SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

29    C
... ...View News by News Source

નિઃસંતાન મહિલાઓ માટે આશાનું કિરણ:હવે એગ ડોનર સાથે અન્યાય નહીં થાય, એગની સંખ્યાની લિમિટ નક્કી થશે, સ્ત્રીના હકમાં IVF કાયદો

સમગ્ર વિશ્વમાં આશરે 90 લાખ બાળકો IVFથી જન્મી રહ્યા છે,ઈનફર્ટિલિટીનું મુખ્ય કારણ લાઈફસ્ટાઈલ અને મોટી ઉંમરે થતા લગ્ન છે.

દિવ્ય ભાસ્કર 3 Dec 2021 4:25 pm

જરૂરિયાતના સમાચાર:દેશમાં ઓમિક્રોન પહોંચ્યો, પરંતુ અહીં 10 કરોડ લોકોએ બીજો ડોઝ નથી લીધો; જાણો નવા વેરિઅન્ટથી તેમને કેટલું જોખમ છે

દેશમાં આપવામાં આવી રહેલી તમામ વેક્સિન કોરોનાના કોઈપણ વેરિઅન્ટ માટે અસરકારક છે

દિવ્ય ભાસ્કર 3 Dec 2021 12:25 pm

ઈન્સ્પિરેશનલ સ્ટોરી:જયપુરની મીનાક્ષી 15 મિનિટમાં હોમમેકરમાંથી ઑન્ટ્રપ્રનર બની ગઈ, રસોઈની રાણીને હવે અમેરિકા અને બ્રિટનથી ઓર્ડર આવે છે

મીનાક્ષી અને તેના દીકરાને હોટેલ ખોલવી હતી પણ દીકરાનું અકસ્માતમાં અવસાન થયું,57 વર્ષની ઉંમરે બધું કામ જાતે કરે છે

દિવ્ય ભાસ્કર 3 Dec 2021 12:02 pm

કોરોનાકાળમાં બાળકો ગેજેટ્સના રવાડે:બાળકો દરરોજ 8થી 10 કલાક ગેજેટ્સ પર પસાર કરતાં હોવાથી બ્રેન સેલ્સ ડેમેજ થઈ રહ્યા છે, સાથે જ તેમનો બિહેવિયર હિંસક બનવા લાગ્યો

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, દિવસમાં 2 કલાકથી વધારે ગેજેટ્સનો ઉપયોગ બાળકનો બિહેવિયર બદલી શકે છે,વધારે પડતો ગેજેટ્સનો ઉપયોગ કરવાથી બાળકોમાં મેદસ્વિતા અને અનિદ્રાની સમસ્યા થઈ શકે છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 5:15 pm

યે ચીઝ બડી હૈ મસ્ત:ચોકલેટ અને ચીઝ યોગ્ય માત્રામાં લેવાથી હૃદય સ્વસ્થ રહે છે, જાણો તેની કેટલી માત્રા લેવાથી ફાયદો થાય છે

ઈટાલીની નેપલ્સ યુનિવર્સિટીના સંશોધકોએ તેમનાં રિસર્ચમાં દાવો કર્યો,સંશોધકોના જણાવ્યા પ્રમાણે દરરોજ 200 ગ્રામ ડેરી પ્રોડક્ટ્સ લેવાથી હૃદય સ્વસ્થ રહે છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 4:17 pm

સમયનો સદુપયોગ:ટ્રાફિકમાં ઉભેલા બાઈક ચાલકે ચાલુ વરસાદમાં શેમ્પૂથી હેર વોશ કર્યા, ગ્રીન લાઈટ ના થઈ ત્યાં સુધી વાળ ધોતો રહ્યો

બાઈક ચાલકે કહ્યું, ટ્રાફિકમાં મારો ગુસ્સો શાંત રાખવા માટે મેં શેમ્પૂથી વાળ ધોવાનું શરુ કર્યું,હેલ્મેટ ના પહેર્યું હોવાને લીધે પોલીસે ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 12:00 pm

બિહાર:પૂર્ણિયા રાજ્યમાં 60 મહિલાઓ મલબેરી સિલ્કમાંથી રાખડી બનાવી રહી છે, આ રાખડીઓ રાષ્ટ્રપતિ અને પીએમ મોદીને મોકલશે

23 ફેબ્રુઆરી, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં મહિલાઓના કામનો ઉલ્લેખ કર્યો હતો,આ વર્ષે 50 હાજર રાખડીઓ બનાવવાનો ટાર્ગેટ રાખ્યો છે

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 11:02 am

હિંમતની જીત થઈ:ટ્રાન્સજેન્ડર ગ્રેસ બાનોએ અનેક વાર ભેદભાવનો સામનો કર્યો પણ હાર ના માની, સમુદાય માટે કરેલા કામ માટે તમિલનાડુના મુખ્યમંત્રીએ સન્માનિત કરી

ગ્રેસ બાનો એક દલિત કાર્યકર છે, આર્થિક તંગીને લીધે ગ્રેસે અભ્યાસ વચ્ચે જ છોડી દીધો,શ્રી કૃષ્ણ કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં એડમિશન લેનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર સ્ટુડન્ટ બની હતી

દિવ્ય ભાસ્કર 19 Aug 2021 10:24 am

લોન્ગ કોવિડની તપાસ:બ્લડ ટેસ્ટથી જાણી શકાશે કોરોનાથી રિકવરી બાદ દર્દીઓને લોન્ગ કોવિડ થશે કે નહીં, કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધકોનું રિસર્ચ

કોરોનાથી સંક્રમિત બે તૃતીયાંશ દર્દીઓમાં કોઈના કોઈ સ્વરૂપે લોન્ગ કોવિડના લક્ષણ દેખાય છે,રિસર્ચ દરમિયાન સંશોધકોની ટીમને જાણવા મળ્યું કે સંક્રમણ બાદ બ્લડમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન મોલિક્યુલનું નિર્માણ થાય છે

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 4:52 pm

લવ કે લિયે કુછ ભી કરેગા:અભ્યાસમાં નબળી ગર્લફ્રેન્ડને નપાસ થવાથી બચાવવા બોયફ્રેન્ડ છોકરી બનીને પરીક્ષા આપવા ગયો, આ રીતે જાહેરમાં ખૂલી પોલ

આફ્રિકાના દેશ સેનેગલમાં એક બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડના કપડાં પહેરીને પરીક્ષા આપવા પહોંચ્યો,તેને તેની ગર્લફ્રેન્ડના કપડાં પહેર્યા અને એક છોકરી બની ત્રણ દિવસ સુધી પરીક્ષા આપી

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 4:03 pm

અલર્ટ કરનારું રિસર્ચ:ટીનેજર્સની સરખામણીએ 3 વર્ષથી ઓછી ઉંમરના બાળકોથી ઘરના લોકોને સંક્રમિત થવાનું જોખમ 1.4 ગણું વધારે, કેનેડાના સંશોધકોનો દાવો

નાની ઉંમરના બાળકોથી 20થી 40 વર્ષની ઉંમરના લોકોમાં સંક્રમણ ફેલાવવાનું જોખમ વધારે,વૈજ્ઞાનિકોની સલાહ, ઘરે મોટા લોકોએ માસ્ક પહેરવો

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 3:01 pm

વિટામિન K હૃદય રોગોનું જોખમ ઘટાડે છે:ધમનીઓમાં કેલ્શિયમ, ફેટ અને કોલેસ્ટેરોલ જમા થતા રોકે છે, હોસ્પિટલમાં દાખલ થવાનું રિસ્ક 21% ઓછું કરે છે

વિટામિન K હૃદય રોગ એથેરોકોસ્કેરિયોસિસનું જોખમ ઓછું કરે છે,સંશોધકોએ 23 વર્ષ સુધી 50 હજાર લોકોનો હેલ્થ ડેટા ચેક કર્યો

દિવ્ય ભાસ્કર 18 Aug 2021 9:21 am

ઈંગ્લેન્ડ:મહિલાનો બેબી બમ્પ જોઈને લાગતું હતું કે તે પ્રેગ્નન્ટ છે, અસલ કારણ પ્રેગ્નન્સી નહિ પરંતુ ફૂટબોલ જેવડી ગાંઠ નીકળતા મહિલા શૉક થઈ ગઈ

ઈંગ્લેન્ડની અબી ચેડવિક નામની મહિલા સાથે આ ઘટના બની,તેના પેટમાં 13 ઈંચની ગાંઠ હોવાથી તે પ્રેગ્નન્ટ હોય તેવું લાગતું હતું,ડોક્ટરે તપાસ કરતાં મહિલાની પ્રેગ્નન્સી નહિ પરંતુ ગાંઠને પેટ ફૂલી જવાની કારણ જણાવ્યું

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 5:40 pm

કહાની મેં ટ્વિસ્ટ:હોટ એક્ટ્રેસ સેક્સ ચેન્જની સર્જરી કરાવીને 6 પૅક એબ્સવાળો હીરો બની ગઈ, સુપરહોટ ટોપલેસ તસવીરો વાઇરલ થઈ

ટ્રાન્સજેન્ડરની વાતનો સ્વીકાર કરતાં પહેલાં ઇલિયટે કહ્યું હતું કે, તે લેસ્બિયન છે અને તેણે એમ્મા પાર્ટનરની સાથે વર્ષ 2018માં લગ્ન કર્યાં હતાં,આ અભિનેત્રી ટર્ન્ડ અભિનેતાએ હોલિવૂડના દિગ્ગજ ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલન સાથે ‘ઇન્સેપ્શન’ ફિલ્મમાં પણ કામ કર્યું છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 4:43 pm

હવે છોડમાંથી વેક્સિન બનશે:મોલિક્યુલર ફાર્મિંગથી છોડમાંથી કોરોના વાઈરસની CoVLP વેક્સિન ડેવલપ કરાઈ, વૈજ્ઞાનિકોનો દાવો- ઓછી કિંમત અને ઓછા સમયમાં તૈયાર થશે વેક્સિન

આ ટેક્નિકમાં વાઈરસના જિનેટિક મટિરિયલ છોડમાં ઈન્જેક્ટ કરવામાં આવે છે,ત્યારબાદ પાંદડાંમાંથી એક્સટ્રેક્ટ લઈ તેમાંથી વેક્સિન તૈયાર થાય છે

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 2:08 pm

કામની નવી રીત:29 વર્ષીય લીડિયાએ તેની નોકરીથી કંટાળીને પાર્ટીમાં પ્રિન્સેસ બનવાનું કામ શરૂ કર્યું, હવે બાળકોમાં ખુશીઓ વહેંચી રહી છે

લીડિયાએ જણાવ્યું કે, નર્સ બનીને દર્દીઓની આશાઓ પર ખરા ન ઉતરવું મારા માટે નિરાશાજનક હતું,તેથી તેને પ્રિન્સેસ બનીને બાળકોને ખુશ કરવાનું કામ સ્વીકારી લીધું

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 12:23 pm

NOAAનો રિપોર્ટ:142 વર્ષોના ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે જુલાઈ સૌથી ગરમ મહિનો રહ્યો, કેનેડામાં તાપમાન 49.6 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યું; જાણો ગરમી વધવાનું કારણ

નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના રિપોર્ટમાં આ વાત સામે આવી,જુલાઈ 2016ની સરખામણીએ આ વર્ષે જુલાઈનું તાપમાન 0.01 ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું

દિવ્ય ભાસ્કર 17 Aug 2021 12:09 pm

ધ ડેટિંગ કિંગ:સંજય દત્તનો નવો હરીફ, ચેન્નઈનો રામુ 335 સ્ત્રીઓને ડેટ કરી ચૂક્યો છે, 365 ડેટિંગ પછી ‘ટાર્ગેટ’ પૂરો થશે

સુંદર રામુ દરેક ઉંમરની મહિલા સાથે ડેટ પર જાય છે,મહિલા પ્રત્યે દેશના લોકોના વિચાર બદલવા માટે આવું મિશન શરુ કર્યું

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 4:39 pm

નાની ઉંમરમાં મોટું કામ:5 વર્ષની મહાલક્ષ્મી આનંદે પોતાના ટેલેન્ટથી 9 રેકોર્ડ બનાવ્યાં, કોઈ પણ શબ્દ એકવાર વાંચી લે તો કાયમ માટે યાદ રહે છે

