બુધવારે બપોરે અંજાર તાલુકાના સાપેડા ગામ પાસે નર્મદાની મુખ્ય લાઈનમાં ફરીથી ભંગાણ પડતા ભુજને નર્મદાના નીર પહોંચાડતું સરકારી નિગમ જી.ડબલ્યુ.આઈ.એલ. પાણી વિતરણમાં નિષ્ફળ રહ્યું હતું. નર્મદા નિગમે 2003માં ટપ્પરથી કુકમા સુધી 1200 ડાયામીટરની પાઇપલાઇન નાખી હતી. જેમાં છેલ્લા 12 મહિનામા
ઠગ દંપતીએ 15 વર્ષ જૂના મિત્ર અને સંબંધીને સરકારી ભરતીમાં નિમણૂક અધિકારી હોવાનું કહી સરકારી નોકરી અપાવાના બહાને રૂ. 7.50 લાખ પડાવ્યા હતા. પછી ગુજરાત સરકારના સિક્કા અને રાજ્યપાલની સહીવાળો એપોઇન્મેન્ટ લેટર અને આઈકાર્ડ આપ્યા હતા. 10 મહિને પણ પોસ્ટિંગ ન મળતાં વેપારીએ ગાંધીનગર જઈ ખર
શહેરનાં વિવિધ માર્કેટના વેપારીઓ અને ટેક્સટાઇલ ઉદ્યોગકારો પાસેથી કાપડ મગાવી, 20થી 25 કરોડનો જથ્થો લઈ ચુકવણી કર્યા વગર શનિ સુખિયાની, અજય સુખિયાની અને મહેશ સુખવાણી ફરાર થઈ ગયા હતા. 45 વેપારીના રૂપિયા ડૂબતાં વેપારીઓએ મસ્કતી મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગતનો સંપર્ક કર્યો હતો. મસ્કતી કા
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને પછાત લોકોને ન્યાય મેળવવામાં આવતી અડચણો દૂર કરવા ગુજરાત કાનૂની સેવાસત્તા મંડળે વર્ષ પહેલાં શરૂ કરેલા ‘સંગાથી-વિક્ટિમોલૉજી સેન્ટર’માં અત્યાર સુધીમાં 1539 અરજીનો નિકાલ કરાયો છે. અહીં 24 કલાક મદદ મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા સાથે હેલ્પલાઇન પણ શરૂ કરાઈ છે.
ગોરવાની આર્ચર ટ્રાન્સનેશનલ સીસ્ટમ પ્રા.લીના ઓપરેશન વિભાગના ટીમ લીડરે સાથી કર્મીને સસ્તા ભાવે સોનું અપાવવાના નામે રૂ.31.46 લાખ મેળવી લઈને છેતરપિંડી કરી હતી. સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. કંપનીના ટીમ લીડર જીતેન્દ્રસિંઘ માનકસિંઘ રાજપુરોહિતે (રહે, આદિત્ય
ગીરીરાજ ડેવલોપર્સ પેઢીના ત્રણ બિલ્ડર અને 5 મળતીયાએ રણોલી બીઓબીમાંથી ગેરરિતી કરી રૂ.3.47 કરોડ લોન લઇ ઠગાઈ કરી હતી. ખોટી ફર્મ, ઓવર વેલ્યુના રિપોર્ટ, ટાઇટલ ક્લિયરન્સ સહિત બનાવી છેતરપિંડી કરી હતી. જવાહરનગર પોલીસે 8 સામે ગુનો નોંધ્યો છે. બેંકમાં સીસી અને હોમલોનમાં ગેરરિતી અંગે ઝોનલ
વડોદરા એરપોર્ટ પરથી મૈસૂરના એક શખ્સના સામાનમાંથી તુર્કીના એક વેપનની કારતૂસનું ખોખું પકડાતા સુરક્ષા એજન્સીએ પૂછપરછ કરી છે. મુસાફર તુર્કીથી મુંબઇ થઇ વડોદરા આવ્યો હતો. આતંકવાદીઓ ઘટનાઓ બનતી હોવાથી વડોદરા એરપોર્ટ પર સઘન ચેકિંગ થઇ રહ્યું છે. શનિવારે સવારે આ વ્યક્તિ વતન મૈસૂર
પ્રતીક ભટ્ટ, મંદાર દવે | અમદાવાદભારતીય ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ માટે ખુશખબર છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ઓફ ઈન્ડિયા (ICAI)એ પોતાના કોડ ઓફ એથિક્સમાં મહત્વપૂર્ણ સુધારો કરીને સ્પષ્ટ કર્યું છે કે ભારતીય સીએ ફર્મ હવે દેશની સાથે વિદેશમાં પણ ઓડિટ તથા અન્ય વ્યવસાયિક સેવા
રાજ્યમાં ચોમાસા દરમિયાન રોડ ધોવાઈ જવાની અને ખાડા પડવાના કારણે લોકોને થયેલી પરેશાની સાથે સરકારની થયેલી બદનામી બાદ મુખ્યમંત્રી નારાજ થયા હતા. તેઓએ ડિફેક્ટ લાઈબિલિટી પિરિયડમા તૂટેલા રોડના કારણે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની સૂચના આપી હતી. ત્યારે સરકાર દ્વારા ગઠિ
ભાયલીમાં 3 દિવસથી લોકોને બચકા ભરી કહેર મચાવનાર વાંદરાને વનવિભાગે રવિવારે બપોરે પકડતા ભાયલીની સોસાયટીઓના લોકોએ હાશ થઇ છે. વાંદરાએ 6 લોકોને ફક્ત પગ પકડીને પગે જ બચકા ભર્યા હતા. વનવિભાગે રવિવારે ભારે જહેમતે કેળા-બિસ્કિટથી લલચાવીને વાંદરાને 4 કલાકે પાંજરે પૂર્યો હતો. વનવિભાગન
શહેરના મુસાફરોને ઝડપી અને આરામદાયક મુસાફરી મળે એ માટે કરોડો રૂપિયા ખર્ચીને બીઆરટીએસ સેવા શરૂ કરાઈ હતી પરંતુ અત્યારે આ સેવા જ ‘કેરલેસ મૅનેજમેન્ટ’નું ઉદાહરણ બની ગઈ છે. અનેક સ્થળે સ્ટેન્ડ પરની એલઈડી બંધ છે. એટલે બસ કેટલા વાગે આવશે તેની ખબર પડતી નથી. પરિણામે મુસાફરો ખોટી બસમાં
