SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

30    C
... ...View News by News Source

પુત્રજન્મનો ઉત્સવ માતમમાં ફેરવાયો:બાધા પુરી કરવા જતા પરિવારે કાળ આંબી ગયો, 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો, પાંચ વર્ષ પહેલાના મનભેદમાં મિત્ર પર ચપ્પુથી હુમલો

CMએ કરાવ્યો યુનિટી માર્ચનો પ્રારંભ અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુનિટી માર્ચનો પ્રારંભ કરાવ્યો. 3.5 કિલોમીટરથી વધુ લાંબી આ યાત્રા ઓફિસ અવર્સમાં યોજવામાં આવી. જેના કારણે રસ્તા પર ભારે ટ્રાફિક જામ થયો જેમાં ફાયરબ્રિગેડની ગાડી ફસાઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા ત્રણેયય આતંકીઓને ગુજરાત એટીએસે ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ગુજરાત ATS દ્વારા આ ત્રણેય આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આંતકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો લોખંડી બંદોબસ્ત સાથે હાથ ધરાયું મેગા ડિમોલિશન ગાંધીનગરના સેક્ટર 30માં આજે મેગા ડિમોલિશન હાથ ધરાયું..વહેલી સવારથી ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરી 7 મકાન-બે ધાર્મિક દબાણ તોડી પડાયા.. 1400થી વધુ દબાણો પર તવાઈ બોલાવવાામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો MLA હીરા સોલંકી હડદડના પીડિત પરિવારોને મળ્યા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ આજે બોટાદના હડદડ ગામે પહોંચ્યા અને ખેડૂતો સાથે મુલાકાત કરી.. બોટાદ એપીએમસીમાં કપાસમાં થતા કડદા મુદ્દે આપે યોજેલી મહાપંચાયતમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ABVP અને NSUIનો GTUમાં હલ્લાબોલ ABVP અને NSUI એ આજે GTUમાં હલ્લાબોલ કર્યો. જીટીયુએ સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં ગત વર્ષનું બેઠે બેઠું પેપર પૂછી લેવાતા આજે વિરોધ કરવામાં આવ્યો..આ દરમિયાન કુલપતિએ પોલીસને ઈશારો કરતા કાર્યકરોએ કુલપતિને ખખડાવી નાખ્યા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પુત્રજન્મનો ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો અરવલ્લીના રુઘનાથપુરા ગામમાં પુત્ર જન્મનો ઉત્સવ માતમમાં ફેરવાયો. 6 દીકરી પર દીકરો આવતા ખેતમજૂરનો પરિવાર માનતા પૂરી કરવા રણુજા જઈ રહ્યો હતો ત્યારે રાજસ્થાનમાં નડેલા અકસ્માતમાં 3 વર્ષની બાળકી સહિત 6 લોકોના મોત થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્પીચ આપતા આપતા 24 વર્ષની યુવતી ઢળી પડી સુરતની ધારુકાવાળા કોલેજમાં સ્પીચ આપતી વખતે 24 વર્ષની યુવતી ઢળી પડી. યુવતીને હાર્ટ એટેક આવ્યો હોવાની આશંકા છે. જો કે પોસ્ટમોર્ટમ બાદ જ મોતનું સાચ્ચુ કારણ જાણવા મળશે. અમદાવાદની યુવતી આઈટી કંપનીમાં કામ કરતી હતી અને સેમિનાર માટે સુરત ગઈ હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પતિ,પુત્ર અને પુત્રીની હત્યા કરી લાશો દાટી દીધી ભાવનગરમાં ફોરેસ્ટ ઓફિસરે જ પતિ , પુત્ર અને પુત્રીની હત્યા કરી દાટી દીધા હોવાનો ખુલાસો થયો છે. અધિકારીએ લાશો દાટવા માટે સ્ટાફ પાસે JCBથી ખાડો ખોદાવ્યો અને 2 ડમ્પર માટી મગાવી હતી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂની અદાવતમાં મિત્રનો મિત્ર પર હુમલો સુરતમાં પાંચ વર્ષ જૂની અદાવતનો બદલો લેવા મિત્રએ મિત્ર પર ચપ્પુથી હુમલો કર્યો. હુમલા બાદ આરોપી ત્યાં થોડીવાર ઊભો રહે છે અને ઈજાગ્રસ્ત મિત્રને સતત જોતો રહે છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની અટકાયત કરી છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો 10.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા અને દાહોદ રાજ્યના સૌથી ઠંડા શહેર રહ્યા.. રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન હાલ 15 ડિગ્રીથી નીચે જતુ રહ્યું છે.. છેલ્લા 24 કલાકમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ઘટ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:55 pm

રાજ્યના 130 અધ્યાપકોને રિસર્ચ ફેલોશિપ મળી:વિશ્વ વિદ્યાલયોમાં ઉચ્ચ શિક્ષણ માટે સંશોધન સહાય માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 7 પ્રોજેક્ટ પસંદગી પામ્યા

રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સંશોધન કાર્યોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલ રિસર્ચ ફેલોશિપ યોજનામાં આ વર્ષે રાજ્યભરના વિવિધ યુનિવર્સિટીઓમાંથી કુલ 130 પ્રોજેક્ટોની પસંદગી કરવામાં આવી છે. આ પસંદગીમાં રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 7 અધ્યાપકોનો સમાવેશ થાય છે. જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે ગૌરવની બાબત છે. જેમાં 3 અધ્યાપકો શહેરની ધર્મેન્દ્રસિંહજી સરકારી આર્ટ્સ કોલેજના છે. જેમાં રામાયણના નૈતિક મૂલ્યોનું મૂલ્યાંકન, જૈનના શતાવધાન ખ્યાલ સાથે ન્યાય દર્શનના પ્રત્યક્ષ પ્રમાણના ખ્યાલનો તુલનાત્મક અભ્યાસ તેમજ વિદ્યારણ્યસ્વામી કૃત પંચદશીમાં બ્રહ્મનું સ્વરૂપ અને મહાવાક્ય વિવેક વિષય પર સંશોધન કરવામાં આવશે. એક અભ્યાસ વિષય પર સંશોધન પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી શહેરની સરકારી ડી. એચ. કોલેજના સંસ્કૃત વિભાગના ડૉ. જગત તેરૈયાની NEP-2020 હેઠળ ભારતીય જ્ઞાન પરંપરા (IKS)ના સંદર્ભમાં વાલ્મીકિ રામાયણ અને તુલસીકૃત રામાયણના આધારે, સાંપ્રત પરિપ્રેક્ષ્યમાં રામાયણમાં નૈતિક મૂલ્યોનું મૂલ્યાંકન એક સંશોધનાત્મક અભ્યાસ વિષય પર રિસર્ચ પ્રોજેક્ટ માટે પસંદગી થઈ છે. જ્યારે તત્વજ્ઞાન વિભાગના ડૉ. ભાવેશ કાછડીયાને જૈનના શતાવધાન ખ્યાલ સાથે ન્યાય દર્શનના પ્રત્યક્ષ પ્રમાણના ખ્યાલનો તુલનાત્મક અભ્યાસ વિષય પર તો તે જ વિભાગના ડૉ. તૃપ્તિ ગજેરાને વિદ્યારણ્યસ્વામી કૃત પંચદશીમાં બ્રહ્મનું સ્વરૂપ અને મહાવાક્ય વિવેક: એક અભ્યાસ વિષય પર સંશોધન પ્રોજેક્ટની પસંદગી કરવામાં આવી છે. સંશોધકોને મહત્તમ 1થી 3 લાખની નાણાંકીય ગ્રાન્ટ આપવામાં આવશેરાજ્ય સ્તરે સર્જનાત્મક અને મૂલ્યાધારિત સંશોધન ક્ષેત્રે આ ત્રણેય અધ્યાપકોના વિદ્વત્તાપૂર્વકના પ્રોજેકટોને ઊંચા મૂલ્યાંકનના આધારે પસંદ કરવામાં આવ્યા છે. આ ફેલોશિપ હેઠળ સંશોધકોને મહત્તમ 1થી 3 લાખની નાણાંકીય ગ્રાન્ટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ પોતાના સંશોધન કાર્યોને વધુ વૈજ્ઞાનિક, આધુનિક અને પ્રયોગ આધારિત બનાવી શકશે. આ સહાય દ્વારા કોલેજમાં સંશોધન પ્રવૃત્તિઓને વધુ ગતિ મળશે તથા વિદ્યાર્થીઓને પણ સંશોધન કાર્યો પ્રત્યે પ્રેરણા મળશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:37 pm

રજૂઆત છતાં કોઈ નિરાકરણ આવતું નથી:દેશી ઇંગ્લિશ દારૂના વેચાણને લઈ સ્થાનિકો બુટલેગરના પોસ્ટર બેનર સાથે પહોંચ્યા પોલીસ ભવન, કમિશનરને રજૂઆત

વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા રણછોડનગર અને નહેરુનગરમાં જવાના માર્ગ પર આવેલ જવાનગરમાં બેફામ પણે ચાલતા દેશી વિદેશી દારૂના વ્યાપક વેચાણને લઈ સ્થાનિકો દ્વારા આજે વડોદરા શહેર પોલીસ કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. આ સમસ્યાથી પીડિત મહિલાઓ અને આગેવાનો બુટલેગરો અને પીધેલા ફોટો પોસ્ટર સાથે પોલીસ ભવન પહોંચ્યા હતા. વિદેશી દારૂના વ્યાપક વેચાણને લઈ સ્થાનિકોની રજૂઆતઆ અંગે રજૂઆત માટે આવેલ સંદીપ શર્માએ જણાવ્યું હતું કે, મારા વિસ્તારમાં નાના બાળકો આવતા જતા હોય છે અને બેફામ રીતે તે લોકો દારૂ વેચે છે. નાના બાળકોને સ્કૂલ જવા માટે વેન આવે અને તેની આગળ બકરીઓ આવી જાય તો ગાળો બોલે છે અને મારવા માટે આવી જાય છે. આ લોકો સરેઆમ દારૂ વહેંચે છે અને પીધેલા લોકો છોકરીઓને હેરાન કરે છે, આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. આ અંગે અન્ય વ્યક્તિએ જણાવ્યું કે, અમે સમા વિસ્તારમાં રહીએ છીએ અને જવાહરનગરમાં દારૂ વહેચાય છે. આ અંગે અમે આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ, પોલીસ આવે છે અને 10 મિનિટમાં બંધ કરાવી પાછી જાય છે અને પાછુ ચાલુ થઈ જાય છે. અમારી બહેન દીકરીઓને કોમેન્ટ કરે છે, આવવા જવા માટે ટ્રાફિક રહે છે. આ લોકોને કોઈનો ડર નથી. કોઈનું મરણ કે સિરિયસ હોય તો એમ્બ્યુલન્સને આવવા માટે જગ્યા રહેતી નથીઆ અંગે સિમરન ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં એકજ પ્રોબ્લેમ છે કે, અહીંયા દારૂ વહેચાય છે. સંજયનગર વુડાના મકાન પાછળ દેશી અને ઇંગ્લીશ દારૂ વહેચાય છે. અમારે ત્યાં કોઈનું મરણ કે સિરિયસ હોય તો એમ્બ્યુલન્સને આવવા માટે જગ્યા રહેતી નથી. આ પહેલા અમે સ્થાનિક પોલીસ મથકમાં પણ અરજી કરી પરંતુ કોઈ નિરાકરણ આવતું નથી. વધુમાં કહ્યું કે, અહીંયા દારૂ પી ને કોઈ ને કોઈ રસ્તામાં ઊભા થઈ જાય છે, ટ્રાફિક થાય છે અને દેશી દારૂના અને ઇંગ્લીશ દારૂ ખુલ્લેઆમ વહેચાય છે તેઓને કોઈ ડર નથી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:37 pm

પતિ-પત્નીના ઝઘડામાં નિર્દોષ મિત્રનું મોત:પરસ્ત્રી સાથે સંબંધની શંકામાં પત્નીનો પતિ પર જીવલેણ હુમલો, યુવતીના ભાઈએ અજયને ચપ્પુના ઘા માર્યા; ચારની ધરપકડ

સુરત શહેરના મોરા ભાગળ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચેના પારિવારિક ઝઘડામાં રવિવાર રાત્રે એક નિર્દોષ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા પતિના મિત્રની પત્નીના ભાઈએ માછલી કાપવાના ધારદાર ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી દીધી હતી. જ્યારે આ ઝઘડામાં પત્નીએ એક ચપ્પુથી પતિ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. પોલીસે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પત્ની પૂજા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નીને પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધની આશંકાસિંગણપોર ગામના વણઝારા વાસ પાસે રહેતા 26 વર્ષીય ટ્રક ડ્રાઈવર દિનેશ ધનસુખ રાઠોડ અને તેમની પત્ની પૂજા રાઠોડ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. દંપતીને ત્રણ બાળકો છે તેમ છતાં પૂજા છેલ્લા આઠ મહિનાથી મોરા ભાગળ શારદાનગર-2માં તેના પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, ઝઘડાનું મુખ્ય અને ગંભીર કારણ એ હતું કે, પૂજાને તેના પતિ દિનેશના અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવાની આશંકા હતી. આ શંકાને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઊગ્ર બોલાચાલી અને ઝઘડા થતા રહેતા હતા. જેના કારણે છેલ્લા 8 મહિનાથી પિયર રહેવા માટે આવી ગઈ હતી. પતિ મિત્ર સાથે પત્નીને મળવા તેના ઘરે પહોંચ્યોરવિવારની રાત્રે લગભગ 8 વાગ્યાની આસપાસ દિનેશ પોતાના મિત્ર અજય દેવીપૂજક સાથે તેની પત્ની પૂજા અને બાળકોને મળવા શારદાનગર ખાતે ગયો હતો. પતિ-પત્ની વચ્ચે વાતચીત શરૂ થતાં જ શંકાને લઈને ફરીથી ઝઘડો થયો હતો. આ ઝઘડામાં પૂજાના સગા-સંબંધીઓ તેવા અજીત વસંતભાઈ રાઠોડ, ધર્મેશ બચુભાઈ રાઠોડ અને સુનિલ રાઠોડ પણ સામેલ થયા હતા. માછલી કાપવાના ચપ્પુથી અજય પર ઉપરાછાપરી ઘા માર્યાડીસીપી લખધીરસિંહના જણાવ્યા મુજબ, ઉશ્કેરાયેલી પત્ની પૂજા રાઠોડે ઘરમાં મુકેલા ચપ્પુ વડે તેના પતિ દિનેશ પર હુમલો કરી ચપ્પુના ઘા માર્યા હતા. દિનેશ ગંભીર ઈજા સાથે ઘવાયો હતો, જ્યારે દિનેશના મિત્ર અજય દેવીપૂજક પરિસ્થિતિને થાળે પાડવા અને ઝઘડો છોડાવવા માટે વચ્ચે પડ્યો ત્યારે પૂજના ભાઈ અજીત વસંત રાઠોડે તના પર જીવલેણ હુમલો કર્યો હતો. અજીત માછલી વેચવાનો ધંધો કરતો હોવાથી ઘરમાં માછલી કાપવા માટે ધારદાર ચપ્પુ રાખતો હતા. અજીતે આજ તીક્ષ્ણ હથિયાર વડે અજય દેવીપૂજકને પેટના તેમજ ડાબા હાથના ભાગે ઉપરા છાપરી ઘા માર્યા હતા. હોસ્પિટલના ડોક્ટરોએ અજયને મૃત જાહેર કર્યોનિર્દોષ અજય દેવીપૂજક ચપ્પુના ઘા વાગતા ઘટનાસ્થળે જ ઢળી પડ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર માટે લાઈફલાઈન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો. મિત્રની હત્યા થતા અને પોતે ઇજાગ્રસ્ત થતાં દિનેશ આઘાતમાં સરી પડ્યો હતો. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરીઆ બનાવની જાણ રાંદેર પોલીસને થતા પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. ડીસીપી લખધીરસિંહે જણાવ્યું હતું કે, આ સમગ્ર ઘટનામાં પતિ ગંભીર ઈજાગ્રસ્ત છે, જ્યારે તેમના મિત્રનું મોત નીપજ્યું છે. પોલીસે આ મામલે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પત્ની પૂજા રાઠોડ અને તેના સગા અજીત રાઠોડ, ધર્મેશ રાઠોડ અને સુનિલ રાઠોડ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:33 pm

સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટનું કામ પૂર્ણતાને આરે:7.62 કરોડના ખર્ચે કુલ 3 સ્પેસ મેકિંગના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, 10 જ દિવસમાં હેરિટેજ સ્ટ્રીટની કામગીરીનો આરંભ

મહેસાણા મનપા દ્વારા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના આશય સાથે શરૂ કરાયેલા વિકાસ કામો હરણફાળ ગતિ ભરી રહ્યા છે. ત્યાં થોડાક મહિના અગાઉ શરૂ કરાયેલ સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટનું કામ આકર્ષક નજારા સાથે પૂર્ણતાને આરે રહ્યું છે. હવે તોરણવાળી માતાના ચોકમાં 10 જ દિવસમાં હેરિટેજ સ્ટ્રીટની કામગીરીનો આરંભ કરવામાં આવશે. શહેર અકલ્પ્ય વિકાસની કેડીએ આગળ ડગલું ભરી રહ્યું છેદેશ અને દુનિયામાં મહેસાણા એક નાનકડું શહેર નગરપાલિકા માંથી મહાનગર પાલિકાનો દરજ્જો મેળવતા સરકારની સીધી નિગ્રાહનીમાં વિકાસ કામોની હરણફાળ ભરી રહ્યું છે. હાલમાં મનપાના વહીવટદાર શાસનમાં શહેર પહેલા ક્યારેય કલ્પના ન કરાઈ હોય તેવા અકલ્પ્ય વિકાસની કેડીએ આગળ ડગલું ભરી રહ્યું છે. શહેરમાં નાગરિકોને સાચી અને સારી સેવા મળે માટે ના માત્ર પાયાની સેવાઓ પરંતુ, ભૌગોલિક સુવિધાઓ અને આનંદદાયક સેવાઓ પર ભાર મુકતા વહીવટદાર એસ.કે. પ્રજાપતિ અને મ્યુનિ. કમિશનર રવિન્દ્ર ખતાલે તેમજ તેમની ટીમ દ્વારા શહેરમાં બ્યુટીફીકેશના કામો સાથે સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટ અને હેરિટેજ સ્ટ્રીટ તેમજ આઇકોનીક એન્ટ્રન્સ ગેટ સહિતના કોન્સેપટ નક્કી કરાયા હતા. વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી ડાયવર્ઝન આપવામાં આવશેજેના પર કામ કરતા મનપા તંત્ર દ્વારા મહેસાણા તાલુકા પંચાયત પાસેની ખુલ્લી જગ્યામાં 1.81 કરોડના ખર્ચે સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટની કામગીરી કરતા આ કામ હાલમાં પૂર્ણતાને આરે રહ્યું છે. જયારે આગામી 10 દિવસમાં હેરિટેજ સ્ટ્રીટ ડેવલોપમેન્ટના કામે તોરણવાળી માતાના ચોકમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી ડાયવર્ઝન આપવામાં આવશે. જે વ્યવસ્થા બાદ ત્યાં 5.17 કરોડના ખર્ચે હેરિટેજ સ્ટ્રીટનું કામ પુર જોશમાં શરૂ કરાશે. તાલુકા પંચાયત પાસેના સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટની વિશેષતાઓ1.81 કરોડના અંદાજીત ખર્ચ સાથે ડેવલોપ કરાયેલ તાલુકા પંચાયત પાસેની જગ્યાના સ્પેસ મેકિંગ ડેવલોપમેન્ટમાં વોક વે., ડેકોરેટિવ એલિમેન્ટ, સીટીંગ એરિયા, ડેકોરેટિવ લાઇટિંગ, ગ્રીનરી, સ્કલ્પચર વગેરેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો દિવસના અજવાળામાં તો ઠીક પરંતુ, રાત્રીના અંધારામાં પણ અલ્હાદક નજારો જોવા મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:33 pm

દિલ્હી બ્લાસ્ટ બાદ ગીર સોમનાથમાં મેગા કોમ્બિંગ:ગેરકાયદે હથિયારો મળ્યા, 3 સામે જાહેરનામા ભંગનો ગુનો

દિલ્હી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. આ પૃષ્ઠભૂમિમાં, ગીર સોમનાથ જિલ્લા પોલીસે આજે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. ખાસ કરીને કોડીનાર અને મૂળ દ્વારકા બંદર વિસ્તાર દરિયાઈ માર્ગે સંવેદનશીલ હોવાથી ત્યાં સઘન સુરક્ષા તપાસ કરાઈ હતી. જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સવારે વહેલી સવારથી જ 06 PI, 07 PSI, SOG, LCB, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ સહિત 120થી વધુ પોલીસકર્મીઓનો કાફલો મેદાનમાં ઉતર્યો હતો. 110 કિલોમીટર લાંબા દરિયાકાંઠા વિસ્તારમાં દરિયાઈ હદથી લઈને અંદરના ગામડાં સુધી કડક ચેકિંગ કરવામાં આવ્યું હતું. એસ.પી. જાડેજાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જિલ્લાનો દરિયાકાંઠો સંવેદનશીલ હોવાથી અહીં રહેતા લોકોની ઓળખ, દસ્તાવેજો અને રહેવા અંગેની જાણકારીની સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. કોમ્બિંગ દરમિયાન પરપ્રાંતિય લોકો અંગે પોલીસને જાણ ન કરવા બદલ ત્રણ ઈસમો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે. ઓપરેશન દરમિયાન કુલ છ સ્થળોએથી ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા. મૂળ દ્વારકા કચ્છી પીરની દરગાહના મુઝાવર અમીનશા ઇસ્માઇલશા કનોજીયાના રહેણાકમાંથી બે લોખંડની તલવાર, એક છરો તથા ફરસી જેવા હથિયારો મળી આવ્યા હતા. આ ઉપરાંત, કોડીનારના ત્રિકમરાય મંદિર વિસ્તાર, દક્ષિણામૂર્તિ, બુખારી મહોલ્લો, જીન પ્લોટ, એકતા ચોક, જામવાળા નદીકાંઠો તથા ગીર ગઢડા રોડ પર અલગ-અલગ ઈસમો પાસેથી છરીઓ મળી આવી હતી. આ તમામ વિરુદ્ધ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગના ગુના નોંધાયા છે. કોડીનારના જીન પ્લોટમાં આવેલ મદરેસા એ કાદરીમાં છેલ્લા એક વર્ષથી એક પરપ્રાંતિય વ્યક્તિને મૌલાના તરીકે રાખવામાં આવ્યો હતો, પરંતુ તેની પોલીસ જાણ ન કરવા બદલ સંચાલક ઇમરાન સોંપરિયા સામે ગુનો નોંધાયો છે. આવા કુલ ત્રણ સ્થળોએ જાહેરનામાનો ભંગ કરી પરપ્રાંતિય લોકોને ગેરકાયદે રાખવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:31 pm

પિતા-પુત્રએ મળી જમીન દલાલ સાથે રૂ. 1.46 કરોડની છેતરપિંડી કરી:સાણંદમાં જમીન અપાવવાનું કહી દલાલ પાસેથી રૂપિયા લીધા પણ જમીન ન અપાવતા પોલીસ ફરિયાદ

અમદાવાદના પિતા પુત્રએ એક જમીન દલાલ સાથે 1.46 કરોડની છેતરપિંડી કરી છે.પિતા પુત્રએ સાણંદની જમીન વેચવાનું કહીને ખેડૂતો તેમના સંપર્કમાં હોવાનું કહીને ડીલ કરી હતી.બાદમાં રોકડા નાણાં 1.46 લાખ મેળવી લીધા હતા. જે બાદ પિતા પુત્રએ જમીન દલાલનો ફોન ન ઉપાડીને નાણાં પરત ન આપીને વેચાણ દસ્તાવેજ ન કરી આપીને છેતરપિંડી કરી હતી.નારણપુરા પોલીસે પિતા પુત્ર સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નારણપુરામાં રહેતા કૌશલભાઇ પટેલ જમીન લે વેચનું કામ કરે છે. કૌશલભાઇને એકાદ વર્ષ પહેલા સાણંદના જમીન દલાલ અશોક અને તેના પિતા ધનજી પ્રજાપતિ સાથે મુલાકાત થઇ હતી. બંને પિતા પુત્રએ સાણંદના નારણપુરાની જમીન વેચાણ માટે કૌશલભાઇને વાત કરી હતી.જમીનના ખેડૂતો પિતા પુત્રના સંપર્કમાં હોવાનું કહેતા કૌશલભાઇએ જમીનના કાગળોની તપાસ કરી હતી.આ જમીનો વાંધા વિનાની હોવાનું હોવાનું સામે આવ્યુ હતું. જે બાદ બંને પક્ષે મિટીંગ થઇ હતી અને એક વીઘાનો 80.22 લાખ ભાવ નક્કી કરીને ડીલ નક્કી કરી હતી.નાણાં કે બાનુ આપશો એટલે બાનાખત અને જરૂરી કાર્યવાહી કરી દેવાનો પિતા પુત્રએ વાયદો કર્યો હતો. પિતા પુત્રએ કૌશલભાઇ પાસેથી રૂ. 1.46 કરોડ મેળવી લીધા હતા પરંતુ બાદમાં દસ્તાવેજ ન કરીને કે નાણાં પરત ન આપીને છેતરપિંડી આચરી હતી. જેથી મામલો પોલીસ પાસે પહોંચતા નારણપુરા પોલીસે અશોક પ્રજાપતિ અને તેના પિતા ધનજી પ્રજાપતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:05 pm

'જનજાતિ ગૌરવ કળશ યાત્રા'નું ભવ્ય સ્વાગત:ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે 'જનજાતિ ગૌરવ કળશ યાત્રા' જુનાગઢમાં પધારી, 1000થી વધુ વિદ્યાર્થીઓએ કર્યું સ્વાગત

જુનાગઢ જિલ્લામાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા દેશવ્યાપી આયોજિત 'જનજાતિ ગૌરવ કળશ યાત્રા' નું ગૌરવપૂર્ણ અને ઉત્સાહભર્યું સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય જનજાતિ વીર પુરુષો, ખાસ કરીને ભગવાન બિરસા મુંડાના અપ્રતિમ બલિદાન અને શૌર્યને નમન કરીને યુવાઓમાં રાષ્ટ્રીય ચેતના અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો છે.​ બિરસા મુંડાની જન્મસ્થળની પવિત્ર માટીનું આગમન​અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દિનેશ ચોચાએ આ યાત્રા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિત્તે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ કળશ યાત્રા કાઢવામાં આવી છે. ભગવાન બિરસા મુંડાના પવિત્ર જન્મ સ્થળ પરથી આવેલી તેમની માટી આજે કળશમાં સંતો, સૂરાઓ અને દાતારોની ભૂમિ ગણાતા જુનાગઢ ખાતે પધારી છે. આ કળશ યાત્રા આજે અલગ અલગ શૈક્ષણિક કેમ્પસો પર જઈ રહી છે અને યુવાનો દ્વારા તેને ઉમંગભેર વધાવવામાં આવી છે.​ શૈક્ષણિક સંસ્થાઓમાં સન્માન યાત્રા​નું પૂજનયાત્રાએ જુનાગઢ જિલ્લામાં નક્કી કરાયેલા વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લીધી, જેમાં સવારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સવારે 7:20 વાગ્યે ઘોડાસરા કોલેજ થી શરૂઆત કરીને, 9:00 વાગ્યે સુભાષ મહિલા કોલેજ, 10:00 વાગ્યે સી.એલ. કોલેજ, બપોરે 1:00 વાગ્યે બી.કે.એન.એમ.યુ. યુનિવર્સિટી અને પોલીટેકનિક તથા 2:30 વાગ્યે પી.કે.એમ. કોલેજ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દરેક સ્થાને કળશનું પૂજન, દીપ પ્રજ્વલન અને જનજાતિ ગૌરવના સૂત્રોચ્ચાર સાથે યાત્રાનું ઉમંગભેર સ્વાગત થયું. કુલપતિ અને તમામ સ્ટાફ દ્વારા આ કળશ યાત્રાનું પૂજનઆ કળશ યાત્રામાં એક હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર શિક્ષકવર્ગ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહપૂર્વક જોડાઈને સ્વાગત-પૂજન કર્યું હતું. હાલમાં નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે આ કળશ યાત્રા પધારી છે.જ્યાં યુનિવર્સિટીના કુલપતિ અને તમામ સ્ટાફ દ્વારા આ કળશ યાત્રાનું પૂજન અને સ્વાગત કરવામાં આવ્યું છે.​ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાકળશ યાત્રાના વિશેષ સ્વાગત કાર્યક્રમમાં કુલપતિ ડો. પ્રતાપસિંહ ચોહાણ, રજિસ્ટ્રાર રણજીત પરમાર, ઇસી મેમ્બર દિનેશભાઈ ડઢાણીયા, પ્રિન્સિપાલ બલરામભાઈ ચાવડા, જિલ્લા પ્રમુખ (એબીવીપી) નરેશભાઈ સોલંકી, પ્રિન્સિપાલ એમ.પી. ત્રાડા, સુરેશભાઈ ભોયે, પ્રિન્સિપાલ પરવેઝ બ્લોચ, બી.ડી. પરમાર અને પ્રફુલભાઈ કાનજીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાનું આગમન થતાં જ સમગ્ર કેમ્પસ રાષ્ટ્રીયતા, એકતા અને સંસ્કૃતિના ભાવથી ગુંજી ઉઠ્યું.​ સાંસ્કૃતિક જાગૃતિનો શક્તિશાળી સંદેશ પ્રસરી ગયોજનજાતિ સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને વીર પુરુષોના યોગદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો આ યાત્રાનો હેતુ જુનાગઢ જિલ્લાની તમામ સંસ્થાઓમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો. કળશ યાત્રાએ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ગૌરવ, સંગઠન અને સાંસ્કૃતિક જાગૃતિનો શક્તિશાળી સંદેશ પ્રસરી ગયો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:04 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતિ:કેનેડામાં રાષ્ટ્રગીત-સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યું

સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માત્ર ભારતમાં જ નહીં, વિદેશમાં પણ થઈ રહી છે. તાજેતરમાં જ કેનેડાના ટોરેન્ટોમાં સનાતન મંદિરમાં સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે કમ્યુનિટીના લોકો ઉપરાંત કાઉન્સિલર્સ, એમપી, ઉદ્યોગપતિઓ, સમાજના જાણીતા લોકોએ હાજરી આપી હતી. દિવ્યભાસ્કરે સરદાર પટેલની જન્મજયંતિ ઉજવવામાં મહત્ત્વનો ભાગ ભજવાનર મહેન્દ્ર પટેલ તથા દાદુભાઈ પટેલ સાથે ખાસ વાત કરી હતી. છેલ્લા 55 વર્ષથી દાદુભાઈ પટેલ તથા 40 વર્ષથી મહેન્દ્રભાઈ પટેલ કેનેડામાં રહે છે. દાદુભાઈ મૂળ એન્જિનિયર ને હાલમાં રિટાયર્ડ લાઇફ જીવી રહ્યા છે. મહેન્દ્રભાઈ બંધ થયેલી કંપનીના ઇક્વિપ્મેન્ટ્સ ખરીદવાનો બિઝનેસ કરે છે. સરદાર પટેલ જયંતી ઉજવવા અંગે મહેન્દ્રભાઈએ કહ્યું હતું, 'હું 2014માં ન્યૂ જર્સી હતa અને ત્યાં દર વર્ષે સરદાર પટેલ પર એક ઇવેન્ટ યોજાતી. આ ઇવેન્ટમાં મને સરદાર પટેલ અંગેની એક બુક આપીને કેનેડામાં આ પ્રકારની ઇવેન્ટ શરૂ થાય તેવા પ્રયાસો કરવાનું કહ્યું. 2014માં મેં કેનેડામાં ચાર-પાંચ મિત્રો સાથે ભેગા મળીને સરદાર જયંતી ઉજવવાનું નક્કી કર્યું. બે વર્ષ પછી ઇન્ડિયન કોન્સ્યુલેટમાં આ અંગે વાત થઈ અને પછી મોટાપાયે ઉજવવાનું નક્કી થયું. ત્યારબાદથી 141મી જન્મજયંતિ મોટાપાયે ઉજવી હતી અને ત્યારથી લઈને દર વર્ષે અમે કેનેડામાં અલગ-અલગ જગ્યાએ સરદાર પટેલની જન્મજયંતિ સેલિબ્રેટ કરીએ છીએ. અમે તમામ ભારતીયોને ઇવેન્ટમાં સામેલ થવા આમંત્રણ આપીએ છીએ.' ઇવેન્ટની શરૂઆત કેનેડા તથા ભારતના રાષ્ટ્રગીતથી થઈ હતી. ત્યારબાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અપર્ણ કરવામાં આવ્યા હતા. BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંત સંતોષમુનીદાસે આશીર્વચન આપ્યા હતા. આ ઉપરાંત એક ભારત, શ્રેષ્ઠ ભારત પર વાત કરવામાં આવી હતી. દેશભક્તિના ગીતો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઇવેન્ટ પૂર્ણ થઈ હતી. ઇવેન્ટમાં સરદાર પટેલની ડોક્યુમેન્ટરી પણ બતાવવામાં આવી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નડિયાદના ધારાસભ્ય પંકજ પટેલ, સરદાર પટેલ ટ્રસ્ટના અધ્યક્ષ દિનશા પટેલ, અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના શુભેચ્છા સંદેશાઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો. અંતે, ઇવેન્ટમાં હાજર રહેલા તમામ મહેમાનોએ રાષ્ટ્રીય એકતા પ્રતિજ્ઞા લીધી તથા સરદાર પટેલના આદર્શો પ્રમાણે અનુસરણ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. તસવીરોમાં માણો સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી....

