની બપોર બાદ ટિકિટ આપવા માટે રાખવામાં આવેલો સ્ટાફ હાજર ન હોવાનું સામે આવ્યું છે. એક મુસાફરે આસ્ટોડિયા દરવાજા પાસે સ્ટાફ ગેરહાજર હોવાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો તથા BRTSમાં ફરિયાદ કરવામાં આવી હતી જેના પગલે બીજા ત્રણ બસ સ્ટેન્ડ પર પણ સ્ટાફ ન હોવાનું સામે આવતા કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહને માત્ર સામાન્ય દંડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. સિક્યુરિટી સ્ટાફને પૂછતા બપોર બાદ કોઈ પણ ટિકિટ સ્ટાફ હાજર નથી તેવું જણાવ્યુંરોજના લાખોની સંખ્યામાં મુસાફરો BRTS બસમાં મુસાફરી કરે છે. કોર્પોરેશનની એક આવક પણ બસમાંથી ઊભી થાય છે, પરંતુ બસ સ્ટેન્ડ પર મુસાફરોને ટિકિટ આપવા માટે રાખવામાં આવેલી ટિકિટિંગ સ્ટાફની એજન્સીની બેદરકારી સામે આવી છે. ગઈકાલે 17 ડિસેમ્બરના રોજ સોશિયલ મીડિયા ઉપર જાગૃત મુસાફર દ્વારા વીડિયો ઉતારીને વાઇરલ કરવામાં આવ્યો હતો. જેમાં આસ્ટોડિયા દરવાજા બસ સ્ટેન્ડ પર કોઈપણ ટીકીટિંગ સ્ટાફ હાજર નહોતો. જે મુસાફર બસ સ્ટેન્ડ પર આવી રહ્યા હતા તેઓ ટિકિટ લેવા માટે ટિકિટ બારી પર ગયા હતા, પરંતુ ત્યાં કોઈ પણ વ્યક્તિ હાજર નહોતો. બસ સ્ટેન્ડ પર હાજર સિક્યુરિટી સ્ટાફને પૂછતા બપોર બાદ કોઈ પણ ટિકિટ સ્ટાફ હાજર નથી તેવું જણાવ્યું હતું. 4 બસ સ્ટેન્ડ પર બપોર બાદ સ્ટાફ હાજર નહોતોસોશિયલ મીડિયા પર આ વીડિયો વાઇરલ થયો હતો અને બાદમાં મુસાફર દ્વારા બીઆરટીએસ તંત્રને પણ ફરિયાદ કરવામાં આવી હતી. જેના પગલે તંત્ર દ્વારા ત્યાં તપાસ કરવામાં આવતા આસ્ટોડિયા દરવાજા, આસ્ટોડિયા ચકલા, કાલુપુર અને જુના વાડજ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર બપોર બાદ કોઈપણ સ્ટાફ આવ્યો ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું. કોન્ટ્રાકરને માત્ર 1 લાખનો દંડ ફટકારી તંત્રએ સંતોષ માન્યોજેના પગલે તાત્કાલિક ધોરણે કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહને જાણ કરવામાં આવી હતી. ટિકિટિંગ સ્ટાફ મૂકવાની જવાબદારી એજન્સીની હોવા છતાં પણ તેઓ દ્વારા સ્ટાફ મૂકવામાં આવ્યો નથી, જેના પગલે તંત્ર દ્વારા હવે તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે તંત્ર દ્વારા માત્ર તેને એક લાખ રૂપિયાનો દંડ ફટકારી સંતોષ માનવામાં આવશે. ભૂતકાળમાં ટિકિટિંગ કૌભાંડ પણ સામે આવ્યું હતુંબીઆરટીએસ બસ સ્ટેન્ડ પર અવારનવાર આવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ભૂતકાળમાં ટિકિટિંગ કૌભાંડ પણ સામે આવ્યું હતું. જૂની ટિકિટ આપી અને લોકો સાથે છેતરપિંડીનો પણ બનાવ બન્યો હતો કોન્ટ્રાક્ટર એજન્સી સમીર.એમ.શાહ દ્વારા બસ સ્ટેન્ડ પર ટિકિટિંગ સ્ટાફ ન મૂકી અને કોર્પોરેશનને નુકસાન કરવામાં આવ્યું છે, પરંતુ બીઆરટીએસ તંત્રના અધિકારીઓ આવા કોન્ટ્રાક્ટર એજન્સીને માત્ર સામાન્ય દંડ ફટકારી સંતોષ માની રહી છે. આસ્ટોડિયા દરવાજા, કાલુપુર અને વાડજ આ ખૂબ જ ભરચક અને રોજના અનેક મુસાફરો મુસાફરી કરતા હોય છે ત્યારે લોકોને વગર ટિકિટે મુસાફરી કરવાની ફરજ પડી હતી.
રાજકોટમાં રહેતી 17 વર્ષની છાત્રા પોતાના પિતાના જે મિત્રને માસા કહેતી હતી તેણે જ જાતિય સતામણી કર્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે જાણ થતા ભક્તિનગર પોલીસે ગુનો નોંધી આરોપી દિવ્યેશ મનસુખ બુસા (ઉ.વ.25)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાટ ધરી છે. પુત્રીના ફોનમાં આરોપીનો ફોન આવતા પિતાને આશ્ચર્ય થયું બનાવ અંગે ભોગબનનાર છાત્રાના પિતાએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી સાથે તેને મિત્રતાનો વ્યવહાર છે. જેથી તેના સંતાનો તેને માસા કહે છે. ગઈ તા.11.12.2025ના રોજ રાત્રે પરિવારના સભ્યો સાથે હોટલમાં જમવા ગયા હતા ત્યારે તેની પુત્રીના મોબાઈલમાં આરોપીનો કોલ આવ્યો હતો. જે જોઈ તેને આશ્ચર્ય થયું હતું જેથી પુત્રીને પૂછતાં કહ્યું કે આરોપી તેને અવાર-નવાર કોલ કરી ગત જન્માષ્ટમીના તહેવારોથી હેરાન કરે છે. માત્ર હેરાન જ નહીં પરંતુ પરાણે ફ્રેન્ડશિપ રાખવા દબાણ પણ કરી રહ્યો છે. પુત્રીની વાત સાંભળી પિતા ચોંકી ઉઠ્યા છાત્રા કોલેજ અભ્યાસ કરવા જાય ત્યારે કોલ કરી રેસકોર્સ પરના કેફેમાં ઉપરાંત બાલભવનની રેસકોર્સ રોડ પરના કેફેમાં એક વખત તેનો ફોટો પણ પાડી લીધો હતો. પુત્રીની આ વાત સાંભળી તેઓ ચોંકી ઉઠયા હતા અને પરિવારજનોને જાણ કર્યા બાદ આખરે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે ભક્તિનગર પોલીસે તાત્કાલિક આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે આરોપી પ્લાસ્ટિકના કારખાનામાં નોકરી કરે છે જો કે સગીરાનું શારીરિક શોષણ થયું છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પતિનાં કરતૂતની જાણ થતાં પત્ની પુત્રને મુકી જતી રહી આરોપી દિવ્યેશના કરતૂતની તેની પત્નીને જાણ થતાં તે ચારેક દિવસ પહેલાં સાડા ચાર વર્ષના પુત્રને મુકી જતી રહી હતી પોલીસે જયારે દિવ્યેશની ધરપકડ કરી ત્યારે તે પુત્રને લઈને પોલીસ સ્ટેશને આવ્યો હતો. જો કે બાદમાં પોલીસે તેના પુત્રને આરોપીઓના સંબંધીઓને સોંપી દીધો હતો અને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસમાં ગેરકાયદેસર વ્યાજખોરીનો ધંધો બેફામ ચાલી રહ્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક નાગરિકોએ પોલીસ અધિક્ષક (એસપી) સમક્ષ લેખિત રજૂઆત કરી છે. વ્યાજખોરીના ત્રાસથી પરેશાન પાંચ પીડિતોએ અરુણ પિલ્લઈ નામના વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પીડિતોએ એસપી સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે, આરોપી દ્વારા પાંચથી દસ ટકા માસિક વ્યાજના દરે ગેરકાયદેસર રીતે વસૂલી કરવામાં આવે છે. આ વ્યાજખોર દ્વારા મજબૂર લોકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. એક પીડિતના જણાવ્યા અનુસાર, માત્ર 20 હજાર રૂપિયા ઉધાર લીધા બાદ સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી અને બ્લેન્ક ચેક પર સહી કરાવી લેવામાં આવી હતી. બાદમાં વ્યાજ સહિત 80 હજારથી વધુ રકમ ચૂકવ્યા છતાં પણ સતત પૈસાની માંગ કરવામાં આવી રહી છે. પીડિતોના આરોપ મુજબ, બ્લેન્ક ચેકનો દુરુપયોગ કરી મનમાની રીતે બે-બે લાખ રૂપિયાની રકમ ભરીને કોર્ટ કેસમાં ફસાવવાની તથા જેલમાં મોકલવાની ધમકી આપવામાં આવી રહી છે. આ ધમકીઓથી પીડિતો ભયભીત છે. ફરિયાદ સાંભળ્યા બાદ એસપીએ મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ યોગ્ય તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, સેલવાસ અને આસપાસના વિસ્તારોમાં સફેદપોશ વ્યાજખોરો સક્રિય બની મજબૂર લોકોનું શોષણ કરી રહ્યા છે, જેને અટકાવવા તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે.
સુરત શહેરમાં ડુપ્લીકેટ વસ્તુઓ બનાવી અસલીના નામે પધરાવી દેવાનું વધુ એક નેટવર્ક સામે આવ્યું છે. બે મહિના બાદ ફરી લોકોના સ્વાસ્થ્ય અને ત્વચા સાથે ચેડાં કરતી નકલી બ્યુટી પ્રોડક્ટ્સનું કારખાનું ઝડપાયું છે. પુણા વિસ્તારમાં આવેલ શાશ્વત પ્લાઝામાં પોલીસે દરોડો પાડીને ડુપ્લીકેટ ત્વચાને કોમળ અને કાળા ડાઘ ઘટાડવાની નકલી ક્રીમનો લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પુણા પોલીસે સ્થળેથી એખ 21 વર્ષીય યુવકની ધરપકડ પણ કરી છે. આરોપી આ હલકી ગુણવતા વાણી ક્રીમ પર બ્રાન્ડેડ સ્ટીકર લગાવી અડધી કિંમતમાં ઓનલાઈન વેચણ કરતો હતો. શું હતો સમગ્ર મામલો?પુણા વિસ્તારમાં આવેલા શાશ્વત પ્લાઝાના બીજા માળે એક દુકાનમાં નકલી બ્યુટી ક્રીમ બનાવવાનું કામ ચાલતું હોવાની બાતમી મળી હતી. આ કૌભાંડમાં 'ડર્મડોક હોનેસ્ટ નાઈટ ક્રીમ' (DermDoc Honest Night Cream) નામની જાણીતી બ્રાન્ડના નામે નકલી ક્રીમ બનાવવામાં આવતી હતી. કંપનીના પ્રતિનિધિઓને આ બાબતની શંકા જતાં તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો અને સંયુક્ત રીતે રેડ કરવામાં આવી હતી. હલકી કક્ષાની ક્રીમની ડબ્બીઓ પર અસલી સ્ટીકર લગાવી વેચાણપોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, માત્ર 21 વર્ષનો આરોપી અર્ષિત લાલજીભાઈ દેસાઈ (રહે. કામરેજ) આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી હલકી કક્ષાની ક્રીમ લાવી તેને પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરતો હતો. આ ડબ્બીઓ પર અસલી કંપનીના સ્ટીકર લગાવી, હીટ ગન મશીનથી પ્રોફેશનલ પેકિંગ કરવામાં આવતું હતું. આ નકલી ક્રીમ તે ફ્લિપકાર્ટ (Flipkart) જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર વેચતો હતો. ઓરિજિનલથી અડધી કિંમતમાં વેચાણ કરતોઓરીજનલ ક્રીમની કિંમત 399 રૂપિયા છે, જ્યારે આરોપી ગ્રાહકોને લલચાવવા માત્ર 170 રૂપિયામાં આ નકલી ક્રીમ ઓનલાઈન વેચતો હતો. પોલીસે શાશ્વત પ્લાઝા અને આરોપીના કામરેજ સ્થિત ઘરે દરોડા પાડીને વસ્તુઓ કબજે કરી છે. જેમાં નકલી ક્રીમની 801 નંગ ડબ્બીઓ (50 ml), કંપનીના લોગોવાળા નકલી સ્ટીકરો અને પારદર્શક પેકિંગ રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળી સેલોટેપ મળી કુલ કિંમત આશરે 3.19 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્વચા માટે અત્યંત જોખમીનિષ્ણાતોના મતે, આ ક્રીમમાં વપરાયેલું મટીરિયલ હલકી ગુણવત્તાનું હોવાથી ત્વચા પર ખીલ, કાળા ડાઘ અથવા ગંભીર ઈન્ફેક્શન થવાની પૂરેપૂરી શક્યતા છે. ત્વચાને કોમળ બનાવવાના બહાને આ ક્રીમ લોકોના ચહેરાને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. પુણા પોલીસે આરોપી અર્ષિત દેસાઈ વિરુદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે છેલ્લા દોઢ મહિનાથી આ કાળો કારોબાર ચલાવી રહ્યો હતો.
વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો મેલ મળ્યો છે. ઈ-મેલમાં લખવામાં આવ્યું છે કે, '1 વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.' આ ગંભીર ધમકીને પગલે અકોટા પોલીસ, એસ.ઓ.જી., વડોદરા ક્રાઈમ બ્રાન્ચ તેમજ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને હાલમાં કલેક્ટર કચેરીના તમામ વિભાગોમાં સઘન ચેકિંગ અને સુરક્ષા તપાસની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
દિવ્ય ભાસ્કર તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. સોશિયલ મીડિયા પર જ્ઞાન વહેંચે અને ખાનગીમાં કવર ઉઘરાવેસોશિયલ મીડિયામાં સતત સક્રિય એક અધિકારી સોશિયલ મીડિયાના માધ્યમથી કવિતા, જોક અને લોકોને સલાહ આપે છે. થોડા સમય અગાઉ જ તેઓ અમદાવાદમાં બદલી થઈને આવ્યા છે. ડાહી વાતો કરનાર આ અધિકારીએ જ તેમના તાબા હેઠળના પીઆઇ પાસેથી દર મહિને કવર મેળવવા એક પોલીસકર્મી રાખ્યો છે. આ અધિકારી અગાઉ પણ અમદાવાદમાં નોકરી કરી ચૂક્યા છે ત્યારે વિવાદમાં આવ્યા હતા. હવે ફરીથી અમદાવાદમાં આવ્યા તો લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સલાહ આપી રહ્યા છે, પરંતુ પોતે દર મહિને કવર લેવાનું ચૂકતા નથી. PIએે ભૂતકાળની કમાણીના જોરે મોંઘી ક્લબમાં પરિવારના સભ્યનો જન્મદિવસ ઉજવ્યો અમદાવાદમાં અગાઉ નોકરી કરીને ગયેલા એક પીઆઇએ અમદાવાદની મોંઘી ક્લબમાં પોતાના પરિવારના સભ્યનો જન્મદિવસ ઉજવ્યો હતો. આ ઉજવણીમાં પોતાના જૂના સાથીઓ, અમદાવાદના મોટા અને માનિતા અધિકારીઓ, શહેરના અનેક અધિકારીઓનો કારોબાર સંભાળતા પોલીસકર્મીઓ અને વચેટિયા હાજર રહ્યા હતા. જાણે શક્તિ પ્રદર્શન હોય તેમ પીઆઇએ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં આવેલા કેટલાક લોકોને હવે બહુ જલ્દી અમદાવાદ આવવાના સંકેત આપ્યા હતા. મહત્વનું છે કે, જ્યારે પીઆઇ અમદાવાદમાં હતા ત્યારે તેમનો વટ હતો અને સારી એવી કમાણી પણ કરી ચૂક્યા હતા. તે જ પૈસાથી તેમણે મોંઘીદાટ ક્લબમાં જન્મદિવસની પાર્ટી રાખી હતી. એક્ટિવ રહેતા IPSની બદલી થતાં PI નિષ્ક્રિયઅમદાવાદમાં અગાઉ એક IPS અધિકારી ફરજ બજાવતા હતા ત્યારે ટ્રાફિક નિયમન સારી રીતે થતું હતું કેમ કે, IPS અધિકારી પોતે ફિલ્ડમાં હાજર રહેતા હતા. હવે નવા અધિકારી આવતા નીચેના પીઆઇ પણ હવે ઓછા જોવા મળી રહ્યા છે. જૂના અધિકારીની વિદાય બાદ અનેક પીઆ હવે નિષ્ક્રિય થયા છે. એક અધિકારી સોશિયલ મીડિયાથી નિરીક્ષણ કરે છે, પરંતુ બીજા અધિકારી તો ક્યારેક ફોન ઉઠાવવાની તસ્દી પણ લેતા નથી. કોઈ બનાવ બને ત્યારે નીચેના અધિકારી પર ઢોળી જવાબ આપવાનું પણ ટાળે છે. શહેરમાં આ સ્થિતિમાં આગામી દિવસમાં ટ્રાફિકની સમસ્યા વધે તો નવાઈ નહીં. કોઈના ડર વિના ચોકીમાં બેસીને ખુલ્લેઆમ વાહનચાલકો પાસેથી વસૂલાતઅમદાવાદમાં થોડા સમય અગાઉ એક પોલીસકર્મી ડ્યુટી પર દારૂ નશામાં પકડાયા હતા તે જ વિસ્તારમાં બ્રિજ નીચે ચોકીમાં બેસીને એક પોલીસકર્મી પરાક્રમ કરી રહ્યા છે. એક મહિલા અધિકારીને છૂટછાટ આપી હોવાથી આ પોલીસકર્મી બ્રિજ નીચે આવેલી એક ચોકીમાં બેસીને રસ્તેથી પસાર થતા ભારે વાહન અને નો એન્ટ્રીમાં આવેલા વાહનચાલકો પાસેથી વધારાના પૈસા વસૂલે છે. અગાઉ આ જ વિસ્તારમાં એક પોલીસકર્મી દારૂના નશામાં પકડાયા છતાં આ પોલીસકર્મી નિડર બનીને તેમના પરાક્રમ બેફામ રીતે કરી રહ્યા છે. પોલીસકર્મી પોતાની ફરજ છોડીને ટ્રાવેલ્સ માલિકોની સરભરામાં વ્યસ્તઅમદાવાદના અંડરબ્રિજ પાસેના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મીને તેમની નોકરી કરતા ટ્રાફિકમાં વધુ રસ છે. પોલીસકર્મીની નોકરી પોલીસ સ્ટેશનમાં છે છતાં હાજર અન્ય વિસ્તારમાં રહે છે. આ વિસ્તારમાં બેફામ ચાલતી ટ્રાવેલ્સે લોકોના જીવ લીધા છે, રાતના સમયે ટ્રાફિક જામ થાય છે છતાં પોલીસકર્મી પોતાની નોકરી છોડીને ટ્રાવેલ્સ માલિકોને મળવા પહોંચી જાય છે. એટલું જ નહીં ટ્રાફિકનો હદ વિસ્તાર લાંબો હોવાથી છેક બાજુના શહેર બોર્ડર સુધી કેટલીક વાર ચાલુ નોકરીએ આંટો મારવા નીકળી જાય છે. પશ્ચિમમાં સ્પા માલિકોના ઊંચા કોન્ટેક્ટથી રેડ જ પડતી નથીઅમદાવાદના પશ્ચિમના કેટલાક સ્પાના માલિકો પોલીસને ગાંઠતા ન હોવાની ચર્ચા ચાલી રહી છે. શહેર પોલીસ દ્વારા એક ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી જેમાં સ્પાના નામે ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃતિઓ પર રોક લાગી હતી. ત્યારે પશ્ચિમના કેટલાક સ્પામાં સ્થાનિક પોલીસ પાસે જ રેડ કરવાની શક્તિ નથી. સ્પા માલિકોના ઊંચા કોન્ટેક્ટ હોવાના કારણે રેડ પહેલાં જ ભલામણ થઈ જાય છે. કેટલાક કિસ્સામાં તો રેડ કરવા ટીમ જાય ત્યારે અગાઉથી જાણ થતા ગેરકાયદેસર પ્રવૃતિઓ ત્યાંથી હટાવી લેવામાં આવે છે. શહેરના પશ્ચિમ વિસ્તારના કેટલાક સ્પા આ બાબતે જાણીતા થયા છે.
અમદાવાદ ગ્રામ્ય પોલીસ હેડક્વાર્ટર ખાતે સુવિધાઓથી સજ્જ નવનિર્મિત ખાખી ભવનનું નિર્માણ થઈ ચૂક્યું છે. જેનું આજે(18 ડિસેમ્બર) નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. IPS અધિકારીઓ માટે જે પ્રમાણેની સુવિધાઓ IPS મેસમાં આપવામાં આવતી હોય છે, તે પ્રકારની જ સુવિધાઓ હવે પોલીસ કર્મચારીઓ માટે પણ ઉભી કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓ માટે ખાખી ભવન તૈયાર કરવામાં આવ્યું છે. સરકારી કામ માટે જે લોકો અમદાવાદ આવે છે તેવા અધિકારીઓ અને કર્મચારીઓને આ ખાખી ભવન ખૂબ ઉપયોગી બનવાનું છે. ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર માટે તેવી સુવિધાઓ ખાખી ભવનમાં કરવામાં આવી છે. 26 રૂમ, કાફે, કેન્ટીન સહિતની સુવિધા છે ખાખી ભવનમાંગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંથી જ્યારે અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ તપાસ માટે કે બીજા કોઈ કામ માટે અમદાવાદ આવતા હતા ત્યારે તેમના રહેવા માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા નહોતી. કોઈક હોટલ તો કોઈ ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા. જેથી અમદાવાદમાં જે પોલીસ કર્મચારીઓ આવે છે તેમને રહેવા માટેની કોઈ તકલીફ ન પડે તેવું સુવિધાઓથી સજ્જ ખાખી ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં તમામ સુવિધાઓ સાથેના 26 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. અત્યાધુનિક કાફે, કેન્ટીન સહિતની સુવિધાઓ પણ ખાખી ભવનમાં તૈયાર કરવામાં આવી છે. સંઘવી ખાખી ભવનમાં ઉદ્ઘાટનની સાથે સાથે પ્રોજેક્ટ બ્લુ સર્કિટનું નિદર્શન કરશેનાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખાખી ભવનમાં ઉદ્ઘાટનની સાથે સાથે પ્રોજેક્ટ બ્લુ સર્કિટનું નિદર્શન કરશે, પ્રોજેક્ટ અભયયાત્રી તથા ADR-SHIELD પ્લેટફોર્મ અનાવરણ, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અન્વયે મુદ્દામાલ સોંપણી, વિભાગીય પોલીસ અધિકારી અસલાલી વિભાગના નવીન બિલ્ડિંગનું લોકાર્પણ અને વિરમગામ ટાઉન પોલીસ લાઇનનું પણ ખાતમુહુર્ત કરશે. ખાખી ભવનનું 8.50 કરોડના ખર્ચે નિર્માણ કરાયુંખાખી ભવનનું 8.50 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 2400 ચોરસ મીટરમાં અતિ આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી રાજ્યમાં ક્યાંય પણ ન હોય તેવી સુવિધાઓ પોલીસ કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓના રહેવા માટે કરવામાં આવી છે. 2400 જેટલા ચોરસ મીટર બાંધકામમાં ત્રણ ફ્લોર તૈયાર કરવામાં આવ્યા છે. ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન, મેસ, ઇન્ડોર ગેમ્સ, જીમ રૂમ, લોન્ડ્રી રૂમખાખી ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ અલગ એક્ટિવીટી માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કિચન, મેસ, ઇન્ડોર ગેમ્સ, જીમ રૂમ, લોન્ડ્રી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં પોલીસ કર્મચારીઓ શાંતિથી જમી શકે તે માટે ડાઇનિંગ ટેબલ પણ રાખવામાં આવ્યા છે. 50 જેટલા લોકો એક સાથે જમી શકે તે પ્રકારે ડાઇનિંગ હોલ તૈયાર કરવામાં આવ્યો છે. જે તમામ સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવ્યું છે. પહેલા ફ્લોર પર સિંગલ કિંગ સાઈઝના બેડવાળા 12 રૂમપહેલા ફ્લોર પર સિંગલ કિંગ સાઈઝના બેડવાળા 12 રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. તમામ 12 રૂમ ફાઇવ સ્ટાર સુવિધાઓ સાથે બનાવવામાં આવ્યા છે. તમામ રૂમમાં ફૂલ ફર્નિચર બનાવવામાં આવ્યું છે. જેમાં સિંગલ સાઇઝ બેડવાળા રૂમમાં એસી, પંખા, ટીવી, ડાઇનિંગ ટેબલ, રૂમમાં પણ ડાઇનિંગ ટેબલ, રીડિંગ ટેબલ, સામાન મૂકવા માટે બે મોટા કબાટ, બાલ્કનીમાં પણ બે ખુરશી અને એક ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજા ફ્લોર પર 14 રૂમબીજા ફ્લોર પર 14 રૂમ બનાવવવા આવ્યા છે. જે ફાઇવ સ્ટાર હોટલને પણ ટક્કર મારે તેવા છે. આ તમામ 14 રૂમ ડબલ બેડ સાથે બનાવવામાં આવ્યા છે. જેમાં બે બેડ, એસી, પંખો, ડાઇનિંગ ટેબલ, રીડિંગ ટેબલ, સામાન મૂકવા માટે બે મોટા કબાટ, બાલ્કનીમાં પણ બે ખુરશી અને એક ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રીજા ફ્લોર પર ડોરમેટ્રીના ત્રણ રૂમ અને 28 સિંગલ સાઈઝના બેડત્રીજા ફ્લોર પર ડોરમેટ્રીના ત્રણ રૂમ બનાવવામાં આવ્યા છે. જ્યાં અલગ અલગ 28 જેટલા સિંગલ સાઈઝના બેડ સાથેના રૂમ બનાવવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ બેડ સાથે સામાન રાખવા માટે કબાટ પણ બનાવવામાં આવ્યા છે. તેમજ ત્રીજા ફ્લોર સાથે મોટી સાઇઝની બાલ્કની પણ બનાવવામાં આવી છે. ત્યાં પણ પંખાની સુવિધા અપાઈ છે.
