એક એવું નામ ‘ડેવિડ’ જે અમુક લોકો માટે માત્ર એક ટેલિગ્રામ અકાઉન્ટ છે, પણ ભારતના 24 રાજ્યોના અનેક ઠગાયેલા લોકો માટે ડરનું બીજુ નામ છે. ‘ડેવિડ’ ના નામે સંચાલિત એક ગુપ્ત ટેલિગ્રામ અકાઉન્ટના ઇશારાઓ પર કાર્યરત ભારતનો મુખ્ય ઓપરેટર પાર્થ ગોપાણી સુરત સાઇબર ક્રાઈમ સેલના હાથે લખનૌ એરપ
જો કોઈ ઓનલાઇન જમવાનું મંગાવેલ હોય અને ઓર્ડર રદ્દ થાય, એટલે રિફંડની અપેક્ષા રાખવી સામાન્ય બાબત ગણાય પણ આ સામાન્ય બાબત જ રત્નકલાકાર માટે એક સાઇબર ફ્રોડમાં ફેરવાઈ ગઈ હતી. જેના પરિણામે બેંક ખાતામાંથી 7.38 લાખ રૂપિયા ઉડી ગયા હતા. આ સમગ્ર ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં રહેતા એક રત્ન
આગામી ગણેશોત્સવને હજુ 3 મહિના ઉપરાંતનો સમય બાકી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આજે સિંહાસન સાથે 9 ફૂટ ઉંચાઇથી વધારે ગણપતિની માટીની મૂર્તિ અને સિંહાસન સાથે 5 ફૂટથી વધારે ઊંચી POP અને ફાઇબરની મૂર્તિ બનાવવા, વેચવા અને સ્થાપન કરવા ઉપર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિ
સુરત સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં કણસતા દર્દીને સારવાર આપવાને બદલે બે ડોકટરો આરામ કરતા હતા. એક ગેમ રમવામાં વ્યસ્ત હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. જેથી રાજ્યના આરોગ્ય વિભાગ દ્રારા આ અંગે માહિતી માંગતા નવી સિવિલ અધિકારીએ તપાસ કમિટી બનાવીને તપાસ શરૂ કરી છે. જોકે વીડિયો ઉત
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 અને 12ની પરીક્ષાનું પરિણામ આવી ચૂક્યું છે. ધોરણ-10ના પરિણામમાં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર અથવા તો નાપાસ થયા હોય તે વિદ્યાર્થીઓ તમામ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ પાસ થયા છે પ
રાજકોટ ડેરી દ્વારા હજારો દુધ ઉત્પાદકોના હિતમાં નિર્ણય લેવાયો છે અને દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા. 10નો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટ દૂધ સંઘના અધ્યક્ષ ગોરધનભાઈ ધામેલીયા તથા નિયામક મંડળના સભ્યોએ સંઘ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લીધ
વડોદરા શહેર રસ્તા પર જઈ રહેલા ત્રણ મહિલા અને એક પુરુષના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી લેનાર ત્રણ કિશોરને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને વડોદરા શહેરના હરણી, બાપોદ અને વારસીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મોબાઇલ ચીલઝડપના ચાર અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન
સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં આવેલી રેલવે રાહત કોલોનીમાં એક ગંભીર ઘટના સામે આવી છે. જ્યાં પિતા અને પુત્ર વચ્ચે લાંબા સમયથી ચાલતો મકાનના ભાડા સંબંધિત વિવાદ અંતે હિંસક બનાવમાં ફેરવાયો હતો. આ વિવાદ એટલો ઉગ્ર બની ગયો કે ભાડાના મુદ્દે તકરાર થઈ જતા પિતાએ એસિડ ખરીદી લાવતી વેળ
સુરત શહેરમાં બેભાન થઈ ગયા બાદ બે લોકોના મોતના બનાવ સામે આવ્યા છે. હજીરાની AMNS કંપનીમાં કામ કરતા યુવાનનું ઘરે બેભાન થઈ ગયા બાદ મોત નિપજ્યું હતું. જ્યારે કતારગામ વિસ્તારમાં રહેતા લિફ્ટ મેકેનિકનું બેભાન થઈ ગયા બાદ નીપજ્યું હતું. બંને લોકોના હાર્ટ એટેકથી મોત થયા હોવાની શક્યતા છે
ધોરણ 12ના પરિણામ આવ્યા બાદ ડિગ્રી એન્જિનિયરિંગની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે. આ વર્ષે એન્જિનિયરિંગમાં 39225 વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટ્રેશન ચાલુ છે તેથી રજિસ્ટ્રેશનની સંખ્યા વધી શકે છે. આ વર્ષે સૌથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે. ધોરણ 12 ડિગ
અમદાવાદના ચંડોળા તળાવમાં પ્રથમ તબક્કામાં ચાર હજારથી વધુ કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. બાંગ્લાદેશીઓ સિવાય જે નાગરિકો વર્ષોથી ચંડોળા તળાવમાં રહેતા હતા તેવા લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા તરીકે મકાનો આપવાનો મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વા
