ચૈત્રી નવરાત્રી નિમિત્તે બહુચરાજી મેળામાં પૂનમના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા મોઢેરા કેનાલ નજીક વિશેષ સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં પદયાત્રીઓને 800 કિલો કોથમીર વડી અને પીવાના પાણીનું વિતરણ કરીને સેવા પૂરી પાડવામાં આવી હતી.
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. નમો કમલમ્ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયામાં ભાજપના પ્રદેશ કારોબારી
અસારવા-ખેડબ્રહ્મા મેમુ ટ્રેન સેવા આજથી શરૂ થઈ છે. પ્રથમ દિવસે આ ટ્રેન હિંમતનગર રેલવે સ્ટેશન પર નિર્ધારિત સમય કરતાં આશરે 20 મિનિટ મોડી રાત્રે 7:56 વાગ્યે પહોંચી હતી. ચાર મિનિટના વિરામ બાદ રાત્રે 8:00 વાગ્યે તે ખેડબ્રહ્મા તરફ રવાના થઈ હતી. ઉલ્લેખનીય છે કે, નવ વર્ષના લાંબા ગાળા બાદ આ ર
જૂનાગઢ જિલ્લામાં નશાના કારોબારને જડમૂળથી ખતમ કરવા માટે પોલીસ વિભાગ દ્વારા આક્રમક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન માળિયા હાટીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે એક મોટી સફળતા હાંસલ કરી છે. લાઠોદ્રા ગામ પાસે બાતમીના આધારે વોચ ગોઠવીને પોલીસે એક શખ્સને
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં આવેલા પિંગળી રેલવે ફાટક નંબર 33 ને આગામી એક મહિના માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીના અંતિમ તબક્કાને કારણે આ ફાટક 1 એપ્રિલથી 1 મે સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વાહનચાલકો મા
રાજકોટ શહેરના રૈયા ગામ પાછળના ભાગે તળાવ પાસે આવેલી બાવળની ઝાડીઓમાં દારૂનું મોટાપાયે કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ડી.સી.બી. પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ ઓપરેશન દરમિયાન પોલીસે સ્થળ પરથી એક આરોપી નવીન લક્ષ્મીદાસ દામાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ત્રણ શખ
સુરતની નવી જિલ્લા અદાલત ક્યાં બનશે? વર્ષોથી વકીલ આલમ અને સુરતની જનતામાં ચાલી રહેલી અટકળો અને વિવાદોનો આજે અંત આવ્યો છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારધી દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મગદલ્લા ખાતેની કિંમતી જમીનને નવી કોર્ટ બિલ્ડિંગ માટે હેતુફેર કરવાની મંજૂરી આપી દેવામાં
વેરાવળ નગરપાલિકાની 44 બેઠકો માટે ભાજપમાં ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો છે. કુલ 300થી વધુ દાવેદારોએ પોતાની ઉમેદવારી નોંધાવતા પક્ષ માટે ઉમેદવાર પસંદગી એક મોટી કસોટી બની ગઈ છે. પ્રદેશ નિરીક્ષકોની હાજરીમાં આજે સવારથી વેરાવળ ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિ
રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા નાણાકીય વર્ષ 2025-26 માટે મિલ્કત વેરાના રૂ.455.80 કરોડના મુળ લક્ષ્યાંકની સામે રૂ.447.93 કરોડની વસુલાત થઈ છે. ગત નાણાકિય વર્ષ કરતા 8.44% ની વૃદ્ધિ સાથે ચાલુ નાણાકિય વર્ષમાં કુલ 34.44 કરોડ વધારાની આવક કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26 માં કુલ 6,10,931 મિલક
સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગની એક મોટી બેદરકારી સામે આવી છે. મંગળવારે શહેરના આશરે 60 જેટલા કોન્ટ્રાક્ટરોનાં બેંક ખાતામાં કુલ 24 કરોડ રૂપિયા ભૂલથી જમા થઈ ગયા હતા. એક તરફ પાલિકા પાસે ગ્રાન્ટનો અભાવ છે અને અનેક બિલો પેન્ડિંગ છે, ત્યારે અચાનક આટલી મોટી રકમ ખાતામાં આવતા કોન્
ગુજરાત રાજ્યના શ્રમ આયુક્ત કચેરી દ્વારા કોન્ટ્રાક્ટ મજૂરો (નિયમન અને નાબૂદી) અધિનિયમ હેઠળ કામ કરતા કામદારો માટે લઘુત્તમ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી બહાર પડેલા સત્તાવાર પરિપત્ર મુજબ અલગ-અલગ કેટેગરીના મજૂરો માટે દૈનિક વેતનના નવા દર નક્કી કરવામાં આવ્ય
