સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે પોલીસ લાઈન આગળથી રૂ. 4.77 લાખના 9.548 કિલોગ્રામ ગાંજા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં કુલ રૂ. 8.83 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ચાર વ્યક્તિઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોશીના પોલીસ સ્ટેશનના PI એલ.જે. વાળ
સાપુતારા, રાજ્યના એકમાત્ર ગિરિમથક ખાતે ‘પર્યટન પર્વ 2025-26’નો પ્રારંભ થયો. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે આ કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સંભાળ્યું હતું. આ પર્વ પ્રવાસન ક્ષેત્રે રાજ્ય સરકારની સિદ્ધિઓ અને સાપુતારાના વિકાસને રજૂ કરે છે. પોત
પંચમહાલ પેરોલ ફર્લો સ્કવૉડે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ખેડા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ લાંબા સમયથી પોલીસને થાપ આપી રહ્યા હતા. પંચમહાલ રેન્જ આઈ.જી.પી. આર.વી. અસારી અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દૂધાત દ્વ
કાલોલ તાલુકાના કાલંત્રા ગામમાં એક પરણિતાએ પારિવારિક ઝઘડાથી કંટાળી ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, 108 એમ્બ્યુલન્સ સેવા અને ગોધરા સિવિલ હોસ્પિટલના તબીબોની સમયસરની સારવારને કારણે તેમનો જીવ બચી ગયો છે. પ્રાપ્ત માહિતી મુજબ, કાલંત્રા ગામની આ પરણિતાએ પોતાના ઘરે પા
મિસિસિપી શહેરમાં સામૂહિક ગોળીબારની ઘટના સામે આવી હતી, જેમાં છ લોકોના મૃત્યુ થયા છે. ન્યૂયોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર, એક માનસિક અસ્વસ્થ વ્યક્તિએ અલગ-અલગ 3 જગ્યાએ ગોળીબાર કરીને આ ઘટનાને અંજામ આપ્યો હતો. ક્લે કાઉન્ટીના શેરિફ એડી સ્કોટે ફેસબુક પર ઘટનાની અંગેની વિગતો આપી છે. તે
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે પીએમ મોદીએ સોમનાથમાં VVIP ગેસ્ટ હાઉસમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને દિગ્વિજય દ્વાર પર સાધુ-સંતોનું અભિવાદન
મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં પોલીસે કતલખાને લઈ જવાતી એક ગાયને બચાવી લીધી છે. ભાંથલા ચોકડી રોડ પરથી એક છોટા હાથી વાહનમાં ગાયની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને નાયબ પોલીસ વડા કમલેશ વસાવાએ કતલખાને લઈ જવાતા પશુઓ અને ગૌવં
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સોમનાથ પ્રવાસ નિમિત્તે 'શોર્ય યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રામાં 108 તાલીમબદ્ધ અશ્વો ભાગ લેશે, જે ભારતના શૌર્ય, પરંપરા અને સંસ્કૃતિનું પ્રતિક બનશે. યાત્રાની તૈયારીના ભાગરૂપે સોમનાથમાં સંપૂર્ણ રૂટ પર રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ
પારડી નજીક બગવાડા હાઈવે ટોલ પ્લાઝા પર એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે ટોલ પ્લાઝા પર થોડા સમય માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામ થયો હતો. મળતી માહિતી મુજબ, આ સ્વિફ્ટ કાર ન
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ છેલ્લા 24 કલાકમાં જ હત્યાના ત્રણ અલગ-અલગ બનાવોએ શહેરને બન્યા છે. ડિંડોલી અને કાપોદ્રામાં થયેલી હત્યા બાદ ઉત્રાણ વિસ્તારમાં પણ લોહિયાળ ખેલ ખેલાયો હતો, જ્યાં મિત્રો વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા 24 વર્
મકર સંક્રાંતિ પર્વને ધ્યાનમાં રાખીને વલસાડ પોલીસે સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક વલણ અપનાવ્યું છે. વલસાડ સિટી પોલીસે ચાઈનીઝ માંજા (દોરી)ના વેચાણ પરના પ્રતિબંધનો અસરકારક અમલ કરવા માટે અચાનક ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું.આ અભિયાન અંતર્ગત વલસાડ શહેરના બજારમાં પતંગ અને દોરીનુ
