સુરતના સચિન વિસ્તારમાં ઉધારમાં સિગારેટ ન આપવાના મુદ્દે એક દુકાનદારને બેફામ માર મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેના આધારે સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. આરોપી મિત્ર સાથે સ
લખપત તાલુકાના ગુનેરીમાં અંદાજે ચાર કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું મકાન ચાર માસ અગાઉ બની ગયા બાદ હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં ન આવતા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના મકાનમાં અભ્યાસ કરી રહ્યા છે. ગામમાં વર્ષ 2017 માં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવ્યા બાદ ધોરણ નવ અને દસ
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની ઘટના બાદ બોટાદ પોલીસ એલર્ટ પર આવી ગઈ છે. જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. SOG, LCB, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો દ્વારા શહેર તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએ મોડી રાતથી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બોટાદ રેલવે સ્ટેશન પર SOG, બોમ
પાટણ નગરપાલિકાના સત્તાધારી પક્ષ ભાજપના 12 જેટલા સભ્યોએ ગાંધીનગર ખાતે પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનરની કચેરીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ પાટણ શહેરના આશરે ₹10કરોડના વિકાસ કાર્યોને મંજૂરી મળી છે, જેનાથી શહેરના બિસ્માર રસ્તાઓની સમસ્યા હળવી થવાની અપેક્ષા છે. આ સભ્યોએ પાટણ શ
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય પંથકની એક મહિલાને પ્રથમ લગ્ન બાદ પોતાના પતિનું અકાળે મોત નીપજ્યું હતું. જે બાદ મહિલાના પુન: લગ્ન કરવામાં આવ્યા હતા, જેના બીજા લગ્નથી તેને 3 સંતાનોનું સુખ મળ્યું હતું. જોકે, પુન: લગ્નના 15 વર્ષે સાસરીમાં અણધાર્યું થવા લાગતા તેના સાસરિયાઓ દ્વારા મહિલાન
પાટણ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર રહ્યું છે. સોમવારે પણ આ જ તાપમાન નોંધાયું હતું. ખાનગી વેબસાઈટના આંકડા મુજબ, સોમવારે પાટણનું મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તાપમાન સ્થિર રહેવા છતાં સવાર અને રાત્રિના સમયે ઠંડીનો ચમકારો અન
વલસાડ SOG ટીમે વાપીમાંથી એક બાંગ્લાદેશી નાગરિકની ગેરકાયદેસર વસવાટ કરવા બદલ ધરપકડ કરી છે. આ કાર્યવાહી 10 નવેમ્બરની રાત્રે વાપી GIDC વિસ્તારમાં UPL બ્રિજ નીચેથી કરવામાં આવી હતી. SOG ટીમ વાપી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમીના આધારે UPL બ્રિજ નીચે તપાસ હાથ ધરી હતી. ત
ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકવાદીની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે. આતંકવાદીઓએ અમદાવાદના નરોડામાં ફ્રુટ માર્કેટ આજુબાજુના વિસ્તારની રેકી કરી હતી. આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ લખનઉનું RSS મુખ્ય કાર્યાલય હતું, તેની પણ રેકી કરવામાં આવી હતી. દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારની પણ રેકી ક
નેશનલ હાઇવે નંબર 48 પર વેજલપોર પાટિયા નજીક એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. આ બસ અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે ટર્ન લેતા આ અકસ્માત સર્જાયો હતો. સદનસીબે, બસમાં સવાર અંદાજે દસ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતને કાર
વલસાડ GIDC પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત 29 અરજદારોને રૂ. 8.30 લાખથી વધુનો ગુમ થયેલો મુદ્દામાલ પરત કર્યો છે. આ કામગીરી દ્વારા પોલીસે પ્રજાલક્ષી અભિગમ અપનાવી લોકોનો વિશ્વાસ મજબૂત કર્યો છે. વલસાડ જિલ્લામાં પોલીસ અને પ્રજાજનો વચ્ચે તાદાત્મ્ય વધારવા માટે 'તેરા તુજકો અર
દિલ્હીમાં મોડી સાંજે થયેલા બ્લાસ્ટમાં 9 લોકોના મોત થયા બાદ ગુજરાત રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ સહિતના મહાનગરોમાં પોલીસ દ્વારા રેલવે સ્ટેશનો અને ભીડભાડવાળા વિસ્તારોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સૌરાષ