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 5:00 pm

શહેરમાં વિવિધ ઝોનમાં રોડ રી-સર્ફેસિંગ તથા નવીન રોડની કામગીરી શરૂ:અધિકારીઓ દ્વારા રોડ મરામત કામગીરીનું નિરીક્ષણ, થર્ડ-પાર્ટી એજન્સી દ્વારા વેરીફિકેશન

મહેસાણા મહાનગર પાલિકા દ્વારા શહેરવાસીઓને ઉત્તમ માર્ગ સુવિધા પ્રદાન કરવાના હેતુથી શહેરના માર્ગ સુવિધા વિકાસને વધુ ગતિ આપવા વિવિધ ઝોન વિસ્તારમાં રોડ રી-સર્ફેસિંગ તથા નવીન રોડ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ દ્વારા રોડ મરામત કામગીરીનું નિરીક્ષણજે અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે તથા મહાનગર પાલિકાના એન્જિનિયરિંગ સ્ટાફ દ્વારા ઈસ્ટ ઝોનના તળેટી ગામથી હાઇવે માર્ગ સુધી તથા ચોકની લીંબડીથી કસ્બા વિસ્તાર સુધી ચાલી રહેલી રોડ મરામત કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. થર્ડ-પાર્ટી એજન્સી દ્વારા વેરીફિકેશન નિરીક્ષણ દરમિયાન અધિકારીઓએ રોડ બાંધકામની પ્રગતિ, કામની ગુણવત્તા તેમજ તકનીકી માપદંડોની વિગતવાર ચકાસણી કરી હતી. વધુમાં, સમગ્ર કામગીરીનું થર્ડ-પાર્ટી એજન્સી દ્વારા વેરીફિકેશન પણ કરવામાં આવ્યું હતું, જેથી માર્ગોની ગુણવત્તા અને ટકાઉપણું સુનિશ્ચિત થઈ શકે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:59 pm

CM ફેલોશીપ યુવાઓનો એક દિવસીય વર્કશોપ સંપન્ન:સચિવોના અનુભવ સાથે યુવાશક્તિના જ્ઞાન-કૌશલ્યનો સમન્વય, રાજ્યના સુશાસનને વધુ અસરકારક બનાવવા CMનો સંકલ્પ

ગાંધીનગરમાં સી.એમ. ફેલોશીપ અંતર્ગત પસંદ થયેલા 24 ફેલો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પરિવર્તનકારી બદલાવ લાવીને ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ, સામાન્ય નાગરિકોની સુખ-સુવિધા અને ગુડ ગવર્નન્સને વધુ સશક્ત બનાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે યુવાશક્તિના ઈનોવેશન, જ્ઞાન અને કૌશલ્ય સાથે વરિષ્ઠ સચિવોના અનુભવોનું સંકલન કરીને રાજ્યની પ્રશાસનિક વ્યવસ્થાને વધુ લોકોનું કલ્યાણ કરતી દિશામાં દોરવાનો સરકારનો પ્રયાસ છે. મોદીએ 2009માં શરૂ કરાવેલો સી.એમ. ફેલોશીપ પ્રોગ્રામ બની રહ્યો બેસ્ટ પ્લેટ ફોર્મમુખ્યમંત્રીએ યાદ કરાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકેનાં તેમના કાર્યકાળ દરમિયાન 2009માં સી.એમ. ફેલોશીપની શરૂઆત કરી હતી. તેજસ્વી અને પ્રતિભાશાળી યુવાઓના ઈનોવેટીવ વિચારોને શાસનમાં જોડવાનો આ અભિગમ આજે સુશાસનના મહત્વપૂર્ણ સાધન તરીકે ઊભો થયો છે.તેમણે કહ્યું કે વડાપ્રધાનએ “સરકાર ચલાવવાની નહીં, દેશ બદલવાનો” અભિગમ અપનાવ્યો છે, જેને આધારે ડિજિટલ ભારત જેવી પહેલો થકી લોકોના જીવનમાં ક્રાંતિ આવી છે. સ્પીપા – IIM ઈન્દોર વચ્ચે MoUશિબિરની શરૂઆતમાં મુખ્યમંત્રીની હાજરીમાં સ્પીપા (SPIPA) અને આઈ.આઈ.એમ. ઈન્દોર વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યો.આ એમ.ઓ.યુ. હેઠળ પબ્લિક પોલિસી મેનેજમેન્ટના 11 જેટલા વિષયો પર કેપેસિટી બિલ્ડિંગ માટે સંયુક્ત તાલીમ કાર્યક્રમો યોજાશે. ગુડ ગવર્નન્સ માટે ફેલોની ભૂમિકા મહત્વપૂર્ણમુખ્ય સચિવ એમ.કે. દાસે જણાવ્યું કે સી.એમ. ફેલોશીપના ફેલોએ કરેલા રિસર્ચ, કેસ સ્ટડીઝ અને વિવિધ વિષયક યોગદાન રાજ્યની નીતિ-વ્યવસ્થાને વધુ અસરકારક બનાવે છે. સરદાર પટેલ ગુડ ગવર્નન્સ ફેલોશીપને છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ વેગ મળ્યો છે. શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા સહિત રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોએ ફેલોને માર્ગદર્શન આપ્યું હતું. ફેલોએ તેમના પ્રેઝન્ટેશન્સ રજૂ કર્યા હતા અને બેસ્ટ પ્રેક્ટિસીસનું શેરીંગ પણ કર્યું હતું.ઉદઘાટન સત્રમાં મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:57 pm

ગાંધીનગરને કુદરતની અણમોલ ભેટ:કોલવડા તળાવ બન્યું 'ઓક્સિજન પાર્ક' અને પક્ષીઓનું નિવાસ્થાન, ડમ્પિંગ સાઇટ હવે અમૃત સરોવર બની

સિમેન્ટ અને કોંક્રિટના જંગલો વચ્ચે શુદ્ધ હવા અને શાંતિ શોધતા નગરજનો માટે એક ખુશખબર છે. ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા કોલવડા તળાવને 'અમૃત સરોવર' તરીકે વિકસાવવામાં આવ્યું છે. જે જગ્યા પર એક સમયે કચરાના ઢગલા અને ડમ્પિંગ સાઇટ હતી તે આજે લીલીછમ વનરાજી, પક્ષીઓનો કલરવ અને નયનરમ્ય સૌંદર્યથી સભર આકર્ષણનું કેન્દ્ર બની છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા કોલવડા તળાવને 'અમૃત સરોવર' તરીકે વિકસાવવામાં આવ્યું છે.સહેલાણીઓની સગવડ માટે સિમેન્ટ-કોંક્રિટનો ઉપયોગ નજીવો રાખીને તળાવની આસપાસ મિયાંવાંકી વન પદ્ધતિથી 30 હજાર જેટલા દેશીકુળના વૃક્ષો વિકસાવવામાં આવ્યા છે. બદામ, વડ, પીપળો, આંબો, આમળાં, સરૂ, જાંબુ અને જામફળ જેવા દેશીકુળના વૃક્ષોથી 41,301 ચોરસ મીટર વિસ્તાર હરિયાળીથી છવાયો છે, જેના કારણે આ સ્થળ હવે 'ઓક્સિજન પાર્ક' ની પણ ગરજ સારે છે. હાલમાં વધુ 10,000 વૃક્ષો વાવવાનું કામ ચાલી રહ્યું છે. આ તળાવ વિવિધ પશુ-પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે. સાંજના સમયે મોર, પોપટ, કોયલ, ઢેલ, ટીટોડી, બતક, અને નામશેષ થતી જતી ઘર ચકલીઓ જોવા મળે છે. કમિશનર ગાંધીનગરના જણાવ્યા અનુસાર, સૃષ્ટિના નિયમ પ્રમાણે જીવન ચક્ર અને જીવશૃંખલા જળવાઈ તે ખૂબ જ જરૂરી છે. આ ઉદ્દેશ સાથે અહીં સાપ જેવા સરીસૃપોને પણ કોઈપણ ખલેલ વગર આશ્રય મળે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તળાવના ઢોળાવ પર વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને રક્ષણ મળે તે રીતે આયોજન કરાયું છે, જેને કારણે આ તળાવ મૂળ નિવાસી પક્ષીઓ ઉપરાંત સ્થળાંતર કરીને આવતા પક્ષીઓ માટે પણ રહેઠાણ બન્યું છે. આ પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ જોઈએ તો 8.47 કરોડના ખર્ચે તેનું નિર્માણ કરાયુ છે. 1,10,000 ચોરસ મીટર ફેલાયું છે. તળાવમાં પાણી સંગ્રહ ક્ષમતા 182.5 મિલિયન લિટર છે. આમ આ સ્થળ કોલવડા, રાંધેજા અને ગાંધીનગર શહેરના 10 હજારથી વધુ રહેવાસીઓ માટે આ નજીકનું પિકનિક સ્પોટ બન્યું છે. આ પ્રોજેક્ટ માત્ર સૌંદર્યકરણ પૂરતો સીમિત નથી. અહીં ભૂગર્ભ જળની ભરપાઈ માટે તળાવ ઓવર ફ્લો થતાં રિચાર્જ કુવાઓ બનાવવાનું કાર્ય હાથ ધરાયું છે. સાથે જ પાણીની ગુણવત્તા સુધારવા માટે જળચર છોડ વાવેતરનું અને તળાવમાં હંમેશા પાણી જળવાઈ રહે તે માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકસાવવાનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ નયનરમ્ય સ્થળ પર આથમતા સૂરજનું તળાવમાં પડતું પ્રતિબિંબ, બાળકોની કિલકારીઓ અને પક્ષીઓનો મધુર અવાજ વાતાવરણને ખૂબ જ આહલાદક બનાવે છે. આ સ્થળની મુલાકાત શહેરની ભીડભાળથી દૂર, પ્રકૃતિના ખોળે વિહરવાની ખોજ પૂર્તિનું માધ્યમ બની રહેશે.જિલ્લામાં ચાલી રહેલા મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન જેમ કે એક પેડ મા કે નામ ને આ પ્રોજેક્ટ વધુ વેગ આપે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:57 pm

ગુજરાતમાં અગ્નિવીર સાથે અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ:ટ્રેનિંગમાં સામાન્ય ઇજા થતા વાઘુજી ઠાકોરને અનફિટ જાહેર કરાયો, કોંગ્રેસે સરકારી કે અર્ધ-સરકારી નોકરી આપવા માગ કરી

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના વાઘુજી ઠાકોર નામના યુવકની અગ્નિવીર તરીકે પસંદગી થઈ હતી. અગ્નિવીરની તાલીમ દરમિયાન વાઘોજી ઠાકોરને પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી. પગમાં ઇજા થવાને કારણે વાઘુજી ઠાકોરને અનફિટ જાહેર કરવામાં આવ્યો હતો. જેને લઈને કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે, અને ગુજરાતના અગ્નિવીર સાથે અન્યાય થયો હોવાનો આક્ષેપ પણ કર્યો છે. અનફિટ જાહેર કરવામાં આવતા યુવાનનું સપનું ચકનાચૂર થઈ ગયું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. તેમજ વાઘુજી ઠાકોરને સરકારી અથવા અર્ધ સરકારી નોકરી આપવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે. અગ્નિવીર સાથે અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જુદી જુદી ભરતીના બદલે કોન્ટ્રાક આધારિત પરથી લાવીને સૈન્યના મનોબળને તોડવાનું કામ ભાજપની કેન્દ્ર સરકારે કર્યું છે. છતાં દેશ સેવા કરવા હજારો યુવાનો આર્મફોર્સીસમાં જોડાઈ રહ્યા છે. સિધ્ધપુર તાલુકાના એક ગામમાંથી આવતા વાઘુજી ઠાકોર નામના સામાન્ય પરિવારનો યુવાનની અગ્નિવિર તરીકે પંસદગી થઈ હતી. ટ્રેનિંગમાં સામાન્ય ઇજા થતા અનફિટ જાહેરતેને વધુમાં કહ્યું કે, વાઘુજીનો અગ્નિવિરની તાલીમ દરમિયાન ફિનિશિંગ લાઇન ક્રોસ કરતા સમયે પગ મચકોડાઇ ગયો હતો. જેથી સારવાર માટે દાખલ કરાયો હતો. હોસ્પિટલમાં સારવાર બાદ જ્યારે રજા આપવામાં આવી ત્યારે તાલીમમાંથી ગેરહાજર હોવાનું કહી નોટિસ આપવામાં આવી. નોટિસ મળ્યા બાદ 8 અઠવાડિયાની સારવાર આપવામાં આવી. ત્યારબાદ અગ્નિવિરના આર્મી સર્વિસ સ્કોડ તાલીમ કેન્દ્ર પર પહોંચે છે. જ્યાં મેડિકલ બોર્ડના દિવ્યાંગ પરિપત્રના આધાર તેને અયોગ્ય ગણાવી દેવામાં આવે છે. કોંગ્રેસે સરકારી કે અર્ધ-સરકારી નોકરી આપવા માગ કરીવધુમાં ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, જે પગ મચકાયો એટલી વાતમાં તેને ડિસેબિલિટીમાં ગણવામાં આવે છે. વાઘુજી ઠાકોરને અનફિટ જાહેર કરવામાં આવે છે. જેના કારણે વાઘુજીનું સ્વપ્ન ચકનાચૂર થઈ જાય છે. અમારી સહાનુભૂતિ તેમની સાથે છે, અને તમામ મદદ કરવાની ખાતરી આપી છે. અગ્નિવીર યોજના આવી ત્યારે આ નવી નીતિને સૈન્યના મનોબળ માટે ઘાતક સાબિત થઈ શકે છે તેવું કહ્યું હતું. નીતિના કારણે એક યુવાનનું સપનું ચકનાચૂર થઈ જાય છે. અમારી માંગ છે કે આવા ઘણા લોકો ભોગ બને છે. જેથી વાઘુજી ઠાકોરને સરકારી કે અર્ધ સરકારીમાં લાયકાતના આધારે બીજું કામ આપવામાં આવે. આર્મીમાં ઘણા બધા વિભાગ હોય છે જેમાં તેનો સમાવેશ કરવામાં આવે તેવી માંગ છે. જેથી આ યુવાન સન્માન સાથે જિંદગી જીવી શકે. રાજ્યસભા શક્તિસિંહ ગોહિલ અને લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર પણ રક્ષામંત્રી પાસે આ મુદ્દો રજૂ કરશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:54 pm

સમાજનો વ્યક્તિ પત્ની સાથે સગીર દીકરીને લઈ ગયો:મૂળ રાજસ્થાન અને સુરતમાં રહેતા વ્યક્તિની હાઈકોર્ટમાં હેબિયસ કૉર્પસ; પત્નીએ કોર્ટ સમક્ષ કહ્યું કે પતિ સાથે નથી રહેવું

સુરતના 35 વર્ષીય એક વ્યક્તિએ હેબિયસ કૉર્પસ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરી હતી. જેમાં તેણે પોતાની પત્ની અને છ વર્ષની સગીર પુત્રીને તેના જ સમાજનો એક વ્યક્તિ અપહરણ કરીને ગોંધી રાખી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તેના સાસરી પક્ષના લોકોને પણ પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. તેઓના લગ્ન વર્ષ 2019માં થયા હતા. ત્યાર બાદ તેમના ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. તેઓ સુરત મુકામે ખુશીથી રહેતા હતા. ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરીતે 26 જુલાઈના રોજ કામે ગયો હતો. જ્યારે તે પરત આવ્યો ત્યારે ઘરમાં પત્ની અને સગીર દીકરી નહોતી. તેને બંનેને શોધવા ઘણો પ્રયત્ન કર્યો, આખરે તેણે પોલીસને જાણ કરી હતી. જોકે, પોલીસ પણ તેને શોધવામાં નિષ્ફળ રહેતા તેને ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કૉર્પસ અરજી દાખલ કરી હતી. તેને જણાવ્યું હતું કે, પત્ની અને દીકરીને શોધતા દરમિયાન તેને જાણવા મળ્યું હતું કે તેની પત્નીને તેના જ સમાજના રાજસ્થાનનો રહેવાસી વ્યક્તિ ભગાડી ગયો છે. જેણે અગાઉ બે વખત લગ્ન કરીને પોતાની પત્નીઓને ત્યજી દીધી છે. તેને એક નાનું બાળક પણ છે, તે આવી આદત ધરાવે છે. 4.51 લાખ લઈને સમાધાન કરવા ધમકી આપી હતીઅરજદારની પત્ની ચિંતા વાળી અને ભાવનાઓ પર કાબુ રાખી શકે તેવી નથી, તેનો લાભ આરોપીઓ ઉપાડ્યો છે. આ કૃત્યમાં અરજદારના સાસુ, સસરા અને સાસરિયાના અન્ય લોકો પણ સામેલ છે. પત્નીને ભગાડી જનાર વ્યક્તિ તેના સાસરીયામાં મિત્ર છે. વળી આરોપીએ અરજદારને કોઈ પણ કાનૂની કાર્યવાહી નહીં કરવા અને 4.51 લાખ રૂપિયા લઈને સમાધાન કરવા ધમકી આપી હતી. આરોપી તેની પત્ની અને પુત્રી સાથે તેના ઘરમાંથી 4 તોલા જેટલું સોનું, એક કિલો ચાંદી અને 1.50 લાખ રૂપિયા રોકડા લઈને ભગાડી ગયો હતો. પત્નીએ કહ્યું હતું કે તેના પતિ સાથે રહેવા માંગતી નથીજોકે, કોર્ટના હુકમથી પોલીસે અરજદારની પત્ની અને તેની સગીર પુત્રીને શોધીને કોર્ટ સમક્ષ ઉપસ્થિત કરી હતી. અરજદારની પત્નીએ કોર્ટને જણાવ્યું હતું કે તે હાલ જ્યાં પણ છે ત્યાં ખુશ છે. તે તેના પતિ સાથે રહેવા માંગતી નથી. આથી હાઇકોર્ટે આ અરજીનો નિકાલ કર્યો હતો. અરજદારે તેની સગીર પુત્રીને મેળવવી હોય તો યોગ્ય કાનૂની કાર્યવાહી અંતર્ગત અરજી કરવા છૂટ આપી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:47 pm

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://chunavsetu-search.gujarat.gov.in/ લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR કામગીરીમાં ઉત્સાહભેર સહયોગ આપીને મતદાર તરીકેની પોતાની ફરજ નિભાવી રહ્યા છે. 'ચૂનાવ સેતુ' વેબસાઇટના માધ્યમથી મતદારોની આ કામગીરી વધુ સરળ બની રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:41 pm

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં સિંહો માટે 'એન્ગ્રીસમેન્ટ' પ્રોગ્રામ:સિંહ પાંજરામાં આળસુ ન બને અને જંગલની જેમ સક્રિય રહે તેવી સ્વાસ્થ્યની પહેલ, આ ચાર મુદ્દામાં તંદુરસ્તી માટે નિર્ણય

જૂનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે, ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે રીતે માણસ પોતાના શરીરને ફીટ રાખવા માટે કસરત કરે છે, તે જ રીતે ઝૂના સિંહો પણ પાંજરામાં આળસુ ન બને અને જંગલની જેમ સક્રિય રહે તે માટે એક ખાસ 'એન્ગ્રીસમેન્ટ' પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ નવીન પ્રયોગોથી સિંહોમાં નોંધનીય અને સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. શા માટે શરૂ કરાયો 'એન્ગ્રીસમેન્ટ' પ્રોગ્રામ ?સક્કરબાગ ઝૂના વેટરનરી ઓફિસર રિયાઝ કડીવારે આ અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય એશિયાટિક લાયનના સંવર્ધન માટે જાણીતું છે, જેમાં ખાસ કરીને વાઇલ્ડ એનિમલ બ્રીડિંગ કરવામાં આવે છે.જ્યારે કોઈ પણ વન્ય પ્રાણીને જંગલ (વાઇલ્ડ અવસ્થા) માંથી કેપ્ટિવિટી (પાંજરા) માં લાવવામાં આવે છે, ત્યારે તેના સ્વભાવ અને ક્રિયાઓમાં ઘણા ફેરફારો થાય છે. પાંજરામાં બંધ રહેવાથી સિંહો આળસુ બની જાય છે, તેમની શારીરિક અને માનસિક નબળાઈ વધે છે, અને તેમનું કુદરતી વર્તન બદલાઈ જાય છે. આ નકારાત્મક અસરને ઓછી કરવા અને તેમની જરૂરિયાત મુજબ આસપાસનું વાતાવરણ ઊભું કરવા માટે 'એન્ગ્રીસમેન્ટ'ની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ ક્રિયામાં પ્રાણીઓને કુદરતી અવસ્થામાં જેવી સગવડો મળે છે, તેવી જ સગવડો અહીં ઊભી કરવામાં આવે છે, જેથી તેઓ અનુભવી શકે કે પોતે કુદરતી વાતાવરણમાં જ ઉછરી રહ્યા છે. સિંહોની તંદુરસ્તી માટેના ચાર મુખ્ય પ્રકારના 'એન્ગ્રીસમેન્ટ' 1. શારીરિક અને વાતાવરણીય એન્ગ્રીસમેન્ટ (Physical and Environmental)જંગલમાં જેવું કુદરતી વાતાવરણ હોય, તેવું અહીં ઊભું કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જેમાં સિંહોને ઊંચા વિસ્તારમાં રહેવાનું વધુ પસંદ હોય છે, જ્યાંથી તેઓ આસપાસનો તમામ વિસ્તાર મોનિટર કરી શકે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે, ઝૂ દ્વારા લાકડામાંથી બનાવવામાં આવેલા અલગ-અલગ ઊંચાઈના પ્લેટફોર્મ (બેંચ) તૈયાર કરીને મૂકવામાં આવ્યા છે. સિંહો આ પ્લેટફોર્મ પર બેસી શકે છે, જેથી તેમનું કુદરતી વર્તન બદલાય નહીં અને તેમની માનસિક ક્ષમતામાં વધારો થાય. આસપાસ ઘાસ, પ્લાન્ટ અને પાંદડાઓ મૂકીને તેમને નૈસર્ગિક જગ્યામાં હોવાનો અનુભવ કરાવવામાં આવે છે. ઉપરાંત, જંગલમાં સિંહો ઝાડના થડ સાથે પોતાના પંજાઓ ઘસતા હોય છે. આ જ પ્રકારની ક્રિયા અહીં પણ ઊભી કરવામાં આવે છે, જેથી સિંહો પૂરતી રીતે આનંદ માણી શકે. 2. ખોરાક સંબંધિત એન્ગ્રીસમેન્ટ (Feeding Enrichment)જંગલમાં સિંહોને શિકાર માટે મહેનત કરવી પડે છે. જ્યારે અહીં રૂમમાં તેમને સરળતાથી ખોરાક મળી જાય છે, ત્યારે તેઓ તેની અવગણના ન કરે તે માટે વિશેષ પદ્ધતિ અપનાવાય છે.સિંહો આળસુ ન બને અને સક્રિય રહે તે માટે ઝાડ સાથે રબરની દોરી, દડો કે પછી ખોરાક એવી રીતે બાંધીને કે સંતાડીને રાખવામાં આવે છે.ખોરાકને ગમે ત્યાં સંતાડી દેવામાં આવે છે અને તેની ખુશ્બુ વડે પ્રાણીઓ જાતે જ તેનો ખોરાક શોધી કાઢે છે.આ પ્રવૃત્તિ દ્વારા સિંહ ખોરાક પકડવા માટે મહેનત કરે છે અથવા તેની સાથે રમે છે. આ પ્રક્રિયાથી સિંહની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે અને તેઓ પ્રવૃત્તિમય રહે છે. 3. ગંધ પારખવાની શક્તિનું એન્ગ્રીસમેન્ટ (Olfactory Enrichment)પ્રાણીઓમાં શારીરિક અને માનસિક વિકાસની સાથે સાથે તેમની ગંધ પારખવાની શક્તિનો પણ વિકાસ થાય તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.જંગલમાં સિંહો અલગ-અલગ પશુઓના પંજાઓ કે ઝાડ સાથે ઘસાયેલા પશુઓને સૂંઘીને શિકાર શોધતા હોય છે. આજ ક્રિયા સિંહો માટે અહીં ઝૂ માં પણ આપવામાં આવે છે.તેમની ગંધ પારખવાની શક્તિનો વિકાસ થાય તે માટે અલગ અલગ બીજા પ્રાણીઓના મળમૂત્ર મૂકવામાં આવે છે.આનાથી સિંહોને એ જાણકારી મળી શકે કે ખોરાક કેટલી દૂર છે અથવા તેમના વિસ્તારમાં કોઈ અન્ય પ્રાણી આવી ચડ્યું છે કે કેમ. આ પ્રકારની ગતિવિધિથી પ્રાણીઓમાં માનસિક સ્વચ્છતા આવે છે. 4. સામાજિક એન્ગ્રીસમેન્ટ અને બ્રીડિંગ (Social and Breeding)બ્રીડિંગ કેપેસિટીમાં વધારો થાય તે માટે ચોથા પ્રકારનું એન્ગ્રીસમેન્ટ તેના સ્વભાવને લગતું છે. સિંહ અને સિંહણ વચ્ચેના મીટિંગ ટાઈમ દરમિયાન જે બ્રીડિંગ થાય તે ઉચ્ચ કક્ષાનું બને તે માટે ખાસ ધ્યાન રખાય છે.નર અને માદા જે એકબીજાના સ્વભાવને અનુકૂળ હોય તેવા પ્રાણીઓને જ સિલેક્ટ કરવામાં આવે છે.એકબીજાને અનુકૂળ ન રહેતા નર અને માદામાં ઘણી વખત ઘર્ષણ ઊભું થતું હોય છે, જે બ્રીડિંગની પ્રક્રિયાને અસર કરી શકે છે.આ તમામ બાબતો પર ધ્યાન દેવાથી સિંહોની બ્રીડિંગ કેપેસિટીમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સ્વચ્છતા અને ઝૂના નિયમોસિંહોના ફિટનેસ પ્રોગ્રામની સાથે સાથે, સક્કરબાગ ઝૂમાં સ્વચ્છતા અને પર્યાવરણને અનુલક્ષીને સખ્ત નિયમો લાગુ કરાયા છે. ઝૂમાં આવતા તમામ પ્રવાસીઓને પ્લાસ્ટિક બેગ, પાન-માવા કે ધૂમ્રપાન ન કરવા માટે સ્પષ્ટ નોટિસ લગાવવામાં આવી છે. ઝૂમાં કામ કરતા કર્મચારીઓને પણ પાન-માવા ખાવાની સખ્ત મનાઈ ફરમાવી દેવાઈ છે, જેથી સ્વચ્છતા જળવાઈ રહે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:26 pm

ગાંધીનગર જિલ્લા કોર્ટે આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા:ગુજરાત ATSએ રિમાન્ડ પૂર્ણ થતાં ત્રણેય આરોપીઓને જિલ્લા કોર્ટમાં રજૂ કર્યા હતા

ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા હતા. ત્યારે આજે ગુજરાત ATS દ્વારા આ ત્રણેય આતંકીઓને ગાંધીનગર જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેય આંતકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ગાંધીનગર જિલ્લા કોર્ટે આતંકીઓને રિમાન્ડ પર મોકલી આપ્યા હતા. જોકે, આજે રિમાન્ડ પૂર્ણ થતાં જ આજે કોર્ટ દ્વારા આતંકીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયા. 9 નવેમ્બરના ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીની 'ઝેરીલી' માનસિકતા ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદ્રાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જોકે, તે હથિયારો લઈ પરત હૈદ્રાબાદ જાય તે પહેલાં જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકીઓ પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો થોડા મહિના અગાઉ AQISનો પ્રચાર પ્રસાર કરતા 4ની ધરપકડ કરાઈ હતી ગુજરાત ATSએ ચાર મહિના પહેલા અલકાયદા સાથે જોડાયેલા ચાર લોકોની ધરપકડ કરી હતી. આ ચારમાં બે વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાના હતા, જ્યારે બે વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું હતું. અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલા AQIS(અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરતા હતા. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. સંપૂર્ણ સમાચાર વાંચો

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:24 pm

સ્પીચ આપતા આપતા યુવતી અચાનક ઢળી પડી, CCTV:સુરતની ધારૂકાવાળા કોલેજમાં અમદાવાદની યુવતીનું અચાનક બેભાન થયા બાદ મોત, હાર્ટ એટેકની શક્યતા

સુરત શહેરમાં એક બાજુ છેલ્લા ઘણા સમયથી અચાનક બેભાન થયા બાદ મોતની ઘટનાઓ બની રહી છે. લગભગ રોજ એકાદ બે વ્યક્તિનું અચાનક બેભાન થયા બાદ મોતને ભેટવાની ઘટનાઓ યથાવત્ રહેવા પામી છે. દરમિયાન વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલી ધારુકાવાળા કોલેજમાં મંચ પર સ્પીચ આપતી વખતે ચાલુ સ્પીચે અચાનક બેભાન થયા બાદ અમદાવાદની યુવતીનું મોત નીપજ્યું હતું. જેને પગલે પરિવારમાં શોક છવાઈ ગયું છે. ચાલુ સ્પીચે અચાનક પડી ગઈ અને બેભાન થઇ ગઈકાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, અમદાવાદના રાયપુર ખાતે આવેલી અકાશેઠની પોળ ખાતે રહેતી 24 વર્ષીય જીલબેન સુરેશભાઈ ઠક્કર કાપોદ્રા ખાતે આવેલા ધારુકાવાળા કોલેજના ઓડિટોરિયમમાં મંચ ઉપર સ્પીચ આપતી હતી. દરમિયાન ચાલુ સ્પીચે અચાનક પડી ગઈ અને બેભાન થઇ ગઈ હતી. તેમને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખાસેડવામાં આવી, જ્યાં પ્રાથમિક સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કરી હતી. મોતનું સાચું કારણ જાણવા સેમ્પલો લેવામાં આવ્યાઆ બનાવની તપાસ કરી રહેલા કાપોદ્રા પોલીસે જણાવ્યું હતું કે, જીલબેન IT કંપનીમાં કામ કરતી હતી અને આ કંપનીનું કેમ્પ ચાલી રહ્યું હતું. જેથી જીલબેન અમદાવાદથી સુરત આવી હતી. ધારુકાવાળા કોલેજમાં સેમિનારમાં સ્પીચ આપતી હતી ત્યારે ચાલુ સ્પીચે જ તે અચાનક બેભાન થઈ ગઈ હતી. તેના મૃતદેહનું પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું છે અને મોતનું સાચું કારણ જાણવા સેમ્પલો લેવામાં આવ્યા છે. હાલમાં હાર્ટ અટેકની શક્યતા લાગી રહી છે. મૃતકનો એક મોટો ભાઈ છે. હાર્ટ એટેકની શક્યતાસુરત સહિત ગુજરાતમાં અચાનક બેભાન થયા બાદ મોતના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. સુરતમાં રોજબરોજ એકથી બે વ્યક્તિઓ આ રીતે બેભાન થયા બાદ મોતની ભેટી રહ્યા છે. આ તમામ કેસમાં સેમ્પલ લેવામાં આવ્યા છે અને હાર્ટ એટેકની શક્યતા દર્શાવવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:15 pm

માનતા પૂરી કરવા જતાં પરિવારને કાળ ભરખ્યો:6 દીકરી પર દીકરો જન્મ્યો, રણુજા દર્શને જતાં અકસ્માત નડ્યો; એકસાથે પરિવારના 4 સભ્યની અર્થી નીકળતાં ગામ હિબકે ચડ્યું

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના એક પરિવારને છ દીકરી બાદ પુત્રનો જન્મ થતાં આનંદભેર રાજસ્થાનના રામદેવરા રણુંજા ખાતે રામદેવજીની માનતા પૂરી કરવા જતાં હતા. ત્યારે આ પરિવારના 20 સભ્યને 16 નવેમ્બરે રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત નડ્યો હતો, જેમાં 3 વર્ષની બાળકી સહિત કુલ 6 શ્રદ્ધાળુનાં મોત થયા હતા. આ ઘટનામાં રૂઘનાથપુરા ગામના એક જ પરિવારના 4 સભ્ય સહિત 6 લોકોના મૃતદેહ વતનમાં આવી પહોંચતાં આખું ગામ હિબકે ચડ્યું હતું. દીકરાની માનતા પૂરી કરવા નીકળેલા પરિવારને કાળ ભરખ્યોધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના ખેતમજૂર કાળુસિંહ પરમારને ત્યાં છ દીકરી બાદ પુત્રનો જન્મ થયો હતો. પુત્રપ્રાપ્તિની ખુશીમાં તેમણે રાજસ્થાનના રામદેવરા (રણુંજા) ખાતે રામદેવજીની માનતા રાખી હતી. આ માનતા પૂરી કરવા માટે કાળુસિંહના પરિવારજનો સહિત કુલ 20 લોકો 15 નવેમ્બરની રાત્રે ટેમ્પો દ્વારા રણુંજા જવા નીકળ્યા હતા. રણુજા દર્શન કરવા જતાં ટેમ્પો-ટ્રક વચ્ચે જોરદાર ટક્કર, ટેમ્પોના ફૂરચેફૂરચાબીજા દિવસે, રવિવારે (16 નવેમ્બર) વહેલી પરોઢે લગભગ 5:30 વાગ્યાના અરસામાં, જોધપુર-જૈસલમેર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-125) પર બાલેસર નજીક ખારી બેરી ગામ પાસે જોરદાર અકસ્માત થયો હતો. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી શ્રદ્ધાળુઓ ભરેલા ટેમ્પોની બાજરીની બોરીઓથી ભરેલા એક ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયંકર હતી કે, ટેમ્પોના ફૂરચેફૂરચા ઊડી ગયા હતા અને ટ્રક પલટી ગઈ હતી. (આખો અહેવાલ વાંચો) ઘટનાસ્થળે 3નાં મોત સહિત 6 શ્રદ્ધાળુને કાળ ભરખ્યોઆ ગોઝારા અકસ્માતમાં ત્રણ શ્રદ્ધાળુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઘાયલોને તાત્કાલિક જોધપુરની MDM હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ ત્રણ લોકોએ દમ તોડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 6 શ્રદ્ધાળુનાં મોત થયા છે, જેમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 7 બાળક સહિત 12 જેટલા લોકો ઘાયલ થયા છે. આ પણ વાંચો, તલોદના પુંસરીમાં એકસાથે બે યુવકનીની અંતિમયાત્રા નીકળી: ગામમાં શોકનો માહોલ રૂઘનાથપુરા ગામના એક જ પરિવારના ચારનાં મોતઆ અકસ્માતમાં મૃત્યુ પામેલા 6 પૈકી 4 લોકો અરવલ્લીના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના વતની હતા. મૃતકોના નામ નીચે મુજબ છે: આ કરૂણાંતિકામાં માતા સોનલબેન અને તેમની દીકરી નવ્યાનું મૃત્યુ થયું છે. પુત્રજન્મની માનતા રાખી હતી, તે નાનો દીકરો આશ્ચર્યજનક રીતે હેમખેમ બચી ગયો છે. જોકે, કાળુસિંહની અન્ય બે દીકરીની હાલત પણ ગંભીર જણાતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. ગંભીર ઇજાગ્રસ્તોને અમદાવાદ અને બાકીના ઘાયલોને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આખું ગામ શોકમાં ગરકાવ, વતન પર આભ તૂટ્યુંગઈકાલે થયેલા અકસ્માત બાદ આજે મૃતદેહો વતન રૂઘનાથપુરા ગામે આવી પહોંચતાં આખું ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. એક જ ઘરના સભ્યોની અંતિમયાત્રા નીકળતાં સૌ કોઈની આંખો ભીંજાઈ ગઈ હતી. મૃતકોના પરિવારજનો પર જાણે આભ તૂટી પડ્યું હોય તેવી હૃદયદ્રાવક સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના પુંસરી ગામના સરપંચ નરેન્દ્ર પટેલ તરત જ રાજસ્થાન દોડી ગયા હતા અને મૃતક પરિવારો તેમજ ઇજાગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડી હતી. આ અકસ્માત અંગે બાલેસર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:11 pm

કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતા ગાંજા કિંગની ધરપકડ:ગુજરાતમાં 12થી વધુ ગુનામાં વોન્ટેડ હતો, ઓડિશાથી બેઠો બેઠો આખા દેશમાં ગાંજાનું નેટવર્ક ચલાવતો હતો

દેશમાં ગાંજાનું સપ્લાય કરતો ડ્રગ્સ માફિયા અનિલ પાન્ડી ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવી ગયો છે. આ ડ્રગ્સ માફિયાનો દેશનો ગાંજા કિંગ પણ કહેવામાં આવે છે. ઓડિશાથી તે દેશના ખુણેખુણે ગાંજો મોકલી ગાંજા કિંગ ગણાતા અનિલકુમાર પાન્ડી અને તેનો ભાઈ સુનિલ પાન્ડી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા હતા. ક્રાઈમ બ્રાન્ચે અનિલ પાન્ડીની ધરપકડ કરતા અનેક મોટા માથાઓની સંડોવણી સામે આવે તેવી શક્યતાઓ છે. બન્ને ભાઈઓ દેશના વિવિધ રાજ્યોમાં ગાંજાનો હોલસેલમાં ધંધો કરતાગાંજા કિંગ કહેવાતો 39 વર્ષનો અનિલકુમાર વૃન્દાવન ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો છે. અનિલ અને તેનો ભાઈ સુનિલે ભેગા મળીને નાના પાયે ગાંજો વેચવાનું શરૂ કર્યુ અને જોતજોતામાં તે બન્ને બંધુઓ ગાંજા કિંગ બની ગયા. ઓડિશાના જગન્નાથપુરથી બેસીને બન્ને ભાઈઓ દેશના વિવિધ રાજ્યોમાં ગાંજાનો હોલસેલમાં ધંધો કરતા હતા. ટ્રાન્સફર વોરંટના આધારે ગાંજા કિંગ અનિલ પાન્ડીની ધરપકડઅમદાવાદ સહિત ગુજરાતમાં 12 ગુનાઓમાં અનિલ પાન્ડી વોન્ટેડ હતો, જેની ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી છે. અનિલ પાન્ડી વિરૂદ્ધ અમદાવાદ, સુરત, જુનાગઢ, રાજકોટ ગ્રામ્ય, રેલવે પોલીસમાં ગુના નોંધાયા છે. ઓડિશાથી આવતી ટ્રેનમાં અનેક વખત લાખો રૂપિયાનો ગાંજો બીનવારસી મળી આવ્યો હતો. જેમાં પણ અનિલ પાન્ડીનો રોલ હોય તેવી શક્યતાઓ છે. હાલ અનિલ પાન્ડીની ધરપકડ કરીને તેની વધુ પુછપરછ હાથ ધરાઈ છે. અનિલના પિતા વૃંદાવન પણ ગાંજાના કેસમાં વોન્ટેડક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું હતું કે, અનિલ પાન્ડીએ ગંજામાંથી કરોડો રૂપિયાની કમાણી કરીને 10થી 12 સંપતિ વસાવી હતી, જેને મેં જે તે સમયે STF સાથે મળીને સીઝ કરી હતી.આ પ્રથમ કિસ્સો હતો કે જેમાં એક રાજ્યની પોલીસ અન્ય રાજ્યમાં જઈને સંપતિ સીઝ કરવા ગઈ હતી. અનિલના પિતા વૃંદાવન પણ ગાંજાના કેસમાં વોન્ટેડ છે. અનિલ તેના ભાઈ સાથે મળી ઓડિશામાં ગાંજાની ખેતી કરતો અને મુખ્ય સુરતમાં જ સપ્લાય કરતો હતો. બંને ભાઈઓ સુરતમાં અલગ અલગ જગ્યાએ ગોડાઉન રાખીને રાજ્યમાં બાય રોડ ગાંજો સપ્લાય કરતા હતા. ઓડિશાથી ટ્રેનમાં મોટી માત્રામાં જથ્થો આવતો હતો જે અહીંયાના મૂળ ઓડિશાના હોય તેવા શ્રમિકો લઈ લેતા હતા. આરોપીને લોકલ લેવલે કોણ મદદ કરતું હતું તેની તપાસ શરૂઅનિલ સુધી પોલીસ પહોંચે નહીં તે માટે તેણે સપ્લાય માટે આખી ચેન બનાવી હતી. ક્રાઈમ બ્રાન્ચમાં વર્ષ 2018નો એક ગુનો નોંધાયો હતો. આરોપી ઓડિશામાં નક્સલી વિસ્તારની નજીક ગાંજાની ખેતી કરતો હતો જેથી જોખમ ઓછું રહે. ગાંજાનું ઓડિશાથી પ્રોડક્શન કરીને દેશભરમાં વેચાણ કરતો હતો. અનિલ ઓડિશાથી ક્યારેક ગાડી અને ટ્રકમાં ચોરખાનું બનાવી ગાંજો અહીંયા સપ્લાય કરતો હતો. આરોપી સાથે અન્ય કોણ જોડાયેલું છે અને લોકલ લેવલે કોણ મદદ કરતું હતું તેની તપાસ કરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:05 pm