નવસારી પોલીસે શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી ₹42.19 લાખની છેતરપિંડી કરનાર ટોળકીના મુખ્ય સૂત્રધાર પિયુષ પારેખને ગોવાથી ઝડપી પાડ્યો છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. નવસારીના શાહુગામના 47 વર્ષીય રજનીકાંત ભીખુભાઈ પરમાર ગત 5 નવે
સુરતમાં છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ-અલગ વિસ્તારોમાં આપઘાતની ઘટનાઓ સામે આવી છે, જેમાં એક મહિલા પોલીસ કર્મચારીની પુત્રી, એક 15 વર્ષીય કિશોર અને એક શ્રમિક યુવકે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ ઉપરાંત, ઉતરાયણ પૂર્વે જ ઘાતક પતંગની દોરી રસ્તા પર યમદૂત બનીને આવી રહી હોય તેમ બે બાઇક
વલસાડના કલ્યાણ બાગ વિસ્તારમાં નિર્માણાધીન પાણીની ટાંકી પર લિફ્ટની બ્રેક ફેલ થતાં તે નીચે પટકાઈ હતી. આ ઘટનામાં કોઈ શ્રમિકને ઈજા થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી છે. છેલ્લા ૧૫ દિવસથી કલ્યાણ બાગ પાસે નવી પાણીની ટાંકીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. આજે સાંજે કોંક્રિટ ભરવાનું કા
રાજકોટ શહેરની બેંકોના એટીએમમાં રૂપિયા લોડ કરવાનું અને લોડ થયેલા રૂપિયા ઉપાડી બેંકમાં જમા કરાવવાનું કામ કરતી CMC ઇન્ફો સીસ્ટમ નામની કંપનીમાં 20 દિવસ પહેલા જ કસ્ટોડીયલ તરીકે નોકરીમાં જોડાયેલો હાલ રાજકોટ ઓમનગરમાં મામા સાથે રહેતો મુળ સોમનાથ વેરાવળનો શખ્સ પોતાની ફરજ દરમિય
પંચમહાલ જિલ્લામાં ખનીજ ચોરી અને ઓવરલોડ વહન સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે. શહેરા અને ગોધરા પંથકમાં આકસ્મિક દરોડા પાડી કુલ ચાર વાહનો ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં શહેરામાંથી બિનઅધિકૃત રીતે સાદી રેતીની હેરાફેરી કરતા બે ટ્રેક્ટર જપ્ત કરાયા હતા. જ્યારે ગોધરા તાલુ
હિંમતનગર નાગરિક સહકારી બેંકના 13 બોર્ડ ઓફ ડિરેક્ટર્સ માટે આજે મતદાન યોજાશે. કુલ 42 ઉમેદવારો મેદાનમાં છે, જેમના ભાવિનો નિર્ણય 32,661 મતદારો કરશે. મતદાન પ્રક્રિયા સવારે 8 વાગ્યાથી હિંમત હાઈસ્કૂલમાં શરૂ થશે. ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હિંમત હાઈસ્કૂલમ
હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં શુક્રવારે રાત્રે એક ઓરડીના દરવાજા પર બંદૂકમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બે અજાણ્યા બુકાનીધારી શખ્સો 'ફિરોજ ક્યાં છે?' તેમ પૂછીને આવ્યા હતા અને ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હતા. આ ઘટના અંગે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિર
ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ફાટી નીકળેલા ટાઈફોઈડના રોગચાળાએ હવે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા 10 દિવસથી તંત્ર આ રોગચાળાને કાબુમાં લેવામાં સદંતર નિષ્ફળ સાબિત થયું છે, ત્યારે આદિવાડા વિસ્તારની 8 વર્ષની બાળકી કાજલ ધોબીના મોતને લઈને આમ આદમી પાર્ટીએ મેડિકલ પુરાવા સાથ
મોરબીમાં માનવતાને લજવતી એક ઘટના સામે આવી છે, જેમાં એક સંસ્થામાં આશ્રય લઈ રહેલી 2 મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગંભીર ગુનામાં મોરબી એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી 2 શખસની ધરપકડ કરી છે. કોર્ટે બંને આરોપીઓને સોમવાર સુધી એટલે કે 2 દિવસના પોલીસ રિમા
રાજકોટમાં છૂટાછેડા બાદ મૈત્રી કરારમાં રહેતી 25 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. નયનાબેન ગત તા.26 ડિસેમ્બરે રાજેશ સાથે છૂટાછેડા લીધા હતા હાલ વિશાલ વલ્લભભાઈ કુબાવત નામના યુવક સાથે મૈત્રી કરાર કરી રહેતી હતી. નયનાએ ગઈકાલે સાંજે 5.30 વાગ્યાં આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખ
