મહિસાગર મહિલા હેલ્પલાઇન 181 ટીમ દ્વારા લીબોદરા ચોકડી પાસેથી એક અજાણી મહિલા સખી વન સ્ટોપ સેન્ટર પર આશ્રય અને કાઉન્સિલગ માટે લાવવામાં આવી હતી. ત્યારબાદ યુવતીને શાંતિ થી બેસાડી પૂછપરછ કરવામાં આવતા તેને પોતાનું નામ જોશના વિનોદભાઈ ભગોરા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ કંઈ પણ બોલતા
લીમખેડા તાલુકાની દુધિયા પગાર કેન્દ્રની ઉમેદપુરા પ્રા.શાળાના આચાર્ય રીટાબેન પટેલે શાળામાં પ્લાસ્ટિક મુક્ત શાળા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. શાળાને પોલીથીન પ્લાસ્ટિક મુક્ત શાળા બનાવી છે. જુન 2025થી આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જેમાં અભિયાનનો મુખ્ય હેતુ બાળકો જન્મદિવ
કાલોલ તાલુકાના અલવા ગામ નજીક ફતેપુરી ગામે રહેતા રંગીત ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડને ઘરે એલસીબી પોલીસે રેડ કરી પ્રોહી મુદામાલ કબજે કર્યો હતો. ત્યારે સાંજના સમયે નશાની હાલતમાં રંગીતસિંહ ઉર્ફે ડેન્જો છત્રસિંહ રાઠોડ ડેરી પર આવી ક્યાં છે ચેરમેન ક્યાં છે સેક્રેટરી રમેશભાઈ તે
ગોધરાની સરકારી પોલીટેકનીક કોલેજ રોડ પરની સોસાયટી પાસે ખુલ્લી જગ્યામાં ડ્રેનેજના ટંદા પાણી ટેન્કરથી ઠાલવતા હોવાની વિડીયો વાઇરલ થયો હતો. ડપટના ગંદા પાણી ખુલ્લામાં ઠાલવતા દુગંર્ધથી સ્થાનિક રહીશો પરેશાન થયા છે. ગોધરાની સરકારી પોલી ટેકનીકલ કોલેજ રોડ પરની મેસરી નદીના નજીકની
ગોધરા પોલન બજાર વિસ્તારમાં મૂકાયેલા બે કન્ટેનર કચરાથી ભરાઈ જતાં કચરો બહાર રોડ પર ફેલાઈને ઢગલા થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અનિયમિત સાફસફાઈ અને કચરો રોજબરોજ નહીં હટાવવાને કારણે આ સ્થિતિ ઊભી થઈ છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફેલાયો છે.ગંદકીના ભરમાર વચ્ચે શ
હાલોલ તાલુકાના યુવક - યુવતીએ બે મહિના પહેલાં પ્રેમ લગ્નમાં સાક્ષી બનેલા યુવકને કાલોલના પીગળી ગામમાંથી બાઈક પર અપહરણ કરી યુવતીના કુટુંબના પાંચ ઈસમોએ ગામમાં લાવી ઝાડ સાથે બાંધીને મારી મારતાં પાંચેય ઈસમો વિરૂદ્ધ કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
સંજેલી તાલુકાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલ ઢેઢીયા ગ્રામ પંચાયત વિસ્તારમાં 21મી સદીમાં પણ લોકોને ઇન્ટરનેટ જેવી પાયાની સુવિધા માટે ફાંફા મારવા પડી રહ્યા છે. જંગલ અને ડુંગર વિસ્તારમાં પથરાયેલા ઢેઢીયા, ગલાનાપડ, કડવાનાપડ, વાણીયાઘાટી, અને ઢેઢીયાનળો સહિતની વસાહતોમાં પાંચ
દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રભારી મંત્રીશ્રીએ દાહોદ જિલ્લાના તેમજ આદિજાતી લોકોના વિકાસ માટેના કામોને પ્રાથમિકતા આપીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાહો
ગોધરા શહેરમાં ગેરકાયદેસર ગૌતસ્કરીની ઘટનાઓ સતત વધતી હોય ત્યારે જાફરાબાદ સાયન્સ કોલોની વિસ્તારમાં થોડા દિવસ પહેલાં વહેલી સવારે નંબર વિનાની સફેદ ગાડીમાં આવેલા શખ્સોએ ગાયને કારમાં ભરવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનીકોએ બુમાબુમ કરતા ગૌતસ્કરો ગાડીમાં જ ભાગી ગયા. આ આખી ઘટના નજીક
ફતેપુરા મુકામે નવા રોડ અને ફતેપુરા-સંજેલીમાં ફોરેસ્ટ વિભાગના નવા સર્કિટ હાઉસ માટે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા હસ્તે ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિધિ સંપન્ન થઇ હતી. આ અવસરે ફતેપુરાના પોલીસ લાઇન રોડથી તેલગોળા શાળા અને બાયપાસ રોડ સહિત તાલુકાના અન્ય ગામોમાં કુલ 34 રસ્તાઓ
સિંગવડ તાલુકામાં કોળી કર્મચારી મંડળ દ્વારા આયોજિત તૃતિય તેજસ્વી વિદ્યાર્થી સરસ્વતી સન્માન અને સમાજરત્ન સન્માન સમારંભ–૨૦૨૫ ભવ્ય રીતે યોજાયો. આ સમારંભમાં સિંગવડ, લીમખેડા અને સંજેલી તાલુકાના ઉત્તમ માર્ક્સ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિવિધ સરકારી વિભાગોમાં નવી નિમ
ફતેપુરામાં રોજબરોજ રાહત દરે ખાતર મેળવવા માટે ભારે પડાપડી સર્જાઈ રહી છે. ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ નામ લિસ્ટમાં આવી જતું હોવા છતાં વેરિફિકેશન પ્રક્રિયા ધીમી પડતા ખેડૂતોને સમયસર ખાતર મળતું નથી. છેલ્લા દસથી પંદર દિવસથી ખેડૂતો ધક્કામુક્કી વચ્ચે કતારમાં કલાકો સુધી ઊભા રહેવાનો વ
