SENSEX
NIFTY
GOLD
USD/INR

Weather

32    C
ગીર સોમનાથમાં કમોસમી વરસાદ, લસણના પાકને ભારે નુકસાન:વેરાવળના સવની સહિતના ગામોમાં ખેડૂતોની મહેનત પર પાણી

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. વેરાવળ તાલુકાના સવની, ઇશ્વરીયા, મંડોર અને દેવળી સહિતના ગામોમાં લસણના તૈયાર પાકને ભારે અસર પહોંચી છે. વહેલી સવારે લગભગ એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. આનાથી લસણના પાથરા

3 Apr 2026 11:55 am
સુરતમાં થશે બુલેટ ટ્રેનોનું રિપેરિંગ:સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર 27 હેક્ટરમાં બની રહ્યો છે ‘રોલિંગ સ્ટોક ડેપો’; અત્યાધુનિક સાધનોથી હશે સજ્જ

અતિમહત્ત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં સાબરમતી અને સુરત તથા મહારાષ્ટ્રમાં થાણે એમ ત્રણ ઠેકાણે ત્રણ રોલિંગ સ્ટોક ડેપો બનાવવાનું આયોજન છે. તે પૈકી સુરતમાં 27 હેક્ટર વિસ્તારમાં રોલિંગ સ્ટોક ડેપો બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. સુરત રો

3 Apr 2026 11:54 am
કચ્છમાં બીજા દિવસે કમોસમી વરસાદ:પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે શુક્રવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પૂર્વ કચ્છના મુખ્ય શહેરો ગાંધીધામ, અંજાર અને ભચાઉ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા ગુરુવારે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ

3 Apr 2026 11:52 am
યંગ જાયન્ટ્સ બોટાદે મંદબુદ્ધિ આશ્રમમાં ભોજન કરાવ્યું:સ્વ. પ્રવિણચંદ્ર દોશીની પુણ્યતિથિ અને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે

યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા તાજેતરમાં માનવ સેવા મંદબુદ્ધિ આશ્રમ, સમઢિયાળા ખાતે દિવ્યાંગ સભ્યોને મિષ્ટાન સહિતનું ભોજન પીરસવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સ્વ. પ્રવિણચંદ્ર વૃજલાલ દોશીની પુણ્યતિથિ અને વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ નિમિત્તે યોજાયો હતો. તા. 02-04-2026ના રોજ હનુમાન જયંતિના

3 Apr 2026 11:41 am
બોટાદમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચે શહીદોને શ્રદ્ધાંજલિ આપી:એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર યુવાનોને યાદ કરાયા

બોટાદ શહેરમાં રાષ્ટ્રીય પછાત એકતા મંચ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. આ કાર્યક્રમ એટ્રોસિટી એક્ટના સંપૂર્ણ અમલ માટે જીવ ગુમાવનાર દલિત સમાજના યુવાનોની યાદમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે 2 એપ્રિલ 2018ના રોજ સુપ્રીમ કોર્ટના એક નિર્ણય બાદ એટ્રોસિટી એક્ટની કેટલીક

3 Apr 2026 11:39 am
વલસાડમાં ગરમીનો પારો યથાવત્:ગઈકાલે બપોરે આકરા તાપથી જનજીવન પ્રભાવિત, આજે પણ 32 ડિગ્રી પાર

એપ્રિલ મહિનાની શરૂઆત સાથે જ વલસાડ જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત છે. ગઈકાલે બપોરે આકરા તાપને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. હવામાન વિભાગ અનુસાર, આજે પણ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે. ગુરુવારે વલસાડ જિલ્લામાં મહત્તમ તાપમાન 32.3C નોંધાયું હતું. વહેલી સવારથી

3 Apr 2026 11:07 am
રિક્ષા ભાડું વધશે, અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર થયો, બે મહિનામાં બીજીવાર વધારો ઝીંકાયો

હાલ ઇરાન-ઇઝરાયલ વોરને પગલે વિશ્વભરમાં ગેસનું સંકટ છવાયેલું છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે. ત્યારે અદાણી CNGના ભાવમાં આજે પ્રતિ કિલોએ 1.50નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં 1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG 2.60 જેટલો મોંઘો થયો

3 Apr 2026 10:50 am
ચૂંટણીની જાહેરાત થતા ‘પાણી નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા:નિઝામપુરામાં પાણીથી ત્રસ્ત રહીશોનો વિરોધ, ‘નોટા’માં મતદાન કરવાની આપી ચીમકી

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ શહેરના વોર્ડ નંબર-1માં આવેલા નિઝામપુરા વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. અહીં આવેલી અસ્મિતા પાર્ક સોસાયટી તેમજ આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોએ પાણીની ગંભીર સમસ્યાથી કંટાળીને પોસ્ટર અને બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. સ

3 Apr 2026 10:37 am
વલસાડ પોલીસમાં આંતરિક બદલીઓ:ડુંગરા PI એસ.પી. ગોહિલને GIDCનો હવાલો સોંપાયો

વલસાડ જિલ્લા પોલીસ વડા યુવરાજસિંહ જાડેજાએ જિલ્લામાં આંતરિક બદલીના આદેશો કર્યા છે. આ અંતર્ગત ડુંગરા પોલીસ મથકના પીઆઈ એસ.પી. ગોહિલને વાપી GIDC પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવી છે. વાપી GIDCના પીઆઈ અમીરાજસિંહ રાણાની સુરત ગ્રામ્ય ખાતે બદલી થતાં આ જગ્યા ખાલી પડી હતી. આ બદલીઓ વલસાડ

3 Apr 2026 10:36 am
જામનગરમાં વાતાવરણમાં એકાએક પલટો:સવારથી અમીછાંટણા શરૂ, ઉનાળામાં ચોમાસા જેવો માહોલ

હવામાન વિભાગની આગાહી મુજબ જામનગર શહેરમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. આજે સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદી છાંટા પડવાના શરૂ થયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી વચ્ચે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. વહેલી સવારથી જ સૂર્યના દર્શન થયા ન હતા અને વ

3 Apr 2026 10:32 am
નારણપુરામાં હનુમાન જયંતિએ રામોત્સવ ઉજવાયો:માતૃશક્તિ જિલ્લા સંયોજિકાના નિવાસે કાર્યક્રમ યોજાયો

કર્ણાવતી મહાનગરના નારણપુરા જિલ્લામાં હનુમાન જયંતિ નિમિત્તે રામોત્સવનું આયોજન કરાયું હતું. આ ઉત્સવ વિશ્વ હિન્દુ પરિષદના નારણપુરા જિલ્લાના સંયોજકના નિવાસે ઉજવાયો હતો. કાર્યક્રમમાં શ્રી હનુમાનજી અને શ્રી રામજીના ભજન-કીર્તન કરવામાં આવ્યા હતા. માતૃશક્તિના સંયોજક નેહાબેન

3 Apr 2026 10:17 am
મુંબઈ-દિલ્હી વચ્ચે દોડશે 'વંદે ભારત કાર્ગો ફ્રેઈટ' ટ્રેન:નવેમ્બરના અંત સુધીમાં હાઈ-સ્પીડ કાર્ગો ટ્રેનના ટ્રાયલની શક્યતા, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગો માટે 'ગેમ ચેન્જર' બનશે

ભારતીય રેલવે હવે મુસાફરોની મુસાફરીમાં ક્રાંતિ લાવ્યા બાદ માલસામાનના પરિવહન ક્ષેત્રે પણ મોટો ધડાકો કરવાની તૈયારીમાં છે. દેશની સૌથી ઝડપી ટ્રેન 'વંદે ભારત'ના સફળ મોડલને હવે માલવાહક એટલે કે કાર્ગો ક્ષેત્રે ઉતારવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ઉદ્યોગ જગત માટે સૌથી મોટા સ

