સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઈશ્વરીયા ગામમાં PGVCLના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના વીજ ચેકિંગ દરમિયાન બની હતી, જેમાં ગ્રામજનોએ કર્મચારીઓ પર દાદાગીરી અને ગેરવર્તણૂકનો આરોપ લગાવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલ ખાતે આવેલા ઝાંઝરી માતાજીના મંદિરે 26 નવેમ્બર, બુધવારના રોજ માગશર સુદ છઠના દિવસે 23મો પાટોત્સવ ઉજવાશે. આ પ્રસંગે ભવ્ય અન્નકૂટ દર્શન અને શેષનાગ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. પાટોત્સવના દિવસે સવારે 8:30 કલાકે નવચંડી યજ્ઞનો પ્રાર
ભચાઉ નગરમાં રેલવે દ્વારા નવા ટ્રેક નાખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે બે મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે, જેના પરિણામે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવા માટે માંગ ઉઠી છે. ભૂકંપ બાદ નવનિર્મિત ભચાઉના દક
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાનારી યુનિટી માર્ચ અંગે છોટા ઉદેપુરના સાંસદ જશ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ભવ્ય ઉજવણી માટે આગામી દિવસોમાં યુનિટી માર્ચ કાઢવામાં આવશે. આ યાત
• કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે બે નહિ ગુજરાતના 54 લાખ ખેડૂતો અમારા માં-બાપ છે : ગોપાલ રાજ્યમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકશાનને પગલે સરકાર દ્વારા ગઈકાલે 10,000 કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જો કે આ પછી આજે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ પેકેજન
રાજકોટના મંગળા રોડ પર આવેલ પ્રગતિ હોસ્પિટલ પાસે 29 ઓક્ટોબરના રોજ કુખ્યાત સમીર ઉર્ફે મૂર્ઘા ગેંગ અને પેંડા ગેંગ વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગ કેસમાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જે પૈકી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા અને અરમાન ઉર્ફે ચક્કીને પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્
ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી ઝોન કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં દીવાન-બલ્લુભાઈ પ્રાઈમરી ઈંગ્લિશ સ્કૂલની વિદ્યાર્થિનીઓની ટીમ વિજેતા બની છે. આ સ્પર્ધા વીર સાવરકર સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સ, રાજનગર-પાલડી ખાતે યોજાઈ હતી. આ જીત સાથે ટીમે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે સ્થાન મેળવ્યું છે
બાપુનગર સ્થિત મહિલા વાણિજ્ય મહાવિદ્યાલયમાં વંદે માતરમ ગીતના 150 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા વંદે માતરમ ગીતનું ગાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલેજના પ્રમુખ પુરષોત્તમ કકાણી, મેનેજિંગ ડાયરેક્ટર વી. પી. પટેલ અને કોલેજના પ્રિ
અમદાવાદમાં મણિનગર મહેશ્વરી મિત્ર મંડળ દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રા મણિનગરથી શરૂ થઈને શાહીબાગ ખાતે આવેલા કેમ્પ હનુમાન મંદિર સુધી પહોંચી હતી.
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે આવેલા લીલામણી કોમ્પ્લેક્સ નજીક એક ગોડાઉનમાં ટ્રકની અંદરથી ભારતના સૌથી ઝેરી સાપ પૈકીના એક રસલ વાઇપર (ખડચિતડો)નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ ઘટના ગાંધીનગરથી આવેલા માલસામાન ભરેલા ટ્રકમાં બની હતી. ટ્રકમાં માલસામાન ઉતારતી વખતે સાપ દેખાતા સ્
સંઘ પ્રદેશ દમણ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થયા છે. કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો પર વિજય મેળવી ભાજપે પાલિકા પર કબજો જમાવ્યો છે. આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપને બે બેઠકો મળી છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજેતા બન્યા છે. ઉલ્લેખનીય છે કે, દમણ નગરપાલ
