ડાંગના આહવા ખાતે સંકલિત આદિજાતિ વિકાસ યોજના અંતર્ગત ન્યુ ગુજરાત પેટર્ન યોજના અને નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન (NFSM) હેઠળ દ્વિ-કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ખેતીવાડી સાધનોની કીટનું વિતરણ કરાયું અને ક્રોપિંગ સિસ્ટમ આધારિત તાલીમ પણ આપવામાં આવી. રાજ્ય સરકાર છેવાડાના ખેડૂતો સ
મહેસાણાના બાયપાસ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં લકઝરીચાલકે આગળ જતાં એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે મિત્રોને ગંભીર ઇજાઓ થતા તેઓનું મોત નીપજ્યું હતું. સમગ્ર અકસ્માતની ઘટનામાં લકઝરીચાલક પોતાની ગાડી સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હ
1947માં ભારત અને પાકિસ્તાન અલગ થયા ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં 15 વડાપ્રધાન આવ્યા તો પાકિસ્તાનમાં 24 વડાપ્રધાનોએ રાજ કર્યુ. આનો મતલબ એવો થયો કે ભારતમાં સ્થિર રાજકારણ છે. વડાપ્રધાનો લાંબા કાર્યકાળ માટે સત્તામાં રહે છે. જવાહરલાલ નહેરૂ 17 વર્ષ, ઈન્દિરા ગાંધી 11 વર્ષ વડાપ્રધાન પદે
વડોદરાના કારેલીબાગ વુડા સર્કલ પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ખાનગી ટ્રાવેલ્સની બસે એક્ટિવા સવાર દંપતીને અડફેટે લેતા 65 વર્ષીય મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. બસનું ટાયર મહિલા પર ફરી વળ્યું હતું. જોકે, આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અકસ
લગ્નજીવનના ઝઘડામાં પત્નીને હેરાન કરવા માટે એક પતિએ પોલીસને દોડતી કરી દેતો ગંભીર ગુનો આચર્યો હોવાનો બનાવ જૂનાગઢમાં સામે આવ્યો છે. જેમાં પત્નીની હેરાન કરવાના બહાને મુંબઈથી કોલ કરનાર પતિને પોલીસે ઝડપી પાડ્યો છે.ગત 4 ડિસેમ્બરના બપોરે 12:00 વાગ્યાની આસપાસ જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂ
છોટાઉદેપુર જિલ્લા પોલીસે પ્રોહીબિશનના કડક અમલના ભાગરૂપે પકડેલા ₹૪.૧૭ કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થાનો ૯ ડિસેમ્બરે જાહેરમાં નાશ કર્યો હતો. આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં પાવીજેતપુર તાલુકાના કરાલી પોલીસ સ્ટેશન સામેના ગ્રાઉન્ડમાં કરવામાં આવી હતી. આ દ
રાજકોટ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં તાજેતરમાં થયેલા કમૌસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકસાન માટે રાજ્ય સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાંથી ખેતમજૂરી કરતા ભાગીયા મજૂરોને પણ વળતર મળે, તે અંગે રાજકોટમાં રેલી યોજીને અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ
ડાંગ જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં સંચાર સુવિધાઓ મજબૂત કરવાના હેતુથી એક મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. બિલમાળ, આહવા અને ધવલીદોડ ગામોને જોડતા કુલ ₹3.05 કરોડના ખર્ચે ત્રણ ગ્રામ્ય માર્ગોના નિર્માણનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું. આ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક
પાટણ નગરપાલિકાની GJ 24 GA 0885 નંબરની બોલેરો કેમ્પર ગાડી પાંચ દિવસથી ગુમ હોવાનો મામલો સામે આવ્યો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે આ સરકારી વાહનનો ગેરકાયદેસર ઉપયોગ થયો હોવાનો આક્ષેપ કર્યો છે. જોકે, અધિકારીઓ ગાડી સર્વિસમાં હોવાનું જણાવી રહ્યા હતા. બીજી તરફ આ મામલે દિવ્ય ભાસ
રેલવેમાં મોટાભાગના મુસાફરો મુસાફરી કરતા હોય છે, ત્યારે પૂર્વોત્તર રેલવે વિસ્તારમાં ચાલી રહેલા રેલવે કામના કારણે અમદાવાદ ડિવિઝન સાથે સંકળાયેલી કેટલીક ટ્રેનોના સમય અને રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે. મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન મુશ્કેલી ન પડે તે માટે રેલવે દ્વારા પહ
