કહેવાય છે કે 'જર, જમીન અને જોરું,ત્રણેય કજીયાના છોરું', આ કહેવત વર્તમાન સમયમાં મહેસાણા જિલ્લામાં સાચી સાબિત થઈ રહી છે.જિલ્લામાં જમીનના ભાવ કરોડો રૂપિયાએ પહોંચતા જમીન સંબંધી તકરારો અને વિવાદોમાં મોટો વધારો જોવા મળ્યો છે.ખાસ કરીને લેન્ડ ગ્રેબિંગ વિરોધી કાયદા હેઠળ સરકારી ચોપ
વડોદરા શહેરના નાગરવડા વિસ્તારમાં પરિવારમાં ઝઘડો થતાં પહોંચેલા પોલીસ કર્મચારીઓ પર હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડાયલ 112 પર મળેલી ફરિયાદ બાદ જનરક્ષક ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર પહોંચતા દંપતીએ પોલીસકર્મીઓ પર પથ્થરો વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં એલઆરડી જવાન દી
શહેરના રીવરફ્રન્ટ પર નાઇટમાં નોકરી દરમિયાન ઓવર સ્પીડમાં આવનાર વાહન ચાલકને રોકતા પરિવારે સાબરમતી પીઆઇ અને પોલીસ સ્ટાફને પટ્ટા અને વર્દી ઉતરવાની ધમકી આપી હતી.દંપતી અને તેમના દીકરાઓએ પોલીસને ગાળ આપી ખોટા આક્ષેપો કરીને ટોળું પણ ભેગું કર્યું હતું.આ અંગે પોલીસે ગુનો નોધી ચારે
વલસાડ જિલ્લામાં સોમવારે લોકોને ગરમીથી આંશિક રાહત મળી હતી. મહત્તમ તાપમાન 34C આસપાસ સ્થિર રહ્યું હોવા છતાં, બપોર બાદ પવનની ગતિ વધવાને કારણે ગરમીની તીવ્રતા ઓછી અનુભવાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વલસાડમાં મહત્તમ તાપમાન આશરે 34C અને લઘુત્તમ તાપમાન 24C રહેવાની સંભાવના છે. સવા
મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ નોંધાયા છે. આ ઘટનાઓમાં એક બાળક, એક યુવાન અને એક મહિલાનું મોત થયું છે. મોરબીમાં બાળકનું વીજ શોકથી, વાંકાનેરમાં યુવાનનું ઝેરી દવા પીવાથી અને હળવદમાં મહિલાનું બીમારીના કારણે સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. મોરબી તાલુકા
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત જામનગરના હાપા યાર્ડમાં માલગાડીના વેગનની જાળવણી માટે અત્યાધુનિક સંયુક્ત વેગન શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. રૂ. 45.41 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ શેડથી દરરોજ 5 વેગનની મરામત ક્ષમતા વધશે અને માલસામાનનું પરિવહન વધુ ઝડપી બનશે. આ પ્રોજેક્ટ ગ
મોરબી શહેરમાં અલગ-અલગ બે સ્થળોએ આગ લાગવાની ઘટના બની હતી. એક દુકાન અને એક મકાનમાં આગ લાગી હતી. મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગને જાણ થતાં જ ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને સ્થળોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે, આ બંને ઘટનાઓમાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રથમ ઘટના ગાંધી ચોક પાસે ત
પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાલ પરગણા સમાજ દ્વારા મેડિકલ સેવા કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત સમાજના જરૂરિયાતમંદ લોકોને મેડિકલ સર્જિકલ સાધન સામગ્રી, ફ્રી રોગ નિદાન કેમ્પ, ફ્રી હોમ નર્સિંગ સેવા, રાહત દરે લેબોરેટરી તપાસ, ફિઝિયોથેરાપી સેવા અને પ્રસુતાઓને સ્વાસ
રાજ્યમાં માર્ચના પ્રારંભમાં આકરી ગરમીનો પ્રકોપ શરૂ થયા બાદ વાતાવરણમાં પલટો આવતા ગરમીમાં રાહત મળી છે. તો બીજી તરફ 18મી માર્ચથી 20 માર્ચ સુધી માવઠાની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડીને 40 ડિગ્રીને નીચે આવી જતા હ
અમદાવાદના ખોખરા અને CTM સાથે જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં બાકીના બે સ્પાન તોડવાના અસહ્ય વિલંબને લઈને હાટકેશ્વર વિસ્તારના તમામ શોપધારકો અને દુકાનદારો દ્વારા બંધ પાળવામાં આવ્યું છે. તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને વિરોધ કરવા સાથે રોજ થતો
મહીસાગર જિલ્લામાં આજે વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સહિત બાલાસિનોર, સંતરામપુર, કડાણા, વીરપુર, ખાનપુર, કોઠંબા તેમજ ગોધર સહિતના તાલુકાના વિસ્ત
