વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણના ડાભેલ વિસ્તારમાં આવેલા એસ પેકેજીંગ યુનિટમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગની તીવ્રતા એટલી વધુ હતી કે દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે સમગ્ર ઔદ્યોગિક વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટી
જામનગર મહાનગરપાલિકાની મેયર ઇલેવન અને કમિશ્નર ઇલેવન ટીમો ભાવનગર ખાતે યોજાનારી ઇન્ટર કોર્પોરેશન ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહી છે. આ ટીમોના વિજય માટે આજે, 5 જાન્યુઆરી, 2026ના રોજ ચેરમેનની કચેરીમાં પૂજન વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂજન વિધિમાં મેયર વિનોદભાઈ ખીમસૂરિયા,
ગોધરાના સિંગલ ફળિયા રોડ પર આવેલા વન વિભાગના ઘાસ ગોડાઉન આસપાસ સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ વન વિભાગે આ કાર્યવાહી કરી છે, જ્યાં સૂકા ઘાસ અને ઝાડીઓને કારણે આગ લાગવાનું મોટું જોખમ હતું. પશ્ચિમ વિસ્તારમાં આવેલા આ પાંચ ઘાસ ગોડાઉનની આસપાસ જંગલ જેવી સ્
ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય (BVM) દ્વારા બે દિવસીય 'ઓપન હાઉસ-02' ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇસી એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ્સ, એડમિશન કમિટી અને IEI સ્ટુડન્ટ ચેપ્ટર્સ સંયુક્ત રીતે જોડાયા હતા. ઇવેન્ટનું મુખ્
ભરૂચ જિલ્લામાં SIR પ્રક્રિયા દરમિયાન નો-મેપિંગ અને લોજિસ્ટિક કારણોસર મતદારોને અપાયેલી નોટિસ અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ગૌરાંગ મકવાણાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસે માંગ કરી હતી કે, આ પ્રક્રિયા મતદાન મથક પર જ બીએ
બ્રહ્મક્ષત્રિય પ્રવાસ સમિતિના સભ્યોએ વડોદરાના ઐતિહાસિક લક્ષ્મીવિલાસ મહેલની મુલાકાત લીધી. આ મુલાકાતમાં અમદાવાદના 37, વડોદરાના 4 અને ભરૂચના 4 સહિત કુલ 45 જ્ઞાતિજનો જોડાયા હતા. આ પ્રવાસ સમિતિએ રીસોર્ટ અને પિકનિકના પરંપરાગત ખ્યાલથી અલગ માર્ગ અપનાવીને સાંસ્કૃતિક અને ઐતિહાસિક સ
મોરબી જિલ્લાના માળીયા (મી) તાલુકાના સાત ગામના ખેડૂતોએ આજે મોરબી કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોએ ભાજપના આગેવાનો સાથે મળીને ખાનગી વીજ કંપનીની લાઇનના પોલ ઊભા કરવા સામે પૂરતા વળતરની ગ કરી છે. કચ્છથી જામનગર જતી ખાનગી વીજ કંપનીની વીજ લાઇન માળીયા (મી) તાલુકાના
ભાવનગર એરપોર્ટ 'સુમસામ', વિકાસની વાતો વચ્ચે કનેક્ટિવિટી છીનવાતા કોંગ્રેસ આક્રમક, આંદોલનની ચીમકી ભાવનગરવાસીઓ માટે હવાઈ સેવાને લઈને સારા સમાચાર સામે આવ્યા છે ભાવનગર એરપોર્ટ પર લાંબા સમયથી ખોરવાયેલી હવાઈ સેવાઓ ફરી શરૂ થવાની આશા જાગી છે, જે જાન્યુઆરીથી ઇન્ડિગો અને માર્ચથી મ
પંચમહાલ જિલ્લામાં પાક નુકસાન સહાયથી 18,000 ખેડૂતો વંચિત રહેતા ભારતીય કિસાન સંઘે આંદોલનની જાહેરાત કરી છે. આગામી 12 જાન્યુઆરી, 2026ના રોજ ગાંધીનગરના સેક્ટર-17 ખાતે વિધાનસભા સામે ખેડૂતો વિશાળ શક્તિ પ્રદર્શન કરશે. સંઘના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે
ભરૂચની જુમ્મા મસ્જિદને લઈને નવો વિવાદ સામે આવ્યો છે. અખિલ ભારતીય સંત સમિતિએ આ સ્થળ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કર્યો છે. સમિતિએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને સ્થળની મૂળ ઓળખ બદલવાના પ્રયાસોના આક્ષેપ સાથે આજથી અનિશ્ચિતકાલીન ઉપવાસ શરૂ કર્યા છે. ભરૂચની હેડ પોસ્ટ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના મઘરીખડા ગામે નેશનલ હાઈવે 47 પર સરકારી જમીન પર થયેલા દબાણ સામે તંત્રએ કાર્યવાહી કરી છે. ચોટીલાના નાયબ કલેકટર એચ.ટી. મકવાણા અને મામલતદારની સંયુક્ત ટીમે આજે આકરા પગલાં ભરતા રૂ. 16 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. મઘરીખડા ગામ
રાજકોટમાં સ્માર્ટ સિટી અને વિકાસની ગુલબાંગો વચ્ચે પ્રાથમિક સુવિધાઓના ધાંધિયા જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદી પર રાજાશાહી વખતમાં બનાવવામાં આવેલો ઐતિહાસિક બેઠો પુલ આજે તંત્રની ઉદાસીનતાને કારણે બિસ્માર બાજયો છે. આ પુલ લાંબા સમયથી બંધ હોવાને કાર
