અમદાવાદ શહેરને ધૂળ અને પ્રદૂષણ મુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કન્સ્ટ્રક્શન એન્ડ ડિમોલિશન (CD) વેસ્ટના નિકાલ માટે અભૂતપૂર્વ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે. હવે શહેરીજનોએ ઘરના રિનોવેશન કે બાંધકામ દરમિયાન નીકળતા કાટમાળ (ડેબ્રિજ)ના નિકાલ માટ
બોટાદ શહેરની કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, બોટાદ દ્વારા વિવિધ પ્રકાશનો અને સાહિત્યનું વિતરણ કરાયું. ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આ પ્રકાશનો તૈયાર કરવામા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી, ગોધરા ખાતે 'ઇન્ટિગ્રેટેડ સ્પાઇન કોન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. બાલાજી ગ્રુપ ઓફ ફિઝિયોથેરાપી દ્વારા આયોજિત આ કોન્ફરન્સમાં લંબર સ્પાઇન અને સ્પોન્ડિલોસિસ જેવી સ્પાઇન સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી. કોન્ફરન્સમાં વડોદરા અને પં
વેરાવળ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર 4 સ્થિત આંબેડકર નગરના રહીશો દ્વારા આજે પાલિકા કચેરીએ ઉગ્ર હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે રહેવાસીઓ થાળી-વેલણ લઈ કચેરીએ પહોંચ્યા હતા અને નિંદ્રાધીન તંત્રને જગાડ
પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતકુમાર ભાટીયાએ મુખ્યમંત્રીને પત્ર લખી પાટણ શહેરમાં 'મુખ્યમંત્રી શહેરી બસ સેવા' તાત્કાલિક શરૂ કરવાની માંગ કરી છે. શહેરના વધતા વિસ્તાર અને વસ્તીને ધ્યાનમાં રાખીને આ રજૂઆત કરવામાં આવી છે. અગાઉની સિટી બસ સેવા બંધ થવાથી નાગરિકોને ખાનગી વાહનો પર
સુરત ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં IIT ખડગપુરના પાસઆઉટ અને ભારત સરકારના પૂર્વ સલાહકાર વિપ્ર ગોયલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત @ 2047'ના સ્વપ્નને સાકાર કરવા માટેનો રોડમેપ રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારતને આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે વાર્ષિક 12% ના આર્થિક વિકા
આણંદ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે, જેમાં કુલ 15,89,187 મતદારોનો સમાવેશ થાય છે. કલેકટર કચેરી આણંદ ખાતે નિવાસી અધિક કલેકટર આર. એસ. દેસાઈએ પત્રકારોને આ અંગેની વિગતો આપી હતી. મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) શરૂ થતા પહેલા જિલ્લામાં કુલ 18,12,327 મતદારો હતા. પ્
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના બાળકોના શિક્ષણના પાયાને મજબૂત કરવાના હેતુથી ‘નાનકડા પગલાં, મોટું ભવિષ્ય’ સૂત્ર હેઠળ આંગણવાડી નવીનીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન અંતર્ગત શહેરની આંગણવાડીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ કરી 'સ્માર્ટ આંગણવાડી' બનાવવાનું લક્ષ્ય
દરિયાના મોજાં ગમે તેટલા ઊંચા હોય, પણ યુવાનોના આત્મવિશ્વાસ આગળ તે વામણા સાબિત થશે. આ વાતને સાબિત કરવા સાહસ અને શૌર્યની ભૂમિ ગણાતા સૌરાષ્ટ્રના દરિયા કિનારે ફરીવાર યુવા શક્તિ પોતાની તાકાત બતાવવા જઈ રહી છે. સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે રાજકોટ ડિસ્ટ્રિક્ટ સ્વિમિંગ એસોસિએશન
અમરેલી જિલ્લામાં મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત આખરી સંકલિત મતદારયાદી જાહેર કરવામાં આવી છે. જિલ્લાના કુલ 11,47,200 મતદારોનો આ યાદીમાં સમાવેશ થયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે આ માહિતી આપી હતી. ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્હીની સૂચના અનુસાર, 01-01-
ભોપાલની સુપ્રતિષ્ઠિત રવિન્દ્રનાથ ટાગોર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં 5મી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ અને ઇનોવેટિવ કોમ્પિટિશન શોધ-શિખર: 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ વૈશ્વિક સ્તરની સ્પર્ધામાં ગણપત યુનિવર્સિટીના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ પોતાની બૌદ્ધિક ક્ષમતાનું ઉત્કૃષ
રાજકોટ મહાપાલિકાનાં વર્ષ 2026-27નાં રૂ. 3604.90 કરોડના અંદાજપત્રને મંજૂરી આપવા માટે આવતીકાલે બુધવારે ખાસ જનરલ બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ભાજપ શાસિત વર્તમાન બોડીની પાંચ વર્ષની મુદત આગામી 11 માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે, ત્યારે આ વર્તમાન ટર્મનું અંતિમ બજેટ બોર્ડ બની રહેશે. સ્ટે
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા પંચાયત કચેરી ખાતે વીબીજી-રામજી નવા અધિનિયમ અને યોજના જાગૃતિ સપ્તાહની ઉજવણી નિમિત્તે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નવા અધિનિયમ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે જનજાગૃતિ લાવવાનો તેમજ લાભાર્થીઓ સુધી તેન
મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર નજીક ચામુંડાનગરમાં પીવાનું પાણી દૂષિત આવતાં પાણીજન્ય રોગચાળો ફેલાયો છે. આ અંગે રજૂઆત મળતાં મનપાનું આરોગ્ય તંત્ર દોડતું થયું છે અને ઘરે-ઘરે ક્લોરીનેશન સહિતની કામગીરી શરૂ કરાઇ છે. આ વિસ્તારમાંથી ઝાડાના 4 દર્દી મળી આવ્યા હતા અને હાલ સારવાર હેઠળ છે.