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અંબાજીથી શરૂ થયેલી જનજાતિય ગૌરવ યાત્રાની રથયાત્રા ૧૦ નવેમ્બર, ૨૦૨૫ના રોજ લીમખેડા પહોંચી હતી. લીમખેડાના બિરસા મુંડા ચોક ખાતે આદિજાતિ મંત્રી પી.સી. બરંડા, કૃષિ મંત્રી રમેશ કટારા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ
કચ્છના નાના રણમાં વરસાદને કારણે રસ્તો બંધ થતાં અંદાજે 3500 અગરિયા પરિવારો માટે એન્યુમેરેશન ફોર્મ ભરવાની કામગીરી અટકી ગઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મતદારયાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ફોર્મ ભરાવવામાં આવી રહ્યા છે, પરંતુ રસ્તા બંધ હોવા
દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવાઈ છે. તાપી જિલ્લાનો પોલીસ તંત્ર પણ સતર્ક બની ગયું છે. જિલ્લાના ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ઉચ્છલ અને સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પર પ
નવી દિલ્હીમાં આજે સાંજે કારમાં થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર રાજ્યમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઘટનાને પગલે પોરબંદર જિલ્લાનું પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું છે. આ સતર્કતાના ભાગરૂપે, માધવપુર શહેર પોલીસ અને માધવપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સોમનાથ-પોરબંદર હાઇવે પર
દિલ્હીમાં કારમાં થયેલા વિસ્ફોટ બાદ જામનગર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે પોલીસ દ્વારા શહેર અને જિલ્લાના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ અને પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ, લાલપુર વ
દાહોદ પેરોલ ફર્લો સ્કવોર્ડના નેતૃત્વ હેઠળની ટીમે લૂંટ, ધાડ, ઘરફોડ ચોરી, શરીર સંબંધિત ગંભીર ગુનાઓ તેમજ પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઇવ શરૂ કરી હતી. દરમિયાન, પી.આઇ. સી.આર. દેસાઈને મળેલી ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી બે વોન્ટેડ આરોપીઓને ઝડપી પા
શહેરા તાલુકાના ડેમલી ગામે પોલીસે મકાન તેમજ ગાડીમાંથી 3.29 દારૂના જથ્થા સાથે એકને પકડી પાડયો છે. પોલીસે 5.80 લાખનો મુદ્દામાલ કબજે કરીને શહેરા પોલીસ મથકે 3 સામે પ્રોહીનો ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી. શહેરા તાલુકાના ડેમલી ગામે રહેતા મહેન્દ્ર ઉર્ફે ભલો રંગીત પટેલએ ભારતીય બનાવટન
શહેરા નગરપાલિકાના વોર્ડ સીમાંકનમાં પાલિકાની આસપાસ આવેલ 7 જેટલી ગ્રામ પંચાયતોનો નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે 7 ગ્રામપંચાયતો પૈકીની વરિયાલ અને લાભી ગ્રામ પંચાયતનો નગરપાલિકામાં સમાવેશ ન કરવા બાબતે ગામના આગેવાનો અને ગ્રામજનો દ્વારા શહેરા મામલતદારને આવેદન
લુણાવાડાના નવી વસાહત જેસિંગપુર ખાતે રહેતા ગીરીશભાઈ અંબાલાલ પટેલના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતુ. ત્યારે તા.6 ના રોજ તેમણે તેમના મકાનની પાછળ એમના ત્યાં કામ કરતા શ્રમિક મંગળભાઈ જવરાભાઈ નાયકનો મૃતદેહ જોતા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક દ્રષ્ટિ અકસ્માત જેવું આ ઘટનામાં દ
દાહોદ શહેરને 'સ્માર્ટ સિટી' તરીકે વિકસાવવાના સપના વચ્ચે, શહેરના ઘણા વિસ્તારોની વાસ્તવિકતા તદ્દન વિપરીત છે. ખાસ કરીને વોર્ડ નં. 3 માં આવેલી મારવાડી ચાલના રહીશો આજે નગરપાલિકાના ઉદાસીન વહીવટના કારણે નર્ક સમાન જીવન જીવવા મજબૂર બન્યા છે. જ્યાં આધુનિક સુવિધાઓ મળવી જોઈતી હતી. ત્યા
અંકલેશ્વર દિવા રોડ પર એક વર્ષ પૂર્વે જ બનેલા રોડ પર પાણીની લાઈનમાં ભંગાણ પડવાથી રોડ પર હજારો લીટર પાણી રોડ પર વહી ગયું હતું. અંકલેશ્વર પાલિકાની મુખ્ય લાઇનના નવીનીકરણ દરમિયાન મુખ્ય લાઈન કોન્ટ્રાક્ટરે તોડી નાખી હતી.જે હજુ સુધી કાર્યરત થઇ નથી. જેને લઇ છેલ્લા 3 દિવસથી જ્યોતિ ટો