અમદાવાદ, 7 નવેમ્બર 2025: ADC બેંક U-19 (વન ડે) સ્કૂલ ટુર્નામેન્ટ 2025-26 ની સુપર નોકઆઉટ રાઉન્ડ મેચમાં સેન્ટ કબીર સ્કૂલે J.L. ઇંગ્લિશ સ્કૂલ સામે પાયોનિયર ક્રિકેટ એન્ડ સ્પોર્ટ્સ એકેડેમી, અમદાવાદ ખાતે વિજય મેળવ્યો. આ જીતમાં 17 વર્ષીય બેટ્સમેન રણવિજય એ. રાઠોડનું પ્રદર્શન મુખ્ય રહ્યું. સેન્ટ કબીર
નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા ₹10,000 કરોડના રાહત પેકેજથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. આ આર્થિક સહાય આગામી ઉનાળુ પાકના વાવેતર માટે મદદરૂપ થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પેકેજ અંતર્ગત, પિયત અને બિન-પિયત જમીનનો ભેદ
આસ્ટોડિયા સ્થિત બાલા હનુમાન મંદિરમાં દેવ દિવાળી નિમિત્તે હનુમાનજીને છપ્પન ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરમાં સવારે અને સાંજે હનુમાનજીની આરતી ઉતારવામાં આવી હતી. આરતી બાદ ભાવિક ભક્તોને પ્રસાદ વ
પાટણની એલ.એન.કે. કૉલેજ ઑફ ઍજ્યુકેશન (સી.ટી.ઈ.) ખાતે “વંદે માતરમ: 150 વર્ષની ગૌરવગાથા” કાર્યક્રમની ઉજવણી 7 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવી હતી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન આ કોલેજમાં સરકારશ્રીના પરિપત્ર અનુસાર આયોજન થયું હતું. રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ'ની ર
સુરતમાં ટ્રાફિક નિયમને લઈને એક પરપ્રાંતિય યુવક અને પોલીસકર્મી વચ્ચે વિવાદ થયો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં બન્ને એકબીજા પર ઓવરસ્પીડમાં વાહન ચલાવ્યાના આક્ષેપો કરી રહ્યાં છે. વીડિયોમાં યુવક બોલી રહ્યો છે કે, શું યુપી-બિહારના છે તો અહીં રહ
ગાંધીનગરના ડભોડા સ્થિત શાશ્વત – મિથિલા ભવન ખાતે 5 નવેમ્બરે કાર્તિક પૂર્ણિમા નિમિત્તે “સામા-ચકેવા” લોકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના ચીફ સેક્રેટરી મનોજ દાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. દાસે મિથિલા અને ગુજરાત વચ્ચેના સાંસ્કૃતિક સંબં
ગોકુલધામ સ્પોર્ટ્સ એકેડેમી, નાર ખાતે ગોકુલધામ વિન્ટર કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ થયો છે. આ ઓલ ઈન્ડિયા લેધર બોલ ઓપન ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 51 ટીમો ભાગ લઈ રહી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રમતગમતને પ્રોત્સાહન આપવાનો છે. આ ટુર્નામેન્ટમાં તમામ મેચો
રતુભાઈ મૂળશંકર અદાણી પ્રાથમિક શાળા નંબર 295, ઉન ખાતે રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ્'ની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા ઉત્સાહપૂર્વક સમૂહ ગાન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન, શાળાના સમગ્ર સ્ટાફ અને બાળકોએ સ્વદેશી વસ્તુઓનો
વંદેમાતરમ ગાનના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દેશભરમાં રાષ્ટ્રીય સ્તરે સ્મૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. વંદેમાતરમ માત્ર એક ગીત નથી, પરંતુ ભારતની સામૂહિક ચેતનાનું પ્રતીક છે, જે સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પ્રેરણાસ્ત્રોત બન્યું હતું. યુનિવર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવતીકાલે, 9 નવેમ્બર, 2025ના રોજ, હિંમતનગર-1 સબસ્ટેશનમાં જરૂરી સમારકામના કારણે આઠ કલાક વીજપુરવઠો બંધ રહેશે. UGVCL દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. UGVCL દ્વારા જણાવાયા મુજબ, 9 નવેમ્બર, 2025 (રવિવાર) ના રોજ સવારે 08:00 થી સાંજે 16:00 કલાક સુધી વીજપુરવઠો બંધ રહે
સુખનાથ ચોક સ્થિત શ્રી મારી પ્રાથમિક શાળામાં વંદે માતરમ કૃતિના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકો દ્વારા સમૂહમાં વંદે માતરમનું ગાન કરવામાં આવ્યું હતું અને સ્વદેશી અભિયાન તેમજ વ્યસનમુક્તિના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
ઊંઝા APMC ખાતે વંદે માતરમ રાષ્ટ્રગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ચેરમેન દિનેશ પટેલની અધ્યક્ષતામાં સમૂહ ગાન અને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ માટે શપથ લેવાયા. આ કાર્યક્રમમાં બજાર સમિતિના ડિરેક્ટર ગણ, કર્મચારીઓ, તેમજ માર્કેટયાર્ડના બંને વે