માધવપુરમાં 32 ગ્રીન સી ટર્ટલ બચ્ચા દરિયામાં છોડાયા:જળચર જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ પગલું

જળચર જીવસૃષ્ટિ અને દરિયાકાંઠાના પ્રકૃતિ સંરક્ષણને વેગ આપવા માટે, માધવપુર હેચરી ખાતે આજે 32 ગ્રીન સી ટર્ટલના બચ્ચાઓને સફળતાપૂર્વક દરિયામાં છોડવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી બી. બી. ચૌધરી, રાણાવાવના રેન્જ ફોરેસ્ટ ઑફિસર સામતભાઈ ભમ્મર, ફોરેસ્ટર મહેન્દ્રભાઈ ચૌહાણ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી અને પૂર્વ ભાજપ પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. હેચરી દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સમુદ્રી કાચબાઓના સંરક્ષણ માટે સતત કાર્યરત છે. આ કામગીરીમાં ઈંડાનું સંરક્ષણ, બચ્ચાઓની દેખરેખ અને યોગ્ય સમયે તેમને દરિયામાં છોડવા જેવી મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આ પ્રયાસો દરિયાઈ પર્યાવરણને સમૃદ્ધ બનાવવા અને દુર્લભ સમુદ્રી જીવસૃષ્ટિને સુરક્ષિત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે દરિયામાં છોડવામાં આવેલા ગ્રીન સી ટર્ટલના બચ્ચાઓ હવે પોતાના સ્વાભાવિક દરિયાઈ પ્રવાસની શરૂઆત કરશે. આ પગલું સ્થાનિક સંરક્ષણ કાર્યને વધુ બળ અને પ્રોત્સાહન પૂરું પાડે છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 4:00 pm

હિંમતનગરમાં સાંસદ ખેલ મહોત્સવ-2025નું ઉદ્ઘાટન:એથ્લેટિક્સ-કબડ્ડીમાં 56 હજારથી વધુ રમતવીરોનું રજિસ્ટ્રેશન

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વરના સાબર સ્ટેડિયમ ખાતે સાંસદ ખેલ મહોત્સવ-2025નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ સાંસદ શોભનાબેન બારૈયાના અધ્યક્ષસ્થાને અને રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ-2025 યુવાનોમાં રમતગમત પ્રત્યે ઉત્સાહ, તંદુરસ્ત જીવનશૈલી અને સકારાત્મક ઊર્જા વધારવા માટે એક મહત્વપૂર્ણ મંચ છે. તેમણે ઉમેર્યું કે રમતગમત શિસ્ત, ટીમવર્ક, આત્મવિશ્વાસ અને સંકલ્પશક્તિ જેવા જીવનમૂલ્યો શીખવે છે. આ મહોત્સવ અંતર્ગત ખેલાડીઓ એથ્લેટિક્સ, કબડ્ડી અને કરાટે જેવી રમતોમાં ભાગ લેશે. સાબરકાંઠા જિલ્લા વિકાસ રમતગમત અધિકારી ત્રિવેણી સરવૈયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સાંસદ ખેલ મહોત્સવ-2025 માટે કબડ્ડી અને એથ્લેટિક્સમાં 56 હજારથી વધુ ખેલાડીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના કરાટે સ્પર્ધા માટે ઑફલાઈન કુલ 75 હજારથી વધુ રજિસ્ટ્રેશન થયા છે. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા, જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, સાબરકાંઠા બાસ્કેટબોલ એસોસિયેશનના ચેરમેન ગોપાલસિંહ રાઠોડ, જિલ્લા રમતગમત અધિકારી મહેશ ચૌધરી અને જિલ્લા રમત વિકાસ અધિકારી ત્રિવેણી સરવૈયા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે સાબરકાંઠા વ્યાયામ મંડળના શિક્ષકો, ડિસ્ટ્રિક્ટ કોચ અને મોટી સંખ્યામાં રમતવીરો પણ હાજર રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:57 pm

સુરક્ષા વધુ કડક કરવા આદેશ:રાજકોટ સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો મળતા તંત્ર જાગ્યું, ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ, ત્રણ સભ્યોની કમિટી બનાવાઈ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ગઈકાલે એક પડતર એમ્બ્યુલન્સમાંથી દારૂની ખાલી બોટલો મળી આવવાની ઘટના સામે આવી હતી. દિવ્યભાસ્કર દ્વારા આ ઘટનાનો પર્દાફાશ કરવામાં આવતા કુંભકર્ણનિંદ્રામાં સુતેલુ સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું છે. ગઈકાલે આ બનાવ સામે આવ્યા બાદ તંત્રએ તેને અત્યંત ગંભીરતાથી લીધો છે અને તાત્કાલિક અસરથી પગલાં લેવાની શરૂઆત કરી છે. સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસનાં આદેશો અપાયા છે. તેમજ આ માટે ત્રણ સભ્યોની ખાસ કમિટી બનાવીને તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસમાં જે જવાબદાર જણાશે તેની સામે કડક પગલાં લેવાની ખાતરી સિવિલ હોસ્પિટલનાં આરએમઓ ડો. હર્ષદ દૂસરાએ આપી છે. સિવિલ હોસ્પિટલના આરએમઓ (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર) ડો. હર્ષદ દૂસરાએ આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ ઘટના ખૂબ જ ગંભીર ગણી શકાય. આ બાબતને ધ્યાનમાં લઈને હોસ્પિટલના તબીબી અધિક્ષક તરફથી તાત્કાલિક ધોરણે 3 સભ્યોની એક વિશેષ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટીને સમગ્ર ઘટનાની ઝીણવટભરી અને સઘન તપાસ કરવા માટેના આદેશો આપવામાં આવ્યા છે. આ કમિટી બનાવના દરેક પાસાની બારીકાઈથી તપાસ કરશે અને ત્યારબાદ વહેલી તકે તેમનો વિગતવાર રિપોર્ટ રજૂ કરશે. તપાસમાં એમ્બ્યુલન્સ, હોસ્પિટલ પરિસર અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની મદદ લેવામાં આવશે. સીસીટીવી આધારે, સિક્યુરિટી આધારે અને જરૂર પડ્યે પોલીસની મદદથી આ તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરક્ષા કડક કરવા અને જવાબદારો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા પર ભાર વધુમાં તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં આ પ્રકારનો કોઈ બનાવ ફરીથી ન બને તે માટે હોસ્પિટલ તંત્ર દાખલારૂપ કાર્યવાહી કરશે. જે કોઈ પણ આ કૃત્ય માટે જવાબદાર જણાશે, તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે. તો સુરક્ષા વ્યવસ્થાને લઈને હોસ્પિટલ તંત્રએ તાત્કાલિક ધોરણે પગલાં ભરવાની શરૂઆત કરી છે. સૌથી પહેલા તો હોસ્પિટલની સિક્યુરિટીને શક્ય તેટલી ટાઈટ કરવાની કોશિશ કરવામાં આવશે. આ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ફરી ન બને તે માટે સુરક્ષા એજન્સીને કડક સૂચનાઓ આપી તેની પાસેથી પણ આ અંગે તાત્કાલિક ખુલાસો માંગવામાં આવશે. અને ત્યારબાદ સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની મદદ લેવાશે, પેટ્રોલિંગ વધારવાની રજૂઆત આ સમગ્ર મામલે હોસ્પિટલ તંત્ર દ્વારા પોલીસની પણ મદદ લેવામાં આવશે. આરએમઓ હર્ષદ દૂસરાએ જણાવ્યું કે, હોસ્પિટલ પરિસરમાં આવા પ્રકારના તત્વો ફરીથી પ્રવેશી શકે નહીં તેનાં માટે પોલીસનું પેટ્રોલિંગ વધારવાની રજૂઆત કરવામાં આવશે અને પોલીસની મદદથી પરિસરમાં સતત બાજ નજર રાખવામાં આવશે.ખાસ કરીને જે એમ્બ્યુલન્સમાંથી દારૂની બોટલો મળી આવી છે, તે પડતર હાલતમાં હતી. આ એમ્બ્યુલન્સને સ્થળાંતરિત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે, આ પ્રક્રિયા પણ તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જ આગળ ધપાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આ તાત્કાલિક કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે કે, હોસ્પિટલ વહીવટી તંત્ર દ્વારા આ મામલાની ગંભીરતાને સમજીને પારદર્શક અને કડક પગલાં લેવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ આ સમગ્ર મામલે વધુ વિગતો સામે આવશે અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ તપાસ ક્યારે પૂર્ણ થશે અને તેમાં કોણ જવાબદાર સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:53 pm

વેપારીએ ડ્રાઈવરને નોકરીમાંથી કાઢી મુકતા અદાવત રાખી:સુરતના સારોલીમાં ચાલકે જ ટ્રાન્સપોર્ટમાં વેપારીનો આઇશર ટેમ્પો ફૂંકી માર્યો, આગમાં રૂપિયા 16.50 લાખનું નુકશાન

સુરતના અંત્રોલી ગામમાં રહેતા અને સારોલીમાં આર.એસ.ડી રોડલાઇન્સ નામનું ટ્રાન્સપોર્ટ ચલાવતા વેપારીએ તેમના પૂર્વ કર્મચારી સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વેપારીએ ડ્રાઈવરને નોકરી પરથી કાઢી મુકતા ડ્રાઈવરે આ વાતની અદાવત રાખી તેમને અને તેના દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં ઘૂસી અંદર પાર્ક કરેલ આઈસર ગાડીમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે રૂપિયા 16.50 લાખનું વેપારીને નુકસાન પણ થયું હતું. બનાવને પગલે આખરે ટ્રાન્સપોર્ટના માલિકે સારોલી પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી પ્રમાણે, મૂળ રાજસ્થાનના ઉદયપુરના વતની અને સુરતના કડોદરા વિસ્તારમાં આંત્રોલી ગામ ખાતે આવેલ ઓમકાર રેજન્સીમાં રહેતા 45 વર્ષીય રાયસીંગ ભેરુસિંગ દેવડા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સુરતમાં સારોલી ગામમાં કાન્તેશ્વર સોસાયટીની બાજુમાં તેમનું આર.એસ.ડી રોડલાઈન્સ નામનું ટ્રાન્સપોર્ટનું ગોડાઉન આવેલું છે. તેઓએ તેમની પાસે ડ્રાઇવિંગનું કામ કરતા જ્ઞાનસિંગ પૃથવીપાલસિંગ (રહે- ગામ-પરવૈતા માઉ પોસ્ટ-પ્રતાપગઢસીટી થાના-મોહનગંજ જી-પ્રતાપગઢ ઉત્તરપ્રદેશ) જ્ઞાનસિહને નોકરીમાંથી છૂટા કર્યા હતા. આ વાતની અદાવત રાખી જ્ઞાનસિગે રાયસીંગભાઈના દીકરા અભિજીતના તુમ ગોડાઉન સે બહાર નિકાલકે દિખાઓ મેં તેરે કો ઓર તેરે બાપ કો જાન સે માર દુંગા ઓર તુમારા ગોડાઉન ઓર ગાડીયા ભી જલા દુંગા એવી ધમકી આપી હતી. ત્યારબાદ ગત રોજ રોજ રાત્રે 2.30 થી 3.15 વાગ્યાના અરસામાં જ્ઞાનસિહ તેમના ગોડાઉનમાં પ્રવેશયો હતો અને આર.એસ.ડી રોડલાઈન્સ ગોડાઉનમાં પાર્ક કરેલ GJ.15. એવી. 2040 નંબરની આઇસર ગાડીમાં આગ લગાવી દીધી હતી. આઇસર ટેમ્પો માં આગ લાગી હોવાની ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ નો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગણતરી ની મિનિટોમાં આંખ પર કાબુ મેળવી લીધો હતો. જોકે તે પહેલા આઇસર ટેમ્પો બળીને ખાખ થઈ ગયો હતો. જેના કારણે આઈસર ગાડીમાં રૂપિયા 16.50 લાખનું નુકસાન થયું હતું. બનાવને પગલે રાયસીંગે સારોલી પોલીસ મથકમાં જ્ઞાનસિંગ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:52 pm

રાજકોટ કોર્ટનો નોંધપાત્ર ચુકાદો:વાહનમાં પેટ્રોલ ભરાવી માત્ર 1 રૂપિયો પરત લેવા બાબતે થયેલ ઝઘડામા આરોપીઓને 6 માસની જેલની સજા ફટકારાઇ

રાત્રીના સમયે પેટ્રોલ પંપ ઉપર વાહનમાં 79 રૂપિયાનુ પેટ્રોલ ભરાવી આરોપીઓ દ્વારા 1 રૂપિયો પરત લેવા બાબતે ફિલરમેનને છરી વડે માર મારી ગંભીર ઈજાઓ પહોચાડવા કેસમા સેશન્સ કોર્ટ દ્વારા આરોપી શાહનવાજ મહેબુબભાઈ પઠાણ (ઉ.વ.24) અને તેના નાનાભાઈ અકરમ મહેબુબભાઈ પઠાણ (ઉ.વ.19)બે 6 માસની કેદની સજા અને પ્રત્યેકને રૂ.3000નો દંડ ફટકાર્યો છે. છરી વડે ફરીયાદીને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી તા.29 માર્ચ 2021ના રોજ સાંજના 6.30 વાગ્યા આસપાસ આરોપી શાહનવાજ સોમનાથ વે–બ્રીજ, 80 ફુટ રોડ પર આવેલ સોમનાથ પેટ્રોલ પંપ ખાતે પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવવા ગયો હતો ત્યારે ફિલરમેને કેટલુ પેટ્રોલ ભરાવવા બાબતે પુછતા શાહનવાજે રૂ.79નુ પેટ્રોલ ભરવા જણાવ્યું હતું. પેટ્રોલ ભરી આપ્યા બાદ ફરીયાદી ભરતભાઈ નાથાભાઈ ગોહેલે 1 રૂપિયો છુટો ન હોવાનુ કહેતા શાહનવાજે ઝડઘો કરી, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા. ફરીયાદીએ આ બાબતે વિરોધ કરતા એક કલાક બાદ આરોપી શાહનવાજ પોતાના નાનાભાઈ અકરમને લઈને આવ્યો હતો અને પોતાના પાસે રહેલ છરી વડે ફરીયાદીને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ રજુ કર્યું હતું. જુબાનીમાં અને ફરિયાદમાં કોઈ વિસંગતતા નથી : સરકારી વકીલ આ કેસની આખરી દલીલો વખતે બચાવ પક્ષે રજુઆત કરવામાં આવી હતી કે, હાલના કેસમા ફરીયાદીની ફરીયાદ અને કોર્ટ સમક્ષની જુબાનીમા વિસંગતતા છે. જેથી બનાવ શંકાસ્પદ લાગતો હોવાથી આરોપીઓને નિર્દોષ છોડી મુકવા જોઈએ જેની સામે સરકાર તરફે જિલ્લા સરકારી વકિલ એસ.કે.વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, પાંચ વર્ષ પહેલા બનેલ બનાવ અંગે ફરીયાદીએ પોતાની ફરીયાદમા જે વિગતો જણાવી હતી તે જ વિગતો અને તેટલી જ વિગતો પાંચ વર્ષ બાદ જુબાની વખતે જણાવવામા આવે તો તેને વિસંગતતા ન કહેવાય. પોલીસ તપાસ દરમ્યાન છરી કબ્જે થયેલ છે આ ઉપરાંત ફરીયાદની વિગતો કરતા વધુ વિગતો જણાવવી અને વિરોધાભાષી વિગતો જણાવવી તે બને વચ્ચે તફાવત છે. હાલના કેસમા ફરીયાદીએ પોતાની જુબાનીમા બનાવ અંગે કોઈ વિરોધાભાષી વિગતો જણાવી નથી પેટ્રોલ પંપના માલિક અને બીજા ફીલરમેનએ બનાવ અંગે જે વિગતો જણાવી છે તેનાથી બનાવ સચોટપણે સાબિત થાય છે. પોલીસ તપાસ દરમ્યાન છરી કબ્જે થયેલ છે તેમજ તબીબી અભિપ્રાય મુજબ ફરીયાદીને થયેલ ઈજાઓ છરીથી થયેલ હોવાનુ જણાઈ છે. આરોપી શાહનવાજે પેટ્રોલ પંપે આવી રૂ.79નુ અજુગતી રકમનુ પેટ્રોલ ભરવા જણાવ્યું હતું અને 1 રૂપિયા માટે ઝઘડો કરે તો તે સાબિત કરે છે કે આરોપી શાહનવાજ ઝઘડો કરવા માટે જ આવેલ હતો. 6 માસની કેદની સજા અને પ્રત્યેકને રૂ.3000નો દડ ફરમાવેલ છે આરોપીઓએ પોતાના બચાવમા તેઓ સામે ફરીયાદીએ ખોટી ફરીયાદ કરી હોય તે અંગે કોઈ કારણ દર્શાવેલ નથી તેથી ફરીયાદીની ફરીયાદ સાચો બનાવ હોવાનું સાબિત થાય છે. આ તમામ કારણોસર આરોપીઓનો બચાવ સાબિત થતો ન હોય તેથી આરોપીઓને તકસીરવાન ઠરાવવા જોઈએ. સરકાર તરફેની આ રજુઆતોના અંતે અધિક સેશન્સ જજ આઈ.બી.પઠાણ સાહેબે આરોપીને 6 માસની કેદની સજા અને પ્રત્યેકને રૂ.3000 નો દડ ફરમાવેલ છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:52 pm

મહીસાગર LCBએ ખારોલમાંથી વિદેશી દારૂ ઝડપ્યો:મકાન પાછળ ખાડામાં છુપાવેલો ₹45,135નો જથ્થો જપ્ત

મહીસાગર LCBએ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારના ખારોલ ગામેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક મકાનની પાછળ જમીનમાં ખાડો બનાવીને છુપાવેલી ₹45,135ની કિંમતની 171 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે કૈલાષબેન લક્ષ્મણભાઇ ભોઇ નામની મહિલા વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને ઇન-ચાર્જ પોલીસ વડા કમલેશ વસાવા દ્વારા પ્રોહિબિશન સામે કડક કાર્યવાહી કરવા માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઇવના ભાગરૂપે, LCB પીઆઇ એમ.કે. ખાંટના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફ દ્વારા જિલ્લામાં વિવિધ સ્થળોએ દારૂબંધી સંબંધિત તપાસ હાથ ધરવામાં આવી રહી હતી. આ વિશેષ ડ્રાઇવ દરમિયાન, LCB સ્ટાફ કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે સમયે LCB સ્ટાફના એ.એસ.આઇ. ભવાનજીભાઈને ગુપ્ત માહિતી મળી હતી કે, ખારોલ ગામમાં રહેતા કૈલાષબેન લક્ષ્મણભાઇ ભોઇ પોતાના ઘરના પાછળના વાડામાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે, LCB સ્ટાફે કૈલાષબેનના ઘરે જઈ તપાસ કરી હતી. તપાસ દરમિયાન, ઘરના પાછળના ભાગે આવેલા વાડામાં જમીનની અંદર ખાડો ખોદીને છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો બહાર કાઢી તેની ગણતરી કરતા, કુલ 171 નંગ નાની-મોટી બોટલો મળી આવી હતી, જેની કુલ કિંમત ₹45,135 આંકવામાં આવી છે. આરોપી કૈલાષબેન લક્ષ્મણભાઇ ભોઇ (રહે. ખારોલ, તા. કોઠંબા, જિ. મહીસાગર) વિરુદ્ધ કોઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:51 pm

સરદાર પટેલની 150મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય 'યુનિટી માર્ચ' યોજાઈ:4 કિલોમીટરથી વધુ લાંબી પદયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં લોકો જોડાયા

લોકગાયકો અને કલાકારોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી અખંડ ભારતના શિલ્પી, લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભાવનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે શહેરના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં એક વિશાળ અને ભવ્ય 'યુનિટી માર્ચ' એકતા પદયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિ ​આ યુનિટી માર્ચનો પ્રારંભ શહેરના સરદારબાગ જશોનાથ સર્કલ ખાતેથી કરવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની વિશેષ ઉપસ્થિતિમાં આ માર્ચનું આયોજન થયું હતું. ​પદયાત્રાના પ્રારંભ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, મંત્રી કૌશિક વેકરીયા, ધારાસભ્ય જે.વી. કાકડિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિતના અનેક રાજકીય આગેવાનો હાજર રહ્યા હતા. લોક કલાકારોની હાજરીથી માર્ચમાં ઉત્સાહ ​આ ઐતિહાસિક પ્રસંગે ગુજરાતના જાણીતા લોકગાયકો અને કલાકારોની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી. લોકગાયક કિર્તીદાન ગઢવી, માયાભાઈ આહીર, રાજભા ગઢવી, સાગરદાન ગઢવી સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવનગરના નાગરિક ભાઈઓ, બહેનો અને બાળકો ઉત્સાહભેર જોડાયા હતા. 4 કિલોમીટરથી વધુ લાંબી પદયાત્રા ​આ યુનિટી માર્ચ શહેરના 4 કિલોમીટરથી વધુના વિસ્તારમાં યોજાઈ હતી. સરદારબાગથી શરૂ થયેલી આ પદયાત્રા શહેરના મુખ્ય માર્ગો જેવા કે પાનવાડી ચોક, એસટી બસ સ્ટેશન, બહુમાળી ભવન, નીલમબાગ સર્કલ, વિજયરાજનગર, વિશ્વકર્મા સર્કલ, શાસ્ત્રીનગર, જવાહર ફાટક, કુંભારવાડા સર્કલ, બાથાભાઈનો ચોક, શીતળામા નો ચોક, અમર સોસાયટી, સરિતા સોસાયટી, ભાવના સોસાયટી, ભાવનગર-રાજકોટ હાઇવે, પ્રમુખ દર્શન કોમ્પલેક્ષ હાદાનગર, રામજી મંદિર હાદાનગર, ગુરુનગર, tvs શોરૂમ પાસે, મિલેટ્રી સોસાયટી નાકુ, ગાયત્રીનગર જેવા વિસ્તારોમાંથી પસાર થઈને મસ્તરામ બાપા મંદિર સ્ટેજ ખાતે તેનું સમાપન થયું હતું. ​આ યુનિટી માર્ચ સરદાર પટેલના એકતા અને રાષ્ટ્રનિર્માણના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો એક ભવ્ય પ્રયાસ બની રહેશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:43 pm

તાપીમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી:બે વિધાનસભા બેઠકો પર યુનિટી માર્ચનું આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાં 'યુનિટી માર્ચ'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા જિલ્લાની બે વિધાનસભા બેઠકો પરથી પસાર થશે. 'સરદાર@૧૫૦' પદયાત્રા આજથી બે દિવસ સુધી તાપી જિલ્લામાં ફરશે. આ યાત્રાનો શુભારંભ વ્યારા ખાતેથી કેબિનેટ મંત્રી નરેશ પટેલની આગેવાની હેઠળ થયો હતો. આ પ્રસંગે એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી નરેશ પટેલે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને યાદ કરી લોકોને એકજૂથ થવા હાકલ કરી હતી અને યાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં ભાજપ સંગઠનના હોદ્દેદારો, વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણી, સંસદસભ્ય પ્રભુભાઈ વસાવા અને યાત્રાના પ્રભારી મહેન્દ્રભાઈ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આશરે આઠ કિલોમીટર લાંબી આ યાત્રામાં સૌએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:31 pm

'તમને ઈન્ચાર્જ બનાવી દઈએ પછી તાયફા જ કરે રાખો':GTUમાં ગત વર્ષનું પેપર પૂછાવા મામલે ABVP-NSUIનો હલ્લાબોલ, વિરોધ દરમિયાન પોલીસને ઈશારો કરતા કાર્યકરોએ કુલપતિને ખખડાવ્યા

GTU દ્વારા સિવિલ એન્જિનિયરિંગની પરીક્ષામાં ગત વર્ષનું બેઠું પેપર પૂછવામાં આવ્યું હતું. જેને લઈને ABVP અને NSUI દ્વારા GTUમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ABVPના વિરોધ દરમિયાન કુલપતિએ પોલીસને ઈશારો કરતા કાર્યકરોએ કુલપતિને ખખડાવ્યા હતા. કાર્યકરોએ કુલપતિને કહ્યું, તમારે માત્ર તાયફા જ કરવા હોય તો રાજીનામું આપી દો, તમને તાયફા માટે ઈનચાર્જ બનાવી દઈશું. બીજી તરફ NSUIએ પણ કુલપતિ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ABVPએ સિક્યુરિટી ઈન્ચાર્જને ખખડાવતા અંદર જવા દીધાGTUમાં ચાલી રહેલી સિવિલ એન્જિનિયરિંગની સેમેસ્ટર 7ની પરીક્ષામાં ગત વર્ષનું બેઠું પેપર પૂછવામાં આવ્યું હતું. કુલપતિ રાજુલ ગજ્જર જે બ્રાન્ચના પ્રોફેસર છે તે જ બ્રાન્ચના પેપરમાં છબરડો થતાં NSUI અને ABVP દ્વારા GTUમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. GTUમાં ગેટ પર ABVPના કાર્યકરોને રોકી લેતા ABVPએ સિક્યુરિટી ઈનચાર્જને ખખડાવ્યા હતા જેથી સિક્યુરિટી ઇન્ચાર્જે કાર્યકરોને અંદર જવા દીધા હતા. 'તમારે માત્ર તાયફા જ કરવા હોય તો રાજીનામું આપી દો'કુલપતિ ચેમ્બરમાં જઈને ABVP દ્વારા રજૂઆત કરવામાં આવી રહી હતી, ત્યારે કુલપતિ રાજુલ ગજ્જરે પોલીસન ઈશારો કરીને કાર્યકરોને લઈ જવા કહ્યું હતું ત્યારે કાર્યકરોએ કુલપતિને ધમકાવ્યા હતા. કાર્યકરોએ કુલપતિને કહ્યું કે, તમારે જવાબ આપવો પડશે. અગાઉ ડિપ્લોમાની પરીક્ષામાં પણ છબરડો થયો હતો. ABVPએ કુલપતિને કહ્યું હતું કે, તમે આવીને તાયફા જ કર્યા છે, વિદ્યાર્થીઓ માટે કઈ કર્યું નથી. તમારે તાયફા જ કરવા હોય તો કહી દો ખુરશી છોડી દો તમને ઈનચાર્જ બનાવી દઈએ એટલે તમે તાયફા કરજો. વારંવાર રજુઆત કરી છતાં તમે કોઈ પગલા લેતા નથી તમે ટેકનિકલ ક્ષેત્રે ફેલ ગયા છો. ABVP બાદ NSUIના કાર્યકરો પણ રજૂઆત કરવા આવ્યા ABVPની રજૂઆત બાદ NSUIના કાર્યકરો પણ રજૂઆત કરવા આવ્યા હતા. NSUIના કાર્યકરો રજૂઆત કરી રહ્યા હતા ત્યારે સિક્યુરિટી ઇન્ચાર્જ વચ્ચે બોલતા NSUIના કાર્યકરોએ કુલપતિ અને સિક્યુરિટી ઈનચાર્જને ખખડાવ્યા હતા. NSUIના કાર્યકરોએ કુલપતિ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, તમારા આવ્યા બાદ નર્સિંગની પરીક્ષામાં છબરડો થયો છે. તમારા કારણે એક પ્રોફેસરે પણ આપઘાત કર્યો હતો. હવે તમારા કાર્યકાળમાં પેપર પણ ગત વર્ષનું બેઠું પૂછવામાં આવ્યું છે. કુલપતિના ઓફિસ અને ઘરને તાળાબંધીની ચિમકીABVPના નેતા ધ્રુમિલ અખાણીએ જણાવ્યું હતું કે, કોઈ ચોક્કસ વ્યક્તિઓના ફાયદો કરાવવા માટે જ GTUના પ્રોફેસરે ગત વર્ષનું બેઠું પેપર પૂછ્યું છે. કુલપતિએ કાર્યવાહી કરવાની બાહેધરી આપી છે, ટૂંક સમયમાં કાર્યવાહી ન થાય તો અમે યુનિવર્સિટીની ઘેરાવ કરીશું. જ્યારે NSUIના નેતા સુધીર રાવલે જણાવ્યું હતું કે, પેપર કાઢનાર પ્રોફેસરે 10 વિદ્યાર્થીઓને બોલાવીને ગત વર્ષનું પેપર જ તૈયાર કરવા જણાવ્યું હતું. કુલપતિ કાર્યવાહી કરવામાં ઢીલ મૂકી રહ્યા છે. 2 અઠવાડિયામાં કાર્યવાહી કરવામાં ન આવ તો કુલપતિના ઓફિસ અને ઘરે તાળાબંધી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:29 pm

કચ્છના BLOએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું:જિલ્લામાં SIR કામગીરીમાં સમસ્યાઓની રજૂઆત કરી

કચ્છમાં મતદાર સુધારણા યાદીની કામગીરીમાં રોકાયેલા બૂથ લેવલ ઓફિસરો (BLOs) એ પોતાની વિવિધ સમસ્યાઓ અંગે ભુજ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું છે. ભુજ, ગાંધીધામ અને અંજાર સહિતના આશરે 250 જેટલા શિક્ષકોએ આ સમસ્યાઓનું નિવારણ લાવવા માગ કરી છે. BLOs દ્વારા રજૂ કરાયેલી મુખ્ય સમસ્યાઓમાં મહિલા કર્મચારીઓને સાંજે 6 વાગ્યા પછી કામગીરી માટે ઓફિસમાં બોલાવવા દબાણ ન કરવા અને ટાર્ગેટ પૂરા કરવા માટે શિક્ષકો પર માનસિક દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ છે. સ્પેશિયલ સમરી રિવિઝન (SIR) બાબતે કોઈ પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો ન હોવાથી લોકો પાસે 2002ની માહિતી ઉપલબ્ધ નથી. આના કારણે BLOs સાથે વારંવાર તકરાર થાય છે. મતદારો BLOs પર 2002ની માહિતી શોધવા દબાણ કરે છે. માહિતી ન મળે તો મામલતદાર કચેરી દ્વારા BLOsને જ જવાબદાર ઠેરવવામાં આવે છે. યોગ્ય સમયે અને તારીખે સાહિત્ય પૂરું પાડવામાં ન આવતું હોવા છતાં ટાર્ગેટ આપીને કામનો બોજ વધારવામાં આવે છે. ઓનલાઈન કામગીરી માટે કોઈપણ પ્રકારના ગેજેટ આપવામાં આવ્યા નથી. આના કારણે સમય માંગી લેતી કામગીરી ઓછા સમયમાં પૂર્ણ કરવા દબાણ થતા માનસિક તણાવ ઉદ્ભવે છે. આ કામગીરીમાં 90 ટકાથી વધુ શિક્ષકો જોડાયેલા હોવાથી શિક્ષણ કાર્ય પર માઠી અસર પડે છે. શિક્ષકોનું મુખ્ય કાર્ય શિક્ષણ આપવાનું અને રાષ્ટ્રીય ઘડતર માટે નાગરિકો તૈયાર કરવાનું છે. તેમને મામલતદાર કચેરીની કાગળિયાની કામગીરીમાં રોકી રાખવામાં આવે છે, જેનાથી બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થાય છે. BLOs એ એવી પણ રજૂઆત કરી છે કે તંત્ર પોતાની ભૂલ સ્વીકારવાને બદલે BLOs પર દોષનો ટોપલો ઢોળી દે છે. તેમને 2002ની કોઈ હાર્ડ કોપી પણ આપવામાં આવી નથી. મામલતદાર કચેરી દ્વારા સેક્ટર ઓફિસર અને BLOs સાથે રાત્રે 10 વાગ્યે ઓનલાઈન મીટિંગો કરવામાં આવે છે, જે માનસિક તણાવનું કારણ બને છે. આ વેળાએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ નયનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કામ કરવાની ના નથી, પરંતુ આ માટે ઉગ્રતા ન કરાય અને સાંજે 7 વાગ્યા બાદ કામ ન કરાવાય. તેમણે શિક્ષક સિવાય અન્ય કેડરના કર્મચારીઓને પણ સરખા પ્રમાણમાં કામગીરી સોંપવાની માગ કરી હતી. વધુમાં, મતદારો પાસેથી પ્રાપ્ત થતા અયોગ્ય અને અધૂરા ફોર્મ્સની સમસ્યાનું નિરાકરણ લાવવું, BLOs પાસેથી કામગીરી બાબતનો રિપોર્ટ ચેનલ મારફતે જ લેવો, અને દરેક બૂથ પર પ્રાથમિક શિક્ષકો સિવાયના સહાયકો પૂરા પાડવાનો સમાવેશ થાય છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:28 pm

અમીરગઢની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે બંધ રહી:જાતિના દાખલાના વિરોધમાં વાલીઓએ બાળકોને શાળાએ ન મોકલ્યા, અનેક વખત રજૂઆતો છતાં ઉકેલ ન આવતા નિર્ણય