સુરત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં બનેલી ત્રણ મોટી ઘટનાઓએ પોલીસ તંત્રની ઉંઘ ઉડાડી દીધી છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સના નામે લાખોની છેતરપિંડી, ફોરવીલ કારમાં ચેઈન સ્નેચિંગ અને આંતરરાષ્ટ્રીય વેપારના બહાને થયેલી ઉચાપત એ સાબિત કરે છે કે હવે ગુનેગારો વધુ હાઈટેક અને આયોજનબદ્ધ બન્યા છે. આ
ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ અને ગૌરક્ષક સ્ક્વોડે દારૂણિયા રોડ પરથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડ્યો છે. મુસા મસ્જિદ સામેના ગોડાઉન પાસેથી બાઈક પર લઈ જવાતો આ જથ્થો પોલીસે કબજે કર્યો હતો. જોકે, બાઈકચાલક માંસ અને બાઈક મૂકીને ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, 9 જાન્યુઆરીના
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં UGVCL દ્વારા આયોજિત 18મી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હિંમતનગર સર્કલ ચેમ્પિયન બન્યું છે. ધ ગેલેક્સી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી 40 ઓવરની ફાઇનલ મેચમાં હિંમતનગર સર્કલે પાલનપુર સર્કલને હરાવ્યું હતું. આ ત્રિદિવસીય ટુર્નામેન્ટનો પ્રારંભ 8
ગાંધીનગરના સેક્ટર 15 સ્થિત સરકારી વાણિજ્ય કોલેજમાં 'બીઝફેસ્ટ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરાયેલા વિવિધ પોસ્ટર્સ અને વાનગીઓના 40 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને આચાર્યના સહયોગ તથા પ્રોત્સા
બોડેલી નજીક અલ્હાદપુરા નર્મદા કેનાલ પાસે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક પર લઈ જવાતી દારૂની બોટલો રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં બોડેલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દારૂના ખેપિયાને ઝડપી પાડ્યો હતો. આજે બપોરના સમયે વડોદરાનો એક પટેલ પ
ગાંધીનગર નજીક આવેલા ઉવારસદ ગામમાં પાન પાર્લરની આડમાં ચાલતા ડીઝલ ચોરીના એક વ્યવસ્થિત નેટવર્કનો અડાલજ પોલીસે આજે વહેલી પરોઢિયે પર્દાફાશ કરી રૂ. 20.16 લાખનો મુદ્દામાલ સાથે બે શખસોને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે પોલીસને જોઈ મુખ્ય સૂત્રધાર અંધારાનો લાભ લઈને નાસી
ગુજરાત પોલીસમાં જોડાવાનું સપનું જોતા લાખો યુવાનો માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ વિભાગના વર્ગ-3 સંવર્ગ હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક દળ (LRD) કેડરની કુલ 13,591 જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ આગળ વધારો થયો છે. ભરતી બોર્ડે આ જ
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે યુવક મંડળ દ્વારા શિયાળામાં અબોલ શ્વાનો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પટેલ વાડીમાં શીરો અને ખીચડી બનાવીને પીરસવામાં આવે છે. આ પ્રવૃત્તિમાં દિવંગત સ્વજનોના સ્મરણાર્થે તિથિ ભોજન પણ આપવામાં આવે છે. તાજેતરમાં, સ્વ. નાગજી દેસાઈ ખટાણાની
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના શામળકુવા ગામની 23 વર્ષીય અમિતા રાઠવા અને છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવીના 26 વર્ષીય સર્જન રાઠવાએ રમતગમત પ્રત્યે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગ્રેજ્યુએટ થયેલા આ બંને યુવાનો સામાન્ય આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવે છે. અમિતાના પિતા ખેતી કરે છે, જ્
બોલીવુડ અભિનેતા સોનુ સૂદે પાટણ જિલ્લાના વારાહી ખાતે આવેલી પ્રખ્યાત ભીડભંજન હનુમાનજી ગૌશાળાની મુલાકાત લીધી હતી. ગૌસેવા અને આધ્યાત્મિકતાના કેન્દ્ર સમાન આ સંસ્થાની પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઈને અભિનેતાએ ગૌશાળાના વિકાસ અને ઘાસચારા માટે ₹11 લાખનું દાન જાહેર કર્યું હતું. ફિલ્મ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા થઈ જાવ તૈયાર.
ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા વન્યજીવોના શિકાર સામે લાલ આંખ કરવામાં આવી છે. સતલાસણા તાલુકાના ભીમપુર ગામ નજીક આવેલા તારંગાના જંગલ વિસ્તારમાં શાહુડી નામના આરક્ષિત વન્ય પ્રાણીનો શિકાર કરનાર બે શખ્સોને વન વિભાગની ટીમે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છ
સુરત ક્રાઇમ બ્રાન્ચે દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવી રહેલા કુખ્યાત ‘ઇરાની ડેરા’ના માસ્ટરમાઇન્ડ અને આંતરરાજ્ય ગેંગના સરદાર આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેતને લાલગેટ વિસ્તારમાંથી ગુપ્ત ઓપરેશનમાં ઝડપી પાડ્યો છે. 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો
આજથી 12 જાન્યુઆરી સુધી PM મોદી ગુજરાતની મુલાકાતે આજથી થી 12 જાન્યુઆરી PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે.આજે PM દિલ્હીથી રાજકોટ અને ત્યાંથી સોમનાથ પહોંચશે. સાંજે તેઓ 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'માં સહભાગી થશે. PMના સ્વાગતમાં 100 આહીરાણી મહારાસ કરશે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડ
મહીસાગર જિલ્લામાં બેંક ઓફ બરોડા પ્રાયોજિત BOB RSETI (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન) દ્વારા મોબાઈલ રિપેરિંગ અને સર્વિસની એક મહિનાની નિઃશુલ્ક તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 20થી વધુ યુવાનો જોડાયા હતા, જેનો મુખ્ય હેતુ તેમને સ્વરોજગાર માટે સક્ષમ બનાવવાનો છે. આ તાલ
સુરત શહેર સાયબર ક્રાઇમ સેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં કાર્યરત '24X7 Club' નામની કંપની પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ કંપની દ્વારા સામાન્ય નાગરિકોને દર મહિને 10% રિટર્ન અને રોકાણના ત્રણ ગણા વળતરની લાલચ આપી રોકાણ કરાવવામાં આવતું હતું. તપાસમાં બહાર
રાજકોટમાં શિયાળામાં પવન સાથે પડી રહેલી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે પણ અહીં વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સિંહ, વાઘ, દિપડા, રીંછ જેવા મોટા પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટરના તમામ બારી દરવાજ
તાજેતરમાં નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલાના પગલે કોળી સમાજમાં ભારે પડઘા પડ્યા છે, જેના ભાગરૂપે આજે કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકી અધેવાડા શિવકુંજ આશ્રમથી 100થી વધુ કારના કાફલા સાથે બગદાણા મુકામે નવનીતભાઈ ના ઘરે જવા રવાના થયા હતા, દિવ્યેશભાઈ અને કોળી સમાજના અનેક
વડોદરા એમ.એસ. યુનિવર્સિટીની સોશિયલ ફેકલ્ટી ખાતે ડ્રગ્સ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સંભવ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો.આ સેમિનાર વડોદરાના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમારના અધ્યક્ષસ્થ
આમ આદમી પાર્ટીના નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આજે સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટની આકસ્મિક મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ આગામી રાજ્ય બજેટમાં વેપારીઓની અપેક્ષાઓ અને તેમની વાસ્તવિક સમસ્યાઓને સમજવાનો હતો. નોંધનીય છે કે, આ મુલાકાત દરમિયાન તેઓએ વડોદરાના 5 ધ
ચોટીલા ડુંગર તળેટીમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ચોટીલા ખાતે આવેલા સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સરકારી જિલ્લા પુસ્તકાલયના નવીન ભવનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું. શામળાજી મહોત્સવ 2025-26 અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું હતું. લોકાર્પણ બાદ ઉપસ્થિત મહેમાનોએ નવીન ગ્ર
નવસારીમાં છેલ્લા 17 વર્ષથી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે નવસારી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા 'મેગા ટ્રેડ ફેર'નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ટ્રેડ ફેર ગ્રાહકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. વર્તમાન ઔદ્યોગિક મંદીના માહોલ વચ્ચે