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા શિક્ષણ સહાયક ભરતી–2024 હેઠળ મર્યાદિત શાળા પસંદગીના કારણે શાળા ફાળવણી ન થયેલા ઉમેદવારો તથા 23 સપ્ટેમ્બર, 2025ના રોજ જાહેર કરાયેલી પ્રતિક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો હવે ફરીથી શાળા પસંદગી કરી શકશે. ઉમેદવારો માટે આ ઓનલાઇન શાળા પસંદગીની પ્રક્રિયા 10થી 1
સુરત શહેરમાં રહેતા અને શેરબજારનું કામકાજ કરતા એક પિતાએ પોતાની સાત વર્ષની દીકરીને અપનારી દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. સાત વર્ષની દીકરીને દીક્ષા અપાવવા માટે માતા અડગ છે. જ્યારે પિતાનો વિરોધ હોય દંપતી વચ્ચે વિવાદ સર્જાયો છે. માતા પોતાની દીકરીને લઈને છ મહિનાથી
ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ મથકની હદ વિસ્તારમાં આઠેક વર્ષ અગાઉ 17 વર્ષીય સગીરાનું અપહરણ અને ગેંગરેપની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી. જે કેસ કલોલ સ્પેશિયલ કોર્ટે માં ચાલી જતા પાંચમાં સેશન્સ જજ બી.આર.રાજપૂતે મુખ્ય ત્રણ આરોપીઓને તકસીરવાન ઠરાવી છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સ
ચાલુ નાણાકીય વર્ષ 2025-26 માટે બાગાયત ખાતા દ્વારા અમલમાં મુકાયેલ કૃષિ યાંત્રિકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ અંતર્ગત લક્ષ્યાંકની મર્યાદામાં સામાન્ય તેમજ અનુસૂચિત જનજાતિના ખેડુતોને સહાયકીય લાભ આપવામાં આવે છે. આ કાર્યક્રમ હેઠળ મિની ટ્રેક્ટર (20 PTO HP સુધી), મિની રોટાવેટર, મિ
વડોદરા નજીક આવેલ દાદા ભગવાન મંદિર કેલનપુર ખાતે શાશ્વત હિન્દુ જાગૃતિ ગુજરાત પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ કાર્યક્રમના કાર્યક્રમ અધ્યક્ષ તરીકે ઇફ્કોના ચેરમેન દિલીપભાઈ સાંખાણી ઉપસ્થિત રહેશે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે પ.પૂ.
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર આવેલ આનંદધામ રેસીડેન્સી વિસ્તારમાં રોડની હાલત વર્ષોથી બિસ્માર છે. આ કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અને તેઓ તાત્કાલિક નવા રોડના નિર્માણની માંગ કરી રહ્યા છે. રહેવાસીઓના જણાવ્યા અનુસાર, સોસાયટીના નિર્માણ સમયે બનેલા પ્રાથ
ગોધરા શહેર અને તાલુકામાં રખડતા શ્વાનોનો આતંક ચિંતાજનક સ્તરે પહોંચ્યો છે. ગોધરા સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ, માત્ર 9 દિવસમાં 123 લોકો શ્વાન અને અન્ય પ્રાણીઓના હુમલાનો ભોગ બન્યા છે. આ ઘટનાઓને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. સિવિલ હોસ્પિટલના સત્તાવાર અહેવાલ અનુસાર, 1 ડિસ
ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ ડિવિઝન હેઠળના પ્રાચી તેમજ આકોલવાડી અને વેરાવળ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં PGVCL દ્વારા આજે વહેલી સવારથી વિશાળ પાયે વીજ ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. PGVCL ના જૂનાગઢ સર્કલ હેઠળ ના સબ ડિવિઝનના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું
અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા 5 જેટલી શાળાઓની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની 5 શાળાઓને બે હજારથી લઈને 5 હજાર સુધીનો ફી વધારો આપવામાં આવ્યો છે. તમામ શાળાઓને ફી વધારા માટે FRCમાં દરખાસ્ત કરી હતી. જે બાદ અમદાવાદ ઝોન FRCએ તમામ શાળાઓની દરખાસ્તની ચકાસણી કરી હત
એક તરફ જ્યાં અમદાવાદમાં સુભાષ બ્રિજ જેવી સામાન્ય તિરાડને કારણે અવરજવર માટે બંધ કરી દેવામાં આવે છે, ત્યાં જૂનાગઢ-વંથલી રોડ પર વાડલા ફાટક નજીક કાળવા નદી પર આવેલો પુલ અને નાળું અત્યંત જર્જરિત હાલતમાં હોવા છતાં દરરોજ મોટી સંખ્યામાં વાહનોના પસાર થવાના કારણે લોકોના જીવ પર જોખમ