અમીરગઢ તાલુકાની આદિવાસી વિસ્તારની શાળાઓ આજે વિદ્યાર્થીઓ વિના ખાલી રહી હતી. જાતિના દાખલા મેળવવામાં પડતી મુશ્કેલીઓના વિરોધમાં આદિવાસી સમાજના વાલીઓએ પોતાના બાળકોને શાળાએ મોકલ્યા ન હતા. આ અનોખા વિરોધને કારણે ટ્રાઇબલ વિસ્તારની શાળાઓ વિદ્યાર્થી વિહોણી બની હતી. શાળાઓમાં શિક્ષકો હાજર હતા, પરંતુ એક પણ વિદ્યાર્થી શાળાએ પહોંચ્યો ન હતો. આદિવાસી સમાજ લાંબા સમયથી જાતિ અંગેના દાખલા કઢાવવામાં પરેશાનીઓનો સામનો કરી રહ્યો છે. આ મામલે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા, સમાજના લોકોએ આ નિર્ણય લીધો હતો. આદિવાસી સમાજના આગેવાનોએ જણાવ્યું કે, આ વિરોધનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવાનો છે. હાલમાં ઘણા યુવાનો સરકારી નોકરી મેળવ્યા પછી પણ જાતિના દાખલા રદ થવા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ભવિષ્યમાં વર્તમાન વિદ્યાર્થીઓને આવી મુશ્કેલીઓ ન પડે તે માટે આ પગલું ભરવામાં આવ્યું છે. સરકારનું ધ્યાન દોરવા માટે અગાઉ કલેક્ટર કચેરી અને મુખ્યમંત્રી સુધી આવેદનપત્રો પાઠવવામાં આવ્યા હતા, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું ન હતું. આ એક દિવસીય શાંતિપૂર્ણ વિરોધ સ્વયંભૂ રીતે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો સરકાર આ મુદ્દે ઝડપથી કોઈ ઉકેલ નહીં લાવે અથવા ચર્ચા નહીં કરે, તો ભવિષ્યમાં આગેવાનો સાથે મળીને આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. આ અંગે દાતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું હતું કે, આજે અમીરગઢ તાલુકાની આદિવાસી શાળાઓ વાલી મારફતે બંધ કરવામાં આવી છે. આજે એટલા માટે બંધ કરી છે કે, આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીના દાખલાઓ જે કાયમી મળતા હતા, એ દાખલાઓ રદ કરવામાં આવ્યા છે, બંધ કરવામાં આવ્યા છે. એના વિરોધની અંદર આજે સંપૂર્ણ આદિવાસી વિસ્તારની શાળાઓ બંધ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, વાલી એવું કહેવા માંગે છે કે દીકરા-દીકરીને ભણાવીને આગળ શું કરશું? એના કરતો ના ભણાવીએ એવું ધારીને બેઠા છે. દીકરા-દીકરીઓ ભણી ગણીને નોકરીઓ પર લાગ્યા છે તેઓને અગાઉ જે દાખલા મળતા હતા એ જ પદ્ધતિથી દાખલાઓ ચાલુ કરે. જે લોકોના દાખલાઓ રદ કર્યા છે, એમને પાછી મંજૂરી આપીને નોકરીમાં જોઈન્ટ કરે. આ તમામ મુદ્દા પર આજે શાળાઓ બંધ કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું કે, હજુ પણ એ દાખલાઓ સરકાર સંપૂર્ણ રીતે ચાલુ નહીં કરે, તો હજુ પણ ભવિષ્યમાં વધારે કદાચ સરકારને વિચારવું પડશે કે આદિવાસી વિસ્તાર આજે એકલો શું કામ બંધ કરીને બેઠો? આજે આદિવાસીઓનો વારો છે, આવતી કાલે બીજા સમાજનો વારો છે. સરકારે સંપૂર્ણ રીતે આના પર રાજકારણ કર્યું છે. હું રાજકારણ એટલા માટે કહેવા માંગુ છું કે, આદિવાસીઓ ઉપર જ અત્યાચાર થઈ રહ્યો છે આજે. કેમ તમે આદિવાસીઓના દાખલા બંધ કર્યા? કેમ જે નોકરી લાગ્યા હતા એમને અત્યારે તમે દાખલા નથી આપતા, નોકરી જોઈન્ટ નથી કરતા? આ સંપૂર્ણ આદિવાસી ઉપર અત્યાચાર કરી અને રાજકારણ ખેલી રહ્યા છે આ તદ્દન ખોટું છે. આ અંગે યુવા આગેવાન ઈશ્વર ડામોરે જણાવ્યું કે, અમે એક દિવસ માટે શાળા બંધનું એલાન કર્યું હતું, જે માટે અમે ગામે ગામ ફર્યા, વાલીઓને જાગૃત કર્યા કે, ભાઈ આપણા વિદ્યાર્થીઓ જે ભણે છે, એનું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય, આપણા જે પણ યુવાનો સરકારી નોકરી લાગ્યા છે, એ યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરવું હોય, અને આપણી જે આદિવાસી તરીકેની જે ઓળખાણ છે, એ ઓળખાણને જો સુરક્ષિત રાખવી હોય તો આ કરવું પડશે. આ જ વિદ્યાર્થી 10-12 ધોરણ ભણીને પછી જ્યારે ગવર્મેન્ટ પરીક્ષાની તૈયારી કરશે, અને સરકારી નોકરી લાગશે ત્યારે અત્યારે જે અમારા યુવાનો સરકારી પરીક્ષા પાસ કરીને જે ફાંફા મારે છે, જેમના દાખલાઓ રદ થયા છે, એ જ રીતના આ વિદ્યાર્થીઓ આવનારા સમયમાં હેરાન થાત, પરેશાન થાત અને એમના પણ આ જ રીતે દાખલા રદ થાત. એટલે સરકારની આંખો ખોલવા માટે અનેકવાર કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપ્યા, સીએમ સુધી આવેદનપત્ર પહોંચાડ્યા પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે સ્વયંભૂ વાલીઓએ પોતાના બાળકો સ્કૂલે ન મોકલીને વિરોધ દર્શાવ્યો છે. વધુમાં ઈશ્વર ડામોરે જણાવ્યું હતું કે, આજે અમે આ શાંતિપૂર્વક વિરોધ નોંધાવ્યો છે. જોવાનું રહ્યું કે, સરકાર કેટલા સમયમાં આનું નિરાકરણ લાવે છે કે પછી આ બાબતે અમારી જોડે ચર્ચા-વિચારણા કરે છે કે કેમ. જો નથી કરતા, તો આવનારા સમયમાં સૌ આગેવાનોને સાથે મળી, અમારા વિસ્તારના જે પણ અગ્રણીઓ છે એમને સાથે મળી, આગળની રણનીતિ જે પણ નક્કી થશે એ આપની સમક્ષ અમે મૂકીશું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:23 pm

સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો હોબાળો:તેલમાં ભેળસેળ, રસોડામાં ગંદકીથી દુર્ગંધ, અપૂરતા પાણી મુદ્દે વિરોધ; આરોગ્ય વિભાગની તપાસ

વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ ભોજનની સામગ્રીમાં નિયત કંપનીના બદલે અન્ય કંપનીની ચીજ-વસ્તુઓ તથા સાફ-સફાઈ અને અપૂરતા પ્રમાણમાં પાણી મળતું હોવાના મુદ્દે 16 નવેમ્બરની મોડીરાતે હોબાળો મચાવ્યો હતો. આ મામલે વિદ્યાર્થીઓએ અગાઉ રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા કડકડતી ઠંડીમાં રોડ પર ઉતરી આવીને મેનેજમેન્ટ સામે ભારે હોબાળો મચાવ્યો હતો. તેલના ડબ્બામાં પાણી મિક્સ થતાનો આક્ષેપવડોદરાના સમા વિસ્તારમાં આવેલી સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે રસોઈ બાબતે રોટલી માટે પેકિંગમાં આવતા ચોક્કસ કંપનીના ગુણવત્તા યુક્ત લોટના બદલે અન્ય જુદી-જુદી કંપનીઓના લોટ મોકલાતા હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ અવારનવાર માંદગીમાં સપડાતા હોય છે. આવી જ રીતે રસોઈમાં વપરાતા સીંગતેલના ડબ્બામાં અન્ય કંપનીનું તેલ અને ડબ્બામાં પાણી મિકસ કરતા હોવાના અનેકવાર કિસ્સા વિદ્યાર્થીઓએ રંગે હાથ જોયા હતા. પાણી પણ ન આવતું હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ આ ઉપરાંત રસોડામાં પણ ભારે ગંદકીના કારણે દુર્ગંધ ફેલાતી હોવાના પણ આક્ષેપો કરાયા છે. સાથે હોસ્ટેલમાં ટોયલેટ-બાથરૂમમાં પણ નાહવા અને શૌચ જતી વખતે કેટલીવાર પાણી વગર હેરાન પરેશાન થવાનો કેટલાય વિદ્યાર્થીઓને વારો આવ્યો છે. સામાન લઈને આવેલા ટેમ્પોચાલકે આડેહાથ લીધોગત રાત્રે માલ સામાન તથા ચીજ વસ્તુઓ ભરીને આવેલા આઇસર ટેમ્પો ચાલકને હોસ્ટેલના વિદ્યાર્થીઓએ આડે હાથ લીધો હતો. ટેમ્પો ડ્રાઇવર પાસેથી ગાંધીનગર સ્થિત કોન્ટ્રાક્ટરનો નંબર માંગવામાં આવ્યો હતો, જ્યાં સામે છેડેથી જાતજાતના બહાના બનાવીને ફોન વારંવાર કાપી નાખવામાં આવતો હતો. પરિણામે વિદ્યાર્થીઓ વધુ ઉશ્કેરાયા હતા. સીંગ તેલના ડબ્બામાં અન્ય કંપનીનું અન્ય તેલ ભરવામાં આવતા વિદ્યાર્થીઓએ રંગે હાથ પકડયાનું પણ પૂછતાછમાં જણાવ્યું હતું. જોકે રસોઈ રસોડાની ગંદકી સહિતના અન્ય પ્રશ્નો બાબતે અગાઉ લેખિત જાણ કરવા છતાં પણ પ્રત્યુતર મળ્યો નથી. વિદ્યાર્થીઓએ ભેળસેળ કરતા રંગેહાથ ઝડપ્યાં હતાંઆ ઉપરાંત માલ-સામાન ભરીને ટેમ્પો ડ્રાઇવર આવ્યો, ત્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ પણ હાજર ન હતી, જેથી સમરસ બોયઝ હોસ્ટેલનું તંત્ર ખાડે ગયું હોવાના આક્ષેપો વિદ્યાર્થીઓએ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા ભારે સૂત્રોચાર કર્યો હતો. સીંગતેલના ડબ્બામાં પાણી સહિત અન્ય ભળતું તેલ મિકસ કરવા બાબતે રંગે હાથ પકડાઈ જતા ભારે હોબાળો મચાવ્યો હતો. મોડીરાતે હોબાળો થતાં આરોગ્ય વિભાગની તપાસસમા વિસ્તારમાં આવેલી સમરસ બોયઝ હોસ્ટેલમાં સિંગતેલમાં પાણી સહિત અન્ય તેલની ભેળસેળ, રસોડામાં ગંદકીના કારણે ભારે બદબુ અને રોટલીના લોટ બાબતે નિયત કંપનીના લોટ પેકિંગ ના બદલે અન્ય કંપનીના લોટ સહિતની અન્ય કેટલીક ક્ષતિઓ બાબતે જાણ થતા તાત્કાલિક ધોરણે પાલિકા તંત્રની આરોગ્ય શાખાએ અધિકારી સહિત અન્ય કર્મીઓની ટીમ દ્વારા સમરસ હોસ્ટેલમાં સઘન ચેકિંગ હાથ ધરીને કેટલીક ચીજ વસ્તુઓના સેમ્પલ તપાસ માટે કબજે કરવામાં આવી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:13 pm

સોની પર ફાયરિંગ, 15 લાખની ખંડણી માગનારને દોષી જાહેર:મેટ્રો પોલિટન કોર્ટ કુખ્યાત વિશાલ ગોસ્વામી સહિત ત્રણને સજા સંભળાવશે, બે આરોપી પહેલાથી જેલમાં

સોનીને હત્યા કરવાની ધમકી આપીને 15 લાખની ખંડણી ઉઘરાવવાના ગુનામાં કોર્ટે વિશાલ ગોસ્વામી ગેંગને દોષિત ઠેરવ્યા છે. વિશાલ ગોસ્વામી સહિત રિંકુ તથા સતીશ ગોસ્વામી કુલ ત્રણ જણાને દોષિત જાહેર કર્યા છે. હવે સજા અંગે બચાવ પક્ષને સાંભળવામાં આવશે.આ કેસમાં સરકાર પક્ષે સ્પેશિયલ પીપી ચેતન શાહ અને કમલેશ જૈન રોકાયેલા હતા. બપોર પછી તેમને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ વિશાલ ગોસ્વામીને ત્રણ કેસમાં સજા કરવામાં આવી હતી, જેથી તે અને રિંકુ હાલ જેલમાં છે, જ્યારે ત્રીજા આરોપીને કોર્ટના હુકમ બાદ જેલ હવાલે કરવામાં આવશે. વિશાલે કાકા પર ફાયરિંગ કરીને ક્રાઇમની દુનિયામાં એન્ટ્રી કરીવિશાલ રામેશ્વરપુરમ ગોરસ્વામી મૂળ મધ્યપ્રદેશના મોરેના જિલ્લાના શિવલાલકાપુર ગામનો વતની છે. ગામની અંદર કાકા-બાપા વચ્ચે વિખવાદ થતાં સામ-સામે ફાયરિંગ થયું હતું, જેથી વિશાલના પરિવારે મધ્યપ્રદેશથી રાજસ્થાનના ભરતપુરમાં સ્થળાંતર કર્યું, જયાં વિશાલના પિતા નાનું-મોટું કામ કરતા હતા. વિશાલ અને તેના ભાઈઓ ડ્રાઇવિંગ વગેરેનું કામ કરતા હતા. જોકે વિશાલ ગોસ્વામીને જલદીથી પૈસાદાર બનવું હતું, જેથી તેના પરિવારે ધીમે ધીમે ગુનાખોરીની દુનિયામાં કદમ રાખ્યા. પહેલા રાજસ્થાન, પછી મધ્યપ્રદેશ અને દિલ્હીમાં તેણે લૂંટ શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે ગુજરાતમાં પગ રાખ્યો હતો. અમદાવાદ અને ભુજમાં વિશાલ ગોસ્વામી અને તેના ભાઈએ ગેસ એજન્સીમાં ડ્રાઇવર તરીકેની નોકરીની આડમાં લૂંટ કરવાનું શરૂ કર્યું હતું. સૌ પહેલા તેમણે ભુજના માધાપર વિસ્તારની બેંકમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તેમણે અમદાવાદની બે બેંકમાં લૂંટ કરી. આ સિવાય વેજલપુરમાં મુથુટ ફાઇનાન્સ કંપનીમાં લૂંટ ચલાવી હતી. ત્યાર બાદ તો તેમણે જ્વેલર્સને લૂંટવાનું તેમજ તેમની પાસેથી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. વિશાલ ગોસ્વામીનો ગુનાહિત ઈતિહાસ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુજરાતમાં પહેલો ગુજસીટોકનો ગુનો નોંધાયો હતોગુજરાતમાં ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા બાદ પહેલીવાર આ કાયદા હેઠળ વિશાલ ગોસ્વામી ગેંગ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગના ચાર શખસની મેઘાણીનગરમાંથી ધરપકડ કરી ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ પાસેથી મોટીમાત્રામાં હથિયારો મળી આવ્યા હતા. શહેરમાં ખંડણીખોર વિશાલ ગોસ્વામી ગેંગ સક્રિય થઈ હતી. ગોસ્વામી ગેંગ દ્વારા શહેરના મોટા વેપારીઓને ધમકી ભર્યા ફોન કરવામાં આવી રહ્યાં હતા અને ખંડણી માગવામાં આવી રહી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:00 pm

નેચરોપથી ડે પહેલા માંગ:ગુજરાતના યોગ અને નેચરોપથી ક્ષેત્ર પર અસ્તિત્વનું સંકટને લઈ INYGMA ગુજરાત ચેપ્ટર દ્વારા તાત્કાલિક નીતિ સુધારણાની માંગ કરી

ઇન્ડિયન નેચરોપથી એન્ડ યોગ ગ્રેજ્યુએટ્સ’ મેડિકલ એસોસિએશન (INYGMA), ગુજરાત ચેપ્ટરે નેચરોપથી ડે પહેલા આજે રાજ્ય સરકારના નીતિ વિષયક નિર્ણયો પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેના કારણે ગુજરાતમાં માન્યતા પ્રાપ્ત યોગ અને નેચરોપથી (BNYS) તબીબી પ્રણાલી ગંભીર જોખમમાં મુકાઈ ગઈ છે. જેને લઈ આજે આ મુદ્દે નીતિ સુધારવા માટે માંગ કરી છે. INYGMA ના લીડર્સ- ડૉ. યશકુમાર દોડેજા, ડૉ. કેરસી દેસાઈ, ડૉ. પિનાકી અમીન અને ડૉ. દેવાંગ કારિયા એ સમજાવ્યું કે આનું મૂળ કારણ રાજ્યના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ (Clinical Establishments) ફ્રેમવર્કમાંથી યોગ અને નેચરોપથીને દૂર કરવું અને સંબંધિત વહીવટી નિષ્ફળતાઓ છે. આ કાર્યવાહી સીધી રીતે રાષ્ટ્રીય નીતિનો વિરોધાભાસ કરે છે અને દર્દીઓ, સંસ્થાઓ અને લાયકાત ધરાવતા તબીબી વ્યાવસાયિકો માટે હાનિકારક પરિણામો લાવી છે. INYGMAના નેશનલ ટ્રેઝરર ડો. યશકુમાર દોડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત દ્વારા રાજ્યના CEA માંથી યોગ અને નેચરોપથીને બાકાત રાખવું એ એક નીતિ વિષયક ભૂલ છે. જે રાષ્ટ્રીય કાયદાનો વિરોધાભાસ કરે છે અને કાયદેસરની તબીબી પ્રણાલીનો નાશ થવાનું જોખમ ઊભું કરે છે. GST ના દરોડા એ તાત્કાલિક અને ખતરનાક પરિણામ છે, તેઓ રાજ્યમાં BNYSની પ્રેક્ટિસ, દર્દીઓની સલામતી અને ભાવિને જોખમમાં મૂકે છે. યોગ અને નેચરોપથી એ કેન્દ્રીય CEA અધિનિયમ 2010 હેઠળ રાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત તબીબી પ્રણાલી છે, અને AYUSH વિભાગની 2006 ની માર્ગદર્શિકા નેચરોપથી ચિકિત્સકોની નોંધણી અને સંસ્થાઓની માન્યતા માટે માળખું પૂરું પાડે છે. જોકે, ફેબ્રુઆરી 2025માં, ગુજરાત દ્વારા તેના રાજ્ય-સ્તરના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (CEA) માંથી યોગ અને નેચરોપથીને દૂર કરવામાં આવ્યું, જે આવું કરનાર ગુજરાત એકમાત્ર રાજ્ય બન્યું છે. આ નીતિ વિષયક ફેરફારને કારણે જુલાઈ 2025 થી, ગુજરાતમાં યોગ અને નેચરોપથીની હોસ્પિટલો અને કેન્દ્રોને GSTના સમન્સ અને દરોડાનો સામનો કરવો પડી રહ્યો છે. આનું કારણ એ છે કે ઔપચારિક રીતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ તરીકે માન્યતા ન મળવાને કારણે આરોગ્યસંભાળ સેવાઓ માટે GST મુક્તિ નકારવામાં આવી રહી છે. વધુમાં, શિક્ષણ અને નોંધણીનું ગંભીર સંકટ છે, કારણ કે જુલાઈ 2021નો સરકારી ઠરાવ (GR) BNYS નોંધણીની પાત્રતાને મર્યાદિત કરે છે. આનાથી MPIYNER (ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સાથે જોડાયેલ) સહિત બહુવિધ સંસ્થાઓના સ્નાતકો અને અન્ય રાજ્યના BNYS સ્નાતકોની ગુજરાતમાં નોંધણી અટકી ગઈ છે, અને નવી BNYS કોલેજો શરૂ કરવાની પણ પરવાનગી મળતી નથી. આ જાહેર ક્ષેત્રની અવગણના ને કારણે રાજ્યમાં 150 થી વધુ નોંધાયેલા BNYS ડોકટરો હોવા છતાં, ગુજરાતની AYUSH હોસ્પિટલોમાં એક પણ BNYS ચિકિત્સકની નિમણૂક કરવામાં આવી નથી, જ્યારે તમિલનાડુ, કર્ણાટક અને રાજસ્થાન જેવા અન્ય રાજ્યો સક્રિયપણે BNYS ડોકટરોની ભરતી કરે છે અને કેન્દ્રીય AYUSH યોજનાઓનો ઉપયોગ કરે છે. આ સમસ્યાઓનું એક મુખ્ય કારણ ગુજરાત સરકારના AYUSH નિર્દેશાલય/આરોગ્ય વિભાગમાં લાયકાત ધરાવતા BNYS ચિકિત્સકોનું કોઈ પ્રતિનિધિત્વ ન હોવું છે, જે નીતિ વિષયક ભૂલોનું કારણ બને છે. INYGMA ગુજરાત ચેપ્ટર દ્વારા તાત્કાલિક ધોરણે પાંચ મુખ્ય નીતિગત સુધારાઓની માંગ કરવામાં આવી છે. તેમની પ્રથમ અને સૌથી મહત્વની માંગ એ છે કે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ (CEA) માંથી યોગ અને નેચરોપથી (BNYS) ને દૂર કરવાના નિર્ણયને તાત્કાલિક રદ કરીને BNYS ને ફરીથી શામેલ કરવું જોઈએ. BNYS ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ્સ સામે GST સમન્સ/દરોડા બંધ કરવા અને તેમની GST-મુક્ત (GST-exempt) સ્થિતિની પુષ્ટિ કરવા માટે સત્તાવાર સૂચનાઓ જારી કરવી જોઈએ. શિક્ષણ અને નોંધણીના સંકટને દૂર કરવા માટે, GR 2021માં સુધારો કરવો જોઈએ, જેથી MPIYNER સ્નાતકો સહિત રાજ્યના તમામ પાત્ર BNYS સ્નાતકોને નોંધણી (Registration) મળી શકે અને રાજ્યમાં નવી BNYS કોલેજોની મંજૂરી મળી શકે. જાહેર આરોગ્ય ક્ષેત્રમાં BNYS ડોકટરોને સ્થાન આપવા માટે, રાજ્યભરની AYUSH હોસ્પિટલો અને જાહેર આરોગ્ય સુવિધાઓમાં BNYS ચિકિત્સકોની ભરતી શરૂ કરવાની માંગ પણ કરવામાં આવી છે. અંતે, નીતિ વિષયક નિર્ણયોમાં નિષ્ણાત પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે, ગુજરાત સરકારના AYUSH નિર્દેશાલય / આરોગ્ય વિભાગમાં લાયકાત ધરાવતા BNYS ચિકિત્સકોની નિમણૂક કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 3:00 pm

રાધનપુરના પેદાશપુરામાં દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ:ગ્રામજનોએ પોલીસની હાજરીમાં 70-80 કેરબા દારૂ-વોશનો નાશ કર્યો

રાધનપુર તાલુકાના પેદાશપુરા ગામે ગ્રામજનોએ પોલીસને સાથે રાખી દેશી દારૂના અડ્ડાઓ પર 'જનતા રેડ' કરી હતી. આ કાર્યવાહી દરમિયાન દારૂ અને દારૂ બનાવવાના વોશના અંદાજે 70 થી 80 કેરબાનો નાશ કરવામાં આવ્યો હતો. ગામમાં દેશી દારૂના વેચાણ અને ઉત્પાદનના દુષણને રોકવા માટે ગ્રામજનો સંગઠિત થયા હતા. તેમણે પોલીસ તંત્રનો સહયોગ મેળવી ગામમાં ચાલતા વિવિધ દારૂના અડ્ડાઓ પર અચાનક દરોડા પાડ્યા હતા. જનતા રેડ દરમિયાન સ્થળ પરથી દેશી દારૂ અને વોશ ભરેલા 70 થી 80 જેટલા કેરબા મળી આવ્યા હતા. યુવાનોને આ દૂષણથી બચાવવાના હેતુથી ગ્રામજનો અને પોલીસે સંયુક્ત રીતે આ સમગ્ર જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ કાર્યવાહીના પગલે ગામમાં ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ ચલાવનારાઓમાં ફફડાટ ફેલાયો છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:58 pm

બગસરા બસ સ્ટેન્ડ નજીક શંકાસ્પદ લાશ મળી:શરીર પર કોઇ ઇજાના નિશાન નહીં, ફોરેન્સિક પીએમ માટે મૃતદેહને ભાવનગર ખસેડાયો; પોલીસ તપાસ જારી

અમરેલી જિલ્લાના બગસરા બસ સ્ટેન્ડ નજીક એક વ્યક્તિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ ધીરુભાઈ મોહનભાઈ ખીમસુરિયા તરીકે થઈ છે. પ્રાથમિક તપાસ બાદ મૃતદેહને બગસરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. વધુ તપાસ અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને ભાવનગરની હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહ પર હાલ કોઈ ઈજાના નિશાન મળ્યા નથી. જોકે, જાહેરમાં મૃતદેહ મળી આવતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. મૃતદેહ અહીં કેવી રીતે પહોંચ્યો તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. મૃતકના કાકા વાલજીભાઈએ જણાવ્યું હતું કે, તેમણે મૃતદેહ જોયા બાદ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહને હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:48 pm

જૂનાગઢમાં આર્થિક સંકડામણથી યુવા ખેડૂતે જીવન ટૂંકાવ્યું:​માત્ર સવા દસ વીઘા જમીન પર નભતા શૈલેષભાઈએ પાક નિષ્ફળ જતાં ઝેરી દવા પીધી; દીકરો-દીકરી નિરાધાર બન્યા

જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાક નિષ્ફળ જવાથી ગંભીર આર્થિક સંકળામણના કારણે ઈશ્વરીયા ગામના 42 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી લીધી હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ખેડૂતના આ અંતિમ પગલાથી સમગ્ર પંથકમાં ગમગીની અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદથી ખેડૂતની મહેનત પર પાણી ફરી વળ્યું​મૃતક શૈલેષ દેવજીભાઈ સાવલીયા તેમની પત્ની 11 વર્ષનો દીકરો અને એક 16 વર્ષની દીકરી સાથે રહેતાં હતાં. શૈલેષભાઈને સવા દસ વીઘા જેટલી જમીન હતી, જે તેમના પરિવારના ગુજરાનનો એકમાત્ર આધાર હતી. તેને ચાલુ વર્ષે પોતાની આ જમીનમાં મગફળી, ડુંગળી અને તુવેર જેવા મહત્ત્વના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ કાપણીના સમયે જ કમોસમી વરસાદ તૂટી પડતા, ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું હતું. શૈલેષ સાવલિયાએ વાવેલા ત્રણેય પાક સંપૂર્ણપણે નિષ્ફળ જતા તેમને પારાવાર નુકસાન થયું હતું. આર્થિક સંકળામણના કારણે ખેડૂતનો આપઘાત​પાક નિષ્ફળ જવાથી શૈલેષ સાવલિયા ગંભીર આર્થિક સંકળામણમાં ઘેરાઈ ગયા હતા. પરિવારનું ભરણપોષણ અને દેવું ચૂકવવાની ચિંતાના કારણે તેમણે આ આત્મઘાતી પગલું ભર્યું હોવાનું સ્પષ્ટ થાય છે. શૈલેષભાઈએ ખેતરમાં ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું​આ અંગે મૃતક શૈલેષભાઈનાભાઈ પ્રફુલભાઈ દેવજીભાઈ સાવલીયાએ જણાવ્યું હતું કે, શૈલેષભાઈએ આર્થિક સંકળામણના કારણે ઝેરી દવા પી આત્મહત્યા કરી છે. તે તેમની પત્ની અને સંતાનો સાથે રહેતા હતાં. શૈલેષભાઈને સવા દસ વીઘા જમીન હતી અને તે ખેતી કામ કરતા હતાં. નિરાશા અને હતાશાથી શૈલેષભાઈએ ખેતરમાં જઈને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લીધું હતું. પંથકમાં ચિંતાનું મોજું ફર્યું​ખેડૂતના આત્મઘાતી પગલાની માહિતી મળતા જ વિસાવદર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસે મૃતક શૈલેષભાઈના ભાઈ પ્રફુલભાઈએ જણાવ્યા મુજબ શૈલેષભાઈ આર્થિક સંકળામણના કારણે પોતે પોતાની મેળે ઝેરી દવા પી જતા આત્મહત્યા કર્યાનું પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શૈલેષ સાવલિયાના આત્મહત્યાના પગલાથી આખા પંથકમાં શોક અને ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઉનામાં પાક નિષ્ફળ જતાં ખેડૂતનો આપઘાત:રેવદ ગામના ખેડૂતે પેટે વીજપોલ બાંધી કૂવામાં ઝંપલાવ્યું, 7 વીઘામાં મગફળીનો પાક બગડ્યોગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં કમોસમી વરસાદને કારણે પાક નિષ્ફળ જતાં એક ખેડૂતે આત્મહત્યા કરી. રેવદ ગામના 49 વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટુકડો બાંધી દીધો હતો. ઘરે ન આવતા દીકરીએ કાકાને કોલ કર્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ખેડૂતે આપઘાત પહેલાં ડાયરીમાં શું લખ્યું?:બે દીકરીને પરણાવવાના ઓરતા અધૂરા રહ્યા દીકરી હાંફળી ફાંફળી બનીને ઘરમાં બધાને કહે છે, રાત થઈ ગઈ છે પણ અબ્બુજાન હજી સુધી આવ્યા નથી. તે ફોન ઉપાડતા નથી. મને ચિંતા થાય છે. એ ક્યાં હશે? પરિવારજનો કહે છે, ચિંતા ન કર... એ હશે ત્યાંથી આવી જશે... આડોશ-પાડોશના લોકો અને ખેતરના શેઢા પાડોશી લોકો તેને શોધવામાં લાગી ગયા. અંતે એક કડી મળી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) ​​​

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:43 pm

નવસારીના મનપુરમાં અજગર રસ્તો ઓળંગતો દેખાયો:રસ્તા પર વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા, વીડિયો વાયરલ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મનપુર ગામમાં એક અજગર રસ્તો ઓળંગતો જોવા મળ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આઈટીઆઈ નજીક બનેલી આ ઘટનાએ સ્થાનિક લોકોમાં કુતૂહલ જગાવ્યું હતું. અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ પોતાના વાહનો થંભાવી દીધા હતા. ગ્રામ્ય વિસ્તારમાં આવા દ્રશ્યો સામાન્ય ન હોવાથી લોકો તેને જોવા માટે એકઠા થયા હતા. આ વીડિયો કોઈ રાહદારી દ્વારા બનાવવામાં આવ્યો હોવાનું મનાય છે, જેણે આ દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કર્યું હતું. હાલ આ વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય અજગર એ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 હેઠળ શિડ્યુલ 1માં સમાવિષ્ટ એક સંરક્ષિત પ્રજાતિ છે. આ અધિનિયમ અંતર્ગત આવા જીવોનું સંરક્ષણ અત્યંત મહત્ત્વનું છે. અજગરને મારવો, પકડવો કે તેને બંધક બનાવવો એ ભારતીય વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972 (સુધારા અધિનિયમ 2022) મુજબ ગુનો બને છે. આવા ગુનામાં ત્રણથી સાત વર્ષ સુધીની સજા અને એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:41 pm

સરદાર પટેલ યુનિવર્સિટીએ પરીક્ષાખંડ બહાર ઘોડિયાઘર બનાવ્યું:મહિલા વિદ્યાર્થીઓ માટે બાળ સંભાળની વિશેષ વ્યવસ્થા

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીએ પરીક્ષા આપતી મહિલા વિદ્યાર્થીઓ માટે એક પ્રશંસનીય પહેલ કરી છે. યુનિવર્સિટીએ પરીક્ષાખંડની બહાર નાના બાળકો સાથે આવતી માતાઓ માટે ઘોડિયાઘર (Cradle/Creche) અને બાળ સંભાળની વિશેષ વ્યવસ્થા શરૂ કરી છે. આ વ્યવસ્થા અંતર્ગત ત્રણ ઘોડિયા મૂકવામાં આવ્યા છે. આ વ્યવસ્થા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) નિરંજન પટેલના માર્ગદર્શન અને સંવેદનશીલ વિચારધારાના ફળ સ્વરૂપે અમલમાં મૂકવામાં આવી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે, મહિલા વિદ્યાર્થીઓ તેમના નાના બાળકોની ચિંતા કર્યા વિના, શાંતિથી અને સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરીને તેમની પરીક્ષા આપી શકે. આ વ્યવસ્થા માતા અને વિદ્યાર્થીની બેવડી ભૂમિકા નિભાવતી મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. પરીક્ષાખંડની નજીક જ સુરક્ષિત અને સંભાળયુક્ત વાતાવરણમાં બાળકો માટે ઘોડિયા અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ પગલું દર્શાવે છે કે યુનિવર્સિટી મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવા અને તેમને દરેક પ્રકારની મદદ પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. કુલપતિ પ્રો. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, અમારી યુનિવર્સિટી હંમેશા વિદ્યાર્થીલક્ષી નિર્ણયો લેવા માટે પ્રયત્નશીલ રહી છે. પરીક્ષાના તણાવપૂર્ણ સમયમાં મહિલા વિદ્યાર્થીઓ માતા તરીકેની તેમની જવાબદારીને કારણે વિચલિત ન થાય, તે માટે આ નાનકડો સહયોગ કરવામાં આવ્યો છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે માનવીય સંવેદના પણ એટલી જ જરૂરી છે. યુનિવર્સિટીના આ પ્રશંસનીય નિર્ણયથી મહિલા વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી વ્યાપી ગઈ છે અને સમાજમાં આ પગલાને વ્યાપક આવકાર મળી રહ્યો છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:39 pm

અમલેશ્વર સરપંચે પરિવાર સાથે અંગદાનની જાહેરાત કરી:51મા જન્મદિવસે સમાજને જાગૃત કરવાનો સંકલ્પ

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના 51મા જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે.દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અભિયાનનો સંકલ્પ કર્યો છે. કિરીટસિંહ રણાએ જન્મદિવસના અવસર પર પોતાનો અને પોતાના પરિવારના સભ્યો ધર્મપત્ની હેમાંગીબા રણા, હેમરાજસિંહ રણા અને મહાવીરસિંહ રણાના અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે.તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામુહિમને ગતિ આપવા માટેનું એક શક્તિશાળી સંદેશ છે. સરપંચ રણાએ જણાવ્યું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છે, ત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અત્યંત જરૂર છે. તેમણે આવનારા સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટિવેશનલ પગલું સ્થળીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને સમાજમાં નવજીવન જગાડતું ઉદાહરણ રૂપ બની રહ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:37 pm

શરદી-ઉધરસ-તાવનાં કેસો વધ્યા:રાજકોટ મનપાનાં ચોપડે શરદી-ઉધરસનાં 1048 અને સામાન્ય તાવના 856 કેસ સહિત વિવિધ રોગનાં 2100 દર્દી નોંધાયા, ક્લોરીનેશન સહિતની કામગીરી ઝડપી કરાઈ

