વડોદરા શહેરમાં બે વર્ષ પૂર્વે આવેલા પૂર બાદ રાજ્ય સરકાર દ્વારા વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવા ઉપરાંત ભવિષ્યમાં પૂર ન આવે તે માટેના પ્રયાસો હાથ ધરવામા આવ્યા છે. વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરી માટે કમિટીનું ગઠન કરવાં આવ્યું હતું, જેઓ દ્વારા ચોથો રિપોર્ટ
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા વિજયનગરમાં એપાર્ટમેન્ટના ટેરેસનો ભાગ અચાનક ધરાશાયી થયો છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ એપાર્ટમેન્ટ ખાલી કરાવ્યું હતું અને એક વૃધ્ધાને રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા. એપાર્ટમેન્ટમાં ન
મોરબીના કંડલા બાયપાસ રોડ પર નજીવી બાબતે વેપારી અને તેના ભાઈ પર હુમલો થયો છે. ટ્રક હટાવવાની વાત પર શરૂ થયેલા ઝઘડામાં આરોપીઓએ શોરૂમમાં ઘૂસી સીસીટીવી કેમેરાનું ડીવીઆર તોડી નાખ્યું હતું. એટલું જ નહીં, પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની અને અપહરણ કરવાની ધમકી પણ આપી હતી. આ મામલે મો
ગુજરાતમાં આગામી ચાર દિવસ, એટલે કે 18 માર્ચથી 21 માર્ચ, 2026 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ આગાહીને પગલે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ માટે આગોતરા સા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં સગીરાને ગર્ભવતી બનાવનાર 60 વર્ષના આધેડને કોર્ટમાં રજૂ કરાયા બાદ સુરેન્દ્રનગર જેલ હવાલે કરવામાં આવ્યો છે. બાળકને જન્મ આપનારી સગીરા હાલ ડોકટરોની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પંથકમાં 60 વર્ષના આધે
વડોદરા શહેરના આજવા રોડ વિસ્તારમાં વર્ષ 2022માં સગીર બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાના કેસમાં વડોદરા પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને રૂપિયા 10 હજારનો દંડ પણ ફટકાર્યો છે. આરોપી પ્રફુલ ઉર્ફે કાળીયા સોલંકી 7 વર્ષના માસુમ બાળકને કબુતરનું ઈંડું બતાવ
મિડલ ઇસ્ટ દેશોમાં ચાલી રહેલા યુદ્ધના પરિણામે પેટ્રોલીયમ અને ગેસની અછત સર્જાઇ રહી છે. ગુજરાત શહીદ દેશભરમાં LPG ગેસની અછત વર્તતા ગેસની બોટલની કાળા બજારીએ સામાન્ય લોકોના જીવન પર ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. રાંધણ ગેસની ચાલી રહેલી અછતના પગલે ગોમતીપુર વિસ્તારમાંથી 9 ભરેલા ગેસના
નકલી લવાદ તરીકે હુકમો કરનાર મોરીસ ક્રિશ્ચન સામે વર્ષ 2011માં વકીલ ન હોવા છતાં એક પક્ષકાર તરફે વકીલના ડ્રેસમાં ઉપસ્થિત થવાના આરોપમાં અમદાવાદ મેટ્રો કોર્ટમાં કેસ ચાલ્યો હતો. જોકે, સાહેદો ફરી જતા અને પુરાવાના અભાવે તેને નિર્દોષ છોડવામાં આવ્યો છે. ફેમિલી કોર્ટમાં સનદ વગર જ છુટા
સુરતના અમરોલી વિસ્તારમાં માનવતાને લજવતી એક ઘટનામાં પોક્સો કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. માત્ર 12 વર્ષ અને 5 માસની માસૂમ બાળકી, જે હજુ જીવનના પાઠ શીખી રહી હતી, તેને હવસખોર પાડોશીએ પોતાની જાળમાં ફસાવી ગર્ભવતી બનાવી દીધી હતી. આ ચકચારી કેસમાં 9મા એડિશનલ સેશન્સ જજે આરોપી રબીઉલ
પોતાના મનપસંદ વાહન માટે 'લકી' કે 'ફેન્સી' નંબર મેળવવા ઈચ્છતા ભાવનગરના વાહન માલિકો માટે ભાવનગર પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી (RTO) દ્વારા ટ્રાન્સપોર્ટ, ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરની વિવિધ સીરીઝના બાકી બચેલા ગોલ્ડ અને સિલ્વર નંબરો માટે ઈ-ઓક્શન (E-Auction) પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કરવા
મોરબી તાલુકા પંચાયતની વર્તમાન બોડીએ પાંચ વર્ષની મુદત સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ નિમિત્તે તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઈ દેસાઈ દ્વારા સદસ્યો અને કર્મચારીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની સુખાકારી વધારવા માટે સહ
