વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટી (AAP) ના ત્રણ ઉમેદવારોએ આજે વલસાડ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ઉમેદવારી નોંધાવી હતી. આ સાથે, અત્યાર સુધીમાં 'આપ' દ્વારા કુલ ચાર બેઠકો પર ફોર્મ ભરવામાં આવ્યા છે. ઉમે
વડોદરા શહેરમાં સનાતન વૈદિક ધર્મના મહાન આચાર્ય જગતગુરુ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આગામી 13 એપ્રિલ 2026, સોમવારના રોજ અત્યંત ધામધૂમથી ઉજવવામાં આવશે. ચૈત્ર વદ એકાદશીના આ પાવન પર્વે સમગ્ર વૈષ્ણવ સમાજમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તિ
ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને, અવર ગીર સોમનાથ ગ્રુપ દ્વારા 12 એપ્રિલે વેરાવળ-તાલાલા બાયપાસ પર આવેલા ન્યૂ ભાલકેશ્વર પાર્ટી પ્લોટ ખાતે એજ્યુકેશન એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્સપોમાં ગુજરાતની નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓ એક મંચ પર ઉપલબ
વડોદરા શહેરમાં કન્વિક્શન રેટ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનને મહત્વપૂર્ણ સફળતા મળી છે. પોક્સો હેઠળના ગંભીર ગુનામાં આરોપીને વડોદરા કોર્ટ દ્વારા 20 વર્ષની સખત કેદ તેમજ 50 હજાર રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. થોડા દિવસ પહેલા જ આરોપી કોર્ટમાંથી ભાગી
ગીર સોમનાથ પોલીસે NDPS ગુનામાં ફરાર એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જિલ્લા LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ટીમ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ આરોપી લાંબા સમયથી NDPS સંબંધિત ગુનામાં વોન્ટેડ હતો. તેની ધરપકડ માટે પોલીસ સતત પ્રયાસ કરી રહી હતી. LCB ટીમે ગુપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરત વચ્ચે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. કોઈ ને પાર્ટીમાં ટિકિટ ન મળતા નારાજગી છે તો કોઈ અપક્ષ ઉમેદવારી કરી લડી લેવાના મૂડમાં છે. ત્યારે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાનું આતી ગામના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયેલ હતા. આખરે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ માટે કરવામાં આવેલા કથિત વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં આજે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મૌન ધરણા યોજીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહેસાણાના ફુવારા સર્કલ પાસે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના ધાર
સુરત શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 4 લાખ જેટલા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ જેમ જેમ આ કામગીરી આગળ વધી રહી છે તેમ તેમ વિરોધના સ્વરો પણ તેજ બની રહ્યા છે. ખાસ કરીને સુરતના ઉધના વિસ્તારમાં આજે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી દરમિયાન સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હ
જામનગર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા ગુનાખોરી અટકાવવા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સુરક્ષા વ્યવસ્થાને લઈને કડક પગલાં લેવામાં આવી રહ્યા છે, જેની અમલવારી
વડોદરા શહેરના નિઝામપુરા વિસ્તારમાં રહેતા વેપારીને તેમની પડોશમાં રહેવા આવેલા દંપતીએ સ્ટેશનરીના ધંધામાં રોકાણ કરશો તો તમને સારું વળતર આપીશ તેમ કહીને તેમની પાસેથી14.80 લાખ રૂપિયા પડાવી લીધા છે. રૂપિયા પડાવ્યા બાદ ઠગ દંપતિ દુકાન બંધ કરીને ભાગી ગયું હતું. જેથી વેપારી દંપતી સામે
કાયદાના હાથ લાંબા હોય છે અને ગુનેગાર ગમે તેટલો શાણો હોય, પોલીસ તેને પાતાળમાંથી પણ શોધી કાઢે છે. તાપી જિલ્લા એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વર્ષ 2000ના ચકચારી ડબલ મર્ડર અને ધાડના ગુનામાં છેલ્લા 25 વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી ગીરીશચંન્દ્ર ઉર્ફે લલ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હલચલ તેજ બની રહી છે ત્યારે એક મહત્વપૂર્ણ વળાંક સામે આવ્યો છે. પોલીસ વિભાગમાં લાંબા સમય સુધી સેવા આપનાર IPS અધિકારી મનોજ નિનામાએ સ્વૈચ્છિક નિવૃતિ (VRS) લઈ હવે જાહેર જીવનમાં નવી ઇનિંગ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમ
મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર થયા બાદ પક્ષને ઝટકો લાગ્યો છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ગામી, જે છેલ્લા બે વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હતા, તેમણે ભાજપ સાથે છેડો ફાડીને ફરી કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. આજે મોરબી જિલ્
વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ઉપરના માળ પર પરિવારના સભ્યો ઊંઘતા હતા. તે દરમિયાન મોડી રાત્રીના મકાનનો દરવાજો તોડી ગ્રાઉન્ડ ફોરના મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી રૂ.1.76 લાખની મત્તા ચોરી કરી ફરાર થઈ ગયા હતાં. આ મામલે સમા
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નજુપુરા ગામના ગ્રામજનોએ નર્મદાના સિંચાઈનું પાણી ન મળવાને કારણે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. છેલ્લા દસ વર્ષથી સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરી રહેલા ગ્રામજનોએ ગામમાં બેનરો લગાવીને પોતાનો વિરોધ પ્રદર
ભાવનગર પેરોલ ફર્લોસ્ક્વોડની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન બીએમસી કચેરી સામે ઉભેલા એક શખ્સને આઈપીએલ ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતાં મૂળ ઉમરાળાના વતની અને હાલ ભાવનગર શહેરમાં રહેતા શખ્સને ઝડપી લઇ આ મામલે કુલ 6 શખ્સો વિરુદ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. IPL પ
અમરેલી જિલ્લાના ગીર પૂર્વ વિભાગ હેઠળ આવતી સાવરકુંડલા રેન્જના રેવન્યુ વિસ્તારમાં 2 થી 3 વર્ષના એક સિંહબાળનું બીમારીના કારણે મોત થયું છે. વન વિભાગને જાણ થતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ (PM)ની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સિંહબાળને
વડોદરાના બાજવા વિસ્તારમાં રહેતી 23 વર્ષીય યુવતીએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ઇન્સ્ટાગ્રામ મારફતે અપમાનજનક મેસેજ અને કોમેન્ટ અંગે ફરિયાદ નોંધાવી છે. બાજવાના જ યુવકે યુવતીના એકાઉન્ટ પર યુવકે 1થી 5 હજાર રૂપિયા કિંમત લખીને અભદ્ર ટિપ્પણી કરી હતી. જવાહરનગર પોલીસે આ મામલે વધુ તપાસ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા તાજેતરમાં આપવામાં આવેલા વિવાદિત નિવેદન બાદ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપ આ નિવેદનને અસ્મિતા અને ગુજરાતીઓના અપમાન સાથે જોડીને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને સુરતમાં ભાજપ શહેર પ્રમુખ પરેશ પટેલ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે, ત્યારે ભાવનગર મહાનગરપાલિકા ના 13 વોર્ડની બેઠકો માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે, મનપા ની સતા મેળવવા માટે ત્રણેય પક્ષો એટી ચોંટી નું જોર લગાવી રહ્યા છે, પરંતુ ઉમેદવારોની પસંદગી મામલે મુખ્ય ત્રણેય પક્ષો
દ્વારકા ટાઉન વિસ્તારમાં પોલીસે જુગાર પર દરોડો પાડ્યો છે. આ કાર્યવાહીમાં બે આરોપી, ભરતસિંહ જાડેજા અને કારાભાઈ માડમ, જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસે તેમની પાસેથી કુલ ₹15,450 રોકડા જપ્ત કર્યા છે. દ્વારકા પોલીસ સ્ટેશનના પી.આઈ. વિપુલ કોઠીયાએ ચાર્જ સંભાળ્યા બાદ ટાઉન વિસ્તારમાં જુગાર વ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026ને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન મથકો પર કડક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ આદેશો જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNS) 2023ની કલમ-16
ખાડી દેશોમાં ચાલી રહેલા વૈશ્વિક યુદ્ધના પ્રભાવ હવે ગુજરાતમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક ક્ષેત્રમાં મંદીનું માહોલ સર્જાતા રાજ્યમાં વીજળીની માંગમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. છેલ્લા એક મહિનામાં અંદાજે 3500 મેગાવોટ જેટલી વીજ માંગ ઘટી હોવાનું સામે આવ્યું છ
રાજકોટ શહેર કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવો ઘાટ ઘડાયો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે રાજકોટ મહાનગરપાલિકાના 40 ઉમેદવાર કોંગ્રેસે પોતાની પ્રથમ યાદીમાં જાહેર કર્યા હતા જેમાં પ્રથમ વોર્ડ નંબર 13ના પૂર્વ કોર્પોરેટરે નારાજગી વ્યક્ત કરી હતી અને હવે આજે બીજી યાદી જાહેર
સુરેન્દ્રનગર શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મસાલાની સિઝન દરમિયાન સઘન કાર્યવાહી હાથ ધરી છે. મંગળવારે વિભાગની ટીમે લાયસન્સ વિના કાર્યરત 12 મસાલા પેઢીઓ પર દરોડા પાડી 45 શંકાસ્પદ નમૂના જપ્ત કર્યા હતા. આ નમૂનાઓને તપાસ અર્થે ભુજની લેબમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેક્ટર પી.બી. સા
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ગટર ઉભરાઈ રહી હતી. ખાડિયા વિસ્તારની સોસાયટીઓમાં ગટરના પાણી ભરાઈ જતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. રોડ પર પાણી ભરાવાને કારણે ચાલીને જવું મુશ્કેલ બન્યું હતું અને લોકોને ફરીને જવાની ફરજ
અમદાવાદના ચાંદખેડામાં ઢોસાના ખીરાના કારણે બે બાળકીના મોત થયા હતા. આ ઘટના અંગે પોલીસ તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મૃતક બાળકીઓના ઘરમાં FSLની ટીમે ઝીણવટભરી તપાસ કરી હતી. એ સાથે જ ચાદર, કપડા, ખીરું ભરવામાં આવ્યું તે વાસણ, બાળકોની દવા સહિતની ચીજવસ્તુઓ કબજે કરી છે.
સાબરકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા માર્ગો પર ઘાસચારો નાખવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હોવા છતાં, હિંમતનગરમાં તેની અમલવારીમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. શહેરના વિવિધ વિસ્તારો, ખાસ કરીને ધાંણધા રેલવે ફાટક નંબર 86 પાસે નિયમિતપણે ઘાસચારો નાખવામાં આ
ભાવનગર મહાનગરપાલિકાની આગામી યોજાનાર ચૂંટણી માટે શહેર ભાજપ દ્વારા 13 વોર્ડ માં મુરતિયા ગોતી રહી છે ત્યારે ગુજરાત ભાજપ કમલમ ખાતે પાલમેન્ટરી બોર્ડ ની બેઠક યોજાઇ રહી છે, જેમાં શહેર પ્રમુખ સહિત સંગઠનના કમલમ ખાતે પહોંચ્યા હતા જેમાં ભાજપ ના મેયર ભરત બારડ ની બાદબાકી કરતા નારાજગી વ
જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 6ના બહુજન સમાજ પાર્ટી (BSP) ના પૂર્વ કોર્પોરેટર ફુરકાન શેખ કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પક્ષનો ખેસ ધારણ કર્યો હતો. આ પ્રસંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ, શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિતના સ્થ
ગત 7 એપ્રિલના રોજ સુરતના મોટા વરાછા ખાતે આવેલા ગોપાલ ઇટાલિયાના ઘર પર પોલીસ મહેસાણામાં 2020માં પરવાની વિના રેલી કાઢવા મામલે સમન્સ આપવા માટે ગઈ હતી ત્યાર બાદ આપના ધારાસભ્ય ઈટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સુરત પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. ઇટાલિયાએ કહ્યું હતું કે, સુ
નવસારી શહેરના કબીલપોર GIDC વિસ્તારમાં આવેલી અક્ષર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. નવસારી ફાયર બ્રિગેડની ટીમે આશરે અઢી કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 'અક્ષર એન્ટરપ્રાઇઝ' કંપની સોલર ઇન્વર
સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઉનાળાની અસહ્ય ગરમીમાં લોકોની તરસ છીપાવવા માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી છે. આ સેવાકીય કાર્ય દીપ્તિબેન જયેશભાઈ સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ, મુંબઈના સહયોગથી કરવામાં આવ્યું છે. જળ એ જ જીવન ના સૂત્રને સાર્થક કરતા,
મોરબીના શનાળા રોડ પર ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ વચ્ચે રોડ નિર્માણ કાર્યમાં અવરોધરૂપ દબાણો હટાવવામાં આવ્યા છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે આ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પાકા અને કાચા બાંધકામો પર બુલડોઝર ફેરવીને તોડી પ
ગોધરા શહેરના ચકચારી રાયોટિંગ ગુનાનો મુખ્ય સૂત્રધાર ઝાકીર ઝભા મહારાષ્ટ્રના ભિવંડી ખાતેથી ઝડપાયો છે. પંચમહાલ SOGની ટીમે છ મહિનાથી ફરાર આ આરોપીને ફિલ્મી ઢબે વેશપલટો કરીને દબોચી લીધો હતો. ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર રાયોટિંગના ગુનામાં ઝાકીર ઝભા મુખ્
શહેરના ગોમતીપુર વિસ્તારમાં શાકમાર્કેટ નજીક અર્બન હેલ્થ સેન્ટરની બહારના ભાગે ફૂટપાથ પર જુના કપડા વેચીને ગુજરાત ચલાવનારા વેપારીના કપડાના જથ્થામાં આજે 8 એપ્રિલે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
પોરબંદર એરપોર્ટ નજીક ગત રોજ બે મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં ચાર યુવાનોના નિધન થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોક વ્યાપી ગયો છે. પ્રસિદ્ધ રામકથાકાર પૂજ્ય મોરારીબાપુએ આ દુર્ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને મૃતક યુવાનોના પરિવારો માટે આર્થિક સહાયની જાહેરાત કરી છે. અ
ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને રાત્રે 2-2 વાગ્યા સુધી બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની સાથે બેઠક મળી હતી. જેમાં નિર્વ
