વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા.8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે રાજકોટથી સોમનાથ જવા માટેની સ્પેશ્યલ ટ્રેન 4 દિવસ દરમિયાન દોડશે. જેમાંની
અમદાવાદ શહેરમાં પ્રદૂષિત પાણીની વધતી જતી ફરિયાદો અને એર ક્વોલિટીને લઈને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ અધિકારીઓનો ઉઘળો લઈ લીધો હતો. પ્રદૂષિત પાણી મામલે નક્કર કાર્યવાહીના પગલે માત્ર સ્ટાફને સૂચના આપી છટકી જતા પૂર્વ ઝોનના એડિશનલ અધિકારીને શો- કોઝ નોટિસ આપવામાં આવી છે. શ
ગાંધીનગર સેક્ટર-4માં પરિવાર સાથે બપોરે ખુશી-ખુશી જમ્યા બાદ અગમ્ય કારણોસર 21 વર્ષીય યુવકે પોતાના જ રૂમમાં પંખે ચાદર વડે ગળેફાંસો ખાઈ આપત્મહત્યા કરી લેતા સેક્ટર 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવાર સાથે જમ્યા બાદ યુવક પોતાના રૂમમાં ગયોપોલીસ સૂત્રોના અનુસાર, સેક્ટર-4/
સુરત શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે હજીરા પોલીસ મથકની હદમાં આવતા તાપી નદીના આલિયા બેટ પર એક મોટું ઓપરેશન પાર પાડીને છેલ્લા પાંચ વર્ષથી ધમધમતા ગેરકાયદેસર ડીઝલ ચોરીના રેકેટને ઝડપી પાડ્યું હતું. પોલીસે આ દરોડામાં 10.67 લાખની કિંમતનું શંકાસ્પદ ડીઝલ અને ત્રણ હોડીઓ મળી કુલ 27,47,550
ગત મોડી રાત્રે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. હોસ્પિટલના પાંચમા માળે એક નશામાં ધૂત યુવકે ચડી જઈને આપઘાતનો પ્રયાસ કરવાની ધમકી આપતા સમગ્ર હોસ્પિટલ તંત્ર અને દર્દીઓના સગાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઝૂમ બરાબર ઝૂમ શરાબી જેવી હાલતમાં રહેલા આ યુવકે લગભગ
મોરબીમાં કેન્દ્ર સરકારની નવી 'વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન' (VB-G RAM G) યોજનાના લાભો અંગે માહિતી આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજ્યના મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ આ યોજનાની વિગતવાર જાણકારી આપી હતી. આ યોજના મનરેગા (MNREGA) તરીકે
સાબરકાંઠા SOG એ હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાંથી ગાંધીનગર જિલ્લાના કલોલ તથા અડાલજ પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા SOG ના PI ડી.સી. પરમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું ક
પોતાના ઘરનું સપનું જોતા મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારે જાહેર કરેલી પીએમ આવાસ યોજનાની સબસિડી મેળવવી કેટલી પડકારજનક હોઈ શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો સુરત અને અમરેલીમાં સામે આવ્યો છે. હોમ લોન લીધા બાદ પાંચ-પાંચ વર્ષ સુધી બેંકોના ધક્કા ખાવા છતાં સબસિડી નહોતી મળી, તે આખરે ર
સાબરકાંઠા જિલ્લામાં 10 થી 20 જાન્યુઆરી, 2026 દરમિયાન કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગની દોરીથી ઘાયલ થતા અબોલ પક્ષીઓ અને પશુઓની સારવાર સુનિશ્ચિત કરવા આ અભિયાન હાથ ધરવામાં આવશે. આ અંગેની બેઠક હિંમતનગરના ધાણધા વન ચેતના કેન્દ્ર ખાતે યોજાઈ હતી. પ
જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના એંધાણ વર્તાઈ રહ્યા છે. માળિયા હાટીના તાલુકાના હાટી સમાજના અગ્રણી અને ભારતીય જનતા પાર્ટીના પાયાના નેતા આલિંગભાઈ રાજશીભાઈ સિસોદિયા ઉર્ફે બચુભાઈ સિસોદિયાએ ભાજપમાંથી છેડો ફાડી નાખતા રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ખાસ કરી
સુરત મહાનગરપાલિકાની પ્રતિષ્ઠાને લાંછન લગાડતા એક ગંભીર કૌભાંડમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ત્રણ જવાબદાર અધિકારીઓ સામે કડક વહીવટી કાર્યવાહીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી છે. શહેરમાંથી નીકળતો ઘનકચરો ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર પ્રોસેસ કરવાને બદલે, નિયમોનું ઉલ્લંઘન કરી
