'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ની ઉક્તિને સાર્થક કરવાના હેતુથી કેશોદ તાલુકાના કેવદ્રા ગામે આજે એક વ્યાપક અને મહત્વપૂર્ણ સફાઈ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત દ્વારા આયોજિત આ અભિયાનમાં ગામના અગ્રણીઓ, આગેવાનો, તેમજ વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ ઉત્સાહપૂર
રાજ્યના પોલીસ વડા દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપી છેલ્લા 30 વર્ષમાં રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા ઝડપાયેલા આરોપીઓની વિગતવાર તપાસ કરી સંપૂર્ણ વિગત સાથે ડિટેઇલ રિપોર્ટ તૈયાર કરી 100 કલાકમાં સબમિટ કરવા સૂચના આપવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ શહેર પોલીસ દ્વારા આ કામગીરી અંતર્
સુરત જિલ્લા સહકારી બેંક કોમર્સ કોલેજ અને સાયણ સહકારી ખાંડ ઉદ્યોગ આર્ટસ કોલેજ, ઓલપાડની રાષ્ટ્રીય સેવા યોજના (NSS)ની વાર્ષિક શિબિરનો સોમવાર, 24 નવેમ્બર 2025ના રોજ ઓલપાડ તાલુકાના કરંજ પારડી ગામે પ્રારંભ થયો છે. આ એક સપ્તાહ ચાલનારી શિબિર 30 નવેમ્બરના રોજ પૂર્ણ થશે. કોલેજના વિદ્યાર્થી
ખેલ મહાકુંભ 2025-26 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની ખો-ખો સ્પર્ધામાં કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળાની અંડર-14 બહેનોની ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિથી શાળાનું ગૌરવ વધ્યું છે. સ્પર્ધા દરમિયાન ટીમે ઉત્તમ દોડ, ચપળતા, રણનીતિ અને ટીમવર્કનું પ્રદર્શન કર્યુ
દિલ્હીમાં જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર પ્રથા નાબૂદી અને TET-1 મુદ્દે બે દિવસથી વિવિધ સંસ્થાઓ દ્વારા ધરણાં પ્રદર્શનો યોજાયા છે. 24 નવેમ્બરે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે અને 25 નવેમ્બરે NMOPs દ્વારા આ આંદોલન કરાયું હતું. 24 નવેમ્બરના રોજ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવ
મહિલાઓ અને બાળકો વિરુદ્ધના ગુનાઓમાં તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશો વચ્ચે જૂનાગઢ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશને એક મોટી સફળતા હાંસલ કરી છે. પોલીસ ટીમે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાના ફરાર આરોપીને જામનગર જિલ્લામાંથી ગણતરીના દિવસોમાં પકડી પાડીને કાયદેસરની કાર્
ઊંઝાની વિ.મ.પટેલ પ્રાથમિક શાળામાં 24 નવેમ્બર, 2025ના રોજ 'વિકસિત ગુજરાત' થીમ આધારિત કલા ઉત્સવ યોજાયો હતો. આ ઉત્સવમાં ઊંઝા 1 ક્લસ્ટર હેઠળની પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા સહિત કુલ
અમરેલી જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-2026 અંતર્ગત 8 લાખથી વધુ એન્યુમરેશન ફોર્મ ડિજિટાઇઝ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 64.17% કામગીરી પૂર્ણ થઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે તમામ મતદારોને ફોર્મ જમા કરાવી સહકાર આપવા અપીલ કરી છે. ભારતના ચૂંટણી
‘ડીસા ફાયર ટ્રેજેડી’ મામલે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. જે અરજી સુપ્રીમના નિર્દેશથી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરાઈ છે, જેને હાઇકોર્ટમાં PIL તરીકે દાખલ કરીને તેની ઉપર આજે (25 નવેમ્બર) ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જજ સુનિતા અગરવાલ અને જજ ડી.એન.રેની બેન્ચ સમક્ષ સુનાવણી ય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વધુ એક ખેલાડીની સિદ્ધિએ ગૌરવ વધાર્યુ છે. થાઇલેન્ડમાં ઇન્ટરનેશનલ ફેડરેશન દ્વારા આયોજિત કોન્ટિનેન્ટલ ટ્રોફીમાં ભારતની ટીમની 16 ખેલાડીઓમાં ગુજરાતમાંથી એક માત્ર રાજકોટની કુંડલિયા કોલેજની દીકરીની પસંદગી થઈ છે. છેલ્લા 10 વર્ષથી હેન્ડબોલની તનતોડ પ્રે