શહેરના દક્ષિણ-પશ્ચિમ વિસ્તાર અટલાદરામાં આ અઠવાડિયે 500 મીટરનો એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી પૂરના પાણીને લીધે ખખડધજ બનેલો આ રસ્તો છેવટે બનતા રહીશોએ હાશકારો અનુભવ્યો છે. પણ બીજી તરફ હજીય રસ્તાઓ સહિતની કેટલીક સમસ્યાઓ છે જે આ વિસ્તારના રહીશોના માથે વર્ષોથી લ
શહેરની એઈમ્સ ઓક્સિજન જૂથની કંપનીના ચીફ ફાઈનાન્સ ઓફિસરે કંપનીની જાણ બહાર ચાર વર્ષના સમયગાળામાં ઉદ્યોગ જૂથ સાથે 2.9 કરોડની ઠગાઈ કરી હતી. કંપનીના ડિરેક્ટરે આ અંગે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ બાદ આરોપીને ઝડપી લેવાયો હતો.હાલ આરોપી જેલમાં છે.જ્યાં એને અત્રેની અદાલતમાં રેગ્ય
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં બૌદ્ધ ધર્મના અનુયાયીઓ દ્વારા તેમના મુખ્ય તેહવાર ગણાતા વૈશાખી બુદ્ધ પૂર્ણિમાએ જાહેર રજા માટે સરકારમાં અવારનવાર માગણી કરવામાં આવે છે પરંતુ ધ્યાને ન લેવાતાં આખરે ગુજરાત પ્રદેશના બૌદ્ધ ધર્મના પ્રતિનિધિઓએ મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લઈ આ અંગ
શહેરનાં જુદાં જુદાં પોલીસ મથકોમાં ગુના નોંધાયા બાદ ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ખાસ ટીમો બનાવી છે. જે આરોપીઓની શોધમાં ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં મોકલાઈ છે. આ ટીમો દ્વારા વધુ 6 આરોપીને ઝડપી લેવાયા છે. અત્યાર સુધી કુલ 21 આરોપીને શોધી કાઢવામાં આવ્યા છે.
મણિનગરના ઝુલેલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવારે સિંધી સમાજનો 14મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તેમાં 21 યુગલે પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. 21 કન્યાનો વરઘોડો, એ આ લગ્નોત્સવનું મુખ્ય આકર્ષણ હતું. 42 લક્ઝુરિયસ કારમાં 21 કન્યા અને 21 વરનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રૂફટોપ કારમા
કેતનસિંહ રાજપૂત, અમદાવાદજેતલપુરના પંડિત દિનદયાળ માર્કેટ યાર્ડમાં સોમવારે ડાંગરની ઐતિહાસિક આવક નોંધાઈ હતી. એક જ દિવસે 843 ટ્રેક્ટરો ડાંગર લઈને પહોંચતા સમગ્ર યાર્ડમાં ‘ડાંગર મહોત્સવ’ જેવો માહોલ સર્જાયો હતો, જ્યાં નજર જાય ત્યાં ડાંગરના ઢગલા, ટ્રેક્ટરની લાંબી કતારો અને ખરીદ
ક્રિકેટના સટ્ટાની લેવડ-દેવડમાં બે દિવસ અગાઉ મધરાત બાદ વારસિયામાં હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં રૂપિયાની ઉઘરાણી બાબતે માથાભારે યુવકોએ અન્ય યુવકનું ઘર ઘેરી લઈ હુમલો કર્યો હતો. અને યુવક તેનાં માતા-પિતાને માર મારી લોહી લુહાણ કર્યાં હતાં. પોલીસને જાણ કરવામાં આવતાં કુંભારવાડ
ડિજિટલના સમયમાં જ્યાં પુસ્તકો હવે સરકારી લાઈબ્રેરીના ખાનાઓમાં સીમિત રહીને ધૂળ ખાઈ રહી છે. ત્યારે સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ અને તેની સાહિત્યિક શાખા સૃજન સાહિત્ય છેલ્લાં બે વર્ષથી હિન્દી સાહિત્યના સર્વાંગી વિકાસ અને સંરક્ષણ માટે કાર્ય કરી રહી છે. જેમાં દુર્લભ ગ્રંથો, અપ્રાપ્
અમદાવાદથી નવી મુંબઈ માટે ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ 25 ડિસેમ્બરથી શરૂ થશે, જે બપોરે 11.55 વાગ્યે ઉડાન ભરી 1 વાગ્યે પહોંચશે જ્યારે અકાસા એરલાઇન નવી મુંબઇથી અમદાવાદ વચ્ચે 31 ડિસેમ્બરથી ફ્લાઇટ શરૂ કરશે, જે ફક્ત દર બુધવારે મુંબઈથી સાંજે 5.40 કલાકે ઉડાન ભરી 6.50 કલાકે અમદાવાદ પહોંચશે. હાલ અમદા
ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં દર્દીને તબીબ સાથે પેરા મેડિકલ સ્ટાફ દ્વારા સારી સુવિધા સાથે સારવાર મળે તે માટે 4 કોર્સ શરૂ થશે.જેમાં નર્સને પસંદગીના કોર્સમાં સ્પેશિયાલાઈઝેશન સાથે તાલીમ અપાશે. જેની પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ છે. રાજ્ય સરકારે પેરા મેડિકલ સ્ટાફ માટે 8 બેઝિક ડિપ
શિક્ષણ, શાળાકીય પ્રવૃત્તિ, મેનેજમેન્ટના આધારે ખાનગી શાળાને ટક્કર મારે તે પ્રકારે નામના મેળવી રહેલી સરકારી કવિ દુલા કાગ પ્રાથમિક શાળા રોલ મોડલ સાબિત થઇ છે. ખાનગી શાળામાં શિક્ષણ-સુવિધા શ્રેષ્ઠ હોવાનું લોકો માને છે ત્યારે કવિ દુલા કાગ શાળાએ નવો માઇલ સ્ટોન રચ્યો છે. હરણી-વારસ
