સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડા બજારમાંથી NDPS ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ખેરોજ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પોશીના પોલીસ સ્ટેશનના PI એલ.જે. વાળાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશ
પાટણ જિલ્લાના દૂધારામપુરા ગામમાં લાંબા સમયથી દારૂના દૂષણને કારણે ગ્રામજનોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ગામની મુલાકાતે આવેલા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સમક્ષ ગ્રામજનોએ દારૂબંધીના કડક અમલ માટે લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામમાં દેશી અને વિ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા મનરેગા યોજનાને નબળી પાડવાના પ્રયાસો સામે રાજ્યભરમાં 'મનરેગા બચાવો આંદોલન' શરૂ કરવાની જાહેરાત કરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે પ્રદેશ પ્રવક્તા નરેન્દ્ર રાવતના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં આ માહિતી
પાલનપુરના જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા દિવ્યાંગ અને બ્લડ કેન્સરના દર્દીઓની મદદ માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સંગઠનના પ્રમુખ નીતિન ઠાકોરના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક (
જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતી નદી પરનો 47 વર્ષ જૂનો જર્જરિત પુલ મકરસંક્રાંતિના તહેવાર બાદ તોડી પાડવામાં આવશે. આ પુલના સ્થાને ₹19.48 કરોડના ખર્ચે ચાર માર્ગીય નવો પુલ બનાવવામાં આવશે. તંત્ર દ્વારા ડિમોલેશન પહેલાં વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન તૈયાર કરી લેવાયું છે. કાલાવડ નાકા બહ
પંચમહાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ કંકુથાંભલાથી વાઘજીપુર જતા રોડ પર દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના બ્રિજ નીચેથી ₹8,07,336/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 1788 નંગ દારૂના ક્વાર્ટરિયા અને બિયર ટીન સાથે એક સ્વિફ્ટ ડિઝાયર કાર કબજે કરી છે. પોલીસને બાતમી મળી હતી કે GJ-18 BL 7855 નંબરની સફેદ સ્વિફ
વિશ્વવિખ્યાત મોઢેરા સૂર્યમંદિરના પ્રાંગણમાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ઉત્તરાયણ પછીના પ્રથમ શનિ-રવિવાર એટલે કે આગામી 17 અને 18 જાન્યુઆરીના રોજ ‘ઉતરાર્ધ મહોત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય શાસ્ત્રીય સંગીત અને નૃત્યની ધરોહરને જીવંત રાખતા આ મહોત્સવમાં વિ
મહેસાણા એસીબી દ્વારા લાંચિયા કર્મચારીઓ વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે. શહેરમાં આવેલ BND એનર્જી ફિટનેસ સેન્ટરના એક ડેટા એન્ટ્રી ઓપરેટરને લોડિંગ રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટના કામ પેટે 500 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે. લોડિંગ રિક્ષાના રી-પાસિંગ માટે ફિટનેસ
હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલા સાબર ઇન્ડોર સ્ટેડિયમમાં બહેરા-મૂંગા વિભાગની 14મી રાજ્ય કક્ષાની વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ થયો છે. હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ સ્પર્ધા ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સ્પર્ધાનું આયોજન ઓલ ગુજરાત સ્
અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહકે, ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરફે 25 હજ
માર્ગ અકસ્માતો ઘટાડવા અને વાહનચાલકોમાં સલામતી પ્રત્યે જાગૃતિ વધારવાના હેતુથી એઆરટીઓ બોટાદ દ્વારા સાળંગપુર મંદિર પરિસરમાં એક વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ખાસ કરીને રિક્ષા ચાલકો માટે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન, રિક્ષ
ગોધરા સબજેલ ખાતે બંદીવાનોના માનસિક સ્વાસ્થ્ય અને સકારાત્મક વિચારધારાના વિકાસ માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેલોના વડા ડૉ. કે.એલ.એન. રાવના માર્ગદર્શન હેઠળ ભરૂચની પ્રયાસ સંસ્થા દ્વારા આ પ્રસંગે જેલના બંદીવાનોને ઇનડોર તથા આઉટડોર રમતોના સાધનોનું વિતરણ કર
