સુરેન્દ્રનગરમાં નકલી ઘીનું નેટવર્ક ઝડપાયું છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અમુલ પ્યોર ઘીના માર્કવાળા શંકાસ્પદ 22 ડબ્બા જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન મહેતા માર્કેટમાં આવેલી આદિનાથ એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ હાલતમાં 6 ડબ્બા
હિંમતનગરના ટાવર ચોકમાં આવેલા પરશુરામ પાર્ક ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રહ્મસમાજના સભ્યોએ રામધૂન અને ભગવાન પરશુરામના જયઘોષ સાથે આરતી કરી હતી. આ ઉજવણી રવિવારે કરવામાં આવી હતી. ભગવાન પરશુરામજીની પૂજા અને આરતી ભૌતિક ભટ્ટ
નસવાડીના લિન્ડા ગામમાં ગત રાત્રે ચૂંટણી પ્રચાર દરમિયાન સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી અને સ્થાનિક લોકો વચ્ચે આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ ન મળવા મુદ્દે બોલાચાલી થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ધારાસભ્ય તડવી ગ્રામજનો પાસેથી મત માંગવા અને મોદી સરકારન
સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે મતદાન માટે ગણતરીના દિવસો બાકી છે. શહેર કોંગ્રેસે પ્રચાર માટે વઢવાણ વિસ્તારના વોર્ડ નંબર 12 અને 13માં બે નવા કાર્યાલય ખોલ્યા છે. આ કાર્યાલયોનું ઉદ્ઘાટન દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું. આ ઉદ્ઘાટન પ્રસંગે વિવિધ
સુરેન્દ્રનગરના કોઠારીયા ગામ ખાતે વજાબાપાની 11 મી પુણ્યતિથિ નિમિત્તે જીગ્નેશ દાદાની ભાગવત કથાનું આયોજન કરાયું હતું. આ કથામાં પાંચ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ મહાપ્રસાદ માટે 200 x 100 ફૂટનું વિશાળ રસોડું તૈયાર કરવામાં આવ્યું હતું. પ્રસાદ બનાવવા માટે 300 રસોય
હળવદ-માળીયા હાઇવે પરથી પોલીસે દારૂ ભરેલો એક ટ્રક ઝડપી પાડ્યો છે. ભૂસાની થેલીઓની આડમાં છુપાવેલો 6,672 બોટલ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં કુલ 40.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. માળીયા તાલુકા પોલીસની ટીમે હળવદ-માળીયા હાઇવે પર
દહેગામ તાલુકાના પાલુન્દ્રા ગામની સીમમાં આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતા એક મોટા નેટવર્કનો પોલીસે પર્દાફાશ કર્યો છે. દહેગામ પોલીસે પૂર્વ બાતમીના અત્રેના ખેતરમાં દરોડો પાડીને કુલ 4 શખ્સોને નવ મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ રૂ.1.19 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર
ઉના અને ગીર ગઢડા પંથકમાં સિંહોની હાજરી હવે સામાન્ય વાત બની ગઈ છે. અહીં રાત પડતા જ સિંહપ્રેમીઓ અને સ્થાનિકો પોતાની રીતે સિંહનું લોકેશન શોધવા નીકળી પડતા હોય છે, જે ક્યારેક વન વિભાગના સર્વે કરતા પણ વધુ ઝડપી સાબિત થાય છે. ગત (18 એપ્રિલે) રાત્રિએ આ વિસ્તારમાં સિંહપરિવારની આવી જ એક અ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે ઉમેદવારો હવે દોડતું ડોર પ્રચારમાં નીકળી રહ્યા છે. ત્યારે પ્રજા પોતાનો રોષ તેમની સામે ઠાલવી રહી છે. અમદાવાદમાં એક બાદ એક ભાજપના ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે. રામોલ- હાથીજણ વોર્ડમાં મત માંગવા ગયેલા ભાજપના પૂર્વ કોર્પોરેટર અને ઉ
મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં જૂના રામપુરા વિસ્તારમાં એક શ્રમિકની હત્યાના ચોંકાવનારા બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. પત્ની સાથેના કથિત આડા સંબંધની શંકાએ એક મિત્રએ જ પોતાના સાથી શ્રમિકની ગળે ટૂંપો દઈને નિર્મમ હત્યા કરી નાખી હતી. ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ હત
જૂનાગઢના મેંદરડા તાલુકાના ગીર જંગલની મધ્યમાં આવેલું શિરવાણ ગામ અત્યારે વહીવટી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યું છે. દાયકાઓથી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહેલા સીદી સમાજના આ લોકોએ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે
ભરૂચ શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન, ગત રોજ સાંજે વોર્ડ નંબર 8 વિસ્તારમાં પ્રચાર કરી રહેલા ભ
