બોટાદના વતની અને હાલ અમદાવાદમાં ફાઇનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ક્રિનાબેન મિતભાઈ વસાણીએ તેમની પ્રથમ લગ્ન વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમણે પાળીયાદ મહાજન પાંજરાપોળમાં અબોલ પશુઓના ઘાસચારા માટે ₹11,000નું દાન આપ્યું હતું. જીવદયા પ્રેમી ક્રિનાબેન વસાણીએ પાંજરાપોળ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દાહોદ મુલાકાત આજે માત્ર વિકાસ કાર્યોના લોકાર્પણ પૂરતી મર્યાદિત ન રહેતા રાજકીય દ્રષ્ટિએ અત્યંત સૂચક બની રહી હતી. સિંગવડ ખાતે 367.78 કરોડના વિકાસ કામોની ભેટ આપવા આવેલા મુખ્યમંત્રીના સમગ્ર પ્રવાસ દરમિયાન દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરીયા તેમ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં ગોવર્ધન વસ્તી દ્વારા એક ભવ્ય વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનની મુખ્ય વિશેષતા એ રહી કે જિલ્લામાં પ્રથમ વખત માતૃશક્તિ એટલે કે બહેનો દ્વારા તેનું સંપૂર્ણ આયોજન અને સંચાલન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધાર
રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં 2 જગ્યાએ તેમજ પડધરીમાં એક જગ્યાએ થયેલી ઘરફોડ ચોરીનો ભેદ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે. રૈયાધારમાં રહેતા હિતેષ દિનેશભાઈ ડવ અને તેની પત્ની ઇલાબેનને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. પોલીસે સોનાની કાનની બૂટી, ચેઇન, પેન
ગોધરામાં ચેટીચંદ પર્વ પૂર્વે ભારતીય સિંધુ સભા યુવા ટીમ દ્વારા 15 માર્ચે સાંજે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સિંધી સમાજના આરાધ્ય દેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં 'જય ઝૂલેલાલ'ના નાદથી શહેરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા. બી ફોર ચેટ
ભાવનગરના ભાલ પંથકના જસવંતપુરા ગામમાં જુગારની રેડ કરવા ગયેલા પોલીસકર્મીઓ પર હુમલો થતા બે પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. પોલીસકર્મીઓ જ્યારે બાતમીના આધારે ગામમાં દરોડો પાડવા ગયા ત્યારે 15 થી 20 લોકોના ટોળાએ લાકડીઓ અને ઢીકાપાટુનો માર માર્ય
બ્રહ્મ સમાજ દ્વારા 900 જેટલી યુવતીઓ માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત યુવતીઓને બેહદ નામની ગુજરાતી ફિલ્મ બતાવવામાં આવી હતી, જેનો હેતુ તેમને પ્રેમના નામે થતી છેતરપિંડી અને ભ્રમણાઓથી સજાગ કરવાનો હતો. સમાજની સંસ્કૃતિ, સંસ્કાર અને
ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન એક હળવી અને રસપ્રદ ઘટના સામે આવી હતી. વિધાનસભા પરિસરમાં રાજકીય ચર્ચાઓ વચ્ચે થોડા સમય માટે હાસ્યનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ગોપાલ ઇટાલિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પરિસરમાં ચર્ચા કરી રહ્યા હતા અને તેમને વિધાનસ
વલસાડ સિટી પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા અને જાહેર સુવિધા જાળવવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. PI દિનેશ પરમારના અધ્યક્ષસ્થાને વલસાડ સિટી પોલીસ મથક ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરની વિવિધ ગેસ એજન્સીઓના સંચાલકો અને CNG પમ્પના માલિકો હાજર રહ્યા હતા.
