સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી એક હોટલના રૂમમાં સુસાઈડ નોટ લખીને ડોક્ટરે પોતાની જાતને ઇન્જેક્શન મારી આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. હોટલમાં ડોક્ટરે એક દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, ચેક આઉટ ન કરતા અને હોટલ સંચાલકને શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા દરવા
મોરબી તાલુકા પોલીસે ગુંગણ ગામની સીમમાં આવેલી વીડીમાંથી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. મેલડી માતાજીના મંદિર પાસે દેરાળા જવાના રસ્તા પર બાવળની કાંટમાં આવેલા વોંકળામાંથી 312 બોટલ વિદેશી દારૂ અને 120 બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ. 3.49 લાખથી વધુનો મુદ્દામાલ કબજ
મોરબી જિલ્લામાં શુક્રવારે બે અલગ-અલગ ઘટનાઓમાં એક યુવાન અને એક સગર્ભા મહિલાનું મૃત્યુ થયું હતું. ઉંચી માંડલ નજીક કારની હડફેટે બાઈક સવાર યુવાનનું મોત થયું હતું, જ્યારે બેલા ગામ પાસે એક કારખાનામાં રહેતી સગર્ભા મહિલાનું અચાનક આંચકી આવતા નિધન થયું હતું. પ્રથમ બનાવમાં, મોરબીના
સમગ્ર ગુજરાતમાં આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. અરવલ્લી જિલ્લામાં પણ ખરીદી શરૂ કરાઈ છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૭,૦૦૦ જેટલા ખેડૂતોએ મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આજે મોડાસાના નવા માર્કેટયાર્ડ ખરીદી કેન્દ્ર ખાતે પણ મગફળી ખરીદીનો પ્રારંભ ક
વડોદરાના નવલખી મેદાનમાં યુવક અને મહિલા મિત્ર પાસે જઇને પોલીસકર્મીએ ફરજ પર ન હોવા છતાં દાદાગીરી કરી હતી અને યુવકને માર મારીને એક્ટિવા પણ સળગાવી દીધી હતી. આ ઘટનામાં પોલીસ કરમીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આજે વડોદરા પોલીસ સ્ટેશનમાં આવી છે અને નવલખી ગ્રાઉન્ડમાં 10પી
ગીર સોમનાથ સાયબર પોલીસે સાયબર ફ્રોડ દ્વારા એકત્ર કરાયેલી આશરે પોણા બે કરોડ રૂપિયાની રકમ વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ મામલે અમરેલી અને જૂનાગઢ જિલ્લાના પાંચ આરોપીઓની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સાયબર પોલીસના પીઆઈ એસ.વી. રાજપૂતે આપેલી માહિતી મુજબ,
દાહોદ જિલ્લાના કતવારા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા 'ગુજરાત જોડો' જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં હજારોની સંખ્યામા લોકો ઉમટી પડ્યા હતા, જેના કારણે ટેન્ટ નાનો પડ્યો હતો અને ઘણા લોકો બહાર ઊભા રહીને સભા સાંભળી હતી. આ સભામાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ગુજ
ગુજરાતના બે યુવકોએ USના પોલિટિક્સમાં ડંકો વગાડ્યો છે. તાજેતરમાં અમેરિકાના ન્યૂજર્સી સ્ટેટના એડિસન શહેરની મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પંચમહાલના શિવરાજપુરના વતની સેમ જોષી (સમીપ જોષી) સતત બીજી વાર ન્યૂજર્સીના એડિસન સિટીના મેયરપદે ચૂંટાઈ આવ્યા છે, તો વડોદરાના બીર
ગોધરા શહેરમાં બિલાલ મસ્જિદ નજીક દીવાલ બનાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ હતી. 8 નવેમ્બર, 2025ના રોજ બનેલી આ ઘટનામાં પતિ-પત્ની સહિત અનેક વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ અંગે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં સામસામે ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ સુલેમાન મોહમદ
પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટકને રેલવે તંત્ર દ્વારા ફરીથી ખોલી દેવામાં આવ્યું છે. આ ફાટક બંધ થવાથી રમણપાર્ક, પારસનગર, જીઆઈડીસી મીરાનગર સહિતના વિસ્તારોના હજારો લોકોને ભારે અગવડતા પડી રહી હતી, જેનો હવે ઉકેલ આવી ગયો છે. અગાઉ રેલવે તંત્ર દ્વારા આ ફાટક કાયમી ધોરણે બંધ કરી દેવામ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક આવેલા આદરી બીચ પર 7 નવેમ્બરના રોજ પ્રિ-વેડિંગ ફોટોશૂટ દરમિયાન વર-વધૂ સહિત સાત લોકો તણાયા હતા. આ ઘટનામાં 6 લોકોને બચાવી લેવાયા હતા, જ્યારે એક યુવતી લાપતા થઈ હતી. જોકે, બે દિવસ બાદ આદરી બીચથી તણાયેલી યુવતીનો મૃતદેહ 24.2 કિમી (15 નોટિકલ માઈલ) દૂર જૂનાગઢન
રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક મહિલાએ રાજકોટ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પુનિતનગર શેરી નંબર 10માં રહેતા હિતેશ વાઢેરનું નામ આપ્યુ છે. જે ફરિયાદમાં જણાવ્યું છે કે, 1 એપ્રિલ, 2025 થી 8 નવેમ્બર, 2025 સુધીમાં લગ્નની લાલચ આપી અલગ અલગ જગ
છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ભારતીય જનતા પાર્ટી (BJP) અને આમ આદમી પાર્ટી (AAP)ની સમાંતર સભા યોજાતા રાજકીય ગરમાવો આવ્યો છે. કવાંટ ગાયત્રી મંદિરના ચોગાનમાં યોજાયેલી ભાજપની સભામાં સ્થાનિક ધારાસભ્ય જયંતી રાઠવાએ આકરા પ્રહાર કર્યા હતા. તેમણે AAP નેતા ચૈતર વસાવાનું નામ લીધા વિ
વાસદ ટોલનાકા નજીકથી કતલખાને લઈ જવાતી 18 ભેંસો ભરેલી ટ્રક ઝડપાઈ છે. વાસદ પોલીસે ટ્રકના ચાલક અને ક્લિનરની અટકાયત કરી કુલ ₹15.50 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આણંદમાં સામરખા ચોકડી તરફથી વાસદ ટોલનાકા થઈ વડોદરા તરફ જતી ટ્રકમાં પશુઓને બાંધીને લઈ જવાતા હોવાની માહિતી એક જાગૃત નાગરિક
176 બટાલિયન, બીએસએફ દ્વારા 21 નવેમ્બરે યોજાનાર 60મા બીએસએફ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, ભુજ સ્થિત સ્મૃતિ વન ખાતે બીએસએફ બેન્ડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુન્દ્રા રોડ પરના કેમ્પમાં યોજાનારી મુખ્ય ઉજવણી પહેલા યોજાયો હતો. આ બેન્ડ શો 28 બીએસએફ મહિલા પ્રહારી દ્વ
શહેરમાં નિર્ણયનગર સેક્ટર-4માં આવેલા બી. એસ.કુંદન આર્ટ નામના કારખાનામાં ચોરીની ઘટના બની છે. જડતરનું કામ કરવા માટે આપેલા સોનાના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. કારખામાં કામ કરતા નરેન્દ્રસિંહ વેદ નામના કર્મચારીએ જ ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે. સંબંધીને સ્ટેશન પર મુક
ગુજરાતમાં દારૂબંધી હોવાની વાત છે પરંતુ, શહેરમાં ઠેર-ઠેર દારૂ વેચાઈ રહ્યો છે અને પોલીસની હાજરીમાં જ કેટલાક લોકો દારૂ પીને પોલીસ કમ્પાઉન્ડમાં ધતિંગ કરતા હોય છે. આવો વધુ એક કિસ્સો શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં બન્યો છે. પોલીસ કમ્પાઉન્ડમાં જ બે શખ્સોએ પીધેલી હાલતમાં બોલાચાલી ક
રાજ્યના શિક્ષણ વિભાગે એક મહત્વપૂર્ણ અને વિદ્યાર્થીઓને રાહત આપતો નિર્ણય કર્યો છે. હવે PTCના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ TET-1 (Teacher Eligibility Test) પરીક્ષા આપવા માટે મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી માત્ર PTC પાસ કરેલા ઉમેદવારોને જ આ પરીક્ષા આપવા પાત્રતા હતી, પરંતુ હવે આ નિયમ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ ની 'સલામત સવારી એસટી અમારી'ના દાવાઓ વચ્ચે મહેસાણા જિલ્લામાં બહુચરાજી ડેપોની એસ.ટી. બસ ખોટકાઈ પડવાનો કિસ્સો સામે આવ્યો છે. બહુચરાજીથી મહેસાણા જઈ રહેલી એક એસ.ટી. બસ બહુચરાજી-શંખલપુર રોડ ઉપર આવેલા રેલવે અંડરપાસમાં અચાનક બંધ પડી જતાં તેમાં સ
રાજકોટ શહેરમાં બેફામ દોડતી હોન્ડા સિટી કારે એક્ટિવા પર જતા માતા-પુત્રીને અડફેટે લઈને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. જેમાં 15 વર્ષીય તરૂણીનું મોત નિપજ્યું છે. 7 નવેમ્બરના બપોરે 2 વાગ્યે શહેરના યુનિવર્સિટી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કૂલેથી પોતાની 15 વર્ષની દીકરીને એક્
અમરેલી જિલ્લાના વડિયા ખાતે રાજ્ય ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયાના હસ્તે તાલુકા હોમગાર્ડઝ કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફરજ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અને નિવૃત્ત થયેલા હોમગાર્ડઝ જવાનોનું બહુમાન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન, મંત્