કેરળના કોલ્લમની રહેવાસી હાલ તેના માતા-પિતા સાથે આબુધાબી રહે છે,અલગ-અલગ વસ્તુઓ યાદ રાખવાની શરુઆત દોઢ વર્ષની ઉંમરથી કરી

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 3:24 pm

દક્ષિણ કોરિયા:સેકન્ડ હેન્ડ ફ્રિજની ખરીદી સાથે વ્યક્તિને 96 લાખની રોકડ મળી, ઉદારતા દર્શાવી તમામ પૈસા પોલીસને સોંપી દીધા

દક્ષિણ કોરિયાના જેઉ આઈલેન્ડમાં રહેતા એક વ્યક્તિ સાથે આ ઘટના બની,તેણે ખરીદેલાં સેકન્ડ હેન્ડ ફ્રિજની નીચે 96 લાખની રોકડ પણ હતી,આટલા બધા પૈસા જોઈ મનમાં લાલચને સ્થાન ન આપી તેણે તમામ પૈસા પોલીસને આપી દીધા

દિવ્ય ભાસ્કર 16 Aug 2021 11:38 am

અમેરિકા:17 પૌત્રોની દાદી તેનાથી 37 વર્ષ નાનાં કિશોરના પ્રેમમાં પડ્યાં, હવે ટૂંક સમયમાં લગ્ન કરશે

કુરેન જ્યારે 15 વર્ષનો હતો ત્યારે ચેરિલ સાથે તેની મુલાકાત થઈ હતી,બંનેએ સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં લગ્ન પણ કરશે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 4:45 pm

ઇંગ્લેન્ડ:કાર પાર્કિંગમાં દીકરીને સ્તનપાન કરાવવા બદલ કંપનીએ 17 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો, માતાએ કહ્યું, ‘આ યોગ્ય નથી’

આ કપલ 21 મિનિટ સુધી પાર્કિંગમાં હતું,3 મહિનાની દીકરીને ભૂખ લગતા તેઓ કાર પાર્ક કરીને ઊભા હતા

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 4:18 pm

હોસ્પિટલમાં પણ સંક્રમણનું જોખમ:કોરોનાની પહેલી લહેરમાં યુકેમાં દર 10માંથી એક વ્યક્તિ હોસ્પિટલમાં સંક્રમિત થયો; લાન્સેટ જર્નલના રિસર્ચમાં દાવો

દાખલ થયેલા દર 10માંથી એક વ્યક્તિને સંક્રમણ હોસ્પિટલના કારણે થયું,આ દાવો યુકેની 314 હોસ્પિટલમાં દાખલ દર્દીઓના આધારે કરવામાં આવ્યો છે

દિવ્ય ભાસ્કર 15 Aug 2021 10:10 am

અમેરિકા:દીકરી માટે સ્કૂલબેગ લેવા ગયેલા પિતાએ લોટરી ટિકિટ ખરીદી, જેકપોટ જીત્યા પછી રાતોરાત કરોડપતિ બન્યો

2000 રૂપિયાની લોટરી ટિકિટમાં પોપ 7 કરોડ રૂપિયા જીત્યો,47 વર્ષીય પોપ લોટરીના રૂપિયાથી બાળકોને સારો અભ્યાસ કરાવશે

દિવ્ય ભાસ્કર 14 Aug 2021 4:52 pm

અમેરિકા:પાર્કિંગમાં રહેલી કારમાં શ્વાનને ગભરાયેલું જોઈ મહિલાએ અજાણી વ્યક્તિની કારનો દરવાજો ખોલી દીધો, માલિકણે મહિલા સાથે મગજમારી કરી પોલીસની ધમકી આપી

જેનિફર નામની મહિલાને પાર્કિંગમાં રહેલી કારમાં રહેલા શ્વાનને જોઈ દયા આવી,અનેકો મિનિટ્સ સુધી શ્વાનના માલિકની રાહ જોયા બાદ મહિલાએ કારનો દરવાજો ખોલી દીધો,પોતાની કારનો દરવાજો ખુલ્લો જોઈ મહિલા જેનિફર પર લાલગુમ થઈ ગઈ

દિવ્ય ભાસ્કર 14 Aug 2021 2:17 pm

સાવધાન:સૂવાના થોડા કલાક પહેલાં જ ડિનર લેતાં હો તો ચેતી જજો; આમ કરવાથી મેદસ્વિતા, ડાટાબિટીસ અને હૃદય રોગનું જોખમ વધે છે

મોડી રાતે ભોજન લેવાથી શરીરમાં ફેટ જમા થાય છે,અયોગ્ય સમયે ભોજન લેવાથીં માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે

દિવ્ય ભાસ્કર 14 Aug 2021 12:42 pm

શું પ્રાચીન સમયમાં હાઇ હિલ જૂતા મહિલાઓના સ્થાને પુરુષો પહેરતા હતા ?

બર્લિન,12 જુલાઇ,2021,સોમવાર હાઇ હિલ જુતા આજે મહિલાઓમાં આધુનિકતા અને ફેશનનું પ્રતિક ગણાય છે.ખાસ કરીને ફિલ્મ, મોડલિંગ, ફેશન અને કોર્પોરેટ જગત સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓમાં હાઇ હિલ વિશેષ પ્રચલિત છે.જો કે સાચી વાત તો એ છે કે હાઇ હિલની શોધ નથી થઇ પરંતુ સમયની સાથે તેમાં બદલાવ આવતો ગયો છે.પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે આ હાઇ હિલ્સ પ્રાચિન જમાનમાં પુરુષો પણ પહેરતા હતા. એક માહિતી મુજબ ઇસ ૧૭૪૦ સુધી પુરુષો હાઇ હિલ પહેરતા હતા ત્યારે બાદ ફેશન ગુમ થઇ એ પછી મહિલાઓએ હાઇ હિલ પહેરવાના શરુ કર્યા હતા. ઇજિપ્તના ગુંબજોમાં બનેલી મ્યુરલ કલામાં ઇસ પર્વે ૪૦૦૦ વર્ષ પહેલાની તસ્વીરમાં પુરુષોના પગમાં હાઇ હિલ જૂતા પહેરેલા જોવા મળે છે. ઊંચી એડીના જુતા તરીકે ઓળખાતા આ હાઇ હિલ ફ્રાંસનો રાજા લૂઇસ ચૌદમો પણ પહેરતો હતો.આ લૂઇસની ઊંચાાઇ માત્ર પ ફૂટ અને ૪ ઇંચ જેટલી હતી.એવું માનવામાં આવે છે કે હાઇટની ખામી નિવારી ઉંચા દેખાવા માટે તે ૧૦ ઉંચની હિલ ધરાવતા જૂતા પહેરતો હતો.તે જૂતાની હિલની ખાલી જગ્યામાં પોતાના રજવાડાએ જીતેલા પ્રદેશોના નામ પણ લખાવતો હતો. એક માહિતી મુજબ ઇરાનના ઘોડેસવારો રેતીમાં જૂતા ઘુસી ના જાય તે માટે હાઇ હિલ જૂતાઓ પહેરતા હતા. ૯ સદીમાં પર્શિયન શાહ અબ્બાસ પ્રથમ પાસે દુનિયાની સૌથી મોટી સેના હતી. તે યુરોપના શાસકો સાથે મિત્રતા બાંધીને પોતાના દુશ્મન ઓટોમન શાસનને હરાવવા ઇચ્છતો હતો. આ રીતે પર્શીયન જૂતાઓ યુરોપ સુધી પહોંચ્યા હતા.આધૂનિક સમયમાં ૧૯૬૦ અને ૭૦ના દોરમાં પુરુષો માટેના કાઉબોય હીલને લોકપ્રિય બનાવવામાં પોપ ગીત સંગીતકારોનો મોટો ફાળો હતો. હોલીવુડની મશહુર અભિનેત્રી મેરલીન મનરોએ એક વાર કહયું હતું કે હાઇ હિલની શોધ કોણે કરી છે એ ખબર નથી પરંતુ જેને પણ કરી છે તેને મહિલાઓ પર ખૂબજ ઉપકાર કર્યો છે.૧૯૭૩માં ડેવીડ બોબી આ પ્રકારના હાઇ હિલ જૂતા ખૂબ પહેરતો હતો. ઇસ ૧૯૩૮માં ૮૦૦૦ વર્ષ જૂના જૂતા અમેરિકાના ઓરેગનમાંથી મળી આવ્યા હતા.

ગુજરાત સમાચાર 12 Jul 2021 10:45 pm

ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે બેસનથી બનતા ફેસપેકનો ઉપયોગ કરો...!

નવી દિલ્હી, તા. 29 જૂન 2021, મંગળવાર જે લોકોની ઑઇલી સ્કિન હોય છે તે જ લોકો જાણે છે કે ચીકણી ત્વચા કેટલું ઇરીટેટ કરે છે. તૈલી ત્વચાના કારણે ચહેરા પર ખીલ, બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ વગેરે સમસ્યાઓ થઇ શકે છે. પરંતુ તમે આ સમસ્યાઓને માત્ર બેસનની મદદથી દૂર કરી શકે છે અને તમારી સ્કિન ખુલીને શ્વાસ લેવા લાગશે. કારણ કે, ચહેરાથી વધારાનું તેલ દૂર થવાથી રોમછિદ્રોને પર્યાપ્ત ઑક્સિજન મળી શકશે. જાણો, સ્કિન માટે બેસનના ઉપયોગ વિશે... ઑઇલી સ્કિન માટે બેસનનું ફેસ પેક :- ઑઇલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે તમે બેસનમાંથી બનતા આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. બેસન ચેહરા પરથી વધારાનું તેલ શોષી લે છે અને તમને ઑઇલ-ફ્રી સ્કિન પ્રદાન કરે છે. બેસન અને દહીનું ફેસપેક :- દહીના એન્ટી-બેક્ટેરિયલ ગુણના કારણે ત્વચા સંક્રમણ મુક્ત થાય છે. તેના માટે થોડુક બેસન લઇને તેમાં 2 ચમચી દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર 20 થી 25 મિનિટ સુધી લગાવીને રાખો અને ત્યારબાદ સામાન્ય પાણીથી ધોઈ નાંખો. બેસન અને દૂધ ફેસપેક :- તૈલીય ત્વચાથી રાહત મેળવવા માટે આ ફેસપેક બનાવવું એકદમ સરળ છે. તેના માટે બેસનમાં થોડુક દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો અને ચહેરાને સામાન્ય પાણીથી ધોઇ નાંખો.. તેનાથી ચહેરાના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે. બેસન અને હળદર ફેસપેક :- બેસન અને હળદર ફેસપેક ત્વચાથી વધારાનું તેલ કાઢવા ઉપરાંત સંક્રમણને પણ અટકાવે છે. તેના માટે બેસનમાં થોડીક હળદર અને પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ અને સુકવવા દો. ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો.. બેસન અને ટામેટાનું ફેસપેક :- તમે ટામેટાની મદદથી ટેનિંગ દૂર કરી શકો છો અને બેસન ઑઇલ દૂર કરવામાં મદદ કરે છે. બેસનમાં થોડોક ટામેટાનો રસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાવીને અડધા કલાક સુધી સુકવવા દો. ત્યારબાદ નોર્મલ પાણીથી ધોઇ નાંખો. નોટ :- ત્વચા પર કોઇ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તેનો પેચ ટેસ્ટ કરી લો. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં નિષ્ણાંતની સલાહ લો.

ગુજરાત સમાચાર 29 Jun 2021 5:39 pm

કોરોના કાળમાં મોબાઇલ એડિક્શનનો શિકાર બની રહ્યા છે બાળકો..!