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજનના નામે સોશિયલ મીડિયામાં છેતરપિંડીનો પ્રયાસ થતાં પાલિકા વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. કોઈ અજાણ્યા ભેજાબાજે કમિશનરનો ફોટો વોટ્સએપ ડીપી (DP) માં રાખ્યો હોવાનો પાલિકાના ગ્રુપમાં સ્ક્રીનશોર્ટ વાઇરલ થતા અનેક ચર્ચાઓ ચાલુ થઈ છે. વિદેશી ન
રાષ્ટ્રીય સ્તરની અતિ કઠિન પરીક્ષા JEE Main 2026 ના પરિણામ જાહેર થયું છે ત્યારે ભાવનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા જ્ઞાનમંજરી વિદ્યાપીઠના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સંસ્થા અને શહેરનું નામ રોશન કર્યું છે જેમાં 91 માંથી 14 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઈલ મેળવીને ભાવનગરનું તથા શા
પશ્ચિમ રેલવેના રાજકોટ રેલ ડિવિઝને ઊર્જા કાર્યક્ષમતા અને પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે એક મોટી રાષ્ટ્રીય સિદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2025-26 માટે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા રાજકોટ ડિવિઝનની 5 ઇમારતોને પ્રતિષ્ઠિત ‘શૂન્ય (Shunya)’ અને ‘શૂન્ય પ્લસ (Shunya Plus)’ લેબલ એનાયત કરવામાં આવ્યા
આગામી 24 ફેબ્રુઆરીથી શરૂ થતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. આજે અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના તમામ સંચાલકોની એક મહત્વની બેઠક યોજાઈ હતી. રાજ્યભરમાં સ્કૂલોને મળતી બોમ્બ ધમકીઓના પગલે સ્કૂલ તંત્ર એલર્ટ મોડ
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27ના અંદાજપત્ર પર બીજા દિવસે પણ મેરેથોન ચર્ચા કરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા મૂળ બજેટમાં સ્થાયી સમિતિએ રૂપિયા 708 કરોડનો ધરખમ વધારો સૂચવ્યો છે. જેના પગલે હવે કુલ 11,301.75 કરોડના બજેટને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલી
વડોદરાના મોડેલ કરીઅર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી અને ઈન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઈન્સ્યુરન્સના સંયુક્ત ઉપક્રમે આગામી 18 ફેબ્રુઆરીના રોજ મહિલાઓ માટે ખાસ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળો સવારે 10 કલાકે એટલાન્ટીસ હાઈટ્સ, ગેંડા સર્કલ ખાતે યોજાશે, જેમાં ફક
સુરતના ઉમરા વિસ્તારમાં એક 26 વર્ષીય ડીવોર્સી યુવતીએ પોતાના 4 વર્ષના માસૂમ પુત્રને ફાંસો આપી પોતે પણ જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે, જેમાં મૃતકના પરિવારે આત્મહત્યા પાછળ પૂર્વ પતિ અને સાસરી પક્ષ દ્વારા આપવામાં આવતા માનસિક ત્રાસને જવાબદાર ઠેરવ્યો છે.