અમદાવાદમાં ઉત્તર ગુજરાત પાંચગામ લેઉવા પાટીદાર મંડળનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ ૪ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ કાર્યક્રમમાં મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં વસવાટ કરતા સંડેર, મણુંદ, ભાન્ડુ, વાલમ અને બાલીસણા ગામના લેઉવા પ
જામનગરમાં મહાનગરપાલિકાના કર્મચારી પર હુમલાનો પ્રયાસ થયો છે. રણજીતસાગર રોડ પર ઘાસચારો વેચનારા બે શખ્સોએ ફરજ પરના કર્મચારીને પાવડો લઈને મારવા દોટ મૂકી હતી. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી અને મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. મહાનગરપાલિકા દ્વારા કેટલ પોલિસી અંતર્
મહાત્મા ગાંધીએ અમદાવાદમાં સ્થાપેલા કોચરબ આશ્રમમાં લગ્નનું પ્રસંગનું આયોજન થતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કોચરબ આશ્રમમાં લગ્ન પ્રસંગનો આયોજનનો વીડિયો વાઇરલ થયો છે. આ લગ્ન પ્રસંગમાં ડીજેમાં કજરા રે...કજરા રે...સહિતના સોંગ્સ પર મહેમાનો ડાન્સ કરતા પણ નજરે પડી રહ્યા છે. માત્ર એ
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી રોકવા માટે LCB પોલીસે કાર્યવાહી કરી છે. મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર બોરીયાચ ટોલ નાકા પાસેથી પોલીસે રૂ. 73.45 લાખની કિંમતની વિદેશી દારૂની 14,712 બોટલો ભરેલી ટ્રક ઝડપી પાડી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય ત્ર
મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ઠંડા પવનો ફૂંકાવાને કારણે શિયાળાની ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. સંતરામપુર અને લુણાવાડા સહિતના અનેક તાલુકાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ધુમ્મસના કારણે મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિસ્તારોમાં વિઝ
ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ મથક વિસ્તારમાં વાહન ધીમે ચલાવવા બાબતે થયેલી બોલાચાલી બાદ ગંભીર મારામારીનો બનાવ સામે આવ્યો છે. ગતરાત્રીના કુંભારવાડા મોતીતળાવ કાદરી મસ્જિદ નજીક બનેલા બનાવમાં બન્ને પક્ષોએ એકબીજા સામે મારામારી કરી પથ્થર અને ઇંટોના ઘા માર્યાનો આરોપ છે, જેમાં મ
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ એક પેડ માં કે નામનો નારો લગાવી રહ્યા છે ત્યારે રાજકોટની કોટડાસાંગાણી સરકારી વિનયન કોલેજના આચાર્ય દ્વારા 12 વર્ષ જૂના 27 વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા પર્યાવરણ પ્રેમીએ દેશના વડાપ્રધાન અને ગુજરાતના મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી આચા
મરતોલી ગામે પૂનમ ભરવા આવેલ યુવક સાથે કેટલાક શખ્સોએ બોલાચાલી કરી હુમલો કર્યો હતો. જેમાં યુવકને ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હુમલાખોર 4 શખ્સો વિરુદ્ધ સાંથલ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. યુવક મરતોલી ગામે દર્શન કરવા આવ્યો હતોબેચરાજીના આસજોલ ગામે રહેતા જયદ
રાપર તાલુકાના ખીરઈ ગામ નજીક આવેલા પાબુદાદાના મંદિરમાં અસામાજિક તત્વો દ્વારા મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અસામાજિક તત્વોએ મંદિરમાં પાબુદાદાની અનેક મૂર્તિઓને ખંડિત કરી હતી. આ કૃત્ય પાછળ કોમી એકતા તોડવાનો ઇરાદો હોવાનું મન
દહેગામ પોલીસ સ્ટેશનની ટીમે મધરાતે હાઈવે પર એક ઓપરેશન પાર પાડીને વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ઉત્તર પ્રદેશના એક બુટલેગરને ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈને પીકઅપ ડાલાના ચાલકે વાહન ભગાવ્યું હતું, જેનો પોલીસે પીછો કરી મહાવીર ફાર્મ પાસે બુટલેગરને ઝડપી પાડતા તેની પાસેથી 15 લાખની
સયાજી હોસ્પિટલમાં દાખલ ભરતભાઈ પઢિયારે જણાવ્યું હતું કે, અમારા ગામમાં પંચાયતમાં ભ્રષ્ટાચાર થયેલો, એટલે મેં આઠ-દસ દિવસ પહેલા જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, વિકાસ કમિશનર અને મુખ્યમંત્રીને અરજી કરી હતી. આટલી બધી જગ્યાએ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ન્યાય ન મળ્યો,