નવી દિલ્હી, તા. 28 જૂન 2021, સોમવાર દરેક વસ્તુની જેમ હવે મોબાઇલ ફોનની પણ સાઇડ ઇફેક્ટ જોવા મળી રહી છે. તેની સૌથી વધારે અસર બાળકો પર થઇ રહી છે. અજાણતામાં જ તેઓ મોબાઇલ એડિક્શનનો શિકાર બનતા જઇ રહ્યા છે. ચિડચિડીયાં થઇ રહ્યા છે બાળકો ઓનલાઇન અભ્યાસના કારણે બાળકોને મોબાઇલ ફોન આપવો તે આજકાલ પેરેન્ટસની મજબૂરી બની ગઇ છે. બાળકો થોડાક સમય સુધી તો મોબાઇલમાં અભ્યાસ કરે છે. ત્યારબાદ તક મળતા જ ગેમ રમવા લાગે છે. આમ કરવાને કારણે બાળકો ધીમે-ધીમે મોબાઇલ એડિક્શનમાં ફંસાઇ જાય છે. આ એડિક્શનના કારણે બાળકોનું ચિડચિડીયાપણું અને ગુસ્સો સતત વધી રહ્યો છે. Insomnia થી પીડિત થઇ રહ્યા છે બાળકો મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવાના કારણે બાળકોમાં અનિન્દ્રા, આંખો અને માથામાં દુખાવાની સમસ્યા પણ વધતી જઇ રહી છે. આરામના સમયે મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવા પર તેમની ઊંઘ અધૂરી રહી જાય છે. જેના કારણે તેઓ Insomniaથી પીડિત થઇ રહ્યા છે. આ બીમારીમાં માઇગ્રેઇન, માથાનો દુખાવો, ચક્કર આવવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સાથે રમવાનો પ્રયાસ કરો બાળકોને મોબાઇલ એડિક્ટ બનવાથી બચાવવા માટે પેરેન્ટ્સે તેમની સાથે થોડોક સમય વિતાવવાનો પ્રયાસ કરવો જોઇએ.. આમ કરવાથી બાળકો સારું ફીલ કરે છે અને તેમનું પરિવાર સાથેનું બૉન્ડિંગ મજબૂત થાય છે. જો તમે ખુલ્લા વિસ્તારમાં રહો છો તો થોડીક વાર બાળકો સાથે રમવાનો પણ પ્રયાસ કરો. તેનાથી બાળકો શારીરિક અને માનસિક રીતે ફિટ થાય છે. બાળકોને રચનાત્મક કામ કરવા માટેની પ્રેરણા આપો પોતાના બાળકોને મોબાઇલ આપવાની જગ્યાએ રચનાત્મક કામ કરવા માટેની પ્રેરણા આપો. તેમને છોડ રોપવા, પાણી આપવું, પેઇન્ટિંગ કરવું, આર્ટ કરવું અથવા ડાન્સિગ જેવી સ્કિલ શીખવવા માટે તૈયાર કરો. જ્યારે બાળકો પણ ઇનોવેટિવ કે ક્રિએટિવ કામ કરે તો તેમની પ્રશંસા કરો. આ સાથે જ તેમના કામના લાભ વિશે પણ તેમને સમજાવો. બાળકોના રૂમમાં મોબાઇલ, ટીવી ન રાખશો બાળકોનો મોબાઇલ ફોન જોવાનો ટાઇમ ફિક્સ કરી દો. ત્યારબાદ તેમને ફોન ન આપશો. બાળકોના બેડરૂમમાં ક્યારેય પણ ટીવી, લેપટોપ અથવા મોબાઇલ ફોન ન રાખશો. આ સાથે જ તમે પોતાની ઉપર પણ કંટ્રોલ કરો અને અનાવશ્યક ફોન ન ચલાવશો. જો તમે પોતાની ઉપર નિયંત્રણ લગાવશો નહીં તો બાળકો પર તમારી વાતોની કોઇ અસર થશે નહીં. તેમને લાગશે કે તમે તેની ઉપર જબરદસ્તી કરી રહ્યા છો.

ગુજરાત સમાચાર 28 Jun 2021 5:34 pm

કેસરમાં છુપાયો છે સુંદરતાનો ખજાનો..! સ્કિન કેર માટે કરો તેનો ઉપયોગ

નવી દિલ્હી, તા. 25 જૂન 2021, શુક્રવાર સુંદરતા નિખારવા અને સ્વાસ્થ્ય સંભાળવા માટે કેસરનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવી રહ્યો છે. આજે પણ ઘણા બધા બ્યૂટી પ્રોડ્કટ્સમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેનો દવા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. વાનગીની રંગત અને સ્વાદ વધારવું હોય અથવા તો પ્રેઝેન્ટેશનને આકર્ષક કરવું હોય તો કેસરનો રોલ તેમાં ખાસ છે. સુંદરતાના નિખારમાં તેની મહત્ત્વની ભૂમિકા છે. કેસરના વિષયમાં કહેવું ખોટું નથી કે તેમાં સુંદરતાનો ખજાનો છુપાયો છે. જાણો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઇએ. ત્વચામાં નિખાર માટે ત્વચામાં નિખાર એટલે કે ગ્લો લાવવા માટે ચતુર્થાંશ ચમચી કેસરને એક ચમચી ગુલાબ જળમાં દસ મિનિટ માટે પલાળીને રહેવા દો. હવે તેમાં એક ચમચી ચંદન પાઉડર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરી લો. આ પેસ્ટને ચહેરા અને ડોક પર સારી રીતે લગાઓ અને સુકાઇ જવા પર ધોઇ નાંખો. ત્વચામાં નિખાર લાવવા માટે કેસરને દૂધમાં પલાળીને પણ ચહેરા પર લગાવી શકો છો. ત્વચાના ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ચહેરા પર ડાર્ક સર્કલ્સ અથવા ટેનિંગ હોય અથવા તો કોઇ અન્ય પ્રકારના ડાઘ-ધબ્બા હોય તો તેને દૂર કરવા માટે તમે કેસરને તુલસીમાં મિક્સ કરીને ઉપયોગમાં લઇ શકો છો. તેના માટે આઠ-દસ તુલસીના પાંદડાંને ધોઇને દળી લો. હવે તેમાં ચતુર્થાંશ ચમચી કેસર મિક્સ કરીને દસ મિનિટ માટે રહેવા દો. જેનાથી કેસર તુલસીમાં મિક્સ થઇ શકે. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા અને ડોક પર લગાવીને વીસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ સાફ પાણીથી ધોઇ નાંખો. સ્કિનને સૉફ્ટ એન્ડ ક્લીન બનાવવા માટે શુષ્ક બેજાન સ્કિનને સૉફ્ટ એન્ડ ક્લીન બનાવવા માટે કેસરનો ટોનર તરીકે ઉપયોગ કરી શકો છો. તેના માટે એક નાની શીશી ગુલાબજળમાં ચતુર્થાંશ ચમચી કેસર મિક્સ કરીને રહેવા દો. જ્યારે કેસર ગુલાબ જળમાં સારી રીતે પલળી જાય ત્યારે તેને ક્રશ કરીને ગાળી લો અને સ્પ્રે બોટલમાં ભરીને રાખી દો. આ મિક્સચરને ચહેરા પર સવાર સાંજ સ્પ્રે કરો અને એક મિનિટ પછી હળવા હાથેથી કોટન બૉલની મદદથી લૂછી લો.

ગુજરાત સમાચાર 25 Jun 2021 5:19 pm

International Yoga Day 2021 : માઇગ્રેનના દુખાવાને મેનેજ કરવામાં ફાયદાકારક રહેશે આ યોગાસન..!

નવી દિલ્હી, તા. 19 જૂન 2021, શનિવાર દર વર્ષે 21 જૂનના દિવસે ઇન્ટરનેશનલ યોગા દિવસ મનાવવામાં આવે છે. સામાન્ય લોકો માટે માઇગ્રેન એક પ્રકારનો માથાનો દુખાવો હોઇ શકે છે પરંતુ તેનાથી પીડિત વ્યક્તિ માટે આ કોઇ ખરાબ સપના બરાબર હોય છે. ધબકતો દુખાવો મોટાભાગે માથાની એક બાજુ ફીલ થાય છે જેને સહન કરવું હકીકતમાં ઘણું મુશ્કેલ હોઇ શકે છે. માઇગ્રેન મોટાભાગે ઉબકા, ઝાંખી દ્રષ્ટિ, અથવા સ્મેલ, પ્રકાશ અથવા ધ્વનિ પ્રત્યે વધુ સંવેદનશીલતાની સાથે થાય છે. સામાન્ય માથાના દુખાવાથી વિપરીત, આ દુખાવો થોડીકવારમાં દૂર નથી થતો. પરંતુ, માઇગ્રેનના એપિસોડ કલાકો સુધી રહી શકે છે અને ક્યારેક-ક્યારેક કોઇ વ્યક્તિને ઠીક થવામાં કેટલાય દિવસ લાગી શકે છે. જ્યારે કેટલીય અલગ-અલગ દવાઓ છે જે માઇગ્રેનના તીવ્ર દુખાવાથી રાહત આપી શકે છે, પરંતુ કેટલાજ યોગાસન માઇગ્રેનના દુખાવાથી રાહત અપાવવામાં તમારી મદદ કરી શકે છે. માઇગ્રેનમાં યોગ કેવી રીતે મદદ કરે છે? આપણે બધા જાણીએ છીએ કે માઇગ્રેનની કોઇ અચૂક સારવાર નથી. તમે માત્ર દવાઓ પર વિશ્વાસ કરી શકો છો અને લક્ષણોને ઘટાડવા માટે કેટલીક હેલ્ધી લાઇફસ્ટાઇલમાં ફેરફાર કરી શકો છો. માઇગ્રેન મોટાભાગે અલગ-અલગ વસ્તુઓથી શરૂ થાય છે અને તણાવ તેમાંથી એક છે. યોગાસન સ્ટ્રેસ લેવલને મેનેજ કરવામાં મદદ કરે છે, જેનાથી લક્ષણોમાં ઘટાડો થાય છે. જાણો, કેટલાક એવા યોગાસન વિશે જે તમને સ્ટ્રેસ લેવલ મેનેજ કરવામાં તમારી મદદ કરી શકશે. 1. પદ્માસન સ્ટેપ 1 :- જમીન પર એક ક્રોસ લેગ્ડ સ્થિતિમાં બેસો (એક પગ પર બીજો પગ ક્રોસ કરીને બેસો). કરોડરજ્જૂ ટટ્ટાર રાખો. સ્ટેપ 2 :- પોતાના બંને હાથને જ્ઞાન મુદ્રામાં રાખો (હાથનો અંગૂઠો અને તર્જનીને સ્પર્શ કરીને એક ગોળાકાર શેપ બનાઓ) અને હાથને પોતાના ઘૂંટણ પર રાખો. સ્ટેપ 3 :- આ મુદ્રામાં થોડીક મિનિટો માટે શ્વાસ અંદર-બહાર કરો. આ આસન બીજા પગને ઉપર તરફ વાળીને એટલે કે ક્રોસ લેગ્ડ ચેન્જ કરીને ફરીથી કરો. 2. બાલાસન સ્ટેપ 1 :- યોગ કરવાની શેતરંજી પર ઘૂંટણના સહારે બેસી જાઓ. હાથને તમારી તરફ રાખો. સ્ટેપ 2 :- પગની આંગળીઓ એકસાથે રાખો અને ઘૂંટણોને એકબીજાથી થોડાક અલગ રાખો. સ્ટેપ 3 :- શ્વાસ છોડો અને તે સમયે પોતાના ધડને આગળની તરફ નમાવો, અને પોતાના પેટને પોતાની થાઇસ પર રાખો. સ્ટેપ 4 :- તમારું માથું શેતરંજીને સ્પર્શ થવું જોઇએ. હવે બંને હાથને શેતરંજીને સ્પર્શે તેવી રીતે આગળની બાજુએ લંબાવો. સ્ટેપ 5 :- 4-5 વાર શ્વાસની પ્રક્રિયા કરો અને ફરીથી પ્રારંભિક સ્થિતિમાં આવી જાઓ. 3. શવાસન સ્ટેપ -1 :- પોતાની પીઠબળે આરામથી સૂઇ જાઓ અને આંખો બંધ કરી લો. સ્ટેપ - 2 :- તમારા હાથ અને પગ એકબીજાથી અલગ અને આરામની મુદ્રામાં હોવા જોઇએ. સ્ટેપ - 3 :- નાસિકા છિદ્રથી ધીમે-ધીમે શ્વાસ લો અને પોતાના પગની આંગળીઓથી શરૂ કરીને પોતાના શરીરના દરેક અંગ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરો.. સ્ટેપ - 4 :- શ્વાસ છોડો અને આરામ કરો.