ભાવનગર શહેરના તરસમીયામાં રહેતો 40 વર્ષિય યુવકને તા. 3 જાન્યુઆરીના રોજ તરસમીયાથી ખારશી રોડ પર આવેલી પીરની દરગાહ પાસેથી માલણકા ગામે રહેતા શખસે પૈસા બાબતે બોલાચાલી કરી યુવકને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી નાખી હતી. જે મામલે પોલીસે હત્યા નિપજાવનાર શખસની ધરપકડ કર્યા બાદ તેના ત્
કેનેડાના વિઝાના બહાને 60 લોકો સાથે 7.48 કરોડની છેતરપિંડીના બે આરોપીઓની જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે. આરોપીઓ પર આરોપ છે કે તેઓએ 'ઓવરસીસ ગેટવે' કંપની દ્વારા ગ્રાહકોને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી કુલ રૂ. 7.48 કરોડની છેતરપિંડી આચરી છે. આરોપીઓની જામીન અરજી ફગાવતા કોર્ટે નોંધ્યુ
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, વિંઝોલ ખાતે અનુસ્નાતક ગુજરાતી વિભાગ દ્વારા એક દિવસીય રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર 'અર્વાચીન સાહિત્યમાં ભારતીય જ્ઞાન પરંપરાનું પ્રતિબિંબ' વિષય પર 7 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયો હતો. તેનું આયોજન RUSA COMPONENT No.-11 FACULTY IMPROVEMENT યોજના
IIM દ્વારા મેનેજમેન્ટ પ્રોગ્રામમાં ડોક્ટરે કરી રહેલા ત્રણ વિદ્યાર્થીઓને કાઢી મૂકવાના આદેશને હાઇકોર્ટના સિંગલ જજે રદ કર્યો હતો. જેની સામે હવે IIM-અમદાવાદે ડિવીઝન બેંચમાં અપીલ કરી છે અને સિંગલ જજના આદેશને પડકાર ફેંક્યો છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સંસ્થાએ કરેલી કાર્યવાહ
પંચમહાલ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ ભરતીમાં યુવાનોને સફળતા અપાવવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. ગોધરા સ્થિત પોલીસ હેડક્વાર્ટર્સના પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પોલીસ દળ વર્ગ-3 (PSI અને લોકરક્ષક)ની ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે શારીરિક તાલીમ વર્ગોનું આયોજન કરાયું છ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉભા કરતી એક લૂંટની ઘટના સામે આવી છે. માનવ આશ્રમ રોડ પર આવેલી ગૌરવ ટાઉનશીપમાં રહેતા એક 54 વર્ષીય વૃદ્ધા સાંજના સમયે મંદિરથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો તેમના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તોડીન
ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પાણીજન્ય રોગચાળોને અટકાવવા માટે પાણીપુરી વેચનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. જે સાત જાન્યુઆરીના રોજ આરોગ્ય અને ફુડ વિભાગ દ્વારા અલગ અલગ 103 જેટલી પાણીપુરીની લારીઓને નોટિસ આપી અને 22 જે
પંચમહાલ જિલ્લા રાજપૂત સમાજ દ્વારા તેની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 9 અને 10 જાન્યુઆરી, 2026ના રોજ દ્વિ-દિવસીય શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં સુપ્રસિદ્ધ લોકગાયક કિર્તીદાન ગઢવીનો લોકડાયરો મુખ્ય આકર્ષણ રહેશે. મહોત્સવના પ્રથમ દિવસે, 9 જાન્યુઆરી, શુ
વલસાડ જિલ્લાના વાપી ખાતે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'પરિવર્તન સભા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા અને ચૈતર વસાવા સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ નેતાઓએ વાપીના લોકોને વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ખાસ
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં ગઈકાલે 6 જાન્યુઆરીએ સુરવા-માધુપુર ગામ વચ્ચે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે. આ અકસ્માત બાઈક, નારિયેળ ભરેલી છકડોરિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણ
દાહોદમાં દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. બુટલેગરના ઘરે રેડ કરતા બુટલેગરે ઉશ્કેરાઈને પોલીસકર્મી પર કુહાડી વડે હુમલો કર્યો હતો. દાહોદની રૂરલ પોલીસની ટીમ સાંગા ગામે દારૂની રેડમાં ગઈ હતી. ત્યારે વારંવાર દારૂની રેડ કરવા આવો છો તેમ કહ