અમદાવાદમાં ફરી એકવાર કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને લઈ સવાલ ઉઠતી ઘટના શહેરના મેઘાણીનગર વિસ્તારમાં બની છે. મેઘાણીનગર બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં તલવાર અને ચપ્પુ વડે થઈ મારામારીની ઘટના બની હતી. જેમાં નિવૃત્ત આર્મીમેનના પુત્રની છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. રિક્ષામાં હુ
ગુજરાતમાં ઝડપથી વધી રહેલા સાયબર સ્લેવરી ગેંગ સામે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, CID ક્રાઇમ દ્વારા મોટા પાયે કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરાની પાયલ પ્રદીપસિંહ ચૌહાણને ધરપકડ કરી છે. જે સાયબર સ્લેવરીના મુખ્ય સુત્રધાર નિલ પુરોહિતની સબ એજન્ટ તરીકે કાર્યરત હતી. સાયબર સેન્ટર ઓફ એક્
પોરબંદર મહાનગરપાલિકા અને છાયા નગરપાલિકાએ છેલ્લા 84 દિવસના જન્મ અને મરણ સંબંધિત આંકડા જાહેર કર્યા છે. આ સમયગાળા દરમિયાન કુલ 1,780 જન્મ અને 486 મૃત્યુ નોંધાયા છે, જે દર્શાવે છે કે જન્મનો આંકડો મૃત્યુની તુલનામાં લગભગ 73% વધુ છે. નોંધાયેલા 1,780 જન્મોમાં 900 પુરુષ બાળકો અને 880 મહિલા બાળકોનો સ
બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં આગામી 26 નવેમ્બરના રોજ મતદારયાદી સુધારણા માટે મેગા કલેક્શન દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી તમામ ગ્રામ પંચાયતો અને દૂધ ઉત્પાદક મંડળીઓ (ડેરી) ખાતે નાગરિકોના મતદાર ગણતરીપત્રક એકત્રિત કરવામાં આવશે. હાલમાં
સુરતનો આઉટર રિંગ રોડ ફરી એકવાર લોહીલુહાણ થયો છે. બાઈક પર જઈ રહેલું વૃદ્ધ દંપતી ટેન્કર સાથે અથડાતા બંનેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિશાળ ટેન્કર બાજુમાંથી પસાર થતા સમયે વૃદ્ધ બાઈક ચાલકથી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા પાછળના ટાયરમાં ઘૂસી જતા લોહીલુહાણ થયાં હતાં. આ અંગે
વડોદરા શહેરના તાંદલજા ગામના ચોતરાવાળા ફળિયામાં રહેતા ઈર્શાદ બન્ઝારાની ગત 19 નવેમ્બરની રાત્રે તેની પત્ની ગુલબાનુ અને મુંબઈના પ્રેમી મોહમદ તોસીફ તથા તેના મામા મહેતાબે મળીને બર્બર હત્યા કરી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. આ કાર્યવાહીમાં આરોપી પત્નીની પોલીસે ધરપક
ભુજ શહેરે આજે તેનો 478મો સ્થાપના દિવસ પરંપરાગત અને ધાર્મિક રીતે ઉજવ્યો હતો. આ પ્રસંગે પ્રાગ મહેલમાં વર્ષો જૂની ખીલી પૂજનની વિધિ કરવામાં આવી હતી. ભુજના પ્રથમ નાગરિક દ્વારા ખીલી પૂજન કરાયું હતું, અને કેક કાપીને શહેરનો જન્મદિવસ ઉજવાયો હતો. કચ્છના પાટનગર ગણાતા ભુજ શહેરની સ્થાપન
PM મોદીએ આજે અયોધ્યામાં રામમંદિર પર ધ્વજારોહણ કર્યું છે. એ જ સમયે સુરતમાં રહેતા એક મહિલા આર્ટિસ્ટે અયોધ્યામાં બિરાજમાન રામલલ્લા, PM મોદી અને માતા હીરાબાનું એક અદભુત પેઈન્ટીંગ તૈયાર કર્યું છે. આ પેઈન્ટીંગ સાથે નીલાબેન વરિયાની અતૂટ શ્રદ્ધા પણ જોડાયેલી છે. નીલાબેનનું માનીએ તો,
પાટણ-સિદ્ધપુર હાઈવે પર ડેર ગામ નજીક રવિવારે સવારે એક રીક્ષા પલટી જતાં એક મહિલા મુસાફરનું મોત થયું હતું. રીક્ષાની સામે અચાનક નીલગાય આવી જતાં ચાલકે કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અન્ય કેટલાક મુસાફરોને પણ ઈજા થઈ હતી. મૃતક મહિલાની ઓળખ સિદ્ધપુર તા
મહીસાગર જિલ્લામાં પુરવઠા નિગમ દ્વારા લીંબડીયા APMC ખાતે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાયર્સ કોર્પોરેશન (APMC) દ્વારા અનાજની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. મહીસાગર જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન મોટા પાયે થાય છે.