મહાન સ્વતંત્રતા સેનાની ભગવાન બિરસામુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવવામાં આવનાર જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણીનો ભવ્ય પ્રારંભ ડેડીયાપાડા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થવાનો છે. ત્યારે આ અવસરને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે ડેડીયાપાડા નગર
ભરૂચ જિલ્લા સહિતના અન્ય જિલ્લામાં પણ માવઠાને કારણે ખેતી પાક માં ડાંગર સહિતના અન્ય પાકમાં વ્યાપક નુકશાન થયું છે. જેના કારણે ખેડૂતોને ઘર ચલાવવું સહિત બાળકોની ફી ભરવા માટે પણ વલખાં મારવા તેવી પણ કેટલાક ખેડૂતોની હાલત થઈ છે. ખેડૂતોને માટે આર્થિક ભારણ વધ્યું છે ત્યારે સરકારે મા
લાંબા સમયથી સત્તા પર રહેલી ભાજપે દેવગઢબારિયા નગરપાલિકામાં સત્તા ગુમાવી છે. સોમવારે પ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા બળવાખોર સુધરાઈ સભ્ય નીલ સોનીએ અપક્ષો અને કોંગ્રેસના સમર્થનથી 16 મત મેળવી પ્રમુખ પદે વિજય થયા હતાં. જયારે ભાજપના પુર્વ પ્રમુખ
દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગાના કામોના કૌભાંડમાં રાજય સરકાર દ્વારા સ્પેશિયલ તપાસ ટીમ બનાવવામાં આવી હતી. જેની તપાસ પુર્ણ કરી કમિટિએ રાજય સરકારને રિપોર્ટ સબમીટ કરી દીધો છે. જોકે રિપોર્ટમાં મનરેગાના મોટાભાગના કામો અધુરા મળ્યા હોવાની વિગતો બહાર આવી હતી. દાહોદ જિલ
રાજયભરમાં એસઆઇઆર મુજબ મતદાર યાદી સુધારણાની કામગીરી ચાલુ થઇ છે. ત્યારે બીએલઓની કામગીરી કરતાં શિક્ષકોની હાલત કફોડી બની છે. દિવસે બાળકોને ભણાવવાની સાથે સાંજ પડતાં જ મતદાર યાદીની કામગીરી થાય છે. પરંતુ પંચમહાલના ગ્રામીણ અને અભણ વસતી ધરાવતાં જિલ્લામાં બીએલઓ કફોડી સ્થિતિમાં મુ
મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા, ત્યારે હકીકત મળી હતી કે, મોરબી તાલુકાના ગુંગણ ગામની સીમમાં વીડીમાં આવેલા મેલડી માતાજીનાં મંદિરની પાસે દેરાળા જવાના રસ્તે બાવળની કાંટમાં વોંકળામાં અરમાનભાઇ જુણેજા નામનો શખ્સ ખાખી કલરના પુઠ્ઠાના બોકસની હેરાફેરી કરી શંકાસ્પદ પ
વાંકાનેર તાલુકામાં આવેલા પવિત્ર યાત્રાધામ માટેલ ગામથી જામસર ચોકડીના માર્ગની હાલમાં ચાલી રહેલી નવિની કરણની કામગીરી એક વર્ષથી ગોક ગાય ગતીએ ચાલતી હોવાથી કાયમી રાહદારીએ, યાત્રીઓને પારાવાર નુકસાની થાય છે તેમજ અકસ્મ તોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. એટલું જ નહીં, આ માર્ગ પર મોટા સ
વડોદરા પાસે મારેઠા ગામમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ કામગીરી સ્થળે નદીની બાજુમાં કામગીરી દરમિયાન મહાકાય મગર આવી જતા ફફડાટ ફેલાયો હતો. પીલ્લરની ચાલી રહેલી કામગીરી સ્થળે 9.5 ફૂટનો મહાકાય મગર આવી જતા જીવદયા હેમંત વઢવાણાની ટીમ અને વન વિભાગે મળીને રેસ્ક્યૂ કર્યો હતો. આ કામગીરીમાં મ
ભાયાવદરમાં આવેલા અરણી રોડથી ખાખીજાળીયા પહેલાના પુલ સુધીનો રોડ શહેરનો મુખ્ય માર્ગ છે.અત્યારે આ રોડની હાલત ગાડામાર્ગ કરતા પણ વધારે ખરાબ બની જવા પામી છે અને તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાથી વિરોધપક્ષએ વેપારીઓનો સાથ આપવાનું નક્કી કરી તા.18ના રોજ રસ્તા રોકો આંદોલ
ભાજંબુસર તાલુકાના મહાપુરા ગામમાં રસ્તાની પાંચ વર્ષ બાદ શરૂ થયેલી કામગીરી ફરી અટકી છે. ગામના કેટલાક આગેવાન રસ્તા બાબતે અધિકારીઓ સાથે બિન જરૂરી વિવાદ ઉભો કરી રહયાં હોવાથી કચેરી તરફથી હાલ પુરતું કામ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જંબુસરના મહાપુરા ગામમાં 2021-2022ના વર્ષમાં એપ્રોચ
ઘમણાછા અને ધાનપોર ગામ વચ્ચે 100 મીટરનું અંતર છે પણ કરજણ નદી પર પુલ બનતો નહિ હોવાથી ગામલોકોને 20 કિમીનો ફેરવો થઇ રહયો છે. નાંદોદ તાલુકાના ઘમણાછા અને ધાનપોર ગામના લોકોએ ફરી એકવાર ગામ વચ્ચેથી પસાર થતી કરજણ નદી પર બ્રીજ બનાવવા માગ ઉઠાવી છે. કરજણ નદીને કારણે બે ગામના ફાંટા પડી જતા અને
જંબુસરમાં પશુપાલકોની ગંભીર બેદરકારી સામે જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળી રહયો છે. થોડા દિવસ પહેલાં એક વાછરડાને પગના ભાગે ગંભીર ઇજા થઇ જતી જેની જીવદયા પ્રેમીઓએ સારવાર કરી તેના માલિકને સુપરત કર્યું હતું. માલિકે તેની વધુ સારવાર કરાવવાના બદલે કલક જવાના રોડ પર ખડાઇ પુલ પાસે બિન