નવસારી જિલ્લા ભાજપ સંગઠનની જાહેરાત બાદ જલાલપોર વિધાનસભામાં વિવાદ સર્જાયો છે. તાલુકા ભાજપ સંગઠનના કાર્યકરની મહામંત્રી પદ માટે પસંદગી ન થતાં સંગઠન અને ચૂંટાયેલી પાંખમાં રોષ જોવા મળી રહ્યો છે. આના પરિણામ સ્વરૂપ, અત્યાર સુધીમાં જલાલપોર તાલુકા પ્રમુખ સહિત 28 હોદ્દેદારોએ રાજી
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્ષની ઓફિસમાં વેલેન્ટાઇન ડેના રોજ એક યુવકને તાલીબાની સજા આપતો વીડિયો વાયરલ થયો છે. જેને પગલે પોલીસે માર મારનાર 2 યુવકની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા યુવકે તેની ગર્લફ્રેન્ડ
સુરત શહેરમાં છેલ્લા 96 કલાકથી 'બાળક ચોર' ગેંગના નામે ફેલાયેલી અફવાએ લોકોમાં લોહીની તરસ જગાડી છે. સુરતમાં ચાર દિવસમાં ત્રણ આવી ઘટના બની જેમાં બાળક ચોર સમજી ત્રણ નિર્દોષ લોકો સાથે હિંસા કરવામાં આવી. સોશિયલ મીડિયા પર વાયુવેગે ફેલાતી 'બાળક ચોરી'ની અફવાઓએ સુરતના અનેક વિસ્તારોમાં
ગાંધીનગરના સેક્ટર-30 પાસે આવેલા સાબરમતી નદીના બ્રિજ પર આજે ચિલોડાથી ગાંધીનગર કોર્ટ તરફ જઈ રહેલા શીહોલી ગામના એક યુવકની રિક્ષા કોઈ કારણોસર અચાનક બ્રિજ પરથી સીધી નદીમાં ખાબકી હતી. આ ઘટનાને પગલે બ્રિજ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા નદી
ભારતીય જીવનમૂલ્યો જેમનો જીવન આધાર છે એવા યુવા નેતૃત્વનું નિર્માણ જેનો સંકલ્પ છે એવી રાજકોટની અભ્યાસિકા મંડળ સંસ્થા દ્વારા 22 ફેબ્રુઆરીએ એક અનોખો શોધ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. શહેરની પી.ડી.માલવિયા કોલેજ ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં 30 થી ઓછી વયના તમામ યુવક - યુવતીઓ જોડાઈ શ
બોટાદ સ્થિત કવિ શ્રી બોટાદકર કોલેજ ખાતે “વિશ્વ માતૃભાષા મહોત્સવ” ની ઉજવણી કરવામાં આવી. ગુજરાત સાહિત્ય અકાદમી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્ર, બોટાદના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમનું આયોજન થયું હતું. કાર્યક્રમનો પ્રારંભ ભારતીય પરંપરા મુજબ દીપ પ્રાગટ્યથી થયો હતો. મહાનુભાવોનુ
• તમિલનાડુમાં 1979ના નૈનાર દાસ પોલીસ યુનિયનની ભલામણોને લાગુ કરવા માંગ રાજકોટ કોર્ટ બિલ્ડિંગને ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આજ રોજ વહેલી સવારે ડીસ્ટ્રીક કોર્ટના ઈમેલ એડ્રેસ પર એક રમીઝ હુશૈની નામના મેઈલ આઈડી પરથી ધમકી ભર્યો મેઈલ મોકલવામાં આવ્યો હતો જેમાં લખ્ય
આણંદની સી.પી. પટેલ એન્ડ એફ.એચ. શાહ કોમર્સ (ઓટોનોમસ) કોલેજ દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ: હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ એન્ડ ડીપ લર્નિંગ વિષય પર એક દિવસીય નેશનલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આ કોલેજમાં યોજાયેલો આ કાર્યક્રમ નોલેજ ક
મોડાસામાં ઉમા કેળવણી મંડળ સંચાલિત શ્રી એચ.એલ. પટેલ સરસ્વતી વિદ્યાલય ખાતે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા-વિદાય સમારંભ યોજાયો હતો. આ કાર્યક્રમ મંડળના ઉપપ્રમુખ ડૉ. હરિભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં વય નિવૃત્ત થતા શિક્ષકોનો પણ વિદાય સમારંભ સમાવિષ્ટ હતો. આ પ
રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2026-27 માટેનું મહત્વકાંક્ષી અંદાજપત્ર આજે કારોબારી સમિતિ દ્વારા મંજુર કરવામાં આવ્યું છે. જિલ્લાના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલા આ 1193.68 કરોડના બજેટમાં ગ્રામીણ માળખાકીય સુવિધાઓ, ખેડૂતોનું કલ્યાણ અને શિક્ષણ પર વિશેષ ભાર
નવસારી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ ખાતે આવેલા ઐતિહાસિક રામજી મંદિરના જીર્ણોદ્ધારની માગ સાથે સ્થાનિકો અને હિન્દુ સંગઠનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2 વર્ષ પહેલા મંદિરના પુનઃનિર્માણ માટે ખાતમુહૂર્ત કર્યું હોવા છતાં કામગીરી શરૂ ન થતા રોષે
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રીવીઝન અંતર્ગત આજે 17 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં શહેર અને જિલ્લાની આઠ વિધાનસભામાં 20.89 લાખ મતદારો છે. 3,01,650 મતદારોના નામ રદ કરવામાં આવ્યા છે. જ્યારે 33452 નવા નામ ઉમેરાયા છે તો 460 સતાયુ મતદાર
સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મોતીપુરાથી બસ સ્ટેન્ડ તરફ જતા ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. મોતીપુરા તરફ એક વાહન ટેક્નિકલ ખામીને કારણે બંધ પડી જતાં આ સ્થિતિ ઊભી થઈ હતી. લાંબા સમયથી સર્જાયેલા આ ટ્રાફિકને હળવો કરવા માટે પોલીસ ઘટનાસ્થળે પહોંચી
મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભારત-અમેરિકા ટ્રેડ ડીલ રદ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું છે. AAPએ જણાવ્યું કે આ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે. પાર્ટીના મતે, આ ડીલથી ખેતી, પશુપાલન, ટેક્સટાઈલ અને
છોટાઉદેપુર જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોટી કાર્યવાહી કરી છે. પાવીજેતપુર તાલુકાના વડાતળાવ ચાર રસ્તા પાસેથી પોલીસે ₹7,83,240/- નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં દારૂ સાથે ₹5 લાખની કિંમતની એક બલેનો કાર પણ જપ્ત કરવામાં આવી હતી. આમ,
પાટણ જિલ્લા અદાલતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા વકીલ રૂમમાં એક અજાણ્યા શખ્સે ધારિયા વડે વકીલો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી કોર્ટ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. સદનસીબે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વકીલોએ કામકાજથી અળગા રહીને હડતાળ જાહેર
ગઢડા તાલુકાના રામપરા ગામના પ્લોટ વિસ્તારમાં છેલ્લા બે માસથી પીવાનું દૂષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દૂષિત પાણીના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળવાનો ભય સ્થાનિકોમાં વ્યાપી ગયો છે. આ અંગે રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો
રાજ્યના રત્નકલાકારો માટે આ બજેટમાં ‘રત્નકલાકાર કલ્યાણ બોર્ડ'ની રચના કરવા માટે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા માંગ કરવામાં આવી છે. રાજ્યમાં અંદાજે 25 લાખ રત્નકલાકારો અને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે 50 લાખ લોકો હીરા ઉદ્યોગ પર નિર્ભર છે. તેમ છતાં હાલ રત્નકલાકારોની કોઈ સત્
વડોદરામાં 18 ફેબ્રુઆરીના રોજ મહિલાઓ માટે એક વિશેષ એપ્રેન્ટિસ અને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો મોડેલ કરિયર સેન્ટર, મદદનીશ નિયામક રોજગાર કચેરી વડોદરા અને ઇન્ડસઇન્ડ નિપ્પોન લાઇફ ઇન્સ્યોરન્સ, ફેસ ટુ ફેસ ચેનલ વડોદરા 2 શાખાના સંયુક્ત ઉપક્રમે યોજાશે. આ રોજગાર મે
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહત્વની કચેરીઓ અને જાહેર સ્થળોને નિશાન બનાવવાની ધમકીઓનો સિલસિલો યથાવત રહ્યો છે. અમદાવાદ, વડોદરા, વલસાડ અને ગાંધીનગર બાદ હવે મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. આ ધમકી કોર્ટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને સાકાર કરતા ગુજરાત સરકાર ઐતિહાસિક શહેર વડનગરને પ્રગતિ અને પરંપરાના અજોડ સંગમ તરીકે વિકસાવી રહી છે. 2500 વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ ધરાવતું આ શહેર આજે પુરાતત્વ અને સંસ્કૃતિનું જીવંત કેન્દ્ર બન્યું છે. હેરિટેજ ટુરિઝમથી લઈને
કતારગામ વિસ્તારમાં 'ગોટી ગેંગ'નો આતંક હવે જગજાહેર થયો છે. આઠ મહિના સુધી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય સૂત્રધાર ચિરાગ ગોટીએ આખરે કોર્ટમાં શરણાગતિ સ્વીકારી છે. છેલ્લા નવ દિવસમાં ચિરાગ સામે અત્યાર સુધીમાં પાંચ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જે તેની ગુનાહિત માનસિકતાના પુરાવા આપે
ગરીબ વેપારીઓ સામે ગુનેગારો જેવું વર્તન કેમ, ભાવનગર મનપામાં કોંગ્રેસનો આક્રોશ, ઉગ્ર આંદોલનની ચીમકી ભાવનગર શહેરના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, લારી-ગલ્લા ધારકો અને પાથરણાવાળા છેલ્લા એક મહિનાથી મ્યુનિસિપલ કોર્પોરેશન ના દબાણ હટાવ વિભાગ દ્વારા હેરાનગતિ કરી રહ્યા છે અને દબ
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં નવા ઓક્સિજન પાર્ક, ક્રિકેટ ગ્રાઉન્ડ અને ફૂટબોલ ગ્રાઉન્ડ બનાવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણયથી શહેરના રમતગમત પ્રેમીઓ અને ખેલાડીઓમાં આનંદની લાગણી છવાઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ બી. કગ
ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી (AAP) દ્વારા અમેરિકા-ભારત ટ્રેડ ડીલ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમત્વ, આર્થિક નીતિ અને ક
