રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના યુવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીએ પોતાના જન્મદિવસ નિમિત્તે આસ્થા અને સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના ચરણે ₹5 કરોડનું દાન શિવાર્પણ કરીને શ્રી સોમનાથ ટ્રસ્ટ સંચાલિત નિઃશુલ્ક ભોજનાલય માટે મહત્વપ
ભાવનગર શહેરમાં હાલ ચાલી રહેલી આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટ પર રમાતા સટ્ટાના નેટવર્કનો ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ પર સોદા પાડતા એક શખસની પોલીસે અટકાયત કરી છે. ચોક્કસ બાતમીના આધારે રેઈડલોકલ ક્રાઈમ બ્ર
શું ખાલી 10 મિનિટમાં જ આખી દુનિયા બદલાઈ શકે? ગઈકાલે 8 એપ્રિલે લેબનોનમાં એ જ થયું. એક બાજુ ઈસ્લામાબાદમાં શાંતિની ટેબલ સજાઈ રહી હતી, ત્યારે બીજી બાજુ ઈઝરાયેલે હિઝબુલ્લાહને હરાવવા 10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક કરી. જેમાં 254 લોકોના મોત થયા અને હજારો ઘાયલ થતા હોસ્પિટલ ઓવરફ્લો થઈ. દુનિયાએ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીના 31મા જન્મદિવસની ઉજવણી જામનગર ખાતે કરવામાં આવી હતી. આ અવસરે સ્થાનિક સમુદાય માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું, જેમાં સેવા અને પરંપરાનો સમન્વય જોવા મળ્યો હતો. આગામી 10 એપ્રિલના રોજ અનંત અંબાણીનો જન્મદિવસ હોય તેની ઉજવણીના ભાગરૂપે,
સુરત મહાનગરપાલિકા દ્વારા ખજોદ ડિસ્પોઝલ સાઈટ પર 24 માર્ચના રોજ લાગેલી આગ બાદ નીકળતા સતત ધુમાડાને રોકવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરાયો છે. આગ પર કાબૂ મેળવ્યા પછી પણ કચરાના ઢગલામાં ઊંડે પ્રસરેલા ધુમાડાને નાથવા માટે તંત્રએ રેનેઝાઇમ નામના વિશેષ બાયોકલ્ચર અને ફાયર ફોર
સમગ્ર દેશમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. જેમાં હવે ઉચ્ચ શિક્ષિત વર્ગ પણ સરળતાથી શિકાર બની રહ્યો છે. ગાંધીનગર શહેરના સેક્ટર-12માં રહેતા અને પુણેની એક આઈ.ટી. કંપનીમાં એન્જિનિયર તરીકે ફરજ બજાવતા યુવાનને શેરબજારમાં રોકાણ કરી ટૂંકા સમયમાં મોટો નફો મેળવવાની લા
અમદાવાદમાં મહિલા પોલીસ અને નવરંગપુરા પોલીસ મથકે બે અલગ-અલગ ગુનાઓ નોંધાયા છે, જેમાં બોડકદેવની મહિલાએ લંડનમાં પતિ દ્વારા કરાયેલા શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ કરી છે, જ્યારે લો-ગાર્ડન ખાતે ફરજ બજાવતા એએમસીના ગાર્ડન ઈન્સ્પેક્ટર પર એક યુવકે જાહેરમાં હુમલો કરી માર માર્યો હતો
વડોદરા ગ્રામ્ય પોલીસની સાવલી પોલીસ સ્ટેશનની ટીમે બે બાઈક ચોરીના બે અનડિટેક્ટ ગુનાઓને ડિટેક્ટ કર્યા છે. પોલીસે આ કેસમાં બે આરોપીઓને ઝડપી લીધા છે અને તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કર્યો છે. આ મામલે પોલીસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બંને ચોર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવીસા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકામાં જિલ્લા પંચાયત ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાના ચોથા દિવસે આમ આદમી પાર્ટી (AAP) એ પાંચમાંથી ચાર બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારીને ચૂંટણી જંગમાં પહેલો દાવ ખેલ્યો છે. જોકે, ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી
જૂનાગઢ મહાનગરપાલિકામાં 'ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા' જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા નવા રોડ રસ્તા ફરી ગટરના કામો માટે તોડવામાં આવી રહ્યા છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં ગટર અને રોડના કામમાં થયેલી ગંભીર ગેરરીતિઓ સામે આવતા સ્થાનિક રહીશોએ સ્
સુરતના સારોલી વિસ્તારમાં નજીવી બાબતે કાયદો હાથમાં લેનારા શખસો સામે પોલીસે લાલ આંખ કરી છે. અકસ્માત બાદ પતિને બચાવવા ગયેલા પત્ની અને માસૂમ પુત્ર પર હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ પાઠ ભણાવ્યો હતો. અકસ્માત બાદ સર્જાયો હતો હિંસક માહોલઘટનાની વિગત મુજબ, ગત રાત્ર
ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસે મુખ્ય માર્ગને અડીને પસાર થતી મીઠા પાણીની પાઈપલાઈન ગઈકાલે રાત્રે તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે લાખો લીટર પીવાનું પાણી વેડફાઈ ગયું હતું અને આસપાસના ખેતરો તેમજ પાર્કિંગ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. ઝોનોર તરફથી આવતી આ મુખ્ય લાઈનમાં અચાનક ભ
ચોટીલાના ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 2026ની નગરપાલિકા સામાન્ય ચૂંટણીની તૈયારીના ભાગરૂપે શહેરના 6 વોર્ડ હેઠળના તમામ મતદાન મથકોની સ્થળ પર જઈને વિગતવાર ચકાસણી કરી હતી. આ નિરીક્ષણ દરમિયાન, તેમણે દરેક મતદાન મથકે વીજ પુરવઠો, પીવાના પાણીની વ્યવસ્થા, શૌચાલય, રેમ્પ
ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરાના અપહરણ અને શારીરિક અડપલાં કરવાના ગંભીર ગુનામાં ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી અજય ચેતનભાઈ પટેલને ત્રણ વર્ષની સખત કેદની સજા સાથે કુલ 40,000 રૂપિયાનો દંડ અને ભોગ બનનાર સગીરાને 4 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો
નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)ના સ્થાપક કુલપતિ અને પદ્મશ્રીથી સન્માનિત ડૉ. જે.એમ. વ્યાસના ગૌરવમાં વધુ એક યશકલગી ઉમેરાઈ છે. સત્ય, ન્યાય અને વૈજ્ઞાનિક શ્રેષ્ઠતાના ક્ષેત્રમાં જીવનભરના સમર્પણ બદલ તેમને પુણેની પ્રતિષ્ઠિત MIT-ADT યુનિવર્સિટી દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એ
વિશ્વમાં શાંતિ, સૌહાર્દ અને સકારાત્મક ઊર્જાનો સંચાર કરવાના ઉમદા હેતુ સાથે ‘વ્રતો’ (VRATO) દ્વારા એક ભવ્ય આધ્યાત્મિક આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં આજે માત્ર 27 મિનિટના ટૂંકા ગાળામાં 1.08 કરોડ નવકાર મંત્રના જાપ કરીને એક નવો ઇતિહાસ રચાયો છે. આ પવિત્ર અવસરમાં જૈન સમાજના
ગોધરાના ચર્ચ સર્કલ પાસે મંગળવારે રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો થયો હતો. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી અને શાંતિ ભંગ બદલ બંને પક્ષો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, 7 એપ્રિલના રોજ ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટ
મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવનિયુક્ત પ્રભારી સચિવ કે. એલ. બચાણીના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોના વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. સમીક્ષા બેઠકમાં આગામી ચોમાસાની ઋતુને ધ્યા
પંચમહાલ જિલ્લામાં તાજેતરમાં યોજાયેલી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓમાં પાંચ કોપી કેસ સામે આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગેરરીતિ અટકાવવા લેવાયેલા કડક પગલાંના ભાગરૂપે આ કેસો પ્રકાશમાં આવ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પરીક્ષાઓના સુચા
સુરતના કરોડપતિ ટેક્સટાઈલ ઉદ્યોગને આર્થિક નુકસાન પહોંચાડતા ઠગબાજો સામે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે લાલ આંખ કરી છે. તાજેતરમાં યોજાયેલા 'સંવાદ સેતુ' કાર્યક્રમ બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે, જેના પરિણામે માત્ર બે જ દિવસમાં છેતરપિંડીના કુલ 16 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છ
સાબરકાંઠા જિલ્લામાં યોજાનારી આઠ તાલુકા પંચાયત, ત્રણ નગરપાલિકા અને એક પાલિકાની પેટાચૂંટણી તેમજ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુરુવાર સુધીમાં આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકામાં કુલ 45 ઉમેદવારી પત્રો ભરાઈને પરત આવ્યા છે. જ્યા
રાજ્યના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને ઉત્પાદન પ્રક્રિયાને વધુ સુચારુ બનાવવા માટે ગુજરાત સરકારે બલ્ક બિન-ઘરેલું LPG ગેસના પુરવઠા નિયમોમાં મહત્વપૂર્ણ સુધારો જાહેર કર્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આ નિર્ણયથી ફાર્મા, સિરામિક અને સ્ટીલ જેવા અનેક ક્ષેત્રોને સીધો ફાયદો
વડોદરામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને પગલે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા તેજ બની છે, જે અંતર્ગત કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા, તાલુકા, નગરપાલિકા અને મહાનગરપાલિકા માટે કુલ 3,826 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ હોવાથી આગામી
સુરેન્દ્રનગર પોલીસે નેત્રમ પ્રોજેક્ટ હેઠળ તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવી ખોવાયેલી કિંમતી ચીજવસ્તુઓ મૂળ માલિકોને પરત કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર જનતાની સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા, પર્સ જેવી ખોવાયેલી કે ગુમ થયેલી વસ્તુઓને સીસીટીવીની મદદથી શોધીને પરત કરવાનો છ
ગુજરાત હાઇકોર્ટમાં સેવન્થ ડે શાળા દ્વારા ચીફ જજની બેંચ સમક્ષ અપીલ દાખલ કરવામાં આવી છે. જેમાં રજૂઆત કરવામાં આવી છે કે, સ્કૂલનું મેનેજમેન્ટ સરકારે પોતાના હસ્તક લીધું છે અને કોઈ પણ નવા વિદ્યાર્થીઓને એડમિશન અપાય રહ્યું નથી. DEO અત્યારે સ્કૂલનો વહીવટકર્તા છે. શિક્ષણ વિભાગના આ હુ
ભાજપને જાહેર કર્યું ઉમેદવારોનું પહેલું લિસ્ટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. તો આમ આદમી પાર્ટી નવમું લિસ્ટ જાહેર કર્યું છે. કોંગ્રેસની બીજી યાદી પણ આજે જાહેર થઈ શકે છે. આ સમાચાર વિસ્તારથી વાચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજુ કરપ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણીઓને પારદર્શક બનાવવા માટે રાજ્યભરમાં ચૂંટણી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના તમામ જિલ્લાઓમાં ઉમેદવારી ફોર્મથી લઈ મતગણતરી સુધીની પ્રક્રિયા
જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. નગરપાલિકાના વોર્ડ નંબર-3ના ભાજપના પૂર્વ કોર્પોરેટર વીરા સિંધલ અને અન્ય ત્રણ શખ્સો વિરુદ્ધ એક યુવાનને હથિયારો બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિય
ભરૂચ જિલ્લામાં NO DRUGS IN BHARUCH અભિયાન અંતર્ગત પોલીસની કાર્યવાહી વધુ સઘન બની રહી છે. આ અભિયાન હેઠળ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) ટીમે 24.95 ગ્રામ સિન્થેટિક ડ્રગ્સ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એસઓજી સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે, જોલવા ગામથી ભરૂચ રેલવે સ્ટેશન તરફ જઈ રહેલા એક શંકાસ
ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે. રાજ્યના આશરે 1.72 લાખ પ્રાથમિક શિક્ષકોને સમયસર પગાર ન મળતા વ્યાપક અસંતોષ ફેલાયો છે. પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ – ગુજરાત દ્વારા શિક્ષણ સચિવને પાઠવેલા પત્રમાં આ ગંભીર મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને તાત્કાલ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
પાટણ નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. છેલ્લા ચાર દિવસમાં કુલ 225 ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. અત્યાર સુધીમાં બે ઉમેદવારો દ્વારા ત્રણ ફોર્મ રજૂ કરવામાં આવ્યા છે. નગરપાલિકાની ચૂંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાવાની છે. ચૂંટણી અધિકારીને રજૂ કરાયેલ
શિક્ષણ અને સામાજિક જાગૃતિના ઉમદા હેતુ સાથે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં આવેલા લીલાધર ભટ્ટ હોલ ખાતે UPSC પરીક્ષામાં સફળ થયેલા અનુસૂચિત જાતિના યુવાનોનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ વર્ષે ગુજરાતમાંથી અનુસૂચિત જાતિના વિક્રમજનક 10 ઉમેદવારો UPSCમાં સફળ થયા છે, જે ઐતિહાસિક સ
મહેસાણા મહાનગરપાલિકામાં નવા સમાવિષ્ટ થયેલા ગામોમાં વિરોધનો વંટોળ વધુ તેજ બન્યો છે. તાવડિયા અને ઉચરપી ગામ બાદ હવે દેલા ગામના ગ્રામજનોએ પણ આગામી મનપા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન કર્યું છે. ગામમાં ઠેર-ઠેર કોઈપણ રાજકીય પક્ષે પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં એવા બેનરો લગાવી દ
સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) ને મોટો ફટકો પડ્યો છે. AAPના જાહેર કરાયેલા ૬ ઉમેદવારો સહિત અંદાજે 60થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે. પાર્ટી છોડનારા કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં આંતરિક વિખવાદ અને પ્રદેશ કક્ષાએ સંગઠનના અભાવન
ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ઇન્સ્પેક્શન દરમિયાન સ્ટેશનના વહીવટી કામકાજ, ક્રાઇમ રજીસ્ટર, દસ્તાવેજી કામગીરી અને સ્ટાફની કામગીરીનું મૂલ્યાં
છોટા ઉદેપુર જીલ્લાના તીર્થધામ એવા હાંફેશ્વર ખાતે પ્રાથમિક જરૂરિયાત એવા રસ્તાની માંગને લઈને ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.અને રોડ નહીં તો વોટ નહીં ન સૂત્ર સાથે રસ્તાની માંગણી કરી રહ્યા છે. છોટા ઉદેપુર જીલ્લાના છેવાડે અને ગુજરાત,મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની
પાલિકા-પંચાયતની ચૂંટણી માટે અંતે ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેરાત શરૂ કરી છે. સૌ પ્રથમ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની તમામ બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતા ઉમેદવારોના નામની જાહેરાત કરવ
રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા આજે વધુ બે ગેંગ સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં કાળીયો ગેંગના 9 સભ્યો અને ઇમલા ગેંગના 8 સભ્યો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેના વિરુધ્ધ સૌરાષ્ટ્ર ભરમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 102 ગુના નોંધાઈ ચુક્યા છે. પોલીસે બે ગેંગના 12 સભ્યોન
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ (AAP) વ્યૂહાત્મક તૈયારીઓ સાથે 23 ઉમેદવારોની બીજી યાદી પ્રસિદ્ધ કરી છે. આ યાદીમાં પક્ષે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા અને શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી જેવા દિગ્ગજોને મેદાનમાં ઉતારીને ભાજપ-કોંગ્રેસ સામે મજબૂત પડકાર ફેંક્યો
નવસારી મહાનગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને સત્તાધારી ભાજપમાં ઉમેદવારોના નામ નક્કી કરવા માટે ચાલી રહેલી આંતરિક ખેંચતાણનો આજે અંત આવી શકે છે. ગાંધીનગરના 'કમલમ' ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નવસારીના નામો પર મંથન શરૂ થવાન
સુરતના એક મુસ્લિમ શિક્ષિકાએ તેમના પરિવારને નવા ખરીદેલા બંગલામાં રહેવા જતા સોસાયટીના સભ્યો દ્વારા રોકવામાં આવ્યા બાદ, પોલીસ સુરક્ષાની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. કથિત રીતે સોસાયટીના સભ્યોએ 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ન મેળવ્યું હોવાના બહાને અને તેમના
વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી ખાનગી ફાઈનાન્સ કંપનીની મહિલા કર્મચારીએ નોકરી છોડ્યા બાદ ગ્રાહકો પાસેથી વસૂલ કરેલા હપ્તા અને લોન ક્લોઝ કરાવવા 1.21 લાખ રૂપિયા ઉઘરાવ્યા હતાં. પરંતુ, માત્ર 29 હજાર જ ભરી બાકીના 92 હજાર રૂપિયા નહી જમા કરાવી છેતરપીંડી આચરવામાં આવી છે, જેથી ઠગ મહ
સુરત સાયબર ક્રાઈમ પોલીસે મુંબઈના ઘાટકોપર ખાતે દરોડા પાડીને ડિજિટલ ઈ-ચલણના નામે છેતરપિંડી આચરતા બે શખ્સોની ધરપકડ કરી છે. આરોપીઓએ સુરતના એક નાગરિકને વોટ્સએપ પર ફ્રોડ APK ફાઈલ મોકલી તેના બેંક ખાતામાંથી ₹9.60 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓમાં બીએસસીનો વિદ્યાર્થી વૈ
પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, ગોધરા સ્થિત જિલ્લા સેવાસદન કચેરીમાંથી ઈવીએમ મશીનોનું ડિસ્પેચિંગ શરૂ કરવામાં આવ્યું છે. ગોધરાની ચૂંટણી કચેરી ખાતે ઈવીએમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગ (FLC) પૂર્ણ થયા બાદ,