પાટણની ત્રીજી એડિશનલ સેશન્સ કોર્ટે સમી તાલુકાના કુકરાણા ગામે 12વર્ષ જૂના જમીન વિવાદમાં થયેલા જીવલેણ હુમલા કેસમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે તમામ 6 આરોપીઓને તકસીરવાન ઠેરવી 7 વર્ષની સખત કેદ અને કુલ ₹78,000નો દંડ ફટકાર્યો છે.જજ એમ.એ.શેખે આ કેસમાં કડક વલણ અપનાવ્યું હતું.આ ઘટના 14 માર્ચ,2014
મહેસાણાના જોટાણા તાલુકાના જાકાસણા ગામની સીમમાં પૈસાની માગણી કરી શરાબી પુત્રએ પોતાના પિતાને લાકડાના દંડા વડે માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે સાંથલ પોલીસ સ્ટેશનમાં પિતા દ્વારા પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પૈસા આપવાની
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વડાલી કેમ્પસ ખાતે નવા શૈક્ષણિક સત્રથી એમએસસી આઈટી (MSc IT) અને સોઈલ ટેસ્ટિંગ લેબોરેટરી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે જરૂરી સુવિધાઓની ચકાસણી કરવા પાંચ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. રજિસ્ટ્રાર અને બાંધકામ વિભાગન
ઉનાળાના વેકેશનની શરૂઆત સાથે જ સુરતમાં વસતા પરપ્રાંતીયોની વતન વાપસી શરૂ થઈ છે, પરંતુ આ મુસાફરી તેમના માટે આશીર્વાદને બદલે શ્રાપ સાબિત થઈ રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે. હજારોની સંખ્યામાં મુસાફરો અંત્યોદય ટ્રેનમાં જગ્યા મેળવવા ઉમટી પડ્યા છે,
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ તેજ બન્યો છે. વોર્ડ નંબર 1ના ભાજપના ચારેય ઉમેદવારોના પ્રચાર અર્થે સાલવીવાડા ખાતે મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ,પ્રભારી સત્યન કુલાબકર અને પૂર્વ કોર્પોરેટર મનોજપટેલે કાર્યકરોમ
પાટણ નગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આ અંતર્ગત વોર્ડ નંબર 2ના કોંગ્રેસના પેનલના ઉમેદવારોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ધારાસભ્ય કિરીટ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ કાર્યકરો અને મતદારોને શાંતિપૂર્ણ મતદાન કરવા
ગુજરાત રાજ્યમાં ઇલેક્શન ફીવર વચ્ચે રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બનવા માટેની આજે 19મી એપ્રિલના પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદ એમ 4 કેન્દ્રો પરથી આ પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં સૌરાષ્ટ્રના 21,500 ઉમેદવારો પરીક
અમદાવાદના ભાડજ સ્થિત હરે કૃષ્ણ મંદિરમાં શ્રી શ્રી રાધા માધવના 11મા પાટોત્સવની ઉજવણી શરૂ થઈ છે. મંદિરની સ્થાપનાને 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના પ્રથમ દિવસથી જ દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિકો ઉમટી પડ્યા
અમરેલી જિલ્લાના રાજુલા-જાફરાબાદ પંથકમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂરજોશમાં છે. આ દરમિયાન રાજુલાના ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અસામાજિકતત્વોને જાહેરમાં ચેતવણી આપતાં ધારાસભ્યના આ નિવેદને
બહાર જમવાના શોખીનો માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા વિલિયમ જ્હોન્સ પિત્ઝામાં અનલિમિટેડ ભોજનનો આનંદ લેવા ગયેલા એક ડોક્ટરના પહેલા પિત્ઝામાંથી જ વાળ નીકળતા હંગામો મચી ગયો હતો. આ બાબતે ડોક્ટરે રેસ્ટોરન્ટ સંચાલકો સામે રોષ પ્રગટ
રાજ્યની નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સત્તા મેળવવા માટે એપ્રિલની કાળઝાળ ગરમી વચ્ચે રાજકીય ગરમાવો ચરમસીમાએ છે. સુરેન્દ્રનગર મનપાનો વોર્ડ નં. 12, જે ઐતિહાસિક વઢવાણનો મુખ્ય હિસ્સો છે, ત્યાં વિકાસની વાતો વચ્ચે સ્થાનિકોમાં ભારે આઘાત અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વોર્ડ નં. 12: ભૌગોલિ
અખાત્રીજનો દિવસ એટલે ભાવનગરનો સ્થાપના દિવસ. ભાવનગર (જૂનું નામ ભાવેણા)ના 304માં સ્થાપના દિવસને લઈ અખાત્રીજના દિવસે સરકારી વિભાગો દ્વારા પરંપરાગત રીતે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભાવનગરના સ્થાપનાની સાથે અખંડ ભારતમાં પાયાના પથ્થર સમાન ભૂમિકા ભજનવાર ભાવનગર ર
