પોરબંદરના કીર્તિ મંદિર પોલીસે મારામારીના ગુનામાં સંડોવાયેલા આરોપી સમીર ઉર્ફે ટાર્ઝનને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. આ કાર્યવાહી તપાસના ભાગરૂપે પુરાવા એકત્રિત કરવાના હેતુથી કરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન વિસ્તારમાં
ગીર સોમનાથ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ યુવાનોને નશાના દૂષણથી દૂર રાખવાના હેતુસર જિલ્લા પોલીસે પ્રતિબંધિત વિદેશી ઇ-સીગારેટ અને હુકા સંબંધિત સામગ્રીના ગેરકાયદે વેપાર સામે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા અને જિલ્લા પ
જામનગરના 79-દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ તેમના ધારાસભ્ય બન્યા પછીના ચોથા જન્મદિવસની ઉજવણી પાંચ વિવિધ સેવા પ્રકલ્પો સાથે કરી હતી. મકરસંક્રાંતિના પર્વ, 14 જાન્યુઆરીના રોજ રણજીત નગર સ્થિત કેશવજી અરજણ લેઉઆ પટેલ સેવા સમાજ ખાતે આ કાર્યક્રમો યોજાયા હતા. આ પં
ભરૂચ જિલ્લામાં મકર સંક્રાંતિના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અનુકૂળ પવનને કારણે જિલ્લાવાસીઓએ વહેલી સવારથી જ ધાબા પર ચઢી પતંગો ચગાવી હતી. શહેરથી લઈને ગ્રામ્ય વિસ્તારો સુધી આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું, અને પતંગ રસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. દર વ
સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉત્તરાયણ પર્વની પરંપરાગત ઉજવણી ચાલી રહી છે. આ પાવન પર્વ નિમિત્તે અમરેલીમાં રાજ્ય કક્ષાના ઊર્જા અને કાયદા વિભાગના મંત્રી કૌશિક વેકરીયા અને લોકસભાના સાંસદ ભરત સુતરીયાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નાગરિકો સાથે પતંગ ઉત્સવની ઉજવણી કરી હતી. સામાન
મકરસંક્રાંતિનો તહેવાર માનવીઓ માટે ભલે હર્ષોલ્લાસનો પર્વ હોય, પરંતુ આકાશમાં વિહાર કરતા અબોલ પક્ષીઓ માટે તે જીવલેણ સાબિત થતો હોય છે. પતંગની કાચ પાયેલી દોરીથી ઘાયલ થતા પક્ષીઓને નવજીવન આપવા માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 'કરુણા અભિયાન'નો પ્રારંભ કરવામાં
ભાવનગર શહેરમાં મકરસક્રાંતિ પર્વની હર્ષોલ્લાસથી ઊજવણી કરવામાં આવી હતી વહેલી સવારથી જ પતંગ રસીયાઓ પરિવાર સાથે અગાસીમાં પહોંચી ગયા હતા પરંતુ જોવે એટલા પંતગ ચગ્યા ન હતા, ધીમે ધીમે ઉત્તરાયણ નો ક્રેઝ ઘટતો જાય છે, ઉત્તરાયણ પર્વને લઈ લોકો સહ પરિવાર પતંગ, રીલ, ટોપી, સનગ્લાસ, પપુડા, શ
પોરબંદરના ભોજેશ્વર પ્લોટ વિસ્તારમાં મામાદેવ મંદિર પાસે જૂના ઝઘડાના મનદુઃખને કારણે હથિયારો વડે સામસામે હુમલો થયો હતો. આ ઘટનામાં પોલીસે આલય, અર્જુન કડછા ઉર્ફ જાડેજા, ગબરુ અને અજય ગોઢાણીયા સહિતના આરોપીઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પ્રથમ ફરિયાદ મુજબ, અગાઉ
ભાવનગરમાં એલસીબી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરેલી ઓટો રીક્ષા ઝડપી પાડી છે. શહેરના તિલકનગર પમ્પિંગ પાસે રેઇડ દરમિયાન રિક્ષાના ચોરખાના માંથી દારૂ મળ્યો હતો, જોકે રીક્ષા ચાલક ફરાર થયો છે. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબીશન હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દારૂનો જથ્થો રીક
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે ભવ્ય પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 14 જાન્યુઆરી, 2026ના રોજ ઉદ્યોગ ભવનની સામે આવેલ સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન, ઘ-4 ખાતે આયોજિત આ પતંગોત્સવમાં શહેરના નાગરિકો મો
અમદાવાદીઓમાં ઉતરાયણના દિવસે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગ ચગાવતા પહેલા અમદાવાદીઓએ ફાફડા જલેબી અને ઊંધિયાની ખરીદી માટે લાઇનો લગાવી છે. વહેલી સવારથી જ અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાની ખરીદી કરવા માટે પહોંચી ગયા છે. અમદાવાદીઓ ફાફડા, જલેબી અને ઊંધિયાના એટલા શોખીન છે
દેશભરમાં આજે મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ પર્વમાં આકાશમાં ઉડતા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે રાજકોટના અલગ અલગ 7 કેન્દ્રો અને એક હોસ્પિટલમાં અબોલ જીવોની સારવાર માટેના ખાસ મેડિકલકેમ્પ કરુણા અભિયાન હેઠળ કાર્યરત થયા છે. જેમાં કબૂતર, હોલા, ઘુવડ, સમડી સહિ
મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા નવસારીમાં વિશેષ અભિયાન ચલાવાઈ રહ્યું છે. શહેરમાં પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને ઓપરેશન થિયેટર ઊભા કરાયા છે, જ્યાં પશુચિકિત્સકો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી રહી છે. લોકોમાં આવેલી જાગૃતિને કાર
ઉત્તરાયણ પર્વને એક દિવસ બાકી હોવાથી હિંમતનગરમાં ઊંધિયું, જલેબી અને ફાફડા સહિતના ફરસાણ ખરીદવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી ફરસાણની દુકાનો અને સ્ટોલ પર બુધવારે સવારથી જ લાંબી કતારો લાગી હતી. હિંમતનગરના મહાવીરનગર સહિત અન્ય વિસ્તારોમાં આ
મહેસાણા શહેરમાં આજે ઉત્તરાયણના પર્વની પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડીનો ચમકારો હોવાને કારણે ધાબાઓ પર પતંગબાજોની હાજરી નહિવત જોવા મળી હતી. જોકે, જેમ જેમ સૂર્યનારાયણના દર્શન થયા અને ઠંડીનો પારો થોડો ગગડ્યો તેમ તેમ લોકો
પાટણ લાયન્સ ક્લબ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો માટે દાન એકત્ર કરવામાં આવ્યું છે. ક્લબ છેલ્લા 14 વર્ષથી આ પ્રવૃત્તિ કરી ગૌશાળાઓને મદદ કરી રહી છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબના આગેવાનો અને કાર્યકરોએ શહેરના હિંગળાચાચર બગવાડા દરવાજા સહિતના વિવિધ વિસ્તારોમાંથી રાહદારીઓ અને વા
આજે પવિત્ર ષષ્ઠતિલા અગિયારસનો પર્વ છે, જેને હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને મોક્ષદાયની તિથિ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષની તમામ ૨૪ અગિયારસમાં આ અગિયારસનું સ્થાન વિશેષ છે, કારણ કે માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવતા દાન અને તર્પણથી પિતૃઓને સીધો મોક્ષ પ્રાપ્ત થાય છે
પાટણના ચક્રવર્તી સમ્રાટ રાજા સિદ્ધરાજ જયસિંહની મકરસંક્રાંતિના દિવસે પુણ્યતિથિ નિમિત્તે બુધવારે શહેરના બગવાડા દરવાજા સ્થિત પ્રતિમાને રાજપૂત સમાજ, પાટણ નગરપાલિકા અને વિવિધ સામાજિક સંસ્થાઓ તથા આગેવાનો દ્વારા માલ્યાર્પણ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા. રાજપૂત
વલસાડ LCB ટીમે સેલવાસથી સુરત લઈ જવાઈ રહેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં ₹4,08,960/-ની કિંમતનો દારૂ અને અન્ય મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપી ફરાર છે. વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શ
લોઢવા ગામમાં આવેલી ન્યૂ સનશાઈન ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ મકરસંક્રાંતિનો પાવન તહેવાર ઉત્સાહ અને ભારતીય સંસ્કૃતિના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર સ્કૂલ પરિસર તહેવારી માહોલથી ગુંજી ઉઠ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ રંગબેરંગી પતંગો
મહીસાગર જિલ્લામાં 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વના દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આના કારણે સમગ્ર જિલ્લામાં ઠંડીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું હતું. જિલ્લા મથક લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાયું હતું. લુણાવાડા ઉપરા
પાટણમાં ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પતંગ ચગાવવાની સાથે સાથે, શહેરના લોકોએ પરંપરાગત ઊંધિયું, જલેબી અને ફાફડાનો સ્વાદ માણવા માટે વહેલી સવારથી જ વિવિધ સ્ટોલો પર લાંબી કતારો લગાવી હતી. ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે ખાસ વાનગીઓ આરોગવાનું વિશેષ મહત્વ
સુરત શહેરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના પર્વને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત દ્વારા એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, આગામી 14 અને 15 જાન્યુઆરીના રોજ શહેરના અંદાજે 125 જેટલા ફ્લાય ઓવરબ્રિજ પર ટુ-વ્હીલર ચાલકોની અવરજવર પ
પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મકરસંક્રાંતિ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. નાના બાળકોથી લઈને યુવાનો સુધીના પતંગ રસિયાઓ 'કાપ્યો છે' અને 'લપેટ' જેવી બૂમો પાડી ઉત્સાહભેર પતંગો ચગાવી રહ્યા છે. પરિવારો સાથે અ
સાળંગપુર સ્થિત વિશ્વવિખ્યાત કષ્ટભંજન હનુમાનજી મંદિરે મકરસંક્રાંતિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉતરાયણ નિમિત્તે દાદાને રંગબેરંગી પતંગોનો વિશેષ શણગાર કરાયો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. હનુમાન
સુરતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગોની પેચબાજી જેટલી જ ખાણી-પીણી માટે જાણીતી છે. આ વર્ષે સુરતીઓએ મોંઘવારીને બાજુ પર મૂકીને ઊંધિયાના સ્વાદને પ્રાધાન્ય આપ્યું છે. વહેલી સવારના 6 વાગ્યાથી જ શહેરના અડાજણ, વરાછા, કતારગામ અને વેસુ જેવા વિસ્તારોમાં ફરસાણની દુકાનો પર લાંબી કતારો જોવા મ
મહેસાણા જિલ્લામાં ઉત્તરાયણ પર અકસ્માતના બનાવો બનતા હોય છે. આ વર્ષે 14 અને 15 જાન્યુઆરી બે દિવસ દરમિયાન 244 અકસ્માતના બનાવ બનવાનો અંદાજ 108ની ટ્રેન્ડ ફોર કાસ્ટીંગ ટીમ દ્વારા લગાવવામાં આવ્યો છે. આ અકસ્માતોના બનાવોને પહોંચી વળવા જિલ્લામાં 108મા ફરજ બજાવતા 230થી વધારે કર્મચારીઓને સ્ટે
ભાવનગરના જૂના સિંધુનગર સ્થિત ઝુલેલાલ મંદિર પાસેના શ્રી રાજાઈ સમાજ ભવન ખાતે રાજાઈ સેવા સમાજ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૧૫મો વિદ્યાર્થી સત્કાર સમારંભ અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમ તારીખ 12 જાન્યુઆરી, 2026 ના રોજ સાંજે યોજવામાં આવ્યો હતો. આ સત્કાર સમારંભમા
ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામમાં ઉતરાયણ પર્વ દરમિયાન પતંગ ચગાવવા બાબતે થયેલા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઝઘડામાં એક યુવક પર છરી વડે હુમલો કરવામાં આવતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગરમાળા ગામના 20 વર્ષીય ભાર્ગવભાઈ વિનુભાઈ ડાભીના ઘર
પાટણ શહેરમાં લગ્નપ્રસંગોમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ ચોરી કરનાર કુખ્યાત કડિયા સાંસી ગેંગના બે સભ્યોને જામીન મળ્યા છે. નકુલ રાજકુમાર સિસોદીયા અને ક્રિશ્ના બીરૂ પ્રભુ સિસોદીયાની લાંબા સમય બાદ પાટણ પોલીસે ધરપકડ કરી હતી. પાટણની જ્યુડિશિયલ કોર્ટે તેમની જામીન અરજી મં
ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમવાર રાષ્ટ્રીય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન થવા જઈ રહ્યું છે. 69મી સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત આ સ્પર્ધા પ્રભાસપાટણના સદભાવના મેદાન ખાતે 19 થી 31 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાશે. આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો માટે અલગ-અલગ વર્ગોમાં રમતો યોજ
સોમનાથ મંદિર પરિસરમાં ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત દૈનિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ કાર્યક્રમોમાં ભક્તિ, વીરરસ અને લોકસંસ્કૃતિનો અદ્ભુત સંગમ જોવા મળે છે. આ શ્રેણી હેઠળ યોજાયેલા લોકપ્રિય ગાયક હેમંત જોશીના લાઈવ કૉન્સર્ટમાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ ચર
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર (રિદ્ધિ સિદ્ધિ કમ્યુનિકેશન નજીક) પાસેથી દૂધ ચોરીની ઘટના બની છે. 13 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે આશરે 2:50 વાગ્યે, ચાર અજાણ્યા શખ્સોએ અમૂલ તાજા દૂધનું એક કેરેટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લ
ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન ડે ટુર્નામેન્ટની બીજી મેચ આજે રાજકોટમાં રમાવા જઈ રહી છે. રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં દોઢ વાગ્યાથી મેચ શરૂ થશે. 11 વાગ્યાથી પ્રેક્ષકોને ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રવેશ અપાશે. આજની મેચને લઈ રાજકોટ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ફાળ