વલસાડના ઇસ્ટ યાર્ડ વિસ્તારમાં મીરલ ગ્રુપ દ્વારા મુસ્લિમ બિરાદરો માટે ઇફતારીનું આયોજન કરવામાં આવ્યું હતું. રમઝાન માસના પવિત્ર 25માં રોઝા નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સાંજના સમયે મગરીબની અઝાન પૂર્વે ઉપસ્થિત તમામ બિરાદરોએ સાથે મળીન
વડોદરા જિલ્લાના પાદરા પાસે મહલી કેનાલમાં કૂદીને યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચેલી મકરપુરા GIDC ફાયર સ્ટેશનની ટીમે માત્ર એક કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમો
સુરત શહેરના મનોરંજન અને પ્રવાસન ક્ષેત્રે એક નવું છોગું ઉમેરાયું છે, ડુમસ સી-ફેસ 8 માર્ચ 2026ના રોજ જ્યારે આ ભવ્ય પ્રોજેક્ટને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જોકે, આ ઉત્સાહની સાથે નાગરિક શિસ્તનો અભાવ પણ જોવા મળ્યો, જેના પરિણામે લોક
ભાજપના આદિજાતિ મોરચાના નવા માળખાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડ જિલ્લાના બે નેતાઓને મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ધરમપુરના મહેન્દ્રભાઈ ચૌધરીને પ્રદેશ મહામંત્રી અને વલસાડના વિલાસભાઈ વારલીને પ્રદેશ મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂકો પ્રદેશ ભાજપ અધ્યક
અમદાવાદ શહેરમાં સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં મારામારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ખોખરા વિસ્તારમાં સેન્ટ ઝેવિયર્સ અને ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બાદ શહેરના હીરાવાડી વિસ્તારમાં ધો.11માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને બીજા વિદ્યાર્થીએ ટ્યુશન ક્લાસમાં બીજા રૂમમાં બેસવા બા
ગીરસોમનાથમાં વાતાવરણમાં અચાનક પલટો આવતા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર પર જાકળની ગાઢ ચાદર છવાઈ ગઈ હતી. વહેલી સવારે ધુમ્મસના કારણે મંદિર પરિસરમાં અદ્ભુત અને મનમોહક દ્રશ્યો સર્જાયા હતા. મંદિરે દર્શનાર્થે આવતા યાત્રિકોએ પણ સોમનાથ દાદાના જાકળભર્યા દર્શનનો લાભ લીધો હતો. આ અસામાન્
સુરતમાં રમઝાન માસમાં ઝાંપાબજાર, કુંભારવાડમાં આવેલી મસ્જિદમાં જવા માંગતાં રિક્ષાચાલક અને પાડોશી વચ્ચે થયેલાં પાર્કિગના ઝઘડાએ રાત્રે ઉગ્ર રૂપ લીધું હતું. મુસ્લિમ સમાજના બે ટોળાં સામસામે આવી જતાં મામલો ઉગ્ર બન્યો હતો. પોલીસે લાઠીચાર્જ કરી પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો. આ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. કાલોલની ગેંગડિયા ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માતા-પુત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘોઘંબાના રહેવાસી અશોકભાઈ પરમાર તેમની માતા લીલાબેન સાથે બાઇક પ
અમદાવાદ શહેરમાં વધતા જતા હવા પ્રદુષણને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા ગુડ કન્સ્ટ્રક્શન સાઇટ પ્રેક્ટિસને અમલમાં લાવવા માટે મીટીંગો કરીને અધિકારીઓને જો આ પ્રેક્ટિસનો અમલ ન કરે તો તેની સામે કડક કાર્યવાહીના આદેશ આપે છે. પરંતુ મ્યુનિસિપલ કોર્પોર
લોકગાયિકા કિંજલ રબારીના લગ્ન અંગે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા હાઈવોલ્ટેજ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. સોશિયલ મીડિયા પર ધમકીઓ અને સુરક્ષાની માંગણીના વીડિયો વાઇરલ કર્યા બાદ, હવે કિંજલ રબારી પોતાના પરિવાર પાસે પરત ફરી છે અને અગાઉના તમામ નિવેદનોથી યુ-ટર્ન લીધો છે. છેલ્લા
ભચાઉ તાલુકાના ખડીર બેટ વિસ્તારને તાલુકા મથક સાથે સીધો જોડવા અત્યંત મહત્વપૂર્ણ એવા એકલ-બાંભણકા રોડનું નિર્માણ કાર્ય બે વર્ષથી ચાલી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના આ પ્રોજેક્ટની 60 ટકા કામગીરી પૂર્ણ થઈ છે. હાલમાં આ રસ્તો બીજા રોડ ટુ હેવન તરીકે પણ પ્રચલીત છે. હા