પ્રવિણભાઈ સંઘાભાઈ સોલંકી (ઉં.વ.50) આજે બપોરે 1.30 વાગ્યાં આસપાસ બાઈક લઈને જતા હતા ત્યારે કુવાડવા ગામ નજીક હાઇવે પર અજાણી કારનો ચાલક હડફેટે લઈ નાસી ગયો હતો જેને રાહદારીઓએ ઈજાગ્રસ્ત પ્રવિણભાઈને 108 મારફત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં સારવાર કારગત નીવડે તે પહેલા મોત ન
સુરતના કુખ્યાત ડ્રગ્સ માફિયા શિવા ઝાલાએ પાંચ મહિનાની જેલની સજા કાપીને તાજેતરમાં જ બહાર આવતાની સાથે જ પોતાની 'ડોન' ઈમેજને વધુ ચમકાવવાનું શરૂ કરી દીધું છે. SOGની રાત-દિવસની મહેનતથી ધરપકડ થયેલા આ માફિયાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઈલમાં એન્ટ્રી કરી, ફટાકડાના ધુમાડા વચ્ચે લ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત ભોલેશ્વર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે 5 થી 8 જાન્યુઆરી દરમિયાન રાજ્ય કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ ચાલી રહ્યો છે. બુધવારે મનો દિવ્યાંગ, માનસિક બીમારી અને ચોક્કસ શીખવા સંબંધિત દિવ્યાંગતા વિભાગમાં કુલ 485 ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં 22 થ
રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે વ્યારા સર્કિટ હાઉસ ખાતે 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન - ગ્રામીણ: વી.બી.જી. રામજી અધિનિયમ 2025' અંગે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા પસાર
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકામાં પત્નીની હત્યા કરવા બદલ પતિને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં વઘઈ પોલીસે સઘન તપાસ કરી હતી, જેના પરિણામે આશરે સાડા પાંચ વર્ષની કાનૂની લડત બાદ ન્યાય મળ્યો છે. આ ઘટના 21 સપ્ટેમ્બર, 2020ના રોજ બની હતી. મમતાબેન ચૌધરીના પિતા મંગળભાઈ ચૌધરીએ તેમની દ
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાં આવેલા સુદર્શન સેતુ પર થોડા દિવસો પૂર્વે એક બ્લેક કલરની સ્કોર્પિયો મોટરકાર દ્વારા ભયજનક સ્ટંટ કરવામાં આવ્યો હતો. આ સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયો ઓખા મરીન પોલીસના ધ્યાને આવતા, તેઓએ જી.જે. 17 સી.ઈ. 2248 નંબરની સ્કોર્પિયો મ
વડોદરા શહેર તથા આસપાસના જીલ્લાઓમાં ઘરફોડ અને વાહન ચોરી સહિતના મળીને 101 ગુનાને અંજામ આપતી સિકલીગર ગેંગના રીઢા આરોપીઓની સંગઠીત ગેંગ સામે ગુજસીટોકની ફરિયાદ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં 8 આરોપી પૈકી 5 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી
પાટડીમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પાસેથી એક નિવૃત્ત તલાટીના રૂ. 85,000 રોકડા ભરેલી થેલીની ચોરી થઈ હતી. ધોળા દિવસે બનેલી આ ઘટના બાદ પાટડી પોલીસે વિવિધ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. આ ઘટના બુધવારે બપોરના સમયે બની હતી. પાટડી તાલુકાના ગવાણા ગામના 65 વર્ષીય નિવૃત્ત તલાટી કે.જ
સાંસદ પૂનમબેન માડમે 'વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) VB-G RAM-G' યોજના વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજના ગ્રામીણ ગરીબો અને શ્રમિકોને વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા પ્રદાન કરશે. આ યોજના સંસદમાં પસાર કરવા
ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41માં જન્મદિવસની ઉજવણી પરંપરાગત શુભેચ્છાઓથી આગળ વધી એક પ્રેરણાદાયી સામાજિક અભિયાન બની. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં અંગદાન અંગે લોકજાગૃતિ ફેલાવવાના હેતુથી ‘અંગદાન મહાદાન’ અંકિત 5,441 પતંગોનું વિદ્યાર્થીઓન
પાટણ કલેક્ટર કચેરીના ન્યૂ કોન્ફરન્સ હોલ ખાતે પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાજેતરમાં સંસદમાં પસાર કરાયેલા વીબી-જી રામ જી અધિનિયમ, 2025 હેઠળ ગ્રામીણ પરિવારો માટે રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ ક
