ભારતીય સૈન્યની કોનાર્ક કોર્પ્સ અને ગુજરાત સરકાર વચ્ચે નાગરિક-સૈન્ય સમન્વયને વધુ મજબૂત બનાવવા માટે 8 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સચિવાલય ખાતે નાગરિક-સૈન્ય મિલન સંમેલન યોજાયું હતું. ‘હર કામ દેશ કે નામ’ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષા, સંકલન અને નીતિગત
આણંદ કૃષિ યુનિવર્સિટી અને એક્સ્ટેન્શન એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ, આણંદના સંયુક્ત ઉપક્રમે નવનિયુક્ત 73 મદદનીશ પ્રાધ્યાપકો માટે પાંચ દિવસીય ઇન્ડક્શન તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. કુલપતિ ડૉ. કે. બી. કથીરિયાના માર્ગદર્શન હેઠળ આ તાલીમ યાજ્ઞવલ્ક્ય હોલ, આણંદ ખાતે આયોજિત કરવામાં આવી
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઐતિહાસિક કૃષિ રાહત પેકેજને આવકાર્યું છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. કુદરતી આફતો અને અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાનના કપરા સમયે ર
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે નાથદ્વારામાં આધુનિક “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તેમણે શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કર
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના હિન્દુ સંગઠને આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રાજમહેલ મોલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાને લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોએ પર્દાફા
રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથ
સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ગણોત ખેડૂત (ભાગ્યાને)ને રૂપિયા 7,500ની સહાય કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે, તેવા 7500 ખેડૂતને સહાય આફવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ પિયુ
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ આ ખરીદી પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા રાજ્ય સરકાર વતી આજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે મગફળી માટે પ્રતિ મણ રૂપિયા 1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે હાલના બજારભાવ કરતાં મણ દીઠ લગભગ 400 વધુ હોવાથ
ભાવનગર જિલ્લામાં કુલ 5 એપીએમસી સેન્ટરો જેમાં ભાવનગર,મહુવા,ગારીયાધાર તળાજા અને પાલીતાણા માર્કેટિંગ યાર્ડ ખાતે શુભમુહૂર્તમાં મગફળી,અળદ ,મગ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના તમામ સેન્ટરો પર હાલ પ્રથમ દિવસે 10-10 ખેડૂતોને ફોનથી જાણ કરી બોલાવ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થવાની ગંભીર ઘટના સામે આવી છે. દિવાળીના વેકેશનમાં નેપાળ ફરવા ગયેલા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશી (ધોરણ 11, વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ)નો ને
દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ દાહોદ ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. દેવગઢ બારીયા અને આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી વહન કરતા 14 ટ્રક અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં રેતી સહિત આશરે ₹2 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બાર
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે,કારણ કે સરકારની યોજના મુજબ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીન સહિતની જણસીઓની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ખરીદીના પ્રથમ તબક્કામાં કુલ 42 કેન્દ્રો માંથી 17 સેન્ટરો પર ખરીદીનો પ્રારંભ કરવ