રાજકોટમાં રોગચાળો સતત વકરી રહ્યો હોય તેમ હાલ શરદી-ઉધરસ અને તાવનાં કેસોમાં વધારો નોંધાયો છે. બીજીતરફ મચ્છરજન્ય તેમજ પાણીજન્ય રોગચાળો સતત યથાવત છે. જેમાં પાણીજન્ય રોગો ટાઇફોઇડ અને કમળો ઉપરાંત મચ્છરજન્ય ડેંગ્યુનાં કેસોમાં પણ વધારો નોંધાયો છે. ગત સપ્તાહે શરદી-ઉધરસનાં 1048 અને સામાન્ય તાવના 856, ડેંગ્યુનાં 5 અને કમળાનાં 5 સહિત વિવિધ રોગનાં 2100 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. તેમજ મચ્છરજન્ય રોગચાળો અટકાવવા ફોગીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે પાણીજન્ય રોગચાળો અટકાવવા જે વિસ્તારોમાંથી કેસ સામે આવતા હોય તેવા વિસ્તારોમાં ક્લોરીનેશનની કામગીરી ઝડપી કરવામાં આવી છે. અને મચ્છરની ઉત્પત્તિ માટે બેદરકારી રાખનારાઓને દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા સપ્તાહમાં મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા. અને લાંબી-લાંબી કતારો જોવા મળી હતી. અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 1,704 સામે ચાલુ સપ્તાહે 2,100 કેસ નોંધાયા છે. જેમાં શરદી- ઉધરસનાં 1048 કેસ, ઝાડા-ઉલટીનાં 182 જેટલા કેસ, સામાન્ય તાવનાં 856 કેસ નોંધાયા હતા. અને જોખમી કમળાનાં પણ વધુ 5 કેસ નોંધાયા હતા. મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 5 કેસ, સામે આવ્યા હતા. જોકે આંકડાઓ માત્ર સરકારી આરોગ્ય કેન્દ્રોનાં છે. ત્યારે નાના-મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈ તો દર્દીનો કુલ આંકડો 9,500 કરતા વધુ હોવાની શક્યતા છે. મનપાનાં આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેમલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને આશા બહેનો દ્વારા ઘરે-ઘરે જઈને પોરાનાશક કામગીરી ઉપરાંત પાણીનું ક્લોરિન ટેસ્ટિંગ કરવાની એટલે કે રેસિડ્યુઅલ ક્લોરિન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત મચ્છરની ઉત્પત્તિ બદલ બેદરકારી રાખનારાઓની સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છેલ્લા સપ્તાહમાં આવા 75 આસમીઓ પાસેથી રૂ. 58 હજાર કરતા વધુ વહીવટી ચાર્જ વસુલવામાં આવ્યો છે. પાણીજન્ય રોગચાળો અટકાવવા જ્યાં કન્ટામિનેશનની ફરિયાદો આવતી હોય તેમજ હિપેટાઇટિસ એટલે કે કમળા કેસ ઉપરાંત ટાઇફોઇડના અમુક કેસ છૂટાછવાયા કેસો સામે આવતા હોય તે વિસ્તારોમાં અમારી ટીમ દ્વારા દૈનિક દરેક કેસનું ટ્રેકિંગ કરવામાં આવે છે. અને પાણીમાં ક્લોરીનેશનની માત્રા ચકાસવા ઉપરાંત પાણીની લાઈનો અને ભૂગર્ભની લાઈનો એક થતી હોય ત્યાં તાત્કાલિક રીપેરીંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ મહાપાલિકા પાણીનું ડિસ્ટ્રિબ્યુશન કરે છે. અને એમાં સચોટ ક્લોરીનેશન શરૂ છે. અને એન્ડ પોઈન્ટ ઉપર 0.5 ppm જેટલું પાણીમાં ક્લોરિનનું લેવલ મળે એ પણ સુનિશ્ચિત કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, રોગચાળા દ્વારા ઊભા થતા આરોગ્ય પડકારને પહોંચી વળવા મહાનગરપાલિકા દ્વારા ઘનિષ્ઠ પ્રયાસો શરૂ કરાયા છે. જેમાં વાહક નિયંત્રણની કામગીરી હેઠળ 56 મેલેરિયા ફિલ્ડવર્કર, 415 અર્બન આશા અને 115 વોલેન્ટીયર્સ દ્વારા તા. 10 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી 54,397 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. અને 976 જેટલા ઘરમાં ફોગીંગ સહિત કામગીરી કરવામાં આવી છે. મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી રહી છે. ગતવર્ષની તુલનાએ હાલ ડેંગ્યુનાં કેસોમાં ઘટાડો થયો છે. ગતવર્ષે આ સમયગાળામાં ડેંગ્યુનાં કેસો વધુ હતા. જેની સામે હાલ સાપ્તાહિક છૂટાછવાયા માત્ર 2-4 કેસો સામે આવી રહ્યા છે. જે ખરેખર સારી બાબત છે. આમ છતાં જે કોઈ સ્થળેથી ડેંગ્યુનાં કેસો સામે આવે તે વિસ્તારમાં અમારી ટીમો દ્વારા ફોગીંગ સહિતની જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે. મનપા દ્વારા તમામ 18 વોર્ડમાં તાજેતરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જેને લઈને મેલેરિયા અને ચિકનગુનિયા મહદઅંશે નાબૂદ થયા હોય તેમ ચાલુ સપ્તાહે માત્ર 1-1 કેસ નોંધાયો છે. આ ઉપરાંત રાજકોટ શહેરનાં વિવિધ વિસ્તારોમાં મચ્છર ઉત્પતિ સબબ બાંધકામ સાઇટ, સ્કૂલ, કોલેજો સહિત કુલ 929 પ્રિમાઈસીસમાં તપાસ કરવામાં આવી હતી. દરમિયાન રહેણાંકમાં 527 તો કોર્મશીયલમાં કુલ 298 જેટલા આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી. તેમજ 75 જેટલા લોકો પાસેથી મચ્છરની ઉત્પત્તિ માટે બેદરકારી રાખવા સબબ રૂ. 58,150નો દંડ પણ વસૂલી લેવામાં આવ્યો છે. આમ મનપા તંત્ર દ્વારા રોગચાળો અટકાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જોકે આ સાથે લોકો પણ સાવચેતી રાખે તે ખૂબ જરૂરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:36 pm

બોટાદ-ગઢડા હાઈવે આવતીકાલે બંધ રહેશે:સરદાર પટેલની 150મી જન્મજયંતિ પદયાત્રાને લઈ નિર્ણય; જુઓ વૈકલ્પિક રૂટનું લીસ્ટ

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા કક્ષાની પદયાત્રા યોજાશે. આ પદયાત્રાને કારણે બોટાદ-ગઢડા નેશનલ હાઈવે આવતીકાલે સવારે 7થી બપોરના 4 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનવ્યવહાર માટે વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યો છે. આ પદયાત્રા 18 નવેમ્બર, 2025ના રોજ ભીમદાદથી ટાટમ ગામ ગુરુકુળ સુધી આશરે 8 કિલોમીટર લાંબી યોજાશે. જેમાં લગભગ 6,000 લોકો જોડાવાની અપેક્ષા છે. પદયાત્રા નેશનલ હાઈવે-૫૨ પરના 3 કિલોમીટરના ગઢડા હાઈસ્કૂલ ચાર રસ્તાથી બોટાદ સિટી સુધીના માર્ગ પરથી પસાર થશે, જેના કારણે આ માર્ગ પર ટ્રાફિક બંધ રહેશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા વૈકલ્પિક રૂટ નીચે મુજબ છે: ગઢડાથી બોટાદ જવા માટે: ગઢડા – ઉગામેડી – નિંગાળા – પાટી – તાજપુર – બોટાદ બોટાદથી ગઢડા જવા માટે: તાજપુર – પાટી – નિંગાળા – ઉગામેડી – ગઢડા જોકે, ઈમરજન્સી વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવશે. આ આદેશનું ઉલ્લંઘન કરનાર સામે આઈપીસી કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:27 pm

BAPS વિદ્યામંદિરમાં વિદ્યામંદિર દિનની ઉજવણી:મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સહયોગી સત્કાર સમારોહ યોજાયો, વિદ્યાર્થીઓએ અદભુત કીર્તનો રજૂ કર્યા

BAPS વિદ્યામંદિરમાં વિદ્યામંદિર દિન અને સહયોગી સત્કાર સમારોહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહંતસ્વામી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. સવારે પ્રાત: પૂજા દરમિયાન BAPS વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ અદભુત કીર્તનો રજૂ કર્યા હતા. વિદ્યામંદિરના પ્રિન્સિપાલ અને સ્ટાફ વતી સંતો દ્વારા મહંતસ્વામી મહારાજનું હાર અને શાલ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે યોજાયેલી સભામાં વિવેકસાગર સ્વામીએ નિસ્વાર્થ સહયોગના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, જો વિદ્યાર્થીઓને વિદ્યા અને પરાવિદ્યા બંનેનું શિક્ષણ આપવામાં આવે, તો તેઓ ક્યારેય અધર્મના માર્ગે જશે નહીં. અપૂર્વમુનિ સ્વામીએ સભામાં ઉપસ્થિત તમામ હરિભક્તો અને સહયોગીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમણે જીવનમાં સહયોગના મહત્વને સમજાવતા કહ્યું કે, મનુષ્ય એકબીજાના સહયોગથી જ સુખી જીવન જીવી શકે છે. દરેક વ્યક્તિએ સ્વાર્થથી ઉપર ઊઠીને પરિવાર, સમાજ, ધર્મ અને રાષ્ટ્ર માટે તન, મન અને ધનથી સહયોગ આપવો જોઈએ. આ પ્રસંગે અપૂર્વમુનિ સ્વામી અને અક્ષરતિલક સ્વામીએ મહંતસ્વામી મહારાજ સાથે સહયોગ આપવાથી થતા લાભો અંગે પ્રશ્નોત્તરી કરી હતી. મહંતસ્વામી મહારાજે ભગવાન માટે સહયોગ આપનાર તમામ સહયોગીઓ સર્વ પ્રકારે સુખી થાય તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 2:20 pm

મોડલ હની પટેલ AAPમાં જોડાતા જ વિવાદ શરૂ:બિયર અને ઈ-સિગાર સાથેનો વીડિયો વાઈરલ થતા કહ્યું- 'આની પાછળ મારા પતિ અને ભાજપના નેતાનો હાથ'

સુરતમાં આમ આદમી પાર્ટીમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મોડલ યુવતી હની પટેલ પાંચ દિવસ પહેલા આપમાં જોડાતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. કારણ કે આ યુવતીના પાર્ટીમાં જોડાતાની સાથે જ સોશિયલ મીડિયા પર AAP વિવાદોમાં ઘેરાઈને ટ્રોલ થઈ રહી છે. વાયરલ થયેલા વીડિયોમાં આ યુવતી ગાંજા અને બિયરનો ગ્લાસ ભરતી જોવા મળી રહી છે, જેને લઈને મોટો વિવાદ સર્જાયો છે. જોકે, વિવાદ વકરતા જ હની પટેલ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે અને આ તમામ વીડિયો વાયરલ કરવા પાછળ તેણે પોતાના પતિ અને ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. આ મામલે AAPની છબીને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. હું ખાલી બિયરનો ગ્લાસ ભરું છું, પીતી નથી- હની પટેલહની પટેલે જણાવ્યું હતું કે,થોડાક દિવસ પહેલા હું આપ પાર્ટી સાથે જોડાણી છું. હવે સોશિયલ મીડિયા ઉપર અત્યારે મારા હાઈબ્રિડ ગાંજા ને લઈને, બિયરનો ગ્લાસ ભરતો હોય એવો વીડિયો, ઇલેક્ટ્રિક વેપ વાળા વીડિયો, આ બધા વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે તો એ મારું ભૂતકાળ છે. જે તમે એમ ક્યો છો કે દારૂ પાર્ટી, ગાંજો પીવે છે, દારૂ પીવે છે, તો એ વીડિયો તમે નિરખીને જોઈ લેજો. હું ખાલી બિયરનો ગ્લાસ ભરું છું, પીતી નથી. અને બીજી વસ્તુ જે સ્મોકિંગ વાળા વીડિયો છે એ ઇલેક્ટ્રિક વેપ છે, જે નિકોટિન ફ્રી, આલ્કોહોલ ફ્રી છે, જેમાં કોઈ જાતનો નશો નથી. એ ઇલેક્ટ્રિક વેપ આપણા ગુજરાતમાં અત્યારે બેન છે. એ વીડિયો મારા આઉટ ઓફ કન્ટ્રી, એટલે કે દુબઈના છે. જે બિયર વાળો ગ્લાસ છે એ હું ભરું છું. આ બધા જ વીડિયો મારા હસબન્ડ તુષાર ગજેરાએ વાયરલ કરેલા છે. હવે એ વીડિયો કોણે ઉતાર્યો, મારી સાથે કયા લોકો હતા? તો મારી સાથે મારો હસબન્ડ જ હતો અને એના મિત્રો સાથી પણ હતા. ગાંજાના કેસમાં મને બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપ ભાખરે ફસાવી- હની પટેલવાત રહી હવે ગાંજો વેચવાની તો હાઈબ્રિડ ગાંજો મારી પાસેથી પકડાયો છે. તો પહેલા તમે લોકોએ જાણ્યું કે કેવી રીતના પકડાયો છે? એ મારો કેસ ચાલે છે.ન્યાયતંત્ર મને ફેંસલો ન આપે અને તમેન એના કતા ઊંચા સ્થાન પર હોવ અને નક્કી કરવા વાળા હોવ કે હું એ ગાંજો લાવી છું તો તમે બધા એવું રાખો મને કોઈ કોઈ વાંધો નથી. એ ગાંજામાં મને ફસાવનાર પ્રદીપ ભાખર, બગસરા ભાજપમાં તાલુકા પ્રમુખ છે. ગાંજા સાથે પકડાઈ ત્યારે મારા પતિ પણ સાથે હતા તો તેની સામે કાર્યવાહી કેમ ન થઈ- હની પટેલહની પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારી સાથે મારા હસબન્ડ તુષારભાઈ ગજેરા પણ આમાં સાથે હતા. બંગ્કોકથી પરત ફરતી સમયે જ્યારે હું અમદાવાદ એરપોર્ટ પર પકડાઈ ત્યારે મારા હસબન્ડ પણ મારી સાથે હતા. જે મારી ચાર્જશીટ, મારું જે સ્ટેટમેન્ટ લેવાયુ છે, પંચનામું જેને આપણે કહીએ એ લેવાયુ છે, એમાં મારી સિગ્નેચર નીચે મારા પતિની પણ સિગ્નેચર છે. તો મને જેલમાં નાખી દીધી, મારી ઉપર કેસ બનાવી દીધો, તો મારા પતિ ઉપર કેમ કોઈ જાતનો કેસ ન બન્યો? સિગ્નેચર તો એની હતી, મારી સાથે એ હતા ગાંજો લાવવામાં. આ બધું એરપોર્ટ ઉપર સેટલમેન્ટ પ્રદીપ ભાખરનું. આ બધી વસ્તુ કરાવનારો પ્રદીપ ભાખર. એ બેંગકોક અમારી સાથે આવ્યો. આખું પ્લાનીંગ તેને જ કર્યું છે. બહુ સારું મગજ વાપર્યું છે. આપણે એમાં નથી પાડતા. એક આખી એવી એણે બેગ તૈયાર કરી. મારા બેગ મારા નામે ન કરવા દીધા ને મારા પતિએ ગાંજાનું બેગ મારા નામે કરી નાખ્યું. હની પટેલે પોતાની સામે થયેલા કેસ અને જામીનને લઈ સવાલ ઉઠાવ્યોએરપોર્ટ ઉપર બધું જ સેટલમેન્ટ થઈ ગયું. કોઈ જાતના રિમાન્ડ નહીં. ચલો હું હાઇબ્રિડ ગાંજો લાવું છું. મારી બેગમાંથી 19 કિલો 728 ગ્રામ હાઇબ્રિડ ગાંજો નીકળે છે, તો મને રિમાન્ડ તો થવા જોઈએ ને? મારા રિમાન્ડ થાય, મને પૂછપરછ કરવામાં આવે પછી મારી ઉપર કેસ બને ને પછી મને જેલમાં નાખવામાં આવે. પણ આ કેસમાં મને ખાલી એરપોર્ટ ઉપર 24 કલાક બેસાડી, સીધી મને કોર્ટમાં લઈ ગયા અને કોર્ટમાંથી સીધી મને સાબરમતી જેલમાં લઈ ગયા. કોઈ જાતના રિમાન્ડ નહીં, કોઈ જાતની પૂછપરછ નહીં. એટલે આ એક પોલિટિક્સ કહેવાય ને? ભાજપનું રાજકારણ, ભાજપની સત્તા, પ્રદીપ ભાખર ભાજપનો માણસ, એ ધારે તો બધું કરી શકે. એના રાજમાં હું જામીન ઉપર અત્યારે બહાર છું. બધા કહે છે, કમેન્ટ્સ આવે છે બધાના, વીડિયો હું જોઉં છું કે, બેન હાઇબ્રિડ ગાંજો લાવ્યા છે તો કેસ કેમ નથી થયો? જામીન ઉપર છૂટી કેમ ગયા? આ બધા સવાલ તમે એને પૂછવા જાવ. 'હું આપમાં જોડાઈ એટલે મારા ભૂતકાળ ખોલવામાં આવે છે'પ્રદીપ ભાખર પર આક્ષેપ કરતા વધુમાં જણાવ્યું હતું કે, હું જ્યારે જેલમાં હતી ત્યારે તું મને બીજા અઠવાડીએ મળવા આવ્યો તો મારા ફેમિલી સાથે મારા પતિ સાથે. ત્યારે તું મારા ફેમિલીને કૌશિકભાઈ વેકરિયા જે અત્યારે કાયદા મંત્રી બન્યા છે એને તું ગાંધીનગર એના બંગલા ઉપર મળવા પણ લઈ ગયો તો અમારા ફેમિલીને. તું સાચો છો તો તારે આ બધું કરવાની ક્યાં જરૂર છે? કે જામીન માટે મને 2,00,000 આપેલા છે. તું સાચો છો તો તું એવી કઈ સમાજસેવા કે દેશસેવા તો કરવા બેઠો નથી કે તું મને 2,00,000 દેવાનો છો. મારા ભૂતકાળ અત્યારે તમે બધા ખોલો છો. હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ, એક સિસ્ટમ સાથે જોડાઈ તો તમે મારા બધા ભૂતકાળ ખોલો છો. ઈ મારું ભૂતકાળ હતું. પબ્લિક જાણે છે. સોશિયલ મીડિયામાં બધા જાણે છે. હું એક ઈન્ફ્લુએન્સર છું, હું એક મોડેલ છું. મારી લાઇફસ્ટાઇલ એ ટાઇમ ઉપર અલગ હતી. ઈ મારું ભૂતકાળ છે. મારા ભૂતકાળને અત્યારે મારા વર્તમાન સાથે અને ભવિષ્ય સાથે ન સરખાવી શકો તમે કોઈ. અને હજી કહું છું એ વસ્તુ સાબિત નથી થાતી કે હું દારૂ પીવું છું કે હું ગાંજો વેચું છું. અને એટલી જ બધી કોઈને સફાઈ જોતી હોય તો મારા બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરાવી લો. હું દારૂ પીતી હોય એવા કઈ મારા વ્યસન હશે તો બધું એમાં આવી જશે. આ થઈ ગયા મારા ભૂતકાળની વાત.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:42 pm

LC ન મળતાં ગુસ્સામાં વાલીએ કોમ્પ્યુટર તોડી નાખ્યું, CCTV:ડીંડોલીની સનરાઈઝ વિદ્યાલયમાં હાઈવોલ્ટેજ ડ્રામા, વિદ્યાર્થિનીના પિતા સામે FIR

સુરતના ડીંડોલી વિસ્તારમાં આવેલી સનરાઈઝ વિદ્યાલયમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીનું લિવિંગ સર્ટિફિકેટ ન મળવાને કારણે ગુસ્સે થયેલા વાલીએ સ્કૂલના આચાર્ય સાથે ગેરવર્તણૂક કરી, ધમકી આપી હતી. આ સાથે જ ગુસ્સામાં અંતે રિસેપ્શન કાઉન્ટર પર રાખેલું કોમ્પ્યુટર ઉંચકીને ફેંકી દીધું હતું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. આ મામલે સ્કૂલે ડીંડોલી પોલીસ મથકમાં વિદ્યાર્થિનીના પિતા અરજી કરી કાર્યવાહીની માગ કરી છે. શું હતી સમગ્ર ઘટના?પ્રાપ્ત માહિતી અનુસાર, આ બનાવ 15 નવેમ્બર, 2025ના રોજ બપોરે 11:54એ સનરાઈઝ વિદ્યાલયમાં બન્યો હતો. ધોરણ-1 (D) અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના પિતા નીતિન નરેન્દ્રકુમાર પુત્રીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે સ્કૂલે આવ્યા હતા. સ્કૂલના આચાર્ય સુધાકર પાંડા દ્વારા ડિંડોલી પોલીસ મથકમાં કરાયેલી અરજી મુજબ, વાલી નીતિન નરેન્દ્રકુમાર દ્વારા લિવિંગ સર્ટિફિકેટની માંગણી કરવામાં આવી હતી. નિયમ મુજબ, આચાર્યએ વાલીને LC ફોર્મ પર સહી કરવાનું કહેતાં તેમણે સ્પષ્ટપણે નકાર આપ્યો હતો અને આચાર્ય સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી. પ્રિન્સિપલને ધમકી આપ્યાં બાદ રિસેપ્શન પરનું કોમ્પ્યુટર ફેંકી દીધુફરિયાદ મુજબ આચાર્યની કેબિનમાંથી ગુસ્સામાં બહાર નીકળતી વખતે વાલીએ આચાર્યને ‘સ્કૂસની બહાર મળો, હું તમને જોઈ લઈશ’ તેવી ધાક-ધમકી પણ આપી હતી. આ ધમકી બાદ વાલીએ પોતાનો ગુસ્સો શાંત પાડવાને બદલે વધુ હિંસક પગલું ભર્યું હતું. ધમકી આપ્યા બાદ નીતિન નરેન્દ્રકુમાર સીધા રિસેપ્શન કાઉન્ટર પાસે ગયા અને ત્યાં રાખેલું કોમ્પ્યુટર ઉંચકીને જોરથી ફેંકી દીધું હતું. આ હરકતથી રિસેપ્શન કાઉન્ટર પર મોટું નુકસાન થયું હતું. સ્કૂલના આચાર્યના જણાવ્યા મુજબ, આ સંપૂર્ણ ઘટના સ્કૂલના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે રેકોર્ડ થઈ છે. આચાર્યએ પોલીસમાં અરજી કરી વાલી સામે કાર્યવાહીની માગ કરીસ્કૂલના આચાર્ય સુધાકર પાંડાએ તાત્કાલિક અસરથી વાલી નીતિન નરેન્દ્રકુમાર વિરુદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં લેખિત અરજી આપી છે. અરજીમાં સ્પષ્ટપણે વાલી દ્વારા કરાયેલી ગેરવર્તણૂક, ધમકી અને કોમ્પ્યુટરની તોડફોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સમગ્ર મામલે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. બાળકીના પિતાને નિવેદન માટે બોલાવ્યા છેઃ PIઆ મામલે ડીંડોલી પીઆઇ આર. જે. ચુડાસમાએ જણાવ્યું કે, હાલ વીડિયો બાદ અમારી પાસે અરજી આવી છે. અરજીના પ્રમાણે અમે તપાસ કરી રહ્યા છે. બાળકીના પિતાને નિવેદન માટે બોલાવવામાં આવ્યા છે. હાલ જાણવા મળ્યું છે કે, એલસી માટે તેઓ અગાઉ પણ સ્કૂલે ગયા હતા, પરંતુ એલસી મળી નહોતી. જોકે, સીસીટીવી ફૂટેજના આધારે અમે સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ કરી રહ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:39 pm

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું સમારકામ શરૂ:સાયલાના ધાંધલપુર-નિનામા-ઓરી રોડનું ₹7.20 કરોડના ખર્ચે નવીનીકરણ હાથ ધરાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે ગ્રામ્ય અને મુખ્ય માર્ગોને નુકસાન થયું હતું. આ અંગે માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીની સૂચના બાદ ક્ષતિગ્રસ્ત માર્ગોના નવીનીકરણનું કાર્ય ઝડપથી શરૂ કરાયું છે. આ અંતર્ગત, સાયલા તાલુકામાં ધાંધલપુર-નિનામા-ઓરી રોડનું નવીનીકરણ કાર્ય પ્રગતિમાં છે. આ કામગીરી અંદાજિત ₹7.20 કરોડના ખર્ચે થઈ રહી છે. હાલમાં, ફુલ ડેપ્થ રિપેર અને વેટ મિક્સ મેકેડેમની કામગીરી ચાલી રહી છે. આ માર્ગનું સમારકામ પૂર્ણ થવાથી ખેડૂતો, શ્રમજીવીઓ અને સામાન્ય નાગરિકોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે. આનાથી જિલ્લાના વિકાસ કાર્યોને પણ ગતિ મળશે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં રાજસીતાપુર-ભારદ-સરવાલ માર્ગની વિસ્તૃતીકરણ કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. અંદાજિત ₹24.5 કરોડના ખર્ચે 18.5 કિલોમીટર લાંબા આ માર્ગને પહોળો કરવામાં આવશે. આ માર્ગને હાલના 3.75 મીટરથી વધારીને 7.0 મીટર પહોળો કરવામાં આવી રહ્યો છે. આ વિસ્તૃતિકરણનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને વ્યાપક, સુરક્ષિત અને ઝડપી પરિવહન સુવિધા પૂરી પાડવાનો છે. માર્ગ પહોળો થવાથી સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને મુસાફરોને મોટો ફાયદો થશે. ખાસ કરીને ખેત પેદાશો અને અન્ય માલસામાનના પરિવહન તેમજ દૈનિક અવરજવર વધુ સરળ બનશે. આનાથી ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે અને માર્ગ અકસ્માતોનું જોખમ પણ ઘટશે, જેના પરિણામે મુસાફરી વધુ સુરક્ષિત બનશે. હાલમાં, આ પ્રોજેક્ટના ભાગરૂપે મેટલિંગ અને સ્ટ્રક્ચર વર્ક, જેમાં પુલિયા અને ગરનાળા જેવા બાંધકામોનો સમાવેશ થાય છે, તે પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ માર્ગ વિસ્તૃતીકરણ પ્રોજેક્ટ પૂર્ણ થતાંની સાથે જ, આ માર્ગ આસપાસના ગામો અને શહેરો વચ્ચેની કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે અને ધ્રાંગધ્રા તાલુકા તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:26 pm

સવા બે લાખની ડાયમંડ વોચ-જ્વેલરી ત્યજી યુવક સંયમના માર્ગે:સુરતી હીરા ઉદ્યોગપતિનો પુત્ર મોંઘા ચશ્મા અને આઈફોનનો શોખીન, જશ મહેતા 23મીએ દીક્ષા લેશે

હીરાનગરી સુરત જે ભૌતિક સંપત્તિ અને વૈભવ માટે જાણીતી છે, ત્યાંથી ત્યાગ અને વૈરાગ્યનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા હીરા ઉદ્યોગપતિ જતીન મહેતાના 18 વર્ષીય પુત્ર જશ મહેતાએ સંસારના તમામ સુખોને ત્યજીને સંયમનો કઠિન માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ચોંકાવનારી વાત એ છે કે જશને લક્ઝુરિયસ જીવનશૈલી, મોંઘા આઇફોન અને ખાસ કરીને રિયલ ડાયમંડની ઘડિયાળો અને જ્વેલરીનો જબરદસ્ત શોખ હતો. જે.યુ. સોનાના ડાયમંડના દાગીના અને સવા બે લાખની હીરા જડિત ઘડિયાળ પહેરી હોય, તે હવે બધું ત્યજીને મોક્ષના માર્ગે નીકળી રહ્યો છે. 23 નવેમ્બરે પાલમાં ભવ્ય દીક્ષા કાર્યક્રમ યોજાશેઆગામી 23 નવેમ્બરે સુરતના પાલ વિસ્તારમાં એક ભવ્ય દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં જશ મહેતા ભક્તિયોગાચાર્ય આચાર્ય ભગવંત યશોવિજયસૂરિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં દીક્ષા ગ્રહણ કરી સંયમ માર્ગે પ્રયાણ કરશે. હીરા જડિત ઘડિયાળ, લેટેસ્ટ આઇફોન અને ક્રિકેટનો શોખીન18 વર્ષીય જશ મહેતાનો ઉછેર એક અત્યંત સંપન્ન પરિવારમાં થયો હતો. પિતા હીરા ઉદ્યોગપતિ હોવાના નાતે જશની દરેક માગ અને શોખ પૂરા કરવામાં આવતા હતાં. જશને મોંઘા બ્રાન્ડેડ ચશ્મા, લેટેસ્ટ આઇફોન અને ક્રિકેટનો ખૂબ શોખ હતો. પરંતુ તેનો સૌથી મોટો શોખ ઓરીજનલ ડાયમંડના દાગીના અને લક્ઝરી ઘડિયાળો પહેરવાનો હતો. જશ પાસે સવા લાખ રૂપિયાની કિંમતની રિયલ ડાયમંડ વોચ હતી અને તેની ડાયમંડ ગોલ્ડના દાગીના પહેરતો હતો. લક્ઝરી લાઈફથી વૈરાગ્ય સુધીનો સફરજશે ધોરણ 10 બોર્ડમાં 75% જેવા સારા ગુણ મેળવ્યા હતાં. પરંતુ ભૌતિક અભ્યાસ કરતાં વધુ, તેનું મન આધ્યાત્મિક શાંતિ તરફ વળ્યું. બોર્ડના અભ્યાસ બાદ જશ મહારાજસાહેબના સંપર્કમાં આવ્યો અને તેમની સાથે વિહારમાં રહેવા લાગ્યો. આ સમય દરમિયાન તેને જીવનની ક્ષણભંગુરતા અને ભૌતિક સુખોની નશ્વરતાનો સાક્ષાત્કાર થયો. જે લક્ઝરી ઘડિયાળો અને જ્વેલરી તેને એક સમયે ખૂબ પ્રિય હતી, તે જ તેને હવે બંધન લાગવા માંડી હતી. જે મારી સાથે નથી આવવાનું, તેનો મોહ શા માટે? - જશ મહેતાપોતાના નિર્ણય વિશે વાત કરતાં 18 વર્ષીય જશે જણાવ્યું હતું કે, એ વાત સાચી છે કે મને લક્ઝરી ઘડિયાળો અને જ્વેલરી ખૂબ જ પસંદ હતી. પરંતુ મને વિચાર આવ્યો કે આ બધી વસ્તુઓ મારી સાથે ક્યાં સુધી રહેશે? અંતે તો બધું જ અહીં છોડીને જવાનું છે. તો જે વસ્તુઓ કાયમ મારી સાથે નથી રહેવાની, તેની માટે આટલો મોહ શા માટે રાખીએ? જશે વધુમાં ઉમેર્યું, મારું જે છે તે પરમાત્મા છે. પહેલા હું આ બધી લક્ઝરી વસ્તુઓ 'શો ઓફ' કરવા માટે, એટલે કે દેખાડો કરવા માટે પહેરતો હતો. પણ જ્યારે મને સાચું જ્ઞાન મળ્યું અને સત્ય સમજાયું, ત્યારે મેં બધું જ છોડી દીધું. 'અમારા સમગ્ર પરિવાર માટે ખૂબ જ ગૌરવની ક્ષણ'એક પિતા જેણે પોતાના દીકરાનો દરેક મોંઘો શોખ પૂરો કર્યો હોય, તેના માટે આ નિર્ણય સ્વીકારવો સરળ નથી હોતો. છતાં જશના પિતા જતીન મહેતા આ નિર્ણયથી ગૌરવ અનુભવે છે. પિતા જતીન મહેતાએ જણાવ્યું હતું કે, મારા દીકરાને બધું જ શોખ હતું અને મેં તેનો દરેક શોખ પૂર્ણ પણ કર્યો છે. આજે તે દીક્ષા લેવા માંગે છે, જે અમારા સમગ્ર પરિવાર માટે ખૂબ જ ગૌરવની ક્ષણ છે. તે ભૌતિક સુખો છોડીને પરમ સત્ય તરફ પ્રયાણ કરી રહ્યો છે. તેની જે ઈચ્છા છે, તે પૂર્ણ કરવા અમે તેની સાથે છીએ. 'અમે તેના આ નિર્ણયથી ખૂબ ખુશ છીએ'માતા મોલી મહેતાએ પણ જણાવ્યું કે, મારા દીકરા દ્વારા લેવાયેલો આ નિર્ણય અમારા માટે ખૂબ જ મહત્વનો છે અને અમે તેના આ નિર્ણયથી ખૂબ ખુશ છીએ. અમે તેની સાથે છીએ અને તે આ કઠિન માર્ગ પર સફળ થાય એ જ પ્રભુને ઈચ્છા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:24 pm

ધાનપુરમાં દીપડાનો ભય વધ્યો:ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી

ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામ સહિત આસપાસના જંગલ વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરા વધ્યા છે. સાંજના સમયે દીપડો ગામની સીમમાં અને જાહેર માર્ગો પર દેખાઈ રહ્યો છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. દીપડાની હાજરીને કારણે રોજગાર માટે નીકળતા લોકો, પશુઓ ચરાવવા જંગલ તરફ જતા ગ્રામજનો અને ખાસ કરીને શાળાએ પગપાળા જતા બાળકોની સલામતી જોખમમાં મુકાઈ છે. ધાનપુરના ઘણા ગામોમાં બાળકોને સવારે અને સાંજે લાંબો રસ્તો કાપવો પડે છે, જેનાથી વાલીઓમાં ચિંતા છે. સ્થાનિક રહેવાસીઓએ વન વિભાગને આ વિસ્તારમાં રાત્રિ પેટ્રોલિંગ વધારવા અને તાત્કાલિક અસરકારક પગલાં લેવા વિનંતી કરી છે. ગ્રામજનોની માંગ છે કે દીપડાના ભયમાંથી મુક્તિ મળે અને બાળકો સહિત સૌ સુરક્ષિત રીતે પોતાનું દૈનિક જીવન જીવી શકે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:22 pm

રાહી ફાઉન્ડેશનના ખીચડી-છાશ વિતરણના 200 શનિવાર પૂર્ણ:1.5 લાખથી વધુ લાભાર્થી, બહેરામપુરાના 1500 બાળકોને મળ્યો લાભ

રાહી ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં જરૂરિયાતમંદોને ખીચડી અને છાશ વિતરણના 200 શનિવાર સફળતાપૂર્વક પૂર્ણ થયા છે. છેલ્લા ચાર વર્ષથી દર શનિવારે શહેરના 80 જેટલા શ્રમજીવી વિસ્તારોમાં આ સેવા પૂરી પાડવામાં આવે છે. આ 200મા શનિવારની ઉજવણી બહેરામપુરાની 22/23 મ્યુનિસિપલ શાળા અને આંગણવાડી કેન્દ્ર ખાતે કરવામાં આવી હતી. અહીં 1500થી વધુ બાળકો અને વાલીઓને પૌષ્ટિક વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં કુલ 1.5 લાખથી વધુ લાભાર્થીઓ આ સેવાનો લાભ લઈ ચૂક્યા છે. આ પ્રસંગે મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના અધ્યક્ષ સુજય મહેતાએ ફાઉન્ડેશનને અભિનંદન પાઠવ્યા હતા. રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, હિમલ પરીખ, પૌલોમી પરીખ, શરદ જાદવ, ભદ્રેશ પટેલ, મહેન્દ્ર પટેલ, વિજય દલાલ અને માર્કણ્ડભાઈ ઉપસ્થિત રહીને વિતરણ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ખીચડી વિતરણના મુખ્ય દાતા રાજર્ષિભાઈ પરીખ અને બેલાબેન પરીખનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ચાર વર્ષથી સહયોગ આપનાર દાતાઓ અને કાર્યકર્તાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. નવનીતલાલ શાહ પરિવારનો ખાસ આભાર માનવામાં આવ્યો હતો. આંગણવાડી સંચાલિકા બહેનો, બંને મ્યુનિસિપલ સ્કૂલના આચાર્ય અને સ્ટાફને તેમની સુંદર વ્યવસ્થા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સંકલન જગદીશભાઈ પરમારે કર્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:20 pm

પાટણ પોલીસે 1.7 લાખના 11 ગુમ મોબાઈલ શોધી કાઢ્યા:'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ માલિકોને પરત કરાયા

પાટણ બી ડિવિઝન પોલીસે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગુમ થયેલા 11 મોબાઈલ ફોન શોધી કાઢ્યા છે. આ મોબાઈલની અંદાજિત કિંમત 1.7 લાખ રૂપિયા છે, જે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. બી ડિવિઝન પોલીસના પી.આઈ. પી.ડી. સોલંકી, પીએસઆઈ એ.કે. ખોડલીયા અને સમગ્ર બી ડિવિઝન સ્ટાફ દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમ હેઠળ ગયા મહિને 9 અને આ મહિને 11 મોબાઈલ મળીને કુલ 20 મોબાઈલ ફોન તેમના માલિકોને પરત કરવામાં આવ્યા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:16 pm

ભાવનગરમાં SMCની NDPS રેડ:1798 કોડીન સીરપની બોટલ સાથે 3 આરોપીઓ પકડાયા, 4.37 લાખનો મુદ્દામાલ જપ્ત, 3 વૉન્ટેડ

ભાવનગર શહેરના આંબાવાડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે (SMC) 16 અને 17 નવેમ્બર, 2025 દરમિયાન મોટાપાયે NDPS રેડ કરીને કોડીન ફોસ્ફેટ તથા ટ્રાયપ્રોલીડિન હાઇડ્રોક્લોરાઇડ સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો. અંબાવાડી સ્થિત વૃષા સુવર્ણમ ફ્લેટના રૂમ નં. 304માંથી એકંદરે 1798 બોટલ કોડીન સીરપ મળી આવી હતી. જેની કિંમત 3,47,426 જેટલી થાય છે. રેડ દરમિયાન 3 મોબાઇલ (કિંમત 15,000), એક વાહન (કિંમત 50,000) તેમજ રોકડ 25,500 મળી કુલ 4,37,926 મૂલ્યનો મદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 3ને વૉન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ વૉન્ટેડ આરોપીઓ

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:09 pm

મોરબીમાં કોંગ્રેસે નંદીઓના મોક્ષાર્થે શાંતિ યજ્ઞ કર્યો:નંદીઘરમાં ખોદકામ કરાય તો અનેક ગૌવંશના અવશેષો મળી શકે, જિલ્લા કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપથી હડકંપ

