બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનાત્મક ટીમની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. નવી ટીમમાં કુલ 21 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી ઉપરાંત કોષાધ્યક્ષ અને કાર્યા
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં એક માર્ગ અકસ્માત સર્જાયો છે. વીરપુર-ડેભારી માર્ગ પર સુજલામ સુફલામ કેનાલ નજીક બારોડા ગામ પાસે બે બાઇક સામસામે અથડાયા હતા. આ દુર્ઘટનામાં બંને બાઇક સવારના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઇકના સ્પેરપાર્ટ રોડ ઉપર
અમદાવાદના કોતરપુર વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇનમાં જોડાણની કામગીરી કરવાની હોવાથી કોતરપુર વોટર વર્કસમાંથી મધ્ય ઝોન વિસ્તારમાં પાણી પૂરું પાડવામાં આવશે નહીં. શહેરના શાહપુર, દરિયાપુર, માધુપુરા, શાહીબાગ, દુધેશ્વર, જમાલપુર, ખાડિયા, રાયખડ, અસારવા, લાલદરવાજા વિસ્તારમાં 30 જાન્યુઆરી
સુરત શહેરના દક્ષિણ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સુરત મહાનગરપાલિકાએ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સુરત-નવસારી રોડ પર ઉધનાના ખરવરનગર બ્રિજ ઉતરતાની સાથે જ હવે વધુ એક નવો ફ્લાયઓવર બ્રિજ બનાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઉધના ત્રણ રસ્તા જંકશનથી સર્વોત્
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે જૂનાગઢના મહેમાન પધારશે.જેને લઈ મુખ્યમંત્રીના પ્રવાસને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.જુનાગઢ ખાતે મુખ્યમંત્રી બપોરે 4 કલાકે પીટીસી હેલીપેડ ખાતે ઉતરાણ કરશે, જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ તે
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કાકણપુર વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન સામે ખાણ ખનીજ વિભાગે ગઈકાલે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન સ્થળ પરથી બે ટ્રકો જપ્ત કરવામાં આવી હતી. જોકે, કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ખનીજ માફિયાઓ ખાણ ખનીજ વિભાગની ટીમની નજર ચૂકવીને જપ્ત કરાયેલા બંને
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગ્રીન બોન્ડ બહાર પાડ્યા બાદ હવે બ્લ્યુ બોન્ડ જાહેર કરવાની તૈયારીઓ તેજ થઈ છે. આ બ્લ્યુ બોન્ડ દ્વારા પાણી સંબંધિત કામો (વોટર વર્ક્સ) માટે ભંડોળ ઊભું કરવામાં આવશે. આ બોન્ડ દ્વારા પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્વચ્છતા અને સંબંધિત પર્યાવરણીય પ્રોજેક્ટ્સને ભ
શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પાકા મકાનો આપવામાં આવે છે. જોકે, મકાનો ફાળવાયા પછી લાભાર્થીઓ અને કેટલાક લેભાગુ તત્વો દ્વારા મકાનો અન્ય લોકોને ભાડે આપી દેવામાં આવતા હોવાની તેમજ કેટલાક કિસ્સામાં ગેરકાયદે વસવાટ કરતા હોવાની ફરિયાદો સામ
અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં એક બાદ એક માર્ગ અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. વટવા GIDC ફેઝ-1 તેમજ સિંગરવા વિસ્તારમાં બનેલા બે અલગ અલગ અકસ્માતોમાં કુલ બે વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે બે મહિલાઓને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. રીક્ષાએ ટુ-વ્હીલરને ટક્કર મારતાં એકન
રાજકોટમાં 9 મહિના પહેલા ઇન્દિરા સર્કલ પાસે સીટી બસના ચાલક દ્વારા ચાર લોકોને હડફેટે લેવામાં આવતા તેમના મૃત્યુ નીપજ્યા હતા જે ઘટનામાં ડ્રાઇવર દ્વારા બ્રેક ન લાગી હોવાનું રટણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ જ ઘટનાની સાક્ષી પુરાવતો ઈલેક્ટ્રીક સીટી બસનો વીડિયો વાયરલ થયો છે, જેમા
મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના સાલૈયા ગામ નજીક વીજ લાઈનમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન એક વીજકર્મીનું કરંટ લાગવાથી મોત થયું છે. આ ઘટના આજે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સાલૈયા ગામ નજીક વીજ લાઈનમાં મરામતનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન લાઈન પર કામ કરી રહેલા ઇલેક્ટ્ર