ગુજરાતમાં ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં 25 ટકા સંખ્યાને રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ વિના મૂલ્યે પ્રવેશ આપવાનો હોય છે આ વર્ષે રાઇટ ટુ એજ્યુકેશનમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને આ પ્રક્રિયા 23 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે ત્યારે હવે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવ
પાલીવાલ બ્રહ્મ સમાજ યુવા સેના અને સમસ્ત બ્રહ્મ સમાજના સંયુક્ત ઉપક્રમે રવિવારે ભક્તિમય માહોલમાં નીકળશે વિશાળ મહાશોભાયાત્રા જેમાં 2500 થી વધુ યુવાનો કેસરીયા વાઘામાં જોડાશે. સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે
ગુજરાતમાં 40 ડિગ્રીથી 42 ડિગ્રી તાપમાને ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે ત્યારે આવતી કાલ તા. 19 અને 20 એપ્રિલે ભાવનગર સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 6 જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. દરમિયાનમાં આજે ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન 39.2 ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયુ
સાઈબર ગઠિયાઓએ હોળી- ધુળેટીની રજાઓમાં ધી ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો-ઓ. બૅન્ક સહિત દેશની 15 બૅન્કનું સર્વર હેક કર્યું હતું, જેમાંથી ભાવનગર ડિસ્ટ્રીક્ટ બૅન્કનાં 4 ખાતાંના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર તેમજ રકમ બદલીને રૂ.7.34 કરોડ ઉપાડી લીધા હતા. આ રૂપિયા 135 બૅન્ક ખાતાંમાં ટ્રાન્સફર કરીને ઉપાડ
વિશ્વમાં 19 એપ્રિલે લીવર રોગોની અવેરનેસ માટે ‘વર્લ્ડ લીવર ડે’ મનાવવામાં આવે છે.લીવર આપણા શરીરનું મહત્વપૂર્ણ અંગ છે તે પોષક તત્વોની પ્રક્રિયા કરવા, ઝેર તત્વોને ફિલ્ટર કરવા અને પિત ઉત્પન્ન કરવા માટે જવાબદાર ગણી શકાય છે. હાલ ફાસ્ટ લાઇફના લીધે મહિલા તેમજ પુરુષોમાં બેઠાડું જીવ
ભાવનગર એલસીબી અને પેરોલ ફાર્લોના બ્રાંચના ત્રણ કોન્સ્ટેબલ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરોને પરેશાન કરતા હોવાના આક્ષેપ સાથે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ રાજ્ય ચૂંટણી આયોગને લેખિતમાં રજૂઆત કરી આ પોલીસ કર્મચારીઓની અન્ય સ્થળે બદલી કરવાની માંગ કરી છે. ગારિયાધ
ભાવનગરના રાજવી 1800 પાદરના ધણી કહેવાતા હતા. આવતી કાલ તા. 19 એપ્રિલને રવિવારે અખાત્રીજના પર્વે ભાવનગર 303 વર્ષ પૂર્ણ કરી 304માં વર્ષમાં પ્રવેશ કરશે. ભાવનગરના 304માં જન્મ દિવસે પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દૂરંદેશી અને ન્યાય પ્રણાલીની ગૌરવગાથા પર નજર નાખવી જરૂરી છે. કારણ ક
ગુજરાતની પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં હાલ પ્રચાર કાર્ય તેના મધ્યાહ્ને છે, આવતાં શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઇ જશે, પરંતુ આ પાંચ દિવસ દરમિયાન ભાજપ હવે મહિલા અનામત બિલનો મુદ્દો ચગાવવા માટે તેના શસ્ત્રો સજાવી રહ્યું છે. રવિવારે કેન્દ્રીય રમતગમત રાજ્ય મંત્રી રક્ષા ખડ
ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જૂનિયર એક્ઝિક્યુટિવ, એસોસિએટ એક્ઝિક્યુટિવ અને સેક્રેટરી સહિતની 250 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો 17 મે સુધી સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ પોસ્ટ્સ માટે પસંદગી પામેલા ઉમેદવારોને વાર્ષિક રૂ. 17.11 લ
SVNITમાં શૈક્ષણિક વર્ષ 2024-25 અને 2025-26માં DASA ક્વોટા હેઠળ થયેલા 145 પ્રવેશના ડેટામાં નવો ટ્રેન્ડ સામે આવ્યો છે. વિદેશી વિદ્યાર્થીઓ હવે મિકેનિકલ કે કેમિકલ જેવા પરંપરાગત કોર એન્જિનિયરિંગને બદલે સોફ્ટવેર અને કોડિંગ બ્રાન્ચ પસંદ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં 68% થી વધુ એટલે કે કુલ 99 વિદ્ય
ઘોડદોડ રોડ પર સાડીના વેપારીએ મેટ્રિમોનિયલ સાઇટ પરથી યુવતીના સંપર્કમાં આવી ઓનલાઇન ગોલ્ડમાં રોકાણ કરવા જતા 25.75 લાખની રકમ ગુમાવી હતી. આ ગુનામાં પંચમહાલના હાલોલ ખાતેથી પ્લાસ્ટીકની ફેક્ટરીના માલિકને સાયબર ક્રાઇમે પકડી લાવી છે. પકડાયેલા વેપારીનું નામ ઘનશ્યામ કનુ ઠક્કર(46)(રહે,ઘ
