વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વર્ષ 2025માં હોળીની રાત્રે થયેલા રક્ષિત કાંડની ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે જે સ્થળે ઘટના બની હતી, તે સ્થળે તમામ પીડિત પરિવારો ભેગા થયા હતા અને મૃતક હેમાલીબેનને શ્રદ્ધાંજલિ આપી હતી અને હેમાલીબેન સહિત તમામ પીડિતોને ન્યાય મળે તેવ
રાજકોટના ભગવતીપરામાં હોલિકા દહન દરમિયાન હિન્દુ અને મુસ્લિમ યુવાનો વચ્ચે ઘર્ષણ થયું હોવાની ઘટના સામે આવી છે. હોલિકા દહન વખતે અન્ય ધર્મના યુવકોને હિન્દુ યુવાનો દ્વારા સાઇડમાં જવાનું કહેવામાં આવતા બોલાચાલી થતા તેઓ સામસામે આવી ગયા હતા. જોકે સ્થાનિકો દ્વારા બંને સમાજના યુવા
સુરતના જાણીતા તુષાર ઘેલાણી આપઘાત પ્રકરણમાં જેલમાં બંધ આરોપી પૂનમ ભદોરિયાએ મુક્તિ માટે જામીન અરજી કરી હતી. આ મામલે બચાવ પક્ષના એડવોકેટ વિનય શુક્લાની રજૂઆતો બાદ, આજે સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ધારદાર દલીલો કરી હતી. સરકાર પક્ષે આરોપીના જામીનનો સખત વિ
અમદાવાદના જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકના સ્વાંગમાં જઈને સોનાના દાગીનાની ચોરી કરતી બે મહિલાઓને નરોડા પોલીસે ઝડપી પાડી છે. ધરપકડ કરાયેલી બંને મહિલાઓ કૌટુંબિક બહેનો છે. બંને મહિલાઓની સાથે અન્ય બે મહિલાઓ પણ ગ્રાહક બની જ્વેલર્સની દુકાનોમાં પ્રવેશતી અને દુકાનદાર સોનાના દાગી
જુનાગઢમાં કીર્તિ પટેલ અને ઇન્દ્રભારતી બાપુ વચ્ચે ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. બંને વચ્ચે સમાધાન થયું હતું, જેમાં કીર્તિ પટેલે સાલ ઓઢાડીને ઇન્દ્રભારતી બાપુનું સન્માન કર્યું હતું. ઇન્દ્રભારતી બાપુ તથા અન્ય સાધુ-સંતોએ કીર્તિ પટેલને આશીર્વાદ આપ્યા હતા. ગિરનારી મહારાજે ક
વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલી દર્શનમ ઓએસિસ સોસાયટીમાં હોલિકા દહનનો તહેવાર ધાર્મિક ભાવના અને હર્ષોલ્લાસ સાથે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસર પર ભવ્ય અને ધાર્મિક પરંપરાઓ અનુસાર વિશેષ આયોજન કરાયું હતું. હોલિકા દહન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જે
વડોદરાના ખોડીયારનગર વિસ્તારમાં આવેલી માધવ રેસી કમ પ્લાઝા સોસાયટીમાં હોલિકા દહનનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. સોસાયટીની કારોબારી સમિતિ અને બાળકોના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. સોસાયટીમાં દરેક તહેવાર ધામધૂમથી ઉજવવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ તહેવા
ભાવનગર શહેરમાં હોળી-ધુળેટી તથા રમજાન માસના પવિત્ર તહેવારોમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસવડા દ્વારા નિલમબાગ, બોરતળાવ અને ગંગાજળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા
સુરત મહાનગરપાલિકાની મિલકતો, સ્ટ્રીટ લાઈટના પોલ અને વૃક્ષો પર મંજૂરી વગર ઠેર-ઠેર લાગેલા ગેરકાયદે જાહેરાતોના બોર્ડને લઈને મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને લાલ આંખ કરી છે. સોમવારે ICCC ખાતે મળેલી રિવ્યૂ બેઠકમાં કમિશનરે તમામ ઝોનના અધિકારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રેઝન્ટે
સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ શહેરમાં આગમન કરે તે પૂર્વે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે. શહેરને સાફ-સુથરું બતાવવા અને રેન્કિંગમાં મોખરે રાખવા માટે ખુદ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન મેદાનમાં ઉતર્યા છે. સોમવારે વહેલી સવારથી કમિશનરે 'ફિલ્ડ માર્શલ' બનીને શહેરના વિ
