1947માં રેડક્લિફ નામના એક અંગ્રેજે ભારતના નકશા પર એક લીટી દોરી હતી અને લાખો લોકોના જીવ ગયા હતા. આજે, વર્ષ 2025 પૂરું થવા આવ્યું છે, ત્યારે ઈતિહાસ ફરીથી એ જ ભૂલનું પુનરાવર્તન કરી રહ્યો છે. ઉત્તરમાં આપણું પડોશી નેપાળ ચીનના ઈશારે ભારતની જમીન પોતાની છે એવું કહીને નોટ પર છાપી રહ્યું છે,
વલસાડ જિલ્લાની ધરમપુર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બિલ વગરના 15 મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં ₹3.74 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ધરમપુરના આસુરા ચાર રસ્તા નજીક પોલ
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50 દિવ્યાંગોને સાધન સહાય અપાઈ હતી. આ કાર્યક્રમ મંગળવારે સમાજ સુરક્ષ
રાજકોટમાં ટીબીનાં દર્દીઓમાં ચિંતાજનક વધારો થયો છે. વ્યસન અને કુપોષણની નાગચૂડમાં ફસાયેલી યુવા પેઢી અને ઉગતી પેઢી એવાં બાળકોમાં કેન્સરની જેમ ટીબી (ક્ષય) નું પ્રમાણ પણ વધી રહ્યું છે. રાજકોટમાં જાન્યુઆરી 2024થી નવેમ્બર 2025 વચ્ચે 83 બાળકો સહિત 5,134 ટીબીનાં દર્દીઓ મળી આવ્યા છે. આ આંકડો સ
ખેલ મહાકુંભ-2025 અંતર્ગત બોટાદ જિલ્લામાં આયોજિત રમતોત્સવમાં ગઢડા તાલુકાની શ્રી રામપરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ એથલેટિક્સ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. શાળાના ખેલાડીઓએ તાલુકા કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઇનામો જીત્યા છે. અંડર-9 વયજૂથમાં, માંગુડા નિમે
મહીસાગર LCBએ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી એક ઇન્વર્ટર અને એક બેટરી મળી આવી હતી, જે ગોધરાથી ચોરી કરવામાં આવી હોવાનું તેણે કબૂલ્યું હતું.પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના બાદ, LCB પીઆઈ એમ.કે. ખાંટના માર્ગદર્શ
બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ એક ખોવાયેલો મોબાઈલ ફોન તેના મૂળ માલિકને પરત કર્યો છે. સરકારે ખોવાયેલા/ચોરાયેલા મોબાઈલની જાણકારી માટે બનાવેલા C.E.I.R. પોર્ટલનો અસરકારક ઉપયોગ કરીને આ કામગીરી કરવામાં આવી હતી. બોટાદના ભાંભણ રોડ, શ્રીજી પાર્ક, માતાવા
ડાંગ જિલ્લામાં વિશ્વ દિવ્યાંગ દિવસના અવસરે એક દ્રષ્ટિહીન મહિલાને રહેણાંક પ્લોટ ફાળવવામાં આવ્યો છે. સુબીર તાલુકાના અંતરિયાળ ગૌહાણ ગામની સુનિતાબેન રમેશભાઈ સુર્યવંશી, જેઓ સો ટકા દ્રષ્ટિવિહીન અને જમીન વિહોણા હતા, તેમને ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ પ્લોટ ફાળવીને તેમના
બનાસકાંઠાના પ્રભારી મંત્રી કમલેશ પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે કલેક્ટર કચેરીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મંત્રી પ્રવીણભાઈ માળી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યો અને યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. મંત્રી કમલેશ
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમે મુળી તાલુકાના ભેટ ગામમાં સરકારી સર્વે નંબર ૩૫ વાળી જમીન પર આકસ્મિક દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતા કોલસાના 16 કૂવાઓ શોધી કાઢવામાં આવ્યા હતા. ટીમે કુલ રૂ. 2,87,30,000 (બે કરોડ સિત્યાસી લાખ ત્રીસ હજાર)નો મુદ્દામ
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે મંગળવારે મોડી રાત્રે એક હડકાયા કૂતરાએ ભયંકર આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં 22થી વધુ ગ્રામજનોને મોઢા, ચહેરા અને હાથ પર ગંભીર બચકાં ભરવામાં આવ્યા હતા. આ હુમલો મોડી રાત્રે ઊંઘમાં સૂતેલા લોકો પર થયો હતો, જેના કારણે ગામમાં દહેશતનો માહોલ સર્
વલસાડના મગોદ ખાતે આવેલા નિરા કેન્દ્ર પર નશાબંધી વિભાગે બુધવારે અચાનક તપાસ કરી પંચનામું કર્યું હતું. અધિકારીઓએ નિરાના સેમ્પલ બોટલોમાં ભરી સીલ કર્યા હતા. આ કાર્યવાહી બાદ કેન્દ્રના સંચાલકે લાયસન્સ રિન્યુઅલ ન કરવા કનડગતનો આક્ષેપ કર્યો છે. નશાબંધી વિભાગે ગત રોજ નીર કેન્દ્રો