3 Apr 2026 10:14 am
ગાંધીનગરમાં એન્ટી નાર્કોટિક્સ ફોર્સ ત્રાટકી:ચિલોડા પાસે બસમાં ગાંજાની હેરાફેરી કરતા બે પેડલર 6 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા, ડભોડાનો મીત પ્રજાપતિ મુખ્ય સૂત્રધાર

ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ (ANTF) એ પૂર્વ બાતમીના આધારે નશાના કારોબારનો પર્દાફાશ કર્યો છે. હિંમતનગર-સુરત રૂટની એસ.ટી. બસમાં માદક પદાર્થની હેરાફેરી થઈ રહી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી બે પેડલરોને રૂ .5.97 લાખની કિંમતના 11 કિલો 940 ગ્ર

3 Apr 2026 10:05 am
બનાસકાંઠામાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી

બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચડોતર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી માટે યોજાશે. બનાસકાં

3 Apr 2026 10:01 am
પાટણ પાલિકામાં 6 એપ્રિલથી નવા વેરા સ્વીકારાશે:ઇ-નગર સોફ્ટવેર અપડેશનને કારણે 5 એપ્રિલ સુધી કામગીરી બંધ

પાટણ નગરપાલિકામાં નવા નાણાકીય વર્ષ 2026-27 માટે સંયુક્ત વેરા સ્વીકારવાની કામગીરી 6 એપ્રિલ, 2026થી શરૂ થશે. હાલમાં ઇ-નગર સોફ્ટવેરના અપડેશન અને ઇયર એન્ડિંગની પ્રક્રિયાને કારણે 5 એપ્રિલ, 2026 સુધી વેરા સ્વીકારવા સહિતની તમામ ઓનલાઇન કામગીરી બંધ રાખવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા કરદાત

3 Apr 2026 9:57 am
રાધનપુર કોર્ટે બે મૃતક શિક્ષકના પરિવારને વળતર ચૂકવવા આદેશ કર્યો:કાર અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકોને ₹1.11 કરોડનું વળતર મળશે

રાધનપુરની મોટર અકસ્માત વળતર ક્લેઈમ ટ્રિબ્યુનલે (કોર્ટે) એક અકસ્માતમાં મૃત્યુ પામેલા બે શિક્ષકોના પરિવારજનોને કુલ ₹1,11,29,900નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઘટના 3 ઓક્ટોબર, 2023ના રોજ સમી તાલુકાના નાયકા અને સમી વચ્ચે બની હતી. એક કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં નિવૃત્ત શિક્ષક

3 Apr 2026 9:54 am
હવે સેકન્ડોમાં ‘દૂધનું દૂધ અને પાણીનું પાણી’:મિલ્કમાં યુરિયા છે કે પાણી? સેકન્ડોમાં ટેસ્ટ, નકલી દવા-કફ સીરપની પણ થશે તપાસ; સુરતમાં 50 કરોડની હાઈટેક લેબ બનશે

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પનીર, મિલાવટી મસાલા અને ભેળસેળિયા દૂધના કૌભાંડોએ માઝા મૂકી છે. આ ગંભીર સ્થિતિને જોતા રાજ્ય સરકારે સુરત ઝોન સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકાર દ્વારા સુરતમાં 50 કરોડના માતબર ખર્ચે અત્યાધુનિક ફૂડ એન્ડ ડ્રગ્સ ટેસ

3 Apr 2026 9:53 am
હિંમતનગર A ડિવિઝન PIને અનોખી વિદાય:ફૂલડાં વરસાવી ઘોડા પર સવાર કરી ડીજે સાથે વરઘોડો નીકળ્યો

હિંમતનગર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI પી.એમ. ચૌધરીની બદલી થતાં તેમને અનોખી વિદાય આપવામાં આવી હતી. પોલીસકર્મીઓએ ફૂલડાં વરસાવી, ઘોડા પર સવાર કરાવી અને ડીજે સાથે વરઘોડો કાઢી તેમને વિદાય આપી. PI પી.એમ. ચૌધરીની સુરત ખાતે બદલી થતાં તેમને ફરજમુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે

3 Apr 2026 9:52 am
હિંમતનગરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી:કુબેરધામ ખાતે નિશાકાલીન લંગુરયાગ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલીસાના પાઠ યોજાયા

સમગ્ર દેશ સહિત હિંમતનગરમાં પણ હનુમાન જયંતિના પવિત્ર પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના મહાવીરનગર વિસ્તારમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન દ્વારા બજરંગબલીના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો, જેમાં કુબેરધામ ખાતે યજ્ઞ અને ઉમિયા મંદિર પરિસરમાં હનુમાન ચાલ

3 Apr 2026 9:36 am
લીમખેડાના માંન્લીમાં મકાનમાં આગ:પરિવાર અને પશુઓ સમયસર બહાર નીકળતા મોટી જાનહાનિ ટળી

લીમખેડા તાલુકાના માંન્લી ગામે ગત રાત્રિએ એક મકાનમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં મહેશભાઈ પ્રતાપભાઈ પટેલનું આખું મકાન અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે, પરિવારના સભ્યો અને પશુઓનો આબાદ બચાવ થયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેશભાઈનો પરિવાર

3 Apr 2026 9:35 am
સુરેન્દ્રનગરમાં હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી:ભક્તોએ કેક કાપી, પ્રસાદ વહેંચી પવનપુત્રનો જન્મદિવસ ઉજવ્યો

સુરેન્દ્રનગર શહેરમાં બજરંગબલી હનુમાન દાદાની જન્મજયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિઠલપ્રેસ રોડ પર આવેલા બળીયા હનુમાનજીના મંદિરે ભાવિક ભક્તો દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. મંદિરે ડીજે સાઉન્ડ અને નાશિક ઢોલના તાલે ભવ્ય આરતી કરવામાં આવી હતી. આ

3 Apr 2026 8:27 am
ગીર સોમનાથમાં કમોસમી વરસાદ:વેરાવળ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે રસ્તાઓ પર પાણી

ગીર સોમનાથ જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. વેરાવળ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારે આશરે 5:30 વાગ્યે કમોસમી વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળાની ગરમી વચ્ચે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા હતા અને વીજળીના કડાકા-ભડાકા સ

3 Apr 2026 8:22 am
સેવન્થ ડેના સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનારા સગીરને જામીન:રાજ્ય સરકારે જામીન અરજીનો સખત વિરોધ કર્યો, મૃતક પણ આરોપી કિશોરને હેરાન કરતો હોવાનો રિપોર્ટ

અમદાવાદના બહુચર્ચિત સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની જામીન અરજી અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ, આ અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થઈ હતી. હાઇકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન

3 Apr 2026 8:06 am
અમદાવાદ, સુરતમાં ભાજપના નિરીક્ષકો દાવેદારોને સાંભળશે:ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવવા બે ફોર્મ ભરવાના રહેશે, છેલ્લી ત્રણ ચૂંટણી લડ્યાની માહિતી ભરવી પડશે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26 એપ્રિલે એક જ તબક્કામાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપ સહિતના પક્ષોએ ઊમેદવારોની પસંદગી પ્રક્રિયા તેજ કરી છે. ભાજપના નિરીક્ષકો દ

3 Apr 2026 8:00 am
હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો:નિરોણામાં બાઈક થાંભલા સાથે ભટકાતા યુવકનું મોત, ભવાનીપર પાસે કારની ટક્કરથી વૃદ્ધને કાળ આંબ્યો

