સાવરકુંડલા તાલુકાના મઢડા ગામે વહેલી સવારે એક સાવજે ત્રણ ઘેટાનું મારણ કર્યું છે. આ ઘટનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે. મળતી માહિતી મુજબ, આ હુમલો બાબુભાઈ શામજીભાઈ સોલંકીના ઘેટાના વાડામાં થયો હતો. સાવજે તેમના ત્રણ ઘેટાને શિકાર બનાવ્યા હતા. સાવજના આ હુમલાથી પશુપાલકો અને ગ
ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27 માટે રૂ. 4 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું છે. આ બજેટમાં ભરૂચ જિલ્લાને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ દ્વારા નોંધપાત્ર ફાયદો થશે તેવું નિષ્ણાતોનું આંકલન છે. સીએ વૃંદા વખારિયા (ચેરપર્સન, ICAI ભરૂચ બ્રાન્ચ – WIRC) એ આ બજેટને ભરૂચ માટે ઐતિહાસિક ગણાવ્યું છે. વર
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટને અમરેલી જિલ્લામાં વ્યાપક આવકાર મળ્યો છે. મહિલાઓ, નાના ખેડૂતો અને હસ્તકલા ઉદ્યોગને અપાયેલા પ્રાધાન્યને કારણે સ્થાનિક નાગરિકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. અમરેલીના આગેવાનો, વેપારીઓ અને ખેડૂતોએ આ બજેટને આવકારીને પોતાની પ્રતિ
વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના પૌરાણિક મહત્વ ધરાવતા માલસર ગામમાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય લેવાયો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામા અનુસાર, માલસર-અશા બ્રિજની ડાબી બાજુ માલસર ગામની હદ પૂર્ણ ન થાય ત્યાં સુધીનો રસ્તો ભાર
રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે વર્ષ 2026-27 માટે ગુજરાતનું અંદાજપત્ર રજૂ કર્યું છે. આ અંદાજપત્રની પોથી પર છેલ્લા ચાર વર્ષથી વારલી ચિત્રકલાને સ્થાન આપવાની પરંપરા છે.આ વર્ષે બજેટ પોથી પર આદિવાસીઓના દેવી કંસરી દેવીનું વારલી ચિત્ર દર્શાવવામાં આવ્યું છે. આદિવાસી સમાજમાં કં
ઉમરપાડા તાલુકાના વાડી ગામમાંથી 20 વર્ષીય યુવતી ગુમ થઈ ગઈ છે. આ મામલે ઉમરપાડા પોલીસે ગુમનોંધ દાખલ કરીને યુવતીની શોધખોળ શરૂ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વાડીની પ્રિયા ચૌધરી( નામ બદલેલ છે) ગામમાં આવેલી દૂધ મંડળી ખાતે હાજર હતી.દૂધ મંડળીમાંથી નીકળ્યા બાદ પ્રિયાબેન ઘરે પરત ફર્યા
સુરતના ડીંડોલી વિસ્તારમાં બનેલી એક ચોંકાવનારી ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે. માત્ર સીટી બસમાંથી ઉતરવા જેવી નજીવી બાબતે બે વ્યક્તિઓ વચ્ચે લોહીલુહાણ જંગ ખેલાયો હતો. જેમાં એકબીજા પર માથામાં પથ્થર અને ઈંટ મારતાં વીડિયોમાં જોવા મળ્યા હતાં. પરંતુ આશ્ચર્યની વાત એ હતી કે, ત્
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 17 અને 18 ફેબ્રુઆરી 2026ના રોજ VNSGU ખાતે વાર્ષિક ‘રમતોત્સવ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાના બાળકોમાં ખેલદિલીની ભાવના જાગૃત થાય અને તેમની રમતગમતની શક્તિ ખીલે તેવા ઉમદા હેતુથી આ દ્વિ-દિવસીય કાર્યક્રમ યોજાયો હતો. આજે 18/02/2026ના રોજ 528 થી વધ
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાની નાથવાસ પીએમશ્રી પ્રાથમિક શાળામાં JSW એનર્જી સોલાર કંપની દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક પેઇન્ટિંગ્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પેઇન્ટિંગ્સ નાના બાળકોના અભ્યાસમાં ખાસ મદદરૂપ થવા માટે બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ અરવલ્લી જિલ્લા કલેક્
મૂળ જંબુસરના વતની અને હાલ મુંબઈમાં રહેતા મેહુલભાઈ તથા માતા ચેતનાબેનના સુપુત્ર વૈભવભાઈ 19 ફેબ્રુઆરી, 2026ના રોજ દીક્ષા ગ્રહણ કરશે. મુંબઈના થાણા ખાતે ગચ્છાધિપતિ શ્રુતભાસ્કર આચાર્ય ધર્મધુરંધર સુરીશ્વરજી મ.સા.ના હસ્તે તેઓ સંયમ માર્ગે પ્રયાણ કરશે. આ તેમના પરિવારની નવમી દીક્ષા છે
આણંદ શહેરમાં તબીબી બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પથરીના ઓપરેશન બાદ પણ દર્દીને રાહત ન મળતા, અન્ય હોસ્પિટલમાં તપાસ કરાવતા પથરી દૂર જ ન થઈ હોવાનું બહાર આવ્યું છે. આ મામલે દર્દીએ આણંદ પોલીસ અને મેડિકલ કાઉન્સિલમાં લેખિત ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે. આણંદન
