વલસાડ જિલ્લાના 29 પરીક્ષા કેન્દ્રો પર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ (GUJCET) 2026ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને આરોગ્ય વિભાગના સંકલનથી કોઈ અનિચ્છનીય બનાવ વગર પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. આ પરીક્ષામાં
રાજ્યમાં જમીન રૂપાંતર વેરા વસૂલાત અંગે કેગ (CAG) ઓડિટમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી છે. કુલ 3,330,410.56 ચોરસ મીટર જમીન સંબંધિત કેસોમાં બિન અથવા ઓછી વેરા વસૂલાતના મુદ્દા સામે આવ્યા છે. ઓડિટ દરમિયાન 8 જિલ્લા કલેક્ટરો દ્વારા પ્રાથમિક જવાબોમાં વિવિધ બહાના રજૂ કરવામાં આવ્યા હતા, પરંતુ બીજી
દ્વારકામાં આજે રૂકમણી વિવાહ મહોત્સવ ઉજવાયો હતો. આ પ્રસંગે શ્રી દ્વારકાધીશ વરરાજા સ્વરૂપે દિવ્ય શૃંગારમાં સજ્જ થયા હતા.જગત મંદિરની આ દિવ્ય છટાએ ભક્તહૃદયમાં આસ્થાનો મહાસાગર જગાડ્યો હતો. સમગ્ર મંદિર પરિસર ભક્તિરસથી છલકાઈ ઉઠ્યું હતું.
ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6 માં કુલ 4.46 કરોડ રૂપિયાના ખર્ચે અંદાજે 30 વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે આ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. આ વિકાસ કાર્યોમાં મુખ્યત્વે માર્ગ નિર્માણ, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્થા
વિદેશમાં ડ્રાઈવરની નોકરી અપાવવાના લોભમાં લાખો રૂપિયા પડાવીને યુવકો સાથે છેતરપિંડી કરનાર ગેંગ સામે નડિયાદમાં ફરિયાદ નોંધાઈ છે. દુબઈમાં બાઈક રાઈડર તરીકે બે વર્ષના વર્ક વિઝા, મોટો પગાર, ફ્રી રહેવા-જમવા અને ટુ વ્હીલર લાયસન્સ આપવાની લાલચ આપી ‘ફાઇવટેક ઇન્ટરનેશનલ સર્વિસ’ કંપન
બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રએ જાહેરાત કરી છે કે જિલ્લામાં તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો અને સતત પુરવઠો ઉપલબ્ધ છે. તંત્રએ નાગરિકોને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. પેટ્રોલ-ડીઝલ, એલપીજી ગેસ, પીએનજી (પાઇપ્ડ નેચરલ ગેસ), ખાદ્ય અનાજ અને ખાતર સહિતની તમામ જરૂરી વસ્
સ્માર્ટ સિટી સુરતમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરી દરમિયાન સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ પાસે મેટ્રોના ખુલ્લા ખાડામાં એક એક્ટિવા ચાલક અને પાછળ બેઠેલી મહિલા 20 ફૂટ ઊંડા ખાડામાં પટકાતા અર
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે આવેલા ચામુંડા માતાજીના મંદિરે શનિવારે રાત્રે ચામુંડા માતાજીની રમેલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દૂર દૂરથી ઠાકોર સમાજના ભાઈઓ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીની પૂજા અર્ચના કરી હતી. આ રમેલ માંડવામાં સિકોતર માતાના ભ
આગામી 2 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે, ત્યારે વડોદરા શહેરના હરણી રોડ પર આવેલ ભીડ ભંજન હનુમાન મંદિર ભારતનું પહેલુ હનુમાન મંદિર હોવાનો દાવો મંદિરના મહંતે કર્યો છે. આ માટે તેઓએ સતત 7 વર્ષ સુધી રામચરિત માનસ અને સ્કંદપુરાણ સહિતના ગ્રંથોનો ગહન અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આજે 29 માર્ચ
સતાધાર ચાર રસ્તા પરના નવા ફ્લાયઓવરનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના સતાધાર ચાર રસ્તા પર નવા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું. આનાથી એસ.જી. હાઈવે અને વસ્ત્રાપુર તરફ જતા લાખો વાહનચાલકોને ટ્રાફિકમાંથી કાયમી મુક્તિ મળશે.આ સાથે તેમણે AMC અને ઔડાના કુલ 1,098 કરો
પોરબંદરના મીરા નગર વિસ્તારમાં અંદાજિત રૂ. 87.35 લાખના ખર્ચે 'સ્પોન્જ પાર્ક' વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વરસાદી પાણીનો સુવ્યવસ્થિત સંગ્રહ કરવાનો અને વિસ્તારના નાગરિકોને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત આપવાનો છે. પોરબંદર નગરપાલિકાના કમિશનર એચ.જે. પ્રજાપતિન
