ભાવનગર શહેર નજીકના વાળુકડ ખાતે આજે રાત્રે કોઇ અકળ કારણોસર માલધારી સમાજના યુવાનની બજારમાં કોઇ હત્યારાઓએ અકળ કારણોસર છરીઓના ઘા ઝીંકીને હત્યા કરી નાખતા ચકચાર મચી ગઇ હતી અને મોડી રાત્રે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલમાં માલધારી સમાજના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. આ અંગે મેળલી
ભાવનગર | પાલીતાણાના જાળીયા (માં) ગામે છોકરાઓ માટે દુકાને ભાગ લેવા ગયેલ મહિલા સાથે કરાયેલ બોલાચાલીની દાજ રાખી પાઇપ, કુહાડી જેવા સાધનો વડે ઈસમ ના ઘરે જઈ હુમલો કરાયા ની ફરિયાદ પાલીતાણા પોલીસ મથકમાં નોંધાઈ હતી. જાળીયા ગામે રહેતા ભગવાનભાઈ લાભુભાઈ ચૌહાણ ની દીકરી શોભાબેન ગઈકાલે મો
વલભીપુર પંથકમાં ખેડુતોને ખેતરોમાં ઉભા અથવા વાઢેલા ઘઉં અને ચણાનું ખળુ લેવા માટેના થ્રેશર મશીનની મજુરીના ભાવ ગત વર્ષ કરતા ડબલ થતા ખેડુતોને વધુ આર્થિક નુકશાન સહન કરવાનો વખત આવ્યો છે. ઘઉં અન઼ે ચણાના ખળા માટે માટેના આવતા બે પ્રકારના મશીનો આવે છે. જેમાં ઘઉં અને ચણા માટે એક થ્રેશર
ઘોઘા તાલુકાના નવાગામ (નાના) ગામે સામાન્ય બોલાચાલીનો મુદ્દો હિંસક અથડામણમાં ફેરવાતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. રસ્તામાં ઘોડી લઈને જવા બાબતે થયેલી તકરાર વધતા લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ અલંગ પોલીસ સ્ટેશન
મહુવા તાલુકામાં બેદરકારીપૂર્ણ અને જીવલેણ વાહનચાલનનો એક ગંભીર બનાવ સામે આવ્યો હતો, જે અકસ્માતમાં એક નિર્દોષ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જ્યારે તેમની પત્નીને ઈજાઓ પહોંચી હતી. જેના લઈ માર્ગ સુરક્ષાના અનેક પ્રશ્નો ઊભા થયા હતા અને સ્થાનિકોમાં રોષની લાગણી પણ વ્યાપી ગઈ હત
હિસાબી વર્ષના અંતિમ દિવસોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCL દ્વારા વીજળીના બાકી બિલની વસુલાતની જોરશોરથી કામગીરી ચાલી રહી છે. પાલીતાણાના રેલ્વે સ્ટેશન રોડ પર આવેલ પાલિતાણા તાલુકા પંચાયત કચેરીના વીજ જોડાણના બિલની બાકી રકમ લાંબા સમયથી ચૂકવાઈ ન હતી. PGVCLના પાલિતાણા ડિવિઝન કચેરી મારફતે
કર પાલન સુધારવા અને ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST) સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત બનાવવા કેન્દ્ર સરકાર 1 એપ્રિલ, 2026થી સુધારેલા ઇન્વોઇસિંગ નિયમો અમલમાં લાવવા તૈયાર છે. આ નવા નિયમો ખાસ કરીને બિઝનેસ ટુ બિઝનેસ (B2B) વ્યવહારોમાં સંકળાયેલા વેપારીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. તાજેતરના અપડેટ
કાળીયાબીડ વિસ્તારમાં બહેનોની હિન્દુ સંમેલન સમિતિ દ્વારા ભગવતી વસ્તીમાં તા. 24 માર્ચને મંગળવારના રોજ, લેઉવા પટેલ સમાજની વાડી, ઓશીયન પાર્ક ખાતે હિન્દુ સંસ્કૃતિની આસ્થા અને એકતાને ઉજાગર કરવા એક ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં દિન મણીદાસ પ્રભુજી, વિપ
સ્વામિનારાયણ ગુરુકુલ, સરદારનગરના આચાર્ય પટેલ ધર્મકુમાર બટુકભાઈએ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. આચાર્યએ એક સાથે કુલ 6 સંશોધન પેપર તૈયાર કરી આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત કરાવ્યા છે તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પોતાના સંશોધન પેપર રજૂ કર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનને શાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે, આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત, શાળાના શિક્ષકો માટ
ગુજરાત રાજ્યમાં આવેલી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની હાલત દિન પ્રતિદિન વધુને વધુ દયનીય થતી જાય છે. હાલ ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 8,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. જેથી એક તરફ શિક્ષણની ગુણવત્તા ગ્રાન્ટેડ શાળાઓમાં ઘટી રહી છે તો બીજી બ