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકીના બાળલગ્ન તંત્ર દ્વારા સમયસર અટકાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કડાણા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોર બાદ લગ્ન થવાના હતા અને વરરાજા જાન લઈને પહોંચે તે પહે
સુરેન્દ્રનગરના આનંદ ભવન ખાતે ત્રિ-દિવસીય કૃષિ મેળાનું સમાપન થયું. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓથી માહિતગાર કરવાના હેતુથી આ મેળાનું આયોજન કરાયું હતું. કૃષિ કલ્યાણ એસોસિએટ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 'આત્મા' પ્રોજેક્ટ અને ખેડૂત તાલીમ કે
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના વારોદર ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં વાંસદેલિયા ગામના દિલીપભાઈ વણઝારા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસદેલિયા ગામના દિલીપભાઈ વણઝારા પોતાની મોટરસાયકલ પર કોઈ કામ અર્થે મોરવા ત
જામનગર શહેરના સીટી 'એ' ડિવિઝન પોલીસે ઘરફોડ ચોરીના વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે. કુખ્યાત તસ્કર એજાજ ઉર્ફે એજલો અને તેના બે સાગરીતો સહિત કુલ ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી લાખોની કિંમતના સોનાના દાગીના, રોકડ અને મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યા છે. 15 મ
પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની સરકારી જમીન પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાપટના સર્વે નંબર 416 માં આવેલી અંદાજે 27,200 ચોરસ મીટર ખેતીલાયક અને 1,000 ચોરસ મીટર રહેણાંક જમીન પરથી દબાણ હટાવવામાં આવ્યું છે. આ દબાણ કરાયેલી જમીન પર બાજરો અને ઘાસચારાન
ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલી પાંખની પાંચ વર્ષની મુદત આજે 16મી માર્ચના રોજ પૂર્ણ થતાની સાથે જ વહીવટી ધુરા હવે અધિકારીઓના હસ્તક ગઈ છે. આવતીકાલ 17મી માર્ચથી જિલ્લા પંચાયત સહિત જિલ્લાની ત્રણ મુખ્ય તાલુકા પંચાયતોમાં વહીવટદારના શાસનનો સત્તાવાર પ્રારંભ થશે. આ ફેરફારને પગ
વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારો પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. સિટી પીઆઈ જે.એન. ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય રામનવમી, રમઝાન ઈદ અને ચેટીચાંદ જેવા આગામી તહ
હિંમતનગર નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વોર્ડ નંબર 2, 8, 9, 10 અને 11 સહિત પાંચ વોર્ડના નાગરિકો માટે ગોકુલનગર રેલવે ફાટક પાસે આવેલા સિવિક સેન્ટરમાં આ કાર્યક્રમ યોજાયો હતો. સવારે 9 વાગ
ગ્લુ ટ્રેપના ખરીદ, વેચાણ, ઉત્પાદન સામે શિક્ષાત્મક કાર્યવાહી અંગે રાજ્ય સરકાર દ્વારા ચાલુ બજેટ સત્રમાં બિલ મુકાશે કે કેમ તે અંગે સરકારી વકીલે આજે હાઇકોર્ટ સમક્ષ જવાબ આપ્યો હતો. જે મુજબ મેટર અત્યારે સરકાર હસ્તક છે અને આગામી સમયમાં વિધાનસભામાં બિલ મુકવાની શક્યતા છે. જોકે, ચાલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સાયન્સની પરીક્ષાઓ આજે સંપન્ન થઈ છે. ગોધરા સહિત રાજ્યભરમાં અંતિમ દિવસે બાયોલોજીનું પેપર લેવાયું હતું. પરીક્ષા કેન્દ્રોની બહાર નીકળેલા વિદ્યાર્થીઓના ચહેરા પર રાહતનો ભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. વિદ્ય
ગઈકાલે દમણના દેવકા વિસ્તારમાં સેન્ડી રિસોર્ટ સામે મુખ્ય માર્ગ પર બે કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરટેક કરવાના પ્રયાસમાં મારુતિ ઈગ્નિસ અને હ્યુન્ડાઇ અલકાઝાર કાર ટકરાઈ હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, બંને વાહનોના ટાયર અને
ગાંધીનગરના ઈન્દ્રોડા ગામના પ્રવેશદ્વાર પાસે આવેલા જ રોડ પર વારંવાર સર્જાતા ગંભીર અકસ્માતોને રોકવામાં તંત્રની નિષ્ફળતા સામે ગ્રામજનોનો આક્રોશ ફાટી નીકળ્યો છે. તાજેતરમાં જ આ સ્થળે વધુ એક આશાસ્પદ યુવાનનું અકસ્માતમાં કરૂણ મૃત્યુ નીપજતા ઈન્દ્રોડાના સમસ્ત ગ્રામજનોએ કલેક્