ગાંધીનગરના સેક્ટર-8 સ્થિત કર્મયોગી ભવનમાં આજે બપોરે અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં સરકારી કચેરીઓની કામગીરી અટકી પડી હતી. અંદાજે અડધો કલાકથી વધુ સમય સુધી વીજળી ગુલ રહેતા ટેકનિકલ ખામીના કારણે વહીવટી કાર્યમાં ભારે વિક્ષેપ સર્જાયો હતો. ગરમીથી કર્મચારીઓ ભારે અકળાયાવીજ પુરવઠો બ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ‘ભાજપ AAPથી ડરે છે’તેમણે જણાવ્યું કે ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ ભાજપની FIR કરવાની નીતિ વધુ મજબૂત બનતી જાય છે. મનોજ સોરઠીયાના જણાવ્યા અનુસાર, આજે પણ AAPના ઉમેદ
ગાંધીનગરની GMERS સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના નિષ્ણાત તબીબોએ એક 39 વર્ષીય પુરુષ દર્દીની લીવર હાઇડેટીડ સિસ્ટની અત્યંત જટિલ અને જોખમી સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે. છેલ્લા પાંચ વર્ષથી આ ગંભીર બીમારીથી પીડાતા દર્દીને ખાનગી હોસ્પિટલોના મોંઘા ખર્ચ અને જીવના જોખમ સામે સિવિલ
પાટણ જિલ્લાના સિદ્ધપુર હાઈવે પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાથ ધરાયેલી તપાસમાં અશોક લેલન બડા દોસ્ત ગાડીમાંથી 308 ડબ્બા શંકાસ્પદ ઘી મળી આવ્યું હતું, જેની કિંમત 7.70 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ
હિંમતનગરમાં નવાબજાર વિસ્તારમાં કરિયાણાના વેપારી રાકેશકુમાર રમેશચંદ્ર મોદીનું કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટના આજે સવારે તેમના ઘરના બાથરૂમમાં સ્નાન કરતી વખતે બની હતી. પ્રાથમિક માહિતી અનુસાર, રાકેશકુમારની દુકાન નીચે અને રહેઠાણ ઉપરના માળે આવેલું છે. આજે સવારે જ્યારે દુકાન
ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ ઉપર પરિવારવાદના આક્ષેપ કરવામાં આવતા હોય છે આ બધા વચ્ચે ભાજપમાં પણ ક્યાંક પરિવાર વાદ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવેલી સેન્સમાં પરિવારવાદ જોવા મળ્યો હતો અને આજે ઉમેદવારોની જાહેરાત થાય તે પહેલા અંતિમ ક્ષણ સુધી ભલ
જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા બોટાદ શહેરના દીનદયાળ ચોક ખાતે ઠંડા મિનરલ પાણીના પરબ-2 નો શુભારંભ કરવામાં આવ્યો છે. 9 એપ્રિલ, 2026ના રોજ શરૂ કરાયેલું આ પરબ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ અને મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડશે. આ પરબનો પ્રારંભ યોગી જેમ્સ (મુંબઈ - સુરત) ના આર્થિક સૌજ
અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોબલનગરથી ભદ્રેશ્વર તરફ જવાના જાહેર રોડ પર દારૂની મહેફિલ માણતા યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પીઆઈ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
બોટાદ સમસ્ત જૈન સમાજે નગરપાલિકા ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળાને રજૂઆત કરી હતી. આ અંગે 9 એપ્રિલ, 2026ના રોજ સવારે 11 વાગ્યે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની વાડી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દેરાવાસી, સ્થાનકવાસી અને દિગંબર જૈ
વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય હોદ્દેદારો વિરુદ્ધ 2022માં ખેરગામ ખાતે નોંધાયેલા ગુનાઓની કાયદાકીય પ્રક્રિયા ઝડપી બની છે. નવસારીની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહેલી આ કાર્યવાહીમાં ડિસ્ચાર્જ અરજી પર 30 એપ્રિલે અંતિમ સુનાવણી થશે. કોર્ટે બચાવ પક્ષને વધુ રજૂઆત
ગુજરાતનું રાજકારણ વર્ષોથી શ્રદ્ધા અને આસ્થા સાથે ગાઢ રીતે જોડાયેલું રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના કેટલાક ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જો કે ભાજપની એક પણ યાદી હજુ સુધી જાહેર થઈ નથી. ત્યારે કેટલાક નેતાઓમાં મંદિર માર્ગે રાજ
ગુજરાત પોલીસ દળના બાહોશ અધિકારી અને તાજેતરમાં જ IGP પદેથી રાજીનામું આપનાર મનોજ નિનામાએ આજે સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી છે. શામળાજી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પી.સી. બરંડાની હાજરીમાં તેઓએ કેસરિયો ખેસ ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કર્યો છે.