પાટણ શહેરના બગવાડા દરવાજા પાસે મુખ્ય માર્ગ પર ભુવો પડતા એક પીકઅપ ડાલાનું ટાયર તેમાં ફસાઈ ગયું હતું. આ ઘટનાને કારણે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને પીકઅપને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યું હતું. શહેરના હાર્દ સમા બગવાડા દરવાજા વિસ્તારમાં આ ઘટના બની હતી. પાણીની પાઇપલાઇનમાં લી
કોંગ્રેસની જન આક્રોશ યાત્રા સાબરકાંઠા જિલ્લામાં પ્રવેશી હતી. આજે આ યાત્રા હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં તેને પોલીસ પરિવારની મહિલાઓએ રોકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દરમિયાન મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો અને જિજ્ઞેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાનું ખેરવા ગામ યુવા નેતૃત્વ થકી વિકાસની નવી ગાથા કંડારી રહ્યું છે. 27 વર્ષીય સિવિલ એન્જિનિયર જીજ્ઞેશભાઈ નારાયણભાઈ રાઠોડના નેતૃત્વ હેઠળ, ગામમાં માળખાગત સુવિધાઓ અને ડિજિટલ ક્રાંતિ જોવા મળી છે. આ ગામ ગુજરાત સરકારના 'ગામડું બને સમૃદ્ધ, તો જ રા
શહેર પોલીસ દ્વારા જેટલા પણ લોકો ગુમ થયા છે તે તમામ લોકો અંગેની તપાસ માટેની ડ્રાઇવ શરૂ કરી છે. જે અંતર્ગત શહેરના પૂર્વ વિસ્તારમાં 22 જેટલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થયેલા લોકોને શોધવા અંગેની ડ્રાઇવ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા એક મહિનાની ડ્રાઈવમાં 328 લોકોને શોધવામાં આવ્
સુરેન્દ્રનગર જિલ્લામાં SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા એક વાડીમાંથી કરોડો રૂપિયાનું લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે. પોલીસે 559 કિલો 700 ગ્રામ વજનના લીલા ગાંજાના 180 છોડ જપ્ત કર્યા છે, જેની કિંમત આશરે 2,79,85,000 રૂપિયા આંકવામાં આવી છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવ
સુરત મનપાના વરાછા પૂર્વ ઝોનમાં ટેક્નિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી BLO મહિલાનું ઘરના બાથરૂમમાંથી બેભાન હાલતમાં મળ્યા બાદ ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. મહિલા અધિકારીના અચાનક મોતને કારણે અનેક સવાલો સર્જાયા છે. મહિલાના મોતનું સાચું કારણ જાણવા માટે આ
કર્ણાટક ખાતે રહેતા ફરિયાદીને સસ્તામાં સોનું અપાવવા તથા રૂપિયા 10 કરોડની લોન પાસ કરાવવાનું કહી ખોટા વાયદા આપીને તેમની પાસેથી મહિલા સહિતની ગેંગે રૂપિયા 4.92 પડાવી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ જે પી રોડ પોલીસ મથકમાં નોંધાઈ હતી. આ મામલે તપાસમાં સામે આવ્યું કે મુખ્ય સૂત્રધાર ઈલ્
અમદાવાદના બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલી ભવ્ય પાર્ક સોસાયટીમાં નવીન શ્રી નર્મદેશ્વર મહાદેવ મંદિરની ચલિત પ્રતિષ્ઠા કરાશે. અંદાજે પચીસેક વર્ષ જૂની સોસાયટીમાં 455 ફ્લેટમાં 2500 જેટલા લોકો રહે છે. ઉજ્જૈનની નર્મદામાંથી જાતે લિંગ લાવ્યાસભ્યોએ ઉજ્જૈન જઈને લિંગ માટે નર્મદા નદ
સુરતમાં પરવટ પાટિયાના સુરભી કોમ્પ્લેક્ષમાં આવેલા ભાવના જ્વેલર્સમાં 23 નવેમ્બરની રાતે ત્રાટકેલા તસ્કરે દીવાલમાં બાકોરૂ પાડી સ્ટ્રોંગ રૂમમાં મુકેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી નિષ્ફળ જતા ચાંદીના 1.310 કિલોગ્રામ વજનના દાગીના કિંમત રૂ. 1.96 લાખની મત્તા ચોરીને ભ
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકાના થરા નેશનલ હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના સમગ્ર સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, ડીસા-રાધનપુ
રાજકોટ શહેરમાં વડાપ્રધાન મોદીના હસ્તે કરોડોનાં ખર્ચે બનેલી જનાના હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જોકે વારંવાર આ હોસ્પિટલ કોઈને કોઈ વિવાદમાં આવતી હોય છે. ત્યારે હવે PM મોદીનાં હસ્તે લોકાર્પિત આ હોસ્પિટલમાં દર્દીઓનાં પરિવારજનો પાસે ઉઘરાણા કરવામાં આવતા હોવાનું
આપ (AAP) ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી વિદ્યાર્થીઓની ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ બંધ થવાના મુદ્દે આજે બિરસા મુંડા ભવન ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે રજૂઆત કરી હતી. વસાવાએ જણાવ્યું કે ગયા વર્ષે રાજ્ય સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટેની ઉચ્ચ અભ્યાસની શિષ્યવૃત્તિ બંધ