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા જિલ્લા અને તાલુકા પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા સુચારૂ રીતે પાર પાડવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આયોગ દ્વારા 16 માર્ચ, 2026ના રોજ જાહેર કરાયેલા આદેશ મુજબ જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી અધિકારી તેમજ મદદનીશ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કર
ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP) અને અશોક એન્ડ રીટા પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપી (ARIP) ના વિદ્યાર્થીઓએ સ્વાસ્થ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સંશોધન કર્યું છે. તેમણે ‘MyoNova’ નામનો એક હર્બલ આધારિત માઇક્રોનીડલ ટ્રાન્સડર્મલ પેચ વિકસાવ્યો છ
પાટણ ખાતે યોજાયેલા ભાજપના વિધાનસભા કાર્યકર્તા સંમેલનમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આગામી ચૂંટણીમાં ભાજપના વિજય માટે હાકલ કરી હતી. તેમણે સંબોધનમાં જણાવ્યું હતું કે દેશની 140 કરોડ જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર વિશ્વાસ છે, જેના કારણે રાહુલ ગાંધી ક્યારેય
વડનગરની ‘ચેહર એન્ટરપ્રાઇઝ’ પેઢીના નામે રોકાણકારો સાથે અંદાજે 2.11 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં મહેસાણા સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીની જામીન અરજી નામંજૂર કરી છે. સરકારી વકીલની ધારદાર દલીલો અને ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી સેશન્સ જજ એ.એલ. વ્યાસ સાહેબે આરોપીને જામીન પર મુક્
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતી એક સિનિયર સિટીઝન મહિલાએ પોતાની દીકરી દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની ફરિયાદ સાથે અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. મહિલાનો કોલ મળતા અભયમ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન મહિલાએ અભય
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબની 35મી દીક્ષા જયંતીના પાવન અવસરે સંયમ અને શાસન પ્રભાવનાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરમ ગુરુદેવને માનવતા અને જીવદયા અત્યંત પ્રિય છે, ત્યારે આ અવસરને યાદગાર બનાવવા માટે તેમના દ્વારા પ્રેરિત 'અર્હમ યુવા સેવા ગ્રુપ, ભાવનગર' દ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના છાપરિયા વિસ્તારમાં આજે સાંજે એક મીની ટેમ્પો રહેણાંક ઘરમાં ઘૂસી ગયો હતો. આ ઘટનાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર, અંકિત મિલ્ક પેલેસના મીની ટેમ્પોના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે વાહન રોડ પ
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીકના ડુંગરો પર સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં ડુંગર પરની વનરાજી બળીને ખાખ થઈ ગઈ હતી. આગની શરૂઆતમાં ડુંગર પર ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. રાત થતાં અને પવનના કારણે આગ ઝડપથી ફેલાઈ
પાલનપુરના ચડોતરમાં આવેલા GHV વ્હીકલ ફિટનેસ સેન્ટરના એક કર્મચારીને લાંચ લેતા પાટણ ACBએ ઝડપી પાડ્યો છે. રહેમતુલ્લા ઘોરી નામના આ કર્મચારીએ CNG રિક્ષાના ફિટનેસ સર્ટિફિકેટ માટે રૂ. 3000ની લાંચ માંગી હતી. પાટણ ACBને ગુપ્ત માહિતી મળી હતી કે, ચડોતર સ્થિત GHV ફિટનેસ સેન્ટર ખાતે વાહનોના કોમર્શિ
ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી આધારે ચિત્રા થી સીદસર ગામ તરફ જવાના રોડ પર સીતાનગર પાસેથી ઇંગ્લિશ દારૂ ભરેલી કાર સાથે એક શખ્સની ધરપકડ કરી હતી અને આ અંગે ત્રણ શખ્સો વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, આ બન
સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જીવ વિજ્ઞાનના પેપર સાથે પૂર્ણ થઈ છે. વિદ્યાર્થીઓને જીવ વિજ્ઞાન વિષયનું પેપર એકંદરે સરળ લાગ્યું હતું. સોમવારે સવારના સેશનમાં ધોરણ 10ના હિન્દી અને સંસ્કૃત વિષયના પેપર લેવાયા હતા. કુલ 19,812 વિદ્યાર્થીઓમાંથી 19,061 વિદ્યાર્થીઓએ પ