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંચ્છાનિધિ પાનીના દૂરદર્શી નેતૃત્વ હેઠળ શહેરમાં હેલ્થકેર ઇનોવેશન અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. 17 ફેબ્રુઆરી 2026ના રોજ AMC NHL મેડિકલ કોલેજ ખાતે 'હેલ્થકેર ઇનોવેશન અને ટ્રાન્સલેશનલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ' વિષ
ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) ગ્રામ્ય વિસ્તારોમાં સ્માર્ટ મીટર અંગેની ગેરસમજો દૂર કરવા ડોર-ટુ-ડોર અભિયાન ચલાવી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ સ્માર્ટ મીટરના ફાયદાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. આ અભિયાનના ભાગરૂપે, બુધવારે પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે GEBના ફિલ્ડ સપોર્ટ એન્જિનિયર મુકે
અમદાવાદના ભદ્ર વિસ્તારમાંથી પાથરણા વાળાઓને દૂર કરવાના વિવાદમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે (18 ફેબ્રુઆરી) ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજની બેન્ચ સમક્ષ લંબાણપૂર્વકની સુનાવણી હાથ ધરાઇ હતી. આજની સુનાવણીમાં કોર્ટમાં મોટાપાયે પાથરણાં વાળા હાજર રહ્યા હતા. 2014માં દાખલ થયેલી આ જાહેર
મોરબીમાં સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપડીયાની બીજી પુણ્યતિથિ નિમિત્તે નિઃશુલ્ક નિદાન અને દવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 25 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરે 2 થી 5 દરમિયાન શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે.આ આરોગ્યલક્ષી સેવાકીય કાર્યક્રમમાં વિવિધ વિભાગો
નવસારી શહેરમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા કાન્તીલાલ પટેલે દરજી જ્ઞાતિ સેવા મંડળના ચાર હોદ્દેદારો સામે વિશ્વાસઘાત અને રૂ. 38.64 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. સમાજની વાડીનું બાંધકામ પૂર્ણ થયા બાદ બાકી નીકળતી રકમ અને ડિપોઝિટના નાણાં પરત ન આપી હોદ્દેદારોએ બ
અંકલેશ્વરના અંદાડા ગામના બોરિંગ ચોક વિસ્તારમાંથી ધોળા દિવસે 4 બકરાની ચોરી કરી કારમાં ફરાર થઈ ગયેલા એક આરોપીને પોલીસે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પરથી ઝડપી પાડ્યો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચોરીના બકરા સુરત ખાતે વેચવા અમદાવાદ પાસિંગની હ્યુન્ડાઈ i20 કારમાં જઈ રહ
મોડાસા: શ્રી ઉમા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓ દ્વારા 18 ફેબ્રુઆરીના રોજ વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય કાર્યક્રમ એચ. એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય, સંતશ્રી નથુરામબાપા સરસ્વતી પ્રાથમિક વિભાગ, જે. એચ. કે. પટેલ સરસ્વતી શિશુ વિહાર અને શ્રી સરસ્વતી ઈંગ્લીશ મીડિ
મોડાસાના દાવલી ખાતે ખરાબ રસ્તાઓના મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રતીક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજાયો હતો. રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં પાકા રસ્તાઓના દાવા કરી રહી છે, ત્યારે હજુ પણ કેટલાક ગામોમાં રસ્તાઓની હાલત બિસમાર છે. આ કાર્યક્રમ રસ્તાઓના સમારકામ અથવા નવા નિર્માણની માં
જૂનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રીના મેળા દરમિયાન મૃગીકુંડમાં સ્નાન કરવાના મામલે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ હવે બેવડાઈ છે. ગઈકાલે પોલીસની ફરજમાં રુકાવટ કરવા બદલ ગુનો નોંધાયા બાદ આજે ફરી એકવાર કીર્તિ પટેલ વિરુદ્ધ વધુ એક ફરિયાદ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આજે 6 વાહનોની હરાજી યોજાઈ હતી. પશુ ચોરીના કેસમાં જપ્ત કરાયેલા આ વાહનોમાંથી 3 વાહનોનું ₹8.95 લાખમાં વેચાણ થયું હતું. આ હરાજી હિંમતનગર ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. બુધવારે બપોરે શરૂ થયેલી