વલસાડના સુપ્રસિદ્ધ પારનેરા ડુંગરની તળેટીમાંથી ગતરોજ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી અડધી ડી કમ્પોઝ થયેલી લાશની ઓળખ થઈ છે. પોલીસે મોબાઈલ ફોન અને પાકિટના આધારે કાર્યવાહી તેજ કરી છે. લાકડા વીણવા ગયેલા સ્થાનિક લોકોએ આ લાશ જોઈ હતી. તેમણે તાત્કાલિક મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ગામન
માનવામાં જ ન આવે તેવા સમાચારે વિશ્વની રાજકીય ધરીને સ્થિર કરી દીધી છે. વાત એમ છે કે દુનિયાની સૌથી શક્તિશાળી સેના ચીનની છે. તેની જ ટોપ લીડરશિપને અમેરિકાએ ફોડી નાખી. ચીનની હથિયારોની ખરીદી, ન્યુક્લિયર પ્રોજેક્ટ જેવી ગુપ્ત માહિતીને અમેરિકાએ મેળવી લીધી. ઈન્ટલિજન્સીમાં અવ્વલ ચીન
પાટણ જિલ્લા પોલીસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં કુલ 198 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું, જે ધારપુર બ્લડ બેન્કને અર્પણ કરાયું છે. આ રક્તદાન શિબિરમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, તેમના પરિવારના સભ્યો, હોમગાર્ડ અને જી.આર.ડી. જવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસે સંગઠનને મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જિલ્લાના 17 શહેર અને તાલુકા મથકો પર નવા પ્રમુખોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ નિમણૂકોનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓમાં પક્ષની પ
માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્નના ખાર રાખી એક યુવાનનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો. આઠ શખ્સોએ યુવાનને સ્કોર્પિયો ગાડીમાં અપહરણ કરી ઓફિસે લઈ જઈ ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાને સારવાર લીધા બાદ માળીયા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ
વેરાવળમાં ભારત વિકાસ પરિષદ સોમનાથ શાખા અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ગીર સોમનાથ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ માટે પ્રેરણાત્મક વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ મંગળવારે, ૨૭મી તારીખે, ડાભોર રોડ પર આવેલા કપિશ્વર પાર્ટી પ્લોટ ખાતે યોજાયો
પાલનપુર કોર્ટ સંકુલ ખાતે પાલનપુર બાર એસોસિએશન અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વકીલો, પોલીસ કર્મચારીઓ અને શહેરીજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સમાજમાં રક્તદાન અંગે જાગૃતિ લાવવાના હેતુથી આ કેમ્પ યોજાયો હતો.
અમદાવાદ શહેરની મેડિસિટીમાં આવેલ એમ. એન્ડ જે. વેસ્ટર્ન રિજનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઓપ્થેલ્મોલોજી ખાતે સંસ્થાને એડવાન્સ ફેકોઇમલ્સિફિકેશન મશીન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં પશ્ચિમ વિસ્તારના લોકસભાના સાંસદ દ
AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલાએ આજે ગોધરાની મુલાકાત લીધી હતી. તેમણે ગોધરા સર્કિટ હાઉસ ખાતે સ્થાનિક સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી. આ મુલાકાત દરમિયાન, કાબલીવાલાએ આગામી રણનીતિ, સ્થાનિક પ્રશ્નો, વર્તમાન રાજકીય સ્થિતિ અને સંગઠન મજબૂતીકરણ અંગે વિ
જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ વિશાલ મહેન્દ્ર મોદી સામે દુષ્કર્મની ફરિયાદ બાદ હવે વધુ એક ગુનો નોંધાયો છે. તેમના ભાગીદાર લેન્ડ ડેવલોપર અશોક દેવશી અકબરીએ જમીનના વિવાદમાં ધમકી આપી અને માર માર્યાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ, વિશાલ મોદીએ ભાગ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ(સાયન્સ)ની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા-2026ની પ્રાયોગિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડના જાહેરનામા મુજબ પ્રાયોગિક પરીક્ષા 5 ફેબ્રુઆરી, 2026થી શરૂ થશે. આ પરીક્ષા માટેની હોલ ટિક
