કલોલ તાલુકાના છત્રાલ ગામમાં તાજેતરમાં ત્રિ-દિવસીય રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આ મહોત્સવ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને જાણીતા કલાકારોનો લોક ડાયરો પણ યોજાયો હતો. ત્યારે મહોત્સવના ભાગરૂપે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં ભીડનો લાભ લઈ
ઓનલાઇન જુગારનો પર્દાફાશ રૂ.1.92 લાખના મુદ્દામાલ ઝડપી લીધો ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શહેરના આડોડિયા વાસ વિસ્તારમાં ચાલતા એક મોટા ઓનલાઇન હારજીતના જુગારના અખાડા પર દરોડો પાડીને કુલ 12 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સ્થળ પરથી રોકડ, કોમ્પ્યુટર સિસ્ટમ, મોબાઇલ ફોન
આજના સમયમાં બાળકો માટે યોગ્ય સ્કૂલ પસંદ કરવી વાલીઓ માટે એક મોટો અને જવાબદારીભર્યો નિર્ણય બની ગયો છે. આવા સમયમાં વાલીઓને પૂર્ણ માર્ગદર્શન મળે, વિવિધ સ્કૂલોને એક જ સ્થળે નજીકથી સમજવાનો મોકો મળે અને સરખામણી આધારિત યોગ્ય પસંદગી કરી શકે એવા ઉમદા હેતુ સાથે દિવ્ય ભાસ્કર દ્વારા સ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. જેના લાઈવ દ્દશ્યો સામે આવ્યાં છે. આ દુર્ઘટનામાં એક કામદારનું મોત થયું છે, જ્યારે એક કામદાર લાપતા છે. તેમજ 30 કામદારોને બચાવી લેવામાં આવ્યાં છે. ભરતીનું પાણી વધી જતા 5 સેક
છેલ્લા 4 દિવસથી સતત ઈન્ડિગો એરલાઈન ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. તેના કારણે અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. હજારો મુસાફરો અમદાવાદ એરપોર્ટ પર હોબાળો મચાવતા પણ જોવા મળ્યા હતા અને ઘણા મુસાફરો રડતા પણ જોવા મળ્યા હતાં. જ્યારે આજે પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ એરપોર્ટ પર RCTC ન
ગાંધીના ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના વેચાણને લઈને કોંગ્રેસના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા સરકાર અને પોલીસને દરેક કાર્યક્રમમાં ઘેરવામાં છે. ગુજરાતમાં ઠે- ઠેર દારૂના અડ્ડા ચાલતા હોવાને લઈને નાગરિકો હેરાન થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલું સરદારગ
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે ગઈ સાંજે દીપડાના હિંસક હુમલાની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. શનિવાર ની સાંજે અંદાજે 6:30 વાગ્યાના અરસામાં સંબંધીના ઘરે જઈ પરત ફરતી વખતે 50 વર્ષીય રસીદાબેન પર જાહેર માર્ગ પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. દીપડ
તળાજા તાલુકાના કામરોળ ગામે ભાગ્યું રાખીને ખેતી કામ કરતા મૂળ બગદાણા ગામના લાલજીભાઈ ઉર્ફે લાલાભાઇ નારણભાઈ શિયાળ એ તળાજા પોલીસને ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીમાં કામ કરતા હતા તે વેળાએ બાજુની વાડીમાં ભાગ્યા તરીકે કામ કરતા અશોક મનુભાઈ ઢાપા, વિજય મનુભાઈ ઢાપ
મહુવા તાલુકામાં ખોડીયાર નગર પ્લોટ વિસ્તાર નેસવડ ગામ માં રહેતા દીપકભાઈ મનસુખભાઈ બારૈયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ આસ્થા કોમ્પ્યુટરમાં નોકરી કરતા હોય જેથી પોતાનું મોટરસાયકલ GJ 27 DC 5971 જૂની કોર્ટના કમ્પાઉન્ડમાં આવેલા પતરા ના પાર્કિંગમાં પાર્ક કર્યું હતું અને બપોરના ઘરે
ભાવનગર શહેરના રૂવાપરી રોડ પાસે લાલ ડેલા હુદા મસ્જિદ વાળા ખાતે રહેતા સમીનાબેન ફેજલભાઇ માલકાણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા જણાવ્યું હતું કે તેમના દેરાણીનો સગો ભાઈ ઝુબેર આફીરભાઇ લાકડીયા રહે શેલારસા રોડ સંઘેડીયા બજાર સમીર મેડિકલ ની સામે ફરિયાદમાં જણાવ્યું હતું કે ઝુબેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ 10 અને 12ના વિવિધ પ્રવાહોની પરીક્ષાઓ માટેના ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ 10મી ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે અને 11 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફી ભરી