વર્લ્ડ ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસ્સીએ ભારતના પ્રવાસ દરમિયાન અનંત અંબાણીના વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ અને સંરક્ષણ કેન્દ્ર વનતારાની પણ મુલાકાત લીધી હતી. જેનો વીડિયો સામે આવ્યો છે. હાથીના બચ્ચા સાથે મેસ્સી ફૂટબોલ રમ્યો હતો. તેમજ સિંહ, જિરાફ સહિતના પ્રાણીઓને નજીકથી નિહાળ્યા હતા અને પ્રાણીઓ સાથે મસ્તી કરતો પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત અહીં મેસ્સીએ અનંત અને તેની પત્ની રાધિકા સાથે આરતી કરી હતી. ભગવાનની મૂર્તિ સામે માથું પણ ઝુકાવ્યું હતું. ભગવાન શિવની પૂજા અર્ચના કરી હતી. મેસ્સી ભારતીય રંગમાં રંગાયો હતો. મેસ્સીએ એલિફન્ટ કેર સેન્ટરમાં બે વર્ષ પહેલાં બચાવવામાં આવેલી બીમાર હાથી પ્રતિમાના બચ્ચા મણિકલાલ સાથે ફૂટબોલ રમ્યો. આ પ્રસંગે અનંત અંબાણી અને રાધિકા અંબાણીએ એક સિંહના બચ્ચાનું નામ લિયોનેલ પણ રાખ્યું હતું. તેમની સાથે તેમના ક્લબના ફૂટબોલ ખેલાડી લુઈસ સુઆરેઝ અને રોડ્રિગો ડી પોલ પણ હાજર હતા. તસવીરોમાં જુઓ મેસ્સીનો વનતારા પ્રવાસ... શું છે વનતારા વનતારા રિલાયન્સના જામનગર સ્થિત રિફાઇનરી પરિસરના 3000 એકર ગ્રીનબેલ્ટમાં ફેલાયેલું છે. વનતારા પ્રોજેક્ટ પ્રાણીઓને સમર્પિત પોતાની જાતનો દેશનો પ્રથમ સૌથી મોટો પ્રોજેક્ટ છે. આ સમગ્ર વિસ્તારને ગાઢ જંગલની જેમ વિકસાવવામાં આવ્યો છે. વનતારામાં 43 પ્રજાતિઓના 2000થી વધુ પ્રાણીઓ છે. આજે અહીં 200 હાથી, 300થી વધુ દીપડા, વાઘ, સિંહ, જગુઆર, હરણ છે. આ ઉપરાંત મગર, સાપ અને કાચબા જેવા 1200થી વધુ સરીસૃપોનું આશ્રયસ્થાન છે. તેમની દેખરેખ માટે 2100 લોકોનો સ્ટાફ છે. અહીં પ્રાણીઓ-પશુ-પક્ષીઓ માટે હાઈટેક હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે. આ હોસ્પિટલ લગભગ 25 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. આ ઉપરાંત 650 એકરમાં એક પુનર્વસન કેન્દ્ર પણ બનાવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં એક્સ-રે મશીન, લેઝર મશીન, હાઈડ્રોલિક સર્જિકલ ટેબલ જેવી તમામ હાઈટેક સુવિધાઓ ઉપલબ્ધ છે.આ પણ વાંચો- ફૂટબોલર મેસ્સીએ વનતારા જોયું, અનંત-રાધિકાએ સિંહના બચ્ચાનું નામ લિયોનેલ રાખ્યું સચિન તેંડુલકરે લિયોનલ મેસ્સીને વર્લ્ડકપ જર્સી ગિફ્ટ કરી આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સી ભારતમાં 3 દિવસના 'GOAT ઇન્ડિયા' પ્રવાસે છે. પ્રવાસના બીજા દિવસે તેણે મુંબઈમાં ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર સાથે મુલાકાત કરી. સચિને વાનખેડે સ્ટેડિયમમાં તેમને પોતાનું નામ લખેલી ટીમ ઇન્ડિયાની જર્સી ભેટ આપી. સંપૂર્ણ સમાચાર વાંચો...
અમદાવાદમાં ડમ્પરના કારણે સતત અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે ખોખરામાં પણ ગત (18 ડિસેમ્બર)ની મોડી રાતે એક્ટિવા પર જઈ રહેલી 22 વર્ષીય યુવતીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પરચાલકે પાછળથી ટક્કર મારી હતી. જે ઘટનામાં યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. સ્થાનિકોએ ડમ્પરચાલકને પકડીને પોલીસને સોંપતા આઈ ડિવિઝન પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ કરી છે. મહત્વનું છે કે, 5 દિવસ અગાઉ ડમ્પરચાલકે એક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત થયું હતું. ડમ્પરે પાછળથી જોરદાર ટક્કર મારતા યુવતી એક્ટિવા સાથે નીચે પટકાઈખોખરામાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે. ખુશ્બુ ગઈકાલે રાતે પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસી મંદિર તરફ જઈ રહી હતી. જ્યારે તે અયોધ્યા સોસાયટી નજીક પહોંચી, ત્યારે પાછળથી પૂરઝડપે આવતા ડમ્પર (નંબર GJ-27-TT-1555)ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયાનક હતી કે, ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ હતી અને તેના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ ગંભીર ઈજાના કારણે યુવતીનું ઘટનાસ્થળે જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પરચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો. આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પરચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 5 દિવસ અગાઉ બનેલા અકસ્માતમાં પણ આરોપી હજી પોલીસ પકડથી દૂરનોંધનીય છે કે, હજુ ચાર દિવસ અગાઉ જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસ વિસ્તારમાં વાળીનાથ ચોક નજીક એક દંપતીને ડમ્પરચાલકે ટક્કર મારી હતી. તે અકસ્માતમાં મહિલાના માથા પર ડમ્પરનું ટાયર ફરી વળતા તેમનું પણ ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. તે ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા, પરંતુ તે ડમ્પરચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો અને હજી પણ પોલીસ પકડથી દૂર છે. ટૂંકા ગાળામાં ડમ્પરના કારણે બે નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા ડમ્પરચાલકોની બેફામ ગતિ સામે સખત કાર્યવાહીની માંગણી ઊઠી છે. આ સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠ્યાં છે. આ પણ વાંચો: વાળીનાથ ચોક પાસે જમાઈની ખબર કાઢવા જતા દંપતીને ડમ્પરે ટક્કર મારી, મહિલાના માથા પરથી ડમ્પર ફરી વળતા માથું છુંદાયું
વાંકાનેર હત્યા કેસમાં પ્રેમીને આજીવન કેદ:પરિણીતાને સળગાવી મારવાના ગુનામાં મોરબી કોર્ટે ચુકાદો આપ્યો
મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે વાંકાનેરના એક હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. પરિણીતાને જીવતી સળગાવી દેવાના ગુનામાં પ્રેમી શીવા કાનજી ભાટીને આજીવન કેદ અને ₹35,000 નો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઘટના વર્ષ 2014માં બની હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ કેસ 13 સપ્ટેમ્બર, 2014નો છે. વાંકાનેરના રહેવાસી સીતાબેન મહેન્દ્ર કરાર નામના પરિણીતાને તેમના પ્રેમી શીવા ભાટીએ પતિ અને બાળકોને છોડીને તેની સાથે રહેવા દબાણ કર્યું હતું. સીતાબેને આ પ્રસ્તાવનો ઇનકાર કરતા શીવા ભાટી ઉશ્કેરાઈ ગયા હતા. આરોપી શીવા ભાટીએ સીતાબેનને ગાળો આપી ધમકી આપી હતી કે જો તે તેની નહીં થાય તો કોઈની નહીં થવા દે. ત્યારબાદ તેણે સીતાબેનના માથે કેરોસીન છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલી સીતાબેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં શીવા ભાટી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ મોરબીના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટના જજ પી.વી. શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો. જિલ્લાના સરકારી વકીલ વિજય જાનીએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો અને મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા. આ દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી શીવા કાનજી ભાટીને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને કુલ ₹35,000 નો દંડ ફટકાર્યો છે.
નેશનલ હાઇવે 48 પર કરજણના કંડારી પાસે વહેલી સવારે એક ખાનગી લક્ઝરી બસ પલટી જવાની ગંભીર ઘટના બની છે. વડોદરાથી સુરત તરફ જઈ રહેલી આ બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા, જેમાંથી 10 લોકોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે અને એક મુસાફરની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી બસમાં ફસાયેલા એક વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર અર્થે ખસેડ્યો હતો. હાલમાં તમામ ઇજાગ્રસ્તોને કરજણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને કરજણ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.
વાંસદા તાલુકા સેવા સદનમાં કાર્યરત જનસેવા કેન્દ્રમાં લાખોના ખર્ચે વસાવેલું ટોકન વેન્ડિંગ મશીન છેલ્લા ઘણાં સમયથી ધૂળ ખાઈ રહ્યું છે, જેના કારણે સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાંસદા તાલુકા સદનમાં અરજદારો માટે મુકાયેલ ટોકન વેન્ડિંગ મશીનનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે આધાર કાર્ડ, આવકના દાખલા કે રેશન કાર્ડ જેવા મહત્વના કામો માટે આવતા લોકોએ કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે નહીં. અરજદારો માત્ર એક બટન દબાવીને પોતાનો વેઈટિંગ નંબર મેળવી શકે અને પોતાનો વારો આવે ત્યાં સુધી આરામથી બેસી શકે પરંતુ તંત્રની ઘોર બેદરકારીને કારણે આ મશીન હાલ ઘણા સમયથી બંધ હાલતમાં છે. મશીન બંધ હોવાને કારણે ડિજિટલ વ્યવસ્થા ઠપ્પ થઈ છે. પરિણામે દૂર-દૂરના ગામોમાંથી આવતા ગરીબ અને આદિવાસી અરજદારોએ વહેલી સવારથી જ બારીઓ પર લાંબી કતારોમાં ઉભા રહેવું પડે છે. જે કામ ટોકન પદ્ધતિથી શિસ્તબદ્ધ અને પારદર્શક રીતે થઈ શકતું હતું, તે હવે ધાંધલ-ધમાલ અને અંધાધૂંધી વચ્ચે થઈ રહ્યું છે. વૃદ્ધો અને મહિલાઓએ કલાકો સુધી ઉભા રહેવું પડતા રોષ જોવા મળી રહ્યો છે. તાલુકા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દરરોજ આ કચેરીની મુલાકાત લેતા હોવા છતાં કોઈએ આ ધૂળ ખાતા મશીન તરફ જોવાની તસ્દી લીધી નથી. પ્રશ્ન એ થાય છે કે,શું અધિકારીઓને પ્રજાની હાલાકી દેખાતી નથી?સરકારી મિલકતનો આવો બગાડ ક્યાં સુધી ચાલશે ?શું માત્ર કાગળ પર જ ડિજિટલ ઇન્ડિયા સિમિત છે.
ભાસ્કર ફોલોઅપ:લોકાર્પણના મહિના પછી પણ નવસારીનું ફાયર સ્ટેશન હજુ ‘લોકોને અર્પણ’ નહીં
નવસારીમાં મોડલ ફાયર સ્ટેશન લોકાર્પણ થયાના મહિના પછી પણ ‘લોકોને અર્પણ' થયું નથી. નવસારી શહેરમાં 14.80 કરોડના માતબર ખર્ચે વાજપાયી ગાર્ડન નજીક મનપાનું મોડેલ ફાયર સ્ટેશન, સ્ટાફ ક્વાટર્સ બનાવાયું છે. અહીંના વિશાળ પરિસરમાં ફાયર સાધનો મૂકવાની, ઓફિસ, પાર્કિંગ, ગાર્ડન, સ્ટાફ ક્વાટર્સ વગેરે સુવિધા ઉભી કરવામાં આવી છે. પાલિકા હતી ત્યારે આ કામની શરૂઆત થઈ હતી. હાલમાં 16 નવેમ્બરના રોજ આ સ્ટેશનનું લોકાર્પણ કેન્દ્રીય જળસંપતિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયું હતું. લોકાર્પણ એટલે લોકોને અર્પણ માનીએ તો સ્ટેશન તુરંત શરૂ થવાની આશા હતી પણ લોકાર્પણનો મહિનો થવા છતાં તે સ્થળે શરૂ કરાયું નથી. આ બાબતે મનપાના ફાયર વિભાગમાં તપાસ કરતા જાણવા મળ્યું કે હજુ ફાયર સ્ટેશનમાં ફર્નિચર સહિતનું કેટલુંક કામ બાકી હોય ત્યાં સ્ટેશન કાર્યરત હજુ થયું નથી.
નવસારી જિલ્લામાં પાનના ગલ્લા, ચા ની દુકાનો અને કરિયાણાના સ્ટોર્સમાં પ્રતિબંધિત રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનનું વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. નવસારી જિલ્લા પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરી 21 ગુના દાખલ કરતા જિલ્લાના વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે. તાજેતરમાં પાન પાર્લર અને અન્ય દુકાનોમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી ચીજવસ્તુના સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર પીઆઇ વી.જે. જાડેજા અને એસઓજીએ બાતમીદારો સક્રિય કરી નશીલા પદાર્થોના સેવનમાં વપરાતી આ સામગ્રી પકડવા કાર્યવાહી કરી હતી. આદેશના પગલે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ ટીમોએ નવસારી શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન પાન-પાર્લરો અને કરિયાણાની દુકાનોમાં તપાસ કરતા અનેક સ્થળેથી પ્રતિબંધિત રોલિંગ પેપર અને કોનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ બીઆઇએસ કલમ મુજબ 21 કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવાધનને નશાની લતથી બચાવવા જિલ્લા પોલીસે હાથ ધરેલી કાર્યવાહી યુવાધનને નશાની લતથી બચાવવા માટે આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ પાન પાર્લરો અને છુટક દુકાનો પર પોલીસનું આકસ્મિક ચેકિંગ ચાલુ રહેશે. જો કોઈ વેપારી આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓનું વેચાણ, સંગ્રહ કે હેરાફેરી કરતા ઝડપાશે તો તેની સામે કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી પણ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવી છે.
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં મજૂરી કામ કરતા શ્રમજીવી પરિવારના યુવાનની ચોકીદાર સાથે ગેટ બંધ કરવા સમય બાબતે વિવાદ થતા ચોકીદારે યુવાનના શરીરે તીક્ષ્ણ હથિયારથી ઉપરાછાપરી ઘા ઝીંકી દેતા યુવાનનું મોત થયું હતું. ફરાર આરોપીના સંબંધી અને સિક્યુરીટીના એજન્સીના સંચાલકની પોલીસે પૂછતાછ કરી હતી. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં શ્રમજીવી તરીકે કામ કરતા તાપી જિલ્લાના ડોલવણના ઘણા વર્ષોથી સુમનભાઈ ચૌધરી તેમની પત્ની સુમિત્રાબેન, દીકરો દીપકભાઈ (ઉ.વ. 35) ફાર્મના ગેટ નંબર-3 પાસે રહી મજૂરી કામ કરતા હતા. તેઓ મંગળવારના રોજ રાબેતા મુજબ સાંજે શાકભાજી લઈને સાંજે પરત ઘરે આવતા હતા. દરમિયાન ગેટ નંબર-3 પર ચોકીદાર તરીકે ફરજ બજાવતા ગૌરવ જગદીશ પટેલ (રહે. આટ,તા.જલાલપોર)એ શ્રમજીવી યુવાન દીપક ચૌધરીને કહ્યું કેમ મોડા આવ્યા. આ બાબતે દીપક અને ગૌરવ વચ્ચે અગાઉથી સમય પાબંદીને લઈ અદાવત સાથે ઝઘડો થયો હતો. ચોકીદાર ગૌરવ પટેલ તીક્ષ્ણ હથિયારથી દીપક ચૌધરી ઉપર તૂટી પડી માથા, છાતી, પીઠ સહિત બગલના ભાગે ઘા ઝીંકી દઈ ભાગી ગયો હતો. આગળ નીકળી ગયેલી દીપકની માતા સુમિત્રાબેને પુત્ર નહીં આવતા તેને જોવા જતા દીપક ઘાયલ અવસ્થામાં દોડતો દોડતો આવીને ફસડાઈ પડ્યો હતો. પરિવારે ઘાયલ દીકરા દીપક ચૌધરીને સારવાર માટે લઈ જાય એ પહેલા જ મોત થયાનું 108ના તબીબોએ તપાસી જણાવ્યું હતું. ચોકીદાર હત્યા કરીને ભાગી ગયો હતો. આવાગમન મુદ્દે શ્રમજીવીઓ સાથે અવારનવાર ચોકીદાર બાખડી પડતો હતોજલાલપોરના આટ ગામે રહેતા ગૌરવ જગદીશ પટેલના લગ્ન થયા અને સંતાન હોવાની માહિતી મળી છે. ગેટ નંબર-3 ઉપર ફરજ બજાવતા ચોકીદાર ગૌરવ પટેલ 7 વાગ્યા સુધીમાં આવી જવું તેમ આવતા જતા યુનિવર્સિટીના મજૂરોને પણ ગભરાવતો હતો.જેને લઇ મજુરી કામ કરતા લોકોએ ફરિયાદ પણ કરી હોવાની માહિતી મળી છે. મર્ડર કર્યા બાદ પોતાનું વાહન અને કપડા ઘટના સ્થળે મૂકી ભાગી ગયો હતો, ઝનૂનમાં આવી આઠ ઘા મારતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ચોકીદાર મોપેડ અને કપડા મુકી ફરારકૃષિ યુનિવર્સિટીના ગેટ નંબર-3 ઉપર ફરજ બજાવતો આરોપી ગૌરવ પટેલ દ્વારા મજૂરોને 7 વાગ્યા પહેલા ગેટની અંદર આવી જવું તેમ વારંવાર કહેતો હતો. મંગળવારે પણ સાંજે આખો પરિવાર શાકભાજી લઈને ઘરે પરત આવ્યા બાદ ગૌરવ સાથે દીપકની કોઈ બાબતે ગાળાગાળી બાદ ગેટ નજીક અંધારામાં જઈ ગૌરવે તીક્ષ્ણ હથિયાર કાઢી દીપક ચૌધરી પર અચાનક હુમલો કર્યો હતો. જેમાં મૃતકના શરીરે આઠ ઘા ઝીંકી દીધા ત્યારબાદ આરોપી ચોકીદાર તેમની એક્ટિવા મોપેડ અને પહેરેલા કપડા ત્યાં જ મૂકી ફરાર થઈ ગયો, ત્યારબાદ મોબાઈલ સ્વીચ ઓફ કરી ભાગી ગયો હતો. > ડી.ડી. લાડુમોર, પીઆઇ, જલાલપોર
ગેસ સ્ટેશનનો અભાવ:મમુઆરાથી છેક માળીયા સુધી સીએનજી ગેસ સ્ટેશનનો અભાવ
કચ્છએ ગુજરાતના મહત્વપૂર્ણ પર્યટન કેન્દ્રમાં માનો એક છે. જ્યાં દર વર્ષે લાખો પ્રવાસી આવે છે. પરંતુ પર્યટનની આ ચમકધમકની વચ્ચે મોરબીના માળિયાથી પૂર્વ કચ્છમાં છેક મમુઆરા સુધીના 118 કિલોમીટરના માર્ગ પર સીએનજી પંમ્પ નથી ! પર્યટકો વાહન લઇને નિકળી તો પડે છે પણ જ્યારે સીએનજી ભરાવવાનો વિચાર કરી મેપ ઓન કરે છે તો ચોંકી ઉઠે છે. કારણ કે ગૂગલ મેપ નેવિગેશન પર દર્શાવતી તસવીર મુજબ માળિયા, સામખિયાળી, ભચાઉથી મમુઆરા સુધીના લાંબા રૂટ પર એકપણ સીએનજી પંપ દર્શાતો નથી. ખાસ કરીને સીએનજી વાહનોની સંખ્યા સતત વધી રહી છે પરંતુ લાંબા અંતર સુધી ફ્યુઅલ સુવિધાનો અભાવ પ્રવાસીઓમાં અસુરક્ષા અને અવિશ્વાસ પેદા કરી શકે છે. રતનાલ બાદ અંજારથી માળીયા સુધી પણ કયાંય સીએનજી ગેસ સ્ટેશન નથી. બહારના પ્રવાસીઓ ગૂગલ મેપ પર વિશ્વાસ રાખીને આવે છે. પોતાના પૂરા પરિવાર સાથે કોઈ પ્રવાસીઓ આવે અને ગેસ સમાપ્ત થઈ જાય તો આ વિસ્તારમાં તેમને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી શકે છે. ગેસ સમાપ્ત થાય તો પેટ્રોલ પર વાહન ચલાવી શકાય છે પરંતુ સીએનજીના વધતા ઉપયોગ છતાં સુવિધા ઉપલબ્ધ નથી. આ રસ્તાઓ પર ગેસ સ્ટેશનની વ્યવસ્થા થાય તો રોજિંદી મુસાફરી અને પર્યટન બંને સુરક્ષિત બની શકે છે.
જિલ્લા ન્યાયાધીશ તેમજ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ભુજ આર્મી સ્ટેશનના સહયોગથી મિલિટરી સ્ટેશન ખાતે ‘માનવ અધિકાર દિવસ’ની ઉજવણીના ભાગરૂપે વિશેષ કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ,નવી દિલ્હી દ્વારા અમલમાં મુકાયેલી ‘વીર પરિવાર સહાય યોજના 2025’ અંગે ઉપસ્થિત જવાનો અને અધિકારીઓને વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન અપાયું હતું. ઉપસ્થિત જવાનોને સંબોધતા મુખ્ય અતિથિ તરીકે આવેલા જજ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ બી.એમ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર જવાનો અને તેમના પરિવારજનોને કાનૂની હક, સહાયતા અને ન્યાય સુલભ બને તે માટે રાષ્ટ્રીય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે. ‘વીર પરિવાર સહાય યોજના” હેઠળ શહીદ જવાનોના પરિવારજનોને મફત કાનૂની સહાય, વળતર યોજનાઓ અંગે માર્ગદર્શન, દસ્તાવેજીકરણમાં સહાય તેમજ કાયદેસર હકો માટે સહકાર આપવામાં આવે છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષ દિલીપ પી.મહીડાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં પેનલ એડવોકેટ પી.ડી.ધોળકિયાએ માનવ અધિકારોના મહત્વ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ રાષ્ટ્રીય અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા ઉપલબ્ધ મફત કાનૂની સેવાઓ અંગે અવગત કરાવ્યા હતા. કાર્યક્રમમાં પ્રશ્નોત્તરી સત્ર પણ યોજાયું હતું. જેમાં જવાનોના કાનૂની સહાય અને વિવિધ યોજનાઓના સંબંધિત પ્રશ્નોના સ્થળ પર જ ઉકેલ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં કર્નલ શિરીષ સિંઘ એસ.એસ.ઓ, લે.કર્નલ વિક્રમ ડી.ક્યુ.એમ.જી., મદદનીશ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી એચ.એન.લિમ્બાચીયા, મુખ્ય કારકુન સંજય કુમાર પંડયા તેમજ સુપ્રિટેન્ડેન્ટ હેત પરમાર સહિત સૈનિક વેલ્ફેર ઓફિસના અધિકારીઓ તેમજ કર્મચારીયો હાજર રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ રાષ્ટ્રરક્ષકો તથા તેમના પરિવારજનોને તેમના ન્યાયિક અધિકારોથી અવગત કરવા અને ન્યાયિક સુલભતા સુનિશ્ચિત કરી તેમનું સશક્તિકરણ કરવાનું હતું.
