રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની જાહેર થયેલ ચૂંટણીઓ માટે ભાવનગર જિલ્લામાં ભાજપમાં મોટી સંખ્યામાં દાવેદારો એ પોતાની દાવેદારી નોંધાવી રહ્યાં છે, જેમાં જિલ્લા પંચાયતની 40 બેઠકો, 10 તાલુકા પંચાયતોની 210 બેઠકો અને 3 નગરપાલિકાની 96 બેઠકો સંદર્ભે આ ચૂંટણી માટે લડવા માટે બે દિવસ ભાવનગર જિ
ગાંધીનગરના સેક્ટર-16 વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડામાં આજે સવારના સમયે બેંક ખુલતાની સાથે જ એક સાપ નજરે પડ્યો હતો. બેન્કનું કામકાજ શરૂ થવાના સમયે જ સાપ દેખાતા ગ્રાહકો અને બેંક સ્ટાફમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો ફફડાટના માર્યા બેન્કની બહાર દોડી આવ્યા હતા. જોકે શ્રી રામ ચે
અમરેલી જિલ્લાના ઢોલરવા ગામે શ્રદ્ધાના નામે ચાલતા એક મોટા તૂતનો પર્દાફાશ થયો છે. એક વૃદ્ધ દ્વારા જીવિત સમાધિ લેવાની કરવામાં આવેલી જાહેરાતને પગલે ફેલાયેલી અંધશ્રદ્ધાને ભારત જન વિજ્ઞાન જાથા અને સ્થાનિક પોલીસની ટીમે સમયસર દખલગીરી કરીને અટકાવી દીધી છે. શું હતી સમગ્ર ઘટના?ઢોલ
રૂ.533 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ 4 લેન બ્રિજ સૌરાષ્ટ્રનો સૌથી લાંબો અને કેબલ સ્ટ્રેઈડ આઇકોનિક સ્પાન ધરાવતો બ્રિજ બનશે ભાવનગર શહેરના વિકાસની ગતિને વેગ આપવા અને નાગરિકોની સુવિધામાં વધારો કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા કરવા
અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં મોડાસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વનિતાબેન પટેલની તારીખ 24/03/2026ના રોજ ચેરમેન તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. વનિતાબેન પટેલ અગાઉ મોડાસા નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમના બહોળા વહીવ
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ બાયપાસ નેશનલ હાઇવે નીચે ભાલપરાથી મીઠાપુર ગામ સુધીનો આશરે ત્રણ કિલોમીટરનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં છે. આને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ માર્ગ વેરાવળ શહેરને આસપાસના ગામડાઓ સાથે જોડે છે. અહીં કનકાઈ માતાજીનું પ્રા
બેટ દ્વારકામાં હનુમાન જયંતિ નિમિત્તે પિતા-પુત્ર હનુમાનજી અને મકરધ્વજજીના મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી, જ્યાં ભક્તોએ વિશેષ પૂજા-અર્ચના કરી હતી. આ મંદિરનું ધાર્મિક મહત્વ અનોખું છે, કારણ કે અહીં હનુમાનજી સાથે તેમના પ
આજરોજ સમગ્ર ગોહિલવાડ પંથકમાં ઠેરઠેર હનુમાન જયંતિની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે શહેરના પ્રસિદ્ધ ગોળીબાર હનુમાનજી મંદિર તથા અધેવાડા પાસે આવેલા ઝાંઝરીયા હનુમાનજી મંદિરે આજે સવારથી જ દર્શન કરવા ભાવિકોની ભારે ભીડ ઉમટી પડી હતી, તેમજ બજરંગ દળ દ્વારા સાંજે રાજમાર્ગો પર શ
વલસાડ તાલુકાના હિંગરાજ ગામમાં આવેલા વૈકરિયા હનુમાનજી મંદિરે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ 350 વર્ષ જૂના મંદિરમાં 1500 કિલો ચોખાનો ભંડારો યોજાયો હતો, જેમાં 40 હજારથી વધુ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. વલસાડ જિલ્લા ઉપરાંત દૂર-દૂરથી શ્રદ્ધાળુઓ દર્શન કરવા ઉમટી પડ્
દાહોદમાં એપ્રિલ-2026માં યોજાનારી નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ચૂંટણી પ્રક્રિયાને આદર્શ ર
વિસનગર, 1 એપ્રિલ, 2026: રાષ્ટ્રીય વોકિંગ ડે નિમિત્તે ભારત વિકાસ પરિષદ, વિસનગર શાખા દ્વારા આરોગ્ય જાગૃતિ માટે એક વોકિંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં પરિષદના સભ્યો અને પ્રમુખે ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રેલી વિસનગર રેલ્વે સ્ટેશનથી શરૂ થઈને કમાણા ચોકડી સુધી પગપાળા