પાટણ-ડીસા હાઇવે પર પાટણ નજીક આવેલા જાળેશ્વર પાલડી પાસે મોડી રાત્રે એક માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું મૃત્યુ થયું હતું. પાટણ તરફથી ડીસા જઈ રહેલા ટર્બો ટ્રક સાથે જોડાયેલા કન્સ્ટ્રક્શન મશીન સાથે વામૈયા તરફથી પાટણ જઈ રહેલા બાઇક ચાલકની ટક્કર થઈ હતી. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થ
શહેરના પૂર્વ વિસ્તારમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. અમરાઈવાડી, જશોદાનગર, શાહઆલમ, ઇસનપુર અને વટવા વિસ્તારમાં ચોરીના બનાવો બન્યા છે. રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા ઘરમાંથી રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીનાની ચોરી કરી છે. પાંચેય વિસ્તારમાં સોના ચાંદીના દાગીના અને રોકડા ર
હિંમતનગર બી ડીવીઝન પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે હિંમતનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એમ. ચૌધરીએ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પોલીસ નાસતા ફરતા આરોપી
અનંત અંબાણીએ દ્વારકામાં દ્વારકાધીશના ભક્તો માટે આધુનિક યાત્રિક ભવન બનાવવાની જાહેરાત કરી છે. આ ભવન ₹30 કરોડના ખર્ચે તૈયાર થશે. આ જાહેરાત અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી હતી. રિલાયન્સ પરિવાર દ્વારા નિર્માણ પામનાર આ યાત્રિક ભવન તેમની ભક્તિ અને સેવાભાવનું પ્રતિક
રાજ્યની માથે મંડરાઈ રહેલી માવઠાની ઘાત હાલમાં ટળી છે. હવે રાજ્યમાં લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક બાદ એટલે કે આવતીકાલથી રાજ્યમાં ગરમીનો પારો 2થી 4 ડિગ્રી વધશે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અન
આજે સમગ્ર વિશ્વમાં જૈન સમુદાય દ્વારા 'વર્લ્ડ નવકાર ડે' એટલે કે વિશ્વ નવકાર દિવસની અત્યંત ઉત્સાહ અને આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે જૂનાગઢ સહિત વિશ્વભરમાં વસતા લાખો જૈન ધર્મીઓ એકત્ર થઈને નવકાર મહામંત્રના સામૂહિક જાપ કરી રહ્યા છે. જૈન ધર્મ એ વ્યક્તિ પૂજા
ચોમાસાની આગામી સીઝનને ધ્યાનમાં રાખીને ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના તમામ જર્જરિત મકાનો અને મિલકતોના માલિકો માટે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે, જેમાં ભારે વરસાદ કે અન્ય કારણોસર આવી મિલકતો ધરાશાયી થવાથી જાન-માલનું નુકસાન ન થાય તે હેતુથી તંત્રએ કડક ક
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતી પરિણીતાને પતિ અને સાસરીયાઓ વિરુદ્ધ શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પતિ તથા સાસરીયાઓ દ્વારા વારંવાર દહેજ પેટે પૈસા લાવવા માટે દબાણ કરવામાં આવતું હતું. યુવતી ગર્ભવતી થયા બાદ પણ સાસરીયાઓએ દીકરાની માંગણી કરી હતી અને દીકરી જ
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયત અને ત્રણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ તેમજ એક નગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણી માટે EVMની ફાળવણી પૂર્ણ થઈ ગઈ છે. કુલ 15 ટકા રિઝર્વ EVM (10 ટકા રિઝર્વ અને 5 ટકા નિદર્શન માટે) સાથે જિલ્લા મથક હિંમતનગરથી દરેક તાલુકા મથકે મશીનો મોકલ
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત વર્ષ 2026- 27 માટે સ્વનિર્ભર શાળાઓની 25 ટકા બેઠક વિદ્યાર્થીઓને પ્રવેશ માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલી રહી છે. જે માટે 17 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓ પોતાના બાળકોને RTE હેઠળ એડમિશન અપાવવા મા