રાજકોટ શહેરમાં આપઘાતના વધુ 3 બનાવ સામે આવ્યા છે જેમાં એક યુવક એક યુવતી અને એક આધેડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ પોરબંદરના યુવકે રાજકોટમાં ગળેફાંસો ખાઈ જયારે બે વર્ષ પહેલા બિલ્ડીંગ પરથી કૂદકો મારતા પહોંચેલી ઈજાનો દુઃખાવો સહન ન થતાં યુવતીએ આપઘાત કરી
ડાંગ જિલ્લાના સાપુતારા, આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનને કારણે વાતાવરણમાં ભેજ વધ્યો છે, જેના પરિણામે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે. આ બદલાયેલા હવામાનથી જનજીવન અને ખેતી પર અસર થવાની શક્યતા
અમદાવાદના શેલા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય ભાટિયા સાથે 16.50 લાખ રૂપિયાની છેતરપિંડીનો આચરવામાં આવી છે. લોન અને પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટના બહાને આરોપીઓએ મુંબઈમાં પ્રોપર્ટી ખરીદવાની લાલચ આપી હતી. સ્ટેમ્પ ડ્યુટીના નામે લાખો રૂપિયા પડાવી લીધા. ખોટી રસીદ બનાવી વિશ્વાસમાં લીધા બા
શિક્ષાપત્રી લેખનના 200 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત પાંચ દિવસીય 'સમૈયા મહોત્સવ'નું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સમાપન થયું હતું. અડાલજ ચોકડી પાસેના પર્વ ગ્રાઉન્ડ ખાતે હજારો હરિભક્તોને સંબોધતા અમિત શાહે જણાવ
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ગોધરા નગર દ્વારા 27 જાન્યુઆરીના રોજ ગોધરા શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં યુવાઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન ગોધરાની એસ.પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ખાતેથી થયું હત
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને LRDની સીધી ભરતી માટેની શારીરિક કસોટી 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયા 13 માર્ચ, 2026 સુધી ચાલશે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ મુજબ અત્યાર સુધીમાં કુલ 1.35 લાખ ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવવામા
મોરબીમાં મહારાણી નંદકુંવરબા આશ્રયગૃહ ઘરવિહોણા અને નિરાધાર લોકોને નિશુલ્ક રહેવા, જમવા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડે છે. આ આશ્રયગૃહનું સંચાલન મોરબી નગરપાલિકા દ્વારા નિયુક્ત સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા દ્વારા કરવામાં આવે છે. નિરાધારોને આશ્રય આપવાના હેતુથ
વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનના નવા હોદ્દેદારો અને વિવિધ મોરચાના પ્રમુખોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ભાજપ પ્રમુખે આ યાદી જાહેર કરી હતી. નવી ટીમમાં 8 ઉપપ્રમુખ
અમદાવાદના ACB પોલીસ મથકે ગુલબાઈ ટેકરા ખાતે આવેલી કોલેજ એમ. એમ. પટેલના ટ્રસ્ટી તિમિર અમીન અને વોચમેન મુરલી મનોહર ઝંડોલ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે મુજબ કોલેજના નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલે પેન્શન સહિતના લાભો મેળવવાની ફાઈલ ઉપર ટ્રસ્ટીના સહીની જરૂર હતી. જે માટે ટ્રસ્ટી
જામનગરમાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. આ આવેદનપત્રમાં ખાનગી કંપની 765kv લાઇન, વીજ પોલ દીઠ વળતર, અને જમીન સંપાદન કાયદા સંબંધિત વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. સમિતિએ માંગ કરી હતી કે ખાનગી 765kv લાઇનનો રૂટ સંપૂર્ણપણે બદલીને દરિયા કિનારે
બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ બોટાદ તાલુકાના નાગલપર ગામની મુલાકાત લીધી હતી. તેમની સાથે DYSP મહર્ષિ રાવલ અને PI ખરાડી પણ જોડાયા હતા. આ મુલાકાત દરમિયાન ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે સરપંચો, આગેવાનો અને ગ્રામજનો સાથે એક બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગામની શાંતિ-સ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામે એક મહિલા ચાલુ બાઇક પરથી ચક્કર આવતા નીચે પટકાઈ હતી. આ ઘટનામાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક ગોધરાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કોટડા ગામના રહેવાસી સુમિત્રાબેન બારીયા આજે સાંજે પોતા