ગીર સોમનાથ પોલીસે પ્રભાસ પાટણના એન.ડી.પી.એસ. ગુનામાં લાંબા સમયથી ફરાર મુખ્ય આરોપી રજાક હાજીભાઇ ચૌહાણની ધરપકડ કરી છે. કોડીનાર-ઉના હાઈવે પરથી ટેકનિકલ એનાલિસિસ અને માનવ સ્રોતોના આધારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. જિલ્લામાં ગાંજો, ચરસ અને અન્ય માદક પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃ
પાટણ તાલુકાના બાલીસણા ગામે હાઇવે પરથી પાટણ એલસીબીએ મોડી રાત્રે એક યુવાનને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી રૂ. 15,000નો મોબાઈલ ફોન અને રૂ. 3 લાખની વર્ના કાર જપ્ત કરી છે. ઝડપાયેલા યુવાનની ઓળખ ઊંઝાના ગૌરવકુમાર નટવરલાલ પટેલ તરીકે થઈ છે. તે હાલમાં ચાલી રહે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે ભરૂચના સુપ્રસિદ્ધ શુક્લતીર્થ ખાતે દ્વિદિવસીય ઉત્સવના આયોજન માટે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ ઉત્સવ 7 અને 8 માર્ચ, 2026 દરમિયાન યોજાશે. કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકની અધ્ય
આણંદ-કરમસદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગે શહેરની બે હોસ્પિટલ, સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને ₹1 લાખનો દંડ ફટકાર્યો છે. આ કાર્યવાહી આકસ્મિક ચેકિંગ દરમિયાન કરવામાં આવી હતી. તપાસ દરમિયાન, અહિંસા ચોક સ્થિત સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ પર આવે
રાજ્યમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનું સાબિત કરતો વધુ એક વીડિયો સામે આવ્યો છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન બહાર જ જાહેરમાં રસ્તા વચ્ચે બેસીને એક શખસ દેશી દારૂની પોટલી પી રહ્યો હતો. રસ્તા વચ્ચે લથડિયા ખાતા આ શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જોકે, વાઇ
વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આજવા રોડ પર આવેલા મકાનમાં રહેતા અને ડ્રાઇવરનો વ્યવસાય કરતા યુવક સાથે રૂપિયા 6.50 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે. આ મામલે બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. યુવક સાથે 6.50 લાખની ઠગાઈ આ અંગે બાપોદ પોલીસ મથકમ
આણંદ રેલવે સ્ટેશનના મુસાફરખાનામાંથી પાકીટ ચોરનાર એક શખ્સને રેલવે પોલીસે ઝડપી પાડ્યો છે. મૂળ ડાકોરના આ શખ્સે સુતેલા મુસાફરના ખિસ્સામાંથી પાકીટની ચોરી કરી હતી, જે બાદ તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વીડિયોમાં આણં
ભાવનગર એલસીબીએ શહેરના આનંદનગર વિમાના દવાખાનાની પાછળ દરોડો પાડીને 50 વારિયા, મામાના મંદિરની પાછળ જાહેરમાં હારજીતનો જુગાર રમતા 6 ગેમ્બલરોને રોકડ સહીત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં. તમામ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. જૂ
ટંકારાના કલ્યાણપર ગામે ધોળા દિવસે થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે આ ગુનામાં તે જ ગામના એક રીઢા આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂ. 25.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગત તા. ૧૪મીના રોજ સવારે ૯:૩૦ થી બપોરે ૧:૩૦ વાગ્યા દરમિયાન જયંતીલાલ ઉજરીયાનું મકાન બંધ હતું. આ સમયગાળા
ગુજરાતમાં શહેરીકરણ રોકેટગતિએ વધી રહ્યું છે. રાજ્યની લગભગ 49 ટકા વસતી હાલ શહેરોમાં વસવાટ કરી રહી છે ત્યારે સરકારે 17 મહાનગરપાલિકાઓ સહિતના શહેરોના વિકાસ પર ફોકસ કર્યું છે. આ વર્ષે જ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર-વઢવાણ, મોરબી, પોરબં
ભાવનગર શહેરના ખેડુતવાસ મેલડીમાની ધાર વિસ્તારમાં મોડી રાત્રે સામે જોઈ કાતર મારવા જેવી સામાન્ય બાબતે ઈંટ-સોડાની બોટલ વડે સામસામે મારામારી સર્જાઈ હતી. જેમાં એક પક્ષે 2 યુવાનોને તેમજ સામાં પક્ષે 3 લોકોને ઈજાઓ પહોંચી હતી, જે બાબતે બંને પક્ષોએ ઘોઘારોડ પોલીસ મથકમાં સામસામે ફરિયા
રાજકોટ મહાપાલિકામાં આજે (18 ફેબ્રુઆરી) બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જે શરૂઆતથી જ વિવાદોના વંટોળમાં ફસાઈ હતી. કોંગ્રેસના સભ્યોએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરતા બજેટને 'બિલ્ડરો અને મળતિયાઓ માટેનું બજેટ' ગણાવ્યું હતું. વિપક્ષી સભ્ય વશરામ સાગઠિયાએ બજેટમાં રજૂ કરાયેલી 14માં
મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી જૂના ઘૂટું રોડ તરફ જતા રસ્તા પર આજે મહાપાલિકાની ટીમે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીમાં રોડ સાઇડ પરથી આશરે 15 કેબીન, 15થી વધુ હોર્ડિંગ્સ, પાકી દુકાનો, ઓટલા અને છાપરા સહિતના દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા હતા. મોરબીમાં વન વોર્
પાટણ નગરપાલિકા દ્વારા વેદ ટાઉનશીપમાં દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ટાઉનશીપના પશ્ચિમ ભાગમાં આવેલા 26 જેટલા મકાનધારકોએ રસ્તાની ખુલ્લી જમીન પર ઓટલા અને ઢાળ બનાવીને દબાણ કર્યું હતું. નગરપાલિકાની ટીમે જેસીબી મશીનનો ઉપયોગ કરી આ ગેરકાયદેસર દબાણો તોડી
સરકાર જ્યારે ખેડૂતોની આવક બમણી કરવા માટે મથામણ કરી રહી છે, ત્યારે વડોદરા જિલ્લાના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની સૂઝબૂઝથી આવક બમણી નહીં પણ ત્રણ ગણી કરી બતાવી છે. વાઘોડિયા તાલુકાના ગુલાબપુરા ગામના લક્ષ્મણભાઈ ગોવર્ધનભાઈ જાદવ આજે યુવા ખેડૂતો માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ બન્યા
અમદાવાદના યુનિકોર્ન ક્રિકેટ ક્લબ ખાતે અમદાવાદ 1- સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમ દ્વારા 'ઓલ ગુજરાત આમંત્રિત સિનિયર સિટીઝન ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ ચેલેન્જર કપ 2026'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં સુરેન્દ્રનગરની જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ ટીમે ઉત્સાહ
પાટણ તાલુકાની રૂની પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વર્ષ 2025-26નો વાર્ષિકોત્સવ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેન્દ્રભાઈ મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં બાલવાટિકાથી ધોરણ 8ના 180 વિદ્યાર્થીઓએ 14 સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. આ પ્રસંગે ગ્રામજનો અને શિક્ષકો તરફથી
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી પોલીસ મથકે એક કરોડ પચ્ચીસ લાખ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાઈ છે. વારાહી એપીએમસી માર્કેટમાં જયવીર ટ્રેડર્સના માલિક પ્રવીણકુમાર જેહાભાઈ ચૌધરીએ ઊંઝા માર્કેટના એજન્ટ અમરતભાઈ જેશંગભાઈ ચૌધરી વિરુદ્ધ આ ફરિયાદ નોંધ
સુરત શહેરના પોશ ગણાતા પાર્લેપોઈન્ટ વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. અહીં આવેલી જાણીતી એક્સપેરિમેન્ટલ સ્કૂલની બહાર જ વિદ્યાર્થીઓને ઉતાર્યા બાદ એક સ્કૂલ વાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત રીતે ઉતરી ગયા હોવાથી મોટી હોનાર
નવસારીને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ પણ શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ગંદકી અને ખાડીઓની સફાઈના અભાવે નાગરિકો મચ્છરજન્ય રોગચાળાના ભય હેઠળ જીવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી ફોગિંગની કામગીરી પણ અપૂરતી સાબિત થઈ રહી છે. શહેરમાંથી પસાર થતી મુખ્ય ખાડીઓ અ
બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણાસર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીના ગુપ્ત ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો. આ કાર્યવાહીમાં બે બુટલેગરની ધરપકડ કરવામાં આવી છ
વલસાડ જિલ્લા અને સત્ર અદાલતને 17 ફેબ્રુઆરીના રોજ બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. અજાણ્યા શખસે કોર્ટના સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર સંદેશ મોકલી દાવો કર્યો હતો કે, બપોરની નમાજ પહેલા પરિસરમાં 16 વિસ્ફોટ કરવામાં આવશે. આ ધમકીને પગલે પોલીસ તંત્ર તાત્ક
મહેસાણા શહેરના જાણીતા ગાંધી કોમ્પ્લેક્સ વિસ્તારમાં આજે 18 ફેબ્રુઆરીએ એક યુવાનની લાશ મળી છે. કોમ્પ્લેક્સની એક દુકાન પાસે એક યુવાન ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક યુવાન સોમનાથ રોડ પર આવેલી વૃંદાવનપાર્