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે શુક્રવાર, 27 માર્ચ, 2026 ના રોજ રામનવમી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને કૌશલ્યાના ત્યાં થયેલા દિવ્ય અવતરણની યાદગીરીરૂપે આ ઉત્સવનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વિશ્વ શાંતિ માટે “શ્રી રામ તાર
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા વાપીના VIA ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે નવમી પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટમાં વિવિધ શહેરોની 12 ટીમો ભાગ લઈ રહી છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમત અને પરસ્પર સૌહાર્દ વધારવાનો છે. VTAના પ્રમુખે જણાવ્યું હતુ
હિંમતનગરમાં આજે ગુજકેટની પરીક્ષા 16 કેન્દ્રો પર 157 બ્લોકમાં સંપન્ન થઈ. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનમાં કુલ 61 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જીવવિજ્ઞાનમાં 41 અને ગણિતમાં 26 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનની પરીક્ષામાં 3075માંથી 3014 વિદ્યાર્થીઓ હ
સરકારી ઈજનેરી કોલેજ (GEC) પાટણના સિવિલ એન્જિનિયરિંગ વિભાગ અને IWWA અમદાવાદ સેન્ટર દ્વારા સંયુક્ત રીતે 'વર્લ્ડ વોટર ડે ૨૦૨૬' નિમિત્તે માસા (Masa) વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટેકનિકલ મુલાકાતનું આયોજન કરાયું હતું. આ મુલાકાતનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને જળ શુદ્ધિકરણની પ્રક્રિયાઓનું પ્
છઠીયારડા પ્રાથમિક કુમાર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત વિદાય લેનાર વિદ્યાર્થીઓને તિલક-કુમકુમ કરીને કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા આઠ વર્ષના અનુભવો રજૂ કર્યા હતા અને નિવૃત્ત શિક્ષકોને યાદ કર્યા હતા. આ પ્રસંગે વ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG) દ્વારા રાધનપુરની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં એક રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ શિક્ષણમાં આર્ટીફીશીઅલ ઈન્ટેલીજન્સના સાધનોની અસર વિષય પર યોજાયેલા આ પરિસંવાદમાં અમદાવાદની એચ.એ. કોલેજના પ
અમદાવાદના બહેરામપુરા સ્થિત ગૌતમનગરના આંગણવાડી કેન્દ્ર ખાતે 800થી વધુ શ્રમજીવી બાળકો અને મહિલાઓને વેજીટેબલ ખીચડી અને મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ રાહી ફાઉન્ડેશનના 220મા 'ખીચડી વિતરણ પ્રોજેક્ટ' અંતર્ગત યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવા
એ.પી. પટેલ આર્ટ્સ અને સ્વ. એન.પી. પટેલ કૉમર્સ કૉલેજ, નરોડા ખાતે ઇનોવેશન ક્લબ દ્વારા 'વેબ ડિઝાઇનિંગ થ્રૂ એ.આઈ.' વિષય પર 30 કલાકનો વર્કશોપ યોજાયો હતો. કે.સી.જી. અમદાવાદ અને ગુજરાતના શિક્ષણ વિભાગના સહયોગથી આ કાર્યક્રમ 23 થી 28 માર્ચ, 2026 દરમિયાન યોજાયો હતો. આ વર્કશોપમાં મુખ્ય વિષય નિષ્ણાત
હારીજની સરકારી કૉલેજમાં 28 માર્ચના રોજ સવારે 10.00 કલાકે વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાનો તરીકે એડવોકેટ ગિરીશ શર્મા, પ્રોફેસર કે. કે. પટેલ, સામાજિક કાર્યકર શૈલેષ ઠક્કર અને જનક ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા. કૉલેજના આચાર્યએ મહેમાનોનું સ્વાગત કરીને ક
વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની PM શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રાથમિક શાળા નંબર 52, સયાજીગંજ ખાતે 11મો વાર્ષિકોત્સવ 'રંગોત્સવ' ઉજવાયો. આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી શ્રી માનનીય ડો. વિપુલભાઈ ભરતીયા સાહેબે હાજરી આપી હતી.અને બાળકો ને પ્રેર