ગત વર્ષે આવેલા પૂર બાદ પાલિકાએ 63 કરોડના ખર્ચે વિશ્વામિત્રીને ઊંડી-પહોળી કરી છે. ત્યારબાદ તેમાં ઠલવાયેલા કાટમાળને હટાવવાનું ચાલુ થશે. જોકે અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વામિત્રી પાસે કાટમાળ-કચરો ઠલવાયો હોવાનું સપાટી પર આવતાં ભારે રોષ ફેલાયો છે. અટલાદરાથી માંજલપુર તરફ વિશ્વ
કેન્દ્ર સરકારે જીએસટીના દરોમાં ઘટાડો કર્યા બાદ રેલવે દ્વારા સ્ટેશન પર વેચાતી રેલનીર બોટલના ભાવમાં પણ ઘટાડો થયો હતો. એટલે કે 1 લિટરની રેલનીર બોટલનો ભાવ 15ની જગ્યાએ 14 તથા 500 એમએલ બોટલનો ભાવ રૂ.10ની જગ્યાએ 9 થતો હતો, પરંતુ આઈઆરસીટીસીએ બુક કરાતી ઓનલાઇન ટિકિટ પર પ્રિન્ટ થતા આ ભાવ લિસ્
શહેરમાં 6 દિવસ બાદ ઠંડીનો પારો ફરી 14 ડિગ્રી સુધી પહોંચતાં શહેરીજનો ઠંડીથી ઠૂંઠવાયા હતા. જ્યારે સમગ્ર મહિનો ઠંડીનો પારો 14 થી 16 ડિગ્રી વચ્ચે રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. શહેરમાં ડિસેમ્બર મહિનામાં ઠંડીની તીવ્રતા હજુ વધવાની સંભાવના રહેલી છે. હવામાન વિભાગે જણાવ્
વડોદરાને જોડતા નેશનલ હાઇવે 48 પર ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. હાઇવે પર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં વારંવાર વાહનોની કિલોમીટરો સુધી કતારો લાગતાં ચાલકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે હાઇવેના 35 કિમી માર્ગના 7 બ્રિજ પર કરાતા સમારકામથી આ સ્થિતિ થઇ હોવાનું એનએચએઆઈના અધિકારી કહ્યું હતુ
સંદીપ પરમાર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં બુથ લેવલ ઓફિસર્સ (બીએલઓ) ઘરે ઘરે જઈ અને સ્કૂલમાં કેમ્પ હેઠળ લોકોને ફોર્મ ભરાવી રહ્યાં છે. ‘દિવ્ય ભાસ્કર’એ તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો, જેમાં જાણવા મળ્યું હતું કે, કેવી રીતે બીએલઓ, નાગરિકો અને બીએલએ એકબીજાને સહકાર આપીન
શહેર નજીક આવેલા કોયલી ગામ અને તેની આસપાસની સોસાયટીમાં વુડા દ્વારા ડ્રેનેજ નેટવર્ક નાખવામાં આવશે. 77 કરોડના ખર્ચે વુડા 25 કિમી લાંબું નેટવર્ક નાખશે, જેને કારણે 68 હજાર લોકોને ડ્રેનેજની સુવિધા મળશે અને ખાળ કૂવા ભરાવાની સમસ્યાથી છૂટકારો મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપીપળા
એલિસબ્રિજ વિસ્તારની ડો. માનસેતા ઈ એન્ડ ટી હોસ્પિટલ ફાઉન્ડેશનમાં દર્દીની માસિક આવક પ્રમાણે ફી લેવાય છે. દર્દીની આવક શૂન્ય હોય તો ફી લેવાતી નથી. આવક મહિને 1 હજાર હોય તો રૂ. 10, 2 હજાર આવક હોય તો રૂ. 20 અને 1 લાખ આવક હોય તો રૂ. 1 હજાર ફી લેવાય છે. હોસ્પિટલના ફાઉન્ડર ડો. નંદલાલ કે. માનસેતાએ 25 વ
મ્યુનિ.ની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે ત્યારે હજી સુધીમાં ફક્ત 13 જ કોર્પોરેટરે તેમનું સંપૂર્ણ બજેટ વાપર્યું છે. જ્યારે 119 કોર્પોરેટરોના બજેટના રૂ.22થી રૂ.25 લાખ હજુ સુધી વણવપરાયેલા છે. મ્યુનિ.માં ભાજપ પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિનું સૌથી વધુ 25.02 લાખ એટલે કે 57 ટકા બજેટ ખર્
મહીસાગર જિલ્લાના લુણાવાડા અને સંતરામપુર તાલુકાઓમાં એમજીવીસીએલની 6 વીજ ચેકિંગ ટીમ દ્વાર વીજ જોડાણોની ચકાસણી માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીનો હેતુ વીજળીના દુરુપયોગ અને વીજ ચોરીને અટકાવવાનો છે. જેથી કંપનીની આવક અને વીજ વ્યવસ્થાની ગુણવત્તા જાળવી શકાય. આ ચકાસ
ગોધરામાં રવિવારે એક બાળક સહિત 5 શહેરીજનોને રખડતા શ્વાને બચકાં ભરતા તમામને ગોધરા સિવિલ હોસ્પિટલમાં હકડાયાની રસી મુકીને સારવાર કરાઇ હતી. શહેરમાં રખડતા શ્વાન રાહદારીઓને કડવાના બનાવો વધારો થઇ રહ્યો છે. ગોધરા શહેરમાં રવિવારે રખડતા શ્વાને કૂતરાએ આતંક મચાવ્યો હતો. ગોધરામાં રખડ
મહુલીયા ગામના થાણા ફળિયામાં રહેતાં કિરીટભાઈ કુબેરભાઈ ખાંટ નામના યુવકે પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. બીજી તરફ યુવાનના માતા ચંપાબેન ખાંટે ગોધરા તાલુકા પોલીસમથકે અકસ્માતે મોત અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું તેઓની પુત્રવધૂ છેલ્લા ચારેક માસથી પિયરમાં જતી રહ