સુરત મહાનગરપાલિકા એક તરફ સ્માર્ટ સિટીના દાવા કરી રહી છે, તો બીજી તરફ શહેરની પ્રાથમિક સુવિધાઓમાં ગંભીર છીંડા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આરોગ્ય વિભાગમાં વહીવટી તંત્રની નિષ્ફળતા હવે અંતિમ સંસ્કાર જેવી સંવેદનશીલ બાબતોમાં પણ સામે આવી રહી છે. સુરત શહેરમાં હાલમાં શબવાહિનીઓની
આનંદપુરાકંપા ગામમાં હોલિકા દહનનો પર્વ ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ ગામમાં 65 વર્ષ જૂની પરંપરા મુજબ મોટી સંખ્યામાં ગ્રામજનોએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.આ પરંપરાગત ઉજવણી લગભગ પાંસઠ વર્ષથી ચાલી આવે છે. આ પ્રસંગે ગ્રામજનોએ હાથમાં ધાણી, ખજૂર અને શ્રીફળ લઈને હોલિકા માતાની પ્રદક્ષિણા ક
વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં હોળી પર્વ નિમિત્તે હોલિકા દહન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધિવત પૂજા-અર્ચના બાદ હોલિકા પ્રગટાવવામાં આવી હતી. સ્થાનિક લોકો અને નિષ્ણાતો હોલિકાની જ્વાળાઓ કઈ દિશામાં જાય છે તેના આધારે આગામી વર્ષ કેવું રહેશે તેનું અનુમાન લગાવે છે. વલસાડ જિલ્લ
ડાંગ જિલ્લામાં યોજાયેલા ખેડૂત પરિસંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કૃષિ વિભાગના અધિકારીઓને જાહેરમાં ઠપકો આપ્યો હતો. ગુજરાતના પ્રથમ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા જિલ્લા તરીકે ઓળખાતા ડાંગમાં ખેડૂતો જીવામૃત બનાવવાની પદ્ધતિથી અજાણ હોવાનું સામે આવતા રાજ્યપાલે આ કડક વ
પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મંદિરના પવિત્ર સાનિધ્યમાં સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા હોલિકા પર્વે વૈદિક પરંપરા મુજબ હોલિકા દહનનું આયોજન કરાયું હતું. ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પરંપરા અને પર્યાવરણનો સંતુલિત સંગમ જોવા મળ્યો. સામાન્ય રીતે હોલિકા દહનમા
હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લામાં આજે સાંજે 7.15 કલાક બાદ પરંપરાગત રીતરિવાજો અનુસાર હોલિકા દહન કરવામાં આવ્યું હતું. પૂનમ પ્રારંભ થયા બાદ શુભ મુહૂર્તમાં પૂજન-અર્ચન સાથે હોલિકા માતાનું દહન કરાયું હતું અને શ્રદ્ધાળુઓએ પરિવાર સાથે ભક્તિભાવથી પ્રદક્ષિણા કરી હતી. હિંમતનગરના મ
ગોધરાના પટેલવાડા ચોક વિસ્તારમાં છેલ્લા 72 વર્ષથી કોમી એકતાના પ્રતીકરૂપ હોલિકા દહનનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આ પરંપરામાં હિન્દુ સમાજની સાથે મુસ્લિમ દાઉદી વ્હોરા સમાજના લોકો પણ ઉત્સાહભેર ભાગ લે છે. સ્થાનિકો આ હોળીને 'કોમી એકતાની હોળી' તરીકે ઓળખાવે છે. આ ઉત્સવની વિશેષતા એ છે કે
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે હોળી પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. મોડી સાંજે મંગલ મુહૂર્તમાં હનુમાનજી મંદિર પાસે હોલિકા દહન કરાયું હતું. આ દિવસે પ્રથમ દીકરાના ઝેમ પણ પરિવારો દ્વારા કરાયા હતા. ગામની વર્ષો જૂની પરંપરા મુજબ, રામજી મંદિર વાસમાં રહેતા મુખી પરિવાર
વેરાવળ શહેરના શારદા સોસાયટી વિસ્તારમાં સમસ્ત ભોઇ સમાજ દ્વારા હોળી-ધુળેટી પર્વ નિમિત્તે 30 ફૂટ ઊંચી કાલ ભૈરવ દાદાની ભવ્ય પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. આકર્ષક પ્રતિમાના દર્શનાર્થે નગરજનો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આ વિશાળ પ્રતિમા પથ્થ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ હનીટ્રેપ, અપહરણ અને એક કરોડ રૂપિયાની ખંડણીના ગુનામાં ફરાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ₹23.75 લાખ રોકડા, બે મોબાઈલ ફોન અને એક બ્રેઝા કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)