અલંગના 22 અગ્રણી શિપ બ્રેકરો દ્વારા ભાવનગર સીજીએસટી કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સત્તાવાર રીતે કંપનીના સહી-સિક્કા, મોબાઇલ નંબર સાથે કરવામાં આવ્યા બાદ પણ તપાસનીશ એજન્સીઓ દ્વારા હજુસુધી કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નહીં હોવાને કારણે પ્રમાણિક ઉદ્યોગકારો પણ અકળાયા છે, અ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતી કાલ તા.29 માર્ચને રવિવારે ગુજકેટ લેવાશે. આ પરીક્ષામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના 1,15,050, સીબીએસઈ બોર્ડના 18,769, એનઆઈઓએસ બોર્ડના 599 તેમજ અન્ય બોર્ડના મળીને કુલ 1,35875 વિદ્યાર્થીઓ નોંધાયા છે. પરીક્ષાખંડમાં પ્રવેશપત્ર
પંચાયત અને પાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય ગરમાવો વધુ ફેલાઈ રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયાએ મહુવા તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની તમામ સીટો પર સદભાવના મંચના નામથી ચૂંટણી લડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આગામી ચૂંટણી પહેલા જ મહુવ
દુનિયા હાલમાં ટેકનોલોજીમાં દિનપ્રતિદિન આગળ વધી રહ્યું છે, ત્યારે ભાવનગર કોર્પોરેશનનો જીઆઈએસ પ્રોજેક્ટ પણ સુષુપ્ત અવસ્થામાં છે. વર્ષ 2016-17 માં રૂ.4.41 કરોડના ખર્ચે શરૂ કરેલા જીઆઈએસ પ્રોજેક્ટમાં અનેક ક્ષતિઓ અને અધૂરી કામગીરી હોવા છતાં સિસ્ટમને લોન્ચ કરવાની મંજૂરી પણ આપી દીધી
રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકા તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાકી રહ્યા છે, ત્યારે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોના લોકાર્પણ ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા AMC અને ઔડાના આજે 29 માર્ચના રોજ 1098 કરોડ
ભાવનગર શહેરમાં આજે મહત્તમ તાપમાનનો પારો વધીને 37.8 ડિગ્રી સેન્ટીગ્રેડ થઇ જતા સમગ્ર રાજ્યમાં બપોરના સમયે સૌથી વધુ તાપમાન ભાવનગરમાં નોંધાતા નગરજનો ગરમી અને બફારાથી અકળાઇ ગયા હતા. બપોર બાદ આકાશમાં વાદળો પણ છવાયા હતા. શહેરમાં રાત્રે પણ લઘુત્તમ ઉષ્ણતામાન 2.2 ડિગ્રી વધીને 24.6 ડિગ્રી
રાજકોટમાં રહેતી શિક્ષિકા પર ધો.10ના વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી હતી. બે દિવસ પહેલાં આરોપીએ પણ વારાણસીમાં જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરતા પહેલાં વીડિયો ફરતો કરીને શિક્ષિકાના તમામ મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર અને અંગત પળોના ફોટા
સરકારના ઉદાસીન વલણ સામે વિરોધ નોંધાવવા માટે ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘ દ્વારા મહત્ત્વનો નિર્ણય લઇ આગામી તા.1લી એપ્રિલથી રાજ્યની તમામ આંગણવાડી કાર્યકર બહેનો પોષણ ટ્રેકર એપ્લિકેશન પર ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની કામગીરીથી અચોક્કસ મુદત સુધી દૂર રહી ઓનલાઇન હડતાળ પર જશે
શહેરમાં પાર્સલ સર્વિસનો દુરુપયોગ કરી વિદેશી દારૂની હેરાફેરી કરવાના મોટા કૌભાંડાનો પીસીબીની ઝડપી કામગીરીથી પર્દાફાશ થયો છે. સોખડા ચોકડી નજીક બોમ્બે સુપર કોમર્સિયલ ઝોન વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસના ગોડાઉનમાં દરોડો પાડી પોલીસે રૂ. 6.22 લાખની કિંમતનો મોંઘોદાટ વિદેશ
શહેરના જામનગર રોડ મનહરપુર વિસ્તારમાં પરિણીતાને કૌટુંબિક જેઠે પ્રેમસંબંધ રાખવા મજબૂર કરી તેના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મનહરપુર વિસ્તારમાં એફ.સી.આઈ. ગોડાઉન પાસે રહેતી એક મહિલાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવે
રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર સામે આવેલું ખાટુ શ્યામ મંદિર શહેરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું ખૂબ જ મોટું કેન્દ્ર છે. અહીં ભગવાન ખાટુ શ્યામજી એટલે કે બર્બરિકની અત્યંત સુંદર અને મનમોહક મૂર્તિ બિરાજમાન છે. જેના દર્શન માત્રથી ભક્તોને અપાર શાંતિનો અનુભવ થાય છે. મંદિરના બાંધક
રાઈટ ટુ એજ્યુકેશન હેઠળની પ્રવેશ પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. આ વર્ષે પણ જે માતા-પિતાને સંતાનમાં માત્ર એક જ દીકરી હોય, તેમને પ્રથમ ધોરણમાં પ્રવેશ માટે અગ્રતા આપવામાં આવશે. આ અગ્રતાનો લાભ લેવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જરૂરી પ્રમાણપત્ર આપવાની કાર્યવાહી હાથ ધરવામા