છોટા ઉદેપુર જિલ્લાના લોટીયા ચોકડી પાસેથી સંખેડા પોલીસે XUV ગાડીમાંથી રૂ. 7,19,797/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ રૂ. 12,19,797/- નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી વિસ્તાર હોવાથી પરપ્રાંતમાંથી વિદેશી દારૂ ઘુસાડવા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા વરસાદે વિનાશ વેર્યો હતો. તાલુકાના છોગાળા ગામના ક્લારીયા ફળિયામાં વરસાદના કારણે મકાનની દીવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દબાઈ જવાથી દાદી અને પૌત્રના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રી
બોટાદના પાળીયાદ રોડ પર પંજવાણી કાંટા પાસે ઉમા પાર્ક 4 માં આવેલી કિન્ડર જોઈ પ્રી-સ્કૂલમાં શૈક્ષણિક સત્રના સમાપ્તિ પ્રસંગે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે UKG માંથી ધોરણ 1 માં જતા બાળકો માટે વિદાય સમારોહનું પણ આયોજન કરાયું હતું. શાળામાં વિવિધ પ્રવૃત્તિઓમાં ભા
સુરેન્દ્રનગર: વઢવાણના મુળચંદ ગામના ગ્રામજનોએ આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પાસેથી ગામના બે ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ કરી છે. જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોએ એક બેઠક યોજીને ભારતીય જનતા પાર્ટી સમક
અમરેલી જિલ્લાના ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મીતીયાળા પંથકમાં છેલ્લા કેટલાક કલાકોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. રાત્રિથી લઈને સવારના 9 વાગ્યા સુધીમાં કુલ 8 આંચકા નોંધાતા સ્થાનિક રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. અનેક ગામોની ધરા ધ્રુજીસવારના સમયગાળામાં વિવિધ
ગાંધીનગરના સાંતેજ પોલીસ સ્ટેશનની હદમાં બાંધકામ સાઇટ પરથી લાખોની કિંમતના ઇલેક્ટ્રિક કેબલની ચોરી કરનાર ત્રિપુટીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. રાત્રિના અંધકારમાં નિર્માણધીન સાઇટ પર ત્રાટકી આ ગેંગ 1,530 મીટર લાંબા વાયર કાપીને ચોરી કરી પલાયન થઈ હતી. જેમની પાસેથી કુલ 63 હ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મીનાક્યાર ગામે રખડતા શ્વાનોનો ત્રાસ વધ્યો છે. આજે ગામમાં એક 6 વર્ષના બાળક પર શ્વાને હુમલો કર્યો હતો. બાળક ઘરની બહાર રમી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. શ્વાને બાળકને માથા અને મોઢાના ભાગે ગંભીર બચકા ભર્યા હતા, જેના કારણે બાળકને ઇજાઓ થઈ હતી. બાળક
સુરેન્દ્રનગર એ.સી.બી.એ લખતર મામલતદાર કચેરીમાં સફળ ટ્રેપ ગોઠવી નાયબ મામલતદાર અને એક આઉટસોર્સ પટ્ટાવાળાને રૂ. 20,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં નાયબ મામલતદાર જયદિપસિંહ હનુભા પરમાર (ઉ.વ. 40, રહે. પાટડી) અને આઉટસોર્સ પટ્ટાવાળા કનકસિંહ વાધુભા ઝાલા (ઉ.વ. 37, રહે. લખત
ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં ઇન્ડિયન રોક પાયથોન (અજગર) દેખાતા સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને કુતૂહલનો માહોલ સર્જાયો હતો. રહેણાંક વિસ્તારની એકદમ નજીક મહાકાય અજગર આવી ચઢતા લોકોમાં દહેશત ફેલાઈ હતી. જોકે, વન વિભાગ અને સ્થાનિક સર્પમિત્રોની સતર્કતાને કારણે અજગરનું સુરક્ષિ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ગુજરાત ભાજપ મહાનગરપાલિકાની બેઠકો પર આજે 8 એપ્રિલ અને આવતીકાલે 9 એપ્રિલે ચર્ચા કરશે. રાજ્ય ચૂંટણી પંચની નવી મતદાર યાદી, અનામત રોટેશન, જાતિગત સમીકરણ, ભાજપના નિયમો અને પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થયેલી નીતિ મુજબ રાજ્યની સૌથી મોટ