બોટાદ શહેરના તાજપર રોડ પર 28 નવેમ્બરના રોજ થયેલી હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસે થાર ગાડીના ચાલક ભૌતિક વેગડની અટકાયત કરી છે. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ અકસ્માતનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર, થાર ગાડી ચાલકે બેફામ ઝડપે વાહન હંકારતા એક રીક્ષાને જોરદા
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાની પાટડી પોલીસે એક પારિવારિક ઝઘડામાં માતાથી અલગ થયેલા ચાર વર્ષના બાળકને તેની માતાને પરત અપાવ્યો છે. પોલીસે અમદાવાદ પહોંચી માતા-પુત્રનું મિલન કરાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર, થોડા દિવસો પહેલા પાટડી શહેરમાં એક પારિવારિક ઝઘડો થયો હત
સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)એ પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી જરવલા ગામથી પાટડી ગામ તરફ જતા કાચા રસ્તેથી કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી રૂ. 2,000ની કિંમતની સિંગલ બેરલ મઝલલોડ બંદૂક જપ્ત કર
વડોદરામાં એમજી વડોદરા મેરેથોન દ્વારા આગામી 14 ડિસેમ્બરના રોજ વડોદરાના ઐતિહાસિક વિસ્તારોમાં ‘ફેડરલ બેંક સાડી ગૌરવ રન 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખી નોન-કોમ્પિટિટિવ ફન રનમાં 5000થી વધુ મહિલાઓ સાડી પહેરી દોડશે. આ ગૌરવ રન ભારતીય પરંપરા, મહિલા સશક્તિકરણ અને ફિટનેસનો સંદે
પાટણ શહેરમાં પોલીસે ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. સોલારાની પોળ, લોટેશ્વર રોડ પરથી મહંમદમાજીન મોહંમદફરીદ શેખ નામના આરોપી પાસેથી આશરે 765 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂપિયા 38,250 આંકવામાં આવી છે. આરોપી મહંમદમાજીન મોહંમદફરીદ શેખ (ઉંમર આશ
સુરત જિલ્લાના નવનિર્મિત અંબિકા તાલુકાના ધામખડી ગામે પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૩૨ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ સોપાન – બીજામૃત, જીવામૃત, વાપસા, આચ્છાદન અને મિશ્ર પાક વિશે વિસ્તૃત સમજ આ
જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા અને પ્રોત્સાહન ઇનામ આપવા જિલ્લા કક્ષાની પસંદગી પ્રક્રિયાને લઈને રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ સચિવને પત્ર લખવામાં આવ્યો છે. જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક
પંચમહાલ જિલ્લામાં ગુનાખોરી ડામવા અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પોલીસે 'ડ્રોન પેટ્રોલિંગ'નો નવતર પ્રારંભ કર્યો છે. રેન્જ આઈ.જી. આર.વી. અંસારી અને જિલ્લા પોલીસ વડા ડૉ. હરેશ દુધાતના માર્ગદર્શન હેઠળ આ અવકાશીય પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલથી દુર્ગમ વ
નર્મદા જિલ્લાના રાજકારણમાં હાલમાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે સોશિયલ મીડિયા પરના આક્ષેપોને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. AAPના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકીને ભાજપના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પ્રમુખ નીલ રાવ અને અન્ય નેતા
સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને સાયલા પોલીસે સંયુક્ત કાર્યવાહી કરીને સાયલા તાલુકાના વાટાવચ્છ ગામની સીમમાંથી બ્લેક ટ્રેપ ખનિજનું ગેરકાયદેસર ખાણકામ ઝડપી પાડ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા પંથકમાં મોટાપાયે ગેરકાયદેસર ખનીજ ખોદકામ ચાલતું હોવાની લાંબા સમયથી ફરિયાદો
વલસાડ એલસીબીએ પારડીના ખડકી નેશનલ હાઇવે નંબર 48 પરથી એક કન્ટેનરમાં છુપાવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 40.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ, કેમિકલ ભરેલા ડ્રમ અને કન્ટેનરનો સમાવેશ થાય છે. ગુપ્ત બાતમીના આધારે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી.
પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.સી. પોરિયાના નામે એક બનાવટી WhatsApp એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. આ બનાવટી એકાઉન્ટ દ્વારા કોઈ અનિચ્છનીય મેસેજ કે છેતરપિંડી ન થાય તે માટે કુલપતિએ પોતે લોકોને સાવધાન રહેવા માટે જાહેરાત કરી છે. કુલપતિ ડૉ. કે.સી. પોર
ભચાઉ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ અંતર્ગત, વોંધ ગામમાં એક કુખ્યાત બુટલેગર વેલા છગન કોળી દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણ હેઠળની બે દુકાનોને દૂર કરવામાં આવી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી. ડાંગરે એન.ડી.પી.એસ., આર્મ્સ એક્ટ, શર
વલસાડ SOG ટીમે આઠ વર્ષથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલા ડબલ મર્ડર કેસની મહિલા આરોપી અને સુરતના મર્ડર કેસના આરોપીને હરિયાણાના પાનીપતથી ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ લાજપોર જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયા હતા અને પાનીપતમાં લગ્ન કરીને રહેતા હતા. આરોપી કિન્નરી કોળીપટેલને વર
8 દિવસમાં યાત્રાએ 115 કિમીનો પ્રવાસ કર્યો કરસમસદથી શરુ થયેલી રાષ્ટ્રીય એક્તા યાત્રાએ 8 દિવસમાં 115 કિમીનો પ્રવાસ કરી વડોદરાના શિનોર પહોંચી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું , સરદાર વલ્લભભાઈ પટેલે બહાદુરી બતાવીને રાજા રજવાડાંને સમજાવીને એકસૂત્રમાં બાંધ્યાં. આખા રાષ્ટ્રનાં રા
ભરૂચ નગર સેવા સદન તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા શહેરમાં ખાદ્ય સલામતી સુનિશ્ચિત કરવા માટે શક્તિનાથ વિસ્તારમાં ખાસ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરાઈ હતી. શહેરમાં સતત વધતા સ્ટ્રીટ ફૂડના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને લારીઓ અને ખાણીપીણીની દુકાનો પર વિગતવાર તપાસ કરવામાં આવી હતી. અધિકારીઓએ
અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલે સાપરાધ મનુષ્ય વધની કલમમાંથી મુક્તિ આપવા કરેલી અરજી ગુજરાત હાઈકોર્ટે રદ કરી છે. જ્યારે તેના પિતાને સાપરાધ મનુષ્યવધની કલમમાંથી મુક્તિ આપવામાં આવી છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પ
ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના નાની મોલડી ગામ પાસે એક મોટા દારૂના જથ્થા પર દરોડો પાડવામાં આવ્યો છે. આ દરોડામાં વિદેશી દારૂની 28,404 બોટલો સહિત કુલ રૂ. 2.13 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી 3 ડિસેમ્બર, 2025ના રોજ કરવામ
કરમસદ-આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે આણંદના મોટી શાકમાર્કેટ વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી કરી છે. વારંવાર સૂચનાઓ છતાં લારીઓ ઊભી રાખી ટ્રાફિક સમસ્યા સર્જતા દબાણો દૂર કરાયા હતા. આ કાર્યવાહી દરમિયાન, મોટી શાકમાર્કેટ પાસે ટ્રાફિકને અડચણરૂપ એવી 3 લારીઓ અને અન્ય પરચુ
માણસા તાલુકાના વરસોડા ગામમાં જાન્યુઆરી 2022 માં રેતી ભરેલું ટ્રેક્ટર ધીમે ચલાવવાનું કહેવાના મુદ્દે ચાર જેટલા શખ્સોએ જાતિ વિષયક અપશબ્દો બોલી 20 વર્ષીય યુવક અને તેના પરિવાર પર લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે કેસ ગાંધીનગર સાતમા એડિશનલ ડિક્સ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ વી. જી.