ગુજરાત સમાચાર 19 Jun 2021 1:08 pm

International Yoga Day 2021: વર્ક ફ્રૉમ હોમના ટેન્શનને દૂર કરવા માટે કરો આ 3 યોગાસન

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરે લોકોને પરેશાન કરી દીધા હતા. જો કે હવે ધીમે ધીમે કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે પરંતુ તેમછતાં લોકોના મનમાં ટેન્શનનું વાતાવરણ યથાવત છે. સંક્રમણ ફેલાય નહીં તેના માટે ડૉક્ટર્સ લોકોને વેક્સીન લગાવવા, ટ્રિપલ લેયરનું માસ્ક પહેરવા, હાથને સારી રીતે સેનિટાઇઝ કરવાનું અને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવા માટે કહી રહ્યા છે. ત્યારે લોકોમાં તણાવનું સ્તર ઘણું વધી રહ્યું છે. કોરોનાને લઇને લોકોની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં સ્ટ્રેસ લેવલને ઘટાડવું સૌથી જરૂરી બની ગયુ છે.. ઘરની ચાર દીવાલમાં તણાવને ઘટાડવાની સૌથી બેસ્ટ રીત છે યોગ. કેટલાક યોગાસન એવા છે જેનો અભ્યાસ કરવાથી સ્ટ્રેસ લેવલ ઘટાડી શકાય છે. જાણો, સ્ટ્રેસ લેવલ ઘટાડતા કેટલાક યોગાસન વિશે... ગરૂડાસન મગજને એક જગ્યાએ કેન્દ્રિત કરવા અને સ્ટ્રેસ લેવલને ઓછું કરવાથી સૌથી સરળ પદ્ધતિ છે ગરૂડાસનનો અભ્યાસ કરવો. અન્ય શબ્દોમાં ગરૂડાસનને ઇગલ પોઝ કહેવામાં આવે છે. જે લોકો વર્ક ફ્રૉમ હોમ કરી રહ્યા છે તે લોકો માટે આ યોગાસન ખૂબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તેનો અભ્યાસ કરવાથી શરીરનું જકડન દૂર થઇ શકે છે. નિયમિત રીતે તેનો અભ્યાસ કરવાથી મગજને શાંતિ મળે છે. બદ્ધ કોણાસન જ્યારે કોઇ વ્યક્તિને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય અને સામે કોઇ વિકલ્પ ન જોવા મળે તેવી સ્થિતિમાં બદ્ધ કોણાસનનો અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે. બદ્ધ કોણાસનને બટરફ્લાઇ પોઝ અથવા કોબ્લર પોઝ પણ કહેવામાં આવે છે. આ આસન કરવાથી કમર, ઘુંટણોની નસ ખુલે છે અને મગજનું ધ્યાન કેન્દ્રિત કરવાની ઊર્જા પ્રાપ્ત થાય છે. યોગના આસનમાં તમે ધીમે-ધીમે શ્વાસ અંદર લેતાં રહો અને છોડરા રહેવાથી મન શાંત થાય છે. સુપ્ત કોણાસન વર્ક ફ્રૉમ હોમ કરવાને કારણે મોટાભાગના લોકો એક જ જગ્યા પર કલાકો સુધી બેસી રહે છે. સતત એક જ જગ્યા પર બેસવાથી શારીરિક અને માનસિક તણાવ થવા લાગે છે. એવામાં સુપ્ત કોણાસન તમારી ઘણી મદદ કરશે. સુપ્ત કોણાસનાનો અભ્યાસ કરવાથી પગનો દુખાવામાં રાહત મળે છે. આ સાથે જ આ થાકને દૂર કરવામાં પણ સહાયક માનવામાં આવે છે.

ગુજરાત સમાચાર 17 Jun 2021 4:26 pm

વાસી ભાતમાંથી બનતા હેર માસ્કથી મેળવો સિલ્કી અને શાઇની વાળ...!

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર રાંધેલો ભાત (Rice) વધે ત્યારે મોટાભાગના લોકો તેને ફેંકી દે છે. કારણ કે વાસી થઇ ગયા બાદ તે ખાવા યોગ્ય તો રહેતો નથી. એટલે આ વધેલો બેકાર ભાત કોઇ કામનો રહેતો નથી. પરંતુ વાસી ભાતને ફેંકવાની જગ્યાએ જો તમે પોતાની હેર બ્યૂટી વધારવા માટે તેનો ઉપયોગ કરશો તો તેનાથી બેકાર ભાત ઉપયોગી બનશે અને ઘરે બેઠા તમે વાળ સિલ્કી અને શાઇની બનાવી શકશો. તેનાથી તમારા ગૂંચાઇ ગયેલા અને ફ્રિઝી વાળને મેનેજ કરવું ખૂબ જ સરળ બની જશે. આ સાથે જ વાળને પોષણ પણ ભરપૂર મળશે. હવે તમને થતું હશે કે આ કેવી રીતે શક્ય બનશે? તો જાણો કે વાસી ભાતનો તમે તમારા વાળને સિલ્કી અને શાઇની બનાવવા માટે કેવી રીતે ઉપયોગમાં લઇ શકશો... આ રીતે તૈયાર કરો વાસી ભાતનું હેર માસ્ક હેર માસ્ક બનાવવા માટે તમને આ સામગ્રીની જરૂર પડશે, તેમાં ચોખા(ભાત), ઈંડાંનો સફેદ ભાગ, નારિયેળનું દૂધ અને ઑલિવ ઓઇલ સામેલ છે. હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા તમે ચાર-પાંચ મોટી ચમચી વાસી ભાત લો. તેમાં બે મોટી ચમચી નારિયેળનું દૂધ મિક્સ કરો, એક ઈંડાંની સફેદી અને એક મોટી ચમચી ઑલિવ ઑઇલ પણ મિક્સ કરી લો. આ બધુ મિક્સ કરીને મિક્સીમાં દળીને પેસ્ટ તૈયાર કરી લો. જો તમે ઈંડાંને નાંખીને મિક્સર નથી કરવા ઇચ્છતા તો ઈંડાંની સફેદી સિવાયની સામગ્રીને મિક્સરમાં ક્રશ કરી લો અને ત્યારબાદ આ મિશ્રણમાં ઈંડાંની સફેદી મિક્સ કરી લો. હવે આ પેસ્ટને હેર માસ્કની જેમ પોતાના વાળમાં લગાઓ. આ માસ્કને લગભગ એક કલાક સુધી વાળમાં લગાવી રાખો. ત્યારબાદ શેમ્પૂથી વાળ ધોઇ નાંખો. જાણો, આ હેર માસ્કથી વાળને શું ફાયદા થશે? વાળમાં આ હેર માસ્કનો ઉપયોગ કરવાથી વાળ સિલ્કી અને શાઇની બને છે. વાળમાં ગૂંચ થવાની સમસ્યા ઓછી થઇ જાય છે અને વાળને મેનેજ કરવા ખૂબ જ સરળ બની જાય છે. થોડાક સમય સુધી તેનો ઉપયોગ કરવાથી વાળ સ્ટ્રેટ બની જાય છે અને તમે તેમાં અલગ-અલગ હેર સ્ટાઇલ કરી શકો છો. આ સાથે જ આ હેર માસ્ક લગાવવાથી તમારા વાળ સૂર્યના હાનિકારક કિરણો અને પોલ્યુશનની સામે પણ રક્ષણ મેળવી શકે છે. વાળનું તૂટવા-ખરવાનું પણ ઓછું થઇ જાય છે અને આ હેર માસ્ક લગાવવાથી વાળને પોષણ પણ મળે છે. કોઇ પણ ટિપ્સ અજમાવતા પહેલાં સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જોઇએ.

ગુજરાત સમાચાર 17 Jun 2021 2:12 am

ગુલાબના છોડમાં ખુશ્બૂદાર ફૂલો લાવવા માટે અજમાવો આ ટિપ્સ...

નવી દિલ્હી, તા. 17 જૂન 2021, ગુરુવાર જે લોકોને ઘરમાં છોડ-વૃક્ષ રોપવાનો શોખ હોય છે તેના ઘરમાં તમને ગુલાબનો છોડ ચોક્ક્સથી જોવા મળશે. હકીકતમાં ગુલાબના ખુશ્બૂદાર ફૂલ બધાને પસંદ હોય છે. પરંતુ ઘણીવાર ખૂબ જ કાળજી અને ખાતર-પાણીથી ઉછેર કરવા છતાં છોડમાં ફૂલ આવતા નથી અથવા ખૂબ જ ઓછા આવે છે. જેના કારણ ગુલાબનો છોડ ફૂલ વગરનો જ રહી જાય છે અને છોડમાં ફૂલ ન થતાં મન ઉદાસ થઇ જાય છે. એટલા માટે ગુલાબના છોડના ઉછેરમાં કેટલીક કાળજી રાખવી જરૂરી બને છે. જાણો, કેટલીક ગાર્ડનિંગ સંબંધિત કેટલીક ટિપ્સ જેને ફોલો કરવાથી ગુલાબના છોડમાં ફૂલો આવવા લાગશે. માટીનું ધ્યાન આપો ગુલાબના છોડની માટી પર ધ્યાન આપવું જરૂરી છે. ધ્યાન રાખો કે તેના માટે માટી રેતીવાળી હોવી જોઇએ. આ સાથે જ તેમાં ગોબરનું ખાતર મિક્સ કરતા રહો. માટીને સખત ન બનવા દેશો અને સમય-સમય પર તેમાં ખોદાણ કરતાં રહો જેનાથી પાણી છોડના મૂળ સુધી પહોંચી શકે. જો તમે નવો છોડ લાવ્યા છો તો તેને રીપૉટ ચોક્કસથી કરો. ધ્યાન રાખો કે બ્રાન્ચને ઉપરની તરફથી કાપો જેનાથી છોડ નીચેની તરફ વૃદ્ધિ પામી શકે. છોડની લંબાઇથી વધારે તેની જાડાઇનું ધ્યાન આપો. છોડ સુકાઇ ન જાય તેનું પણ ધ્યાન રાખો જો તમને લાગી રહ્યુ છે કે છોડ સુકાઇ રહ્યો છે તો તેના માટે તમારે કેટલાક ખાટ્ટા ફળોની છાલને એક ડોલ પાણીમાં નાંખીને રહેવા દો. બે દિવસ પછી આ પાણીને તમે ગુલાબના છોડમાં નાંખો આ સાથે જ સ્પ્રે બોટલથી પાંદડાં પર પણ છાંટો. આ સાથે જ શાકભાજી અને દાળ-ચોખા ધોયા પછી અથવા બટાકા બાફ્યા બાદ બચતાં પાણીને પણ ઠંડું કરીને છોડમાં નાંખો. તેનાથી છોડને ભરપૂર પ્રમાણમાં ન્યૂટ્રિયેન્ટ્સ મળશે. બ્રાન્ચમાં હળદર લગાઓ ગુલાબના છોડમાં ફંગસ ન ફેલાય તેના માટે છોડમાંથી પીળા પાંદડાં દૂર કરતાં રહો અને તેની ડાળખીઓને સમય-સમયે કાપતાં રહો. જ્યાંથી તમે ડાળખી કાપી રહ્યા છો તે જગ્યા પર થોડીક હળદર લગાવી દો. તેના માટે એક ચમચી હળદર પાઉડરને થોડાક ટીપાં પાણીમાં મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને બ્રાન્ચ પર લગાવી દો. તેનાથી છોડમાં ફંગસ થશે નહીં. હોમમેડ કમ્પોસ્ટનો ઉપયોગ કરો ગુલાબના છોડમાં બજારમાંથી મળતું ખાતર નાખવાં કરતાં યોગ્ય રહેશે કે તમે તેના માટે હોમમેડ કમ્પોસ્ટનો ઉપયોગ કરો. તેના માટે તમે કેળાની છાલને પાણીમાં ઉકાળીને આ પાણીને ઠંડું કરીને છોડમાં નાંખી શકો છો આ સાથે જ કેળાની છાલને સુકવીને દળીને તેનો પાઉડર બનાવીને પણ ઉપયોગ કરી શકો છો. ખાતર માટે તમે ગ્રીન ટી અને ચા પત્તીનો પણ ઉપયોગ કરી શકો છો.