સુરત શહેરના કોટ વિસ્તારમાં વરિયાવી બજારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસ ચોકીની સામે એક વર્ષો જૂના મકાનની દીવાલ અને સ્લેબ અચાનક પત્તાના મહેલની જેમ ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનાના કારણે ફસાયેલા 80 વર્ષના વૃદ્ધા માટે ફાયરના જવાનો 'દેવદૂત' બનીને આવ્યા હતા
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં આઠમાંથી સાત તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. 3 મિલીમીટરથી 26 મિલીમીટર સુધીના વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હિંમતનગર રેલવે સ્ટેશન તરફ જતા માર્ગ પર પણ પાણી ભરાઈ ગયા હતા, જેનાથી મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો
NWR દ્વારા સંચાલિત આગ્રા કૅન્ટ–અસારવા એક્સપ્રેસ (ટ્રેન નં. 20178/20177)નું આજથી નિયમિત સંચાલન શરૂ થયું છે. આ નિર્ણય સાબરકાંઠા જિલ્લાના મુસાફરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તે તેમને વધુ સુવિધા પૂરી પાડશે. આ ટ્રેન સપ્તાહમાં પાંચ દિવસ દોડશે. ટ્રેન નંબર 20178 આગ્રા કૅન્ટથી અસારવા માટે દર બુધ
પાટણ ખાતે શ્રી રામકૃષ્ણ ગૌશાળા, રામનગર પદ્મનાથ મંદિર સામે મંગળવારે 108 આહુતિ મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. આ યજ્ઞ શ્રી સીતારામ મંડળ, જલારામ ગૌ સત્સંગ મંડળ અને શ્રી આનંદ ગરબા મંડળના ભક્તો દ્વારા યોજાયો હતો. આહુતિ પિયુષભાઈ મહારાજ દ્વારા અપાવવામાં આવી હતી. ભોજન પ્રસાદ હસમુ
વડોદરમાં શહેરના એકતાનગર વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં પાણી ઢોળવા જેવી સમાન્ય બાબતે મામલો બિચક્યો હતો અને બે જૂથ સામ સામે આવી જતા અફરાતફરી મચી જવા પામી હતી. આ કેસમાં બાપોદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે 14 પૈકી 11 આરોપીઓને ઝડપી કાર્
ગોધરા શહેરના ચિખોદરા વિસ્તારમાં આવેલી 'એ.કે. ટ્રેડર્સ' નામની કંપનીમાં ગત રાત્રિએ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. કંપનીના ખુલ્લા સંકુલમાં રાખવામાં આવેલા સ્ક્રેપના મોટા જથ્થામાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ
વલસાડ શહેરમાં નગરપાલિકા સંચાલિત ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો એક સ્લેબ મંગળવારે મોડી રાત્રે અચાનક તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્ક કરેલું એક મોપેડ કાટમાળ નીચે દબાઈ જતાં તેને વ્યાપક નુકસાન થયું હતું. જોકે, રાત્રિનો સમય હોવાથી કોઈ વ્યક્તિ હાજર ન હતી, જે
બોટાદ એલસીબી પોલીસે આમ આદમી પાર્ટી (AAP) કિસાન મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગુભાઈ ગભરૂભાઈ બોરીચાની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બોટાદ જિલ્લામાં થઈ છે. ભગુભાઈ બોરીચાનું નામ ૧૨ ઓક્ટોબરના રોજ બોટાદ જિલ્લાના હડદડ ગામે પોલીસ સાથે થયેલા ઘર્ષણના કેસમાં આરોપી તરીકે સામે આવ્યું હતું. ભગુભ
નવસારી મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને પગલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. એપ્રિલ મહિનાના કાળઝાળ તાપની સાથે જ ચૂંટણીનો પારો પણ આસમાને પહોંચ્યો છે. નવસારીના વોર્ડ નંબર 12માં ભાજપના વર્ષો જૂના ગઢને સાચવવો એ પક્ષ માટે મોટો પડકાર બની રહ્યો છે. આ એક હાઈપ્રોફાઈલ વોર્ડ ગણાય છે, જ્યાં શ
જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પહેલાં વોર્ડ નંબર 5 ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વોર્ડમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી જેવા દિગ્ગજ નેતાઓના નિવાસસ્થાન આવેલા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે અહિંના મતદારોનો મિજાજ જાણ