દાહોદ શહેરના ગોધરા રોડ પર નવા બસ સ્ટેન્ડ પાસે મંગળવારે સાંજે બે આખલા વચ્ચે ભીષણ લડાઈ થઈ હતી. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને મોટો અકસ્માત ટળ્યો હતો. લડાઈ દરમિયાન, આખલાઓએ એકબીજા સામે આક્રમક રીતે ટકરાવ કરતાં રસ્તાની બાજુમાં ગોઠવાયેલા શાકભાજ
જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના વરિષ્ઠ મહિલા નગરસેવિકા જેનબબેન ખફીએ પક્ષમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. વોર્ડ નંબર ૧૨ના નગરસેવિકાએ કોર્પોરેટર સહિત કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જામનગર શહે
વડોદરાની મહિલાને સાયબર ઠગે સોશિયલ મીડિયા પર મિત્રતા બાદ 1.23 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાને બીટકોઈન ઇન્વેસ્ટમેન્ટ માટે વિશ્વાસમાં લઈ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. જેથી પાદરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઠગે સોશિયલ મીડિયામાં મહિલા સ
આણંદ કલેક્ટર કચેરી ખાતે Ministry of Food Processing Industries (MOFPI) અંતર્ગત ચાલતી પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝ (PMFME) યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં આણંદ જિલ્લાના 7 પ્રોજેક્ટને મંજૂર કરવા
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાંથી નકલી નોટોનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે આરોપીના રહેણાક મકાન પર દરોડો પાડી રુપિયા 20, 100 અને 500 દરની કુલ 1945 બનાવટી ચલણી નોટો, પ્રિન્ટર, પેપર કટર, અને વાહન સહિત કુલ 5,11,500ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. અન્ય એક આરોપીને પકડવા માટે કાર્યવાહી હા
અમદાવાદના નારોલ- નરોડા હાઇવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કોમ્પ્લેક્સને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. કોમ્પ્લેક્સની બીયુ પરમિશન અને ફાયર NOC વગેરેને લઈને
રૂ.36,310 રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતા પકડાયા ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આનંદનગર પાસે આવેલ નવા બંદર સ્મશાનની પાછળ ખુલ્લા ખારમાંથી જુગાર રમતા વિદ્યાર્થી સહિત ચાર ઇસમોને ઝડપી પાડ્યા છે જ્યારે ચાર ઈસમો નાસી છૂટ્યા હતા, આ આરોપી
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના માંગરોળ રોડ પર આજે સવારે બેફામ ડ્રાઇવિંગના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે દોડી રહેલી એક કારના ચાલકે અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ ગુમાવ્યા બાદ આ બેકાબૂ કાર રોડની બાજુમાં આવેલી એક ઇલેક્ટ્રિકની દુકાનમાં સીધી
બોટાદની સંતરામ શાળા ખાતે મહિલાઓ અને બાળકોની સુરક્ષા, સશક્તિકરણ તેમજ જાતિ સમાનતાના મુદ્દાઓને મજબૂત બનાવવાના હેતુથી એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને જાતિગત સંવેદનશીલતા અને સાયબર સેફ્ટી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ કા
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે દીપડો દેખાયો છે. સીમ વિસ્તારમાં દીપડો દેખાતા ગામ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાને પગલે ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરી રહ્યા છે, જેના કારણે તેમની દૈનિક પ્રવૃત્તિઓ પર અસર પડી છે. ગામ લોકોએ તાત્કાલિક ફોરેસ્ટ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને 'કેપ્ટન કૂલ' તરીકે જાણીતા મહેન્દ્રસિંહ ધોની એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપવા 2 ડિસેમ્બરે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. જોકે, કાર્યક્રમ પૂર્ણ કરી એમએસ ધોની રાત્રે જ્યારે પોતાની કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર સવાર ત
ગાંધીનગર ખાતે અતુલ્ય વારસો સંસ્થા દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં આણંદ હાઈસ્કૂલના ભાષાશિક્ષક ડૉ. રાકેશ રાવતને 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ-2025'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતની સાંસ્કૃતિક