પાટણ સાયબર ક્રાઈમ પોલીસે શેરબજારમાં રોકાણના નામે રૂ. 10.31 લાખની છેતરપિંડી આચરનાર એક આરોપીને પોરબંદરથી ઝડપી પાડ્યો છે. આ કેસમાં વધુ નફો કમાવવાની લાલચ આપી ફરિયાદી પાસેથી મોટી રકમ પડાવી લેવામાં આવી હતી. ફરિયાદીને 07/11/2025 ના રોજ વિવેક શર્મા નામના શખ્સે ફોન કરીને શેર માર્કેટ ટ્રેડિં
ખંભાળિયા વિસ્તારમાં તાજેતરમાં ઝડપાયેલા ગૌમાંસ પ્રકરણમાં સંડોવાયેલા પાંચ આરોપીઓ સામે એલસીબી પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ તમામ શખ્સોને પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં ગૌહત્યા અને ગૌમાંસના ખરીદ-વેચાણનો ખુલા
સંસદના શીતકાલિન સત્રમાં 'વિકસીત ભારત-રોજગાર ગેરંટી અને આજીવિકા મિશન (ગ્રામીણ) જી રામ જી' બિલ વિપક્ષના વિરોધ વચ્ચે પસાર થયું છે. આ નવા અધિનિયમ હેઠળ, ગ્રામીણ પ્રજાને મળતી રોજગારની ગેરંટી 100 દિવસથી વધારીને 125 દિવસ કરવામાં આવી છે, જે દેશના ગ્રામીણ વિસ્તારોમાં રહેતા પરિવારોને સીધો
ડિસેમ્બર 2025ની એ ઠંડી રાત હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ ભવનમાં માદુરો અને તેમનાં પત્ની ઊંઘતાં હતાં. બરાબર એ જ સમયે અમેરિકાની સેના ત્રાટકી. આંતરરાષ્ટ્રીય કાયદાને લાત મારી, કોઈપણ લડાઈ વગર, એક દેશના રાષ્ટ્રપતિ અને તેમનાં પત્નીને બેડરૂમમાંથી ઊઠાવી લીધાં. અમેરિકાએ કહી દીધું છે કે
પાલેજ પોલીસે યુનાઇટેડ કિંગડમ (યુ.કે.) જવા માટે ખોટા લગ્ન તથા છુટાછેડાના દસ્તાવેજો તૈયાર કરી કબૂતરબાજી કરાતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કરી વકીલ સહિત ચાર સાગરીતો સામે ગુનો દાખલ કર્યો છે. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરી હતી. પા
બોમ્બે મેટલ પ્રાથમિક શાળામાં 6 જાન્યુઆરી, 2026 ના રોજ ધોરણ 8 ના 70 વિદ્યાર્થીઓને તિથિ ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજનમાં દાળભાત, પૂરી, શાક, પાપડ અને મોહનથાળનો સમાવેશ થતો હતો. ધોરણ 8 ના તમામ બાળકોએ આ તિથિ ભોજનનો ઉત્સાહપૂર્વક આનંદ માણ્યો હતો. તેમણે દાતાનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
અંબાજી ખાતે આગામી 30 જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી 2026 દરમિયાન ત્રણ દિવસીય 'શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2026'નું આયોજન કરવામાં આવશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. મહોત્સવના સુચ
ગાંધીનગરમાં ગુજરાતની ટેકનોલોજી શક્તિને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર રજૂ કરવા માટે FITAG Tech Expo 2026નું આયોજન થવા જઈ રહ્યું છે. ફેડરેશન ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એસોસિએશન્સ ઓફ ગુજરાત (FITAG) દ્વારા યોજાનારો આ ભવ્ય ટેક એક્સ્પો 9 અને 10 જાન્યુઆરી, 2026ના રોજ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર, ગા
અમદાવાદ સ્થિત રાહી ફાઉન્ડેશન દ્વારા મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની કામલી પ્રાથમિક શાળાના 127 જરૂરિયાતમંદ બાળકોને ગરમ સ્વેટર ભેટ આપવામાં આવ્યા હતા. આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોને શિયાળાની ઠંડીથી રક્ષણ પૂરું પાડવાનો છે. સ્વેટર વિતરણની સાથે બાળકોને બિસ્કિટ પેકેટ પણ આપવામાં આવ્
કહેવાય છે કે જેણે સંઘર્ષના કડવા ઘૂંટડા પીધા હોય, તેને જ બીજાના દુઃખની સાચી સમજ હોય છે. સુરતના રાંદેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આગામી સમૂહ લગ્ન આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ પૂરું પાડશે. આ ભવ્ય આયોજનના મુખ્ય દાતા રણછોડભાઈ ગોકુળભાઈ ભડિયાદ્રા (દાજી) છે,
અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલી સંસ્કાર વિદ્યામંદિર સ્કૂલમાં ચાઈના દોરીના ઉપયોગ પર પ્રતિબંધ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો. દરિયાપુર પોલીસ સ્ટેશનની SHE ટીમ દ્વારા વિદ્યાર્થીઓને ચાઈના દોરીનો ઉપયોગ ન કરવા અને પક્ષીઓનું રક્ષણ કરવા માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હત