પાલિકા-પંચાયતની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયા બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગી તેજ કરી છે. 11 એપ્રિલ નામાંકનની અંતિમ તારીખ હોય આમ આદમી પાર્ટી દ્વારા મંગળવારે સાંજે સુધીમાં છ યાદી જાહેર કરી દીધી છે. જ્યારે કોંગ્રેસ દ્વારા 7 મહાનગરપાલિકાની પ્રથમ
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 2 અમરોલી, મોટા વરાછા, ઉત્રાણ, કઠોર અને વેલંજા વિસ્તારના જનપ્રતિનિધિઓ માટે જનતાએ અપેક્ષાઓનું ભાથું તૈયાર રાખ્યું છે. સ્થાનિક રહીશોનું માનવું છે કે માત્ર વાતો નહીં, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે તેવા
રાજનીતિ અને બ્યૂરોક્રેસીની અંદરની વાત જાણવા ઉપર દર્શાવેલી તસવીર પર ક્લિક કરો અને માણો ‘પારકી પંચાત’
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જાણ્યું કે ગોરાડ ગામે પામુબેન નામના એક વૃદ્ધા રહેતા હતા. તેનો પુત્ર જોરૂભાઇ ભાવનગરમાં નોકરી કરતો હતો. જોરૂભાઇની પુત્રી નીકિતાના લગ્ન ત્રાસદ ગામે રહેતા મુમણ સાથે થયા હતા. જ્યારે મુમણની બહેનના લગ્ન નીકિતાના કાકા સાથે થયા હતા. લગ્ન
મેક એ ચેન્જ ફાઉન્ડેશન - UK દ્વારા કચ્છના NRI લોકોના સહયોગથી સ્વામિનારાયણ ભગવાનની જન્મભૂમિ છપૈયાથી પોતાના વતન ભુજ સુધીની એક રિક્ષા યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આશરે 1700 કિલોમીટર લાંબી આ યાત્રાનું સમાપન ભુજના શ્રી કચ્છી લેવા પટેલ સમાજના પ્રાંગણમાં કરવામાં આવ્યું હત
વોર્ડ નંબર 2 એટલે ભીડગેટ થી એરપોર્ટ સુધીનો દાદુ પીર રોડને જોડતો વિસ્તાર. અહીંની વસાહત મોટે ભાગે ડ્રેનેજ સિસ્ટમની નિષ્ફળતાથી વર્ષોથી પીડાઈ રહી છે. ખાસ કરીને રેલ્વે સ્ટેશનની સામે છેલ્લા પાંચ વર્ષમાંથી ચાર વર્ષ ગંદુ પાણી ભર્યું રહ્યું છે. હાલ રોડનું કામ ચાલુ છે અને ડ્રેનેજ મા
વર્ષ 2022માં થલતેજ વોર્ડના હેબતપુરમાં કરોડાના ખર્ચે બનેલા ઓક્સિજન પાર્કનું ઉદઘાટન કરાયું હતું. જોકે બેદરકારી અને જાળવણીના અભાવે તેનાં તમામ વૃક્ષ સુકાઈ ગયાં છે. મિયાવાકી પદ્ધતિથી અંદાજે 88 હજાર વૃક્ષોનું વાવેતર કરીને શહેરને શુદ્ધ હવા આપવા પાર્ક બનાવાયી પીપીપી મોડલ પર ખાનગી
કોર્પોરેશનની ચૂંટણીના પડઘમ વાગતાની સાથે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોના ધારાસભ્યોએ પોતપોતાના માનીતાને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કર્યું છે, જેથી પાયાના કાર્યકરોમાં અસંતોષ છે. જમાલપુર ખાડિયા, એલિસબ્રિજ અને ઠક્કરબાપાનગરના ધારાસભ્યોએ તેમના અંગત લોકોને ટ
શહેરમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (નાઈપર)માં વૈજ્ઞાનિકોએ પાઇલ્સ, મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યાઓ માટે નવાં ફોર્મ્યુલેશન તૈયાર કર્યાં છે. નાઈપરના પ્રોફેસર ડો. રાકેશ ટેકાડેના જણાવ્યા મુજબ આ સંશોધન પર ટીમે 3 વર્ષ સુધી મહેનત કરી છે. સંશોધ
આજના આધુનિક યુગમાં જ્યાં સંબંધો માત્ર સ્વાર્થ પૂરતા મર્યાદિત બનતા જાય છે, ત્યાં સુરેન્દ્રનગરની એક મહિલાએ પોતાના ભાઈ પ્રત્યેના અતૂટ પ્રેમ અને સમર્પણનું અદભૂત ઉદાહરણ પૂરું પાડ્યું છે. સુરેન્દ્રનગરની હરિપ્રકાશ સોસાયટીમાં રહેતા દીપિકાબેને ડાકોર ખાતે રહેતા અને બંને કિડની
સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય સાથે ચેડા કરીને ખાદ્યચીજવસ્તુઓના વેપારીઓ લોકોને પધરાવી રહ્યા છે. બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં મસાલાની સિઝન હોવાથી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. જેમાં મસાલાના વેચાણ તથા ઉત્પાદન કરતી પેઢીઓમાં મંગળવારે સુરેન્દ્રનગર-વઢવાણ શહેરી વ