મોરબી નજીક લાલપર ગામ પાસેના એક ગોડાઉનમાંથી બાંધકામમાં વપરાતા બ્રાન્ડેડ મટિરિયલનો મોટો ડુપ્લીકેટ જથ્થો ઝડપાયો છે. પિડિલાઈટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ટ્રેડમાર્કનો દુરુપયોગ કરીને બનાવટી માલ સસ્તા ભાવે વેચવામાં આવતો હતો. પોલીસે રૂ. 15.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને બે આરોપીઓની ધ
રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)ની બીજી આવૃત્તિની જાહેરાત કરી છે, જે 8થી 9 જાન્યુઆરી, 2026 દરમિયાન રાજકોટમાં યોજાશે. આ સાથે જ 8થી 11 જાન્યુઆરી દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) પણ યોજાશે. આ પ્રદર્શન ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના MSMEs, ઉદ્યોગકારો, સરકારી
ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજે વરિષ્ઠ નેતા સ્વ. અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકરો અને નેતાઓએ સ્વ. અહમદ પટેલના રાજકીય જીવન, તેમની સંગ
જામનગર મહાનગરપાલિકા દ્વારા બચુનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપા કમિશનર ડી.એન. મોદીએ જાતે સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ આ કાર્યવાહી શરૂ કરાઈ હતી. આ દબાણ ઝુંબેશ અંતર્ગત બચુનગર વિસ્તારમાં આશરે 8,000 ચોરસ ફૂટ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આ
અમરેલી શહેરમાં એક રહેણાંક મકાનમાંથી ₹1,11,336ની કિંમતના સોનાના દાગીનાની ચોરી થઈ છે. અજાણ્યા તસ્કરોએ મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી કબાટની તિજોરી તોડી ચોરીને અંજામ આપ્યો હતો. આ અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, કિરીટભાઈ કાંતિભાઈ મકવાણાના ઘરે ચોરી
દસાડા વિધાનસભા મતવિસ્તારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત ઉત્તમ કામગીરી કરનારા બૂથ લેવલ ઓફિસરો (BLOs) અને BLO સુપરવાઇઝરોને સન્માનિત કરવામાં આવ્યા છે. પાટડીના મતદાર નોંધણી અધિકારી, પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા તેમને પ્રમાણપત્ર આપી બિરદાવવામાં આવ્યા
ગુજરાતના ગીર જંગલમાંથી એક અદભૂત અને રોમાંચક દ્રશ્ય સામે આવ્યું છે, જેણે વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓને અભિભૂત કરી દીધા છે. સામાન્ય રીતે એક કે બે સિંહના દર્શન થવા પણ ગીરની સફારીમાં મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે, ત્યારે એકસાથે 11 સિંહોનું વિશાળ ગ્રુપ સફારી રૂટ પર લટાર મારતું જ
ગુજરાતમાં મંત્રીમંડળની પુનઃરચના થયા બાદ સચિવાલય તરફથી સિદ્ધપુરના ધારાસભ્ય અને પૂર્વમંત્રી બળવંતસિંહ રાજપૂતને પત્ર લખી પગાર-ભથ્થાની આકારણી માટે જરુરી વિગત માગી હતી. જેના જવાબમાં બળવંતસિંહ રાજપૂતે વધુ એકવાર પગાર ભથ્થા લેવાનો ઈન્કાર કર્યો છે. મંત્રીમંડળની પુનઃ રચના બાદ
પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ હેઠળના આણંદ-ગોધરા સેક્શન પર એન્જિનિયરિંગ કાર્યને કારણે 25 નવેમ્બરે કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરાયો છે. આ કામગીરી ઓડ-ડાકોર સ્ટેશનો વચ્ચેના બ્રિજ નંબર 32 ડાઉનલાઇન પર હાથ ધરાશે. આ ફેરફારો અંતર્ગત, ટ્રેન નંબર 69189 આણંદ-ગોધરા મેમુ ટ્રેન રદ રહેશે. જ
અમદાવાદના GMDC ગ્રાન્ડ સામે આવેલી સમરસ હોસ્ટેલ છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ વિદ્યાર્થીઓના જમવામાં ઈયળો નીકળવાની અને આ બાબતે ફરિયાદ કરે તો તેમને ધમકી અપાતી હોવાના ગંભીર આક્ષેપ ABVP દ્વારા કરવામાં આવ્યા હતા. જે બાદ સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓની સુ
બોટાદ જિલ્લામાં રાજકોટની AIMS હોસ્પિટલ દ્વારા એક વિશાળ મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ 29 નવેમ્બર, 2025ના રોજ શનિવારે સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી સ્વામિનારાયણ ગુરુકુળ, ગઢડા રોડ, બોટાદ ખાતે યોજાશે. આ કેમ્પનો મુખ્ય હેતુ બોટાદ જિલ્લાના તમામ જરૂરિયાતમંદ દર્દી