શત્રુંજય તીર્થાધિરાજ દાદા શ્રી આદિનાથ પ્રભુની આગામી 500મી વર્ષગાંઠના સુવર્ણ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે એક વિશેષ નૃત્યસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ઋષભ સામ્રાજ્ય સંસ્કાર મિશન અંતર્ગત આ કાર્યક્રમ પ.પૂ. આચાર્ય શ્રી નરરત્નસૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદથી નમોનમઃ શાશ્વત પરિવાર
દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુરમાં મનરેગા યોજના હેઠળ રસ્તાના અધૂરા કામોના નામે 71 કરોડનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પોલીસે મંગળવારે બે આરોપીઓની ધરપકડ કરી છે. દેવગઢ બારીયા તાલુકા પંચાયતના મનરેગા શાખાના MIS કોમ્પ્યુટર ઓપરેટર સંજય બારિયા અને એજન્સી માલિક જગદીશ બારીય
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સિસ્ટમના મામલે સરકારનું વલણ કડક બન્યું છે, ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં કલેકટર પ્રભવ જોશી દ્વારા કચેરીની ફાયર સિસ્ટમની આકસ્મિક તપાસણી કરતા ફાયર સેફટીના 50 જેટલા સિલિન્ડર એકસપાયરી ડેટ વાળા નિકળતા આ સિલિન્ડરને બદલવા માટે કલેકટર દ્
વર્ષ 2013માં આનંદનગરમાં ATM તોડવાનો બનાવ બન્યો હતો. જેમાં પોલીસે ફરિયાદ નોંધીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. આ કેસની ટ્રાયલ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહી છે. PSI કોર્ટમાં જુબાની આપવા ના આવતા પકડ વોરંટ જાહેર
રાજકોટ શહેરમાં રહેતાં એક પરિવારના 4 વર્ષેનો પુત્ર પડોશીને ત્યાં રમવા જતાં પરિવારના 65 વર્ષના વૃદ્ધે આ માસૂમને ખોળામાં બેસાડી ગંદી હરકત કરી હતી. બાળકે ઘરે આવી પોતાની માતાને આ વાત કરતાં તેઓ ચોંકી ઉઠ્યા હતા અને પતિને બોલાવી વૃદ્ધના પરિવારજનોની હાજરીમાં શું થયું એવુ પુછતાં બાળ
વલસાડ એલસીબી પોલીસે 8 વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશન કેસના આરોપીને નવી મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી રાજેન્દ્ર પ્રસાદ બાબુલાલ ગુપ્તા સામે વર્ષ 2018માં ડુંગરી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. વલસાડના એસપી ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીઆ
મહેસાણાના બિલાડી બાગ વિસ્તારમાં પકોડીની લારી પર ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે. કિશોરભાઈ અને તેમના બે પુત્રો લારી પર હતા ત્યારે ત્રણ યુવકો પકોડી ખાવા આવ્યા હતા. પકોડી ગરમ અને ઠંડી હોવાના મુદ્દે તેમણે માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન યુવકોએ કિશોરભાઈ અને તેમના બે પુત્રો પર
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ખાતે પ્રધાનમંત્રી ઉચ્ચત્તર શિક્ષા અભિયાન (PM-USHA) અંતર્ગત ચાર મહત્વના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડૉ. કિશોરસિંહ એન. ચાવડાના હસ્તે 20 મે, 2025ના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કુલસચિવ ડૉ. રમેશદાન ગઢવી, બોર્ડ ઓફ
વાડજ સ્થિત સ્મિત ચાઇલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટના મનોદિવ્યાંગ બાળકોને રાહી ફાઉન્ડેશન તરફથી વિશેષ મદદ મળી છે. ફાઉન્ડેશનના અધ્યક્ષ જયેશ પરીખના જન્મદિવસ નિમિત્તે શાળાને નવું રેફ્રિજરેટર આપવામાં આવ્યું છે. આ ફ્રીઝ ઉનાળાની ગરમીમાં બાળકોને રાહત આપશે. શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિ
અમદાવાદમાં ડેટિંગ એપ્લિકેશન મારફતે સંપર્ક કરી યુવકને મળવા બોલાવ્યો હતો. ત્યાર બાદ યુવકને પોતાના ઘરની સ્થિતિ બતાવવાનું કહીને રિક્ષામાં લઈ જવામાં આવ્યો હતો. યુવકને ચોરીના કેસમાં ખોટો ફસાવી દેવાનું કહીને પોલીસ તરીકેની ઓળખ આપીને બે શખ્સોએ યુવક પાસેથી ટુકડે ટુકડે 5.90 લાખ પડાવ
માળિયા મિયાણા પોલીસે હાઈવે પર ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી દારૂની મોટી ખેપ પકડી પાડી છે. પોલીસને બાતમી મળી હતી કે કચ્છ તરફથી નંબર પ્લેટ વગરની સફેદ બ્રેજા કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી હતી. ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ કારને રોકીને
વ્યારા તાલુકાના તાડકુવા ગામના બે શખ્સો સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે. આરોપીઓ પરબત બરાઈ અને હર્ષદ બાપુએ તાંત્રિક વિધિના નામે પૈસા ડબલ કરવાનું કહી ફરિયાદી પાસેથી રૂ. 5.66 લાખની છેતરપિંડી કરી છે. મળતી માહિતી મુજબ, ફરિયાદીના મિત્રો શંકરભાઈ અને નરેશભાઇએ તેમને પરબતભાઈ બરાઈની તાંત્ર