દાહોદની સેન્ટ મેરીઝ સ્કૂલના બે તેજસ્વી વિદ્યાર્થીઓ અને દેવગઢ બારિયાની રત્નદીપ ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિની ઈસરોમાં 10 દિવસ માટે પહોચ્યા છે. અવકાશ સંશોધન, વૈજ્ઞાનિકોની કાર્ય પદ્ધતિથી સહિત વિવિધ બાબતો અંગે માહિતગાર થશે. ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ ટેકનોલોજી સ્પેસ એપ
છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદીમાંથી સફેદ રેતીનો કાળો કારોબાર કરનારાઓએ ફરી એકવાર માથું ઉચકતાં લોકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. ઉલ્લેખનીય એ છે કે આ સફેદ રેતીની રાજ્ય બહાર મોટી માત્રામાં માંગ દિવસે ને દિવસે વધી રહી છે. આથી કાયદાને ઘોળીને પી જનારાઓમાં પણ વધારો થતાં સફેદ રેત
રાજયના પશુપાલન વિભાગ અને ગ્રીન હેલ્થ સર્વિસિસના સંકલનથી છોટાઉદેપુર જિલ્લામાં 10 ગામ દીઠ ફરતું પશુદવાખાનું શરૂ કરાયું છે. જે છોટાઉદેપુર જિલ્લાના આજુબાજુના ગામડાઓમાં અબોલ પશુ પક્ષીઓ માટે મફત સારવાર આપી એક અમૂલ્ય વરદાન તથા આશીર્વાદરૂપ સાબિત થયું છે. છોટાઉદેપુર જિલ્લાના જે
ગોધરા શહેરના ગોંદરા વિસ્તારમાં આવેલ ઇદગાહ મહોલ્લા વિસ્તારમાં રહેતા હસન અબ્દુલ હકીમ કારીગર 16 નવેમ્બરના રોજ સવારના અરસામાં ગોંદરા વિસ્તારમાં આવેલ મૈત્રી સર્કલ પાસે ગયા હતા. તે દરમ્યાન તારિક નૂર મોહમ્મદ મિસ્ત્રી અને શાહરૂખ એહમદ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે તારો ભાઈ સાક્ષીમ
ભરૂચ વિધાનસભા વિસ્તારમાં આવેલી ભોલાવ જિલ્લા પંચાયત બેઠકના સભ્ય તથા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ ભોલાવ ગામના મૈત્રીનગર સોસાયટીના કોમન પ્લોટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય રમે
કવાંટ તાલુકામાં આવેલું તુરખેડા ગામ કુદરતી સૌંદર્યથી શોભતું હિલ સ્ટેશન જેવી ઠંડક અને હરિયાળી ધરાવે છે. ગામની આસપાસ પહાડી વિસ્તારો, ઝરણા અને ઘન ઝાડોની હરિયાળી પ્રવાસીઓનું મન મોહી લે છે. વાંકાચૂકા માર્ગોથી પસાર થઈ અહીં પહોંચતા પ્રવાસીઓ કુદરતી શાંતિનો અભૂતપૂર્વ અનુભવ કરે છે
પ્લાસ્ટિકના કારણે પર્યાવરણને થઇ રહેલા નુકસાન અંગે શાળાના વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા તેમજ શાળાને પ્લાસ્ટિક મુકત બનાવવા બદલ હિંમતનગરની મહેરપુરા પ્રાથમિક શાળાને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. કપડવંજની મહમદપુરા પ્રાથમિક શાળાના મિનેષ પ્રજાપતિ તથા પુલકુ
હિંમતનગરના સાબર સ્ટેડિયમમાં સાંસદ શોભનાબેન બારૈયા તેમજ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારાની ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ- 2025 નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. કાર્યક્રમમાં લોકસભા સાંસદ શોભનાબેન બારૈયાએ જણાવ્યું હતું કે સાંસદ ખેલ મહોત્સવ – 2025 યુવાનોમાં રમતગમત પ્રત્યેનો ઉત્સાહ,
હિંમતનગર શહેરમાં કૂતરાંઓનું ખસીકરણ અને રખડતાં ઢોરોની સમસ્યાના સમાધાન માટે પાલિકાએ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દિવાળી સુધીમાં ઢોર માલિકો સાથે બેઠક કરી રજિસ્ટ્રેશન, ટેગિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા અને શહેરના 980 કૂતરાંનું ખસીકરણ કરવાનો પ્રારંભ થવાનો હતો. પરંતુ બંનેમાંથી એક પણ પ્
હિંમતનગર પાલિકા દ્વારા બે એક માસ અગાઉ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 2.78 કરોડના ખર્ચે પેવર બ્લોક રોડ બનાવવા ઓનલાઈન ટેન્ડરો મંગાવ્યા હતા. જેમાં M300 જનરલ ગ્રેડ વાળા બ્લોક વાપરવાનું દર્શાવ્યું હતું. પરંતુ પછી સુધારાસૂચિ બહાર પાડી વ્યારા કંપની બ્લોક'' વાપરવાનો નિર્દેશ કરતાં વિવાદ
પોરબંદરમાં દાયકાથી પણ વધુ સમય બાદ પેરેડાઈઝ પાસેની શોપિંગ માર્કેટની હરરાજી કરી હતી પરંતુ દુકાનના ભાડા, અપસેટ પ્રાઇઝ વધારે હોવાથી કોઈ પાર્ટીએ રસ દાખવ્યો ન હતો જેથી પાલિકા દ્વારા ભાડા ઓછા કરવા અને અપસેટ પ્રાઇઝ ઘટાડવા તથા 9 વર્ષના ભાડા કરાર વધારવા દરખાસ્ત કરી હતી, જે દરખાસ્ત દ