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે (17 ફેબ્રુઆરી)ના રોજ ગુજરાતની મુલાકાતે છે. અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ગૃહમંત્રી અમિત શાહે જનસેવા માટે અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રક્તદાન કરો, જીવન બચાવો ન
ગુજરાત સાહિત્ય અકાદમી અને માતૃભાષા શિક્ષણ કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે બોટાદમાં વિશ્વ માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. આ ભવ્ય કાર્યક્રમમાં સાહિત્યપ્રેમીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષકો માટે છ દિવસીય તાલીમ કાર્યક્રમ શરૂ થયો છે. હિંમત હાઈસ્કૂલમાં આયોજિત આ તાલીમમાં તાલુકાના ચાર વિષયના શિક્ષકો ભાગ લઈ રહ્યા છે. આ તાલીમનો હેતુ આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અપનાવીને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન
રાજકોટ-મોરબી બાયપાસ રોડ પર આવેલી એક હોટલ સામેથી પસાર થઈ રહેલા સ્કૂટરને અજાણી કારના ચાલકે હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સ્કૂટર પર સવાર બે કૌટુંબિક ભાઈઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. કાર ચાલક અકસ્માત સર્જીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. મોરબીના લક્ષ્મીનગ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈના દહીસરમાં 100થી વધુ લોકો સાથે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર અને MPID ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ પરથી આરોપીની ધરપકડ કરી છે. મહારાષ્ટ્રના ત્રિ
ગાંધીનગરની જિલ્લા અદાલતને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સમગ્ર વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. સુરક્ષાના કારણોસર કોર્ટ સંકુલને તાત્કાલિક ખાલી કરાવી દેવામાં આવ્યું છે અને તમામ ન્યાયિક કામગીરી અટકાવી દેવામાં આવી છે. ધમકીભર્યા ઈમેલને પગલે પોલીસ કાફલો, બોમ
જામનગરના વોર્ડ નંબર 6 માં રેલવે ટ્રેક ડબલિંગની કામગીરીને કારણે તોળાઈ રહેલું ડિમોલીશન હાલ પૂરતું સ્થગિત કરવામાં આવ્યું છે. સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી રેલવે અને વહીવટી તંત્ર સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે, જેનાથી સેંકડો સ્થાનિકોને મોટી રાહત મળી છે. વોર્ડ નંબર 6 માં આ
છેલ્લા ત્રણ-ચાર દિવસથી સુરતના સોશિયલ મીડિયા ગ્રુપોમાં એક ઓડિયો ક્લિપ વાયુવેગે વાઇરલ થઈ રહી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મોટા વરાછાના 'ઓપેરા હાઉસ' એપાર્ટમેન્ટ પાસેથી પાંચ બાળકીઓનું અપહરણ કરવામાં આવ્યું છે. આ મામલે સુરત પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરી સત્ય સામે લાવ્યુ
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્કવોડે પાટડી લૂંટ કેસના બે ફરાર આરોપીઓ અને જોરાવરનગર ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા ચડ્ડી બનીયાન ગેંગના એક સભ્યને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીથી લાંબા સમયથી નાસતા ફરતા ગુનેગારોને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પાટડી પોલીસ સ્ટેશનના લૂંટના ગુના
વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2026-27નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર દ્વારા 7609 કરોડનું બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યું હતું. જેમાં 63.21 કરોડનો વધારો કરી સ્થાયી સમિતિ દ્વારા 7672.21 કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. આ બજેટની મંજૂરી માટે વિશેષ સામા
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન 20, 21 અને 22 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ભાજપના સૌથી નાની વયના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ઓળખાતા નબીનના આ પ્રવાસને લઈને સંગઠનમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બિહાર પ્રદેશ યુવા અધ્યક્ષથી લઈને બિહ
સુરતમાં ડભોલી વિસ્તારમાં આવેલી સસ્તાદરની દુકાનમાંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગુણીમાં ટ્રાન્સફર કરી સગેવગે કરવાનું ભોપાળું ઝડપાયું હતું. આ કેસમાં પુરવઠા વિભાગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હાલ તો કે-40 નંબરની વ્યાજબી ભાવની દુકાન સીલ કરી દેવામાં આવી છે. તેમજ દુકાનનો ઘઉં-ચોખાન
