શહેરમાં પોલીસની PCR પર પથ્થરમારો થયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં કાલાવડ રોડ પર અવધના ઢાળિયા પાસે ડેકોરા સ્કાય હિલ્સની પાછળ ઝૂંપડા પાસે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉમેશકુમાર બાલાસરા PCR વાન સાથે નીકળ્યા હતા. રાત્રિના ફરજ પર રહેલા આ કોન્સ્ટેબલને બસંત માજી, દિનેશ ચ
રાજકોટ SOG એ રૂ.5.37 લાખના મેફેડ્રોનના જથ્થા સાથે 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. શહેરની બેડી ચોકડી પાસે રહેણાંક મકાનમાંથી પોલીસે 179.24 ગ્રામનો માદક પદાર્થનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ જથ્થો કોની પાસેથી લાવતા હતા અને જો તેનું વેચાણ કરતા હતા તો કેટલા સમયથી વેચતા હતા તે બાબતે પો
ઉત્તરાયણના તહેવારને હજુ થોડા દિવસોની વાર છે, પરંતુ તે પહેલા જ સુરતમાં પતંગની કાતિલ દોરીનો કહેર શરૂ થઈ ગયો છે. શહેરમાં વાહનચાલકોના ગળા કપાવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એક 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. લોહીલુહાણ હાલતમાં બ્રિજ પર જ પડી જતા રાહદારીઓ મદદ
મધ્યપ્રદેશના કઠીવાડા ખાતે અલીરાજપુર રાજ પરિવારના રાણા દિગ્વિજયસિંહ દ્વારા IPL જેવી જ કઠીવાડા પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લીગમાં ખેલાડીઓને IPLની જેમ જ ઓક્શન દ્વારા ખરીદવામાં આવ્યા હતા.આ ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમો – રતનમહલ કાછલા, બાબજી ઉદેપુર, જોહાર ઇલેવન અન
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 12 કલાકમાં બે અંગદાન થયા છે. વધુ એક સફળ અંગદાન ઓડિશાના વતની પ્રધાન પરિવારે બ્રેઈનડેડ સ્વજનના અંગોનું દાન કરી માનવતા મહેકાવી છે. મૂળ ઓડિશાવાસી અંગદાતાનો પરિવાર ઓડિશા રહેતો હોવાથી નવી સિવિલની ટીમ, SOTTOના સભ્યો, ઓડિશા સમાજ પરિવારના સહકારથી બે દિવસના
આજના મોંઘાદાટ અને ખર્ચાળ લગ્ન સમારંભો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો માટે આર્થિક બોજરૂપ બન્યા છે, ત્યારે સુરતની SVG સંસ્થા અને યુવક મંડળ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ ગરીબ દીકરીઓના પિતા માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ બન્યો છે. આ સુંદર આયોજન દ્વારા સમાજને દેખાદેખીથી દૂર રહીને
વડોદરા મહાનગરપાલિકાએ શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં મોટો ફેરફાર કરતાં મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કુલ 70 જંક્શન પરના ટ્રાફિક સિગ્નલને હવે 24 કલાક કાર્યરત કરી દીધા છે. આ નિર્ણય વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચનાથી લેવામાં આવ્યો છે. 24 કલાક સિગ્નલ ચાલુ રાખવાથી
વલસાડ જિલ્લાના વાપીમાં ડુંગરા પોલીસે કરમખલ વિસ્તારમાં આવેલી એક વાડીના મકાનમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. પોલીસે મુખ્ય આરોપી સહિત ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે અને ચોરીનો મોટાભાગનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આ ચોરી 15 નવેમ્બરથી 16 નવેમ્બર, 2025 દરમિયાન થઈ હતી. અજાણ્યા
કેન્દ્ર સરકાર સામે શૈક્ષિક સંઘે દિલ્હીમાં આંદોલનની જાહેરાત કરી છે. ટેટ પરીક્ષા અને જૂની પેન્શન યોજનાને લઈને શિક્ષકો દિલ્હીમાં ધરણા કરવાના છે. દિલ્હીમાં જંતર મંતર સામે ધરણા પ્રદર્શન કરીને શિક્ષકો સરકાર પાસે 2005 પછીના શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટેની માંગ કર
દાહોદ જિલ્લામાં આંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓના ઝડપી નવીનીકરણનું કાર્ય શરૂ થયું છે. આ અંતર્ગત ઝાલોદ વિધાનસભા બેઠકના ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે લીમડી તાલુકામાં રિસર્ફેસિંગ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લાના ના
