વડોદરાની એક શોર્ટ ફિલ્મને નેશનલ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ પહેલગામના નિર્દોષ ભારતીય સહેલાણીઓ પરના જીવલેણ હુમલા બાદ તેના બદલારૂપે પાકિસ્તાનમાં ભારતીય સેનાના ઓપરેશન સિંદૂરની આસપાસ વણાયેલી છે. આ ફિલ્મ આગામી મહિને ગોવામાં આયોજિત નેશનલ શોર્ટ ફિલ
રાઇટ ટુ એજ્યુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓમાં ધોરણ 1માં નિઃશુલ્ક પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4થી 17 એપ્રિલ સુધી યોજાશે. 338 સ્કૂલોમાં 4400 બેઠકો ગત વર્ષ કરતાં 400 બેઠકો ઘટી છે ગત વર્ષે 4800 બેઠકો હતી. ગત વર્ષે 11 હજાર કરતાં વધારે અરજી રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ પ્રવેશ
તરસાલીમાં અનુસૂચિત જાતીની હોસ્ટેલમાં ભોજન મુદ્દે હોબાળો થયો હતો. છાત્રાલયના વિદ્યાર્થીઓને ભોજનમાં પાણી વાળી કઢી તથા કાચો ભાત હોવાના મુદ્દો હંગામો થયો હતો. ગુણવત્તા વગરના ભોજનના પગલે હોબાળો થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડ હોસ્ટેલ પર પહોંચીને રોટલી શાક બનાવડાવ્યું હતું. તરસ
શહેરને સ્વચ્છ બનાવવા પાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. તંત્રે માર્ચના શરૂઆતના 26 દિવસમાં જ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી ₹24.88 લાખથી વધુનો દંડ વસૂલવાની કાર્યવાહી કરી છે. રાત્રીના સમયે કચરો ફેંકનારાઓને પકડવા માટે હાથ ધરાયેલી 43 નાઇટ ડ્રાઇવમાં પાલિકાએ મોટી કાર્યવાહી કરી છે. શહેર
ખોડીયાર નગરની કૃષ્ણવાટિકા સોસાયટીમાં રહેતા એરફોર્સ અધિકારીના પત્ની ચાલુ કુલરને અડી જતાં કરંટ લાગ્યો હતો. તેમને સયાજી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, અધિકારીના પત્ની સ્નાન કરીને બાથરૂમમાંથી નીકળ્યા હોવ
સમા-સાવલી રોડ પર સંમતિ પાર્ક સોસાયટીમાં દિગંબર જૈન સંપ્રદાયનું સૌથી મોટું પાષાણ મંદિર તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 29 માર્ચથી 3 એપ્રિલ સુધી 5 દિવસીય ‘પંચ કલ્યાણક મહોત્સવ’નું આયોજન કરાશે. આ મહોત્સવમાં દિગંબર જૈન ધર્મના અનેક સાધુ-ભગવંતો પધારશે.
વડોદરામાં જે વિસ્તારોમાં પીએનજી ગેસ લાઈન આવેલી છે, ત્યાંના સ્થાનિક લોકોને ગેસ લાઈન લેવા માટે તંત્ર જણાવી રહ્યું છે. બીજી તરફ પીએનજી લાઈન ધરાવતા લોકો પાસે જો સિલિન્ડર હોય તો તેને તાત્કાલિક સરન્ડર કરવા પણ આદેશ અપાયા છે. તેવામાં 1 મહિનામાં 5,500થી વધુ ગ્રાહકોએ પોતાના ગેસ સિલિન્ડ
ગુજરાત પ્રવાસે આવેલા આપના સંયોજક-દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કેજરીવાલે લોકો 20 વર્ષથી ભાજપને વોટ આપવા મજબૂર છે, મશીનમાં આપનું ત્રીજું બટન આવ્યું છે, તેવો હુંકાર કર્યો હતો. જામનગરથી રેલી
દાંડિયાબજાર બ્રિજ નીચે નદીના પટમાં ક્રોકોડાઈલ પાર્ક માટે બનાવેલી રેલિંગ ચોમાસામાં ધરાશાયી થઈ હતી. જોકે ચોમાસા વીતી ગયા બાદ ઉનાળો આવ્યો છતાં રેલિંગ હટાવવામાં ઉદાસીનતા દાખવી રહી છે. દાંડિયા બજાર બ્રિજ અને તેની આસપાસના વિસ્તારમાં 10 વર્ષ પૂર્વે ક્રોકોડાઈલ પાર્કની જાહેરાત બ
વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગરના ભાઈ કલ્પેશ ડાંગર અને તેની ટોળકીએ ફ્યૂચર સોલાર કંપની અને સિક્યુરિટી એજન્સીના કર્મી પર પોલીસની હાજરીમાં હુમલો કર્યો હતો. કરજણ રાજ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં ભાડાના ગોડાઉનમાંથી સામાન લેવા ગયેલા કર્મીઓ સામે કલ્પેશ ડાંગરે ફાયરિંગ કર્યું હોવાના આ
નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર કેન્દ્રના નિવેદન સાથે જોડાયેલા રહ્યા. સરકારે કહ્યું કે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. બીજા મોટા સમાચાર ઈરાન દ્વારા ઈઝરાયેલ પર મિસાઈલ છોડવા અંગેના રહ્યા. આ મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખેલું હતું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. દિલ્
મોરબીના રમતવીરો તેમજ નિયમિત વોક અને વહેલી સવારે દોડીને કે વિવિધ પ્રકારની કસરત કરી શરીરને સૌષ્ઠવ બનાવતા લોકોની મનપા અને વહીવટી તંત્રના પાપે ફરી એકવાર કઠણાઈ સર્જાઈ છે. સામાકાંઠે રાજાશાહી વખતના ઐતિહાસિક એલ.ઇ. ગ્રાઉન્ડને જે તે સમયે રાજવી પરિવારે મોરબીની જનતાના રમત ગમત માટે જ