પાટણના સ્ટેટ હાઈવે પર રાત્રિના સમયે અકસ્માતોનો ભય દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા હાઈમાસ સ્ટ્રીટ લાઈટો કાર્યરત કરવામાં આવી છે. APMC ગેટ, ડીસા ત્રણ રસ્તા અને સંખારી ત્રણ રસ્તા જેવા વ્યસ્ત વિસ્તારોમાં આ સુવિધા શરૂ થતાં રાહદારીઓ અને વાહનચાલકોની સુરક્ષા વધશે. પાટણ શહેરના સ્ટેટ હ
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી સ્થિત વર્ણીન્દ્રધામ મંદિર અને ચોટીલાના ચામુંડા માતાના ડુંગર પર હોળી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. પાટડી વર્ણીન્દ્રધામ મંદિર ખાતે મંગલ મહોત્સવનું આયોજન કરાયું હતું. રાત્રિના સમયે સંતોએ શાસ્ત્રીય રાગો આધારિત હોળીના પદોનું સુ
ભરૂચ જિલ્લામાં ફાગણ સુદ પૂનમના પાવન અવસરે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે શુભ મુહૂર્તમાં હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિપૂર્વક હોળી પ્રગટાવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમ
રાજકોટનાં કુવાડવા રોડ પર આવેલા સોખડા ગામે રહેતો 17 વર્ષીય મયુર પ્રવિણભાઈ સાકરિયા ગત તા.16/2ના સાંજે સાડા સાતેક વાગ્યે ટુવ્હીલર હંકારીને જતો હતો ત્યારે બેડી ચોકડી અને સોખડા વચ્ચે બ્લેકસ્ટોન હોટલ નજીક કારની ઠોકરે આવી જતાં બાઇક સહિત રોડ પર ફેંકાઈ જતાં ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત સ
જામનગરના શાકમાર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા આયોજિત હોલિકા મહોત્સવમાં 25 ફૂટ ઊંચી હોલિકાના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનોએ વિવિધ કરતબ કર્યા હતા. ભોઈ સમાજ છેલ્લા 70 વર્ષથી આ પરંપરા જાળવી રાખે છે. દર વર્ષે જામ
સોમનાથમાં પરંપરાગત રીતરિવાજો અનુસાર ભૈરવદાદાના સાનિધ્યમાં હોળી પ્રગટાવવામાં આવી. શહેરના રામરાખ ચોક અને પાટચકલા વિસ્તારમાં હોળી નિમિત્તે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. હોળીની પૂર્વસંધ્યાએ ગામના યુવાનોએ માટીમાંથી ભૈરવનાથ દાદાની પ્રતિમા બનાવી હતી. આ પ્રતિમાને રંગબેરંગ
મહેસાણા શહેરના નાગલપુર વિસ્તારમાં આવેલી તક્ષશીલા સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. નાગલપુર કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ચેતનાબેન પ્રજાપતિના બંધ મકાનને નિશાન બનાવી અજાણ્યા ચોર શખ્સો સોના-ચાંદીના દાગીના સહિત કુલ 5,40,000ની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા છે. આ મામલે
વલ્લભ વિદ્યાનગરના NVPAS કેમ્પસમાં હોળી-ધૂળેટી પર્વની વહેલી ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓએ કેમિકલયુક્ત રંગોને બદલે માત્ર ઓર્ગેનિક અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને 'સુરક્ષિત અને પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ધૂળેટી'નો સંદેશ આપ્યો. કોલેજના વિદ્યાર્થીઓએ મિત્રો સાથે ગુલાલ લગાવી, ગીતોના
દિવસના હજારોથી લાખો લોકો મુસાફરી કરતા અમદાવાદ શહેરના કાલુપુર રેલવે સ્ટેશન પર એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર આજે 2 ફેબ્રુઆરીએ સવારે થયેલા અકસ્માતમાં બે રેલવે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે. સોમવારે સવારે લગભગ 8.50 વાગ્યે ટ્રેન નંબર 19031
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા મળી છે. શહેરમાં સાધુનો વેશ ધારણ કરી ભોળા લોકોને પોતાની વાતોમાં ફસાવી કીંમતી સોના-ચાંદીના દાગીના પડાવી લેતી રીઢા ગુનેગારોની ‘મદારી ગેંગ’ના બે સાગરીતોને પોલીસે દબોચી લીધા છે. આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એટલી શાતિર હતી કે તેઓ જ્યોતિષ વિદ