ગુજરાત સમાચાર 17 Jun 2021 2:08 am

International Yoga Day 2021: આંખોની રોશની વધારવા માટે કરો આ યોગાસન..!

નવી દિલ્હી, તા. 16 જૂન 2021, બુધવાર શરીરના અન્ય અંગોની જેમ આંખોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ જરૂરી છે. આજની ભાગ-દોડ ભરી લાઇફસ્ટાઇલમાં આપણે સમયના અભાવમાં આપણે પોતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખી શકતા નથી. આ જ કારણ છે કે સમય અને ઉંમર પહેલા જ આંખોની રોશની વીક થવા લાગે છે. આંખો નબળી હોવાના કેટલાય કારણો હોઇ શકે છે. પરંતુ તેમાં એક મહત્ત્વનું કારણ એ પણ છે કે આજકાલ મોટાભાગના લોકો કૉમ્પ્યૂટર. લેપટોપ વગેરે પર કામ કરે છે. ત્યારે મોબાઇલની સ્ક્રીન પર લાંબા સમય સુધી કામ કરવાથી પણ આંખો પર અસર પડે છે. એવામાં આંખોમાં બળતરા, ડ્રાઇનેસ જેવી કેટલીય સમસ્યાઓ થઇ શકે છે. તેના માટે તમે કેટલાક ખાસ યોગાસન પોતાના રૂટીનમાં સામેલ કરી શકો છો. તેની મદદથી ન માત્ર આંખોની રોશની વધારવામાં મદદ મળશે, પરંતુ આંખો સાથે સંકળાયેલી કેટલીક અન્ય સમસ્યાઓ માટે પણ આ રામબાણ સાબિત થશે. હથેળી રગડવી :- પોતાની આંખોના સ્વાસ્થ્ય માટે તમે આ સરળ રીત અજમાવી શકો છો. આ કરવા માટે સૌથી પહેલા પોતાની આંખો બંધ કરીને બેસી જાઓ અને ઊંડા શ્વાસ લો. ત્યારબાદ બંને હાથની હથેળીઓને ઝડપથી રગડો અને જ્યારે આ ગરમ થઇ જાય ત્યારે તેને પોતાની પાંપણો ઉપર લગાઓ. આ પ્રક્રિયા ત્રણવાર કરો. પાંપણો ઝપકાવી :- આ પણ ખૂબ જ સરળ રીત છે. આમ કરવા માટે સૌથી પહેલા બેસી જાઓ અને પોતાની આંખોને ઝડપથી દસ વખત ઝપકાઓ. ત્યારબાદ લગભગ 20 સેકેન્ડ્સ સુધી પોતાની આંખો બંધ રાખો. તેનાથી તમને આરામ મળશે. આ પ્રક્રિયા પણ ત્રણથી પાંચવાર સુધી કરો. સાઇડમાં જોવું :- આ આસન કરવા માટે સૌથી પહેલા પોતાના પગને શરીરની લાઇનમાં સીધા રાખીને બેસી જાઓ. ત્યારબાદ હાથની મુઠી વાળી દો અને અંગૂઠો ઉપર બાજુ રાખતા હાથ ઊંચો કરો. ત્યારબાદ પોતાની આંખોની સામે સ્થિત બિંદુને ધ્યાનથી જુઓ અને આંખને એક બાજુથી બીજી બાજુ કેન્દ્રિત કરો. આ પ્રક્રિયા ઓછામાં ઓછી 10 વખત કરો. ત્યારબાદ પોતાની આંખો બંધ કરી લો અને તેને આરામ આપો. સામેની બાજુ જોવું :- આ પણ ખૂબ સરળ રીત છે. આ કરવા માટે સૌથી પહેલા પોતાના પગને શરીરની લાઇનમાં સીધા રાખીને બેસી જાઓ. ત્યારબાદ પોતાના ડાબા હાથની મુઠ્ઠી વાળો અને હાથનો અંગૂઠો ઉપરની તરફ નિકાળો.. હવે પોતાની આંખોને ડાબા અંગૂઠા પર કેન્દ્રિત રાખો અને પોતાની આંખોને સામે ઊંચાઇ પર સ્થિત બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરો. ત્યારબાદ આ પ્રક્રિયા જમણા હાથના અંગૂઠાની સાથે કરો અને ત્યારબાદ પોતાની આંખો બંધ કરીને આંખોને આરામ આપો.

ગુજરાત સમાચાર 16 Jun 2021 7:57 pm

World Food Safety Day 2021: જાણો, કેમ મનાવવામાં આવે છે 'વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ'?

નવી દિલ્હી, તા. 07 જૂન 2021, સોમવાર દર વર્ષે વિશ્વભરમાં 7 જૂનના દિવસે દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એટલે 'વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે' મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનું કારણ ખાદ્ય સુરક્ષા પ્રત્યે તે લોકોને જાગરૂત કરવાનું છે જે ખરાબ ભોજનનું સેવન કરવાના કારણે ગંભીર રોગથી પીડાય છે. આ સાથે જ ખાતરી કરવાની છે કે દરેક વ્યક્તિને પર્યાપ્ત પ્રમાણમાં સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન મળી શકે. આ વર્ષ માટેની થીમ : દર વર્ષે આ દિવસ માટે એક થીમ એટલે કે વિષય નક્કી કરવામાં આવે છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા માટે આ વર્ષ એટલે કે વર્ષ 2021ની થીમ નક્કી કરવામાં આવી છે 'સ્વસ્થ કાલ માટે આજનું સુરક્ષિત ભોજન.' ('Safe food today for a healthy tomorrow'). આ થીમ સુરક્ષિત ભોજનના ઉત્પાદન અને વપરાશ પર કેન્દ્રિત છે.. ભોજન સુરક્ષિત થવાથી લોકો, ગ્રહ અને અર્થવ્યવસ્થાને લાંબા સમય સુધી ફાયદો થાય છે. દર વર્ષનીની જેમ જ આ વર્ષે પણ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસના દિવસે યોજાનારા તમામ કાર્યક્રમો નક્કી કરેલી થીમ પર જ આધારિત રહેશે. પરંતુ કોરોના મહામારીના કારણે આ કાર્યક્રમ વર્ચ્યુલી યોજવામાં આવશે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ : આ દિવસ ખાદ્ય સુરક્ષા પ્રત્યે લોકોને જગરૂત કરે છે અને આ દિવસને મનાવવાની જાહેરાત ડિસેમ્બર 2018માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા ખાદ્ય અને કૃષિ સંગઠનના સહયોગથી કરવામાં આવી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તેમન ખાદ્ય અને કૃષિ સંગઠન આ ક્ષેત્રથી સંબંધિત અન્ય સંગઠનોના સહયોગથી વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ મનાવવા માટે મળીને કામ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સભાએ વિશ્વમાં અયોગ્ય આહાર દ્વારા થતી બીમારીઓની સમસ્યાઓને ઓછી કરવા માટે ખાદ્ય સુરક્ષાની દિશામાં પ્રયત્નોને મજબૂત કરવાનો નિર્ણય કર્યો છે. ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્ત્વ : ખાદ્ય સુરક્ષા ખાતરી કરે છે કે ખાદ્ય સામગ્રીના વપરાશથી પ્રથમ પાકનું ઉત્પાદન, ભંડારણ અને વિતરણ સુધી ખાદ્ય શ્રૃંખલાના દરેક સ્ટેપ સંપૂર્ણપણે સુરક્ષિત હોય. આ કારણથી ખાદ્ય સુરક્ષા દિવસનું મહત્ત્વ વધી જાય છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર દૂષિત ખાદ્ય અથવા બેક્ટેરિયા યુક્ત ખાદ્યથી દર વર્ષે 10માંથી એક વ્યક્તિ બીમાર થાય છે. વિશ્વભરમાં વિકસિત અને વિકાસશીલ દેશોમાં દર વર્ષે ભોજન અને પાણીજન્ય બીમારીથી લગભગ 30 લાખ લોકોના મૃત્યુ થાય છે.

ગુજરાત સમાચાર 7 Jun 2021 1:26 pm

જાણો, આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ કેમ મનાવવામાં આવે છે?

- વિશ્વભરમાં દર વર્ષે 4 જૂનના દિવસે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ મનાવવામાં આવે છે નવી દિલ્હી, તા. 04 જૂન 2021, શુક્રવાર આપણી આસપાસ કેટલીય ઘટનાઓ બનતી હોય છે પરંતુ તેમછતાં આપણે અમુક બાબતોથી અજાણ હોઇએ છીએ. નાની અમથી કોઇ બાબત અથવા મુશ્કેલી ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી શકે છે. બાળકો સાથે પણ ક્યારેક અજાણતા તો ક્યારેક જાણી જોઇને આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે, જે તેમને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે અસર કરે છે. આ પીડાઓને ધ્યાનમાં રાખતા દર વર્ષે 4 જૂનના દિવસને આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day of Innocent Children Victims of Aggression)તરીકે મનાવવામાં આવે છે. આ દિવસ મનાવવા પાછળનો હેતુ બાળકો વિશે જાગરૂકતા વધારવાનો છે જે પીડિત છે, શારીરિક, માનસિક અને ભાવનાત્મક શોષણનો શિકાર થયા છે. આ દિવસ મનાવવા પાછળનું કારણ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 19 ઑગષ્ટ, 1982ના રોજ દર વર્ષે 4 જૂનના દિવસે આક્રમણનો ભોગ બનેલા નિર્દોષ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીજે મનાવવાનું જાહેર કર્યુ હતું,. આ દિવસની શરૂઆત 19 ઓગસ્ટ 1982ના રોજ થઇ હતી, જ્યારે ઇઝરાયેલની હિંસામાં પેલેસ્ટાઇન અને લેબનાનના બાળકો હિંસાનો શિકાર બન્યા હતા જેના કારણે અને પેલેસ્ટાઇને સંયુક્ત રાષ્ટ્રને આ સંદર્ભે પગલાં લેવા વિનંતી કરી હતી. આ હિંસાને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 4 જૂનને ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસન્ટ ચિલ્ડ્રન ઓફ એગ્રેશન તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. આ દિવસનો હેતુ આક્રમણનો ભોગ બનેલા બાળકોને યૌન હિંસા, અપહરણથી બચાવવા તથા તેમના અધિકારોનું રક્ષણ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની પ્રતિબદ્ધતાની ખાતરી કરે છે. સંઘર્ષની પરિસ્થિતિઓમાં બાળકોની સલામતીમાં સુધારો લાવવાનો આ એક મોટો પ્રયાસ હતો. બાળકોને તમામ પ્રકારની હિંસાથી બચાવવા માટે કડક નિયમો લાગુ કરવા પડશે વર્ષ 1997માં મહાસભાએ બાળ અધિકારો પર 51/77 નો પ્રસ્તાવ સ્વીકાર્યો. જેમાં બાળ અધિકાર અને તેના વૈકલ્પિક પ્રોટોકોલના સંમેલન અને બાળ સંકલ્પોના વાર્ષિક અધિકારો સામેલ છે. તાજેતરના વર્ષોમાં કેટલાય સંઘર્ષ ક્ષેત્રોમાં બાળકો સામે હિંસા થવાની ઘટનામાં વધારો થયો છે. ઘર્ષણોથી પ્રભાવિત દેશ અને વિસ્તારમાં રહેતાં 250 મિલિયન બાળકોની સુરક્ષા માટે વધુ પ્રયત્નો કરવાની જરૂર છે. આંતરરાષ્ટ્રીય માનવીય અને માનવ અધિકાર કાયદાને પ્રોત્સાહન આપવા માટે, બાળકોના અધિકારોના ઉલ્લંઘન માટે જવાબદારીની ખાતરી કરવા માટે અને હિંસાથી બાળકોને બચાવવા માટે વધારે પ્રયત્નો કરવા જોઇએ. બાળકો સામે થતી હિંસા - વિશ્વભરમાં 1 અબજથી વધારે બાળકોને અસર કરે છે - વિશ્વના 50 ટકા બાળકો દર વર્ષે હિંસાનો અનુભવ કરે છે. - દર 5 મિનિટે વિશ્વમાં ક્યાંકને ક્યાંક એક બાળકનું હિંસાને કારણે મૃત્યુ થાય છે. - 18 વર્ષની ઉંમર પહેલા 10માંથી એક બાળકનું યૌન શોષણ કરવામાં આવે છે. - કોઇ પણ બાળક ઑનલાઇન હિંસાનો ભોગ બની શકે છે. - વિશ્વભરમાં 246 મિલિયન બાળક દર વર્ષે શાળા સંબંધિત હિંસાનો ભોગ બને છે. - દર ત્રણમાંથી એક વિદ્યાર્થીને તેમના સાથીઓ દ્વારા ધમકાવવામાં આવે છે અને દસમાંથી ઓછામાં ઓછું 1 બાળક સાઇબરબુલિંગનો શિકાર બને છે. (સંયુક્ત રાષ્ટ્રમ 2019ના એક રિપોર્ટ અનુસાર) - 10માંથી 9 બાળકો એવા દેશોમાં રહે છે જ્યાં શારીરિક દંડ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી, 732 મિલિયન બાળકોને કાયદાકીય સંરક્ષણ વગર છોડી દેવામાં આવ્યા છે. ભારતમાં બાળ સંરક્ષણ માટેના નિયમ ભારતમાં પણ છેલ્લા કેટલાય વર્ષોમાં બાળ હિંસા અટકાવવા માટે કેટલાય કાયદાકીય ફેરફાર કરવામાં આવ્યા છે. પ્રૉટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સુઅલ ઑફ્ફેન્સેસ એક્ટ - પોક્સો એક્ટ અમલી કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ અલગ-અલગ ગુન્હામાં અલગ-અલગ સજાની જોગવાઓ છે. આ ઉપરાંત બાળ યૌન અપરાધ સંરક્ષણ નિયમ, 2020 જાગરૂકતા અને ક્ષમતા નિર્માણ હેઠળ કેન્દ્ર અને રાજ્ય સરકારોને બાળકો માટે શૈક્ષણિક સામગ્રી અને પાઠ્યક્રમ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. બાળ યૌન અપરાધ સંરક્ષણ અધિનિયમમાં બાળકો સાથે થતી યૌન હિંસાને પણ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ પ્રકારની ઘટનામાં બાળકોને દરેક સ્તરે કઇ જરૂરી સહાયતા પૂરી પાડવાની છે તે પણ વિસ્તારથી આપવામાં આવ્યું છે. ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલ જોગવાઇઓને પણ કઠોર કરવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 2030નો એજેન્ડા આંતરરાષ્ટ્રીય સમુદાયે સંયુક્ત રાષ્ટ્રના માધ્યમથી 17 સતત વિકાસ લક્ષ્યોની ઐતિહાસિક યોજના શરૂ કરી છે જેનો હેતુ વર્ષ 2030 સુધી વધારે સંપન્ન, વધારે સમતાવાદી અને વધારે સંરક્ષિત વિશ્વનું નિર્માણ કરવાનો છે. નવા એજન્ડામાં પ્રથમ વખત બાળકો સામેની હિંસાના તમામ સ્વરૂપોને સમાપ્ત કરવા માટે એક વિશિષ્ટ લક્ષ્ય સામેલ છે, અને બાળકો સાથેનું ગેરવર્તન, અવગણના અને શોષણને સમાપ્ત કરવા માટે કેટલાય અન્ય હિંસા સંબંધિત લક્ષ્યોને મુખ્ય વિભાગમાં સામેલ કરવામાં આવ્યા છે.