ભચાઉના વાંઢિયા અને ભુજના લોડાઈમાં અદાણી કંપની દ્વારા ખેડૂતોના ખેતરોના વીજ પોલ ઉભા કરતા હોવાથી ખેડૂતો દ્વારા 110 દિવસ સુધી આંદોલન કરાયું હતું. કિસાન સંઘ દ્વારા ચક્કાજામ કરતા કલેકટરએ જ્યાં સુધી વળતર મુદે કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી કામ બંધ રાખવાનો આદેશ કર્યો છે. જો કે કિસાન સંઘનું સ્પસ્ટ માનવું છે કે અમારું આંદોલન પૂર્ણ નથી થયું, વાંઢિયા આંદોલનમાં અડધી માંગો સ્વીકારાઈ છે, જયારે અન્ય 9 જેટલા મુદ્દા પર હજુ સુધી સરકાર દ્વારા કોઈ નિર્ણય આવ્યો નથી. ત્યારે કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા ફરી કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાન પુનઃ પ્રારંભ થઇ રહ્યો છે. 22 ડિસેમ્બરના નખત્રાણાના વિથોણથી યાત્રા ફરી શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય કિસાન સંઘની જિલ્લા સંકલન બેઠકમાં લેવામાં આવ્યો છે. જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ કરમણ ગાગલના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અને આગામી રણનીતિ અંગે ગંભીર ચર્ચાઓ કરવામાં આવી હતી. બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે, ખેડૂતોના હકો માટે ‘કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાન’ શરૂ કરવામાં આવશે. આ અભિયાનનો પ્રારંભ નખત્રાણા તાલુકાના વિથોણ ગામે ખેતાબાપાના સ્થાનકેથી 22 ડિસેમ્બરના થશે. આ અભિયાન અંતર્ગત કિસાન રથ જિલ્લાના તમામ બાકી રહેતા તાલુકાઓ અને ગામડાઓમાં ફરી વળશે અને ખેડૂતોને જાગૃત કરશે. જ્યાં સુધી ખેડૂતોના મુખ્ય 9 પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ કાર્યક્રમ અવિરત ચાલુ રહેશે. એટલું જ નહીં, પ્રશ્નો ઉકેલાય નહીં ત્યાં સુધી ખેડૂતો સરકારના તમામ કાર્યક્રમોનો વિરોધ કરશે તેવું પણ આ બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે. આ બેઠકમાં લડત સમિતિના કન્વીનર શિવજીભાઈ બરડીયા, સહ-કન્વીનર ડાયાભાઈ રૂડાણી, જિલ્લા મંત્રી વાલજીભાઈ લીંબાણી, જિલ્લા કોષાધ્યક્ષ હરુબાપા, તેમજ જિલ્લા ઉપપ્રમુખો રામજીભાઈ છાંગા, પરસોતમભાઈ પોકાર અને ભચાભાઈ માતા સહિતના અગ્રણી હાજર રહ્યા હતા. જાણો શું છે ખેડૂતોની સરકાર સમક્ષની માગકચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા ખેડૂતોની વેદના અને સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કરી 10 મુદ્દાનું માંગણીપત્ર જાહેર કરાયું છે. જેમાં મુખ્ય પ્રશ્નોમાં વીજ ટાવર લાઈન માટે પોલીસના જોરે ખેડૂતોની જમીન હડપવાની નીતિનો સખત વિરોધ. નર્મદાના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણી માટેની લિંક કેનાલોનું કામ ગોકળગાયની ગતિએ કામ અને બાકી રહેલી બે લિંક કેનાલોને તત્કાલ મંજૂરી આપવી. ‘સ્કાય યોજના’માં કૌશલ કંપનીની નિષ્ફળતા અને ખેડૂતોને ફટકારેલા લાખોના વીજ બિલ પરત ખેંચી કંપનીને બ્લેકલિસ્ટ કરવું. ભારે વરસાદથી નિષ્ફળ ગયેલા ખરીફ અને બાગાયતી પાકો માટે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ હેઠળ વળતર આપવું. ૦% વ્યાજે 5 લાખ સુધીના પાક ધિરાણની જાહેરાતનો તત્કાલ અમલ કરવો અને રવિ પાક માટે ખાતરની આગોતરી વ્યવસ્થા કરવી.પ્રમોગેશનની ક્ષતિઓ સુધારવી, ખેડૂતોના કબજાવાળી જમીનો તેમના નામે કરવી અને લેન્ડ ગ્રેબિંગના નામે હેરાનગતિ બંધ કરવી સહિતના આ પ્રશ્નોના નિરાકરણ માટે ૨૨ ડિસેમ્બરથી વિથોણથી જન જાગૃતિ અભિયાન શરૂ થશે. 3 તાલુકા અને 220 ગામોમાં ફરશે રથ યાત્રાકચ્છના વિવિધ ખડૂતોને સતાવતા પ્રશ્નોનું લાંબા સમયથી કોઈ નિરાકરણ ન આવતા કિસાન સંઘ દ્વારા ઓક્ટોબરમાં જંગી ગામમાંથી કિસાન અધિકાર જન જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જો કે વાંઢિયામાં કિસાન આંદોલન તેજ બનતા મુલતવી રાખ્યો હતો. હવે 22-12થી રથ નખત્રાણા, અબડાસા અને લખપતના 200 ગામોમાં ફરીને સભાનું આયોજન કરી ખેડૂતોને કનડગત થતા પ્રશ્નો અંગે ખેડૂતોને જાગૃત કરાશે.
ચારે તરફ ઘોર અંધારૂં અને સન્નાટો હતો....મને વિચિત્ર અવાજો સંભળાતા હતા.... આ શબ્દો છે યુવા ડૉક્ટર તેજસ્વીની શેઠના અને અનુભવ છે સૌથી ખતરનાક ગણાતી હેલ રેસનો. જ્યારે રાજસ્થાનના જેસલમેરની વાત આવે ત્યારે આપણાં મનમાં સૌથી પહેલાં ત્યાંનો સોનર કિલ્લો, થારનું રણ અને હવેલીઓ ફરવાનો વિચાર આવે પણ અમદાવાદના એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉક્ટર દંપતીને આનાથી જુદો જ વિચાર આવ્યો. તેમણે જેસલમેરમાં યોજાતી સૌથી ખતરનાક 'નર્ક' જેવી ગણાતી રેસમાં ભાગ લેવાનું નક્કી કર્યું. અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ હાર ન માનીને 161 કિલોમીટરની રેસ સમય કરતાં પહેલાં પૂરી કરી લીધી. આ રેસ પૂરી કરનારૂં ગુજરાતનું પહેલું અને દેશનું બીજું કપલ બની ગયું છે. સારા સારા એથ્લિટ્સ પણ જે રેસને અધવચ્ચે છોડી દે છે તે ધ હેલ રેસ શું છે? આ રેસનું આયોજન શા માટે કરવામાં આવે છે? અમદાવાદી ડૉક્ટર દંપતીને રેસમાં ભાગ લેવાનો વિચાર કેવી રીતે આવ્યો? આ માટે કેવા પ્રકારની મહેનત કરવી પડે છે? રણમાં બપોરની ગરમી અને રાત્રિની ઠંડીનો કેવો અનુભવ થયો? તે જાણવા દિવ્ય ભાસ્કરે અમદાવાદના ડૉક્ટર દંપતી ચિંતન શેઠ અને તેજસ્વીની શેઠ સાથે ખાસ વાતચીત કરી હતી. સૌથી પહેલાં તો હેલ રેસ વિશે ટૂંકમાં જાણી લો. 'ધ હેલ રેસ' આ નામ જ તેની ભયાનકતા વર્ણવે છે. આને હેલ રેસ એટલા માટે કહેવાય છે કારણ કે તે ખૂબ જ ખતરનાક હોય છે. દુર્ગમ જગ્યાઓ પર રેસનું આયોજન થાય છે તે પછી ભલે હિમાલયના પહાડો હોય કે રાજસ્થાનનું રણ હોય. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે વર્ષ 2018થી ધ બોર્ડરઃ જેસલમેર ટુ લોંગેવાલા રેસ યોજાય છે. આ રેસ જેસલમેરથી પાકિસ્તાન નજીક આવેલી લોંગેવાલા બોર્ડર સુધી કુલ 100 માઇલ્સ એટલે કે 161 કિલોમીટરમાં યોજાય છે. જેમાં 3 પ્રકારની કેટેગરી હોય છે. પહેલી કેટેગરી 8 કલાકમાં 50 કિલોમીટરની હોય છે. બીજી કેટેગરી 16 કલાકમાં 100 કિલોમીટરની હોય છે. જ્યારે ત્રીજી કેટેગરી 28 કલાકમાં 161 કિલોમીટરની હોય છે. રેસમાં 18થી 65 વર્ષના સ્પર્ધકો હતાઆ વખતે યોજાયેલી હેલ રેસમાં દેશભરમાંથી 18થી 65 વર્ષના 1200 કરતાં વધારે લોકોએ ભાગ લીધો હતો. 500 થી વધારે સ્પર્ધકો 50 કિલોમીટરની રેસમાં હતા. 400થી વધારે 100 કિલોમીટર સુધીની રેસમાં જ્યારે 300થી વધારે સ્પર્ધકો 161 કિલોમીટરની રેસમાં હતા. દિવસે ગરમી અને રાત્રે ઠંડીચારેતરફ રણ વચ્ચે દિવસે બળબળતી ગરમી અને રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થાય છે. આવા વાતાવરણ સામે ટકી રહેવું એક મોટો પડકાર હોય છે. રેસ ખરા તડકે બપોરે 12 વાગ્યે ચાલુ થાય છે. રેસમાં જોડાવા પાછળના ઉદ્દેશ્ય વિશે વાત કરતાં ડૉ. ચિંતન શેઠે કહ્યું, હું અને મારી પત્ની ડૉ. તેજસ્વીની લગભગ છેલ્લા આઠેક વર્ષથી રનિંગ સાથે જોડાયેલા છીએ. હાલમાં જ અમે બે વાર 100 કિલોમીટરની રન પૂર્ણ કરી છે. જેના પછી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો. 'અમને વિચાર આવ્યો કે આનાથી વધારે કિલોમીટરનો ટાસ્ક લેવો છે. જેથી અમે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો ધ્યાને આવ્યું કે આ પ્રકારની હેલ રેસ યોજાય છે. જેથી તેમાં ભાગ લેવાનું નક્કી કર્યું હતું.' કોચે હસતાં હસતાં કહ્યું રજિસ્ટ્રેશન કરાવી દોડૉ. તેજસ્વીની શેઠ જણાવે છે કે, અદાણી શાંતિ ગ્રામમાં જ્યારે નાઇટ અલ્ટ્રા રનમાં ભાગ લીધો ત્યારે જ મેં નક્કી કર્યું હતું કે મારે 100 કિલોમીટરની રેસમાં ભાગ લેવો છે. જ્યારે અમે હેલ રેસમાં રજિસ્ટ્રેશન કરવા માટે બેઠા તો ધ્યાને આવ્યું કે 100 કિલોમીટરની રેસમાં રજિસ્ટ્રેશન પૂરા થઇ ગયા છે. ખાલી હવે 100 માઇલની રેસમાં જ રજિસ્ટ્રેશન બાકી હતું. 'અમે અમારા મેન્ટર અમિત ભટ્ટાચાર્યને કહ્યું કે હવે 100 માઇલની રેસ માટે જ જગ્યા બાકી છે તો તેમણે હસતાં હસતાં કહ્યું કે કોઇ વાંધો નહીં, તમે રજિસ્ટ્રેશન કરાવી દો. આ સમયે હું અને મારા પતિ બંને એક બીજા સામે જોઇને વિચારવા લાગ્યાં હતા કે 161 કિલો મીટર!' ડુ ઓર ડાય રેસડૉ. ચિંતન શેઠે રેસ માટેના રજિસ્ટ્રેશન સમયની વાતને યાદ કરી. તેમણે કહ્યું, રેસ અંગે નેટ પર ઉપલબ્ધ માહિતી વાંચી તો તેમાં લખેલું હતું કે આ તો ડુ ઓર ડાય (કરો યા મરો) રેસ છે. અહીં નર્ક જેવો અનુભવ થશે જેમાંથી તમારે સફળતા મેળવવાની છે. આ રેસ બપોરે 12 વાગ્યે શરૂ થાય. 'રેસ રણમાં યોજાય એટલે પુષ્કળ ગરમીની અનુભૂતિ થાય. રણમાં 35 ડિગ્રી ગરમી હોય પણ એવું લાગે કે જાણે આપણે 45 ડિગ્રી ગરમીમાં દોડી રહ્યાં છીએ. બપોરે જેટલી ગરમી પડે તેટલી જ કડકડતી ઠંડી રાત્રે પડે કેમ કે ચારેય બાજું ખુલ્લા મેદાનો હોવાના કારણે અહીં પુષ્કળ ઠંડી લાગે.' રેસના 9 મહિના પહેલાથી તૈયારી શરૂ કરી દીધીડૉ. ચિંતન શેઠ રેસનું ફોર્મ ભર્યા બાદની તૈયારીઓ વિશે કહે છે, ફોર્મ ભર્યા પછી કોચ અમિત ભટ્ટાચાર્યના માર્ગદર્શન હેઠળ 9 મહિના પહેલાથી જ અમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી. કોચ અમને વિકલી શિડ્યુલ બનાવીને આપતા હતા. 'શરૂઆતના તબક્કે અઠવાડિયામાં અમે 20થી 25 કિલોમીટર દોડતાં હતા એ પછી ધીમે ધીમે તેમાં વધારો કરતાં ગયા. રવિવારના દિવસે 30થી 35 કિલોમીટર દોડતાં હતા. સાથે જ યોગા, મેડિટેશન અને સ્ટ્રેન્થનિંગ ઉપર પણ એટલો જ ભાર આપતાં હતા.' હવે આ ડૉક્ટર દંપતીએ રેસના અનુભવની વાત કહી. ડૉ. ચિંતન શેઠે કહ્યું, જ્યારે અમે રેસના સ્ટાર્ટિંગ પોઇન્ટ પર પહોંચ્યાં ત્યારે એડવેન્ચર કરવા જઇ રહ્યાં છીએ તેવી એક ફિલ આવતી હતી. અમારી આસપાસ આર્મીના ઘણાં જવાનો હતા. આર્મીના બ્રિગેડિયરે રેસનું ફ્લેગ ઓફ કર્યું હતું. ત્રણેય કેટેગરીના રનર્સનું એકસાથે ફ્લેગ ઓફ થયું હતું. 50 કિલોમીટર સરળતાથી કપાઇ ગયા'પહેલાં તો બધા સાથે હતા એટલે ગરમી તરફ ધ્યાન ન ગયું પણ જેમ જેમ બધા પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે દોડતા ગયા અને આગળ પાછળ થવા લાગ્યા એટલે ગરમી ઉપર ધ્યાન ગયું અને તેનો અનુભવ થવા લાગ્યો. શરૂઆતના 50 કિલોમીટર સુધીનો રન ખૂબ જ સરળ લાગ્યો પણ હાઇડ્રેશન અને ન્યુટ્રિશનનું ખૂબ જ ધ્યાન રાખવું પડ્યું હતું.' 'મારૂં વજન 64 કિલો છે એટલે મારે શરીરીને મેન્ટેન રાખવા માટે દર કલાકે 60થી 70 ગ્રામ ગ્લૂકોઝ, 1.5 થી 2 ગ્રામ સોડિયમ સાથે પોટેશિયમ અને દોઢ થી બે લિટર પાણીની જરૂરિયાત પડતી હતી.' ડૉ. તેજસ્વીની શેઠે કહ્યું કે, જ્યારે રેસ ચાલુ થઇ ત્યારે મારે કોઇપણ નેગેટિવિટી લાવ્યા વગર ફક્ત દોડવા પર જ ફોકસ કરવાનું હતું. એ સમયે મારા મનમાં એવું ક્યાંય નહોતું કે હું આ રેસમાં કેમ દોડી રહી છું. કેટલાક કિલોમીટર ખૂબ જ મુશ્કેલીભર્યાં હતા પણ મારે તેનો અનુભવ કરવો હતો. રેસ દરમિયાન રાતના અંધકારમાં સન્નાટા વચ્ચે કેવા-કેવા અનુભવો થયા તેની વાત ડૉ. તેજસ્વીનીએ કહી. સન્નાટામાં વિચિત્ર અવાજો સંભળાતા હતા'100 કિલોમીટર દોડ્યાં પછી ખબર નહીં કે એકદમ શું થઇ ગયું? હું ડલ થઇ ગઇ હતી. આ રેસને સમયસર પૂર્ણ કરવા માટે હું મારા પતિને અવાર નવાર કહેતી કે આપણે હજી વધારે ભાગવું પડશે, આપણે આટલા પાછળ છીએ ત્યારે તેઓ મને રિલેક્સ થઇને દોડવાનું કહેતાં હતાં.' 'થોડા સમય પછી એવું થયું કે મારી સ્પીડ વધુ હોવાના કારણે હું આગળ જતી રહી અને તે પાછળ રહી ગયાં. આવા સમયે મારા પતિને પણ થયું હતું કે તેજસ્વીની વધારે આગળ જતી રહેશો તો મને દોડવામાં તકલીફ પડશે પછી અમે નક્કી કર્યું હતું કે અમે સાથે જ રેસ પૂરી કરીશું.' 'જ્યારે રાતનો સમય થયો ત્યારે ચારેય બાજુ અંધારું હતું. એટલો સન્નાટો હતો કે કેટલાક વિચિત્ર અવાજો પણ સંભળાતા હતા. કેટલીકવાર તો એવું લાગ્યું કે આસપાસમાં કોઇ છે પણ પછી જેવી હેડલાઇટ એ બાજુ લઇ જઇએ તો કોઇ જ ન હોય.' 'આ દરમિયાન મને પગમાં કોઇ ઇજા થઇ અને પગ ભયંકર દુખવા લાગ્યો. એટલી હદે દુખાવો થતો હતો કે પગ ઉપડી શકે તેમ નહોતો. હું ખૂબ જ ટેન્શનમાં આવી ગઇ હતી. મેં ડેવિસ ગોગિન્સ નામના અલ્ટ્રા રનરને યાદ કર્યાં. તેમને પડેલી મુશ્કેલીઓ મેં વાંચી હતી એટલે તેમને રિકોલ કરી દવા લીધી અને ફરી રન કરવાનું શરૂ કરી દીધું.' 25 મિનિટ દોડવાની, 5 મિનિટ ચાલવાની સ્ટ્રેટેજીડૉ. ચિંતને કહ્યું, રાત્રે ઠંડક વધવાની સાથે પાણીનો ઉપયોગ ઓછો થવા લાગ્યો. પહેલાં હું દોઢ લીટર પાણી સાથે રાખીને દોડતો હતો પછી તે ઘટાડીને મેં 750 મિલી કરી દીધું. જ્યારે રેસની શરૂઆત કરી ત્યારે મેં અને મારી પત્નીએ એક સ્ટ્રેટેજી નક્કી કરી હતી કે 25 મિનિટ દોડવાનું અને એ પછી પાંચ મિનિટ વોક કરવાનું. 'આ સ્ટ્રેટેજી અમે 75 કિલોમીટર સુધી ફોલો કરી હતી. જેના પછી થાક લાગવાનું પ્રમાણ વધતાં અમે વોકિંગ વધારે કરવાનું નક્કી કર્યું હતું. 60 કિલોમીટરનું અંતર કાપીને અમે કપડાં ચેન્જ કર્યા હતા. વધુ 40 કિલોમીટર પછી અમારે ફરીથી કપડાં ચેન્જ કરવા પડ્યાં હતા. દર 10 કિલોમીટરે રિલેક્સેશન સ્ટેશન હતા. જ્યાં ફૂડથી લઇને કોઇપણ તકલીફ હોય તો મદદ મળી શકતી હતી.' રાતે 3 વાગ્યે 100 કિલોમીટરની રેસ પૂરી થઇ'અહીં શરૂઆતથી લઇને એન્ડ પોઇન્ટ સુધી એક પણ સ્ટ્રીટ લાઇટ નહોતી. માથા પર લગાવેલી લાઇટના આધારે જ આગળનો રસ્તો જોઇ શકાતો હતો. 100 થી 120 કિલોમીટર સુધી અમે માત્ર વોક જ કર્યું હતું કેમ કે એક બાજુ થથરી જવાય એવી ઠંડી હતી તો બીજી બાજું ઝોકાં પણ આવતાં હતા.' રેસ દરમિયાન આ દંપતીએ ખતરનાક સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો. 130 કિલોમીટર પછી ખરી કસોટી શરૂ થઇડૉ. ચિંતને કહ્યું, 130 કિલોમીટરની રન પછી મારો ખરો પડાવ શરૂ થયો હતો. મને શ્વાસ ચઢવાનું શરૂ થયું, કફિંગ પણ થઇ ગયું. આવામાં મારે સ્પીડ પણ ઘટાડવી પડી હતી. અત્યાર સુધી હું અને મારી વાઇફ સાથે દોડી રહ્યાં હતા પણ અહીંથી અમારા બંનેનો સાથ છૂટી ગયો. મેં તેને કહ્યું કે તું આગળ વધ, હું ધીરે ધીરે પાછળ આવુ છું. હવે આપણે 161 કિમીની ફિનિશ લાઇન ઉપર જ મળીશું. 'આ સમયે મને લાગ્યું કે હું હવે આ રેસ પૂરી નહીં કરી શકું પણ ફરી મેં મારી જાતને મોટિવેટ કરીને નક્કી કર્યું કે ગમે તે થાય એ રેસને પૂરી તો કરવી જ છે. અંતે મેં રેસ તો પૂરી કરી જ પણ મારી વાઇફે મારા કરતાં પણ એક કલાક પહેલાં રેસ પૂરી કરી હતી.' 'રેસમાં સૌથી મહત્વની બાબત એ રહીં કે અહીં બપોરે 35 ડિગ્રી તાપમાન હતું પણ સૂર્ય એકદમ સામે હોવાના કારણે 45 ડિગ્રી જેટલી ગરમીનો અનુભવ થઇ રહ્યો હતો. જ્યારે રાત્રે 10 સેલ્સિયસ તાપમાન હતું છતાં પણ જાણે કે 3 થી 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તેવો અનુભવ થયો હતો.' કપરી સ્થિતિમાં છેલ્લા 10 કિલોમીટરની સફર કેવી રહી? તે વિશે ડૉ. તેજસ્વીનીએ કહ્યું કે, જ્યારે છેલ્લા 10 કિલોમીટરની રેસ બાકી હતી ત્યારે મનમાં એવું થયું કે હવે તો માત્ર 10 કિલોમીટર જ છે ને આ તો ચાલતા પૂરૂં થઇ જાય. જેથી મેં વોક કરવાનું શરૂ કર્યું તો મને ઊંઘ આવવાની શરૂ થઇ ગઇ હતી. પતિનો ફોન સ્વીચ ઓફ થયો ને ચિંતા વધી'આ પછી મેં મારી આગળ દોડી રહેલાં રનર્સને ધ્યાનમાં રાખીને દોડવાનું શરૂ કર્યું. જેના પછી એક એક રનરને પાછળ છોડતી ગઇ અને છેવટે આ રેસ મેં પૂરી કરી લીધી. મેં રેસ પૂર્ણ કરી એ પછી મને એકદમ વિચાર આવ્યો કે મારા પતિ ક્યાં છે? મેં તેમને ફોન કર્યો પણ તેમનો ફોન સ્વીચ ઓફ આવવા લાગ્યો હતો.' 'આ સમયે સતત વિચાર આવવા લાગ્યો કે તે ક્યાં હશે? બધું બરાબર તો છે ને? કંઇ થઇ તો નહીં ગયું હોય ને? પણ રેસ પૂરી થવાને લગભગ એકાદ કલાકનો સમય બાકી હશે એ પહેલાં જ તેમણે ફિનિશ લાઇન પાર કરી લીધી હતી. ત્યારે થયું કે આ રેસ પૂરી કરવાનો અમારો સંકલ્પ ભગવાને જ પૂરો કરાવ્યો છે.' 'નર્કની નહીં, સ્વર્ગની રેસ છે'ડૉ. ચિંતન શેઠે કહ્યું, છેલ્લા 30 થી 40 કિલોમીટરનો અનુભવ તો ખૂબ જ અલગ રહ્યો કેમ કે એ ટ્રેક એલિવેશનવાળો હતો. જ્યારે લગભગ 300 મીટરનું અંતર બાકી હતું ત્યારે મને સામે ફિનિશ લાઇન દેખાઇ. આ જોઇને મારી સ્પીડ વધવા લાગી હતી. આ ક્ષણે મને એટલો આનંદ હતો કે દુનિયાની કોઇપણ વસ્તુ મને તેટલો આનંદ ન આપી શકે. આ રેસનું નામ ભલે નર્કની રેસ કહેવાય છે પણ મારા માટે તો ખરેખર સ્વર્ગની રેસ હતી. સામાન્ય રીતે જ્યારે કોઇ વ્યક્તિ રેસમાં જાય ત્યારે ઓછામાં ઓછો સામાન સાથે રાખે છે જેથી સામાનનો એકસ્ટ્રા વજન ન લાગે પણ આ રેસ બાકીની રેસ કરતાં અલગ હતી. આમાં ભાગ લેનારા તમામ લોકોએ ફરજિયાત કેમલ બેગ લગાવવાની હતી. આ અંગેનો અનુભવ વર્ણવતા ડૉ. ચિંતન શેઠ કહે છે કે, આ રેસમાં મેં પાછળ એક કેમલ બેગ લગાવી હતી. પોકેટમાં બન્ને બાજુએ પણ પાણીની બોટલ સાથે રાખી હતી એટલે અંદાજે મેં બેથી અઢી કિલો વજન સાથે આ રેસ પૂર્ણ કરી હતી. વોકિંગ કે દોડવું એ આ ડૉક્ટર દંપતીના જીવનનો ભાગ જ નહોતો. તેમણે ભૂતકાળમાં કેવી રીતે શરૂઆત કરી હતી તે પણ કહ્યું. ડૉ. ચિંતન કહે છે, આજથી આઠેક વર્ષ પહેલાં હું વોકિંગ પણ નહોતો કરતો એટલે દોડવું એ મારા જીવનનો ભાગ નહોતો. જેથી મારૂં વજન વધી ગયું હતું. મને બ્લડ પ્રેશરની બીમારી શરૂ થઇ ગઇ હતી, હૃદયના ધબકારા પણ અચાનક વધવા લાગ્યા હતા. 'ડૉક્ટર હોવાના લીધે મને એ ખબર હતી કે જો મારા શરીરમાં આવું ને આવું ચાલ્યું તો હાર્ટ એટેક કે પછી ડાયાબિટિસનું જોખમ વધી શકે છે. જેથી મેં શરૂઆતમાં વોકિંગ કરવાનું શરૂ કર્યું. થોડા સમય પછી વોકિંગમાંથી જોગિંગ અને તેમાંથી રનિંગ સુધી મારી સફર પહોંચી હતી. વજન ઘટાડવા માટે મેં ડાયટ પ્લાન શરૂ કર્યો હતો. રનિંગ શરૂ કર્યાના એક જ વર્ષમાં બ્લડ પ્રેશરની દવા બંધ થઇ ગઇ. હાર્ટના ધબકારા અને બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં આવી ગયા.' દરરોજ 45 મિનિટ દોડવાનો સંકલ્પડૉ. તેજસ્વીનીએ ઉમેર્યું, જ્યારે હું કોલેજમાં ભણતી હતી ત્યારે અમારી હોસ્ટેલની સામે જ એક ગ્રાઉન્ડ હતું. શરૂઆતના દિવસોમાં હું ત્યાં ચાલવા માટે જતી એ પછી ધીરેધીરે મેં દોડવાનું શરૂ કર્યું હતું ત્યારે મેં નક્કી કર્યું હતું કે હું દરરોજ 45 મિનિટથી એક કલાક દોડીશ. 'લગ્ન બાદ માતા બન્યાં પછી પણ મેં આ ટેવ ચાલુ રાખી છે. આનો બધો જ શ્રેય હું મારા સાસુને આપવા માંગુ છું કેમ કે જ્યારે એક સ્ત્રી લગ્ન કરીને નવા પરિવારમાં જાય છે ત્યારે તેના માટે સૌથી પહેલી પ્રાયોરિટી તેનો પરિવાર હોય છે. મારા સાસુનો મને પૂરો સપોર્ટ મળી રહ્યો છે. તેઓ મને સામેથી કહે છે કે તું પ્રેક્ટિસ કર, હું બધું મેનેજ કરી લઇશ. આ મારા માટે ખૂબ મોટિવેશન છે.' આ રેસ યોજાવા પાછળનો હેતુ જણાવતાં ડૉ. ચિંતન શેઠે કહ્યું, 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ભારતની પંજાબ રેજિમેન્ટના 120 જવાનોએ દુશ્મન દેશ પાકિસ્તાનના 2 હજારથી વધુ સૈનિકો અને ટેન્કરોનો આખી રાત સામનો કર્યો હતો. સવાર પડતાં જ ભારતીય વાયુ સેનાએ મોરચો સંભાળ્યો હતો અને આપણો વિજય થયો હતો. આ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે હેલ રેસ યોજાય છે. વિશ્વાસ નામના આર્મીના પૂર્વ જવાન દ્વારા આ રેસ યોજાય છે.