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા એપ્રિલ 2026 સેશન માટે ધોરણ 10 (સેકન્ડરી કોર્સ)ની પરીક્ષાનું પ્રાથમિક સમયપત્રક જાહેર થતાં વિદ્યાર્થીઓમાં તૈયારીને લઈને ચેતનતા વધી છે. પરીક્ષાઓ 10 એપ્રિલથી શરૂ થઈ 6 મે સુધી ચાલશે, જેમાં એકેડેમિક સાથે સાથે સ્કિલ આધારિત વિષયોનો પણ વ્યાપ
રાજકોટ શહેરના મોટામવા વિસ્તારમાં આવેલી સીતારામ પાર્ક સોસાયટીની જમીન સંબંધિત લાંબા સમયથી ચાલતા વિવાદમાં ન્યાયાલયે મહત્ત્વનો અને કડક ચુકાદો આપ્યો છે. અરજદારે વર્ષો સુધી કબજો હોવાનો દાવો કરીને માલિકીહક્ક માટે દાખલ કરેલો દાવો અદાલતે નામંજૂર કર્યો છે. કોર્ટના નિરીક્ષણ મુજ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં બોગસ ખેડૂત ખાતેદાર બનવા હોડ જામી છે. ખાસ કરીને વગદાર અને આર્થિક સદ્ધર લોકો ફાર્મહાઉસના શોખ માટે તેમજ કાળું નાણું છુપાવવા વારસાઈ કે ભળતા નામે બોગસ ખાતેદાર બની રહ્યા છે. ત્યારે રાજકોટના જસદણ તાલુકામાં 28 વર્ષ પૂર્વે ખેડૂત ન હોવા છતાં સાંથણીમા
વડોદરા શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી કરવા વડોદરા ફરતે 66 કિમીનો લાંબો અને 75 મીટર પહોળો રિંગ રોડ બનાવવામાં આવી રહ્યો છે, જેનો અંદાજે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ રિંગ રોડનું પાંચ ફેઝમાં કામ કરવામાં આવશે, ત્યારે 316 કરોડના ખર્ચે પ્રથમ ફેઝમાં 27 કિમીના રોડનું કામ પૂર્ણ ક
આગામી મહાનગરપાલિકા, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂક્યા છે. રાજકીય પાર્ટીઓ દ્વારા ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે ભાજપ અને કોંગ્રેસમાં પણ ઉમેદવારોની ચર્ચા છે. અમદાવાદ મહાનગરપાલિકામ
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન વચ્ચેનું યુદ્ધ હોય કે છેલ્લા 4 વર્ષથી ચાલતું રશિયા-યુક્રેનનું યુદ્ધ હોય જ્યારે પણ વિશ્વમાં અસ્થિરતા ફેલાય છે ત્યારે તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા અને તેના શેરબજારના પોર્ટફોલિયો પર પડે છે. હાલમાં વૈશ્વિક અનિશ્ચિતતાના કારણે ક્રૂડ ઓઇલના ભાવ 72 ડ
સાસણમાં મુક્ત ફરતા સિંહ ઉપરાંત આંબરડી અને દેવળિયા સફારી પાર્કમાં પણ વિહરતા સિંહ જોનારા મુલાકાતીઓની સંખ્યા લાખોમાં હોય છે. આ બધા સફારી પાર્ક શહેરી વિસ્તારથી દૂર હોય છે, પણ રાજકોટમાં શહેરી વિસ્તારમાં અને મહાનગરપાલિકા દ્વારા લાયન સફારી પાર્ક બનાવી રહી છે જેનું કામ હવે પૂર્
રાજકોટના હિરાસર સ્થિત ઇન્ટરનેશનલ એરપોર્ટને દરજ્જો મળ્યા બાદ પણ હજુ સુધી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ ન થતાં મુસાફરોમાં નિરાશા છે. ત્યારે આજથી સમર શેડ્યૂલ અમલમાં આવતા ડોમેસ્ટિક ઉડાનોમાં વધારો થયો છે. નવા શેડ્યૂલ મુજબ હવે રોજિંદી 14 ફ્લાઇટ ઉડાન ભરી દેશે, જેનાથી એર કનેક્ટિ
શહેરના વિદ્યાનગર મેઈન રોડ પર આવેલી રાષ્ટ્રીય શાળાના પરિસરમાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. બે નેપાળી સગીર સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાતા પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે ત
વરાછા જયભવાની સોસાયટીમાં રહેતા હિંમતભાઇ ગોયાણીને વર્ષ 2020માં તેમને રૂપિયાની જરૂર પડી હતી. ત્યારે તેમણે વરાછા યોગીચોકમાં આવેલી આર.બી.વી ફાઇનાન્સના ધીરુ ખોડા ભીમાણી અને તેના દીકરા રાકેશ અને તુષાર( નીલકંઠ હાઇટ્સ, સરથાણા જકાતનાકા) પાસે 147.07 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકી 4 લાખ વ્
સુરતના વેપારી સાથે 4 ગઠિયાએ ઝિમ્બાબ્વેથી કોપર સ્ક્રેપ અપાવવાના બહાને 7.09 કરોડની છેતરપિંડી કર્યાના બનાવ વરાછા પોલીસમાં નોંધાયો છે. ઝિમ્બાબેમાં કોપર સ્ક્રેપ બતાવીને કન્ટેનરનું સિલ ખોલીને કોપરની જગ્યાએ પથ્થર અને ધૂળ ભરીને ભારત મોકલી આપ્યું હતું. સરથાણા રહેતા મધુર કોર્પોરે