મહાવીર પ્રભુના જન્મ કલ્યાણ નિમિત્તે, મંગલ નવકાર મહેક ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 1500 જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ ભોજન કરાવવામાં આવ્યું. આ ભોજનમાં ચુરમાના લાડુ, ફૂલવડી, દાળ, ભાત, શાક અને રોટલીનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત, અમદાવાદના વૃદ્ધાશ્રમો અને આંગણવાડીઓમાં પણ ફૂલવડી અને ચુરમા
પદ્મશ્રી અરવિંદ વૈદ્યનું અમદાવાદમાં નાટ્ય સંપદા સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું. તાજેતરમાં તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. આ ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી માટે ૩૧ માર્ચના રોજ એલિસબ્રિજ જિમખાના ક્લબ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી જાણીતી સનરાઈઝ હોસ્પિટલના 'સિયા મેડિકલ સ્ટોર'માં ચોરીની એક સનસનીખેજ ઘટના બની છે. સાંજે અંદાજે 5:30 કલાકે એક અજાણ્યો શખ્સ ગ્રાહક બનીને સ્ટોરમાં પ્રવેશ્યો હતો અને તક મળતા જ ફ્રીજમાં રાખવામાં આવેલા મોંઘા ભાવના ઇન્જેક્શનની ચોરી કરી હતી. આ સમગ્ર ઘટના
ગોતાલાવાડીની શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા પ્રાથમિક કુમાર શાળા નંબર-117માં વાર્ષિક ઉત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં SMC અધ્યક્ષ, સભ્યો, મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને સાંસ્કૃતિક સિદ્ધિઓની ઉજ
રાજકોટના મોરબી હાઈવે પર આવેલા હડાળા ગામના પાટીયા પાસે ગઈકાલે(1 એપ્રિલ) બપોરના સમયે એક કરૂણ ઘટના સામે આવી હતી. જેમાં વડોદરાથી પાંચ દિવસ પહેલા રોજગારી મેળવવાની આશા સાથે રાજકોટમાં આવેલા 39 વર્ષીય નેપાળી યુવકે આર્થિક તંગી અને કામ ન મળવાને કારણે સર્જાયેલી માનસિક અસ્વસ્થતામાં ટ્
સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા પ્રાચીન ગુમાનદેવ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. આ પાવન અવસરે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજરી આપી ભજન-કીર્તન, હનુમાનજીના દર્શન અને પ્રસાદનો લાભ લીધો હતો.આ મંદિર સંત શ્રી નિરવાણ સાહેબના સમાધિ
વડોદરા જિલ્લાના ઉંડેરા ગામે રહેતા મહિલા પાસેથી ઓફિસના માલિક અને મેનેજરે 1.92 લાખ રૂપિયા પડાવી લીધા હતા.વારંવાર રૂપિયાની માંગણી કરવા છતાં પરત આપ્યા નહોતા અને ઓફિસ બંધ કરીને બંને ભાગી થઈ જતા મહિલાએ ઓફિસ માલિક અને મેનેજર સામે ફરિયાદ નોંધાવી છે.કોમ્પ્યુટર ઓપરેટર મહિલા પાસેથી ર
આજે 2 એપ્રિલના શહેરના કષ્ટભંજન બાલાજી હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. અહીં હનુમાન દાદાની મહાનીરાજનમ આરતીમાં 2000 થી વધુ ભક્તજનો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ દરમિયાન બાળકોથી લઈ યુવાનો, મહિલાઓ અને વડીલોએ કષ્ટભંજન દેવની આરાધના કરી હતી. જે બાદ હેપ્પ
સુરત શહેરના ઉમરા વિસ્તારમાં 181 અભયમ મહિલા હેલ્પલાઇનની સતર્કતા અને માનવીય અભિગમને કારણે એક અસહાય મહિલાનું તેના પરિવાર સાથે સુખદ પુનઃમિલન શક્ય બન્યું છે. ભટકતી હાલતમાં મળી આવી મહિલા અલથાણ વિસ્તારમાં અંદાજે 35 વર્ષીય એક મહિલા અસહાય અને ભટકતી હાલતમાં હોવાની જાણ એક જાગૃત નાગરિ
અમદાવાદના થલતેજ ટેકરા નજીક, દુરદર્શન ચાર રસ્તા પાસે આવેલું અંજની માતા હનુમાનજી મંદિર આજે ભક્તિમય માહોલમાં રંગાયું છે. રાજ્યના આ એકમાત્ર અનોખા મંદિરમાં આજે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બનેલા આ મંદિરને આજે સવારથી જ મનમોહક ફ
ડાયમંડ સિટી તરીકે જાણીતું સુરત હવે તેની ભક્તિ અને ભવ્યતા માટે પણ વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. સુરતના પાલ વિસ્તારમાં સ્થિત અટલ આશ્રમ ખાતે હનુમાન જન્મોત્સવની અનોખી અને રેકોર્ડબ્રેક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે દાદાને પ્રસાદ રૂપે 7000 કિલો