આણંદના વલ્લભ વિદ્યાનગર ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલો 'ચરોતર સાહિત્ય ઉત્સવ-2026' સંપન્ન થયો છે. શિક્ષણ અને સાહિત્યની પવિત્ર ભૂમિ પર આયોજિત આ મહોત્સવમાં સાહિત્યકારો, શિક્ષણવિદો અને અગ્રણીઓની હાજરીમાં સાહિત્યિક ચેતનાનો પર્
રાજકોટ રેન્જ જેલ આઈજી ગિરીશ પંડ્યાએ સોમવારે મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી. પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મોરબીમાં બનનારી નવી જેલ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ હશે, જેનાથ
ભારત સરકારે 2027માં દેશવ્યાપી વસ્તી ગણતરી હાથ ધરવાની મંજૂરી આપી છે. આ દેશની પ્રથમ ડિજિટલ જનગણના હશે, જે બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો, ઘરયાદી અને મકાનોની ગણતરી (House Listing Operation – HLO), 20 એપ્રિલથી 19 મે, 2026 દરમિયાન હાથ ધરાશે. આ તબક્કામાં ગણતરીદારો દ્વારા મુખ્યત્વે આવાસની સ્થિતિ, કુટુંબને
સુરતમાં ગત 14 માર્ચના રોજ માનવતા અને જનજાગૃતિનો એક અનોખો સંગમ જોવા મળ્યો હતો. શહેરના યશવી ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત તૃતીય સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડનાર 101 પિતાવીહોણી દીકરીઓ લગ્નની વિધિઓના બે દિવસ બાદ હોસ્પિટલ પહોંચતા કુતૂહલ સર્જાયું હતું. આ દીકરીઓએ હા
માણસા તાલુકાના આનંદપુરા (વેડા) ગામે ધોળા દિવસે તસ્કરોએ તરખાટ મચાવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અર્બુદાનગર સોસાયટીમાં રહેતા અને આરોગ્ય વિભાગમાંથી નિવૃત્ત થયેલા વૃદ્ધ ખેડૂતના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરોએ અંદાજે રૂ. 36 લાખથી વધુની કિંમતના સોનાચાંદીના દાગીના અને રોકડની
ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સના સ્ટડી સર્કલ દ્વારા “એક ભારત શ્રેષ્ઠ ભારત” સંદર્ભે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સંબોધન કર્યું હતું. પ્રિન્સિપાલ સંજય વકીલે જણાવ્ય
અમદાવાદના કુમકુમ મણિનગર મંદિરના સંતો 18 થી 20 માર્ચ દરમિયાન કચ્છમાં સત્સંગ પ્રચાર અર્થે વિચરણ કરશે. આ દરમિયાન 20 માર્ચે માધાપર ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમનો પાટોત્સવ ઉજવાશે. 18 માર્ચ, બુધવારના રોજ કુમકુમ મંદિરના સંતો માધાપર મંદિરે પધારશે. ત્યાંથી તેઓ ભાકાસર અને બળદીયા
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બંધારપાડા ગામે આવેલ પૌરાણિક 'ગીધમાડી આયા ડુંગર' પર થયેલા અતિક્રમણનો વિવાદ ફરી એકવાર વકર્યો છે. આ ડુંગર પરના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની માંગ સાથે આજે દેવ બિરસા સેના દ્વારા વ્યારા ખાતે ભવ્ય રેલી યોજવામાં આવી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદનપ
ગીર સોમનાથ પોલીસે ચેક બાઉન્સ કેસમાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી સામે કુલ રૂ. 19.50 લાખના દાવા સાથે ત્રણ અલગ-અલગ કોર્ટના સજા વોરંટ અમલમાં હતા. કાયદેસરની કાર્યવાહી બાદ આરોપીને જુનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યો છે. જુનાગઢ રેન્જના ડીઆઇજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને ગ
ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની કોર્પોરેટ ઓફિસમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર અને અન્યાયી વલણ સામે આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે ન્યાયની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. UGVCLના પૂર્વ આસિસ્ટન્ટ સેક્રેટરીના પતિ પૂનમચંદ વણકરે કલેક્ટરને પત્ર પાઠવીને સમગ્ર મામલે તટસ્થ તપાસ