મોરબીમાં કોંગ્રેસે લંપી વાયરસથી મૃત્યુ પામેલા ગૌવંશોના મોક્ષાર્થે શાંતિ યજ્ઞનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયાએ મોરબી નગરપાલિકાના નંદીઘરમાં ખોદકામ કરવાથી અનેક ગૌવંશોના અવશેષો મળી શકે છે તેવો આક્ષેપ કર્યો હતો. મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ પર રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવવાના હેતુથી નંદીઘર બનાવવામાં આવ્યું હતું. જોકે, કોંગ્રેસ દ્વારા આ નંદીઘરના નિર્માણમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે પાલિકા પાસેથી ખર્ચની વિગતો માંગી હતી, પરંતુ સંતોષકારક જવાબ મળ્યો નથી. લંપી વાયરસના સમયગાળા દરમિયાન આ નંદીઘરમાં રાખવામાં આવેલા અસંખ્ય ગૌવંશોના મોત થયા હતા. કોંગ્રેસનો દાવો છે કે આ મૃત ગૌવંશોને કોઈ પણ માહિતી જાહેર કર્યા વગર નંદીઘર પરિસરમાં જ ખાડા ખોદીને દફનાવી દેવામાં આવ્યા હતા. આ મૃત ગૌવંશોના આત્માની શાંતિ માટે કોંગ્રેસ દ્વારા શાંતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચિખલિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન નિરંજન, જિલ્લાના મહામંત્રી અમુ હુંબલ, અલ્પેશ કોઠીયા, દિનેશ સેરસીયા, વસીમ મનસુરી, લલીત કાસુન્દ્રા સહિતના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે કિશોર ચિખલિયાએ જણાવ્યું હતું કે, જ્યાં મૃત ગૌવંશોને દફનાવવામાં આવ્યા છે ત્યાં ખોદકામ કરવામાં આવે તો અનેક ગૌવંશોના અવશેષો મળી શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે જો નંદીઘરમાં ભ્રષ્ટાચાર કરનારા અને ગૌવંશોને દફનાવી દેનારા તત્કાલીન પાલિકાના શાસકો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ત્યાં ખોદકામ કરીને ગૌવંશના અવશેષોને બહાર કાઢવામાં આવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:09 pm

કંગના રનૌત રાજકોટ એરપોર્ટ પહોંચી:સાંસદ અને અભિનેત્રીનો ગ્લેમરસ લૂક જોવા ચાહકો ઉમટ્યા, ફૂલોનો ગુલદસ્તો આપી ઉષ્માભર્યું સ્વાગત કરાયું

રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફિલ્મ અભિનેત્રી અને ભાજપના લોકસભાના સાંસદ કંગના રનૌત આવી પહોંચ્યા હતા. જેમનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની એક ઝલક જોવા માટે એરપોર્ટ પર ચાહકો ઉમટી પડ્યા હતા. થોડા દિવસો પહેલા અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા અને તેઓએ સાસણમાં સિંહ દર્શન કર્યું હતું. રાજકોટ એરપોર્ટ પર ઘણા દિવસોથી સેલિબ્રિટીઓનો જમાવડોજામનગરમાં નીતા અંબાણીનો જન્મદિવસ હોવાથી અનેક સેલિબ્રિટી ત્યાં જવા માટે રાજકોટ એરપોર્ટ પર એક અઠવાડિયા પહેલા આવી પહોંચ્યા હતા. જેમાં ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની પરિવાર સાથે આવી પહોંચ્યા હતા. જે બાદ સાસણમાં હાલ સિંહ દર્શન શરૂ થયું છે ત્યારે થોડા દિવસો પહેલા ફિલ્મ અભિનેતા રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સહિતના સેલિબ્રિટી એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. કંગનાનો બ્લેક સાડી અને ગોગલ્સ સાથેનો ગ્લેમરસ લૂક જોવા લોકોની ભીડઆ દરમિયાન આજે સવારે એર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઈટમાં ભાજપના લોકસભાના સાંસદ અને ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત આવી પહોંચી હતી. આ સમયે બ્લેક સાડી અને ગોગલ્સમાં કંગનાનો લૂક ગ્લેમરસ લાગી રહ્યો હતો. કંગનાનું રાજકોટ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું અને ફૂલોનો ગુલદસ્તો આપી આવકાર અપાયો હતો. જે સમયે લોકોની ભીડ પણ ઉમટી પડી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 1:01 pm

મહેસાણા કોર્પો.ના કર્મીઓ રંગબેરંગી કપડાં નહિ પહેરી શકે!:વિભાગ પ્રમાણે કર્મીઓનો યુનિફોર્મ હશે, ઓળખપત્ર પણ અપાશે; અરજદારો ડ્રેસ કોડથી ચોક્કસ કર્મીને ઓળખી શકશે

મહેસાણા મનપા દ્વારા પોતાના કર્મચારીઓની એક ચોક્કસ ઓળખ અને એકતાનો ભાવ સ્થાપાય તે માટે એક વિશેષ રૂપે યુનિફોર્મની પેટર્ન નક્કી કરવાનું આયોજન કરાયું હતું. જેના ભાગ રૂપે મનપા દ્વારા કર્મચારીઓ માટેના યુનિફોર્મની ખરીદી માટે જેમ પોર્ટલ પર ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી. જે પ્રક્રિયા આગામી દિવસોમાં મહેસાણા કોર્પોરેશનના કર્મચારીઓ રંગેબેરંગી નહિ, પરંતુ એકતાના ભાવ અને શિસ્ત સાથે એક જ યુનિફોર્મમાં જોવા મળશે. શાખા પ્રમાણે કર્મીઓને અલગ યુનિફોર્મ અપાશેગણવેશ એ પ્રમાણિત કપડાં છે, જે ચોક્કસ જૂથ અથવા સંગઠનના સભ્યો દ્વારા પહેરવામાં આવે છે, જેથી તેઓ તે જૂથની ઓળખ બની શકે અને તેમની વચ્ચે એકતાની ભાવના બનાવી શકાય છે. ત્યારે મહેસાણા મનપા દ્વારા સંસ્થામાં જોડાયેલા શાખા અધિકારીઓ, ક્લાર્ક, વાહનચાલકો, સેવકો સહિતના તમામ વર્ગના કર્મચારીઓ માટે યુનિફોર્મ નક્કી કરવામાં આવનાર છે. યુનિફોર્મ થકી મનપાના કર્મચારીઓમાં સુસંગત દેખાવ અને પોતાનાપણાની ભાવનાને પ્રોત્સાહન મળી શકશે. તો આ જાહેર સંસ્થામાં આવતા અરજદારો અને મુલાકાતીઓ યુનોફોર્મના ડ્રેસ કોડથી તે મનપાના ચોક્કસ કર્મચારીઓને ઓળખી શકશે, જેથી કોઈ અનઅધિકૃત વ્યક્તિ સંસ્થાની ઓળખથી સીધી જ રીતે અલગ તરી આવશે. યુનિફોર્મની સાથે ઓળખપત્ર પણ અપાશેઆમ સાવચેતી અને સુરક્ષાના કામે પણ યુનિફોર્મ મહત્વની ભૂમિકા અદા કરશે. મનપાના ડે. કમિશનરના જણાવ્યા અનુસાર, હાલમાં ટેન્ડર પ્રક્રિયા કરાઈ છે. મનપાના કર્મચારિઓને યુનિફોર્મની સાથે સાથે ઓળખપત્ર પણ આપવામાં આવશે. આમ આગામી દિવસોમાં મનપાના કર્મચારીઓ એક જ ડ્રેસ કોડમાં પોતાની શિસ્ત અને શિષ્ટાચારની ઓળખ પોતે જ કરાવશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:53 pm

મધરાતે ધાબા પરથી કચ્છીઓની બુમો- 'આ ડ્રોન છે ડ્રોન!':પક્ષીઓની હરમાળ જેવી રોશનીથી લોકોમાં કુતુહલ, ખગોળશાસ્ત્રીએ કહ્યું- સેટેલાઇટ કે ઉલ્કા હોવાની સંભાવના નહિવત્

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં મધરાતે આકાશમાં સંખ્યાબંધ પક્ષીઓની હરમાળ જેવી રહસ્યમય રોશની જોવા મળતા સ્થાનિકો ધાબા પર દોડી ગયા હતા અને 'આ ડ્રોન છે, ડ્રોન છે!' કહીને પોતાના મોબાઇલ ફોનમાં ઘટના કેદ કરી હતી. આ ડ્રોન હતા કે નહીં એ હજી સ્પષ્ટ થયું નથી, પરંતું ખગોળશાસ્ત્રીએ આ કોઇ સેટેલાઇટ કે ઉલ્કા હોવાની શક્યતાો નહિવત્ અને ડ્રોન હોવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. લોકોએ કચ્છી ભાષામાં ડ્રોન હોવાનું જણાવ્યુંગત મધ્યરાત્રિના સમયે ગાંધીધામ વિસ્તારમાં કેટલાક લોકોને આકાશમાં સામૂહિક રીતે ટમટમતા તારા જેવી રોશની દેખાઈ હતી. આશ્ચર્યચકિત થયેલા લોકો ઠંડી હોવા છતાં મકાનની છત પર ચડીને આ દ્રશ્યો રેકોર્ડ કર્યા હતા. વીડિયોમાં લોકો કચ્છી ભાષામાં આ વસ્તુઓને 'ડ્રોન' ગણાવી રહ્યા હતા, જોકે તેની વાસ્તવિકતા સ્પષ્ટ થઈ નથી. ખગોળશાસ્ત્રીએ પણ ડ્રોન હોવાની શક્યતા વ્યક્ત કરીઆ અંગે ભુજ સ્થિત રિજનલ સાયન્સ સેન્ટરના ખગોળશાસ્ત્રી હેતભાઈ આહીરે જણાવ્યું હતું કે, વીડિયોમાં દેખાઈ રહી છે તે સેટેલાઇટ કે ઉલ્કા હોવાની સંભાવના નહિવત્ છે. સેટેલાઇટ કતારબંધ દેખાય અને ઉલ્કા વાતાવરણમાં પ્રવેશતા સળગી ઊઠે. તેમણે ઉમેર્યું હતું કે, આ ડ્રોન હોવાની સંભાવના વધુ છે, જે કોઈ કાર્યક્રમ માટે મોટી આકૃતિઓ બનાવવા માટેની પ્રેક્ટિસ ડ્રિલ હોઈ શકે છે. અમિત શાહનો કાર્યક્રમ ભુજ પૂરતો સિમિત: જસપ્રતાપ સિંધુઆગામી 21મીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભુજમાં BSFના સ્થાપના વર્ષની ઉજવણીમાં ભાગ લેવા આવી રહ્યા છે. આ કાર્યક્રમમાં ડ્રોન શો યોજાશે કે કેમ તે અંગે BSFના જસપ્રતાપ સિંધુએ જણાવ્યું હતું કે, ગૃહમંત્રીના આગમન નિમિત્તે ડ્રોન કાર્યક્રમ યોજાશે, પરંતુ તે ફક્ત ભુજ પૂરતો સીમિત છે. ગાંધીધામમાં આવા કોઈ ડ્રોન કાર્યક્રમ કે પ્રેક્ટિસ વિશે તેમને કોઈ જાણ નથી. આ અંગે કચ્છ પૂર્વ વિભાગના પોલીસવડા સાગર બાગમાર સાથે વાત કરતા તેમણે અત્યાર સુધી આવી કોઈ ઘટના બની હોય એવી જાણ મળી ના હોવાનું કહ્યું હતું. 17 માર્ચની રાત્રે પણ તેજ રોશની જોવા મળી હતી આ પહેલા કચ્છના આકાશમાં એલોન મસ્કની સેટેલાઇટ કંપની દ્વારા આકાશમાં વહેતા કરાયેલી સ્ટાર લિંક જે ઉપગ્રહો નો સમૂહ કહેવાય છે તે જોવા મળ્યો હતો. તો ગત માર્ચની 17 તારીખે તેજ રોશનીએ છેક ભચાઉથી લખપત સુધીના વિસ્તારમાં 3.12 મિનિટે ક્ષણભર માટે દિવસ સર્જી દીધો હોવાની ઘટના પણ નોંધાઈ ચૂકી છે. ત્યારે ફરી એક વખત ચમકતી વસ્તુઓને લઈ ચર્ચા ઉભી થઇ છે. સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો... ભૂતકાળમાં પાકિસ્તાની ડ્રોન તોડી પડાયા હતાઉલ્લેખનીય છે કે, નાગરિક સંરક્ષણ જિલ્લામાં સમાવિષ્ટ સરહદી કચ્છ જિલ્લામાં સલામતીને લઈ તંત્ર દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવે છે. ભૂતકાળમાં પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યા બાદ આકાશમાં દેખાતી અજાણી વસ્તુઓ પ્રત્યે લોકોમાં કુતુહલ અને ભ્રમણાઓ સર્જાતી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:45 pm

કસાણ-માલપરા માર્ગ પર ડાયવર્ઝનથી હાલાકી:નાળાના રિપેરિંગને કારણે વાહનચાલકો પરેશાન, તાત્કાલિક સુધારણાની માગ

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કસાણ ગામથી માલપરા જતો માર્ગ વાહનચાલકો માટે મુશ્કેલીનો પર્યાય બન્યો છે. આ માર્ગ પરના કોઝવે પર નાળાના રિપેરિંગનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે, જેના કારણે બનાવવામાં આવેલું ડાયવર્ઝન અત્યંત ખરાબ હાલતમાં છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આ ડાયવર્ઝન વરસાદી પાણીના પ્રવાહમાં ધોવાઈ ગયું છે. હાલમાં પણ ડાયવર્ઝન પર સતત પાણી વહી રહ્યું છે અને તેમાં ચીકણી માટી નાખવામાં આવી છે. આ ચીકણી માટીને કારણે વાહનચાલકોના વાહનો અચાનક લપસી રહ્યા છે, જેનાથી અકસ્માતનો ભય રહે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, આ ખરાબ ડાયવર્ઝનમાં અનેકવાર ઈમરજન્સી વાહનો, જેમાં એમ્બ્યુલન્સ પણ સામેલ છે, ફસાઈ ચૂક્યા છે. વાહનચાલકોને અહીંથી પસાર થવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા તાત્કાલિક ધોરણે ડાયવર્ઝનને સુધારવા અને નાળાનું કામ ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી રહી છે, જેથી તેમની પરેશાનીનો અંત આવે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:43 pm

બિરસા મુંડાની 150મી જન્મજયંતિ ઉજવાઈ:એચ.એ. કોલેજમાં 'જનજાતીય ગૌરવ દિવસ' પર વ્યાખ્યાન યોજાયું

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સ દ્વારા 15,નવેમ્બરના રોજ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે એક વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આદિવાસીઓના હક અને અધિકારો માટે શહીદ થયેલા બિરસા મુંડાના યોગદાનને યાદ કરવા માટે યોજાયો હતો. કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્યું હતું કે બિરસા મુંડાએ ખૂબ જ નાની વયે આદિવાસીઓના હિત માટે સંઘર્ષ કરીને અંગ્રેજો સામે લડત આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે આજના દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તે સમયે અંગ્રેજો દ્વારા આદિવાસીઓની જમીન તથા જંગલ સંબંધિત તેમના અધિકારો પર તરાપ મારવામાં આવી હતી. બિરસા મુંડાએ આ કાયદાનો સખત વિરોધ કર્યો હતો અને આદિવાસી સમુદાયના હકોનું રક્ષણ કરવા માટે સંઘર્ષ કર્યો હતો. તેમણે પોતાના સાથીઓ સાથે મળીને અંગ્રેજો સામે લડાઈ પણ કરી હતી, જેમાં અંગ્રેજોનો પરાજય થયો હતો. જોકે, તે સંઘર્ષ દરમિયાન મોટી સંખ્યામાં આદિવાસીઓની ધરપકડ થઈ હતી. આવા જ એક મોટા સંઘર્ષમાં મોટી સંખ્યામાં બાળકો તથા સ્ત્રીઓ શહીદ થયા હતા. આથી, બિરસા મુંડાએ સામેથી ધરપકડ વહોરી લીધી હતી. તેમણે માત્ર 25 વર્ષની વયે કારાવાસમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આદિવાસી નેતા અને સ્વાતંત્ર્ય સેનાની તરીકે બિરસા મુંડાએ અંગ્રેજો સામે આપેલી લડતને કારણે આજે પણ આદિવાસીઓ તેમને ભગવાન સમાન માને છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:38 pm

ટંકારામાં સરદાર પટેલની 150મી જન્મ જયંતી: એકતા યાત્રા:પૂર્વ મંત્રી મોહન કુંડારીયા અને ધારાસભ્ય દુર્લભજી દેથરીયા હાજર રહ્યા

મોરબી જિલ્લાના ટંકારામાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં નગરજનો અને શાળાના વિદ્યાર્થીઓ પણ આ યાત્રામાં જોડાયા હતા. દેશભરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી થઈ રહી છે. સરદાર પટેલને દેશની એકતા અને અખંડિતતામાં તેમના મહાન યોગદાન બદલ 'લોખંડી પુરુષ' તરીકે ઓળખવામાં આવે છે. ટંકારામાં યોજાયેલી આ એકતા પદયાત્રા આર્ય સમાજ ભવનથી શરૂ થઈ હતી અને જબલપુર થઈને હરબટીયાળી ગામે પૂર્ણ થઈ હતી. આ યાત્રામાં મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, ભવાનભાઈ ભાગિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસર, અરવિંદભાઈ વાંસદડિયા, કિરીટભાઇ અંદરપા, મહેશભાઈ લિખિયા, અશોકભાઈ ચાવડા સહિત અનેક રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયા હતા. યાત્રા દરમિયાન 'જય સરદાર'ના નારાથી ટંકારાના મુખ્ય માર્ગો ગુંજી ઉઠ્યા હતા. આગેવાનોએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને કાર્યોમાંથી પ્રેરણા લઈ દેશની એકતા અને અખંડિતતા માટે વધુમાં વધુ યોગદાન આપવાનો સંદેશ આપ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:37 pm

શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસનો કાર્યકર્તા અભ્યાસ વર્ગ સંપન્ન:ગુજરાત પ્રાંતના 10 જિલ્લાના 34 કાર્યકર્તાઓએ ભાગ લીધો

શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસ, ગુજરાત પ્રાંતનો કાર્યકર્તા અભ્યાસ વર્ગ તા. 16 નવેમ્બર 2025, રવિવારના રોજ સંપન્ન થયો. આ વર્ગમાં ગુજરાત પ્રાંતના 10 અલગ-અલગ જિલ્લાઓમાંથી કુલ 34 કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. આ અભ્યાસ વર્ગમાં રાષ્ટ્રીય સંચાલન સમિતિ સદસ્ય અને પ્રબંધનને ભારતીયતા વિષયના રાષ્ટ્રીય સંયોજક ડૉ. જયેન્દ્રસિંહ જાદવજીએ વક્તવ્ય આપ્યું હતું. તેમણે માનવ વિકાસને અન્નથી આનંદ સુધીની યાત્રા ગણાવી, તૈત્તિરીય ઉપનિષદમાં વર્ણવેલી પંચકોશની અવધારણા ઉદાહરણો સાથે સમજાવી હતી. તેમણે કાર્યકર્તા નિર્માણ અને ન્યાસની કાર્યશૈલી વિશે પણ માર્ગદર્શન આપ્યું. ત્યારબાદના સત્રમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિમર્શ સંયોજક કૈલાશ ત્રિવેદીજીએ પંચ પરિવર્તનની વિભાવના દ્વારા રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે કરી શકાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું. પશ્ચિમ ક્ષેત્ર પ્રબંધન મેં ભારતીયતા વિષય સંયોજક ડૉ. હરેશ બારોટે ન્યાસની કાર્યપ્રણાલી અને અભ્યાસ વર્ગ તથા કાર્યશાળા વચ્ચેનો ભેદ સમજાવ્યો. ગુજરાત પ્રાંત સંયોજક ડૉ. મનીષ દેત્રોજાએ શિક્ષણ સંસ્કૃતિ ઉત્થાન ન્યાસની સ્થાપનાની જરૂરિયાત, તેના હેતુઓ, ધ્યેય સૂત્રો અને વિકાસ યાત્રા વિશે માહિતી આપી. મધ્યાહન બાદના સત્રમાં ગુજરાત પ્રાંત સહસંયોજક ડૉ. વશિષધર દ્વિવેદીએ ભારતીય જ્ઞાન પરંપરા, ન્યાસ સંકલ્પ પત્ર અને 'એક રાષ્ટ્ર એક નામ ભારત' અભિયાન વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું. સાંજના સત્રમાં સૌરાષ્ટ્ર વિભાગ સંયોજક અતુલભાઈ ગોસાઈ અને કમલેશભાઈ જાની દ્વારા સૌરાષ્ટ્ર વિભાગના કાર્ય વિસ્તારની યોજના અને કાર્યકર્તા દાયિત્વ વિશે રજૂઆત કરવામાં આવી. ગુજરાત પ્રાંત વૈદિક ગણિત સંયોજક ડૉ. સમીર પંડ્યાએ આગામી 22મી ડિસેમ્બરના રોજ શ્રીનિવાસ રામાનુજનની જન્મ જયંતી નિમિત્તે રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી માટે સૂચનો દર્શાવતું પોસ્ટર અને પરિપત્ર રજૂ કર્યો. ગુજરાત પ્રાંત સહ-સંયોજક ડૉ. કંદર્પ ચાવડાએ સમગ્ર કાર્યક્રમનું આયોજન, ન્યાસ, ગુજરાત પ્રાંતની આગામી છ માસિક યોજના અને સંયોજકે ધ્યાનમાં રાખવાના પાંચ બિંદુઓ પર ચર્ચા કરી. કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રીય ગીતની 150 વર્ષની ઉજવણી નિમિત્તે સંપૂર્ણ વન્દે માતરમ્ ગાન સાથે કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:36 pm

માથામાં ગોળી લાગ્યાના 11માં દિવસે પણ મહિલા RFO બેભાન:RTO પતિએ ફાયરિંગ કરાવી મોતના મુખમાં ધકેલી, સુરતમાં 8 ડોકટરની દિવસ-રાત દેખરેખ

સુરત જિલ્લાના કામરેજ નજીક મહિલા RFO સોનલ સોલંકી પર તેમના RTO પતિએ ફાયરિંગ કરાવ્યું હતું. માથામાં ગોળી લાગ્યા બાદ સર્જરી કરી ગોળી તો કાઢી લેવાઈ છે પરંતુ, આજે 11 દિવસ બાદ પણ સોનલબેન ભાનમાં નથી આવ્યા અને હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. છેલ્લા 11 દિવસથી આઠ ડોક્ટર સહિત 25થી વધુનો સ્ટાફ રાત દિવસ તેમની કન્ડિશન પર દેખરેખ રાખી રહ્યો છે. જોકે, આ ગોળીના કારણે આંખ, કાન અને મગજમાં ડેમેજ સર્જાયું છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં તબીબે જણાવ્યું હતું કે, જ્યાં સુધી સોનલબેન ભાનમાં ન આવી જાય ત્યાં સુધી સ્થિતિ અંગે કંઈપણ કહેવું મુશ્કેલ છે. 6 નવેમ્બરે RTO ઈન્સપેક્ટર પતિએ તેમના મિત્ર પાસે ફાયરિંગ કરાવ્યું હતુંઅડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO)સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યાં હતાં. ઘરેથી અડાજણ જવા નીકળેલાં મહિલા અધિકારીની કાર ઝાડ સાથે ભટકાયેલી હાલતમાં મળતાં પોલીસને જાણ કરાઈ હતી. કારમાં તેમની સાથે પુત્ર પણ હોવાનું જાણવા મળતાં તાત્કાલિક અસરથી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલાં RFOને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ સાથે જ બનાવ અંગે પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચેલાં પરિવારજનોએ સારવાર માટે તેમને સુરતની ખાનગી હોસ્પિટલ પી.પી. સવાણી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. તેઓ બેભાન હોવાથી ખાનગી હોસ્પિટલમાં સીટી સ્કેન કરાયું હતું. સીટી સ્કેન સમયે માલૂમ પડયું કે તેમને માથામાં ગોળી વાગી છે. RFOનો અકસ્માત નહીં, પરંતુ ફાયરિંગ થયું હોવાનું બહાર આવતાં પોલીસે FSLની મદદથી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સોનલ સોલંકી પર ફાયરિંગ RTOમાં ફરજ બજાવતા તેમના પતિ નિકુંજ ગોસ્વામીના કહેવાથી ઈશ્વરગીરી ગોસ્વામીએ કર્યું હતું. 11 દિવસની સારવાર બાદ પણ સોનલ સોલંકીની હાલત ગંભીરડૉ.જતીન માવાણી (ન્યુરોસર્જન, પીપી સવાણી હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે, 6 નવેમ્બરના રોજ મહિલા આરએફઓ સોનલબેન સોલંકીને બેભાન અવસ્થામાં ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. સિટી સ્કેન કરતા તેમના મગજમાં ગોળી હોવાનું સામે આવ્યું હતું. ત્રણ કલાકની સર્જરી કરીને ગોળીને મગજમાંથી બહાર કાઢવામાં આવી હતી. સોનલબેનની હાલત એકદમ ક્રિટિકલ જ હતી. જમણી બાજુથી ગોળી મારવામાં આવી હતી અને તે ડાબી બાજુ મગજમાં અટકી ગઈ હતી. વધુમાં જણાવ્યું હતું કે, મગજમાં અટકી ગયેલી ગોળી સર્જરી કરીને બહાર કાઢી લેવામાં આવી હતી. જોકે આ ગોળીના કારણે ખૂબ જ ગંભીર અસર પહોંચી છે. જમણી બાજુ કાનની નીચેથી મારવામાં આવેલી ગોળી પહેલા તો જમણા કાનને ડેમેજ કર્યો હતો. ત્યારબાદ આંખની કીકી અને ફાડી નાખી હતી. ડાબી સાઈડ જતાં ડાબા કાનને પણ ડેમેજ થયું છે. આ સાથે જ જમણી બાજુથી ડાબી બાજુ જતા તમામ સ્નાયુઓ પણ કટ થઈ ગયા છે. શરૂઆતના 72 કલાક ક્રિટિકલ હતા. જોકે ત્યારબાદ પણ તેમની કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો કહી શકાય તેવો મોટો સુધારો આવ્યો નથી. સ્થિતિમાં સુધારો આવ્યા બાદ ફરી બગડી જાય છે- તબીબવધુમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં થોડો મુમેન્ટ આવી હતી. છેલ્લા 11 દિવસથી તેમની કન્ડિશન પર દેખરેખ રાખવામાં આવી રહી છે અને રાત દિવસ ડોક્ટરો અને સ્ટાફ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. તેમની કન્ડિશનમાં ઉતાર ચઢાવ્યા કરે છે. શરૂઆતમાં ડાબી આંખમાં થોડી મુવમેન્ટ જોવા મળી હતી અને હાથમાં પણ મુવમેન્ટ જોવા મળી રહી હતી. જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ ની કન્ડિશનમાં ક્યારેક સુધારો આવે છે અને ફરી કન્ડિશન ક્રિટિકલ થઈ જાય છે. હાલ તો એમની કન્ડિશન અંગે આગળ શું થશે તે કંઈ પણ કહી શકાય તેવી સ્થિતિ નથી. જ્યાં સુધી બેભાન અવસ્થામાં છે ત્યાં સુધી આગળ શું થશે તે કહેવું મુશ્કેલ- તબીબવધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી સોનલબેન બેભાન છે ત્યાં સુધી આગળ શું થશે તે કંઈ પણ કહી શકાય નહીં. એકવાર ભાનમાં આવી ગયા બાદ તેમની કઈ રીતની કન્ડિશન હશે તે કહી શકાશે. જોકે હાલ તેમની આંખ, બંને કાન અને મગજમાં ખૂબ જ મોટું ડેમેજ થયું છે. હાલ તેમના સેન્સ કામ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. એક દિવસથી તેમને વેન્ટિલેટર થી પણ હટાવી લેવામાં આવ્યા છે અને તેઓ શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરીને તેમની કન્ડિશન પર દેખરેખ રાખવામાં આવી રહી છે. સોનલબેન પર 8 તબીબ સહિત 25ના સ્ટાફની રાત દિવસ દેખરેખવધુમાં જણાવ્યું હતું કે, 6 નવેમ્બરના રોજ સોનલબેન ને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા ત્યારબાદથી મારા સહિત 8 જેટલા તબીબો તેમની કન્ડિશન પર સતત દેખરેખ રાખી રહ્યા છે. આ સાથે જ તેમની સાથે જોડાયેલા 15 થી 20 નો સ્ટાફ પણ રાઉન્ડ ક્લોક રાત અને દિવસ દેખરેખ રાખી રહ્યા છે. હાલ તો સોનલબેન ભાનમાં આવ્યા બાદ જ તેમની કન્ડિશન અંગે વધુ કહી શકાશે. આ સાથે જ જે ડેમેજ થયું છે તે રિકવર થશે કે નહીં તે પણ ત્યારબાદ જ જાણ થશે. પત્ની પર ફાયરિંગ થયું ત્યારે પતિ 5 કિમી જ દૂર હતો સુરત રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી ફાયરિંગ કેસમાં જિલ્લા LCB પોલીસે આરોપી અને ઇજાગ્રસ્ત RFOના પતિ નિકુંજ ગોસ્વામીની કામરેજની કઠોર કોર્ટ પરિસરમાંથી અટકાયત કર્યા બાદ તેની વિધિવત ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ નિકુંજ ગોસ્વામીએ કબૂલાત કરી હતી કે, તેણે જ પોતાની પત્ની પર ફાયરિંગ કરાવ્યું હતું. આ ઘટનામાં ચોંકાવનારી વિગત એ છે કે, જે સમયે સોનલ સોલંકી પર ફાયરિંગ થયું તે સમયે મુખ્ય આરોપી નિકુંજ ઘટનાસ્થળથી માત્ર 5 કિમી દૂર ઉભો હતો. જ્યારે તેના મિત્ર ઇશ્વર ગોસ્વામીએ સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઇશ્વર ગોસ્વામીની પણ ધરપકડ કરી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:35 pm

10.8 ડિગ્રી સાથે નલિયા-દાહોદ સૌથી ઠંડાં શહેર:24 કલાકમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ગગડ્યો, રાજ્યમાં 7 દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. નવેમ્બર મહિનામાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, નલિયા-દાહોદ સૌથી ઠંડાં શહેર બની ગયા છે. નલિયા અને દાહોદમાં સરખુ 10.8 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. મોટા ભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે. આગામી 7 દિવસ ઠંડીનો ચમકારો યથાવત્ રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી કેટલાક દિવસ સુધી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં પણ વધારો જોવા મળી શકે છે. ઠંડી વધતા જ વહેલી સવારથી ગાર્ડનમાં લોકો ચાલવા અને દોડવા આવી રહ્યા છે. વહેલી સવારે ગાર્ડનમાં લોકો ઠંડીથી બચવા માટે કસરત કરતા પણ જોવા મળી રહ્યા છે. મોટા ભાગના શહેરનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નીચેહવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમરેલીમાં 11.4 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી, ભુજમાં 15.2 ડિગ્રી, દીવમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 15.9 ડિગ્રી, કંડલા 16.1 ડિગ્રી, દમણ 18.2 ડિગ્રી, વેરાવળમાં 19.1 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી, દ્વારકામાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:33 pm

રામોલ-હાથીજણ વોર્ડમાં પાણીની લાઈનમાં ભંગાણ, ફુવારા પાંચ માળ સુધી ઉડ્યા:ફ્લેટમાં રહેતા લોકોના ઘર સુધી પાણી ઉડ્યું, લાખો લિટર પાણીનો વેડફાટ થયો

અમદાવાદના રામોલ - હાથીજણ વોર્ડમાં પીવાના પાણીની મુખ્ય લાઈનમાં મોટું ભંગાણ પડ્યું છે. પાણીની લાઇન અને ગટરની લાઇન શોધવા માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. સમયસર ખાડો પૂરવામાં ના આવતા વહેલી સવાર જ્યારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું. મુખ્ય લાઈનમાં જ ભંગાણ પડતા પાણીના ફુવારા પાંચ માળ સુધી ઉડ્યા હતા. પાણીની પ્રેશર એટલું બધું હતું કે ફ્લેટમાં રહેતા લોકોના દરવાજા સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા. જેના કારણે લાખો લિટર પાણીનો વેડફાટ થતા સ્થાનિકો પણ રોષે ભરાયા હતાં. પાણીની લાઈનમાં મોટું ભંગાણ થયું ન્યુ મણિનગરના શ્રી મણિકણિકેશ્ર્વર મહાદેવથી સદગુરુ બંગ્લોઝ જતા રસ્તા પર રાજ રેસીડેન્સી આગળ અંદાજે એક મહિના પહેલા એક કિલોમીટર સુધીનો RCC નો રોડ બનાવવામાં આવ્યો હતો. RCC નો રોડ બનાવવા માટે તંત્રએ કરોડો રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. જે બાદ તંત્ર દ્વારા ગટરના ગંદા પાણી વહેતા થતા હોવાથી JCB દ્વારા ખોદવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીની લાઇન અને ગટરની લાઇન મિશ્ર થતું હોવાથી તેનું મૂળ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહી હતો. પાણીના ફુવારા પાંચ માળ સુધી ઉછળ્યા જેના કારણે રાજ રેસીડેન્સીના ગેટ પાસે મસમોટો ખાડો કરીને બેરિકેટરિંગ કરવામાં આવ્યું હતું. મસમોટો ખાડો કરીને તેને ખુલ્લો છોડી દેવામાં આવ્યો હતો. જ્યારે આજે વહેલી સવારે પીવાનું પાણી છોડવામાં આવ્યું હતું. જેથી પીવાના પાણીની લાઇન પર ખાડો પૂરવામાં ના આવતા અચાનક પ્રેશર વધી ગયું હતું. પ્રેશર વધવાના કારણે પીવાના પાણીની લાઇનમાં મોટું ભંગાણ પડી ગયું હતું. જેના કારણે વહેલી સવારે પાણીના ફુવારા પાંચ માળ સુધી ઉછળતા જોવા મળ્યા હતાં. બે કલાક સુધી પાણીનો વેડફાટ થયોરાજ રેસીડેન્સીમાં રહેતા લોકોના ઘર સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા. તેમજ મહાદેવ સ્કાઈના બેઝમેન્ટમાં પણ પાણી ફરી વળ્યા હતા. બે કલાક કરતા પણ વધુ સમય સુધી પાણીના ફુવારા ઉડવાથી લાખો લિટર શુધ્ધ પાણીનો વેડફાટ પણ થયો હતો. બે કલાક સુધી પાણીનો વેડફાટ થતો હોવા છતાં કોઈ પણ અધિકારી જોવા માટે આવ્યા નહતા. તેમજ રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતા આસપાસના સ્થાનિકો રોષે ભરાયા છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:33 pm

હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન અમદાવાદ યુનિટ દ્વારા સેમિનાર:ડો. પિયુષ જોષીએ હોમિયોપેથીના પ્રવર્તકોના પ્રદાન પર વક્તવ્ય આપ્યું

અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, અમદાવાદ યુનિટ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વડોદરાના જાણીતા હોમિયોપેથ ડૉ. પિયુષ જોષીએ વક્તવ્ય આપ્યું હતું. ડૉ. જોષીએ 'હોમિયોપથીના પ્રવર્તકો ડૉ. સેમ્યુઅલ હનીમેન તથા ડૉ. સી. હેરીન્ગના પ્રદાન' વિષય ઉપર વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે આ મહાનુભાવોના હોમિયોપેથી ક્ષેત્રે આપેલા યોગદાનને ઉજાગર કર્યું હતું. આ કાર્યક્રમમાં 50થી વધુ હોમિયોપેથીક ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ વિષય પર રસપૂર્વક માહિતી મેળવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:30 pm

રાષ્ટ્ર સેવિકા સમિતિએ ભદ્રકાળી મંદિરે સ્થિર વાદન ઘોષ યોજ્યો:મૌસીજી સ્મૃતિ દિન નિમિત્તે 70 બહેનોએ ભાગ લીધો

રાષ્ટ્ર સેવિકા સમિતિ, કર્ણાવતી મહાનગર દ્વારા 16,નવેમ્બર 2025 સવારે 9:30 કલાકે ભદ્રકાળી મંદિર ખાતે 'સ્થિર વાદન ઘોષ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મૌસીજી સ્મૃતિ દિન નિમિત્તે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્ર સેવિકા સમિતિની અંદાજે 70 જેટલી બહેનોએ ભાગ લીધો હતો. ભદ્રકાળી મંદિર ખાતે ઉપસ્થિત ભક્તજનોએ પણ આ સ્થિર વાદન ઘોષ કાર્યક્રમને રસપૂર્વક નિહાળ્યો હતો.લગભગ એક કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમ બાદ, રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનો દ્વારા ભદ્રના વસંત ચોક ખાતે આવેલી શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવામાં આવ્યું. ઉલ્લેખનીય છે કે, કર્ણાવતી મહાનગરના મહારાષ્ટ્રિયન ભાઈ-બહેનો દ્વારા દર રવિવારે વસંત ચોકમાં આવેલી શિવાજી મહારાજની પ્રતિમાનું પૂજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. આજે રાષ્ટ્ર સેવિકા સમિતિની બહેનોની ઉપસ્થિતિથી આ પૂજન કાર્યક્રમ વધુ ભવ્ય બન્યો હતો. બહેનોએ 'ભારત માતાકી જય' અને 'શિવાજી મહારાજના જય જય કાર' ના નારા લગાવી વાતાવરણને ગુંજવી દીધું હતું. કાર્યક્રમના અંતે, રાષ્ટ્ર સેવિકા સમિતિના બહેનોને ચા-નાસ્તાની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:28 pm

શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કાર્યાલય શરૂ:રાજકોટમાં સર્વજ્ઞાતિ પિતૃઓનાં મોક્ષ માટે જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનું આયોજન, જીજ્ઞેશ દાદાએ કહ્યું- સનાતન ધર્મનાં મૂળ ઊંડા પણ સાવધાની જરૂરી છે.