ગુજરાતની રાજનીતિમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી ગંભીર આક્ષેપો કર્યા છે. કેજરીવાલે જણાવ્યું છે કે, ગુજરાતમાં AAPના આશરે 160 કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે અને વધુમાં 10 હજાર જેટલ
વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં મોપેડ પર આવેલા 3 અજાણ્યા લૂંટારૂઓએ ચપ્પુ બતાવી ધમકી આપી વેપારી પાસેથી 3.50 લાખ રૂપિયા અને મોબાઈલ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ મામલે જે પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે CCTV ફૂટેજના આધારે 3 લૂંટારૂની શોધખોળ શરૂ કરી છે. વડોદરા શહેરના ત
ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી એ.વી. ઉપાધ્યાયે પત્રકાર પરિષદમાં ચૂંટણી વ્યવસ્થાની તૈયારીઓ વિશે માહિતી આપી હતી. જિલ્લામાં નિષ્પક્ષ, પારદર્શક અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરવા માટે વહીવટી મશીનર
ગીર સોમનાથના રાજકીય ફલક પર આજે એક મોટી ઉથલપાથલના દ્રશ્યો સર્જાયા છે. શાસક અને વિપક્ષના ગણિત વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) ને ગઢ ગણાતા વિસ્તારમાં કારમો ઝટકો લાગ્યો છે, જ્યારે બીજી તરફ કોંગ્રેસના છાવણીમાં ઉત્સાહનો સંચાર થયો છે. વેરાવળ-પાટણ પંથકના 'આપ' ના પાયાના અગ્રણીઓ અને સમર્પિત ક
આઈપીએલનો પ્રારંભ થતાની સાથેજ બુકી અને સટ્ટોડીયાઓને ઝડપી લેવા માટે શહેર પોલીસ એક્ટીવ થઈ ગઈ છે. ચાંદખેડા પોલીસે જગતપુર પાસે આવેલા એક કાફેમાં સટ્ટો રમી રહેલા બે શખસની ધરપકડ કરી છે. બન્ને શખસ અલગ-અલગ બેસીને ક્રિકેટ સટ્ટો રમતા હતાં, જ્યાં પોલીસે શંકાના આધારે તેમની ધરપકડ કરી લીધ
અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચ દ્વારા ગઈકાલે સાંજે 6 નગરપાલિકા અને 11 તાલુકા પંચાયત માટે મતદારોની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં સ્ત્રી, પુરુષ અને અન્ય મતદારોનો સમાવેશ થાય છે. જિલ્લાની 11 તાલુ
હિંમતનગરના હરસિધ્ધિ માતાજીના મંદિરે ચૈત્રી પૂનમના દિવસે નવચંડી હવનનો પ્રારંભ થયો હતો. આ હવન સાંજે શ્રીફળ હોમ સાથે સંપન્ન થશે. ગુરુવારે ભક્તોએ માતાજીની ગરુડ પર સવારીના દર્શન કર્યા હતા. આજે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિ હોવાથી હિંમતનગર સહિત સાબરકાંઠા જિલ્લાના વિવિધ મંદિરો
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં હનુમાન જયંતિ પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે વિવિધ મંદિરો અને સંગઠનો દ્વારા હવન, સુંદરકાંડ, મારૂતિ યાગ અને ભંડારા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. ભદ્ર સાર્વજનિક વ્યાયામ મંદિર, છબીલા હનુમાન અને મંગલ
રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ભરૂચ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ચૂંટણી પ્રક્રિયા અંગે માહિતી આપતા જણાવ્યું કે, આગામી 26 એપ્રિલે જિલ્લા પંચાયતની 34 બેઠકો, 9 તાલુકા પંચાયતની 182
વલસાડના તિથલ દરિયા કિનારે પથ્થરોમાં ફસાયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ સુરતના 46 વર્ષીય રત્ન કલાકાર ભરતભાઈ હરજીભાઈ પટેલ તરીકે થઈ છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને ઘટનાસ્થળેથી મૃતદેહ નજીક એક કાળા રંગની ટિફિન
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગરમાં વધુ એકવાર એએમટીએસ બસના ચાલકની બેદરકારી સામે આવી છે. સરદાર ચોકથી વિજય પાર્ક તરફ જવાના માર્ગ પર પૂરપાટ ઝડપે આવતી બસના ચાલકે એક બળદગાડાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બળદ અને વૃદ્ધને ઈજા પહોંચી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પ
જામનગરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. શહેરના વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ લાંબી કતારોમાં ઊભા રહીને દર્શનનો લાભ લઈ રહ્યા છે. ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન ધરાવતા બાલા હનુમાન સંકીર્તન
બોટાદ જિલ્લાના કાનીયાડ ગામે ઉમરાળા રોડ પર આવેલી એક વાડીમાંથી નવજાત શિશુ મળી આવ્યું છે. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, વાડીમાં લીલી જુવારના પાક વચ્ચેથી આ નવજાત શિશુ મળી આવ્યું હતું. સ્થાનિકો દ્વારા આ અંગે પાળીયાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહ
સુરતમાં તાજેતરમાં કરોડોની નકલી નોટો છાપવાના કૌભાંડમાં ઝડપાયેલા કહેવાતા યોગ ગુરુ પ્રદીપ જોટાંગિયા (પ્રદીપ બાબા) વિરુદ્ધ હવે તબીબી આલમમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર આયુર્વેદના નામે લોકોની સારવાર કરતા આ 'ઢોંગી' બાબા વિરુદ્ધ સુરતના આયુર્વેદ
વડોદરા શહેર નજીકથી પસાર થતા નેશનલ હાઈવે પર જાંબુવાબ્રિજ પાસે કપુરાઈ પોલીસે એક ટ્રકમાંથી કતલખાને લઈ જવાતા 15 પશુઓને બચાવી લીધા છે. પોલીસે પશુઓની હેરાફેરી કરનાર ટ્રક ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી છે, જ્યારે પશુઓ ભરી આપનાર અંકલેશ્વરના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસ
સુરતના પાંડેસરામાં ઝડપાયેલા 1400 કિલો શંકાસ્પદ પનીરના નમૂનાનો લેબોરેટરી રિપોર્ટ આજે જાહેર થતાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પનીરનો આ જથ્થો 'સબ-સ્ટાન્ડર્ડ' જાહેર કરવામાં આવ્યો છે. આ પનીરમાં કુદરતી મિલ્ક ફેટને બદલે
મહેસાણા મહાનગરરપાલિકા બન્યા બાદ પ્રથમ ચૂંટણી યોજાવા જઈ રહી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વોર્ડ નંબર 1 થી 6 માટે 450થી વધુ દાવેદારો સામે આવ્યા છે. જ્યારે બાકી રહેલા 7 થી 13 વોર્ડની આવતીકાલે સેન્સ લેવામાં આવશે. 13 વોર્ડની 52 બેઠક પર ઉમેદવારોની પસંદગી
પાટણ જિલ્લામાં આગામી 26 એપ્રિલે યોજાનારી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 'સેન્સ' પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લાના વિવિધ તાલુકાઓના દાવેદારો અને કાર્યકરોનો અભિપ્રાય લેવા માટે ત્રણ
આજે હનુમાન જયંતી નિમિત્તે શહેરના દરેક હનુમાન મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ત્યારે શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલા હનુમાન કેમ્પ મંદિર ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો એ હનુમાનજીના દર્શન કર્યા હતા અને પ્રસાદનો લ્હાવો લીધો હતો. કેમ્પ હનુમાનના મંદિરને વિવિધ પ્રકારન
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલી રામનગર સોસાયટીમાં રામેશ્વર મંદિરના પરિસરમાં આજે ત્રિદેવાલય નવદશ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે આ પાટોત્સવના હવનનો પ્રારંભ થયો હતો. રામનગર સોસાયટી પરિવાર દ્વારા ગુરુવારે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતિના પવિત્ર દિવસે દુઃખ ભ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેનો આજે 2 એપ્રિલે બીજો દિવસ છે. આજની સેન્સ પ્રક્રિયામાં વોર્ડ નંબર 9, 10, 11, 12, 16 અને 18 નંબરના કાર્યકર્તાઓ પોતાની દાવેદારી નોંધાવવા નિરીક્ષકો સમક્ષ સેન્સ આપી રહ્યા છે. ઉલ
મહેસાણા શહેરના રાધનપુર રોડ પર આવેલી સોસાયટીઓમાં તસ્કરોએ ફરી એકવાર માથું ઉચક્યું છે. તસ્કરોએ એક બંધ બંગલાને નિશાન બનાવી 1.10 લાખની મત્તાની ચોરી કરી હતી. બાદમાં અન્ય એક સોસાયટીમાં ચોરીનો પ્રયાસ કરતા જાગી ગયેલા રહીશોએ છુટા દંડાનો ધા કરી તસ્કરને ભગાવ્યો હતો. તો સામેથી તસ્કરોએ ર
પાટણ શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે વિવિધ હનુમાન મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. મંદિરોમાં મારૂતિ યજ્ઞ, સુંદરકાંડ, છપ્પનભોગનો અન્નકૂટ અને સુંદર આંગી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્રી પૂનમ