વલસાડ જિલ્લામાં પ્રથમવાર સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ પરિષદનો મુખ્ય હેતુ ગ્રામ્ય કક્ષાએ આરોગ્યલક્ષી સમસ્યાઓ શોધી તેનું નિરાકરણ લાવવાનો હતો. આ પરિષદ રાજ્ય સરકારના આરોગ્
સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીના BCAના વિદ્યાર્થીઓએ તાજેતરમાં સામાજિક કલ્યાણ માટે કાર્યરત ટ્રેસના ફાઉન્ડેશન એનજીઓ સાથે મળીને ખેડા જિલ્લાના ગામડાઓમાં એક સમુદાય આઉટરીચ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ અને સમુદાય જ
8 ડિસેમ્બર, 2025ના રોજ ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં કામ કરતા કુલ 8 જેટલા ડ્રાઇવર અને કંડક્ટરો સામે પ્રોહિબિશન ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં એક ડ્રાઇવરે ભાવનગર સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. જો કે તેને નકારી દેવ
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત 'સ્ટેમ ક્વિઝ 4.0' અરવલ્લી જિલ્લામાં સફળતાપૂર્વક યોજાઈ હતી. મ.લા. ગાંધી કોલેજ કેમ્પસ સ્થિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લી દ્વારા આ ક્વિઝનું સંચાલન કરવામાં આવ્યું
બોટાદ જિલ્લાના સરવઈ ગામમાં વર્ષ 2011ના રાજુ પરમાર અપહરણ અને હત્યા કેસમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (SPP)ની નિમણૂક કરવામાં આવી છે. બોટાદના આર.સી. પ્રજાપતિને આ કેસમાં SPP તરીકે નિયુક્ત કરાયા છે. આ નિમણૂક મૃતકના પરિવારજનો અને અનુસૂચિત સમાજ દ્વારા છેલ્લા 13 દિવસથી ચાલી રહેલા ઉપવાસ
રાજકોટમાં કટારીયા ચોકડી પાસે આવેલા મોદીનગર વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે રહેતા મહિલાના ઘર ઉપર પથ્થરમારો કરી દંપતીને જાનથી મારી નાખવા ધમકી આપતા યુનિવર્સિટી પોલીસે રાયોટીંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટીટોદણ મોતીપુરા ગામે ખેત મજૂરી કરતા એક શ્રમિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજતા ચકચાર મચી ગઈ છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે ઝટકા મશીનના વાયરની ચોરીની શંકા રાખી બે શખ્સોએ કરેલા હુમલામાં તેના ભાઈનું મોત થયું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળ
કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતિક સમાન સોમનાથ મહાદેવ મંદિર આજે માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું, પરંતુ તે ભારતના સ્વાભિમાન, સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતિક બની ગયું છે. હજારો વર્ષના આક્રમણો, વિનાશ અને સંઘર્ષ બાદ પણ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે અડીખમ ઉભેલું સોમનાથ આજે વિશ્
રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ ટ્રેડમાં 125 જેટલા એપ્રેન્ટીસોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. વિભાગીય નિયામક હિમાંશુ જોષીના જણાવ્યા અનુસાર, ડિઝલ મિકેનિક, મોટર મિકેનિક, વેલ્ડર, ઈલેકટ્રીશ્યન, ફીટર અને કોપા જેવી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. રસ ધરાવતા ઉમેદવારોએ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હેગડેવાર વસાહતમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે થયેલી તકરારે હિંસક વળાંક લીધો છે. પતંગની દોરી ખેંચવા બાબતે થયેલા વિવાદમાં ચાર શખસોએ ભેગા મળી એક યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં ચ
ગુજરાતમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યને મોટી ભેટ મળી છે. કેન્દ્ર સરકારના સેન્ટ્રલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ (CIRF)માંથી રાજ્ય સરકાર હસ્તકના માર્ગોના કુલ 41 કામો માટે રૂ.1078.13 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ રકમથી રાજ્યભરમાં 564.57 કિલોમીટર લંબાઈના રસ્તાઓના વ