બોટાદ SOG પોલીસે મોટી વિરવા ગામમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા આ શખ્સ પાસેથી રૂ. 23,309નો દવાનો જથ્થો અને તબીબી સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનું નામ જયસુખ ગણેશ બરોલીયા છે અને તે મોટી વિરવા ગામમાં રામજી મંદિર પાસ
પાટણ શહેરના રામનગર વિસ્તારમાં એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી એક મહિલાને ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી 130.720 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹11,536નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ગાંજો સપ્લાય કરનાર મહેસાણાના શખ્
મુંબઈ ખાતે વેસ્ટર્ન રેલ્વેની ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટીની બેઠક મળી હતી. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સૌરાષ્ટ્રના મુસાફરોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા વેસ્ટર્ન રેલ્વેના જનરલ મેનેજર સમક્ષ રજૂઆત કરી હતી. જેમાં સૌરાષ્ટ્ર મેઈલનો સમય 6.30 વાગ્યાનો કરવામાં આવે,
ગાંધીનગરમાં બેફામ બનેલા ખનિજ માફિયાઓએ વધુ એક વખત હત્યાનાં ઇરાદે સરકારી ફરજ પરના અધિકારીઓ પર ડમ્પર ચઢાવી દેવાનો પ્રયાસ કરાયો હોવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પિપળજ ચેકપોસ્ટ પર સાદી રેતી ભરેલા ડમ્પરને રોકવા ગયેલા ખાણ ખનિજ વિભાગના મહિલા અધિકારી અને સ્ટાફ પર ડમ્પર ચ
પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મોરપા ગામે સરકારી અનાજની કાળાબજારીનું કૌભાંડ સામે આવ્યું છે. ગરીબ રેશનકાર્ડ ધારકો માટે ફાળવેલો ચોખા, તુવેરદાળ અને ચણાનો જથ્થો ગેરકાયદેસર રીતે સગેવગે કરવાના મામલે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં રેશનિંગની દુકાનના સંચાલક
વડોદરા સહિત રાજ્યભરના વિવિધ સ્થળોએ 23થી વધુ ઘરફોડ ચોરી અને લૂંટના ગુના આચરનાર રીઢા ગુનેગારને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ સાથે જ વડોદરા શહેરમાં થયેલી 2 ઘરફોડ ચોરીના બે ગુનાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. આ બંને કેસમાં તે 2 વર્ષથી નાસતો ફરતો હતો. પોલીસે આ મામલે આરોપીની પૂછપ
જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 માટેનું રૂ. 1854.10 કરોડનું અંદાજપત્ર આજે સામાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ અંદાજપત્રમાં કર-દરમાં કોઈ વધારો સૂચવવામાં આવ્યો નથી. સ્થાયી સમિતિના અધ્યક્ષ નિલેષ કગથરાએ મેયર વિનોદભાઈ ખીમસુર્યાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં બજેટ રજૂ કર્ય
અત્યારે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે યુવાનો કયા સ્તરે જઈ શકે છે તેનો એક નમૂનો સુરતમાં જોવા મળ્યો છે. સુરત પોલીસની ગુનેગારોને પાઠ ભણાવવાની પ્રચલિત 'બીફોર અને આફ્ટર' પેટર્નનો જાહેરમાં મજાક ઉડાવતો એક વીડિયો વાયરલ થયો છે. આ મામલે હવે ખાખીનો મિજાજ ગરમાયો છે અને પોલીસે આ લબરમુછ
મોડાસાની શ્રી કે.એન.શાહ હાઇસ્કૂલમાં ધોરણ 10 અને 12ના બોર્ડ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયા ઉદ્ઘાટક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના પૂર્વ વિદ્યાર્થી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધ્રુમીલ એમ. પ
સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમે જણાવ્યું છે કે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે ઉત્સાહ અત્યંત જરૂરી છે. તેમણે આ વાતને સમજાવવા માટે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ હર્બટ હુવર અને શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના ઉદાહરણો આપ્યા હતા. તેમણે હર્બટ હુવરના જીવનનો પ્રસંગ વર્ણવતા
નવસારી જિલ્લા ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત બાદ અસંતોષ ફાટી નીકળ્યો છે. જલાલપોર વિધાનસભા મતવિસ્તારની અવગણનાના આક્ષેપ સાથે રાજીનામાનો સિલસિલો યથાવત છે. અત્યાર સુધીમાં નવસારી અને જલાલપોર તાલુકાના કુલ 50 જેટલા હોદ્દેદારોએ રાજીનામાં આપ્યા છે, જેના કારણે આગામી સ્થાનિક સ્વર