ભુજ તાલુકાના મિરજાપર-મોચીરાઈ વિસ્તારમાં આવેલા આશાપુરા સિદ્ધેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશ્વ કલ્યાણ હેતુ પંચધુણી મહાતપ અનુષ્ઠાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તા.7/3થી તા.16/4 સુધી ચાલનારા આ અનુષ્ઠાનમાં રાજસ્થાનના જયપુરના ઉદાસીન પંચાયતી બડા અખાડા સંપ્રદાયના સ્વામી ચિતેશ્વરાનંદ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિ વધુ વણસી રહી છે અને વૈશ્વિક દરિયાઈ વેપાર પર જોખમ વધી ગયું છે. ત્યારે યુનાઇટેડ આરબ અમીરાત (UAE) ના અત્યંત વ્યસ્ત એવા ફુજૈરાહ પોર્ટના ઓઈલ ટર્મિનલ પર શનિવારે ડ્રોન દ્વારા ભયંકર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા વખતે પોર્ટ પર જ રહેલા ભારતીય ધ્વજ ધરાવ
નખત્રાણા તાલુકાના ખાંભલામાં પ્રેમ પ્રકરણના કારણે બનેલા ઓનર કિલિંગના બનાવમાં આરોપી પિતા અને તેના ભાણેજને કોર્ટમાં રજુ કર્યા બાદ બે દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે.હત્યા બાદ મૃતક યુવકનો ફોન તોડી નજીકમાં ફેકી દેવાયો હતો જે પોલીસે કબ્જે કરી લીધો છે. છેલ્લા બે દિવસથી ચર્
રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતા વાહનચાલકો માટે ફાસ્ટેગ વાર્ષિક પાસની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા જાહેર કરાયેલા નવા નિયમો મુજબ કાર, જીપ અને વાન માટેના વાર્ષિક પાસની કિંમત હવે ₹3000 ના બદલે ₹3075 રાખવામાં આવી છે. આ સુધારેલો દર 1 એપ્ર
તાલુકાના કેરા ગામમાં આવેલ બેંક ઓફ બરોડાની સામે એકટીવા લઈને ઉભેલા કિશોરને પાછળથી આવેલા છકડાએ ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ચોકીએથી મળેલી વિગતો મુજબ બળદિયા ગામના 14 વર્ષીય ફારુક કાસમ વેણનું અકસ્માતમાં મોત નીપજ્યું હ
નગરપાલિકામાં મહેકમ શાખા ફરી ચર્ચામાં આવી છે. વર્ષોથી આ શાખામાં જરૂરિયાત મુજબ કર્મચારીઓની સંખ્યા ગોઠવવા અને યોગ્ય વહીવટ અંગે પ્રશ્નો ઉઠ્યા છે. ગત 28 ફેબ્રુઆરીએ હેડ ક્લાર્કની નિવૃત્તિ બાદ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા એક મહિલા કર્મચારીને મહેકમ શાખાની જવાબદારી સોંપાઇ છે. જોકે સ
લાખો લોકોનો જીવ બચાવતી અને જીવાદોરી ગણાતી 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ આજે પોતે જ આર્થિક સંકટમાં મુકાયા છે. દિવસ-રાત જોયા વગર ખડેપગે સેવા આપતા આ કર્મચારીઓને ફેબ્રુઆરી માસનો પગાર અડધો માર્ચ વીત્યો ત્યાં સુધી મળ્યું નથી. કર્મચારીઓએ મેનેજમેન્ટને વિનંતી કરી છે કે તેમનો પગાર દ
આજે 16 માર્ચથી ભુજ નગરપાલિકાના વર્તમાન પદાધિકારીઓની મુદ્દત પૂર્ણ થઇ છે ત્યારે છેલ્લા અઢી વર્ષના સમયગાળામાં ભુજ નગરપાલિકાની ટીમે શહેરના સર્વાંગી વિકાસ અને નાગરિકોની સુખાકારી માટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરી તેની યાદી બનાવવામાં આવી છે તે મુજબ ગ્રાન્ટનો કુને
જીવનને યાત્રા દ્વારા માણવા અને દેશની સંસ્કૃતિને જાણવા કેરાલાથી કાશ્મીર સુધી સાઈકલ પર નિકળેલા કેરાલા રાજ્યના કોટ્ટાયમ જિલ્લાના અતિરામપુઝા ગામનો 50 વર્ષીય યુવાન જોબિન સેબાસ્ટિયન જ્યારે કચ્છ પહોંચ્યો ત્યારે અહીંના લોકોના સ્વભાવ, લાગણી અને કચ્છની સુંદરતા પર મોહી ‘કચ્છ નહી
મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટસમાં વાર્ષોકોત્સવની ઉજવણી રૂપે ‘પુષ્પાંજલિ’, ‘કાલ તાંડવમ’ અને ‘ગંગા અવતરણ’ જેવી ભરતનાટ્યમ નૃત્ય રચનાઓની પ્રસ્તુતિ આપવામાં આવી હતી. અંતિમ ભાગમાં યુનિવર્સિટીના દેશ-વિદેશ વિદ્યાર્થીઓ દ્વારા ‘લોક રંગો’ નામે લોકનૃત્ય અને લોકસ
જમાનો બદલાયો ફિલ્મો આવી,ટીવી આવ્યું એટલે જૂની રંગભૂમિ મૃત:પ્રાય થઈ ગઈ. જો કે જમાના સાથે રંગભૂમિમાં બદલાવ આવ્યો. નવી રંગભૂમિ પર નાટકોનું અલગ જ સ્વરૂપ આવ્યું. ટીવી. સિનેમાના જમાનામાં પણ નાટ્યગૃહોમાં જઇ ટિકિટ લઈ નાટક જોવાની ફરજ પડે એવાં નાટક થવા માંડ્યા. રંગભૂમિ જ્યારે જૂની રં