આજે હનુમાન જયંતિના પવિત્ર અવસરે નવસારી જિલ્લાના વિરવાડી સ્થિત 500 વર્ષ જૂના હનુમાન મંદિરે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ પ્રાચીન મંદિર ભક્તો માટે આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. મંદિર સાથે એક રોચક પૌરાણિક દંતકથા જોડાયેલી છે. આમડપોર ગામના દેસાઈ પરિવારના એક સભ્યને સ્વપ્નમાં હનુ
ગાંધીનગર ઉત્તર વિધાનસભા ભારતીય જનતા પાર્ટી અને સહાય ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત રમોત્સવ-2026નો ગઈકાલે(1 એપ્રિલ) રાતે સેક્ટર-11 સ્થિત રામકથા મેદાન ખાતે પ્રારંભ થયો હતો. આ મલ્ટીસ્પોર્ટ્સ ઇવેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિ
સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્મા સ્થિત નાના અંબાજીના અંબિકા માતાજી મંદિરે ત્રિદિવસીય ચૈત્રી મેળો આજે પૂર્ણ થયો છે. ચૈત્રી પૂનમ નિમિત્તે વહેલી સવારે યોજાયેલી મંગળા આરતીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. આ મેળાના સમાપન દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર
ધરમપુરના દશોદ્રી ફળિયા વિસ્તારમાં આવેલા એડિશનલ સેશન્સ જજ એમ.એ. મિરઝાના બંધ બંગલામાં અજાણ્યા તસ્કરોએ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ બંગલામાં પ્રવેશ કરી સામાન વેરવિખેર કર્યો હતો, પરંતુ કોઈ કિંમતી ચીજવસ્તુની ચોરી થઈ ન હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટન
સુરતના ઉધના વિસ્તારમાં રહેતા આધેડ રેર કેસમાં થતા હાડકાંના ટ્યૂમરના લીધે ચાલવામા તકલીફથી પીડાતા હતા. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના 3 વિભાગના ડોક્ટરની ટીમ દ્વારા ટિબિયા હાડકીના અસરગ્રસ્ત ભાગને દૂર કરીને બન્ને પગની ફિબ્યુલા હાડકીઓનો ઉપયોગ કરીને ટિબિયા હાડકીનું પુનર્ન
વડોદરા જિલ્લાના દેણા ચોકડી નજીક આવેલ વિરોદ ગામમાંથી 5.5 ફૂટનો મગર જોવા મળ્યો હતો. જેને પગલે સ્થળ પર પહોંચીને ભારે જહેમત રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના દેણા ચોકડી નજીક આવેલ વિરોદ ગામમાંથી રાત્રિના આશરે 11:30 વાગ્યે હેલ્પલાઇન ન
અમદાવાદના સોલા ખાતે શિવકથાનો પ્રારંભ થયો છે. સાયન્સ સિટી રોડ પર સિમ્સ હોસ્પિટલ સામે આવેલા એએમસી મેદાનમાં 1 એપ્રિલ, 2026થી 9 એપ્રિલ, 2026સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથાના પ્રારંભ પૂર્વે ભાડજ સુપર સિટીથી પોથીયાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા પટેલ પરેશભાઈ અમૃતલાલ કુંડાળવ
કોડીનાર પોલીસે એક જ રાત્રિમાં બે સ્થળોએ દરોડા પાડી ₹29,530 રોકડ સાથે 10 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રથમ દરોડો કોડીનાર ટાઉન વિસ્તારમાં યુનિયન બેંક પાછળ પાડવામાં આવ્યો હતો. નાઇટ પેટ્રોલિ
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં વર્ષ 1999માં થયેલી એક હત્યાના કેસમાં સુરત પોલીસને મોટી સફળતા મળી છે. છેલ્લા 27 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખી નાસતા ફરતા આરોપી રાજેશ ઉર્ફે રાજેશ્વર ઉર્ફે ગોરેલાલ કાળુ યાદવને ઝોન-4ની પોલીસ ટીમે બિહારના નાલંદા જિલ્લામાંથી દબોચી લીધો છે. મશીન બાબ
હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખિયા હનુમાન મંદિરે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા. મોડી રાતથી આખી રાત સુધી અમરેલી સહિત આસપાસના જિલ્લાઓમાંથી શ્રદ્ધાળુઓ પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા હતા. મંદિરને રોશની અને ફૂલો