ગણપત યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં “ડીજીટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ધી ફ્યુચર ઓફ ગવર્નન્સ ઇન ઇન્ડિયા: પાથવેઝ ટુ વિકસિત ભારત–2047” વિષય પર 11મી બાય-મન્થલી ‘અટલ બિહારી વાજપેયી પબ્લિક પોલિસી ટોક સિરીઝ’નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. યુ. વી. પટેલ કોલેજ ઓફ એન્જિનિ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં આગામી ચેટી ચંદ, રામનવમી અને રમજાન જેવા તહેવારો પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠક વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં હિન્દુ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની ફેકલ્ટી ઓફ કોમર્સ હેઠળના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સ એન્ડ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા Print Ads That Persuade: A Hands-On Consumer Psychology Workshop નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ 16 માર્ચ ના રોજ ફેકલ્ટી ઓફ કોમર્સના મુખ્ય બિલ્ડિંગના કોમ્પ્યુટર લેબ ખાતે યોજાયો હતો. આ કાર્ય
પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચે યુસુફખાન પઠાણની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ ચકચારી કેસમાં પાટણ પોલીસે મુખ્ય શૂટર સહિત ચાર આરોપીઓને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા પોલીસે 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેની સામે કોર્ટે પાંચ દિવ
લાયન્સ ક્લબ ઓફ બરોડા દ્વારા તેના ભૂતપૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વ. લાયન વિશ્વજીત મહેતાની સ્મૃતિમાં છેલ્લા 10 વર્ષથી વ્યાખ્યાન શ્રેણીનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત આ વર્ષનું વિશેષ વ્યાખ્યાન આજે ગદાપુરા સ્થિત લાયન્સ હોલ ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમા
મહેસાણા બહુચરાજી તાલુકાના રણેલા ગામના યુવાન સંદીપ પટેલે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ઘટનામાં એક મહત્વનો વળાંક આવ્યો છે. આ કેસમાં પકડાયેલા ત્રણ આરોપીઓના રિમાન્ડ નીચલી કોર્ટે અગાઉ ફગાવી દીધા હતા, પરંતુ મહેસાણા સેશન્સ કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સર્વોચ્ચ નિર્ણય લેનારી સંસ્થા 'અખિલ ભારતીય પ્રતિનિધિ સભા'ની બેઠક હરિયાણામાં યોજાઇ હતી. આ બેઠકમાં સંગઠનાત્મક માળખાને લઈને ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે. સંઘ હવે દેશભરમાં કેન્દ્રીય વિસ્તરણ કરવા જઈ રહ્યું છે. ખાસ કરીને ગુજરાતમાં હવે બે પ્રાંત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26નાં અંતિમ તબક્કામાં વેરા વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં શહેરના 4,38,442 જેટલા પ્રામાણિક કરદાતાઓએ પોતાના નૈતિક અને નાગરિક ધર્મને સમજીને કુલ રૂ. 400.89 કરોડનો મિલકત વેરો તથા પાણી વેરો ભરપાઈ કરીને મહાનગરપાલિકાની તિજોરી છલકાવી
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ગૈડીયા ગામે ચાલતી રેતીની લીઝ પર ગ્રામજનોએ 'જનતા રેડ' કરી હતી. ગ્રામજનોએ લીઝ સંચાલક પર નિર્ધારિત હદ બહાર અને રાત્રી દરમિયાન રેતી ખનન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની છે, જ્યાં કાયદેસર અ
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા 'અ' વર્ગમાં સમાવેશ થયા બાદ પ્રથમ વખત બજેટ રજૂ કરવામાં આવ્યું છે. નગરપાલિકાની સામાન્ય સભામાં કુલ 75 કરોડ રૂપિયાનું બજેટ 1 કરોડ રૂપિયાની પુરાંત સાથે મંજૂર કરાયું હતું. આ સામાન્ય સભા નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોળીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. શહે
ભાવનગર શહેરના કાળાનાળા, તખ્તેશ્વર તથા ગીતા ચોક જેવા વર્ષો જૂના હિન્દુ વસવાટ ધરાવતા વિસ્તારોમાં હાલ અશાંત ધારો અમલમાં હોવા છતાં કેટલાક તત્વો દ્વારા ખોટા નામે અથવા છળકપટથી મિલકતોના સોદા પાડવામાં આવતા હોવાની રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, સ્થાનિક રહીશો અને 'હિન્દુ હિ
પાલનપુર નગરપાલિકાએ ઘરવેરા અને વ્યવસાય વેરાના બાકીદારો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ચીફ ઓફિસર જીગરભાઈ પટેલની સૂચનાથી આશરે 500 મિલકત ધારકો અને વેપારીઓને નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકાએ બાકી વેરો નિર્ધારિત સમયમર્યાદામાં ભરવા તાકીદ કરી છે. જો સમયસર વેરો જમા નહીં કરાય, તો સ