ગુજરાત યુનિવર્સિટીનો 74મો પદવીદાન સમારોહ યોજવામાં આવશે. આગામી 5 જાન્યુઆરીએ 74મો પદવીદાન સમારોહ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના 74માં પદવીદાન સમારોહમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. તેમજ 74માં પદવીદાન સમારોહમાં ISROના ચે
પંચમહાલ જિલ્લાના કાંકણપુર પોલીસે ગોધરા તાલુકાના ગોઠડા ગામની સીમમાંથી દારૂ ભરેલી બિનવારસી બોલેરો ગાડી ઝડપી પાડી છે. પોલીસે વાહન અને વિદેશી દારૂ મળી કુલ 6.72 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહી 31મી ડિસેમ્બર અને નૂતન વર્ષની ઉજવણી પૂર્વે દારૂની હેરાફેરી રોકવા માટ
આણંદ એલ.સી.બી. પોલીસે વડોદરા ચેઈન સ્નેચિંગ કેસના એક રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે. ભૌમીક ઉર્ફે લાલો ત્રિવેદી નામનો આ આરોપી એક મહિનાથી પોલીસ પકડથી દૂર હતો. તેને આણંદ રેલવે સ્ટેશન નજીકથી બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યો હતો. પોલીસ પૂછપરછમાં ભૌમીક ત્રિવેદીએ કબૂલ્યું કે, તેણે એક
સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધાને જમીન વેચાણના બહાને કરોડો રૂપિયાની છેતરપિંડીનો ભોગ બનવું પડ્યું છે. એક જમીન માફિયાએ આભવા ગામની તેમની જમીનનો 59.61 કરોડમાં સોદો કર્યો, સાટાખત અને કબજા કરાર બનાવી માત્ર 21,000 ટ્રાન્સફર કર્યા અને બાકીના પૈસા ન ચૂકવી જમીન પચાવી પાડ
કેજરીવાલે ભાજપને અંગ્રેજો કરતા વધુ તાનાશાહ ગણાવી અરવિંદ કેજરીવાલને રાજકોટની જેલમાં બંધ ખેડૂતો અને આપના કાર્યકર્તાઓને ન મળવા દેવાતા તેમણે ભાજપ પર પ્રહાર કર્યો કહ્યુ્ં શું હું આતંકવાદી છું? કેમ મને ખેડૂતોને મળવા ન દેવામાં આવ્યો?તેમણે ભાજપને અંગ્રેજો કરતા વધુ તાનાશાહ કહી.
આણંદ LCBએ બાકરોલના હરિઓમનગર વિસ્તારમાં દરોડો પાડી ₹7.53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મણીલાલ વસાવા નામના શખ્સના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 1595 બોટલો અને બિયરના 864 ટીન જપ્ત કર્યા હતા. જપ્ત કરાયેલા દારૂ અને બિ
નખત્રાણાના મુરૂ ગામનો 20 વર્ષીય યુવક 6 દિવસ અગાઉ ગુમ થયો હતો. જે યુવકની શોધખોળ દરમિયાન પોલીસે શકમંદને ઉઠાવી પૂછપરછ કરી હતી. જેમાં સહ આરોપી સાથે મળીને લાપતા યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોવાની ચોંકાવનારી કબૂલાત આપી હતી. આટલું જ નહીં હત્યા બાદ લાશને સગેવગે કરવા માટે શરી
ડીસાના રહેવાસી જીતુભાઈ પંચાલને લાંબા સમયથી સતાવતી પેશાબની નળી સંકોચાઈ જવાની જટિલ સમસ્યાનું નિદાન અને નિ:શુલ્ક ઓપરેશન મહેસાણાની જનરલ હોસ્પિટલના યુરોલોજિસ્ટ ડૉ. કેતુલભાઈ પટેલ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ સફળતાએ ખાનગી હોસ્પિટલોમાં નિરાકરણ ન પામેલી સમસ્યાનો સ
અમદાવાદની સિવિલ કેમ્પસમાં આવેલી સરકારી કિડની હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી દર્દીઓ ભારે પરેશાની ભોગવી રહ્યા છે. મધ્યપ્રદેશથી આવેલી 21 વર્ષની પૂજા નામની યુવતીની બન્ને કિડની ફેઈલ થઈ ગઈ છે. ગરીબ પરિવારની આ દીકરી સારવાર કરાવવા અમદાવાદમાં આવી છે. જો કે, તેમની પાસે મા કાર્ડ કે આ
બનાસકાંઠા LCB એ દાંતીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ઓઢવા ગામ પાસેથી એક સ્વીફ્ટ કારમાંથી કુલ ₹5,75,302 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે. પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના મુજ
અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિણીતાને સંતાન ન થતા સાસરિયાઓ અવારનવાર મહેણા-ટોણાં મારીને ત્રાસ આપતા હતા. પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સાસરિયાના ત્રાસથી કંટાળી પરિણીતાએ પિયર જતી રહી હતીમૂળ રાજસ્
સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ભડેણા ખાતે પ્રાથમિક શાળામાં 10 નવા વર્ગખંડોના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. દસાડા-લખતરના ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો. આ 10 નવા રૂમનું નિર્માણ રૂ. 1.86 કરોડના ખર્ચે કરવામાં આવશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય
ગુજરાતમાં સાયબર ક્રાઇમના વધતા જતા કેસો વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. નવસારી સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ નેટવર્કના પર્દાફાશ સાથે નવસારી અને સુરતના પાંચ યુવકોની ધરપકડ કરી છે. આ યુવકો વિદેશમાં બેઠેલા ઠગબાજો માટે 'મ્યુલ એકાઉન્ટ' ચલાવી દેશભરમાં ₹7.36 કર
અમરેલી જિલ્લામાં કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે એક નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પ્રસિદ્ધ કરાયેલા આ જાહેરનામા મુજબ, હવેથી પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીના માલિકો કે મેનેજરો પોલીસને જાણ કર્યા વગર ગાર્ડ, ગનમેન અને સુપરવાઇઝર
અમરેલી જિલ્લામાં રાજ્ય કે જિલ્લા બહારથી આવતા શ્રમિકોની વિગતો સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવવી ફરજિયાત બનાવવામાં આવી છે. જિલ્લામાં ગુનાખોરી અટકાવવા અને કાયદો તથા વ્યવસ્થા જાળવવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષ
સુરત જિલ્લાના વેસ્મા ગામે રોડ મટીરીયલ ભરેલી એક ટ્રકે વીજળીનું ટ્રાન્સફોર્મર અને પોલ તોડી પાડ્યા હતા. આ ઘટનાને કારણે આખા ગામનો વીજ પુરવઠો સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. આ ઘટના નેશનલ હાઇવેથી ટેકરા ફળિયા તરફ ચાલી રહેલા રોડના કામ દરમિયાન બની હતી. રોડ મટીરીયલ લઈને જઈ રહેલી GJ 21 Z 7664 નંબ
પાટણ શહેરની અત્યંત વ્યસ્ત પદ્મનાભ ચોકડી પર ટ્રાફિકની ગંભીર સમસ્યા અને અકસ્માતોની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને, પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ લેખિત રજૂઆત કરી છે. સાંસદે પાટણ–ચાણસ્મા–ડીસા સ્ટેટ હાઇવે પર આવેલી આ ચોકડી ખાતે ઓવરબ્રિજ બનાવવાન
વડોદરા જિલ્લાની સમગ્ર શિક્ષા અંતર્ગત આઠ તાલુકાની કુલ 65 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ શિક્ષણ અંતર્ગત વિદ્યાર્થીઓને વ્યવસાયલક્ષી વિષયોનું સૈદ્ધાંતિક તથા પ્રયોગાત્મક માર્ગદર્શન પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર શિક્ષા, વડોદરા દ્વારા “કૌશલ્ય ઉત્સવ”નું આયોજન
અમદાવાદના મુખ્ય સુભાષ બ્રિજમાં સુપર સ્ટ્રક્ચરને નુકસાનની શંકા સામે આવતાં તેને તાત્કાલિક જાહેર જનતા માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ 25 ડિસેમ્બર 2025 સુધી બંધ રહેશે, જે દરમિયાન નાગરિકોને વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. આ નિર્ણય બ્રિજની સુરક્ષા અને વધુ તપ
ભરૂચના શક્તિ નગર વિસ્તારમાં આવેલું નગરપાલિકા દ્વારા નિર્મિત સરદાર શોપિંગ સેન્ટર અત્યંત બિસ્માર હાલતમાં છે. આ કોમ્પ્લેક્સમાં દર થોડા દિવસે સ્લેબના પોપડા પડે છે, જોખમી વીજ વાયરો લટકે છે, સ્લેબના સળિયા બહાર દેખાય છે અને ગંદકીના ઢગલા સામાન્ય બની ગયા છે. આ શોપિંગ સેન્ટરમાં 150થી
વલસાડ તાલુકાની મગોદ ડુંગરી પ્રાથમિક શાળામાં બીઆરસી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને આ પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં કુલ 85 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત, જિલ્
હિંમતનગર-ઇડર રોડ પર આવેલું ધાંણધા રેલવે ફાટક (ક્રોસિંગ નં-86/A) આજે રાત્રે 9 વાગ્યા પછી વાહનવ્યવહાર માટે ફરીથી ખોલવામાં આવશે. નવીનીકરણ અને સમારકામના કામને કારણે આ ફાટક બંધ કરવામાં આવ્યું હતું. રેલવે વિભાગ દ્વારા ફાટક પર રેલવે લાઇન વચ્ચે અને તેની આસપાસ રબર પેડ લગાવવામાં આવ્યા છ
બનાસકાંઠાના ઓગડ તાલુકાના વડા ગામની એક યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પાટણની આધાર વુમન્સ હોસ્પિટલના ડોક્ટર પર ગંભીર આક્ષેપો કરી યુવતીએ આ પગલું ભર્યું હતું. જોકે, સ્થાનિકોએ સમયસર દરમિયાનગીરી કરીને યુવતીને ચાંગા નર્મદા કેનાલમાં ઝંપલાવતા પહેલા બચાવી લીધી હતી. થરામાં