પંચમહાલના પૂર્વ સાંસદ સ્વ. પ્રભાતસિંહ ચૌહાણના પત્ની રંગેશ્વરીબેન ચૌહાણે ફરી સક્રિય રાજનીતિમાં ઝંપલાવ્યું છે. તેમણે કાલોલ વિધાનસભા અંતર્ગત આવતી ખરોડ તાલુકા પંચાયત બેઠક માટે પોતાની દાવેદારી નોંધાવી છે. આ દાવેદારી ગોધરા સ્થિત ભાજપના જિલ્લા મુખ્ય મથક 'શ્રી કમલમ' ખાતે વિધિવ
વડોદરા શહેરની દિવાળીપુરા કોર્ટમાંથી વોશરૂમ જવાના બહાને એક આરોપી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. આરોપીને મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાંથી ગણતરીના સમયમાં દબોચી લીધો છે. આરોપી દુષ્કર્મ અને પોક્સો જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. આરોપીને સુનાવણી માટે દિવાળીપુરા કોર
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા પાટણ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ પાટણ જિલ્લામાં 1 એપ્રિલ, 2026થી આદર્શ આચારસંહિતા અમલમાં આવી ગઈ છે. આચારસંહિતાના અમલ દરમિયાન ચૂંટણી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓની બદલી
અમદાવાદ સાયબર ક્રાઈમાં સાયબર ફ્રોડને લગતા ગુનાઓની ફરિયાદ નોંધવામાં આવે છે, ત્યારે અમદાવાદ શહેરમાં 3 લાખથી ઓછા ફ્રોડની એક જ દિવસમાં 12 ફરિયાદ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસ દ્વારા અરજી લેવામાં આવી હતી જેની તપાસ કરવામાં આવી અને અંતે ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ ફર
વર્ષ 2024માં અમદાવાદ ગ્રામ્યના ધંધુકા પોલીસ મથકે 30 વર્ષીય આરોપી કમલેશ વાઘેલા સામે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતા જજ બી.એસ.મહેતાએ સરકારી વકીલ ભરતસિંહ રાઠોડની દલીલો, 8 સાહેદ અને 35 પુરાવાને આધારે આરોપીને 20 વર્ષ કેદની
વડોદરાના લોકહ્રદયમાં વસેલા જુમ્મા મસ્જિદ વાળા પીર બાબા હજરત સૈયદ અઝીમુદ્દુન મહમુદ નુરુલ્લાહ જીલાનીના 38માં વાર્ષિક ઉર્ષ અને સૈયદના મોઈને મિલ્લત હજરત સૈયદ મોઈનુંદ્દીન બાબા કાદરીના બીજા ઉર્ષની ઉજવણીનો વડોદરા શહેરમાં ભવ્ય પ્રારંભ થયો છે. ગૌસિયા મંજિલ અજબડી મિલ પાસેથી ગાદ
ભાવનગર જિલ્લાના વેળાવદર ભાલ પંથકના અધેલાઈ ગામના યુવકે શખસને યુવતીને મેસેજ કરવા બાબતે ઠપકો આપ્યાની દાઝ રાખી 8 જેટલા શખસોએ અલગ અલગ રીતે ભડભીડ ટોલનાકા અને અધેલાઈ ચોકડી પાસે હુમલો કરી લાકડી-પાઈપ વડે માર મારતા ત્રણ યુવકને ઈજા થઈ હતી. ઇજાગ્રસ્તોને ભાવનગર સારવારમાં ખસેડવામાં આવ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં સમગ્ર રાજ્યમાં રાજકીય ચહલપહલ વધતી જોવા મળી રહી છે. 26 એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે, જેને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. જીતુ વાઘાણીએ આ જાહેરાતને આવકારતા જણાવ્યું કે, એકસાથે આટલી મોટી ચૂંટણી
રાજકોટ રેન્જ આઇજી તરીકે નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળતાની સાથે જ બે દિવસીય જનસંપર્ક સભાનું આયોજન કરાયું છે. ગેરકાયદેસર નાણા ધીરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ માટેની આ જનસંપર્ક સભામાં આજે 1 એપ્રિલના પ્રથમ દિવસે વ્યાજખોરોથી પરેશાન 35 અરજદારોને રેન્જ આઇજી દ્વારા રૂબરૂ સાંભળવામાં આવ
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વચ્ચે શહેરના રાજકારણમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. શહેરના વોર્ડ નંબર 2ના કોંગ્રેસના સક્રિય કાર્યકર ઋષિરાજસિંહ જાડેજા આજે વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારીના હસ્તે તેમણે કેસરિયો
સુરત શહેર પોલીસ વિભાગમાં વહીવટી તંત્રને વધુ મજબૂત અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી પોલીસ કમિશનર દ્વારા વ્યાપક બદલીના આદેશો જારી કરવામાં આવ્યા છે. લાંબા સમયથી એક જ સ્થાને ફરજ બજાવતા 15 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક અદલાબદલી કરવામાં આવી છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય જિલ્લાઓ અને રેન