કચ્છના ભચાઉ રેલવે સ્ટેશન પર ભુજ-બરેલી ટ્રેનના ગાર્ડ કોચમાં ધુમાડો નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને કારણે ટ્રેન લગભગ 30 મિનિટ સુધી ભચાઉ સ્ટેશને ઉભી રહી હતી. ઈકાલે રાત્રે ભુજથી બરેલી જતી ટ્રેન નંબર 14322 ભચાઉ પહોંચી ત્યારે ગાર્ડ કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
મહેસાણામાં SIR હેઠળની મતદાર યાદીની કામગીરી મુદ્દે શિક્ષકોએ વાંધો વ્યક્ત કર્યો છે. મહેસાણામાં શિક્ષકોના પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળની મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પડતી તકલીફો અંગે વાંધો વ્યક્ત કરીને ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કર
રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા પારડી શહેરમાં હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત પારડીના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 1100થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ ત્રીજી વખત રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરન
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 2 કેન્દ્રો પર આ ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણ 1452 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવશે. પ્રથમ દિવસે 50 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. દરેક ખેડ
પાટણ જિલ્લા પંચાયતની એક મહત્વની ખાસ સભા પ્રમુખ હેતલ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પરના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મહેસુલ વર્ષ 2020-21 થી 2023-24 સુધીના જમીન મહેસુલ લોકલ ફંડ સેસની ₹1.57 કરોડ ઉપરાંતની ગ્રા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામના તળાવમાંથી 6 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં આ બાળક અગાઉ ત્રણ દિવસ પહેલા ગુમ થયું હતું અને તે બાબતે પરિવારે સાવલી પોલીસને જાણ કરી હતી. દરમ્યાન ગત રોજ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા સાવલી પોલીસે વધ
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી પ્રતિ મણ ₹1452 ના ભાવે મગફળી ખરીદવામાં આવશે. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળી ખરીદી શકાશે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરા
બોટાદ LCB પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. આ મામલે કુલ ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCB દ્વારા 6 પૈકી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો સામે ઓનલાઈન છેતરપિંડીની અરજીઓ મળ્યા બાદ તેમની પૂછપરછ કરવામા
ગાંધીનગરનો ઘ 4 અંડરબ્રિજ પસાર કર્યાં પછી બાદ ઉપર ચડતી વખતે રીક્ષા ચાલકે પોતાની રિક્ષા પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારતા રીક્ષા ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. ગઈકાલે મોડી સાંજે સર્જાયેલા આ અકસ્માતમાં રીક્ષા ચાલકનું માથું ડીવાઈડર સાથે અથડાવાથી તેનું મૃત્યુ નીપજ્યું
વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર્વ ઝોન વિસ્તારમાં ગોવર્ધન પાર્ક ચાર રસ્તાથી નિલક્ષ સિટાડેલ કોમ્પ્લેક્સ થઈને રાજીવનગર નાળા પાસે ટ્રંક લાઈન સુધી નવી ડ્રેનેજ લાઈન મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેને લઈ રોડ રસ્તો બંધ રહેશે. નવી ડ્રેનેજ લાઈન મૂકવાની કામગીરીથી રસ્તો બંધઆ
સુરતના રાંદેર-ગોરાટ રોડ પર આવેલા જૈનબ બંગલામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને પગલે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. શનિવારે મોડી રાત્રે આગની ઘટના બનીપ્રા
પોરબંદર જિલ્લાના ઠોયાણા ગામે રામ મંદિર પાસે એક નકલી ડોક્ટર ઝડપાયો છે. વિપુલ બટુકભાઈ સત્યદેવ નામનો આ ઇસમ કોઈ પણ પ્રકારની તબીબી ડિગ્રી કે લાઇસન્સ વિના ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. સ્થાનિક લોકોની શંકાના આધારે રાણાવાવ પોલીસે કાર્યવાહી કરી તેને પકડી પાડ્યો હતો. આરોપી વિપુ