નખત્રાણા તાલુકાના નિરોણામાં આવેલ લયવારા વાસમાં અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં બાઈક વીજપોલ સાથે ભટકાતા ગંભીર ઈજાઓને કારણે 25 વર્ષીય યુવકનું મોત નીપજ્યું હતું.જ્યારે અબડાસા તાલુકાના ભવાનીપર નજીક અરટીકા કારે બાઈકને હડફેટે લેતા વૃદ્ધ બાઈક ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત ની

3 Apr 2026 6:59 am
ટીબી મુક્ત પંચાયત‎ અભિયાન:ભચાઉમાં ટીબી ફ્રી પંચાયતોના સરપંચો સન્માનાયા

વિશ્વ ક્ષય દિવસ નિમિતે તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉ, સીએચસી ભચાઉ તથા મેરા યુવા ભારત ભુજના સંયુક્ત ઉપક્રમે ભચાઉ સીએચસી ખાતે જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયું હતું. કાર્યક્રમમાં ક્ષયરોગ અંગે જાગૃતિ સાથે આરોગ્ય સેવાઓમાં કામગીરી બદલ કર્મીઓને સન્માન કરાયા હતા. કાર્યક્રમ દરમિયા

3 Apr 2026 6:58 am
ઓપરેશન સિંદૂર જેવી કાર્યવાહીની માંગ:પીએમને પત્ર લખી કચ્છની ધરતી પરત મેળવવા માટે ફરી રજૂઆત

ભારત-પાકિસ્તાન વચ્ચે 1965માં થયેલા સંઘર્ષની યાદમાં ઉજવાતા 61મા શૌર્ય દિવસને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. આ ત્યારે ભુજમાંથી કચ્છની સરહદી ધરતીનો મુદ્દો ફરી રાષ્ટ્રીય પટલ પર લાવવાનો પ્રયાસ કરાયો છે. કચ્છ સત્યાગ્રહ મંડળ 1968ના પ્રમુખ કે.વી. ભાવસારે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મ

3 Apr 2026 6:55 am
PGVCLની સરાહનીય કામગીરી:પૂર્વ કચ્છના 38 ગામોએ વીજબીલમાં નોંધાવ્યો ‘ઝીરો પેન્ડન્સી’નો વિક્રમ

પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ ભચાઉ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમયથી બાકી વીજ બિલોની વસૂલાત માટે મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લાના 38 ગામોએ ઉત્તમ આર્થિક શિસ્ત અને જાગૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. નાણાકીય વર્ષ પૂર્ણ થતા 31 માર્ચના રોજ આ

3 Apr 2026 6:51 am
બુટલેગર થયો બેફામ:મંગળવારે એલસીબીની રેડમાં ફરાર થયેલો બુટલેગર ગુરૂવારે ફરી દારૂ વેચતો ઝડપાયો !

સામાન્ય રીતે પોલીસનો દરોડો પડ્યા બાદ આરોપીઓ બીકને કારણે ભૂગર્ભમાં ઉતરી જતા હોય છે. પરંતુ પશ્ચિમ કચ્છમાં બુટલેગરો એટલા બેફામ બન્યા છે કે,બે દિવસ પહેલા એલસીબીએ દરશડીમાં દરોડો પાડી રૂપિયા 12.75 લાખનો દારૂ પકડ્યો ત્યારે ભાગી ગયેલો બુટલેગર જાણે પોલીસની કોઈ બીક ન હોય તેમ એકટીવા પર

3 Apr 2026 6:49 am
જાહેરાત પોકળ નીકળી:એપ્રિલમાં એક સાથે ત્રણ મહિનાનું રાશન મળવાની વાત હજુ હવામાં

સરકાર દ્વારા કરવામાં આવતી જાહેરાતો સામાન્ય જનતા માટે હાલાકી સર્જી શકે છે, તેનો જીવંત દાખલો એપ્રિલ મહિનાના પ્રારંભે જ જોવા મળ્યો છે. ગત 19 માર્ચના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન દ્વારા સત્તાવાર X (ટ્વિટર)એકાઉન્ટ પર જાહેરાત કરાઈ હતી કે એપ્રિલ, મે અને જૂનનુ

3 Apr 2026 6:45 am
કેડીસીસી બેન્કનો 325 લાખનો ચોખ્ખો નફો:ધી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી.નો કુલ બિઝનેસ રૂ. 793 કરોડને પાર પહોંચ્યો

ધી કચ્છ ડિસ્ટ્રીકટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેન્ક લી. (KDCC Bank) દ્વારા ગત નાણાંકીય વર્ષના અંતે રૂ. 325 લાખના ઐતિહાસિક ચોખ્ખા નફા સાથે કુલ બિઝનેસ રૂ. 793 કરોડે પહોંચાડવાની મોટી સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ સાથે વર્ષના અંતે બેન્કનું નેટ NPA 0% રહેવા પામ્યું છે. બેન્કની કામગીરી અંગે માહિતી આપત

3 Apr 2026 6:42 am
ગમખ્વાર અકસ્માત સર્જાયો:સૈયદપર પાસે છોટાહાથીએ પાછળથી ટક્કર મારતા ગાંધીધામના યુવકનું મોત નીપજ્યું

ભુજથી ગાંધીધામ જતા હાઈવે પર સૈયદપર પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ગાંધીધામથી ગુડથર મતિયા દેવના મેળે પગપાળા જતા ચાર યુવકોને પાછળથી આવતા છોટાહાથીએ ટક્કર મારતા એક યુવકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ ઈજાગ્રસ્ત થયા હતા. ગાંધીધામના ફરિયાદી મ

3 Apr 2026 6:39 am
સિટી એન્કર:લીંબુ હૉલસેલમાં 110 માં વેચાય, જયારે છૂટકમાં 200

ભુજમાં ઉનાળાની શરૂઆત સાથે જ લીલા શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને શાકભાજીના હોલસેલ માર્કેટની સરખામણીએ છૂટક બજારમાં ભાવ વધુ હોવાના કારણે સામાન્ય ગ્રાહકોને વધારાનો આર્થિક બોજ સાથે શાકભાજી ખરીદવા પડે છે. હોલસેલમાં રૂ. 10થી 45 સુધીમાં મળતા શાકભાજી રૂ. 80 થી 100 સુ

3 Apr 2026 6:39 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ‎:પાલિકાની 44 બેઠક માટે 225થી વધુ ફોર્મ ઉપડ્યા !

ચૂંટણી આયોગ દ્વારા નગરપાલિકા, મહાનગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીની સત્તાવાર જાહેરાત થતાં જ રાજ્યભરમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ચૂંટણી એપ્રિલના અંતિમ સપ્તાહ અથવા મેના પ્રથમ સપ્તાહમાં યોજાવાની શક્યતા હોવાથી છેલ્લા બે અઠવાડિયાથી રાજકીય હલચલ તેજ બની ગઈ

3 Apr 2026 6:36 am
કેમ્પસમાં ઘૂસણખોરો પર લાગશે બ્રેક:પ્રથમવાર કોમર્સ ફેકલ્ટી 15 હજાર વિદ્યાર્થીને સ્માર્ટ આઇકાર્ડ આપશે

મ.સ.યુનિ.ની કોમર્સ ફેકલ્ટીમાં 6 વર્ષ પછી આઇકાર્ડ અપાશે. પ્રથમવાર સ્માર્ટ આઇકાર્ડ કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવશે. 15 હજાર વિદ્યાર્થીઓને આઇકાર્ડ અપાશે. એમકોમમાં સ્માર્ટ આઇકાર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં લાંબા સમયથીલ કરવ

3 Apr 2026 6:30 am
સુમનદીપ વિદ્યાપીઠનો 13મો દીક્ષાંત સમારોહ:મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી સહિતના 831 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત

સુમનદીપ વિદ્યાપીઠ ખાતે યુનિવર્સિટી ખાતે 13મો વાર્ષિક દીક્ષાંત સમારોહ યોજાયો હતો. સુમનદીપ વિદ્યાપીઠના દીક્ષાંત સમારોહમાં મેડિકલ, ડેન્ટલ, ફાર્મસી, ફિઝિયોથેરાપી, નર્સિંગ અને એલાઈડ હેલથકરે અને ડી.એ.એસ.એલ.પી સહિત વિવિધ ફેકલ્ટીના કુલ 831 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત

3 Apr 2026 6:28 am
વડોદરામાં ચૂંટણીનો રણશિંગુ ફૂંકાયું:પાલિકાના ઉમેદવાર હવે 9 લાખ સુધી ખર્ચ કરી શકશે, આચારસંહિતા લાગુ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવતાંની સાથે જ વડોદરા સહિત રાજ્યભરમાં ‘આદર્શ આચારસંહિતા’ અમલી બની છે. આ જાહેરાત સાથે જ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને પારદર્શી બનાવવા માટે 5 નાયબ કલેક્ટર અન

3 Apr 2026 6:27 am
‘સ્ટિલ સ્ટોરીઝ’ નામે વૈશાલી જાડાવાલાના ફોટોનું પ્રદર્શન:માળાની હૂંફ-પ્રકૃતિના ખોળે રમતાં પારેવાં, વારસાના ભવ્ય રંગો ક્લિકમાં કેદ કરાયા

ફોટોગ્રાફી પ્રેમીઓ માટે ખાસ ‘સ્ટિલ સ્ટોરીઝ’ નામનું સોલો પ્રદર્શન આયોજિત થયું છે, જેમાં ફોટોગ્રાફર વૈશાલી જાડાવાલાએ પોતાના અનોખા દ્રષ્ટિકોણથી જીવનના વિવિધ પાસાઓને રજૂ કર્યા છે. પ્રદર્શનનું ઉદ્ઘાટન ગુરુવારે સાંજે 5 વાગ્યે થયું હતું, જે 5 એપ્રિલ સુધી બપોરે 12થી સાંજે 6 વાગ્ય

3 Apr 2026 6:24 am
સેન્સની પ્રક્રિયા વચ્ચે સાથી કાઉન્સિલરની પ્રતિક્રિયા:અનુભવ ઓછો હોવાથી મેયર વિવાદમાં રહ્યાં હતાંઃ રાખી શાહ

શહેરના વોર્ડ 4માંથી ભાજપમાંથી પહેલીવાર ચૂંટાઈને આવેલાં કાઉન્સિલર પિન્કીબેન સોની બીજી ટર્મમાં મેયર બન્યાં હતાં. જોકે તેઓ બિન અનુભવી હોવાથી અને કોઈ ગાઈડ-લાઈન ન મળી હોવાથી વિવાદમાં રહ્યાં હોવાનો બળાપો તેમના જ સાથી કાઉન્સિલરે ઠાલવ્યો છે. કાઉન્સિલર રાખી શાહે મેયરની કાર્યક્ષ

3 Apr 2026 6:19 am
ઇન્ડિયા કોમન વેલ્થ ટ્રેડ કાઉન્સિલ દ્વારા પહેલ:ઉદ્યોગો માટે મોરેશિયસ હવે ગેટવે આફ્રિકા-યુરોપનાં બજારો ખૂલશે

ભારત 5 ટ્રિલિયન ડોલર ઇકોનોમીના લક્ષ્ય તરફ વધી રહ્યું છે, ત્યારે ઇન્ડિયા કોમનવેલ્થ ટ્રેડ કાઉન્સિલ, ગુજરાતની પહેલથી ગુજરાતી ઉદ્યોગકારો માટે મોરેશિયસ ‘એન્ટ્રી પોઈન્ટ’ બનવા જઈ રહ્યું છે. મોરેશિયસ ચેમ્બર ઓફ કોમર્સ અને ઇકોનોમિક ડેવલપમેન્ટ બોર્ડ સાથે બેઠકમાં ફિનટેક, લોજિસ્ટિ

3 Apr 2026 6:18 am
ઠગાઈ:મહિલાકર્મીના મોબાઇલ થકી લોન લીધી,1.92 લાખ ઠગી વેપારી ફરાર

સેન્ટ્રલ એસ.ટી. ડેપોની શ્રીજી હેલ્પ સેન્ટર નામની ઓફિસના સંચાલકે મહિલાકર્મીના મોબાઈલમાં પોતાની ફિંગર પ્રિન્ટ અને પાસવર્ડ સેટ કરી રૂ. 1 લાખની લોન સહિત 1.92 લાખની ઠગાઇ કરી હતી. મહિલાએ નાણાં પરત માંગતા આરોપીઓ ઓફિસને તાળા મારી ફરાર થઈ ગયા છે. કોયલી રોડ રહેતા મહિલા મોહન મેરીયાની ઓફિ

3 Apr 2026 6:16 am
વેંકટેશ બાલાજી મંદિરમાં ભક્તિમય માહોલ સર્જાયો:વેંકટેશ બાલાજીનો અભિષેક થયો,સુંદરકાંડના પાઠ યોજાયા

રાવપુરાના વેંકટેશ બાલાજી મંદિરે હનુમાન જયંતિએ ભવ્ય ઉજવણી કરાઇ હતી. હનુમાન જયંતિ નિમિત્તે ગુરુવાર, 2 એપ્રિલના રોજ વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. સવારે 8 વાગ્યે ભગવાન હનુમાનજીનો વિશેષ મહા અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સવારે 9 વાગ્યાથી સંગીતમય સું

3 Apr 2026 6:13 am
ભાસ્કર એનાલિસિસ‎:ભાજપના ગઢ સમાન 5 વોર્ડમાં 90થી વધારે ટિકિટવાંચ્છુઓ, રસાકસીની વધુ શક્યતાવાળા વોર્ડ 15-16માં દાવેદાર ઓછા

પાલિકાની ચૂંટણી માટે ભાજપની 2 દિવસ ચાલેલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં 19 વોર્ડની 76 બેઠક માટે 1434 કાર્યકરે દાવેદારી કરી છે. ગત ચૂંટણી કરતાં આ વર્ષે 21 દાવેદાર ઓછા છે. ચોંકાવનારી બાબત એ છે કે, કોંગ્રેસની બેઠકવાળા વોર્ડ 16માં અન્ય વોર્ડ કરતાં સૌથી ઓછા 41 દાવેદાર છે. જ્યારે વોર્ડ 13

3 Apr 2026 6:12 am
વીજળી ડૂલ થતાં 20 હજાર લોકો પરેશાન:દશરથમાં થાંભલામાં પક્ષી અથડાતાં વાયર તૂટ્યો,અઢી કલાક વીજળી ડૂલ

દશરથના ઔદ્યોગિક ક્ષેત્ર બ્રૂક ફીલ્ડ્સ પાસે એક વીજ થાંભલા પર મોટું પક્ષી અથડાતાં વાયર તૂટી ગયો હતો, જેને પગલે સમગ્ર વિસ્તારમાં વીજળી ડૂલ થઇ ગઇ હતી. જેને પરિણામે અઢી કલાક સુધી આ વિસ્તારના 20 હજાર જેટલા રહીશોને હેરાન થવાનો વારો આવ્યો હતો. આ ઘટના સાંજે 5 વાગ્યાના સુમારે બની હતી. જો

3 Apr 2026 6:07 am
મુસાફરીને આરામદાયક બનાવવા રેલવેની કવાયત:ટ્રેનોમાં એસી જ નહીં, જનરલ કોચની સફાઇ પણ નિયમિત થશે,એટેન્ડન્ટને હવે રિપેરિંગ કરવું પડશે