પાટણમાં હરીઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે 1 થી 7 ડિસેમ્બર દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા સુપ્રસિદ્ધ કથાકાર રમેશભાઈ ઓઝા રહેશે. પાટણના અનાવાડા સ્થિત હરીઓમ ગૌ શાળાના વિશાળ સંકુલમાં 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કથ
ગોધરાના બહારપુરા સ્મશાન રોડ પર રહેતા મુકેશભાઈ મંગળભાઈ ચૌહાણે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે ગોધરા-વડોદરા હાઈવે પર આવેલા ગોન્દ્રા ખાતેની ભુરા મોટર્સના માલિક મોહમ્મદ વસીમ કંસારા ઉર્ફે ભુરિયા વિરુદ્ધ વિશ્વાસઘાત અને વાહન ચોરીનો આરોપ લગાવ્યો છે. ફરિય
નવસારીના ઉંડાચ ગામેથી ચોરાયેલું આશરે 800 વર્ષ જૂનું શિવલિંગ મળી આવ્યું છે. નીલકંઠ મહાદેવ મંદિર પરિસરમાં પીપળાના ઝાડ નીચે સ્થાપિત આ શિવલિંગની ચોરી થઈ હતી. શુક્રવારે મોડી રાત્રે બીલીમોરાના એક યુવાન ડિપ્રેશનમાં હોવાથી શિવલિંગ પોતાની સાથે લઈ ગયો હતો. શનિવારે સવારે શિવલિંગ ચોર
ગોધરા બી ડિવિઝન પોલીસે પાસા હેઠળ વોન્ટેડ આરોપી સાદિક ઉર્ફે બચી મોહમંદ હનીફ ભીસ્તીને લીલેસરા ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ઘરફોડ ચોરીઓ, મંદિરો, સરકારી શાળાઓ, દુકાનો તેમજ સરકારી-ખાનગી આવાસોમાં તોડફોડ અને ચોરીની ઘટનાઓમાં સંડોવાયેલો હતો. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિત
વડોદરા જિલ્લા પોલીસ દ્વારા 100 કલાકની સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ દરમિયાન 550થી વધુ આરોપીઓને શોધવામાં આવ્યા છે અને 150થી વધુ આરોપીઓના ડોઝીયર્સ તૈયાર કરવામાં આવ્યા છે. રાજ્ય પોલીસ વડા દ્વારા તા.17/11/2025ના રોજ ગુજરાત રાજયમાં છેલ્લા ૩૦ વર્ષમાં (1) હથિયાર ધારા (2) એ
ભરૂચના યુવકનું અપહરણ કરનાર બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે પોલીસે ગુનામાં વપરાયેલી આરોપી આફતાબની કાર, સસ્પેન્ડેડ આરોપી પોલીસકર્મી યાજ્ઞિક ચાવડાની એક્ટિવા અને આફતાબના ઘરેથી રૂ.1 લાખ રિકવર કર્યા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લાના શેરપુરા રોડ પર આવેલ
ડાંગ જિલ્લા પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં મોટી સફળતા મેળવી છે. ડાંગ સાયબર ક્રાઇમ પોલીસે ગાંધીનગર સ્થિત માઇક્રો ટેક્નોલોજી કંપનીના માલિક રાજેશકુમાર રામચરિત્ર સિંઘને ઝડપી પાડ્યો છે. આરોપી 14 જેટલા સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો હતો. ત્રણ દિવસના રિમાન્ડ
મોડાસા પાસેના દોલપુર ગામ નજીક આજે સાંજે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પ્રાથમિક માહિતી મુજબ, એક કાર ચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. તેણે સામેથી આવતી બાઇકને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી
ગોધરાના રાજ્ય અનામત પોલીસ દળ (SRP) જૂથ–5 ખાતે આયોજિત IGP કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ સમાપન થયું છે. 23 નવેમ્બરે રમાયેલી ફાઇનલ મેચમાં પંચમહાલ પોલીસની ટીમે દાહોદ જિલ્લા કલેક્ટરની ટીમને 64 રનથી હરાવી વિજય મેળવ્યો હતો. આ ટુર્નામેન્ટ 5 નવેમ્બરથી શરૂ થઈ હતી. તેમાં પંચમહાલ, દાહોદ અને મહ
ધી ગુજરાત સચિવાલય સેક્શન અધિકારી એસોસિએશનએ સચિવાલયમાં સેક્શન અધિકારી, વર્ગ-2ની મોટી સંખ્યામાં ખાલી રહેલી જગ્યાઓ તાત્કાલિક ફિડર કેડરના નાયબ સેક્શન અધિકારીઓ ભરવા રાજ્ય સરકારને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવને વિસ્તૃત
ગઢડાના જીનનાકા મુખ્ય માર્ગ પર ખાડાઓને કારણે એક કપાસ ભરેલી છકડો રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. આ ઘટનાએ રસ્તાની બિસ્માર હાલત ફરી એકવાર સામે લાવી છે. દુર્ઘટના બનતા જ સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સોમવારે જામનગરની મુલાકાત લેશે. તેઓ સૌરાષ્ટ્રના સૌથી મોટા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરશે અને કુલ 622.52 કરોડ રૂપિયાના 69 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. મુખ્યમંત્રીના કાર્યક્રમ માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓને આખ