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના રાબોડ ગામે એક 7 વર્ષીય બાળક ગરમ પાણીથી ગંભીર રીતે દાઝી ગયું છે. આ ઘટના રમતા સમયે બની હતી, જેમાં બાળક ન્હાવા માટે રાખેલા ગરમ પાણીના વાસણમાં પડી ગયું હતું. રાબોડ ગામના 7 વર્ષીય કરણ રમેશભાઈ ડાભીની માતાએ ન્હાવા માટે ગરમ પાણી તૈયાર કર્યું હતું. માતા
ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન રમણભાઈ પટેલ કોલેજ ઓફ ફાર્મસી (RPCP) દ્વારા 21 જાન્યુઆરી, 2026ના રોજ 'સ્પાર્કાથોન 2.0 - ઇન્સ્પાયરિંગ યંગ માઇન્ડ્સ' ઇવેન્ટનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓની 30 શાળાઓની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રેઝ
વલસાડ જિલ્લા અને સત્ર ન્યાયાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. અજાણ્યા શખ્સે કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો, જેના પગલે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તમામ 19 કોર્ટ રૂમ ખાલી કરાવ્યાંવકીલ હિતેશ ભંડારીના જણાવ્યા અનુસાર, ઈમેલ પર કોર્ટ બિલ્ડિ
આણંદની એમ.બી. પટેલ સાયન્સ કોલેજની વિદ્યાર્થીની પ્રિન્સી ખ્રિસ્તીએ ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા આયોજિત 'ઇગ્નાઇટ-2026' ઇન્ટર કોલિજિએટ કોમ્પિટિશનમાં ડેટા ડ્રિલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી કોલેજનું ગૌરવ વધ્યું છે. ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગા સંચાલિત CM
પંચમહાલ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ વેગવંતુ બનાવવાના ભાગરૂપે ગોધરા ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ગોધરા નગરના વોર્ડ નંબર 4 ની 'શક્તિ કેન્દ્ર સહ બુથ સમિતિ'ના સભ્યો સાથે ગોધરા એ.
હિંમતનગર રેલવે સ્ટેશન પર આજે સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના ગુડ્ઝ પ્લેટફોર્મ નંબર ચાર પર ફૂટ ઓવર બ્રિજ (FOB) પાસે બની હતી. રેલવે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે. GRP પોલીસ ચોકીમાંથી મળતી માહિતી મુજબ, મંગળવારે વહેલી સ
સીવીએમ યુનિવર્સિટી સંચાલિત નર્સિંગ કોલેજ દ્વારા બી.એસસી. નર્સિંગ અને જી.એન.એમ.ના ત્રીજા બેચ માટે દીપ પ્રજ્વલન અને શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ નર્સિંગના ઉન્નત ક્ષેત્રમાં પ્રવેશતા વિદ્યાર્થીઓની નિષ્ઠા અને સમર્પણ દર્શાવે છે. આ કાર્યક્રમમાં ચારુતર વિદ્યામંડળના ચે
હિંમતનગરના કેનાલ ફ્રન્ટ પર આવેલા શક્તિનગરના મહાકાળી મંદિર પરિસરમાં સોમવારે રાત્રે હિંદુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંદુ જાગરણને નવી ઉર્જા અને ચેતના આપવાના હેતુથી આ સંમેલન સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાના પ્રતિકરૂપે યોજાયું હતું. આ કાર્યક્રમમાં
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં નગરપાલિકાએ વેરો ન ભરનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરી છે. પાલિકાએ સીટીલાઈટ રોડ પર આવેલી 9 દુકાનોને સીલ કરી દીધી છે. આ કાર્યવાહી બાકી વેરાની વસૂલાત માટે કરવામાં આવી હતી. આ દુકાનો સીટીલાઈટ રોડ પર પ્રથમ માળે આવેલી છે. લાંબા સમયથી વેરો
જામનગરમાં એક જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે શેરબજારમાં રોકાણના બહાને રૂપિયા 41.86 લાખની છેતરપિંડી થઈ છે. આ મામલે સિટી બી-ડિવિઝન પોલીસ મથકમાં એક શેર બ્રોકિંગ કંપનીના ડાયરેક્ટર સહિત પાંચ વ્યક્તિઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પાર્ક કોલોની વિસ્તારમા
પાટણ નગરપાલિકાએ જૂનાગંજ વિસ્તારમાં વર્ષો જૂના આયોજનને સાકાર કરવા મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી છે. નવા શેડના નિર્માણ માટે માર્ગમાં નડતરરૂપ 25થી વધુ લારીઓ અને કાયમી દબાણો દૂર કરીને જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે આ અંગે માહિતી આપતા જ
મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો અનુભવ થતો હતો, પરંતુ હવે આકાશમાં વાદળો ઘેરાયા છે અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. આના કારણે જિલ્લામાં ફરી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ રહેતા લોકોને ઉકળાટમાંથી રાહત મળી છે.