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભારાપરા ગામે એક જ કુટુંબના સભ્યો વચ્ચે સશસ્ત્ર મારામારી લોહિયાળ બની હતી. ખેતરના શેઢે લાઈટનું ટીસી નહીં નાખવા દઉં અને જુના પારિવારિક અણ બનાવને લીધે લોખંડના પાઇપ, તલવાર, ધારિયા અને લાકડાના ધોકા વડે મારા મારી સર્જાતા બંને પક્ષના સભ્યોને હોસ્પ
જૈનોના પવિત્ર તીર્થધામ પાલિતાણામાં મેવાડ ભવનની બાજુમાં આવેલ પ્રેમ-ભુવનભાનુ પુણ્ય પરિસરમાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી પૂજ્ય શ્રમણીગણનાયક આચાર્ય શ્રી રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા. આચાર્ય શ્રીસંયમરત્ન સુરીશ્વરજી મ.સા., આચાર્ય શ
સિહોર ટાણા ચોકડીથી લીલાપીરનો રોડ કે જે સિહોર તળાજા સ્ટેટ હાઇવે તરીકે ઓળખાય છે. આ માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી, આ રોડથી પસાર થવામાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો પડી રહ્યો છે. આ માર્ગ બન્યાના ત્રણ વર્ષ જેટલા સમયમાં આ રોડ અનેક જગ્યાએ તૂટી જતા રોડના કામની ગુણવત્તા અંગે સવાલ
ભાવનગર શહેરમાં દારૂ, ગાંજો અને પાવડરના અડ્ડાઓ બેફામ રીતે ચાલતા હોવાના શહેર કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરી આ અડ્ડાઓ તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી માટે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી છે. અને એટલું જ નહીં પરંતુ કોંગ્રેસ દ્વારા લેખિતમાં શહેરમાં જુદી જુદી 23 જગ્યાએ દારૂના અડ્ડાઓની
નવેમ્બર-2025નો મહિનો ભાવનગર રેલવે ડિવિઝન માટે શીતળ અનુભવ વાળો રહ્યો હતો, અને એક જ માસમાં રેલવેને 181.62 કરોડની આવક પ્રાપ્ત થઇ હતી. ભાવનગર રેલવે ડિવિઝનને નવેમ્બર માસ દરમિયાન મુસાફર પરિવહન થકી રૂપિયા 29.50 કરોડની આવક થઇ હતી. જ્યારે માલ પરિવહન થકી 95.67 કરોડની આવક મળી હતી. એક જ માસમાં મુસાફર
ગુજરાતમાં કોરોના કાળમાં મેડિકલ ક્ષેત્રે વર્ષ-2021ની પોસ્ટ ગ્રેજ્યુએશન બેચની પ્રવેશ પ્રક્રિયા છ-આઠ મહિના મોડી થઈ હતી. જેથી વર્ષ-2022ની બેચના નવેમ્બર-2025માં પોસ્ટ ગ્રેજ્યુએશન (ડિગ્રી અને ડિપ્લોમા) પુરૂ કરનારા ભાવિ તબીબોને ગ્રામ્ય વિસ્તારોમાં સોંપવામાં આવતી બોન્ડેડ મેડિકલ સેવાન
કેન્દ્ર સરકારના ઊર્જા મંત્રાલય નિદર્શિત માર્ગદર્શિકા અનુસાર વીજળી સંબંધિત પ્રશ્નોના તાત્કાલિક નિકાલ થાય તેવા આશય સાથે પી.જી.વી.સી.એલ. દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્કાડા (સુપરવિઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન) સિસ્ટમ હેઠળ વીજ વ્યવસ્થાપન તંત્રનું ડીજીટલાઇઝેશન કરવાની પ્
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને હેલ્થ ક્ષેત્રે પ્રાથમિક સુવિધાઓ તેમના ઘરની નજીકમાં જ મળતી થાય, નાની-મોટી માંદગી કે અન્ય અનિવાર્ય કારણોસર જરૂરી આરોગ્ય વિષયક સેવા ઝડપથી મળી રહે તે માટે શહેરના વિવિધ વિસ્તારોમાં હાલ કાર્યરત પી.એચ.સી. કેન્દ્રોને ધ્યાને લઇ મહિલા કોલેજ સ
ભાવનગર નવા બંદર (ન્યૂ પોર્ટ) એ મોટો વિસ્તાર છે જ્યાં મોટા પ્રમાણમાં મીઠું બનાવામાં આવે છે.આ ફોટામાં દ્રશ્યમાન થાય છે, પૂનમના દિવસોમાં પાણી બધે જ ફરી વળે છે અને બંદરનો વિસ્તાર એક ટાપુ જેવો લાગે છે અને એક ફરવાલાયક સ્થળ બને છે. હાલ શિયાળો શરુ થઈ ગયો છે તો અહીં ઘણા બધા યાયાવર પક્ષી
ભાવનગર સહિત સમગ્ર દેશમાં રખડતા કૂતરાઓની સમસ્યા ઊભી થઈ છે અને રખડતા કૂતરાઓના ત્રાસને અટકાવવા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભાવનગર કોર્પોરેશન દ્વારા પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં વોર્ડ વાઇસ 2 એમ કુલ 26 ફીડિંગ ઝોન બનાવવા પણ આયોજ
સુરતની સહારા ઈન્ડિયા બેંકમાં 3.90 લાખની ઉચાપત કરી ફરાર આરોપી સુરેશસિંગ ફોજદારસિંગ(53),મુરઘાટ, બસ્તી.યુપી) UPની સરકારી સ્કૂલમાં પ્રિન્સિપાલ બની ગયો હતો. 16 વર્ષથી વોન્ટેડ સુરેશને સુરત ક્રાઇમ બ્રાંચે યુપીમાંથી પકડી પાડયો છે. સરકારી સ્કૂલમાં ક્રાઈમ બ્રાંચના સ્ટાફે એડમિશનના બહાને
વીઆઈપી રોડ સ્થિત શ્રીશ્યામ મંદિર, સુરતમાં નવા ભવનના નિર્માણ કાર્ય માટે શનિવારે સવારે ભૂમિ પૂજન કરવામાં આવ્યું. વેસુ શ્યામ મંદિરની બાજુના પલોટમાં પાંચથી છ માળનું કોરિડોર નિર્માણ કરવામાં આવશે. જેમાં મહોત્સવ વખતે ભક્તો કતારમાં ઊભા રહી શકે તેવી વ્યવસ્થા, પૂજારીઓ અને સ્ટાફ મ