નવા વર્ષની પ્રથમ હરિજયંતિ નિમિત્તે પાટડીના ર્ણીન્દ્રધામ મંદિરમાં વર્ણીપ્રભુનો દિવ્ય અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મંદિરના પોતાના બગીચામાં ઉગાડેલા ગલગોટા અને ગુલાબના ફૂલોની 150 કિલો પાંદડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ધર્મવલ્લભદાસ સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, આનંદસ્વર
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે રાહતના સમાચાર છે. નાફેડ દ્વારા આજે રાજુલા, સાવરકુંડલા, ખાંભા, ધારી અને બગસરા સહિત પાંચ કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદીથી ખેડૂતોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મગફળીની ખરીદી પ્રતિ
સુરત શહેરના મહિધરપુરા વિસ્તારમાં આવેલા રેલવે સ્ટેશન નજીકના બે ગેસ્ટ હાઉસમાં ચાલી રહેલા દેહવ્યાપારના ધંધા પર એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU) દ્વારા મોટા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં બે બાંગ્લાદેશી સહિત કુલ પાંચ મહિલાઓને મુક્ત કરાવવામાં આવી છે. પોલીસે બે સંચાલક
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2019 થી સાંસદ ખેલ મહોત્સવ સમગ્ર દેશમાં શરૂ કરાવવામાં આવ્યો હતો. રાજકોટમાં પુરૂષોતમ રૂપાલા લોકસભાના સાંસદ બન્યા બાદ પ્રથમ વર્ષે આ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જોકે કાર્યક્રમના ઉદ્ઘાટક કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અન
ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2019માં ‘ફિટ ઇન્ડિયા અભિયાન’ની શરૂઆત કરી હતી, જેનો મુખ્ય હેતુ દેશવાસીઓની જીવનશૈલીમાં સ્વસ્થ અને હકારાત્મક પરિવર્તન લાવવાનો છે. પ્રેરણા રૂપ બનેલી એક અનોખી પહેલ રૂપે આ અભિયાન અંતર્ગત સાયકલિસ્ટ દ્વારા ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જ
શહેરના વટવા વિસ્તારમાં નવાપુરા પાસે દરબાર નગરમાં રાત્રે પિતા અને પુત્ર સહિતના લોકો દ્વારા મકાન અને વાહનમાં આગ લગાવવાની ઘટના બની હતી. ઘરની પાસે પડેલા લાકડા બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને બોલાચાલી બાદ વાહનમાં આગ લગાડી દેવામાં આવી હતી. ત્યારબાદ બાઈકનું સીટ કવર ઘરમાં ફેકતા
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિને 'જનજાતીય ગૌરવ વર્ષ' તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અંતર્ગત અંબાજીથી શરૂ થયેલી જનજાતીય ગૌરવ રથયાત્રા યાત્રાધામ શામળાજી પહોંચી હતી, જ્યાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. શામળાજીમાં ભગવાન બિરસા મુંડાના જીવન અને સંઘર્ષો પર આધારિ
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના નવા અવિધા ગામે રાજપારડી પોલીસે દારૂ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો રૂ. 72,240 નો જથ્થો જપ્ત કર્યો છે અને બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધ્યો છે. રાજપારડી પોલીસ સ્ટાફ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર સતત
બનાસકાંઠાના ધાનેરાના મૂળ વતની અને હાલ નવસારીમાં રહેતા હિતેશ રાજપૂતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ફાઇનલની પરીક્ષા પ્રથમ પ્રયાસમાં જ પાસ કરીને નવસારી જિલ્લામાં પ્રથમ રેન્ક મેળવ્યો છે. સામાન્ય પરિવારમાંથી આવતા હિતેશની આ સિદ્ધિથી તેના માતા-પિતા ગૌરવ અનુભવી રહ્યા છે. તેના પિતા ઉત
કચ્છ જિલ્લામાં શિયાળાની ધીમી શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને સંધ્યાકાળ બાદ લોકો ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવામાન વિભાગના સત્તાવાર આંકડા મુજબ, સરહદી નલિયાનું લઘુતમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતુ