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરીને 200 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. દરિયાઈ માર્ગે ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં આવવાનો હતો, પરંતુ તે પહેલા ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદરના દરિયા વિસ્તારમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પ્રાથમિક વિગતમાં ઈરાનથી 2 શખ્સ આ ડ્રગ્સનો જથ
હવામાનમાં આવેલા આ બદલાવને કારણે રાજ્યમાં હાલ બેવડી ઋતુની અસર શરૂ જોવા મળી રહી છે. સવારે સામાન્ય ઠંડી અને બાદમાં ગરમી અનુભવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક બાદ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. હાલ ઠંડીનું જોર ધીમે-ધીમે ઘટી રહ્યું છે અને ગરમી
ભરૂચના ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર નજીક નેશનલ હાઈવે નંબર-48 પર મોડી રાત્રે એક ટેન્કરમાંથી ઓઇલ લીકેજ થયું હતું. આ ઘટનાને કારણે માર્ગ પર તેલ ફેલાઈ જતાં અનેક ટુ-વ્હીલર ચાલકો સ્લિપ થઈને પટકાયા હતા. ઓઇલના કારણે મોટરસાયકલ અને મોપેડ ચાલકોને શારીરિક ઇજાઓ પહોંચી હતી, તેમજ વાહનોને પણ
દાહોદ જિલ્લાના લીમખેડા નજીક ઢઢેલા ટર્નિંગ પાસે હાઈવે પર મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેકાબૂ બનેલી મહારાષ્ટ્ર પાસિંગની એક SUV કાર ડિવાઈડર સાથે અથડાતાં કારમાં સવાર ત્રણ લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્ય
સુરતમાં 21 વર્ષ પહેલાં હથિયાર સાથે હુમલો કરી ફરાર થયેલા બે ખૂંખાર આરોપીને પોલીસે ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યાં છે. ગુના આચર્યા બાદ બન્ને આરોપી ફરાર થઈ ગયાં હતાં. આરોપીઓ વિનોબા ઝૂંપડપટ્ટીમાં રહેતાં હોવાથી તેનું પણ વર્ષો પહેલા ડિમોલેશન થઈ જતાં આરોપીઓના રહેઠાણનું અસ્તિત્વ જ મટ
ભાવનગર શહેરના વિદ્યાનગર વિસ્તારમાં આવેલી સબ-રજિસ્ટ્રાર કચેરી પાસે ગઈકાલે સાંજે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા, જેમાં પ્રેમલગ્ન કરવા આવેલા એક યુગલ પર યુવતીના ભાઈઓ અને બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી, યુવક પાસેથી રોકડની લૂંટ ચલાવી યુવતીને બળજબરીપૂર્વક ઇકો ગાડીમાં બેસાડી અપહરણ ક
વડોદરા ન્યાય મંદિર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દિવાળીપુરાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. સમાચાર મળતા જ પોલીસ અને બોમ્બ-ડોગ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. કોર્ટમાંથી વકીલોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. કોર્ટ સંકુલ બહાર વકીલોના ટોળેટોળા જામ્યા છે. ઘટનાની ગંભીરતા
CBSE બોર્ડની ધોરણ 10 અને 12ની આજ(17 ફેબ્રુઆરી)થી પરીક્ષા શરૂ થઈ છે. ધોરણ 10માં ગણિતનું અને ધોરણ 12માં આંત્રપ્રિન્યોરશિપનું પેપર છે. વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે પરીક્ષા આપવા તો આવ્યા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થી અને વાલીઓમાં બોમ્બની ધમકીને લઈને ચિંતા પણ છે, જેથી કેટલાક વાલીઓ પરીક્ષા દરમિ
મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો હોવા છતાં નવી કચેરી માટે હજુ સુધી જગ્યાની ફાળવણી થઈ શકી નથી. આ પરિસ્થિતિમાં વહીવટી તંત્ર દ્વારા હાલની વર્ષ 1982માં નિર્મિત અંદાજે 44 વર્ષ જૂની જર્જરિત ઇમારતને જ નવો ઓપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આશરે 3 કરો
CBSEની ધો.10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ છે. આજે સવારે 9.30 વાગ્યાથી પરીક્ષા સેન્ટરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સમયે વિધાર્થી અને વાલીઓમાં બોમ્બથી નહીં પણ પહેલા પેપરથી ડર લાગ્યો હતો. ગઈકાલે શહેર અને જિલ્લાની 25 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી, જોકે વાલીઓએ કહ્યું હતું કે, અમ