જામનગરના રણજીતનગર સ્થિત પટેલ સમાજ ખાતે સમસ્ત લેઉવા પટેલ સમાજ દ્વારા એક ઐતિહાસિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્ઞાતિની એકતા, સંસ્કૃતિ અને ગૌરવના પ્રતીક સમા આ 'ત્રિવેણી સંગમ' કાર્યક્રમમાં અંદાજે 52,000થી વધુ જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા, જેણે લેઉવા પટેલ સમાજની અતૂટ સંગ
થાનગઢ તાલુકાના વેલાળા ગામમાં ગેરકાયદેસર કોલસાના કૂવાનું બુરાણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને થાનગઢના મામલતદારની સંયુક્ત ટીમે આ કામગીરી હાથ ધરી છે. આ કાર્યવાહી ચોટીલા સબ ડિવિઝન હેઠળના વેલાળા ગામમાં આવેલા તમામ ગેરકાયદેસર કોલસ
ભરૂચ જિલ્લાના નિર્દિષ્ટ વિસ્તારોમાં ગ્રામીણ વિકાસ માટે ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC)ની સર્વગ્રાહી વિકાસ સમિતિ દ્વારા રૂ. 32.45 કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય ભરૂચ કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં લેવાયો હતો. આ ભંડોળ અંકલેશ્વર, પાનોલી,
ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા, મુળી મામલતદાર અને પી.જી.વી.સી.એલ. મુળીની સંયુક્ત ટીમે ખંપાળીયા ગામના સરકારી સર્વે નંબર 50 અને 161 વાળી જમીનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સ્થળેથી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિમાં વપરાતા 7 ટ્રાન્સફોર્મર (ટી.સી.) ઉતારી જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્
વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરના સાનિધ્યમાં સૂચિત 'સોમનાથ કોરિડોર' પ્રોજેક્ટ સામે સ્થાનિકોનો વિરોધ દિન-પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. રવિવારે (04 જાન્યુઆરી) રાત્રે પ્રભાસ પાટણના બ્રહ્મપુરી ખાતે 'પ્રભાસ હિત રક્ષક સમિતિ'ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં અસરગ્રસ્તોએ તંત્રની ન
ગોધરા સ્થિત સાંદિપની નર્સિંગ કોલેજ ખાતે નર્સિંગના નવા વિદ્યાર્થીઓ માટે લેમ્પલાઇટિંગ અને ઓથ સેરેમની કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પંચમહાલ રેન્જના આઇજી આર.વી. અસારી, પોલીસ અધિક્ષક ડો. હરેશભાઈ દુધાત, યુનિવર્સિટીના કુલપતિ ડો. હરિભાઈ કાતરીયા, નર્સિંગ કોલેજના ટ્રસ્ટી દિલીપભ
અમદાવાદના પ્રભારી અને રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે 5 જાન્યુઆરીના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે બેઠક મળી છે. શહેરના વિવિધ પ્રશ્નોને લઈને ઝોન મુજબ ધારાસભ્યો, કોર્પોરેટરો અને અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ, તમામ
મોરવા હડફ તાલુકાના સંતરોડ ગામને નવો તાલુકાનો દરજ્જો આપવા માટે સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. આસપાસના ગામોના પ્રતિનિધિઓએ પણ આ માંગને ટેકો આપ્યો છે. આગેવાનોના જણાવ્યા અનુસાર, સંતરોડ ગામ ભૌગોલિક રીતે આજુબાજુના ગામો માટે કેન્દ્રસ્થાન છે. જો ત
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં ₹30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી પંચમહાલ જિલ્લામાં નદીઓ અને સરકારી જમીનો પર બિન-અધિકૃત ખનન થતું હોવાની વ્યાપક
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગેંગડીયા ગામમાંથી ખાણ ખનીજ વિભાગની ટીમે ગેરકાયદેસર ખનીજ ક્વાર્ટઝનું વહન કરતા એક ટ્રક અને જેસીબી મશીન ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં આશરે ₹30 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની ટીમને ખાનગી બાતમીદારો પાસેથી માહિતી મળી હ
પાટણ શહેરમાં ગેરકાયદેસર રીતે ધમધમતા સ્લોટિંગ યુનિટો (કતલખાના) સામે પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. આજે વહેલી સવારથી પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે 40થી વધુ ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ દરમિયાન ઘરોમાંથી માસ-મટનનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્