અમદાવાદના રાઇખડ વિસ્તારમાં આવેલી સંજીવની ફાઉન્ડેશન પ્રી-સ્કૂલના બાળકો માટે શૈક્ષણિક અને મનોરંજક પ્રવાસનું આયોજન કરાયું હતું. આ અંતર્ગત વિદ્યાર્થીઓને કાંકરીયા કિડ્સ સિટી ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમને રમતા રમતા શીખવાની અનોખી તક મળી. આ મુલાકાત દરમિયાન બાળકો ખૂબ ઉત્સા
જૂનાગઢની પ્રજ્ઞાચક્ષુ દીકરી મંજુલાબેન કરમુરે સંપૂર્ણ ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા રાજભવન ખાતે એક સમારોહમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. મંજુલાબેન ભલાભાઈ કરમુર, જે પ્રજ્ઞાચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત અ
હરે કૃષ્ણ મૂવમેન્ટ સુરત દ્વારા શુક્રવાર, 27 માર્ચ 2026 ના રોજ રામનવમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ મહોત્સવ ભગવાન શ્રી રામચંદ્રના અયોધ્યાના રાજા દશરથ અને રાણી કૌશલ્યાના ત્યાં થયેલા દિવ્ય અવતરણની યાદમાં યોજાયો હતો. આશરે ઘણા ભક્તોએ આ ધાર્મિક કાર્યક્રમનો લાભ લીધો હતો.ઉત્સવ દરમ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સુરત, 28 માર્ચ, 2026 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત કવિ શ્રી રમેશ પારેખ પ્રાથમિક શાળા ક્રમાંક – 316માં ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે પ્રગતિ-પ્રોત્સાહન સમારોહ નામનો વિદાય સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેમાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂ
ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફ ન્યુ દિલ્હી દ્વારા આયોજિત અને ઓલ ગુજરાત સ્પોર્ટ્સ કાઉન્સિલ ઓફ ધી ડેફની યજમાનીમાં અમદાવાદ ખાતે નેશનલ ડેફ જુનિયર અને સબ જુનિયર સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. આ ચેમ્પિયનશિપમાં પાટણની એમ.કે.વ્યાસ અને વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળા
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજીના સંયુક્ત ઉપક્રમે અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે રાષ્ટ્રીય કક્ષાની ‘ઓલ ઈન્ડિયા ઓપન ફિડે રેટેડ રેપિડ અંડર-18 ચેસ ટુર્નામેન્ટ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુ
મારવાડી યુનિવર્સિટી ખાતે NSS દ્વારા આયોજિત અને NCC, AIIMS રાજકોટ તેમજ PDU રાજકોટ બ્લડ બેન્કના સહયોગથી 15મી રક્તદાન શિબિર સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ શિબિરમાં કુલ 326 વિદ્યાર્થી સ્વયંસેવકોએ રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ કરીને, અનેક આંતરરાષ્ટ્રીય અને ભાર
ગઈકાલે તા. 28 માર્ચ 2026ના રોજ સૌરાષ્ટ્ર લેઉવા પટેલ વૈષ્ણોદેવી દ્વારા આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટ સફળતાપૂર્વક સંપન્ન થઈ. આ આયોજનનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને એકબીજા સાથે જોડવાનો અને એકતા વધારવાનો હતો. ડિજિટલ યુગમાં જ્યાં પ્રત્યક્ષ સંવાદ ઘટતો જાય છે, ત્યાં આ ટૂર્નામેન્ટ સમાજમ
વાંસદા તાલુકાના વાટી ગામે અંબિકા નદી પર ₹16 કરોડના ખર્ચે પુલનું નિર્માણ થશે. આ પુલની વર્ષો જૂની માંગ સંતોષાતા ગ્રામજનોને મોટી રાહત મળી છે. વલસાડના સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ રાજ્ય સરકારે ભંડોળ ફાળવ્યું હતું, અને આદિજાતિ મંત્રી નરેશ પટેલના હસ્તે પુલનું ખાતમુહૂર્ત કરવામાં આ
અમદાવાદના મણિનગર સ્થિત સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે તા. 27 માર્ચ, શુક્રવારના રોજ સ્વામિનારાયણ ભગવાનની ૨૪૫મી જયંતીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શણગાર કરવા
સુરતની પ્રિયકાન્ત મણિયાર શાળા નંબર 338માં કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના ચેરમેન ડૉ. ફારૂક પટેલના માર્ગદર્શન હેઠળ એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના કુલ 269 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને પોતાની પ્રતિભાનું પ્રદર્
સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગર, ભાવનગરના વિદ્યાર્થી હેત સોનેસરાએ SSE-2026 ની પરીક્ષામાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ચોથો ક્રમ મેળવી સંસ્થા અને શહેરનું ગૌરવ વધાર્યું છે. તેણે આ પરીક્ષામાં 99.98 પર્સન્ટાઈલ હાંસલ કર્યા છે. હેત સોનેસરાએ ભાવનગર શહેર (અર્બન) માં પ્રથમ સ્થાન અને સમગ્ર ભાવનગર
સ્વામિનારાયણ કોલેજ ઓફ સાયન્સના વિદ્યાર્થી જીલ પરેશભાઈ કણસાગરાએ તાજેતરમાં આયોજિત એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં તેમણે 'સાયબર સેફટી અને ડિજિટલ લિટરેસી' વિષય પર પોતાનું સંશોધન પેપર રજૂ કર્યું હતું. આ કોન્ફરન્સનું આયોજન સ્વામિનારાયણ કોલેજ ઓફ કો
સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગરના આચાર્ય પટેલ ધર્મકુમાર બટુકભાઈએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. તેમણે એકસાથે કુલ છ સંશોધન પેપર આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં રજૂ કર્યા હતા. આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન સ્વા
અમરેલી જિલ્લામાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આજે વહેલી સવારે 4:10 વાગ્યે 3.1 મેગ્નિટ્યુડની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપ મુખ્યત્વે ખાંભા ગીર વિસ્તારના નાના વિસાવદર, નાની ધારી, ઇંગોરાળા અને અનિડા સહિતના ગામોમાં અનુભવાયો હતો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજ
વલસાડ જિલ્લાના વાપી વિસ્તારમાં કાર્યરત હજારો ટ્રાન્સપોર્ટરોની લાંબા સમયથી ચાલી આવતી પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનો ટૂંક સમયમાં કાયમી નિકાલ આવશે. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીમાં અદ્યતન 'ટ્રાન્સપોર્ટ નગર'ના નિર્માણની ખાતરી આપી છે. તાજેતરમાં વાપી ટ્રાન્સપોર્
અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. ખાંભા ગીર પંથકના જીક્યાળી, ધજડી અને વાંકિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં નોંધાયા હતા. આ કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે, ભર ઉનાળામાં પડેલા આ કમોસમી વરસાદથી
ચૂંટણીની જાહેરાત થાય તે પૂર્વે નવસારીમાં વિકાસ કાર્યો તેજ બન્યા છે. નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે શહેર અને ગ્રામ્ય વિસ્તારને જોડતા મહત્વના કાઠીયાવાડી ઓવરબ્રિજ સહિત કુલ ₹44.65 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ક
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
જામનગર જિલ્લાના નાગરિકો માટે રાહતના સમાચાર છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં પુરવઠાની સ્થિતિ સુદ્રઢ હોવાનું જણાવાયું હતું. કલેક્ટરે જનતાને પાયાવિહોણી અ
સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં રામનવમીના પવિત્ર પર્વે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્ર અને ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મોત્સવ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો. સુરતના વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં આ અવસરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હ
રાજ્યના પાટનગરમાં સેકટર 25માં આવેલી હિલવુડ સ્કૂલ વિવાદમાં આવી છે. દેશનું ગૌરવ વધારનાર અને નાયબ રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત થયેલા તેજસ્વી વિદ્યાર્થી તેમજ તેની 8 વર્ષની માસૂમ બહેનને શાળા સંચાલકો દ્વારા માનસિક રીતે હેરાન કરી ટોર્ચર કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે વાલીએ
અમદાવાદ શહેરના વેજલપુરમાં રહેતા 35 વર્ષીય યુવકને વ્હોટ્સએપ ગ્રુપમાં એડ કરીને શેરબજારની ટીપ અને રોકાણ બાદ ઊંચા નફાની લાલચ આપી ઠગે 22 લાખ રૂપિયા પડાવી લીધા હતા. ગઠિયાઓએ SEBIના બોગસ સર્ટીફિકેટ બતાવી વ્હોટ્સએપ ગ્રુપ અને ફેક ટ્રેડિંગ એપ્લિકેશનમાં રોકાણ કરી લખો પડાવ્યા હતા. આ અંગે