‘અમે રિસર્ચ કરીને શરૂઆતમાં લગભગ 4,000 વારમાં દુનિયાભરનાં બેસ્ટ લોકેશન્સવાળી 15-20 થીમ સાથે સ્ટુડિયો બનાવવાની શરૂઆત કરી. બીજા ફિલ્મ સિટીની જેમ થર્મોકોલ અને પ્લાયવાળા ખોખલા નહીં, પણ સિમેન્ટ-પથ્થરથી નક્કર ઓરિજિનલ સેટ બનાવ્યા. સાથે સ્ટુડિયોમાં જ લગભગ 24 જેટલા રૂમ બનાવ્યા. 2019માં અમે આ સ્ટુડિયો ‘La Fabuloso’ લોન્ચ કર્યો. એ વખતે અમદાવાદમાં આ પ્રકારનો કોઈ સ્ટુડિયો હતો જ નહીં એટલે અમારો સ્ટુડિયો બહુ ઝડપથી લોકોની પસંદગી બની ગયો.’ આપણાં ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે ફરીને ધંધો કરવા માટે ફેમસ છે, પણ આ ગુજરાતીએ તો ધંધો કરવા માટે પૂરી દુનિયાને અમદાવાદમાં લાવી દીધી! આ અમદાવાદી પિતા-પુત્રીએ બધા જ બિઝનેસ છોડી એવો નવો આઇડિયા શોધ્યો કે, કોમન મેનથી લઈ ફિલ્મી કલાકારો સુધીના દરેકના શૂટિંગના પ્રશ્નો સોલ્વ કરી નાખ્યા. IT ફિલ્ડ છોડી યુવા આંત્રપ્રેન્યોર શિમોલી શાહે તેમના પિતા સૌરીનભાઈ સાથે મળીને અમદાવાદના પાદરે એવો અનોખો સ્ટુડિયો બનાવ્યો કે, જેમાં એક જ લોકેશન પર તમને દેશ-દુનિયાના 40થી પણ વધુ આબેહૂબ લોકેશન મળી રહે. તો ચલો, ‘સ્ટાર્ટઅપ સ્ટોરીઝ’ના આજના એપિસોડમાં જાણીએ આ યુનિક બિઝનેસ વિશે… હીરાથી પથ્થર સુધી તમામ કામો કરીને આગળ આવ્યા મૂળ અમદાવાદના જ સૌરીનભાઈએ વાતની શરૂઆત કરી, ‘ભણવામાં મને એટલો રસ નહોતો એટલે હું ગ્રેજ્યુએશન પૂરું ન કરી શક્યો, એટલે ધંધામાં ઝંપલાવ્યું. 1999 સુધી બિલ ડિસ્કાઉન્ટથી લઈ હીરા સુધી ઘણાં બધાં કામ કર્યાં. ત્યારથી 2008 સુધી આનંદજી કલ્યાણજી પેઢી સાથે જોડાયો અને પાલીતાણા ડુંગર પરનાં મંદિરો બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. 2008માં અહીં નળ સરોવર પાસે એક સ્કીમમાં પાર્ટનરશિપ કરી અને બાદમાં 2020 સુધી પ્લોટના લે-વેચનો બિઝનેસ અને કોન્ટ્રાક્ટરનું કામ કર્યું. આ બધા વચ્ચે મારી દીકરી શિમોલીએ ITમાં અહીંથી ગ્રેજ્યુએશન કરી ન્યૂ યોર્ક, USAમાં માસ્ટર્સ પૂરું કર્યું. પણ મારી દીકરી સિંગલ ચાઇલ્ડ હતી એટલે માસ્ટર્સ પૂરું કરી ઈન્ડિયા રિટર્ન આવી અને અહીં જ સેટ થવાનું નક્કી કર્યું.’ ‘દીકરી એક્ઝેક્ટ 365મા દિવસે નોકરીમાં રિઝાઇન આપીને આવી’ સૌરીનભાઈએ વાત ચાલુ રાખી, ‘દીકરીએ ITમાં માસ્ટર્સ કરેલું હતું એટલે મારા જ એક મિત્રની કંપનીમાં ITની જોબ શરૂ કરી. પણ ITમાં સમય પુષ્કળ આપવો પડતો હતો એટલે એ કંટાળી ગઈ કે મારે એ જોબ નથી કરવી. પણ મેં સમજાવી કે શરૂઆત તો આવું લાગશે, થોડો ટાઈમ આપ, એકાદ વર્ષ કામ કર એટલે બધું બરોબર થઈ જશે. શિમોલીએ મારી વાત માની, પણ એને મજા નહોતી આવતી. એટલે એક વર્ષ પછી એક્ઝેક્ટ 365મા દિવસે એની ઓફિસમાં રિઝાઇન આપીને જ ઘરે આવી અને મને કહ્યું કે મેં જોબ છોડી દીધી છે. હવે એને બિઝનેસ કરવો હતો, પણ IT ફિલ્ડમાં એને ઇન્ટરેસ્ટ જ નહોતો.’ ફૂડ ટ્રક, કેફે જેવા અઢળક ઓપ્શન પછી પ્રિ-વેડિંગનો આઇડિયા આવ્યો તો આ ITથી સાવ અલગ આ સ્ટુડિયો બનાવવાનું કઈ રીતે વિચાર્યું? સૌરીનભાઈ કહે, ‘શિમોલીને ITમાં રસ નહોતો એટલે મેં છૂટ આપી કે, કોઈ વાંધો નહીં. તારે જે ફિલ્ડમાં બિઝનેસ કરવો હોય એ કર. શરૂઆતમાં એ થોડા ઓપ્શન લઈને આવી કે, આપણે ફૂડ ટ્રક સ્ટાર્ટ કરીએ, CCD જેવી કૉફી શોપ કરીએ કે કોઈ ફૂડનો બિઝનેસ કરીએ. એટલે મેં કહ્યું કે, જો તારે ફૂડ ટ્રક જ કરવો હોય તો એ માટે આખો દિવસ આપવો પડશે, સવારે 5 વાગ્યે શાકભાજી અને બધો સામાન લેવા જવું પડશે, એ તું કે હું જવાનાં નથી. ત્યાંથી લઈ વાનગીઓ બનાવવા સુધી બધાં જ કામ કારીગર જ કરવાનાં છે. તો એ કામ તો કોઈ ₹25 હજારની જોબમાં પણ કરી આપે, તારું એમાં યોગદાન શું રહે? એટલે પછી એણે ફરી બીજા ઓપ્શન વિચારવાના શરૂ કર્યા. એવો કોઈ પ્લાન હતો કે, પ્રિ-વેડિંગને લઈ કંઇક કરીએ. થોડું રિસર્ચ કર્યું તો ખબર પડી કે આપણે આ પ્રકારનો અલગ અલગ બેકડ્રોપ ધરાવતો વિશાળ સ્ટુડિયો બનાવી શકીએ.’ નવો આઇડિયા, જૂનો અનુભવ મળીને બન્યો અનોખો સ્ટુડિયો આ ફિલ્ડ તો તમારા અનુભવ બહારનું હતું, તો કેવી રીતે તૈયારી કરીને ઝંપલાવ્યું? સૌરીનભાઈ કહે, ‘2018માં અમે દિલ્હી જઈને ત્યાં આ પ્રકારના બે-ચાર સ્ટુડિયો જોઈ આવ્યાં. બધું જોયું એટલે શ્યોર થયું કે આ પ્રકારનો સ્ટુડિયો આપણે બનાવી તો શકીએ. સાણંદ-નળ સરોવર રોડ પર મારી પાસે એક પ્લોટ પડ્યો હતો, જેમાં હું પાર્ટનર હતો. અને પાલીતાણામાં મેં ટેમ્પલ કોન્ટ્રાક્ટર તરીકે કામ પણ કર્યું હતું એટલે કન્સ્ટ્રક્શનનો તો મને અનુભવ હતો જ. એટલે આ તરફ બિઝનેસ વધારવાનું શરૂ કર્યું. પ્લસ, કંઇક નવું બનાવવું એ મારો શોખનો વિષય છે. એટલે અમે સારી સારી જગ્યાઓની રેપ્લિકા બનાવવાનું શરૂ કર્યું.’ આખી દુનિયા ફર્યા હતા, પછી દુનિયાને અમદાવાદમાં લાવ્યા કઈ કઈ થીમ શરૂઆતમાં બનાવી હતી? સૌરીનભાઈ કહે, ‘અમને ફરવાનો ભારે શોખ, એટલે દુનિયાના અલગ અલગ દેશોમાં અમે ફર્યા હતા એ બધું યાદ કર્યું. એ ફોટોઝ તો અમારી પાસે હતા જ, સાથે અત્યારે તો ગૂગલ પર પણ જે માગો તે બધું મળી જ રહે છે. એટલે એ બધું રિસર્ચ કરી શરૂઆતમાં લગભગ 4,000 વારમાં સ્ટુડિયો બનાવવાની શરૂઆત કરી અને 15-20 થીમ બનાવી. પણ બીજા ફિલ્મ સિટીમાં જેમ થર્મોકોલ અને પ્લાય વાપરીને તૂટી જાય તેવા ખોખલા સેટ બનાવે છે, મેં એવું કરવાને બદલે બધું જ ઓરિજિનલ, સિમેન્ટ-પથ્થરથી નક્કર બનાવ્યું. અને સાથે સ્ટુડિયોમાં જ લગભગ 24 જેટલા રૂમ બનાવ્યા. તેની પાછળનો આઇડિયા એવો હતો કે ભવિષ્યમાં જો કદાચ આ બિઝનેસ ન ચાલે તો એને અમે રિસોર્ટ તરીકે તો ચલાવી જ શકીએ. 2019માં અમે આ સ્ટુડિયો ‘La Fabuloso’ લોન્ચ કર્યો. એ વખતે અમદાવાદમાં આ પ્રકારનો કોઈ સ્ટુડિયો હતો જ નહીં એટલે અમારો સ્ટુડિયો બહુ ઝડપથી લોકોની પસંદગી બની ગયો.’ રાજસ્થાનના પેલેસ અમદાવાદમાં ઉભા કર્યા 2019માં તો કોરોના આવી ગયો હતો, તો શરૂઆતમાં જ લોકોની ઘટ ન પડી? સૌરીનભાઈ કહે, ‘એ તો આખી દુનિયાને પ્રોબ્લેમ થયો હતો, એટલે એ વાતનાં રોદણાં રડવાનો કોઈ મતલબ નથી. અમે તો કોરોના પછી સ્ટુડિયોને મોટો કરવાની શરૂઆત કરી. આજુબાજુની જમીનો લઈ સ્ટુડિયોમાં ઉમેરવાનું શરૂ ર્ક્યું. દર વર્ષે નવા નવા ચાર-પાંચ સેટ ઉમેરવાની શરૂઆત કરી. બે વર્ષ પહેલાં લાગ્યું કે લોકો પ્રિ-વેડિંગ વગેરેનાં શૂટ કરવા માટે રાજસ્થાનનાં લોકેશન્સ પર શૂટ કરવા વધારે જાય છે. તો અમે રાજસ્થાનના જેસલમેરનો પેલેસ, સાહેલીઓ કી બાડી બનાવી, જયપુર સિટી પેલેસ, જોધપુર સ્ટ્રીટ બનાવી. ઘણાંને ગાર્ડન શૂટ કરવું હોય છે, તો એમના માટે અમે ગાર્ડન પણ બનાવ્યા. એમ કરતાં કરતાં ‘લા ફેબ્યુલોસો’ અત્યારે ગુજરાતમાં સૌથી વધુ થીમ ધરાવતો સ્ટુડિયો બની ગયો છે. અમારા સ્ટુડિયોમાં અત્યારે 10-15 ઇન્ડિયન થીમ અને 25થી વધુ ઇન્ટરનેશનલ થીમ છે. એમાં પણ અમારી પાસે 7 ઇન્ડોર સેટ છે, જે ગુજરાતમાં કોઈ પાસે નથી. તેમાં બેડરૂમ, બાથરૂમ, કિચન, લાઇબ્રેરી બધું જ છે. એ સિવાય રેડ વેલ્વેટ થીમ છે, જેમાં સબ્યાસાચી (ફેશન ડિઝાઇનર) જેવા રજવાડી હૉલ પણ છે.’ અમદાવાદમાં ઇટાલીનો અનુભવ આગળ સ્ટુડિયો વિશે વાત કરતાં સૌરીનભાઈ કહે, ‘અમારી ખાસિયત એ છે કે, અમે દરેક રેપ્લિકાની આસપાસનું ઇન્ટિરિયર પણ અદ્દલ સેમ જ બનાવ્યું છે. જેમ કે, ઇટાલીના ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન આલ્બેરોબેલોની થીમ બનાવી હોય, તો એના ફ્લોરથી લઈ છત સુધી અને આજુબાજુનું વાતાવરણ પણ એવું જ બનાવીએ છીએ. એટલે કોઈ ફોટો પડાવે તો એ કોઈ ડમી સ્ટુડિયો કે રેપ્લિકાનો નહીં, પણ એક્ચ્યુઅલ લોકેશન પર જ પડાવ્યો હોય એવું જ લાગે. બીજું, કે અમે ચોખ્ખાઈનું પુષ્કળ ધ્યાન રાખીએ છીએ. ચાર માણસો સતત સફાઇ માટે જ તૈનાત હોય છે. ઉપરથી શિમોલી અથવા હું, બેમાંથી એક ત્યાં સ્ટુડિયો પર સતત હાજર જ હોઈએ છીએ. જેથી ક્વોલિટીમાં કોઈ જ કોમ્પ્રોમાઇઝ ન થાય કે પ્રોપર્ટીને કોઈ નુકસાન પણ ન પહોંચે. જેનું રિઝલ્ટ એ આવ્યું કે, અત્યારે આખા ગુજરાતના ફોટોગ્રાફરોનો આ ફેવરિટ સ્ટુડિયો છે. એવો કોઈ ફેમસ ફોટોગ્રાફર નહીં હોય જેણે અહીં શૂટ નહીં કર્યું હોય. અમારા 20% કસ્ટમર તો ગુજરાત બહારથી જ આવે છે.’ હવે અમે સવાલોનું સુકાન શિમોલી શાહ તરફ ફેરવ્યું. શિમોલી, તમે અત્યારે ફુલ ટાઈમ સ્ટુડિયો જ ચલાવો છો? શિમોલી જવાબ આપતાં કહે, ‘હા, મોટે ભાગે તો સ્ટુડિયો મેનેજમેન્ટ પર જ મારું ફોકસ હોય છે, પણ જ્યારે સ્ટુડિયો બની રહ્યો હતો, ત્યારે મને મેકઅપ કોર્સ કરવાની ઈચ્છા થઈ તો લંડન જઈને આઠ મહિનાનો મેકઅપ કોર્સ કર્યો. તો અત્યારે સાથે સાથે હું પ્રોફેશનલ મેકઅપનું પણ કામ કરું છું.’ ગુજરાતની ધરતી, યુરોપિયન થીમ્સ અને સ્પેનિશ નામ સ્ટુડિયોની વાત કરીએ તો અત્યારે ટોટલ કેટલી થીમ હશે? સૌરીનભાઈ કહે, ‘શરૂઆતમાં અમે 10-12 થીમથી જ શરૂઆત કરી હતી, પણ અત્યારે છ વર્ષે લગભગ 50થી વધુ થીમ છે. એ હેન્ડલ કરવા સાફસફાઇ-માળી કામ માટે 6 માણસો અને ઓફિસ વર્ક માટે અહીં ત્રણ માણસો રેગ્યુલર રાખેલા છે. બાકી તો આ સિઝનલ બિઝનેસ છે. લગ્ન સિઝન સિવાય એટલા બધા કસ્ટમર નથી હોતા એટલે અમે માણસો પણ એ જ રીતે કોન્ટ્રાક્ટ પર રાખીએ છીએ.’ આ ‘લા ફેબ્યુલોસો’ જેવા ફેબ્યુલસ નામ પાછળની સ્ટોરી શું છે? શિમોલી કહે, ‘શરૂઆતમાં ‘સૌરીન ફિલ્મ સિટી’ કે ‘શિમોલી ફિલ્મ સિટી’ જેવાં ઘણાં નામ વિચાર્યાં હતાં. પણ કંઈ મજા નહોતી આવતી. અમે જ્યારે સ્ટુડિયો બનાવી રહ્યાં હતાં ત્યારે થયું હતું કે, લોકો આ જોશે તો એમ જ કહેશે કે, ‘વ્હોટ અ ફેબ્યુલસ પ્લેસ!’ એટલે થયું કે ફેબ્યુલસ જ નામ રાખીએ. પણ એ બરોબર બેસતું નહોતું એટલે થયું કે કોઈ બીજી ભાષામાં નામ રાખીએ. સામે અમારી પાસે જેટલી પણ થીમ છે, એમાં સૌથી વધુ યુરોપિયન થીમ છે, એટલે યુરોપિયન નામ વિચાર્યાં અને સ્પેનિશ ભાષામાં ‘લા ફેબ્યુલોસો’ નામ ફાઇનલ કર્યું.’ કાર, તોપ, હોડી, વૃક્ષો જેવાં 200થી વધુ પ્રોપ્સનો ખજાનો આવા તો ઘણા ફોટો સ્ટુડિયો હશે, પણ ‘લા ફેબ્યુલોસો’માં એવી તે શું ખાસિયત છે? સૌરીનભાઈ અને શિમોલી કહે, ‘સૌથી મોટી બાબત કે અમે બધું ઓરિજિનલ જ તૈયાર કર્યું છે. જે રીતે ઘર બનાવતા હોઇએ એવી જ રીતે એકદમ ઝીણવટપૂર્વક દરેક થીમ બનાવી છે. બીજું કે, અમે સનલાઇટનું ખાસ ધ્યાન રાખ્યું છે, જે કોઈ નથી વિચારતું. તમે અમારા જેસલમેર પ્લેસ પર સવારે કે સાંજે શૂટ કરતા હો તો સૂર્યપ્રકાશ પ્રોપર આવશે. ગ્રીસનું સેન્ટોરિની છે, એની પાછળ એકદમ બ્લુ રંગનો દરિયો ઘૂઘવે છે. તો તેના પરથી થીમ બનાવતી વખતે પાછળ આખું કોરું બ્લુ આકાશ દેખાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે. અલ્બેરોબેનોના પથ્થર ખાસ હોય છે, એ માટે અમે આખું ગુજરાત ફર્યાં હતાં. આખરે છેક પોરબંદરમાંથી અમને એવા જ પથ્થર મળી ગયા, જે દેખાવમાં એકઝેક્ટ સેમ લાગતા હતા. આવી નાની નાની બાબતોનું કોઈ ધ્યાન નથી રાખતું, જે અમે રાખ્યું છે. ઉપરથી જે જે થીમ રાખી છે, એ દરેક થીમને રિલેટેડ પ્રોપર્ટીઝ જેમ કે જીપ, ઘોડા, બગી, ગાયો, ફૂલ-છોડ, ફર્નિચર જેવાં 200થી વધુ પ્રોપ્સ રાખ્યાં છે. જેથી ત્યાં શૂટ કરનારને એકદમ રિયલ લોકેશનની જ ફીલ આવે. જેમ કે વેનિસ શહેર પાણીની ઉપર વસેલું છે, તો એ થીમમાં આપણે વચ્ચે રિવર અને બોટ પણ રાખી છે. જેસલમેરની વાત કરીએ તો એ થીમમાં ફાયબરની તોપ લાવીને મૂકી છે.’ ‘રાજસ્થાનીઓ રાજસ્થાન છોડીને અહીં શૂટ કરવા આવે છે!’ તો આ બધું બનાવવા માટેના કારીગરો? સૌરીનભાઈ કહે, ‘રાજસ્થાનની જેટલી થીમ છે, એ બધી જ થીમ બનાવવા માટે કારીગરો પણ બધા રાજસ્થાનથી જ લાવ્યા હતા. બાકી ઇન્ટરનેશનલ થીમ અહીંના લોકલ કારીગર પાસે કરાવી છે. પરંતુ હું પહેલાં આર્કિટેક્ટ જ હતો, એટલે આ બધું કામ તો સારી રીતે કરાવી શકું છું. બીજું કે મારાં જૂનાં મંદિરોના કારીગરો હતા, એમને પણ બોલાવ્યા અને મોટા મોટા ડોમ બનાવી ઉપર કારીગરી કરાવી, જેમાં તમને સ્ટોન જેવું જ ફીલ થાય. એમાં પણ રાજસ્થાની થીમ તો એટલી સરસ બની છે કે, રાજસ્થાની પબ્લિક પણ એમનું શૂટ કરવા અહીં આવે છે. કેમ કે ત્યાં જો ઓરિજિનલ પેલેસ પર જાય તો ત્યાં પાર વિનાની પબ્લિક હોય. ઉપરથી શૂટ કરવામાં પણ જાતભાતની મર્યાદાઓ નડે, એટલે શાંતિથી શૂટ ન થઈ શકે. એના બદલે અહીં આવે તો કોઈ ઝંઝટ જ નહિ.’ ‘પ્રતીક ગાંધીથી કિંજલ દવે, ગીતાબેન રબારી સહિતના સ્ટાર્સ અહીં શૂટ કરી ગયાં છે’ આગળ વાત કરતાં શિમોલી કહે, ‘ખાલી પ્રિ-વેડિંગ જ નહીં, ઘણા બધા સ્ટાર્સ પણ અહીં શૂટ માટે આવે છે. જાણીતા એક્ટર પ્રતીક ગાંધી, સિંગર જિગરદાન ગઢવી, એક્ટ્રેસ દીક્ષા જોશી, ભક્તિ કુબાવત, સિંગર કિંજલ દવે, ગીતાબેન રબારી, ગમન સાંથલ, વિજય સુવાળા, હાસ્યકાર સાંઈરામ દવે, સિંગર ઓસમાણ મીરથી લઈ રેપર એમીવે બંટાઇ સહિતની ઘણી બધી સેલિબ્રિટિઝ અમારે ત્યાં આવી ગઈ છે. સિંગર્સ તો ઓલમોસ્ટ બધા જ આવી ગયા હશે.’ ‘કોઈ સ્ટાર્સની કોલેબ ઑફર્સ આવે છે?’ સૌરીનભાઈ કહે, ‘આવે છે પણ અમે એક્સેપ્ટ નથી કરતાં, કેમ કે એનો ફાયદો ફક્ત એમને જ થાય છે. એટલે અમે એક્સેપ્ટ નથી કરતાં.’ ગુજરાતી ફિલ્મોનાં શૂટિંગ અહીં નથી થતાં કારણ કે... ફિલ્મોના શૂટ માટે સ્ટુડિયો આપો છો? સૌરીનભાઈ એક જ ઝટકે ના પાડતાં કહે, ‘બિલકુલ નહીં, એ લોકો બહુ જ ગંદકી કરી મૂકે છે. એક વાર ગુજરાતી ફિલ્મ માટે આપેલું. એ પછી ના પાડી દીધી. કેમ કે એક સાથે 70-80 લોકોનું ધાડું આવે અને પાનની પિચકારીઓથી લઈ બધું ભરી મૂકે છે. એ સાફ કરતાં અમારે ત્રણ-ચાર દિવસ નીકળી જાય છે. એટલે હવે આપતા જ નથી.’ તમારા સ્ટુડિયોમાં શૂટ માટેનાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન ખરાં? સૌરીનભાઈ કહે, ‘હા, હા, 100%! રાખવા જ પડે ને. અમે એક શૂટ માટે 8 માણસોથી વધુ કોઈને એન્ટ્રી નથી આપતા. ઉપરથી જે કપલનાં શૂટ માટે આવ્યા હોય, એમની સાથે આવેલાં એમના કોઈ ભાઈ-બહેનને પણ શૂટ કરવાની પરમિશન નથી. કોઈ જગ્યાએ ગંદકી કે ન્યૂસન્સ નહિ ચલાવવામાં આવે. એ બધા જ નિયમો પાળવા જ પડે. બાકી સર્વિસ અને લોકેશન અમારા ત્યાં બેસ્ટ મળશે, પણ રૂલ્સ સ્ટ્રિક્ટ જ રહેશે. બાકી અમે ક્વોલિટી સર્વિસ આપવા માટે દર વર્ષે કશુંક ને કશુંક નવું નવું એડ કરતાં રહીએ છીએ. અમારા 80% કસ્ટમર એવા હોય છે કે, જેમને અહીં શૂટ કરીને કોઈ ગયું હોય એમણે સજેસ્ટ કર્યું હોય.’