રાજકોટમાં મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશનાં અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી પતંગ રસિયાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને અવનવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સોમનાથના પ્રભાસતીર્થમાં ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત યોજાનારી શૌર્ય સભાને સંબોધશે. આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજરી આપશે તેવી ધારણા છે. વડાપ્રધાનના આગમન અને શૌર્ય સભાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખર
સુરતના તાપી રિવરફ્રન્ટ પર આજે રેશમી દોરીના તાંતણે સાત સમંદર પારથી આવેલા મહેમાનોના સપનાઓ ઉડાન ભરી રહ્યા છે. ઢોલ-નગારાના તાલે ઝૂમતા વિદેશી પતંગબાજો અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોએ સાબિત કરી દીધું છે કે, ભલે ભાષા અલગ હોય પણ 'પેચ' લડાવવાનો આનંદ તો એક જ છે. અડાજણ રિવરફ્રન્ટ
સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલ જાણીતા 'શુભમ કે માર્ટ'માં ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. માર્ટમાં આસિસ્ટન્ટ સ્ટોરમેન તરીકે ફરજ બજાવતા દિવ્યેશ ધરમણભાઈ હેરભા નામના કર્મચારીએ સંસ્થા સાથે વિશ્વાસઘાત કરી કુલ 3,51,099 ની રોકડ રકમની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સ્ટોર મેનેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર સોમવારે ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેને લઈને અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસ દ્વારા SPG સાથે મળીને મોદી અને જર્મન ચાન્સેલરના રૂટ પર ઓન ટાઇમ રિહર્સલ કરવામાં આવ્યું છે. તમામ કાર્યક્રમમાં સ્થળ
શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ, મણિનગરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ સુખી જીવન જીવવા માટે એક સરળ સૂત્ર આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આજના સમયમાં દરેક વ્યક્તિ સુખી થવા ઈચ્છે છે, પરંતુ ઇન્દ્રિયો પર સંયમ ન હોવાને કારણે દુઃખી થાય છે. કુમકુમ મંદિરના સંસ્થાપક સદ્ગુ
છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના અંતરિયાળ તલાવ ગામમાં રસ્તાના અભાવે એક પ્રસૂતાને સ્ટ્રેચર પર ઉચકીને અડધો કિલોમીટર દૂર ઊભેલી 108 એમ્બ્યુલન્સ સુધી લઈ જવાની ફરજ પડી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આઝાદીના 78 વર્ષ પછી પણ છોટા ઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિ
વલસાડ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે આ અભિયાન શરૂ કરાયું હતું. આ અભિયાન 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ચાલશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવાનો છે. વન વિભાગના સહયોગથી વલસાડ જિલ્લા
સુરતની જે.ઝેડ. શાહ કોલેજમાં ભયનું વાતાવરણ ફેલાવનાર વિદ્યાર્થીઓ સામે અમરોલી પોલીસે કડક કાર્યવાહી કરી છે. કોલેજ કેમ્પસમાં ઘૂસીને વિદ્યાર્થી પર હુમલો કરનાર બે વિધાર્થી અને એક પૂર્વ વિદ્યાર્થીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમા
ચોટીલાના રામેશ્વર આશ્રમ ખાતે સામાજિક સમરસતા શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર આગામી સમયમાં યોજાનાર ૧૧ નવયુગલોના સમૂહ લગ્નના આયોજનના ભાગરૂપે યોજાઈ હતી. આ શિબિર સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. જેમાં અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામકે હા
સૌરાષ્ટ્ર - કચ્છ રિજનલ કચેરી રાજકોટ વિભાગ હેઠળની ગાંધીધામ ITI દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ગ્રીન હાઈડ્રોજન પ્રોડક્શન ટેકનીશીયન નામનો નવો કોર્સ શરૂ કરવા માટે મંજૂરી મળી ચૂકી છે. જે માટે રૂ.40 લાખની ગ્રાન્ટ મંજૂર થઈ છે. કંડલા દિનદયાળ પોર્ટ દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટની મદદથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ આગમન પૂર્વે સોમનાથ મહાદેવ મંદિર અને તેના પરિસરને ભવ્ય પુષ્પસજ્જાથી શણગારવામાં આવ્યું છે. વડાપ્રધાનના આગમન માર્ગને પણ વિશેષ રીતે સુશોભિત કરવામાં આવ્યો છે. સોમનાથ મહાદેવ મંદિરને સફેદ, કેસરી અને પીળા રંગના તાજા પુષ્પોથી સજાવવામાં આવ્યું છ
મોરબીમાં એક સેવાભાવી સંસ્થામાં બે મનોદિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આરોપીઓએ રાત્રિ દરમિયાન સંસ્થાની દીવાલ પર લગાવેલા કાચ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યા