પાલમાં રામ પાવન ભૂમિ ખાતે આજે ગચ્છાધિપતિ આચાર્ય અભયદેવ સૂરિજી અને આચાર્ય મોક્ષરત્નસૂરિજી સહિતના સાધુ સાધ્વીજીની નિશ્રામાં ત્રિદિવસીય દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે જેમાં શનિવારે રથયાત્રા પાલ વિસ્તારમાં ફરી હતી. કુમારી મોક્ષા સંયમ માર્ગ પર જઈ રહી હોય તેને વધાવવા માટે
નાનપુરા ખાતે અમિત અગ્રવાલ કેડીયા કોમ્પ્યુટરના નામે દુકાન ધરાવે છે. .5મી ડિસેમ્બરે તેમની દુકાને તુરંથ ટ્રાન્સપોર્ટમાંથી 3 પાર્સલ આવ્યા હતા. જે અમિતે મંગાવ્યા ન હતા. શંકા જતા ડિલીવરી મેનને રોકીને તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. અઠવા પોલીસે સ્થળ પર જઇ ટ્રાન્સપોર્ટના મેન
ઓક્ટોબરમાં પડેલા કમોસમી વરસાદથી થયેલી પાક નુકશાની માટે રાજય સરકાર દ્વારા કૃષિ સહાય પેકેજ જાહેર કરાયું હતું. સુરત જિલ્લાના ખેડુતો પાસેથી કૃષિ સહાય પેકેજ હેઠળ સહાય મેળવવા અરજીઓ મંગાઇ હતી. 5 ડિસેમ્બરની સ્થિતિએ 19295 અરજીઓ પૈકી 5589 ખેડુતોના ખાતામાં 11.29 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં
યુજીસી દ્વારા વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળના કંટ્રોલર જનરલ ઓફ પેટન્ટ્સ, ડિઝાઇન્સ એન્ડ ટ્રેડમાર્ક્સ (CGPDTM)માં વિવિધ પોસ્ટો માટેની ભરતી જાહેર કરાઇ છે. 102 જગ્યા માટે ઓનલાઇન અરજી કરી શકાશે, જેમાં 100 પોસ્ટ્સ ટ્રેડમાર્ક અને જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ (GI) એગ્ઝામિનર માટે અને 2 જગ્યા
સરકારની નીતીને કારણે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પ્રોજેક્ટો નાંખવા પર બ્રેક લાગી ગઈ છે. કારણે સરકારે પરિપત્રમાં કહ્યું છે કે, 1 જૂન પછી જે પણ પ્રોજેક્ટ લાગશે તેમાં ભારતમાં બનેલા સોલાર સેલમાંથી બનેલી પેનલ હોવી ફરજિયાત છે. પરંતુ આયાત થતાં સોલાર સેલ અને ભારતમાં બનેલા સોલાર સેલવા
રિંગરોડ ફલાય ઓવરબ્રિજ પર પાલિકાની પૂર્વ મંજૂરી વગર જ સીટકો કંપનીએ બનાવી દીધેલાં જોખમી સ્પીડ બ્રેકર શનિવારે ઝોન દ્વારા તોડી પડાયા હતા. મોટી દુર્ઘટના બને તે પહેલાં ‘દિવ્ય ભાસ્કર’એ પ્રસિદ્ધ કરેલા અહેવાલને પગલે પાલિકાએ સ્પીડબ્રેકર હટાવ્યા હતા.
ઇન્ડિગોની પાછલા ત્રણ દિવસથી ઘણી ફ્લાઇટ રદ થઈ હોવાથી તેની સીધી અસર હવે રેલવેની પ્રીમિયમ-એક્સપ્રેસ ટ્રેનો પર દેખાઈ રહી છે. સુરતથી મુંબઈ-અમદાવાદ અને અમદાવાદ-દિલ્હી, જયપુર સહિત ઉત્તરી ભારતના હાઈ-ડિમાન્ડ સેક્ટરમાં મેલ, એક્સપ્રેસ સહિત વંદે ભારત, રાજધાની, શતાબ્દી, ડબલ ડેકર અને આઇ
મતદાન કેન્દ્ર પ્રમાણે યાદી આગામી 22 ડિસેમ્બરના જાહેર કરવામાં આવશે. એના માટે બે વખત નામવાળા મતદારોની ચકાસણી કરવા મહાપાલિકાની મથામણ ચાલુ છે. દરેક વોર્ડમાં મતદારોના ફોટો અનુસાર ચકાસણી કરવાનું નિયોજન કરવામાં આવ્યું છે અને વોર્ડ કાર્યાલયમાં વિશેષ યંત્રણા ઊભી કરવામાં આવી છે. બ
ડોંબિવલી જિમખાના ગ્રાઉન્ડ પર ક્રિકેટ અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળ્યો. 80થી વધુ ફિલ્મ કલાકારો બે દિવસની ક્રિકેટ મેચ માટે એકત્ર આ ય છે. મરાઠી સેલિબ્રિટી ક્રિકેટ લીગ (એમસીસીએલ) અંતર્ગત શનિવાર- રવિવારે આ આયોજન ભાજપ મહારાષ્ટ્ર પ્રદેશના પ્રદેશાધ્યક્ષ રવીંદ્ર ચવ્હાણ દ્વારા કર
મુલુંડ ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાના ડુંગરનો શાસ્ત્રોક્ત પદ્ધતિથી નાશ કરીને જમીન ફરીથી મેળવવા માટે બીજી વખત મુદતવધારો આપવામાં આવ્યો. જૂન 2025ની મુદત ચૂકી જવાથી હવે કોન્ટ્રેક્ટરને ફેબ્રુઆરી 2026ની મુદત આપવામાં આવી છે. અત્યાર સુધી ડમ્પિંગ ગ્રાઉન્ડના કચરાનો નાશ કરવાનું કામ 68 ટકા થ
નગરપાલિકા, નગરપંચાયત ચૂંટણી દરમિયાન મહાયુતીના ઘટક પક્ષોમાં વિવાદ વકર્યો હોવાનું ધ્યાનમાં લેતા રાજ્યની કોઓપરેટીવ સંસ્થાની ચૂંટણી ઠેલવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે. એનો ફટકો રાજ્યના સાકર કારખાના, બેંકો, બજાર સમિતિઓની ચૂંટણીને પડશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીન
વસઈ વિસ્તારમાં એક શાળામાં 100 ઉઠક-બેઠકની સજા આપવાના ગંભીર પ્રકરણ બાદ જીલ્લામાં શિક્ષણતંત્રની બેદરકારી સામે મોટો પ્રશ્નચિન્હ ઊભો થયો છે. સતિવલી, વસઈ (પૂર્વ) સ્થિત શ્રી હનુમંત વિદ્યામંદિર શાળામાં વિદ્યાર્થીઓને મોડા પહોંચવા બદલ આપવામાં આવેલી આ કઠોર સજાના કારણે એક 13 વર્ષીય વિદ
સાગરા પ્રાણ તળમળલા ગીતે અસંખ્ય ભારતીયોના મનમાં દેશભક્તિની જ્વાળા પ્રગટાવી છે. સ્વાતંત્ર્યવીર વિનાયક દામોદર સાવરકરે આ પ્રતીકાત્મક કવિતા લખી તેને 116 વર્ષ પૂર્ણ થયાં છે. આ ઐતિહાસિક અવસરે વેલ્યુએબલ ગ્રુપ દ્વારા 12 ડિસેમ્બરે બપોરે 3.00 વાગ્યાથી શ્રી વિજયા પુરમ, પોર્ટ બ્લેર ખાતે સ
નવી મુંબઈ મરચન્ટ ચેમ્બર તથા 130 વર્ષ જૂની ધી બોમ્બે મૂડીબજાર કરિયાણા મર્ચન્ટ એસોસિએશને રાજ્ય સરકાર સામે તીવ્ર અસંતોષ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, મહારાષ્ટ્રની 305 માર્કેટમાં અસમાનતા, ભેદભાવ અને જૂના કાયદાઓના કારણે વેપારીઓ સતત પીડાઈ રહ્યા છે. કૃષિ વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ
નેસ્કોમાં ધ ટેક એન્ટરપ્રેન્યોર્સ એસોસિયેશન ઓફ મુંબઈ (મુંબઈ) અને બિન નફો કરતી પહેલ મેડ ઈન ઈન્ડિયા દ્વારા મુંબઈહેક્સ 2025નું આયોજન કરાયું હતું, જેમાં વૈશ્વિક સ્તરે સૌથી વિશાળ એજન્ટિક હેકેથોન તરીકે તેણે પોતાને જ વિશ્વવિક્રમ તોડ્યો હતો. એચસીએલટેક દ્વારા ઈવેન્ટ પ્રસ્તુત કરાઈ હ
9 વર્ષની બાળકીની હત્યા સંબંધે થાણે કોર્ટે મહિલાને નિર્દોષ જાહેર કરી હતી, પરંતુ બાળકીના મૃત્યુ સંબંધમાં પુરાવાનો નાશ કરવા માટે તેને અને સહ- આરોપીને ત્રણ વર્ષની સખત કેદ ફટકારી હતી. બાળકીનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો, જેથી પોસ્ટમોર્ટમનો અહેવાલ બાળકીના મૃત્યુનો સ
મુંબઈમાં અમિત દર્શન કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી સામે ચાલી રહેલી કાર્યવાહી મામલે મુંબઈ હાઈ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ સોસાયટીઝ એક્ટ, 1960ની કલમ 88 મુજબની કાર્યવાહી ચલાવવા માટે નિયુક્ત થયેલા અધિકૃત અધિકારીની સત્તા એકવાર સમાપ્ત થઈ જાય, બદલી થઈ જાય અથવા તેણ
છેલ્લા પાંચ દિવસથી ઇન્ડિગો ફ્લાઇટ્સમાં ચાલી રહેલી અંધાધૂંધી હવે ચરમસીમાએ પહોંચી રહી છે. ફ્લાઇટ રદ થવી અને કલાકો સુધી વિલંબ થવાથી હતાશ થયેલા મુસાફરો હવે ધીરજ ગુમાવી ચૂક્યા છે અને મુંબઈ એરપોર્ટ પર શાબ્દિક રીતે હંગામો કરતાં જોવા મળી રહ્યા છે. ત્રણ દિવસથી બેગ ન મળતાં રાહ જોઈ ર
એસી લોકલમાં પ્રવાસ કરતા પ્રવાસીઓએ હવેથી પોતાના પાસનું ઓળખપત્ર પણ ટીસીને દેખાડવું પડશે. મધ્ય અને પશ્ચિમ રેલવેમાં એસી લોકલના બનાવટી ટિકિટ અને પાસ તૈયાર કરનારા વિરુદ્ધ રેલવે પ્રશાસને કાર્યવાહી તીવ્ર કરી છે. યુટીએસ એપ દ્વારા કઢાવેલ પાસ અને ટિકિટ યોગ્ય ગણવા તથા ઓફ્ફલાઈન પદ્ધ
શ્રી હાલાઈ બ્રહ્મક્ષત્રિય પંચ મુંબઈનો ૭૯મો વાર્ષિક વિદ્યોત્તેજક ઇનામી સમારોહ તાજેતરમાં પાટકર હોલ, ન્યૂ મરીન લાઈન્સમાં યોજવામાં આવ્યો હતો જેના સમારંભ પ્રમુખ સુધાબેન નિરંજનભાઇ દુબલ હતાં. આ સમારંભમાં બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના મહાનુભાવોને આમંત્રિત કરાયા હતા. ઉપરાંત કવિ અન
કોંકણનું નામ પડતાં મીઠી હાપુસ કેરીની યાદ અચૂક આવે છે. અલબત્ત, હાપુસ એ કોંકણ અને સમગ્ર મહારાષ્ટ્રની ઓળખ છે, પરંતુ હવે ગુજરાતે આ હાપુસથી પણ મોં ફેરવી લીધું હોય તેમ જણાય છે. ગુજરાતની ગાંધીનગર અને નવસારી યુનિવર્સિટીઓએ વલસાડ હાપુસ કેરી માટે ભૌગોલિક સંકેત (GI) માટે અરજી કરી છે. આને ક
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 7 ડિસેમ્બરના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 1507 કરોડના વિવિધ પ્રજાલક્ષી વિકાસના પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. અમદાવાદ ફાયર વિભાગના નવા નિમણૂંક પામેલા 102 સહાયક ફાયરમેનને નિમણૂંક પત્ર પણ એનાયત કરવામાં