ભાવનગર વરતેજ પોલીસે નારીગામ મફતનગર વિસ્તારમાં દરોડો પાડી ખુલ્લી જગ્યામાં, જાહેરમાં હારજીતનો જુગાર રમતા 4 શખ્સોને ગંજીપતા અને રોકડ સહીત 18,260ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તમામ વિરુદ્ધ વરતેજ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મફતનગરમાંથી 4 શ
આકાશ શાંત હતું, બજારો ધમધમતા હતા અને દરિયામાં જહાજોની અવરજવર સામાન્ય હતી. અચાનક ગર્જના થઈ! 28 ફેબ્રુઆરીની એ કાળી સવારે આકાશ ચીરતી મિસાઈલો વરસી. માત્ર 30 કલાકમાં 2000 બોમ્બ અને અમેરિકા-ઈઝરાયલનું સંયુક્ત ઓપરેશન એપિક ફ્યુરી. 47 વર્ષનું લોખંડી ઈરાની શાસન પળવારમાં ધૂળમાં મળી ગયું અને
અમદાવાદ સિવિલ હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગ દ્વારા આધુનિક સર્જિકલ શિક્ષણને વધુ સુદ્રઢ બનાવવાના ઉમદા હેતુથી 5 દિવસીય 'બેઝિક અને એડવાન્સ્ડ હેન્ડ્સ-ઓન સર્જિકલ સ્કિલ લેબ' વર્કશોપનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જોનસન એન્ડ જોન્સન (JJ) કંપનીના 'ઓન વ્હીલ્સ' કાર્યક્રમના સહયોગથી આય
હોળી અને ધુળેટીના પવિત્ર તહેવારો દરમિયાન ડાકોરના રણછોડરાય મંદિરે દર્શનાર્થીઓનો ભારે ધસારો જોવા મળતો હોય છે. યાત્રીઓની આ ભીડને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 03 માર્ચ અને 04 માર્ચ 2026 ના રો
રાજ્યમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે મોટી કાર્યવાહી કરતાં CID ક્રાઈમના સાઇબર સેન્ટર ઓફ એક્સલન્સે 39.41 કરોડ રૂપિયાની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં અમદાવાદથી બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ દેશના 15 થી વધુ રાજ્યો
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CA ફાઈનલ જાન્યુઆરી-2026ની પરીક્ષામાં સુરતના વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. સમગ્ર દેશમાં પરિણામનું પ્રમાણ નીચું અને પેપર્સ કઠિન હોવા છતાં સુરતની રવિ છાવછરિયા ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પોતાનું
પાટણ શહેર અને જિલ્લામાં શુભ મુહૂર્તમાં પરંપરાગત રીતે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. શહેરના ચોક, મહોલ્લા, પોળ અને સોસાયટીઓમાં ભક્તોએ હોલિકાનું પૂજન કરી આરતી ઉતારી હતી. આ પ્રસંગે હાયડા અને છાણાના ઘેરૈયા અર્પણ કરવામાં આવ્યા હતા. લાકડા ગોઠવી મંત્રોચ્ચાર સાથે હોળી પ્રગટાવવા
રાજકોટમાં છેલ્લા થોડા દિવસોથી લોકોને ડબલ ઋતુનો અનુભવ થઇ રહ્યો છે, જેને કારણે સીઝનલ રોગચાળો વકર્યો છે ત્યારે મહાનગરપાલિકાના ચોપડે છેલ્લા એક અઠવાડિયામાં શરદી-ઉધરસ, તાવ સહિત રોગચાળાના 1882 કેસ નોંધાયા છે તો મચ્છરજન્યમાં મેલેરીયાનો એક કેસ સામે આવ્યો છે. ડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો ક
ડુંગરી રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં ઘાયલ મહિલાના આશરે ₹19 થી ₹20 લાખના કિંમતી દાગીના 108 એમ્બ્યુલન્સની ટીમે ઇમાનદારીપૂર્વક પરત કર્યા છે. આ ઘટના 1 માર્ચ, 2026 ના રોજ સાંજે બની હતી. મળતી માહિતી મુજબ, 1 માર્ચ, 2026 ના રોજ સાંજે 7:16 વાગ્યે ડુંગરી રોડ પર એક શાળા નજીક અકસ્માત થયો હતો. ઘટનાની જા
મહેસાણા શહેરના મોઢેરા રોડ પર આવેલા લકી પાર્કમાં રહેતા અને નુગર સર્કલ પાસે 'રામ ઝુંપડી કાઠીયાવાડી' હોટલ ચલાવતા રાકેશભાઈ જયંતીભાઈ રાવળ પર બે શખ્સોએ હુમલો કર્યો હતો. જમવાનું પાર્સલ બનાવવામાં થોડી વાર લાગશે તેમ કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ હોટલ માલિક અને તેમના પિતાને માર મારી લો
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જૂની માથાકુટની દાઝમાં એક પરિવાર પર હુમલો અને તોડફોડની ઘટના સામે આવી છે. જેમાં પાડોશી સાથે થયેલી બોલાચાલી બાદ ધમકી આપી ત્યારબાદ રાત્રીના સમયે શખ્સોએ છરી અને લોખંડના પાઈપ સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી અંદાજે 15 હજાર નું નુકસાન કર્યું છે. ઘટનાન