સુપ્રીમ કોર્ટ દ્વારા રસ્તા પરના શ્વાનોને દૂર કરવાના નિર્ણય સામે દેશભરના જીવદયાપ્રેમીઓમાં અસંતોષ પ્રવર્તી રહ્યો છે. આ નિર્ણયના વિરોધમાં પોરબંદરની ચોપાટી ખાતે ભારતીય દેશી શ્વાનોને બચાવવા માટે શાંતિપૂર્ણ અભિયાન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જીવદયાપ્રેમીઓ, પ્રાણીપ
નવસારી-ગણદેવી માર્ગ પર મોડી રાત્રે ઈટાળવા ગામ નજીક એક ટ્રક પલટી ગઈ હતી. 15 ટન શેરડી ભરેલી આ ટ્રક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અંધારાને કારણે ડિવાઈડર ન દેખાતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક શ
વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે ચાર લોકો વચ્ચે મારામારીનો વિડીયો થતા કુંભારવાડા પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. આ વીડિયોમાં 4 લોકો કમરના બેલ્ટ તથા છૂટા હાથથી મારામારી કરતા જોવા મળે છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં હાથીખાના ગેટ-1ની સામે કબ
અમદાવાદના સી.જી રોડ પર ગત મોડી(4 જાન્યુઆરી) રાતે એક સ્પોર્ટ્સ બાઈક ચાલકે પૂર ઝડપે આવીને રોડ ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લીધો હતો. બાઇક ચાલક અને રોડ ક્રોસ કરી રહેલા યુવક બંનેને ઇજા થઈ હતી. પરંતુ રોડ ક્રોસ કરી રહેલા યુવકનું ગંભીર ઇજાના કારણે સ્થળ પર જ મોત થયું હતું. બાઇક ચાલકને
સુરત એસ.ઓ.જી. પોલીસને ડીઝલ ચોરીના એક મોટા રેકેટને ઝડપી પાડવામાં મહત્વની સફળતા મળી છે. ડુમસના દરિયાઈ વિસ્તારમાં લંગરવામાં આવેલા મોટા જહાજોમાંથી મશીનરી દ્વારા ડીઝલની ચોરી કરવામાં આવતી હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. આ કૌભાંડમાં તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટ
બોટાદમાંથી એક ગંભીર અકસ્માતના દૃશ્યો સામે આવ્યા છે. મિલેટ્રી રોડ પર ગત 28 ડિસેમ્બરના રોજ બપોરના સમયે થયેલા આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 26 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ભયાનક ઘટનાના લાઈવ CCTV ફૂટેજ હવે સામે આવ્યા છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, મિલેટ્રી રોડ પરથી
અમદાવાદના સાઉથ બોપલમાં સોબો સેન્ટર ખાતે મોડીરાતે ફટાકડા અને પતંગના સ્ટોલમાં આગ લાગી હતી. આગ લાગ્યા બાદ એક મોટો બ્લાસ્ટ સંભળાયો હતો અને જોર-જોરથી ફટાકડાઓ ફૂટવાને લઈ આસપાસના સ્થાનિક રહીશોમાં ભય ફેલાયો હતો. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોં
બગદાણાના નવનીત બાલધિયા નામના કોળી યુવક પર આઠ શખસો દ્વારા કરાયેલા હુમલાના ઘેરા પડઘા પડ્યા છે. નવનીત બાલધિયાએ પોતાના પર થયેલા હુમલા પાછળ લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે અને પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા. હોસ્પિટલમાં
રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં તા. 11 જાન્યુઆરીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ થવાનો છે. આ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર અને કચ્છના ઉદ્યોગ સાહસિકો માટે પ્રગતિ અને તકોના નવા દ્વાર ખોલવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (DLSA) દ્વારા વલસાડ જિલ્લા અદાલત ખાતે આધાર કાર્ડ રજીસ્ટ્રેશન અને સુધારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ન્યાયિક વિભાગના કર્મચારીઓ, વકીલો અને પક્ષકારોની સુવિધા માટે યોજાશે. આ કેમ્પ 9મી જાન્યુઆરી 2026 ના રોજ સવ
વલસાડ જિલ્લાના ફલધરા ખાતે ભાજપના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી (AAP) ના 300 થી 400 કાર્યકરો જોડાયા હોવાના અહેવાલોને વલસાડ 'આપ' પ્રમુખે પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે આ દાવાઓમાં કોઈ તથ્ય નથી અને ભાજપ દ્વારા કાર્યકરોનું મનોબળ તોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં,