નવસારી શહેરના ધર્મીન નગર વિસ્તારમાં ખોદકામ દરમિયાન PNGની મુખ્ય ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. આ ઘટનાને કારણે આસપાસના અંદાજિત 700 ઘરોમાં રાંધણ ગેસનો સપ્લાય ખોરવાઈ ગયો છે. પ્રાથમિક માહિતી મુજબ, ધર્મીન નગરમાં ગેસ પાઇપલાઇનના પુલિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન જેસીબી
શહેરના પાંજરાપોળ ચાર રસ્તાથી પર્યાવરણ મંદિર તરફ ચાલતા જઈ રહેલા વૃદ્ધને નશામાં ધૂત લોડિંગ રિક્ષાચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઇજા થતા સ્થળ પર મોત નિપજ્યું હતું. તો વસ્ત્રાપુરમાં કંપનીના કર્મચારીએ 13 લોકો પાસેથી 1.93 લાખ મેળવી કંપની
ખંભાળિયા શહેર નજીક આવેલી નગરપાલિકાની તરઘડી ડમ્પિંગ સાઈટ પર આજે બપોરના સમયે આગ લાગી હતી. કચરાના પ્રોસેસિંગ માટે બનાવવામાં આવેલા એક યુનિટમાં અચાનક ધુમાડા સાથે આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક
હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં એન.જી. સર્કલ પાસે આવેલા પાલિકા સંચાલિત બગીચામાં રવિવારે રાષ્ટ્રીય સેવા ભારતી સંલગ્ન કર્મધામ હિંમતનગર દ્વારા સંચાલિત ચાર પાઠદાન કેન્દ્રોનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા
ગાંધીનગર નિવાસી ડૉ. અજય રાવલને શિક્ષણશાસ્ત્રમાં પીએચ.ડી. પૂર્ણ કરવા બદલ “ડૉ. મફતલાલ પટેલ સંશોધન પારિતોષિક – ૨૦૨૫” એનાયત કરવામાં આવ્યું છે. આ સન્માન અમદાવાદમાં યોજાયેલા એક રાષ્ટ્રીય પરિસંવાદ દરમિયાન તેમને અર્પણ કરાયું હતું. અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા
દ્વારકા-નાગેશ્વર માર્ગ પર આજે બુલેરો અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોમાં નવા બનેલા ડિવાઈડરની સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, આ અકસ્માત દ્વારકા-નાગેશ્વર રોડ પર થયો હતો. અ
વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં એક શખ્સે રસ્તા પર ચાલતી મહિલાને સ્પર્શ કરીને છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. મહિલાની ફરિયાદના આધારે ગોરવા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત આ
ગુજરાત રાજ્યની એકમાત્ર રાજકોટ સ્થિત નામાંકિત AIIMS હોસ્પિટલમાં ઇન્ટર્ન ડોક્ટરના આપઘાત પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. MBBSમાં અભ્યાસ કરતા રતન મેઘવાલે સહપાઠી 5 મેડિકલ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જ જીવન ટૂંકાવી લીધાનું સુસાઈડ નોટમાં સામે આવ્યું છે. મૃતક યુવાન
સહકાર નગર જીવદયા ગ્રુપ દ્વારા પીપરડી મહાજન પાંજરાપોળમાં અબોલ જીવો માટે લીલા ઘાસ આપવામાં આવ્યું હતું. એક આઇસર ભરીને લીલું ઘાસ પાંજરાપોળના પશુઓને ખવડાવવામાં આવ્યું. આ સેવાકાર્ય માટે કુલ રૂ. 15,000નો ખર્ચ થયો હતો, જે વિવિધ સહયોગી દાતાઓ દ્વારા પૂરો પાડવામાં આવ્યો હતો.દાતાઓમાં સ્વ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના અંગ્રેજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ 21 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કેરળના કોચી શહેરમાં યોજાયો હતો. પ્રવાસનો મુખ્ય હેતુ કોચી-મુઝિરિસ બિનાલે (KMB) ના છઠ્ઠા સત્રની મુલાકાત લેવાનો હ
જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકા પંચાયતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો જ્ઞાતિવાદ અને ભેદભાવનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો. ગતરોજ મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ જયકિશનભાઈ મનસુખભાઈ માકડીયાએ તેમની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થવાના માત્ર ત્રણ દિવસ પહેલા જ પદ પરથી ર
ભાવનગર શહેરના વડવા તલાવડી વાલ્મિકી વાસ વિસ્તારમાં ઘર નજીક લોકોને ટોળા ભેગા થવા બાબતે પડોશીઓ વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન પડોશમાં જ રહેતા બે શખસે એક યુવકને ઢીકાપાટુ વડે મારમારી છરીથી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આ
ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ગોઠવવામાં આવેલા એક છટકામાં સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોમાં ફરજ બજાવતો એક અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો છે. સાણંદ સેન્ટરના સિનિયર ઇન્ટેલીજન્સ ઓફીસર કેતન ગીરીશભાઇ દવેએ એક જાગૃત નાગરિકના પોલીસ પ્રોટેક્શનને ર
પાટણ રોટરી ક્લબ દ્વારા તેના 52મા ચાર્ટર ડેની ઉજવણી નિમિત્તે શંકુઝ હોસ્પિટલ ખાતે કાયમી થેલેસેમિયા સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમ ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં આ સેવાકીય પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રોટર
જગત મંદિર દ્વારકાના દર્શનાર્થે આવતા ભોળા ભક્તોને વિશ્વાસમાં લઈ, તેમને નશીલું પીણું પીવડાવી લૂંટી લેતી એક શાતિર ટોળકીનો દેવભૂમિ દ્વારકા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ પર્દાફાશ કર્યો છે. ભાવનગર જિલ્લાના બે શખસને રૂ. 3.14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પોલીસે યાત્રિકોની સુરક્ષા સુન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભાજપનો આંતરિક વિખવાદ સામે આવ્યો. ભાજપના એક વ્હોટ્સએપ ગૃપમાં કાર્યકર્તાઓએ અમરાઈવાડીના ધારાસભ્ય ડો. હસમુખ પટેલ સામે રોષ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કોંગ્રેસે
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે મોડી સાંજે ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાંથી 21 જુગારીને 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પછી આજે સવારે શાહપુરબ્રિજ નજીકથી દારૂની હેરાફેરીનો પણ પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ચિલોડાથી અમદાવાદ તરફ દારૂ ભરેલી ગાડી જવાની બ
જોરાવરનગર સમશાનભૂમિ ખાતે એક બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સમાજ સેવકો અને પોલીસની હાજરીમાં આ માનવતાભર્યું કાર્ય સંપન્ન થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, 6 માર્ચ, 2026ના રોજ જોરાવરનગરની ઉપાસના હોસ્પિટલ નજીકથી પોલીસને આ મૃતદેહ મળ્યો હતો. મૃતદેહની ઓળખ માટે
પાટણ શહેરમાં ચેટીચાંદ પર્વ નિમિત્તે વહે ગુરુ ગ્રુપ સિંધી સમાજ દ્વારા ભગવાન ઝૂલેલાલની બાઈક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં સિંધી સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા. આ યાત્રા ચાચરીયા વિસ્તારમાં આવેલા ભગવાન ઝૂલેલાલના મંદિરથી પ્રસ્થાન થઈ હતી. યાત
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પ્રથમ પ્રેફરન્સનું વોટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. BCG ચૂંટણીમાં વકીલોએ આપેલા 46,286 મતો માન્ય ઠર્યા છે. વોટ શેર આધારે પ્રથમ પ્રેફરન્સમાં માન્ય થયેલા બે ઉમેદવારોનું સભ્યપદ નક્કી થયું છે. જેમાં આફતાબ હુસૈન અંસારી અને જે.જે.પટેલે ક્વોટા
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના નરોલી ગામમાં તોતાપુરી કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા આ વિસ્તારના ખેડૂત ભરતસિંહ સોલંકીએ એકાદશીના શુભ દિવસે કેરીના વેચાણનું મુહૂર્ત કર્યું હતું. પ્રથમ દિવસે તેમને 3 મણ કેરીના ₹2000 પ્રતિ મણનો ભાવ મળ્યો હતો. વલસાડ જિલ્લા સ
દિવ્ય ભાસ્કર એપ સુરત શહેરની દિવસભરની અપડેટ્સ આપવા સુરત ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે સુરતના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું વીડિયો બુલેટિન ચલાવી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. તો એકથી દોઢ મિનિટમાં જ શહેરની ટોપ-5 ઘટનાઓ રોજ જોતા રહો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ જિલ્લાને ₹367.78 કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપી છે. સિંગવડ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે તાલુકા સેવા સદન અને ગરબાડામાં એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનું લોકાર્પણ કર્યું. આ ઉપરાંત, રતનમહલ રીંછ અભયારણ્ય વિકાસ અને નવી GIDC પ્રોજેક્ટનું ખા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ લાવવા માટે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાંથી એસ.ઓ.જી. ટીમે 54 વર્ષીય મહિપતસિંહ મનુભા જાડેજાને 383.4 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યા છે. જપ્ત કરાયેલા ગાંજાની કિંમત આશરે ₹19,170 આંકવામાં આવી છે. જિલ