ભરૂચ જિલ્લામાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલી એક મહિલાનું પ્રશાસન અને સહાય સંસ્થાઓના સહયોગથી પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. 26 માર્ચ, 2026ના રોજ સાંજે 181 મહિલા અભયમ હેલ્પલાઈન પર મળેલી ફરિયાદના આધારે પીડિત મહિલાને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ
રાજકોટના એક નામાંકિત ડોકટરના ક્લિનિક પર લેબર રૂમની અંદર હોલ્ડરમાં ગુપ્ત સીસીટીવી કેમેરો લગાવી બાદમાં ડોક્ટરની અંગત પળોના વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી રૂપે રૂ. 25 લાખની માંગણી કરવાના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આજ રોજ 1 એપ્રિલના પોલીસે અજયસિંહ ચુડાસમા ન
ગીર સોમનાથ જિલ્લામાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પ્રોહીબિશનના અનેક ગુનાઓમાં સંડોવાયેલી ગેંગ સામે GUJCTOC એક્ટ-2015 હેઠળ ગુનો નોંધી, ગેંગ લીડર રોહિત ઉર્ફે “રેમ્બો” બારીયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાયદો 2015માં અમલમાં આવ્યો હતો, જેનો મુખ્ય હેત
શું તમે કલ્પના કરી શકો છો કે જે ગલ્ફમાં એટલે કે ઈસ્લામિક દેશોમાં 80 વર્ષથી અમેરિકાની મિસાઈલોનો દબદબો હતો, ત્યાંની શાંતિની સ્ક્રિપ્ટ આજે બેજિંગમાં લખાઈ રહી છે? આજની તારીખે બોમ્બ ભલે ઈરાન પર વરસે પણ તેનો આર્થિક આંચકો બધે લાગ્યો છે. ખાસ તો અમેરિકાના મહાન હોવાના દાવાને. કારણ કે જ
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ટીમ્બા ગામે આવેલી સહયોગ સ્ટોન ક્રશિંગ કંપનીમાં પથ્થરના બ્લાસ્ટિંગ મુદ્દે થયેલી તકરારે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરવાથી મકાનોને નુકસાન થતું હોવાનો આક્ષેપ કરી આવેલા સ્થાનિકોએ ક્વોરીના મેનેજર સાથે ગાળાગાળી ક
કડી તાલુકાના ઉંટવા ગામની સીમમાં આવેલા મોતીબા આશ્રમમાં 22 વર્ષ પહેલાં થયેલા ચકચારી હત્યાકાંડ અને લૂંટના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. પાંચમાં એડિશનલ સેશન્સ જજની કોર્ટે આ જઘન્ય અપરાધ બદલ આરોપી પતિ-પત્નીને ગુનેગાર ઠેરવી, તેમને અંતિમ શ્વાસ સુધીની સખત
વાપી મહાનગરપાલિકાએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન વેરા વસૂલાતમાં આક્રમક અભિગમ અપનાવી નોંધપાત્ર સફળતા મેળવી છે. મ્યુનિસિપલ કમિશનર યોગેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પાલિકાની ટીમે કુલ ₹44.28 કરોડની વસૂલાત કરી છે, જે નિર્ધારિત ₹50.10 કરોડના લક્ષ્યાંકની નજીક છે. ખાસ કરીને માર્ચ મહિનામાં તંત
અમદાવાદના કાંકરિયા પિકનિક હાઉસ ખાતે યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 75 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થતાં સારવાર માટે બહેરામપુરાની ચેપી રોગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વહેલી સવારે ઝાડા-ઉલટી અને પેટમાં દુ:ખાવાની ગંભીર ફરિયાદ સાથે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વઘાડા ગામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂબંધી કાયદા હેઠળ મોટો દરોડો પાડવામાં આવ્યો છે. વિશ્વકર્મા મંદિર સામે, ફુલાકી ચાર રસ્તા પાસે ખુલ્લા મેદાનમાં ચાલતા ગેરકાયદેસર દારૂના વેચાણ પર પોલીસે કાર્યવાહી કરી હતી. આ દરોડામાં કુલ રૂ. 61.24 લ
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલે આજે હિંમતનગરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો. તેમણે સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં દિવ્યાંગ બાળકો સાથે કેક કાપીને ઉજવણી કરી હતી. આ પ્રસંગે સંસ્થાના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલે પોલીસ અ
હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં 1 થી 4 એપ્રિલ, 2026 દરમિયાન કમોસમી વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક સાવચેતીના પગલાં લેવા સૂચનાઓ જારી કરવામાં આવી છે. તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC), સબ સેન્ટરો અને સંબં
વડોદરા શહેરમાં આવતીકાલે 2 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે વડોદરા શહેરમાં નીકળનારી ભવ્ય શોભાયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ફતેપુરા મેઈન રોડ વિસ્તારથી નીકળનારી આ યાત્રામાં હજારોની સંખ્યામાં ભક્ત
ગાંધીનગરના પોર ગામે વર્ષ 2023માં કચરો નાખવા જેવી સામાન્ય બાબતે થયેલા મારામારીના ઝઘડા પછી એક મહિલાનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. આ ગુનામાં ગાંધીનગરના મુખ્ય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ આશિષ જે.એસ. મલ્હોત્રાની કોર્ટે મુખ્ય આરોપી દશરથજી કાંતીજી ઠાકોરને 10 વર્ષ
નવસારી સાયબર ક્રાઇમ પોલીસે વોટ્સએપ હેક કરીને નાણાં પડાવતી ગેંગ સામે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે વડોદરાના પોર ગામમાંથી એક રીઢા ગુનેગારને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ આરોપી ટ્યુશન ક્લાસના શિક્ષક હોવાની ખોટી ઓળખ આપી વોટ્સએપ હેક કરતો અને પરિચિતો પાસેથી પૈસા પડાવતો હ
સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે અલગ-અલગ બે પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સૈયદપુરા વિસ્તારમાં રહેતા યુવકના ઘરે જમવા માટે આવતા મિત્રએ યુવકની પત્ની પર દાનત બગાડી હતી. પરણિતાના એકલતાનો લાભ ઉઠાવી તેના પતિ અને બંને દીકરીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી પરણીત
રાજકોટ શહેરના સોની બજારમાં થયેલી ચોરીનું મુંબઇ કનેક્શન સામે આવ્યું છે. ગધીવાડની અમિત જવેલર્સમાં થયેલી ચોરીનું આખેઆખું કાવતરું મુંબઈની આર્થર રોડ જેલમાં ઘડાયું હતું. જે બાદ મુંબઈનો માહિર ચોર અને અન્ય પાંચ તસ્કરોની ટોળકી રાજકોટમાં ત્રાટકી હતી. જે મામલે પોલીસે ગણતરીની કલાક
અમદાવાદના ઈસનપુર વિસ્તારની પરિણીતાએ સાસરિયાઓના ત્રાસ અને બદનામીથી કંટાળી છેવટે કાયદાનો આશરો લેતા મેજિસ્ટ્રેટ કોર્ટે મહિલાના પક્ષમાં મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2007માં લગ્નગ્રંથિથી જોડાયેલી આ મહિલાને તેના પતિ અને સાસરિયાઓએ શારીરિક-માનસિક દુઃખ આપી, રૂમમાં પૂરી દઈ અન
ગુજરાત રાજ્યમાં સુરત બાદ હવે રાજકોટમાં ફક્ત મહિલાઓ માટેની પિંક બસ આજે 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી છે. શહેરમાં સિટી બસ (RMTS) અને BRTS ની 238 બસમાં સવારે 6 થી રાત્રે દૈનિક 54000 મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. જેમાં 20000 જેટલા મહિલાઓ છે. હાલ 4 રૂટ પર પાઇલોટ પ્રોજેક્ટ સ્વરૂપે શરૂ થયેલી આ સુવિધા સમગ
વડોદરા તાલુકાના સેવાસી વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરા ગેસ લિમિટેડની આઇસર ગાડીએ બાઈક પર સવાર દંપતીને અડફેટે લીધાં હતાં. જેમાં પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પતિ પર આઈસરનું ટાયર ફરી વળતાં ઘટનાસ્થળે જ મોત ન
પંચમહાલમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓ પહેલા ભાજપે કમર કસી છે. પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પ્રદેશ ભાજપમાંથી આવેલા 6 નિરીક્ષકોની અધ્યક્ષતામાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પંચમહાલમાં 178 તાલુકા પંચાયત
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પાલિકાના કમ્પોઝ યાર્ડમાં લાગેલી આગે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા બે દિવસથી સતત સળગતા કચરાના ઢગલાઓમાંથી નીકળતા ઝેરી ધુમાડાએ આસપાસના ખેડૂત પરિવારોને ઘેરી લીધા છે, જેના કારણે સ્થાનિકોમાં આરોગ્ય અંગે ચિંતા વ્યાપી છે. આ આગના કારણે ફેલાયેલા ઝ
સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે હનુમાન જયંતિના પવિત્ર અવસરે લાખો ભક્તો સાળંગપુર પહોંચે તેવી સંભાવના છે. ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને બોટાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે એક SP,
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે આજથી વિધિવત રીતે 'સેન્સ' લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ઉધના ભાજપ કાર્યાલય ખાતે સવારના 10 વાગ્યાથી કાર્યકર્તાઓ અને દાવેદારોની ભારે ભીડ જ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફુંકાયું ગુજરાતમાં 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીની જાહેરાત થતા આજથી જ આચારસંહિતા લાગુ થશે. . આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક
ચૈત્રી પૂનમના પવિત્ર પર્વ નિમિત્તે બુધવારે પાટણ શહેરમાંથી બહુચરાજી જવા માટે પગપાળા યાત્રા સંઘોનું પ્રસ્થાન થયું હતું. માતાજીની માંડવીઓ અને રથ સાથે ભક્તિ સંગીતના તાલે 'બોલ મારી બહુચર'ના જયઘોષ સાથે ભક્તો બહુચરાજી તરફ રવાના થયા હતા. પાટણ શહેરના કસારવાડો અને પનાગાર વાડો સહિ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરી .દેવામાં આવી છે. વડોદરા મહાનગર ખાતે ચાર ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે, આજે પ્રથમ દિવસે એક વોર્ડમાં સરેરાશ 50થી વધુ દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. શહેરના ચાર ઝોનમાં 12 નિરીક્ષકો આવ્યા
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ઔદ્યોગિક વિકાસને નવી ઊંચાઈએ લઈ જવા માટે મક્કમ નિર્ધાર કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં કુલ 1607 કરોડથી વધુના મૂડીરોકાણ ધરાવતા 23 ઔદ્યોગિક એકમોને સહાય આપવાની મંજૂરી
સુરેન્દ્રનગરના કરોડોના જમીન કૌભાંડમાં જેલહવાલે થયેલા પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. જમીન NA (બિનખેતી) કરવાના બદલામાં મસમોટી લાંચ લેવાના ગંભીર આક્ષેપો હેઠળ ED દ્વારા ધરપકડ કરાયા બાદ, અમદાવાદની વિશેષ PMLA કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ દ્વારા તૈયારી તેજ કરી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે તોડજોડની નીતિ શરૂ કરવામાં આવી છે. આજે રાજીવ ગાંધી ભવન પર NCP પાર્ટીના મહામંત્રી જીગ્નેશ જોશી સહિત અનેક કાર્યકર્તાઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા તેમજ વડોદર
રાજકોટના નહેરુનગર વિસ્તારમાં 66 વર્ષીય વૃદ્ધ પર પિતા-પુત્રએ હુમલો કર્યો છે. મસ્જિદનું સબમર્સિબલ પંપ ચાલુ રહી જતાં પાણી રસ્તા પર વહેવા મામલે વૃદ્ધ સાથે બોલાચાલી કરી પિતા-પુત્રો દ્વારા ધોકા, પાઇપ અને તિક્ષણ હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ
દારૂબંધી હોવાથી બુટલેગર અલગ-અલગ ટેક્નિકથી દારૂ લાવતા હોય છે ત્યારે રાજસ્થાનથી રીક્ષામાં CNG કીટની જગ્યાએ દારૂ લઈને આવનારો શખ્સ ઝડપાયો છે. આરોપીએ રીક્ષામાંથી CNG કીટ કાઢી લીધી હતી, જે બાદ રિક્ષા લઈને જ રાજસ્થાન ગયો હતો.રીક્ષામાં 180 દારૂની બોટલ ભરીને લાવ્યો હતો જેને અમદાવાદ ક્રા
તાપી જિલ્લાની વાલોડ પોલીસે પશુ સંરક્ષણ કાયદા હેઠળ મોટી કાર્યવાહી કરી છે. ગત ત્રીજી ફેબ્રુઆરીએ અંદાજે 2690 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમાં સુરતના લીંબાયત વિસ્તારના બે ભાઈઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું સા
કલોલના ચોથા એડિશનલ સેસન્સ જજ બી.આર. રાજપુતની કોર્ટે સમાજમાં દાખલો બેસે તેમાટે મહત્ત્વનો ચુકાદો સંભળાવ્યો છે. વડસર ગ્રામ પંચાયત પાસે 8 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલાં અને છેડતી કરનાર આરોપી હસમુખજી ધનાજી ઠાકોરને અદાલતે તકસીરવાન ઠેરવી પાંચ વર્ષની સખ્ત કેદની સજા ફટકા
સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે. ડોનર લાઈફ દ્વારા 58માં હૃદયનું દાન સુરતની મૈત્રેય મલ્સી સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલથી કરવામાં આવ્યું છે. BRTS બસ અડફેટે હાર્દિક ખુડખુડીયા (ઉ.વ 37) આવ્યા બાદ બ્રેઈનડેડ થતા પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેના
સુરતમાં વિદેશ જવાના ક્રેઝ વચ્ચે ઠગ એજન્ટો ફૂટી નીકળ્યા છે. પાલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી કરોડોની છેતરપિંડીના કેસમાં પોલીસે મોટી સફળતા મેળવતા મુખ્ય સૂત્રધાર વરુણ રાજુભાઈ પરમારની ધરપકડ કરી છે. આરોપીએ મહાકાલ ટ્રાવેલ્સ ટ્રેલ્સ નામે એજન્સી ખોલી નિર્દોષ લોકોને ફિનલેન્ડ અને
IPL 2026ની ચટાકેદાર ખબરો હળવા અંદાજમાં જોવા માટે ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘MATCH મસાલા’
આવતીકાલે ચૈત્ર સુદ પૂનમના પાવન અવસરે ભરૂચ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કષ્ટભંજન દેવ મહાબલી હનુમાનજીનો જન્મોત્સવ ધામધૂમ અને આસ્થા સાથે ઉજવવામાં આવશે. આ પ્રસંગે જિલ્લાના વિવિધ હનુમાનજી મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો અને પૂજા-અર્ચનાની વ્યાપક તૈયારીઓ ચાલી રહી છે. ભરૂચના કસક વિ
મોરબી જિલ્લામાં રાષ્ટ્રભક્ત તરીકેની છબી ઊભી કરનાર અજય લોરીયા વિરુદ્ધ સિરામિક ઉદ્યોગકારો અને પાટીદાર સમાજના આગેવાનો મળીને 2000 લોકોએ મોરબી એસપી કચેરીમાં રજૂઆત કરી છે. અજય લોરીયાની 'ક્રાઈમ કુંડળી' રજૂ કરીને જિલ્લામાં ચાલતા અનેક બે નંબરના ધંધા અને અસામાજિક પ્રવૃત્તિઓમાં તેન
મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાનાઓએ ગેસના અભાવ અને ઊંચા ભાવને કારણે તેમનું વેકેશન લંબાવ્યું છે. સિરામિક વોલ ટાઇલ્સ એસોસિએશનની બેઠકમાં 1 મે, 2026 સુધી કારખાના બંધ રાખવાનો સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો છે. ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ બાદ મોરબીના સિરામિક ઉદ્યોગ પર માઠી અસ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જામનગરમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. જામનગર જિલ્લા ભાજપ કાર્યાલય 'અટલ ભવન' ખાતે આજે જિલ્લા પંચાયત, છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા (સેન્સ) શરૂ કરવામાં આવી છે. ટિકિટ મેળવવા મ
બનાસકાંઠા જિલ્લામાં ₹160.65 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પાલનપુર નગરપાલિકા ટાઉનહોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યો જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત
ભરૂચ જિલ્લામાં દિવ્યાંગ સહાય યોજના હેઠળ અપાયેલા મોબાઈલ ફોનને લઈને અસંતોષ જોવા મળ્યો છે. દિવ્યાંગ અરજદારોએ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીને લેખિત રજૂઆત કરીને સરકાર દ્વારા અપાયેલા 4G મોબાઈલ ફોન સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. અરજદારોના મતે, તેમને અપાયેલા લાવા કંપનીના 4G ફોન ટેકનિક
મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. લુણાવાડા સ્થિત વિશ્રામગૃહ ખાતે આજથી શરૂ થયેલી આ પ્રક્રિયા બે દિવસ સુધી ચાલશે. આ સેન્સ પ્રક્રિયામાં પ્રદેશ કક્ષાએ
વડોદરાની નારી શક્તિએ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય ફલક પર પોતાનો દબદબો સાબિત કર્યો છે. તામિલનાડુમાં તાજેતરમાં 24 થી 29 માર્ચ દરમિયાન યોજાયેલી ‘વુમેન્સ ખેલો ઈન્ડિયા નેશનલ કિકબોક્સિંગ ચેમ્પિયનશિપ’ 2026માં વડોદરાની આઠ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 6 ખેલાડીઓએ મેડલ જીતીને વડો
ખંભાળિયા શહેરમાં ગઈકાલે બાઈક અડકવાની સામાન્ય બાબતે શરૂ થયેલી બોલાચાલી ગંભીર બનાવમાં પરિણમી હતી. આ ઘટનામાં દીપક નામના વ્યક્તિએ એક મુસ્લિમ શખ્સ પર હુમલો કર્યો હતો અને તેની પાસેથી સોનાનો સામાન ઝૂંટવી લીધાનો આક્ષેપ છે. આ બનાવ બાદ આરોપી દીપક પરપ્રાંતિય અને આમ આદમી પાર્ટી સાથે