આણંદ જિલ્લાના મનરેગા લોકપાલ સુનિલકુમાર વિજયવર્ગીય આવતીકાલે, 10 નવેમ્બર, સોમવારના રોજ પેટલાદ ખાતે ગ્રામજનોની ફરિયાદો સાંભળશે. તેઓ બપોરે 1:30 થી 2:30 કલાક દરમિયાન તાલુકા પંચાયત કચેરી, પેટલાદ ખાતે ઉપસ્થિત રહેશે. ગ્રામજનો મનરેગા યોજના સંબંધિત કોઈપણ રજૂઆત કે ફરિયાદ હોય તો રૂબરૂ મળી
બનાસકાંઠાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગ્નેશ ચૌધરીને તેમના વતન અને આસપાસના ગામોમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મોટી ગીડાસણ, ચુડાસણ, રૂપાલ સહિતના ગામોમાં કેન્ડલ માર્ચ યોજી શહીદને યાદ કરાયા હતા. આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં યુવાનો, વડીલો, મહિલાઓ અને બાળ
દાહોદ શહેરને વર્ષ 2016માં ભારત સરકારની મહત્વાકાંક્ષી સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ત્રીજા રાઉન્ડમાં સ્માર્ટ સિટી તરીકે પસંદગી પામ્યું હતું. ત્યારથી આજે નવ વર્ષ વીતી ગયા છતાં શહેરના અનેક વિસ્તારોમાં સ્માર્ટનેસનો કોઈ અણસાર નથી. ખાસ કરીને વોર્ડ નંબર 3ના સ્ટેશન રોડ પાસે આવેલી મા
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. વહેલી સવારે અને રાત્રિના સમયે ગુજરાતના અલગ અલગ શહેરોમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. રાજ્યના 17 જેટલા જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે. ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું સૌથી નીચું તાપમાન ગાંધીનગરમાં 14 ડ
ગુજરાત ATS દ્વારા આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ શખ્સની અડાલજ પાસેથી ધરપકડ કરવામાં આવી છે. ATSની ટીમને બાતમી મળી હતી કે, કેટલાક શખ્સો આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે જેથી તેના ઉપર વોચ રાખવામાં આવી હતી. જે બાદ ATSની ટીમ દ્વારા ISIS સાથે જોડાયેલા ત્રણેય આતંકીઓની ધરપકડ કરવામાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ખેડ તસીયા રોડ પર આવેલી શારદાકુંજ સોસાયટીમાં એક ધોબીની દુકાનમાં ગત રાત્રે અચાનક આગ લાગી હતી. આ ઘટનામાં દુકાનનો સરસામાન અને ગ્રાહકોના કપડાં બળીને ખાખ થઈ ગયા હતા. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. હિંમતનગર નગરપાલિકાના ફાયર
કમોસમી વરસાદે રાજ્યભરના 16000 ગામના 13 લાખ ખેડૂતોની હાલત દયનિય બનાવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ ગત વર્ષોની સરખામણીએ વધુ રાહત પેકેજ મંજૂર કરી 10 હજાર કરોડનું રાહત પેકેજ મંજુર કર્યું છે. તેમ છતાં ખેડૂતોમાં હજુ પાક નુકસાન વળતર, દેવું સંપૂર્ણ માફ, પાક વીમો શરૂ કરવો, નકલી બિયારણ-દવાઓ મા
કચ્છના લખપત તાલુકાના ભાડરા ગામમાં 14 વર્ષના બાળક રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં સ્માર્ટફોન ફાટવાની ઘટના બની છે. આ ઘટનામાં બાળકને સામાન્ય ઈજા થઈ હતી. બાળકે મોબાઈલ ફોન પોતાના પેન્ટના ખિસ્સામાં રાખ્યો હતો. થોડી જ ક્ષણો બાદ ફોન અચાનક ધડાકા સાથે ફાટ્યો હતો. ફોન ખિસ્સામાંથી કાઢી
બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગત રાત્રિ દરમિયાન વિદેશી દારૂ ભરેલી હ્યુન્ડાઈ i20 ગાડી ઈકો કાર સાથે અથડાઈ હતી. પોલીસે પીછો કરતા આ ઘટના બની હતી, જેમાં ગાડીમાં સવાર બે વ્યક્તિમાંથી એક ફરાર થઈ ગયો હતો જ્યારે બીજાને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા i20 ગાડીનો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટી-20 શ્રેણી પૂર્ણ થયા બાદ હવે રાજકોટમાં ક્રિકેટ ફીવર શરૂ થવા જઈ રહ્યો છે, જ્યાં ભારત-એ અને સાઉથ આફ્રિકા-એ ટીમ વચ્ચે રાજકોટમાં રમાનારી ત્રણ વનડે મેચની શ્રેણી 13 નવેમ્બરથી શરૂ થશે. આ માટે બંને ટીમના ખેલાડીઓનું આવતીકાલે, 10 નવેમ્બર 2025ના રોજ, રાજકોટમાં આ