સુરત ઈસ્ટ બિલ્ડર બિલ્ડર એસોસિએશન (સેબા) દ્વારા 24થી 26 એપ્રિલ સુધી HALO પ્રોપર્ટી એક્સ્પો 2026નું આયોજન એન્થમ સર્કલ, વલથાણ-પુણા ગામ કેનાલ રોડ, આઉટર રિંગ રોડ પર કરાયું છે. જેમાં 40 બિલ્ડરો દ્વારા 180થી વધારે પ્રોજેક્ટ પ્રદર્શનમાં મુકાશે. જેમાં ઘર, ફ્લેટ, બંગ્લો, કોમર્શિયલ, ઈન્ડસ્ટ્રીયલ પ
સુરત શહેરમાં આજે ગરમીનો માહોલ વધુ તીવ્ર બન્યો છે. આજે મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લધુત્તમ તાપમાન 25.5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. ગઈકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.6 ડિગ્રી અને લધુત્તમ તાપમાનમાં લગભગ 1 ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાન વિભાગ મુ
પાલ રહેતા વેપારીના પુત્રને હજીરાની બે કંપનીમાં ઊંચા હોદ્દા પર નોકરીની લાલચ આપી કતારગામના દંપતીએ નિર્મલ ધાનાણી અને કિંજલ ધાનાણી (વસનજી પાર્ક, કતારગામ) 32.40 લાખ પડાવ્યા છે. દંપતીએ હજીરાની બે મોટી કંપનીના બોગસ કન્ફરમેશન લેટર અને આઈડી કાર્ડ પણ બનાવી આપ્યા હતા, કંપનીના ગેટ પર સિક
શહેરના પશ્ચિમ ઝોન (રાંદેર)માં રહેતા નાગરિકો માટે મહ મહત્વના સમાચાર છે. જોગાણીનગર જળવિતરણ મથક ખાતે પાણીના પ્રેશરમાં સુધારો કરવા માટે પાઇપલાઇન પર વાલ્વ ફિટિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી 20 એપ્રિલ, 2026 (સોમવાર) ના રોજ સાંજના સમયે અડાજણ અને રાંદેરના અનેક વિસ્
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સૌરાષ્ટ્રના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં ડાયમંડ, ટેક્સટાઈલ, રિયલ એસ્ટેટ, ઓટોમોબાઈલ, જ્વેલરી અને સોલાર ઉદ્યોગના 200થી વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગકાર રાકેશ દુધાતએ જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બાદ દેશન
શહેરમાં રાજકીય હુંસાતુંસી હવે માત્ર આરોપ-પ્રત્યારોપ સુધી મર્યાદિત રહી નથી પરંતુ વાત હવે ધાક-ધમકી અને બાઉન્સરોના રક્ષણ સુધી પહોંચી છે. શહેરમાં જે રીતે પીઢ નેતાઓએ શંકાસ્પદ સ્થિતિમાં ફોર્મ પરત ખેંચ્યા છે અને અપહરણના પ્રયાસોના આક્ષેપો થયા છે તેના કારણે ઉમેદવારોમાં ફફડાટ જો
ઉભરાટથી સુરતના આભવા વચ્ચે 13 કિમી લાંબો ફોરલેન માર્ગ બની રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે અંદાજે 400 કરોડથી વધુનો ખર્ચ કરાઈ રહ્યો છે. પ્રોજેક્ટનો સૌથી મહત્વનો ભાગ મીંઢોળા ખાડી ઉપર 740 મીટરનો બ્રિજ બનાવવાનો છે. આ બ્રિજ કેબલ સ્ટેડ બ્રિજ પ્રકારનો છે,જેનું 30% કામ થઈ ગયું છે. જુલાઈ 2027 સુધીમાં
રાજકોટ શહેર ભાજપમાં એક સાંધે અને તેર તૂટે તેવી સ્થિતિ છે. આ દરમિયાન એક ગુપ્ત રિપોર્ટ પ્રદેશમાં કરાયો છે. જેમાં શહેરનું સંગઠન નબળું પડી ગયું છે અને જૂના અને નારાજ કાર્યકરો કામ કરતા નથી. તે પક્ષ માટે જોખમ સાબિત કરી છે તેવો રિપોર્ટ બન્યો છે અને પ્રદેશમાં પહોંચ્યો છે. રિપોર્ટ મુજ
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યૌગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા વિકસિત રિજિયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અને જિજ્ઞાસા કેળવવા માટે એક અનોખો પ્રયોગાત્મક કેમ્પ યોજાશે. આગામી મે માસ દ
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં કેન્દ્ર સરકારના સીઆરએસ (CRS) પોર્ટલને ફરજિયાત બનાવતા 2019 પહેલાંનો ડેટા સ્થગિત થઈ ગયો હતો. સરકાર દ્વારા આધારકાર્ડની તમામ પ્રક્રિયામાં નવા ફોર્મેટ મુજબના દાખલાનો નિયમ અમલમાં મૂકતા લોકો જૂના દાખલા બદલાવવા કોર્પોરેશન કચેરીએ લાઈનો લગાવત
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને રાજકીય ગતિવિધિઓને કારણે માહોલ ચરમસીમા પર છે, ત્યારે 18 એપ્રિલના રોજ રખિયાલ-સરસપુર વોર્ડમાં અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલબેન પટેલનો વાળ ખેંચતો વીડિયો સામે આવ્યો હતો. એક લાખ રૂપિયા પાર્ટી ફંડ લીધા બાદ પણ ટિકિટ ન આપી હોવાનો
સ્વચ્છતા સર્વેક્ષણમાં ડંકો વગાડતા સુરત શહેરમાં ફરી એકવાર ચૂંટણીનો ગરમાવો જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તમામ પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ, શું વાસ્તવિકતામાં જમીની સ્તર પર સ્થિતિ બદલાઈ છે?