વડોદરા શહેરના જેતલપુર બ્રિજ નજીક વિશ્વામિત્રી નદીના કિનારે જાડી જાખરામાં બપોરના આરસામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં ગરમીના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોકે ફાયર બ્રિગેડ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પૂર્વ કાઉન્સિલર પસાર થતા હતા અને આગ જોઈવડોદરા શહેરના પૂર્વ ક
ગુજરાત યુનિવર્સિટીમાં અટલ કલામ સેન્ટર પાસે ધ્રુવ કમલ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. જ્યાં લેબ બનાવવા માટે હાઈટ ઓછી પડતી હોવાથી નવી બિલ્ડિંગમાં તોડફોડ કરવામાં આવતી હોવાનો NSUIએ આક્ષેપ કર્યો છે. જેને લઈને NSUIના કાર્યકર્તાઓ દ્વારા કુલપતિની ઓફિસમાં ઘૂસીને વિરોધ પ્રદર્શન કર્યું હતુ
રાજ્ય સરકારે ટુકડાધારા કાયદામાં પણ ઐતિહાસિક સુધારા માટે વટહુકમ બહાર પાડ્યો છે, જેમાં રાજ્યપાલની મંજૂરી મળી ગઈ છે અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ અમલમાં આવશે. 1948થી લાગુ પડેલા ટુકડાધારા કાયદામાં પ્રથમ વખત મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં હવે ઓછામાં ઓછી 10 ગુંઠા જમીનનું ખરીદ-
નવસારી શહેરના ગીચ દશેરા ટેકરી વિસ્તારમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. બાલાપીર દરગાહ નજીક આવેલા એક રહેણાંક મકાનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં અન્ય ત્રણ મકાનો પણ તેની લપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ નવસારી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી
વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા ગંભીરા બ્રિજનો એક ભાગ તૂટતા 21 લોકોના મોત નિપજ્યા હતા.બ્રિજ તૂટ્યા બાદ અહીંથી રોજગારી માટે જતા લોકો માટે મોટું સંકટ ઊભું થયું હતું.બાદમાં રાજ્ય સરકારના આદેશથી અહીંયા ત્વરિત કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તૂટેલા બ્રિજ પર લોખંડનો નવો સ્પાન લગ
સુરતના ડુમસ વિસ્તારમાં એક યુવતી છેલ્લા 6 વર્ષથી જેની સાથે લગ્નના સપના જોતી હતી, તે જ પ્રેમી આખરે માનસિક ત્રાસનું કારણ બન્યો હતો. જોકે, 181 મહિલા હેલ્પલાઇનની સમયસૂચકતાને કારણે આ ગંભીર વિવાદનો સુખદ અંત આવ્યો છે. 6 વર્ષના સંબંધોમાં અન્ય યુવતીઓની એન્ટ્રી ભોગ બનનાર યુવતી અને યુવક વ
સુરેન્દ્રનગર જિલ્લાના ખેરાળી ગામમાં જોરાવરનગર પોલીસે દરોડો પાડી એક રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 158 બોટલો જપ્ત કરી છે. આ દરોડા દરમિયાન મકાનમાલિક અને બુટલેગર કરણ રણછોડભાઈ રાઠોડ ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલી ખાનગી બાતમીના આધારે, કરણભાઈ રણછોડભાઈ રાઠોડના ઘ
આજે સાંજ સુધીમાં સ્થાનિક સ્વરાજ્ય અને મહાનગરપાલિકાની ચૂંટણીઓની જાહેરાત થવાની છે, જેની વચ્ચે અમદાવાદમાં ભાજપના કોર્પોરેટરો સામે નાગરિકોનો રોષ સામે આવી રહ્યો છે. શહેરના સૈજપુર બોઘા વોર્ડમાં નાગરિકોએ ચૂંટણીના વાયદા મુજબ કામ માગતા પૂર્વ કોર્પોરેટર વિનોદ કુમારી ચૌધરી સાથ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય તરફ હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ક
બે દિવસ પહેલાં સુરત શહેરના કેટલાક વિસ્તારોમાં ભાજપ વિરોધી પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. જે અંગે પોલીસે કાર્યવાહી કરતા કેટલાક લોકોને ડિટેઇન કર્યા છે. પુણા પોલીસ સ્ટેશનમાં એક અને કતારગામ પોલીસ સ્ટેશનમાં બે લોકોને ડિટેઇન કરવામાં આવ્યા હતા. જે આપ પાર્ટીના કાર્યકર્તા હોવાથી મ
સુરેન્દ્રનગરમાં પ્રથમ વખત યોજાનારી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરી છે. શહેરના કમલમ કાર્યાલય ખાતે બે દિવસીય સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ પ્રક્રિયામાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ અને મહેશ મો