ગરવા ગઢ ગિરનાર પર્વત પર યુવાઓની જીવલેણ ઘેલછાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં 6 યુવાનો સુરક્ષિત પગથિયાંવાળા માર્ગને બદલે શોર્ટકટ અપનાવીને સીધા ડુંગરના ઢોળાવ પર જીવના જોખમે ચડતા જોવા મળ્યા. ઢોળાવવાળો અને લપસણો પહાડી માર્ગ અત્યંત જોખમી હોવા છતાં યુવાનોએ સોશ
જામનગર LCB પોલીસે ધ્રોલ તાલુકાના ખાખરાગામ જવાના રસ્તેથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ રૂ. 4,50,600/- ના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ દારૂ મંગાવનાર અને સપ્લાય કરનાર અન્ય બે આરોપીઓને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. ખાનગી બાતમીના આધારે, LCB સ્ટાફે ધ્રોલ ત
દાહોદમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભે એક આયોજન બેઠક યોજાઈ હતી, જેમાં કાર્યક્રમના સુચારુ અમલીકરણ માટે વિવિધ વિભાગોને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠક પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીનાના અધ્યક્ષસ
રાજકોટ સહિત રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા હડતાલ કરવામાં આવતા આ મહિને રાશનકાર્ડ ધારકોને અનાજના પુરવઠાનું વિતરણ ખોરવાઈ ગયું છે. રાજકોટ જિલ્લાના 3.11 લાખ રાશનકાર્ડ ધારકોમાંથી અઠવાડિયામાં માત્ર પોણા બે ટકા લોકો સુધી જ અનાજ પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. જેના લીધે
ભરૂચ શહેર નજીકના નંદેલાવ ગ્રામ પંચાયત હદના બુસા સોસાયટીના પંચવટી વિસ્તારમાં ગત મધરાત્રે સાપ દેખાતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. રાત્રે આશરે 11:45 કલાકે સાપ જોવા મળતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક યુવક યશ રાણાએ તાત્કાલિક પ્રકૃતિ સંરક્
બોરીસણા ગામના ધીરજભાઈ ભલાભાઈ રબારી ગઈકાલે સવારે પોતાની બે દીકરીઓના આધારકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. જેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ ગઈકાલે સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે દીકરીઓ સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસન
મહેસાણા પેરોલ ફર્લો ટીમે છેતરપિંડીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી ફરાર આરોપીને બાતમી આધારે તેના જ ઘરેથી ઝડપી જેલ હવાલે કર્યો હતો. આરોપી સામે વિસનગર તાલુકા પોલીસ મથકમાં છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાઈ હતી, જે કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર ભાગતો હતો. પોલીસે ઘરે જઈને આરોપીને દબો
વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં આજે સવારે 6 વાગ્યાના અરસામાં એક દર્દીએ બારીમાંથી કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ખોડિયારનગર, ન્યૂ વીઆઇપી રોડ પરની વ્રજધામ સોસાયટીમાં રહેતા 65 વર્ષીય દયાનંદ બાબુરાવ પવાર નામના દર્દી ગત તારીખ 5 નવેમ્બરના રોજ ન્યૂ સર્જિકલ બિલ્ડિંગના પ્ર
એર ટ્રાફિક કંટ્રોલ ફ્લાઇટ પ્લાનિંગને ટેકો આપતી AMSSમાં આવેલી ટેકનિકલ સમસ્યાને કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ કામગીરી પ્રભાવિત થઈ રહી છે. જેના કારણે આજે પણ અમદાવાદથી અસર કરતી અનેક ફ્લાઇટ ડીલે થઈ હતી. AMSSમાં આવેલી ટેકનિકલ સમસ્યાને કારણે અસરદિલ્હીથી અમદાવાદ આવતી રાત્રે 12 વાગ્
પંચમહાલ એલસીબી પોલીસે મોરવા(હ) તાલુકાના વાડોદર ગામેથી ₹61.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹77.16 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાતમી મુજબ, એક ટાટા એલ.પી. ટ્રક (નંબર GJ23 V 8258) માં ગુપ્ત ખાનું બનાવી ભારતીય બનાવટનો વિદેશી દારૂ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂબંધીના કાયદાનો ભંગ કરવા માટે બૂટલેગરો દ્વારા અપનાવાતી અવનવી તરકીબો ફરી એકવાર પકડાઈ ગઈ છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચે અડાલજ કેનાલ નજીકથી પિકઅપ ડાલામાં લસણ જેવા જીવનજરૂરી માલસામાનની આડમાં ગેરકાયદેસર રીતે લાવવામાં આવેલો વિદેશી દારૂનો મો
