ડાંગના સુબીર ગામમાં એક મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. જેમાં વિધવાનું ઘર આગની ચપેટમાં આવી સંપૂર્ણપણે બળી ગયું છે. ચૌધરી જમનીબેન માલુભાઈ (ઉંમર 65)નું આ ઘર આગના રૌદ્ર સ્વરૂપે ભસ્મ થઈ જતા તેઓ નિરાધાર બની ગયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, આ દુર્ઘટના ત્યારે બની જ્યારે ઘરમાં ચૂલામાંથી લ
ચારુસેટ યુનિવર્સિટીના ચાંગા કેમ્પસ ખાતે 17 થી 19 માર્ચ દરમિયાન ‘સેમિકન્ડક્ટર સમિટ 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. ચંદુભાઈ એસ. પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (CSPIT) અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન વિભાગ દ્વારા આયોજિત આ ત્રિદિવસીય સમિટમાં પારુલ યુનિવર્સિટી, PDEU, BVM અને SVIT વા
વડોદરા શહેરમાં ડોક્ટરે લગ્નની લાલચ આપીને બ્યુટી પાર્લર સંચાલક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. વડોદરાની 28 વર્ષીય યુવતીએ ગોરવા પોલીસ સ્ટેશનમાં ડોક્ટર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મામલે ડોક્ટર, તેની બહેન અને માતા-પિતા સામ
મહેસાણાના સંસદસભ્ય હરિભાઈ પટેલે આજે લોકસભામાં શૂન્યકાળ દરમિયાન પોતાના સંસદીય ક્ષેત્રને લગતો એક અતિ લોકમહત્વનો મુદ્દો ગૃહ સમક્ષ ઉઠાવ્યો હતો.સાંસદ હરિભાઈ પટેલે મહેસાણા ખાતે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશન સેન્ટર સ્થાપવાની માંગ કરી હતી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ઈનોવેશ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
ગુજરાતની રાજધાની ગાંધીનગર પાસે આવેલા પવિત્ર કોબા તીર્થ ખાતે ભારતની ભવ્ય સંસ્કૃતિ અને ઐતિહાસિક વિરાસતનો એક અનોખો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. મહાવીર જન્મકલ્યાણકના પાવન અવસરે, 31 માર્ચ, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે નવનિર્મિત 'સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમ'નું લ
બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે RTE (મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009) હેઠળ ધોરણ-1 માં મફત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. આ યોજના અંતર્ગત ગરીબ અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળાઓમાં 25 ટકા અનામત બેઠકો પર વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવશે. ઓનલાઇન ફોર્મ ભરવા
IPL 2026ની શરૂઆત સાથે જ દિવ્ય ભાસ્કર એપ આપના માટે લાવ્યું છે MATCH મસાલા 2026. જેમાં ઓન અને ઓફ ફિલ્ડ ચાલતી ગતિવિધીઓ. કેમેરામાં કેપ્ચર ન થયેલી ઘટનાઓ. ચર્ચામાં હોય એવા રૂમર્સ અને ગોસિપ્સ હળવા અંદાજમાં આપની સમક્ષ રજુ કરીશું. તો સતત બે મહિના સુધી દરરોજ સાંજે 5 વાગ્યે માણો ‘MATCH મસાલા’
બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા ભગવાન શ્રીરામનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રામનવમી નિમિત્તે યોજાયેલી આ શોભાયાત્રા બોટાદના મસ્તરામજી મંદિરથી શરૂ થઈ હતી. તે દિનદયાળ ચોક, હવેલી ચોક સહિત શહેર
રાજ્યમાં ખેતીની જમીનના વારસાઈ સંબંધિત વ્યવહારોને વધુ સરળ અને સસ્તા બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જંત્રી આધારિત સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત આપીને હવે માત્ર ₹300ની ટોકન સ્ટેમ્પ ડ્યુટી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો
બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરે વિકાસ કાર્યોને પ્રાથમિકતા આપવા અને પ્રજાના પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે અમલીકરણ અધિકારીઓને નિર્દેશ આપ્યો હતો. બેઠક દરમિયાન ધારાસભ્ય
