ગાંધીધામના સતત ધમધમતા રોડ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક આવેલી વીજ ડીપીમાં અચાનક ભયાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી હતી, અગ્નીશમન દળે સમયસર આવી કાબુ મેળવી લેતા_ રાહતનો શ્વાસ લેવાયો હતો. ફાટી ઘટનાસ્થળની બિલકુલ નજીક પેટ્રોલ પંપ આવેલો હોવાથી જો આગ વધુ પ્રસરી હોત તો મોટી દુર્
ભોજાય સર્વોદય ટ્રસ્ટ આયોજિત 35મા નવનીત મેગા મેડિકલ કેમ્પને ટીંબડી (હાલાર) ગામના ભારતીબેન બીમલભાઈ શાહ પરિવારે (થિકા-કેન્યા) એમના માવિત્રો દમયંતીબેન શોભાગચંદભાઈની પુણ્યસ્મૃતિમાં પ્રાયોજિત કર્યો હતો. કેમ્પ અંતર્ગત ત્રિદિવસીય સ્ત્રી રોગ શિબિર યોજાઈ હતી. કસ્તુરબેન ડુંગરશી ગ
કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરી દ્વારા દૂધ સંઘના ચાંદરાણી સ્થિત દૂધ પ્લાન્ટ ખાતે ETP પ્લાન્ટમાંથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમ મુજબ શુદ્ધિકરણ કરેલ પાણીનો સદુપયોગ કરવામાં આવે છે. સરહદ ડેરી ચાંદરાણી પ્લાન્ટ 2022ના પ્રધાનમંત્રી નર
ભરશિયાળે કચ્છ સહીત રાજ્યના અમુક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવમાન વિભાગે ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરતાં જણાવ્યું છે કે રાજસ્થાનમાં સિસ્ટમ સક્રિય થવાને કારણે માવઠાની અસર રાજ્યનાં અનેક શહેરોમાં વર્તાશે. આજે 31 ડિસેમ્બરે અને નવા વર્ષની શરૂઆતના પ
ઘડુલી–સાંતલપુર માર્ગ વર્ષો સુધી ફોરેસ્ટ વિભાગની મંજૂરીના અભાવે અટકેલો રહ્યો હતો. અંતે ત્રણ વર્ષ પૂર્વે કેન્દ્ર સરકારે ભલામણ કરતા ભોપાલ સ્થિત જંગલ વિભાગની મુખ્ય કચેરીએથી મંજૂરી મળતા માર્ગનું કામ પૂર્ણ થયું. આ માર્ગ ‘રોડ ટુ હેવન’ તરીકે ઓળખાતા જંગલ ખાતાની જમીનમાંથી પસાર થ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં લાંબા સમય બાદ રાજ્ય સરકારના પરિપત્રથી બદલી પ્રક્રિયા શરૂ થવાથી કર્મચારી આલમમાં ફફડાટ ફેલાયો છે. એક જ ટેબલ અથવા એક જ વિભાગમાં ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા તમામ કેડરના કર્મચારીઓ- અધિકારીઓની બદલી માટે સત્તાવાર કવાયત શરૂ કરાઇ છે. જેનો અમ
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી સુગમતા અને નવા વહીવટી માળખાને કાર્યરત કરવાના હેતુથી એક મહત્વનો આદેશ જારી કરવામાં આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ અસ્તિત્વમાં આવેલા નવરચિત વાવ-થરાદ જિલ્લાના વહીવટી તંત્રને મજબૂત કરવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી કર
નવા વર્ષના આગમનને લઇ શાંતિ પૂર્વક ઉજવણી થાય તે માટે પશ્ચિમ કચ્છ પોલીસ એક્શન મોડમાં આવી છે.આજે થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન વિવિધ સ્થળો પર પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ કરવામાં આવશે અને નાશો કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું ઇન્ચાર્જ એસપી ગૌતમ વિવેકાનંદે જ
ભુજમાં આવેલી કાયમી સિવિલ સર્જન વિનાની કચેરીમાંથી ફર્નીચર સહિતનો સામાન અદાલતના આદેશના પગલે જપ્ત કરવામાં આવ્યો છે.પૂર્વ તબીબને પગાર સહિતના લેણાની ચુકવણી ન થતા આ કાર્યવાહી કરવામાં આવી છે આ અંગેની વિગતો મુજબ, ડૉ. હિરજી ભુડિયા 1981માં ભુજની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીક
સરહદી અને વિસ્તારની દ્રષ્ટિએ અતિ મહત્વના જિલ્લાના પાટનગર એવા ભુજમાં છેલ્લા 16 મહિનાથી સિવિલ સર્જનની કાયમી નિમણૂક નથી. હાલ આ મહત્વની જગ્યા ઇન્ચાર્જ વ્યવસ્થાના ભરોસે ચાલી રહી છે, જેના કારણે આરોગ્ય વ્યવસ્થામાં અનેક તકલીફો ઉભી થતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. વળી દુખની વાત
મહિસાગર જિલ્લાના આરોગ્ય વિભાગે માહિતી અધિકાર(આરટીઆઇ)ની મૂળ ભાવનાને બદલતો એવો પ્રયોગ કર્યો છે કે જે ના માત્ર ચોંકાવનારો છે, પરંતુ બંધારણીય અધિકારો પર સીધો હુમલો છે. વિભાગે આરટીઆઇના જવાબમાં આપેલી 2148 પાનાની માહિતીમાં દરેક પાના પર સિક્કા માર્યા છે કે આ જાણકારી માત્ર સૂચના માટ