અમદાવાદનો સૌથી આઇકોનિક રોડ એટલે એરપોર્ટ સર્કલથી લઈને ઇન્દિરા બ્રિજ સર્કલ સુધી મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ વિભાગ દ્વારા PPP ધોરણે ડેવલોપમેન્ટ કરવામાં આવ્યો છે. ઇન્દિરા બ્રિજ સર્કલથી નોબલનગર તરફ જવાના રોડ પર 200 મીટર સુધી પણ આઇકોનિક રોડ બનાવવા માટેની પ્રક્રિયા હાથ
ગુજરાત સરકારે ખેડૂતો માટે રૂ. 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે. ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદને કારણે પાકને થયેલા વ્યાપક નુકસાન બાદ ખેડૂતોને રાહત આપવા આ નિર્ણય લેવાયો છે. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે આ પેકેજને આવકાર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે 31ઓક્ટોબર, 2025થી 09 નવેમ્બર, 2025 દરમિયાન યોજાયેલા વેસ્ટ ઝોન પ્રિ-રિપબ્લિક ડે (R.D.) કેમ્પનો સમાપન કાર્યક્રમ આજે યોજાયો હતો. આ કેમ્પમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાંથી કુલ 200 સ્વયંસ
વડોદરાના ગોરવા વિસ્તારમાં બે દિવસ અગાઉ બિનવારસી હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકના મૃતદેહની ઓળખ 25 વર્ષ પહેલાં ઘર છોડીને ગુમ થયેલા શૈલેન્દ્ર પંચાલ તરીકે થતાં પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. યુવક 25 વર્ષ પહેલા ઘરેથી નીકળી ગયો હતો અને મર્યા બાદ પરિવારને મળતા માતા દુ:ખી થઈ ગય
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામના બસ સ્ટોપ પાસેથી પસાર થતી રૂપેણ નદીના કિનારે બે દિવસ અગાઉ એક અજાણ્યા વ્યક્તિનો કપાયેલો પગ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે. આ પગ પાટા બાંધેલી હાલતમાં હતો જે 6 નવેમ્બરના રોજ પથ્થરોની વચ્ચેથી મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતાં જ મહ
રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતો માટે ₹10 હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. નવસારી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ દિલીપભાઈ રાયકાએ આ ઐતિહાસિક નિર્ણયને આવકાર્યો છે. આ પેકેજ અંતર્ગત, ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર ₹22 હ
શહેરના પૂર્વ વિસ્તાર નરોડામાં જાહેર રોડ પર ચેઇન સ્નેચિંગની ઘટના બની છે. સાંજના સમયે ઇલાબેન ભાવસાર શાક માર્કેટમાં શાકભાજી લેવા માટે ગયા હતાં. ઘરે પરત ફરતા સમયે સોસાયટીના ગેટ આગળ બે અજાણ્યા શખ્સોએ નજીક આવીને વાહન ધીમું પાડ્યું હતું. ઇલાબેન ભાવસારના ગળામાં પહેરેલી સોનાની ચે
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યભરમાં ઉજવાઈ રહેલા 'જનજાતિય ગૌરવ વર્ષ' અંતર્ગત વલસાડથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રા આજે ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ પહોંચી હતી. અહીં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ અન
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે તાપી જિલ્લાના પ્રવાસે પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે ઉચ્છલ ખાતે નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને ડોલવણ ખાતે જન જાગૃતિ સભાને સંબોધી. નાયબ મુખ્યમંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીનો આ તાપી જિલ્લાનો પ્રથમ પ્રવાસ હતો. તેમ
અમદાવાદની હોટેલ હયાત ખાતે આયોજિત 'સેફ ઈન્ડિયા બ્રેવરી એવોર્ડ' સમારોહમાં ગોધરા નગરપાલિકાના ફાયર વિભાગને સન્માનિત કરવામાં આવ્યું છે. 7મી નવેમ્બર, 2025ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ગોધરા ફાયર બ્રિગેડ વિભાગને તેની ઉત્કૃષ્ટ કામગીરી અને પ્રોત્સાહન બદલ આ એવોર્ડ એનાયત કરાયો હતો.