ગુજરાતમાં એસટી બસના ચાલકો બેફામ બસ ચલાવતા હોવાના અગાઉ પણ અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સુરતમાં આવો જ એક વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના રિંગરોડ બ્રિજ પર રોંગ સાઈડમાં બેફામ એસટી બસનો ચાલક બસ ચલાવી રહ્યો હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમાં ત્રણ કિલોમીટર થી વધુ બસન
પોરબંદરમાં લૂંટના આરોપી મહંમદ ઉર્ફે મામદો નશીર શાહમદારનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પોલીસે પૂર્ણ કર્યું છે. કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન હદમાં નોંધાયેલ લૂંટના ગુનાના સંદર્ભમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદર જૂની કોર્ટ કમ્પાઉન્ડ નજીક આ ઘટના
ટંકારાના જબલપુર ગામે મગફળીના ભૂક્કામાં આગ લાગી હતી. આ ઘટનામાં મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો, જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટના વહેલી સવારે જબલપુર ગામના પ્લોટ વિસ્તારમાં બની હતી. કોઈ અગમ્ય કારણોસર મગફળીના ભૂક્કાના ઢગલામાં આગ ભભૂકી ઉઠી હતી. સવારે ત્રણ વાગ્યાના અરસામાં આગ લાગ
મહેસાણા તાલુકાના છઠીયારડા ગામ નજીક રૂપેણ નદી પાસે 23 નવેમ્બરના બપોરે ઠાકોર જયેશ નામના યુવકને રસ્તામાં રોકી દીવાન આવેજ ખાન પરવેઝ ખાન, બહેલીમ સહદ ખાન અસદ ખાન, બહેલીમ નઇમ ખેંગારભાઈ અને અલબક્ષ ઉર્ફ ભાણાએ માથામાં લોખડની પાઈપો મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. જે અન્ય ટોળું પણ જયેશ પ
તાજેતરમાં ચકચાર જગાવનાર રાજકુમાર જાટ હત્યા કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસને સોંપાયા બાદ હવે આ ઘટનાએ ગોંડલના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. આ મામલે ગોંડલના એડવોકેટ યતિષ દેસાઈએ બિલિયાળા ગામના સરપંચ લાલા રૂપારેલીયા પર ગંભીર આક્ષેપો મૂકીને સીધી ગુજરાતના નાયબ મુખ્યમં
ભરૂચ જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ દિવસ દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર વધઘટ જોવા મળી રહી છે. સવારે ઠંડીનો અનુભવ થયા બાદ બપોર સુધીમાં ગરમીનો અહેસાસ થાય છે, જે લોકોને આશ્ચર્યચકિત કરી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સવારે ભરૂચનું લઘુતમ તાપમાન આશરે 26C નોંધાયું
સુરતમાં પ્રથમવાર પનીરના નમૂના ફેલ થતાં કોઈ ડેરીમાલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસ.ઓ.જી. પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. પોલીસે 754 કિલો જેટલું પનીર પણ જપ્ત કર્યું હતું, જે અલગ-અલગ હોટલો અન
લખપત તાલુકાના મુખ્ય મથક દયાપરમાં નવનિર્મિત તાલુકા મામલતદાર કચેરી સત્તાવાર રીતે કાર્યરત થઈ ગઈ છે. રૂપિયા 5.17 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ અધ્યતન બિલ્ડિંગનું ગત 3જી તારીખે મુખ્યમંત્રીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2001ના વિનાશકારી ભૂકંપમાં જૂની ઇમારત જર્જરિત બન્
જામનગરમાં મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા નવા ફ્લાયઓવર બ્રિજ પર પ્રથમ દિવસે જ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. શહેરીજનો મોટી સંખ્યામાં બ્રિજની મુલાકાત લેવા ઉમટી પડતાં રાત્રિના સમયે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને નિયંત્રિત કરવા પોલીસને કવાયત કરવી પડી હતી. વાહનોની લા
આણંદના અક્ષર ફાર્મ ખાતે બી.એ.પી.એસ. સંસ્થાના વિદ્વાન વક્તા ડોક્ટર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીએ વિશેષ વક્તવ્ય આપ્યું હતું. આ વક્તવ્ય આણંદ મંદિરના રજત જયંતિ મહોત્સવના ભાગરૂપે યોજાયું હતું. તેમણે Excellence, Ethics and Eternity વિષય પર પ્રેરક સંબોધન કર્યું હતું. આ વક્તવ્યનો લાભ લેવા મોટી સંખ્યામાં
કચ્છમાં શિયાળાની ધીમી શરૂઆત વચ્ચે નલિયા રાજ્યનું સૌથી ઠંડું મથક બન્યું છે. આજે નલિયાનું લઘુતમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ સાથે નલિયા સતત દસમા દિવસે રાજ્યના શીત મથકોમાં મોખરાનું સ્થાન જાળવી રાખ્યું છે. જોકે, શીત મથક તરીકે જાણીતા નલિયામાં હજુ સુધી તાપમાનનો પાર