એમ એસ યુનિ. વડોદરાના નેજા હેઠળ લેવાતી જીસેટની પરીક્ષા ગોવિંદ ગુરુ યુનિ.ના કુલપતિ પ્રો.હરિભાઈ કાતરીયાના માર્ગદર્શન હેઠળ ગોધરાના વિવિધ 7 સ્થળોએ યોજાઈ હતી. જેમાં કુલ 3053 ઉમેદવારો નોંધાયા હતા. જેમાંથી ગોધરા ખાતે 2497 ઉમેદવારોએ શાંતિપૂર્ણ માહોલમાં ગોધરાની કલરવ સ્કૂલ, નાલંદા સ્કૂલ,
હમીરપુર ગામે હડકવાની અસર ધરાવતા કૂતરાએ અનેક પશુઓને બચકાં ભર્યા હતા. આ હુમલાના પગલે પાછલા 15 દિવસના ગાળામાં 5 ભેંસોના મોત થયા છે. ચિંતાજનક બાબત એ છે કે ગામના અન્ય પશુઓમાં પણ હવે હડકવાના લક્ષણો જોવા મળી રહ્યા છે. હડકાયા કુતરા જે ભેંસોને બચકા ભર્યા હતા તેનું દુધ પીનારા 20થી વધુ ગ્ર
વિશાલ પારાશર | અમદાવાદસરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને યાદગાર બનાવવા કચ્છી દશા ઓશવાલ જૈન સમાજે યુવાશક્તિને એક પ્લેટફોર્મ પર લાવવાના ઉદ્દેશથી 20 થી 22 ડિસેમ્બર દરમિયાન આંતરરાષ્ટ્રીય યુવા સંમેલનનું આયોજન કર્યું છે. સરદાર પટેલના “એકતા જ રાષ્ટ્રની શક્તિ અને સમાજનો શ્વા
સુંદરકાંડ મંડળીનું નામ સાંભળતા જ દરેકના મનમાં પુરુષોના ગ્રૂપની છબી ઉભરી આવે છે, પરંતુ ગુજરાતના સુરતમાં એવું નથી. સુરતમાં મહિલાઓ ઘરે-ઘરે જઈને સુંદરકાંડનો પાઠ કરાવે છે. તેનું નામ ‘આશીર્વાદ સુંદરકાંડ મહિલા મંડળ’ છે. 14 વર્ષ પહેલાં ચાર-પાંચ સહેલીઓએ સાથે મળીને આ મંડળી બનાવી હતી.
વિજયસિંહ ચૌહાણ, માણેકપુર ગામ (ગુજરાત)થી કોઈ રાજ્યપાલ ગામડાંમાં જાય, ત્યાંની સ્કૂલમાં રાત વિતાવે, કોઈ સામાન્ય માણસના ઘરે ભોજન લે, કોઈની ગાયનું દૂધ દોહે, કોઈના ખેતરમાં હળ ચલાવે અથવા પાક લણે. સાંભળવામાં અશક્ય લાગશે, પરંતુ વાસ્તવમાં આવું થઈ રહ્યું છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દ
મોરબીમાં માળિયા મી. તાલુકો વિકાસની દ્રષ્ટિએ સૌથી વધુ પછાત હોવાની વચ્ચે જુના ઘાટીલા ગામ છેવાડાનું હોવા છતાં આ ગામ અંતરિયાળને બદલે સુવિધામાં નંબર વન હોવાથી ગામમાં લીલાલહેર છે. જુના ઘાટીલા ગામના સરપંચ હેતલબેન ઉમેશભાઈના જણાવ્યા મુજબ જુના ઘાટીલા ગામની હાલ વસ્તી 7 હજાર છે. ગામલ
નમસ્તે, કાલના મોટા સમાચાર દિલ્હીમાં બ્લાસ્ટ થયેલી કારનો માલિક ઝડપાયો તેના વિશેના રહ્યા. તેણે ઉમર સાથે મળીને દિલ્હી બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું. બીજા સમાચાર લાલુની પુત્રી પર ચપ્પલ ઉગામવાના આરોપ સાથે સંબંધિત છે. આ ઉપરાંત, 15 વર્ષ પછી ભારતે દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે ટેસ્
કમોસમી વરસાદને પગલે ચાલુ વર્ષે શિયાળાની શરુઆત મોડી થઇ છે, નવેમ્બર માસના બે સપ્તાહ જેટલો સમય થવા આવ્યો છતાં કડકડતી ઠંડી અનુભવાઈ નથી. છેલ્લા કેટલાક દિવસથી વહેલી સવારે અને રાત્રીના હળવો ચમકારો અનુભવાય છે પરંતુ દીવસે તો હજુ પણ ગરમીનો જ અહેસાસ થાય છે. રાતે અને વહેલી સવારે આંશિક
મોરબીના પંચાસર રોડ પર પાટીદાર યુવા સેવા સંઘનું સ્નેહમિલન યોજાયું હતું, આ તકે અગ્રણી મનોજભાઈ પનારાએ સમાજ શિક્ષિત, ઔદ્યોગિક, રાજકીય સ્તરે આગળ હોવા છતાં ડર વધુ હોય અને ડરને આબરૂનું નામ આપી યુવાનો વ્યાજખોરો સહિતના કોઈને કોઈ દૂષણોમાં ફસાતા હોવાથી યુવાનોને તમામ દૂષણોથી બચાવવા
બોલિવૂડ અભિનેતા વિવેક ઓબેરોયે તેની ફિલ્મ ‘રોડ’ના શૂટિંગ દરમિયાન થયેલા એક ભયાનક અકસ્માતનો ખુલાસો કર્યો છે, જેમાં તેઓ માંડ-માંડ બચ્યા હતા. તાજેતરના એક પ્રમોશનલ ઇન્ટરવ્યૂમાં વિવેકે જણાવ્યું કે, રાજસ્થાનમાં રાત્રે બિકાનેરથી જેસલમેર જતી વખતે તેમની કારને અચાનક ઊંટગાડી સાથે
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ગૌરાંગ મકવાણાએ ભરૂચ વિધાનસભા માં સમાવિષ્ટ બૂથ નંબર 65,66 અને બુથ નં-78 ,ભરૂચ-24 ઈકરા એજ્યુ સંકુલ રૂબરૂ મુલાકાત લઈ અને બીએલઓએ કરવામાં આવતી એસઆઈઆર ની કામગીરીનું નિરીક્ષણ કર્યું