ટ્રાફિક રિવોલ્યુશન એન્ડ રી-ઈવેલ્યુએશનના પ્રોજેક્ટને રાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત કરવા સ્કોચ ગૃપ દ્વારા દેશના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને દિલ્હી ખાતે ‘સ્કોચ પ્લેટિનમ એવોર્ડ’ આપવામાં આવ્યો છે. સુરત ટ્રાફ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બીજી એપ્રિલથી શરૂ થતી પરીક્ષાઓ માટે મેં ખાસ વ્યવસ્થા કરી છે. મેં તમામ અધ્યાપકોને સૂચના આપી છે કે જો વિદ્યાર્થીઓના જવાબમાં પ્રશ્નનો મૂળ હાર્દ આવી જતો હોય તો વિદ્યાર્થીઓને માર્ક્સ આપવામાં આવે. મારો મુખ્ય ઉદ્દેશ્ય વર્ષો જૂની ગોખણપ
UPSC દ્વારા એન્થ્રોપોલોજિસ્ટની 2 કાયમી જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. એન્થ્રોપોલોજીમાં માસ્ટર થયેલા ઉમેદવારો 17 એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી પામનારને રૂ. 1.77 લાખ સુધીનો પગાર મળશે. આ ગ્રુપ-A ગેઝેટેડ પોસ્ટ માટેની સુવર્ણ તક છે. ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુથી થશે
સુરત ડાયમંડ બુર્સ અને ડાયમંડ મેન્યુફેક્ચરર્સ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેન્યુફેક્ચરર્સને વહેલી તકે પોતાની ઓફિસ બુર્સમાં શરૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીના વિકાસ, ભવિષ્યની યોજના અને ટ્રેડિંગ સિસ્ટમને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે બેઠકમ
વિસ્કોસ યાર્ન પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાદવા બાબતે ડિરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ રેમેડિઝ (ડિજીટીઆર) દ્વારા નાણામંત્રાલયને ભલામણ કરવામાં આવતા સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં ચિંતા ફેલાઈ છે. આ મુદ્દે શનિવારે વિસ્કોસ વિવર એસોસિએશનની બેઠક મળી હતી, જેમાં ઉદ્યોગકારોએ એકસુરે આ નિર્ણયન
લોક અદાલતનો હેતુ માત્ર કેસનો ઝડપી નિકાલ નથી, પરંતુ પક્ષકારોને ન્યાય અપાવવાનો પણ છે અને છેલ્લી પાંચ લોક અદાલતમાં તે ફળિભૂત થયું હોય એમ લાગી રહ્યુ છે. ખાસ કરીને એવા પરિવાર જેમના પરિજનો અકસ્માત મોતને ભેટે છે તેઓના પરિવાર માટે તો લોક અદાલત સંજીવની પુરવાર થઈ છે. મુખ્ય કમાનાર જ્ય
સુરત જિલ્લામાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે નેશનલ હાઈવે-48ના કામરેજ–ચલથાણ સેકશનને આખરે 17 વર્ષ બાદ 6 લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી મળી ગઈ છે. લગભગ 13.875 કિમી લાંબા આ મહત્વપૂર્ણ કોરિડોરના વિસ્તરણ અને સર્વિસ રોડના નિર્માણ માટે 686.15 કરોડ રૂપિયાનું ખર્ચ થશે. હાલ આ સેકશન માત્ર 4 લેનનું છે,
હજીરા ખાતે આવેલી AM/NS Indiaનો પ્લાન્ટ સંપૂર્ણ ઈન્ટિગ્રેટેડ સ્ટીલ પ્લાન્ટ તરીકે કાર્યરત છે. અહીં દેશનો સૌથી લાંબો 27 કિલોમીટરનો કન્વેયર બેલ્ટ બનાવવામાં આવ્યો છે, જેના દ્વારા જેટી પર જહાજમાંથી ઉતારવામાં આવતું આયર્ન અને અન્ય કાચામાલ સીધું પ્લાન્ટ સુધી પહોંચાડવામાં આવે છે. આ સિસ્ટ
નમસ્તે, કાલના મોટા સમાચારોમાં જોઈએ તો ઈરાન યુદ્ધ વચ્ચે સાઉદીના ક્રાઉન પ્રિન્સે મોદી સાથે વાત કરી છે. તો ઈરાન યુદ્ધ પર વાત કરવા માટે ત્રણ દેશો પાકિસ્તાન જશે. ઉત્તરપ્રદેશના જેવરમાં વડાપ્રધાન મોદીએ દેશના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્દઘાટન કર્યું. કોલકત્તા પહોંચ
દેશના જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટના છેલ્લા છ વર્ષના આંકડાઓ દર્શાવે છે કે તૈયાર જ્વેલરી સેગમેન્ટ દેશના એક્સપોર્ટમાં નવું ગ્રોથ એન્જિન બની રહ્યું છે. વર્ષ 2020-21માં ગોલ્ડ જ્વેલરી એક્સપોર્ટ 35,483 કરોડ હતો, જે વધીને વર્ષ 2024-25માં 94,938 કરોડ સુધી પહોંચ્યો છે, જ્યારે 2025-26ના એપ્રિલથી ફેબ્ર
આરટીઇના ફોર્મ ભરતા સમયે જે સ્કૂલોમાં બે પાળી પદ્ધતિ ચાલતી હશે ત્યાં વાલી સ્કૂલની સાથે પાળી પણ પસંદ કરી શકાશે. આ માટે બેઠકોની ગણતરી પણ એ મુજબ જ કરાશે. વાલીઓને ઓનલાઇન પ્રવેશ ફોર્મની સાથે પાળીનો વિકલ્પ પણ અપાશે. જેથી હવે સ્કૂલ સંચાલકોની મનમાની નહીં ચાલે. અધિકારીઓના જણાવ્યા પ્ર