યાત્રાધામ દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં ગઈકાલની સાંજ લોહીયાળ બની હતી. માત્ર પસાર થવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આક્ષેપ છે કે, ઉશ્કેરાયેલા શખ્સોના ટોળાએ અચાનક જ બે યુવકો પર છરી અને લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયારો વડે હુમલો કરી
ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ અત્યારથી જ સંભળાવા લાગ્યા છે. ખાસ કરીને સુરત શહેરમાં રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. રવિવારે વહેલી સવારે સુરતના ડિંડોલી અને કતારગામ દરવાજા જેવા ગીચ વસ્તી ધરાવતા વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો જ
છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાતની સ્વિમિંગ ટીમે બે મેડલ જીત્યા છે. ટીમે 4x100 મીટર મેડલે રિલે સ્પર્ધામાં કાંસ્ય પદક મેળવ્યો. આ કાંસ્ય પદક વિજેતા ટીમમાં મેડા દિશા (DLSS વડોદરા), પહુ રેણુકા (DLSS વડોદરા), હડુલા ટ્વિંકલ (DLSS હિંમતનગર) અને પ્રિયાંશી પટ
ગુજરાતમાં દૂધની ગુણવત્તા અંગે સરકારના તાજેતરના રિપોર્ટને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર તીખા પ્રહાર કરતા દાવો કર્યો છે કે, દૂધ અંગે રજૂ કરાયેલો રિપોર્ટ “ભરમાવો ભટકાવો” અને “શબ્દોની માયાજાળ” સિવાય કંઈ નથી. સબ સ્ટાન્ડ
બનાસકાંઠાના વડગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા 'જન વિશ્વાસ સંમેલન' યોજાયું હતું. આ સંમેલનમાં વડગામ તાલુકાના ચૌધરી સમાજના આગેવાન ગોવિંદ ચૌધરી સહિત 60 જેટલા લોકો કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસના નેતા અમિત ચાવડાની હાજરીમાં આ સંમેલન યોજાયું હતું. ગોવ
ભાવનગરવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે અને આજથી ભાવનગર-નવી મુંબઈ વચ્ચેની દૈનિક વિમાની સેવાનો ભવ્ય પ્રારંભ થયો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુએ કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા અને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં
રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી અને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ સા્થે જોડાયેલી ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના સંકુલમાં કામ કરતા બે સગીરો સાથે બે શખસોએ સતત ત્રણ મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. પોલીસે કુકર્મ આચરનારા બે શખસોને ઝડપી પ
પોરબંદર શહેરમાં નશીલા પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) પોલીસે મોટી સફળતા મેળવી છે. રેલવે સ્ટેશન રોડ પર આવેલા પુષ્પક ટાવર સામેથી દરોડો પાડી હાઈબ્રીડ ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિર
અમદાવાદના મણિનગર રેલ્વે સ્ટેશન પાસે રાત્રે ૩ વાગ્યાની આસપાસ એક ઈડલીની લારી પર નાસ્તો કર્યા પછી પૈસા માગતા લારીચાલક સાથે અજાણ્યા શખ્સોની દાદાગીરી થતાં વિવાદ વકર્યો હતો. આ વિવાદ ઝડપથી છુટ્ટા હાથની મારામારીમાં ફેરવાઈ ગયો, જેમાં લારીચાલક અભયસિંહ પરમાર અને તેને બચાવવા આવેલા
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ અંતર્ગત, વેરાવળ શહેરમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં લાંબા સમયથી ફરાર આરોપીને એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યો છે. જુનાગઢ રેન્જના ડી.આઇ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા
આજે 29 માર્ચના કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી એક સાથે દેશના 57 એરપોર્ટ પર અલગ-અલગ સુવિધાઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ સાથે રાજકોટનાં ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું છે. સવારે ભાવનગર ખાતે ઈન્ડિગોની નવી મુંબઈની ફલાઈટને ફ્લેગ ઓફ કર