યશ ભટ્ટ, જૂનાગઢગુજરાતના અનેક સમાજોમાં લગ્ન અને પ્રસંગોમાં વધતા ખોટા ખર્ચ સામે હવે સામાજિક ક્રાંતિ ઊભી થઈ છે. રિવાજોના નામે થતાં અનાવશ્યક ખર્ચાઓથી મધ્યમવર્ગ પર પડતો આર્થિક બોજ અટકાવવા લેઉવા પટેલથી લઈને નડોદા રાજપૂત સહિત 11 સમાજોએ પોતાના સ્તરે કડક નિયમો અમલમાં મૂક્યા છે. ક્
ભરૂચ જિલ્લામાં રાબેતા મુજબ શિયાળાની ઋતુ ની શરૂઆત થઈ ચૂકી છે. જેના કારણે ધીરે ધીરે ઠંડી પણ વધુ અનુભવાય રહી છે. અંદાજે છેલ્લા 10 દિવસથી ઠંડી ભર્યું વાતાવરણ અનુભવાઈ રહ્યું છે. જેના કારણે વહેલી સવારે શાળાએ જતા વિદ્યાર્થીઓ ગરમ કપડાં પહેરીને જતા નજરે પડ્યા હતા. આમ દિવસ દરમિયાન જિલ્
મુંબઈ યુનિવર્સિટી ખાતે ભારતીય ભાષાઓ, કળા અને સંસ્કૃતિની સમૃદ્ધિની ઉજવણી આરંભ- વિશ્વરંગ મુંબઈ 2025ની 7મી આવૃત્તિ ધામધૂમપૂર્વક સંપન્ન થઈ. રવીંદ્રનાથ ટાગોર યુનિવર્સિટીના ચાન્સેલર અને વિશ્વરંગ ફાઉન્ડેશનના ડાયરેક્ટર સંતોષ ચૌબેને હસ્તે ઉદઘાટન કરાયું હતું. આ અવસરે ડો. સિદ્ધાર્
કુર્લાની કલ્પના ટોકીઝથી ઘાટકોપર પશ્ચિમમાં પંખે શાહ દરગાહ સુધી ટ્રાફિકજામથી મુક્ત પ્રવાસ માટે મુંબઈ મહાપાલિકા ફ્લાયઓવર બાંધશે. સાડા ચાર કિલોમીટર અંતરના આ ફ્લાયઓવર માટે મુંબઈ મહાપાલિકા 1 હજાર 635 કરોડ રૂપિયા ખર્ચ કરશે. એના માટે મહાપાલિકાએ ટેંડર જારી કર્યા છે. વિવિધ અડચણોના
બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી), લોઅર પરેલ અને નરીમાન પોઈન્ટ પછી હવે કોર્પોરેટ્સ પૂર્વીય અને ઉત્તરીય પરાં તરફ તેમનું ધ્યાન વધુ ને વધુ ખસેડી રહ્યા છે, જેમાં ચેમ્બુર- ઘાટકોપર પૂર્વ અત્યંત આશાસ્પદ નવાં કમર્શિયલ ડેસ્ટિનેશન્સમાંથી એક તરીકે ઊભી આવી રહ્યાં છે. કનેક્ટિવિટી, ખર
મુંબઈ એરપોર્ટ કસ્ટમ્સ દ્વારા શનિવારે બે મોટી કાર્યવાહીમાં આઠ કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે બે પ્રવાસીની ધરપકડ કરી હતી. આ કેસમાં સિડિંકેટના વધુ તસ્કરો વિશે તપાસ ચાલી રહી છે, એમ કસ્ટમ્સના અધિકારીએ રવિવારે જણાવ્યું હતું.પ્રથમ કેસમાં શનિવારે એમ વી તિવારી (22)ને શંકા પરથી રોકવામાં
શિવાજીનગર- ગોવંડી વિસ્તારમાં રૂ. 5 લાખમાં નવા જન્મેલા નવજાતને વેચવાનો પ્રયાસ કરવા સંબંધે મહિલા સહિત પાંચ જણ વિરુદ્ધ રવિવારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. નવજાતને 21 વર્ષીય અપરિણીત મહિલાએ ગોવંડીના નર્સિંગ હોમમાં અપરિપક્વ જન્મ આપ્યો હતો. ચળવળક
મુંબઈમાં ચોમાસુ પૂરું થતા જ વાયુ પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે. તેથી મહાપાલિકાએ વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં લાવવા મુંબઈના 24 વોર્ડમાં પોતાની સ્પેશિયલ ટીમ ફરીથી કાર્યાન્વિત કરવાની સૂચના કરી છે. આ ટીમમાં વોર્ડ કાર્યાલયના બે એન્જિનિયર અને એક પોલીસ કર્મચારીનો સમાવેશ છે. આ વર
સતર વર્ષ પછી દેશમાં વસતિ ગણતરી થવાની છે. આ વસતિ ગણતરીની પૂર્વતૈયારીની ચેંબુર, ગોવંડીના ભાગવાળા એમ પશ્ચિમ વોર્ડથી શરૂઆત કરવામાં આવી છે. આ વર્ષે વસતિ ગણતરી ડિજિટલ પદ્ધતિથી થશે. આ પહેલાં 2010માં વસતિ ગણતરી થઈ હતી. દર દસ વર્ષે કરવામાં આવતી વસતિ ગણતરી હવે સતર વર્ષ પછી થવાની છે. વસતિ ગ
સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે કે બોરીવલીના નેશનલ પાર્કમાં પર્યટકો, કુદરતીપ્રેમીઓને સુવિધાઓ પૂરી પાડવા સાથે જ તેમને આકર્ષિત કરવા નવા નવા ઉપક્રમ શરૂ કરવામાં આવે છે. એના અંતર્ગત સુગંધ બાગ ઉદ્યાનનું વિસ્તરણ કરવામાં આવશે. તેમ જ નવેમ્બરના અંત સુધી આધુનિક સુવિધાઓથી સજ્જ લાય
સુરેન્દ્રનગરમાં આવેલી વઢવાણ જીઆઇડીસીએ શહેરની જીવાદોરી છે. પરંતુ જીઆઇડીસીના રસ્તાઓ ઉપર 2-2 ફૂટના ખાડા જોવા મળે છે. જીઆઇડીસીમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર તો બનાવવામાં આવી છે. પરંતુ તેની સફાઇ કરાતી નથી. ખાસ કરીને ચોમાસાના સમયમાં ગટરો બંધ થઇ જતા પાણીનો નિકાલ થતો નથી. રસ્તાની બા
વિપુલ જોષી સુરેન્દ્રનગર મનપા શહેરમાં 52થી વધુ ગાડીઓ દોડાવી ડોર ટુ ડોર કચરો ઉઘરાવી રહી છે. આ કચરાનો નિકાલ વઢવાણ, ખમીસાણા રોડ ઉપર આવેલી મનપાની ડમ્પીંગ સાઇટમાં થઇ રહ્યો છે. હાલ આ ઢગ 2.50 લાખ મેટ્રીક ટન સુધી પહોંચી ગયો છે. જેનું ટ્રોમીંગ મશીનથી આદ્યુનિક ઢબે નિરાકરણ લવાશે. સુરેન્દ્રન