ચુડાના ઝોબાળા ગામે તળાવમાં ન્હાવા પડેલા 14 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત નિપજતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મિત્રો સાથે ન્હાવા ગયેલો ધો.9નો વિદ્યાર્થી પાણીમાં ગરકાવ થયો હતો. તેની અંતિમયાત્રામાં ગામ આખું હિબકે ચઢ્યું હતું. ચુડા તાલુકાના ઝોબાળા ગામમાં રહેતા જગદીશભા
કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કલેક્ટર તંત્ર દ્વારા આયોજનબદ્ધ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ કવાયતના ભાગરૂપે જિલ્લામાં ઉપલબ્ધ 9 હજાર જેટલા ઇલેક
નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિ દિવસેને દિવસે તેજ થઈ રહી છે. ઉમેદવારી ફોર્મ વિતરણની પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ ગઈ છે, જ્યારે ઉમેદવારી પત્ર ભરવાની અને સબમિટ કરવાની અંતિમ તારીખ 11 એપ્રિલ છે. એટલે કે હવે ઉમેદવારો નક્કી કરવાનો પક્ષના નેતાઓ પાસે ફક્ત ત્રણ દિવસનો
બનાસકાંઠામાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા પશુઓને હીટસ્ટ્રોકથી બચાવવા ખાસ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. પશુપાલન અધિકારીઓએ બપોરના તાપમાં પશુઓને ખુલ્લામાં ન રાખવા તેમજ ઠંડક માટે યોગ્ય વ્યવસ્થા કરવાની અપીલ કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લામાં ઉના
પાલનપુરમાં પોલિટેકનિક કોલેજના દરવાજા નજીક કુતરાના મૃતદેહનો નિકાલ કરવામાં આવતાં છાત્રો, સ્ટાફ અને આજુબાજુની સોસાયટીના રહીશોમાં રોષ ઉદ્ભવ્યો છે. મૃતદેહ હટાવી લેવાની માંગ છે. પાલનપુર માલણ દરવાજાથી પોલિટેકનિક કોલેજ માર્ગ ઉપર કોલેજના દરવાજા નજીક દિવાલને અડીને દોરીથી બાંધ
વડગામના ધનપુરા પાટિયા નજીક ભિક્ષાવૃત્તિથી ગુજરાન ચલાવતા પરિવારના 4 વર્ષના બાળકને ભૂખ લાગતા રોટલી માંગવા ગયો હતો. ત્યારે બાળકને રૂ.10ની લાલચ આપી કાર ચાલક કારમાં બેસાડી અપહરણ કર્યું હતું. બપોરે જ્યારે પરિવાર ઘરે આવ્યું અને બાળક ન દેખાયું એટલે તપાસ કરતા બાળકને કારમાં આવેલો કો
પાલનપુરમાં રહેતી એક 30 વર્ષીય પરિણીતાએ અખ્તરશા રજબશા ફકીર અને તેના સાગરીતો વિરુદ્ધ ગંભીર પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ,પીડિતાની માંદગીનો લાભ ઉઠાવી અખ્તરશાએ તેના તાંત્રિક દાદા પાસે વિધિ કરાવવાના બહાને સંપર્ક વધાર્યો હતો. ત્યારબાદ, પીડિતાના પતિ સાથેના અણબનાવનો ફાયદ
શહેરમાં આવેલ આર્મી કેમ્પમાં એન્જીનીયર તરીકે ફરજ બજાવતા યુવાન સાથે રૂપિયા 15.50 લાખની ઠગાઈ થઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આરોપી ચીટરે આર્મી ગ્રુપ ઇન્સ્યુરન્સ ફંડમાંથી લોન અપાવ્યા બાદ યોનો એપ્લીકેશન મારફતે રૂપિયા પડાવી લઇ છેતરપિંડી આચરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મુળ મધ્યપ્ર
તાજેતરમાં હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસંધાને હાજર થઈ છૂટી ગયેલ વ્યાજખોર વિરુદ્ધ હિંમતનગરના ચિસ્તીયાનગર વિસ્તારમાં રહેતા અને કપડાનો વ્યવસાય કરતાં શખ્સે જિલ્લા પોલીસ અધિક્ષકને ફરિયાદ કર્યા બાદ બી ડિવિઝન પોલીસે સોમવારે મોડી સાંજે વધુ એક ગુનો નોંધી
યાત્રાધામ બહુચરાજી પાસે આવેલા શંખલપુર બહુચર માતાજીના મંદિરે ચૈત્રી પૂનમની રાત્રે દર્શન કરવા ગયેલા ડૉક્ટરના ગળામાંથી અજાણ્યો શખ્સ ભીડમાં રૂ.3.07 લાખની કિંમતનો સોનાનો દોરો ચોરી ફરાર થઈ ગયો હતી. જે મામલે બહુચરાજી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મૂળ સાબરકાંઠાના અને હાલ ગા
RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે, પરંતુ મહેસાણામાં ભાડાના મકાનમાં રહેતા વાલીઓ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. રજીસ્ટર્ડ ભાડા કરાર વગર ફોર્મ સબમિટ ન થઈ શકતાં અનેક પરિવારો હાલ મૂંઝવણમાં મુકાયા છે. મહેસાણા સબ રજીસ્ટ્રાર કચેરીમાં ઓનલાઇન ટોકન સ્