ધનસુરા તાલુકાના વડાગામ ખાતે આવેલી ITI માં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ પરમાર, ITI ના ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા, આચાર્ય દીપકભાઈ
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા હુમલા પ્રકરણમાં માયા આહીરના પુત્ર જયરાજ આહીર સામે ગુનો નોંધી ધરપકડ કરાયા બાદ પણ શાંત પડવાનું નામ નથી લઈ રહ્યો. જયરાજ આહીર સામેની કાર્યવાહી બાદ પણ સમસ્ત કોળી-ઠાકોર સમાજે 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં ન્યાય સભા યોજવાની જાહેરાત કરી છે. જીતુ
દિવ્ય ભાસ્કર એપ દ્વારા અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 6.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
સુરત શહેરમાં માર્ગ અકસ્માતો દરમિયાન હેલ્મેટ પહેરેલું હોવા છતાં મોત થવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે, જેનું મુખ્ય કારણ સુરક્ષાના નામે પહેરવામાં આવતા 'હલકી ગુણવત્તા'ના હેલ્મેટ છે. આજે (27 જાન્યુઆરી) ડિંડોલી-ઉધના બ્રિજ પર બનેલી ઘટનામાં પણ આવું જ કંઈક જોવા મળ્યું હતું. બ
મોરબી પોલીસે જુગાર વિરુદ્ધ કાર્યવાહી કરતા બે જુદા જુદા સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દરોડામાં કુલ 10 શખ્સોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કુલ ₹58,700 રોકડા જપ્ત કર્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ દરોડો મોરબીના માધાપર શેરી નંબર-4 મ
અમદાવાદના ઐતિહાસિક ગણાતા એવા ત્રણ દરવાજાથી લઈ પાનકોરનાકા સુધી રોડ ઉપર ગેરકાયદેસર રીતે કેટલાક પાથરણાંવાળાઓ બેસી જતા હોવાના કારણે દુકાનદાર વેપારીઓને ધંધો થતો નથી અને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, એવી ફરિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હ
હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાને ઈકો કારે ફૂટબોલની જેમ ફંગોળી હતી. જેથી ગંભીરઈજા પહોંચતા મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ મહિલા ચાર માસની ગર્ભવતી હોવાનું પણ સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં હિંમતનગર ગ્રામ્ય પો
મોરબી જલારામ ધામ અને જલારામ સેવા મંડળ દ્વારા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 285 દિવંગતોના અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરવામાં આવ્યું હતું. આમાં 15 બિનવારસી મૃતદેહોના અસ્થિઓનો પણ સમાવેશ થાય છે. જલારામ ધામ અને શ્રી જલારામ સેવા મંડળ બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર હિન્દુ શાસ્ત્રોક
મહેસાણા શહેરના રામોસણા બ્રિજ પાસે સર્વિસ રોડ પર ગત રાત્રિના સુમારે બે સ્કોર્પિયો ગાડીઓ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ત્રણ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. આ મામલે ઊંઝા તાલુકાના કંથરાવી ગામના વૃદ્ધે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે બેદરકાર ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. લગ્ન
હથિયારો-વિસ્ફોટક દારૂગોળા સાથે આતંકીની ધરપકડ ગુજરાત એટીએસે નવસારીથી જૈશ-એ મહોમ્મદ અને અલ કાયદા સાથે સંકળાયેલા આતંકી ફૈઝાન શેખની ધરપકડ કરી.. આતંકી પાસેથી હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. ચોક્કસ સમુદાય પર હુમલો કરી રાજ્યમાં અરાજકતા ફેલાવવાનો કારસો ઘડી રહ્યો હતો. આ સમા
વલસાડ જિલ્લામાં વાહનોમાં બહારથી LED લાઈટો લગાવનારા ચાલકો સામે RTO દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાત્રિના સમયે થતા માર્ગ અકસ્માતોમાં મોટાભાગે આવી LED લાઈટો કારણભૂત હોવાનું એક સર્વેમાં સામે આવ્યું હતું. આથી, રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ, રસ્તાઓ પર સફેદ LED લાઈટો લગાવીન