રાજકોટની ગિરિરાજ હોસ્પિટલ વિવાદમાં આવી છે. અહીં વૃધ્ધનું પથરીનું ઓપરેશન કરાવવા માટે PMJAY કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જોકે તેમનું પથરીનું ઓપરેશન થાય તે પહેલા જ હાર્ટ એટેક આવી જતા દર્દીનું ઓપરેશન રદ થયુ હતુ. જોકે દર્દીના આયુષ્યમાન ભારત કાર્ડમાંથી રૂ.41250 મંજૂર થઈ ગયા. જોકે એ
રાજકોટમાં 7 નવેમ્બરે યુનિવર્સિટી રોડ પર મહિલા કારચાલકે માતા-પુત્રીને અડફેટે લેતા 15 વર્ષીય ધ્રુવી કોટેચાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે માતા દર્શના કોટેચાને 9 ફેક્ચર થતાં પથારીવશ છે અને દીકરીને ન્યાય અપાવવા આક્રંદ કરી રહ્યા છે. તો બીજી તરફ પિતા દેવાંગ કોટેચાએ CJIને પ
પાલનપુરમાં કરુણા એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા એક ગાયનો જીવ બચાવવામાં આવ્યો છે. વિયાણ પછી ગર્ભાશય બહાર આવી ગયેલી ગંભીર હાલતમાં રહેલી ગાયને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ ઘટના પાલનપુરના રાજવી બંગ્લોઝ, રામજી નગર રોડ પર બની હતી. સ્થાનિક રહેવાસી રોશનભાઈએ કરુણા એમ્બ્યુ
મહીસાગર LCBએ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલી ચાર મોટરસાયકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીની પૂછપરછ બાદ કુલ ચાર બાઇક રિકવર કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના હેઠળ, LCB પીઆઈ એમ.કે. ખાંટે ગુનાઓ શોધવા અને અટકાવવા માટે LCB સ્ટાફની અલ
અમદાવાદમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડની ઘટના બની રહી છે ત્યારે એક વૃદ્ધ પણ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. બેંક કર્મચારીની ખોટી ઓળખ આપીને અજાણ્યા વ્યક્તિએ KYC અપડેટ કરાવવાના બહાને તેમની અંગત બેંક વિગતો મેળવી લીધી હતી અને તેમના બેંક ખાતામાંથી કુલ રૂપિયા 8,27,500ની રકમ ટ્રાન્સફર કરાવી
અમરેલી જિલ્લામાં પી.સી.પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ નોંધાયેલી હોસ્પિટલ, ક્લિનિક અને સંસ્થાઓમાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવા ફરજિયાત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ
રાજકોટ શહેર અને જિલ્લામાં હાલ SIR અંતર્ગત ખાસ મતદાર યાદી સુધારણા ચાલી રહી છે. 11 ડિસેમ્બર સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવાની છે ત્યારે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં 95% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. હવે મતદારોના ફોર્મ ઓનલાઇન અપલોડ કરવાની કામગીરી 5% બાકી છે જે એક અઠવાડિ
પાટણના અનાવાડા સ્થિત વૈદિક સરસ્વતી નદીના કિનારે હરિઓમ ગૌ શાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ્ ભાગવત કથા ચાલી રહી છે. 7 ડિસેમ્બર સુધી ચાલનારી આ કથાના ત્રીજા દિવસે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ઉપસ્થિત ર
અમદાવાદની કૃષ્ણનગરમાં મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર છરી વડે હુમલો થયો છે. વિદ્યાર્થીનું બાઈક એક્ટીવા સાથે અડી જવા મામલે એક્ટિવા ચાલક યુવકે વિધાર્થી પર છરી વડે હુમલો કરી દીધો છે. પોલીસે અજાણ્યા યુવક વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. કૃષ્ણનગરમાં મેડીકલ કોલ
ભરૂચ તાલુકાના કુકરવાડા ગામે પાવરગ્રીડ કંપનીની 765 કેવી વટામણ–નવસારી ટ્રાન્સમિશન લાઇનના કામને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે. સર્વે નંબરની ભૂલ અને વળતર ના મુદ્દે અસંતોષને કારણે બે ખેડૂતોએ સ્થળ પર પહોંચીને કામગીરી અટકાવી દીધી હતી. ખેડૂતોની માંગ છે કે જ્યાં સુધી તેમના પ્રશ્નોન
ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. ભાવનગર જિલ્લા NSUI પ્રમુખ અર્શમાનખાન બલોચની કરોડોના સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે, જેને લઈને ABVPના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટીના ગેઈટ બહાર વિરોધ કર્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં એક સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એરેસ્ટના નામે ₹11.71 લાખની ઓનલાઈન છેતરપિંડી થઈ હતી. આ મામલે હિંમતનગર સાયબર પોલીસે ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. સાયબર પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ, હિંમતનગરના મહેતાપુરામાં રહેતા 65 વર્