રાજકોટ મહાનગરપાલિકાના જન્મ-મરણ વિભાગમાં છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી વહીવટી અને ટેકનિકલ ગૂંચવણોનો આખરે સુખદ અંત આવ્યો છે. કેન્દ્ર સરકારના સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) પોર્ટલ પર વર્ષ 2020 પહેલાનો ડેટા ટ્રાન્સફર કરવાની જટિલ પ્રક્રિયા 90 ટકા જેટલી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ નિર્
આ વર્ષે ચોમાસું ચિંતા કરાવે તો નવાઇ ન પામતા. ભારતીય હવામાન વિભાગનો અંદાજ છે કે ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડશે. દેશમાં લગભગ સરેરાશ 80 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે. છેલ્લા 8 વર્ષોમાં પહેલીવાર એવું બન્યું છે કે હવામાન વિભાગે સામાન્ય કરતાં ઓછા વરસાદનો અંદાજ લગાવ્યો છે. ત્ય
સવારે અને બપોરે એમ બેવાર જાગતું રાજકોટ, ઈતિહાસથી લઈને ઇન્ડસ્ટ્રી સુધી આગળ વધ્યું છે. હવે 26 એપ્રિલે મતદારો માટે મોકો છે, ભવિષ્યનું શહેર કેવી દિશામાં જશે તે નક્કી કરવાનો. ઉપરના ફોટો પર ક્લિક કરી વીડિયોમાં જુઓ માસૂમાબાદથી એઈમ્સ સુધીની સફર અને અગ્નિકાંડ બાદ ભ્રષ્ટાચાર મુક્ત વહ
કાલાવડ રોડ પર કોટેચા ચોકથી બીએપીએસ મંદિર સુધી ડામરકામ કર્યું છે. જોકે ડામરકામને કારણે રસ્તો ઊંચો થતા ફૂટપાથ પાસેના ભાગમાં જ કડ પડી ગઈ છે. વાહનચાલકો ખાસ કરીને ટૂ વ્હિલર ચાલકોને આ કડ દેખાતી નથી. જેને કારણે બાઈક સ્લિપ થઈ જતા અકસ્માત સર્જાય છે. એક બે નહિ રોજ ચારથી પાંચ અકસ્માતની
રામામંડળમાં સગુણાનું પાત્ર ભજવી ઓળખ મેળવનારા યુવક પર અજાણ્યા શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવ્યાનો બનાવ સામે આવ્યો છે. બુલેટ પર આવેલા બે શખ્સે યુવકને મારમારી પથ્થરથી ઘા કરી લોહીલુહાણ હાલતમાં મૂકી તેની પાસેથી રોકડ અને મોબાઇલ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ બનાવમાં નાગલપર ગામે રહેતા ભાવ
રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા આવકમાં વૃદ્ધિ કરવાના હેતુથી આકારણીમાં બાકી રહી ગયેલી મિલકતો માટે વ્યાજમાફીની યોજનામાં નવા નિયમોનો ઉમેરો કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા નવા વેરાબિલમાં આ સુધારો કરી વ્યાજમાફી યોજના તો ચાલુ રાખવામાં આવી છે, પરંતુ તેમાં 15 દિવસની સમયમ
ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને હોર્મુઝ માર્ગની અસ્થિરતાની સીધી અસર સ્થાનિક બજાર પર પડી રહી છે. દેશમાં ગેસની અછતનું બહાનું ધરીને ખાનગી ગેસ એજન્સીઓએ ઉઘાડી લૂંટ ચલાવવાના દરવાજા ખોલી નાખ્યા છે. માત્ર એક જ મહિનાના ટૂંકા ગાળામાં કોમર્શિયલ સિલિન્ડરના ભાવ બ
ડુંગરપુર ગામે રહેતા રફીકશા કરીમશા રફાઈ નામના યુવકની હત્યા સબબ મૃતકના પત્ની નજમાબેને ખડીયાના મિલન સોલંકી અને તોરણીયાના અનિલ ગુજરાતી સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ અનુસાર તેના ઘરે બંને શખ્સ ગુરુવારે રાત્રે આવ્યા હતા અને પતિને ચલમનો માલ હોય તો આપવાનું કહ્યું હતું.
શહેરમાં વિવિધ એકમો પનીરના નામે એનાલોગ નાગરિકોને ખવડાવતા હોવાની ફરિયાદો બાદ મ્યુનિ. આરોગ્ય વિભાગે શરૂ કરેલી તપાસમાં 11 એકમ પકડાયા છે. જેમાંથી મોટા ભાગના મણિનગર, બાપુનગર, રિલીફ રોડ રામોલ સહિતના પૂર્વ વિસ્તારોના તથા એક ગોતા વિસ્તારની હોટેલ છે. આ તમામની સામે એડજ્યુડિકેટિંગ ઓફ
19 એપ્રિલે ‘વર્લ્ડ લિવર ડે’ નિમિત્તે લિવરના રોગો અંગે ચોંકાવનારી વિગતો સામે આવી છે. સામાન્ય રીતે કમળો, આલ્કોહોલ અને જંકફૂડને જ લિવર માટે જોખમી માનવામાં આવે છે, પરંતુ કૂતરા સહિતના પાલતુ પ્રાણીઓના મળના સંપર્કથી થતો ‘લિવર હાઇડેટિડ સીસ્ટ’ રોગ પણ લિવરને ગંભીર નુકસાન કરી શકે છે.