સુરેન્દ્રનગરની ફિરદોષ સોસાયટીની મહિલાઓએ પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. મહિલાઓએ થાળી-વેલણ વગાડી સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે, પાણીની સમસ્યા અંગે અવારનવાર પાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે, તેમ
17 ફેબ્રુઆરીને મંગળવારે નવરંગપુરામાં આવેલી ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. અજાણ્યા શખસે ઇમેલ દ્વારા કોર્ટમાં 19 વિસ્ફોટ થશે તેવો ઇમેલ કર્યો હતો, જેને લઈને પોલીસ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી. જોકે આ ઇમેલ ખોટો હોવાનો સાબિત થયો હતો. આ અંગે સાયબર ક્રાઈમે ઇમેલ કરન
અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન એક તરફ ટ્રાફિકની સમસ્યા વધી રહી છે તો બીજી તરફ સમસ્યા દૂર કરવાની જગ્યાએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા હોય એવી સ્થિતિ જોવા મળી છે. સાબરમતી રિવરફ્રન્ટ પશ્ચિમ તરફના રોડ પર ડબલ ડેકર AMTS બસ શરૂ કરવાનો નિ
બનાસકાંઠા જિલ્લામાં 26 ફેબ્રુઆરીથી HSC અને SSCની બોર્ડ પરીક્ષાઓ શરૂ થશે. આ પરીક્ષાઓના સુચારુ અને શાંતિપૂર્ણ આયોજન માટે જિલ્લા પોલીસે વ્યાપક સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. જિલ્લામાં કુલ 212 પરીક્ષા કેન્દ્રો પર પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવશે. દરેક કેન્દ્ર પર એક પુરુષ પોલીસકર્મી,
રાજકોટના પ્રથમ નાગરિક એટલે કે મેયર નયનાબેન પેઢડિયાના પતિ દ્વારા સંત કબીર રોડ જેવા વ્યસ્ત વિસ્તારમાં નિયમોને નેવે મૂકીને કરવામાં આવી રહેલા ગેરકાયદેસર બાંધકામનો મામલો હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટ મનપામાં સત્તાધારી પક્ષના સર્વોચ્ચ પદ પર બિરાજમાન મેયરના પરિવાર સામે જ
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના ભાજપના કાઉન્સિલર પરાક્રમસિંહ જાડેજાએ બજેટની સભામાં જ હવેથી તેઓ ચૂંટણી નહીં લડે તેવી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. પરાક્રમસિંહ જાડેજા છેલ્લા દસ વર્ષથી ભાજપના કાઉન્સિલર છે. તેઓએ હવે નવા કાર્યકરને તક મળવી જોઈએ તેમ જણાવી પોતે
પોરબંદરના બોખીરા ગામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અહીં સરકારી અને મહાનગરપાલિકાની કુલ 20,785 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત ₹10 થી 11 કરોડ આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં સર્વે નંબર 817 હેઠળની 8,285 ચોરસ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાંથી ગુમ થયેલી ચાર સગી બહેનો ઉત્તર પ્રદેશના નોઈડા શહેરમાંથી મળી આવી છે. ગઢડા પોલીસની એક ટીમ તેમને પરત લાવવા માટે નોઈડા પહોંચી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઘટના ગત 15 ફેબ્રુઆરીના રોજ બની હતી, જ્યારે બે મોટી બહેનો તેમની બે નાની બહેનો સાથે
સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનની ટીમે એક મોટી કાર્યવાહી કરતા હજીરા-સાયણ હાઈવે પર આવેલી એક હોટેલમાંથી પ્રતિબંધિત નશાકારક પદાર્થ પોશ ડોડા (પોપીસ્ટ્રો) ના જથ્થા સાથે પિતા અને પુત્રની ધરપકડ કરી છે. હોટલના વ્યવસાયની આડમાં ચાલતા આ કાળા કારોબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. હોટલની આ
ડીંડોલી પોલીસે નવાગામ વિસ્તારમાંથી એક શખસને નશીલા પદાર્થો સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી રેલવે લાઇન જેવા જાહેર સ્થળનો ઉપયોગ કરીને યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું કામ કરતો હતો, જેને હવે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. રેલવે લાઇન પાસે જાહેરમાં ચાલતું હ
બ્રાઝિલમાં 99 વર્ષથી યોજાતી ગૌ વંશ સંવર્ધન પ્રદર્શીની અને ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૌ આધારિત વસ્તુઓની પ્રદર્શની યોજવાની હાંકલ બાદ આંતરરાષ્ટ્રીય ફેડરેશન IFIZCI દ્વારા એશિયાનો સૌથી મોટો અને ભારત દેશનો પ્રથમ ઇન્ડિયન કેટલ શો રાજકોટના રેસકોર્સ મેદાનમાં 20 થી 22 ફેબ્રુ