આણંદ LCBએ ચોરીના ૯ મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી આરીફ યુસુફભાઈ વ્હોરાએ વડતાલ-જોળ રોડ પરની એક દુકાનમાંથી મોબાઈલ ચોર્યાની કબૂલાત કરી છે. LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે આરીફ વ્હોરા ચોરીના મોબાઈલ વેચવા માટે આણંદના શાસ્ત્રી મેદા
વલસાડના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે ત્રણ દિવસીય સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સમાવેશી શિક્ષણ શાખા અંતર્ગત સમગ્ર શિક્ષા વલસાડ અને એલીમ્ફોના સંયુક્ત ઉપક્રમે ૮ થી ૧૦ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન આ કેમ્પ ધરમપુર, વાપી અન
ગુજરાત હાઈકોર્ટમાં મહેસાણાથી એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં TP સ્કીમના અમલની માગ કરાઈ છે. જે મુજબ મહેસાણા નગરપાલિકાએ વર્ષ 2002માં રોડ પહોળો કરવા વળતર ચૂકવીને જમીન લીધી હતી, પણ રોડ પહોળો થયો નથી. સાંકડા રોડ ઉપર અકસ્માતો થાય છે અને ત્યાં ફરી દબાણ થઈ ચૂક્યા છે. દુકાન
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના નરસિંહપુરા ગામમાં એક 45 વર્ષીય યુવકનું ઊંઘતા-ઊંઘતા બીડી પીવાના કારણે લાગેલી આગમાં દાઝી જવાથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન આજે તેમનું મોત થયું છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સળગતી દીવાસળી ફે
અમદાવાદના વેજલપુરમાં એક મહિલાને રસ્તામાં બે બાઈક ચાલકોએ ઊભા રાખીને મંદિરનું એડ્રેસ પૂછ્યું હતું. જે બાદ મહિલાને બાઇક ચાલકે પોતે ભૂવો હોવાનું કહીને 1 રૂપિયાની સામે 100 રૂપિયા આપ્યા હતા. મહિલાને વાતોમાં રાખી હિપ્નોટાઇઝ કરીને બાઈકચાલકે મહિલાના હાથમાં પહેરેલા દાગીના ઉતારી લી
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ હોટેલ કમ્ફર્ટ ઇન અને નાયરા પેટ્રોલ પંપ વચ્ચેના ટ્રક પાર્કિંગમાંથી એક આઇસર કન્ટેનરમાંથી વડોદરા શહેર પીસીબીની ટીમે 33.74 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હ
પાટણ શહેરની શીવનગર સોસાયટીમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે બે પાડોશી પરિવારો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી બંને પક્ષોએ એકબીજા પર તલવાર, લાકડાના ધોકા અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં બંને પક્ષના અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવા
વડોદરાના નવનિર્મિત કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે આવતીકાલે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ વન-ડે મેચ પૂર્વે ક્રિકેટ ફીવર ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં આજે ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સ યોજીને ટીમની તૈયારીઓ અને વર્લ્ડ કપના લક્ષ્યાંક વિશે મહત્
બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2026 અંતર્ગત કુલ 40,125 ફોર્મ પ્રાપ્ત થયા છે. આ ફોર્મ જિલ્લાના નવ વિધાનસભા વિસ્તારોમાંથી 8 જાન્યુઆરી, 2026 સુધીમાં મળ્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારી મિહિર પટેલના નેતૃત્વ હેઠળ ચૂંટણીપંચની માર્ગદર્શિકા મુજબ 19 ડિસેમ્બર, 2025ના રો
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના સિધાડા ગામે રસ્તામાં બ્લોક નાખવા જેવી સામાન્ય બાબતમાં ઉશ્કેરાઈને ચાર શખ્સોએ એક જ પરિવારના બે ભાઈઓ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદીએ સાંતલપુર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવી છે. પોલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 અને 12 જાન્યુઆરીના રોજ ગાંધીનગરના મહેમાન બનવાના છે. આ પ્રવાસને લઈને ગાંધીનગર પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાનના આગમનને લઈ આવતીકાલથી બે દિવસ માટે પાટનગર પોલીસ છાવણીમાં ફેરવાઈ જશે. જેમાં 10 IPS સહિત 1800
સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે 'વિકસિત ભારત જી રામજી' યોજનાને ગરીબ કલ્યાણના ક્ષેત્રે ક્રાંતિકારી સુધારો ગણાવીને તેની મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી. તેમણે ઇતિહાસ વાગોળતા કહ્યું કે, 1980માં શરૂ થયેલી આ યોજનાના નામ અનેક વખત બદલાયા પરંતુ, મૂળ હેતુ જળવાયો નહોતો અને
ગુજરાતની ઓળખ સમાન ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાબરમતી રિવરફ્રન્ટ પર આગામી 12 જાન્યુઆરી 2026ના રોજ આ ભવ્ય ફેસ્ટિવલનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2026 માટે અત્યારે સાબરમતી રિવરફ્રન્ટ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હેરિટેજ હવેલી
ગુજરાતીમાં એક બહુ જાણીતી કહેવત છે કે, ‘કૂવામાં હોય તો હવાડામાં આવે’. જેનો અર્થ એ થાય કે મુખ્ય સ્ત્રોતમાં કઈ હોય તો આગળ પહોંચે. પરંતુ જૂનાગઢ મહાનગરપાલિકાએ આ કહેવતને જાણે ઊંધી સાબિત કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ લાગે છે. ઐતિહાસિક નરસિંહ મહેતા તળાવ, જેના બ્યુટીફિકેશન પાછળ સરક
સાંતલપુરના હરશક્તિ પેટ્રોલ પંપ પર ગેસ ભરાવવા બાબતે થયેલી બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. લાઇનમાં ઊભા રહેવા જેવી સામાન્ય બાબતે છ શખ્સોએ પંપના ફીલર મેન પર હુમલો કર્યો હતો. આરોપીઓએ કર્મચારીને લાકડીઓ વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે સાંતલપુર
ભાવનગર જિલ્લાના પાલિતણા તાલુકાનું હણોલ ગામ આગામી 13 થી 15 જાન્યુઆરી દરમિયાન એક ઐતિહાસિક પળનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. ગ્રામીણ વિકાસ અને સ્વાવલંબનના ઉમદા હેતુ સાથે અહીં 'આત્મનિર્ભર હણોલ મહોત્સવ-2026'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવમાં દેશના દિગ્ગજ નેતાઓ, ખેલજગતના સ
પ્રાચીન કાળથી સોનું અને ચાંદી ભારતીય સંસ્કૃતિમાં માન-મોભાના પ્રતીક રહ્યા છે. આજે આધુનિક યુગમાં પણ રાજકોટનો ચાંદી ઉદ્યોગ પોતાની અદભૂત કલાત્મકતા અને ઉત્તમ ફિનિશિંગને કારણે વિશ્વભરમાં ડંકો વગાડી રહ્યો છે. ઇનોવેટિવ ડિઝાઇન અને વેરાયટી ધરાવતા દાગીના બનાવવામાં રાજકોટ આજે સમગ
લવકુશ મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ૩૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મહિલા જાગૃતિનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. મહોત્સવ દરમિયાન મહિલાઓ માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહિ
વડોદરા જિલ્લા અને શહેરમાં કાર્યરત તમામ સરકારી અને ખાનગી એકમો માટે મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, તરસાલી દ્વારા એક મહત્વની યાદી જાહેર કરવામાં આવી છે. રોજગાર વિનિમય કચેરી (CNV) એક્ટ-1959 અંતર્ગત, તમામ સંસ્થાઓએ તારીખ 31-12-2025 ના રોજ પૂરા થતા ત્રિમાસિક અને છ-માસિક રોજગારલક્ષી રીટર્ન તા
પાટણ લોકસભા બેઠકના સાંસદ ભરતસિંહજી ડાભીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના (SAGY) અંતર્ગત તેમના સંસદીય મતવિસ્તારના 8 ગામોને દત્તક લેવાની જાહેરાત કરી છે. તેમણે આ અંગે પાટણ જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જાણ કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ પસંદ કરાયેલા ગામોમાં આયોજનબદ્ધ વિકાસ, સંકલન અને વિવિધ
વલસાડ જિલ્લા સહિત રાજ્યભરમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સુધારણા કામગીરી સામે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે વહીવટી તંત્ર અને ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મતદારોને વર્ષ 2002ના તેમના પરિવારના સભ્યોના મત
વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ અને સંગ્રહ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. ડુંગરી પોલીસ અને SOG વલસાડની ટીમે અલગ-અલગ દરોડા પાડી ગાંજાના જથ્થા સાથે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ તાલુકાના ગોરગામ ગામના અરવાડા મંદિર ફળીયા વિ