મોરબીમાં હોટલો, રેસ્ટોરન્ટ, ચાઈનીઝ, પંજાબી સહિતના જંકફૂડ અને ચટપટી વાનગીના નાસ્તાની દુકાનોમાં શુદ્ધત્તાના નામે ભેળસેળ યુક્ત અને વાસી ખોરાક લોકોના પેટમાં પધરાવીને આરોગ્ય સાથે ચેડાં થતા હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે મનપાની ફૂડ શાખા માત્ર હાજરી પુરાવતી હોય તેવી કામગીરી વચ્ચ
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસને નવી ગતિ આપતા મહત્વના પ્રોજેક્ટ્સ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જ બાદ, શહેરના આયોજનબદ્ધ વિકાસ અને નાગરિકોની સુવિધાઓમાં ધરખમ સુધારો કરવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. મોરબી મહાનગરપાલિકાના
વઢવાણ તાલુકાના અનેક ગામડાઓને જોડતા માર્ગો આવેલા છે. ગુંદીયાળા તરફનો માર્ગ પણ આમ વઢવાણ તરફ ખોલડીયાદ, માળોદ તેમજ બીજી તરફ વસ્તડી તેમજ સામા કાંઠે આવેલા મેલડી માતાના મંદિર તરફ જવા માટે રાહદારીઓ, વાહનચાલકો તેમજ ભક્તો આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ ગુંદીયાળા તરફના રોડ પર ભય
સુરેન્દ્રનગર- વઢવાણ સંયુક્ત નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ કામોએ ગતિ પકડી છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે. વઢવાણ શહેરમાં રેલવે મેદાનના પાણીના અવાડાથી વડ સુધીના મુખ્ય માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું છે. જોકે, આ દરમિયાન મુસાફરો મ
સુરેન્દ્રનગર જિલ્લાના બેરોજગાર યુવાનોને સ્થાનિક સ્તરે જ રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા મેગા જૉબ ફેર – રોજગાર સેતુ 2026 નું ભવ્ય આયોજન કર્યુ હતુ. એસ.જે. વરમોરા મહિલા કોલેજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણ અને ઉદ્યોગ જગત
સુરેન્દ્રનગર જિલ્લામાં ગુનાઓ કરીને ભાગતા ફરતા આરોપીઓની હવે ખેર નથી.કારણ કે રાજકોટ રેંજ આઇજીએ રેંજના ગામો ના કુલ 29 ગુનેગારોની યાદી તૈયાર કરી છે. જેમાં સુરેન્દ્રનગરના 5 આરોપીનો સમાવેશ કર્યો છે. આટલુ જ નહી પરંતુ આ આરોપીની ભાળ આપનારને રૂ.20 હજાર ઇનામ અપાશે . રાજકોટ રેંજનો ચાર્જ શં
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો પૂરો પાડવાની સાથે સાથે બાકી લેણાંની વસૂલાત માટે કાર્યવાહી કરાઇ છે. પીજીવીસીએલ નિગમિત કચેરી, રાજકોટના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર વર્તુળની તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા બાકી
સુરેન્દ્રનગર સંયુકત પાલિકા બનતાની સાથે શહેરમાં જાહેરાત માટેના મોટા મોટા બેનરોનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે.આ મોટા બેનર પર પોતાના પોસ્ટર લગાવવાનો ચાર્જ વધુ થતો હોય છે. જેને કારણે શહેરના વેપારીઓ કે ધાર્મિક કાર્યક્રમો કરનાર સંસ્થાઓ મનપાએ શહેરમાં ઉભા કરેલા વિજપોલ ઉપર પોત
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે 65835 હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયુ છે.બઝારમાં ચણાના ભાવ નીચા છે ત્યારે વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં શુક્રવારે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી.જેમાં 30 ખેડૂતો પાસેથી 90 મણ લેખે રૂ.1150ના ભાવે 2700 મણ ચણાની ખરીદી કરવામાં આવી હતી. જિલ્લામાં 65835 હેકટર જમીનમ
શેઠની શિખામણ ઝાપા સુધી’ આ કહેવત જિલ્લામાં મથક એવા સુરેન્દ્રનગરમાં આવેલી સરકારી કચેરીઓમાં ખરા અર્થમાં સાર્થક થાય છે. તા.23 ફેબ્રુઆરીએ જિલ્લા કલેક્ટર કચેરીમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ પ્રોગ્રામની બેઠક મળી હતી. તેમાં જ ભાસ્કર રિયાલીટી ચેક કર્યું હતું. ત્યારે કલેકટરની કાર ઉ
જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 2માં આવેલ પૂજા પાર્ક સોસાયટીમાં લાબા સમયથી નવા રોડ માટે ખોદકામ કરાયુ છે. પરંતુ હજુ સુધી રોડ ન બનતા ધૂળ્યા માર્ગથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. જેને લઇને મુખ્યમંત્રી, કમિશનરને રોડ માટેની રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ કે, પુજા પાર્ક સોસાયટીમાં હજુ સુધી