કાર્યવાહી:મોટા બાંધામાં લીઝની બહાર ગેરકાયદે થતું લાઇમસ્ટોન (બેલા)નું ખનન પકડાયું
તાલુકાના મોટા બાંધામાં લાઇમસ્ટોન ખનીજનું ખનન પકડાયું હતું જેમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા લિઝની માપણી કરવામાં આવી છે. ભુજ તાલુકાના મોટા બાંધા ગામની સીમમાં આવેલ લાઈમસ્ટોનની લીઝમાં ખનન ચાલુ છે અને તે લીઝની બહાર ખોદકામ થતું હોવાની બાતમીના આધારે ભુજ એલસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી ત્યારે લીઝની બહાર બે ટ્રક મળી આવી હતી. ટ્રક નંબર જીજે 13 વી 3754 તથા જીજે 18 યુ 6384માં લાઈમસ્ટોન (બેલા) ભરેલા હતા.જેની રોયલ્ટી લિઝધારક પાસે ન મળી આવતા લીઝની માપણી કરવા માટે ભુજ ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી અને સ્થાનિકે બોલાવી લિઝની માપણી કરાવી આગળની કાર્યવાહી ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે હાલ બંને ટ્રકને પોલીસ દ્વારા સીઝ કરવામાં આવી છે.
આજે જ્યારે દીકરીઓ આકાશ આંબી રહી છે, ત્યારે કચ્છના ગ્રામ્ય વિસ્તારની એક દીકરીએ દરિયાના ઊંડાણમાં છુપાયેલા રહસ્યો ઉકેલીને મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના જુલોજી વિભાગની સંશોધક ડૉ. ડિમ્પલ ઠક્કરે ‘એમ્ફીપોડ’ (દરિયાઈ જીવ) પર સંશોધન કરી વિજ્ઞાન જગતમાં નવી પ્રજાતિ શોધી વિશ્વ ફલેક પર ગુજરાતની નારી શક્તિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. એમ્ફીપોડ એ દરિયામાં પથ્થરો અને લીલ વચ્ચે રહેતા અત્યંત સૂક્ષ્મ માત્ર 1 થી 2 સેન્ટીમીટર કદના જીવો છે. ડૉ. ડિમ્પલ ઠક્કરે તેમના માર્ગદર્શક ડૉ. જિગ્નેશકુમાર ત્રિવેદી સાથે મળીને 2021 માં પોતાનું સંશોધન ચાલુ કર્યું ત્યારે ગુજરાત માં થી એમ્ફીપોડ ની ફક્ત એક જ પ્રજાતિ નોંધાઈ હતી અને 2025 માં તેમના સંશોધન ના અંતે કુલ 20 પ્રજાતિ ઓ ની ઓળખ કરી છે. ડૉ. ડિમ્પલે તેમના સંશોધન સમય દરમિયાન ગુજરાત તેમજ બંગાળ ની ખાડી ના દરિયાઈ વિસ્તારો માંથી એમ્ફીપોડ ની 14 નવી પ્રજાતિ અને 1 નવી જાતિ ચિલીકોરચેસ્ટિયા ની શોધ કરી છે.જેમાં ગુજરાત માંથી એમ્ફીપોડ ની 10 નવી પ્રજાતિ શિવરાજપુર, ઓખા, વેરાવળ, ગોપનાથ તેમજ દાંડી ના દરિયા કિનારે થી મળી આવી હતી. આ પ્રજાતિ ના નામકરણ ગુજરાતના નામે આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા કરવામાં આવીછે. નવી પ્રજાતિની શોધને વતનની ઓળખ સાથે જોડી :નવી પ્રજાતિઓના નામ ગુજરાતના જે વિસ્તારો માંથી મળ્યા તે વિસ્તારના નામ પરથી નામ રાખ્યા, જેેમાં ; { બિબ્લીસ કચ્છેન્સિસ (કચ્છના નામ પરથી) { ટેલોરચેસ્ટિયા દાંડી (ઐતિહાસિક દાંડીના નામ પરથી) { ક્વાડ્રીમેરા ઓખા (ઓખાના નામ પરથી) { મેરા ગુજરાતેન્સિસ (ગુજરાતની અસ્મિતા પરથી) કચ્છના નાના ગામડામાંથી વિશ્વ કક્ષાની વૈજ્ઞાનિક બનીકચ્છના મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતી ડૉ. ડિમ્પલ રામજીભાઈ ઠક્કર જેની ઉંમર 27 વર્ષ છે. જે એકતાનગર, પાનધ્રો, કચ્છમાં જન્મી હતી. સુવિધા વગરના નાનકડા ગામમાં અભ્યાસ બાદ સંશોધન ક્ષેત્રે આ સફર સરળ નહોતી. ભરતી-ઓટ વચ્ચે કાદવ અને પથ્થરો ખૂંદીને નમૂના એકઠા કરવા માટે ભારે જહેમત ઉઠાવવી પડતી હતી. 5 વર્ષના સંઘર્ષ બાદ થયેલા આ સંશોધનને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકૃતિ મળી છે.પ્રસિધ્ધ વિદેશી જર્નલમાં પ્રકાશિત થયું છે.ડૉ. ડિમ્પલની આ સફળતા આજે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી હજારો યુવતીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે કે જો ઈચ્છાશક્તિ મજબૂત હોય, તો કચ્છના નાના ગામડામાંથી પણ વિશ્વ કક્ષાના વૈજ્ઞાનિક બની શકાય છે. કચ્છનું ગૌરવ
કચ્છમાં માંડવીના રમણીય દરિયાકિનારે 11 દિવસીય બીચ ફેસ્ટીવલનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 21 ડિસેમ્બર રવિવારથી થર્ટી ફર્સ્ટ સુધી આયોજિત ફેસ્ટિવલમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.રવિવારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને પ્રવાસન મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આ બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવામાં આવશે. માંડવી બીચ પર સુંદર સમુદ્ર તટ, શાંત તરંગો પર્યટકોને અનોખો અનુભવ આપે છે. વિજય વિલાસ મહેલ અને પરંપરાગત જહાજ નિર્માણ કલા અહીંના વૈભવનો ભાગ છે. બીચ પર સૂર્યાસ્તના નજારા અને સ્થાનિક સંસ્કૃતિ સાથેનો સંગમ આ સ્થાનને કચ્છના સર્વોચ્ચ આકર્ષણોમાં સ્થાન અપાવે છે. બીચ ફેસ્ટિવલ દરમ્યાન પ્રવાસીઓના આકર્ષણ માટે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરાયું છે. જેમાં દરરોજ કલ્ચરલ પ્રોગ્રામ યોજાશે. સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઈટમાં પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો અને રાઈઝિંગ સ્ટાર્સ બેન્ડને આમંત્રિત કરાયેલા છે. આ ઉપરાંત બીચ પર રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઈમ્બિંગ, ઝોર્બિંગ, ટગ ઓફ વોર, કમાન્ડો નેટ, બર્મા બ્રિજ, કેમલ રાઈડિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે. સાથે જ વોલીબોલ, સોકર અને ક્રિકેટ જેવી બીચ સ્પોર્ટ્સ, સેન્ડ આર્ટ, બોન ફાયર, લાઈવ મ્યુઝિક, સ્ટાર ગેઝિંગ અને લેઝર લાઈટ શો પણ આકર્ષણનું કેન્દ્ર રહેશે. પ્રવાસીઓ માટે ક્રાફ્ટના 10 સ્ટોલ અને ફૂડના 10 સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત મેડિકલ સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સિક્યોરિટી સર્વિસ અને ટોઇલેટ બ્લોક સહિતની તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.રવિવારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવા આવશે તેમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે આ સાથે રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીચ ફેસ્ટિવલ દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે તેમજ સ્થાનિક સંસ્કૃતિ, કલા અને અર્થતંત્રને પણ વેગ મળશે. ફાઇલ તસવીર મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બીચ ફેસ્ટીવલ ખુલ્લો મુકવા આવશે તેમ સત્તાવાર વર્તુળોએ જણાવ્યું છે આ સાથે રાજ્યકક્ષાના પ્રવાસન મંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. બીચ ફેસ્ટિવલ દ્વારા કચ્છના પ્રવાસન ક્ષેત્રને નવી દિશા મળશે તેમજ સ્થાનિક સંસ્કૃતિ, કલા અને અર્થતંત્રને પણ વેગ મળશે. { રોપ ક્લાઇમ્બિંગ, ઝોર્બીંગ, ટગ ઓફ વોર, બર્મા બ્રીજ વગેરે પ્રવૃત્તિ થશે
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
સિટી એન્કર:ભુજમાં અંદાજે 5 હજારથી વધુ સ્થળાંતરિત પરિવારો વસે છે
દર વર્ષે 18 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્થળાંતરિત દિવસ ઉજવાય છે તે પૂર્વે ભુજની સંસ્થા દ્વારા કરાયેલી મોજણીમાં ભુજમાં અંદાજે 5 હજારથી વધુ સ્થળાંતરિત પરિવારો વસે છે તેવું તારણ બહાર આવ્યું છે. ભુજની સ્થાનિક સંસ્થા અર્બન સેતુ દ્વારા થયેલા સરવે મુજબ આ પરિવારો બાંધકામ, હોટલ-રેસ્ટોરેન્ટ, સફાઈ, ટ્રાન્સપોર્ટ, નાના ઉદ્યોગો અને અસંગઠિત ક્ષેત્રમાં દિવસ-રાત મહેનત કરે છે. શહેરની વિકાસયાત્રામાં તેમનું યોગદાન નોંધપાત્ર છે, પરંતુ પાણી, સ્વચ્છતા, આરોગ્ય, શિક્ષણ અને રહેઠાણ જેવી મૂળભૂત સુવિધાઓ મેળવવા માટે તેઓ સતત સંઘર્ષ કરી રહ્યા છે. ઘણા સ્થળાંતરિત પરિવારો અસ્થાયી વસાહતોમાં રહે છે, જ્યાં શુદ્ધ પાણી અને શૌચાલયની પૂરતી સુવિધા નથી. બાળકોના શિક્ષણમાં સતત સ્થળાંતર અને દસ્તાવેજોની અછત મોટી અડચણ બની રહે છે. શ્રમિકો માટે શૌચાલયની જરૂરિયાતનું મહત્વ સમજીને તેમજ મહિલાઓ-બાળકો અને ભુજના પર્યાવરણની ચિંતા સેવતા એક સમાજ સેવીકાએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી દાખલ કરી હતી ! આ જાહેર હિતની અરજી સંદર્ભે ગત ડીસેમ્બર 2023નાં રોજ ગુજરાત હાઈકોર્ટે ઇન્ટરીમ ઓર્ડરમાં જણાવ્યું હતું કે; “દરેક નગરપાલિકાએ તેમના શહેરોમાં શૌચાલયની સુવિધા પૂરી પાડવી ફરજીયાત છે આ જન આરોગ્ય સાથે સંકળાયેલી બાબત હોવાથી આ સંદર્ભે ભંડોળ ના હોવાનું બહાનું આપી શકાય નહિ.” આ સ્થિતિમાં અર્બન સેતુ જેવી સંસ્થાઓ સ્થળાંતરિત પરિવારોને દસ્તાવેજીકરણ, સરકારી યોજનાઓ સાથે જોડાણ, આરોગ્ય અને શિક્ષણ અંગે માર્ગદર્શન આપીને તેમની જીવનશૈલી મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે. સ્થાનિક સ્તરે આવી સંસ્થાઓ સ્થળાંતરિત સમુદાય અને શહેરી શાસન વચ્ચેનો પુલ બની રહી છે. શૌચાલયની અરજી કરી પણ બન્યા નહીંભુજ શ્રમિક સંગઠનના સભ્ય વિષ્ણુબાઈએ ગત જૂન-2023માં પીએમોના ઓનલાઈન પોર્ટલ પર સામુદાયિક શૌચાલય માટે સરકાર સમક્ષ અરજી કરી હતી પરંતુ આજ સુધી શૌચાલયની પ્રતિક્ષા કરી રહેલા શ્રમજીવીઓ વતી વિષ્ણુબાઈ કહે છે કે તાજેતરમાં અખબારોમાં સમાચાર છપાયા છે કે સરકાર ભુજમાં 175 લાખનો માતબર ખર્ચ કરીને સેન્સરવાળાં શૌચાલય બનાવશે. જો આટલા બધા રૂપિયા જુના શૌચાલયની મરામત માટે સરકાર પાસે છે તો પછી છેલા 2 વર્ષથી અમારા વંચિત વિસ્તારો માટે આવું ઓરમાયું વર્તન શા માટે?
ફરિયાદ:ગૂગલ રિવ્યુના નામે ઘરે બેઠા પૈસા કમાવાનું કહી 9.37 લાખની ઠગાઈ
તાલુકાના મીરજાપરમાં રહેતા યુવાન સાથે ઓનલાઈન ઠગાઈ થતા સાયબર પોલીસ સ્ટેશન બોર્ડર રેન્જ ભુજમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મૂળ મોટા આસંબીયાના હાલે મિરજાપરમાં રહેતા ફરિયાદી દેવ પ્રીતેશભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ગત 24-11ના તેને ટેલિગ્રામ એપ પર મેસેજ આવ્યો હતો જેમાં ગુગલ રિવ્યુ મેનેજમેન્ટના એચ આર મેનેજરની ઓળખ આપી ગૂગલ મેપ પર હોટલોને ફાઇવ સ્ટાર રેટિંગ આપી 160 જોઇનિંગ બોનસ મેળવી શકશો અને ઘરે બેઠા 5000 રૂપિયા કમાઈ શકશો તેવી વાત કરવામાં આવી હતી. ટેલિગ્રામ આઈડી ધારક દ્વારા અલગ અલગ ટાસ્ક આપવામાં આવતા હતા અને ટાસ્ક મુજબ રકમ જમા કરાવી હતી આ રકમ ડિજિટલ વોલેટમાં જમા થતી હોવાનું કહ્યું હતું અને ફરિયાદીએ અલગ અલગ યુપીઆઈ મારફતે કુલ 9,37,732 જમા કર્યા હતા અને ક્રિપ્ટો કરન્સી વોલેટમાં આ રકમ દેખાતી હતી. પૈસાની જરૂરિયાત હોતા પૈસા ઉપાડવા માટેના વિકલ્પ પર ક્લિક કરતા ક્રેડિટ સ્કોર ડાઉન હોવાનું જણાવ્યું હતું જેથી ચાર્જ ભરવો પડશે તેમ કહ્યું હતું અને રૂપિયા ઉપડ્યા ન હતા. ફરિયાદીને પોતાની સાથે સાયબર ફ્રોડ થયાનું જણાઈ આવતા ઓનલાઈન સાઈબર હેલ્પલાઇન નંબર 1930 પર કોલ કરીને ફરિયાદ નોંધાવી હતી અને તે બાદ ગુનો દાખલ કરાવાયો છે.
આરટીઓ સર્કલના રિનોવેશનમાં ગોકળગાયની ગતિ:ત્રણ મહિને પણ હજુ આકાર નથી લીધું
ભુજમાં આર.ટી.ઓ. સર્કલનું પુન:નિર્માણ સપ્ટેમ્બર મહિના શરૂ થયું છે. પરંતુ, ગોકળગાયની ગતિએ ચણતર થઈ રહ્યું છે, જેથી 6 મહિનામાં પૂરું કરવાનું કામ હજુ ત્રણ મહિને પણ નિશ્ચિત આકાર લઈ નથી શક્યું. આર.ટી.ઓ. પાસે ચાર રસ્તા એકઠા થાય છે, જેમાં બે માર્ગ તો સીધા હાઈ-વેમાંથી આવતા ભારે વાહનોની અવરજવરવાળા છે, બાકીના બે માર્ગ રહેણાક વિસ્તારમાંથી આવતા ટુ-વ્હિકલ અને નાના ફોર-વ્હિકલની અવરજવરવાળા છે. પરંતુ, સર્કલની ઊંચાઈને કારણે વાહન ચાલકો અન્ય વાહનની સ્થિતિ જાણ શકતા ન હતા, જેથી અવારનવાર અકસ્માત થતા રહેતા હતા. જેના કારણે સર્કલ નાનું કરવા સહિતની રજુઆતો થઈ હતી. જેના પગલે ભુજ નગરપાલિકાએ સર્કલ તોડીને ત્યાં કમળનું ફૂલ અને ભુજ શહેરની સ્થાપના કરનારા રાજા ખેંગારજી પહેલાની મૂર્તિ મૂકવાનું ઠરાવ્યું અને ચણતર પણ શરૂ કરી દીધું. જોકે, ત્રણ મહિને હજુ આકાર લઈ નથી શક્યું અને બાકીના 3 મહિનામાં કેટલે પહોંચશે એ નક્કી નથી! કમળ ત્યાં જ બનશે અને મૂર્તિ તૈયાર થઈ આવશે : ચેરમેબાંધકામ સમિતિના ચેરમેન દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 6 મહિનાની મુદ્દત છે. હજુ તો ત્રણ મહિના જ થયા છે. વળી કમળનું ફૂલ તૈયાર થઈને નથી આવવાનું, ત્યાંજ બને છે. માત્ર પ્રતિમા તૈયાર થઈને આવશે એટલે સમય લાગે છે.
રતનાલ પાસે જર્જરિત લાઈન બદલવામાં જળનો જથ્થો મળતો નથી:આજે ત્રીજે દિવસે પાણી મળશે તો મળશે
ભુજ શહેરને નર્મદાના પાણી આપતી જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની પાઈપ લાઈન રતનાલ પાસે જર્જરિત થઈ ગઈ હતી. જેને બદલવાનું કામ મંગળવારથી ચાલે છે અને આજે ગુરુવારે પૂરું થાય એવી શક્યતા છે. અંજારથી કુકમા વાયા રતનાલ થઈને નર્મદાની મુખ્ય લાઈન પસાર થાય છે, જેમાંથી ભુજ શહેર અને ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને પેયજળ પૂરું પાડવામાં આવે છે. કુકમા સમ્પે પાણી આવે પછી ત્યાંથી ભુજીયા સમ્પે અને ત્યાંથી શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઓવરહેડ અને અન્ડર ગ્રાઉન્ડ ટાંકા મારફતે પાણી પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ લોકોના ઘરે નળ વાટે પાણી આવે છે. જી.ડબ્લ્યુ.આઈ.એલ.ની રતનાલ પાસે નર્મદાની મુખ્ય લાઈન અવારનવાર તૂટી જતી હતી, જેથી આખી લાઈન બદલવામાં આવી રહી છે. જેના પગલે મંગળવારથી નર્મદાના પાણી નગરપાલિકાના ટાંકામાં પહોંચ્યું નથી. ઉપપ્રમુખ ઘનશ્યામ સી. ઠક્કર અને વોટર સપ્લાય ચેરમેન સંજય ઠક્કરે જણાવ્યું હતું કે, ગુરુવારે સાંજે પાણી મળી ગયા બાદ વિતરણ શરૂ થશે એટલે તમામ સપ્લાય ઠેલાઈ ગઈ છે. જોકે, શિયાળાના કારણે હજુ સુધી ફરિયાદ આવી નથી. પરંતુ, લોકોએ કરકસરથી પાણીનો ઉપયોગ કરવા અનુરોધ છે.
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:ખાવડા-હાજીપીર 128 કિમીનો રસ્તો 300 કિમી જેવો આકરો
કચ્છ જિલ્લો છેલ્લા એક દાયકામાં પ્રવાસન ઉદ્યોગના ક્ષેત્રે નોંધનીય પ્રગતિ કરી રહ્યો છે. રણોત્સવ, માતાનામઢ, કોટેશ્વર, નારાયણ સરોવર, ધોળાવીરા, માંડવી બીચ, સફેદ રણ સહિતના સ્થળોએ દેશભરના પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. પરંતુ આ પ્રવાસન વિકાસને આધાર આપતા રાજ્ય અને રાષ્ટ્રીય ધોરીમાર્ગોની સ્થિતિ ખાસ કરીને સરહદી વિસ્તારોમાં અત્યંત દયનીય બની ગઈ છે. જીપીએસ આધારિત મુસાફરી કરતા પ્રવાસીઓ માટે ખાવડા–હાજીપીર–ઘડુલી માર્ગ એક મોટી યાતના સાબિત થઈ રહ્યો છે. પ્રવાસીઓ જ્યારે માતાનામઢ અથવા કોટેશ્વર જવા માટે જીપીએસ પર આધાર રાખે છે ત્યારે તેઓ ખાવડા રોડના ભારે ટ્રાફિકથી બચવા ધોરડો ચોકડીથી ઉધમા ચેક પોસ્ટ થઈને હાજીપીર તરફ વળે છે. પરંતુ અહીંથી તેમની મુશ્કેલી શરૂ થાય છે. ખાવડા–હાજીપીર–ઘડુલી રસ્તો હાલમાં કચ્છનો સૌથી વધુ જર્જરિત માર્ગ થઈ ગયો છે. એક- એક ફૂટના ખાડાઓ, ઉડતી ધૂળ અને મીઠાનું વહન કરતા ભારે વાહનોને કારણે આ માર્ગ પર વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. પાટણથી આવેલા અમૃતભાઈએ પોતાની વેદના વ્યક્ત કરતાં જણાવ્યું કે તેઓ જીપીએસ બતાવેલા માર્ગ પરથી ભુજથી ધોરડો સુધી સરળતાથી પહોંચી ગયા, પરંતુ ખાવડા રોડનો ટ્રાફિક ટાળવા ધોરડોથી કોટેશ્વર તરફ વળ્યા ત્યારથી હાલત કફોડી બની ગઈ. ધોરડો ચોકડીથી હાજીપીર સુધીના માત્ર 36 કિલોમીટરનો રસ્તો પાર કરવા બે કલાક જેટલો સમય લાગી ગયો. ત્યારબાદ ઝારા વ્યુ પોઇન્ટ, ધારેશી, ફૂલરા અને પાનધ્રો થઈને કોટેશ્વર પહોંચતા સુધી આખો પરિવાર સંપૂર્ણ રીતે થાકી ગયો હતો. કુલ 128 કિલોમીટરની મુસાફરી જાણે 300 કિલોમીટર જેટલી લાંબી અને થાકાવનારી લાગી હતી. આવા જ હાલ થયા હતા હળવદથી આવેલા ગોહિલ પરિવારના. તેમણે જણાવ્યું કે કોટેશ્વરથી માતાનામઢ થઈ ધોરડો પહોંચવા માટે બે વિકલ્પ હતા – એક 211 કિલોમીટરનો અને બીજો 128 કિલોમીટરનો. ઓછા અંતરના માર્ગને પસંદ કર્યો, પરંતુ રસ્તાની દયનીય હાલતને કારણે મુસાફરી અત્યંત કષ્ટદાયક બની ગઈ. પ્રવાસન ઉદ્યોગને વેગ આપવો હોય તો માત્ર પ્રચાર પૂરતો નથી, પરંતુ માર્ગ વ્યવસ્થા સુધારવી અનિવાર્ય છે. જો સમયસર ખાવડા–હાજીપીર જેવા સરહદી માર્ગોનું પુનર્નિર્માણ નહીં થાય, તો કચ્છનું પ્રવાસન વિકાસ પાથરતું સ્વપ્ન પ્રવાસીઓ માટે યાતનામાં પરિવર્તિત થઈ જશે. ખાવડાથી કાઢવાંઢ 21 કિમી માર્ગ સિંગલ લેનખાવડા ચોકડી થી હાજીપીર માર્ગો જર્જરીત છે તો ખાવડા થી કાઢવાંઢ રોડ ટુ હેવન તરફ જતો માર્ગ 21 કિમીનો માર્ગ સિંગલ લેન હોવાથી પ્રવાસીઓ માટે મુશ્કેલી સર્જે છે. ભારે વાહનો તેમજ રોજિંદા ચાલતા સ્થાનિક વાહનો આવે ત્યારે રોડ સાઈડ ઉતારવાને બદલે સામે ઉપર આવી જતા પ્રવાસી ફરજિયાત ધૂળમાં ગાડી ઉતારવી પડે. રસ્તાની લેવલ ઊંચી હોવાથી જોખમી બની જાય. અમુક ગામોએ માર્ગ પરના બમ્પની બાજુમાં પથ્થરો ગોઠવી દીધા હોવાથી રાત્રે વધુ મુશ્કેલી પડે છે.