ગાંધીનગર તાલુકાના ડભોડા ખાતે બિરાજતા સ્વયંભૂ શ્રી ડભોડિયા હનુમાનજી દાદાના ધામમાં આવતીકાલે 2જી એપ્રિલને ચૈત્રી પૂનમના રોજ હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ દાદાના જન્મોત્સવને વધાવવા માટે મંદિર ટ્રસ્ટ
બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના PI એસ.આર. ખરાડીની દેવભૂમિ દ્વારકા ખાતે બદલી થતાં, બુધવાર, 01 એપ્રિલ 2026ના રોજ તેમના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું. PI ખરાડીએ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આશરે સાડા ત્રણ વર્ષ સુધી ફરજ બજાવી હતી. આ વિદાય સમારોહમાં પોલીસ અધિકારીઓ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થ
ભારત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે સૌથી વધુ સમય ગુજરાતની ધરતી પર વિતાવ્યો હતો, જે દર્શાવે છે કે આ પ્રદેશ પર તેમના વિશેષ આશીર્વાદ રહ્યા છે. આ ઉદ્ગારો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ પૂજનીય સ્વામી સુહિતાનંદજી મહારાજે રાજકોટ ખાતે આયોજિત એક ભવ્ય જાહેર સભામાં
બોટાદ જિલ્લાના પાળીયાદ પાસે આવેલા સાયલા રોડ પર રતનપર અને છૈડા ગામ વચ્ચે એક કાર અને મોટરસાઈકલ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઈક પર સવાર દંપતીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. બંને રોડ પર પટાકાયા હતા. અકસ્માત કેવી રીતે બન્યો?પ્રાપ્ત માહિતી અનુસાર, એક દંપ
દાહોદ જિલ્લા વહીવટી તંત્રએ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ સત્તાવાર યાદી પ્રસિદ્ધ કરી છે. જિલ્લા કલેક્ટર અને વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં જીવનજરૂરી અને આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, જેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાન
સુરત શહેરમાં વ્યવસાય ક્ષેત્રે પોતાની આગવી સૂઝબૂઝ અને મહેનતથી ઓળખ પ્રસ્થાપિત કરનારી મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે PG Click દ્વારા એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. PG Click ના ફાઉન્ડર ટ્રે. લેખા ઘીવાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં નારીશક્તિના અદભ
ગુજરાત સ્થાપના દિવસના અવસરે સુરત એક ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી 1 અને 2 મે, 2026ના રોજ સુરત ખાતે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નું ભવ્ય આયોજન કરવામાં આવશે. આ
ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 11 વર્ષના સુશાસનની ઉજવણીના અવસરે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક (ખેતી બેંક) દ્વારા ખેડૂત લાભાર્થીઓ
રાંચરડા સ્થિત સંકટમોચન મહાવીર હનુમાન મંદિરમાં 2 એપ્રિલ, 2026 ને ગુરુવારના રોજ હનુમાન પ્રકોટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ ખાસ પ્રસંગે ભક્તો માટે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરાશે, જેના દર્શન આખો દિવસ કરી શકાશે. સાંજે 6 વાગ્યે સુંદરકાંડ અને રાત
રાહી ફાઉન્ડેશન દ્વારા સ્વ. રામલાલ ભોગીલાલ પરીખની 114મી જન્મજયંતિ નિમિત્તે શિશુ ગૃહ, પાલડીને મદદ કરવામાં આવી છે. આ સંસ્થા અનાથ, નિરાધાર અને તરછોડાયેલા બાળકોની સંભાળ રાખે છે. ફાઉન્ડેશન દ્વારા બાળકો માટે બે કાર્પેટ (૯ X ૧૨ ફૂટ), નાનપ્રો મિલ્ક પાવડર, બેબી વાઇપ્સ, નવજાત શિશુ ડાયપર અન
સુરત ખાતે હેમરશ્મિ દ્વારા રામનવમીના પાવન અવસરે સતત ચોથા વર્ષે સમૂહ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખરવાસા સ્થિત પ્રભુ શ્રીરામ મંદિર, તેજાનંદ ધામ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. ચૈત્ર સુદ નોમ, રામનવમીના દિવસે સવારે 8.30

27 C