જામનગર-રાજકોટ હાઈવે પર ધુંવાવ ગામ દુકાનના ઓટલા ઉપર સુતેલા વૃધ્ધને અજાણ્યા વાહન ચાલકે ચગદી નાંખતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જે અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. શહેરના મોરકંડા રોડ, સનસીટી-1ની સામે રાજ સોસાયટીમાં રહેતા મહમદહુશેનભાઈ ઓશમાણભાઈ મોગલ નામના ય
જામનગર શહેરમાં ખંભાળિયાગેટ પાસે ચાલુ બાઈકે યુવાન ઉપર હુમલો કરીને તિક્ષ્ણ હથિયારોના ઘા મારીને હત્યાની કોશિષ કર્યાની ચાર શખસો સામે ફરિયાદ નોંધાઈ છે. લોઠીયા ગામે ડી.જે.ની લાઈટ ચાલુ બાબતે ઝગડો થયો હોવાનો ખાર રાખીને હુમલો કરાયો હતો. શહેરના વિયાના પાર્ક, ન્યુ 80 ફુટ રોડ ઉપર રહેતા
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ નજીક આવી રહી છે. ત્યારે જામનગરમાં મુખ્યમંત્રીના સચિવ અને અગાઉ ડીડીઓ રહી ચુકેલા ડો.અજયકુમાર જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ કમિશનર અને પુર્વ પદાધિકારીઓ સાથે વાતચીત કરી હતી. હાલ વહીવટી શાસન હોવાથી લોકોના કામ અટકવા ન જોઈએ તેવી સૂચના આપી હતી. મુખ્
જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખાની ટીમ દ્વારા હાથ ધરાયેલી મિલકતો સીલ કરવાની કડક ઝુંબેશમાં શુક્રવારે વધુ બે મિલકતો સીલ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 50 જેટલી મિલકતો છેલ્લા મહિનાઓમાં સીલ કરવામાં આવી છે. આ તંત્રની આ કામગીરીથી વેરો ન ભરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. તો
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગત ગુરૂવારે લગભગ 40થી50 કિ.મી.ની ઝડપે મીની વાવાઝોડુ ફુંકાયુ હતુ.તોફાની પવન સાથે કમૌસમી વરસાદથી મોટા ભાગના સ્થળોએ વીજ પુવરઠો ખોરવાય ગયો હતો.જોકે, અમુક સ્થળોએ કલાકોમાં જ વીજળી પુર્વવત થવા પામી હતી.જયારે જિલ્લાના ગ્રામ્ય સહિતના પંથકમાં વીજ
જામનગર શહેર-જીલ્લામાં પોલીસ તંત્ર દ્વારા સંખ્યાબંધ સ્થળોએથી દેશી-વિદેશી દારૂ પકડી પાડવામાં આવે છે, તેમ છતા દારૂ બંધી અટકતી નથી. જેથી આવા દારૂની લતમાંથી લોકોને છોડાવવા માટે આયુર્વેદિક હોસ્પિટલની મદદ મેળવીને રીહેબીલીટેશન સેન્ટર શરૂ કરવામાં આવે, તેવી પુર્વ કોર્પોરેટર રચન
વડીયા શહેરના કૃષ્ણપરા વિસ્તારમાં ગૃહકલેહને કારણે એક યુવતીએ પોતાના શરીરે કેરોસીન છાંટી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનામાં યુવતી ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ગઈકાલે સવારે 9 વાગ્યાના સમય દરમિયાન વડીયામાં રહેતા મી
પ્રેટોલ-ડીઝલના પેનીક વચ્ચે લોકોમાં ભાવ વધારો કરશેે તેવું લાગ રહ્યું હતું પરંતુ સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા પેટ્રોલમાં પ્રતિ લિટર 10 એક્સાઇઝ ડ્યુટી ઘડાટી 3 કરી અને ડીઝલમાં પણ 10 એક્સાઇઝ ડ્યુટી ઘટાડતા શૂન્ય થતા ભાવ વધારો નહીં થવાન આશા બંધાઇ છે. ભાસ્કર ન્યૂઝ| અમરેલી અમરેલીમાં
અમરેલીમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ 21.2 ડિગ્રી નોંધાયું હતું. અમરેલીમાં દિવસે દિવસે આકરી ગરમી પડી રહી છે. સાથે હવામા ભેજનું પ્રમાણ વધારે રહેતા ઉકળાટ વધુ રહ્યો હતો. અમરેલીમાં આજે હવામાં ભેજનું પ્રમાણ 71 ટકા નોંધાયું હતું. જેના કારણે ગરમી સાથે ઉકળા
સમગ્ર અમરેલી જિલ્લામાં પુરતા પ્રમાણમાં ગેસ સીલીન્ડરનો જથ્થો આવતો હોવા છતાં પેનીક બુકીંગના કારણે મોટા પ્રમાણમાં ગેસ સીલીન્ડરની નોંધણી થઈ રહી છે. સાવરકુંડલામાં તો લોકો કાળા તડકામાં રીફીલ બુકીંગ અને ચીઠ્ઠી માટે ચાર કલાક લાઈનમાં રહ્યા બાદ સીલીન્ડરની ડીલેવરી મેળવવા માટે પણ
ધારી તાલુકાના દલખાણીયા ગામના બે યુવાનો ગઈરાતે મોટરસાઈકલ લઈ સેમરડી ગામ નજીકથી પસાર થતા હતા. ત્યારે અહીં જુનો પુલ તોડી અહીં નવો પુલ બનાવવાનું કામ ચાલુ હોય અને યોગ્ય સાઈન બોર્ડ ન હોય તેનું બાઈક સીધું જ ખાડામાં ખાબક્યું હતું. આ ઘટનામાં એક યુવકનું મોત થયું હતું. જ્યારે બીજા યુવક