ગુજરાત સરકારે તાજેતરમાં કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે ₹10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું છે. પોરબંદર જિલ્લાના બોખીરા ગામના ખેડૂત કેશુ બોખીરિયાએ આ પેકેજને આવકાર્યું છે. તેમણે જણાવ્યું કે આ સહાયથી શિયાળુ પાકની તૈયારીમાં મોટી રાહત મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પ
ગાંધીનગરમાંથી ISISના ત્રણ આતંકીઓ ઝડપાયા ગુજરાત કે દેશના કોઈ ભાગમાં મોટો આતંકીવાદી હુમલો કરવાની તૈયારીમાં રહેલા ISISના ત્રણ આતંકીઓને ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છ
જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરમાં રવિવારે 62મો અન્નકૂટ ઉત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો, જેના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. મંદિર ખાતે અન્નકૂટ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. 56 ભોગમાં વિવિધ પ્રકારની મીઠ
રાજકોટ શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા માટે પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહીના ભાગરૂપે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં મંગળા રોડ પર થયેલ ફાયરિંગ કેસમાં બે દિવસ પૂર્વે ઝડપાયેલ આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કા
ભાવનગરની ઘરશાળા સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના વિદ્યાર્થી ગોહેલ ભાવિકે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત રાજ્યકક્ષા એથ્લેટિક્સ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. તેમણે અંડર-19 હેમર થ્રો ઇવેન્ટમાં આ સિદ્ધિ મેળવી છે. આ સિદ્ધિ બદલ ગોહેલ ભાવિકની રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા મા
સુરતના કતારગામ ખાતે પિયરમાં રહેવા આવેલી આવેલી વડોદરાની ઈલેક્ટ્રીકલ એન્જિનિયર ગૃહિણીને ઓએનજીસીમાં નોકરી અપાવવાના બહાને રૂ. 17.80 લાખ પડાવનાર સુરતના દંપતીની કતારગામ પોલીસે ધરપકડ કરી છે. ઈલેક્ટ્રીકલ એન્જિનિયર મહિલા પાસે સુરતના દંપતીએ 17.80 લાખ રૂપિયા પડાવી બોગસ જોઇનિંગ લેટર પધ
અમદાવાદના જમાલપુર વોર્ડમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), સૃષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટ અને ખાદી અને ગ્રામોદ્યોગની ટીમો દ્વારા આ કાર્યક્રમ ૮ નવેમ્બર, ૨૦૨૫ના રોજ જગન્નાથ મંદિર સામેના પરિસરમાં યોજાય
એલ.જે યુનિવર્સિટી કોસ્મો ગુરુ ઇન્સ્ટિટ્યૂટ સાથે જ્યોતિષ વિદ્યાના સર્ટિફિકેટ કોર્સ ચલાવી રહી છે. કોસ્મો ગુરુ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં 200 જેટલા જ્યોતિષ વિદ્યાના વિદ્યાર્થીઓને ડિગ્રી આપવામાં આવી છે. તેમજ 5 જ્યોતિષીઓને કોસ્મો લોજરની પદવી
અમદાવાદના ઉદય ફાઉન્ડેશન દ્વારા સિંગરવા વૃદ્ધાશ્રમમાં દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વૃદ્ધાશ્રમમાં રહેતા સિનિયર સિટીઝન્સ સાથે તહેવારોની ઉજવણી કરવાના હેતુથી યોજાયો હતો. આ સ્નેહ મિલન દરમિયાન સિનિયર સિટીઝન્સ માટે વિવિધ મનોરંજક પ્ર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી દેશભરમાં ઉજવાઈ રહેલી સરદાર વલ્લભભાઈ પટેલની 150ની જન્મજયંતિના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે આ વર્ષે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી સાથે આયોજિત ભારત પર્વમાં ઓરિસ્સાના ગવર્નર 8 નવેમ્બરે ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબની 150મી જન્મ જયંતિની ગરિમામય ઉ
અયોધ્યામાં ભવ્ય રામમંદિર નિર્માણ થયા બાદ રામપારાયણ કથાઓ અને રામલલ્લાના દર્શનાર્થે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. આ પવિત્ર ધાર્મિક વાતાવરણ વચ્ચે હારીજ તાલુકાના ગોવના સાધુ પરિવાર દ્વારા રામપારાયણ યજ્ઞકથાનો પ્રારંભ થયો છે. મહંત કથાકાર શ્રી વિષ્ણુદાસ બાપુના વ્યાસપીઠ પરથ
બનાસકાંઠા LCB એ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના લાખણાસર ગામની સીમમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે એક ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ ₹5,60,519 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 72 નંગ વિદેશી દારૂની બોટલોનો સમાવેશ થાય છે, જેની