બોટાદના નવ નાળા પાસે, હરણ કુઈ રોડ, નાઈટ સેન્ટર હોમ ખાતે જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને જી.સી.એસ. હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે રવિવાર ના ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં જી.સી.એસ. હોસ્પિટલ અમદાવાદ ના સુપર સ્પેશ્યાલિસ્ટ
પારડીના નેશનલ હાઈવે નંબર–48 પર મહેતા હોસ્પિટલ નજીક સર્વિસ રોડ પર ગત રાત્રે એક ચાલુ i20 કારમાં ભીષણ આગ લાગી હતી. અભિનવ પાર્કના જેનીલ દેસાઈ પોતાની કાર (નં. GJ-15-CJ-9975) લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. રાત્રિના આશરે પોણા દસ વાગ્યાના સમયે કારના બોનેટના ભાગમાં શોર્ટ સર્કિટ થવા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દાતરડી ગામ નજીક ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર નવનિર્મિત બ્રિજમાં દોઢ વર્ષમાં બીજી વખત મોટી તિરાડો પડી છે. આ ઘટનાથી બ્રિજની ગુણવત્તા અને વાહનચાલકોની સુરક્ષા પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ બ્રિજ પરથી દરરોજ 4700થી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે. વાહ
ભાવનગર શહેરમાં વ્યાજ વટાવનો વ્યવસાય કરતા વ્યાજખોર પાસેથી એક યુવકે વ્યવસાય અર્થે પાંચ લાખ રૂપિયા લીધેલ હતા. જેના બદલામાં યુવકે વ્યાજ સહિત રૂા. 6.82 લાખ ચુકવી આપવા છતાં પણ યુવકના માતા-પિતાને મકાન વ્યાજખોરના નામે કરી દેવાનું તેમજ એ ઉપરાંત સાત લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી, બે ચે
સોરવી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 'ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ - ૨૦૨૫ મહાનુભાવોના હસ્તે એવોર્ડ એનાયત કરાયા. આ સમારંભમાં ભાવનગર તાલુકાની નાગધણીબા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ગુણવંતભાઈ પટેલનું સન્માન ટ્રોફી અને પ્રમાણપત્ર આપી કરવામાં આવ્યું હતુ. ઉચ્ચતમ શિક્ષણન
પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં ગ્રામ્ય વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા બેઠક મળી હતી. જેમાં ભાવનગર તાલુકાના વિકાસકામો ની ચર્ચા કરી હતી. તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મનજીભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોન દ
સિહોરએ દિવસે -દિવસે વધુને વધુ વિકસતું અને વિસ્તરતું જતું શહેર છે. ઐતિહાસિક અને ધાર્મિક દષ્ટિએ પણ સિહોરનું એક અનેરું મહત્વ છે.ઐતિહાસિક સ્થાપત્યો આજે પણ સિહોરના દેદીપ્યમાન ઇતિહાસની ઝાંખી કરાવે છે. પરંતુ આજે દિવસે -દિવસે સિહોરનો ઐતિહાસિક વારસો ઝાંખો પડતો જતો હોય એવું લાગે છે
ભાવનગર શહેરમાં દિવસેને દિવસે વધતા જતા વાહન વ્યવહારને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક અકસ્માતો તેમજ હિટ એન્ડ રનની ઘટનાઓ સામે આવી છે. આ અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા હોવાના બનાવોએ શહેરમાં ચિંતા જગાવી છે. શહેરના અનેક વિસ્તારોમાં નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે વાહન
ગ્રાહકોના હિતોની રક્ષા, વેપારમાં પારદર્શિતા અને યોગ્ય માપતોલ સુનિશ્ચિત કરવા કાનૂની માપવિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યભરમાં નિયમિત રીતે કાર્યવાહીની સાથે ગ્રાહક જાગૃતિ અભિયાન હાથ ધરાયું છે અને આ અભિયાનના ભાગરૂપે તોલમાપ તંત્ર દ્વારા તા. 2 અને 3 જાન્યુઆરી, બે દિવસ રાજ્યના 370 જેટલ
ભાવનગર જિલ્લાના વિકાસ અને વિસ્તારમાં વધારો થવાની સાથે 2026ના નવા વર્ષમાં અનેકવિધ કામોથી લોકોની સવલતોમાં વધારો થવાનો છે. જે માં વીજળીને લગતી સમસ્યા તાત્કાલિક ઉકેલ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં પી.જી.વી.સી.એલ. દ્વારા ભાવનગર સહિત 11 જિલ્લા13 ની સર્કલ કચેરીઓમાં રૂ.272 કરોડના ખર્ચે GPSથી સજ્જ
ભાવનગર શહેરમાં ઉત્તરના પવનો ફૂંકાતાં જ શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો થયો છે અને આજે સવારે 10 કિલોમીટરની ઝડપે પવન ફુંકાતા અને સાથે 14.6 ડિગ્રી સેન્ટીગ્રેડ લઘુત્તમ ઉષ્ણતામાને લોકોએ સવારે ઠંડીનો ચમકારો અનુભવ્યો હતો. શહેરમાં નવા વર્ષના આરંભે ગઇ કાલથી ઉત્તર દિશાના બરફવર્ષાના