અમરેલી જિલ્લામાં ઉનાળાની ઋતુ શરૂ થતાં જ પરંપરાગત રીતે બટાટાની વેફર બનાવવાની પ્રવૃત્તિ ફરી તેજ બની છે. શહેરથી લઈને ગામડાઓ સુધી મહિલાઓ દ્વારા ઘરઆંગણે બટાકાની વેફર બનાવવાનું કામ મોટા પાયે શરૂ થયું છે. પરિવાર માટે વર્ષભર ઉપયોગ માટે તેમજ કેટલાક પરિવારો દ્વારા વેચાણ માટે પણ વે
નાંદોદ તાલુકાના જુના ઘાંટા ગામનો એક યુવાન નજીકના ગામની સગીર વયની બાળાને લલચાવી-ફોસલાવીને અપહરણ કરી ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે આમલેથા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી પંચમહાલના એક ફાર્મહાઉસમાંથી બંનેને હસ્તગત કર્યા છે. પ્રાપ્ત મ
તિલકવાડા તાલુકામાં ગણોતધારા હેઠળ ચાલતા કેસમાં આખરે ખેડૂતોનો વિજય થયો છે.કોર્ટના આદેશ બાદ 600 જેટલા ખેડૂતોને તેમની જમીન પ્રાપ્ત થશે. તિલકવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના અંદાજે 600 જેટલા ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે. વર્ષ 1960થી ચાલતા ગણોત ધારા હેઠળના જમીન વિવાદમાં ખેડૂતો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની એક વિધવા મહિલાએ સસરાના અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી છુટકારો મેળવવા 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. નશાની હાલતમાં સસરા દ્વારા અવારનવાર કરવામાં આવતા ઝઘડા અને તોડફોડના મામલે અભયમ ટીમે સ્થળ પર પહોંચી બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી મહિ
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા PM-KUSUM યોજના અંતર્ગત નર્મદા જિલ્લાના અંતરિયાળ એવા દેડીયાપાડા તાલુકાના જુના મોઝદા ગામે સોલાર કૃષિ પંપ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યો છે. રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવિણ માળીએ આ પ્રોજેક્ટનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, આ યોજ
ફરિયાદી શ્રીકાંત પચિમ દીપએ આપેલી પોલીસ ફરિયાદ મુજબ 16 સપ્ટેમ્બર 2025ના રોજ તે તેમના કોન્ટ્રાક્ટર પાસેથી ₹ 6, 800 પગાર લીધા પછી તેના રૂમમાં પાછો ફરી રહ્યો હતો. દમણના બેંક ઓફ બરોડા નજીક બે અજાણ્યા વ્યક્તિઓ તેનો સંપર્ક કર્યો હતો. તેમાંથી એકે બેંકમાં જમા કરાવવા માટે ₹ 1, 70,000 હોવાનું દાવો
55મા રાષ્ટ્રીય સુરક્ષા દિવસ માસિક ઉજવણી સમારોહનું વલસાડના અતુલ કંપની દ્વારા ભવ્ય આયોજન કરાયું હતું. ડેપ્યુટી ડાયરેક્ટર, ડિશ ડાયરેક્ટોરેટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ એમ. સી.ગોહિલ અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યાહતા. આ નિમિત્તે એક રેસક્યુ મોક ડ્રિલ અને સુરક્ષા પર્વમાં કં
ધરમપુરના કેટલાક ગામોનો સૂકા વિસ્તાર હોવાથી હોળી પછી ઉનાળામા કુવા, બોરના જળ સ્તર નીચા જતા મુખ્યત્વે ખેડૂતોને પીયત માટે અંશતઃ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. દિવ્યભાસ્કર ટીમના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આ સમસ્યા ધ્યાનમાં આવી છે. ભવિષ્યમા સંભવિત વકરનારી આ સમસ્યાનો ઉપાય નદી પર
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સહ-પ્રવક્તા અને મીડિયા ટીમના સહ-કન્વીનરશ્રીઓની જાહેરાત કરવામાં આવી છે, જેમાં વલસાડ-ડાંગના સાંસદ અને લોકસભાના દંડક ધવલભાઈ પટેલને પ્રદેશ સહ-પ્રવક્તા તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. તેમની સંગઠનાત્મક કુશળતા અને પ્
વલસાડના છરવાડા ગામે શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવના શહીદ દિને હિન્દુ સેના અને અતુલ રૂરલ ડેવલપમેન્ટ ફંડના સહયોગથી રક્તદાન શિબિર યોજાઈ હતી. 'સંગઠિત હિન્દુ, સુરક્ષિત હિન્દુ'ના સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં યુવાનોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો, જેમાં કુલ 155 બોટલ રક્ત એકત્ર થય
ચીખલી તાલુકાના હરણગામમાં આવેલ ઐતિહાસિક દેસાઈ તળાવને લઈને વિવાદ હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. તળાવ ઊંડું કરવાની શક્ય કાર્યવાહી સામે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે અને જિલ્લા વહીવટીતંત્ર કડક વિરોધ નોંધાવ્યો છે. જ્યારે અગાઉ ચીખલી તાલુકા વિકાસ અધિકારીને પણ વિરોધ નોંધ