થર્ટી ફર્સ્ટને ધ્યાને લઈ શહેર પોલીસે વિવિધ સ્થળોએ સઘન ચેકિંગની કામગીરી શરૂ કરી હતી. શહેરની 14 ચેકપોસ્ટ સાથે વિવિધ ચાર રસ્તા, મુખ્ય સર્કલો પર 2 હજારથી વધુ પોલીસ કર્મીએ મંગળવાર રાતથી ચેકિંગની કામગીરી શરૂ કરી હતી દારૂની હેરાફેરી, ડ્રિંક એન્ડ ડ્રાઈવને રોકવા પોલીસે મોડી રાત સુધી
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા આવતીકાલ 1લી જાન્યુઆરીથી 30 ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. જેમાં 23 ટ્રેનને પ્રિપોન કરાતા 5થી 15 મિનિટ નિર્ધારિત સ્ટેશનો પર વહેલી આવશે. જ્યારે 7 ટ્રેન 12 મિનિટ સુધી મોડી આવશે. એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી, એકતાનગર સ્ટીમ હેરિટેજ સ્પેશિ
એસએસજીમાં 27 ડિસેમ્બરે નવજાત બાળકીને ત્યજી ગયેલા માતા-પિતાને રાવપુરા પોલીસે શોધી કાઉન્સેલિંગ કરતાં માતાએ બાળકીને રાખવાની તૈયારી બતાવી હતી. રાવપુરા પોલીસ મુજબ, સીસીટીવી ફુટેજ તપાસતાં માતા પુર્ણાબેન ખંભાવત અને પિતા અશોક ખંભાવત (રહે-ડભોઈ) હોવાનું જાણવા મળ્યું હતું. 27 ડિસેમ્
31 ડિસેમ્બરના સેલિબ્રેશનને લઇને આ વર્ષે સિટીમાં 11 જગ્યાએ પાર્ટીમાં બરોડીયન્સ હિલોળે ચડશે. જેમાં અનેક થીમ પર પાર્ટીપ્લોટ, કેફે, હોટલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌથી મોંઘો પાસ ‘ફ્યુઝુન ફેસ્ટ’ પાર્ટીનો છે. જેમાં 5 લોકોના ગ્રુપની પાસની કિંમત 14,999 રૂપિયા જેટલી છે.
ફોટોગ્રાફી માત્ર કેમેરાનો ક્લિક નથી, તે સમયને અટકાવી રાખવાની કળા છે. ખાસ કરીને સ્ટ્રીટ ફોટોગ્રાફી એ રસ્તાઓ પર વહેતી જીવનધારાને કાગળ પર ઉતારતી એક સશક્ત અભિવ્યક્તિ છે. એવા જ અનોખા ભાવોને રજૂ કરતું સ્ટ્રીટ ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં ફોટોગ્રાફર મધુ ખૈર
મ.સ.યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની ફેકલ્ટી ઇન્ટરનલ ક્વોલિટી અશ્યોરન્સ સેલ તથા ડિસ્ટ્રિક્ટ યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઑફિસના સહયોગથી કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિ સંમેલનનું આયોજન ભારત રત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ નિમિત્તે
મ.સ.યુનિવર્સિટીના બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સમાં અભ્યાસ કરતી અક્ષદા અજય દલવીએ ખેલો ઇન્ડિયા અસ્મિતા વુમન્સ કિકબોક્સિંગ લીગ વેસ્ટ ઝોનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. મધ્ય પ્રદેશના ઇંદોર ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં સિનિયર મહિલા +70 કિલો વજન વર્ગમાં ભાગ લઈને અક્ષદ
દેશભરમાં ચકચાર જગાવનાર શેખ બાબુ હત્યા કાંડમાં સુનાવણી ચાલી રહી રહી છે. જેમાં પોલીસ વિભાગમાં જ ફરજ બજાવતા એક મહિલા સહિતના ત્રણ સાક્ષીઓ નિવેદનથી ફરી ગયા હોવાનું બહાર આવ્યું છે. એમની સામે કડક કાર્યવાહની માંગ કરી છે. પીઆઇ, પીએસઆઇ સહિત 6 સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. સરકારી સાક્
એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં 4 હજાર જેટલા વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરશે. ફેકલ્ટી દ્વારા તમામ વિદ્યાર્થીઓની ઇન્ટર્નશિપ માટે કંપનીઓ, સંસ્થાઓ, એનજીઓનો સંપર્ક કર્યો હતો. જોકે 2 હજાર જેટલા વિદ્યાર્થીઓ પોતાની જાતે જ ઇન્ટર્નશિપ માટે કંપની, કોર્પોરેટ હાઉસ
મુંબઈ વસઈથી વડોદરા ખાતે સુરત-અમદાવાદ ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનમાં દારૂની 653 બોટલ ભરેલાં 7 બોક્સ મોકલનાર અને વડોદરામાં દારૂની ડિલિવરી મેળવનારા સામે કારેલીબાગ પોલીસે ગુનો નોંધ્યો છે. મેનેજરે બોક્સમાંથી દારૂ જેવું પ્રવાહી નીકળતાં કારેલીબાગ પોલીસને જાણ કરી હતી. જે બાદ પો