રાજકોટમાં સર્વજ્ઞાતિ પિતૃઓનાં મોક્ષ માટે જીજ્ઞેશ દાદાની ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રાધે રાધે પરિવાર તથા તથાસ્તુ વિદ્યાપીઠના લાભાર્થે રાજકોટનાં રેસકોર્સ ખાતે યોજાનારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. આ સપ્તાહનું આયોજન આગામી તારીખ 28 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન એટલે કે રામનવમી નાં પવિત્ર દિવસથી લઈને હનુમાન જયંતિ વચ્ચે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આ સપ્તાહ યોજાશે. આ માટે સટ્ટાબજારનાં કાર્યાલયનો શુભારંભ જીજ્ઞેશ દાદાનાં હસ્તે કરવામાં આવ્યો હતો. આ તકે જીજ્ઞેશ દાદાએ મોટી સંખ્યા લોકોને આ કથાનું રસપાન કરવાની અપીલ કરી હતી. તેમજ જણાવ્યું હતું કે, સનાતન ધર્મનાં મૂળ ઊંડા છે પણ સાવધાની જરૂરી છે. જીજ્ઞેશ દાદાનાં જણાવ્યા મુજબ અગાઉ એક કથામાં વ્યાસપીઠ ઉપર બેઠા-બેઠા આ કથાનો વિચાર આવ્યો હતો. સામાન્યમાં સામાન્ય વ્યક્તિ કથામાં સહભાગી બની શકે તે માટે પોથી નોંધાવવાની ફી માત્ર રૂ. 31,000 રાખવામાં આવી છે. જેમાં કોઈપણ જ્ઞાતિની વ્યક્તિ પણ ભાગ લઈ શકશે. કોરોનાકાળમાં રાજકોટમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. જેમની અંતિમ વિધિ પણ યોગ્ય રીતે થઈ નથી. આવા તમામ લોકોના આત્માને શાંતિ મળે તે માટે રાજકોટમાં રામનવમીના પાવન અવસરથી હનુમાન જયંતિનાં પવિત્ર દિવસ સુધી આ સપ્તાહનું આયોજન કરાયું છે. વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, અમરેલી ખાતે તથાસ્તુ વિદ્યાપીઠનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ધો. 11 અને 12 સાયન્સનો અભ્યાસ જરૂરિયાતમંદ છાત્રોને તદ્દન ફ્રી કરાવવામાં આવશે. તેમજ રહેવા અને જમવાની સુવિધા પણ નિઃશુલ્ક આપવામાં આવશે. તેના લાભાર્થે અને રાજકોટમાં અકાળે મૃત્યુ પામનારાઓના આત્માને શાંતિ મળે તેના માટે રંગીલા રાજકોટને ધર્મમય બનાવા માટે રેસકોર્સમાં 28 માર્ચથી 2 એપ્રિલ 2026 દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ભાગવત સપ્તાહમાં મોટી સંખ્યામાં લોકોને ભાગ લેવા અપીલ છે. સનાતન ધર્મ અંગે તેમણે જણાવ્યું હતું કે, માત્ર સંપત્તિ વધવાથી દેશની સ્થિતિમાં સુધારો નહીં આવે, પરંતુ માણસમાં સારા વિચારો હોવા જરૂરી છે. સારા વિચારોનું મૂળ કથાઓ અને સત્સંગ છે. રામાયણના ઉદાહરણ ટાંકીને તેમણે કહ્યું હતું કે સત્સંગ વિના વિવેક આવતો નથી, અને વિવેક વિના માણસને કોની સાથે કેવી રીતે વર્તવું કે જીવવું તેનું જ્ઞાન મળતું નથી. ભાગવત કથા માત્ર પિતૃ મોક્ષાર્થ માટેની નહીં, પણ પોતાના ઉદ્ધાર માટેની કથા છે, જેનાથી જીવનનો એક સારો રાહ મળે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, કથાનો હેતુ છે કે માણસ નિર્વ્યસની બને અને સમાજમાં એજ્યુકેશન (શિક્ષણ) આવે, કારણ કે શિક્ષણથી જ બધું પ્રાપ્ત થવાનું છે. સારા વિચારોની સ્થાપના થશે તો આતંકવાદ પણ ચોક્કસપણે દૂર થશે. સનાતન ધર્મ વિશે વધુમાં તેમણે કહ્યું હતું કે સનાતન એટલું ઊંડું મૂળ છે કે કોઈ તેને કાપી શકે તેમ નથી. સનાતનને કોઈ હાની પહોંચાડી શકે તેમ નથી. જોકે આ ભાવ સાંભળીને સૌએ નિશ્ચિંત થઈ જવાની જરૂર નથી. સનાતનની રક્ષા માટે સાવધાન રહેવાની જરૂરિયાત પર ભાર મૂકતા તેમણે કહ્યું કે માત્ર વ્યાસપીઠ જ સનાતનની રક્ષા કરશે તેમ નહીં, પરંતુ હિંદુ સમાજમાં જન્મ લેનારા દરેક વ્યક્તિએ કહેવું જોઈએ કે અમે સનાતન ધર્મની રક્ષા કરશું, ત્યારે જ સનાતની બની શકાશે. માત્ર સનાતની કહેવાથી કે હાથમાં માળાઓ લેવાથી નહીં, પરંતુ ખરેખર સનાતન શું છે તેને સમજીને તેમાં આહુતિ આપવાથી જ સનાતન ધર્મની રક્ષા થશે. ઉલ્લેખનીય છે કે, આ સપ્તાહમાં યુવાનો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે, જેનું નામ 'જ્ઞાન યજ્ઞ' આપવામાં આવ્યું છે. આ જ્ઞાન યજ્ઞમાં રોજ સાંજે 4:00 થી 6:00 દરમિયાન યુવાનોને ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યો વિશે સમજણ આપવામાં આવશે. જેમાં જ્યોતિર્ધર જીતુભાઈ શાહ પોતે ઉપસ્થિત રહીને યુવાનોને માર્ગદર્શન આપશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:26 pm

સરદાર પટેલ,બિરસા મુંડાની 150મી જન્મજયંતી ઉજવાઈ:નિબંધ, વક્તૃત્વ, ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું

શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય, જીઆઇડીસી, ચિત્રા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને યુવા ક્રાંતિકારી નેતા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે નિબંધલેખન, વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું.વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ સર્જનાત્મક શક્તિઓને પ્રોત્સાહન આપવાના હેતુથી શાળામાં અનેક સહઅભ્યાસ પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. રમતગમત ક્ષેત્રે, શાળાની કબડ્ડી, ખોખો, વૉલીબોલ અને રસ્સાખેંચની ટીમોએ ઝોન અને જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ ઉપરાંત, ગૂજરાત વિદ્યાપીઠના સહયોગથી સ્વદેશી વસ્તુઓના ઉપયોગના લાભો અંગે એક કાર્યક્રમ પણ યોજાયો હતો. શાળાના આચાર્ય બટુકભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમો સફળ રહ્યા હતા, અને સંચાલક કે.પી. સ્વામીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:20 pm

શહેરના પશ્ચિમમાં ચોરીના બે બનાવ:ગોતામાં ગાડીનો કાચ તોડી 6.08 લાખ ભરેલી બેગ ચોરી, વેજલપુરમાં બંધ મકાનનું તાળું ખોલીને 4.62 લાખની ચોરી

અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચોરીના બે અલગ અલગ બનાવ સામે આવ્યા છે. ગોતામાં વેપારી દવા લેવા મેડિકલ સ્ટોર પર ગયા ત્યારે ગાડીનો કાચ તોડી અજાણ્યો વ્યક્તિ 6.08 લાખ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો છે. વેજલપુરમાં મકાન બંધ કરી પરિવાર કામ પર ગયો ત્યારે મકાનનું તાળું ડુપ્લીકેટ ચાવવાથી ખોલી ઘરમાંથી રોકડ અને દાગીના સહિત 4.62 લાખની ચોરી કરી છે. ગોતામાં ગાડીનો કાચ તોડી 6.08 લાખ ભરેલી બેગ ચોરીગોતામાં રહેતા મૌલિકભાઈ પંચાલ પ્લાસ્ટિકનો વેપાર કરે છે. ગઈકાલે તેઓ તેમની અલકાઝર ગાડી લઈને જુહાપુરા પાસેથી ધંધાના 2.94 લાખ,એસ.જી હાઈવે પાસેના આંગડિયામાંથી 1 લાખ અને ગોતાના આંગડિયામાંથી 1.64 લાખ રૂપિયા એમ કુલ 5.98 લાખ તથા તેમની પાસે રહેલા 50,000 એમ મળી કુલ 6.08 લાખ રૂપિયા લઇ બેંકમાં મૂકીને ઘરે જઈ રહ્યા હતા.આ દરમિયાન તેઓ ગોતા વિશ્વાસ સીટી પાસે મેડિકલ દુકાનમાં તેમના માતાની દવા લેવા માટે ગયા હતા.જ્યારે તેઓ પરત આવ્યા ત્યારે તેમના 6.5 લાખ રૂપિયા ભરેલી બેગ કોઈ અજાણ્યો વ્યક્તિ કારનો કાચ તોડીને ચોરી કરી લઈ ગયો હતો.આ બેગમાં તેમનો મોબાઇલ ફોન પણ હતો.ચોરી અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વેજલપુરમાં બંધ મકાનનું તાળું ખોલીને 4.62 લાખની ચોરીમકરબા રોડ પર રહેતા પિન્કીબેન જાદવે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેમના ભાઈ અને ભાભી સાથે રહે છે.ત્રણે જણા અલગ અલગ જગ્યા પર કામ કરે છે.ત્રણેય ઘર બંધ કરી કામ પર નીકળ્યા હતા.સાંજે કામથી પરત આવ્યા ત્યારે તેમના ઘરના દરવાજે લગાવેલું તાળું ખુલ્લી હાલતમાં હતું.તેમણે દરવાજો ખોલીને ઘરમાં તપાસ કરી ત્યારે તિજોરીમાંથી 2.50 લાખ રૂપિયા રોકડ અને 2.12 લાખ રૂપિયાના દાગીના એમ કુલ 4.62 લાખ રૂપિયાની ચોરી થઈ હતી.આ અંગે તેમણે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:19 pm

ચીખલીમાં પારિવારિક ઝઘડા બાદ પતિનો આપઘાત પ્રયાસ:બાથરૂમમાં રાખેલું એસિડ પી લીધું, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ

નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બોડવાક ગામમાં પારિવારિક ઝઘડાનું ગંભીર પરિણામ સામે આવ્યું છે. પત્ની સાથેની બોલાચાલી બાદ એક આધેડ પતિએ બાથરૂમમાં રાખેલું એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ચીખલી પોલીસ સ્ટેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોડવાક નવા ફળિયાના રહેવાસી 58 વર્ષીય આધેડે 16 નવેમ્બરના રોજ સાંજે 6:30 વાગ્યા પહેલા પોતાના ઘરમાં પત્ની સાથે બોલાચાલી કરી હતી. આ ઝઘડાથી વ્યથિત થઈને આધેડે ઘરના બાથરૂમમાં જઈને વાપરવામાં આવતું એસિડ પી લીધું હતું. એસિડ પીધા બાદ આધેડ અર્ધભાન અવસ્થામાં આવી ગયા હતા. તેમને તાત્કાલિક ટાંકલ સી.એચ.સી. (સામુહિક આરોગ્ય કેન્દ્ર) ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉ. અર્પિતા પટેલે તેમની પ્રાથમિક સારવાર કરી હતી. આધેડેની ગંભીર હાલત જોતા તેમને વધુ સારવાર માટે ટાંકલ સી.એચ.સી.માંથી ખારેલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. ડૉ. અર્પિતા પટેલે આ અંગેની જાણકારી ચીખલી પોલીસ સ્ટેશનને ટેલિફોનિક વર્ધી દ્વારા આપી હતી. ચીખલી પોલીસે આ બનાવની જાણવાજોગ દાખલ કરી છે અને હેડ કોન્સ્ટેબલ જીગ્નેશભાઈ રંગુભાઈ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:02 pm

ચાંદખેડામાં જીયોના ટાવરમાંથી 5G કાર્ડની ચોરી:આરોપી કાર્ડ વિદેશમાં 5G નેટવર્ક ન હોય ત્યાં વિદેશમાં કાર્ડ સપ્લાય કરતા, બે ઝડપાયા

અમદાવાદ શહેર અને જિલ્લામાં જીયો કંપનીના ટાવરમાંથી 5Gનું BBU કાર્ડ ચોરી થયાની ફરિયાદ પોલીસે ચોપડે નોંધાઈ હતી. ત્યારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં કાર્ડ ચોરી થયાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જોકે કાર્ડ ચોરી કરનાર આરોપીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓ કાર્ડ કાઢીને જે દેશમાં 5G નેટવર્ક હજુ સુધી નથી પહોંચ્યું ત્યાં કાર્ડ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. 5Gનું BBU કાર્ડ ચોરી થયું, બે ઝડપાયાજુહાપુરામાં રહેતા મોહમ્મદકલીમ શેખે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેઓ જિયો કંપનીમાં એસ્ટેટ મેનેજર તરીકે નોકરી કરે છે. 6 નવેમ્બરના રાતે 2 વાગ્યાની આસપાસ ચાંદખેડાના સુપરવાઇઝરે તમને ફોન કરીને જણાવ્યું હતું કે, વિસત ઝુંડાલ પર આવેલા ટાવર બંધ થઈ ગયું છે. જેથી મોહમ્મદકલીમ શેખ રાત્રે ટાવર પાસે પહોંચ્યા હતા. ટાવરમાં તપાસ કરતા જિયો કંપનીનો 5Gનું BBU કાર્ડ ચોરી થયું હતું. આ કાર્ડની કિંમત 1.25 લાખ રૂપિયા હતી.કાર્ડ ચોરી થવા મામલે ચાંદખેડા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. પોલીસે 3 બેઝબેન્ડ યુનિટ કબજે કર્યાઅમદાવાદ ગ્રામ્ય પોલીસે થોડા દિવસ અગાઉ જ અલગ અલગ જીયોના ટાવરમાંથી કાર્ડની ચોરી કરતા બે આરોપીઓની ધરપકડ કરી છે.પોલીસે મૂળ કાશ્મીરના. અને અમદાવાદમાં રહેતા ઉત્તર શર્મા અને બોટાદના વિશાલ ચાવડાની ધરપકડ કરી છે.આરોપીઓ પાસેથી પોલીસે 3 બેઝબેન્ડ યુનિટ કબજે કર્યા હતા.આરોપીઓએ અમદાવાદ જિલ્લા ઉપરાંત શહેરમાં ચાંદખેડા,સાબરમતી,પાલડી,વાસણા,નારોલ,ઘોડાસર,લાંભા સહિત અલગ અલગ જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. એક ટાવરમાંથી માત્ર બે મિનિટમાં ફિટ કરેલા BBU ની ચોરીઆરોપી ઉત્તમ શર્મા જિયો કંપનીમાં ટાવરનું ઇન્સ્ટોલેશન નું કામ કરતો હતો જેથી તે ટાવરમાં કઈ કઈ વસ્તુઓ કિંમતી હોય તે બાબતથી જાણકાર હતો. ઉત્તમ ક્યા સ્થળ પર મોબાઈલ ટાવર લાગેલા છે, તેના લોકેશન જાણતો હતો માટે રાત્રિના સમયે વિશાલ સાથે મળી ટાવર માંથી BBUની ચોરી કરતો હતો. એક ટાવરમાંથી માત્ર બે મિનિટમાં ફિટ કરેલા BBU ની ચોરી કરતો હતો.BBU ની મૂળ કિંમત રૂ 3.50 લાખ છે પરંતુ તે આગળ 15 હજાર માં એક BBU નું વેચાણ કરતો. આરોપીઓ 5G નેટવર્ક ન હોય ત્યાં કંબોડિયા,વિયેતનામ સહિતના દેશમાં કાર્ડનું વેચાણ કરતામોબાઈલ ટાવરમાંથી ચોરી BBU દિલ્હીની એક ગેંગને વેચવામાં આવતા હતા. દિલ્હીની ગેંગ આ BBU દક્ષિણ ઉત્તરના દેશો જ્યાં 5G નેટવર્ક ન હોય ત્યાં કંબોડિયા,વિયેતનામ સહિતના દેશમાં કાર્ડનું વેચાણ કરતા હતા.આરોપીઓ રાતના સમયે ચોરી કરવા માટે નીકળતા હતા. એક રાતમાં 4 થી 5 ચિપ ચોરી કરવાનો ટાર્ગેટ રાખતા. એક રોડ પર જ્યાં ચોરી પૂર્ણ કરી હોય, ત્યાંથી બીજી રાત્રે ચોરીની શરૂઆત કરતા અને એક બાદ એક મોબાઈલ ટાવરની ચિપ ચોરી કરતા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 12:01 pm

વલસાડમાં ઠંડીનો ચમકારો શરૂ:લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી, વાતાવરણમાં શીતળતા પ્રસરી

વલસાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારથી ઠંડીનો અનુભવ થયો હતો. રાજ્ય હવામાન વિભાગની આગાહી મુજબ, વલસાડમાં લઘુત્તમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઠંડીની શરૂઆત થતાં જ વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી. ઠંડીના કારણે સવારે માર્ગો પર સ્વેટર, જેકેટ, મફલર અને ટોપી પહેરીને નોકરી-ધંધે જતા લોકો જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર વિસ્તારમાં ઠંડા પવનનો અનુભવ થયો હતો. શહેરમાં મોર્નિંગ વોક અને કસરત કરતા લોકોની સંખ્યામાં પણ વધારો થયો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે. ઠંડી વધતા ખેડૂતો રવિ પાક અને આંબાની સંભાળ રાખવાની કામગીરીમાં વ્યસ્ત બન્યા છે. વલસાડમાં ઠંડક વધતા સવાર-સાંજ લોકો ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. શિયાળાની ઋતુના આગમનથી સમગ્ર જિલ્લામાં શીતળ પવન અને સુખદ વાતાવરણ છવાઈ ગયું છે. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયેલ તાપમાન નીચે મુજબ છે: વલસાડમાં મહત્તમ 29C અને લઘુત્તમ 19C, ધરમપુરમાં મહત્તમ 30C અને લઘુત્તમ 17C, વાપીમાં મહત્તમ 29C અને લઘુત્તમ 19C, કપરાડામાં મહત્તમ 28C અને લઘુત્તમ 15C, ઉમરગામમાં મહત્તમ 29C અને લઘુત્તમ 18C, જ્યારે પારડીમાં મહત્તમ 29C અને લઘુત્તમ 19C નોંધાયું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:59 am

શહેરા વન વિભાગે ખેરના લાકડા ભરેલી ગાડી ઝડપી:બાહી-સાકરિયા ચોકડી પાસેથી ₹5.20 લાખનો મુદ્દામાલ જપ્ત

શહેરા વન વિભાગે બાહી-સાકરિયા ચોકડી પાસેથી ખેરના લાકડા ભરેલી એક ગાડી ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં આશરે ₹5.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા ગેરકાયદેસર લાકડાની હેરાફેરી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરા રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.વી. પટેલને ચોક્કસ બાતમી મળી હતી કે બાહી ગામ પાસેથી ગેરકાયદેસર ખેરના લાકડા ભરેલી એક ગાડી પસાર થવાની છે. આ બાતમીના આધારે વન વિભાગની ટીમે વોચ ગોઠવી હતી. બાતમીના આધારે, ખાંડિયા રાઉન્ડ સ્ટાફ અને શહેરા રેન્જ સ્ટાફે સંયુક્ત રીતે બાહીથી સાકરિયા જતા રોડ પર સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન, સાકરિયા ચોકડી નજીક ગાડી નંબર GJ-17-T-9215 આવતા તેને શંકાના આધારે અટકાવવામાં આવી હતી. વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર આર.એસ. ચૌહાણ, એસ.બી. માલીવાડ, બીટ ગાર્ડ બી.એન. રાવલ અને વી.એમ. રાઠોડ સહિતના સ્ટાફે ગાડીની તપાસ કરતા તેમાંથી લીલા અને તાજા ખેરના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રાઈવર પાસે આ લાકડા અંગે કોઈ પાસ કે પરમિટ ન હોવાથી તે આધાર-પુરાવા રજૂ કરી શક્યો ન હતો. આથી, વન વિભાગે કાયદેસરની કાર્યવાહી કરી ગાડી અને ગેરકાયદેસર લાકડા સહિત આશરે ₹5,20,000 નો મુદ્દામાલ સરકાર હસ્તક કબજે લીધો છે. વાહનને વધુ તપાસ અર્થે શહેરા રેન્જ કમ્પાઉન્ડ ખાતે રાખવામાં આવ્યું છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:47 am

સુરતમાં યુવકે મિત્રને છાતીમાં ચપ્પુ માર્યું, CCTV:હુમલો કર્યા બાદ ચપ્પુ ખિસ્સામાં મૂકી ઈજાગ્રસ્ત મિત્રને જોતો રહ્યો, પાંચ વર્ષ જૂના ઝઘડાનો બદલો લીધો

સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મિત્રએ પાંચ વર્ષ જૂની અદાવતનો બદલો લેવા માટે જાહેરમાં અન્ય મિત્ર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના ભરચક વિસ્તારના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની અટકાયત કરી છે. યુવકનો મિત્ર પર ચપ્પુથી જીવલેણ હુમલોઆ ઘટના તારીખ 15 નવેમ્બરના રોજ સાંજે 5:45 કલાકે બની હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ફરિયાદી વિશાલ યાદવ તેના એક અન્ય મિત્ર સાથે જાહેર રસ્તા પર ઊભો છે. આ દરમિયાન આરોપી વિશાલ ઉર્ફે ભૂષણ હાથમાં લગભગ 12 ઇંચનું એક મોટું ચપ્પુ લઈને ત્યાં આવે છે. આરોપી ત્યાં આવતાની સાથે જ ફરિયાદી વિશાલ સાથે ઝઘડો શરૂ કરી દે છે. આ બોલાચાલી દરમિયાન, અચાનક જ આરોપી વિશાલ ઉશ્કેરાઈને ફરિયાદી વિશાલની છાતીના ભાગે ચપ્પુ વડે જીવલેણ વાર કરી દે છે. ચપ્પુ ખિસ્સામાં મૂકીને સ્થળ પર ઊભો રહીને જોતો રહ્યોહુમલાના તુરંત બાદ, હુમલા બાદ આરોપી ત્યાં થોડીવાર ઊભો રહે છે અને ઈજાગ્રસ્ત મિત્રને સતત જોતો રહે છે. ફરિયાદી વિશાલ સાથે ઊભેલો અન્ય વ્યક્તિ તાત્કાલિક ઈજાગ્રસ્ત વિશાલને કારમાં બેસાડીને સારવાર અર્થે હોસ્પિટલ તરફ લઈ જાય છે. સીસીટીવી ફૂટેજ આરોપી કેદઆ બધું થઈ રહ્યું હોવા છતાં, આરોપી વિશાલ શાંતિથી પોતાનું ચપ્પુ ખિસ્સામાં મૂકીને સ્થળ પર ઊભો રહે છે અને દ્રશ્ય જોતો રહે છે. થોડીવાર પછી તે પોતાની બાઇક પર બેસીને ઘટનાસ્થળેથી ફરાર થઈ જાય છે.જોકે, આ સમગ્ર ઘટના એક ભરચક વિસ્તારમાં બની હતી. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે લોકો સામાન્ય રીતે અવરજવર કરી રહ્યા હતા, જાણે કે કોઈ ગંભીર ઘટના બની જ ન હોય. જાહેર જનતાની આ નિષ્ક્રિયતાએ શહેરની સામાજિક સભાનતા પર ગંભીર પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. આરોપી વિશાલ ઉર્ફે ભૂષણની અટકાયત આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવતા જ ઉધના પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપી વિશાલ ઉર્ફે ભૂષણની અટકાયત બારડોલી ખાતેથી કરી લીધી છે. હાલ તેની ધરપકડની પ્રક્રિયા ચાલી રહી છે. ઈજા પામેલા યુવક વિશાલ યાદવને સારવારમાં ખસેડાયોબીજી તરફ, છાતીમાં ગંભીર ઈજા પામેલા યુવક વિશાલ યાદવને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને હાલ તે સારવાર હેઠળ છે. પોલીસે સીસીટીવી ફૂટેજને મુખ્ય પુરાવા તરીકે ગણીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંચ વર્ષ જૂની અદાવત બની હુમલાનું કારણપોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ હુમલા પાછળનું કારણ પાંચ વર્ષ પહેલાં થયેલો એક જૂનો ઝઘડો હતો. તે સમયે, ફરિયાદી વિશાલ યાદવે આરોપીના બદલે અન્ય વ્યક્તિનો પક્ષ લીધો હતો. આ વાતની અદાવત રાખીને આરોપી વિશાલ ઉર્ફે ભૂષણે બદલો લેવા માટે આ જીવલેણ હુમલો કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:45 am

વડોદરામાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી:મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા, છ માસની બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં પતિએ જ પત્નીની ગળુ દબાવી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.મહિલાના પતિ સાથે બીજા લગ્ન થયા હતા. આ દંપતીને છ માસની બાળકી પણ છે. જો કે માતાની હત્યાથી હવે બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આ મામલે જે પી રોડ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં પતિએ હત્યા કરી પત્ની અને બે સંતાનોને દાટી દીધાભાવનગરમાં ગુમ થયેલા માતા પુત્ર અને પુત્રીની 16 નવેમ્બરના રોજ શંકાસ્પદ હાલતમાં ખાડામાંથી દટાયેલી લાશ મળતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી. 5 તારીખે ગુમ થયેલા પરિવારની શોધખોળ દરમિયાન પોલીસને તળાજા જકાતનાકા પાસે આવેલી ફોરેસ્ટ કોલોની પાસે ખોદકામ થયેલી શંકાસ્પદ જગ્યાએથી ત્રણ લાશો મળી હતી. આ મામલામાં પોલીસે મૃતક નયનાબેનના પતિ અને ફોરેસ્ટ વિભાગના અધિકારી શૈલેષ ખાંભલા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. શહેરમાં એક પરિવારમાંથી નયનાબેન (40), પુત્રી પૃથા (13) અને પુત્ર ભવ્ય (9) ત્રણેય સુરત જવાનું કહી ગુમ થયા હતા. જેને લઇ નયનાબેન ના પતિ શૈલેષ ખાંભલા એ ગુમ થયાના બે દિવસ પછી ભરતનગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી હતી. જેમાં તેનો પરિવાર સુરત જવા માટે નીકળ્યો હોય અને નયનાબેન તેનો મોબાઇલ ઘરે મૂકી પુત્ર અને પુત્રીને લઈ ગયાની રજૂઆત કરી હતી. જે બાદ પોલીસે તપાસ હાથ ધરતા અંગત બાતમીદારે ફોરેસ્ટ કોલોની, કાચના મંદિર સામે, શંકાસ્પદ હાલતમાં ખોદકામની માહિતી આપતા પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો. જ્યાં પોલીસ, FSL, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, ડોગ સ્કોડ, અને ટેકનિકલ ટીમે તેમના ઘરથી 20 ફૂટ દૂરના અંતરે આવેલા શંકાસ્પદ ખાડાનું ખોદકામ 5 થી 7 ફૂટ કરતા ત્રણેય નયનાબેન, પૃથા અને ભવ્યની લાશ મળી આવી હતી તાત્કાલિક ત્રણેય લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડાઈ હતી. ત્યાર બાદ રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી. 15 નવેમ્બરે રાજકોટમાં પત્ની પર ફાયરિંગ પછી પતિએ આત્મહત્યા કરી15 નવેમ્બર, 2025ના રોજ રાજકોટના જામનગર રોડ પર આવેલા નાગેશ્વર વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચે આડાસંબંધને લઈ તકરાર ચાલી રહી હતી. પોતાના ભત્રીજા સાથે પત્નીને પ્રેમ સબંધ હતો, જેની જાણ થતા પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. આ તકરારને કારણે પત્ની 20 વર્ષના દીકરા અને પતિનું ઘર છોડીને સામેની બિલ્ડિંગમાં જ રહેતી તેની સહેલીના ઘરે રહેવા જતી રહી હતી. છેલ્લા દોઢ મહિનાથી પતિ પત્નીને મનાવતો હતો અને પત્નીને બધુ ભૂલી પરત ઘરે આવી જવા માટે કહેતો હતો. આમ છતાં પત્ની ઘરે આવવા માટે તૈયાર નહોતી. પત્નીને ફરી મનાવવા જતાં ઝઘડો થયો, જે લોહીયાળ બન્યો15 નવેમ્બરની સવારે પતિ ફરી પત્નીને મનાવવા માટે તેના ઘરની સામેની બિલ્ડિંગમાં ગયો હતો. આ સમયે પત્ની પણ જીમમાંથી પરત જ આવી હતી. આ સમયે બિલ્ડિંગના પટાંગણમાં બન્ને વચ્ચે ઝઘડો થતાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની પરવાના વાળી રિવોલ્વરમાંથી પહેલાં પત્નીને ગોળી ધરબી અને બાદમાં પોતાના લમણે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. બન્ને લોહીલુહાણ હાલતમાં જ સ્થળે ઢળી પડ્યાં હતાં. આ ઘટનામાં પતિએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. ઘટના સમયે હાજર પત્નીની બહેનપણીએ તુરંત 108ને જાણ કરી હતી અને તેણીને સારવાર અર્થે પહેલાં રાજકોટ સિવિલ અને પછી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ઘટનાસ્થળે તપાસ કરતા પોલીસને 3 કાર્ટીસ મળી આવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ)

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:37 am

તલોદના પુંસરીમાં એકસાથે બે યુવકનીની અંતિમયાત્રા નીકળી:ગ્રામજનોમાં શોકનો માહોલ; ગઇકાલે જોધપુર નજીક અકસ્માતમાં છના મોત થયા હતા

રાજસ્થાનના જોધપુર નજીક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં છ શ્રદ્ધાળુના મોત થયા હતા. આ અકસ્માતમાં સાબરકાંઠાના તલોદ તાલુકાના પુંસરી ગામના બે વ્યક્તિઓના પણ જીવ ગયા હતા. આજે સવારે પુંસરી ગામમાં આ બંને મૃતકની અંતિમયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સંબંધીઓ જોડાયા હતા. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓ બે દિવસ પહેલા શનિવારે સાંજે ગુજરાતથી રાજસ્થાનના રામદેવરા દર્શન કરવા માટે ટેમ્પોમાં નીકળ્યા હતા. રવિવારે વહેલી સવારે જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે 125 પર ખારીબેડી ગામ પાસે ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે ત્રણ અને સારવાર દરમિયાન ત્રણ મળી કુલ છ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. મૃતકોમાં તલોદ તાલુકાના પુંસરી ગામના ટેમ્પો ચાલક પ્રિતેશભાઈ ભરતભાઈ પ્રજાપતિ (ઉંમર 23, રહે. પ્રજાપતિવાસ, પુંસરી) અને શ્રદ્ધાળુ કેશાભાઈ કોહ્યાભાઈ વાળંદ (ઉંમર 62, રહે. બસ સ્ટેન્ડ પાસે, પુંસરી)નો સમાવેશ થાય છે. અકસ્માત બાદ પુંસરીથી એક ટીમ રાજસ્થાનના જોધપુર પહોંચી હતી, જ્યાંથી બંને મૃતદેહોને પુંસરી તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. સોમવારે સવારે કેશાભાઈ વાળંદના ઘરેથી અને પ્રિતેશભાઈ પ્રજાપતિના ઘરેથી બંને મૃતકોની અંતિમયાત્રા નીકળી હતી. આ અંતિમયાત્રામાં સંબંધીઓ, સમાજના અગ્રણીઓ, સરપંચ નરેન્દ્રભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. અંતિમધામ પહોંચ્યા બાદ તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:24 am

આણંદની 174 ગ્રામ પંચાયતો પર સોલર સિસ્ટમ લાગશે:રૂપિયા 2.72 કરોડથી વધુના ખર્ચે 3 કિલોવોટની ઓન-ગ્રીડ સિસ્ટમથી વીજ બિલમાં ઘટાડો થશે

આણંદ જિલ્લાની 174 ગ્રામ પંચાયતો પર 3 કિલોવોટ ક્ષમતાની ઓન-ગ્રીડ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટ પાછળ કુલ રૂપિયા 2.72 કરોડથી વધુનો ખર્ચ થશે. આણંદ જિલ્લા પંચાયત દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ગ્રામ પંચાયતોના વીજ બિલમાં બચત થશે, જે રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્યોમાં કરી શકાશે. દરેક ગ્રામ પંચાયતને રૂપિયા 1.56 લાખ ફાળવવામાં આવશેઆ યોજના હેઠળ 174 ગ્રામ પંચાયતો માટે કુલ રૂપિયા 2,72,37,098 ફાળવવામાં આવ્યા છે. દરેક ગ્રામ પંચાયતને જિલ્લા પંચાયત દ્વારા રૂપિયા 1,56,535 ફાળવવામાં આવશે. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા મંજૂર કરાયેલા દર મુજબ, પ્રતિ કિલોવોટ સોલર પેનલ લગાવવા માટે જીએસટી સહિત રૂપિયા 52,188.35 નો ખર્ચ થશે. સૌથી વધુ પેટલાદની 29 પંચાયતોમાં સોલર સિસ્ટમ લગાવાશેઆણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવાની વિગતો નીચે મુજબ છે: આણંદ તાલુકાની 21 ગ્રામ પંચાયતો પર રૂ. 32 લાખથી વધુ, ઉમરેઠની 22 પંચાયતો પર રૂ. 34 લાખથી વધુ, બોરસદની 25 પંચાયતો પર રૂ. 39 લાખથી વધુ, આંકલાવની 20 પંચાયતો પર રૂ. 31 લાખથી વધુ, પેટલાદની 29 પંચાયતો પર રૂ. 45 લાખથી વધુ, સોજીત્રાની 12 પંચાયતો પર રૂ. 18 લાખથી વધુ, ખંભાતની 27 પંચાયતો પર રૂ. 42 લાખથી વધુ અને તારાપુરની 18 પંચાયતો પર રૂ. 28 લાખથી વધુના ખર્ચે સિસ્ટમ્સ સ્થાપિત કરાશે. નવી બનનાર 117 ગ્રામ પંચાયતોમાં પણ સોલર સિસ્ટમ લગાવાશેઆ ઉપરાંત, જિલ્લામાં નવી બનનાર 117 ગ્રામ પંચાયતોમાં પણ સોલર રૂફટોપ સિસ્ટમ લગાવવામાં આવશે. જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે, આ સિસ્ટમ્સથી ગ્રામ પંચાયતોને વીજ બિલમાં મોટી રાહત મળશે અને બચત થયેલી રકમનો ઉપયોગ ગામના વિકાસ કાર્યો માટે થઈ શકશે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:13 am

નવા - જૂના જોગીઓએ એકતા દર્શાવતા ખુરશીઓ ખૂંટી પડી:રાજકોટમાં સરદાર પટેલની જન્મજયંતિએ જિલ્લા કક્ષાની પદયાત્રા નીકળી : કોઈ સરદાર તો કોઈ ગાંધી બન્યા