અમેરિકા રહેતી મહિલાને સુરતમાં જી-3 શો રૂમનાં સેલ્સમેને પ્રેમજાળમાં ફસાવી હતી. તેણીને સાઉદી અરેબિયા બોલાવી ધર્મ પરિવર્તન કરાવ્યા બાદ અમેરિકા જવાના ઇરાદે ઓનલાઇન લગ્ન પણ કર્યા હતાં. જો કે, અમેરિકાનાં વિઝા નહીં મળતાં આ સેલ્સમેને તેણી પાસેથી 60 લાખ રૂપિયા, 18 તોલા સોનાના દાગીના અન
આગામી 27 ફેબ્રુઆરીના રોજ યોજાનારી મહેસાણા જિલ્લા પંચાયતની સામાન્ય સભા પૂર્વે જ વહીવટી ગતિવિધિઓ તેજ બની છે. સવાલા સીટના જિલ્લા પંચાયત સદસ્ય રાજીબેન હસમુખભાઈ ચૌધરીએ વિવિધ પડતર પ્રશ્નો અને જમીન તબદિલીના મુદ્દે જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કર
ભાવનગર તાલુકાના લાખણકા ગામે ગેરકાયદેસર રીતે રેતી ખનન અને તેને ચાળવાની પ્રવૃત્તિ થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી જેના પગલે ખાણ ખનીજ વિભાગની ટીમે આજરોજ વહેલી સવારે આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં અલગ અલગ સાત જગ્યાએ થી સાધનો સહિત 25 લાખથી વધુ નો મુદ્દામાલ ઝડપી લીધો
ગઢડામાં એક સાંખ્યયોગી બહેનને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે. ફરિયાદી 65 વર્ષીય જસુબેન કોરડિયા ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિર સામેની સાંકડી શેરીમાં રહે છે. તેમણે
મેમનગરમાં રહેતા વૃદ્ધે રાણીપમાં એક મકાન લેવા માટે મકાન માલિકને 19 લાખ રૂપિયા આપ્યા હતા. મકાન માલિકે મકાન પરની લોન પૂર્ણ કરવા માટે લીધેલા રૂપિયાથી લોન પૂર્ણ કરી નહીં અને સિનિયર સિટિઝનને 19 લાખનો ચૂનો લગાવ્યો હતો. જે અંગે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ ત
ઉદયપુર-અસારવા વંદે ભારત એક્સપ્રેસની નિયમિત સેવા આજથી શરૂ થઈ છે. આ ટ્રેન આજે સવારે 8:50 વાગ્યે હિંમતનગર રેલવે સ્ટેશન પહોંચી હતી, જે નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ વહેલી હતી. ટ્રેનમાં ઓછા મુસાફરો જોવા મળ્યા હતા, જ્યારે હિંમતનગરના લોકો ટ્રેન જોવા માટે સ્ટેશને ઉમટી પડ્યા હતા. ટ્રેન ન
હિંમતનગરના મારુતિનગર પાસે આવેલા નરનારાયણ સ્વામિનારાયણ મંદિરમાં ગઈકાલે રાત્રે લક્ષ્મીનારાયણ વસ્તીનું હિંદુ સંમેલન યોજાયું હતું. હિંદુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાને પ્રોત્સાહન આપવા તથા હિંદુ જાગરણને નવી ઊર્જા પ્રદાન કરવાના હેતુથી આ સંમેલનન
ગોધરા શહેરના વોર્ડ નંબર 2 માં આવેલી શક્તિનગર સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવાની કામગીરી દરમિયાન વિવાદ સર્જાયો હતો. સ્થાનિક રહીશ ઉષાબેન વર્માએ આક્ષેપ કર્યો છે કે, તલાટી હર્ષદભાઈએ સરકારી કામ કરી રહેલા મજૂરો પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગંગાબાઈ સ્કૂલ પાસ
બોટાદ શહેર ફરતે રિંગરોડ બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ધારાસભ્ય ઉમેશ મકવાણાની રજૂઆત બાદ આ પ્રોજેક્ટને ગતિ મળી છે. આ રિંગરોડ શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરવામાં મદદ કરશે. છેલ્લા ત્રણ વર્ષમાં બોટાદમાં વિકાસ થવાને કારણે વસ્તી અને વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો
ભાવનગર શહેરના એસટી બસ સ્ટેન્ડની બહાર મોડીરાત્રે મ્યુનિસિપાલિટીની કચરા ગાડીએ એક્ટિવા ચાલકને ટક્કર મારતાં યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તાત્કાલિક યુવકને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. ઘટનાને પગલે મૃતકના પિતાની ફરિયાદના આધ
પાટણ શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં દાગીના ધોવાના બહાને એક વૃદ્ધ મહિલાના સોનાના પાટલાની ચોરી થઈ છે. બપોરના સમયે અજાણ્યા ગઠિયાઓ આ ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા કાંતિભાઈ કાપડિયા (પટેલ) અને
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જૂનાગંજ બજાર વિસ્તારમાં ટ્રાફિક અને ગંદકીની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ખાણી-પીણીની લારીઓ માટે ખાસ શેડ બનાવવાનું આયોજન કરાયું છે. પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરી
ઉમરગામના ગાંધીવાડી વિસ્તારમાં આવેલા લક્ષ્મી એપાર્ટમેન્ટમાં મંગળવારે રાત્રે ગેસ ભડકો થતાં 20 વર્ષીય યુવતી ગંભીર રીતે દાઝી ગઈ હતી. આ ઘટનામાં યુવતીના હાથ, પગ અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતી સાક્ષી સંતોષ મિશ્રા (ઉં.વ. 20) મંગળવ