અમરેલી જિલ્લામાં ઉત્તરાયણના તહેવારને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પતંગ અને દોરીના વેપારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે પતંગ-દોરીના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે, જેના કારણે પતંગ રસિયાઓ અને વેપારીઓમાં ચિંતા વ્યાપી છે. ભાવ વધારાની વાત કરી
નવસારી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ઘેલખડીમાં છેલ્લા 48 કલાકથી પાણીનો પુરવઠો ખોરવાયો હતો. પાઇપલાઇનના સમારકામના કારણે આ સમસ્યા સર્જાઈ હતી. મોડી રાત્રે નવસારી નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કર મોકલવામાં આવતા લોકો પાણી ભરવા માટે ઉમટી પડ્યા હતા. ઘેલખડી વિસ્તાર મુખ્યત્વે શ્ર
જામનગરના ગોકુલનગર વિસ્તારમાં પાડોશીઓ વચ્ચે તકરાર થતાં એક યુવાનને માર મારવામાં આવ્યો હતો. પાંચ શખ્સોએ યુવાનના બે મોબાઈલ ફોન તોડી નાખ્યા હતા અને ગળામાંથી સોનાનો ચેઇન ઝુંટવી લીધો હતો. આ મામલે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ બનાવની વિગત મુજબ, ગોકુલનગ
જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી બાયો ડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીના ગેરકાયદે વેચાણની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. સ્થાનિક પોલીસ જ્યારે ઊંઘતી ઝડપાઈ છે ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે માળિયા હાટીના પંથકમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરીને મોટા રેકેટનો પર્દાફાશ કર
કોંગ્રેસ પાર્ટીએ મનરેગા કાયદાને નાબૂદ કરવાના ભાજપ સરકારના કથિત પ્રયાસો સામે રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરી છે. આ આંદોલન 18 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે ગાંધી ચિંધ્યા માર્ગે યોજાશે. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈ અને સિદ્ધપુ
વલસાડ તાલુકાના ગુંદલાવ શક્તિનગર વિસ્તારમાં ચાર વર્ષની બાળકીના અચાનક મોતની ઘટના સામે આવી છે. આ બનાવ 9 જાન્યુઆરી, 2026ના રોજ રાત્રે 23:30 વાગ્યે બન્યો હતો, જ્યારે બાળકીનું મૃત્યુ કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન જાહેર કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુંદલાવ શક્તિ
ભરૂચ શહેરની પટેલ સોસાયટી વિસ્તારમાં છેલ્લા છથી સાત મહિનાથી શાહુડીના પરિવારની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ હતો. આ શાહુડીઓ સોસાયટીના કમ્પાઉન્ડ અને રસ્તાઓ પર ખુલ્લેઆમ ફરતી જોવા મળતી હતી. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, આશરે પાંચ શાહુડીનો પરિવાર આ વિસ્તારમાં વ
ભાવનગરના શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં ગઈકાલે બપોરના સુમારે જૂની અદાવત રાખી બે શખ્સોએ એક યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. અગાઉ પોલીસ ફરિયાદ કેમ કરી છે તેમ કહી ગાળો આપી, છાતીના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા યુવાનને ગંભીર હાલતમાં સરકારી હોસ્પિટલ ખસેડવા
વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી વીજ કંપનીની કચેરીમાં ગત રાત્રીએ ચોરીનો પ્રયાસ કરનાર તસ્કરો અને સિક્યુરિટી જવાનો વચ્ચે ભારે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં સિક્યુરિટી ગનમેને આત્મરક્ષામાં ફાયરિંગ કરતા એક ચોરને હાથમાં ગોળી વાગી ઇજા પહોંચી હતી, જ્યારે બે અન્ય તસ્કરોને સ્થળ પરથ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સોમનાથ ખાતે યોજાનાર 'સ્વાભિમાન પર્વ'માં આગમન પૂર્વે તેમના ભવ્ય સ્વાગત માટે આહીર સમાજ દ્વારા ઐતિહાસિક મહારસની વિશેષ પ્રસ્તુતિ કરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે આજે આહીર સમાજની બહેનોએ સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં મહારસનું રિહર્સલ ક
અમદાવાદના વિવિધ જ્વેલર્સ શો-રૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતિર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે. આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર
ભાવનગરમાં આજે એકાએક તાપમાનનો પારો ગગડતા ઠંડીનું જોર વધ્યું હતું અને આજે વહેલી સવારથી ભાવનગર જિલ્લામાં તાપમાનનો પારો 0.5 ડીગ્રી ગગડી 13.4 ડીગ્રી પહોંચતા ઠંડી નું જોર વધ્યું હતું અને ગતરાત્રીથી જ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો, જે આજે સાવરથી ઠંડા પવનની ઝડપ વધી ને 10 ક