ભારતીય સંસ્કૃતિના અતૂટ શ્રદ્ધા કેન્દ્ર સમાન સોમનાથ મહાદેવના મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થતા, દેશભરમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ'ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વના ભાગરૂપે, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર, વડોદરા દ્વારા એક વિશેષ આધ્યાત્મિક યાત્રાનું ભવ્ય આયોજન કરવ
મોરબીમાં આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજ (એલ.ઇ. કોલેજ) દ્વારા 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણી કરવામાં આવી. લેંકો એલ્યુમની એસોસિએશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી અને કોલેજના પૂર્વ વિદ્યાર્થી અર્જુન મોઢવાડિયા સહિત અંદાજે 2500 પૂર્વ
સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજની રજત જયંતી નિમિત્તે રાષ્ટ્રીય સેમિનારનું આયોજન શહેરની પ્રતિષ્ઠિત સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજના સ્થાપનાના 25 વર્ષ પૂર્ણ થતા તેની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આજે એક 'રાષ્ટ્રીય હોમિયોપેથિક સંવાદ'નું આયોજન કરવામાં આવ્યુ
વડોદરાના કલાકાર ઉદય કોરડેએ ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્માના અદભૂત પોટ્રેટ કોફી અને પાણીના મિશ્રણથી તૈયાર કર્યા છે. તેમની આ અનોખી કલાત્મક શૈલી ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. સામાન્ય રીતે ચિત્રકામ માટે રંગો, પેન્સિલ કે બ્રશનો ઉપયોગ થતો
પાટણ જિલ્લાના દૂધારામપુરા ગામમાં લાંબા સમયથી દારૂના દૂષણને કારણે ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ગામની મુલાકાતે આવેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સમક્ષ ગ્રામજનોએ દારૂબંધીના કડક અમલ માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામમાં દેશી અને વિ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનાને નબળી પાડવાના પ્રયાસો સામે રાજ્યભરમાં 'મનરેગા બચાવો આંદોલન' શરૂ કરવાની જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ માહિતી
પાલનપુરના જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા દિવ્યાંગ અને બ્લડ કેન્સરના દર્દીઓની મદદ માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોરના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (
જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરનો 47 વર્ષ જૂનો જર્જરિત પુલ મકરસંક્રાંતિના તહેવાર બાદ તોડી પાડવામાં આવશે. આ પુલના સ્થાને ₹19.48 કરોડના ખર્ચે ચાર માર્ગીય નવો પુલ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા ડિમોલેશન પહેલાં વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન તૈયાર કરી લેવાયું છે. કાલાવડ નાકા બહ
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજ નીચેથી ₹8,07,336/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 1788 નંગ દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન સાથે એક સ્વિફ્ટ ડિઝાયર કાર કબજે કરી છે. પોલીસને બાતમી મળી હતી કે GJ-18 BL 7855 નંબરની સફેદ સ્વિફ
પંચમહાલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ગોધરાએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પરથી વિદેશી દારૂ અને એક કાર સહિત કુલ ₹7.22 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર નાકાબંધી દરમિયાન કરવામાં આવી હતી. પોલીસને બાતમી મળી હતી કે, GJ-17-CA-2448 નંબરની સફેદ i20 કારમાં વ
વિશ્વવિખ્યાત મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પછીના પ્રથમ શનિ-રવિવાર એટલે કે આગામી 17 અને 18 જાન્યુઆરીના રોજ ‘ઉતરાર્ધ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ધરોહરને જીવંત રાખતા આ મહોત્સવમાં વિ