આલીપોર બ્રિજ પાસે ડાયવર્ઝનને પગલે નેશનલ હાઈવે પર જીવન જોખમે રોડ ક્રોસ કરતા વાહનોમાં અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે. હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીભર્યા કારભારમાં નિર્દોષ વ્યક્તિનો જીવ જોખમાય તો નવાઈ નહીં. ચીખલીના આલીપોર પાસે વસુધારા ડેરી સ્થિત ઓવરબ્રિજ નીચે છેલ્લા ચાર-પાંચ
નવસારી જિલ્લામાં ત્રણ વ્યક્તિએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. પ્રાથમિક તપાસમાં આ ઘટનાઓ પાછળ પ્રેમ પ્રકરણ, બીમારી અને માનસિક તણાવ જેવા કારણો જવાબદાર હોવાનું સામે આવ્યું છે. જલાલપોરના ઝંડા ચોક વિસ્તારમાં રહેતા 51 વર્ષીય ભીખુભાઈ શાનાભાઈ નાયકા લાંબા સમયથી ફેફસામાં પાણી ભરાઈ જવ
કાંઠા વિભાગ ફ્રેન્ડશીપ ટ્રસ્ટ દ્વારા 62 ગામના મહિલા મંડળોના સભ્ય બહેનો માટે 300 બહેનોની વિશાળ હાજરીવાળા કિચન ગાર્ડન પરિસંવાદ અને આ હાજર રહેલા 312 બહેનોને શાકભાજીના કિટસનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેનેડા સ્થિત બળવંતભાઇ પટેલ તથા આટના અરવિંદભાઇ પટેલ પ્રસ્તુત આ પરિસંવાદમાં
નવસારીમાં સરકારી એક ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં સફળતા મળ્યા બાદ સાધારણ વર્ગના બાળકો માટે હવે મનપાએ બીજી સ્કૂલ ખોલવાનો નિર્ણય કર્યો છે. નવસારીમાં પાલિકા હતી ત્યારે આજથી 5 વર્ષ અગાઉ પાંચહાટડી વિસ્તારમાં ઇંગ્લીશ માધ્યમ સ્કૂલ શરૂ કરી હતી. વિનામૂલ્યે અહીં અભ્યાસ કરાવવામાં આવતો હ
ઘરેલુ ગેસ સિલિન્ડરની મારામારી વચ્ચે મહેસાણા શહેરમાં PNG (પાઇપ્ડ નેચરલ ગેસ)ની માંગમાં રોકેટગતિએ વધારો નોંધાયો છે. સામાન્ય રીતે દર મહિને અંદાજે 300 લોકો જોડાણ મેળવતા હતા. ત્યાં 22 માર્ચ બાદ માત્ર ત્રણ દિવસમાં 300થી વધુ લોકોએ PNG ગેસ માટે અરજી કરી છે. નાગલપુર હાઇવે સ્થિત સાબરમતી ગેસ કંપ
કહેવાય છે કે હિંમતે મર્દા તો મદદે ખુદા જ્યારે જીવનના તમામ રસ્તાઓ બંધ જણાતા હોય ત્યારે અડગ મનોબળ અને પરિવારનો સાથ માણસને શૂન્યમાંથી સર્જન કરવાની શક્તિ આપે છે. સુરતના હીરા ઉદ્યોગમાં 22 વર્ષ સુધી રત્નોને પાસા પાડનાર એક સામાન્ય કારીગર આજે પોતાના સંઘર્ષ અને સ્વાદથી આખા શહેરમાં
અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં ગેલેક્સી ચાર રસ્તા પાસે આવેલી એક સોસાયટીમાં યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતી નોકરીથી ઘરે પરત ફરતી હતી ત્યારે સોસાયટીમાં બાઈક લઈને બે શખ્સ આવ્યા હતા અને યુવતી પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યો હતો, જેથી યુવ
અમદાવાદમાં સાયબર ઠગાઈના બે ચોંકાવનારા બનાવ સામે આવ્યા છે. જેમાં સાયન્સ સિટી વિસ્તારમાં સીમ સ્વેપિંગ દ્વારા 1.07 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જ્યારે રામોલ વિસ્તારમાં ટ્રાફિક ચલાણના નામે એપીકે ફાઈલ મોકલી 14.05 લાખ રૂપિયાની ઉઠાંતરી કરવામાં આવી છે. બંને કેસમાં સાયબર ગઠ
સુરેન્દ્રનગર LCBએ પાણસીણા પોલીસ સ્ટેશન વિસ્તારના કટારીયા ગામની સીમમાં થયેલ સોલાર પ્લેટની ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ₹2,16,000ની કિંમતની 24 સોલાર પ્લેટ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS)એ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા
વાપીમાં રામનવમીના પાવન પર્વે ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રામાં હજારોની સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. આ વર્ષે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવો દેખાવ ધરાવતા સાધુ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ શોભાયાત
વેરાવળના વોર્ડ નંબર 1 માં આવેલી હરસિદ્ધિ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટના વેરાવળ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન બની હતી. નગરપાલિકાના કર્મચારીઓ નળની લાઈન માટે ખોદકામ કરી રહ્યા હતા ત્યારે ભૂગર્ભમાં રહેલી ગેસ લાઈનને ન