મહેસાણા શહેરમાં ફરી એકવાર ચેન સ્નેચરો સક્રિય થયા છે.શહેરના ગાયત્રી મંદિર નજીક દર્શન કરી એક વૃધ્ધા પોતાના ઘરે ચાલીને જતા હતા એ દરમિયાન સરનામું પૂછવાના બહાને બે અજાણ્યા ઈસમોએ વૃધ્ધાના ગળામાં પહેરેલ બે તોલાનો સોનાનો દોરો ઝૂંટવી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ઘટના અંગે વૃદ્ધાએ ઘ
સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે 13થી 23 નવેમ્બર સુધી યોજાયેલા અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ 2025માં કુલ 8.21 લાખથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી હતી. જેને કારણે આ સાહિત્યિક મહોત્સવ રાજ્યમાં જ નહીં પરંતુ, રાષ્ટ્રીય સ્તરે પણ સૌથી વધુ મુલાકાતીઓ ધરાવતું બુક ફેસ્ટિવલ બની ગયો છ
બોટાદ: બોટાદ શહેરના ગિરિરાજ જૈન સંકુલ ખાતે નાના બાળકો માટે એક વિશેષ શૈક્ષણિક અને પ્રેરણાત્મક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ બાળકોમાં મોબાઇલના વધતા ઉપયોગને નિયંત્રિત કરવો, અભ્યાસ પ્રત્યે રુચિ જગાવવી અને ટેકનોલોજીના સંતુલિત ઉપયોગ અંગે માર્ગદર્શ
મોરબી અને હળવદમાં જુદા જુદા બે બનાવમાં બે વ્યક્તિના મોત થયા છે. મોરબીના મહેન્દ્રનગર પાસે છત પરથી પડી જવાથી એક યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જ્યારે હળવદના અજીતગઢ ગામે વાડીએ વીજ શોક લાગવાથી એક પરિણીતાનું મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબીના મહેન્દ્
મોરબીમાં મહાપાલિકા અને રોટરી ક્લબ દ્વારા રવિવારે 'ધમાલ ગલી' કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કેસર બાગ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકોએ ભાગ લીધો હતો અને વિસરાઈ ગયેલી શેરી રમતોનો આનંદ માણ્યો હતો. વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા અને મોબાઈલના વધતા ઉ
ભુજના ઢોરી ગામે એક યુવતીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પ્રેમ સબંધમાં પથ્થરના ઘા મારી પ્રેમીએ જ હત્યા કરી હોવાની શક્યતાં છે. માધાપર પોલીસે યુવતીના મૃતદેહને પોસમોર્ટમ માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. અમે આને સતત અપડેટ કરી રહ્યા છીએ...
હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું હનીમૂન માટે ગયેલું ગુજરાતી કપલ જાકાર્તામાં ફસાયું. શુક્રવારથી આ ત્રણ જણાને એક હોટલમાં ગોંધી રખાયા છે. અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય લોકો અમદાવાદના છે. આ સમાચારને વિસ્તૃત વાંચવા અને વીડિ
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) કાર્યક્રમ હેઠળ 63 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. કુલ 21 દિવસમાં આ પ્રગતિ નોંધાઈ છે. હવે બાકીના 11 દિવસમાં કામગીરી પૂર્ણ કરવા માટે આવતીકાલથી બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) ફિલ્ડમાં જઈને ઘરે-ઘરે મુલાકાત લેશે. જિલ્લામાં કુલ 11,61,128 મતદારો નોંધાયેલા છે, જેમાં 5,87
નર્મદા જિલ્લાના તિલકવાડા રેલવે સ્ટેશન નજીક આજે એક અત્યંત કરૂણ ઘટના બની છે, જેમાં અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે. મૃતકો દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના રહેવાસીમૃતક યુવકોની ઓળખ વિજય બાબુભાઈ મેળા અને ગોવિંદ મનુભાઈ ડામોર તરીકે થઈ છે. આ બન્
લોકોના આધારકાર્ડ અને પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ મેળવીને કરોડો રૂપિયાની પર્સનલ લોનના નામે પૈસા લઈ છેતરપિંડી કરવામાં આવી હોવા અંગેની ફરિયાદ અમદાવાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે. નોકરિયાત અને વેપારી લોકોને પોતાની વેપારીની ઓળખ આપીને બેંકમાં સારું સેટિંગ છે,
મહેસાણામાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલયના ગુજરાત ઝોન દ્વારા સેવા કાર્યના 60 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વર્ષ 2025 હીરક જયંતિ રૂપે ઉજવાઈ રહ્યું છે. આ અંતર્ગત બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા શહેરમાં આજે વિશેષ શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતા અને એરફોર્સમાંથી નિવૃત થયેલા 83 વર્ષીય વૃદ્ધ સાયબર ફ્રોડનો શિકાર બન્યા હોવાનું સામે આવ્યું છે. વૃદ્ધ એરફોર્સમાંથી નિવૃત થતા પેન્શન આવી હતી તે SBI બેંકના ખાતામાં રાખી હતી. તેમજ એફ.ડી અને અન્ય સેવિંગના રૂપિયા પણ બે અલગ અલગ એકાઉન્ટમાં રાખવામાં આ
ગોધરા તાલુકામાં ધારાસભ્ય સી.કે. રાઉલજીના હસ્તે કુલ 8.60 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ નવા રસ્તાઓ ગ્રામીણ વિસ્તારોમાં આંતરિક કનેક્ટિવિટી સુદ્રઢ બનાવશે, જેનાથી ખેડૂતો અને ગ્રામજનોને અવરજવરમાં સુવિધા મળશે. ધારાસભ્ય સી.કે. રાઉલજીની
વલસાડ તાલુકામાં SIRની કામગીરી દરમિયાન એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. વલસાડ વિધાનસભા મતવિસ્તાર-179ના ભાગ નંબર 70, ઘડોઈ બુથ નંબર 2 પર ફરજ બજાવતા બુથ લેવલ અધિકારી (BLO) અસ્મિતાબેન પટેલે SIRના ફોર્મનું 100 ટકા ડિજિટાઈઝેશન નિર્ધારિત સમયમર્યાદા પહેલાં પૂર્ણ કર્યું છે. આ ઉત્કૃષ્ટ કામગીરી બ
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉજવણી થઈ રહી છે. આ અંતર્ગત આજે રાપર વિધાનસભા વિસ્તારમાં એકતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કલ્યાણપર ખાતેથી આ પદયાત્રાને ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ માર્ચને જિલ્લા પંચાયત પ્ર
વલસાડ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રવિવારે પારડીના ધીરૂભાઈ નાયક હોલ ખાતે આયુષ મેળો અને મેગા કેમ્પ યોજાયો હતો. રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ લોકોને આયુર્વેદ અપનાવવા અપીલ કરી હતી. તેમણે
પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ પુરુષ નસબંધી (NSV) ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. જિલ્લામાં પુરુષ નસબંધી પખવાડિયાની ઉજવણી ચાલી રહી છે, ત્યારે આ સિદ્ધિ નોંધાઈ છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ 21 નવેમ્
ભરૂચ પેરોલ-ફર્લો સ્ક્વોડે બળાત્કાર અને અપહરણના ગુનામાં છેલ્લા આઠ વર્ષથી ફરાર આરોપીને રાજસ્થાનના અજમેર બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્યો છે. આરોપી સજા ભોગવી રહ્યો હતો અને પેરોલ જમ્પ કરીને ભાગી ગયો હતો. યુનુશ અલી ઉસ્માનગની વ્હોરા (રહે. ઘાસમંડાઈ, મુલ્તાનીવાડ, ભરૂચ) ગાયકવાડ હવેલી પો
વલસાડ S.P. યુવરાજસિંહ જાડેજાના આદેશ બાદ S.O.G. ટીમે નશાના નેટવર્ક પર કાર્યવાહી કરી છે. ભીલાડના બોરીગામ વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી ગેરકાયદેસર ગાંજાના વેચાણનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે રૂ. 1.91 લાખથી વધુનો ગાંજો જપ્ત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે સ્થળ પરથી ભા
સુરેન્દ્રનગર SOGએ થાનગઢ તાલુકાના ખાખરાળી ગામેથી એક ઈસમને ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી રૂ. ૩,૦૦૦ની કિંમતની મઝલલોડ બંદૂક જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં હ
આણંદ BAPS સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદ મંદિર રજત જયંતિ મહોત્સવનો પ્રારંભ થયો છે. આ ઉપક્રમે અક્ષર ફાર્મમાં ભવ્ય નગરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 23 થી 28 નવેમ્બર સુધી ચાલશે. આ નગરમાં આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને પારિવારિક મૂલ્યોને ઉજાગર કરતા વિવિ
ગુજરાત કોંગ્રેસ દ્વારા ખેડૂતો અને લોકોની સમસ્યાઓને ઉજાગર કરવા માટે જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા વાવ થરાદ જિલ્લાના ઢીમા ધરણીધરથી શરૂ થઈને ગતરોજ ઈકબાલગઢ પહોંચી હતી. જ્યાં કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ભાજપનું નામ લીધા વગર ગંભીર આક્ષેપો કર્યા હતા.
