જામનગર શહેરમાં તાજેતરમાં થયેલી વાહન ચોરીના બનાવોનો ભેદ ઉકેલવામાં સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને સફળતા મળી છે. LCBની ટીમે ચાર ચોરાઉ બાઇક સાથે એક તસ્કરને ઝડપી પાડ્યો છે, જ્યારે તેનો એક સાગરીત ફરાર છે, જેની શોધખોળ ચાલી રહી છે. વાહન ચોરીના વધતા બનાવોને પગલે LCBની ટીમે કોમ્બિંગ હાથ ધર્
પાટણના યુવાનોએ માઉન્ટ આબુમાં ટ્રેકિંગ દરમિયાન 'અરવલ્લી બચાવો' અભિયાનને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટના એક નોટિફિકેશન સામે દેશભરમાં શરૂ થયેલા આ અભિયાનમાં યુવાનોએ 'સેવ અરવલ્લી'ના બેનરો પ્રદર્શિત કરી અને નારા લગાવીને પોતાનો અવાજ બુલંદ કર્યો હતો. દિલ્હીથી ગુજરાત સુધી ફેલા
પાલનપુર નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ માસમાં ગંદકી ફેલાવનારાઓ પાસેથી કુલ 43,700 નો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 98 કિલોગ્રામ પ્લાસ્ટિક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. નગરપાલિકાના મુખ્ય અધિકારી જીગરભાઈ પટેલ સવારે 7 વાગ
પાટડીના વર્ણીન્દ્રધામ મંદિરમાં ભવ્ય શાકોત્સવ ઉજવાયો. આ પ્રસંગે 800થી વધુ ભક્તોએ રીંગણના શાક અને બાજરાના રોટલા સહિતના મહાપ્રસાદનો લાભ લીધો હતો. સંતો દ્વારા આયોજિત આ ઉત્સવમાં ભજન અને ભોજનનો સમન્વય જોવા મળ્યો. સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની પરંપરા લોયા ગામથી શરૂ થઈ હત
સાબરકાંઠા જિલ્લામાં પોલીસે બે અલગ-અલગ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસે અમદાવાદના મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડ્યો હતો, જ્યારે જાદર પોલીસે ખેડબ્રહ્માના NDPS કેસમાં ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી લીધો હતો. પ્રથમ ઘટનામાં, હિંમતનગર બી ડ
ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે આચાર્ય ચંપકગુરુ જૈન સેવા મંડળ દ્વારા સ્થાનકવાસી જૈન સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી CA અને MBBS જેવા ઉચ્ચ અભ્યાસક્રમોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 250 જેટલા વિદ્યાર્થીઓને ઇનામો તથા જરૂરિયાતમંદ વિદ્ય
સુરતના ઉત્રાણ વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય વાતમાં પિતા-પુત્રએ મળીને એક વૃદ્ધ વોચમેન પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટનાના દ્રશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધને રસ્તા પર દોડ
ભાવનગર-અમદાવાદ હાઈવે પર દસનાળા નજીક આજે વહેલી સવારે ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. મળતી માહિતી મુજબ, ભાવનગર શહેરના ખેડવાસ વિસ્તારમાં રહેતા રવિ બારૈયા અને સુનિલ ગ
રાજ્યમાં અત્યારે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી વાતાવરણ વહેલી સવારે અને સાંજે ઠંડી અનુભવાય રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આવતીકાલથી એટલે કે 23 ડિસેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. સૌથી ઓછું લઘુતમ તાપમાન અમરેલીમાં નોંધાયું હતું. અમરેલીમાં 13 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ
પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈ ઉપનગરીય વિસ્તારમાં છઠ્ઠી રેલવે લાઇનના કમિશનિંગ માટે મહત્વપૂર્ણ ટ્રાફિક અને પાવર બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ કામગીરીના કારણે ભાવનગર રેલવે મંડળ હેઠળ આવતી કેટલીક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના સમયપત્રકમાં અસ્થાયી ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેની આ
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં 108 એમ્બ્યુલન્સની ટીમની સમયસૂચકતા અને સરાહનીય કામગીરી સામે આવી છે. તાલુકાના ચોડપ ગામના એક ગરીબ પરિવારની મહિલાને અસહ્ય પ્રસૂતિ પીડા ઉપડતા હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ એમ્બ્યુલન્સમાં સુરક્ષિત ડિલિવરી કરાવી નવજાત બાળકીનો જીવ બચાવવામાં આવ્ય