કોર્પોરેટ ક્ષેત્રમાં કાર્યરત મહિલાઓ માટે અનોખું અને સર્જનાત્મક ટ્રિન્કેટ ટ્રે પેઇન્ટિંગ તથા ટોટ બેગ પેઇન્ટિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગો, ડિઝાઇન અને કલ્પનાશક્તિથી ભરપૂર આ વર્કશોપમાં 30થી વધુ કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતી મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હ
રાજકોટ મહાનગરપાલિકામાં હાલ ઇસ્ટ, વેસ્ટ તેમજ સેન્ટ્રલ સહિતની ત્રણ ઝોન કચેરીઓ કાર્યરત છે. જોકે શહેરની દક્ષિણમાં આવેલા વોર્ડ નંબર 15,16,17 અને 18નાં અંદાજે 5 લાખ કરતા વધુ લોકોને જન્મ-મરણનાં દાખલા, આધારકાર્ડ સહિત કોર્પોરેશનને લગત તમામ કામગીરી માટે સેન્ટ્રલ ઝોનમાં આવેલી મુખ્ય કચેરી
સુરતના વૈભવી કારના વર્કશોપ માટે હાઉસકિપિંગના સ્ટાફની વ્યવસ્થા કરવા ગયેલા અમદાવાદની આરડેન્ટ ફેસિલિટી કંપનીના ફિલ્ડ ઓફિસરને કંપનીના માલિકે અપશબ્દો બોલીને ધમકીઓ આપી હતી. કંપની માલિકે કર્મચારીના પરિવાર વિશે પણ અપશબ્દો બોલ્યા હતા. ત્યારે આ મામલે મકરપુરા પોલીસે ગુનો નોંધી
દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેઈક ઈટ ઈઝી... રેગ્યુલર DGP મુદ્દે ટૂંક સમયમાં ક્લિયરન્સ? રાવનું નામ મોખરે ગુજરાત પોલીસના ટોચના પદને લઈ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
કલ્પના કરો કે રોજ તમે જે રીતે કાર, બાઇક કે એક્ટિવા ચલાવો છો એ જ રીતે હેલિકોપ્ટર ઉડાવવા લાગો તો કેવું લાગે?. આ શેખચલ્લી જેવો લાગતો વિચાર હવે હકીકત બનાવવા જઇ રહ્યાં છે ગુજરાતી રિટાયર્ડ વિંગ કમાન્ડર જયદેવ દેસાઇ. શાર્ક ટેન્કમાં પિચ કરીને આવેલા જયદેવ દેસાઈ ભારતમાં પહેલી હેલિકોપ્
સુભાનપુરા વિસ્તારમાં હેલ્મેટ પહેરીને આવેલો ફુડ ડિલિવરી બોય ચાલતી જતી નર્સને શારીરિક અડપલાં કરીને ભાગી ગયો હતો. ઘટના અંગેના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ઘટના બાદ નર્સ ખૂબ ગભરાઈ ગઈ હતી. જોકે તેમણે હિંમત કરીને પોલીસને જાણ કરી હતી. ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કાન પકડાવી
સેવાસી કેનાલ રોડ ખાતે રહેતા યતીશ જાધવ સયાજીગંજની ઝવેરી સિક્યુરિટીમાં આઈટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. શનિવારે બપોરે ઘરે જઈ રહ્યો હતો. ત્યારે કારે ટર્ન લેતાં યતીશે બાઇકને અચાનક બ્રેક મારી હતી. આ દરમિયાન યતીશની પાછળ આવી રહેલા બાઈક સવાર બે શખ્સો બ્રેક મારવાના
હિન્દુઓની આસ્થાના કેન્દ્ર કૈલાસ માન સરોવરની યાત્રા મેના મધ્યથી સપ્ટેમ્બર સુધી થશે. આ વર્ષે કૈલાસ માન સરોવર યાત્રામાં સુભગ સમન્વય થઈ રહ્યો છે. હિન્દુ ધર્મના અધિક માસ અને તિબેટિયન હોર્સ યર પણ આ વર્ષે જ યાત્રા દરમિયાન આવતા હોવાથી એક પરિક્રમાનું પુણ્ય બૌદ્ધ ધર્મ પ્રમાણે 13 પરિ
શહેરના શાંત અને રમણીય વિસ્તાર માંજલપુરના રહીશો રસ્તા પર નીકળે ત્યારે દરરોજ સાંજે ટ્રાફિક જામ અને આડેધડ પાર્કિંગના ભરડામાં ફસાઇ જાય છે. આ વિસ્તારને સૌથી મોટો, પજવતા પ્રશ્નો આ છે. બ્રિજ અને ગટર લાઇનની કામગીરી થઇ રહી હોવાથી કેટલાક રસ્તાઓ પર આ સમસ્યા વધુ વકરી છે. દિવ્ય ભાસ્કરે
શહેરમાં ગેસ બોટલનું સરેરાશ દૈનિક વેચાણ 15,575 થઇ રહ્યું છે. ગેસના બોટલોનો પૂરતો જથ્થો હોવાનો પુરવઠા વિભાગનો દાવો કર્યો છે. જોકે ખાડી દેશોમાંથી નવો જથ્થો ક્યારે આવશે તે વિશે તંત્ર પાસે કોઇ જાણકારી નથી. બીજી તરફ દરેક ગેસ એજન્સી પર રેવન્યુ અને પોલીસ કર્મચારીઓની તહેનાતી કરવામાં આ
એમજીવીસીએલે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ બાદ પણ માર્ચ મહિનામાં કાર્યવાહી ચાલુ રાખી હતી. રવિવારે જુદા-જુદા વિસ્તારમાંથી 102 ટીમે 2551 ગ્રાહકોના રૂા.55 લાખના બિલની રિકવરી કરી હતી. જ્યારે 59 ગ્રાહકના 72 હજારના બિલ બાકી હોવાથી મીટર કાઢી લેવા કે વીજ જોડાણ કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી
શહેરમાં જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ આધુનિક અને પર્યાવરણ ફ્રેન્ડલી બનાવવા મહત્ત્વપૂર્ણ પગલું લેવાયું છે. સયાજીગંજમાં આવેલા જૂના સિટી બસ સ્ટેન્ડની જગ્યાએ 7 કરોડથી વધુના ખર્ચે નવું ઇ-બસ ચાર્જિંગ સ્ટેશન અને આધુનિક બસ સ્ટેશન બનાવવાની યોજના હાથ ધરાઈ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હે
કમાટીબાગમાં 17 વર્ષીય સગીરાની વૃદ્ધ દ્વારા છેડતી કરાતી હોવાની ત્રાહિત દંપતીએ અભયમને જાણ કરી હતી. જેને પગલે ટીમ સ્થળ પહોંચી હતી. અભયમે સગીરાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું કે, પાડોશી યુવતી સાથે વાતચીત કરવા બાબતે દાદા-દાદીએ ઠપકો આપતાં સગીરા શુક્રવારે પરોઢિયે 5 વાગે કોઈને
સુરતના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં 21 કરોડના ખર્ચે બનેલી પાણીની ટાંકી ટેસ્ટિંગ વખતે તૂટી પડી હતી. ભ્રષ્ટાચારને ભેટ ચઢી ગયેલી ટાંકી બનાવનાર જયંતીસુપર કન્સ્ટ્રક્શન પ્રા.લિ. નામના કોન્ટ્રાક્ટર વડોદરામાં 154.37 કરોડના ખર્ચે 2 ટાંકી સહિત અન્ય કામ કરી રહ્યા છે. જોકે સુરતના બનાવ બ
મોરબી ખાતે કાર્યરત અર્પિત મહિલા ટ્રસ્ટ દ્વારા મહિલાઓ અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે વિવિધ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે જ અંતર્ગત ગુજરાત માટીકામ કલાકારી અને રુરલ ટેકનોલોજી સંસ્થાન (ગુજરાત સરકારની સંસ્થા), સેક્ટર-12 ગાંધીનગર ના સહયોગથી માનવ કલ્યાણ યોજ
ઈશ્વર પેટલીકરની પ્રસિદ્ધ નવલિકા લોહીની સગાઈમાં સમાજ, કુટુંબના અપમાનના કડવા ઘુંટડા સહન કરીને પણ મનોદિવ્યાંગ પુત્રી મંગુની રાત દિવસ જોયા વગર સેવાચાકરી કરી જાતને સમર્પિત કરનાર માતા અમરતકાકીનું પાત્ર અમર થઈ ગયું છે. પરંતુ વાસ્તવિક જીવનમાં તેમના કરતાં પણ રવાપર રોડ ઉપર આવેલા
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર પશ્ચિમ બંગાળ-આસામ સહિત પાંચ રાજ્યોમાં ચૂંટણીની તારીખોની જાહેરાતના રહ્યા. બીજા સમાચાર ઈરાનના છે, તેણે ધમકી આપી છે કે તેઓ નેતન્યાહુને શોધીને મારી નાખશે. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. 10 રાજ્યોની 11 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી થશે. 26 ઉમેદવારો બિનહરી
મોરબીના વિસીપરામા રહેતાં અને જમીન મકાન લે વેચના ધંધાર્થીનું થોડા સમય પહેલાં લાલબાગથી અપહરણ કરી માર મારી હત્યા કરી દેવાઈ હતી. તેનો કોઇ આતોપતો ન મળે તે માટે તેની લાશ પીપળી રોડ પર આવેલી બંધ ફેક્ટરીના પરિસરમાં ખાડો ખોદીને દાટી દેવાઈ હતી અને તેના પર કોંક્રિટ ભરી ધાબુ ભરી પુરાવા
મોરબી શહેરના વિકાસમાં નવું છોગું ઉમેરતા મોરબી મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ કેસરબાગને સ્માર્ટ પાર્ક બનાવવાની કામગીરી અત્યારે યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં આ પ્રોજેક્ટનું 25 ટકા જેટલું ભૌતિક કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્
જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શનિવારે જનજાગૃતિ અને સંગઠન પર્વનું આયોજન કરવામાં આવ્યું હતુ. સમાજ અને રાષ્ટ્ર બચાવો ઝુંબેશ હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં મોંઘવારી, બેરોજગારી અને ડ્રગ્સ જેવા સામાજિક દૂષણો સામે અવાજ ઉઠાવવાનું આયોજન કરાયું હતું. આ સાથે જ પક્ષની વિચારધ
ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં મંજૂર કરાયેલા વિકાસ કામોમાં ગંભીર વિલંબ સામે આવ્યો છે, જેને લઈને કામગીરીની અસરકારકતા પર પ્રશ્નો ઊભા થયા છે. વર્ષ 2023 થી 2026 દરમિયાન જિલ્લા પંચાયતે કુલ 458 વિકાસ કામોને મંજૂરી આપી હતી. પરંતુ તેમાંમાંથી અત્યાર સુધી માત્ર 242 કામો પૂ
ગાંધીનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ દ્વારા સંગઠનાત્મક ગતિવિધિઓ તેજ બનાવવામાં આવી છે. લાંબા સમય બાદ ફરી એકવાર શહેરના તમામ 11 વોર્ડમાં ‘ટિફિન બેઠક’ યોજવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આગામી એક અઠવાડિયામાં તમામ વોર્ડમાં આ બેઠકો પૂર્ણ કરવા