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાદારો સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખવામાં આવ્યો છે. ઇટાળવા સ્થિત 'અવધ રેસિડેન્સી'માં 41 રહેણાક મિલકતોને સીલ કરવામાં આવી છે. પાલિકાએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો 24 કલાકમાં વેરો નહીં ભરાય તો વીજળી અને પાણીના કનેક્શન કાપવા સુધી
પાટણ અને સરસ્વતી તાલુકાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોની નાણાં ધીરનારી સહકારી મંડળી લિમિટેડના 50વર્ષ પૂર્ણ થતા પાટણના ખોડાભાહોલ ખાતે સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંડળીના પૂર્વ અને વર્તમાન હોદ્દેદારોનું સન્માન કરાયું હતું.રાજ્ય અને જિલ્લા શિક્ષક સંઘના
જામનગર ગ્રામ્ય ડિવિઝન પોલીસે ગુનેગારો અને અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરી છે. પોલીસે PGVCL ટીમ સાથે મળીને લિસ્ટેડ બુટલેગરો, હિસ્ટ્રીશીટરો અને ડ્રગ્સ પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સોના ઘરે દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ₹12.60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગ્રામ્ય પોલી
PNG-LPG બંને હશે તો LPG સરેન્ડર કરવું પડશે રાજ્યમાં ગેસ પુરવઠાની સ્થિતિને જોતા સરકારનો નિર્ણય.. જો પીએનજી કનેક્શન એટલે કે ગેસ લાઈન અને એલપીજી બંને કનેક્શન હોય તો બુધવાર સુધીમાં એલપીજી સરેન્ડર કરાવવું પડશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગેસની અછત-કારખાના બંધ
દેશમાં ગેસ પુરવઠાની અછત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ અને સરકારી અનાજ-કેરોસીન એસોસિએશનના પ્રમુખ પ્રહલાદ મોદી સુરતની મુલાકાતે પહોંચ્યા છે. તેમણે સુરત કલેક્ટર સાથે મુલાકાત કરી કેરોસીન વિતરણ વ્યવસ્થા અંગે ગંભીર ચર્ચાઓ કરી હતી. જોકે, આ મુલાકાત દરમિયાન તેમણે ગેસની તંગ
નવસારી જિલ્લામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની અછત અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જોકે, જિલ્લા પુરવઠા વિભાગે આ મામલે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ગેસની કોઈ તંગી નથી. પુરવઠા અધિકારીએ ગ્રાહકોને ભ્રામક વાતોથી દૂર રહેવા અને નિશ્ચિંત રહેવા અપીલ કરી છે. જિલ્લા પુરવઠા અધિકારી ડો. કે.પી.
તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલી મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકની કચેરીમાં ફરજ બજાવતા મદદનીશ મત્સ્યોદ્યોગ અધિક્ષક તેજસ રમેશભાઈ ચૌધરીને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ₹6,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ અધિકારી કેન્દ્ર સરકારની 'પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના' હેઠળ માછીમારોને
યુદ્ધના કારણે સર્જાયેલી વૈશ્વિક ઉર્જા કટોકટી અને સંભવિત ગેસ અછતની સ્થિતિને પહોંચી વળવા સુરત જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. સુરત જિલ્લા કલેક્ટર સૌરભ પારઘીએ સોમવારે કલેક્ટર કચેરી ખાતે એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે, શહેર
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
વડોદરા શહેરના મકરપુરા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયા બહાર યુવકની થેલીમાંથી બે લાખ ચોરી કરીને ભાગી છૂટેલા 2 રીઢા આરોપીઓની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બેંકમાંથી બે લાખ ઉપાડ્યા બાદ બે અજાણ્યા શખસો તેમની પાસે આવ્યામાંજલપુર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મ
છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા ચર્ચિત દલિતકાંડ કેસમાં આજે, 16 માર્ચ 2026ના રોજ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. 2016ની 11 જુ
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