સુરત શહેરના ઉમરવાડા વિસ્તારમાં આવેલી કાપડ બજારની શાન ગણાતી બોમ્બે માર્કેટમાં મોડી રાત્રે આગની ઘટના બનતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. માર્કેટની મીટર પેટીમાં અગમ્ય કારણોસર લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની નજીકની દુકાન સુધી પ્રસરી ગઈ હતી. આ દુર્ઘટનામાં અંદાજે 10 લાખ રૂપિયાની મા
અમરેલી તાલુકાના માલવણ ગામમાં આમ આદમી પાર્ટી (AAP) ના પોસ્ટરોને લઈને વિવાદ સર્જાયો છે. ગ્રામપંચાયતની મંજૂરી વગર જાહેર સ્થળોએ પોસ્ટરો લગાવવામાં આવતા ગામના સરપંચ ભરત બાલધાએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી કાયદેસર કાર્યવાહીની માંગ કરી છે. સરપંચના આક્ષેપ મુજબ, આ પોસ્ટરો ગ્રામ
પાટણ બાળ તસ્કરી કેસના મુખ્ય આરોપી સુરેશભાઈ પાંચાજી ઠાકોરને તેમની ભત્રીજીના લગ્નમાં હાજર રહેવા માટે વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પાટણની સેશન્સ કોર્ટના જજ એમ.એ. શેખે 18 ફેબ્રુઆરી, 2026 થી 23 ફેબ્રુઆરી, 2026 સુધી શરતી મુક્તિનો આદેશ આપ્યો હતો. આરોપીને રૂ. 50,000 જામીનગીરી ડિપોઝિટ
ડાયમંડ સિટી સુરતમાં નશાબંધીના કાયદાના લીરેલીરા ઉડાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એક યુવક જાહેરમાં ગાંજાનું સેવન કરતો કેમેરામાં કેદ થયો હતો. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયાના ગણતરીના કલાકોમાં જ સરથાણા પોલીસે ત્વરિત કાર્
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ચાર માળનું મુરલીધર કોમ્પલેક્ષ ભીષણ આગની ઘટના બાદ ભારે વિવાદમાં આવ્યું છે. ગત તા. 05 ફેબ્રુઆરીએ કોમ્પલેક્ષમાં લાગેલી આગમાં આશરે 40 દુકાનો અને 5 જેટલા મોપેડ સળગી ખાખ થયા હતા. સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, પરંતુ આ ઘટનાએ શહેરમાં ફાયર સેફ્ટી અને ગ
પાટણ શહેરને નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત 'સ્વચ્છ અને સુંદર શહેર'ના કામો માટે રૂ. 1.25 કરોડની સૈદ્ધાંતિક અને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વચ્છ ભારત મિશન, ગાંધીનગર કચેરી તરફથી મળેલા સૈદ્ધાંતિક મંજૂરી પત્રના આધારે આ નિર્ણય લેવાયો છે.
દાહોદ જિલ્લામાં મોડી રાત્રે ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે થયેલા આ માવઠાથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. દાહોદ શહેર સહિત લીમખેડા, રાબડાલ અને ગરબાડા પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી વ
અમરેલી જિલ્લામાં મતદાર યાદીમાંથી આશરે 24 હજારથી વધુ મતદારોના નામ કમી કરવા માટે દાખલ કરાયેલા ફોર્મ નંબર-7ના મોટાભાગના વાંધા રદ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા આ મામલે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જેના પરિણામે આ મતદારોના નામ યાદીમાં યથાવત રહ્યા છે. ચૂંટણી પંચની SIR (Systematic Information Retr
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ધોરણ-10 (SSC) અને ધોરણ-12 (HSC)ની જાહેર પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થશે. પાટણ જિલ્લામાં કુલ 30,718 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેના માટે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. પાટણ જિલ્લામાં ધો
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલિબાની સજા આપતો વીડિયો વાઇરલ થયો હતો. એને પગલે પોલીસે માર મારનારા 2 યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. બંને યુવકોને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં બંનેએ મા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા સહિત આસપાસના વિસ્તારોમાં આજે વહેલી સવારે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. છેલ્લા બે દિવસથી છવાયેલા વાદળછાયા વાતાવરણ બાદ થયેલા આ માવઠાને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે, જોકે બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ અચાનક આવેલા વર

28 C