વિશ્વભરમાં વધી રહેલી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા અને જળવાયુ પરિવર્તનના ખતરા સામે લડવા માટે દર વર્ષે 'વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર' દ્વારા અર્થ અવર નું આયોજન કરવામાં આવે છે. આ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે, સુરત મહાનગરપાલિકાએ શહેરના તમામ નાગરિકોને આવતીકાલે, 28 માર્ચ 2026, શનિવારના રોજ ર
પાટણ તાલુકાના ચંદ્રુમાણા ગામમાં આવેલા આઈ જામબાઈ મૈયા શક્તિપીઠ અને જોગણી માતાના મંદિરે રામનવમી નિમિત્તે યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શુક્રવારે દેસાઈ ગોવિંદભાઈ વરવાભાઈના યજમાનપદે સંપન્ન થયો હતો. યજ્ઞના મુખ્ય યજમાન તરીકે ગોવિંદભાઈ દેસાઈ અને તેમના પુત્ર રામેશ્વર દેસ
નવસારી-અમલસાડ રોડ પર આજે એક માર્ગ અકસ્માત થયો હતો. અમલસાડથી નવસારી જતી એસટી બસ અને સામેથી આવતા મોપેડ વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાન ઇજાગ્રસ્ત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)
પત્નીના અવસાન બાદ એક સિનિયર સિટિઝન પિતા દ્વારા પોતાના જ પુત્ર અને પુત્રવધૂ વિરુદ્ધ કરેલી ભરણપોષણ તેમજ ઘર ખાલી કરાવવાની અરજી મેન્ટેનન્સ ટ્રિબ્યુનલે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે, પિતા પાસે પૂરતી મિલકત અને રકમ હોવા છતાં પુત્ર પાસે ખોટી રીતે ભરણપોષણની માંગ કરવામાં
ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને રાજ્યના વિકાસ કમિશનર દ્વારા ગાંધીનગર જિલ્લા સહિતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં આગામી ટર્મ માટે પ્રમુખ પદના રોટેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ નવા જાહેરનામા મુજબ ગાંધીનગર જિલ્લા પંચાયતનું
દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં મોખરાનું સ્થાન ધરાવતા સુરત માટે ફરી એકવાર પોતાની પ્રતિષ્ઠા જાળવી રાખવાનો સમય આવી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26 માટેની ગાઈડલાઈન્સ અને મહત્વની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ વખતે એપ્રિલ મહિનાથી જ સ્વચ્છતા સર્વેક્ષણની પ્રક
ચંદ્રુમાણા ગ્રામ પંચાયતની બેઠકમાં 60% વેરા વસૂલાત થતાં પ્રથમવાર સફાઈ માટે સરકારી ગ્રાન્ટ મળવાપાત્ર થઈ છે. આ સાથે, ગામના આયુષ્માન મંદિરની જગ્યા અંગેના ઠરાવ પર સભ્યોની સર્વસંમતિ સધાઈ હતી. સરપંચ કાજલબેન ચેતનભાઈ વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જણાવાયું હતું કે ગ્રામ
મહેસાણા જિલ્લામાં પાઇપ્ડ નેચરલ ગેસ (PNG)ના નેટવર્કને વધુ મજબૂત બનાવવા અને છેવાડાના માનવી સુધી આ સુવિધા પહોંચાડવા માટે જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી અને સાબરમતી ગેસ કંપનીના પ્રતિનિધિઓ ઉપસ્થિત ર
ભાવનગરના હિમાલિયા મોલ સ્થિત મેક્સેસ સિનેમામાં તા.25 માર્ચના રાત્રિના ધુરંધર મુવીની ટિકિટ મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બની મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સુધી પહોંચી હતી. એડલ્ટ ફિલ્મ માટે સગીરને ટિકિટ આપવાનો ઇનકાર કરતા ઉશ્કેરાયેલા શખસે પહેલા બોક્સ ઓફિસમાં ઘુસી કર્મચ
સુરત મહાનગરપાલિકા હાલમાં આવકના નવા સ્ત્રોત ઉભા કરવા માટે મથામણ કરી રહી છે. એક તરફ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા કડક કાર્યવાહીના આદેશો આપવામાં આવ્યા છે, તો બીજી તરફ તંત્રના જ કેટલાક અધિકારીઓની આંખ આડા કાન કરવાની નીતિને કારણે શહેરભરમાં પાલિકાની મિલકતો પર ગેરકાયદેસર
પાટણવાસીઓની લાંબા સમયની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. પાટણ ખાતે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) ના ધોરણે ₹17 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા નવનિર્મિત આઈકોનિક બસપોર્ટનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું. લોકાર્પણ બાદ મંત્રીએ ટિકિટ બારી સહિતના સ્થળો
સ્માર્ટ સિટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર સુરત હવે વહીવટી ક્ષેત્રે પણ દેશનું રોલ મોડેલ બનવા જઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પાલિકાના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી ફેરફાર લાવવાની જાહેરાત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા હવે તેની તમામ વિકાસ