પાટણ જિલ્લામાંથી પસાર થતા રાધનપુર-પાટણ-ચાણસ્મા નેશનલ હાઈવે 68 પર પાટણથી સાઈબાબા મંદિર થઈ મોતીશા દરવાજા સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. આ માર્ગના સમારકામ માટે પાટણ નગરપાલિકા ચેરમેન દ્વારા કાર્યપાલક ઈજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. નેશનલ હાઈવે 68ના આ સેક્શનમાં વરસા
ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત નાના વેપારીઓ અને શેરી ફેરિયાઓને આર્થિક રીતે સધ્ધર બનાવવાના હેતુથી લોન વિતરણ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 29 લાભાર્થીઓને કુલ રૂ. 7.60 લાખની લોન સહાયના ચેક મહાનુભાવોના હસ
ડાયમંડ સિટી સુરતમાં અત્યારે રમતગમત અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. શહેરના પ્રખ્યાત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)એ ફેન્સમાં ભારે ઉત્તેજના જગાવી છે. આગામી દિવસોમાં બોલિવૂડના સુપરસ્ટાર્સ પોતાની ટીમોનો ઉત્સાહ વધા
ગાંધીનગરના વાવોલ ગોકુળપુરા અને ડભોડા વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી સક્રિય થઈ 17 જેટલા વાહનોમાંથી 85 હજારની કિંમતની બેટરી ચોરીને અંજામ આપી ટ્રાન્સપોર્ટરોની ઊંઘ હરામ કરી દેનાર બેટરી ચોર ગેંગનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરી પાંચ પૈકી બે આરોપીને ઝડપી લઇ
લંડન નિવાસી 73 વર્ષીય મહિલાનું પાલીતાણા જતા ટ્રેનમાં પર્સ ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મહિલા બાંદ્રા-ભાવનગર ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. મુસાફરી દરમિયાન ટોઇલેટ જઈ પરત ફરતા સીટ નીચે મુકેલું પર્સ ગાયબ હતું.પર્સમાં પાસપોર્ટ, OCI કાર્ડ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને રોકડ રકમ
પ્રયાગરાજમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીને મળ્યા હતા અને તેમના આશીર્વાદ લીધા હતા. આ મુલાકાત દરમિયાન વાઘેલાએ સનાતન પરંપરાની રક્ષા, ધર્મ જાગરણ અને ગૌહત્યાના સંપૂર્ણ પ્રતિબંધ માટે શંકરાચાર્યની નિર્ભીક ભૂમિકા
દેશભરના આઠ લાખ બેંક કર્મચારીઓ આજે પાંચ દિવસીય કાર્ય સપ્તાહ અને અન્ય પડતર માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. ગુજરાતમાં પણ 15,000 બેંક કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે, જેના કારણે સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા સહિતના મોટા શહેરોમાં બેંકિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે. નવસારીમાં પણ આ હડતાળ
મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી સેવા, સંસ્કાર અને દેશભક્તિના સંદેશ સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત બે મુખ્ય કાર્યક્રમો યોજાયા હતા. સવારે 8:00 થી 11:00 વાગ્યા સુધી ભુદરપુરા વિસ્તારમાં આવેલા હેમ મહેક બાળ સંસ્ક
અમદાવાદની શ્રી સદન-17 સોસાયટીમાં ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર હિમાંશુભાઈ વાળાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે મ્યુનિસિપલ કાઉન્સિલર મેહુલભાઈ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. ક
પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બાલીસણાથી સરસ્વતી બેરેજ સ્થિત મેલડી માતાના મંદિરે જઈ રહેલા રાવળ સમાજના પદયાત્રા સંઘનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત કાર્યક્રમ પાટણની નવજીવન ચોકડી ખાતે યોજાયો હતો. રાવળ સમાજ દ્વારા પાટણ જિલ્લાના બાલીસણાથી આ પદયાત્રા સંઘનું આયોજન
અરવલ્લી જિલ્લાના ધનસુરા-બુટાલ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ધનસુરા શીતકેન્દ્ર પાસે રસ્તો ઓળંગતી વખતે એક યુવક પુરપાટ ઝડપે આવતી કારની અડફેટે આવી જતાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કોઈ પણના રુંવાડા ઉભા