દેશભરમાં આજે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે રાજકોટ જિલ્લામાં 8000 થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આ વખતે પ્રથમ વખત CBSE બોર્ડ દ્વારા 35 દિવસમાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ છે જ્યારે ધોરણ 12ની ઉત્તરવહી ડીજ
રાજ્ય સરકારના સિંચાઈ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારી સાથે રૂ. 17 લાખની છેતરપિંડી થઈ હોવા અંગેની ફરિયાદ ફાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાઈ છે. નિવૃત્ત કર્મચારીને પેન્શન મળતું હોય છે, ત્યારે દર વર્ષે હયાતીનું સર્ટિફિકેટ આપવાનું રહે છે. જે સર્ટીફીકેટ આપવાના નામે ફેસબુક પરથી બે
વલસાડ તાલુકાના ફાણસવાળા ગામમાં સરકારી પડતર જમીન પરના બાવળના વૃક્ષો પંચાયતની મંજૂરી વગર કાપી નાખવામાં આવતા વિવાદ સર્જાયો છે. આ ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, અને જાગૃત નાગરિકોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝાડ કાપવાની કામગીરી અટકાવી દીધી હતી. સ્થાનિક પંચાયત
અમદાવાદના વટવામાં વહેલી સવારે કાર અકસ્માતની ઘટના સામે આવી છે. જોગણી માતાના મંદિર પાસે નશામાં કારચાલકે ગાયને અડફેટે લેતાં ગાયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. શખસે ગાયને ઠોકર માર્યા બાદ અન્ય કારને પણ અડફેટે લીધી હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું સ્થળે એકઠું થઈ ગયું હતું. લો
પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન દીપક ડી. પટેલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયતનું નવા વર્ષનું બજેટ અવલોકનમાં લઈ સામાન્ય સભામાં મંજૂરી અર્થે મોકલવાનો ઠરાવ કરાયો હતો. જિલ્લા પંચાયતની ચાલુ વર્ષની અને ચૂંટાયેલી પાંખની આ છેલ્લી ક
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારોના રહીશો પીએમ આવાસ યોજનાના અટકેલા હપ્તા, જંગલ જમીનના રેકોર્ડમાં છબરડા અને આધાર કાર્ડમાં પિનકોડની વિસંગતતા જેવી અનેક પાયાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે 'નવ નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ' દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પા
મોરબી જિલ્લા ભાજપના સંગઠન માળખાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં નિર્મલભાઈ જારીયાની મોરબી જિલ્લા મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. આ નિર્ણયને તેમના નિવાસસ્થાને ઢોલ-નગારા અને આતિશબાજી સાથે આવકારવામાં આવ્યો હતો. ગઈકાલે મોડી સાંજે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતીભાઈ રા
સુરેન્દ્રનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે યુવા નેતા હાર્દિક ટમાલિયાની વરણી કરવામાં આવી છે. અગાઉ તેઓ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની નિમણૂક બાદ કમલમ ખાતે પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફૂલહાર અને ફટાકડા ફો
બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી મદદનીશ રિદ્ધિબેન ત્રિવેદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી ખાતે બદલી પામેલા હેમાલીબેન ભટ્ટને વિદાયમાન અપાયું હતું. આ સમારોહ બોટાદ જિલ્લા સહાયક માહિતી નિયામક સપના ભટ્ટીના અધ્યક્ષસ્થાને યોજાયો હત
વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી નિમિત્તે વલસાડ શહેરના કચેરી રોડ સ્થિત ડૉ. આંબેડકર ભવન ખાતે ‘માતૃભાષા મહોત્સવ-2026’નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સાહિત્ય અકાદમી, પત્રકાર વેલ્ફેર એસોસિએશન અને પુસ્તક પરબ, વલસાડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં સાહિત્ય અને પત્રક

30 C