કચ્છના ભચાઉમાં ચાર વાહનો વચ્ચે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક વર્ષના બાળક અને એક ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે દંપતીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ભુજની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે બે વાહનોમાં આગ ભભૂકી
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા દારૂ તસ્કરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વેરાવળ બંદરના નલિયા ગોદી વિસ્તારમાં રાત્રીના અંદાજે 3 વાગ્યાના સુમારે દરિયાઈ માર્ગે લવાયેલા વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. વેરાવળ પોલ
મહેસાણા પંથકના એક પરિવારમાં સાસરિયાઓના ત્રાસથી 34 વર્ષીય મહિલા પર દુઃખોની આંધી તૂટી પડી હતી. એક પુત્રની માતા હોવા છતાં તેને ઘરમાં સાચો સહારો મળ્યો ન હતો, પરંતુ ત્રાસ,અપમાન અને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હતો. પરિવાર પહેરેલા કપડે જ મહિલાને કાઢી મુકીઆ પરિસ્થિતિ વચ્ચે પણ સ
સુરતના નાનપુરા વિસ્તારમાં મિલકતની લાલચમાં એક પુત્રએ માનવતા અને લોહીના સબંધોને લજવતું કૃત્ય કર્યું છે. નાનપુરાની જમરૂખગલીમાં આવેલા ગોવર્ધનવાડમાં રહેતા એક રિક્ષાચાલક પિતાની મિલકત લેવા માટે પુત્રએ આખું ઘર સળગાવી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ આગની ઘટનામાં અંદાજે 18
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મેકડા ગામમાં વિકાસના કાર્યોનો ઉત્સવ ઉજવાયો હતો. ધારાસભ્ય મહેશ કસવાલાના હસ્તે ગામના સર્વાંગી વિકાસ માટે કુલ રુપિયા 1,00,04,000 (એક કરોડ ચાર હજાર) ના વિવિધ પાયાની સુવિધાઓના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આધુનિક સુવિધાઓ ઊ
ગાંધીનગરના રાંધેજા પાસે રિક્ષા ચાલકની બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. ગઈકાલે(21 ડિસેમ્બર) રાંધેજા ખાતે માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા કલોલના પરિવારની રિક્ષા પલટી જતાં 22 વર્ષીય આરતી નામની યુવતીનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની માત
જ્યારે પણ હેટ્રિકની વાત આવે ત્યારે લોકોના મનમાં ક્રિકેટના મેદાનની યાદ તાજી થાય છે, પરંતુ સુરતના એક કાપડ ઉદ્યોગપતિએ પર્યાવરણ અને ઉર્જા સંરક્ષણના મેદાનમાં એવી હેટ્રિક નોંધાવી છે કે આખું ભારત આજે સુરત સામે જોઈ રહ્યું છે. સુરતના જાણીતા ઉદ્યોગપતિ અને પર્યાવરણવિદ વિરલ દેસાઈ, જ
મોરબીનો સાહિલ માજોઠી, જે યુક્રેનમાં યુદ્ધકેદી તરીકે બંદીવાન છે, તેના વધુ બે વીડિયો વાયરલ થયા છે. આ વીડિયોમાં તેણે રશિયન સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે અને ભારત સરકારને તેને વતન પરત લાવવા માટે મદદ કરવા અપીલ કરી છે. કાલિકા પ્લોટ, મોરબીના રહેવાસી 22 વર્ષીય સાહિલ માજોઠી જાન્યુઆર
ઐતિહાસિક પાટણથી સિદ્ધપુર સુધી લુપ્ત સરસ્વતી નદીના પ્રાચીન અને સાંસ્કૃતિક વારસાને પુનર્જીવિત કરવા માટે પ્રથમ વખત વિશેષ પરિક્રમાનું આયોજન કરાયું છે. આગામી વસંત પંચમી, એટલે કે 23 જાન્યુઆરીના રોજ આ પરિક્રમા યોજાશે, જેમાં સાધુ-સંતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. પ્રાચ
ધંધુકા વિધાનસભા મતવિસ્તાર ક્રમાંક–59માં ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ વિશેષ સઘન સુધારણા કાર્યક્રમ–2026 અમલમાં મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ મતદાર યાદી તથા એએસડી (ASD–Absent, Shifted, Dead) યાદીની પ્રસિદ્ધિ બાબતે મતદાર નોંધણી અધિકારીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોન
બોટાદની પાળીયાદ પોલીસે બાતમીના આધારે પાળીયાદ-રાણપુર હાઈવે પર સફળ ઓપરેશન પાર પાડીને કપાસ ભરેલા આઇસર ટ્રકમાંથી ગેરકાયદેસર બિયરના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ ₹15,52,954નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અતિથિ હોટલ પાસે વોચ ગોઠવી ટ્રકને આંતર