સાબરકાંઠા એલસીબી પોલીસે હિંમતનગરના ધાણધા ફાટક પાસેથી વાહન ચોરીના આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધાણધા ફાટક પાસે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઇક પર જતા શખ્સને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની ઓળખ સંજય નારાયણભ
ગઢડા શહેર અને આસપાસના વિસ્તારોમાં આજે બપોર પછી વાતાવરણમાં અચાનક પરિવર્તન આવ્યું. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. વરસાદી ઝાપટાંને કારણે શહેરના રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા. ગઢડા તાલુકાના ઢસા, પાટણા, પીપરડી, રસનાલ અને સીતાપર સહિતના ગામોમાં પણ કમોસમ
દ્વારકાના નાગેશ્વર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ આશ્રમમાં દ્વિતીય પાટોત્સવ નિમિત્તે નિઃશુલ્ક નેત્રયજ્ઞ અને દંતયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. નેત્રયજ્ઞમાં કુલ 99 દર્દીઓએ સારવાર મેળવી હતી. તેમાંથી 24 દર્દીઓના મોતિયાના ઓપરેશન રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટ
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઓપરેશન સિંદૂર દરમિયાન આતંકવાદીઓ સામે ભારતીય જવાનોની સફળતાની ઉજવણી કરવામાં આવી. આ નિમિત્તે શહેરમાં તમામ સમાજ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાની શરૂઆત BAPS મંદિરના ગેટ પાસેથી થઈ. સંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં યાત્રાએ
વડોદરા જિલ્લાના સાવલી વસનપુરા રોડ પર આવેલા પેટ્રોલ પંપ પાસે આજે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકે રિક્ષાને અડફેટે લેતા સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષામા સવાર 5 પૈકી એકજ ગામના 2 વ્યક્તિના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યાં હતાં. જ્યારે અન્ય 3ને ઇજ
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલા ચિખલી આયુષ્માન આરોગ્ય મંદિરને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. એન.એચ.આર.સી દિલ્હીની ટીમે કરેલા મૂલ્યાંકનમાં આ આરોગ્ય મંદિરને 92.68% સ્કોર મળ્યો છે. આ આરોગ્ય મંદિર 12 જેટલી વિવિધ સેવાઓ પૂરી પાડે છે. તેમાં સગર્ભા માતાઓની સંભાળ,
દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા પંથકમાં વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી કરી છે. તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવ્યું છે. સલાયાના હુસેની ચોક વિસ્તારમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તંત્રની આ કાર્યવાહીથી અસામાજિક તત્
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મરીન પોલીસે સઘન પેટ્રોલિંગ દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારી 20 માછીમારી બોટને ડિટેઈન કરી છે. આ જિલ્લો ત્રણ તરફથી સમુદ્રથી ઘેરાયેલો છે અને પાકિસ્તાની જળસીમાની નજીક હોવાથી અતિસંવેદનશીલ ગણાય છે. જિલ્લામાં 23 ટાપુઓ પૈકી 21
વલસાડ શહેરના મણીબાગ સોસાયટીમાં ગત એપ્રિલ મહિનામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ વલસાડ સીટી પોલીસે ઉકેલ્યો છે. પોલીસે આંતરરાજ્ય ગેંગના એક મુખ્ય આરોપી મંલગ સૌદ શેખને મહારાષ્ટ્રના નયાનગરથી ઝડપી લીધો છે. ચોરી થયેલી સ્કોડા રેપીડ કાર પણ રિકવર કરવામાં આવી છે. ફરિયાદી દેવાનંદ લાખાભાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલો રાજ્ય સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ 22મી મેના રોજ યોજાશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નાગરિકોની રજૂઆતો અને સમસ્યાઓનું ઓનલાઈન નિવારણ કરશે. વર્ષ 2003થી શરૂ થયેલા આ કાર્યક્રમનું આયોજન દર મહિનાના ચોથા ગુરુવારે કરવામાં આવ
વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષના એડમિશન માટેના વેરિફિકેશનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓના વાલીઓને રૂમમાં પ્રવેશ આપવાના મામલે અને પ્રોફેસર દ્વારા દૂરવ્યવહાર કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો અને ડીનનો ઘ