શહેરના નવાપુરા સ્થિત જૂના બહુચરાજી મંદિરેથી 125થી વધુ ભક્તોનો ઐતિહાસિક પદયાત્રા સંઘ પ્રસ્થાન પામ્યો છે. ભક્ત વલ્લભ ભટ્ટ દ્વારા 350 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી આ પરંપરા આજે પણ અકબંધ છે. આ સંઘની વિશેષતા એ છે કે તે માતાજીના એક નિજ મંદિરેથી નીકળી સીધો શક્તિપીઠ બહુચરાજી પહોંચે છે. મહંત
ઈરાન-ઇઝરાયેલ યુદ્ધને પગલે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇન ખોરવાતા ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ ગંભીર સંકટમાં મુકાયો છે. છેલ્લા 30 દિવસમાં કાચા માલના ભાવમાં 70 ટકાનો તોતિંગ વધારો થયો છે, જ્યારે પુરવઠામાં 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ પ્રતિકૂળ સ્થિતિને કારણે રાજ્યના 60 ટકા મેન્યુફેક્ચર
શહેરમાં 322.77 કરોડનાં 19 કામોનું લોકાર્પણ અને 673.37 કરોડનાં 49 કામોનું ખાતમુહૂર્ત રવિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાશે. મુખ્યમંત્રી કુલ 1099 કરોડનાં કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. સતાધાર વિસ્તારમાં આખરે ત્રણ વર્ષ બાદ તૈયાર થયેલા સતાધાર ફ્લાયઓવરને ખુલ્લો મૂકવામાં
સોલા સિવિલમાં 58 વર્ષની એક મહિલા દર્દી પેટમાં દુખાવો, કમળો, ભૂખ ન લાગવી અને ઊલટી જેવી સમસ્યાઓ સાથે આવી હતી. તપાસ કરતાં પેન્ક્રિયાસમાં ગાંઠ જોવા મળી અને એ કેન્સર હોવાનું નિદાન થયું હતું. સામાન્ય રીતે આ પ્રકારનું કેન્સર 60 વર્ષ પછી વધુ જોવા મળે છે અને ખાસ કરીને સ્મોકર કે આલ્કોહોલ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કર્મચારીઓના હિત માટે ચલાવવામાં આવતી વેલ્ફેર લોન યોજનામાં વ્યાપક અનિયમિતતા અને ભ્રષ્ટાચાર સામે આવ્યા છે. હાલમાં તંત્રને પોતાના કર્મચારીઓ પાસેથી રૂ. 3.50 કરોડથી વધુ રકમ લેણી નીકળે છે. આ જે મ્યુનિ. તંત્ર સામાન્ય નાગરિકનો 1 લાખનો ટેક્સ બાકી
ચાણક્યપુરીના શાયોના વિસ્તારમાં આવેલી આર.સી. ટેકનિકલથી કારગિલ પેટ્રોલ પંપ સુધીના પટ્ટામાં છેલ્લા 15 દિવસથી વાંદરાનો આતંક જોવા મળી રહ્યો છે. આ ભયને કારણે સ્થાનિક 20થી વધુ સોસાયટીઓના રહીશોમાં ફફડાટ વ્યાપેલો છે અને લોકો ઘરમાંથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. વનવિભાગને આ અંગે ફરિય
રાત્રે 1.17 વાગ્યા છે, શહેર સૂતું છે, પણ 181 હેલ્પલાઇન સેન્ટર જાગી રહ્યું છે.સ્ક્રીન સામે કાઉન્સિલરો કૉલ એટેન્ડ કરવા બેઠા છે. એટલામાં એક કૉલ આવે છે, જેમાં રડતી મહિલાનો અવાજ સંભળાય છે- ‘હવે મારી પાસે કોઈ રસ્તો નથી. મારો પતિ અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા જબરદસ્તી કરે છે. મારી પાસે મરવ
ગુજરાતના ક્લાસરૂમ્સમાં હવે ‘નમસ્તે’ને બદલે ‘અન્યોન્ગ-હાસેયો’ (કોરિયન અભિવાદન) સંભળાઈ રહ્યું છે. 2500 વિદ્યાર્થીઓ પર કરાયેલું 4 માસનું ગહન સંશોધન ચેતવણી આપે છે કે કોરિયન સંસ્કૃતિની આ ઘેલછા માત્ર મનોરંજન નથી, પરંતુ બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ભારતીય સંસ્કારો માટે ‘સ્લો પોઈ
એક સમયે જે સુગર ફેક્ટરીઓ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિનું પ્રતીક હતી, તે આજે પોતે આર્થિક કટોકટીમાં સપડાઈ છે. ભાસ્કરના ઇન્વેસ્ટિગેશનમાં બહાર આવ્યું છે કે, છેલ્લા પાંચ વર્ષમાં શેરડીના વાવેતર અને ઉત્પાદનમાં 15% થી 25% સુધીનો ચિંતાજનક ઘટાડો નોંધાયો છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય,
પાટણ જિલ્લામાં જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ પદોની અનામત જાહેર થતાં રાજકીય સમીકરણોમાં મોટો ફેરફાર થશે. આ અનામત મુજબ 50 ટકાથી વધુ તાલુકાઓમાં મહિલા નેતૃત્વ ઉભું થવાનું નિશ્ચિત બન્યું છે, જ્યારે બક્ષીપંચ અને અનુસૂચિત જાતિના પ્રતિનિધિત્વ સાથે નવી ગોઠવણો શરૂ થશે. જિલ્લા
માર્ચ મહિનો પૂરો થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીએ બાકી લેણાં વસૂલવા માટે પાટણમાં કુલ 2,472 ગ્રાહકો પાસે ₹3.95 કરોડનું બાકી હોવાથી ટાર્ગેટ પૂર્ણ કરવા 8 ટીમો મેદાનમાં ઉતારી છે. જો ગ્રાહક બાકી બિલ ન ભરે તો તેનું જૂનું કનેક્શન કાપી નાખે છે અને એ નવી અર