હારીજ તાલુકાના જશોમાવથી દોઢ કિલોમીટર દૂર આવેલા છગનપુરા પરાના 150થી વધુ રહેવાસીઓ જ્યોતિગ્રામ યોજનાના લાભથી વંચિત છે. ખેતી અને ખેતમજૂરી સાથે સંકળાયેલા આ લોકોને વીજળીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં, જીઈબી દ્વારા અહીં 18 જેટલા મીટર આપવામાં આવ્યા છે અને અરીઠા એ
રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્ય
પાટણ તાલુકાના મણુંદ ગામથી ચાણસ્મા તાલુકાના ફિંચાલ વસાઈપુરા રોડ પર ગત રોજ બપોરે એક કાર લીમડાના ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તેજુભા વાઘેલા નામના એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેજુભા વાઘેલા સોમવા
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ મુંબઈ સ્થિત મુખ્યાલય ખાતે આયોજિત એક વિશેષ સમારોહમાં વિવિધ ડિવિઝનના કુલ 11 કર્મચારીઓને 'જી.એમ. સલામતી પુરસ્કાર' (GM Safety Award) થી સન્માનિત કર્યા છે. આ સન્માન એવા કર્મચારીઓને આપવામાં આવ્યું છે, જેણે ઑક્ટોબર 2025 દરમિયાન પોતાની સતર્કતા અને
વલસાડ જિલ્લામાં મંગળવારે વહેલી સવારથી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. રાજ્ય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જિલ્લામાં લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે લોકોને ઠંડીમાં આંશિક રાહત મળી હતી. હવામાન વિભાગે મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેવાનો અંદાજ વ્યક્ત કર્ય
વલસાડ જિલ્લાના ચણવાઈ ખાતે આવેલા સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો ખાતે ખેડૂતો માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાતના મોટી સંખ્યામાં ખેડૂતોની હાજરી સાથે યોજાયેલા આ સેમિનારમાં જૂની આંબાવાડીઓના નવીનીકરણ અને કેરી તથા ફૂલોની આધ
અમરેલી શહેર માટે માચિયાળાથી રાધેશ્યામ ચોકડી સુધીના 12 કિલોમીટર લાંબા નવા બાયપાસ રોડને વહીવટી મંજૂરી મળી ગઈ છે. આ પ્રોજેક્ટ માટે રૂપિયા 270.60 કરોડનો ખર્ચ થશે. ધારાસભ્ય કૌશિક વેકરિયાની રજૂઆત બાદ રાજ્ય સરકારે આ મંજૂરી આપી છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાયપાસના નિર્માણ માટે ટૂ
ભાવનગર શહેરના અધેવાડા વિસ્તારમાં આવેલી અલગ-અલગ સોસાયટીઓમાં મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતા પાણી વિતરણના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઈએસઆર નવનિર્મિત પાણીની લાઈનનું ટેસ્ટિંગ કામ હાથ ધરવામાં આવનાર હોવાના કારણે 25 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી પાણી વિતરણના સમયમાં ફેરફાર ક
ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલા વિવિધ કાર્યક્રમો અને જાહેર હિતના મુદ્દાઓ પર સમીક્ષા કરવામાં આવશે. ખેડૂતોના વિવિધ મુદ્દે ચર્ચા કરાશેમળતી માહિતી મુજબ, બેઠકમાં ખેડૂતો માટે શ
ગુજરાતના રાજકારણમાં હાલ નવી હલચલ જોવા મળી રહી છે. જૂનાગઢના કદાવર નેતા અને ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરી રાજકારણમાં સક્રિય થયા છે. છેલ્લા લાંબા સમયથી ભાજપથી નારાજ જોવા મળી રહેલા ચાવડાએ બેરોજગારીના મુદ્દાને સપાટી પર લાવી 'રોજગાર સહાયતા અભિયાન' શરૂ કર્યું છે. થ
બોડેલીના તાંદલજા પાસે ગત (24 નવેમ્બર) મોડી રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના બની છે. આ અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ યુવકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી માહિતી મુજબ, વાસણા ગામના કનુભાઈ રોહિત, બાબરભાઈ વણકર અને ધુરાભાઈ બોડેલીમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા બાઇક પર જઈ રહ્યા હતા. તાંદલજ
શિયાળાની શરૂઆત થતાની સાથે જ સ્વાદરસિકો ઓળો-રોટલો, લીલા લસણ-ડુંગલીનું શાક સહિતના સ્વાદિષ્ટ ભોજનની મોજ માણવા અધીરા બનતા હોય છે. આ વર્ષે શિયાળની શરૂઆતમાં જ થયેલા ભારે કમોસમી વરસાદથી શાકભાજી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. આ ઉપરાંત હાલમાં લગ્નસરાની સીઝનને પગલે શાકભાજીની માગમાં વધા
મહિસાગરમાં મોડીફાઇડ સાયલેન્સરના 6 બુલેટ ચાલકો સામે કાર્યવાહી કરાઇ હતી. મહીસાગર જિલ્લામાં કાળા કાચ લગાડી ફરતા વાહનચાલકો વિરુધ્ધ ચલાવેલ અસરકારક ડ્રાઇવ બાદ જિલ્લામાં આર.ટી.ઓ કચેરીની પરમિશન વિના કંપની ફિટેડ સાયલેન્સર કાઢી નાખી, તેની જગ્યાએ ખુબ જ કર્કશ અને ઘોંઘાટભર્યો અવાજ થ