જોરાવરનગર ખાતે તારીખ 06/03/2026ના રોજ આવેલી ઉપાસના હોસ્પિટલ નજીક એક બિનવારસી હાલતમાં મૃતદેહ પોલીસને મળ્યો હતો. અનેક દિવસો સુધી તપાસ અને રાહ જોવામાં આવી છતાં આજદિન સુધી મૃતકના કોઈ પરિવારજન અથવા ઓળખાણ મળી ન આવતા, પોલીસની હાજરીમાં જોરાવરનગર સમશાનભૂમિ ખાતે માનવતાના ધોરણે અંતિમ સં
ગાંધીનગર શહેરમાં વસ્તી અને વિસ્તાર વધ્યા બાદ ટ્રાફિક અને વાહન પાર્કિંગની સમસ્યા વ્યાપક બની છે. આ સ્થિતિ નિવારવા માટે અને રસ્તા પર ઉભા રહેતા લારી- ગલ્લાના દબાણોને યોગ્ય રીતે એક સ્થળે ઉભા રાખી શકાય તે માટે પાર્કિંગ અને સ્ટ્રીટ વેન્ડરો માટેના સ્થળો નિયત કરવા માટે મહાનગરપાલિ
રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા પંચાયતની 28 બેઠકોના સીમાંકનનો અંતિમ આદેશ આપી દીધો છે. માણસા તાલુકાની બેઠકો બાબતે મળેલા વાંધાઓ છતાં પ્રાથમિક આદેશમાં કોઈ બદલાવ કરાયો નથી. આ સાથે કલોલ નગરપાલિકાના 11 વોર્ડ અને તાલુકા પંચાયતની બેઠકોનું રોટેશન પણ સ્પષ્ટ કરી દેવાયું છે. ચૂંટણી આયોગના આખ
સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાંથી કોમી એખલાસનું એક અદભૂત ઉદાહરણ સામે આવ્યું છે. અહીં એક હિન્દુ યુવાન છેલ્લા 26 વર્ષથી પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરોને રોઝા છોડાવવા માટે ચાની સેવા આપી રહ્યો છે. વઢવાણ શહેરમાં કોમી એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા લગભગ 26
ક્ષત્રિય નાડોદા રાજપૂત સમાજના યુવાનોના શૈક્ષણિક ઉત્કર્ષ માટે સુરેન્દ્રનગર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. અમદાવાદ-ગાંધીનગર હાઈવે રોડની નજીક અંદાજે રૂ. 50 કરોડના ખર્ચે અત્યાધુનિક છાત્રાલય અને શૈક્ષણિક સંકુલ બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ માટે સુરેન્દ
ઝાલાવાડમાં આ વર્ષે 578 ગામમાંથી 20,230 સ્થળેથી માટીના નમુના એકત્ર કરી રિપોર્ટના આધારે હેલ્થ કાર્ડ ઇશ્યૂ કરાયા છે. આ આંકડામાં ગત વર્ષ કરતાં 8 હજારનો વધારો થયો છે. જમીનમાં રાસાયણિક ખાતરના આડેધડ ઉપયોગથી ફળદ્વુપતાને અસર થઇ રહી છે. તેવામાં જિલ્લાના ખેડૂતોને પોતાની જમીનના પોષક તત્વો
તલોદના નવલપુર ગામની લોકભાગીદારીથી ગામની કાયાપલટ કરી દેવાઈ છે. સરપંચ, પંચાયત અને ગામલોકો મળીને સરકારની વિવિધ યોજનાઓને લોકભાગીદારીથી ગામમાં અમલમાં મૂકી વોટર કન્ઝર્વેશન, એનર્જી કન્ઝર્વેશન, સ્વચ્છતા, ઓ.ડી.એફ. ગ્રીન રેવોલ્યુશન, વેસ્ટ મેનેજમેન્ટ, સી.એસ.સી. વગેરે કાર્ય ઉપર સફળતા
મોડાસામાં ડુઘરવાડા રોડ પર આવેલ સોસાયટીમાં ગેરકાયદે ગેસ રિફિલીંગ કરતાં શખ્સને એસઓજીએ પકડી 8400ની મત્તા જપ્ત કરી હતી. ડુઘરવાડા રોડ પર આવેલી આશીયાના સોસાયટીમાં SOGએ બાતમી આધારે દરોડો પાડી સાબીરહુસેન મુસાભાઇ સુથાર નામનો શખ્સ કોઈ પણ જાતની ફાયર સેફ્ટી વગર ગેરકાયદેસર રીતે ગેસ રિફિ
હિંમતનગરમાં નેશનલ લોક અદાલત અંતર્ગત માનવીય સંવેદના અને કાયદાકીય કુશળતાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો. છેલ્લા 12 વર્ષથી અલગ રહેતા અને અનેક કાયદાકીય ગૂંચવણોમાં ફસાયેલા દંપતીએ કાનૂની સેવા સત્તા મંડળની મધ્યસ્થીથી પોતાના જૂના મતભેદો ભૂલી ફરી સાથે રહેવાનો નિર્ણય કર્યો છે. આ
હિંમતનગરના ભોલેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં હાથમતી નદી કિનારે આવેલ જર્જરિત સ્મશાનની 50 લાખના ખર્ચે કાયાપલટ થવા જઇ રહી છે. સ્મશાનમાં નવી સગડીઓ સહિત ગેસ અથવા ઇલેક્ટ્રિક ચેમ્બરની સુવિધા ઉભી કરાશે. ભોલેશ્વર મહાદેવ મંદિર નજીક હાથમતી નદી કિનારે આવેલ સ્મશાન જર્જરિત સ્થિતિમાં છે
પાલનપુર તાલુકાના મોટા ગામે સરકારી પાણીના બોર પરથી ઇલેક્ટ્રિક કેબલ વાયર ચોરી થવાની ઘટના ફરી એકવાર સામે આવી છે. શખ્સોએ રાત્રે બોરથી ઓરડી સુધીનો આશરે 25 મીટર વાયર કાપીને લઈ જતા પાણી પુરવઠા પર અસર પડી છે.નોંધનીય છે કે એક અઠવાડિયામાં આવી બીજી ઘટના બનતા ગ્રામજનોમાં ચિંતા ફેલાઈ છે.