સોજીત્રા શહેરની સી.સી. પટેલ સાર્વજનિક હોસ્પિટલ ખાતે આયુષ્યમાન કાર્ડની સુવિધાનો શુભારંભ કરવામાં આવ્યો છે. સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલભાઈ પટેલના પ્રયત્નોથી આ હોસ્પિટલને આયુષ્યમાન કાર્ડ માટે મંજૂરી મળી હતી, જેના કારણે દર્દીઓને હવે નજીકમાં જ મફત અને ગુણવત્તાયુક્ત
શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. શહેરના નિકોલ રોડ પર આવેલા એકજ ફ્લેટના ત્રણ મકાનમાં ધોળા દિવસોએ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપીને ફરાર થઈ જતા ચકચારમચી ગઈ છે. તસ્કરોએ ત્રણ મકાનમાં તાળા તોડીને ધુસ્યા હતા અને 8.66 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી. ધોળા દિવસ
અમદાવાદ શહેરના હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. ઓવરબ્રિજ તોડકામ દરમ્યાન મુખ્ય પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર ચોખ્ખું પાણી ઉછળી ઉછળી ને બહાર આવ્યું હતું. પીવાના પાણીનો ભારે પ્રવાહ સર્કલથી લઈને CTM મ
ગાંધીનગરમાં વકરતા ટાઈફોઈડના રોગચાળા અને પાણીની પાઈપલાઈનમાં જોવા મળી રહેલા સતત લીકેજના પ્રશ્નો વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગંભીર સ્થિતિને પહોંચી વળવા અને વડાપ્રધાનના પ્રવાસની તૈયારીઓ માટે મનપાની કચેરીઓ આજે શનિવારે અને કાલે
સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફરી એકવાર ડાયમંડ સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સના અધિકારીઓએ બાતમીના આધારે કાર્યવાહી કરીને બેંગકોક જઈ રહેલા બે યુવાનની ધરપકડ કરી છે. આ યુવાનો પાસેથી અંદાજે 6 કરોડ રૂપિયાની કિંમતના પોલિશ્ડ ડાયમંડ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા રેલવે હોસ્પિટલ ખાતે દર્દીઓની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો કરતા અત્યાધુનિક 'કેન્ટીન સુવિધા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) ગિરિરાજ કુમાર મીનાના હસ્તે આ નવીનીકૃત કેન્ટીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પહે
અમદાવાદના વિશ્વ ઉમિયા ધામ ખાતે આજે વૈશ્વિક પાટીદારોની મહત્વપૂર્ણ બેઠક તથા એન.આર.આઈ. સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે ચાર વાગ્યે યોજાનારી આ બેઠકમાં વિશ્વના સાત દેશોમાંથી પાટીદાર સમાજના અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં લંડનના હેરો શહેરના મેયર અ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં ઠંડીનો ચમકારો હાલમાં યથાવત્ રહેશે. રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેશે. ઉત્તરથી ઉત્તર-પૂર્વ તરફ પવન ફૂંકાઈ રહ્યા છે. પવનની ઝડપ 5થી 10 કિમી પ્રતિકલાક રહેશે. 24 કલાક બાદ હજુ લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદ
સાળંગપુરધામ ખાતે ધનુર્માસ અને શનિવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનો ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. દાદાને વિશેષ ચાંદીનો મુગટ અને વૃંદાવનમાં ખાસ તૈયાર કરાયેલા એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘા ધરાવવામાં આવ્યા હતા. વહેલી સવારે 5:30 કલાકે પૂજારી સ્વામી દ્વારા મંગ
શામળાજી-રાજસ્થાન નેશનલ હાઇવે પર બીછીવાડા નજીક મોડી સાંજે કેમિકલ ભરેલું ટેન્કર પલટી ગયું હતું. આ અકસ્માતને કારણે ટેન્કરમાંથી ઝેરી ગેસ જેવું પ્રવાહી રોડ પર ઢોળાયું હતું, જેનાથી આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ટેન્કરમાંથી નીકળતું સફેદ ગેસ જેવું પ્રવાહી રોડ પર ફુવાર
સુરતના હજીરા સ્થિત રમણીય સુવાલી બીચ પર પ્રવાસનને વેગ આપવા માટે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય 'સુવાલી બીચ ફેસ્ટિવલ'નો 9 જાન્યુઆરીની સાંજે અત્યંત ભવ્ય અને રંગારંગ પ્રારંભ થયો છે. સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય સંદિપ દેસાઈ દ્વારા આ
પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોરે સરસ્વતી અને સમી તાલુકાના વિવિધ આંગણવાડી કેન્દ્રો તેમજ પ્રાથમિક શાળાઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ અને બાળ કલ્યાણ સંબંધિત સરકારી યોજનાઓના અમલીકરણની સમીક્ષા કરવાનો હતો. પ્રમુખે સુજનીપુર, રુની, નાનારામણદા,
પાટણ જિલ્લા કલેકટરે પાટણ નગરપાલિકાને શહેરની આસપાસના 10 કિલોમીટરના વિસ્તારના ગામોનો કચરો માખણિયા ખાતેની ડમ્પિંગ સાઇટ પર સ્વીકારવા અને ડમ્પ કરવા દેવા સૂચના આપી છે. આ માટે નગરપાલિકાએ 15 દિવસમાં ઠરાવ કરીને જિલ્લા વિકાસ અધિકારીને મોકલવાનો રહેશે. આ સૂચના પાટણ જિલ્લા કલેકટર કચેર
વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR–2026) કાર્યક્રમ અંતર્ગત અંદાજે 1.65 લાખથી વધુ મતદારોને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસ વર્ષ 2002ની મતદાર યાદીમાં નોંધાયેલી વિસંગતતાઓને દૂર કરવા માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવાના હેતુથી આપવામાં આવી છે. ચૂંટણી પંચની સૂચના મુજબ, નોટિસ મેળવનાર મતદ
વલસાડ પોલીસે સગીરાઓના શોષણને રોકવા માટે આદિવાસી અને ઔદ્યોગિક વિસ્તારોમાં વ્યાપક જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે. DySP ભાર્ગવ પંડ્યાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ સમાજમાં સુરક્ષા અને જાગૃતિ લાવવાનો છે. ભૂતકાળમાં થયેલા સર્વે દરમિયાન સામે આવ્ય
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારાડુંગરી ગામના ખેડૂત નવીનભાઈ દેવચંદભાઈ પુજારાએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે સરકાર દ્વારા મળેલી આર્થિક સહાયની રકમ પોતાની વાડીમાં ભાગીયા તરીકે કામ કરતા શ્રમિક ખેડૂત રામાભાઇ ભીખાભાઈ સારલાને આપી દીધી હતી. નવીનભાઈન
શહેરી વિકાસ મંત્રી અને પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં આજે પાટડી ખાતે નગરપાલિકાના સદસ્યો અને અધિકારીઓ સાથે એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નગરપાલિકાઓનું તંત્ર સુદ્રઢ બનાવવું અને વિકાસના કામો લોકો સુધી પહોંચાડવાનો હતો, જે સરકા
પંચમહાલ જિલ્લામાં રાજપૂત સમાજના ૧૦૦ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 'શતાબ્દી વર્ષ'ની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે ગોધરા શહેરના ન્યૂ ઈરા સ્કૂલના ગ્રાઉન્ડ ખાતે લોક ડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીર જેવા કલાકારોએ રજૂઆત કરી હતી. ડાયરાની શરૂઆતમાં
ગોધરા ખાતે રાજપૂત સમાજનો ૧૦૦ વર્ષીય શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. આ અવસરે રેવા કાંઠા રાજપૂત સમાજ સંગઠનને 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. દિલ્હીથી આવેલી 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'ની ટીમે આ એવોર્ડ રાજપૂત સમાજના પ્રમુખ સી.કે. રાઉલજીને સુપરત ક
સોમનાથની પાવન ભૂમિ પર સ્વાભિમાન પર્વ અંતર્ગત દિગમ્બર સાધુઓની રવેલી યાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં તાલાલાના ધારાસભ્ય ભગવાન બારડે ઉત્સાહભેર ઢોલ વગાડ્યો હતો. રવેલી યાત્રા દરમિયાન ઢોલ-નગારાના નાદ, શંખનાદ અને 'હર હર મહાદેવ'ના જયઘોષથી સમગ્ર સોમનાથ ગુંજી ઉઠ્યું હતું. ધારાસભ્ય બા
આગામી તા.10થી 13 જાન્યુઆરી દરમિયાન મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થવાનું છે. તેને લઈને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કાર્યક્રમના આયોજન માટે દરેક વિભાગના અધિકારીની જુદી-જુદી કમિટી બનાવી જવાબદારીઓ સોંપી દેવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાના ફાયર વિભા
ગુરુવારે રાત્રે શહેરમાં પવનની ગતિ ઘટીને શૂન્ય થતાં ઠંડા પવનો સીધા જમીન તરફ આવતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. આથી શુક્રવારે એક જ દિવસમાં શહેરનું લઘુતમ તાપમાન 2.7 ડિગ્રી ગગડીને 11.7 ડિગ્રી થતાં ઋતુનું સૌથી નીચું લઘુતમ તાપમાન નોંધાયું હતું. સમગ્ર રાજ્યમાં 4.8 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠં
ડ્રાફ્ટ મતદારયાદીમાં 2002ની યાદી પ્રમાણે મેપિંગ થયું નહોતું તેવા લોકોને ઇલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઑફિસર તરફથી નોટિસ અપાઈ રહી છે. નોટિસ મળતાં મતદારોએ સ્થળ પર જઈને પુરાવા આપી યાદીમાં નામ ઉમેરવાનું હોય છે. પરંતુ આમાં પણ અધિકારીઓ અને બીએલઓ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. નરોડ
વર્ષ 2016માં ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધની માગ સાથેની જાહેરહિતની અરજી સંદર્ભે હાઈકોર્ટ સમક્ષ રાજ્ય સરકારની કામગીરી સંદર્ભે ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ ઉત્તરાયણ પહેલાં રાજ્ય પોલીસ દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને વપરાશ સામે કરાયેલી કાર્યવાહ
અમદાવાદ સહિત ગુજરાતમાં તીખું-તળેલું ખાવાને લોકોમાં કોલેસ્ટ્રોલનું ઊંચું પ્રમાણ જોવા મળે છે. હૃદયરોગનું જોખમ વધારવામાં હાઈ કોલેસ્ટ્રોલ મહત્ત્વનો ભાગ ભજવે છે. આથી હાઈ કોલેસ્ટ્રોલ ધરાવતી વ્યક્તિએ કોલેસ્ટ્રોલ નિયંત્રિત રાખવા માટે રોજ ગોળી લેવી પડે છે પરંતુ હવે નવી ટૅક્નો