પોરબંદરના ઓડદર રોડ પર મનપા હસ્તકનો એસટીપી એટલેકે, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે, જે પ્લાન્ટમાં શહેરની ભૂગર્ભ ગટરનું પાણી ફિલ્ટર કરવામાં આવે છે. આ પ્લાન્ટમાં ખામી સર્જાતા 15 દિવસથી પ્લાન્ટ બંધ હોવાથી પ્લાન્ટનું ગંદુ પાણી ફિલ્ટર કર્યા વિનાજ નિકાલ કરવામાં આવે છે, જેને કારણ
માધવપુર બીચ હાઈવે પર આર્મીની જીપ્સી સાથે કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના કારણે આર્મીના સાધનો ભરેલ વાહન પાસે ફરજ પર ઉભેલ જવાન સહિતનાઓને ગંભીર ઇજા પહોંચી હતી, આ અંગે કાર ચાલક સામે ગુન્હો નોંધાયો છે. સિકંદરાબાદમાં રહેતા સીતોન મોનીમોહન ધોષ નામના આર્મોડ રેજીમેટ નામ
ટિકેન્દ્ર રાવલ સરકાર એવા ગામો માટે નવી નીતિ તૈયાર કરી રહી છે, જે શહેરની હદમાં હોવા છતાં સુવિધાથી વંચિત છે. ચારેય મહાનગરો આસપાસ આશરે 2800 ચો.કિમીમાં આવેલા 400થી વધુ ગામો, પેરી-અર્બન વિસ્તારોને શહેરની જેમ વિકસાવવાશે. સરકારે બનાવેલી 11 સભ્યોની સમિતિની પહેલી બેઠક મળી ચૂકી છે અને ડિસે
ભરૂચ જિલ્લામાં ચાલી રહેલી બીએલઓની કામગીરી દરમિયાન બીએલઓ અને સુપરવાઈઝર સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા માટે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખે આગ્રહ પૂર્વક રજૂઆત સાથે કલેકટરને આવેદન પાઠવ્યું હતું. તેમાં જણાવવામાં આવ્યું છે કે, જુદા જુદા તાલુકામાંથી બીએલઓને હેરાન ગતિ બ
ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમાવાસીઓનું આગમન શરૂ થઇ ગયું છે. વિશ્વમાં માત્ર એક નર્મદા નદીની પરિક્રમા થાય છે. નર્મદા પરિક્રમા નું વિશેષ મહત્વ પણ રહેલું છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પરિક્રમા વાસીઓ માટે રહેવાની જમવાની તમામ સુવિધ
વિજાપુર તાલુકાના કેલીસણા ગામે જાહેર રસ્તા પર કરાયેલ મકાનનું દબાણ દૂર કરવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટીને લેખિત રજૂઆત કર્યાને 15 દિવસ થવા છતાં દૂર કરવામાં અખાડા કરાઇ રહ્યા છે. ગામના પટેલ ગોવિંદભાઈ હરિભાઈએ પંચાયતમાં કરેલી રજૂઅાતમાં જણાવ્યું છે કે, ગામના પટેલ ગણેશભાઈ જોઈત
મહેસાણાના પરા વિસ્તારમાં આવેલી 72 કોઠાની અૈતિહાસિક વાવની ઇંટો જીર્ણ થઇ હોય ત્યાં તેનું મૂળરૂપ જળવાઇ રહે તે રીતે મરામત કરી, વાવ આસપાસની જગ્યાને હેરિટેજ લૂકમાં ડેવલપ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા એજન્સીરાહે કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા કરી દેવાઇ છે અને આગામી તા.25મી પછ
ઊંઝ| ઊંઝા નજીક મક્તુપુર હાઈવે પર બ્રિજ નજીક મધરાતે અકસ્માત સર્જાયો હતો. હરિયાણાથી પશુઆહાર ભરીને ટ્રક બ્રિજની બાજુમાં ધીમે જતાં પાછળથી આવી રહેલ બીજી ટ્રકે ટક્કર મારી દીધી હતી. જેને લઈ આગળની ટ્રક પલટી ખાઇ જવા પામી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી જોકે બન્ને વાહનોને નુક
ભાસ્કર ન્યૂઝ । ખેરાલુ ઊંઝા, વિસનગર, વડનગર, સતલાસણા અને ખેરાલુ તાલુકામાં માવઠાથી ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજ્ય સરકારે વળતર આપવાની જાહેરાત કરતાં અત્યાર સુધીમાં 2973 ખેડૂતોએ ઓનલાઇન અરજી કરી છે. અહીંના મદદનિશ કૃષિ નિયામક હિતેશભાઇ ચૌધરીના જણાવ્યા મુજબ, સોમવારે બપોરે 12 વાગ્યા
મહેસાણા શહેરમાં એકબાજુ આઇકોનિક રોડની કામગીરી ચાલી રહી છે, તો બીજી બાજુ ટ્રાફિકની સમસ્યાને નાથવા નીતનવા અખતરા કરવામાં આવી રહ્યા છે. શીરદર્દ બની ગયેલા ટ્રાફિક પોઇન્ટ રાધનપુર ચોકડી રોડ સાઈડ ડિવાઈડર લંબાવવા માટે મહાનગરપાલિકા દ્વારા ખાડા કરવામાં આવ્યા પછી કામગીરી સાવ ધીમી ગ
મહેસાણા શહેરમાં મતદાર યાદી સુધારણાની કામગીરીમાં ગણતરી ફોર્મ ભરાયા પછી હવે ફોર્મ કલેકશન અને તેને ડિઝિટલાઇઝ કરવા માટે બીએલઓ સાથે 60 સહાયકોની નિયુક્તિના આદેશ સોમવારે રાત્રે પ્રાંત દ્વારા શરૂ કરાયા હતા. પ્રાંત અધિકારી ઉર્વિશ વાળંદે કહ્યું કે, શહેરમાં સૌપ્રથમ જે બુથમાં 1200 કરત