અમદાવાદમાં USDTના નામે ઠગાઇના બે કિસ્સા સામે આવ્યા છે. એક કિસ્સામાં વેપારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીનો સંપર્ક થતા 10 ટકા કમિશનની લાલચ આપી USDTમાં રોકાણ કરવાના બહાને 31 લાખ પડાવ્યા, જ્યારે અન્ય એક વેપારીને પરિચિત વ્યક્તિએ 1 ડોલર પર 1 રૂપિયા કમિશન આપવાનું કહીને 10 લાખ રૂપિયાના USDT
હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરના અષ્ટવિનાયક ગણપતિ મંદિરમાં શનિવારે સંકટ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગણપતિદાદાને 21 કિલો જામફળ અર્પણ કરાયા હતા. સવારે 5:30 કલાકે ગણપતિદાદાનો અભિષેક કરાયો હતો. ત્યારબાદ સવારે 6:15 કલાકે આરતી યોજાઈ હતી. યજમાન ગણેશ યુવક મં
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગત ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવ
'અમે વહેલી સવારે ત્રણ વાગ્યાની આસપાસ ડીસીબી ક્રાઈમ બ્રાન્ચની ટીમ સાથે ડાભેલ ગામના આશિયાના સોસાયટીના ઘર નંબર 85ના આજુબાજુ પહોંચ્યા હતા. હું અને મારા ટીમના માણસો ઘરની આજુબાજુ ગોઠવાઈ ગયા હતા, જ્યાં હું પાછળની બાજુ ટીમના માણસો સાથે ઉભો હતો. રાતના અંધારામાં સલમાન લસ્સીએ પોલીસને
આજે વહેલી સવારે અમદાવાદના થલતેજ અંડરબ્રિજ પર કાર અને ટ્રકનો અકસ્માત થતાં એક યુવકનું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય બે યુવતીને ઈજા પહોંચતા સારવામાં ખસેડાઈ છે. એક યુવક પોતાની કીઆ સેલ્ટોસ કાર લઈને પૂરઝડપે આવી રહ્યો હતો, ત્યારે બંધ પડેલી ટ્રકના પાછળના ભાગે કારની ટક્
અમરેલી જિલ્લાના ફુલઝર ગામમાં થયેલી હિંસક જૂથ અથડામણના ગંભીર પડઘા હવે સુરતમાં પડ્યા છે. ફુલઝર ગામમાં પાટીદારો પર અસામાજિક તત્વો દ્વારા કરાયેલા હિંસક હુમલા અને ત્યારબાદ ખોટી રીતે કેસ કરાયાના આક્ષેપોને લઈને સુરતમાં પાટીદાર સમાજની એક વિશાળ અને મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી થયેલા નુકસાન બાદ ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજે અમરેલી શહેરમાં પ્રતીક ધરણા અને કિસાન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વ
વલસાડ રૂરલ પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર જાહેરમાં અશ્લીલ વર્તન કરતી બે મહિલાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. શુક્રવારની રાત્રે સરોધી ગામ નજીક ઢાબા પાસે પેટ્રોલિંગ દરમિયાન આ મહિલાઓ ઝડપાઈ હતી. પોલીસ ટીમે જોયું કે ઢાબા નજીક ઉભેલી આ બંને મહિલાઓ આવતા-જતા લોકોને અશ્લીલ ઈશારા અને હાવભા
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં ગઈકાલે સૌથી ઠંડુ શહેર નલિયા રહ્યું હતું. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 16.3 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે ભૂજમાં મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી સે
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે આશરે ₹10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ નિર્ણય લેવાયો છે. જેને લઇને વલસાડના સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી,
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 74મો પદવીદાન સમારોહ યોજાઈ રહ્યો છે. જેમાં 15 હજાર જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. આ સાથે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર 354 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ આપવામાં આવશે. આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્ય અતિથિ તર
વલસાડ જિલ્લામાં પ્રોહિબિશન કાયદા હેઠળ ઝડપાયેલા કુલ 1.52 કરોડ રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવશે. ભિલાડ RTO ચેકપોસ્ટ નજીકની ખુલ્લી જમીનમાં સક્ષમ અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી હાથ ધરાશે. છેલ્લા ત્રણ મહિનામાં વલસાડ રૂરલ, સીટી અને ડુંગરી પોલીસ મથકો દ્વારા આ દાર