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભારતીય વાયુસેનાના સહયોગથી આજે સૂર્યકિરણ ટીમ દ્વારા એર શો યોજવામાં આવશે. આ સાથે સાથે 'આકાશગંગા'નાં જવાનો ચાલુ વિમાનમાંથી જમ્પ કરશે તેમજ એરપોર્ટ બેન્ડ અને વાયુસેનાનું શસ્ત્રપ્રદર્શન યોજાશે. ભારતીય વાયુસેનાનાં ચાર વિભાગોનું એકસાથે પ્રદર્શ એ ઐત
રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી હોય અને વિવાદ ન થાય તેવું બને જ નહીં. આ વખતે વિવાદ સંદીપ વેકરિયાના સસ્પેન્શનને લઈને છે. રોલમાંથી દૂર કરી દેવાતા ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરી શક્યા નથી. આ નિર્ણય સામે વેકરિયા સ્ટેટ બાર કાઉન્સિલમાં જતા સ્ટે મળ્યો અને તે સ્ટે સામે રિવિઝનમાં એસોસિ
પડધરીમાં વધુ એક ચોરીનો બનાવ પોલીસે ચોપડે નોંધાયો છે. જેમાં ચાર તસ્કરે કારખાનામાં પ્રવેશી લેપટોપ, આઈપેડ તેમજ રોકડ સહિત રૂ.27.55 લાખની માલમત્તા લઈ ફરાર થઈ ગયા છે. આ બનાવમાં શહેરના અમીન માર્ગ પર આવેલ નચિકેતન 1-અ ગુલાબવાટિકામાં રહેતા અને મોવૈયાની સીમ પડધરી-ઉકરડા રોડ પર આવેલા એરકોન
વર્ષ 2019-20માં બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપાયેલા નકલી ફિંગરપ્રિન્ટના આધારે સરકારી અનાજ હડપ કરી જવાના કૌભાંડમાં તપાસ રાજકોટ સુધી લંબાયા બાદ વાજબીભાવના 23 પરવાનેદાર પુરવઠા વિભાગની ઝપટે ચડી જતા કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ચકચારી કૌભાંડમાં પાંચ દુકાનદાર સરકારમાં
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધનના નામે ખુલ્લેઆમ નાણાકીય ગેરવહીવટ થઈ રહ્યો હોવાની સ્થિતિ સર્જાઈ છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી લાઇબ્રેરી માટે મૂળ રૂ.6 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું, પરંતુ સત્તાધીશોએ અત્યાર સુધીમાં રૂ.7.39 કરોડ ખર્ચી નાખ્યા છે, એટલે કે
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વહાલુડીના વિવાહનું આઠમું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા સાત વર્ષથી ડિસેમ્બર માસના છેલ્લા રવિવારે માતા-પિતા વિહોણી કે પિતા વિહોણી 22 દીકરીના ભવ્ય સમૂહલગ્ન કરવામાં આવે છે, પરંતુ આ વર્ષે 25 દીકરીના વિવાહ યોજાશે. આ આયોજન તા.
રાજકોટ સહિત રાજ્યમાં તા.4 નવેમ્બરથી શરૂ થયેલ SIRની કામગીરીમાં જિલ્લાની આઠ વિધાનસભા બેઠકમાં સ્પેશિયલ ઈન્સેન્ટિવ રિવિઝનની કામગીરી હાલમાં પૂર્ણ થવાની દિશામાં છે. જિલ્લાની આઠ બેઠક પૈકી 71- રાજકોટ ગ્રામ્ય, 72-જસદણ, 73-ગોંડલ, 74-જેતપુર અને 75- ધોરાજી વિધાનસભા બેઠકમાં SIRની 100 ટકા કામગીરી પૂર
નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)એ એરલાઈન્સ અને ખાસ કરીને ઇન્ડિગોને નિયમોમાં 10 ફેબ્રુઆરી 2026 સુધી અસ્થાયી રાહત આપતા, કર્મચારીઓના વીકલી રેસ્ટ (સાપ્તાહિક આરામ) ને બદલે રજા ન આપવાના તેના અગાઉના કડક નિર્ણયને પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયના પગલે રાજકોટ સહિત દેશભરમાં ઇન્ડિગોની ફ્લા
શહેરના મવડી રોડ આનંદ બંગલા ચોક નજીક આવેલી સ્વાશ્રય સોસા.માં રહેતા અને આત્મીય કોલેજમાં બી.ટેક. એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવકે ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાજકોટના મવડી રોડ આનંદ બંગલા ચોક નજીક આવેલી સ્વાશ્રય સોસાયટી શેરી નં.05માં રહેતા અવિનાશ હરસુખભાઈ મોલિયા(ઉં.વ.20)
આગામી તા.8 અને 9 જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર સૌરાષ્ટ્ર રીજન માટેની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સની તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. શનિવારે રાજ્યના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ વિભાગની પ્રિન્સિપલ સેક્રેટરી મમતા વર્માએ કોન્ફરન્સ સ્થળ મારવાડી કેમ્પસ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ
રાજકોટ મહાનગરપાલિકાએ બે મહિના પહેલાં જ નાણાવટી ચોકથી રામેશ્વર મેઈન રોડ સુધી અંદાજે બે કિલોમીટરનો નવો નક્કોર રોડ લોકોની સુવિધા માટે બનાવી આપ્યો છે. સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન આ રોડના કુલ 28 મેનહોલમાંથી 13 મેનહોલ ખુલ્લા રાખી દેવામાં આવ્યા છે. 7 મેનહોલમાં પાણા અને પેવર બ્લો