શ્રી નાગરદાસ ધારસી ભુતા હાઈસ્કૂલ, અંધેરી (પૂર્વ)ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક એન્ટી-ડ્રગ અવેરનેસ રેલીમાં ભાગ લીધો. આ અસરકારક રેલીનું આયોજન શાળાએ અંધેરી પોલીસના સહયોગથી 10 નવેમ્બર, 2025ના રોજ કરવામાં આવ્યું હતું. ધોરણ 8 થી ધોરણ 10 સુધીના આશરે 500 વિદ્યાર્થીઓએ આ રેલીમાં ઉત્સાહભેર ભા
પશ્ચિમ રેલવેના બોરીવલી અને વિરાર સ્ટેશન દરમિયાન પાંચમી અને છઠ્ઠી લાઈન બિછાવવામાં આવી રહી છે. આ પ્રકલ્પનું કામ 18 ટકા પૂરું થયું છે. આ પ્રકલ્પના લીધે બોરીવલીથી આગળ પણ લોકલ અને મેલ-એક્સપ્રેસ માટે સ્વતંત્ર લાઈન મળવાથી પ્રવાસી પરિવહન ક્ષમતા વધારવામાં મદદ થશે. બાકીની જમીન અધિગ્
ટિકિટબારી સામે લાઈનમાં ઊભા રહ્યા વિના પ્રવાસીઓને સહેલાઈથી ટિકિટ મળે એ માટે મધ્ય રેલવે નવી નવી યોજનાઓ અમલમાં મૂકે છે. હવે પ્રવાસીઓને ઝડપથી ટિકિટ મળે એ માટે મધ્ય રેલવેએ મોબાઈલ યુટીએસ સહાયકોની નિમણુક કરી છે. આ કર્મચારીઓ દ્વારા ઝડપથી ટિકિટ આપવામાં આવે છે. આ નવી સેવાના લીધે ફક્
કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને હવામાન ફેરફાર મંત્રાલયે રાજ્ય સરકારની ભલામણ બાદ મઢ-વર્સોવા પુલ પ્રકલ્પને પર્યાવરણીય મંજૂરી આપી છે. લગભગ 2400 કરોડ રૂપિયાના ખર્ચવાળા આ મહત્વના પાયાભૂત પ્રકલ્પ માટે એક નિર્ણાયક બાબત છે. તેથી 1967ની વિકાસ રૂપરેખામાં પ્રથમ વખત સૂચવવામાં આવેલા અને
મહેસાણા તાલુકાના જૂની સેઢાવી ગામે પાંચ વર્ષ અગાઉ થયેલી મારામારીમાં હત્યાની કોશિશના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે ત્રણ આરોપીને 5 વર્ષની સજાનો હુકમ કર્યો છે. જ્યારે સામા પક્ષે થયેલી ફરિયાદના ત્રણ આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મુકાયા છે. જૂની સેઢાવીના મયુરસિંહ ચાવડા
મહેસાણા શહેરમાં ગણતરી ફોર્મ ભરવામાં મતદારો અને વર્ષ 2002ની યાદીમાં નામ સર્ચ નહીં થતાં જવાબો આપવામાં બીએલઓ થાકી ગયા છે. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે રવિવારે કેટલાક બુથની મુલાકાત દરમિયાન સહાયક જોવા મળ્યા હતા. જે વિસ્તારની 2002ની યાદી મળી ત્યાં મતદારોના નામ શોધવામાં રાહત દેખાઇ. જોકે, હ
સિદ્ધપુર માં રિક્ષામાં ભરેલી ખાતર ની થેલી કેમ ઉતરાવી હતી તેમ કહીં છ શખ્સો એ વેપારી પર હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી ગાડીમાં થી 4,00,000 ભરેલી બેગ લૂંટવાનો પ્રયત્ન કર્યો હોવાની વેપારીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સિદ્ધપુર માં રેલવે માલ ગોડાઉનમાં ગવર્મેન્ટ રાસાયણિક
સાંતલપુર તાલુકાના છાણસરા ગામે પ્રાથમિક શાળામાં નવા રૂમ અને ફ્લોરિંગનું કામ મંજૂર થયા બાદ અંદાજે 10 મહિના પહેલા બાંધકામ શરૂ થયું હતું. પરંતુ આ કામમાં ગંભીર બેદરકારી અને હલકી ગુણવત્તા સામે આવી રહી છે. સાંતલપુર તાલુકાના છાણસરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થ
અમદાવાદના ચાંદખેડામાં રહેતા માધુરીબેન પરમાર અમદાવાદથી રેલવે મારફતે પાટણ આવ્યા હતા.પાટણના નિર્મળનગરમાં રહેતા તેમના ફઇના ઘરે જવા તેઓ રેલવે સ્ટેશન આગળથી રિક્ષામાં બેઠા હતા.નિર્મળનગરમાં તેમના ફઇના ઘરે પહોંચી રિક્ષામાંથી ઉતરતી વખતે 3 હજાર રોકડ તથા અન્ય કિંમતી વસ્તુઓ ભરેલી
પાટણ| સરસ્વતીના નાયતા ગામે ખેતરમાં વાવેતર કરેલા જુવારના પાક રખડતા ઢોર, ભૂંડ કે અન્ય પ્રાણીઓ ભેલાણ કરી નાશ ના કરે માટે રખેવાળી કરવા શિયાળામાં રાત્રે ખેડૂતો ખેતરમાં રહી ઉજાગરા કરી રખેવાળી કરી રહ્યા છે . તસવીરમાં નાયતા ગામના ખેડૂત ચેતનજી ઠાકોર રાત્રે ખેતરમાં રખેવાળી કરતા જોવ
પાટણ નગરપાલિકા દ્વારા દર વર્ષે આવતા લાખો રૂપિયાના બિલનું ધારણ ઘટાડવા માટે હવે સોલાર ઊર્જાનો વપરાશ કરવા માટે વિચારણા કરી પાલિકા હસ્તકના 8 બગીચાઓમાં સોલાર પ્લાન્ટ તૈયાર કરવા માટે આયોજન કરી તેનો ડીપીઆર પ્લાન તૈયાર કરવામાં આવનાર છે. પાટણ નગરપાલિકા દ્વારા હાલમાં પાલિકાના બિલ