સાબરમતી- જેસલમેર ટ્રેનમાં કોલેજીયન યુવતીની બેગમાંથી અજાણ્યો શખ્સ રોકડ અને સોનાની ચુની સહિત રૂ.26,137ની મત્તા ભરેલું પર્સ ચોરી ગયો હતો.. ધાનેરાના થાવર ગામની અને મહેસાણાની નવદીપ સોસાયટીમાં રહી પાટણ ખાતે કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી ગોમતીબેન ભેમાભાઇ ચૌધરી પરીક્ષા આપવા મ
ખેરાલુ તાલુકાના ગોરીસણા ગામે યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં પૂરતી રોકડ ન હોવાનું કહેતાં ઉશ્કેરાયેલા દેલવાડાના સરપંચ અને તેમના પુત્રએ બ્રાંચ મેનેજરને ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ ખેરાલુ પોલીસ મથકે નોંધાતાં અટકાયત કરવામાં આવી હતી . ગોરીસણા યુનિયન બેંકમાં બપોરે સમીરખ
વિજાપુર તાલુકાના વસાઈ ગામે ઘર આગળ અર્ધનગ્ન હાલતમાં ઊભા રહી ગંદા ગીતો વગાડતા શખ્સને ઠપકો આપતાં 9 શખ્સોએ લોખંડની પાઇપ અને ગડદાપાટુનો માર માર્યો હતો. જેમાં 5 જણાને ઇજા પહોંચી હતી. હુમલાની ઘટના ઘરના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે ઈજાગ્રસ્ત યુવતીએ 9 શખ્સો વિરુદ્ધ વસાઈ પ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે રવિવારે ગુજકેટ (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) લેવામાં આવશે. જિલ્લામાં ચાર વિદ્યાર્થી ગુજકેટની પરીક્ષાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું જ ભૂલી ગયા હતા. જ્યારે અન્ય ચાર વિદ્યાર્થીઓની
મહેસાણા મહાનગરપાલિકાએ ભૌતિક અને માળખાગત સુવિધાઓ ડેવલપ કરવાના આયોજન સાથે વિકાસ નકશાનો પ્રાથમિક મુસદ્દો તૈયાર કરી વાંધા સૂચનો માટે મૂક્યો છે. એ જ રીતે બાંધકામોમાં હવે સૂચિત વિકાસ ચાર્જ પણ દર્શાવી દેવામાં આવ્યા છે અને આગામી ત્રણ મહિના વાંધા -સૂચનો પછી રાજ્ય સરકારને દરખાસ્ત
પશ્ચિમી પવનના પ્રભાવથી શનિવારે હવામાં ભેજનું પ્રમાણ વધતાં આકાશ દિવસભર સામાન્ય વાદળછાયું રહ્યું હતું, જેના કારણે તાપમાનમાં પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને પારો 36 ડિગ્રીથી નીચે રહ્યો હતો. જોકે વધેલી ભેજને કારણે ઉકળાટ સાથેની ગરમીથી લોકો પરેશાન રહ્યા હતા. હવામાન વિભા
દિયોદર તાલુકાના રૈયા ગામની ખેડૂત પુત્રી આશા ચૌધરીએ મર્યાદિત સુવિધાઓ વચ્ચે કઠોર મહેનત કરી રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે. કેરળના ત્રિવેન્દ્રમ ખાતે 21 માર્ચ, 2026ના રોજ યોજાયેલી 7મી ઇન્ડિયન ઓપન 400 મીટર દોડ સ્પર્ધામાં તેણે અંડર-18 કેટેગરીમાં 59.62 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી બ્
માર્ચ એન્ડિંગને પગલે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાં આજથી ત્રણ દિવસ માટે ખરીદી-વેચાણ સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ખેડૂતો અને વેપારીઓની રોજિંદી લેવડદેવડ પર અસર પડશે અને પાક વેચાણ માટે ખેડૂતોને થોડા દિવસ રાહ જોવી પડશે. આ નિર્ણય નાણાક
પાલનપુર એસટી ડિવિઝનને કુલ 22 નવી બસો ફાળવાતા ડિવિઝન હેઠળના વિવિધ ડેપોમાં વહેંચણી કરવામાં આવી છે. નવી બસો શરૂ થતાં ગ્રામ્ય અને શહેર વિસ્તારો વચ્ચે અવર-જવર વધુ સરળ બનવાની સાથે મુસાફરી વધુ સુલભ બનશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના અલગ અલગ ડિવિજનને 182 નવી બસ
શાંતિબેન હત્યા કેસની માસ્ટરમાઇન્ડ રેખાના ડિટેલ ગુનાનો ભેદ ઉકેલશે પણ હત્યારા જાહેર કરવામાં પોલીસ વિલંબ કરી રહી છે. પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ ડૉ.સુનિલ જોશીએ જણાવ્યું કે ડિપ્રેશનથી આઘાત લાગ્યો હોય તેવી દર્દીએ ફરિયાદ કરતા મહિલા દર્દીને પોલીસ જાપ્તા સાથે દાખલ
સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદથી મીઠું પકવતા અગરિયા પરિવારોને થયેલા નુકસાન અંગે સુરેન્દ્રનગરના સાંસદે લોકસભામાં રજૂઆત કરી હતી. સાથે કચ્છના નાના રણમાં સદીઓથી અગરિયાઓને પણ ખેડૂતોની જેમ PM કિસાન સન્માન નિધિ અને રૂ. 3 લાખ સુધીની વ્યાજમુક્ત લોનનો લાભ મળે તેવી કેન્દ્ર સર
ધ્રાંગધ્રાના મોટી માલવણ સોલાર કંપની સામે લેન્ડ ગ્રેબિંગ માટેની ડેપ્યુટી કલેક્ટર દ્વારા અરજી કર્યા બાદ વિલંબ થતા ભારે ચર્ચા જોવા મળી. ત્યારે કંપની દ્વારા સરકારી જમીન પર મંજૂરી વગર 41 વીજ પોલ નાખવામાં આવ્યા હતા. તેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકાના મોટી મ