રાજ્ય સરકાર દ્વારા ભાવનગર મહાનગરપાલિકામાં એડમિનીસ્ટ્રેટર (વહીવટદાર) તરીકે નિમણૂક પામેલા હર્ષદ પટેલે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. કાર્યભાર સંભાળતાની સાથે જ તેમણે શહેરની મુલાકાત લીધી હતી અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી વહીવટી પ્રક્
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પંથકમાં એક સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ખુલાસો થયો છે. આ ઘટના બાદ પોલીસે ગણતરીના કલાકોમાં જ 60 વર્ષના આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાટડી પંથકના એક ગામમાં 14 વર્ષની સગીરાને પેટમાં અસહ્ય દુઃખાવો ઉપડ્યો હતો. ત
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથના દરિયાકાંઠે આજે (15 માર્ચે) રવિવારે એક મોટી દુર્ઘટના ટળી હતી. દરિયાના ઉછળતા મોજાંની મોજ માણવા ગયેલી એક મહિલા યાત્રિક અચાનક ઊંડા પાણીમાં તણાવા લાગી હતી. જોકે, કાંઠે હાજર સ્થાનિક યુવાનોની સમયસૂચકતા અને અદભૂત સાહસને કારણે મહિલાને નવજીવન મળ્યુ
સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં ઇલેક્ટ્રિકના સાધનો ખરીદી કરી તેનું પેમેન્ટ ચૂકવ્યા વગર છેતરપિંડી આચરી છેલ્લા 10 મહિનાથી નાસતા ફરતા આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે. આરોપી અમદાવાદના વંથલ ગામના આશ્રમમાં પોતાની ઓળખ છુપાવી 'લાલો' નામ રાખી ગૌશાળામાં સેવા કરી રહ્યો હતો,
આજે સુરત ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ રાજ્યકક્ષા મહિલા પાંખ, કલ્પવૃક્ષ ફાઉન્ડેશન અને પ્રતિભા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે બ્રહ્મ સમાજની બહેનો માટે એક વિશેષ રોજગાર મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજની દીકરીઓ અને મહિલાઓને આર્થિક ર
અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા રામેશ્વર મંદિરના કમ્પાઉન્ડમાં મંદિર બંધ થયા બાદ સામાજિક તત્વો દારૂ અને ચરસની મહેફીલ માણતા હોવાના મંદિર ટ્રસ્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટે એવો પણ આક્ષેપ કર્યો છે કે ભગવાનના ધામમાં બેસીને જ અસામાજિક તત્વો જુગાર પણ રમ
આપણા રાજ્યના ઉદ્યોગપતિઓએ માત્ર ગુજરાતની જ નહીં પણ સમગ્ર દેશની ઇકોનોમિક પ્રોગ્રેસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ જ કોન્ટ્રીબ્યુશનને નવાજવા અને સમાજમાં ઇન્સપાયરીંગ વ્યક્તિત્વને જાહેર કરવા માટે દિવ્ય ભાસ્કર દર વર્ષે રત્ન એવોર્ડ્સનું આયોજન કરે છે. આ વર્ષે પણ દિવ્ય ભાસ્
જામનગર એસઓજી પોલીસે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા બોગસ ક્લિનિકો પર દરોડા પાડી ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે દરેડના શાંતિનગર અને સચાણા ગામમાંથી દવાઓ તથા તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસઓજી સ્ટાફના ધ
નવસારીના વિજલપોરમાં એક કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ મદદ કરવાને બદલે કારમાં સવાર બે શખ્સોએ એક્ટિવા ચાલકને ઢીકમુક્કીનો માર માર્યો હતો. દિવ્ય ભાસ્કર ડિજિટલમાં આ ઘટનાનો અહેવાલ પ્રસારિત થયાના ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. આ ઘટના 13 માર્ચના
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાના ફાજલપુર ગામ નજીક આજે એક રુંવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક સવાર બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શ