સુરતમાં એક વર્ષ પૂર્વે કાપોદ્રા વિસ્તારમાં 12 વર્ષની કિશોરી પર તેના જ પાલક પિતા અને તેના 62 વર્ષીય મિત્ર દ્વારા આચરેલા દુષ્કર્મ મામલે સુરત કોર્ટે એક દાખલારૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આરોપીઓ પૈકી સગીરાના પાલક પિતાને 'મરે ત્યાં સુધી' જેલની સજા અને કિશોરીના દાદાની ઉંમરના 62 વર્ષી
સુરતમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી 26 વર્ષીય મહિલા ડોક્ટર નોકરીની શિફ્ટ પૂરી કરીને ઘરે પરત ફરી રહી હતી ત્યારે અકસ્માત નડ્યો હતો. રીંગરોડ બ્રિજ ઉતરતા સમયે અજાણ્યા વાહને ટક્કર મારતા સારવાર દરમિયાન મહિલા ડોક્ટરનું મોત નીપજ્યું હતું. પ
સુરત મહાનગરપાલિકાના એક વિવાદાસ્પદ ઠરાવને પગલે શહેરના સેન્ટ્રલ ઝોન, ઝાપા બજાર સ્થિત એક વર્ષો જૂનો જાહેર રસ્તો વિવાદનું કેન્દ્ર બન્યો છે. મનપાના આ નિર્ણયના કારણે આશરે બે લાખ સ્થાનિકો અને શહેરના લોકોને પોતાનો નિયમિત માર્ગ બદલીને 2 કિલોમીટર જેટલું દૂર ફરીને જવું પડી રહ્યું છ
ગોધરાના મેસરી નદીના બ્રિજ નીચે ગંદકી અટકાવવા માટે મૂકવામાં આવેલું નગરપાલિકાનું દંડનીય કાર્યવાહીનું બોર્ડ કચરાના ઢગલામાં પડેલું મળી આવ્યું છે. આ ઘટના નગરપાલિકા દ્વારા ગંદકી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ગઈકાલની જાહેરાત બાદ સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાલિકા
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં સગા સંબંધીઓ દ્વારા કિંમતી મિલકત પચાવી પાડવાનો કિસ્સો સામે આવ્યો છે. સંબંધના નાતે રહેવા આપેલા મકાનમાં કાયમી અડિંગો જમાવી દેનાર પિતા અને પુત્ર વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના આદેશ બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગોધરા એ ડિવિઝન
સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં સુરત મહાનગરપાલિકાના એક ચોથા વર્ગના કર્મચારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. મૃતકના પરિવારે વ્યાજખોરો પર માનસિક ત્રાસ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે અને તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. દેવ
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ (BAPS) સંસ્થાના પ્રમુખસ્વામી મહારાજને સંસ્થાના પ્રમુખ તરીકેની પદવી મળ્યાના 75 વર્ષ પૂર્ણ થતાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પ્રમુખ વરણી અક્ષર મહોત્સવ કાર્યક્રમ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે યોજવામાં આવશે. 7 ડિસેમ્
અમદાવાદ ફેમિલી કોર્ટ બહાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ મહિલા માટે અનામત કરતા પૂર્વ પ્રમુખ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જોકે, કાઉન્સિલે આ અરજી નકારતા અરજદારને જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જ ફેમિલી કોર્ટ બાર એસોસિએશને ઠરાવ
રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તાજેતરમાં યોજાયેલી રાજ્યકક્ષાની રાસ-ગરબા સ્પર્ધામાં જામનગરના રાજશક્તિ રાસ મંડળે પ્રથમ સ્થાન મેળવી સૌરાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. આ સ્પર્ધાનું આયોજન ગુજરાતના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં રા
સુરત શહેરનાં કતારગામ ખાતેમોડી રાત્રે લેશપટ્ટીનાં કારખાનામાં આગ ફાટી નીકળતાં આસપાસનાં કારખાનેદારો સહિત કારીગરોમાં નાસભાગ મચી જવા પામી હતી. બીજી તરફ ઘટના અંગે જાણ થતાં ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો અને અંદાજે દોઢ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબ
મોરબીના ચાચાપર ગામની સીમમાંથી 15 થી 17 કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા છે. ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પક્ષીઓના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ ગામના લોકોને થતાં તેમણે સરપંચન