શહેરમાં વધતા જતા માર્ગ અકસ્માતો રોકવા અને લોકો ટ્રાફિકના નિયમો પાળે તે માટે ટ્રાફિક પોલીસે ‘ટ્રાફિક સંસ્કાર અભિયાન’ શરૂ કર્યું છે. અભિયાનનો હેતુ દંડ વસૂલવાને બદલે લોકોનું માનસ બદલીને શિસ્તબદ્ધ ટ્રાફિક વ્યવસ્થા ઊભી કરવાનો છે. આ માટે પોલીસ સ્કૂલોમાં અભ્યાસ કરતાં બાળકોને
શહેરના થલતેજ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા 7.58 કરોડના ખર્ચે બનનારા રોડ માટે મ્યુનિ. દ્વારા 12 ટકા વધુ ભાવ ભરનારા સિંગલ ટેન્ડરને મંજૂરીની મહોર લગાવી છે. નોંધનીય છે કે જો રોડ બનાવવામાં અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા સ્પર્ધા હોત તો મ્યુનિ.ને ઓછા ભાવે કામ થઈ શક્યું હોત. આ અંગેની વિગત એવી છે
રાજકીય જીવનમાં ઉતરીને નગરસેવક થવાના સ્વપ્ન નવી પેઢીમાં મોટા પ્રમાણમાં છે. તેથી મહાપાલિકા ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા વધી રહી છે. મુંબઈ મહાપાલિકાના ઓછામાં ઓછા 17 વોર્ડમાં 16 થી 21 ઉમેદવારો ઊભા છે. એક બેલેટ પેપર પર 15 ઉમેદવારના નામ, ચિહ્ન અને એક નોટાનો મત એમ 16 બટન હોય છે. તેથી આ સતર વ
મુંબઈ મહાપાલિકાની આઠ વર્ષ બાદ આગામી 15 જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીને લઈને મલાડ-વેસ્ટના વોર્ડ ક્રમાંક 35માં રાજકીય માહોલ ગરમાયો છે. નવી મતદાર યાદી મુજબ આ વોર્ડમાં આશરે 54 હજાર મતદારો નોંધાયેલા છે, જેમાં ગુજરાતી, ઉત્તર ભારતીય, મરાઠી, સાઉથ ઇન્ડિયન, તમિલ અને ખ્રિસ્તી મતદારોનું નોં
છત્રપતિ સંભાજીનગર અને પુણેમાં ભાજપ અને શિવસેનાના શિંદે જૂથ વચ્ચે યુતિ તૂટી ગયા બાદ બંને પક્ષો વચ્ચે તણાવ સર્જાયો હતો. આ તણાવ હવે સીધો મુંબઈમાં પણ ભડકી ઊઠ્યો છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણીમાં સાથે લડી રહેલા બંને સાથી પક્ષો શુક્રવારે રસ્તાઓ પર સામસામે જોવા મળ્યા હતા. મુંબઈના
શુક્રવારે સવારે ગાયમુખ ઘાટ પરથી ઘોડબંદર તરફ જનારા ઉતરાણ સમયે એક કે બે નહીં પણ ૧૧ વાહન વચ્ચે એક વિચિત્ર અકસ્માત થયો હતો. આ અકસ્માત સિમેન્ટ વહન કરતાં કન્ટેનરને કારણે થયો હતો, જેના કારણે રુટ પર ભારે ટ્રાફિકજામ થઈ ગયો હતો. દરમિયાન, આ ઘટનામાં ૪થી વધુ લોકો ઘાયલ થયા છે અને કન્ટેનર ચા
ઈઝરાયલ સાથે યુદ્ધ વચ્ચે પેલેસ્ટીનને ટેકો આપવા માટે નાણાંની જરૂર છે એવું કહીને રૂ. 4 કરોડથી વધુ રકમ નાગરિકો પાસેથી ભેગી કરીને છેતરપિંડી કરવા સાથે બીડ જિલ્લામાં ચાર જણ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ પ્રકરણે બે જણની ધરપકડ કરવામાં આવી છે. ઈઝરાયલ અને હમસ વચ્ચે 7 ઓક્ટોબર, 2023થ
આઠ વર્ષ સુધી પૅન હાથોમાં પકડી નહીં શકનારા 28 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર પર વોકહાર્ટ હોસ્પિટલ્સ, મુંબઈ સેન્ટ્રલ ખાતે એડવાન્સ્ડ લાઈવ મગજની શસ્ત્રક્રિયાને કારણે નવજીવન મળ્યું છે. આ ન્યુરકોલોજિકલ દુર્લભ બીમારી રાઈટર્સ ક્રેમ્પ પર ફંકશનલ ન્યુરોસર્જરી દ્વારા સફળતાથી ઉપચાર કરા
ગુજરાત સરકાર દ્વારા પાલીતાણા શહેરનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ કરવામાં આવેલ છે તેમજ યાત્રાધામ પાલીતાણા ખાતે ભારત અને વિશ્વભરમાંથી હજારો યાત્રિકો શેત્રુંજય ગિરીરાજ પર્વત પર યાત્રા માટે આવે છે. શેત્રુંજય પર્વત અને તેની આસપાસનો વિસ્તાર અનામત જંગલ તરીકે જાહેર થયેલ છે. દર
વલભીપુર તાલુકામાં હાલ ગામડાઓમાં નવા રોડ રસ્તા અને નવા પુલ કોઝવે બનાવવા માટેની મોસમ પુર બહારમાં ખીલી છે તાલુકામાં વિકાસે આંખે પાટા બાંધીને દોટ મુકી છે. જેનો આ બોલતો પુરાવો છે તાલુકા મથકેથી માત્ર બે કિ.મી.દુર આવેલા પાટી ગામે હાલ નવો ડામર રોડ બનાવવાનું કામ શરૂ છે. અને આ કામ માટે
ભાવનગર જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોમાં એગ્રીસ્ટેક અને ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી પૂર્ણ કરી નથી. જેથી ભાવનગર જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજે અચાનક પરિપત્ર બહાર પાડી જિલ્લા પંચાયત કચેરીના નિયંત્રણ હેઠળની તમામ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ફરજ બ
સલામત અને સસ્તી મુસાફરી સવારી સાથે એસ.ટી. બસ આમજનતા માટે એક વિશ્વસનીય પરિવહન સાધન બન્યું છે. વર્ષ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપનાની સાથે જ શરૂ થયેલી એસ.ટી. બસની સેવા આજ સુધી લાખો લોકોની રોજિંદી મુસાફરીનો આધાર બની રહી છે ત્યારે એસ.ટી. બસની મુસાફરીમાં શાંતિમય વાતાવરણ જાળવવા એસ.ટી.