કર્ણાવતી મહાનગરના ભાગવત વિભાગ અંતર્ગત નારણપુરા જિલ્લાના વાડજ પ્રખંડમાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ મુજબ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં નારણપુરા જિલ્લાના સહ-સંયોજિકા ભાવનાબેને વક્તા તરીક
ભાવનગરના ઈસ્કોન કલબથી આગળ વિક્ટોરીયા પાર્કની પાછળના ભાગે 1 એપ્રિલની મોડીરાતે લૂંટની ઘટના સામે આવી છે. શહેરના કાળીયાબીડ વિસ્તારમાં શક્તિ માઁના મંદિર પાસે રહેતો મનદિપસિંહ દિલીપસિંહ યાદવ (ઉં.વ 25) ગતરાત્રે 11 વાગ્યાના અરસામાં તેની મંગેતર દિશા ડાભી સાથે બાઈક ઉપર આંટો મારવા માટે
ચૈત્રી પૂનમ એટલે શક્તિની આરાધનાનો પવિત્ર દિવસ. સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે બિરાજમાન મા ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું છે. આકરી ગરમી અને 40 ડિગ્રી તાપમાન પણ ભક્તોની શ્રદ્ધાને ડગાવી શક્યું નથી. અંદાજે દોઢ લાખથી વધુ શ્રદ્ધા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. જે મુજબ 26 એપ્રિલના રોજ મતદાન અને 28 એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. આ વખતની ચૂંટણીની જાહેરાતથી માંડી પરિણામ જાહેર થવા સુધી માત્ર 25 દિવસનો સમયગાળો મળે છે. જે ગત વખતની ચૂંટણી કરતાં 11 દિવસ ઓછો છે. કચ્છમાં 9 તાલુકા પં
સાહિત્ય, શિક્ષણ અને ગ્રામ પુનરૂત્થાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારી પ્રતિભાઓને-સંસ્થાઓને પુરસ્કારવાના ઉદ્દેશથી રચાયેલા શ્રીમનુભાઇ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશનનો વર્ષ 2025 ગ્રામ પુનર્રચના એવોર્ડ કચ્છના ‘ભોજાય સર્વોદય ટ્રસ્ટ’ને તથા સાહિત્ય એવોર્ડ સર્જનાત્મક લેખક મોહન પરમ
કચ્છ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા આંતરિક બદલીઓનો કરવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા 32 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ (CHO) ની બદલીના આદેશ જારી કરવામાં આવ્યા છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર અને સબ-સેન્ટરો પર ફરજ બજાવતા આ કર્મચારીઓની બદલી તેઓની સ્વ-વિનંતીના આધાર
આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં તંત્ર દ્વારા વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે પાર પડે તે
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો માટે જિલ્લાફેર બદલી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. વધ-ઘટ અને આંતરિક જિલ્લાફેર બદલીની કામગીરી પૂર્ણ થયા બાદ હવે જિલ્લા ફેર બદલી કેમ્પ માટેનું શેડ્યુઅલ જાહેર કરાયું છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલની જાહેરાત થતા રાજકીય માહોલ ગરમાયો છે અને આગામી 25 દિવસ દરમિયાન રાજકીય ગતિવિધિઓ તેજ બનશે. આ વચ્ચે ભુજ શહેરમાં 30 માર્ચના રોજ સીએમ કાર્યાલયના નિર્દેશ મુજબ ઉચ્ચ કક્ષાના અધિકારીઓની ટીમે અચાનક મુલાકાત લીધી હતી, જેને લઈને સુધરાઈ
સરહદી કચ્છ જિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો છે, અહીં રણ, ક્રીક અને દરિયાની સરહદે પાકિસ્તાન આવેલું છે. જેથી દેશ વિરોધી પ્રવૃતિ અટકાવવા અને કાયદો - વ્યવસ્થાની સ્થિતિ જાળવવી રાખવા કાયમી અધિકારીઓની નિમણુક આવશ્યક છે. ડીવાયએસપીની કુલ સાત જગ્યાઓ ધરાવતા પશ્ચિમ કચ્છ જિલ્લામાં ત
અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના બ્લડબેંક મારફતે સ્ત્રીરોગ વિભાગમાં દાખલ હળવી સ્થિતિના થેલેસેમીયાગ્રસ્ત પ્રસૂતાને લોહી અને તેના જરૂરી પ્લેટલેટ ઘટક સમયસર પૂરા પાડી માતાનો જીવ બચાવી લીધો. બ્લડબેંક અને સ્ત્રીરોગ વિભાગે સંયુક્ત કાર્યવાહીથી બંને માતા અને બાળક આજે સુ
26 એપ્રિલે સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી પંચે બપોર બાદ જાહેરાત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ભુજ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે સોમવારે યોજાય