ટ્રેનમાં મુસાફરોને યાત્રાનો સારો અનુભવ મળે તે માટે રેલવેએ નોંધપાત્ર સુધારા કરવા કવાયત હાથ ધરી છે. હવે માત્ર એસી ટ્રેનના કોચ જ સુઘડ નહીં હોય, જનરલ ડબામાં પણ નિયમિત સફાઇ કરાશે. એટેન્ડન્ટ એસી કોચમાં ચાદર-તકિયાની કામગીરી સુધી મર્યાદિત નહીં રહે, હવે કોચમાં નાનો ફોલ્ટ સર્જાય તો ર

3 Apr 2026 6:06 am
'કોર્પોરેટરોને તો ઓળખતા જ નથી':સુરતના વોર્ડ-1માં વિકાસના નામે ખાલી વાયદા, ઠેર-ઠેર કચરાના ઢગલાઓથી ત્રાસેલા સ્થાનિકોએ કહ્યું-'ચૂંટણી આવે એટલે બધા દોડ્યા આવે'

મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. સુરત શહેરના વોર્ડ નંબર 1 એટલે કે જહાંગીરપુરા, વરિયાવ, છાપરાભાઠા અને કોસાડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કેવી કામગીરી થઈ છે. અહીં થયેલા વિકાસ અને થઈ રહેલા વિકાસને લઈ મતદારો શું કહી રહ્યા છે. તે જાણવા માટે દિવ્ય ભાસ્કરની ટીમ ગ

3 Apr 2026 6:05 am
વડોદરામાં અશાંતધારાનો વ્યાપ વધ્યો:ભાયલીના TP 3-4ના 100 સર્વે નંબરમાં અશાંતધારો લાગુ, મિલકત વેચવા હવે કલેક્ટરની મંજૂરી ફરજિયાત

ભાયલીમાં રાજ્ય સરકારે અશાંતધારો અમલી બનાવ્યો છે. મહેસૂલ વિભાગે 30 માર્ચે પ્રસિદ્ધ કરેલા નવા જાહેરનામા અનુસાર જે.પી. રોડ પોલીસ મથકની હદમાં તાંદલજાની 500 મીટરની ત્રિજ્યામાં આવતા ભાયલીના ટીપી-3 અને 4ના વિવિધ પ્લોટ,સર્વે નંબરોનો સમાવેશ અશાંત વિસ્તારની યાદીમાં કર્યો છે. સરકારે 21 જ

3 Apr 2026 6:02 am
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની આગાહી:બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં કમોસમી વરસાદની શક્યતા, 40 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગ દ્વારા 3 એપ્રિલ એટલે કે આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખસા કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જ

3 Apr 2026 6:00 am
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોણે કોણે કરી દાવેદારી?:પૂર્વ કોર્પોરેટરોના સંતાનોથી લઈ પૂર્વ હોદેદારોની ચૂંટણી લડવાની ઈચ્છા, જુઓ દાવેદારોનું લિસ્ટ

રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું યુગલ ફૂંકાઈ ચુક્યું છે ત્યારે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં 2 અને 3 એપ્રિલના રોજ ઉમેદવારોની પસંદગી માટેની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અમદાવાદના 24 વોર્ડમા

3 Apr 2026 6:00 am
'કોર્પોરેટર ઉદ્ઘાટન સમયે ફોટા પડાવવા જ આવે છે':અહીંયા વિકાસના દાવા થાય છે પણ ક્યાંય દેખાતો નથી, ચૂંટણી નજીક આવતા મતદારોએ પીત્તો ગુમાવ્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે તમામ પાર્ટીએ તૈયારી તેજ કરી દીધી છે. ત્યારે 5 વર્ષ દરમિયાન જનતાના પ્રતિનિધિઓએ જનતા માટે કેટલો વિકાસ કર્યો છે તે જાણવા માટે દિવ્ય ભાસ્કર વેજલપુર વોર્ડમાં પહોંચ્યું હતું. 5 વર્ષમાં મતદારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે જનપ્રતિ

3 Apr 2026 6:00 am
સંઘવીની ક્રિસ ગેલની જેમ ફટકાબાજી:MLA મેડમ વિકેટ કિપર બન્યા; શૈલેષ સોટ્ટાએ કોનું ‘જય શ્રી રામ’ કરી નાખવાની હનુમાનજીને પ્રાર્થના કરી?

રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’

3 Apr 2026 6:00 am
સિટી એન્કર:પત્નીએ સવારે નાસ્તો ન બનાવી આપતાં પતિ વિફર્યો, ઘરેથી કાઢીને મૂકી કહ્યું, જ્યાં જવું હોય ત્યાં જા,પણ પાછી ન આવતી

આજવા રોડ પર રહેતા દંપતી વચ્ચે સવારનો નાસ્તો બનાવવા મુદ્દે ઝઘડો થયો હતો. જેને પગલે પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. તે પછી આખો દિવસ પતિનો કૉલ ન આવતાં મહિલાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમ મહિલાને લઈને તેમના ઘરે પહોંચી હતી અને પતિનું કાઉન્સેલિંગ કર્યું હતું. જે બાદ પતિ ખાતર

3 Apr 2026 5:58 am
ખનીજ વિભાગની કડક કાર્યવાહી:વાંકાનેર પંથકમાં ખનીજ માફિયાઓ પર ધોંસ, રૂ. 1.70 કરોડનો મુદ્દામાલ કબજે

છેલ્લા થોડા સમયથી ભૂમાફિયાઓ પર ખાણ અને ખનીજ વિભાગે ધોંસ બોલાવી છે અને ચાર ડમ્પર તેમજ એક એસ્કેવેટર સહિતના 1.07 કરોડના સાધનો કબજે લઇ તેના માલિકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી તેજ બનાવાઇ છે. વાંકાનેર તાલુકામાં Dy.S.P. સમીર સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પી

3 Apr 2026 5:34 am
મનપાની 52 બેઠકો માટે મૂરતિયાઓનો રાફડો:મહાનગરપાલિકાની 52 બેઠક માટે નવ ગણાં 491 દાવેદાર !‎

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 13 વોર્ડની 54 સીટ માટે 491 ભાજપ કાર્યકરોએ ટિકિટ માંગી છે. ગત ચૂંટણીમાં સંયુક્ત પાલિકામાં 13 વોર્ડ જ હતા તેમ છતાં 242 કાર્યકરોએ ટિકિટ માંગી હતી. આ વખતે વોર્ડ નં.9માં સૌથી વધુ 52 કાર્યકરોએ ટિકિટ માંગી છે. જે ખરેખર તમામ વોર્ડના સભ્યો બરાબર છે. ખાસ કર

3 Apr 2026 5:30 am
ફરિયાદ:શીશલી ગામે મહિલા સહિત 3 શખ્સનો યુવતી પર હુમલો

પોરબંદરના શીશલી ગામે યુવતીના પિતા અને યુવતી સાથે શખ્સોને મનદુખ હોય જે મનદુઃખના કારણે મહિલાઓએ યુવતીને માર માર્યો હતો જ્યારે શખ્સે યુવતીને ગાળો કાઢી ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના શીશલી ગામે નવાપરા પાણીના ટાંકા પાસે રહેતી જ્યોતિબેન ભરતભાઈ મોઢાના પિતા તથા આ

3 Apr 2026 5:30 am
આદેશ:જિલ્લામાં યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કલોરશીપની પરીક્ષા કેન્દ્રોની આસપાસ એક કે તેથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ

પોરબંદર જિલ્લામાં યોજાનાર મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કલોરશીપ (CGMS) 2026 ની પરીક્ષા દરમ્યાન પરીક્ષા કેન્દ્રો આસપાસ લોકો એકત્ર ન થાય અને પરીક્ષાર્થીઓને ખલેલ ન પડે તેમજ પરીક્ષા શાંતિ અને એખલાસભર્યા વતાવરણમાં યોજાય તેમ માટે એકથી વધુ લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છ

