રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ 2026-27ના ઐતિહાસિક રૂ. 18,518 કરોડના વાર્ષિક બજેટને મેયર પ્રતિભા જૈન દ્વારા બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું. વિપક્ષ દ્વારા જે સુધારા મૂકવામાં આવ્યા હતા, તેને ફગાવી દઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા મુકાયેલુ
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતો અને પાટનગરની આગવી ઓળખ સમાન વસંતોત્સવ તેના 31મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા સંસ્કાર ભારતીના સંયુક્ત ઉપક્રમે કાલે 21 ફેબ્રુઆરીથી શહેરના સાંસ્કૃતિક કુંજ ખાતે આ મહોત્સવનો રંગેચંગે
ભાવનગર શહેરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલી સીતારામ જનરલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી હસ્તી મેડિકલ એજન્સી અને પાછળના ક્લિનિકમાં આજરોજ રાત્રે વિકરાળ આગ લાગી હતી, ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા ફાયર કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ એક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળ
ભાવનગર શહેરની બી.એમ.કોમર્સ હાઈસ્કૂલ ખાતે 19 ફેબ્રુઆરી, 2026 ના રોજ એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બી.એમ.કોમર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના ધોરણ-12 બોર્ડની પરીક્ષા આપતા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓના લહિયા તરીકે સ
સુરત મહાનગરપાલિકામાં ફરી એકવાર વહીવટી અને રાજકીય વિવાદ ઉભો થયો છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (ફાઇનાન્સ) સ્વાતિ દેસાઈએ તાજેતરમાં રાજીનામું આપ્યું હતું, જેને મનપા કમિશનરે સ્વીકારી લીધું હતું. જોકે, આ રાજીનામું સ્વીકાર્યા બાદ લગભગ એક અઠવાડિયો વીતી ગયો હોવા છતાં તેને સ્થાય
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદીના કાંઠે આવેલા મચ્છુ ધામ ખાતે આહિર સમાજ દ્વારા નવ દિવસીય દેવી ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. આ ધાર્મિક મહોત્સવ ૨૦ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી ચાલશે. સપ્તાહના પ્રારંભ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા અને પોથી યાત્રા યોજાઈ હ
બોટાદ પોલીસ અધિક્ષક કચેરી ખાતે વિશ્વ માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ડી.વાય.એસ.પી. મનીષાબેન દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં કવિઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, બોટાદની જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને માતૃભ
શિવાનંદ આશ્રમ, જોધપુર ટેકરી ખાતે 21, 22 અને 23 ફેબ્રુઆરી, 2026 દરમિયાન 3 દિવસીય વિશેષ વેલનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઉત્તરાખંડ આયુર્વેદિક યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને મર્મ ચિકિત્સાના વિશ્વપ્રસિદ્ધ નિષ્ણાત ડૉ. સુનીલ જોશી (આયુર્વેદાચાર્ય) દ્વારા મર્મ ચિ
ગોધરા તાલુકાની 122 વર્ષ જૂની સહકારી સંસ્થા 'ધી કૃષ્ણ કો.ઓ.કોટન સેલ જીનીંગ એન્ડ પ્રેસીંગ સોસાયટી લી., ટીંબા'માં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકમાં કિરીટસિંહ ઠાકોરને ચેરમેન અને હરિશ્ચંદ્ર રાઠોડને વાઇસ ચેરમેન પદે બિનહરીફ વરણી કરવામાં આવી છે. ટીંબા ખાતે આવેલી આ સ
મહેસાણા જિલ્લાના પીલુદરા ગામમાં આવેલા દેવીપૂજક વાસ વિસ્તારમાં ગત રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. અહીં એક જ પરિસરમાં બિરાજમાન જોગણી માતા, હડકાઈ માતા અને ગોગા મહારાજના મંદિરના તાળા તોડી અજાણ્યા ચોર શખસો અંદાજે 6 કિલો 500 ગ્રામ ચાંદીના ઘરેણાંની ચોરી કરી ફરાર થઈ ગયા છે. જેની બ
ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન એક ઉમેદવારનું નિધન થયું છે. વાવ SRP ગ્રાઉન્ડ ખાતે દોડના અંતિમ રાઉન્ડમાં 27 વર્ષીય રવિન્દ્ર પ્રવિણભાઈ બારીયાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. વલસાડ જિલ્લાના મોગરાવાડી દેવદર્શન સોસાયટીના રહેવાસી રવિ