ગુજરાત સમાચાર 4 Jun 2021 5:09 pm

Holi 2021: જાણો, કેવી રીતે ચહેરા પરના જિદ્દી રંગ દૂર કરશો?

નવી દિલ્હી, તા. 29 માર્ચ 2021, સોમવાર ધૂળેટી પર મિત્રોનો સાથ અને ખુશીઓના રંગ તેને ખાસ બનાવે છે. આ દિવસે અબીલ અને ગુલાલના રંગથી રંગાયેલા લોકો જોવા મળે છે, પરંતુ ઘણીવાર જ્યારે હોળી પછી આ રંગોને દૂર કરવાની નોબત આવે છે ત્યારે મુશ્કેલી પડે છે. શરીર પર જામી ગયેલા રંગ જલ્દી દૂર થતા નથી. ત્યારે લાંબા સમય સુધી ત્વચા પર રંગ લગાવી રાખવાથી ખંજવાળ, એલર્જી અથવા તો સ્કિન ઈન્ફેક્શનની સમસ્યા થઇ શકે છે. એવામાં રંગોને જલ્દી સાફ કરવા ખૂબ જ જરૂરી હોય છે. એવામાં હોળીના જિદ્દીથી જિદ્દી રંગ તમે રસોડામાં હાજર કેટલીક વસ્તુઓની મદદથી સરળતાથી દૂર કરી શકો છો. જાણો, રંગ દૂર કરવા માટે કઇ વસ્તુઓનો ઉપયોગ કરશો? લીંબૂ અને બેસન લીંબૂ અને બેસનનો ઉપયોગ કરીને પણ શરીર પર લાગેલા રંગને સરળતાથી દૂર કરી શકાય છે. રંગ દૂર કરવા માટે બેસનમાં લીંબૂ અને દૂધ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને પોતાની ત્વચા પર લગાઓ. લગભગ 20 મિનિટ સુધી આ પેસ્ટ લગાવી રાખો અને ત્યારબાદ હુંફાળા પાણીથી ચહેરાને સારી રીતે ધોઇ નાંખો. તમારો ચહેરો સાફ થઇ જશે. ઝિન્ક ઑક્સાઇડ અને કેસ્ટર ઑઇલ ત્વચા પર જામી ગયેલા ડાર્ક કલર્સને દૂર કરવા માટે બે ચમચી ઝિન્ક ઑક્સાઇડ અને બે ચમચી કેસ્ટર ઑઇલ મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચહેરા પર લગાઓ. ત્યારબાદ હળવા હાથેથી મસાજ કરીને ચહેરાને પાણીથી ધોઇ નાંખો. ત્યારથી 20 મિનિટ પછી સાબુ લગાવીને ચહેરાને ધોઇ નાંખો. ત્વચા પરનો રંગ સરળતાથી દૂર થઇ જશે. જવનો લોટ અને બદામનું તેલ જવનો લોટ અને બદામના તેલથી પણ શરીર પર જમા જીદ્દી રંગોને દૂર કરી શકાય છે. જવનો લોટ, બદામના તેલને ત્વચા પર લગાવીને રંગને સાફ કરી શકાય છે. કાચું પપૈયું અને દૂધની પેસ્ટ આ ઉપરાંત તમે દૂધમાં થોડાક કાચા પપૈયાને ક્રશ કરીને મિક્સ કરો. આ સાથે થોડીક મુલતાની માટી અને થોડુક બદામનું તેલ મિક્સ કરો અને ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવી લો. લગભગ અડધા કલાક પછી ચહેરાને પાણીથી ધોઇ નાંખો. રંગ જાતે ઉતરી જશે. સંતરાની છાલ ચહેરા પરના જિદ્દી રંગોને દૂર કરવા માટે સંતરાની છાલ, મસૂરની દાળ અને બદામને દૂધમાં દળીને તેની એક પેસ્ટ બનાવી લો. આ તૈયાર ઉબટનને ત્વચા પર લગાઓ અને મસાજ કરો ત્યારબાદ પાણીથી ધોઇ નાંખો. ત્વચા સાફ થઇ જશે અને તેમાં નિખાર પણ આવશે. કાકડીનો રસ આજકાલ બજારમાં કાકડી સરળતાથી મળી જશે. તેનો ઉપયોગ કરીને તમે સ્કિન પરથી રંગોની અસર દૂર કરી શકો છો. તેના માટે કાકડીનો રસ કાઢીને તેમાં થોડુક ગુલાબ જળ અને એક ચમચી વિનેગર મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. ત્યારબાદ તેને પોતાના ચહેરા પર હળવા હાથેથી મસાજ કરી લો. તેના ઉપયોગથી ચહેરાનો રંગ પણ દૂર થઇ જશે અને સ્કિનમાં નિખાર પણ આવશે. મૂળા અને બેસનની પેસ્ટ રંગ દૂર કરવાના કેસમાં મૂળા પણ તમને સાથ આપશે. તેના માટે મૂળાનો રસ કાઢીને તેમાં દૂધ, બેસન અને મેદો મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. ત્યારબાદ આ પેસ્ટને ચહેરા પર લગાવીને થોડીકવાર માટે રહેવા દો. પેસ્ટના સુકાઇ ગયા બાદ ચહેરાને પાણીથી સારી રીતે ધોઇ નાંખો. તેનાથી ચહેરો સાફ થઇ જાય છે. ચહેરો જ નહીં શરીરના કોઇ પણ અંગ પર જમા રંગને દૂર કરવાના હોય તો આ પેસ્ટનો ઉપયોગ કરી શકાય છે. કોઇ પણ નુસ્ખા અજમાવતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.

ગુજરાત સમાચાર 29 Mar 2021 6:48 pm

હોળી 2021 : કેમિકલયુક્ત જોખમી રંગોથી વાળને થશે નુકશાન, હેરકેર ટિપ્સથી આ રીતે વાળનું રક્ષણ કરો

નવી દિલ્હી, તા. 28 માર્ચ 2021, રવિવાર કેમિકલવાળા રંગથી વાળ ઘણા ડેમેજ થઇ જાય છે. એવામાં વાળની દેખભાળ માટે રંગોથી રમતા પહેલા આ ઉપાય અજમાવી જુઓ. ખુલ્લા વાળમાં ન રમશો હોળી વાળની દેખભાળ માટે હોળીના દિવસે વાળને ખુલ્લા ન રહેવા દેશો. ખુલ્લા વાળમાં રંગ સરળતાથી મૂળ સુધી પહોંચી જાય છે જેનાથી વાળ વીક થઇ શકે છે. હોળી રમવાથી વાળમાં નારિયેળ તેલથી મસાજ કરો. નારિયેળ તેલ ઉપરાંત તમે ઑલિવ ઑઇલ, સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. વાળને કવર કરો કેમિકલયુક્ત રંગોથી વાળને બચાવવા માટે નારિયેળ તેલથી વાળની માલિશ કરો, આ ઉપરાંત હોળીના દિવસે તમે વાળને કવર કરવા માટે ટોપીનો ઉપયોગ કરો. સ્ટાઈલિશ અને સુંદર દેખાવા માટે ટોપી એકદમ બેસ્ટ છે. ટોપીનો ઉપયોગ કરવાથી વાળમાંથી રંગ જશે નહીં. વાળથી રંગ દૂર કરવા માટે બેબી શેમ્પૂ અથવા તો નેચરલ શેમ્પૂનો ઉપયોગ કરો. ગરમ પાણીનો ઉપયોગ કરો વાળમાંથી રંગ દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ ન કરશો. ગરમ પાણીનો ઉપયોગ કરવાથી વાળ ઘણા ડેમેજ થઇ જાય છે. ગરમ પાણીને યૂઝ કરવાથી વાળ ડ્રાઇ થઇ જાય છે. હેરવૉશ કર્યા બાદ વાળમાં બ્લોઅરનો ઉપયોગ ન કરશો પરંતુ વાળને નેચરલી સુકાવવા દો. આ રીતે વાળમાંથી કલરને દૂર કરો હોળી રમ્યા બાદ વાળમાંથી સુકો રંગ દૂર કરવા માટે વાળને સારી રીતે બ્રશ કરી લો. કાંસકો અથવા બ્રશ કરવાથી માથામાં જમા રંગને દૂર કરવામાં મદદ મળશે. જો તમે ભીના રંગથી હોળી રમ્યા છે તો તમારે સાદા પાણીથી હેરવૉશ કરવા. ત્યારબાદ શેમ્પૂનો ઉપયોગ કરવો. ત્યારબાદ વાળને સાદા પાણીથી સાફ કરો.

ગુજરાત સમાચાર 28 Mar 2021 7:42 pm

World Meteorological Day 2021 : જાણો, વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસના મહત્ત્વ, ઇતિહાસ તેમજ થીમ વિશે...