નવસારીમાં માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત ‘મમતા મંદિર’ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 3જી ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી આ રેલીનો મુખ્ય હેતુ સમાજમાં દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. આ રેલીને જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલ, મ
વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા જેલમાં પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ GSNP+ સંસ્થાની પ્રિઝન ઇન્ટરવેન્શન યોજના, દીશા DAPCU અને ભરૂચ સિવિલ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો. આ પ્રસંગે જેલ અધિક્ષક એન.પી. રાઠોડ, જેલર વી.એમ. ચાવડા, DTHO પૂનમબેન, યોગેશભા
સુરત લિંબાયતના કૃષ્ણનગર-2 વિસ્તારમાં અસામાજિક તત્વો અને બેફામ બુટલેગરોનો આતંક ચરમસીમાએ પહોંચી ગયો હોવાનો સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. બુટલેગરોએ નશાની હાલતમાં ગાળાગાળી કરતા રોકનાર એક પરિવારના ઘર પર 15થી 20 જેટલા શખ્સોએ એકસાથે પથ્થરમારો કર્યો હતો. જેના લાઈવ વીડિયો પણ
વડોદરાના જવાહરનગર પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ રણોલી ગામમાં છેલ્લા દોઢ વર્ષથી મૈત્રી કરાર કરી પ્રેમી સાથે રહેતી 19 વર્ષીય યુવતી નેન્સીનો મૃતદેહ તેના ઘરેથી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ બનાવમાં માતા-પિતાએ સાસરિયાઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો આક્ષ
ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાપાલિકા દ્વારા રાજકોટના અટલ સરોવર ફરતે સ્માર્ટ સિટી વિસ્તારના આકાશમાં 'સૂર્યકિરણ એર-શો તેમજ એરફોર્સ બેન્ડનું પરફોર્મન્સ અને શસ્ત્ર પ્રદર્શન'નું અદભુત આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દુબઈમાં પ્રદર્શન કરનાર વાયુ સેનની 'સૂર્યકિરણ' ટીમ દિલધડક અ
અમરેલી જિલ્લાના ધારી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિ. (FPO) દ્વારા સંચાલિત ટેકાના ભાવની મગફળી, સોયાબીન, અડદ અને મગ ખરીદી કેન્દ્રની નાફેડના ઉચ્ચ અધિકારીઓની ટીમે મુલાકાત લીધી હતી. આ મુલાકાતનો મુખ્ય હેતુ ખેડૂતોને ખરીદી પ્રક્રિયામાં કોઈ મ
પાટડી તાલુકાના બજાણા ગામના સરપંચ વિરુદ્ધ વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. તાલુકા પંચાયતના સભ્ય વિપુલભાઈ મેરાણીએ ગ્રામજનો સાથે મળીને તાલુકા વિકાસ અધિકારી (TDO) સંજય ઉપલાણાને લેખિત આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્રમાં બજાણા ગ્રામ પંચાયતમાં થયેલા ક
મુન્દ્રા પોલીસે સાયબર સેલ સાથે મળીને GIDC વિસ્તારમાં આવેલા એક ગોડાઉનમાંથી ₹1.71 કરોડની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં કુલ ₹2.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્ય વોન્ટેડ જાહેર
પીએમ મોદીએ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સમાન યુવાઓને યોગ્ય તકો અને રોજગાર અવસરો આપીને તેમની અસીમશક્તિને વિકસિત રાષ્ટ્ર - વિકસિત રાજ્યના નિર્માણમાં જોડવાના આપેલા વિચારને રાજ્યમાં સાકાર કરવાનો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપનાવ્યો છે. આ હેતુસર તેમણે રાજ્ય સરકારના વહીવટી
સોમનાથમાં પ્રસ્તાવિત કોરિડોર વિકાસનો મુદ્દો ફરી ગરમાયો છે. આ મામલે પ્રભાસ હિત રક્ષક સમિતિએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. સોમનાથ લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલી આ બેઠકમાં ગામના વિવિધ સમાજોના આગેવાનો અને અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન સમિતિના પ્ર
બોટાદ જિલ્લાના સમઢીયાળા નંબર 2 ગામે રાજાશાહી સમયના એક ઐતિહાસિક પાણીના અવેડાને તોડવાના પ્રયાસો સામે આવ્યા છે. આ મામલે રાષ્ટ્રીય પછાત એકતા મંચના અધ્યક્ષ મનજીભાઈ સોલંકી સહિતના આગેવાનોએ બોટાદ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે.