હિંમતનગરમાં મંગળવારે સાંજે ડૉ. નાલિનકાન્ત ગાંધી ટાઉન હોલથી સિંદૂર યાત્રા નીકળી હતી. આ યાત્રા ઓપરેશન સિંદૂરના સમર્થનમાં યોજવામાં આવી હતી. હિંમતનગર જાગૃત મહિલાઓ દ્વારા આયોજિત આ યાત્રામાં મહિલાઓએ લાલ સાડી પહેરી અને સિંદૂર લગાવ્યું હતું. યાત્રામાં દીપક પ્રગટાવી સૈન્યની શૌ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરીયાની અધ્યક્ષતામાં મંગળવારે કારોબારી બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો કે ખાનગી કોલેજોમાં સ્ટાફની ભરતી માટેના ઇન્ટરવ્યૂ હવે યુનિવર્સિટી પોતે જ લેશે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં બાક
વલસાડ નગરપાલિકાએ શાકભાજી માર્કેટના નવા બિલ્ડિંગના બાંધકામને સુરક્ષિત રાખવા મહત્વનું પગલું લીધું છે. માર્કેટની આસપાસના રસ્તાઓ પર લારી-પાથરણા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટની સત્તા હેઠળના વિસ્તારમાં ફાઈનલ પ્લોટ નં. 104 અને 103માં મોરારજી દેસાઈ વેજિટેબલ મ
કેન્દ્ર સરકારે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (HUDCO)ના સ્વતંત્ર નિયામક તરીકે પાટણના કે.સી.પટેલની નિમણૂક કરી છે. તેઓ અગાઉ વેસ્ટર્ન કોલફિલ્ડ્સ લિમિટેડમાં સ્વતંત્ર નિયામક તરીકે સેવા આપી ચૂક્યા છે. HUDCO ભારત સરકારની માલિકીની જાહેર ક્ષેત્રની કંપની છે. આ કંપની 1970થ
સુરતના પાંડેસરા વિસ્તારમાં આઠ મહિનાના બાળકના ગળામાં સોળીનો દાણો અટકી જતા બાળકનું મોત નીપજ્યું હતું. બાળક રમતા રમતા સોળીનો દાણો ગળી ગયો હતો. ત્યાર બાદ તેને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી અને હોસ્પિટલ પહોંચતા તેને મૃત જાહેર કરાયો હતો. મળતી માહિતી પ્રમાણે, મૂળ ઓરિસ્સા અને પ
પંચમહાલ જિલ્લામાં માનવસર્જિત અને કુદરતી આપત્તિ સમયે બચાવ અને રાહત કાર્યો માટે સિવિલ ડિફેન્સ સ્વયંસેવકોની નિમણૂક કરવામાં આવશે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, આ નિમણૂક પ્રક્રિયા 22થી 25 મે દરમિયાન સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી હાથ ધરાશે. દરેક તાલુકામાં સ્થાનિક પોલ
સરસ્વતી તાલુકાના મોટા નાયતા ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના બે યુવાનોનું તળાવમાં ડૂબી જવાથી મોત નિપજ્યું છે. મૃતક યુવાનોની ઓળખ દશરથભાઈ પોપટભાઈ વાલ્મિકી (ઉંમર 16 વર્ષ) અને રાજેશભાઈ સોમાભાઈ વાલ્મિકી (ઉંમર 18 વર્ષ) તરીકે થઈ છે. ગઈકાલે (19 મે 2025) બનેલી આ ઘટનામાં પ્રથમ દશરથભાઈનો
રાજકોટના રૈયા રોડ પર શાંતિ બંગલોમાં રહેતા વેપારીએ એક મિલકત પર બે લોન લઈ એસબીઆઈ સાથે રૂ. 59.72 લાખની ઠગાઈ કર્યા અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. વેપારીએ પોતાની અન્ય કોઈ લોન ચાલતી ન હોવાનું બેંકમાં ખોટું સોગંદનામુ રજુ કર્યું હતું. રૈયા રોડ પર ન્યુ એરા સ્કૂલ
મેઘરાજ નગરની પંચવટી સોસાયટીમાં ગટરલાઈનમાં મોટું લીકેજ સર્જાયું છે. આ લીકેજના કારણે સમગ્ર સોસાયટીમાં ગંદા પાણીનો ભરાવો થયો છે. ભર ઉનાળામાં સોસાયટીની સ્થિતિ તળાવ જેવી બની ગઈ છે. ગ્રામપંચાયત હેઠળ આવતા આ વિસ્તારમાં રહેવાસીઓ નિયમિત વેરો ભરે છે. જોકે, તંત્રની બેદરકારીના કારણે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જાહેર માર્ગ પર બેફામ બાઇક સ્ટંટ કરતા યુવકોનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના અનુસાર ટ્રાફિક વિભાગે કાર્યવાહી શરૂ કરી. પી.એસ.આઈ. વી.એમ. સોલંકી અને તેમની ટીમે વીડિયોની તપાસ કરી. તપાસમાં આ વિડિયો મીઠાપુર-આરં
ગીર સોમનાથ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વ્યાપક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષની થીમ 'વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદ થાય' રાખવામાં આવી છે. જિલ્લા કલેકટર એન.વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ 22 મેથી 5 જૂન સુધી વિવિધ સ્થળોએ કાર્યક્રમો યોજાશ
રાજકોટ શહેરના ગોંડલ રોડ પર વેલનાથપરા શેરી નંબર 1માં શીવ હોટલ પાછળ દેવીપૂજક સમાજનો રખાદાદાનો માંડવો હતો. જેમાં પશુ બલી ચડાવવામાં આવી રહી હતી. આ અંગે વિજ્ઞાન જાથાનો સ્ટાફ પોલીસને સાથે લઇ કાર્યવાહી કરવા પહોંચ્યો હતો. જોકે, પોલીસે વિજ્ઞાન જાથાના સ્ટાફને પશુ બલી અંગે ફરિયાદ દ
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને DYSP આર.બી.દેવધાની સૂચના મુજબ મિલકત સંબંધી ગુનાઓ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના PI એન.વી.આંબલીયાના માર્ગદર્શન હેઠળ આ કેસ સામે આવ્યો હતો. અરજદાર વિપુલભાઇ વિઠ્ઠલભાઇ હીરપરા, જેઓ બેંક ઓફ બરોડાની બાજુમાં, સિ