પાટણ શહેરમાં પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજીનો સપ્તરાત્રી મેળો ચાલી રહ્યો છે. આ મેળામાં પ્રજાપતિ સમાજ સહિત મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે અને ભગવાનના દર્શનનો લાભ લઈ રહ્યા છે. છેલ્લા છ દિવસથી ચાલી રહેલા આ રાત્રી મેળામાં હજારો દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડતાં મેળાન
છોટા ઉદેપુર જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ ઠંડીનો પારો ગગડ્યો છે. કડકડતી ઠંડીથી બચવા માટે લોકો તાપણાનો સહારો લેવા મજબૂર બન્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ આજે અચાનક ઠંડીમાં વધારો થયો છે. આજે વહેલી સવારે 6 વાગ્યે તાપમાન ઘટીને 18 ડિગ્રી સે
વલસાડમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિ સાથે ₹1.30 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે વલસાડ શહેર પોલીસ મથકે મીત ટ્રાવેલ્સના સંચાલક ઈશ્વરભાઈ ભરૂચા વિરુદ્ધ BNSની કલમ 318(4) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદી પ્રવિણ પટેલ ડ્રાઇવર તરીકે કાર્યરત છે. આશરે એક વર્ષ પહેલા તેઓ વિદે
અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાદ રાજ્ય સરકારે 10 હજાર કરોડ રૂપિયાનું રાહત પેકેજ જાહેર કર્યું છે. જોકે, આ પેકેજમાં માછીમારોને બાકાત રાખવામાં આવતા અમરેલીના જાફરાબાદ સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાગ
વલસાડ જિલ્લામાં ₹5.29 કરોડથી વધુ કિંમતનો 1.99 લાખથી વધુ વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. આ દારૂ 1લી જુલાઈથી 30મી સપ્ટેમ્બર, 2025 દરમિયાન પ્રોહીબિશન એક્ટ હેઠળ ઝડપાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા કડક ચેકિ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ફ્લેટમાં આધેડ સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા. ત્યારે રાત્રિ દરમિયાન એન્ટ્રી કર્યા વગર એક ડિલિવરી બોય ફ્લેટ અંદર પ્રવેશતા તેને અટકાવતા રોષે ભરાયો. બોલાચાલી બાદ ડિલિવરી બોય અને બહારથી આવેલા તેના પિતાએ મળીને ગાર્ડને માર માર્યો અને મ
પાલનપુર થી જગાણા ગામ તરફ જતા ગોબરી રોડ પર માર્કેટ યાર્ડ નજીક જાહેર માર્ગ પર કચરો ઠાલવવામાં આવે છે જોકે આ કચરો ઉઠાવવા માટેની સેનિટેશન વિભાગ દ્વારા કોઈ વ્યવસ્થા ન હોવાથી સ્થાનિક રહિશો રોજ અહીં કચરો બાળીને પ્રદુષણ સર્જે છે. આસપાસની સોસાયટીના રહીશોએ આક્રોશ વ્યક્તિ કરતાં જણાવ
અમીરગઢ તાલુકામાં શિયાળુ પાકની વાવણી જોરશોરથી ચાલી રહી છે. ઘઉં, બટાકા, રાયડો અને એરંડા જેવા પાક માટે યુરિયા ખાતરની માંગમાં ભારે વધારો થયો છે. પરંતુ હાલ તાલુકાના વિવિધ ખાતર ડેપો પર ખાતરની અછતના કારણે ખેડૂતો લાંબી કતારોમાં ઉભા રહીને ખાતર મેળવવા મથામણ કરી રહ્યા છે. અમીરગઢ તાલુક
પાલનપુર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા વધુ અસરકારક બને તે માટે નવા સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેને લઇ મીરા ગેટ બગીચો તોડીને હવે અહીં અંડરગ્રાઉન્ડ સંપ બનાવવામાં આવનાર છે. જેને લઇ એજન્સી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાના સૂત્રોએ જણાવ્
સમી રાધનપુર હાઇવે પર વરાણા પીકઅપ સ્ટેન્ડ નજીકથી એલસીબીએ રૂ.2,58,960ના પર પ્રાંતીય દારૂનો જથ્થો ભરેલી ક્રેટા ગાડી પકડી પાડી હતી. દારૂ સાથે રાજસ્થાનના એક શખ્સની ધરપકડ કરી હતી. જોકે દારૂનો જથ્થો ભરી આપનાર સહિત ત્રણ શખ્સો વોન્ટેડ છે. પાટણ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે મળેલ
રાધનપુર વિસ્તારમાં આવેલા સોલાર પ્લાન્ટ માંથી ચોરાયેલા કેબલ સાથે રાધનપુર પોલીસે ચાર શખ્સોને પકડી પાડ્યા હતા તેમની પાસેથી રૂ.35,000નો કેબલનો જથ્થો જપ્ત કર્યો હતો. આરોપીઓએ સોલાર પ્લાન્ટમાંથી કેબલની ચોરી કરી રાધનપુરમાં ભંગારના વાડામાં આપી દીધો હતો. રાધનપુર પોલીસની ટીમ પેટ્રોલ
પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કરવા માટેનું પાલિકાનું જેટીંગ મશીન શહેરમાં ઉપયોગ કરવાના બદલે શહેરથી દૂર અન્ય જિલ્લાનાં ગામે મોકલાતા હોવાની રાવ સાથે શહેર કોંગ્રેસે નિયમ વિરુદ્ધ મશીન મોકલવા બદલ કાર્યવાહી કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટણ શહેર કોંગ્રેસ દ્વા
ઉત્તર ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો માહોલ સતત ઘેરાતો જાય છે. રાત્રીના તાપમાનમાં રોજબરોજ ઘટાડો નોંધાતાં લોકો હવે ધ્રુજાવતી ઠંડીનો અનુભવ કરવા લાગ્યા છે. શનિવારે પણ અડધા ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો, જેના પરિણામે મુખ્ય પાંચ શહેરોમાં રાત્રીનું તાપમાન સરેરાશ 15.5 ડિગ્રી સુ
પાટણના નવા બસસ્ટેન્ડ પાસે ગુરુવારે સાંજે ડમ્પર અને એક્ટિવા વચ્ચે અકસ્માતમાં એક્ટિવા ચાલક 25 વર્ષીય યુવાનનું ગંભીર ઇજાઓ થતાં મહેસાણાની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના પોશીના તાલુકાના
પાટણ નગરપાલિકામાં સામાન્ય સભામાં એજન્ડા ઉપર કામોના લેવાના મુદ્દે સત્તા પક્ષ ભાજપની બોડીમાં શરૂ થયેલો વિવાદ શાંત પડવાના બદલે હવે બે જૂથમાં આમને સામને આવી એકબીજા ઉપર ગંભીર આરોપો મૂકી બન્ને જૂથ અલગ અલગ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખને કાર્યવાહી અંગે રજૂઆત કરતા વિવાદ વધુ વક
હાલ પાલાવાસણા-કાલરી હાઇવેને ફોરલેન બનાવવાનું કામ ચાલી રહ્યું છે અને મીઠાથી કાલરી સુધીના રોડ પર ગણ્યે ગણાય નહીં તેટલા ખાડા પડેલા છે. જેને કારણે એસટી સહિતનાં વાહનોને સર્પાકાર ચલાવવા પડે તેવી જોખમી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં શનિવારે બપોરે બલોલ પાસે રોડ પર પાઇપલાઇન માટ
મહેસાણા રેલવે સ્ટેશન પર આવેલા મહિલા અને પુરુષ શૌચાલય છેલ્લા 10 દિવસથી તાળાબંધ હોવાથી મુસાફરો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. ખાસ કરીને મહિલા મુસાફરો માટે આ સ્થિતિ વધુ તકલીફજનક બની છે. સ્ટેશન પર આવનારા મુસાફરોને સ્વચ્છતા અને આરામની સુવિધાનો અભાવ અનુભવાઈ રહ્યો છે. મુસાફરોએ ર
દેત્રોજ પોલીસ નાઈટ રાઉન્ડ પ્રેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સાથે બાતમી આધારે કટોસણ રોડ બજારમાંથી ગાડીમાં વિદેશી દારૂની બોટલ નંગ-1080 કિં. 3.67 લાખનો મુદ્દામાલ સાથે કુલ કિં.18,97,200ના મુદ્દામાલ સાથે ભજનલાલ બાબુલાલ બિશ્નોઈ (32) સો. રોહિલા વેસ્ટ તા.ધોરીમના જિ.બાડમેર રાજસ્થાન અને મુકેશ ભગવ
કમોસમી વરસાદે મહેસાણા જિલ્લાની 68907 હેક્ટરના પાકને અસરગ્રસ્ત કર્યો છે. જ્યારે 27686 હેક્ટરના પાકને 33% કે તેથી વધુ નુકસાન થયું છે. પાક નુકસાનીના સર્વે બાદ શુક્રવારે સરકારે રૂ.10 હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. ચાર મહિનાની માવજત બાદ છેલ્લી ઘડીએ ખેડૂતોના મોંનો કોળિયો કમોસમી
ડૉ.મેહુલ જાનીને ડેન્ટલ ટ્રિટમેન્ટ ક્ષેત્રે ઓરલ રિહેબિલિટેશનમાં ક્રાંતિ લાવી રહેલી આધુનિક કોર્ટિકોબેસલ (KOS) ઇમ્પ્લાન્ટ્સ ટેક્નોલોજી પર એક વિશેષ કોર્સ લેવા માટે સ્પેન ખાતે વક્તા અને ટ્રેનર તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ આંતરરાષ્ટ્રીય આમંત્રણ ખરેખર ભાવનગર માટે ગૌરવ
ભાવનગર જિલ્લામાં આડાસંબંધની શંકાએ ધાક ધમકીના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેથી દાંમ્પત્ય જીવનમાં પણ ખલેલ સર્જાઈ છે. આવો જ એક કિસ્સો તળાજામાં તાજેતરમાં નોંધાયો હતો. તળાજા પંથકમાં રહેતા એક મહિલાને તેના ખેતર માલિક સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી કઠવા ગામે રહેતો ઘનશ્યા
સિહોર નગરપાલિકા પાછળના ભાગમાંથી ભાવનગર રાજકોટ રોડનો ડાયવર્જન અહીં કાઢવામાં આવેલ ત્યારે પણ ખૂબ મરામત કર્યા બાદ વાહનો ચાલતા થયા હતા તેમજ પાણી લાઇન,ગટર લાઇન વગેરેના ખોદકામ બાદ હાલ આ રોડ અત્યંત ખરાબ થઈ ચૂક્યો છે નાના વાહન ચાલકો વારંવાર વાહનો પરથી ગબડી રહ્યા છે એક બાજુ ગટરના પ