વલસાડ તાલુકાના મગોદ ગામમાં પૂર્વ સરપંચની નકલી સહી અને બોગસ દસ્તાવેજોના આધારે લાખો રૂપિયાની લોન લેવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ છેતરપિંડીમાં સરકારી દસ્તાવેજોમાં મોટા પાયે છેડછાડ કરવામાં આવી હતી. મગોદ ગામના પૂર્વ સરપંચ કિરણભાઈ અશોકભાઈ હળપતિની નકલી સહી અને તલાટીના બનાવટ
અમરેલી જિલ્લામાં ચાલુ સિઝનમાં ટેકાના ભાવે મગફળીની મોટા પાયે ખરીદી થઈ રહી છે. ગોડાઉનમાં પૂરતી જગ્યાના અભાવે જિલ્લાના કુલ 13 ખરીદી કેન્દ્રો પર મગફળીની બોરીઓના મોટા ઢગલા જોવા મળી રહ્યા છે. આ મગફળી હાલ માર્કેટયાર્ડ અને ખુલ્લા મેદાનોમાં સંગ્રહિત કરવામાં આવી છે. આ 13 કેન્દ્રો પૈક
ઉત્તરાયણના તહેવાર પર મહાનગરોથી લઈ ગામડાની બજારોમાં માંજાનું વેચાણ થાય છે. પરંતુ, આજે 70 વર્ષ બાદ પણ 'ભગવાનદાસ માંજા'નો બધાની વચ્ચે દબદબો જળવાઈ રહ્યો છે. 1957માં શરૂ થયેલી ભગવાનદાસ માંજાની સફર આજે સાત દાયકા બાદ પણ ચાલી રહી છે. ભગવાનદાસ પરિવારની ત્રીજી પેઢી આ ધંધામાં જોડાયેલી છે. 70
દર વર્ષની જેમ આ વખતે પણ અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ સાથે સોમવારે પતંગ ઉડાવી હતી. આ વર્ષે 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજો
અમદાવાદમાં એક સમયે બંગલાઓ બનતા અને આજે લક્ઝુરિયસ ને અલ્ટ્રા લક્ઝુરિયસ અપાર્ટમેન્ટ બની રહ્યા છે. અમદાવાદનો ચારેય દિશાએથી વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદમાં કોઈએ સપનેય વિચાર્યું નહોતું કે અપાર્ટમેન્ટ 12-20 કરોડના મળશે, પરંતુ આજે આ હકીકત છે. અમદાવાદના ફ્યૂચરથી લઈને અમદાવાદની તેજી-મ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં ગઈકાલે તમે વાંચ્યું કે જૂનાગઢમાં ગાંધી ચોકમાં બે લોકો અચાનક ઢળી પડ્યા હતા. તેમને હોસ્પિટલમાં સારવાર મળે એ પહેલાં જ જીવ ગુમાવી દીધો. બન્ને શખસોનો એકબીજા સાથે કોઈ લેવાદેવા ન હતા. પણ આ મોત પાછળ લઠ્ઠાકાંડ જવાબદાર હોવાની વાતોએ જોર પકડ્યું. ઘ
નમસ્કાર, ગઈકાલના મોટા સમાચાર પાકિસ્તાન બોર્ડર પર 8 આતંકી કેમ્પ એક્ટિવ હોવાની જાણકારી સાથે જોડાયેલા રહ્યા. બીજા મોટા સમાચાર ઈરાનના હિંસક પ્રદર્શનમાં 12 હજાર મોતના દાવાને લઈને રહ્યા. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર નજર રહેશે... 1. PM મોદીનું કાર્યાલય (PMO) નવી બિલ્ડિંગ ‘સેવા તીર્થ’ પરિસરમાં
ન્યૂ વીઆઈપી રોડની ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબની સાઇટમાં દુકાન બુક કરાવી તેનું પઝેશન અને દસ્તાવેજ ન કરી આપી બિલ્ડર મનિષ પટેલ અને પત્ની રૂપલે ઠગાઈ હતી. 3 બનાવમાં બિલ્ડર દંપતીએ રૂા.50 લાખ પડાવી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચે મનિષ પટેલને પકડી ગોરવા પોલીસને સોંપ્યો હતો. આજવા રોડના સુ
હરણી ગામમાં ગોડાઉનમાં રહીને મજૂરી કરતા શ્રમજીવીના રૂમમાં ગરમ પાણી દોઢ વર્ષની દીકરી પર ઢોળાતા તે ગંભીર રીતે દાઝી જતાં તેને સયાજી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં અધૂરી સારવાર દરમિયાન દીકરીના માતાપિતા તેને ઘરે લઈ આવ્યા હતા. જોકે ઘરે બાળકીનું મોત થઈ ગયું હતું. હરણીમાં આવેલા ભગ
બરોડા ક્રિકેટ એસોસિયેશનમાં હવે ચૂંટણીનો દોર શરૂ થઈ ગયો છે. આગામી 15 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનાર છે. ત્યારે ચૂંટણીને લઈ સોમવારે અને મંગળવારે 650થી વધુ ઉમેદવારીના ફોર્મનું વિતરણ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. 31 સભ્ય માટે ચૂંટણી યોજાનાર છે. બીસીએની એપેક્ષ કાઉન્સિલમાં 12 સભ્યો પ
મંજૂસર જીઆઈડીસીમાં ગેસ કટર દ્વારા શ્રમજીવી કામ કરી રહ્યા હતા તે દરમિયાન ગેસ લીકેજ થતાં તેઓ દાઝી ગયા હતા. જેને પગલે તેઓને સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મોત થયું હતું. મંજૂસર પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી. પોર ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના ચિત્રકૂટ
ઉત્તરાયણના આગલા દિવસે કાઉન્સિલરે વેરાનું વળતર તો મળવું જ જોઈએ તેવા મેસેજ સાથેની પતંગો વહેંચી હતી. લોકોને 5 વર્ષમાં બોટકાંડ, પૂર, ખાડા, ગંદું પાણી જેવી સમસ્યાને ધ્યાનમાં રાખી ચૂંટણીમાં બટન દબાવવા અપીલ કરી છે. વોર્ડ 15ના કાઉન્સિલર આશિષ જોષીએ 550થી વધુ સોસાયટીમાં પતંગ વહેંચી હતી.