ગાંધીનગરમાં માનવ આશ્રમથી ખારી નદી સુધી વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઈપલાઈન નાખવાનું કામ માર્ગ અને મકાન વિભાગે શરૂ કર્યું છે. કામગીરી દરમિયાન એક બાજુનો રસ્તો બંધ કરી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ નવી પાઈપલાઈનથી માનવ આશ્રમ વિસ્તારની સોસાયટીઓમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવ
રાજપીપળાના પ્રસિદ્ધ હરસિધ્ધિ માતાજી મંદિરના વહીવટમાં મોટો ફેરફાર થયો છે. હિન્દુ દેવસ્થાન કમિટીના ખજાનચી અને કચેરી અધિક્ષક દિનેશભાઈ પાટણવાડીયાએ પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. આ પહેલા કલેક્ટર કચેરી ખાતે મંદિરના વિકાસ માટે એક બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર સંજય કે. મોદ
જામનગર શહેરના લાલ બંગલા સર્કલ નજીક આવેલી ન્યુ ચેતના રેસ્ટોરાંમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક ખાનગી બેંકના કર્મચારી ભીષ્મરાજ સિંહ જાડેજાએ રેસ્ટોરાંમાં ગુજરાતી થાળી મંગાવી હતી. થાળીમાં પીરસાયેલા કેરીના રસમાંથી મૃત વંદો નીકળ્યો હતો. ગ્રાહકે આ અંગે રેસ્ટોરાં માલિકન
ગોધરા જિલ્લા તાલીમ કેન્દ્ર, પોલીસ લાઈન ખાતે 20 મે ના રોજ પોલીસ સ્ટાફ માટે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. લોક વિજ્ઞાન કેન્દ્રના કાર્યકારી પ્રમુખ ડૉ. સુજાત વલી અને તેમની ટીમે પોલીસ કર્મચારીઓને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસિસિટેશન)ની તાલીમ આપી. તાલીમ દરમિયાન CPRના સા
પોરબંદર મહાનગરપાલિકાએ ફાયર સેફટી મુદ્દે કડક વલણ અપનાવવાની શરૂઆત કરી છે. મનપાએ 12 કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બિલ્ડિંગની યાદી તૈયાર કરી હતી. મનપા કર્મચારીઓ અને પીજીવીસીએલની ટીમે વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી શરૂ કરી હતી. ટીમે માત્ર બે બિલ્ડિંગના વીજ કનેક્શન કાપ્યા છે. બાકી
પાવરગ્રીડ, પશ્ચિમ ક્ષેત્ર-II, પ્રાદેશિક મુખ્યાલય વડોદરા ખાતે તા. 16 મેથી 31 મે 2025 દરમિયાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે સ્વચ્છતા જાગૃતિ અભિયાન હેઠળ સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વચ્છત
રાજકોટની ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા નાણાકીય વર્ષ 2023-24માં કુલ 16.50 કરોડની આવકની સાપેક્ષે નાણાકીય વર્ષ 2024-25 અન્વયે કુલ 21.75 કરોડની આવક થઈ છે. જે ગત વર્ષની સાપેક્ષે 5.25 કરોડની વધુ મહેસુલી આવક પ્રાપ્ત કરવામાં આવી છે. જેમાં બિન અધિકૃત ખનીજ ખનનના 288 કેસોમાં રૂ. 5 કરોડની આવક થઈ છે. આ ઉ
પાટણમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીના ટ્રાન્સપોર્ટની બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી. પાટણ રોડલાઇંસ ટ્રાન્સપોર્ટની તપાસ દરમિયાન ત્રણ દરવાજા ઘી બજારની ત્રણ પેઢીઓનો સ્ટોક તપાસવામાં આવ્યો. આ પેઢીઓમાં મોદી દિપેશ શરદભાઈ, ઘીવાલા સંદીપકુમાર રસીકલાલ અને ઘી
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લારી-ગલ્લા ઉપાડીને તેમને આર્થિક અને માનસિક તકલીફ આપવામાં આવી રહી છે. આ મુદ્દે વડોદરા મહાનગર પાલિકાને આવેદનપત્ર આપવા યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પહોંચ્યા હતા. જોકે, તેમની રજૂઆત ન સાંભળવામાં આવતાં યુથ કોંગ્રેસે
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે ડાંગ જિલ્લામાં સમર યોગ કેમ્પનો પ્રારંભ કર્યો છે. કેમ્પ ત્રણ સ્થળોએ યોજાશે - પ્રાથમિક શાળા ગાઢવી, એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ ચિંચલી અને ગાંધી મેદાન વઘઇ. દરરોજ સવારે 8થી 10 વાગ્યા સુધી 15 દિવસ માટે આ કેમ્પ ચાલશે. યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી અને સાઉથ ઝ
ઓપરેશન સિંદૂર પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 25 મેના રોજ પહેલીવાર ગુજરાતની મુલાકાત આવી રહ્યા છે અને અમદાવાદ, દાહોદ, ભૂજમાં આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. ત્યારે દાહોદ જતાં પહેલાં વડાપ્રધાનનું વડોદરા એરપોર્ટ બહાર મહિલાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને સન્માન કરવાનું આયોજન વ
બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન સરહદ નજીકના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવાઈ છે. વાવ અને સુઈગામ તાલુકાના તમામ 122 ગામોમાં સાયરન એલર્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. વાવના 43 અને સુઈગામના 79 ગામોમાં ગ્રામ પંચાયત, ડેરી અને શાળાઓમાં આ સિસ્ટમ લગાવવામાં આવી છે. સાયર
ઇડર ટાઉન હોલ ખાતે અટલ ભૂજલ યોજના અંતર્ગત કેચ ધ રેન અને ટ્રી પ્લાન્ટેશનનો એક દિવસીય વર્કશોપ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જળસંચય અને વૃક્ષારોપણનું યોગ્ય આયોજન કરવાનો હતો. વર્કશોપમાં અટલ ભૂજલ યોજના હેઠળ છેલ્લા ચાર વર્ષની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. ઇડર અને વડાલી વિસ્
બોટાદ જિલ્લામાં 17 મે થી 16 જૂન 2025 સુધી વિશ્વ હાયપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષની થીમ તમારું બી.પી. ચોક્સાઈથી માપો, નિયંત્રિત રાખો અને દીર્ઘ આયુષ્ય મેળવો રાખવામાં આવી છે. જિલ્લાના તમામ આયુષ્યમાન આરોગ્ય મંદિરોમાં નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં
નર્મદા જિલ્લામાં RTE પ્રવેશ માટે ખોટા આવકના દાખલા કૌભાંડના મુખ્ય આરોપી દર્પણ પટેલની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. ભારચરવાડાના દર્પણ પટેલના નામે ખુલેલા આ કૌભાંડમાં અત્યાર સુધી 9 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ મુખ્ય
મોરબી પોલીસે રણછોડનગર અને જૂના બસ સ્ટેશન વિસ્તારમાં જુગારની બે અલગ-અલગ રેડ કરી છે. આ કાર્યવાહીમાં કુલ 9 શખ્સોને પકડવામાં આવ્યા છે. રણછોડનગરમાં જાહેરમાં જુગાર રમતા 5 શખ્સોને પકડવામાં આવ્યા છે. આ શખ્સોની ઓળખ કાનજીભાઈ શ્રીમાળી (52), અર્જુનસિંગ રાજપુત (18), જયેશ ત્રિવેદી (21), શોકત સાઇચ
કચ્છમાં તાપમાનનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. જિલ્લા મથક ભુજ શહેરનું મહત્તમ તાપમાન 40.2 ડિગ્રી નોંધાયું છે. ગાંધીધામ અને અંજાર શહેર વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચ્યું છે. શહેરમાં વિદ્યુત પંખા અને કુલર પણ બેઅસર સાબિત થઈ રહ્યા છે. લોકો ગરમી અને બફારાથી પરેશાન છે. હવામાન વિભા
દુનિયાના અલગ અલગ દેશોમાં ફરી એકવાર કોરોના એ માથું ઊંચક્યું છે ત્યારે ભારતમાં પણ વિવિધ શહેરોમાં કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે અમદાવાદ શહેરમાં આજે 20 મેના રોજ સાત જેટલા કોરોનાના કેસ નોંધાયા છે. 2 વર્ષની બાળકીથી લઈ અને 72 વર્ષના વૃદ્ધા સુધીના લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. તમામ સ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડે તાપી જિલ્લાના ત્રણ તાલુકાઓમાં બાળકો માટે નિઃશુલ્ક સમર કેમ્પનો પ્રારંભ કર્યો છે. આ કેમ્પ વ્યારા, વાલોડ અને ઉચ્છલમાં યોજાશે. યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત' અભિયાન હેઠળ રાજ્યના 33 જિલ્લાઓમાં 200 સ્થળોએ આ શિબિર યોજાઈ રહી છે. 7થી 15 વર
પાલનપુરમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ સેન્ટ્રલ GST કચેરીના ઇન્સ્પેક્ટરને લાંચ લેતા પકડી પાડ્યા છે. આરોપી હનુમાનપ્રસાદ રામકિશન બૈરવા, વર્ગ-2 અધિકારી તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીના પિતાએ ઇ-કોમર્સ વ્યવસાય શરૂ કરવા માટે GST નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી હતી. આરોપી ઇન્સ્પેક્ટરે અરજદારન
ભરૂચ અને અંકલેશ્વર શહેરને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુસાઈડ બ્રિજ બન્યો હોવાનો દિવ્યભાસ્કર દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો. અત્યાર સુધી 35-40 જેટલા લોકોએ આપઘાત કર્યો હોવાની માહિતી સાથે શહેરના જાગૃત નાગરિકો દ્વારા છેલ્લા ત્રણથી વર્ષથી તેના પર લોખંડની જાળી અથવા તો અવરોધ લગાવા
વર્ષ 2022માં તત્કાલીન એડિશનલ ઇન્કમટેક્સ કમિશનર સંતોષ કરનાળી સામે CBI, ACB પોલીસ મથકે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેમાં તેને જામીન મેળવવા માટે વર્ષ 2023માં ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે, આ કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર
ગુજરાત લોકકલા ફાઉન્ડેશન દ્વારા દેશભરના લોકનૃત્ય અને લોકકલાના કલાકારોને રાષ્ટ્રીય મંચ પૂરું પાડવા માટે ઈન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 30-31 મે અને 1 જૂન દરમિયાન અમદાવાદની કર્ણાવતી ક્લબમાં યોજાશે. કાર્નિવલમાં ગુજરાત સહિત રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, પં
પાટણ એલસીબી પોલીસે શાળાઓમાંથી કોમ્પ્યુટર ચોરીના ત્રણ વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી રૂ. 4,37,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ અધિક્ષક વી.કે.નાથીની સૂચના મુજબ એલસીબી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને શોધવા માટે કામગીરી શરૂ કરી હતી. પોલ
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર ડો. મનીષકુમાર બંસલના અધ્યક્ષસ્થાને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 સેવાની જિલ્લા લેવલ કો-ઓર્ડીનેશન કમિટીની રિવ્યુ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં દશ ગામ દીઠ એક ફરતા દવાખાના પ્રોજેક્ટની સમીક્ષા કરવામાં આવી હતી. પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સંજય ઢોલાએ ભાવ
આણંદ મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગે જાન્યુઆરીથી એપ્રિલ 2025 દરમિયાન વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત મનપા વિસ્તારમાં 603 દુકાનો અને એકમોનું આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા દુકાનદારો પાસેથી કુલ 8,29,170 રૂપિયાનો દંડ વસૂ
રાજ્યમાં ચોમાસાના પાણી થકી ભૂગર્ભ જળસંચય કરવાના મુખ્ય હેતુસર સુજલામ સુફલામ જળ અભિયાન -કેચ ધ રેઈન - 2.0 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ચોમાસા પૂર્વે જળસંચયનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં હાલ જળસંપત્તિ વિભાગના 145 જેટલાં કામો મંજૂર કરવામાં આવ્યા છે.
રાપર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને અયોધ્યાપુરી પ્રાથમિક કુમાર શાળાના આચાર્ય અરજણ ડાંગરનું આજે બપોરે હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. તેમના નિધનથી સમગ્ર વાગડ વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. માંજુવાસ ગામના વતની અને રાપર ખાતે રહેતા અરજણ મળતાવડા સ્વભાવના વ્યક
સુત્રાપાડાના મોરાસા ગામની સિદ્ધિ સિમેન્ટ કંપનીની માઇનિંગ સાઇટ પર સિંહની હત્યાનો પ્રયાસ કરવાના ગંભીર કેસમાં વન વિભાગે કાર્યવાહી કરી છે. વન વિભાગે પાધરુકા ગામના વિજય જખૌત્રા નામના વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. આરોપીએ એક વર્ષ પહેલા સિંહ પર લોડર મશીન ચડાવવાનો પ્રયાસ કર્યો હ
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના માણેજ સ્થિત મણીલક્ષ્મી જૈન તીર્થ ખાતે બે દિવસીય વિશેષ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું. સમગ્ર શિક્ષા, સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા આયોજિત આ કાર્યશાળામાં રાજ્યભરમાંથી 300થી વધુ BRC અને URC કો-ઓર્ડિનેટર્સ જોડાયા. શિક્ષણમંત્રી કુબેર ડિંડ
આજથી બીજા તબક્કાનું ડિમોલિશન શરુ કરાયું અમદાવાદના વિવાદીત ચંડોળા તળાવમાં આજથી ફરી ડિમોલિશન હાથ ધરાયું.. બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસનાં દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે.કાટમાળ હટાવી ત્યાં દીવાલ બનાવાશે. બાદમાં 7 ફેઝમાં કાંકરિયાની જેમ ચંડોળા તળાવને ડેવલપ કરાશ
તાપી જિલ્લાના વ્યારા ખાતે એમએસએમઈ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે 'ગુણવત્તા યાત્રા'નો પ્રારંભ થયો છે. આ યાત્રા દ્વારા ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો સાથે સજ્જ કરવાનો ઉદ્દેશ્ય છે. ગુણવત્તા યાત્રા દરમિયાન ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓ અને નિષ્ણાંતોને એક મંચ પર લાવવા
સુરેન્દ્રનગર જિલ્લા એલસીબીએ મોટી કામગીરી કરી છે. અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર જોલી એન્જોય હોટલ પાસેથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે ભારત બેન્ઝ ટ્રકમાંથી ઘઉંના ભૂસાના કોથળા નીચે છુપાવેલો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા દારૂની કિંમત રૂ. 66.06 લાખ છે.