બેચરાજી તાલુકાના દેવગઢ ગામની સીમમાં આવેલા એક વેરહાઉસમાં નોકરી કરતા બે સિક્યુરીટી ગાર્ડે દસેક દિવસના સમયગાળામાં રૂપિયા 3,47,420ની કિંમતના જુદા જુદા 661 જેટલા ઓટો પાર્ટસની ચોરી કરી હતી. જેની જાણ થતાં નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ
હિંમતનગરમાં કેનાલ ફ્રન્ટ ખાતે હિંમતનગર તાલુકા ભાજપ દ્વારા 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન, આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનને મજબૂત કરવાના મુદ્દાઓ પ
કહેવાય છે કે કર્મનું ફળ ભોગવવું જ પડે છે અને કર્મનું ફળ વહેલા મોડા મળે જ છે. સાબરકાંઠાના હિંમતનગરમાં એક આરોપીને કર્મનું ફળ તરત જ મળ્યું છે. હિંમતનગરમાં રાત્રે 70 વર્ષના વૃદ્ધને ધારિયું મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીનો સવારે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. હિંમતન
વડોદરા શહેરની એક ફેક્ટરીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતી વખતે અંદાજે 14.09 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપત કરી ફરાર થઈ ગયેલા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે અરવલ્લી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શું હતો સમગ્ર મામલો? આરોપી રાકેશ પ્રભાતસિંહ પરમાર ( ઉ
ગુજરાત સરકાર દ્વારા સંગઠિત ગુનાખોરીને ડામવા માટે અમલમાં મુકાયેલા કડક કાયદા ‘ગુજસીટોક’ (GCTOC) હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષોથી આતંક મચાવતી અને નિર્દોષ નાગરિકોને શિકાર બનાવતી કુખ્યાત ‘ઇભલા ગે
ઉનાળામાં આકરી ગરમીની શરૂઆત થયા બાદ રાજ્યમાં ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે માવઠાની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરી છે. ભરઉનાળે વાતાવરણમાં પલટો આવતા
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર) કેડરની ભરતી માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. જાહેરખબર ક્રમાંક GPRB/202526/1 મુજબ આવનારી લેખિત પરીક્ષા અંગે મહત્વની માહિતી જાહેર કરાઈ છે. ઉમેદવારો 13 એપ્રિલથી કોલલેટર ડાઉનલોડ કરી શકશેપો.સ.ઇ. કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિ
સુરેન્દ્રનગર LCBએ લખતર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાસ્કરપરા ગામના પાટિયા પાસે હાઇવે રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બોલેરો કેમ્પર ગાડીના ચોર ખાનામાં છુપાવીને લઈ જવાતો રૂ. 2,03,500નો દારૂ, વાહન અને અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ. 7,13,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મા
જૂનાગઢ જિલ્લા જેલમાંથી માનવીય અભિગમ અને સુધારાવાદી ન્યાય પ્રણાલીનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે. હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વધુ એક કેદીને તેના સારા વર્તનના આધારે જેલમુક્ત કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ભડલી ગામના વતની અશોકભાઈ હકાભ
દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હબ ગણાતા વાપી નજીક બલીઠા વિસ્તારમાં નેશનલ હાઈવે-48 પર હિટ એન્ડ રનની એક એવી કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેણે માનવીય સંવેદનશીલતા પર ગંભીર સવાલ ઉભા કર્યા છે. એક અજાણ્યા રાહદારીનું અકસ્માતમાં મોત થયા બાદ તેનો મૃતદેહ 20 મિનિટ સુધી હાઈવે પર રઝળતો રહ્યો અને
યાત્રાધામ દ્વારકામાં 31 માર્ચે યોજાનારા રુક્મણી વિવાહ વરઘોડા પહેલા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે. અધિકારીઓએ સ્વાગત માર્ગો પર કડક નિરીક્ષણ હાથ ધર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન ઇન્ચાર્જ પ્રાંત અધિકારી હિમાંશુ ચૌહાણ, નાયબ પોલીસ અધિકારી સાગર રાઠોડ અને