જૈનાબાદ ગામમાં રસ્તા, લાઇટ, ગટર સહિતની સુવિધાના અભાવે ગ્રામજનો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ ગામમાં ગામ લોકોને પ્રાથમિક સુવિધાઓ કરાય તેવી માંગ ઉઠી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના અંતિરયાળ ગામડાઓમાં હજુ પણ લોકોને જીવન જરૂરીયાત પૂરતી સુવિધા ન મળતી હોવાથી હાલાકી ભોગવ
સુરેન્દ્રનગર શહેરના ખેરાળી રોડ પર નવનિર્મિત બહુમાળી ભવનમાં સરકારી કચેરીઓ આવેલી છે. પરંતુ પાયાની સુવિધા એવી પીવાના પાણીની વ્યવસ્થામાં તંત્ર સદંતર નિષ્ફળ ગયું હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. અહીં કરોડોના ખર્ચે બિલ્ડિંગો તૈયાર થઈ, નળ અને પરબો પણ ફીટ કરી દેવાયા, પરંતુ તેમાં પ
સેતુગીરી ગોસ્વામી સુરેન્દ્રનગર જિલ્લામાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ દર વર્ષે 3.50 લાખથી વધુ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ થાય છે. જેમાં છેલ્લા 3 વર્ષનાં આંકડા જોતા ચોંકવનારી વિગતો સામે આવી છે. મોબાઈલ અને ફાસ્ટફુડની વિપરીત અસરોથી બાળકોના હૃદય અને આંખ નબળા પડ્યાં છે. છે
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા તાલુકા પંચાયતો પાસેથી વિવિધ પ્રકારના વેરા વસૂલાત કરવામાં આવતા હોય છે. અધિકારીઓ સાથે બેઠકોમાં વેરા વસૂલાત કરવાની સૂચના આપવામાં આવતી હોય છે. પરંતુ જિલ્લા પંચાયતની 23 કરોડ માંગણા સામે હજુ સુધીમાં 9.63 કરોડ વેરો વસૂલાત થઈ છે. તેની સામે હજુ 13.36 કરો
માધવપુર મેળામાં હસ્તકલા હાર્ટ પ્રદર્શન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.આ જગ્યા પર અસમ, મણીપુર, મેઘાલય, મીઝોરમ, નાગાલેન્ડ, ગુજરાત રાજયની હસ્તકલા, હાથશાળ, ભરતકામ, મોતીકામ, માટીકામની કૃતિઓનું વેચાણ થાય છે પરંતુ આ હસ્તકલા હાર્ટ 9 વાગ્યામાં જ બંધ થઈ જતું હોવાથી અહીં ખરીદી કરવા આવતા લોકો
પોરબંદરમાં સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો અનુભવ થયો હતો. મહતમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું છે જ્યારે લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 47 ટકા રહ્યું છે. પોરબંદરમાં સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધૂપછાવ વાતાવરણ જ
રાણાવાવ ખાતે રામજન્મોત્સવના દિવસે સમસ્ત લોહાણા મહાજન દ્વારા પદગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં હોદ્દેદારોનું સન્માન કરાયું હતું. જેમાં સમસ્ત લોહાણા મહાજન રાણાવાવની નવી કારોબારીના પ્રમુખ બ્રિજેશભાઈ મહેન્દ્રભાઈ માખેચા, ઉપપ્રમુખ દેવેનભાઈ ભરતભાઈ તન્ના, મંત્રી હિરેનભાઈ રસ
પોરબંદર નજીક કુછડી ગામમાં આવેલ પાંડવકાલીન ખીમેશ્વર મહાદેવ મંદિર સામે સ્થિત નવદુર્ગા માતાજીનું પ્રાચીન દ્વિમુખી એટલેકે બે દરવાજાવાળું મંદિર ધાર્મિક તથા ઐતિહાસિક મહત્વ ધરાવે છે. પુરાતત્વ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આ મંદિર વલ્લભી શિખર શૈલી ધરાવતું રાજ્યમાં અદ્વિતીય અને
પોરબંદરમાં આર્ય સમાજના 152મા સ્થાપના દિવસ નિમિત્તે બે દિવસીય ભવ્ય ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે અમાવસ્ય ઇષ્ટિ યજ્ઞ, સંવત્સર ઇષ્ટિ યજ્ઞ, સંતોના પ્રવચનો તેમજ વિશેષ સન્માન સમારોહ જેવા ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા. પ્રથમ દિવસે નારી જગત : શિક્ષણ, સમસ્યા અને સમાધાન વિષય
ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રુક્મિણીના પાવન વિવાહ પ્રસંગે યોજાતા માધવપુર ઘેડ લોકમેળાના ભાગરૂપે આયોજિત બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે માધવપુર બીચ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ અવસરે તેમણે માધવરાય મંદિર ખા
બોર્ડની પરીક્ષા હાલ પૂર્ણ થઈ ગઈ છે ત્યારે આ બોર્ડની પરીક્ષા બાદ પેપર ચકાસણી અલગ અલગ જિલ્લામાં ફાળવવામાં આવેલ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં કરવામાં આવી રહી છે.પોરબંદર જિલ્લામાં પણ આવેલ 4 મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં નિમણૂક કરવામાં આવેલ અલગ અલગ વિષયના કુલ 489 શિક્ષકો દ્વારા