3 Apr 2026 5:30 am
કામગીરી:મનપા વિસ્તારમાં 20 એપ્રિલથી પ્રથમ તબક્કાની‎વસ્તી ગણતરી 350થી વધુ સ્ટાફ દ્વારા શરૂ થશે‎

પોરબદર મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી 20 એપ્રિલથી વસ્તી ગણતરીની પ્રકિયા શરૂ કરવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં મનપા વિસ્તારમાં રહેલ મકાનોની વિગતો એકત્રિત કરવામાં આવશે.આ વિગતો માટે દરેક મકામ દીધી 34 પ્રકારની વિગતો પૂછવામાં આવશે તો મનપા વિસ્તારમાં 3 ભાગમાં 450 થી વધુ સ્ટાફ આ ગ

3 Apr 2026 5:30 am
દુર્ગંધથી લોકો પરેશાન:ખુદ મનપાના બિલ્ડિંગમાં શૌચાલયની અવદશા !

પોરબંદર મહાનગર પાલિકાના બિલ્ડિંગમાં જ સ્વચ્છતાની હાલત અત્યંત ખરાબ હોવાનું સામે આવ્યું છે. મનપા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ શૌચાલયમાં ગંદકી અને અવ્યવસ્થાની દયનીય સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે અહીં આવનારા નાગરિકો અને કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. શૌચાલય

3 Apr 2026 5:30 am
ખેડૂતો ચિંતાતુર બન્યા:પોરબંદરમાં કમોસમી વરસાદ‎

પોરબંદર જિલ્લામાં ગુરુવારે સવાર થી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું હતું ત્યારે આ વરસાદી વાતાવરણ વચ્ચે પોરબંદર શહેરમાં કમોસમી વરસાદનું ઝાપટું નોંધાયું હતું.શહેરમાં કમોસમી વરસાદ સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો.જોકે હવામાન વિભાગ દ્વારા શુકવારે પણ પોરબંદર સહિત રાજ્યના અમ

3 Apr 2026 5:30 am
ભાસ્કર બ્રેકિંગ‎:પોરબંદરથી હવે મુંબઈની જેમ વડોદરા માટે પણ એરોપ્લેન સેવા ઉપલબ્ધ બનશે

આગામી દિવાળી અગાઉ પોરબંદર થી વડોદરા એક કલાકમાં પહોંચી જવાશે, કારણ કે વડોદરા એરપોર્ટ થી આ વર્ષે ઓક્ટોબરમાં ત્રણ સ્થળ માટેની એર ટેકસીની ફ્લાઈટ શરૂ થવાની છે આ ત્રણ સ્થળમાંથી એક સ્થળ પોરબંદર પણ છે. આ સેવા શરુ થતા પોરબંદરથી હવે મુંબઈની જેમ વડોદરા માટે પણ એરોપ્લેન સેવા ઉપલબ્ધ બનશ

3 Apr 2026 5:30 am
વાવેતર:પિયતની સગવડ હોવાથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ પાકનું 7741 હેકટરમાં વધુ વાવેતર, કુલ 13361 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર

પોરબંદર જિલ્લામાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઉનાળુ પાકનું વધુ વાવેતર નોંધાયું છે.આ વર્ષે જિલ્લામાં ઉનાળુ પાક માટે પૂરતી પિયતના પાણીની વ્યવસ્થા હોવાથી ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 7741 હેકટરમાં વધારા સાથે કુલ 13361 હેકટરમાં ઉનાળુ પાકનું વાવેતર નોંધાયું હતું તો ગત વર્ષે જિલ્

3 Apr 2026 5:30 am
વાતાવરણ:લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી નોંધાયું

માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં પવન ફૂંકાયો હતો. મહતમ તાપમાન 32.4 ડિગ્રી યથાવત રહ્યું છે જ્યારે લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી વધીને 21.3 ડિગ્રી સુધી પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 6 ટકા વધીને 55 ટકા નોંધાયું છે.માવઠાની આગાહીને પગલે પોરબંદરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો.

3 Apr 2026 5:30 am
બેઠક:0 ટકા સર્વિસ ચાર્જ કરનારી કંપનીને કામ મળતા રૂા. 40 લાખનું નુકસાન થતું બચ્યું

જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાથી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક કાર્યકારી અધ્યક્ષ સંજય મણવરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ, વહીવટી પ્રક્રિયાને વેગ આપવા અનેક ક્રાંતિકારી નિર્ણયો લેવાયા છે. જેમાં સૌથી નોંધપાત્ર નિર્ણય અમૃત 2.0 અર્બન ચેલેન્જ ફંડ અંતર્

3 Apr 2026 5:30 am
તસ્કરી:વેપારીના મકાનમાંથી રૂા. 3.17 લાખના સોનાના દાગીનાની ચોરી

મેંદરડામાં એક વેપારીના મકાનને નિશાન બનાવી કબાટના લોક તોડી તસ્કરો શખ્સો રૂ. 3.17 લાખની કિંમતના સોનાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મેંદરડામાં સરકારી દવાખાના પાછળ રહેતા અને વેપારી પરાગભાઈ જેઠાલાલ ચંદે ગત તારીખ 15 માર્ચના રોજ ઘરના હોલમ

3 Apr 2026 5:30 am
ધરપકડ:બોગસ લર્નિંગ લાયસન્સ કેસ, આરોપી‎આફ્રિકાથી જૂનાગઢ આવતા દબોચ્યો‎

બોગસ લર્નિંગ લાયસન્સ કેસમાં 10 વર્ષથી ફરાર આરોપી આફ્રિકાથી આવતા પોલીસે શહેરના મુલ્લાવાડામાંથી દબોચી લીધો હતો. મુલ્લાવાડામાં આવેલ અલીફ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતો ઇમરાન ગફારભાઈ મચ્છર નામના શખ્સ વિરુદ્ધ વર્ષ 2016માં ખોટા લર્નિંગ લાયસન્સ બનાવવાનો ગુનો વિવિધ કલમ મુજબ એ ડિવિ

3 Apr 2026 5:30 am
વાતાવરણમાં પલટો:2 દિવસ કમોસમી વરસાદની આગાહી, તાપમાન ઘટીને 33.5 ડિગ્રી નોંધાયું

વાતાવરણમાં પલટો આવતા ગુરુવારે જૂનાગઢ સહિત સોરઠમાં મહત્તમ તાપમાન ઘટીને 33.5 ડીગ્રી નોંધાયું હતું જેના પગલે ભરઉનાળે ગરમીની જગ્યાએ ઠંડક અનુભવાઈ હતી. આ વર્ષે ઉનાળાની ઋતુ ડામાડોળ થઈ ગઈ છે. ઉનાળાની શરૂઆતને દિવસો વીતી જવા છતાં હજુ પણ આકરી ગરમી શરૂ થઈ નથી. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી ઉ

3 Apr 2026 5:30 am
કામગીરી:બદલીને આવેલ 6 પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર્જ સોંપાયો

જૂનાગઢ જિલ્લામાં બદલીને આવેલા 6 પોલીસ ઇન્સ્પેક્ટરને ચાર્જ સોંપવામાં આવતા તેઓએ ફરજના શ્રીગણેશ કર્યા હતા. તાજેતરમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓના પીઆઇની આંતર જિલ્લા બદલી કરવામાં આવી હતી. જેની સાથે બઢતી પામેલા પોલીસ ઇન્સ્પેક્ટરોને પોસ્ટિંગ આપવામાં આવ્યું હતું. ટ્રાન્સફર સા