પોરબંદર જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લામાં ત્રણ આરોપીઓ સામે પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ કાર્યવાહી કરીને તેમને રાજ્યની અલગ-અલગ જેલોમાં મોકલી દેવામાં આવ્યા છે. આ કાર્યવાહી અંતર
પોરબંદરમાં ઉદ્યોગનગર GIDC રેલવે ફાટક ન ખુલતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. દેવદિવાળી બાદ પણ ફાટક કાર્યરત ન થતા, મોટી સંખ્યામાં નાગરિકોએ મોડી રાત્રે રેલવે સ્ટેશને પહોંચી અધિકારીઓને તાત્કાલિક ફાટક ખોલવા રજૂઆત કરી હતી. આ ઘટના રાત્રે લગભગ 10:30 વાગ્યે બની હતી, જ્યારે નાગરિકોનો સમુ
શેર માર્કેટમાં રોકાણના નામે લાલચ આપીને લોકોને છેતરપિંડી કરતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ સભ્યોને વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપીઓએ નકલી ફર્મ બનાવીને તેના નામે બેંક ખાતાં ખોલાવ્યા હતા અને તેમાંથી કરોડો રૂપિયાની છેતરપિંડીના નાણાંની હેરફેર કરી હતી. આ ગુન
વ્યારાના કણજા ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા બનાવાયેલ અંડરબ્રિજ લોકો માટે સુવિધા બનવાની જગ્યાએ હાલ મુશ્કેલીનું કારણ બની ગયો છે. વરસાદ બંધ થયા બાદ પણ આ અંડરબ્રિજમાં અડધો ફૂટ જેટલું પાણી કાયમી રીતે ભરાઈ રહે છે, જેના કારણે શહેરવાસીઓ તેમજ આસપાસના ગામોના લોકો માટે અહીંથી પસાર થવ
વ્યારા સહિત દેશભક્તિના સ્મરણ પર્વ તરીકે વંદે માતરમ ગાનના 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે 07 નવેમ્બરના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો યોજાયા. તાપી જિલ્લામાં પણ દેશભક્તિની અનોખી ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી. તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક કચેરી વ્યારાના પ્રાંગણમાં પોલ
વ્યારા માં ખાતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે આવતી કાલથી આરંભ થનારી ‘જનજાતિ ગૌરવ યાત્રા’ તથા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિતે 17-18 નવેમ્બરે યોજાનારી ‘યુનિટી માર્ચ’ અંગે પ્રેસકોન્ફરન્સ યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા પ્રભારી માધુભાઈ કથીરિયા, વ્યારા
તાપી જિલ્લાનું નાનું, પરંતુ પ્રગતિશીલ ચીખલદા ગામ આજે આખા ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે. અહીંના યુવાન સરપંચ રિપિન ગામિતે સોશિયલ મીડિયાને વિકાસના સાધન તરીકે અપનાવીને એક અનોખી પહેલ કરી છે. રિયલ સરપંચ તરીકે ઓળખાતા આ 33 વર્ષના યુવાને ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવીને ગ્રામ્ય લ
ઉમરગામ તાલુકામાં ખતલવાડા ગ્રામ પંચાયત હદમાં આવેલી ઓલટાઈમ પ્લાસ્ટિક કંપની દ્વારા સ્થાનિક કામદારો ખાસ કરીને મહિલા કામદારોને યેનકેન પ્રકારે હેરાન કરાતી હોવાની ચર્ચા સંભળાય છે. આ કંપનીમાં મેનેજમેન્ટ અવનવા તુક્કાઓ અપનાવી કામદારોને હેરાન કરે છે. કંપનીમાં એક સાથે માતા અને દી
જામનગરની સેશન્સ કોર્ટે વર્ષ 2018માં એક મહિલા આરોપી અને તેના પ્રેમી પુરુષ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં મહિલા આરોપીએ વર્ષ 2018માં તેની સામે હાઇકોર્ટમાં દાખલ કરેલી અપીલમાં રેગ્યુલર જામીન અરજી મંજૂર થતા 11 વર્ષ બાદ તેને જેલમાંથી રેગ્યુલર જામીન પર મુક્ત કરવામાં આવશે. જા
વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ તથા કેમિકલ સંબંધિત ગેરકાયદે પ્રવૃત્તિઓ ઝડપાઈ રહી હોવાથી સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. મોટા ભાગે ડ્રગ અથવા તેની કાચી સામગ્રીના સંગ્રહ અને ઉત્પાદન માટે ઉદ્યોગિક એકમોનો ઉપયોગ થતો હોવાનો ખુલાસો થયા બાદ પારડી પોલીસે G
શહેરાની વાઘજીપુર ચોકડી પાસે ખાનગી લક્ઝરી બસની બ્રેક ફેલ થતાં આગળ ચાલતી આઇસર ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બસમાં સવાર 13 યાત્રાળુ મુસાફરોને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે શહેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી ખાનગી લક્ઝર