ભાવનગર શહેરમાં લખુભા હોલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક્સેસ સ્કુટરના ચાલક રવિરાજભાઇ રાજેન્દ્રકુમાર પંડ્યા સાથે સામેથી આવતા યામાહા બાઇકના ચાલકે, પુરપાટ ઝડપે બાઇક ચલાવી રવિરાજભાઇ સાથે અક્સમાત કરતા રવિરાજભાઇને પગના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જે બાદ તેમને સારવારમાં ખસેડાયા હતા જ્
ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના સાંજણાસર ગામે કેટલાક શખ્સો વાડી વિસ્તારમાં જુગાર રમતા હોવાની પાલિતાણા રૂરલ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી. જે આધારે પોલીસે મોડી રાત્રે દરોડા પાડતા વાડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતા દસ જેટલા જુગારીઓને પોલીસે કોર્ડન કરી, રંગેહાથ
સિહોરના સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી ટ્રસ્ટ દ્વારા શાળામાં અભ્યાસ કરતાં બાળકોને વિવિધ કાર્યો દ્વારા મદદ કરવામાં આવે છે.તાજેતરમાં આ ટ્રસ્ટ દ્વારા સિહોર શહેર અને તાલુકાની અલગ-અલગ 9 શાળાઓના 2396 બાળકોને સ્પોર્ટસ ટ્રેક, બૂટ-મોજા વિતરણ કરવામાં આવેલ. સ્વામી સ્વરૂપાનંદજી ટ્રસ્ટ દ
તળાજા તાલુકાના દિહોર ગામે રહેતો એક દલીત પરિવાર કાર લઇને તળાજા જતા હતા જે સમયે ગામનો જ એક યુવક બાઇક લઇને સામે મળતા, સાંકડા રસ્તા પર એકી સાથે બે વાહનો પસાર ન થઇ શકતા બાઇક ચાલક યુવકે દલીત યુવકને કાર પાછી લેવાની કિધી હતી. જે બાદ બાઇક ચાલક યુવકે દલીત પરિવારને અહીંયાથી ગાડી પસાર ન કર
વલભીપુરમાં રેસ્ટ હાઉસ બંધ થયાને અંદાજે પાંચ વર્ષ થયા હશે અને નવુ રેસ્ટ હાઉસ બનાવવા માટેની પ્રાથમીક તમામ પ્રક્રિયાઓ પણ પુરી થઇ ગઇ છે. પરંતુ રેસ્ટ હાઉસ પંચાયત હેડે રેકર્ડ ઉપર ચાલતુ હોય અને જયાં સુધી પંચાયત દ્વારા સરકારી પ્રક્રિયા મુજબ પંચાયતના હેડેથી સ્ટેટના હેડ ફેરફાર કરવ
દરેકના ઘરમાં બાળકોને પૈસાની બચત કરવા માટે લોકો એક ગલ્લો રાખતા હોઈએ છીએ જેમાં બાળકોને છુટક પરચુરણ તથા કોઈ મહેમાન દ્દવારા આપવામાં આવેલ પૈસાને ગલ્લામાં નખાવતા હોઈએ છીએ આજકાલ બજારમાં અવનવા પ્રકારના પ્લાસ્ટિક, લાકડા તથા ધાતુ ના અલગ અલગ પ્રકાર ના ગલ્લાઓ આવતા હોય છે પણ એક સમય હત
ભાવનગર ભાવનગર મહાનગર પાલિકા દ્વારા જે તે સમયે શહેરમાં જેમાં શહેરના કાળિયાબીડ, વિક્ટોરિયા પાર્ક, જવેલ્સ સર્કલ સહિતના વિસ્તારોમાં અલગ અલગ સ્થળોએ લાખો રૂપિયાના ખર્ચે સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા. ભાવનગરમાં સરકારી તંત્રવાહકોએ બહુ મોટા ઉપાડે શરૂ કરેલી સાઈકલ ટ્રેક યોજનાન
ભાવનગર : રોટરી કલબ ઓફ ભાવનગર દ્વારા પ્રતિ વર્ષ યોજાતી સાયકલોથોનની 18મી સીઝન સાયકલોથોન–2025 આ વર્ષે તા.21-12-2025 રવિવારે યોજાઈ હતી. રૂપાણી સર્કલ ખાતે સવારે 7 વાગ્યે કલેક્ટર બંસલ, રોટરીના પદાધિકારીઓના ફ્લેગ ઓફ દ્વારા સાયકલોથોનનું પ્રસ્થાન થયું હતું. નિર્ધારિત વિવિધ રૂટ પર ફરી આ સાયકલ
એક પીડીતાએ 181 અભયમ મહિલા હેલ્પલાઇન ઉપર ફોન કરેલ અને તેમની સાથે થયેલ બનાવવાની જાણ કરી હતી અને વ્યથા ભેર જણાવ્યું હતું કે તેમના પતિ જબરજસ્તી દબાણપૂર્વક મહુવા ખાતે છૂટાછેડા કરવા લઈ જાય છે. આથી પીડિતાના ભાઇને આની જાણ થતા તેમણે 181માં સમસ્યાના સમાધાન માટે મદદ માંગતા પીડિતાના પતિન
ભાવનગર પશ્ચિમ ગુજરાત વીજ કંપની શહેર વિભાગ બે દ્વારા ફરી એકવાર વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે જે મુજબ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તારીખ 23 ડિસેમ્બરને મંગળવાર તથા તારીખ 24 ડિસેમ્બરને બુધવારે વીજકાપ જાહેર કરવામાં આવ્યો છે. તા.23 ડિસેમ્બરને મંગળવારે 11 કેવી ગુરુકુળ ફીડર હેઠળના ને
છેલ્લા છએક માસથી તસ્કરની ટોળકીઓ દ્વારા મંદિરો, મઢ તેમજ દેરીઓને નિશાન બનાવવામાં આવી રહી છે અને જેમાંથી માતાજીના સોના ચાંદીના મુગટો, છત્તરો, રોકડ તેમજ દાનપેટી સહિતની તસ્કરી કરી પલાયન થઇ જાય છે. ત્યારે આ તસ્કર ટોળકીઓ દ્વારા ફરી મહુવાના ખારડીથી કુંભારીયા ગામની વચાળે આવેલ મહાક
શહેરમાં માર્કેટિંગ યાર્ડ સામેથી ફુલસર અને આજુબાજુની સોસાયટીના રહેવાસીઓ આ મુખ્ય રસ્તાના ઉપયોગથી બહાર નીકળે છે ત્યારે એક મહિના ઉપર સમય વીતી ગયો છે પણ કામ આગળ વધતું નથી. જે ઝડપે 2-3 દિવસમાં તમામ ગેરકાયદેસર બાંધકામના દબાણો દૂર કર્યા આ વિસ્તારમાં એ રીતે નવા રોડનું કામ પુરુ કરવું
જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટીના કોમર્સ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ દ્વારા યુવા માનસ પર સોશિયલ મીડિયાનો ભાવનાત્મક પ્રભાવ જેવા સાંપ્રત સમયમાં ખૂબ જરૂરી વિષય પર સામાજિક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેક્ષણ આજના યુવાનોના માનસ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કેવી સકારાત
આ વર્ષે હજી ડિસેમ્બરની તીવ્ર શીતલહેરનો અનુભવ થયો નથી. હવે આજથી વાદળો છવાયા છે અને 23 ડિસેમ્બરથી તીવ્ર ઠંડીની આગાહી કરવામાં આવી છે ત્યારે આમ તો દર વર્ષે સામાન્ય રીતે ભાવનગર શહેરમાં કડકડતી ઠંડીની લહેર પ્રસરી વળી હોય છે પણ આ વર્ષે ભાવનગર શહેરમાં આ વર્ષે 21 ડિસેમ્બર આવી ગઇ છતાં કડ
શાંત ગણાતા ઓલપાડ ટાઉનમાં લવ જેહાદની વધુ એક ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પરા વિસ્તારમાં રહેતો એક મુસ્લિમ યુવક હિન્દુ સમાજની શિક્ષિત યુવતીને લલચાવી-ફોસલાવી ભગાડી ગયો હોવાની વાત વાયુવેગે પ્રસરતા નગરમાં વાતાવરણ ગરમાયું હતું. પરિસ્થિતિ વણસે તે પૂર્વે જ પોલીસ કાફલો સતર્ક થઈ ગયો
ખટોદરા પોલીસે ઉધના મગદલ્લા પર આવેલા જોગર્સ પોર્ક પાસે વોચ ગોઠવીને રૂ.1 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે એકને પકડી પાડ્યો હતો. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ખટોદરા પોલીસની બાતમી મળી હતી કે, ઉધના મગદલ્લા રોડ ખાતે આવેલા જોગર્સ પાર્ક પાસે એક શખ્સ એમડી ડ્રગ્સની ડિલિવરી આપ
સરકારી ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઈચ્છતા ગ્રેજ્યુએટ યુવાનો માટે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ખુશખબર આપવામાં આવી છે. સંસ્થાએ વિવિધ નોન-એકેડમિક કેડર હેઠળ 173 ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર નોટિફિકેશન જાહેર કર્યું છે. આ ભરતી પ્રક્રિયામાં લેવલ-2 થી
જી-ઉત્તર વોર્ડ અંતર્ગત આવતા દાદર-માહિમ પરિસરમાં ટ્રાફિકજામ ઓછો કરવા મહત્વના સેનાપતિ બાપટ રોડ ખાતેથી મીઠી નદી પરથી સીધા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને જોડતા નવા પુલનું કામ ઝડપી કરવામાં આવશે. આ પુલના લીધે સેનાપતિ બાપટ માર્ગ, બાન્દરા-વરલી સીલિન્ક, એસ.વી.રોડ અને વેસ્ટર્ન એક્સપ્ર
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી સંતને ગુજરાતી અને મુંબઈના સિદ્ધિપ્રાપ્તને ગિરનાર એવોર્ડ એનાયત કરાય છે. 2026માં સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી છે. હવે આ વર્ષની પસંદગી સમિતિમાં કન્વીનર હેમરાજ શાહ, પ્રવીણ સોલંકી. પ્રા. દીપક મહેતા, લલિત શાહ (ભવન્સ), ડિમ્પલ સોનિગ્રા, ભરત ઘેલાણી, -ડો. નાગ
બોગસ જીએસટી નોંધણીકૃત કંપનીઓ નિર્માણ કરીને અને રૂ. 22.6 કરોડથી વધુની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (આઈટીસી)નો દાવો કરવા માટે થાણે જિલ્લામાં ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, એમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. સ્ટેટ ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (એસજીએસટી) વિભાગના અધિકારી દ્વારા દાખ
રાજ્યમાં 246 નગર પરિષદો અને 42 નગર પંચાયતોના પદો માટે મતગણતરી, સીધી મેયરપદ સહિત, રવિવારે યોજાઈ હતી. આ પરિણામોએ ફરી એક વાર રાજ્યમાં રાજકીય સમીકરણો ઉજાગર કર્યા છે અને મહાયુતિના ઘટક પક્ષોએ મોટી જીત મેળવીને પોતાની તાકાત બતાવી દીધી છે. ભાજપ, શિવસેના શિંદે જૂથ અને રાષ્ટ્રવાદી કોંગ્ર
શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે પાર્ટીના સાંસદ સંજય રાઉતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. આ આંકડા વિધાનસભા ચૂંટણી જેવા જ છે. એ જ આંકડા, એ જ મશીન અને એ જ સેટિંગ. આંકડાઓમાં કોઈ ફેરફાર થયો નથી. ભાજપે વિધાનસભા ચૂંટણી જેવી જ મશીનો સેટ કરી. તેમણે ઓછામાં ઓછા આ
સિંધુદુર્ગ જિલ્લામાં નગર પરિષદની ચૂંટણીનાં તમામ પરિણામો રવિવારે જાહેર થયાં, જેમાં શિંદેની શિવસેના અને રાણે સમર્થકોએ ફરી એક વાર કોંકણમાં પોતાનું વર્ચસ સાબિત કર્યું છે. રત્નાગિરિ જિલ્લામાં, શિંદેની શિવસેનાએ 4 બેઠકો, ભાજપે 2 અને કોંગ્રેસે 1 બેઠકો જીતી છે અને મેયરપદ મેળવ્યું