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા કાંકણોલ ગામના શ્રી પુરાણા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ અને મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. આ મહોત્સવનો શુભારંભ 9 ડિસેમ્બર, મંગળવારથી કળશ સાથેની પોથીયાત્રાથી થયો હતો, જેમાં મોટી સંખ્યામાં સંતો-મહં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે પાલનપુરને 1000 કરોડના વિકાસના કામોની ભેટ આપશે. જેમાં 560 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થનારા એરોમાં સર્કલ પરના 24.5 કિલોમીટર લાંબા બાયપાસનું ખાતમુહૂર્ત કરશે. જેથી લાંબા સમયથી ચાલી આવતી ટ્રાફિક સમસ્યાનો હવે અંત આવશે. ટ્રાફિક સમસ્યા વાહનચાલ
કચ્છના સરહદી ગામ વંધાય ખાતે આવેલા ઈશ્વર આશ્રમના સંચાલન મુદ્દે છેલ્લા ઘણા વર્ષોથી ચાલતા વિવાદમાં હાઇકોર્ટે સ્પષ્ટતા આપી છે. પોતાના ચુકાદામાં રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલું મંતવ્ય સ્વીકાર્યું છે કે, મુખ્ય ઉત્તરાધિકારી તથા વ્યવસ્થાપન મુદ્દે અંતિમ નિર્ણય બાકી હોય ત
એક તરફ કોમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે, તો બીજી તરફ રવિ પાકની સિઝનમાં સમયસર ખાતર ન મળતાં ખેડૂતોની હાલાકીમાં વધારો થયો છે. હાલ ખેડૂતોને શિયાળુ પાક માટે ખાસ કરીને યુરિયા ખાતરની તાત્કાલિક જરૂર છે, પરંતુ તેની પૂરતી અને સમયસર સપ્લાય ન થતાં ખેડૂતો
ગાંધીનગરમાં પાટીદાર આગેવાનો અને રાજ્ય સરકાર વચ્ચે મહત્વની બેઠક યોજાઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાનો દ્વારા દાવો કરવામાં આવ્યો કે, લગ્ન નોંધણી પ્રથા અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) માટેના અનામત મુદ્દે સરકાર સમક્ષ મુખ્ય રજૂઆત કરવામાં આવી છે. લગ્ન નોંધણી રેકેટ મામલે ફર
સુરતમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ રાજ્યની સૌથી મોટી અને અત્યાધુનિક 'એલિવેટેડ માર્કેટ' તૈયાર કરીને એક નવો ઈતિહાસ રચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 13મી ડિસેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવશે. સામાન્ય રીતે શાકભાજી માર્કેટ ગ્રાઉન્ડ ફ્લોર પર જોવા મળતી હોય છે પરં
વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપે છાણી રોડ સ્થિત ભારત પેટ્રોલ પંપની સામેના ટેમ્પા-ટ્રક પાર્કિંગના ખુલ્લા ગ્રાઉન્ડમાં રાત્રે દરોડો પાડી રૂપિયા 2.26 લાખના માદક પદાર્થ હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ રેડમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે તેનો સાગરીત ફ
હિંમતનગર એ ડિવિઝન પોલીસે પશુ ચોરીના ગુનામાં છેલ્લા 11 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. રાજસ્થાનનો આ આરોપી સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ અને ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાઓમાં વોન્ટેડ હતો. ઝડપાયેલા આરોપીનું નામ રહીશ મો. રશીદ કુરેશી છે, જે જયપુર (રાજસ્થાન)ના પાડા મુડી વિસ
સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે અને તેની સાથે જ શિયાળાની ઋતુમાં સામાન્ય રીતે જોવા મળતા શરદી, ખાંસી અને કફ જેવા રોગોનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. આ બદલાતા હવામાન અને વાઇરલ ઇન્ફેક્શનથી બચવા માટે કેવી કાળજી લેવી, તે અંગે ગોત્રી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.અનુપ ચંદા
જેસલમેરથી લોંગેવાલા સુધીની 161 કિલોમીટરની 'હેલ ટુ રન' મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડ મહેશ્વરી સમાજના યુવાનો દ્વારા યોજવામાં આવી હતી.આ મેરેથોનમાં મહેશ્વરી સમાજના ડૉ. પ્રતીશ શારદા વિજેતા બન્યા હતા.