મહેસાણા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં મંગળવાર બપોરે પછી વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. ચૈત્રમાં ચોમાસા જેવા આ માહોલમાં રાત્રે 8 વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતના 20 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ સાઠંબા તાલુકામાં સવા 2 ઇંચ અને બાયડમાં દોઢ ઇંચ ખાબક્યો હતો. વિજાપુર, હિંમતનગ
માંડવી નગરપાલિકા દ્વારા અંદાજે 90 લાખના ખર્ચે બનાવાયેલ મ્યુઝિકલ લાઇટિંગ ફાઉન્ટેન, જેનું 12 ડિસેમ્બરે ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું, તે છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં પડ્યું હતું. જાન્યુઆરી માસ દરમિયાન આશરે 7 હજારના ઈલેક્ટ્રિક ઉપકરણોની ચોરી થતાં ફાઉન્ટેન બ
માંડવી શહેરમાં ભારે ટ્રકો અને ડમ્પરોના બેફામ વાહનવ્યવહારને કારણે લોકોમાં ભય અને અસુરક્ષાની લાગણી સતત વધી રહી છે. લાંબા સમયથી બાયપાસ રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાને કારણે ભારે વાહનો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવા મજબૂર બન્યા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા ગંભીર બની ર
નખત્રાણા તાલુકાના લૈયારી ગામની નજીકથી બોલેરોમાં આઠ પાડાને ક્રુરતા પૂર્વક ભરી જતો અંજારનો ઇસમ પોલીસને હાથ લાગ્યો છે.પોલીસને જોઇને રણ માર્ગે બોલેરો લઈને ભાગેલા આરોપીને પોલીસે પીછો કરી દબોચી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ નિરોણા પોલીસ મથકની ટીમ બીબર નજીક હાજીપીર પદયાત્રીઓ મ
કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ સહિત ગાંધીધામ મહાનગરપાલિકા માટે ફોર્મ ઉપાડવાની પ્રક્રિયાના પ્રથમ બે દિવસમાં જ ઉમેદવારોનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા મળેલી માહિતી મુજ
થોડા દિવસ પહેલા મુન્દ્રાના ટુંડાવાંઢમાં આવેલ અદાણી કંપનીમાંથી ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું.ત્યારે હવે વધુ એક કંપનીમાં તસ્કરોએ હાથફેરો કરી રૂપિયા 18 લાખની કિંમતનો મુદ્દામાલ ઉઠાવ્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી છે. પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી સુધીરસિંહ પ્રવીણસિંહ ગો
હિંમતનગર કોટન માર્કેટ યાર્ડમાં મંગળવારે તમાકુની ખરીદી અચાનક બંધ કરી દેવાતાં ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. અગાઉ કોઈ પણ જાણકારી આપ્યા વગર હરાજી બંધ રખાતાં દૂર-દૂરથી માલ લઈને આવેલા ખેડૂતો અટવાયા હતા અને યાર્ડના વહીવટ સામે સવાલો ઉઠાવ્યા હતા. યાર્ડમાં માલ લઈને આવેલા
હિંમતનગર પાલિકા વિસ્તારમાં આજુબાજુના 8 ગામના વિકસિત સર્વે નંબરોનો સમાવેશ કરાયા બાદ બે વોર્ડના વધારા સાથે નવું સીમાંકન જાહેર થયું હતું. જેમાં દરેક વોર્ડની વસ્તીમાં 8 થી 10 હજારનો માપદંડ રખાયો હતો. નવા સીમાંકન બાદ કુલ 11 વોર્ડ પૈકી વોર્ડ નં-11 માં વસ્તીની સાપેક્ષમાં 97.95 ટકા મતદાર છ
ચાણસ્માના યુવક પાસેથી 7.5 લાખમાં ગાડી ખરીદવાનું કહી એક લાખ આપી બે દિવસમાં લોન ભરાવી દઈશું તેમ કહી લઈ ગયા બાદ આરોપીઓએ કાર ત્રીજા વ્યક્તિને 5.80 લાખમાં વેચી નાખતાં ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ચાણસ્મા ઉગમણા દરવાજા બહાર રહેતા કુલદીપકુમાર બકુલેશભાઈ ડોડીયા (ઉ.વ.31) દસ્તાવેજ લખવાનુ
ચાણસ્મા એસટી ડેપોની બસ અમદાવાદના ખોખરા વિસ્તારમાંથી પસાર થઇ રહી હતી, ત્યારે રોડ પર ક્રિકેટ રમતા યુવકો પૈકી એક શખ્સે ડ્રાઈવર પર જીવલેણ હુમલો કર્યો હતો. બસની આડે અચાનક બાઈક આવી જતાં ડ્રાઈવરે બ્રેક મારી હતી,જેનાથી ઉશ્કેરાઈને યુવકે ડ્રાઈવરના કપાળના ભાગે ક્રિકેટના બેટનો ફટકો

28 C