શહેરના વાઘોડિયા રોડ ખાતે ગોપાલભાઈ રોકડવાલા પરિવાર દ્વારા ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત કથામાં વામન અવતાર, રામા અવતાર, ક્રિષ્ના અવતાર, નંદ મહોત્સવ ઉજવાયો હતો. શ્રીમદ્ ભાગવતજીનું રસપાન કરાવતા હરિરાયજી મહોદયએ જણાવ્યું કે, પ્રભુ દૃષ્ટિથી મનના મનોરથ પૂર્ણ કરે છે. ગોપીઓ વેદની ઋચા કહ
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ ખાતે 28 ડિસેમ્બરે યુવા બિઝનેસ મહાસંમેલન યોજાયું હતું. તેમાં વડોદરા અને વડોદરા જિલ્લામાંથી લગભગ 4 હજાર યુવાનોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો. વિશ્વ ઉમિયાધામ કેન્દ્રીય ગૃહ મંત્રીની ઉપસ્થિતિમાં 20 હજાર પાટીદાર યુવાનોએ આત્મનિર્ભર ભારતના સંકલ્પ લીધા હતા. વ
પાલિકામાં મ્યુ.કમિશનરની અધ્યક્ષતામાં મળેલી રિવ્યુ બેઠકમાં સ્વચ્છતા પર ભાર મુકાયો હતો. જેમાં જે વેપારીની દુકાન સામે કચરો મળશે તેની દુકાન સીલ કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના અપાઈ છે. બીજી તરફ શાળાઓની આસપાસ 500 મીટર સુધી સ્વચ્છતા રહે તેની જવાબદારી શાળા ઉઠાવે તેવી અપીલ કરા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે શહેરમાં 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીએ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 2 જાન્યુઆરીએ ઠંડીની તીવ્રતા વધવાની સંભાવના છે. 30મીએ શહેરમાં ઠંડીનો પારો 1.4 ડિગ્રી વધીને 15 ડિગ્રી નોંધાયો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર ભારત પરથી પસાર થઈ રહેલા મજબ
તરસાલીમાં મંગળવારે બપોરે કારમાં આગ લાગી હતી. આ અંગે જાણ કરાતાં સ્થળ પર પહોંચેલા ફાયરબ્રિગેડના લાશ્કરોએ આગ બુઝાવી હતી. તરસાલી બાયપાસ નજીકના સિદ્ધેશ્વરી હેપી હેરિટેજમાં ઓટોમોબાઇલ ગેરેજ છે. તેની બહાર કારની સીટ નીચેનો સ્ક્રૂ ખૂલી રહ્યો ન હતો. દરમિયાન ગેરેજના મિકેનિકે વેલ્ડિ
રાજ્યમાં ભાગીને કરાતા લગ્નના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે લગ્ન નોંધણીના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય આજે લઈ શકે છે. નવા પ્રસ્તાવ મુજબ હવે ભાગેડુ લગ્નની નોંધણી સીધી રીતે નહીં થઈ શકે અને તે માટે વર્ગ-2 અધિકારીની પૂર્વ મંજૂરી ફરજિયાત લેવાની જાહેરાત
2025ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે 2025ને બાયબાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરાયું છે. લોકો શાંતિથી નવા વર્ષન
ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત થઈ ચૂકી છે. હોદ્દેદારોએ પોતાનો હોદ્દો સંભાળી કામગીરી શરૂ પણ કરી દીધી છે. પ્રદેશ ભાજપની ટીમમાં યુવા ચહેરાઓ સાથે અનુભવી અને સિનિયર નેતાઓ મૂકવામાં આવ્યા છે. ટીમ જગદીશ વિશ્વકર્માની જાહેરાતમાં અનેક ચોંકાવનારા નામો સામે આવ્યા છે. જે
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલાં ભાગમાં તમે વાંચ્યું કે રાજકોટના મોરબી રોડ પર 17 ઓગસ્ટ, 2010ની સવારે કારમાંથી એક યુવકની લોહી નીતરતી લાશ મળી હતી. આ હત્યાકાંડમાં સ્થાનિક પોલીસે પ્રેમપ્રકરણ, લૂંટ તેમજ વેરઝેરના એન્ગલથી તપાસ કરી પરંતુ કાંઈ હાથ લાગ્યું નહીં. આ કેસની ફાઇલ બંધ થવાની જ હત
ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે દોરાથી વાહનચાલકોને ઇજા ન થાય તે માટે પાલિકાએ શહેરના 17 રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવર પર તાર લગાવવાનું શરૂ કર્યું છે. બ્રિજ પર સેન્ટ્રલ ડિવાઈડરની ઉપર અને બાજુના બંને થાંભલા પર તાર લગાવવામાં આવી રહ્યા છે. ઉત્તરાયણ પર્વમાં રોડ પર
ગોરવા રહેતી યુવતીએ ઓનલાઈન ગેમની લતમાં દાદીના પેન્શનના રૂા.4 લાખ વેડફી નાખ્યા હતા સાથે દાદીની સોનાની ચેન વેચીને 1 લાખ મોજ-શોખમાં વાપરી નાખ્યા હતા. આ વિશે પરિવારને જાણ થતાં આઘાતમાં સરી ગયો હતો અને અભયમની મદદ માગી હતી. ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરતા તેને ભૂલનું ભાન થતાં પરિવાર
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'.