રાજકોટ સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં દાખલ પ્રૌઢ દર્દી તા.2ના ભેદી સંજોગોમાં દાઝી ગયા હતા, જેમનું તા.5ના સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. ટીબીના દર્દી રાત્રિના બીડી પીતી વખતે દાઝી ગયાની ડોક્ટરે પોલીસમાં નોંધ કરાવી હતી. દર્દીનું મૃત્યુ થયા બાદ પોસ્ટમોર્ટમ કરાવવું ફરજિયાત
કર્મભૂમિ દુનિયાનો ગમે તે દેશ હોય, પરંતુ જન્મભૂમિ ગુજરાતને ગુજરાતીઓ ક્યારેય ભૂલતા નથી. તેઓ માત્ર પોતાનું જ નહીં, પરંતુ દેશ ને પોતાના રાજ્યનું હંમેશાં વિચારતા હોય છે. આવા જ કેટલાંક વિદેશમાં વસતા ગુજરાતીઓની સિરીઝ 'ગ્લોબલ ગુજરાતી' દિવ્ય ભાસ્કર એપ પર સોમવારથી શરૂ થઈ રહી છે. આ સિર
ચાંદખેડામાં રહેતી મહિલાએ ઓનલાઈન રીંગણ મંગાવ્યા હતા, જેમાં નાની સાઈઝના બદલે મોટા રીંગણ આવતા તેને પાછા આપી પૈસા પરત લેવા લેવા જતા 87 હજાર ગુમાવવાનો વારો આવ્યો છે. રીંગણના રૂ.24 પાછા આપવા માટે સાઈબર ગઠિયાએ એપીકે ફાઈલ મોકલી ડાઉનલોડ કરાવી હતી. આ અંગે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમા
પહેલી ડિસેમ્બરે અમદાવાદના એસ.જી.હાઇવે પર નિરમા યુનિવર્સિટી પાસે હિટ એન્ડ રનમાં એક યુવાનનું મોત થયું હતું. નોકરી પર જવા માટે ગાંધીનગરથી નીકળેલા બાઇકસવાર કથનને ટક્કર મારી અજાણ્યો વાહનચાલક ફરાર થઇ ગયો હતો. મૃતકના પરિવારજનોનું આક્રંદ ભલભલા પાષાણ હૃદયના માનવીને પણ પીગળાવી દે
દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગો હાલમાં સૌથી મોટા ક્રાઈસીસમાંથી પસાર થઈ રહી છે. નવા પાયલટ રુલ્સના કારણે 2 હજારથી પણ વધારે ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે લાખો મુસાફરો દેશના અલગ અલગ એરપોર્ટ પર રઝળી રહ્યા છે. આ બધું પણ એવા સમયે થઈ રહ્યું છે વિન્ટર હોલિડે સેશનમાં આ સમય પર ફ્લાઈટ્સન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)માં છેલ્લા 5 વર્ષમાં ડિગ્રી- ડિપ્લોમામાં મિકેનિકલની બેઠકોમાં 2688 અને સિવિલ એન્જિ.માં 1470 બેઠકોનો ઘટાડો થયો છે. જ્યારે કમ્પ્યુટર એન્જિ.માં 2490 બેઠકોનો વધારો થયો છે. આ વર્ષ માટે કોલેજોને બેઠકોમાં વધારો - ઘટાડો કરવાની પ્રક્રિયા પોર્ટલ પર શરૂ
આરટીઓના સારથી પોર્ટલ પરથી લોકો લર્નિંગ લાઇસન્સ માટેની ટેસ્ટ આપી શકે છે પણ 3 દિવસથી પોર્ટલ અટકી-અટકીને ચાલતાં રોજ આવતા 200થી 250 લોકોને ધક્કા ખાવા પડ્યા હતા. કામધંધા છોડીને આવતા લોકોને સર્વર ડાઉન રહેવાની સમસ્યાના કારણે હાલાકી ભોગવવી પડે છે. લોકો માટે સુવિધા ઊભી કરવાના નામે માત્
વસ્ત્રાલ આરટીઓના ડ્રાઈવિંગ ટેસ્ટમાં એઆઈ અપગ્રેડેશનની કામગીરી થવાના કારણે 11થી 17 ડિસેમ્બર સુધી ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક બંધ રહેશે. ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર એઆઈ સિસ્ટમ લગાવાયા બાદ વાહનચાલક પાસ છે કે ફેલ તેનું પરિણામ ઓટોમેટિક જનરેટ થશે. અત્યાર સુધી આ કામગીરી મેન્યુઅલી થતી હતી,
ફર્સ્ટ પર્સનજ્યારે અમે સરખેજના શકરી તળાવનો પ્રથમ સરવે કર્યો ત્યારે તેની હાલત જોઈને ખરેખર ચોંકી ગયા હતા. તળાવની આજુબાજુ દબાણો એટલાં બધાં હતાં કે અમુક જગ્યાએ પહોંચવું મુશ્કેલ હતું. ડેવલપમેન્ટના નામે અહીં કશું જ ન હતું અને તળાવ પોતાની અસલી ઓળખ ગુમાવી રહ્યું હતું. તેથી સૌથી પ
ગોતા વોર્ડમાં 43.12 કરોડના ખર્ચે તૈયાર થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં સ્વિમિંગ પૂલ સહિત વિવિધ 13થી વધારે રમતો માટેની જગ્યા તૈયાર કરાશે. 18824 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સાથે વિવિધ રમત માટે કોર્ટ પણ તૈયાર કરાશે. આ વિસ્તારના 5 લાખ કરતાં વધારે નાગરિકોને આ સ્પોર્ટ્સ
સરકારી અધિકારી પતિ સામે આવક કરતાં વધુની સંપત્તિ હોવાના કેસમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.પતિ સામે કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન એસીબીએ પત્નીનું બેંક એકાઉન્ટ પણ સીઝ કર્યું હતું. પત્નીએ એસીબીમાં અરજી કરી હતી કે તેના પતિ સાથે તેને વિખવાદ ચાલતો હોવાથી તે