ઉનાળાની રજાઓ નજીક આવી રહી છે અને પરિવાર સાથે આનંદમય પ્રવાસની યોજના બનાવવા માટે આ સૌથી યોગ્ય સમય છે. તેને ધ્યાનમાં રાખીને દિવ્ય ભાસ્કર દ્વારા 21-22 ફેબ્રુઆરીએ ટ્રાવેલ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં દેશ-વિદેશના પ્રવાસ સ્થળો, ટુર પેકેજીસ, હોટેલ્સ, એરલાઈન્સ અને ટ્રાવેલ સર્
હાઇકોર્ટે એક ચુકાદામાં એવું તારણ રજૂ કર્યું છે કે, પતિની જાણ વિના પત્ની તેના પિયરમાં વધુ રોકાઇ હોય અને તેથી પતિએ તેને માત્ર એકવાર થપ્પડ માર્યો હોય તો તેને ક્રૂરતા ઠરાવી શકાય નહીં. હાઇકોર્ટે આ મામલે આપઘાતની દુષ્પ્રેરણા અને ક્રૂરતાના આરોપમાં દોષિત ઠરેલા પતિને 23 વર્ષે નિર્દો
સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણી આજે સવારે એક અજીબોગરીબ પરિસ્થિતિમાં મુકાયા હતા. તેઓ સવારે 8 વાગ્યે સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે જોયું કે એરલાઇન્સના કાઉન્ટર પર કોઈ પણ કર્મચારી હાજર નહોતો. મહેશભાઈએ સ્ટાર એરલાઇન્સમાં સુરતથી ભુજ જવા માટે એક અઠવાડ
મોરબીમાં નાના દરની ચલણી નોટો આપવાના બહાને રૂપિયા અઢી લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. મોરબીના DYSP જે.એમ. આલે પત્રકાર પરિષદ યોજી આ અંગે માહિતી આપી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી જુદા જુદા મોબાઈલ નંબર પરથી લોકોને ફોન કરતો હતો. તે ૧૦ અ
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાંથી એક ચોંકાવનારી અને માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. નવસારી જિલ્લાના વાસદા તાલુકામાં જાણીતી આશ્રમ શાળાના ટ્રસ્ટીના પુત્ર અને સંસ્થાના ડાયરેક્ટરે 11 સાયન્સમાં અભ્યાસ કરતી આદિવાસી સમાજની 15 વર્ષીય વિદ્યાર્થિની સાથે
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે સ્વામિનારાયણ મંદિર ખાતે 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અને 'પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ' યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ખેડૂતો, કૃષિ સખીઓ અને કિસાન મિત્રોને સંબોધીને પ્રાકૃતિક કૃષિ અપનાવવા પ્
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામની મુલાકાત લીધી હતી. તેમણે પર્યાવરણ સુરક્ષા અને સ્વચ્છતાના ઉદ્દેશ્ય સાથે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ ગ્રામજનોને પ્રેરણા આપી. આ મુલાકાત દરમિયાન, રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના એક પેડ મ
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ફરજ બજાવતાં શિક્ષકને તેની પત્નીએ અજાણ્યા ઈ-મેઈલ આઈડી ઉપરથી ધમકી ભર્યો ઈ-મેઈલ કરી તેનાં અને તેના પરિવારના સભ્યોના હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ ઈ-મેઈલમાં મહિલાઓ પ્રત્યે અભદ્ર અને અશ્લિલ ભાષાનો ઉપયોગ કરવામાં આવ
દિલ્હીમાં AI સમિટ દરમિયાન કોંગ્રેસના કાર્યકરોઓએ ટી-શર્ટ કાઢીને ભારત-અમેરિકા ટ્રેડ ડીલ સામે વિરોધ નોંધાવ્યો હતો. જેના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે. જામનગરમાં શહેર ભાજપ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને રાહુલ ગાંધી સામે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેર ભા
મોરબીના શનાળા રોડ પર ઓવરટેક કરવા બાબતે થયેલા ઝઘડામાં સોની યુવાન જતીન આડેસરાની હત્યા કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને હસ્તગત કર્યા છે. ગુનામાં વપરાયેલ એક્સેસ સ્કૂટર અને છરી પણ કબ્જે કરવામાં આવી છે. આ ઘટના ગુરુવારે રાત્રે 10:30 વાગ્યાના અર
દાહોદ જિલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જિલ્લા પંચાયત દ્વારા 'ગામે ગામ આરોગ્ય કિરણ' કાર્યક્રમ અમલમાં મુકાયો છે. જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાના માર્ગદર્શન અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના દિશા નિર્દેશ હેઠળ આ કાર્યક્રમ સફળતાપૂર્વક ચાલી રહ્યો છે.