જામનગર શહેરમાં ચાલી રહેલી SIR કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે રાજ્યના મંત્રી રિવાબા જાડેજાએ વોર્ડ નંબર-6 ની મુલાકાત લીધી હતી. સરકારના નેતાઓ અને મંત્રીઓ દ્વારા આવા વિસ્તારોની સતત મુલાકાતો લેવામાં આવી રહી છે. આ મુલાકાત દરમિયાન, મંત્રીએ સ્થળ પર ચાલી રહેલી કામગીરી અંગે વિગતવા
હિંમતનગર: સાબરકાંઠા પોલીસ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA)ના સંયુક્ત ઉપક્રમે હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય GMERS મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ, ઇન્ટર્ન અને ફેકલ્ટી સભ્યોમાં કાનૂની સાક્ષરત
રાજકોટના વેપારી સાથે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 5 શખ્સો દ્વારા શેર બજાર અને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે રૂ.4.28 કરોડની છેતરપિંડીની ઘટનામાં નવો ફણગો ફૂટ્યો છે. વેપારી દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરીયા સામે ગંભીર આક્ષેપો કરાયા છે. જેમાં મધ્યસ્થી રહેલા હરી પટેલને અલ્પ
વડોદરામાં મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) દરમિયાન એક દુખદ ઘટના બની છે. લાંબા સમય સુધી લાઇનમાં ઊભા રહેવાને કારણે એક અરજદાર યુવકની તબિયત અચાનક લથડી ગઈ અને ખેંચ આવતાં તે ચક્કર ખાઈને જમીન પર પડી ગયો. આ ઘટનામાં યુવકના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કા
બોટાદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન BLO (બૂથ લેવલ ઓફિસર) ને મતદારો તરફથી અપૂરતી માહિતી, ફોર્મમાં અધૂરી વિગતો અને નેટ સર્વર ડાઉનની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. આના કારણે BLOમાં નારાજગી જોવા મળી રહી છે અને તેઓ તંત્ર પાસે કામનું ભારણ ઓછું ક
રાજ્ય સરકાર દ્વારા બાળકોના શિક્ષણ માટે મહેસાણા જિલ્લામાં એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલ માત્ર સ્થાનિક બાળકો માટે જ નહીં, પરંતુ એક એવા સમુદાય માટે આશાનું કિરણ બની છે, જેનો જન્મ તો પાકિસ્તાનમાં થયો છે પણ શિક્ષણ ગુજરાતની ઘરતી પર મેળવી રહ્યાં છે. લાંબા સમયથી લોંગ ટર્મ વ
એસ.પી.રિંગ રોડ પર આવેલા ચંચળબા પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં આવીને અજાણ્યા શખસે હાથ સાફ કર્યો છે. ગઈકાલે મનિષાબેન પંચાલ તેમના ભાઈના દીકરાના લગ્નમાં ગયા હતા. લગ્ન પ્રસંગમાં પાર્ટી પ્લોટમાં સોફા પર સોનાના દાગીના અને રોકડ સાથેનું પર્સ મૂક્યું હતું. તે દરમિયાન અજાણ્યો શખસ લગ
રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વિશેષ ડ્રાઇવ યોજાઈ હતી. આ ડ્રાઇવમાં ભાજપના ધારાસભ્યો અને સાંસદ સહિતના નેતાઓ મતદાન બૂથ પર પહોંચ્યા હતા. તેમણે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો અને કામગીર
ચાલુ રવિ સિઝન માટે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂત ભાઈઓ માટે ખાતરનો પૂરતો અને સુલભ પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. હાલ જિલ્લામાં ડીસા રેક પોઈન્ટ પર ઇફકો કંપનીનું 3000 મેટ્રિક ટન, આઈપીએલ કંપનીનું 2000 મેટ્રિક ટન તથા જીએસએફસી કંપનીનું 600 મેટ્રિક ટન યુરિયા ખાતર ઉપલબ્ધ છે. આ ઉપલબ્ધ
બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી મહારાજની 92મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરના અટલાદરા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આજે વિરાટ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 992 હરિભક્તોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાનથી આશરે 3.50 લાખ સીસી રક્ત એકત્ર
ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ અને હોદ્દેદારો અલગ અલગ મતવિસ્તારમાં બુથો અને સોસાયટીઓમાં જઈને SIR કામગીરીમાં મદદ અને નિરીક્ષણ કરવા પહોંચ્યા હતાં. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા નિકોલ વિધાનસભા વિસ્તારમ
વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'યુનિટી માર્ચ' પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશની એકતામાં સરદાર પટેલના યોગદાનને યાદ કરવા અને લોકોને એકતાના સંદેશ સાથે જોડવા આ યાત્રા યોજાઈ હતી. ઉમરગામ ભાજપ દ્વારા શહેરના ગાં
અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારના બિલ્ડિંગ માફિયા સામે ગેરકાયદેસર અને નીચી ગુણવતાવાળું બાંધકામ ઊભું કર્યું હતું.AMC દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસે ગુનો નોધી AMC સાથે મળીને ગેરકાયદેસર બાંધકામ તોડી નાખ્યું હતું.પોલીસે આરોપી વિરુદ્ધ તપાસ પણ શરૂ કરી છે. AMC કે
ગોધરામાં પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા 'બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ' અંતર્ગત 'શાંતિ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાને ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે પંચમહાલ, દાહોદ અને મહ
અમદાવાદમાં સોલા બ્રિજ પરની રેલ્વે ટ્રેક પર પરિણીતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે પડતું મૂકીને આપઘાત કરી લીધો છે.પરિણીતાએ પતિ અને સાસુ સસરાના ત્રાસથી કંટાળીને દીકરા સાથે આપઘાત કરી લીધો છે.પરિણીતાના ભાઈના લગ્ન હતા ત્યારે લગ્નમાં પણ જવા દીધી નહોતી.વારંવાર માનસિક અને શારીરિક ત્રા
દહેગામ રોડ ઉપર આવેલા સોલંકીપુરા ગામ નજીક આજે ઝાડ ટ્રીમિંગની કામગીરી દરમિયાન એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર ટ્રકના ચાલકે બેફામ ગતિએ આવીને પહેલા એક બાઇકને અડફેટે લીધું અને ત્યારબાદ કાબૂ ગુમાવીને બે બસોને ટકકર મારી હતી. આ ટક્કરના કારણે મોડાસા રૂટની બસ પલટી ખાઈ ગઈ હતી. આ ઘ
અમદાવાદમાં વટવા જીઆઇડીસી વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં યુવકે પોતાની પ્રેમિકાના ભાઈની હત્યા કરી દીધી છે.પ્રેમી પ્રેમિકાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો.જેને લઇને પ્રેમિકાનો ભાઈ પ્રેમીને સમજાવવા માટે ગયો હતો.આ દરમિયાન બંને વચ્ચે તકરારથી થતા પ્રેમીએ પ્રેમિકાના ભાઈન
ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કામગીરી માટે બોટાદ જિલ્લામાં વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આજે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન વિવિધ મતદાન મથકો પર બૂથ લેવલ ઓફિસરો (BLO) દ્વારા આ કામગીરી કરવામાં આવી. જોકે, આ કામગીરી દરમિયાન BLOને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. મ
વડોદરાના તાંદલજા વિસ્તારમાં વધુ એક સનસનાટીપૂર્ણ ચોકાવનારો બનાવ સામે આવ્યો છે, તાંદલજામાં દફન કરાયેલો એક પુરુષનો મૃતદેહ પાંચમાં દિવસે બહાર કાઢવામાં આવ્યો છે. મોબાઈલની તપાસ કરતા શંકા થઈ હતી. પત્નીએ પતિની હત્યા કરી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. મળતી માહિતી અનુસાર, 18 નવેમ્
નવસારી નજીકના કાછીયાવાડી ગામમાં ત્રણ દિવસથી દહેશત ફેલાવનાર એક દીપડો આખરે પાંજરે પુરાયો છે. આ ઘટનાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ત્રણ દિવસ પહેલા ગામની પાછળ આવેલા વાડી વિસ્તારમાં ગ્રામજનોએ દીપડાના આંટાફેરા જોયા હતા. દીપડાની હાજરીથી ગામમાં ભયનો મ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રવિવારે 'નશામુક્ત યુવા વિકસિત ભારત' અંતર્ગત 'રન ફોર હેલ્થ' મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા યોજાઈ હતી. હિંમતનગર માર્કેટયાર્ડ ખાતેથી ધારાસભ્ય વી.ડી. ઝાલાએ ફ્લેગ ઓફ કરાવી દોડને પ્રસ્થાન કરાવ
ભાવનગર જિલ્લાના બગદાણા ગામના ૫૨ વર્ષીય અતુલભાઈ ચૌહાણ ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે 192 કિલોમીટરની અનોખી દંડવત યાત્રા પર નીકળ્યા છે. તેઓ માતાજી પ્રત્યેની નિસ્વાર્થ ભક્તિ વ્યક્ત કરવા માટે આ કઠિન યાત્રા કરી રહ્યા છે. અતુલભાઈએ 10નવેમ્બરના રોજ બગદાણા ગામથી આ યાત્રાનો પ્રા