ઓપરેશન મ્યુલ હંટ:નિઝામપુરાના યુવકે અનધિકૃત વ્યવહારો માટે 3 બેંકમાં ખાતા ખોલ્યા
સીઆઈડી અને આઈ4સી દ્વારા ઓપરેશન મ્યુલ હંટ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા પોલીસને 250થી વધુ શંકાસ્પદ બેંક ખાતાની માહિતી આપવામાં આવી છે. જેમાં એકાઉન્ટ ધારકને કમિશન આપી ઓનલાઇન છેતરપિંડીથી મેળવેલા રૂપિયા મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવી વ્યવહાર કરે છે. ત્યારે શહેરમાં વધુ 7 ગુના નોંધીને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ પાસે 250થી વધુ શંકાસ્પદ ખાતાની માહિતી, તપાસ શરૂ
રહસ્ય:સમા તળાવ પાસે સગીર બાઈક ચાલકનું બાઈક સ્લીપ થતાં મોત, માથે એલ આકાર ઈજાનું નિશાન તપાસનો વિષય
તુલસીવાડીમાં રહેતો 15 વર્ષીય સગીર ઘરમાં કોઈને કહ્યા વગર મિત્ર સાથે પિતાનું બાઈક લઈને જતો રહ્યો હતો. સમા તળાવ પાસે બાઈક સ્લીપ થતાં તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળ પર જ મોત થયું હતું. મંગળવારે રાત્રે વધુ એક અકસ્માત થયો હતો, તુલસીવાડીમાં રહેતો 15 વર્ષીય હિતેન્દ્ર પરમાર મંગળવારે રાત્રે ઘરે પરિવાર સાથે ભોજન લીધા બાદ ઘરમાં કોઈને કહ્યા વગર બહાર જતો રહ્યો હતો. રાત્રે ઘરે ન આવતા તેનો ભાઈ રાહુલ ઘરની બહાર તપાસ કરવા આવ્યો હતો. રાત્રીના દોઢ વાગ્યા સુધી તે ઘરે ન આવતા રાહુલે ફરી ફોન કરતા કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડી જણાવ્યું હતું કે, આ મોબાઈલના માલિકનો સમા તળાવ પાસે અકસ્માત થયો છે અને તેનું મોત થયું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, સગીરનું બાઈક સ્લીપ થઈ જતાં આ અકસ્માત થયો હતો.પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું કે, હિતેન્દ્રના માથામાં એલ આકારનો ઊંડો ઘા છે. અકસ્માત થયો ત્યાં એવી કોઈ વસ્તુ નથી કે જેનાથી માથામાં કોઈ નિશાન પડી શકે. જેથી આ પોલીસ તપાસનો વિષય છે. પોલીસે આ તમામ પાસાઓ પર તપાસ કરી રહી છે. મિત્રે ના પાડી તેમ છતાં આગ્રહ કરીને બાઈક લઈને દુમાડ ચોકડી મૂકવા ગયો, સમા તળાવ પાસે અકસ્માતરાત્રીના 9 વાગ્યે હિતેન્દ્રનો એક મિત્ર તેને બોલાવવા આવ્યો હતો. જેથી તે ઘરમાં કોઈને કહ્યા વગર તેના પિતાનું બાઈક લઈને ઘરેથી જતા રહ્યા હતા. થોડો સમય તેઓ કિશનવાડી બેઠા હતા. મિત્ર દુમાડ ચોકડી રહેતો હોવાને કારણે મિત્રએ હિતેન્દ્રને કહ્યું હતું કે, તે રિક્ષામાં જતો રહેશે પણ હિતેન્દ્રએ આગ્રહ કર્યો હતો કે, હું તને બાઈક પર ઘરે મૂકી જઉ છું. જેથી તેઓ બાઈક લઈને દુમાડ ચોકડી ગયા હતા. હિતેન્દ્ર મિત્રને દુમાડ ચોકડી મૂકીને ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે સમા તળાવ પાસે અકસ્માત થયો હતો. જન્મદિવસના 17 દિવસના પહેલા જ મોત થઈ ગયુંહિતેન્દ્રનો જન્મદિવસ 3 જાન્યુઆરી હતો. આવનાર 3 તારીખે તે 16 વર્ષનો થવાનો હતો. જોકે તેના 16માં જન્મદિવસના 17 દિવસ પહેલા જ તેનું મૃત્યુ થઈ જતા પરિવારમાં શોકનો મહોલ છવાયો હતો.
ઠગાઈના આરોપીઓ ઝડપાયા:સોનું-લોન અપાવવાના બહાને 4.95 કરોડની ઠગાઈ, વોન્ટેડ 2ની ધરપકડ
સસ્તામાં સોનું તેમજ લોન અપાવવાના બહાને રૂા.4.95 કરોડની ઠગાઈના ગુનામાં વોન્ટેડ બે આરોપીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. ઉલ્લેખનિય છે કે, સસ્તા સોનાની લાલચ આપી ઠગતી ટોળકીના ઈલ્યાસ અજમેરીને ક્રાઈમ બ્રાંચે વર્ષ 2022માં પકડી પાડ્યો હતો. જ્યારે ઈલ્યાસ જ રાજવીર પરીખનું નામ ધારણ કરીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. ક્રાઈમ બ્રાંચે જણાવ્યું હતું કે, માર્ચ-2025 દરમિયાન કર્ણાટકમાં ઈ કોમર્સનો વિઝનેસ કરતા મંજૂ.આર.રવિ ઈ-બાઈકના શોરૂમના ઓપનિંગમાં બ્રોકર ચિંતનને મળ્યાં હતાં. ચિંતને વેપારીને જણાવ્યું હતું કે, વડોદરામાં ઓછા ભાવે સોનું તેમજ લોન અપાવે છે. વેપારી ચિંતન સાથે અક્ષરચોકની સિગ્નેટ હબમાં વિશાલ બારડની ઓફિસે ગયા હતાં. જ્યાં વિશાલે રૂા.10 લાખ લઈ 100 તોલાના સોનાના બિસ્કીટ આપ્યાં હતાં. ત્યારબાદ રૂા.10 કરોડની લોનની લાલચ આપીને રૂા.31 લાખ લઈ અલકાપુરી ખાતે આવેલી રાધે એન્ટરપ્રાઈઝ નામની રાજવીર ઉર્ફે ઈલ્યાસની ઓફિસે લઈ ગયા હતાં. જ્યાંથી વેપારી પાસેથી રૂા.4.80 કરોડ પડાવી લીધા હતાં. જેમાં નયના અને ભાવેશ પરમાર પણ આ છેતરપીંડીમાં સામેલ હતાં. જોકે આ સમગ્ર મામલે ઠગતી ટોળકીના ઈલ્યાસ અજમેરીને ક્રાઈમ બ્રાંચે વર્ષ 2022માં પકડી પાડ્યો હતો. જ્યારે ઈલ્યાસ જ રાજવીર પરીખનું નામ ધારણ કરીને લોકો સાથે ઠગાઈ કરતો હતો. ધરપકડ કરાયેલા આરોપીના નામ
SIR:26.89 લાખ મતદારોમાંથી 21.85 લાખ ફોર્મ ડિજિટલાઈઝ થયા
એસઆઈઆરની કામગીરીમાં ફોર્મની વહેંચણી અને તેને ડિજીટલાઈઝ કરવાની કામગીરીનો તબક્કો પુરો થઈ ગયો છે. જેમાં 10 વિધાનસભામાં કુલ 26.89 લાખ મતદારો સામે 21.85 લાખ મતદારોના ફોર્મ ડિજીટલાઈઝ કરાયા હતાં. જેમાં સૌથી વધુ માંજલપુર વિધાનસભામાં 78 ટકા ફોર્મનું ડિજીટલાઈઝેશન પુરૂ થયું છે. બીજી તરફ 1.46 લાખ મતદારોનું મૃત્યું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે 97,769 મતદારોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અને 2.25 લાખ મતદારો અન્ય સ્થળે શિફ્ટ થઈ ગયા હોવાનું પણ તંત્રના ધ્યાને આવ્યું હતું. કલેક્ટર ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે, વડોદરા જિલ્લામા હાલ મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશની કામગીરીનો પ્રથમ તબક્કો પુરો થયો છે, અને આગામી તબક્કામા મુસદ્દા મતદારયાદીની પ્રસિધ્ધિ,હક્ક દાવા અને વાંધા અરજીઓ રજુ કરવાનો સમયગાળો તેમજ નોટીસ આપવાનો તબક્કો, ગણતરી ફોર્મ પર નિર્ણય અને EROs દ્વારા સમકાલીન રીતે હક્ક દાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરવાની કામગીરી શરૂ થશે. 10 વિધાનસભામાં કુલ 26.89 લાખ મતદારો સામે 21.85 લાખ મતદારોના ફોર્મ ડિજીટલાઈઝ કરાયા હતાં. 1.46 લાખ મતદારોનું મૃત્યું થઈ ગયું હોવાનું જાણવા મળ્યું હતું.
ઠગાઈ:ક્રેડિટ કાર્ડની સર્વિસ હટાવવાના બહાને ભેજાબાજે એપીકે લીંક મોકલી ~1.36 લાખ ટ્રાન્સફર કરી લીધા
ક્રેડિટ કાર્ડની ઈન્ટરનેશલ સર્વિસ હટાવવાના બહાને ભેજાબાજે આજવા રોડના યુવકને કસ્ટમર સપોર્ટ એપીકે લીંક મોકલીને ક્રેડિટ કાર્ડની માહિતી લઈ લીધી હતી. ત્યારે અડધો કલાક બાદ જ ક્રેડિટ કાર્ડમાંથી રૂ.1.36 લાખ ટ્રાન્સફર થઈ ગયા હતા. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. મૂળ મહારાષ્ટ્ર અને હાલ આજવા રોડ ડેવડેક સોસાયટીમાં રહેતો અમન સંતોષ ગુપ્તા એલએન્ડટી કંપનીમાં નોકરી કરે છે. ઓગસ્ટમાં અમનને એક વ્યક્તિે ફોન કરીને જણાવ્યું હતું કે, હું એસબીઆઈ બેંકમાંથી બોલું છું. તમારા બે ક્રેડિટ કાર્ડ પર ઈન્ટરનેશનલ સર્વિસ ચાલુ છે, જે હટાવવા તમારે રૂ.5 હજારનો ચાર્જ લાગે છે. ક્રેડિટ કાર્ડને સંલગ્ન માહિતી ઈનપુટ કરી હતી. તેના અડધો કલાક બાદ જ એક ક્રેડિટ કાર્ડમાંથી રૂ.71 હજાર અને બીજામાં રૂ.69 હજાર મળીને કુલ રૂ.1.36 લાખ કપાઈ ગયા હતા. અમન દ્વારા સાયબર હેલ્પ લાઇન પર ફરિયાદ નોંધાવી હતી. ઓટીપી, સહિતની માહિતી ગુપ્ત રાખો
બળજબરી:દીકરીએ પ્રેમલગ્ન કર્યાં, પિતાને ન ગમ્યું તો પિયરમાં બોલાવી વૃદ્ધ સાથે પરણાવી દીધી
બિહાર રહેતી 23 વર્ષીય યુવતીએ પરિવારની જાણ બહાર પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. જોકે પિતાનો વિરોધ હોવાથી પિતાએ દીકરીને પિયરમાં બોલાવી વૃદ્ધ સાથે પરણાવી દીધી હતી. જોકે યુવતી પરત પોતાના પહેલા પતિ-પ્રેમીના ઘરે જતી રહી હતી. યુવતીના કાકાનું મૃત્યુ થતાં તે વડોદરા આવતાં તેને રોકી લેતાં યુવતીએ અભયમ બોલાવી હતી. અભયમે યુવતી અને પિતાનું કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડ્યો હતો. યુવતી પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ સાથે હૈદરાબાદ રહેતી હતી. લગ્નના થોડા સમય બાદ પિતાએ દીકરીને ઘરે બોલાવી તેની મરજી વિરુદ્ધ વૃદ્ધ સાથે પરણાવી હતી. જોકે યુવતી હૈદરાબાદ ભાગી ગઇ હતી. યુવતીના કાકા બિહારમાં મૃત્યુ પામતાં તે ત્યાં જવા વડોદરા સુદી આવી હતી અને માસીના ઘરે રોકાઈ હતી. બાદમાં તેના પિતાએ આવીને તેનો મોબાઈલ લઈ લીધો હતો અને રોકી લેતાં યુવતીએ અભયમને બોલાવી હતી. અભયમે બંને પક્ષને સમજાવીને આખો મામલો થાળે પાડ્યો હતો. પ્રિયાએ પિતાને આત્મહત્યા કરવાની ધમકી આપીપ્રિયાના પિતા તેને જબરજસ્તી તેના બીજા પતિના ઘરે મોકલવા માગતા હતા અને તેનીનો મોબાઈલ પણ લઈ લીધો હતો.જેથી પ્રિયા કોઈનો સંપર્ક ન કરી શકે. જેથી પ્રિયાએ તેના પિતાને ધમકી આપી હતી કે, તે ટ્રેનની નીચે પડતું મૂકીને આત્મહત્યા કરી લેશે.
કાર્યવાહી:ગોરવા મધુનગરમાં પાલિકાના પ્લોટ ઉપર બાંધેલા મદ્રેસા-17 ઘરના દબાણ હટાવાયા
શહેરના ગોરવા મધુનગર ચાર રસ્તા નજીક 24 મીટરની રોડલાઇન ખુલ્લી કરવા પાલિકાએ દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જેમાં પાલિકાના પ્લોટ પરથી 35થી 40 વર્ષ જૂના 17 મકાન અને મદ્રેસાનું દબાણ તોડી પડાયું હતું. 11મીએ થયેલા ડ્રોમાં મકાનોની ફાળવણી બાદ એલોટમેન્ટ લેટર કે ચાવી નહીં અપાઈ હોવાની ફરિયાદ સાથે કોંગ્રેસે હોબાળો મચાવ્યો હતો. ધારાસભ્ય કેયુર રોકડિયા, કાઉન્સિલરો સ્થળ પર પહોંચ્યા હતા. કોંગ્રેસ કાઉન્સિલર અમી રાવત, નરેન્દ્ર રાવતે કામનો વિરોધ કર્યો હતો. ગોરવા પીઆઈ કિરીટ લાઠીયા અને નરેન્દ્ર રાવત વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. નરેન્દ્ર રાવતે આક્ષેપ કર્યા હતા કે દબાણ તોડ્યા પૂર્વે મકાનના એલોટમેન્ટ લેટર-ચાવી આપી નથી. ચાર દરવાજામાં પણ દબાણ હટાવાયા હતા. પ્લોટ નજીક ભાજપના નેતાની જમીન હોવાથી ધારાસભ્ય કામ કરાવી રહ્યા છેદબાણ હટાવાતાં નરેન્દ્ર રાવતે કહ્યું કે, પાલિકાના પ્લોટની નજીક ભાજપના નેતાઓની જમીન છે જે માટે ધારાસભ્ય દબાણો તોડવા ઉતાવળ કરે છે. વાણિજ્ય હેતુનો પ્લોટ મળતીયાઓને વેચવાની કવાયત છે. મ્યુનિ.કમિશનરની ના હોવા છતાં અધિકારી ધારાસભ્યના ઇશારે કામ કરે છે. એલોટમેન્ટ લેટર, ચાવી આપી મકાનો તોડ્યા હોત તો શું ફરક પડત. ગોરવા PI અને કોંગ્રેસી નેતા વચ્ચે બોલાચાલીકામ દરમિયાન નરેન્દ્ર રાવતે મકાન આપ્યા વિના તોડી ન શકાય તેવા આક્ષેપ કરતાં પીઆઇ લાઠીયાએ તમે વાતાવરણ ગરમ ન કરો, વિક્ષેપ ન કરો, વાહિયાત વાત કરી રાજનીતિ ન કરો કહી નારાજગી ઠાલવી હતી. દબાણકર્તાઓને સાચવનાર કોંગ્રેસ છેપાલિકાના પ્લોટ પર 30થી 35 વર્ષ પૂર્વે દબાણ થયા હતા. જેને હટાવી ફાયર બ્રિગેડ બનાવવાની તૈયારી છે. દબાણ કરાવનાર કોંગ્રેસ છે અને દબાણકર્તાને સાચવે છે. મકાન તૂટ્યા છે તેમને મકાનની ફાળવણી થઇ છે. > કેયુર રોકડિયા, ધારાસભ્ય, સયાજીગંજ
ભલે પધાર્યા:કમાટીબાગમાં સફેદ વાઘની જોડીનું આગમન, ક્વોરન્ટાઇન બાદ દર્શન
2024માં નાગપુરથી વાઘની જોડી વડોદરા કમાટીબાગના પ્રાણી સંગ્રહાલય ખાતે લવાયા બાદ 40 વર્ષ પછી પ્રાણી સંગ્રહાલયમાં સફેદ વાઘની એન્ટ્રી થઈ છે. રાજકોટ પ્રાણીસંગ્રહાલય ખાતે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત સફેદ નર અને માદા વડોદરાને મળ્યા છે. સામે અલગ અલગ પક્ષીઓની 8 જોડી રાજકોટ પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવી છે. રાજકોટના પ્રદ્યુમનપાર્ક પ્રાણી સંગ્રહાલયમાં જન્મેલા સફેદ નર અને માદા વાઘને 15થી 45 દિવસ માટે ક્વોરેન્ટાઇનમાં રખાયા બાદ સહેલાણીઓ જોઈ શકશે. 3 વર્ષની ઉંમરની સફેદ વાઘની જોડી વડોદરાના કમાટીબાગમાં આવતા સહેલાણીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર બનશે. ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, પ્રાણી સંગ્રહાલયમાં 3 જોડી થઈ છે. જેમાં અગાઉની વાઘની જોડી 18 વર્ષની થઈ છે. બીજી તરફ નાગપુરથી લવાયેલી નર અને માદાની જોડીને બ્રિડિંગ માટે જ રાખવામાં આવી છે. જેને સહેલાણીઓ માટે પ્રદર્શિત કરાઇ નથી.
ભાસ્કર અગ્રેસર:પાલિકાના છબછબિયાંઃ સ્વિમિંગ પુલના વિદ્યાર્થી દીઠ ~10 લેશે, શીખવવાની જવાબદારી શાળાની
હરણી બોટકાંડ બાદ બદનામીથી બચવા પાલિકાની ચુંટાયેલી પાંખે શાળાના બાળકોને રૂ.10માં સ્વિમિંગ શીખવવા સૂચન કરી બજેટમાં જોગવાઈ કરી હતી. જોકે સૂચન બાદ 21 મહિને આખરે કામ સ્થાયીમાં મૂકાયું છે. પાલિકા ભલે રૂ. 10 લેશે પણ વિદ્યાર્થીઓની જવાબદારી શાળાની રહેશે તેવી શરત મુકાઇ છે. 2024માં હરણી લેક ઝોનમાં 12 બાળકો સહિત 14ના મોત થયાની ઘટના બાદ ભાજપ શાસિત પાલિકા તંત્રની ભારે બદનામી થઈ હતી. બદનામીમાંથી ઊગરવા બજેટની ચર્ચામાં શહેરની તમામ શાળાઓના વિદ્યાર્થીઓને રૂ. 10માં સ્વિમિંગ શીખવવા સૂચન મુકાયું હતું. જેમાં તંત્રની પ્રસંશા થઈ હતી. જોકે આ સૂચન માત્ર કાગળ પર જ રહી હતી. 21 મહિના બાદ હવે બાળકોને રૂ. 10માં સ્વિમિંગ શીખવાડવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મંજૂરી માટે મુકાઇ છે. જેમાં શાળાના બાળકોને સ્વિમિંગ શીખવા માટે અને શાળા માટે 19 શરત અને નિયમ બનાવવામાં આવ્યા છે. આ નિયમમાં વિદ્યાર્થીઓની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે તેવો ઉલ્લેખ કરાયો છે. મહત્વનું છે કે આ પોલિસી બનાવતા તંત્રને 6 મહિનાઓ સમય લાગ્યો છે. વાલીના એકરારનામા સાથે ફોર્મ ફી, પ્રવેશ-તાલીમ ફી આપવી પડશેપાલિકા મુજબ વિદ્યાર્થીઓની યાદી, બાળકો-વાલીના નામ-સરનામા, મેડિકલ સર્ટિ., અને એકરારનામું આપવાનું રહેશે. રૂ.50 ફોર્મના, ~25 પ્રવેશના, રૂ.10 શિખવાના આપવા પડશે. સ્કૂલો સુરક્ષા રાખે જ છે, સ્વિમિંગમાં બાળકોની જવાબદારી શાળાઓ લે તેવું કોઇ સ્વીકારે નહીં શાળાઓ વિદ્યાર્થીઓની તમામ ઇત્તર પ્રવૃત્તિ સુરક્ષા સાથે કરે છે. સ્વિમિંગમાં બાળકોની જવાબદારી શાળાઓ લે તેવું કોઇ સ્વીકારે નહિ. > કિરણ પટેલ, આચાર્ય સંઘ કોચનો પગાર શાળાએ ચૂકવવો પડે, શિક્ષક મોકલવા પડે, બાળકની જવાબદારી કોની? કોઇ સ્વીકાર કરશે નહિ. કોચનો પગાર શાળાએ ચૂકવો પડે. શિક્ષક મોકલવા પડે. બાળકને કંઇ થાય તો જવાબદારી કોની? > આર.સી.પટેલ, પ્રમુખ, શહેર શાળા સંચાલક મંડળ શાળાએ વિદ્યાર્થીઓને સ્વિમિંગ શીખવવા માટે સ્પોર્ટ્સ ઓફિસર-કોચ રાખવો પડશે કહી પાલિકાએ હાથ ખંખેર્યાહરણી બોટકાંડમાં બાદ ઉતાવળે કરાયેલા સૂચન બાદ હવે સ્વિમિંગ શીખવવા પાલિકા માત્ર ઇન્ફ્રાસ્ટ્રકચર પૂરું પાડશે. શાળાએ સ્પોર્ટ્સ ઓફિસર કે કોચ રાખવા પડશે. કારણ કે પાલિકા પાસે પહેલેથી સ્ટાફની ઘટ છે અને નવું મહેકમ ઊભું કરવાનું કોઈ આયોજન નથી. પાલિકાએ એક રીતે જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છે. જોકે તંત્ર કહે છે કે સહકાર આપીશું. પાલિકા પાસે 2 બેબી પુલ મળી 6 સ્વિમિંગ પુલ છે જેમાં તમામ શાળાના બાળકોને સ્વિમિંગ શીખવવું શક્ય નથી.
ખાનગી શાળાની જેમ સરકારી શાળામાં પ્રથમવાર ડિસેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સરકારી પ્રાથમિક શાળા કવિ દુલાકાગમાં પ્રવેશ માટે નોંધણી શરૂ કરાઇ છે. 3 દિવસમાં જ ગુજરાતી-અંગ્રેજી માધ્યમ માટે 104 વિદ્યાર્થીએ નોંધણી કરાવી છે. ધસારાના પગલે અંગ્રેજી માધ્યમમાં વર્ગો વધારવામાં આવ્યા છે. સરકારી શાળામાં પ્રવેશ પ્રક્રિયા જૂન મહિનામાં થાય છે. શિક્ષણ સમિતિ સંચાલિત હરણી વારસીયા રીંગ રોડ પરની કવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં દર વર્ષે પ્રવેશના ધસારાને જોતા ડિસેમ્બરમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. 15થી 31 ડિસેમ્બર સુધી જે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ લેવો છે તેવા વિદ્યાર્થીઓના નામની નોંધણી શરૂ કરવામાં આવી છે. જેમ ખાનગી શાળામાં નવા સત્રમાં નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં પ્રવેશની કાર્યવાહી શરૂ કરાઇ છે તે પ્રકારે જ કવિ દુલાકાગમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ છે. પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે સોશિયલ મીડિયામાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો હતો. જેના આધારે જે વિદ્યાર્થીઓને પ્રવેશ લેવો છે તેના નામની નોંધણી કરવામાં આવી રહી છે. જેમાં અંગ્રેજી માધ્યમ માટે જુનીયર કેજીથી ધો.8 સુધીમાં પ્રવેશ માટે માત્ર 3 દિવસમાં જ 68 જેટલા વિદ્યાર્થીઓના નામ નોંધવામાં આવ્યા છે. જયારે ગુજરાતી માધ્યમ માટે 36 વિદ્યાર્થીના નામ નોંધાયા છે. અંગ્રેજી માધ્યમમાં ધસારો જોતા જુનીયર કેજીથી ધો.8 સુધી માટે એક-એક વર્ગ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષે 350 વિદ્યાર્થી પ્રવેશ વિના પાછા ફરે છેકવિ દુલાકાગ પ્રાથમિક શાળામાં પ્રવેશ માટે ધસારો રહે છે. પ્રવેશ ફૂલ થઇ જાય ત્યારે જે વિદ્યાર્થીને પ્રવેશ ન મળ્યા હોય તેના વાલીઓ મેયર, કોર્પોરેટર, ધારાસભ્યના ભલામણ પત્રો લખાવી લાવે છે. અંગ્રેજી-ગુજરાતી માધ્યમમાં દર વર્ષે 300થી 350 જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જાય છે. ખાનગી સ્કૂલમાંથી પણ વાલીઓ સરકારી સ્કૂલમાં અધવચ્ચેથી પ્રવેશ લેવા આવે છે. ધો.1 જ નહિ પરંતુ ધો.8 સુધી પ્રવેશ માટે ભલામણો આવતી હોય છે. લેબ-લાઇબ્રેરી એસી, સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ અવ્વલશાળામાં એસી લેબોરેટરી, એસી લાઇબ્રેરી, અદ્યતન વર્ગો છે. વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભ, કલા મહાકુંભમાં વિજેતા થાય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ અવ્વલ હોવાથી પ્રવેશ માટે ધસારો રહે છે. > જીગર ઠક્કર, આચાર્ય, કવિ દુલાકાગ પ્રાથમિક શાળા 31 જાન્યુઆરી પહેલાં પ્રવેશ નિશ્ચિત કરી વાલી સાથે બેઠક કરાશે15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી પ્રવેશ માટે વિદ્યાર્થીઓના નામની નોંધણી કરાશે16 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી જે વિદ્યાર્થીઓના પ્રવેશ કન્ફર્મ હશે તેના ફોર્મ ભરવાની પ્રક્રિયા કરાશે28 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી પ્રવેશ કન્ફર્મ કર્યા હશે તેવા વિદ્યાર્થીઓના વાલી સાથે મિટીંગ કરાશે1 એપ્રિલના રોજ નવા સત્ર માટે વાલી અને બાળકો સાથે બેઠક કરીને જૂનમાં નવું સત્ર જ શરૂ કરી દેવાશે
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ પરપોટીયાના રેવાબેન કોટવાલ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે કાઠું કાઢ્યું છે. તેમણે વર્ષ 2019 થી પ્રાકૃતિક ખેતી અપનાવી છે. અને તેનાથી મળતી સફળતાએ તેમને આર્થિક રીતે મજબૂત કર્યા છે. આ વિસ્તારની મહિલાઓ માટે આ મહિલા પ્રેરણારૂપ પણ બની રહી છે. માલપુર તાલુકાના પરપોટીયાના રેવાબેન પોતાના ઘરે બાંધેલી દેશી ગાયના છાણમાંથી પ્રાકૃતિક ખાતર તૈયાર કરે છે. આ ખાતરનો ઉપયોગ તેમના ખેતરમાં ઘઉં જેવા પાકોમાં કરવામાં આવે છે. પરિણામે તેમના ઘઉંની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે તે ઘઉં રૂપિયા1000 પ્રતિ મણના ભાવે પોતાના ઘરેથી જ વેચાઈ જાય છે. રેવાબેન કહે છે, કે વડવાઓ પ્રાકૃતિક ખેતી કરીને જ જીવન ગાળતા હતા. આજે અમે તે જ પરંપરાને અપનાવીને સફળતા મેળવી રહ્યા છીએ. આ સફળતા પાછળ રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અરવલ્લીનો મહત્વનો સહયોગ છે. બોર્ડ દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તાલીમ, માર્ગદર્શન અને સહકાર આપવામાં આવે છે. આનાથી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધી રહ્યો છે અને ખાસ કરીને મહિલાઓ આ ક્ષેત્રે આગળ વધી રહી છે. રેવાબેન કોટવાલ જેવી મહિલાઓ પ્રાકૃતિક ખેતી અપનાવીને આર્થિક અને સામાજિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ ખેતી માત્ર રાસાયણિક ખાતરો અને કીટનાશકોના ખર્ચમાંથી મુક્તિ આપે છે.