દાહોદ નજીક ખંગેલા ચેકપોસ્ટથી પંજાબના અમૃતસરથી પોરબંદર લઇ જવાતો રૂપિયા 91,47 લાખ ઉપરાંતના દારૂના જથ્થા સાથે દેવભુમી દ્વારકાના ડ્રાઇવરને એલસીબીએ ઝડપી પાડ્યો હતો. પશુ આહારના નીચે સંતાડી જથ્થો લઇ જવાતો હતો. દારૂની 7236 બોટલ, પશુ આહારના થેલા 130 અને ટ્રક મળી 1,01,85,100 રૂપિયાનો મુદ્દામાલ જ
ગાંધીનગરમાં 04 ઓક્ટોબર 2025ના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આરંભ કરાયેલા પ્રારંભિક DEAF અભિયાનને અનુરૂપ દાહોદ જિલ્લામાં પણ લીડ બેંક બેંક ઓફ બરોડા, રીજનલ ઓફિસ દાહોદ દ્વારા DRDA સભાખંડમાં ડીઈએએફ સેટલમેન્ટ અને અવેરનેસ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના રણધીકપુર નજીક આવેલા જામદરા (ઢબુકા) ગામમાં એક અસામાન્ય ઘટના નોંધાઇ છે. ગામની સીમમાંથી 14 ફૂટ લાંબો અને આશરે 40 કિલોગ્રામ વજન ધરાવતો મહાકાય અજગર પકડાતા ભયનો માહોલ સર્જાયો હતો. દાહોદ જિલ્લાના ઇતિહાસમાં આટલી લંબાઇનો 14 ફૂટની લંબાઇનો અજગર પહેલી વખત પ
પંચમહાલ જિલ્લામાં ટેકાના ભાવે ડાંગરનું વેચાણ કરવા 3474 ખેડૂતોએ નોંધણી કરાવી છે. સરકારે સોમવારે ખરીદી શરૂ કરવાની જાહેરાત કરવા છતાં પંચમહાલમાં સોમવારે ખરીદી શરૂ થઇ નથી. વિભાગ દ્વારા ખેડૂતોને મેસેજ કર્યા હોવાનો દાવો કરાય છે. પણ ખરીદી કેન્દ્ર પર સ્ટાફ સહિતની તૈયારીઓ કરી ન હોવાથ
નર્મદા જિલ્લામાં વરસાદ વિદાય લેતા જિલ્લામાં તૂટી ગયેલા રોડને રિપેર કરવા માર્ગ અને મકાન વિભાગ તરફથી અંતરિયાળ તથા ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગોના રિસરફેસિંગની કામગીરી ઝડપી ગતિએ હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે મોટાભાગના રસ્તાઓ બિસમાર બની જતાં વાહનચાલકોએ
નર્મદા જિલ્લા સહિત રાજયભરમાં ચાલી રહેલી ખાસ મતદારયાદી સુધારણાની કામગીરી દરમિયાન બુથ લેવલ ઓફિસરની સ્થિતિ દયનીય બની છે. શિક્ષકો, ગ્રામસેવકો, તલાટીઓ, આંગણવાડી બહેનો તમામ ઘરે ઘરે ફરી ફરી ને ફોર્મ ભરે છે અને રજાઓમાં પણ શાળાઓમાં બેસીને નવી મતદાર યાદી તૈયાર કરવા મોડી રાત સુધી બે
ભાંગ્યુ ભાંગ્યુ તોય ભરૂચ ભવ્ય ઇતિહાસ ધરાવે છે. ઈતિહાસ એવું પણ કહે છે કે ઇસુ પૂર્વે 1500 વર્ષ એટલેકે 3500 વર્ષ પહેલા ઈજીપ્તના પીરામીડમાં જે મમી મુકવામાં આવતી તે મમી પર જે સુતરાઉ કાપડ વીંટાળવામાં આવતું તે કાપડ ભરૂચમાં બનતું હતું અને ત્યાં પહોંચાડવામાં આવતું હતું. ભરૂચની ભવ્યતાના
કેવડિયામાં સરદાર સરોવર ડેમ અને ગરૂડેશ્વર કોઝવે સુધી નિર્માણ પામેલા સરોવરમાં ક્રુઝ સેવા શરૂ કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી દિવસ અને દિવસે પ્રવાસીઓ માટે એક મોટું આકર્ષણનો કેન્દ્ર બનતું જાય છે અત્યાર સુધીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 2.70 કરોડ જેટલા પ્રવાસીઓ નોંધાઈ ચૂક્યા
ભરૂચની કલેકટર કચેરીની બહાર હવાનીગુણવત્તા માપવા માટે લગાવવામાં આવેલાંડીસ્પલે બોર્ડ પર સોમવારના રોજ હવાનીગુણવત્તા દર્શાવતો સૂચકાંક ( એકયુઆઇ)513 બતાવતાં લોકોમાં ભયની સાથે કુતુહલજોવા મળ્યું હતું. કલેકટર કચેરીની સામે નવાસર્કલની સાથે વાતાવરણની સ્થિતિ દર્શાવતુંડિસ્
એકતાનગર–કેવડિયા જોડતા રેલવે માર્ગના નિર્માણ કાર્ય દરમિયાન તિલકવાડા રેલવે જંકશનમાં ખાડો ખોદી અંડરગ્રાઉન્ડ વાયરીંગના કામ દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ગોવિંદ ડામોર (ઉંમર 22, ગામ ભીલોઈ) અને વિજય મેડાનું (ગામ બોરિયાલા) કરંટ લાગતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. એજન્સી
ભાસ્કર ન્યૂઝ | ભરૂચ ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં થયેલા માવઠાને કારણે શિયાળુ શાકભાજીના ભાવમાં ઉછાળો નોંધાયો છે. બજારમાં શાકભાજી ની આવકમાં ઘટાડો થતાં આ સ્થિતિ સર્જાઈ છે, જેનાથી મધ્યમ વર્ગના પરિવારો નું બજેટ ખોરવાઈ ગયું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર, અનિચ્છનીય સમયે થયેલા માવઠાથ