કોટંબી સ્ટેડિયમ ખાતે રમાનાર ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની વન ડે મેચની પ્રેક્ષકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ સ્ટેડિયમ ખાતે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મેચ 11 જાન્યુઆરીએ યોજાનાર છે ત્યારે તેના માટે 11 પીચ તૈયાર કરાઈ રહી છે. કાળી માટી કે લાલ માટીની પીચ પર મેચ રમવ
નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ અકસ્માતોની ઘટનાઓ અટકાવી શકાય તે હેતુસર 31 ડિસેમ્બર પૂર્વે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવેશની પ્રથમ ચેકપોસ્ટ વિઠ્ઠલાપરા ખાતે સક્રિય થઈ છે. જિલ્લામાં પ્રવેશતા તમામ વાહનચાલકોનું લખતર પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવા
ધ્રાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો 80 કિલો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો અને 5 હજારનો દડ ફટકારવામાં આવ્યો હતો. દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા વડાપ્રધાન પોતે સ્વચ્છ ભારત મિશન અભિયાન ચલાવી રહ્યા છે. તેવામાં હજુ પણ કેટલાક વિસ્તારોમાં પ્લાસ્ટિ
લીંબડીમાં ડોહળા પાણીનું વિતરણ થતું હોવાનું રાવ ઉઠી છે. ગંદા અને દૂષિત પાણી પીવાથી પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોખ્ખુ અને શુદ્ધ પાણીના વિતરણની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લોક માંગણી ઊઠવા પામી છે. લીંબડી શહેરના આંબલીપા, શુક્લપા, ગોલેતરપ
ઝાલાવાડના સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન સુરેન્દ્રનગર વ (ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ) પોલીસ સ્ટેશનમાં વીજચોરીના 2023થી 24 ડિસેમ્બર-2025 એટલે 3 વર્ષમાં કુલ 14,914 જેટલા ગંભીર કેસ નોંધાયા છે. આ કેસો પૈકી, 11,661 કેસો હાલમાં પેન્ડિંગ છે. જ્યારે 3,253 કેસોનો નિકા
માય ભારત દ્વારા યોજાયેલી રમત સ્પર્ધાઓ લીંબડીની દરબાર બોર્ડિંગના વિદ્યાર્થીઓ ઝળક્યા હતા. સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા છાત્રોને શિલ્ડ, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા હતા. યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય દ્વારા માય ભારત અંતર્ગત ખંડ સ્તરની ખેલકૂદ સ્પર્ધાઓનુ
રોટરી ક્લબ ઓફ સુરેન્દ્રનગર દ્વારા તા. 21 ડિસેમ્બર 2025ના રોજ સુરેન્દ્રનગરથી અંદાજે 22 કિલોમીટર દૂર આવેલા ખોડુ ગામ ખાતે સ્થિત ખોડુ કન્યાશાળામાં એક ભવ્ય સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાયન્સ ફેરમાં શાળાની 100 જેટલી દીકરીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ આયોજનનો મુખ્ય ઉદ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા શહેરી વિકાસ વર્ષ 2025 તેમજ મહાનગરપાલિકાની રચનાને એક વર્ષ પૂર્ણ થયાની ઉજવણી અંતર્ગત સખી મંડળની બહેનો , યોજનાકીય લાભાર્થી બહેનો માટે વિવિધ સ્પર્ધાઓ, આજીવિકા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું . મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા રાષ્ટ
મોરબી મહાનગર પાલિકાની ટીમ દબાણ હટાવ કામગીરી કરી રહી હતી તે દરમિયાન અકસ્માતે એક દુર્ઘટના થઇ હતી જેમાં એક કર્મચારીને કેબીનનો ભાગ લાગતા ઈજાગ્રસ્ત થયો હતો યુવકને કાનના ભાગેથી લોહી વહેવા લાગતા સારવાર અર્થે ખસેડાયો હતો બનાવમાં સદનસીબે ગંભીર ઈજા પહોચી ન હતી. મોરબી મહાનગર પાલિક
માત્ર મોરબીને જ નહીં સમગ્ર નારીજાતિ પ્રત્યે સમાજને માન, સન્માન જાગે તેવી પ્રેરણાદાયી બાબત સામે આવી છે. જેમાં કડીયા કામ કરતા એક પિતાની ધો.10 સુધી જ ભણેલી પુત્રીએ કપરો સંઘર્ષ કરી મક્કમ મનોબળથી દેશની આંતરિક સુરક્ષા માટે પેરા મિલિટરી ફોર્સ એટલે સીઆઈએસએફમાં જોડાઈને દેશના અન્ય ક
માળીયા મિયાણા તાલુકાના રાસંગપર ગામની ખેતીની જમીન પર ઓલરેડી બે હેવી વીજ લાઈન નીકળી રહી છે અને હવે ત્રીજી એટલે હજુ નવી વીજલાઈન નાખવાની હિલચાલ થતાં ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હેવી વીજ લાઇનથી ખેતીની જમીન છીનવાઈ જવાની દહેશત વ્યક્ત કરી ખેડૂતોએ આ બાબતે વિરોધ કરી ખેડૂતોના