માધવપુરમાં માધવરાયજીની નવી હવેલીનું પોરબંદરના રાજમાતા રૂપાળીબાએ સં 1896 માં જુના મંદિરની પૂર્વ બાજુ આવેલા મુ. 1799 ના આ મંદિરને સ્થાને પોરબંદરના રાણી રૂપાળીબાએ આ હવેલી બંધાવેલી છે. આ મંદિરમાં શ્રી માધવરાય અને શ્રી ત્રીકમરાયની જુગલજોડી બિરાજે છે. કહેવાય છે કે આ મુર્તિઓના કદ જે
પોરબંદરના માધવપુર ખાતે રાષ્ટ્રીય મેળાનો પ્રારંભ થયો છે. આ રાષ્ટ્રિય મેળામાં જવા માટે ગ્રામ્ય પંથકમાં એસ.ટી.બસની વ્યવસ્થા કરવામાં આવી છે.ત્યારે પોરબંદરના એસ.ટી.ડેપો દ્વારા પણ માધવપુર ખાતે એસ.ટી.બસની ફાળવણી કરવામાં આવે છે. ત્યારે ડેપોમાંથી અમુક બસોની ફાળવણી કરવામાં આવતા ગ્
પોરબંદર શહેરના કર્લી જળાશયમાં ફેલાયેલી જળકુંભી દૂર કરવા રાજ્ય સરકાર દ્વારા રૂ. 59.20 લાખની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી ક્ષાર પ્રવેશ નિવારણ વર્તુળ, રાજકોટના અધિક્ષક ઇજનેર દ્વારા અપાઈ છે. રતનપર અને છાંયા વિસ્તારમાં જળકુંભીનું પ્રમાણ વધતા પાણીની સપાટી સુધી સૂર્યપ્રક
વંથલી તાલુકાના ઝાંપોદડ ગામની શેઠ બી. કે. મહેતા હાઈસ્કૂલ ખાતે રીનોવેશનનું કાર્ય પૂર્ણ થતા વિદ્યાર્થીઓને પોતાની મૂળ શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ રીનોવેશન કાર્યની ખાસ વિશેષતા એ રહી કે, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો, ગામના અગ્રણીઓ તેમજ હાલ
જૂનાગઢ ઓપન જેલમાં આજીવન કેદની સજા કાપી રહેલા હત્યા કેસના આરોપી અશોક સાંકરીયાને સારી વર્તુણકને લીધે 14 વર્ષે જ જેલમાંથી મુક્તિ મળી છે. 14 વર્ષ પહેલા તેઓ જેલમાં ગયા ત્યારે તેમની દીકરી વૈશાલીની ઉંમર શાળાએ મોકલવાની હતી અને હવે જ્યારે 28 માર્ચ 2026ના રોજ તેમને સારી વર્તણુંકના લીધે જે
વંથલી તાલુકાના ઝાંપોદડ ગામે રહેતા 65 વર્ષીય વલ્લભભાઈ પ્રેમજીભાઈ મેઘનાથીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 13 દિવસ પહેલા તેમના માતાનું અવસાન થયું હતું. જેની ધાર્મિક વિધિ માટે વૃદ્ધના પિતાએ પુત્ર શૈલેષ અને તેના નાના ભાઈના દીકરા (પૌત્ર) ભાવેશ વિનોદગર મેઘનાથીને રૂપિયા 50-50 હજાર આપ્યા હતા. શ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 29 માર્ચને રવિવારના રોજ ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષામાં જૂનાગઢ જિલ્લામાંથી ગુજરાતી-અંગ્રેજી માધ્યમના મળી કુલ 3085 વિદ્યાર્થીઓ નોંધાયા છે. શિક્ષણાધિકારીએ જણાવ્યુ કે, તાજેતરમાં જ ધોરણ 10-12 બોર્ડની પરીક
જૂનાગઢ સ્થિત નોબલ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા કરવામાં આવેલા મહત્વપૂર્ણ સંશોધનમાં ખુલાસો થયો છે કે, ભારતીય શેરબજારમાં અસ્થિરતા દરમિયાન સ્થાનિક સંસ્થાગત રોકાણકારો બજારને સ્થિર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જ્યારે વિદેશી સંસ્થાગત રોકાણકારો મુખ્યત્વે બજારના ટ
શહેરના કાઝીવાડા વિસ્તારમાં રહેતા પરિવારના બંધ મકાનમાંથી ગયા સોમવારે ધોળા દિવસે રૂપિયા 5.50 લાખની ચોરી થઈ હતી. અંતે પોલીસે ભેદ ઉકેલી ઉપરકોટ પાસે રહેતી શાતિર મહિલાની ધરપકડ કરી તમામ મુદ્દામાલ કબજે કર્યો હતો. કાઝીવાડામાં આવેલ નવકાર એપાર્ટમેન્ટના 402 નંબરના બ્લોકમાં રહેતા મુસ્ત
જામનગર સહિત રાજ્યની તમામ જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં આગામી સામાન્ય ચુંટણીમાં અગાઉ તમામ બેઠકોના અનામત રોટેશન જાહેર થયા હતા. જે બાદ હવે પ્રમુખ પદના બાકી રહેતા અનામત રોટેશન જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે પ્રથમ અઢી વર્ષ માટે સામ
જામનગર શહેરમાં ખાનગી બેંકના ડે.મેનેજર સસ્તામાં ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરવા જતાં વેપારીનું નાટક કરતો શખસ રૂ.44.50 લાખ રોકડ કારમાં લઈને નાશી છુટતા ચકચાર મચી જવા પામી છે. ફોનમાં યુ.એસ.ડી.ટી.થી ક્રીપ્ટો કરન્સી ટ્રાન્સફર કરવાનું કહીને મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. તપાસમાં તેને ના

27 C