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે હાથ ધરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં ફરી એકવાર ગરીબને દંડો અને વગદારને ઠંડો જેવો ઘાટ જોવા મળ્યો છે. સેક્ટર-1માં માર્ગ મકાન અને વન વિભાગની જમીન પરથી ઝૂંપડા હટાવી તંત્રએ ગર્વ લીધો છે. પરંતુ સેકટર 1 અને 2 વિસ્તારમાં વગદારો દ્વારા સરકારી જમીન પ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈશ્વરીયા ગામે બે સિંહણોએ ગતરાત્રિએ ગામ નજીક એક વાછરડાનું મારણ કર્યું હતું. ગામની ગલીઓમાં આ સિંહણોની લટાર જોવા મળી હતી, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં સિંહણો ગામમાં ફરતી સ્પષ્ટ દેખ
S.I.R. પ્રક્રિયા હેઠળ મતદારોને હેરાનગતિ બંધ કરવા બાબતે સુરત ખાતે આમ આદમી પાર્ટીએ મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, ફોર્મ નં. 7ના દુરુપયોગ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મતદારયાદીમાંથી નામ રદ્દ કરવાની પ્રક્રિયામ
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની સામાન્ય સભામાં પ્રાથમિક કેળવણી ફંડનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે 1200 કરોડનું શિક્ષણ સાથે કેળવણીનું શતાબ્દી બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 1143 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હ
• અત્યાર સુધી કુલ 16 આરોપીની પોલીસે કરી છે ધરપકડ રાજકોટના નિવૃત શિક્ષક દંપતીને ડિજિટલ અરેસ્ટ કરી રૂ.1.14 કરોડ પડાવનાર મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવામાં રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસને સફળતા મળી છે. હરિયાણાથી યશ બેંકના સેલ્સ ઓફીસર સહિત બે શખ્સોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહ
BITA (બરોડા IT એસોસિએશન) દ્વારા હાલ વડોદરા શહેરમાં 26થી 28 જાન્યુઆરી દરમિયાન મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રી એક્સપો ચાલી રહ્યો છે. જેમાં મોટી સંખ્યામાં MSME કંપનીઓ ભાગ લઈ રહી છે. BITA પ્રમુખ પરેશ પટેલે જણાવ્યું હતું કે, ઓનલાઈન ફ્રોડ એ અત્યારે IT ક્ષેત્ર માટે મોટી ચેલેન્જ છે. ઓનલાઇન ફ્રોડ અત્યારે ઘ
ગાંધીનગરમાં ફેબ્રુઆરી માસ દરમિયાન યોજાનાર વસંતોત્સવ-2026ને લઈ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત આ રંગબેરંગી ઉત્સવમાં આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે હેન્ડીક્રાફ્ટ અને ફુડ બજાર વિશેષ આકર્ષણ રહેશે. ઉત્સવ દરમિયાન વિવિધ હેન્ડીક્રાફ્ટ અ
વેરાવળ-સોમનાથ જોડિયા શહેરમાં છેલ્લા 10 દિવસથી નર્મદા પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે. આને કારણે પીવાના પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. તૂટેલી પાઇપલાઇનમાંથી વહેતું પાણી ગટરના પાણી સાથે ભળી જતાં અનેક વિસ્તારો ચોમાસા વિના જ ગંદા પાણીમાં ગરકાવ થઈ ગયા છે. આ ગંભીર પરિસ્થિતિ વોર્ડ
મોરબી જિલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝરની ભરતી માટે ખાસ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી, એસ.આઈ.એસ. અને એસ.એસ.સી.આઈ. રિજનલ ટ્રેનિંગ સેન્ટર, માણસા-ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આ શિબિરો જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સવારે 10 થી સા
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-રાજકોટ હાઈવે પર હડાળા બોર્ડ નજીક એક ખાનગી ટ્રાવેલ્સ બસ પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 10થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદથી રાજકોટ જઈ રહેલી આ ટ્રાવેલ્સ બસ
પંચમહાલ જિલ્લાના હાલોલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન પોલીસ બેડાના તેજસ્વી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) શાખાના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ કેહજીભાઈ સઈદુભાઈને તેમની પ્રશંસનીય અને ઉત્કૃષ્ટ કામગી
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC દ્વારા જાન્યુઆરી 2026માં જાહેર કરવામાં આવેલા 'ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં સમાનતાનો પ્રચાર' નિયમો સામે સામાજિક સંગઠનોએ વાંધો ઉઠાવ્યો છે. શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા આ મામલે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સંબો