મહેસાણા-અમદાવાદ હાઈવે પર વાહન ચાલકો દ્વારા અકસ્માતને પગલે 7 જગ્યાએ તોડી પાડવામાં આવેલા ડિવાઈડર રિપેર નહીં કરતાં અને જિલ્લાની રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં વારંવાર ગેરહાજર રહેતાં ટોલ કંપની ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (GRICL)ના સીઈઓને જિલ્લા કલેક્ટરે તાજેતર
કિશોર અવસ્થાની કાચી ઉંમરની લાગણીઓ ઝૂમતી હોય, ભટકતી હોય, પરંતુ યોગ્ય માર્ગદર્શન મળે તો એ જ લાગણીઓ ભવિષ્ય માટે સાચો માર્ગ બનાવી શકે છે. આવો જ એક કિસ્સો મહેસાણા પંથકમાં બન્યો છે. એક સ્કૂલમાં બે નાજુક દિલો એકબીજાને જાણી રહ્યાં હતાં. પહેલા બંને વચ્ચે સામાન્ય મિત્રતા હતી, પરંતુ સમય
બહુચરાજી તાલુકાના દેલવાડા, ધારપુરા, દેલપુરા, સુજાણપુરા, એંદલા, ડોડીવાડા અને ઇન્દ્રપ સહિત સાત ગામોના ક્ષત્રિય સમાજના આગેવાનોએ સમાજના ઉજળા ભવિષ્ય માટે સામાજિક પરિવર્તન માટે તૈયારી હાથ ધરી છે. જેના પ્રથમ ચરણમાં દેલવાડા (ખાંટ) ગામે ગંગવા કૂવાની સિકોતર માતાજીના સાનિધ્યમાં રવ
પાટણ સરસ્વતી તાલુકાના કાનોસણ સેવા સહકારી મંડળીમાંથી લોન મેળવવા જમીનના 7/12 તથા 8-A ના ખોટા દસ્તાવેજો તૈયાર કરી બેંક સાથે કુલ 2,47,06,623ની છેતરપિંડી આચરી હોવાનો ગુનો વાગડોદ પોલીસ મથકે નોંધાયો હતો. આ ગુનામાં આરોપીઓ બે વર્ષથી નાસતા ફરતા હતા. વાગડોદ પોલીસે બાતમી આધારે આરોપી 4 શખ્સોને ઝડ
સૌરાષ્ટ્રવાસીઓ સુરતને કર્મભૂમિ બનાવી છે, જ્યારે સંતાનો સુરતમાં તો વડીલો ગામડાઓમાં રહે છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં પાટીદાર પરિવારો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે, ત્યારે ભાવનગરના દેવળીયા ગામમાં ખેડૂત પાટીદાર વૃદ્ધ દંપતી પર પ્લોટ પચાવી પાડવા માટે હુ
ટેક્સ બચાવવા લોકો દ્વારા ચોક્કસ પાર્ટીઓને ડોનેશન આપી પાર્ટી પાસેથી કમિશન બાદની રકમ પર મેળવી રહ્યા હોવાની હકીકતના પગલે આયકર વિભાગના અધિકારીઓએ અમદાવાદ અને ગાંધીનગરની 25 પ્રિમાઇસીસ સહિત ગુજરાતભરમાં 32 પ્રિમાઇસીસ પર દરોડા પાડીને કામગીરી શરૂ કરી હતી. જે પૈકી મોટા ભાગની પ્રિમા
સુરતમાં હત્યાનો સિલસિલો એક બાદ એક ચાલી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ત્રીજી હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગતરોજ રાત્રે રાંદેર વિસ્તારમાં હત્યા થઈ હતી. ત્યારબાદ આજે બપોરે લિંબાયતમાં હત્યાનો બનાવ બન્યો હતો. જ્યારે હવે પુણા વિસ્તારમાં 19 હજાર રૂપિયા માટે મિત્રે મિત્રને માથામાં ટાઇ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મોટી કાંટળી ગામે લકુલીશ યોગાશ્રમ પંચમહાલ દ્વારા ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. સનાતન સંસ્કૃતિના પ્રસાર અને સેવા કાર્યોના ઉદ્દેશ્ય સાથે આ આશ્રમનું નિર્માણ કરવામાં આવશે. સંસ્થાના સ્થાપક પૂજ્ય પ્રિતમ મુનિજીના સાન્નિધ્યમાં આ કાર્યક્રમ સં
વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસની લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાઈનીઝ (પ્લાસ્ટિકની માંજા) દોરીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન રૂ. 17 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આ કાર્યવાહીમાં એક શખસને ઝડપી સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. વડો
વેરાવળ-ભીડીયા-પાટણ વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ ફરી ચર્ચામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદોને પગલે સોમનાથના કોંગ્રેસ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. ધારાસભ્યના પત્ર મુજબ, આ વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ થાય
ગુજરાત હાઈકોર્ટએ સોમવારે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ આ ACPCને નિર્દેશ આપ્યો હતો કે એક વિધાર્થિનીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના MBBS કોર્સમાં પ્રવેશ આપવામાં આવે. આ નિર્ણય વિધાર્થિનીએ ડોક્ટર બન્યા બાદ ફરજિયાત એક વર્ષની ગ્રામ્ય સેવાને ઉપરાંત વધારાના છ મહ
ગાંધીનગરના ઈન્દિરાનગર (સેક્ટર-24)માં રહેતા ભાવેશકુમાર કાન્તીભાઈ સોલંકીએ ગુડા (ગાંધીનગર શહેરી વિકાસ સત્તા મંડળ) પર ગંભીર બેદરકારીના આક્ષેપ સાથે મુખ્યમંત્રીથી લઈને શહેરી વિકાસ વિભાગ સુધી રજુઆત કરી છે. તેમની ફરિયાદ મુજબ અનુસૂચિત જાતિના વેઇટિંગ લિસ્ટ મુજબ તેમને મળવાનું રહેલ