મહુવા શહેરના વોર્ડ નં.1-2-3 માં ડ્રેનેજ લાઇન તથા કચરો ઉપાડવા તથા વિવિધ પ્રશ્ને આપ દ્વારા મહુવાના ચીફ ઓફિસરને પત્ર લખી રજુઆત કરવામાં આવેલ છે. મહુવા શહેરના વોર્ડ નં.1 માં ડ્રેનેજ કનેક્શન તેમજ ડ્રેનેજ લાઇનનો તથા પાણીની લાઇનોનું ખોદકામ કરેલ છે પરંતુ તેનું પુરાણ કે આવી જગ્યાઓ ઉપર ગ
વલભીપુર નગર પાલિકામાં અરૂણાબેન અશોકભાઇ વેગડ નોકરી કરતા હોય અને જે નગરાપાલિકામાં ટાઇમસર નોકરીમાં હાજર થતાં ન હોય જેથી નગરપાલિકાના મુકાદમ સુનીલભાઇ રાજેશભાઇ વેગડે નોકરીમાં સમય મુજબ આવવાનું કહેતા, અરૂણાબેનના પતિ અશોકભાઇ ઉર્ફે વીલીયમ બાલાભાઇ વેગડ અને તેમના પુત્ર પારસ અશોક
ચિત્રકુટધામ તલગાજરડામાં યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના
પાલીતાણા શહેરમાં ઉતી થયેલી ગટર ઉભરાવાની ગંભીર સમસ્યાને લઈને નગરપાલિકા વિપક્ષ નેતા દ્વારા ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તંત્રની બેદરકારીને કારણે શહેરમાં ઊભા થયેલા રોગચાળાના ગંભીર ભય અંગે તાત્કાલિક ધ્યાન દોર્યું હતું વિપક્ષ નેતા કિરીટ સાગઠીયાએ જણાવ્યું હતું કે, છેલ્લ
મહુવા શહેરમાં ભારે વરસાદ પડતા શહેર અને તાલુકામાં પાણીનું સ્તર જમીનના તળ ઉંચા આવેલ છે. શહેરમાં છેલ્લા એકાદ માસથી કોમર્શિયલ બિલ્ડીંગોના બેઝમેન્ટમાં પાણી ભરાતા મોટર દ્વારા પાણી રોડ રસ્તાઓ ઉપર વહેતુ મુકવામાં આવે છે જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે અને રોગચાળો ઉભો થાય તેવી શહેર
ભાવનગર જિલ્લાના સિહોર જી.આઇ.ડી.સીમાં આવેલ નવભારત રોલીંગ મીલના મેનેજરે ત્રણ વેપારી દલાલ, ટ્રાન્સપોર્ટર સાથે મળી કંપનીમાંથી બીલ મુજબના વજનનું લોખંડ ટ્રકોમાં ભરાવાને બદલે તેના કરતા વધારે વજનનું લોખંડ ટ્રકોમાં ભરાવી, ઉપરના વજનનું લોખંડ બારોબાર વેચાણ કરી, કંપનીના માલિક સાથે
ગાંધીનગરથી બાઇક ઉપર બનાસકાંઠાના કીડોતર ગામે વતન જવા નીકળેલા પરિવારનું બાઈક ઐઠોર ચોકડી નજીક ગાય સાથે અથડાઈને સ્લીપ ખાઈ જતાં સવાર પત્નીનું મોત નીપજ્યું હતું. જ્યારે પિતા, પુત્રને ઇજા પહોંચી હતી. અકસ્માત અંગે ઉનાવા પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધ્યો છે. અમીરગઢ તાલુકાના કીડો
બોરડીગેટ વિસ્તારમાં મેલડી માતાના મંદિરવાળા ખાંચામાં રહેતા મહેશભાઇ બચુભાઇ રાઠોડની માલિકીના મકાને જુની અદાવતની દાઝ રાખી સુનિલ, નિતો, હાર્દિક અને અમન તેમજ અજાણ્યા શખ્સો ધસી આવી, ઘર ખાલી કરવાનું કહી, મકાનને આગચાંપી દેતા ભારે ભયનો માહોલ સર્જાયો હતો. મકાનમાં આગ લાગતા આગની ભયાવ
પાલિતાણા ક્ષેત્રીય વન વિભાગમાં પાલિતાણા રાઉન્ડ હેઠળ શેત્રુંજય ડુંગર તરીકે ઓળખાતા અને તેની આજુ-બાજુના આદપુર, ઘેટી, જીવાપુર, રોહીશાળા, ગણધોળ, ડુંગરપુર જેવા ગામોના ગૌચરણ તથા માલિકીના ડુંગરના સર્વે નંબર આવેલા છે. સિંહ, દીપડા, ઝરખ તેમજ અન્ય હિંસક પ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. શેત્
સિરીઝ ઓફ ચેકડેમ અંતર્ગત રૂપેણ નદી ઉપર મહેસાણા તાલુકાના મોટીદાઉ તથા પાલોદર ગામે ચેકડેમનું કામ એકાદ મહિનામાં હાથ ધરાનાર છે. જેથી કામ શરૂ થયેથી પૂર્ણ ન થાય ત્યાં સુધી રૂપેણ નદીમાં સિંચાઇ માટે પાણી છોડવામાં નહીં આ વે તેવી જાહેરાત સુજલામ સુફલામ પેટા વિભાગ-6 મહેસાણા દ્વારા કરાઇ
ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ રચના ફ્લેટમાં એકી સાથે બે ફ્લેટના તાંળા તોડી કોઇ અજાણ્યો શખ્સ સાડા ચાર લાખથી વધુની મત્તાના ઘરેણાંની ચોરી કરી ફરાર થઇ જવાની ઘટના બનતા જેની નિલમબાગ પોલીસ મથકમાં અજાણ્યા તસ્કર વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. જે પગલે પોલીસે તપાસ હાથ ધરતા ર