મહાયુતિએ બીડ જિલ્લામાં નગરપાલિકા અને નગર પંચાયતની ચૂંટણીમાં સપાટો બોલાવી દીધો છે. પરળીમાં, એનસીપી- અજિત પવાર જૂથ, ભાજપ અને આરપીઆઈ મહાયુતિને ઐતિહાસિક જીત મળી છે અને ભાજપે અંબાજોગાઈ અને ગેવરાઈમાં પણ પોતાનો ઝંડો લહેરાવ્યો છે. આ જીત પછી બોલતાં, ધારાસભ્યો ધનંજય મુંડે અને પંકજા
નાંદેડ જિલ્લાની લોહા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં એક જ પરિવારના છ ઉમેદવારોને મેદાનમાં ઉતારનાર ભાજપને મતદારોએ યોગ્ય જવાબ આપ્યો છે અને તમામ છ ઉમેદવારનો શરમજનક પરાજય થયો છે. ભાઈ- ભત્રીજાવાદમાં પડ્યા વિના, મતદારોએ શરદ પવારના એનસીપી ઉમેદવારને લોહા મ્યુનિસિપલ કાઉન્સિલના
રાજ્યમાં ઉત્સુકતાથી વાટ જોવાઈ રહી હતી તે 246 નગર પરિષદ અને 42 નગર પંચાયતની ચૂંટણીમાં પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યાં હતાં, જેમાં સત્તાધારી મહાયુતિઓ મહાવિકાસ આઘાડીનો ધબડકો બોલાવી દીધો છે. અનેક મતવિસ્તારમાં ચૂંટણી મહાયુતિના ત્રણ ઘટક પક્ષો વચ્ચે થઈ હતી. આથી પરિણામ તરફ સૌનુ
પવન - પાણી - પ્રકાશ જેમ બધાના છે, ને બધેય છે, એમ ઋષભદેવ પ્રભુ બધા ના છે, અને બધેજ છે, બધા જ ધર્મો - સંપ્રદાયો ને પરંપરા છે, તો સમગ્ર લોકમાં પ્રભુ ઋષભદેવજી બધે જ છે, બધાના છે. એ ઋષભાયનના છત્ર નીચે પ્રભુ ઋષભજી ને ધર્મગુરુઓએ સંપ્રદાયો ને પરંપરાઓએ સૌના આદિ ઈશ્વર તરીકે જાહેર કર્યા, ત્યારે
ઉપ મુખ્ય મંત્રી અજિત પવારના નેતૃત્વ હેઠળની શાસક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ પુણે જિલ્લાની 17 માંથી 9 નગરપાલિકામાં મેયરપદ મેળવ્યું છે. આથી ફરી એક વાર સ્પષ્ટ થઈ ગયું છે કે અજિત પવાર પુણે જિલ્લાના કારભારી છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, રાજ્યમાં નગર પંચાયતો અને નગર પરિષદોની ચૂ
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... સચિવાલયમાં આ મહિને ખાલી થતી ખુરશીઓમાં કોણ બેસશે?ગાંધીનગર અને અમદાવાદ—બન્ને જગ્યાએ આ દ
દહિસર-ભાઈંદર મેટ્રો-9 રૂટના બે ઠેકાણે કારશેડ રદ કરવાનો સમય મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ પર આવ્યો છે. ડોંગરી કારશેડ તાજેતરમાં જ રદ કરવામાં આવ્યો. આ સંબંધી જીઆર ટૂંક સમયમાં જારી કરવામાં આવશે ડોંગરી કારશેડ રદ થયા પછી નવો કારશેડ ક્યાં ઊભો કરવો એવો પ્રશ્ન નિર્માણ થયો હતો.
આગામી થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષના સ્વાગત માટે થનારી પાર્ટીઓને ધ્યાનમાં લઈને મહાપાલિકા સતર્ક થઈ છે. 22 ડિસેમ્બરથી 28 ડિસેમ્બર સુધી હોટેલ, બાર, રેસ્ટોરંટ, ઈમારતો, સોસાયટીઓમાં અગ્નિસુરક્ષાની તપાસ કરવામાં આવશે. ત્યાં અગ્નિશમન યંત્રણા નહીં હોય તો નોટિસ બજાવીને જરૂરી સુવિધા સક્ષ
સમુદાયની અનેક મહિલાઓ સાથે દુષ્કર્મ અને જાતીય હુમલો કરનાર વિરુદ્ધ મૂકબધિર મહિલાએ 16 વર્ષ પછી ચુપકીદી તોડી છે. તેનો ભોગ બનેલી એક મહિલાએ તાજેતરમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યા પછી મૂકબધિરે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે 13 ડિસેમ્બરે સિરિયલ દુષ્કર્મીની ધરપકડ કરી છે. એક મહિલાએ
વેસુ મહાવિદેહધામ જૈન સંઘમાં “મનની વાત મનની સાથે” ‘’આ વિષય ઉપર રવિવારીય પ્રવચન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે આચાર્ય પદ્મદર્શનસૂરિજી મહારાજે જણાવ્યું હતું કે, આપણું મન ચંચળ છે. માનવ માત્રનું મન ક્યારે પણ સ્થિર રહેતું નથી. મનની સાથે જે
રાજેન્દ્ર સૂરીશ્વરજી સમુદાયમાં જયંતસેન સુરીશ્વરજી મહારાજાના પટ્ટધર ગચ્છાધિપતિ નિત્યસેનસુરીશ્વરજી આદિ ઠાણાનો નગર પ્રવેશ થયો હતો. પ્રવેશ શોભાયાત્રા રાજરત્ન એન્કલેવ, પાલથી શરૂ થઈ હતી. જેમાં સૌપ્રથમ શ્વેત વસ્ત્રોમાં સજ્જ થઈને સાઈકલ સાથે ધજા લઈને પાઠશાળાના નાના બાળકો, સ્