દક્ષિણ ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમા મહુવા તાલુકાના વાંસકુઈ ગામે ગોળીગઢ બાપુની જાત્રા યોજાઈ હતી. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટતા નવસારી એસટી ડેપોને નોંધપાત્ર આવક થઈ છે. મુસાફરોની સુવિધા માટે દોડાવવામાં આવેલી વધારાની બસોને કારણે ડેપોએ માત્ર એક રાત્રિ
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ઘરમાં મંદિરની સાફ-સફાઈ કરી રહેલી 44 વર્ષીય મહિલાની પાડોશમાં જ રહેતા એક શખ્સે છેડતી કરી ગાળાગાળી કરી હતી. પોલીસ ફરિયાદ કરશો તો 'જાનથી મારી નાખીશ'ની યુવકે ધમકી આપી હતી. આ અંગે મહિલાએ શખ્સ સામે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસ
સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ફાગોત્સવના નામે આયોજિત એક કાર્યક્રમ વિવાદોમાં સપડાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડિયોમાં ફાગોત્સવ દરમિયાન ખરાબ ડાન્સ થતો જોવા મળ્યો હતો જેની ભારે ચર્ચા જોવા મળી રહી છે. ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ દ્વારા આયોજિત ફાગોત્સવમાં બહારથી યુ
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી-2026માં લેવામાં આવેલી CA ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતા ઘણું ઓછું આવ્યું છે. છતાં અમદાવાદ સેન્ટરના બે વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કર્સ લિસ્ટમાં સ્થાન મેળવી
પાટણ શહેરમાં હોળીના પવિત્ર તહેવાર નિમિત્તે જલારામ મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂજ્ય જલારામ બાપાની સન્મુખ હોલિકાની સુંદર ઝાંખી તૈયાર કરવામાં આવી હતી. આ ઝાંખી સોમવારે તૈયાર કરાઈ હતી. મંદિરના પુજારી રશ્મિકાંતભાઈ રાવલના માર્ગદર્શન હેઠળ શૈલેષભાઈ રાવલ દ્વારા હોલિકાની
ભાવનગર શહેરના ઘોઘરોડ પર આવેલી આશુતોષ વિદ્યાલય ખાતે 2 માર્ચના રોજ ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના બાળકોએ ઉત્સાહભેર એકબીજા પર રંગો, અબીલ-ગુલાલ અને રંગીન પાણી છાંટીને ધુળેટીની મજા માણી હતી. આ ઉજવણી આશુતોષ વિદ્યાલયના ટ્રસ્ટી બળદેવસિંહ ચુડાસમા અને મનીષાબ
દાહોદ જિલ્લામાં હોળીનો તહેવાર એટલે પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ. અહીં હોળી પર્વની ઉજવણી માત્ર એક દિવસ પૂરતી સીમિત નથી, પરંતુ ઘણા દિવસો પહેલાથી જ વિવિધ કાર્યક્રમો અને મેળાઓની શરૂઆત થઈ જાય છે. આ જ પરંપરાને જાળવી રાખીને, દાહોદમાં 'વુમનીયા ગ્રૂપ' દ્વારા સતત 13માં વ
જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મહત્વની બેઠક આજે ચેરપર્સન પલ્લવીબેન ઠાકરના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ અને જનસુખાકારી માટે અંદાજે ₹1.50 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. બેઠકમાં મેયર ધર્મેશભાઈ પોંશીયા, શહેર ભાજપ પ્રમુ
દ્વારકા ખાતે હોળી-ધુળેટી નિમિત્તે યોજાયેલા ફૂલડોલ ઉત્સવ દરમિયાન દેવભૂમિ દ્વારકા પોલીસે યાત્રિકો પ્રત્યે સંવેદનશીલ સેવા પૂરી પાડી હતી. આ ઉત્સવમાં ભક્તિ અને સેવાનો અનોખો સમન્વય જોવા મળ્યો. સવારે 7.00 વાગ્યે કેરળથી ખાસ ટ્રેન મારફતે આવેલા અંદાજે 400 યાત્રિકોમાંથી 76 વર્ષીય એક વૃ
ભરૂચની કલરવ શાળામાં મનો દિવ્યાંગ બાળકો સાથે ધૂળેટી પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ અને શ્રી ખડાયતા પરિષદ વિભાગીય સમિતિ ભરૂચના સંયુક્ત આયોજન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. રંગોના પર્વને પર્યાવરણમિત્ર બનાવવાના હેતુથી બાળકોએ ફૂલોથી ધૂળેટી રમી હતી.