ચૂંટણી પ્રચારનું ચિત્ર હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે ઉમેદવારો માટે લાઉડસ્પીકર, પોસ્ટર, બેનર અને પત્રિકાઓ જ મુખ્ય હથિયાર હતા. પરંતુ હવે મતદારો સુધી પહોંચવાનો રસ્તો મોબાઇલ સ્ક્રીનમાંથી પસાર થાય છે. સોશ્યલ મીડિયામાં રીલ, પોસ્ટ અને વિડિયો હવે ચૂંટણી પ્રચાર
પોરબંદરથી અડવાણા નેશનલ હાઈવે પર ગાંડા બાવળોનો વધતો આતંક હવે વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે, છતાં જવાબદાર તંત્ર કાનમાં તેલ નાખી બેઠું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. બાબડા અને ભારવાડા વચ્ચે આવેલા સાંકડા પુલિયા પર બાવળોની ડાળીઓ સીધી રોડ પર આવી જતા દરરોજ વાહન અકસ
પોરબંદર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આગામી દિવસો યોજાનાર મતદાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જેમાં પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી માટે 165 બુથ પર 825 સ્ટાફ અને જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણી માટે 286 બુથ પર 1716 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે જેમાં મતદા
શહેરમાં અનેક પૌરાણીક ધાર્મિક સ્થળો અને મંદિરો આવેલ છે.ત્યારે પોરબંદરએ ભગવાન શ્રી કૃષ્ણ મિત્ર સુદામાજીનું જન્મ અને રહેણાંક સ્થળ પણ માનવામાં આવે છે. જેથી સમગ્ર ભારતમાં એકમાત્ર પોરબંદરમાં સુદામા મંદિર આવેલ છે.ત્યારે કેદારેશ્વર કુંડ એ ગુજરાતના પોરબંદર શહેરમાં આવેલું એક અત
પોરબંદરના રેલ્વે સ્ટેશનના પાર્કિગમાં વર્ષો પૂર્વે સુલભ સોચાલય બનાવવામાં આવ્યું હતું ત્યારે આ સોચાલયને છેલ્લા 3 માસથી તાળા લગાવી દેવામાં આવ્યા છે જેને લઈને રેલ્વે સ્ટેશન ખાતે આવતા મુસાફરો અને અહીં વેપાર કરતા વેપારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. પોરબંદરના રેલ્વે સ્ટેશન
પોરબંદર જિલ્લામાં જૂન 2026થી શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ દ્વારા બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે કડક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં નવા પ્રવેશ માટે કોઈપણ પ્રકારની ગેરકાયદેસર એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવશ
પોરબંદર જિલ્લામાં અખાત્રીજના દિવસે અનેક વિસ્તારોમાં લગ્ન પ્રસંગનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ લગ્ન પ્રસંગમાં બાળલગ્ન અટકાવવા સમાજ સુરક્ષા વિભાગે તૈયારીઓ શરૂ કરી છે.સમાજ સુરક્ષા વિભાગે જિલ્લાના ત્રણેય તાલુકા સ્તરે બાળલગ્ન રોકવા માટે વિશેષ ટીમોની રચના કરવામાં આવી છ
પોરબંદરની સરકારી એમ.કે.ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા, મહેનત અને સંસ્કારોથી શાળાનું નામ રોશન કર્યું છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ એટલેકે ઇસ્કોન દ્વારા યોજાયેલ વેલ્યુ એજ્યુકેશન કોન્ટેસ્ટમ
પોરબંદરની નવયુગ એજ્યુકેશન સોસાયટી સંચાલિત મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના અધ્યાપકોના નિવૃત્તિ નિમિત્તે શહેરની હોટેલ ખાતે ભવ્ય વિદાય સમારંભ યોજાયો હતો. કોલેજ પરિવારના પાયા સમાન ડો. વી.ટી. થાનકી, ડો. એ. જે. રોજીવાડિયા અને એ. એમ. હિરાણીના સેવાકાળ પૂર્ણ થતા તેમને ભાવભીનાં વિદાય અપ
પોરબંદરના માર્કેટયાર્ડ હાલ રવીપાકની આવક જોવા મળી રહી છે.યાર્ડમાં ધાણા, જીરું,મગફળી, ઘઉં અને ચણાની આવક જોવા મળી રહી છે. જેમાં સૌથી વધુ ધાણાની 7000 કિલો આવક થઈ હતી જેનો પ્રતિમણે રૂ.1530 થી 2445 ભાવ ખેડૂતોને મળ્યા હતા પોરબંદર જિલ્લામાં એકમાત્ર પોરબંદરમાં માર્કેટયાર્ડ આવેલ છે.આ યાર્ડમા
TCS કંપની સાથે જોડાયેલા ધાર્મિક રૂપાંતરણ અંગેના આક્ષેપોને લઈને આ ઘટનામાં સચોટ તપાસ હાથ ધરી જવાબદાર લોકો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોરબંદરમાં VHP-બજરંગદળ દ્વારા પ્રદર્શન યોજી રાષ્ટ્રપતિને આવેદન પાઠવાયું છે. દેશભરમાં TCS કંપની સાથે જોડાયેલા ધાર્મિક