ભરૂચ શહેર તથા દહેજ બાયપાસ રોડ પર વકરતી જતી ટ્રાફિક સમસ્યાના મામલે ક્રેડાઇના પ્રમુખ સહિતના સભ્યોએ રાજયના ઉપ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી છે. દેડિયાપાડામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી હર્ષ સંઘવીએ જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે પાંચ જિલ્લાના અધિકારી
કલ્પેશ ગુર્જર | ભરૂચ અમલેશ્વર બ્રાંચ કેનાલના ચાવજ પોઇન્ટથી માતરિયા તળાવ સુધી 5 કિમી સુધી માઇલ્ડ સ્ટીલની નવી પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. હયાત પાઇપલાઇનથી રોજના 4 કરોડ લીટર જેટલા પાણીનું વહન થઇ શકે છે પણ નવી લાઇનથી 7 કરોડ લીટર પાણીનું વહન થઇ શકે તેમ હોવાથી ભવિષ્યમાં 4.50 લાખ લોકો
ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે બીએલઓની કામગીરીના કારણે પ્રાથમિક શાળાના છાત્રોનું ભણતર બગડી રહ્યું છે. શિક્ષકોને જ બીએલઓ સહિત અન્ય બિન શૈક્ષણિક કામગીરી સોંપી બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ પ્રાથમિક શિક્ષક સંઘે કર્યો છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના વિરોધન
ભરૂચ તાલુકાના નિકોરા ગામે હોળી ચકલા વિસ્તારમાં રહેતો મુકેશ રમણ વસાવા ગત 5મી નવેમ્બરે તેના ઘરે હતો. તે વેળાં રાત્રીના અગિયારેક વાગ્યાના અરસામાં તેના ભાણેજ અક્ષય વસાવા અને તેનો મિત્ર યોગેશ કે જે બન્ને કોલિયાદ ગામેથી તેમના ગામે શુક્લતીર્થ મેળામાં આવ્યાં હતાં તેમની સાથે ગામ
આમોદના કોબલા ગામે હડકવાગ્રસ્ત ભેંસના મોત બાદ 38 લોકોએ આમોદના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હડકવાની રસી લીધી હતી. ઘટના બાદ બે દિવસથી આરોગ્ય વિભાગની ટીમો ગામમાં ફરી રહી છે. સમગ્ર ઘટનાને દિવ્યભાસ્કરે ભેંસના માલિક પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે, બે દિવસથી આ
ભંડારી ક્રિકેટ કમિટી દ્વારા આયોજિત ભંડારી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન બુહારી ગામમાં આવેલ શ્રી બલ્લુકાકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં બુહારી, બારડોલી, ગાંગપુર પેલાડબુહારી, વિરપોર સહિતની ગામોની 15 ટીમોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ફા
વાંસદા-ધરમપુર શામળાજી નેશનલ હાઈવે પર બે યુવાનો બાઇક લઇને હનુમાનબારીથી ઘોડમાળ ગામે જઈ રહ્યાં હતા. દરમિયાન બાઇક ચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા રોડથી ઉતરી વૃક્ષ સાથે અથડાતા ગંભીર ઇજા પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સમાં ચાલકને વાંસદા કોટેજ હોસ્પિટલ લાવતા સારવાર મળે તે પહેલા મોત
વાલોડ તાલુકાના એક ગામમાં રેડીમેટ કપડાની દુકાન ચલાવતા મહેમુદ ગુલામઅલી અન્સારીએ એક આદિવાસી મહિલાને કપડા ઉધાર આપ્યા હતા. જેના કેટલાક દિવસ બાદ ઉઘરાણીના બગાને દુકાનદાર મહેમુદ આદિવાસી મહિલાના ઘરે પહોંચી ગયો હતો. અને ઘરમાં એકલી મહિલાની એકલતાનો લાભ લઈ મહેમુદ ગુલામ અન્સારીએ મહિ
ભદેલીની ગ્રામપંચાયતના કામદારને નોકરીમાંથી છુટા કરવાનો ચકચારી મામલો ગરવી ગુજરાત લેબર યુનિયન મારફત લેબર કોર્ટમાં પહોંચ્યા બાદ કામદારને પૂન: સ્થાપિત કરવાના હુકમ સામે પંચાયતે હાઇકોર્ટમાં દાદ માગી હતી.જે હાઇકોર્ટે રદ કરી લેબર કોર્ટના હુકમનો અમલ કરવા આદેશ કરવા છતાં પંચાયતે
વ્યારા નગર માં આવેલ જળવાટિકા તળાવની આસપાસ લગાવાયેલા લાઇટના ફ્યુઝ બોક્સો હાલ અત્યંત જર્જરીત હાલતમાં જોવા મળી રહ્યા છે. અનેક ફ્યુઝ બોક્સના કવર તૂટેલા છે અને તેમાંના વીજ તાર ખુલ્લા પડ્યા છે. જેના કારણે કોઈપણ સમયે વીજશોક જેવી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહિ. આ તળાવ
નવસારી જિલ્લામાં હાલમાં સર અભિયાન હેઠળ નવા મતદારો ની યાદી તૈયાર કરાવવા માટે ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે.જેમાં બી.એલ.ઓ ફોર્મ ઘરે ઘરે આપી ગયા છે. જેમને ફોર્મ ભરવામાં સમજ ન પડતી હોય તેમના માટે મતદાન મથકે નિયત કરેલી તારીખે બી.એલ.ઓ હાજર રહી મદદ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચ,