ગીર સોમનાથ જિલ્લાની સુત્રાપાડા નગરપાલિકાએ બાળ મજૂરી નાબૂદ કરવા માટે મહત્ત્વપૂર્ણ ઝુંબેશનો પ્રારંભ કર્યો છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અને શ્રમ અધિકારીના સંકલનમાં આ બાળશ્રમયોગી નાબૂદી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ઝુંબેશ અંતર્ગત, નગરપાલિકાની ટીમે શહેરના વિવિ
સુરેન્દ્રનગરના શિહોરા ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ચોટીલા પગપાળા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ રતનપર બાયપાસ રોડ પર, ગણપતિ ફાટસર નજીક, પેટ્રોલ પંપની બાજુમાં આવેલા રવિરાજ ફાર્મ હાઉસ ખાતે શરૂ થશે. લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરાની પ્રેરણાથી આ ભગીર
પારડી પોલીસે નેશનલ હાઈવે-48 પરથી વિદેશી દારૂ ભરેલી એક સ્વિફ્ટ કાર ઝડપી પાડી છે. આ કાર્યવાહીમાં સસ્પેન્ડેડ પોલીસ જવાનના દીકરા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કુલ ₹5.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે દમણથી એક સફેદ રંગની મારુતિ સુઝુકી
ઇસ્કોન હરે કૃષ્ણ કેન્દ્ર, ગાંધીનગર દ્વારા ગુરુવાર, ૨૬ માર્ચ, ૨૦૨૬ ના રોજ ભગવાન શ્રી રામચંદ્રના દિવ્ય અવતરણની યાદમાં શ્રી રામનવમી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. શ્રદ્ધાળુ ભક્તોએ આખો દિવસ ઉપવાસ રાખ્યો હતો અને ભગવાન શ્
ચૈત્રી નવરાત્રી પર્વ નિમિત્તે ગબ્બર ખાતે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના ઉદય જસાણી પરિવાર દ્વારા ગબ્બર માતાજીના ઝૂલા ઉપર અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં માતાજીને વિવિધ પ્રકારની મીઠાઈઓ, વ્યંજનો અને ફળો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ભ
અમદાવાદના મણિનગર સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ ખાતે ૨૬ માર્ચના રોજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના જીવનકવન પર લાઇવ પોડકાસ્ટ કાર્યક્રમ યોજાયો હતો. સદ્ગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત આ મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસ
અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર પકવાન બ્રિજ ઉપર આજે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. એક લાલ કલરની ફોક્સવેગન કારના ચાલકે બાઈક સવારને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈકચાલક રોડ પર પટકાયો હતો. અકસ્માત એટલો વિચિત્ર હતો કે ટક્કર બાદ બાઈક કારના બોનેટમાં ફસાઈ ગયું
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામે ગુરુવારે ચૈત્ર સુદ આઠમની રાત્રે શ્રી જોગણી માતાની પરંપરાગત ખપ્પર સગડી જ્યોત યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. યાત્રાનો પ્રારંભ ગામના આથમણા ઠાકોરવાસમાં આવેલા શ્
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલી કિમતી સરકારી જમીન પર ગેરકાયદે કબ્જો કરી બેઠેલા “સિટી લાઈટ” પાર્ટી પ્લોટના સંચાલક વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વર્ષ 2023થી આજ દિવસ સુધી વારંવાર આપવામાં આવેલ નોટિસોને અવગણી દબાણ ન હટાવતા આખરે જિલ્લા કલેક્ટરના આદ
ગોધરામાં ગેસ સિલિન્ડરની સંભવિત અછત વચ્ચે પણ અન્નપૂર્ણા ટ્રસ્ટ દ્વારા તેની ભોજન સેવા અવિરત ચાલુ રાખવામાં આવી છે. આ ટ્રસ્ટ ગોધરાની સિવિલ (સરકારી) હોસ્પિટલમાં દાખલ ગરીબ દર્દીઓ અને તેમના સગાઓને દરરોજ ભોજન પૂરું પાડે છે. ટ્રસ્ટ દ્વારા દરરોજ અંદાજે 150 થી 200 જેટલા લોકોને શુદ્ધ અને
ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંગઠનને વધુ સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા આજે પ્રદેશ સહ પ્રવક્તાઓ અને પ્રદેશ મીડિયા સહ ઈન્ચાર્જોની નવી નિમણૂક જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય સંગઠનના વ્યાપને વિસ્તૃત કરવા તેમ
શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી વેપારી સાથે 14.55 લાખની છેતરપિંડી આચરવાના ગુનામાં પોલીસે બે મિત્રોની ધરપકડ કરી છે. આ બંને આરોપીઓ સુરતના વરાછા અને સરથાણા વિસ્તારના વેપારીઓ છે, જેમણે માત્ર 1થી 2 ટકા કમિશનની લાલચમાં પોતાના બેંક એકાઉન્ટ સાયબર ઠગોને વેચ્યા હતા. 'Prospera X' એપ્લિકેશન દ્વા
સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના કાલવણ અને વડાલી તાલુકાના કેસરગંજ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને સ્થળોએ કુલ 31 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તં
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના આંગરીયા ગામ પાસે આજે એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેક્ટરે છકડા રિક્ષાને પાછળથી ટક્કર મારતા રિક્ષામાં સવાર એક વૃદ્ધ સહિત ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. આંગરીયા ગામ પાસેથી પસાર થઈ રહેલી છકડા રિક્ષાને પાછળથી આવી રહેલા ટ્રેક્ટરે ટક્કર મ
વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલો
શહેરના સાયન્સ સીટી રોડ પર જાહેરાતના બોર્ડ દેખાય તેના માટે ડિવાઈડરની વચ્ચે લગાવેલા વૃક્ષો કાપી નાખવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્ડન વિભાગ દ્વારા મંજૂરી વિના ઝાડ કાપવા બદલ KICT કોમ્પ્યુટર એજ્યુકેશન નામના ક્લાસીસના સંચાલકને નોટિસ ફટકારી છે. 2000 વહીવટી ચાર્જ અને 120 જેટ
જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં પરપ્રાંતિય મહિલાની હત્યાના આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ પ્રક્રિયા ગુનાની કડીઓ જોડવા અને વધુ પુરાવા એકત્ર કરવા માટે હાથ ધરવામાં આવી હતી. મૃતક મહિલાની ઓળખ મૂળ મથુર
ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી સંચાલિત સેમકોમ કોલેજના NSS યુનિટ દ્વારા આણંદ જિલ્લાના વાસદ ગામ ખાતે 13 થી 19 માર્ચ 2026 દરમિયાન સાત દિવસીય વાર્ષિક શિબિરનું આયોજન કરાયું હતું. સામાજિક જાગૃતિ અને ગ્રામ વિકાસના હેતુ સાથે યોજાયેલા આ શિબિરનું ઉદ્ઘાટન 14 માર્ચના રોજ સાંસદ મિતેશભાઈ પટેલ
સુરત શહેરનાં ખજોદ ખાતે આવેલી ડિસ્પોઝલ સાઈટમાં આજે સતત ચોથા દિવસે પણ આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગનાં જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. ગત મંગળવારે સવારે ડિસ્પોઝલ સાઈટમાં લાગેલી આગે ગણતરીનાં સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એકંદરે એક કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસ
મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના જન્મોત્સવ 'રામનવમી' નિમિત્તે આજે ગોહિલવાડની સાંસ્કૃતિક નગરી ભાવનગરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના સુપ્રસિદ્ધ શ્રી રામ મહેલ ખાતે બપોરે ભગવાન રામલલ્લાની દિવ્ય અને ભવ્ય આરતી યોજાઈ હતી, આરતીમાં ભાવનગરના એસ.પી પરિવાર સાથે આરતી અને
ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટે 77 વર્ષ બાદ પોતાનો લોગો બદલ્યો છે. ટ્રસ્ટ દ્વારા શિખરવાળા જૂના લોગોના સ્થાને હવે ત્રિશૂળનો નવો લોગો પસંદ કરવામાં આવ્યો છે, જે 1 એપ્રિલથી વિધિવત રીતે અમલમાં આવશે. નવા લોગોનો પ્રથમ ઉપયોગ ટ્રસ્ટ સંચાલિત સોશિયલ મીડિયા પ્લે
નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આપઘાત અને ઝેરી દવા પીવાના ચાર અલગ-અલગ કિસ્સાઓ નોંધાયા છે. આ ઘટનાઓમાં ત્રણ વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે એક વૃદ્ધ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પ્રેમ પ્રકરણ, લાંબી બીમારી અને અગમ્ય કારણોસર આ ઘટનાઓ બની હોવાનું સામે આવ્યું છે. જલાલ
ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં નવી સ્ટ્રીટ લાઈટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નગરપાલિકા પ્રમુખના હસ્તે હનુમાનજી મંદિરથી જૂના પુલ સુધીના આ પ્રોજેક્ટનો પ્રારંભ થયો હતો. આ કામગીરી અંદાજિત 6.50 લાખ રૂપિયાના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ નવી સ્ટ્રીટ લાઈટોથી વિસ્તા
મહેસાણા જિલ્લાના સતલાસણા પંથકમાં એક શરમજનક ઘટના સામે આવી છે. 16 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી અવારનવાર દુષ્કર્મ આચરી તેને સાત માસનો ગર્ભ રાખી દેનાર શખસ વિરુદ્ધ સતલાસણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ
રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરવા ગુજરાત સરકાર પોલીસ દળની સુખાકારી અને માળખાગત સુવિધાઓ વધારવા પ્રતિબદ્ધ છે. આ અંતર્ગત, મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે પોલીસ હેડક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ પર રૂ. 20 કરોડના વિવિધ પોલીસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાન
વડોદરા શહેરના ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ છાણી કેનાલમાં ગત સમી સાંજે એક યુવતીએ કેનાલમાં છલાંગ લગાવવાની તૈયારી હતી તે દરમ્યાન પોલીસને કોલ મળતા જ તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પોહચી હતી. યુવતીને વાતોમાં રાખી ફાયર વિભાગને જાણ કરી હતી. દરમ્યાન યુવતીએ છલાંગ લગાવતા ફાયરે તા
આધુનિક સુરતની જીવાદોરી સમાન ગણાતી BRTS સેવામાં શિસ્ત જાળવવા માટે આજે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. શહેરના ટ્રાફિક અને જાહેર પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી, કમિશનરે વરાછા ઝોન-એ વિસ્તારમાં આકસ્મિક મુલાકાત લીધી હતી, જ્યાં BR
વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના વિશેષ સંપર્ક અધિકારીઓના એક પ્રતિનિધિ મંડળે દિલ્હી ખાતે સંસદ ભવનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, પ્રતિનિધિઓએ રાષ્ટ્ર અને હિન્દુ સમાજને સ્પર્શતા ત્રણ મુખ્ય વિષયો — તીર્થક્ષેત્રોનો વિકાસ, જનસંખ્યા અસંતુલન અને બંધારણીય સમાનતા — પર વિસ્તૃત ચર
અમદાવાદ શહેરમાં ફરી એકવખત શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના સામે આવી છે. શૈક્ષણિક સંસ્થામાં અધ્યાપક દ્વારા વિદ્યાર્થિર્નીની છેડતી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આંબાવાડી વિસ્તારમાં આવેલી શેઠ સી.એન. તાલીમી વિધાલયમાં PTCની વિદ્યાર્થિની સાથે છેડતીની ઘટના સામે આવી છે. પ્રથમ
જૂનાગઢના મોતીબાગ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા 'પેટલ કેળવણી મંડળ' હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે. સંસ્થાના ટ્રસ્ટી કાંતિભાઈ ફળદુ સામે ગંભીર આક્ષેપો સાથે વિદ્યાર્થીનીઓના વાલીઓએ ફરી એકવાર ઉપવાસ આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું છે. વાલીઓનો સીધો આક્ષેપ છે કે કાંતિ ફળદ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. 'ભણશે ગુજરાત' યોજનાના દાવાઓ છતાં, વિરક્ષેત અને માલઘર ગામોમાં બાળકો જર્જરિત ઓરડાઓમાં અથવા ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર છે. અહીંના બાળકો પાયાની સુવિધાઓથી વંચિત છે. એક તરફ સરકાર ડિજિટલ ઇન્ડિયા અને AI
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા માર્ચ-એપ્રિલ 2026 સત્રની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ 30 માર્ચથી ત્રણ તબક્કામાં શરૂ થશે, જેમાં અંદાજે 2.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. યુનિવર્સિટીએ પરીક્ષામાં પારદર્શિતા જાળવવા માટે ડિજિટલ પ્રશ્
એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓની સાથે તેમના સગા-સંબંધીઓની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ અસારવા સિવિલ કેમ્પસમાં 60 કરોડના ખર્ચે 858 બેડની ક્ષમતા ધ
અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પાર્ક થયેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો છે જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. બિનવારસી હાલતમાં ઘણા મહિનાથી આ લાશ પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમા
પાલનપુરના ચિત્રાસણી નજીક બાલારામ બ્રિજ પર આજે વહેલી સવારે એક ટ્રાવેલ્સ બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ટ્રેક્ટર ટ્રોલી રોડ વચ્ચે આડી થઈ જતાં નેશનલ હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ દ્વારા જળસંચયના ક્ષેત્રમાં એક સીમાચિહ્નરૂપ પહેલ કરવામાં આવી છે. વિધાનસભા 69 મતવિસ્તારના વોર્ડ નં. 2 માં, શીતલ પાર્ક ચોક પાસે આવેલા RMC પ્લોટ ખાતેથી 20 રિચાર્જ બોર બનાવવાની કામગીરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે. 'કેચ ધ રેઈન' અભિયાન
સુરત સ્ટેશનના આધુનિકીકરણની કામગીરી હવે નિર્ણાયક તબક્કે પહોંચી છે. સ્ટેશન રિ-ડેવલપમેન્ટ અંતર્ગત પ્લેટફોર્મ નંબર 02/03 અને 04 વચ્ચે 'થ્રુ રૂફ' (છત) લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ હેતુસર રેલવે તંત્ર દ્વારા 30 દિવસ માટે ટ્રાફિક વર્કિંગ ઓર્ડર (TWO) જાહેર કરવામાં આવ્યો છે, જેન
ગાંધીનગર સ્થિત મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ, 111-ઉમરેઠ વિધાનસભા બેઠક માટે યોજાનારી પેટાચૂંટણીને લઈને EVM અને VVPAT મશીનોની પ્રથમ રેન્ડમાઇઝેશન પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી છે. આ પ્રક્રિયા આણંદ જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા EVM મેનેજમેન્
સિહોર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે લીલાપીર વિસ્તારમાં વોચ ગોઠવી મારૂતિ સ્વિફ્ટ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. કારની તપાસ કરતા ડિકીમાં જબલામાં ભરેલ અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો અને બીયરના ટીન મળી કુલ રૂપિયા 3.65 લાખનો મુદ્દામાલ કબજે કર્ય
સુરત શહેરના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી મદ્રેસામાં ચોરી અને આગજનીની ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચોરીના પુરાવા મટાવવા માટે ઓફિસમાં આગ લગાવનાર બીજું કોઈ નહીં પણ મદ્રેસામાં જ સાફ-સફાઈની સેવા આપતો અબ્દુલ સમદ હોવાનું બહાર આવ્યું છે. પોલીસે સીસીટીવી ફૂટેજન
આણંદ શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણનો 245મો જન્મોત્સવ 'શ્રી હરિ પર્વ' અંતર્ગત ભક્તિભાવપૂર્વક ઉજવાયો. આ પ્રસંગે દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ઉજવણીની શરૂઆત વહેલી સવારે 6 વાગ્યે ગુરુ પૂજનથી થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તોએ ભાગ લ
ગણદેવી સ્થિત સુગર ફેક્ટરીમાં આજે ગેસ લીકેજની એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં આલ્કોહોલ ટેન્કરમાંથી ગેસ ગળતર થવાનો દ્રશ્ય ઊભું કરાયું હતું, જેના કારણે શરૂઆતમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મોકડ્રીલના ભાગરૂપે, ફેક્ટરી પરિસરમાં ઉભા રાખવામાં આવેલા
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત ભગવાન મહાવીર કોલેજમાં આજે આગ લાગવાની ઘટના બનતા શૈક્ષણિક આલમમાં ચિંતા પ્રસરી ગઈ હતી. કોલેજના નર્સિંગ ડિપાર્ટમેન્ટમાં લાગેલી આ આગને કારણે કેમ્પસમાં હાજર વિદ્યાર્થીઓ અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાન
ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાખો વિદ્યાર્થીઓને સીધી આર્થિક સહાય આપવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ મં
શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં મુખ્ય ચાર રસ્તાઓ હવે બંધ કરવામાં આવી રહ્યા છે. ટ્રાફિક પોલીસ દ્વારા મ