લહેરીપુરા અને દિવાળીપુરામાં મંગળવારે સાંજે 4-15થી 4-30 વાગ્યા વચ્ચે 15 મિનિટમાં 2 મકાનોમાં આગના બનાવો બન્યા હતા. લહેરીપુરા વિસ્તારમાં એક મકાનના ત્રીજા માળે ઘરઘંટીમાં આગ લાગ્યા બાદ પ્રસરી હતી. લહેરીપુરા પાસેના ખારવાવાડમાં 4 માળના એક મકાનમાં પહેલા અને બીજા માળે બે ભાઇનો પરિવાર રહ
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ પ્રથમવાર ગુજરાત અને દેશમાં વડોદરાના યુવકની જર્મન બેઝ કંપનીએ ડ્રોન એઆઈ ટેક્નોલોજી થકી સરવે શરૂ કર્યો છે. હાલમાં સુભાષ બ્રિજનો ડ્રોન થકી થ્રીડી સરવે કર્યા બાદ તેમાં થયેલી નુકસાનીનું તારણ જાણી શકાયું અને ઈજનેરોએ તેને તોડવાનો નિર્ણય કર્યો હતો. આ ટે
શહેરમાં ઈ-બસ અને આગામી સમયમાં મેટ્રો ટ્રેન બાદ હવે પોડ ટેક્સી પ્રોજેક્ટ શરૂ થવાની દિશામાં કામગીરી શરૂ કરાઈ છે. પાલિકાની રિવ્યૂ બેઠક પૂર્વે યોજાયેલી બેઠકમાં ટ્રાફિક જામથી ત્રસ્ત વિસ્તારમાં આ પાઇલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવા અંગે ચર્ચા કરાઈ હતી. પાલિકામાં મ્યુનિસિપલ કમિશનર
બગસરા નગરપાલિકાના પ્રમુખ જ્યોત્સનાબેન રીબડીયાના બદલે તેમના પતિ એ. વી. રુબડીયા જ તમામ પ્રકારનો વહિવટ કરી સહિ કરવા અને નિર્ણય લેવા સુધીના કામ કરતા હોય આ અંગે રજૂઆત છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક રહીશે હાઈકોર્ટમાં મામલો ઉઠાવ્યો છે. જેને પગલે હવે હાઈકોર્ટે નિયામકને તપાસ સોંપ
અમરેલી જિલ્લાના શિક્ષણ જગતને કંલક લગાડતી એક ઘટનામાં વિદ્યાસભાની બીસીએ કોલેજની છાત્રાઓ આબુના પ્રવાસે ગઈ હતી ત્યારે કોલેજના નિયામક ગીરીશ ભીમાણીએ પાછળથી પોતાની કાર લઈ આબુ પહોંચી નશાની હાલતમાં 10 જેટલી છાત્રાઓની છેડતી કરી અડપલા કર્યાનું બહાર આવ્યું છે. વિધાનસભાના પ્રમુખ વસ
શહેરમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય કક્ષાના પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજોએ ભાગ લીધો હતો. મેયરે અભિવાદન સમારોહમાં દુભાષિયા તરીકે માટે સ્થાયી ચેરમેનની પસંદગી કરી કહ્યું હતું કે, હું ગુજરાતીમાં બોલીશ અને સ્થાયી સમિતિ ચેરમેન તેનું ટ્રાન્સલેશન કરશે. મેયરે કરેલી જાહેરાત બાદ સ
ઉત્તરાયણ પર્વે 4 થી 12 કિમીના પવનો ફૂંકાવાની સંભાવના છે. જેમાં સવારે પવનની ગતિ ઓછી હોવાથી લોકોને પતંગ ચગાવવા ઠૂમકા મારવા પડી શકે છે. જોકે બપોર બાદ પવનની ગતિ વધશે. જ્યારે વાસી ઉત્તરાયણે સમગ્ર દિવસે પવનની ગતિ 4 થી 8 કિમી વચ્ચે રહી શકે છે. જ્યારે ઉત્તરાયણ પૂર્વે મંગળવારની મોડી રાતે
તાજેતરમાં જ અમલમાં આવેલા જીએસટી રિફોર્મ્સના હેઠળ અનેક વસ્તુઓ પર કરના દરમાં ઘટાડો કરાયો હતો. જેનાથી લોકોની ખરીદ શક્તિમાં વધારો થતા તેની સીધી અસર જીએસટી કલેક્શન પર પણ પડી છે. ભુજ જીએસટી કમિશનરેટ કચેરીના આંકડાઓ પણ તે વાત સાચી સાબિત કરી રહ્યા છે. ચાલુ નાણાકીય વર્ષના 9 મહિના ( એપ્
શહેરમાં દૂષિત પાણીથી ટાઇફોઇડનો રોગચાળો ફેલાયો છે ત્યારે હજુ પણ પાણીની લાઇનમાં ભંગાણનો સિલસિલો અટકતો નથી. સેક્ટર-30ની ચંદ્રોદય સોસાયટી અને કેન્દ્રીય વિદ્યાલય પાસે છેલ્લા ત્રણ દિવસથી પાણીની મુખ્ય પાઈપલાઈનમાં મોટું ભંગાણ સર્જાયું છે. આ લીકેજને કારણે દરરોજ હજારો લિટર શુદ્ધ
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન અને જર્મન ચાન્સેલરની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમના સમાપન બાદ ડેકોરેશનની સામગ્રી અને ફુલો સહિતનો કચરો મહાત્મા મંદિર પાસે જાહેરમાં ફેંકવા બદલ GMC દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સી સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારે જાહે
હાલ સુપ્રીમ કોર્ટમાં રખડતા શ્વાન મુદ્દે સુનવણી ચાલી રહી છે, ત્યારે આ મુદ્દે કચ્છની સ્થિતિ પણ ગંભીર છે. કચ્છમાં રખડતા શ્વાનોનો ત્રાસ ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. સરકારી આંકડાઓ મુજબ છેલ્લા બે વર્ષમાં શ્વાન કરડવાના કેસોમાં અધધ 375 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં સમગ્ર જિલ્લા