વાંકાનેરમાં સેન યુવા સંગઠનના ઉપક્રમે સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. રસિકભાઈ ખોરજા, રવિભાઈ લખતરીયાએ સેન યુવા સંગઠનની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ સ્નેહમિલનની સાથે વાંકાનેર શહેર, તાલુકા વાણંદ સમાજના પરીવારજનો માટે લક્ષ્મીજી પધાર્યાના વધામણાં નામની યોજન
વાંકાનેરમાં મચ્છુ નદી કિનારે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં શ્રીમદ્ ભાગવત પારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તા. 22 થી 28 દરમિયાન આયોજિત આ ધાર્મિક અનુષ્ઠાનના છઠ્ઠા દિવસે કૃષ્ણલીલા અને રૂક્ષ્મણી વિવાહ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે પ્રદેશ ભાજપના શૈ
મોરબીના નાની વાવડી ગામ પાસે મેલા બાપાના મંદિર પાસે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દરોડો પાડીને સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ 50 ફીરકી સાથે બે બાળ કિશોર સહિત કુલ ત્રણ વ્યક્તિને ઝડપીને 20,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કલેકટર દ્વારા ચાઈનીઝ ફીરકીનું વેચાણ, સંગ્રહ અને
મોરબી નગરપાલિકામાંથી મહાનગર પાલિકા જાહેર થયાને આગામી 1 જાન્યુઆરી એ એક વર્ષ પૂર્ણ થતા મહાનગર પાલિકા દ્વારા mmc@1 અંતર્ગત એક સપ્તાહથી અલગ અલગ ઉજવણી ચાલી રહી છે અને તેનાં ભાગરૂપે મોરબીની વિવિધ શાળાઓના બાળકોને મહાનગર પાલિકાની કામગીરી અંગે માહિતગાર કરવા વન ડે વિથ કમિશ્નરનું આયો
મોરબી જિલ્લા પોલીસે નવા વર્ષની ઉજવણી શાંતિ પૂર્વક થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળે નહી તેમજ ઉજવણી નામે નશાકારક પદાર્થોનું વેચાણ કે સેવન ન થાય તે માટે વિવિધ ટીમ બનાવી હાલ ફાર્મ હાઉસ અને હોટેલમાં ચેકિંગ કામગીરી હાથ ધરી છે. આ ઉપરાંત રાત્રીના સમયે અલગ અલગ ચેક પોસ્ટ પર ચેકિ
શામળાજી પોલીસે રવિવારે સાંજે યુપીના ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપી બિરેન્દ્ર ખટીક અમદાવાદમાં મોટા ગુનાને અંજામ આપે તે પહેલા દેશી હાથ બનાવટની ત્રણ પિસ્તોલ અને 18 જીવતાં કારતૂસ સાથે ઝડપી આરોપીને કોર્ટમાં રજૂ કરાતાં તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે. આરોપી લાઇવ રાઉન્ડ સા
ગળતેશ્વર તાલુકાના મુખ્ય મથક સેવાલિયા ખાતે મહીસાગર નદીના કિનારે આવેલ પૌરાણિક દેવગોડા મહાદેવ જે સેવાલિયા રેલવે ફાટકથી પસાર થઈ મંદિરે જવું પડે છે. હાલ રેલ્વે દ્વારા આ ફાટક પર અંડર બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. જેને લઇ બુધવાર તારીખ 31 ડિસેમ્બરથી આ ફાટક અવરજવર માટે બ
હાલમાં વાતાવરણના મધ્ય લેવલમાં ફૂંકાતી જેટ સ્ટ્રીમની અસરથી અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાન ઘટતાં ઠંડી ઘટી છે. પરંતુ, 31 જાન્યુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટવાની સાથે જેટ સ્ટ્રીમ બ્રેકની અસરથી 1 અને 2 જાન્યુઆરીનાં બે દિવસમાં અમદાવાદમાં ઠંડીનો પારો 10થી 12 ડિગ્
31 ડિસેમ્બરને પગલે અમદાવાદમાં પરમિટ ધરાવતા ગ્રાહકો દ્વારા દારૂનું વેચાણ વધી ગયું છે. શહેરની 22 પરમિટ લિકર શોપમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની બોટલો ચપોચપ વેચાઈ રહી છે. ખાસ કરીને વોડકા, ટકીલા અને સ્પાર્કલિંગ વાઇનના કોકટેલનો આ વર્ષે ભારે ક્રેઝ છે. વેપારીઓના જણાવ્યા મુજબ, ઇમ્પોર્
એસઆઈઆરની પ્રક્રિયામાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયાના 10 દિવસ પછી પણ કલેક્ટર કચેરી દ્વારા એક પણ મતદારને નોટિસ મોકલવામાં આવી નથી. જે મતદારોના સંબંધીના નામ 2002ની યાદીમાં ન હોય તેવા મતદારને નોટિસ મોકલવાની હતી.જે મતદારોને નોટિસ મોકલાશે તેઓએ પોતાના વાંધા અને દાવા અરજી સંબંધિત મત
બુલેટ ટ્રેનની કામગીરી માટે સાબરમતીથી વટવા સુધી પાઈલોટિંગનું તથા સેગમેન્ટ લગાવવાનું ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં શાહીબાગ અંડરબ્રિજ ખાતે તૈયાર થયેલા બુલેટ ટ્રેનના પિલ્લરો ઉપર સેગમેન્ટ લગાવવાની કામગીરી હાથ ધરવાની હોવાથી 5 જાન્યુઆરીથી 12 જાન્યુઆરી સુધી શાહીબાગ અંડરપાસ ત
નવા વર્ષની ઉજવણી માટે 31 ડિસેમ્બરે રાતે સીજી રોડ, સિંધુ ભવન રોડ, એસજી હાઈવે ઉપર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. જેને ધ્યાનમાં રાખીને 31મીએ સાંજે 6 વાગ્યાથી સીજી રોડ અને સિંધુ ભવન રોડ ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાયલાઈન ચાર રસ્તા સુધી વાહન ચાલકો માટે બંધ રહેશે. 31મીએ રાતે આ બંને રો