ગીર સોમનાથ જિલ્લામાં ભારતીય મજદૂર સંઘનું જિલ્લા કક્ષાનું સંમેલન પ્રાચી ખાતે યોજાયું હતું. આ સંમેલનમાં ભારતીય મજદૂર સંઘના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી નાના ગીરધર પાટીલ અને પ્રદેશ સંગઠન મંત્રી કરસનભાઈ કટારીયા ઉપસ્થિત રહ્યા હતા. સંમેલનમાં જિલ્લાના છ તાલુકાઓમાંથી આં
સુરેન્દ્રનગરમાં સાયબર છેતરપિંડીનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વીજ અધિકારીએ ₹10.69 લાખ ગુમાવ્યા છે. 77 વર્ષીય વૃદ્ધને પેન્શન માટે હયાતીનું પ્રમાણપત્ર જનરેટ કરવાના બહાને નિશાન બનાવવામાં આવ્યા હતા. તા. 20 નવેમ્બર, 2025ના રોજ, વૃદ્ધના વોટ્સએપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં
સુરેન્દ્રનગરના વાદીપરા વિસ્તારમાં એ ડીવીઝન પોલીસે એક રહેણાંક મકાન પર દરોડો પાડી લાખો રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે કુલ ₹1,86,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે વાદીપરા શેરી નંબર 7માં ધાવડી માતાજીના ડેલા સામે રહેતો મુકેશ કાનજીભાઈ દેગામા પોત
ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે ગેસના બાટલાની અછત સર્જાઈ છે ત્યારે રાજકોટ પુરવઠા વિભાગ દ્વારા જિલ્લાની 18 ગેસ એજન્સીઓ પર મહેસુલી કર્મચારી અને પોલીસમાં પહેરો રાખવાનું શરૂ કરાયું છે. દરમિયાન જિલ્લામાં 46 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં હોટેલ અને રેસ્ટોરન્ટમાં
મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાશે. વર્તમાન પ્રમુખની ટર્મ પૂરી થતાં ત્રણ કારખાનેદારોએ દાવેદારી નોંધાવી છે. આ ત્રણ ઉમેદવારોમાંથી પ્રમુખની પસંદગી સભ્યોના મતદાન દ્વારા કરવામાં આવશે. મોરબીનો સિરામિક ઉદ્યોગ વિશ્વકક્ષાનો છે, જ્યાં વિવ
વલસાડ જિલ્લાના એક ગામમાં એક સગીરાએ એસિડ પીને આપઘાત કરી લીધો છે. 17 વર્ષીય ડિમ્પલ (નામ બદલ્યું છે) નામની સગીરાએ આત્મહત્યા કરતા પહેલાં એક સુસાઇડ નોટ લખી હતી, જેમાં તેણે એક મોબાઈલ દુકાન સંચાલક પર હેરાનગતિ અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. એક દિવસની ટૂંકી સારવાર દરમિયાન સગીરાન
બોટાદ જિલ્લાના આસ્થા કેન્દ્ર શ્રી ફાડરવાળા મેલડી માતાજી મંદિરે મહાપ્રસાદ અને ડાકડમરુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશરે ૧૫ હજારથી વધુ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ આ ભવ્ય આયોજન કરાયું હતું. મહાપ્રસાદ બાદ મેલડી માતાજી
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેની 'જય અંબે પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક' નામની પાનની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રોલિંગ પેપર તેમજ ગોગો કોન (પ્રિ-રોલ્ડ સ્મોકિંગ કોન) જેવા પ્રતિબંધિત સ્મોકિંગ સામગ્રીનું વ
ગાંધીનગરના મેદરા ગામની સીમના સર્વે 172ની જમીન પચાવી પાડવાના ઇરાદે 25 થી 30 જેટલા અજાણ્યા શખ્સોના ટોળાએ ઘાતક હથિયારો વડે સિક્યુરિટી ગાર્ડ્સ પર જીવલેણ હુમલો કરવામાં આવતા ડભોડા પોલીસે ટોળાં વિરુધ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. 25થી 30 લોકોના ટોળાએ હુમલો કરી તોડફોડ કરીગાંધીનગરના મે
સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ડિંડોલી વિસ્તારમાં આવેલા ક્રિષ્ના AC મોલ બહાર યુવકની હત્યા કરવામાં ઓઆવી છે. કેટલાક ઈસમો દ્વારા આશિષસીંગ રાજપૂત નામના યુવક પર કરી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને પગલે મૃતકના પરિવારજનો ખાનગી હોસ્પિટલ પહોંચ્યા હતાં. તેમજ ડિંડોલી પ
ગુજરાત હાઇકોર્ટમાં જૂનાગઢથી એક વ્યક્તિએ જન્મ અને મૃત્યુ રજિસ્ટ્રારના હુકમને રદ કરવા માટે અરજી કરી હતી. સાથે જ માગ કરવામાં આવી હતી કે, તેની દીકરીના જન્મ પ્રમાણપત્રમાંથી તેના જૈવિક પિતાનું નામ કાઢીને દત્તક લેનાર પિતાનું નામ ઉમેરવામાં આવે અને માતાના નામમાં પણ ફેરફાર કરીને