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ)એ શંકાના આધારે હાથ ધરેલા ચેકિંગ દરમિયાન છેલ્લા એક મહિનામાં રૂ. 267 કરોડની દાણચોરીઓ ઝડપી પાડી છે. મુસાફરો પાસેથી મગાવેલી હાઈ-વેલ્યુ પ્રોડક્ટ્સ દસ્તાવેજો વગર લાવવામાં આવી રહી હોવાથી જપ્ત કરાય છે
ગુજરાતની 98.23 લાખ હેક્ટર જમીન ખેતી લાયક છે. વાવણીની ત્રણેય સિઝનમાં ચોમાસાની સિઝનમાં સૌથી વધુ વાવેતર થતું હોય છે. ગત ચોમાસામાં 85.57 લાખ હેક્ટરમાં વાવણીના અંદાજ સામે 84.94 લાખ હેક્ટર જમીનમાં વાવણી થઇ હતી. શિયાળુ સિઝનમાં 46.06 લાખ હેક્ટર જમીનમાં વાવણી થવાનો અંદાજ કૃષિ વિભાગે મુક્યો છે. એ
વલસાડ વર્તુળમાં આવતાં વન વિભાગમાં આંતર રાજ્ય ખેરના લાકડાની ચોરીના મસમોટા નેટવર્કનો દિવ્ય ભાસ્કરની તપાસમાં પર્દાફાશ થયો છે. વલસાડ વર્તુળમાં જ 17 વર્ષથી ચિપકેલા આરએફઓ જે.ડી.રાઠોડ અને છેલ્લા 10 વર્ષથી બેઠેલા ફોરેસ્ટરે હેતલ પટેલે લાંબા સમયનો લાભ લઇને આંતર રાજ્ય ખેર ચોરીનું ને
નમસ્તે, મોટા સમાચારોમાં જોઈએ તો બંગાળમાં TMCના ધારાસભ્યની હાકલ પર બે લાખ મુસલમાનો ભેગા થયા હતા અને બાબરી જેવી મસ્જિદનું નિર્માણ કરવા માટે ઈંટો લઈને પહોંચ્યા હતા. ઈન્ડિગોની વણસેલી સ્થિતિ થાળે પડતી જાય છે. સરકારે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. સોનિયા ગાંધીએ મોદી સરકાર પર આરોપ
આંકલાવના તાલુકાના ઉમલાવ ગામે લક્ષ્મીપુરામાં રહેતા મનુભાઈ રંગીતભાઈ પરમાર મિત્ર જગદીશભાઈ મંગળભાઈ પઢીયાર નાસ્તાની લારીએ જતાં હતા. અને રસ્તામાં એક છોકરી સાયકલ લઈને આવતી હતી. જે સાયકલ સાથે પડી ગઈ હતી અને પોતાના ઘરે જવા નીકળી ગઈ હતી. મનુભાઈ પોતાના મિત્ર જગદીશભાઈ ચાલતા ચાલતા જય
આંકલાવના ખડોલમાં ગીરવે મૂકેલી જમીનના પૈસા બાબતે 2 પરિવાર વચ્ચે મારા મારી થઇ હતી. આંકલાવ તાલુકાના ખડોલ ગામે અંબીકા ચોક વિસ્તારમાં 19 વર્ષીય ખુશીબેન રાહુલકુમાર પુરોહિત સસરા કનુભાઈને પાડોશમાં રહેતા તારકભાઈ ચંદ્રકાંતભાઈ પુરોહિત, હેમંતભાઈ ચંદ્રકાંતભાઈ પુરોહિત, જયભાઈ હેમંતભ
સરદાર પટેલ યુનિવર્સિટીનો 68મો પદવીદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં 15મી ડિસેમ્બરે 2025ના રોજ યોજાશે. પદવીદાન સમારોહમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર ડો. મિનેશ શાહ ઉપસ્થિત રહી દિક્ષાંત પ્રવચન આપશે. પદવીદાન સમારોહમાં યુનિવર્સિ
કરમસદ આણંદ મનપાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા વિવિધ વિસ્તારો ખાતે બાકી વેરો જમા કરાવવા અંગે નોટિસ આપવામાં આવી છે અને રિકવરી સંબંધે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપાવિસ્તારમાં આવેલ બાકરોલ સ્ક્વેર માં રૂ. 60 હજાર નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે 07 જેટલી દુકાન તાત્કાલિક
આણંદ જિલ્લા વીજ તંત્ર દર રવિવારે વીજકાપ મુકવાની પ્રથા યથાવત જોવા મળી રહી છે.ત્યારે વિદ્યાનગર સબ ડિવીઝન હસ્તક આવેલા નારાયણ શાલીગ્રામ, ગોકુલધામ સહિત અન્ય બે જેટલા ફિડરો રવિવારે 7 કલાક સુધી વીજ કાપ મુકવાનો નિર્ણય કર્યો છે.જેના પગલે બાકરોલ વડતાલ રોડ, કરમસદ રોડ અને ધોળાકુવા ,ગોક
આણંદના અમૂલ ડેરી રોડ એપીએમસી હસ્તકની મોટી શાકમાર્કેટમાં પાર્કિંગની કોઇ વ્યવસ્થા નથી. તેમજ સ્વચ્છતા પણ જળવાતી નથી. પાછળના ભાગે કચરાના ઢગ ખડકાતાં હોઈ ગ્રાહકોના સ્વાસ્થય સાથે ચેડા થઇ રહ્યાં છે. લોકો વાહનો રોડની સાઇડમાં પાર્ક કરતાં હોવાથી અડધા ઉપરાંત રસ્તો રોકાઇ જાય છે.જેને
સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ દ્વારા માનવ વિદ્યાભવનમાં સાઇબર સુરક્ષા અને નવા ગુનાહિત કાયદાઓનું મૂળભૂત માળખા પર કાનૂની જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાંં સમાજનને કાનૂની રીતે શક્તિશાળી બનાવતા નવા કાયદા અને તેમની ઉપયોગીતાને સમજાવવામાં
શુક્રવાર સાંજે એલસીબી પોલીસને મળેલી બાતમી આધારે સંદેશરથી પેટલાદ તરફ જવાના રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમ્યાન સફેદ કલરની કાર જેની આગળ નંબર પ્લેટ નહોતી પરંતુ પાછળના ભાગે જીજે-23, બીસી-7596ની લગાવી હતી. તે પુરપાટ ઝડપે આવતાં પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચાલકે ભગાડી મુકતા
વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન ના મુખ્ય પ્રવેશ દ્વારથી ગાયત્રી નગર સામે આવેલ દુકાનો દ્વારા માર્ગ ઉપર જ દબાણ કરી દેવામાં આવ્યા છે. જેમાં ચા નાસ્તાની દુકાનો અને લારીઓ વાળા માર્ગ પર દબાણ કરી દેતા અવર જવરમાં પણ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે મુખ્ય માર્ગ
નડિયાદમાં 3 જેટલી વર્ષો પુરાણી વાવ છે. જેમાં વણઝારી વાવ 400 વર્ષથી વધુ જૂની છે. આ ઐતિહાસિક વાવ છેલ્લા અનેક વર્ષોથી તંત્રની જાળવણીના અભાવે ખસ્તા હાલતમાં ફેરવાઇ ગઇ છે. હાલમાં વાવની દિવાલની ઇંટો તૂટી પડી છે, જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે. વર્ષોથી વાવની જાળવણી કે સફાઇ કરવામાં આવી ન હો
ડો. ભીમરાવ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી શહેરમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા બાઈક રેલી આયોજન કરાયુ હતું. આ રેલી મોરબીના ઉમિયાનગરમાંથી શરૂ થઈ મુખ્ય માર્ગો કલેકટર કચેરી, વાઘપરા, સનાળા રોડ થઈ મહાનગરપાલિકા પાસે પહોંચી હતી. જયારે ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને એસ
ગોત્રી ખાતે આવેલી જીએમઇઆરએસ હોસ્પિટલમાં વલસાડના 28 વર્ષના યુવાન મુદ્દસર શેખને આંતરડાની બીમારીમાં સારવાર દરમિયાન એક્સપાયરી ડેટનો બોટલ ચઢાવવામાં આવતા હોબાળો મચ્યો હતો. દર્દીના સ્વજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના અને અન્ય આક્ષેપો કર્યા હતા. 2025ના નવેમ્બર મહિનામાં એક્સપાય
ઇન્ડિગો એર લાઇન્સે શનિવારે વડોદરાની 6 ફ્લાઈટ રદ કરતાં સેંકડો મુસાફરો અટવાયા હતા. બીજી તરફ શિડ્યૂલ ખોરવાતાં રિટર્ન ફ્લાઇટનું બુકિંગ રદ કરાવવા વડોદરા એરપોર્ટ પર મુસાફરોની કતારો લાગી હતી. ઇન્ડિગો દ્વારા શનિવારથી ફ્લાઇટ રાબેતા મુજબ રહેશે તેવી જાહેરાત કરાયા બાદ પણ 6 ફ્લાઇટ રદ
ગોત્રીમાં માતાએ ઘરકામ કરવા મુદ્દે ઠપકો આપતાં પુત્રી રિસાઈને રાતે ઘરેથી નીકળી ગઈ હતી. જોકે ચાર રસ્તા પર કેટલાક યુવકોએ તેની છેડતી કરતાં ગભરાઈ ગયેલી દીકરીએ 181 પર ફોન કરી અભયમની મદદ માગી હતી. ટીમ તાત્કાલિક આવતાં યુવાનો ભાગી ગયા હતા. અભયમે પૂછ્યું કે, તને કેવી રીતે ખબર પડી કે મુસીબ
ડાંગ જિલ્લાના સુબીર તાલુકાની પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી અને લહાનકડમાળ ગામની ચાર વિદ્યાર્થિનીઓ શાળા છૂટ્યા બાદ સાંજે 5.30 વાગ્યાના અરસામાં મહાલ રસ્તે પોતાના ઘરે જઈ રહી હતી . આ દરમિયાન, લહાનકડમાળ ફાટક નજીક કડમાળ ગામનો રહેવાસી યુવક પ્રકાશ ઝિપરભાઈ દાહવાડ બાઇક (નં. GJ-30-B
પેરોલ–ફર્લો પર ફરાર થયેલા આરોપીઓની ધરપકડ માટે હાથ ધરાયેલા વિશેષ “ઓપરેશન કારાવાસ” અંતર્ગત તાપી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. વ્યારા પોલીસ સ્ટેશનના હત્યાના ગંભીર ગુનામાં મધ્યસ્થ જેલ લાજપોરમાંથી છેલ્લા આઠ મહિના થી ફરાર રહેલો કાચા કામનો આરોપી મહુવા ભાવનગર ખાતેથી ઝડપી લ
વ્યારા ના નગરમાં એસ ઓ જી ની ટીમ એક મહિલાના દ્વારા ઘરે 348 ગ્રામ ગાંજો સાથે મહિલાની અટક કરી હતી બીજા દિવસે એક આરોપીની અટક કરી હતી.જે બાદ આ પ્રકરણની વધુ તપાસ કરતા વ્યારા પોલીસે ત્રણ આરોપીની અટક કરી હતી. વ્યારા મગદુમનગર (મહાદેવનગર) વિસ્તારમાં રહેતી ચંદાબેન સુકલાલ જાધવ (ઉ.વ. 64) ના મકા
સુરત-ધુલિયા નેશનલ હાઇવે પર ઉચ્છલ નજીક બેડકી નાકા ચેકપોસ્ટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક ટેન્કર પૂરઝડપે હંકારતા તે ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાયું હતું, જેના પરિણામે ચાલક કેબિનમાંથી પટકાયો હતો અને ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. ઉચ્છલ પોલીસ લાઇન ખાતે ફરજ બજાવતા કોન્સ્
ધીમે ધીમે શિયાળો પોતાનો રંગ દેખાડી રહ્યો છે. ઘણા પરિવાર એવા છે જેમના માથા પર પાકી છત નથી આવા લોકો ફૂટપાથ કે અન્ય વિસ્તારમાં ઠંડીથી બચવા ઝઝૂમી રહ્યા છે ત્યારે આવા લોકોને રાત્રીના પાકી છત મળી રહે તે જરૂરી છે. તાજેતરમાં દિવ્ય ભાસ્કર દ્વારા ઠંડીમાં સુતેલા લોકોને તેમના માટે શરુ

25 C