સુરેન્દ્રનગર SOGએ સોશિયલ મીડિયા પર હથિયાર પ્રદર્શન કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ મામલે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. SOG સ્ટાફના PC સાહિલભાઈ મહંમદભાઈને ખાનગી બાતમી મળી હતી. બાતમીના આધારે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે પ્રદર્શન કરતા
પાટણ શહેરમાં વસતા મોઢ મોદી જ્ઞાતિ સમાજનો પરંપરાગત પગપાળા સંઘ ચૈત્રી નવરાત્રી નિમિત્તે યાત્રાધામ બહુચરાજી જવા રવાના થયો છે. આ યાત્રા વડવાઓની વર્ષો જૂની પ્રણાલીને આજે પણ જીવંત રાખે છે. ચૈત્રી નવરાત્રીમાં જપ, તપ, સાધના અને અનુષ્ઠાન સહિત મૈયાની બાધા-માનતાનું વિશેષ મહત્વ હોય છ
સુરત મેટ્રો ટ્રેનના ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિ.મી.ના વાયડક્ટનું કાર્ય પૂર્ણ થયું છે સાથે સાથે આ લંબાઈમાં ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે.તેની સાથે સાથે આ લંબાઈ એટલે કે 8.5 કિમીના રૂટ પર ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી છે . જ્યારે ટ્રેક બિછાવવાનું તેમજ ટ
ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં એક ચાલુ કારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં જોતજોતામાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, કાર ચાલકની સમયસૂચકતાને કારણે તેમનો આબાદ બચાવ થયો હતો અને કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના ગોધરા શહેરના વ્યસ્ત ભુરાવાવ વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી ત્યારે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તે પહેલાં અમરેલી જિલ્લામાં રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. કોંગ્રેસે તાલુકા મથકો પર કાર્યકરો સાથે બેઠકો યોજીને ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત કાર્યકરો સાથે સંવાદ કરી
સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામે સ્વર્ગસ્થ જશુભાઈ રામસીભાઈ વાઢેરના પવિત્ર સ્મરણાર્થે આયોજિત ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહ યજ્ઞે ધાર્મિકતા સાથે સમાજ સેવા નો અનોખો મેસેજ આપ્યો છે. ગામમાં ચાલી રહેલી આ કથા માત્ર ભક્તિ અને આધ્યાત્મિકતાનો જ પ્રસંગ ન રહી, પરંતુ માનવતાના ઉત્તમ મૂલ્ય
બોટાદ જિલ્લા પંચાયતની ભીમદાડ બેઠક પર આમઆદમી પાર્ટી (AAP) દ્વારા ચૂંટણી પ્રચારનો શુભારંભ કરવામાં આવ્યો છે. ઉમેદવાર પરસોતમ રાઠોડે સાળંગપરડા ગામે કુળદેવીના દર્શન કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી. કુળદેવીના દર્શન કર્યા બાદ, રાઠોડે મેઘવડીયા, ટાટમ અને ગોરડકા ગામોમાં આગેવાનો અને
બોટાદ નગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી સહિતની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ માહોલ વચ્ચે મતદારોનો મિજાજ જાણવા માટે VTV બોટાદના વોર્ડ નંબર ૪ માં પહોંચ્યું હતું. બોટાદ નગરપાલિકામાં કુલ 11 વોર્ડ આવેલા છે, જેમાંથી વોર્ડ નંબર 4 માં આશરે 9 હજાર મત
બોટાદના શ્રી શ્રેયાંસનાથ દિગંબર જિનમંદિરમાં ભગવાન નેમિનાથ, આદિનાથ અને ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠાનો 63મો વાર્ષિકોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. જિનમંદિરમાં વિક્રમ સંવત 2020ના ચૈત્ર સુદ આઠમ, એટલે કે 1 એપ્રિલ 1963, સોમવાર
ભરૂચના કસક સ્થિત વડીલોના ઘર ખાતે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ટ્રસ્ટના પ્રોજેક્ટ ચેરમેન છાયા પાટીલ અને જ્યોતિ પાટોડીયાના જન્મદિવસ નિમિત્તે યોજાયો હતો. સપ્તસુર કલા વૃંદના સહયોગથી કરાઓકે મ્યુઝિક પર આ
સુરત શહેરમાં મોડી રાત્રે સૌથી વ્યસ્ત ગણાતા વિસ્તાર સહારા દરવાજા રેલ્વે ઓવરબ્રિજ પર ચાલુ ટ્રકમાંથી અચાનક મોટી માત્રામાં કાદવ અને કીચડ રસ્તા પર ઢોળાતા વાહનવ્યવહારના પૈડા થંભી ગયા હતા. આ ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને સલામતીના કારણોસર તંત્ર દ્વારા બ્રિજન
દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંચ વર્ષથી ફરાર એક ઇનામી આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી દેવભૂમિ દ્વારકાના મેવાસા ગામે થયેલી લૂંટના કેસમાં વોન્ટેડ હતો. રેન્જ આઈ.જી. નિલિપ્ત રાય દ્વારા આવા ગુનેગારોને પકડવા માટે અપાયેલી સૂચના અને ઝુંબેશના ભાગરૂપે આ કાર્યવાહી કરવા
બોટાદ જિલ્લાના ગઢડા શહેરની ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કાજલબેન જાનીભાઈ સુમરાએ બે પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવીને શહેરનું ગૌરવ વધાર્યું છે. કાજલબેને કોલેજમાં યોજાયેલી ચિત્ર સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ ઉપરાંત, તેમણ
જામ ખંભાળીયા-દ્વારકા નેશનલ હાઈવે પર એક ખાનગી મીની બસનો અકસ્માત થયો છે. નંદાણા નજીક બનેલી આ ઘટનામાં વડોદરાથી દ્વારકા દર્શન કરવા જઈ રહેલા 17 યાત્રીઓ પૈકી 7 લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, બસ ચાલકને ઝોકું આવી જતાં બસ રોડની સાઈડમાં ખાડામાં ખાબકીને પલટી મારી ગઈ હતી. અકસ્મ
સુરત મહાનગરપાલિકા દ્વારા આજે રવિવારે સવારે શહેરના નવનિર્મિત અને લોકપ્રિય પર્યટન સ્થળ ડુમસ સી-ફેસ ખાતે એક વિશાળ શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજેતરમાં જ લોકાર્પણ થયેલ આ સ્થળ સુરતવાસીઓ અને આસપાસના પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, ખાસ કરીને વીક
ગોધરા-વડોદરા હાઈવે પર વણાકપૂર ગામ નજીક સિદ્ધિ હોટલ પાસે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતક યુવકની ઓળખ કાલિયા કૂવા ગામના જીતુ દશરથભાઈ ન
પાળીયાદ કુમારશાળામાં આશરે 400 બાળકોને રસ પૂરીનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ ભોજન બોટાદ સંપ્રદાયના આચાર્યદેવ ગુરુદેવ નવિનચંદ્રજી મ.સા.ના સુશિષ્ય શાસન પ્રભાવક ગુરુદેવ જયેશચંદ્રજી મ.સા., શાસનરત્ન ડૉ.પૂ.સુપાર્શ્વચંદ્રજી મ.સા. તથા નવ દીક્ષિત પૂ.દેવાર્યચંદ્રજી મ.સા.ની પ્રેરણ
શહેરના પંચવટી વિસ્તારમાં પતિથી અલગ થઈને રહેતી પત્નીને પતિ અને પતિની પ્રેમિકાએ ભેગા મળીને માર માર્યો હતો. એટલું જ નહીં બંનેએ પત્નીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે પત્નીએ પતિ અને પ્રેમિકા વિરુદ્ધ ગુજરાતી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિને અન્
રાજકોટ રેન્જ હેઠળના દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય અને સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોને વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પોલીસ તંત્રએ મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાયની અધ્યક્ષતામાં ગેરકાયદેસર નાણાં ધીરનાર ઇસમો વિરુદ્
ગુજરાતમાં દારૂબંધી હોવાને કારણે બૂટલેગરો અવનવા કિમીયા અજમાવી હેરાફેરી કરતા હોય છે. જોકે પોલીસ દ્વારા સમયાંતરે બૂટલેગરોનાં વિવિધ કિમીયાનો પર્દાફાશ કરાતો હોય છે. ત્યારે રાજકોટ PCBએ વિદેશી દારૂની હેરાફેરીનાં વધુ એક કિમીયાનો પર્દાફાશ કર્યો છે. જેમાં લોખંડના બેરલમાં લાકડાના
અમદાવાદ એરપોર્ટ ખાતે CISFમાં ASI તરીકે ફરજ બજાવતા વિજય કુમારના પત્ની સેલવીબેન સવારના સમયે તેમના દીકરા સાથે ચાંદખેડાના ઉત્સવ કોર્નર પાસેથી મોર્નિંગ વોક માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક ઉપર હેલ્મેટ પહેરીને બે શખસ આવ્યા હતા, જેમાંથી બાઈકની પાછળ બેઠેલા શખસે સેલવીબેનના ગળામાં
નવસારી જિલ્લામાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરી 12 ફૂટથી વધુ ઊંચી ગણેશ મૂર્તિઓ બનાવનાર સામે રૂરલ પોલીસે કાર્યવાહી કરી છે. છાપરા ગામમાં આવેલા શિવમ મૂર્તિ કેન્દ્રના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી અન્ય મૂર્તિકારોમાં પણ ચિંતા વ્યાપી છે. નવસારી જિલ્લા

30 C