પ્રિતેશભાઇ પટેલ (રહે. મલવાડા, તા.ચીખલી) ગતરોજ બપોરના સમયે ઘરનો સામાન લેવા ચીખલી જતો હતો. તે દરમિયાન ગામની શાળા પાસે ઘરની જમીનની કોઈ જૂની અદાવત રાખીને તેમના ફળિયાના વિશાલ પટેલ, ક્રિશ પટેલ, ઋત્વિક પટેલ (તમામ રહે.મલવાડા પટેલ ફળિયા, તા.ચીખલી)એ હુમલો કરી પાઇપ, લાકડા તથા પટ્ટાથી માર મ
ચીખલીમાં વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલ ખાનગી બસના ચાલક સાથે માથાકૂટ કરી બસની ચાવી લઈ ફરાર થઇ જનાર બે શખ્સને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડી ચાવી પરત લીધી હતી. લાંબો સમય ડ્રામા ચાલતા મુસાફરો અટવાવા સાથે ટ્રાફિક જામ પણ થયો હતો. વાપીથી સૌરાષ્ટ્ર તરફ જઈ રહેલી જય દ્રારાકેશ ટ્
દેશમાં રેલવે વિભાગ ટ્રેનોને યોગ્ય દિશા આપવા માટે ઓટોમેટિક બ્લોક સિગ્નલિંગ સિસ્ટમ (ABSS) લગાવી રહ્યું છે. આ ક્રમમાં દિલ્હી-મુંબઈ રૂટ પર આવેલા ગોધરા-નાગદા રેલ ખંડ પર એક મહત્વપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. ગત સપ્તાહે આ ખંડના રતલામ ઈ-કેબિનથી બજરંગગઢ સુધીના લગભગ 69 કિમી લાંબા સેક્શનમાં
ઉમરગામથી શુક્રવારે આ જનજાતિ ગૌરવ યાત્રા રથ નીકળી તારીખ 15 11 2025 ના રોજ એકતા નગર ખાતે પૂર્ણ થશે ઉમરગામથી નીકળી હતી. આ રથ યાત્રા સાંજે પારડી કુમાર શાળા મેદાન ખાતે બપોરે આવી પહોંચી હતી અને આ રથ યાત્રા સાથે રહેલ ગુજરાત સરકારના મંત્રી જયરામભાઈ ગામીત તથા વિજયભાઈ અને પિયુષભાઈ પટેલે બિ
પારડી તાલુકાના કોલક મીરાંદાતાર દરગાહમાં રાસ્તી પલ્લીમાં નો ઉર્શ શરીફ યોજાયો હતો. જેમાં ઉર્શનાં છિલ્લા બાંધવામાં આવ્યા તેમજ મૌલુત શરીફ પાઠનું વાંચન કરવામાં આવ્યું હતું. આ સાથે રાસ્તીમાંની ધજા ચઢાવવામાં આવી હતી. તથા સંદલ પાલખી આખા ગામમાં નીકળતા મોટી સંખ્યામાં ભક્તો જોડાય
દાહોદ જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિર્ગુડેના માર્ગદર્શન તેમજ દિશા સૂચન હેઠળ SIR અંતર્ગત બીએલઓ દ્વારા દરેક મતદારના ઘરની મુલાકાત લઇ કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં તમામ BLO દ્વારા મતદારોના ઘરેઘરે જઈને મતદારોના ડોક્યુમેન્ટની ચકાસણી કરાઇ છે. 27 ઓક્ટોબર અનુસાર દરે
વાપીમાં વૈશાલી ઓવરબ્રિજથી લઇને જીઆઇડીસી ચાર રસ્તા સુધી હાઇવેના સર્વિસ માર્ગ પર ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે. જેથી પેસેંજરો બુકિંગ કર્યા બાદ ઓફિસની સામે ઉભા રહે છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે લક્ઝરી બસો પેસેંજરોને લેવા પહોંચે છે ત્યારે મોડે સુધી ઉભી રહેતા સર્વિસ માર્ગથી
વલસાડ પાલિકામાં જૂથબંધી અને સંકલનના અભાવનો નમુનો પ્રકાશમાં આવ્યો,જ્યારે રૂ10 કરોડના ખર્ચે બનનાર રોડ માટે બે વોર્ડમાં બે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્થાનિક સભ્યોએ પોતપોતાની રીતે અલગ અલગ ખાતમુહૂર્ત કરાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડમાં પાલિકાના વહીવટમાં ચૂંટા
પારડી પરીયાના યુવકને ઠગી 2.15 લાખ પડાવનાર ભૂવા અને તેની ટોળકીએ અમદાવાદના બાવળામાં ખેડૂત કાંતી વાઘજીભાઇ મકવાણા ઉ.વ. 70 સાથે 1,06,50,000ની છેતરપિંડીની કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. ઠગ ભૂવા અનવર ઉર્ફે સલીમબાપુ રહે. વાંકાનેર, મોરબી અને તેના બે સાગરીતો વજુ મથુરભાઇ પગી અને બચુ ઠાકોર બંને ર
પંચમહાલમાં ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોને ફીટનેસની કામગીરી ગુજરાતના કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટના આદેશથી માર્ચ 2025થી અટકાવી દેતાં ટ્રેકટર- જેસીબી ટ્રાન્સપોર્ટ કેટેગરીના વાહનોની ફિટનેસ ટેસ્ટની કામગીરી માર્ચ 2025થી અટકાવી છે, જેથી ટ્રેક્ટર-જેસીબી માલિકોની રોજીરોટી પર સંકટ ઉભ