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાયેલી અંડર-14 નેશનલ (કલેકોર્ટ) લોન ટેનિસ ટુર્નામેન્ટમાં જામનગરના હિત કંડોરિયાએ ડબલ્સમાં ચેમ્પિયનશીપ જીતી છે. આ ટુર્નામેન્ટ 3 નવેમ્બરથી 8 નવેમ્બર, 2025 દરમિયાન યોજાઈ હતી. વર્ષમાં એકવાર યોજાતી આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં સામાન્ય રીતે ભાર
નવસારી LCBએ પ્રોહીબીશન વિરોધી ઝુંબેશ અંતર્ગત નેશનલ હાઇવે નંબર 48 પરથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. મલવાડા ગામ નજીક એક હોટલ સામે નાકાબંધી ગોઠવીને મુંબઈથી અમદાવાદ જતી એક અર્ટીગા કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 8 નવેમ્બરના
પાટણમાં શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ સંચાલિત શેઠશ્રી હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ (પાટણવાળા) પ્રજાપતિ છાત્રાલયની વાર્ષિક સાધારણ સભા રવિવાર, 9 નવેમ્બર 2025 ના રોજ પ્રમુખ શાંતિલાલ પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ સભામાં નવી ઇમારતના નિર્માણ અને સંસ્થાના બંધાર
શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય જીઆઇડીસી, ચિત્રા ખાતે 'વંદે માતરમ' રાષ્ટ્રીય ગીતની રચનાના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળના પ્રખ્યાત લેખક બંકિમચંદ્ર ચેટર્જીની નવલકથા 'આનંદમઠ'માંથી લેવાયેલું આ ગીત ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દર
તમે કદાચ સતત છ છગ્ગાના રેકોર્ડ વિશે સાંભળ્યું હશે. યુવરાજ સિંહે 2008ના T20 વર્લ્ડ કપમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. રવિ શાસ્ત્રીએ પણ રણજી ટ્રોફીમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે એક નવો રેકોર્ડ બન્યો છે. ફક્ત એક ઓવરમાં જ છ છગ્ગા નહોતા લાગ્યા. ઓવર સહિત આઠ બોલમાં સતત આઠ છગ્ગા ફટકારવામાં આવ્ય
ગાંધીનગરમાં શિક્ષણ ખાતાના વહીવટી સ્ટાફના પેન્શનરોનું મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ સેક્ટર-૧૨ના ગાર્ડનમાં યોજાયો હતો, જેમાં ગાંધીનગર શહેર અને જિલ્લાના પેન્શનરો તેમજ મંડળના હોદ્દેદારો અને કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ
નગર પ્રાથમિક શાળા ક્રમાંક 199 ખાતે ઇકો ક્લબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓના નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ ક્લબનો મુખ્ય હેતુ શાળાને 'ઝીરો વેસ્ટ કેમ્પસ' તરીકે વિકસાવવાનો છે. આ પ્રસંગે બિલો 70 એમએમ નામની પ્રથમ ઝુંબેશ પણ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અસાધારણ ફાઉન્ડેશન, ઇનોવેટ
હેલ્પ્સ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં એકાકી જીવન જીવતા વૃદ્ધો માટે નિયમિત રાશન કીટ વિતરણનું કાર્ય કરવામાં આવે છે. આ પહેલ આધુનિક સમાજમાં વૃદ્ધોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં કુટુંબની રચના નાની થતી જાય છે અને વ્યક્તિગત જીવનશૈલીમાં પ
પોરબંદરના ખીજડીપ્લોટ સામે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે રવિવારે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટી પડ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે વર્ષ 2001માં પોરબંદરની ધર્મપ્રેમી જનતા માટે ખીજડીપ્લોટ સામે આ સુંદર બી.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલા વિનાયકનગરમાં અષ્ટવિનાયક ગણપતિ મંદિરનો પાંચમો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. આ પ્રસંગે ગણેશ યાગ, ધજારોહણ અને આરતી જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. પાટ
ગુજરાતના GIFT સિટી કેમ્પસમાં ક્વીન યુનિવર્સિટી બેલફાસ્ટે 20 વિદ્યાર્થીઓ માટે એકેડેમિક એક્સલન્સ સ્કોલરશિપની જાહેરાત કરી છે. યુનિવર્સિટીએ જણાવ્યું છે કે, આ સ્કોલરશિપ્સ એવા પ્રતિભાશાળી ભારતીય વિદ્યાર્થીઓ માટે છે, જેઓ દેશ છોડ્યા વિના યુકેના ધોરણ પ્રમાણે અભ્યાસ કરવા ઇચ્છે છે.
સાબરકાંઠા જિલ્લામાં મતદાર યાદી સુધારણા (SIR) પ્રક્રિયા શરૂ થઈ છે. ચૂંટણી વિભાગ દ્વારા બૂથ પ્રમાણે BLO (બૂથ લેવલ ઓફિસર) દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં આવેલા 122 નંબરના મમતા શિશુ વિહાર બૂથના BLO સચિનભાઈ સુથાર તેમના વિસ્તારમાં કામગીરી કરી રહ્યા છે.