ખોડિયારનગર સ્થિત અનમોલ મોતી સ્કૂલ ખાતે વંદે માતરમ્ રાષ્ટ્રીય ગાનના 150 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી ધર્મ જાગૃતિ કેન્દ્ર અને રાહી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રમોદભાઈ શાહના પ્રમુખપદે યોજાઈ હતી. કાર્યક્રમ દરમિયાન, રાહી
ગ્લોબલ હ્યુમેન સોસાયટીએ વન્યજીવ સંરક્ષણ કેન્દ્ર 'વનતારા'ના સ્થાપક અનંત અંબાણીને પ્રાણી કલ્યાણ માટે ગ્લોબલ હ્યુમેનિટરીયન એવોર્ડથી સન્માનિત કર્યા છે. અમેરિકન હ્યુમેન સોસાયટીની આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ અને પ્રાણી કલ્યાણ ક્ષેત્રે સૌથી મોટી પ્રમાણકર્તા સંસ્થા ગ્લોબલ હ્યુમ
IEEE ગુજરાત સેક્શન દ્વારા વાર્ષિક સામાન્ય સભા (AGM) 2025નું સફળતાપૂર્વક આયોજન સિલ્વર ઓક યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IEEE ગુજરાત સેક્શનના સભ્યો, આમંત્રિત પ્રતિનિધિઓ તેમજ રાજ્યભરની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે, IEEE ગુ
સુહાની ફાઉન્ડેશનના સહયોગથી ઇસનપુરની સમજુબા સ્કૂલ ખાતે તાજેતરમાં જય ભગવાન નિઃશુલ્ક એક્યુપ્રેશર સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં વિવિધ રોગોથી પીડાતા 39 દર્દીઓને સારવાર પૂરી પાડવામાં આવી હતી. સિનિયર થેરાપિસ્ટ જતિનભાઈ મહેતા અને પોરસભાઈ મજમુદાર સહિત કુ
ટંકારા પોલીસ સ્ટેશન સામે રાજકોટ-મોરબી હાઈવે પરથી પસાર થઈ રહેલી એક કારને પોલીસે રોકી હતી. તપાસ દરમિયાન કારમાંથી 50 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, મોબાઈલ ફોન અને કાર સહિત કુલ ₹4,75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એક મહિલા સહિત બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્
પરિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દફતરનો ભાર ન લાગે તે માટે દાતા કિરીટકુમાર બી. દેસાઈએ એક નવી પહેલ કરી છે. તેમણે શાળાને 12 રેક દાનમાં આપ્યા છે.આ રેકનો ઉપયોગ બાળકો તેમના દફતર શાળામાં જ રાખી શકે તે માટે કરવામાં આવશે. દાતા કિરીટકુમાર દેસાઈએ બાળકોને દફતર લાવવામાં પડતી મુશ્કેલ
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના વિકાસ આયોજનના ભાગરૂપે, મંદિર નજીક આવેલા 20 વર્ષ જૂના શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સને તોડવાની કાર્યવાહી આજે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. યાત્રિકોની સુવિધા અને મંદિર વિસ્તારના આધુનિકીકરણ માટે આ પગલું લેવાયું છે. આ શોપિંગ સેન્ટરમાં ક
નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટના મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓએ 8 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય મનોદિવ્યાંગ દિવસની ઉજવણી કરી હતી. આ ઉજવણી સ્વજન સંસ્થાના સહયોગથી વિવિધ ફન ગેમ્સ અને સ્પર્ધાઓના આયોજન સાથે કરવામાં આવી હતી. સંસ્થાના સમય દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ચાર જૂથમા
NDDB ચેરમેન મિનેષ શાહે હિંમતનગરની સાબરડેરી ખાતે OPU-IVEP-ET લેબોરેટરીનું ખાતમુહૂર્ત કર્યું છે. આ આધુનિક લેબ આગામી આઠ મહિનામાં પાંચ કરોડના ખર્ચે તૈયાર થશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય પશુઓની ઓલાદ સુધારવાનો છે. OPU-IVEP-ET લેબોરેટરી ઉચ્ચ આનુવંશિક લક્ષણો ધરાવતી ગાય-ભેંસના અંડકોષ અને સાંઢ-પાડાના શુ
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી અને વિદ્યાભારતી, ગુજરાત પ્રાંતના સંયુક્ત ઉપક્રમે ‘ભારતીય શિક્ષણ તથા સંશોધન પદ્ધતિઓ’ પર રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના શિક્ષણ ક્ષેત્રમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, ભારતીય જ્ઞાન પરંપરા અને આધુનિક સંશોધન પદ્ધતિઓ વચ્ચ
અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાની કુંવરબાઈની તલાવડી સરકારી પ્રાથમિક શાળાના ગણિત-વિજ્ઞાન શિક્ષિકા મોનિકાબેન મહેન્દ્રકુમાર દવેએ શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી છે. તેમણે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ ફિલોસોફી (PhD)ની પદવી પ્રાપ્ત કરી છે
અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) માં PGDM ક્લાસ 2023-25 માટે 14મા દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં કુલ 199 વિદ્યાર્થીઓને પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. દીપપ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેમાં પ્રતિષ્ઠિત મહેમાનો, ફેકલ્ટી સભ્
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના ભાગરૂપે, અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં પોલીસે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં છ જેટલી ટીમો દ્વારા કોસાડ આવાસના H-1 અને H-2 બિલ્ડિંગ એરિયામાં મોટાપાયે સઘન ચેકિંગ અને સર્ચ કામગીરી કરવામાં આવી હતી. DCP, ACP
ગઢડામાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પોલીસે મૃતક મહિલાના પતિ સતીશ શાંતિલાલ વસાવાને અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ ચારિત્ર્યની શંકા રાખી પત્નીની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી હોવાનું કબૂલ્યું છે. ગત 7 ડિસેમ્બરે ગઢડાના સામાકાંઠા વિસ્તારમાં આવેલી