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા મેયર ધર્મેશભાઈ પોસીયાના અધ્યક્ષસ્થાને આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં સફાઈ કર્મચારીઓ અને આંગણવાડી કાર્યકરો માટે લોકકલ્યાણકારી નિર્ણયોનો અમલ કરવામાં આવ્યો છે. વર્ષો જૂની પડતર માંગણીઓ સંતોષાતા 43 સફાઈ કામદારોને કાયમી નિમણૂક પત્રો એનાયત કરવામાં
બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પ્રક્રિયા અંતર્ગત આજે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવારોએ પોતાના ફોર્મ રજૂ કર્યા હતા. પાલનપુર પાલિ
બોટાદ નગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ માહોલ વચ્ચે જૈન સમાજ સક્રિય બન્યો છે. બોટાદમાં સમસ્ત જૈન સમાજની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જૈન સમાજને વધુ ટિકિટો આપવાની માંગ કરવામાં આવી. આ બેઠકમાં શ્વેતાંબર, સ્થાનકવા
એસ.વી. કોલેજ ઓફ એજ્યુકેશન અને સૂરજબા કોલેજ ઓફ એજ્યુકેશન, કડી દ્વારા તા. 04-04-2026 ના રોજ તાલીમાર્થીઓ માટે મોક ઇન્ટરવ્યૂનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રોજગારલક્ષી કૌશલ્ય વિકસાવવાની તકો પૂરી પાડવાનો અને તેમને વ્યવહારિક ઇન્ટરવ્યૂનો અ
અમદાવાદના ઓઢવ ખાતે આવેલી ધનલક્ષ્મી સોસાયટીના શ્રી 1008 શ્રી શાંતિનાથ દિગંબર જૈન તેરાપંથી મંદિરમાં વિશ્વ નવકાર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે આચાર્ય મુની 108 વર્ધમાન સાગરજી મહારાજના પરમ પ્રભાવક શિષ્ય મુની 108 અપૂર્વ સાગરજી, મુની 108 અર્પિત સાગરજી, મુની 108 વિર્વજીત સાગરજી તથા બ
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા GPAT 2026 (ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટિટ્યુડ ટેસ્ટ) રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાના પરિણામોમાં આત્મીય યુનિવર્સિટી, રાજકોટની સ્કૂલ ઓફ ફાર્માસ્યુટિકલ સાયન્સિસના ત્રણ વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ સફળતા પ્ર
ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત શ્રી મહાવીરસ્વામી દિગંબર જૈન મંદિરમાં વિશ્વ ણમોકાર મહામંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે વિશ્વ શાંતિના હેતુથી ણમોકાર મહામંત્રના જાપ કરવામાં આવ્યા હતા. દર વર્ષે 9 એપ્રિલના રોજ વિશ્વ ણમોકાર મહામંત્ર દિવસ ઉજવવામાં આવે છે. જૈન ઇન્ટરનેશનલ ટ્ર
જામનગર જિલ્લા સરકારી શિક્ષક સંઘના પ્રમુખ નિલેશકુમાર સામતભાઈ આંબલિયાની ગુજરાત રાજ્ય સરકારી શિક્ષક સંઘના મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ વરણી ગત ૫ એપ્રિલના રોજ ગાંધીનગર ખાતે યોજાયેલી કારોબારી બેઠકમાં કરવામાં આવી હતી. નિલેશકુમાર આંબલિયા હાલ જામનગર જિલ્
જૂનાગઢ જિલ્લો જે સમગ્ર વિશ્વમાં પોતાની સ્વાદિષ્ટ કેસર કેરી માટે વિખ્યાત છે, ત્યાં અત્યારે કુદરતની વક્રદૃષ્ટિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં આવેલા અચાનક પલટા, વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. પવનની તેજ
ગઢડામાં SBI બેંક (કૃષિ શાખા) ખાતે ખેડૂતોને પડી રહેલી મુશ્કેલીઓનો મુદ્દો ગરમાયો છે. આ મામલે કોંગ્રેસે બેંક સત્તાધીશોને રજૂઆત કરી છે અને તાત્કાલિક નિરાકરણ ન આવ્યે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા ઘણા દિવસોથી તેમને બેંકમાં વારંવાર ધક્કા ખાવા પડે છે.