• મુખ્યમંત્રીના હસ્તે રૂ.632.13 કરોડના 44 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે અને તેમના હસ્તે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે રૂ.632.13 કરોડના 44 વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાત
શહેરના વ્યસ્ત અને પોશ ગણાતા મજુરા ગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડ્યું છે. સ્થાનિક રહીશો અને વેપારીઓના જણાવ્યા અનુસાર, દરરોજ સવારે જ્યારે પાલિકા દ્વારા પાણીનો સપ્લાય શરૂ કરવામાં આવે છે, ત્યારે પાણી રસ્તા પર રેલાય છે. લાખો રૂપિયા ખર
માણસા પોલીસ સ્ટેશનની હદમાં આવતા પાંજરાપોળ પાસેના વળાક પર પુરઝડપે જઈ રહેલી બાઇક ટ્રક સાથે અથડાતા આનંદ રાવળ નામના બાઈક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે તેની પાછળ બેઠેલા અન્ય એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી છે. આ અંગે માણસા પોલીસે ગુનો
સુરેન્દ્રનગર જિલ્લાના જોરાવરનગર પોલીસ મથક હેઠળના ફૂલગ્રામ ગામમાં 58 વર્ષીય રમેશભાઈ નાનુભાઈ ગાબુની હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં મૃતકની પુત્રવધૂ સહિત ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ આડા સંબંધોનો વિરોધ હોવાનું સામે આવ્યુ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા મુરતિયાને શોધવા માટેની કવાયત તેજ કરવામાં આવી છે. બીજી બાજી ચૂંટણી વિભાગ દ્વારા પણ ચૂંટણી લક્ષી કામગીરીને તેજ કરવામાં આવી છે અને હાલમાં રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીને ધ્યાન
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી વસ્તી ગણતરી-2027 માટેની પૂર્વ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અંતર્ગત ચાર્જ અધિકારીઓ માટે 16 અને 17 માર્ચ 2026 દરમિયાન બે દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જ્યારે ફિલ્ડ ટ્રેનર્સ માટે 25 થી 27 માર્ચ 2026 દરમિયાન ત્રિદિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવાસી
વલસાડ જિલ્લામાં ઉનાળાની શરૂઆત સાથે જ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. આજે વલસાડ શહેરમાં મહત્તમ તાપમાન 37C નોંધાયું હતું. ગઈકાલે 38C સુધી પહોંચેલા તાપમાનમાં આંશિક ઘટાડો થયો હોવા છતાં ગરમીથી ખાસ રાહત મળી નથી. બપોરના સમયે ગરમ લૂ ફૂંકાવાની શક્યતા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરમી
ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા પ્રાચીન શક્તિનાથ મહાદેવ મંદિરમાં ચોરી થઈ છે. ગત મધરાત્રિ બાદ અજાણ્યા તસ્કરો મંદિરમાં ઘૂસી લાખો રૂપિયાના ધાર્મિક આભૂષણો ચોરી ફરાર થઈ ગયા હતા. તસ્કરો શિવલિંગ પરનું ચાંદીનું છત્ર, ચાંદીનો નાગ અને ભગવાનની પ્રતિમાઓ પરના અન્ય આભૂષણો ચોરી ગયા હ
અમરેલી જિલ્લામાં કુંકાવાવ ચોકી રોડ પર રેલવે ફાટક નજીક મોડી રાત્રે એક અજાણ્યા વાહને બે રાહદારીઓને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે અન્યને સામાન્ય ઈજા પહોંચી છે. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિ
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સવારે બચુનગર વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની જામનગર મુલાકાત બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર દબાણ હટાવી રૂ. 2 કરોડની કિંમતની 12,000 ચોરસ મીટર જમીન ખુલ્લ
જામનગર, જેને 'છોટીકાશી' તરીકે પણ ઓળખાય છે, ત્યાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે 45મી ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં ઐતિહાસિક જનમેદની ઉમટી પડી હતી. આ રામ સવારીનો પ્રારં
અમરેલી શહેરના એક કોન્ટ્રાક્ટર સાથે ₹15 લાખની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. અમદાવાદના એક શખ્સે લોખંડના સળિયા ન આપીને આ છેતરપિંડી આચરી હતી. ફરિયાદી મયંકભાઈ જયંતિભાઈ માંગરોળિયા, જેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે અમદાવાદના હિરે