તાજેતરમાં ગાંધીનગરમાં પકડાયેલા આતંકીઓ ,દિલ્હીમાં થયેલા બૉમ્બ ધડાકા સહિત રાજ્યમાં ઝડપાયેલા આતંકીઓની ઘટનાને પગલે ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા ગુનેગારોનો ડેટાબેઝ અપડેટ કરવા માટે તમામ જિલ્લા પોલીસ વડાને છેલ્લા 30 વર્ષમાં
વાહનોમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાના બનાવો અવારનવાર બનતા હોય છે. આવો જ એક બનાવ સુરતના વેસુ વિસ્તારમાં મોડી રાત્રે બન્યો હતો, જ્યાં એક મહિન્દ્રા થાર ગાડીમાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. કારમાં આગ લાગી ત્યારે બે યુવક સવાર હતા. જે સમયસુચકતા વાપરીને બહાર નીકળી જ
વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં શનિવારે રાત્રે એક રિક્ષાચાલક, તેના ભાઈ અને ભત્રીજાને માથાભારે શખસ શહેબાઝ પઠાણ સહિત ત્રણ યુવકે માર માર્યો હતો. જેમાં રિક્ષાચાલકને ઇજાઓ પહોંચી હતી, જેથી તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાવ્યો હતો. હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેર
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં બ્રહ્માકુમારીઝ દ્વારા આજે સવારે શાંતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેરણા રોડ પર આવેલા બ્રહ્માકુમારીઝ શાંતિ સરોવર ખાતેથી આ યાત્રાનો પ્રારંભ થયો હતો અને વિસ્તારના માર્ગો પર ફરીને શાંતિ સરોવર ખાતે જ તેનું સમાપન થયું હતું. આ પદયાત્
મોરબી શહેરમાં લુટેરી દુલ્હન દ્વારા છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવકના લગ્ન કરાવ્યા બાદ અમદાવાદની યુવતી લગ્નના ત્રીજા જ દિવસે ફરાર થઈ ગઈ હતી. આ ઘટનામાં યુવકના પિતા પાસેથી લગ્નના નામે ત્રણ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. ભોગ બનેલા યુવકના પિતાએ મોરબી બી ડિ
રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. હત્યાની જાણ થતાં બી-ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યાં છીએ...
ઇરાનમાં ગુજરાતીઓનું કિડનેપિંગ થયાની ઘટના હજુ તાજી છે ત્યાં જ જાકાર્તા ફરવા ગયેલા ત્રણ ગુજરાતીઓ ફસાયા હોવાનો મામલો સામે આવ્યો છે. શુક્રવારથી આ ત્રણેયને એક હોટલમાં ગોંધી રખાયા છે અને છોડવા માટે પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગી છે. આ ત્રણેય અમદાવાદના છે અને મંગળવારે ફર
દેશભરમાં અત્યારે SIRની કામગીરી ચાલી રહી છે, ત્યારે આંબાવાડીમાં આવેલી સહજાનંદ કોલેજમાં ભાજપના બુથ પ્રમુખ SIRની કામગીરી દરમિયાન સાથે બેઠા હતા. બુથ પ્રમુખ તેમની જગ્યાએથી ઊભા થયા ત્યારે એક વ્યક્તિ તેમની જગ્યા પર બેસી ગયા હતા. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારે બુથ પ્રમુ
સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. શહેરના સચિન વિસ્તારમાં એક અત્યંત કરુણ અને ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં 5 વર્ષના એક માસૂમ બાળક પર 4થી 5 જેટલાં શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને સારવાર અર્થે તાત્ક
કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડું સ્થળ રહ્યું છે. આજે અહીં લઘુત્તમ તાપમાન 10.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. છેલ્લા એક સપ્તાહથી તાપમાન 10 ડિગ્રીથી ઉપરના સ્તરે જળવાઈ રહ્યું છે. નલિયામાં લોકો સાંજથી વહેલી સવાર સુધી સતત ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે તાપમાન હ
પાટણના ધારાસભ્ય ડૉ. કિરીટ સી. પટેલે મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. ઓક્ટોબર 2023માં થયેલા કમોસમી અને ભારે વરસાદથી પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. તેમણે આ ત્રણેય તાલુકાઓને ખરીફ કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા અને મગફળી ખરીદી કેન્દ્
વડોદરા નજીક આવેલા ઇટોલા ગામમાં 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઘુસી આવ્યો હતો. જેને પગલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે મગરને ભારે જહેમત બાદ રેસ્ક્યુ કર્યો હતો અને વન વિભાગને સોંપ્યો હતો. 10 ફૂટ લાંબો મહાકાય અજગર ઈટોલા ગામમાં ઘૂસ્યોવડોદરા જિલ્લાના ઈટોલા ગામે શનિવારે મોડી રાત્ર