ઘરથી દૂર કોઈ શહેરમાં રહીને સંઘર્ષ કરતાં બાળકોની વાત લગભગ હવે દર ઘરે થતી જોવા મળે છે. પણ આ જ વાત એ બાળક અને માતા પિતા બંનેના દ્રષ્ટિકોણથી, અને એ પણ એક મનોરંજક નાટ્ય રૂપાંતરણ સાથે જોવા મળે તો કેવું ? આ અનુભવ કરાવતું ‘ત્રિનેત્ર થિયેટર્સ’નું પરિવારિક મનોરંજક નાટક ‘બેચલર્સ એકોમોડ
ભાવનગર કલેકટર કચેરીનું બિલ્ડીંગ 67 વર્ષ જૂનું હોવા સાથે નવી સેવા અને સુવિધાઓનો પણ સમાવેશ થઈ શકે તેમ નહીં હોવાથી શહેરના વિદ્યાનગર ખાતે 33 કરોડના ખર્ચે અનેક સુવિધાઓ સભર કલેકટર કચેરીનું નવનિર્માણ થઈ રહ્યું છે. આ વર્ષમાં ભાવનગર જિલ્લાના પ્રજાજનોને નવી કલેકટર કચેરીની સેવા મળી ર
સાયબર ફ્રોડ કરનારે હવે લગ્નની કંકોત્રીના નામે ઠગાઇ કરી રહ્યા છે. વોટ્સએપ પર ગઠીયાએ મોકલેલી કંકોત્રીની એપીકે ફાઇલ ખોલતા જ એમ્બ્રોઇડરીના કારીગરના ખાતામાંથી ફ્રોડ કરનારે ફોન હેક કરીને તેના ખાતામાંથી 3 ટ્રાન્જેકશન કરીને2.53 લાખ લઇ લીધાનો બનાવ બન્યો છે. વાલક ગામ વૃંદાવન હોમ્સમ
હજીરાના દરિયામાં આવતા જહાજમાંથી ડીઝલ ચોરીનું મોટું રેકેટ એસઓજીએ શનિવારે પકડી પાડયું છે.એસઓજીના પીઆઈ સોનારાની સૂચનાથી સ્ટાફે દરિયામાં પ્રાઇવેટ બોટમાં બેસી વોચ ગોઠવી હતી. દરમિયાન એક બોટમાં ડીઝલના મોટા પ્રમાણમાં બેરેલ સાથે મજૂરો પકડાયા હતા. મજૂરોની પૂછપરછ કરતા 4 ડીઝલ માફિ
રાંદેર વિસ્તારમાં આવેલી જનની હોસ્પિટલમાં 45 વર્ષની સિનિયર નર્સે હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં જ સર્જરીના સાધનો ડીસઈન્ફેક્ટ કરવા માટે ઉપયોગમાં લેવાતું કેમિકલ પી જીવન ટુંકાવી લીધું હતું. સ્ટાફ સાથે ડ્યુટી ગોઠવવા બાબતે ઝગડો થયા બાદ માઠુ લાગી આવતા તેમણે આપઘાતનું પગલું ભરી લી
વરાછા વિસ્તારમાં રહેતા 65 વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માનસિક બીમારીથી કંટાળીને તેમણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. મૂળ અમરેલીના વતની અને હાલમાં વરાછાના એ.કે. રોડ પુષ્પક રો હાઉસ ખાતે રહેતા 65 વર્ષીય ભરતભાઈ દેવજીભાઈ કાતરોડીયા નિવૃત્
વર્ષ 2025માં સુરત શહેર પોલીસની PCBએ પાસા હેઠળ રેકોર્ડબ્રેક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં આ વર્ષમાં 1016 આરોપીઓને જેલભેગા કરવામાં આવ્યા છે. ગત વર્ષ 2024ની સરખામણીએ આ આંકડો ઘણો વધારે છે. ગુજરાત પોલીસમાં સૌથી વધારે લિંબાયત પોલીસે 100 ગુનેગારોને પાસા હેઠળ ધકેલી દીધા છે. વર્ષ 2025માં 507 લુખ્
ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ડૉક્ટરોને સમાજ પ્રત્યેની તેમની જવાબદારી સાથે કુપોષણ મુક્ત ગુજરાતના અભિયાનમાં જોડાવા આહ્વાન કર્યું હતું. સુરત પીડિયાટ્રિક એસોસિયેશનના નવા અધ્યક્ષના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપતા તેમણે શાળા
વાલક પાટીયા, સ્વામિનારાયણ મિશન પ્રાગણમાં રવિવારે સાંજે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 17000થી વધારે ભક્તોએ ભોજન, પ્રસાદ અને સત્સંગનો લાભ લીધો હતો. સ્વામિનારાયણ મિશનના સ્થાપક નીલકંઠ ચરણદાસજી સ્વામીએ 2026ના વર્ષને ભજન વર્ષ તરીકે જાહેર કરતા જણાવ્યું હતું કે સૌરાષ
શ્રીકુંપાય માતા મંદિર ટ્રસ્ટ તથા સમસ્ત કતારગામ તળપદા કોળી પટેલ પંચ દ્વારા સુરત રક્તદાન કેન્દ્ર નાં સહયોગથી ભરતનાથ મંદિરની વાડી, ડેરી ફળિયા, કતારગામ ખાતે ‘ચતુર્થ રક્તદાન શિબિર તેમજ ફ્રી મેડિકલ કેમ્પ’નું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ પ્રસંગે હિન્દુ મિલન મંદિરનાં સ્વામી
ચાર મહિના અગાઉ સુરત-વડોદરા હાઇવે પર થયેલા અકસ્માતમાં કાર ચાલક શિક્ષકનું કરુણ મોત થયું હતું. આ કેસમાં આજે વીમા કંપની સાથે સમાધાનના કેસમાં મરનાર શિક્ષકના પરિજનોને રૂપિયા એક કરોડનું વળતર ચૂકવવામા આવ્યું હતું. વ્યારાની વૃંદાવન સોસાયટીમાં રહેતા અને શિક્ષક તરીકેની ફરજ બજાવતા
દક્ષિણ ગુજરાતમાં હવે શિયાળાએ બરાબરની જમાવટ કરી છે. કેટલાક દિવસોથી સુરત વહેલી સવારે અને મોડી રાત્રે ફુલગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આ પલટાને કારણે જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 30.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તા
આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ અનેક કરદાતાઓને મેસેજ અને ઇ-મેલ મારફત રિટર્ન અપડેટ કરવાની સૂચના આપી હતી. પરંતુ ઘણા કરદાતા એવા છે જેઓને ઇ-મેલ મળ્યા નહતા. કેમકે તેઓએ રિટર્ન ભરતી વખતે પોતાના નવા ઇ-મેલ અપડેટ કરાવ્યા ન હતા. જ્યારે આઇટીનું ન્યૂઝ.2 કેમ્પેઇન ચાલી રહ્યું હતું અને આ કે
રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે પારદર્શિતા લાવવા પ્લાન મંજૂરી ઝડપી કરવા માટે ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા (ટાઉન પ્લાનિંગ એન્ડ વેલ્યુએશન ડિપાર્ટમેન્ટ) દ્વારા બહાર પાડવામાં આવેલા નવા આદેશ મુજબ, હવેથી 15 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા બાંધકામો માટે
મુંબઈ મહાપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની સમયમર્યાદામાં પણ પીછેહઠ ન કરીને, સત્તાવાર ઉમેદવારોને પડકાર ફેંકનારા બળવાખોર નેતાઓને 'માતોશ્રી'એ ઘરનો રસ્તો બતાવ્યો છે. પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ વારંવારના આદેશો અને અલ્ટિમેટમનો અનાદર કરનારા 26 મુખ્ય પદાધિકા
ભાજપના મુંબઈ પ્રમુખ અમિત સાટમે એક સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે કે ઉદ્ધવ ઠાકરેએ ૧૯૯૭ થી ૨૦૨૨ સુધીનાં ૨૫ વર્ષ દરમિયાન મુંબઈ મહાપાલિકામાં દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કર્યો હતો. દેશમાં અત્યાર સુધી થયેલા 2જી, કોલસા કૌભાંડ કે કોમનવેલ્થ જેવા મોટા કૌભાંડોની સંખ્યા ૧ લાખ ૭૬ હજાર કર
મહાપાલિકાની ચૂંટણીઓ આડે થોડા દિવસો બાકી છે અને હવે તમામ રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારો માટે જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. બીજી બાજુ સામદામદંડ ભેદ નીતિ અપનાવવામાં પણ કોઈ કસર બાકી રાખવામાં આવી રહી નથી. મનસે નેતાએ આરોપો કર્યો છે કે મહાયુતિએ બળ અને નાણાકીય લાલચનો ઉપયોગ કરીન
પશ્ચિમ બંગાળમાં બિનહરીફ ચૂંટણી સામે ભાજપે વાંધો ઉઠાવ્યો હતો, તો હવે મહારાષ્ટ્રમાં કેમ નહીં? એમ રાજ ઠાકરેએ ભાજપને પૂછ્યું છે. કોઈ પણ સત્તાનો અમરપટ્ટો લઈને આવ્યું નથી. કાલે સત્તા પરિવર્તન થશે અને બીજો કોઈ આવશે અને તે વધુ ખરાબ હશે. શાસક પક્ષે વિચારવું જોઈએ કે તે સમયે તેઓ શું કરશ
ઉદ્ધવ ઠાકરેએ વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને સસ્પેન્ડ કરવાની માગણી કરી છે. ચૂંટણીઓ બિનહરીફ કરાવવાની સત્તાધારીઓ દ્વારા ધમકીઓ આપવામાં આવી રહી છે, બંધારણીય હોદ્દા પર બેઠેલા લોકો તેમની સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે, એમ ઉદ્ધવે જણાવ્યું હતું. રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરેએ શિવસ
આગામી વર્ષમાં રાજ્યસભાના રાજકારણમાં મોટા ઊથલપાથલના સંકેતો છે અને 2026નું વર્ષ સંસદીય રાજકારણ માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. મહારાષ્ટ્ર અને દેશભરના ઘણા દિગ્ગજ નેતાઓનો રાજ્યસભામાં કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે અને કુલ 71 સાંસદો નિવૃત્ત થવાના છે. આમાં એનસીપીના પ્રમુખ શરદ પવાર સહિત મ
હજી પણ વાહનની નંબરપ્લેટ પર ફેન્સી લખાણ હશે અને એચએસઆરપી પ્લેટ નહીં હોય તો આરટીઓ કાર્યવાહી કરશે. મહારાષ્ટ્રમાં હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાડવાની છેલ્લી મુદત 31 ડિસેમ્બર 2025 અધિકૃત રીતે પૂરી થઈ છે. 1 જાન્યુઆરી 2026થી રાજ્યમાં આરટીઓ અને પરિવહન પોલીસે એચએસઆરપી નંબરપ્લેટ વ
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેએ રવિવારે દાવો કર્યો કે 2026ની આઈપીએલની ટીમમાંથી બાંગ્લાદેશી પેસ બોલર મુસ્થાફિઝુર રહમાનને પડતા મૂકવા માટે કોલકતા નાઈટ રાઈડર્સને નિર્દેશ આપવાના બીસીસીઆઈના નિર્ણયને વધાવી લેતાં તેને જાનથી ખતમ કરવાની ધમકી મળી રહી છે. દુબેને શનિવાર