ગુજરાતે જાહેર આરોગ્ય અને વૈજ્ઞાનિક માળખાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મંગળવારે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા સેક્ટર-28 ખાતે રાજ્યની પ્રથમ આધુનિક બાયો-કન્ટેન્મેન્ટ સુવિધા, બાયો-સેફ્ટી લેવલ-4 (BSL-4) લેબોરેટરી અને એનિમલ બાયો-સેફ્ટી લેવલ (ABSL) યુનિટનો શિલાન્ય
ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારો પર પ્રભાવ પાડવા ઉમેદવાર અથવા રાજકીય નેતાઓ તરફથી કરવામાં આવતા ધાર્મિક, પ્રાંત, ભાષા બાબતના વક્તવ્ય આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે. જો કે આ બાબતે પંચ સમક્ષ કોઈએ ફરિયાદ કરી નથી. છતાં પંચે જાતે ધ્યાન આપીને મુંબઈ મહાપાલિકા કમિશનર પાસેથી અહેવાલ મગા
સિધ્ધનાથ સતવારા જ્ઞાતિ મંડળ, ગાંધીધામ, પૂર્વ કચ્છનું છઠ્ઠું સ્નેહમિલન અને સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ખોડિયાર ધામ શિણાય ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નોકરી, ધંધાર્થે કચ્છ બહારથી આવેલા સતવારા (દલવાડી) સમાજના જ્ઞાતિજનો હાજર
મહારાષ્ટ્રમાં મુંબઈ મહાપાલિકા સહિત 29 મહાપાલિકાઓ માટે મતદાન 15 જાન્યુઆરીએ યોજાશે. ચૂંટણીમાં 15,000 થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. એકલા મુંબઈ મહાપાલિકામાં કુલ 227 વોર્ડ છે, જ્યાં 1,700 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવશે. દરમિયાન, મંગળવારે સાં
નાશિક મહાપાલિકાની ચૂંટણીને ફક્ત બે દિવસ બાકી છે ત્યારે, ભાજપે શહેરના રાજકારણમાં એક મોટું પગલું ભર્યું છે જે ઇતિહાસમાં નોંધાશે. ભાજપે ભૂતપૂર્વ મેયર સહિત 54 પદાધિકારીઓ અને કાર્યકરોને સીધા જ પક્ષમાંથી હાંકી કાઢ્યા છે, જેમણે ઉમેદવારી ન મળતાં ભાજપના સત્તાવાર ઉમેદવારો સામે બળવ
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે 15 જાન્યુઆરીના મતદાન થશે. મતદાનનો સમય વિધાનસભા ચૂંટણીની સરખામણીએ એક કલાક ઘટાડવામાં આવ્યો છે. તેથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ માટે 15 જાન્યુઆરીના મતદાન થવાનું છે. મતદાન માટે સવારના 7.30 થી સાંજે 5.30 વાગ્યા સુધીનો સમય આપવ
બે દાયકાથી વધુ સમયથી સતત આયોજિત થતી ટાટા મુંબઈ મેરેથોન આ વખતે 21મી વર્ષમાં પ્રવેશ કરી રહી છે. વૈશ્વિક સ્તરે માન્યતા મેળવેલી આ સ્પર્ધા 18 જાન્યુઆરીના યોજાવાની હોઈ આ વખતે પુરુષ અને મહિલા જૂથોમાં અત્યંત દરજ્જેદાર રનર્સે ભાગ લીધો છે. આ વખતે સહભાગી થનારાં આઠ પુરુષ અને છ મહિલા રનર્
જુહુમાં એક ગુજરાતી રૂ. 80 લાખનું દેવું પરતફેડ કરવામાં નિષ્ફળ જતાં તેની વૃદ્ધ માતાનું બે નાણાં ધિરાણદારે અપહરણ કર્યું હતું અને દેવું લીધું હોવાના દસ્તાવેજો પર સહી લીધી હતી. આ ઘટના ગયા મહિને બનવા છતાં પોલીસે સોમવારે એકની ધરપકડ કરી હતી, જ્યારે તેના સાગરીતની શોધ ચાલુ છે. પોલીસ અન
યુદ્ધ કે કુદરતી આપદા જેવી પરિસ્થિતિમાં સશસ્ત્ર દળો અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે અસરકારક સંકલન સુનિશ્ચિત થાય તે ઉદ્દેશ્ય સાથે ભુજમાં રાષ્ટ્રના સૌપ્રથમ વખત ‘ સંયુક્ત પ્રશિક્ષણ’ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ‘ઓપરેશન સિંદૂર’ બાદ સમગ્ર દેશમાં આ પ્રકારનું પ્રથમ આયોજન ભુજ ખાત
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી અંતિમ તબક્કામાં પહોંચતા જ રાજકીય ગરમાવો વધ્યો છે. પ્રચારનો સમય પુરો થતા હવે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. તળ મુંબઈના વોર્ડ નંબર 225માં કુલ 11 ઉમેદવારો મેદાનમાં છે, અહી ભાજપ અને શિવસેના યુબીટીના ઉમેદવારો વચ્ચે મુખ્ય મુકાલબો છે, પરંતુ અહી મહાયુત