પાટણ ખાતે ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શેઠ હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલયના નૂતન ભવનનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો. આ અદ્યતન પાંચ માળનું ભવન આશરે ₹15 કરોડના ખર્ચે તૈયાર થશે. તેમાં 350 કુમારો અને 100 કન્યાઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. આ પ્રસંગે સમાજના અગ્ર
પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ગત 12 માર્ચના રોજ ધોળા દિવસે સ્વિફ્ટ કારમાં જઈ રહેલા યુસુફખાન પઠાણ પર ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પાટણ જિલ્લા પોલીસે સફળતા મેળવી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસે મુખ્ય શૂટર સહિત 4 શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપ
ભરૂચમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ઉમેદવાર પસંદગી માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક ખાનગી હોટલ ખાતે યોજાયેલી આ પ્રક્રિયામાં ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અ
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ મોટી કાર્યવાહી કરતા વિદેશથી આવતી ફ્લાઈટમાંથી દોઢ કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો છે. બેંગકોક-સુરત ફ્લાઈટમાં સીટની નીચે ડ્રગ્સ છુપાવ્યું હોવાની બાતમીના આધારે હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આ
ત્તર પશ્ચિમ રેલવેના જયપુર ડિવિઝનમાં આવેલા કનકપુરા યાર્ડ ખાતે નોન-ઇન્ટરલોકિંગ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. રેલવે તંત્ર દ્વારા ટ્રેનોની અવરજવરને વધુ સુગમ બનાવવા, લાઈનોની ક્ષમતા વધારવા અને કનેક્ટિવિટી સુધારવા માટે આ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂ કરાયું છે. આ અંતર્ગત રેલ લાઈ
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરોએ મંદિરમાં રહેલ મતા ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. મંદિરમાંથી ભગવાનના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મંદિરના સેવક દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોં
અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં શ્રી સાંકળચંદ લક્ષ્મીચંદ શાહ ટ્રસ્ટ સંચાલિત શ્રી C.S. બુટાલા અને બ્રધરહૂડ જાહેર પુસ્તકાલયે તેની 125મી સ્થાપના વર્ષગાંઠની ઉજવણી કરી. આ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પુસ્તકપ્રેમ અને વાંચનની સંસ્કૃત
અમદાવાદ શહેરના હેબતપુર રોડ પર આવેલી બીનોરી એરિસ્ટોલા નામની સાઈટ પર કામ કરતા શ્રમિકનું ત્રીજા માળેથી નીચે પડવાના કારણે મોત થયું હતું. સાઈડ પર સેફ્ટી નેટના લગાવવાના કારણે શ્રમિકના મોત મામલે બોડકદેવ પોલીસે બનાવના પાંચ મહિનાથી વધુ સમય બાદ બિલ્ડર એન્જિનિયર કોન્ટ્રાક્ટર સહિ
સુરેન્દ્રનગર એસ.ઓ.જી.એ પોક્સો અને અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. આ કેસમાં હેબિયસ કોર્પસની ભોગ બનનાર સગીરાને પણ શોધી કાઢવામાં આવી છે. આરોપી અને સગીરાને વધુ તપાસ માટે થાનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પોલીસને બાતમી મળી હતી કે, થાનગઢ પોલીસ સ્ટેશનના ગ
ધ્રાંગધ્રાના ચરમાળિયા ગ્રાઉન્ડ ખાતે આયોજિત સ્વદેશી મેળાને લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે. દરરોજ એક હજારથી વધુ લોકો મેળાની મુલાકાત લેતા હોવાથી, નગરપાલિકા દ્વારા મેળાને એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવાયો છે. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વદેશી વસ્તુઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને
ગુજરાત યુનિવર્સિટીમાં લાંબા સમયથી ખાલી પડેલી નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી પરીક્ષા યોજવામાં આવી છે. અલગ અલગ 130 જેટલી જગ્યા માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે તે બાદ ભરતી પ્રક્રિયામાં મળતિયાઓને સેટ કરવા માટે ગોઠવણ ચાલતી હોવાના આક્ષેપ પણ NSUI દ્વારા કરવામાં આવ્યા હત