સુરત : ઉત્રાણ સ્થિત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક સ્કૂલ (ક્રમાંક-334) દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક ક્ષમતા અને માનસિક એકાગ્રતા વધારવાના હેતુથી ‘સૂર્ય ઉપાસના’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની વહેલી સવારનાં સોનેરી કિરણો વચ્ચે સ્કૂલનું મેદાન યોગમય બન્
કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પ્રધાનમંત્રી મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રિજન એન્ડ એપેરલ’ (PM MITRA) યોજના હવે અમલના માર્ગે આગળ વધતી દેખાઈ રહી છે. દેશમાં સુરત સહિત 3 ગ્રીનફિલ્ડ ટેક્સટાઇલ પાર્ક માટે રૂ. 5,567 કરોડનો ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (ડિપીઆર) જાહેર થતાં જ નવસારીના વાંસી-બો
પરવટમાં રવિવારે શાક માર્કેટ હટાવવાની કાર્યવાહી દરમિયાન પાથરણાંધારક મહિલાઓ અને માર્શલ-બેલદાર વચ્ચે બે કલાક સુધી મારઝૂડ થઈ હતી, જેમાં પોલીસે વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો. જાહેર માર્ગો પરનાં દબાણો દૂર કરવાની ઝુંબેશ અંતર્ગત શનિવારે લિંબાયત ઝોનની ટીમ કાર્યવાહી કરવા ગઈ
કામરેજ બાપા સીતારામ ચોકમાં રહેતા દીપક મસરાણીના 9 વર્ષિય પુત્ર વંશનું થેલેસેમિયામાં મૃત્યુ થતાં 40 સ્વજનોએ રક્તદાન કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. વંશના પિતા દીપક મસરાણીએ કહ્યું કે, વંશની ઉંમર છ મહિનાની હતી ત્યારે થેલેસેમિયા છે તેવું ડિટેક્ટ થયું હતું. ત્યાર બાદ દર મહિને તેને લો
ડિંડોલીમાં રવિવારે પિતા સાથે નાસ્તો લેવા જતા 13 વર્ષના કિશોરનો પતંગની દોરીને કારણે ગાલ કપાઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને 10 ટાંકા લેવાયા હતા. ડિંડોલી મહાદેવનગર-4માં રહેતા ગિરીશભાઈ રાઠોડ કાર ડ્રાઇવિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના સ
હૃદય થંભી જવાથી ક્રિકેટ રમતા બાળકનું મૃત્યુ..... ચાલુ ક્લાસમાં શિક્ષકનું હૃદય બેસી ગયું..... હાર્ટએટેકથી આશાસ્પદ યુવાનનું મૃત્યુ..... વર્તમાનપત્રમાં દરરોજ આવા મથાળા સાથેના સમાચાર સામાન્ય બન્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યામાં જબરો ઉછાળો આવ્યો છે છતાં પ
દિલ્હીમાં પ્રદૂષણ અને ગાઢ ધુમ્મસને કારણે હવાઈ સેવાને માઠી અસર થઇ છે. છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીની સવારની ફ્લાઈટ રદ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. રવિવારે વહેલી સવારે દિલ્હીમાં વિઝિબિલિટી 100 મીટરથી પણ ઓછી થઈ જતાં હવાઈ વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો. જેને પરિણામે દિલ્હી-ર
કુવાડવા ગામથી મઘરવાડા જવાના રસ્તે પેટ્રોલપંપની સામે રોડ ક્રોસ કરતી વખતે બે બાઈક ભટકાતાં બંને ફંગોળાઈ દૂર જઈ પટકાયા હતા. જેમાં યુવાનનું મોત થયું હતું અને અન્ય ચાલક હાલ સારવાર હેઠળ ગંભીર અવસ્થામાં છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છ
શહેરના સંત કબીર રોડના નાળા પાસે કૃપાલી ટ્રેડિંગ નામની ઓફિસ ધરાવતા ઈમ્પોર્ટ એક્સપોર્ટના વેપારીએ ઘઉંમાં નાખવાનો પાઉડર પી લેતાં મોત નીપજ્યું છે. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, કુવાડવા રોડ શિવરંજની પાર્ક 5માં રહેતા સંજયભાઈ વલ્લભભાઈ રામાણી(ઉં.વ.46)નામના પ્રૌઢે ગત તા.13મીએ સાંજે સા
કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં ગરીબ અને મધ્યમવર્ગના નાગરિકોને અંત્યોદય, બીપીએલ અને એનેસેફએફએ એટલે કે, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત અલગ અલગ ત્રણ કેટેગરીમાં રેશનકાર્ડ ધારકોને ઘઉં-ચોખનું વિનામૂલ્યે અને ખાંડ, તુવેરદાળ, નમક, ચણા અને તહેવારો પર સિંગતેલ જેવા ખાદ્યપદ
રાજકોટની ભાગોળે મોરબી રોડ પર રતનપર પાસે આવેલું શ્રીરામચરિતમાનસ મંદિરના શિખર ઉપર પહેલી ધજાજી ચડાવાઇ. આ ધ્વજા મંદિરના ટ્રસ્ટી મંડળ દ્વારા ચડાવવામાં આવી હતી. પહેલી વિશાળ ચાર ધ્વજા શ્રી રામદરબાર, દ્વારકાધીશ, મહાદેવજી અને હનુમાનજીના મંદિરના શિખર પર ચડાવાઈ હતી. જે 9 મીટરની ત્રણ
રેસકોર્સના મેદાનમાં આગામી તારીખ 27 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન હનુમાન ચાલીસા યુવા કથાનું જારમાન આયોજન કરાયું છે. આ કથાના આમંત્રણના ભાગરૂપે શહેરના જુદા-જુદા 6 રૂટ પર ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું. જેમાં 3 હજારથી વધુ બાઇક અને દરેક રૂટમાં ખુલ્લી કારમાં સાળંગપુરના હનુમાનજી