ખેલ મહાકુંભ-૨૦૨૫ અંતર્ગત પંચમહાલ જિલ્લા કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા તા. ૧૭/૧૧/૨૦૨૫ના રોજ ગોધરા ખાતેના સ્પોર્ટ્સ સંકુલ અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ ખાતે યોજાઈ હતી. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભા
બોપલમાં માઇકાના વિદ્યાર્થીની સરાજાહેર ચપ્પાના ઘા મારીને હત્યા કરનાર પોલીસ કર્મચારી વીરેન્દ્રસિંહ પઢેરિયાએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જેને કોર્ટે 5 હજારના દંડ સાથે ફગાવી દીધી છે. અગાઉ વિરેન્દ્રસિંહ પઢેરીયાએ જુલાઈ મહિનામાં હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી પરંતુ, હાઈક
મહેસાણા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશને દેશવ્યાપી સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે, જેમાં 8.37 કરોડ કરતા વધુના ટર્નઓવર સાથેના એક 'એક મ્યુલ એકાઉન્ટ' સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ખાતાનો ઉપયોગ દેશના 7 રાજ્યોમાં થયેલા સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલા નાણાં જમા અને ઉપાડવા માટે કરવામાં આવ
વાપી વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓ આચરી લોકોમાં ભય ફેલાવનાર 21 વર્ષીય સત્યમ સુભાષ યાદવને વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા પાસા હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો છે. તેને કચ્છ-ભુજની ખાસ જેલ પાલારા ખાતે મોકલી દેવાયો છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા મા
રાજકોટના કોઠારીયા રોડ પર શુભ એપાર્ટમેન્ટમાં રહેતા ડોલીબેન અમિતભાઈ આચાર્ય (ઉ.વ.24)એ 15 નવેમ્બરના રોજ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જે અંગે મૃતકના ભાઈ અભિષેક તુષારભાઈ વ્યાસ (ઉ.વ.28) દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ડોલીબેનના પતિ અમિત ચંદ્રકાંતભાઈ આચાર્ય અને મિત્ર જય મનોજભાઈ સોનગ
નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાસ્તાન સર્કલ પાસે મુંબઈના વેપારી પાસેથી પોલીસ કર્મચારીઓએ 5.88 લાખ રૂપિયા પડાવ્યા હતા. જે બાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં TRB અને પોલીસ કર્મચારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તપાસના આધારે રાજેશ પટણી અને વિશાલ પટણીની ધરપકડ કરી હતી. જો ક
મોરબી જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં એક સગીરા અને એક યુવકનું મૃત્યુ થયું છે. માળિયા (મી)ના રોહીશાળા ગામે એક સગીરાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે મોરબી નજીક એક કારખાનાના ક્વાર્ટરમાં યુવકે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રથમ ઘટનામાં, મૂળ છોટ
આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ગલીયાણા ગામેથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. અવની ફાર્મ નજીક દવાખાનું ચલાવતા આ ઈસમ વિરુદ્ધ ગુજરાત મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આણંદ SOG પોલીસને ગલીયાણા ગામે બોગસ ડોક્ટર દવાખાનુ ચલાવતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલી
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે વિકસિત ભારત યુવા કનેક્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભારત સરકારના 'મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ' તથા 'માય ભારત' અંતર્ગત યોજાયો હતો. યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર હરિભાઈ કાતરીયાની વિશેષ ઉપસ્થિતિમ
રાજકોટ મનપાની દબાણ હટાવ શાખાએ પખવાડિયામાં અલગ-અલગ વિસ્તારમાંથી 68 રેંકડી-કેબીન જપ્ત કર્યા હતા તો શહેરમાં આડેધડ મારવામાં આવતા 2100થી વધુ બોર્ડ-બેનર કબ્જે કર્યા છે. શહેરના જામનગર રોડ, જલારામ ચોક, જંકશન પ્લોટ, રેસકોર્ષ રોડ, યુનિ.રોડ, 150 ફુટ રોડ, નાણાવટી ચોક, સાધુવાસવાણી રોડ, પટેલ કન્