દાહોદ જિલ્લાના લીમખેડાના મોટાહાથીધરા ખાતે આજે રાજકીય માહોલ ચરમસીમાએ છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગમે તે ક્ષણે સભાસ્થળે પહોંચશે. આ વિસ્તારમાં આયોજિત 'વિજય વિશ્વાસ સભા'ને લઈને કાર્યકરો અને સ્થાનિકોમાં ભારે ઉત્સા
પાટડીના વર્ણીન્દ્રધામ ખાતે સ્વામિનારાયણ ભગવાનના 245માં પ્રાગટ્ય દિન અને બ્રહ્મ મહોત્સવ પર્વે 245 કિલો ચોકલેટનો અન્નકૂટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ખાસ ચોકલેટનો અન્નકૂટ મંદિરમાં દર્શનાર્થે આવતા બાળકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. આવતીકાલે, 245 કિલો મીઠાઈ, ફરસાણ અને ફાગવાનો ભવ્
છત્તીસગઢના રાયપુર ખાતે યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026માં ગુજરાતની ટીમે 4x100 મીટર ફ્રીસ્ટાઇલ રિલે સ્પર્ધામાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સિદ્ધિથી રાજ્યને ગૌરવ પ્રાપ્ત થયું છે. મેડલ વિજેતા ટીમમાં મેડા દિશા (DLSS વડોદરા), મહિમા ચૌહાણ (દાહોદ), હડુલા ટ્વિંકલ (DLSS હિંમતનગર) અને પ્રિ
સુરતના પાસોદરા વિસ્તારમાં પડોશીઓના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને એક મહિલાએ ફિનાઈલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ મૂક્યો હતો. આ સાથે મહિલાએ પોતાની વેદના અને પડોશીઓના ત્રાસ અંગે રડતા રડતા પણ જણાવ્યું હતું. 32 વર્ષીય મહિ
શક્તિ, ભક્તિ અને આરાધનાના પર્વ સમાન ચૈત્રી નવરાત્રીનું શક્તિપીઠ બહુચરાજીમાં વિશેષ મહત્વ રહેલું છે. ચૈત્રી નવરાત્રીના પવિત્ર દિવસોમાં આઠમના અવસરે માતાજીની ભવ્ય શાહી સવારી નીકળી હતી.જેમાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા ભક્તોએ માતાજીના પાવનકારી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ
વડોદરા નજીક આવેલી રણોલી જીઆઈડીસી વિસ્તારમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ કંપનીના કોમ્પ્રેસર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના બનાવને લઈ અફરાતફરી મચી ગઈ હતી, ફાયર વિભાગની ટીમે ભારે જહેમતે આગ પર કાબૂ મેળવ્યો
સમસ્ત રાચ્છ પરિવાર અને ચોથાણી પરિવારના કુળદેવી શ્રી મોમાઈ માતાજીના મઢ ખાતે ચૈત્ર માસની નવરાત્રી તેમજ આસો માસની નવરાત્રીની આઠમે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગે બંને પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ હવનમાં સમસ્ત રાચ્છ પરિવારના સભ્યો
ગીર સોમનાથ જિલ્લા સેવા સદનમાં ક્લાસ ટુ અધિકારી પરેશભાઈ હિંમતલાલ રવેસિયા અને તેમના પરિવારે ચૈત્ર માસ નિમિત્તે શ્રીરામચરિત માનસના સંગીતમય અખંડ પાઠનું આયોજન કર્યું હતું. મૂળ સુરેન્દ્રનગરના વતની પરેશભાઈ રવેસિયા પરમ હનુમાન ભક્ત છે. આ અનુષ્ઠાન છેલ્લા બે વર્ષથી યોજવામાં આવે
રાજ્યમાં હાઈકોર્ટના ચુકાદાઓના અમલીકરણમાં થતા વિલંબને અટકાવવા માટે નાણાં વિભાગ દ્વારા મહત્વપૂર્ણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. કર્મચારી અને પેન્શનરો સંબંધિત કોર્ટ કેસોમાં વારંવાર મોડું થતું હોય તેને ધ્યાનમાં રાખીને હવે સમયબદ્ધ પ્રક્રિયા અમલમાં મુકાઈ છે. કન્ટેમ્પ્ટ
તિથલ દરિયાકિનારે પર્યાવરણની જાળવણી અને વીજળીની બચત માટે અત્યાધુનિક હાઇબ્રિડ સોલર સિસ્ટમ પોલ લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. રામનવમીના શુભ દિવસે સરપંચ રાજેશભાઈ દ્વારા આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ સૂર્યપ્રકાશ અને પવનચક્કી (વિન્ડ ટર્બાઇન) દ્વાર
સરકારી બાબુઓની બેદરકારી અને આંખ આડા કાન કરવાની નીતિને કારણે રાજ્યની તિજોરીને કેવી રીતે કરોડો રૂપિયાનો ફટકો પડે છે, તેનો વધુ એક સનસનીખેજ ખુલાસો ભારતના નિયંત્રક અને મહાલેખાપરીક્ષક (કેગ) ના માર્ચ 2024ના ઓડિટ રિપોર્ટમાં થયો છે. આ રિપોર્ટમાં કચ્છ જિલ્લાની વિવિધ કચેરીઓ - ખાસ કરીને