શહેરના સોખડા રોડ સાત હનુમાન મંદિર પાસે રહેતા રોહનભાઈ ભલાભાઈ ચૌહાણ નામના યુવકનું સવારના દસેક વાગ્યાની આસપાસ પોતે છકડો રિક્ષા લઈને જતો હતો ત્યારે કુવાડવા રોડ ગેસ પ્લાન્ટની સામે રિક્ષા પલટી ખાઈ જતા ગળાના ભાગે ઈજા થતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરં
શેરબજારમાં ઊંચું વળતર, નિશ્ચિત સમયમાં એકના ડબલ સહિતની લોભામણી લાલચ આપી ગઠિયાઓ ફુલેકું ફેરવી જતાં હોવાની અગાઉ અનેક ફરિયાદો નોંધાઇ છે. શહેરના કલાવડ રોડ પરના નીલકંઠ પાર્કમાં રહેતા મહાવીરસિંહ પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.42)એ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી
રાજકોટ શહેરની સ્થાપના બાદ મહાનગરપાલિકા દ્વારા લોકોને સ્વસ્થતાના પાઠ ભણાવી શકાય તે માટે 80 ફૂટ રોડ પર શેઠ હાઇસ્કૂલ અને રેસકોર્સ ખાતે બે વ્યાયામ શાળા શરૂ કરી હતી. રાજકોટના રેસકોર્સના મેદાનમાં આવેલી વ્યાયામ શાળા એટલે કે જીમને આજે 50 વર્ષથી વધુ સમય થઇ ગયો છે ત્યારે હજુપણ તે શહેર
કોરોના પછી પ્રથમવાર માંડવીના દરિયા કિનારે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત બીચ ફેસ્ટિવલનો આરંભ કરાયો છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, આજથી બીચ ફેસ્ટિવલનો આરંભ થયો છે. 10 દિવસ દરમ્યાન લાખો લોકો ફેસ્ટિવલમાં ભાગ લેશે. પ્રવાસ
ગુજરાત પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે ધોરણ 1થી 5માં સરકારી પ્રાથમિક શિક્ષક બનવા માટેની ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET-1)ની પરીક્ષા યોજાઈ હતી. બપોરના 12થી 2 વાગ્યા સુધી ચાલેલી આ પરીક્ષામાં રાજકોટમાં 14190 ઉમેદવાર સહિત રાજ્યમાં 1.01 લાખ ઉમેદવાર નોંધાયા હતા. શિક્ષક બનવા માટેની પરીક્ષામાં
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ જેવો જ રાજકોટની આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાના છેલ્લા 15 વર્ષથી સપના બતાવવામાં આવી રહ્યા છે.આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે. અંદાજિત રૂ.1181 કરોડ કરતા વધુના ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટની કામગીરી 11 કિલોમીટર વિસ્તાર
નીતિન જાની કહીએ તો કદાચ કોઈ માથું ખંજવાળશે કે આ કોણ છે, પરંતુ જો આપણે 'ખજૂર' કહીએ તો તરત જ વ્યક્તિના ચહેરા પર સ્માઇલ આવી જાય તે નક્કી છે. બાળકોથી માંડીને વૃદ્ધો સહિત લોકો ‘ખજૂર’ના નામથી પરિચિત છે. આજે તો નીતિન જાની માત્ર યુ ટ્યૂબર જ નથી, પરંતુ સેવામાં પણ પોતાનું અલગ નામ બનાવ્યું
ખેતીમાં દિવસેને દિવસે ખર્ચ વધી રહ્યો છે અને કુદરતી આફતોના લીધે ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે ત્યારે જ હવે ખેડૂતો એકી સાથે બે પાક લેતા થયા છે.અને આવી જ ખેતી વેરાવળ પંથકના નાવદ્રા ગામના ખેડૂત રાણાભાઇ ચુડાસમાએ શરૂ કરી છે.આ ખેતીથી થતા ફાયદા તેમના જ શબ્દોમાં.... 'હું ગીર સોમનાથ જિલ્
અત્યારે ગુજરાતના ગામડાંથી લઇને મેગાસિટીના લોકોમાં એક કોમન મુદ્દે ચર્ચા જોવા મળી રહી છે. એ ચર્ચા છે કે આ વખતે ઠંડી ક્યાં ગાયબ થઇ ગઇ? કેમ હજી સુધી જોઇએ તેવી ઠંડીનો અનુભવ નથી થઇ રહ્યો? જ્યારે શિયાળાની શરૂઆત થઇ ત્યારે એવું અનુમાન સામે આવ્યું હતું કે આ વખતે શિયાળાની ઠંડી સમય કરતાં
અમે ગામના લોકોએ નક્કી કર્યું છે કે કોઈપણ વ્યક્તિ દારૂ પીધેલી હાલતમાં દેખાશે તો તેનો ગામ નિકાલ કરાશે અમે એવો નિયમ બનાવ્યો છે કે જે ઘરમાં દારૂ ગળાતો હશે, જે ઘરમાં પીવાતો હશે તે પરિવાર સાથે કોઈ પ્રકારનો વ્યવહાર રાખવાનો નહિ ના. આ કોઈ મહારાષ્ટ્ર કે રાજસ્થાનના ગામની વાત નથી. જે રાજ
બોરીવલી–કાંદીવલી સેક્શનમાં બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનના ટાઈમટેબલ ખોરવાયા છે. પશ્ચિમ રેલવેના મુંબઈ સબર્બન વિસ્તારમાં બોરીવલી–કાંદીવલી સેક્શન વચ્ચે 6ઠ્ઠી લાઇનના કામને ધ્યાનમાં રાખીને 20 ડિસેમ્બરથી 30 દિવસના સમયગાળા માટે ટ્રાફિક બ્લોક લેવામાં આવશે. આ બ્લો