3 Apr 2026 5:30 am
ચેકિંગ:જેલની અંદર રહેલા કેદી સામે ત્રીજી ફરિયાદ, મોબાઇલ મળ્યો

​જૂનાગઢ જીલ્લા જેલમાં સિપાઇની ફરજ બજાવતા ભરત યુ. વાળાને જેલનો કાચા કામનો આરોપી અયાન ઉર્ફે પાંચીયો અમીન મૂળિયા જેલમાં અન-અધિકૃત રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે. આ બાતમી આધારે 2 એપ્રિલના રોજ મધરાત્રે જેલની ઝડતી સ્ક્વોડ દ્વારા અયાન ઉર્ફે પાંચીયો સાથેના કેદી ઈમ્તિયાઝ ઉર્ફે બકર

3 Apr 2026 5:30 am
કાર્યવાહી:જામનગરમાં આયુ.યુનિવર્સિટી કેમ્પસમાં મદદનીશ ઈજનેર 4.52 લાખની લાંચ લેતાં ACBના છટકામાં

જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી ચેમ્બર સેન્ટ્રલ પબ્લીક ર્વક ડીપાર્ટમેન્ટની કચેરીમાં ઈલેક્ટ્રીક શાખામાં મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતા વિજયકુમાર બાબુલાલ મીના પોતાની ફરજ પર આજે હતા. જામનગરના લાખાબાવળ ગામના પાટીયા પાસે હાઈવે રોડ પર આવેલી ગુજરાત

3 Apr 2026 5:30 am
હુકમ:ભુજિયા કોઠાના રિસ્ટોરેશનમાં નિયમોનું ઉલ્લઘંન, દિલ્હી NMAનો તપાસનો આદેશ

જામનગરના ઐતિહાસિક ધોરહર ભુજિયો કોઠોના થયેલા રિસ્ટોરેશન કાર્ય સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે, તજજ્ઞો અને વારસા પ્રેમીઓના મતે, આ રિસ્ટોરેશન પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1958ના મૂળભૂત સિધ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. જે અંગે ઉઠેલી ફરિયાદોના આધારે દિલ્હ

3 Apr 2026 5:30 am
હવામાન:અમરેલીમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદ પડવાની આગાહી

અમરેલીમાં આજે મહત્તમ તાપમાન 35.5 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.6 ડીગ્રી સુધી નોંધાયું હતું. બીજી તરફ હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા જેટલું ઊંચું નોંધાતા ઉકળાટનો અનુભવ પણ લોકો કરી રહ્યા હતા. પવનની ગતિ પ્રતિ કલાક 4.2 કિલોમીટર રહી હતી. જેના કારણે વાતાવરણમાં થોડો ઠંડકન

3 Apr 2026 5:30 am
વિકાસ કાર્યો:બગસરાના ગામોમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત‎

બગસરા તાલુકાના માણેકવાડા ગામે સરકાર દ્વારા ડી.એમ.એફ. યોજના અંતર્ગત અંદાજિત રૂપિયા 3 કરોડનું ફંડ ફાળવવામાં આવ્યું હતું. આ ફંડના ઉપયોગથી ગામના વિવિધ વિકાસકાર્યો હાથ ધરવા માટે માણેકવાડા ગ્રામ પંચાયત દ્વારા લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત મોટા મુંજીયાસ

3 Apr 2026 5:30 am
ફરિયાદ:બાબરામાં નોટિસ આપવા ગયેલા પોલીસ કર્મચારી ઉપર સ્થાનિક શખ્સનો હુમલો

બાબરા શહેરના આડી શેરી વિસ્તારમાં મોટા રામજી મંદિર પાસે પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે, નોટીસ બજાવવા ગયેલા એક પોલીસ કર્મચારીને મારમારી ઇજાગ્રસ્ત કર્યાની રાવ આવી છે. બાબરા શહેર વિસ્તારમાં કાલે મોડી રાત્રે આ ઘટના બની હતી. બાબરામાં રહેતા અને પોલીસ કર્મચારી શીવાભાઇ કેશુ

3 Apr 2026 5:30 am
ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:5 ગામ ભાંગીને બનેલી ધારી નગરપાલિકાની‎પ્રથમ ચૂંટણીમાં જ ત્રિપાંખિયો જંગ જામશે‎

અમરેલી જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. જે પૈકી ધારી નગરપાલિકાની ચૂંટણી પ્રથમ વખત યોજાશે. થોડા સમય પહેલા 5 ગામો મર્જ કરી ધારી નગરપાલિકા બનાવવામાં આવી હતી અને અહીં પ્રથમ ચૂંટણીમાં જ ત્રીપાંખીયા જંગના એંધાણ વર્તાઈ રહ્યા છે. બીજી તરફ ધારીમાં મોડી રાત સુધી ભાજપની

3 Apr 2026 5:30 am
આયોજન:રાજુલા અને જાફરાબાદમાં હનુમાન જયંતિ નિમિત્તે ઠેર - ઠેર કાર્યક્રમો

રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં હનુમાન જયંતિના અવસરે ભક્તિ અને આસ્થા નો અદભૂત માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો મંદિરોમાં દર્શન માટે ઉમટી પડ્યા હતા અને અનેક સ્થળોએ ભવ્ય મહા આરતી તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજુલા તાલુકાના ભંડારિયા ગામે આવેલ પ્રસિ

3 Apr 2026 5:30 am
કરુણ અકસ્માતમાં એક જ પરિવારનાં 4નાં મોત‎:દેડિયાપાડા ગંગાપુર પાસે વાને બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ગંગાપુર ગામ પાસે એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી એક ઇકો વાનના ચાલકે બાઇક સવાર પરિવારને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં દોઢ વર્ષના માસૂમ બાળક અને 15 વર્ષીય કિશોરી સહિત કુલ 4 લોકો

3 Apr 2026 5:30 am
રાજકારણના આટાપાટા:કોંગ્રેસી પરિવારની બે મહિલાઓએ ભાજપમાંથી ટિકીટ માગી

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓની જાહેરાત કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લામાં કોંગ્રેસના જ એક પીઢ નેતાના પરિવારમાં ડખો ઉભો થયો છે. નેતાના પરિવારની જ બે મહિલાએ એક જ બેઠક પરથી ભાજપમાંથી ટિકિટની માગણી કરી છે. નર્મદા કોંગ્રેસના એક પીઢ આગેવાનના પરિવારની 2 મહિલાઓએ એ

3 Apr 2026 5:30 am
ચોકાવનારી બાબત સામે આવી:દેહરી બેઠકની મતદાર યાદીમાંથી 1400થી વધુ મતદારોના નામ ગાયબ

દેહરી તાલુકા પંચાયત ઉમરગામ બેઠકની મતદાર યાદીમાંથી 1400 થી વધુ મતદારોના નામો ગાયબ થઈ દહાડ ગામની અંદર સમાવેશ થઈ ગયા હોવાની ચોકાવનારી બાબત સામે આવતા સામે ચૂંટણી સમયે સ્થાનિક નેતાઓમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલે તાલુકા અને જિલ્લા પંચા

3 Apr 2026 5:30 am
ભાજપમાં એક સીટ માટે 7 મુરતિયા:વલસાડમાં તાલૂકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પૂર્વે ધસારો, દાવેદારોએ ફોર્મ ભર્યા

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખ ફુંકી દેવામાં આવ્યો છે ત્યારે રાજકીય ગરમાટો ફરી વળ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિત પાર્ટીઓ કામે લાગી ગઇ છે. યોગ્ય ઉમેદવારની પસંદગી માટે વલસાડમાં ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના હોલમાં પાર્ટીના દાવેદારો પાસ

3 Apr 2026 5:30 am
લોકાર્પણ:સરોંડા પંચાયત કચેરી તથા આંગણવાડીઓનું લોકાર્પણ

સરોંડા ગામે પંચાયત કચેરી (ગ્રામ સચિવાલય) તથા આંગણવાડીઓનું લોકાર્પણ કરાયું હતું. ઉમરગામ તાલુકાના સરોંડા ગામે સરપંચ શ્રી રંજનાબેન સંદીપભાઈ રાઠોડની આગેવાની હેઠળ સરકારની સીડીપી 5 અંતર્ગત 16.75 લાખ તથા લોકફાળાથી અંદાજિત 55 લાખના ખર્ચે ભવ્ય પંચાયત કચેરીનું મકાન નિર્માણ કરાયું છે.