કાર્યવાહી:મોડાસામાં ચરસ અને ગાંજાનો નશો કરવા વપરાતાં 43 રોલિંગ પેપરનો જથ્થો ઝડપાયો
રાજ્યના ગૃહ વિભાગે બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને મોડાસા ટાઉન પોલીસે શહેરમાં મેઘરજ રોડ ઉપર આવેલ શ્રી ગાયત્રી ટેડર્સ પાન પાર્લરની દુકાનમાં અચાનક રેડ કરીને તપાસ હાથ ધરી હતી. દુકાનમાંથી ચરસ,ગાંજાના અલગ અલગ પ્રકારના નશા માટે ઉપયોગમાં લેવાતી સ્ટેશ પ્રો.રોલિંગ પેપર નંગ 43 કિંમત રૂપિયા 645નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વેચાણ કરતા શખ્સની અટકાયત કરીને તેની વિરુદ્ધ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. અરવલ્લી એસપી મનોહરસિંહ એન.જાડેજા તથા આર.ડી.ડાભી નાયબ પોલીસ અધિક્ષકના સૂચનાઓના ભાગરૂપે ડી.બી.વાળા પોલીસ ઇન્સપેક્ટર કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકિંગમાં હતા. માહિતી મળી હતી કે મેઘરજ રોડ ઉપર આવેલ શ્રી ગાયત્રી ટેડર્સ પાન પાર્લરની દુકાનમાં પ્રતિબંધિત હોવા છતાં તેનું વેચાણ કરતો હોવાની માહિતી આધારે પોલીસે મુદ્દામાલ કબ્જે લઈ દુકાનના કાઉન્ટર પર બેઠેલા મનિષકુમાર શામજીભાઈ પટેલ રહે વેદ રેસિડેન્સી મોડાસા જિલ્લો અરવલ્લીની અટકાયત કરીને તેની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સરકારી ઇજનેરી કોલેજ પાસેની દુકાનોમાં પણ વેચાણ મોડાસા કોલેજ રોડ ચાર રસ્તા અને સરકારી ઇજનેરી કોલેજ પાસેના કોમ્પ્લેક્સમાં આવેલા પાર્લરમાં અને દુકાનોમાં ખુલ્લેઆમ રાજ્ય સરકારે બહાર પાડેલા જાહેર નામાનો સરેઆમ ભંગ થતો હોવાની લોકોની ફરિયાદ ઉઠી છે. કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પણ નશા કારક રોલિંગ પેપરનો ઉપયોગ કરી રહ્યા હોવાનું અને આ દુકાનો અને પાર્લરમાં તેઓ અંદરના ભાગમાં બેઠક વ્યવસ્થા કરેલી હોવાથી ત્યાં રોલિંગ પેપરનો કશ ખેંચી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે
પંથકમાં રાડ પડાવનાર ચાર શખ્સો સળીયા પાછળ:ખનીજચોર નીકુભા ગેંગ પર ગુટસીટોક લાગુ કરાયો
સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાની હદમાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી રેતી ચોરી કરતા ખનીજ માફિયાઓ વિરુદ્ધ કડક પગલાં લેવાના ભાગરૂપે સાબરકાંઠા એસપીની સૂચનાથી ખનીજ ચોરી અને વહીવટી તંત્રના કર્મચારીઓ સહિત સ્થાનિક લોકોને રંઝાડી હુમલા કરવા ટેવાયેલા નીકુભા ગેંગના ચાર શખ્સો વિરુદ્ધ એલસીબીએ કાર્યવાહી હાથ ધરી ગુજસીટોક અંતર્ગત ગુનો દાખલ કરતા ખનિજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. એલસીબી પીઆઇ ધવલ સાકરીયાએ વિગત આપતા જણાવ્યું કે સાબરકાંઠા એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે સાબરમતી નદીમાં ગેંગ બનાવી રેતી ખનીજ ચોરી કરતા તત્વો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવા સૂચના આપ્યા બાદ પ્રાંતિજ તાલુકાના સીતવાડા વડવાસા અને માણસા તાલુકાના લાકરોડા ગામની સીમમાં ગેંગ બનાવી ખનીજ ચોરી કરતા અને ખનીજ ચોરી અટકાવવા ગયેલ સરકારી અધિકારી કર્મચારીઓ ઉપર હુમલા કરવા ટેવાયેલા તથા તેમના વિસ્તારમાંથી લીઝ ઉપરથી રેતી ભરી પસાર થતા વાહનોને અટકાવી મારામારી રાયોટીંગ ખૂનની કોશિશ જેવા ગંભીર પ્રકારના સંગઠિત ગુના આચરતી ગેંગ જે નિકુભા ગેંગ તરીકે કુખ્યાત બની ગઈ હતી આ ગેંગના સભ્યો વિરુદ્ધ ગૂના દાખલ થયેલ હોવા છતાં ખનીજ ચોરી અને હુમલા કરવાની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી તેની તપાસ હાથ ધરવામાં આવતા નરેન્દ્રસિંહ .. અનુસંધાન પાન-2
નમસ્તે, કાલના મોટા સમાચાર ચાંદી 2 લાખ રૂપિયાને પાર પહોંચી તેના વિશે રહ્યા. બીજા મોટા સમાચાર નીતિશ કુમારને મળેલી પાકિસ્તાની ડોનની ધમકી અંગેના રહ્યા.⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. ભગવાન રામને કાલ્પનિક કહેવાના મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ વારાણસી કોર્ટમાં સુનાવણી થશે. 2. યુપીમાં SIR અભિયાન વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. કાલના મોટા સમાચારો 1. ટ્રેનમાં સામાન લઈ જવાની લિમિટ નક્કી કરાઈ:વધારાના લગેજ પર લાગશે દંડ, એરપોર્ટ જેવા નિયમ; લોકસભામાં રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી ભારતીય રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે સામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકસભામાં માહિતી આપતા જણાવ્યું હતું કે, હવે નિર્ધારિત મર્યાદા કરતા વધુ સામાન લઈ જનારા મુસાફરો પાસેથી રેલવે દ્વારા વધારાનો ચાર્જ વસૂલવામાં આવશે. મુસાફરોની સુવિધા અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે અલગ-અલગ કોચ મુજબ સામાનની મર્યાદા નક્કી કરવામાં આવી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. CMએ હિજાબ ખેંચ્યો હતો તે નુસરતે બિહાર છોડ્યું; નીતિશના બચાવમાં યુપીના નેતાનું વિવાદિત નિવેદન CM નીતિશ કુમારે જે મહિલા ડોક્ટર નુસરત પરવીનનો હિજાબ હટાવ્યો હતો. તેમણે બિહાર છોડી દીધું છે. તે હવે કોલકાતામાં પોતાના પરિવાર પાસે જતી રહી છે. 15 ડિસેમ્બરે આ ઘટના બની તેના બીજા જ દિવસે નુસરત કોલકાતામાં પોતાના પરિવાર પાસે આવી ગઈ. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે. ડોક્ટર બનવું તેમનું સપનું હતું. હાલમાં તેઓ બિહાર સરકારની નોકરી જોઈન નહીં કરે. પરિવાર નુસરત પરવીનને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેઓ પાછા બિહાર આવીને નોકરી જોઈન કરવાની હિંમત એકઠી કરી શકતી નથી. વાંચો સંપૂર્ણ સમાચાર 3. ઇથોપિયન સંસદમાં મોદીએ કહ્યું- આ સિંહોની ભૂમિ:મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ, PMને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું; આ મેળવનાર પ્રથમ ગ્લોબલ લીડર વડાપ્રધાન મોદીએ બુધવારે ઇથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન કર્યું. આ વિશ્વની 18મી સંસદ છે જ્યાં વડાપ્રધાન મોદીએ ભાષણ આપ્યું છે. મોદીએ કહ્યું, મને ઇથોપિયામાં આવીને આનંદ થયો છે. આ સિંહોની ભૂમિ છે. મને અહીં ઘર જેવું લાગે છે, કારણ કે મારું વતન ગુજરાત પણ સિંહોની ભૂમિ છે. પીએમ મોદીએ 1.4 અબજ ભારતીયો વતી ઇથોપિયાને શુભેચ્છા પાઠવી. તેમણે ઇથોપિયન સંસદ, તેના લોકો અને તેમની લોકશાહી યાત્રા પ્રત્યે આદર વ્યક્ત કર્યો. મોદીએ કહ્યું કે જ્યારે લોકોની ઇચ્છાઓ અને સરકારની વિચારસરણી સમાન હોય છે, અને બંને સાથે મળીને આગળ વધે છે, ત્યારે દેશ આશા અને ધ્યેય સાથે વિકાસના માર્ગ પર ઝડપથી આગળ વધે છે. ઈથોપિયન સંસદના સંયુક્ત સત્રને સંબોધન પૂરું થતાં જ સાંસદોએ ઉભા થઈને તાળીઓ પાડીને મોદીનું સ્વાગત કર્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 4. 5 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં SIRની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર:1 કરોડથી વધુ નામો કપાયા, આ કુલ મતદારોના 7.6%; સૌથી વધુ 58 લાખ બંગાળમાં નામ કપાયા ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR, સામાન્ય શબ્દોમાં મતદાર ચકાસણી) પછી મંગળવારે પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગોવા, લક્ષદ્વીપ અને પુડુચેરીની ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડવામાં આવી. તેમાં કુલ મતદારોની સંખ્યામાં 7.6%નો ઘટાડો નોંધાયો છે. પંચના આંકડા મુજબ, 27 ઓક્ટોબરે SIRની જાહેરાત સમયે જ્યાં આ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13.35 કરોડ મતદારો હતા, ત્યાં ડ્રાફ્ટ યાદીમાં આ સંખ્યા ઘટીને 12.33 કરોડ થઈ ગઈ છે. એટલે કે 1.02 કરોડ નામો દૂર કરવામાં આવ્યા છે. બંગાળમાં 58 લાખ 20 હજાર 898 મતદારોના નામ દૂર કરવા માટે ચિહ્નિત કરવામાં આવ્યા છે. રાજસ્થાનમાં 41.85 લાખ અને પુડુચેરીમાં 85 હજાર મતદારોના નામ કાપવામાં આવ્યા છે. આ સાથે, ઘરે-ઘરે જઈને માહિતી એકત્રિત કરવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. હવે આગળ દાવો, વાંધો અને સુનાવણીની પ્રક્રિયા શરૂ થશે. વાંચો સંપૂર્ણ સમાચાર 5. ચાંદી પહેલીવાર ₹2 લાખને પાર:આજે ₹8,775 મોંઘી થઈ; આ વર્ષે કિંમત ₹1.15 લાખ વધી; 10 ગ્રામ સોનું ₹1.33 લાખનું થયું ચાંદી આજે એટલે કે 17 ડિસેમ્બરે પહેલીવાર 2 લાખ રૂપિયા પ્રતિ કિલોને પાર નીકળી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર એક કિલો ચાંદીની કિંમત 8,775 રૂપિયા વધીને 2,00,750 રૂપિયા પર પહોંચી ગઈ છે. આ પહેલા તે 1,91,977 રૂપિયા પર હતી. આ વર્ષે તેની કિંમત 1,14,733 રૂપિયા વધી ચૂકી છે. જ્યારે, સોનું આજે 936 રૂપિયા વધીને 1,32,713 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. આ પહેલા તે 1,31,777 રૂપિયા પર હતું. જ્યારે સોનાએ 15 ડિસેમ્બરે 1,33,442 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. દ્વારકાધીશના દર્શને જતાં પદયાત્રીઓને કાળ ભેટ્યો, CCTV:મોરબીના ચાચાવદરડા ગામે કન્ટેનર ભરેલા ટ્રકે પાંચને અડફેટે લીધા, ચાર શ્રદ્ધાળુનાં ઘટનાસ્થળે મોત બનાસકાંઠાના પદયાત્રીઓ દેવભૂમિ દ્વારકામાં દ્વારકાધીશના દર્શનાર્થે જઈ રહ્યા હતા. રાત્રિરોકાણ બાદ સંઘ આગળ વધતાં બુધવારની સવાર તેમના માટે કાળમુખી સાબિત થઈ હતી. માળિયા-પીપળીયા હાઈવે પર ચાચાવદરડા ગામના પાટિયા પાસે એક પૂરપાટ ઝડપે આવતાં કન્ટેનર ભરેલા ટ્રકે પદયાત્રીઓના સંઘને અડફેટે લીધો હતો. આ દુર્ઘટનામાં 4 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ત્યારે આ ઘટનાના કંપારી છોડાવે એવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર 7. હવે મુસ્લિમ વકફોએ પણ કોર્ટ ફી ચૂકવવી પડશે:ગુજરાત HCએ વક્ફોની કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી 150 અરજી ફગાવી, હર્ષ સંઘવીએ કહ્યું- 'દેશના ઈતિહાસમાં આ સૌ પ્રથમ ચુકાદો' ગુજરાત હાઇકોર્ટે, કોર્ટ ફીમાંથી મુક્તિ માગતી વકફ ટ્રસ્ટોની લગભગ 150 અરજીઓ ફગાવી દીધી છે. હવે વકફ સંસ્થાઓ કોર્ટ ફી ચૂકવ્યા વગર ટ્રિબ્યુનલમાં જઈ શકશે નહીં. રાજ્ય સરકાર તથા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ તરફથી રજૂ થયેલા સરકારી વકીલ જી.એચ.વિર્કે દલીલ કરી હતી કે જો હિન્દુ મંદિર ટ્રસ્ટ, ચેરિટેબલ સંસ્થા, સહકારી સંસ્થા અથવા ખાનગી વ્યવસાય જેવી કોઈપણ સંસ્થાને ન્યાય મેળવવા કોર્ટ ફી ચૂકવવી પડે છે, તો વકફ સંસ્થાઓ પણ એ જ રીતે કોર્ટ ફી ચૂકવવાની ફરજદાર છે અને તેમને કોઈ ખાસ છૂટછાટ આપી શકાય નહીં. વાંચો સંપૂર્ણ સમાચાર આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : લુધિયાણા સેન્ટ્રલ જેલમાં અથડામણ, કેદીઓએ અધિકારીઓને માર્યા:જેલ સુપરિન્ટેન્ડેન્ટનું માથું ફોડ્યું; પ્રત્યક્ષદર્શીએ કહ્યું- 250 કેદીઓએ હુમલો કર્યો વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : 'ઓસ્ટ્રેલિયા આતંકી હુમલા પર અમને ખોટી રીતે બદનામ કર્યા':PAK બોલ્યું- આ ભારત-ઇઝરાયલ જેવા દુશ્મનોનું કાવતરું વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : રાહુલ બોલ્યા- મનરેગા ખતમ કરવો મહાત્મા ગાંધીનું અપમાન:PM મોદીને તેમના વિચારોથી સમસ્યા, પ્રિયંકાએ કહ્યું- સરકારને નામ બદલવાની ચાનક વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : 2 દિવસમાં ખૂલશે એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ ફાઇલ:ટ્રમ્પનું નામ આવ્યું, દુનિયાભરના નેતાઓ-બિઝનેસમેનોમાં ફફડાટ; શું કોઈ ભારતીય પણ સામેલ? વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : આવી રહી છે ભારત ટેક્સી,ઓલા-ઉબરની ઉડી જશે ઉંઘ:લોકોને સસ્તી મુસાફરી-ડ્રાઇવરોને વધુ કમાણી, 1 જાન્યુઆરીથી લોન્ચિંગ; ડ્રાઇવરના ખિસ્સામાં 80% પૈસા વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : રામ સેતુથી T20 વર્લ્ડ કપ ટ્રોફી ટૂર લોન્ચ:પેરામોટરથી બ્રિજ ઉપર ફેરવવામાં આવ્યું; ટુર્નામેન્ટની શરૂઆત 7 ફેબ્રુઆરીથી શરૂ થશે વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર જ્યોતિષ : સૂર્યદેવની ગુરુ રાશિ ધનમાં એન્ટ્રી:મેષ-કર્કને મળશે ભાગ્યનો સાથ, કન્યા-ધનના જાતકોએ તબિયત સાચવવી; અન્ય રાશિ પર શું થશે અસર? વાંચો સંપૂર્ણ સમાચાર ️ ચર્ચિત નિવેદન ખબર હટકે ફોટો, જે પોતે સમાચાર છે ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. સ્ટાર્ટઅપ સ્ટોરીઝ-3 રાજ્યની એકમાત્ર સિનેમા ચેઇન Connplex:9 રાજ્યમાં 96 સ્ક્રીન ને વર્ષે ₹125 કરોડનો બિઝનેસ; ફાઉન્ડર્સ કહે, ‘અમારે ત્યાં બધી જ સીટો રિક્લાઇનર છે’ 2. પ્રેમ બાદ ઝઘડો, સ્ટેમ્પ પેપર પર સમાધાન અને બદલો:છ મહિના સુધી પૂર્વ પ્રેમિકાનો પીછો ન છોડ્યો, છેલ્લા ફોનકોલમાં આપેલી ધમકી હત્યાનું કારણ બની 3. ભાસ્કર એક્સપ્લેનર : SIR પછી મતદારયાદીમાં નામ હશે કે નહીં? હમણાં જાણો:આ રહી સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, લિસ્ટમાં નામ સામેલ કરવા 1 મહિનાનો સમય મળશે 4. ગ્રાઉન્ડ રિપોર્ટ : સિડનીમાં 15 યહૂદીઓની હત્યા કરનાર સાજિદ હૈદરાબાદનો:ખ્રિસ્તી મહિલા સાથે લગ્ન, પરિવાર સાથે સંબંધ તોડ્યો, પુત્ર બોલ્યો- અલ્લાહનો કાયદો સર્વોપરી 5. ભાસ્કર એક્સક્લૂસિવ : નીતિન નબીન BJPના કાર્યકારી અધ્યક્ષ બનવાની ઇનસાઇડ સ્ટોરી:PMની ઓનલાઇન મીટિંગ-શાહે લેટર બનાવડાવ્યો, 3 રાજદાર; ફોન આવ્યો- દિલ્હી આવો કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ માર્કેટની સ્થિતિ ️ મોસમનો મિજાજ ગુરુવારનું રાશિફળ:મેષ-મીનના જાતકો માટે ગ્રહોની સ્થિતિ ઉત્તમ રહેશે, મિથુન રાશિના લોકોને કાર્યમાં આવતા અવરોધો દૂર થશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
રેલમંત્રીને રજૂઆત:કોરોનાના લીધે બંધ કરેલી નડિયાદ–મોડાસા રેલવે સેવા પણ પુનઃ શરૂ કરો : સંસદ સભ્ય
સાબરકાંઠા અરવલ્લી જિલ્લામાં અપગ્રેડેડ રેલ સુવિધાઓ માટે સાંસદે રેલ મંત્રીને મળી નવીન રેલ સેવાઓ ચાલુ કરવા અને નડિયાદ થી મોડાસા કોરોના વખતથી બંધ કરાયેલ સેવા શરૂ કરવા માંગ કરવા સહિત વિગતવાર રજૂઆત કરતા રેલ મંત્રીએ આગામી નવા વર્ષમાં વનડે ભારત ટ્રેન ચાલુ કરવાનું આશ્વાસન આપ્યું હતું. શોભનાબેન બારૈયા એ જણાવ્યું કે મુંબઈ અમદાવાદ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધી સીધી રેલ સેવા શરૂ કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી છે. દિલ્હી થી ઉપડતી ચેતક એક્સપ્રેસ જે દિલ્હી જયપુર અજમેર ઉદેપુર વીસ બાવીસ કલાક પડી રહે છે તેને હિંમતનગર અમદાવાદ અસારવા સુધી લંબાવવા રજુઆત કરી છે. તેમણે જણાવ્યું કે તેમના સંસદીય મતવિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો રોજગાર અને વ્યવસાય માટે મુંબઈ, સુરત અને વલસાડ વિસ્તારમાં વસવાટ કરે છે. હાલ આ વિસ્તારના મુસાફરોને મોટાભાગે બસ દ્વારા લાંબી અને અસુવિધાજનક મુસાફરી કરવી પડે છે. આ માર્ગ પર સીધી રેલ સેવા શરૂ કરવામાં આવે તો મુસાફરોને વધુ સુવિધાજનક, સુરક્ષિત અને સમય બચાવતી મુસાફરી ઉપલબ્ધ થશે, તેમજ વિદ્યાર્થીઓ, શ્રમિકો અને સામાન્ય જનતાને મોટો લાભ મળશે. સાંસદ શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા એ કેન્દ્ર સરકાર અને રેલવે વિભાગને આ બાબત પર તાત્કાલિક વિચાર કરી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી કરી છે, જેથી વિસ્તારના લોકોની લાંબા સમયથી ચાલતી માંગ પૂર્ણ થઈ શકે. કોરોના મહામારી બાદ નડિયાદ–મોડાસા માર્ગ પર રેલવે સેવા બંધ કરવામાં આવી છે, જેના કારણે આ માર્ગ પર મુસાફરી કરતા યાત્રિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેને ધ્યાને લઈ સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ મુંબઈ સુરત નડિયાદ કપડવંજ મોડાસા માર્ગ પર રેલવે સેવા પુનઃ શરૂ કરવા માટે મહત્વપૂર્ણ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે રેલવે વિભાગને આ માર્ગ પર વહેલી તકે રેલ સેવા પુનઃ શરૂ કરવા વિનંતી કરી છે, જેથી યાત્રિકોને સુરક્ષિત, સુવિધાજનક અને સમય બચાવતી મુસાફરી ફરીથી મળી શકે અને વિસ્તારના વિકાસને વેગ મળી શકે.
ભૂવાએ બાળકીને પીંખી નાખી:સોનાની લગડીની લાલચમાં માસાએ 12 વર્ષની ભાણીને ભૂવાને સોંપી
સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના બે શખ્સોએ સોનાની લ્હાયમાં દીકરી સમાન 12 વર્ષીય સગીરાને ભૂવાને સોંપી દીધા બાદ 62 વર્ષી ભૂવાએ રાત્રિ દરમિયાન બબ્બે વખત પીંખી નાંખ્યાની ચકચારી ઘટના બહાર આવી છે. સંવેદનશીલ ઘટનામાં પોશીના પોલીસે ભૂવો, માસો અને કુટુંબી કાકાને ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. પોશીના તાલુકાની 12 વર્ષીય સગીરાના પિતા ઇડર તાલુકામાં ભાગીયા તરીકે રહે છે અને સગીરા તેના કાકા સાથે રહે છે. તા. 14-12-2025ના રોજ કાકા-કાકી અંબાજી દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન સવારે દસેક વાગ્યે સગીરાના માસા સુરેશ અજાભાઇ બૂબડીયા અને કુટુંબી કાકા મીરખાન માલાભાઇ બૂબડીયા ઘેર આવ્યા હતા અને પોશીના બજારમાં જઇને આવીએ છીએ કહી સગીરાને લઇ ગયા હતા. કાકા-કાકી પરત આવતા સાંજે 4 વાગ્યા સુધી સગીરા પરત ઘેર આવેલ ન હોઇ અને તેના માસા લઇ ગયાની ખબર પડતા તેના ઘેર જઇ સગીરાની માસી રેહીબેનને પૂછતા તેણે પણ માતાએ દર્શન કરવા લઇ ગયાનું કહેતા રાત્રે દસ વાગ્યા સુધી રાહ જોઇ ફરીથી તપાસ કરવા જતા ટેહીબેને જણાવ્યું કે રસ્તામાં છે ચિંતા ન કરો ઘેર આવી જશે. બીજા દિવસે સવારે તેના ઘેર જતા સુરેશ અને મીરખાન ઘેર નહતા અને સાંજે ચારેક વાગ્યે મીરખાનના ઘર આગળ સગીરા હોવાની જાણ થતા બધા ત્યાં પહોંચ્યા હતા અને સગીરાને પૂછતા તેણે જણાવ્યું હતું કે ગઇકાલે સવારે બંને જણા ઘેર આવી પોશીના બજારમાં કામ છે. કહી બાઇક પર લઇ ગયા હતા અને પોશીના બજારમાં ઇકોમાં બેસાડી 50 રૂપિયા આપી હડાદ ફેકટરીએ ઉભી રહેજે કહી બંને જણા બાઇક પર ફેકટરીએ આવ્યા હતા અને બાઇક પર બેસાડી ગોળા ગામે એક ખેતરમાં ઓરડીમાં લઇ ગયા હતા અને એક અજાણ્યા માણસને બોલાવી સગીરાને સોંપી બંને જતા રહ્યા હતા અને રાત્રિ દરમિયાન કથિત ભૂવો સગીરા સાથે બબ્બે વખત દુષ્કર્મ આચરતો રહ્યો હતો. સવારે સગીરાના માસા અને કાકા બંને પરત આવતા કોઇને કહીશ તો જાનથી મારી નાખીશ કહી ભૂવો જતો રહ્યો હતો અને આ બંને જણાએ ભૂવા પાસેથી કંઇક લીધું હતુ અને બંને જણાએ સગીરાને બાઇક પર બેસાડી દાંતા પહોંચી ચા નાસ્તો કર્યા બાદ બપોરે સાડા ત્રણેક વાગ્યે સગીરાને ગામ નજીક ચાર રસ્તા ખાતે ઉતારી દીધી હોવાનું જણાવ્યા બાદ કાકાએ સગીરાને પોશીના સરકારી દવાખાનામાં સારવાર કરાવી ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોશીના પીઆઇ એલ.જે.વાળાએ જણાવ્યું કે, ગુનો નોંધી સુરેશ અજા બૂબડીયા અને મિરખાન માલા બૂબડીયાને પકડી લઇ પૂછપરછ કરી ભૂવાગીરી કરતા જવાનજી કુવરજી ઠાકોર .(ઉ.વ. 62 રહે. 251, ઠાકોરવાસ, સાકરી તા. ખેરાલુ)ને પકડી લીધો છે. ત્રણેયની વિરુધ્ધ હવે દુષ્કર્મ, પોકસો સહિતની કલમો ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરાશે. સમાચારથી શીખરાતોરાત અમીર બનવાની લાલચ અને ચમત્કારોમાં અંધવિશ્વાસ રાખનારા લોકોએ સમજવું જોઈએ કે પરસેવાની કમાણી સિવાય ક્યાંયથી સોનું વરસતું નથી. આવા પાખંડી ભુવાઓ માત્ર લાલચુ લોકોનું આર્થિક અને શારીરિક શોષણ જ કરે છે. આ રહ્યા નરાધમો(1) સુરેશ અજા બૂબડીયા (2) મિરખાન માલા બૂબડીયા (3) જવાનજી કુવરજી ઠાકોર . (ઉ.વ. 62 રહે.સાકરી તા. ખેરાલુ) રાત્રિ દરમિયાન નરાધમ નીચતા આચરતો રહ્યો હતો અનેબંને જણાએ દૂર રહીને સોનાની આશામાં રાત પસાર કરીબનાસકાંઠા જિલ્લાના જલોત્રા નજીક ગોળા ગામની આજુબાજુમાં ખેતમજૂરી ભાગીયા તરીકે અગાઉ કામકરવા દરમિયાન સુરેશ અજા બૂબડીયા અને મિરખાન માલા બૂબડીયા એક વખત બસ સ્ટેન્ડ પર ઉભા હતા.તે દરમિયાન જવાનજી કુવરજી ઠાકોરના સંપર્કમાં આવ્યા હતાઅને પોતે ભૂવો હોવાનું અને સોનું કાઢી આપતો હોવાનુંજણાવ્યા બાદ દસ પંદર દિવસ પછી બંને જણાજવાનજી ઠાકોરને મળ્યા હતા અને સોના માટે વાત કરતા જવાનજી ઠાકોરે 15 વર્ષથી નાની કુમારિકાનીજરૂર પડશે અને તેની પાસે વિધિ કરાવવી પડશે કહ્યું હતું. ત્યારબાદ સુરેશ બૂબડીયાએ કાકાને ઘેર રહેતીસગીર ભાણીને લઇ જવાનું મીરખાન સાથે મળી પ્લાનીંગ કરી કાકા-કાકી અંબાજી દર્શને ગયા તે જ દિવસેભાણીને પોશીના બજારમાં લઇ ગયા અને પહેલા ઇકોમાં બેસાડી હડાદ ફેકટરી અને ત્યાંથી બાઇક પરબેસાડી 80 કિ.મી. દૂર બનાસકાંઠા જિલ્લામાં જલોત્રા નજીક આવેલ ગોળા ગામે ખેતરની ઓરડીમાં રહેતાનરાધમ વૃધ્ધને દીકરી જેવી ભાણીને સોંપી દીધી. રાત્રિ દરમિયાન નરાધમ નીચતા આચરતો રહ્યો હતો અનેબંને જણા દૂર રહી સોનાની આશામાં રાત પસાર કરી વહેલી સવારે ઓરડી પર આવતા બનાવટી સોનાનીલગડી પકડાવી દીધી જેની પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવનાર છે.