મિડલ ઇસ્ટમાં વધતા યુધ્ધનાં તણાવથી રાંધણ ગેસનો પુરવઠો પ્રભાવિત થયો છે,તેને કારણે હવે સુરતમાં વસતા પરપ્રાંતિય શ્રમિકોની હાલત રોજ બરોજનાં ગેસ વપરાશને લઈને કટોકટી ભરી બની ગઈ છે. ગેસની બોટલો કાળા બજારમાં ચારથી પાચ ધણા ભાવે વેચાઈ રહી છે જે શ્રમિકોને કોઈ કાળે પરવડે તેવુ ન હોવાથી
અમદાવાદમાં સતત વધી રહેલા તાપમાન અને ભીષણ ગરમીના કારણે માનવીઓ જ નહીં, પણ અબોલ પક્ષીઓ પણ આકુળ-વ્યાકુળ થઈ રહ્યા છે. પક્ષીઓને ગરમીમાં પીવાનું પાણી સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આજે 'આદિ ફાઉન્ડેશન' દ્વારા શહેરના વ્યસ્ત એવા રતનપોળ અને રિલીફ રોડ વિસ્તારમાં માટીના જલપાત્ર (કુ
મહેસાણાના રામોસણા ચોકડી પાસે ગત સાંજે સર્જાયેલા એક માર્ગ અકસ્માતમાં 108 ઇમરજન્સી સેવાની ટીમે માનવતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અકસ્માતગ્રસ્ત રિક્ષા ચાલકને સમયસર હોસ્પિટલ પહોંચાડી જીવ બચાવવાની સાથે તેની કિંમતી ચીજવસ્તુઓ સુરક્ષિત રીતે હોસ્પિટલ સત્
અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાંથી મકાનમાં ચાલી રહેલું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ચાર આરોપીઓ કેનેડાના બેંકના કર્મચારી તરીકેની ઓળખ આપીને કેનેડિયન નાગરિકોને તેમનું બેન્ક એકાઉન્ટ કોઈકે લોગિન કરેલું હોવાનું ખોટું કારણ બતાવી સોફ્ટવેર મારફતે ખોટી ડિજિટલ આઇડી બનાવી કોલ
વાપીના ગીતાનગર વિસ્તારમાંથી એક 15 વર્ષીય કિશોર રહસ્યમય રીતે લાપતા થયો છે. આ મામલે કિશોરના પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, મૂળ બિહારનો વતની અને હાલ વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારનો 15 વ
ભરૂચ શહેરમાં વ્યાજખોરીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે. તુલસીધામ વિસ્તારના કપડાના વેપારી દિલીપકુમાર ઓમપ્રકાશ સુધારે વ્યાજખોર સામે સી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, વર્ષ 2022માં વેપાર માટે નાણાકીય જરૂરિયાત ઊભી થતાં દિલીપકુમારે આરોપી અજ
પંચમહાલ જિલ્લાના વિકાસને નવી ગતિ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરાના કેશવ ગ્રાઉન્ડ ખાતેથી ₹732.28 કરોડના કુલ 112 વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ વિકાસકામોમાં ખાસ કરીને પાણી પુરવઠા, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ પર વિશેષ ભાર મૂક
સુરતમાં કોમર્શિયલની અછતના કારણે ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ શહેરના ખાણી-પીણી ઉદ્યોગમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી છે અને તેની માઠી અસરની શરૂઆત અત્યારથી જ જોવા મળી રહી છે. ગેસ સિલિન્ડરના ભાવો આસમાને પહોંચતા સુરતના રેસ્ટોરન્ટ સંચાલકો હવે આર્થિક બોજ હળવો કરવા માટે મજબૂર
મહીસાગર SOG પોલીસે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોબાઈલ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે રૂ. 26,000ની કિંમતના ચોરાયેલા OPPO મોબાઈલ ફોન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા મિલકત સંબંધિત વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા માટે પોલી
અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક યુવતી દ્વારા છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. પાડોશીઓ વચ્ચેના ઝઘડાની અદાવતમાં બે થી ત્રણ સગીરા સહિતની યુવતી દ્વારા બોલાચાલ
અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાંથી આયાત થતા પ્લાસ્ટિકના દાણાના રો મટીરીયલની અછત સર્જાઈ છે અને તેને કારણે ઉનાળા વખતે જ પીવાના પાણીની બોટલના કેરેટના ભાવમાં રૂ.15 નો વધારો થયો છે. 500 ML ની 24 બોટલના એક કેરેટના રૂ.75 થી વધારી રૂ.90 તો 1 લીટરની 12 બોટ
સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આજરોજ સુરક્ષિત ભારત કાર્યક્રમ યોજાનાર હતો. જોકે આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના વંશજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે નથુરામની તસવીર સાથેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતાં. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પહ