સરકારી વિભાગો વચ્ચે સંકલનનો અભાવ અને વહીવટી ગૂંચવણો કેવી રીતે વિકાસ કાર્યોને અટકાવી શકે છે અને તેનો સીધો ભોગ સામાન્ય નાગરિકોને બનવું પડે છે, તેનું જીવંત ઉદાહરણ વલસાડ તાલુકાના કુંડી ગામે સામે આવ્યું છે. અહીં તંત્રએ સ્ટેટલાઈટ માપણીમાં ગંભીર છબરડો થતાં આંગણવાડી માટે નિયત ક
ચાપલધરા ગામે ગત 27 સપ્ટેમ્બરના રોજ ત્રણ ખેડૂતોની ઊભેલા પાક શેરડી દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઘોર બેદરકારીના કારણે બળી ગઇ હતી પરંતુ આજદિન સુધી વળતર ન ચૂકવાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ચાપલધરામાં 27 સપ્ટેમ્બર બપોરના અંદાજે 1.15 કલાકે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની હાઈ ટેન્શન લાઇનનો તાર
મહિસાગર જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતગર્ત જિલ્લાના 963 બીએલઓ દ્વારા જિલ્લાના તમામ 8,49,456 મતદારોના ઘરે જઈને તારીખ 4 નવેમ્બરથી 4 ડિસેમ્બર સુધીમાં ગણતરી (એન્યુમરેશન) ફોર્મ ભરાવાની પ્રક્રિયા હાથ ધરાશે. મતદારયાદીની ખાસ સઘન સુધારણા કાર્યક્રમ માટે જિલ્લા ચૂંટ
જલાલપોરના ડાભેલ ગામે પોલીસ અને ગૌરક્ષકોએ બાતમીને પગલે રેડ કરતા ગૌમાંસ મળી આવ્યું હતું. ગૌમાંસ મળતા પોલીસે પાંચ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જલાલપોર તાલુકાના ડાંભેલ ગામે ગોરા મહોલ્લામાં 6 નવેમ્બરના રોજ રાત્રે 8.30 કલાકે ઈસ્માઈલ મુસા વાંઝાના ભાડાના મકાનના પાછળના ભાગ
ચીખલી તાલુકામાં આંગણવાડીઓના સંચાલન માટે ઘટક-1,2 અને 3 જેટલા ઘટક કક્ષાના બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી આવી છે. આ ત્રણેય ઘટકના તાબામાં 395 જેટલી આંગણવાડીઓમાં 10,668 જેટલા ભૂલકાઓ કારકિર્દી ઘડતરના પ્રથમ પગથિયા પર પાપા-પગલી ભરી રહ્યા છે. આંગણવાડીઓમાં ભૂલકાઓને કેળવણી સાથે ભૂલકાઓ કુપ
સરદાર વલ્લભભાઈ પટેલ તથા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ અવસરે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવાની અધ્યક્ષતામાં રાજપીપલા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહ તડવી અને નાંદોદના ધારાસ
કુકડનખી એસ.એસ.માહલા કેમ્પસમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ કોલેજ ડાંગ જિલ્લામાં શરૂ કરવામાં આવી છે. જેમાં એસ.એસ.માહલા કમ્પ્યૂટર સાયન્સ કોલેજ, બી.આર.એસ કોલેજ, નર્સિંગ કોલેજ, એએનએમ જીએનએમ બીએસસી ન
ભરૂચ તાલુકાના કરગટ ગામે તળાવ બ્યુટિફિકેશનના નામે થતા ખોદકામ સામે સ્થાનિક ઓડ સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સમાજના સભ્યોએ આ કાર્યવાહી અટકાવી જવાબદાર વ્યક્તિઓ વિરુદ્ધ કાનૂની પગલાં લેવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે ઓડ સમ
ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિતે જનજાતિ ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 8 નવેમ્બર શનિવારના રોજ બપોરે 3 કલાકે વાંસદાના ભીનાર ગામે સદગુરુ હાઇસ્કૂલમાં રથનું ભવ્ય સ્વાગત કરાશે. બપોરે 3.45 કલાકે વાંસદા પ્રતાપ હાઇસ્કૂલમાં રથના સ્વાગત સાથે સભાનું આયોજન કરાયું
વાંસદાનીકોટેજ હોસ્પિટલ વિવાદોમાં જ રહે છે ત્યારે હવે વધુ એકવાર હોસ્પિટલના તંત્રની બેદરકારી જોવા મળી રહી છે કોટેજ હોસ્પિટલમાં રોજના મોટી સંખ્યામાં લોકો સારવાર લેવા માટે આવતા હોય છે ત્યારે આ હોસ્પિટલમાં શ્વાન આંટાફેરા મારી રહ્યાં છે. જો આ કૂતરાઓ દર્દીઓના સગાને કરડશે તો તે
નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU)ના હવામાન વિભાગ દ્વારા 7 નવેમ્બરે નવસારીના વાતાવરણમાં મહત્તમ તાપમાન 32.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી નોંધાયું હતું, જેને પગલે દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડકનો અનુભવ થયો હતો.વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારના સમયે 90% જેટલું ઊંચું રહ્યું હતું
નવસારી શહેરના સૌંદર્ય અને નાગરિકોની સુવિધા માટે કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા ડોલી તળાવના વિકાસ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી અને તોડફોડની ઘટનાઓ સામે આવી છે. તળાવને સત્તાવાર રીતે જાહેર જનતા માટે ખુલ્લું મૂકાય તે પહેલા જ અસામાજિક તત્વોએ આ પ્રોજેક્ટની દુર્દશા કરવાની શરૂઆત