પોરબંદર મનપા દ્વારા શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે અને પર્યાવરણનું સંરક્ષણ થાય તે હેતુસર પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે તેમજ જાહેરમાં ગેરકાયદે ઘાસચારો વેચતા અથવા કચરો ફેલાવતા શખ્સો વિરુદ્ધ પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. મ્યુનિસિપલ
પોરબંદરમાં વાતાવરણમાં ઉકળાટ અનુભવાઈ રહ્યો છે. મહતમ તાપમાન 35.7 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 21.7 ડિગ્રી અને ભેજનું પ્રમાણ 49 ટકા પહોંચ્યું છે. પોરબંદરમાં સવારથી રાત સુધી ગરમીનો અનુભવ થાય છે અને બપોરે તો ઉકળાટ અનુભવાઈ છે. જ્યારે મોડી રાત્રે ભેજવાળું વાતાવરણ સર્જાઈ છે. પ
આગામી તા. 26-04-2026ના રોજ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ તેમજ મહાનગરપાલિકાની ચુંટણીઓ યોજાનાર હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા હોમગાર્ડઝને તૈનાત કરવામાં આવ્યા છે. આ સંદર્ભે જિલ્લા કમાન્ડન્ટ જે.એન. જોષી દ્વારા તમામ હોમગાર્ડઝ સભ્યોને ફરજ પર અનિવાર્ય રીતે હાજર રહેવા સૂચના આપવા
પોરબંદરના રાણા રોજીવાડા ગામે પ્રાથમિક શાળાની પાસે રહેતા એક વૃધ્ધે મોટી ઉમર અને માનસિક સ્થિતિ સારી ન રહેતી હોવાથી ગળે ફાંસો ખાઈ લેતા વૃધ્ધનું મોત નીપજ્યું છે. પોરબંદરના રાણા રોજીવાડા ગામે પ્રાથમિક શાળાની પાસે રહેતા દેવશીભાઇ અરશીભાઇ સોલંકી નામના 82 વર્ષીય વૃધ્ધે ગત તા.17/4ના
પોરબંદરની જિલ્લા તિજોરી શાખા દ્વારા જિલ્લામાં પેન્શનરો માટે હયાતીની ખરાઈ મે થી જુલાઈ માસ દરમ્યાન કરવા સૂચના આપવામાં આવી છે. પેન્શન ધારકોને દર વર્ષે હયાતીની ખરાઈ કરવી ફરજીયાત છે. પોરબંદર જિલ્લા તિજોરી કચેરી દ્વારા IRLA યોજના હેઠળ પેન્શન મેળવનાર રાજ્ય સરકારના પેન્શનરોને દર
મોડાસા પાલિકા દ્વારા બાયપાસ પાસે લાખોના ખર્ચે બનાવેલો મેરેજ હોલ શોભાના ગાંઠીયા સમાન બન્યો છે. આ ભવન નજીક નગરપાલિકા દ્વારા ડમ્પિંગ સાઈટનો કચરો ઠાલવતાં આ સ્થળની આસપાસ વાતાવરણ દુર્ગંધ મારી રહ્યું હોવાથી એક પણ દિવસ મેરેજ હોલનો કોઈએ ઉપયોગ ન કર્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદ્રઢ બનાવવા દેવભૂમિ દ્વારકા એલ.સી.બી. દ્વારા અસામાજિક તત્વો અને બુટલેગરો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એચ. જોષી અને પો.સબ ઇન્સ્પેક્ટર બી.એમ. દે
શામળાજીની મેશ્વો નદીમાં પાણી સૂકાઈ જતાં મોડાસા તાલુકાના મેશ્વો નદી કાંઠાના 14 કરતાં વધુ ગામડાઓ અને ભિલોડા તેમજ શામળાજી તાલુકાના નદી કાંઠાના 15 કરતાં વધુ ગામડાના લોકોને અને પશુ પંખીઓને પીવાના પાણી માટે વિકટ સમસ્યા ઉભી થઈ છે. ભિલોડા તાલુકા ખેડૂત એકતા મંચના પ્રમુખ રાહુલકુમાર
ઉનાવા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 3 અને 4માં આવેલા ગોખરુંવાસ અને બારોટવાસના રહીશો છેલ્લા ચાર વર્ષથી પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. વિસ્તારમાં પૂરતા દબાણથી કે નિયમિત પાણી મળતું ન હોવાથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તાર ઊંચાણવાળો હોવાથી પાણી પુરવઠો
ઉનાવાની સમરાથલ હોટલમાંથી 4 મહિના પૂર્વે જપ્ત કરેલ ફટકડી જેવો શંકાસ્પદ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ હોવાનું ખુલતાં હોટલ સંચાલક બે ભાઈઓ સામે ગુનો નોંધી, એકની ધરપકડ કરી છે. મહેસાણા એસઓજીની ટીમે 18 ડિસેમ્બર 2025ના રોજ ઉનાવા હાઇવે પરની સમરાથલ હોટલમાં રેડ કરી, બે પ્લાસ્ટિકની થેલીમાંથી સ
ઐતિહાસિક પાંચાળ પંથકની પવિત્ર ધરતી પર આવેલા ‘શ્રી નવા સૂરજદેવળ ધામ-દેવસર’ ખાતે સમગ્ર કાઠી દરબાર સમાજ પોતાના પૂર્વજોના અભૂતપૂર્વ શોર્ય,તેજ,ત્યાગ અને બલીદાનની યાદમાં દર વર્ષે સાડા ત્રણ દિવસનાં ઉપવાસ કરે છે ત્યારે ચાલું વર્ષે ભવ્ય દિવ્ય રીતે આ ઉપવાસ પર્વનું આયોજન કરવામાં આ