દિવાળીના તહેવારોની ધમધમાટ શાંત થયા બાદ નવસારી મનપા દ્વારા શહેરના રસ્તાઓને ફરીથી સુધારવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. શહેરીજનોને ઓછામાં ઓછી અગવડ પડે તે હેતુથી, આ કામગીરી ખાસ કરીને રાત્રે હાથ ધરવામાં આવી રહી છે. ચોમાસા પહેલા બનાવવામાં આવેલા અનેક રસ્તાઓ પર
પારડી શહેર ભાજપ દ્વારા રવિવારે સાંજે ધીરુભાઈ સત્સંગ હોલ ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં દિવાળી સ્નેહ મિલન અને નુતન વર્ષ શુભેચ્છા કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. નાણામંત્રીએ નૂતન વર્ષના અભિનંદન સાથે ભાજપ દ્વારા ઉજાગર કરવામાં આવેલા દ
નાનાપોંઢા ખાતે કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં AICC સભ્ય ગૌરવ પંડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાજ્ય સરકારની1500 કરોડના પેકેજની જાહેરાત પર પ્રશ્નાર્થ મૂક્યો હતો.ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે.આ સ્થિતિ વચ્ચે રાજ્ય સ
વલસાડ એલ.સી.બી.ની ટીમને બાતમી મળી હતી કે દમણ થી દારૂ ભરી બલીઠા થઈ કન્ટેનર સુરત તરફ જનાર છે.જે બાતમીના આધારે 10 નવેમ્બરે સવારે 5 કલાકે બલીઠા ફાટક પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન કન્ટેનર આવતા તેને ટોર્ચ અને લાકડીનાં ઇશારે ઊભું રાખવા જણાવ્યું હતું. કન્ટેનર ચાલકે પોલીસની વોચ જોઈ ટેન્
ખેરગામના આછવણી બંધાડ ફળીયાથી ફળિયાથી પણન્જ તરફ રસ્તો ઘણા સમયથી નવો ન બનતા કે મરામત પણ ન કરાતાર મસમોટા ખાડા પડી જવાથી અને કપચી પથરાવાથી વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. વાહન ચાલકો માટે આ રસ્તો કમરના દર્દ સમાન બન્યો છે. રસ્તો એટલો સાંકડો હોવાથી વાહન ચાલકો ફસડાઈ પડે છે.રસ
ધરમપુરના મોટી ઢોલડુંગરીમાં બનેલી પાણીની ટાંકીઓ કોઈ કારણસર કાર્યરત ન થતા સ્થાનિકોને રાહ જોવાનો વારો આવી રહ્યો હોવાની માહિતી તા.પં. અપક્ષ સભ્યએ આપી હતી. ગ્રામજનોને પાણીની સુવિધા ઉભી કરવા આ ટાંકીઓ તાકીદે કાર્યરત કરવાની લાગણી વ્યક્ત કરી હતી. નાની ઢોલડુંગરી તા.પં.બેઠકના અપક્ષ
ચીખલી તાલુકાના સાદડવેલ ગામના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી કાવેરી સુગરની જમીનની હરાજી રદ કરી સુગર ચાલુ કરવાની માંગ સાથે જળ, જંગલ, જમીનને નુકસાન થશે તેવા સંજોગોમાં રસ્તા પર ઉતરી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. સાદડવેલ ગામના અગ્રણી
ગુજરાતના આદિવાસી બહુલ ડાંગ જિલ્લામાં જ્યાં એક તરફ સરકાર ‘હર ઘર નળ, હર ઘર જળ’ (નળ સે જળ) યોજનાને સફળ બનાવાનો દાવો કરી રહી છે ત્યારે સુબીર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખેરિદ્રા ગામનું લાંબાસોંડા ફળિયું આ દાવાઓ સામે ગંભીર પ્રશ્નાર્થ ઊભો કરે છે. સરકાર દ્વારા આ મહત્વાકાંક્
ડાંગ જિલ્લા પંચાયત શૈક્ષણિક વર્ષ 2025-26ની 6 માસિક અને વાર્ષિક પરીક્ષાના છાપકામમાં નબળી ગુણવત્તાના કાગળનો ઉપયોગ કરી થયેલ કથિત ભ્રષ્ટાચાર બાબતે ડાંગ જિલ્લા કોંગ્રેસ આઇટી સેલના પ્રમુખ મનીષ મારકણાએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. ડાંગ જિલ્લાના કોંગ્રેસ આઇટી સેલ
નાનાપોંઢા ચાર રસ્તા પર ઓવર બ્રિજનો સ્થાનિક દુકાનદારોએ વિરોધ કરતા આ અંગે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે. નાનાપોંઢા ચાર રસ્તા પર સરકાર દ્વારા બનાવવામાં આવનાર ઓવર બ્રિજને લઈ સ્થાનિક વેપારીઓ અને આગેવાનોમાં અસંતોષ જોવા મળ્યો છે. સોમવારે તેમણે તાલુકા વિકાસ અધિકા
મરોલી દાંડી અને ડહેલી મુખ્ય પ્રાથમિક શાળાના નવા મકાન માટે રૂ.2.91 કરોડની ફાળવણી થતાં સોમવારે ઉમરગામ ધારાસભ્યએ ભૂમિ પૂજન કર્યું હતું.બન્ને શાળાના 337 વિદ્યાર્થીઓને હવે અભ્યાસ માટે હવા ઉજાસવાળા પાકા મકાનની સુવિધા મળશે. ઉમરગામના મરોલી દાંડીમાં 1947 માં બનાવવામાં આવેલી પ્રા.શાળાન