પાલનપુર તાલુકાના ભુતેડી ગામે એક વિધવા યુવતી પર સાસરીમાં જવા મામલે થયેલ ઝગડો કરી મારપીટ કરી હતી. તેણીએ પોતાના પિતા, ભાઈઓ અને સગાં સામે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ભુતેડી ગામે પિયરમાં રહેતી વિધવા સોનલબેન ઠાકોરએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે ચાર વર્ષ પહેલા અમીરગઢના કિરણજી ગણેશજી ઠાકોર સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પતિનું જુલાઈ2024 માં અકસ્માત બાદ મોત થતા તેઓ એક નાનકડા દીકરા સાથે હાલ પિયરમાં રહે છે. સોમવારે તેમની સાસુ રમીલાબેન ઠાકોર અકસ્માત ક્લેઇમની જુબાની બાબતે મળવા આવી હતી. સોનલબેને સાસરે જવાની તૈયારી બતાવતા પિયરવાળા ઉશ્કેરાઈ ગયા હતા. ફરીયાદ મુજબ પિતાએ વાળ પકડી રીક્ષામાંથી ખેંચી નીચે પાડી, ભાઈએ લાતો મારી અને બાદમાં મોટા બાપા તથા કાકાના દીકરાએ પણ થપ્પડ અને લાતોથી હુમલો કર્યો હતો.આ ઉપરાંત સાસરે જશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપ્યાનો પણ આરોપ છે. ગંભીર ઈજાઓ થતા સાસુ અને દિયર તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. આ મામલે સોનલબેને તેમના ભાઈ કૈલાશભાઈ સવાભાઈ સોડલા, પિતા સવાભાઈ ઇશ્વરભાઇ સોડલા,કાકા મૂળજીભાઈ ઇશ્વરભાઇ સોડલા, કપૂરજી ઇશ્વરભાઇ સોડલા અને વિક્રમભાઈ વરસંગભાઈ સોડલા સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
ચંડીસર જીઆઇડીસીમાં આવેલી શ્રી સેલ્સ એજન્સીના ગોડાઉનમાં પાંચ દિવસ પહેલા ફુડ વિભાગે આકસ્મિક તપાસ કરતા જ સંચાલક બંને ગોડાઉન સીલ કરીને ભાગી ગયો હતો જે બાદ છેલ્લા છ દિવસથી પોલીસ કર્મીઓ અને ફૂડ વિભાગ ગોડાઉન સીલ કરીને બહાર કેમ્પસમાં સંચાલકની રાહ જોઈને બેસી રહ્યા હતા છ દિવસે પણ સંચાલક ન આવતા આખરે ફૂડ વિભાગ એ જિલ્લા કલેકટર નું ધ્યાન દોરતા સ્પેશિયલ મંજૂરી આપવામાં આવી હતી અને મામલતદાર સમક્ષ તાળું તોડીને ગોડાઉનમાં રાખેલા માલની ગણતરી કરવામાં આવી હતી. જોકે બંને ગોડાઉનમાં રાખવામાં આવેલો ઘીનો જથ્થો મોટી સંખ્યામાં જથ્થો હોવાથી મોડી રાત સુધી કામગીરી જારી રહી હતી. ફૂડ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે મામલતદાર ટીમને સાથે રાખીને પંચ અને સાક્ષીની રૂબરૂમાં ઇન કેમેરાએ બપોરે ગોડાઉન પરના સીલ ખોલવામાં આવ્યા હતા ડીપી રિપેરિંગ કરવાના કારખાનામાંજ ગોડાઉનમાં ઘીનો જથ્થો સચવાયેલો હતોભાસ્કર ટીમ જ્યારે ગોડાઉન પર પહોંચી ત્યારે બહારથી ખ્યાલ ના આવે કે અહીં ઘીનું ગોડાઉન હશે કારણ કે કેમ્પસની અંદર ડીપી રીપેરીંગ ની કામગીરી ચાલી રહી હતી અને એજ કેમ્પસમાં ડીપી રીપેરીંગ એકમના સંચાલકે ઘીના ગોડાઉન માટે ડીસાના મોદી બંધુને ભાડે આપેલો હતો. તાળુ તોડીને જ્યારે ફૂડ વિભાગની ટીમ અંદર પહોંચી ત્યારે પહેલા જમણી બાજુ સીલબંધ રૂમ બનાવેલો છે જે ખાલી હતો. જ્યારે બહારના ભાગે ખુલ્લી જગ્યામાં 15 કિલો એક કિલોના પેકિંગ ટીનમાં જુદી જુદી બ્રાન્ડના ઘીનો જથ્થો જોવા મળ્યો હતો. જ્યારે પાછળખુલ્લા ડબ્બા અને પેકિંગ માટેના બોક્સનો વિશાળ હતો.
ટ્રાફિક જામ:પાલનપુરમાં ધણીયાણા ચોકડીથી એકતરફનો માર્ગ બંધ થતાં ટ્રાફિક જામ
પાલનપુર શહેરની અંદર જતા મુખ્ય માર્ગ પર ધણીયાણા ચોકડી પાસે જીયુડીસીની પાઈપલાઈન નાખવા એક તરફનો રસ્તો બંધ કરાતા બુધવારના રોજ સવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ,નોકરીએ જતા કર્મચારીઓ તેમજ અન્ય મુસાફરો લાંબા સમય સુધી રસ્તામાં ફસાઈ ગયા હતા અંબાજી હાઇવેથી પાલનપુર શહેરની અંદર જવાના મુખ્ય માર્ગ પર ધણીયાણા ચોકડી પાસે બુધવાર સવારે એક તરફનો રસ્તો અચાનક બંધ કરાતા સવારથી જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. માર્ગ બંધ થવાને કારણે બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.ખાસ કરીને શાળાએ જતા વિદ્યાર્થીઓ,નોકરીએ જતા કર્મચારીઓ તેમજ દૈનિક આવન-જાવન કરતા મુસાફરો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. ટ્રાફિક જામના કારણે લોકોને સમયસર પોતાના નિર્ધારિત સ્થળ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્કૂલ બસો, ટુ-વ્હીલર, કાર તેમજ ભારે વાહનો પણ લાંબા સમય સુધી અટવાયેલા રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી વાહન વ્યવહારને વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ધણીયાણા ચોકડીથી એક તરફનો માર્ગ બંધ થતા ટ્રાફિક જામ સર્જાયું
નોટિસ:મોરબી મહાનગરપાલિકાની બાકી વેરો ધરાવતા આસામીઓ સામે લાલ આંખ
મોરબી મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી વેરો ન ભરનાર મિલકત ધારકો પાસેથી વેરો વસૂલવા માટે કાર્યવાહીનો રસ્તો અપનાવાયો છે. લાંબા સમયથી વેરો ન ભરનાર લગભગ 1200 આસામીઓ કે જેમના બાકી લેણાં રૂ. 50 હજારથી વધુ અને 1 લાખથી ઓછા હોય તેવા આસામીઓ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે મનપાના વેરા કલેક્શન શાખા દ્વારા હાઉસ ટેક્સ, કોમર્સિયલ મિલકતનાના ટેક્સ ધારકોની યાદી તૈયાર કરી રીમાઇન્ડર નોટિસ ફટકારવામાં આવી રહી છે. મોરબીમાં સામાન્ય રીતે ફેબ્રુઆરી, માર્ચમાં વેરો ભરનારની સંખ્યામાં ઉછાળો જોવા મળતો હોય છે, હાઉસ ટેક્સ ભરતા લોકોનું પ્રમાણ વધાર હોય છે ચાલુ વર્ષમાં ખુબ મોટા પ્રમાણમાં મિલકત ધારકો વેરો ભરવા પહોચ્યા નથી, શહેરમાં એવા રહેણાક, વ્યાવસાયિક એકમો આવેલા છે જે વર્ષોથી વેરો ભરવા નથી આવતા જેથી લાખો રૂપિયાનો વેરો બાકી બોલે છે. વારંવારની અપીલ, સૂચનાઓ છતાં આસામીઓ વેરો ભરવામાં આળસ કરી રહ્યા હતા. આ સ્થિતિને ધ્યાને રાખી, ચાલુ નાણાકીય વર્ષના અંતિમ તબક્કા પહેલા મહત્તમ વસૂલાત કરવાના લક્ષ્યાંક સાથે મનપાનીની ટીમો મેદાને ઉતરી છે, રૂ 50 હજારથી વધુ તેમજ એક લાખની મર્યાદામાં બાકી હોય તેવા 1200 મિલકત ધારકોની યાદી તૈયાર કરી તેઓને નોટીસ ફટકારવામાં આવી છેે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ બાકીદારોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પોતાના મિલકત વેરાની ચુકવણી કરી શહેરના વિકાસમાં સહભાગી બને અને કાયદેસરની જપ્તી કે સીલિંગની કાર્યવાહીથી બચે. આગામી દિવસોમાં આ ઝુંબેશ હજુ વધુ તેજ બનાવવામાં આવશે અને 1 લાખથી વધુનો વેરો બાકી હોય તેવા આસામીઓ સામે પણ તવાઈ બોલાવવામાં આવશે.
વ્યાજખોરોનો આતંક:મોરબીમાં વેપારીએ વ્યાજ સાથે મૂળ રકમ ચૂકવી છતાં 88 લાખની પઠાણી ઉઘરાણી
મોરબીમાં વેપારીએ ધંધા માટે નાણાની જરૂરત પડતા બે શખ્સો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા બાદ જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા વધુ રૂપિયા વ્યાજ સહિત પરત ચૂકવી દીધા હોવા છતાં પણ તેની પાસેથી કુલ મળીને વધુ 88 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી વેપારી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ભોગ બનેલા યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. મોરબીના કેનાલ રોડ પર રોલા રાતડીયાની વાડી મેઇન કેનાલ રામદેવપીરના મંદિરની બાજુમાં રહેતા અને સ્કાય મોલ પાસે શ્રીરામ પ્રોવિઝન સ્ટોર નામની દુકાન ચલાવતા કિશોરભાઈ જીણાભાઈ પરમાર (ઉ.વ.35) નામના વેપારીએ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રકાશભાઈ રામજીભાઈ પઢીયાર રહે. નાના રામપર તથા આરોપી ભરતભાઈ રબારી રહે. થોરાળા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે વર્ષ 2024 ના જુલાઈ મહિનામાં તેમને ધંધા માટે રૂપિયાની જરૂરત પડતા હોવાથી પ્રકાશ પઢારિયા પાસેથી પ્રથમ તેણે 1 લાખ રૂપિયા હાથ ઉછીને લીધા બાદ વધુ નાણાંની જરૂર પડતા કટકે કટકે રૂ.21 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ નાણા તેમણે પરત આપી દીધા છે અને તેનું નોટરી લખાણ પણ કરાવ્યું હતું. છતાં પણ પ્રકાશભાઈ પઢિયારે વેપારી પાસેથી વ્યાજ સહિત 26 લાખ રૂપિયા લઈ લીધા હોવા છતાં પઠાણી ઉઘરાણી કરીને તેની પાસેથી વધુ 78 લાખ રૂપિયાની માંગણી કરીને જો આ રૂપિયા નહીં આપે તો તેને તથા તેના પરિવારને મારી નાખશે તેવી ધમકી આપી હતી. તેમજ બીજા આરોપી ભરતભાઈ રબારી પાસેથી પણ તેઓએ પાંચ લાખ રૂપિયા લીધા હતા અને તેની સામે કટકે-કટકે સાત લાખ રૂપિયા આપી દીધા છે તેમ છતાં પણ વધુ 10 લાખ રૂપિયા વ્યાજ સહિતની માંગણી કરી જો રૂપિયા નહીં આપે તો તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ રીતે બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને મારી નાખવાની ધમકી આપી હોવાની વેપારીએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
આપઘાત:મોરબીમાં પિતાના કામ બાબતના વેણ કડવા ઝેર જેવા લાગતા પુત્રએ ઝેર ગટગટાવી લીધું
મોરબીના બગથળા ગામે વાડીએ રહેતા, મજૂરી કામ કરતા પિતાએ કામ મામલે તેના પુત્રને ઠપકો આપતા આ વેણ કડવા ઝેર જેવા લાગતા પુત્રએ ઝેર ગટગટાવી લીધું હતું, સામાન્ય બાબતમાં પુત્રએ કાચી સમજણમાં અવિચારી પગલું ભરી લેતા તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી, હાલમાં મોરબીના બગથળા ગામે આવેલી વાડીએ રહેતા, મજૂરી કામ કરતા હરસિંગભાઈ ભુરીયાના દીકરા ચકાભાઇ ભુરીયાએ કપાસમાં છાંટવાની દવા પી લેતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ મારફતે આ બનાવની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ચકાભાઇ ભુરીયાને તેના પિતાએ કામ બાબતે ઠપકો આપતા તેને સારું લાગ્યું ન હતું. આથી આ બાબતે લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે લઈને આવ્યા હતા. જો કે, સારવાર કારગત ન નિવડતા તે સગીરનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જે બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લોકો પરેશાન:હારિજના ઇન્દિરાનગરમાં છ માસથી ગટર ઉભરાતા લોકોને ભારે હાલાકી
હારિજ શહેરના ઇંદિરાનગર વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઉભરાવાની સમસ્યા સર્જાઈ છે.તૂટેલા ગટરના ઢાંકણા મોતના કૂવા સમાન બન્યા હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોય સ્થાનિકોએ સ્વાગતમાં ફરિયાદ કરી છે. ઇન્દિરાનગરમાં છેલ્લા છ મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા આ સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી સ્થાનિક રહીશ ભગાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે નગરપાલિકાના કર્મચારીઓએ ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી ગમે ત્યાં ફરિયાદ કરો, કામ તો અમારે જ કરવાનું છે, માટે માપે લખો અને માપે રહો તેવા જવાબ અપાતાં હોવાનું તેમણે જણાવ્યું હતું.સાથે સાથે અન્ય વિસ્તારોમાં ફોન પર સફાઈ થાય છે.પરંતુ ઇંદિરાનગર સાથે ઓરમાયું વર્તન રાખે છે.સ્થાનિક અનુસૂચિત જાતિના કોર્પોરેટર પાટણ રહેતા હોવાના કારણે તેઓ પણ આ વાતને ધ્યાને લેતા નથી.નાછૂટકે આ મામલે સ્વાગતમાં ફરિયાદ કરી છે અને આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આધેડનું મોત:વરાણામાં ખોડિયાર માતાના મંદિર નજીક ઇકોચાલકે 3ને અડફેટે લીધા
સમી તાલુકાના વરાણા ગામે ઇકોચાલકે ત્રણ લોકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં એક પગપાળા જતા ગામના આધેડ સહિત બાઈક સવાર કૌટુંબિક ભાઈ-બહેનને વરાણા ખોડિયાર માતાજીના મંદિર સામે રોડ ટક્કર મારતાં જે પૈકી આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે બાઇક પર સવાર અન્ય બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. વરાણા ગામે મંગળવારે બપોરે ગામના વતની ચંડીદાન ગઢવી ખોડિયાર મંદિર સામેના રોડ પરથી પગપાળા જઈ રહ્યા હતા.આ સમયે એક અજાણ્યા ઇકો ગાડીના ચાલકે ટક્કર મારી હતી.ટક્કર માર્યા બાદ ભાગવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા આગળ જઈ બાઇક સવાર શૈલેષભાઈ સિંધવ અને તેમની બહેન સ્નેહાબેન સિંધવને પણ અડફેટે લીધા હતા. ત્રણેયને ગંભીર ઇજાઓ થતા ઈકો ગાડી ચાલક ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. ત્રણેય ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડ ચંડીદાન ગઢવીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. પિતાની અંતિમ વિધિ પતાવ્યા બાદ તેમના પુત્રએ સમી પોલીસ મથકે ઇકોના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત શૈલેષભાઈ અને સ્નેહાબેનને હાથ-પગમાં ફ્રેક્ચર થતા પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ચાલક ઇકો મૂકીને નાસી ગયોહારિજ પોલીસે જણાવ્યું હતું કે વરાણા ખોડીયાર માતાના મંદિરે દર્શન કરવા આવેલા એક ઇકોચાલક દર્શન કરીને ઇકો લઈને નીકળતા એક પગપાળા જઈ રહેલા વૃદ્ધને અડફેટે લીધા હતા.ત્યારબાદ ઇકોચાલકે પૂરઝડપે વાહન હંકારી અન્ય બે વ્યક્તિઓને પણ અડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ઇકોનો ચાલક ઇકો મૂકીને નાસી ગયો હતો.પોલીએ ઇકો ગાડી પોલીસ સ્ટેશન લાવી ગાડીચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
ભાસ્કર ઈનસાઈડ:સિદ્ધપુરના કુવારાથી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાયો
સિદ્ધપુરના કુવારા ગામે મહાદેવ મંદિર સામેની એક દુકાનમાં દરોડો પાડી મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી સોમાજી ઉર્ફે સુનીલ ઠાકોર માત્ર ધોરણ 12 પાસ છે, છતાં છેલ્લા એક વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો.ઘટનાસ્થળેથી પોલીસને રૂ.1902ની કિંમતની દવાઓ અને મેડિકલ સાધનો મળી આવ્યા છે. પોલીસે આરોપી વિરુદ્ધ ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ કાકોશી પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. કમ્પાઉન્ડરમાંથી ડોક્ટર બની જાય છે છેલ્લા એક વર્ષમાં એસઓજીએ 33 જેટલા બોગસ તબીબી પ્રેક્ટિક્સ કરતા શખ્સો પકડાયા છે.આ પૈકી મોટા ભાગના 20થી 50 વર્ષના યુવાન વ્યવસ્થા વાળા યુવકો છે. જેવો અગાઉ 4-5 વર્ષ સુધી કમ્પાઉન્ડર તરીકે કોઈ હોસ્પિટલમાં કામ કરી ચૂક્યો છે. એ અનુભવના જોરે તેણે ગામડામાં પોતાનું અલગ ક્લિનિક ખોલી દીધું હતું. મોટા ભાગે આમનું શિક્ષણ માત્ર ધોરણ 12 પાસ હોય છે.છતાં 4-5 વર્ષ કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી તબીબી અનુભવ મેળવી ક્લિનિક શરૂ કરી દે છે અને દરરોજ 8થી 10 લોકોની સારવાર કરી દૈનિક રૂ 1,000થી વધુ કમાણી કરી લે છે. ગણતરીના કલાકોમાં જામીન પર છૂટી જાય છે એસ.ઓ.જી. પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ 33 બોગસ તબીબોને પકડી પાડ્યા છે. જે સારી બાબત છે. પરંતુ કાયદાની જોગવાઈમાં જામીન પાત્ર ગુનો હોય એ પણ પોલીસ સ્ટેશનથી જ મળવાપાત્ર હોય આરોપીઓ પકડાયા બાદ કલાકોમાં જ તેમને પોલીસ સ્ટેશનમાંથી જામીન મળતા છૂટી ગયા છે હાલમાં તેમની ઉપર કેસ ચાલી રહ્યા છે.
એસપીએ બેંક મેનેજરો સાથે બેઠક કરી:પાટણ જિલ્લાનાં શંકાસ્પદ 200થી વધુ બેન્ક એકાઉન્ટની પોલીસ તપાસ કરશે
પાટણ જિલ્લામાં સાયબર ક્રાઈમને રોકવા માટે પોલીસે કડક પગલાં લીધા છે. જિલ્લા પોલીસ અધિક્ષકે તમામ બેંકોના મેનેજરો સાથે બેઠક યોજી શંકાસ્પદ 200 ખાતાઓના ટ્રાન્ઝેક્શનની માહિતી તાત્કાલિક આપવા સૂચના આપી છે. કેટલાક લોકો કમિશનની લાલચમાં પોતાના બેંક ખાતાનો ઉપયોગ સાયબર ઠગોને કરવા દે છે, જેનાથી મોટા પાયે છેતરપિંડી થાય છે અને દેશના અર્થતંત્રને નુકસાન થાય છે. આવા કિસ્સાઓમાં બેંકો દ્વારા શંકાસ્પદ ખાતાધારકોની માહિતી આપવામાં વિલંબ થતો હોવાથી ગુનેગારો સુધી પહોંચવામાં મુશ્કેલી પડે છે.ત્યારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાયી અને સાયબર ક્રાઈમ પી.આઈ. વસાવાએ સરકારી અને ખાનગી બેંકોના મેનેજરોની બેઠક બોલાવી હતી. જેમાં ડીવાયએસપી ડી.ડી. ચૌધરી, એલસીબી પીઆઈ રાકેશ ઉનાગર સહિ બેંક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં એસપીએ બેંક અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે, સાયબર ફ્રોડમાં સંડોવાયેલા શંકાસ્પદ ખાતાઓની જાણકારી પોલીસને તાત્કાલિક પૂરી પાડવામાં આવે. અત્યાર સુધીના કિસ્સાઓમાં જાણવા મળ્યું છે કે, ખાતાધારકો અમુક ટકા કમિશન લઈને સાયબર ઠગોને તેમના ખાતાનો ઉપયોગ નાણાં સંગ્રહ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. પોલીસ દ્વારા આવા શંકાસ્પદ ખાતાઓની તપાસ માટે પત્રવ્યવહાર કરવામાં આવે ત્યારે બેંકો દ્વારા સત્તાવાર માહિતી પૂરી પાડવામાં વિલંબ થવાથી ગુનાઓ ઉકેલવામાં મુશ્કેલીઓ ઊભી થાય છે.આથી, પોલીસે બેંકોને આ મામલે કડક સૂચનાઓ આપી છે. 5 બેંક એકાઉન્ટમાં અનઅધિકૃત ટ્રાન્જેક્શન થયુંભારત સરકારના ઇન્ડિયન સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર મારફતે પાટણ જિલ્લાનાં 200થી વધુ બેન્ક એકાઉન્ટમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયા હોવાની પોલીસને માહિતી મળી છે જેના આધારે પાટણ સાયબર ક્રાઇમ સહિતની પોલીસે એક બાદ એક શંકાસ્પદ બેંક એકાઉન્ટોની તપાસ શરૂ કરી છે.જેમાં પાંચ એકાઉન્ટમાં અનઅધિકૃત ટ્રાન્જેક્શન થયું હોવાનું જણાયું છે. જેમાં પોલીસે પાંચ કેસ દાખલ કરી તપાસ માટે કુલ નવ આરોપીઓની ધરપકડ કરી છે.

33 C