પાલનપુરમાં થાર કાર વડે સલૂનમાં તોડફોડ કરનાર આરોપીને પાલનપુર પશ્ચિમ પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેને ઘટનાસ્થળે લાવી માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. પાલનપુરના એરોમા સર્કલ નજીક આવેલ ટાઈમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં શનિવારના સાંજે ચાર વાગ્યાની આસપાસ આર્યન કાંતિભાઈ
પાલનપુર તાલુકાના ધનિયાણા ગામે 22 વર્ષ પહેલા આવેલા મહંતશ્રીએ શિવજી, મહાકાળી માતાજી અને રામદેવપીરજીના નાના મંદિરનો જીર્ણોધ્ધાર કરી મોટુ મંદિર બનાવ્યું હતુ. ગામમાં ભક્તિભાવની આહલેક જગાવી હતી. જોકે, આજે આ દુનિયામાં નથી રહ્યા પરંતુ તેમની આપેલી પ્રેરણાથી તેમની શિષ્યા ધર્મની ધ
શહેરમાં ધારગઢ દરવાજા પાસે પ્રૌઢ પર 4 શખ્સનો હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે મળતી વિગતો અનુસાર શહેરમાં ધારગઢ દરવાજા રોડ, બેગુ માં ના ડેલામાં કબ્રસ્તાનની સામે રહેતા હાસમભાઇ ઇસ્માઇલભાઇ શેખ હુરે ઇલાહી મસ્જીદ કબ્રસ્તાનમા બેઠા હતા. ત્ય
સોરઠ પંથકમાં ઓગસ્ટ મહિનામાં પણ અતિભારે વરસાદ પડતાં ઘેડ પંથકમાં ગામોમાં પાણી ફરી વળ્યાં હતા અને ઉભા પાકમાં લાંબા સમય સુધી પાણી ભરાયેલું રહેતાં વ્યાપક નુકસાન થયું હતું અને તંત્ર દ્રારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી બાદમાં સરકારમાં રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો અને બા
કેશોદના કણેરી ગામ સોનલ આઇમાંની કર્મભૂમી અને સમાધી સ્થળ હોય આ જગ્યા પર માતાજીનું વિશાળ મંદિર આવેલું છે. 65 વિઘા જગ્યા ધરાવતાં માતાજીના આ પરગણામાં દેશ વિદેશથી આવી અનેક લોકો માતાજીના મંદિરે માથું ટેકવે છે. એમ કહેવાય કે સોનલ માં ની જન્મભૂમી કેશોદનું મઢડા ગામ કે જ્યાં વિશાળ મંદિ
શહેરમાં શખ્સે ઘરમાં સંતાડેલ 10 ચપટા દારૂ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી. સુખનાથ ચોક પાસે આવેલ બહાદુર મંઝિલના ડેલામાં બીજા માળે રહેતો યુસુફ ઉર્ફ ભૂરો બાઠીયો કાળુ તુર્ક નામના શખ્સે પોતાના મકાનમાં ઇંગલિશ દારૂ સંતાડીને રાખ્યો હોવાની બાતમી મળતા પોલીસે રેઇડ પાડી હતી. કાર્યવાહીમાં શ
પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરની પોલીસે ગડુ, ઝડકા રોડ પરથી ધરપકડ કરી રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી છે. માળિયાના માતરવાણીયા ના વતની અને મેંદરડા પોલીસ ક્વાર્ટસમાં રહેતા ભેસાણ બદલી પામેલા કોન્સ્ટેબલ આશિષ લખમણભાઇ દયાતરને પોલીસે પત્ની ભાવિશાબેનન
કેશોદ પ્રાંત અધિકારીને અપાયેલાં આવેદનમાં 8 મુદાઓ રજૂ કર્યા હતાં જેમાં શિક્ષકો ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે રાષ્ટ્રિય ફરજ બજાવતાં હોય તેમની સામે ગુલામશાહી જેવું વર્તન ન કરી ધરપકડ વોરંટ જેવી ધમકીઓ આપવાનું બંધ કરવામાં આવે, BLO ફરજ ફાળવણી અન્ય કેડરના કર્મચારીઓનો સમાવેશ કરી સમ
ભેસાણ પોલીસે વિદેશી દારૂ લાવનાર, વેચનાર શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે રહેતો જેરામ ડાયા રાઠોડ તેની ચણાકા રોડ ઉપર આવેલ વાડીએ ઇંગલિશ દારૂ રાખી વેચાણ કરતો હોવાની માહિતી મળતા પોલીસે રેઇડ પાડી હતી. પોલીસે શખ્સને રૂપિયા 4,400ની કિંમત વિદેશી દારૂન
પોરબંદર શહેરમાં ઘાયલ પક્ષીને જોઈ અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે પ્રકૃતિ ધ યુથ સોસાયટી નામની સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ સંસ્થા દ્વારા 16 વર્ષમાં 10 હજારથી વધુ ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ કરી સારવાર કરવામાં આવી છે તો પક્ષીઓ ઉપરાંત 6 હજાર જેટલા સાપ,2500 મગરના પણ રેસ્ક્યુ કરી સ
પોરબંદરના રામ સી સ્વીમીંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન–2025નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કડકડતી ઠંડી વચ્ચે 6 વર્ષના બાળકથી 90 વર્ષના વૃદ્ધે હાફમેરેથોનમાં દોડ લગાવી હતી.આ મેરેથનમાં 1500 સ્પર્ધકો ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં કેન્દ્રીય કેબિનેટમંત્રી, રાજ્ય કેબિનેટ મંત્ર