સોમનાથથી શરૂ થયેલી કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા આજે બોટાદ જિલ્લામાં પ્રવેશી હતી. ગઢડા શહેરમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે જોડાયા હતા. પ્રદેશ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી પોતે ટ્રેક્
બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ગઈ છે. સરકારે ખેડૂતોના હિતમાં આ ખરીદીનો પ્રારંભ કર્યો છે. જિલ્લામાં ફાળવવામાં આવેલા કુલ ચાર ખરીદી કેન્દ્રો પૈકી હાલ બે કેન્દ્રો પર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને બજારભાવ કરતાં પ્રતિ મણ રૂ. 400 વધુ ભાવ મળી રહ્યો છે. ગઢડા
મોરબીના સનાળા રોડ પર આવેલા માર્કેટ યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. ખુલ્લા બજારમાં ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા માટે માલ લઈને આવવા લાગ્યા છે. ગુજકોમાર્સોલ દ્વારા સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. મોરબીન
વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ ધ ફર્ન હોટલમાં અમદાવાદના યુવકે રિસેપ્શનિસ્ટ યુવક સાથે બોલાચાલી કરીને થપ્પડ મારી દીધી હતી. રિસેપ્શનિસ્ટ યુવકે આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે અકોટા પોલીસે આરોપી મિરાજ ત્રિવેદીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ ક
મહેસાણાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક મહિલાને તેના પહેલા પતિએ લગ્નેતર સંબંધો તોડી છુટાછેડા આપી દીધા હતા. પતિએ મહિલા પાસેથી પુત્રીને પણ પોતાની પાસે રાખી હતી. જે બાદ મહિલા નીર્ધાર બનતા પોતાના પિયરમાં માતા-પિતા કોઈ જ ન હોવાથી તે પોતાના મોસાળમાં જઈ ભાડેથી ઘર રાખી રહેવા લાગી હ
સૌરાષ્ટ્રના ક્ષત્રિય સમાજના આગેવાન અને અનેક વિદ્યાર્થીઓના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવનાર સ્વર્ગસ્થ પ્રવિણસિંહ જાડેજાના પ્રેરણાદાયી જીવન પર લખાયેલ પુસ્તક 'વિરલ વ્યક્તિત્વ'નું વિમોચન આજે એક ભવ્ય સમારોહમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રભરમાંથી સામાજિક, રાજકી
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં બનાવટી દસ્તાવેજોના આધારે કુલ 344.27 વીઘા સરકારી જમીન પચાવી પાડવાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે હળવદના મામલતદારે બે મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવાની કાર્યવાહી હાથ ધરી છ
સાયન્સ સીટી વિસ્તારમાં આવેલી મહાલય બંગ્લોઝ 2ના રહીશોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. સોસાયટીમાં ઉગાવેલું અતિ દુર્લભ સિંદૂરનું વૃક્ષ સોસાયટીના જ એક સભ્યએ કોઈપણ પ્રકારની મંજૂરી વગર કાપી નાખ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેના કારણે સોસાયટીના રહીશોની લાગણી દુભાતા સિંદૂર
રાજકોટ શહેરમાં વ્યાજના વિષચક્રમાં વધુ એક પરિવાર ફસાયો છે. શહેરના વિશાલ વીરડા નામના યુવાને વિજય મકવાણા નામના યુવાન પાસેથી એક કરોડ રૂપિયા વ્યાજે લીધા હતા, જેના 10 કરોડ માંગી પઠાણી ઉઘરાણી કરવામાં આવતા અંતે તેના ત્રાસથી કંટાળી યુવાન ઘર મૂકી લાપતા થઈ ગયો છે. દરમિયાન વ્યાજખોર વિજ
ભુજ શહેરના કોડકી રોડ પરની એક હોટલ પાછળની ઝાડીઓમાંથી બે માસની એક બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી છે. ઘટનાની જાણ થતા જ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે બાળકીને હસ્તગત કરી સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલના ઘોડિયાઘર ખાતે ખસેડી છે. પોલીસ સૂત્રો અ
વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી)એ પ્લાસ્ટિકના એરબબલ શીટના રોલની આડમાં છુપાવીને ટ્રક (કન્ટેનર)માં લઈ જવાતો વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ જથ્થાની કુલ કિંમત રૂ. 57,99,744 આંકવામાં આવી છે. આ મામલે જરોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધી વધુ કાર્યવાહ
સચિવાલયમાં કામ કરતા હજારો કર્મચારીઓ માટે બઢતીનો પ્રશ્ન હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. સામાન્ય વહીવટ વિભાગના ખામીયુક્ત કેડર મેનેજમેન્ટના કારણે 1000થી વધુ કર્મચારીઓને 25થી 30 વર્ષની સેવા બાદ પણ એકપણ બઢતી લીધા વિના નિવૃત્ત થવાની ફરજ પડશે તેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. DySOને પગાર
પારડી તાલુકાના ડુંગરી ગામે નાણામંત્રી અને ધારાસભ્ય કનુ દેસાઈની મુખ્ય હાજરીમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પારડી તાલુકા ભાજપ દ્વારા જિલ્લા પંચાયત ડુંગરી બેઠક પર કાર્યકર્તા સ્નેહમિલન કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. કા