માધાપરમાં ચાલતી માનસ મુકુરાષ્ટક રામકથામાં મોરારી બાપુના વ્યાસપીઠ પરથી રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યું હતું. ધીરજ મનજીભાઈ ડબાસીયા પરિવારના યજમાનપદે ઉજવણીમાં મોટી સંખ્યામાં શ્રોતા કથા શ્રવણ કરવા ઉમટ્યા હતા. બાપુએ કથામાં ગુરુનો મહિમા તેમજ સનાતન ધર્મ વિશે વાત કરી
એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે તેની વચ્ચે લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા પોલીસ અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીઓનો દોર શરૂ થયો છે, જેની અસર કચ્છ જિલ્લામાં પણ જોવા મળી છે. પશ્ચિમ કચ્છના 9 અને પૂર્વ કચ્છના 11 મળી
27 ટકા ઓબીસી અનામતની અમલવારી બાદ વડોદરા મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ચૂંટણી પંચ તરફથી જાહેર કરાયેલા નવા રોટેશનના કારણે અનેક વડોદરા મહાનગરપાલિકાના 76 સીટીંગ કોર્પોરેટરોમાંથી 25ના આપોઆપ પતા કપાઈ જાય તેવી પૂરી શક્યતા છે.જેમાં મેયર, પૂર્વ મેયર, દંડક, પૂર્વ ડેપ્ય
જો આ કાયદો 5 વર્ષ પહેલાં આવી ગયો હોત તો મારી દીકરી આયશા જીવતી હોત, મારી પાસે હોત. આ શબ્દો બોલતા બોલતા લિયાકતઅલીની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. નીચે આપેલા આ એવા દ્રશ્યો છે જે ભાગ્યે જ કોઇ ભૂલી શક્યું હશે. પતિની બીજા લગ્ન કરવાની જીદના કારણે આયશા મકરાણી નામની યુવતીએ હસતા મોંઢે અમદાવાદ
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
મહિના અગાઉ મળેલી એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં ભુજથી એપ્રિલ માસના સમર શેડ્યુલમાં ચાર નવી ફ્લાઈટો શરૂ કરવાની મોટી જાહેરાત કરાઈ હતી. જોકે, એપ્રિલ માસ નજીક હોવા છતાં આ જાહેરાત માત્ર કાગળ પર રહી હોય તેમ જણાય છે. નવી મુંબઈ એરપોર્ટ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા સમર
તાલુકાના એક ગામની 23 વર્ષીય યુવતીએ દસ દિવસ અગાઉ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો જેમાં નાગીયારી ગામના આરોપી છકડા ચાલકે છેલ્લા દોઢ વર્ષથી ત્રાસ આપતા અંતિમ પગલું ભરી લીધું હોવાની ફરિયાદ નોધાઇ છે. માનકુવા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ કોડકી રોડ પર રહેતા ફરિયાદીએ નાગીયારી ગામના
સમગ્ર રાજ્યમાં એલપીજી ગેસની તડામારીની અફવાઓ વચ્ચે ભુજ શહેરમાં પણ પેનિક બૂકિંગનો માહોલ સર્જાયો હતો. સ્થિતિ જાણવા દિવ્ય ભાસ્કરે શહેર અને આજુબાજુના વિસ્તારના પાંચ જેટલા એલપીજી ડીલરોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી ત્રણ ડીલરો સાથે વાતચીત થઈ હતી. ડીલરોના જણાવ્યા મ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) હેઠળ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ખાનગી શાળાઓમાં મફત પ્રવેશની પ્રક્રિયા જાહેર કરાઈ છે. આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં આવેલી અંદાજે 400 જેટલી ખાનગી શાળા પૈકી નિયત ક્રાઈટેરિયામાં આવતી 350 જેટલી શાળામાં વંચિત અને નબળા વર્ગન
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ દ્વારા પ્રવાસીઓની માંગણી તેમજ પ્રવાસીઓના ધસારાને અનુલક્ષીને ભુજથી પાલીતાણા વાયા રાજકોટને જોડતી નવીન સ્લીપર બસ સેવાનો 26 માર્ચ ગુરૂવારથી આરંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને જૈન સમાજના અગ્રણીઓની હાજરીમાં આ બસને પ્રસ્
ભુજના હૃદય સમા હમીરસર તળાવના કાંઠે આવેલું પૌરાણિક રઘુનાથજી મંદિર આશરે 450 વર્ષ જૂનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે. ઈ.સ. 1548-49 (વિક્રમ સવંત 1605) દરમિયાન, ભુજ શહેરની સ્થાપના સાથે આ મંદિરનું નિર્માણ થયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ભગવાન શ્રીરામને સમર્પિત છે અને કચ્છના પ્

34 C