નવી દિલ્હી, તા. 23 માર્ચ 2021, મંગળવાર દર વર્ષે 23 માર્ચે વિશ્વભરમાં વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ મનાવવામાં આવે છે. આ દિવસને મનાવવા પાછળનું મુખ્ય કારણ છે કે લોકોને હવામાન વિજ્ઞાન અને તેમાં થઇ રહેલા ફેરફાર પ્રત્યે જાગૃત કરવાનો છે. હવામાનશાસ્ત્ર દિવસ મનાવવામાં વિશ્વ હવામાન સંગઠનનું ઘણું યોગદાન હોય છે. સંગઠન દ્વારા જ પ્રત્યેક વર્ષ હવામાનશાસ્ત્ર સાથે સંકળાયેલ એક નવો વિષય લઇ આવે છે, અને આ વિષય આધારિત આખા વર્ષ દરમિયાન કામ કરવામાં આવે છે. વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસનો ઇતિહાસ વર્ષ 1950માં આજથી 71 વર્ષ પહેલા વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાનું અસ્તિત્ત્વ અથવા સ્થાપનાનું જશ્નને મનાવવા માટે પ્રત્યેક વર્ષ 23 માર્ચે વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ તરીકે મનાવવામાં આવે છે. વિભિન્ન દેશ વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠનનો સભ્ય છે. સભ્ય રાષ્ટ્ર પ્રતિવર્ષ ફરજિયાતપણે વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસને એક વિશેષ વિષયની સાથે મનાવતા આવ્યા છે. વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસનો વિષય વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ 2021નો વિષય વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠન દ્વારા 'મહાસાગર, આબોહવા અને હવામાન' નક્કી કરવામાં આવ્યો છે. આ સાથે વિશ્વના સતત વિકાસ માટે મહાસાગર વિજ્ઞાનના સંયુક્ત રાષ્ટ્ર દાયકાની શરૂઆત પણ તેની સાથે કરવામાં આવી રહી છે. ગત વર્ષે આ દિવસનો વિષય 'હવામાન અને પાણી' રાખવામાં આવ્યો હતો. આ વખતે વિષય અનુસાર મહાસાગરોનું સંરક્ષણ કેન્દ્રમાં છે. વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠન વિશ્વ હવામાનશાસ્ત્ર સંગઠનનું મુખ્યાલય જિનેવા, સ્વીટ્ઝરલેન્ડમાં આવેલું છે. આ સંગઠન પૃથ્વીના વાયુમંડળની પરિસ્થિતિ અને વ્યવહાર, મહાસાગરોની સાથે તેના સંબંધ અને હવામાનનની માહિતી આપે છે. કુલ 191 દેશ તેમજ ક્ષેત્ર સંગઠનના સભ્ય છે. સંગઠન સમય-સમય પર પૂર, ભૂકંપ તેમજ અન્ય પ્રાકૃતિક આપત્તિઓનો અંદાજ કાઢીને વિશ્વને ચેતવવામાં આવે છે. આ રીતે મનાવવામાં આવે છે વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ વિશ્વ હવામાનશાસ્ત્ર દિવસ પર વિશ્વભરમાં સેમિનાર તેમજ બેઠકોનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમોમાં વૈજ્ઞાનિક વિચારો તેમજ અનુભવોનું આપ-લે કરે છે. આજકાલ શાળામાં આ પ્રકારના દિવસો મનાવવામાં આવી રહ્યા છે. જેમાં વૈજ્ઞાનિકને મહેમાન તરીકે બોલાવવામાં આવે છે અને તેઓ વિષય પ્રત્યે વિદ્યાર્થીઓને જાગૃત કરે છે. કોરોનાકાળમાં આ તમામ આયોજન ઓનલાઇન થઇ ગયા છે, એવામાં ચર્ચાઓનું આયોજન ઓનલાઇન કરવામાં આવી રહ્યા છે.

ગુજરાત સમાચાર 23 Mar 2021 5:21 pm

World Water Day 2021: જાણો, કેમ મનાવવામાં આવે છે વિશ્વ જળ દિવસ?

નવી દિલ્હી, તા. 22 માર્ચ 2021, સોમવાર પાણી આપણા માટે એક એવો વારસો છે જેને આવનારી પેઢી માટે સંભાળીને રાખવું ખૂબ જ જરૂરી છે. પાણી વગર જીવન શક્ય નથી. કહેવાય છે કે મનુષ્ય ખાધા વગર તો રહી શકે છે પરંતુ પાણી વગર જીવત ન રહી શકે. જો કે, લોકોને આ વાત સમજમાં નથી આવતી અને તે પાણીને બચાવીને રાખવાની જગ્યાએ વ્યર્થ કરવામાં વ્યસ્ત થઇ રહ્યા છે. લોકો પાણીનું મહત્ત્વ સમજવાનું છોડી ચુક્યા છે. વિશ્વને પાણીની જરૂરત સમજાવાના હેતુથી જ વિશ્વ જળ દિવસ મનાવવાની પ્રથા શરૂ થઇ છે. ફિલોસોફર થેલ્સે કેટલાય વર્ષો પૂર્વે કહ્યુ હતુ કે પાણી જ તમામ ભૌતિક વસ્તુઓનું કારણ અને સમસ્ત પ્રાણી જીવનનો આધાર છે પરંતુ હવે લોકો આ વાતને મહત્ત્વ નથી આપી રહ્યા. આ કારણથી દર વર્ષે વિશ્વ જળ દિવસ મનાવવામાં આવે છે. વિશ્વ જળ દિવસની શરૂઆત વિશ્વને પાણીની જરૂરિયાતથી જાગૃતિ કરાવવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્રે વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરી હતી. વર્ષ 1992માં રિયો ડિ જેનેરિયોમાં આયોજિત પર્યાવરણ તથા વિકાસની દ્રષ્ટિથી સંયુક્ત રાષ્ટ્ર સંમેલનમાં વિશ્વ જળ દિવસ મનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનું આયોજન પ્રથમવાર વર્ષ 1933માં 22 માર્ચે થયું હતું. વિશ્વ જળ દિવસનો હેતુ વિશ્વ જળ દિવસ મનાવવાનો હેતુ વિશ્વને જાગૃત કરવવાનો છે કે પાણી બચાવવું કેટલું જરૂરી છે, આ આપણું મૂળભૂત સંસાધન છે, તેનાથી કેટલાય કામ સંચાલિત થાય છે અને તેની અછતથી મોટાભાગની પ્રવૃત્તિઓ ઠપ થઇ શકે છે. આ હેતુનો દિવસ લોકોનું જણાવવાનો છે કે પાણી વગર તેમના અસ્તિત્ત્વ પર જોખમ આવી શકે છે. વિશ્વ જળ દિવસ 2021ની થીમ વિશ્વ જળ દિવસને દર વર્ષે એક થીમની સાથે મનાવવામાં આવે છે. આ વર્ષની થીમ - વેલ્યૂઈંગ વૉટર છે, જેનું લક્ષ્ય લોકોને પાણીનું મહત્ત્વ સમજાવવાનો છે. વિશ્વમાં કેટલાય એવા દેશ છે જ્યાં લોકોને પીવાનું પાણી પણ મળી શકતું નથી અને છેવટે તેઓ ગંદું પાણી પીને કેટલીય બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરે છે. એવામાં પાણીના મૂલ્યને સમજવું ખૂબ જ જરૂરી છે. કેવી રીતે મનાવવામાં આવે છે વિશ્વ જળ દિવસ દર વર્ષે વિશ્વ જળ દિવસના અવસરે કેટલાય પ્રકારના કાર્યક્રમોનું આયોજન થાય છે. ભાષણ, કવિતાઓ અને વાર્તાઓના માધ્યમથી લોકોને જળ સંરક્ષણ અને તેનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. કેટલાત પ્રકારની તસવીરો અને પોસ્ટર શેર કરવામાં આવે છે જેનો હેતુ લોકોને પાણીની જરૂરત સમજાવવાનો હોય છે.

ગુજરાત સમાચાર 22 Mar 2021 4:29 pm

World Sparrow Day 2021 : ક્રિકેટ સાથે પણ સંકળાયેલો છે ચકલીનો એક રસપ્રદ કિસ્સો

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2021, શનિવાર વિશ્વભરમાં આજે 'વિશ્વ ચકલી દિવસ' મનાવવામાં આવી રહ્યો છે. આ દર વર્ષે 20 માર્ચે મનાવવામાં આવે છે. તેનો હેતુ આ પક્ષીના સંરક્ષણ પ્રત્યે જાગરૂકતા ફેલાવે છે. છેલ્લા કેટલા વર્ષોથી આ ચકલીઓ ધીમે-ધીમે વિલુપ્ત થતી જઇ રહી છે. એક સમય હતો જ્યારે આપણે દરરોજ સવારે ચકલીની ચહચહાહટ સાંભળીને ઉઠતા હતા પરંતુ આજે આ ચકલીઓનું અસ્તિત્ત્વ જોખમમાં છે. ચકલીની આ પરિસ્થિતિને જોતાં વર્ષ 2010થી વિશ્વભરમાં 'વિશ્વ ચકલી દિવસ' મનાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ શાનદાર ચકલીનો ઇતિહાસ ક્રિકેટ સાથે પણ કનેક્ટેડ છે. જાણો, તેની પાછળનો રસપ્રદ કિસ્સો... આ વાત વર્ષ 1936ની છે. જ્યારે આપણો દેશ આઝાદ પણ થયો ન હતો. વર્ષ 1936માં ઈંગ્લેન્ડના લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેરિલબોન ક્રિકેટ ક્લબ અને કેમ્બ્રિજ યૂનિવર્સિટી વચ્ચે એક ક્રિકેટ મેચ રમવામાં આવી રહી હતી. આ મેચમાં ભારતના જહાંગીર ખાન કેમ્બ્રિજ યૂનિવર્સિટી માટે રમી રહ્યા હતા. મેચ દરમિયાન જ્યારે જહાંગીર બૉલિંગ કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક ચકલી બોલ સાથે અથડાઇ ગઇ. જહાંગીરના બૉલથી તે ચકલીને ઘણી ઇજા પહોંચી હતી અને થોડાક સમય પછી તેનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારબાદ આ ચકલીને તે બૉલની સાથે લૉર્ડ્સના મ્યૂઝિયમમાં રાખી દેવામાં આવી. જેને પછીથી 'સ્પેરો ઑફ લૉર્ડ્સ' નામ આપવામાં આવ્યું. ભારતીય ટીમના સિલેક્ટર પણ રહ્યા જહાંગીર ઉલ્લેખનીય છે કે આઝાદી પહેલા ભારત માટે ચાર ટેસ્ટ રમનાર જહાંગીર ખાન ભારતીય ટીમના પસંદકર્તા પણ રહ્યા હતા. જો કે, ભાગલા પડ્યા બાદ તેઓ પાકિસ્તાન ચાલ્યા ગયા. પાકિસ્તાનમાં પણ તેનો ક્રિકેટ સાથે જોડાયેલા રહ્યા અને થોડાક સમય માટે ત્યાંની રાષ્ટ્રીય ટીમની પસંદગી પણ કરતા રહ્યા.

ગુજરાત સમાચાર 20 Mar 2021 4:52 pm

International Day of Happiness : જાણો, કેમ હેપ્પીનેસ ડે મનાવવામાં આવે છે?