ગાંધીનગરમાં રહેતા સિંચાઈ વિભાગના એક 85 વર્ષીય નિવૃત્ત ઇજનેરને બેંક ખાતું ઘરે બેઠા બંધ કરાવવાની સેવા લેવી ભારે પડી છે. ઠગ ટોળકીએ બેંક કર્મચારી તરીકે ઓળખ આપી વિશ્વાસ કેળવી ઘરે માણસ મોકલી ડેબિટ કાર્ડ મેળવી લઈ ગણતરીના દિવસોમાં જ ડિમેટ એકાઉન્ટમાંથી લાખોની કિંમતના શેર વેચી દઈ 46.22
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામે આજ રોજ સ્વામિનારાયણ મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'ગ્રામ કલ્યાણ કાર્યક્રમ' અને 'સેવા સેતુ' કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલે જણાવ્યું હતું કે, દેશી ગાય પ્રાકૃતિક ખેતીનો આધારસ્તંભ છે અને તેના ગૌમૂ
વલસાડ જિલ્લાના પારડી ખાતે 78 વર્ષના લાંબા અંતરાલ બાદ 'ગાંધી પ્રદર્શન મેળા'નું આયોજન કરવામાં આવ્યું છે. આઝાદીના અમૃતકાળમાં યોજાયેલા આ મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો તણાવ ઓછો કરવાનો અને તેમને ગાંધીજીના જીવન આદર્શોમાંથી પ્રેરણા આપવાનો છે. પારડીનો ઇતિહાસ મહાત્મ
દિલ્હીમાં યોજાયેલી વર્લ્ડ ક્લાસ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સમિટ મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીથી રાજકીય માહોલ ગરમાયો છે. આ ટિપ્પણીના વિરોધમાં પંચમહાલ જિલ્લાના ગોધરામાં ભારતીય જનતા યુવા મોરચા અને ભાજપ દ્વારા કોંગ્રેસ તથા રાહુલ ગાંધી વિરુદ્ધ પૂતળા દહનનો
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર મુસાફરોને બેસાડવા મુદ્દે રીક્ષા અને ઈકો કારના ચાલકો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે ટ્રાફિક અને ગેરવ્યવસ્થાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર, બ્રિજ પર ચઢવાના ભરૂચ છેડે મુસાફ
બોર્ડની પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓમાં ઉત્તરવહીની વિગતો ભરવા અંગેનો ભય જોવા મળે છે. આ ભય દૂર કરવા ગોધરા સાર્વજનિક શિક્ષણ મંડળે એક અનોખી પહેલ કરી છે. મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પૂરવણી (સપ્લીમેન્ટરી) કેવી રીતે ભરવી તેનું પ્રેક્ટિકલ માર્ગદર્શન અપાયું હતું. આ પહેલ અંતર્ગત, ગ
અમદાવાદના શીલજથી અડાલજ આવી રહેલા 50 વર્ષીય વિધવા મહિલાની બેગમાંથી રિક્ષા ગેંગ 7 લાખની રોકડ અને 2 લાખનો ચેક ભરેલી પ્લાસ્ટિકની થેલી સેરવીને ફરાર જતાં અડાલજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે, પુત્રના વિદેશ અભ્યાસ અર્થે મહિલાએ મકાન વેચીને રકમ એકઠી કરી હતી. વિધવા માતાની મ
બોટાદ જિલ્લા યુવા ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. આ વિરોધ પ્રદર્શન શહેરના દિનદયાળ ચોક ખાતે આવેલા ભાજપ કાર્યાલય પાસે યોજાયું હતું. યુવા ભાજપના કાર્યકરોએ દિલ્હીમાં રાહુલ ગાંધી દ્વારા AI વીડિયો બનાવીને કરાયેલા નિવે
દાહોદની નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના ગુજરાતી વિભાગ અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત બે ત
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના નાદરી ગામે આયુષ્માન આરોગ્ય કેન્દ્ર દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 35 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ ગ્રામજનોમાં રક્તદાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કર
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પીપળવા ગામે પીપળવા–મિતિયાજ રોડ પર એકસાથે પાંચ સિંહો જોવા મળ્યા હતા. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ ગામ ગીર જંગલ વિસ્તારથી આશરે 30 કિલોમીટર દૂર આવેલું છે. સિંહોના મૂળ નિવાસસ્થાનથી દૂર હોવા છતાં અહીં અવારનવાર સિંહોના આંટાફ
આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય એકમોમાં સ્વચ્છતા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અંગે સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત, 15 જેટલા ખાદ્ય એકમો પાસેથી સ્વચ્છતાનો અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવતા કુલ ₹71,000 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. મહ
દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને બોર્ડની પરીક્ષા કેન્દ્ર સંચાલકો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક જે એન્ડ આર બી.એડ કોલેજ, દાહોદ ખાતે યોજાઈ હતી. આ બેઠક ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનાર ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષાઓમાં જરૂરી તકેદારી રાખવા બાબતે હતી. પરીક્ષા
દસાડા તાલુકાના નાવિયાણી ગામે આવેલી ભારત સીટ કંપનીની કેન્ટીનમાં ભોજનમાંથી ગરોળી નીકળી હતી. જેથી હડકંપ મચી ગયો હતો. આ ઘટના બાદ 25 જેટલા કર્મચારીઓની તબિયત લથડી હતી. જેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભોજનમાં ગરોળી હોય તેવા ફોટા વાયરલ થયા હતા. કંપનીમાં દોડધામ મચી ગઈ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામમાંથી 14 ફેબ્રુઆરીના રોજ ગુમ થયેલી ચાર સગી બહેનોને ગઢડા પોલીસે ઉત્તર પ્રદેશના નોઈડાથી સુરક્ષિત શોધી કાઢી છે. ટેકનિકલ સર્વેલન્સ અને પોલીસની ત્વરિત કામગીરીને પગલે ચારેય દીકરીઓને પરત લાવી પરિવારને સોંપવામાં આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધ
અમદાવાદ ખાતે આવેલો રાજકોટનો યુવક રોકાવા માટે રાત્રીના સમયે હોટલ શોધતો હતો, ત્યારે એક શખ્સે ગીતા મંદિર બસ સ્ટેન્ડ પાસે તેની પાસે જઇને રૂ. 10 માંગીને ચપ્પુ બતાવ્યું હતું. બાદમાં રિક્ષામાં અજાણ્યા ત્રણ શખ્સોએ આવ્યા હતાં અને યુવકનું અપહરણ કરીને રિક્ષામાં મોબાઇલ, અમેરિકન ડોલર સ
ઉનાળાના પ્રારંભે જ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા બાકી લેણાં વસૂલવા આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. આગામી તા.25 ને બુધવારના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના 12 સર્કલમાં ડિસકનેક્શન ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ જે ગ્રાહકોન
આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી અને તેમના વચેટિયાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. આ લાંચ વારસાઈ નોંધ મંજૂર કરવા માટે માંગવામાં આવી હતી, જેમાં તલાટીએ કુલ ₹1.20 લાખની માંગણી કરી હતી. બાકરોલ ગામના એક અરજદારની વડીલોપાર્જિત સંયુક્ત
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આજે ત્રિપલ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન સામે જ પૂરપાટ ઝડપે આવતી BRTS બસ અચાનક બેકાબુ બની હતી અને રેલિંગ તોડી બસ BRTS ટ્રેક પરથી બહાર રોંગ સાઈડમાં રસ્તામાં આવી ગઈ હતી. સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇન્દિરા સર્કલ તરફ
ભાવનગર શહેરના દરબારી કોઠાર વિસ્તારમાં પૈસાની લેતી-દેતીના વિવાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સોએ હુસેન સલીમભાઈ પઠાણ (ઉંમર આશરે 28-30 વર્ષ) પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઘટના બાદ યુવકને તાત્કાલિક સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો,
18 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના ઉવારસદ ગામે એક હૃદયદ્રાવક દુર્ઘટનામાં પિતા અને તેમના બે માસૂમ બાળકો ચાલુ બાઈકે સીધા જ કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. આ શંકાસ્પદ અકસ્માતમાં પિતાનો આબાદ બચાવ થયો છે, જ્યારે 10 અને 7 વર્ષના બંને બાળકો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતાં સમગ્ર પં
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલી નિલકંઠ ગુરુકુલમ ખાતે 15 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા મેનેજમેન્ટ હેઠળ વિદ્યાર્થીઓના સર્વાંગી ઘડતરના સંકલ્પ સાથે આ મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો હતો. કાર્યક્રમોના સવાર
સુરત શહેરને સ્માર્ટ અને સ્વચ્છ બનાવવાની દિશામાં મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ આદેશથી આજે વહેલી સવારથી જ મનપાનું તંત્ર એક્શનમાં જોવા મળ્યું હતું. શહેરના પાલનપુર કેનાલ રોડ પર મનપાએ ‘લાલ આંખ’ કરી રસ્તા પરના દબાણો અને ગંદકી સામે મોટા પાય