વલસાડ તાલુકામાં આવેલી જમીનોમાંથી પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 735 કેવીની હાઇટેન્શન લાઇન પસાર થતી હોય લાઇન કોરિડોરની ચૂકવણીમાં અન્યાયના મુદ્દે ઓલગામના ખેડૂતોએ સોમવારે વલસાડ કલેકટર ભવ્ય વર્માને આવેદન આપ્યું હતું.જેમાં બજાર કિમતે વળતર ચૂકવવા દાદ માગવામાં આવી છે
દાનહ અને દમણ દીવ માટે મેડિકલ શિક્ષણ ક્ષેત્રે એક મોટી સિદ્ધિ હાંસલ થઇ છે.પ્રશાસનના પ્રયાસથી દાનહના સાયલીમાં આવેલી નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટમાં હવે પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ એમડી અને એમએસની શરૂઆત કરવામાં આવી છે. આ નિર્ણયથી મેડિકલ શિક્ષણના ક્ષેત્રમાં એ
દમણમાં ફૂડ એન્ડ સેફ્ટી વિભાગની તાબડતોડ કાર્યવાહી કરી હતી. દમણમાં ગુટકા વેચાણ પર પ્રતિબંધ હોવા છતા ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની જાણકારી મળતા જ હોલ સેલર પર કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દમણની ઘણી બધી કિરાણાની દુકાનો પર ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર દીપક ટંડે
વલસાડમાં અગ્રણી મહેતા પરિવારના બાબુભાઇ મહેતાના ધર્મપત્ની સ્વ.રંજનબેન બાબુભાઇ મહેતા ( આશા સેલ્યુલોસ)નું 80 વર્ષની વયે દુ:ખદ અવસાન થયું હતું. જેને લઈ આર એન સી ફ્રી આઇ હોસ્પીટલની ટીમના સહયોગથી એમનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું એમણે ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના નેજા હેઠળ અગાઉ
ગુજરાત યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયાએ બે પ્રોફેસર પાસે 75-75 લાખ રૂપિયા માગ્યા હોવાની ત્રણ મહિના પહેલા યુનિવર્સિટી સમક્ષ ફરિયાદ થયા બાદ તેમનું રાજીનામું લઈ લેવામાં આવ્યું હતું. જે તે સમયે શ્વેતલ સુતરિયા અને પ્રોફેસર વચ્ચે પૈસાની લેતીદેતી મામલે થયેલી કથિત વા
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીની મુંબઈ ખાતે 'બૅસ્ટિયન એટ ધ ટોપ' રેસ્ટોરાં દેશની સૌથી લોકપ્રિય સેલેબ્સ રેસ્ટોરાંમાની એક ગણાય છે, ત્યારે પ્રીમિયમ ફૂડ એન્ડ બેવરેજીસ (FB) ગ્રૂપ બૅસ્ટિયન હોસ્પિટાલિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં એક લાખ ચોરસ ફૂટ જગ્યામાં વર્લ્ડ ક્લાસ ડાઇનિંગ અને લ
જયરાજસિંહ હોય કે અનિરુદ્ધસિંહ હોય, હું બધા ગુંડા તત્વો સામે લડું છું....નરેશ પટેલના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે....પાર્ટી મને તક આપશે તો હું ચોક્કસ ગોંડલથી ચૂંટણી લડીશ....નિખિલ દોંગા મને નડવા તો નહીં જ આવે.... આ શબ્દો છે જિગીષા પટેલના. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામ
સુરતમાં રહેતાં એક કપલનાં લગ્નજીવનને 10 વર્ષ જેટલો સમય થયો છે. આ પતિ-પત્નીમાં બેઝિક હાઇજીન જેવી નજીવી બાબતોને લઇને મસમોટા ઝઘડા થવા માંડ્યા. પત્ની લોહીવાળાં યુઝ્ડ સેનિટરી પેડ્સ બાથરૂમમાં મૂકી રાખતી. વપરાયેલાં સેનિટરી પેડ્સ તો રોજે રોજ નાખી દેવાનાં હોય, પરંતુ પત્ની તેને પાંચ-છ
મેડિકલ સાયન્સ અને ટેકનોલોજીના જમાનામાં પણ અંતરિયાળ આદિવાસી વિસ્તારના લોકો અંધવિશ્વાસની જાળમાં ફસાઈ રહ્યા છે. આવી જ એક પરંપરા, માન્યતાઓ અને અંધશ્રધ્ધાના સમન્વય ની વચ્ચે વલસાડ,ડાંગ,તાપી સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભૂવાઓ દ્વારા હજુ પણ કુમળી વયના બાળકોને ડામ આપવાની
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો 'પારકી પંચાત'
ગત રોજના સમસ્ત મેઘપર વિસ્તાર માં વહેતા ગટર, ગટર પાણી ભરાવા અને વરસાદી પાણી ભરાવા ની સમસ્યા વિશે પીડિત સમસ્ત સોસાયટીની એક મિટિંગ આયોજન કરવામાં આવ્યુ હતું. જે બેઠકમાં સમસ્યાની સમીક્ષા માટે અસરગ્રસ્ત સોસાયટીઓમાં કાવેરીનગર, પારસનગર, ભક્તિધામ, ગોકુલધામ, ઘનશ્યામનગર, કૃષ્ણવિલા,
ગાંધીધામ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની ગયું, પરંતુ તેના મુળભુત જરૂરીયાતો જેવી કે આરોગ્ય ક્ષેત્રે હજુ પણ મહત્વપુર્ણ પગલાઓ લેવાની તાતી જરૂર છે. દિવ્ય ભાસ્કરની ટીમે આરોગ્યક્ષેત્રની જન સુવિધાઓ અંગે શું હાલાત છે તે જોવા જાત તપાસ કરતા સામે આવ્યું કે છ આરોગ્ય કેંદ્રો પોતાની