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતીને અનુલક્ષીને રાજકોટમાં જિલ્લા કક્ષાની એકતા યાત્રા નીકળી હતી. જેમાં કોઈ સરદાર પટેલ અને ગાંધીજી તો કોઈ ભગતસિંહ અને સુખદેવ બન્યા હતા. દીકરીઓએ ગણેશ વંદના ઉપરાંત કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે જેવા ગીતો પર અદભૂત પ્રસ્તુતિ કરી હતી. જોકે આ કાર્યક્રમ દરમિયાન હાલના પદાધિકારીઓની સાથે જુના જોગીઓ પણ આવી પહોંચતા એકતા દેખાઈ હતી પરંતુ તેને કારણે ખુરશીઓ ખૂંટી પડી હતી. ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંત કોરાટ આવતા ધારાસભ્ય ડૉ. શાહે ઊભા થઈ પ્રથમ હરોળમાં ખુરશીની વ્યવસ્થા કરવી પડી હતી. જ્યારે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયાને પણ ખુરશી ન હોવાને કારણે શરૂઆતમાં જગ્યા ન મળી હતી. જોકે બાદમાં ભૂલ સમજાતા સ્ટેજ પર બોલાવાયા હતા. આ પદયાત્રાનો મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતનાએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો તો આ દરમિયાન એકતાના શપથ પણ લેવામાં આવ્યા હતા. બહુમાળી ભવન ચોકથી નીકળેલી આ પદયાત્રા રેસકોર્સ રિંગરોડ ફરતે નિકળી હતી. જેમાં શાળાના બાળકોથી લઇ યુવાનો સહિતના હાથમાં ધ્વજ સાથે પારંપરિક વેશભૂષા પહેરી જોડાયા હતા. રાજકોટ પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, આજે સરદાર પટેલની જન્મજયંતિને અનુલક્ષીને અખંડ ભારત અને રાષ્ટ્રનિર્માણના શિલ્પી એવા લોહ પુરુષ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિતે સરદાર યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે. સરદારના અખંડ ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે લોકો મોટી સંખ્યામાં જોડાયા છે. અહીં અલગ અલગ સમાજના લોકો દ્વારા સરદાર પટેલની પ્રતિમાનું ફુલહારથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લા કક્ષાની સરદાર પટેલની પદયાત્રામાં લોખંડી પુરુષ બનેલા વિરંચી બુચે જણાવ્યું હતું કે, બીજી વખત સરદાર બનવાનો મોકો મળ્યો છે. એકતા અને અખંડિતતા સરદાર સાહેબના મુખ્ય બે લક્ષણો છે. સરદારના કોસ્ચ્યુમમાં આવ્યા પછી અંદરથી એવું લાગે કે દેશ માટે કંઈ કરી છૂટવું જોઈએ. સરદારે એકતા અને અખંડિતતાની વાત કરી તે અત્યારે દેશમાં ખૂબ જ જરૂરી છે. આપણે ભારત દેશ અખંડ રાખી શકીએ તે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આ યાત્રા દરમિયાન નટવર નૃત્યમાલા ક્લાસિકલ ડાન્સની દીકરીઓએ અદભુત પર્ફોર્મન્સ કર્યું હતું. જેમાંની નૈત્રી આચાર્યએ જણાવ્યું હતું કે, છેલ્લા સાતથી આઠ વર્ષથી કથક નૃત્ય શીખું છું આજે સરદાર પટેલની જન્મ જયંતી છે ત્યારે અમે અમારું નૃત્ય પરફોર્મ કરવા માટે છેલ્લા સાત દિવસથી પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. મોર બની થનગાટ કરે, છેલાજી રે અને કસુંબીનો રંગ ગીત ઉપર અદભુત નૃત્ય રજુ કરવામાં આવ્યુ હતુ. જોકે આ સરદાર પટેલ યાત્રા દરમિયાન કેટલાક વિવાદો પણ સામે આવ્યા હતા જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને મેયર નયનાબેન પેઢડીયા સૌથી પહેલા કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. મોટાભાગના મહાનુભાવો અડધો કલાક મોડા આવ્યા હતા. એક પછી એક નેતાઓના આગમનની સાથે ખુરશીઓ ખૂંટવા લાગી હતી જેથી અહીં વહીવટી તંત્રનું મિસ મેનેજમેન્ટ સામે આવ્યું હતુ. ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ સ્ટેજ પર પહોંચતાની સાથે જ ધારાસભ્ય દર્શિતાબેન શાહ ઉભા થઈ ગયા હતા અને પ્રથમ હરોળમાં એક પણ ખુરશી ખાલી ન હોવાથી તેમના માટે ખુરશીની વ્યવસ્થા કરી હતી. આ ઉપરાંત આ કાર્યક્રમમાં જુના જોગીઓ પણ દેખાયા હતા જેમકે રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખો અને ધારાસભ્યો જોવા મળ્યા હતા. જેમાં પૂર્વ મેયર ડૉ. પ્રદીપ ડવ, પૂર્વ પ્રમુખ કમલેશ મીરાણી, પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી ઉપસ્થિત રહ્યા હતા જોકે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા સ્ટેજ પર જવા જતા હતા ત્યારે જોયું તો એક થી ત્રણ હરોળમાં એક પણ ખુરશી ખાલી ન હતી જેથી તેઓ નીચે ઉભા રહ્યા હતા જોકે મીડિયા દ્વારા તેમના ફોટા અને વિડીયો લેવાનું શરૂ કરવામાં આવતા પૂર્વ મેયરને સ્ટેજ ઉપર ખુરશી ખાલી કરી આપવામાં આવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:12 am

જામનગરમાં 2.9 કિલો ગાંજો ઝડપાયો:કાકા-ભત્રીજાના નેટવર્કનો પર્દાફાશ, ભત્રીજો પકડાયો, કાકા ફરાર

જામનગરમાં SOG શાખાએ નશીલા પદાર્થ ગાંજાના વેચાણ કરતા કાકા-ભત્રીજાના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પાલનપુરથી 2.9 કિલો ગાંજાનો જથ્થો લઈને આવી રહેલા ભત્રીજા હસમુખ પરમારને ઝડપી પાડ્યો છે. SOG શાખાના પી.આઈ. બી.એન. ચૌધરી અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે નીલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતા હસમુખ પરસોત્તમભાઈ પરમાર અને તેના કાકા મનસુખ ગોરધનભાઈ પરમાર ગાંજાના વેચાણનું નેટવર્ક ચલાવી રહ્યા છે. બાતમીના આધારે, ગઈકાલે મોડી રાત્રે SOG ટીમે વોચ ગોઠવી હતી. ગુલાબ નગર મેઇન રોડ પર એક ખાનગી વાહનમાંથી ઉતરેલા હસમુખ પરસોત્તમભાઈ પરમારને પોલીસે અટકાયતમાં લીધો હતો. તેના કબજામાં રહેલા થેલાની તપાસ કરતા તેમાંથી 2 કિલો અને 988 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ગાંજાની કિંમત રૂપિયા 29,880 આંકવામાં આવી છે. પોલીસે હસમુખ પરમાર સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, ગાંજા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 34,880નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ નશીલા પદાર્થનો જથ્થો મંગાવનાર તેના કાકા મનસુખ પરમારને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:10 am

'દોહરા શુભ લગ્ન પ્રસ્તાવ':કાલાવડમાં રસિકરાયજીના આત્મજ પુરૂષોત્તમલાલજી-ગોપેશરાયજીના લગ્ન પ્રસ્તાવ લાખો વૈષ્ણવોની ઉપસ્થિતિમાં સંપન્ન

કાલાવડમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો ઐતિહાસિક 'દોહરા શુભ લગ્ન પ્રસ્તાવ' સંપન્ન થયો છે. રસિકરાયજી મહારાજના આત્મજ પુરૂષોત્તમલાલજી અને ગોપેશરાયજી મહારાજના ત્રિદિવસીય મહોત્સવ અંતર્ગત આ શાસ્ત્રોક્ત વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે ચારે દિશાના આચાર્યો, રાજકીય અગ્રણીઓ અને લાખો વૈષ્ણવો સાક્ષી બન્યા હતા. આ વિરાટ આયોજન માટે કાલાવડના ભગવતી પરા વિસ્તારમાં મીઠીવીડી પાછળ 'રસિક સંકેતવન' નામનો ભવ્ય પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યો હતો. અંદાજિત 70 વીઘાના વિશાળ ભૂમિભાગ પર એક વિરાટ ડોમ તૈયાર કરીને મુખ્ય લગ્ન સભા મંડપ ઉભો કરાયો હતો, જે આયોજનની ભવ્યતા દર્શાવતો હતો.આ સમગ્ર મહાયજ્ઞને સફળ બનાવવા માટે 1700થી વધુ સ્વયંસેવકોએ અવિરત સેવા આપી હતી. ગત સાત દિવસના મનોરથ દરમિયાન એક લાખથી વધુ વૈષ્ણવ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. વિવાહ પ્રસ્તાવના મુખ્ય દિવસે જ 40 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.પુષ્ટિમાર્ગીય પરંપરામાં આ અવસરની દિવ્યતા એ હતી કે ચારે દિશાઓમાંથી પધારેલા તમામ ગાદીપતિ આચાર્યો અને બાલકોએ વિશેષ ઉપસ્થિત રહી નવ-દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. કાલાવડ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી હજારો વૈષ્ણવ પરિવારો આ અલૌકિક ક્ષણના સાક્ષી બનવા ઉમટી પડ્યા હતા. મહોત્સવનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર બન્ને દુલ્હેરાજાઓનો વિરાટ વરઘોડો હતો, જે કાલાવડ સ્થિત કમલકુંજ હવેલી (આચાર્યગૃહ) ખાતેથી પ્રસ્થાન પામ્યો હતો. ભવ્ય ગાજા-બાજા અને શાહી રસાલા સાથે નીકળેલા આ દિવ્ય વરઘોડાએ પ્રસ્તાવ પંડાલ (મીઠી વીડી) સુધીનો માર્ગ કાપ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો આ વરઘોડાના દર્શન કરવા અને તેમાં જોડાવા ઉમટી પડ્યા હતા, જેનાથી સમગ્ર નગરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ ઐતિહાસિક લગ્ન પ્રસ્તાવના અવસર પર ધાર્મિક અગ્રણીઓની સાથે સાથે રાજકીય, સામાજિક અને ઉદ્યોગ જગતના મહાનુભાવો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં મુખ્યત્વે જેતપુરના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, તથા ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સહિત અનેક અગ્રણીઓએ હાજરી આપી આચાર્યઓના દર્શનનો લાભ લીધો હતો અને દિવ્ય વિવાહ પ્રસ્તાવને નિહાળી ધન્યતા અનુભવી હતી. કાર્યક્રમના અંતે, આયોજકો દ્વારા આ દિવ્ય મહોત્સવમાં આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને અભૂતપૂર્વ સફળતા અપાવવા બદલ સમગ્ર વૈષ્ણવ સમાજનો અને તમામ ભક્તોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 11:09 am

સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે 'ધી યુનિટી ટ્રેઇલ' સાયકલિંગ ઇવેન્ટનું સમાપન:10 લાખના ઇનામો સાથે રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજાઈ

નર્મદા જિલ્લાના એકતા નગર ખાતે સ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીના સાનિધ્યમાં બે દિવસીય રાષ્ટ્રીય કક્ષાની સાયકલિંગ ઇવેન્ટ 'ધ યુનિટી ટ્રેઇલ – સાયકલ ઓન સન્ડે' તા. 16 અને 17 નવેમ્બર, 2025 દરમિયાન ભવ્ય રીતે યોજાઈ ગઈ. ઇવેન્ટની વિગતો: ઇનામ અને મહેમાનો: આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં કુલ ₹10 લાખના ઇનામો આપવામાં આવશે, જેમાં પ્રથમ ઇનામ ₹3 લાખ, બીજું ઇનામ ₹2 લાખ અને ત્રીજું ઇનામ ₹1 લાખ રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, SOUના ચેરમેન મુકેશ પુરી, પ્રવાસન સેક્રેટરી રાજેન્દ્ર કુમાર, સાયકલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાના સેક્રેટરી મનિંદર પાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું મહત્વ: આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઑફ યુનિટી ખૂબ મોટું પ્રવાસન સ્થળ બની ગયું છે. ભારત પર્વ બાદ આ સાયકલ રેસ જેવી રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈઓ યોજાઈ રહી છે અને આગામી દિવસોમાં પણ અનેક રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ યોજાશે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ સ્થળને વિકસાવવા માટે લેવાતા ખાસ ધ્યાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:38 am

વડોદરામાં 7મા ISSO નેશનલ:બાસ્કેટબૉલ અને હેન્ડબૉલ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ, 35 શાળાના 800 વિધાર્થીઓએ ભાગ લીધો

વડોદરાની નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, વડોદરા (NISV) દ્વારા આયોજિત 7મા ISSO નેશનલ બાસ્કેટબૉલ અને હેન્ડબૉલ ટુર્નામેન્ટનો આજે ભવ્ય પ્રારંભ થયો હતો. આ પાંચ દિવસીય રાષ્ટ્રીય સ્તરના સ્પોર્ટ્સ મહોત્સવમાં દેશભરની 35 પ્રતિષ્ઠિત શાળાઓના લગભગ 800 વિદ્યાર્થી-ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આઈબી વર્લ્ડ સ્કૂલ તરીકે જાણીતી NISV સર્વાંગી શિક્ષણ અને સ્પોર્ટ્સમાં ઉત્કૃષ્ટતા માટે પ્રસિદ્ધ છે. ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પોર્ટ્સમેનશીપ, ટીમવર્ક, ખેલ કુશળતા અને આંતરસાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપવાનો છે. કેમ્પસમાં વિશ્વસ્તરીય સ્પોર્ટ્સ સુવિધાઓ, તાલીમબદ્ધ અધિકારીઓ અને સુવ્યવસ્થિત આયોજનથી ટુર્નામેન્ટ યાદગાર બનવાની ખાતરી છે. પાંચ દિવસ દરમિયાન બાસ્કેટબૉલ અને હેન્ડબૉલની વિવિધ કેટેગરીમાં ટીમો ISSO નેશનલ ટ્રોફી માટે સ્પર્ધા કરશે. 21 નવેમ્બરે ક્લોઝિંગ સેરેમનીમાં વિજેતા, રનર-અપ, શ્રેષ્ઠ ખેલાડી અને ઉદયમાન પ્રતિભાઓને સન્માનિત કરવામાં આવશે. આજની ઓપનિંગ સેરેમનીમાં મુખ્ય મહેમાન તરીકે વડોદરા મ્યુનિસિપલ કમિશ્નર અરુણ મહેશ બાબુ (IAS)એ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે યુવા ખેલાડીઓને મેદાન પર અને બહાર ઉત્કૃષ્ટતા માટે પ્રેરિત કર્યા હતા. સ્પોર્ટ્સ અને શિક્ષણ જગતના અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નેહાલ રામાણી (સચિવ, બરોડા ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબૉલ એસોસિએશન), ગૌરવ દીક્ષિત (નિયામક, સહયોગ, ISSO), દિશાંત શાહ (આંતરરાષ્ટ્રીય બાસ્કેટબૉલ ખેલાડી વડોદરા), સહજ પટેલ ( આંતરરાષ્ટ્રીય બાસ્કેટબૉલ ખેલાડી વડોદરા) , એડમ કેનિઝ (સ્થાપક યુથ બાસ્કેટબૉલ ફેસ્ટિવલ અને એલીટ સ્કૂલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ દુબઈ) અને રોહન બનાર્ગે (સીઈઓ, વીએસપીએફ)ની ઉપસ્થિતિ રહી હતી. આ અંગે વડોદરા મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, આજે ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે, આ ગેમમાં ગુજરાત સહિત દેશ અને વિદેશના દુબઇ, ઓમાન અને કતાર સહિતના દેશોમાંથી પણ સ્કૂલો પધારી છે. આ નવરચના યુનિવર્સિટીમાં ત્રીજી એડીશન છે. આખું અઠવાડિયા સુધી આ બાસ્કેટબૉલ ટુર્નામેટ રમાશે. વડોદરા માટે એક પ્રાઉડ મોમેન્ટ કે ઇન્ટરનેશનલ લેવલની આ રમત અહીંયા રમાઈ રહી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:36 am

ગોધરામાં ગેસ સિલિન્ડરમાં આગ, 4-5 લોકોનો બચાવ:ફાયરકર્મીની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી

ગોધરા શહેરના દાહોદ હાઇવે પર આવેલા વાવડી બુઝર્ગના બાપુનગર વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડરમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં ચારથી પાંચ લોકોનો આબાદ બચાવ થયો હતો, જે ફાયર બ્રિગેડના એક જવાનની સમયસૂચકતાને આભારી છે. આજે પોતાની ફરજ પૂરી કરીને ઘરે જઈ રહેલા ગોધરા ફાયર બ્રિગેડના જવાન કલ્પેશભાઈ વાઘેલાએ ગોધરા પેટ્રોલ પંપ પાસે બૂમાબૂમનો અવાજ સાંભળ્યો હતો. તેઓ તાત્કાલિક મુકેશગીરી રામગીરી ગોસ્વામીના ઘરે પહોંચ્યા, જ્યાં ગેસ સિલિન્ડરમાં આગ લાગી હતી. કલ્પેશભાઈએ તરત જ સળગતા સિલિન્ડરને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. જોકે, આગ વધુ હોવાથી તેમણે તાત્કાલિક ગોધરા ફાયર બ્રિગેડને જાણ કરી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડના અન્ય જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો અને સળગતા સિલિન્ડરને સુરક્ષિત રીતે ઘરની બહાર કાઢ્યો. કલ્પેશભાઈ વાઘેલાની સમયસરની કાર્યવાહી અને હિંમતભર્યા પ્રયાસોને કારણે બાપુનગરમાં મોટી દુર્ઘટના ટળી હતી અને અનેક લોકોનો જીવ બચી ગયો હતો.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:33 am

ભોલાવ જિલ્લા પંચાયતનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો:સાંસદ, ધારાસભ્ય સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા

ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દ્વારા ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટ ખાતે “નૂતન વર્ષ સ્નેહમિલન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભરૂચ લોકસભાના લોકપ્રિય સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ આટોદરિયા સહિતના આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ હતી. કાર્યક્રમને અનુલક્ષીને ભોલાવ, નંદેલાવ, રહાડપોર અને ચાવજ ગ્રામ પંચાયતના સરપંચો, પંચાયત સભ્યો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશ મિસ્ત્રીએ સૌ મહાનુભાવો અને લોકોનું સ્વાગત અને આવકાર કર્યો હતો.નૂતન વર્ષની શુભેચ્છાઓ સાથે સ્થાનિક વિકાસ, ગ્રામ્ય સુવિધાઓ અને ભવિષ્યની યોજનાઓ અંગે આગેવાનોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:08 am

કચ્છમાં હાડ થીડવતી ઠંડી:10.2 ડિગ્રીમાં નલિયા થથર્યું, ભુજમાં તાપમાન 15.2 ડિગ્રીએ ગગડ્યું

કચ્છમાં ઠંડીએ મક્કમ પકડ જમાવી છે, જેના કારણે વાતાવરણમાં શીતળતાનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં નલિયા સૌથી ઠંડું સ્થળ બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 10.2 ડિગ્રી નોંધાયું છે. ભુજમાં પારો 15.2 ડિગ્રીએ પહોંચ્યો છે. ભૌગોલિક પરિસ્થિતિને કારણે દર વર્ષે નલિયા રાજ્યના સૌથી ઠંડા પ્રદેશોમાં સામેલ થાય છે. આ વર્ષે પણ નલિયામાં 10.2 ડિગ્રી તાપમાન સાથે તે મોખરાના સ્થાને છે. નલિયાવાસીઓ સંધ્યાકાળ બાદ કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, જોકે બપોરના સમયે તાપમાન ઊંચું રહે છે. કંડલામાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભુજ શહેરમાં ઠંડીની પકડ મજબૂત બનતા, સ્વાસ્થ્ય પ્રેમી લોકો મોટી સંખ્યામાં મોર્નિંગ વોકમાં નીકળી રહ્યા છે. અખબાર, દૂધ અને નોકરિયાત વર્ગ સવારે ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. ઠંડીમાં વધારો થતાં વહેલી સવારે શાળાએ જતા નાના બાળકોને મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકોમાં ગળું પકડાઈ જવું, માથું દુખવું અને શરદી જેવી બીમારીઓ વ્યાપક બની રહી છે. આ સ્થિતિને કારણે શાળાનો સમય મોડો કરવા માટે માંગ ઉઠી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 10:06 am

'સરદાર@150 યુનિટી માર્ચ' પ્રથમ તબક્કાનું સોમનાથમાં સમાપન:પૂર્વ મંત્રી ફળદુએ સરદારના સોમનાથ પુન:નિર્માણ યોગદાનને યાદ કર્યું

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતી અવસરે 'સરદાર@150 યુનિટી માર્ચ'ના પ્રથમ તબક્કાની પદયાત્રાનું સોમનાથ ખાતે સમાપન થયું હતું. આ પદયાત્રા સવનીથી શરૂ થઈ ઈશ્વરિયા, ઈન્દ્રોઈ, નાવદ્રા, સોનારિયા, બાદલપરા અને કાજલીમાંથી પસાર થઈ હતી. આશરે 150 જેટલા પદયાત્રીઓએ એક ભારત, આત્મનિર્ભર ભારત અને 'ભારત માતા કી જય'ના રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે સવનીથી સોમનાથ સુધીની પદયાત્રા પૂર્ણ કરી હતી. પદયાત્રાના સમાપન પ્રસંગે પૂર્વ મંત્રી આર.સી. ફળદુએ સોમનાથના પુન:નિર્માણમાં સરદાર પટેલના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભગવાન સોમનાથના પવિત્ર પ્રાંગણમાં સરદારના જીવનના ઉચ્ચ મૂલ્યો અને સંસ્કારની પ્રેરણા લઈને આ પદયાત્રા સંપન્ન થઈ છે. સરદારની અડગ ઈચ્છાશક્તિના પરિણામે જ સોમનાથ મંદિરની ભવ્યતા પુન:સ્થાપિત થઈ છે. ફળદુએ વધુમાં જણાવ્યું કે, સરદાર પટેલની 150મી જન્મજયંતી પર એકતાની વિભાવના સાકાર કરવા અને દેશવાસીઓને એકસૂત્રે બાંધીને ભાઈચારાથી જીવવા તથા શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણ કરવાના સરદારના સ્વપ્નને સાકાર કરવું એ આ પદયાત્રાનો મુખ્ય હેતુ છે. તેમણે ઉમેર્યું કે, સ્વતંત્રતા પછી ભારતના ભાગલા થયા ત્યારે સરદારની એક હાકલથી જ દેશના રજવાડાઓએ પોતાના રાજ્યો ભારતમાતાના ચરણે ધરી દીધા હતા. આ રજવાડાઓની એકતા જ દેશની પ્રગતિનો આધારસ્તંભ બની હતી. સરદારે સેવેલા સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકાર દ્વારા કલમ 370ની નાબૂદી, સશક્ત રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓના યોગદાનને મજબૂત બનાવવા મહિલા ઉત્કર્ષની અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવા સહિતના પગલાં લેવામાં આવ્યાં છે. જિલ્લાકક્ષાની પદયાત્રા પૂર્વે સ્વચ્છતા અભિયાન, વ્યસનમુક્તિ જાગૃતિ શિબિર અને પદયાત્રાની પૂર્ણાહૂતિ દરમિયાન રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ગુજરાત લાઈવલી હુડ પ્રમોશન કંપની દ્વારા હસ્તકલા અને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર યોગ સ્ટોલ, ગોપી ગૌવિજ્ઞાન કેન્દ્રનો પ્રાકૃતિક સ્ટોલ સહિત વિવિધ રચનાત્મક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રાના પૂર્ણાહુતિ કાર્યક્રમ સમયે ચિત્ર, નિબંધ સહિતની સ્પર્ધાઓમાં વિજેતા વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 9:09 am

કાકી-ભત્રીજાના પ્રેમ સંબંધમાં થયેલા ફાયરિંગમાં મહિલાનું પણ મોત:પતિએ પત્નીને ગોળી ધરબી પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો, સારવારમાં પત્નીનું પણ મોત

રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં 15 નવેમ્બરના રોજ કાકી અને ભત્રીજા વચ્ચેના પ્રેમ સંબંધથી કંટાળેલા પતિએ બિલ્ડિંગના પરિસરમાં પત્નીને પોતાની પરવાના વાળી રિવોલ્વરથી ગોળી મારી બાદમાં પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ ઘટનામાં પતિનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને સારવારમાં ખસેડવામાં આવી હતી. આજે (17 નવેમ્બર) ગંભીર રીતે ઈજાગ્રસ્ત પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ....

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 9:08 am

ચારૂપમાં 10મી સબ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ શરૂ:દેશભરની 40 ટીમો ભાગ લેશે, સિદ્ધપુરના ધારાસભ્યએ ઉદ્ઘાટન કર્યું

પાટણ જિલ્લાના ચારૂપ ખાતે '10મી સબ જુનિયર નેશનલ ડોજબોલ ચેમ્પિયનશિપ 2025-26'નો પ્રારંભ થયો છે. સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ડોજબોલ એસોસિએશન પાટણ જિલ્લાના નેતૃત્વ હેઠળ આયોજિત આ ચેમ્પિયનશિપમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી કુલ 40 ટીમો ભાગ લઈ રહી છે. આ ટુર્નામેન્ટ ભારતમાં ડોજબોલ રમતને પ્રોત્સાહન આપવા અને યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય મંચ પૂરો પાડવાના ઉદ્દેશ્યથી આયોજિત કરવામાં આવી છે. 40 ટીમોની ભાગીદારી સ્પર્ધાની ભવ્યતા અને રાષ્ટ્રીય સ્તરની પ્રતિસ્પર્ધાને દર્શાવે છે. ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મેદાનમાં યુવા ખેલાડીઓનો ઉત્સાહ, શિસ્ત અને રમત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટપણે જોવા મળી હતી. આવા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો માત્ર ગુજરાતનું ગૌરવ વધારતા નથી, પરંતુ યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરીને તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચવા માટે એક પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે. આ પ્રસંગે બી.સી. સોલંકી, વી.સી. બોડાણા, સરગરાજી, બલદેવભાઈ દેસાઈ, દિલીપસિંહ રાજપૂત, ગિરીશભાઈ મોદી, રમેશભાઈ દેસાઈ, શૈલેષભાઈ પટેલ, પ્રહલાદજી ઠાકોર, ડૉ. કેતનભાઈ, ટીમના કોચ, રાજ્યમાંથી પધારેલા ખેલાડીઓ, સરપંચ રાજેન્દ્રસિંહ અને ચેરમેન મહિપતસિંહ સહિત અનેક મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 9:03 am

જાફરાબાદ ચોરીનો ભેદ ઉકેલાયો:અમરેલી LCBએ વાહન અને ₹3.08 લાખના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓને ઝડપ્યા

અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. LCB ટીમે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ તેમજ ગુનામાં વપરાયેલું વાહન મળી કુલ ₹3,08,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરેલી જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓના આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક સંજય ખરાતની સૂચના બાદ LCB PI વી.એમ. કોલાદરાની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. ટેકનિકલ સોર્સના આધારે LCB ટીમે ચાર શંકાસ્પદ ઇસમોને ફોર વ્હીલ વાહનમાં મગફળી સાથે પકડી પાડ્યા હતા. સઘન પૂછપરછ દરમિયાન, આરોપીઓએ લોઠપુર ગામે મગફળીના પાકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઝડપાયેલા ચાર આરોપીઓમાં રાહુલભાઈ ઉર્ફે ગઢીયો પાંચાભાઈ વાઘેલા (ઉં.વ. 25, રહે. બર્બટાણા, રાજુલા), મુનાભાઈ કનુભાઈ પરમાર (ઉં.વ. 21, હાલ રહે. પોરબંદર, મૂળ રહે. લોઠપુર, જાફરાબાદ), સાગરભાઈ રામભાઈ પરમાર (ઉં.વ. 30, રહે. લોઠપુર, જાફરાબાદ) અને ગોપાલભાઈ રામભાઈ પરમાર (ઉં.વ. 20, રહે. લોઠપુર, જાફરાબાદ) નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 8 મણ મગફળી, જેની કિંમત ₹8,000/- છે, અને ચોરીમાં વપરાયેલું મારુતિ સુઝુકી કંપનીનું ઇકો ફોરવ્હીલ (રજી. નં. GJ-27-TT-3033), જેની કિંમત ₹3,00,000/- છે, તે મળી કુલ ₹3,08,000/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચોરી આશરે 20 દિવસ પહેલા રાત્રિના એક વાગ્યાના અરસામાં લોઠપુર ગામે થઈ હતી. આરોપીઓ ઇકો ફોરવ્હીલ સાથે આવીને એક ઓરડીનું તાળું તોડી આશરે 30 ગુણી મગફળીના પાકની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં LCB PI વી.એમ. કોલાદરા, PSI કે.ડી. હડીયા, PSI એમ.ડી. ગોહિલ, PSI આર.એચ. રતન તેમજ જયેન્દ્રભાઈ બસિયા, ગોકુળભાઈ કળોતરા, મહેશભાઈ રાઠોડ, જનકભાઈ હિમાસિયા, તુષારભાઈ પાંચાણી, યુવરાજસિંહ વાળા અને પરેશભાઈ દાફડા સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 9:01 am

વલસાડ LCBનું રાજસ્થામાં ઓપરેશન:અપહરણ-લૂંટકાંડના મુખ્ય આરોપીને જયપુરથી ઉઠાવ્યો, ખડકી હાઇવે કેસમાં કાર્યવાહી

વલસાડ LCBએ પારડી તાલુકાના ખડકી વિસ્તારમાં થયેલા અપહરણ અને લૂંટકાંડના મુખ્ય આરોપી અંકુશ મદન પાલ (37) ને રાજસ્થાનના જયપુરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપી નવી દિલ્હીના સચિન નગરનો રહેવાસી છે. LCBએ ટેક્નિકલ સર્વેલન્સ, CCTV ફૂટેજની તપાસ અને બાતમીદારોની મદદથી આરોપીને શોધી કાઢ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અંકુશ પાલ અનેક રાજ્યોમાં ગુનાઓ આચરતો હતો. આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી. ફરીયાદી BLABLA કાર-પૂલિંગ દ્વારા સફારી કારમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમને ખડકીની એક હોટલમાં નશાયુક્ત પદાર્થ પીવડાવી બેભાન કરવામાં આવ્યા હતા. બાદમાં તેમને મહારાષ્ટ્રના ગોરેગાંવ લઈ જઈ તેમનો મોબાઈલ, લેપટોપ, દસ્તાવેજો અને કાર્ડ્સ ચોરી લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમની પાસેથી રૂ. 3.49 લાખની આર્થિક છેતરપિંડી પણ કરવામાં આવી હતી. વલસાડ LCBએ આરોપીને પારડી પોલીસને સોંપ્યો છે. પારડી કોર્ટે તેને 19 નવેમ્બર સુધીના રિમાન્ડ પર મોકલ્યો છે. આ કેસમાં સંડોવાયેલા અન્ય સાગરીતોની શોધખોળ ચાલુ છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 9:00 am

સાયલાની ધાધલપુર ચોકડી પાસે પિકઅપ પલટ્યું:એકનું મોત, પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ, પોલીસે આગળની તપાસ હાથ ધરી

સાયલા તાલુકાના ધાધલપુર ચોકડી પાસે સાંજના સમયે એક પિકઅપ પલટી જતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મધ્યપ્રદેશના એક શ્રમિકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રાથમિક માહિતી મુજબ, કપાસ ભરવા માટે મજૂરોને લઈ જતી યુટિલિટી પિકઅપમાં અચાનક ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વાહન રોડ પર પલટી ખાઈ ગયું હતું. અકસ્માત બાદ પિકઅપ નીચે દબાઈ જવાથી એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પિકઅપમાં સવાર અન્ય ચારથી પાંચ મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે પલટી ગયેલી ગાડીને ઊભી કરીને નીચે દબાઈ ગયેલા શ્રમિકને બહાર કાઢ્યો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે પોલીસને જાણ થતાં, પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 8:58 am

'લાઇટ કેમ ચાલુ કરી નથી'કહીને ચાર શખ્સો તુટી પડ્યા:ઓફિસના કાચ અને દરવાજા તોડ્યા, વડોદરામાં MGVCL કર્મચારીઓ હુમલો, ફરિયાદ નોંધાઈ

વડોદરા શહેરના ખોડિયારનગર સબ-ડિવિઝન હેઠળના વિસ્તારમાં વીજળી કેબલ રિપેરિંગ કરતા MGVCLના કર્મચારીઓ પર ચાર વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ ઘટનામાં ઓફિસના કાચ અને દરવાજા તોડી નાખવામાં આવ્યા હતા, જ્યારે કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે. આ મામલે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. MGVCLના કર્મચારીઓ પર ચાર શખ્સનો હુમલોવીજ કંપનીના લાઇન મેન ફરિયાદી મહેન્દ્રભાઈ નેવરભાઈ નાયકા (લાઇનમેન)એ નોંધાવેલ ફરિયાદ મુજબ, તેઓ અને સાથી કર્મચારીઓ અશ્વિનકુમાર ગોવિંદભાઈ વરીયા (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) અને જયંતીભાઈ ધુળાભાઈ માછી (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ) ખોડિયારનગર સબ-ડિવિઝન વિસ્તારમાં હાજર હતાં. ડેપ્યુટી ઇજનેર ચિરાગભાઈ સોનીએ ફોન કરી જણાવ્યું કે, શ્રીજી વિલા ફીડરની 11 કે.વી. વીજળી લાઇનનું કેબલ VMCની કામગીરી દરમિયાન તૂટી ગયું છે, જેને રિપેર કરવા જણાવ્યું હતું. ઓફિસની બારીના કાચ તથા એક દરવાજો તોડ્યોદરમ્યાન ત્રણેય કર્મચારીઓ શ્રીજી વિલા ફીડર લાઇનના કેબલની તપાસ કરતા સિધ્ધેશ્વર હોનેસ્ટ ફ્લેટ પાસે કેબલ તૂટેલું જાણવા મળ્યું હતું, જ્યાં તેઓ રિપેરિંગ કામે લાગી ગયા હતા. આ દરમિયાન ખોડિયારનગર સબ-ડિવિઝનના કમ્પ્લેન્ટ સેન્ટરમાં ફોન ઓપરેટર તરીકે કામ કરતા હર્ષદભાઈ પરમારે ફરિયાદીને ફોન કરી જણાવ્યું કે, ઓફિસે ત્રણ-ચાર વ્યક્તિઓ ટુ-વ્હીલર સાથે આવ્યા છે અને લાઇટ વારંવાર કેમ કાપો છો? આટલો સમય રિપેરિંગ કેમ નથી થયું? કહી ઝઘડો કરી રહ્યા છે. આ વ્યક્તિઓએ છૂટા પથ્થર મારીને ઓફિસની બારીના કાચ તથા એક ભારી દરવાજો તોડી નાખ્યો છે. 'હજુ સુધી લાઇટ કેમ ચાલુ કરી નથી'કહીને તુટી પડ્યા ત્યારબાદ સિધ્ધેશ્વર હોનેસ્ટ ફ્લેટ પાસે રિપેરિંગ કામ કરતા કર્મચારીઓ પાસે બે ટુ-વ્હીલર પર આવેલા ચાર વ્યક્તિઓ – દીપકભાઈ રમણભાઈ રાણા, મહેન્દ્રસિંહ ભવરસિંહ પરમાર, રતનલાલ બંસીલાલ ખટીક અને ચંદ્રકાંતભાઈ પટેલ – ગુસ્સામાં ગંદી અને બિભત્સ ગાળો બોલવા લાગ્યા હતા. તેઓએ હજુ સુધી લાઇટ કેમ નથી ચાલુ કરી? કહી અશ્વિનભાઈ અને જયંતીભાઈ સાથે જપાજપી કરી, જ્યારે ફરિયાદીએ વચ્ચે પાડવાનો પ્રયાસ કરતા તેમને પણ માર માર્યો હતો. વીજ કર્મી સાથે ઝપાઝપી કરતા શખ્સો કેમેરામાં કેદઆ સમગ્ર ઘટના બાદ વીજ કંપનીના કર્મી દ્વારા બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વીજ કર્મી સાથે ઝપાઝપી કરતા ઇસમો કેમેરામાં કેદ થયા છે અને તે વિડિઓ સામે આવ્યો છે. આ વીડિયોમાં વીજ કર્મી સામે ચારથી પાંચ લોકો તૂટી પડે છે. આ મામલે હાલમાં બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિવ્ય ભાસ્કર 17 Nov 2025 8:52 am