તમારા નામે ગ્રીટિંગ કાર્ડ મોકલવા માટે અહીં કિલક કરો. વોટસએપ ઉપર ફરતી હેપ્પી ન્યૂ યર ગ્રીટિંગ લિંકથી સાવધાન રહેવું. સાઈબર ગઠીયાઓ ગ્રિટિંગ લિંકના નામે એપીકે ફાઈલ મોકલીને તમારુ બેંક એકાઉન્ટ ખાલી કરી દેશે. જેથી સાઈબર ક્રાઈમ દ્વારા લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ એપીકે ફાઈલ ઈન
ડિસેમ્બર મહિનામાં સાઈબર ગઠિયાઓએ ગુજરાતના લોકોના રૂ.121 કરોડ પડાવી લીધા હતા. મોટા ભાગના લોકોએ ગોલ્ડન અવર (ફ્રોડના 2 કલાકની અંદર)માં પોલીસને જાણ કરતા ફ્રોડના 50 ટકા એટલે 61 કરોડ રૂપિયા બચાવી લીધા હતા. છેલ્લા 2 દિવસમાં જ સાઈબર ગઠિયાઓએ ગુજરાતના 3849 લોકોને છેતરપિંડીનો શિકાર બનાવ્યા હતા
એસવીપી હૉસ્પિટલમાં મેડિકલ સ્ટાફની બેદરકારી મુદ્દે દર્દીના પુત્રને પોલીસ બોલાવવી પડી હતી. આઇસીયુમાં દાખલ દર્દીના હાથમાં લગાવેલી વીગોમાંથી લોહી નીકળી રહ્યું હતું. એવામાં દર્દીનો પુત્ર બેડ સુધી પહોંચી જતાં તે ચોંકી ઊઠ્યો હતો. તેણે મેડિકલ સ્ટાફને જાણ કરી પોલીસને બોલાવી હત
સિવિલ કેમ્પસસ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)એ 1 જ વર્ષમાં 500 સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી છે. વર્ષ 2025માં દેશમાં 500 સફળ ટ્રાન્સપ્લાન્ટ કરનારી દેશની પ્રથમ સરકારી હૉસ્પિટલ બની છે. આઇકેડીઆરસીના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદીએ જણાવ્યું કે આ પ્રત્યાર
પોશ વિસ્તારની 38 વર્ષીય મહિલાએ 181 અભયમની મદદથી જીપીએસસીના ક્લાસમાં ભણાવતા 43 વર્ષીય રંગીનમિજાજી પતિને વિદ્યાર્થિની સાથે હોટલમાં રંગરલિયા કરતો ઝડપી પાડ્યો હતો. પતિ વારંવાર ફોનમાં યુવતીઓ સાથે વાત કરતો અને ‘આ તો મારી સ્ટુડન્ટ છે’ કહી પતિ વાત ટાળી દેતો. પત્નીને શંકા જતાં એકેડમી
ગુજરાત યુનિ.માં રજિસ્ટ્રાર, ચિફ એકાઉન્ટ ઓફિસર, ડાયરેક્ટર, લાઇબ્રેરીયન, પ્રેસ મેનેજર, જુનિયર ક્લાર્ક સહિતની જગ્યા માટે ભરતી જાહેર કરાઇ છે. નોટીફિકેશન મુજબ, ઉમેદવારો 29 ડિસે.થી ઓનલાઇન ફોર્મ ભરી શકેત, પરંતુ 30 ડિસ. સુધી ફોર્મ ભરવાની લિંક ઓપન થઇ ન હતી. યુનિવર્સિટી દ્વારા જાણીતી કહે
સમસ્ત બ્રહ્મસમાજ ગુજરાત પ્રદેશના આગેવાનોએ મુખ્ય મંત્રી સમક્ષ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવા રજૂઆત કરી હતી સાથે જ મુખ્ય મંત્રી સાથે મુલાકાત કરી આ બાબતે કાયદાકીય જોગવાઈ કરવા પણ ખાસ ભાર મૂક્યો હતો અને સમસ્ત બ્રહ્મસમાજ સરકારની સાથે છે એવો પણ હુંકાર ભર્યો હતો. સમસ્ત બ્રહ
કેન્દ્રીય જલશક્તિ મંત્રાલય દ્વારા પાણીના સંગ્રહ કરવા માટે જલ શક્તિ અભિયાન ચલાવવામાં આવે છે. કેચ ધ રેઇનથી માંડી તળાવોના નવિનીકરણ, ચેકડેમ બનાવવા, વોટર શેડનું નિર્માણ વગેરે કામ આ અભિયાનમાં થાય છે.આ અભિયાન હેઠળ જ નવેમ્બરમાં રાજસ્થાનના ઉદેપુર જિલ્લાને જળ સંગ્રહ માટે રાષ્ટ્રપ
જાતિના દાખલાની માંગને લઈ નીકળેલી આદિવાસી સમાજની પદયાત્રા ગાંધીનગર પહોંચે તે પહેલા છાપી નજીક રોકી આગેવાનોને પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન મથકે લવાયા હતા. જ્યાં 100 થી વધુ આદિવાસીઓએ સોમવારની આખીરાત ઉજાગરો કર્યો હતો. આદિવાસી ભાષામાં ગીતો ગાઈને ધારાસભ્ય અને આદિવાસી આગેવાનોએ ર
આજના આધુનિક અને ડિજિટલ યુગમાં જ્યારે શિશુ અવસ્થાથી જ બાળકો મોબાઈલ અને ગેજેટ્સની માયાજાળમાં ફસાયેલા જોવા મળે છે, ત્યારે ગુજરાતના ભાવિને મેદાન સાથે જોડવા માટે એક અનોખું અભિયાન શરૂ થયું છે. ‘ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી’ દ્વારા આગામી 9થી 12 જાન્યુઆરી, 2026 દરમિયાન સુરત ખાતે ‘ર
નાતાલ પર્વને લઈ શહેરમાં કેક, કૂકીઝ, ચોકલેટ સહિતની બેકરી આઇટમોનું ધૂમ વેચાણ થયા બાદ રાજકોટ મહાનગરપાલિકાએ રહી રહીને શહેરની અલગ અલગ બે બેકરીમાંથી કેક અને કૂકીઝના નમૂના લઈ પૃથક્કરણ માટે મોકલી આપ્યા છે. સાથે જ મહાનગરપાલિકા દ્વારા મંગળવારે શહેરના સાધુ વાસવાણી રોડ, હનુમાનમઢી અન