માર્ચથી મે-2026 વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી થવાની છે. આસામ, પશ્ચિમ બંગાળ, પુડ્ડુચેરી, તમિલનાડુ અને કેરાલા. આમાંથી આસામમાં ભાજપની સરકાર છે. પુડ્ડુચેરીમાં ભાજપની ગઠબંધન સરકાર છે. બાકીના ત્રણ રાજ્યોમાં ભાજપની સરકાર નથી. બંગાળમાં મમતાની TMCનો દબદબો છે તો કેરાલામાં લેફ્ટ ડેમોક્રેટી
અમદાવાદમાં મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વીરુભાઈના પિતા સ્વ. કાનાભાઈ 'કાનાબાપા'ની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બુધવારે વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુણ્યતિથિ દાન અને ભોજન કરાવીને ઉજવવામાં આવી હતી. આ પ
અમદાવાદના નારણપુરા સ્થિત સુમન વિદ્યાલયમાં વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે ભવ્ય પુસ્તક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગથી યોજાયો હતો. આ પ્રદર્શનનો મુખ્ય હેત
અરબી સમુદ્રની અનંત તરંગો રોજ વેરાવળના કિનારે આવીને અથડાય છે, પરંતુ આ તરંગો સાથે જોડાયેલા અનેક પરિવારોના સપના વર્ષોથી કિનારે જ અટવાઈ ગયા છે. રોજી-રોટી માટે દરિયામાં ઉતરેલા 198 જેટલા ભારતીય, ખાસ કરીને ગુજરાતના માછીમારો, છેલ્લા પાંચ વર્ષથી પાકિસ્તાનની જેલોમાં કેદ હોવાનું જણાવ
કાંકરિયા સ્થિત દીવાન બલ્લુભાઈ સ્કૂલમાં 20 ફેબ્રુઆરી, 2026ના રોજ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આશરે 400 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં નૃત્ય, ગીતો, નાટિકાઓ અને અન્ય સર્જનાત્મક પ્રસ્તુતિઓ સહિત વિ
સિલ્વર ઓક યુનિવર્સિટીની લો કોલેજના વિદ્યાર્થીઓએ તાજેતરમાં 'જાતીય સતામણી નિવારણ' (POSH) કાયદા પર વિશેષ ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના જેન્ડર રિસોર્સ સેન્ટર દ્વારા 'સેતુ' કાર્યક્રમ હેઠળ, GNLUના સહય
દિલ્હી ખાતે યોજાયેલ ત્રણ દિવસીય વૈશ્વિક AI સમિટ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શનના ઘેરા પ્રત્યાઘાત ભાવનગરમાં જોવા મળ્યા હતો જેમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ભાવનગર શહેર દ્વારા આજે શહેરના ઘોઘાગેટ ચોક ખાતે રાહુલ ગાંધી અને કોંગ્રેસના
આજ રોજ સંત પ્રેમદાસ સેવા ટ્રસ્ટ દ્વારા સ્વામી વિવેકાનંદ પ્રાથમિક શાળા (સવારની પાળી) ના વિદ્યાર્થીઓ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત શાળાના તમામ બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું.
અમદાવાદ: વૈષ્ણવ બિઝનેસ નેટવર્ક (VBN) ના અયોધ્યા ચેપ્ટર દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પરીખે યુવા ઉદ્યોગસાહસિકોને પ્રેરક ઉદબોધન આપ્યું હતું. આ પ્રસંગે તેમણે લેખિત પુસ્તક સુખનો સૂર્યોદય પણ સભ્યોને ભેટ આપ્યું. VBN એ વૈષ્ણવ વણિક યુવાન-યુવતીઓનું સંગઠ
કુજાડની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે વિદાય કાર્યક્રમ યોજાયો હતો. ૧૯ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી.એન. પ્રજાપતિ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આગામી ગુજર
છેલ્લા 22 વર્ષથી કરુણા ફાઉન્ડેશન દ્વારા રાજકોટમાં મૂંગા અને બિનવારસી પશુ-પક્ષીઓની વિનામૂલ્યે સારવાર કરાઈ રહી છે. આ સેવા 'મોબાઇલ પશુ ચિકિત્સાલય', 'એનિમલ હેલ્પલાઇન' અને 'વેટરનરી હોસ્પિટલ' સ્વરૂપે કાર્યરત છે. અત્યાર સુધીમાં 11 એમ્બ્યુલન્સ અને ત્રણ બાઇક એમ્બ્યુલન્સ દ્વારા 14 લાખ જ
ભારતીય પરંપરામાં અનેક ઔષધીય વનસ્પતિઓનો ઉપયોગ વિવિધ રોગોના ઉપચાર માટે સદીઓથી થતો આવ્યો છે. આ વનસ્પતિઓ કુદરતી રીતે ઉપલબ્ધ છે અને તેના અનેક સ્વાસ્થ્ય લાભો છે. ચાલો કેટલીક મુખ્ય ઔષધીઓ અને તેના ઉપયોગો વિશે જાણીએ. તુલસી મેલેરિયા, વાયરલ ઇન્ફેક્શન, તાવ અને શરદી જેવા રોગોમાં અત્યં
મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત સિદ્ધગિરી કનેરી મઠના માર્ગદર્શન હેઠળ 15થી 17 ફેબ્રુઆરી, 2026 દરમિયાન 'સિદ્ધગિરી કેટલ શો'નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ (NMNF) ના નેચરલ ફાર્મિંગ ડેમોન્સ્ટ્રેશન ઘટક અંતર્ગત દેશી ગૌ પ્રદર્શન સાથે યોજાય
ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપના ટાઈમ્સ ફાઉન્ડેશન દ્વારા 21 ફેબ્રુઆરી, 2026ના રોજ નવી દિલ્હી ખાતે TOI નેશનલ CSR સમિટ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનો મુખ્ય હેતુ કોર્પોરેટ સામાજિક જવાબદારી (CSR) ને રાષ્ટ્ર નિર્માણ સાથે વધુ સક્રિય રીતે જોડવાનો છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સમિટમાં ગ્લોબલ
તલકચંદ ઝબકબા વિસલપુર સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે શુભેચ્છા સહ વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા સંચાલક મંડળના મહામંત્રી ભરતસિંહ ડોડ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્
પાટણમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજ દ્વારા 18 ફેબ્રુઆરી, 2026ના રોજ માતૃભાષા મહોત્સવ ૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ બાયસેગ હોલ ખાતે સવારે 9:30 કલાકે યોજાયો હતો. કાર્યક્રમનો પ્રારંભ કોલેજના લાઇબ્રેરીયન ડૉ. વલ્લરીબેન હાથીએ પ્રાર્થનાથી કર્યો હ
અમદાવાદના સરખેજ ગામ સ્થિત શકરી તળાવ ખાતે ગ્રીન લીફ ટ્રસ્ટ દ્વારા 5000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર Can Fin Homes Ltd - CSR અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી મિયાવાકી અર્બન ફોરેસ્ટ પદ્ધતિ દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ પહેલનો મુખ્ય હેતુ શહેરમાં હરિયાળી વધા
વિજાપુરના જાણીતા બાળરોગ નિષ્ણાત અને શિવમ કેસ્ટર પ્રોડક્ટ્સ પ્રાઈવેટ લિમિટેડના ડાયરેક્ટર ડૉ. ભરતકુમાર પટેલ સાથે કંપની વેચાણના સોદામાં રૂ 8.38 કરોડની છેતરપિંડી થઈ હોવાની વિગતો સામે આવી છે. આ મામલે ડૉક્ટરે મધ્યસ્થીઓ અને ખરીદદારો સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આજે એટલે કે 19 ફેબ્રુઆરીના રોજ કોકલિયર ઇમ્પ્લાન્ટ એસેસમેન્ટ અને ફિટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન એક જ દિવસમાં આશરે 46 બાળકોને નવા એક્સટર્નલ સ્પીચ પ્રોસેસરનું ફિટિંગ અને મેપ
નવસારીમાં સોશિયલ મીડિયા પર અશ્લીલ ભાષાનો ઉપયોગ કરી રીલ્સ વાયરલ કરવા બદલ બે યુવકોની ધરપકડ કરવામાં આવી છે. નવસારી સાયબર ક્રાઈમ પોલીસે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મોનિટરિંગ કરીને આ કાર્યવાહી કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસની ટીમ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોનિટરિંગ કરી રહી હતી ત્
ગુજરાતમાં સાયબર ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે, ત્યારે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા 3 મહિનાથી નાસતા ફરતા અને દેશભરમાં અંદાજે 13 કરોડથી વધુના સાયબર ફ્રોડ આચરનારી ગેંગના મુખ્ય સાગરીત હિરેન લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં ચોંકા
કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે શહેરમાં વિવિધ ખાદ્ય એકમો પર તપાસ હાથ ધરી હતી. સ્વચ્છતાના અભાવ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કુલ 15 એકમો પાસેથી ₹71,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. મહાનગરપાલિકા કમિશનરની સૂચના અનુસાર, આરોગ્ય વિભાગની ટીમે ડોક્ટર રાજેશ પટેલના નેતૃત્
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકના પૂર્વ ધારાસભ્ય અંબરીષ ડેરની રાજકીય સક્રિયતામાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. ભાજપમાં જોડાયા બાદ છેલ્લા કેટલાક સમયથી શાંત દેખાતા ડેરે તાજેતરમાં પ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે શ્રેણીબદ્ધ મુલાકાતો કરતા રાજકીય ગરમાવો વધી ગયો છે. અંબરી
પાટડીમાં શક્તિમાતાજી મંદિર પાસે તળાવ ડેવલપમેન્ટ વિસ્તારમાં શુક્રવારથી ભવ્ય 'પાટડી શોપિંગ ફેસ્ટિવલ - સ્વદેશી મેળા'નો પ્રારંભ થયો છે. સ્થાનિક કલા-કૌશલ્ય અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે આયોજિત આ મેળામાં પહેલા જ દિવસે નગરજનોની ભારે ભીડ જોવા મળી હતી. ધારાસભ્ય પી.