આગામી મકરસંક્રાંતિના તહેવાર દરમ્યાન પતંગ ચગાવવા માટે વાપરવામાં આવતા ચાઇનીઝ માંજાના કારણે પક્ષીઓ દોરીથી ઘાયલ થવાના, મૃત્યુ પામવાના બનાવો બને છે. જે નિવારવા ચાઈનીઝ તુક્કલ/લેન્ટર્ન, ચાઇનીઝ લોન્ચર તથા પતંગ ઉડાડવાના હેતુથી ચાઈનીઝ માંઝા, ગ્લાસ કોટેડ નાયલોન થ્રેડ , સિન્થેટીક ક
શહેરના કુંભારવાડામાં બાનુબેનની વાડી શેરી નં. 55 માં ખુલ્લી જગ્યાઓમાં અમુક જગ્યાઓ જાહેરમાં જુગાર રમતા હોય જેથી પોલીસ રેડ દરમિયાન દિલીપ હજારીલાલ સોની, વિજયકુમાર ઉર્ફે સંતોષ છોટે પાસવાન, અરુણ રામપ્રસાદ નિશાદ, દિનેશ પરાગરાજ નિશાદ, રાજેન્દ્ર જોગી નિશાદ, અભિમન્યુ રામનરેશ સહાની,
રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) યોજના હેઠળ ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના જન્મજાત હ્રદયરોગથી પીડિત બાળક કુલદીપને સમયસર નિદાન, યોગ્ય સેવા અને નિઃશુલ્ક ઉચ્ચ કક્ષાની સારવાર થકી નવી જિંદગી પ્રાપ્ત થઈ છે. ભાવનગર જિલ્લાના ફરિયાદકા ગામના કુલદીપ રવિભાઇ મકવ
જીએસટી વ્યવસ્થાના અમલ બાદ કર વસૂલાતમાં પારદર્શિતા અને સરળતા લાવવાનો હેતુ રાખવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરમાં કર અધિકારીઓ દ્વારા સમાન કર સમયગાળા માટે સમાંતર અને ઓવરલેપિંગ નિર્ણયો આપવામાં આવતા કરદાતાઓમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વર્ષ 2020-21 માટે વિવિધ GST સત્તા
આગામી લોકશાહી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત બનાવવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતના તમામ મહાનગરોમાં કોંગ્રેસ આપ કે દ્વાર તેમજ જન મંચ અને જન આક્રોશ પદયાત્રા જેવા લોકસંપર્ક કાર્યક્રમો આયોજિત થવાના છે, જેના માધ્યમથી કોંગ્ર
ગુજરાત સરકાર દ્વારા બંદરો સંબંધિત નિયમોને વધુ સરળ અને વ્યવસાયમૈત્રી બનાવવા દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રને નવી ગતિ આપવા માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) દ્વારા પ્રસ્તાવિત છ નવી નીતિઓ અને નિયમોને સરકારની મંજૂરી મળી છે. આ નીતિઓ બ
ભાવનગર શહેરમાં મોડી રાતથી વહેલી સવાર સુધી ઉત્તર દીશાના બરફ વર્ષાના ટાઢાબોળ પવન ફૂંકાતા રહેતા આજે શહેરમાં આ સિઝનમાં સૌ પ્રથમ વખત લઘુત્તમ ઉષ્ણતામાન 14 ડિગ્રીથી ઓછું , 13.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ ગયુ હતુ. આ શિયાળામાં સાથી ઓછા તાપમાન સાથે સવારથી સાંજ સુધી 8 કિલોમીટરથી 10 કિલોમીટરની
PGVCL ભાવનગર સર્કલ કચેરી નીચેના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી PGVCL કોર્પોરેટ ટીમો દ્વારા વીજ ચેકિંગની ઝુંબેશમાં પ્રતિદિન લાખો રૂપિયાની વીજચોરી પકડી પાડવામાં આવે છે ત્યારે કોર્પોરેટ ટીમોની સ્પેશિયલ ડ્રાઈવમાં છેલ્લા પાંચ દિવસમાં ભાવનગર જિલ્લામાંથી રૂ.2.20 કરોડની વોજચોરી ઝડપ