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા 125 ટ્રેનના સમયમાં મહત્ત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. 1 જાન્યુઆરી, 2026થી અમલી બનનારા આ નવા ટાઈમટેબલ મુજબ, રાજકોટ આવતી-જતી 108 ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં 1થી 42 મિનિટ સુધી વહેલી આવશે, જ્યારે 17 ટ્રેન 2થી 20 મિનિટ સુધી મોડી પડશે. રેલવે પ્રશાસન દ
રંગીલા રાજકોટમાં સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડતી હોય છે, પરંતુ વર્ષ 2025નો ડિસેમ્બર મહિનો કંઈક અલગ જ મિજાજ બતાવી રહ્યો છે. હવામાન વિભાગના આંકડાઓનું વિશ્લેષણ કરતા માલૂમ પડે છે કે, ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ઠંડીનું જોર ખૂબ જ ઓછું રહ્યું છે. જ્યાં ગયા વર્ષે (2024)
પોરબંદરમાં મહતમ તાપમાન 30 ડિગ્રી યથાવત રહ્યું છે, જયારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી ગગડીને 14 ડીગ્રીએ પહોંચ્યું છે અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 5 ટકા વધીને 45 ટકા નોંધાયું છે. ગઈકાલે સોમવારે મહતમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું હતું જ્યારે મંગળવારે પણ મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધાયું છે. ગઈક
પોલીસના પગાર સહિતના 70 બિલ પેન્ડિંગ રાખનાર મહિલા ક્લાર્કને તપાસ બાદ એસપીએ કડક વલણ અપનાવી સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢ પોલીસ અધિક્ષક કચેરીની હિસાબી શાખાના જુનિયર ક્લાર્ક શ્રીમતી વિલ્સુબેન જેઠાભાઇ કરંગીયા પાસે પગાર દફતરની ફરજ દરમિયાન સદગત પોલીસ કર્
નરસિંહ મહેતા તળાવ બ્યુટીફીકેશનનુ કામ કરતી દેવર્ષ કન્ટ્રકશન કંપની નામની એજન્સીએ વીજ મીટરની મુદત રિન્યુ ન કરતા થોડા સમય પહેલા પીજીવીસીએલ સેન્ટ્રલ ડિવિઝનની ટીમ દ્વારા છેડા કાપી નાખવામાં આવ્યા હતા. બાદમાં આ મીટરનો એમઆઇઆર રિપોર્ટ મેળવવા માટે સીટી લેબમાં મોકલવામાં આવ્યુ હતુ
જૂનાગઢ જિલ્લાના ઔદ્યોગિક વિકાસને વેગ મળે અને ઉદ્યોગકારોના ધંધાને વિસ્તાર અને પ્રોત્સાહન મળે તે હેતુથી તારીખ 4 ડિસેમ્બરના રોજ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાનાર છે. જેમાં ઉદ્યોગકારો ભાગ લઇ શકે તે માટે ઓપન પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવનાર છે. જેથી આ સમિટમાં ભાગ લેનાર વ્યવસ
જૂનાગઢ શહેરના સરદારબાગ પાસેના ભાગે 630 ચોરસ મીટરમાં બીનકાયદેસર દબાણ કરીને બનાવેલા 16 કાચા- પાકા મકાન પર તંત્રએ બુલડોઝર ફેરવી રૂપિયા 1.27 કરોડની જમીન ખુલ્લી કરી છે. સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ દશરથસિંહ જાદવે જણાવ્યુ કે, સરદારબાગ પાસેના ભાગપર સરકારી જમીનમાં બિનકાયદેસર દબાણ કરી 16
જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક શાળામાં વિવિધ વિષયો મળી સરકારમાંથી ફાળવેલા કુલ 177 જ્ઞાનસહાયકોનુ તારીખ 31 ડિસેમ્બરના રોજ શાળા ફાળવણી અને ડોક્યુમેન્ટ વેરીફીકેશન માટે કેમ્પનુ આયોજન કરાયુ છે. જિલ્લા શિક્ષણાધિકારી લત્તાબને ઉપાધ્યાયે જણાવ્યુ કે, જૂનાગઢ જિલ્લામાં માધ્યમિક શાળાઓ મ
રહેણાંક વિસ્તારમાં કતલખાના કેસમાં પોલીસે પીજીવીસીએલ વગેરેને સાથે રાખી જગ્યાની માલિકી, વીજ જોડાણ મુદે તપાસ હાથ ધરી હતી. જેમાં એક ગેરકાયદે વીજ જોડાણ મળી આવતા વીજ તંત્રએ રૂપિયા 1.29 લાખની દંડનીય કાર્યવાહી કરી હતી. રવિવારે શહેરમાં ઢાલ રોડ, પાડાવાલા ચોક રહેણાંક વિસ્તારમાં ડેલા,
નવા વર્ષ 2026ના પ્રારંભે તારીખ 2 થી 4 જાન્યુઆરી એમ ત્રણ દિવસ જૂનાગઢ સહિત દેશભરમાં ખગોળરસિકોને આકાશમાં ક્વોડરેન્ટીડસ ઉલ્કા વર્ષાનો નજારો જોઇ શકશે. ખગોળીરસીકો આ ઉલ્કાવર્ષા તારીખ 12મી જાન્યુઆરી સુધી સ્વચ્છ આકાશમાં જોઇ શકવાના છે. પ્રતિ કલાકના 110 ઉલ્કાવર્ષા આકાશમાં જોવા મળશે. કવોડ
કમોસમી વરસાદની સંભાવના વચ્ચે મંગળવારે જૂનાગઢ સહિત સોરઠમાં ધૂંધળું વાતાવરણ થઈ ગયું હતું અને પારો ગગડતા ગુલાબી ઠંડી વધી હતી. હવામાન નિષ્ણાતે 31 ડિસેમ્બર અને 1લી જાન્યુઆરીએ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. જેના પગલે મંગળવારે વાતાવરણ પર અસર જોવા મળી હતી. વ્હેલી સવારે ઝાકળવર્ષા થય
જુનાગઢ સહિત રાજ્ય અને દેશભરના EPFO-95 આધારિત આશરે 78 લાખ પેન્શનરોને મળતી ક્ષુલ્લક પેન્શનના મુદ્દે વર્ષોથી ચાલી રહેલી માંગ હજુ સુધી સ્વીકારવામાં ન આવતાં પેન્શનરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે કચ્છ-કાઠીયાવાડ ગુજરાત નિવૃત્ત કર્મચારી મંડળ અને મધુર સોશિયલ ગ્રુપ દ્વાર