પંચમહાલ જિલ્લાના શહેરા નજીક અણિયાદ ચોકડી પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની બ્રેક ફેઈલ થતા તે બેકાબૂ બન્યું અને ત્રિપલ અકસ્માતમાં એક કારને ભારે નુકસાન થયું. જોકે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, અણિયાદ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરની અ
ગુજરાત હાઇકોર્ટમાં 2 અરજદાર દ્વારા અમદાવાદમાં આવેલી પ્રખ્યાત ઉદગમ સ્કૂલ સામે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં જણાવ્યા મુજબ શાળામાં કી સ્ટોન નામની સંસ્થા ક્લાસિસ ચલાવીને JEE માટે 90 હજાર રૂપિયા જેટલી ફી ઉઘરાવે છે. શાળામાં ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેતા વિદ્યા
સૌરાષ્ટ્ર અને ગુજરાતને દેશ અને વિદેશમાં પોતાની કળાને લઈ ગૌરવ અપાવનારા શાહબુદ્દીન રાઠોડ બાદ હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંના નામને મતદાર યાદીમાંથી દૂર કરવાનો પ્રયાસ કરાતા ચકચાર મચી છે. બે દિવસ પહેલા જ હાજી રમકડુંની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેની વચ્ચ
બનાસકાંઠાના નવરચિત વાવ-થરાદ જિલ્લા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠન અને જિલ્લા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા પાલનપુર કમલમ ખાતે ચાલી રહી છે. પ્રદેશ ભાજપમાંથી રાજુ ધ્રુવ, ભાનુબેન બાબરિયા અને ગૌતમ શાહ આ સેન્સ પ્રક્રિયા માટે પાલનપુર પહો
આજે માર્કેટ ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવોએ નવા ઈતિહાસ રચ્યા છે. વૈશ્વિક બજારમાં વધતી અનિશ્ચિતતા અને યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળતા રોકાણકારોને કારણે ભાવોમાં ભારે ઉછાળો નોંધાયો છે. સોમવારે સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.59 લાખની સપાટી વટ
બોટાદ શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ સામે આવી છે. શહેરમાંથી ૧૬૨૬ નાગરિકોના નામ મતદાર યાદીમાંથી રદ કરવામાં આવતા ભારે રોષ જોવા મળ્યો છે. આ મામલે નાગરિકોએ તાલુકા સેવાસદન ખાતે પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક
સુરત મહાનગર વિસ્તારમાં વાહનોની સંખ્યા અને ટ્રાફિકની ગૂંચવણમાં વધારો થવાની સાથે જ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સરેઆમ થતું હોવાની ફરિયાદો, કિસ્સા કે દૃશ્યો રોજેરોજ જોવા, સાંભળવા મળે છે. ગત ગુરુવારે એટલે કે પાંચ દિવસ પહેલા જ ઉદ્ઘાટન, લોકાર્પણ થયેલો રત્નમાલાબ્રિજ તેનું જીવંત ઉદ
ગુજરાત બેંક વર્કર્સ યુનિયન દ્વારા આજરોજ દેશવ્યાપી બેંક હડતાળની જાહેરાત કરવામાં આવી છે, જેના ભાગરૂપે આજરોજ નીલમબાગ ખાતે આવેલ બેંક ખાતે વિવિધ માંગણીઓ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા, બેંક કર્મચારીઓ દ્વારા વિવિધ માંગણીઓ કરવામાં આવી છે જેવી કે, બેંક કર્મચારીઓના લાંબા સમયથી પડતર
પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં વહીવટી તંત્ર દ્વારા આજે મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલોલ-શામળાજી મુખ્ય માર્ગ (સ્ટેટ હાઇવે-5) પરના 200થી વધુ કાચા અને પાકા દબાણો દૂર કરવામાં આવ્યા છે. હાલોલ-શામળાજી મુખ્ય હાઇવે પર સતત વાહનોની અવરજવર રહે છે. લાંબા સમયથી માર્ગની બ
વઢવાણના કંસારા વાડ વિસ્તારમાં છેલ્લા બે મહિનાથી ખુલ્લા પડેલા ખાડાઓને કારણે સ્થાનિકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ ખાડાઓને લીધે ટ્રાફિક સમસ્યા વકરી છે અને તાજેતરમાં એક દર્દીનું મોત પણ થયું છે, કારણ કે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી ન હતી. મહાનગરપાલિકા દ્વારા 'નલ સે જલ' યોજ
ગોધરા શહેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વિરાટ હિન્દુ સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ શ્રેણીમાં, ગોવર્ધન વસ્તીમાં આગામી ૧૪ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ એક હિન્દુ સંમેલન યોજાશે. આ સંમેલનો પહેલાં, ગોધરા નગરની કુલ ૧૪ વસ્તીઓમાં ઘર-ઘર સંપર્ક