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
સુરત શહેરમાં એમ. ડી. ડ્રગ્સ સપ્લાય કરવાના બે અલગ-અલગ ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા મુખ્ય આરોપી શેખ અબરાર ઉર્ફે હાજી સાહબ ઉર્ફે જીલાણીને પોલીસની ટીમે મહારાષ્ટ્રના નાસિક ખાતેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી 27 વર્ષનો છે અને જલગાવનો રહેવાસી છે. તેની સામે અગાઉ નાસિક તેમજ જલગા
અમદાવાદના એસ.પી. રીંગ રોડ પર ભૂતકાળમાં નકલી પોલીસ બનીને અનેક લોકોને લૂંટવાના બનાવો સામે આવ્યા હતા ત્યારે રિંગ રોડ પર હેબતપુર મલ્હાર ઢોસા ટ્રાફિક પોઇન્ટ પાસે યુવક પોતે પ્રહલાદ નગર પોલીસ સ્ટેશનનો પોલીસકર્મી હોવાની ઓળખ આપી લોકો પાસેથી લાયસન્સ અને વાહનોના કાગળ માંગતો હતો. આ બ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના લાખણકા ગામે ગત રાત્રિએ એક સનસનાટીપૂર્ણ ઘટના બની હતી. ગામમાં દુકાન ચલાવતા અમિતભાઈ રણજીતભાઈ વઢેળ નામના યુવક પર કેટલાક અજાણ્યા શખ્સોએ પાઈપ અને લાકડીઓ વડે હિંસક હુમલો કર્યો હતો. આ સમગ્ર હુમલાની ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઇજાગ્રસ્ત અમિત
શહેરના પુરષોત્તમ નગર વસ્તી વિસ્તારમાં ગઈકાલે સાંજે હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાકરોલ સ્ક્વેર પાસે આવેલી એમ. જે. સ્કૂલના મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, ભજન મંડળો, મંદિરોના પૂજારીઓ અને ગણેશ-ગરબા ઉત્સવ મંડળના સભ્યો સહિત સ
આણંદ મહાનગરપાલિકાએ બાકી વેરા અને ભાડાની વસૂલાત માટે આક્રમક ઝુંબેશ શરૂ કરી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના અનુસાર, આ ઝુંબેશના ભાગરૂપે, મનપાની રિકવરી ટીમે આજે આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. ટીમે લાંબા સમયથી વેરો ન ભરતી પાંચ દુકાનોને સીલ કરી દી
ટેક્સટાઈલ સિટી ગણાતા સુરતમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. સુરત શહેરના રિંગરોડ વિસ્તારમાં આવેલી જાણીતી મિલેનિયમ ટેક્સટાઈલ માર્કેટ-2માં વહેલી સવારે અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં કાપડનો લાખો રૂપિયાનો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે પરંતુ સદનસીબે કોઈ જ
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા 22 ફેબ્રુઆરી 2026, રવિવારના રોજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન કાર્યક્રમ ‘સંધાન-2026’ યોજાશે. NAAC દ્વારા ‘A’ ગ્રેડ પ્રાપ્ત આ યુનિવર્સિટીના સ્થાપના કાળથી અત્યાર સુધીના વિદ્યાર્થીઓ આ દિવસે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ સવારે 10:00 કલાકે યુનિવર્સિટીના ઈ
બરવાળા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દાત્રેટીયાથી સોઢી ગામ તરફ જઈ રહેલા એક શંકાસ્પદ બાઈકને રોક્યું હતું. બાઈક પર સવાર બે યુવકો પાસેથી 45 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ રૂ, 39,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, હીરો સ્પ્લે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ લક્ષી બેઠકનો આજે 20 ફેબ્રુઆરીના બીજો દિવસ છે. બેઠકના બીજા દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા મુકાયેલા રૂપિયા 18,518 કરોડના સામાન્ય બજેટ ઉપર ચર્ચા શરૂ થઈ છે. વર્ષ 2026- 27ના અમદાવાદ શહેરના બજેટ પર ચર્ચાની શરૂઆત સ્ટ
રાજ્યમાં લગ્ન નોંધણીના નિયમો કડક બનશે ગુજરાતમાં હવે લગ્ન નોંધણીના નિયમો કડક બનશે. લગ્ન માટે અરજી કરવા પર માતા-પિતાને જાણ કરાશે અને 40 દિવસ પછી જ મેરેજ સર્ટિફિકેટ મળશે.એક મહિના પછી આ નિયમો લાગુ પડશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સૌથી મોટું ગ્રીન AI ડેટા સે