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત વહાલુડીના વિવાહના આઠમા આયોજનમાં માતા-પિતા વિહોણી 25 દીકરીના ભવ્ય સમૂહલગ્ન યોજાયા હતા. આ તકે દરેક દીકરીને 250 જેટલી વસ્તુઓ કરિયાવરમાં, ઉપરાંત 51,000ની ફિક્સ ડિપોઝિટ કરાવી આપવામાં આવી છે. આ વર્ષના આયોજનમાં દુબઈ, લંડન, નાસિક તથા બેંગ્લોરથી લોકો કન્યાદ
ગુજરાતની જીવાદોરી સમાન એસ.ટી. બસ હવે માત્ર મુસાફરીનું સાધન જ નથી રહી, પરંતુ ટેક્નોલોજીના માધ્યમથી હાઈટેક બની રહી છે. અગાઉ બસ ક્યારે આવશે તેની રાહ જોઈને બસ સ્ટેન્ડ પર કલાકો સુધી બેસી રહેવું પડતું હતું, વારંવાર પૂછપરછ બારીએ પૂછવા જવું પડતું હતું, પરંતુ હવે એસ.ટી.ની OPRS (ઓનલાઈન પેસ
કચ્છ મહિલા વિકાસ સંગઠન આયોજિત સંવેદના ગ્રુપ દ્વારા ભુજમાં જિલ્લા સ્તરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 350 બહેનો જોડાયા હતા. જિલ્લા કાનૂની સેવા સતા મંડળ સેક્રેટરી બી.એમ. પ્રજાપતિ, પશ્ચિમ કચ્છ DYSP એમ. જે. ક્રિસ્ટન, સમાજ સુરક્ષા અધિકારી એન. ચૌહાણ, મહિલા અને બાળવિકાસ અધિકારી અવનીબેન દ
અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને.... કે એનું સૌ, ને મારું કશુંયે ગયું નહિ... જાણીતા ગુજરાતી ગઝલકાર મરીઝની આ પંક્તિઓ રાજકોટમાં યથાર્થ બની હતી. સુલતાનપુરના 42 વર્ષીય ખેડૂત જયેશભાઈ મનસુખભાઈ ગોંડલિયા નામના યુવાન માર્ગ અકસ્માત બાદ બ્રેઈનડેડ થતા તેમના પરિવારજનો પર પહાડ જેવું દુઃખ ઉત
તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે ખનન માફિયા દ્વારા ફરજ પરના નાયબ મામલતદાર અને અન્ય કર્મચારીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં સરકાર પક્ષે ફરિયાદ નોંધવા સાથે આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે કચ્છ જિલ્લા મહેસુલી કર્મચારી મંડળ વર્ગ 3 દ્વારા ભ
સીએ તેમજ પૂર્વ બેંક મેનેજરે ભેગા મળીને કાગળ પર 54 બોગસ કંપની ઉભી કરી 4 બેંકમાં 15 એકાઉન્ટ ખોલાવ્યા હતા. આ 15 મ્યુલ બેંક એકાઉન્ટમાં રૂ.50 કરોડ કરતાં પણ વધારે રકમના ટ્રાન્જેકશન થયા હતા. તે પૈસા સાઈબર ફ્રોડના અને બ્લેક મનિ હોવાનું પોલીસનું કહેવુ છે. જો કે પૂર્વ મેનેજરે બેંકના અધિકારી-
શેર માર્કેટમાં રોકાણના બહાને લોકો પાસેથી પૈસા પડાવતા સાઈબર ગઠિયાઓએ હવે નવો કીમિયો શરૂ કર્યો છે. જેમાં વૃદ્ધને રૂ.11 હજારના રોકાણ સામે 14 હજાર પાછા આપી વિશ્વાસ કેળવ્યો, બાદમાં બાઈનાન્સ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરાવી બોન્ડ ભરાવડાવી 3 વાર ટ્રાન્જેક્શન કર્યા પછી પૈસા વિડ્રો કરાશે. તે
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે આયોજિત ટેટ-1 ની પરીક્ષા વ્યવસ્થામાં અણઘડ આયોજનની ફરિયાદ સામે આવી છે. રાજ્યના ભાવિ ઘડવૈયા ગણાતા અંદાજે 1 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપતા પહેલા જ માનસિક રીતે ભાંગી પડ્યા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ડિજિટલ ગુજરાતના મોટા દાવાઓ વચ્ચે
રેલવે મંત્રાલયે રવિવારે પ્રવાસી ભાડું વધારી દીધું છે. નવા દરો 26 ડિસેમ્બરથી લાગુ થશે. સામાન્ય કેટેગરીમાં 215 કિમી સુધીની યાત્રા પર નવા દરો લાગુ થશે નહીં. પરંતુ 215 કિમીથી વધુ યાત્રા પર સામાન્ય કેટેગરીમાં દરેક કિમી પર 1 પૈસા, મેલ-એક્સપ્રેસ ટ્રેનોની નોન-એસી કેટેગરીમાં 2 પૈસા અને એસી
રેલવે દ્વારા બિનઉપયોગી કોચને ઉપયોગી બનાવી તેમાંથી સ્ટેશનોમાં રેલ કોચ રેસ્ટોરન્ટ બનાવવામાં આવી રહ્યા છે.અમદાવાદ મંડળમાં સમાવિષ્ટ ભુજ અને ગાંધીધામ સ્ટેશનમાં પણ રેલ કોચ રેસ્ટોરન્ટ બનાવવા 11 મહિના અગાઉ જાહેરાત કરાઈ હતી છતાં હજી સુધી આ સુવિધા ઉભી થઇ શકી નથી. હાલમાં પશ્ચિમ રેલ
તાલુકાના બન્ની વિસ્તારમાં આવેલા ઉધમો ગામની સીમમાં ચાલતા કતલખાના પર સ્થાનિક પોલીસે દરોડો પાડી ત્રણ ગાયનું કતલ કરનાર ૩ ઈસમોને દબોચી લીધા હતા.પોલીસે સ્થળ પરથી 220 કિલો ગૌ માંસ, કતલ કરવા ઉપયોગમાં લેવાયેલ 11 છરી અને કુહાડી સહીતનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને કોર્ટમાં રજુ કરતા ૩ દ

27 C