સાબરકાંઠા જિલ્લાના ચિઠોડા પોલીસ સ્ટેશનમાંથી પ્રોહિબિશનનો એક આરોપી ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં બેદરકારી દાખવવા બદલ પોલીસ સ્ટેશનના PSO અને મહિલા વાયરલેસ ઓપરેટર સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસ
જૂનાગઢના હાર્દ સમાન કાળવા ચોક વિસ્તારમાં આવેલી સરકારી પુસ્તકાલય પાસે આજે વહેલી સવારે એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ દૂધથી ભરેલું ટેન્કર ઝડપાઈ જતાં સમગ્ર શહેરમાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી કોઈ સરકારી તંત્ર દ્વારા નહીં પરંતુ જાગૃત નાગરિકો અને ય
હાલમાં જ્યારે ગુજરાતમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટનાં કાલાવડ રોડ પાસેથી નાનામવા રોડ તરફ જતાં પ્લોટમાં TRP ગેમઝોન નજીક અંદાજે રૂ. 4.60 કરોડના ખર્ચે એક વિશાળ અને આધુનિક ફૂડ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક આવેલા સાદોલીયા ઓવરબ્રિજ પર શનિવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રતિબંધિત હોવા છતાં પસાર થઈ રહેલા રેતી ભરેલા 3 ડમ્પર અને 1 ટ્રક વચ્ચે થયેલી અથડામણમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક ચાલકને ફાયર વિભાગે જીવિત બહાર ક
કોંગ્રેસે ગીર સોમનાથ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા સોમનાથથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે. પક્ષના મોવડી મંડળે પવિત્ર સોમનાથ મહાદેવના દર્શન અને પૂજન અર્ચન કરીને પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુ
બોટાદ તાલુકાની તરઘરા પ્રાથમિક શાળામાં બાળકો માટે એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. 'શ્રી યોગ ફાઉન્ડેશન' દ્વારા આ શિબિર યોજાઈ હતી. આ શિબિરમાં શાળાના આશરે 380 બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શ્રી યોગ ફાઉન્ડેશનના ડો. અર્જુનભાઈ નિમાવતે બાળકોને યોગનું
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં લોક અદાલત દરમિયાન અકસ્માત વળતરનો કેસ ઉકેલાયો હતો. જેમાં મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવેલા 1 કરોડના દાવા સામે કોર્ટે 63 લાખ ચૂકવવાનો આદેશ કર્યો છે. લાંબા સમયથી પડતર આ કેસમાં બંને પક્ષો વચ્ચે સમજૂતી સધાતા, પરિવારે આર્થિક ન્યાય મેળવ્યો છે. આણંદ-ભાલ
બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પરથી પોલીસે ચરસની હેરાફેરી કરતા એક યુવકને ઝડપી પાડ્યો છે. રાજસ્થાન તરફથી આવતી એક ટ્રાવેલ્સ બસમાં તપાસ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે 801 ગ્રામ ચરસ સહિત કુલ ₹2,10,250 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે, અ
વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કારચાલકે એક બાઈક સવાર યુવકને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. રોડ પર સ્પીડ બ્રેકર હોવા છતાં બેફામ કારચાલકે યુવકને ટક્કર મારતા યુવક બાઈક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત બાદ ઘટનાસ્થળે લોકો
સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવા અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી હતી. મધ્ય
હિંમતનગરના ખેડ તસીયા રોડ પર આવેલ સુંદરગઢ અને નવા ગામ પાસે તસ્કરોએ બે ગલ્લા અને બે દુકાનોને નિશાન બનાવ્યા હતા. તસ્કરો સરસામાન અને રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. રવિવારે વહેલી સવારના સમયે સ
વલસાડ જિલ્લામાં હોળી-ધૂળેટીના પર્વ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શનિવારે 37C સુધી પહોંચેલો પારો રવિવારે 4 ડિગ્રી ઘટીને 34C પર સ્થિર થયો હતો. જોકે, તાપમાન ઘટવા છતાં હવામાં ઊંચા ભેજને કારણે નાગરિકો બફારો અને મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ગરમી

27 C