શૈક્ષણિક વર્ષ 2025-26થી GCAS પોર્ટલ મારફત વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવી શકે તે માટે ક્વિક રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 25 મે, 2025થી શરૂ થઈ કરાઈ છે. સંપૂર્ણ ફોર્મ ફિલિંગની પ્રક્રિયા તથા ઓનલાઈન અરજીના વેરિફિકેશનની પ્રક્રિયા 9 મે, 2025ને શુક્રવારથી શરૂ થઈ ગયું
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ પ્રવાસીઓની હત્યા બાદ ભારતીય સેનાની કાર્યવાહીને બિરદાવવા ધનસુરા નગરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. 22 એપ્રિલે પહેલગામમાં આતંકવાદીઓએ હિન્દુ પ્રવાસીઓની જાતિ પૂછીને હત્યા કરી હતી. આ ઘટના બાદ ભારતીય સેનાએ જવાબી કાર્ય
વેરાવળ શહેરની પીજીવીસીએલની પેટા વિભાગ કચેરી દ્વારા આવતીકાલે તા. 21/05/2025ના બુધવારના રોજ વીજ પુરવઠો બંધ રહેશે. 11 કેવી ભવાની ફીડરના સમારકામને કારણે સવારે 8:00થી બપોરે 1:30 વાગ્યા સુધી અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ભવાની હોટલ, જૈન દેરાચર ચોક, ડાભોર રોડ, ગી
ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા GPSC અધ્યક્ષ હસમુખ પટેલ વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપોનો સાંસદ મનસુખ વસાવાએ જવાબ આપ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટ કર્યું કે હસમુખ પટેલ તટસ્થ અને પ્રામાણિક વ્યક્તિ છે. તેમણે કહ્યું કે ચૈતર વસાવા ધારાસભ્ય હોવાથી તેમણે મર્
ખંભાળિયા 132 કેવી સબ સ્ટેશનમાં ફીડર પેનલના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીને કારણે 24મી ફેબ્રુઆરી શનિવારે સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. વીજ કંપનીના સૂત્રો દ્વારા જારી કરાયેલી યાદી મુજબ, વીજ કાપનો અમલ ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં કરવામાં આ
ગોધરા એલસીબી પોલીસે લીલેસરા ચોકડી પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે રાજસ્થાન નંબરના ટાટા ટ્રેલર (RJ-14-GE-4287)ને રોકીને તપાસ કરી હતી. ટ્રેલરમાંથી બ્લેન્ડર પ્રાઇડ પ્રીમીયમ વ્હિસ્કીની 528 બોટલ અને સીગ્નેચર પ્રીમીયર ગ્રેન વ્હિસ્કીની 1,74
સુરત શહેરના સચિન વિસ્તારમાં આજે (20 મે)એ ભરબપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નાળચે પોણા પાંચ લાખની લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ટોપી પહેરી આવેલો એક શખ્સ બેંકની અંદર ઘૂસ્યો હતો. અહીં ફરજ બજાવી રહેલા
અભિષેક શર્મા અને દિગ્વેશ વચ્ચે થયેલા ઝઘડાને શાંત કરાવી રાજીવ શુક્લાએ કાનમાં એવું તો શું કહ્યું કે બંને ખેલાડી જુના મિત્રો હોય એમ સાથે ચાલવા લાગ્યા?; લખનઉની ટીમ હારી ગઈ પછી ગોએન્કા અને પંત વચ્ચે શું થયું?; ફેક ફોટોઝ વાઇરલ થતા પ્રિતિ ઝિન્ટા લાલઘુમ થઈ. કેવી પોસ્ટ કરી? જાણવા માટે
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ફ્રંટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામ, પ્રદેશ લીગલ સેલ પ્રમુખ પ્રણવ ઠક્કર અને પ્રદેશ પ્રવક્તા ડોક્ટર કરન બારોટ દ્વારા એક ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણ રામે મીડિયા સ
સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા દર વર્ષે 20 મે ના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે ધ્રાંગધ્રા બાગાયત કચેરી ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં બાગાયત વિભાગના જિલ્લા અધિકારીઓએ ખેડૂતોને મધમાખી ઉછેર કેન્દ્ર શરૂ કરવા