નવી દિલ્હી, તા. 20 માર્ચ 2021, શનિવાર વિશ્વમાં દરેક બાબતે એક દિવસ રાખવામાં આવ્યો છે. ખુશી સેલિબ્રેટ કરવા માટે પણ એક 'ઇન્ટરનેશનલ ડે ઑફ હેપ્પીનેસ' અથવા આંતરરાષ્ટ્રીય ખુશી દિવસ રાખવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર 20 માર્ચે દર વર્ષે ઈન્ટરનેશનલ ડે ઑફ હેપ્પીનેસ મનાવે છે. વર્ષ 2013માં સંયુક્ત રાષ્ટ્રે તેને મનાવવાનું શરૂ કર્યુ હતું. જાણો, આ દિવસ કેમ મનાવવામાં આવે છે. કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ હેપ્પીનેસ ડે? સંયુક્ત રાષ્ટ્રે 20 માર્ચે આ દિવસ વિશ્વભરના લોકોમાં ખુશીના મહત્ત્વ પ્રત્યે જાગરૂકતા વધારવા માટે મનાવે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 12 જુલાઇ 2012ના દિવસે આ દિવસ મનાવવાનો સંકલ્પ લીધો હતો. સંયુક્ત રાષ્ટ્ર માટે આ દિવસને મનાવવા પાછળ જાણિતા સમાજ સેવક જેમી ઇલિયનના પ્રયાસોનું પરિણામ હતું. તેમના વિચારોએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ જનરલ બાન મૂનને પ્રેરિત કર્યા અને તેથી 20 માર્ચ 2013ને ઈન્ટરનેશનલ ડે ઑફ હેપ્પીનેસ જાહેર કરવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્રના લક્ષ્યોમાં 'ખુશી'નું સ્થાન સંયુક્ત રાષ્ટ્રે વર્ષ 2015માં 17 ટકાઉ વિકાસ લક્ષ્યો જાહેર કર્યા હતા જે ગરીબી ખતમ કરવા, અસમાનતાને ઘટાડવા અને આપણા ગ્રહની રક્ષા કરવા માટે નિર્ધારિત કરવામાં આવે છે. આ ત્રણ પ્રમુખ પાસા સારા જીવન અને ખુશી માટે ખૂબ જ જરૂરી માનવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રનો પ્રયાસ છે કે આ દિવસને મનાવતા વિશ્વના નીતિ નિર્ધારકો અને નિર્માતાઓનું ધ્યાન ખુશી જેવા અંતિમ લક્ષ્ય પર જાળવી રાખે. ખુશીને કેટલું મહત્ત્વ? સંયુક્ત રાષ્ટ્રનું માનવું છે કે વિશ્વમાં જાળવણી યોગ્ય વિકાસ, ગરીબી નાબૂદી, અને ખુશી માટે આર્થિક વિકાસમાં સમાનતા, સમાવેશતા અને સંતુલનનું દ્રષ્ટિકોણ સામેલ કરવાની જરૂર છે. ખુશીને મહત્ત્વ આપવાની ઔપચારિક પહેલ ભૂટાન જેવા નાનકડા દેશે કરી હતી વર્ષ 1970ના દાયકાથી પોતાના રાષ્ટ્રીય આવકથી વધારે રાષ્ટ્રીય ખુશીના મૂલ્યને વધારે મહત્ત્વ આપી રહ્યો છે. અહીં ત્યારથી જ રાષ્ટ્રીય કુલ ઉત્પાદનની જગ્યાએ રાષ્ટ્રીય કુલ આનંદને વધુ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. શું છે વર્ષ 2021ની થીમ? સંયુક્ત રાષ્ટ્રના દરેક દિવસ માટે દર વર્ષે એક નવી થીમ જાહેર કરવામાં આવી છે જેના આધારે જ આ દિવસ મનાવવામાં આવે છે એટલે કે તે જ થીમ પર ફૉક્સ કરીને તે દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે કોવિડ-19ની અસર યથાવત છે. કોવિડ મહામારીને ધ્યાનમાં રાખતા આ વર્ષની થીમ છે. શાંત રહો, બુદ્ધિમાન રહો અને દયાળુ રહો. આ થીમ કેમ રાખવામાં આવી છે? આ થીમ રાખવા પાછળનો હેતુ કોવિડ મહામારી વચ્ચે પેદા થયેલી નિરાશા વચ્ચે ખુશી શોધવા માટે પોતાની જાતને પ્રેરણા આપવાનો છે. શાંત રહેવાનું જ્યારે આપણે લક્ષ્ય બનાવીએ છીએ ત્યારે આપણે પોતાની જાતને યાદ અપાવીએ છીએ કે બધુ જ આપણા નિયંત્રણમાં નથી. ત્યારબાદ બુદ્ધિમત્તાપૂર્ણ નિર્ણય કરવો તે બધા માટે મદદરૂપ સાબિત થાય છે અને આપણને સકારાત્મક બનાવી રાખશે. આ સાથે જ એકબીજા પ્રત્યે દયા ભાવ જાળવી રાખવામાં મદદ મળશે. કોરોના કાળમાં તેની આપણને સૌથી વધારે જરૂર છે. વિશ્વના વિકાસવાદી આર્થિક લક્ષ્યોની પાછળ દોડતી સરકાર હોય અથવા તો પોતાની પરિસ્થિતિને સુધારવાનો પ્રયાસ કરતાં લોકો હોય. આ ભાગદોડમાં ખુશીઓ જાણે કે આપણાથી રૂઠી રહી છે. આંતરરાષ્ટ્રીય ખુશી દિવસને મનાવવાનું સાર્થક થઇ શકે છે જ્યારે આપણે આપણા લક્ષ્યોની એકવાર સમીક્ષા કરો, તો ધ્યાન રાખો ક્યાંક ખુશી તમારાથી છૂટી તો નથી રહી ને..?

ગુજરાત સમાચાર 20 Mar 2021 11:59 am

World Sleep Day : રાત્રે ઊંઘ નથી આવતી તો અજમાવી જુઓ આ ટિપ્સ, સ્લીપિંગ ક્વૉલિટી ઈમ્પ્રૂવ થશે

નવી દિલ્હી, તા. 19 માર્ચ 2021, શુક્રવાર આપણા શરીરને હેલ્ધી રાખવા માટે જેટલું એક્સરસાઇઝ કરવી અને હેલ્ધી ડાયેટ લેવું ખૂબ જ જરૂરી હોય છે તો રાત્રે સારી ઊંઘ લેવું પણ તેટલું જ જરૂરી હોય છે. શોધમાં આ વાત સાબિત થઇ ચુકી છે કે જો તમે રાત્રે પૂરતી ઊંઘ નથી લઇ રહ્યા તો આ તમારા હૉર્મોન્સને તો અસર કરશે જ, તમારા બ્રેઇન ફંક્સનને પણ ડિસ્ટર્બ કરશે. આટલું જ નહીં, સારી ઊંઘના અભાવમાં તમારું વજન પણ વધી શકે છે અને શરીરની ઈમ્યૂનિટી પણ અસરકર્તા થઇ શકે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં લાઇફ સ્ટાઇલમાં આવતા ફેરફારના કારણે લોકોમાં રાત્રે ઊંઘ ન આવવાની ફરિયાદ ઝડપથી વધી છે. તો જાણો, ગુડનાઇટ સ્લીપ માટે કઇ ટિપ્સને પોતાના જીવનમાં સામેલ કરી શકો છો. 1. દિવસે રોશનીમાં કામ કરો જ્યારે તમે દિવસના સમયે રોશનીમાં કામ કરો છો ત્યારે રાત થતાં થતાં તમારું મગજ, શરીર અને ઊંઘ સંબંધિત હૉર્મોન્સ પોતાની જાતને ઊંઘ માટે તૈયાર કરવા લાગે છે. દિવસના સમયે રોશની હકીકતમાં શરીરમાં રહેલ સરકેડિયમ રિધમને હેલ્ધી રાખે છે. આ તમારા શરીરને દિવસમાં એનર્જેટિક બનાવે છે અને રાતના સમયે સ્લીપિંગ ક્વૉલિટી અને સ્લીપિંગ ટાઇમને ઈમ્પ્રૂવ કરે છે. 2. રાતના સમયે બ્લ્યૂ લાઇટ એક્સપોઝરનો ઉપયોગ ન કરશો દિવસના સમયે જ્યારે આપણે રોશનીમાં રહીએ છીએ ત્યારે આ તમારી ઊંઘ માટે ફાયદાકારક હોય છે પરંતુ રાતના સમયે જો તમે બ્લ્યૂ અથવા તીવ્ર લાઇટનો ઉપયોગ કરો છો તો આ તમારી ઊંઘને સાચા સમય પર આવતા અટકાવે છે. આ તમારા મેલાટોનિમ હૉર્મોન્સને પ્રભાવિત કરે છે જે ગાઢ નિંદ્રા માટે જરૂરી છે. એવામાં યોગ્ય રહેશે કે તમે ઊંઘવાના બે કલાક પહેલા બ્લ્યૂ રોશનીવાળી લાઇટ્સનો ઉપયોગ ન કરશો. ટીવી અને મોબાઇલ પર પણ નાઇટ મોડનો ઉપયોગ કરશો તો યોગ્ય રહેશે. 3. રાતમાં કેફીનવાળા ફૂડનું સેવન ન કરો દિવસના સમયે જ્યારે આપણે કૈફીનવાળા ફૂડ અથવા ડ્રિન્કનું સેવન કરો છો ત્યારે આ આપણને એનર્જી આપે છે. એવામાં રાત્રે તેના સેવનથી તમારી ઊંઘ ગાયબ થઇ શકે છે. એક સ્ટડી અનુસાર, જો તમે સારી ઊંઘ ઇચ્છો છો તો ઊંઘવાના 6 કલાક પહેલા ક્યારેય પણ કૈફીનનું સેવન ન કરશો. 4. દિવસે મોડે સુધી ન સૂઇ જાઓ દિવસે નાનકડુ પાવર નેપ લઇ શકો છો પરંતુ જો તમે દિવસના સમયે કલાકો સૂઇ જાઓ છો તો આ તમારી રાતની ઊંઘને અસર કરે છે. આટલું જ નહીં, આ તમારા રાતની ઊંઘની ક્વૉલિટીને પણ અસર કરે છે અને ગાઢ નિંદ્રાથી તમે વંચિત રહી જાઓ છો. 5. આલ્કોહોલનો ઉપયોગ ન કરો રાત્રે આલ્કોહોલનું સેવન તમારી ઊંઘને ખરાબ કરી શકે છે. હકીકતમાં આલ્કોહોલને સ્લીપ ડિસઑર્ડર, સ્લીપ એપ્નિયા, સ્નોરિંગનું કારણ માનવામાં આવે છે. આટલું જ નહીં, રાત્રે આલ્કોહોલનું સેવન કરવાથી સરકેડિયમ રિધમ પણ ડિસ્ટર્બ થાય છે અને ઊંઘની પેટર્ન ખરાબ થઇ શકે છે. 6. બેડરૂમને સારું વાતાવરણ આપો જો તમે સારી ઊંઘ ઇચ્છો છો તો પોતાના બેડરૂમનું વાતાવરણ સારું રાખો. બેડરૂમમાં અંદર ઘોંઘાટની જગ્યાએ શાંતિ હોય, બહારની રોશની ન આવતી હોય અને તમારો બેડ આરામદાયક હોય. આ તમારી ઊંઘની ક્વોલિટીને વધારશે અને તમે સારી ઊંઘ લઇ શકશો. 7. ડિનર જલ્દી કરો જો તમે ઊંઘવાના તરત પહેલા હેવી ડિનર કરો છો તો આ પણ તમારી ખરાબ ઊંઘનું કારણ હોઇ શકે છે. પ્રયાસ કરો કે ઊંઘવાના 4 કલાક પહેલા ભોજન કરી લો. 8. એક્ટિવ લાઇફ લીડ કરો જો તમે દિવસમાં એક્સરસાઇઝ, વૉક અથવા જિમ કરો છો તો આ તમારી ઊંઘની ક્વૉલિટીને સારી બનાવે છે એટલા માટે શક્ય હોય તો દરરોજ એક્સરસાઇઝ અથવા વૉક કરો. 9. ઊંઘવાના તરત પહેલા પાણી ન પીઓ જો તમે સૂતા પહેલા ઘણુ બધુ પાણી અથવા કોઇ પણ પ્રકારનું લિક્વિડ પીશો તો તમારે રાત્રે બાથરૂમ માટે વારંવરા ઉઠવુ પડી શકે છે. એવામાં ઊંઘવાના 1 અથવા 2 કલાક પહેલા જ પાણી પી લો. સૂતા પહેલાં ટોયલેટ જાઓ. 10. સૂતા પહેલાં સ્નાન કરી લો. દિવસભર થાક્યા બાદ જ્યારે તમે રાત્રે સ્નાન કરો છો ત્યારે તમારું શરીર અને મગજ બંને રિલેક્સ ફીલ કરે છે. એવામાં સારી ઊંઘ માટે સૂતા પહેલા સ્નાન કરી લો. એક શોધમાં પણ જાણવા મળ્યું છે કે ઊંઘવાના એક કલાક પહેલા હુંફાળા પાણીમાં સ્નાન કરવાથી રાત્રે ગાઢ નિંદ્રા આવે છે.

ગુજરાત સમાચાર 19 Mar 2021 6:06 pm