દેશ અને દુનિયા પ્રગતિ કરી રહી છે પરંતુ ભાવનગર મહાનગરપાલિકા 43 વર્ષ જુના નિયમો અને પ્રણાલીના બંધનમાં કાટ ખાઈ ગઈ છે. ત્યારે આગામી દિવસોમાં સાધારણ સભાની પ્રથા અને કાર્ય પદ્ધતિ અને ડિજિટલ માધ્યમના બહોળા ઉપયોગને પ્રોત્સાહન સહિતના મહત્વના ફેરફારો અને સુધારાની કાર્યવાહી કરવામા
પરવટ પાટિયાની ડીક્રીયા ફુડ એન્ડ ફાર્મા એનાલેટીકલ લેબમાંથી એસઓજીએ એમડી ડ્રગ્સ બનાવવાનું યુનિટ પકડી પાડયું હતું. આ ગુનામાં ડ્રગ્સમાફીયા બ્રિજેશ વ્રજલાલ ભાલોડીયા, પેડલર ખુશાલ વલ્લભ રાણપરીયા, ભરત દામજી લાઠીયા અને મુખ્ય સૂત્રધાર જનક જાગાણીના એકબીજા સાથે થયેલા બેંકના ટ્રાન
હજીરાના દરિયામાં જહાજમાંથી થતી ડીઝલ ચોરીના મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફે શુક્રવારે પ્રાઇવેટ બોટમાં દરિયામાં જઈ 10 બાર્જશીપ અને 2 ફ્લોટિંગ ક્રેઇનના ચાલકો સહિત 35 જણાની પૂછપરછ કરી હતી. જેમાં એસઓજીએ ખાસ કરીને આ ડીઝલ માફીયાઓ કેવી રીતે દરિયામાં જહાજમાંથી ડીઝલની ચોરી કરત
સુરતમાં વાહનોની વધતી સંખ્યા વચ્ચે માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હવે નવી પેઢીને મેદાને ઉતારવામાં આવી છે. ભારત સરકારના માર્ગ પરિવહન મંત્રાલયે જાન્યુઆરી-2026ને રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ જાહેર કરાતા ડીઇઓ-ડીઇપીઓ દ્વારા શહેરની તમામ ગ્રાન્ટેડ અને ખાનગી સાથે શિક્ષણ સમિતિની સ્કૂલો
ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવાય રહેલા આવાસમાં ડ્રો વગર જ ફ્લેટ અને દુકાન અપાવવાની લાલચ આપીને સાહેબને આપવાના બહાને 49 લોકો પાસેથી 60.21 લાખ સામે રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પાલનપુરના નૈનેશભાઇ ચોટલીયા હાર્ડવેરના ધંધા માટે શરૂ દુકાન શોધી રહ્યા હતા. દરમિયાનમાં સોસાયટીમ
ફલીપકાર્ડ જેવી દેખાતી બોગસ વેબસાઇટ બનાવી ફેસબુક પર ઘરવખરી સામાન સસ્તા ભાવે વેચવાની જાહેરાત મુકી ગ્રાહકો પાસેથી ઓનલાઇન 9.45 કરોડની ઠગાઇમાં 2 વર્ષથી વોન્ટેડ દિપક ધીરૂ કાતરીયા(25)(,શ્રી દર્શન બંગ્લોઝ, દેવધગામ, ગોડાદરા, મૂળ ભાવનગર)ને ક્રાઇમબ્રાંચે દેવધગામ પાસેથી પકડી પાડ્યો છે. ગ
સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ભારત પાક કચ્છ બોર્ડરની મુલાકાતે સરદાર પટેલ વિરાંજલી વનનું નિર્માણ તેમજ પ્રતિમાની સ્થાપનાનો સંકલ્પ કરાયો હતો. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા ગાંધીધામ ખાતે બીએસએફ કેમ્પસ 85 બટાલિયનની મુલાકાત લેવામાં આવી હતી. સંસ્થાના
ઉત્તરાયણ એટલે રંગબેરંગી પતંગો, મોજ-મસ્તી અને મ્યૂઝિક અને ડાન્સ પાર્ટી તેમજ ફેમિલી ગેટ ટુગેધર જેવો માહોલ. મકરસંક્રાંતિના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતના બજારોમાં ધીમે ધીમે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. દર વર્ષે ઉત્તરાણયના તહેવારમાં પતંગ અને ફીરકી

29 C