મોરબીમાં યુવાનના પગ પાસે કારની બ્રેક માર્યા બાદ તેની માફી માંગવાને બદલે આ શખ્સ લાજવાને બદલે ગાજયો હતો. ચાર શખ્સએ વાતનું વતેસર કરીને યુવાન ઉપર છરી, ધોકા અને પાઈપ લઈને તૂટી પડીને ગંભીર ઇજા પહોંચાડી હતી. યુવાને આ બાબતે ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે 4 શખ્સ સામે ગુનો નોંધી તપા
મોરબી તાલુકાના જેતપર રોડ પર રંગપર ગામની સીમમાં રેબન સિરામિકની ઓરડીમાં રવિવારે રસોઈ બનાવતી વખતે સિલિન્ડરનો ગેસ લીકેજ થયો હતો દરમીયાન એક શ્રમિકે દીવાસળી પેટાવતા સગીર સહીત પાંચ લોકો દાઝી ગયા હતા. દાઝી ગયેલા મજૂરોને સારવાર માટે પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ
મોરબીમાં સિરામિક ફેક્ટરીઓ અને આંગડિયા પેઢીઓ પર તપાસ એજન્સીએ સોમવારે વહેલી સવારે ધામાં નાખ્યા હતા. અને ફેક્ટરીમાં તેમજ ભાગીદારોના ઘરમાં સર્વે હાથ ધર્યો હતો આ ઉપરાંત ત્રણ આંગડિયા પેઢીમાં પણ ડીજીજીઆઈની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી. મોરબી જિલ્લો આમેય જીએસટી ઇન્કમટેક્સ વિભાગ
ભાજપે બિહારની ચૂંટણીના વિજયની ઉજવણી પૂરી કરી અને બંગાળ, તામિળનાડું તરફ કૂચ કરવા સંકલ્પ કર્યો છે, પણ ગુજરાતમાં હાલ પક્ષની આંતરિક સ્થિતિ આદર્શ રહી નથી. જૂથવાદ, નેતાઓની નબળી કામગીરી અને મતદારોમાં પ્રવર્તી રહેલા મુંઝારાની સ્થિતિ વચ્ચે ભાજપના હાઇકમાન્ડે પક્ષના રાષ્ટ્રીય સંગ
મુન્દ્રા પોર્ટ પરથી એસએમસીએ કાર્યવાહી કરી રૂપિયા 1.54 કરોડનો દારૂ ઝડપી લીધા બાદ પોર્ટ રેલ્વે સ્ટેશનના યાર્ડ પરથી વધુ 1.42 કરોડનો દારૂનો જથ્થો મળી આવ્યો છે. બે દિવસની કાર્યવાહી દરમિયાન પંજાબથી ટ્રેન મારફતે આવેલો 2.97 કરોડના દારૂ સહીત કુલ ૩.26 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. જેમાં ર
વડઝરમાં ખેતર બચાવવા માટે લગાવેલા ઇલેક્ટ્રિક ઝટકામાં બે નીલગાયનાં મોત નીપજતા ખેડૂતને 3 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભુજ દક્ષિણ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા ચકાર-કોટડા ગામના વડઝરના ખેડૂત જીતેન્દ્ર નારણભાઈ ભગત (પટેલ)એ પોતાના ખેતર સર્વે નં. ૮૨ અને ૮૨/૩માં તુવેરના પાકની રક્
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ચૂંટણી અધિકારીને બુથ લેવલ ઓફિસર (BLO) અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા શિક્ષકોની મુશ્કેલીઓ દૂર કરવાની માગ કરી હતી જેના પગલે કચ્છમાં પ્રાંત તેમજ ચૂંટણી અધિકારીના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવાયું હતું. રજૂઆતમાં જણાવાયું
અબડાસા વિસ્તારમાં જીએસઆરટીસીની બસોમાં સતત વધી રહેલા ઓવરલોડિંગને કારણે મુસાફરોના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે. ભુજ–લઠેડી–ભુજ રૂટ પર સવારે 5.30 વાગ્યે લઠેડીથી નીકળતી બસમાં દરરોજ ક્ષમતા કરતાં દોઢ ગણાથી વધુ મુસાફરો ભરીને મુસાફરી કરવામાં આવે છે. 56 સીટિંગ ક્ષમતા ધરાવતી બસમાં 100
કૃષિ ક્ષેત્રમાં વિવિધ પાકોને નુકસાન કરતી કીટકોના નિયંત્રણ માટે ખેડૂતો મોટા પાયે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા આવ્યા છે. જુની દવાઓ કીટકોને નષ્ટ કરવામાં બેઅસર બનતી જાય છે ત્યારે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ બની રહે છે. જંતુનાશક દવાઓના જોખમ વધતા પ્રાકૃતિક ખેતી કૃષિ ક્ષેત્ર મ
કચ્છમાં શાહી પકવાન ખૂબ જાણીતી વાનગી છે. ખાવા પીવાના શોખીન કચ્છી માડુઓ પકવાન વગર ચા પણ ન પીતા નથી. 125 વર્ષ પહેલાં કચ્છના રાજ દરબારમાં શાહી કંદોઈએ શાહી પકવાન બનાવીને મહારાઓ સમક્ષ રજૂ કર્યું હતું, આજે પણ આ પકવાન કચ્છી માડુઓના હૃદયમાં રાજ કરે છે. હાલ વિદેશમાં પણ આ પકવાન પ્રખ્યાત છ
વાવ થરાદ જિલ્લામાં વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ જનતાની રજૂઆત કરતા સમયે જાહેરમાં ખરાબ ભાષાનો ઉપયોગ કરી પોલીસનું મોરલ ડાઉન કર્યું હતું. તેવો દાવો કરી કચ્છ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યુબિલી સર્કલથી રેલી કાઢી કલેકટર કચેરી ખાતે આવેદન પત
આજે પીએમ મોદીના હસ્તે પ્રથમવાર 191 ફૂટ ઉંચા મુખ્ય શિખર પર ધ્વજારોહણ થશે. આ ધજા અમદાવાદમાં બનાવવામાં આવી છે. 11 ફૂટ પહોળી અને 22 ફૂટ લાંબી ધજા બનાવવાનું કામ શ્રી અંબિકા એન્જિનિયરિંગ વર્કસ દ્વારા કરવામાં આવ્યું છે. આ ધજા તૈયાર કરવા માટે રામ મંદિર ટ્રસ્ટ તરફથી જ કેવા પ્રકારની ધજા બન

32 C