ગાંધીધામના એક કુમારી સહિત ત્રણ પુરુષોએ આયર્નમેન 70.3 ગોઆ 2025 માં આયર્નમેન નું બિરુદ મેળવ્યું હતું. ગતરોજ ગોઆ ખાતે આયોજિત આયર્નમેન 70.3 ગોઆ 2025' માં ભાગ લઈ કેડીબીએ (કચ્છ ડિસ્ટ્રિક્ટ બેડમિન્ટન એસોસિએશન) અને ડીએસએ (દેવસ્મૃતિ સ્પોર્ટ્સ એકેડમી) ગાંધીધામથી કચ્છના 4 રમતવીરો ટ્રિથલેટ્સ સ્
ગુજરાતનો ગાંધીધામ વિસ્તાર પશ્ચિમ રેલવેનો સૌથી વધુ માલવાહક વિસ્તાર છે, જ્યાંથી એપ્રિલ 2025 થી ઓક્ટોબર 2025 સુધીમાં ઔદ્યોગિક મીઠું 1.727 મિલિયન મેટ્રિક ટન, ખાદ્ય મીઠાનું 1.119 મિલિયન મેટ્રિક ટન અને કન્ટેનરનું 10.586 મિલિયન મેટ્રિક ટન લોડ કરવામાં આવ્યું,જે એક નોંધપાત્ર સિદ્ધિ છે. રેલવેના સ
અંજારના દબડા રાઘવનગરમાં રહેતી 15 વર્ષીય કીશોરીએ સાડી બાંધી રહસ્યમય સંજોગો વચ્ચે ફાંસો ખાઇ લઇ પોતાની જીંદગી ટુંકાવી લીધી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. અંજાર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, અંજારના દબડા વિસ્તારમાં આવેલા રાઘવનગરમાં રહેતી 15 વર્ષીય શ્રુતિ દશરથગીરી ગૌસ્
રાપર તાલુકાના લોદ્રાણીના વતની અને રાપર, માંડવી, ભુજને કર્મભૂમિ બનાવનારા વેલજીભાઈ ગણેશભાઈ (વી.જી.) મહેતા પોતાની જીવન યાત્રાના 75 વર્ષ પૂર્ણ કરી તા.11/11ના 76મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. દોઢ વર્ષમાં પિતાની છત્રછાયા ગુમાવનારા વેલજીભાઈએ માતાની છત્રછાયામાં આપબળે આગળ વધી પીજીવીસીએલમ
કચ્છ સેવક બ્રાહ્મણ સમાજ દ્વારા જ્ઞાતિજનો માટે સ્નેહમિલન, સરસ્વતી સન્માન અને 17મા અધિવેશનુ આયોજન કરાયું હતું. અધિવેશનના પ્રમુખ નરેન્દ્ર ફડકે, પ્રમુખ જયેશ આચાર્ય, ટ્રસ્ટી રમેશ જોષી અને પૂર્વ પ્રમુખ જયસુખ આચાર્ય, ડૉ. મનુભાઈ રાસ્તેના હસ્તે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરાઈ હતી. મંત્ર
હાજીપીરથી હાજીપીર ફાટકને જોડતો માર્ગ લાંબા સમયથી ખખડધજ બની ગયો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા વારંવાર કરાયેલી રજૂઆત બાદ પણ જવાબદાર તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરાતાં ખાનગી કંપની દ્વારા સમારકામ કરાયું છે પણ કંપનીના ડમ્પર દોડી શકે તેવી રીતે મરંમત કરાતાં અન્ય નાના વાહનોના ચા
ભુજની અદાણી સંચાલિત GAIMS મેડિકલ કોલેજના મેડિસિન વિભાગના તબીબો અમદાવાદ ખાતે યોજાયેલી રાજ્ય સ્તરની ક્વિઝ સ્પર્ધામાં દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. જઠર અને આંતરડાના દર્દો તેમજ એન્ડોસ્કોપી અંગેની રાજ્યકક્ષાની ક્વિઝ સ્પર્ધામાં ડો. ભાસ આચાર્ય અને ડો. પાર્થ પોપટે આ સિધ્ધિ મેળવી
ભચાઉ નજીક આવેલા હણથલ તળાવ પાસે કેટલીક ખાનગી કંપનીઓ દ્વારા 35 હજાર એકર જેટલીજમીન પર દબાણ કરીને મીઠાના કારખાના તેમજ મીઠાના વોશિંગ પ્લાન્ટ કોઈપણ જાતની મંજુરી વિના બનાવવામાં આવ્યા છે તેવા આક્ષેપ સાથે રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરાયેલી રજૂઆતમાં આ બાબતે યોગ્ય પગલા લેવાની માગ ક
કચ્છમાં અત્યારે રવિ સીઝનના પાકના વાવેતર ટાંકણેજ ડી.એ.પી તેમજ યુરીયા ખાતર મળતું નથી જેના કારણે ખેડૂતો ખુબજ હાલાકી ભોગવી રહ્યા છે. શું સરકારને આ બાબત ની જાણકારી નહિ હોય ? તેવો સવાલ કરતાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખે તાત્કાલિક ખાતરનો પુરવઠો પૂરો પાડવાની માગ કરી હતી. કચ્છમાં દિવા
લખપત તાલુકાના ગુનેરીમાં અંદાજે ચાર કરોડના ખર્ચે માધ્યમિક શાળાનું મકાન ચાર માસ અગાઉ બની ગયા બાદ હજુ સુધી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું નથી. ગામમાં વર્ષ 2017 માં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવ્યા બાદ ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના રૂમમાં અભ્યાસ કરતા હોવાથી હાઈસ્
માંડવી તાલુકાના વિરાણી ગામથી નાભોઈ ગામ તરફ જતા રસ્તા પર બાવળની ઝાડીઓમાં રૂપિયા 80 હજારની કિંમતના 2 હજાર લીટર ચોરાઉ ઓઈલ સાથે ત્રણ આરોપીઓને એલસીબીએ ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ગઢશીશા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન બાતમી મળી હતી કે,વિર