મોરબીમાં એક 47 વર્ષીય જમીન દલાલ તાજમહમદ ભટ્ટીની હત્યા કરી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરાયો હતો. આ મામલે પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધી 5 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, આરોપીઓનું સરઘસ ન કાઢવામાં આવતા સુન્ની મુસ્લિમ કસબા જમાત અને મિયાણા સમાજ દ્વાર
બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિરે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ મિશન લાઈફ અંતર્ગત સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ મેળામાં સ્વ-સહાય જૂથની બહેનો માટે વિનામૂલ્યે સ્ટોલ, રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મેળામાં વ્રજ મંગલમ જૂથના ૩૫ વર
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઉમરડા ગામની પ્રાથમિક શાળા નજીક છેલ્લા છ મહિનાથી ખુલ્લી ગટર લાઈનોને કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલી નવી અંડરગ્રાઉન્ડ ગટર લાઈનના ઢાંકણા ખુલ્લા મૂકી દેવાયા છે, જેનાથી ર
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના વેરૈયા ગામના સરપંચ પતિ રણજીતસિંહ પર્વતસિંહ પરમારને ડેરોલ રેલવે પોલીસ દ્વારા બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ભોગ બનનારનો દાવો છે કે રેલવેના કોઈ ગુના સાથે સંબંધ ન હોવા છતાં તેમને માર મારવામાં આવ્યો હતો. રણજીતસ
યુવાનની બસ પર પડ્યો મિસાઈલનો કાટમાળ ઈઝરાયલ-અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં કુવૈતમાં રહેતા સુરતી યુવાનની બસ પર જ પડ્યો મિસાઈલનો કાટમાળ.. એટલું જ નહીં તેણે ભાસ્કરને હાલની સ્થિતિ પણ જણાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સુરતના 300થી વધુ શ્રદ્ધાળુઓ મક્કા
ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં ગર્ભાશયના મુખના કેન્સર (Cervical Cancer) સામે રક્ષણ આપવા માટે 'HPV' (Human Papillomavirus) વેક્સિન અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા આ રસીકરણ કાર્યક્રમનો અત્યંત ઉત્સાહભે
અમેરિકા-ઇઝરાયેલ અને ઇરાન વચ્ચેના સંઘર્ષની અસર હવે અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. 28 ફેબ્રુઆરીના રોજ કુવૈત એરપોર્ટ પર થયેલા ડ્રોન હુમલાને કારણે આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓ ખોરવાઈ ગઈ છે. આ ઘટનામાં આણંદના બે ગુજરાતીઓ કુવૈત એરપોર્ટ પર ફસાયા છે, જ્યારે વિદ્યાનગરનું એક પરિવાર એથ
હોળી-ધુળેટીનો તહેવાર હોવાને લઈને ધુળેટી રમવા માટે કલર નાખવા બાબતે ઓઢવ વિસ્તારમાં યુવકે જીવ ગુમાવ્યો છે. વૃદ્ધા અને તેમની પૌત્રી પર એક સગીરે કલર નાખ્યો હતો. મહિલાએ સગીરને કલર નાખવાની ના પાડી હોવા છતા તે માન્યો ન હતો. જેથી વૃદ્ધાએ પોતાના પુત્રને બોલાવ્યો હતો. બાદમાં પુત્રે સગ
ગુજરાત ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સંગઠનને વધુ સક્રિય અને સશક્ત બનાવવા મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ દ્વારા 42 જિલ્લા અને મહાનગર માટે પ્રભારીઓ અને 7 પ્રદેશ મોરચાઓના પ્રભારીની સત્તાવાર નિમણૂક જાહેર કરવામાં આવી છે. પાર્ટીના મુખ્ય કાર્યાલય ‘શ્રી કમલમ’, ગાંધ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
વડનગર તાલુકાના સુંઢીયા ગામે હાજીપુર રોડ ચોકડી પર આવેલી એક સબમર્સીબલ પંપની ફેક્ટરીમાં મોડી રાત્રે ચોરી કરવાનો પ્રયાસ કરતા બે તસ્કરોને જાગૃત નાગરિકોએ પીછો કરીને ઝડપી પાડ્યા હતા. આ મામલે ફેક્ટરી માલિકે વડનગર પોલીસ મથકે બે શખસો વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. રાતના એક
અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બરવાળાની એક મહિલાનું શંકાસ્પદ મોત નીપજતા સમગ્ર દેવીપૂજક સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં હોસ્પિટલના ડોક્ટરોએ ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવી હોવાના આક્ષેપ સાથે ભાવનગર જિલ્લા વિરાટ દેવીપૂજક સંઘ દ્વારા કલેક્ટરને આવેદ
રાજ્યભરમાં આજે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર નજીક આવેલા પાલજ ગામમાં આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવવામાં આવશે. મહાકાળી માતાના પૂજન સાથે પ્રગટાવામાં આવનાર 35 ફૂટ જેટલી ઊંચી હોળીના દર્શન કરવા માટે મોટી સ