લાલપુર તાલુકાના મેઘપર ગામમાં એક પરપ્રાંતીય યુવાનના બંધ મકાનમાંથી ધોળા દિવસે રૂપિયા 2.05 લાખની રોકડ રકમની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ઘટના મેઘપર-પડાણા નજીક સ્વામિનારાયણ રેસીડેન્સીમાં બની હતી. મૂળ પશ્ચિમ બંગાળના વતની અને હાલ મેઘપરમાં ભાડેથી રહેતા ભોળાનાથ સુખમય
ભારતીય સૈન્યની કોનાર્ક કોર્પ્સ અને ગુજરાત સરકાર વચ્ચે નાગરિક-સૈન્ય સમન્વયને વધુ મજબૂત બનાવવા માટે 8 નવેમ્બર, 2025ના રોજ ગુજરાત સચિવાલય ખાતે નાગરિક-સૈન્ય મિલન સંમેલન યોજાયું હતું. ‘હર કામ દેશ કે નામ’ના સૂત્ર સાથે યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સુરક્ષા, સંકલન અને નીતિગત
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ઐતિહાસિક કૃષિ રાહત પેકેજને આવકાર્યું છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો હતો. કુદરતી આફતો અને અતિવૃષ્ટિને કારણે પાકને થયેલા નુકસાનના કપરા સમયે ર
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમણે નાથદ્વારામાં આધુનિક “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ ₹50 કરોડથી વધુ છે અને તેમણે શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કર
સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાના હિન્દુ સંગઠને આક્ષેપ સાથે હોબાળો કરવામાં આવ્યો હતો. રાજમહેલ મોલમાં છેલ્લા ઘણા મહિનાઓથી ગુપ્ત રીતે ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હોવાને લઈને હિન્દુ સંગઠનના કાર્યકરોએ પર્દાફા
રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવો મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીન સહિતની કૃષિ પેદાશોની ખરીદીનો ઔપચારિક પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ખરીદી પ્રક્રિયાના પ્રારંભિક તબક્કામાં રાજ્યભરમાં કુલ 97 કેન્દ્રો પરથ
રાજકોટ શહેરમાં ગઈકાલે રાત્રે મૂળ હાલાર પંથકના અને હાલ રાજકોટમાં રહેતા આહીર સમાજના 450 પરિવારનું સ્નેહમિલન મળ્યું હતું જેમાં હાલના સમયમાં મોંઘવારીના મારથી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારને કોઈ અગવડતા ન સર્જાય તે માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સારા માઠા પ્રસંગો પર થ
સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષ ભૂરાભાઈ દેસાઈએ રાજ્યના 7,500 ગણોત ખેડૂત (ભાગ્યાને)ને રૂપિયા 7,500ની સહાય કરવાની જાહેરાત કરી છે. સરકારે ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કર્યું છે પણ જેઓ અન્યની જમીન ભાગથી વાવે છે, તેવા 7500 ખેડૂતને સહાય આફવા સુરતના ઉદ્યોગપતિએ જાહેરાત કરી છે. ઉદ્યોગપતિ પિયુ
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા સ્થિત એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગ કમિટી (APMC) ખાતે આજે રાજ્ય સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાએ આ ખરીદી પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો હતો. આ પહેલનો મુખ્ય હેતુ
ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ) દ્વારા રાજ્ય સરકાર વતી આજથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારે મગફળી માટે પ્રતિ મણ રૂપિયા 1452નો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે હાલના બજારભાવ કરતાં મણ દીઠ લગભગ 400 વધુ હોવાથ
સુરત જિલ્લાના બારડોલી તાલુકાના કડોદ ગામના એક પર્વતારોહક પિતા અને તેમની પુત્રી નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થવાની ગંભીર ઘટના સામે આવી છે. દિવાળીના વેકેશનમાં નેપાળ ફરવા ગયેલા જીગ્નેશભાઈ લલ્લુભાઈ ભંડારી અને તેમની પુત્રી પ્રિયાંશી (ધોરણ 11, વનિતા વિશ્રામ ઇન્સ્ટિટ્યૂટ)નો ને
દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ દાહોદ ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. દેવગઢ બારીયા અને આસપાસના વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી વહન કરતા 14 ટ્રક અને ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં રેતી સહિત આશરે ₹2 કરોડનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બાર
જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માટે રાહતના સમાચાર આવ્યા છે,કારણ કે સરકારની યોજના મુજબ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી અને સોયાબીન સહિતની જણસીઓની ખરીદીની શરૂઆત થઈ ગઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ ખરીદીના પ્રથમ તબક્કામાં કુલ 42 કેન્દ્રો માંથી 17 સેન્ટરો પર ખરીદીનો પ્રારંભ કરવ
કચ્છના ભચાઉ રેલવે સ્ટેશન પર ભુજ-બરેલી ટ્રેનના ગાર્ડ કોચમાં ધુમાડો નીકળતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાને કારણે ટ્રેન લગભગ 30 મિનિટ સુધી ભચાઉ સ્ટેશને ઉભી રહી હતી. ઈકાલે રાત્રે ભુજથી બરેલી જતી ટ્રેન નંબર 14322 ભચાઉ પહોંચી ત્યારે ગાર્ડ કોચમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો.
ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાએ સાસરીયા પક્ષના લોકો સામે માનસિક અને શારીરિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. લગ્નના થોડા સમય બાદ પિયરમાંથી કરિયાવર ના લાવી હોવાનું કહી પતિ સહિત સાસરિયા પક્ષના લોકો માર મારતા હોવાનો પણ મહિલાએ આક્ષેપ કર્યો છે. લોન લઈને ખરીદેલા મકાન
મહેસાણામાં SIR હેઠળની મતદાર યાદીની કામગીરી મુદ્દે શિક્ષકોએ વાંધો વ્યક્ત કર્યો છે. મહેસાણામાં શિક્ષકોના પ્રાથમિક શૈક્ષિક સંઘ દ્વારા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળની મતદાર યાદી સુધારણાની કામગીરીમાં પડતી તકલીફો અંગે વાંધો વ્યક્ત કરીને ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કર
રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા પારડી શહેરમાં હાફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તંદુરસ્ત પારડીના સંદેશ સાથે યોજાયેલી આ દોડમાં 1100થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ ત્રીજી વખત રેસર્સ ગ્રૂપ પારડી દ્વારા હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરન
જામનગર જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે. જિલ્લાના હાપા માર્કેટિંગ યાર્ડ સહિત કુલ 2 કેન્દ્રો પર આ ખરીદી શરૂ કરવામાં આવી છે. આ ખરીદીમાં ખેડૂતોને પ્રતિ મણ 1452 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવશે. પ્રથમ દિવસે 50 ખેડૂતોને મગફળી વેચવા માટે બોલાવવામાં આવ્યા હતા. દરેક ખેડ
પાટણ જિલ્લા પંચાયતની એક મહત્વની ખાસ સભા પ્રમુખ હેતલ ઠાકોરના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત સ્વર્ણિમ હોલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં એજન્ડા પરના વિવિધ વિકાસ કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. મહેસુલ વર્ષ 2020-21 થી 2023-24 સુધીના જમીન મહેસુલ લોકલ ફંડ સેસની ₹1.57 કરોડ ઉપરાંતની ગ્રા
વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પરથમપુરા ગામના તળાવમાંથી 6 વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવમાં આ બાળક અગાઉ ત્રણ દિવસ પહેલા ગુમ થયું હતું અને તે બાબતે પરિવારે સાવલી પોલીસને જાણ કરી હતી. દરમ્યાન ગત રોજ બાળકનો મૃતદેહ તળાવમાંથી મળી આવતા સાવલી પોલીસે વધ
પોરબંદર માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતો પાસેથી પ્રતિ મણ ₹1452 ના ભાવે મગફળી ખરીદવામાં આવશે. દરેક ખેડૂત પાસેથી મહત્તમ 125 મણ મગફળી ખરીદી શકાશે. ચાલુ વર્ષે પોરબંદર જિલ્લામાં કુલ 35,106 ખેડૂતોએ મગફળી વેચવા માટે નોંધણી કરા
બોટાદ LCB પોલીસે ઓનલાઈન છેતરપિંડી કરતા શખ્સો સામે કડક કાર્યવાહી કરી છે. આ મામલે કુલ ૬ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાંથી ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. LCB દ્વારા 6 પૈકી 4 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો સામે ઓનલાઈન છેતરપિંડીની અરજીઓ મળ્યા બાદ તેમની પૂછપરછ કરવામા

25 C