મુંબઈ મહાપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શ્રી નાગરદાસ ધારસી ભુતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અંધેરી સ્થિત શ્રી નાગરદાસ ધારસી ભુતા હાઈ સ્કૂલમાં 12 જાન્યુઆરીના રોજ મતદાર જાગૃતિ રેલીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે જયશ્રી ધાયગુડે (સહાયક
ધોળાવીરામાં ગાઈડ તરીકે કામ કરતા ગામના 20 યુવાનોને નોકરીથી વંચિત રખાતા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ છે. ધોળાવીરા ટુર ગાઈડ એસોસિએશન દ્વારા ભચાઉ પ્રાંત અધિકારીને કરાયેલી રજૂઆત મુજબ, સરકાર દ્વારા ધોળાવીરાને ડેવલોપ કરવામાં આવે છે અહીં આવતા પ્રવાસીઓને માહિતગાર કરવા ગામના યુવા
મુંબઈ મહાપાલિકાની આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને શહેરભરમાં પ્રચારની મર્યાદા મંગળવારે સાંજે પૂર્ણ થઈ ગઈ છે. હવે આગામી 24 કલાકમાં મતદારો પોતાનો પ્રતિનિધિ પસંદ કરવા માટે મન બનાવી ચૂક્યા છે. તેમ છતાં અનેક વોર્ડમાં હજુ પણ કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આવી જ એક રસપ્રદ
ખેડૂત ખાતેદારનો દરજ્જો મેળવવા માટે અનેક ત્રાગા રચી કોઈપણ ભોગે ખેતીની જમીન ખરીદનાર વર્ગ બહુ મોટો છે ત્યારે મિલીભગતથી ખેડૂત ખાતેદાર બની જવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકામાં પણ આવા જ એક કિસ્સામાં 63 વર્ષથી એટલે કે, બાપદાદાના સમયથી ખેતીની જમી
શહેરમાં ઉતરાયણના એક દિવસ અગાઉ ભરબપોરે ચોર-પોલીસના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેમાં ભુજનો આરોપી વરનોરા તરફથી કારમાં ગૌમાંસ લઈને આવતો હોવાની બાતમીને આધારે એલસીબીના કર્મચારીઓએ આત્મારામ સર્કલથી ૩ ખાનગી કારથી આરોપીનો પીછો કર્યો હતો અને શહેરમાં જ 9 કિલોમીટર સુધી દોડાવ્યા બા
રાજકોટના કોઠારિયા ગામ પાસેની સોસાયટીમાં રહેતા અને કડિયાકામ કરતા યુવકે આજથી એક માસ પૂર્વે અટલ સરોવર પાસે સ્યૂસાઈડ નોટ લખી એસિડ પી આપઘાત કરી લીધો હતો. જેમાં મેસન ક્લબ મંડળીના સંચાલક સહિત ત્રિપુટીએ ત્રાસ આપ્યો હોવાનો ઉલ્લેખ હોવાથી પોલીસે નાનાભાઈની ફરિયાદ ઘરથી ત્રણ સામે ગુન
લખપત તાલુકાના જુણાચાયમાં શંકાસ્પદ પાવરનામાના આધારે લાંબા દિવસો બાદ દાખલ થયેલી વેચાણની નોંધ રદ કરાઈ છે. લખપત તાલુકાના જુણાચાય ખાતે રે.સ.નં.65 તથા 480 વાળી જમીનમા લાંગાય ઈશાક સુલેમાન દ્વારા વેચાણ દસ્તાવેજ આધારે નોંધ દાખલ કરવાની પ્રક્રિયા કરાતા સદર ઠામના રેવન્યુ રેકર્ડમા વેચા
બસ સ્ટેશન પાછળ હોટેલ ચલાવતા સંચાલકે મિલપરામાં આવેલી એક હોટેલમાં કૂટણખાનું ચાલે છે તેવા ન્યૂઝ સોશિયલ મીડિયા પેજ પર છપાતાં આ ન્યૂઝ ચલાવનારો શખ્સ હાલ ગોવા ગયેલા હોટેલ સંચાલકનો મિત્ર હોઇ જેથી જેના વિશે ન્યૂઝ છપાયા તે હોટેલ સંચાલકે તેને ગોવા ફોન કરી આ વિશે વાત કરતાં તેણે રાજકો
શહેરમાં ચાર અલગ-અલગ ઘટનાઓમાં બે વૃદ્ધ, એક પ્રૌઢ અને એક બાળકીનું મૃત્યુ થતાં પરિવારોમાં શોક છવાઇ ગયો હતો. મોરબી રોડ પર કૈલાસ પાર્ક-2માં રેહતા નારણભાઇ ગગજીભાઈ વાઘાણી (ઉં.વ.75) ઘરે બાથરૂમમાં પડી જતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ અહીં મૃત્યુ થયું હતું. તેઓાને
વડાપ્રધાન મોદીએ મારવાડી યુનિવર્સિટી ખાતે ખુલ્લું મૂકેલું વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન સોમવારથી નાગરિકો માટે ખુલ્લું મુકાયું છે. નાગરિકો તા.15મી સુધી દરરોજ સવારે 10થી સાંજે 5.30 સુધી ઓપન એન્ટ્રી મેળવીને વિવિધ ડોમ નિહાળી શકશે. અહીં ભારતીય વાયુ સેનાના ફાઇટર પ્લેન તેજસથી લઈ
રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શ્રેણીનો બીજો વન-ડે મેચ રમાવાનો છે. બંને ટીમોએ મંગળવારે ભરપૂર પ્રેક્ટિસ કરી અને પરસેવો પાડ્યો છે. સ્ટેડિયમ પર પ્રેક્ટિસ સેશન દરમિયાન હજારો ક્રિકેટપ્રેમીઓ ઊમટી પડ્યા હતા. રાજકોટના પતંગ રસિયાઓ અને ક્રિકે