મહેસાણા એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં આવેલ BND એનર્જી ફિટનેસ સેન્ટરના એક ડેટા એન્ટ્રી ઓપરેટરને લોડિંગ રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટના કામ પેટે 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. લોડિંગ રિક્ષાના રી-પાસિંગ માટે ફિટનેસ
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહકે, ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરફે 25 હજ
માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી એઆરટીઓ બોટાદ દ્વારા સાળંગપુર મંદિર પરિસરમાં એક વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને રિક્ષા ચાલકો માટે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન, રિક્ષ
ગોધરા સબજેલ ખાતે બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મક વિચારધારાના વિકાસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચની પ્રયાસ સંસ્થા દ્વારા આ પ્રસંગે જેલના બંદીવાનોને ઇનડોર તથા આઉટડોર રમતોના સાધનોનું વિતરણ કર
રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશનાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને અવનવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથના પ્રભાસતીર્થમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારી શૌર્ય સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે તેવી ધારણા છે. વડાપ્રધાનના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખર
ગોધરામાં મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી સેવા ઓર્ગેનાઈઝેશન ઇન્ડિયા અને યુએસએ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા, પતંગ-દોરા અને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્ય સંસ્થાના ફાઉન્ડર ચેરમેન ડોક્ટર યોગેશભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. શિયાળાની ઠંડીમાં જ
સુરતના તાપી રિવરફ્રન્ટ પર આજે રેશમી દોરીના તાંતણે સાત સમંદર પારથી આવેલા મહેમાનોના સપનાઓ ઉડાન ભરી રહ્યા છે. ઢોલ-નગારાના તાલે ઝૂમતા વિદેશી પતંગબાજો અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોએ સાબિત કરી દીધું છે કે, ભલે ભાષા અલગ હોય પણ 'પેચ' લડાવવાનો આનંદ તો એક જ છે. અડાજણ રિવરફ્રન્ટ
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ જાણીતા 'શુભમ કે માર્ટ'માં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માર્ટમાં આસિસ્ટન્ટ સ્ટોરમેન તરીકે ફરજ બજાવતા દિવ્યેશ ધરમણભાઈ હેરભા નામના કર્મચારીએ સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી કુલ 3,51,099 ની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્ટોર મેનેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર સોમવારે ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેને લઈને અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા SPG સાથે મળીને મોદી અને જર્મન ચાન્સેલરના રૂટ પર ઓન ટાઇમ રિહર્સલ કરવામાં આવ્યું છે. તમામ કાર્યક્રમમાં સ્થળ
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સુખી જીવન જીવવા માટે એક સરળ સૂત્ર આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આજના સમયમાં દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે છે, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ ન હોવાને કારણે દુઃખી થાય છે. કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ તલાવ ગામમાં રસ્તાના અભાવે એક પ્રસૂતાને સ્ટ્રેચર પર ઉચકીને અડધો કિલોમીટર દૂર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આઝાદીના 78 વર્ષ પછી પણ છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિ
વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે આ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ચાલશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવાનો છે. વન વિભાગના સહયોગથી વલસાડ જિલ્લા

24 C