પાલનપુર તાલુકાના નાળાસર ગામમાં ધરો આઠમના પર્વે શ્રદ્ધાનો અનોખો નજારો જોવા મળ્યો છે. પેઢીઓ જૂની પરંપરાને વળગી રહીને આજે પણ ગામની મહિલાઓ ઘાસ કાપતી નથી. આ પવિત્ર દિવસે ખેતરમાં જઈને ઘાસ કાપવાની તમામ જવાબદારી માત્ર પુરુષો જ નિભાવે છે. આ અનોખા રિવાજ સાથે ગ્રામજનોએ નજીકના વાસડા
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં કુપોષણની સ્થિતિ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. 31 જાન્યુઆરી, 2026ની સ્થિતિએ આ પાંચ જિલ્લાઓમાં કુલ 55,166 બાળકો કુપોષણથી પીડાઈ રહ્યા છે. જેમાં સૌથી ગંભીર સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની છે. પણ મહેસાણામાં સુધારો ઝડપ
ભીલડી પંથકમાં અત્યારે નાના બાળકોમાં શંકાસ્પદ ઓરી વાયરસના કેસ જોવા મળી રહ્યા છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડક જેવી બેવડી ઋતુના કારણે બાળકો ઝડપથી બીમાર પડી રહ્યા છે. ઘણા ગામોમાં ઘેરઘેર બાળકો બીમારીના ખાટલા પર હોવાની સ્થિતિ જોવા મળી રહી છે. તાવ અને શરદી જેવા લક્ષણો જોવા મળતાં મા
ચોમાસા દરમિયાન ઘેડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ અને જળસંગ્રહ માટે મુખ્યમંત્રી દ્વારા ફેઝ-૨ના કુલ રૂ. 1,423.4 કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ઘેડ વિસ્તારના 6 તાલુકાના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. જેમાં ફેઝ – 1 ના 17 અને ફેઝ –2 ના 12 કામો આગામી બ
ર પોરબંદર જિલ્લામાં હાલ ગેસના સિલિન્ડર અછત જોવા મળી રહી છે ત્યારે જિલ્લામાં આવેલ આંગણવાડી અને મધ્યાનભોજન સંચાલકો પાસે પૂરતા ગેસના સિલિન્ડર હોવાથી બાળકોને પૂરતો નાસ્તો મળી રહ્યો છે. જિલ્લાની આંગણવાડીમાં ઘરેલુ સિલિન્ડર ઉપલબ્ધ હોવાથી અછત ઉભી ન થઈ હોવાનું સામે આવ્યું છે. પો
પોરબંદર તાલુકાનું રાજપર નવાગામ રળિયામણું ગામ છે. ગામનો મત વિસ્તાર કુતિયાણા છે. સરકારી ચોપડે ગામનું નામ રાજપર છે પરંતુ આ ગામને નવાગામ તરીકે ઓળખવામાં આવે છે. આ ગામમાં ક્રાઇમ રેટ ઝીરો છે. સરપંચ હરદાસભાઇ કાનાભાઈ આગઠના જણાવ્યા મુજબ ગામમાં આ વર્ષે સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે
પોરબંદર કુતિયાણા ખાતે સામાન રાખવા બાબતે બે પક્ષો વચ્ચે સામસામી મારામારી સર્જાઈ હતી.આ મારામારીમાં બંને પક્ષે એક એક સભ્યને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન આ ઘટના બાદ પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાની મ
વસ્ત્રાપુરની ગોયલ ઇન્ટરસિટીમાં રહેતા નિવૃત્ત ડીજીપી ગુરુદયાલસિંગના દીકરાની લાઈસન્સવાળી પિસ્ટલ અને 10 કારતૂસની ચોરી થઈ હતી. તેમને ઘરઘાટી ઉપર શંકા હોવાથી તેની સામે ફરિયાદ નોંધાવી હતી. વસ્ત્રાપુર પોલીસે ઘરઘાટીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્ટલ અને કારતૂસ કબજે કર્યા હતા. ઘટઘા
રેલ્વેના ટેન્ડર અપાવવાના બહાને પશ્ચિમ બંગાળના એક વેપારી પાસેથી 25 ગ્રામ સોનાના સિક્કા પડાવી લઈ ગયેલા 3 ગઠીયાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. આરોપીઓએ મીટીંગ કરવાના બહાને વેપારીને શાહીબાગ સરકીટ હાઉસમાં બોલાવ્યા હતા. જ્યાં રેલ્વેના અધિકારી તરીકે ઓળખાણ આપીને ટેન્ડર લેવા માટ
પાંજરાપોળ ચાર રસ્તાથી પર્યાવરણ મંદિર તરફ પગપાળા જતા વૃદ્ધને નશામાં ધૃત લોડિંગ રિક્ષાચાલકે ટક્કર મારતાં વૃદ્ધનું મૃત્યુ થયું હતું. સ્થાનિકોએ રિક્ષાચાલકને મેથીપાક ચખાડી પોલીસને સોંપ્યો હતો. મૂળ યુપીના અને હાલ ઓઢવમાં રહેતા હરિપ્રસાદ પાંડે (69) રિક્ષા ચલાવે છે. ગત શનિવારે સા
પરિવાર માત્ર લોહીના સંબંધથી નહીં પણ સ્નેહ, સંસ્કાર અને જવાબદારીથી મજબૂત બને છે. સાસરીમાં દીકરા સમાન ગણાનાર જમાઇ એ પરિવારમાં એકતા અને સંવાદિતાને મજબૂત બનાવે છે. અમદાવાદમાં આવી જ લાગણી અને સંસ્કારને ઉજાગર કરતી અનોખી પહેલ હાથ ધરાઇ છે. શહેરની બે સામાજિક સંસ્થા ગોપાલ મહેક ટ્રસ
શિક્ષણને ભાર વિનાનું અને આનંદદાયી બનાવવાના હેતુથી જોટાણા તાલુકાની મોદીપુરા પ્રાથમિક શાળામાં એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ રમતાં જમતાં અંગ્રેજી શીખો' ઇનોવેશન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. શિક્ષિકા આશાબેન સથવારાએ બાળકોમાં અંગ્રેજીનો ડર ભગાડવા માટે મધ્યાહન ભોજનની થ