રાજ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP)ના અમલને વધુ અસરકારક બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. કોલેજ અને યુનિવર્સિટીઓ માટે એકસરખો અભ્યાસક્રમ અને ક્રેડિટ સિસ્ટમ તૈયાર કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ કમિટીની રચના કરવામાં આવી છે. અલગ-અલગ યુનિવર્સિટીઓમ
કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવેલા 'વિકસિત ભારત-રોજગાર અને આજીવિકા મિશન એટલે કે 'જી-રામ-જી' બિલ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મય
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના સેગવા ગામ પાસેથી પસાર થતું લોખંડના સળિયા ભરેલું એક ટ્રેક્ટર અનિયંત્રિત થઈને કુણ નદીમાં ખાબક્યું હતું. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ, ટ્રેક્ટર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રેક્ટર પુલ પરથી પલટી મારીને નીચે નદ
રાજકોટ ખાતે આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) સૌરાષ્ટ્ર-કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ આપશે. આ કોન્ફરન્સમાં અમરેલીની 'વેદાસ્તિકા' બ્રાન્ડની સફળતાની ગાથા રજૂ કરવામાં આવશે. સરકારી સહાયથી શરૂ થયેલી આ કંપનીનું વાર્ષિક ટર્નઓવર આજે રૂ
પાટણના એક પોલીસ કર્મચારીના મૃત્યુ બાદ તેમના પત્ની દ્વારા કરાયેલો વીમા ક્લેમ ગ્રાહક કોર્ટે નામંજૂર કર્યો છે. વીમા કંપનીએ અગાઉ આ ક્લેમ રદ કર્યો હતો, જેને ગ્રાહક કોર્ટે પણ માન્ય રાખ્યો છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે પોલીસકર્મીએ વીમા પોલિસી લેતી વખતે પોતાની લીવરની બીમ
પાટનગર ગાંધીનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ટાઇફોઇડના કેસોમાં સતત વધારો થતા મ્યુનિસિપલ કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આજે વધુ 9 નવા કેસ નોંધાતા મનપાના ચોપડે ટાઇફોઇડના કુલ દર્દીઓની સંખ્યા 153 પર પહોંચી ગઈ છે. હાલમાં 84 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે અત
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક ગુપ્તાએ આજે ઉચ્ચ અધિકારીઓ સાથે અમદાવાદથી પાલનપુર રેલવે સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે રેલવે ટ્રેક, બ્રિજ અને લેવલ ક્રોસિંગની સુરક્ષાની ઝીણવટભરી તપાસ કરી આગામી સમયમાં મુસાફરોની સુવિધા અને કનેક્ટિવિટી વ
દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાં ચકચારી બનેલા ચેક રિટર્ન કેસમાં આજે મહે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના થાળા ગામના પૂર્વ સરપંચ અને આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા રાજેશ ડામોરને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન
પાટણના હરિ સેવા પરિવાર દ્વારા મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે શિવ મહાપુરાણ કથા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કથા મહાકાલેશ્વર દાદાના સાનિધ્યમાં યોજાઈ હતી.પાટણના કથાકાર શાસ્ત્રી દિલીપભાઈ આચાર્યએ શિવ મહાપુરાણ કથાનું રસપાન કરાવ્યું હતું. તેમણે ભાવિકોને શિવભક્તિમાં લી
દિવ્ય ભાસ્કર એપ દ્વારા આજથી અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા માટે અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ગુજરાતની શાળાઓમાં ચિત્ર, સંગીત અને વ્યાયામ વિષયોના શિક્ષકોની કાયમી ભરતી થવાના અણસાર આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં છેલ્લા દોઢ દાયકાથી પેન્ડિંગ રહેલો કાયમી ભરતીનો પ્રશ્ન હવે ઉકેલાય તેવી શક્યતા છે. રાજકીય પક્ષો અને ધારાસભ્યો સહિતની સતત રજૂઆતો અને નોકરીવ
ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જ
ગાંધીનગર અને ઇન્દોરમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળ્યો હોવાને પગલે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં તકેદારીના પગલાં લેવાનું શરૂ કર્યું છે. આજે ફતેપુરા અને વારસિયા વિસ્તારમાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અનેક સ્થળોએથી