આ વર્ષે માવઠાના લીધે ખેડૂતોના પાકને નુકસાન થયું હતું જોકે સરકાર દ્રારા સહાય ચૂકવવામાં આવી હતી તેમજ ટેકાના ભાવે મગફળી સહિતના પાકની ખરીદી કરવામાં આવી હતી.પરંતુ તેમાં 6.25 ખાંડી જ મગફળી લેવામાં આવી હતી જ્યારે બીજી બાજુ અન્ય ધાણા,જીરૂ સહિતના પાકો ખેડૂતો ખુલ્લા બજારમાં તેમજ માર્
જામનગરના શહેરના ભાડુત પુત્રવધુને ભગાડી જતાં અને પુત્ર સાથે ઝગડો કરતા મકાન ખાલી કરવાનું કહેતા આરોપીએ અન્ય શખસ સાથે મળીને મહિલા મકાન માલિક અને તેમના પુત્ર ઉપર હુમલો કરીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.શહેરના અંધાશ્રમ આવાસમાં રહેતા નીતાબેન મહેન્દ્રભાઈ વાળા નામના મહ
જામનગર શહેરમાં મૈત્રીકરારથી સાથે રહેતી યુવતિનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા પોલીસમાં દોડધામ મચી ગઈ હતી. અંતે યુવતિએ અકળ કારણોસર ગળાફાંસો ખાધો હોવાનું સામે આવ્યું છે. સાથે રહેતો મિત્ર ફરાર થઈ ગયો છે. શહેરના ઢીંચડા રીંગરોડ પર આવેલી તિરૂપતિ સોસાયટીની શેરી નં.3માં દર્શનભાઈ સાથે મ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડનં-12ના કોર્પોરેટર ઉપર થયેલા ખુની હુમલામાં રાજકિય દુશ્મનાવટ રાખીને પુર્વ વિપક્ષી નેતા, કોર્પોરેટરે પોતાના માણસો મોકલીને હુમલો કરાવ્યાની ફરિયાદથી રાજકિય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. બન્ને કોંગ્રેસમાં હોય, અને તાજેતરમાં જ કોર્પોરેટર આપમાં જો
જામનગરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી શાંતિમય માહોલમાં ઉત્સાહભેર ઉજવણી કરી શકાય તે માટે જિલ્લા પોલીસ વડા ડો.રવિ મોહન સૈનીએ બંદોબસ્ત માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેમાં 4 ડીવાયએસપી, 24 પીઆઈ, 35 પીએસઆઇ સહિત 65 પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ જવાન, ગ્રામ્ય રક્ષક દળ સહિત 700 જવા
જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં નહીંવત્ ઘટીને લઘુતમ તાપમાન 14.4 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 7 ટકા વધીને 79 ટકા રહ્યું હતું.જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ તથા હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થતા ત્યાંના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો માઈનસમાં ચાલ્યો ગયો છે. કડકડતી
જામનગર શહેરના ગોકુલનગરથી જકાતનાકા અને સાંઢીયા પુલને જોડતા 30 મીટર ડીપી રોડને પહોળો કરવાની કામગીરીને તંત્ર દ્વારા તેજ કરવામાં આવી છે. આજે આસિસ્ટન્ટ કમિશનર અને ટીપીઓ ટીમ દ્વારા દુકાનદારોને દુકાન ખાલી કરવા અલ્ટીમેટમ અપાયું હતું. જેમાં 60 ટકા જેટલા લોકોએ સ્વેચ્છિક રીતે દબાણો
જામનગર જિલ્લા પંચાયતના વર્ષ 2025ના આખરી જનરલ બોર્ડની બેઠકમાં જિ.પં.ના અધિકારીઓ પોતાની મનમાની કરી, સદસ્યોનું ન સાંભળી અને ફોન પણ ઉપાડતા ન હોવાથી તડાપીટ બોલાવી હતી અને ત્રણ અધિકારીઓ પાસેથી ટોકન દંડ વસુલ કરી, પરત રાજક્ષ્ય સરકારમાં મોકલવા માટેનો ઠરાવ કરતા ચર્ચાઓ જાગી છ. જિલ્લા પં
જામનગર અને દેવભુમિ દ્વારકા સહિતના કચ્છ, બનાસકાંઠા, પાટણ જિલ્લામાં આગામી તા.31 ડીસેમ્બર અને 1 જાન્યુઆરીના છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન ખાતાએ આગાહી કરતા ખેડુતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડુતોએ પાક
કલેક્ટર એસ.કે. મોદીની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સરદાર સરોવર નર્મદા નિગમના અસરગ્રસ્ત છ ગામોના નાગરિકો સાથે પરામર્શ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અસરગ્રસ્ત ગામો કેવડિયા, લીમડી, નવાગામ-બારફળિયા, વાગડિયા, કોઠી તથા ગોરા ગામના નાગરિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.સ
તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતી ગંગાસ્વરૂપ મહિલા પર એસઆરપી જવાન તરીકે ફરજ બજાવતાં કૌટુબિક જેઠે દુષ્કર્મ કર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. ગંગાસ્વરૂપ મહિલા મોપેડ લઇને તેના ખેતરમાં જઇ રહી હતી તે સમયે તેનો સંબંધી અને એસઆરપીમાં ફરજ બજાવતો રાકેશ બારીયા તેને માર્ગમાં મળ્યો હ

21 C