ભરૂચના શ્રવણ ચોકડી નજીક આવેલી નારાયણ અરીના સોસાયટી ખાતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 'કંચન' પ્રોજેક્ટ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સોસાયટીના રહેવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન, નાગરિકોને ઘરેલુ ભીના કચરામાંથી જૈવિક ખાતર (કમ્પોસ્
સુરતની 22 વર્ષીય પેરા બેડમિન્ટન ખેલાડી અનિશાકુમારી અરુણકુમાર મહતોએ હૈદરાબાદ ખાતે 6 થી 10 માર્ચ 2026 દરમિયાન યોજાયેલી 7મી નેશનલ પેરા બેડમિન્ટન ચેમ્પિયનશિપ-2026માં કાંસ્ય પદક (બ્રોન્ઝ મેડલ) મેળવીને સુરત અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. માત્ર 4 વર્ષની ઉંમરે એક અકસ્માતમાં જમણો
દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ગણાતી નવી સિવિલ હોસ્પિટલ ખાતે માનવતાના અભિગમ સાથે એક વિશેષ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ સેવાકાર્ય શરૂ કરાયું છે, જેનો મુખ્ય હેતુ સ્વજન ગુમાવનાર પરિવારજનોને મુશ્કેલ સમ
સ્માર્ટ સિટી સુરતમાં સફાઈ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ જ હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ સુરત મહાનગરપાલિકાની મિકેનિકલ સ્વીપિંગ કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. 15 માર્ચ, 2026ની રાત્રે મોટા વરા
હિંમતનગરમાં નકલી પોલીસ બનીને આઠ લાખ રૂપિયાનો તોડ કરનાર બે આરોપીઓની એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના એક મહિના પહેલા બની હતી, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ગત 10 ફેબ્રુઆરીના રોજ, આરોપીઓએ હિંમતનગરના એક વ્યક્તિ પાસેથી અફીણની પડીકી મંગાવી હતી. પડીક
જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં હાલ 'એક વ્યક્તિ અને બે હોદ્દા'નો વિષય ભારે ચર્ચામાં આવ્યો છે. પક્ષના શિસ્તબદ્ધ માળખામાં સામાન્ય રીતે એક વ્યક્તિને એક જ જવાબદારી સોંપવાનો નિયમ હોય છે પરંતુ, રવિનાબેન મેઘનાથી નામના કાર્યકરને શહેર અને જિલ્લા એમ બંને સંગઠનમાં સ્થાન મ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠવાડીયા ગામે રવિવારે સાંજે ખેતરમાં જવાના રસ્તાના જૂના વિવાદમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. 15 જેટલા વ્યક્તિઓના ટોળાએ ધારદાર હથિયારો અને લાકડીઓ સાથે પરિવાર પર હુમલો કરતા 31 વર્ષીય યુવાનની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી છે. આ હિંસક ઘટન
સાબરકાંઠા જિલ્લાના રાયગઢ ખાતે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા અને લોકોમાં સકારાત્મક વર્તણૂક પરિવર્તન લાવવા માટે સામાજિક વર્તણૂક પરિવર્તન સંચાર (SBCC) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયાની ઉપસ્થિતિમાં યોજા
વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ વધુ એક વખત પોતાની કાર્યદક્ષતા સાબિત કરી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના રહેવાસી કલ્પનાબેનના 2.600 કિલો વજન ધરાવતા નવજાત શિશુને જન્મજાત ગંભીર ખામી હોવા છતાં જટિલ સર્જરી દ્વારા નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું છે. શું હતી બાળકની ગંભીર
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જે એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં અવ્વલ ગણાતી હતી, તે નશાકીય પ્રવૃત્તિઓને કારણે બદનામ થઈ રહી છે. યુનિવર્સિટીના જેન્ટ્સ ટોયલેટમાંથી 9 અને ઓડિટોરિયમ પાસે 6 મળી કુલ 15 દારૂની ખાલી બોટલો મળી આવતા ભારે ચકચાર જાગી છે. આ ઘટનાએ યુનિવર્સિટીના
રાજકોટની ઐતિહાસિક અને ગાંધીજીના સંસ્કારોથી સિંચાયેલી રાષ્ટ્રીય શાળાની ભૂમિ પર રવિવારની સાંજ એક સુવર્ણ ઇતિહાસની સાક્ષી બની. જાણીતા હાસ્ય કલાકાર અને પદ્મશ્રી જગદીશ ત્રિવેદીએ પોતાના મિત્ર અને લોકપ્રિય લેખક-વક્તા જય વસાવડાના 50મા જન્મદિન નિમિત્તે આપેલું વચન પૂર્ણ કર્યું છ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 15 માર્ચના રોજ માનવતા અને કોમી એકતાનું અદભૂત દ્રશ્ય જોવા મળ્યું. રમજાનના પવિત્ર માસમાં જૂનાગઢના ચાવડા પરિવારે તેમના સ્વજન જેબુનબેનના અંગોનું દાન કરી સમાજને નવી દિશા ચીંધી છે. શ્રદ્ધા અને સેવાનો સંગમજૂનાગઢના કેશોદ પાસે અકસ્માતનો ભોગ બનેલા 51 વર
વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન ગૃહ વિભાગ સંબંધિત પ્રશ્નો પર ચર્ચા ગરમાઈ હતી. કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડીએ પ્રશ્ન પૂછતા પહેલા કહ્યું કે તેમને આશા છે કે સાચો જવાબ મળશે. આ નિવેદન પર અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમને ટોકી કહ્યું કે આ પ્રકારના આક્ષેપ યોગ્ય નથી અને આવા શબ્દોને રે
એલ.એમ. કોલેજ ઓફ ફાર્મસી દ્વારા 17 માર્ચના અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં ફાર્મા અન્વેષણ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના સહયોગથી રાજ્ય સ્તરનો ફાર્મા અન્વેષણ કાર્યક્રમ યોજાવાનો છે. આ કાર્યક્રમમાં ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં શૈક્ષણિક સંસ્થાના સ
રાજ્યની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વર્ષોથી ખાલી પડેલી ચિત્ર અને સંગીત શિક્ષકોની જગ્યાઓ ભરવા માટે બેરોજગાર ઉમેદવારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી એકઠા થયેલા શિક્ષિત બેરોજગારોએ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર પાઠવી નવી રાષ્ટ્રીય શિક્
સાંતલપુરના વૌવા ગામના એક યુવક પર તેની પત્ની સાથે આડા સંબંધ હોવાની શંકા રાખી ચાર શખ્સોએ દાત્રાણા રોડ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં યુવકને લાકડી અને લોખંડની પાઇપ વડે માર મારી ગંભીર રીતે ઇજા પહોંચાડવામાં આવી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયો હતો, અને સ
બિહારના પટના ખાતે 13થી 15 માર્ચ, 2026 દરમિયાન આયોજિત 21મી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર સેરેબ્રલ પાલ્સી (CP) માં ગુજરાતના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સાબરકાંઠા જિલ્લાના બે સેરેબ્રલ પાલ્સી ખેલાડીઓએ કુલ ત્રણ ગોલ્ડ મેડલ જીતીને રાજ્યનું
વલસાડ તાલુકાના રોલા ગામમાં પંચાયત વિવાદે નવો વળાંક લીધો છે. ભ્રષ્ટાચારના આક્ષેપો સામે સરપંચ, ડેપ્યુટી સરપંચ અને 400 જેટલા ગ્રામજનોએ આજે કલેક્ટર કચેરી પહોંચી પંચાયતના સમર્થનમાં આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમણે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. થોડા દિવસો પહેલા કેટલાક તત્વો
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ની સ્કુલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા તાજેતરમાં આરોગ્ય પ્રબંધમ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સતત 4થા વર્ષે યોજાયેલા આ કોન્કલેવનો મુખ્ય વિષય આર્ટિફિસિયલ ઇન્ટેલિજન્સ અને તકનીકના ઉપયોગ દ્વારા આરોગ્ય ક્ષેત્રનું સંચાલન રાખવામાં આવ
વડોદરા ગ્રામ્યમાં લાગતા ચાર પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. જિલ્લાના ભાદરવા, સાવલી, ડેસર અને મંજુસર પોલીસ મથકમાં છેલ્લા કેટલાક સમયમાં ઝડપાયેલ લાખો રૂપિયાના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ઓપરેશન પરાક્રમ હેઠળ મુદામા
મોરબીમાં સિરામિક કારખાનાઓમાં ગેસની અછતને કારણે કારખાનાઓ બંધ થઈ રહ્યા છે. આના પરિણામે હજારો શ્રમિકોએ રોજગારી ગુમાવી છે અને તેઓ પોતાના વતન પરત ફરી રહ્યા છે. વાંકાનેર રેલવે સ્ટેશન પર મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન જેવા રાજ્યોમાં જવા માટે મુસાફરોની ભીડ જોવા મળી રહી છે, જ્યાં ટિક
રાજ્યમાં આગામી મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થવાની છે ત્યારે ચૂંટણીઓના પડઘમ વચ્ચે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ દ્વારા 70 સભ્યોની કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. કારોબારી સભ્યોની સાથે વિશેષ આમંત્રિત સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી છે. શહેર ભાજપ પ્રમુખ

28 C