હારીજની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજના NSS યુનિટ દ્વારા વાર્ષિક શિબિરનો આરંભ કરવામાં આવ્યો છે. આ 7 દિવસીય શિબિર જુના માંકા ગામે યોજાઈ રહી છે, જેમાં કૉલેજના 52 વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ શિબિરનું આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. જીગ્નેશ પરમાર દ્વારા આચાર્ય ડૉ. ટેકપાલસિંહ આનંદના
ખેલમહાકુંભ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટમાં LJK યુનિવર્સિટીના Integrated MBA – 5 Year Programના વિદ્યાર્થી આરવ ઝવેરી અને તેમની ટીમે વિજય હાંસલ કર્યો છે. આ ટુર્નામેન્ટ સંસ્કારધામ અને અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે આયોજિત કરવામાં આવી હતી. આરવ ઝવેરીની ટીમે ઉત્તમ રમત કુશળતા, શિસ્તબદ્ધ ખેલ અને વ્યૂહા
રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ આર્ટ્સ કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા આચાર્ય ડૉ. મનોજભાઈ પટેલના માર્ગદર્શન અને અધ્યક્ષપણા હેઠળ 5 ડિસેમ્બર, 2025, શુક્રવારના રોજ ગીતાજયંતી મહોત્સવ સફળતાપૂર્વક સંપન્ન થયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવદ્ગીતાના શાશ્વત ઉપદેશોને વિદ્યાર્થીઓ સ
ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા ભાગમાં ગઇકાલે તમે વાંચ્યું કે અમદાવાદના પોશ વિસ્તારમાં ગોતામાં બિઝનેસમેનના ઘરમાં થયેલી હત્યાની ઘટના વિશે વાંચ્યું. 52 વર્ષના રેખાબેન અગ્રવાલ રાતના આઠ વાગ્યાની આસપાસ ઘરમાં હતા. ત્યારે તેમની પુત્રવધુ સાથે ઝઘડો થયો અને બન્ને મારામારી કરવા લાગ્
ગારિયાધાર તાલુકાની શિવેન્દ્રનગર કેન્દ્રવર્તી શાળામાં બે દિવસીય આનંદદાયી અને જીવન કૌશલ્ય આધારિત બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આનંદદાયી બાળમેળા અંતર્ગત ધોરણ 1 થી 5 ના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ
આણંદ જિલ્લામાં મતદાર યાદી ખાસ સુધારણા ઝુંબેશ (SIR) અંતર્ગત ડિઝિટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂર્ણ થઈ ગઈ છે. આ પ્રક્રિયામાં 69,553 મતદારો મૃત્યુ પામ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે કુલ 2,39,066 મતદારોનો ઘટાડો થશે. આણંદ જિલ્લામાં 4 નવેમ્બરથી શરૂ થયેલી આ ઝુંબેશમાં કુલ 1772 બુથ લેવલ ઓફિસર (BLO) દ્વ
વડોદરામાં 'જયંતોર્મિ સાહિત્ય સેવા ટ્રસ્ટ' દ્વારા 'સાહિત્ય કલરવ' શ્રેણીનો 34મો મણકો યોજાયો હતો. આ કાર્યક્રમ સ્વ. જયંતીલાલ શાહ અને સ્વ. ઉર્મિલાબેન શાહની સ્મૃતિમાં આયોજિત કરાયો હતો, જેમાં સાહિત્ય દ્વારા વ્યક્તિત્વ ઘડતરના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો. શરૂઆત કવિ અને ટ્રસ્ટી દ
PM શ્રીકેન્દ્રીય વિદ્યાલય, CRPF ગાંધીનગર ખાતે 53મા રાજ્ય સ્તરીય બાળ વિજ્ઞાન પ્રદર્શન અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું વિષય પર એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં IIT ગાંધીનગરના નિષ્ણાતોએ હાજર રહી વિધાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્ર
ગાંધીનગરમાં ઝવેરચંદ મેઘાણી ગુજરાત સાહિત્ય અકાદમી ભવન ખાતે સાતમી ડિસેમ્બર, રવિવારના રોજ 'મનનો જમણવાર' શીર્ષક હેઠળ એક વિશેષ સાહિત્યિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૭૫થી વધુ સાહિત્યરસિકો, વાંચકો અને ભાવકોએ હાજરી આપી હતી. સામાન્ય રીતે ગુજરાતી કવિતાની રજૂઆતોમાં ગઝલનુ
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા ગ્રાહકોને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા અને ટેકનોલોજીને અપગ્રેડ કરવાના ભાગરૂપે જૂનાગઢ શહેર સહિત ડિવિઝન-1 અને ડિવિઝન-૨ માં સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. PGVCL ના અધિક્ષક એસ.એચ. રાઠોડે આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું
અમદાવાદ ખાતે 6 અને 7 ડિસેમ્બર, 2025ના રોજ યોજાયેલી રાજ્ય કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં સુમન હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓની ટીમે ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ ટીમની બે ખેલાડીઓ, લાડુમોર રાધિકા અને મકવાણા ખુશાલી, રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે પ
મહેસાણા મહાનગરપાલિકામાં ફરજ બજાવતાં સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં નહીં આવતાં આગામી 11 મીથી મહાપાલિકાના આશરે 600 જેટલાં સફાઈ કામદારો સાવરણા હેઠા મૂકીને અચોક્કસ મુદતની હડતાળનો બૂંગિયો ફૂંકશે તેમ સફાઈ કામદાર મહામંડળના આગેવાને જણાવ્યું હતુ. તેઓએ આ
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના કોલીવાળા ગામના ખેતરમાં એક અજગર બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો. ખેડૂતોએ તેને મૃત સમજીને વન વિભાગને જાણ કરી હતી, તાત્કાલિક ડેડીયાપાડા રેન્જના વન વિભાગને જાણ થતાં ડેડીયાપાડા જીવદયાપ્રેમી સાથે સંયુક્ત રેસ્ક્યૂ કર્યુ હતુ. અજગરને મૂઢ ઘા વાગતા બેભ
અમદાવાદમાં ઇન્કમટેક્સ પાસે આવેલા એક ખાનગી ક્લીનિકમાં બે ગઠિયાઓ દર્દી બનીને આવ્યા હતા જે પૈકી એકે કમરનો દુખાવો છે કહી ડોક્ટરને બતાવ્યું બાદમાં ઘડિયાળ સરસ છે કહીને ડોક્ટર અને તેમની પત્નીની નજર ચૂકવીને 5 લાખની ચોરી કરી લીધી હતી.ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.