પાલનપુર પાલિકાના 11 વોર્ડના 40 સભ્યોની ચૂંટણીમાં કેટલાક વોર્ડમાં ચૂંટણી જંગ જામવા લાગ્યો છે જેમાં લઘુમતી વિસ્તાર ધરાવતા વોર્ડ નંબર 4માં સૌથી વધુ 16 ઉમેદવારો વચ્ચે અને વોર્ડ નંબર 1 અને 10માં સોથી ઓછા માત્ર 4-4 ઉમેદવારો વચ્ચે મુકાબલો યોજાય રહ્યો છે જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપથી નાર
સુરેન્દ્રનગરના ઈસ્માઈલી ખોજા સમાજ દ્વારા મહિલાઓના આરોગ્ય પ્રત્યે ગંભીરતા દાખવી એક પ્રેરણાદાયી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 90 થી વધુ મહિલાઓ અને કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ખાસ કરીને સર્વાઇકલ કેન્સર (ગર્ભાશયના મુખનું કેન્સર) પ્ર
સાયલાના આંબેડકર નગરમાં રહેતા શ્રમજીવી વિનુભાઈ હમીરભાઈ અઘારા પોતાના પરિવાર સાથે શુક્રવારની રાત્રીએ પોતાના ઘેર ગરમીના દિવસોને કારણે બહાર ઓસરીમાં સુતા હતા. આ દરમિયાન મોડી રાત્રે પોતાના ઘરના રૂમની બારી તોડીને ચોરી કરવાના ઇરાદે રૂમમાં શખસોએ પ્રવેશ કર્યો હતો. ચોરી કરનાર શખસ
દેશમાં હેરિટેજ વારસાની સાચવણી વધારાઇ રહી છે ત્યારે વઢવાણમાં ઐતિહાસિક વિરાસતો વેરાન બની છે. વઢવાણની ફરતે 2614 મીટર લાંબો અને 3 મીટર પહોળો કિલ્લો ઠેર ઠેર તુટી રહયો છે. જયારે ઐતિહાસિક કિલ્લાના અમર વારસાની યાદ અપાવતા રાણકદેવી મંદિર, વાવો અને હવામહેલની જાળવણી ન થતાં વારસો પોતે જ ઇ
ગુજરાતમાં ગરમી ચરમ સીમાએ આવી ગઈ છે. ત્યારે શનિવારે સુરેન્દ્રનગરમાં ગરમીનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચતા સુરેન્દ્રનગર શહેર ગુજરાતનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારે સમી સાંજે પણ સૂર્ય દેવતાં જાણે અગન જ્વાળા પાથરતા હોય એવુ રિવરફ્રન્ટના બ્રિજ પર જોવા મળ્યું હતું. આમ શહેરીજનો
ઝાલવાડના મુખ્ય મથક એવા સુરેન્દ્રનગર શહેરમાં શુદ્ધતાના નામે છેતરપિંડી થતી હોવાની આશંકા સાથે એસઓજી અને ફૂડ વિભાગે લાલ આંખ કરી છે. શહેરના મુખ્ય વેપારી મથકો પર દરોડા પાડી ''''અમુલ પ્યોર ઘી''''ના માર્કવાળા શંકાસ્પદ ડબ્બાઓ ઝડપી પાડતા સમગ્ર પંથકના વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ખ
પાલનપુર બસ પોર્ટની અંદરથી અંબાજી તરફ જતી બસોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. બસપોર્ટની આસપાસના 200 મીટર વિસ્તારમાં ખાનગી વાહનોનો જમાવડો થતાં ટ્રાફિક સમસ્યા સર્જાઈ છે. નો-પાર્કિંગ ઝોન હોવા છતાં બોર્ડ આગળ જ વાહનો પાર્ક થતાં નિયમોનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. પાલનપુર
ખંભાળિયા તાલુકાના કંચનપુર ગામમાં રહેતા મહેન્દ્રભાઈ પ્રકાશભાઈ ઘાવડા નામના યુવાન સાથે બનેલી ધમકી અને ગેરકાયદેસર દખલની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્રભાઈ ને ખંભાળિયા ખાતેના નાયબ કાર્યપાલક ઈજનેર દ્વારા નાના માંઢા ગામ નજીક આવેલા ડેમમાંથી કાંપ-મોરમ ઉપાડવા
બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીની આજે 19 એપ્રિલના રોજ યોજાનારી વાર્ષિક સાધારણ સભા પૂર્વે જ મોટો વિવાદ સર્જાયો છે. મંડળીના જાગૃત સભાસદોએ ચેરમેન અને મેનેજર સામે વ્યાપક ભ્રષ્ટાચાર અને ગેરવહીવટના આક્ષેપો સાથે લેખિત રજૂઆતોનો મારો ચલાવ્યો
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નં.8માં પ્રાથમિક સુવિધાઓના અભાવે લોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. પાણી, રસ્તા, સફાઈ અને લડબી નદીના પ્રદૂષણ જેવા પ્રશ્નો હજી યથાવત્ છે. સૌથી વધુ કફોડી સ્થિતિ લડબી નદીના વહેણની છે. તમામ વિસ્તારોના ગંદા પાણી અહીં નિકાલ કરવામાં આવે છે. અત્ય
પ્રાથમિક શિક્ષણ વિભાગે પરિણામ પત્રકની પદ્ધતિમાં મોટો ફેરફાર કરતા, બાલવાટિકા, ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને હવે પરંપરાગત માર્કશીટની જગ્યાએ હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ આપવામાં આવશે. ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓનું પરિણામ રાજ્ય કક્ષાએ ઓનલાઈન તૈયાર થશે અને શાળાઓ તે ડાઉનલોડ કર

32 C