ભુજ શહેરના ભીડ ગેટ નજીક આવેલું દાંડીવાળા હનુમાન મંદિર ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતું સ્થાન માનવામાં આવે છે. આશરે 477 વર્ષ જૂનું આ મંદિર ભુજની સ્થાપના સમયગાળામાં રાજ પરિવારે નિર્માણ કરાવ્યું હોવાનું માન્યતા છે. શહેરના પૂર્વ ભાગમાં સ્થિત આ મંદિરને રક્ષક સ્વરૂપે હનુમા
વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કલાશ્રય પામેલા મહાન ચિત્રકાર રાજા રવિ વર્માનું એક પેન્ટિંગ યશોદા એન્ડ ક્રિષ્ના મુબંઇના આર્ટ ઓકશન હાઉસ સેફ્રોન આર્ટમાં રૂ. 167 કરોડ 20 લાખની કિંમતે ખરીદાયું છે. ભારતીય કલાજગતના ઇતિહાસમાં કોઇ પેન્ટિંગની આ સૌથી ઊંચી ખરીદી છે. આ અગાઉ એમએ
અનિલ કપૂર અને શ્રીદેવીનું મિસ્ટર ઇન્ડિયા કેટલી વખત જોયું? એમાં અનિલ કપૂર સ્માર્ટ ગ્લાસીસ એટલે કે ચશ્મા પહેરે અને તેની સ્વીચ દબાવે એટલે એ આપણી નજર સામેથી અદ્રશ્ય થઇ જાય. એ જોઇને એ જમાનામાં, એ ઉંમરમાં બહુ કુતૂહલ થતું કે એવું થાય ખરું? હવે એવી કલ્પના કરો કે એ ચશ્મા પહેરીને અનિલ ક
મંગળબજારમાં આવેલી એક કાપડની દુકાનમાં ડુપ્લિકેટ ચાવી વડે પ્રવેશ કરી ચોરી કરવાનો પ્રયાસ કરતા બે અજાણ્યા ઇસમોને સ્થાનિકોએ છત પરથી ઝડપી પોલીસને હવાલે કર્યા છે. મંગળબજારમાં ‘સૂર્યા ફેશન’ નામની કાપડની દુકાન ધરાવતા દિપક બેલાણીએ સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, આ ઘ
નંદેસરીના રઢીયાપુરામાં એસએમસીએ દરોડો પાડ્યો હતો. જેમાં ફરાર આરોપીનું રાજકીય કનેક્શન બહાર આવ્યું છે.આરોપી ભાજપના તાલુકા પંચાયત સભ્યનો પિતરાઈ ભાઈ છે, જેને લઈ જિલ્લા ભાજપમાં હલચલ મચી છે. નંદેસરીના રઢિયાપુરા ગામે દરોડો પાડ્યો હતો.જેમાં 46 લાખથી વધુના દારૂ સાથે લિસ્ટેડ બૂટલેગ
ગોરવા-કરોડિયા કેનાલ રોડ રમેશનગરમાં ધમધમતા ઈમરાન દરબાર અને ખાલિદના દારૂના વેરહાઉસને એલસીબી ઝોન-1ની ટીમે પકડી પાડ્યું હતું. પોલીસે વેરહાઉસમાંથી 13.08 લાખનો દારૂનો જથ્થો પકડી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો. ભાસ્કરે જે દારૂના વેરહાઉસનો પર્દાફાશ કર્યો હતો, તે સ્
કહેવાય છે કે કલાને કોઈ ઉંમર હોતી નથી અને જ્યારે ઉત્સાહ થનગનતો હોય ત્યારે ઉંમર માત્ર એક આંકડો બનીને રહી જાય છે. આ વાતને સાર્થક કરી બતાવી નાટ્ય સંસ્થા ‘ત્રિવેણી’ અને ‘યોગનિકેતન’ દ્વારા થિયેટર વર્કશોપ ‘જીવન રંગમંચ’ યોજાયો હતો. આ કાર્યશાળામાં 50વર્ષથી લઈને 88 વર્ષ સુધીના વડીલોએ
મ.સ.યુનિ.ની ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના સ્કલ્પ્ચર વિભાગના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ બનાવેલા સ્કલ્પચરનું પ્રદર્શન ફેકલ્ટીના પ્રદર્શન હૉલ ખાતે યોજવામાં આવ્યું છે. જેમાં 16 વિદ્યાથીઓએ આર્ટવર્ક બનાવ્યા હતા. તેમજ તે સાથે એપ્લાઇટ આર્ટના 100થી વધારે વિદ્યાર્થીઓના આર્ટવર્ક ડિસ્પ્
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્ય તરફ હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટર્ફ સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ક
તરસાલીની પૂ.રવિશંકર મહારાજ સરકારી કુમાર છાત્રાલયમાં ભોજનના મેનુ અને ગુણવત્તામાં ચૂક બદલ કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે. ગેસના બોટલોની સમસ્યા હોવાથી ગેસ પાઇપલાઇન નાખવામાં આવી છે. થોડા સમય પહેલા તરસાલી સરકારી કુમાર છાત્રાલયમાં રાત્રે ગેસ બોટલ ખાલી થઈ જતાં વૈકલ્પિક
બોર્ડની પરીક્ષાઓ પૂરી થઇ ચૂકી છે. હવે શાળાકીય પરીક્ષાઓની શરૂઆત થશે. ગુજરાત બોર્ડ સંચાલિત શાળાઓમાં 6 એપ્રિલથી પ્રાથમિક-માધ્યમિક વિભાગોમાં વાર્ષિક પરીક્ષાઓની શરૂઆત થનાર છે. શહેર-જિલ્લાની 1500 સ્કૂલોમાં 2.50 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. 18 એપ્રિલથી વિદ્યાર્થીઓનું ઉનાળું વેકેશન