નવસારીમાં મહિલા સશક્તિકરણનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતાં, નવસારીના ખેરાગમની એક મહિલા ખેડૂતે ગુલાબની ખેતીમાં નવીનતા લાવીને માત્ર ગુલકંદ જ નહીં, પરંતુ મૂલ્યવર્ધિત ઉત્પાદનોની આખી શ્રેણી તૈયાર કરીને પોતાની અને પરિવારની આર્થિક સ્થિતિ બદલી નાખી છે. નવસારીના ખેરગામના સમશાદ
નવસારી મહાનગરપાલિકા દ્વારા દશેરા ટેકરી વિસ્તારમાં રામજી ખત્રી ઘોડાના તબેલા પાસેની 17 વર્ષ જૂની ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાનો અંત લાવવામાં આવ્યો છે. સ્થાનિકોના સહયોગ અને મંજૂરીથી ગટર લાઇન પરના અવરોધરૂપ દબાણને દૂર કરીને સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારના રહેવાસ
રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આગામી સમયમાં દિવ્યાંગ રમતવીરો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભ-૨૦૨૫ માટે અલગ-અલગ સ્પર્ધાઓનું આયોજન થનાર છે. જેમાં ભાવનગર ખાતેના દિવ્યાંગ રમતવીરોની સ્પર્ધાઓનું આયોજન થનાર
ગુજરાત ગુજરાત NSUI દ્વારા હાલમાં જ પ્રદેશ ની નવી ટીમની ઘોષણા કરવામાં આવી હતી જેમાં યુવા અને લડાયક છબી ધરાવતા વિદ્યાર્થી આગેવાનો ને નિમણૂક અપાય હતી જેમાં ભાવનગર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અભિજીતસિંહ ચુડાસમા ને NSUI ના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક સોંપવામાં આવી હતી. જે નિર્ણય
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની સભાની મિનિટસ જાહેર કરવામાં આવી હતી. જે મુજબ યુનિવર્સીટીની એક્ઝિક્યુટીવ કાઉન્સિલ તથા બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક કુલપતિ ડો. ભરતભાઈ રામાનુજના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મીટીંગ
આજના સમયમાં વાસ્તવિકતા એ છે કે સમાજમાં દીકરીઓ પ્રત્યે ભેદભાવ હજુ પણ જોવા મળે છે ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ભાવનગરમાં પણ મધ્યમ વર્ગો અને આર્થિક પછાત વર્ગોમાં મોટાભાગે એવું જોવામાં આવે છે કે પુત્રોને ખાનગી શાળામાં પ્રવેશ અપાવાય છે. જ્યારે દીકરીઓને સરકારી શાળામાં ભણાવવામાં
જેસર તાલુકામાં કમોસમી વરસાદના લીધે ખેડૂતોને થયેલ નુકસાનના કારણે ખેડૂતોને સંપૂર્ણ દેવું માફી જાહેર કરવા જેસર તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી દેવા માફીની રજૂઆત કરવામાં આવી હતી. જેસર તાલુકામાં પડેલ ભારેથી અતિ ભારે કમોસમી માવઠાના વરસાદના કારણે ખેડૂતોને
વંદે માતરમનો નારો પ્રત્યેક ભારતીય માટે અનંતઊર્જાનો સ્ત્રોત છે. આજે વંદે માતરમ ગીતની સાર્ધ શતાબ્દી ઉજવણી નિમિત્તે તમામ જિલ્લાવાસીઓ સ્વદેશી ચીજ વસ્તુઓનો ઉપયોગ વધારે અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા પ્રયત્નશીલ બને એવી અપીલ ડીડીઓ યોગેશ કાપસેએ કરી હતી. વંદે માતરમના 150 વ
પાલિતાણા શહેરના મુખ્ય રસ્તાઓ જે માર્ગ મકાન હસ્તના રોડ મામલે વિપક્ષએ માર્ગ અને મકાન વિભાગ (RB સ્ટેટ)ના કાર્યપાલક ઇજનેરને શહેરના મુખ્ય માર્ગોની અત્યંત ખરાબ હાલત અંગે ગંભીર રજૂઆત કરી છે અને તાકીદે સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલનની પણ ચીમકી આપી છે. પાલિતાણામાં માર્ગ મકાન વિ
મહુવાના કોંજળી ગામે ભત્રીજાએ તેના કૌટુંબિક બાની હત્યામાં આજે પોલીસે આરોપીને કોંજળી ગામે લઇ જઇ રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. જેમાં આરોપીએ પોલીસ સમક્ષ વટાણા વેરી દિધા હોવાનું સામે આવ્યું છે. લૂંટના ઇરાદે વિપુલ વાળા મોડી રાત્રીના તેના કૌટુંબિક દાદીમાં ના ઘરમાં ઘુસ્યો હતો
જેસરમાં એફ એસ આઇ ઇન્ડસ્ટ્રીઝના માલિક હાજી ફારૂકભાઈ સૈયદ તેમજ હાજી અંજુમભાઈ સૈયદએ ખેડૂતોની પોતાની મગફળી જે પણ કન્ડિશનમાં હોય બગડી ગયેલી ખરાબ થઈ ગયેલી પલળી ગયેલી તેવી મગફળી ખરીદવા માટે જેસરમાં આવેલ એફ એસ ઈ ઇન્ડસ્ટ્રીઝમાં 75% ના વળતર સાથે સારા ભાવ આપી ખરીદી કરવામાં આવશે. એફ એસ

33 C