અંજારમાં ચોમાસું પછી સતત આવેલા કમોસમી વરસાદની સિઝન સાથે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે જેમાં શહેરમાં મચ્છરજન્ય રોગ ડેન્ગ્યુ વકરી ગયો છે , સરકારી આરોગ્ય શાખામાંથી મળેલી આંકડાકીય વિગતોની વાત કરીએ તો છેલ્લા 10 મહિનામાં ડેન્ગ્યુ તાવના 92 કેસ નોંધાયા જેમાંથી ખાનગી હોસ
કચ્છ યુનિવર્સિટીમાં ફર્ટીલાઇઝર કોટિંગ પર સંશોધન કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખેતીમાં ખાતરની માંગને ધ્યાને લઈને સામાન્ય રીતે ફર્ટિલાઈઝર સેકટરમાં ઇનોવેશન પર નવા વિચારોને આમંત્રણ આપવામાં આવે છે અને નેનો યુરિયાને ખાતર નિયંત્રણ આદેશ 1985માં કામચલાઉ રીતે સામેલ કરવામાં આવ્યો છ
શહેરના સુરલભીટ રોડ પર જુના સરકારી અનાજના ગોડાઉનની બાજુમાં પડ જમાવી બેઠેલા સાત ખેલીઓને એલસીબીએ રોકડ રૂપિયા 59 હજાર સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. પ્રાપ્ત વિગતો મુજબ એલસીબીની ટીમ ભુજ શહેર વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગ કરી રહી હતી.એ દરમિયાન મળેલ બાતમીને આધારે અંજલીનગર સ્
ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઈમ વચ્ચે હવે નવી ઠગાઈની રીત સામે આવી છે. સોશિયલ મીડિયા અને વોટ્સએપ પર Meesho-Maha Loot Gift નામની લિંક વાયરલ થઈ રહી છે. જેમાં મોટી ગિફ્ટ અને ઓછી કિંમતે વસ્તુઓ આપવાની લાલચ બતાવીને લોકો પાસેથી બેંક ડીટેઇલ્સ અને વ્યક્તિગત માહિતી ચોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ય
ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ દેશના અનેક મોટા એરપોર્ટ પર ડીજી યાત્રા સુવિધા શરૂ કરવામાં આવી છે જોકે કચ્છના ભુજ કે કંડલા એરપોર્ટ પર આવી સુવિધા ઉપલબ્ધ નથી. પ્રવાસન તેમજ કોર્પોરેટના કારણે વિદેશી નાગરિકો અહીં અવરજવર કરતા હોય છે. હાલમાં અહીંથી મુસાફરી કરનારા પ્રવાસીઓનું મેન્યુઅ
શહેરમાં રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે જેમાં 75 ટકા કાર્ય પૂર્ણ થયું છે.રેલવે દ્વારા જણાવાયું છે કે આ પ્રોજેક્ટ એપ્રિલ 2026 સુધીમા પુર્ણ થશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટનો મંજૂર ખ
વર્ષ 2019માં ઉત્તરાયણના સમયમાં શહેરમાં રૂા.7.20 લાખનો દારૂ મંગાવનાર બુટલેગર અશોક પાલનપુરીને પોલીસે 6 વર્ષ બાદ વડસર ગામથી ઝડપી લીધો છે. ઉલ્લેખનિય છે કે, બુટલેગર અશોક પાલનપુરી સામે 100થી વધુ પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે. માંજલપુર પોલીસ મથકના પીઆઈ એલ.ડી.ગમારાએ જણાવ્યું હતું કે, ઉત
શહેર નજીક ડભોઇ રોડ પાસે ભીલાપુર નજીક આવેલા વાયદપુરા ગામે અંદાજે 8 ફૂટ લાંબો અજગર જોવા મળતાં દોડધામ મચી હતી. આ અંગેની જાણ સ્થાનિક રેસ્ક્યૂ ટીમના યશ તડવી અને તેમના સાથીઅોને કરાતાં તેઓએ ઘટના સ્થળે પહોંચી અજગરને પકડ્યો હતો. સ્થાનિક લોકોએ આરએફઓ કલ્યાણીબેનને જાણ કરવામાં આવી હતી.
એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એટીકેટીના પરિણામો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. સપ્ટેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ હજુ જાહેર કરવામાં ન આવતા વિદ્યાર્થીઓ અટવાયા છે. ઉત્તરવહીની ચકાસણી પૂરી કરી દેવાઇ છે. પરંતુ ટેબ્યુલેશનની કામગીરી ના થતાં પરિણામ જાહેર કરવામ
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્વારા ફી રિફંડ પોલીસી જાહેર કરી છે. એડમિશનની છેલ્લી તારીખના 15 દિવસ પહેલા પ્રવેશ રદ કરાવવા 100 ટકા ફી રીફંડ મળી શકશે. જૂના પેન્ડીંગ કેસોનો નિકાલ કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. જે અંતર્ગત 31 ઓકટોબર 2025ને કટઓફ ડેટ ગણીને વિદ્યાર્થીઓને ફી રીફંડ કરવા યુન
યોગા-મેડિટેશનની સારવાર કરાવવા વડોદરા આવેલી મહારાષ્ટ્રની સગીરાને છાણી જકાતનાકા ખાતે આવેલી આલ્ફા માઇન્ડ હીલિંગ સેન્ટરના ડૉ.રૂપેશ પટેલે હિપ્નોટાઇઝ કરી દુષ્કર્મ આચરતા તેની વિરૂધ્ધ ફતેગંજ પોલીસે ગુનો નોંધીને તેને જેલમાં ધકેલ્યો છે. જ્યારે આરોપી રૂપેશ પટેલ ડોક્ટર છે કે કેમ

25 C