સુરત એરપોર્ટ પર સુરક્ષાની કમાન સંભાળતા CISF યુનિટના કમાન્ડન્ટ અને મુખ્ય એરપોર્ટ સુરક્ષા અધિકારી (CASO) કુમાર અભિષેકના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. તાજેતરમાં તેમને પ્રતિષ્ઠિત ‘IIMCAA એવોર્ડ-2026 ફોર પબ્લિક સર્વિસ’ એનાયત કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ભવ્ય સન્માન સમારોહ નવી દિલ્હીના ચાણ
સુરતની પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર મેઇલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા નાચભાગ મચી ગઈ છે. ત્રણ દિવસ પહેલાં એટલે કે, 27 ફેબ્રુઆરીને શુક્રવારે પણ આ જ પ્રકારે ધમકીભર્યો મેઇલ મળ્યો હતો. જે બાદ આજે (2 ફેબ્રુઆરી) ફરી ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ
બોટાદના સાળંગપુર મંદિર ખાતે તાજેતરમાં યોજાયેલા મિશન લાઈફ અંતર્ગત સ્વદેશી વેચાણ અને પ્રદર્શન મેળામાં સખી મંડળની બહેનોએ ભાગ લીધો હતો. આ મેળામાં વાસુ ગ્રુપના રેખાબેન ભડાણીયાએ પોતાની હસ્તકલાનું પ્રદર્શન કર્યું હતું. તેઓ છેલ્લા દસ વર્ષથી સિલ્કની દોરી અને અન્ય કાપડનો ઉપયોગ
માનવતાના સર્વોચ્ચ દાન એવા અંગદાન, દેહદાન અને નેત્રદાનને સમર્પિત વિશ્વનો સૌપ્રથમ વરદાન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ તાજેતરમાં દેશની રાજધાની દિલ્હીમાં સંપન્ન થયો. દધિચી દેહદાન સમિતિ અને સંપ્રેષણના નેજા હેઠળ ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટી ખાતે 26 અને 27 ફેબ્રુ
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં હોળી-ધૂળેટીનાં પર્વને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આજરોજ રાજકોટ શહેરમાં 400થી વધુ મળી સમગ્ર સૌરાષ્ટ્રમાં કુલ 5000થી વધુ જગ્યાએ હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું છે. ઠેર-ઠેર હોલિકા દહનને લઇ તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તો ક્યાંક રંગોળી સાથે તો ક
સાબરકાંઠા જિલ્લામાં HPV રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે 50 આરોગ્ય કેન્દ્રો અને 13 સામુહિક આરોગ્ય કેન્દ્રો પર સવારે 9 થી બપોરે 2 વાગ્યા દરમિયાન 1221 દીકરીઓને રસી આપવામાં આવી હતી. જિલ્લામાં કુલ 14,155 દીકરીઓને રસી આપવાનો લક્ષ્યાંક છે. આ રસીકરણ કાર્યક્રમનો શુભારંભ હિંમતનગર ત
અમદાવાદની પવિત્ર સાબરમતી નદીનો કિનારો આગામી 4 માર્ચ 2026ના રોજ એક અવિસ્મરણીય આધ્યાત્મિક ક્ષણનો સાક્ષી બનશે. SMVS સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક ગુરુદેવ પ.પૂ. બાપજીનો 93મો પ્રાગટ્ય મહોત્સવ સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અત્યંત ભવ્યતા સાથે ઉજવવામાં આવશે. બુધવારે સાંજે 4.30
રાજકોટના રેસકોર્સ મેદાનમાં આવેલા ઇન્ડોર સ્ટેડિયમનું સંચાલન મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની ટેન્ડર પ્રક્રિયા વિના 2012 થી અત્યાર સુધી સરગમ ક્લબને સોંપી દેવા મામલે જાગૃત નાગરિક દ્વારા રાજકોટ કોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. જે મામલે કોર્ટે બંને પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા કરાડા ખાતે હોળીની ઉજવણી માટે મામાના ઘરે ગયેલો 19 વર્ષીય યુવક હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા 24 કલાકથી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે. ઘટનાસ્થળે ફક્ત યુવકના કપડા, મોબાઈલ અને ચપ્પલ મળતા હાલ યુવક કેનાલમાં ડૂબીને મૃત્યુ પામ્યો હોવાની આશંકા વ્યક્ત કરવા
વલસાડ જિલ્લાના ધરમપુરમાં હોળી પર્વ નિમિત્તે પરંપરાગત ‘હોળી હાટ’ બજાર ભરાયું હતું. હોળીના ગણતરીના દિવસો બાકી હોવાથી આજે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર નગરમાં મેળા જેવો માહોલ સર્જાયો હતો. આસપાસના 100થી વધુ ગામડાઓમાંથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત વ
ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિને કારણે અનેક દેશોએ પોતાની એર સ્પેસ બંધ કરી દેતા તેની સીધી અસર અમદાવાદ એરપોર્ટ પર પણ જોવા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કુલ 19 ફ્લાઈટ આજે કેન્સલ થઈ છે. જેમાંથી 13 અરાઇવલ અને 6 ડિપાર્ચર ફ્લાઇટ કેન્સલ થઈ છે.