સુરત: સિક્યોર એમ્બ્રો થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા 19 એપ્રિલ, 2026ના રોજ સુરતના રામાયણ ફાર્મ ખાતે છઠ્ઠું વાર્ષિક મહાસંમેલન યોજાશે. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી હજારો એમ્બ્રો અને જરી વેપારીઓ એક મંચ પર એકત્રિત થશે. કાર્યક્રમ બપોરે 3:00 વાગ્યાથી શરૂ થશે. SETJA એ સુરતના એમ્બ્ર
રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના જન્મદિવસની આજે 9 એપ્રિલે અમદાવાદના જગન્નાથજી મંદિરે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. મંદિર પરિવાર ભગવાન જગન્નાથજીના ચરણોમાં પૂજા-અર્ચના પણ કરવામાં આવી હતી. એ સાથે જ મંદિર પરિસરમાં અનંત અંબાણીની રંગોળી પણ બનાવવામાં આ
હિંમતનગરના બગીચા વિસ્તારમાં આવેલા એક બાલમંદિરમાં આજે સવારે એક માનસિક અસ્વસ્થ યુવાન પોતાનું બાળક લેવા આવ્યો હોવાનું કહીને પ્રવેશ્યો હતો. બાલમંદિરના સાવચેત સ્ટાફે તેને ઓળખતા ન હોવાથી તાત્કાલિક 112 નંબર પર પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આ યુવાન અન્ય વાલીઓ સાથે
દક્ષિણ ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર ગણાતા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી 26 એપ્રિલે યોજાનારા મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. ખાસ કરીને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર 7 (વેડ-કતારગામ)માં ચ
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષીય કિશોરી ગત 3 એપ્રિલના રોજ રાબેતા મુજબ સવારે પોતાના ટ્યુશન ક્લાસીસ પર ગઈ હતી. સવારે 10:30 વાગ્યાના અરસામાં ટ્યુશન પતાવીને તે ચાલતી પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યો શખસ બાઈક લઈને તેની પાછળ પડ
જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. ગુજસીટોકના ગંભીર ગુનામાં જેલવાસ ભોગવી રહેલા આરોપી અસલમ ખીલજીએ આજે ચુસ્ત પોલીસ સુરક્ષા વચ્ચે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. જામનગરના ઇતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના છે, જ્યાં કોઈ ઉમેદવારે પોલીસ જાપતા હેઠ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ઉમેદવારોના ભાવિ નક્કી કરતા પહેલા તેમના પાછલા 5 વર્ષના લેખાજોખા સામે આવ્યા છે. પાલિકા દ્વારા લોકહિતના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટના વપરાશમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પાછળ રહી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્ય
શેરબજારમાં રોકાણના નામે બિઝનેસમેન સાથે 1.07 કરોડ રૂપિયાની ઠગાઈ થઈ હોવની ઘટના સામે આવી છે. યુવકે તેના પરિવારના નામે કંપની ઉભી કરી અને ત્યારબાદ બિઝનેસમેનને વિશ્વાસમાં લઈને 1.38 કરોડ રૂપિયા શેરબજારમાં રોકાણ કરાવ્યા હતા. રૂપિયા પરત નહીં આપતા બિઝનેસમેને તપાસ કરાવી તો યુવકે શેરબજા
કલોલ તાલુકા પોલીસે બાતમીના આધારે તેરસાપરા ગામની સીમમાં દરોડો પાડી જુગાર રમતા પાંચને ઝડપ્યા હતા. 49 હજારથી વધુની રોકડ, ત્રણ મોબાઈલ, વાહન મળીને કુલ રૂ.84 હજાર 350નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ કલોલ તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે.ગઢવીની ટીમ
માળીયા મીયાણા તાલુકાના મોટાભેલા ગામે કળિયુગની પરાકાષ્ઠા સમાન એક ઘટના સામે આવી છે. જેમાં કામ-ધંધા બાબતે પિતાએ પુત્રને ઠપકો આપતા, ઉશ્કેરાયેલા પુત્રએ પોતાના 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડી વડે જીવલેણ હુમલો કરી તેમની નિર્મમ હત્યા નિપજાવી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી આરોપી પુત્
વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્ય જાગૃતિ, માર્ગદર્શન અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ સેવા દ્વારા નાગરિકોને આરોગ્યલક્ષી લાભ મળ્યા હતા. 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવા ખાસ કરીને બાંધકામ શ્રમિકો માટે શરૂ કરવામાં આવી છે. આ રથ બાંધક
વડોદરાના ફતેપુરા મંગલેશ્વર ઝાંપા નજીક દ્રષ્ટિ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં આજે 9 એપ્રિલે વહેલી સવારે આગ ભભૂકી ઉઠી હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ બનાવની જાણ ફાયર વિભાગને કરાતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘ

28 C