આણંદ સિવિલ હોસ્પિટલે વર્ષ 2025 દરમિયાન ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પૂરી પાડી છે. સિવિલ સર્જન ડો. અમર પંડ્યા દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધીમાં કુલ 1,70,854 દર્દીઓએ ઓપીડી સેવાનો લાભ લીધો હતો. આ ઉપરાંત, 60,327 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી હત
અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ સ્ટેશને ફરિયાદી ભગવતસિંહ ચૌહાણ દ્વારા લોકસાહિત્યકાર દેવાયત ખવડ સામે ડોયરામાં હાજર ન રહી 8 લાખની છેતરપિંડી આચરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જોકે, આ કેસમાં બંને પક્ષે સમાધાન થઈ જતાં સાણંદ કોર્ટ દ્વારા દેવાયત ખ
અમરેલી જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ની સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) બોર્ડની પરીક્ષાઓ 17 ફેબ્રુઆરી 2026થી 11 એપ્રિલ 2026 દરમિયાન યોજાશે. જિલ્લાના કુલ ત્રણ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાઓ લેવાશે. આ પરીક્ષા પ્રક્રિયા શાંતિપૂર્ણ, પારદર્શક અને ગેરરીતિમુક્ત માહોલમાં સંપન્ન થા
આણંદ જિલ્લા સેવા સદન ખાતે ACBએ લાંચનું છટકું ગોઠવી ગ્રામ્ય મામલતદાર કચેરીના રેવન્યુ તલાટી અને એક વચેટિયાને ₹10,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. બાકરોલ ગામના એક અરજદારના પિતા અને તેમના કુટુંબીજનોના નામે આવેલી વડીલોપાર્જિત સંયુક્ત માલિકીની જમીનમાં વારસાઈની નોંધ નામંજ
ગીર સોમનાથ જિલ્લા પોલીસે સંગઠિત ગુનાખોરી ડામવા માટે 'ઝીરો ટોલરન્સ' નીતિ અપનાવી છે. વર્ષોથી વિદેશી દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલી મુસ્તાક ઉર્ફે બાઠુની ગેંગ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCTOC) હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરી છ
સુરતના કતારગામ વિસ્તારમાંથી થોડા સમય પહેલા એક મોટા સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ થયો હતો. આ ગુન્હામાં સંડોવાયેલો અને પોલીસને થાપ આપી નાસતો ફરતો આરોપી કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઇ દેસાઇ આખરે પાટણના વાગડોદ ગામેથી ઝડપાઇ ગયો છે. સાયબર ક્રાઇમ સેલની તપાસમાં બહાર આવ્યું છે કે, પક
દિવ્ય ભાસ્કર એપ દ્વારા સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલે આગામી બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને એક જાહેરનામું બહાર પાડ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરી, 2026 થી 18 માર્ચ, 2026 દરમિયાન યોજાનારી SSC અને HSC (સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ) પરીક્ષાઓ શાંતિપૂર્
રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાના પતિ વિનોદભાઈ પેઢડીયા દ્વારા શહેરના સામાકાંઠે સંત કબીર રોડ ઉપર આવેલી શિવશક્તિ સોસાયટીમાં કરવામાં આવેલા બાંધકામનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સૂચિત જમીન ઉપર પ્લાન મંજૂરી વગર બાંધકામ કરવાના આક્ષેપો સાથે મહાપાલિકાની ટીપી (ટાઉન પ્લાનિંગ) શા
ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા આજરોજ તરસમિયા રોડ પર આવેલ મહાદેવનગર ની બાજુમાં આવેલ ખારસીની સામે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સર્ચ હાથ ધરવામાં આવ્યું હતુ, આ આવાસ યોજના માંથી 33 ભાડુઆત ઝડપાતા હાલ તંત્ર દ્વારા ભાડુઆત અને મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવી છે

28 C