ભુજના ચીટરો દેશભરમાં સસ્તા સોનાના નામે ઠગાઈ આચરી કરોડો રૂપિયા પડાવી ચુક્યા હોવાના બનાવો સામે આવી ચુક્યા છે. તેવામાં હવે ચીટરો નકલી નોટોના બંડલનો વિડીયો દેખાડી રૂપિયા ડબલ કરવાની લાલચે છેતરપિંડીના બનાવને અંજામ આપી રહ્યા છે. ત્યારે આવા ગુનાઓ અટકાવવા માટે એલસીબીએ પશ્ચિમ કચ્
રાજ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે જીઆઇડીસી મહત્ત્વનું પરિબળ છે. રાજકોટ, મોરબી, કચ્છ, સહિતના તમામ જિલ્લામાં ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે, જીઆઇડીસી વસાહત આવેલ છે. જોકે સરકાર દ્વારા નવી જીઆઇડીસીની જાહેરાત કર્યા બાદ વર્ષો સુધી જીઆઇડીસી ડેવલોપ થતી નથી ત્યાર
ભુજના એરપોર્ટ રિંગ રોડ પર આવેલા ભાડાના શોપિંગ કોમ્પલેક્ષને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. ધરતીકંપ બાદ ભાડાએ બનાવેલા ત્રણ શોપિંગ કોમ્પ્લેક્ષમાંથી એક એરપોર્ટ રિંગ રોડ પર આવેલો છે, જ્યાં આજે મોટા ભાગની દુકાનોમાં હોટલ અને રેસ્ટોરન્ટ શરૂ થઈ ગયા છે. આસપાસ રહેતા માધવનગરના રહેવ
રાજ્ય સરકારની ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (GUDC) દ્વારા ગત નવેમ્બર માસની શરૂઆતમાં રૂ.82 કરોડના ખર્ચે મંજૂર કરાયેલા પીડીએમ ફાટક અન્ડરપાસ પ્રોજેક્ટની કામગીરી હજુ સુધી આગળ ન વધતા પ્રોજેક્ટ ઢીલમાં પડ્યો હોવાનો ચિત્ર ઉપસ્યું છે. પરિણામે ગોંડલ રોડથી ઢેબર રોડ અને ઢેબર રોડથી ગોંડ
મકરસંક્રાંતિ જેવા તહેવારો દરમિયાન લોકો મોટા પ્રમાણમાં બહારથી ખાદ્યપદાર્થો ખરીદે છે ત્યારે ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તા જાળવવા રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. તા.13ના રોજ ફૂડ વિભાગની ટીમે FSW વાન સાથે આઈ.ટી.આઈ. હોકર્સ ઝોનથી આજી ડેમ ચોકડી સુધીના વિસ્ત
અડાજણમાં રહેતા અને બેંકના નિવૃત કર્મચારીના બેંક ખાતામાં એક રૂપિયો ક્રેડિટ કરી સાયબર ફ્રોડ કરતી ટોળકીએ 3 બેંક ખાતામાંથી 5.65 લાખ રૂપિયાની રકમ તફડાવી લીધી છે. આ અંગે 62 વર્ષીય બિપીન ગરાસીયાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. જેના આધારે પોલીસે અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે. થોડા દિવસ
કચ્છ જિલ્લો ભૂકંપ ઝોનમાં આવે છે અને અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. 2001ના વિનાશક ભૂકંપ બાદ ભૂકંપના આંચકા પર નજર રાખવા માટે ભુજના કોડકી રોડ પર ભૂકંપ વેધશાળા બનાવાઈ હતી, પરંતુ આજે બે દાયકા બાદ આ વેધશાળા ખંડેર હાલતમાં જોવા મળે છે. હાલ સ્થિતિ એવી છે કે, અહીં વર્ષોથી કોઈ અધિકારી
સુરતની અનેક સ્કૂલોમાં સવાર-બપોરના ક્લાસ હાઉસફુલ હોવા છતાં સંચાલકો આરટીઇમાં ઓછી બેઠકો બતાવી રમત કરી રહ્યા છે. નફા માટે બે પાળી ચલાવતી સ્કૂલો કાગળ પર માત્ર એક જ શિફ્ટ દર્શાવી ગરીબ બાળકોને અભ્યાસથી વંચિત રાખવાનું કૌભાંડ કરાતું હોવાનું બહાર આવ્યું છે. આ ગંભીર મામલે શિક્ષણ વિભ
શહેરમાં આપઘાતના અલગ અલગ ત્રણ બનાવોમાં આધેડ સહિત ત્રણ વ્યક્તિએ જીવન ટુંકાવી લીધું હતું. ખટોદરા પંચશીલ નગરમાં રહેતા 35 વર્ષીય સતિષભાઈ દેવીપૂજકે.8 જાન્યુઆરીના રોજ તેમણે પોતે પેટમાં ચપ્પુ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમને સિવિલ દાખલ કરાયા હતા. જ્યાં સોમવારે સાંજે તેમન
શહેરના ચીટરોએ રાજસ્થાનના વેપારી સાથે ફેસબુક પર સંપર્ક કર્યા બાદ ભુજ બોલાવી રૂપિયા 54 લાખમાં 1 કિલો સોનુ આપવાનું કહી 28 લાખ પડાવી લીધા હતા.જેમાં એલસીબીએ કાર્યવાહી કરી ત્રણેય ચીટરો પાસેથી ઠગાઈમાં ગયેલા રૂપિયા કબ્જે કરી રાજસ્થાનના વેપારીને પરત આપવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો
પાલનપુર જકાતનાકા પ્રશાંત સોસાયટી નજીક પાલિકાના શેલ્ટર હોમમાં ઇલેક્ટ્રિક ડીપીમાં ફસાયેલો પતંગ કાઢવા જતા 13 વર્ષીય કિશોરનું કરંટ લાગવાની સાથે પગમાં લોખંડનો સળીયો ઘુસી જતા મોત નીપજ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત કિશોરને સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્

32 C