3 Apr 2026 5:30 am
વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલનું સન્માન:વલસાડ જિ. ચિત્રશિક્ષક સંઘ દ્વારા નિવૃત્ત ચિત્રશિક્ષકો, વિજેતાઓનું સન્માન કરાયું

વલસાડ જિલ્લા ચિત્રશિક્ષક સંઘના 50મો સુવર્ણજયંતિ પ્રસંગે કાર્યક્રમમાં નિવૃત્ત ચિત્ર શિક્ષકો અને ચિત્ર સ્પર્ધા,રંગોળી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંઘના મહામંત્રી ભરતકુમાર આર.પટેલ દ્વારા વર્ષ દરમિયાન થયેલ પ્રવૃતિ વિશેની માહિતીનો અહેવાલ રજ

3 Apr 2026 5:30 am
ભાસ્કર એનાલિસિસ:વાપી મનપામાં વોર્ડ નં.2માં સૌથી વધારે‎ 29 દાવેદારો, વોર્ડ નં-7 અને 11માં ઓછા‎

વાપી મહાનગરપાલિકાની ચૂંટણી 26 એપ્રિલે યોજાવાની છે,જે પૂર્વે વાપી સેન્ટ્રલ ઓફ એકસીલન્ટ ખાતે ભાજપના નિરીક્ષકોએ બે દિવ સુધી સતત વોર્ડ વાઇઝ દાવેદારોને સાંભળ્યા હતાં.જેમાં મનપાના કુલ 13 વોર્ડમાં સૌથી વધારે દાવેદારો વોર્ડ નં.2માં 29 છે.જયારે વોર્ડ નં.7,11માં સૌથી ઓછાં 11 દાવેદારોનો સમ

3 Apr 2026 5:30 am
ભાજપની સેન્સ પ્રક્રિયા:સેન્સ પ્રક્રિયામાં ભાજપના જુના સભ્યો પણ ફરી મેદાનમાં, મનપામાં 13 સીટ પર 347 ફોર્મ ભરાયા

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપ દ્વારા હાથ ધરાયેલી સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારી માટેની વિગતવાર યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી મુજબ શહેર અને તાલુકા સ્તરે મોટી સંખ્યામાં દાવેદારો મેદાનમાં ઉતર્યા છે. ખાસ કરીને નવસારી-વિજલપોર વિસ્તારમાં સૌથી વધુ રસ

3 Apr 2026 5:30 am
જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ઉમેદવારોમાં ઉત્સાહ:ચીખલીમાં જિ. પંચાયતની 8 બેઠક માટે 36 અને તાલુકા પંચાયતની 28 બેઠક માટે 65 દાવેદારી

ચીખલી તાલુકામાં તાલુકા- જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ભાજપમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિ. પં.ની 8 બેઠકો માટે 36 અને તાલુકા પંચાયતની 28 બેઠકો માટે 65 દાવેદારોએ નિરીક્ષકો સમક્ષ દાવેદારી નોંધાવી હતી. જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર સૌથી વધુ 10 મૂરતિયાઓએ દાવેદારી કરી હતી. મજીગામમાં મનાભા

3 Apr 2026 5:30 am
મદદ કરવાના બદલે દારૂ લેવા પડાપડી:દુવાડા પાટિયા પાસે કાર અકસ્માત બાદ અડધા કલાકમાં દારૂના કાર્ટૂન સાફ

24 કલાક વાહન વ્યવહારથી વ્યસ્ત રહેતા ને.હા.નં. 48ના દુવાડા પાટિયા પાસે મળસ્કે કાર ડિવાઈડરમાં અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ કારમાં દારૂના કાર્ટૂન હોય લોકો દારૂ લૂં ટી ગયા હતા. એંધલ હાઇવેના દુવાડા પાટિયા પાસે ગુરૂવારના રોજ મળસ્કે 5 કલાકે કાર (નં. જીજે-15-સીએફ-1530)ના ચાલકે કાબુ ગુમાવતા

3 Apr 2026 5:30 am
જેસીઆઈ નવસારીની સરાહનીય પહેલ‎:કારકિર્દી માર્ગદર્શનથી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો કરવાનો પ્રયાસ

નવસારી જેસીઆઇ દ્વારા પાંચ ગોળ પ્રજાપતિ સમાજના સભ્યો માટે સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજની વાડીમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે યોગ્ય કારકિર્દી પસંદગી અંગે માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે મુ

3 Apr 2026 5:30 am
ધરા ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ:વાંસદા અને ડાંગમાં વહેલી સવારે 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

ડાંગ અને વાંસદા તાલુકામાં સવારે 5:27 વાગ્યે ભૂકંપના આંચકાથી લોકો ફફડી ઉઠ્યા હતા. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્ર સરહદ તરફ નોંધાયું હતું. વાંસદા તાલુકામાં સવારે 5.27 વાગ્યે 3.4ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધરા ધ્રૂજતા લોકો ઊંઘમાંથી ફફડી ઉઠ્યા અને જીવ બચાવવા ઘરની બહાર દોડી આવ

3 Apr 2026 5:30 am
SIRમાં હજારો મતદારો ઘટતાં બુથ ઘટશે:નવસારીમાં 5 વર્ષમાં વિસ્તાર વધ્યો છતાં મનપાની ચૂંટણીમાં મતદાન મથક ઘટશે

નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં 5 વર્ષ અગાઉની ગત પાલિકાની ચૂંટણી કરતા વિસ્તાર વધવા છતાં મતદાન મથકો 7 ઘટ્યા છે,જેનું કારણ ગયેલ મતદાર છે. સામાન્યતઃ પાલિકા યા મહાપાલિકામાં વિસ્તારમાં વધારો થાય તો ચૂંટણીમાં મતદાન મથકોની સંખ્યા પણ વધતી જોવા મળી છે. જોકે આ વખતે નવસારીમાં એથી વિ

3 Apr 2026 5:30 am
સાયબર ઠગોની કરતૂત:વેપારીની પત્નીનું સો. મીડિયા એકાઉન્ટ્સ હેક કરી ઠગે તેના મિત્રો પાસે નાણાં માંગ્યા

આજના સમયમાં આપણી ડિજિટલ ઓળખ એ આપણી સામાજિક આબરૂ સમાન છે. સાયબર ઠગબાજો હવે લોકોના બેંક ખાતાની સાથે-સાથે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પણ નિશાન સાધી રહ્યા છે. તાજેતરમાં નવસારીમાં બનેલી આ ઘટના સાબિત કરે છે કે તમારી એક નાનકડી ભૂલ (ઓટીપી શેર કરવો) તમને અને તમારા સ્નેહીજનોને કે

3 Apr 2026 5:30 am
દાંડીકૂચ વિશેષ:દાંડીકૂચ વેળા ગાંધીજીએ નવસારીમાં પ્રવેશતા 25 હજારથી વધુ લોકોની ઉપસ્થિતિમાં સભા ગજવી હતી

મહાત્મા ગાંધીજીએ મીઠા સત્યાગ્રહ કરવા અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડી સુધી કૂચ કરી ત્યારે 2 એપ્રિલના રોજ વાંઝ ગામે રાત્રિ રોકાણ કર્યું હતું અને બીજા દિવસે 3 એપ્રિલના રોજ વાંઝ ગામથી નીકળી દિવસે નવસારીના ધામણ ગામે આવ્યા હતા. અહીં બપોરનું ભોજન કર્યું અને વિરામ પણ કર્યો હતો. જે મા

3 Apr 2026 5:30 am