પોરબંદર શહેરના ઉદ્યોગ નગર પોલીસ સ્ટેશનના એક વાહનમાં ગઇકાલે બપોરના સમયે શોર્ટ સર્કીટથી આગ લાગી ગઇ હતી. આ બનાવમાં કોઇ જાનહાની ન થઇ હતી પરંતુ વાહનને નુકસાન થયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર શહેરના ઘાસ ગોડાઉન પાછળ રહેતા બાલુભાઇ હિરાભાઇ મકવાણ
16 નવેમ્બર વિશ્વ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવે છે.જે ઉજવણી અંતર્ગત પોરબંદર જીલ્લા ટ્રાફિક પોલીસ તથા ARTO પોરબંદર અને એસ. ટી.વિભાગ પોરબંદર ના સયુક્ત ઉપક્રમે માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને યાદ કરી તેમને શ્રધ્ધાંજલી આપી મૌન પાળી અને રોડ સેફ્ટી શપત લેવામાં આવેલ હતા અને
જિલ્લામાં ચોમાસામાં ભારે વરસાદમાં બિસ્માર બનેલ માર્ગોનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બોરીચા–ડોબલીયા માર્ગનું નવીનીકરણ કાર્ય હાથ ધરાયુ હતું. રાજ્યના મહાનગરો સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદી પરિસ્થિતિ બાદ ત્વરિત કામગીરી હાથ ધરવામા
પોરબંદરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના બિસ્માર રસ્તા પર પેચવર્કની કામગીરી શરૂ કરાઇ છે.બરડા પંથકના પાલખડા થી કેશવ માર્ગ પર પેચવર્ક હાથ ધરાયુ હતું. રાજ્યમાં થયેલી ભારે વરસાદી પરિસ્થિતિનો તાત્કાલિક પ્રતિસાદ આપતા સમગ્ર ગુજરાતમાં માર્ગવ્યવસ્થા દુરસ્ત બનાવવા માટે ઝ
પોરબદરના સર્કિટ હાઉસ ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં વિવિધ યોજનાઓ, માર્ગ-મકાન, આરોગ્ય, શિક્ષણ, કૃષિ, સામાજિક સુરક્ષા તથા અન્ય વિકાસ સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરી હતી તેમજ મંત્રી દ્વારા તમામ કામોમાં ગુણવત્તા જાળવવા અને સમય મર્યાદામાં પૂર્ણ કરવા સૂચના આપી હતી. પોરબંદ
પોરબંદરનું મિત્રાળા ગામ રળિયામણું ગામ છે, અહીં વસતી ઓછી છે પરંતુ લોકો હળીમળીને દરેક તહેવારની ઊજવણી કરે છે. હોળીના બીજા દિવસે દાંડિયારાસ રમી ઉજવણી કરે છે, છેલ્લા 4 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. મિત્રાળા ગામે આઝાદી બાદ ગ્રામ પંચાયત સમરસ બની હતી. ઉલ્લેખનીય છેકે, આ ગામમાં 30 વ
પોરબંદર જિલ્લાના વાછોડા ગામે ગત તા. 14/11/2025 ના રોજ એક 38 વર્ષીય યુવાને કોઇ અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં જઇને ઝેરી દવા પી લેતા આ યુવાનનું દુ:ખદ મોત નિપજયું હતું. આ અંગે પ્રાપ્ત વિગત અનુસાર પોરબંદર તાલુકાના વાછોડા ગામે રહેતા રાજુ વેજાભાઇ વિસાણા નામના યુવાને ગત તા. 14/11/2025 ના રોજ કોઇ અગ
શિયાળો શરૂ થઈ ચુક્યો છે ત્યારે આ સમયગાળા દરમિયાન હૃદય રોગના હુમલાના બનાવો વધે છે તેથી તેનાથી બચવા માટે શું કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોરબંદરની સામાજિક અને લોકોના આરોગ્યની ચિંતા કરતી સંસ્થા હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવા
યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરની સાથોસાથ તેમના મુખ્ય પટ્ટરાણી રૂકિમણીજી મંદિર પણ પૌરાણિક મહત્તા ધરાવતું હોય ભારતના રક્ષિત સ્મારકોમાં સમાવિષ્ટ છે. અહીં આવેલ મંદિરમાં અદભૂત શિલ્પ સ્થાપત્ય જોવા મળતું હોય યાત્રાળુઓની સાથોસાથ દર વર્ષે શિલ્પકલા પ્રેમીઓ પણ આ મંદિરન
યાત્રાધામ દ્વારકામાં આવેલ રાવળા તળાવમાં એક અજાણ્યા યુવકે તળાવ વચ્ચે આવેલ કુવામાં આપધાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દ્વારકા નગરપાલિકાની ફાયર ટીમ સમયસર આવી પહોચતા અજાણ્યા યુવકને કુવા માંથી રેસકયુ કરી બહાર કાઢી જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતોનુસાર દ્વારકાના રાવળા તળાવ
અરવલ્લી પોલીસ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગાવવામાં આવેલા CCTV કેમેરાના માધ્યમથી ગુમ થયેલી બાઇક ગણતરીના કલાકોમાં નેત્રમ શાખા દ્વારા શોધી કાઢવામાં આવી હતી અને મૂળ માલિકને પરત સોંપાઇ હતી. સમગ્ર ઘટનામાં ભૂલથી બાઇક અદલા બદલી થઈ ગઈ હોવાનું બહાર આવ્યું હતું. મોડાસાના ટીંટો

24 C