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ચૂકી છે, ત્યારે ભાજપ દ્વારા પહેલાથી જ ઉમેદવારોને લઈને તૈયારીઓ કરી દેવામાં આવી છે. આજે 2 એપ્રિલના રોજ રાજ્યની સૌથી મોટી અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો માટેની સેન્સ પ્રક્રિયા લેવામાં આવશે. ગુજરાત ભાજપ દ્વારા કુલ 21 જેટલા નિરીક્
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5માં શું સ્થતિ છે. આ વિસ્તારમાં કેવો વિકાસ થયો છે. સ્થાનિક કોર્પોરેટર અહીંયા આવે છે કે કેમ. લોકોની શું સમસ્યાઓ છે. લોકોની શું માંગ છે તે તમામ સવાલોના જવાબો માટે દિવ્ય ભાસ્કર
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
જ્યારે કોઇ સ્ત્રીના સપનાને પિયરની શિસ્ત અને સાસરી પક્ષ તરફથી અતૂટ વિશ્વાસ મળી જાય છે ત્યારે તે સ્ત્રી ઇતિહાસ રચવા માટે સક્ષમ બની જાય છે. આવું જ કંઇક કરી બતાવ્યું છે જામનગરની દીકરી અને રાજસ્થાનના બાડમેરની પુત્રવધુ દીપુ કંવર ચૌહાણે. દીપુએ રાજસ્થાની પરંપરા પ્રમાણે ઘૂંઘટ તાણ
આજે વર્લ્ડ ઓટિઝમ અવેરનેસ ડે છે. ત્યારે દિવ્ય ભાસ્કરે વાત કરી જાણીતા ઓટિઝમ એક્સપર્ટ ડૉ.કેતન પટેલ સાથે. જેઓ પાછલા ઘણા વર્ષોથી હોમિયોપેથીના માધ્યમથી ઓટિઝમ ગ્રસ્ત બાળકોની સારવાર કરી રહ્યા છે. આવા બાળકોમાં કેવા લક્ષણો જોવા મળે છે? ઓટિઝમ કઈ રીતે થાય છે ? અને શું ખરેખર ઓટિઝમને કાયમ
ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હંમેશાથી વિવાદમાં રહ્યો છે. તાજેતરનો જ કિસ્સો ગાંધીજીની જન્મભૂમિ એવા પોરબંદરમાં લિકર શોપ ખોલવાની પરવાનગી બાબતનો છે. ગુજરાતમાં કથિત કડક નિયમો વચ્ચે કોઈએ કાયદેસર દારૂ પીવો હોય તો પરમિટ લેવી પડે. ગુજરાતમાં રહેતા લોકો બીમારીનું કારણ ધરીને પરમિટ મ
આજે વર્લ્ડ ઓટિઝમ દિવસ છે. જાગૃતિ માટે આ દિવસ ઉજવાય છે. જો કે શહેરમાં ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર ધરાવતાં બાળકોની સંખ્યા વધી છે. કોરોના બાદ આ વધારો થયો છે. એક અંદાજ મુજબ શહેર આસપાસમાં 3500થી વધુ બાળકોને ઓટિઝમ છે. ઓટિઝમ રોગ નથી, મગજના વિકાસની સ્થિતિ છે. જેનું નિદાન બાળકના જન્મના 18 મહિ
વડોદરામાં તમિલ સમાજ દ્વારા મંગળવારે પંગુની ઉત્તિરમ પર્વની ઉજવણી કરાઈ હતી. મંગળવારે 56મી પંગુની ઉત્તિરમ કાવડ યાત્રાનું આયોજન ભક્તિ, ઉત્સાહ અને સાંસ્કૃતિક ભવ્યતા સાથે કરવામાં આવ્યું હતું, જેમાં 2 હજારથી વધુ ભક્તો જોડાયા હતા. મંગળવારે સાંજે ભગવાન કાર્તિકેયના લગ્નનું પણ આયોજ
સમર્પિત ભક્તિનું રોકડું ફળ આપનારા વડોદરાના રોકડનાથ હનુમાનદાદા. રોકડનાથ હનુમાન મંદિર નવાબજાર અને બાજવાડા વિસ્તારને જોડતા માર્ગ પર આવેલું છે. આ મંદિર મોગલકાળ પહેલાંનું એટલે કે 500થી વધુ વર્ષ જૂનું હોવાનું મનાય છે. આ અંગે રોકડનાથ હનુમાન મંદિરના રોનકગીરી કૈલાસગીરી ગોસ્વામીએ
બીસીએની ચૂંટણીમાં 4 ઉમેદવારને હાઈકોર્ટે ગેરલાયક ઠેરવ્યા હતા, જે મામલો પેન્ડિંગ છે. દરમિયાન હાલના સેક્રેટરીએ એપેક્ષ સભ્યોને મિટિંગ માટે બોલાવતાં વિવાદ થયો હતો. રોયલ-સત્યમેવ જયતે ગ્રૂપના સભ્યોએ કોર્ટના નિર્ણય વિરુદ્ધ અને ખોટી રીતે મિટિંગ બોલાવ્યાના આક્ષેપ કર્યા હતા. કોર્
આગામી દિવાળી અગાઉ વડોદરાથી દીવ એક કલાકમાં કે દ્વારકાધીશ મંદિરે બે કલાકમાં પહોંચી જવાય કે કચ્છના રણોત્સવમાં 3 કલાકમાં હાજરી આપી શકાય તે કલ્પના સાકાર બને તેવી પૂરેપૂરી શક્યતા છે. કારણ કે વડોદરા એરપોર્ટથી આ વર્ષે ઓક્ટોબરમાં એર ટેક્સીની ફ્લાઇટ શરૂ થવાની છે. ઉડાન સ્કીમ અંતર્ગત
જામનગર-દેવભૂમિ સહિત રાજયમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચુંટણીની જાહેરાત થઇ ચુકી છે.જે મુજબ 26મી એપ્રિલના રોજ મતદાન બાદ 28મી એપ્રિલના રોજ મત ગણતરી હાથ ધરાશે. આ વખતી ચૂંટણીમાં સૌથી મહત્વની બાબત એ છેકે,ચુંટણીની જાહેરાત માંડી પરીણામ જાહેર થવા સુધી માત્ર 25 દિવસનો સમયગાળો મળે છે.જ

30 C