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે કિન્નર સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રિની ઉજવણી કરવામાં આવી હતી. નવ દિવસના અનુષ્ઠાન બાદ આજે જવારા વિસર્જન યાત્રા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસથી જ ગોધરાના કિન્નર સમાજ દ્વારા માતાજીના જવારાનું
ખાડી યુદ્ધની વૈશ્વિક અસરો અને યાર્નના આસમાને પહોંચેલા ભાવને કારણે વિવર્સની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિમાં ઉદ્યોગને બચાવવા માટે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશન (FOGWA) દ્વારા હાથ ધરવામાં આવેલા ગૂગલ ફોર્મ સર્વેના ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. સર્વેમાં સામેલ 85%
મુમતાઝબેન અયુબભાઈ પઢાણા (ઉં.વ.42)એ આજે મોડી રાત્રિના 1 વાગ્યા આસપાસ પોતાના ઘરે ફીનાઈલ પી લીધું હતું. આ ઘટનાની જાણ થતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હાલ તેમની સારવાર ચાલી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ ઘટના પાછળનુ
વેરાવળ સોમનાથ ચોકડી પાસે આવેલી હોટલ પુષ્પના જનરેટરમાં અચાનક આગ લાગી હતી. આ ઘટનાની જાણ થતાં જ વેરાવળ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.ફાયર વિભાગના કર્મચારીઓ હરપાલભાઈ ખેર અને સુનિલભાઈ ચુડાસમાએ ઝડપથી કાર્યવાહી કરીને જનરેટરમાં લાગેલી આગને કાબુમાં લીધી હતી. આ આ
પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા આગામી તા. 28 અને 29 માર્ચ, 2026ના રોજ રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોના પ્રવાસે આવી રહ્યા છે. આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ રાજકોટ શહેર, ઉપલેટા વિવિધ લોકાર્પણ સામાજિક સેવા અન
ગોધરાના રામસાગર તળાવ ખાતે પ્રભુ શ્રીરામની 3 ટન વજનની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રતિમા આશરે એક કરોડ રૂપિયાના ખર્ચે પંચધાતુમાંથી નિર્મિત કરવામાં આવી છે અને તે ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનશે. શહેરના મધ્યમાં આવેલા આ પૌરાણિક તળાવ ખાતે આજે શ્રીરામની પ્રતિમાનું
એલસીબી પોલીસે પૂર્વ બાતમીના આધારે હલધરૂ ગામની સીમમાં એક્સપ્રેસ હાઇવે નંબર-૪ પરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો. પોલીસે કુલ ૧૯ લાખ ૧૧ હજારથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, એલસીબી પોલીસને બાતમી મળી હતી કે અશોક લેલેન્ડ ટ
જૂનાગઢ ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં 'સ્વાભિમાન સંમેલન' અને 'લોક દરબાર' કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ જીગ્નેશ મેવાણી 26 જેટલા પડતર મુદ્દાઓને લઈ કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જૂનાગઢના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વહીવટી ત
ગયા અઠવાડિયે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાંએ વડાપ્રધાન મોદીને ફોન કર્યો. તેમણે કહ્યું કે BRICS (બ્રિક્સ) સંગઠને ઈરાન પર થઈ રહેલા હુમલાઓને રોકવામાં ભૂમિકા ભજવવી જોઈએ. બ્રિક્સે કોઈ પણ પ્રકારના દબાણ વગર કામ કરવું જોઈએ. ઈરાનને હવે આંતરરાષ્ટ્રીય સંગઠનો પર ભરોસો છે કે યુદ્ધ અટકવુ
પાટનગર ગાંધીનગરમાં ધર્મ છુપાવી હિન્દુ યુવતીઓને પ્રેમજાળમાં ફસાવવાના વધતા કિસ્સાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સેક્ટર-26માં રહેતા અલ્તાફ લુહાર નામના યુવકે પોતાનું સાચુ નામ અને ધર્મ છુપાવી સાહિલ દેસાઈ બની સેક્ટર-24ની સગીરાનું શારીરિક શોષણ કર્યું હોવાનું બહાર આ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે આગામી 29 માર્ચના રોજ યોજાનારા 10મા પદવીદાન સમારોહ માટે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, તે દરમ્યાન vc આવતા જ abvp કાર્યકરો ઘસી આવી હોબાળો મચાવ્યો હતો, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા યુનિવર્સિટી પ્રશાસન પર વિદ્યાર્થ