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... શમશેરસિંહની વાપસી: “આવો ને બેસો” કે “આવો ને જોઈ લો”?કે.એલ.એન. રાવને ઇન્ચાર્જ DGP બનાવ્યાને
ગયા વર્ષે એપ્રિલમાં મહિલા દર્દી તનીષાના મૃત્યુ સંબંધમાં દીનાનાથ મંગેશકર હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરુદ્ધ જોઈન્ટ ચેરિટી કમિશનર ઓફિસ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે, એમ અધિકારીએ રવિવારે જણાવ્યું હતું. તનિષા ભિસે ભાજપના વિધાનસભ્ય અમિત ગોરખેના પર્સનલ સેક્રેટરીની પત
થોડા દિવસ પહેલાં ભાઈંદરથી સુરક્ષિતપણે પકડવામાં આવેલા દીપડાને ફરીથી પોતાના કુદરતી પરિસરમાં છોડવામાં આવ્યો છે. સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને થાણે વન વિભાગ તરફથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. માર્ગ ભૂલીને માનવ વસતિમાં આવી ચડેલા દીપડાનું ફરીથી સુરક્ષિત પુનર્વસન કરવામાં આ
નવા વર્ષમાં મુંબઈગરા માટે રાહતના સમાચાર છે. આ વર્ષમાં મુંબઈગરાની સેવામાં ત્રણ મેટ્રો રૂટના પહેલા તબક્કાની શરૂઆત કરવામાં આવશે. એમાં એક રૂટ ઉત્તર મુંબઈને ભાઈંદર સાથે જોડશે, બીજો રૂટ થાણેના ઘોડબંદર રોડ પર દોડશે તો ત્રીજો રૂટ પૂર્વ મુંબઈમાં છે. મુંબઈમાં કુલ 17 મેટ્રો રૂટનું 350 ક
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ દરમિયાન વેરા વસૂલાતનો આંક વધારીને રૂ.459 કરોડ કરવામાં આવ્યો છે અને આ લક્ષ્યાંક હાંસલ કરવા બાકીદારોની મિલકત સીલિંગ સહિતની ઝુંબેશ શરૂ કરી દેવાઇ છે ત્યારે બીજીબાજુ મનમાની કરતી મોબાઇલ કંપનીઓ દ્વારા શહેરમાં આડેધડ ખડકાતા મોબાઇલ ટાવરનો ર
પારકી જમીન પચાવી પાડવાની માનસિકતા સાથે રાજકોટ શહેર-જિલ્લામાં જમીન કૌભાંડી તત્ત્વો દ્વારા અનેક કૌભાંડો આચરવામાં આવ્યા છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા આવા જ એક જમીન કૌભાંડમાં તત્કાલીન પ્રાંત અધિકારી સામે શંકાની સોય તાણતો ચુકાદો આપ્યો છે. 46 વર્ષથી સરકારી નામે ચાલતી કરોડોન
ઇજા કે વધતી વયને લીધે જ્યારે ઘણીવાર ખભા, ઘૂટણ અને ઘૂંટીના હાડકામાંથી સ્નાયુ છૂટા પડી જાય કે ફાટી જતા હોય છે, ત્યારે વ્યક્તિને એ અંગ હલાવતાં અસહ્ય દુઃખાવો થતો હોય છે. આ ફાટેલા કે જુદા પડેલા સ્નાયુઓનું હાડકાં સાથે ફરી જોડાણ કરવાની ચીરફાડ વિનાની પહેલી સફળ સર્જરી શહેરની ખાનગી હ
શહેરના વાવડી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં કારખાનું ધરાવતાં 31 વર્ષીય યુવકે પોતાના કારખાનામાં ઉપરના માળે આવેલા ગોડાઉનમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બેભાન હાલતમાં યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં ઇમર્જન્સી વિભાગના તબીબે મૃત જાહેર કર્યો હતો. ત્યારે દોઢ વર્ષના માસૂમ બાળક
ઉતરાયણના દિવસોમાં લટકતા દોરામાં પક્ષીઓ ફસાવાની ઘટનાઓ વધે છે. ફાયરબ્રિગેડના ડેટા મુજબ 10 દિવસમાં શહેરમાં 20 પક્ષીને રેસ્ક્યૂ કરાયા છે. લટકતા દોરામાં સૌથી વધુ 14 કબૂતરો ફસાયા હતા. જ્યારે અજબડી મિલ પાસે પિપળાના ઝાડ પર લટકતા દોરામાં સમડી ફસાઇ હતી. જેને બચાવવા બીજી સમડી આવી તો તે ફસ
બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ચૂંટણી પ્રક્રિયાનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ચૂંટણીની તારીખો અને કાર્યક્રમને લઈ કેટલાક આક્ષેપો થયા હતા. હરિફ જૂથના ડૉ.દર્શન બેંકર ઉમેદવારી ન કરી શકે તે માટે તેમના પુત્રના લગ્નના બે દિવસ દરમિયાન જ ઉમેદવારી
શહેરના રેસકોર્સ રિંગ રોડ આઈસક્રીમ પાછળ શ્રીરામ પાર્ક શેરી નં.2માં રહેતા દિનેશભાઈ મનસુખભાઈ દુધાત્રા નામના ટ્રેડર્સના વેપારીએ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુરુષોત્તમભાઈ ગોવિંદભાઈ દુધાત્રાનું નામ આપ્યું હતું. દિનેશભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે ક
શહેરમાં ટ્રાફિક નિયમન કરવામાં અસમર્થ વડોદરા પોલીસ હવે શહેરીજનો સાથે રીઢા આરોપી જેવો વ્યવહાર કરતી થઈ ગઈ છે. શનિવારે અકોટા-દાંડિયા બજાર બ્રિજ ચાર રસ્તા પર નંબર પ્લેટ વિનાની બુલેટ અને તેમાં લાગેલા મોડિફાઈડ સાયલન્સરને લઈને બાજવાના યુવક કૌશલસિંહ જાટ વિરુદ્ધ રાવપુરા પોલીસમા

32 C