જૂનાગઢ જિલ્લાના માણાવદર-વંથલી પંથકમાં ધારાસભ્ય અરવિંદ લાડાણી અને સ્થાનિક ખેડૂતો વચ્ચે 'ફોન કોલ' અને 'સળી'ના મુદ્દે એક મોટો અને ઉગ્ર વિવાદ ઊભો થયો છે. કમોસમી વરસાદથી થયેલા નુકસાન, ખાતરની અછત અને રોડ-રસ્તાની બિસ્માર હાલત જેવી ગંભીર સમસ્યાઓ અંગે રજૂઆત કરવા માટે જ્યારે ખેડૂતો ધ
પોરબંદર જિલ્લામાં ખેલ મહાકુંભ-2025નો પ્રારંભ થયો છે. આ અંતર્ગત વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 1,158 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જિલ્લામાં કુલ ચાર મુખ્ય સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા પોરબંદરના ચોપાટી સ્થિત હાથી સ્કેટિંગ ગ્રાઉન્ડ
અમદાવાદના કોતરપુર વોટર વર્કસમાંથી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પાણી પહોંચાડવામાં આવે છે. આજે 17 નવેમ્બરના રોજ સવારે 300 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાવર સપ્લાયનો કટ થયો હોવાના કારણે આવતીકાલે 18 નવેમ્બરના રોજ સવારે અંદાજિત 15 મિનિટ જેટલું પાણી ઓછું આપવામાં આવશે. શહેરના
15 ઓગસ્ટ, 1975નો દિવસ. બાંગ્લાદેશના જનક અને શેખ હસીનાના પિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાન અને તેમના પરિવારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. સૈન્યએ બળવો કર્યો અને દેશ પર કબજો કરી લીધો. શેખ હસીના તેમના પતિ એમ.એ. વાઝેદ મિયા અને તેમના બાળકો સજીબ અને સાયમા બચી ગયા. કારણ કે હત્યા થઈ તે સમયે
વલસાડના સાંઈ લીલા મોલ પાસે સર્વિસ રોડના ખોદકામ દરમિયાન GSPCની ગેસ લાઇન તૂટી ગઈ હતી. આ ઘટનાને કારણે વિસ્તારના 400થી વધુ ઘરોમાં ગેસ પુરવઠો ખોરવાઈ ગયો હતો. DFICCની ટીમ દ્વારા સર્વિસ રોડની કામગીરી ચાલી રહી હતી. DFICCના કોન્ટ્રાક્ટર દ્વારા JCB વડે રોડ ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. તે દરમિયા
પોરબંદર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા 15 નવેમ્બર, 2025ના રોજ આઈ.ટી.આઈ, પોરબંદર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં હાજર રહેલા 23 ઉમેદવારોમાંથી 14ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીમેળા માટે પોરબંદર જિલ્લાના 817થી વધુ ઉમેદવારોને ઈ-મેલ અને સોશિ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 13 નવેમ્બરથી 16 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રણ દિવસ માટે ફૂડ ફેસ્ટિવલમાં કુલ 4.20 લાખ લોકો આવ્યા હતા. જોકે, ફૂડ ફેસ્ટિવલમાં ખાણીપીણી માટે સ્થાનિક ખાણીપીણીના વેપારીઓ સાથે હાઈફાઈ હોટલ લક્
પોરબંદર ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત PC PNDT એક્ટ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર તાલુકા આરોગ્ય કચેરી ખાતે યોજાયેલા આ સેમિનારમાં તાલુકાના આરોગ્ય કાર્યકરો અને આશા બહેનોને PC PNDT કાયદા અંગે સચોટ માર્ગદર્શન આપી જ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પર આજથી એરકોન્કોર્સ (પ્લેટ ડેસ્ક)ની કામગીરી શરૂ થઈ રહી હોવાથી આ બંને પ્લેટફોર્મ પર મુસાફરોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આગામી 125 દિવસ સુધી પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચ પરથી ઉપડતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર ત્રણ અને
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઉમેદપુરા ગામમાં 108 એમ્બ્યુલન્સ ટીમે સરાહનીય કામગીરી કરી છે. ખેતરમાં રહેતી એક મહિલાની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, સોમવારે બપોરે એક વાગ્યે 108 ને ફોન મળ્યો હતો. ઉમેદપુરાના ખેતરમાં ર
આણંદના ચિખોદરા ગામમાં રીક્ષા ભાડે રાખવા બાબતે થયેલા વિવાદમાં એક રીક્ષાચાલકે દંપતી સહિત ત્રણ વ્યક્તિઓ પર ચપ્પા વડે હુમલો કર્યો હતો. આ ઘટના ગત તારીખ 15 નવેમ્બરના રોજ રાત્રિના સમયે બની હતી, જેમાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિ
બનાસકાંઠાના પાલનપુર ખાતે કલેક્ટર કચેરી સભાખંડમાં સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારી યોજનાઓની જિલ્લા સ્તરે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે અધિકારીઓને