જૂનાગઢ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષના ધારાસભ્યોએ વહીવટી તંત્રની ઢીલી કામગીરી અને પ્રજાકીય પ્રશ્નોના ઉકેલમાં થતા વિલંબ સામે ઉગ્ર નારાજગી
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા પર થયેલા દુષ્કર્મ અને ગેંગરેપ કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે. બોટાદ સ્પેશ્યલ પોક્સો કોર્ટે આ કેસમાં ઝડપાયેલા આઠ આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. જે આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે તેમાં ઘૂલી નાગરભાઈ રાઠો
રાજકોટ રેન્જના આઈ.જી. નિર્લિપ્ત રાયે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 13 વોન્ટેડ આરોપીઓ અંગે માહિતી આપનારને રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે. આ માહિતી આપનાર વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવી બાંહેધરી પણ આપવામાં આવી છે. આઈ.જી. રાયે ચાર્જ સંભાળ્યા બાદ કુલ 29 વોન્ટેડ આરોપ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા સંગઠનાત્મક સ્તરે તૈયારીઓ તેજ કરવામાં આવી છે. નિરીક્ષકોની નિમણૂક માટે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ છે, જેમાં જિલ્લા પ્રમુખો અને પ્રભારીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં ચૂંટણી કામગીરી, ઉમેદવારોની પસંદગી અને સં
પાટણની વિશ્વ ધરોહર રાણકી વાવ ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ ઉમેરાયું છે. આશરે 18 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા 3D લેઝર શોનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 માર્ચના રોજ ઓનલાઈન કરશે. આ શો રાણકી વાવના સમૃદ્ધ ઇતિહાસને ઉજાગર કરશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને ભારત સરકારના પુરાતત
રાજ્ય સરકારે તાજેતરમાં વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. IAS અધિકારીઓની નવી નિમણૂકો, મહેસુલ વિભાગમાં બદલી-બઢતી, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ટ્રાન્સફર તેમજ મામલતદાર કક્ષાએ પ્રમોશન જેવા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ ફેરફારોને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત
રાજકોટમાં શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદે આજે નવો વળાંક લીધો છે. શિક્ષિકા દ્વારા નોંધાવવામાં આવેલી દુષ્કર્મની ફરિયાદ બાદ, આરોપી વિદ્યાર્થીએ આજે સોશિયલ મીડિયા પર 16 મિનિટનો વીડિયો વાઇરલ કરી ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. વીડિયોમાં યુવકે ગંભીર આક્ષેપો કર્યા છે કે, ડ
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ફુલગ્રામ ગામે આડા સંબંધોના મુદ્દે સસરાની હત્યા કરવામાં આવી છે. પુત્રવધૂ, તેના પ્રેમી અને અન્ય એક શખ્સે મળીને સસરાને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે માર મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. જોરાવરનગર પોલીસે આ મામલે એક મહિલા સહિત ત્રણ આરોપીઓન
પાલડીની અંકુર વિદ્યાલયમાં ગઈકાલે (26 માર્ચે) રામનવમીની જાહેર રજા હોવા છતાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખતા વિવાદ થયો છે. જાહેર રજા હોવા છતાં વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવતા કેટલાક વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધ
પાટડીમાં આકરા ઉનાળાને ધ્યાનમાં રાખીને મફત ઠંડી છાશ સેવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રામ નવમીના પવિત્ર દિવસથી શરૂ થયેલું આ સેવા કેન્દ્ર વિજય ચોક, ગાડી દરવાજા અંદર કાર્યરત થયું છે અને સમગ્ર ઉનાળા દરમિયાન ચાલુ રહેશે. આ સેવાના મુખ્ય દાતાઓમાં પાટડીના વતની અને હાલ સુરત
સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજસ્થાન અને ગુજરાતના સીમાવર્તી વિસ્તારોમાં કરા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાતા, ખેતીવાડી વિભાગ એલર્ટ બન્યું છે અને ખેડૂતોને સાવચેતીના સૂચનો કર્યા છે.

27 C