ભાવનગર શહેરના રબર ફેક્ટરી પાછળ પિતાના ઘરે રિસામણે રહેતા શિફાબેન અલ્ફાઝભાઈ લાખાણી ના લગ્ન એકાદ વર્ષ પહેલા અમદાવાદ સરખેજ મુકામે રહેતા સલીમભાઈ હબીબભાઈ લાખાણી ના દીકરા અલ્ફાજ સાથે થયા હતા. બાદ તેના પતિ અલ્ફાઝભાઈ સલીમભાઈ લાખાણી, સસરા સલીમભાઈ હબીબભાઈ લાખાણી, સાસુ યાસ્મીનબેન સ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કર્યા બાદ ડિગ્રી ઇજનેરી ડિગ્રી કે ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજિયાત કરવામાં આવી છે. આગામી વર્ષે બોર્ડની પરીક્ષા લેવાયા
મહેસાણા-1ની જેમ -2માં પણ ટીબી રોડ પર આવેલા નવરંગ ગ્રાઉન્ડ ખાતે રૂ.19 કરોડના ખર્ચે મહાનગરપાલિકા દ્વારા બીજું વધુ એક સ્પોર્ટસ સંકુલ બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેને મનપાના વહીવટદાર એવા જિલ્લા કલેક્ટરે મંજૂરી આપી છે. નવરંગ ગ્રાઉન્ડમાં જ્યાં પહેલા નવરાત્રી થતી હતી, ત્યાં મહાન
શહેરના કાળીયાબીડ વિસ્તારમાં ભગવતી સર્કલ પાસે આવેલ અષ્ટ વિનાયક સિધ્ધિ વિનાયક મંદિરે શનિવારે વર્ષ 2082ની પ્રથમ સંકટ ચતુર્થીની ઉજવણી હજારો ભકતોના ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી અને સંકટ હરનારા દાદા પાસે આવીને શિશ નમાવ્યા.ભાવનગર જિલ્લામાં એક માત્ર કાળીયાબીડમાં ગણપતિ મંદિર અષ
ચિન્તેષ વ્યાસ, પ્રમોદ શાહ મહેસાણા મહાનગર પાલિકાની હદમાંથી પસાર થતી લગભગ 12 કિલોમીટર લાંબી ખારી નદીના અસ્તિત્વ, પ્રદૂષણ અને દબાણ અંગે મહેસાણાના આરટીઆઇ એક્ટિવિસ્ટ કૌશિક પરમારે જાહેર માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી માંગી હતી. જળસંપતિ નિગમ, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને મહાન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.29 ફેબ્રુઆરીથી ધો.10, સંસ્કૃત પ્રથમા અને ધો. 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમા પરીક્ષાનો આરંભ થશે. આ પરીક્ષા 16 માર્ચ સુધી લેવામાં આવશે. આ પરીક્ષ
સરદાર સરોવર નર્મદા ડેમ નજીક ગોડબોલે ગેટની સફાઈ કરનાર કર્મચારી પર અચાનક મગરે હૂમલો કરી દેતા કર્મચારી ઘાયલ થયો હતો.તેને સારવાર અર્થે એકતાનગરના ટ્રોમાં સેન્ટરમાં લઈ જવાયો હતો અને ત્યાંથી વધુ સારવાર અર્થે રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયો હતો. નર્મદા ડેમ ખાતે કામ કરતો
છત્તીસગઢના નેતા અમિત બધેલે ભગવાન સાઈ ઝુલેલાલજી અને સિંધી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણીને કારણે ભરૂચ સહિત દેશભરના સિંધી સમાજમાં રોષ જોવા મળ્યો છે.29 ઓક્ટોબરના રોજ અમિત બધેલે સોશિયલ મીડિયા પર ભગવાન સાઈ ઝુલેલાલજી વિશે અભદ્ર અને આક્ષેપાત્મક શબ્દોનો ઉપયોગ ક
અરબી સમુદ્રમાં સર્જાયેલી ડિપ્રેશનની અસર ઘટવાથી વાતાવરણમાં ભાવનગર શહેરમાં હવે ભેજનું પ્રમાણ ઘટ્યું છે અને સૂકા તેમજ ઉત્તરના ઠંડા પવન શરૂ થતાં શહેરમાં ઠંડીનો પારો એક દિવસમાં વધુ એક ડિગ્રી સેન્ટીગ્રેડ ઘટીને આજે 19.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા રાતના સમયે અને વહેલી સવારે ઠંડીન
સમગ્ર ભારતમાં 160 વંદે ભારત ટ્રેનોનું સંચાલન કરવામાં આવી રહ્યું છે અને જામનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, ઓખા, વેરાવળને તેની ફાળવણી કરવામાં આવેલી છે. ભાવનગરથી સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન ચલાવવાની લાંબા સમયથી પડતર માંગણી હોવા છતા પ્રીમિયમ ટ્રેન ફાળવણીમાં સરકાર અને રેલવે તંત્ર દ
રેલવેમાં ટિકિટ વિના મુસાફરી કરી રહેલા, બૂક કર્યા વિના માલસામાનની હેરફેર કરી રહેલા લોકો સામે ઓક્ટોબર માસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અને 7075 કેસ કરવામાં આવ્યા છે. રેલ્વે પર તમામ વાસ્તવિક નાગરિકોને મુશ્કેલીમાં મુક્તિ, મુસાફરી અને શ્રેષ્ઠ સેવાઓ સુનિશ્ચિત કરવા માટે ભાવન
ચોમાસા દરમિયાન અને ચોમાસા બાદ સારો એવો વરસાદ વરસતા જળાશયો પણ છલોછલ થઈ ગયા છે ત્યારે પાણીની કોઈ મુશ્કેલી રહી નથી. પરંતુ ગઈકાલે રાત્રે તરસમીયા ફિલ્ટર પ્લાન્ટ પર પંપ ઇન્સ્ટોલ કરવા રાત્રે 12 થી સવારે 6 કલાક સુધી શટડાઉન કરતા તરસમિયા ફિલ્ટર પ્લાન્ટ પરથી પાણી વિતરણ થતાં વિસ્તારો ભ

31 C