બનાસકાંઠા જિલ્લામાં બોગસ ડિગ્રીના આધારે તબીબી સારવાર કરતા ડોકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, પાલનપુર SOG શાખાએ અમીરગઢ વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ધાંધલ્યાના મ
સુરત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનો 'રેઢીયાર વહીવટ' ફરી એકવાર સપાટી પર આવ્યો છે. હોસ્પિટલનું સર્વર અચાનક ડાઉન થઈ જતાં દૂર-દૂરથી સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. બે કલાકથી વધુ સમય સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ ટોકન ન મળતાં લોકોનો રોષ
શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ, વાલિયા ખાતે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ નિમિત્તે એક પ્રતિજ્ઞા ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 2 ડિસેમ્બર,2025 ના રોજ સવારે 8:15 કલાકે લાયન્સ હોલમાં યોજાયો હતો અને તેનું આયોજન ઇનોવેશન ક્લબના કોઓર્ડિનેટર પ્રા. અન
જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે બની રહેલા કેશોદ અંડરબ્રિજમાં એક ગંભીર દુર્ઘટના સામે આવી છે, જેમાં અંડરબ્રિજ નીચેથી પસાર થઈ રહેલું એક ભારે લોડર વાહન બ્રિજના ગર્ડર સાથે અથડાતા ગર્ડરનો ભાગ તૂટીને નીચે પડ્યો હતો. સદભાગ્યે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ તૂટેલું ગર્ડર એક
હરેકૃષ્ણ મંદિર, ભાડજ ખાતે ૧ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ભગવદ-ગીતાના ૧૮ અધ્યાયના ૭૦૦ શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું. મહોત્સવ દરમિયાન હરેકૃષ્ણ મંદિરના અધ્યક્ષ હીસ ગ્રેસ શ્રી જગનમોહન કૃષ્ણ દાસાએ ભગવદ-ગીતાનું મહત્વ સમજાવત
ઇડરના ભાસ્કર ભવન ખાતે વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ અને વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે એક દિવસીય માહિતી અને સંચાર ટેકનોલોજી (ICT) તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ રાષ્ટ્રીય અંધજન મંડળ (NAB) સાબરકાંઠા અને NAB દિલ્હીના સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠા જિલ્લામાં યોજાયો હતો. દિલ્હ
બીલીમોરાની એ. વી. પટેલ કોમર્સ કોલેજમાં તા. ૦૨/૧૨/૨૦૨૫ના રોજ કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન કોલેજના કેરિયર ગાઈડન્સ સેલ અને IQAC દ્વારા AEROSTAR AVIATION ACADEMY ના સહયોગથી કરવામાં આવ્યું હતું. સેમિનારમાં વક્તા ધ્વની દિહેરાએ વિદ્યાર્થીઓને એવિએશન, હોસ્પિટાલિટી અને ટૂર્સ
રાજકોટમાં સૌરાષ્ટ્રમાં જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 'જલકથા: અપને અપને શ્યામ કી'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય આયોજનના મુખ્ય કાર્યાલયનું ઉદ્ઘાટન બુધવારે, 3 ડિસેમ્બરના રોજ સાંજે 8 વાગ્યે શહેરના રેસકોર્સ સ્થિત કવિ શ્રી રમેશ પારેખ રંગદ
હરણી સ્થિત જય અંબે વિદ્યાલય દ્વારા ૨ ડિસેમ્બરના રોજ વિદ્યાર્થીઓ માટે 'સાયબર જાગૃતિ' વિષય પર એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં ટેકનોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવા અને સાયબર ક્રાઈમ જેવા જોખમોથી બચવા માટે જાગૃત ક
કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ સેકન્ડરી ઍન્ડ હાયર સેકન્ડરી ઈંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગીતા મંદિરમાં ગીતા જયંતીની ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં વિદ્યાર્થીઓએ વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી હતી.ઉજવણીના પ્રારંભમાં, વિદ્યાર્થીઓએ આદર અને સેવાની પરંપરા જાળવીને ગાયોને ઘાસચારો (દ
પાટણના રાધનપુરમાં યોજાયેલી કોંગ્રેસની જન આક્રોશ રેલીમાં ગઇકાલે કોંગ્રેસના આગેવાનો સામસામે આવ્યા બાદ ભાજપ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક ટપાટપી થઇ છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ લીધા વગર કહ્યું હતું કે, 'રાધનપુરની જનતા બોલવાવાળા ધારાસ
સુરતની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ પુણે ખાતે યોજાયેલી એન્ડ્યુરન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ સ્કેટિંગમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. 22 અને 23 નવેમ્બરના રોજ યોજાયેલી આ સ્પર્ધામાં ગુરુકુળના ચાર સ્કેટરોએ વિવિધ કેટેગરીમાં મેડલ જીતીને ભારત અને શાળાનું ગૌર

30 C