મુળી તાલુકાના ભેટ ગામમાં ગેરકાયદેસર કોલસાના 25 કુવા બુરવાની કામગીરી ચોથા દિવસે પૂર્ણ થઈ છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ગત તારીખ 3 ડિસેમ્બર, 2025ના રોજ નાયબ કલેક્ટર મકવાણાએ ચોટીલા સબ-ડિવિઝન હેઠળના મુળી તાલુકાના ભેટ ગામના સ
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરેન્દ્રનગર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સુરેન્દ્રનગર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરેન્દ્રનગર, બી.આર.સી. ભવન તથા જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સના સંયુક્ત ઉપક્રમે ચુડા તાલુકાના કરમળ ગુરુકુળ ખાતે જ
જમીન માપણીના કામમાં લાંબી પ્રોસેસ, ફાઇલોના ચક્કર અને રાજ્યકક્ષાની મંજૂરી માટેની રાહનો અંત લાવવા રાજ્ય સરકારે એક મોટો નિર્ણય કર્યો છે. હવે ખાનગી લાયસન્સી સર્વેયરોને લાયસન્સ જારી કરવાની સત્તા સીધા જિલ્લા કલેક્ટરને આપવામાં આવી છે. 4 ડિસેમ્બર 2025થી લાગુ થતી આ નવી પદ્ધતિ જમીન મ
બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે કાંકરેજ વિસ્તારમાં યુરિયા ખાતરની અછત દૂર કરવા અને ખેડૂતોને પૂરતો જથ્થો પૂરો પાડવા ભલામણ કરી છે. ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પત્રમાં જણાવ્યું હતું કે, કાંક
ભાવનગર શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો છે. આજે સવારે કાળિયાબીડ વિસ્તારમાં વારાહી ચોક નજીક મુખ્ય રોડ પર બે મોટા આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ થયું હતું, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 15 થી 20 મિનિટ સુધી વાહનોના પૈડા થંભી ગયાશહેરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ વારાહી
સાબરકાંઠાના વરાત્રા તાલુકાના 11 ગામોના ખેડૂતો આંદોલનના મૂડમાં છે. લાંબા સમયથી ચાલતા અપૂરતા વરસાદ અને વોટર-લિફ્ટ સિંચાઈ યોજના બંધ થવાને કારણે ખેતી અશક્ય બની ગઈ છે. પાક બગડવાથી ભારે નુકસાન સહન કરવાને લઈ ખેડૂતો દ્વારા સામૂહિક રીતે ખેતી છોડવાની ચેતવણી આપવામાં આવી છે. પાણીના અભ
આજે સતત સાતમા દિવસે અમદાવાદ એરપોર્ પર અવરજવર કરતી ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. 8 તારીખે રાત્રે 12 વાગ્યાથી 9 તારીખે બપોરે 12 વાગ્યા સુધીમાં અમદાવાદ અવરજવર કરતી 24 ફ્લાઈટ સહિત આજના દિવસની કુલ 35 ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો પરેશાન જોવા મળ્યા. આજે અરાઈવલ 20 અને
આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાને રાખીને ભાવનગર મહાનગરપાલિકા દ્વારા પડતર કામોને વેગ આપવામાં આવ્યો છે. લાંબા સમયથી બંધ અને બાકી રહેલા વિકાસલક્ષી કામો પાલિકા દ્વારા ચૂંટણી નજીક આવતા એકાએક શરૂ કરવામાં આવ્યાં. રોડ-રસ્તા, ડ્રેનેજ, પેવિંગબ્લોક સહિતના કામો માટે શહેરમાં જ્
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીના નેજા હેઠળ વેસ્ટ ઝોન આંતર યુનિવર્સિટી વુમન્સ વોલીબોલ સ્પર્ધા 2025-26નું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા 10 થી 14 ડિસેમ્બર દરમિયાન યુનિવર્સિટી કેમ્પસના વોલીબોલ કોર્ટ ખાતે યોજાશે. આ વુમન

31 C