દિલ્હીમાં તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટની ઘટનાને પગલે, તમામ સંવેદનશીલ અને મહત્વપૂર્ણ સ્થાપનોની સલામતી સુનિશ્ચિત કરવા માટે દેશભરના સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જેને લઈ આજે વડોદરા એરપોર્ટ પર પણ વિવિધ સુરક્ષા એજન્સીઓ સાથે બેઠક મળી હતી. સુરક્ષાને વધુ મજબૂત
વર્ષ 1989માં રાજ્યના તત્કાલીન આરોગ્ય મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય એવા વલ્લભભાઈ પટેલની હત્યા કરવામાં આવી હતી. જે સંદર્ભે રાજકોટ સેશન્સ કોર્ટે વર્ષ 1996માં ચુકાદો આપતા આરોપી અનિરુદ્ધસિંહ ચંદુભા જાડેજાને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડ્યા હતા. જેની સામે રાજ્ય સરકારે ગુજરાત હાઇ
સુરતના લિંબાયત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાની એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક લિસ્ટેડ બૂટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપ્પુના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા પાછળ ધંધાકીય અદાવત કે પૈસાની લેતીદેતી મુખ્ય કા
વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખા દ્વારા શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં ફૂડ સેફ્ટી ઓફિસરોની બે ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 20 જેટલા ખાધ્ય વ્યવસાય એકમોનું આ કાર્યવાહીમાં શંકાસ્પદ ખા
ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ ચોટીલા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા, મુળી અને થાનગઢ તાલુકાના તમામ પેટ્રોલ પંપ ધારકોને પરિપત્ર દ્વારા સૂચના આપી હતી. આ સૂચના મુજબ, ગેરકાયદેસર ખનનના કામમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપ પર પાર્ક કરવા નહીં. જો આવી વિગતો સામે આવશે તો જમીનની શરતભ
ગોધરા શહેરમાં ગૌતસ્કરી, ગેરકાયદેસર કતલખાના અને ગૌરક્ષકો પર હુમલાની ઘટનાઓ વધતા નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. આ મુદ્દે ગોધરાના યુવાનોએ 17 નવેમ્બરના રોજ જિલ્લા કલેક્ટર અજય દહિયાને આવેદનપત્ર સુપરત કર્યું હતું.થોડા દિવસો પહેલાં જાફરાબાદ સાયન્સ કોલોની વિસ્તારમાં ગૌતસ્કરીનો
આગામી 20 નવેમ્બરના રોજ ભાવ કમલમ કાર્યાલયના ઉદ્ઘાટન માટે કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા ભાવનગરના આંગણે પધારશે આગામી 20 નવેમ્બરના રોજ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય કાર્યાલય “ભાવ કમલમ”ના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મ
ગાંધીનગર જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને વહનના દૂષણને ડામવા માટે જિલ્લા કલેક્ટર મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની ટીમે સઘન ઝુંબેશ ચલાવી છે. મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સૂચના હેઠળ ક્ષેત્રીય ટીમ દ્વારા રોડ ચેકિંગની રાઉન્ડ ધ ક્લોક કામગી
દસાડા વિધાનસભા ક્ષેત્રના પાટડી ખાતે 'સરદાર યુનિટી માર્ચ' અંતર્ગત એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્ય અને પ્રાંત અધિકારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પદયાત્રા રાષ્ટ્રવ્યાપી 'સરદાર @ 150 : યુનિટી માર્ચ' કાર્યક્રમનો એક ભાગ હતી. તે
સુરતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ખટોદરા વિસ્તારમાં આવેલી જાણીતી સુરભી ડેરીનું પનીર સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયું છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્શન વિભાગ દ્વારા લેવામાં આવેલા પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ જ
જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજવામાં આવતા સરકારી કાર્યક્રમોમાં વિપક્ષના જનપ્રતિનિધિઓને ઇરાદાપૂર્વક બાકાત રાખવામાં આવતા હોવાનો ગંભીર આક્ષેપ જૂનાગઢ શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોષીએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્