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલોમાં આગામી 30મી જાન્યુઆરીથી ખેલ મહાકુંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રમતગમત પ્રત્યે બાળકોમાં જાગૃતિ આવે અને તેમનું કૌશલ્ય ખીલે તે હેતુથી આ કાર્યક્રમ યોજાય છે, પરંતુ આ વર્ષે પણ તંત્રની અણઘડ નીતિને કારણે વિવાદ
સાબરકાંઠા જિલ્લામાં, હિંમતનગર સહિત, રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ મંગળવારે એક દિવસની હડતાલ પર ઉતર્યા હતા. સપ્તાહમાં પાંચ દિવસની કામગીરીની માંગ સાથે આ હડતાલ કરવામાં આવી હતી, જેના કારણે બેંકિંગ કામગીરી સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ હતી. આ હડતાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડ
ગોધરા નગરપાલિકા બાકી વેરાની વસૂલાત માટે સક્રિય બની છે. પાલિકાએ 4 હજારથી વધુ મિલકતધારકોને નોટિસ પાઠવી છે અને ત્રણ દિવસમાં બાકી વેરો જમા કરાવવા જણાવ્યું છે. સમયસર વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગોધરા નગરપાલિકા હસ્તકની આશરે 50 હજાર મિલકતો પર ક
એસ. પી. પટેલ આર્ટ્સ કોલેજ, સિમલીયામાં 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના સફાઈ કામદાર ગોકુળભાઈ પ્રજાપતિના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. પ્રમુખ નટવરસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં, ચાલુ સત્રમાં નિવૃત્ત થનાર ગોકુળભાઈ પ્ર
જોરાવરનગરની શ્રી ડી.એન.ટી. હાઈસ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થી જાદવ ગુંજને કલા મહાકુંભમાં રાજ્ય કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ 26 જાન્યુઆરીના રોજ જિલ્લા કલેક્ટર અને મંત્રીના હસ્તે તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુંજને કલા મહાકુંભમાં તાલુકા કક્ષાએ, જિલ્લ
જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારીને સંબોધીને એક અત્યંત ગંભીર આવેદનપત્ર પ્રાંત અધિકારીને પાઠવવામાં આવ્યું છે. કોંગ્રેસનો સીધો આક્ષેપ છે કે વર્ષ 2026ની મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન, ખાસ કરીને 16 થી 18 જાન્યુઆર
અમદાવાદના અર્જુન સ્કાયલાઈફ ખાતે ભારતના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ ભારતીય સંવિધાન, લોકશાહી મૂલ્યો અને નાગરિક ફરજોના મહત્વ પર ભાર મૂકતો હતો.ઉજવણીની શરૂઆત ધ્વજારોહણથી થઈ, જ્યાં રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન ગાયું. આ
પ્રજાસત્તાક દિવસ નિમિત્તે બ્રહ્મક્ષત્રિય રક્તદાન મંડળ દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં ૪૫ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં 9 મહિલાઓ સહિત કુલ 45 રક્તદાતાઓએ રક્તદાન કરીને પોતાની સામાજિક ફરજ અદા કરી હતી. મંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, બ્રહ્મક્ષત્રિય રક
પાટણ જિલ્લાના સમી ખાતે આયોજિત ૭૭મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીમાં પી.આર. પરમાર હાઈસ્કૂલે સાંસ્કૃતિક કાર્યક્રમમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. રાજ્ય કક્ષાના મંત્રી અને પાટણ જિલ્લાના પ્રભારી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યો
ભાવનગરના વડવા ખાતે આવેલા હનુમાનમઢી મંદિરમાં માઁ ખોડિયારના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના શહેર અધ્યક્ષ કુણાલભાઈ કે. શાહ (કુમારભાઈ શાહ) એ માતાજીના દર્શન કર્યા હતા. આ પ્રસંગે પૂર્વ શહેર મહામંત્રીઓ, મહાનગરપાલિકાના પદાધિક
પાટણની શ્રી સરસ્વતી બધિર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.કે.વ્યાસ અને શ્રીમતી વાય.આર.સાંડેસરા બહેરા મૂંગા શાળામાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ નિલમભાઈ પટેલ 'દાસ'ના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. નિલમભાઈ પટેલ 'દા

24 C