જૂનાગઢ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની મીલીભગતથી મોટા પાયે ખનીજ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાના સ્ફોટક આક્ષેપો ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કર્યા છે. ધારાસભ્યના જણાવ્યા મુજબ, જૂનાગઢના ચોરવાડ અને કુકસવાડા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી તિજોરીને કરો
સુરેન્દ્રનગરમાં એક નાગરિકનો રૂ. 35,000નો Apple મોબાઈલ ફોન રસ્તામાં ખોવાઈ ગયો હતો. નેત્રમ શાખાના CCTV કેમેરાની મદદથી આ ફોન શોધી કાઢી તેના મૂળ માલિકને પરત કરવામાં આવ્યો છે. આ ઘટના 3 જાન્યુઆરી, 2026ના રોજ બની હતી. સુરેન્દ્રનગરના પટેલ હોમ્સમાં રહેતા રાહુલ શાંતિલાલ માટેલ પુનમ ભરવા જઈ રહ્યા હત
સાબરકાંઠા જિલ્લામાં બુધવારે રૂ. 1.27 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આશરે 36,800 બોટલોનો આ જથ્થો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલા વિરપુર ગામની સીમમાં ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નષ્ટ કરાયો હતો. આ દારૂ સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ, હિંમતન
મોરબી-હળવદ હાઈવે પર ઘૂટું ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર પાછળ બીજા ટ્રેલરે ટક્કર મારી હતી. આ ઘટનામાં પાછળના ટ્રેલરના બોનેટનો ભૂક્કો બોલી ગયો હતો અને તેના ડ્રાઇવરને ઇજા થઈ હતી. અકસ્માત બપોરના સમયે બન્યો હતો. આગળ જઈ રહેલા ટ્રેલર પાછળ આવી રહેલા ટ્રેલરના ચાલકે
દસ વર્ષમાં સાંસદોની સંપત્તિમાં થયો ધરખમ વધારો સાંસદ પૂનમ માડમની સંપત્તિ 10 વર્ષમાં 17 કરોડથી વધીને 147 કરોડ પર પહોંચી,2014થી 2024 દરમિયાન રિપીટ થયેલા ગુજરાતના 6 સાંસદોની સંપત્તિમાં વધારો થયો છે. જો કે પાટિલની સંપત્તિમાં 47 ટકાનો ઘટાડો થયો છે.એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મના રિપો
માર્ગ સલામતી માસ 2026ની ઉજવણીના ભાગરૂપે, લુણાવાડા આઈ.ટી.આઈ. ખાતે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ એઆરટીઓ લુણાવાડા અને મહીસાગર જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે, સંસ્થાના વિદ્યાર્થીઓને રોડ સેફ્ટી અંગેની ફિલ્મ પ્
સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવતી ઘટના સામે આવી છે. શહેરના સોનલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં રહેતા અને મજૂરીકામ કરતા મહેશ ઉર્ફે રાજા બિહારી નામના યુવક પર 7થી 8 શખસોએ પાઇપ અને ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં ક
રાજકોટ અને મોરબી પંથકમાં ચકચારી બનેલા સાહિલ માજોઠીના કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. યુક્રેનની જેલમાં કેદ બનેલા મોરબીના યુવક સાહિલ માજોઠીને ભારત પરત લાવવા માટે તેના પરિવાર દ્વારા લાંબા સમયથી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ મામલે સાહિલના માતા હસીનાબેન માજોઠીએ આજે રાજકોટ ખા
આજના અત્યાધુનિક ટેકનોલોજી અને ભૌતિક સુવિધાઓથી સજ્જ યુગમાં માનવી સાધનો પાછળ દોડી રહ્યો છે, પરંતુ આ દોડમાં તે આંતરિક શાંતિ અને કૌટુંબિક મૂલ્યો ગુમાવી રહ્યો છે. સમાજમાં વધતો જતો તણાવ, તૂટતા પરિવારો અને મૂલ્યોના હ્રાસ વચ્ચે માનવ જીવનને સાચી દિશા આપવા માટે BAPS સ્વામિનારાયણ સંસ્
મહીસાગર સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનો માટે ગોલ્ડન તથા સિલ્વર નંબર સીરીઝની ઓનલાઈન હરાજી શરૂ કરવામાં આવશે. આ હરાજીમાં ટુ-વ્હીલર માટે GJ-35-BB સીરીઝના તમામ નંબર અને ફોર-વ્હીલર માટે GJ-35-N તથા GJ-35-AA જૂની સીરીઝના ગોલ્ડન અને સિલ્વર નંબર ઉપલબ્ધ રહ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આદેશ બાદ આણંદમાં નવા બસ રૂટ શરૂ કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ વચ્ચે નવી લોકલ બસ સેવા શરૂ કરાઈ છે. આ રૂટનું ઉદ્ઘાટન આણંદના ધારાસભ્ય અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપીને કરવામાં આવ્યું હતું. ગતરોજ નાયબ મ