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રવિવારે એક દિવસની કચ્છની મુલાકાતે છે. તેઓ જિલ્લા મથક ભુજ અને ઔદ્યોગિક મથક ગાંધીધામ ખાતે ₹679 કરોડના વિકાસકામોની ભેટ આપશે. ભુજમાં લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ₹498 કરોડના 52 કામોનું ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાભર્યો અને સંવેદનશીલ વલણ દર્શાવતી અનોખી ઘટના સામે આવી છે. જામનગરના પરમાર પરિવારની દીકરી સંજના પરમારના 23 નવેમ્બરનાં રોજ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે લગ્ન હતા, પરંતુ લગ્નના એક દિવસ બાદ એટલે કે 24 નવેમ્બરનાં મુખ્યમંત્રીનો સરકારી કાર્યક્રમ પ
રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે તમામ મોટા શહેરોનું તાપમાન 20 ડિગ્રી કરતા નીચે નોંધાયું છે. છેલ્લા કેટલાક દિવસથી નલિયામાં સૌથી વધુ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ત્યારે ફરી એક વખત રાજ્યમાં 10.4 ડિગ્રી સાથે નલિયામાં સૌથી ઠંડુગાર
સુરેન્દ્રનગરમાં રાજકુમાર જાટના મોત મામલે તપાસ તેજ બની છે. આ કેસમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સહિત 13 શખ્સોને સુરેન્દ્રનગર એસપી સમક્ષ તપાસ માટે હાજર કરવામાં આવ્યા હતા. આ કેસમાં ગોંડલ, કાલાવડ અને રાજકોટમાં ત્રણ અલગ-અલગ ફરિયાદો નોંધાઈ છે, જેન
ગાંધીનગરની જીએમઇઆરએસ(GMERS) મેડિકલ કોલેજની બોયઝ હોસ્ટેલમાં ફરી એકવાર શરમજનક રેગિંગની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને બોલાવી 'ઇન્ટ્રો' આપવાની ફરજ પાડી તેમની સાથે પરાણે હસી-મજાક કરીને માનસિક રીતે ટોર્ચર કરવા બદલ 14 જેટલા સિનિયર વિદ્યાર્થીઓને માત્ર
ભાવનગર શહેરમાં આજે વહેલી સવારથી મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. શહેરના અકવાડા નજીક આવેલી દારૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા વિશાળ દળબળ સાથે દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારી
શિક્ષણ વિભાગની વિવિધ યોજનાઓ અને પ્રાથમિક, માધ્યમિક તેમજ પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન તેમણે જિલ્લાની શૈક્ષણિક સ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખંભાળિયા તાલુકાની દાંત
કચ્છના રાપર તાલુકાના ભીમસર ગામેથી ગાંજાના વાવેતરનું એક મોટું ખેતર ઝડપાયું છે. આડેસર પોલીસે દરોડો પાડીને 52 લાખ રૂપિયાથી વધુની કિંમતનો 104 કિલોથી વધુ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. આડેસર પોલીસે વાડી વિસ્તાર, ભીમસર, તા. રાપરના રહેવાસી અરજણભાઈ દેવાભાઈ ક
હિંમતનગર તાલુકાના કાંકણોલ ગામે એક અનોખી ઘટના બની છે. ઘર આગળ પાર્ક કરેલું ટ્રેક્ટર ડ્રાઈવર વગર અચાનક રિવર્સ થતાં એક ખેડૂત ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કાંકણોલ ગામના જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલના ઘરે શનિવારે ઘર આગળ ટ્રેક
બોટાદ જિલ્લામાં સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ Tobacco Free Youth Campaign 3.0 (TFYC) અંતર્ગત તમાકુ વિરોધી કાયદાનાં કડક અમલીકરણ માટે ટાસ્ક ફોર્સ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી. એ. ધોળકિયા તથા એપિ ડેમિક મેડિકલ ઓફિસર ડો. આર. આર. ચૌહાણના નિયંત્રણમાં જિલ્લાનાં તમામ તાલુક
પોલીસ મહાનિર્દેશક તથા મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું ચેકિંગ હાથ ધરવાના અભિયાનના આદેશ આપવામાં આવ્યા હતા. જે અભિયાન અંતર્ગત અમદાવાદ રેન્જ આઇજી વિધિ ચૌધરી તથા ઓમ પ્
પાલિતાણા શહેરમાં વેચાતા ખાધ પદાર્થોમાં ખુલ્લેઆમ મીલાવટ થઈ રહી છે. જન આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા તત્વો સામે કાનૂની રાહે પગલા ભરવામાં સરકારી તંત્ર લાજ કાઢતું હોવાથી ભેળસળીયા તત્વો બેફામ બન્યા છે. ખોરાક અને ઐષધ વિભાગ, આરોગ્ય શાખા, બ્લોક હેલ્થ, નગરપાલિકા તેમજ જવાબદા

28 C