ગુજરાત કોલેજ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે, આવું અમે નહીં પણ કોલેજના પ્રિન્સિપાલ જ કહી રહ્યા છે. ગુજરાત કોલેજમાં ત્રણ-ત્રણ પ્રિન્સિપાલ દ્વારા પોલીસ સ્ટેશનમાં અનેક વખત અરજી કરવામાં આવી છતાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કોઈપણ કાર્યવાહી કરવામાં ન આવી હોવાનો પ્રિન્સિ
સાબરકાંઠા LCB ટીમે હિંમતનગરના કાંકરોલ નજીકથી એક ટ્રકમાંથી રૂ. 77.66 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાંથી 13,584 બોટલ દારૂ અને બિયરની 669 પેટીઓ જપ્ત કરી છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 92.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સાબરકાંઠા LCB ટીમ હિંમતનગર-ગ
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે આયોજિત 'સ્વામી વિવેકાનંદ બુક ફેર–2026' માં પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિભાગના વિદ્યાર્થીઓએ ગ્રુપ ડિસ્કશન સ્પર્ધામાં બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ તેમને યુનિવર્સિટી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સુ
સાબરકાંઠા LCBએ ઈડર અને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બે અલગ-અલગ દરોડામાં કુલ 1100 બોટલ દારૂ અને બિયર સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કુલ ₹6.75 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ
પાટણ: ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં તાજેતરમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ પાટણના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, નટુભાઈ દરજી અને મનોજભાઈ પટેલ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત વિજ્ઞાન દિન નિમિત્તે ય
ચીખલીના એક શિક્ષક RTO ઈ-ચલણના નામે સાયબર છેતરપિંડીનો ભોગ બન્યા છે. વોટ્સએપ પર આવેલી એક શંકાસ્પદ .APK ફાઈલ ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. ઠગબાજોએ તેમના બે અલગ-અલગ બેંકના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ₹84,763ની ખરીદી કરી લીધી હતી. આ ઘટના 30 જાન્યુઆરીના રોજ બની હતી. ચીખલીની એજ્યુકેશન સોસાય
સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઈજનેરી એન્જિનિયરિંગ કોલેજમાં રવિવાર, 01 માર્ચ 2026ના રોજ ૬ઠ્ઠી વાર્ષિક એલ્યુમની મીટ યોજાઈ હતી. કોલેજના એલ્યુમની એસોસિયેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રિન્સિપાલ, વિવિધ વિભાગોના વડાઓ, ફેકલ્ટી સભ્યો અને મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર
વેસ્ટર્ન ઈન્ડિયા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ્સ એસોસિએશન (WICASA)ની બરોડા શાખા દ્વારા વર્ષ 2026-27ના કાર્યકાળ માટે નવી મેનેજિંગ કમિટીની નિમણૂક કરવામાં આવી છે. વડોદરાના CA વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને માર્ગદર્શનના ઉદ્દેશ્ય સાથે એક સુવ્યવસ્થિત ઇન્ટરવ્યુ પ્રક્રિયા દ્વારા
મોરબીના જુદા જુદા વિસ્તારોમાં શનિવારે રાત્રે અંદાજે 15 જેટલી કારના કાચ તોડવામાં આવ્યા હતા. આ ઘટના બાદ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે. આ ઘટના શનિવારે રાત્રિ દરમિયાન સના
અમદાવાદમાં શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ અને શ્રી મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ફાગણ સુદ તેરસ, ઢેબરિયા તેરસના દિવસે સર્વધર્મ સમન્વયનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પાલીતાણાની છ ગાઉ યાત્રાની પ્રતિકૃતિ રૂપે 'પાલ'નું આયોજન કરવામાં આવ્યું હતું. પા
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના સાતમણા ક્લસ્ટરના ૧૨૫ ખેડૂતો માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વેજલપુર ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. 'ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ' યોજના અંતર્ગત આ જિલ્લા કક્ષાની તાલીમ યોજાઈ હતી, જેમાં ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પ
વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક રવિશંકરજી એ ગયા અઠવાડિયામાં વાસદ, સુરત અને અમદાવાદની મુલાકાત લીધી, જ્યાં હજારો સાધકો ધ્યાન, જ્ઞાન, સત્સંગ અને સંવાદ માટે ઉમટ્યા. તેમની મુલાકાત દરમિયાન ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ વર્ગોના વરિષ્ઠ સંતો સાથે સ્નેહસભર મુલાકાત કર
અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિશ્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP કેમ્પસ) ખાતે પરમ પૂજ્ય ગુરુવર્ય માધવપ્રિયદાસજી સ્વામીના જીવનના અમૃતવર્ષ નિમિત્તે કૃતજ્ઞતા વ્યક્ત કરવા 'અમૃતવંદના' સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ પાવન અવસરે દેશના 108 તેજસ્વી અને લબ્ધપ્રતિષ્ઠિત પ્રતિભ
રાજકોટ જામનગર રોડ પર રત્નપાઇ સિટીમાં રહેતા યશ ઉપેન્દ્રભાઇ કણસાગરા (ઉ.વ.26)નામના યુવાને ગત તા.28 ફેબ્રુઆરીના સાંજે 5 વાગ્યા આસપાસ SRP કેમ્પ પાસે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત ન નીવડતા આજે બપોરના સમયે તેનું મોત નીપજ્યુ હતું. બન

26 C