પાટણ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સમી ખાતે આવેલી ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL)ની કચેરીમાં કાર્યવાહી કરી છે. UGVCLના જુનિયર એન્જિનિયર ચિંતન કુમાર પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, UGVCLના વર્ગ-2ના અધિકારી ચિંતન કુમાર પટેલે એક જાગૃત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે યોજાયેલી સંકલનની બેઠકમાં શહેરીજનોને માટે અતિ ત્રાસદાયક ટ્રાફિકનો પ્રશ્ન ગુંજયો હતો. પ્રશ્નને ઉકેલવા માટે રસ્તા પહોળા કરવા સહિતની રજૂઆતો કરાઈ હતી. સાંસદ રામભાઈ મોકરીયા અને ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ જનતાને થત
સુરતના મહીધરપુરા વિસ્તારમાં આવેલા ચાર માળાના એક મકાનમાં ચોથા માળે બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. જ્વેલરી પોલિસિંગ કરવાની સાથે રહેતા રૂમમાં સિલિન્ડર લીકેજ બાદ આગ લાગી ગઈ હતી. આ આ ફ્રીજના કમ્પ્રેસર સુધી પહોંચી જતા તેમાં ધડાકો થયો હતો. જેના પગલે બિલ્ડીંગમાં ર
રાજકોટ શહેરમાં સ્પાની આડમાં દેહ વ્યાપારના ધંધાનો અતિરેકે થયો છે ત્યારે પોલીસે પણ આ દૂષણ સામે કમર કસી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગની ટીમે શહેરના જીવરાજ પાર્કમાં આવેલ કેન્વાસ સ્પામાં બોડી મસાજની આડમાં ત્રણ મહિનાથી ધમધમતું કુટણખાનું ઝડપી પાડી ત્રણ સંચાલક, રિસેપનિસ્ટ, હાઉસ ક
પાવીજેતપુરના તૂટી ગયેલા સિહોદ પુલ તેમજ ડાયવર્ઝન ઉપર આવી દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ મુલાકાત લઈ સરકારી ડાયવર્ઝનને સત્વરે બનાવવામાં નહીં આવે તો નશનલ હાઇવે નંબર 56ના રસ્તાને બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. દેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજરોજ પાવીજેતપુર નજીક સિહોદ
સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિના અવસાન બાદ તેમની અંતિમયાત્રામાં પરિવારજનો શોકમગ્ન થઈ નનામીને ખભે લઈ 'રામ નામ સત્ય હૈ' બોલતા હોય છે. પરંતુ, મોડાસા શહેરમાં એક 85 વર્ષીય વયોવૃદ્ધ વેપારીની અંતિમયાત્રા પરંપરાગત રીતથી વિરુદ્ધ, વાજતે-ગાજતે અને ડીજેના તાલે નીકળતા નગરજનોમાં આશ્ચર્ય ફે
જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલા સંકલ્પ રેસ્ટોરન્ટમાં ગ્રાહકની ફરિયાદ બાદ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રસોડામાં ટાઇલ્સ બદલવાની અને સ્વચ્છતા સુધારવાની સૂચના સાથે રેસ્ટોરન્ટને બે દિવસ માટે બંધ રાખવાનો આદેશ અપાયો છે. ધારાબેન જેઠવા નામના ગ
દેશમાં વારંવાર થતા ફેક કોલ્સ અને તાજેતરમાં દિલ્હીમાં બનેલી બ્લાસ્ટની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, કેશોદ એરપોર્ટ ખાતે સુરક્ષા તંત્ર દ્વારા આજે એક મહત્ત્વપૂર્ણ અને હાઈએલર્ટ મોકડ્રિલ યોજાઈ હતી. આ મોકડ્રિલનો મુખ્ય હેતુ એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ચકાસવાનો અને આપત્તિજનક પરિસ્
ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના વનાસણા ગામના 20 વર્ષીય વાઘુજી ઠાકોરે 2024માં અગ્નિવીર ભરતીમાં સફળતા મેળવીને પોતાના અને પરિવારના સ્વપ્નને પાંખો લગાવી હતી પરંતુ, તાલીમ દરમિયાન દોડતી વખતે ફિનિશિંગ લાઇન નજીક પડી જવાથી પગમાં ફ્રેક્ચર થયું અને બેંગલુરુના કમાન્ડ હોસ્પ
પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલમાં 70 વર્ષીય વૃદ્ધનું પ્રોસ્ટેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જોકે, ઓપરેશન દરમિયાન દર્દીને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તબીબોએ તાત્કાલિક CPR આપી તેમનો જીવ બચાવ્યો હતો. તબીબોની સમયસરની સારવાર અને કુશળ કામગીરીના કારણે વૃદ્ધ ગંભીર સ્થિતિમાંથી બ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ મિલકતોમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવા માટે વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 17 નવેમ્બરના રોજ મળેલી વોટર સપ્લાય કમિટીમાં નિર્ણય કરાયો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ 1230 જેટલી મિલકતોમાં રૂ. 23.63 કરોડન

23 C