રાજકોટ–અમદાવાદ નેશનલ હાઇવે પર માલિયાસણ ગામ નજીક શહેરની સીમા પાસે નિર્માણ પામી રહેલું ટોલ પ્લાઝા દૈનિક 50 હજાર જેટલા વાહન ચાલકો માટે આર્થિક બોજ બનવાની સાથે પારાવાર ટ્રાફિક સમસ્યાનું નિર્માણ થશે તેવી ભીતિ સાથે સૌરાષ્ટ્ર કોંગ્રેસ પ્રવક્તા દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી અને સ્
સામાન્ય રીતે પોલીસ વિભાગમાં એવું કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, કાયદાના હાથ તેના સુધી પહોંચી જ જાય છે. પરંતુ આ હાથોને ગુનેગારના કોલર સુધી પહોંચાડવા માટે જે 'બાજ નજર' અને 'નેટવર્ક' જોઈએ, તેનું જીવંત ઉદાહરણ એટલે વડોદરા ક્રાઈમ બ્રાંચના એએસઆઈ (ASI) જ્ઞાનેશ્વર પાટીલ. 37 વર્ષ
અમદાવાદ ગ્રામ્ય પોલીસના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 19 પોલીસ ઈન્સપેક્ટર અને 41 પોલીસ સબ ઈન્સપેક્ટરની કરાયેલી બદલી પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બની છે. મોટાભાગના અધિકારીઓ એક જ સ્થળ પર લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોય બદલી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામ્ય પોલ
ગોધરા શહેરમાં મેસરી નદી કાંઠે ચાલતા આંકડાના જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ દરોડામાં 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી અને ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ કેસમાં 11 ફરાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. ગોધરા શહેર વિસ્તારમાં ગેરકાયદ
ગોધરા શહેરના રામનગર સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના હૉલમાં પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાનો સંયુક્ત ક્લસ્ટર કક્ષાનો ઔદ્યોગિક રોજગાર ભરતીમેળો યોજાયો હતો. રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આવતીકાલથી ‘ઓલ ગુજરાત ઇન્ટર-કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓની કમિશનર અને મેયર ઇલેવન ની ટીમો વચ્ચે રસાકસીભર્યા મુકાબલા રમાઈ રહ્યા છે, આજે ટુર્નામેન્ટના બ
જૂનાગઢના ચોબારી રેલવે ફાટક પાસે આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. હાઈસ્પીડ વંદે ભારત ટ્રેન પસાર થવાની હતી ત્યારે જ એક બેફામ પીકઅપ વાહન ચાલકે બંધ ફાટકને ટક્કર મારી તોડી નાખ્યું હતું. જોકે, ફાટક પર ફરજ પર તૈનાત રેલવે કર્મચારીએ જરા પણ ગભરાયા વગર અત્યંત સમયસૂચકતા વાપરીને વૈ
જૂનાગઢ પોલીસને એક મોટી સફળતા મળી છે. છેલ્લા ઘણા સમયથી પોલીસને થાપ આપી ફરાર રહેલા અને ગુજસીટોક (GCTOC) જેવા ગંભીર કાયદા હેઠળ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે રાજ્ય બહાર આશરો લઈ રહ્યો
ગોધરા શહેરમાં બસ સ્ટેન્ડ ખસેડવામાં આવતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મામલે અખિલ ભારત હિન્દુ મહાસભાએ વિભાગીય પરિવહન અધિક્ષકને પત્ર લખી તાત્કાલિક ધોરણે વિદ્યાર્થીઓ માટે સ્પેશિયલ સીટી બસ શરૂ કરવાની માંગ કરી છે. શહેરમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજન
પાટણ જિલ્લા બિલ્ડર એસોસિએશને શહેરની બહેરા-મુંગા શાળા ખાતે અભ્યાસ કરતા બાળકો માટે કચરિયા વિતરણ કાર્યક્રમ યોજ્યો હતો. શિયાળાની ઋતુમાં બાળકોને પૌષ્ટિક આહાર મળે અને સામાજિક જવાબદારીના ભાગરૂપે સંસ્થાના બાળકો સાથે જોડાણ થાય તે હેતુથી આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે પ્રમુખ નીલ
શહેરના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી GLS યુનિવર્સિટી એક નવા વિવાદમાં ફસાઈ છે. યુનિવર્સિટી કેમ્પસની કેન્ટીનમાં ફક્ત વેજિટેરિયન ફૂડ જ આપવામાં આવે છે તેવું બોર્ડ લગાવવામાં આવ્યું હોવા છતાં અંદરખાને ઈંડા સહિતની નોનવેજ વસ્તુઓ વેચાતી હોવાનો આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીઓની ફરિયાદ

25 C