ખાડી દેશોમાં ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના વધેલા ભાવની અસર હવે મહેસાણા જિલ્લાના ઔદ્યોગિક ક્ષેત્રમાં પણ દેખાવા લાગી છે. ક્રૂડ ઓઇલની બાય પ્રોડક્ટ તરીકે ઉપયોગમાં લેવાતા રેઝિનના ભાવમાં ભારે વધારો થતાં પીવીસી પાઇપ અને પ્લાસ્ટિક ટાંકી બનાવતા ઉદ્યોગોને
મહેસાણાનો જુવેનાઇલ ડાયાબિટીસ પ્રોજેક્ટ પ્રધાનમંત્રી એવોર્ડની રેસમાં પહોંચ્યો છે. જેને લઈને જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના 'પ્રધાનમંત્રી પુરસ્કારો-2025' અંતર્ગત કેન્દ્ર સરકારના બે ઉચ્ચ અધિકારીઓની ટીમે જિલ્લાની ખાસ મુલાકાત લઈને પ્રોજેક્ટના અમલીકરણથી લઈને તેના પરિણામ વ
મહેસાણા જિલ્લામાં સૌથી વધુ વસ્તી ધરાવતા ગામો પૈકીનું ઉનાવા પ્રગતિશીલ અને સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું ગામ છે. ઊંઝા તાલુકાના અંદાજે 15 હજાર જેટલી વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણી, ગટર લાઇન, રોડ-રસ્તા સહિતના વિકાસ કાર્યોને કારણે ગામનો સર્વાંગી વિકાસ થયો છે. ઉના
મહેસાણાના મોઢેરા રોડ પર નુગર બાયપાસથી ગોકુલધામ સુધી એક તરફ નવો રસ્તો બનાવવામાં આવ્યો છે, જ્યારે બીજી બાજુનો રોડ હજુ બનાવાયો નથી. જેના કારણે જૂના રોડની સરખામણીએ નવો રોડ લગભગ એક ફૂટ જેટલો ઊંચો રહેતા વાહનચાલકો માટે રોડ ક્રોસ કરવો મુશ્કેલ બન્યો છે. રોડ સાઇડના ક્રોસિંગમાં લેવલ
પાલોદર ગામે જોગણી માતાજીના મેળામાં અમદાવાદની ખિસ્સા કાતરુ ટોળકીના 6 શખ્સોને મુદ્દામાલ સાથે મહેસાણા તાલુકા પોલીસે ઝડપી લઇ ચોરીની 3 ઘટનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. તાલુકા પોલીસ સ્ટાફે મેળામાં શંકાસ્પદ જણાતાં પૂછપરછ કરી હતી. જેમાં મહેસાણા શહેરના આંબાવાડી વિસ્
બેંકિંગ વ્યવહારોમાં ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવેલા નવા નિયમો અંગે મહેસાણામાં યોજાયેલી સહકારી બેંકિંગ માર્ગદર્શન શિબિરમાં વિગતવાર માહિતી અપાઇ હતી. નિષ્ણાતોએ જણાવ્યું કે, કોઈ ડિપોઝિટ ખાતેદાર પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ જાળવી શકતો ન હોય તો બેંકે
મહેસાણાના પાટીદાર પ્લાઝામાં શોર્ટ સર્કિટથી વાયર બળી જતાં બે દિવસ સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. બીજા દિવસ સુધી વાયર બદલવાની કામગીરી ચાલુ હોઇ આ દરમિયાન ચારથી પાંચ પાર્લર, સ્ટોરમાં કુલીંગ બંધ રહેતાં આઈસ્ક્રીમ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના વેપારને અસર થઇ હતી. શહેરના ગાંધીનગર લીંક
વડનગરના સિપોરથી સમોજા રોડના વળાંકમાં ઇકોની ટક્કર વાગતાં કુડા ગામના બાઈકસવાર પિતા-પુત્રને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઇ હતી. ખેરાલુના કુડા ગામના નિકુંજકુમાર સુથાર ગત 27 ફેબ્રુઆરીએ બપોરે સિપોર ચોકડીથી તેમના પિતાને બાઈક પર બેસાડીને સુથારી કામ માટે સેમોજા તરફ જઈ રહ્યા હતા. ત
સરસ્વતી તાલુકાના વાયડ ગામે લગ્નનો વરઘોડો કાઢવા મામલે થયેલી જૂથ અથડામણમાં સામેસામે 51 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે.પોલીસે બંને પક્ષોના 36 આરોપીઓની ધરપકડ કરી છે. આ મામલામાં પૃથ્વીરાજ ગેમરજી રાઠોડે 47 શખ્સો સામે જ્યારે જાલમસિંહ બાબુજી જાદવે 4 શખ્સો સામે નામજોગ સરસ્વતી પોલીસ મથક
પાટણ નગરપાલિકામાં સૂકા-ભીના કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટના ટેન્ડરનો વિવાદ છેલ્લા 6 મહિનાથી શમવાનું નામ નથી લઈ રહ્યો. આ મામલે ગાંધીનગર પ્રાદેશિક કમિશનર કચેરીએ સીધો હસ્તક્ષેપ કરી પાટણ ચીફ ઓફિસરને કડક આદેશ જારી કરીને નાગેશ કોર્પોરેશનને વર્ક ઓર્ડર આપવા બાબતે 258(1) હેઠળના હુકમની
ન્યાય સર્વના માટે સૂત્રને સાર્થક કરવાના હેતુથી સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ શનિવારે પાટણ જિલ્લા અને તાલુકા મથકોની તમામ કોર્ટોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરાયું હતું. સમગ્ર પાટણ જિલ્લામાં કુલ 38,180 કેસો મુકાયા હતા, જેમાંથી 10,991 કેસોનો નિકાલ થતાં કુલ ર

28 C